રાજકોટમાં ફરી દાદાનું બુલડોઝર ફરવા જઈ રહ્યું છે. આગામી શનિ અથવા રવિવારના રોજ જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. આ માટે મનપા દ્વારા અધિકરીઓને સૂચના આપી દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે. આ મેગા ડિમોલિશનમાં 21 જેંસીબ, 26 ટ્રેકટર, 2 હિટાચી, 150 જેટલા મજુર, 38 ગેસ કટર મદદથી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જે 1357 જેટલા મિલ્કત ઉપર દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હતી. જેના પર હાઈકોર્ટે સ્ટે આપેલો છે. ત્યાર આ મિલકતો સિવાયના જે દબાણો છે તે દૂર કરવા ડીમોલીશન કામગીરી હાથ ધરવાની તૈયારી છે. રાજકોટ મનપા દ્વારા ડીમોલીશનની તૈયારી શરૂસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ચાલુ સપ્તાહના અંતમાં મેગા ડિમોલિશન સાથે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવનાર છે. આ માટે મનપા દ્વારા વોર્ડ નંબર 2,3,7,13,14 અને 17ના અધિકરીઓને સ્ટેન્ડ બાય રહેવા તેમજ સુપરવાઈઝર અને કોન્ટ્રાકટરને પણ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ વોર્ડમાંથી કુલ 21 જેસીબી, 26 ટ્રેકટર, 2 હિટાચી, 150 જેટલા મજુર, 38 ગેસ કટર, 18 ટ્રેકટર બ્રેકર મદદથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. એટલું જ નહિ આ ડિમોલિશન કામગીરી માટે અત્યારથી જ જેસીબી અને હિટાચી મશીનના ડ્રાઇવરના નામ નંબર સાથે લિસ્ટ તૈયાર કરી રાખવા સૂચના આપવામાં આવી છે. કોર્ટે આપેલા સ્ટે સિવાયના દબાણો દૂર કરાશે ઉલ્લેખનીય છે કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તાજેતરમા 1357 મિલ્કત ધારકોને ડિમોલિશન માટે નોટિસ પાઠવવામાં આવી હતી આ પછી વિસ્તારવાસીઓએ કોર્ટના દ્વાર ખખડાવતા હાલ પૂરતી આ તમામ મિલ્કત ધારકોને સ્ટે આપવામાં આવ્યો છે. આ સિવાય પણ ગેરકાયદે દબાણો હોવાથી મનપાએ આ તમામ જગ્યા પરબુલડોઝર ફેરવી મેગા ડિમોલિશન હાથ ધરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં MRIની સુવિધા છે. પશ્ચિમ વિસ્તારમાં થલતેજ ખાતે આવેલી મીની હોસ્પિટલ ગણાતા એવા થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC)ખાતે આધુનિક ટેકનોલોજીવાળું MRI મશીન મૂકવામાં આવશે જેથી પશ્ચિમ વિસ્તારના લોકો આ સુવિધાનો લાભ મેળવી શકશે. અત્યંત રાહત દરે થલતેજ સીએચસી ખાતે નાગરિકોને એમઆરઆઇ કરી આપવામાં આવશે. થલતેજ સીએચસી સેન્ટર પર એમઆરઆઇ મશીન લગાવવાનો નિર્ણયસ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં એમઆરઆઇ કરવામાં આવી રહ્યા છે. જેમાં પશ્ચિમમાં માત્ર એસવીપી હોસ્પિટલમાં સુવિધા છે. જ્યાં ગત 2025ના વર્ષમાં 11094 જેટલા એમઆરઆઇ થયા છે. જ્યારે અમદાવાદ પશ્ચિમના વિકસતા અનેક વિસ્તારોના લોકોએ એમઆરઆઇનો લાભ મેળવવા માટે એસવીપી હોસ્પિટલ સુધી જવું પડે છે. હવે મ્યુનિ. દ્વારા પીપીપી મોડલ પર થલતેજ સીએચસી સેન્ટર પર એમઆરઆઇ મશીન લગાવવાનો નિર્ણય કરાયો છે. થલતેજ સીએચસી ખાતે મુકાનારા એમઆરઆઇ મશીનમાં બ્રેઇન, સ્પાઇન, શોલ્ડર જેવી તપાસ સારી રીતે થઇ શકશે. ઓછા સમય સુધી દર્દીને એમઆરઆઇ મશીનમાં રહેવું પડે અને તપાસ થશે. તે સિવાય ઘણા પ્રકારના સ્ટેન્ટ, ઓર્થોપેડીક, ઇન્મ્પ્લાન્ટ માટે પણ આ મશીન વધુ સરળ સાબીત થશે. શહેરમાં ઝાડા- ઉલટીના 141 અને ટાઇફોઇડના 65 કેસ નોંધાયાશહેરમાં ઝાડા ઉલટી અને ટાઈફોઈડના કેસો નોંધાયા છે ચાલુ ફેબ્રુઆરી મહિનામાં પંદર દિવસમાં શહેરમાં ઝાડા- ઉલટીના 141 અને ટાઇફોઇડના 65 કેસ નોંધાયા છે. કમળાના 26 જેટલા કેસો નોંધાયા છે. છેલ્લા એક મહિનામાં 26 જેટલા હાયરેસ્ટ વિસ્તારમાં પ્રદૂષિત પાણી હોવાના કારણે થઈને ત્યાં રોગચાળો વધ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ અને ઇજનેર વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે જેના કારણે થઈને 13 જેટલા વિસ્તારોમાં હવે રોગચાળાના પ્રમાણમાં ઘટાડો થયો છે ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે દક્ષિણ ઝોનમાં રોગચાળો વધ્યો હતો જેને મહદ અંશે કાબુમાં લેવામાં આવ્યો છે ગયા વર્ષે કઇ હોસ્પિટલમાં કેટલા ટેસ્ટ થયાએસવીપી - 11094એલજી - 6169શારદાબેન - 1026
ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. 27/10/2025થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. 01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. 17/02/2026 ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે. 5,61,858 પુરુષો, 5,23,161 મહિલાઓ અને 13 અન્ય (ત્રીજી જાતિ)ના મતદારોરજૂ થયેલા હક્ક-દાવા અને વાંધાઓની સઘન સુનાવણી બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલી આ યાદીમાં જિલ્લામાં કુલ 10,85,032 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 5,61,858 પુરુષો, 5,23,161 મહિલાઓ અને 13 અન્ય (ત્રીજી જાતિ)ના મતદારો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ બાદ હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન કુલ 21,412 નવા મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત સેવા મતદારોની પણ આખરી યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે અને તેની નકલ માન્ય રાજકીય પક્ષોને સુપરત કરવામાં આવી છે. જિલ્લાના પાંચેય વિધાનસભા વિસ્તારોમાં મતદારોનું વિભાજન નીચે મુજબ છે: કલેક્ટર કેતન ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ મતદાર પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ચૂંટણી પંચના અધિકૃત પોર્ટલ https://electoralsearch.eci.gov.in/ નો ઉપયોગ કરી શકે છે. જો કોઈ મતદાર નોંધણી અધિકારીના હુકમથી સંતુષ્ટ ન હોય, તો તેઓ હુકમની તારીખથી 15 દિવસની મર્યાદામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરશ્રીને રૂબરૂ અથવા https://voters.eci.gov.in/ પર ઓનલાઈન અપીલ કરી શકશે.
જામનગર મહાનગરપાલિકાના સહયોગથી ટાઉનહોલમાં 'કંકણાકૃતિ સૂર્યગ્રહણ'નું લાઈવ પ્રસારણ અને ખગોળીય ઘટનાઓ પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન યોજાયું. આ કાર્યક્રમ ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર - ધ્રોળ, ખગોળ મંડળ જામનગર અને રંગતાળી ગ્રુપ જામનગર દ્વારા આયોજિત કરાયો હતો. આજ રોજ માઘ મહિનાની અમાસના દિવસે બપોરે 4.45 વાગ્યા બાદ 'કંકણાકૃતિ સૂર્યગ્રહણ'ની ખગોળીય ઘટના સર્જાઈ હતી. જોકે, આ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી, નગરજનોને સેટેલાઈટ મારફતે તેનું જીવંત પ્રસારણ બતાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રના ડો. સંજય પંડ્યા દ્વારા 'ગ્રહણ એટલે શું?' અને તેના પ્રકારો પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરાયું. તેમણે ગ્રહોની રસપ્રદ વાતો જણાવી અને સૂર્યગ્રહણ નિહાળવા માટેના હાથવગા સાધનો જેવા કે પીનહોલ કેમેરા, બોક્સ કેમેરા, ફિલ્ટર, મિરર ઇમેજ અને ગ્રહણ ચશ્માનું નિદર્શન પણ કરાવ્યું. જામનગર જિલ્લાના ખગોળપ્રેમી નાગરિકો, જેમાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી, આ ખગોળીય ઘટના અને તેની જાણકારીનો લાભ લીધો.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં મધર્સ સ્કૂલ પાસે ઇન્દિરા નગરની સામે આવેલી જયરત્ન સોસાયટીના એક મકાનના બીજા માળે અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ત્રીજા માળે ફસાયેલા બાળકને રેસ્ક્યુ કરીને તેને બચાવી લીધું હતું. પહેલા માળે રખાયેલા ફટાકડાના કારણે આગ વિકરાળ બનીવડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા જયરત્ન સોસાયટીમાં આવેલ બે માળના એક મકાનમાં પહેલા માળે રાખેલા ફટાકડાને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. વારંવાર ફટાકડાના બ્લાસ્ટ થતા હોવાથી સ્થાનિક લોકોમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો હતો. આગની જાણ થતાં જ વાસણા અને વડીવાડી ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજા માળે ફસાયેલા 10 વર્ષીય બાળકનું રેસ્ક્યૂ ફાયર બ્રિગેડના જવાનોએ ઘરમાં ફસાયેલા 10 વર્ષના બાળક જૈમિન કરશનભાઈ ડોડીયાને સુરક્ષિત બહાર કાઢીને તેમનું રેસ્ક્યુ કર્યું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરનો ઘરવખરી સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું મુખ્ય કારણ ફ્લેટમાં રાખેલા ફટાકડા હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, આ ફટાકડા ઘરમાં રાખવાની મંજૂરી લીધી હતી કે, ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા તે અંગે તપાસ ચાલુ છે. સ્થાનિક લોકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે કે જો આગ આજુબાજુના મકાનો અથવા લોકો સુધી ફેલાઈ હોત અથવા કોઈનો જીવ જતો તો જવાબદારી કોણ? આ ઉપરાંત, એ જ એપાર્ટમેન્ટના પાછળના ભાગે માર્બલનું ગોડાઉન બનાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આવા ગોડાઉન અને અન્ય બાંધકામો માટે જરૂરી પરમિશન કોણ આપે છે તે અંગે પણ તપાસની માંગ ઉઠી રહી છે. ફાયરની ત્રણ ટીમોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યોવાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, ગોત્રી વિસ્તારમાં અયપ્પા મંદિર પાસે બે માળની રહેણાંક બિલ્ડિંગ આવેલી છે. ત્યાં આગ લાગી હોવાનો કોલ મળતા જ વાસણા ફાયર સ્ટેશનથી અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.જ્યારે અમે અહીં આવ્યા ત્યારે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી વાસણા અને વડીવાડી ફાયર સ્ટેશનથી વધારાની ગાડીઓ મંગાવવામાં આવી હતી. હાલ કુલ 3 ફાયર ટીમો કાર્યરત થઈ હતી અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બિલ્ડિંગના પ્રથમ માળે ઘણો બધો સામાન સ્ટોર કરેલો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્યાં ફટાકડા અને કોઈ અજાણ્યા કેમિકલનો સ્ટોક હતો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. પ્રથમ માળ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. હાલમાં બધી જ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ત્રીજા માળે એક બાળક ફસાયેલું હતું, જેને અમારી ટીમે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધું છે. હવે ધુમાડો પણ કંટ્રોલમાં છે. તેઓએ કહ્યું હતું કે, મકાન માલિક સાથે વાત કરતા જાણવા મળ્યું કે, ઘરમાં કોઈના લગ્ન હોવાથી ફટાકડાનો જથ્થો ત્યાં રાખવામાં આવ્યો હતો. જોકે, ત્યાં કોઈ પણ પ્રકારના ફાયર એક્સટિંગ્યુશર કે સુરક્ષાના સાધનો જોવા મળ્યા નથી.
ગુજરાત હાઇકોર્ટમાં ડાંગની 13 વર્ષ અને 10 મહિનાની દુષ્કર્મ પીડીતા સગીરાના 14 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. આરોપી સામે આહવા પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આહવાની જનરલ હોસ્પિટલમાં થયેલી તપાસ મુજબ તેને 14 સપ્તાહનો ગર્ભ છે. સગીરાને 15 સપ્તાહનો ગર્ભ અને મેડિકલ ટર્મિનેશન શક્યહાઇકોર્ટે સગીરાના વલસાડની હોસ્પિટલમાં મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જેના રિપોર્ટ મુજબ સગીરાને હાલમાં 15 સપ્તાહનો ગર્ભ છે અને મેડિકલ ટર્મિનેશન શક્ય છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે સામાજિક પરિસ્થિતિઓ તેમજ સગીરાની શારીરિક અને માનસિક પરિસ્થિતિને જોતા તેને ગર્ભપાતની મંજૂરી આપવી જોઈએ. સગીરાના ગર્ભના DNA તપાસ અધિકારીને સોંપવામાં આવેડોક્ટરો સગીરા સાથે વાત કરે તેને ગર્ભપાત અંગે અને તેમાં સંકળાયેલા જોખમ અંગેની માહિતી આપી આગળની પ્રક્રિયા હાથ ધરે. સગીરાની હોસ્પિટલમાં સંભાળ રાખવામાં આવે. જો બાળક જન્મે તો તેને યોગ્ય સારવાર આપવામાં આવે. સગીરા જો બાળક રાખવા માંગતી ન હોય તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે. સગીરાના ગર્ભના DNA તપાસ અધિકારીને સોંપવામાં આવે. ગર્ભાવસ્થાના ગર્ભપાતનો નિયમ શું કહે છે?મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP ) એક્ટ હેઠળ કોઈપણ પરિણીત મહિલા, બળાત્કાર પીડિતા, અલગ-અલગ-વિકલાંગ મહિલા અને સગીર છોકરીને 24 અઠવાડિયાં સુધીની ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરવાની છૂટ છે. જો પ્રેગ્નન્સી 24 અઠવાડિયાંથી વધુ હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાંથી ગર્ભપાતની મંજૂરી લેવી પડે છે. વર્ષ 2020માં MTP એક્ટમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. એ પહેલાં 1971માં બનેલો કાયદો લાગુ હતો. છેલ્લા બે વર્ષમાં 22 દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી અપાઈઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે વર્ષમાં 17 ફેબ્રુઆરી 2026ના સગીરાના ગર્ભપાતના કેસ સહિત 22 પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે હાઈકોર્ટે 28 સપ્તાહ પ્રેગ્નેન્ટ 14 વર્ષની પીડિતાને જીવનું જોખમ હોવાથી ગર્ભપાતની મંજૂરી આપવા ઇનકાર કર્યો હતો. જેમાં કુલ 20 સગીરાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, 12 મેના રોજ હાઈકોર્ટે 13 વર્ષીય સગીરાના 33 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી હતી. ત્યાર બાદ 13 મેના રોજ સગીરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 17 મે, 2025ના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. દાહોદની 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના ગર્ભપાત માટે હાઈકોર્ટની મંજૂરીગુજરાત હાઈકોર્ટમાં દાહોદથી 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે નોધ્યું હતું કે સગીરા દુષ્કર્મ પીડિતા છે. તેને 15 સપ્તાહનો ગર્ભ છે. સગીરા સાથે વાત કરીને દાહોદની પ્રાઇવેટ હોસ્પિટલ તેના ગર્ભપાત માટે નિર્ણય લે. તેના માટે તમામ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે. જો બાળક જેવું જન્મે અને સગીરા તેને રાખવા માંગતી હોય તો જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અંતર્ગત આગળ કાર્યવાહી કરવામાં આવે. તેની ગર્ભની પેશીના DNA તપાસ અધિકારીને સોંપવામાં આવે. આ સાથે જ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 14 વર્ષની રેપ પીડિતાને 10 સપ્તાહના ગર્ભપાતની મંજૂરીકચ્છ-ભુજની 14 વર્ષની રેપ પીડિતાની ગર્ભપાતની દાદ માંગતી અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટના નિર્દેશ મુજબ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના તબીબોએ પીડિતાની શારીરિક અને માનસિક તપાસ કરીને કોર્ટ સમક્ષ અભિપ્રાય રજૂ કરતો અહેવાલ આપ્યો હતો. જેને ધ્યાનમાં લેતાં હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સંદર્ભ લેવો ફાયદાકારક રહેશે. જેમાં પીડિતા માટે 'શ્રેષ્ઠ હિત' સિદ્ધાંતને ધ્યાનમાં રાખવાને પાત્ર છે. મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલા તબીબી અભિપ્રાયને ધ્યાનમાં લેતા તેમજ અરજદાર-પીડિતાને જે આઘાત, માનસિક યાતના અને સંભવિત સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડે છે તેને ધ્યાનમાં લેતા કોર્ટ ગર્ભપાતની મંજૂરી આપવાનો આદેશ કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 9 સપ્તાહ પ્રેગ્નેન્ટ 17 વર્ષીય સગીરાના ગર્ભપાતની આપી મંજૂરીગુજરાત હાઈકોર્ટમાં 17 વર્ષ અને 6 મહિનાની સગીરાએ પોતાના 9 સપ્તાહ અને 5 દિવસના ગર્ભના ગર્ભપાત માટે વાલી મારફતે અરજી કરી હતી. જે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે રાજકોટની દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જે રિપોર્ટ અનુસાર સગીરાના ગર્ભપાતની હાઈકોર્ટે મંજૂરી આપી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો... 15 વર્ષીય દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપીરાજકોટની દુષ્કર્મ પીડિતા 15 વર્ષીય સગીરાના 25 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં તેના માતા- પિતા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી, મેડિકલ અહેવાલ મુજબ કોઈ ગંભીર લક્ષણો નહીં, ગર્ભપાત શક્ય છે તેમ જણાવ્યું હતું. આ સંદર્ભે હાઇકોર્ટે રાજકોટની PDU હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતાં. જેથી જાણી શકાય કે સગીરાનો ગર્ભપાત શક્ય છે કે કેમ? તેમાં કોઈ એબનોર્માલિટી છે કે કેમ? તેમાં રિસ્ક છે તો કેટલું છે? સંપૂર્ણ સમાચાર વાંચો... 28 સપ્તાહ પ્રેગ્નેન્ટ સગીરાને ગર્ભપાતની મંજૂરી આપવા હાઈકોર્ટનો ઇનકાર14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 28 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપવા ઇનકાર કરતાં ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, આ કેસમાં સગીર પીડિતાને ગર્ભપાતમાં જીવનું જોખમ રહેલું છે અને બીજી તરફ ગર્ભસ્થ શિશુને પણ જીવનનો અધિકાર છે. તેથી ઉક્ત સંજોગોમાં કોર્ટનો ન્યાયિક અંતરાત્મા બે જીવોને જોખમમાં મૂકતો આદેશ પસાર કરવા તૈયાર નથી. તેથી ગર્ભપાતની મંજૂરી આપી શકાય એમ નથી. સંપૂર્ણ સમાચાર વાંચો... 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 17 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી વડોદરાથી 14 વર્ષીય સગીરાની માતા દ્વારા સગીરાના 17 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે આજે મંજૂરી આપી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, મેડિકલ તપાસના રિપોર્ટ નોર્મલ છે તેમ છતાં ગર્ભપાતમાં જોખમ રહેલું જ હોય છે. ગર્ભ રાખવો તે પીડિતા અને તેના પરિવાર બંને માટે આઘાતજનક હશે. આથી, જેમ બને તેમ જલ્દી પીડિતાના ગર્ભનો નિકાલ કરવામાં આવે. તેના DNA મેળવી પોલીસને સોંપી FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવે. પીડિતાની ગર્ભપાત પહેલા અને પછી લેવાની મેડિકલ સારસંભાળ રાખવામાં આવે. સંપૂર્ણ સમાચાર વાંચો... 15 વર્ષની સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી15 વર્ષીય દુષ્કર્મ પીડિત સગીરાના 26 સપ્તાહના ગર્ભપાતની અરજી બાદ હાઇકોર્ટે જૂનાગઢની સરકારી હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશો આપ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી. જેમાં હાઈકોર્ટે ગર્ભપાત માટે નિષ્ણાંત ડોકટરોની ટીમ, ગર્ભપાતમાં રહેલા રિસ્કની માહિતી અરજદારને આપવી, બાળકોના અને રેડિયોલોજસ્ટ ડોક્ટરોએ હાજર રહેવું, ગર્ભપાત બાદની ટ્રીટમેન્ટ આપવી અને ભ્રૂણ જીવિત રહે તો તેને બચાવવા તમામ શક્ય પ્રયત્ન કરવા જણાવ્યું હતું. સમગ્ર અહેવાલ વાંચો... દેશમાં પહેલીવાર સૌથી વધુ સપ્તાહના ગર્ભના ગર્ભપાતને મંજૂરીરાજકોટ શહેરમાં રહેતી 13 વર્ષીય સગીરા સાથે તેના જ પિતરાઈ ભાઈ અને પિતરાઈ ભાઈના મિત્રએ મળી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ 12 મેના રોજ હાઈકોર્ટે સગીરાના 33 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી હતી. આમ દેશમાં પહેલીવાર સૌથી વધુ સપ્તાહના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી હતી. 13 મેના રોજ મંગળવારે સગીરાને પોલીસ પ્રોટેકશન સાથે રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે 17 મે, 2025 શનિવારના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો… 13 વર્ષની કિશોરીનો કોર્ટની મંજૂરી બાદ ગર્ભપાત કરાવાયોસુરતના એક વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરીને 21 વર્ષીય ડ્રાઇવર રાઘવેન્દ્રએ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ આરોપીએ કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધતાં તે ગર્ભવતી થઈ હતી. કિશોરીને પેટમાં દુખાવો ઊપડ્યા બાદ હોસ્પિટલ લઈ જતાં સામે આવ્યું હતું કે તેને ત્રણ મહિનાનો ગર્ભ છે. આ બાબતે પરિવારના સભ્યોને જાણ થતાં મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. આ કૃત્યને લઈ પોલીસે તપાસ હાથ ધરી આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો. કિશોરીની ઉંમર નાની હોવાની સાથે હજુ ગર્ભ પણ ત્રણ મહિનાનો હોવા અને જીવનું જોખમ હોવાનું સામે આવતાં ગર્ભપાતની કોર્ટમાં મંજૂરી લેવામાં આવી હતી અને એ મળી જતાં એનો ગર્ભપાત કરાવાયો હતો. એ બાદ ભ્રૂણ સાથે આરોપી યુવકનો DNA ટેસ્ટ કરાશે. સમગ્ર અહેવાલ વાંચો... 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભવલસાડની 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના પિતા દ્વારા સગીરાના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ વાંસદા પોલીસ મથકે ચાલુ વર્ષે ફરિયાદ નોંધાઈ હતી. સગીરાને 26 સપ્તાહનો ગર્ભ છે. હાઇકોર્ટે વાપીની GMERS હોસ્પિટલે સગીરાના મેડિકલ તપાસ માટેના નિર્દેશ આપ્યા હતા. જોકે તપાસનો રિપોર્ટ સ્પષ્ટ ના આવતાં ફરી સગીરાની મેડિકલ તપાસ કરવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા હતા. બાદમાં હાઇકોર્ટે ચીફ મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ તેના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી હતી. હાઈકોર્ટે સગીરાના ગર્ભપાત માટે એક્સપર્ટ ડોક્ટરોને ઉપસ્થિત રહેવા નિર્દેશ આપ્યા હતા, સાથે જ બાળકોના ડોક્ટર હાજર રહેશે. ગર્ભપાત બાદની સારવાર પણ સગીરાને આપવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. સગીરાના ગર્ભની પેશીનાં DNA સેમ્પલ આરોપી સામે કેસ પુરવાર કરવા FSLમાં મોકલવામાં આવશે. સમગ્ર અહેવાલ વાંચો... 16 વર્ષની સગીરાનાં 12 અઠવાડિયાંનો ગર્ભના ગર્ભપાતની મંજૂરીનર્મદા જિલ્લાના એક પોલીસ મથકે એક આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ ગુના અંતર્ગત ભોગ બનનારી સગીરા ગર્ભવતી બની હતી, જેની માતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સગીરાના ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. સગીરા 16 વર્ષની ઉંમરની છે અને તેને 12 અઠવાડિયાંનો ગર્ભ છે. ગુજરાત હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 14 વર્ષની સગીરાનાં 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગર્ભપાત માટેના કાયદા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી MTP એક્ટ હેઠળ મહત્તમ 24 સપ્તાહ સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવતી હોય છે, પરંતુ હાઇકોર્ટ સમક્ષ આવેલા એક કેસના વિશિષ્ટ સંજોગોને ધ્યાનમાં લેતાં હાઇકોર્ટે 14 વર્ષની રેપ પીડિતાનાં 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી છે. હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપતાં આદેશમાં એવું મર્મસ્પર્શી અવલોકન કર્યું છે કે દુષ્કર્મ જેવા જઘન્ય ગુનાના કારણે પીડિતા દુર્ભાગ્યપૂર્ણ રીતે સગર્ભા થઇ છે. જો તેની ગર્ભાવસ્થા ચાલુ રહે તો તેનો જીવ જોખમમાં મુકાઇ શકે છે. આવા સંજોગોમાં જ્યારે પીડિતાના જીવનમરણનો પ્રશ્ન હોય અને એ અસહ્ય માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થઇ રહી હોય ત્યારે કોર્ટ પીડિતાની વ્યથા પ્રત્યે મૂકદર્શક બની શકે નહીં. સમગ્ર અહેવાલ વાંચો... 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 15 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી16 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 15 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઇકોર્ટે મંજૂરી આપી હતી. પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં પીડિતાના પિતા તરફથી હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને દાદ માગવામાં આવી હતી કે તેની દીકરીને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. એમાં હાઇકોર્ટે તબીબોનો અભિપ્રાય મેળવ્યો હતો અને એના આધારે પીડિતાને ગર્ભપાત માટેની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 15 વર્ષની સગીરાનાં 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીઅમદાવાદની 15 વર્ષની દુષ્કર્મ પીડિતાની માતા તરફથી સગીરાનાં 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોટમાં અરજી કરવામાં આવી હતી. એમાં હાઇકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. તબીબોના અહેવાલમાં પણ ગર્ભપાતની મંજૂરી આપી શકાય એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો, તેથી સોલા સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર અને પેનલ પરના અન્ય ડોક્ટરોની દેખરેખ હેઠળ પીડિતાના ગર્ભપાત માટેની મંજૂરી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 17 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં દિવાળી વેકેશન દરમિયાન તત્કાલ સુનાવણી માટે આવતા કેસોમાં 4 નવેમ્બર 2024ના રોજ એક 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી, જેમાં પીડિતાને 17 અઠવાડિયાંથી વધુનો ગર્ભ હતો અને તેણે ગર્ભપાત કરાવવાનો ઈરાદો દર્શાવ્યો હતો. એક્સપર્ટ ડોક્ટરોની મેડિકલ તપાસ બાદ ગુજરાત હાઈકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 15 વર્ષ 9 મહિનાની સગીરાનાં 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં તાપીની 15 વર્ષ અને 9 માસની સગીરાના 27 સપ્તાહના ગર્ભપાત માટે તેના પિતાએ એડવોકેટ પી.વી.પાટડિયા દ્વારા અરજી કરી હતી, જે જજ નિર્ઝર દેસાઈની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. અરજદારના એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે સગીરા માનસિક દિવ્યાંગ છે. એક આરોપીએ તેનું શારીરિક શોષણ કરતાં તે ગર્ભવતી બની હતી. સમગ્ર અહેવાલ વાંચો... 19 વર્ષીય યુવતીનાં 16 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં 19 વર્ષ અને 6 મહિનાની યુવતીએ તેનાં 16 અઠવાડિયાંના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરી હતી. યુવતી દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે આરોપી મિતેશ ઠાકોર સામે 3 મે, 2024ના રોજ અમદાવાદના રાણીપ પોલીસ મથકે IPCની કલમ 376(2)(f) અને 376(2)(n) મુજબ ફરિયાદ પણ નોંધાવી હતી. યુવતી માનસિક અને આર્થિક રીતે બાળકને રાખવા સક્ષમ નથી, જેથી કોર્ટે અરજી સંદર્ભે યુવતીનો મેડિકલ ટેસ્ટ કરવા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને નિર્દેશ આપ્યા હતા. એમાં જણાવાયું હતું કે યુવતી ગર્ભપાત માટે ફિટ છે, પરંતુ એમાં જોખમ પણ છે. સમગ્ર અહેવાલ વાંચો... 17 વર્ષીય સગીરાનાં 7 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં 17 વર્ષીય સગીરાની માતાએ સગીરાનાં 7 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે એડવોકેટ ચિંતન ગાંધી મારફત અરજી કરી હતી, જે જજ હસમુખ સુથારની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. કોર્ટે સુરતની સિવિલ હોસ્પિટલને ત્યાંના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, ગાયનેકોલોજિસ્ટ અને સાઇકોલોજિસ્ટને સગીરાની શારીરિક અને માનસિક સ્થિતિ અંગેનો મેડિકલ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો તેમજ મેડિકલ રિપોર્ટ માટે તપાસ અધિકારીને વ્યવસ્થાઓ કરવા હુકમ કર્યો હતો. કોર્ટે સગીરાનાં 7 સપ્તાહના ગર્ભપાત માટે મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... સગીરાનાં 9 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં એક સગીરાની માતા દ્વારા તેનાં 9 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવતાં તે ગર્ભવતી બની હતી, જોકે અરજદારના વકીલે કહ્યું હતું કે તે શારીરિક અને માનસિક રીતે કમજોર છે. વળી, તે પોતે બાળકના ઉછેર માટે સક્ષમ નથી. ઉપરાંત સમાજમાં બદનામીને જોતાં પણ સગીરાના ગર્ભપાત માટે મંજૂરી આપવી જોઈએ. સમગ્ર અહેવાલ વાંચો... 16 વર્ષની સગીરાનાં 27 અઠવાડિયાંના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઈકોર્ટમાં જજ સમીર દવેની કોર્ટમાં એડવોકેટ નિસર્ગ શાહ દ્વારા 16 વર્ષીય સગીરાના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. આ સગીરાને 27 સપ્તાહનો ગર્ભ હતો, જોકે હાઈકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 22 વર્ષીય યુવતીનાં 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીસુરેન્દ્રનગરની 22 વર્ષીય યુવતી પર પાડોશી દ્વારા પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એ સંદર્ભે સુરેન્દ્રનગરમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, જોકે આ દુષ્કર્મથી પીડિતાને ગર્ભ રહી જતાં તેણે એડવોકેટ નિમિત્ત શુક્લા મારફત ગુજરાત હાઇકોર્ટમાં યુવતીનાં 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી માગતી અરજી કરી હતી. એમાં સગીરાના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ હાઈકોર્ટે મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 12 વર્ષીય સગીરાનાં 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીનર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં માતા-પિતા સાથે રહેતી 12 વર્ષીય સગીરા પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતાં તે ગર્ભવતી બની હતી. સગીરાનાં 27 સપ્તાહના ગર્ભપાત માટે માતાએ જ વકીલ પૂનમ મહેતા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી હતી, જોકે વડોદરાની સયાજીરાવ હોસ્પિલમાંથી સગીરાના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો...
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન ઉમેદવાર દીપેન દવેએ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમને વકીલ મંડળનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને ચૂંટણીમાં સકારાત્મક પરિણામની અપેક્ષા છે. આ વખતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. જેના કારણે રાજ્યભરના વકીલ વર્ગમાં ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 6 માર્ચના રોજ મતદાન યોજાવાનું છે, જેને લઈને તમામ ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં દીપેન દવેએ જણાવ્યું હતું કે ચૂંટાયા બાદ તેઓ વકીલોના વિવિધ પ્રશ્નો, જેમ કે સુવિધાઓનો અભાવ, વ્યવસાયિક સુરક્ષા અને વેલફેર સંબંધિત મુદ્દાઓ પર પ્રાથમિકતા આપીને કામ કરશે.
સુરતના આંગણે આગામી 21 ફેબ્રુઆરીથી ટેક્સટાઇલ ટેકનોલોજીનો મહાકુંભ ‘સીટેક્ષ – 2026’ યોજાવા જઈ રહ્યો છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આયોજિત આ 13th એક્ષ્પો સુરતના ટેક્સટાઇલ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. કારણ કે અહીં વિશ્વમાં પ્રથમ વખત ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન લોન્ચ થવા જઈ રહ્યું છે. 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન સરસાણાના કન્વેન્શન સેન્ટર ખાતે આધુનિક મશીનરીઓનો જમાવડો જોવા મળશે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવશે. અત્યાધુનિક ‘Four-Panel’ રેપિયર જેકાર્ડ મશીન રજૂ કરાશેટેક્સટાઇલ જગતમાં આ એક્ષ્પો એટલા માટે ઐતિહાસિક છે કારણ કે અહીં 490 cm લંબાઈ ધરાવતું અત્યાધુનિક ‘Four-Panel’ રેપિયર જેકાર્ડ મશીન રજૂ કરાશે. વર્ષ 2009-10 માં બે પના અને 2015 માં ત્રણ પનાના મશીનો આવ્યા બાદ આ એક મોટો કદમ છે. આ મશીન દ્વારા ઉત્પાદકો એકસાથે 4 સાડીઓનું ઉત્પાદન કરી શકશે. આ ટેકનોલોજીથી ઉત્પાદન ક્ષમતામાં ધરખમ વધારો થશે અને પ્રોડક્શન કોસ્ટમાં અંદાજે 25% જેટલો જંગી ઘટાડો થશે, જે વૈશ્વિક બજારમાં સુરતના કાપડને વધુ સ્પર્ધાત્મક બનાવશે. આંતરરાષ્ટ્રીય બજારમાં મશીનની કિંમત 13,000 ડોલરમશીનરીની કિંમતમાં ઘટાડો અને કાર્યક્ષમતામાં વધારોએ આ એક્ષ્પોની બીજી મુખ્ય વિશેષતા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જે એરજેટ મશીન $13,000 માં મળે છે, તે જ કક્ષાનું હાઇસ્પીડ એરજેટ મશીન આ એક્ષ્પોમાં માત્ર $9,500 ની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ મશીનનો લાઈવ ડેમો પણ યોજાશે, જેથી વિવર્સ તેની ઝડપ અને ગુણવત્તા રૂબરૂ નિહાળી શકશે. ખાસ વાત એ છે કે, અહીં વિસ્કોસ અને પોલિએસ્ટરનું ઉત્પાદન કરી શકતા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે. AI સોફ્ટવેરથી સજ્જ નવી પોઝિશન પ્રિન્ટર મશીનરીઆધુનિક યુગનો છે, અને સીટેક્ષ 2026 માં તેના નમૂનાઓ પણ જોવા મળશે. AI સોફ્ટવેરથી સજ્જ નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી, જેમાં 8 થી 16 હેડના વેરિઅન્ટ હશે, તે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત, ડાયરેક્ટ-ટુ-ફેબ્રિક પ્રિન્ટિંગ માટે 16, 24, 32, 48, 64 અને 96 હેડ સુધીના મશીનો રજૂ કરાશે, જે ઉચ્ચ ગુણવત્તા અને મોટા પાયે પ્રિન્ટિંગ માટે સક્ષમ છે. પોઝિશન એમ્બ્રોઇડરી અને ફોઇલ મશીનોના નવા મોડેલ્સ પણ પ્રિન્ટિંગ ક્ષેત્રે નવી દિશા ચીંધશે. નાના કારખાનેદારો ઓછા રોકાણે હાઇ-એન્ડ જેકાર્ડ ફેબ્રિક બનાવી શકશેનાના અને મધ્યમ કદના ઉદ્યોગકારો માટે આ એક્ષ્પો ‘Space Saving’ ટેકનોલોજી લઈને આવ્યો છે. અગાઉ જેકાર્ડ લુમ્સ સ્થાપિત કરવા માટે અંદાજે 22 ફૂટ જેટલી ઊંચી અને વિશાળ જગ્યાની જરૂર પડતી હતી. હવે એવી કોમ્પેક્ટ ડિઝાઇન રજૂ કરાશે જે માત્ર 7 ફૂટની મર્યાદિત જગ્યામાં પણ આસાનીથી ફિટ થઈ શકશે. આ બદલાવથી ઉર્જાની બચત થશે અને નાના કારખાનેદારો પણ ઓછા રોકાણે હાઇ-એન્ડ જેકાર્ડ ફેબ્રિક બનાવી શકશે, જે શહેરના ગીચ ઔદ્યોગિક વિસ્તારો માટે અત્યંત લાભદાયક છે. અદ્યતન સિંગલ જર્સી સર્ક્યુલર નિટિંગ મશીનો રજૂ કરાશેએક્ષ્પોમાં નિટિંગ ઉદ્યોગ માટે પણ ખાસ આયોજન છે. અદ્યતન સિંગલ જર્સી સર્ક્યુલર નિટિંગ મશીનો રજૂ કરાશે, જે 30 થી 45 RPM ની હાઇ સ્પીડ પર કામ કરશે. આ મશીનોમાં ઇન્ફ્રારેડ નીડલ બ્રેકેજ ડિટેક્ટર અને સ્ટિચ લેન્થ મીટર જેવી સુવિધાઓ છે. 15,000 થી વધુ વિઝીટર્સનું ઓનલાઈન રજીસ્ટ્રેશનડબલ જર્સી મશીનોમાં 34 diameter x 28 gauge x 108 feeders જેવી ટેકનિકલ ક્ષમતા જોવા મળશે. આ ટેકનોલોજી સુરતના નિટિંગ સેક્ટરને ગાર્મેન્ટિંગ તરફ આગળ વધવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. સીટેક્ષ 2026 માં ભારતભરમાંથી પ્રતિસાદ મળી રહ્યો છે. મુંબઈ, દિલ્હી, લુધિયાના અને કોઈમ્બતુર સહિતના 150 થી વધુ શહેરોમાંથી 110 થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000 થી વધુ વિઝીટર્સનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને કુલ 25,000 થી વધુ લોકો મુલાકાત લેશે તેવી ધારણા છે. ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસીના જણાવ્યા મુજબ, આ પ્રદર્શન સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે ‘Make in India’ ના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે.
આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર તૈયાર કરાયેલી 'આખરી મતદારયાદી' પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ પ્રસંગે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મતદારયાદીની નકલો સુપ્રત કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે ક્ષતિરહિત મતદારયાદી અનિવાર્ય છે. વહીવટી તંત્ર દ્વારા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ નવા મતદારોના નામ ઉમેરવા, સુધારા કરવા અને મૃત કે સ્થળાંતરિત મતદારોના નામ કમી કરવાની પ્રક્રિયા ઝીણવટપૂર્વક પૂર્ણ કરાઈ છે. આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ વહીવટી તંત્રની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે તંત્ર દ્વારા કરવામાં આવેલી પારદર્શક કામગીરી અને ડેટાની સચોટતાની સરાહના કરી હતી. પક્ષના પ્રતિનિધિઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સુધારેલી યાદી આગામી ચૂંટણી પ્રક્રિયાને વધુ ન્યાયી અને સુગમ બનાવશે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક, વિવિધ પક્ષોના હોદ્દેદારો તેમજ ચૂંટણી શાખાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરના સેક્ટર-27 પોલીસ ગ્રાઉન્ડમાં ખાખી વર્દી પહેરવાનું સપનું આંખમાં આંજીને થરાદથી આવેલી દીકરીને પોલીસ ભરતીની શારીરિક કસોટી અપાવવા પ્રોત્સાહન પૂરું પાડવા આવેલા પિતાનું ગ્રાઉન્ડની બહાર જ હાર્ટ એટેકથી આકસ્મિક નિધન થયું હતું. જોકે પિતાના અવસાનની હકીકતથી અજાણ દીકરી મેદાનમાં પોતાની કારકિર્દી માટે દોડતી રહી ત્યારે બીજી તરફ તેના પિતા હોસ્પિટલમાં જિંદગીની જંગ હારી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ ભરતી માટે દીકરીની સાથે થરાદથી આવ્યા હતાદીકરી પોલીસ બનીને દેશની સેવા કરે અને તેના શરીર પર ખાખી વર્દી હોય તેવા ઉમદા સપના સાથે આજે થરાદથી ગાંધીનગર આવેલા એક પિતાની અંતિમ સફર ખૂબ જ હૃદયદ્રાવક રહી છે ગાંધીનગરના સેક્ટર-27 સ્થિત પોલીસ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી મહિલા પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન થરાદના મોટીપાવડ ગામના રામજીભાઈ હેમરાજભાઈ રાઠોડનું હાર્ટ એટેકના કારણે કરૂણ અવસાન થયું છે. દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત્રે જ વતનથી ગાંધીનગર આવેલા પિતાએ દીકરીની પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ ફાની દુનિયાને વિદાય આપી હતી. દીકરી મેદાનમાં પરીક્ષા આપતી હતી'ને બહાર પિતાને એટેક આવ્યોપ્રાપ્ત વિગતો મુજબ રામજીભાઈ તેમની દીકરીને લઈને ગઈકાલે રાત્રે જ પોલીસ ભરતીની શારીરિક કસોટી અપાવવા માટે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે જ્યારે દીકરી મેદાનમાં પોતાની કસોટીની તૈયારી કરી રહી હતી ત્યારે ગ્રાઉન્ડની બહાર બેઠેલા રામજીભાઈને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. ત્યારે એ સમયે હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું નિધન થયું હતું. ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરીની પરીક્ષા પર અસર ન પડે તે માટે જાણ ન કરાઈઆ ઘટનાની સૌથી વધુ આઘાતજનક બાબત એ હતી કે દીકરી પિતાના અવસાનના સમાચારથી અજાણ હતી. કેમકે પિતા હોસ્પિટલમાં જિંદગીની જંગ હારી ગયા હતા અને બીજી તરફ દીકરી પોતાના અને પિતાના સપનાને પૂરું કરવા ગ્રાઉન્ડમાં પરસેવો પાડીને દોડ લગાવી રહી હતી. દીકરીની પરીક્ષામાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી તેને આ દુઃખદ સમાચાર આપવામાં આવ્યા નહોતા. જોકે કસોટી પૂર્ણ થયા બાદ જ્યારે તેને હકીકતની જાણ થઈ ત્યારે તેના પર આભ ફાટી પડ્યું હતું. આ બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસ તંત્રએ પણ આ ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. હોસ્પિટલ ખાતે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મૃતદેહને વતન મોટીપાવડ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દીકરીને પોલીસ બનાવવાનું સપનું આંખમાં લઈને આવેલા પિતાના જવાથી સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
સુરતના ભાગોળ વિસ્તારમાં એક નાનકડી દુકાનમાંથી ચાંદીના કાળા કારોબારનું મોટું નેટવર્ક ઝડપાયું છે. ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને ભાગળના એક જ્વેલર દ્વારા કરવામાં આવેલા 600 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ કર્યો છે. આ વેપારીએ છેલ્લા ત્રણ વર્ષમાં ચાંદીના ભાવમાં આવેલી તેજીનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો, પરંતુ સરકારને એકપણ રૂપિયો ટેક્સ ચૂકવ્યો નહોતો. ત્રણ વર્ષમાં 600 કરોડનું ટર્નઓવર અને શૂન્ય ટેક્સસુરતના ભાગળ વિસ્તારમાં આવેલી 'મેસર્સ સુમતી સિલ્વર' નામની પેઢીના સંચાલક યતીનકુમાર સમતીલાલ શાહ દ્વારા આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2022થી 2026ના ગાળામાં વેપારીએ અંદાજે 600 કરોડ રૂપિયાની ચાંદીનું વેચાણ કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા પાયે વેપાર કરવા છતાં, જીએસટીના ચોપડે કોઈ જ હિસાબ દર્શાવવામાં આવ્યો નહોતો. 3 ટકા જીએસટી લેખે વેપારીએ અંદાજે 18 કરોડ રૂપિયાની કરચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. લાલ ડાયરીઓમાં કેદ હતો 'કાચો' કારોબારજ્યારે DGGI ની ટીમે ચોકસી બજારના પારેખ કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે તેમને કોઈ અત્યાધુનિક સોફ્ટવેર નહીં પણ જૂની પદ્ધતિની 'લાલ ડાયરીઓ' મળી આવી હતી. આ ડાયરીઓમાં દરેક કાચા વ્યવહારનો ઝીણવટભર્યો હિસાબ રાખવામાં આવ્યો હતો. સામાન્ય રીતે કરચોરી કરનારા વેપારીઓ કાચી ચિઠ્ઠીઓ કે ડાયરીઓ નાશ કરી દેતા હોય છે, પરંતુ અહીં વેપારીએ તમામ રેકોર્ડ સાચવી રાખ્યા હતા, જે હવે તેના માટે ગળાનો ફાંસો બન્યા છે. ચાંદીની તેજીનો ગેરકાયદે ફાયદોચાંદીના બજારમાં છેલ્લા ત્રણ વર્ષમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. વર્ષ 2022-23 માં જ્યારે ચાંદીનો ભાવ કિલો દીઠ 60,000 રૂપિયા હતો, ત્યારથી આ વેપારીએ મોટું સ્ટોકિંગ અને વેચાણ શરૂ કર્યું હતું. વર્ષ 2026 સુધીમાં ચાંદીનો ભાવ વધીને કિલો દીઠ 3.50 લાખ રૂપિયા સુધી પહોંચ્યો હતો. આ ભાવવધારાનો લાભ લઈને વેપારીએ કરોડો રૂપિયાનો નફો રળ્યો હતો, પરંતુ આ નફા પર લાગતો જીએસટી સરકારને જમા કરાવ્યો નહોતો. સફેદ અને કાળા વ્યવહારો માટે અલગ-અલગ વ્યવસ્થાતપાસ અધિકારીઓને જાણવા મળ્યું કે, આરોપી યતીન શાહ અત્યંત શાતિર રીતે ધંધો કરતો હતો. વ્હાઇટ એટલે કે એક નંબરના વ્યવહારો માટે તે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતો હતો, જેથી તંત્રની નજરમાં બધું બરાબર લાગે. જ્યારે બે નંબરના એટલે કે બિનહિસાબી વ્યવહારો માટે તે ડાયરીઓ અને કાચી ચિઠ્ઠીઓનો ઉપયોગ કરતો હતો. આ ડબલ એકાઉન્ટિંગ સિસ્ટમ દ્વારા તે લાંબા સમય સુધી ટેક્સ ચોરી કરવામાં સફળ રહ્યો હતો. મુખ્ય ખેલાડી યતીન શાહની ધરપકડ અને કોર્ટ કાર્યવાહીઆ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ તરીકે પાલ વિસ્તારમાં 'વેસ્ટર્ન શંત્રુજ્ય' ખાતે રહેતા યતીનકુમાર શાહનું નામ સામે આવ્યું છે. DGGI એ પુરાવાઓના આધારે તેની ધરપકડ કરી હતી. મોડી સાંજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે ગંભીરતાને ધ્યાનમાં લઈને તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. આ ધરપકડથી સુરતના ઝવેરી બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોટા જ્વેલર્સ સાથેના કનેક્શનની તપાસમાત્ર વેચાણ જ નહીં, પણ આટલી મોટી માત્રામાં ચાંદી ક્યાંથી આવતી હતી તે પણ તપાસનો વિષય છે. આરોપી શાહ દ્વારા પારેખ જ્વેલર્સ લિમિટેડ, વિરતી જ્વેલર્સ અને શુભલક્ષ્મી જ્વેલર્સ જેવા મોટા નામોને માલ મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. હવે તપાસ અધિકારીઓ એ દિશામાં કામ કરી રહ્યા છે કે આ પેઢીઓએ ખરીદેલા માલના બિલો હતા કે કેમ, અને આ સાંકળમાં અન્ય કેટલા વેપારીઓ સંડોવાયેલા છે. બિનહિસાબી સોના-ચાંદીનો મોટો જથ્થોદરોડા દરમિયાન માત્ર કાગળ પરના વ્યવહારો જ નહીં, પણ ભૌતિક રીતે પણ કિંમતી ધાતુઓ મળી આવી છે. આરોપીની દુકાનમાંથી સોનાના સિક્કા, બિસ્કિટ અને ઘરેણાં પણ મળી આવ્યા છે. અધિકારીઓ હવે એ તપાસી રહ્યા છે કે ચાંદીની જેમ સોનાના વ્યવહારોમાં પણ આ પ્રકારે કરચોરી કરવામાં આવી છે કે કેમ. આ તપાસનો વ્યાપ આગામી દિવસોમાં વધી શકે છે.
વડોદરાની પાયોનિયર કોલેજના બે પ્રોફેસરના ત્રાસથી BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા શરૂઆતમાં વડોદરા અને ત્યારબાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. કોલેજના બે પ્રોફેસરો દ્વારા છેલ્લા એક વર્ષથી ટોર્ચર કરાતો હોવાનો વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો છે. આ કેસમાં પોલીસે કોલેજના બે પ્રોફેસરો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. પોલીસે કોલેજના પ્રોફેસર, સ્ટાફ અને વિદ્યાર્થીઓ સહિત 100થી વધુ લોકોની પૂછપરછ કરી નિવેદન પણ લીધા હતા. કોલેજ દ્વારા પણ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. મને એક વર્ષથી ટોર્ચર કરવામાં આવતો હતો- વિદ્યાર્થીવડોદરાની પાયોનિયર આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતા રાઠોડ રોહન દિનેશભાઈએ પોતાનો ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોલેજના પ્રોફેસરો ડૉ. કોમલ દેસાઈ અને ડૉ. ઋષિકેશ ખલેકર જેઓ પતિ-પત્ની છે .તેના દ્વારા છેલ્લા એક વર્ષથી અસહ્ય માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું. રોહનના જણાવ્યા અનુસાર, એડમિશન પ્રક્રિયામાં એક મહિનો મોડો હોવાને કારણે અને અસ્થમાને લીધે શરૂઆતથી જ તેમને નિશાન બનાવવામાં આવ્યો હતો. શ્વાસની તકલીફના કારણે તે જ્યારે બેભાન થઈ જતો ત્યારે ડૉ. કોમલ અને ડૉ. ઋષિકેશ તેમને હોસ્પિટલ લઈ જવાને બદલે કલાકો સુધી ઉભા રાખતા હતા. જ્યારે તેઓ પડી જતો ત્યારે આ બંને પ્રોફેસરો તેમની મદદ કરવાને બદલે તેમની મજાક ઉડાવતા હતા. સહપાઠી વિદ્યાર્થીઓ જ તેમને મદદ કરીને હોસ્પિટલ પહોંચાડતા હતા. આ ઘટનામાં સૌથી ગંભીર આરોપ જાતિગત ભેદભાવનો છે. રોહન અનુસૂચિત જાતિમાંથી આવતા હોવાથી, પ્રોફેસરો તેમને એમ કહીને અપમાનિત કરતા હતા કે, તું કચરામાંથી આવે છે અને તું પોતે કચરો છે, તને અહીં રહેવા દેવો નથી. આવા શબ્દો વાપરીને વિદ્યાર્થીના આત્મસન્માનને ઠેસ પહોંચાડવામાં આવતી હતી અને સતત તેને નીચો બતાવવાનો પ્રયાસ થતો હતો. પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરીકપુરાઇ પોલીસે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ 1989 સુધારણા 2016 ની કલમ 3(1) (આર) (એસ),3(2)5-એ તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 54,351(2) મુજબ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ ફરિયાદના આધારે બંને આરોપી પ્રોફેસરો સામે કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ શરૂ કરી છે. આ ગુનાની તપાસ SC ST સેલના ACP સી.બી.સોલંકી કરી રહ્યા છે. કોલેજે તપાસ કમિટીની રચના કરીપાયોનિયર કોલેજના આચાર્ય ડૉ. મીતા મશરૂએ જણાવ્યું હતું કે, સ્ટુડન્ટના ગાર્ડિયન દ્વારા અમારા ત્યાં જ કાર્યરત બે એસોસિએટ પ્રોફેસરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, છેલ્લા દોઢ વર્ષ દરમિયાન મને નથી વાલીઓ તરફથી કે નથી વિદ્યાર્થી તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિની ફરિયાદ મળી નથી. મારા ગેટની બહાર મેં સ્પષ્ટ નોટિસ લગાવી છે કે સાંજે 4થી 5 વાગ્યાના સમયમાં કોઈ પણ વિદ્યાર્થી પરવાનગી વગર મને મળી શકે છે, પરંતુ રોહન દ્વારા મને આવી કોઈ જાણ કરવામાં આવી નહોતી. વાલીઓએ ડો. કોમલ દેસાઈ અને ડો. ઋષિકેશ સામે આક્ષેપ કર્યા છે. વાલીઓની રજૂઆત બાદ અમે તાત્કાલિક બંને પ્રોફેસરોને લેટર ઇશ્યૂ કર્યો છે અને 3 દિવસમાં લેખિત ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત, એક તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે જેને નિષ્પક્ષ તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે. આ ઘટના 10 તારીખની સાંજે બની હતી. અમારી પ્રાથમિકતા વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે વાલીઓ આવ્યા બાદ અમે કમિટીની રચના કરી લીધી છે. કમિટી તેનો રિપોર્ટ સબમિટ કરશે.
એરપોર્ટ રોડ પર જસાણી પાર્કમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ તેના પતિ ધારવ મજેઠીયા, સસરા શશીકાંત મજેઠીયા, સાસુ નયનાબેન મજેઠીયા અને નણંદ માનસીબેન મજેઠીયા વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યા અંગે ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવી છે. આ ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, લગ્ન પહેલા પતિ ઘારવ ગીર-સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરવા લઇ ગયો હતો જ્યાં રિસોર્ટમાં મરજી વગર શરીર સંબંધ બાંધ્યો હતો થોડા સમય બાદ પેટમાં દુખાવો થતા વૈશાલીનગરમાં આવેલ ખાનગી ક્લિનિકમાં તપાસ કરાવતા ગર્ભ હોવાનું સામે આવતા પતિ ઘારવએ કહ્યા વગર ગર્ભપાતની દવા ખવડાવી ગર્ભપાત કરાવી દીધો હતો. આ પછી લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા અને થોડા સમય સારી રીતે રાખી બાદમાં પતિ, સાસુ સસરા નણંદ સહીત ઘરના તમામ લોકો શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. અસહ્ય ત્રાસ થતા આખરે પરિણીતાએ ફરિયાદ નોંધાવવાનું નક્કી કરતા હાલ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા તબીબ હોસ્ટેલમાંથી રૂ.1.55 લાખના દાગીનાની ચોરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસીડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા અને મેડિકલ પી.જી.હોસ્ટેલ રૂમ નં.524 રહેતા મૂળ સુરેન્દ્રનગરના વતની ડો. શાહનુબેન ગોવાણીએ પ્રદ્યુમનનગર પોલિસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના 9 વાગ્યે સિવિલ હોસ્પીટલમા નોકરીએ ગયા હતા ત્યારે રૂમની સફાઈ કરવાની બાકી હોવાથી રૂમના દરવાજે ફક્ત આંકડિયો માર્યો હતો આ પછી બપોરના 1 વાગ્યા આસપાસ નોકરી પુરી થતા રૂમ પર પહોંચતા રૂમના કબાટનો દરવાજો ખુલ્લો હતો અને કબાટમાં રાખેલો તનિષ્ક જવેલર્સની બેગ બહાર પડેલ હતી જેથી કબાટમા તપાસ કરતા રૂ.75 હજારની કિંમતની એક જોડી સોનાની બુટી, 25 હજારની કિંમતનો સોનાનો નેકલેશ, રૂ.35 હજારની કિંમતનું સોનાનુ બ્રેસલેટ, રૂ.20 હજારની સોનાની રીંગ સહિતના ઘરેણાં ચોરી થયાની જાણ થતા ફરિયાદ નોંધાવી હતી હાલ પોલીસે CCTV ફૂટેજ ચકાસી શકમંદોની પુછપરછ શરૂ કરી છે. BSNLના નિવૃત્તિ કર્મચારીએ ઝેરી દવા પીધી આત્મહત્યા પ્રયાસ કર્યો જગદીશ મનજીભાઈ વાણીયા (ઉં.વ.56) સવારે 8 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પીધા બાદ પોતાના પુત્ર અજયને ફોન કર્યો હતો અને મારી તબિયત ખરાબ છે તેમ જણાવ્યું હતું જેથી પુત્ર તુરંત ઠક્કરબાપા વાસમાં પિતાના ઘરે પહોંચ્યો હતો જ્યાં જગદીશભાઈએ ઝેરી દવા પીધી હોવાનું જાણ થતા તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જગદીશભાઈ BSNLમાં સફાઈ કામદારની નોકરી કરતા હતા અને પાંચ મહિના પહેલા નોકરીમાંથી નિવૃત્ત થયા હોવાનું સામે આવ્યું છે. તેમને સંતાનમાં બે દિકરા હોવાનું અને પોતે 2 ભાઈ અને 1 બહેનમાં નાના હોવાનું સામે આવ્યું છે. જગદીશભાઈએ ક્યાં કારણે ઝેરી દવા પી આત્મહત્યા પ્રયાસ કર્યો તે અંગે પરિવારજનો અજાણ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રેલનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મોત ભૂપતભાઈ ચનાભાઈ ટોયટા (ઉં.વ.40) ગઈકાલે રાત્રીના પોતાનું બાઈક લઈને ઘરે જતા હતા ત્યારે રેલનગર મેઈન રોડ પર કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે જાણ પ્રદ્યુમનનગ પોલીસને કરવામાં આવતા પોલીસ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવાનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે ગઈકાલે તે મજૂરી કામ પૂર્ણ કરી પરત ઘરે આવતો હતો ત્યારે બનાવ બન્યો હોવાનું સામે આવતા હાલ પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘડીયાળના કારખાનામા કામ કરતા 12 વર્ષના બાળમજુરને મુકત કરાવાયો શ્રમ અધિકારી દિશા કાનાણી દ્વારા ભકિતનગર પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પટેલનગરમાં ખોડલ ટેકનોકાસ્ટ નામનું કારખાનું ધરાવતા હિમાંશુ રમેશ ભંડેરીનું નામ આપી જણાવ્યું હતું કે, ગઇકાલે તેમને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટના પીઆઇ ભાર્ગવ ઝણકાટની ટીમ સાથે બાળમજુરી નાબુદી ઝુંબેશ હેઠળ જુદી જુદી જગ્યાએ દરોડા પાડયા હતાં. આ દરમિયાન પટેલનગર શેરી નં.6 સરદાર પ્રોસેસની પાછળ સદભાવાના મેઇન રોડ ખાતે આવેલા ખોડલ ટેકનોકાસ્ટ નામના ઘડીયાળના કારખાનામાં તપાસ કરતા અહીં 12 વર્ષના બાળક પાસે બાળ મજુરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી તેને મુકત કરાવી આ સગીરની પુછપરછ કરતા તે મૂળ યુપીનો વતની હોવાનું અને અહીં સાત દિવસથી કામે રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અહીં એક દિવસની તેને રૂ.200 મજૂરી ચૂકવવામાં આવતી હતી. હાલ બાળમજૂરને મુક્ત કરાવી કારખાનેદાર હિમાંશુ રમેશભાઇ ભંડેરીએ બાળ મજુરને ગેરકાયદે રીતે કામે રાખી ગુનો કર્યા અંગે ભકિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રિકવરી વાળા હેરાન કરતા પ્રૌઢએ આપઘાતનો પ્રયાસ કર્યો વિષ્ણુભાઈ દેવચંદભાઈ ફુલમારે (ઉં.વ.51) આજ સવારે સવારે 5 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી ગયા હતા જેથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પુછપરછમાં પરિવારે જણાવ્યું હતું કે, વિષ્ણુભાઈ અને તેમના પત્ની બંને દિવ્યાંગ છે. વિષ્ણુભાઈ રબરના કારખાનામાં મજૂરી કામ કરે છે. તેઓને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. મોટી દીકરીની એક વર્ષ પહેલાં સગાઈ કરી હતી ત્યારે ખરીદી કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જેના પૈસા ચૂકવાયા ન હોય, વ્યાજનું વ્યાજ ચડી જતા કટકે કટકે રકમ ભરી હતી. હવે રૂ.12,000 બાકી રહે છે છતાં ક્રેડિટ કાર્ડ રિકવરી વાળા ગઈકાલે ઘરે આવીને કહી ગયા હતા કે તમારા હજુ 1 લાખ 30 હજાર રૂપિયા બાકી છે. જે તમારે ચૂકવવા જ પડશે. આ વાત થયા બાદ ચિંતામાં મુકાયેલા વિષ્ણુભાઈ આજે વહેલી સવારે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચોથા માળેથી પટકાતા મજુરની મોત રાજકોટ શહેરમાં આવેલ વગડ ચોક પાસે એચપી પેટ્રોલ પંપ પાસે આવેલ ધ ફોટ્રીન બિલ્ડીંગમાં નિમેશભાઈ મહેતાની બાંધકામ સાઈટ ઉપર સુરજ તિલકસીંગ પાલ (ઉ.વ.19) કલર કામ કરતો હતો દરમિયાન ચોથા માળેથી પડી જતા તેનું મોત નીપજ્યું હતું જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા પોલીસ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સુરજ તિલકસીંગ પાલ મૂળ ઉત્તરપ્રદેશનો વતની હોવાનું અને બે ભાઈ એક બહેનમાં નાનો હોવાનું સામે આવ્યું છે. ઝેરી દવા પી યુવકનો આપઘાત નીતિન ઉર્ફે કલ્પેશભાઈ કેશુભાઈ ધોળકિયા (ઉ.વ.28)એ ગઈ તા.13ના રોજ માંડા ડુંગરમાં ખાણ વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી બનાવ અંગે પરિવારને જાણ થતા પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં નિતીન બે ભાઈમા નાનો હોવાનું અને એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. તે માંડાડુંગર વિસ્તારમાં ચામુંડા પાન નામે પાનની દુકાન ચલાવતો હતો. થોડા સમય પહેલા પતિ-પત્ની બંને માતા પિતાથી અલગ થઈ આ જ વિસ્તારમાં ભાડે મકાન રાખીને રહેવા ગયા હતા જેમાં જુના ઘરે રહેલું જૂનું ફ્રીજ આ મકાને લઈ આવવા અથવા તો નવું ફ્રીજ લેવું એ બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી આ પછી ઝઘડો થયો હતો. અવારનવાર થતા ઘર કંકાસથી કંટાળીને નીતિને આપઘાત કરી લીધાનો પરિવારજનોનો આક્ષેપ છે. હાલ આજીડેમ પોલીસ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં વૈષ્ણોદેવી વિસ્તારમાં રહેતા બે વ્યક્તિઓએ ડોમિનોઝ પિઝા સામે દાવો દાખલ કર્યો હતો. જે મુજબ ડોમિનોઝ પિઝા એ તેમની પાસેથી બિલની રકમ કરતાં 49 રૂપિયા વધુ વસૂલ્યા હતા. તેઓએ ગત ડિસેમ્બર મહિનામાં ડોમિનોઝ પિઝાના આઉટલેટ ઉપર પીઝા અને બર્ગર માટે ઓનલાઈન ઓર્ડર બુક કરાવ્યો હતો. જેનું ઓનલાઇન બિલ 313 રૂપિયા થયું હતું. ગ્રાહકે ડોમિનોઝના ઇમેલ એકાઉન્ટ ઉપર ઈમેલ કર્યોજો કે ડીલેવરી બોય જ્યારે ડીલેવરી આપવા આવ્યો ત્યારે તેમને અરજદાર ગ્રાહકો પાસેથી 361.57 રૂપિયાની માગ કરી હતી. આથી અરજદાર ગ્રાહકોએ ડીલેવરી બોયને 365 રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ ગ્રાહકે ડોમિનોઝના ઇમેલ એકાઉન્ટ ઉપર ઈમેલ કર્યો હતો. જેમાં સામેથી તેમને 24 કલાકમાં તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી. પરંતુ કોઈ જવાબ નહીં મળતા ગ્રાહકે ફરી કંપનીને ઇમેઇલ કર્યો હતો. ગ્રાહકે બિલની કોપી, ઓર્ડરના સ્ક્રીનશોટ વગેરે કોર્ટ સમક્ષ રજૂ કર્યા18 દિવસ વિત્યા હોવા છતાં ગ્રાહકના પ્રશ્નનું નિરાકરણ આવ્યું નહોતું. જ્યારે ડોમિનોઝે ગ્રાહકને જણાવ્યું હતું કે, પૈસા બિલ મુજબ જ લેવામાં આવ્યા છે. ઓનલાઇન બિલ જનરેટ થાય તેના કરતાં વધુ રકમ વેન્ડર્સ વસૂલી શકતા નથી. ગ્રાહકે બિલની કોપી, ઓર્ડરના સ્ક્રીનશોટ, ચૂકવેલી રકમનો ઓનલાઈન સ્ક્રીનશોટ વગેરે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને નોંધ્યું હતું કે ગ્રાહકને ખામીયુક્ત સેવા મળી છે. અરજદારને 3 હજાર અને 49 રૂપિયા વ્યાજ સાથે ચૂકવવા હુકમકંપનીએ એક્સ્ટ્રા ચાર્જ વસૂલ્યો છે અને રિફંડ પણ આપ્યું નથી. આ ગ્રાહકના અધિકાર ઉપર તરફ સમાન છે. આ એક ગેર વાજબી પ્રથા છે. જેમાં ગ્રાહકને માનસિક યાતનાના 2 હાજર રૂપિયા અને કોર્ટ કેસના 1 હજાર રૂપિયા તેમજ એક્સ્ટ્રા ચૂકવેલા 49 રૂપિયાના 9 ટકા વાર્ષિક વ્યાજ સાથેની રકમ 30 દિવસમાં ડોમિનોઝે ગ્રાહકને ચૂકવી આપવા કમિશને હુકમ કર્યો હતો.
રીછવાણીમાં આંબા પરથી પટકાતા મહિલા ગંભીર ઇજાગ્રસ્ત:ગોધરા સિવિલમાં સારવાર હેઠળ, પગમાં ગંભીર ફ્રેક્ચર
પંચમહાલ જિલ્લાના રીછવાણી ગામે એક મહિલા આંબાના ઝાડ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. 45 વર્ષીય મહિલાને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રીછવાણી ગામના રહેવાસી રમીલાબેન ડામોર (ઉંમર 45) પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ આંબાના ઝાડ પર ચઢ્યા હતા, પરંતુ અચાનક સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક તપાસ અને એક્સ-રે રિપોર્ટ કર્યા બાદ જણાવ્યું કે રમીલાબેનના પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતના નિર્વાચન આયોગના આદેશાનુસાર, તા. 01/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં યોજાયેલ 'ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ' (SIR-2025) સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ ઉપલક્ષમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રમુખ, પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આખરી પ્રસિદ્ધ થયેલી મતદારયાદીની નકલો એનાયત કરવામાં આવી હતી. યાદી સંબંધિત તેમના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરી તે અંગે સાચું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી કે.એસ. યાજ્ઞિકે જણાવ્યું હતું કે, આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં એકદમ સચોટ, પારદર્શક અને અદ્યતન મતદારયાદી તૈયાર કરવાનો હતો. આ ભગીરથ કાર્યને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે 5 ERO, 14 AERO અને 21 Add. AEROના માર્ગદર્શન હેઠળ 1725 બૂથ લેવલ ઓફિસર (BLO)એ પાયાના સ્તરે પ્રશંસનીય કામગીરી કરી છે. મતદારયાદીના શુદ્ધિકરણ માટે ડબલ નોંધણી, અવસાન પામેલા કે કાયમી સ્થળાંતરિત થયેલા મતદારોના નામ નિયમોનુસાર કમી કરી અત્યંત ચોકસાઈ રાખવામાં આવી છે. મતદારયાદીની આંકડાકીય માહિતી આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, SIR-2025 પૂર્વે જિલ્લામાં 14,81,991 મતદારો હતા. તા.19/12/2025ના રોજ પ્રસિદ્ધ થયેલા પ્રથમ તબક્કાના ડ્રાફ્ટ રોલમાં 13,44,959 મતદારો હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલ 21,316 મતદારોનો ઉમેરો (ફોર્મ 6 અને 8) થયો છે, જ્યારે કુલ 21,415 નામો કમી કરવામાં આવ્યા છે. આમ, આજની સ્થિતિએ જિલ્લામાં કુલ 13,44,860 મતદારો નોંધાયેલા છે. ખાસ કરીને 18-19 વર્ષના યુવાનો લોકશાહીમાં સહભાગી બને તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ કેમ્પ કરવામાં આવ્યા હતા. ટેકનોલોજીના માધ્યમથી Voter Helpline App અને NVSP પોર્ટલ દ્વારા ઓનલાઈન નોંધણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને આખરી મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, જો હજુ પણ કોઈ પાત્રતા ધરાવતા નાગરિકનું નામ રહી ગયું હોય તો ફોર્મ નં-6 ભરી શકે છે અને અપાત્ર વ્યક્તિના નામ બાબતે ફોર્મ નં-7 દ્વારા તંત્રને જાણ કરી શકાય છે. લોકશાહીના આ મહાપર્વમાં કોઈ પણ લાયક નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે. બેઠકના અંતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુદીપ શાહે તમામ રાજકીય પક્ષોને મતદારયાદીની વિગતોથી માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ, ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર સચિવાલય સંકુલની સલામતી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને કર્મચારીઓની અવરજવરને સુવ્યવસ્થિત કરવાના હેતુથી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગેટ નંબર 8 માટેના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ સચિવાલયના ગેટ નંબર 8 પરથી હવે માત્ર નિયત સમયે જ પ્રવેશ અને બહાર જવાની સુવિધા મળી રહેશે. ગેટ નંબર 7ની જેમ જ મર્યાદિત સમય ગેટ 8નો ઉપયોગ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજરોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર, સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ ગેટ નંબર 8નો ઉપયોગ હવે ગેટ નંબર 7ની જેમ જ મર્યાદિત સમય માટે કરી શકશે. વાહનો માટે નો-એન્ટ્રી અને જાણી લો સમયઆ વ્યવસ્થા મુખ્યત્વે પોઈન્ટની બસમાં આવતા કર્મચારીઓને અનુકૂળતા રહે તે હેતુથી કરવામાં આવી છે. નવી સૂચનાઓ મુજબ કર્મચારીઓ સવારે 10થી 11 કલાક દરમિયાન પોતાના અધિકૃત ઓળખપત્ર બતાવીને ગેટ નંબર 8થી પગપાળા પ્રવેશ કરી શકશે. તેવી જ રીતે સાંજના સમયે કચેરીથી છૂટતી વખતે 5:45 થી 6:45 દરમિયાન આ ગેટ પરથી બહાર જવાની મંજૂરી આપવામાં આવશે. આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ સચિવાલય સંકુલની સલામતી અને પ્રવેશ નિયંત્રણ છે. ફક્ત ચાલીને જ અવરજવર કરી શકાશેવધુમાં તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, ગેટ નંબર 8નો ઉપયોગ માત્ર ચાલીને અવરજવર માટે જ કરી શકાશે. કોઈપણ પ્રકારના વાહનોની આવનજાવન માટે આ ગેટ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. આ આદેશોના પાલન માટે ગાંધીનગર પોલીસ અધિક્ષક અને સચિવાલયની સલામતી શાખાને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ નવા નિયમો તાત્કાલિક અસરથી અમલી બનશે, જેની જાણ સચિવાલયના તમામ વિભાગોને કરી દેવામાં આવી છે.
ગોધરા રોડ પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત:છબનપુર નજીક અથડામણ, બંને ચાલકોને સામાન્ય ઇજા
ગોધરા-લુણાવાડા રોડ પર છબનપુર નજીક કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને વાહનોના ચાલકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, એક એર્ટિંગા કાર રાજગઢ તરફથી શહેરા તરફ જઈ રહી હતી. તે દરમિયાન છબનપુર પાસે સામેથી આવતી છકડો રિક્ષા સાથે તેની અથડામણ થઈ હતી. અથડામણને કારણે બંને વાહનોને નુકસાન થયું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ચાલકોને પ્રાથમિક સારવાર માટે ખસેડ્યા હતા. આ અકસ્માતમાં કોઈ ગંભીર ઇજા કે જાનહાનિ થઈ ન હતી. અકસ્માતને કારણે લુણાવાડા રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લઈને વાહનવ્યવહાર ફરીથી સુચારુ બનાવ્યો હતો.
ખાખસર શાળામાં 'માતૃ-પિતૃ વંદના' કાર્યક્રમ યોજાયો:બાળકોએ શાસ્ત્રોક્ત વિધિથી માતા-પિતાનું પૂજન કર્યું
ખાખસર પ્રાથમિક શાળા ખાતે 17 ફેબ્રુઆરીના રોજ 'માતૃ-પિતૃ વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોના સિંચન તેમજ 'માતૃદેવો ભવ:' અને 'પિતૃદેવો ભવ:'ના આદર્શોને જીવંત રાખવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ બકુલભાઈ જોષી દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે થયો હતો. બાળકોએ પોતાના માતા-પિતાના ચરણ પક્ષાલન કરી, કુમકુમ તિલક અને અક્ષત લગાવી પૂજન કર્યું હતું. ત્યારબાદ પુષ્પવર્ષા સાથે માતા-પિતાનું સ્વાગત કરી બાળકોએ તેમને મીઠાઈ ખવડાવી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે વક્તાઓએ ભારતીય સંસ્કૃતિના વારસા અને માતા-પિતાના ઋણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે શિક્ષણનો મુખ્ય હેતુ માત્ર અક્ષરજ્ઞાન નહીં, પરંતુ ચારિત્ર્ય નિર્માણ પણ છે. આ કાર્યક્રમના આયોજનમાં શાળાના શિક્ષકો અને એસ.એમ.સી. સમિતિના સભ્યોએ સહયોગ પૂરો પાડ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્યમવર્ગીય પરિવારોને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા અને ફાળવેલા મકાનોને લાભાર્થીઓ દ્વારા ભાડે આપી દેવામાં આવે છે, ત્યારે AMCની હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલને માહિતી મળી હતી કે, સાયન્સ સિટી રોડ ઉપર આવેલા એવરેસ્ટ એન્કલેવ નામના સરકારી ફ્લેટમાં લાભાર્થી દ્વારા મકાનો ભાડે આપી દેવામાં આવ્યા છે. મકાનો ભાડે અપાતા હોવાને લઈને AMCની વિજિલન્સની ટીમ દ્વારા આવાસ યોજનાના મકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. બે મકાનો ભાડે આપ્યા હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. AIRBNB સાઈટ પરથી મકાનનું ઓનલાઈન બુકિંગ થતુંહાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સોલા-સાયન્સ સિટી રોડ ઉપર આવેલા એવરેસ્ટ એન્કલેવ નામની આવાસ યોજનાના મકાનો ભાડે અપાતા હોવાની જાણકારી મળી હતી. જેનું AIRBNB સાઈટ પરથી ઓનલાઈન બુકિંગ થતું હતું. જેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજિલન્સ વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. વિજિલન્સ વિભાગની ટીમ દ્વારા બાતમી વાળા મકાન નંબર 105 અને 305માં જઈને તપાસ કરી હતી. આ મકાનો ભાડે આપ્યા હોવાનું સામે આવ્યું છે જેના કારણે બંને મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ભાડે આપનાર લાભાર્થીઓના મકાનો સીલ કરવામાં આવશેવધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2025માં આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરી અને મકાનો ફાળવવામાં આવ્યા હતા. જોકે એક જ વર્ષમાં આ મકાનો લાભાર્થીઓ દ્વારા ભાડે ચડાવી દેવામાં આવ્યા છે. આવાસ યોજનાના મકાનો ભાડે આપ્યા હોવાનું સામે આવ્યું છે જેના પગલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તમામ આવાસ યોજનામાં જે પણ લાભાર્થે દ્વારા મકાનો ભાડે આપવામાં આવ્યા હોય એવા તમામ મકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં પણ લાભાર્થી સિવાયના અન્ય લોકો રહેતા હશે અથવા તો મકાનો ભાડે આપ્યા હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમના મકાનોને સીલ કરવામાં આવશે. હોટલ રૂમની જેમ બેથી ત્રણ દિવસ માટે મકાન ભાડે આપતાઆવાસ યોજનાના મકાનોને AIRBNB વેબસાઈટ પરથી ઓનલાઇન બુકિંગ કરાવી અને બેથી ત્રણ દિવસ માટે રહેવા માટે ભાડે આપતા હતા. જે લોકો બેથી ત્રણ દિવસ માટે રહેવા માંગતા હોય તેવા લોકોને આ મકાનો આપવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. પીજી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો કે કેમ તે અંગે હાલ વધારે તપાસ કરવામાં આવી રહી છે. મકાન માલિક કોણ છે અને કેટલા સમયથી આ ઓનલાઇન સિસ્ટમથી મકાન આપવામાં આવી રહ્યું હતું તેની પણ તપાસ ચાલી રહી છે. મકાનનું ભાડું પ્રતિ દિવસનું એકથી ત્રણ હજાર સુધીનું લેવાતુંબહારથી ફરવા આવતાં લોકોને મકાન એક અથવા બે દિવસ માટે ભાડે આપવામાં આવતા હતા. જેનું ભાડું પ્રતિ દિવસનું એક હજારથી ત્રણ હજાર સુધીનું લેવામાં આવતું હતું. શહેરનો પોશ વિસ્તાર હોવાના કારણે આ જગ્યા પર હોટલની જેમ રહેવા માટે સરકારી આવાસ યોજનાના મકાનોને ઓછા દરે લાભાર્થી પાસેથી ભાડે લઈ અને બહારથી ફરવા આવતાં લોકોને હોટલ સ્ટે તરીકે આપવામાં આવતું હતું.
મહેસાણા શહેરના મોઢેરા ચોકડી પાસે આવેલા હબ ટાઉન કોમ્પ્લેક્સમાં કપડાની દુકાન ચલાવતા વેપારી પર રાત્રિના સમયે ચાર શખ્સોએ હુમલો કરી છરી વડે ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. નાગલપુરના શખ્સે પોતાની ઓળખ ‘અક્કી દાદા’ તરીકે આપી વેપારી પાસે હપ્તાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. દુકાન બંધ થઈ ગઈ હોવાનું કહેતા શખ્સ ઉશ્કેરાયોમહેસાણાના રામનગર સોસાયટીમાં રહેતા અને મોઢેરા ચોકડી પાસે ‘લીથલવેર’ નામની કપડાની દુકાન ધરાવતા રાકેશકુમાર પ્રજાપતિ ગત 14 ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે પોતાની દુકાન વધાવીને ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હતાં. આ સમયે ચાર અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા અને કપડા લેવા માટે દુકાન ખોલવા દબાણ કર્યું હતું. વેપારીએ દુકાન બંધ થઈ ગઈ હોવાનું કહેતા એક શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો. ‘અક્કી દાદા’ એ છરીના ઘા ઝીંકી જાનથી મારવાની ધમકી આપીહુમલાખોર શખ્સે પોતાની ઓળખ આપતા જણાવ્યું હતું કે, 'હું નાગલપુરનો રબારી અક્ષય ઉર્ફે અક્કી દાદા છું. તારે દુકાન ખોલીને મને કપડા આપવા પડશે નહીતર સવારે દુકાન કેવી રીતે ખોલે છે તે જોઉં છું'. આટલું કહી આરોપીઓએ વેપારી સાથે ગાળાગાળી અને ઝપાઝપી શરૂ કરી હતી. તે દરમિયાન અક્ષય ઉર્ફે અક્કીએ પોતાની કમરના ભાગેથી છરી કાઢી વેપારીને ડાબા હાથ અને પગના ભાગે ઝીંકી દીધી હતી. 'દુકાન ખોલવી હોય હપ્તો આપવા પડશે'આરોપીએ જતી વખતે ધમકી આપી હતી કે જો હવે પછી દુકાન ખોલવી હોય તો તેને પૈસા હપ્તો આપવા પડશે નહીતર જાનથી મારી નાખીશ. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વેપારીએ પોતાના ભાગીદાર સાથે પોલીસ મથકે પહોંચી અક્ષય ઉર્ફે અક્કી અને તેની સાથેના અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્ય સ્તરની 'આઇડિયાથોન' સ્પર્ધામાં બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ (ઓટોનોમસ) કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે. આ સિદ્ધિથી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજનું ગૌરવ વધ્યું છે. બી.એસસી. (સી.એ. એન્ડ આઈ.ટી.) સેમેસ્ટર-6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પારસ સેમરુડકાર અને યશ ભોઇએ આ રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમની પ્રતિભાના આધારે, બંને વિદ્યાર્થીઓ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા હતા. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડો. બી.એન. પટેલ તેમજ સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડો. નયન એસ. પટેલે તેમને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કોલેજ પરિવારે પણ વિજેતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
અકસ્માતોના બનાવો અટકાવવા માટે રાજ્ય સરકાર અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ રાજ્યભરની અલગ અલગ પોલીસ દ્વારા LED વ્હાઇટ લાઈટ નો ઉપયોગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ભાવનગર શહેરમાં પણ માત્ર 6 દિવસના ટૂંકા ગાળામાં 280 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી રૂ.2.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યા હતા. મુખ્ય રસ્તાઓ તથા ધોરી હાઇવે માર્ગો પર રાત્રિના સમયે સર્જાતા અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે અને આ વધારા પાછળ અલગ અલગ કારણો જવાબદાર છે જેમાં બેદરકારી પૂર્વક વાહન ચલાવવું તેમજ એક મુખ્ય કારણ એવું પણ છે કે મોટા વાહનો અને ફોરવીલ વાહનોમાં લગાવવામાં આવતી હેડલાઈટમાં એલઇડી વ્હાઇટ કલરની લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે આવી લાઈટનો ઉપયોગ કરવાથી સામેના વાહન ચાલકો તે જ રોશનીમાં અંજાઈ જાય છે અને વાહન પરનો કાબૂ ગુમાવતા અકસ્માતો સર્જાય છે, ભાવનગર શહેરમાં ભાવનગર સીટી ટ્રાફિક શાખા માં 177 મેમો ના રૂ.1,77,000 નો દંડ, એ ડિવિઝન માં 26 મેમો ના રૂ.21,000 નો દંડ, બી ડિવિઝન માં 12 મેમો ના રૂ.12,000 નો દંડ, સી ડિવિઝન માં 28 મેમો ના રૂ.28,000 નો દંડ, ભરતનગર પોલીસ સ્ટેશન માં 10 મેમો ના રૂ.10,000 નો દંડ તથા ડી ડિવિઝન પોલીસ સ્ટેશન માં 27 મેમો ના રૂ.27,000 નો દંડ મળી આમ, 280 વાહનચાલકો સામે કાર્યવાહી કરી કુલ 2,75,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો, રાત્રી દરમિયાન LED લાઇટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને 6 દિવસના ગાળામાં અનેક વાહનો માં લગાવેલ એલઇડી લાઇટો દૂર કરવામાં આવી હતી તથા વાહન ચાલકો પાસેથી રૂ.2,75,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ શરૂ રહેવાની હોવાનું પોલીસે જણાવ્યું છે.
સુરત મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવીને ફરીયાદીને 'ડિજિટલ એરેસ્ટ' કરી રૂ. 60,14,885 જેવી માતબર રકમ પડાવી લેવાના હાઈપ્રોફાઈલ ગુનામાં પોલીસે વધુ એક સફળતા મેળવી છે. આ ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપી પ્રતીક સતિષ શુક્લાને સુરત સાયબર ક્રાઇમે ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ ધરપકડ સાથે જ સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવાનો કઈ રીતે ગુનાખોરી તરફ વળી રહ્યા છે તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. કાપડ ડિઝાઇનિંગના વ્યવસાયની આડમાં કાળું કામપકડાયેલ આરોપી પ્રતીક શુક્લા માત્ર 22 વર્ષનો છે અને તે સુરતના જાણીતા ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ ડિજિટલ ડિઝાઇનિંગનું કામ કરે છે. 12 પાસ આ યુવાન કમ્પ્યુટર અને ડિજિટલ ટેકનોલોજીનો જાણકાર હોવા છતાં, તેણે પોતાની આવડતનો ઉપયોગ સર્જનાત્મક કામને બદલે સાયબર ફ્રોડમાં કર્યો હતો. કાપડ ઉદ્યોગમાં ડિઝાઇનિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાને કારણે તે ટેકનિકલ બાબતોથી વાકેફ હતો, જેનો ઉપયોગ તેણે સાયબર ગુનેગારોને બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે કર્યો હતો. ડિજિટલ એરેસ્ટ કરીને 60 લાખ પડાવ્યાઆ ઠગ ટોળકીએ ફરિયાદીને ફોન કરી પોતે મુંબઈ સાયબર ક્રાઇમમાંથી 'બાલસિંગ રાજપૂત' અને 'સુનિલ દુબે' બોલે છે તેવી ખોટી ઓળખ આપી હતી. તેમણે ફરિયાદીને ડરાવ્યા હતા કે તમારા આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. ફરિયાદીને કલાકો સુધી વીડિયો કોલ પર ડિજિટલ એરેસ્ટરાખી, જેલની ધમકી આપી, RBI વેરીફિકેશનના નામે રૂ. 60 લાખથી વધુની રકમ RTGS દ્વારા ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ કૌભાંડમાં પ્રતીક શુક્લાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. માત્ર રૂ. 6 હજારના કમિશન માટે કૌભાંડમાં ભાગીદારીપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પ્રતીકે અગાઉ પકડાયેલા આરોપી અંકુર કુસ્વાહનું IDBI બેંકનું ખાતું માત્ર રૂ. 6,000ના કમિશનની લાલચે મેળવ્યું હતું. આ એકાઉન્ટ તેણે સાયબર ફ્રોડ કરતી ગેંગને વાપરવા માટે આપ્યું હતું. આ એક જ એકાઉન્ટમાં રૂ. 24,81,960/- ના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, આ એકાઉન્ટ દ્વારા દેશના અલગ-અલગ 5 રાજ્યોમાં છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદો 'SAMANVAYA' પોર્ટલ પર નોંધાયેલી છે. આમ, સુરતનો આ ડિઝાઇનર આંતરરાજ્ય સાયબર રેકેટનો હિસ્સો બની ગયો હતો. રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતાસુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પ્રતીક શુક્લાને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, કાપડ માર્કેટમાં કામ કરતા અન્ય કેટલા યુવાનો આ રીતે કમિશનની લાલચે પોતાના કે અન્યના બેંક ખાતા સાયબર ઠગોને વેચી રહ્યા છે. સાયબર સેલના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, ડિજિટલ ડિઝાઇનિંગ કે અન્ય આઇટી ક્ષેત્રે કામ કરતા યુવાનોએ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોથી દૂર રહેવું જોઈએ, અન્યથા કડક કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
ભારતના નિર્વાચન આયોગના આદેશાનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં યોજાયેલ 'ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ' (SIR-2025) સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ અંતર્ગત, જિલ્લામાં કુલ 13,44,860 મતદારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પ્રસંગે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રમુખો/પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આખરી પ્રસિદ્ધ થયેલી મતદારયાદીની નકલો એનાયત કરવામાં આવી હતી. યાદી સંબંધિત તેમના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરી તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બેઠકને સંબોધિત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી કે.એસ.યાજ્ઞિકે જણાવ્યું હતું કે, આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં એકદમ સચોટ, પારદર્શક અને અદ્યતન મતદારયાદી તૈયાર કરવાનો હતો. આ કાર્યને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે 5 ERO, 14 AERO અને 21 Add. AEROના માર્ગદર્શન હેઠળ 1725 બૂથ લેવલ ઓફિસર (BLO)એ પાયાના સ્તરે પ્રશંસનીય કામગીરી કરી છે. મતદારયાદીના શુદ્ધિકરણ માટે ડબલ નોંધણી, અવસાન પામેલા કે કાયમી સ્થળાંતરિત થયેલા મતદારોના નામ નિયમોનુસાર કમી કરી અત્યંત ચોકસાઈ રાખવામાં આવી છે. મતદારયાદીની આંકડાકીય માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, SIR-2025 પૂર્વે જિલ્લામાં 14,81,991 મતદારો હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલ 21,316 મતદારોનો ઉમેરો (ફોર્મ 6 અને 8) થયો છે, જ્યારે કુલ 21,415 નામો કમી કરવામાં આવ્યા છે. આમ, આજની સ્થિતિએ જિલ્લામાં કુલ 13,44,860 મતદારો નોંધાયેલા છે. ખાસ કરીને 18-19 વર્ષના યુવાનો લોકશાહીમાં સહભાગી બને તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ કેમ્પ કરવામાં આવ્યા હતા. ટેકનોલોજીના માધ્યમથી Voter Helpline App અને NVSP પોર્ટલ દ્વારા ઓનલાઈન નોંધણી પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના તમામ નાગરિકોને આખરી મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જો હજુ પણ કોઈ પાત્રતા ધરાવતા નાગરિકનું નામ રહી ગયું હોય તો ફોર્મ નં-6 ભરી શકે છે અને અપાત્ર વ્યક્તિના નામ બાબતે ફોર્મ નં-7 દ્વારા તંત્રને જાણ કરી શકાય છે. લોકશાહીના આ મહાપર્વમાં કોઈ પણ લાયક નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે. બેઠકના અંતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુદીપ શાહે તમામ રાજકીય પક્ષોને મતદારયાદીની વિગતોથી માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. https://electoralsearch.eci.gov.in/ પર જઈને પણ તમારું નામ મતદારયાદીમાં છે કે નહીં એ તપાસી શકાશે. આ વેબસાઇટમાં નામ ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિઝર સમજાવી રહ્યા છીએ આ પણ વાંચો-ફાઇનલ વોટર લિસ્ટ જાહેર, તમારું નામ 3 સ્ટેપથી ચેક કરો
રાજ્યમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ ધારાસભ્યો માટે ખાસ ભોજન સાથે વિસ્તૃત ચર્ચા બેઠક યોજાશે. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. સરકારના વિભાગોની કામગીરી અને બજેટ સત્રને લઈ ચર્ચા થવાની શક્યતામાહિતી મુજબ, બેઠકમાં સત્ર દરમિયાન ગૃહમાં ઉઠેલા પ્રશ્નો, સરકારના વિભાગોની કામગીરી અને જાહેર હિતના મુદ્દાઓ પર સમીક્ષા થશે. ખાસ કરીને વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવતી ટીકા અને આરોપોને કેવી રીતે તથ્યઆધારિત રીતે જવાબ આપવો તેની દિશામાં માર્ગદર્શન આપવામાં આવશે. ધારાસભ્યોને ગૃહમાં એકસરખું અને સુસંગત વલણ અપનાવવા સૂચના અપાય તેવી શક્યતા છે. બજેટ સંબંધિત મુદ્દાઓ, વિકાસકાર્યોની પ્રગતિ, કલ્યાણકારી યોજનાઓનો અમલ અને મતવિસ્તાર સ્તરે પડકારો અંગે પણ ચર્ચા થવાની ધારણા છે. સરકારની સિદ્ધિઓને વધુ અસરકારક રીતે જનતા સામે રજૂ કરવા માટે સંચાર વ્યૂહરચના પર પણ વિચારવિમર્શ થશે. વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે સંકલન મજબૂત કરવાનો પ્રયાસસંગઠનાત્મક દ્રષ્ટિએ, આ બેઠક દ્વારા ધારાસભ્યો વચ્ચે સંકલન મજબૂત કરવાનો અને સત્ર દરમિયાન ગૃહમાં દૃઢ હાજરી દર્શાવવાનો સંદેશ આપવામાં આવશે. અનૌપચારિક માહોલમાં યોજાતું આ ભોજન-મંથન રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ચાલુ સત્ર વચ્ચે સત્તાધારી પક્ષ પોતાની તૈયારી અને એકતા બંનેને રેખાંકિત કરવા માંગે છે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે આજની બેઠક બાદ ગૃહમાં સરકાર વધુ આત્મવિશ્વાસ સાથે મુદ્દાઓનો સામનો કરશે અને આવનારા દિવસોમાં ચર્ચા-ટકકરમાં તીવ્રતા જોવા મળી શકે છે.
મહેસાણામાં 16.22 લાખથી વધુ મતદારો નોંધાયા:જેના નામ રદ થયા હોય તે ફરીથી નવું ફોર્મ ભરી એડ કરાવી શકશે
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર સમગ્ર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત મહેસાણા જિલ્લાની આખરી મતદારયાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અભિષેક પરમારના જણાવ્યા અનુસાર 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ સાડા ત્રણ માસ લાંબી ઝુંબેશના વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ જિલ્લામાં હવે કુલ 16,22,537 મતદારો નોંધાયા છે. કંઈ વિધાનસભામાં કેટલા મતદારો નોંધાયાઆ સુધારણા કાર્યક્રમ દરમિયાન નાગરિકો પાસેથી હક્ક-વાંધા અને દાવાઓ સ્વીકારવામાં આવ્યા હતાં. જેનો 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ચકાસણી કરી નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લાની વિવિધ વિધાનસભા બેઠકો મુજબ મતદારોની વિગત જોઈએ તો ખેરાલુમાં 2,21,514, ઊંઝામાં 2,20,267, વિસનગરમાં 2,13,871, બેચરાજીમાં 2,46,686, કડીમાં 2,61,427, મહેસાણામાં 2,50,522 અને વિજાપુર વિધાનસભા મતવિસ્તારમાં 2,08,250 મતદારો નોંધાયા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બી.એલ.ઓ. દ્વારા ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મ વિતરણ અને ડિજિટાઈઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા સ્તરે રાજકીય પક્ષો સાથે બેઠકો યોજી તેમને પ્રક્રિયાથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને મતદારોની સહાય માટે ખાસ હેલ્પ ડેસ્કની સુવિધા પણ ઊભી કરવામાં આવી હતી. જેના નામ ના હોય તે ફરીથી નામ એડ કરાવી શકશેચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હજુ પણ બાકી રહી ગયેલા પાત્રતા ધરાવતા નાગરિકો 'ECINet App' અથવા ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકશે. હાલમાં નવા નોંધાયેલા મતદારોને તેમના ઓળખપત્ર (EPIC) પોસ્ટ દ્વારા ઘરે પહોંચાડવાની કામગીરી ચાલુ છે. જ્યારે ડિજિટલ e-EPIC ડાઉનલોડ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ જિલ્લાના તમામ નાગરિકોને લોકશાહીની આ પ્રક્રિયામાં સક્રિયપણે સહભાગી થવા અનુરોધ કર્યો છે.
આપણે સૌ જાણીએ છીએ કે સંઘ અને ભાજપના કારણે ભારતમાં ફરી હિંદુવાદી વિચારધારાની લહેર જન્મી છે. જાણીને નવાઈ લાગશે કે આ વિચારધારા પાડોશી દેશમાં પણ ફેલાઈ શકે છે. શું આપણો પાડોશી દેશ નેપાળ ફરીથી વિશ્વનું એકમાત્ર હિંદુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે? હિમાલયની ગોદમાં અત્યારે જે જ્વાળામુખી ફાટી નીકળ્યો છે, તે માત્ર સત્તા પરિવર્તન નથી પણ ભ્રષ્ટ સિસ્ટમ સામેનો જેન ઝી પેઢીનો મહાવિદ્રોહ છે. સપ્ટેમ્બર 2025માં માત્ર સોશિયલ મીડિયા પરના પ્રતિબંધથી શરૂ થયેલા આ આંદોલને કાઠમંડુની ગલીઓને લોહીથી લાલ કરી દીધી, જેમાં 77 લોકોએ જીવ ગુમાવ્યા અને ચીની માનસિકતાવાળા વડાપ્રધાન ઓલીએ સત્તા છોડવી પડી. નેતાઓના નેપોકિડ્સની વૈભવી લાઈફસ્ટાઈલ અને ભારે બેરોજગારીથી કંટાળેલા નેપાળી યુવાનો અને લોકો હવે લોકશાહીને બદલે ફરી રાજાશાહીની માગ કરી રહ્યા છે. આ સંઘર્ષમાં ભારતની સરહદી સુરક્ષા અને ચીનના અબજોના BRI પ્રોજેક્ટ્સ દાવ પર લાગ્યા છે. જો માર્ચ 2026ની ચૂંટણીમાં નેપાળ ફરી હિંદુ રાષ્ટ્ર બનશે, તો ભારતની સાંસ્કૃતિક સોફ્ટ પાવર વિશ્વસ્તરે મજબૂત થશે. કેમ ચીન આ પરિવર્તનથી ફફડી રહ્યું છે અને ભારત માટે આ કેમ એક ઐતિહાસિક વળાંક છે? બધુ જ વિગતવાર જાણીએ. નમસ્કાર... નેપાળ ફરી હિંદુ રાષ્ટ્ર બનશે તે સમજવા માટે નજીકમાં થયેલી મોટી ભૂચાલ પર નજર કરવી પડશે. થયું કંઈક એવું હતું કે સપ્ટેમ્બર 2025માં નેપાળની કેપી શર્મા ઓલી સરકારે ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવી 26 સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર શરતો ન માનવા માટે બેન લગાવી દીધો. ઓલી સરકારને અંદાજ પણ ન હતો કે તેમનો આ નિર્ણય તેમની સરકારને ઉખાડી અને ફેંકી દેશે. જો કે કંઈ પણ ઘટના ઘટે તે એમને એમ નથી થતી. નેપાળના જેનઝી આંદોલનનું પણ કંઈક એવું જ હતું. નેપાળની સરકાર રાતોરાત નથી ઉથલી તેની પાછળ નેપાળીઓનો વર્ષો સુધી ભભૂકી રહેલો ગુસ્સો જવાબદાર હતો. બધુ જાણીએ તે પહેલા નેપાળનો સાદો પરિચય મેળવી લઈએ. લોકશાહીથી નિરાશ જનતા: બેરોજગારી અને નેપોકિડ્સનો ગુસ્સોનેપાળના લોકોએ સમજ્યું કે 2008 બાદ રાજાશાહી છોડીને લોકશાહી અપનાવી પણ તે મોડલ આર્થિક રીતે ફેલ ગયું. નેપાળના લોકો બેરોજગારી અને મોંઘવારી સામે લડી રહ્યા હતા અને નેતાઓના સંતાનો વૈભવી જીવન જીવી રહ્યા હતા. કાં તો વિદેશમાં ભણી રહ્યા હતા કાં તો વિદેશમાં પ્રવાસો કરી રહ્યા હતા. પોખરા એરપોર્ટથી ટેરામોક્સ સુધી: ભ્રષ્ટાચારનો ભડકોસામેની બાજુ નેપાળના સામાન્ય નાગરીકની વાર્ષિક આવક માત્ર 1 લાખ 27 હજાર રૂપિયા થઈ ગઈ હતી. 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં બેરોજગારીનો દર 20% થી વધુ હતો. નેપાળમાં લોકશાહી સરકારોએ કરેલા પોખરા એરપોર્ટ અને ટેરામોક્સ સિસ્ટમની ખરીદીના અબજો રૂપિયાના ભ્રષ્ટાચારના કારણે લોકોમાં લોકશાહી પરથી ભરોસો ઉઠ્યો. જેના કારણે નેપાળી યુવાનોના ગુસ્સાના જ્વાળામુખીએ કેપી શર્મા ઓલીની સરકારને મૂળમાંથી ઉખાડી ફેંકી અને ઓલીને હેલિકોપ્ટરથી ભાગીને રાજીનામું આપવું પડ્યું. સત્તા પરિવર્તનની ટાઈમલાઈનની વાત કરીએ તો… 1768થી 2008: શાહ રાજવંશથી લોકશાહી સુધીની સફર2008 પહેલા નેપાળ વિશ્વનું એકમાત્ર હિંદુ રાષ્ટ્ર હતું. શાહ વંશ હેઠળ નેપાળની રાજાશાહી વિશ્વની સૌથી જૂની રાજાશાહીમાંની એક હતી. નેપાળની રાજાશાહીની શરૂઆત 1768માં શરૂ થઈ. શાહ વંશ પાસે રાજપદ હતું અને રાણા વંશ પાસે સત્તાનું વડાપ્રધાન પદ હતું. 14 સરકારો, 8 PM: અસ્થિર લોકશાહીની કહાનીત્યારે એક સવાલ થાય કે રાજાશાહી બાદ લોકશાહી અને ફરી નેપાળીઓ કેમ રાજાશાહી ઈચ્છી રહ્યા છે અને હિંદુ રાષ્ટ્ર બનવું છે? જવાબ છે 2008માં માઓવાદીઓએ લોકોનો મત સાંભળ્યા વગર આંદોલન કર્યું હતું. બીજું કે નેપાળમાં લોકશાહી સફળ ન રહી. 2008થી 2025 વચ્ચે નેપાળે 14 અલગ અલગ સરકારો જોઈ અને 8 જુદા-જુદા વડાપ્રધાનો જોયા. હિંદુ બહુમતીમાં નારાજગી: ધર્માંતરણ અને રાજકીય અસંતોષ2008 બાદ ધર્માંતરણના કારણે 81 ટકા હિંદુ બહુમતિઓ નારાજ થઈ. અગાઉ વાત કરી એમ લોકશાહીએ નેપાળીઓને ભ્રષ્ટાચાર સિવાય કંઈ આપ્યું નહીં માટે લોકો રાજાશાહીમાં વધુ સુખી અનુભવી રહ્યા હતા. હિમાલ મીડિયાએ 2024માં એક રિસર્ચ કર્યું હતું જેમાં જાણવા મળ્યું કે અડધું નેપાળ (50%) હિંદુ રાજ્ય અને રાજાશાહી ફરી ઈચ્છી રહ્યું છે. RPPનો વાયદો: નેપાળ ફરી વૈદિક સનાતન હિંદુ રાષ્ટ્રહવે માર્ચ મહિનામાં નેપાળમાં ફરી ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેની રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી એટલે કે RPP અને દુર્ગા પ્રસાઈએ નેપાળીઓને વાયદો કર્યો છે કે નેપાળને ફરી વૈદિક સનાતન હિંદુ રાષ્ટ્ર બનાવવામાં આવશે. 27 મુદ્દાઓના મેનિફેસ્ટોની મેઈન વાતો કંઈક આ મુજબ છે... નેપાળમાં આ વખતે ત્રણ વિચારધારાઓનો જંગ હવે નેપાળની આવનાર ચૂંટણીના મોટા ચહેરાઓ અને પક્ષોને સમજીએ. આપણે જેમ ભાજપ, કોંગ્રેસ મોટા પક્ષો છે તેમ નેપાળમાં ત્રણ વિચારધારાઓ વચ્ચે જંગ છે. સ્થાપિત પક્ષો, નવા સુધારાવાદીઓ અને પરંપરાવાદીઓ RPP અને NCP: કિંગમેકર કોણ?તમામ પક્ષોમાં RSP, નેપાળી કોંગ્રેસ અને ઓલીનો CPN-UML પક્ષ મજબૂત છે. હિંદુવાદી વિચારધારાવાળી RPP અને સમાજવાદી વિચારધારાવાળી NCP નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભારત માટે નેપાળ કેમ મહત્વનું?હવે વાત આપણી કરીએ કે ભારતને નેપાળની ચૂંટણીથી અને સત્તા પરિવર્તનથી શું લેવાદેવા? તો નેપાળ આપણું પાડોશી રાજ્ય છે અને ભારતની વિદેશ નીતિ નેઈબર ફર્સ્ટની રહી છે. જ્યાં નેપાળના કુલ નિકાસનો 71.9% હિસ્સો ભારત તરફ જાય છે. 1950ની શાંતિ અને મિત્રતાની સંધિ હેઠળ બંને દેશો વચ્ચે 1,800 કિમીની ખુલ્લી સરહદ છે, જે મુક્ત અવરજવરની સુવિધા આપે છે. ભારત-ચીન વચ્ચે નેપાળની બફર રાજનીતિ નેપાળના આ આંતરિક સંઘર્ષમાં ભારત અને ચીન જેવી મહાસત્તાઓની ભૂમિકા નિર્ણાયક બની રહી છે. નેપાળ માત્ર એક પહાડી દેશ નથી, પરંતુ તે ભારત અને ચીન વચ્ચેના બફર ઝોન તરીકે હિમાલયમાં મોટી જવાબદારી નિભાવે છે. ચીનની ચિંતા: હિંદુ નેપાળથી ઘટશે પ્રભાવ?કેપી શર્મા ઓલીનો ભારતની જગ્યાએ ચીન બાજુ થોડો વધુ જુકાવ હતો. વચગાળાની સરકારમાં સુશીલા કાર્કીની માનસિકતા તટસ્થ હતી. તે ભારત અને ચીન બંનેમાંથી કોઈનો પક્ષ નહોતા લેતા. હવે વાત કરીએ કે નેપાળ ફરી હિંદુ રાષ્ટ્ર બને તો ચીનને શું પેટમાં દુઃખે છે. તો ચીન ઈચ્છે છે કે નેપાળ બિનસાંપ્રદાયિક, અસ્થિર અને સામ્યવાદી રહે જેથી નેપાળ ભારતની જગ્યાએ ચીન પર નિર્ભર રહે.જો નેપાળ ફરી હિંદુ રાષ્ટ્ર બની જાય તો ધાર્મિક અને ભાવનાત્મક રીતે ચીનથી કટઓફ થઈને ભારત નજીક આવે. જો આવું થાય તો નેપાળ પર ચીનનો પ્રભાવ ઘટી શકે. BRI અને વન ચાઈના પોલિસી પર શું પડશે અસર?બીજું કે, જો નેપાળમાં હિંદુ રાષ્ટ્રવાદી સરકાર આવે, તો તે ચીનના BRI જેવા મોટા પ્રોજેક્ટ પર પાણી ફેરવી શકે અથવા પ્રોજેક્ટ્સ નેપાળની જમીન પર બનાવવાની પણ ના પાડી શકે. ભારતની નેઈબર ફર્સ્ટ નીતિ અને આર્થિક સહાયત્રીજું કે, ચીનને ડર છે કે હિંદુ નેપાળ કદાચ વન ચાઈના પોલિસીનું કડક પાલન નહીં કરે અને તિબેટિયન પ્રવૃત્તિઓ માટે આશરો બની શકે છે. આવનાર 5 માર્ચે નેપાળમાં ચૂંટણી છે જે તેના ભવિષ્યનો ફેંસલો લેવાનું છે. આ ચૂંટણીમાં ભારતનો કોઈ સીધો હસ્તક્ષેપ નથી પણ નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં ભારત નેપાળની આર્થિક અને લોજિસ્ટિકમાં મદદ કરી રહ્યું છે. હિંદુ સરકાર આવે તો ધર્માંતરણ પર કડક પગલાં?નવેમ્બર 2025માં ભારત અને ભારતની સમજૂતી થઈ છે. જે મુજબ બંને દેશો વચ્ચે રેલ અને ડિજિટલ ફાયનાન્સના નવા દરવાજા ખુલ્યા છે. ચૂંટણીમાં મુખ્ય ખેલાડીઓ તરીકે હિંદુ છબી ધરાવતી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી, રવિ લામિછાને અને સુશીલા કાર્કીના સમર્થકો ઉભરી રહ્યા છે, જેને જૂના ભ્રષ્ટ નેતાઓના ઓપ્શન તરીકે જોવામાં આવી રહ્યા છે. જો નેપાળમાં ફરી હિંદુ સરકાર આવી જશે તે ધર્માંતરણ લોકોમાં ફફડાટ ફેલાશે. તેમની સામે કડક કાર્યવાહીઓ પણ થઈ શકે એવી સંભાવનાઓ છે. નેપાળનું હિંદુ રાષ્ટ્ર બનવું ભારતની સાંસ્કૃતિક સોફ્ટ પાવરને મજબૂત બનાવશે, કારણ કે તે વિશ્વના બે માત્ર હિંદુ બહુમતી ધરાવતા દેશોની જોડી બનાવશે. બે તૃતીયાંશ બહુમતિ વગર બંધારણ બદલવું મુશ્કેલનેપાળમાં RPP વધુ બેઠકો જીતો તો નેપાળી કોંગ્રેસનો હિંદુ જૂથ તેમની સાથે જોડાઈ શકે છે. સામેની બાજુ નેપાળના બંધારણમાં સુધારો કરવા માટે બે ત્રૃત્યાંશની બહુમતિ જોઈએ, હાલ બહુમતિ મુશ્કેલ લાગી રહી છે પણ આપણે જે વાત કરી તે સોગઠા ગોઠવાઈ જાય તો નેપાળનું બંધારણ ફરી બદલાઈ શકે અને નેપાળ ફરી 18 વર્ષ બાદ હિંદુ રાષ્ટ્ર બની શકે. જેનઝી સંદેશ: ભ્રષ્ટાચાર હવે સહન નહીંટૂંકમાં નેપાળ અત્યારે એક એવી સાંસ્કૃતિ અને વ્યવસ્થા વચ્ચે ઉભું છે, જ્યાં ભૂતકાળનું ગૌરવ અને ભવિષ્યની આશા અપેક્ષાઓ જોડાયેલી છે. જેનઝી આંદોલને સાબિત કરી દીધું છે કે હવે તેઓ ભ્રષ્ટાચાર સહન નહીં કરે. આનાથી ભારતને કેટલો ફાયદો થશે તે જોવાનું રહેશે. અને છેલ્લે… જો નેપાળ ફરી હિંદુ રાષ્ટ્ર બની જશે તો દક્ષિણ એશિયાની જીઓપોલિટિક્સમાં ફરી રિલિજિયસ નેશનાલિઝમનો એટલે કે ધાર્મિક રાષ્ટ્રવાદનો ફણગો ફૂટશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ઈસ્લામ, શ્રીલંકા અને ભૂતાનમાં બૌદ્ધ અને ભારત-નેપાળમાં હિંદુ ધર્મ… આ દેશોના રાજકારણના કેન્દ્રમાં હવે ધર્મ અને સંસ્કૃતિ મુખ્ય હશે. આ બદલાવ સામ્યવાદી દેશ માટે મોટો પડકાર બનશે. આપણો કયો પાડોશી સામ્યવાદી છે એ તો આપ ભલીભાંતિ જાણો છો. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)
કાંકરિયામાં બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રિની ઉજવણી:ભક્તોએ બરફના અમરનાથ દર્શન કરી જળઅભિષેક કર્યો
કાંકરિયા સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરિય વિશ્વવિદ્યાલયના ગુજરાત ઝોન મુખ્યાલય ખાતે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભક્તોએ શિવ ધ્વજ લહેરાવી શિવ પ્રતિજ્ઞા લીધી. 1000 કિલો બરફમાંથી નિર્મિત અમરનાથના દર્શન કરી શિવ પર જળ અભિષેક પણ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ દર્શન અને અભિષેક માટે ઉમટી પડ્યા હતા. સંસ્થા દ્વારા વેલ્યુ ગેમનું પણ આયોજન કરાયું હતું. જેમાં બાળકો, વયસ્કો અને વૃદ્ધોએ રમત રમતાં મૂલ્યો વિશેની સમજ મેળવી. આ ઉપરાંત, અનુભૂતિ કુટીરમાં ભક્તોએ પ્રભુને પત્ર લખી પોતાની તકલીફો અને ફરિયાદો અર્પણ કરી. તેના બદલે તેમને પરમાત્મા તરફથી વળતો પત્ર પ્રાપ્ત થયો. આ ઉજવણીના ભાગરૂપે ત્રણ દિવસીય શિવ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ ૧૬, ૧૭ અને ૧૮ના રોજ યોજાશે.
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં રંગારંગ વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કૌશલ ઠાકોર, પ્રાથમિક વિભાગના આચાર્ય બિપીનચંદ્ર પંચાલ, માધ્યમિક વિભાગના આચાર્ય પ્રકાશ જાની અને તમામ વિભાગીય કો-ઓર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. નર્સરીના બાળકોએ કાર્ટૂન થીમ ડાન્સ રજૂ કર્યો, જ્યારે શિશુવર્ગના વિદ્યાર્થીઓએ 'વંદે માતરમ' અને લાલો થીમ ડાન્સ રજૂ કર્યા. બાળવર્ગના વિદ્યાર્થીઓએ માતૃભાષા થીમ ડાન્સ અને પ્લાસ્ટિક નિવારણ પર આધારિત રૂપક રજૂ કરીને સામાજિક સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓની આ પ્રસ્તુતિઓને વાલીઓએ ઉત્સાહભેર વધાવી લીધી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંગીત શિક્ષક હર્ષદ પટેલે કર્યું હતું. કાર્યક્રમની સફળતા બદલ ટ્રસ્ટી, આચાર્યો અને કાર્યકારી કો-ઓર્ડીનેટર પીનલબેન રાવળે શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવેલી પવિત્ર વિસામણ બાપુની જગ્યા ખાતે અમાસના પાવન પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દર અમાસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં દર્શનાર્થે આવે છે, ત્યારે આજના વિશેષ સંયોગે હજારોની સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. આજે વહેલી સવારથી જ પાળિયાદ ગામ તરફ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. દૂર-દૂરના વિસ્તારોમાંથી આવેલા ભાવિકોએ વિસામણ બાપુની જગ્યાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. તેમણે પરિવારની સુખ-શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી. ભક્તોએ નિર્મળ વાણી અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઘણા ભક્તોએ જણાવ્યું હતું કે, અમાસના દિવસે વિસામણ બાપુ અને ઠાકરના દર્શન કરવાથી વિશેષ પુણ્યફળ મળે છે અને મનની ઇચ્છાઓ પૂર્ણ થાય છે તેવી તેમની ગાઢ માન્યતા છે. આ પાવન અવસરે ગ્રામજનોએ પણ દર્શનાર્થીઓ માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો. પાળિયાદ ગામે અમાસ નિમિત્તે જોવા મળેલા આ ભક્તિસભર દૃશ્યો આસ્થા અને શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ બન્યા હતા. આ અંગેની માહિતી પાળિયાદ ગામના દેવકુભાઈ ખાચરે આપી હતી.
સમી કૉલેજમાં વિદ્યાર્થીઓ કલાના રંગે રંગાયા:સંગીત અને નાટ્યકલાની કાર્યશાળા યોજાઈ
સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં વિદ્યાર્થીઓ માટે એક કલા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સપ્તધારા અંતર્ગત યોજાયેલી આ કાર્યશાળામાં 'મ્યુઝિક ઇન લાઇફ' અને 'લાઇન એન્ડ સ્પેસ ઓન સ્ટેજ' જેવા વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને સંવેદનાનું સિંચન કરવાનો હતો. કાર્યશાળામાં ગુજરાત યુનિવર્સિટીના પર્ફોર્મિંગ આર્ટસ વિભાગના તજજ્ઞ હૃદય દેસાઈએ સંગીતની ઉત્પત્તિ અને તેના મહત્વ વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે સંગીત માત્ર મનોરંજન નથી, પરંતુ પોતાની જાતને ઓળખવાની એક વૈશ્વિક ભાષા છે. દેસાઈએ પ્રાયોગિક નિદર્શન દ્વારા સાત સુરો માનવ જીવનમાં કેવી રીતે લય અને તાલ ભરી શકે છે તે સમજાવ્યું. પાલનપુરના ડ્રામા ટ્રેનર ગજેન્દ્ર બારોટે રંગમંચની બારીકાઈઓ સમજાવી. તેમણે 'લાઇન એન્ડ સ્પેસ ઓન સ્ટેજ' વિષય પર ભાર મૂકતા જણાવ્યું કે, મંચ પર કલાકારના હાવભાવ અને બોલવાની શૈલી પ્રેક્ષકોના હૃદયને કેવી રીતે સ્પર્શી શકે છે. વિદ્યાર્થીઓએ મંચ પર પાત્ર ભજવીને અભિનયની પ્રેક્ટિકલ તાલીમ લીધી હતી. આ કાર્યશાળાનું આયોજન કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદના માર્ગદર્શન હેઠળ થયું હતું. કાર્યશાળાને સફળ બનાવવા માટે સપ્તધારા કો-ઓર્ડીનેટર ડૉ. ખુશ્બુ મોદી, નાટ્ય ધારા કન્વીનર ડૉ. અમર ચક્રવર્તી, ગીત-સંગીત નૃત્ય ધારા કન્વીનર ડૉ. ચેતન પ્રજાપતિ અને કૉલેજના તમામ અધ્યાપકોએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ડૉ. ખુશ્બુ મોદીએ ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ એક દિવસીય કાર્યશાળા વિદ્યાર્થીઓ માટે કલાત્મક અનુભવ પૂરો પાડનારી બની રહી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવાનાર છે. જેને લઈને હોલ ટિકિટ આજે 17 ફેબ્રુઆરીથી ડાઉનલોડ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓ gseb.org વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. રાજકોટમાં 80,507 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે ત્યારે તે દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટમાં બોર્ડના 80,507 વિદ્યાર્થીઓ 65 કેન્દ્રોના 323 બિલ્ડીંગના 2816 બ્લોક પરથી પરીક્ષા આપવાના છે. જેમાં ધો.10 માં 46,657, ધો.12 સામાન્ય પ્રવાહમાં 25,657 અને વિજ્ઞાન પ્રવાહમાં 7,934 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ત્યારે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ તમામ પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડિંગોના વિસ્તારમાં તા.26 ફેબ્રુઆરીથી તા.18 માર્ચ સુધી (રવિવારની જાહેર રજા સિવાય) સવારના 8 થી સાંજે 7.30 વાગ્યા સુધી કેટલાક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રાજકોટ શહેર વિસ્તારમાં પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ એકત્રીત થશે નહીં. તેમજ 100 મીટરમાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહીં કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહીં. શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત ચાર કે તેથી વધારે વ્યકિતઓ ભેગા થશે નહીં. પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ગેજેટ વગેરે પરીક્ષાસ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવા નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવા નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ ના પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઇપૂર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને તે ઓળખકાર્ડ સબંધિતોએ પહેરવાનુ રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પ્રવેશ કરી શકશે નહી. પરીક્ષા કેન્દ્રની આજુબાજુની 200 મીટરની ત્રીજયામાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના વિસ્તારમાં આવેલ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર આ હુકમો લાગુ રહેશે. આ હુકમમાંથી સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે વ્યકિત સમુહ, તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ ઓળખપત્ર ધરાવતી વ્યકિતઓ, શરતોને આધીન મંજુરી મેળવેલ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, ફરજ પરના પોલીસ/એસઆરપી/હોમગાર્ડ/જી.આર.ડી.ના અધિકારી તથા જવાનોને મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
પાટણ જિલ્લાના બેરોજગાર યુવાનોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI), પાટણ દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મફત તાલીમ શરૂ કરવામાં આવી છે. આ એક મહિનાનો કોર્સ ગોલાપુર, પાટણ ખાતે યોજાશે. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓને રહેવા તથા જમવાની સુવિધા તદ્દન મફત પૂરી પાડવામાં આવશે. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારોને ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે, જે તેમને સ્વરોજગાર શરૂ કરવામાં મદદરૂપ થશે. તાલીમમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, મુ.ગોલાપુર, આર.ટી.ઓ કચેરી સામે, સંખારી રોડ, પાટણ ખાતે રૂબરૂ અથવા સંસ્થાના ફેકલ્ટી હરેશભાઈ પટેલના મોબાઈલ નંબર 8320091819 પર સંપર્ક કરીને કરાવી શકાય છે. રજિસ્ટ્રેશન 'પહેલા આવો, પહેલા મેળવો' ના ધોરણે કરવામાં આવશે.
સંત એકનાથ શાળામાં માતૃ-પિતૃ પૂજન દિવસ ઉજવાયો:વસંતપંચમીએ બાળકોએ માતા-પિતાનું પૂજન કર્યું
ગોતાલાવાડી સ્થિત સંત એકનાથ શાળા નંબર 118માં વસંતપંચમીના અવસરે માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. આ દિવસે શાળામાં બાળકોના માતા-પિતાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બાળકોએ તેમના માતા-પિતાને તિલક કર્યું, પુષ્પ અર્પણ કર્યા અને ચરણ સ્પર્શ કરીને તેમનું પૂજન કર્યું. આ પ્રસંગે બાળકોએ માતા-પિતાની આરતી ઉતારી તેમના આશીર્વાદ પણ લીધા હતા. આ ઉજવણીનો મુખ્ય હેતુ યુવાધનને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી બચાવીને બાળકોમાં માતા-પિતા પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સંસ્કારની ભાવના વિકસાવવાનો છે. આ દિવસ વેલેન્ટાઇન ડેના વિકલ્પ તરીકે ભારતીય સંસ્કૃતિના ભાગરૂપે સંસ્કાર અને પરિવાર મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને તેમની ભારતીય સંસ્કૃતિના મૂળ તરફ વાળવાનો છે. ગુજરાત સહિત મોટાભાગની શાળાઓમાં આ દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે, જે સામાજિક મૂલ્યોના જતનમાં મદદરૂપ થાય છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા તાજેતરમાં 'ભારતીય સમાજ પર ઔદ્યોગિકીકરણની અસરો' થીમ પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.એમ. ઉષા અંતર્ગત યોજાયેલા આ સેમિનારમાં કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા અને રજિસ્ટ્રાર ડૉ. આર.સી. ગઢવીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આ સેમિનાર 14 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. સેમિનારના સંયોજક અને વિભાગીય અધ્યક્ષ ડૉ. એમ. એન. ગાયકવાડે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સહસંયોજક ડૉ. અરુણ પંડ્યાએ કાર્યક્રમના હેતુ અને મુદ્દાઓ વિશે માહિતી આપી. મુખ્ય અતિથિ તરીકે કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. બાલાજી કેન્દ્રેએ મુખ્ય વક્તવ્યમાં ઔદ્યોગિકીકરણ અને તેની સમાજ પર થયેલી અસરોની વિસ્તૃત ચર્ચા કરી. વિશેષ વક્તા ડૉ. રમેશ મકવાણાએ ઔદ્યોગિકીકરણની સ્થાનિક સમુદાયો પર પડતી અસરો અને પડકારો રજૂ કર્યા. ભોજન બાદ યોજાયેલી પેનલ ચર્ચાઓમાં 'ઔદ્યોગિકીકરણ અને સામાજિક સંસ્થાઓ', 'ઔદ્યોગિકીકરણ અને પર્યાવરણ' તેમજ 'ઔદ્યોગિકીકરણ અને સ્થાનિક સમુદાયો' જેવા વિષયો પર કી પેપર્સ અને સંશોધન પેપરો રજૂ કરવામાં આવ્યા હતા. સમાપન પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ડૉ. જયપ્રકાશ ત્રિવેદીએ 'ઔદ્યોગિકીકરણ અને સામાજિક પરિવર્તન' વિષય પર માર્ગદર્શન પૂરું પાડ્યું. આ સેમિનારમાં પ્રોફેસરો, સંશોધકો અને વિદ્યાર્થીઓ સહિત 250થી વધુ સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન વિભાગના અધ્યાપક ડૉ. મોસમ ત્રિવેદીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. બહાદુરસિંહ વસાવાએ કરી હતી. પ્રમાણપત્ર વિતરણ સાથે સેમિનાર સફળતાપૂર્વક સંપન્ન થયો.
બોટાદ જિલ્લા પંચાયતની 21મી સામાન્ય સભા અને બજેટ બેઠક જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2026-27 માટે રૂ, 446 કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું, જેને સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી. જોકે, વિપક્ષના નેતાએ બજેટને 'ટીપીકલ' ગણાવી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. રજૂ કરાયેલા બજેટમાં રોડ-રસ્તા, પીવાનું પાણી, આરોગ્ય અને શિક્ષણ સહિતની પ્રાથમિક સુવિધાઓના વિકાસ કાર્યોને પ્રાધાન્ય અપાયું છે. કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, આ વર્ષે ખાસ કરીને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા પર બજેટમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. બીજી તરફ, જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા રમેશ શીલુએ બજેટને 'ટીપીકલ' ગણાવી આક્ષેપ કર્યો હતો કે, અગાઉના આંકડાઓ જ નવા બજેટમાં સામેલ કરી દેવાયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લા પંચાયતનું સ્વભંડોળ અગાઉ રૂ. 7 કરોડ હતું, જે છેલ્લા બે વર્ષના શાસનમાં ઘટીને રૂ. 5.50 કરોડ થયું છે. વિપક્ષે સ્વભંડોળમાં મર્યાદા બહાર ખર્ચ કરવામાં આવ્યો હોવાના તેમજ બાવળ કટિંગ સહિતના અન્ય કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા હતા. તેમણે સરકાર પાસે આ અંગે હિસાબ માંગવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.
બોટાદમાં ARTO દ્વારા માર્ગ સલામતી અભિયાન:વાહનો પર રેડિયમ પટ્ટી લગાવી દૃશ્યતા વધારવામાં આવી
બોટાદ જિલ્લામાં માર્ગ સલામતી સુધારવા માટે એ.આર.ટી.ઓ. બોટાદ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ વિવિધ વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા, જેથી રાત્રિના સમયે વાહનોની દૃશ્યતા વધારી શકાય અને અકસ્માતોની સંભાવના ઘટાડી શકાય. મોટર વાહન નિરીક્ષક જીગર એસ. રાઠોડના માર્ગદર્શન હેઠળ આ રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે રાત્રિના સમયે ઓછી લાઇટ અથવા ધુમ્મસ જેવી પરિસ્થિતિઓમાં વાહનો સ્પષ્ટ દેખાતા નથી. રેડિયમ રિફ્લેક્ટર લગાવવાથી અન્ય વાહનચાલકોને સમયસર વાહન દેખાય છે અને માર્ગ પર સલામત અંતર જાળવવામાં મદદ મળે છે. એ.આર.ટી.ઓ. બોટાદ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા અને અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે ભવિષ્યમાં પણ આવા પ્રયાસો ચાલુ રાખવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માતો ઘટાડીને લોકોના અમૂલ્ય જીવન બચાવવાનો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની પરીક્ષાઓના સુચારુ આયોજન માટે વલસાડ જિલ્લાનું તંત્ર સજ્જ બન્યું છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. ધોરણ-10 અને 12ની પ્રાયોગિક પરીક્ષાઓ 5 ફેબ્રુઆરી, 2026 થી 16 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાશે. મુખ્ય (થિયરી) પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી, 2026 થી 18 માર્ચ, 2026 દરમિયાન જિલ્લાના વિવિધ કેન્દ્રો પર લેવાશે. આ પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે 17 ફેબ્રુઆરી, 2026ના રોજ પારડી સ્થિત બી.આર.જે.પી. હાઈસ્કૂલ ખાતે માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના અધ્યક્ષસ્થાને સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓ માટે હતી. બેઠકમાં દરેક પરીક્ષા કેન્દ્રની તૈયારીઓ, વિદ્યાર્થીઓની સંખ્યા અને બ્લોક વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તમામ કેન્દ્રો પર હવા-ઉજાસવાળા વર્ગખંડો, લાઈટ, પંખા અને પીવાના પાણી જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ અપાઈ હતી. દરેક પરીક્ષા સ્થળે CCTV કેમેરા વ્યવસ્થા કાર્યરત અને સુચારુ હાલતમાં રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારી પ્રતિનિધિઓને ઝોન કચેરીથી પ્રશ્નપત્ર મેળવવા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ તેને સુરક્ષિત રીતે પરત જમા કરાવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું હતું. PATA Application (Paper Box Authentication Tracing Application) વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલે જણાવ્યું હતું કે બોર્ડની તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવી અનિવાર્ય છે. તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસપૂર્ણ અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા પર ભાર મૂક્યો હતો. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જરૂરી સહાય, તાત્કાલિક આરોગ્ય સુવિધા અને કન્ટ્રોલ રૂમ સાથે સતત સંકલન જાળવવા પણ સૂચનાઓ અપાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવા, ઝોનલ અધિકારી ડૉ. બિપીનભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ, મનોજભાઈ લિમ્બાચીયા અને શિક્ષણ નિરીક્ષક આપેક્ષાબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમેરિકા-ભારત ટ્રેડ ડીલ સામે AAP નો વિરોધ:ખેડૂતો-પશુપાલકોના હિતમાં ડીલ રદ્દ કરવા રાજ્યપાલને આવેદનપત્ર
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ સામે રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો આરોપ છે કે આ ડીલ ખેડૂતો અને દેશના આર્થિક હિત માટે નુકસાનકારક છે. આ અભિયાન અંતર્ગત, દરેક જિલ્લા મથકેથી કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ પાર્ટીના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. વેરાવળ તાલુકા પ્રમુખ રામ બામણીયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારે અમેરિકા સાથે કરેલી આ ટ્રેડ ડીલ દેશની સાર્વભૌમત્વતા, આર્થિક નીતિ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આ ડીલના પરિણામે ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રો પર નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. પાર્ટીનો આક્ષેપ છે કે જો અમેરિકન ડેરી ઉત્પાદનોને શૂન્ય આયાત ડ્યૂટી સાથે ભારતમાં પ્રવેશ અપાશે, તો દેશના લાખો પશુપાલકો માટે આ સ્થિતિ અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. વધુમાં, જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતીય બજારમાં નિ:શુલ્ક પ્રવેશ મળશે અને ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યૂટી યથાવત રહેશે, તો ટેક્સટાઈલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રોને ગંભીર ફટકો પડશે. ટેક્સટાઈલ ઉદ્યોગ પરની અસર કપાસની ખેતીને પણ અસર કરશે, જેનાથી ખેડૂતો માટે આર્થિક સંકટ ઊભું થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ વધુમાં આરોપ લગાવ્યો છે કે ભારત સરકાર ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી. જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ જાહેરમાં નિવેદન આપ્યું છે કે અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે ભારતીય બજાર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પાર્ટી દ્વારા આ મુદ્દે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને ટ્રેડ ડીલ તાત્કાલિક રદ્દ કરવાની માંગણી કરવામાં આવી છે. પાર્ટીએ ચેતવણી આપી છે કે જો આ ડીલ રદ્દ નહીં કરવામાં આવે, તો એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે જનજાગૃતિ અભિયાન ચલાવી દેશના ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને સંભવિત નુકસાન અંગે માહિતગાર કરવામાં આવશે. રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન દ્વારા લોકમત ઊભું કરી દેશના સાર્વભૌમ હિતોની રક્ષા માટે મજબૂત લડત લડવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ગઢડામાં આહિર સમાજ દ્વારા દેવી ભાગવત સપ્તાહનું આયોજન:મચ્છુ ધામ ખાતે 20થી 28 ફેબ્રુઆરી સુધી યોજાશે
બોટાદ જિલ્લાના ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ ધામ ખાતે આહિર સમાજ દ્વારા દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવ દિવસીય ધાર્મિક મહોત્સવ ૨૦ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી યોજાશે. મચ્છુ માતાજીના મંદિર પરિસરમાં આશરે ૫ હજાર શ્રોતાઓ કથા શ્રવણ કરી શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરાયો છે. કાર્યક્રમ માટે લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને સુશોભનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સપ્તાહ દરમિયાન આવનાર તમામ ભક્તો માટે ચા-પાણી અને પ્રસાદની સુવિધા પણ આયોજકો દ્વારા સુનિશ્ચિત કરાઈ છે. ગઢડા આહિર સમાજના આગેવાન મોહનભાઈ ડવ (ભગત)ના જણાવ્યા અનુસાર, કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક મંડળ અને સમાજના યુવાનો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. આ ધાર્મિક આયોજનને લઈને ગઢડા અને આસપાસના વિસ્તારોમાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારા આ દેવી ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
ગોધરામાં રખડતા શ્વાનનો હુમલો:પોલન બજારમાં દવા લેવા ગયેલા બે વ્યક્તિ ઘાયલ
ગોધરા શહેરમાં રખડતા શ્વાનો દ્વારા હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં, શહેરના ભરચક પોલન બજાર વિસ્તારમાં દવા લેવા ગયેલા બે યુવકો પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના પોલન બજારમાં આવેલા ગુજરાત મેડિકલ સ્ટોર પાસે બની હતી. બંને યુવકો દવા ખરીદવા માટે ત્યાં ગયા હતા, ત્યારે અચાનક એક રખડતા શ્વાને તેમના પર હુમલો કર્યો હતો. શ્વાને બંને યુવકોના પગના ભાગે ગંભીર બચકાં ભર્યા હતા. હુમલા દરમિયાન એક યુવકનું પેન્ટ પણ ફાટી ગયું હતું. આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકોને શ્વાનથી બચાવ્યા હતા. ઘાયલ થયેલા બંને યુવકોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સાબરકાંઠાની આખરી મતદાર યાદી જાહેર:કુલ 10,77,301 મતદારો, 16,083નો વધારો નોંધાયો
હિંમતનગરમાં બહુમાળી ભવન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સાબરકાંઠા જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ યાદીમાં કુલ 10,77,301 મતદારોનો સમાવેશ થાય છે, જે અગાઉની યાદી કરતાં 16,083 મતદારોનો વધારો દર્શાવે છે. મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત, ગણતરીનો પ્રથમ તબક્કો 14 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયો હતો. ત્યારબાદ 19 ડિસેમ્બર, 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લામાં કુલ 10,61,218 મતદારોનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમ હેઠળ, ERO/AERO દ્વારા ગણતરી ફોર્મ, નો-મેપિંગવાળા મતદારો અને સિસ્ટમ જનરેટેડ લોજિકલ ડિસ્ક્રિપન્સીઝવાળા મતદારોની લાયકાત અને દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી હતી. હકક-દાવા અને વાંધા અરજીઓ 19 ડિસેમ્બર, 2025 થી 18 જાન્યુઆરી, 2026 સુધી રજૂ કરવામાં આવી હતી. મતદાર નોંધણી અધિકારી દ્વારા 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં આ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયાના અંતે, કુલ 21,818 નવા મતદારો ઉમેરાયા હતા, જ્યારે 5,735 મતદારો કમી કરવામાં આવ્યા હતા. આમ, મુસદ્દા મતદાર યાદીની સરખામણીમાં આખરી યાદીમાં કુલ 16,083 મતદારોનો (1.52%) વધારો નોંધાયો છે. મતદારો પોતાનું નામ આખરી મતદાર યાદીમાં નીચે દર્શાવેલ માધ્યમો દ્વારા ચકાસી શકે છે: વેબસાઇટ (http://ceo.gujarat.gov.in), વોટર પોર્ટલ (voters.eci.gov.in), ECINET એપ, BLO પાસેથી અથવા ERO/AERO કચેરી ખાતેથી. જો કોઈ મતદારનું નામ આખરી યાદીમાં ન હોય, તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન અને જરૂરી આધાર-પુરાવાના દસ્તાવેજો સામેલ રાખીને ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરવાની રહેશે. આ પણ વાંચો-ફાઇનલ વોટર લિસ્ટ જાહેર, તમારું નામ 3 સ્ટેપથી ચેક કરો
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. સૌરભ પારધીએ જાહેર કરેલી આખરી યાદી મુજબ, સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પરથી કુલ 12,34,470 મતદારોના નામ કપાયા છે. આ એક ખૂબ જ મોટી સંખ્યા છે, જે મતદાર યાદીના શુદ્ધિકરણ માટે હાથ ધરાયેલી ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયાની અસર દર્શાવે છે. SIR ડિજિટાઈઝેશનમાં સુરત જિલ્લાએ 100% કામગીરી કરીજિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લાની તમામ 16 વિધાનસભા બેઠકોમાં SIR ડિજિટાઈઝેશનની પ્રક્રિયા 100% પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત કુલ 48,73,512 મતદારો પૈકી 73.68% એટલે કે 36,23,193 મતદારોના ફોર્મ પરત મેળવીને ડેટા ચકાસવામાં આવ્યો હતો. આ ડિજિટાઈઝેશનને કારણે યાદીમાં રહેલી ક્ષતિઓ, ડુપ્લિકેટ નામ અને સ્થળાંતરિત થયેલા મતદારોને ચોકસાઈપૂર્વક અલગ કરી શકાયા છે, જેના પરિણામે આટલી મોટી સંખ્યામાં નામો કમી થયા છે. 12.34 લાખ નામો કમી થવા પાછળના મુખ્ય કારણોસુરતની 16 વિધાનસભા બેઠકો પરથી જે 12,34,470 નામો દૂર કરવામાં આવ્યા છે, તેની પાછળ મુખ્યત્વે મતદારોનું સ્થળાંતર, અવસાન અથવા એક કરતાં વધુ જગ્યાએ નામ હોવા જેવા કારણો જવાબદાર છે. વહીવટી તંત્ર દ્વારા ઘરે-ઘરે જઈને કરવામાં આવેલી ચકાસણી બાદ આ શુદ્ધિકરણ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાથી આગામી ચૂંટણીઓમાં બોગસ મતદાન અટકાવી શકાશે અને મતદાર યાદી વધુ પારદર્શક અને સચોટ બનશે. નવા 1 લાખથી વધુ મતદારોનો ઉમેરો થયોએક તરફ મોટા પાયે નામો કમી થયા છે, તો બીજી તરફ નવા મતદારોની નોંધણીમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં કુલ 1,01,578 નવા મતદારો ઉમેરાયા છે. જેમાં 18-19 વર્ષની વયના 21,954 યુવા મતદારો અને 20-29 વર્ષના 13,105 યુવાનોનો સમાવેશ થાય છે. આમ, નામ કમી થવા અને નવા ઉમેરાવા સાથે જિલ્લાની મતદાર સંખ્યામાં નેટ 15,849નો વધારો નોંધાયો છે. સુરત જિલ્લામાં કુલ 36.39 લાખ મતદારો નોંધાયાઆખરી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી મુજબ હવે સુરત જિલ્લામાં કુલ 36,39,042 મતદારો નોંધાયેલા છે. આ આંકડાની વિગતો જોતા તેમાં 18,83,381 પુરુષ મતદારો, 17,55,568 સ્ત્રી મતદારો અને 93 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. નવા નોંધાયેલા તમામ મતદારોને તેમના ફોટો ઓળખકાર્ડ (EPIC) સ્પીડ પોસ્ટ દ્વારા સીધા તેમના ઘરના સરનામે પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. હજુ પણ નામ નોંધણી માટે 'સતત સુધારણા'ની તકકલેક્ટર ડો. સૌરભ પારધીએ વધુમાં ઉમેર્યું કે, જો કોઈ લાયક નાગરિકનું નામ આ આખરી યાદીમાં રહી ગયું હોય, તો તેઓ ગભરાવાની જરૂર નથી. 1 જાન્યુઆરી 2026ના રોજ જેમને 18 વર્ષ પૂર્ણ થયા હોય તેઓ સતત સુધારણા (Continuous Updation) હેઠળ ગમે ત્યારે નામ નોંધણી માટે અરજી કરી શકે છે. મતદારોએ પોતાનું નામ યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરી લેવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે યાદીમાં નામ હશે તો જ મતદાન કરી શકાશે.
સોમનાથ ટ્રસ્ટે મહાશિવરાત્રિના પાવન અવસરે ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને ભંડારાના રાશન પેટે રૂ. 1.08 કરોડનો ચેક અર્પણ કર્યો હતો. આ સહાય ટ્રસ્ટની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર અને જનરલ મેનેજર ચાવડાએ જિલ્લા વહીવટી તંત્રને આ ચેક સુપરત કર્યો હતો. આ આર્થિક સહાય ભંડારાની વ્યવસ્થા માટે વપરાયેલા રાશન ખર્ચની ભાગીદારીરૂપ છે. મહાશિવરાત્રિ દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા, અને તેમના માટે નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને ભોજન અને અન્ય મૂળભૂત સુવિધાઓ સુવ્યવસ્થિત રીતે પૂરી પાડવામાં આવી હતી. કોઈ ભક્ત ભૂખ્યો ન જાય ના સંકલ્પ સાથે આ ભંડારા સેવા પૂરી પાડવામાં આવી હતી. આ આર્થિક સહાય ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચેના સુમેળ અને સંકલનનું પ્રતીક છે. આ પહેલ દ્વારા સોમનાથ ધામની પ્રતિષ્ઠા વધુ મજબૂત બની છે અને સેવા તથા પારદર્શિતાનો સંદેશ પ્રસર્યો છે. સોમનાથ ટ્રસ્ટની આ કાર્યશૈલી દર્શાવે છે કે આધ્યાત્મિક કેન્દ્રો માત્ર પૂજા-અર્ચના સુધી સીમિત નથી, પરંતુ સામાજિક જવાબદારી નિભાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. રૂ. 1.08 કરોડની આ સહાય દ્વારા સેવા પરંપરાને નવી દિશા મળી છે.
સુરતમાં અમરોલીના ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેમના જ સંબંધીએ 47.36 લાખનો ચૂનો લગાવ્યો છે. ઠગે તેમની પાસેથી રૂપિયા પડાવવા પોતે રેલવેમાં સિનિયર લોકો પાયલોટ હોવાનો ખોટો સ્વાંગ રચી ફેક પીડીએફ ઓર્ડર પણ તૈયાર કર્યો હતો. અમરોલી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી નકલી લોકો પાયલોટ વિવેક ચૌહાણ અને તેના સાગરીત રવિ ચોટલિયાની ધરપકડ કરી છે. રેલવેમાં નોકરી અપાવવાનું કહી રૂ. 47 લાખ પડાવ્યામળતી માહિતી પ્રમાણે, અમરોલીમાં માધવ વિલા, ન્યૂ ક્રોસ રોડ ખાતે રહેતા વિરાજ ચોટલીયા (મૂળ રહે. પીપલાણા, જિ. જૂનાગઢ) સ્તુતિ થેરાપી સેન્ટર ચલાવે છે. તેમના સંબંધી વિવેક પ્રફુલભાઈ ચૌહાણે (મૂળ રહે. શાપર, જિ. જૂનાગઢ) પોતે રેલવેમાં સિનિયર લોકો પાયલોટ હોવાનું કહીને ફિઝિયોથેરાપિસ્ટ વિરાજને જાળમાં ફસાવ્યો હતો. વિવેકે મારી પાસે સ્પે. ક્વોટાની એક સીટ છે, રેલવેમાં નોકરી કરવી હોય તો સેટિંગ કરી દઈશ એવો ઝાંસો આપ્યો હતો. વિરાજ આ માટે સહમત થતાં મુંબઇ બે- ત્રણ વાર લઇ જઇ વિવેકે નોકરી મામલે રૂ. 8 લાખની વાત શરૂઆતમાં કર્યા બાદ ઠગ વિવેકે અન્ય પાર્ટી રૂ. 25 લાખ આપે છે, એમ કહી વિરાજ પાસેથી ઓનલાઈન અને કેશ મળી રૂ. 47.36 લાખ પડાવી લીધા હતા. વિરાજને નોકરીની લાલચ આપી સુમુલ ડેરી રોડ પર કોઈ અજાણ્યા સાથે રેલવેના ઉચ્ચ અધિકારી તરીકે મુલાકાત પણ કરાવી હતી. રેલવેમાં નોકરીનો નકલી ઓર્ડર મોકલ્યોઓક્ટોબર 2025માં રેલવેમાં નોકરી મળી હોવાનો નકલી પીડીએફ ઓર્ડર પણ વોટ્સએપમાં મોકલ્યો હતો. આ ઓર્ડરમાં કોઈની સહી નહીં હોવાથી વિરાજને શંકા જતાં લેટર ગૂગલ પર ઓર્ડર અંગે ચેક કરતાં ભાંડો ફૂટી ગયો હતો. વિવેક ચૌહાણે નાણા પરત આપવામાં આનાકાની કરતાં અમરોલી પોલીસ મથકમાં વિરાજ ફરિયાદ નોંધાવી હતી. જેથી અમરોલી પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી છે. સુરત પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યાઅમરોલી પોલીસે બંને આરોપીઓને અમરેલી ખાતેથી ઝડપી પાડ્યા હતા. જેમાં વિવેક પ્રફુલભાઇ ચૌહાણ (ઉ.વ.32 રહે.ખારા કુવા પાસે, સહજાનંદ સોસાયટી, શાપુર (સોરઠ) તા. વંથલી જી. જુનાગઢ) અને રવિ કિશોરભાઈ ચોટલીયા (ઉ.વ-30 રહેવાસી-કુંભનાથ પરા, કુંભનાથ મહાદેવ મંદિર પાસે, કાલાવાડ તા.કાલાવાડ જી.જામનગર) નો સમાવેશ થાય છે. વિવેકે MA સુધીનો અભ્યાસ કર્યો છે અને રવિ 12 પાસ છે. ભૂતકાળમાં પણ 3 લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતાપોલીસે પકડી પાડેલા બંને આરોપીઓએ અગાઉ 2020 થી 2022 ના સમયગાળા દરમ્યાન વિજય ચાવડા નામના વ્યક્તિને રેલવે નોકરી અપાવવાની લાલચ આપી તેની પાસેથી 33 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ સાથે 2022થી 2023માં સોહીલ શર્મા નામના વ્યક્તિને રેલવેમા એ.સી. મિકેનીક પાયલોટમાં નોકરી અપાવવાની લાલચ આપી તેની પાસેથી 6.75 લાખ રૂપિયા પડાવ્યા હતા. જ્યારે અન્ય એક જીલાની કુરેશી નામની મહીલાને રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેની પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા હતા. અત્યાર સુધીમાં રેલવેમાં નોકરીની લાલચ આપી 1 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા છે.
પાટણની કલાનગર સોસાયટીમાં દબાણ હટાવ ઝુંબેશ:10થી વધુ દબાણો દૂર કરાયા, 4 વર્ષ જૂની સમસ્યાનો નિકાલ
પાટણની કલાનગર સોસાયટીમાં નગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. ચીફ ઓફિસર હિરલ ઠાકરના માર્ગદર્શન હેઠળ સોસાયટીના માર્ગો પરથી 10થી વધુ દબાણો દૂર કરીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી છેલ્લા ચાર વર્ષથી વકરેલી દબાણની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. કલાનગર સોસાયટીમાં છેલ્લા 3 થી 4 વર્ષથી દબાણનો પ્રશ્ન જટિલ બન્યો હતો. સ્થાનિક રજૂઆતો બાદ નગરપાલિકાએ ઓચિંતી તપાસ હાથ ધરી હતી. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે, સોસાયટીમાં 0.5 મીટરથી 2 મીટર અને 2.5 મીટરથી 8-10 મીટર સુધીના મોટા દબાણો હતા. આ દબાણોને કારણે અવરજવર અને પાયાની સુવિધાઓમાં અવરોધ ઊભો થતો હતો. નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન, જે દબાણો બાબતે કોર્ટમાં કેસ ચાલુ છે, તેવા કિસ્સાઓને હાલ પૂરતા બાકાત રાખવામાં આવ્યા હતા. જોકે, કોર્ટ મેટર સિવાયના તમામ ગેરકાયદેસર કાચા-પાકા દબાણોને નગરપાલિકાએ તોડી પાડ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, સોસાયટીના અલગ-અલગ ભાગોમાં કુલ 10 થી વધુ નાના-મોટા દબાણો હટાવાયા હતા. લાંબા સમયથી પેન્ડિંગ આ પ્રશ્નનો નિકાલ આવતા સોસાયટીના રહીશોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. નગરપાલિકાએ આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં સર્વે કરીને દબાણમુક્ત શહેર બનાવવાની કામગીરી ચાલુ રાખવાના સંકેતો આપ્યા છે.
રાજકોટમાં મોંઘાદાટ વેંચાતા પીવાનાં પાણીમાં ભેળસેળ થતી હોવાની માહિતી મળતા મનપાનો ફૂડ વિભાગ પણ ચોંકી ઉઠ્યો હતો. તેમજ આરોગ્ય માટે નુકસાનકારક મિનરલ વોટરનું વેચાણ અટકાવવા ફૂડ શાખા દ્વારા ખાસ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવી છે. જે અંતર્ગત 2 દિવસમાં કિસાનપરા અને જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલી એજન્સીઓમાંથી દાવત, બિસ્લેરી વેદિકા, ક્લિયર અને ઇન્ડિપેન્ડન્સ જેવી જાણીતી બ્રાન્ડના પેકેજડ ડ્રિંકિંગ વોટરના નમુના લેવામાં આવ્યા છે. વગર નોંધણીએ નળ કે બોરના પાણીનું પણ પેકિંગ કરી વેચાણ થતું હોવાની આશંકાએ મહાવીર એજન્સી, અંબિકા એન્ટરપ્રાઇઝ અને SSDN ગ્લોબલ ટ્રેડિંગમાં તપાસ હાથ ધરાઈ હતી. અગાઉ બ્રાન્ડેડ પાણીમાં બેક્ટેરિયા મળતા નમુના ફેઈલ ગયા હોવાથી, આ રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરાશે.બીજી તરફ, ફૂડ વિભાગની ટીમે મોબાઈલ સેફ્ટી વાન સાથે બજરંગવાડી તેમજ મોચી નગર રોડ ઉપર 24 ધંધાર્થીઓની તપાસ કરી હતી. સ્થળ પર 24 નમુનાની ચકાસણી કરી લાઇસન્સ બાબતે બેદરકારી બદલ હિન્દ બેકરી, જય સોમનાથ પૂરી શાક, ખોડિયાર ફાસ્ટફૂડ અને રાધે ફરસાણ સહિત કુલ 12 વેપારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. રાજકોટની પોસ્ટ ઓફિસોમાં હવે સવારે 8 થી રાત્રે 8 સુધી આધારકાર્ડની કામગીરી કરાશે રાજકોટમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મંડળના પ્રવર અધિક્ષક ડાકઘરની સત્તાવાર યાદી મુજબ, હવે રાજકોટ શહેરની મુખ્ય ચાર પોસ્ટ ઓફિસોમાં આધાર કાર્ડ સંબંધિત બધી સેવાઓનો સમય લંબાવીને સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા કે સુધારા કરાવવા માટે વધુ અનુકૂળતા રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ડિવિઝન દ્વારા રાજકોટની ચાર મુખ્ય પોસ્ટ ઓફિસોમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં હેડ પોસ્ટ ઓફિસ, ભક્તિનગર સબ પોસ્ટ ઓફિસ, રૈયા રોડ સબ પોસ્ટ ઓફિસ અને બેડીપરા સબ પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે. આ કેન્દ્રો પર નવા આધાર કાર્ડ કઢાવવા તેમજ જૂના કાર્ડમાં જરૂરી સુધારા-વધારા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અત્યાર સુધી પોસ્ટ ઓફિસોમાં આ કામગીરી માટેનો સમય સાંજે 6 વાગ્યા સુધીનો જ હતો, જેમાં હવે 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. ભારત-અમેરિકાની ટ્રેલ ડિલ મુદ્દે કલેકટર કચેરીમાં આમ આદમી પાર્ટીનો વિરોધ ભારત-અમેરિકાની ટ્રેલ ડિલ મુદ્દે કલેકટર કચેરીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ તકે આમ આદમી પાર્ટીનાં શહેર પ્રમુખ દિનેશ જોશીએ ટ્રેડ ડિલ અંગે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઉભો કરે છે. આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે. ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતના બજારમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે, તો ટેક્સટાઈલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડશે. ટેક્સટાઈલ ઉદ્યોગ ન ટકે તો કપાસની ખેતી પણ અસરગ્રસ્ત થશે, જે ખેડૂતો માટે આર્થિક સંકટ સર્જી શકે છે. ભારત સરકાર ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે વિશાળ ભારતીય બજાર ખોલવામાં આવ્યું છે. આ બાબતનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે તેમજ આ ટ્રેડ ડીલને રદ્દ કરવાની માંગ કરે છે.
નવસારીમાં ડ્રગ્સ-આતંકવાદ રોકવા મરીન ટાસ્ક ફોર્સનું ઓપરેશન:દાંડીથી કનાઈ ખાડી સુધી સઘન ફૂટ પેટ્રોલિંગ
નવસારી જિલ્લામાં દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત કરવા મરીન ટાસ્ક ફોર્સે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની ટીમોએ સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી. આ ઓપરેશન અંતર્ગત, મરીન ટાસ્ક ફોર્સની ટીમોએ દાંડીથી ઓંજલ બીચ અને ભાટથી કનાઈ ખાડી સુધીના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું. સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર હતી અને અવાવરુ સ્થળો, શંકાસ્પદ વાહનો તથા બોટોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. આ સુરક્ષા અભિયાન ATS અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષાના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ અને નવસારી પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું. નવસારી સેક્ટરના અધિકારીઓ અને મરીન કમાન્ડોની સંયુક્ત ટીમોએ આ કામગીરીમાં સક્રિય ભાગ લીધો. આ ઓપરેશનનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે થતી આતંકવાદી ગતિવિધિઓ, ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદેસર દાણચોરી અટકાવવાનો હતો. આ ઉપરાંત, ડ્રોન, બિનવારસી બેગ જેવી શંકાસ્પદ વસ્તુઓ પર નજર રાખવામાં આવી હતી અને દરિયામાં અવરજવર કરતી બોટોના દસ્તાવેજો તથા તેમાં સવાર વ્યક્તિઓની ઓળખ પણ ચકાસવામાં આવી હતી. પોલીસ સૂત્રો અનુસાર, દરિયાઈ સુરક્ષા જાળવવા માટે ભવિષ્યમાં પણ આ પ્રકારની સઘન કામગીરી અને પેટ્રોલિંગ ચાલુ રહેશે.
વલસાડ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમના અંતે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સાથે જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા વધીને 11,63,808 થઈ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા કોઈ સાચો મતદાર રહી ન જાય તે હેતુથી મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લામાં સઘન કામગીરી કરવામાં આવી હતી. સુધારણા કાર્યક્રમ પહેલા વલસાડ જિલ્લામાં કુલ 13,85,507 મતદારો હતા. 19 ડિસેમ્બર 2025ના રોજ પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં 11,59,110 મતદારોનો સમાવેશ કરાયો હતો. લોજિકલ ડિસ્ક્રીપન્સી/નો મેપિંગ અંતર્ગત 2,85,966 મતદારોને નોટિસ આપી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન 11,273 મતદારો ગેરહાજર રહ્યા હતા અથવા યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા ન હતા, જેથી તેમને મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. જ્યારે, ડ્રાફ્ટ મતદાર યાદીના કુલ મતદારો પૈકી 11,47,837 મતદારોને આખરી યાદીમાં સમાવી લેવામાં આવ્યા છે. SIRની કામગીરી દરમિયાન હક અને દાવા/વાંધા અરજીના સમયગાળામાં કુલ 28,916 ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ફોર્મ નં. 6ના 15,047, ફોર્મ નં. 7ના 3,602 અને ફોર્મ નં. 8ના 10,267 ફોર્મનો સમાવેશ થાય છે. આમાંથી ફોર્મ નં. 6ના 13,648 ફોર્મ સ્વીકારીને આખરી મતદાર યાદીમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે, ફોર્મ નં. 7ના 528 નામો આખરી મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. કુલ 5,226 ફોર્મ (ફોર્મ નં. 6ના 1,399, ફોર્મ નં. 7ના 3,074, ફોર્મ નં. 8ના 753) પ્રક્રિયા બાદ અસ્વીકાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 13,755 ફોર્મ નં. 7 યોગ્ય પુરાવા અને વિગતોના અભાવે પ્રાથમિક તબક્કે જ અસ્વીકાર કરાયા હતા. વલસાડ જિલ્લામાં કુલ મતદારો પૈકી 6,91,131 પુરુષ મતદારો, 5,72,662 સ્ત્રી મતદારો અને 15 અન્ય મતદારોનો સમાવેશ થાય છે, જેથી કુલ મતદારોની સંખ્યા 11,63,808 થઈ છે. ડ્રાફ્ટ મતદાર યાદીની 11,59,110ની સંખ્યામાં 4,698 મતદારોનો વધારો થતાં કુલ મતદારો 11,63,808 થયા છે. આ આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરી 2026 (મંગળવાર)ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પણ વાંચો-ફાઇનલ વોટર લિસ્ટ જાહેર, તમારું નામ 3 સ્ટેપથી ચેક કરો
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર 01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં યોજાયેલી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત પાટણ જિલ્લાની આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નવી યાદી મુજબ જિલ્લામાં કુલ 11,19,525 મતદારો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં નામ કમી કરવા માટે ફોર્મ-7 ભરીને 17593 અરજી કરવામાં આવી હતી જેમાંથી 15241 અરજી નામંજૂર કરાઈ હતી. જ્યારે 2,352 જ મંજૂર કરાઈ હતી. સુધારણા પ્રક્રિયાના મુખ્ય આંકડા19-12-2025ના રોજ પ્રસિદ્ધ કરાયેલા મુસદ્દા યાદીમાં 11,11,738 મતદારો હતા. પ્રક્રિયા દરમિયાન કાર્યવાહી કરવામાં આવી: નોટિસ અને સુનાવણી: 2002ની યાદી સાથે મેપિંગ ન ધરાવતા 26,519 અને તાર્કિક વિસંગતતા ધરાવતા 2,86,068 મળી કુલ 3,12,587 લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી. સુનાવણી બાદ 2,636 મતદારો ગેરલાયક ઠરતા તેમના નામ યાદીમાંથી દૂર કરાયા છે. અરજીઓનો નિકાલ: 20-12-2025થી 10-02-2026 દરમિયાન કુલ 43,574 ફોર્મ મળ્યા હતા, જેમાંથી 24,599 મંજૂર અને 18,975 નામંજૂર કરવામાં આવ્યા છે. ફોર્મ મુજબ વિગત: વિધાનસભા બેઠકવાર મતદારોની સ્થિતિઆખરી યાદી મુજબ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યા : ઉચ્ચ સ્તરીય સમીક્ષા અને અપીલની જોગવાઈઆ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રોલ ઓબઝર્વર અને પ્રભારી સચિવ મમતા વર્માએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને નોંધણી અધિકારીઓ સાથે બેઠકો યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. જો કોઈ મતદાર નોંધણી અધિકારીના નિર્ણયથી અસંતુષ્ટ હોય, તો તેઓ આખરી યાદી પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટ સમક્ષ અપીલ કરી શકે છે.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, નવસારી જિલ્લાની આખરી મતદારયાદી આજે જાહેર કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે વિગતવાર માહિતી આપી હતી. સુધારણા પ્રક્રિયા બાદ જિલ્લામાં કુલ 9,66,231 મતદારોના નામ આખરી યાદીમાં સમાવિષ્ટ કરાયા છે. જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, મતદારયાદીની પ્રક્રિયા દરમિયાન મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. મુસદ્દા યાદી પહેલા નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોમાં કુલ 10,95,900 મતદારો હતા. મુસદ્દા પ્રસિદ્ધિ બાદ આ સંખ્યા ઘટીને 9,59,337 થઈ હતી, જે હવે આખરી યાદીમાં 9,66,231 પર પહોંચી છે. જે યુવાનોએ 01-01-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કર્યા છે, તેઓ હજુ પણ પોતાનું નામ નોંધાવી શકે છે. સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નં. 6 ભરીને આગામી સમયમાં પ્રસિદ્ધ થનારી યાદીમાં નામ દાખલ કરાવી શકાશે. આ ઉપરાંત, મતદારયાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નં. 7 અને સુધારા માટે ફોર્મ નં. 8 ભરવાની પ્રક્રિયા પણ ચાલુ રહેશે. નાગરિકો આ ફોર્મ ભરીને જરૂરી સુધારા કરાવી શકશે. નાગરિકો મતદારયાદીમાં પોતાનું નામ વિવિધ માધ્યમો દ્વારા ચકાસી શકે છે. આ માટે ceo.gujarat.gov.in વેબસાઇટ, voters.eci.gov.in પોર્ટલ અથવા ECINET મોબાઈલ એપનો ઉપયોગ કરી શકાય છે. રૂબરૂમાં સંબંધિત BLO, જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી અથવા ERO/AERO કચેરી ખાતેથી પણ માહિતી મેળવી શકાશે. નવું નામ નોંધાવવા માટે (જો નામ યાદીમાં ન હોય તો) ફોર્મ નં. 6 ભરીને જરૂરી આધાર-પુરાવા અને ડેક્લેરેશન સાથે ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરી શકાય છે. યાદીમાં વિગતો ખોટી હોય તો ફોર્મ નં. 8 ભરીને સુધારો કરાવી શકાય છે, જ્યારે કોઈપણ પ્રકારના વાંધા રજૂ કરવા માટે ફોર્મ નં. 7 ભરી શકાશે. આ પણ વાંચો-ફાઇનલ વોટર લિસ્ટ જાહેર, તમારું નામ 3 સ્ટેપથી ચેક કરો
અમદાવાદના પીપળજ ગામ નજીક આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ લાગવાની ઘટના બની છે. હર્ષ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં કેમિકલ અને ઓઇલમાં આગ લાગી છે. જેના પગલે ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. કંપનીમાં કેમિકલ અને ઓઇલ હોવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પીપળજ નજીક કેમિકલ અને ઓઇલ કંપનીમાં આગ લાગી હોવાના પગલે આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. બે કિલોમીટર દૂર લોકોને આગના ધુમાડા જોવા મળી રહ્યા છે અને એટલી વિકરાળ આગ છે કે, બે કિમીથી લોકો આગની જ્વાળા પણ જોઈ શકે છે, ફાયર બ્રિગેડની ટીમો હાલ ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. આગ એટલી વિકરાળ બની ગઈ છે કે રોડ સુધી આગ પહોંચી ગઈ હતી, જેના કારણે રોડ પરનો અવર-જવરનો રસ્તો બંધ કરી દેવો પડ્યો છે. ફાયર બ્રિગેડની ટીમના જવાનો પણ ખૂબ દૂરથી પાણીનો માળો ચલાવી રહ્યા છે. કેમિકલ અને ઓઇલ હોવાના કારણે આગ વધારે ફેલાઈ છે. અમે સમાચાર અપડેટ કરી રહ્યા છીએ……
ભરૂચ જિલ્લામાં આખરી મતદાર યાદી જાહેર:11,02,790 મતદારોનો સમાવેશ, તમારું નામ 3 સ્ટેપથી ચેક કરો
ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂર્ણ થયા બાદ આખરી મતદાર યાદીની જાહેરાત કરવામાં આવી છે. આ યાદી 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત થશે, જેમાં કુલ 11,02,790 મતદારોનો સમાવેશ થાય છે. આ અંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની આખરી મતદાર યાદીની નકલ સત્તાવાર રીતે રાજકીય પક્ષોને સુપરત કરવામાં આવી હતી. આ સુધારણા ઝુંબેશ 4 નવેમ્બર, 2025 થી શરૂ થઈ હતી. ઝુંબેશ શરૂ થાય તે પહેલાં જિલ્લામાં કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા. પ્રાથમિક તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ થયેલી મુસદ્દા મતદાર યાદી (ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ)માં 10,95,420 મતદારોનો સમાવેશ થયો હતો. ડ્રાફ્ટ યાદી પ્રકાશન બાદ નાગરિકોને દાવા-વાંધા રજૂ કરવાની તક આપવામાં આવી હતી, જેમાં વૈધાનિક ફોર્મ નં. 6, 7 અને 8 મારફતે અરજીઓ સ્વીકારવામાં આવી હતી. આ ઉપરાંત, 'નો મેપિંગ' તથા 'લોજિકલ ડિસ્ક્રેપન્સી' તરીકે ઓળખાયેલા કેસોની વિશેષ ચકાસણી હાથ ધરાઈ હતી. આવા કેસોમાં ફિલ્ડ વેરિફિકેશન, દસ્તાવેજોની તપાસ તેમજ નોટિસ આપી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. દાવા-વાંધા અને ચકાસણી બાદ પ્રાપ્ત થયેલ અરજીઓ તથા જરૂરી સુધારાઓનો સમાવેશ કરીને ભરૂચ જિલ્લાની આખરી મતદાર યાદીમાં કુલ 11,02,790 મતદારોનો સમાવેશ નોંધાયો છે. https://electoralsearch.eci.gov.in/ પર જઈને પણ તમારું નામ મતદારયાદીમાં છે કે નહીં એ તપાસી શકાશે. આ વેબસાઇટમાં નામ ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિઝર સમજાવી રહ્યા છીએ આ પણ વાંચો-ફાઇનલ વોટર લિસ્ટ જાહેર, તમારું નામ 3 સ્ટેપથી ચેક કરો
બોટાદમાં મધમાખી પાલન તાલીમ યોજાઈ:આત્મા પ્રોજેક્ટ હેઠળ 80 ખેડૂતોએ ભાગ લીધો
બોટાદ જિલ્લાના સાળંગપુર (BAPS) ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા એક દિવસીય મધમાખી પાલન તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં કુલ 80 ખેડૂતોએ ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને મધમાખી પાલનના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ મધમાખીની મુખ્ય પાંચ જાતોમાંથી એ. સેરેના અને એ. મેલીફેરા વિશે વિગતવાર માહિતી આપી હતી. મધમાખી પરાગણ દ્વારા ખેતી પાકોમાં 15 ટકાથી 35 ટકા સુધી ઉત્પાદન વધારી શકાય છે તેની પણ સમજણ આપવામાં આવી હતી.તાલીમમાં મધમાખી પાલન શરૂ કરવાની પદ્ધતિઓ, રોગ અને જીવાત નિયંત્રણ, શુદ્ધ મધનું ઉત્પાદન અને તેના માર્કેટિંગ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. નકુમે જણાવ્યું હતું કે મધમાખી પાલન એ વર્તમાન સમયમાં એક ઉભરતો અને આવકવર્ધક પૂરક વ્યવસાય છે.રાણપુરના બાગાયત અધિકારીએ મધમાખી પાલન માટે ઉપલબ્ધ વિવિધ બાગાયત કક્ષાની સહાય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રાયોગિક માર્ગદર્શન અને સાધનોનું પ્રદર્શન પણ યોજાયું હતું, જ્યાં ખેડૂતોને તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો મળ્યા હતા.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોમાં મધમાખી પાલન પ્રત્યે જાગૃતિ વધારવાનો અને ખેતી સાથે પૂરક વ્યવસાય અપનાવી આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધવાનો સંદેશ આપવાનો હતો.
વડોદરા શહેરના હરીનગર બ્રિજ ઉતરતી વખતે પૂરપાટ ઝડપે જઈ રહેલ થાર કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી અને અકસ્માતમાં લોખંડનો પોલ પણ તોડી નાખ્યો હતો. નશામાં બેફામ થઈને અકસ્માત સર્જ્યો હતો. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે આશરે કલાક 3 વાગ્યે વાગ્યે 113 જનરક્ષકને કોલ આવ્યો હતો કે, હરીનગર બ્રિજ ઉતરતા ડિવાઇડર પર થાર કાર ચડાવી દીધી છે. જેથી ઘટનાસ્થળે પહોંચેલા અકોટા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તપાસ કરતાં જાણવા મળ્યું કે મહિન્દ્રા થાર (રજિસ્ટ્રેશન નંબર GJ-06-PM-4510) ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર ડિવાઇડર પર ચડી ગઈ અને ત્યાં લાગેલો લોખંડનો પોલ પણ તોડી નાખ્યો હતો.કાર ચાલકને નીચે ઉતારી પૂછપરછ કરતાં તે તોતડાતી જીભે વાત કરતો હતો. તેણે પોતાનું નામ અભિરુધ્ધભાઈ વિશ્વાસરાવ સાવંત (ઉંમર 35 વર્ષ, રહેવાસી ખત્રી પોળ, રાવપુરા, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. તેની આંખો લાલચોળ અને ઘેરાયેલી જણાઈ આવી હતી, શરીરનું સંતુલન જાળવી શકતો નહોતો અને લથડિયા ખાતો હતો. પોલીસને શંકા થતાં તે દારૂ જેવા કેફી પીણાના નશામાં હોવાનું જણાયું હતું.થાર કારના ચાલકને અકોટા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. બે પંચોની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પંચનામું કરી થાર કારને કબજે લેવામાં આવી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ચાલકની બેફામ અને નશામાં ડ્રાઇવિંગને કારણે લોકોની સલામતીને જોખમ સર્જાયું હતું.વડોદરામાં તાજેતરના સમયમાં નશામાં અને પૂરપાટ ઝડપે કાર ડ્રાઇવિંગની ઘટનાઓ વધી રહી છે. આવા નબીરા અને બેફામ ચાલકો સામે પોલીસ વધુ કડક કાર્યવાહી ક્યારે કરશે? એવા સવાલ ઉઠી રહ્યા છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
પાટડીના ઝેઝરીમાં 8.63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:બજાણા પોલીસે ખેતરમાંથી દારૂની 1344 બોટલ જપ્ત કરી
પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી બજાણા પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કડબની આડશમાં છુપાવેલો કુલ 8,63,184 રૂપિયાનો દારૂ અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા છે. આ દારૂના જથ્થામાં કાચ અને પ્લાસ્ટિકની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીનનો સમાવેશ થાય છે. પોલીસે કુલ 1344 નંગ દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પાટડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસે આ કાર્યવાહી કરી હતી. બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. વાઘેલા અને તેમની ટીમને ઝેઝરી ગામના બસ સ્ટેશન પાસે પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત બાતમી મળી હતી. બાતમીના આધારે, મયુરખાન મહમદખાન મલેક (રહે. ઝેઝરી, તા. પાટડી) અને બિસ્મીલ્લાખાન ઉર્ફે બિસુ દિલાવરખાન મલેક (રહે. પીપળી, તા. પાટડી) દ્વારા ઝેઝરીથી અંકેવાડિયા ગામ જવાના માર્ગે આવેલા મયુરખાનના ખેતરમાં દારૂનો જથ્થો છુપાવી ગેરકાયદેસર વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રેડ કરી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેડ દરમિયાન બંને આરોપીઓ હાજર ન મળતા તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઈ. એ.કે. વાઘેલા, પો.હેડ.કોન્સ. વી.બી. મેટાલીયા, પો.કોન્સ. શક્તિભાઈ પ્રભુભાઈ ગોપેલ, પો.કોન્સ. રાહેશભાઈ ભાવજીભાઈ, પો.કોન્સ. ધ્રુવરાજસિંહ રાણા અને પો.કોન્સ. ભગીરથસિંહ વાઘેલા સહિતની ટીમ જોડાઈ હતી.
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતી એક યુવતીએ અભયમ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો અને કહ્યું હતું કે,6 મહિનાથી મારા બોયફ્રેન્ડે મને છોડી દીધી છે, હું ડિપ્રેશનમાં આવી ગઈ છું, આત્મહત્યા કરવાના વિચાર આવે છે. આ કોલ મળતાં જ અભયમ ટીમે તાત્કાલિક યુવતીના આપેલા સરનામે પહોંચી તેનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું અને યુવાન અને યુવતી વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પીડિત યુવતીએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે, તે ગોધરાની વતની છે અને તેના જ વતનના એક યુવક સાથે ગત ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને એક વર્ષથી વડોદરામાં રહેતા હતા. યુવતી મોલમાં નોકરી કરે છે જ્યારે યુવક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. બંનેએ ભાડાનું મકાન રાખીને એકસાથે રહેવાનું શરૂ કર્યું હતું. યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, યુવક વારંવાર કહેતો હતો કે, તેનો પરિવાર તેને સ્વીકારશે નહીં કારણ કે, બંનેનો સમાજ અલગ-અલગ છે. તેણે લગ્નની ઉતાવળ ન કરવાની સલાહ આપી હતી અને છોડી નહીં દેવાનું આશ્વાસન પણ આપ્યું હતું. જોકે છ મહિના પહેલાં યુવકે કહ્યું કે કંપનીના કામ માટે તેને વિદેશ જવું પડશે અને યુવતીને તેની બહેનના ઘરે રહેવા મોકલી દીધી હતી. ત્યારબાદ તેણે યુવતીનો નંબર બ્લોક કરી દીધો અને વોટ્સએપ પર પણ સંપર્ક તોડી નાખ્યો હતો. યુવતીએ અનેક વખત અલગ-અલગ નંબરથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ યુવકે બહાનાં બનાવ્યા હતા. જેમ કે એક્સિડન્ટ થયું છે, હોસ્પિટલમાં એડમિટ છું. છેલ્લે યુવતીને ખબર પડી હતી કે, યુવક બીજી એક છોકરી સાથે વાતચીત કરી રહ્યો છે અને તેના પરિવાર લગ્નની વાત પણ કરી રહ્યા છે. આ બધું જાણીને યુવતી ભારે માનસિક તણાવમાં આવી ગઈ અને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા, જેના કારણે તેણે અભયમની મદદ લીધી હતી. અભયમ ટીમે યુવતીને વિશ્વાસ અને હિંમત આપી તેની ચિંતા દૂર કરી હતી. અભયમની ટીમ યુવકનો સંપર્ક કરીને તેને મળી હતી અને સમગ્ર બાબતની ચર્ચા કરી હતી. યુવકે પોતાની ભૂલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે તેણે ખોટું બોલીને યુવતીને બહેનના ઘરે મોકલી દીધી હતી. તેણે પોતાના વર્તન માટે પસ્તાવો વ્યક્ત કર્યો હતો. યુવતીએ જણાવ્યું હતું કે, તે પોતાના પરિવાર સાથે વાત કરીને સામાજિક રીતે આ બાબતને ઉકેલવા માંગે છે. તેણે કાયદાકીય કાર્યવાહી ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અભયમ ટીમના સલાહ-સૂચન અને માર્ગદર્શન બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું છે.
પાલનપુર આંગણવાડીઓમાં બાળ દિવસની ઉજવણી:બાળકોના વિકાસ રિપોર્ટ કાર્ડ અપાયા, જન્મદિવસની સામૂહિક ઉજવણી
પાલનપુર ઘટક-1 હેઠળની તમામ આંગણવાડી કેન્દ્રોમાં 'બાળ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ભારત સરકારની 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020' અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસને મહત્વ આપવા માટે યોજાયો હતો. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના વિકાસનું સતત અવલોકન કરી 'અગમ' (AGAM) એપ અને 'મારી વિકાસયાત્રા' પુસ્તિકામાં નિયમિતપણે નોંધ લેવામાં આવે છે. જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર માસમાં બાળકોની પ્રગતિની નોંધણી કરવામાં આવે છે. આ ઉજવણી દરમિયાન, જાન્યુઆરી માસમાં કરાયેલા અવલોકનના આધારે તૈયાર થયેલા 'મારી વિકાસયાત્રા' રિપોર્ટ કાર્ડ વાલીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યકર બહેનોએ વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસના વિવિધ પાસાઓ વિશે વિગતવાર માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ ફેબ્રુઆરી માસમાં જન્મેલા બાળકોના જન્મદિવસની સામૂહિક ઉજવણી હતી, જેમાં બાળકો અને વાલીઓએ આનંદપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે સી.ડી.પી.ઓ. ડિમ્પલબેન પંચાલ, તમામ સુપરવાઈઝર બહેનો, ડિસ્ટ્રિક્ટ પી.એસ.સી. રોહિતભાઈ સેવક, બ્લોક પી.એસ.સી. સ્મિતાબેન વણકર અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નોકરીના કલાકો 9થી વધારીને 10 કરવામાં આવ્યા ગુજરાત સરકારે નોકરીના કલાકો 9થી વધારી 10 કર્યા...મહિલાઓને નાઇટ શિફ્ટ કરવાની છૂટ આપવામાં આવી.. વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર થઈ ગયું છે .20થી વધુ કર્મચારી કામ કરતા હોય એ સંસ્થા પર નિયમ લાગુ પડશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતની ફાઈનલ મતદાર યાદી જાહેર સાડા ત્રણ મહિના સુધી ચાલેલી એસઆઈઆરની કામગીરી બાદ આજે ગુજરાતની ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી.... રાજ્યમાં કુલ 4.40 કરોડ મતદાર નોંધાયા, 3.95 લાખ નામ કમી થયા છે. તો યાદી જાહેર થતા હવે એપ્રિલના અંત અથવા મે મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની પૂરી સંભાવના છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન પોરબંદરના દરિયાકિનારેથી 200 કિલોથી વધુ શંકાસ્પદ ડ્રગ્સ ઝડપાયું...બલૂચી બોલતા બે શખ્સ ઈરાનથી સ્પીડ બોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા.. પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો, પરંતુ તે પહેલાં જ ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે તેમને ઝડપી લીધા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગઈકાલે સ્કૂલ્સ બાદ આજે વિવિધ કોર્ટને ધમકી મળી અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા અને વલસાડની કોર્ટને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી.. ગઈકાલે સ્કૂલોને પણ આવી જ ધમકી મળી હતી. જો કે આમાં વડોદરાની બ્રાઈટ સ્કૂલને તો સ્કૂલના જ પાંચમા ધોરણના વિદ્યાર્થીએ રજાના આશયથી ધમકી આપી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજથી CBSE બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ આજથી દેશભર સહિત અમદાવાદમાં CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ. અમદાવાદની 85 શાળાઓમાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ગણિત અને આંત્રપ્રિન્યોરશિપ જેવા વિષયોની પરીક્ષા આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાળ-તસ્કરીની અફવામાં નિર્દોષો પર અત્યાચાર સુરતમાં બાળ તસ્કરીની અફવાએ હિંસક રુપ લીધું.. ભેસ્તાન - સલાબતપુરા બાદ ખટોદરામાં મહિલાને બાળક ચોર સમજી ટોળાએ હુમલો કર્યો. પાછલા ચાર દિવસમાં બાળક ચોર સમજી નિર્દોષો પર અત્યાચારની આ ત્રીજી ઘટના છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બેકાબૂ બનેલી SUVનો અકસ્માત, 3નાં મોત દાહોદ-અમદાવાદ હાઇવે પર બેકાબૂ એસયુવી કાર ડિવાઈડર બાદ થાંભલે અથડાઈ. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતદેહોન ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા. ટક્કર એટલી ભયાનક હતી તે એન્જિનના ટુકડા ખેતરોમાં ફેંકાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિવાદિત કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને પડકાર્યા શિવરાત્રીની રાત્રે મૃગીકુંડમાં ડૂબકી લગાવ્યા બાદ કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને પડકાર્યા.. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું કે ભગવા પાછળના બધા રહસ્યો હું જાણું છું. રાત્રે 9 વાગ્યે પ્રુફ સાથે ઈન્દ્રભારતી બાપુની સચ્ચાઈ સામે લાવીશ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુવતીને વેલેન્ટાઈન ડે પર ડિનર માટે બોલાવવી ભારે પડી વડોદરાના અકોટામાં યુવકને તાલિબાની સજા આપી. .યુવકે વેલેન્ટાઈન ડે પર યુવતીને ડિનર પર બોલાવી.. જે બાદ યુવતીના ભાઇ સહિતના 4થી5 લોકોએ યુવકને ઢોર માર માર્યો, જેનો વીડિયો વાયરલ થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિંહ પાછળ પડતા બળદ કૂવામાં ખાબક્યા અમરેલીના ખાંભામાં સિંહ પાછળ દોડતા બે બળદ ગાડા સાથે કૂવામાં ખાબક્યા.એક બળદનું મોત નીપજ્યું,જ્યારે બીજાને પાંચ કલાકની જહેમત બાદ ફાયર વિભાગે હેમખેમ બહાર કાઢ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પીપળી ગામે પંચાયત સદસ્ય દ્વારા એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. પોતાના ઘરના પ્લોટની આકારણી અને સનદ મેળવવા ગયેલી 27 વર્ષીય સોનલબેન ચાવડાને પંચાયત સદસ્ય નસીબખાન હબીબખાન મલેકે જાહેરમાં લાફો માર્યો હતો અને જાતિવિષયક અપમાનિત કર્યા હતા. આ ઘટના પીપળી ગ્રામ પંચાયત કચેરીમાં બની હતી. મહિલા અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી રહી હતી ત્યારે આરોપી નસીબખાને તેમને અપશબ્દો કહ્યા હતા અને જાતિવિષયક અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેણે મહિલાને અહીંથી જાય છે કે નહીં કહીને જાહેરમાં અપમાનિત કરી હતી અને બાદમાં લાફો માર્યો હતો. પીડિતાના પરિવારને 1961માં સરકારે રહેણાંક પ્લોટ ફાળવ્યો હતો, પરંતુ તેઓ વર્ષોથી સનદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આરોપી નસીબખાન મલેક પંચાયતનો સભ્ય હોવાથી સત્તાનો દુરુપયોગ કરીને આ પરિવારના કામમાં અવરોધ ઉભો કરી રહ્યો હોવાનો આરોપ છે. બનાવના દિવસે પણ અધિકારીઓ હાજર હતા ત્યારે આ ઘટના બની હતી. આ ગંભીર ઘટના બાદ પીડિતા સોનલબેન ચાવડાએ દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 115(2) (સ્વેચ્છાએ વ્યથા પહોંચાડવી), 352 (ઈરાદાપૂર્વક અપમાન), 351(2) (ગુનાહિત ધમકી) તથા એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(r), 3(1)(s) અને 3(2)(5) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
વાપીના કુંતા ગામે કરોડો રૂપિયાની ખેતીની જમીન હડપવા માટે મૃતક વ્યક્તિના નામે ખોટો પાવર ઓફ એટર્ની (PoA) ઉભો કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આ પ્રકરણમાં સાક્ષી તરીકે સહી કરનાર બે આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. વાપીના એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે બંને પક્ષોની દલીલો સાંભળી સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે આરોપીઓ અગ્નેલ ગુલાબ પટેલ અને ચેતન કરમશી ભાનુશાલીએ પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ નિર્ણય બાદ પોલીસ માટે તેમની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. તપાસ મુજબ, કુંતા ગામના સર્વે નં. 45 (નવો સર્વે નં. 108, 109) વાળી જમીનના મૂળ માલિક ખોરસેદ ફુરામરોજ ખબરદારનું 10મી ઓગસ્ટ, 1985ના રોજ મુંબઈ ખાતે અવસાન થયું હતું. તેમ છતાં, વર્ષ 2010માં તેમને જીવિત દર્શાવી ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવી હતી. આ ખોટી પાવર ઓફ એટર્નીના આધારે સંદીપ તુકારામ આપ્ટેએ કુલમુખત્યાર તરીકે દેવાંગ કાંતિલાલ પટેલને 31 માર્ચ, 2023ના રોજ જમીન વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. વેચાણ પ્રક્રિયા દરમિયાન 11 માર્ચ, 2023ના રોજ એક ખોટું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મૂળ માલિક જીવિત હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજમાં અગ્નેલ પટેલ અને ચેતન ભાનુશાલીએ સાક્ષી તરીકે સહી કરી હતી. સરકારી પક્ષે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે, આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી સબ-રજિસ્ટ્રાર કચેરીને છેતરવા સાથે આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો છે. તપાસ દરમિયાન સહ-આરોપી દેવાંગ પટેલની 26મી જાન્યુઆરી, 2026ના રોજ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે. કેસમાં સંડોવાયેલા આરોપીઓને આગોતરા જામીન મળી જશે તો તેઓ તપાસને નુકસાન પહોંચાડી શકે છે, તેવી રજૂઆત કરવામાં આવી હતી. વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે આ દલીલ માન્ય રાખીને બંને આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ ઘટના જમીન વ્યવહારોમાં દસ્તાવેજી ચકાસણીની જરૂરિયાત પર ફરી એકવાર ભાર મૂકે છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે તેમજ જે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે તેવા પ્લાસ્ટિકનો ફરીથી યુઝ કરી શકાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિસાયકલ પ્લાન્ટ ચલાવવામાં આવે છે. શહેરમાં આવેલા દરેક કોમર્શિયલ એકમ, બલ્ક વેસ્ટ જનરેટર, ઉદ્યોગ, હોટેલ, મોલ, હોસ્પિટલ, પાર્ટીપ્લોટ, બેન્ક્વેટ હોલ, કબાડીવાડા તેમજ અન્ય સંસ્થાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર નોટિસ દ્વારા જણાવ્યું છે કે તેઓ દ્વારા કલેક્શન, સંગ્રહ કે ઉપયોગમાં લેવાયેલા મલ્ટીલેયર (MLP), નોનરીસયક્લેબલ કે અન્ય કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય કરેલી એજન્સીઓને તેઓના જણાવેલ ઝોન અનુસાર પ્રોસેસિંગ માટે આપવાનું રહેશે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહીજો કોમર્શિયલ એકમો કે અલગ અલગ વેપારી એકમો દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ આપવામાં નહીં આવે તો તેના વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ એકમો હોટલ અને રેસ્ટોરન્ટ સહિતની જગ્યાઓ પર જે વેસ્ટ પ્લાસ્ટિક હોય છે તેનો નિકાલ યોગ્ય સ્થળે થઈ જાય તેના માટે અલગ અલગ બે એજન્સીઓ નિયુક્ત કરવામાં આવેલી છે. એજન્સીઓને સંપર્ક કરીને જે પ્લાસ્ટિક વેસ્ટ આપવાનો રહેશે.
હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. આ બેઠક જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. બજેટમાં રૂ. 13.87 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જે રૂ. 4.39 કરોડની પુરાંત દર્શાવે છે. બજેટની જોગવાઈઓ મુજબ, સ્વભંડોળની ઉઘડતી સિલક અને અપેક્ષિત આવક અંદાજે રૂ. 17.83 કરોડ દર્શાવવામાં આવી છે. જ્યારે ગુજરાત સરકારની ઉઘડતી સિલક અને અપેક્ષિત આવક અંદાજે રૂ. 1997.54 કરોડ સામે રૂ. 1387.06 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. મંગળવારે યોજાયેલી આ સભામાં રજૂ કરાયેલા અંદાજપત્રમાં 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ'ના સંકલ્પને સાકાર કરવા માટે ખૂટતી સુવિધાઓ અપગ્રેડ કરવા વિશેષ જોગવાઈ કરાઈ છે. આગામી વર્ષમાં સાબરકાંઠા જિલ્લાના વિકાસના અન્ય કામો તેમજ જૂના રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ફાળવણી કરવામાં આવી છે. જેમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે રૂ. 346.71 લાખ, પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ. 433.02 લાખ, શિક્ષણ ક્ષેત્રે રૂ. 66.04 લાખ, આયુર્વેદ અને આરોગ્ય માટે રૂ. 7.05 લાખ, પશુપાલન ક્ષેત્રે રૂ. 8.75 લાખ, આંકડા ક્ષેત્ર માટે રૂ. 17.06 લાખ, સમાજ કલ્યાણ માટે રૂ. 81.07 લાખ અને જાહેર બાંધકામ ક્ષેત્રે રૂ. 373 લાખનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અન્ય ક્ષેત્રો માટે રૂ. 6.05 લાખની જોગવાઈ કરાઈ છે. ખાસ સામાન્ય સભા દરમિયાન, આરોગ્ય અધિકારી દ્વારા સરકારની લાલન-પાલન યોજનાની વિગતો અને સાબરકાંઠાના પછાત વિસ્તારોમાં તેની અમલવારી અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત સદસ્યોએ તેમની ગ્રાન્ટમાં વધારો કરવા અને બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માંગ કરી હતી. જેના પ્રતિસાદરૂપે, જિલ્લા વિકાસ અધિકારીએ કાયદાની મર્યાદામાં રહીને સહયોગ આપવાની ખાતરી આપી હતી.
હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા પંચાયત પરિસરમાં નવા રેકર્ડ બિલ્ડીંગ અને ડિસ્ટ્રિક્ટ વેક્સિન સ્ટોરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે થયેલા આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પંચાયતના ચેરમેન અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાંધકામ વિભાગ દ્વારા આશરે ૮૨ લાખ રૂપિયાના ખર્ચે ૨૫૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં આ રેકર્ડ બિલ્ડીંગનું નિર્માણ કરાયું છે. આ બિલ્ડીંગમાં નીચે પાર્કિંગની સુવિધા છે અને ઉપરના માળે બે મોટા હોલ બનાવવામાં આવ્યા છે, જ્યાં પંચાયતના વિવિધ વિભાગોના મહત્વપૂર્ણ રેકર્ડ્સ સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા ૧.૬૨ કરોડ રૂપિયાના ખર્ચે ડિસ્ટ્રિક્ટ વેક્સિન સ્ટોર તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્ટોર જિલ્લાની ૩૨,૦૦૦થી વધુ સગર્ભા માતાઓ અને ૩૦,૩૦૦થી વધુ ૦ થી ૫ વર્ષના બાળકોને અપાતી નવ પ્રકારની જીવનરક્ષક રસીઓ માટે વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ જાળવવામાં મદદરૂપ થશે. આ રસીઓમાં BCG, OPV, Pentavalent, MR, Td જેવી મહત્વપૂર્ણ રસીઓનો સમાવેશ થાય છે. આ વેક્સીન સ્ટોરમાં ૨C થી ૮C તાપમાન જાળવવા માટે અદ્યતન આઈસ લાઈન્ડ રેફ્રિજરેટર (ILR) અને ડીપ ફ્રીઝર યુનિટ્સ જેવી તકનીકી સુવિધાઓ ઉપલબ્ધ છે. રસીઓના ૨૪x૭ સતત મોનિટરિંગ માટે ડિજિટલ ડેટા લોગર અને રિમોટ ટેમ્પરેચર ટ્રેકિંગ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે. વીજ પુરવઠો ખોરવાય ત્યારે જનરેટર આધારિત પાવર બેકઅપ અને તાપમાનમાં ભંગાણ થાય ત્યારે ઓટોમેટેડ એલાર્મ સિસ્ટમ પણ કાર્યરત રહેશે. આ ઉપરાંત, Vaccine Vial Monitor (VVM) દ્વારા રસીની પોટેન્સી અને હીટ એક્સપોઝરનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. WHOની માર્ગદર્શિકા મુજબ વૈજ્ઞાનિક સંગ્રહ, હેન્ડલિંગ અને વિતરણ વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ છે. રસીઓની અસરકારકતા જાળવવા માટે શીત શૃંખલા (કોલ્ડ ચેઇન) અનિવાર્ય છે, જે માતા અને બાળ આરોગ્ય સૂચકાંકોમાં સુધારો કરશે અને રસીથી અટકાવી શકાય તેવા રોગો સામે મજબૂત રક્ષણ પૂરું પાડશે.
અમદાવાદના અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી શિક્ષણ અને સામાજિક સેવામાં શ્રેષ્ઠ પ્રદાન કરનારા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે 'અધ્યાપક સન્માન 2025' માટે રાજકોટના પ્રતિષ્ઠિત વિદ્વાન ડો. ઇરોસ વાજાની પસંદગી કરવામાં આવી છે. 15 માર્ચ 2026ના રોજ રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્ય સમારોહમાં તેમને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવશે. વૈશ્વિક ફલક પર ભારતનું પ્રતિનિધિત્વ ડો. ઇરોસ વાજા હાલમાં માતુશ્રી વીરબાઈમાં મહિલા આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે અંગ્રેજી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમણે કેનેડા, ઉઝબેકિસ્તાન અને દુબઈ (GITEX 2019) જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ ઇન્ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીઝના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી બોર્ડ ઓફ સ્ટડીઝના સતત 3 ટર્મ સુધી અધ્યક્ષ રહી ચૂક્યા છે. અદભૂત શૈક્ષણિક લાયકાત અને સંશોધન તેમની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી રહી છે: ડિગ્રીઓ: અંગ્રેજી સાહિત્ય, ફિલોસોફી અને પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી તેમજ એલએલ.બી. અને ક્રિએટિવ રાઇટિંગમાં ડિપ્લોમા. પીએચ.ડી.: અંગ્રેજી સાહિત્ય અને પત્રકારત્વ એમ બે અલગ વિષયોમાં પીએચ.ડી.ની ઉપાધિ. નવીનતા: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વોકેબ્યુલરી સંશોધન માટે તેમણે પેટન્ટ પણ મેળવી છે. પુસ્તકો: તેમણે ગિરીશ કર્નાડના નાટકો, માસ મીડિયા અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જેવા વિષયો પર મહત્વપૂર્ણ પુસ્તકો લખ્યા છે. સામાજિક અને શૈક્ષણિક પ્રદાન ડો. વાજા માત્ર વર્ગખંડ પૂરતા મર્યાદિત નથી, તેઓ આકાશવાણી અને ટેલિવિઝન પર શૈક્ષણિક મુદ્દાઓ પર માર્ગદર્શન આપે છે. અનેક વિદ્યાર્થીઓને પીએચ.ડી.માં માર્ગદર્શન આપવાની સાથે તેઓ ઇગ્નુ (IGNOU) માં એકેડેમિક કાઉન્સેલર તરીકે પણ સેવા આપે છે. અગાઉ તેમને ચાણક્ય એવોર્ડ (2008) અને વેદાંત એક્સેલન્સ એવોર્ડ (2020) થી નવાજવામાં આવ્યા છે. અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી આ પસંદગી ડો. વાજાના દીર્ઘકાલીન સંશોધનાત્મક અને શૈક્ષણિક યોગદાનની સાચી કદર છે, જેનાથી સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
નેત્રંગના 12 ગામના ખેડૂતોની કલેક્ટરને રજૂઆત:જમીન સંપાદનમાં વર્તમાન બજારભાવ મુજબ વળતરની માંગ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના 12 ગામના ખેડૂતોએ જમીન સંપાદન મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી છે. નેશનલ હાઈવેના વિસ્તરણ માટે થતી જમીન સંપાદન પ્રક્રિયામાં યોગ્ય અને વધુ વળતર ચૂકવવાની તેમની માંગ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, જમીન સંપાદન માટે વર્તમાન બજારભાવને બદલે જૂના દરના આધારે વળતર નક્કી કરવામાં આવી રહ્યું છે. આનાથી તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. નેત્રંગ તાલુકાના વાપી-અંબાવા-યાસવડ-નેત્રંગ-કાંડીપાડા-મોતી શામળાજી માર્ગ પર નેશનલ હાઈવે સત્તાધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, જમીનની માપણી યોગ્ય રીતે કરાઈ નથી. તેઓએ રજૂઆત કરી છે કે 2017ના રિસર્વે-રીવિઝનના દરને આધારે વળતર નક્કી કરાતા વર્તમાન બજારભાવ અને નક્કી કરાયેલા દર વચ્ચે મોટો તફાવત ઊભો થયો છે. અનેક સ્થળોએ વીજ લાઇન, રસ્તા અને અન્ય સુવિધાઓ માટે જમીન લેવાઈ હોવા છતાં યોગ્ય મૂલ્યાંકન થયું નથી. આથી, ખેડૂતોએ જમીનનું પુનઃમૂલ્યાંકન કરી વર્તમાન બજારભાવ મુજબ યોગ્ય અને વધારાનું વળતર ચૂકવવાની માંગ કરી છે. તેમણે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલે એક NRI યુવકને માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં અમરાઈવાડી ખાતે ધારાસભ્યની ઓફિસ પાસે વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી છે. અટકાયત દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે બળપૂર્વક તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. સમાધાન બાદ ધારાસભ્યએ યુવકને ઓફિસમાં માર્યો હોવાનો આક્ષેપધારાસભ્ય હસમુખ પટેલે થોડા દિવસ અગાઉ એક NRI યુવકને માર માર્યો હોવાના આક્ષેપ થયા હતા. આ કેસમાં ધારાસભ્યની ઓફિસમાં કામ કરતી યુવતીનું વાહન NRI યુવકના વાહન સાથે અથડાયું હતું. જે બાદ અમરાઈવાડી પોલીસે યુવકની અટકાયત કરી હતી. જોકે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું, છતાં ધારાસભ્યએ યુવકને ઓફિસમાં બોલાવીને માર માર્યો હોવાના આક્ષેપ થયા હતા. ધારાસભ્યના કાર્યાલય બહાર યુથ કોંગ્રેસના કાર્યકરોનો વિરોધધારાસભ્ય સામે થયેલા આક્ષેપને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. અમરાઈવાડી ખાતે ધારાસભ્ય હસમુખ પટેલની ઓફિસ નીચે જ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ધારાસભ્યના પોસ્ટર હાથમાં રાખીને સૂત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હતા. કેટલાક કાર્યકરોએ ધારાસભ્યની ઓફિસમાં જવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસે તમામની નીચેથી જ અટકાયત કરી દીધી હતી. ‘યુવકને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ કરીશું’યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે ધારાસભ્યની આ પ્રકારની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે. ધારાસભ્ય હસમુખ પટેલ રાજીનામું નહીં આપે તો આગામી દિવસમાં તેમના ઘરનો ઘેરાવ કરવામાં આવશે. જ્યાં સુધી યુવકને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે. શાંત મામલાને પક્ષપલટો કરીને આવેલા નેતાએ સળગાવ્યોઆ સમગ્ર મામલે NRI યુવક અને યુવતી વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પરંતુ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા એક સ્થાનિક નેતાએ આ મામલે રસ લઈને તેમના જૂના પક્ષમાં જાણ કરતા આ મામલો બહાર આવ્યો છે. પક્ષપલટો કરીને આવેલા નેતાએ પોતાને ભવિષ્યમાં ટિકિટ મળે અને પક્ષમાં હોદ્દો મળે તેવા અંગત સ્વાર્થ માટે શીત યુદ્ધ શરૂ કર્યું હોવાનું મનાઈ રહ્યું છે. અમરાઈવાડીના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલે NRI યુવકને પોલીસ પાસે ઉઠાવડાવ્યો, ઓફિસમાં લાવી લાફા માર્યા 12 ફેબ્રુઆરી (ગુરુવાર) એનઆરઆઇ સુનિલ પટેલ સીટીએમ પાસેની અમી અખંડાનંદ સોસાયટી પાસેથી પસાર થતો હતો ત્યારે એક મહિલાના વાહન સાથે અથડાયો હતો. આ નાની અમથી વાતમાં અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ ગુંડાગીરી પર ઊતરી આવ્યા. કારણ કે એ મહિલા ધારાસભ્યની પૂર્વ કર્મચારી હતી. ધારાસભ્યના હુકમથી એ જ દિવસે, ગુરુવારે મોડી સાંજે પોલીસ યુવકને ઘરે જઈને પોલીસ સ્ટેશન હાજર થવાનો હુકમ બજાવી આવી હતી. સુનિલ શુક્રવારે પોલીસ સ્ટેશન ગયો અને પૂછપરછ થઈ જતાં પાછો આવ્યો હતો. જોકે પોલીસે ધોલધપાટ કર્યાનું પણ કહેવાય છે. એ પછી ડીસ્ટાફ પોલીસ યુવકના ઘરે ગઈ અને પકડીને ધારાસભ્યની ઓફિસ લઈ ગઈ. ઓફિસમાં પ્રવેશતાં પણ તે લંગડાતો જોવા મળ્યો. આદેશ હતો એટલે પીએસઆઇને ફોન બહાર મૂકવો પડ્યો. ધારાસભ્યે મારવાનું ચાલુ કર્યું. યુવક હાથ જોડીને માફી માગતો રહ્યો પણ ધારાસભ્ય ન પીગળ્યા. આખી ઘટના અમરાઈવાડીના ભાજપના આગેવાન ધર્મેન્દ્ર પટેલની હાજરીમાં બની હોવાનું કહેવાય છે. શનિવારે યુવકની ફ્લાઇટ હતી છતાં ધારાસભ્યે દાટી આપી, ‘કાલે સવારે મારી ઓફિસનું શટર બંધ હોય તોપણ બેગ સાથે આવી, બંધ શટર અને કેમેરા સામે માફી માગજે અને ફરી ભારત નહીં આવું એવું બોલજે, નહીં તો લંડનની ફ્લાઇટ પકડવા નહીં દઉં.’ યુવકની સોસાયટીના, ધારાસભ્યની ઓફિસના સીસીટીવી કેમેરા તપાસાય તો વાસ્તવિકતા બહાર આવી શકે. વાંચો સંપૂર્ણ સમાચાર
વડોદરા શહેરમાં ગત તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયેલી ભવ્ય શિવજી કી સવારી યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડનો લાભ ઉઠાવી ગુના આચરતી એક રીઢા ગુનેગારોની ગેંગને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પ્રતાપનગર રોડ પર આવેલી નાની શાક માર્કેટ પાસે દર્શન કરવા આવેલા એક મહિલાના ગળામાંથી આશરે 17 ગ્રામ વજનની અને રૂ. 1,45,000ની કિંમતની સોનાની ચેઈન અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતાં. આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા હતો, જેના આધારે પોલીસે ટોળકીને ઝડપી પાડી છે. ટોળકી પાલનપુરથી શિવજી કી સવારીમાં આવી'તીશિવજી કી સવારીમાં ઉત્સવ દરમિયાન ચેઈન સ્નેચિંગ કરતી ટોળકી સક્રિય થઈ હોવાની ઘટના સામે આવી હતી અને એક મહિલાના ગળામાંથી ચેઈનની ચોરી થઈ હોવાની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે પાલનપુરથી રિક્ષાઓમાં આવીને એક ટોળકી ભીડભાડવાળા વિસ્તારોમાં ચોરીના ગુના આચરે છે. બે ઓટોરિક્ષા સાથે 6 શખ્સો ઝડપાયાઆ ચોક્કસ બાતમીના આધારે પોલીસે વારસીયા રિંગ રોડ પાસે સવાદ ક્વાર્ટર્સના નાકે વોચ ગોઠવી હતી, જ્યાંથી શંકાસ્પદ હાલતમાં બે ઓટોરિક્ષા સાથે 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. પકડાયેલા આરોપીઓમાં સાગર પરમાર, બાદલ કોળી, સુરજ ડાભી, સુખદેવ કોળી, નિદીયાબેન પરમાર અને બબીતાબેન કોળીનો સમાવેશ થાય છે, જેઓ મૂળ પાલનપુર (બનાસકાંઠા)ના રહેવાસી છે. મહિલા ચેઈન ચોરી કરે, અન્ય સાગરીતને આપે જેથી મુદ્દામાલ ન મળેપોલીસની સઘન પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આ ગેંગ ખાસ કરીને મોટા ઉત્સવોમાં ભીડનો લાભ લેવા માટે પાલનપુરથી વડોદરા આવી હતી. મહિલા આરોપી નિદીયા પોતાની પાસે રાખેલા કટર વડે મહિલાઓના ગળામાંથી ચેઈન કાપતી હતી અને તુરંત જ અન્ય સાગરીતોને સોંપી દેતી હતી જેથી પકડાય તો પણ મુદ્દામાલ ન મળે. 4.61 લાખનો મુદ્દામાલ જપ્તપોલીસે આરોપીઓ પાસેથી ચોરીની સોનાની ચેઈન, ગુનામાં વપરાયેલા 3 લોખંડના કટર, 5 મોબાઈલ ફોન અને 2 ઓટોરિક્ષા મળી કુલ રૂ. 4,61,060નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ વાડી પોલીસ સ્ટેશન દ્વારા આ ગેંગની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
અમદાવાદ શહેરને ધૂળ અને પ્રદૂષણ મુક્ત બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (CD) વેસ્ટના નિકાલ માટે અભૂતપૂર્વ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. હવે શહેરીજનોએ ઘરના રિનોવેશન કે બાંધકામ દરમિયાન નીકળતા કાટમાળ (ડેબ્રિજ)ના નિકાલ માટે ચિંતા કરવાની જરૂર નથી. AMC દ્વારા માત્ર એક ફોન કોલ પર ઘરેથી કચરો ઉઠાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. 25 નિર્ધારિત સ્થળો પર વિનામૂલ્યે નિકાલની છૂટ AMCએ શહેરના 7 ઝોનમાં કુલ 25 પ્લોટ નક્કી કર્યા છે, જ્યાં નાગરિકો પોતાના મકાનનું રિપેરિંગ કે નવું બાંધકામ કરતી વખતે નીકળતો માટી-પુરણી અને બિલ્ડિંગ ડેબ્રિજનો સ્વખર્ચે નિકાલ કરી શકશે. આ નિર્ધારિત સ્થળો પર કચરો નાખવા માટે કોર્પોરેશન દ્વારા કોઈ જ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ એમ તમામ ઝોનમાં આ સુવિધા ઉપલબ્ધ છે. નજીવી ફી સાથે હોમ કલેક્શનની સુવિધા અને હેલ્પલાઇન જો નાગરિકો પોતાના ઘરેથી કચરો ઉઠાવવા માંગતા હોય, તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ નજીવી ફી લઈને આ સેવા પૂરી પાડશે. આ માટે સવારે 08:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી નીચે મુજબના ઝોન વાઈઝ નંબર પર સંપર્ક કરી શકાશે: મધ્ય ઝોન: 6357516301 ઉત્તર ઝોન: 6357516302 દક્ષિણ ઝોન: 6357516303 પૂર્વ ઝોન: 6357516304 પશ્ચિમ ઝોન: 6357516305 ઉત્તર-પશ્ચિમ ઝોન: 6357516306 દક્ષિણ-પશ્ચિમ ઝોન: 6357516307 પ્રદૂષણ નિયંત્રણ માટે આધુનિક કલેક્શન સેન્ટરો શહેરની એર ક્વોલિટી સુધારવા માટે AMCએ આધુનિક કલેક્શન સેન્ટરો તૈયાર કર્યા છે. આ સેન્ટરોમાં 'મિસ્ટ સિસ્ટમ' દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવશે, જેથી કચરો ઠાલવતી વખતે ધૂળ અને રજકણો હવામાં ન ઉડે. આ વૈજ્ઞાનિક અભિગમથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે. કડક દંડ અને વાહન જપ્તીની જોગવાઈ જાહેર માર્ગો, ખુલ્લા પ્લોટ કે બિન-નિર્ધારિત સ્થળોએ CD વેસ્ટ ફેંકનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. AMC દ્વારા ખાસ 'સ્વચ્છતા સ્ક્વોડ'ની રચના કરવામાં આવી છે જે સતત ચેકિંગ કરશે. જો કોઈ ગેરકાયદેસર રીતે ડેબ્રિજ ફેંકતા પકડાશે, તો તેમની પાસેથી ભારે પેનલ્ટી વસૂલવામાં આવશે અને જરૂર જણાયે વાહન પણ જપ્ત કરવામાં આવશે. કોર્પોરેશને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ વ્યવસ્થાનો લાભ લે અને અમદાવાદને સ્વચ્છ બનાવવામાં સહભાગી બને.
બોટાદમાં માતૃભાષા મહોત્સવ ઉજવાયો:માહિતી વિભાગે વિવિધ સાહિત્યનું વિતરણ કર્યું
બોટાદ શહેરની કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી, બોટાદ દ્વારા વિવિધ પ્રકાશનો અને સાહિત્યનું વિતરણ કરાયું. ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ પ્રકાશનો તૈયાર કરવામાં આવે છે. આમાં સરકારનું મુખપત્ર ગુજરાત પાક્ષિક, રાષ્ટ્ર નાયક સરદાર, ગુજરાતનો મક્કમ નિર્ધાર, ગુજરાતનો આદિવાસી રંગ અને મહિલા સશક્તિકરણ જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે. આ સાહિત્ય ઉપસ્થિત મહેમાનો, સાહિત્યકારો અને વિદ્યાર્થીઓને વિતરિત કરાયું. આ પ્રકાશનોનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. તે ગુજરાતની ગરિમા, સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસાને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ખાતે 'ઇન્ટિગ્રેટેડ સ્પાઇન કોન્ફરન્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાજી ગ્રુપ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં લંબર સ્પાઇન અને સ્પોન્ડિલોસિસ જેવી સ્પાઇન સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી. કોન્ફરન્સમાં વડોદરા અને પંચમહાલ જિલ્લાની વિવિધ ફિઝિયોથેરાપી કોલેજોના 350થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્પાઇન રોગોના વધતા પ્રમાણ અને તેના ઉપચાર માટે સર્જન તથા ફિઝિયોથેરાપિસ્ટના સંકલિત અભિગમ દ્વારા શ્રેષ્ઠ પરિણામો મેળવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરિયા કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ક્લિનિકલ કૌશલ્યોનો વિકાસ કરવો, સર્જન અને ફિઝિયોથેરાપિસ્ટ વચ્ચે સુમેળ વધારવો તથા સંશોધન પ્રત્યે પ્રેરણા આપવાનો હતો. કોન્ફરન્સ દરમિયાન પ્રશ્નોત્તરી સત્ર અને વૈજ્ઞાનિક પેપર પ્રેઝન્ટેશનનું પણ આયોજન કરાયું હતું, જેમાં શ્રેષ્ઠ પ્રસ્તુતિઓને પુરસ્કૃત કરવામાં આવી. આ આયોજનમાં પ્રિન્સિપાલ ડૉ. પ્રાશુ જૈન અને આયોજક ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે તમામ મહેમાનો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરીને પ્રમાણપત્ર વિતરણ સાથે કોન્ફરન્સ સફળતાપૂર્વક સંપન્ન થઈ.
વેરાવળ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4 સ્થિત આંબેડકર નગરના રહીશો દ્વારા આજે પાલિકા કચેરીએ ઉગ્ર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો વર્ષોથી લંબાતા હોવાના આક્ષેપ સાથે રહેવાસીઓ થાળી-વેલણ લઈ કચેરીએ પહોંચ્યા હતા અને નિંદ્રાધીન તંત્રને જગાડવા પ્રતિકાત્મક રીતે થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. સમાજના અગ્રણી રોહિત વાજાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆતો છતાં કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. હાડી હરિજન સમાજ પ્રભાસ પાટણના પ્રમુખ રામજીભાઈ ચુડાસમાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થયા હતા. રહેવાસીઓ પાલિકા ઉપપ્રમુખની ચેમ્બરમાં ધરણાં પર બેસી ગયા હતા અને લેખિત બાંહેધરીની માંગ પર અડગ રહ્યા હતા. અંદાજે અડધા કલાક બાદ પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીના પ્રતિનિધિ જયદેવ જાની કચેરીએ દોડી આવ્યા હતા. ત્યારબાદ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત થઈ હતી. ટેન્ડર થયા છતાં કામ શરૂ ન થતા અસંતોષઆંબેડકર નગરને GIDC સાથે જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ચાર વર્ષથી અધૂરો હોવાનું રહીશોનું કહેવું છે. રોડ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, એજન્સી નિમણૂક પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર અપાઈ ગયો હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કામ શરૂ ન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આખરે પરિસ્થિતિની ગંભીરતા સમજી પાલિકા પ્રમુખ દ્વારા 15મા નાણાં પંચ હેઠળ આંબેડકર નગરના કામો વહેલી તકે શરૂ કરવાની લેખિત ખાતરી આપવામાં આવી હતી. લેખિત બાંહેધરી મળતા રહીશો શાંતિપૂર્ણ રીતે પરત ફર્યા હતા. પાલિકાના ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ જણાવ્યું હતું કે, એન્જિનિયર દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે. રોડનું ટેન્ડર મંજૂર થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે. પ્રમુખના પ્રતિનિધિ દ્વારા પણ પ્રશ્નનો ઉકેલ લાવવા આશ્વાસન આપવામાં આવ્યું છે. હવે આંબેડકર નગરના રહીશો નજર રાખી રહ્યા છે કે લેખિત બાંહેધરી બાદ રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના કામો હકીકતમાં ક્યારે શરૂ થાય છે.
પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરતકુમાર ભાટીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી પાટણ શહેરમાં 'મુખ્યમંત્રી શહેરી બસ સેવા' તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. શહેરના વધતા વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે. અગાઉની સિટી બસ સેવા બંધ થવાથી નાગરિકોને ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડે છે, જેનાથી ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યામાં વધારો થયો છે. પાટણ એક ઐતિહાસિક અને પૌરાણિક શહેર છે, જ્યાં રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ જેવા વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળો આવેલા છે. રેલવે સ્ટેશન અને નવા બસ સ્ટેશનના વિકાસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પાટણ આવે છે. જાહેર પરિવહનના અભાવે વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ અને મહિલાઓને મોંઘા ભાડા ખર્ચીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. રજૂઆતમાં જણાવાયું છે કે, પાટણ નગરપાલિકા હસ્તકની જૂની સિટી બસ સેવા હાલમાં સંપૂર્ણપણે બંધ છે. જો સરકાર 'મુખ્યમંત્રી શહેરી બસ સેવા' અંતર્ગત ગ્રાન્ટ ફાળવી નવી બસો શરૂ કરે, તો પાટણના લોકોને આર્થિક રાહત મળશે. આ સેવા શહેરના સુવ્યવસ્થિત વિકાસમાં મદદ કરશે અને ખાનગી વાહનોથી થતા અકસ્માતોનો ભય ઘટાડશે.
સુરત ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં IIT ખડગપુરના પાસઆઉટ અને ભારત સરકારના પૂર્વ સલાહકાર વિપ્ર ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @ 2047'ના સ્વપ્નને સાકાર કરવા માટેનો રોડમેપ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતને આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વાર્ષિક 12% ના આર્થિક વિકાસ દર (GDP) સાથે આગળ વધવું પડશે. આ માટે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું અને રાષ્ટ્રીય પરિયોજનાઓનું સમયસર અમલીકરણ કરવું અત્યંત આવશ્યક છે. ખેડૂતોની આવક વધારવાનો માર્ગ વિપ્ર ગોયલે ભારપૂર્વક જણાવ્યું કે 'આત્મનિર્ભર ગામ' દ્વારા જ 'વિકસિત ભારત' શક્ય છે. જો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અને અટલ ભૂજલ યોજના જેવી યોજનાઓનું સફળ અમલીકરણ થાય, તો દેશના 10 કરોડ ખેડૂત પરિવારોની વાર્ષિક આવક 24,000 રૂપિયાથી વધીને 1.5 થી 2 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. ખેડૂતોની વધેલી ખરીદશક્તિનો સીધો લાભ દેશના 9 કરોડ લઘુ ઉદ્યોગોને (MSMEs) મળશે, કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં ચીજવસ્તુઓની માંગ વધશે. જળ સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા દેશના 80 કરોડ ગ્રામીણ લોકોમાં જાગૃતિ લાવવા માટે વિપ્ર ગોયલે રાષ્ટ્રીય સ્તરે અભિયાન શરૂ કર્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે ભૂગર્ભ જળના અતિશય દોહનને કારણે ખેતીલાયક જમીન બંજર બની શકે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે તેમણે 'ખેતતલાવડી મૉડલ' સૂચવ્યું છે. જો ખેડૂત પોતાની જમીનના 5% હિસ્સામાં ખેતતલાવડી બનાવે અને 1% જમીનમાં સોલાર પેનલ લગાવે, તો તે સિંચાઈ અને વીજળી બંને બાબતે આખું વર્ષ આત્મનિર્ભર રહી શકે છે. સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની 60% માંગ ગામડાઓમાંથી આવતી હોવાથી ગામડાઓની સમૃદ્ધિ શહેર માટે પણ હિતકારી છે. છરેડા ગામનું સફળ મૉડલ અર્થશાસ્ત્ર, ગણિત અને કોમ્પ્યુટરમાં ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિપ્ર ગોયલે વિદેશની મોટી નોકરીઓ છોડી ગ્રામીણ વિકાસનો રાહ પસંદ કર્યો છે. વર્ષ 2022 માં તેમણે રાજસ્થાનના દૌસા જિલ્લાનું છરેડા ગામ દત્તક લીધું હતું. જ્યાં પાણીનું સ્તર 500-700 ફૂટ નીચે હતું, ત્યાં 8 કરોડ રૂપિયાના ખર્ચે 300 ખેતતલાવડી બનાવી જમીની પરિવર્તન આણ્યું છે. આ મૉડલથી ગામના ખેડૂતોની આવકમાં કુલ 9 થી 10 કરોડ રૂપિયાનો વધારો થયો છે અને ગામમાં 100% રોજગારી સાથે સ્થળાંતર અટક્યું છે. તેમની આ કામગીરી બદલ તેમને 'સર્વશ્રેષ્ઠ ગ્રામીણ વિકાસ પહેલ' અને 'સર્વશ્રેષ્ઠ સોશ્યલ ઈમ્પેક્ટ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા છે.
જામ સાહેબ શત્રુશલ્યાસિંહનો જન્મદિવસ:તબિયત નાદુરસ્ત હોવાથી શુભેચ્છકોને નહીં મળે
જામનગરના જામ સાહેબ શત્રુશલ્યાસિંહે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે. તેમણે જણાવ્યું કે તેમનો જન્મદિવસ તિથિ મુજબ 19મી ફેબ્રુઆરી અને તારીખ મુજબ 20મી ફેબ્રુઆરીના રોજ છે. તેઓ બંને દિવસોની સાદગીપૂર્વક ઉજવણી કરશે. જોકે, જામ સાહેબે તેમની નબળી તબિયતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ શુભેચ્છકોને વ્યક્તિગત રીતે મળી શકશે નહીં. આ બદલ તેમણે ક્ષમા પણ માંગી છે. તેમણે શુભેચ્છકોને નમ્ર વિનંતી કરી છે કે જો તેઓ તેમના નિવાસસ્થાને શુભેચ્છા પાઠવવા આવે, તો સામાન્ય ચા-પાણી અને નાસ્તો કર્યા બાદ પોતાનું નામ ચોક્કસથી નોંધાવે. જામ સાહેબે સ્પષ્ટ કર્યું કે શુભેચ્છકોની હાજરીની નોંધ જ તેમના માટે જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ અને આનંદનું કારણ બનશે.
સુરતની 320 આંગણવાડી બનાવાશે સ્માર્ટ:બાળકોને રમવા અને બેસવામાં સરળતા રહે તેવું ફ્લોરિંગ બનાવાશે
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના બાળકોના શિક્ષણના પાયાને મજબૂત કરવાના હેતુથી ‘નાનકડા પગલાં, મોટું ભવિષ્ય’ સૂત્ર હેઠળ આંગણવાડી નવીનીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત શહેરની આંગણવાડીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરી 'સ્માર્ટ આંગણવાડી' બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 150થી વધુ આંગણવાડીઓનું નવીનીકરણસુરત મહાનગરપાલિકા સંચાલિત 150થી વધુ આંગણવાડીઓને અત્યાર સુધીમાં તમામ સુવિધાઓ સાથે સુધારી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 320 જેટલી આંગણવાડીઓમાં હાલ નવીનીકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રારંભિક બાળ વિકાસને પ્રાથમિકતા આપી બાળકોને ખાનગી શાળાઓ જેવું જ શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવાનો છે. રમત-ગમત સાથે શિક્ષણ મળે તેવી વ્યવસ્થાઆ નવીનીકરણ અંતર્ગત આંગણવાડીઓના માળખામાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જેમાં આંગણવાડીઓને આકર્ષક રંગબેરંગી ચિત્રો અને સુશોભનથી સજ્જ કરવામાં આવી રહી છે અને ભીંતચિત્રો દ્વારા રમત-ગમત સાથે શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરાશે. સાથે બાળકોને રમવા અને બેસવામાં સરળતા રહે તેવું નવું ફ્લોરિંગ પણ બનાવવામાં આવશે. વિવિધ વિભાગોના સંકલન સાથે કામગીરીઆ પ્રોજેક્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (I.A.S) ના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે. જેમાં આઈ.સી.ડી.એસ. (ICDS), હેલ્થ વિભાગ અને ઝોનના હાઉસિંગ વિભાગના સંકલનથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
દરિયાના મોજાં ગમે તેટલા ઊંચા હોય, પણ યુવાનોના આત્મવિશ્વાસ આગળ તે વામણા સાબિત થશે. આ વાતને સાબિત કરવા સાહસ અને શૌર્યની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રના દરિયા કિનારે ફરીવાર યુવા શક્તિ પોતાની તાકાત બતાવવા જઈ રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન દ્વારા એક અત્યંત સાહસિક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના યુવા સ્વિમરો સોમનાથથી દેલવાડા સુધીના 81 નોટિકલ માઈલના દરિયાઈ અંતરને ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયાકિંગ દ્વારા પૂર્ણ કરશે. 10 દિવસનું સાહસિક અભિયાનઆ એડવેન્ચર એક્સપિડિશન આગામી 21 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 2 માર્ચ સુધી ચાલશે. આ 10 દિવસના સમયગાળા દરમિયાન સ્વિમરો દરિયાના ઉછળતા મોજાં અને પડકારો વચ્ચે સતત આગળ વધશે. અભિયાનમાં કુલ 7 સ્વિમરો ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 3 સ્વિમરો મુખ્યત્વે દરિયામાં સ્વિમિંગ કરીને આ અંતર કાપશે. આ દરમિયાન તેઓ સુત્રાપાડા, દ્વારકા, સિકોતર માતા મંદિર બીચ, વેલણ લાઈટ હાઉસ, ઘોઘલા અને સીમોર બીચ જેવા વિવિધ દરિયાઈ વિસ્તારોમાંથી પસાર થશે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસીએશને સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 અંતર્ગત સોમનાથથી દેલવાડા સુધીના 81 નોટિકલ માઈલના ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયાકિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં સ્વિમર તરીકે 19 વર્ષીય વેનેસા શુક્લા, 15 વર્ષીય પાર્થિવ મેઘાણી, 14 વર્ષીય દિવ્યમ ચોટલિયા ભાગ લેશે. અને કાયાકિંગ ટીમમાં 18 વર્ષીય જિનલ પિત્રોડા, 20 વર્ષીય આર્યન જોશી, 18 વર્ષીય વેદાંત જોશી અને 18 વર્ષીય સિદ્ધરાજ સોલંકી પોતાની કુશળતા દર્શાવશે. આ તમામ ખેલાડીઓ ઓપન વોટર સ્વિમિંગ અને કાયાકિંગનો બહોળો અનુભવ ધરાવે છે. અભિયાનમાં ખેલાડીઓ સુત્રાપાડા, મુળ દ્વારકા અને ઘોઘલા જેવા દરિયાઈ વિસ્તારોમાંથી પસાર થઈને સીમર બીચ પર પોતાનું અભિયાન પૂર્ણ કરશે. સ્વિમરોની તપસ્યા અને તૈયારીઆ અભિયાનમાં જોડાઈ રહેલી સ્વિમર વેનેસા શુક્લાએ દિવ્યભાસ્કરને પોતાની તૈયારીઓ વિશે જણાવ્યું હતું કે, અમે આ માઈલસ્ટોન સિદ્ધ કરવા માટે ઘણા સમયથી કઠિન પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અમારું દરરોજનું 4 કલાકનું સ્વિમિંગ ટ્રેનિંગ સેશન હોય છે. આ ઉપરાંત વીકેન્ડમાં અમે સીમોર બીચ અને પોરબંદર જેવા સ્થળોએ જઈને 15 થી 20 કિલોમીટર સ્વિમિંગ કરી દરિયાના વાતાવરણ સાથે અનુકૂલન સાધવાનો પ્રયાસ કરીએ છીએ. વેનેસાએ વધુમાં જણાવ્યું કે, હું 7 વર્ષની હતી ત્યારથી સ્વિમિંગ સાથે જોડાયેલી છું. અગાઉ મેં ચોરવાડ થી વેરાવળ અને પોરબંદરમાં યોજાતી સ્પર્ધાઓમાં મેડલ મેળવ્યા છે. તાજેતરમાં 8 નોટિકલ માઈલની ઈવેન્ટમાં હું ત્રીજા સ્થાને રહી હતી. જોકે, દરિયો ક્યારેય પ્રિડિક્ટેબલ હોતો નથી, તેથી સ્વિમિંગ પૂલ જેવું વાતાવરણ અહીં મળતું નથી. આ એક મોટું રિસ્ક છે, પરંતુ સાહસ અને હિંમત સાથે અમે આ પડકારને ઝીલવા તૈયાર છીએ. રાજકોટના પ્રતિભાશાળી સ્વિમર આર્યન જોશીએ આ સાહસિક દરિયાઈ અભિયાન અંગે દિવ્યભાસ્કર સમક્ષ વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, આ કોઈ સ્પર્ધા નથી પરંતુ એક એક્સપિડિશન છે. જેમાં સહભાગીઓ સ્વૈચ્છિક રીતે જોડાયા છે. આ સાહસિક સફરમાં કુલ 7 સભ્યો સામેલ છે, જેમાં 3 તરવૈયાઓ અને 4 કાયાકર્સ પણ પોતાની કુશળતા બતાવશે. 150 કિમી લાંબા આ દરિયાઈ માર્ગને કાપવા તમામ સભ્યોએ સઘન તૈયારીઓ કરી છે. ખાસ કરીને તરવૈયાઓ કે જેઓ પહેલેથી જ કોમ્પિટિટિવ સ્વિમિંગ સાથે જોડાયેલા છે, તેઓ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે, જ્યારે કાયાકર્સ પણ આ પ્રોગ્રામ નક્કી થયો ત્યારથી જ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. આર્યન જોશીએ પોતાના અનુભવો વિશે વાત કરતા કહ્યું હતું કે, તેઓ બાળપણથી જ સ્વિમિંગ સાથે જોડાયેલા છે. તેમના પિતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્નાનાગારમાં કોચ હોવાથી તેમને નાનપણથી જ પાણી પ્રત્યે લગાવ રહ્યો છે અને તેઓ છેલ્લા 11 વર્ષથી કોમ્પિટિટિવ સ્વિમિંગમાં સક્રિય છે. 81 નોટિકલ માઈલના આ પડકારજનક અભિયાનમાં અનેક જોખમો રહેલા છે. મારા અગાઉના એક્સપિડિશનના અનુભવ પરથી કહી શકાય કે દરિયામાં ઉછળતા મોજાં અને વિપરીત પરિસ્થિતિઓને કારણે સ્વિમિંગ કરવું અત્યંત મુશ્કેલ બની જતું હોય છે, જેની સીધી અસર શરીર પર પડે છે અને અસહ્ય દુખાવો પણ થતો હોય છે. આ ઉપરાંત દરિયાઈ જીવસૃષ્ટિ જેમ કે જેલીફિશ અને શાર્ક જેવા પ્રાણીઓનું પણ જોખમ રહેલું છે, છતાં તમામ સભ્યો હિંમતપૂર્વક આ પડકારને ઝીલી લેવા તૈયાર છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વિશેષ આયોજનઆ અંગે માહિતી આપતા નિલેશ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર પર થયેલા આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતા આ વર્ષને 'સોમનાથ સ્વાભિમાન પર્વ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. 1026 થી 2026 સુધીના અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિશેષ પહેલ કરવામાં આવી છે. આ કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય રમેશ ટીલાળાના પ્રોજેક્ટ ચેરમેન પદે અને એસો. પ્રમુખ તથા પૂર્વ રમતગમત મંત્રી ઉમેશ રાજ્યગુરુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત 21 ફેબ્રુઆરીએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવશે અને 2 માર્ચના રોજ સિમર બીચ, દેલવાડા ખાતે પાર્શ્વનાથ દાદાના સાનિધ્યમાં કાર્યક્રમનું સમાપન થશે. સ્વચ્છતા અને ભક્તિનો ત્રિવેણી સંગમઉલ્લેખનીય છે કે, આ અભિયાન માત્ર એક રમત કે સાહસ નથી, પરંતુ તેની પાછળ એક ઉમદા ઉદ્દેશ્ય રહેલો છે. રાજકોટના આ યુવાઓ આ સાહસિક સફર દ્વારા લોકોમાં સ્વચ્છતા - ભક્તિનો સંદેશ ફેલાવશે. સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં શરૂ થનારું આ અભિયાન યુવાનોમાં સાહસિક વૃત્તિ વધારવાની સાથે પર્યાવરણ અને દરિયાઈ સફાઈ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ પણ કરશે. આ અભિયાનમાં કાયાકિંગની ટીમ સ્વિમરોની સુરક્ષા અને માર્ગદર્શન માટે સાથે રહેશે.
અમરેલી જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત આખરી સંકલિત મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લાના કુલ 11,47,200 મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ માહિતી આપી હતી. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર, 01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં આ સુધારણા કાર્યક્રમ 28.10.2025 થી 17.02.2026 સુધી ચાલ્યો હતો. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ મતદારયાદીમાં સમાવેશ થાય અને યાદી સચોટ, પારદર્શક અને અપડેટ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ આખરી મતદારયાદી અમરેલી જિલ્લાના તમામ પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ, તમામ મતદાન મથકો અને નિયત સ્થળોએ જાહેર કરવામાં આવી છે. સેવા મતદારો માટેના છેલ્લા ભાગની યાદી પણ પ્રસિદ્ધ કરાઈ છે, જેથી મતદારો પોતાના નામની ચકાસણી કરી શકે. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે વિધાનસભા મતવિસ્તાર મુજબ મતદારોની સંખ્યા જણાવી હતી. 94-ધારીમાં 2,07,209 મતદારો, 95-અમરેલીમાં 2,49,868 મતદારો, 96-લાઠીમાં 2,10,516 મતદારો, 97-સાવરકુંડલામાં 2,25,359 મતદારો અને 98-રાજુલામાં 2,54,248 મતદારોનો સમાવેશ થયો છે. નોંધનીય છે કે 19.12.2025 ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દારૂપ મતદારયાદીની સરખામણીએ આખરી યાદીમાં કુલ 14,384 મતદારોનો વધારો નોંધાયો છે. આ વધારો મતદાર નોંધણી પ્રક્રિયા પ્રત્યે નાગરિકોમાં વધતી જાગૃતિ અને સક્રિય ભાગીદારી દર્શાવે છે. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલ આ સઘન સુધારણા પ્રક્રિયા લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ રહી છે.
ભોપાલની સુપ્રતિષ્ઠિત રવિન્દ્રનાથ ટાગોર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં 5મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને ઇનોવેટિવ કોમ્પિટિશન શોધ-શિખર: 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં ગણપત યુનિવર્સિટીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પોતાની બૌદ્ધિક ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 5 મહત્વના પુરસ્કારો જીતવાની મૂલ્યવાન સિદ્ધિ મેળવી છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરમાંથી 800થી વધુ રિસર્ચ પેપર્સ, 86 ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ અને 49 જેટલા નવા બિઝનેસ આઈડિયા રજૂ કરવામાં આવ્યા હતા. ગણપત યુનિવર્સિટીના સેન્ટર ફોર એડવાન્સ રિસર્ચ સ્ટડીઝના માર્ગદર્શન હેઠળ કુલ 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવેલા 16 ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ અને 5 રિસર્ચ પેપર્સમાંથી કુલ 5 એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. ઇનોવેટિવ પ્રોજેક્ટ શ્રેણીમાં ઝળહળતી સફળતા પ્રોજેક્ટ વિભાગમાં વિદ્યાર્થીઓએ તેમની મૌલિકતા અને ટેકનોલોજીના સચોટ ઉપયોગ દ્વારા જજનું દિલ જીતી લીધું હતું: અલ્ટ્રાસોનિક ગ્લાસિસ ફોર બ્લાઇન્ડ: હિમાંશુ માડમ અને પ્રશાંત સિંઘ દ્વારા રજૂ કરાયેલા આ પ્રોજેક્ટને 'પ્લેટિનમ' પ્રાઈઝ અને 20,000 રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું હતું. આ પ્રોજેક્ટનું માર્ગદર્શન પ્રો. નિધિ એમ. જોશીએ કર્યું હતું. સ્કાય ટ્રેક AI: વિવેક જયંતીભાઈ નાયીના આ પ્રોજેક્ટને 'સિલ્વર' પ્રાઈઝ અને 10,000 રૂપિયાનું ઇનામ મળ્યું હતું. મેન્ટર તરીકે ડૉ. મેઘના પટેલ અને પ્રો. ધવલ રાવલ હતા. સ્માર્ટ ફાર્મિંગ એગ્રિકલ્ચર એપ્લિકેશન રોબોટ: સારંગ કે. પટેલ, વિક્રમસિંહ ઝાલા અને સૌમ્ય જે. પટેલે પ્રો. દર્શન આર. પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ રજૂ કરી કોન્સોલેશન પ્રાઈઝ અને 5,000 રૂપિયાનું ઇનામ મેળવ્યું હતું. ઓટોમેટેડ પાઇરેટ ડિટેકશન એન્ડ ડિફેન્સ સિસ્ટમ: સંપ્રિત સહા અને આયુષકુમાર સિંઘે પ્રો. અરુણકુમાર રથીના માર્ગદર્શનમાં આ પ્રોજેક્ટ બદલ કોન્સોલેશન પ્રાઈઝ અને 5,000 રૂપિયા જીત્યા હતા. સંશોધન ક્ષેત્રે પ્લેટિનમ એવોર્ડ રિસર્ચ પેપરની શ્રેણીમાં પણ ગણપત યુનિવર્સિટી અગ્રેસર રહી હતી. દેવર્ષી પટેલ અને ડૉ. મેઘના પટેલ દ્વારા રજૂ કરાયેલા જીસીએન બેઝ ગ્રાફ ક્લાસિફિકેશન નામના સંશોધન પેપરને 'પ્લેટિનમ' પ્રાઈઝ અને 10,000 રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના હોદ્દેદારો દ્વારા અભિનંદન વિદ્યાર્થીઓની આ ગૌરવશાળી સિદ્ધિ બદલ જોઈન્ટ પ્રેસિડેન્ટ અને ગ્રુપ પ્રો ચાન્સેલર પ્રો. ડૉ. મહેન્દ્ર શર્મા, ડાયરેક્ટર જનરલ પ્રો. ડૉ. રાકેશ પટેલ, પ્રો વાઇસ ચાન્સેલર ડૉ. ગિરીશ પટેલ અને રિસર્ચ ડાયરેક્ટર પ્રો. ડૉ. અજયકુમાર ગુપ્તાએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. ભોપાલની ટાગોર યુનિવર્સિટીએ પણ સામાજિક રીતે ઉપયોગી સંશોધનો માટે ગણપત યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાની વિશેષ સરાહના કરી હતી.
રાજકોટ મહાપાલિકાનાં વર્ષ 2026-27નાં રૂ. 3604.90 કરોડના અંદાજપત્રને મંજૂરી આપવા માટે આવતીકાલે બુધવારે ખાસ જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ શાસિત વર્તમાન બોડીની પાંચ વર્ષની મુદત આગામી 11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે, ત્યારે આ વર્તમાન ટર્મનું અંતિમ બજેટ બોર્ડ બની રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા રજૂ કરવામાં આવેલું આ બજેટ ચૂંટણીલક્ષી છે, કારણ કે કમિશનરે સૂચવેલા રૂ. 95 કરોડના કરબોજને ફગાવીને પ્રજા પર એક પણ રૂપિયાનો નવો વેરો લાદવામાં આવ્યો નથી. આવતીકાલના બોર્ડમાં શાસક પક્ષ પોતાની પાંચ વર્ષની સિદ્ધિઓનું ભાથું રજૂ કરશે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) પ્રોજેક્ટ્સ અને અન્ય મુદ્દે શાસકોને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે, જેના પગલે બોર્ડમાં ભારે ગરમાગરમીના સંકેતો મળી રહ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ મ્યુ. કમિશનર દ્વારા સૌપ્રથમ રૂ. 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, સ્ટેન્ડિંગ કમિટીએ તેમાં રૂ. 9.20 કરોડનો સામાન્ય વધારો સૂચવીને કુલ રૂ. 3604.90 કરોડનું કદ નક્કી કર્યું છે. આ અંદાજપત્રમાં સૌથી મહત્વની બાબત એ છે કે છેલ્લા એક દાયકા બાદ મિલકત વેરા અને પાણી વેરામાં મોટી રાહત આપવામાં આવી છે. બાકી રહેલા વેરાના ભારણને હળવું કરવા માટે રહેણાંક અને બિન-રહેણાંક મિલકતોના ચડત વ્યાજમાં રૂ. 5,000 સુધીની માફી અને પાણી વેરાના વ્યાજમાં પણ રૂ. 5,000 સુધી માફી જાહેર કરવામાં આવી છે. નાગરિકોને તાત્કાલિક રાહત મળી શકે અને શાસકોને તેનો ચૂંટણીમાં પણ લાભ મળી શકે તેના માટે આ યોજનાનો અમલ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે. મહિલાઓ-મધ્યમ વર્ગ માટે નવી યોજનાઓની વણઝાર શાસક પક્ષે આ બજેટમાં મહિલા મતદારોને રીઝવવા માટે ખાસ 'પિંક બસ' અને રાહત દરના પાસની વ્યવસ્થા કરી છે. રૂ. 1,000 ના વાર્ષિક પાસ પર મહિલાઓ આખું વર્ષ સિટી બસ અને BRTS માં મફત મુસાફરી કરી શકશે. ઉપરાંત, રેસકોર્સના બ્યુટીફિકેશન અને રિનોવેશન માટે મોટું આયોજન છે. નાના મવા બ્રિજ નીચે ગેમ ઝોન અને કાફેટેરિયા જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવા દરખાસ્ત છે. વડીલોના નામે વૃક્ષારોપણ, ઇલેક્ટ્રિક બસ માટે નવા ચાર્જિંગ સ્ટેશન, અને વોર્ડ નંબર 12 માં નવો સ્વિમિંગ પુલ જેવી કુલ 23 નવી યોજનાઓ બજેટનો હિસ્સો છે. શહેરના ટ્રાફિક પ્રશ્નોના ઉકેલ માટે નવા બ્રિજના પાયલોટ સ્ટડી માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. PPP મુદ્દે વિપક્ષનો આક્રમક મિજાજ આવતીકાલના જનરલ બોર્ડમાં વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાના નેતૃત્વમાં કોંગ્રેસ આક્રમક વલણ અપનાવશે. કોંગ્રેસનું કહેવું છે કે બજેટમાં સમાવિષ્ટ 14 નવી યોજનાઓમાંથી 7 યોજનાઓ PPP ધોરણે છે. સેન્ટ્રલ ઝોન બિલ્ડિંગનું રિનોવેશન અને 'નમો વન' જેવા પ્રોજેક્ટ્સ ખાનગી એજન્સીઓને સોંપવા સામે વિપક્ષ સવાલ ઉઠાવશે. કોંગ્રેસનો આક્ષેપ છે કે મહાપાલિકા પોતાની જવાબદારીઓમાંથી છટકી રહી છે અને શહેરની મિલકતો ખાનગી હાથોમાં સોંપી રહી છે. જોકે, વ્યાજમાફી અને મહિલાઓ માટેની બસ સેવા જેવી લોકભોગ્ય યોજનાઓને વિપક્ષે આવકારવાની પણ તૈયારી બતાવી છે, પરંતુ અમલીકરણના મુદ્દે સરકારને ભીંસમાં લેશે. બિલ્ડર લોબીને રાહત અને TRP અગ્નિકાંડની અસર રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ હાઈરાઈઝ બિલ્ડિંગના ફ્લાવર બેડ (આર્કિટેક્ચરલ પ્રોજેક્શન્સ) ના નિયમિતિકરણનો મુદ્દો ગાજ્યો હતો. આ બજેટમાં બિલ્ડરોને રાહત આપતા રેગ્યુલરાઈઝેશન ફીમાં હપ્તા પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. જે બિલ્ડિંગોમાં રૂ. 50 લાખથી વધુની ફી ભરવાની થાય છે, તેઓ એક વર્ષના ગાળામાં ચાર ત્રિમાસિક હપ્તામાં નાણાં ભરી શકશે. આ માટે બિલ્ડર લોબી દ્વારા લાંબા સમયથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી, જેનો અંતે આ બજેટમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલની 5 વર્ષની ટર્મનું કાલે અંતિમ જનરલ બોર્ડ છે. તેમાં બજેટ સિવાયની કોઇ ચર્ચા કે પ્રશ્નોત્તરી હોતા નથી. આમ છતાં બોર્ડના એજન્ડા પર કુલ 11 દરખાસ્તો છે, જેમાં ચાલુ વર્ષનું રિવાઈઝ્ડ બજેટ અને આગામી વર્ષનું બજેટ બહાલ કરવા ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજપત્રનો પણ સમાવેશ થાય છે. આ ટર્મનું છેલ્લું બોર્ડ હોવાથી શાસક પક્ષના 68 અને વિપક્ષના 4 કોર્પોરેટરો વચ્ચે વિકાસકામોના જશ ખાટવા બાબતે શાબ્દિક યુદ્ધ થવાની પૂરેપૂરી શક્યતા છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા પંચાયત કચેરી ખાતે વીબીજી-રામજી નવા અધિનિયમ અને યોજના જાગૃતિ સપ્તાહની ઉજવણી નિમિત્તે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા અધિનિયમ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવાનો તેમજ લાભાર્થીઓ સુધી તેની માહિતી પહોંચાડવાનો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હિંમતભાઈ વિઠ્ઠાણી અને તાલુકા વિકાસ અધિકારી એ. એ. વાળાએ યોજનાની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા આ નવા અધિનિયમ હેઠળ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વધુ સશક્ત બનાવવા અને પારદર્શક રીતે લાભો પહોંચાડવા માટે વિશેષ પ્રયાસો કરાઈ રહ્યા છે. વધુમાં, અધિકારીઓએ માહિતી આપી કે આ સપ્તાહ અંતર્ગત ગામેગામ જાગૃતિ કાર્યક્રમો, માર્ગદર્શન શિબિરો અને લાભાર્થીઓ સાથે સીધી મુલાકાતો યોજવામાં આવશે. આનાથી યોજનાઓ અંગેની શંકાઓનું નિવારણ થશે અને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકશે. આ પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે યોજનાની અસરકારક અમલવારી માટે સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. આ જાગૃતિ સપ્તાહથી ગઢડા તાલુકામાં સરકારી યોજનાઓ પ્રત્યે વિશ્વાસ અને જાગૃતિમાં વધારો થવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, આ વીબીજી-રામજી નવો અધિનિયમ અને યોજના જૂની મનરેગા યોજના જેવી જ છે. આ નવી યોજના અંતર્ગત ગઢડા તાલુકાના અનેક લોકોને આગામી સમયમાં લાભ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર નજીક ચામુંડાનગરમાં પીવાનું પાણી દૂષિત આવતાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. આ અંગે રજૂઆત મળતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ઘરે-ઘરે ક્લોરીનેશન સહિતની કામગીરી શરૂ કરાઇ છે. આ વિસ્તારમાંથી ઝાડાના 4 દર્દી મળી આવ્યા હતા અને હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ વોટર વર્કસ વિભાગની ટીમ અંડરગ્રાઉન્ડ લીકેજ શોધવા બે દિવસથી કામે લાગી છે. આરોગ્ય વિભાગનું 144 ઘરમાં સર્વેલન્સચામુંડાનગરમાં 40થી વધુ પરિવાર રહે છે. અહીં પાણીજન્ય રોગચાળા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ચામુંડાનગર અનેઆજુબાજુના વિસ્તારમાં કુલ 144 ઘર અને 673 વસ્તીમાં સર્વેલન્સ કરાયું હતું. જેમાં 9 ક્લોરીન ટેસ્ટ, 4 બેક્ટેરિયા લોજિકલ ટેસ્ટ (પાણીના સેમ્પલ) અને 760 કલોરીન ટેબલેટનું વિતરણ કરાયું હતું. ઝાડાના ચારેય દર્દીની તબિયત સારી છે. વિસ્તારમાં એક સપ્તાહ સુધી સર્વેલન્સ ચાલુ રહેશે, તેમ મનપાના ઈ. આરોગ્ય અધિકારી ડૉ. સુહાગ શ્રીમાળીએ જણાવ્યું હતું. ક્લોરીનનાં બેથી ત્રણ ટીપાં નાખીને પાણી પીવા જણાવાયુંવોટરવર્કસ ઇજનેરે કહ્યું કે, ચામુંડાનગરમાં લીકેજ શોધવા માટે બે દિવસમાં ત્રણ ખાડા કર્યા છે, ત્યાં સુધી પાણી ચોખ્ખું મળી રહ્યું છે. હવે આગળ ખોદકામ કરીને સર્ચ કરવામાં આવી રહ્યો છે. સોસાયટીઓમાં પડતી ગલીના કોઈ જોડાણમાં પણ લીકેજ હોઈ શકે, કે ઇન્ટરલિંકિંગ જોડાણમાં રિટર્નમાં લીકેજ હોઈ શકે, એટલે એ દિશામાં પણ સર્ચ કરીએ છીએ. દરેક ઘરે પીવાના પાણીના માટલામાં ક્લોરીનનાં બેથી ત્રણ ટીપાં નાખીને પીવા જણાવ્યું છે. અઠવાડિયાથી પાણીની સમસ્યાઃ ભારતીબેનસ્થાનિક રહીશ જેસવાલ ભારતીબેને જણાવ્યું કે, એક અઠવાડિયાથી પાણી ગંદુ આવી રહ્યું છે. અહીંયા આજુબાજુમાં લોકો પાણીના કારણે બીમાર થઈ ગયા છે. એક બિમારીનો કેસ મારા ઘરમાં જ છે. મારા દીકરાને વોમીટીંગની તકલીફ થઈ ગઈ છે. પાણી બહારથી લાવવું પડે છેઃ કોકિલાબેનસ્થાનિક રહેવાસી કોકિલાબેને જણાવ્યું કે, અમારે અહીંયા ગંદુ પાણી આવે છે. એક અઠવાડિયાથી ખરાબ પાણી આવી રહ્યું છે. હાલમાં પીવાનું અને વાપરવા માટેનું પાણી બહારથી લાવવું પડે છે. કાલે પાણીનું ટેન્કર મંગાવ્યું હતું. પીવાનું પાણી RO પ્લાન્ટમાંથી લાવીએ છીએ. પાણી વાપરવા માટે ટેન્કર માગવવું પડે છેઃ હીનાબેનજેસવાલ હીનાબેને જણાવ્યું કે, અમારે અઠવાડિયાથી આ પાણીની તકલીફ છે. પાણી બહુ ગંદુ આવે છે. પીવાનું પાણી બહારથી લાવીએ છીએ. પાણી વાપરવા માટે ટેન્કર માગવવું પડે છે. મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવ્યા બાદ તેઓ અહીંયા કામગીરી ચાલુ કરી છે. મારા ઘરમાં બે લોકો બીમાર છે.
બોટાદમાં આમ આદમી પાર્ટીએ ટ્રેડ ડીલનો વિરોધ કર્યો:અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ડીલ રદ કરવાની માંગ
બોટાદમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભારત સરકાર અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મુદ્દે AAP કાર્યકરોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડીલ રદ કરવાની માંગ કરી હતી. પાર્ટીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકારરૂપ છે. ખાસ કરીને, ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે આયાત કરવાની મંજૂરી ભારતના પશુપાલકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવેદનપત્રમાં વધુમાં ઉલ્લેખ કરાયો હતો કે જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી યથાવત રહેશે, તો ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડશે. ટેક્સટાઈલ ઉદ્યોગ પર અસર થવાથી કપાસની ખેતી અને ખેડૂતોની આવક પર પણ આર્થિક સંકટ ઊભું થઈ શકે છે. પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે, ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરવામાં આવી રહી નથી. બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે જો આ ડીલ રદ નહીં થાય તો રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન શરૂ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનના નામે સોશિયલ મીડિયામાં છેતરપિંડીનો પ્રયાસ થતાં પાલિકા વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા ભેજાબાજે કમિશનરનો ફોટો વોટ્સએપ ડીપી (DP) માં રાખ્યો હોવાનો પાલિકાના ગ્રુપમાં સ્ક્રીનશોર્ટ વાઇરલ થતા અનેક ચર્ચાઓ ચાલુ થઈ છે. વિદેશી નંબર પર કમિશનરનું ડીપીમળતી માહિતી મુજબ, સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ. નાગરાજને હજુ થોડા દિવસો પહેલા જ ચાર્જ સંભાળ્યો છે. આ તકનો લાભ લઈને સાયબર ગુનેગારોએ તેમનો ફોટો એક વિદેશી મોબાઈલ નંબર (+84 562370432) પર પ્રોફાઇલ પિક્ચર તરીકે સેટ કર્યો છે. વિયેતનામનો કન્ટ્રી કોડ ધરાવતા આ નંબર પર કમિશનરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીન શોર્ટ પાલિકાના વિવિધ ગૃહમાં વાઇરલ થયો છે. જ્યારે આ નંબર અધિકારીઓના મોબાઈલમાં દેખાયો, ત્યારે શરૂઆતમાં ઘણા લોકો મૂંઝવણમાં મુકાયા હતા. જોકે, નંબર વિદેશનો હોવાથી અને તેની ભાષા શંકાસ્પદ હોવાથી કર્મચારીઓ તુરંત ચેતી ગયા હતા. પાલિકાના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં આ નંબરનો સ્ક્રીનશોટ શેર કરીને તમામ કર્મચારીઓને સાવધ રહેવા અને આ નંબર પરથી આવતા મેસેજને અવગણવા તેમજ નંબર બ્લોક કરવા માટે તાકીદ કરવામાં આવી છે. અગાઉ પણ બંછાનિધિ પાનીના નામે ઠગાઈનો પ્રયાસ થયો હતોસુરત મહાનગરપાલિકામાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. અગાઉ મે 2022માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના નામે પણ આ જ રીતે ઠગાઈનો પ્રયાસ થયો હતો. તે સમયે ઠગોએ કમિશનરના ફોટાવાળા નંબર પરથી પાલિકાના કર્મચારીઓ અને શહેરના અગ્રણીઓ પાસે એમેઝોન ગિફ્ટ વાઉચર અને રોકડ રકમની માંગણી કરી હતી. તે સમયે પણ કમિશનર દ્વારા સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરવી પડી હતી. હવે ત્રણ વર્ષ બાદ ફરી એકવાર નવા કમિશનરના નામે આવો જ ખેલ શરૂ થયો છે.
રાષ્ટ્રીય સ્તરની અતિ કઠિન પરીક્ષા JEE Main 2026 ના પરિણામ જાહેર થયું છે ત્યારે ભાવનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા જ્ઞાનમંજરી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સંસ્થા અને શહેરનું નામ રોશન કર્યું છે જેમાં 91 માંથી 14 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ મેળવીને ભાવનગરનું તથા શાળા નું ગૌરવ વધાર્યું છે, જ્ઞાનમંજરી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સન્ટાઈલ (P'Tile) મેળવ્યા છે, કુલ 14 વિદ્યાર્થીઓએ ઓવરઓલ 99 થી વધુ પર્સન્ટાઈલ મેળવ્યા છે, કુલ 45 વિદ્યાર્થીઓએ ઓવરઓલ 98 થી વધુ પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે, ટોપર્સની યાદી ઓવરઓલ 99+ P'Tile સંસ્થાના પ્રથમ ત્રણ ક્રમે રહેલા તેજસ્વી તારલાઓ નીચે મુજબ છે, સોરઠીયા દેવ રાજેશભાઈ 99.49 પર્સન્ટાઈલ, સાચાણી યુગ અશ્વિનભાઈ 99.46 પર્સન્ટાઈલ,કાનાણી જેનિલ જીજ્ઞેશભાઈ 99.33 પર્સન્ટાઈલ,આ ઉપરાંત ખત્રી જૈનમ, સરવૈયા રાજવીરસિંહ, ભાગીયા તનિષ્ક, દેવ, યુગ જેનીલ, ભક્તિ અને તીર્થ સહિતના 14 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલથી વધુ સ્કોર મેળવ્યો છે, વિદ્યાર્થીઓએ શાળા અને માતા પિતોના સહયોગથી આ રેન્ક મેળવવામાં સફળતા હાંસલ કરી હતી, અને રોજની 13 થી 14 કલાક સુધી અભ્યાસ કરીને આ રેન્ક મેળવ્યા હતો, વિદ્યાર્થીઓના માતા-પિતા ખેતી, ડાયમંડ, રાજકારણ, સરકારી નોકરીયાત તથા બિઝનેસમેન સહિતની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ રેંક હાંસલ કર્યો હતો, વિષયવાર પણ વિદ્યાર્થીઓએ ઉત્તમ દેખાવ કર્યો છે ફિઝિક્સ (Physics) 41 વિદ્યાર્થીઓએ 99+ પર્સન્ટાઈલ મેળવ્યા, કેમિસ્ટ્રી (Chemistry) 29 વિદ્યાર્થીઓએ 99+ પર્સન્ટાઈલ મેળવ્યા, મેથ્સ (Maths) 09 વિદ્યાર્થીઓએ 99+ પર્સન્ટાઈલ આમ, વિષય વાઇસ 99+ પર્સન્ટાઈલ મેળવનાર 79 વિધાથીઓ મેળવ્યા હતા, જ્ઞાનમંજરી વિદ્યાપીઠની આ ભવ્ય સફળતા બદલ સંસ્થાના સંચાલકો અને શિક્ષકગણે તમામ સફળ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા, જ્ઞાનમંજરી વિદ્યાપીઠના સંચાલક અવિનાશ પટેલએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ જ્ઞાનમંજરી વિદ્યાપીઠનું આ વર્ષે પણ JEE નું ઉત્કૃષ્ટ પરિણામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલું છે, JEE ની તૈયારી કરતા કુલ 91 વિદ્યાર્થીઓમાંથી 14 વિદ્યાર્થીઓએ 99+ પર્સન્ટાઇલ મેળવેલા છે, અને 45 વિદ્યાર્થીઓએ 98+ પર્સન્ટાઇલ મેળવેલા છે, આમ જોવા જઈએ તો કુલ વિદ્યાર્થીઓમાંથી 50 ટકા કરતા વધારે વિદ્યાર્થીઓએ 98 પ્લસ પર્સન્ટાઇલ મેળવેલા છે. એટલે જોવા જાવ તો કન્વર્ઝન રેશિયો JEE નો 50 ટકા કરતા પણ વધારે કહી શકાય એવો સારો મેળવેલો છે, એ બદલ તમામ વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને હું જ્ઞાનમંજરી વિદ્યાપીઠ પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું, JEE ની અત્યારે જે એક્ઝામ લેવામાં આવી છે, એ JEE મેન્સની એક્ઝામ આપી છે મેન્સની એક્ઝામમાંથી જે પેલા અઢી લાખ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા લેવલે સિલેક્શન થશે, એ JEE એડવાન્સની એક્ઝામ આપશે. એટલે JEE મેન્સ અને એડવાન્સની એક્ઝામ પછી વિદ્યાર્થીઓ IIT અને NIT જેવી નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટની અંદર અભ્યાસ માટે એડમિશન લેવા ઈચ્છા વ્યક્ત કરી હતી.
પશ્ચિમ રેલવેના રાજકોટ રેલ ડિવિઝને ઊર્જા કાર્યક્ષમતા અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક મોટી રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2025-26 માટે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા રાજકોટ ડિવિઝનની 5 ઇમારતોને પ્રતિષ્ઠિત ‘શૂન્ય (Shunya)’ અને ‘શૂન્ય પ્લસ (Shunya Plus)’ લેબલ એનાયત કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ ડિવિઝનલ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાના માર્ગદર્શન અને વરિષ્ઠ ડિવિઝનલ વિદ્યુત ઇજનેર (પાવર) રજની યાદવ તથા તેમની ટીમના સમર્પિત પ્રયાસોનું પરિણામ છે. આધુનિક ટેકનોલોજી અને સોલાર પાવરનો ઉપયોગ ડિવિઝન દ્વારા રેલવે પરિસરોમાં ઊર્જા બચત માટે અનેક આધુનિક પગલાં લેવામાં આવ્યા છે. આ ઇમારતોમાં BLDC પંખા, સંપૂર્ણ LED લાઇટિંગ સિસ્ટમ અને 5-સ્ટાર રેટેડ વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઊર્જાના સ્વચ્છ ઉત્પાદન માટે રૂફટોપ સોલાર પ્લાન્ટ્સ અને સોલાર વોટર હીટર સ્થાપિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને, પ્રકાશ વ્યવસ્થાના ચોકસાઈપૂર્વક નિયંત્રણ માટે 'Astronomical Timers' લગાવવામાં આવ્યા છે, જે સૂર્યાસ્ત અને સૂર્યોદય મુજબ આપમેળે લાઇટિંગનું સંચાલન કરે છે. સન્માનિત થયેલી ઇમારતોની યાદી BEE દ્વારા જાહેર કરાયેલા રેટિંગ મુજબ નીચે મુજબની ઇમારતોને લેબલ પ્રાપ્ત થયા છે: BEE ‘શૂન્ય પ્લસ’ (Shunya Plus) લેબલ: OHE અને PSI ડેપો, વાંકાનેર OHE અને PSI ડેપો, હાપા તાલીમ કેન્દ્ર અને હોસ્ટેલ બિલ્ડિંગ, રાજકોટ BEE ‘શૂન્ય’ (Shunya) લેબલ: OHE અને PSI ડેપો, મોરબી ટ્રેક્શન સબ-સ્ટેશન, હાપા ગ્રીન રેલવે તરફ પ્રયાણ સ્માર્ટ ઊર્જા મોનિટરિંગ અને કુદરતી હવા-પ્રકાશના મહત્તમ ઉપયોગને કારણે કુલ ઊર્જા વપરાશમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ પહેલથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને ભારતીય રેલવેની “ગ્રીન અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ” ની કલ્પના સાકાર થશે. આ રાષ્ટ્રીય માન્યતા રાજકોટ ડિવિઝનની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
આગામી 24 ફેબ્રુઆરીથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. આજે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તમામ સંચાલકોની એક મહત્વની બેઠક યોજાઈ હતી. રાજ્યભરમાં સ્કૂલોને મળતી બોમ્બ ધમકીઓના પગલે સ્કૂલ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સંચાલકોએ પોલીસ તંત્ર પાસે ચૂસ્ત બંદોબસ્તની માગ કરી છે, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાની તૈયારીને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. શહેરના શિક્ષકો અને સંચાલકોની યોજાયેલી આ બેઠકમાં પરીક્ષાનું સંચાલન, સુરક્ષા અને વિદ્યાર્થીઓની સુવિધા અંગે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. દિવ્યાંગ વિદ્યાર્થીઓને એક કલાક વધુ મળશેબોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડર વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર CCTV કેમેરાની ચકાસણી કરવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે કોઈ અગવડ ન પડે અને તેમને જરૂરી ‘લહિયા’ની સુવિધા સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. બોર્ડની નવી ગાઈડલાઈન મુજબ, દિવ્યાંગ વિદ્યાર્થીઓને દર કલાકે 20 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. એટલે કે 3 કલાકના પેપરમાં આ વિદ્યાર્થીઓને કુલ 60 મિનિટ વધુ મળશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે કેન્દ્ર સંચાલકોને સુપરવાઈઝર સાથે વિશેષ બેઠક યોજવા અને કડક નિરીક્ષણ કરવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપે તે પ્રયાસઃ ભગવાન પ્રજાપતિઅમદાવાદ ગ્રામ્ય DEO ભગવાન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આગામી 24 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે આજે અમદાવાદ ગ્રામ્યના સંચાલકોની બેઠક મળી હતી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશેષ સુવિધાઓ અને નિયમ મુજબનો વધારાનો સમય ફાળવવામાં આવશે. કેન્દ્ર સંચાલકોને ગેરરીતિ અટકાવવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.

25 C