SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

વલસાડમાં શોપિંગ સેન્ટરની બાલ્કની તૂટી:ચીફ ઓફિસરે વેપારીઓને સુરક્ષા જાળવવા અપીલ કરી

વલસાડ નગરપાલિકા સંચાલિત ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરની બાલ્કનીનો એક ભાગ ગઈકાલે રાત્રે ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, નીચે પાર્ક કરેલી એક મોપેડ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સુરક્ષિત કરવામાં આવ્યો હતો. ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાએ જણાવ્યું કે ટેકનિકલ ટીમને તપાસના આદેશ અપાયા છે અને હાલ આ કોમ્પ્લેક્સનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરવા સૂચના અપાઈ છે. ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે પાલિકાની માલિકીના અને ૨૦ વર્ષથી વધુ જૂના તમામ કોમ્પ્લેક્સનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તેમણે જર્જરિત મિલકતોમાં રહેતા વેપારીઓ અને રહેવાસીઓને પોતાની અને જાહેર જનતાની સુરક્ષા માટે આવી મિલકતોનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી. ખાનગી મિલકત ધારકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેમની મિલકત જર્જરિત હોય તો પાલિકાને જાણ કરે અને જાન-માલનું નુકસાન અટકાવવામાં સહયોગ આપે. ચીફ ઓફિસર વાઘેલાએ ઉમેર્યું કે, આગામી સામાન્ય સભામાં જર્જરિત કોમ્પ્લેક્સના રિપોર્ટના આધારે તેના નવીનીકરણ કે મજબૂતીકરણ અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઘટના બાદ વલસાડના અન્ય જૂના અને જર્જરિત શોપિંગ સેન્ટરોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે, જેના પગલે પાલિકા હવે આ મામલે કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:25 pm

બનાસકાંઠા LCBએ લક્ઝરી બસમાંથી દારૂ ઝડપ્યો:₹31.38 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ, એક ફરાર

બનાસકાંઠા LCBએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹31,38,368 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ફરાર છે. LCB ટીમે AR.06.9159 નંબરની લક્ઝરી બસમાંથી 5652 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયરનો જથ્થો પકડ્યો હતો, જેની કિંમત ₹16,33,368 આંકવામાં આવી છે. દારૂ, બસ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹31,38,368 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે LCBના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન, બાતમીના આધારે એસબીપુરા ગામની સીમમાં હાઈવે રોડ પર નાકાબંધી કરવામાં આવી હતી. આ નાકાબંધી દરમિયાન, લક્ઝરી બસ નંબર AR.06.9159 ના ચાલક મહેશભાઈ હરીભાઈ પ્રજાપતિ (રહે. અમદાવાદ) ને ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે, અન્ય આરોપી કિશન સિંહ દીપસિંહ રાઠોડ (રહે. જોધપુર) રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો. આ બંને આરોપીઓએ રાજસ્થાન નિર્મિત વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:19 pm

ચૂંટણી પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું સ્ફોટક નિવેદન:ભાજપને કોંગ્રેસ કે AAP નહીં, પણ પોતાના જ કડક નિયમો હરાવશે, ટિકિટ વહેંચણીના નિયમો પાર્ટી માટે જ જોખમી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભરૂચના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીની રણનીતિ સામે સવાલો ઉઠાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપ સ્થાપના દિવસે આપેલ નિવેદનમાં તેમણે ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે આગામી ચૂંટણીઓમાં ભાજપને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીથી કોઈ ખતરો નથી, પરંતુ પાર્ટીએ પોતે બનાવેલા કડક નિયમો જ તેને નુકસાન પહોંચાડી શકે છે. શું છે વિવાદનું મુખ્ય કારણ?ભાજપ પ્રદેશ નેતૃત્વ દ્વારા ટિકિટ વહેંચણી માટે કેટલાક ખાસ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેનો મનસુખ વસાવા વિરોધ કરી રહ્યા છે. પાર્ટીના મુખ્ય ત્રણ નિયમો જે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે:1.60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકરોને ટિકિટ ન આપવી.2.જેઓ સતત ત્રણ ટર્મથી ચૂંટાયા છે, તેમને ફરી તક ન આપવી.3. નેતાઓના સગા-સંબંધીઓને ટિકિટથી દૂર રાખવા. સિનિયર કાર્યકરોની ઉપેક્ષા સામે નારાજગી મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે યુવાનોને તક આપવી જોઈએ તે આવકાર્ય છે, પરંતુ જીતી શકે તેવા મજબૂત અને અનુભવી નેતાઓને હોમવા તે પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ નિયમોને કારણે વર્ષોથી પાયાનું કામ કરનારા અને પોતાના વિસ્તારમાં મજબૂત પ્રભુત્વ ધરાવતા જૂના જોગીઓ કપાઈ રહ્યા છે. તેમણે દલીલ કરી હતી કે જે નેતાઓ ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે, તેનો અર્થ એ છે કે જનતામાં તેમનો સ્વીકાર છે. આવા સક્ષમ ઉમેદવારોને પડતા મૂકવાથી પાયાના કાર્યકરોમાં નિરાશા ફેલાય છે. મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યો હતો કે જો આવા કડક નિયમો લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં લાગુ કરવામાં આવતા નથી, તો માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ કેમ? પક્ષના નેતૃત્વને પુનર્વિચારની અપીલસાંસદ વસાવાએ પ્રદેશ નેતૃત્વને વિનંતી કરી છે કે આ નિયમો પર ફરીથી વિચાર કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે ગુજરાતભરમાંથી પાયાના કાર્યકરો તેમની પાસે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. જો જીતી શકે તેવા ઉમેદવારો નિષ્ક્રિય થઈ જશે, તો તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડશે. મનસુખ વસાવા જેવા સિનિયર નેતાનો આ સુર સૂચવે છે કે ભાજપમાં અંદરખાને 'નવા લોહી' અને 'અનુભવી નેતાઓ' વચ્ચે તાલમેલ બેસાડવો એક મોટો પડકાર બની રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ ભાજપ આ રજૂઆતને ધ્યાને લઈને નિયમોમાં કોઈ છૂટછાટ આપે છે કે પછી પોતાના શિસ્તબદ્ધ અભિગમ પર અડગ રહે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:17 pm

ગોધરાના વોર્ડ 9માં ગટર સમસ્યાથી સ્થાનિકોમાં રોષ:લાઇન તૂટી જતાં ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો; સ્થાનિકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં મતદારોનો મિજાજ જાણવા પહોંચી હતી. વોર્ડ નંબર 9ના 'છકડાવાડ' વિસ્તારમાં ગટરની ગંભીર સમસ્યા સામે આવી છે. ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ આ સમસ્યાના નિરાકરણ ન આવે તો આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. રહીશોના આક્ષેપ મુજબ, છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઇન તૂટી ગઈ છે. જેના કારણે ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. આ ગંદકીને લીધે ભારે દુર્ગંધ ફેલાઈ છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેનાથી સ્થાનિકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સ્થાનિક રહીશ સલીમ ભીખાપુરવાલાએ જણાવ્યું હતું કે, અમે અહીં 10 વર્ષથી રહીએ છીએ, પરંતુ છેલ્લા બે વર્ષથી આ ગટરની લાઇન રીપેર થઈ નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. જો કોઈ ગંભીર બીમારી ફેલાશે તો તેની જવાબદારી કોની રહેશે? અન્ય એક સ્થાનિક અરબાઝે તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું કે, તંત્રને જરાય પડી નથી. મારા દાદા પણ આ ગંદકીને કારણે બીમાર પડ્યા છે. અમારી ફરિયાદોનો કોઈ રિસ્પોન્સ મળતો નથી. એક મહિલા રહીશે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે, ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. બાળકો શાળાએ કેવી રીતે જાય? રમઝાન દરમિયાન પણ બાળકો બીમાર પડ્યા હતા અને તેમને દવાખાને દાખલ કરવા પડ્યા હતા. આ વખતે અમે વોટ આપવાના નથી, કારણ કે વોટ આપીને શું ફાયદો? આ ગંભીર સમસ્યાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે, જો રસ્તા અને ગટરની સુવિધા નહીં મળે તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે. હવે જોવું રહ્યું કે તંત્ર આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:11 pm

સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદની આગાહી:ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ

હવામાન વિભાગની આગાહી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. આથી, જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત રાખવા માટે સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે આગાહી અનુસાર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોને ખાસ તકેદારી રાખવા જણાવાયું છે. કમોસમી વરસાદથી પાકને થતા નુકસાનથી બચવા માટે, ખેડૂતોએ ખેતરમાં કાપણી કરેલો પાક જો ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો. જો આમ કરવું શક્ય ન હોય, તો પાકને પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો જોઈએ.વરસાદનું પાણી પાકના ઢગલાની નીચે ન જાય તે માટે ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો હિતાવહ છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો. તેમજ, ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા પણ સૂચના અપાઈ છે.માર્કેટિંગ યાર્ડ (APMC)માં વેચાણ અર્થે લાવવામાં આવતી ખેતપેદાશોને સુરક્ષિત રાખવા માટે વેપારીઓ અને ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ શક્ય હોય ત્યાં સુધી આ દિવસો દરમિયાન વેચાણ અર્થે પેદાશો લાવવાનું ટાળવું. જો લાવે તો, જથ્થાને શેડ નીચે કે તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવો.ખેતી વિષયક વધુ જાણકારી અને માર્ગદર્શન માટે ખેડૂતો ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800 180 1551 પર સંપર્ક કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:07 pm

ગોપાલ ઈટાલિયાની ઓડિયો ક્લિપથી ખળભળાટ:વડોદરામાં કોંગ્રેસને મોટો ફટકો, મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતીઓની માફી માગી, કમોસમી વરસાદમાં બેનો ભોગ લેવાયો

આપની વધુ એક યાદી જાહેર, ભાજપ સાંજે જાહેર કરી શકે આમ આદમી પાર્ટીએ આજે સાતમી યાદી જાહેર કરી..પલીયડ તાલુકા અને જિલ્લા પંચાયતના BJPના કાર્યકર્તાઓએ કમલમમાં ગોરધન ઝડફિયા સાથે મુલાકાત કરી આયાતી ઉમેદવારોને ટિકિટ ના આપવાની ભલામણ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસના કાર્યકરો AIMIMમાં જોડાયા વડોદરાના પાદરામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું.. મહામંત્રી સહિત 1 હજાર કાર્યકરો કોંગ્રેસ છોડીને AIMIMમાં જોડાયા.કોંગ્રેસે ટિકિટ ન ફાળવતા કાર્યકરો નારાજ હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મલ્લિકાર્જૂન ખડગેએ પોતાના નિવેદન પર માફી માગી ગુજરાતીઓેન અભણ કહેવાવાળા પોતાના નિવેદનને લઈને મલ્લિકાર્જૂન ખડગેએ આખરી માફી માગી.. એક્સ પર લખ્યું-ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન.. કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નહોતો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સંઘવી સાથેના વિવાદ વચ્ચે ઈટાલિયાની ઓડિયો ક્લિપ વાયરલ હર્ષ સંઘવી પર આક્ષેપ અને વિવાદ વચ્ચે ગોપાલ ઈટાલિયાની એક ઓડિયો ક્લિપ સામે આવી.. ઈટાલિયાએ આ ઓડિયોને બનાવટી અને એઆઈ જનરેટેડ કહી દીધી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદમાં 67 PIની બદલી અને પોસ્ટિંગ અમદાવાદમાં 67 PIની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 13 PIની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે બહારથી આવેલા 55 PIને પોસ્ટિંગ આપ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડોક્ટરે પોલીસને આપેલી માહિતીથી થઈ શકે ખુલાસો અમદાવાદના ચાંદખેડામાં ખીરુથી મોત મામલે તપાસ તેજ.. એફએસએલે ઘરમાંથી કપડા, વાસણ અને દવા સહિતની વસ્તુ કબજે કરી. માતાપિતાના નિવેદન નોંધ્યા છે. આ તરફ ડોક્ટર્સે પોલીસને જે માહિતી આપી છે તેમાંથી કોઈ નવો ખુલાસો થઈ શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આઈસરમાં ઈકો કાર ઘૂસી જતા 4નાં મોત સુરતના પલસાણામાં એક્સપ્રેસ-વે પર એક્સિડન્ટમાં 4નાં મોત થયા. ટાયર ફાટતાં ઈકો કાર ઊભેલા આઈસરમાં ઘૂસી ગઈ. મુંબઈ સારવાર કરાવી પરત ફરતો ખંભાતનો પરિવાર કાળનો કોળિયો બન્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ACBએ લાંચિયા નાયબ મામલતદાર અને પટ્ટાવાળાને ઝડપી પાડ્યા લખપત મામલતદાર કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ નાયબ મામલતદાર અને પટ્ટાવાળાને ઝડપી પાડ્યા. ખેત જમીન નોંધ પ્રમાણિત કરવા માટે માગેલી 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી કાર્યવાહી કરવામાં આવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોડી રાતથી સવાર સુધી ભૂકંપના 8 આંચકા અમરેલીના ખાંભા અને સાવરકુંડલામાં ભૂકંપના આંચકા આવ્યા. મોડી રાતથી સવારના 9 વાગ્યા સુધીમાં એક પછી એક ભૂકંપના 8 આંચકા અનુભવાયા.કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિલોમીટર દૂર મળી આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કમોસમી વરસાદ અને વાવાઝોડામાં દાદી-પૌત્રના મોત પંચમહાલના સહેરામાં કમોસમી વરસાદ અને વાવાઝોડામાં બે લોકોના મોત થયા.. છોગાળા ગામના ક્લારીયા ફળિયામાં મકાનની દીવાલ ધરાશાયી થતા 7 વર્ષના પૌત્ર અને દાદીનું મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:58 pm

ગાંધીનગરમાં એસિડ એટેકના ગુનામાં પ્રથમવાર સજા:કલોલમાં મહિલા હોમગાર્ડ પર હુમલો કરનાર રિક્ષા ચાલકને 15 વર્ષની સખત કેદ સાથે એક લાખનો દંડ, પીડિતાને 2 લાખનું વળતર

કલોલના છત્રાલ બ્રિજ નીચે ટ્રાફિક નિયમન કરતી મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કરનાર આરોપી અશોક રમેશભાઈ રાવતને કલોલની સેશન્સ કોર્ટે 15 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ગાંધીનગર જિલ્લામાં એસિડ એટેકના કેસમાં આ પ્રકારની સજાનો આ પ્રથમ ઐતિહાસિક ચુકાદો છે. કલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપુતે ચુકાદાની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરીને સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું મહત્વ સમજાવ્યું હતું. રિક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી હતીઆ ચકચારી કેસની વિગતો મુજબ, ગત તા.18 જુલાઈ 2025ના રોજ છત્રાલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિક પોઈન્ટ પર ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરુષ હોમગાર્ડ ફરજ પર હાજર હતા. આ દરમિયાન આરોપી રિક્ષા ચાલક અશોકભાઈ રમેશભાઈ રાવતે (રહે.રામજી મંદિર વાળો ઢાળ, કલોલ) પોતાની રિક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી હતી. આથી ફરજ પર હાજર મહિલા હોમગાર્ડ ભાવનાબેન પરમારે તેને રિક્ષા ખસેડવાનું કહેતા રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરી ત્યાંથી જતો રહ્યો હતો. અડધો કલાક પછી એસિડની બોટલ લઈને આવી હુમલો કર્યોબાદમાં આ સામાન્ય ઠપકાની અદાવત રાખીને આરોપી અડધા કલાક બાદ એસિડની બોટલ સાથે પરત આવ્યો હતો. તેણે કઈ પણ સમજ્યા વગર ફરજ પરની મહિલા જવાન પર એસિડની પિચકારી મારી હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં ભાવનાબેનને પીઠ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય મહિલા કર્મચારીઓ પર પણ એસિડના છાંટા પડ્યા હતા. આ હુમલાના પગલે ઈજાગ્રસ્તને સારવાર માટે તુરંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે કલોલ તાલુકા પોલીસ મથકના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એસ. પટેલ દ્વારા આ કેસની સચોટ તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી. એસિડ એટેક એ માત્ર શારીરિક નહીં પણ માનસિક પીડા આપતો ગુનોઆ ચકચારી કેસની સુનાવણી કલોલ કોર્ટમાં ચાલી રહી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જીગ્નેશ એચ. જોષીએ દલીલ કરી હતી કે એસિડ એટેક એ માત્ર શારીરિક નહીં પણ માનસિક પીડા આપતો ગુનો છે. કોર્ટે આ અવલોકનને માન્ય રાખતા નોંધ્યું હતું કે, આ હુમલો માત્ર એસિડ એટેક નથી પણ રાજ્યની સુરક્ષા ઉપર આક્રમણ છે. જો આવા આરોપીઓને કડક સજા ન કરવામાં આવે તો રાજ્ય સેવકોનું મનોબળ તૂટી શકે છે. દોષિતને 15 વર્ષની સખત કેદની સજા અને કુલ 1 લાખનો દંડ ફટકારવાનો હુકમઆ દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે અવલોકન કર્યું હતું કે, મહિલા સુરક્ષાકર્મી પર કરવામાં આવેલો આ હુમલો અત્યંત નિર્દયી અને ગંભીર છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે આરોપી અશોક રાવતને દોષિત જાહેર કરી 15 વર્ષની સખત કેદની સજા અને કુલ 1 લાખનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. જ્યારે એસિડ હુમલાનો ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:54 pm

સુરેન્દ્રનગરમાં મહિલાનો ચોરાયેલો મોબાઈલ ટ્રાફિક પોલીસે પરત કર્યો:ખેરાળી નજીકથી ચોર ઝડપાયો, મોબાઈલ મૂળ માલિકને પરત મળ્યો

સુરેન્દ્રનગર શહેરમાં એક મહિલાનો ચોરાયેલો મોબાઈલ ફોન ટ્રાફિક પોલીસે શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો છે. કંચનબેન નામની મહિલા શાક માર્કેટમાં ખરીદી કરવા આવી હતી ત્યારે તેમના પર્સમાંથી મોબાઈલની ચોરી થઈ હતી. આ ઘટના સુરેન્દ્રનગર શહેરના પોપટ પરા વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં બની હતી. ખરીદી દરમિયાન એક અજાણ્યા યુવકે કંચનબેનના પર્સમાંથી મોબાઈલ ફોન ચોરી લીધો હતો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. મોબાઈલ ચોરી થયા બાદ કંચનબેને તાત્કાલિક ટ્રાફિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ભાવુભા ઝાલા સહિતના કર્મચારીઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી. તેમણે યુવકનો સંપર્ક કરવા અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયાસો કર્યા. સીસીટીવી ફૂટેજના આધારે, જે દિશામાં ચોર નાસી ગયો હતો તે દિશામાં ટીઆરબી જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસે ચોરી કરનાર યુવકનો ખેરાળી નજીકથી પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોર પાસેથી ચોરાયેલો મોબાઈલ ફોન કબજે કર્યો હતો. ત્યારબાદ, આ મોબાઈલ ફોન કંચનબેનને પરત કરવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસની આ કામગીરી સરાહનીય રહી હતી, જેના કારણે ચોર ઝડપાયો અને મોબાઈલ તેના મૂળ માલિકને પાછો મળ્યો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:53 pm

કિન્નરોની મદદ કરવી ભારે પડી:રડતી બાળકીને ફેરવવા નીકળેલા પરિવાર પર હુમલો, 'કિન્નરો તમારા શું સગા થાય છે?' કહી હુમલો કર્યો, ચારની ધરપકડ

સુરતના ખટોદરા વિસ્તારમાં માનવતા અને કાયદો-વ્યવસ્થાને શરમાવે એવી ઘટના સામે આવી છે. 7 એપ્રિલ, 2026ની મોડી રાત્રે રડતી નવ મહિનાની બાળકીને શાંત રાખવા બહાર આંટો મારવા નીકળેલા એક પરિવાર પર ચાર શખસોએ ઘાતક હુમલો કર્યો હતો. રિંગ રોડ પર આવેલી ચામુંડા હોટલ પાસે કિન્નરોની મદદ કરવા ગયેલા આ પરિવાર સાથે આરોપીઓએ તકરાર કરી હતી, જે હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા આરોપીઓએ રાકેશ નામના યુવકને પેટમાં ચપ્પુના ઉપરા-છાપરી ઘા મારી હત્યાની કોશિશ કરી હતી. આ મામલે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે. ચાર આરોપીની ધરપકડ કરાઈ છે. 9 મહિનાની દીકરી ગત રાત્રે સતત રડી રહી હતીસુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગર પાસે હરીનગર-2ની પાછળ હેગડેવાર વસાહતમાં રહેતા રાકેશ એકનાથ મોહિતેના મિત્ર રાહુલની 9 મહિનાની દીકરી ગત રાત્રે સતત રડી રહી હતી. બાળકી શાંત ન થતા તેની માતા ઈશાએ રાહુલને દીકરીને બહાર આંટો મરાવી લાવવા જણાવ્યું હતું. આથી, રાકેશ, રાહુલ અને અજય એક બાઈક પર તથા રાહુલની પત્ની ઈશા, દક્ષા, નયન અને અન્ય સગા-સંબંધીઓ એક રિક્ષામાં રાત્રિના સમયે બહાર નીકળ્યા હતા. કોઈને કલ્પના પણ નહોતી કે, રડતી બાળકીને શાંત રાખવા નીકળેલા આ પરિવાર માટે આ રાત લોહિયાળ સાબિત થશે. ચામુંડા હોટેલ પાસે ચા-નાસ્તા દરમિયાન સર્જાયો વિવાદઆ આખો પરિવાર ફરતા-ફરતા રાત્રિના આશરે સવા ત્રણ વાગ્યાના અરસામાં રિંગરોડ પર આવેલી જૂની સબજેલની સામે ચામુંડા હોટલ પાસે ચા-નાસ્તો કરવા માટે રોકાયો હતો. આ જ સમયે ત્યાં મનોજ ઉર્ફે મન્યો ચીરો (રહે. ડીડોલી), અક્ષય ઉર્ફે આદિ, વૈભવ કુલે અને પ્રણવ નામના ચાર શખ્સો હાજર હતા. આ ચારેય શખસો ત્યાં હાજર કિન્નરોની મજાક-મસ્તી કરીને તેમને પરેશાન કરી રહ્યા હતા. આ જોઈને કિન્નરોએ રાહુલની પત્ની ઈશા પાસે મદદ માંગી હતી અને પોતાની પાસે પડેલી ચાવી લાવી આપવા વિનંતી કરી હતી. 'કિન્નરો તમારા શું સગા થાય છે?' કહી હુમલો કર્યોજ્યારે ઈશા કિન્નરોની મદદ કરવા માટે ચાવી લેવા ગઈ ત્યારે આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ પરિવારને લપડાક મારતા કહ્યું કે, આ કિન્નરો તમારા શું સગા થાય છે? તમે કેમ તેમની મદદ કરો છો? આટલું કહીને આરોપીઓએ ગાળાગાળી શરૂ કરી દીધી હતી. રાકેશ અને રાહુલે વચ્ચે પડીને અપશબ્દો બોલવાની મનાઈ કરતા ચારેય શખ્સોએ ઉશ્કેરાઈને પરિવારના સભ્યોને ઢીંક-મુક્કીનો ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન હોટલ પર હાજર અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. પેટના ભાગે ચપ્પુના ઉપરા-છાપરી ઘા ઝીંક્યામારપીટ દરમિયાન મામલો વધુ બિચક્યો હતો. આરોપી અક્ષય ઉર્ફે આદીએ રાકેશને સંબોધીને ધમકી આપી હતી કે, આજે તમને બતાવીએ કે અમે કોણ છીએ, આજે તારો ખેલ પૂરો કરી નાખીશ. આટલું બોલી તેણે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી રાકેશને જાનથી મારી નાખવાના ઈરાદે પેટના ભાગે ઉપરા-છાપરી ઘા ઝીંકી દીધા હતા. રાકેશ લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યો હતો. બચાવવા વચ્ચે આવેલા તેના મિત્ર નયનને પણ આરોપીઓએ ચપ્પુના ઘા માર્યા હતા અને ત્યારબાદ ચારેય હુમલાખોરો અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યોઘટના બાદ લોહીલુહાણ હાલતમાં રાકેશ અને નયનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાકેશની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ભોગ બનનાર રાકેશ મોહિતેએ ખટોદરા પોલીસ મથકમાં મનોજ, અક્ષય, વૈભવ અને પ્રણવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ચારેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો અને હત્યાની કોશિશ હેઠળ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. હુમલાખોરોએ પણ પોલીસમાં સામે ફરિયાદ નોંધાવીબીજી તરફ, આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે હુમલો કરનારા શખ્સો પૈકી મનોજ ઉર્ફે મન્યો રાજેન્દ્ર પાટીલે પણ સામી ફરિયાદ નોંધાવી. મનોજે આક્ષેપ કર્યો હતો કે રાકેશ ઉર્ફે બાલા અને તેના મિત્રોએ જ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. કિન્નરો સાથેના વિવાદમાં રાકેશે તેમને ઉશ્કેરાઈને ગાળો આપી હતી અને મારામારીની શરૂઆત કરી હતી. આથી પોલીસે રાકેશ અને અન્ય બે અજાણ્યા ઈસમો સામે મારામારીનો ગુનો નોંધીને બંને પક્ષોની વાલીપણાની તપાસ હાથ ધરી છે. ખટોદરા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીશહેરના જાહેર માર્ગ પર રાત્રિના સમયે બનેલી આ ઘટનાને પગલે પોલીસ કમિશનર દ્વારા પણ કડક સૂચના આપવામાં આવી હતી. ખટોદરા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે મનોજ ઉર્ફે મન્યો ચીરો, અક્ષય ઉર્ફે આદિ, વૈભવ અને પ્રણવની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ આરોપીઓના ગુનાહિત ઈતિહાસની પણ તપાસ કરી રહી છે અને હોટલ પાસેના સીસીટીવી ફૂટેજ કબજે કરીને પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:46 pm

નવસારી કોંગ્રેસે ‘જનતાનો મેનિફેસ્ટો’ કર્યો જાહેર:મહિલાઓને ફ્રી બસ, ટેક્સ રાહત; ડિમોલિશન પહેલા પુનર્વસનના વાયદા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નવસારીમાં ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કર્યો છે. આગામી સમયના આયોજન અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે આ વચનપત્ર રજૂ કરાયું છે. પક્ષનો દાવો છે કે ‘કોંગ્રેસ આપને દ્વાર’ અને ‘જનમંચ’ જેવા અભિયાનો દ્વારા નવસારીની જનતા પાસેથી સીધા સૂચનો મેળવીને તે તૈયાર કરવામાં આવ્યું છે.કોંગ્રેસ નેતૃત્વએ જણાવ્યું કે રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત જનતાની વચ્ચે જઈને આ મેનિફેસ્ટો બન્યો છે. નાગરિકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં ન સાંભળવામાં આવતી હોવાથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંચ પર મળેલા પુરાવાઓ અને ફરિયાદોના આધારે વર્તમાન સરકારની નીતિઓ સામે આ કમિટમેન્ટ તૈયાર કરાયું છે. મેનિફેસ્ટોની મુખ્ય જાહેરાતોમાં સિટી બસમાં મહિલાઓ માટે સંપૂર્ણ મફત મુસાફરી અને મહિલાઓના નામે નોંધાયેલા વાહનોનો રોડ ટેક્સ માફ કરવાનો સમાવેશ થાય છે. આવાસ યોજના હેઠળ ‘પહેલા રિહેબિલિટેશન, પછી જ ડિમોલિશન’ના સિદ્ધાંત સાથે વૈકલ્પિક વ્યવસ્થા વગર કોઈનું ઘર નહીં તોડવાનું વચન અપાયું છે. 50 મીટરથી નાના મકાનોને પ્રોપર્ટી ટેક્સમાં 50 રાહત અને નવા વિસ્તારોમાં સુવિધા ન મળે ત્યાં સુધી ટેક્સ મુક્તિની પણ જાહેરાત કરાઈ છે. શિક્ષણ સુધારણા માટે પાલિકા સંચાલિત શાળાઓમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમનું આધુનિક શિક્ષણ અને શૈક્ષણિક સ્ટાફની કાયમી ભરતીનું વચન છે. હેલ્થ સુવિધાઓમાં દરેક વોર્ડમાં 24/7 હેલ્થ સેન્ટર, મફત બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને CT સ્કેન સુવિધા તેમજ વડીલોને બીપી-ડાયાબિટીસની દવાઓ મફત આપવાની વાત છે.પાણી અને ગટર વ્યવસ્થા માટે શહેરમાં દિવસમાં બે વખત પૂરતા ફોર્સથી શુદ્ધ પાણી અને વરસાદી પાણીના નિકાલ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાનું આયોજન છે. સ્વચ્છતા માટે દિવસમાં બે વાર ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા અને રસ્તાઓની ગુણવત્તાનું ‘જનતા ઓડિટ’ કરાશે. યુવા રોજગાર માટે કોર્પોરેશનમાં ખાલી પદો પર સ્થાનિક ઉમેદવારોની કાયમી ભરતી અને સ્પોર્ટ્સ સંકુલનું આધુનિકીકરણ કરાશે. લારી-ગલ્લા ધારકોને સ્માર્ટ કાર્ડ આપી ‘વેન્ડર ઝોન’ દ્વારા વ્યાપારિક ઓળખ અપાશે. પૂર્ણા નદીનું ડીપનિંગ-વાઈડનિંગ કરી શહેરને પૂરથી બચાવવા પ્રોટેક્શન વોલ બનાવવાનું પણ આયોજન છે.કોંગ્રેસના નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું કે આ માત્ર વચનપત્ર નથી, પરંતુ જનતા સાથેનું કમિટમેન્ટ છે. તેમણે ઉમેર્યું કે આધુનિક ભારત અને નગરરચનામાં કોંગ્રેસનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. સત્તામાં આવતાની સાથે જ આ તમામ મુદ્દાઓ પર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:46 pm

નવસારીના રાજકારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ ઘટ્યું:એક સમયે પાલિકામાં 10 થી 12 સભ્યો પારસીઓ હતા; 'માઈક્રો માઈનોરિટી' માટે સ્પેશિયલ સીટની માંગ ઉઠી

નવસારી નગરપાલિકામાં એક સમયે પ્રભુત્વ ધરાવતો પારસી સમાજ હવે રાજકીય ફલક પરથી અદ્રશ્ય થઈ રહ્યો છે. શહેરના વિકાસમાં સિંહફાળો આપનાર આ સમાજના પ્રતિનિધિત્વ અંગે ગંભીર ચર્ચાઓ જાગી છે. નવસારી સમસ્ત અંજુમનના કમિટી મેમ્બર કેરમન પટેલે પારસીઓના ઘટતા રાજકીય પ્રતિનિધિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઇતિહાસ દર્શાવે છે કે, નવસારી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં દિનશાજી ડાબુ પ્રથમ પ્રમુખ બન્યા હતા. આઝાદી બાદ તેમના ભાઈ ફરામરોઝ ડાબુએ પણ પ્રમુખ પદ સંભાળ્યું હતું. એક સમયે 24 સભ્યોની નગરપાલિકામાં 10 થી 12 પારસીઓ ચૂંટાઈ આવતા હતા. નવસારી ઉપરાંત બિલીમોરા અને વલસાડમાં પણ પારસીઓનું નોંધપાત્ર વર્ચસ્વ હતું. રાષ્ટ્રીય લઘુમતી કમિશનના પૂર્વ ઉપાધ્યક્ષ કેરસી દેબૂએ જણાવ્યું કે, પારસીઓની વસ્તી ખૂબ જ અલ્પસંખ્યામાં હોવાથી કોઈપણ રાજકીય પક્ષોને એની બહુ મોટી ગરજ રહેતી નથી. બીજું કારણ એ છે કે, પારસીઓને હાલમાં જે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે, તેને અનુકૂળ આવતું નથી. એટલે આવા ઘણા કારણસર ધીરે ધીરે પારસીઓનું પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે. નવસારી નગરપાલિકામાં વર્ષો પહેલા મોટાભાગના સભ્ય, ચૂંટાઈ આવેલા સભ્યો પારસી કોમ્યુનિટીમાંથી આવતા હતા. નગરપાલિકાનું પ્રથમ ઇલેક્શન થયું ત્યારે દિનશાજી ડાબુ તેના પ્રથમ પ્રમુખ પણ બનેલા અને આઝાદી પછી જ્યારે પહેલું ઇલેક્શન થયું ત્યારે એમના જ ભાઈ ફરામરોઝ ડાબુ એ નવસારીના પ્રમુખ બનેલા. વધુમાં જણાવ્યું કે, પારસી પરિવારના એક જ પરિવારના બેથી ત્રણ સભ્ય અને વધારામાં તેમના ઘરનો નોકર અને કામવાળી પણ ચૂંટાઈને આવતા, આટલું પારસીઓનું વર્ચસ્વ હતું. પરંતુ એ ધીરે ધીરે ઓછું થયું. પારસીઓએ આગળ આવવું જોઈએ અને રાજકારણમાં ભાગ લેવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. નવસારી સમસ્ત અંજુમન અને સમસ્ત પારસી ઇન્ફર્મરીના કમિટી મેમ્બર કેરમન પટેલે જણાવ્યું કે, પારસી લોકોનું રિપ્રેઝન્ટેશન નવસારી મહાનગરપાલિકા કે નગરપાલિકામાં કેમ નથી? આ નવસારીનું જે ડેવલપમેન્ટ થયું છે તે અમારા પારસી લોકોએ કર્યું છે. તે એજ્યુકેશન સંસ્થાઓ હોય, હોસ્પિટલ્સ હોય કે સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય, એ દરેક વિષયમાં અમારી કોમ્યુનિટીના લોકોએ અગ્રણી ભાગ ભજવ્યો છે તેમ છતાં છેલ્લા 25-30 વર્ષથી પોલિટિકલી અમારું રિપ્રેઝન્ટેશન પારસી લોકોનું બિલકુલ નથી. અત્યારે જે પોલિટિક્સ ચાલે છે 'ડુ ઓર ડાય'નું, તેમાં અમારી કોમ્યુનિટી બિલકુલ સંમત નથી. હું કોંગ્રેસ પાર્ટીનો જિલ્લાનો ઉપપ્રમુખ છું, પરંતુ મને ટિકિટની ઓફર પણ નથી થઈ, મને લડવામાં ઇન્ટરેસ્ટ પણ નથી. અમારું યુથ છે એનો ફોકસ હવે પોતાના ફેમિલી અને પોતાના લોકોના ડેવલપમેન્ટ માટે જ છે. અમારો પોતાનો પણ મત એ જ છે કે આપણી કોમ્યુનિટી માટે કામ કરીએ, કારણ કે અમને ક્યાય પણ રિપ્રેઝન્ટેશન મળતું જ નથી. અમને રિપ્રેઝન્ટેશન એટલા માટે નથી મળતું કે અમે માઇક્રો માઇનોરિટીઝ છીએ. હું તો ગવર્મેન્ટને એવું કહેવા માંગુ છું કે, અમારા માટે વિધાનસભામાં કે મહાનગરપાલિકા કે નગરપાલિકામાં એવી સ્પેશિયલ સીટ હોવી જોઈએ કે જેથી અમને કોમ્યુનિટીનું રિપ્રેઝન્ટેશન મળી શકે. અમારા અત્યારના લીડરો કેરસીભાઈ, દારાભાઈ, યઝદીભાઈ, બોમીભાઈ છે સહિતનાઓએ પોલિટિક્સમાં આવવું જોઈએ. તો નવસારી શહેરની ચોક્કસ પ્રગતિ થાય, ડેવલપમેન્ટ થઈ શકે, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ બની શકે. જમશેદજી ટાટા જેવાનો જન્મ પણ આપણા નવસારીમાં થયો છે. એટલે અમારા રિપ્રેઝન્ટેશનનો તો સવાલ જ નથી આવતો પણ ઓપોર્ચ્યુનિટી અમને મળવી જોઈએ. કારણ કે અમે કોઈ પણ જગ્યાએ ઇલેક્શન કોન્ટેસ્ટ કરી શકીએ એવી અમારી પોપ્યુલેશન વાઇઝ પરિસ્થિતિ નથી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:45 pm

કોંગ્રેસની આજે બીજી યાદી જાહેર નહીં થાય:નેતાઓને ટિકિટ માટેના લોબિંગથી દૂર રાખવા ગુપ્ત સ્થળે બેઠક, મોડી રાતથી વહેલી સવાર સુધી ઉમેદવારોના નામ પર મંથન

આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થવાની શક્યતા નહિવત જોવા મળી રહી છે. પહેલી યાદીમાં કોંગ્રેસે 243 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં મનપાના જ ઉમેદવારોના કેટલાક નામ જાહેર કરવામાં આવ્યા હતા. બાકી રહેલા ઉમેદવારોના નામને લઈને આજે પ્રદેશ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. રાજીવ ગાંધી ભવનને બદલે અન્ય ગુપ્ત સ્થળે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મોડી રાતથી શરૂ થયેલી આ બેઠક વહેલી સવાર સુધી ચાલવાની છે. ઉલ્લેખનીય છે કે, નેતાઓ પોતાના નજીકના લોકોને ટિકિટ આપવા માટે આવી જતા હોવાથી ગુપ્ત સ્થળ પર બેઠક રાખવામાં આવી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોના નામને લઈને ચર્ચા થયા બાદ આખરી મહોર લગાવવામાં આવશે. જેથી આવતીકાલે કોંગ્રેસની બીજી યાદી જાહેર થવાની શક્યતા છે. ગત 5 એપ્રિલે કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતીગત 4 એપ્રિલે પ્રદેશ સહ પ્રભારી બી.વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કાર્યકારી અધ્યક્ષ સાથે બેઠક બાદ પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા ગત 5 એપ્રિલે સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં જામનગર, ભાવનગર, સુરત, મોરબી, રાજકોટ, વડોદરા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પહેલી યાદીમાં નિર્વિવાદિત બેઠક પરના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, તેમાં માત્ર મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નહોતા. આજે દાવેદારો ઉમટે નહીં તે માટે ગુપ્ત સ્થળે બેઠકહવે 11 એપ્રિલના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે જેના કારણે ઉમેદવારોના નામ પર આખરી મહોર લગાવવામાં આવશે. જે માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મહત્વની બેઠક બોલાવી છે. ગત 4 એપ્રિલે રાજીવ ગાંધી ભવન ખાતે રાત્રે 2 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. જોકે, આજે કોઈ દાવેદારો ઉમટે નહીં તે માટે ગુપ્ત સ્થળે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મોડી રાતથી શરૂ થનારી બેઠક વહેલી સવાર સુધી ચાલવાની છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક યોજાવાની છે. જેમાં શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખો પણ ઉપસ્થિત રહેવાના છે. ઓબ્ઝર્વરને હાજર રહેવા ખાસ સૂચનાઆ બેઠકમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં મૂકવામાં આવેલા ઓબ્ઝર્વરને પણ હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે પણ અમુક વોર્ડમાં જ પેનલ જાહેર કરવામાં આવી છે. 32 વોર્ડમાં જ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેથી અન્ય વોર્ડમાં શહેર સમિતિ દ્વારા ફાઈનલ કરવામાં આવેલા ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્સ પ્રક્રિયામાં મૂકેલા 14 ઓબ્ઝર્વરને પણ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આજની બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે પણ ઉમેદવારોના નામ પર આખરી મહોર લગાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:41 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સંઘવી પર આક્ષેપ બાદ ગોપાલ ઈટાલિયાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ, વરિયાવી બજારમાં મકાનનો સ્લેબ ધરાશાયી

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:35 pm

કેન્દ્ર સરકારના 5 મોટા નિર્ણય: ખેડૂતોને આપી રાહત, 1.74 લાખ કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી!

Modi Cabinet: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સામાન્ય માણસ, ખેડૂતો અને દેશના માળખાગત વિકાસને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે કુલ 1 લાખ 74 હજાર 207 કરોડ રૂપિયાના 5 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. 1. ખેડૂતોને ખાતર પર સબસિડી (41,534 કરોડ રૂપિયા) સરકારે આગામી ખરીફ પાક માટે DAP અને NKPS જેવા જરૂરી ખાતરો પર સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત સમાચાર 8 Apr 2026 5:32 pm

BIG NEWS: 'અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરશે', યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, ટેરિફ અંગે જુઓ શું કહ્યું

Donald Trump Big Statement: અમેરિકાની શરતો પર યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. પ્રમુખ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનમાં શાસન પરિવર્તનની પ્રક્રિયા અત્યંત 'ફળદાયી' રહી છે અને હવે અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરવા તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે યુરેનિયમનું કોઈ સંવર્ધન કરી શકશે નહીં. અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરશે: ટ્રમ્પ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે, 'યુનાઈટેડ સ્ટેટ્સ ઈરાન સાથે મળીને નજીકથી કામ કરશે, જેમના વિશે અમે નક્કી કર્યું છે કે ત્યાં ખૂબ જ ફળદાયી શાસન પરિવર્તન થયું છે!

ગુજરાત સમાચાર 8 Apr 2026 5:25 pm

પોરબંદરના ખાપટમાં ચાર વીજપોલ ધરાશાય:12 કલાક વીજ પુરવઠો ખોરવાયો, સમારકામ ચાલુ

પોરબંદરના ખાપટ વિસ્તારમાં આજે એક મોટી ઘટના બની હતી, જેમાં ચાર વીજપોલ ધરાશાયી થયા હતા. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં આશરે 12 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ખાપટ વિસ્તારમાં ચાલી રહેલા રોડ રસ્તાના કામ દરમિયાન કોઈ અજાણ્યા વાહન અથવા જેસીબી ચાલકે વીજપોલને ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે સાંકળ પ્રતિક્રિયા સ્વરૂપે એક પછી એક એમ કુલ ચાર વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વીજ માળખાને મોટું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલ (PGVCL)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે અને ભારે નુકસાનને કારણે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં અંદાજે 12 કલાકનો સમય લાગી શકે છે. સ્થાનિક તંત્ર દ્વારા આ અકસ્માત સર્જનાર વાહન ચાલક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પીજીવીસીએલની પ્રાથમિકતા શક્ય તેટલી ઝડપથી વીજ પુરવઠો ફરી શરૂ કરવાની છે જેથી ખાપટ વિસ્તારના રહીશોને પડતી મુશ્કેલી ઓછી કરી શકાય.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:20 pm

‘ઝેરમુક્ત ખેતી અને દેશી બિયારણ જ ભારતને સમૃદ્ધ બનાવશે’:જૂનાગઢમાં કિસાન સંઘની બેઠકમાં ખેડૂતોને આવાહન, વીજળી અને પડતર પ્રશ્નોના ઉકેલ અંગે થઈ ચર્ચા

​જૂનાગઢ ખાતે આજે ભારતીય કિસાન સંઘની જિલ્લા કક્ષાની અત્યંત મહત્વની અને વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય અધિકારી ડો. દાદા લાડ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્ય, પ્રદેશ કોષાધ્યક્ષ નરેન્દ્રભાઈ પટેલ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા સમિતિના પ્રમુખો, મંત્રીઓ અને કારોબારી સભ્યોએ હાજરી આપી આગામી દિવસોમાં ખેતી અને ખેડૂતો સામે આવનારા પડકારો તેમજ સંગઠનની ભૂમિકા વિશે ગહન ચર્ચા કરી હતી. સંગઠનની વિસ્તારવાની ક્ષમતા પર ભાર મૂકતા કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું​ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્યએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે કિસાન સંઘ એ શિસ્તબદ્ધ રાષ્ટ્રીય સંગઠન છે. કેન્દ્ર દ્વારા દર વર્ષે જે નીતિઓ નક્કી કરવામાં આવે છે, તેનું છેવાડાના ખેડૂત સુધી અમલીકરણ થાય તે જોવાની જવાબદારી સંગઠનની છે. ડો. દાદા લાડ (વાલી - ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર) ના પ્રવાસનો મુખ્ય હેતુ જિલ્લાઓમાં સંગઠનની શક્તિ માપવી અને કાર્યશૈલીને વધુ ધારદાર બનાવવાનો છે. તેમણે સંગઠનની વિસ્તારવાની ક્ષમતા પર ભાર મૂકતા કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ​22 મુખ્ય પ્રશ્નોમાંથી 14 જેટલા પ્રશ્નોનો સરકારે સ્વીકાર કરીને નિકાલ લાવ્યો ખેડૂતોના પ્રશ્નો અંગે સકારાત્મક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની અપેક્ષાઓને અમે વાચા આપીએ છીએ. અગાઉ ગુજરાત સરકાર સમક્ષ મૂકવામાં આવેલા 22 મુખ્ય પ્રશ્નોમાંથી 14 જેટલા પ્રશ્નોનો સરકારે સ્વીકાર કરીને તેનો નિકાલ લાવ્યો છે. ખાસ કરીને વીજળીના પ્રશ્ને તેમણે સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, પૂર્વ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના સમયમાં લેવાયેલા નિર્ણયોને કારણે વીજળીની સ્થિતિ હવે ઘણી સુધરી છે અને ખેડૂતોને પૂરતો પાવર મળી રહ્યો છે. રાસાયણિક ખેતીના કારણે વિદેશોમાં ભારતનો માલ પરત આવી રહ્યો છેઆ ​બેઠકમાં 'ઝેરમુક્ત ખેતી' એટલે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કિસાન અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે, રાસાયણિક ખેતીના કારણે વિદેશોમાં ભારતનો માલ પરત આવી રહ્યો છે. જીરું, ઘઉં અને દીવેલા જેવા પાકોમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ વધુ હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની શાખ ખરડાઈ રહી છે. જો ખેડૂતો યુરિયા અને ડીએપીનો ત્યાગ કરી ગાય આધારિત ખેતી અપનાવે, તો જ ભારત ફરી વિશ્વ બજારમાં મજબૂત સ્થાન મેળવી શકશે અને પ્રજાનું સ્વાસ્થ્ય જળવાશે. જો ખેડૂત સમૃદ્ધ અને ઝેરમુક્ત ખેતી કરતો થશે તો ભારતનો વિકાસ થશે​તાજેતરમાં થયેલા માવઠા અને બદલાતા વાતાવરણમાં હાઈબ્રિડ પાકોને થતા નુકસાન અંગે ચર્ચા કરતા દેશી બિયારણના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. રાજકોટના સફળ ખેડૂત મનસુખભાઈ સુવાગ્યાના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું કે કેવી રીતે દેશી આંબાના બગીચાઓ માવઠાની અસરમાંથી સુરક્ષિત રહે છે. આથી, ખેડૂતોએ આર્થિક નુકસાનથી બચવા ફરીથી દેશી બીજ તરફ વળવું જોઈએ. અંતમાં, બેઠક દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે જો ખેડૂત સમૃદ્ધ અને ઝેરમુક્ત ખેતી કરતો થશે, તો જ ભારત પરમ વૈભવના શિખરે પહોંચશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:16 pm

ગોધરા: વોર્ડ 9 માંથી પતિ-પત્નીએ ઉમેદવારી નોંધાવી:પૂર્વ સદસ્ય યાકુબ તપેલી અને તેમના પત્ની શરીફાબેન ચૂંટણી જંગમાં

ગોધરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માંથી એક જ પરિવારના બે સભ્યોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. પૂર્વ સદસ્ય યાકુબ બક્કર તપેલી અને તેમના પત્ની શરીફાબેને આજે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા દરમિયાન, યાકુબ બક્કર તપેલીએ સામાન્ય બેઠક પરથી પોતાની દાવેદારી રજૂ કરી હતી. જ્યારે તેમના પત્ની શરીફાબેન યાકુબ બક્કર તપેલીએ OBC સ્ત્રી અનામત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. મીડિયા સાથે વાતચીત કરતા યાકુબ બક્કરે જણાવ્યું હતું કે, તેઓ વોર્ડના મતદારોની સેવા કરવા માટે કટિબદ્ધ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વોર્ડ નં. 9 ના ભાઈઓ અને બહેનો તેમને જંગી બહુમતીથી વિજયી બનાવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:09 pm

ગોધરા SP કચેરીમાં 'જન સંપર્ક કેન્દ્ર' કાર્યરત:અરજદારોની સુવિધા માટે ડૉ. હરેશ દુધાતે કર્યું ઉદ્ઘાટન

પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગોધરા SP કચેરી ખાતે અરજદારોની સુવિધા માટે 'જન સંપર્ક કેન્દ્ર'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતના હસ્તે આ કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું. આ કેન્દ્રનો મુખ્ય હેતુ વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો અને અરજદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવાનો છે. ગોધરા સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ આવતા નાગરિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરાશે. 'જન સંપર્ક કેન્દ્ર' દ્વારા અરજદારોને કયા વિભાગમાં અને કયા અધિકારીને મળવું તેની સચોટ માહિતી પૂરી પાડવામાં આવશે. તેમની રજૂઆતોનો ઝડપી નિકાલ થાય તે માટે પણ અહીં ખાસ સ્ટાફ તૈનાત રહેશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેન્દ્ર પોલીસ અને પ્રજા વચ્ચેના સેતુને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે, જેથી અરજીઓ કે રજૂઆતો કરવામાં નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:55 pm

ભલા મોરી રામા ગીત પર ભૂરી નાચી:નેહરાએ ઉઘાડા પગે આંટા માર્યા, દાંતણ કરતો દેખાયો; જયસ્વાલે ફિફ્ટી કરી કોને બેટ બતાવ્યું?

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:55 pm

વેરાવળમાંથી પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાયો:એલસીબી ટીમે હ્યુમન સોર્સીસની મદદથી પકડ્યો

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશન કેસના એક નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. જુનાગઢ રેન્જના ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. એસ.વી. રાજપુતના નેતૃત્વ હેઠળ ટીમે વેરાવળ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. હ્યુમન સોર્સીસની મદદથી, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 830/26 હેઠળ પ્રોહીબીશન એક્ટની કલમ 65(ઇ), 81 અને 92(2) મુજબ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પકડેલા આરોપીની ઓળખ જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુભાઈ સુતાર ખારવા (ઉંમર 54, રહે. વેરાવળ, ભાલકા વિસ્તાર, કામનાથ સોસાયટી પાસે) તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સફળ કામગીરીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી લોકોમાં આશા જાગી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:51 pm

આવતીકાલે વેરાવળમાં વીજ પુરવઠો ખોરવાશે:પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે નિર્ણય, 11 કેવી વિદ્યુત નગર ફીડરના વિસ્તારો પ્રભાવિત

વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા પ્રી-મોન્સૂન સમારકામ અને અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કારણે ગુરુવાર, 09/04/2026 ના રોજ સવારે 09:00 થી બપોરના 04:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ વીજ કાપ 11 કેવી વિદ્યુત નગર ફીડર હેઠળ આવતા વિસ્તારોને અસર કરશે. જેમાં 60 ફૂટ રોડ, 66kV પાછળનો એરિયા, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, દેવ પાર્ક રોડ, સરદાર સોસાયટી, વાણંદ સોસાયટી, આરતી એપાર્ટમેન્ટ રોડ, ગોલારાણા, પંચવટી વિસ્તાર, ગીતાનગર -2, શ્રીપાલ સોસાયટી, હવેલી પાછળનો એરિયા, સમૃદ્ધ પાર્ક, મહિલા કોલેજ રોડ, ગંગાનગર રોડ, વૃજ રેસીડેન્સી, જાગનાથ નગર, શ્રી શ્રી પાર્ક, સાઈધામ સોસાયટી અને ગોકુલધામ સોસાયટીનો સમાવેશ થાય છે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. તમામ વીજ ગ્રાહકોને આની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતોનું જોખમ ઘટાડવા માટે, વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:47 pm

દીપેન દવે બાર કાઉન્સિલ ચૂંટણીમાં ત્રીજીવાર વિજેતા:સુરેન્દ્રનગરના ધારાશાસ્ત્રીનો સતત વિજય, સન્માન સમારોહ યોજાશે

સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય એડવોકેટ દીપેનભાઈ દવેએ બાર કાઉન્સિલની ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજય મેળવ્યો છે. તેમના આ વિજયને વધાવવા માટે ટૂંક સમયમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત બ્રહ્મ સમાજ અને વકીલ મિત્રો દ્વારા આયોજિત આ કાર્યક્રમ શનિવાર, 11 એપ્રિલ, 2026ના રોજ સાંજે 6:30 કલાકે દુધરેજ સ્થિત 'ત્રિવેણી પાર્ટી પ્લોટ' ખાતે યોજાશે. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારનું અભિવાદન કરશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, વર્ષાબેન દોશી અને હાર્દિકભાઈ ટમાલીયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. સન્માન સમારોહની સાથે મનોરંજન માટે 'યે શામ મસ્તાની' શીર્ષક હેઠળ ફિલ્મી ગીતોની મહેફિલનું પણ આયોજન કરાયું છે, જેમાં ભગીરથ ભટ્ટના સંગીત સાથે મહેમાનો સુરમય સાંજનો આનંદ માણી શકશે. એડવોકેટ દીપેન દવે સન્માન સમિતિ દ્વારા જાહેર જનતા અને સ્નેહીજનોને પરિવાર સહિત પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે સ્વરુચિ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:33 pm

'PM મોદીની ત્રીજી ટર્મ મહિલાઓના નામે':સુરતમાં મહિલા ઉદ્યોગ સાહસિકોના નુપૂર શર્માનું સંબોધન, કહ્યું- આગામી 5 વર્ષમાં ભારતીય મહિલાઓ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ મજબૂત કરશે

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ તાજેતરમાં સુરતની મુલાકાત દરમિયાન 'સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી' (SGCCI) દ્વારા આયોજિત મહિલા ઉદ્યોગ સાહસિકોના કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. લાંબા સમય બાદ જાહેર મંચ પર દેખાયેલા નુપુર શર્માએ આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દેશના આર્થિક વિકાસમાં નારી શક્તિના અમૂલ્ય યોગદાન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીની '3.0' ટર્મ અને મહિલા સશક્તિકરણનુપુર શર્માએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મ દેશની મહિલાઓ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. સરકારનું મુખ્ય લક્ષ્ય મહિલાઓને માત્ર સામાજિક જ નહીં, પરંતુ આર્થિક રીતે પણ સશક્ત બનાવવાનું છે. તેમના મતે, મોદી સરકારની નીતિઓના કેન્દ્રમાં હંમેશા 'નારી શક્તિ' રહી છે, જેના પરિણામે આગામી પાંચ વર્ષોમાં ભારતીય મહિલાઓ વૈશ્વિક સ્તરે પોતાની મજબૂત ઓળખ પ્રસ્થાપિત કરશે. લખપતિ દીદી યોજના મહિલાઓના આત્મનિર્ભરતાનો માર્ગકેન્દ્ર સરકારની પ્રમુખ યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે 'લખપતિ દીદી' યોજનાની પ્રશંસા કરી હતી. આ યોજનાને ગ્રામીણ અને શહેરી મહિલાઓના સપના સાકાર કરવાનું માધ્યમ ગણાવતા તેમણે કહ્યું કે, સ્વ-સહાય જૂથો દ્વારા મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. જ્યારે કોઈ પણ મહિલા આર્થિક રીતે સ્વતંત્ર થાય છે, ત્યારે તેની હકારાત્મક અસર સમગ્ર પરિવાર અને સમાજની પ્રગતિ પર જોવા મળે છે. ગુજરાતી મહિલાઓની ઉદ્યોગ સાહસિકતા અને 'ગરવી ગુજરાત'સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં મહિલાઓની વધતી ભાગીદારીને બિરદાવતા નુપુર શર્માએ જણાવ્યું કે, ભારત અને વિશ્વમાં સૌથી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકો ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતી મહિલાઓમાં રહેલી જન્મજાત વ્યાપારિક કોઠાસૂઝ તેમને અન્યથી અલગ પાડે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત આશરે 1000 જેટલી મહિલા પ્રોફેશનલ્સને જોઈને તેમણે ઉમેર્યું હતું કે, 'આજે મને સમજાયું કે 'ગુજરાત ગરવી' કેમ કહેવાય છે. આ ગૌરવ પાછળ અહીંની મહેનતકશ મહિલાઓનો મોટો હાથ છે, જેમણે પરંપરા અને આધુનિકતાના સમન્વયથી ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે.' આધ્યાત્મિક શ્રદ્ધા અને રાજકીય સમર્થનગુજરાતને મા અંબાની પાવન ભૂમિ ગણાવતા તેમણે કહ્યું કે, અહીંની મહિલાઓના અતૂટ આત્મવિશ્વાસ પાછળ આ આધ્યાત્મિક ઉર્જા રહેલી છે. વધુમાં, તેમણે નોંધ્યું હતું કે વડાપ્રધાન મોદીની સતત ત્રીજી જીત પાછળ દેશની મહિલા શક્તિનો સૌથી મોટો ટેકો રહ્યો છે, જેમણે લોકશાહીના પર્વમાં ભાજપ સરકાર પર અતૂટ વિશ્વાસ મૂકીને દેશને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:29 pm

રૂ.5 લાખના કમિશનની લાલચમાં આરોપીઓએ કારસ્તાન આચર્યું:રાજકોટમાં એસ.પી.આંગડિયા પેઢીના કર્મચારીઓને બંધક બનાવી રૂ.50 લાખની સનસનીખેજ લૂંટનું દુબઈમાં રચાયું'તું ષડયંત્ર

આધુનિક યુગમાં ગુનેગારો હવે સાત સમુંદર પાર બેસીને સ્થાનિક શહેરોમાં ગુનાહિત કૃત્યો આચરી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે જેમાં દુબઈમાં બેસીને રચાયેલા કાવતરાના ભાગરૂપે રાજકોટની જાણીતી SP આંગડિયા પેઢીના બે કર્મચારીઓને હથિયારના બતાવી બંધક બનાવી, રૂ.50 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા પોલીસે તાત્કાલિક બન્ને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓને આ પ્રકારે ગુનાહિત કાવતરું આચરવા માટે દુબઇ બેઠેલા શખ્સે પ્રેરણા આપી હોવાનું અને આ માટે કમિશન પેટ રૂપિયા 5 લાખ મળશે તેવી લાલચ આપી હતી જે લાલચમા આવી આરોપીઓ લૂંટનું કારસ્તાન આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી પૈકી શબીર વિરુધ્ધ અગાઉ હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને જુગારના બે મળી કુલ 4 પોલીસ કેસ નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર આવેલા વિવેકાનંદનગરમાં રહેતા અને સોની બજારની 'એસ.પી. એન્ટરપ્રાઈઝ' નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા વિરલ જશવંતભાઈ વ્યાસ (ઉ.વ.40)એ આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના સાળા હિમાંશુભાઈના બનેવી વિમલભાઈ પાંધી દુબઈમાં રહી કમિશનથી નાણાંની હેરફેરનું કામ કરે છે. દુબઈમાં વિમલભાઈનો સંપર્ક રાજકોટના જ વતની વૈભવ પટેલ સાથે થયો હતો. વૈભવે વિમલભાઈને વિશ્વાસમાં લીધા હતા કે રાજકોટમાં તેની એક પાર્ટી પાસેથી પેમેન્ટ લેવાનું છે, જે મેળવીને તેના બદલામાં દુબઈમાં હિતેશભાઈ નામના વ્યક્તિને પેમેન્ટ કરી દેવાનું રહેશે, જેના બદલામાં સારું કમિશન મળશે. આ લાલચમાં આવીને વિમલભાઈએ રાજકોટની આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. ​ગત તારીખ 10.11.2025ના રોજ વિમલભાઈએ આંગડિયા પેઢીના વોટ્સએપ પર મેસેજ કરી પૂછ્યું હતું કે, કોઈ રેલનગર વિસ્તારમાં પેમેન્ટ લેવા જઈ શકે તેમ છે? જેથી પેઢીના માલિક મિહિરભાઈએ રકમ વિશે પૂછતા વિમલભાઈએ '25 કેજી' (એટલે કે 25 લાખ) જણાવ્યું હતું. ત્યારબાદ વિમલભાઈએ રાકેશ નામના વ્યક્તિનો ઇન્ટરનેશનલ નંબર આપ્યો અને જણાવ્યું કે રકમ 25 નહીં પણ 50 લાખ લેવાની છે. તેમણે સૂચના આપી હતી કે, તમે આ રકમ સ્વીકારી લો અને તમારા હાથમાં પૈસા આવે એટલે તરત મેસેજ કરજો, જેથી મારે અહીં દુબઈમાં બીજી પાર્ટીને પેમેન્ટ ચૂકવવાનું છે તે હું કરી શકું. ​વિરલભાઈ અને તેમના સાથી કર્મચારી કિશન વીસપરા જ્યારે આપેલા નંબર પર સંપર્ક કરી પેમેન્ટ લેવા માટે જામનગર રોડ પર બજરંગવાડી પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં શબ્બીર ઉર્ફે જાબર સીદીકભાઈ જુણેજા અને તેના અન્ય બે સાગરીતો બીએમડબલ્યુ કાર લઈને હાજર હતા. આરોપીઓએ વિશ્વાસમાં લઈ બંને કર્મચારીઓને કારમાં બેસાડ્યા હતા. આ પછી જેવા કર્મચારીઓ કારમાં બેઠા, કે તરત જ કાર ચલાવી રહેલા શખ્સે પોતાના નેફામાંથી રૂમાલમાં વીંટાળેલું હથિયાર કાઢી વિરલભાઈને બતાવ્યું હતું અને લાફા માર્યા હતા અને આરોપીઓએ બંને કર્મચારીઓના મોબાઈલ ફોન લૂંટી લઇ અને તેમને બંધક બનાવી દીધા હતા. ​આરોપીઓએ કર્મચારીઓને ધમકાવીને તેમના માલિકને ફોન કરવા મજબૂર કર્યા હતા અને દબાણ પૂર્વક માલિકને 'પેમેન્ટ મળી ગયું છે કહેવા જણાવ્યું હતું જેથી ફરિયાદી વિરલભાઈએ જીવના જોખમે શેઠને ફોન પર જણાવ્યું કે 50 લાખ મળી ગયા છે. જોકે, આંગડિયા પેઢીની કાર્યપદ્ધતિમાં રકમ માટે ખાસ કોડવર્ડ વપરાતા હોય છે. સામાન્ય રીતે 50 લાખ માટે '50 કેજી ઓકે' લખવામાં આવતું હોય છે, પરંતુ આરોપીઓએ ડર બતાવીને '100ના બંડલ ઓકે' એવો અસામાન્ય મેસેજ ટાઈપ કરાવ્યો હતો. ​આ અલગ પ્રકારના મેસેજને કારણે પેઢીના માલિક મિહિરભાઈને શંકા ગઈ હતી. તેમણે ફરીથી ફોન કરીને લોકેશન પૂછયું, ત્યારે આરોપીઓએ કર્મચારી પાસે એવું કહેવડાવ્યું કે તેઓ અત્યારે હોસ્પિટલ ચોક પાસે પહોંચ્યા છે. આ દોઢ કલાકના ડ્રામા દરમિયાન આરોપીઓ સતત દુબઈમાં કોઈની સાથે સંપર્કમાં હતા અને 'જલ્દી કરો, જલ્દી કરો' તેવી સૂચનાઓ આપી રહ્યા હતા. જેવા રાજકોટથી 'પેમેન્ટ મળી ગયું છે' તેવા મેસેજ કન્ફર્મ થયા, કે તરત જ દુબઈમાં વિમલભાઈએ સામેની પાર્ટીને 50 લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવી દીધું હતું. આ માહિતી મળતા જ રાજકોટમાં કારમાં રહેલા શબ્બીર અને તેના સાગરીતોએ બંને કર્મચારીઓના ફોન પરત આપી તેમને રસ્તામાં ઉતારી દીધા અને ફરાર થઈ ગયા હતા. ​જ્યારે વિરલભાઈએ ઓફિસે જઈને હકીકત જણાવી, ત્યારે ખબર પડી કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ છે. આ અંગે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી શબ્બીર ઉર્ફે જાબર સીદીકભાઈ જુણેજાને અને તૌફીક ઉર્ફે પહેલવાન ઉર્ફે બાવો શેખની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આખું કાવતરું દુબઈમાં બેઠેલા શખ્સો દ્વારા રચવામાં આવ્યું હતું. આરોપીઓએ જાણી જોઈને બીએમડબલ્યુ કારનો ઉપયોગ કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય. આ કેસમાં પકડવાનો બાકી આરોપી મોહિત સાગર સાથે સીધો સંપર્કમાં હતો અને આંગડિયા પેઢીના બંને કર્મીનું અપહરણ કરી પળેપળની વિગત તે દુબઈ બેઠેલા સાગર વ્યાસને પહોંચાડવાની ભૂમિકા ભજવતો હતો જે હાલ પોલીસ પકડથી દૂર છે જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જયારે હાલ પકડાયેલ આરોપીઓ પૈકી શબીર વિરુધ્ધ અગાઉ હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને જુગારના બે મળી કુલ 4 પોલીસ કેસ નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ ​દુબઈમાં રહેલા વૈભવ પટેલ અને અન્ય સાગરીતોની ભૂમિકા શું છે.? તેમજ આ ગુનામાં વપરાયેલી હથિયાર અને કારની રિકવરી કરવા અને ​આ ગેંગ દ્વારા અગાઉ આચરવામાં આવેલા અન્ય ગુનાઓની વિગતની પણ તપાસ કરી રહી છે. જયારે આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા આ તારને ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:26 pm

રાહુલ શુક્લા ફાઉન્ડેશનનું સૈનિકોના કલ્યાણ માટે યોગદાન:સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ₹1 લાખનો ચેક અર્પણ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત રાહુલ ભાનુભાઈ શુક્લા ફાઉન્ડેશન દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ₹1 લાખનું યોગદાન આપવામાં આવ્યું છે. આ યોગદાન દેશની સેવા કરતા સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો, વીર નારીઓ અને સ્વર્ગસ્થ સૈનિકોના પરિવારોને સંકટ સમયે મદદરૂપ થવાના આશયથી કરાયું છે. ફાઉન્ડેશન દ્વારા ₹1 લાખનો ચેક સુરેન્દ્રનગરના કલેક્ટર અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના પ્રમુખશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સેવા કાર્ય દેશના સૈનિકો પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરે છે. ફાઉન્ડેશનનું આ પ્રેરણાદાયી પગલું સૈનિકો અને તેમના આશ્રિતોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓને વેગ આપશે. આ યોગદાન દેશ સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ફાઉન્ડેશનની આ રાષ્ટ્રપ્રેમી કામગીરીને બિરદાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:20 pm

કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ ગુજરાતની મુલાકાતે:અમદાવાદ-ગાંધીનગર-વડોદરા અને એકતાનગરમાં યોજાનારી CWG-2030ની રમતોના સ્થળોની સાઈટ વિઝીટ કરશે, ગાંધીનગરથી પ્રવાસનો પ્રારંભ

ગુજરાત અને અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ પહેલીવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. ગાંધીનગરમાં CMને મળીને ગુજરાત પ્રવાસની શરુઆત કરીકોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટીમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોસિએશનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા-સૌજન્ય મુલાકાતથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રી ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ સુશ્રી કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટીમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે તેમ જણાવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે ત્યારે ગુજરાત અને અમદાવાદને મળેલુ તેનું યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ છે તેનો ઉલ્લેખ કરતાં શ્રીયુત ડોનાલ્ડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી લિડરશીપ અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રસંશા કરી હતી. રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરી પાડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનને કોમનવેલ્થ ગેમ્સ 2030ના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરી પાડશે એવો વિશ્વાસ આપ્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમના પ્રેસિડેન્ટ અને CEOએ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે આવવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરતા ગુજરાતનું ડેલિગેશન ગ્લાસગો કોમનવેલ્થમાં આવશે એવી ખાતરી આપી હતી. CWG-2030ની રમતોના સ્થળોની સાઈટ વિઝીટ કરશેકોમનવેલ્થ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકારે એ ગુજરાતમાં યોજાનારી 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ કલ્ચરલ વાઇબ્રન્સીની પણ અનુભૂતિ કરાવનારો ખેલ ઉત્સવ બની રહે તે માટે પરસ્પર ટીમવર્કથી કામ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી. ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સાઇટ વિઝીટ કરવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના DG વાળા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:11 pm

ભાજપના વરિષ્ઠ નેતા 50 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા:સુરેન્દ્રનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષપલટો, ભાજપમાં ગાબડું

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે બપોરે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તેજાભાઈ મેટાળીયા પોતાના 50થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસ પક્ષમાં વિધિવત્ રીતે જોડાયા હતા. આ પક્ષપલટો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીના નેજા હેઠળ થયો હતો. ભાજપ પક્ષથી નારાજ થયેલા તેજાભાઈ મેટાળીયા અને તેમના સમર્થકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષમાં પ્રવેશ કર્યો હતો. આ ઘટનાને કારણે ભાજપ પક્ષમાં મોટું ગાબડું પડ્યું હોવાનું મનાય છે. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેનદરભાઈ સોલંકી સહિત કોંગ્રેસના અનેક અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:04 pm

'કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં':ઉચરપી ગામે મહાનગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર, વિકાસના નામે ખેતીલાયક જમીનો છીનવાઈ રહી હોવાના સ્થાનિકોના આક્ષેપ

મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા ઉચરપી ગામના ગ્રામજનોએ ટીપી સ્કીમ અને રસ્તાઓના આયોજનમાં મોટાપાયે થતી જમીન કપાતના વિરોધમાં આગામી મનપા સહિતની તમામ ચૂંટણીઓના બહિષ્કારનું એલાન કર્યું છે. વિકાસના નામે ખેતીલાયક જમીનો છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ગામમાં 'કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં' તેવા બેનરો લગાવતા ચકચાર મચી છે. ખેડૂતોના અસ્તિત્વ સામે જોખમસ્થાનિક આગેવાન બાબુભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, ઉચરપી ગામની ભૌગોલિક સ્થિતિ પહેલેથી જ મર્યાદિત જમીન ધરાવતી છે. ગામની આસપાસથી રાધનપુર-શામળાજી-ઈડર એમ બે હાઈવે પસાર થવાના છે, જેની વચ્ચે માંડ એક કિલોમીટરનું અંતર છે. આ મર્યાદિત વિસ્તારમાં ફરી 80 મીટરનો વિશાળ રિંગ રોડ અને 24 મીટરના ટીપી રોડ મંજૂર કરવામાં આવતા ખેડૂતોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. વધુમાં, જમીનોને ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં સમાવી લેવા સામે પણ વિરોધ ઉઠ્યો છે. દૂધનો વ્યવસાય અને આજીવિકા ગુમાવવા જેવી સ્થિતિગામના યુવક ચિરાગ ચૌધરીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર એવા ઉચરપી ગામની 50% થી વધુ જમીન રસ્તાઓ અને ટીપી-ડીપી સ્કીમોમાં કપાતમાં જઈ રહી છે. વર્ષ 2047ના ભાવિ આયોજનના નામે ઓછી વસ્તી ધરાવતા વિસ્તારમાં અત્યારથી જ આકરા અમલીકરણને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. કમોસમી વરસાદના લીધે ખેતીમાં પહેલેથી જ નુકસાન વેઠી રહેલા પરિવારો માટે હવે જમીન ગુમાવવી એટલે દૂધનો વ્યવસાય અને આજીવિકા કાયમ માટે ગુમાવવા જેવી સ્થિતિ છે. ગ્રામજનોની કોઈપણ ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકીઉચરપીના ગ્રામજનોએ એકસૂરે માંગણીઓ કરી છે કે, નવા સૂચિત રસ્તાઓ અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન તાત્કાલિક રદ કરવામાં આવે. ગામને ફરીથી એગ્રીકલ્ચર (ખેતીલાયક) ઝોનમાં સમાવવામાં આવે અને બિનજરૂરી રિંગ રોડને બદલે જ્યાં ખરેખર જરૂર છે તેવા નેળિયામાં સુવિધાઓ પૂરી પાડવામાં આવે. જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી મનપા જ નહીં પણ વિધાનસભા જેવી કોઈપણ ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:00 pm

બનાસકાંઠામાં ચૂંટણી 2026 માટે કંટ્રોલ રૂમ શરૂ:જિલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે હેલ્પલાઇન જાહેર

બનાસકાંઠા જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026ના સુચારુ સંચાલન અને ચૂંટણીલક્ષી ફરિયાદોના ત્વરિત નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ સાથે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. આ કંટ્રોલ રૂમ મદદનીશ ચૂંટણી અધિકારી અને પાલનપુર (ગ્રામ્ય)ના મામલતદારની કચેરી, જોરાવર પેલેસ ખાતે કાર્યરત છે. તેનો ટેલિફોન નંબર 02742-257261 છે. જાહેર જનતા આ નંબર પર સંપર્ક કરીને ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ કે વિગતો જણાવી શકશે. આ કંટ્રોલ રૂમ ખાતે કર્મચારીઓ દ્વારા ચોવીસ કલાક ફરજ બજાવવામાં આવશે. મદદનીશ ચૂંટણી અધિકારી અને પાલનપુર (ગ્રામ્ય)ના મામલતદાર દ્વારા તમામ જનતાને આ સેવાનો લાભ લેવા અને ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:56 pm

પાળીયાદમાં અબોલ પશુઓને 56 ભોગ ધરાવાયો:અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે જીવદયા કાર્ય કરાયું

પાળીયાદ મહાજન પાંજરાપોળ ખાતે ગૌરવંતા ગુજરાતી અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે અબોલ પશુઓને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રાષ્ટ્ર સંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આયોજિત કરાયો હતો. આ જીવદયા કાર્યક્રમમાં અર્હમ યુવા સેવા ગ્રુપ અને અનંત સેવા ગ્રુપનો સહયોગ રહ્યો હતો. શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમે ગુરુદેવને વંદન કરી અનંત અંબાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જીવદયા પ્રવૃત્તિ બદલ અનંત અંબાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:51 pm

ભરૂચમાં મતદાન મથકોની ડ્રાફ્ટ યાદી પર બેઠક:કલેક્ટરે રાજકીય પક્ષો સાથે પરામર્શ કરી, સૂચનો મેળવ્યા

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 માટે મતદાન મથકોની ડ્રાફ્ટ યાદી અંગે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. નાયબ કલેક્ટર અને મામલતદારો દ્વારા તૈયાર કરાયેલી મતદાન મથકોની ડ્રાફ્ટ યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ 30 માર્ચ, 2026ના રોજ થઈ હતી. આ યાદીને અંતિમ સ્વરૂપ આપતા પહેલા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓના સૂચનો અને રજૂઆતો મેળવવા માટે આ પરામર્શ બેઠકનું આયોજન કરાયું હતું. બેઠક દરમિયાન, જિલ્લા/તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે તૈયાર કરાયેલી મતદાન મથકોની યાદી પર રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે મતદારોની સુવિધા, સરળ પહોંચ અને પારદર્શક તથા નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા માટે રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટરે તમામ સૂચનો ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે ખાતરી આપી હતી કે પ્રાપ્ત થયેલા સૂચનોના આધારે મતદાન મથકોની યાદીને વધુ સુવ્યવસ્થિત બનાવી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ચૂંટણી શાખાના અધિકારીઓ તેમજ વિવિધ માન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:48 pm

રેન્જ IG નિર્લિપ્ત રાયે જામનગર ગ્રામ્ય મથકનું ઇન્સ્પેક્શન કર્યું:કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી, અધિકારીઓને સૂચનાઓ આપી

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જામનગર ગ્રામ્ય પોલીસ મથકનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જામનગર પહોંચતા રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયને પોલીસ વિભાગ દ્વારા 'ગાર્ડ ઓફ ઓનર' આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી પિયુષ વાંદા, જયવીરસિંહ ઝાલા અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ, રેન્જ આઈ.જી. રાયે ગ્રામ્ય પોલીસ મથકની મુલાકાત લીધી હતી. તેમણે પોલીસ સ્ટેશનના વિવિધ રજિસ્ટરો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, વણઉકેલાયેલા ગુનાઓ અને પોલીસ કર્મચારીઓની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. નિરીક્ષણ દરમિયાન, તેમણે હાજર અધિકારીઓને પડતર કેસોનો ઝડપી નિકાલ કરવા અને પ્રજાલક્ષી પોલીસિંગ પર ભાર મૂકવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મુલાકાતના અંતે, આઈ.જી. રાયે પોલીસ જવાનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે તેમની કામગીરીને બિરદાવી અને શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:43 pm

ખડગેના નિવેદનથી ભાજપમાં રોષ, અરવલ્લીમાં ધરણા:ગુજરાતીઓને 'અભણ-મૂર્ખ' કહેવાના આરોપ પર માફીની માંગ

અરવલ્લી જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. મોડાસા શહેરના ચાર રસ્તા ટાઉનહોલ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના વિરોધમાં યોજાયું હતું. ભાજપે આરોપ લગાવ્યો છે કે ખડગેએ ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહ્યા છે, જેના કારણે પક્ષમાં ભારે રોષ ફેલાયો છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ ભીખાજી ઠાકોરની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ ધરણા પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ મલ્લિકાર્જુન ખડગે પાસેથી તેમના નિવેદન બદલ જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી. આ ઘટનાને પગલે જિલ્લામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:40 pm

ચાર ફરાર આરોપીઓને મકરપુરા પોલીસે દબોચ્યા:દીવાળીપુરા કોર્ટના સજા વોરંટના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા હતા

વડોદરામાં મકરપુરા પોલીસે દીવાળીપુરા કોર્ટે ઈશ્યૂ કરેલા સજા વોરંટના આધારે 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ છેલ્લા એક વર્ષથીથી ફરાર હતા અને કોર્ટના હુકમનો અનાદર થતા આખરે પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. 4 આરોપી મકરપુરા પોલીસના સકંજામાં મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.ગોહિલની આગેવાનીમાં આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી હકીકતના આધારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ગુનામાં સજા વોરંટ પામેલા આરોપીઓને પકડી પાડ્યા હતા.આ કાર્યવાહીમાં આરોપી વિજય દેસાઈ (રહે.માંજલપુર), ભુરા પગી (રહે. મકરપુરા), મોહન પટેલ (રહે. વડોદરા), અક્ષય જાદવ (રહે.દંતેશ્વર)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:39 pm

પંચમહાલમાં 2000 આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન અપાયા:કામગીરી ડિજિટલ બનશે, વહીવટમાં પારદર્શિતા આવશે

પંચમહાલ જિલ્લામાં આંગણવાડી કાર્યકરોની કામગીરીને ડિજિટલ અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લાની આંગણવાડી બહેનો હવે ટેકનોલોજીથી સજ્જ થઈ 'સ્માર્ટ કામગીરી' કરશે. આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 2,096 સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વિતરણમાં 2,000 આંગણવાડી કાર્યકર બહેનો ઉપરાંત મુખ્ય સેવિકા અને તાલુકા કક્ષાના સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનના ઉપયોગથી વહીવટી કામગીરીમાં પેપરલેસ અભિગમ અપનાવવામાં આવશે, જેનાથી ડેટા એન્ટ્રીમાં ચોકસાઈ આવશે. આંગણવાડીની કામગીરીમાં પારદર્શિતા અને સરળતા વધશે. અત્યાર સુધી આંગણવાડીની કામગીરીમાં વિવિધ રજિસ્ટરો નિભાવવા પડતા હતા, પરંતુ હવે સ્માર્ટફોન દ્વારા તમામ વિગતો ઓનલાઈન પોર્ટલ પર ત્વરિત અપડેટ કરી શકાશે. આનાથી બાળકોના પોષણ સ્તરની દેખરેખ રાખવી સરળ બનશે અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શિતાથી પહોંચાડી શકાશે. રિપોર્ટિંગની કામગીરી પણ ઝડપી અને ભૂલરહિત બનશે. આ ડિજિટલ પહેલથી આંગણવાડી બહેનોનો સમય બચશે, જેથી તેઓ બાળકોના પાયાના શિક્ષણ અને આરોગ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ ક્રાંતિ ગ્રામીણ સ્તરે વહીવટને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:33 pm

મેટોડામાં ગૌવંશ પર એસિડ છાંટનાર બે મહિલાની ધરપકડ:ગાયને હેરાન કરતા હોવાથી બન્ને મહિલાઓએ 10 જેટલા આખલા પર હીન કૃત્ય આચર્યું હતુ

રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસીમાં પશુ ક્રૂરતાનો બનાવ સામે આવ્યો છે. 10 આખલાઓ પર એસિડ છાંટી દેવામાં આવતા તે ગંભીર રીતે દાઝી ગયા હતાં જેની જાણ થતા જીવદયાપ્રેમીએ બે મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મેટોડા પોલીસે ગુનો નોંધી બંને મહિલાઓની અટકાયત કરી પુછતાછ કરતા ગાયને આખલા હેરાન કરતા હોવાથી તે અંગે દાઝ રાખી બન્ને મહિલાઓએ નિર્દયી કૃત્ય આચર્યું હોવાની કબૂલાત આપી છે. મેટોડા જીઆઇડીસી ગેટ નં.1 ની અંદર અંજલી પાર્ક મણીરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાન રવિ બાવનભાઈ મોરી (ઉ.વ.18) દ્વારા મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેટોડાની શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા દીપાબેન દિલીપભાઈ રાઠોડ અને શોભનાબેન નિર્મળભાઈ ઉદ્દેશાના નામ આપી જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલા મેટોડા જીઆઇડીસી ગેટની સામે આવેલ ડાયમંડ પાર્ક સોસાયટીમાં મિત્રના ઘરની નજીકની શેરીમાં આઠથી દસ આખલાઓ હતા જેમના પર કોઈએ એસિડ છાંટતા લોહી નીકળતું હોય અને ગંભીર રીતે દાઝી ગયા હોય જેથી યુવાને શ્રી સોનલ સેનાના સભ્ય ભગુભાઈ મોરીને વાત કરી હતી. બાદમાં પશુઓ પ્રત્યે આ પ્રકારની ક્રૂરતા કોણે આચરી તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા દીપાબેન અને શોભનાબેનને આ પશુઓ પર એસિડ છાંટ્યું હતું. જેથી આ અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંને મહિલાઓ સામે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને મહિલાઓની અટક કર્યા બાદ આ બાબતે તેમની પૂછતાછ કરતા જણાવ્યું હતું કે ગાયને આ આખલાઓ હેરાન કરતા જેથી આ બાબતની દાઝ રાખી બંને મહિલાઓએ આખલા ઉપર એસિડ છાંટવાનું નીર્દયી કૃત્ય આચર્યું હતું હાલ પોલીસે બન્ને મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:31 pm

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોનો ગુજરાત ગેસ સામે વિરોધ:યુદ્ધવિરામ બાદ ગેસના ભાવ ઘટાડવા અને વેટ હટાવવાની માંગ

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોએ ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉદ્યોગકારોએ રામધૂન બોલાવી 'ગુજરાત ગેસ હાય હાય'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની મુખ્ય માંગ મે મહિના માટે જાહેર કરાયેલા ગેસના ભાવમાં ઘટાડો કરવાની અને સરકાર દ્વારા ગેસ પરનો વેટ હંગામી ધોરણે દૂર કરવાની હતી. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની કાયમી ગ્રાહકો અને પ્રોપેન ગેસ ન મળતા નવા ગ્રાહકો માટે અલગ-અલગ ભાવ રાખે છે. બે દિવસ પહેલા ગાંધીનગરથી આવેલા ગુજરાત ગેસના અધિકારીઓ સાથે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો અને ઉદ્યોગકારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મે મહિના માટે ગેસની માંગણી રજૂ કરવામાં આવી હતી, જેના જવાબમાં કંપની દ્વારા અંદાજે 90 રૂપિયા પ્રતિ યુનિટનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પહેલા સિરામિક ઉદ્યોગને 41 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે નેચરલ ગેસ મળતો હતો. યુદ્ધને કારણે ગેસ સપ્લાય ખોરવાઈ હતી અને અનેક કારખાના બંધ કરવા પડ્યા હતા. હવે જ્યારે યુદ્ધવિરામ થયો છે, ત્યારે ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાની શક્યતા છે. આથી, બે દિવસ પહેલા ગુજરાત ગેસ કંપની દ્વારા અપાયેલા ભાવને સુધારીને વર્તમાન ક્રૂડ ઓઈલના ભાવ મુજબ નવો ભાવ નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વાર્ષિક 60 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ છેલ્લા એક મહિનાથી બંધ છે, જેના કારણે 5000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે. તેમણે ગુજરાત સરકારને નેચરલ ગેસ પર લાગતા 6 ટકા વેટને હંગામી ધોરણે દૂર કરવા વિનંતી કરી હતી. ઉદ્યોગકારોએ આવેદનપત્ર સુપરત કરતી વખતે પણ રામધૂન અને સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:27 pm

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 10 એપ્રિલે પદવીદાન સમારોહ:54,346 વિદ્યાર્થીઓને પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી મળશે;151 તેજસ્વી વિદ્યાર્થીઓ રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી 10 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. આ સમારોહમાં કુલ 54,346 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ વર્ષે પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી આપવામાં આવશે, જેમાં 151 તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાશે. યુનિવર્સિટીના સત્તાવાર આંકડા મુજબ, રાજ્યપાલ તમામ યુનિવર્સિટીના કુલપતિ હોવાથી આ વખતે પ્રથમવાર તેમની સહીવાળા ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને મળશે. યુનિવર્સિટીના કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે અગાઉ કુલપતિની સહીવાળા પ્રમાણપત્રો અપાતા હતા. આ પદવીદાન સમારોહમાં 9 વિવિધ ફેકલ્ટીના કુલ 54,346 વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે, જેમાં 24,299 પુરુષ અને 30,047 મહિલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે આ વર્ષે પદવી મેળવનારમાં મહિલા વિદ્યાર્થીઓનું પ્રમાણ પુરુષો કરતાં વધુ છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ ફેકલ્ટી ઓફ આર્ટસમાં નોંધાયા છે, જ્યાં કુલ 26,669 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. આમાં બેચલર ઓફ આર્ટસના 21,617 અને માસ્ટર ઓફ આર્ટસના 4,928 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ ફેકલ્ટી ઓફ એજ્યુકેશનમાં 9,921 અને ફેકલ્ટી ઓફ સાયન્સમાં 6,497 વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ સાયન્સના 3,345 અને બેચલર ઓફ સાયન્સના 2,614 વિદ્યાર્થીઓ છે. અન્ય વિદ્યાશાખાઓમાં ફેકલ્ટી ઓફ કોમર્સમાં 5,743, ફેકલ્ટી ઓફ રૂરલ સ્ટડીઝમાં 1,864 અને ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટમાં 1,801 વિદ્યાર્થીઓ પદવી ધારણ કરશે. ફેકલ્ટી ઓફ લોમાં 1,138 વિદ્યાર્થીઓ (950 બેચલર ઓફ લો અને 182 માસ્ટર ઓફ લો) છે. મેડિકલ ફેકલ્ટીમાં 667 વિદ્યાર્થીઓ પદવી મેળવશે, જેમાં 568 વિદ્યાર્થીઓ પોસ્ટ બેઝિક બેચલર ઓફ સાયન્સ (નર્સિંગ) ના છે. એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં સૌથી ઓછા 46 વિદ્યાર્થીઓ (આર્કિટેક્ચરના 24 અને ડિઝાઈનના 22) નોંધાયા છે. આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓની પણ યાદી જાહેર કરાઈ છે. જેમાં આર્ટસમાં 36, સાયન્સમાં 8, એજ્યુકેશનમાં 8, લોમાં 6 અને કોમર્સમાં 11 સંશોધક વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા 10 એપ્રિલના રોજ યોજાનારા આ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રસંગે રજિસ્ટ્રાર રોહિત દેસાઈ અને પરીક્ષા નિયામક મિતુલ દેલીયા ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:07 pm

રૂ.1.70 લાખ ચોરનાર ગઠિયા જેતપુરથી ઝડપાયા:​કેશોદમાં ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરી કરનાર મધ્યપ્રદેશનીના બે ગઠિયા ઝડપાયા,ચોરી થયેલી રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ પણ રિકવર

​જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ગત રોજ ધોળા દિવસે બનેલી લાખોની રોકડની ઉઠાંતરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. કેશોદના એસપી બી.સી. ઠક્કરે આજે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી 1.70 લાખની ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કેશોદ પોલીસની સર્વેલન્સ ટીમે જેતપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સહયોગથી ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી મધ્યપ્રદેશના શખ્સને દબોચી લીધો છે. પોલીસે ચોરી થયેલી રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ પણ રિકવર કરી લીધું છે. ​આ ઘટનાની વિગત એવી છે કે, કેશોદના કોયલાણા (લાઠિયા) ગામના રહેવાસી અને HDFC બેંકમાં રિકવરીનું કામ કરતા બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા ગત રોજ સવારે કેશોદની એસબીઆઈ બેંકની શાખામાંથી પોતાના ખેતીના કામ માટે 1,70,000 રૂપિયાની રોકડ રકમ ઉપાડીને પરત ફરી રહ્યા હતા. બેંકમાંથી નાણાં ઉપાડીને તેઓ બાઈક પર રવાના થયા હતા, પરંતુ બેંકથી માત્ર 150 મીટર દૂર ચાર ચોક પાસે આવેલી એક સોડાની દુકાને ઠંડું પીણું પીવા માટે ઉભા રહ્યા હતા. તેઓએ પોતાની મહેનતના પૈસા બાઈકની ડીકીમાં સુરક્ષિત રાખ્યા હતા, પરંતુ ગઠિયાઓ તેમની હરકત પર નજર રાખીને બેઠા હતા. ​જ્યારે બલભદ્રસિંહજી સોડા પીવામાં મશગૂલ હતા, ત્યારે જ તકનો લાભ ઉઠાવી બાઈક પર આવેલા બે શખ્સો અને તેમની સાથેના એક સગીર બાળકે અત્યંત સફાઈપૂર્વક બાઈકની ડીકી ખોલી નાખી હતી. ગણતરીની સેકન્ડોમાં જ આ ટોળકીએ ડીકીમાં રાખેલા 1.70 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી હતી અને બાઈક પર સવાર થઈ જૂનાગઢ તરફ રફુચક્કર થઈ ગયા હતા. યુવકને જ્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ ત્યારે તેણે તુરંત કેશોદ પોલીસને જાણ કરી હતી. એસપીના જણાવ્યા અનુસાર, આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેઓ અગાઉથી જ બેંકની બહાર 'રેકી' કરે છે અને જે વ્યક્તિ મોટી રકમ લઈને નીકળે તેનો પીછો કરી નજર ચૂકવી ચોરીને અંજામ આપે છે. ​ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કેશોદ પોલીસના પીઆઈ અને સર્વેલન્સ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. શહેરના વિવિધ માર્ગો પરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસને મહત્વની કડીઓ મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ ચોરી કરીને જેતપુર તરફ ભાગ્યા છે. જેતપુર પોલીસની મદદથી નાકાબંધી દરમિયાન પોલીસે હિમાંશુ ઉર્ફે લાલુ ઉમેરસિંહ છાયલ (રહે. કડિયા સાસી, મધ્યપ્રદેશ) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ પણ અમદાવાદ રૂરલ અને અન્ય વિસ્તારોમાં આ પ્રકારની બેંક ઉઠાંતરીના ગુનાઓમાં પોલીસ પકડે ચડી ચૂક્યા છે. ​પોલીસે આરોપી પાસેથી તમામ રોકડ રકમ કબજે કરી છે અને આ ગુનામાં સામેલ અન્ય શખ્સો તેમજ સગીર બાળકની ભૂમિકા અંગે તપાસ તેજ કરી છે. કેશોદ પોલીસે અત્યંત ટૂંકા સમયમાં આ હાઈ-પ્રોફાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખતા વેપારીઓ અને રહીશોમાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. એસપીએ વધુમાં ઉમેર્યું હતું કે, બેંકમાંથી મોટી રકમ ઉપાડીને જતા નાગરિકોએ સાવધ રહેવું જોઈએ અને પોતાની કિંમતી વસ્તુઓ કે નાણાં વાહનમાં બિનવારસી હાલતમાં મૂકવાનું ટાળવું જોઈએ. હાલ પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:05 pm

યુવકે કોન્સ્ટેબલને બેફામ ગાળો બોલીને દંડા માર્યા:આરોપીએ કહ્યું , કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો'તો, આજે તો તને પતાવી દેવાનો છે; અમદાવાદમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ

અમદાવાદના મેમ્કો વિસ્તારમાં માથાભારે શખ્સે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર દંડાથી હુમલો કર્યો હતો. કોન્સ્ટેબલ અને માથાભારે શખ્સને એક દિવસ પહેલા ગાર્ડનમાં બેસવા મામલે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને શખ્સે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. જે અંગે શહેરકોટડા પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. નરોડા વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતા અને મુળ નર્મદાના ઢોલાર ગામના વતની જયેશ વસવાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રસિંહ જાડેજા (રહે, આદર્શ સોસાયટી, મેઘાણીનગર) વિરૂદ્ધ હત્યાની કોશિષ, એટ્રોસિટીની ફરિયાદ કરી છે. જયેશ વસાવા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. શખ્સની હરકતો શંકાસ્પદ લાગતા અટકાયત કરી હતી6 એપ્રિલ સોમવારની રાતે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ.બી.ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ અનિલ, તુષારસિંહ અને જયેશ સહિતના કર્મીઓ પેટ્રોલિંગમાં હતાં, તે દરમિયાનમાં મંગલપાંડે હોલની બાજુના ગાર્ડનમાં એક શખ્સ બેઠો હતો. શખ્સની હરકતો શંકાસ્પદ લાગતા જયેશ વસાવા તેની પાસે ગયો હતો અને તેનું નામ પુંછ્યું હતું. યુવકે પોતાનું નામ આપવાનો ઈન્કાર કરી દેતા જયેશ વસાવાએ તેની ઓળખ પોલીસ તરીકેની આપી હતી. પોલીસનું નામ પડતાની સાથે જ શખ્સે પોતાની નામ જીતેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું હતું. પોલીસ કર્મચારીની માફી માંગી લેતા કાર્યવાહી વગર જવા દીધો હતોપોલીસ જીતેન્દ્રસિંહને ગાર્ડનમાંથી જવાનું કહેતા તેને દાદાગીરી કરી હતી. જીતેન્દ્રસિંહે પોલીસ કર્મચારી જયેશ સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. જેથી અન્ય પોલીસ કર્મચારીઓએ જીતેન્દ્રસિંહની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને તમામ પોલીસ કર્મચારીની માફી માંગી હતી. પોલીસે જીતેન્દ્રસિંહને પોલીસ સ્ટેશનથી કોઈપણ કાર્યવાહી કર્યા વગર જવા દીધો હતો. 'કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી દેવાનો છે'ગઈકાલે (7 એપ્રિલ) રાતે કોન્સ્ટેબલ જયેશ નોકરી પુર્ણ કરીને પોતાનું ટુવ્હિલર લઈને ઘરે જવા માટે નીકળ્યા હતાં. મેમ્કો રાજીવગાંધી ભવનની સામેની હોટેલમાં જઈને જયેશે જમવાનું પાર્સલ કરાવ્યુ હતું. આ દરમિયાનમાં જીતેન્દ્રસિંહ તેની બાઈક લઈને આવ્યો હતો. જીતેન્દ્રસિંહના હાથમાં લાકડી હતી અને કોન્સ્ટેબલને બેફામ ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી. જીતેન્દ્રસિંહ કોન્સ્ટેબલને જાતિવાચક શબ્દ બોલીને કહેવા લાગ્યો હતો કે, કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો આજે તો તને પતાવી દેવાનો છે. હત્યાની કોશિષ તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધાયોજયેશ પર હુમલો કર્યા બાદ જીતેન્દ્રસિંહ ત્યાથી નાસી ગયો હતો. જયેશને શરીર પર ઈજા થતાની સાથે જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. ઘટનાની જાણ મેઘાણીનગર તેમજ શહેરકોટડા પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતાં. શહેરકોટડા પોલીસે આ મામલે જીતેન્દ્રસિંહ વિરૂદ્ધ હત્યાની કોશિષનો તેમજ એટ્રોસિટીનો ગુનો નોધી આરોપીની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:03 pm

એરોનોટિકલ એન્જિનિયર ‘ચંચલ જ્વેલર્સ’ લૂંટનો માસ્ટરમાઇન્ડ:બીલીમોરાના શોરૂમના માલિક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગ્યા, વલસાડના 3 શખસની પોલીસે ગણતરીના કલાકમાં ધરપકડ કરી

બીલીમોરાના રાજભોગ સર્કલ પાસે આવેલી ચંચલ જ્વેલર્સમાં 7 એપ્રિલના રોજ બપોરે 2:45 વાગ્યે લૂંટનો સશસ્ત્ર પ્રયાસ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સુરત રેન્જ IG અને નવસારી SPએ તાત્કાલિક 15 ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. પોલીસે ભાગવાના રૂટ પરના 300થી વધુ CCTV કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માત્ર 7 કલાકમાં જ ત્રણેય આરોપીઓને વલસાડથી દબોચી લીધા હતા. ઇજાગ્રસ્ત માલિકે હોકી વડે લૂંટારૂઓને ભગાડ્યાદુકાન માલિક અશોક કટારીયા (ઉંમર 58) જ્યારે હાજર હતા, ત્યારે સફેદ રંગની બલેનો કારમાં બે શખ્સો પિસ્તોલ સાથે ધસી આવ્યા હતા. લૂંટારૂઓએ હથિયાર બતાવી માલ થેલીમાં ભરી દેવા ધમકી આપી હતી. જોકે, અશોક કટારીયાએ પ્રતિકાર કરતા આરોપીઓએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી ખભાના ભાગે અને એક દાઢીના ભાગે વાગી હોવા છતાં, તેમણે હિંમત હાર્યા વગર લાકડાની હોકી વડે સામનો કર્યો હતો. આ સાહસિક વળતા હુમલાથી ગભરાઈને આરોપીઓ લૂંટ કર્યા વગર જ નાસી છૂટ્યા હતા. કપડાં બદલ્યા અને કાર બિનવારસી છોડીગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ પોલીસને મરમાળે ચડાવવા માટે પૂર્વ આયોજિત પ્લાન મુજબ ચીખલીના આલીપોર ગામની સીમમાં ક્વોરી પાસે કાર છોડી દીધી હતી. તેમણે ઓળખ છુપાવવા કપડાં અને બુટ બદલી નાખ્યા હતા અને પગપાળા હાઈવે પર પહોંચી બસ દ્વારા વલસાડ ભાગી ગયા હતા. પોલીસે તપાસ દરમિયાન બિનવારસી કાર કબજે કરી હતી, જેના કાચ પર બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ પર કાળો કલર લગાવેલો હતો. કારમાંથી ગુનામાં વપરાયેલા કપડાં અને બુટ મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ અને આર્થિક ભીંસમુખ્ય આરોપી ઉમંગ વાછાણી એરોનોટિકલ એન્જિનિયર હોવા છતાં અગાઉ 12 જેટલા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. 2023માં તેની સામે 'પાસા' હેઠળ કાર્યવાહી પણ થઈ હતી. આર્થિક સંકડામણ અને દેવું વધી જતાં તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપીએ લૂંટ માટે 2 મહિનાથી પિસ્તોલ પોતાની પાસે રાખી હતી. કાયદેસરની કાર્યવાહીબીલીમોરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ રસ્તામાં ક્યાંક ફેંકી દીધી હોવાની કબૂલાતના આધારે હથિયાર રિકવર કરવા તપાસ ચાલુ છે. આ ટોળકીએ અન્ય કોઈ સ્થળે રેકી કરી હતી કે કેમ તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:03 pm

વલસાડમાં 'આપ'ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા:જિલ્લા-તાલુકા પંચાયત બેઠકો માટે, શિક્ષણ-બેરોજગારી મુખ્ય મુદ્દા

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના ત્રણ ઉમેદવારોએ આજે વલસાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે, અત્યાર સુધીમાં 'આપ' દ્વારા કુલ ચાર બેઠકો પર ફોર્મ ભરવામાં આવ્યા છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ 'આપ'ના ઉમેદવારોએ જનતાના મુખ્ય પ્રશ્નોને વાચા આપવાની ખાતરી આપી હતી. તેમણે શિક્ષણ અને રોજગારના મુદ્દે જનતા વચ્ચે જવાની વાત કરી. ચણવઈ-7 જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર જયેશભાઈ રમણભાઈ પટેલે જણાવ્યું કે, ગામડાઓમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. જ્યાં પાંચ સરકારી શાળાઓ હતી, ત્યાં હવે માત્ર એક જ રહી ગઈ છે. તેમણે ગરીબ બાળકોના શિક્ષણ અને ખાનગીકરણ સામેના જંગ પર ભાર મૂક્યો. લીલાપોર-20 તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર ચંદનબેન રાકેશભાઈ પટેલે મહિલાઓના પ્રશ્નો અને પાયાની સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે કહ્યું કે, મહિલાઓ માટે રોજગારીનો અભાવ, પીવાના પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો હજુ પણ વણઉકેલ્યા છે. 'આપ' આ મુદ્દાઓ સાથે જનતાના આશીર્વાદ મેળવવા મેદાને ઉતરી છે. વલસાડ તાલુકામાં કુલ 30 તાલુકા પંચાયત બેઠકો અને 8 જિલ્લા પંચાયત બેઠકો આવેલી છે. અત્યાર સુધીમાં 'આપ' દ્વારા જિલ્લા પંચાયતની 2 બેઠકો અને તાલુકા પંચાયતની 2 બેઠકો પર ઉમેદવારી નોંધાવવામાં આવી છે, આમ કુલ 4 બેઠકો પર 'આપ'ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આમ આદમી પાર્ટી વલસાડમાં ભાજપ અને કોંગ્રેસના ગઢમાં પ્રવેશ કરવા માટે શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓના મુદ્દાઓને મુખ્ય હથિયાર બનાવી રહી છે. આગામી દિવસોમાં આ ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:38 pm

વડોદરામાં વલ્લભાચાર્યજીનો 549મો ભવ્ય પ્રાગટ્ય મહોત્સવ:કારેલીબાગ હવેલીથી નીકળશે વિશાળ શોભાયાત્રા, સ્વામિનારાયણ ગ્રાઉન્ડમાં ધર્મસભા અને દિવ્ય મનોરથ દર્શન

વડોદરા શહેરમાં સનાતન વૈદિક ધર્મના મહાન આચાર્ય જગતગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ આગામી 13 એપ્રિલ 2026, સોમવારના રોજ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવશે. ચૈત્ર વદ એકાદશીના આ પાવન પર્વે સમગ્ર વૈષ્ણવ સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તિ અને સમાનતાનો દિવ્ય સંદેશઆશરે 500 વર્ષ પહેલાં વલ્લભાચાર્યજીએ ભારતીય સનાતન ધર્મમાં એક ક્રાંતિકારી વિચારધારા વહેતી કરી હતી. તેમણે શાસ્ત્રોક્ત આધારો સાથે સમજાવ્યું કે ભક્તિના માર્ગે સ્ત્રી અને શૂદ્રો સહિત તમામ જીવોને પરમાત્માની પ્રાપ્તિનો સમાન અધિકાર છે. પશુબલી જેવી પ્રથાઓનો વિરોધ કરી તેમણે પ્રાણીમાત્ર પ્રત્યે દયા અને ભગવાન પ્રત્યે સ્નેહ, સેવા તથા સમર્પણનો માર્ગ બતાવ્યો. વેદાંતમાં સાકાર બ્રહ્મવાદનો પ્રચાર કરવા માટે તેમણે ઉઘાડા પગે ત્રણ વખત સમગ્ર ભારતની પરિક્રમા કરી હતી. વૈષ્ણવાચાર્યોની પ્રેરક ઉપસ્થિતિઆ મંગલ મહોત્સવના અધ્યક્ષ તરીકે પીઠાધીશ્વર ગોસ્વામી મથુરેશજી મહારાજ બિરાજશે. કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી યોગેશ્વરજી મહોદયની મંગલ ઉપસ્થિતિ રહેશે, જ્યારે મહોત્સવના પ્રેરક અને માર્ગદર્શક તરીકે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી દ્રુમિલકુમારજી મહોદય ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવશે. શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજનઉત્સવના દિવસે બપોરે 12:15 કલાકે મહાપ્રભુજીના ઉત્સવ તિલક (રાજભોગ) દર્શન થશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે સંધ્યા આરતી બાદ કારેલીબાગ સ્થિત ગોવર્ધનનાથજી હવેલીથી એક ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે. બેન્ડ-વાજા, ડંકા, નિશાન, છત્ર અને ચામર જેવા રાજવી લવાજમ સાથે નીકળનારી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સ્વામિનારાયણ ગ્રાઉન્ડ પહોંચશે. અહીં યોજાનારી ધર્મસભામાં આચાર્યોના વચનામૃત બાદ તમામ ભાવિકો માટે એકાદશી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે 9:30 વાગ્યે ગોવર્ધનનાથજી હવેલી ખાતે નાગદમન નાથજી પ્રભુના દિવ્ય મનોરથના દર્શન યોજાશે. આ આખી ઉજવણીમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોને ઉમટી પડવા આયોજકો દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:34 pm

વેરાવળમાં 12 એપ્રિલે અવર ગીર સોમનાથ એજ્યુકેશન એક્સપો:ગુજરાતની નામાંકિત સંસ્થાઓ એક મંચ પર, વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશિપ

ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા 12 એપ્રિલે વેરાવળ-તાલાલા બાયપાસ પર આવેલા ન્યૂ ભાલકેશ્વર પાર્ટી પ્લોટ ખાતે એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં ગુજરાતની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ એક મંચ પર ઉપલબ્ધ થશે. એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ ધનાભાઈ બારડ અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા બાળકોના ભવિષ્ય માટે એડમિશન પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં લેવામાં આવી છે. મોટા શહેરોમાં ભટકવું, ફી સ્ટ્રક્ચર સમજવું અને યોગ્ય સંસ્થા પસંદ કરવી જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આ એક્સપો એક જ સ્થળે તમામ વિકલ્પો પૂરા પાડશે. ઉલ્લેખનીય છે કે, 2024માં અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા પ્રથમ વખત આવા એજ્યુકેશન એક્સપોનું આયોજન કરાયું હતું, જેમાં 25થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને હજારો વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે તેમાં વધુ સુધારો કરીને આયોજન કરાયું છે અને 35થી વધુ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ એક મંચ પર હાજર રહેશે. આ એક્સપોમાં વિદ્યાર્થીઓને ₹50,000ની રોકડ સ્કોલરશિપ, વિવિધ સંસ્થાઓ તરફથી ફી માફી સ્કોલરશિપ અને નિષ્ણાતો દ્વારા મફત કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે. મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપશે. અવર ગીર સોમનાથ એક્સપોના પ્રમોટર દિવ્યેશભાઈ જીવાભાઈ વાળાએ જણાવ્યું હતું કે, આ એક્સપોમાં આવતા તમામ વિદ્યાર્થીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. અવર ગીર સોમનાથની ઇન-હાઉસ ટીમ ઉપરાંત 50થી વધુ શૈક્ષણિક ક્ષેત્રના તજજ્ઞો આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:25 pm

પોક્સો કેસમાં આરોપીને સજા:વડોદરામાં સગીરાની જાતીય સતામણીના કેસમાં પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી, થોડા દિવસ પહેલા જ આરોપી કોર્ટમાંથી ભાગી ગયો હતો

વડોદરા શહેરમાં કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશનને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોક્સો હેઠળના ગંભીર ગુનામાં આરોપીને વડોદરા કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ તેમજ 50 હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ આરોપી કોર્ટમાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે તેને ફરી ઝડપી પાડ્યો હતો. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલા ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડે (રહે. રણજીતનગર, પરશુરામ ભઠ્ઠા, વડોદરા)એ તા. 18 ઓક્ટોબર 2020ના રોજ સવારના સમયે સગીર બાળકી સાથે જાતીય સતામણી કરી હતી. બાળકી પાણી ભરવા જતા આરોપીએ તેનો હાથ પકડી અશ્લીલ વર્તન કર્યું હતું. આ ઘટનાને અનુસંધાને પોલીસ દ્વારા તા. 20 ઓક્ટોબર 2020ના રોજ આરોપીની ધરપકડ કરી કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પીઆઇ એસ.જી. સોલંકી તથા તેમની ટીમે મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરી, FSL તપાસ સહિત તમામ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં, વિશેષ જજ અને અધિક સત્ર ન્યાયાધીશ સી.એમ. પવાર સમક્ષ ચાલી હતી. સરકારી વકીલ એન.યુ. મકવાણાએ મજબૂત દલીલો રજૂ કરતા કોર્ટને વિશ્વસનીય પુરાવાઓના આધારે આરોપીને દોષિત ઠેરવ્યો. અંતે, તા. 7 એપ્રિલના રોજ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ તથા 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:19 pm

મહામંત્રી સહિત 1 હજાર કાર્યકરો કોંગ્રેસ છોડીને AIMIMમાં જોડાયા:પાદરા તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું, ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરત વચ્ચે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોઈ ને પાર્ટીમાં ટિકિટ ન મળતા નારાજગી છે તો કોઈ અપક્ષ ઉમેદવારી કરી લડી લેવાના મૂડમાં છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું આતી ગામના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયેલ હતા. આખરે કોંગ્રેસ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા નારાજગી વ્યક્ત કરી એક હજાર જેટલા કાર્યકરોએ AIMIMમાં જોડાવવાની જાહેરતા કરી હતી. ટિકિટ ન મળતા પક્ષ પલટો કર્યોઆતી ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ AIMIMની સદસ્યતા લીધી હતી. આ નારાજગીનું મુખ્ય કારણ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ટિકિટ વહેંચણીમાં અસંતોષ છે. કોંગ્રેસ દ્વારા ટિકિટ ન આપવાથી ઘણા કાર્યકરોમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો. 'મારી જોડે મતદારો અને કાર્યકર્તાઓ છે, છતાં ટિકિટની ફાળવણી કરી નથી'આ અંગે વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલ અબ્દુલભાઈ નૂરભાભાઈ જબ્બારે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં ઘણા ટાઈમથી સક્રિય કાર્યકર છું અને ગઈ ટર્મમાં વડોદરા જિલ્લા લઘુમતી સેલનો મહામંત્રી હતો. મારી જોડે એટલા બધા મતદારો અને કાર્યકર્તાઓ છે છતાં ટિકિટની ફાળવણી કરવામાં આવી નથી. જેના કારણે અમે 1000થી 1200 લોકો સાથે AIMIMમાં જોડાઈ રહ્યા છીએ અને આ સીટ પર મહેનત કરી અમે જીતીશું. મને મારા મતદારો પર ભરોસો છે કે અમે અવશ્ય જીતીશું. કાર્યકર્તાઓમાં અસંતોષથી કોંગ્રેસમાં ભંગાણઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જિલ્લામાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તમામ કાર્યક્રમોમાં ટીકીટ ન મળતા નારાજગી હોય છે. ત્યારે ક્યારેક આ ચૂંટણીમાં જિલ્લામાં કોંગ્રેસમાં પડેલા ભંગાણ આગામી ચૂંટણી પર અસર પડે તેવી શક્યતાઓ છે. ત્યારે કાર્યકર્તાઓમાં અસંતોષ કેટલો ખતરારૂપ બને છે તે તો આવનાર સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:17 pm

જર્જરિત ઇમારતોને લઈ તંત્રની ઘોર બેદરકારી સામે વેપારીઓનો આક્રોશ.:કડીયાવાડ મોતના માચડા સમાન જર્જરિત બિલ્ડિંગો ઉતારવા કલેક્ટરને આવેદન; હવે કોઈ હોનારત થશે તો જવાબદારી કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનરની રહેશે તેવી વેપારીઓની ચીમકી.

ઐતિહાસિક નગરી જૂનાગઢના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભયનું વાતાવરણ પ્રસરેલું છે. જર્જરિત ઇમારતો અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે અહીંના રહીશો અને વેપારીઓ ફાળ અનુભવી રહ્યા છે. તાજેતરમાં બનેલી એક દુર્ઘટનાએ જૂના જખમોને ફરી તાજા કરી દીધા છે. કડિયાવાડમાં ચાર દિવસ પહેલા જ એક જર્જરિત ઇમારતનું મોટું પોપડું અચાનક ચોથા માળેથી રસ્તા પર પડતા પસાર થઈ રહેલી એક નિર્દોષ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. મહિલાના માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને આ દ્રશ્યો જોઈ સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટના બાદ કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ સની સોંદરવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડી જઈ ઉગ્ર આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારીઓએ આ આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો ભવિષ્યમાં આ વિસ્તારમાં જર્જરિત બાંધકામ, બિસ્માર રસ્તા કે ગટરની વ્યવસ્થાને કારણે કોઈ પણ જાનહાનિ થશે તો તેની સીધી અને નૈતિક જવાબદારી વોર્ડ નંબર 9 અને 10 ના કોર્પોરેટરો, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓની રહેશે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે જ્યારે મત માંગવાના હોય ત્યારે નેતાઓ ઘરે-ઘરે ફરે છે, પરંતુ જ્યારે નિર્દોષ પ્રજાના જીવ જોખમમાં હોય ત્યારે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાની તસ્દી પણ લેતા નથી. ​કડિયાવાડ વિસ્તારની હાલત અત્યારે ટીકિંગ ટાઈમ બોમ્બ જેવી બની ગઈ છે. રહીશો દ્વારા યાદ કરવામાં આવ્યું હતું કે વર્ષ 2022 માં આ જ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થવાને કારણે ચાર નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી દુર્ઘટના બાદ પણ જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોની ઉંઘ ઉડી નથી. હજુ પણ અનેક ભયજનક ઇમારતો અડીખમ ઉભી છે, જે ગમે ત્યારે નીચે આવી શકે તેમ છે. 4 એપ્રિલ 2026 ના રોજ બનેલી ઘટનામાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી કે રસ્તાઓ એટલા બિસ્માર અને સાંકડા થઈ ગયા છે કે ઇજાગ્રસ્ત મહિલા માટે બોલાવવામાં આવેલી 108 એમ્બ્યુલન્સ પણ સમયસર ઘટનાસ્થળ સુધી પહોંચી શકી ન હતી. અંતે સ્થાનિકોએ જીવના જોખમે મહિલાને હોસ્પિટલ ભેગી કરવી પડી હતી. ​વેપારી એસોસિએશનના પ્રમુખ સની સોંદરવાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે વહીવટી તંત્ર માત્ર કાગળ પર નોટિસ આપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે, પરંતુ વાસ્તવમાં આ ઇમારતો ઉતારવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તેમણે જૂનાગઢના વર્તમાન રાજકારણ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ઘટના બને ત્યારે વિડીયો ઉતરાવવા અને ફોટા પડાવવા માટે અનેક લોકો પહોંચી જાય છે, પરંતુ લોકોની વાસ્તવિક પીડા અને પાયાની સુવિધાઓ માટે કોઈ લડત આપતું નથી. તેમણે ધારાસભ્ય સંજય કોરડિયાના કામની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, જ્યારે કડિયાવાડના વેપારીઓ હક માટે ઉપવાસ પર ઉતર્યા હતા ત્યારે માત્ર સંજયભાઈ જ તેમની પડખે ઉભા રહ્યા હતા, જે સાચા અર્થમાં પ્રજાના નેતા છે. ​આવેદનપત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરો મનનભાઈ અભાણી, ચંદ્રિકાબેન રાખસીયા, પલ્લવીબેન ઠાકર અને પરાગભાઈ રાઠોડની જવાબદારી બને છે કે તેઓ પોતાના વિસ્તારની જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરે. કડિયાવાડમાં રસ્તાના નામે માત્ર ખાડાઓ જ બચ્યા છે અને ગટરની વ્યવસ્થા પણ ભગવાન ભરોસે છે. ચોમાસા પૂર્વે જો આ જર્જરિત ઇમારતો અને રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે તો વધુ એક મોટી જાનહાનિની શક્યતા સેવાઈ રહી છે. વેપારીઓએ માંગ કરી છે કે કલેક્ટર સાહેબ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને કડક આદેશ આપે અને યુદ્ધના ધોરણે ભયજનક બાંધકામો દૂર કરવામાં આવે. ​આ વિસ્તારમાં લાખો લોકોની અવરજવર રહે છે અને વેપારી મથક હોવાથી અહીં આખો દિવસ ચહલપહલ હોય છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્રની આળસ ગંભીર અકસ્માતને નિમંત્રણ આપી રહી છે. વેપારીઓએ અંતમાં ચેતવણી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં કોઈ પણ દુર્ઘટના ઘટશે, તો આ આવેદનપત્રને જ પુરાવા તરીકે ગણીને જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢની જનતા હવે જાગૃત થઈ છે અને પોતાના હક અને સુરક્ષા માટે મેદાને આવી છે, ત્યારે તંત્ર આ મામલે કેટલું ગંભીર બને છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:15 pm

ખડગેના નિવેદન મામલે ભાજપએ મૌન ધારણ કરી વિરોધ કર્યો:મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું, ખડગેના નિવેદનથી સાત કરોડ ગુજરાતીઓનું અપમાન

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ માટે કરવામાં આવેલા કથિત વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા મૌન ધરણા યોજીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહેસાણાના ફુવારા સર્કલ પાસે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસને ગુજરાત વિરોધી ગણાવી જાહેર માફીની માંગ કરી હતી. ખડગેના નિવેદનથી સાત કરોડ ગુજરાતીઓનું અપમાન: ગીરીશ રાજગોરજિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ ધરણામાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેરળની ચૂંટણી પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને 'અભણ' અને 'મૂર્ખ' કહીને સમગ્ર રાજ્યનું અપમાન કર્યું છે. કોઈપણ પક્ષને પ્રચાર કરવાનો અધિકાર છે.પરંતુ કોઈ રાજ્યના નાગરિકોની ગરિમા હણવી તે અક્ષમ્ય છે. રાજગોરે વધુમાં ઉમેર્યું કે જો ગુજરાત કોંગ્રેસ આ નિવેદન સાથે સહમત ન હોય તો તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ અન્યથા તેઓ પણ આ અપમાનમાં ભાગીદાર ગણાશે. કોંગ્રેસે અવરોધો ઊભા કર્યા હોવાનો આક્ષેપ ભાજપે કર્યોઆ પ્રસંગે ભાજપના નેતાઓએ કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કોંગ્રેસને વર્ષોથી ગુજરાતનું અપમાન કરવાની આદત પડી ગઈ છે. સરદાર પટેલને ભારત રત્ન આપવામાં વિલંબ, નર્મદા યોજનાને 60 વર્ષ સુધી અટકાવી રાખવી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ન લેવી તે કોંગ્રેસની ગુજરાત પ્રત્યેની નફરત દર્શાવે છે. વાઈબ્રન્ટ ગુજરાતના સમયે પણ કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારે અવરોધો ઊભા કર્યા હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. ધારાસભ્યો અને આગેવાનોની હાજરીમહેસાણાના ફુવારા સર્કલ ખાતે યોજાયેલા આ મૌન ધરણામાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ સહિત જિલ્લાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. અંદાજે બે કલાક સુધી મૌન પાળીને ભાજપે આ નિવેદનનો શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષ માફી માંગે તેવી મક્કમ માંગ દોહરાવી હતી. જ્યારે આજે બપોરે ખડગે ટ્વિટ કરીને માફી માગી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:12 pm

'ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો...' વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!

Mallikarjun Kharge Apology on Controversial Statement: કેરલમ વિધાનસભા ચૂંટણી માટે આગામી 9 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા કેરલમમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. ત્યારે ગત 5 એપ્રિલે કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કેરલમના ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત-અભણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં..

ગુજરાત સમાચાર 8 Apr 2026 2:05 pm

સુરતમાં 4 લાખ સ્માર્ટ મીટર લાગ્યા છતાં વિવાદ યથાવત:‘ચોરીછૂપીથી મીટર કેમ લગાવો છો?’ કહીને ઉધનાના સ્થાનિકોએ DGVCLની ટીમનો ઘેરાવ કર્યો

સુરત શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 4 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ જેમ જેમ આ કામગીરી આગળ વધી રહી છે તેમ તેમ વિરોધના સ્વરો પણ તેજ બની રહ્યા છે. ખાસ કરીને સુરતના ઉધના વિસ્તારમાં આજે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આક્ષેપ છે કે ગરીબ પરિવારોના ઘરે પૂર્વ જાણકારી આપ્યા વગર મીટર બદલવાની પ્રક્રિયા હાથ ધરાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. 'અમને આ નવી ટેકનોલોજી વિશે કઈ ખબર નથી'ઉધના વિસ્તારના રહેવાસીઓએ DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ) પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર સીધા જ મીટર બદલવા માટે ટીમો મોકલી દેવામાં આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે, અમે ગરીબ શ્રમજીવી માણસો છીએ, અમને આ નવી ટેકનોલોજી વિશે કઈ ખબર નથી. વીજ કંપનીએ પહેલા અમને વિશ્વાસમાં લેવા જોઈએ. જાણ કર્યા વગર ઘરમાં ઘુસીને મીટર બદલવાની પદ્ધતિ સામે લોકોએ લાલચોળ આંખ કરી હતી. 'જો ફાયદાકારક હોય તો ચોરીછૂપીથી કેમ?' જનતાનો સવાલસ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે લોકોમાં એક મુખ્ય ચર્ચા એ છે કે જો આ મીટર ખરેખર ગ્રાહકોના હિતમાં છે અને તેનાથી ફાયદો થવાનો છે, તો પછી તંત્ર તેને છૂપી રીતે કેમ લગાવી રહ્યું છે? સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો હતો કે, જો સરકાર કહે છે કે સ્માર્ટ મીટર સારા છે, તો પછી અમને સમજાવ્યા વગર કે કેમ્પ કર્યા વગર આ રીતે કેમ ઠોકી બેસાડવામાં આવે છે?. લોકોનો આક્ષેપ છે કે પ્રી-પેડ સિસ્ટમ અને ઝડપથી કપાઈ જતા બેલેન્સને કારણે સામાન્ય વર્ગની મુશ્કેલીઓ વધવાની છે. સામાજિક કાર્યકર્તાએ કર્મચારીઓનો વીડિયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં વાયરલજ્યારે ઉધનામાં DGVCLના કર્મચારીઓ મીટર લગાવી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર એક સામાજિક કાર્યકર્તાએ તેમની કામગીરીનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. વીડિયોમાં કાર્યકર્તા કર્મચારીઓને પૂછી રહ્યા છે કે ગ્રાહકોની પરવાનગી કે સમજૂતી વગર આ કામગીરી કેમ થઈ રહી છે?. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતા અન્ય વિસ્તારોના લોકો પણ જાગૃત થયા છે અને સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે એકજૂથ થઈ રહ્યા છે. 'પહેલા માહિતી આપો, પછી જ કામગીરી કરો'ઉધનાના રોષે ભરાયેલા લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી DGVCL દ્વારા યોગ્ય રીતે જનજાગૃતિ ફેલાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ સ્માર્ટ મીટર લગાવવા દેશે નહીં. તેમની માંગ છે કે, પહેલા અધિકારીઓ આવે, અમને મીટરના ફાયદા અને તેના રીડિંગ વિશે સમજાવે, અમારા પ્રશ્નોના જવાબ આપે અને ત્યારબાદ જ મીટર બદલવાની પ્રક્રિયા શરૂ કરે. સ્થાનિકોએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે. '4 લાખ મીટર છતાં અસંતોષ કેમ?'સુરતમાં અત્યાર સુધીમાં 4 લાખ સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે, જે આંકડો મોટો છે. તેમ છતાં, હજુ પણ ગ્રાઉન્ડ લેવલ પર લોકોમાં આ ટેકનોલોજીને લઈને અનેક શંકાઓ સેવાઈ રહી છે. વીજ કંપનીનો દાવો છે કે આનાથી ચોકસાઈ વધશે, પરંતુ ગ્રાહકોને લાગી રહ્યું છે કે તેમનું શોષણ થશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:00 pm

જામનગરમાં ચૂંટણી પૂર્વે પોલીસનું કોમ્બિંગ:સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા કાર્યવાહી, 12 બાઇક ડિટેઇન

જામનગર શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાખોરી અટકાવવા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેની અમલવારી ખાસ કરીને સિટી-એ ડિવિઝન વિસ્તારમાં જોવા મળી રહી છે. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. ડોડિયા સહિતના સ્ટાફ દ્વારા ગત રાત્રિએ કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં પી.આઈ. વી.એમ. ડોડિયા, પી.એસ.આઈ. વી.આર. ગામેતી, પી.એસ.આઈ. એમ.એન. રાઠોડ અને સ્ટાફ જોડાયા હતા. શહેરના દરબારગઢ નાકા બહાર આવેલ પાંચ હાટડી, ઘાંચીની ખડકી વિસ્તાર, ખોજા નાકા વિસ્તાર, સુમરા ચાલી વિસ્તાર અને ઓશવાળ હોસ્પિટલ વિસ્તાર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાહનચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ફોર-વ્હીલરમાં બ્લેક ફિલ્મ હટાવવા, બાઈકમાં ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી રોમિયોગીરી કરતા વાહનચાલકો અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી. ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૧૨થી વધુ બાઈક ડિટેઈન કરવામાં આવ્યા હતા અને સંખ્યાબંધ લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સિટી-એ ડિવિઝન પોલીસે દુકાનો કે જાહેર સ્થળોએ વાહનો સાઈડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરી હતી, જેમાં કેટલાક લોકો પોલીસને જોઈને ભાગી છૂટ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:59 pm

દંપતીએ 14.80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી:વડોદરાના સ્ટેશનરીના ધંધામાં રોકાણ કરવાની લાલચ આપીને વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા, દુકાન બંધ કરીને છુમંતર થઈ ગયા

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા વેપારીને તેમની પડોશમાં રહેવા આવેલા દંપતીએ સ્ટેશનરીના ધંધામાં રોકાણ કરશો તો તમને સારું વળતર આપીશ તેમ કહીને તેમની પાસેથી14.80 લાખ રૂપિયા પડાવી લીધા છે. રૂપિયા પડાવ્યા બાદ ઠગ દંપતિ દુકાન બંધ કરીને ભાગી ગયું હતું. જેથી વેપારી દંપતી સામે ફતેગંજ પોલીસ સ્ટેશન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી પરિમલ પાર્ક સોસાયટીમાં રહેતા ભૌમિકકુમાર વસંતકુમાર શાહ દાંડિયાબજાર વિસ્તારમાં લાઈટિંગનો ધંધો કરે છે, તેઓએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કેયુરભાઈ શેઠ અને તેમની પત્ની સાથે છેલ્લા ઘણા વર્ષોથી તેમના પરિચિત હતા. આ દંપતીએ સ્ટેશનરી અને મોબાઈલ એસેસરીઝના વેપારમાં વધુ નફો થવાની લાલચ આપી હતી અને તેમની પાસે રોકાણ કરવાની વાત કરી હતી. દંપતીએ વિશ્વાસમાં લઈને વેપારી તથા તેમના પરિવારજનો પાસેથી 14.80 લાખ રૂપિયા જાન્યુઆરીથી માર્ચ દરમિયાન લીધા હતા. પૈસા લીધાના બીજા જ દિવસે દંપતીએ પોતાની દુકાન બંધ કરી દીધી અને દંપતી ગાયબ થઈ ગયું હતું. શરૂઆતમાં બહારગામ ગયા હોવાનું લાગ્યું હતું, પરંતુ લાંબા સમય તેમનો સુધી કોઈ સંપર્ક થયો નહોતો, ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ દંપતી અન્ય લોકો પાસેથી પણ પૈસા લઈને ફરાર થઈ ગયું છે. જેથી વેપારીએ કેયુર શેઠ તથા તેની પત્ની સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે દંપતિની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:56 pm

તાપી પોલીસનું 'ઓપરેશન યુપી':25 વર્ષ પહેલાના ડબલ મર્ડર અને ધાડનો મુખ્ય આરોપી ઝડપાયો

કાયદાના હાથ લાંબા હોય છે અને ગુનેગાર ગમે તેટલો શાણો હોય, પોલીસ તેને પાતાળમાંથી પણ શોધી કાઢે છે. તાપી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વર્ષ 2000ના ચકચારી ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લા 25 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી ગીરીશચંન્દ્ર ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રાને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. શું હતો વર્ષ 2000નો એ રૂંવાડા ઉભા કરી દેતો ગુનો? માર્ચ 2000માં અંકલેશ્વરના આઠ જેટલા શખ્સોએ યાર્નના કાર્ટુન ભરેલી એક ટ્રક (નંબર MH-04-P-3476) લૂંટવાનું કાવતરું રચ્યું હતું. કીમ ચાર રસ્તાથી મુસાફર બની ટ્રકમાં બેઠેલા આરોપીઓએ વાલોડ નજીક પેશાબ કરવાના બહાને ટ્રક ઉભી રખાવી હતી. ત્યારબાદ ડ્રાઈવર પરસરામ યાદવ અને ક્લીનર નનકન યાદવની કેબલ વડે ગળે ફાંસો આપી નિર્મમ હત્યા કરી હતી. ક્રૂરતાની હદ વટાવતા આરોપીઓએ ક્લીનરની લાશ પર ટ્રકનું ટાયર ફેરવી દીધું હતું અને બંનેના મૃતદેહો ફેંકી દઈ 7 લાખના યાર્નની લૂંટ કરી હતી. 25 વર્ષનો વનવાસ અને વેશપલ્ટો આરોપી ગીરીશ મિશ્રા પોતાની ઓળખ છુપાવવા માટે દાઢી-વાળ વધારી વેશપલ્ટો કરીને રહેતો હતો. તે મોબાઈલ ફોનનો ઉપયોગ સુધ્ધાં ટાળતો હતો જેથી પોલીસના હાથે પકડાય નહીં. જોકે, તાપી પોલીસની બાજનજરથી તે બચી શક્યો નથી. પોલીસની ટીમે આ રીતે પાર પાડ્યું ઓપરેશન તાપી એસપીની સૂચના હેઠળ એલસીબી PI ડી.એસ. ગોહિલ અને પેરોલ ફર્લો સ્ક્વોડના PI જે.બી. આહિરના માર્ગદર્શનમાં PSI એન.એસ. વસાવા અને તેમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ પર કામ કરી રહી હતી. ASI ધર્મેશભાઇ અને પો.કો. રોનકભાઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના હરનાહપુર ગામે છાપો મારી આરોપીને દબોચી લીધો હતો. અન્ય આરોપીઓની સ્થિતિ આ ગુનામાં અગાઉ 5 આરોપીઓ પકડાયા હતા. જે પૈકીના બે આરોપીઓ ભરૂચ ખાતે જાપ્તામાંથી ફરાર થયા હતા, જેમાં શમશેરઅલી અખબરખાન પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. હવે ગીરીશ મિશ્રાની ધરપકડ બાદ, અન્ય વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં એલ.સી.બી. PI ડી.એસ. ગોહિલ, PI જે.બી. આહિર, PSI એન.એસ. વસાવા, PSI કે.આર. પટેલ, ASI ધર્મેશભાઇ, પો.કો. રોનકભાઇ અને ડ્રા. ASI કિરણભાઇ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:53 pm

મોરબીમાં ભાજપને ઝટકો, પૂર્વ કોંગ્રેસ પ્રમુખની ઘરવાપસી:મુકેશભાઈ ગામી ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા, બે વર્ષ પછી પુનરાગમન

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ પક્ષને ઝટકો લાગ્યો છે. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી, જે છેલ્લા બે વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા, તેમણે ભાજપ સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં મુકેશભાઈ ગામી પોતાના સમર્થકો અને અગાઉ તેમની સાથે ભાજપમાં જોડાયેલા આગેવાનો સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નયનભાઈ અઘારા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી મહેશભાઈ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પરિવાર દ્વારા મુકેશભાઈ ગામી અને તેમની ટીમને આવકારવામાં આવી હતી. મુકેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે, ક્ષણિક ક્રોધના કારણે તેઓ બે વર્ષ પહેલા કોંગ્રેસ પક્ષથી નારાજ થઈને ભાજપમાં જોડાયા હતા. જોકે, કોંગ્રેસ હંમેશા તેમના દિલમાં હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ કિશોરભાઈ ચીખલીયાએ તેમને અનેક વખત કોંગ્રેસમાં પાછા ફરવા વિનંતી કરી હતી. આજે તેઓ કિશોરભાઈ ચીખલીયાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ફરી કોંગ્રેસમાં કાર્યકર્તા તરીકે જોડાયા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે તેઓ અને તેમની ટીમ તન, મન, ધનથી પ્રચાર-પ્રસારમાં જોડાશે તેવી તેમણે ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:41 pm

પરિવાર ઊંઘતો રહ્યો ને ચોર કળા કરી ગયા:સમા વિસ્તારના એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.76 લાખ મતાની ચોરી કરીને ફરાર

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઉપરના માળ પર પરિવારના સભ્યો ઊંઘતા હતા. તે દરમિયાન મોડી રાત્રીના મકાનનો દરવાજો તોડી ગ્રાઉન્ડ ફોરના મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.76 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. આ મામલે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામા આવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. પરિવાર ઊંઘતો રહ્યો ને ચોર કળા કરી ગયા શહેરના સમા વિસ્તારમાં રહેતા રાજેશકુમાર ડાયાભાઈ પરમારે સમા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓ પોતાના પરિવાર સાથે ન્યુ સમા રોડ ખાતે જય યોગેશ્વર સોસાયટી જલારામ મંદિર પાસે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 7 એપ્રિલની રાત્રે તેઓ નોકરી પરથી ઘરે પરત આવ્યા બાદ પરિવારજનો સાથે સુઈ ગયા હતા. તેમના પિતા ડાયાભાઈ પરમાર અને પુત્ર વિહાન બીજા માળે તથા પત્ની રૂપાલી ત્રીજા માળે સુતા હતા. ઘરનો મુખ્ય દરવાજો તોડેલી હાલતમાં ને સામાન વેરવિખેર દરમ્યાન વહેલી સવારે આશરે 6 વાગ્યે પિતા અને પુત્ર નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો તોડેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘરમાં પ્રવેશ કરતા જ સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. લોખંડની તિજોરીનો દરવાજો ખુલ્લો હતો અને તેમાં રહેલો સામાન પણ ઉથલપાથલ હાલતમાં હતો. ત્યારબાદ પરિવારજનોને જાણ કરતાં તમામે મળી તપાસ કરતા તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. 1.76 લાખની મત્તાની ચોરી કરીને ફરારઆ ઘટનામાં અજાણ્યા ચોર ઇસમો સોનાની ચેઈન, કાન-નાકની ચુન્ની, પેન્ડલ, વીંટી, બુટ્ટી તેમજ ચાંદીની પાયલ ઉપરાંત અંદાજે રૂ.1 લાખથી વધુ રોકડ રકમ સહિત રૂપિયા 1.76 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં નોધવામાં આવ્યું છે. આ મામલે સમા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:39 pm

સાબરકાંઠા LCB અને SOGએ 5 ફરાર આરોપીઓને ઝડપ્યા:ખેરોજ, તલોદ, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુનામાં કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ ડ્રાઇવ ચાલી રહી છે. આ અંતર્ગત, સાબરકાંઠા LCB અને SOG ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને ત્રણ પોલીસ સ્ટેશનના પાંચ ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા LCB અને SOG ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB ટીમે ખેરોજ પોલીસ સ્ટેશનના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર એક મહિલા આરોપીને ખેરોજ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી હતી. આ ઉપરાંત, ઇડરના વસાઈ ગામનો રહેવાસી રમણસિંહ અનારસિંહ સોલંકી, જે પણ બે વર્ષથી ફરાર હતો, તેને હિંમતનગરના જૂની સિવિલ સર્કલ રોડ પરથી પકડી પાડવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓને અનુક્રમે ખેરોજ અને હિંમતનગર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા. LCB ટીમે ખેરોજ પોલીસ સ્ટેશનના ખોટા દસ્તાવેજના અન્ય એક ગુનામાં બે વર્ષથી ફરાર ઓમરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ (ઉંમર ૩૪, રહે. રાધીવાડ, તા. ખેડબ્રહ્મા)ને ખેડબ્રહ્માના મેત્રાલ નજીક વીરકૃપા હોટલના પાર્લર પાસેથી ઝડપી લીધો હતો. તેને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો. વધુમાં, સાબરકાંઠા LCBએ તલોદ પોલીસ સ્ટેશનના એક ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર કિશનસિંહ મનહરસિંહ ચૌહાણ (રહે. માથાસુરિયા, તા. બાયડ, અરવલ્લી, હાલ રહે. ચાણક્યપુરી, ઘાટલોડિયા, અમદાવાદ)ને હિંમતનગર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. તેને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જ્યારે SOG ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મારામારી અને એટ્રોસિટી કેસમાં છેલ્લા અઢી વર્ષથી ફરાર વિનયસિંહ ચંપકસિંહ જાડેજા (ઉંમર આશરે ૩૫, રહે. દહેગામડા, તા. ભિલોડા, અરવલ્લી, હાલ રહે. હાજીપુર ગામ, હિંમતનગર)ને ઝડપી પાડ્યો હતો. તેને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:37 pm

નજુપુરામાં પાણી મુદ્દે રોષ: ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી:10 વર્ષથી નર્મદાના પાણી વગર 500 લોકો હિજરત કરવા મજબૂર

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામના ગ્રામજનોએ નર્મદાના સિંચાઈનું પાણી ન મળવાને કારણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. છેલ્લા દસ વર્ષથી સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોએ ગામમાં બેનરો લગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, સિંચાઈના પાણીના અભાવે ગામની આશરે 700 થી વધુ વીઘા જમીન સૂકી ભઠ્ઠ બની ગઈ છે. આના પરિણામે ખેતી પર નિર્ભર પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે. પાણીની અછતને કારણે ખેતી અને પશુપાલન મુશ્કેલ બનતા અત્યાર સુધીમાં ગામમાંથી 500 થી વધુ લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે. ગામમાં પાયાની સુવિધા ગણાતા સિંચાઈના પાણીના અભાવે સામાજિક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, પાણીની અછતને કારણે દીકરા-દીકરીઓના લગ્ન પ્રસંગો કરવામાં પણ અવરોધ આવી રહ્યો છે, જેના કારણે અનેક પરિવારોએ લગ્ન માટે પણ ગામ છોડવાની નોબત આવી છે. તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા, અંતે ગ્રામજનોએ એકસંપ થઈ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. ગામમાં વિવિધ જગ્યાએ પાણી નહીં તો વોટ નહીં ના બેનરો લગાવીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી નર્મદાનું પાણી નહીં મળે ત્યાં સુધી કોઈ પણ પક્ષના નેતા કે કાર્યકર્તાએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:31 pm

IPL ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:BMC કચેરી સામે ઉભો હતો ને પોલીસે દબોચ્યો, પેરોલ ફર્લોની ટીમે મોબાઈલ કબ્જે કરીને 6 શખ્સો સામે ગુનો નોંધાવ્યો

ભાવનગર પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન બીએમસી કચેરી સામે ઉભેલા એક શખ્સને આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતાં મૂળ ઉમરાળાના વતની અને હાલ ભાવનગર શહેરમાં રહેતા શખ્સને ઝડપી લઇ આ મામલે કુલ 6 શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. IPL પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો મળતી વિગતો અનુસાર, ગતરોજ પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે BMC કચેરી સામેથી એક શખ્સને અટક કરી નામ સરનામું પૂછવા સાથે તેની અંગઝડતી હાથ ધરી હતી. જેમાં અટકાયત કરાયેલ શખ્સે પોતાનું નામ રાકેશ નરોત્તમદાસ ઉંડવીયા ઉંમર વર્ષ 53 રહે.મૂળ વતન ઉ઼મરાળા હાલ ત્રિવેણી પાર્ક મૂનિડેરી રોડ ભાવનગર વાળો હોવાનું જાણવા મળ્યું હતું. અને તેની પાસેથી કબ્જે કરાયેલ મોબાઈલમાંથી હાલમાં ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતી એપ ડાઉનલોડ મળી આવી હતી. માસ્ટર આઈડી રમવા ઈચ્છુકોને ક્રેડિટ તથા આઈડી ફોરવર્ડ કરીને સટ્ટો રમાડતો આ અંગે રાકેશની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, એપ મારફતે સટ્ટો રમવા માટે માસ્ટર આઈડી સટ્ટો રમવા ઈચ્છુકોને ક્રેડિટ તથા આઈડી ફોરવર્ડ કરી પોતે સટ્ટો રમાડતો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત વિરલ લાલજીભાઈ વિરડીયા રહે.સુરત મૂળ ભાવનગર,દેવાંગ શરદભાઈ પટેલ રહે.કણબીવાડ-ભાવનગર, કિરીટ ઉર્ફે કેસી છોટાલાલ શાહ રહે.સુરત, રમેશ તુલસીભાઈ રહે.સુરત, શુભમ નંદકિશોરભાઈ કંધેડીયા રહે.રાજકોટ, અને રોહિત ગોબરભાઈ ગોહેલ રહે ચિત્રા ભાવનગર વાળાને માસ્ટર આઇડી ફોરવર્ડ કરી IPL ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો હોવાનું જણાવ્યું હતું. 6 શખ્સો સામે ગુનો નોંધાયોઆથી પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે રાકેશ નરોત્તમભાઈ ઉંડવીયાની ધરપકડ કરી રૂ.3,000ના મોબાઈલ સાથે રાકેશને નિલમબાગ પોલીસને હવાલે કરી કુલ 6 શખ્સો વિરુદ્ધ જુગાર ધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:27 pm

સાવરકુંડલા રેન્જમાં સિંહબાળનું મોત:અમરેલી ગીર પૂર્વમાં બીમારીથી મૃત્યુ, વન વિભાગે તપાસ શરૂ કરી

અમરેલી જિલ્લાના ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતી સાવરકુંડલા રેન્જના રેવન્યુ વિસ્તારમાં 2 થી 3 વર્ષના એક સિંહબાળનું બીમારીના કારણે મોત થયું છે. વન વિભાગને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (PM)ની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સિંહબાળને ફેફસાં સંબંધિત બીમારી હોવાનું સામે આવ્યું છે. વન વિભાગ દ્વારા સિંહબાળના બીમારીથી મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત સાથે સિંહોના મોનિટરિંગ અને ડી-વોર્મિંગ (કીડા નિવારણ)માં સંભવિત અભાવ અંગેની ચર્ચાઓ ફરી તેજ બની છે. આ ઘટના બાદ સિંહના મૃત્યુ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સંબંધિત માહિતી મીડિયા સમક્ષ બહાર ન જાય તે માટે તકેદારી રાખવા સૂચના અપાઈ હોવાના અહેવાલો છે. ગત વર્ષે પણ સિંહ ગણતરી બાદ ઉનાળામાં સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારોમાં અનેક સિંહોના બીમારીના કારણે મોત થયા હતા. ખાસ કરીને સિંહબાળમાં મૃત્યુદર વધુ હોવો ચિંતાજનક માનવામાં આવે છે. વન વિભાગ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ કરી રહ્યું છે અને સિંહોના આરોગ્ય પર ખાસ નજર રાખવા માટે સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:23 pm

ઇન્સ્ટાગ્રામ પર અપમાનજનક મેસેજ મામલે યુવતીની ફરિયાદ:વડોદરામાં 23 વર્ષીય યુવતીના એકાઉન્ટ પર યુવકે 1થી 5 હજાર રૂપિયા કિંમત લખીને અભદ્ર ટિપ્પણી કરી

વડોદરાના બાજવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્ટાગ્રામ મારફતે અપમાનજનક મેસેજ અને કોમેન્ટ અંગે ફરિયાદ નોંધાવી છે. બાજવાના જ યુવકે યુવતીના એકાઉન્ટ પર યુવકે 1થી 5 હજાર રૂપિયા કિંમત લખીને અભદ્ર ટિપ્પણી કરી હતી. જવાહરનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મુજબ યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પોતાના અંગત ઉપયોગ માટે ખરીદેલા આઈફોન મોબાઈલમાં તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી. 20 દિવસ પહેલા mahesh_sam_event_baroda નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી, જે યુવતીએ સ્વીકારી નહોતી. ત્યારબાદ તા. 6 એપ્રિલ 2026ના રોજ યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પરિવારજનો સાથેના ફોટાઓની સ્ટોરી મુકેલી હતી. આ સ્ટોરી જો્યા બાદ આરોપી ઇન્સ્ટાગ્રામ ધારકે ફોટાઓ પર 1000થી લઈને 5000 સુધીની રકમ લખીને તા. 7 એપ્રિલ 2026ના રોજ મેસેજ મોકલ્યો હતો. યુવતીએ આ અંગે પુછપરછ કરતાં પણ કોઈ જવાબ આપ્યો નહોતો, પરંતુ સ્ટોરી પર અત્યંત અપમાનજનક કોમેન્ટ્સ કરી હતી. આ બનાવ અંગે યુવતીએ પોતાની જેઠાણીને જાણ કરતાં તેમણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં દેખાતો આરોપીની ઓળખ મહેશભાઈ ભરતભાઈ પરમાર, (રહેવાસી શુભ ટેનામેન્ટ, બાજવા, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. જવાહરનગર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:21 pm

'ગુજરાતીઓને 'અભણ' કહેવા તે ખડગેની મૂર્ખતા':'દેશની જીડીપીમાં 8% ફાળો આપનાર ગુજરાતીઓ વિશ્વ સ્તરે ડંકો વગાડનારા છે', સુરત ભાજપ પ્રમુખનો પ્રહાર

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ આ નિવેદનને અસ્મિતા અને ગુજરાતીઓના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને સુરતમાં ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે ખડગેના શબ્દોને વખોડી કાઢતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની આ માનસિકતા ગુજરાત વિરોધી છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા તેમને જડબાતોડ જવાબ આપશે. ગુજરાતીઓને 'અભણ' કહેવા તે ખડગેની મૂર્ખતા:પરેશ પટેલસુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલે માધ્યમો સાથેની વાતચીતમાં આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખડગેજીએ જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તે તેમની મૂર્ખતા દર્શાવે છે. સાડા છ કરોડ ગુજરાતીઓ જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કરોડો ગુજરાતીઓ આનો વિરોધ કરશે. તેમણે ઉમેર્યું કે, જે ગુજરાતીઓ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ અને અન્ય ક્ષેત્રોમાં નેતૃત્વ કરી રહ્યા છે, તેમને અભણ કે મૂર્ખ કહેવા તે અતિશયોક્તિ છે. ખડગેએ સમજવું જોઈએ કે ગુજરાતીઓની બુદ્ધિશક્તિનો લોખંડ આજે આખું વિશ્વ માની રહ્યું છે. 'ગાંધી, સરદાર અને મોદીની ભૂમિનું અપમાન સહન નહીં થાય'પરેશ પટેલે ઈતિહાસ અને વર્તમાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે, જેમણે ભારતને આઝાદી અને એકતા અપાવી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓ પણ આ જ માટીમાંથી આવે છે. જ્યારે નરેન્દ્ર મોદીને આખું વિશ્વ 'વિશ્વગુરુ' તરીકે સ્વીકારી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા આવા હીન કક્ષાના શબ્દો વાપરવા તે અત્યંત નિંદનીય છે. ગુજરાતીઓ ક્યારેય પોતાના નેતાઓ અને પોતાની ઓળખનું અપમાન સહન કરતા નથી. 'કોંગ્રેસને ગુજરાતીઓ સાથે શું વાંધો છે?'ભાજપ પ્રમુખે કોંગ્રેસની મનશા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, મને એ સમજાતું નથી કે કોંગ્રેસને હંમેશા ગુજરાતીઓ સામે વાંધો શું છે? શા માટે તેઓ વારંવાર ગુજરાતને ટાર્ગેટ કરે છે?. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પણ કોંગ્રેસે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આજે એ જ પ્રતિમા તાજમહેલ કરતા પણ વધુ પ્રવાસીઓને આકર્ષી રહી છે અને વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારી રહી છે. કોંગ્રેસ હંમેશા ગુજરાતના વિકાસમાં રોડા નાખવાનું કામ કર્યું છે. 'દેશની જીડીપીમાં 8% ફાળો આપનાર ગુજરાતની તાકાત'ગુજરાતના આર્થિક યોગદાન વિશે વાત કરતા પરેશ પટેલે જણાવ્યું કે, ભારતની અર્થવ્યવસ્થામાં ગુજરાતનો 8 ટકા જેટલો જીડીપી ફાળો છે. પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત અગ્રેસર છે. જે રાજ્ય દેશને આર્થિક રીતે મજબૂત કરી રહ્યું હોય, તેના વિશે આવા નિવેદનો આપવા તે કોંગ્રેસની હતાશા દર્શાવે છે. ગુજરાતીઓ મહેનતુ છે અને પોતાની બુદ્ધિથી શૂન્યમાંથી સર્જન કરનારા છે, તેમને અભણ કહેવા તે વાસ્તવિકતાથી મોં ફેરવવા જેવું છે. ખડગે માફી માંગે તેવી ભાજપની માંગસુરત ભાજપ દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. પરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે મલ્લિકાર્જુન ખડગેએ પોતાના શબ્દો પાછા ખેંચવા જોઈએ અને ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો કોંગ્રેસ માફી નહીં માંગે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ તેજ બનશે. ભાજપ આ મુદ્દાને દરેક ઘર સુધી લઈ જશે અને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાને ખુલ્લી પાડશે. ચૂંટણી ટાણે જ કોંગ્રેસે પગ પર કુહાડો માર્યો!રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખનું આ નિવેદન ભાજપ માટે મોટું હથિયાર બની ગયું છે. ભાજપ આને 'ગુજરાતી અસ્મિતા'નો મુદ્દો બનાવીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. પરેશ પટેલના નેતૃત્વમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભાજપ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હોય તેમ જણાય છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:16 pm

દ્વારકામાં જુગાર પર પોલીસનો દરોડો:બે આરોપી ઝડપાયા, ₹15,450 રોકડા જપ્ત

દ્વારકા ટાઉન વિસ્તારમાં પોલીસે જુગાર પર દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપી, ભરતસિંહ જાડેજા અને કારાભાઈ માડમ, જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ₹15,450 રોકડા જપ્ત કર્યા છે. દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઈ. વિપુલ કોઠીયાએ ચાર્જ સંભાળ્યા બાદ ટાઉન વિસ્તારમાં જુગાર વિરુદ્ધ કાર્યવાહી તેજ બની છે. આ દરોડો પણ આ જ ઝુંબેશના ભાગરૂપે પાડવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધ્યક્ષની સૂચના તેમજ પી.આઈ. વિપુલ કોઠીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. નરેન્દ્રસિંહ ગોહેલ સહિતની ટીમે બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:12 pm

મતદાન મથકો આસપાસ 100 મીટર સુધી આ બાબતો પર પ્રતિબંધ:ડિજિટલ ડિવાઇસથી લઈને વાહનો સુધીના નિયમો, ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર કડક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) 2023ની કલમ-163 હેઠળ ખાસ પ્રતિબંધાત્મક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. 100 મીટરની પરિસરમાં ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધઆ નિયમો મુજબ, દરેક મતદાન મથકથી 100 મીટરની પરિસરમાં કોઈપણ પ્રકારના ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મતદારો પર કોઈપણ પ્રકારનો પ્રભાવ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ મતદાન મથકની અંદર મોબાઇલ ફોન સહિત કોઈપણ ડિજિટલ ડિવાઇસ લાવવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. મતદાન મથક વિસ્તારની અંદર વાહનો લાવવાની મનાઈ ચૂંટણીલક્ષી ચિહ્નો અથવા પોસ્ટર, બેનર જેવી નોટિસો પણ મતદાન મથક નજીક પ્રદર્શિત કરી શકાશે નહીં. આ ઉપરાંત મતદાન મથક વિસ્તારની અંદર વાહનો લાવવાની પણ મનાઈ રાખવામાં આવી છે, જેથી ભીડભાડ અને અવ્યવસ્થા ટાળી શકાય. જો કે, અપંગ અને અશક્ત મતદારોને સુવિધા માટે વિશેષ છૂટછાટ આપવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી પોતાનો મતાધિકાર ઉપયોગ કરી શકે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થશેચૂંટણી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી રહી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:09 pm

વેરાવળ-સોમનાથ બાયપાસ પર હિટ એન્ડ રનમાં માતાનું મોત:મોપેડ પર માતા-પુત્રને ટક્કર, પુત્ર ગંભીર; ટ્રક ચાલક ફરાર

વેરાવળ-સોમનાથ બાયપાસ પર ગત રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. મોપેડ પર સવાર થઈ ઘરે પરત ફરી રહેલા માતા-પુત્રને પાછળથી આવતા એક અજાણ્યા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 65 વર્ષીય ડાયાબેન દેવરાજભાઈ ગળચરનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમનો પુત્ર ભગવાન ઉર્ફે ભાર્ગવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની વિગત પ્રાપ્ત માહિતી અનુસાર, માતા-પુત્ર મોપેડ (નંબર GJ32AC7701) પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બંને રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ ભાર્ગવને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી આ મામલે મૃતકના પુત્રએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા હાઈવે પરના CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોમાં રોષ વેરાવળ-સોમનાથ બાયપાસ પર સતત વધી રહેલા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના મતે ભારે વાહનોની બેફામ ગતિ અકસ્માતનું મુખ્ય કારણ છે.બાયપાસ પર ટ્રાફિક નિયમન અને સુરક્ષાના સાધનોનો અભાવ છે.વારંવાર બનતી હિટ એન્ડ રનની ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને ફરાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે. બીજી તરફ, અચાનક બનેલી આ ઘટનાથી ગળચર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:02 pm

વીજ માંગમાં 3500 મેગાવોટનો ઘટાડો, રાજ્યને દૈનિક 60 કરોડનું નુકસાન:એક મહિનાની અંદર જ 600 કરોડ ધોવાયા, ખાડી દેશોના યુદ્ધથી ઉદ્યોગો પર મંદી

ખાડી દેશોમાં ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધના પ્રભાવ હવે ગુજરાતમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રમાં મંદીનું માહોલ સર્જાતા રાજ્યમાં વીજળીની માંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં અંદાજે 3500 મેગાવોટ જેટલી વીજ માંગ ઘટી હોવાનું સામે આવ્યું છે. એક મહિનાની અંદર જ 600 કરોડનું નુકસાનઉદ્યોગોની ગતિ ધીમી પડતા વીજ વપરાશમાં ઘટાડો થયો છે, જેના કારણે વીજ વિતરણ કંપનીઓના વેચાણ પર સીધી અસર પડી છે. આ પરિસ્થિતિને કારણે રાજ્યને દૈનિક આશરે 60 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એક મહિનાની અંદર આ નુકસાનનો આંકડો અંદાજે 600 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ઉત્પાદન ધીમું પડતાં વીજળીની માંગમાં સતત ઘટાડોખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી છે, જેના સીધા અસરરૂપે નિકાસ આધારિત ઉદ્યોગો પર અસર પડી છે. ઓર્ડરોમાં ઘટાડો અને ઉત્પાદન ધીમું પડતાં વીજળીની માંગમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાવર ગ્રીડ પર ભારણ ઘટતાં નવી ચિંતા ઊભીવિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, પાવર ગ્રીડ પર ભારણ ઘટવું સામાન્ય રીતે સકારાત્મક માનવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તે આર્થિક મંદીનું સૂચક છે. ઉદ્યોગોની ગતિ ફરી સામાન્ય બનશે ત્યારે જ વીજ માંગમાં વધારો જોવા મળશે. આ પરિસ્થિતિ રાજ્યના આર્થિક સ્વાસ્થ્ય માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે, કારણ કે વીજળીની માંગ ઉદ્યોગોની સ્થિતિનો મહત્વનો સૂચક છે. જો આવું જ ચાલુ રહ્યું, તો આગામી સમયમાં વધુ આર્થિક પડકારો ઊભા થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:00 pm

કોંગ્રેસમાં વોર્ડ નંબર 13 બાદ 17માં નારાજગી સામે આવી:પૂર્વ કોર્પોરેટરે પ્રભારી જેનીબેન ઠુંમર સામે જ્ઞાતિવાદ કરતા હોવાના કર્યા આક્ષેપ, રૂપાપરાને ટિકિટ અપાવવા ફાર્મહાઉસમાં જયેશ રાદડિયા પણ બેઠકમાં હતા હાજર

રાજકોટ શહેર કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ ઘડાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકોટ મહાનગરપાલિકાના 40 ઉમેદવાર કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં જાહેર કર્યા હતા જેમાં પ્રથમ વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરી હતી અને હવે આજે બીજી યાદી જાહેર થાય એ પહેલા વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરી પ્રભારી સામે જ્ઞાતિવાદ કરતા હોવાના આરોપ લગાવ્યા છે. ઘનશ્યામસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, શૈલેષ રૂપાપરાને ટિકિટ અપાવવા કુવાડવા રોડ પર એક ફાર્મહાઉસમાં બેઠક મળી હતી જેમાં જયેશ રાદડિયા પણ હાજર હતા. સ્થાનિક આગેવાનને ટિકિટ આપવી જોઈએ જેમાં પક્ષે ભૂલ કરી છે પ્રદેશ પ્રમુખનું પણ મેં ધ્યાન ડોઇયું છે. રાજકોટ વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારા રાજકોટના પ્રભારી જેનીબેન ઠુંમર જ્ઞાતિવાદ કરી રહ્યા છે. પ્રભારી માટે દરેક જ્ઞાતિના લોકો એક સમાન હોવા જોઈએ પરંતુ રાજકોટના પ્રભારી જેનીબેન ઠુમરે જ્ઞાતિવાદ કરી ટિકિટ ફાળવણી કરી છે. રાજકોટના વોર્ડ નંબર 17માં પાટીદાર સમાજના શૈલેષ રૂપાપરાને ટિકિટ અપાવવા કુવાડવા રોડ પર એક ફાર્મ હાઉસમાં બેઠક મળી હતી અને ટિકિટ ફાળવણી અંગે નિર્ણય કર્યો હતો જેમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા. તેમને વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક નેતાને ટિકિટ ફાળવવી જોઈએ. વર્ષ 2015માં હું આ વિસ્તારમાં ચૂંટણી લડી વિજેતા બન્યા હતો અને ત્યારથી સતત લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે કોર્પોરેટર હતા ત્યારે અને નો હતા ત્યારે પણ પાછલા 5 વર્ષ લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે. લોકો પણ એવું ઈચ્છે છે કે પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવે પરંતુ હવે પક્ષનો જે નિર્ણય છે તેને માન્ય રાખી અમે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા મહેનત કરીશું. હું કોંગ્રેસ પક્ષમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું મારી નારાજગી માત્ર જેનીબેન ઠુંમર સામે છે કારણ કે તેમને ગ્રાઉન્ડ રિયાલિટી જાણ્યા વગર ઉમેદવાર પસંદગીમાં જ્ઞાતિવાદ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવનાર છે એ પહેલા રાજકોટ શહેરના વોર્ડ નંબર 17માં હસનવાડી વિસ્તારમાં 25થી 30 લોકો એકઠા થઇ ઘનશ્યામસિંહને ટિકિટ આપોના નારા લગાવ્યા હતા. કોંગ્રેસે પ્રથમ યાદીમાં વોર્ડ નંબર 17ના 3 ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં ગાયત્રીબેન ભટ્ટ, યોગીતાબા જાડેજા અને શૈલેષ રૂપાપરાને ઉમેદવાર જાહેર કર્યા છે હવે માત્ર એક OBC બેઠક પર ઉમેદવાર જાહેરાત બાકી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:55 pm

સુરેન્દ્રનગરમાં 12 મસાલા પેઢીઓ પર દરોડા, 45 નમૂના જપ્ત:લાયસન્સ વિનાની પેઢીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી

સુરેન્દ્રનગર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મસાલાની સિઝન દરમિયાન સઘન કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે વિભાગની ટીમે લાયસન્સ વિના કાર્યરત 12 મસાલા પેઢીઓ પર દરોડા પાડી 45 શંકાસ્પદ નમૂના જપ્ત કર્યા હતા. આ નમૂનાઓને તપાસ અર્થે ભુજની લેબમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ ઇન્સ્પેક્ટર પી.બી. સાવલીયા અને એસ.જે. પ્રજાપતિ સહિતની ટીમે રિવરફ્રન્ટ રોડ, 80 ફૂટ રોડ અને દૂધરેજ રોડ પર આવેલી મસાલાની પેઢીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ઘણી પેઢીઓ FSSAI લાયસન્સ વિના જ સિઝનલ વેપાર કરતી હોવાનું જણાયું હતું. ટીમે ધાણાજીરું, મરચાં, હળદર, રાઈ, હીંગ અને જીરું સહિતના વિવિધ મસાલાના નમૂના લીધા હતા. વિભાગ દ્વારા તમામ પેઢીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી એક અઠવાડિયામાં લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરે અને નિયમ મુજબ સ્વચ્છતા જાળવે. જો આ સૂચનાનું પાલન નહીં થાય, તો સંબંધિત પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને દુકાનો સીલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં માર્ચ મહિના દરમિયાન કુલ 38 ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં લસ્સી, મઠ્ઠો, પનીર ટીકા અને વિવિધ મસાલાનો સમાવેશ થાય છે. અગાઉ લેવાયેલા 10 સેમ્પલોના રિપોર્ટમાં એક 'સેવ-ફરસાણ'નો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો, જે અંગે તંત્ર દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:43 pm

હિંમતનગરના ભોલેશ્વરમાં ગટર ઉભરાઈ, રોડ પર પાણી ભરાયા:પાલિકાતંત્ર મોડે મોડે સફાઈ કરવા પહોંચ્યું, અવરજવર પ્રભાવિત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગટર ઉભરાઈ રહી હતી. ખાડિયા વિસ્તારની સોસાયટીઓમાં ગટરના પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર પાણી ભરાવાને કારણે ચાલીને જવું મુશ્કેલ બન્યું હતું અને લોકોને ફરીને જવાની ફરજ પડી હતી. આ અંગેની વિગત એવી છે કે, ભોલેશ્વર વિસ્તારમાં આવેલી ખાડિયા વિસ્તારની સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા બનાવેલી ગટર ભરાઈ ગઈ હતી. ઢાળ અને ખુલ્લા પ્લોટમાંથી પસાર થઈને ગટરનું પાણી સ્થાનિક રહીશ પ્રેમીલાબેન પંડ્યાના ઘર આગળના રસ્તા પર ભરાઈ ગયું હતું, જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ હતી. સ્થાનિકો દ્વારા હિંમતનગર નગરપાલિકામાં જાણ કરવામાં આવતા, ગટર વિભાગના કર્મચારીઓ સાધનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ભરાયેલી ગટરની સફાઈ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગટરમાં કચરો અને કપડાં ભરાઈ જવાને કારણે પાણી ઉભરાયું હતું. ગઈકાલે વરસાદી પાણી હતું જે નીકળી ગયું હતું, પરંતુ ગટરનું પાણી રોડ પર ભરાઈ રહેતા સમસ્યા યથાવત રહી હતી. હાલ ગટરની સફાઈ થઈ ગઈ છે, પરંતુ ગટરનું પાણી હજુ પણ રોડ પર ભરાયેલું છે. આ પાણી સુકાય અથવા નીકળી જાય પછી જ અવરજવર સામાન્ય થઈ શકશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:40 pm

ઢોસાના ખીરાથી થયેલા બે બાળકીના મોતનું રહસ્ય ઘેરાયું:ડોક્ટરે પોલીસને આપેલી હકીકતથી કેસમાં આવી શકે નવો ટ્વિસ્ટ, FSLએ ઘરમાંથી કપડા, વાસણ અને દવા સહિતની વસ્તુ કબજે કરી

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાના કારણે બે બાળકીના મોત થયા હતા. આ ઘટના અંગે પોલીસ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. ત્યારે મૃતક બાળકીઓના ઘરમાં FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. એ સાથે જ ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી છે. આ ઉપરાંત માતા-પિતાના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. જ્યારે ડોક્ટરે પોલીસને આપેલી હકીકતથી સમગ્ર કેસમાં નવો વળાંક પણ આવી શકે છે. શું છે સમગ્ર ઘટના?ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા. ‘અન્ય કોઈને ખીરાથી ફૂડ પોઈઝનિંગ ન થયું’ આ મામલે L ડિવિઝન ACP ડી.વી રાણાએ જણાવ્યું હતું કે ખીરામાંથી ઢોસા બનાવીને ખાવાના કારણે બે બાળકોના મોતનો આક્ષેપ હતો, જેથી મેજિસ્ટ્રેટની હાજરીમાં ત્રણ મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે બાદ પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. આ પરિવાર સિવાય અન્ય જે લોકોએ ખીરું ખરીદી હોય તેમનો સંપર્ક કરી તેમનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. ડેરીમાંથી ખીરૂ ખરીદરનાર અન્ય ગ્રાહકોને ફૂડ પોઈઝિંગ થયું નથી. જેથી વિમલ પ્રજાપતિની બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે. વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે. બાળકીના ફીંડીગ મુદ્દે ડોક્ટરે શું કહ્યું? વિમલના ઘરે પોલીસ તેમજ FSLની ટીમે તપાસ કરી છે. દુકાનદારના CCTV ફૂટેજમાં બીજા કોઈ ગ્રાહક ફરિયાદ લઈને આવ્યા હતા કે નહી તેનું પણ ચેંકીગ થયુ હતું. ડોક્ટરે પોલીસ સમક્ષ એક હકીકત જણાવી હતી કે, માતાને ફૂડ પોઈઝિંગની અસર હોય અને બાળકી ફીંડીગ કરતી હોય તો તેને ફુડ પોઈઝનની અસર થતી નથી. પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર હકીકત સામે આવે તેવી પણ શક્યતા છે. હાલ FSL રિપોર્ટને 15 દિવસથી વધુનો સમય લાગે તેવી શક્યતાઓ છે. પરિવારે એ જ સાંજે અને બીજા દિવસે પણ ઢોસા ખાધા હતા આ ઘટના બહાર આવી તે સમયે ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI જે. કે. મકવાણાએ જણાવ્યું હતું, 5 એપ્રિલના રોજ વિપુલકુમાર ગૌરીશંકર પ્રજાપતિએ અમને જાણ કરી હતી કે તેમની 3 વર્ષની દીકરી મિશ્રીનું મૃત્યું થયું છે. જે બાબતે અમે પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે ગત 1 એપ્રિલના રોજ IOC રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લીધું હતું.અને તેમાંથી ઢોસા બનાવીને તેમણે પરિવાર સાથે ખાધા હતા. બીજા દિવસે 2 એપ્રિલના રોજ પણ તેમણે અને તેમના પરિવાર એ જ ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતાં. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થતાં પરિવારની તબિયત લથડી હતી. જેની પ્રથમ સામાન્ય સારવાર લીધી હતી. જેનાથી ફર્ક પડી જતા તેઓ પછી આગળ દવાખાને ગયા નહોતા. જોકે પાછળથી તબિયત ખરાબ થતાં તેમણે KD હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:39 pm

કમલમમાં ભાવનગરના 13 વોર્ડના ઉમેદવારોનું મંથન, પણ મેયર જ 'આઉટ'!:ભાજપમાં ચૂંટણી પહેલા ગરમાવો, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી મેયરની બાદબાકી, ભરત બારડે વ્યક્ત કરી નારાજગી !

ભાવનગર મહાનગરપાલિકાની આગામી યોજાનાર ચૂંટણી માટે શહેર ભાજપ દ્વારા 13 વોર્ડ માં મુરતિયા ગોતી રહી છે ત્યારે ગુજરાત ભાજપ કમલમ ખાતે પાલમેન્ટરી બોર્ડ ની બેઠક યોજાઇ રહી છે, જેમાં શહેર પ્રમુખ સહિત સંગઠનના કમલમ ખાતે પહોંચ્યા હતા જેમાં ભાજપ ના મેયર ભરત બારડ ની બાદબાકી કરતા નારાજગી વ્યક્ત કરી હતી, ​રાજ્યમાં હાલ આગામી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે ભાવનગરના રાજકારણમાં એક નવો વિવાદ છેડાયો છે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠકમાં ભાવનગરના મેયરને આમંત્રણ ન મળતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે આ મામલે મેયરે પોતાની પ્રતિક્રિયા આપતા આશ્ચર્ય અને થોડી નારાજગી વ્યક્ત કરી હતી. ​મેયરએ કહ્યું હું અવઢવમાં છું દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં મેયરે જણાવ્યું હતું કે, મેં સામેથી શહેર પ્રમુખને પૂછ્યું હતું, પરંતુ તેમણે કહ્યું કે પ્રદેશમાંથી કોઈ આદેશ નથી, હું પાર્ટીનો જૂનો કાર્યકર્તા છું અને સામાન્ય રીતે દરેક વખતે મેયરને સાથે રાખીને જ ચર્ચા થતી હોય છે. ભાવનગરના મેયરની ક્રેડિટ હોય છે, ત્યારે આ વખતે મને જાણ ન કરાતા હું અવઢવમાં છું કે ક્યાંક મિસ્ટેક થઈ રહી છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ પાછળ કોઈનો બદ ઈરાદો નહીં હોય તેવી તેમને ખાતરી છે. ​નિર્ણય પ્રક્રિયામાં મેયરનું મહત્વ ​પાર્લામેન્ટરી બોર્ડની પદ્ધતિ અંગે સ્પષ્ટતા કરતા મેયરે જણાવ્યું કે, શહેરના પ્રથમ નાગરિક તરીકે મેયર આખા શહેરમાં ફર્યા હોય છે, કયા નગરસેવકે કેવું કામ કર્યું છે, ક્યાં સફળતા મળી છે અને ક્યાં ઉણપ રહી છે, તેનો સચોટ ખ્યાલ મેયરને જ હોય છે તેથી ટિકિટ વિતરણ કે અન્ય મહત્વના નિર્ણયોમાં મેયરનો અભિપ્રાય લેવો જોઈએ તેવું તેમનું અંગત માનવું છે. ​નવા ચહેરા અને વરિષ્ઠોનું મિશ્રણ ​આ ભારતીય જનતા પાર્ટી છે, અહીં કોની પસંદગી થશે તે અગાઉથી કહી શકાય નહીં, મને પણ ખબર નહોતી કે હું મેયર બનીશ, જે પણ આવશે તે શ્રેષ્ઠ ઉમેદવાર હશે, મેયરે યુવાનોને તક આપવાની સાથે વરિષ્ઠોના અનુભવને પણ પ્રાધાન્ય આપવાની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે, “યુવાનોની સાથે બે-ચાર વરિષ્ઠો પણ હોવા જોઈએ જે યોગ્ય માર્ગદર્શન આપી શકે. આ મારો વ્યક્તિગત વિચાર છે.”

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:30 pm

જામનગરમાં BSP પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ કોંગ્રેસમાં જોડાયા:પૂર્વ સાંસદ વિક્રમ માડમની હાજરીમાં ખેસ ધારણ કર્યો

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના બહુજન સમાજ પાર્ટી (BSP) ના પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ તેમને પક્ષમાં આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફુરકાન શેખ અગાઉ વિવાદોમાં રહી ચૂક્યા છે. તેઓ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. હાલમાં પણ તેમની સામે ACBનો કેસ ચાલી રહ્યો છે. તેમના પક્ષ પલટાને લઈને શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:29 pm

ખડગેના ગુજરાતીઓ પરના નિવેદનનો રાજ્યભરમાં વિરોધ:ભરૂચમાં ભાજપના મૌન ધરણા, માફીની માંગ કરાઈ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેના ગુજરાતીઓ અંગેના વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. આ નિવેદનને કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. ગુજરાતીઓ અભણ હોવાના ખડગેના નિવેદનના વિરોધના ભાગરૂપે, ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના પાંચબતી વિસ્તારમાં મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખડગેના નિવેદનની સખત નિંદા કરી હતી. ધરણામાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઉપ પ્રમુખ નિરલ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ અને માજી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ભૂમિનું અપમાન ગુજરાત ક્યારેય સહન નહીં કરે. ભાજપના આગેવાનોએ માંગ કરી હતી કે મલ્લિકાઅર્જુન ખડગે પોતાના નિવેદન બદલ તમામ ગુજરાતીઓ પાસે જાહેર માફી માંગે. આ મુદ્દે રાજ્યભરમાં રાજકીય તણાવ વધવાની શક્યતા છે. હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે આ નિવેદનની રાજકીય અસરો જોવા મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:26 pm

ઇટાલિયાનું ઓડિયો-વીડિયો WAR, પોલીસ ને હર્ષ સંઘવી પર આક્ષેપ:પોલીસે વોરંટ ઇસ્યૂ કરતા ગૃહમંત્રીને ઘેર્યા, રાત્રે ઓડિયો ક્લિપ વાઇરલ થઈ, કહ્યું-બનાવનારાને પણ બુદ્ધિ નથી

ગત 7 એપ્રિલના રોજ સુરતના મોટા વરાછા ખાતે આવેલા ગોપાલ ઇટાલિયાના ઘર પર પોલીસ મહેસાણામાં 2020માં પરવાની વિના રેલી કાઢવા મામલે સમન્સ આપવા માટે ગઈ હતી ત્યાર બાદ આપના ધારાસભ્ય ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ઇટાલિયાએ કહ્યું હતું કે, સુરત પોલીસે મારા ઘરે પહોંચી મારા માતા સાથે ગાળાગાળી કરી હતી. આ વિવાદ બાદ એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં સામેની વ્યક્તિને કહે છે કે, પોલીસ ઘરે સમન્સ આપવા આવે તો આવવા દે, આપણે કહેવાનું થાય કે મારી મા ને હેરાન કરે છે આ લોકો.આ કથિત ઓડિયો ક્લિપ મામલે ઇટાલિયાએ કહ્યું કે, આ ઓડિયોને AI દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. બનાવનારાને બુદ્ધી નથી. આ પણ વાંચો: 'હર્ષ સંઘવી તમે ગૃહમંત્રી હોવ તો અમે ફાટી નથી પડતા, હું વિસાવદરમાં જ છું જ્યારે ધરપકડ કરવી હોય છૂટ છે' વાઇરલ ઓડિયોમાં શું વાતચીત છે? જીતુ: હા ગોપાલભાઈ...ગોપાલ: હા જીતુ... બોલો.જીતુ: હા ગોપાલભાઈ ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, ઈ આવવાના હતા વોરંટ બજાવવા આજકાલમાં...ગોપાલ: હશે... ભલેને આવે.જીતુ: એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને...ગોપાલ: શેનો નિયમ?જીતુ: એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા ઘરે જાય અને પછી સાબિતી હાટુ પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે અને પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ન્યાં ગયા હતા એમ એને પકડવા એમ.ગોપાલ: હા તો પાડવા દો ફોટા... એ તો સારું ે આપણે? આપણે કહેવાનું કે ભાજપવાળા અમારી પાછળ પડ્યા છે બીજું શું...જીતુ: પણ તમે ઘરે નહીં હો ને?ગોપાલ: હા પણ માજી તો મળશે ને? આપણે કહેવાનું થાય કે મારી મા ને હેરાન કરે છે આ લોકો.જીતુ: એમ નહીં...ગોપાલ: એ તો મૂક ને ભાઈ હું સમજી ગયો, એમાં કંઈ ફાટી નથી પડવાનું હોય... એ પોલીસવાળાને આવવા દો... એ તો હું જોઈ લઈશ પછી. ‘મારા પરિવાર સાથે ગેરવર્તનનો ભાંડો ફોડ્યો તો AI ઓડિયો વાઇરલ થયો’આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચોરી અને એના ઉપર સીનાજોરી. હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર. તો સાંજ સુધીમાં એક બનાવટી AI ઓડિયો વાઇરલ થઈ ગયો! ‘અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં?’અરે વાહ! તમને બધી ખબર પડી જાય છે. અમે તો આખા વર્ષમાં તમારા ઉપર 100 પ્રકારના મુદ્દા ઉપર આંગળી ઊંચી કરી છે. અમે તમારા વિરુદ્ધમાં કીધું કે ડ્રગ્સના કારોબારની અંદર તમારી આખી પાર્ટી સંડોવાયેલી છે, કેમ અમારો ઓડિયો ના આવ્યો? અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં? અમે તો કીધું કે દારૂના હપ્તા તમારા ભાજપ વાળા કમાય છે, કેમ ઓડિયો ના આવ્યો? તમારા ઉપર જ્યારે જ્યારે અમે સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિષ કરી છે, તો સાંજે છેક એક બનાવટી ઓડિયો વાઇરલ કરવામાં આવ્યો. ‘અમે તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કંઈ ભાગી જવાના નથી’કંઈ વાંધો નહીં, કરો વાઇરલ. જનતા બધું જ જાણે છે કે સાચું શું છે અને ખોટું શું છે. સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતાં પણ વધુ FIR કરીને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું છે. પણ કંઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કંઈ ભાગી જવાના નથી. અમે તો લડનારા હિંમતવાન માણસો છીએ. ગઈકાલે જે કૃત્ય કર્યું, એ કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હતું, અત્યંત જઘન્ય પ્રકારનું કહી શકાય. અને ચોરી ઉપરથી સીનાજોરી કે એક તો મારા પરિવારને હેરાન કરવા, ધાકધમકી કરાવવા માટે તમે પોલીસ મોકલો છો અને ઉપરથી પાછો ઓડિયો બનાવવાનો! અને એ ઓડિયો પણ 8 પાસને છાજે એવો છે. 'અરે ભાઈ 8 પાસ! આવું જ્ઞાન મને કોણે આપવાની જરૂર છે?' કોઈ નિમ્ન કક્ષાની વૃત્તિ ધરાવતા માણસ જેવો ઓડિયો બનાવે એવો ઓડિયો છે. જેમાં કહેવાતો જે કોઈ ભાઈ છે સામેવાળો, એ પાછો મને કાયદાનું જ્ઞાન આપે છે કે હમણાં નવો નિયમ આવ્યો છે એમાં પછી આ ફોટો અપલોડ કરવા પડે. અરે ભાઈ 8 પાસ! આવું જ્ઞાન મને કોણે આપવાની જરૂર છે? હું તો ઓલરેડી પોલીસમાં રહી ચૂક્યો છું. હું પોતે વકીલ છું, મને બધી જ ખબર હોય કયો નિયમ છે અને કયો નિયમ નથી. એમાં મને કાંઈ કોઈએ ફોન કરીને કહેવાની જરૂર નથી હોતી કે હવે આવો નિયમ આવ્યો છે. પાછો કહેનારો વ્યક્તિ એમ પણ કહે છે કે બા ઘરે એકલા છે. ઓહોહો... આટલી બધી ફેબ્રિકેટેડ વાત! ‘એ ખુલાસા ટાઈપની અંદર ચર્ચા જોડવામાં આવી છે’બા ઘરે એકલા છે કે નહીં એનાથી પોલીસને ક્યાં આમાં કંઈ લેવા-દેવા છે? અને જાણે તો મને ફોન કરીને પોલીસે આગોતરી જાણ કરી હોય કે તમારી ઘરે આવું થશે, આમ કરશે, તેમ કરશે. એટલે આખો આ બનાવટી ઓડિયો અને દુઃખની બાબત તો એ છે કે આવો ઓડિયો જે બનાવવામાં આવ્યો છે, એ ઓડિયો બનાવનારા લોકોને પણ બુદ્ધિ નથી કે આની અંદર જે કંઈ વાતચીત એણે સામેલ કરી છે અને મેં જે મેં મુદ્દા ઉઠાવ્યા, મેં એમ કીધું કે હર્ષ સંઘવી આટલી-આટલી પ્રકારે દાદાગીરી કરી છે. જાણે કે એનો ભાજપ ખુલાસો કરતું હોય, એ ખુલાસા ટાઈપની અંદર ચર્ચા જોડવામાં આવી છે. ‘હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવી-દોડાવીને મારે છે’એટલે આ આખી બનાવટી વાત જે છે ચૂંટણી ટાણે આવી છે. અમે તો કહીએ છીએ કે હર્ષ સંઘવીના આવ્યા પછી ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર વધ્યો છે. બનાવો એનો પણ એક ઓડિયો ગોપાલ અને કોઈ ભાજપના નેતા વચ્ચેનો અને કરો વાતચીત કે ભાજપના નેતા પૈસા કેટલા લે છે અને ગોપાલભાઈને એ જાણ કરે છે એવો. અમે તો એમ પણ કહીએ છીએ કે તમારા આવ્યા પછી, હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવી-દોડાવીને મારે છે. પાટણમાં માર માર્યો, અમદાવાદમાં માર માર્યો, રાજકોટમાં, અમદાવાદમાં વટવા સાઈડ પોલીસની ગાડીઓ પર તલવારો મારી હતી. પોલીસને ગુંડાઓ મારી લેવામાં સહેજ પણ શરમાતા નથી સંઘવીના આવ્યા પછી. તો એનો એક ઓડિયો બનાવો ગોપાલ અને કોઈ એસપી-આઈપીએસ વચ્ચેનો કે અમને બહુ મારે છે ગોપાલભાઈ, આ સંઘવી આવ્યા પછી બહુ માર મારે છે અમને. તમારી ઉપર 100 સવાલ ઉઠાવ્યા છે ત્યારે તમને ઓડિયો બનાવવાનું ના સૂઝ્યું અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ ગાળો દેવડાવી, મારા પરિવાર ઉપર ધાકધમકી કરવાની કોશિશ કરી ત્યાં તો ઓડિયો બનાવ્યો અને કેટલાક હર્ષ સંઘવીની ટોળકીના સભ્યો દ્વારા સનસનીખેજ ભરેલા સમાચારની જેમ પ્રસારિત કરવામાં આવ્યો. ભાઈ કોઈ સનસનીખેજ નથી, સનસની તો 2027માં સનસનીખેજ ભરેલા સમાચાર આવવાના છે. ઇટાલિયાની ધરપકડથી ગુજરાતના નાગરિકોની ન્યાય મળી જશે?: ઇસુદાન ગઢવીઆ અંગે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવાનો ષડયંત્ર રચાયું છે. શું ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડથી ગુજરાતના નાગરિકોની ન્યાય મળી જશે? શું તમને ખ્યાલ છે ગોપાલભાઈની કેટલી લોકપ્રિયતા છે? ગોપાલ ઇટાલિયાને તમે જેટલા પરેશાન કરશો એટલા જ ગુજરાતના લોકો રસ્તા પર ઉતરી આવશે. ભાજપના જે કાર્યકર્તાઓ ગોપાલભાઈના ફેન છે એ પણ આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:11 pm

નવસારીના કબીલપોર GIDCમાં વહેલી સવારે આગ:લાકડાના બોક્સ બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન

નવસારી શહેરના કબીલપોર GIDC વિસ્તારમાં આવેલી અક્ષર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. નવસારી ફાયર બ્રિગેડની ટીમે આશરે અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 'અક્ષર એન્ટરપ્રાઇઝ' કંપની સોલર ઇન્વર્ટર માટે લાકડાના પેકિંગ બોક્સ બનાવવાનું કામ કરે છે. આજે મળસ્કે અંદાજે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. કંપનીમાં લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના 20 સભ્યોની ટીમે 3 ફાયર ટેન્ડરો દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો. અંદાજે અઢી કલાક સુધી સતત પાણીનો છંટકાવ કર્યા બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે, કંપનીમાં રહેલો લાકડાનો જથ્થો અને તૈયાર બોક્સ બળીને ખાખ થઈ જતાં સંચાલકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:10 pm

સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર:ત્રણ સ્થળોએ ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકોની તરસ છીપાવવા માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. આ સેવાકીય કાર્ય દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈના સહયોગથી કરવામાં આવ્યું છે. જળ એ જ જીવન ના સૂત્રને સાર્થક કરતા, આ પરબ સુરેન્દ્રનગર શહેરના ત્રણ અલગ અલગ સ્થળોએ નાત-જાતના ભેદભાવ વિના શરૂ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાહદારીઓ અને જનસમુદાયને સરળતાથી ઠંડું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પરબ મહેતા મોબાઈલ (ફોનવાલે), A ડિવિઝન પોલીસ સ્ટેશન સામે., રતન ટાઈમ, ન્યૂ માર્કેટ સામે, પતરાવાળી ચોક, શ્રેણિક એન્ટરપ્રાઈઝ, મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, જવાહર રોડ જેવા સ્થળોએ કાર્યરત કરવામાં આવી છે આ સેવાકીય કાર્યના શુભારંભ પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરની સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહી હતી. આ આયોજન દ્વારા ઉનાળામાં લોકોને ઠંડું અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:09 pm

મોરબીમાં રોડના કામમાં નડતરરૂપ દબાણો દૂર કરાયા:ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચે મહાપાલિકાનું બુલડોઝર ફર્યું

મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચે રોડ નિર્માણ કાર્યમાં અવરોધરૂપ દબાણો હટાવવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પાકા અને કાચા બાંધકામો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા. વિવિધ આસામીઓ દ્વારા રોડની જગ્યામાં બે ફૂટથી લઈને છ ફૂટ સુધી દબાણ કરવામાં આવ્યું હતું, જેને દૂર કરાયું. મચ્છુ કેનાલની બાજુમાં નવા રોડના નિર્માણ માટે આ કામગીરી ચાલી રહી છે. આ રોડના કામમાં અવરોધરૂપ થતા દબાણોને કારણે મહાપાલિકાએ આ પગલું ભર્યું હતું. ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ મોરબીના કોઈપણ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવશે. તેમણે લોકોને સ્વેચ્છાએ સરકારી જમીન પરના દબાણો હટાવવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:05 pm

ગોધરા રાયોટિંગનો મુખ્ય સૂત્રધાર ઝાકીર ઝભા ઝડપાયો:પોલીસનો વેશપલટો, મહારાષ્ટ્રની હોટલમાંથી 6 મહિના બાદ દબોચાયો

ગોધરા શહેરના ચકચારી રાયોટિંગ ગુનાનો મુખ્ય સૂત્રધાર ઝાકીર ઝભા મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી ઝડપાયો છે. પંચમહાલ SOGની ટીમે છ મહિનાથી ફરાર આ આરોપીને ફિલ્મી ઢબે વેશપલટો કરીને દબોચી લીધો હતો. ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર રાયોટિંગના ગુનામાં ઝાકીર ઝભા મુખ્ય સૂત્રધાર તરીકે વોન્ટેડ હતો. તે મહારાષ્ટ્રમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતા SOGની ટીમ સક્રિય થઈ હતી. આરોપી ઓળખી ન જાય તે માટે પોલીસ જવાનોએ પોતાની ઓળખ છુપાવી વેશપલટો કર્યો હતો. SOGની ટીમે મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન નાસિક રોડ પર આવેલી 'હોટલ અના સાગર' માંથી ઝાકીર ઝભાને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઘટના 19 સપ્ટેમ્બર, 2025 ની મોડી રાત્રે બની હતી. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝાકીર ઝભાને પોલીસ મથકે બોલાવવાને લઈને ગેરસમજ થતા મોટી સંખ્યામાં લોકોનું ટોળું ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ મથકે ધસી આવ્યું હતું. ટોળાએ પોલીસ મથકનો ઘેરાવો કરવા ઉપરાંત પોલીસ ચોકી નંબર ચારમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે 100 થી વધુ ઇસમોના નામ જોગ અને 200 થી વધુના લોકટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:04 pm

પોરબંદર અકસ્માતમાં ચાર મૃતક યુવાનોના પરિવારને સહાય:મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી, પરિજનોને આર્થિક સહાય જાહેર

પોરબંદર એરપોર્ટ નજીક ગત રોજ બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર યુવાનોના નિધન થયા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારીબાપુએ આ દુર્ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને મૃતક યુવાનોના પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. અખબારી અહેવાલો દ્વારા આ દુર્ઘટનાની જાણ થતાં પૂજ્ય મોરારીબાપુએ મૃતક યુવાનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે માનવતાવાદી અભિગમ દાખવીને પ્રત્યેક મૃતક યુવાનના પરિવારને ₹15,000 ની સહાય જાહેર કરી છે. કુલ ₹60,000 ની ‘હનુમંત સંવેદના’ સહાયતા રાશિ પરિવારોને મોકલવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુના આદેશ મુજબ, પોરબંદર સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આજે મૃતક યુવાનોના ઘરે રૂબરૂ જઈને આ સહાય રાશિ અર્પણ કરવામાં આવી રહી છે. બાપુએ શોકગ્રસ્ત પરિવારોને આ મુશ્કેલ સમયમાં હિંમત રાખવા સંદેશ પાઠવ્યો છે. પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે, 'આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાનોના નિર્વાણ માટે હું ભગવાન શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. પરમાત્મા તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી મંગલ કામના.' આમ, પૂજ્ય મોરારીબાપુએ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સામાજિક જવાબદારી નિભાવીને પીડિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:55 am

કોંગ્રેસના 3 ઉમેદવારના નામ AMCની મતદાર યાદીમાંથી ગાયબ:નવરંગપુરા, ઈન્દ્રપુરી અને ચાંદલોડિયા વોર્ડના ઉમેદવાર ફોર્મ નહીં ભરી શકે, નવા નામ જાહેર થશે

ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામને લઈને રાત્રે 2-2 વાગ્યા સુધી બેઠકો કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સહ પ્રભારી બી. વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની સાથે બેઠક મળી હતી. જેમાં નિર્વિવાદીત ઉમેદવારના નામ પર ચર્ચા કરી તેની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. મોટાભાગે આ યાદીમાં એવી બેઠક અને ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જેને લઈને કોઈ વિવાદ સર્જાય નહીં, પરંતુ તેમ છતાં એક-બે બેઠક પર સ્થાનિક કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કરી ઉમેદવાર બદલવા માગ કરી હતી. જેને શાંત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યાં બીજા ઉમેદવારો ફોર્મ પણ નહીં ભરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 3 ઉમેદવાર ફોર્મ જ નહીં ભરી શકેકોંગ્રેસની પહેલી યાદીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે 32 વોર્ડમાં ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 12 વોર્ડમાં તો આખી પેનલ જાહેર કરવામાં આવી છે તો કુલ 92 ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે જેમાંથી 3 જેટલા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ જ નહીં ભરી શકે. ટિકિટ મળ્યા બાદ ઉમેદવારોના ખુશી જોવા મળી હતી. પરંતુ જ્યારે ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ એકઠા કરવાનું શરૂ કર્યું ત્યારે નવી મતદાર યાદી જોઈને ઉમેદવારો પણ ચોંકી ગયા હતા. 3 ઉમેદવારોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ3 જેટલા ઉમેદવારોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. નવરંગપુરા વોર્ડના ઉમેદવાર ભાવનાબેન જાડેજા, ઇન્દ્રપુરી વોર્ડના ઉમેદવાર ધનીબેન જાડેજા અને ચાંદલોડિયા વોર્ડના ઉમેદવાર ચંદ્રકાંત ગજ્જરનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું છે. ઉમેદવારની યાદી જાહેર થયા બાદ ઉમેદવારોને ખબર પડી કે તેમનું નામ મતદાર યાદી નથી. ઉમેદવારોએ 2 દિવસ સુધી મતદાર યાદીમાં નામ એડ કરવા ધક્કા ખાધા છે, પરંતુ હવે આ ત્રણેય ઉમેદવારોના નામ મતદાર યાદીમાં એડ થઈ શકે તેવું નથી. જેથી ટિકિટ મળવા છતાં ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે એટલું જ નહીં મતદાન પણ નહીં કરી શકે. જેથી કોંગ્રેસે હવે આ ત્રણેય વોર્ડમાં નવા ઉમેદવારના નામની જાહેરાત કરવી પડશે. ‘વિધાનસભાની યાદીમાં નામ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદીમાં નથી’નવરંગપુરા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન જાડેજાએ જણાવ્યું હતું કે, વિધાનસભાની યાદીમાં નામ છે, ભાગ નંબર સીરિયલ નંબર અને પોલીસ સ્ટેશનનું નામ પણ આવી ગયું છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાં મારું નામ નથી. ચૂંટણી લડવા માટે તમામ તૈયારીઓ કરી દીધી હતી. દરેક વોર્ડમાં જન સંપર્ક પણ શરૂ કરી દીધો હતો. તેમ જ પાર્ટીએ ટિકિટ આપતા ખુશી પણ હતી, પરંતુ હવે મતદાર યાદીમાં નામ ન હોવાથી ઘણું દુઃખ થઈ રહ્યું છે. કોર્ટમાં જવાની તૈયારીત્રણ વોર્ડમાં મારું નામ સમિતિએ મૂક્યું હતું. વિધાનસભાની મતદાર યાદીમાં નામ આવી ગયું હોવાથી એવું લાગ્યું હતું કે કોર્પોરેશનની મતદાર યાદીમાં પણ નામ આવી જશે. ત્રણ વોર્ડની યાદીમાં બુથ પ્રમુખો સાથે નામ ચેક કર્યું, પરંતુ ક્યાંય પણ નામ જોવા મળ્યું નથી. જ્યારે નવા વાડજમાં આવેલા મહેસૂલ ભવનમાં ગઈ ત્યારે ત્યાંના અધિકારીઓએ એવું કહ્યું હતું કે હવે આમાં અમે બીજી કોઈ મદદ નહીં કરી શકીએ. જેથી હવે વકીલોની સલાહ મુજબ કોર્ટમાં જવાની પણ તૈયારી કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:51 am

મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી બે શખ્સ ફરાર, CCTV:સોસાયટીમાં વોકિંગ કરતા હતાને ગઠીયાઓ બાઈક પર ત્રાટક્યા, TB હોસ્પિટલ રોડ પરની ઘટના

શહેરના ટી.બી. હોસ્પિટલ રોડ પર આવેલી ONGC સોસાયટીમાં રાત્રિના સમયે વોકિંગ કરી રહેલા એક મહિલાના ગળામાંથી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સ સોનાના મંગળસૂત્રની ચીલઝડપ કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમટ તેજ કર્યો છે. વોકિંગ કરતા હતાને મંગળસૂત્ર ખેંચી લીધું ટી. બી.હોસ્પિટલ પાસે ઓ.એન.જી.સી. સોસાયટીમાં રહેતા અને ઘરકામ કરતા સ્વીટીબેન પટેલ 6 એપ્રિલ 2026ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યે પોતાની સોસાયટીની ગલી પાસે વોકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક પર બે અજાણ્યા શખ્સ તેમની નજીક આવ્યા હતા. કંઈ પણ બોલ્યા વગર પાછળ બેસેલા શખ્સે સ્વીટીબેનના ગળામાં પહેરેલ હીરાજડિત સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું. બાઈક પર બંન્ને શખ્સ ભાગી છૂટ્યા મહિલાએ બૂમાબૂમ કરતા બંને ગઠીયાઓ બાઈક લઈને આશ્રય હોટલ તરફ ભાગી છૂટ્યા હતા. ભોગ બનનાર મહિલાના જણાવ્યા અનુસાર બાઈક ચાલકે કાળા રંગનું માસ્ક અને ક્રીમ કલરનું પેન્ટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેસેલા શખ્સના ખભા પર થેલો અને હાથમાં હેલ્મેટ હતું. બંનેની ઉંમર આશરે 30 થી 35 વર્ષની જણાઈ હતી. ઘટના બાદ મહિલાએ તુરંત જ GIDCમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા તેમના પતિને જાણ કરી હતી. દંપતીએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ રાત્રિના સમયે સફળતા મળી ન હતી. અંતે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ વિસ્તારના CCTV ફૂટેજ મેળવીને ગઠીયાઓને પકડવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:37 am

સંખેડા પોલીસે XUVમાંથી ₹7.19 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:લોટીયા ચોકડી પાસેથી દારૂ ભરેલી ગાડી મૂકી ચાલક ફરાર થયો

છોટા ઉદેપુર જિલ્લાના લોટીયા ચોકડી પાસેથી સંખેડા પોલીસે XUV ગાડીમાંથી રૂ. 7,19,797/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 12,19,797/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. હાલમાં ચૂંટણીને કારણે ઠેર ઠેર વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન સંખેડા પોલીસ ગોલા ગામડી ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે બોડેલી તરફથી ગોળ ગામડી તરફ XUV ગાડી નંબર GJ 01 HZ 7135 માં વિદેશી દારૂ ભરીને આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા, તેના ચાલકે દૂરથી પોલીસને જોઈને ગાડી લોટીયા તરફ વાળીને ભગાવી હતી. સંખેડા પોલીસે તેનો પીછો કરતા, ચાલક આગળ જઈને ગાડી મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1535 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 7,19,797/- થાય છે. પોલીસે વિદેશી દારૂ અને XUV ગાડી સહિત કુલ રૂ. 12,19,797/- નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:33 am

પંચમહાલમાં વરસાદમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 2નાં મોત:શહેરાના છોગાળામાં પૌત્ર અને દાદી દટાયા, પરદાદા ઈજાગ્રસ્ત; મૃતદેહો રેફરલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ગઈકાલે ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદે વિનાશ વેર્યો હતો. તાલુકાના છોગાળા ગામના ક્લારીયા ફળિયામાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જવાથી દાદી અને પૌત્રના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દીવાલે બેના જીવ લીધામળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન છોગાળા ગામના ક્લારીયા ફળિયામાં એક મકાનની દીવાલ અચાનક ધસી પડી હતી. દીવાલની બાજુમાં જ હાજર 42 વર્ષીય સુકલીબેન જસવંતભાઈ વણજારા અને 7 વર્ષનો પૌત્ર ધાર્મિક સુરેશભાઈ વણઝારા કાટમાળ નીચે દબાઈ ગયા હતા. બચાવ કામગીરી અને જાનહાનિઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડી બંનેને બહાર કાઢ્યા હતા. જોકે, 7 વર્ષના ધાર્મિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સુકલીબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં જ તેમણે દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં ઘરમાં હાજર મૃતક મહિલાના સસરા ખતું વણઝારાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ કાર્યવાહીબંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શહેરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના 2 સભ્યોના અકાળે અવસાનથી છોગાળા પંથકમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:21 am

બોટાદની કિન્ડર જોઈ પ્રી-સ્કૂલમાં:બાળકોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા

બોટાદના પાળીયાદ રોડ પર પંજવાણી કાંટા પાસે ઉમા પાર્ક 4 માં આવેલી કિન્ડર જોઈ પ્રી-સ્કૂલમાં શૈક્ષણિક સત્રના સમાપ્તિ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે UKG માંથી ધોરણ 1 માં જતા બાળકો માટે વિદાય સમારોહનું પણ આયોજન કરાયું હતું. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દ્વારા બાળકોના ઉત્સાહમાં વધારો કરાયો હતો. વિદાય સમારોહ દરમિયાન બાળકોએ પોતાની સુંદર પ્રતિકૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમ ખૂબ જ મનમોહક રહ્યો હતો. શાળાના તમામ શિક્ષકોએ બાળકોના કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ શાળાના પ્રિન્સિપાલ રાખીબેન કમલકુમાર લીંબડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કિન્ડર જોઈ પ્રી-સ્કૂલમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે અને દરેક તહેવારોનું મહત્વ સમજાવીને તેની ઉજવણી પણ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:19 am

મુળચંદ ગામના ગ્રામજનોની ભાજપ પાસે માંગ:સ્થાનિક ચૂંટણીમાં ગામના 2 ઉમેદવારોને ટિકિટ આપો, નહીંતર વિરોધ

સુરેન્દ્રનગર: વઢવાણના મુળચંદ ગામના ગ્રામજનોએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પાસેથી ગામના બે ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરી છે. જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગ્રામજનોએ એક બેઠક યોજીને ભારતીય જનતા પાર્ટી સમક્ષ આ રજૂઆત કરી હતી. મુળચંદ ગામ 3500થી વધુ વસ્તી ધરાવે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામનું પ્રતિનિધિત્વ કરવા માટે બે ઉમેદવારોને ટિકિટ મળે તેવી તેમની અપેક્ષા છે. ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ ગામની મુલાકાત લીધી હોવા છતાં, તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને ભવિષ્યમાં પણ ભાજપમાં જ રહેવા માંગે છે. તેથી, તેઓ ભાજપ પાસેથી જ સકારાત્મક પ્રતિસાદની અપેક્ષા રાખે છે. સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી છે, જેમાં મુળચંદ ગામ સહિત આસપાસના પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. દરેક વોર્ડમાં 30થી વધુ ઉમેદવારોએ ટિકિટ માંગી છે અને કુલ 500થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપ 13 વોર્ડમાં કયા 52 ઉમેદવારોની પસંદગી કરશે તેના પર સૌની નજર છે. આ સંજોગોમાં, જો ભાજપ પક્ષ મુળચંદ ગામના ઉમેદવારોની પસંદગી નહીં કરે, તો ગામમાં વિરોધનો વંટોળ સર્જાઈ શકે છે અને નવા રાજકીય સમીકરણો જોવા મળી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:18 am

અમરેલીમાં એકપછી એક 8 ભૂકંપના આંચકા:સવારે 4:15થી 8:57 વાગ્યા સુધીમાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો; સિસ્મોલોજી વિભાગની સતર્ક રહેવા અપીલ

અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. રાત્રિથી લઈને સવારના 9 વાગ્યા સુધીમાં કુલ 8 આંચકા નોંધાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. અનેક ગામોની ધરા ધ્રુજીસવારના સમયગાળામાં વિવિધ તીવ્રતાના આંચકાઓ નોંધાયા હતા. સવારે 4:15 વાગ્યે 1.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, ત્યારબાદ 4:16 વાગ્યે 2.3, 4:24 વાગ્યે 1.0, 4:57 વાગ્યે 1.4, 7:00 વાગ્યે 2.2, 7:15 વાગ્યે 3.5 (લગભગ), 7:51 વાગ્યે 1.5 અને 8:57 વાગ્યે 1.5 તીવ્રતાના આંચકા નોંધાયા હતા.આ આંચકાઓની અસર મીતીયાળા, ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સહિતના ગામોમાં અનુભવાઈ હતી. કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિ.મી દૂરભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિલોમીટર દૂર નોંધાયું છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે પણ આ અંગે સત્તાવાર પુષ્ટિ આપી છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી, છતાં સતત આંચકાઓને કારણે લોકોમાં ચિંતા અને ભયનો માહોલ છે. સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:54 am

બાંધકામ સાઈટ પરથી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો:100થી વધુ CCTV ખંગાળીને પોલીસે ત્રણને દબોચ્યા, સાંતેજમાં સુપરસીટી લક્ઝરીયા-3 સાઈટ પરથી કરી હતી ચોરી

ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં બાંધકામ સાઇટ પરથી લાખોની કિંમતના ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રાત્રિના અંધકારમાં નિર્માણધીન સાઇટ પર ત્રાટકી આ ગેંગ 1,530 મીટર લાંબા વાયર કાપીને ચોરી કરી પલાયન થઈ હતી. જેમની પાસેથી કુલ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાંધકામ સાઈટ પરથી કેબલની કરી હતી ચોરીસાંતેજ ગામની સીમમાં સુપરસીટી લકઝરીયા-3 નામની સાઇટ પર 31 માર્ચથી 1 એપ્રિલના સમયે કેબલ ચોરી થયાની ઘટના સામે આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, અજાણ્યા તસ્કરોએ અલગ અલગ સાઈઝના 1.81 લાખથી વધુની કિંમતના કેબલની ચોરી કરી છે.જે મામલે કંપનીએ સ્ટોક અને કેબલની લંબાઈની ખરાઈ કર્યા બાદ 5 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં 100થી વધુ CCTV ફૂટેજની તપાસફરિયાદના આધારે સાંતેજ પોલીસ મથકના PI એસ. આર. મૂછાળની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા 100થી વધુ CCTV કેમેરાની ચકાસણી હાથ ધરી હતી. ત્યારે બાતમીના આધારે સાંતેજ ગામની સીમમાં ટીપી રોડ પર વોચ ગોઠવી ચોરીના કોપર વાયર સાથે જઈ રહેલી રિક્ષાને અટકાવી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી હત્યા, લૂંટના ગુનામાં પણ સંડોવણીજે આરોપીઓની પૂછપરછ દરમિયાન સુપરસીટી લક્ઝરીયા-3ની સાઇટ પરથી કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે PI મૂછાળે કહ્યું કે, શૈલેષ ઉર્ફે શેરડી પટણી, ​કરણ પટણી અને ​રણજીત ઉર્ફે સાવલો પટણીને રુપિયા 63 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલાયો છે. ​આ તમામ આરોપીઓ હાલ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના રહેવાસી છે. મુખ્ય આરોપી શૈલેષ ઉર્ફે શેરડી પટણી અગાઉ પણ હત્યા, લૂંટ અને ચોરી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જેની વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:47 am

6 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો:માથા-મોઢા પર ગંભીર ઇજા, તંત્ર સામે કાર્યવાહીની માંગ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો છે. આજે ગામમાં એક 6 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બાળક ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. શ્વાને બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર બચકા ભર્યા હતા, જેના કારણે બાળકને ઇજાઓ થઈ હતી. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બાળકને શ્વાનથી છોડાવ્યો હતો. ગંભીર ઇજાઓ થતાં બાળકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. આ હુમલાને લઈને બાળકના પરિવારજનો અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે ગામમાં રખડતા શ્વાનોનો પ્રશ્ન લાંબા સમયથી વણઉકેલ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની અને રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:10 am

લખતર મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ:નાયબ મામલતદાર અને પટ્ટાવાળો ₹20 હજાર લેતા ઝડપાયા, ખેત જમીન નોંધ પ્રમાણિત કરવા લાંચ માગી

સુરેન્દ્રનગર એ.સી.બી.એ લખતર મામલતદાર કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પટ્ટાવાળાને રૂ. 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમાર (ઉ.વ. 40, રહે. પાટડી) અને આઉટસોર્સ પટ્ટાવાળા કનકસિંહ વાધુભા ઝાલા (ઉ.વ. 37, રહે. લખતર)નો સમાવેશ થાય છે. આ કેસમાં ફરિયાદીના પિતાએ લખતર તાલુકાના વડલા ગામે ખેત જમીન વેચાણથી રાખી હતી. આ જમીનની નોંધ પ્રમાણિત કરી આપવા માટે આરોપીઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. શરૂઆતમાં, આરોપી કનકસિંહ ઝાલાએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેમની નોંધ પ્રમાણિત કરવા માટે રૂ. 50,000 આપવા પડશે, જે 'સર્કલ સાહેબ' દ્વારા માંગવામાં આવ્યા છે. વાતચીતના અંતે, લાંચની રકમ રૂ. 30,000 નક્કી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન, આરોપીઓએ રૂ. 20,000ની લાંચની માંગણી કરી હતી. નાયબ મામલતદાર જયદિપસિંહ પરમારે ફરિયાદીને લાંચના નાણાં આરોપી કનકસિંહ ઝાલાને આપવા જણાવ્યું હતું. કનકસિંહ ઝાલાએ ફરિયાદી પાસેથી રૂ. 20,000ની ગેરકાયદેસર લાંચની રકમ સ્વીકારતા જ બંને આરોપીઓ સ્થળ પરથી પકડાઈ ગયા હતા. આરોપીઓએ પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હતી. આ ટ્રેપ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. પટેલ અને સુરેન્દ્રનગર એ.સી.બી. સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવી હતી. આ કાર્યવાહીનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા, એ.સી.બી. રાજકોટ એકમ, અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા, એ.સી.બી. રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:01 am

ભાજપ સ્થાપના દિવસે 'ઘર-ઘર સંપર્ક અભિયાન':સુરેન્દ્રનગરના વોર્ડ 4 અને 7 માં પત્રિકા વિતરણ, લોકસંપર્ક

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપના આદેશ મુજબ રાજ્યભરમાં “ઘર-ઘર સંપર્ક અભિયાન” હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં વિવિધ વોર્ડમાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ પરિવારો સાથે સીધો સંપર્ક કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષની વિચારધારા અને સેવાકીય પ્રવૃત્તિઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો હતો. સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 4 માં જીગ્નાબેન પંડ્યા, ધર્મેન્દ્રભાઈ પંડ્યા અને મિલિન્દ કોઠારી દ્વારા સઘન સંપર્ક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યકરોએ ઘરે-ઘરે જઈને સરકારની સિદ્ધિઓ અને પક્ષના આગામી લક્ષ્યો વિશે પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ પણ આ અભિયાનને સારો પ્રતિસાદ આપ્યો હતો. વોર્ડ નંબર 7 ના બુથ નંબર ૨૧૫ માં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં વોર્ડ પ્રભારી શિલ્પાબેન રાઠોડ, ઉપપ્રમુખ શ્રી વિક્રમસિંહ મોરી, રવિરાજસિંહ જાડેજા, વિરલભાઈ શુકલ અને ડો. હેતલબેન જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પૂર્વ સદસ્ય પિન્ટુબેન અસાણીયા, પારુલબેન શુકલ, નિતાબેન જોષી અને સ્મિતાબેન વોરાએ પણ બહેનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાતો દ્વારા સેવા અને સંગઠનના સંદેશને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:54 am