SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

'પ્રાચીન મંદિર આવેલું છે, ત્યાં રિપોર્ટમાં મસ્જિદ હોવાનો ઉલ્લેખ':સુરતમાં MLA અરવિંદ રાણાએ કહ્યું, લોકોને પલાયન કરવા મજબૂર ન કરો, ભ્રષ્ટ અધિકારીઓને પદ પરથી હટાવો

સુરતના ઐતિહાસિક નવાપુરા-રાણા વોર્ડમાં અશાંત ધારાના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લઘુમતી વ્યક્તિને મિલકત ટ્રાન્સફર કરવા માટે જે રીતે વહીવટી તંત્રએ મંજૂરી આપી છે, તેના વિરોધમાં સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા અને રહીશોએ લડી લેવાનો મૂડ બનાવ્યો છે. આજે જગન્નાથ મહાદેવના મંદિરે વિશેષ આરતીનું આયોજન કરી, ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંદિરે આરતી કરી અન્યાય સામે અવાજ ઉઠાવ્યોજે સોસાયટીમાં લઘુમતી વ્યક્તિને મકાન વેચવાની પરવાનગી આપવામાં આવી છે, તે જ વિસ્તારમાં આવેલા જગન્નાથ મહાદેવના મંદિરમાં ધારાસભ્ય અરવિંદ રાણા અને સ્થાનિકોએ ભેગા મળીને ભક્તિભાવ સાથે આરતી કરી હતી. આરતી બાદ ધારાસભ્યએ સ્પષ્ટ કર્યું હતું કે આ વિસ્તારની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ સાથે ચેડાં કરનાર કોઈ પણ તત્ત્વને ચલાવી લેવામાં આવશે નહીં. ભ્રષ્ટ અધિકારીઓને પદ પરથી હટાવવા જ પડશે- અરવિંદ રાણાધારાસભ્ય અરવિંદ રાણાએ અધિકારીઓ પર સીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જો અધિકારીઓ આંખો બંધ કરીને અથવા ખોટી માહિતીના આધારે નિર્ણયો લેતા હોય, તો તે સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનો પુરાવો છે. જે લોકોએ લાખો રૂપિયાની લાંચ લઈને કાયદા વિરુદ્ધ જઈને કામ કર્યું છે, તેને તેમના પદ પરથી હટાવવામાં ન આવે ત્યાં સુધી મારી લડત ચાલુ રહેશે.અને કોઈપણ ભ્રષ્ટ અધિકારીને છોડવામાં આવશે નહીં. 'રિપોર્ટમાં મંદિરની જગ્યાએ મસ્જિદ બતાવી'આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલો રિપોર્ટ છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, જ્યાં જગન્નાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે, ત્યાં રિપોર્ટમાં 'માઝુમ મસ્જિદ' હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મસ્જિદ અસ્તિત્વમાં જ નથી અથવા ઘણી દૂર છે, તેને મિલકતની નજીક બતાવીને અન્યને ફાયદો કરાવવા માટે આ મોટો ખેલ ખેલાયો છે. લેખિત વાંધા છતાં મંજૂરી આપતા ભ્રષ્ટાચાર!અરવિંદ રાણાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય તરીકે મેં પોતે અને આજુબાજુના રહીશોએ લેખિતમાં વાંધો રજૂ કર્યો હતો. આમ છતાં, અમારા વાંધાઓને સંપૂર્ણપણે નજરઅંદાજ કરીને કલેક્ટર કચેરીએ પરવાનગી આપી દીધી. આ હકીકત જ ચીસો પાડીને કહી રહી છે કે આમાં મોટો આર્થિક વ્યવહાર થયો છે. 'લોકોને સ્થળાંતર કરવા મજબૂર ન કરો'ધારાસભ્યએ વ્યથા ઠાલવતા કહ્યું કે, જો આ રીતે જ ચાલશે તો આ વિસ્તારના લોકોએ મજબૂરીમાં હિજરત કરવી પડશે. અહીં વર્ષોથી હિન્દુ પરિવારો શાંતિથી રહે છે અને જરીનો વ્યવસાય કરે છે. જો અન્ય ધર્મના લોકો અહીં આવશે તો સંભવિત સંઘર્ષો વધશે અને તહેવારોની ઉજવણીમાં ખલેલ પડશે. હું જનતાની સાથે ઊભો છું જેથી કોઈને પણ પોતાનું ઘર છોડીને જવું ન પડે. ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકીઅરવિંદ રાણાએ વહીવટી તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો આ ગેરકાયદેસર મંજૂરી તાત્કાલિક રદ કરવામાં નહીં આવે, તો તેઓ સ્થાનિકોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. તેમણે કહ્યું કે ખોટા આધારો પર લેવાયેલા નિર્ણયોને સરકાર સ્તરે રજૂ કરીને રદ કરાવવા માટે તેઓ કટિબદ્ધ છે. 'જે લોકોએ લાંચ લીધી છે, તેને જવાબદાર ઠેરવીને પદ પરથી હટાવો'ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, જો મંજૂરી આપવા માટે ખોટા કારણો રજૂ કરવામાં આવતા હોય અને અસ્તિત્વમાં ન હોય તેવા બાંધકામોનો ઉલ્લેખ કરવામાં આવતો હોય, તો તે સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર તરફ નિર્દેશ કરે છે. જો અધિકારીઓ આંખો બંધ કરીને અથવા ખોટી માહિતીના આધારે નિર્ણયો લેતા હોય, જેમ કે એવી મસ્જિદનો હવાલો આપવો જેનું કોઈ અસ્તિત્વ જ નથી, તો ચોક્કસપણે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. જે લોકોએ આ કામ માટે લાંચ લીધી છે, તેને જવાબદાર ઠેરવીને પદ પરથી હટાવવામાં ન આવે ત્યાં સુધી હું મારી લડત ચાલુ રાખીશ. 'અમે અહીં વર્ષોથી રહીએ છીએ અને જરીનો ધંધો કરીએ છીએ'સ્થાનિક નવીનભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે, હું અહીં નવાપુરા ભાગળની પીઠ, મણિધર ખાંચામાં રહું છું. અમે અહીં વર્ષોથી રહીએ છીએ અને જરીનો ધંધો કરીએ છીએ. અમે અહીં બધા ગણેશોત્સવ, નવરાત્રીના ગરબા, હોળીના તહેવારો, મહાશિવરાત્રી અને મંદિરની સાલગિરી સહિતના તહેવારો ખૂબ જ શ્રદ્ધાથી ઉજવીએ છીએ. બધા શ્રદ્ધાથી મંદિરમાં પૂજા કરે છે અને દર્શને આવે છે. અમે વર્ષોથી જરીનો ધંધો કરીએ છીએ. 'અમે કોઈ વિવાદમાં પડવા નથી માંગતા'નવીન જરીવાલાએ કહ્યું કે, અમે ઈચ્છતા નથી કે કોઈ વિધર્મી અહીં આવીને અમારા ધર્મમાં અમને ખલેલ પહોંચાડે. અમે કોઈ વિવાદમાં પડવા નથી માંગતા, અમે બસ શાંતિથી રહેવા માંગીએ છીએ. અહીં મસ્જિદ છે જ નહીં. મસ્જિદ તો ઘણી દૂર છે. મસ્જિદ સાથે કોઈ લેવાદેવા નથી. આ મહોલ્લામાં કોઈ મસ્જિદ છે જ નહીં. અહીં બધા હિંદુઓ જ વસે છે અને આજુબાજુના વિસ્તારોમાં નજીક-નજીક પાંચ મંદિરો આવેલા છે. એટલે અહીં હિંદુઓની વસ્તી વધારે છે અને આ મહોલ્લામાં કોઈ વિધર્મી રહેતું નથી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 2:52 pm

બોટાદ પોલીસે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો:શેરબજારમાં મોટો નફો અપાવવાની લાલચ આપી ઠગતાં પાંચ શખસની ધરપકડ, LCB વધુ તપાસ કરશે

બોટાદમાં શેરબજારમાં મોટો નફો અપાવવાની લાલચ આપી લોકોને ઓનલાઈન છેતરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. બોટાદ ટાઉન પોલીસે ગઢડા રોડ પરથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં સંજયજી દલાજી ઠાકોર, વિપુલજી વિનુજી ઠાકોર, વિશાલજી સરદારજી ઠાકોર, રણજીતજી અરવિંદજી ઠાકોર અને કિરણજી ઉમેદજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે તેમને અર્ટીગા કારમાં બેઠેલા ઝડપી પાડ્યા હતા. આરોપીઓ 'માર્કેટ પલ્સ' નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. તેઓ શરૂઆતમાં રોકાણકારોને નફો બતાવી વિશ્વાસ જીતતા હતા. બાદમાં, ખોટી પીડીએફ મોકલી રોકાણમાં નુકસાન થયું હોવાનું દર્શાવી સંપર્ક તોડી નાખતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી વીવો, સેમસંગ, રીઅલમી અને લાવા કંપનીના મોબાઈલ ફોન તેમજ ડમી સિમકાર્ડ જપ્ત કર્યા છે. બોટાદ ટાઉન પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ LCB PI એમ. એમ. જાડેજાને સોંપી છે. LCB પોલીસે આ ઠગાઈ કેટલા સમયથી ચાલતી હતી, કેટલા લોકો ભોગ બન્યા છે અને 'માર્કેટ પલ્સ' એપની સંપૂર્ણ કાર્યપ્રણાલી શું હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 2:45 pm

હિંમતનગરના કલાકારે રંગોળીથી શિવજીની ભવ્ય પ્રતિમા બનાવી:મહાશિવરાત્રિ નિમિત્તે ભોલેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થીઓ નિહાળી શકશે

મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે હિંમતનગરના કલાકારે સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરે રંગોળી દ્વારા શિવજીની ભવ્ય પ્રતિમા બનાવી છે. હાથમતી નદી કિનારે આવેલા આ મંદિરમાં આવતીકાલે મહાશિવરાત્રિના મેળા દરમિયાન દર્શનાર્થીઓ આ રંગોળી નિહાળી શકશે. હિંમતનગરના રામનગરમાં રહેતા કલાકાર હિતેશ પંચાલે આ રંગોળી તૈયાર કરી છે. તેમણે મંદિર પરિસરમાં 8 ફૂટ પહોળાઈ અને 10 ફૂટ લંબાઈમાં માટીનું લીપણ કરીને ચિત્રની આઉટલાઈન બનાવી હતી. આ રંગોળીમાં શિવલિંગ પાછળ મહાદેવના પ્રાગટ્યનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. હિતેશ પંચાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રંગોળી બનાવવામાં તેમને બે દિવસમાં 10 કલાકથી વધુ સમય લાગ્યો હતો. તેમણે લાલ, વાદળી, પીળો, નારંગી, કથ્થાઈ, કાળો, સફેદ અને લીલો સહિત આઠ અલગ-અલગ રંગોના 14 કિલોથી વધુ જથ્થાનો ઉપયોગ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 2:38 pm

ગઢડા ખરીદ વેચાણ સંઘના પ્રમુખે રાજીનામું આપ્યું:હિરાભાઈ મકવાણાએ નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવ્યું, સહકાર ક્ષેત્રે ચર્ચા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ હિરાભાઈ ગોકળભાઈ મકવાણાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મોટા સખપર ગામના મકવાણાએ પ્રમુખ તેમજ ડાયરેક્ટર બંને પદ છોડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિરાભાઈ મકવાણાએ પોતાનું રાજીનામું ખરીદ વેચાણ સંઘના મેનેજરને સુપરત કર્યું હતું. રાજીનામા પત્રમાં અને ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે નાદુરસ્ત તબિયતને રાજીનામાનું કારણ જણાવ્યું છે. નોંધનીય છે કે પ્રમુખ તરીકે તેમની મુદત પૂર્ણ થવામાં હજુ આશરે ૧૦ મહિનાનો સમય બાકી હતો. આ સંજોગોમાં અચાનક રાજીનામું આપવાથી સહકાર ક્ષેત્રના રાજકારણમાં અનેક તર્કવિતર્કો અને ચર્ચાઓ શરૂ થઈ છે. સહકાર વિભાગ સાથે સંકળાયેલા વર્તુળોમાં આ નિર્ણય પાછળ અન્ય કોઈ આંતરિક કારણો હોવાની શક્યતા અંગે ચર્ચાઓ તેજ બની છે. સ્થાનિક સહકારી રાજકારણમાં આ ઘટનાને એક મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આગામી સમયમાં સંઘના નવા પ્રમુખની પસંદગી કઈ રીતે અને ક્યારે થશે, તે અંગે સભ્યો અને ખેડૂત વર્ગમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 2:32 pm

ગોધરામાં MGVCL 70 લાખના બાકી વીજ બિલ વસૂલશે:પશ્ચિમ વિસ્તારમાં 47 ટીમો દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં બાકી વીજ બિલની વસૂલાત માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી વીજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે આ સામૂહિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગોધરા પશ્ચિમ સબ-ડિવિઝન હેઠળના વિવિધ વિસ્તારોમાં કુલ ₹70 લાખનું વીજ બિલ બાકી છે. આ મોટી રકમની વસૂલાત સુનિશ્ચિત કરવા માટે MGVCL દ્વારા 47 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો ઘરે-ઘરે અને વ્યાપારી એકમો પર જઈને બાકી વીજ બિલની વસૂલાત કરી રહી છે. આ ઝુંબેશમાં મુસ્લિમ A અને B સોસાયટી, ગેની પ્લોટ, સિંગલ ફળિયા, ચેતનદાસ પ્લોટ, મેદા પ્લોટ, વ્હોરવાડ વિસ્તાર, ગોંદરા, નદીપાર, હિલપાર્ક અને મન્સુરી સોસાયટી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 2:31 pm

કપલને જોઈ એમ થાય કે કેમ સિંગલ છીએ, VIDEO:એક યુવક સિચ્યુએશન શિપમાં છે, બીજાની ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી; વેલેન્ટાઇન ડે પર અમદાવાદીઓ શરમાયા

14 ફેબ્રઆરી…આ તારીખ લગભગ દરેક લોકોને યાદ હશે. કારણ કે આજે છે પ્રેમનો દિવસ અને વેલેન્ટાઇન વીકનો છેલ્લો દિવસ એટલે કે વેલેન્ટાઇ ડે…આજે પણ દિવ્ય ભાસ્કર અમદાવાદીઓની વચ્ચે પહોંચ્યું હતું. અમે અમદાવાદીઓને પૂછ્યું કે આખુ વીક અને ખાસ કરીને વેલન્ટાઇન ડે કેવી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો. સવાલ સાંભળતા જ કેટલાક શરમાયા તો કેટલાક હરખાયા તો કેટલાક તો બિન્દાસ્ત રિલેશનશીપ વિશે મન ખોલીને બોલ્યા. વેલન્ટાઇન ડે પર અમદાવાદીઓ કેવી રીતે શરમાયા જોવા માટે તસવીર પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 2:30 pm

હિંમતનગરમાં પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ:પેરામિલેટ્રી સંગઠન દ્વારા જનજાગૃતિ રેલી, પરિવારો માટે માંગણીઓ

હિંમતનગરમાં પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે યોજાયેલી આ રેલી નિવૃત્ત અને શહીદ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ પેરામિલેટ્રી સંગઠન દ્વારા યોજાઈ હતી. આ રેલી શહેરના બસ સ્ટેન્ડથી શરૂ થઈ ટાવર ચોક સ્થિત હિંમત હાઈસ્કૂલના પરિસરમાં સભામાં પરિવર્તિત થઈ હતી. આ રેલી 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પેરામિલેટ્રી ફોર્સના જવાનોને યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન દેશભક્તિના ગીતો અને નારા ગુંજી ઉઠ્યા હતા. રેલીના માર્ગ પર આવતી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને ટાવર ચોકમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ રેલીમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલા પૂર્વ જવાનો અને તેમના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પેરામિલેટ્રી સંગઠનના સભ્યો અને નિવૃત્ત આર્મી જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, શહીદ જવાનોને યોગ્ય દરજ્જો આપવા અને તેમના પરિવારોને પેન્શન તથા અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગણીઓ ઉઠાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 2:19 pm

સોલામાં કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા નોકરી મેળો:41 કંપનીઓ જોડાઈ, 400થી વધુ યુવાનોએ નોંધણી કરાવી

શ્રી ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા સોલા ખાતે નોકરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સોલા સાયન્સ સિટી સામે આવેલા શ્રીજીધામ સ્વામિનારાયણ ખાતે યોજાયો હતો. આ નોકરી મેળામાં 41થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. રોજગારની શોધમાં રહેલા 400થી વધુ યુવાનોએ આ મેળામાં નોંધણી કરાવી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ યુવાનોને રોજગારની તકો પૂરી પાડવાનો અને તેમને યોગ્ય કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. યુવા સંગઠન દ્વારા સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ કાર્યક્રમને સમાજના વડીલો અને સભ્યો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 2:10 pm

કુમકુમ મંદિરે વેલેન્ટાઈન ડે પર ભગવાનને ત્રણ બુકે અર્પણ:સાધુ પ્રેમવત્સલદાસજીએ પ્રેમલક્ષણા ભક્તિનું મહત્વ સમજાવ્યું

અમદાવાદના મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં ૧૪ ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડેના રોજ એક અનોખો પ્રસંગ યોજાયો હતો. મંદિરના હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને શાશ્વત પ્રેમના પ્રતીકરૂપે ત્રણ બુકે અર્પણ કર્યા હતા. આ ઉપરાંત, શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પણ ગુલાબના ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સંસારમાં મનુષ્યો એકબીજાને જે પ્રેમ કરે છે, તેના કરતાં ભક્તો અને ભગવાનનો પ્રેમ વધુ ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ ગણાય છે. તેમણે હિન્દુ ધર્મના ઉદાહરણો આપતા કહ્યું કે, શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે ગોપીઓનો પ્રેમ, શ્રી હનુમાનજીનો રામચંદ્ર ભગવાન પ્રત્યેનો અત્યંત પ્રેમ, અને શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે સચ્ચિદાનંદ સ્વામી તથા દાદાખાચરનો અત્યંત પ્રેમ આવા શાશ્વત પ્રેમના ઉત્તમ દ્રષ્ટાંતો છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ભક્તો ભગવાન વિના રહી શકતા ન હતા, જે પ્રેમની પરાકાષ્ઠા દર્શાવે છે. જેને જેના પ્રત્યે સાચો પ્રેમ હોય, તે તેના વિના રહી શકતો નથી. ભગવાન પ્રત્યે પ્રેમ કરવાથી જીવનો મોક્ષ થાય છે. તેથી, દરેક મનુષ્યએ પોતાના મોક્ષ માટે ભગવાન પ્રત્યે પ્રેમલક્ષણા ભક્તિ કરીને તેમની સાથે જોડાવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 2:07 pm

હત્યા કેસનો દોઢ વર્ષથી ફરાર આરોપી પકડાયો:અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડે સુરતથી ઝડપી ભાવનગર જેલ મોકલ્યો

અમરેલી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડે હત્યાના ગુનામાં દોઢ વર્ષથી ફરાર કાચા કામના કેદી મુકેશ અરજણભાઈ પરમારને સુરતથી ઝડપી પાડ્યો છે. કાયદેસરની કાર્યવાહી બાદ તેને ભાવનગર જિલ્લા જેલ ખાતે ખસેડવામાં આવશે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 અને 326 હેઠળ નોંધાયેલા હત્યાના ગુનામાં 43 વર્ષીય મુકેશ પરમાર ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આદેશથી તેને 28 જૂન 2024 થી 16 જુલાઈ 2024 સુધી વચગાળાની જામીન રજા મળી હતી. રજા પૂર્ણ થયા બાદ તે સમયસર જેલ ખાતે હાજર ન થતાં 16 જુલાઈ 2024 થી તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પેરોલ ફર્લો ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની હરકતો પર સતત નજર રાખી હતી. તપાસ દરમિયાન ટીમને જાણવા મળ્યું કે તેની પત્ની અને સંતાનો સુરતના પુણાગામ વિસ્તારમાં રહે છે. કેદી પરિવારને મળવા આવવાનો હોવાની ખાનગી માહિતી મળતાં ટીમ તાત્કાલિક સુરત રવાના થઈ હતી. પુણાગામ, બાપા સીતારામ સોસાયટી, શાક માર્કેટ રોડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી મુકેશ અરજણભાઈ પરમાર (હાલ રહેવાસી ગીરીરાજ વ્રજભૂમિ, સેક્ટર-2, વરાછા જકાતનાકા, સુરત) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી પીઆઇ એ.ડી. ચાવડા એલ.સી.બી. અમરેલીના માર્ગદર્શન હેઠળ PSI એન.જી. સાપરા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ, એ.એસ.આઇ. એ.એમ. સોલંકી તથા સ્ટાફના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. દોઢ વર્ષથી ફરાર રહેલા હત્યાના ગુનાના કેદીની ધરપકડ અમરેલી પેરોલ ફર્લો ટીમ માટે નોંધપાત્ર સિદ્ધિ ગણાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 1:55 pm

ઝીંઝુવાડા શાળાઓમાં શિક્ષકોની ઘટ, વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત:વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળી સરપંચે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવાની ખાતરી આપી

ઝીંઝુવાડા ગામની કન્યાશાળા અને પે. સે. શાળામાં શિક્ષકોની ભારે ઘટને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આ અંગે વિદ્યાર્થીઓએ ગામના સરપંચ હરીભા ઝાલાને રૂબરૂ રજૂઆત કરી હતી. સરપંચે વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી છે. ઝીંઝુવાડા કન્યાશાળામાં બાલ વાટિકાથી ધોરણ આઠ સુધીમાં કુલ 373 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જિલ્લા આંતરિક બદલી કેમ્પના કારણે આ શાળામાંથી ચાર શિક્ષકોની બદલી થઈ હતી, જેનાથી ચાર જગ્યાઓ ખાલી પડી હતી. 3 ફેબ્રુઆરી, 2026ના રોજ બે નવા જ્ઞાન સહાયક આવ્યા હોવા છતાં, હજુ પણ બે શિક્ષકોની જગ્યા ખાલી છે. વધુમાં, હાજર ચાર શિક્ષકોમાંથી એક શિક્ષક રણમાં ભણાવવા જાય છે. શાળામાં HTAT આચાર્ય પણ ન હોવાથી, વિષય શિક્ષકને આચાર્યનો ચાર્જ સંભાળવો પડે છે, જેનાથી શિક્ષણ કાર્ય પર નકારાત્મક અસર થાય છે. ગ્રામજનો પણ શિક્ષકોની ઘટ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. શ્રી કન્યાશાળા ઝીંઝુવાડામાં ખાલી રહેલી બે જગ્યાઓ પર તાત્કાલિક જ્ઞાન સહાયકની ભરતી કરવા અને HTAT આચાર્યની નિમણૂક કરવા માટે SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ)ની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ જ રીતે, શ્રી પે. સે. શાળા ઝીંઝુવાડામાં બાલ વાટિકાથી ધોરણ આઠ સુધીમાં કુલ 379 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં ધોરણ 1 થી 5 માંથી જિલ્લા આંતરિક બદલી કેમ્પના કારણે બે શિક્ષકોની બદલી થઈ હતી અને એક જ્ઞાન સહાયકે રાજીનામું આપ્યું હતું, જેના પરિણામે કુલ ત્રણ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આ શિક્ષકોની ઘટને કારણે શાળામાં બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. શ્રી પે. સે. શાળા, ઝીંઝુવાડામાં ખાલી રહેલી ત્રણ જગ્યાઓ પર તાત્કાલિક જ્ઞાન સહાયકની ભરતી કરવાની જરૂર છે. આ માટે પણ SMCની બેઠક બોલાવીને ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ, ઝીંઝુવાડાના સરપંચ હરીભા ઝાલા તાત્કાલિક કન્યાશાળા પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી હતી. તેમણે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. સરપંચ હરીભા ઝાલાએ જણાવ્યું હતું કે, ઝીંઝુવાડા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગને પણ આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 1:54 pm

ગોધરામાં ધારાસભ્ય સી.કે. રાઉલજીએ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું:આનંદનગરથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સુધી નવું બોક્ષ કલવર્ટ બનશે

ગોધરા શહેરમાં ટ્રાફિક અને પાણીના નિકાલની સમસ્યાના નિરાકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ શહેરના જાફરાબાદ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનનારા બોક્ષ કલવર્ટના કામનું વિધિવત ખાતમુહૂર્ત કર્યું. જાફરાબાદ સ્થિત આનંદ નગરથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાવાની અને અવરજવરની મુશ્કેલીઓ હતી. આ સમસ્યાના નિરાકરણ માટે નવું બોક્ષ કલવર્ટ બનાવવાનું આયોજન કરાયું છે. ધારાસભ્ય સી.કે. રાઉલજીએ શ્રીફળ વધેરી આ કામગીરીનો પ્રારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સ્થાનિક રહીશોને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. ઉપરાંત, વાહનવ્યવહાર પણ વધુ સરળ બનશે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, મોટી સંખ્યામાં કાર્યકરો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ આ તકે સરકારની વિકાસલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 1:42 pm

મોરબીમાં વેલેન્ટાઈન ડે પર માતા-પિતા પૂજન:ભારતીય સંસ્કૃતિના જતન માટે સાર્થક વિદ્યામંદિરનો પ્રયાસ

મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડેના રોજ માતા-પિતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવાના પ્રયાસરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે 50 જેટલા વાલીઓ, શાળાના ટ્રસ્ટી કમલેશ ગુરુજી, પ્રધાનચાર્ય ગણેશ ગુરુજી અને વિવેક ગુરુજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને માતા-પિતા પૂજનનું મહત્વ સમજાવી ભારતીય સંસ્કૃતિનું જતન કરવા પ્રેરણા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ શાળામાં છેલ્લા ઘણા વર્ષોથી 25 ડિસેમ્બર, નાતાલના દિવસે તુલસી પૂજનનો કાર્યક્રમ પણ યોજાય છે. સાર્થક વિદ્યામંદિરની આ પહેલથી પ્રેરણા લઈને મોરબીની અન્ય ઘણી શાળાઓમાં પણ નાતાલના દિવસે તુલસી પૂજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યું હતું કે, આવા નાના પ્રયાસો બાળકોને પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રાખી ભારતીય સંસ્કૃતિ સાથે જોડવામાં ભવિષ્યમાં ખૂબ સારા પરિણામ આપી શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 1:39 pm

ભાજપના ધારાસભ્યનું લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખે સન્માન કર્યું:લાઠીમાં બ્રિજ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકીય ગરમાવો, વિકાસના કાર્યને બિરદાવ્યું

અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ગાગડીયા નદી પરના બ્રિજ અને માર્ગોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં વિપક્ષ કોંગ્રેસના શહેર પ્રમુખ સુરેશ ગોયાણીએ ભાજપના સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયાનું વિકાસના કાર્યોને બિરદાવી સન્માન કર્યું હતું. લાઠી શહેરમાં વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રૂ. 7 કરોડના ખર્ચે માર્ગો અને રૂ. 1.41 કરોડના ખર્ચે બ્રિજ સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયા અને સ્થાનિક હોદ્દેદારો સહિત ભાજપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના શહેર પ્રમુખ સુરેશ ગોયાણીની હાજરી પણ સૂચક રહી હતી. ભાજપના પ્રતિનિધિઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યારે વિપક્ષમાંથી કોંગ્રેસના પ્રમુખ સુરેશ ગોયાણીએ જાહેરમાં ધારાસભ્ય જનક તળાવિયાનું સન્માન કરતા સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી હતી. આ સન્માન અંગે ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે, લાગશે વાર પણ આવશે મજા. તેમણે ઉમેર્યું કે, લાઠી શહેરમાં વર્ષોથી બ્રિજની જરૂરિયાત હતી. આજે બ્રિજનું ખાતમુહૂર્ત થતા લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખે મારું સન્માન કર્યું છે, કદાચ તેમને પણ વિકાસના કાર્યની ખુશી થઈ હશે, જે પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે તેમને દેખાયું ન હતું.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 1:37 pm

વાંસદામાં ભાજપનું આદિવાસી સંમેલન, રેલી યોજાઈ:કોંગ્રેસના ગઢમાં શક્તિ પ્રદર્શન, બિરસા મુંડાને વંદન કરાયા

નવસારીના વાંસદામાં ભાજપ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ચૂંટણીઓ અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમ પૂર્વે એક વિશાળ રેલી નીકળી હતી, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ રેલીને કોંગ્રેસના ગઢ ગણાતા વાંસદામાં ભાજપના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. રેલીનો પ્રારંભ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. આદિજાતિ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ અરવિંદ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 'જય જોહાર'ના નાદ સાથે વાંસદા ગુંજી ઉઠ્યું હતું. વાંસદાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ રેલી ગાંધી મેદાન ખાતે પહોંચી હતી, જ્યાં તે એક વિશાળ જનસભામાં પરિવર્તિત થઈ. આ સંમેલનમાં નવનિયુક્ત ત્રણ આદિવાસી નેતાઓનું સમાજ અને પક્ષ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. સંમેલનના સ્થળે આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરાગત આદિવાસી વાનગીઓ, પહેરવેશ અને લોકનૃત્યોની પ્રસ્તુતિનો સમાવેશ થાય છે. રેલી દરમિયાન પણ પરંપરાગત આદિવાસી નૃત્ય, ઢોલ-નગારા અને ડીજેની ધૂન પર હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને કાર્યકરો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 1:17 pm

12 વર્ષની દીકરીની હાજરીમાં પત્નીને માર મારતો'તો:દીકરાની લાલચમાં કેનેડાના ગુજરાતી યુવાને પત્નીને ઝબરદસ્તી બે-બે વખત ગર્ભપાત કરાવડાવ્યું, થાઈલેન્ડના IVF સેન્ટરમાં લઇ જઈ સારવાર કરાવડાવી

દીકરાની લાલચમાં કેનેડાના PR ધરાવતા ગુજરાતી યુવકે પત્નીને મારકૂટ કરી ત્રાસ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. મૂળ રાજકોટના ગોંડલ પંથકની મહિલાના લગ્ન વર્ષ 2010માં મોરબી રહેતા યુવક સાથે થયા હતા. આ પછી સંતાનમાં એક દીકરી આવ્યા બાદ બીજા સંતાનમાં દીકરાની લાલચમાં પત્નીને ગર્ભમાં દીકરી છે કે દીકરો તેના માટે વર્ષ 2018માં ગર્ભપરીક્ષણ કરાવી અને ઝબરદસ્તી બે-બે વખત ગર્ભપાત પણ કરાવ્યું હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે જેમાં એક વખત વાંકાનેરની શ્રધ્ધા હોસ્પિટલ અને બીજી વખત રાજકોટની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં ઝબરદસ્તી ગર્ભપાત કરાવવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2025માં IVF કરાવવા માટે થાઈલેન્ડ બે વખત લઇ જવામાં આવી અને ત્યાં પણ મારકૂટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જો કે અંતે કંટાળી હિંમત દાખવી મહિલાએ બનાવ અંગે પરિવારને જાણ કરી મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ હર્ષદ કડીવાર, સાસુ ચંપાબેન કડીવાર, અને જેઠ જીજ્ઞેશ કડીવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આજ દિવસ સુધી સમાજમાં આબરૂ જવાના ડરથી અને દીકરીના ભવિષ્યનું વિચારી 13 વર્ષ સુધી દુઃખ ત્રાસ સહન કર્યો હોવાનું જણાવી સરકાર પાસે ન્યાયની માંગ કરી પતિ વિરુધ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે બેટી બચાવોની વાતો થાય છે પણ પૈસા લઇ ગર્ભપાત કરતા તબીબો સામે કડક કાર્યવાહી અને કડક કાયદા બનાવવામાં આવે તેવી પણ માંગ ભોગબનનાર મહિલા દ્વારા કરવામાં આવી છે. ફરિયાદી અભિલાષાબેન હર્ષદભાઈ કડીવારએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું હાલ મારા માવતરના ઘરે ગોંડલ રહુ છુ. મારે સંતાનમાં એક 12 વર્ષની દીકરી છે. મારા લગ્ન ગઇ તા.29.05.20210ના રોજ હર્ષદભાઈ મનજીભાઈ કડીવાર સાથે થયા છે. અમારા લગ્ન બાદ હું મારા સસરાના ઘરે સંયુક્ત પરીવારમાં રાજકોટ તથા મોરબી રહેતા હતી. અમારા લગ્ન જીવન બાદ આશરે બે વર્ષ સુધી અમારો ઘરસંસાર બરાબર ચાલેલ હતો ત્યારબાદ મારી દિકરીના જન્મ પછી મારા પતિ હર્ષદભાઈ તથા સાસુ ચંપાબેન મનજીભાઇ કડીવાર તથા મારા જેઠ જીજ્ઞેશભાઇ મનજીભાઈ કડીવાર મને અવાર નવાર કહેતા કે અમારા મોભા મુજબ તુ તારા બાપના ઘરેથી કરીયાવર લાવેલ નથી કહી મને મેણા ટોણા મારી માનસીક ત્રાસ આપી મને મારા માતા પિતા સાથે ફોન ઉપર વાત ક રવા દેતા નહી અને મારા માતા-પિતા સાથે સંપર્ક રાખવા દેતા નહી. મારા સાસુ મને રસોઇ બાબતે તેમજ ઘરકામ બાબતે અવાર નવાર મેણાટોણા મારી ત્રાસ આપતા હતા તેમજ આ ત્રણે જણા મને અવાર નવાર ઘરકામ બાબતે મારો ખોટો વાંક કાઢી મને મારકુટ કરતા હતા. અમારા લગ્ન જીવન દરમિયાન મારે બે વખત ગર્ભ રહેલ હોય ત્યારે મારા પતિ તથા સાસુ અને જેઠ મળી મને ગર્ભપાત કરવાનુ કહેતા હું વિરોધ્ધ કરતી હતી તેમ છતા ત્રણેય જણાએ બે વખત ગર્ભપાત કરાવવા મજબુર કરી હતી. 2018માં ગર્ભપરીક્ષણ કરાવી અને ઝબરદસ્તી બે-બે વખત ગર્ભપાત પણ કરાવ્યું જેમાં એક વખત વાંકાનેરની શ્રધ્ધા હોસ્પિટલ અને બીજી વખત રાજકોટની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં ઝબરદસ્તી ગર્ભપાત કરાવવામાં આવ્યું હતું. મારે સંતાનમાં દિકરી હોય અને મારો ઘરસંસાર તોડવો ન હોય અને મારા માતા પિતાની આબરૂ બચાવવા ત્રાસ સહન કરતી હતી. હું મારા પતિ હર્ષદભાઈ તથા મારી દિકરી એપ્રીલ 2022માં કેનેડા મારા પતિના ધંધા માટે જતા રહ્યા હતા. અને અમે કેનેડા રહેતા હતા ત્યારે મારા પતિ હર્ષદભાઇને નોનવેજ ખાવાની તથા દારૂ પીવાની કુટેવ હોય જેથી હું તેમને નોનવેઝ ખાવાની તથા દારૂ પવાની ના પાડતી તો પતિ મને કહેતા કે હું તારા બાપના પૈસાનો દારૂ નથી પીતો તેમ કહી મને મારકુટ કરતા હતા. દરમ્યાન મારા સસરાના શ્રાદ્વ વિધી માટે સપ્ટેમ્બર 2025માં અમે કેનેડાથી ભારત આવ્યા હતા અને એકાદ અઠવાડીયા પછી હું મારા પતિ તથા મારી દિકરી બધા બેંગકોક ગયા હતા ત્યાં પણ મારા પતિએ મને માર માર્યો હતો જેથી મે મારા મામાને મેસેજ કરી મદદ માંગી હતી. બીજા દિવસે અમે ફલાઇટમાં અમદાવાદ આવ્યા ત્યાં મારા મામા મને તથા દિકરીને તેના ઘરે લઇ ગયા હતા ત્યારે મે મારા ઉપર લોકોએ કરેલ ત્રાસની વાત કરી હતી અને ત્યાંથી હું તથા મારી દિકરી મારા માવતરના ઘરે આવતા રહ્યા છીએ ત્યારથી હું મારી દિકરી સાથે મારા માવતર ના ઘરે ગોંડલ રહુ છુ મારા ડોકયુમેન્ટ તથા મારા સોનાના તમામ દાગીના મારા પતિ પાસે છે જે મે મને આપવા વિનંતિ કરવા છતા મને આપ્યા નથી. હાલ મોરબી મહિલા પોલીસે પતિ સાસુ અને જેઠ વિરુધ્ધ BNS કલમ 85, 115(2), 54 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 1:17 pm

વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી:રાજકોટની કિશાન ગૌશાળા દ્વારા કાઉ હગ ડે સેલિબ્રેટ કરાયો, લોકોએ ગૌ માતાનું પૂજન - અર્ચન કર્યુ

આજે દેશભરમાં વેલેન્ટાઈન ડે ની પ્રેમના પર્વ તરીકે જોરશોરથી ઉજવણી થઈ રહી છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાને બદલે રાજકોટની કિસાન ગૌશાળા દ્વારા ભારતીય સંસ્કૃતિને છાજે તે પ્રકારના કાઉ હગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગૌ પ્રેમીઓ દ્વારા ગૌ માતાને ગોળ ખવડાવવાની સાથે તેમની પૂજા અને આરતી કરી હતી. 25 વર્ષથી કાર્યરત આ ગૌશાળામાં 1800 થી વધુ ગાયોનો નિભાવ થઈ રહ્યો છે. રાજકોટની કિસાન ગૌશાળાના પ્રમુખ ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, આ ગૌશાળામાં છેલ્લા 25 વર્ષથી ગૌમાતાની સેવા કરવામાં આવે છે. અહીં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ગૌકથાનું પણ આયોજન થાય છે. આજે 14 ફેબ્રુઆરીએ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણરૂપ વેલેન્ટાઈન ડે ની ઉજવણી થઈ રહી છે તેને બદલે ભારતીય સંસ્કૃતિનો મુખ્ય પ્રાણ ગણાતી ગૌ માતાના સાનિધ્યમાં કાઉ હગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ગૌ પ્રેમીઓ દ્વારા ગાયને ગોળ ખવડાવવાની સાથે તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આજે બપોર સુધીમાં 250 જેટલા લોકો કાઉને હગ કરવા માટે આવ્યા હતા. વિદેશમાં ગાયને હગ કરવાના 25 થી 50 હજાર રૂપિયા ખર્ચવામાં આવે છે. જ્યારે આપણી પાસે તો ઘર આંગણે ગૌમાતા છે. જેથી દરેક લોકોએ આ અવસરનો લાભ લેવો જોઈએ. ગૌ માતા થી થતા લાભ અંગે તેમણે જણાવ્યું હતું કે, પૃથ્વી ઉપર અત્યારે લોકોમાં જેટલા પણ રોગ છે તે તમામને નાશ કરતું એકમાત્ર ગૌમૂત્ર છે. ગાય આધારિત ખેતીથી જે અનાજ પાકે છે તે ખૂબ જ ફાયદાકારક હોય છે અને ધરતીનો મુખ્ય ખોરાક ગાયનું છાણ છે. જેથી આપણને ઉપયોગી એવી ગૌમાતાને બચાવીએ. ગૌ માતાનું દૂધ અને તેની પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 1:14 pm

ફલ્લા હાઈવે પરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો:રીક્ષામાં હેરાફેરી કરતો ચાલક પકડાયો, 77 હજારનો મુદ્દામાલ જપ્ત

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીકથી પોલીસે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક રીક્ષાચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે રીક્ષા અને દારૂ સહિત કુલ 3.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે ફલ્લા હાઈવે રોડ પરથી એક રીક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના મનીષ યોગેશભાઈ મીનામા નામનો રીક્ષાચાલક GJ-11 U-2595 નંબરની રીક્ષા લઈને પસાર થતાં તેને અટકાવવામાં આવ્યો હતો. રીક્ષાની તલાશી લેતા તેમાંથી કુલ 144 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે 3 લાખ રૂપિયાની કિંમતની CNG રીક્ષા અને 77,000 રૂપિયાનો ઇંગ્લિશ દારૂ મળી કુલ 3,77,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. રીક્ષાચાલક મનીષ મીનામાની વધુ પૂછપરછ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 1:14 pm

ગઢડા નિલકંઠ મહાદેવ મંદિરે લઘુ રુદ્રી મહાયજ્ઞની તૈયારીઓ સંપન્ન:શિવરાત્રી પર્વ નિમિત્તે કાલે સવારથી સાંજ સુધી યજ્ઞ, સત્સંગ સભાનું આયોજન

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા પૌરાણિક નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વ નિમિત્તે યોજાનાર લઘુ રુદ્રી મહાયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પવિત્ર ઘેલો નદીના કાંઠે આવેલા આ મંદિરમાં ભક્તિમય માહોલ વચ્ચે યજ્ઞ માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શિવરાત્રીના પાવન દિવસે લઘુ રુદ્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આવતીકાલે સવારે ૭ વાગ્યાથી સાંજ સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે આ યજ્ઞ યોજાશે. આ યજ્ઞમાં સ્થાનિક તેમજ બહારગામથી મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે તેવી અપેક્ષા છે. મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાર્મિક પ્રવચનો અને ભજન કાર્યક્રમ યોજાશે. મંદિર પરિસરમાં સજાવટ, યજ્ઞવેદીની ગોઠવણી, બેસવાની વ્યવસ્થા અને પ્રસાદ વિતરણ સહિતની તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. શિવરાત્રીના આ પાવન અવસરે ગઢડામાં ફરી એકવાર ધાર્મિક ઉમંગ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહાયજ્ઞ અંગેની માહિતી મૌલિક ભગતે આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 1:12 pm

અમદાવાદ શહેર ભાજપ સંગઠનનુ નવુ માળખું જાહેર:દર્શક ઠાકર, ગૌતમ કથીરિયા અને જશુ ઠાકોરને મહામંત્રીનું પદ, જાણો કોને ક્યો હોદ્દો મળ્યો

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત બાદ આજે 14 ફેબ્રુઆરીના રોજ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મહામંત્રી તરીકે યુવા નેતા દર્શક ઠાકર, પૂર્વ કોર્પોરેટર ગૌતમભાઈ કથીરિયા અને શાહીબાગ વોર્ડના કોર્પોરેટર જશુભાઈ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે. બ્રાહ્મણ, લેઉવા પાટીદાર અને ઓબીસી સમાજને મહામંત્રી પદરાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓના સંગઠનની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે આજે 14 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેર ભાજપ સંગઠન ટીમની જાહેરાત પ્રમુખ પ્રેરક શાહ દ્વારા કરવામાં આવી છે. સંગઠનની જાહેરાતમાં તમામ જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રમુખ બાદ મુખ્ય હોદ્દામાં મહામંત્રી પદ આવે છે, જેમાં બ્રાહ્મણ, લેઉવા પાટીદાર અને ઓબીસી સમાજના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર લોકસભામાંથી યુવા નેતા તરીકે દર્શક ઠાકરને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ લોકસભામાંથી અનુભવી તરીકે ગૌતમ કથીરિયા અને પશ્ચિમ લોકસભામાંથી જશુભાઈ ઠાકોરને જવાબદારી સોંપાઈ છે. બે મહિલા સહિત 8 ઉપપ્રમુખની નિમણૂકસંગઠનમાં 8 ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે જેમાં બે મહિલાઓનો સમાવેશ કરાયો છે. 8 મંત્રીઓમાં પાંચ જેટલી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહિલા મોરચાના પ્રમુખ તરીકે નંદિનીબેન પંડ્યા, મહામંત્રી તરીકે ચંદાબેન પટેલ અને નીકીબેન શાહના જવાબદારી આપવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે કેતુ પટેલ અને મહામંત્રી તરીકે આકાશ ગેહલોત તેમજ મહર્ષિ પાઠકને જવાબદારી સોંપવામાં આવી છે. ગૌરાંગ પ્રજાપતિને બક્ષીપંચ મોરચાના પ્રમુખની જવાબદારીબક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા તરીકે ફરજ બજાવતા ગૌરાંગ પ્રજાપતિને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે મહામંત્રી તરીકે નીરજ ગજ્જર અને જીગર બારૈયાને નિમણૂક આપવામાં આવી છે. SC મોરચાના પ્રમુખ પજે ઉમંગ સરવૈયાઅનુસૂચિત મોરચાના પ્રમુખ તરીકે ઉમંગ સરવૈયા અને મહામંત્રી તરીકે બ્રિજેશ પરમાર અને સરજુ વાઘેલાને મૂકવામાં આવ્યા છે જ્યારે અનુસૂચિત જનજાતિના પ્રમુખ તરીકે સાબરમતી વોર્ડના કોર્પોરેટર રમેશ રાણા અને મહામંત્રી તરીકે રાજેશ ગટાર અને જયેશ પારધીની નિમણૂક કરાઈ છે પ્રવીણ જોગાણીને કિસાન મોરચાના પ્રમુખની જવાબદારી સોંપાઈકોષાધ્યક્ષ તરીકે તેજસ દેસાઈ કાર્યાલય મંત્રી તરીકે જીગ્નેશ જોરે અને સહ કાર્યાલય મંત્રી તરીકે અભય વ્યાસની નિમણુક કરાઇ છે. કિસાન મોરચાના પ્રમુખ તરીકે પ્રવીણ જોગાણી અને મહામંત્રી તરીકે ચંદ્ર દીપ સિંહ વાઘેલા તેમજ પોરસ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મીડિયા ઇન્ચાર્જ તરીકે ડો. નિલય શુકલની નિમણૂકસોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ તરીકે ઝલકિત પટેલ અને સહ ઇનચાર્જ તરીકે યશ રાવલની નિમણૂક કરવામાં આવી છે. મીડિયા ઇન્ચાર્જ તરીકે ડો. નિલય શુકલ અને સહ ઇન્ચાર્જ તરીકે લીલાધર ખડકેને નિમણુક આપી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 1:04 pm

7.56 લાખના ફ્રોડનો ફરાર શખ્સ અમદાવાદથી ઝડપાયો:યુટ્યુબ વીડિયો લાઈક કરવા, હોટલ અને રેસ્ટોરન્ટને રેટિંગ આપવા જેવા ટાસ્ક આપતો

સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે ઓનલાઈન ટાસ્ક આપી લોકો સાથે 7.56 લાખની છેતરપિંડીની જાળમાં ફસાવતી ગેંગના એક મુખ્ય ફરાર આરોપીને અમદાવાદથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલ આરોપી સંજય મહેન્દ્રભાઈ પટેલ, બેંક એકાઉન્ટ ભાડે આપીને ફ્રોડના નાણાં સગેવગે કરવામાં મદદ કરતો હોવાનું બહાર આવ્યું છે. વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરી લોકોને ફસાવતોમળતી માહિતી મુજબ મુજબ, વર્ષ 2023માં એક ફરિયાદીને વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરી 'દિલ્હી કિકસ્ટાર્ટર લિમિટેડ' અને 'અલીબાબા સબ્સ્ક્રિપ્શન બેનિફિટ્સ ગ્રુપ'ના નામે લલચાવવામાં આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને યુટ્યુબ વીડિયો લાઈક કરવા, હોટલ અને રેસ્ટોરન્ટને રેટિંગ આપવા જેવા સરળ ટાસ્ક આપી વિશ્વાસ જીત્યો હતો. 7.56 લાખની છેતરપિંડી કરીશરૂઆતમાં વળતર આપીને બાદમાં પ્રીમિયમ ટાસ્કના નામે ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 7,67,000 ભરાવ્યા હતાં. જેમાંથી માત્ર રૂ. 10,150 પરત કરી, બાકીના રૂ. 7,56,850 હડપ કરી લેતા સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદના નવા નરોડથી સંજય પટેલ ઝડપાયોસાયબર સેલની ટીમ ટેકનિકલ તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન અગાઉ 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા હતાં. જ્યારે સંજય પટેલ પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. પી.આઈ. એ.એમ. પરમાર અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને નવા નરોડા, અમદાવાદ ખાતેથી 33 વર્ષીય સંજય મહેન્દ્રભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી 5.5% કમિશન મેળવતો હતો પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી સંજય પટેલ એમ.કોમ. સુધી ભણેલો છે અને દલાલીનો વ્યવસાય કરે છે. તેણે અગાઉ પકડાયેલા આરોપી જયેશ કોરીનું એક્સિસ બેંકનું કરંટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન માટે મેળવ્યું હતું. આ એકાઉન્ટમાં થતા ટ્રાન્ઝેક્શન પર તે 5.5% કમિશન મેળવતો હતો અને તે એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં ફેરવવા માટે કરવામાં આવતો હતો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 12:45 pm

કલાકમાં 6,000 ગરમાગરમ રોટલી:30 મિનિટમાં 100 કિલો નાયલોન ખમણ, ભોજનમાં દરરોજ 8થી વધુ વાનગીઓ; જૂનાગઢમાં શ્રી આઈ ખોડીયાર રાસ મંડળની 'હરિહર'ની હાકલ

જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં અત્યારે મિની કુંભ સમાન મહાશિવરાત્રીનો મેળો જામ્યો છે. ‘ટુકડો ત્યાં હરિ ઢૂકડો’ની ભાવના સાથે ભવનાથના ખૂણે ખૂણેથી અત્યારે એક જ સાદ સંભળાય છે, ‘આવો બાપા, હરિહર કરતા જાઓ.’ આ વર્ષે કમોસમી વરસાદને કારણે પરિક્રમા બંધ રહેતા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. લાખો શ્રદ્ધાળુઓની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે તળેટીમાં અનેક અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે, જેમાં 'શ્રી આઈ ખોડીયાર રાસ મંડળ ટ્રસ્ટ' છેલ્લા છ દાયકાથી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. છ જણાનું ભોજન હોવા છતાં સાધુના આશીર્વાદથી બાર જણા તૃપ્ત થયા: પ્રમુખઆ અન્નક્ષેત્રની શરૂઆત પાછળ એક પ્રેરણાદાયી ઇતિહાસ છુપાયેલો છે. ટ્રસ્ટના પ્રમુખ જાદવભાઈ કાકડીયા જણાવે છે કે, વર્ષ 1960માં જ્યારે તેમના વડીલો પ્રથમ વખત ગિરનારની પરિક્રમામાં આવ્યા હતા, ત્યારે એક સાધુના આશ્રમે ભોજન લીધું હતું. તે સમયે છ જણાનું ભોજન હોવા છતાં સાધુના આશીર્વાદથી બાર જણા તૃપ્ત થયા હતા. તે સાધુએ વડીલોને શીખ આપી હતી કે પરિક્રમામાં આવતા ભાવિકોની આંતરડી ઠારવી એ જ સાચી ભક્તિ છે. આ વાત હૈયે ધરીને વર્ષ 1961માં પરિક્રમામાં પ્રથમવાર અન્નક્ષેત્ર શરૂ કરાયું અને 1965થી આ સેવા અવિરત પણે શિવરાત્રી મેળામાં પણ શરૂ કરવામાં આવી. ‘350થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ સેવામાં હાજર રહે છે’શરૂઆતમાં માત્ર રવો-ખીચડી જેવી સાદી વાનગીઓથી શરૂ થયેલો આ પ્રવાસ આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયો છે. આજે અહીં 350થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ સેવામાં હાજર રહે છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્વયંસેવકોમાં અનેક મોટા ઉદ્યોગપતિઓ પણ છે, જેઓ પોતાના હોદ્દાને બાજુ પર મૂકીને ભાવિકોની થાળી પીરસવામાં અને વાસણ સાફ કરવામાં પણ ગર્વ અનુભવે છે. જાદવભાઈ કહે છે કે, હું જ્યારે માત્ર બે રૂપિયા કમાતો હતો ત્યારથી આ સેવામાં જોડાયેલો છું, આજે આ સેવાથી જ પરિવારમાં સુખ-શાંતિ છે. ‘ભોજનમાં દરરોજ 8થી વધુ વાનગીઓ પીરસાય છે’ભોજનની ગુણવત્તા એવી છે કે ભક્તો તેને ફાઈવ સ્ટાર હોટલ સાથે સરખાવે છે. અહીં વપરાતો કાચો માલ સીધો દાતાઓ પાસેથી આવે છે. શુદ્ધ ઘીમાં બનેલા મિષ્ટાન અને સીંગતેલમાં બનેલા ફરસાણની સોડમ આખા મેળામાં પ્રસરેલી હોય છે. દરરોજ અલગ-અલગ વાનગીઓ પીરસાય છે, જેમાં લાડવા, મોહનથાળ, બુંદી, શિરો, ભજીયા, દાળ-ભાત, કઢી-ખીચડી, સંભારો અને રોટલીનો સમાવેશ થાય છે. ભોજનમાં દરરોજ 8થી વધુ વાનગીઓ પીરસવામાં આવે છે. ‘ઓટોમેટિક રોટલી મશીન એક કલાકમાં 6,000થી વધુ ગરમાગરમ રોટલીઓ તૈયાર કરે છે’પીરસવાની ક્ષમતા વધારવા માટે અહીં આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે. અન્નક્ષેત્રમાં કાર્યરત ઓટોમેટિક રોટલી મશીન એક કલાકમાં 6,000થી વધુ ગરમાગરમ રોટલીઓ તૈયાર કરે છે. તેમજ માત્ર અડધા કલાકમાં 100 કિલો નાયલોન ખમણ તૈયાર થઈ જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, દાળ-ભાત અને શાક જેવી પરંપરાગત વાનગીઓ તો આજે પણ મોટા ચુલાઓ પર જ રાંધવામાં આવે છે, જેથી તેનો સોડમ અને સ્વાદ જળવાઈ રહે. ‘અમે છેલ્લા 25 વર્ષથી અહીં જમવા આવીએ છીએ’મેળામાં આવતા મુલાકાતીઓ પણ આ સેવાથી અભિભૂત છે. ખાગેશ્રી ગામના રમાબેન મકવાણા અને ઉપલેટાના કંચનબેન જણાવે છે કે, અમે છેલ્લા 25 વર્ષથી અહીં જમવા આવીએ છીએ. ઘરે પાંચ મહેમાન આવે તો પણ આપણે થાકી જઈએ છીએ, પરંતુ આ લોકો લાખો ભાવિકોને કોઈ પણ જાતની અગવડ વગર અને હસતા મુખે ભોજન પીરસે છે તે ખરેખર વંદનીય છે. વહેલી સવારે નાસ્તામાં ગાંઠિયા, પૌવા, જલેબી અને ગરમાગરમ ચાથી શરૂ થતી આ સેવા મોડી રાત સુધી ચાલુ રહે છે. ‘શિવરાત્રીના પાંચ દિવસમાં અઢી લાખથી વધુ લોકો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે’શ્રી આઈ ખોડીયાર રાસ મંડળ ટ્રસ્ટ દ્વારા માત્ર અન્ન જ નથી પીરસવામાં આવતું, પરંતુ સેવા, સમર્પણ અને સાચા માનવધર્મનો સંદેશ પણ ફેલાવવામાં આવે છે. શિવરાત્રીના પાંચ દિવસ દરમિયાન અઢી લાખથી વધુ લોકો અહીં ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે. ગિરનારની આ પવિત્ર ભૂમિ પર ચાલતો આ અન્નકૂટ ભક્તિ અને સેવાના અનોખા ત્રિવેણી સંગમ સમાન બની રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 12:22 pm

પત્નીને લેવા સાસરીમાં જતો હતો ને મોત આવ્યું, CCTV:અમદાવાદમાં પૂરઝડપે જતી કાર ઝાડ સાથે ટકરાતા ચાલકનું ઘટનાસ્થળે મોત, 3 વર્ષ અગાઉ લગ્ન થયા હતા

અમદાવાદમાં વધતા અકસ્માત વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. વટવા જીઆઇડીસી રોડ પર પૂરઝડપે ગાડી લઈને આવી રહેલા યુવકે કાબૂ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી.ગાડીની ટક્કર એટલી જોરદાર હતી કે કાર ચાલક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. યુવક સાસરીમાં પત્નીને લેવા જઈ રહ્યો હતો આ દરમિયાન અકસ્માત થયો હતો. સાસરીમાં પત્નીને લેવા જતો હતોગાંધીનગરના વાવોલમાં રહેતો આકાશ ગોસ્વામી નામનો યુવક ચાંગોદરમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આકાશની પત્ની બારેજડી ખાતે પિયરમાં ગઈ હતી. 12 ફેબ્રુઆરીના રોજ આકાશ તેના ઘરેથી પિયર પત્નીને લેવા જઈ રહ્યો હતો. આકાશ પૂર ઝડપે એસન્ટ કાર લઈને વટવા જીઆઇડીસી રોડ પરથી જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર મોતગાડી ઝાડ સાથે અથડાતા ગણતરીની સેકન્ડોમાં જ આકાશને ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર મોત થયું હતું. આકાશના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. ધર્મ મુજબ આકાશને વેડા ગામ ખાતે ગઈકાલે સમાધિ આપવામાં આવી હતી. અકસ્માતમાં પરિવારે 24 વર્ષનો યુવાન દીકરો ગુમાવ્યો છે. સમગ્ર મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 12:21 pm

મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ વૈભવી કારમાં સફર કરી:વેલેન્ટાઈન ડેના દિવસે વાત્સલ્ય દિવસની ઉજવણી હેઠળ 'જોય રાઈડ' યોજાઈ

મોરબીમાં વેલેન્ટાઈન ડેના દિવસે 'વાત્સલ્ય દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ અને નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે જોય રાઈડનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઓડી, બીએમડબ્લ્યુ, ફોર્ચ્યુનાર અને રેન્જ રોવર જેવી વૈભવી કારમાં બાળકોને શહેરભરમાં સફર કરાવવામાં આવી હતી. આ જોય રાઈડનો મુખ્ય હેતુ સામાન્ય પરિવારના બાળકોના વૈભવી કારમાં સફર કરવાના સપના પૂરા કરવાનો હતો. ઉદ્યોગકારોના સહયોગથી આયોજિત આ રાઈડમાં બાળકોએ કારના સનરૂફમાંથી બહાર ઊભા રહીને અનોખા આનંદની અનુભૂતિ કરી હતી. માધાપર વાડી કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ આ અંગે માહિતી આપી હતી. આ જોય રાઈડ શહેરના શનાળા રોડ પર આવેલા સ્કાઈ મોલ પાસેથી શરૂ કરવામાં આવી હતી. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, દિનેશભાઈ વડસોલા, ભાનુબેન નગવાડિયા, યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી, નિર્શિવ ફાઉન્ડેશનના રોહનભાઈ રાંકજા અને આર્ટિબેન રાંકજા સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી આપીને તેને પ્રસ્થાન કરાવ્યું હતું. વૈભવી કારમાં બેસીને બાળકોએ ખૂબ મજા કરી હતી. જ્યારે આ કારો શહેરના માર્ગો પરથી પસાર થઈ ત્યારે બાળકોની કિલકારીઓથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા. જોય રાઈડ પૂર્ણ થયા બાદ બંને સંસ્થા દ્વારા બાળકોને મોરબીની એક સારી હોટલમાં ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 12:11 pm

ન્યુ એજ્યુકેશન પોલિસી 2020 અને શિક્ષક વિષય અંતર્ગત સેમિનાર:500થી વધુ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો હાજર રહ્યા

અમદાવાદ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક સંઘ અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ એચ બી કે સ્કૂલ, મેમનગર ના સંયુક્ત ઉપક્રમે ન્યુ એજ્યુકેશન પોલિસી 2020 અને શિક્ષક વિષય અંતર્ગત શૈક્ષણિક સેમિનાર એચ બી કે સ્કૂલ, મેમનગર અમદાવાદ ખાતે યોજાયો હતો.જેમા 500 થી વધુ ગ્રાન્ટેડ શાળાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમારંભ ના ઉદઘાટક તરીકે નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) અને અધ્યક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ શિક્ષણ મંત્રી, ગુજરાત) ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ પદે મનુભાઈ રાવલ (સ્થાપક પ્રમુખ, ગુ.રા.ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળ ), પંકજભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ, ગુ.રા.ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળ ), વિમલકુમાર પી મકવાણા (પ્રમુખ, ગુ.રા.ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળ ), મુક્તકભાઈ કાપડિયા (મેનેજીંગ ટ્રસ્ટી, એચ બી કે સ્કૂલ, મેમનગર ), પરેશભાઈ પટેલ (મહામંત્રી ગુ.રા.ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળ), અજિતકુમાર બી પટેલ (બોર્ડ મેમ્બર , ગુ.મા.અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ) તેમજ ડો ભગવાનભાઇ પ્રજાપતિ (DEO અમદાવાદ જિલ્લા ) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગેશિક્ષણ સુધારક ડૉ.અશોક પટેલે ન્યુ એજ્યુકેશન પોલિસી 2020 અને શિક્ષક વિષય પર વિસ્તૃત માહિતી હતી.આ પ્રસંગે અલ્પેશકુમાર બી જાની (પ્રમુખ અમદાવાદ જી.ઉ.મા. શિક્ષક સંઘ ) તેમજ અમદાવાદ જી.ઉ.મા. શિક્ષક સંઘ ના હોદ્દેદારો, રાજ્ય મહામંડળ ના હોદ્દેદારો બોર્ડ ના સભ્યો, શિક્ષણવિદો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 12:10 pm

આંખો આંજી દેતી LED-લાઈટો લગાવતા વાહનચાલકો સામે RTOની લાલ આંખ:મહેસાણામાં બે માસમાં 3 લાખથી વધુનો દંડ

મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે પ્રાદેશિક પરિવહન કચેરી RTO દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વાહનોમાં નિયમ વિરુદ્ધ લગાડવામાં આવતી તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ LED લાઈટો સામે RTO ઇન્સ્પેક્ટરોએ તડાપીટ બોલાવી છે. છેલ્લા બે મહિના દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 3,08,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. 228 કેસો નોંધાયા ને 3 લાખથી વધુનો દંડ RTO ના આંકડા મુજબ જાન્યુઆરી માસમાં તપાસ દરમિયાન કુલ 132 કેસો નોંધાયા હતા.જેમાં વાહનચાલકો પાસેથી 2,12,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.જ્યારે ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધીમાં 96 કેસો નોંધી 96,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની ફિટેડ લાઈટોના બદલે વધુ તીવ્રતાવાળી LED લાઈટો હશે તો દંડાશોવાહનચાલકો દ્વારા કંપની ફિટેડ લાઈટોના બદલે બહારથી વધુ તીવ્રતાવાળી LED લાઈટો લગાડવામાં આવે છે. જે રાત્રિના સમયે સામેથી આવતા અન્ય વાહનચાલકોની આંખોમાં આંજી દેતી હોય છે. આ પ્રકારની લાઈટો અકસ્માત માટે મુખ્ય કારણ બનતી હોવાથી RTO દ્વારા રૂટિન ચેકિંગ દરમિયાન આવી લાઈટો દૂર કરાવી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આંખો આંજી દેતી એલઈડી લાઈટો લગાવી તો દંડાશોઆ અંગે મહેસાણા RTOના આસિસ્ટન્ટ ઓફિસર જી.જે. સોલંકીએ જણાવ્યું હતું કે, વાહનકંપનીઓ દ્વારા જે લાઈટો ફિટ કરવામાં આવે છે તેના કરતા વધુ તીવ્રતા ધરાવતી લાઈટો લગાવવી એ નિયમ વિરુદ્ધ છે. આવી લાઈટો અન્ય ચાલકો માટે જોખમી સાબિત થતી હોવાથી જિલ્લામાં સતત ચેકિંગ હાથ ધરી કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 12:09 pm

કાણોદરમાં 'પોષણ સંગમ' કાર્યક્રમ યોજાયો:13 આંગણવાડીના બાળકોના આરોગ્યની ચકાસણી કરાઈ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-1 ઘટક અંતર્ગત કાણોદર ગામ ખાતે 'પોષણ સંગમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ તથા જિલ્લા પ્રોગ્રામ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 13 આંગણવાડી કેન્દ્રોના બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરાઈ હતી. સનસાઈન હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાત ડો. અંજુમ એ. હસન દ્વારા બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સી.ડી.પી.ઓ. ડીમ્પલ કે. પંચાલ, સી.એચ.ઓ., એફ.એચ.ડબલ્યુ., મુખ્ય સેવિકા તેમજ આંગણવાડી અને આશા વર્કર બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગામના કુપોષિત (SAM), મધ્યમ કુપોષિત (MAM) અને અતિ ગંભીર ઓછું વજન ધરાવતા બાળકોનું વિશેષ આરોગ્ય પરીક્ષણ કરાયું હતું. તમામ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. પોષણ સ્તર સુધારવાના હેતુથી, 'મહિલા કલ્યાણ-નિધિ ટ્રસ્ટ, કાણોદર'ના સહયોગ અને 'પરીખ ફાઉન્ડેશન, મુંબઈ'ના સૌજન્યથી તમામ કુપોષિત બાળકોને પ્રોટીન પાવડર, મલ્ટી-વિટામિન, કેલ્શિયમ અને આયર્ન સીરપ જેવી પોષક તત્વોની કિટનું વિતરણ કરાયું હતું. આરોગ્ય તપાસની સાથે સાથે ઉપસ્થિત વાલીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં હૃદય રોગની સમસ્યા ધરાવતા બાળકોને સરકારની યોજનાઓ હેઠળ મળતી નિઃશુલ્ક સારવારની જાણકારી અપાઈ હતી. આ ઉપરાંત, આરોગ્ય પોષણ શિક્ષણ (HNE) અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા, જેમણે વહીવટી તંત્ર અને સહયોગી સંસ્થાઓના આ પ્રયાસને આવકાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 12:06 pm

જામનગરના હનુમાન ટેકરીમાં રેલવેની નોટિસ બાદ સ્થાનિકોની સાંસદને રજૂઆત:સાંસદ પૂનમબેન માડમે યોગ્ય ઉકેલની ખાતરી આપી

જામનગરના દિગ્જામ સર્કલ નજીક આવેલા હનુમાન ટેકરી અને આસપાસના વિસ્તારના અનેક રહેવાસીઓને રેલવે તંત્ર દ્વારા સાત દિવસમાં જગ્યા ખાલી કરવાની નોટિસ અપાઈ છે. આ નોટિસ બાદ સ્થાનિકોમાં ડિમોલેશનનો ભય વ્યાપી ગયો હતો. ગઈકાલે દિવસભર અનેક લોકો મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સાંસદ પૂનમબેન માડમ, જેઓ લોકસભા સત્ર પૂર્ણ કરીને દિલ્હીથી હવાઈ માર્ગે જામનગર પહોંચ્યા હતા, તેમણે મોડી રાત્રે પોતાના કાર્યાલય પર સ્થાનિકોને સાંભળ્યા હતા. સાંસદે તમામ પ્રશ્નકર્તાઓને યોગ્ય ઉકેલ લાવવા માટે હૈયાધારણા આપી હતી. સાંસદ પૂનમબેન માડમના કાર્યાલયમાં યોજાયેલી આ બેઠકમાં જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી પણ જોડાયા હતા. બીનાબેન કોઠારીએ જામનગર શહેરમાં ગઈકાલે દિવસભર બનેલી ઘટનાઓ અને સમગ્ર ઘટનાક્રમ અંગે સાંસદને માહિતી આપી હતી. સાંસદે આ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને મોડી રાત્રે જ તમામ સ્થાનિકો સાથે બેઠકોનો દોર યોજી યોગ્ય નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે, રેલવે તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સમગ્ર ગુજરાતમાં કાર્યવાહી થઈ રહી છે, ત્યારે તેઓ રેલવે અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી આ મામલે ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. સાંસદે વધુમાં જણાવ્યું કે, સ્થાનિક નાગરિકોને વૈકલ્પિક વ્યવસ્થા અને પુનર્વસન માટે પૂરતો સમય મળી રહે તે દિશામાં કાર્યવાહી થાય તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે. આગામી સોમવારે રેલવે વિભાગના ડીઆરએમ, જામનગરના જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે સંયુક્ત બેઠક યોજી વોર્ડ નંબર ૬ના રહેવાસીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા ચર્ચા કરાશે. આ બેઠકમાં રેલવે વિભાગની જમીનમાં વસવાટ કરતા તમામને પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થા માટે પૂરતો સમય મળે તે દિશામાં કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવશે. સાંસદે એ પણ ઉલ્લેખ કર્યો કે, રેલવે તંત્ર દ્વારા જે લોકોને નોટિસ પાઠવાઈ છે, તેમાં કેટલાક મહાનગરપાલિકાની જગ્યામાં વસવાટ કરે છે, જ્યારે કેટલાક નાગરિકોને ભૂતકાળમાં સનદ પણ મળી ચૂકી છે. જેથી રેલવે વિભાગ દ્વારા જે નોટિશ અપાઈ છે, તેમાં ફરીથી આ વિસ્તારનો સર્વે કરી તેમજ તમામ નાગરિકો માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનો પૂરતો સમય મળી રહે, તે દિશામાં જ સમગ્ર કાર્યવાહી કરવા માટેના પોતાના સંપૂર્ણ પ્રયાસો રહેશે, તેવી આ તકે ખાતરી આપી હતી. જેથી સર્વે સ્થાનિક રહેવાસીઓમાં રાહત પહોંચી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 12:05 pm

વલસાડમાં 11,273 મતદારો ગેરલાયક ઠર્યા:17 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. વલસાડ જિલ્લામાં આગામી 17 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન, પુરાવાના અભાવે અથવા સુનાવણીમાં હાજર ન રહેવાને કારણે કુલ 11,273 મતદારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિમાંશુ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લામાં મતદાર યાદીમાં જોવા મળતી લોજિકલ વિસંગતતા (Logical Discrepancy) અને નો-મેપિંગ જેવા કિસ્સાઓમાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. આવા કુલ 2,85,966 મતદારોને નોટિસ પાઠવવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, 11,273 મતદારો કોઈપણ પ્રકારના આધાર-પુરાવા રજૂ કરી શક્યા નહોતા અથવા હાજર રહ્યા નહોતા. પરિણામે, તેમના નામ હાલની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં મતદારોના આંકડામાં ઘટાડો નોંધાયો છે. ધરમપુરમાં 15,960, વલસાડમાં 40,010, પારડીમાં 75,950, કપરાડામાં 27,174 અને ઉમરગામમાં 78,576 મતદારોના નામોમાં ફેરફાર અથવા કમી નોંધાઈ છે. કુલ મળીને 2,37,670 મતદારોના નામોમાં ફેરફાર/કમી થઈ છે. આંકડાકીય સ્થિતિ પર નજર કરીએ તો, ડ્રાફ્ટ પૂર્વેની યાદીમાં કુલ 13,85,507 મતદારો હતા, જે ડ્રાફ્ટ મતદાર યાદી પછી 11,59,110 થયા. ગેરલાયક ઠરેલા 11,273 મતદારો બાદ હાલના પાત્ર મતદારોની સંખ્યા 11,47,837 છે. આ આંકડાઓ દર્શાવે છે કે જિલ્લામાં મતદાર યાદી વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવા માટે વિશાળ અભિયાન હાથ ધરાયું હતું. ચૂંટણી તંત્રએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે 17 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થનારી આખરી યાદીમાં પોતાનું નામ જરૂર ચકાસી લેવું. જો કોઈ મતદારનું નામ ભૂલથી કે અન્ય ક્ષતિને કારણે કમી થઈ ગયું હોય, તો તેઓ પોતાના વિસ્તારના BLO (બૂથ લેવલ ઓફિસર), મામલતદાર કચેરી અથવા મતદાર નોંધણી અધિકારીનો સંપર્ક કરી શકે છે. ફોર્મ નંબર 6 ભરી જરૂરી દસ્તાવેજો સાથે ફરીથી નોંધણી માટે અરજી પણ કરી શકાય છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે, 17મી ફેબ્રુઆરીએ આખરી યાદી પ્રસિદ્ધ થશે. તમામ મતદારોને વિનંતી છે કે તેઓ પોતાનું નામ યાદીમાં ચકાસી લે અને જો કોઈ ભૂલ હોય તો ત્વરિત સંપર્ક કરે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને શુદ્ધતા જળવાઈ રહે તે માટે આ સુધારણા અભિયાન મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 12:03 pm

રાજ્યમાં 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન:સાબરકાંઠામાંથી 11 નાયબ મામલતદારોની બદલી, 3 નવા આવ્યા

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 37 મામલતદારોની બદલી કરવામાં આવી છે, જ્યારે 165 નાયબ મામલતદારોને પ્રમોશન આપી મામલતદાર તરીકે નિમણૂક અપાઈ છે. આ પ્રમોશન અને બદલીઓમાં સાબરકાંઠા જિલ્લામાંથી 11 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાંથી પ્રમોશન મેળવી અન્ય જિલ્લાઓમાં બદલી પામેલા 11 નાયબ મામલતદારોના નામ અને તેમની નવી નિમણૂક નીચે મુજબ છે: હરેશકુમાર બી. પટેલ (હડાદ, બનાસકાંઠા), મીનલબેન વી. પટેલ (કલેક્ટર ઓફિસ, અરવલ્લી), યોગેશકુમાર એમ. પટેલ (રાહ, વાવ-થરાદ), તકદીરકુમાર યુ. સોલંકી (કલેક્ટર ઓફિસ, અરવલ્લી), સંકેતકુમાર એ. શાહ (વડગામ, બનાસકાંઠા), પ્રિયંકકુમાર બી. પટેલ (મહેસૂલ નિરીક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર), જૈમીનીબહેન કે. ગોસ્વામી (ચિટનીસ-કમિશનરશ્રી મધ્યાહન ભોજન, ગાંધીનગર), ધવલકુમાર કે. પરમાર (મામલતદાર-PSO-iORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર), ભાવિકા કે. મોદી (આસિસ્ટન્ટ મેનેજર, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ., ગાંધીનગર), હર્ષદકુમાર વી. ચાવડા (ચિટનીસ, અધિક કલેક્ટર સિંચાઈ (ઉત્તર-મધ્ય ગુજરાત), ગાંધીનગર) અને ભાવેશકુમાર ડી. પટેલ (સાઠંબા, અરવલ્લી). આ ઉપરાંત, અન્ય જિલ્લાઓમાંથી પ્રમોશન મેળવી સાબરકાંઠા જિલ્લામાં બદલી પામેલા ત્રણ નાયબ મામલતદારો મામલતદાર બન્યા છે. જેમાં સંગીતાબેન એમ. દેસાઈ (અમરેલીથી વિજયનગર), હિતેન્દ્રકુમાર એમ. ચૌધરી (મહેસાણાથી આસિસ્ટન્ટ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર-TASP-ખેડબ્રહ્મા), અને કિરણસિંહ એ. વિહોલ (મહેસાણાથી પોશીના)નો સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લામાંથી એક મામલતદારની પણ બદલી કરવામાં આવી છે. ચિટનીસ નિલેશ એ. પટેલની બદલી પંચમહાલ જિલ્લામાં ચિટનીસ (મામલતદાર) તરીકે કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 11:56 am

ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરીથી શરૂ થશે:16 ફેબ્રુઆરીએ ઉદયપુરથી ઉદ્ઘાટન, સમયપત્રક જાહેર

ઉદયપુર સિટીથી અસારવા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૧૮ ફેબ્રુઆરીથી નિયમિતપણે શરૂ થશે. આ ટ્રેનનું ઉદ્ઘાટન ૧૬ ફેબ્રુઆરીના રોજ ઉદયપુરથી કરવામાં આવશે. ઉત્તર પશ્ચિમ રેલવે (NWR) દ્વારા આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર સમયપત્રક સાથે જાહેર કરવામાં આવી છે. રેલવે વિભાગના સૂત્રો અને NWR દ્વારા અપાયેલી માહિતી અનુસાર, ૧૬ ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ઉદ્ઘાટન ટ્રેન ઉદયપુરથી બપોરે ૧૨:૨૫ વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે ૫:૧૫ વાગ્યે અસારવા પહોંચશે. હિંમતનગર રેલવે સ્ટેશન પર આ ટ્રેન બપોરે ૩:૫૦ વાગ્યે આવશે અને ૩:૫૨ વાગ્યે આગળ રવાના થશે. ટ્રેન નંબર ૨૬૯૬૩ અને ૨૬૯૬૪, ઉદયપુર સિટી-અસારવા વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા ૧૮ ફેબ્રુઆરી, બુધવારથી શરૂ થશે. આ ટ્રેન મંગળવાર સિવાય સપ્તાહના છ દિવસ ચાલશે. તે ઉદયપુર સિટીથી જાવર, ડુંગરપુર, હિંમતનગર થઈને અસારવા પહોંચશે. ઉદયપુરથી અસારવા તરફની સવારની સેવા સવારે ૬:૧૦ વાગ્યે ઉદયપુરથી ઉપડશે અને સવારે ૧૦:૨૫ વાગ્યે અસારવા પહોંચશે. આ રૂટ પર હિંમતનગર સ્ટેશન પર ટ્રેન સવારે ૯:૦૫ વાગ્યે આવશે અને ૯:૦૭ વાગ્યે ઉપડશે. જ્યારે, અસારવાથી ઉદયપુર તરફની સાંજની સેવા સાંજે ૫:૪૫ વાગ્યે અસારવાથી ઉપડશે અને રાત્રે ૧૦:૦૦ વાગ્યે ઉદયપુર પહોંચશે. આ ટ્રેન સાંજે ૬:૫૩ વાગ્યે હિંમતનગર પહોંચશે અને ૬:૫૫ વાગ્યે ઉદયપુર જવા રવાના થશે. આ વંદે ભારત એક્સપ્રેસમાં કુલ ૮ કોચ હશે, જેમાં ૭ એસી કોચ અને ૧ એક્ઝિક્યુટિવ એસી કોચનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 11:51 am

સિટી લાઇટમાં રુંગટા ઑસ્ટ્રિયા નામની બિલ્ડીંગ નીચે ભીષણ આગ:ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી નવી બનેલી રુંગટા ઑસ્ટ્રિયા નામની બિલ્ડીંગ નીચે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં આગના ગોટેગોટા દૂર સુધી નજરે પડતા ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને બે બિલ્ડિંગની વચ્ચેના ભાગમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 11:51 am

વેલેન્ટાઈન ડે પર ગુલાબના ભાવમાં ઉછાળો:સામાન્ય દિવસમાં 25 રુપિયે વેચાતા ગુલાબનો ભાવ 50એ પહોંચી ગયો

વેલેન્ટાઈન ડે નિમિત્તે પાટણ શહેરમાં ગુલાબ સહિતના ફૂલોની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ દિવસે એક ઇંગ્લિશ ગુલાબનો ભાવ ₹50 સુધી પહોંચી ગયો હતો, જે સામાન્ય દિવસોમાં ₹15 થી ₹25 માં મળતો હતો. અમદાવાદ, નાસિક અને બેંગ્લોર જેવા શહેરોમાંથી વિવિધ પ્રકારના ગુલાબ અને ફૂલો પાટણના બજારમાં આવ્યા હતા. માત્ર ગુલાબ જ નહીં, પરંતુ અન્ય ફૂલોના ભાવમાં પણ વધારો થયો હતો. હાલમાં લગ્નની સિઝન ચાલુ હોવાથી ડેકોરેશન માટે ઉપયોગમાં લેવાતા રંગબેરંગી ફૂલોની માંગ પણ વધી છે. ગુલાબ સાથે સેવન્ટી અને અન્ય ફૂલોના કોમ્બિનેશનથી બનતા વિવિધ બુકેની પણ વેલેન્ટાઈન ડે પર ખાસ માંગ રહે છે, જેના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. ફૂલોનો વ્યવસાય કરતા રમેશભાઈએ જણાવ્યું હતું કે, વેલેન્ટાઈન ડે નિમિત્તે ગુલાબની માંગ ધારણા કરતાં વધુ રહી હતી. આ ઉપરાંત, 10 પ્રકારના સેવન્ટી ફૂલોની પણ સારી માંગ જોવા મળી હતી. બજારમાં જે ગુલાબ સામાન્ય રીતે ₹20 માં મળતું હતું, તેનો ભાવ ₹50 થઈ ગયો હતો. આમ, દરેક ફૂલના ભાવમાં લગભગ ત્રણ ગણો વધારો જોવા મળ્યો હતો અને બજારમાં તેના ઊંચા ભાવ વસૂલવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 11:49 am

બાળ તસ્કરીની શંકાએ યુવતી પર મહિલા-બાળકો તૂટી પડ્યાં, VIDEO:સુરત પોલીસે ટોળાથી બચાવી, માર ખાનાર ફૂટપાથ પર રહેતી ભિક્ષુક નીકળી

સુરતના ઉન જીલાની નગર વિસ્તારમાં રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીં એક યુવતી શંકાસ્પદ હાલતમાં જણાતા સ્થાનિક લોકોએ તેને ઘેરી લીધી હતી. જોતજોતામાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ કે આ યુવતી બાળક ચોરી કરવા માટે વિસ્તારમાં આવી છે. આ અફવા ફેલાતા જ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મોટી સંખ્યામાં લોકટોળું એકત્ર થઈ ગયું હતું. લોકોએ સત્ય જાણ્યા વગર જ યુવતીને પર આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલાઓ અને બાળકોએ યુવતીને માર માર્યોઆ ઘટનાનો એક ચોંકાવનારો લાઈવ વીડિયો સામે આવ્યો છે, જેમાં ભીડનો ઉગ્ર મિજાજ સ્પષ્ટપણે જોવા મળે છે. માનવતા ત્યારે નેવે મુકાઈ જ્યારે મહિલાઓ પણ જોડાઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્થાનિક મહિલાઓ આ યુવતીને પકડીને બેરહેમીથી મારી રહી છે. એટલું જ નહીં, ત્યાં હાજર નાના બાળકો પણ હાથથી યુવતીને માર મારતા નજરે પડ્યા હતા. જાહેરમાં થયેલા આ હુમલાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે ત્યાં હાજર લોકો યુવતીને ન મારવા કહેતા પણ નજરે આવે છે. ભેસ્તાન પોલીસને લોકોથી યુવતીને છોડાવીઘટનાની જાણ થતા જ ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે યુવતીને સુરક્ષિત રીતે પોલીસ વાનમાં બેસાડી ભેસ્તાન પોલીસ મથકે ખસેડી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું ચોંકાવનારું સત્યભેસ્તાન પીઆઈ અલ્પેશ ગાબાણીએ આ મામલે તપાસ કરતા હકીકત કંઈક અલગ જ બહાર આવી હતી. પોલીસને જાણવા મળ્યું કે જે યુવતીને લોકો 'બાળક ચોર' સમજીને મારી રહ્યા હતા, તે હકીકતમાં અત્યંત ગરીબ પરિવારની છે. આ યુવતી પોતાની માતા સાથે ફૂટપાથ પર રહે છે અને ભિક્ષુક તરીકે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તે સોસાયટીમાં માત્ર ભીખ માંગવા માટે જ ગઈ હતી, પરંતુ એક મહિલાને ખોટી શંકા ગઈ કે તે તેના બાળકને ચોરવા આવી છે. અફવાઓથી દૂર રહેવા પોલીસની કડક અપીલપોલીસે યુવતીની માતાને બોલાવીને નિવેદન લેતા પુષ્ટિ થઈ છે કે તેઓ ભિક્ષુક છે અને કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતા નથી. ભેસ્તાન પોલીસે સ્થાનિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે મૌખિક અફવાઓ પર વિશ્વાસ ન કરવો. શંકાના આધારે નિર્દોષ વ્યક્તિ પર હુમલો કરવો એ કાયદાકીય ગુનો છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 11:02 am

4 લાખ કરોડની નજીક પહોંચશે ગુજરાતનું બજેટ?:18 ફેબ્રુઆરીએ રજૂ થશે 2026-27નું બજેટ; 7થી 10% વધારાની સંભાવના

ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું વાર્ષિક બજેટ આવતી 18 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થવાનું છે. આ વખતે રાજ્યનું બજેટ કદાચ ઐતિહાસિક કદ ધારણ કરી શકે છે. આર્થિક સૂત્રોના અનુમાન મુજબ બજેટનો આકાર ₹3.90 લાખ કરોડથી વધીને ₹4 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. બજેટમાં 7-10 ટકાનો વધારો થવાની શક્યતાગત વર્ષ 2025-26માં રાજ્ય સરકારે ₹3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જી.એસ.ટી. વસુલાત, સ્ટેમ્પ ડ્યૂટી અને ઉદ્યોગ ક્ષેત્રની આવકમાં થયેલા વૃદ્ધિને ધ્યાનમાં લેતા આ વખતે 7થી 10 ટકા જેટલો વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અંદાજે ₹20 હજાર કરોડથી ₹30 હજાર કરોડ સુધીનો વધારો થવાની ચર્ચા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગ-મકાન, પાણી પુરવઠા, આરોગ્ય-શિક્ષણમાં વધુ ફાળવણીની સંભાવનાઆવતા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગ-મકાન, પાણી પુરવઠા, આરોગ્ય અને શિક્ષણ જેવા પ્રાથમિક ક્ષેત્રોમાં વધુ ફાળવણી થવાની સંભાવના છે. સાથે જ કૃષિ, ઉદ્યોગ અને યુવા રોજગારને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓની જાહેરાત પણ થઈ શકે છે. રાજ્ય સરકાર મૂડી ખર્ચમાં વધારો કરીને વિકાસની ગતિને વધુ વેગ આપે તેવી અપેક્ષા છે. જો બજેટનો આકાર ₹4 લાખ કરોડને અડી જાય અથવા પાર કરે, તો તે રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ગણાશે. હવે 18 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થનારા સત્તાવાર આંકડાઓ પર સૌની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 10:54 am

આતંકવાદ-સંગઠિત ગુનાખોરી સામે સરકાર ‘નિયંત્રણ વિધેયક’ વિધાનસભામાં લાવશે:જેલવાસ અને મિલકત જપ્તીની જોગવાઈઓ વધુ કડક બનશે, ભૂ-માફિયા સામે ગાળિયો કસાશે

રાજ્યમાં વધતી અને રૂપ બદલતી સંગઠિત ગુનાખોરી પર લગામ કસવા રાજ્ય સરકાર આતંકવાદ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે કડક સુધારા લાવવા તૈયારીમાં છે. ગૃહ વિભાગ દ્વારા ‘આતંકવાદ-સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક’ આવનારી વિધાનસભા બેઠકમાં રજૂ થવાની સંભાવના છે. સુધારા વિધેયકનો હેતુ ગેંગોના નાણાકીય નેટવર્કને તોડી પાડવાનો સૂત્રોના જણાવ્યા મુજબ, ગુનાખોરીના નવા નેટવર્ક, સાયબર માધ્યમ અને ગેંગ આધારિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સંગઠિત ગુનાની વ્યાખ્યા વધુ સ્પષ્ટ અને વ્યાપક બનાવવામાં આવશે. ખાસ કરીને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટને કાનૂની રીતે ઝડપી રીતે કાબૂમાં લેવા માટે જેલવાસની જોગવાઈઓ અને ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવાની કલમો વધુ કડક બનાવવામાં આવશે.સુધારા વિધેયકનો હેતુ માત્ર દંડાત્મક જ નહીં, પરંતુ નાણાકીય નેટવર્કને તોડી પાડવાનો છે, જેથી ગુનાખોરીના માળખાને મૂળથી નાબૂદ કરી શકાય. ગૃહ વિભાગના અધિકારીઓ માને છે કે કડક જોગવાઈઓથી સંગઠિત ગુનાખોરીના ગેંગ પર અસરકારક નિયંત્રણ શક્ય બનશે. ગેરકાયદે જમીન વ્યવહાર સામે પણ સરકાર સખ્ત, ગુજરાત સુધારા વિધેયક-2026 આવશે મુખ્ય જોગવાઈઓ

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 10:36 am

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભાવનગરના મહેમાન:Pm ઈ બસ સહિત કરોડોના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે શનિવારે ભાવનગર જિલ્લાના એકદિવસીય મુલાકાતે આવી રહ્યા છે, સૌપ્રથમ પાલીતાણામાં ધાર્મિક જીર્ણોદ્ધાર, ત્યારબાદ શહીદ જવાનના પરિવારની પણ મુલાકાત લેશે, ત્યારે બાદ પીએમ ઈ સેવા 50 ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરશે, રતનકલાકારોના બાળકો ને સહાય વિતરણ તથા ચેરિટી ભવનનું ખાતમુહૂર્ત સહિત ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી વિવિધ પાંચ જેટલા મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપી જિલ્લાને નવી ભેટ ધરશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજરોજ ભાવનગર જિલ્લાના વિવિધ વિકાસલક્ષી તથા સામાજિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જેમાં પ્રથમ સવારે 10:30 કલાકે પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામ ખાતે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરના જીર્ણોદ્ધાર સમારોહ, બપોરે 12:15 કલાકે સિહોર તાલુકાના દેવગાણા ગામ ખાતે શહીદ જવાન મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકીના નિવાસસ્થાને પરિવારજનો સાથે મુલાકાત અને આર્થિક સહાય ચેક અર્પણ કરશે, બપોરે 1 કલાકે ભાવનગર અધેવાડા બસ ડેપો, અધેવાડા ખાતે “PM e-Bus Sewa” યોજના અંતર્ગત ઈકો-ફ્રેન્ડલી 50 ઈલેક્ટ્રિક બસો દ્વારા પરિવહન સેવાના લોકાર્પણ કાર્યક્રમ, બપોરે 2 કલાકે સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ, કાળીયાબીડ ખાતે રત્નકલાકારોના બાળકોને સહાય વિતરણ કાર્યક્રમ તેમજ બપોરે 2:40 કલાકે વરતેજ–બુધેલ રોડ, અમર હોટેલની બાજુમાં, સીદસર, ભાવનગર ખાતે સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી તથા જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર “ચેરિટી ભવન”નું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ માટે બસ ડેપો 14 ફેબ્રુઆરીએ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી લીલી જંડી ફરકાવીને બસ સેવાનું લોકાર્પણ કરનાર છે તે માટે સમગ્ર કાર્યક્રમનો તખ્તો તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ લોકાર્પણને લઈને મનપા ના 16 જેટલા અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે આમ લાંબા સમય બાદ લોક આતુરતાનો અંત આવ્યો છે ત્યારેે આવતીકાલે શનિવારે બપોરે 12:30 કલાકે અધેવાડા સીટી બસ ડેપો ખાતે પ્રથમ ફેઝનુ લોકાર્પણ યોજાશે, જે માટે શહેરના અધેવાડા નજીક આવેલ ડી-માર્ટ ની સામે અંદાજિત 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ, વર્કશોપ બિલ્ડીંગ, એડીમીનીસ્ટ્રેટિવ બિલ્ડીંગ અને ચાર્જીગ HT/LT પેનલ રૂમ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. બસનું 5 રૂપિયા થી લઈ 20 સુધીનું ભાડું પ્રથમ ફેઝમાં આઠ રૂટ પર સીટી બસ શરૂ કરવામાં આવશે, આ બસમાં ભાડું પણ તદ્દન વ્યાજબી નક્કી કરવામાં આવ્યું છે રૂપિયા 5 થી લઈને 20 રૂપિયા સુધીનાં ટીકીટ દર રાખવામાં આવ્યા છે, 0 થી 3 કિલોમીટર સુધી રૂપિયા 5, 3 થી 5 કિલોમીટર સુધી રૂપિયા 10, 5 થી 8 કિલોમીટર સુધીમાં રૂપિયા 15 તથા 8 કિલોમીટર સુધીમાં 20 રૂપિયા નું ભાડું રાખવામાં આવ્યું છે, આગામી 12 વર્ષ સુધી બીએમસી દ્વારા સીટી બસનું સંચાલન કરવામાં આવશે એવું કમિશનરે જણાવ્યું છે આઠ રૂટ પર સફળતાપૂર્વક ટ્રાયલ પૂર્ણ થયા બાદ રૂટની સંખ્યામાં વધારો કરવામાં આવશે ઉપરાંત અન્ય ફેરફારો પણ કરવામાં આવશે. ​બસની મુખ્ય વિશેષતાઓ અને સુવિધાઓ ​આ નવી ઈલેક્ટ્રિક બસો મુસાફરો માટે આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે, ​સંપૂર્ણ એસી અને હાઈટેક તમામ બસો સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ છે બસમાં કેપેસિટી 25 મુસાફરોની બેસવાની ક્ષમતા,​ સુરક્ષા માટે બસમાં 4 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, દિવ્યાંગો માટે ટ્રાયસિકલ સાથે ચડવા માટેની ખાસ વ્યવસ્થા, ઓટોમેટિક દરવાજા અને મુસાફરો માટે સ્પેશિયલ હેન્ડલ્સ, આ બસ મહત્તમ 75 કિમી/કલાકની ઝડપે દોડી શકશે. ​રૂટ અને આયોજન ​શહેર 13 વોર્ડમાં ના અલગ-અલગ 8 રૂટ પર આ બસો દોડાવવાનું આયોજન છે, અંદાજે 8 કિમીની પેરીફેરીમાં આ સેવાનો લાભ મળશે, મુસાફરોની સુવિધા માટે શહેરમાં 150 જેટલા નવા પીકઅપ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા છે, મેયર એ જણાવ્યું હતું કે, આ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું,​ભાવનગરના લોકોને આ બસ સેવાથી રિક્ષા ભાડામાંથી મુક્તિ મળશે, તેનો મને ખૂબ જ આનંદ છે. ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર આ સાથે ભાવનગરમાં જે બસ ડેપો બનાવવામાં આવ્યો છે તે 24 કરોડના ખર્ચે ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર કરી, આજે અમને ગૌરવ છે કે મેયરના નેતૃત્વમાં આ પહેલો ડેપો અને બસ ડિલિવરી મેળવવાની તક મળી છે, ​સાથે સાથે 14 કરોડના ખર્ચે ઓપરેશન અને મેન્ટેનન્સ માટે, ડ્રાઈવર-કંડક્ટરો માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે, ભાવનગરને 8 રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ પ્રાથમિક ધોરણે રૂટો નક્કી કર્યા છે, લોકોને 8 કિલોમીટરની પેરીફેરીમાં આ બસની સુવિધાઓ મળવાની છે, રુટ પરથી નડતરરૂપ દબાણો હટાવ્યા 14 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી ઈ-બસ સેવાનો પ્રારંભ થવા નો છે તેના ભાગરૂપે 17 રુટ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે તેના ભાગરૂપે ​આગામી સમયમાં અંદાજે 50 જેટલી ઈ-બસો ગંગાજળિયા બસ સ્ટેશન ખાતે આવવાની હોવાથી, અને આજુબાજુ લોકો હોય તેઓ તેને ધ્યાનમાં રાખી ને જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવામાં આવી હતી તેમજ મહાનગરપાલિકા દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં બસોની સુચારૂ અવરજવર માટે રોડ પર નડતરરૂપ તમામ કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, તેમજ રુટ પર આવતા તમામ રિક્ષાઓ કે અન્ય વાહનો કે દબાણો અડચણરૂપ હટાવી લેવામાં આવ્યા છે, મહાનગરપાલિકાના 45 માં સ્થાપના દિવસની ઉજવણી પણ કરાશે આગામી 14 ફેબ્રુઆરી એ પીએમ ઈ-સીટી બસ લોકાર્પણ સમારોહ સાથોસાથ ભાવનગર મહાનગરપાલિકા નગરપાલિકા માંથી મહાનગરપાલિકાના માં સ્થાપના થયાના 45 માં સ્થાપના દિવસની ઉજવણી પણ કરવામાં આવનાર છે જે અંતર્ગત લાઈવ મ્યુઝિક બેન્ડ સાથે લોકનૃત્યનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે, આવતીકાલે શનિવારે રાત્રે 8 કલાકે કૈલાસ વાટીકા-બોરતળાવ ખાતે યોજાનાર કોન્સર્ટ માં લેડી સિંગર સાંત્વની ત્રિવેદી અને ખ્યાતનામ ગુજ્જુ અભિનેત્રી મમતા સોની આ પ્રોગ્રામમાં પર્ફોર્મન્સ કરશે, બસ સેવા લોકાર્પણ તથા 45 માં સ્થાપના રાજકીય, સામાજિક, અગ્રણીઓ, કલાકારો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આગામી દિવસોમાં શરૂ થનાર સીટી બસના 17 રૂટ નક્કી કરાયા. ગંગાજળિયા સ્ટેશનથી ટોપથ્રી સિનેમા સુધી ( ગંગાજળિયા તળાવ, માધવ દર્શન, આતાભાઈ ચોક, ડી-માર્ટ, ટોપથ્રી સિનેમા) - 7.15 કિમિ. ઇનર સરર્ક્યુલર ( ગંગાજળિયા તળાવ, ક્રેસન્ટ, વાલકેટ ગેટ, ટેકરી ચોક, બોરડી ગેટ, દિપક ચોક, મહિલા કોલેજ, રવેચી, મંત્રેશ, શિવાજી સર્કલ, દુઃખી શ્યામ, રામમંત્ર, પાણીની ટાંકી, આર.ટી.ઓ, કુંભારવાડા પાણીની ટાંકી, અલકા ટોકીઝ, ચાવડી ગેટ, પાનવાડી, ગંગાજળિયા તળાવ)-17.79 કિમિ. સીદસર સીટીથી રુવાપરી ( સીદસર ગામ ચોક, આર.ટી.ઓ સર્કલ, કલેકટર ઓફીસ, કાળાનાળા સર્કલ, ગંગાજળિયા તળાવ, રૂવાપરી) - 15.79 કિમિ. ગંગાજળિયા તળાવથી અધેવાડા ( ગંગાજળિયા તળાવ, હલુરીયા ચોક, મહિલા કોલેજ સર્કલ, શિવાજી સર્કલ, રીંગરોડ, અધેવાડા ગામ) - 8.14 કિમિ. ગંગાજળિયા તળાવથી માલણકા ( ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, ઘોઘા સર્કલ, ભરત નગર ચોકડી, તરસમિયા, માલણકા ગામ) - 8.67 કિમિ. ગંગાજળિયા તળાવથી અકવાડા (ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, રિલાયન્સ માર્ટ, રેલ્વે સ્ટેડિયમ, શિવાજી સર્કલ, અકવાડાગામ) - 8.13 કિમિ. ગંગાજળિયા તળાવથી ફુલસર (ગંગાજળિયા તળાવ, એસ.ટી સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ, આર.ટી.ઓ. સર્કલ, રામદેવનગર, ફુલસર) - 8.70 કિમિ. ગંગાજળિયા તળાવથી ઓઝ સ્કૂલ (ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, શામળદાસ કોલેજ, સરદાર પટેલ ઇન્સ્ટટ્યૂટ, ઓ.એ.જે કોલેજ) - 10.87 કિમિ. ભંડારીયાથી રેલ્વે સ્ટેશન ( ભંડારીયા, અધેવાડા, ટોપથ્રિ સર્કલ, ભરતનગર ચોકડી, જશોનાથ સર્કલ, રેલ્વે ટર્મિનસ) - 25.10 કિમિ. ગંગાજળિયા તળાવથી કમળેજ (ગંગાજળિયા તળાવ, એસ.ટી.સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ, નારી ચોકડી, કમળેજ ગામ) - 14.57 કિમિ. સિહોરથી ગંગાજળિયા તળાવ (સિહોર, રંગોળી ચોકડી, નાની ખોડિયાર, નારી ચોકડી, આર.ટી.ઓ. સર્કલ, એસ.ટી.સ્ટેન્ડ, ગંગાજળિયા તળાવ) - 20.70 કિમિ. દેવગાણાથી એસ.ટી.સ્ટેન્ડ ( દેવગાણા, વાળુંકડ હાઈસ્કૂલ, સીદસર, ઇસ્કોન કલબ, એસ.ટી સ્ટેન્ડ, ગંગાજળિયા તળાવ) - 28.34 કિમિ. રેલ્વે સ્ટેશનથી ઘોઘા/મલેકવદર (રેલ્વે સ્ટેશન, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, સહજાનંદ સ્કૂલ બાયપાસ, ઘોઘા, મલેકવદર) - 19.93 કિમિ. કાળાતળાવથી એસ.ટી.સ્ટેન્ડ (કાળાતળાવ, કામધેનુ ગૌશાળા, ભાવનગર ટર્મિનસ, આર.ટી.ઓ સર્કલ, ભાવનગર પરા) - 12.80 કિમિ. ગંગાજળિયા તળાવથી નેસડા ( ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી, કરદેજ ગામ, નેસડા ગામ) - 18.92 કિમિ. ગંગાજળિયા તળાવથી સોડવદરા ( ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી, વરતેજ સીદસર ચોકડી, સોડવદરા) - 14.77 કિમિ. આનંદનગરથી સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ ( આનંદનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, સંસ્કાર મંડળ, હિલપાર્ક ચોકડી, સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ) - 9.21 કિમિ. આ તમામ ઈ-બસ જે તે રૂટ અને ગંતવ્ય સ્થાન સુધી જઈ એજ રૂટ પરથી ગંગાજળિયા પરત ફરશે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 10:24 am

ઈદ-લગ્નની સિઝને કાપડ વેપારમાં નવો પ્રાણ ફૂંક્યો:એક જ મહિનામાં ટ્રકોના ડિસ્પેચમાં 150%થી વધુનો ઉછાળો, રોજના 400 ટ્રકો કાપડ લઈ દેશભરની મંડીઓમાં રવાના

દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ સુરતનું કાપડ બજાર લાંબા સમયથી મંદીના માહોલનો સામનો કરી રહ્યું હતું. ઉત્પાદનથી લઈને ડિસ્પેચ સુધીની તમામ પ્રક્રિયાઓ ધીમી પડી ગઈ હતી. જોકે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ બજારના સમીકરણો બદલાયા છે. આગામી સમયમાં આવી રહેલી ઈદ અને લગ્નસરાની સિઝનને કારણે અચાનક દેશભરની મંડીઓમાંથી ઓર્ડરનો ધોધ છૂટ્યો છે. આ માગને કારણે સુરતના ટેક્સટાઇલ સેક્ટરમાં લાંબા સમય બાદ એક નવો ઉત્સાહ અને પ્રાણ ફૂંકાયા હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ટ્રકોની સંખ્યામાં ધરખમ વધારોબજારમાં આવેલી તેજીનું સૌથી મોટું પ્રમાણ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં જોવા મળી રહ્યું છે. માત્ર એક મહિના પહેલા જ્યાં સુરતથી દરરોજ માંડ 150 જેટલી ટ્રકો કાપડનો માલ લઈને રવાના થતી હતી, ત્યાં આજે આ આંકડો વધીને 350થી 400 ટ્રકો સુધી પહોંચી ગયો છે. માલની હેરફેર માટે ટ્રકોની સંખ્યામાં થયેલો આ અચાનક વધારો સૂચવે છે કે છૂટક મંડીઓમાં સુરતના કાપડની માગ કેટલી સારી છે. નજીકના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં એર્ડર મળ્યાંઆ તેજી પાછળનું મુખ્ય કારણ ઈદનો પવિત્ર તહેવાર અને તે જ સમયે શરૂ થઈ રહેલી લગ્નસરાની સીઝન છે. સુરતનું ટેક્સટાઇલ માર્કેટ ખાસ કરીને સાડીઓ, ડ્રેસ મટીરિયલ્સ અને સૂટ-દુપટ્ટા માટે જાણીતું છે. ઈદમાં નવા વસ્ત્રોની ખરીદી અને લગ્ન પ્રસંગોમાં સાડીઓની ભારે માગને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે. આ ડબલ સિઝનને કારણે વેપારીઓ પાસે અત્યારે શ્વાસ લેવાનો પણ સમય નથી. ટ્રાન્સપોર્ટરોને નવા બુકિંગ બંધ કરવાની નોબતમાલના ડિસ્પેચમાં અચાનક થયેલા વધારાને કારણે ટ્રાન્સપોર્ટ કંપનીઓ પર ભારે દબાણ ઊભું થયું છે. ઘણી ટ્રાન્સપોર્ટ કંપનીઓ પાસે મર્યાદિત સંસાધનો અને ટ્રકો હોવાને કારણે, તેઓ વધારાનો માલ સ્વીકારી શકતા નથી. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલીક મોટી ટ્રાન્સપોર્ટ એજન્સીઓએ કામચલાઉ ધોરણે નવા બુકિંગ લેવાનું બંધ કરવું પડ્યું છે. આ અગાઉ ક્યારેય ન જોયેલું દબાણ છે, જે સ્પષ્ટ કરે છે કે બજારમાં ખરીદીનું જોર અપેક્ષા કરતા અનેકગણું વધારે છે. સુરતનું આર્થિક કદ અને સીઝનલ વેપારસુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ વાર્ષિક અંદાજે 1.5 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. વેપારીઓના મતે, ડિસેમ્બરથી એપ્રિલ સુધીનો સમયગાળો ઉદ્યોગ માટે સૌથી મહત્વનો હોય છે. આ પાંચ મહિનામાં વર્ષના કુલ વેપારના લગભગ 40% જેટલો હિસ્સો પૂર્ણ થાય છે. આ વખતે ઈદ અને લગ્નસરા સાથે હોવાથી ખૂબ સારા વેપારની આશા છે અને આખું માર્કેટ આ તકને ઝડપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. માર્કેટ ક્લસ્ટર અને વેપારીઓનો ઉત્સાહસુરતમાં અત્યારે 240 થી વધુ ટેક્સટાઇલ માર્કેટ્સનું એક વિશાળ ક્લસ્ટર છે, જેમાં અંદાજે 70,000 જેટલી દુકાનો કાર્યરત છે. આજે તમે દરેક દુકાન અને માર્કેટમાં એક અલગ જ ઉત્સાહ જોઈ શકો છો. ટેમ્પો અને ટ્રકો દ્વારા આખા વિસ્તારમાં માલસામાનની અવરજવર સતત ચાલુ છે. રિંગ રોડ વિસ્તારમાં કાપડના ગાસડાઓની થતી હેરફેર સુરતની આર્થિક રફ્તારની સાક્ષી પૂરી રહી છે. વૈકલ્પિક લોજિસ્ટિક્સનો વધતો ઉપયોગમાત્ર ટ્રકો જ નહીં, પરંતુ લોજિસ્ટિક્સના અન્ય માધ્યમો પણ અત્યારે ફૂલ કેપેસિટી પર ચાલી રહ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાં માલ ઝડપથી પહોંચાડવા માટે વેપારીઓ હવે ખાનગી વાહનો અને લક્ઝરી બસોના પાર્સલ વિભાગનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જે વિસ્તારોમાં ટ્રકો પહોંચતા સમય લાગે તેમ હોય, ત્યાં નાના વાહનો દ્વારા માલ રવાના કરવામાં આવી રહ્યો છે જેથી સિઝન દરમિયાન ગ્રાહકોને સમયસર માલ મળી રહે. આ વખતે ખૂબ સારા વેપારની આશા છેઃ કૈલાશ હકીમફેડરેશન ઓફ ટેક્ષ્ટાઈલ ટ્રેડર્સ એસોસિયેશનના ડિરેક્ટર કૈલાશ હકીમએ જણાવ્યું હતું કે,સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે 1.5 લાખ કરોડ રૂપિયા છે. ડિસેમ્બરથી એપ્રિલ સુધીની સીઝન, જેમાં તહેવારો અને લગ્નસરા બંનેનો સમાવેશ થાય છે, તે આપણા વાર્ષિક ટર્નઓવરમાં લગભગ 40% હિસ્સો ધરાવે છે. આ વખતે ખૂબ સારા વેપારની આશા છે અને આપણે તેના માટે સંપૂર્ણ રીતે સજ્જ રહેવું જોઈએ. આજે તમે દરેક દુકાન અને માર્કેટમાં એક અલગ જ ઉત્સાહ જોશો. આપણી પાસે 240 માર્કેટ્સનું ક્લસ્ટર છે, જેમાં લગભગ 70,000 જેટલી દુકાનો આવેલી છે. તમે અહીંની ચહલ-પહલ જોઈ શકો છો, જ્યાં ટેમ્પો અને ટ્રકો દ્વારા આખા વિસ્તારમાં માલસામાનની અવરજવર થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 10:09 am

VMC 200 કરોડનો બ્લ્યુ બોન્ડનો પબ્લિક માટે બહાર પાડશે:સ્ટેન્ડિગમાં એજન્સીની નિમણૂકની મંજૂરી; જનભાગીદારીથી પાણીની સમસ્યાનો ઉકેલ લવાશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ સુધીમાં બે વખત બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યા બાદ આગામી દિવસોમાં હવે નવો પબ્લિક ઈશ્યુ બહાર પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લ્યુ બોન્ડનો આ પબ્લિક ઈશ્યુ 200 કરોડનો હશે, જેમાં નાના રોકાણકારો પણ ભાગ લઈ શકે તેવું આયોજન છે. શું છે મ્યુનિસિપલ બોન્ડ અને તેનો ઉપયોગ?મ્યુનિસિપલ બોન્ડ એક પ્રકારનું એવું સાધન છે જે સ્થાનિક સરકારી સંસ્થાઓ, જેમ કે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અથવા અન્ય સ્થાનિક સત્તાવાળાઓ, દ્વારા જાહેર જનતા પાસેથી ભંડોળ એકત્ર કરવા માટે બહાર પાડવામાં આવે છે. આ બોન્ડ ઇશ્યુ કરીને, મહાનગરપાલિકા રોકાણકારો પાસેથી પૈસા ઉધાર લે છે અને તેના બદલામાં રોકાણકારોને નિશ્ચિત વ્યાજ દરે સમયાંતરે વ્યાજ ચૂકવવાનું વચન આપે છે. બોન્ડની પાકતી મુદત પૂરી થતા, મહાનગરપાલિકા રોકાણકારોને મૂળ રકમ પાછી ચૂકવે છે. આ બોન્ડનો ઉપયોગ સામાન્ય રીતે શહેરના વિકાસ પ્રોજેક્ટ્સ જેમ કે રસ્તાઓનું નિર્માણ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સુધારવી, પૂલ બાંધવા, જાહેર પરિવહન સુવિધાઓ વિકસાવવી, બગીચાઓ બનાવવું અથવા અન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડવા માટે થાય છે. એજન્સીની નિમણૂકને સ્ટેન્ડિગમાં મંજૂરી વડોદરા મહાનગરપાલિકાએ અગાઉ બે બોન્ડ બહાર પાડયા હતા. હવે બ્લુ બોન્ડ ના પબ્લિક ઈશ્યુ બહાર પાડવા માટેનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે. આ બ્લુ બોન્ડ થકી જનભાગીદારીથી શહેરની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. બજેટમાં બ્લુ બોન્ડ ઈશ્યુ જાહેર કરવા માટેની જાહેરાત બાદ સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં આ અંગે એજન્સીની નિમણૂક સહિતના કામો મંજૂર કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી, જેને મંજૂરી આપી દેવામાં આવી છે અને તે અંગેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે. બોન્ડથી રોકાણકારોને શું ફાયદો?કેટલાક રોકાણકારો સલામત રોકાણ કરવા ઉપર ભાર મુકતા હોય છે. કોર્પોરેશને બહાર પાડેલા બોન્ડમાં ફિક્સ વ્યાજ નક્કી કરવામાં આવે છે જે દર છ મહિને તેઓને મળી જાય છે. જ્યારે મુદત પાકે ત્યારે તેઓએ રોકાણ કરેલી રકમ પરત મળી જાય છે. રોકાણકારોને બોન્ડમાં રોકાણ કરવામાં સલામતી એટલા માટે અનુભવાય છે, કારણ કે સરકારી સંસ્થા ક્યારેય ડૂબવાની નથી. આ ઉપરાંત અન્યત્ર ઈન્વેસ્ટ કરવા કરતા સારું અને સલામત વળતર મળે છે. બોન્ડથી કોર્પોરેશનને શું ફાયદો?બોન્ડથી પાલિકાને શું ફાયદો થયો તે અંગે વડોદરા મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન જો વિકાસના કામો માટે કોઈ બેન્ક પાસે લોન મેળવવા માટે જાય તો પાલિકાએ તેની સામે બમણી સિક્યુરિટી આપવી પડે છે. જ્યારે સામે બોન્ડના કારણે તે વ્યાજદર પણ ઓછું થાય છે. આ ઉપરાંત વડોદરા મહાનગર પાલિકાએ સફળતા પૂર્વક બોન્ડ પાર પાડ્યા, જેના કારણે ભારત સરકારે પાલિકાને રૂ.13 કરોડ ઈન્સેન્ટિવ આપ્યું, જેથી આ વ્યાજમાં પણ બે ટકા ઘટાડો થઇ ગયો. સરળ ભાષામાં સમજીએ તો પાલિકાએ પ્રથમ બોન્ડ 7.15 ટકાએ બહાર પાડ્યો હતો, જેની સામે ભારત સરકારે 13 કરોડ આપ્યા હતાં, જેથી પાલિકાને વ્યાજમાં બે ટકા ઘટાડો થઇ ગયો. આ ઉપરાંત કોર્પોરેશન દર મહિને પાલિકા દ્વારા વ્યાજદરની રકમ અને મુદ્દલની રકમ સાઈડમાં મુકવામાં આવી હતી. વ્યાજ દર છ મહિને ચુકવવામાં આવે છે તે રકમ સિવાયની રકમ ફિક્સ ડિપોઝિટમાં મુકવામાં આવે છે, જેથી પાંચ વર્ષને અંતે તેઓએ મેળવેલા બોન્ડ પેટે તેઓને માત્ર 2થી 2.5 ટકા જ રકમ વ્યાજ ચૂકવવું પડે છે. જે બેંક લોન કરતા ખુબ ઓછું હોય છે. વીએમસી પ્રથમ કોર્પોરેશન જેને ગ્રીન બોન્ડ અંગે ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ મળ્યું કોર્પોરેશને અગાઉ ગ્રીન બોન્ડ બહાર પાડયા હતા. આ બોન્ડ થકી જે પ્રોજેક્ટ ઉભા કરાયા તેના આધારે પ્રદુષણમાં નિયંત્રણ કરવાનો પ્રયાસ કરાયો. અગાઉ ઉંડેરા અને શેરખી એસટીપી બનાવ્યું હતું. આ પ્રોજેક્ટ ડ્રેનેજ માટે હતો. જો આ પ્રોજેક્ટ ન થાય તો પ્રદુષણ કેટલું થશે તે અંગેનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના ઉપર ઇન્ટરનેશનલ એજન્સીના માન્ય ઓડિટરોએ ચકાસ્યું અને પેરામીટરમાં બેઠા બાદ વીએમસીને પ્રથમ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ મળ્યું હતું. જે એશિયામાં પ્રથમ મહાનગરપાલિકા છે. વડોદરાના નાગરિકો પણ બોન્ડ ખરીદી શકશે વડોદરાના સામાન્ય નાગરિકો પણ આગામી સમયમાં પાડનાર ઈશ્યુ ખરીદી શકશે. પાલિકા અંદાજે 10,000ના ગુણાંકમાં રોકાણ કરી શકશે. જેનું ફિક્સ વ્યાજ નક્કી કરવામાં આવશે અને તે બાદ ઈશ્યુ જાહેર કરવામાં આવશે. વડોદરાના નાગરિકો પણ કોર્પોરેશન સાથે એટેચ થાય અને તેની કામગીરીમાં પોતાની જનભાગીદારી છે તેવું સમાજે તેવો આની પાછળ આશય છે. VMCનો બોન્ડ થોડા સમયમાં જ 14.6 ગણો ઓવર-સબસ્ક્રાઈબ થયો હતો 1 માર્ચ, 2024ના રોજ જ્યારે બોન્ડ ઇસ્યુ માટે બીએસઇના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર સબ્સ્ક્રિપ્શન થયું ત્યારે માત્ર થોડા સમયમાં જ બોન્ડ 14.6 ગણો ઓવર-સબસ્ક્રાઈબ થયો હતો. કુલ 44 બિડરો દ્વારા રૂ.1460 કરોડની બીડ મેળવી, જે ભારતના મ્યુનિસિપલ બોન્ડ ઇતિહાસમાં સૌથી વધુ સબ્સ્ક્રિપ્શન ધરાવતું ઇસ્યુ બની રહ્યું છે, જે વડોદરા કોર્પોરેશન પ્રત્યે રોકાણકારોના પ્રચંડ વિશ્વાસને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા જૂની સિદ્ધિ ટકાવી રાખવા માટે ગત વર્ષે પણ રૂપિયા 100 કરોડના બોન્ડ દ્વારા નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા. બોન્ડથી થતા ફાયદા

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 9:55 am

ભરૂચ મહિલા પોલીસે એક વર્ષના બાળકને માતાને પરત અપાવ્યું:સંવેદનશીલ કામગીરીથી માતા-બાળકનો મિલાપ કરાવ્યો

ભરૂચ મહિલા પોલીસે સંવેદનશીલ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે એક વર્ષના બાળકને તેની માતાને સુરક્ષિત રીતે પરત અપાવવામાં સફળતા મેળવી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ, ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. આહિર અને તેમની ટીમ મહિલા સંબંધિત પ્રશ્નોમાં મદદરૂપ થવા સતત કાર્યરત છે. આ કેસમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં એક અરજદાર મહિલાને બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. મહિલાએ રજૂઆત કરી હતી કે તેના પતિ અને સાસુ તેમના એક વર્ષના બાળકને પોતાની સાથે લઈ ગયા હતા અને તેને પરત આપવાનો ઇનકાર કરતા હતા. ન્યાય મેળવવા માટે તેણીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે, પીએસઆઈ વૈશાલી આહિરે હેડ કોન્સ્ટેબલ શીતલબેનની મદદથી સામા પક્ષને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હતું. સમજાવટ અને માર્ગદર્શન બાદ, સામા પક્ષ બાળકને તેની માતાને પરત આપવા સંમત થયો હતો. ત્યારબાદ, બાળકને તેની માતાને સુપરત કરવામાં આવ્યું હતું, જેનાથી માતા-બાળકનો મિલાપ થયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 9:43 am

25 લાખથી વધુ કિંમતનું વિદેશી ચલણ જપ્ત:અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી દુબઈ જઈ રહેલા એક પુરુષ મુસાફર પાસેથી કરન્સી મળી, કસ્ટમની મુસાફરો પર બાજનજર

DRI તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ 13 ફેબ્રુઆરી, 2026ના રોજ SVPI એરપોર્ટ, અમદાવાદથી ફ્લાઇટ SG-15 દ્વારા દુબઈ જઈ રહેલા એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. 100 USD મૂલ્યની કુલ 288 ચલણી નોટો મળીમુસાફરના સામાનની તપાસ અને વ્યક્તિગત તલાશી લેતા તેની ટ્રોલી બેગ, કેરી બેગ અને તેણે પહેરેલા ટ્રાઉઝરના ખિસ્સામાંથી 100 USD મૂલ્યની કુલ 288 ચલણી નોટો, જે દરેકની કિંમત 28,800 USD હતી તે મળી આવી હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓની મુસાફરો પર બાજનજરઅમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હમણાંથી હેરાફેરીની ઘટનાઓ વધતી જાય છે. તેને ધ્યાનમાં લઈને કસ્ટમ વિભાગના અધિકારીઓ મુસાફરો પર બાજનજર રાખી રહ્યાં છે. ₹25,81,920ના મૂલ્યનું વિદેશી ચલણ જપ્તતાજેતરમાં કસ્ટમ વિભાગે ગાંજાનો જથ્થા સહિત સોનાની લગડી વગેરે કબજે કર્યા હતા. ત્યાં વળી ડી. આર.આઈ. તરફથી મળેલી માહિતીના આધારે મુસાફરને રોકીને તપાસ કરતા વિદેશી ચલણ- 28,800 USD મળી આવ્યા હતા. જે કસ્ટમ્સ એક્ટ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ₹25,81,920/- મૂલ્યની વિદેશી ચલણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 9:20 am

પાટણ કોર્ટે પોક્સો કેસમાં આરોપીને સજા ફટકારી:સગીરાનું અપહરણ અને દુષ્કર્મ બદલ 20 વર્ષની સખ્ત કેદ, 55 હજાર દંડ

પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી રાહુલ ગણપતભાઈ પ્રજાપતિ (ઉ.વ. 24) ને 20 વર્ષની સખ્ત કેદ અને ₹55,000 નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ ત્રણથી એક માસની કેદની સજા ભોગવવી પડશે. જજ બી.કે. બારોટે આરોપીને બીએનએસ કલમ 137(2) તથા 87 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને ₹5,000 નો દંડ, તેમજ પોક્સો એક્ટની કલમ 5(એલ) અને 6 હેઠળ 20 વર્ષની સખ્ત કેદ અને ₹50,000 નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે રજૂઆત કરી હતી. કોર્ટે દુષ્કર્મ પીડિતાને ₹1 લાખનું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ પણ કરી છે. આ કેસની વિગત એવી છે કે, પાટણમાં રહેતી એક સગીરા 8 નવેમ્બર, 2024 ના રોજ ગુમ થઈ ગઈ હતી. તેના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભોગ બનનાર સગીરા અને આરોપી મળી આવ્યા હતા. તેમના નિવેદનોના આધારે કેસમાં પોક્સો એક્ટની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આરોપી અને સગીરા પાટણથી ભાગીને અલગ-અલગ જગ્યાએ રોકાયા હતા અને દ્વારકા જઈને લગ્ન કર્યા હોવાનું સગીરાએ નિવેદનમાં જણાવ્યું હતું. સગીરાએ એમ પણ જણાવ્યું હતું કે આરોપીએ તેની સંમતિથી સંબંધ બાંધ્યો હતો. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે ભોગ બનનાર સગીર હોવાથી તેણે આપેલી સંમતિ કાયદેસરની સંમતિ ગણી શકાય નહીં. સગીર સાથે કરવામાં આવેલા લગ્ન પણ કાયદેસરના ગણી શકાય નહીં. આથી, ફરિયાદ પક્ષ પોતાનો કેસ શંકા રહિત પૂરવાર કરવામાં સફળ રહ્યો હોવાનું કોર્ટે જણાવી ઉપરોક્ત સજા ફટકારી હતી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 9:15 am

જૈન સ્મશાન ભૂમિમાં 95 બાળકોને શૈક્ષણિક કિટ અપાઈ:ધર્મેશ પટવાના જન્મદિવસે સ્વ. માતાની સ્મૃતિમાં વિતરણ કરાયું

શહેરની જૈન સ્મશાન ભૂમિમાં અભ્યાસ કરતા 95 જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. ધર્મેશ પટવાના જન્મદિવસ નિમિત્તે તેમની સ્વર્ગસ્થ માતાની સ્મૃતિમાં આ સેવાકીય કાર્ય કરાયું હતું. બાળકોને નોટબુક, પેન્સિલ અને કંપાસ બોક્સ જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. જૈન સ્મશાન ભૂમિમાં શોભનાબેન યાદવ સિનિયર કેજીથી ધોરણ 12 સુધીના અંદાજે 95 છોકરા-છોકરીઓને ટ્યુશન આપી ભણાવે છે. આ બાળકો ખુલ્લા વાતાવરણમાં ચાદરા પાથરીને અભ્યાસ કરે છે. દસ દિવસ પહેલા ધર્મેશ પટવાના માતાનું અવસાન થતા તેમના અંતિમ સંસ્કાર માટે પરિવાર અહીં આવ્યો હતો. તે સમયે તેમણે આ બાળકોને ભણતા જોયા અને તેમની અભ્યાસ પ્રત્યેની રુચિથી પ્રભાવિત થયા. આ દ્રશ્ય જોઈને ધર્મેશ પટવાએ શિક્ષિકા શોભનાબેન યાદવની મુલાકાત લીધી હતી. શિક્ષિકાએ બાળકો માટે ચોપડા, નોટબુક, પેન્સિલ, કંપાસ અને પાઉચ જેવી શૈક્ષણિક વસ્તુઓની જરૂરિયાત જણાવી હતી. ધર્મેશ પટવાએ જરૂરી તમામ સામગ્રી પૂરી પાડવાની ખાતરી આપી હતી. આજે ધર્મેશ પટવાના જન્મદિવસ નિમિત્તે તેમણે આપેલું વચન પૂર્ણ કરવામાં આવ્યું. તમામ 95 બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધર્મેશ પટવા, પ્રિયાબેન, એક્ટિવ દિલીપ પટેલ, ગ્રુપના સભ્યો, કોર્પોરેટર મનોજભાઈ અને વિષ્ણુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સ્મશાન જેવી જગ્યાએ શિક્ષણ મેળવતા બાળકોને જરૂરી સાધનો મળતા તેમના અભ્યાસમાં સરળતા રહેશે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 9:09 am

37 મામલતદારની બદલી:165 નાયબ મામલતદારને મામલતદાર તરીકેનું પ્રમોશન, જુઓ લિસ્ટ

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતાં રાજ્યભરમાં 37 મામલતદારોની બદલીના આદેશ જાહેર કર્યા છે. સાથે જ 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. આ અંગે સચિવાલય, ગાંધીનગરથી સત્તાવાર આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 37 મામલતદારોની બદલીમાહિતી અનુસાર, બદલાતા વહીવટી જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને જિલ્લાઓમાં કામગીરી વધુ અસરકારક બને તે હેતુથી આ ફેરફારો કરવામાં આવ્યા છે. વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોને અન્ય તાલુકા તથા જિલ્લામાં બદલી આપવામાં આવી છે. ખાસ કરીને વહીવટી કામગીરી, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણી શાખા અને અર્બન ડેવલપમેન્ટ સંબંધિત કચેરીઓમાં પણ નિયુક્તિઓ કરવામાં આવી છે. 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતીઆ સાથે જ 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી મેળવનાર અધિકારીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાલી પડેલ જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. બઢતી બાદ સંબંધિત અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા સૂચના આપવામાં આવી છે. કામકાજમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો હેતુસરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરના વહીવટી ફેરફારોનો હેતુ કામકાજમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો છે. જિલ્લા સ્તરે મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણી તથા અન્ય શાખાઓમાં કાર્યક્ષમતા વધારવા આ પગલું લેવાયું છે. ઉલ્લેખનીય છે કે, મામલતદાર અને નાયબ મામલતદાર સ્તરે થયેલા આ મોટા ફેરફારોને કારણે રાજ્યના વહીવટી તંત્રમાં નવી ગતિ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 9:02 am

ગુજસીટોકનો ફરાર આરોપી ઝડપાયો:બોટાદ LCB એ સબિહા હોસ્પિટલ પાસેથી પકડ્યો

બોટાદ LCB પોલીસે ગુજસીટોકના ગુનામાં જામીન શરત ભંગ કરી ફરાર થયેલા આરોપી જાવેદ ઉર્ફે ટકો ડોન રજાકભાઇ જાંગડની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે તેને સબિહા હોસ્પિટલ પાસેથી દબોચી લીધો હતો. આરોપી જાવેદ ઉર્ફે ટકો ડોન હાઈકોર્ટમાંથી શરતી જામીન પર છૂટ્યો હતો, પરંતુ તેણે જામીનની શરતોનો ભંગ કર્યો હતો. આથી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેના જામીન રદ કરીને પકડ વોરંટ ઇશ્યુ કર્યું હતું. આ વોરંટના આધારે LCB પોલીસે તેની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:38 am

માળીયા પાસે 1.38 કરોડથી વધુનો દારૂ ઝડપાયો:SMCએ 19,068 બોટલ ભરેલા ટ્રક સાથે 2 પકડ્યા, 9 સામે ગુનો

મોરબી જિલ્લાના માળીયા તાલુકાની ભીમાસર ચોકડી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં ઉભેલા એક ટ્રકમાંથી દારૂ અને બિયરની કુલ 19,068 બોટલો મળી આવી હતી. આ જથ્થાની બજાર કિંમત 1.38 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. પોલીસે દારૂ-બિયર ઉપરાંત ટ્રક, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1.63 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, મુખ્ય સપ્લાયર સહિત કુલ નવ શખ્સો સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. SMCના પી.એસ.આઇ. વી.એન. જાડેજા અને તેમની ટીમે અમદાવાદ-કચ્છ હાઈવે પર ભીમાસર ચોકડી પાસે ટ્રક નંબર RJ 7 JD 2852ને રોકીને તપાસ કરી હતી. આ ટ્રકમાંથી 1,38,04,080 રૂપિયાની કિંમતની 19,068 દારૂ-બિયરની બોટલો મળી હતી. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના વિક્રમસિંહ નારણસિંહ ચૌહાણ અને કમલકિશોર પ્રેમરામ મારુનો સમાવેશ થાય છે. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે 25 લાખ રૂપિયાનો ટ્રક, 10,000 રૂપિયાના બે મોબાઈલ ફોન અને 23,580 રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આમ, કુલ 1,63,51,160 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા બે આરોપીઓ ઉપરાંત, મુખ્ય સપ્લાયર રમેશ લખમરામ જાટ (ચંડી રામસર, બાડમેર), બલવીર સોહનદાસ જાટ (લોહર ગામ, હનુમાનગઢ), જબ્બર બીશ્નોઈ (સાચોર, રાજસ્થાન) સામે પણ ગુનો નોંધાયો છે. સામખિયાળી ખાતે દારૂનો જથ્થો મેળવનાર અજાણ્યો શખ્સ, પંજાબના ભટિંડા ખાતે ટ્રક છીનવી લેનાર અજાણ્યો શખ્સ, દારૂનો જથ્થો લોડ કરીને વાહન આપી ગયેલ અજાણ્યો શખ્સ અને ટ્રકના માલિકનો પણ આ ગુનામાં સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો પંજાબથી રાજસ્થાન થઈને ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. પોલીસે આ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે અને ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિતના તમામ આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:29 am

709 બાળકોએ કિશોરી સ્વાસ્થ્ય કેમ્પનો લાભ લીધો:ભગ્યોદય ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગ દ્વારા મોરવા હડફમાં આયોજન

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલી PM શ્રી મોડેલ સ્કૂલમાં ભગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કિશોરી સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 12 અને 13 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયો હતો. બે દિવસ ચાલેલા આ કેમ્પમાં કુલ 709 બાળકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. નિષ્ણાત ડોકટરો દ્વારા વિદ્યાર્થીનીઓને વ્યાપક આરોગ્ય તપાસ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાત, જનરલ મેડિસિન, આંખના નિષ્ણાત અને ચર્મરોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, NCD સ્ક્રીનિંગ, સિકલ સેલ અને એનિમિયા ટેસ્ટિંગ જેવી મહત્વપૂર્ણ તપાસ પણ કરવામાં આવી હતી. કિશોરીઓને આરોગ્ય માર્ગદર્શન અને સિકલ સેલ કાઉન્સેલિંગ જેવી સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં ભાગ લેનાર તમામ લાભાર્થીઓને મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંખની તકલીફ ધરાવતા 45 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નંબરના ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવશે. આ પ્રકારના આરોગ્ય કેન્દ્રીય કાર્યક્રમો કિશોરીઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા, સમયસર રોગોનું નિદાન કરવા અને તેમના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:26 am

વલસાડ હાઈવે પર SMCનો સપાટો:19.19 લાખના દારૂ સાથે બે ઝડપાયા, 6 વોન્ટેડ

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે વલસાડ જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નં. 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ઇનોવા કારમાંથી 3208 બોટલ વિદેશી દારૂ અને બીયર સહિત કુલ રૂ. 19.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે છ અન્યને વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કોન્સ્ટેબલ વસીમભાઈ બુખારીને મળેલી બાતમીના આધારે શુક્રવારે વહેલી સવારે હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દમણ તરફથી આવતી ઇનોવા કાર (GJ-18-ED-4949) ને આંતરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ચિરાગકુમાર નાનુભાઈ પટેલ (રહે. નાની દમણ), જે કારનો ડ્રાઈવર હતો, અને જીગ્નેશભાઈ નારણભાઈ પટેલ (રહે. નાની દમણ), જે હેલ્પર હતો, તેમનો સમાવેશ થાય છે. બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દારૂના કાળા કારોબારમાં સંડોવાયેલા અન્ય છ શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. તેમાં દારૂ મોકલનાર ભાવેશ ઉર્ફે ભાવલો દલવાડા (રહે. નાની દમણ), પાયલોટિંગ કરનાર કિરણ ઉર્ફે છનીયો અને નિલેશ ઉર્ફે નિલીયો ઘોડો, તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સુરતના સની ઉર્ફે સોહન સહિત અન્ય આરોપીઓનો સમાવેશ થાય છે. તેમની શોધખોળ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 9,08,456/- ની કિંમતની 3208 બોટલ વિદેશી દારૂ, રૂ. 10,00,000/- ની ઇનોવા કાર, રૂ. 10,000/- ના બે મોબાઈલ ફોન અને રૂ. 830/- રોકડ રકમ તથા ફાસ્ટેગનો સમાવેશ થાય છે. કુલ રૂ. 19,19,286/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા માટે હાઈવે પર સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન વધુ કડક બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 8:25 am

અમેરિકાની કોર્ટમાં ખાલિસ્તાની નેતા પન્નુની હત્યાનું કાવતરું રચ્યાનો આરોપ નિખિલ ગુપ્તાએ સ્વીકાર્યો

Khalistani Pannu News : ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકાની અદાલતમાં પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. 13 ફેબ્રુઆરી, 2026ના રોજ મેનહટનની ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુપ્તાએ હત્યાનું કાવતરું ઘડવા અને મની લોન્ડરિંગના આરોપોમાં પોતે દોષિત હોવાનું સ્વીકાર્યું હતું. અગાઉ જૂન 2024માં તેણે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ હવે અમેરિકન મેજિસ્ટ્રેટ જજ સારા નેટબર્ન સમક્ષ અરજી દાખલ કરીને પોતાનો દોષ સ્વીકારી લીધો છે. આ આરોપો સાબિત થવા પર તેને મહત્તમ 40 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સમગ્ર કાવતરું વર્ષ 2023માં ત્યારે પ્રકાશમાં આવ્યું હતું જ્યારે અમેરિકન સત્તાવાળાઓએ ન્યૂયોર્ક સિટીમાં પન્નુની હત્યાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

ગુજરાત સમાચાર 14 Feb 2026 8:04 am

ડોનાલ્ડ ટ્રમ્પનું ઇરાનને છેલ્લું અલ્ટીમેટમ : એક મહિનામાં પરમાણુ કરાર ન કર્યો તો હુમલો થશે

Donald Trump Threat Iran : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને એક મહિનાની અંદર જ પરમાણુ સમજૂતી કરવાની ચેતવણી આપી છે અને જો એક મહિનામાં સમજૂતી ન થઈ તો અમેરિકાનો હુમલો સહન કરવા તૈયાર રહેવાની ધમકી આપી છે. આ હુમલો ફેઝ-2 હશે અને તે અગાઉ કરવામાં આવેલા હુમલા કરતાં પણ ઘણો ખતરનાક હશે એમ તેમણે જણાવ્યું હતું. ટ્રમ્પે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત કરી આમ જણાવ્યું હતું. ટ્રમ્પે કેરેબિયન જળમાં રહેલા નૌકા કાફલાના એક ભાગને બીજાં પ્રબળ વિમાનવાહક જહાજ યુએસએ ગેરાલ્ડ આર ફોર્ડનાં નેતૃત્વ નીચે મધ્ય એશિયા તરફ રવાના કરી દીધો છે.

ગુજરાત સમાચાર 14 Feb 2026 7:42 am

રાજકોટમાં 20 લાખ લોકોની સામે વસ્તીગણતરી માટે 2500નો સ્ટાફ:50 ટકા ઘટથી અધિકારીઓ મૂંઝાયા, મનપા પ્રાઈવેટ સ્કૂલના સ્ટાફને તાલીમ આપીને મેદાનમાં ઉતારી શકે

રાજકોટમાં વસ્તી ગણતરીની કામગીરી આડે મોટું વિઘ્ન સામે આવ્યું છે. આ કામગીરી માટે મનપા તંત્રને 5,000 કર્મચારીઓની જરૂરિયાત છે. જેની સામે મનપા તેમજ મનપા સંચાલિત સરકારી શાળાઓ મળી માત્ર 2,500નો સ્ટાફ હાલ ઉપલબ્ધ છે. એટલે જરૂરિયાત કરતા અડધો જ સ્ટાફ ઉપલબ્ધ હોવાથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે. ખાસ કરીને વર્ષ 2011 પછી લાંબા સમયના અંતરાલ બાદ 20 એપ્રિલ-2026થી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાથી તેમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે રાજકોટના ભૌગોલિક નકશામાં થયેલા મોટા ફેરફારો અને નવા ભળેલા વિસ્તારોને કારણે કામગીરીનું ભારણ વધ્યું છે. જેની સામે સૌથી મોટો પ્રશ્ન સ્ટાફની અછતનો ઉભો થયો છે. જેને લઈ ખાનગી શાળાઓના સ્ટાફની મદદ લેવા સહિતના અન્ય પાસાઓ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે. બે તબક્કામાં વસ્તી ગણતરી ને ડિજિટલ માધ્યમથી ડેટા કલેક્શનરાજકોટ મનપાના અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા મુજબ, આગામી વસ્તી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં વિભાજિત કરાઈ છે. આ વખતે ગણતરીની પદ્ધતિમાં પેપરવર્કને બદલે સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં માત્ર હાઉસ લિસ્ટિંગ કરવામાં આવશે. આ પછી ફેબ્રુઆરી 2027માં વાસ્તવિક વસ્તી ગણતરી કરવામાં આવશે. જેમાં દરેક વ્યક્તિની વિગતવાર માહિતી જેવી કે, ઉંમર, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય અને અન્ય જાણકારી એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ વસ્તી ગણતરીનું સાચું પરિણામ સામે આવશે. રાજકોટ મનપા દ્વારા કરવામાં આવેલા માઈક્રો પ્લાનિંગ મુજબ, જેમાં મહાનગરપાલિકાનો પોતાનો સ્ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓના શિક્ષકો અને આચાર્યોનો સમાવેશ થાય છે. એક કર્મચારી પર કામનું ભારણ વધી શકેઆમ, જરૂરિયાત કરતા 50 ટકા સ્ટાફ ઓછો હોવાને કારણે કામગીરી સમયસર પૂર્ણ થશે કે કેમ તે બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરી એ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાની પ્રક્રિયા છે, જો સ્ટાફ ઓછો હોય તો એક કર્મચારી પર કામનું ભારણ વધે છે અને ડેટાની ચોકસાઈ પર પણ તેની અસર પડી શકે છે. આ સ્ટાફની ઘટ પૂરી કરવા માટે હવે મનપા તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. ખાનગી શાળાના સ્ટાફને તાલીમ આપીને મેદાનમાં ઉતારી શકેમનપાનાં ચૂંટણી અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, ઘટતા 2,500 કર્મચારીઓની વ્યવસ્થા કરવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરમાં આવેલી ખાનગી શાળાઓના શિક્ષકો અને બિન-શૈક્ષણિક સ્ટાફને આ સરકારી કામગીરીમાં જોડવા માટે મંજૂરી મેળવવા પ્રક્રિયા ચાલી રહી છે. જો સરકાર તરફથી મંજૂરી મળશે, તો ખાનગી શાળાના સ્ટાફને જરૂરી તાલીમ આપીને મેદાનમાં ઉતારવામાં આવશે. આ સિવાય વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો અને એલઆઈસી જેવી સંસ્થાઓના કર્મચારીઓની સેવાઓ લેવા માટે કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કર્મચારીઓને પણ કામગીરીમાં સામેલ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. તમામ પ્રયાસો બાદ પણ સ્ટાફની અછત હાલ વસ્તી ગણતરી માટે ઘટતા સ્ટાફની પૂર્તિ કરવા માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવી તમામ મહાનગરપાલિકાઓમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની કચેરીઓ અને CGST જેવી સંસ્થાઓ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. જો આ તમામ પ્રયાસો બાદ પણ સ્ટાફની અછત રહેશે, તો સેન્સસ એક્ટની જોગવાઈ મુજબ ખાનગી શાળાઓના શિક્ષકો અને ક્લાર્કની સેવાઓ લેવા અંગે પણ વિચારણા કરવામાં આવશે. હાલ પૂરતી પ્રાથમિકતા સરકારી સ્ટાફને જ આપવામાં આવી રહી છે, પરંતુ જરૂર પડ્યે ખાનગી સ્ટાફની મદદ લેવા માટે ઉપરથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અંદાજે 30થી 33 જેટલા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશેવધુમાં તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલથી 19મે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો રહેશે. જેમાં કર્મચારીઓ તમામ લોકોના ઘરે જશે. આ વખતે વસ્તી ગણતરી દરમિયાન ગણતરીદારો જ્યારે લોકોના ઘરે જશે, ત્યારે તેમને અંદાજે 30થી 33 જેટલા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં પરિવારની સુખ-સુવિધાઓ, વાહનો, શૌચાલયની સુવિધા, પીવાનું પાણી અને ડિજિટલ સાધનોના વપરાશ અંગેની માહિતીનો સમાવેશ થશે. આ તમામ ડેટા સીધો મોબાઈલ એપ કે ડિજિટલ ટેબ્લેટમાં એન્ટર કરવામાં આવશે, જેનાથી ભૂલ થવાની શક્યતા નહિવત રહેશે. રાજકોટની વસ્તી 20 લાખની સપાટીને આસાનીથી વટાવી જશેરાજકોટની વસ્તીના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1981માં શહેરની વસ્તી 4.44 લાખ હતી. 1991માં તે વધીને 5.50 લાખ થઈ. 2001માં આ આંકડો 10.00 લાખ પર પહોંચ્યો. 2011માં છેલ્લી સત્તાવાર ગણતરી મુજબ વસ્તી 13.46 લાખ હતી. જોકે છેલ્લા 15 વર્ષમાં રાજકોટમાં માધાપર, મુંજકા, મોટામૌવા, ઘંટેશ્વર જેવા અનેક નવા વિસ્તારો ભળ્યા છે. શહેરનો વિસ્તાર જે 2011માં મર્યાદિત હતો તે હવે વધીને 161.86 ચોરસ કિલોમીટર થયો છે. આ ભૌગોલિક વિસ્તારના વધારા અને શહેરીકરણની ઝડપને જોતા, તંત્રનો અંદાજ છે કે આ વખતે રાજકોટની વસ્તી 20 લાખની સપાટીને આસાનીથી વટાવી જશે. તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ અને તાલીમસ્ટાફની અછત હોવા છતાં, મનપા તંત્ર દ્વારા હાલમાં ઉપલબ્ધ 2,500 કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ ડિજિટલ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો, લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને માહિતીની ગોપનીયતા કેવી રીતે જાળવવી તે અંગે તમામને માર્ગદર્શન આપવામાં આવશે. વસ્તી ગણતરી એ માત્ર માથાની ગણતરી નથી, પરંતુ આગામી 10 વર્ષ માટેની સરકારી યોજનાઓ અને શહેરના વિકાસના રોડમેપ તૈયાર કરવા માટેનો પાયાનો ડેટા છે. તેથી, મનપાએ યુદ્ધના ધોરણે બાકીના 2,500 વ્યક્તિના સ્ટાફની વ્યવસ્થા કરવા પ્રયાસો હાથ ધર્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 7:00 am

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનો ડ્રોન વીડિયો:ત્રણ કિમી લાંબો રનવે, એકસાથે ચાર-ચાર પ્લેન ટેકઓફ કે લેન્ડિંગ કરી શકશે, જુઓ ગુજરાતના સૌથી મોટા એરપોર્ટનો નજારો

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ. અમદાવાદથી 100 કિમી અને ધોલેરા સ્માર્ટ સિટીથી માત્ર 20 કિમીનાં અંતરે નવગામ ખાતે આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બની રહ્યું છે. આ એરપોર્ટ ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ હશે. અહીં એક નહીં ચાર-ચાર રનવે હશે. અત્યારે અહીં 3 કિમી લાબો એક રનવે બનીને તૈયાર થઈ ગયો છે. ભાસ્કરની ખાસ સિરીઝ 'ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સ'માં જુઓ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનો તમે ક્યારેય ના જોયેલો ડ્રોન વ્યૂ. આ વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 6:00 am

આ સાધુ કોણીના ભાગેથી શ્વાસ ખેંચી ચિલમ સળગાવે છે:મસ્તક પર 11000 રૂદ્રાક્ષમાંથી બનેલો 15 કિલોનો મુગટ સાથે એક સંકલ્પ, મળો ભવનાથ મેળામાં આવેલા 3 યુનિક નાગા સાધુને

ગિરનારની ગીરી કંદરાઓમાં જ્યારે 'હર હર મહાદેવ'ના નાદ ગુંજે છે અને ભવનાથની તળેટીમાં ભભૂતિધારી સાધુઓ ઉતરે છે, ત્યારે આખી અવધપુરી શિવમય બની જાય છે. આ વર્ષે સરકારે ભવનાથ શિવરાત્રી મેળાને 'મિની કુંભ' જાહેર કર્યો છે, જેના કારણે આસ્થાનો મહેરામણ બમણા વેગે ઉમટ્યો છે. આ મેળાનું સૌથી મોટું આકર્ષણ અહીં આવતા નાગા સાધુઓ અને તેમની અકલ્પનીય તપસ્યા છે. ધૂણી ધખાવી, ચિલમના ધુમાડા સાથે શિવની આરાધના કરતા આ સાધુઓની દુનિયા જેટલી રહસ્યમય છે, એટલી જ શ્રદ્ધાથી ભરેલી છે. આ ભીડ વચ્ચે દિવ્ય ભાસ્કરે ત્રણ એવા સાધુ સાથે મુલાકાત કરી હતી જે આખા મેળામાં સૌથી યુનિક હોય. શિશ પર 11,000 રુદ્રાક્ષમાંથી બનેલું 15 કિલોનો મુગટયુપીના કાશી (બનારસ)થી આવેલા નાગાબાવા ચેતનગીરી હાલ ભવનાથમાં પોતાની શિવભક્તિ માટે ચર્ચામાં છે. તેઓએ પોતાના મસ્તક પર 11,000 રુદ્રાક્ષમાંથી બનેલું 15 કિલો વજનનું ભવ્ય રુદ્રાક્ષ મુગટ ધારણ કર્યું છે. 15 કિલોનું વજન સતત માથા પર રાખીને જીવવું એ સામાન્ય માનવી માટે અશક્ય છે, પરંતુ ચેતનગીરી માટે આ શિવભક્તિનું એક માધ્યમ છે. સાડા પાંચ ફૂટ હાઇટ અને સાડા સાત ફૂટની જટાહવે વાત કરીએ સાડા પાંચ ફૂટ હાઇટ અને સાડા સાત ફૂટની જટા ધરાવતા બીજા યુનિક સાધુની. ગઢડાથી આવેલા જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીના શિષ્ય સંપૂર્ણાનંદગીરીની જટા જોઇને એવું લાગે કે, આવડી મોટી જટા વાસ્તવમાં હોય કે નહીં? 'આ મારા શિવજીનો શણગાર છે'આ અંગે જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીના શિષ્ય સંપૂર્ણાનંદગીરી મહારાજે જણાવ્યું કે હું સ્વામીના ગઢડાથી આવ્યો છું. ઘણો નાનો હતો ત્યારથી જ મેં સંન્યાસ લીધો છે. પરંતુ ભેખ ધારણ નહોતો કર્યો. ગુરુ મહારાજની કૃપા મારા પર થઈ અને 2024માં સંન્યાસ લીધો.સનાતન ધર્મ કઈ રીતે બચી શકે અને સનાતન ધર્મ કઈ રીતે આગળ આવી શકે અને સાધુતામાં કેટલા જીવનો ઉધાર કરી શકીએ તે માટે મેં સંન્યાસ લીધો છે અને વેશ ધારણ કર્યો છે. હાલ શિવરાત્રિના મેળામાં ધૂણી ધખાવી ચિલમ જગાવી અને જટા વધારી શિવની આરાધના કરું છું, તે મારા ભોળીયા નાથની ભક્તિ છે અને મારા શિવજીનો શણગાર છે. 'કામ, ક્રોધ અને મોક્ષનો ત્યાગ કરવો પડે'સાધુનો ભેખ ધારણ કરવા માટે અંદરના કામ, ક્રોધ અને મોક્ષનો ત્યાગ કરવો પડે છે. મને મારા ગુરુ જગદ્દગુરુ મહેન્દ્રાનંદ ગીરી મહારાજે જીવનનો સાચો મંત્ર શીખવ્યો અને હું સાધુ બની સનાતન ધર્મનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તેના માટે અલખની આરાધના કરું છું. 'સાત દિવસે જટાને ધોવામાં આવે છે'આ જટાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે આ જટા હાલ સાડા સાત ફૂટની છે અને મારી ઊંચાઈ પાંચ ફૂટની છે. સાત દિવસે આ જટાને સારી રીતે ધોવામાં આવે છે અને જટામાં ભસ્મ ભભૂત લગાવવામાં આવ્યા છે. આ જટા માટે ભજન કરવું ખૂબ જરૂરી છે. કારણકે ભજનમાં જેમ કહેવાયું છે કે ભજન વિના મારી ભૂખ નહી ભાંગે તેમ તપસ્યાથી આ મારી જટા વધે છે. કોણીના ભાગેથી શ્વાસ ખેંચીને ચિલમ સળગાવીઆ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા નાગા સાધુ ત્રિવેણી ગીરી મહારાજ પોતાની અનોખી શૈલીમાં ચિલમ પીવા માટે જાણીતા છે. તેઓ દર વર્ષે મેળામાં આવે છે અને નોમના દિવસે ભવનાથ મહાદેવની ધજા ચડ્યા બાદ જ પોતાની ધૂણી ધખાવી ચિલમ ચેતન કરે છે. આ કોઈ સામાન્ય નશો નથી, પરંતુ ગુરુ મહારાજની કૃપા અને વર્ષોની યોગ સાધનાનું પરિણામ છે. મહારાજ જ્યારે પોતાના ખભા પર હાથ રાખી કોણીના ભાગેથી શ્વાસ ખેંચીને ચિલમ સળગાવે છે, ત્યારે સમગ્ર વાતાવરણમાં ઓમકારનો એક અનહદ નાદ ગુંજી ઉઠે છે. તેમના મતે, જે રીતે ઓમકારના જાપમાં શ્વાસોશ્વાસનું મહત્વ છે, તેમ આ ચિલમ સાધનામાં પણ શ્વાસના નિયંત્રણ દ્વારા જ પ્રભુ સાથે સુરતા લગાવી શકાય છે. ‘નશાથી યુવાનોનું ભવિષ્ય અને પરિવાર બંને બરબાદ થઈ રહ્યા છે’આ અનોખી સાધનાની સાથે ત્રિવેણીગીરી મહારાજે જણાવ્યું હતું કે, યુવાનોએ આ સમાજમાં રહીને રાષ્ટ્રહિત, પરિવારહિત અને સમાજ હિત માટે મોટા કાર્યો કરવાના હોય છે. નશાથી યુવાનોનું ભવિષ્ય અને પરિવાર બંને બરબાદ થઈ રહ્યા છે. સાધુઓ ચિલમ પીવે છે કારણ કે તેઓ ભૂતકાળને ભૂલી શિવની ભક્તિમાં લીન થઈ શકે, પરંતુ યુવાનો માટે આ માર્ગ ક્યારેય ઉચિત હોઈ શકે નહીં. વધુમાં મહારાજે યુવાનોમાં રહેલી એક મોટી ગેરમાન્યતા પણ દૂર કરી હતી. ઘણા યુવાનો એવું માને છે કે એકાગ્રતા વધારવા માટે કે માનસિક શાંતિ માટે નશો કરવો જરૂરી છે, પરંતુ મહારાજના મતે જો ખરેખર એકાગ્રતા મેળવવી હોય તો સવારમાં વહેલા ઉઠીને મેડિટેશન (ધ્યાન) કરવું જોઈએ. નશો એ એકાગ્રતાનું સાધન નથી. પરંતુ પતનનું કારણ છે. સાધુ-સંતો અને નાગાબાવાઓની ચિલમ એ તેમની આસ્થા અને ગુરુની આજ્ઞાનું પ્રતીક છે, નશો કરવા માટેનું સાધન નથી. નશાના રવાડે ચડવાને બદલે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે સાચા યોગ માર્ગને અપનાવવો જોઈએ અને જીવન સાર્થક કરવું જોઈએ. રુદ્રાક્ષ: શિવના આંસુ અને તેનું વિજ્ઞાનચેતનગીરીએ રુદ્રાક્ષના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, પુરાણ મુજબ રુદ્રાક્ષ એ ભગવાન શિવના આંસુ છે. શિવની જમણી આંખમાંથી રુદ્રાક્ષ અને ડાબી આંખમાંથી ભદ્રાક્ષ ઉત્પન્ન થયા છે. ભદ્રાક્ષ આકારે લાંબા હોય છે, જ્યારે રુદ્રાક્ષ ગોળ હોય છે. રુદ્રાક્ષ 1 મુખી થી લઈને 24 મુખી સુધીના હોય છે, જેમાં 14 મુખી સુધીના રુદ્રાક્ષ શિવના અને બાકીના વિષ્ણુના મનાય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી માત્ર આધ્યાત્મિક જ નહીં પણ શારીરિક ફાયદા પણ થાય છે. તે માનસિક શાંતિ આપે છે, લોહીનું દબાણ નિયંત્રિત કરે છે અને મગજમાં નકારાત્મક વિચારોને હાવી થવા દેતા નથી. એક ચુંબકત્વની જેમ તે ધારણ કરનારની અંદર સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરે છે. સનાતન ધર્મની સાત પૂજાઓનું મહત્વ વેદ પૂજા: શાસ્ત્રોનું અધ્યયન અને ગાન.દંડ કમંડલ: સન્યાસ ધર્મનું પ્રતીક.ગોલા ઠુમરા: વિશિષ્ટ પૂજા વિધિ.જુના ભાભડી: પ્રાચીન પરંપરાગત પૂજા.શિશ મુગટ: જે હઠયોગ ચેતનગીરી પોતે કરી રહ્યા છે.ચરણ પાદુકા: ગુરુ અને દેવના ચરણોની પૂજા.કોટિલિંગ: કરોડો શિવલિંગની માનસિક કે પ્રત્યક્ષ આરાધના. કાંટાની પથારી પર સુઈને અને વર્ષો સુધી ઉભા રહીને સાધનાભવનાથના આ મિની કુંભમાં માત્ર ચેતનગીરી જ નહીં, પણ સેંકડો સાધુઓ પોતાની રીતે મહાદેવને રીઝવી રહ્યા છે. કોઈ કાંટાની પથારી પર સુઈને પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની તપસ્યા કરે છે, તો કોઈ 'ઠાડેશ્વરી' સાધુ બનીને વર્ષો સુધી ઉભા રહીને ભક્તિ કરે છે. ઘણા સાધુઓ 'મૌન વ્રત' ધારણ કરી અંદરની શાંતિ શોધે છે, તો કેટલાક યોગીઓ શીર્ષાસન અને જટિલ યોગાસનો દ્વારા શરીરને શિવમય બનાવે છે. દિગંબર સાધુઓ માટે શરીર પર લગાવેલી ભસ્મ જ તેમનું વસ્ત્ર છે અને શિવનામ જ તેમનો આધાર છે. મેળાનો માહોલ: ભક્તિ અને સેવાનો સંગમમિની કુંભના બીજા દિવસે ભવનાથ તળેટીમાં પગ મૂકવાની જગ્યા નથી. એક તરફ અખાડાઓમાં નાગા સાધુઓના દર્શન માટે શ્રદ્ધાળુઓની કતાર છે, તો બીજી તરફ અન્નક્ષેત્રોમાં 'હરિહર'નો નાદ ગુંજી રહ્યો છે. સરકાર અને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, છતાં મેળાનો માહોલ એટલો સહજ છે કે જાણે કૈલાસ પૃથ્વી પર ઉતરી આવ્યો હોય. દેશ-વિદેશના પ્રવાસીઓ સાધુઓની આ જીવનશૈલી અને તેમની અતૂટ શ્રદ્ધા જોઈને અચંબિત છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં જેમ-જેમ શિવરાત્રી નજીક આવશે, તેમ-તેમ આ ભક્તિનો રંગ વધુ ઘેરો બનતો જશે. નાગા સાધુઓની રવેડી અને મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે આ મેળાનું સમાપન થશે, પણ ત્યાં સુધી ભવનાથમાં શિવ, સાધુ અને ભક્તોનો આ દિવ્ય મેળાપ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 6:00 am

BJPના અધિરા નેતાઓએ સોશિયલ મીડિયા ગજવ્યું:ચિરાગ ગોટી કોનો ભાણો?, સોશિયલ મીડિયા પર જબરી ચર્ચાઓ ઉપડી

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 6:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મહામંડલેશ્વર ઉત્તમ સ્વામી પર બળાત્કારના આરોપ, PM મોદીની ઓફિસનું સરનામું બદલાયું; માયાભાઈના દીકરાનું વધુ એક કારસ્તાન

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રાજસ્થાનમાં કથાવાચક ઉત્તમ સ્વામી પર બળાત્કારના આરોપ લાગવા સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચાર PM મોદીની ઓફિસનું સરનામું બદલાવાને લઈને રહ્યા હતા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી અસમમાં ₹5000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. 2. પશ્ચિમ બંગાળમાં SIR અભિયાન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કાલના મોટા સમાચારો 1. લોકસભામાં 'હરદીપ પુરી રાજીનામું આપો'ના નારા લાગ્યા:વિપક્ષનો હોબાળો, 9 માર્ચ સુધી સ્થગિત; ભાજપના આરોપ- રાહુલ સત્તા મેળવવા માટે દેશના ભાગલા પાડવા માગતા હતા બજેટ સત્રના 13મા દિવસે લોકસભાની કાર્યવાહી માત્ર 10 મિનિટ ચાલી. શુક્રવારે કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષના સાંસદોએ 'હરદીપ પુરી રાજીનામું આપો'ના નારા લગાવ્યા. પાંચ મિનિટ પછી ગૃહ સ્થગિત કરવામાં આવ્યું. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ. આ વખતે હોબાળા વચ્ચે શિક્ષણ અને કાયદા મંત્રાલયને લગતાં કેટલાંક બિલ રજૂ કરવામાં આવ્યાં. આ પછી અધ્યક્ષ સંધ્યા રાયે લોકસભા 9 માર્ચ સુધી સ્થગિત કરી દીધી. સંસદનું બજેટસત્ર બે તબક્કામાં યોજાવાનું છે. 23 દિવસના વિરામ પછી સત્રનો બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલુ રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. વડાપ્રધાન કાર્યાલય ‘સેવા તીર્થ’ ભવનનું ઉદ્ઘાટન:PM બોલ્યા- નોર્થ-સાઉથ બ્લોક બ્રિટિશ શાસનનું પ્રતીક; ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળવું જરૂરી વડાપ્રધાન કાર્યાલયનું સરનામું આજથી બદલાઈ ગયું છે. નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી PM ઓફિસ સેવા તીર્થ અને કર્તવ્ય ભવન 1 અને 2નું ઉદ્ઘાટન કર્યું. PM ઓફિસ અત્યાર સુધી સાઉથ બ્લોકમાં હતું. PM મોદીએ કહ્યું કે નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકની ઇમારતો બ્રિટિશ શાસનની હુકુમતનું પ્રતીક હતી. આ ભવનો બ્રિટનના મહારાજની વિચારસરણીને ગુલામ ભારતના જમીન પર ઉતારવાનું માધ્યમ હતું. આપણે ગુલામીની આ માનસિકતામાંથી બહાર નીકળવું જરૂરી હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સોના-ચાંદીના ભાવ ફરી તૂટ્યા:એક કિલો ચાંદી ₹2.42 લાખ પર આવી, 10 ગ્રામ સોનાનો ભાવ દોઢ લાખ થયો; જાણો ખરીદતી વખતે શું ધ્યાન રાખશો? 13 ફેબ્રુઆરીએ સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીની કિંમત 17,188 રૂપિયા ઘટીને 2,41,945 રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલાં ગુરુવારે તે 2,59,133 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે 2 દિવસમાં એની કિંમત 24 હજાર રૂપિયા ઘટી ગઈ છે. 11 ફેબ્રુઆરીએ ચાંદી 2,66,449 રૂપિયા પ્રતિ કિલો હતી. 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 2,899 રૂપિયા ઘટીને 1,52,751 રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલાં ગુરુવારે એ 1,55,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. ઝવેરીબજારમાં 29 જાન્યુઆરીએ સોનાએ 1,76,121 રૂપિયા અને ચાંદીએ 3,85,933 રૂપિયાનો ઓલટાઈમ હાઈ બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મહામંડલેશ્વર ઉત્તમ સ્વામી પર બળાત્કારના આરોપો:રાજસ્થાનની યુવતીએ દિલ્હી પોલીસને મેઇલ કર્યો; લખ્યું- સમજૂતી માટે ધમકીઓ મળે છે શ્રી પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર અને કથાવાચક ઉત્તમ સ્વામી પર રાજસ્થાન નિવાસી એક યુવતીએ દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસ કમિશનરને ઈ-મેલ મોકલીને સુરક્ષાની માગ પણ કરી છે. પીડિતાનું કહેવું છે કે FIR નોંધાવવાની જાણ થતાં જ તેને ધમકીઓ મળવા લાગી છે. ઉત્તમ સ્વામી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના નજીકના લોકો સમાધાન માટે દબાણ કરી રહ્યા છે. યુવતીએ મેઇલમાં લખ્યું છે કે તેના અને તેના પરિવાર વિશે અત્યંત ખાનગી માહિતી રાખવામાં આવી રહી છે. તેને નુકસાન પહોંચાડવાની આશંકા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો અપસેટ સર્જાયો:ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવ્યું, કાંગારુઓને પછાડીને ZIM ટૉપ-2માં પહોંચ્યું; મુઝરબાનીએ 4 વિકેટ ઝડપી T20 વર્લ્ડ કપમાં પહેલો અપસેટ જોવા મળ્યો છે. ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનના માર્જિનથી હરાવ્યું. આ બીજી વખત છે જ્યારે ટીમે T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. તેણે 19 વર્ષ પહેલા 2007માં લીગ રાઉન્ડમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જવાબમાં, ઓસ્ટ્રેલિયા 19.3 ઓવર પછી 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બ્લેસિંગ મુઝારાબાનીએ 4 વિકેટ લીધી અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. માયાભાઈના પુત્રનું વધુ એક કારસ્તાન, બસ લઈ ભવનાથ તળેટીમાં પહોંચ્યો:જ્યાં મંત્રી-IAS ચાલીને જાય છે ત્યાં જેલમાંથી છૂટેલો જયરાજ બસ લઈને આવ્યો, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ ગિરનારની ગોદમાં ચાલી રહેલા શિવરાત્રીના મીની કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે VVIP કલ્ચરને દેશવટો આપવાના કડક દાવા કરવામાં આવ્યા હતાં. જોકે, જાણીતા લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરે આ તમામ નિયમોના લીરેલીરા ઉડાડ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જ્યાં મંત્રી-IAS ચાલીને જાય છે ત્યાં જેલમાંથી છૂટેલો જયરાજ પ્રાઈવેટ લકઝુરિયસ બસ લઈને આવે છે. લાખો ભાવિકો જ્યારે કિલોમીટરો સુધી પગપાળા ચાલીને મહાદેવના શરણમાં જઈ રહ્યા છે, ત્યારે જયરાજ આહિર પોતાના મિત્રો સાથે ખાનગી બસમાં સવાર થઈને છેક ભવનાથ તળેટીમાં મોડી રાતે પહોંચતા ભારે વિવાદ સર્જાયો છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએે તપાસના આદેશ આપ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સુરતના ખ્યાતનામ બિલ્ડર તુષાર ઘેલાણીના મોત કેસમાં સનસનીખેજ દાવાઓ:પરિવારજનોએ કહ્યું, મહિલા બ્લેકમેલ કરતી, મહિલાએ કહ્યું- આત્મહત્યા નહીં, પણ મર્ડર છે સુરતના ખ્યાતનામ બિલ્ડર અને બિઝનેસમેન તુષાર ઘેલાણીના મોતના 9 દિવસ બાદ સનસનીખેજ દાવાઓ સામે આવ્યા છે. તુષાર ઘેલાણીની 'અંગત મહિલા મિત્ર'એ પોલીસમાં અરજી આપી દાવો કર્યો છે કે બિઝનેસમેને આત્મહત્યા નથી કરી પણ તેમનું મર્ડર થયું છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તુષારભાઈનો પરિવાર તેમનો એટીએમ મશીન તરીકે પૈસા માટે ઉપયોગ કરતો. પરિવાર તેમની કાળજી નહોતો રાખતો તથા માન-સન્માન પણ નહોતા આપતા. 'અંગત મહિલા મિત્ર'એ એવો પણ દાવો કર્યો છે કે દીકરીના લગ્ન માટે તુષારભાઈ ઘેલાણી તેની માતા પાસેથી 20 દિવસ પહેલાં 25 લાખ રૂપિયા ઉછીના લઈ ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલ ગાંધીએ ખેડૂત સંગઠનોના નેતાઓ સાથે મુલાકાત કરી:કહ્યું- ખેડૂતોના હિતો સાથે કોઈ સમાધાન નહીં, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિરુદ્ધ આંદોલન પર વાતચીત થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત:તારિક રહેમાન PM બનશે, દેશને 35 વર્ષ પછી મળશે પુરુષ વડાપ્રધાન; PM મોદી-અમેરિકાએ અભિનંદન પાઠવ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પાકિસ્તાની ડોન અને લોરેન્સ ગેંગ આમને- સામને:શહઝાદ ભટ્ટીએ કહ્યું- લોરેન્સ સાબરમતી જેલમાંથી બહાર આવે એટલે ખેલ ખતમ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઇઝરાયલી PM ને મળતા જ ટ્રમ્પે ઇરાનને ધમકાવ્યું:એક મહિનાની મુદત આપી, મધ્ય પૂર્વમાં વધુ એક બીજું એરક્રાફ્ટ કેરિયર પણ મોકલ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 1 લાખના રોકાણ પર ₹12,000 સુધીની વાર્ષિક કમાણી:ICL ફિનકોર્પનો NCD ઈશ્યૂ 1.74 ગણો ભરાયો, ₹10 હજારથી ઈન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી શકાય વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : માહિકાની રિટર્ન ગિફ્ટની રાહ જોતો હાર્દિક પંડ્યા:રેડ રોઝનો બુકે આપ્યો; ગર્લફ્રેન્ડના 'M' અક્ષરનું ટેટૂ કરાવ્યું, માહિકાએ લખ્યું- મેન ઓફ ધ મેચ માય લાઈફ! વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ:પતિ-પત્નીએ એકસાથે શિવ-પાર્વતીની પૂજા કરવી જોઈએ, લાલ સાડી અને સુહાગની વસ્તુઓનું દાન કરવું જોઈએ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ₹300 માં ખરીદેલું ડોમેન ₹634 કરોડમાં વેચાયું મલેશિયાના ટેક ઉદ્યોગપતિ ઇસ્માઇલે 1993માં માત્ર ₹300 માં 'AI.com' નામનું ડોમેન ખરીદ્યું હતું, જેને તેમણે તાજેતરમાં ₹634 કરોડમાં વેચી દીધું છે. આ અત્યાર સુધીનું સૌથી મોંઘું ડોમેન વેચાણ માનવામાં આવે છે. આ ડોમેનને Crypto.com ના CEO ક્રિસ માર્શઝાલેકે ખરીદ્યું છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: 13 વર્ષ ઉંમર, ઘોડેસવારી-ફેશનની શોખીન કિમ જોંગની દીકરી; શું છે કિમ જુ એની નોર્થ કોરિયાની આગામી તાનાશાહ બનવાની કહાની 2. ફિલ્મી ફેમિલી : સલમાન ખાનને જાહેરમાં મોં પર ચોપડાવી દીધું!: અરિજિત સિંહના પહેલા લગ્ન વર્ષ પણ ન ટક્યા, 400 કરોડથી વધુની સંપત્તિ છતાં સ્લીપર પહેરીને સ્કૂટર પર ફરે 3. ભાસ્કર એક્સપ્લેનર : બાંગ્લાદેશમાં તારિક રહેમાનનું PM બનવું નક્કી: શું આ PAK-ચીન માટે આંચકો અને ભારત માટે સારું રહેશે; જાણો 6 જરૂરી સવાલોના જવાબ 4. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : પ્રોપર્ટી, પ્લાસ્ટિક સર્જરી, પ્રોડ્યુસરની હત્યા!: અરુણ ટિક્કુ કેસની તપાસે ખોલી નવી ડાયરી, 10 વર્ષનું નેક્સસ, 4 હત્યા; પૈસા માટે હનીટ્રેપના કાવતરાનો પર્દાફાશ 5. બાંગ્લાદેશથી ભાસ્કર : હિંદુ-અવામી લીગના મત BNPને મળ્યા, જમાતને હરાવી: હસીનાની સરકાર પાડનારા હાર્યા, હિંદુ વસતિવાળા જિલ્લાઓમાં BNPની એકતરફી જીત 6. Editor's View: એકઝાટકે પાકિસ્તાન ઘૂંટણિયે: ક્રિકેટમાં કાવાદાવા કરવા જતાં કાંડ થઈ ગયો, ICCના માસ્ટર સ્ટ્રોકથી પલટી મારી, જાણો બોયકોટ ડ્રામાની ઇનસાઇડ સ્ટોરી કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: ગ્રહોની અનુકૂળ સ્થિતિ મેષ રાશિ માટે નવી સિદ્ધિઓનું સર્જન કરશે, વૃષભ અને કન્યા જાતકોના પ્રેમ સંબંધો મધુર રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 5:00 am

કાર્યવાહી:પોરબંદર જિલ્લામાં ગત માસે માત્ર‎65 ચાલક વિરૂધ્ધ ગુના નોંધાયા‎

પોરબંદર જિલ્લામાં વધુ સ્પીડથી વાહન ચલાવનાર ચાલકો, અડચણ રૂપ વાહન રાખનાર ચાલકો અને નશો કરી વાહન ચલાવનાર કુલ 65 ચાલક સામે પોલીસે ગત જાન્યુઆરી માસે કાર્યવાહી કરી, દંડ નહીં પરંતુ ગુન્હા નોંધવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. શહેરમા પુર ઝડપે વાહન ચલાવી ચાલકો અન્ય નિર્દોષ લોકોને અને પશુને હડફેટે લેતા હોય છે. જેને કારણે લોકોને ઈજાઓ પહોંચે છે. ગત જાન્યુઆરી મહિનામાં વધુ સ્પીડથી વાહન ચલાવનાર 15 ચાલકને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે, વધુ સ્પીડથી વાહન ચલાવનાર ચાલકની પાછળ પોલીસ પીછો કરી તેઓને ઝડપી લેવામાં આવે છે. આવા ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં કેટલાક ચાલકો નડતર રૂપ વાહનો પાર્ક કરતા હોય છે. આવા વાહનોને કારણે ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માત થવાની ભીતી રહે છે ત્યારે ગત માસે અડચણ રૂપ વાહનો પાર્ક કરનાર 11 વાહન ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવ્યા હતા, જ્યારે જિલ્લામાં કેટલાક તત્વો નશો કરેલ હાલતમાં વાહન ચલાવતા હોય છે. આવા ચાલકો અન્ય તથા પોતાનો જીવ જોખમમાં મૂકે છે. ગત માસે નશો કરેલ હાલતમાં વાહન ચલાવતા 39 શખ્સ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આવા ચાલકોને દંડ નહિ પરંતુ ગુન્હા નોંધી કોર્ટ કેસ કરવામાં આવી રહ્યા છે. ડિસેમ્બરમાં 119 ગુના નોંધાયા હતા ગત ડિસેમ્બર મહિનામાં અડચણ રૂપ વાહનો પાર્ક કરનાર 6વાહન ચાલકો સામે ગુન્હા નોંધાયા હતા જ્યારે નશો કરી વાહન ચલાવનાર 92 શખ્સ સામે ગુન્હા નોંધાયા હતા અને વધુ સ્પીડમાં વાહન ચલાવતા 21 ચાલક સામે ગુન્હા નોંધવામાં આવ્યા હતા. જાન્યુઆરી માસમાં ગુનાના કેસની સંખ્યા ઘટી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

બેઠક:બોર્ડની પરીક્ષાની તૈયારીઓ વેગવંતી બનાવી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી પરીક્ષા સમિતિની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. કાર્યક્રમનું આયોજન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારએ પરીક્ષાના અંગે જણાવ્યું કે તમામ વિભાગોને જરૂરી સહકાર માટે પત્ર પાઠવવામાં આવ્યા છે. કેન્દ્ર સંચાલકો સાથે બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને માર્ગદર્શિકા મુજબ માર્ગદર્શન તથા તાલીમ આપવામાં આવી છે. કલેક્ટરે સમીક્ષા દરમિયાન જણાવ્યું કે પરીક્ષા સંપૂર્ણ માર્ગદર્શિકા મુજબ યોજાય તે માટે તમામ વિભાગોએ સંકલિત આયોજન કરવું, જરૂર પડે ત્યાં વર્ગ-2 અધિકારીઓને પણ ફરજ સોંપવામાં આવશે, જેથી ગેરરીતિ અટકાવી શકાય. વિદ્યાર્થીઓ નિર્ભય અને સલામત રીતે પરીક્ષા આપી શકે તે માટે તમામ તંત્ર સાથે મળીને કામગીરી કરશે. રાજ્ય કક્ષાની પરીક્ષા સંદર્ભે અગાઉ યોજાયેલી વિડિયો બેઠકમાં શિક્ષણ મંત્રી તથા ઉચ્ચ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું અને જિલ્લાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પોલીસ વિભાગ, પશ્ચિમ ગુજરાત વિજ કંપની, રાજ્ય પરિવહન નિગમ, આરોગ્ય વિભાગ, શિક્ષણ સંઘના પ્રતિનિધિઓ, મનોવૈજ્ઞાનિક ટીમ અને અન્ય વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણ તંત્ર, ઈ.આઈ. નમ્રતાબા વાઘેલા તથા પરીક્ષા સમિતિના સભ્યો દ્વારા જરૂરી આયોજન અને સંકલન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

ચેકિંગ:જાહેરમાં પેમ્પ્લેટ ફેંકતાં વ્યક્તિ સામે મનપા તંત્રએ કાર્યવાહી કરી રૂ.5 હજારનો દંડ ફટકાર્યો

પોરબંદરમાં રિક્ષા દ્વારા પ્રચાર પ્રસાર માટે જાહેરાતની પત્રિકા જ્યાં ત્યાં ફેંકવામાં આવતી હોવાથી મનપા દ્વારા ચાલક સામે કાર્યવાહી કરી રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો. પોરબંદર મનપા દ્વારા શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા સતત કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. કમિશનરના માર્ગદર્શન હેઠળ તથા સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકીની હાજરીમાં વોર્ડ નં. 7 વિસ્તારમાં ચેકિંગ દરમિયાન સ્પેશ્યલ આર્ટ એન્ડ ક્રાફટ શોપિંગ સેલ્સ દ્વારા રિક્ષા મારફતે પ્રચાર કરતી વખતે જાહેર માર્ગ પર પેમ્પ્લેટ અને લીફલેટ ફેંકાતા હોવાનું સામે આવતા, આ બાબતે વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટર દિનેશ સાદીયા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી પેમ્પ્લેટ ફેંકવાની પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવી હતી અને જાહેરમાં કચરો ફેંકવાના ગુનામાં રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો.પોરબંદર મનપા દ્વારા તમામ પ્રચાર એજન્સીઓને ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં જાહેરમાં પેમ્પ્લેટ અથવા લીફલેટ ફેંકવામાં આવશે તો નિયમ મુજબ રૂ. 5 હજાર સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે. ઉપનિયમો મુજબ જાહેરમાં કચરો ફેંકવાના કિસ્સામાં રૂ. 100થી રૂ. 5 હજાર સુધીનો દંડ લાગુ પડશે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

જીવામૃત:છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ, અને માટી દ્વારા તૈયાર કરો ખેતી માટેનું અમૃત

પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતીશીલ ખેડુતો માટે ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના પ્રણેતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પુસ્તક “પ્રાકૃતિક કૃષિ”માં જીવામૃત બનાવવાની સંપુર્ણ પદ્ધતી સરળ રીતે સમજાવવામાં આવી છે. પુસ્તકમાં જણાવાયુ છે કે, વારંવાર પ્રયોગ કર્યા પછી પરિણામ નીકળ્યુ કે એક એકર જમીન માટે 10 કિ.ગ્રા. છાણની સાથે ગૌમૂત્ર, ગોળ અને દ્વિદળી બીજનો લોટ અથવા ચણાનો લોટ બધુ ભેળવીને ઉપયોગમાં લેવાથી ચમત્કારીક પરિણામ મળે છે. આખરે એક ફોર્મુલા તૈયાર કરવામાં આવી તેનું નામ રાખવામાં આવ્યુ જીવામૃત.જેમાં 10 કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, 1.5-2 કિ.ગ્રા. ચણાનો લોટ, 8-10 લીટર દેશી ગાયનું મૂત્ર, 180 લીટર પાણી, 1.5-2 કિ.ગ્રા. ગોળ અને 500 ગ્રામ ઝાડની નીચેની માટી સહિત તમામ વસ્તુઓને પ્લાસ્ટિકના એક પીપમાં નાખીને લાકડાના ડંડાથી મિશ્ર કરવું અને આ મિશ્રણને બે થી ત્રણ દિવસ સુધી સડવા માટે છાયામાં મૂકી દેવુ અને દરરોજ બે વાર સવાર-સાંજ ઘડિયાળના કાંટા ફરવાની દિશામાં લાકડાના ડંડાથી બે મિનીટ ફેરવવું અને જીવામૃતને કોથળાથી ઢાકી દેવું. એના સડવાથી એમોનિયા, કાર્બન ડાઈઓક્સાઈડ, મીથેન જેવા હાનીકારક વાયુઓનું નિર્માણ થાય છે. ઉનાળામાં જીવામૃત બન્યા પછી સાત દિવસ સુધી ઉપયોગમાં લઈ લેવું જોઈએ અને શિયાળામાં 8 થી 15 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય. વધુમાં વધુ 7400 કરોડ જીવાણુંઓ જોવા મળ્યાડિસેમ્બર મહિનામાં ગુરુકુલમાં તૈયાર કરવામાં આવેલ જીવામૃત ઉપર એક વૈજ્ઞાનિક સંશોધન કરેલ જેમાં જીવામૃત તૈયાર કર્યાના 14 દિવસ પછી વધુમાં વધુ 7400 કરોડ જીવાણુંઓ (બેક્ટેરિયા) જોવા મળ્યા હતાં. તે પછી તેની સંખ્યા ઘટવી શરૂ થઈ. ગોળ અને ચણાનો લોટ બંનેએ જીવાણુંઓને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી. છાણ, ગૌમૂત્ર અને માટીને ભેળવવાથી જીવાણુંઓની સંખ્યા ફક્ત ત્રણ લાખ જોવા મળેલ. જયારે તેમાં ચણાનો લોટ ભેળવ્યો તો તેની સંખ્યા વધીને 25 કરોડ થઈ ગઈ અને જયારે આ ત્રણમાં ચણાના લોટની જગ્યાએ ગોળ ભેળવવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

પક્ષીઓ સંખ્યા ઘટી:દર શિયાળે પોરબંદર ખારા મીઠા પાણી મેળવવા આવતા‎ફ્લેમિંગો અને કુંજ પક્ષીઓ આ વખતે કચ્છમાં રોકાઈ ગયા‎

પોરબંદર શહેરના દર શિયાળે વિવિધ જળાશયોમાં અન્ય રાજ્ય અને વિદેશથી આવતા પક્ષીઓ મહેમાન બને છે. પોર બંદરના જળાશયોમાં ખારા અને મીઠા પાણી મેળવવા આવતા ફ્લેમિંગો અને કુંજ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.આ વર્ષે દિવાળી સમયે ધોધમાર કમોસમી વરસાદ વરસતા કચ્છના રણમાં શિયાળે પણ પાણી ભરાયેલ જોવા મળી રહ્યા છે જેથી આ પક્ષીઓ પોરબદરને બદલે કચ્છના રણમાં જ રોકાઈ ગયા છે.પોરબંદરમાં તાજેતરમાં યોજાયેલ પક્ષી ગણતરીમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 46574 ફ્લેમિંગો અને 95724 કુંજ પક્ષીઓ ઘટયા છે તો ખાસ પ્રજાતિના 23 પક્ષીઓ વધુ જોવા મળ્યા છે. 2024 -25માં નોંધાયેલા પક્ષીની સંખ્યા પક્ષી ગણતરી દરમ્યાન વર્ષ 2014માં સૌથી વધુ 959358 પક્ષીની સંખ્યા નોંધાઈ હતી જ્યારે વર્ષ 2025ની પક્ષી ગણતરીમાં 226 પ્રજાતિના પક્ષીઓ નોંધાયા હતા. 2025માં કુલ 376937 પક્ષીની સંખ્યા નોંધાઈ હતી. 2026ની પક્ષી ગણતરી : પક્ષીઓના નામ અને તેની સંખ્યા પક્ષી ગણતરી દરમ્યાન વિવિધ વેટલેન્ડ ખાતે નોંધાયેલ મહત્વના પક્ષીઓની સંખ્યામાં કાજિયા પક્ષી 6726, કુંજ પક્ષી 49846, બતક અને હંસ 149418, હંજ 17968, ડૂબકી 2205, ધોમડા અને વા બગલી 27545, બગલા 3200, કાંકણસાર અને ચમચા પક્ષી 1332, જલ માંજર 42 પક્ષી, કલકલિયા 206, અન્ય પક્ષી 82803, પેણ પક્ષી 2455, ભગતડા અને સંતાકુકડી 41443, શિકારી પક્ષીઓ 245, ઢોંક 484, કીચડિયા પક્ષી 18520 અને ખંજન અને ધાનચીડી 1264 પક્ષીની સંખ્યા નોંધાઈ હતી. 2025માં નોંધાયેલા પક્ષીઓ ફ્લેમિંગો:- 64542(2025) કુંજ:- 1,4 5,570(2025) બતક અને હંસ:- 6 7,152(2025) ઘોમડાં અને વા બગલી:-237 96 કિચડિયા:- 11271(2025) અન્ય:- 3 27 03(2025) કુલ:- 3 ,76,937(2025) ખાસપ્રજાતી :-226(2025) પક્ષીઓ રણમાં ઇંડા મૂકી ત્યાં જ રોકાઇ ગયા દર વર્ષે પોરબંદરના વિવિધ જળાશયોમાં જોવા મળતા કુંજ,ફ્લેમિંગો સહિતના પક્ષીઓ આ વર્ષે કચ્છમાં જ રોકાઈ ગયા.આ વર્ષે કમોસમી વરસાદને લીધે કચ્છના રણમાં પાણી ભરાયેલ હોવાથી આ પક્ષીઓ ઈંડા મૂકી ત્યાં જ રોકાઈ ગયા છે. > ઉદયભાઈ વોરા,પક્ષીવિદ

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

પાકની આવક:પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં ઘઉં, કાબુલી ચણા, જીરુ અને ધાણાની આવક : મગફળીના 1025થી 1300 ભાવ બોલાયા

પોરબંદરના માર્કેટયાર્ડ ખેડૂતોની જણસીની આવક થતી હોય છે.યાર્ડમાં મગફળી, ઘઉં, અડદ,જુવાર, ચણા, જીરું સહિતના પાકની આવકમાં નોંધાઇ છે. પોરબંદરના યાર્ડમાં સૌથી વધુ મગફળીની 4000 કિલો આવક અને ભાવ રૂ.1025 થી 1300 બોલાયા હતા જ્યારે સૌથી ઓછી આવક જુવારની રહી હતી.જુવારની 100 કિલો આવક અને ભાવ 1090 બોલાયા હતા. પોરબંદરમાં માર્કેટયાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદરના માર્કેટયાર્ડ હાલ આવકમાં ઘટાડો નોંધાયો છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. યાર્ડમાં શુક્રવારે સૌથી વધુ મગફળીની 4000 કિલો, ચણાની 1700 કિલો અને જીરુની 3000 કિલો,ઘાણાની 900 કિલો, ઘઉંની 1400 કિલો આવક જોવા મળી રહી છે.યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1025 થી 1300 ભાવ, જીરુના રૂ.3400 થી 4125 ભાવ અને ચણાના રૂ.1080 થી 1500 સુધીના ભાવ બોલાયા હતા. સૌથી ઓછી આવક જુવારની રહી હતી. જુવારમાં 100 કિલોની આવક નોંધાઈ હતી અને ભાવ 1090 રહ્યા હતા. અડદની 1400 કિલોની આવક નોંધાઈ હતી અને ભાવ રૂ. 1280 થી 1330 રહ્યા હતા. પોરબંદરના યાર્ડમાં હાલ વિવિધ જણસીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો યાર્ડમાં મગફળીના ભાવ પણ ખેડૂતો ઓછા મળી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. 900 કિલો સોયાબીનની આવક નોંધાઈ યાર્ડ ખાતે શુક્રવારે સોયાબીનની આવક પણ નોંધાઈ હતી. 900 કિલો સોયાબીનની આવક નોંધાઈ છે રૂ.925 થી 1025 સુધીના ભાવ બોલાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

આયોજન:પોરબંદરના વૈજ્ઞાનિકે આંતરરાષ્ટ્રીય મંચ પર ટકાઉ ભારતના નિર્માતા તરીકે વનસ્પતિઓ વિષય પર વ્યાખ્યાન આપ્યું

આદિપુર સ્થિત તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ ખાતે IQAC હેઠળ આયોજિત આંતરરાષ્ટ્રીય પરિસંવાદ રોલ ઓફ લાઇફ સાયન્સિઝ ઇન વિઝન ઇન્ડીયા 2047માં પોરબંદરની મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. ભુપેન્દ્રસિંહ જાડેજાએ 2047ના ટકાઉ ભારતના આર્કિટેક્ટ તરીકે વનસ્પતિઓ વિષય પર ઊંડાણપૂર્વકનું વ્યાખ્યાન આપ્યું હતું. આ પરિસંવાદમાં 670થી વધુ પ્રોફેસરો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે પોરબંદરના ડૉ. ભુપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને ટકાઉ દેશ બનાવવો હોય તો વિકાસમાં વનસ્પતિ કેન્દ્રિત વિચારસરણી અનિવાર્ય છે. વનસ્પતિઓ પર્યાવરણ, અર્થતંત્ર અને સામાજિક સુખાકારીના આધારસ્તંભ છે.જંગલો અને મેન્ગ્રોવ હવામાન પરિવર્તન સામે ઢાલ બની કાર્બન સંગ્રહ કરે છે, દરિયાકાંઠાને કુદરતી આપત્તિથી બચાવે છે અને જૈવવિવિધતા જાળવે છે. ક્ષાર સહનશીલ અને હેલોફાઇટિક વનસ્પતિઓ જમીનની ગુણવત્તા જાળવી રાખી કૃષિ ઉત્પાદન વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.ખાદ્ય અને પોષણ સુરક્ષા અંગે તેમણે એકપાકીય ખેતી છોડીને વૈવિધ્યસભર અને સ્થાનિક પાક પ્રણાલી અપનાવવાની જરૂરિયાત જણાવી હતી. ઔષધીય અને સુગંધિત વનસ્પતિઓનું વૈજ્ઞાનિક સંવર્ધન ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવે છે અને ગ્રીન ઇનોવેશન માટે પરંપરાગત જ્ઞાન સાથે બાયોટેકનોલોજીનું સંકલન જરૂરી ગણાવ્યું હતું. પ્રકૃતિ સાથે સુમેળ રાખતો વિકાસ જ સાચો વિકાસ છે શહેરીકરણ વચ્ચે હરિયાળીનું મહત્વ સમજાવતા ડો. જાડેજાએ કહ્યું હતુંકે વૃક્ષો અને બગીચા પ્રદૂષણ ઘટાડે છે, તાપમાન નિયંત્રિત કરે છે અને માનસિક આરોગ્યમાં સુધારો લાવે છે. પ્રકૃતિ સાથે સુમેળ રાખતો વિકાસ જ સાચો વિકાસ છે તેવું જણાવ્યું હતું.આ પરિસંવાદે જીવન વિજ્ઞાન ક્ષેત્રે ટકાઉ ભારત નિર્માણ માટે નવી દિશા અને દ્રષ્ટિ પ્રદાન કરી હોવાનું પ્રતિભાવો વ્યક્ત થયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

કડક કાર્યવાહી કરવા રજૂઆત:ડોળાસા ગામના વેપારી પરનાં હુમલાના બનાવના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ

કોડીનાર તાલુકાના ડોળાસા ગામના એક નિર્દોષ વેપારી ઉપર ઊનાના ચાર માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કરતા તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. આજે આ ઘટનાના વિરોધમાં એક વિશાળ રેલી ડોળાસાથી કોડીનાર સુધી યોજાય હતી. ગત 11 ફેબ્રુઆરીની રાત્રીના 12:30 વાગ્યે ડોળાસાના વેપારી દેવાંગ હાર્ડવેરની દુકાન ચલાવતા દિલીપભાઈ જેઠાભાઈ મોરી ઉપર ઊનાના 4 માથાભારે ઈસમોએ તેમની વાડી નજીક જીવલેણ હુમલો કર્યો હતો. અને લોહી લુહાણ હાલતમાં કોડીનાર દવાખાને સારવારમાં ખસેડાયા હતા. જે સમગ્ર ઘટનાના આજે ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. બનાવના વિરોધમાં આજે ડોળાસાના તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાળી ગુન્હેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે યોજાયેલ રેલીમાં જોડાયા હતા. આજે યોજાયેલી વિશાળ રેલી સવારે 11 વાગ્યે ડોળાસાથી કોડીનાર પહોંચી હતી. જ્યાં પ્રથમ મામલતદાર કચેરીએ મામલતદારને આવેદન પાઠવી ઊના શહેરના આ માથાભારે ઈસમો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. બાદ આ રેલી કોડીનાર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પીએસઆઈ એસ.જી. કાછડને રજૂઆત કરી ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગંભીર કલમોનો ઉમેરો કરવાની માંગ કરવામાં આવી હતી. પીએસઆઈ કાછડ દ્વારા જણાવાયું છે કે આ ઘટનાના મુખ્ય આરોપી નિલય ઉર્ફે ભૂરો રામભાઇ વાળાને કોડીનાર પોલીસે ઝડપી લીધી છે. અને ગુન્હામાં વપરાયેલી સફેદ સ્કોર્પિયો કાર અને હુમલામાં ઉપયોગ કરેલા હથિયારો પણ કબ્જે કર્યા છે. અને નિલય ઉર્ફે ભૂરા સામે પોતાની કારમાં ગુજરાત એમએલએનું બોર્ડ લગાવી રોફ જમાવતો હતો. તેની અલગ ફરિયાદ નોંધી છે. અને બાકીના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરાશે તેમ જણાવ્યું છે. વેપારી વર્ગમાં હાલ ડરનો માહોલ છે. કોડીનાર પોલીસ આ તમામ આરોપીઓનું સરઘસ કાઢી લોકોનો ડર દૂર કરાવશે તેવી માંગ ઉઠી છે. રેલી યોજી કોડીનાર મામલતદારને રજૂઆત.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

આત્મહત્યા:ઘર કંકાસથી પત્ની જતી રહેતા માણાવદરના યુવકે ગળાફાંસો ખાધો

ઘર કંકાસથી પત્ની જતી રહેતા માણાવદરના યુવકે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. માણાવદરના રાવલપરા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય વનરાજભાઈ બાલુભાઈ ચૌહાણ નામના યુવકે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ બીજી પત્ની સાથે અવાર નવાર ઘર કંકાસ થતો હતો. જેથી બીજી પત્ની ઘર છોડીને જતી રહી હતી. જેનું લાગી આવતા ગુરુવારે સવારે વનરાજભાઈ એ પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઇને મોતને મીઠું કરી લીધું હતું. યુવકના આત્મઘાતી પગલાથી પરિવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું. ઘટનાની જાણ મૃતકના પિતા બાલુભાઇ હાજાભાઇ ચૌહાણએ કરતા પોલીસે યુવાનના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક કિસ્સામાં માળીયાહાટીના તાલુકાના જુથળ ગામના 61 વર્ષીય લાખુબેન જીવાભાઇ કાગડાનું ગુરુવારે સવારે કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. મૃતક વૃધ્ધા માનસિક અસ્થિર હતા અને ઘરે નીકળી જઇ ગામના દળ નામની સીમમાં પહોંચ્યા હતા. જ્યાં વાડીના કુવામાં પડી જતા તેનું મૃત્યુ થયું હતું. પોલીસે મૃતકના પુત્ર રમેશભાઈનું નિવેદન આગળની કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

ફરિયાદ:પ્રેમીની પત્નીનો યુવતી પર છરી વડે હુમલો, વાળ કાપી નાંખ્યાં

શહેરના મધુરમ વિસ્તારમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી એક 23 વર્ષીય યુવતી પર તેના પ્રેમીની પત્ની અને સાસુ સહિતએ છરી વડે હુમલો કરી વાળ કાપી નાંખ્યાં હતા. ઘટના અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર છેલ્લા ચાર મહિનાથી અસલમ હુસેનભાઈ સમા નામના પરિણીત શખ્સ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. ગુરુવારે યુવતી બપોરના સમયે પોતાના ઘરે હતી. ત્યારે અસલમની પત્ની ઝરીનાબેન, સાસુ ગુડીબેન અને ઝરીનાની પિતરાઈ સુફીયા અમીનભાઈએ યુવતીના ઘરે આવી બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. ઝરીનાને શંકા હતી કે, યુવતીએ અસલમને તેના ચારિત્ર્ય અંગે ખોટી વાતો કરી હતી. સુફીયા તથા ગુડીબેને પકડી રાખતા ઝરીનાએ છરી વડે યુવતીના વાળ કાપી હુમલો કરી માથા, નાકના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ ગળું દબાવી નાકમાં બચકું ભરી લીધું હતું. બાદમાં ત્રણેય જાનથી મારી નાખવાની ધમકી આપી જતી રહી હતી. ઘટનાની જાણ યુવતીની મિત્રએ અસલમને કરતા તેને ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. બનાવ દરમિયાન યુવતીનો સોનાનો ચેઈન અને મોબાઈલ પણ પડી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

ધરપકડ:મેળામાં પોલીસ સ્ટેશન સામેથી મેંદરડાનો યુવક છરી સાથે પકડાયો

ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે બુધવારથી શરૂ થયેલો મહાશિવરાત્રી મીની કુંભ મેળો તેના સમાપન તરફ સફળતાપૂર્વક આગળ ધપી રહ્યો છે. તળેટી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે દરમ્યાન મેળામાં પોલીસ સ્ટેશન સામેથી પોલીસે મેંદરડા યુવાનને છરી સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ શિવરાત્રી મેળા સબબ ગુરુવારની રાત્રે ભવનાથ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે વખતે ભવનાથ પોલીસ સ્ટેશન સામેથી મેંદરડાના સાતવડલા વિસ્તારમાં રહેતો મયુર ભીખુભાઈ ધમ્મર નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જેથી ચેક કરતા પેન્ટના નેફામાંથી પ્લાસ્ટિકના હાથાવાળી 7 ઇંચ લંબાઈની છરી મળી આવતા તેની અટક કરી તેના વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મેળા દરમિયાન શખ્સ ધારદાર છરી સાથે પકડાતા ભાવિકોમાં સનસનાટી મચી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

ફરિયાદ:મેળો કરવા આવેલા સગીરને કાર ચાલકે ઉલાળતા પગ ભાંગી ગયો

ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રીનો મેળો કરવા આવેલા મેખાટીંબી ગામના મેળો કરવા આવેલા સગીરને ભરડાવાવ પાસે કાર ચાલકે ઉલાળતા પગ ભાંગી ગયો હતો. અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામના 24 વર્ષીય ભાવેશ મથુરભાઈ ડોલેરા, તેનો પિતરાઈ 17 પાર્થ દેવશીભાઈ અને ચાર મિત્રો ગુરુવારે બપોરના 12 વાગ્યે ઉપલેટા થી ભવનાથ ખાતે શિવરાત્રી મેળો કરવા માટે આવ્યા હતા. મજેવડી દરવાજે બસમાંથી ઉતરીને તમામ ચાલીને ભવનાથ તરફ જતા હતા ત્યારે મજેવડી દરવાજા ભરડાવાવની વચ્ચે પુરઝડપે આવી રહેલી કાળા કલરની જીજે 10 ઇએચ 1605 નંબરની કારના ચાલકે પાર્થને પાર્થને પાછળથી ઠોકર મારી ઉછાળી રોડ ઉપર પછાડી દીધો હતો. કારની જોરદાર ટક્કરથી પાર્થનો જમણો પગ ગોઠણથી નીચે ભાંગી ગયો હતો. અકસ્માતના પગલે પોલીસની બોલેરો ગાડી આવતા તેમાં સગીરને બેસાડી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવ અંગે ભાવેશ ડોલેરાની ફરિયાદ લઈ એ ડિવિઝન પોલીસે કારના ચાલક વિરુદ્ધ મોટર વાહન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

તપાસ:દોલતપરા ચોકી સામે પોલીસને જોઈ શખ્સ મોબાઈલ ફેંકી ભાગી ગયો

ભવનાથ ખાતે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા મેળાને લઈને શ્રદ્ધાળુઓની સુરક્ષા, ટ્રાફિક નિયમન વગેરેને લઈને 5 ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન દોલતપરા ચોકી સામે પોલીસને જોઈ એક શખ્સ મોબાઈલ ફેંકી ભાગી ગયો હતો. પોલીસે મોબાઈલ કબજે લઈ તપાસ કરતા ફોન ચોરીનો હોવાનું ખુલ્યું હતું. શહેર ઝોન 5 પોઇન્ટ નંબર 46 દોલતપરા પોલીસ ચોકી સામે રોડ પર ભાવનગર જિલ્લાના હેડ કોન્સ્ટેબલ પ્રદિપભાઈ વાજા, જૂનાગઢ હોમગાર્ડ યુનિટના જવાન સામતભાઈ ખાંભલા તથા હરદાસભાઈ ઓડેદરા બંદોબસ્ત ફરજ પર હતા. દરમિયાન ગઈ તા. 10ના રોજ સાંજે એક શકમંદ શખ્સ જણાતા તેને પૂછપરછ માટે બોલાવતા તે પોતાના હાથમાં રહેલ મોબાઈલ ફોન ઘા કરીને ભાગી ગયો હતો. જેથી મોબાઈલ ફોન મેળવી લઈ ચાલુ કરતા તેમાં ’ઘર’ લખેલ નામે સેવ કરેલ મોબાઈલ નંબરમાંથી ફોન આવતા તેના પર વાતચીત કરતા તેણે જણાવેલ કે ’મારો ફોન સી.ડિવિઝન પાસે બે માળિયા હાઉસિંગ પાસેથી ચોરી થઈ ગયો હતો’ બાદમાં પોલીસે ખરાઈ કરી મોબાઈલ ફોનના માલિક શહેરમાં હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા ધવલભાઈ રમેશભાઈ મેઘનાથીને દોલતપરા પોલીસ ચોકીએ બોલાવી તેને સોંપી આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

ધરપકડ:કારમાં બીયરની મહેફીલ પાંચ વિદ્યાર્થીઓ ઝડપાયા

જામનગર શહેરના ભાગોળે કનસુમરાના પાટીયા પાસે એક ખાલી પ્લોટમાં કાર રાખી બિયરની મહેફીલ માણી રહેલા પાંચ વિદ્યાર્થીઓને પોલીસે ઝડપી લઈને બીયરના ટીનના કેન અને કાર સહિત રૂ.2.51 લાખનો મુદામાલ કબજે કરીને તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કનસુમરા પાટીયાથી અંદર, શેરી નં.4, સંત હરીરામ બાપા ઇન્ડસ્ટ્રીયલ ઝોન-1માં આવેલ ખાલી પડેલા એક પ્લોટમાં શંકાસ્પદ કાર રહી હતી. જે પોલીસને જાણ થતાં પંચકોશી બી ડિવિઝનનો પોલીસ સ્ટાફ પહોંચી ગયો હતો. કારની તલાસી લેતાં બીયરની મહેફીલ માણતા અર્પીત અમીતભાઇ કાપડીયા (ઉ.વ.18, રહે.રૂપીયાના સીકકા પાસે, હીજરી મીસ્ત્રી રોડ, ઓશવાળ કોલોની, જામનગર), સુદીપ મદનમોહન પંડીત (ઉ.વ.18, રહે.હાલાર હાઉસ પાસે, સ્વામીનારાયણ સોસાયટી-જામનગર), હીતાર્થ કમલેશભાઇ ભટ્ટ (ઉ.વ.18, રહે.ખોડીયાર કોલોની,રાજનગર, શેલના પેટ્ર્લ પંપ વાળી શેરી જામનગર), પરીન અશોકભાઇ સંઘાણી (ઉ.વ.19, રહે.એમ્યુસમેન્ટ પાર્ક પાસે, ઓશવાળ 02, આહીર સમાજ પાસે જામનગર), અક્ષીત આનંદભાઇ મહેતા (ઉ.વ.19, રહે.વીરલબાગ, સીધ્ધાર્થ એપાર્ટમેન્ટ-જામનગર) નામના પાંચ વિદ્યાર્થીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામ પાસેથી બિયરના ટીન અને કાર સહિત કુલ રૂા.2,51,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે પ્રોહી એકટ કલમ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસે વિદ્યાર્થીઓના પરિવારજનોને જાણ કરતા તેઓ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને પોતાના સંતાનોને છોડાવવાની કાર્યવાહીકરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

નિરાકરણ:જામનગરના SSC, HSCના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન

​ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાનારી SSC અને HSCની પરીક્ષાઓ આગામી તા. 26/02/2026 થી 18/03/2026 દરમિયાન યોજાનાર છે. પરીક્ષાના આ સમયગાળા દરમિયાન જામનગર શહેર તથા જિલ્લાના તમામ તાલુકા મથકોના વિદ્યાર્થીઓ તથા વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન અને સચોટ ઉકેલ મળી રહે તેવા શુભ હેતુથી તાલુકા વાર વિવિધ હેલ્પલાઇન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સહાય માટે જામનગર જિલ્લાના શ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ માર્ગદર્શન માટે એમ.ટી. વ્યાસ (98245 18199), જયસુખભાઈ ચાવડા (98242 06264) અને શ્રીમતી સુરભીબેન પંડ્યા (97267 11865) સતત કાર્યરત રહેશે. જામનગર તાલુકાના વિદ્યાર્થીઓ કેશુભાઈ ઘેટિયા (94277 74173) અને કમલેશભાઈ શુક્લ (99137 01771) નો સંપર્ક કરી શકશે. જ્યારે લાલપુર તાલુકા માટે ડો.કમલેશભાઈ વિસાણી (76980 94142) અને શ્રીમતી વર્ષાબેન ત્રિવેદી (82005 34077) સેવા આપશે.​ કાલાવડ તાલુકાના વિદ્યાર્થીઓ માટે જ્યોતિબેન વાળા (94282 16788) તથા જ્યોત્સનાબેન દવે (94291 41391) માર્ગદર્શન પૂરું પાડશે. ધ્રોલ અને જોડિયા તાલુકા માટે મુકેશભાઈ જોશી (94272 33144) અને શ્રીમતી માલાબેન ઠાકર (94272 07503) ની નિમણૂક કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના વિદ્યાર્થીઓ શ્રીમતી બિંદુબેન ભટ્ટ (94279 44855) અને એચ. આર. માલવિયા (99258 59158) નો સંપર્ક કરી મૂંઝવણ દૂર કરી શકશે. સ્થાનિક સેવાઓ ઉપરાંત, રાજ્ય કક્ષાએ મદદ મેળવવા માટે ટોલ ફ્રી નંબર 1800-233-5500 (સવારે 10 થી સાંજે 6) ઉપલબ્ધ છે. પરીક્ષાની ચિંતા કે માનસિક તણાવને દૂર કરવા માટે 24 કલાક સેવારત જીવન આસ્થા હેલ્પલાઇન નંબર 1800-233-3330 પર સંપર્ક કરી શકાશે. વધુમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં સ્ટેટ કન્ટ્રોલ નંબર 99090 38768 અને 079-23220538 પર પણ સંપર્ક કરી સુવિધા મેળવી શકશે. જામનગરમાં ધો-10માં 17,343 વિધાર્થીઓ, ધો-12 સાયન્સમાં 1905 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 9,169 વિદ્યાર્થીઓ મળીને કુલ 28,417 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જેમાં ધો-10ના વિદ્યાર્થીઓ નવ પરીક્ષા કેન્દ્રો ઉપર 59 બિલ્ડીંગોમાં 575 બ્લોકમાં તેમજ ધો-12 વિ.પ્ર.માં બે કેન્દ્રો પર 10 બિલ્ડીંગમાં 95 બ્લોકમાં તેમજ સા.પ્ર.ના પાંચ કેન્દ્રોમાં 31 બિલ્ડીંગના 301 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ રખાયા છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

આરોગ્ય તંત્રમાં દોડધામ:જામનગરમાં કોલેરાના વધુ બે કેસ, કુલ આંક 22 થયો

જામનગર શહેરના ધરારનગર-1ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ઘરોનો સર્વે કરવામાં આવતા વધુ એક કેસ પોઝિટીવ આવતા શહેરમાં 22 કેસ કોલેરાના પોઝિટીવ આવ્યા છે. તો એક કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો છે. શહેરના વોર્ડ નં-1ના ધરારનગર-1માં ગટરનું પાણી મિશ્રિત પીવાનું પાણી વિતરણ થતાં ઝાડા-ઉલટીના કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામ્યો છે. તે વિસ્તારમાં 4 ઓપીડી સેન્ટરો શરૂ કરીને લોકોને ચેક કરીને સારવાર આપવામાં આવી રહી છે. જેમાં ઝાડા-ઉલટીના 105 કેસ નોંધાયા છે. તેમાં સેમ્પલો લઈને પૃથ્થકરણ માટે મોકલતા 20 કોલેરાના કેસ નોંધાયા હતા. બાદમાં આજે વધુ એક ધરારનગરમાં કોલેરાનો પોઝિટીવ કેસ આવતા શહેરમાં કુલ આંક 21નો થયો છે. આ ઉપરાંત નાઘેડી વિસ્તારના એક દર્દીનો રિપોર્ટ પણ પોઝિટીવ મળ્યો છે. જેની સઘન સારવાર ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પીવાના પાણીની પાઈપ લાઈન ચેક કરવામાં આવતા 3 સ્થળોએ અને બે વાલ્વ લીકેજ મળી આવતા તંત્રએ તાત્કાલિક અસરથી રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

તેરા તુજકો અર્પણ:ચોરીના રોકડ રૂા.6.50 લાખ, દાગીના સહિત 15.67 લાખનો મુદામાલ વેપારીને પરત સોંપાયો

તેરા તુજકો અર્પણ અંતર્ગત જામનગર પોલીસે ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂ.6.50 લાખ મળીને કુલ રૂ.15.67 લાખનો મુદામાલ કબજે કરાયો હતો. તે મુળ માલિક વેપારીને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને સીટી ડીવાયએસપી, પીઆઈ સહિતની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો. શહેરના રણજીતસાગર રોડ ઉપર પટેલ પાર્ક પાછળ, વૃંદાવન સોસાયટી શેરીનં-1માં રહેતા તરૂણભાઈ મોહનભાઈ રાયઠઠ્ઠાના મકાનમાંથી ગત તા.16 ઓક્ટોમ્બર 2025ના રાત્રિના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને રોકડ તેમજ રૂ.9,02,000ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. જેમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલીને આરોપીઓને પકડીને ચોરીનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે મુદામાલ પરત મૂળ માલિક વેપારીને સોંપવા માટે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં વેપારીને પરિવાર સાથે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો અને વેપારીને સોનાનું મંગળસુત્ર, ચેન, બુટી 3 જોડી, લેડીઝ વીટી 3, ગાભા (કોપર) કડલી એક જોડી રૂ.90 હજારની કિંમતની તેમજ રોકડ રૂ.6.50 લાખ મળીને કુલ રૂ.15,67,800નો મુદામાલ તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત વેપારીને સોંપવામાં આવ્યો હતો. મુદામાલ મૂળ માલિકને પરત સોંપવાની કાર્યવાહી ચોરીમાં ગુમાવેલ મુદામાલ મૂળ માલિકને પરત સોંપવા માટે કોર્ટમાંથી મંજુરી મેળવવામાં આવે છે, કોર્ટની મંજુરી બાદ તમામ દાગીનાઓની ખરાઈ કરવામાં આવે છે, કે તે ફરિયાદીની માલિકીનો છે ને, તે માટે બીલ તેમજ દાગીના હોય તો તેમણે પહેરેલા હોય તેવા ફોટાઓ જોઈને ખરાઈ કરાય છે. જે બાદ મૂળ માલિકને તેરા તુજકો અર્પણ અંતર્ગત મુદામાલ સોંપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

વિરોધ પ્રદર્શન:વીજ કંપનીના ખાનગીકરણના વિરોધમાં વીજ કર્મચારીઓના કચેરીએ સૂત્રોચ્ચાર

વીજ કંપનીઓના ખાનગીકરણ ન કરવા દેશભરમાં વીજકર્મીઓ દ્વારા ઉઠેલા વિરોધના સમર્થનમાં જામનગર ખાતે PGVCL અને GETCO ની બંને યુનિયનોની સંકલન સમિતિના તમામ સભ્યો દ્વારા શહેરના લાલ બંગલો ઓફીસ અને સાત રસ્તા ઓફીસ ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં વીજ કંપનીના અધિકારીગણ અને કર્મચારીગણ એકત્રિત થઈ કેન્દ્ર સરકારની વીજળી કંપનીઓના ખાનગીકરણ તથા આઉટ સોર્સિંગની નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. સંકલન સમિતિએ જણાવ્યું હતું કે વીજ ક્ષેત્રનું ખાનગીકરણ કરવાથી જનહિત પર પ્રતિકૂળ અસર થઈ શકે છે, ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં વીજ પુરવઠા, દરની નીતિ, રોજગારીની સુરક્ષા અને સેવા ગુણવત્તા જેવા મુદ્દાઓ પર નકારાત્મક અસર થવાની શક્યતા છે. સમિતિએ સરકારને આ નીતિ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. આ વિરોધ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને મર્યાદિત સમયગાળાનો હતો અને આ હડતાલ/વિરોધના કારણે ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ વીજ પુરવઠા અથવા સેવાઓમાં કોઈ અવરોધ કે અસર થવા દેવામાં આવી ન હતી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

નક્કર કામગીરી:સાવરકુંડલાના આઝાદ ચોકમાં અકસ્માતનો ભય છતાં પણ તંત્ર સ્પીડબ્રેકર લગાવતું નથી

સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 7માં આવેલા આઝાદ ચોક વિસ્તારમાં હાલ અકસ્માતનો ગંભીર ભય સેવાઈ રહ્યો છે. આ ચોક એક મુખ્ય જંકશન છે જ્યાં પાંચ રસ્તાઓ એકસાથે મળે છે. આ વ્યસ્ત વિસ્તારમાં પ્રાથમિક શાળા, મસ્જીદ અને જમાતખાનું જેવા જાહેર અને ધાર્મિક સ્થળો આવેલા હોવાથી બાળકો, વિદ્યાર્થીઓ અને વડીલોની સતત અવરજવર રહે છે. આઝાદ ચોક અને વોર્ડ નંબર સાતના સ્થાનિક નાગરિક સોહીલભાઈ શેખના જણાવ્યા અનુસાર આ પાંચ રસ્તાઓ ભેગા થતા હોવાથી વાહન ચાલકો અસમંજમાં રહે છે અને પૂરઝડપે આવતા વાહનોને કારણે અહીં અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. આ ગંભીર સમસ્યા અંગે સોહીલભાઈ દ્વારા નગરપાલિકા કચેરીમાં અનેકવાર મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી છે. આ પ્રશ્ન બાબતે સોહીલભાઈ શેખ દ્વારા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ ધારાસભ્યને પણ વ્યક્તિગત રીતે ટેલિફોનિક જાણ કરી તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી કરવામાં આવી છે. તેમ છતાં, પાલિકા તંત્ર અને સત્તાધીશો દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેને કારણે સ્થાનિક રહીશોમાં તંત્રની ઉદાસીનતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્ર કોઈ મોટી હોનારત કે જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે.? જો વહેલી તકે આઝાદ ચોકના પાંચેય માર્ગો પર વૈજ્ઞાનિક ઢબે સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવેતો આગામી સમયમાં રહીશોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

પાણીનો બગાડ‎:મુંજીયાસર ડેમની કેનાલ તૂટતા રવિ પાક માટે છોડાયેલું લાખો લિટર પાણી વેડફાયું

એક તરફ અમરેલી જિલ્લામાં સિંચાઈની અપૂરતી સુવિધા છે અને જે પણ જળાશયો છે તે પ્રમાણમાં નાના છે તેવી સ્થિતિ વચ્ચે આજે બગસરાના મુંજીયાસર ડેમની કેનાલમાં રવિ પાક માટે પાણી છોડાતા કેનાલમાં ગાબડું પડ્યું હોય લાખો લેટર પાણી વેડફાયું હતું. અમરેલી જિલ્લામાં ધાતરવડી અને ખોડીયાર ડેમની જેમ જ મુંજીયાસર ડેમમાંથી પણ ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. આ માટે કેનાલનું નેટવર્ક પણ ગોઠવાયેલું છે. આજે રવિ પાક માટે મુંજીયાસર ડેમની કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. એક તો આ ડેમ પ્રમાણમાં નાનો છે અને તેની પાણી સંગ્રહ ક્ષમતા ઓછી છે. જેને પગલે બહુ ઓછા વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપી શકાય છે. તેવી સ્થિતિ વચ્ચે આજે કેનાલમાં પાણી છોડાયું ત્યારે એક સ્થળે કેનાલમાં ગાબડું પડ્યું હતું. બગસરાના ખારી તરફ જવાના પુત્રેશ્વર મહાદેવ મંદિરના રોડ નજીક આ કેનાલ તુટતા તેનું પાણી વેડફાઈને રસ્તા પર રહેવા લાગ્યું હતું. રવિ પાક માટે ખૂબ જ ઉપયોગી પાણી ખેડૂતો સુધી પહોંચ્યું ન હતું, પરંતુ બિનજરૂરી રીતે રસ્તા પર વહેતું થયું હતું. જેના કારણે વાહન ચાલકોને પણ તકલીફ વેઠવી પડી હતી. પાણીના બિનજરૂરી વેડફાટને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા કેનાલની યોગ્ય સમયે મરામત અને દેખરેખ રાખવામાં આવતી ન હોય આ ઘટના બની હતી. ખારી રોડ પર જાણે નદી વહેતી હોય તેમ કેનાલનું પાણી વહ્યું હતું અને આ દ્રશ્યો જોઈ ખેડૂતોમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. સિંચાઈ વિભાગ દ્વારા જ્યારે કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કરાય તે પહેલા કેનાલની સ્થિતિ બરોબર છે કે કેમ તેની ચકાસણી કરવી જોઈએ. જેથી આ વિસ્તાર માટે અમૂલ્ય પાણી બચાવી શકાય. મુંજીયાસર ડેમની કેનાલની યોગ્ય સાર સંભાળના અભાવે આ ઘટના બની હતી. ખોડીયાર અને ધાતરવડી ડેમમાંથી પણ સિંચાઈ માટે અપાય છે પાણી અમરેલી જિલ્લાને નર્મદાની કેનાલનો લાભ મળતો નથી. અહીંના સ્થાનિક ખોડીયાર ડેમ અને ધાતરવડી ડેમમાંથી હેઠવાસના વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવે છે. આવી જ રીતે મુંજીયાસર ડેમમાંથી પણ થોડા વિસ્તાર માટે પાણી છોડાય છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

આત્મહત્યા:મોટી કુંકાવાવમાં મોબાઈલ તૂટી જતા એક યુવકે ગળાફાંસો ખાઈ લેતા મોત

મોટી કુંકાવાવમાં યુવક અને દામનગરમાં વૃદ્ધાએ ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકોના પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી. મોટુ કુંકાવાવમાં રામપરા ચોકમાં રહેતા ચીમનભાઇ બાવચંદભાઇ રાંક (ઉ.વ.45)એ વડીયા પોલીસને જણાવ્યું હતું કે તેના દિકરા આર્યનભાઇ રાંક (ઉ.વ.20)થી મોબાઇલ તુટી ગયો હતો. આર્યને પિતા ખીજાશે અને ઠપકો આપશે તેવુ મનમાં લાગી આવતા 12 ફેબ્રુઆરીના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે ઘરે જ ગળાફાંસો ખાઇ લીધો હતો. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. આ અંગે વડીયા પોલીસ મથકના એએસઆઈ બી.પી.ધાંધલા વધુ તપાસ ચલાવી રહ્યા છે. બીજી તરફ દામનગરના નારાયણનગરમાં રહેતા કનુભાઇ ઉકાભાઇ રાઠોડ (ઉ વ.51)એ પોલીસને જણાવ્યું હતું કે ઉજીબેન ઉકાભાઇ રાઠોડ (ઉ.વ.80)ને કમર તથા પગનાં ગોઠણનો દુઃખાવો રહેતો હતો. આ દુઃખાવાથી કંટાળી જઇ ઉજીબેને 12 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે ઘરે જ જાતે ગળાફાંસો ખાઇ જતા મોત થયું હતું. આ અંગે દામનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:અમરેલીથી જૂનાગઢના મેળાના ટ્રાફિકને પગલે STની વધારાની 15 બસ દોડાવાઈ

જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ભાગ લેવા માટે અમરેલી પંથકમાંથી જુનાગઢ તરફનો ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. જેને પગલે માત્ર અમરેલી ડેપોમાંથી જ આજે વધારાની 15 બસો જુનાગઢ સુધી દોડાવાઈ હતી. સાવરકુંડલા, ધારી, બગસરા પંથકમાંથી પણ ખાસ એસટી બસો દોડાવી હતી. હાલમાં જુનાગઢની ટ્રેનો બંધ હોવાથી લોકોને ભારે અગવડતાનો સામનો કરીએ કરવો પડી રહ્યો છે. જેના પગલે હવે ખાનગી વાહનોમા મુસાફરી વધી છે. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો આરંભ થઈ ગયો છે. ત્યારે અમરેલી પંથકમાંથી આ મેળામાં જવા માટે મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ રવાના થયા છે. એસટી દ્વારા આ માટે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમરેલી ડિવિઝન નીચે આવતા જુદા-જુદા ડેપોમાંથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. એટલું જ નહીં જુનાગઢ ડિવિઝનમાંથી પણ અમરેલીમાં મુસાફરોને લઈ જવા માટે ખાસ બસો મોકલવામાં આવી રહી છે. આજે જુનાગઢ ડિવિઝનમાંથી અમરેલી ખાતે આવી વધારાની 12 બસો આવી હતી. જે અમરેલી ડેપોમાંથી રવાના કરાઈ હતી. આ ઉપરાંત અમરેલી ડેપો દ્વારા પણ વધારાની ત્રણ બસો દોડાવવામાં આવી હતી. આમ દિવસ દરમિયાન જૂનાગઢની વધારાની 15 બસો દોડાવવામાં આવી હતી. આવી જ રીતે ધારી, બગસરા, સાવરકુંડલા, કોડીનાર, ઉના વિગેરે ડેપોમાંથી પણ દરરોજ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. જો કે સૌથી વધુ ટ્રાફિક ખાનગી વાહનોનો જોવા મળી રહ્યો છે. લોકો મોટરસાયકલ અને કાર જેવા વાહન મારફત જુનાગઢ પહોંચી રહ્યા છે. આ ઉપરાંત ખાનગી બસ સર્વિસમાં પણ ભારે ટ્રાફિક છે. જો કે ખાનગી વાહન ચાલકો દ્વારા ટ્રાફિકનો ફાયદો ઉઠાવી ભાડામાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. કેટલાક વાહન ચાલકો દોઢ ગણું ભાડું વસૂલી રહ્યા છે. હજુ આવનારા દિવસોમાં ટ્રાફિક વધશે. જેને પગલે એસટી દ્વારા આગામી બે ત્રણ દિવસ સુધી પણ વધારાની બસો દોડાવવા માટે તૈયારી રાખવામાં આવી છે. આવતીકાલે પણ જુનાગઢ ડિવિઝનમાંથી ખાસ બસો અમરેલી ડેપોમાં મોકલવામાં આવશે અને અમરેલી ડેપોમાંથી જેમ જેમ ટ્રાફિક થતો જશે તેમ તેમ આ બસો જૂનાગઢ તરફ રવાના કરાશે તેમ અમરેલી ડેપોના મેનેજરે જણાવ્યું હતું. બગસરા ધારી ડેપોમાંથી 8 બસો દોડાવાઈ બગસરા ડેપો દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન જૂનાગઢની વધારાની ત્રણ બસો મૂકવામાં આવી છે. ધારી ડેપો દ્વારા 4 બસો મુકાઈ હતી. આવી રીતે કોડીનાર ડેપો દ્વારા પણ એક બસ મૂકવામાં આવી હતી. આમ આ ત્રણ ડેપો દ્વારા જ 8 વધારાની બસો દોડાવાઈ હતી. સાવરકુંડલા મહુવા રોડ ખાતે આવેલ ગુરૂદતાત્રેય આશ્રમ દ્વારા છેલ્લા 70 વર્ષથી અવિરત પણે જુનાગઢ ભવનાથ ખાતે મહાશીવરાત્રીના મેળામાં આવનાર દર્શનાર્થી લોકો, સાધુ સંતોને શ્રીપંચ દશનામ જુના અખાડા ખાતે મહાપ્રસાદ તેમજ ફરાળ પીરસવામાં આવી રહ્યું છે. સાવરકુંડલા ખાતેથી 70 વર્ષ પહેલાં બ્રહ્મલિન ચમેલીગીરી બાપુ તેમના શિષ્ય બ્રહ્મલીન ભગવાનગીરી બાપુ તેમના શિષ્ય બ્રહ્મલીન ગંગાગીરી બાપુ અને તેમના શિષ્ય વર્તમાન ગાદીપતિ મહંત વિક્રમગીરી બાપુ દ્વારા અવિરત પણે સેવા ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

આયોજન:બાઢડા ગામે હાઈસ્કૂલમાં પરીક્ષા એક પર્વ

ભાસ્કર ન્યુઝ.સાવરકુંડલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ ખાતે આવેલ બાઢડા કેળવણી મંડળ સંચાલિત એચ.એન. વિરાણી હાઈસ્કૂલ ખાતે આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે પરીક્ષા એક પર્વ વિષય પર એક દિવસીય ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યેનો ડર દૂર કરી તેમને આત્મ વિશ્વાસ સાથે સફળતા તરફ દોરવાનો હતો. સ્વાગત વિધિ કાર્યક્રમની શરૂઆત મંગલમય દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ અને સાવરકુંડલા, લીલીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરી સેમિનારને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય ડોકટર મધુકરભાઈ બગડાએ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શિક્ષણ ક્ષેત્રે સંસ્થાની કામગીરીની ઝલક આપી હતી. આ તકે ગત વર્ષે ધોરણ 10 અને 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ તેમજ વર્ષ દરમિયાન રાજ્ય અને જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિ મેળવનાર રત્નોને શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા. સેમિનારના મુખ્ય વક્તા અને જાણીતા મોટીવેશનલ સ્પીકર અશોક ગુર્જરે પોતાની આગવી શૈલીમાં સતત બે કલાક સુધી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બાઢડા હાઈસ્કૂલના વિધાર્થીઓ પરીક્ષાની પૂર્વતૈયારી કેવી રીતે વાંચનમાં મન કેમ પરોવવું.? યાદશક્તિ વધારવાના નુસ્ખાઓ અને ઉત્તમ દેખાવ કરવાની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિવિધ દ્રષ્ટાંતો અને ડોક્યુમેન્ટરી દ્વારા બાળકોને મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર કર્યા હતા. સેમિનારમાં સાવરકુંડલા તાલુકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો તેમજ વિવિધ ગામોમાંથી આવેલા વાલીઓ અને વિધાર્થી મળીને 1200 જેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

કામને સૈધાંતિક મંજૂરી:સા.કુંડલામાં જળસંચય માટે 1.05 કરોડના ખર્ચે ચેકડેમ અને પૂર સંરક્ષણ દીવાલના કામને મંજૂરી

સાવરકુંડલા તાલુકાના બાઢડા, ઘાંડલા, મેરીયાણા, શેલણા ગામોની નદીપર ચેકડેમ, ઉડી ઉતારવાનું કામ કરી પુનર્જીવન સાથે તેમજ ફલડ પ્રોટેક્શનનું કામ 1.05 કરોડના ખર્ચે કરાશે. આ કામને સૈધાંતિક મંજૂરી મળી છે. સાવરકુંડલા તાલુકાના સર્વાંગી વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિ માટેના પ્રયત્નોને મોટી સફળતા મળી છે. તાલુકાની ''જીવનદોરી’ સમાન નદીઓ અને ડેમોની જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે સરકાર દ્વારા આ કામ અંતગત બાઢડા નદી ઊંડી ઉતારવાનું કામ ₹37.92 લાખ, શેલણા, નદી પર નવો ચેકડેમ બનાવવો ₹28.07 લાખ, ઘાંડલા ફલડ પ્રોટેક્શન (પૂર સંરક્ષણ) દીવાલ ₹22.78 લાખ, મેરીયાણા ફલડ પ્રોટેક્શન (પૂર સંરક્ષણ) દીવાલ ₹17.12 લાખ કુલ ₹1.05 કરોડના વિકાસકાર્યોને સેધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને ચોમાસા દરમિયાન પૂરના જોખમમાં ઘટાડો થશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ અંગે ખુશી વ્યક્ત ક૨તા જણાવ્યું હતું કે આ વિકાસકાર્યો સાવરકુંડલા તાલુકા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નદીઓ ઊંડી થવાથી અને નવા ચેકડેમ બનવાથી પાણીનો સંગ્રહ વધશે, જેનો સીધો લાભ ખેતી અને પશુપાલનને મળશે. સાથે જ ફલડ પ્રોટેક્શન વોલના નિર્માણથી ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પૂરથી થતું નુકસાન અટકશે.ભૂગર્ભ જળ: જળ સંગ્રહ વધતા આસપાસના કુવા અને બો૨ના તળ ઊંચા આવશે.પર્યાવ૨ણ: નદીઓના પુનર્જીવનથી સ્થાનિક પર્યાવરણમાં સુધારો થશે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

ફરિયાદ:વડિયાના લુણીધારમાં પરિણીતાને સાસરીયાએ દુ:ખ ત્રાસ આપ્યો

વડીયાના લુણીધારમાં પરણિતાને સાસરીયાએ શારિરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. તેમજ ફોનમાં ધીમે બોલવા મુદ્દે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો. દયાબેન ચાવડા એ સાસુ કંચનબેન ચાવડા, સસરા ભરત ચાવડા, દીયર જયસુખ ચાવડા, દેરાણી ચેતનાબેન ચાવડા, કાકાજી સસરા અરવિંદ ચાવડા અને દીયર કમલેશ ચાવડા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કંચનબેને દયાબેનને ફોનમાં શુ વાત કરે છે અને ધીમે બોલ અહીં બધા રહે છે. ત્યારે દયાબેને તેને તમારા દીકરા સાથે ફોનમાં વાત કરૂ છુ તેમ કહેતા કંચનબેન ચાવડા અને ભરત ચાવડાએ તેમની સાથે ઝગડો કર્યો હતો. ત્યારબાદ છએય શખ્સોએ ઝગડો કર્યો હતો. જે બાદ દયાબેને તેમના ભાઇ અમરેલીના દીનેશભાઇ જેઠાભાઇ મેરીયાને ફોન કરી બોલાવતા અરવિંદ ચાવતા અને કમલેશ ચાવડાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. સાસરીયાએ પરણિતાને શારિરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ બી.પી.ધાંધલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

લોકાર્પણ:રંગપુર મુકામે અંદાજે 1.25 કરોડના ખર્ચે સીસી રોડ સુવિધાપથનું નિર્માણ

અમરેલીના રંગપુર અને વડેરા મુકામે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. રંગપુર મુકામે સીસીરોડ-સુવિધાપથનું નિર્માણ થતા ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યા ભૂતકાળ બની છે. કુલ 1.25 કરોડના ખર્ચે સુવિધાપથ બનાવાયો છે. વડેરા મુકામે ગ્રામજનો ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિનો સામનો કરતા હતા. અહીં પૂર સંરક્ષણ દિવાલ બની જતા હવે આ સમસ્યા ભૂતકાળ બનશે. કુલ રૂ. 29 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ અને 31.80 લાખના ખર્ચે નવનિર્મિત ચેકડેમનું રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. નવા ચેકડેમમાં કુલ 1 કરોડ લીટરથી વધુ પાણીનો સંગ્રહ થશે, આસપાસની 30 એકર જમીનને લાભ મળશે. અમરેલીના રંગપુર અને વડેરા મુકામે વિવિધ વિકાસકામોના લોકાર્પણ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા, જીલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચ, પંચાયત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના રંગપુર અને વડેરા મુકામે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

આયોજન:લાઠીના વીરપુર ગામે નવા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત

લાઠી તાલુકાના વીરપુર ગામે પંચાયત ભવનના નવ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક ઘારાસભ્ય જનક તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંગલાચાર અને પૂજનવિધિ સાથે કરવામાં આવી હતી. પંચાયત ભવન ગામના શાસકીય તથા વિકાસલક્ષી કાર્યો માટે એક કેન્દ્રસ્થાન તરીકે કાર્ય કરશે. નવા ભવનમાં ગ્રામજનોને વિવિધ શાસકીય યોજનાઓની માહિતી, અરજીઓની પ્રક્રિયા, બેઠકઓ તેમજ સામાજિક કાર્યક્રમો માટે સુવિધાસભર માહોલ ઉપલબ્ધ થશે. આ અવસરે ઘારાસભ્ય જનક તળાવીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વીરપુર ગામે પંચાયત ભવનનું નવું નિર્માણ ગામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગ્રામ વિકાસ, માર્ગ વ્યવસ્થા, પાણી પુરવઠો, સ્વચ્છતા અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જૂનું પંચાયત ભવન જગ્યાની અછત અને અપૂરતી સુવિધાઓને કારણે ગ્રામજનો માટે અનુકૂળ ન હતું, જેથી નવું આધુનિક ભવન ગામ માટે આશીર્વાદરૂપ બનશે. આ પ્રસંગે જીતુભાઇ ડેર, તાલુકા ભાજપ પ્રમુખ, સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, ગામના આગેવાનો તેમજ સ્થાનીક ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહયા હતાં.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

કામગીરી:અમરેલી જિલ્લાભરમાં 4533 તીવ્ર દિવ્યાંગોને 4.42 કરોડની રોજગારલક્ષી સહાયનું વિતરણ

રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો અને નિરાધાર બાળકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કાર્યરત સમાજ સુરક્ષા કચેરી દ્વારા વર્ષ 2025 દરમિયાન વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવામાં આવ્યો છે. દિવ્યાંગોને લાંબા અંતરની મુસાફરીની સરળતા સાથે સગવડતા મળે તે માટે કુલ 1101 દિવ્યાંગોને એસ.ટી બસ નિ:શુલ્ક મુસાફરી પાસનું વિતરણ કરવામાં આવ્યુ છે. સાથે 154 દિવ્યાંગોને દિવ્યાંગતામાં મદદરૂપ થવા વિવિધ પ્રકારના સાધનોના મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા છે. કુલ 4533 તીવ્ર દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોનનું આર્થિક સશક્તિકરણ ઝડપથી થાય તે માટે રોજગારલક્ષી સહાય માટે રૂ. 4.42 કરોડથી વધુની રકમની સહાય મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સામાજિક સશક્તિકરણના ભાગરૂપે અનેકવિધ પહેલો શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના કુલ 37 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. 18.5 લાખથી વધુની રકમની દિવ્યાંગ લગ્ન સહાયની ચૂકવણી કરવામાં આવી છે. ઉપરાંત 174 દિવ્યાંગ વિદ્યાર્થીઓને રૂ. 1.74 લાખની શિષ્યવૃત્તિ સહાયનું વિતરણ કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષાથી લઈને લગ્ન સુધી દિવ્યાંગોને કોઈ તકલીફ ન પડે ઉપરાંત તેમનું સશક્તિકરણ થાય તે પ્રકારે છેવાડાના લાભાર્થી સુધી લાભનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરેક નિરાધાર બાળકને પાલકનો સાથ મળે અને સન્માન સાથે જીવન જીવી શકે તે પ્રકારના ઉમદા ઉદ્દેશ સાથે પાલક માતા-પિતા યોજના અમલી છે. આ યોજના હેઠળ જિલ્લામાં કુલ 373 નિરાધાર બાળકોને રૂ. 1.36 કરોડથી વધુની રકમની સહાયનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. અત્રે એ સરકાર સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વિવિધ સહાયનું વિતરણ કરે છે.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલમાં દાખલ કરાયા, કૂતરાના ખસીકરણની યોજના ટલ્લે:વલસાડ કૈલાશ રોડ પર રખડતાં બેકાબૂ કૂતરાંનો આંતક,13 વ્યક્તિને બચકા ભર્યા

વલસાડના ભાગડાવડા ગ્રીનપાર્કમાં રખડતાં કૂતરાંનો નાના બાળકો પર ચારથી પાંચ ઘટના બાદ હવે પારડીસાંઢપોર કૈલાસ રોડ વિસ્તારમાં કૂતરાંએ 13 વ્યક્તિઓને બચકાં ભરાતાં ભારે દહેશત ફેલાઇ ગઇ હતી. વલસાડના કૈલાસ રોડ વિસ્તારના રહેણાંક એરિયામાં ઘણાં સમયથી રખડતા કૂતરાંઓના ભયથી રહીશો ખુબ સાવધાની વર્તી પોતાને તથા પરિવારજનોને સુરક્ષિત રાખવાની ચિંતામાં પડ્યા છે. દરમિયાન ગુરૂવારે રાત્રિ દરમિયાન એક કૂતરો ખુબ હિંસક સ્વરૂપે દેખાતાં આડેધડ દોડવા માડ્યો હતો.જેમાં વાહનચાલકો રાહદારીઓને બચકાં મારવા માંડ્યો હતો.જે આવ્યો તે લપેટમાં આવી ગયો તેવી દહેશતભરી સ્થિતિ નિર્માણ પામી હતી. કેટલાક રમતાં બાળકો અને બાઇક સવારના પગમાં તો કોઇને હાથમાં બચકાં ભર્યા હતા.લગભગ 13 જેટલા લોકો કૂતરાંના હુમલાનો ભોગ બનતાં રહીશોમાં ભારે આક્રોશ ફેલાઇ ગયો હતો.કૂંતરાંઓનો અહિંથી નિકાલ કરવાની રજૂઆતોની તંત્ર પર કોઇ અસર થતી ન હોવાની રાવ ઉઠી છે.ઇજાગ્રસ્તોને વલસાડ સિવિલમાં સારવાર દરમિયાન હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી. પાલિકાએ ટેન્ડર તો કર્યુ પણ અધ્ધરકૂતરાંઓનો આંતક વધી ગયો છતાં નગરપાલિકા સહિતની સંસ્થાઓ કૂતરાંઓ પકડવાની કોઇ કામગીરી કરતી નથી.ભલેને લોકો રખડતાં કે હડકાયા કૂતરાંનો ભોગ બને તો પણ કોઇને કંઇ પડી નથી.પાલિકાના કાઉન્સિલરો સામાન્ય સભાઓમાં ચિચિયારીઓ,કાગારોળ મચાવતા હોય પણ રખડતા કૂતરાં,ભૂંડ,રખડતી ગાયો માટે કોઇને કંઇ લાગતું વળગતું ન હોય તેવી લોકોમાં ચર્ચાઓ ઉઠી રહી છે. અગાઉ પાલિકાએ ખસીકરણ કરવા ટેન્ડર કર્યુ હતુ પણ તે પણ હવામાં જ રહ્યુ છે. ગ્રીનપાર્કમાં 5 બાળકો પર હુમલોવલસાડના ભાગડાવડાની ગ્રીનપાર્ક સોસાયટીમાં છેલ્લા સાતેક માસ દરમિયાન કૂતરાંના હુમલાની પાંચેક ઘટના સામે આવી ચૂકી છે.જમાં 3થી પાંચ વર્ષના બાળક,બાળકીઓ પર હિંસક કૂતરાંઓએ હુમલા કરી હાથ,પગમાં બચકાં ભર્યા હતા.તેમ છતાં કોઇ તંત્ર દ્વારા રખડતા કૂંતરાને પકડીને નિકાલ કરવાની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

ભાસ્કર ફોલોઅપ:વલસાડમાં મ્યુલ બેંક એકાઉન્ટ દ્વારા‎ઠગાઇના રેકેટનું દુબઇ કનેક્શન‎

જિલ્લા સાયબર ક્રાઇમે તપાસ કરતાં વલસાડ તાલુકાના એક નાનકડા ગામ મગોદના સામાન્ય વાળંદ ઐયુબ શેખના એકાઉન્ટનો ઉપયોગ કરી ઠગભગતો દ્વારા 66.72 લાખની છેતરપિંડી બહાર આવ્યા બાદ ફ્રોડની રકમનો આંકડો વધીને 3.08 કરોડથી વધુ પર પહોંચી ગયો છે. આ કેસની તળિયાઝાટક તપાસમાં સાયબર ફ્રોડના માસ્ટર માઇન્ડ 2 આરોપીને પોલીસે દબોચી લીધાં છે. પૂછપરછમાં સમગ્ર રેકેટનું દુબઇ કનેક્શન બહાર આવતાં ચોંકાવનારી હકીકતનો પર્દાફાશ કરવામાં જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસને મહત્વની સફળતા મળી છે. સાયબર ક્રાઇમ ISCCCદિલ્હી દ્વારા શંકાસ્પદ મ્યુલ ખાતાની જાણકારી આધારે પોલીસે ટેક્નિકલ એનાલિસિસ, હ્યુમન રિસોર્સિસ આધારે મગોદ પ્રાથમિક શાળા પાસે, રહેતો અને બાલદાઢીનો ધંધો કરતાં ઐયુબ કાદીરભાઇ શેખ ઉ.52ના ઘરે દરોડો પાડી તેને ઉંચકી લીધો હતો. જેની પૂછપરછ બાદ માસ્ટર માઇન્ડ પારનેરા વાવ ફળિયાના મિતેશ દિપક પટેલ અને તુષાર બાબુભાઇ ઘંટાળા ઉ.36,રહે. મોટા વરાછા, સુરત ,મૂળ રહે. બેલાગામ,તા.ગારિયાધાર , જિલ્લા ભાવનગરના મળી 2 માસ્ટર માઇન્ડ આરોપીને પોલીસે દબોચી જેલભેગા કરતાં હાથ ધરેલી સઘન પૂછપરછમાં રૂ.3.08 કરોડનો સાયબર ફ્રોડ સામે આવ્યો છે.વલસાડ,પારડી અને સુરતના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે. વલસાડથી મિતેશ પટેલ,સુરતના‎તુષાર ઘંટાળાનું દુબઇ સુધી કનેક્શન‎‎પારનેરાના ફરાર આરોપી મિતેશ પટેલને પોલીસે ખુબ જહેમતથી રાઉન્ડ અપ‎કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.જેની પુછપરછમાં મિતેશ પટેલ‎‎જૂદા જૂદા ઇસમોના એકાઉન્ટ મેળ‌વી‎‎આ કૌભાંડમાં સંડોવાયેલા સુરતના‎રહીશ તુષાર બાબુ ઘંટાળા નામના ઇસમને આપતો હતો જેના બદલામાં‎મિતેશને કમિશન મળતું હતું.તુષાર ઘંટાળાની ચોક્કસ માહિતી મળતાં‎વલસાડ સાયબર ક્રાઇમે વોચ ગોઠવી તેને પણ ઝડપી લીધો હતો.તુષાર‎પારનેરાના મિતેશ પાસેથી બેંકના એકાઉન્ટો મેળ‌વીને દુબઇ ખાતે રહેતાં મુખ્ય‎સૂત્રધાર મિલન દરજીના માણસોને આપતો હતો.‎ બહુનામધારી મિલન સામે 45થી વધુ ફરિયાદ વલસાડ સુરતના બે આરોપી પૈકી પારનેરાનો મિતેશ પટેલ કમિશનની મિલન દરજીને વોન્ટેડ જાહેર કરાયો છે.તેની વિગતે માહિતીમાં મૂળ સુરતનો રહીશ મિલન ઉર્ફ મિલો ઉર્ફ કાનો શિવાય,ઉર્ફે જોની ઉર્ફે લાલો સુરેશ વાઘેલા, (દરજી), રહે.44 3,સરદાર સોસાયટી,સત્યનારાયણ, સુરત , રાભડા ગામ,દામનગર,તા.લાઠી,જિ.અમરોલીને વોન્ટેડ જાહેર કરાયો છે.મિતેશ પટેલ બેન્ક ખાતેદારોને રોકાણ,જોબની લાલચ આપી બેન્ક ખાતેદારો પાસેથી એકાઉન્ટો મેળ‌વી સુરતના તુષાર ઘંટાળને મોકલી તુષાર આ બેન્ક ખાતાઓ દુબઇ ખાતેથી સમગ્ર ભારતમાં સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. મિલન દરજી સાયબર ફ્રોડ કરી તમામ રૂપિયા સગેવગે કરવા જે તે મળતિયાઓને મોકલતો હતો. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરાશે સાયબર ક્રાઇમ પોલીસ સહિત તમામ પોલીસ અધિકારીઓને સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાય છે. ગુનાઓ માટે વપરાતા મ્યુલ બેન્ક એકાઉન્ટોનો ઉપયોગ કરી લોકોને વિવિધ પ્રલોભન લાલચ આપી સાયબર ક્રાઇમ આચરતાં ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવા વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ડી.જિત્યાને જરૂરી સૂચના અને માર્ગદર્શન અપાયું છે. > યુવરાજસિંહ જાડેજા, SP,વલસાડ

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

શિવભક્તિની અનોખી સરવાણી:નવસારીના સદલાવના ખેડૂતે ઘી માંથી કમળ, શિવલિંગ અને શિવજીની 308 પ્રતિકૃતિ બનાવી

મહાશિવરાત્રીના પર્વ પર ભક્તો દેવાધિદેવ મહાદેવને રીઝવવા વિવિધ પુષ્પો અને અભિષેક કરતા હોય છે, પરંતુ નવસારીના સદલાવ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની અનોખી કલા દ્વારા શિવભક્તિની અનોખી સરવાણી વહેવડાવી છે. 12મું પાસ અને પ્રાકૃતિક ખેતી કરતા હેમંત પટેલે આ વર્ષે શિવજીની પ્રતિકૃતિ, શિવલિંગ અને ઘીના કમળ બનાવીને ભક્તોમાં આકર્ષણ જમાવ્યું છે. છેલ્લા 42 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હેમંતભાઈની વિશેષતા એ છે કે તેઓ માત્ર ઘીના જ પૈસા લે છે. પોતાની કલા કે કલાકોની મહેનતનો તેઓ એક પણ રૂપિયો ચાર્જ લેતા નથી. અત્યાર સુધીમાં તેઓ 1500થી વધુ પ્રતિકૃતિઓ બનાવી ચૂક્યા છે. આ વર્ષે તેમણે 270 ઘીના કમળ, 17 શિવલિંગ અને 21 જેટલી ભગવાન શંકર અને શિવપરિવારની પ્રતિકૃતિ બનાવી છે. ઘી ઓગળી ન જાય તેના માટે ઘણા લોકો તેમાં મીણ પણ નાખતા હોય છે પણ હેમંતભાઇ કોઇપણ પ્રકારનો પદાર્થ મિશ્રિત કર્યા વગર ઘી માંથી દરેક વસ્તુ બનાવે છે. આ સાથે મૂર્તિને રંગ કરવા માટે ફૂડ કલર તથા જાસ્મિન ફ્લેવરના કોકોનેટ તેલનો ઉપયોગ કરે છે. પોતાની 14 વર્ષની ઉંમરથી શરૂ કરેલ સેવાકાર્ય આજે તેમના 55માં વર્ષે પણ અવિરત ચાલી રહી છે. તેમના સદલાવ ગામમાં આવેલ ચંદ્રકેશ્વર મહાદેવ મંદિર માટે 100થી વધુ કિલોની શંકરભગવાનની ઘી માંથી બનાવેલ પ્રતિકૃતિ બનાવી છે. આ 308 પ્રતિકૃતિ બનાવવામાં લગભગ એક મહિના જેટલો સમય લાગ્યો છે અને એક ટન જેટલુ ઘીનો વપરાશ કરાયો છે. હેમંતભાઇની બનાવેલ પ્રતિકૃતિ ફક્ત નવસારી જિલ્લા સુધી નહીં પણ રાજ્યના વિવિધ જિલ્લા સુધી વિસ્તરી છે. જેના કારણે ફક્ત નવસારી નહીં પરંતુ અન્ય જગ્યાએ પણ તેમની કલાના વખાણ થઇ રહ્યા છે. ઘીનો પવિત્ર રીતે નિકાલ શિવરાત્રીના પર્વ બાદ આ ઘીનો દુરુપયોગ કરવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત અને પર્યાવરણને અનુકૂળ રીતે તેનો નિકાલ કરવામાં આવે છે. આ ઘીને ગાયના ખોરાકમાં ભેળવવામાં આવે છે અથવા મંદિરમાં દીવા માટે વપરાય છે. આ ઉપરાંત નદી કે તળાવમાં પધરાવીને જળચર જીવોના આહાર તરીકે તેનો સદુપયોગ કરવામાં આવે છે.> હેમંતભાઇ પટેલ, પ્રતિકૃતિ બનાવનાર

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

નવસારી નગરજનોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં?:પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત દુધિયા ‎તળાવ'' માં ગંદકી અને પશુઓનો અડ્ડો!‎

નવસારી શહેરના હજારો નાગરિકોની તરસ છિપાવતા ઐતિહાસિક દુધિયા તળાવની હાલત અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી છે. પીવાના પાણીના શુદ્ધિકરણની મોટી-મોટી વાતો કરતા વહીવટી તંત્રની પોલ ખોલતી તસવીરો સામે આવી છે. જે સ્થળેથી સમગ્ર શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે, ત્યાં જ સુરક્ષા અને સ્વચ્છતાના ધજાગરા ઊડતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં સામે આવેલી વિગતો મુજબ, તળાવના કાંઠે જ્યાં પાણીનો સંગ્રહ થાય છે, ત્યાં રખડતા કૂતરાઓ અને પશુઓ બિન્દાસ ફરી રહ્યા છે. તળાવના કિનારે પ્લાસ્ટિકની બોટલો, કચરો અને ગંદકીના ગંજ જમા થયા છે. આ ગંદકી અને પ્રાણીઓના મળ-મૂત્ર સીધા પાણીમાં ભળી રહ્યા છે, જે જળજન્ય રોગચાળાને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યા છે. પીવાના પાણીના સ્ત્રોત પાસે સામાન્ય રીતે પ્રતિબંધિત અવરજવર હોવી જોઈએ, પરંતુ અહીં કોઈ પણ રોકટોક વગર પ્રાણીઓ પહોંચી જાય છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો દૂષિત પાણીને કારણે શહેરમાં ટાઈફોઈડ, કોલેરા અને કમળા જેવી ગંભીર બીમારીઓ ફાટી નીકળવાની પૂરેપૂરી ભીતિ છે. સફાઈ કરવામા આળસસફાઈ કરવામાં આળસ કિનારા પર જામેલો કચરો સૂચવે છે કે લાંબા સમયથી અહીં યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. આ દ્રશ્યો જોઈને નવસારીના નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, શું અમે આવું પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર છીએ?

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:નવસારીમાં ભાજપના વધુ 12 હોદ્દેદારોના રાજીનામા ધરી દીધા, સ્થિતિ કંટ્રોલ બહાર

નવસારી જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની જાહેરાત થતાની સાથે જ પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં કાર્યકરોની અવગણના થઈ હોવાના આક્ષેપ સાથે રાજીનામાનો દોર શરૂ થયો છે. બે દિવસ અગાઉ 7 સભ્યોના રાજીનામા બાદ, આજે વધુ 12 હોદ્દેદારોએ સાગમટે રાજીનામા ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ વિવાદનું મુખ્ય કેન્દ્ર જલાલપોર તાલુકાને જિલ્લા સંગઠનમાં મળેલું પ્રતિનિધિત્વ છે. કાર્યકરોનો આક્ષેપ છે કે, જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના હોદ્દાઓ પર જલાલપોરના એક પણ કાર્યકરને સ્થાન આપવામાં આવ્યું નથી. અશોક ભગુભાઈ પટેલ, જેમને મહામંત્રી પદની અપેક્ષા હતી, તેમને ઉપપ્રમુખ બનાવવામાં આવતા તેઓ નારાજ થયા છે. કોળી સમાજ અને પક્ષ માટે વર્ષોથી લોહી રેડનાર પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે છેલ્લા લાંબા સમયથી જિલ્લા સંગઠન અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી હતી. આ જૂથવાદ હવે રાજીનામાના સ્વરૂપે ખુલ્લેઆમ બહાર આવ્યો છે. આગામી સમયમાં જિલ્લા-તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આ આંતરિક કલહ ભાજપ માટે કપરી સ્થિતિ સર્જી શકે છે. જો વહેલી તકે આ ડેમેજ કંટ્રોલ નહીં થાય તો ભાજપમાં આંતરીક જૂથવાદ વધુ વકરશે અને તેની સીધી અસર સંગઠનો પર પણ પડી શકે છે. પ્રમુખની ગેરહાજરીમાં રાજીનામાનારાજ હોદ્દેદારોએ પાંચ દિવસ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સાથે ટેલિફોનિક ચર્ચા કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે, કોઈ નક્કર પરિણામ ન આવતા આજે મોટી સંખ્યામાં કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ પર પહોંચ્યા હતા અને પ્રમુખની ગેરહાજરીમાં તેમના ટેબલ પર રાજીનામા મૂકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજીનામું આપનાર મુખ્ય હોદ્દેદારોની યાદી જલાલપોર તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, ઉપપ્રમુખ અજયકુમાર પટેલ, ફતેહસિંહ ઠાકુર, વિજય ટંડેલ જલાલપોર તાલુકા ભાજપના કાર્યાલય મંત્રી પ્રકાશ દેસાઈ, જલાલપોર તાલુકા ભાજપના મંત્રી ભાવેશભાઈ પટેલ, નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ, રાકેશકુમાર ભીખુભાઈ પટેલ, હર્ષા એમ. પટેલ, ભવિષા રાઠોડ, ઝંખના પટેલ, વીણા પટેલે રાજીનામા આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

ભાસ્કર એક્સક્લૂસિવ:નુડામાં 70 થી વધુ ગામ સમાવવા સરકારમાં દરખાસ્ત કરાઇ છતાં 1 વર્ષથી નિર્ણય નહીં

નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તાર અંગે લગભગ 1 વર્ષથી કોઈ નિર્ણય નહી લેવાતા અવઢવ તો સર્જાઇ છે. આ સાથે પંથકના વિકાસ ઉપર અનિશ્ચિતતા સર્જાઇ છે. નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નુડામાં લગભગ એક વર્ષ અગાઉ નવસારી શહેર ઉપરાંત નજીકના ગામો હતા.જોકે સરકારે નવસારીને મહાપાલિકા જાહેર કર્યાના થોડા દિવસો બાદ મનપા વિસ્તાર નુડામાંથી નીકળી ગયો હતો અને માત્ર 3 ગામો નસીલપોર, ભટ્ટાઈ અને ગણેશ સિસોદ્રા જ રહ્યાં છે. માત્ર 3 ગામના નાના વિસ્તારને લઈ ઓથોરિટી પાસે ખૂબ ઓછું કામ છે. જોકે અર્બન ઓથોરિટીના વિસ્તાર માટે તજવીજ થઇ નથી એવું પણ નથી. આશરે 1 વર્ષ અગાઉ સ્થાનિક લેવલથી સરકારમાં 70થી વધુ ગામો સમાવવા સરકારમાં દરખાસ્ત કરી હતી,જેમાં નવસારી અને જલાલપોર તાલુકાના વધુ ગામો છે. આજે દરખાસ્ત ગયાને ઘણો સમય થયો પણ ઓથોરિટીનો વિસ્તાર કરી વધુ ગામો લેવા બાબતે નિર્ણય લેવાયો નથી. વિલંબની અસર સ્થાનિક વિકાસ ઉપર પડી છે, ખાસ કરીને સરકાર કેટલો વિસ્તાર કરશે, ક્યારે કરશે, કયા ગામો લેશે તે અનિશ્ચિતતા રહેતા સ્થાનિક લોકો, ડેવલપરો વગેરેમાં અવઢવ જારી રહી છે. સરકાર જલ્દી અનિશ્ચિતતા દૂર કરે એવી લાગણી છે. નુડામાં સમાવવા મુદ્દે ખેડૂતોનો વિરોધનવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તાર કરવા સરકારમાં દરખાસ્ત ગઇ છે અને પંથકમાં ઘણા ગામો લેવાની વાત બહાર આવતા ખેડૂતોમાં વિરોધ થયો છે. નવસારીમાં થોડા મહિના અગાઉ મળેલ ખેડૂતોની વિવિધ મુદ્દે મળેલ સભામાં નુડામાં સમાવાનો વિરોધ થયો અને નારાજગી વ્યક્ત થઈ હતી. ખેતી અને પર્યાવરણને નુકસાન થવાનું પણ કારણ જણાવાયું હતું. આ વિરોધના પગલે પણ વધુ ગામો ઓથોરિટીમાં લેવા મુદ્દે અવઢવ હોવાની વાત ચર્ચાય છે. હયાત 3 ગામો પણ ટીપી વિનાનાઅર્બન ઓથોરિટીમાં સામેલ ઇટાળવા, તિઘરા ગામો માટે અગાઉ ઓથોરિટી દ્વારા ટીપી સ્કિમ બનાવવાની કામગીરી શરૂ કરી હતી,જે હવે મનપા વિસ્તારમાં છે. જોકે હવે જે ત્રણ ગામો રહ્યાં છે તેમાં ટાઉન પ્લાનિંગ સ્કિમ બનાવાઈ નથી. જલદી નિર્ણય લેવો જોઈએઅર્બન ઓથોરિટીના વિસ્તાર, વધુ ગામો સમાવવા મુદ્દે સરકારે જલ્દી નિર્ણય લેવો જોઈએ. નિર્ણયમાં વિલંબથી વિકાસ ઉપર અસર પડે છે. બીજું કે ટીપી સ્કિમમાં કપાત દ્વારા રોડ વગેરે સુવિધા લોકોએ વધારવી જોઈએ.> ભરત સુખડિયા, અગ્રણી, ક્રેડાઇ 10 વર્ષમાં 97 ગામ અને 2 શહેરથી ઘટી 3 ગામની મજલનવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના ડિસેમ્બર-2015માં કરવામાં આવી ત્યારે તેમાં તે સમયના બે શહેરી વિસ્તારો નવસારી અને વિજલપોરને સમાવવામાં આવ્યા હતા ત્યારબાદ ભારે વિરોધ થતા ઘણા ગામો કાઢી 2 શહેર અને 26 ગામો કરી દેવાયા. ત્યારબાદ વળી વધુ 9 ગામોમાં વિરોધ થતા તે કાઢી 17 ગામો જ રાખવામાં આવ્યાં. ઘણો સમય આ વિસ્તાર રહ્યો અને ટીપી પણ બની. જોકે મનપા એક વર્ષ અગાઉ બનતા સમગ્ર મનપા વિસ્તાર ઓથોરિટીના કાર્યક્ષેત્રમાંથી નીકળી ગયો અને માત્ર 3 ગામો જ કાર્યક્ષેત્રમાં રહ્યાં છે, જેની પણ ટીપી સ્કિમ નથી તથા આ નાના વિસ્તારને 1 વર્ષ થવા આવ્યું છે પણ ઓથોરિટીના વિસ્તાર અંગે નિર્ણય લેવાયો નથી.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am

બે દિવસીય તાલીમનું આયોજન:123 શિક્ષકોને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં નવી પદ્ધતિ અંગે જાણકારી અપાઇ

ભરૂચની શાળાઓમાં એઆઇની મદદથી શિક્ષણકાર્યને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કઈ રીતે કરવો તેની તાલીમ 132 શિક્ષકોને આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં વર્ગખંડ શિક્ષણમાં એઆઈ ના ઉપયોગ અંગે બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનું આયોજન ડાયટ ભરૂચ ના વ્યાખ્યાતા ડૉ. જતીન એચ. મોદીના માર્ગદર્શન કરાયું હતું. તાલીમમાં શિક્ષકોને આર્ટ ઓફ પ્રમોટિંગ એન્ડ બેટર ટીચિંગ વિથ એઆઈ, એઆઈનો જવાબદારી પૂર્વક ઉપયોગ, ચાર્ટ, પોસ્ટર, વિડીયો બનાવવો નોટબુક ટીએલએમ, ગામા, ચેટ જીટીપી, એઆઈ ઈન એજ્યુકેશન, ટેસ્ટ જનરેશન, પાઠ આયોજન અને અધ્યયન નિષ્પતિ, સ્લાઇડ જીપીટી, માઈક્રોસોફ્ટની મદદથી એઆઈ વગેરે બાબતોની સમજ અને પ્રાયોગિક કાર્ય ઉદાહરણ સાથે સમજ આપવામાં આવી હતી. તાલીમથી શિક્ષકોના વ્યવસાયિક કૌશલ્યને વધુ સમૃદ્ધ બનશે. વિદ્યાર્થીઓના અધ્યયનમાં રસ અને સમજ વધે તે માટે આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવવાનો તેમજ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં ડાયટ ભરૂચના બંને વર્ષના બી.એડ. ના 100 જેટલા પ્રશિક્ષણાર્થીઓ તેમજ ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ 132 પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 14 Feb 2026 4:00 am