રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
''સ્વરક્ષણ તાલીમ'' શિબિરનું આયોજન:મોરબી યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં તાલીમ શિબિર યોજાઇ
આજની યુવતીઓ સશક્ત બને તે હેતુથી મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટસ કોલેજ ખાતે મહિલા સેલ અંતર્ગત વિદ્યાર્થિનીઓ માટે ખાસ ''સ્વરક્ષણ તાલીમ'' શિબિરનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રશિક્ષક તરીકે ગીર સોમનાથ કરાટે એસો.ના મયુરભાઈ પીપરોતર તેમજ બી ડિવિઝન પોલીસના મહિલા સુરક્ષા સેતુના ડી.આઈ. લાભુબેન મોરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મયુરભાઈએ વિદ્યાર્થિનીઓને આકસ્મિક અને મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગેની વિવિધ સેલ્ફ ડિફેન્સ ટેકનિકો શીખવાડી હતી અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા તાલીમ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાના માર્ગદર્શન અને સહકારથી યોજાયો હતો.કાર્યક્રમનું સંચાલન મહિલા સેલના કો-ઓર્ડિનેટર ડો. કવિતા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના ભાગરૂપે શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે કુલ અંદાજીત ખર્ચ રૂ. ૪૬.૩૮ (લાખ) ની ગ્રાન્ટ સરકાર માંથી મંજૂરી મળી છે. આ યોજના અંતર્ગત ૧૫૦ મી.મી. તથા ૨૫૦ મી.મી. વ્યાસની ડી.આઈ. (D.I.) પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આ યોજનામાં હાલની જૂની પાણીની પાઇપ લાઇનને બદલે નવી ડી.આઈ. પાઈપલાઈન નાખવામાં આવનાર છે તેમજ આ યોજનામાં વાલ્વ નો પણ સમાવેશ કરેલ છે જેના લીધે આ સમગ્ર વિસ્તારમાં નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહેશે. આ યોજના પૂર્ણ થયે આ વિસ્તારના છેવાડા ના ઘરો સુધી પાણી પુરવઠો નિયમિત રીતે મળી રહે તે માટે આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ૮૨૫ મીટરની પાઈપલાઈન નાખવાની મંજુરી મળેલ છે. જેમાંથી ૪૮૦ મીટર પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. આ નવી DI પાણીની લાઈન નું કામ પૂર્ણ થયા બાદ લગત વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા માં અનેક ગણો વધારો થશે અને આ વિસ્તારમાં પુરતો પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવશે. શહેરમાં અલગ અલગ 3 ગાર્ડનના નવીનીકરણનીકામગીરીમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણમોરબી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિવિધ ગાર્ડનની કાયાપલટ ની કામગીરી ચાલી રહી છે , તેના ભાગરૂપે હાલ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા કેસરબાગ ગાર્ડન અને રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા સુરજબાગ અને શંકર આશ્રમના ગાર્ડનનું કામ ચાલી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આ જગ્યા ઉપર બિનજરૂરી ઝાડી ઝાંખરાઓ દૂર કરવા ઉપરાંત બિનજરૂરી વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ ત્રણેય ગાર્ડનમાં અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન ફિટિંગ સહિતની પ્રથમ તબક્કાની કામગીરી પુર્ણ થઈ ચૂકી છે.
મોરબીમાં ખુલ્લેઆમ બેરોકટોક દેશી દારૂના ધમધમતા હાટડાઓ ખાખીને કલંકિત કરી રહ્યા છે. આથી પોલીસની શંકાસ્પદ કામગીરીથી દારૂબંધી કાગળ પર હોવાની કડવી વાસ્તવિકતા વચ્ચે હવે તો પોલીસની રહી સહી આબરૂનું પણ ધોવાણ થઈ ગયું હોય એવી શરમજનક ઘટના સામે આવી છે. જેમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવ વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવ્યા હતા અને તેઓએ જિલ્લામાં એક વર્ષમાં ક્રાઈમ રેટ વિશે રેકર્ડ પર દર્શાવેલી માહિતીનું નિરીક્ષણ કર્યું હતું. આ આઈજીએ મોરબી જિલ્લા પોલીસની એક વર્ષની કામગીરી યોગ્ય રહી હોવાનું દર્શાવ્યું હતું. આથી જિલ્લા પોલીસે પણ વાહવાહી લૂંટી હતી. જો કે રેન્જ આઈજી ગયાની થોડી જ વારમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતો એક વિડીયો વહેતો થયો છે. આ વીડિયો મોરબી આસપાસના એક ગ્રામ્ય વિસ્તારની બાવળના કાંટ પરનો હોવાનું કહેવાય છે. જેમાં વિડીયો બનાવનાર વ્યક્તિએ વિડીયોમાં દેશી દારૂની ઢગલા મોઢે કોથળી બતાવીને કહ્યું કે, 15 દિવસ પહેલા અહીંયા દેશી દારૂનો વેપલો થતો હોવાની પોલીસને અરજી આપી હોવા છતાં કંઈ જ કાર્યવાહી કરતી નથી.ત્યારે હવે આ વીડિયો જોઈ ઉચ્ચ પોલીસ અધિકારી જે તે જવાબદાર સામે કાર્યવાહી કરવાની હિંમત કરશે કે કેમ તે જોવાનું રહ્યું!
મોરબી મનપા ટ્રાફિકને અડચણરૂપના નામે મુખ્ય બજારોમાં સામાન્ય ધંધાર્થીઓના દબાણો હટાવી દીધા હતા. જેમાં મનપાએ સામાન્ય ધંધાર્થીઓની રેકડી, ગલ્લા, ફેરિયાનો સમાન અને બજારોમાં દુકાનો બહારનો સમાન જપ્ત કરી લેતા રોજગાર વિહોણા થયેલા વિસ્થાપિત એવા સામાન્ય ધંધાર્થીઓએ ધંધો છીનવાઈ જવાથી એકી સુરે અમે ક્યાં જઈએ તેવી વેદના વ્યક્ત કરી હતી. મોરબી મહાનગરપાલિકા છેલ્લા એકવર્ષથી અઠવાડિયામાં એકવાર શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદે દબાણો ઉપર તવાઈ બોલાવી રહી છે. મનપાની આ અવિરતપણે ચાલી રહેલી ગેરકાયદે દબાણ હટાવ ઝુંબેશમાં માત્ર સામાન્ય માણસ જ ટાર્ગેટ કરીને તેમના ધંધા રોજગાર છીનવી લેવાતા હોવાની અનેક વખત સામાન્ય ધંધાર્થીઓએ મનપા સામે આક્રોશ સાથે હૈયાવરાળ ઠાલવી છે. જો કે થોડા સમય પહેલા જ બજાર વિસ્તારમાં દુકાનો બહાર રહેલા થોડાક સામાનને મનપાએ જપ્ત કરી લેતા વેપારીઓ અને મનપાના અધિકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને વેપારીઓએ ચક્કાજામ કરતા કોંગ્રેસ તેમજ ભાજપ અગ્રણી પણ કૂદી પડતા આ આંદોલને રાજકીય રંગ પકડ્યો હતો. વેપારીઓ અને સામાન્ય ધંધાર્થીઓની નારાજગી વચ્ચે પણ મનપાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત દર અઠવાડિયે બજાર વિસ્તારમાં દબાણ દૂર કર્યા હતા. જેમાં તખ્તસિંહજી રોડ તથા પરા બજાર મેઇન રોડને અડચણ રૂપ દબાણો દૂર કર્યા હતા. તેમજ તખ્તસિંહજી રોડ, સુભાષ રોડ અને પરા બજાર મેઇન રોડ ખાતે દુકાનની બહાર સામાન રાખી વેચાણ કરતાં લારી - ગલ્લા અને ફેરી કરતાં લોકોનો સામાન જપ્ત કર્યો હતો.
મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ નવા ભળેલા પંચાયત વિસ્તારમાં તેમજ શહેર નોન ડીપી વિસ્તારમાં પૂર્વ મંજૂરી વિના નિર્માણ પામી રહેલી બહુમાળી ઈમારતો તેમજ ટેનામેન્ટ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. પંચાયત વખતે નિયમ મુજબ બાંધકામ નિર્માણ માટે મંજૂરી ન લેનાર બિલ્ડર સામે કડક એક્શનના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી મનપાની ટીપી શાખાના સર્વેયર દ્વારા અલગ અલગ વિસ્તારમાં સર્વે કરાઇ રહ્યા છે અને જે બાંધકામ નિર્માણ માટે પૂર્વ મંજૂરી લેવાઈ નથી તેવી મિલકત સીલ કરાઇ રહી છે. અગાઉ આવી મિલકતોને બે-ત્રણ નોટીસ ફટકારી બાંધકામ અટકાવી જરૂરી મંજૂરી લગતી વિગત મનપા કચેરીમાં રજૂ કરવા સુચના આપી હતી, પરંતુ આવી મંજૂરીને લગતા પુરાવા રજૂ ન કરી બાંધકામ ચાલુ રાખનાર બિલ્ડર સામે કડક એક્શન લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ચાલુ સપ્તાહે મનપાની ટીમે અગાઉ અમરેલી ગ્રામ પંચાયત હદમાં આવતા રણછોડ નગર વિસ્તાર 10 જેટલા ટેનામેન્ટ અને કેનાલ રોડ પર ઓમ પાર્કમાં નિર્માણધીન ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરાયા છે અને પૂર્વ મંજૂરી વિના નિર્માણ પામી રહેલા આ બાંધકામ અટકાવ્યા હતા. ડીપી પ્લાન તૈયાર નહીં થાય ત્યાં સુધી મંજૂરી નહીંમોરબી મહાપાલિકા બન્યા બાદથી શહેરમાં નવા ભળેલી પંચાયતોમાં હાલ નવા બાંધકામ પ્રોજેક્ટ સાવ ઠપ્પ થઇ ગયા છે જેનું મુખ્ય કારણ મહાનગર પાલિકા દ્વારા નવા વિસ્તારમાં બાંધકામ નિર્માણ માટે અરજી સ્વીકારવાનું બંધ કર્યું તે છે અને તેની પાછળ મોરબીનો વિકાસ નકશો બન્યો નથી અને તેના નિર્માણ માટે 6 મહિના જેટલો સમય લાગશે. બાદમાં તેમાં વાંધા સૂચન આવશે. અંતે ફાયનલ ડીપી પ્લાન મંજૂર થયા પછી જ નવા બિલ્ડીંગને મંજૂરી મળવાની શરુ થશે અને ત્યાં સુધી શહેરના નવા ભળેલા વિસ્તારમાં નવા એક પણ પ્રોજેક્ટ અમલમાં આવી શકશે નહી. આથી કોઇ ધમપછાડા કામ લાગશે નહીં.
આપઘાતનો મામલો આવ્યો સામે:મોરબીના ગેરેજના માલિકે મધુપ્રમેહથી કંટાળી ફાંસો ખાધો
મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-૬ માં આવેલા પોતાના ગેરેજ ખાતે મહેશભાઈ ઠાકરશીભાઈ સનાવડા (ઉ.વ.53 ) નામના યુવાને ફાંસો ખાઈ લીધો હતો.જેથી તેમનું મોત નીપજયુ હતું. પોલીસની તપાસમાં ડાયાબિટીસની બીમારીથી કંટાળી જઈને મહેશભાઈ સનાવડાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું ખુલ્યું હતું. જ્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડી પરશુરામનગર ખાતે રહેતા ઈરફાનભાઇ મહેબુબભાઇ સમા (ઉ.વ.41) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સ્પરકોસ સીરામીક નામના કારખાનામાં પતરા ઉપર ચડીને કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક પતરું તુટવાના કારણે તે 18 થી 20 ફૂટ જેટલી ઊંચાઇ ઉપરથી નીચે પટકયો હતો.આથી આ યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. તેમજ મોરબીના નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની સરપંચે જાણ કરતા ફાયરની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલે ખસેડયો હતો.
મોરબીમાં ખાસ કરીને બાળકો રમતા રમતા ભણે અને ભણતર બોજારૂપ ન બને તે માટે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનો નવતર પ્રયોગ કરાયો હતો. જેમાં મોરબી જિલ્લાના 15 જેટલા તજજ્ઞ શિક્ષકોએ પોતાની આગવી બુદ્ધિ કૌશલ્ય તેમજ કલા અને કોઠાસૂઝથી ભાર વગરના ભણતરની અલગ અલગ શૈક્ષણિક કૃતિઓ રજૂ કરી બાળકોને શિક્ષણમાં આવતા તમામ મુદાઓ નવીન પ્રયોગોથી દર્શાવી મનમાંથી શિક્ષણનો હાઉ કાઢી નાખવા પ્રેરિત કર્યા હતા. શૈક્ષણિક કૃતિઓથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર બાળકો પોતાની રીતે જાતે જ સમગ્ર શૈક્ષણિક માળખાને સમજીને જીવનમાં ઉતારે તેવો સકારાત્મક પ્રયાસ કરાયો હતો. અત્યાર સુધીમાં 500 જેટલા શિક્ષકોએ આ મેળાની મુલાકાત લીધા બાદ તેમાંથી શ્રેષ્ઠ પાંચ કૃતિઓની પસંદગી રાજ્ય કક્ષા માટે કરવામાં આવશે. વાંકાનેરની દિગ્વિજયનગર પ્રાથમિક શાળાના શિક્ષક ધ્રુવગીરી ગોસ્વામીએ મારે સ્વતંત્ર લેખન કરવું એ વિષય પર પોતાનું ઇનોવેશન રજૂ કરી ધો.6 થી 8 ના બાળકો નિબંધ કે વાર્તા લેખનમાં મુશ્કેલી પડતી હોવાથી તેના ઉકેલ માટે તેમણે બાળકોને પહેલા મુક્ત મને ચિત્ર દોરવા પ્રોત્સાહિત કરતા મનમાં દ્રશ્ય કલ્પના શક્તિ વધી અને ચિત્રોના આધારે બાળકોએ મૌલિક લેખન શરૂ કર્યું હતું. વાંચનમાં કચાશ ધરાવતા બાળકો માટે શિક્ષકોએ ખાસ તૈયાર કરી સાયરનસાર્વજનિક પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રિયંકાબેન ગોધાસરાએ સામાજિક વિજ્ઞાન જેવા વિષયને રસપ્રદ બનાવવા ''લર્નિંગ મેચિંગ મ્યુઝિક ગેમ'' બનાવી વાંચનમાં કચાશ ધરાવતા બાળકો માટે આ એક ગેમમાં સાચા જવાબ પર સ્પર્શથી સાયરન વાગે જેથી બાળકો રમતા-રમતા દેશના રાષ્ટ્રપતિ કે મંત્રીઓના નામ જેવી સામાન્ય જ્ઞાનની માહિતી યાદ રાખી શકે છે. હરબટિયાળીના શિક્ષિકા ગીતાબેન સંખલાએ ''નિપુણ ભારત''ના લક્ષ્યોને સિદ્ધ કરવા ''શૂટ એન્ડ વિન'' નામનું સાધન વિકસાવ્યું છે.
પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ:વીજ ચેકીંગ દરમિયાન 87 જોડાણોમાં ચોરી ઝડપાઈ, રૂ. 38.68 લાખનો દંડ વસુલાયો
ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પીજીવીસીએલ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ચીફ ઈજનેર પી.જે.મેહતાની સુચનાથી સુરેન્દ્રનગર અધિક્ષક ઇજનેર એન.એન.અમીનના માર્ગદર્શન હેઠળ તા.30ને શુક્રવારે કાર્યવાહી કરવામાં આવી હતી. પીજીવીસીએલની 38 ટીમો સાથે સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના વઢવાણ, થાન, દાનાવાડા, ગોદાવરી, કટુડા, કેસરિયા, ખમીસણા, કુંતલપુર, પેઢડા સહિતના ગામોમાં વીજ ચેકીંગ કરી હતી જેમાં 87 જોડાણોમાં ચોરી ઝડપાઈ હતી, જેનો 8.68 લાખનો દંડ વસુલાયો હતો. જિલ્લામાં 1 વર્ષમાં 20.01 કરોડની વીજચોરીપકડાઈ, 3 વર્ષમાં 14914 કેસ દાખલજિલ્લામાં 1 વર્ષમાં કુલ 38,494 વીજકનેકશનોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 5625 વીજજોડાણોમાંથી કુલ રૂ. 20.01 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે સુરેન્દ્રનગર જી.યુ.વી.એન.એલ. (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ) પોલીસ સ્ટેશનમાં વીજચોરીના 2023થી તા. 24 ડિસેમ્બર-2025 એટલે ત્રણ વર્ષમાં કુલ 14,914 જેટલા ગંભીર કેસો નોંધાયા છે. આ કેસો પૈકી, 11,661 કેસો હાલમાં પેન્ડિંગ છે. જ્યારે 3,253 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રસ્તા ઉપર 2-2 ફૂટના ખાડા પડ્યા:સુરેન્દ્રનગર-વઢવાણ GIDCના બિસમાર રસ્તાથી લોકો પરેશાન
સુરેન્દ્રનગરમાં આવેલી વઢવાણ જીઆઇડીસીમા સ્પેરપાર્ટ, ચશ્મા, દવા, બેરીંગ, નોટબોલ, સહિતના નાના મોટા કારખાનાઓ આવેલા છે. જેમાં બ્રાસ, ફાર્મા અને બેરીંગના સ્પાર્ટ તો એક્ષપોર્ટ કરવામાં આવે છે. પરંતુ જીઆઇડીસીના રસ્તાઓ ઉપર બે બે ફુટના ખાડા જોવા મળે છે. રસ્તાની બાજુએ નજર કરો તો ગંદકીના ઢગલા પડેલા દેખાશે. કેટલાક કારખાનામાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. આથી દર મહિને કારખાનાના માલિકો પાણી માટે પૈસા ખર્ચી રહ્યા છે. મેડિકલ હોલ, ડી.માર્ટ ચોકડીથી અંદરનો રસ્તો, રીમટેક્ષ રોડ, મૂળચંદ રોડ ખરાબ છે. જીઆઇડીસીમાં દરરોજના અંદાજે પાંચ હજારથી વધુ નાના મોટા વાહનો આવે છે.જેમને રસ્તા ઉપરથી પસાર થવુ મુશ્કેલ બની જાય છે. તેમાં પણ ભારે વજન ભરેલા વાહનોને અવાર નવાર નુકસાન થાય છે. જીઆઇડીસી અંદાજે 156 હેકટર જમીનમાં ફેલાયેલી છે. તેમાં નાના મોટા ઉદ્યોગ આવેલા છે. જયા જવા આવવા માટેના નાના મોટા ભાગના રસ્તા વર્ષો પહેલા બનાવવામાં આવ્યા છે. પરંતુ વર્તમાન સમયે રસ્તા બિસ્માર હાલતમાં છે.
લોકોના બજેટ ખોરવાયા:સીંગતેલમાં રૂ. 20, કપાસીયામાં રૂ. 10નોભાવ વધારો
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખાદ્યતેલમાં સતત ભાવ વધારો થતા લોકોના બજેટ ખોરવાઇ રહ્યા છે. હાલ એક માસના ગાળામાં સીંગતેલના 20 કપાસીયાના ભાવમાં 10 રૂપીયાનો વધારો થયો છે. સુરેન્દ્રનગરમાં મહિને અંદાજે 25000થી વધુ ડબ્બા વેચાણ થતુ હોવાથી ભાવ વધારાને લઇ લોકો માથે મહિને 7.50 લાખનુ ભારણ વધે તેમ છે. ઝાલાવાડમાં લોકોના ખોરાકમાં સીંગતેલ અને કપાસીયા તેલનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવતો હોય છે.ત્યારે હાલ છેલ્લા ચાર માસમાં દિવસના ગાળામાં તેલના ભાવોમાં સતત વધારો થતા સતત વધતા તેલના ભાવ લોકોનું તેલ કાઢી રહ્યા છે. જેમાં ગત ચોમાસામાં પાછોતરો વરસાદ વરસાદથી પાક બગડવાથી માલની આવક ઓછી હોવાને લઇ ભાવમાં ડબ્બે ડિસેમ્બરમાં રૂપિયા 40નો વધારો થયાની શ્યાહી સુકાઇ નથી ત્યાં સીંગતેલના ભાવમાં રૂ.20 ભાવ વધી જે 2885થી 2935 અને કપાસીયા તેલમાં 10 વધી 2340થી2380 થયા આથી લોકો કયુ તેલ ઉપયોગમાં લેવુ તેની મુંજવણમાં મુકાયા છે. હાલ જિલ્લામાં દરરોજના તેલના અંદાજે મહિને 25000થી વધ સીંગતેલના ડબ્બાનું વેચાણ થતુ હોય છે.જેમાં ભાવ વધારાના કારણે લોકોને મહિને 7,50,000નો આર્થિક બોજાનો સામનો કરવો પડી શકે તેમ છે.જ્યારે તાજેતરમાં પડેલા ભારે વરસાદમાં રોગચાળામાં મગફળીના પાકને અસરથતા મગફળીના તેલના ભાવ વધી રહ્યા છે. આ અંગે વેપારી પીન્ટુભાઇ સુરાણીએ જણાવ્યુકે કપાસ મગફળી પાક બગડતા હાલ માલ ઓછો આવી રહ્યો છે લ 40 રૂપીયા જેટલો વધારો છે જે માલની આવક ચાલુ થશે તેમ ભાવ ઘટી શકે છે. 4 માસમાં 4 વાર ભાવ વધ્યાસપ્ટેબરમાસમાં 30 નો ભાવ વધારો થયો હતો, ઓક્ટોબર માસમાં 40 રૂપીયા વધ્યા હતા જ્યારે ડિસેમ્બરમાં ફરી ભાવ વધારો થતા 40 રૂપીયા વધારો થઇ ગયો છે. જાન્યુઆરીમાં 20 આમ 130 રૂપીયા ભાવ વધી ગયો છે. ડિસ્કોતેલનું વેચાણ ન થાય તે તપાસવું જરૂરીહાલ બજારમાં વધતા ભાવે તેલની સોર્ટેજ બતાવી માર્કેટમાં વધુ ભાવો લેવાય તેવી શક્યતાઓની રાવ ઉઠી છે.ત્યારે સસ્તા ભાવે તેલ વેચાણ કરવાના બહાને ડિસ્કોતેલના પણ વેચાણ થવાનો લોકો ભય વ્યક્ત કરી રહ્યા છે. લોકોના સ્વાસ્થયની સુરક્ષા માટે ખાદ્ય વિભાગ દ્વારા આ અંગે નિયમિત તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિશે હતા. તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પાસેથી હિન્દુ ધર્મનો પુરાવો માંગ્યો હતો. બીજા મોટો સમાચાર ચાંદી-સોનાના ભાવમાં ઘટાડાના રહ્યા⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ભાજપના કાર્યકરો સાથે બેઠક કરશે. કાલના મોટા સમાચારો 1. અવિમુક્તેશ્વરાનંદે કહ્યું-યોગી 40 દિવસમાં હિન્દુ હોવાનો પુરાવો આપે:ગાયને ગૌમાતા જાહેર કરે, નહીં તો અમે માનીશું કે ફક્ત દેખાડા માટે ભગવો પહેર્યો પ્રયાગરાજ માઘ મેળો છોડ્યા પછી શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરકાર પર તીવ્ર હુમલા કરી રહ્યા છે. તેમણે શુક્રવારે વારાણસીમાં પ્રેસ-કોન્ફરન્સ કરીને કહ્યું હતું, મારી પાસેથી શંકરાચાર્ય હોવાનું પ્રમાણપત્ર માગવામાં આવ્યું. મેં એ આપી દીધું. મારા પુરાવા સાચા હતા, તેથી તેમને માનવું પડ્યું. હવે પુરાવા માગવાનો સમય વીતી ગયો છે. હવે મુખ્યમંત્રીએ પોતાના હિંદુ હોવાનો પુરાવો આપવો જોઈએ. તેમણે કહ્યું- અમે તમને 40 દિવસનો સમય આપી રહ્યા છીએ. આ દિવસોમાં તમે ગોભક્ત હોવાનો પુરાવો આપો. જો પુરાવો આપી શકતા નથી, તો સમજાશે કે તમે નકલી હિંદુ, કાલનેમિ, પાખંડી અને ઢોંગી છો. ફક્ત દેખાડા માટે તમે ભગવા વસ્ત્રો ધારણ કર્યાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. અજિત પવારના પત્ની મહારાષ્ટ્રના ડેપ્યુટી-CM બનવા રાજી: આજે સાંજે 5 વાગ્યે શપથ ગ્રહણની શક્યતા; NCP નેતા ફડણવીસને મળ્યા, 'દાદા'ના વિભાગો માંગ્યા અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવા માટે સંમત થયા છે. સૂત્રો અનુસાર શનિવારે NCP ધારાસભ્ય દળની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવશે. તેમનો શપથગ્રહણ સાંજે 5 વાગ્યે થવાની શક્યતા છે. વિમાન દુર્ઘટનામાં અજિત પવારના મૃત્યુ બાદ નાયબ મુખ્યમંત્રી પદ ખાલી પડ્યું છે. અજિત પાસે નાણાં, આબકારી અને રમતગમત વિભાગો તેમજ નાયબ મુખ્યમંત્રી પદ હતું. સૂત્રો અનુસાર નાણાં મંત્રાલય મુખ્યમંત્રી ફડણવીસ પાસે રહી શકે છે. તેમણે નાયબ મુખ્યમંત્રી, નાણાં વિભાગ સહિતના વિભાગો અંગે શુક્રવારે વર્ષા બંગલો નિવાસસ્થાને ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને સુનીલ તટકરે બેઠકમાં હાજરી આપી હતી. બેઠક અડધો કલાક ચાલી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. બાંગ્લાદેશે ભારત પાસેથી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છીનવી લીધો:જમીન ચીનને ડ્રોન ફેક્ટરી બનાવવા માટે આપી, 20 ફાઇટર જેટની ડીલ કરી બાંગ્લાદેશની યુનુસ સરકારનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું છે. ચટગાંવમાં ભારતને આપવામાં આવેલ સેઝ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ની જમીન ફાળવણી રદ કરવામાં આવી છે. લગભગ 850 એકરમાં હવે બાંગ્લાદેશ ચીનનો ડ્રોન પ્લાન્ટ બનાવી રહ્યું છે. વર્ષના અંત સુધીમાં અહીં ઉત્પાદન પણ શરૂ થઈ જશે. અહીં મધ્યમ રેન્જ અને વર્ટિકલ લિફ્ટવાળા ડ્રોન બનશે. ચટગાંવ પ્લાન્ટ ભારતીય સરહદથી 100 કિમી દૂર છે. બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારત-પાક પછી ડ્રોન બનાવનાર ત્રીજો દેશ બની જશે. બાંગ્લાદેશી વાયુસેનાએ ચીનની સરકારી કંપની ચાઇના ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી ગ્રુપ કોર્પોરેશન ઇન્ટરનેશનલ (CETC) સાથે મંગળવારે એક મોટી ડીલ સાઇન કરી. આ ડીલ સરકારથી સરકારના માળખામાં થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સુપ્રીમ કોર્ટે કહ્યું- સ્કૂલમાં છોકરીઓને મફતમાં સેનેટરી પેડ મળે:છોકરા-છોકરીઓ માટે અલગ ટોયલેટ હોવા જોઈએ, આદેશ ન માનવા પર શાળાની માન્યતા રદ થશે સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશની તમામ ખાનગી અને સરકારી શાળાઓને નિર્દેશ આપ્યો કે દરેક શાળામાં છોકરીઓને મફતમાં સેનેટરી પેડ્સનું વિતરણ કરવું ફરજિયાત રહેશે. છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ વોશરૂમ બનાવવા પડશે. જે શાળાઓ આમ નહીં કરી શકે તેમની માન્યતા રદ કરવામાં આવશે. આ સાથે જ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે દરેક શાળામાં દિવ્યાંગ-અનુકૂળ (ડિસેબલ-ફ્રેન્ડલી) શૌચાલય બનાવવામાં આવે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ધોરણ 6 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓ માટે સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં કેન્દ્ર સરકારની મેન્સ્ટ્રુઅલ હાઈજીન પોલિસીને સમગ્ર ભારતમાં લાગુ કરવા પર આ આદેશ સંભળાવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચાંદી ક્રેશ થઈ, એક ઝાટકે રૂ. 1 લાખથી વધુનો કડાકો:સોનું 20 હજાર રૂપિયા સસ્તું, 1.49 લાખ રૂપિયા પર આવ્યું; કારણ પ્રોફિટ બુકિંગ ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં 30 જાન્યુઆરી (શુક્રવાર)ના રોજ ઘટાડો જોવા મળ્યો. કારોબાર સમાપ્ત થવા સુધી પ્રોફિટ બુકિંગના કારણે MCX પર ચાંદી 1,06,092 રૂપિયા (26.53%) ઘટી ગઈ. 1 કિલો ચાંદીનો ભાવ 2,93,801 રૂપિયા પર આવી ગયો. ગયા કારોબારી સત્રમાં ચાંદીનો ભાવ 3,99,893 રૂપિયા પહોંચી ગયો હતો. જ્યારે MCX પર સોનામાં 20,323 રૂપિયા (12%)નો ઘટાડો રહ્યો. 10 ગ્રામ સોનું 1,49,080 રૂપિયા પર આવી ગયું. ગત કારોબારી સેશનમાં સોનું 1,69,403 રૂપિયા પર હતું. આ ઉપરાંત સોના અને ચાંદીના ETFમાં શુક્રવારે 23% સુધીનો ઘટાડો નોંધાયો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ભારે પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી:રાજ્યમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ઊંચકાયો; બે દિવસ બાદ ફરી ઠંડીમાં વધારો થશે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે હાલ અનુભવાતી ઠંડીમાં આંશિક રાહત મળશે. જો કે, આ રાહત લાંબા સમય સુધી ટકશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. પરિણામે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે. જોકે શીતલહેર જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની શક્યતા નથી. આ પછી ફરી તાપમાનમાં થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 8 ફૂટ ઊપરથી કાર પુલ નીચે ખાબકી, ત્રણનાં મોત:નીચે પડતાં જ આગના ગોળામાં ફેરવાઈ; દરવાજા જામ થતાં છોટા ઉદેપુરના 2 મહિલા સહિત 3 શિક્ષક ભુંજાયા, ગોંડલ હાઈવે પર અકસ્માત રાજકોટ જિલ્લાના ગોંડલ-આટકોટ હાઈવે પર 30 જાન્યુઆરી વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે એક હ્યુન્ડાઈ 'ઓરા' કાર પુલ નીચે ખાબક્યા બાદ એમાં લાગેલી ભીષણ આગમાં બે મહિલા સહિત 3 શિક્ષક જીવતા ભુંજાયાં છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બચવાની એક તક પણ મળી ન હતી. વહેલી સવારે પોણા છ વાગ્યાની આસપાસ સાણથલી 108 એમ્બ્યુલન્સને અકસ્માતનો કોલ મળ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, છોટાઉદેપુરથી ગોંડલ તરફ પૂરઝડપે જઈ રહેલી ઓરા કાર (નં.GJ 34 N 0962)ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પરથી નીચે ઊતરી 8 ફૂટની ઊંચાઈએથી પુલ નીચે ઊંધી ખાબકી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અજિત પવારે કહ્યું હતું- નિયતિ બોલાવે તો જવું જ પડે:5 દિવસ પછી પ્લેન ક્રેશમાં મોત; બારામતીના કાન્હેરીની સભાનો વીડિયો વાઇરલ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકામાં સસ્તી દવાઓ માટે ટ્રમ્પ વેબસાઇટ લોન્ચ કરશે:800% સુધી ખર્ચ ઘટશે; 16 કંપનીઓ સાથે કરાર, બદલામાં 3 વર્ષની ટેરિફ છૂટ આપી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બેંગ્લુરૂમાં ખૂંખાર કૂતરાએ મહિલાનો ચહેરો ચીરી નાખ્યો:50 ટાંકા લેવા પડ્યા; બચાવવા પડેલા યુવકને હાથ પકડીને ઢસડ્યો, માલિકના હાથમાંથી ચેઈન છોડાવીને ભૂરાયો થયો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે ઇન્ટીરિયર સેક્રેટરીની પત્ની સાથે જાહેરમાં ફ્લર્ટ કર્યું, VIDEO:પતિની સામે જ કહ્યું, તમે ખૂબ જ સુંદર છો, તમને ઘોડેસવારી કરતાં જોઈને જ તમારા પતિને મેં નોકરીએ રાખ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : બજેટમાં અપેક્ષાઓ: 300 નવી ટ્રેન મળવાની શક્યતા:13 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ-ફ્રી થઈ શકે; બજેટમાં 5 મોટી જાહેરાતો થઈ શકે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : જૂનાગઢની 14 વર્ષની દીકરીએ ઓસ્ટ્રેલિયામાં ભારતનો ડંકો વગાડ્યો:જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીત્યું; આ ખિતાબ જીતનાર પહેલી ભારતીય પ્લેયર બની વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : હનુમાનજીએ મૈનાક પર્વત પર આરામ કેમ ન કર્યો?:રામાયણનો બોધ- જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય છે, ત્યારે કોઈ પણ આકર્ષણ આપણને રોકી શકતું નથી વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ હાર્ટ એટેક પહેલા ચિપ એલર્ટ આપશે દિલ્હીની મિરાન્ડા હાઉસ કોલેજે DRDO સાથે મળીને એક એવી ચિપ બનાવી છે, જે સૈનિકોને હાર્ટ એટેકની વોર્નિંગ આપશે. આ ચિપનું નામ BioFET છે. તે શૂન્ય ડિગ્રીથી નીચેના તાપમાનમાં ફરજ બજાવી રહેલા સૈનિકો માટે મદદરૂપ થશે, જ્યાં લોહી ગંઠાઈ જવાનું જોખમ સૌથી વધુ હોય છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: ટ્રમ્પને 10 દિવસમાં 6 મોટા ઝટકા લાગ્યા, તમામ દાવ કેવી રીતે ઊંધા પડી રહ્યા છે; અમેરિકાએ કેટલું નુકસાન વેઠવું પડશે? 2. ડિજિટલ ડાકુ-5 73 વર્ષના વૃદ્ધે 3 કલાકમાં સવા કરોડ ભેગા કર્યા: શિવરાજે 13 તારીખે ખાતું ખોલાવ્યું અને 14મીએ ખાતામાં સવા કરોડ આવ્યા! ચીની ગેંગનો ખેલ થઈ ગયો 3. ફિલ્મી ફેમિલી : દિલીપ કુમારે બદલો લેવા સુરૈયાનું બ્લાઉઝ ફાડી નાખ્યું!: હિન્દુ યુવકના પ્રેમમાં પડી તો પરિવારે વિરોધ કર્યો, અંતિમ સમયે લોહાણા પરિવાર સાથે રહી, ભેદી સંજોગોમાં મોત થયું! 4. એક્સક્લૂસિવ : જયરાજની ધરપકડ પછી બાલધિયા એકલા પડ્યા!: કોળી સંમેલનથી હીરા સોલંકી અજાણ; નવનીતે કહ્યું, સમય હશે એ આવશે, માયાભાઈએ કર્યા હતા સમાધાનના પ્રયાસ 5. મોરબીના ઘડિયાળ ઉદ્યોગનો સમય કેમ થંભી ગયો?: 8 દાયકા સુધી જેનો એક્કો હતો તે આજે ખતમ થવાને આરે, વેપારીઓએ કહ્યું, હવે પીક ટાઇમ પૂરો થઇ ગયો 6. ભાસ્કર એક્સપ્લેનર : ભારત-EUની ડીલથી અમેરિકા આટલું કેમ ભડક્યું છે?: મંત્રીએ કહ્યું, આમાં ભારતને વધુ ફાયદો; શું ટ્રમ્પનો ટેરિફ બેઅસર થશે? 7. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : 'નીરજની હત્યા કરી, છરીના જોરે લાશ સામે મારો રેપ કર્યો': બોયફ્રેન્ડથી હિરોઇનની બેવફાઈ સહન ન થઈ, કાસ્ટિંગ ડિરેક્ટરના 300 ટુકડા કરી જંગલમાં સળગાવ્યા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મેષ-કર્ક રાશિના લોકોને રોકાણમાં એકના ડબલ થશે, સિંહ-કન્યા રાશિના જાતકો નવા ધંધાના શ્રીગણેશ કરી શકે છે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
108ની ટીમની સરાહનીય કામગીરી:પરનાળા ગામની સગર્ભાની પાણશીણાની 108 ટીમે સફળ ડિલિવરી કરાવી
પરનાળા ગામના 29 વર્ષિય મુક્તાબેનને પ્રસુતિની પીડા ઉપડી હતી. જેથી તેમના પરિવારના સભ્યોએ 108 ટીમને જાણ કરતા પાણશીણા 108ના ઈએમટી કિશનભાઈ ભડિયાદરા અને પાયલોટ નિર્મળસિંહ ઝાલા પરનાળા ગામે આવ્યા હતા. સગર્ભાને લઈને લીંબડી સરકારી હોસ્પિટલે આવી રહ્યા હતા ત્યારે ચોરણિયા ગામ નજીક સગર્ભાને પ્રસૃતિની પીડા ઉપડતા 108ની ટીમે રસ્તા ઉપર મુક્તાબેનની સફળ ડિલિવરી કરાવી હતી. જન્મ બાદ માતા અને બાળકની તબિયત સ્વસ્થ છે.
મનપા એક્શન મોડમાં:567 વેરા બાકીદારોને 31મી માર્ચ સુધીની મુદતરૂ. 97.98 લાખ વસુલવા મનપાએ કમર કસી
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા હાલ લોકોપાસે બાકી કરવેરા ઉઘરાવવાની કાર્યવાહી હાથ રવામાં આવી છે.ત્યારે હાલ ચાલુ નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ તા.31 માર્ચ છે. મનપા દ્વારા શહેરના કરદાતાઓ 567 લોકોને એક કડક જાહેર નોટિસ જારી કરવામાં આવી છે. 567 નોટીસ ઇસ્યુ કરાઇ છે તેમાં 29,95,646 રકમ ભરપાઇ થઇ અને 97,98,606 ભરપાઇ કરવાની બાકી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે, બાકી રહેલા મિલકત વેરો, નળ વેરો તથા વ્યવસાય વેરાની રકમ આગામી 31 જાન્યુઆરી 2026 સુધીમાં ભરપાઈ કરવાની રહેશે. આ મુદતમાં વેરો ભરનાર નાગરિકો પર વ્યાજની રકમ લાગુ કરવામાં આવશે નહીં.જો નિયત સમયમર્યાદામાં વેરો ભરવામાં નહીં આવે, તો કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મારા કામની વાત 4 સ્થળોએ કચેરી કાર્યરત, ઓનલાઇન વ્યવસ્થા શરૂમહાનગરપાલિકાના નાગરિકો બાકી મિલકત વેરો, નળ વેરો અને વ્યવસાય વેરો ભરપાઈ કરવા માટે (1.) ઉત્તર ઝોન કચેરી, મેઘાણીબાગ રોડ, પાણીની ટીંકી પાસે, સ્નાનાગાર , (2.) દક્ષિણ ઝોન કચેરી, ફાયર સ્ટેશન સામે, સ્વામિનારાયણ મંદીર પાસે, વઢવાણ, (3.) મુખ્ય કચેરી, જૂની નગરપાલિકા બિલ્ડીંગ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને (4.) લાઈબ્રેરી - જોરાવરનગર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતેથી ભરપાઈ કરી શકશે. નાગરિકો https://app.snmcguja rat.com વેબસાઈટ પરથી સરળતાથી ઓનલાઈન વેરો ભરપાઈ કરી શકશે. વેરો ભરપાઈ કરતી વખતે નાગરિકોએ ચાલુ વર્ષનું બીલ, અગાઉ ભરેલા બીલની પહોંચ અથવા જૂનું બીલ સાથે રાખવાનું રહેશે.
આદિવાસી સમાજના અગ્રણીઓનું કલેક્ટરને આવેદનપત્ર:સ્પર્ધાત્મક પરીક્ષામાં લઘુત્તમ લાયકાત ધોરણ 40% રદ કરો
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ અન્વયે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેને અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજ સહિત અન્ય સમાજ દ્વારા બંધારણ વિરોધી અનામત નીતિ વિરોધી બંધારણીય જોગવાઈઓ વિરોધી ગણીને તેનો વિરોધ કરાઇ રહ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ 40 ટકા તાત્કાલિક ધોરણે હટાવવા રદ કરવા બાબતે આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા રાજ્યપાલ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને ઉદ્દેશીને અધિક કલેકટર મકવાણાને આવેદન પત્ર આપ્યું હતું. આદિવાસી સમાજના અગ્રણીઓએ સરપંચ રાહુલકુમાર સુરજીભાઈ ગામેતીની આગેવાની હેઠળ આપેલા આવેદનમાં જણાવ્યું છે કે રાજ્યમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ 60 ટકા 40 ટકા માટે જોગવાઈઓ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. સીસીઇનું નોટિફિકેશન જોગવાઈઓ જેમાં 40 ટકાની જોગવાઈ છે. ઉપરાંત દરેક પેપર પર 40 ટકા લઘુત્તમ લાયકી ધોરણ 40 ટકા ફરજિયાત કરવામાં આવ્યા છે. જેના લીધે આદિવાસી સમાજ હકક અધિકારથી વંચિત રહી જતાં હોવાનું જણાવી સામાન્ય વહીવટ વિભાગની જોગવાઇઓ તા. 18-5-2023 અને તા. 22-1-2026 બંધારણીય જોગવાઈઓ સાથે સુસંગત ન હોવાનો વિરોધ કરાઇ રહ્યો છે. વધુમાં જણાવ્યું છે કે આ 60 ટકા અને 40 ટકા ફરજિયાત લધુત્તમ લાયકી ધોરણના કારણે આદિવાસી સમાજને ખૂબ જ અન્યાય થઇ રહ્યો હોવાથી તાત્કાલિક ધોરણે બંધારણ વિરોધી બંધારણીય જોગવાઈઓ વિરોધીઅનામત નીતિ વિરોધી, 60 ટકા અને 40 ટકા ફરજિયાત તમામ જોગવાઇઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં રજૂઆત કરી હતાી. તાજેતરમાં રાજ્યમાં પોલીસ લોકરક્ષક ભરતીમાં આદિવાસી અનામત સીટો ખાલી રહી હતી. તદુપરાંત સીસીઇ ભરતીમાં ગૃપ A માં આદિવાસી સીટો ખાલી રહી હતી. તેમણે માંગણી કરી છે કે 1301 રેવન્યુ તલાટી ભરતીમાં તાત્કાલિક ધોરણે આદિવાસી ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવે.
અકસ્માતને નોતરું:સલાલ બ્રીજ નીચે ગટરના ખૂલ્લા ઢાંકણાથી લોકોમાં અકસ્માતનો ભય
પ્રાંતિજ પ્રાંતિજની સલાલ ચોકડી ઉપર આવેલ બ્રિજ નીચે ખૂલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાવાનો ભય સેવાઇ રહ્યો છે. સિક્સલેનનું કામ પૂર્ણ થવા પામ્યું છતાં પણ ગટર ઉપર ઢાંકણા મૂકી સુરક્ષિત કરાયા નથી. સલાલ બજારમાં રહેતા અગ્રણીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રોડ નું કામ પૂર્ણ થવા પામ્યું છે. નવા બ્રિજ બનાવવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. પરંતુ ઘણા જ સમયથી બ્રિજ નીચેથી પસાર થતી ગટર લાઈનનું ઢાંકણું બેસાડાયું નથી. પંથકના જનતાની સુખાકારી માટે ગટર ઉપરનું ઢાંકણું લગાવી પેવર રોડ બનાવવા માંગ ઉઠવા પામી છે.
દારૂની હેરાફેરી ઝડપાઈ:ભિલોડાના રામપુરીમાં ગાડીમાંથી 2.60 લાખના દારૂ સાથે ચાલક ઝડપાયો
અરવલ્લી એલસીબીએ ભિલોડાના રામપુરીમાં ગાડીમાંથી 2.60 લાખન દારૂ સાથે શખ્સને ઝડપી દારૂની હેરાફેરી કરનાર 4 વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. એલસીબી સ્ટાફ વાહનોનું ચેકિંગ કરતો હતો. તે દરમ્યાન શામળાજી તરફથી એક નંબર વગરની ગાડી આવતાં જે ગાડીને ઉભી રાખવા પ્રયત્ન કરતાં ચાલકે ઉભી ન રાખી ભગાડી ટીંટીસરથી પાછી વાળી જીવણપુર ત્રણ રસ્તા શામળાજી આશ્રમ, પાલ્લા, ટોરડા થઇ રામપુરી ગામની સીમમાં રોડની નીચે ખેતરમાં ઉતારી દઇ ગાડીનો ચાલક તથા તેની બાજુમાં બેઠેલ બીજો શખ્સ બંને ભાગવા જતાં ગાડીનો ચાલક ડાલુરામ જોધારામ ગંગારામ જાટ રહે.મીરપુરા થાના-કરડા તા. રાણીવાડા જિ.ઝાલોર પકડાઇ ગયો હતો. બીજો શખ્સ નાસી ગયો હતો. પોલીસે ગાડીમાંથી દારૂ કિં.2,60,480, મોબાઇલ તથા ગાડી મળી કુલ કિં.10,70,480નો મુદામાલ કબ્જે કરી એકને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. દારૂની હેરાફેરી કરનાર વોન્ટેડ આરોપીઓ
યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતના શિક્ષણ જગતમાં મોટો ભૂકંપ આવ્યો છે. અંદાજે 700 જેટલી કોલેજો પૈકી 240 જેટલી કોલેજો સરકારની પૂર્વ સૈદ્ધાંતિક મંજૂરી વિના જ વર્ષોથી ધમધમી રહી હોય અંતે આ ગંભીર બેદરકારી સામે યુનિવર્સિટી વહીવટીતંત્રે કડક વલણ અપનાવી વર્ષ 2026-27 માટે આવી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા અટકાવવાનો સત્તાવાર નિર્ણય લીધો છે. કુલપતિએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, જો સરકારની પૂર્વે મંજૂરી વગર કોલેજોએ પ્રવેશ આપ્યો તો પ્રવેશ અમાન્ય ગણાશે અને તેની જવાબદારી કોલેજની રહેશે.આ વલણને લઇ કોલેજ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને તાત્કાલિક મંજૂરી મેળવવા માટે દોડધામ શરૂ થઈ ગઈ છે. આ મામલે કુલપતિ ડૉ. કે. સી. પોરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણના નામે ચાલતી આવી મનસ્વીતા હવે નહીં ચલાવી લેવાય. વર્ષ 2025-26માં અમે સરકારના માર્ગદર્શન મુજબ એક વર્ષની મુદત આપી હતી, પરંતુ હજુ સુધી અનેક કોલેજોએ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આ વર્ષે મંજૂરી વગર કોઈ પણ કોલેજ ઓનલાઇન જીકાસ (GCAS) પોર્ટલમાં ભાગ લઈ શકશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા 241 પૈકી 90 ટકા કોલેજોની ફાઈલો સરકારમાં મોકલાવી દેવાઇ છે. પરંતુ ઓનલાઇનમાં અત્યાર સુધી માત્ર એક જ કોલેજને મંજૂરી મળી છે. જો એપ્રિલ અને જુલાઈના પ્રવેશ પ્રકિયા પહેલા મંજૂરી નહીં મળે, તો આ કોલેજોમાં નવા વિદ્યાર્થીઓ પ્રવેશ ફાળવણી થઈ શકશે નહીં. દરેક કોલેજોને ઝડપથી પૂર્વ સૈદ્ધાંતિક મંજૂરી મેળવી લેવા માટે સૂચનાત્મક નોટિસ ફટકારાઇ છે.઼ કોલેજોએ સૈદ્ધાંતિક મંજૂરી માટે પ્રક્રિયા કરી પણસરકાર ઝડપી મંજૂરી આપતી નથી : સંચાલકોકોલેજના સંચાલકોએ જણાવ્યું હતું કે બધી જ કોલેજો ખોટી નથી તેમાં ગ્રાન્ટેડ અને સારા પ્રશ્નોની કોલેજો પણ છે. અમે સૈદ્ધાંતિક મંજૂરી માટેની પ્રક્રિયા કરીને ફાઈલ સરકારમાં મોકલી આપેલી છે. યુનિ.દ્વારા પણ કોલેજોની ફાઇલો મંજૂરી પ્રક્રિયા કરેલ છે. પરંતુ સરકાર તરફથી જ મંજૂરી મળવામાં વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને તમામ સંચાલકો અને કોલેજે સાથે મળી ઝડપથી સારી અને સાચી કોલેજોને સરકાર તરફથી મંજૂરી મળે માટે પ્રયાસ કરીશું. 4 વર્ષમાં નિયમ નેવે મૂકી આડેધડ મંજૂર થયેલ 270 પૈકી અનેક કોલેજોને તાળાં લાગશે યુનિવર્સિટીમાં વર્ષ 2018-22 વચ્ચે પાયાની સુવિધાઓ એટલે જમીન, મકાન અને સ્ટાફ જેવી મહત્વની સુવિધાઓ વગર જ 270 થી વધુ કોલેજોને માત્ર આડેધડ શરતી મંજૂરી આપી દેવાઇ હતી. અગાઉના શાસકોની રહેમનજર હેઠળ માત્ર કાગળ પરની શરતોને આધારે ધમધમતી આ સંસ્થાઓ હવે નવા કોમન એક્ટ અને ઓનલાઇન પ્રક્રિયાને કારણે ભરાઈ પડી છે. સરકારની (પૂર્વ મંજૂરી) વગર ચાલતા આ વહીવટો પર હવે બ્રેક લાગી છે. UGCના કડક નિયમોનું પાલન ન કરી શકતી અનેક કોલેજો સૈદ્ધાંતિક મંજૂરી મેળવી ના શકતા હવે જે પૈકી મોટા ભાગને તાળાં લાગે તેવી સર્જાઈ છે. કોલેજો બંધ થાય તો પણ અભ્યાસ કરતાંજૂના વિદ્યાર્થીઓને કોઇ અસર થશે નહીંયુનિવર્સિટી સંલગ્ન મંજૂરી વગર કોલેજો હાલમાં શરતી મંજૂરીથી ચાલી રહી છે જેથી તેનું યુનિવર્સિટી સાથે જોડાણ છે. જો સરકાર મંજૂરી નથી આપતી તો યુનિવર્સિટી દ્વારા ક્રમશઃ ડી એફિલેશન નિયમ મુજબ કોલેજ બંધ કરવાની પ્રક્રિયા કરશે. જેમાં હાલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના બાકી રહેલા અભ્યાસ જે તે કોલેજમાં જ પૂર્ણ થશે અને તેમની પરીક્ષા યુનિવર્સિટી લઈને માર્કશીટ અને ડિગ્રી પણ આપશે જેથી જૂના અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ અસર થશે નહીં.
સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયાદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લિખિત શિક્ષાપત્રી ઉપર યુવાપેઢી સમજી શકે તે માટે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી દ્વારા તૈયાર કરાયેલ શિક્ષાપત્રી મંથન ગ્રંથનું પ્રકાશન કરાયું હતું. આ ગ્રંથને ગુજરાતના સી.એમ.થી માંડીને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધીના સૌ રાજકીય મહાનુભાવોએ શબ્દોથી વધાવ્યો છે. બી.એ.પી.એસ. સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજ તથા અનેક મહામંડલેશ્વરો, સાહિત્યકારો, કાશી અને જગન્નાથપુરીના વિદ્વાનોએ પણ આ ગ્રંથ ઉપર પ્રશંસાનાં પુષ્પોથી અભિષેક કર્યો છે એવો આ શિક્ષાપત્રી મંથન ગ્રંથ અદ્ભુત છે. ગ્રંથ અંગે સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું કે, શિક્ષાપત્રી ગ્રંથમાંથી અમોએ આ ગ્રંથમાં અલગ અલગ 25 વિષયોના વિભાગો પાડ્યા છે. જેથી વાંચકને તે સમજવામાં સાનુકૂળતા વિશેષ રહે. આ દરેક વિભાગના ચિત્રો પણ બનાવ્યા છે. જેથી સમજવામાં સરળતા રહે અને દરેક વિષયની અંદર હિન્દુ ધર્મના ગ્રંથોના આધારભૂત અંશો પણ રજૂ કર્યા છે. સાથે સાથે મહાપુરુષોના જીવનના અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોના પ્રેરણાદાયી પ્રસંગો આલેખાયેલા છે. જેથી વાચકને તરત જ યાદ રહી જાય. અને શિક્ષાપત્રીનું ગૂઢ જ્ઞાન પણ સરળ રીતે સમજી શકાય. શિક્ષાપત્રી મંથન ગ્રંથમાં નૈતિક સદાચાર, ધર્મ-આચરણ, સત્સંગીના નિત્ય કરવાના કર્મ, વ્યવહારિક નીતિ, સામાજિક - વ્યવસાયિક નીતિ, ગૃહસ્થોએ રાખવાની મર્યાદા, વ્યસન મુક્તિ, આહાર શુદ્ધિ, અહિંસા ધર્મ, જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ , જીવ-માયા-ઈશ્વર, સત્સંગી - સાધુ - સ્ત્રીઓ, બ્રહ્મચારી આદિના ધર્મો એવા 25 પ્રકરણો પાડવામાં આવેલા છે. ગ્રંથોના મહાત્મ્ય અંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, શાસ્ત્રો એટલે જ્ઞાનની હોમડિલિવરી. શાસ્ત્રો એ ઘરબેઠાં ગંગાનુ કાર્ય કરે છે. આજના યુવાનોને જેટલો ફેસબુકમાં રસ છે, એટલો ધાર્મિક ગ્રંથોમાં રસ કેળવે તો એમનું જીવન ઉન્નત બની જાય. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પુસ્તકો-ગ્રંથો આવશ્યક છે. ગાંધીજી નિત્ય ગીતા વાંચતા હતા. તેઓ કહેતા હતા કે, હું જ્યારે જ્યારે મુશ્કેલીમાં મૂકાઉં ત્યારે ગીતા લઈને બેસું તો મને તેમાંથી સાચો માર્ગ મળી જતો. તેથી જીવનમાં શાસ્ત્રો નિત્ય વાંચવા જોઇએ.
અકસ્માતની દહેશત સર્જાઈ:હિંમતનગરના સવગઢમાં મોબાઈલ ટાવર કેબલ નાખવા રસ્તા તોડી પાડતાં હાલાકી
હિંમતનગરના સવગઢમાં નવેમ્બર માસમાં ખાનગી મોબાઇલ કંપનીએ ટાવર ઊભું કરવા અને કેબલ લાઈન નાખવા પંચાયતને 2.28 લાખનો ચેક એડવાન્સ પેટે આપી 5 થી વધુ શેરીઓના રોડ-રસ્તા ઉપર ખોદકામ કર્યા બાદ સમારકામ માટે પંચાયત કે મોબાઈલ ટાવરના સંચાલકો ફરકતા નથી. સાથે સાથે ઉબડ ખાબડ તોડી પાડેલ રસ્તા પરથી પસાર થતાં સ્થાનિક રહીશો, સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને વાહન ચાલકોને અકસ્માતની દહેશત અનુભવી રહ્યા છે.
ગ્રામજનો થયા ભયભીત:મોડાસાના શામપુરમાં ડુંગરમાં થતાં ધડાકાના ભયંકર અવાજથી ગ્રામજનોમાં ભયનો માહોલ
મોડાસાના શામપુરની સીમમાં આવેલા ડુંગર ઉપર થતાં ખનન દરમિયાન ધડાકા કરાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. શનિવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નાના બાળકો પણ મમ્મી બીક લાગે છે મમ્મી બીક લાગે છે ની બૂમો પાડતાં સંભળાઈ રહ્યા છે. ગામની સીમમાં છેલ્લા કેટલાય સમયથી વિવાદાસ્પદ રહેલા ખનન અંગે અગાઉ ગ્રામજએ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતો કરી છે. શામપુર ગામના ડુંગર ઉપર ખનીજ માફિયા દ્વારા ગેરકાયદે ધડાકા કરાતાં હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોનું કહેવું છે કે ખનન દરમિયાન કરાતાં ધડાકાના કારણે હવામાં પ્રદૂષણ ફેલાતા તેની સીધી અસર ખેડૂતોના વાવણી કરેલ પાકો ઉપર પણ પડી રહી છે અને અગાઉ મકાનો ની દિવાલોમાં પણ તિરાડો પડતાં ગ્રામજનો એ તત્કાલીન કલેક્ટરને પણ રજૂઆત કરી હતી.
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં ચિલોડાથી શામળાજી નેશનલ હાઇવે-48 પર 93 કિલોમીટરમાં બનાવાયેલ 24 બ્રિજ પૈકી 21 બ્રિજ સામે આંગળી ચિંધાયા બાદ 8 બ્રિજ અલગ તારવાયા હતા. તે પૈકી ચાર બ્રિજની નબળી કામગીરીના કારણે દોઢ વર્ષમાં જ 8 થી 10 કરોડના ખર્ચે નવેસરથી મરામત અને એક્સપાન્શનની કામગીરી કરવાની ફરજ પડી છે. નેશનલ હાઈવે ઓથોરિટીના જે તે સમયના એન્જિનિયર સુપરવાઇઝરની અણઆવડતના કારણે મરામત કરવી પડી રહી છે. ચિલોડાથી શામળાજી 93.210 કિલોમીટર નેશનલ હાઇવે પરના 24 બ્રિજ પૈકી 21 બ્રિજના એપ્રોચની સાઈડ અને પુરાણ અસુરક્ષિત હોવા અંગે સાંસદ શોભનાબેન બારૈયાએ ઓગસ્ટ-24માં નેશનલ હાઇવે ઓથોરિટીના રિજનલ ઓફિસરને બ્રિજના લોકેશન સાથે વિગતવાર રજૂઆત કરી હતી. તે પૈકી આઠ બ્રિજના એપ્રોચમાં ગુણવત્તાહીન કામગીરી થઈ હોવાનું બહાર આવ્યા બાદ ચાર બ્રિજના રેક્ટિફિકેશન અને સ્ટ્રેન્ધનીંગની કામગીરી હાથ ધરાઇ છે. ઓવરબ્રિજ બનાવ્યાના દોઢ બે વર્ષમાં જ બ્રિજના એપ્રોચની સાઈડો ખોલી નવેસરથી પુરાણ વગેરેની કામગીરી હાથ ધરાતાં જે તે સમયે બ્રિજ બનવા દરમિયાન એપ્રોચ બનાવતા ઉપયોગમાં લેવાયેલ ફીલિંગ મટેરિયલ-પુરાણ સામગ્રી, થયેલ કામ વગેરેનું નિરીક્ષણ કરનાર સુપરવાઈઝર એન્જિનિયર વગેરેની બેદરકારી બહાર આવી છે. વિશ્વસ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર કામ કરનાર એજન્સીની ડિપોઝિટ સીઝ કરાઈ છે. પરંતુ બેદરકારી દાખવી વાહન ચાલકોને ફરીથી સિંગલ રોડ પર પસાર થવા મજબૂર કરનાર કર્મચારીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા નથી. હાલમાં ચાર બ્રિજ માટે કામગીરી હાથ ધરાઇ છે. જેમાં 8 થી 10 કરોડનો ખર્ચ થનાર છે. હાજીપુર મજરા, ધણપ અને ગાંભોઈ ઓવરબ્રિજનું સ્ટ્રેન્ધનીંગ અને એક્સપાન્શન થઈ રહ્યું છે. આ જગ્યાએ એકબાજુની સાઇડ ખોલવામાં આવી મળતી વિગત મુજબ હાજીપુર ખાતે 50 મીટર જેટલી એકબાજુની સાઈડ ખોલવામાં આવી છે તેવી જ રીતે મજરા નજીક પણ એક બાજુની 50 મીટર સાઈડ વૉલ ખોલી છે. જ્યારે ધણપ ખાતે બંને બાજુના એપ્રોચની 50 50 મીટર સાઈડ વૉલ ખોલી છે જેમાં નિયત ગુણવત્તા વાળું ફીલિંગ મટેરિયલનું પુરાણ કરી સાઈડ વોલ લગાવી આયર્ન બાર લગાવી મજબૂતી પ્રદાન કરાશે. જ્યારે ગાંભોઈ ખાતે શામળાજી તરફના છેડે ઓવરબ્રિજનો એપ્રોચ ઉતરે છે ત્યાં હરસોલ તરફના માર્ગનું જંકશન બનતું હોવાથી તે બ્લેક સ્પોટ બનતો હોય અવારનવાર અકસ્માત સર્જાય છે બ્રિજ સ્ટ્રેન્ધનીંગની સાથે સાથે એક્સપાન્શન માટે પણ મંજૂરી મળી ગઈ છે હાલમાં આ બ્રિજ ની લંબાઈ 1.40 કિલોમીટર છે તેની લંબાઈ 400 મીટર વધારી બ્લેક સ્પોટનું નિરાકરણ લાવવા કામગીરી હાથ ધરાઈ છે.
ફરિયાદ નોંધાઈ:પટોસણથી ખનન મામલે 1.50 લાખનો દંડ ન ભરતાં ફરિયાદ
પાલનપુર તાલુકાના પટોસણ વિસ્તારમાં બે વર્ષ અગાઉ રોયલ્ટી વિભાગે કાર્યવાહી કરી ગેરકાયદે રીતે સાદી માટી ખનન અને વહન કરતા ટ્રેક્ટરને સીઝ કર્યું હતું. એક મેટ્રિક ટન માટી જપ્ત કરી ટ્રેક્ટર ડ્રાઈવર અને માલિક સામે ગુનો નોંધાયો હતો.તપાસ બાદ ગેરકાયદે ખનન, પર્યાવરણીય નુકસાન તથા દંડકીય રકમ સહિત કુલ રૂ.1.50 લાખથી વધુની દંડ ફટકાર્યો હતો, પરંતુ રકમ ભરપાઈ ન કરાતા ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકાના પટોસણ અને સાસમ ગામ વચ્ચે આવેલા વ્હોળાવાળા વિસ્તારમાંથી રોયલ્ટી ટીમે 17/11/2023ના રોજ બપોરે 3:30 વાગ્યે, તપાસ દરમિયાન ટ્રેક્ટર ( જીજે-08-બીએફ-6214) દ્વારા અંદાજે એક મેટ્રિક ટન ગેરકાયદે સાદી માટી ખનન અને વહન કરતા એક ટ્રેક્ટરને ઝડપી સીઝ કર્યું હતું. તપાસ સમયે ટ્રેક્ટર ચાલક રમેશજી હાથીજી ઠાકોર (રહે. પટોસણ) પાસે કોઈ પણ પ્રકારનો રોયલ્ટી પાસ, ડિલિવરી ચલણ કે વજનકાંટાની પાવતી નહોતી. ટ્રેક્ટર માલિક કાનુજી બાબુજી ઠાકોર સામે પણ ગુનો નોંધ્યો હતો. જેથી રોયલ્ટી વિભાગે સાદી માટી જપ્ત કરી હતી.
કેબલ ચોરી:પાલનપુરના તાલેપુરામાં 3 ખેડૂતોના બોર પરથી કેબલ ચોરાયો
પાલનપુર તાલુકાના તાલેપુરા વિસ્તારમાં રાત્રિના સમયે ચોર ટોળકીએ 3 ખેડૂતોના ખેતરમાં બોરમાંથી 185 ફૂટ કોપર કેબલ ચોરી જતાં ગુરુવારે ગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકાના તાલેપુરા ગામમાં અજાણ્યા ચોરોએ ગયા શનિવારે રાત્રિના સમયે ત્રણ ખેડૂતોના ખેતરોને નિશાન બનાવી બોરમાં મૂકેલા કોપર કેબલની ચોરી કરી ફરાર થઈ ગયો છે. જેમાં 185 ફૂટ કેબલની ચોરી થતા અંદાજે રૂ.1,00,500નું નુકસાન થયું હતું. ઇકબાલભાઈ અહેમદભાઈ શેખના ખેતરમાંથી રૂ.36000નો 60 ફૂટનો કેબલ ચોરાયો હતો. તપાસ કરતાં ઇબ્રાહીમભાઈ ઉસ્માનભાઈ શેખના ખેતરમાંથી 33,000નું 55 ફૂટ અને ભરતભાઈ શંકરભાઈ ડેરીયાના ખેતરમાંથી 31,500નો 70 ફૂટનું કેબલ ચોરાયોજાણવા મળ્યું હતું.
પાલનપુર મફતપુરા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ગટરોની ચેમ્બરો ઉભરાતાં ગંદા પાણી દરરોજ 100થી વધુ મકાનો આગળથી જાહેર માર્ગ ઉપર વહે છે. જેનાથી રહીશો ત્રાસી ગયા છે. પાલિકા દ્વારા સમસ્યાનો કામયી ઉકેલ ન લવાતો હોવાથી નર્કાગાર સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે. પાલનપુરમાં કંથેરીયા હનુમાન રોડથી માલણ દરવાજા ચોકડી વચ્ચે રબારીવાસના વળાંકથી આગળ આંબાના ઝાડ પાસેથી જેવા મફતપુરામાં જઇએ કે તરત જ જાહેર માર્ગ ઉપર ગંદું પાણી વહેતું જોવા મળે છે. આ સમસ્યા આજ કાલની નહીં પરંતુ છેલ્લા એક વર્ષની છે. ગુરૂવારે દિવ્ય ભાસ્કરની ટીમ આ વિસ્તારમાં ગઇ ત્યારે એવી જ સ્થિતિ જોવા મળી હતી. આ અંગે આબિદાબેન સહિત રહીશોએ જણાવ્યું કે, 100થી વધુ મકાનોના મુખ્ય દ્વાર સામે જ ગંદા પાણી વહેતાં રહીશો ઘર બહાર નીકળતા પણ વિચારવા મજબૂર બન્યા છે. ગંદા પાણીના કારણે મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ વધતાં રોગચાળાની ભીતિ ફેલાઈ છે.એક કિલોમીટર લાંબા માર્ગ પર ગંદું પાણી ભરાઈ રહેતા દ્રિચક્રી અને ચારચક્રી વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. કેટલાક સ્થળે ખાડાઓ દેખાતા નથી, જેથી વાહનચાલકો અકસ્માતની શક્યતા રહે છે. વેપારીઓએ જણાવ્યું કે ગ્રાહકો આવવાનું ટાળતાં ધંધા પર સીધી અસર પડી રહી છે. આ અંગે પાલિકા ભૂર્ગભશાખાના સૂત્રોએ જણાવ્યું કે, સ્થાનિક નગરસેવિકા આશાબેન રાવલ દ્વારા ચેમ્બરોની સફાઇ માટે જેટ મશીનની માંગણી કરી છે. જ્યાં જેટ મશીન મોકલી સફાઇ કરાશે. યુવકને ઝાડા-ઉલટી થતાં હોસ્પિટલ ખસેડાયો ગંદા પાણીથી ફેલાયેલા સંક્રમણના કારણે મફતપુરા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતાં હુસેનમહંમદ સિંધીને ઝાડા ઉલટી થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં પાણીજન્ય રોગની શક્યતા જણાઈ રહી છે.
આરોગ્ય ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરાયું:નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત આરોગ્ય ચેકઅપ કાર્યક્રમ યોજાયો
નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત વિશેષ આરોગ્ય ચેકઅપ કાર્યક્રમનું ઉંડવારીયા ટોલ પ્લાઝા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એનએચઆઈટી વેસ્ટન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટ્રક ડ્રાઇવરો તથા સ્થાનિક નાગરિકો માટે આંખોની તપાસ તેમજ સામાન્ય બોડી ચેકઅપનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં આબુ રોડ આરટીઓ, સ્વરૂપગંજ એસએસઓ તેમજ એનએચઆઈટીના પ્રોજેક્ટ મેનેજર, પ્લાઝા મેનેજર, કોરિડોર મેનેજર અને મેન્ટેનન્સ મેનેજર સહિત ઉંડવારીયા તથા ખેમાણા ટોલ પ્લાઝાનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ દરમિયાન 150થી વધુ ટ્રક ડ્રાઇવરો તથા આસપાસના લોકોની આંખોની તપાસ કરી તેમને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
HPVના રક્ષણ માટે રસી અપાઈ:પાલનપુરમાં સર્વાઇકલ કેન્સરના રક્ષણ માટે 100 દીકરીઓને રસી અપાઈ
પાલનપુરમાં માર્ક્સ ફાઉન્ડેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજની 100 દીકરીઓને સર્વાઇકલ કેન્સર (HPV)ના રક્ષણ માટે રસી આપવામાં આવી હતી. જેના થકી બહેનોમાં થતાં બે પ્રકારના કેન્સર જેમ કે સ્તન કેન્સર અને ગર્ભાશયનાં મુખના કેન્સર સામે પ્રોટેકશન મળશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેત ઠાકર, ડો. યજ્ઞેશભાઈ દવે, મુખ્ય કન્વીનર, અશ્વિનભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ જોષી, ભરતભાઈ વ્યાસ, ભાવેશભાઈ રાજગોર, જયેશભાઈ દવે, વિજયભાઈ હ. જોષી, ચંદ્રકાંતભાઈ જોષી, અતુલભાઈ જોષી, મુકુંદભાઈ મહેતા, ડામરાજી રાજગોર, અમિતભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.
આયોજન:પોરબંદરમાં આજે શનિવારથી પક્ષી ગણતરીનો પ્રારંભ થશે
પોરબંદરમાં બર્ડ કંઝરવેશન સોસાયટી ગુજરાત દ્વારા આજે શનિવારે પક્ષી ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે જે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું છે. 2 દિવસ સુધી પક્ષી ગણતરી ચાલશે જેમાં દેશભરના 100થી વધુ પક્ષીપ્રેમીઓ 25 ટીમમાં ભાગ લેશે. પોરબંદરમાં બર્ડ કંઝરવેશન સોસાયટી ગુજરાત દ્વારા ખાનગી કંપનીના આર્થિક સહયોગથી તથા પોરબંદર વન વિભાગના સહકારથી પોરબંદર પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે દેશભરમાંથી મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી અંદાજિત 100 જેટલા પક્ષીપ્રેમીઓ આ કાર્યક્રમમાં જોડાશે. આ પક્ષીપ્રેમીઓ 25ની ટીમમાં વિભાજિત થઈ પોરબંદર જિલ્લાના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી કરશે. આ અભિયાનથી પક્ષી સંરક્ષણ, જૈવ વૈવિધ્યની સમજ તથા વેટલેન્ડ વિસ્તારોના મહત્વ અંગે માહિતી એકત્ર કરવામાં આવશે. આજે તા. 31/1ને શનિવારે લેઉવા પટેલ સમાજ વાડી, છાયા ચોકી પાસે સવારે 9:45 કલાકે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહેશે તેવું મોકરસાગર વેટલેન્ડ કમિટીના પ્રમુખ અને સ્થાનિક ટેકનિકલ કોઓર્ડિનેટર ડો. ધવલ વારગિયાએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છેકે, આ પક્ષી ગણતરી 2 દિવસ સુધી ચાલશે. છેલ્લા 10 વર્ષથી પક્ષી ગણતરીનું આયોજન થાય છેમોકરસાગર કમિટીના ડો. ધવલ વારગીયાએ જણાવ્યું હતુકે, જિલ્લાના વિવિધ વેટલેન્ડ ખાતે વિદેશી પક્ષીઓ શિયાળા દરમ્યાન મહેમાન બને છે. પક્ષીઓની ગણતરીનું આયોજન જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી થાય છે. અગાઉ દેશભરના 65 જેટલા પક્ષીવિદ પોરબંદર ખાતે પક્ષી ગણતરીમાં જોડાતા હતા આ વખતે 100 જેટલા પક્ષીવિદ પક્ષી ગણતરીમાં જોડાશે.
ભાસ્કર એનાલિસિસ:HIVની જેમ જ ફેલાતા હેપેટાઇટિસ B ના દર્દીઓની સંખ્યા 5 વર્ષમાં 40 ગણી થઈ ગઈ
પોરબંદર જિલ્લામાં એચ.આઈ.વી બાદ હેપેટાઈટીસના કેશ સામે આવી રહ્યા છે.જિલ્લામાં હેપેટાઈટીસના કેશમાં વધારો નોંધાયો છે.જેમાં 5 વર્ષ પૂર્વે 3 કેશ હતા જેની હવે 121 કેશ થઈ છે. જિલ્લામાં 5 વર્ષમાં કુલ 312 કેશ નોંધાયા છે. હેપેટાઈટીસ 5 પ્રકારના રોગ છે.જેમાં B અને C વધુ જોખમી અને જીવલેણ થઈ શકે છે.જિલ્લામાં 5 વર્ષમાં હેપેટાઈટીસ Bના 312 નવા અને હેપેટાઈટીસ C ના 43 નવા કેશ નોંધાયા છે. હેપેટાઈટિસ લિવર સાથે જોડાયેલો રોગ છે. જે વાયરલ ઈંફેકશનથી થાય છે. આ રોગ થવાથી લિવર પર સોજો આવે છે અને બળતરા થાય છે. આ રોગના પાંચ પ્રકાર છે જેમાં હેપેટાઈટિસ A, B, C, D, Eનો સમાવેશ થાય છે. તેમાં ટાઇપ B તેમજ C સૌથી ઘાતક છે. તેના કારણે લિવર સિરોઝિસ અને કેન્સર થાય છે.હેપેટાઈટિસમાં A થી માંડી E સુધીના પ્રકારમાં હેપેટાઈટિસ B માટે ઓરલ દવાઓ મળે છે જ્યારે હેપેટાઈટિસ C માટે ઈંજેક્શન આપવામાં આવે છે. પરંતુ હવે હેપેટાઈટિસ C માટે પણ ઓરલ દવાઓ માર્કેટમાં મળી રહી છે. આ ઈંજેકશનની સરખામણી સસ્તી છે અને 90 ટકા સુધી અસરકારક હોય છે. જિલ્લામાં હેપેટાઈટીસના કેશમાં વધારો નોંધાયો છે.જેમાં 5 વર્ષમાં નવા 312 કેશ નોંધાયા છે.હેપેટાઈટીસ 5 પ્રકારના રોગ છે.જેમાં B અને C વધુ જોખમી અને જીવલેણ થઈ શકે છે.જિલ્લામાં 5 વર્ષમાં હેપેટાઈટીસ Bના 312 નવા અને હેપેટાઈટીસC ના 43 નવા કેશ નોંધાયા છે.HIV ની જેમ જ ફેલાતો હેપેટાઇટિસ B ના દર્દીઓની સંખ્યા પોરબંદરમાં 5 વર્ષમાં 40 ગણી થઈ ગઈ છે.જેટલી સજાગતા એઈડ્સ સામે રાખવામાં આવે છે તેટલી જ બેદરકારી હેપેટાઇટિસ B સામે સમાજમાં ફેલાઈ રહી છે:આ રોગમાં 20 થી 30 ટકા દર્દીઓને લીવર સિરોઝિસ થઈ શકે,લીવરનું કેન્સરનું જોખમ,વર્ષો પછી પણ આ રોગ જીવલેણ બની શકે છે. ક્યાં વર્ષમાં કેટલા કેસ નોંધાયા હેપેટાઇટિસ B : વર્ષ 2021-3 કેશ વર્ષ 2022-32 કેશ વર્ષ 2023-65 કેશ વર્ષ 2024-91 કેશ વર્ષ 2025-121 કેશ હેપેટાઇટિસ C : વર્ષ 2021-1કેશ વર્ષ 2022-7 કેશ વર્ષ 2023-12 કેશ વર્ષ 2024-12 કેશ વર્ષ 2025-11 કેશ હેપેટાઈટિસ A દૂષિત ભોજન અને પાણી શરીરમાં જવાથી થાય છે. લિવર, હાથ, પગમાં સોજા, ભૂખ ન લાગવી, તાવ આવવો, ઉલટી થવી તેમજ સાંધામાં દુખાવો થાય છે. હેપેટાઈટિસ B વાયરસ સંક્રમિત રક્ત, થૂક, યૂરિનના માધ્યમથી ફેલાય છે. લિવર પર અસર થાય તો રોગીને ઉલટી, થાક, પેટમાં દુખાવો, ત્વચાનો રંગ પીળો થવો જેવા લક્ષણો દેખાય છે. આ બીમારી ગંભીર થાય તો લિવર સિરોસિસ તેમજ કેન્સર થઈ જાય છે. હેપેટાઈટિસ C હીપેટાઈટિસ સી સૌથી ખતરનાક વાયરસ છે. આ વાયરસ શરીર પર ટેટૂ કરાવવાથી, દૂષિત રક્ત શરીરમાં જવાથી, બીજાની શેવિંગ કીટનો ઉપયોગ કરવાથી થાય છે. આ બીમારીના લક્ષણો ગંભીર સ્થિતી સર્જાય ત્યારબાદ જ જોવા મળે છે. હેપેટાઈટિસ D હીપેટાઈટિસ D થવાથી દર્દીને ઉલટીઓ થાય છે તેમજ સામાન્ય તાવ રહે છે. હેપેટાઈટિસ Eદૂષિત ખોરાકથી ફેલાય છે. જો કે ભારતમાં આ રોગના કેસ ઓછા જોવા મળે છે. આ બીમારીમાં દર્દીને થાક, વજન ઘટવું, ત્વચા પીળી થવી અને તાવ આવવા જેવી સમસ્યા થાય છે. શુ કહે છે ડોકટર હેપેટાઇટિસ વાઇરલ સંપર્કમાં આવ્યા બાદ લાંબા ગાળા પછી અસર દેખાઈ છે.જેથી બધા લોકોને સ્વૈચ્છિક સમયાંતરે હેપેટાઇટિસના રિપોર્ટ કરવી સાવચેત રહેવું જરૂરી છે.કેમ કે હીપેટાઇટિસ B અને C ની જો સમયસર સારવાર કરવામાં ન આવે તો તે લીવરનું કેન્સર થવાની શકયતા છે. > ડો.સિધ્ધાર્થ જાડેજા,ફિઝિશિયન
મનપાની કામગીરી સામે રોષ:હરીશ ટોકીઝ સામે ટ્રાફિકને નડતરરૂપ કેબિનધારકોને મનપાએ નોટિસ આપી
પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં આવેલ દબાણો દૂર કરવા મનપા દ્વારા નોટીસ આપવામાં આવે છે, જેના ભાગ સ્વરૂપે પોરબંદર શહેરના હરીશ ટોકીઝ ટેક્સી પાર્કિગ અંદર રહેલા 5 રેકડી-કેબિનને મનપા દ્વારા મંદિર તેમજ ટ્રાફિકને અડચણરૂપ થતી હોવાનુ કારણ આપી નોટીસ આપી દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે મનપાની કામગીરી સામે રેકડી કેબિન ધારકોએ રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગો તેમજ જાહેર જગ્યા પર થયેલ દબાણ દૂર કરવા નોટીસ આપવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના હરીશ ટોકીઝ સામે આવેલ ટેક્સી પાર્કિગ નજીક આવેલ મામાદેવ મંદિર નજીક આવેલ રેકડી કેબીનો મંદિર તેમજ ટ્રાફિક અડચણરૂપ બનતી હોવાના કારણ આપી નોટીસ આપવામાં આવી છે.આ નોટીસ આપી આગામી 7 દિવસમાં રેકડી કેબિન દૂર કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે ત્યારે મનપાની કામગીરી સામે રેકડી કેબિન ધારકોએ રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. ખોટી રજુઆતને આધારે મનપાએ કામગીરી કરી હરીશ ટોકીઝ સામે આવેલ ટેક્સી પાર્કિગમાં મામાદેવનું મંદિર અમે જ બનાવ્યું છે ત્યારે આ મંદિર આવતા લોકોને રેકડી કેબિન અડચણરૂપ નથી પરંતુ અંગત સમસ્યાને લઈને કરેલ ખોટી રજુઆતને લીધે આ કાર્યવાહી કરાઈ છે જે વ્યાજબી નથી. >ભીખુભાઇ ઓડેદરા
પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા 163 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર, 2 એસટીપી પ્લાન્ટ, 10 પમ્પિંગ સ્ટેશન બનાવવા તેમજ મેન્ટેનન્સ માટે મશીનોની ખરીદી કરવાનું આયોજન કરી આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા બનતા શહેરમાં 4 ગામોનો સમાવેશ થયો છે. અગાઉ પાલિકા હતી ત્યારે શહેરમાં ભળેલા ખાપટ, ધરમપુર સહિતના વિસ્તારમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટર બનાવવામાં આવી ન હતી અને ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર બનાવવાનું આયોજન કર્યું હતું. રાજીવનગર, ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર બનાવવાની કામગીરી ચાલુ કરી હતી. ત્યારે હવે મનપા બનતા નવા ભળેલ 4 ગામ તેમજ છાંયા વિસ્તાર અને જે વિસ્તારમાં બાકી હોય તેવા વિસ્તારમાં ભૂગર્ભ ગટર બનાવવા અંગેનું મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિ દ્વારા આયોજન કરી મંજૂરી મેળવી હતી. સિટી ઇજનેર જયદીપસિંહ રાણાએ જણાવ્યું હતુકે, ભૂગર્ભ ગટર બનાવવા માટે અંદાજિત 70 કિલો મીટર નેટવર્કમાં ગટર બનાવવામાં આવશે, આ ઉપરાંત 2 સ્થળે નવા એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવશે અને 10 જેટલા સ્થળે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે જે માટે રૂ.163 કરોડના ખર્ચે આ કામગીરીનું આયોજન કર્યું છે જેમાં નાના મોટા 4 જેટિંગ મશીન અને 5 ડી સિલ્ટિંગ મશીનનો પણ સમાવેશ કર્યો છે જેથી મશીનો દ્વારા ગટરની સફાઈ મેન્ટેન થશે. આ અંગે ટેન્ડર પ્રક્રિયા કરી દેવામાં આવી છે. સોલાર પેનલ મુકાશે કમિશનર પ્રજાપતિએ જણાવ્યું હતુકે, રૂ.163 કરોડના ખર્ચે નવા ભળેલ ગામમાં ભૂગર્ભ ગટર, પમ્પિંગ સ્ટેશન અને એસટીપી પ્લાન્ટ તેમજ મશીનોની ખરીદી માટે ટેન્ડર કર્યું છે જેમાં 10 પમ્પિંગ સ્ટેશન અને 2 એસટીપી પ્લાન્ટ ખાતે સોલાર પેનલ મૂકવામાં આવશે જેથી વિજળીનો ખર્ચ બચી જશે તેમજ મશીનો દ્વારા સફાઈ અને મેન્ટેનન્સ પણ થશે.
વાતાવરણ:પોરબંદરમાં મહતમ તાપમાન 3 ડિગ્રી વધીને 31 ડિગ્રીએ પહોંચ્યું
પોરબંદરમાં ગઇકાલ કરતા શુક્રવારે મહતમ તાપમાનમાં 3 ડિગ્રીના વધારા સાથે મહતમ તાપમાન 31 ડીગ્રીએ પહોંચ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 14 ડિગ્રી યથાવત રહ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 5 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે. તાપમાન ઊંચકાતા બપોરે ઠંડીમાં રાહત મળી છે. ગઈકાલે ગુરુવારે મહતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું તેની સામે શુક્રવારે મહતમ તાપમાન 3 ડિગ્રી વધીને 31 ડીગ્રીએ પહોંચ્યું છે. જ્યારે ગઇકાલે ગુરુવારે લઘુતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું અને શુક્રવારે પણ લઘુતમ તાપમાન 14 ડિગ્રી યથાવત રહ્યું છે. ઉલ્લેખનીય છેકે છેલ્લા 5 દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ 35 ટકા નોંધાતું હતું જે શુક્રવારે ભેજનું પ્રમાણ 5 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે. ભેજનું પ્રમાણ ઘટી જતા ઠંડી વધે છે.
પોરબંદર શહેરમાં કર્કશ અવાજ કરતા મોડીફાઇડ સાઈલેન્સરવાળા બુલેટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અઢી કલાકમાં જ 37 જેટલા બુલેટ બાઈક ડિટેઈન કર્યા હતા. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચના મુજબ ટ્રાફિક શાખાના પીઆઈ એમ. એલ. આહિરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.બી. ચૌહાણ, કે.એન. અઘેરા તેમજ ટ્રાફિક ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન અઢી કલાકમાં કુલ 37 જેટલા બુલેટ બાઈક મોડીફાઇડ સાઈલેન્સર સાથે મળી આવ્યા હતા. કર્કશ અવાજ કરતા મોડીફાઇડ સાઈલેન્સરવાળા બુલેટ બાઇક ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ ડીટેઈન કરવામાં આવ્યા હતા. મોડીફાઇડ સાઈલેન્સરવાળા બુલેટના કર્કશ અવાજથી જાહેર જનતાને અસુવિધા થતી હોવા સાથે ટ્રાફિક સલામતી માટે જોખમ ઊભું થતું હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા આવી કાર્યવાહી આગામી એક સપ્તાહ સુધી સતત ચાલુ રાખવામાં આવનાર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આરટીઓ ખાતે દંડ ભરવો પડેઉલ્લેખનીય છે કે, વાહનો ડિટેઇન કરવામાં આવે ત્યારે ચાલકોએ આરટીઓ ખાતે જઈને દંડની રકમ ભરવી પડે છે અને ત્યાંથી પહોંચ લઈને ટ્રાફિક ઓફિસે રજૂ કરવામાં આવે ત્યારે વાહન છોડવામાં આવે છે. એકજ દિવસમાં અઢી કલાકમાં 37 બુલેટ બાઈક ડિટેઈન કર્યા બાદ વાહન ચાલકો તાકીદે પોતાનું વાહન છોડાવવા આરટીઓ કચેરીએ પહોંચ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં 20 જેટલા ચાલકો આરટીઓ ખાતે દંડ ભરી વાહન છોડાવી ગયા હતા. રૂ.1 હજારથી લઈને રૂ.5 હજાર સુધીનો આરટીઓ દંડ ભરવો પડે છે.
તપાસ:ભોદ ગામના યુવાનનું બાપોદર વાડી વિસ્તારમાં શંકાસ્પદ મોત
રાણાવાવ પંથકના ભોદ ગામે રહેતા એક યુવાનનું બાપોદર ગામે વાડીવિસ્તારમાં શંકાસ્પદ મોત થયું હતું.આ ઘટના બાદ યુવકના મૃતદેહ ફોરેન્સિક પી.એમ.માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોદ ગામે વાડી વિસ્તારમાં રહેતા ટુકડીયા ગોપાલ જીવાભાઈ (ઉ.35)નામના યુવાન બાપોદર ગામે થયો હતો ત્યારે આ યુવાનનું કોઇ અગમ્ય કારણોસર બાપોદર ગામે વાડીવિસ્તારમાં શંકાસ્પદ મોત થયું હતું.આ યુવાનના મોતને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.આ ઘટના બાદ મૃતક યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યારે રાણાવાવ પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.
ફરિયાદ:માધવપુર બંદર કાંઠે મહિલા સહિત ચાર શખ્સનો યુવાન પર હુમલો
માધવપુર બંદર કાંઠે યુવાનોને હોડી દરીયામા ઉતારવી હોય, જેથી આરોપીઓને ઝાળ હટાવવાનું કહેતા મહિલા સહિત 4 શખ્સોએ યુવાનને લાકડાના ધોકા અને પાટિયા વડે માર મારી ઇજા પહોંચાડ્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે મહિલા સહિત 4 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મચ્છીયારાવાડમાં રહેતા અલ્તાફ ઈસ્માઈલ ઇસ્બાણી નામના યુવાનને બંદરકાંઠેથી પોતાની હોડી દરીયામા ઉતારતા હતા અને હોડી દરીયામા ઉતારવી હોય, પરંતુ નવાજ અબ્દુલ લુચાણી નામનો આરોપી જાળ પાથરી હોડી માંથી મચ્છી બહાર કાઢતા હતા જેથી યુવાને જાળ હટાવવાનું કહેતા બોલાચાલી ઝગડો કર્યો હતો અને ગાળો કાઢી હતી. ખુશ્બુ અબ્દુલ લુચાણીએ યુવાનને જાપટ મારી હતી જ્યારે નવાજે યુવાનને લાકડાના ધાર વાળા પાટીયા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. આરોપી સાહિલ અબ્દુલ લુચાણીએ લાકડાના ધોકા વડે યુવાનને શરીરે આડેધડ માર મારી મુંઢ ઈજા કરી તેમજ યુવાન સાથેના રફિકભાઇને ધોકાથી ડાબા હાથમા માર મારી ફેક્ચર જેવી ઈજા કરી, આરોપી તાલીમ ઉર્ફે અજ્જુ અબ્દુલ લુચાણીએ મદદગારી કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત 4 આરોપી વિરુધ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ માધવપુર પોલીસ ચલાવી રહી છે.
તસ્કરો થયા સક્રિય:ઝરણ ગામે આદિવાસી સંમેલન દરમિયાન સાત ઘરોના તાળા તૂટ્યા
ડાંગ જિલ્લાના ઝરણ ગામે ગત 27 જાન્યુઆરી 2026ના રોજ આયોજિત આદિવાસી સંમેલન દરમિયાન ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. જ્યારે સમગ્ર ગામ પ્રોગ્રામમાં વ્યસ્ત હતું ત્યારે તસ્કરોએ તેનો લાભ ઉઠાવી સાત ઘરોને નિશાન બનાવ્યા હતા. ઝરણ ગામે 27 જાન્યુઆરી મંગળવારના રોજ રાત્રિના સમયે ગામમાં ગુજરાત અને મહારાષ્ટ્રના કલાકારો તથા યુટ્યુબરોની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતું. ગ્રામજનો પોતાના ઘરને તાળા મારી બેન્ડ પાર્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા ગયા હતા. આ તકનો લાભ લઈ તસ્કરોએ સાત ઘરોના દરવાજા તોડી કબાટ ફંફોસ્યા હતા અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી દીધો હતો. જેમાં શિવાભાઈ ઝાપટના ઘરના કબાટમાંથી રૂ 7 હજાર રોકડા અને એટીએમ કાર્ડની ચોરી થઈ હતી. સદનસીબે, શિવાભાઈએ સમયસૂચકતા વાપરી સવારે બેંકમાં જઈ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું, જેથી ખાતામાં રહેલા રૂ 18 હજાર બચી ગયા હતા. જ્યારે અરવિંદભાઈ હીલીમના કાચા મકાનની છત તોડી અંદર પ્રવેશી કબાટ તોડ્યો હતો અને મોબાઈલની ચોરી કરી હતી. જોકે આ બનાવની હજુ સુધી પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાવામાં આવી નથી. કાર્યક્રમની ભીડનો લાભ ઉઠાવી તસ્કરો ચોરી કરીને ફરાર થવામાં સફળ થયા હતા.
ભાસ્કર એક્સક્લુસિવ:ડાંગમાં ધોલ બાદ હવે કૂતરા પ્રજાતિનું બીજું પ્રાણી ‘ભારતીય લોંકડી'' દેખાયું
ડાંગમાં ધોલ બાદ કૂતરા પ્રજાતિનું બીજું પ્રાણી ભારતીય લોંકડી પ્રથમવાર નજરે પડ્યું છે. રાજ્યમાં જે મહત્વના જંગલ વિસ્તાર અને અભ્યારણો છે તેમાં ડાંગ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. અહીંના જંગલોમાં કેટલાય જીવ લુપ્ત થયા છે તો નવા દેખાઈ પણ રહ્યા છે. આજથી ચાર વર્ષ અગાઉ અહીંના જંગલોમાં કૂતરા પ્રજાતિનું ગણાતું પ્રાણી ધોલ દેખાયું હતું,જે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. હવે કૂતરા પ્રજાતિનું જ ગણાતું વધુ એક પ્રાણી ભારતીય લોંકડી ડાંગમાં પ્રથમવાર થોડા દિવસ અગાઉ નજરે પડ્યું છે.આ પ્રાણી ઉત્તર ગુજરાતમાં મોટેભાગે દેખાય છે. નવસારી કૃષિ યુનિ.ના ફોરેસ્ટ્રી વિભાગના તજજ્ઞ ડો.આદિલ કાઝી જણાવે છે કે ડાંગમાં દીપડા માટે ચાલી રહેલ કેમેરા ટ્રેપિંગ સર્વે દરમિયાન ભારતીય લોંકડીનો ફોટો અને વીડિયો રેકર્ડ થયો હતો. બાદમાં વધુ નિરીક્ષણ કરતા 8 પરસ્પર જોડાયેલ લોંકડીના આવાસસ્થાન પણ મળી આવ્યા હતા. અહીં ઓછામાં ઓછી ચાર લોંકડી હોવાની પુષ્ટિ થઈ છે. સ્થાનિકો આ પ્રાણીને કિલ્લા તરીકે ઓળખે છે. મહારાષ્ટ્રમાંથી તે ડાંગમાં આવી હોવાનું અનુમાન છે.અહીં ઉલ્લેખનીય છે કે નવસારી કૃષિ યુનિ સાથે જોડાયેલ સંશોધકોએ તેનો આ અભ્યાસ કર્યો ,જે પ્રતિષ્ઠિત જર્નલ journal of threatened taxaમાં પ્રકાશિત થયું છે. કદ નાનું, લાંબી પૂંછડી, ભૂરા વાળ..ભારતીય લોંકડીનું કદ નાનું અને પુછડી લાંબી હોય છે. આહારમાં જીવજંતુ ઉપરાંત, નાના સસ્તન પ્રાણી વગેરે લે છે. આમ તો તે સામાન્ય રીતે ખુલ્લા, સપાટ, સૂકા પ્રદેશ પસંદ કરે પણ ડાંગનો ઊંચા, નીચા જંગલ પ્રદેશમાં હાજરી આશ્ચર્યજનક છે.
ભાસ્કર ફોલોઅપ:‘ડાંગ સ્વરાજ આશ્રમ’ કન્યા છાત્રાલયની માન્યતા રદ
ડાંગ જિલ્લાના આહવામાં ‘ડાંગ સ્વરાજ આશ્રમ'માં ધોરણ-11માં અભ્યાસ કરતી એક આદિવાસી વિદ્યાર્થિની પર સંસ્થાના પ્રમુખના પતિ પ્રફુલ નાયક દ્વારા આચરાયેલ દુષ્કર્મના કૃત્ય એ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ કૃત્ય સામે આવતા જ ગુજરાત સરકારના આદિજાતિ કલ્યાણ વિભાગે ત્વરિત નિર્ણય લીધો છે. ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અને સાંસદ ધવલ પટેલની રજૂઆતો બાદ સરકારે ડાંગ સ્વરાજ આશ્રમ સંચાલિત કન્યા છાત્રાલયની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. છાત્રાલયમાં રહેતી 70 જેટલી વિદ્યાર્થિનીઓની સુરક્ષાને ધ્યાને રાખી તેમને અન્ય સુરક્ષિત સરકારી છાત્રાલયોમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એટ્રોસિટી અને પોક્સો એક્ટ હેઠળ પીડિતાને મળવાપાત્ર રૂ. 5 લાખની સહાયમાંથી નિયમ મુજબ રૂ. 2.50 લાખ રકમ તાત્કાલિક ચૂકવી દેવામાં આવી છે. આ ઘટનાને લઈ ડાંગમાં આદિવાસી સમાજ સહિત અન્ય સમાજોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સિટી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ:પાટણમાં સરવાલ-ચાબખા-એકલવાને જોડતા માર્ગનું કામ ઓગસ્ટમાં પૂર્ણ થશે
પાટણ : હારિજનો માઇનોર બ્રિજ રૂ.7.10 કરોડના ખર્ચે હારિજ તાલુકામાં આવેલ સરવાલ–ચાબખા–એકલવા માર્ગ પર નવીન માઇનોર બ્રિજ તેમજ રીસર્ફેસીંગનું કામગીરી ચાલી રહી છે. કામ પૂર્ણ થતાં ટ્રાફિક સમસ્યા હળવી બનશે. મહેસાણા : ખારી નદીનો ફ્લાયઓવર રૂ.35 કરોડના ખર્ચે મહેસાણાની ખારી નદી પર ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. ચોમાસા પહેલાં ફ્લાયઓવર બનીને તૈયાર થવાની સાથે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે. હિંમતનગર : દુર્ગા રેલવે ફાટક પ્રોજેક્ટ હિંમતનગરના દુર્ગા રેલવે ફાટક ઉપર રૂ.18 કરોડના ખર્ચે ફલાય ઓવરનું કામ ચાલી રહ્યું છે. તમામ પિયરનું કામ મહદઅંશે પૂર્ણ થઈ ચૂક્યું છે. સ્લેબ લગાવવાની કામગીરી ચાલી રહી છે. આ ફ્લાયઓવર બનીને તૈયાર થશે ત્યારે શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થશે. વાવ-થરાદ : આગથળા-ધાનેરા ટુ લેન રોડ વાવ થરાદ જિલ્લાનો નવો બનનાર આગથળા-ધાનેરા રોડ પાછલા ત્રણ વર્ષથી ખોરંભે ચઢ્યો છે. વર્ષ 2024ની ડેડલાઇન હોવા છતાં, કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીને કારણે રસ્તો બિસમાર અને જોખમી છે.
વાહનચાલકોને થઈ હેરાનગતિ:ગુરુનાનક ચોકથી કીર્તિસ્તંભ સુધી ખાનગી કંપનીએ ખાડા પૂર્યા પણ રેતીના ઢગ અકબંધ
પાલનપુરમાં ગુરુનાનક ચોકથી કીર્તિસ્તંભ સુધીના માર્ગ પર ખાડાઓથી વાહનચાલકોને શુક્રવાર બપોરે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગુરુનાનક ચોકથી કીર્તિસ્તંભ સુધી ખાનગી કંપનીએ માર્ગની બાજુમાં પડેલા ખાડાઓ ખાનગી કંપની દ્વારા પૂરાયા હતા. ખાડાઓ પૂર્યા પછી રેતીના ઢગ ચડાવ્યા હતા, પરંતુ કેટલીક જગ્યાઓએ વાયર બહાર નિકળ્યા અને કેટલાક ખાડા અધૂરા પૂરેલા જોવા મળ્યા હતા. બપોરે જ્યારે ટ્રાફિકજામ થયો ત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલક ઇશ્વરભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, ગુરુનાનક ચોકથી કીર્તિસ્તંભ સુધીના વિસ્તારમાં ખાનગી કંપનીએ કામ અધૂરું કર્યું હોવાથી રોડ પર અકસ્માતનું જોખમ વધ્યું છે. કામમાં ક્ષતિ જણાશે તો કંપનીને નોટિસ અપાશે પાલિકા પ્રમુખ ચિમનભાઇ સોલંકી જણાવ્યું કે પાલનપુરની અંદર ખાનગી કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ વાયરીંગ નંખાઈ રહ્યું છે. જે બાબતે અમે તેને સખ્ત શબ્દોમાં કહ્યું હતું કે, કામ બાદ ખાડા વ્યવસ્થિત પુરાવા પરંતુ જો તેમણે ખાડા વ્યવસ્થિત નહીં પૂર્યા હોય અને ક્ષતિ જણાશે તો નોટિસ અપાશે અને કામ અટકાવાશે.
અંબાજી ગબ્બર પર્વત પર ‘51 શક્તિપીઠ પરિક્રમા’નો શુક્રવાર સવારે વિધિવત પ્રારંભ થયો. વહેલી સવારે પાલખી યાત્રા અને ધજા યાત્રાના પ્રસ્થાન સાથે જ પરિક્રમા માર્ગ જાણે શ્રદ્ધાળુઓના કીડીયારા જેવો ઉભરાઈ ગયો હતો. આનંદ ગરબા મંડળના ઉપાસકો દ્વારા અખંડ ઘૂનના નાદ સાથે ગબ્બર તળેટી અને શક્તિપીઠ પરિક્રમા પથ પર અલૌકિક શ્રદ્ધાનો માહોલ સર્જાયો હતો. સમય પસાર થતો ગયો તેમ તેમ પરિક્રમા માર્ગ પર શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો. આબાલ-વૃદ્ધો “જય અંબે”ના જયઘોષથી ગિરિમાળાને ગુંજાવતા જોવા મળ્યા. માર્ગ પર ઠેર ઠેર ચા-નાસ્તા, પીવાનું પાણી તેમજ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ હતી. પરિક્રમા મહોત્સવને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા 7 વાહન પાર્કિંગ સ્થળોનું આયોજન કરાયું છે. એસટી વિભાગના 700થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ વ્યવસ્થાપન સંભાળી રહ્યા છે. પાર્કિંગ સ્થળોએ મીની બસ તથા ભોજન સુવિધા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઉત્તર ગુજરાત ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદ તરફથી આશરે 500 બસો દ્વારા આવેલા શ્રદ્ધાળુઓ પરિક્રમા સાથે શક્તિપીઠ ગબ્બરના દર્શન કરતા જોવા મળ્યા. માઁ શક્તિના સાનિધ્યમાં પહોંચતા ભક્તોમાં થાકનો અણસાર પણ જોવા મળતો ન હતો. જય જલિયાણ સેવા કેમ્પ દ્વારા ભક્તોનું સ્વાગત કરી ગબ્બર પરિક્રમા પથ પર અલ્પાહારની વ્યવસ્થા કરી છે. અરવલ્લીના માનપુરના સરપંચ મનહરભાઈએ જણાવ્યું કે બે ગામમાંથી મળી 50 જેટલા લોકો આવ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે પાર્કિંગ, મીની બસ અને વ્યવસ્થાઓ વધુ સુવ્યવસ્થિત છે. નાના બાળકો પણ સરળતાથી પરિક્રમા કરી શક્યાગાંધીનગરના ખોરજથી આવેલા માધવીબેન પટેલે જણાવ્યું કે, એક દિવસ અગાઉ નામ નોંધાવ્યા બાદ વહેલી સવારે 5 વાગે ઉઠી, 4 વર્ષના જિયાન્શ અને 5 વર્ષના જેનિલ સાથે 7 વાગે બસ દ્વારા અંબાજી પહોંચ્યા હતા. રસ્તામાં ચા-નાસ્તા તથા અંબાજી ઉતર્યા બાદ મીની બસની સુવિધા હોવાથી કોઈ તકલીફ પડી નથી. નાના બાળકો પણ સરળતાથી પરિક્રમા અને ગબ્બર દર્શન કરી શક્યા. જીવનમાં એકવાર આ પરિક્રમાનો લાભ લેવો જોઈએ :શ્રદ્ધાળુઅરવલ્લીના મોડાસાના શ્રદ્ધાળુ પ્રતિકાબેન ભાવસારે જણાવ્યું કે, એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શન થવાથી માતાજીના અનેક સ્વરૂપોના આશીર્વાદ મેળવવા સરળ બન્યા છે. અમદાવાદના શ્રદ્ધાળુ અમિત પટેલે જણાવ્યું કે, અત્યાર સુધી ડિજિટલ માધ્યમો પર જોયેલા શક્તિપીઠોને રૂબરૂ નિહાળવાનો દિવ્ય લ્હાવો અંબાજીમાં મળ્યો છે. રાજ્ય સરકારની પરિવહન અને અન્ય સુવિધાથી યાત્રા સુખદ બની છે અને દરેક ભક્તે જીવનમાં એકવાર આ પરિક્રમાનો લાભ લેવો જોઈએ. અઢી કલાકમાં પરિક્રમા પૂર્ણગાંધીનગરથી આવેલા 85 વર્ષના કમળાબાએ જણાવ્યું કે, પ્રથમ વખત અંબાજી આવ્યા હોવા છતાં અઢી કલાકમાં પરિક્રમા પૂર્ણ કરી ગબ્બર દર્શન કર્યા, છતાં થાક લાગ્યો નથી. આ બધું માઁ શક્તિની કૃપા હોવાનું તેમણે કહ્યું. રાધનપુરથી આવેલા ગૌતમભાઈએ જણાવ્યું કે, દૂર દૂર આવેલા કુળદેવીના દર્શન એક જ સ્થળે 51 શક્તિપીઠ પરિક્રમામાં શક્ય બન્યા છે.
CETની પરીક્ષા:બ.કાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં આજે 63383 છાત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપશે
પાલનપુર, ડીસા અને થરાદ એમ ત્રણ ઝોનમાં આજે બપોરે 1 થી 3.30 વાગ્યા દરમિયાન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. બંને જિલ્લામાંથી કુલ 63,383 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે, તંત્ર દ્વારા 219 પરીક્ષા કેન્દ્રો અને 2,194 બ્લોક પર આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા અને વાવ-થરાદ સહિત રાજ્યભરમાં આજે શનિવારના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) યોજાનાર છે.આ પરિક્ષાને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના તરીકે ઓળખવામાં આવે છે.જેમાં ગણિત, માનસિક ક્ષમતા અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં ખોટા જવાબના ગુણ કપાતા નથી.આ ટેસ્ટ માટે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કુલ 63,838 વિદ્યાર્થીઓ નોંધાયા છે. 219 પરીક્ષા સ્થળો પર બપોરે 01:00 થી 03:30 સુધી પાલનપુર, ડીસા અને થરાદ એમ ત્રણ ઝોનમાં 2194 બ્લોક પર વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા, દેખરેખ સ્ટાફ તેમજ માર્ગદર્શન ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે ફ્લાઈંગ સ્ક્વોડ સહિતની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પરીક્ષા પાસ કરનાર છાત્રને સરકાર ખર્ચ આપે છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનાર વિદ્યાર્થીઓને ધોરણ 6થી 12 સુધીના અભ્યાસનો ખર્ચ સરકાર દ્વારા અપાય છે. ઉપરાંત સરકાર સાથે કરાર કરેલ ખાનગી રેસિડેનશિયલ શાળાઓમાં હોસ્ટેલ તથા ભણવાની ફી પણ સરકાર ભરે છે. તેમજ આ વિદ્યાર્થીઓને જ્ઞાનસેતુ સ્કોલરશીપ પણ મળવા પાત્ર રહે છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:કાર અને ઇકો અથડાતાં પાડલાના યુવકનું મોત
ગુરુવારે સમી ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસે ઈકો અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યુવકનું મોત નીપજતાં લોકોના ટોળા ઉમટ્યા હતા આ યુવક દર્શન કરવા જતો હતો દરમ્યાન અકસ્માતમાં મોત નીપજ્યુ હતુ. સમી હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. શંખેશ્વરના પાડલા ગામના 31 વર્ષીય યુવક દશરથજી માધાજી ઠાકોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. દશરથજી ઠાકોર પોતાનું બાઈક લઈને વરાણા ગામે ખોડિયાર માતાજીના મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સમી નજીક ઈકો ગાડી સાથે બાઈક અથડાતા યુવક નીચે પટકાયો હતો અને ગંભીર ઈજાના કારણે દમ તોડ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
વિરોધનો સૂર ઉઠ્યો:તોરણવાળી માતા ચોક ડેવલોપ પ્રોજેક્ટ રદ કરી દેવાશે તો આંદોલનની તૈયારી
મહેસાણાના તોરણવાળી માતા ચોક ને હેરિટેજ લૂકમાં વિકાસ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યા પછી બજારમાંથી વિરોધનો સૂર ઉઠતા કામ ઠપ્પ થયેલુ પડ્યુ છે. આ દરમિયાન તોરણવાળી માતાજી ટ્રસ્ટ દ્વારા તોરણવાળી માતા ચોક ને હેરિટેજ તરીકે વિકસાવવાથી શહેરની ઓળખમાં વધારો થશે અને નાગરીકો માટે ગૌરવ સમાન ઓળખ ઉભી થશે. ત્યારે આ પ્રોજેક્ટ જો રદ થાય તો નગરજનોની ધાર્મિક લાગણી દુભાશે. જેથી આગામી 15 દિવસમાં પ્રોજેક્ટ ચાલુ કરવો. આ પ્રોજેક્ટ કોઇના દબાણમાં રહીને રદ થયો તો એક જન આંદોલન ઊભું કરાશે તેવી તોરણવાળી માતાજી ટ્રસ્ટના નેજા હેઠળ મહાનગરપાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરાઇ છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એજન્સીને તોરણવાળી માતા ચોક વિકાસ કામગીરીનો એજન્સીને વર્કઓર્ડર અપાયેલો છે અને મુખ્યમંત્રીએ આ કામનું લોકાર્પણ કરતા 16 જાન્યુઆરીથી કામ ચાલુ કરતા માપણી કરી નિશાન લગાવ્યા હતા. ત્યારે કયા કારણોસર કામ સ્થગિત કરવામાં આવ્યું તે સમજાતું નથી. કોઇ રાજકીય કે વગદારથી આ કામ સ્થગિત કર્યાનું જાણવામાં આવ્યું છે. ત્યારે શહેરમાં ચાલતા વિકાસ કામોમાં બીજા કોઇ વિસ્તારમાં આ રીતે કામ સ્થગિત કરાયા નથી. ત્યારે તોરણવાળી માતાના નામથી આ તોરણ હેરિટેઝ નામ રાખીને વિકાસ પ્રોજક્ટ શરૂ કરવા માંગ કરાઇ છે. વર્ષો પછી મહેસાણા એકને આવો પ્રોજેક્ટ મળ્યો છે. તેને કેટલાક વિઘ્ન સંતોષી લોકો તરકીબ વાપરી રહ્યા છે. અમદાવાદના ભદ્રકાળી મંદિરની જેમ વિકાસ કરોગામ દેવી તોરણવાળી માતાજી મંદિરમાં આવતા દર્શનાર્થીઓનો ધસારો અમદાવાદના ભદ્રકાળી મંદિરની જેમ વધે તેવી રીતે વિકસિત કરો. આસપાસ કાયમી ઉભી રહેતી લારીઓને ખસેડવા માંગ કરાઇ છે. આ પ્રોજેક્ટને રદ કરાશે તો પ્રથમ 20 દિવસ પ્રતિક ઉપવાસ અને ત્યારપછી રેલી સ્વરૂપે આવેદન અપાશે અને જરૂર પડે તો આમરણાંત ઉપવાસ કરવા જણાવ્યું છે. પ્રોજેક્ટ ઝડપથી શરૂ કરવા સમર્થન પત્ર મનપાએ આપ્યું હતું. હજી પ્રોજેક્ટ અંગે કોઇ નિર્ણય લેવાયો નથીતોરણવાળી માતા ચોક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કામ કયા તબક્કે છે, શુંપ્રોજેક્ટ રદ કરાયો ? તેવી પૃચ્છા કરતાં કમિશ્નર રવિન્દ્ર ખતાલેએ કહ્યુંકે, હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. પ્રતીક્ષા કરો .
વેધર રિપોર્ટ:ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સરહદે 3.1ની તીવ્રતાનો ભૂકંપ
ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, શુક્રવારે સાંજે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો અને રાજસ્થાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધવામાં આવી છે. આ ભૂકંપ સાંજે ૦7:21 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉત્તર ગુજરાતના ધરોઈથી 49 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ (NNE) દિશામાં, રાજસ્થાન સરહદ પાસે નોંધાયું છે. ભૂકંપના આંચકાની ઊંડાઈ જમીનથી માત્ર 3.5 કિમી નીચે હતી. આ આંચકાના ચોક્કસ સ્થાનની વાત કરીએ તો તે લેટિટ્યુડ 24.435 N અને લોન્ગીટ્યુડ 72.9430 E પર સ્થિત હતું.
SIRની કામગીરી:જિલ્લાની 7 વિધાનસભામાં 2.58 લાખ મતદારોની ખામીઓ સુધારવા નોટિસ
મહેસાણા જિલ્લાની સાતેય વિધાનસભા ક્ષેત્રમાં મતદારયાદી ખાસ સુધારણા કવાયતમાં મતદારોની ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા પછી યાદીમાં આવેલા મતદારો પૈકી જે મતદાર અને તેમના માતા-પિતા કે દાદા-દાદી સાથે મેપિંગ માં ક્યાય નામ, ઉમર, અટકમાં તાર્કિગ ખામી હોય તો સુધારા માટે તેમજ નો મેપિગ હોય તેવા મતદારોની ચૂંટણી તંત્રએ નોટિસ જનરેટ કરી છે. જેમાં મહેસાણા જિલ્લામાં અંદાજે 2.58 લાખ જેટલી તાર્કિક ખામીના મતદાર અને મેપિગ વગરના મતદારોની નોટિસ જનરેટ થતા બીએલઓ રાહે મતદારોના ફરી ડોક્યુમેન્ટ મેળવીને સક્ષમ અધિકારી રાહે નિવારણની કામગીરીમાં જોતરાયા છે. 2002ની સરખામણીએ અટકના સ્થાનમાં ફેરફાર થયો હોય અથવા વંશાવલીના નામ મેચ ન થતા હોય તેવા કિસ્સાઓમાં દસ્તાવેજો મેળવીને સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત સૌથી વધુ મહેસાણામાં 54 હજાર, બહુચરાજીમાં 48 હજાર, ખેરાલુમાં 36 હજાર, ઊંઝામાં 33 હજાર, વિસનગરમાં 27 હજાર અને સૌથી ઓછી વિજાપુરમાં 12 હજાર નોટિસો જનરેટ થતા ચૂંટણી તંત્રના ઓપરેટરો દ્વારા રાત-દિવસ કામગીરી કરીને તેની પ્રિન્ટ કાઢવામાં આવી છે. હાલમાં બીએલઓ દ્વારા મતદારોનો સંપર્ક કરીને જન્મનું પ્રમાણપત્ર, એલ.સી., પાસપોર્ટ કે પાનકાર્ડ જેવા પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદારોને રૂબરૂ સાંભળીને ડોક્યુમેન્ટની ચકાસણી બાદ ખામીઓના નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને કારણે મામલતદાર કચેરીઓમાં મતદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.બી. પરમારના જણાવ્યા અનુસાર, દરેક વિધાનસભાના ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ જન્મ તારીખના પુરાવા સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરીને વિસંગતતા દૂર કરવા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
મહેસાણા જિલ્લામાં 20થી માંડી ને 50 વર્ષ જૂની જર્જરિત એવી 80 જેટલી ગ્રામ પંચાયતોના નવીન પંચાયત ઘર બનાવવા માટે શુક્રવારના રોજ તમામ 10 તાલુકાઓના ગામડાઓમાં એક સાથે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ 101 જેટલી ગ્રામ પંચાયતોના નવીન પંચાયત ઘર બનવાના છે. 80 જેટલી જર્જરિત પંચાયત સિવાય 20 પંચાયતના નવીન મકાન બનવાના છે જ્યાં પંચાયત ઘર બનાવવામાં જ આવ્યા નથી. મહેસાણા જિલ્લાના 610 પૈકી 80 જેટલી ગ્રામ પંચાયતો 20 વર્ષથી માંડીને 50 વર્ષ સુધીના જૂના મકાનો હોવાથી જર્જરિત હાલતમાં હતી. જ્યારે 20 જેટલી ગ્રામ પંચાયતોનું વિભાજન થતાં તેનું અલગ અસ્તિત્વ આવ્યા પછી ત્યાં ગ્રામ પંચાયતનું મકાન જ બનાવવામાં આવ્યું ન હતું અને વાડી કે પછી કોઈ અન્ય સંસ્થાના મકાનમાં પંચાયત કાર્યરત હતી. તેવા 20 ગ્રામ પંચાયત ઘર મળી કુલ 101 જેટલી નવીન ગ્રામ પંચાયતના મકાન બનાવવા માટે જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડીને વર્ક ઓર્ડર આપતા શુક્રવારના રોજ દરેક ગામડે તેનું ખાતમુહૂર્ત કરાયું હતું. વર્ક ઓર્ડર આપ્યાની તારીખથી 9 મહિના સુધીમાં આ તમામ નવીન પંચાયત ઘરની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વસ્તીના આધારે પંચાયત ઘર બનાવવાની ગ્રાન્ટ મળે છેગામડામાં ગ્રામ પંચાયતનું નવીન મકાન બનાવવા માટે વસ્તીના ધોરણે રાજ્ય સરકાર રકમ ફાળવે છે જેમાં 5000 ની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતનું મકાન બનાવવા 25 લાખ, 10 હજારની વસ્તી ધરાવતી પંચાયતને 35 લાખ અને 10 હજારથી ઉપરની વસ્તી ધરાવતી પંચાયતને મકાન બનાવવા માટે 40 લાખ રૂપિયા ની રકમ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નવીન પંચાયત ઘરની મંજૂર કરવામાં આવેલી સરકારી ડિઝાઇનમાં ઉપરના માળે બે રૂમ અને ટોયલેટ, બાથરૂમ સાથે નું તલાટી આવાસ અને નીચે પંચાયત ની ઓફિસ સહિતનું બે માળનું મકાન બનાવવામાં આવશે.
મહેસાણાની અક્ષર વિદ્યામંદિર દ્વારા ‘ગુરુકુળથી ગૂગલ’ થીમ પર પ્રાચીન ભારતીય સંસ્કાર અને આધુનિક ટેકનોલોજીના સુમેળનો દર્શન કરાવતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ કાર્યક્રમનો હેતુ આજના ડિજિટલ યુગમાં બાળકો ટેકનોલોજી સાથે જોડાયેલા રહે તે સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જાળવી રાખે તે હતો. વિદ્યાર્થીઓએ નાટક અને નૃત્ય દ્વારા ગુરુકુળ પરંપરાથી લઈને આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગૂગલ સુધીની શિક્ષણ યાત્રાનું જીવંત મંચન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. જ્ઞાન મેળવવાના સાધનો બદલાયા હોવા છતાં ગુરુ અને જ્ઞાનનું મહત્વ શાશ્વત છે તેવો સશક્ત સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી. મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા. સંસ્થાના રજનીકાન્તે વિદ્યાર્થીઓ ગૂગલની ઝડપ સાથે ગુરુકુળની શિસ્ત જાળવે તેવા પ્રયાસોની વાત કરી. મોટી સંખ્યામાં વાલીઓ અને શિક્ષણપ્રેમીઓ હાજર રહ્યા હતા.
હુમલો:મહેસાણામાં સ્કૂટર ચાલકને જોઈને ચલાવોનું કહેનાર મહિલા, તેના ભાઈ પર હુમલો
સ્કૂટર ચાલકને જોઈને ચલાવવાનું કહેનાર મહિલા પોતાના બહેનના ઘરે જતાં તેની પાછળ અન્ય ત્રણ જણને લઈ પહોંચેલા સ્કૂટર ચાલકે મહિલા અને તેના ભાઈ ઉપર હુમલો કરી મારામારી કરી હતી. સાથે યુવકની છરી મારતાં મહિલાએ પોતાના અને ભાઈ ઉપર હુમલો કરનાર અને તેની સાથે આવેલા અન્ય ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. મહેસાણાના ઉચરપી રોડ પર શ્રીજી શરણમ ફ્લેટમાં રહેતા બિનલબેન મહેન્દ્રકુમાર નાયક 29 જાન્યુઆરીના રોજ રામોસણાની દિવ્યભૂમિ સોસાયટીમાં રહેતા પોતાની બેનના ઘરે ગયા હતા. પણ ત્યાંથી ચોકડીના માર્ટમાં દૂધ લઈને પરત આવતા હતા તે સમયે સ્કૂટરના ચાલકે પૂરઝડપે ચલાવી તેમના એક્ટિવાની ટક્કર મારતાં રહી ગયો હતો. ત્યારે તેમણે તેને ભાઈ તમારું સ્કૂટર જોઈને ચલાવો તેમ કહેતા તેણે તમારી એક્ટિવાને ક્યાં ટક્કર મારી છે તે મને કહો છે તેમ કહી તે ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં સ્કૂટરનો ચાલક અને બે થી ત્રણ શખ્સોએ ત્યાં રોડ ઉપર કેમ દાદાગીરી કરતા હતા. તેમ કહી લાકડી પગે મારી હતી. તેમનો ભાઈ બ્રિજકુમાર દિલીપભાઈ નાયક છોડાવવા વચ્ચે પડતાં ડાબા હાથે છરી મારી હતી. જ્યાં બિનલબેને જીજે 02 .બી ક્યુ. 4956 નંબરના સ્કૂટર ચાલક અને અન્ય ત્રણ શખ્સો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કેબલની ચોરી:મણુંદમાં એક જ રાતમાં બે બોર પરથી કેબલની ચોરી
પાટણ તાલુકાના મણુંદમાં એક જ રાતમાં બે બોર પરથી કેબલ ચોરી થઇ છે.મણુંદના અંબિકા સોસાયટીમાં રહેતા કુલદીપકુમાર પટેલના ભરોળી આંટામાં આવેલા બોરની ઓરડીનું તાળું તોડી તસ્કરો અંદાજે 70 ફૂટ લાંબો કિંમતી કેબલ કાપી ફરાર થઈ ગયા હતા. આ મંગળવારની રાત્રે બનેલી આ ઘટનાની જાણ બીજા દિવસે સવારે થઈ ત્યારે ઓરડીનો નજારો જોઈ ખેડૂત સ્તબ્ધ રહી ગયા હતા.માત્ર કુલદીપકુમાર જ નહીં, પરંતુ તેમના જ ગામના દિનેશભાઈ પટેલના બોર પરથી પણ 30 ફૂટ કેબલની ચોરી થઈ છે.
શ્રદ્ધાળુઓ માટે ખાસ આયોજન:અંબાજી પરિક્રમા માટે પાટણ જિલ્લામાં 50 બસો ફાળવી
અંબાજી ખાતે આયોજિત ''શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026'' માં આવવા જવા માટે શ્રદ્ધાળુઓ માટે એસટી બસ વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લાના વિવિધ એસટી ડેપોમાંથી કુલ 50 વિશેષ બસો ફાળવવામાં આવી છે, જેમાં મુસાફરો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં ભક્તોને ઘરઆંગણેથી અંબાજી સુધી પહોંચાડવા તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાની કુલ 50 બસો પૈકી ચાણસ્મા ડેપો દ્વારા 12 બસોની ફાળવણી કરવામાં આવી છે. ચાણસ્મા ડેપો મેનેજર મનીષાબા ચાવડાના જણાવ્યા મુજબ, ચાણસ્મા શહેર અને ગ્રામ્ય વિસ્તારો માટે 7 બસ તથા હારીજ તાલુકા માટે 5 બસ ફાળવવામાં આવી છે. આ વ્યવસ્થાને કારણે પછાત અને અંતરિયાળ ગામડાઓના શ્રદ્ધાળુઓ પણ સરળતાથી શક્તિપીઠ પરિક્રમાનો લાભ લઈ શકશે.
મૃતદેહ મળી આવ્યો:હારિજના ભલાણા પાસે નર્મદા કેનાલમાંથી ચંદ્રુમાણાના 24 વર્ષના યુવકનો મૃતદેહ મળ્યો
હારિજ તાલુકાના ભલાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી શુક્રવારે એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના 24 વર્ષીય યુવક તરીકે થઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મોતનું કારણ જાણવા તપાસ તેજ કરી છે. ભલાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં લાશ તરતી હોવાની જાણ થતા હારિજ પોલીસના દિનેશભાઈ અને સંજયભાઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામનો પ્રિન્સ જયંતિલાલ પટેલ (ઉં.વ. 24) હોવાનું સામે આવ્યું હતું. યુવાન દીકરાના મોતના સમાચાર મળતા જ ચંદ્રુમાણા ગામમાં અને પટેલ પરિવારમાં ગમગીની છવાઈ છે.
સમીના જલાલાબાદ ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ કોરીધાકોર કેનાલમાં ઉભા રહીને પાણી આપોના નારા લગાવી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરી તાત્કાલિક કેનાલમાં સિંચાઈના પાણી છોડવા માટે માંગ કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલ બની ત્યારથી આજ દિન સુધી તેમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી.હાલ શિયાળુ પાક અંતિમ તબક્કામાં છે ત્યારે પાણીના અભાવે ઘઉં પીળા પડી રહ્યા છે. જલાલાબાદના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી જણાવ્યુ હતુ કે રાજપુરા બ્રાન્ચ કેનાલ મારફતે આ વિસ્તારમાં પાણી છોડવામાં આવે છે, પરંતુ આ પાણી માત્ર ગુજરવાડા ગામ સુધી જ સીમિત રહે છે. જલાલાબાદ સુધી પાણી પહોંચાડવામાં નર્મદા વિભાગના અધિકારીઓને વારંવારની લેખિત રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી ગોવિંદભાઈ નાડોદાએ જણાવ્યું હતું કે પાણી તો આવતું નથી, પણ કેનાલની સફાઈ પણ થતી નથી. નાળું તૂટેલું હોવાથી અવરજવરમાં પણ તકલીફ પડે છે.ખાવા પૂરતા ઘઉં વાવ્યા છે, પણ હવે એ પીળા પડી રહ્યા છે. જો અઠવાડિયામાં પાણી નહીં મળે તો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે
થરા કોલેજમાં નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, થરાના સંયુક્ત ઉપક્રમે એક ભારત શ્રેષ્ઠ ભારત વિષય પર રાજ્ય કક્ષાનો સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડૉ. જિતેન્દ્રકુમાર પટેલે જણાવ્યું હતું કે, ભારત માત્ર ભૂગોળ નથી પણ એક જીવંત વિચાર અને સંસ્કાર છે. પશ્ચિમની સંસ્કૃતિ જગતને બજાર માને છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ સંસારને પરિવાર માની વસુધૈવ કુટુંબકમ્માં માને છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જ્યારે રાષ્ટ્ર પ્રથમ અને સ્વાર્થ ગૌણ બને ત્યારે જ સાચા અર્થમાં શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થાય છે. સેમિનારમાં સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદના દ્રષ્ટિકોણથી રાષ્ટ્રીય એકતા પર વિવિધ વિદ્વાનોએ પ્રકાશ પાડ્યો હતો. કોલેજના આચાર્ય ડૉ. દિનેશકુમાર ચારણે મહેમાનોનું સ્વાગત કરી સેમિનારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. આ પ્રસંગે અનેક અધ્યાપકો અને સંશોધક વિદ્યાર્થીઓએ પોતાના રિસર્ચ પેપર રજૂ કર્યા હતા.
સિટી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ:બારડોલીમાં ગૌરવ પથ અને રોડના કામ બાકી તો વ્યારામાં હોકર્સ ઝોન બંધ
પ્રોજેક્ટ : વ્યારા હોકર્સ ઝોન પ્રોજેક્ટ બંધ વ્યારામાં 2022માં હોકર્સ ઝોન બનાવવાનું નક્કી કર્યું હતું. ખાતમુહૂર્ત કરી કામ ચાલુ કરી દેવાયું પરંતુ મંજૂરીના અભાવે હાલ કામ બંધ છે. અત્યારે 30 ટકા કામ પૂર્ણ થયું છે. હેતુફેર અને અન્ય મંજૂરીના અભાવે કામ અટકાવાયુ હતુ. પાલિકાએ કલેક્ટરમાં રજૂઆત કરી ગાંધીનગર મંજૂરી માટે દરખાસ્ત મોકલી છે. જે આવતા કામગીરી ચાલુ થશે. પ્રોજેક્ટ : શામરિયા મોરામાં રોડ ડેવલોપમેન્ટ બારડોલી નગરના શામરિયા મોરા વિસ્તારની ખાડી પર દિવાયાદર સાથે આશાપુરા માતા મંદિર ચોક પર રોડ ડેવલપમેન્ટનું કામ વર્ષ 2024માં આપવામાં આવ્યું હતું. પરતું પૂર્ણ થવાનું નામ લેતું નથી.જોકે ત્રણેક માસમાં કામગીરી પૂર્ણ થવાની વાત છે. પ્રોજેક્ટ : સોનગઢ પાલિકાની લાઈબ્રેરી સોનગઢ પાલિકા દ્વારા અદ્યતન લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્ઞાનના પ્રસાર અને ઉજ્જવળ ભવિષ્યના હેતુથી તૈયાર થઈ રહેલું ડિજિટલ યુગનું પુસ્તકાલય, યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને વાંચન માટે શાંત તેમજ પ્રેરણાદાયી વાતાવરણ આપશે. પ્રોજેક્ટ : બારડોલી ગૌરવ પથનું 60% કામ પૂરું બારડોલી નગરમાં સત્યાગ્રહના ઐતિહાસિક થીમ પર મુખ્ય માર્ગ પર ડીવાયડર બનવાની કામગીરી પાંચ મહિનાથી ચાલી રહી છે. જે નગર માટે આગવી ઓળખ બની રહેશે. હાલ પચાસ ટકાથી વધુ કામ થઈ ગયું છે. કામ પૂરું થતા નગરની શાન બની રહેશે.
સામાજિક કુરિવાજોને દૂર કરવા અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક બોજમાંથી ઉગારવા માટે ગઢવાડા-દાંતારી રબારી સમાજ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. સતલાસણા અને દાતા તાલુકાના વિવિધ ગામોના સમાજના અગ્રણીઓની હાજરીમાં મળેલી બેઠકમાં સમાજનું નવું બંધારણ સર્વાનુમતે અમલી બનાવવામાં આવ્યું છે. આ બંધારણ મુજબ હવે લગ્ન પ્રસંગોમાં ડી.જે., વરઘોડો અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અંધાધૂંધ ખર્ચને રોકવા મામેરાની રકમ મર્યાદિત કરીલગ્નમાં સાદી ચોરી અને સાદો જમણવાર રાખવાની સાથે વીડિયોગ્રાફી પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સામાજિક મોભા પાછળ થતા અંધાધૂંધ ખર્ચને રોકવા મામેરાની રકમ મર્યાદિત કરી દેવામાં આવી છે અને પત્રિકાઓ છપાવવાને બદલે વોટ્સએપ આમંત્રણને માન્યતા આપવામાં આવી છે. છૂટાછેડાના કિસ્સામાં કડક આર્થિક દંડની જોગવાઈમરણ પ્રસંગે પણ સમાજે અત્યંત ગંભીરતા દાખવીને અફીણ-ડોડા જેવા નશા મુક્ત રહેવા અને સાદગીપૂર્ણ લોકાચાર પાળવા પર ભાર મૂક્યો છે. છૂટાછેડાના કિસ્સામાં સમાજની શિસ્ત જળવાઈ રહે તે માટે કડક આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં કુવારું સગપણ તૂટે તો 5 લાખ અને સંતાનો સાથે છૂટાછેડાના કિસ્સામાં 21 લાખ રૂપિયા સુધીના વળતરનો નિયમ બનાવ્યો છે. નિર્ણયોનું ઉલ્લંઘન કરનાર સામે દંડ સહિતની કાયદાકીય કાર્યવાહીઈશ્વરભાઈ હડોલ, લીલાભાઈ હડોલ અને તેજાભાઈ ભચડિયા સહિતના અગ્રણીઓએ ભેગા મળીને સતલાસણા, ટીંબા, હડોલ, સુદાસણા સહિતના પરગણાના ગામો માટે આ નિયમો લાગુ કર્યા છે.સમાજની સુખાકારી અને પ્રગતિ માટે લેવાયેલા આ નિર્ણયોનું ઉલ્લંઘન કરનાર સામે દંડ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ છુટાછેડા પ્રસંગ
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી માણેકબાગ સોસાયટીમાં ડૉક્ટરના બંધ ઘરમાં કરોડોની ચોરી થઈ હતી. કરોડોની ચોરી ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પરિવાર સાથે દુબઈ ગયેલા એક ડોક્ટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ એક કરોડથી વધુની ચોરી કરી હતી. ડૉક્ટરોના ઘરમાંથી કરોડો રૂપિયાની ચોરી થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જેથી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 200 જેટલા CCTV ચેક કર્યા બાદ બે ઘરફોડ ચોરી કરનાર બેને ઝડપી પાડ્યા છે તેમજ ચોરી કરેલો તમામ મુદ્દામાલ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘરફોડ ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતુંસેટેલાઇટ વિસ્તારમાં રહેતા ડૉક્ટર ઉત્તરાયણની રજા હોવાથી પરિવાર સાથે દુબઇ ફરવા માટે ગયા હતા. જે દરમિયાન માણેકબાગ સોસાયટીમાં રહેતા ડૉક્ટરના ઘરમાં 16 જાન્યુઆરીના રોજ ચોરીની મોટી ઘટના બની હતી. ઉત્તરાયણના તહેવાર દરમિયાન ડોક્ટર પરિવાર સાથે દુબઇ ફરવા ગયા હતા, તે દરમિયાન આ ઘરફોડ ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ઘરમાં ઘૂસીને અંદાજિત એકથી દોઢ કલાક સુધી રોકાયા હતા. આ દરમિયાન સેફ લોકર તોડી 203.5 તોલા સોનાના દાગીના, 45 લાખ રોકડ તેમજ ચાંદી અને ડાયમંડના કિંમતી દાગીનાની ચોરી કરી ભાગી ગયા હતા. ડોક્ટર દુબઈથી ઘરે પરત ફર્યા ત્યારે કુલ 1.47 કરોડની ઘરમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેમાં માત્ર દાગીનાની કિંમત જ 1 કરોડથી વધુ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. DVRને નદીમાં ફેંકી દીધું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું જોકે, ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે શાતિર તસ્કરોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ સામે આવ્યું કે, આરોપી કમલેશ ઉર્ફે ગુગો પરમાર અને મેહુલ પરમાર બંને બાળપણના મિત્રો છે અને રિક્ષા ચલાવે છે. જ્યારે કમલેશ પરમાર રીઢો ઘરફોડ ચોર છે. કમલેશ અને મેહુલ દારૂ પીવા મળ્યા ત્યારે ઘરફોડ ચોરી કરવાનું નક્કી કર્યું હતું. રિક્ષા લઈને માણેકબાગ ચોરી કરવા પહોંચ્યા હતા. ચોરી કર્યા બાદ પોતાની ઓળખ ન થાય તે માટે તસ્કરો ઘરમાં લાગેલું CCTVનું DVR પણ સાથે લઈ ગયા હતા. બાદમાં DVRને નદીમાં ફેંકી દીધું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપીઓ ચોરીના પૈસાથી 5 લાખની કારની બુકિંગ કરી હતીચોરીની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે 200 કરતા વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેક્નિકલ સર્વેલેન્સ અને બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ચોરીના પૈસાથી 5 લાખની કારની બુકિંગ કરી હતી. આરોપી કમલેશ પરમાર સામે અગાઉ સેટેલાઇટ, સાબરમતી, પાલડી, વાડજ, નવરંગપુરા અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને કરોડોની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ચોરીમાં ગયેલા તમામ રોકડ, સોના-ચાંદી તથા ડાયમંડના દાગીના કબ્જે કરી લીધા છે. આરોપીઓએ અન્ય કેટલા ગુનાઓ આચાર્ય છે અને આ ઘરફોડ ગેંગમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે. બે આરોપીને ઝડપી 100 ટકા મુદ્દામાલ જપ્ત કબ્જે કરવામાં આવ્યોક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.એલ.સાલુકેએ જણાવ્યું હતું કે, ફરિયાદીના લાકડાની બારીમાંથી તસ્કરોએ ઘરમાં ઘૂસી ચોરી કરી હતી. ફરિયાદના ઘરમાં 1.47 કરોડનું ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેથી અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમને સોંપવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સના આધારે ગુનામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી 100 ટકા મુદ્દામાલ જપ્ત કબ્જે કરવામાં આવ્યો છે. કમલેશ ઉર્ફે ગુગો અને મેહુલ પરમારની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ.એ જણાવ્યું હતું કે, 45 લાખ રૂપિયા રોકડા, 1.01 કરોડના સોનાના દાગીના, 50 હજારનો ચાંદીનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. કમલેશ અગાઉ 10 જેટલા ઘરફોડ ચોરીમાં ગુનામાં પકડાઈ ચૂક્યો છે. મેહુલ વિરુદ્ધ અત્યાર સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપીઓ બંને મિત્ર છે. અગાઉ કમલેશે આ જ સોસાયટીમાં ચોરી કરી હતી. જેથી, તે સોસાયટીથી સારી રીતે વાફેક હતો. આરોપીઓએ ચોરી કરી રોકડ રકમની બે ભાગમાં ડિવાઇડ કરી હતી તેમજ દાગીના બધા કમલેશે પોતાની પાસે જ રાખ્યા હતા. જેથી, આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપરથી માતા અને પુત્રનું એકતરફી પ્રેમમાં પાગલ શખસે કારમાં અપહરણ કરી લેતા બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં બંને માતા-પુત્રને ત્રંબા નજીકથી છોડાવી અપહરણ કરનાર ચાર શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં આરોપી પ્રેમી બાબુ ઉર્ફે કૃણાલ મીઠારની પ્રેમિકાના લગ્ન પરિવારજનો દ્વારા બીજે નક્કી કરી દેવામાં આવતા રોષે ભરાયેલ પ્રેમીએ પ્રેમિકાની માતા અને તેના ભાઈનું કારમાં અપહરણ કરી લઇ ગયો હતો. જેમાં તેને તેના મિત્રોએ પણ સાથ આપ્યો હતો. હાલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. માતા-પુત્રને મુક્ત કરાવી ચાર આરોપીને ઝડપી પાડ્યારાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અપહરણની ફરિયાદમાં પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ભાવનગર રોડ પર ત્રંબા નજીકથી આર્ટીગા કાર મળી આવી હતી. જોકે, તેમાં આરોપી કે માતા-પુત્ર મળી આવ્યા ન હતા. દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી કાર બદલાવી પરત રાજકોટ તરફ ભાગ્યાં છે ત્યારે ફરી પોલીસે તેનો પીછો કરતાં ભાવનગર રોડ પરથી આરોપીને આંતરી માતા-પુત્રને મુક્ત કરાવ્યાં હતા અને આરોપી બાબુ ઉર્ફે કૃણાલ માલા મિઠાર (ઉં.વ.29), ભરત જીવા કલોત્રા (ઉ.વ.30), અલ્પેશ ઠાકોર (ઉ.વ.20) અને જયદિપ લીંબાસીયા (ઉ.વ.24)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાબુ ઉર્ફે કુણાલને મારી દીકરી સાથે પ્રેમ સંબંધ હતોસાધુ વાસવાણી રોડ પર રહેતાં 55 વર્ષીય પ્રૌઢે યુનિવર્સિટી પોલીસમાં બાબુ ઉર્ફે કૃણાલ અને તેના મિત્રો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના 8 વાગ્યાની આસપાસ તેઓ ટીફીન લઈ કે.કે.વી હોલ પાસે આવેલ બ્લીંકીટના સ્ટોર ખાતે નોકરી પર જતા હતા ત્યારે અગાઉ પાડોશમાં રહેતો બાબુ ઉર્ફે કુણાલ જેને મારી દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. મારી દીકરીના અમદાવાદ લગ્ન કરાવી દીધા હતા. જેથી કુણાલ તથા તેનો મિત્ર ભરત કુણાલની સફેદ કલરની આર્ટીગા ગાડી લઈ તેમની પાછળ આવતા હતા, જેમાં કુણાલ ગાડી ચલાવતો હતો જેથી તેઓ સાધુવાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાસે આવેલી મૈયાભાઈની ચાની હોટલે ઉભા રહી ગયા હતા. એર્ટીગા કારમાં એક બહેન તથા છોકરાને બળજબરીથી બેસાડી લઈ ગયાઆરોપીઓ ફોવ્હીલર લઈ સામેની બાજુ ઉભા હતા જેથી પ્રૌઢે પત્નીને ફોન કર્યો હતો કે આપણો જુનો પાડોશી કુણાલ તથા તેનો મિત્ર ભરત બંને તેની કાર લઈ મારી પાછળ પાછળ આવે છે. બાદમાં પત્ની મૈયાભાઈની હોટેલ ખાતે આવ્યા હતા અને પાછળથી દીકરો પણ ત્યાં આવ્યો હતો. થોડીવાર પછી આરોપીઓ કાર લઈને જતા રહ્યા હતાં જેથી પત્ની તથા દીકરાને ઘરે મોકલી દીધા હતા અને પોતે ત્યાથી બ્લીંકીટના સ્ટોર નોકરી પર જતા રહ્યા હતા. બાદમાં 9.15 વાગ્યે પત્નીને ફોન કર્યો હતો પરંતુ પત્નીએ ફોન ઉપાડ્યો ન હતો જેથી તે ઘરે પહોંચી દીકરીને પૂછતાં તેને જણાવ્યું કે, મમ્મી તથા ભાઈ બંને ઘરે આવ્યા નથી જેથી આસપાસમાં તપાસ કરી હતી. જનકપુરીના ક્વાર્ટરની બાજુમાં આવેલ મહાદેવના મંદિર પાસે જતા એક અજાણ્યા વ્યક્તિને પુછતા જાણવા મળ્યું કે એક એર્ટીગા કારમાં એક બહેન તથા છોકરાને બળજબરીથી બે વ્યકિતઓ ગાડીમા બેસાડીને લઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આરોપી કુણાલને ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરવા હોય અને દીકરીના લગ્ન કરાવવા ન હોય અને તેણીના લગ્ન અમદાવાદ ખાતે કરાવતા કુણાલએ ઉશ્કેરાઈ માતા પુત્રને બળજબરીથી ગાડીમા બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે આરોપીઓ પાસેથી એક અર્ટિગા કાર અને એક ઓરા કાર કબ્જે કરી રિમાન્ડ મેળવવા તપાસ તજવીજ હાથ ધરી છે. આરોપી બાબુ ઉર્ફે કૃણાલ વિરુદ્ધ અગાઉ વર્ષ 2016માં પોક્સો સહીત કલમ હેઠળ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં શુક્રવારે (30 ફેબ્રુઆરી) સાંજે એક્શન ફિલ્મને ટક્કર મારે એવા દ્રશ્યો સર્જાયા હતા.બેફામ થાર ચાલકે નશાની હાલમાં રસ્તા પર રીતસરનો આતંક મચાવ્યો હતો. શેઠ વડાળા પંથકમાં ચારથી પાંચ વાહનનો અડફેટે લઈ ફરાર થયો હતો. જે બાદ ભાયાવદરના સરદાર ચોકમાં પણ તેનો પીછો કરતી પોલીસની વાનને ટક્કર મારી હતી. થાર ચાલકને કાબૂમાં લેવા માટે પોલીસ ઈન્સપેક્ટરે રિવોલ્વર કાઢી હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. ઘટનાની વિગતો અનુસાર, જામનગરના મહેન્દ્રસિંહ જાડેજા ( થાર ચાલક) દારૂના નશામાં બે-ફીકરાઈથી અને માણસોની જીંદગી જોખમાય તે રીતે તેના હવાલાવાળી થાર (GJ-10-EC-7215) લઈને નીકળ્યો હતો. જેણે શેઠ વડાળા પંથકમાં દારૂના નશામાં ચારથી પાંચ વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. જેને લઈ શેઠ વડાળા પોલીસની '112' વાન તેનો પીછો કરી રહી હતી. આ અંગે માહિતી ભાયાવદર પોલીસને મળી હતી. જે બાદ PI વી.સી. પરમાર અને તેમની ટીમે અરણી રોડ અને સરદાર ચોક ખાતે નાકાબંધી કરી હતી. બેફામ થાર ચાલકે પોલીસ વાનને ટક્કર મારીએટલું જ નહીં PI વી.સી પરમાર સહિતના પોલીસ કર્મચારીઓ ભાયાવદર ગામે અરણી રોડની ગોળાઈ પર રસ્તો રોકી ઉભા હતા. ત્યારે અચાનક બેફામ રીતે આવી રહેલા થાર ચાલકને કાબૂમાં લેવા એટલે કે અટકાવવાનો પ્રયાસ કર્યો. જો કે થાર ચાલકે ઉભા રહેવાને બદલે થારને પુરઝડપે ભગાવી અને બે-ફીકરાઈથી હંકારી મૂકી હતી. એ સાથે જ પોલીસની વાને થાર ચાલકનો પીછો કરી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો. થારનો પીછો કરતા સમયે સરદાર ચોક ખાતે પહોંચ્યા ત્યારે પોલીસની વાનને પણ આ બેફામ થાર ચાલકે ટક્કર મારી હતી. PIએ રિવોલ્વર કાઢી હોવાનું જોવા મળ્યુંએ સમયે ત્યાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. સાથે જ કોઈ એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોવા એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સાથે જ અન્ય પોલીસ કર્મચારી થાર રોકવા માટે ચાલકને ચેતવણી આપે છે. જો કે નશાની હાલતમાં થાર ચાલક હોવાથી થાર ભગાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે PI વી.સી પરમારે થાર ચાલકને અટકાવવા માટે રિવોલ્વર કાઢી હોવાનું પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. એ સાથે જ અન્ય પોલીસ કર્મચારી થારમાંથી ચાલકને બહાર કાઢે છે.લોકોએ થાર ચાલકને મેથીપાક ચખાડ્યો કલાકોની મહામહેનતે બેફામ થાર ચાલકને કાબૂમાં લેવામાં પોલીસને સફળતા મળી. એ સાથે જ બેફામ ડ્રાઈવિંગથી રોષે ભરાયેલા લોકોએ થાર ચાલકને બહાર કાઢી 'મેથીપાક' પણ ચખાડ્યો હતો. જોકે, પોલીસે તુરંત મધ્યસ્થી કરી આરોપીને ટોળાના મારથી બચાવી લીધો હતો. અને પોલીસ વાનમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ભાયાવદર પોલીસે આરોપીનો કબજો શેઠ વડાળા પોલીસને સોંપ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ હવાલાવાળી સફેદ કલરની કાર પણ જપ્ત કરવામાં આવી છે. રાજકોટ રેન્જ IG અને SPની સૂચના મુજબ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસોમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગત 28 જાન્યુઆરીએ કડી નર્મદા કેનાલમાંથી 25 વર્ષીય એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહ ગાંધીનગરના સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલની હતી. ઋષભ પટેલે લગ્નજીવનના 13 દિવસમાં જ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી હતી. ગાંધીનગરના બિલ્ડર પુત્રના આપઘાત કેસમાં હવે સટ્ટો અને ટોર્ચરિંગનો પણ ખુલાસો થયો છે. આ ઉપરાંત સસરાના ઓળખીતા સાથે લાખોની લેતીદેતી પણ શંકાના ઘેરમાં આવી છે. આ તમામ પાસાઓને લઈને હવે બિલ્ડર પુત્રના આપઘાતનું રહસ્ય વધુ ઘેરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પુત્રના મોત મામલે પિતાએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને 2 ફેબ્રુઆરી સુધીના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. આરોપીઓ મૃતક ઋષભના સસરાના ઓળખીતાગાંધીનગર કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલની આત્મહત્યા કેસમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને મૃતકના પિતા પ્રવિણભાઈએ ચાર શખસોના નામજોગ આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીઓ મૃતક ઋષભના સસરાના ઓળખીતા છે. એક આરોપી પૂર્વ કોર્પોરેટરનો દીકરોપૈસાની લેવડ દેવડમાં બે ત્રણ મહિનાથી માનસિક અને શારીરિક હેરાનગતિ કરતા ઋષભે અંતિમ પગલું ભર્યું હતું. ચાર આરોપીઓમાંથી એક મનિષ ઉર્ફે સ્પ્લેન્ડર પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસે મહિપાલસિંહ નામના એક આરોપીની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવાની કવાયત તેજ કરી છે. પોલીસે મહિપાલસિંહ રાઠોડની ધરપકડ કરીઆ અંગે ગુનો દાખલ થતા જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. ખેર સહિતની ટીમે ઘનિષ્ઠ તપાસનો દોશ શરૂ કરી તાબુંલ પાન પાર્લરના સંચાલક મહિપાલસિંહ રાઠોડની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. મહિપાલસિંહની પ્રાથમિક પૂછપરછમાં ક્રિશાલ પટેલ અને ઋષભ બંને મિત્રો છે. ક્રિશાલને ઋષભ પાસે 4 લાખ લેવાના હતાજ્યારે મનિષ ઉર્ફે સ્પ્લેન્ડર અને કલ્પેશ ઉર્ફે તલાટી ક્રિશાલના મિત્રો છે. આ ચારેય એકબીજાને ઓળખતા હોવાથી પાર્લર ઉપર બેસવા જતા હતા. ક્રિશાલને ઋષભ પાસે સાડા ત્રણથી ચાર લાખ લેવાના હતા. એજ રીતે મનિષ અને કલ્પેશ પણ ઋષભ પાસે પૈસા માગતા હતા. જેના લીધે નાના ચિલોડા પાસેના અન્ય એક પાર્લર ખાતે ઋષભને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સટ્ટા બેટિંગના પૈસાની લેતીદેતીની શંકાબીજી તરફ સુસાઇડ નોટમાં પણ માનસિક ટોર્ચરના ચોક્કસ કારણનો ઉલ્લેખ નથી અને પરિવારજનો પણ કશું જાણતા નહીં હોવાનો દાવો કરી આ ચારેય શખસો 007થી ગેંગ ચલાવી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. જેના પગલે પોલીસે મહિપાલસિંહને સાથે રાખી ગુનાવાળી જગ્યા સહિતના સ્થળે લઈ જઈ તપાસ આગળ વધારી છે. તો પોલીસને સમગ્ર ઘટના સટ્ટા બેટિંગના પૈસાની લેતીદેતીમાં ઘટી હોવાની શંકા છે. પોલીસ આગામી દિવસોમાં હેલીની પણ પૂછપરછ કરશેકહેવાઈ રહ્યું છે કે, સટ્ટા બેટિંગના હારજીતના લાખો પૈસા એક ચોક્કસ આઇડીમાં જમા થયા હતા. જોકે, અન્ય ત્રણ આરોપીઓ પકડાયા પછી જ આપઘાતનું સાચુ કારણ બહાર આવી શકે છે. ઉપરાંત ઋષભની પત્ની હેલી મૂળ જૂનાગઢની હોવાથી અને આરોપીઓ પણ તેના પારિવારિક પરિચિત હોવાથી પોલીસ આગામી દિવસોમાં હેલીની પણ પૂછપરછ કરશે અને ઋષભના મોબાઈલની પણ વિગતો મેળવવામાં આવશે. શું છે સમગ્ર ઘટના?સુઘડ ખાતે અપોલો હોસ્પિટલ નજીક આવેલા શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવિણભાઈ પટેલના લગ્ન તા. 12 જાન્યુઆરીના રોજ થયા હતા. લગ્નના 13 દિવસ બાદ એટલે કે, 25 જાન્યુઆરીના રોજ તે સાઈટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે તે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ઋષભનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. આ દરમિયાન 26 જાન્યુઆરીના રોજ ઋષભની કાર રાયપુર નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની અંદર તપાસ કરતા પરિવારને દાગીના, મોબાઈલ અને રોકડ રકમની સાથે બે પેજની અંતિમ ચિઠ્ઠી પણ મળી હતી. 28 જાન્યુઆરીના રોજ ઋષભનો મૃતદેહ ઘરથી 39 કિમી દૂર કડી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. લગ્નજીવનનના 13 જ દિવસમાં જુવાનજોધ યુવકના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ સમાચાર પણ વાંચો 'હેલી... મને તારા માણસોએ મરવા મજબૂર કર્યો, તેમને સજા અપાવજે'ગાંધીનગરના સુઘડ ખાતે રહેતા 25 વર્ષીય ઋષભ પટેલે લગ્નજીવનના 13 દિવસમાં જ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની બિનવારસી મળી આવેલી કારની ડેકીમાં પ્લાસ્ટિકની થેલીમાંથી બે પાનાંની સુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખસના માનસિક ત્રાસથી કંટાળીને આ પગલું ભરી રહ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ ઋષભે લખેલી સુસાઈડ નોટમાં પોતાની પત્નીને સંબોધીને લખ્યું છે કે હેલી બેટા (પત્ની)… ખુશ રહેજે, મને તારા જ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે, તેમને સજા અપાવજે. (વાંચો સંપૂર્ણ સમાચાર) ઋષભ પટેલની લાશ કડીમાંથી મળી, સુસાઈડ નોટમાં 50 લાખની લેતીદેતીમાં માર માર્યોનો ઉલ્લેખગત 25 જાન્યુઆરીના રોજ રહસ્યમય રીતે ગુમ થયેલા 25 વર્ષીય યુવકની લાશ કડી પોલીસ મથકની હદમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને પગલે પટેલ પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઋષભ પટેલના 12 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર)
વડોદરા શહેરમાં દર વર્ષની ચાલુ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 1 ફેબ્રુઆરીના રોજ દોડવીરો આ ફુલ, હાફ અને ફન સહિત વિવિધ દોડમાં ભાગ લેવા માટે દેશ તથા વિદેશમાંથી આવવાના છે. આ ઉપરાંત સંસ્કારી વડોદરાના દોડવીરો પણ ભારે ઉત્સાહ ભારે આ દોડ લગાવવા છે. ત્યારે આ દોડને લઇને વાહનચાલકોને મુશ્કેલી ના પડે અને ટ્રાફિક પણ ના ખોરવાય તેના માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિગ, નો એન્ટ્રી, વૈકલ્પિક રૂટ તથા પ્રતિબંધ રસ્તાના સાથેનુજાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું મેરેથોન પૂર્ણ ના થાય ત્યા સુધી અમલમાં રહેશે. વડોદરા શહેરના 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડનું આયોજન નવલખી ગ્રાઉન્ડ ખાતેથી રાખવામાં આવી છે. આ મેરેથોનમાં અલગ અલગ દોડ જેવી 42 કિમી (ફુલ મેરેથોન), 21 કિમી(હાફ મેરથોન),10 કિમી, 5 કિમી (ટાઇન રન) તથા 5 કિમી (ફનરન)માં ભાગ લેવા માટે દેશ વિદેશમાં દોડવીરો તેમજ વડોદરાના મોટી સખ્યામાં દોડવીરો ભાગ લેવાના છે. જેના અલગ અલગ રૂટ આપવામાં આવ્યાં છે. આંતરાષ્ટ્રીય મેરેથોન દરમિયાન લોકોને મુશ્કેલી ના પડે તેના માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પ્રતિબંધિત રૂટ તથા વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તમામ મેરેથોન પુર્ણ નહી થાય ત્યાં સુધી જાહેરનામુ અમલમાં રહેશે. આ ઉપરાતનો નો પાર્કિંગ તથા નો એન્ટ્રી અને વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યાં છે.
US-Iran Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને દેશો વચ્ચે ક્યારે યુદ્ધ શરૂ થશે તે સ્પષ્ટ નથી. એક તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેહરાનને સતત ધમકીઓ આપી રહ્યા છે, અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાની લશ્કરી તૈયારીઓને સક્રિય રીતે મજબૂત બનાવી રહ્યું છે. યુદ્ધ બે કલાક પણ નહીં ચાલે: ઈરાનના લશ્કરી પ્રવક્તા બીજી તરફ, ઈરાનના લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરામિનિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, 'જો ઈરાન પર હુમલો કરવામાં આવશે, તો ઈરાન તરત જ બદલો લેશે.
સુરેન્દ્રનગરમાં પોલીસ મિત્ર સંગઠનનું અધિવેશન યોજાયું:સાધુ-સંતો અને અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા.
સુરેન્દ્રનગરના રામનગર ખાતે પોલીસ મિત્ર સંગઠનનું અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં સાધુ-સંતો તેમજ સંગઠનના પ્રદેશ, જિલ્લા અને સ્થાનિક કક્ષાના અગ્રણી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સુરેશ મહારાજ, પ્રદેશ સચિવ કિશોરજી બાપુ, જિલ્લા ઉપાધ્યક્ષ કુણાલભાઈ શાહ, જિલ્લા પ્રમુખ પ્રવિણસિંહ ઝાલા, જિલ્લા ઉપાધ્યક્ષ ભલાભાઈ ઠાકોર, જિલ્લા કાર્યકારી અધ્યક્ષ અનિલભાઈ પરમાર અને જિલ્લા મહામંત્રી મહેબુબભાઈ કોટવાલનો સમાવેશ થાય છે.આ અધિવેશનનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.
સુરત જીએસટી વિભાગના ઇન્ટેલિજન્સ યુનિટ (DGGI) દ્વારા સુરતમાં એક વિશાળ બોગસ બિલિંગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ કરેલી તપાસમાં અંદાજે 800 કરોડથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. આ કૌભાંડમાં કોઈપણ ભૌતિક માલસામાનની હેરફેર કર્યા વગર માત્ર કાગળ પર બિલો બનાવીને નાણાકીય ટ્રાન્ઝેકશન બતાવવામાં આવ્યા હતા. વોટ્સએપ ડેટા અને ડિજિટલ પુરાવાઓનો પહાડઆ સમગ્ર કેસમાં સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે અધિકારીઓએ દરોડા દરમિયાન આરોપીઓના મોબાઇલ ફોન કબજે કર્યા. વોટ્સએપ ચેટિંગના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ બાદ કરોડોના વ્યવહારોના પુરાવા મળી આવ્યા હતા. ડિજિટલ ડેટાના આધારે જ એ સાબિત થયું કે કેવી રીતે વિવિધ ડમી પેઢીઓ વચ્ચે આંકડાઓની માયાજાળ રચીને સરકારની આંખમાં ધૂળ નાખવામાં આવતી હતી. 44 કરોડની ખોટી ITC દ્વારા સરકારી તિજોરીને નુકસાનતપાસ દરમિયાન ખુલ્યું હતું કે આરોપીઓએ આ બોગસ બિલોના આધારે કુલ રૂ. 44 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી લીધી હતી. સરકારી ધારાધોરણો મુજબ ટેક્સ ક્રેડિટનો લાભ લેવા માટે વાસ્તવિક માલની લે-વેચ અનિવાર્ય છે, પરંતુ અહીં આરોપીઓએ માત્ર બિલના આધારે જ રોકડ વટાવવાનું અને ટેક્સ ચોરી કરવાનું આખું નેટવર્ક ઊભું કર્યું હતું. સુરતના ત્રણ મુખ્ય સૂત્રધારોની ધરપકડઆ કેસમાં કડક કાર્યવાહી કરતા વાપી DGGI ની ટીમે સુરતના ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ન્યૂ સિટિલાઇટ વિસ્તારમાં રહેતી જ્યોતિ છોરારિયા, અડાજણ વિસ્તારના નિરલ ભરત શાહ અને બાબુલાલ શર્માનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને જેલ ભેગા કરવાની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. શંકાસ્પદ પેઢીઓ અને અમદાવાદ કનેક્શનઆ કૌભાંડના તાર અમદાવાદ સુધી જોડાયેલા છે. અગાઉ અમદાવાદમાં પાડવામાં આવેલા દરોડામાં મળેલી લિંકને આધારે સુરતમાં તપાસ શરૂ કરાઈ હતી. જેમાં આર.ટી. એન્ટરપ્રાઇઝ, હરિની ઇન્ફોટેક, રેબિડ ઓટો અને જેમ્કો ટ્રેડર્સ જેવી અંદાજે 10થી વધુ પેઢીઓ આ કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. આ પેઢીઓ દ્વારા જ ખોટા બિલો જનરેટ કરવામાં આવતા હતા. કાયદાકીય સકંજો અને મિલકત જપ્તીની તૈયારીનિષ્ણાતોના જણાવ્યા અનુસાર 5 કરોડથી વધુના જીએસટી કૌભાંડમાં અધિકારીઓને ધરપકડની સીધી સત્તા છે. CGST એક્ટ હેઠળ આરોપીઓને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જો આરોપીઓ દ્વારા મેળવવામાં આવેલી 44 કરોડની ITC રિકવર નહીં થાય, તો આગામી દિવસોમાં તેમની મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ સંભળાવા લાગ્યા છે. સત્તાધારી પક્ષ હવે જનતા વચ્ચે જતા પહેલા પોતાની આંતરિક નબળાઈઓ સુધારવા અને નગરસેવકોનો વિશ્વાસ જીતવા માટે એક્શન મોડમાં આવ્યો છે ત્યારે વોર્ડ દીઠ યોજાઈ રહેલી સંકલન સમિતિની બેઠકોમાં ખુદ શાસક પક્ષના જ અત્યાર સુધી મૌન ધારણ કરનારા નગરસેવકો પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સક્રિય થયા છે. મૌન ધારણ કરનારા નગરસેવકો હવે અચાનક સક્રિય થયાગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાના સૂત્રો ફરી હાંસલ કરવા માટે ભાજપે ઈલેક્શન મોડ ઓન કરી દીધું છે. વર્ષો સુધી મૌન ધારણ કરનારા નગરસેવકો હવે અચાનક સક્રિય થયા છે.છેલ્લા ચાર વર્ષથી ગાંધીનગરના નાગરિકો જે હાલાકી ભોગવી રહ્યા છે તેની વાચા હવે ખુદ ભાજપના જ નગરસેવકો દ્વારા સંકલન સમિતિની બેઠકોમાં આપવામાં આવી રહી છે. સંકલન બેઠકમાં વિકાસના કામોની પોકળતા છતી થઈ હતીઆજે પ્રથમ તબક્કામાં મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં વોર્ડ નંબર-4 અને 5ની જે સંકલન બેઠક યોજાઈ.તેમાં વિકાસના કામોની પોકળતા છતી થઈ હતી. ગાંધીનગરને કરોડોના ખર્ચે સ્માર્ટ સિટી બનાવવાની વાતો તો થાય છે પરંતુ, જમીની હકીકત કંઈક અલગ જ છે. કોંગ્રેસમુક્ત બનેલી ગાંધીનગર મનપામાં ફરીથી એકચક્રી શાસન સ્થાપવા માટે ભાજપની નેતાગીરી હવે કાઉન્સિલરોનો વિશ્વાસ સંપાદિત કરવા મથી રહી છે. લીકેજના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છેઆ બેઠકમાં હાજર કાઉન્સિલરોએ પોતાની રજૂઆત કરી હતી કે, નવી નખાયેલી પાણીની પાઈપલાઈનોમાં અનેક સ્થળોએ ભયંકર લીકેજ છે. આ લીકેજના કારણે એકતરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને બીજી તરફ રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે. સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે લાખો - કરોડોના કોન્ટ્રાક્ટ આપીને જે કામ કરાવાયા છે.તેની ગુણવત્તા તપાસવાની જવાબદારી કોની છે? વિકાસના નામે જે રીતે રસ્તાઓનું ખોદકામ થાય છે તેનાથી પણ નગરસેવકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. એક તરફ તંત્ર ખાડા પૂરવાનો દાવો કરે છે અને બીજી જ બાજુ કોઈને કોઈ નવી કામગીરીના બહાને ફરીથી રસ્તા ખોદી નાખવામાં આવે છે. આ પ્રકારના આયોજન વગરના કામોને કારણે મતદારોમાં ભારે રોષ છે અને હવે જ્યારે ચૂંટણી માથે છે ત્યારે કાઉન્સિલરોને જનતાના પાયાના સવાલોના જવાબ આપવા અઘરા પડી રહ્યા છે. માત્ર રસ્તા જ નહીં પરંતુ રખડતા ઢોર અને કૂતરાઓના ત્રાસની સમસ્યા પણ ઠેરની ઠેર જ છે. નબળી કામગીરી માટે જવાબદાર કોણ છે?તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કરતા એક કાઉન્સિલરે તો ત્યાં સુધી કહ્યું હતું કે, જે ઢોર પકડાય છે તેને કોણ છોડાવે છે તે અધિકારીઓ સારી રીતે જાણે છે. આ સંકલન બેઠકમાં ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસની હાજરીમાં અધિકારીઓને પણ આડે હાથ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધી કમિશનર કે અન્ય શાખાઓ સામે મૌન રહેતા શાસક પક્ષના નેતાઓએ હવે સીધો સવાલ પૂછ્યો હતો કે આ નબળી કામગીરી માટે જવાબદાર કોણ છે? જોકે અધિકારીઓએ ટેકનિકલ વિગતો આપીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ કાઉન્સિલરોનો આક્રોશ ઓછો થયો નહોતો. અંતે મેયરે સાંત્વના આપતા જણાવ્યું હતું કે તમામ કામોમાં ગુણવત્તા જાળવવી અનિવાર્ય છે અને જનહિતના કામો સમયસર પૂર્ણ થાય તે માટે તંત્રને કડક સૂચના આપવામાં આવશે. જોકે ચૂંટણી પહેલાની આ કવાયત જનતાના પ્રશ્નો ઉકેલવા માટે છે કે માત્ર રાજકીય ડેમેજ કંટ્રોલ તે તો આવનારો સમય જ કહેશે.
બોટાદ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. આ ધમકી ઈ-મેઈલ મારફતે આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું હતું. ધમકીની જાણ થતાં જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, LCB, SOG અને ડોગ સ્ક્વોડનો મોટો કાફલો બોટાદના ખસ રોડ પર આવેલી કલેક્ટર કચેરીએ પહોંચી ગયો હતો. પોલીસે કલેક્ટર કચેરીમાં સઘન તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. હાલ પોલીસે ધમકી આપનાર ઈ-મેઈલની ટેક્નિકલ તપાસ શરૂ કરી છે. ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવા માટે સાયબર ટીમ પણ સક્રિય રીતે કાર્યરત છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં મકાનમાં આજે શુક્રવારે સાંજે ગેસ લીકેજના લીધે આગ ભડકી ઉઠી હતી. બાદમાં ફ્લેસ ફાયરના લીધે પ્રચંડ બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી. જેમાં બે યુવાન દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટના પગલે બે રૂમના બારી બારણા પણ તૂટી ગયા હતા અને દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી. ગેસ સિલિન્ડર લીકેજ બાદ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટમળતી માહિતી પ્રમાણે, પાંડેસરા પોલીસ લાઈન પાસે ગણપતનગરમાં એક માળના મકાનમાં પહેલા માળે ચાર રૂમમાં સાત જેટલા વ્યક્તિઓ રહે છે. જેમાં રૂમ નંબર ચારમાં આજે શુક્રવારે સાંજે નાના ગેસના ચુલા ઉપર રસોઈ બનાવતા હતા. ત્યારે ગેસ લીકેજના લીધે આગ લાગવાની સાથે ફ્લેશ ફાયરના થવાના લીધે જોરદાર ધડાકા સાથે બ્લસ્ટ થયો હતો. બારી-બારણા તૂટ્યા તો દિવાલોમાં તિરાડો પડીબ્લાસ્ટના પગલે ઘરવખરી સહિતનો સામાન વેરવિખેર થઇ ગયો હતો. એટલુ નહી પણ તે રૂમના બારી-બારણા અને બાજુના રૂમના બારી બારણા સહિત વસ્તુ તુટી ગઇ હતી. આ સાથે દિવાલોમાં તિરાડો પણ પડી ગઈ હતી. જોકે આગ અને ધડાકાના લીધે ત્યાંના હાજર સહિતના લોકો ભય ફેલાતા અપરા તફરી અને ભાગદોડ મચી થઇ જવા પામી હતી. બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યાકોલ મળતા 3 ફાયર સ્ટેશના ફાયર લાશ્કરોનો કાફલો ઘટનાસ્થળે ધસીને કામગીરી કરી હતી. જોકે ધડાકાના લીધે રૂમમાં હાજર રાકેશ ગુલાબ બિંદ (ઉ-વ-30) અને બ્રિજલાલ, રામાશંકર બિંદ (ઉ-વ-30)ને દાઝી જવાથી ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે આગ અને બ્લાસ્ટ થવાન લીધે બે રૂમમાં ઘરવકરી, પંખા, બારી-બારણા સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હતું.
ડાંગમાં મોડી રાત્રે કમોસમી વરસાદ:શિયાળુ પાક અને આંબાના મોરને નુકસાનની ભીતિ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ડાંગ જિલ્લામાં શિયાળાની ઋતુમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો છે. સાપુતારા સહિત ગોટીયામાળ અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. અણધાર્યા વરસાદને કારણે શિયાળુ પાક અને આંબાના મોરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું. ઠંડી વચ્ચે આવેલા આ વરસાદથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જોકે વરસાદની માત્રા ઓછી હતી, તેમ છતાં ખેડૂતો શિયાળુ પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ઘઉં, ચણા, તુવેર જેવા પાકો હાલ વૃદ્ધિ અવસ્થામાં હોવાથી ફૂગજન્ય રોગો ફેલાવવાની શક્યતા વધી છે. ખેડૂતોના મતે, જો આગામી દિવસોમાં ફરી વરસાદ પડશે તો પાકને વધુ નુકસાન થઈ શકે છે. ભેજવાળા વાતાવરણથી પાક પલળી જવાથી ઉત્પાદન ઘટવાની સંભાવના છે. ડાંગ જિલ્લાનો મુખ્ય પાક ગણાતો આંબાનો પાક પણ જોખમમાં મુકાયો છે. હાલ આંબાના ઝાડ પર મોર આવવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે કમોસમી વરસાદ અને ભેજને કારણે મોર ખરી પડવાની શક્યતા છે, જે કેરીના ઉત્પાદનને અસર કરી શકે છે. આંબા ઉગાડતા ખેડૂતો મોરને બચાવવા માટે વિવિધ સ્થાનિક ઉપાયો કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો ધુમાડો કરીને ભેજ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે અન્ય દવાઓના છંટકાવની તૈયારીમાં છે. ખેતી વિભાગે પણ ખેડૂતોને સાવચેત રહેવા અને પાકની નિયમિત દેખરેખ રાખવા સૂચના આપી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં આર્થિક નુકસાનની ચિંતા વધી છે. હવામાનની અનિશ્ચિતતા વચ્ચે આગામી દિવસોના વાતાવરણ પર સૌની નજર છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે હવામાન સ્થિર રહે અને ખેતીને વધુ નુકસાન ન થાય.
વર્ષ 2021માં ખોખરા પોલીસ મથક ખાતે 43 વર્ષે આરોપી જગદીશ ઠાકોર સામે IPC અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, 11 સાહેદ અને 24 પુરાવા ધ્યાને રાખીને જજ એ.બી.ભટ્ટે આરોપીને 10 વર્ષની સખત કેદ અને કુલ 42 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે સગીરાને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો છે. આરોપી સગીરાના ઘરે આવતો જતો હતોઆ કેસમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યું હતું. તેમજ મેડિકલ અને FSL પુરાવા રેકર્ડ પર લેવામાં આવ્યા હતા. વર્ષ 2019 માં આરોપી સગીરાના ઘરે આવતો જતો હતો. ત્યારે તેને ઘરમાં એકલી જોઈને દરવાજો બંધ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બદનામાં કરી દેવાની ધમકી આપી હતી. કેસમાં જણાવ્યા મુજબ તે અવારનવાર આવી રીતે સગીરાનુ શારીરિક શોષણ કરતો હતો. પરંતુ વર્ષ 2021 માં સગીરા સાથે શારીરિક અડપલા કરતા સગીરાના પિતા અને ભાઈ જોઈ ગયા હતા. આથી સગીરાએ સઘળી હકીકત પોતાના પરિજનોને જણાવી હતી. આરોપી પરિણીત અને બે સંતાનોનો પિતાજ્યારે આરોપી તરફથી બચાવ કરવામાં આવ્યો હતો કે એક નાના ઝઘડાને લઈને તેની ઉપર આવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ખરેખરમાં સગીરા તેને પ્રેમ કરતી હતી. પરંતુ ભોગ બનનારની ઉંમર 17 વર્ષની છે. જ્યારે આરોપી પરિણીત અને બે સંતાનોનો પિતા છે. જો ભોગ બનનાર જો આરોપીને પ્રેમ કરતી હોય તો પણ કાયદા અનુસાર તે ગુનો છે. વળી આરોપીને માર મારવાની ક્રોસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં સગીરાના પરિજનોને પ્રોબેશનનો લાભ આપીને દંડ કરીને છોડી દેવામાં આવ્યા હતા.
શહેરના પુણા વિસ્તારમાં ધમધમતા વરલી મટકાના નેટવર્ક પર પી.સી.બી. પોલીસે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભૈયાનગરની વિશ્વકર્મા સોસાયટીમાં એક રહેણાંક મકાનના ઓટલા પરથી મુંબઈના આંકડાઓ પર જુગાર રમાડતા એક મહિલા સહિત 4 શખસોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ટોળકી ટેકનોલોજી અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને રૂબરૂ તેમજ ઓનલાઈન આંકડા મેળવી વરલી મટકાનો જુગાર ચલાવતી હતી. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ, 4 મોબાઈલ ફોન અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. 60,180/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પર્વત પાટીયાના 2 મુખ્ય બુકીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે આંતરરાજ્ય સટ્ટાબાજીના તાર શોધવા તપાસ તેજ કરી છે. મુંબઇથી જાહેર થતા આંકડાઓ પર ગ્રાહકો પાસેથી સટ્ટો લેતાસુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભૈયાનગરની વિશ્વકર્મા સોસાયટીમાં વરલી મટકાનો જુગાર રમાડવાની એક ચોક્કસ પદ્ધતિ અમલમાં હતી. આરોપીઓ મુંબઈથી જાહેર થતા 'મિલન ટાઇમ ઓપન-બંધ' અને 'ટાઇમ ઓપન-બંધ' જેવા આંકડાઓ પર સટ્ટો લેતા હતા. આ નેટવર્ક એટલું વ્યવસ્થિત હતું કે ગ્રાહકો માત્ર રૂબરૂ આવીને જ નહીં, પરંતુ મોબાઈલ ફોન દ્વારા પણ પોતાના આંકડાઓ લખાવતા હતા. જે આંકડો લાગે તેના પર અનેકગણું વળતર આપવાની લાલચ આપી સામાન્ય નાગરિકોને આ જુગારની જાળમાં ફસાવવામાં આવતા હતા. પોલીસ રેડ દરમિયાન આંકડા લખેલી ચિઠ્ઠીઓ અને કેલ્ક્યુલેટર મળી આવવું એ સ્પષ્ટ કરે છે કે અહીં ગણતરીપૂર્વક જુગારનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવતું હતું. કેવી રીતે ચાલતું હતું જુગારનું નેટવર્ક?આ જુગારધામ વિશ્વકર્મા સોસાયટીના ઘર નંબર 154 ના ઓટલા પરથી ચલાવવામાં આવતું હતું. PCBને મળેલી બાતમી મુજબ, આરોપીઓ ટેકનોલોજી અને પરંપરાગત ચિઠ્ઠી પદ્ધતિ એમ બંનેનો ઉપયોગ કરતા હતા. ગ્રાહકો જ્યારે ફોન પર આંકડો લખાવે ત્યારે તેના સ્ક્રિનશોર્ટ પાડીને પુરાવા તરીકે રાખવામાં આવતા હતા. મુખ્ય બુકીઓ જીતુ મુકેશ રાવલ અને હિતેષ હસમુખભાઇ રાવલ પડદા પાછળ રહીને આ આખું ઓપરેશન સંભાળતા હતા. તેઓ પર્વત પાટીયા વિસ્તારના હળપતીવાસમાંથી ઓપરેટ કરતા હોવાનું બહાર આવ્યું છે. આ નેટવર્કમાં મહિલા સભ્યની હાજરીથી રહેણાંક વિસ્તારમાં કોઈને શંકા ન જાય તે રીતે જુગાર રમાડવામાં આવતો હતો. મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડપોલીસે ઘટનાસ્થળેથી કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં ભરતભાઇ શાંતીલાલ રાવલ (ઉ.વ. 55), વિલાસભાઇ રાઘોભાઇ ચૌધરી (ઉ.વ. 50), રાજેશભાઇ અશોકભાઇ પાટીલ (ઉ.વ. 40) અને સંગીતાબેન મહેશભાઇ નળગે (ઉ.વ. 46) નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સુરતના અલગ-અલગ વિસ્તારો જેવા કે પુણા અને ડિંડોલીના રહેવાસી છે. સંગીતાબેનની હાજરીને કારણે આ ગેરકાયદે પ્રવૃત્તિને રહેણાંક મકાનનું કવર મળી રહેતું હતું. રૂ. 60 હજારથી વધુની મત્તા કબજેદરોડા દરમિયાન પી.સી.બી.એ આરોપીઓની અંગ ઝડતી અને અડ્ડા પરથી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં કુલ રૂ. 20,080/- રોકડા, રૂ. 40,000/- ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન, આંકડા લખેલી વિવિધ ચિઠ્ઠીઓ, બોલપેન અને ગણતરી માટેનું કેલ્ક્યુલેટર મળી આવ્યું છે. આમ, કુલ રૂ. 60,180/- નો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મોબાઈલ ફોનમાંથી પોલીસને અનેક ગ્રાહકો અને મુખ્ય બુકીઓ સાથેના સંપર્કોની વિગતો મળી છે. વોન્ટેડ બુકીઓ અને અન્ય કનેક્શનપોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ માત્ર એજન્ટ તરીકે કામ કરતા હતા, જ્યારે આ આખા ખેલના મુખ્ય સૂત્રધાર (બુકીઓ) અન્ય કોઈ હતા. પોલીસે પર્વત પાટીયા વિસ્તારના હળપતીવાસમાં રહેતા જીતુ મુકેશ રાવલ અને હિતેષ હસમુખભાઇ રાવલને વોન્ટેડ જાહેર કર્યા છે. આ બંને બુકીઓ તમામ આંકડાઓનું કલેક્શન લેતા હતા અને મોટા પાયે નાણાકીય વ્યવહારો સંભાળતા હતા. આ ઉપરાંત, મોબાઈલ પર આંકડા લખાવનાર અજ્ઞાત ગ્રાહકોની પણ પોલીસ તપાસ કરી રહી છે.
મહેસાણા જિલ્લાના અને એશિયાના જીરું-વરિયાળીના સુપ્રસિદ્ધ માર્કેટ ઊંઝાની વિશ્વસનીયતા જળવાઈ રહે અને લોકોને શુદ્ધ આહાર મળી રહે તે હેતુથી જિલ્લા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા ફૂડ અધિકારી વી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમે બાતમીના આધારે સતત ત્રણ દિવસ સુધી રેકી કર્યા બાદ ઊંઝાની ફેક્ટરીઓમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન જીરું અને વરિયાળીમાં ભેળસેળ કરવા માટે વપરાતા શંકાસ્પદ વ્હાઈટ પાવડરનો જથ્થો મળી આવતા તંત્ર દ્વારા કુલ ₹21.86 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યાવિગતો મુજબ મામલતદાર ઓફિસ સામે આવેલા શુભ એસ્ટેટમાં સ્થિત શ્રી શ્યામ ટ્રેડર્સમાં તપાસ કરતા ત્યાંથી ₹15.94 લાખથી વધુની કિંમતનું જીરું ઝડપાયું હતું. એવી જ રીતે મણીભદ્ર ફેક્ટરી સામે આવેલ સિંઘલ અનિલ કુમાર કુંદનલાલ ની ફેક્ટરીમાંથી ₹6.71 લાખનું લૂઝ જીરું અને ભેળસેળ માટે વપરાતો પાવડર મળી આવ્યો હતો. સીનિયર ફૂડ સેફ્ટી ઓફિસર જે.જે. પ્રજાપતિ અને ફૂડ સેફ્ટી ઓફિસર યુ.એચ. રાવલની ટીમે સ્થળ પરથી નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.જેને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મોરબી ઝૂલતા પુલ મુદ્દે થયેલી અરજીની સુનાવણી હાઇકોર્ટના ચીફ જજની બેન્ચ સમક્ષ યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે મોરબી બ્રીજના રિસ્ટોરેશન અંગે શું કાર્યવાહી કરવાની છે તે અંગે રાજ્ય સરકારને જવાબ આપવા કહ્યું છે. કોર્ટે ટકોર કરી હતી કે, ગોંડલ બ્રિજના રિસ્ટોરેશન માટે તમે પ્લાન કર્યો હતો, પરંતુ મોરબી માટે કંઇ સામે આવ્યું નથી. હેરિટેજ બ્રિજનું કઇ રીતે રિસ્ટોરેશન કરશો એ જણાવો. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. નગરપાલિકાના ચીફ ઓફિસરને પગાર સંબંધી સજા કરવામાં આવીસુનાવણી દરમિયાન હાઇકોર્ટે પૂછ્યું હતું કે, આ સમગ્ર પ્રકરણમાં જે અધિકારીઓએ ભૂલ કરી છે તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે. એ અંગેનું કોઇ સોગંદનામું કરવામાં આવ્યું છે? રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ મામલે સપ્ટેમ્બર મહિનામાં સોગંદનામું કરાયું છે. જે મુજબ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને પગાર સંબંધી સજા કરવામાં આવી છે. બ્રિજના રિસ્ટોરેશનના મુદ્દે પણ કંઇ સામે આવ્યું નથીબીજી તરફ પીડિતો તરફથી કહેવામાં આવ્યું હતું કે, પીડિતો તરફથી કંપની અને સરકાર જોડેથી દંડાત્મક વળતર મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જેમાં ઓરેવા કંપનીએ સોગંદનામું કર્યું છે પરંતુ, સરકારનો જવાબ સામે આવ્યો નથી. તે ઉપરાંત બ્રિજના રિસ્ટોરેશનના મુદ્દે પણ કંઇ સામે આવ્યું નથી. કોઇ મુદ્દો રહેતો હોય તો તમારે સોગંદનામું કરીને કોર્ટને જણાવવું જોઇએઆ તબક્કે હાઇકોર્ટે પીડિતોના વકીલોને કહ્યું હતું કે, સુઓમોટો અરજીમાં કોર્ટ બ્રિજના રિસ્ટોરેશનના મુદ્દે ચકાસણી ચોક્કસથી કરી શકીએ. ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે, વળતરના મામલે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. પીડિતો દર મહિને વળતર મેળવી રહ્યા છે. અનાથ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉપાડવામાં આવી રહ્યો છે. ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો છે. યુવતીઓ કે જેમના માતા-પિતા ન રહ્યા હોય તેમના લગ્નનો ખર્ચ પણ ઉઠાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ બધું થઇ રહ્યું છે અને જો આમાંથી કંઇ ન થઇ રહ્યું હોય અને કોઇ મુદ્દો રહેતો હોય તો તમારે સોગંદનામું કરીને કોર્ટને જણાવવું જોઇએ. સુઓમોટો PILમાં કોર્ટની પણ એક સીમા હોય છેપરંતુ સુઓમોટો અરજીમાં દંડાત્મક વળતરનો મુદ્દો સમાવી શકાય કે નહીં એ મુદ્દે તમારે કાનૂની દલીલ કરવી પડશે. તમે આ મુદ્દે કંપની સમક્ષ સિવિલ દાવો દાખલ કરી શકો છો. સિવિલ કોર્ટ એ મામલે નિર્ણય લઇ શકે. કોર્ટ એવું નથી કહી રહી કે, તમને થયેલા ડેમેજ માટે વળતર ના મળવું જોઇએ. પરંતુ એ એક કાનૂની મુદ્દો છે અને એ યોગ્ય ફોરમ સમક્ષ જ થઇ શકે. સુઓમોટો PILમાં કોર્ટની પણ એક સીમા હોય છે. PILની હદમાં રહીને કોર્ટ કઇ રીતે નિર્ણય લઇ શકે એ અંગે તમે કોર્ટને આસિસ્ટ કરી શકો છો.
રાજ્યમાં શિક્ષક બનવાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ એવા ટેટ-1 (Teacher Eligibility Test-1)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 21 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી આ પરીક્ષામાં કુલ સરેરાશ પરિણામ માત્ર 12.01 ટકા નોંધાયું છે, જેના કારણે પરિણામ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. માધ્યમ મુજબ જોવામાં આવે તો ગુજરાતી માધ્યમના ઉમેદવારોનું પરિણામ સૌથી વધુ 12.21 ટકા રહ્યું છે. જ્યારે હિન્દી માધ્યમમાં પરિણામ માત્ર 5.57 ટકા નોંધાયું છે, જે તમામ માધ્યમોમાં સૌથી ઓછું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 8.90 ટકા રહ્યું છે. શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પરીક્ષાનું સ્તર તર્કશક્તિ અને વિષય જ્ઞાન આધારિત હોવાથી પરિણામ ઓછું આવ્યું હોવાનું અનુમાન છે. બીજી તરફ ઉમેદવારોમાં પરિણામને લઈને મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અનેક ઉમેદવારોએ પરીક્ષા કઠિન હોવાનું જણાવ્યું છે તો કેટલાકે તૈયારી માટે વધુ સમય અને માર્ગદર્શનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ટેટ-1નું પરિણામ જાહેર થતા હવે આગામી ભરતી પ્રક્રિયા અને કટઓફ અંગે ઉમેદવારોની નજર ટકેલી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ખાતે ગેરકાયદે ખનીજ ચોરીનો મોટો મામલો સામે આવ્યો છે. આ કેસમાં ખનીજ ચોરી અને પર્યાવરણને નુકસાન બદલ ત્રણ ઇસમો વિરુદ્ધ કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ એક હિટાચી મશીન અને બે ડમ્પર ટ્રક સહિત કુલ રૂ. 4.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગોધરા તાલુકાની નદીસર ગ્રામ પંચાયત હસ્તકની સર્વે જમીનમાં ગેરકાયદે ખોદકામ કરીને કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરવા બદલ રાજુ ભરવાડ, વિરમ ભરવાડ અને અજય ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદમાં રૂ. 3.33 કરોડની ખનીજ ચોરી અને રૂ. 1.31 કરોડના પર્યાવરણ નુકસાનનો સમાવેશ થાય છે. નદીસર ગ્રામ પંચાયતની વિવિધ સર્વે નંબરની જમીનો તેમજ સરદાર સરોવર પુનઃ વસવાટ માટે ફાળવવામાં આવેલી જમીનમાંથી મોટા પાયે ગેરકાયદે ખોદકામ કરીને ખનીજ ચોરી કરવામાં આવી હોવાની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ તપાસ કરી હતી. ખાણ ખનીજ વિભાગની તપાસમાં આશરે 1 લાખ 89 હજાર મેટ્રિક ટન જેટલી સાદી માટી અને મોરમનું ગેરકાયદે ખનન કરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે પર્યાવરણને પણ મોટું નુકસાન થયું હતું. આ સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગે કુલ રૂ. 4.64 કરોડની વસૂલાત માટે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ, પોલીસે કાર્યવાહી કરીને ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું એક હિટાચી મશીન અને બે ડમ્પર ટ્રક કબ્જે કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 4.05 કરોડ આંકવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં હિન્દુ સંમેલન યોજાશે:30 સમિતિઓ દ્વારા 3 ફેબ્રુઆરીએ આયોજન
સુરેન્દ્રનગરમાં હિન્દુ સમિતિ દ્વારા વિવિધ વિસ્તારોમાં 30 જેટલા હિન્દુ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનો 3 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુત્વ જાગરણ અને સમાજ પરિવર્તનનો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 100 વર્ષથી હિન્દુ સંગઠન દ્વારા હિન્દુત્વ જાગરણ અને સમાજ પરિવર્તન માટે કાર્યરત છે. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે હિન્દુ સંસ્કૃતિ, સમાજ અને ધર્મના રક્ષણ તથા પોષણ માટે કરાયેલા કાર્યોને યાદ કરવામાં આવશે. આ સંમેલનોના આયોજન માટે સુરેન્દ્રનગર શહેરમાં 400 થી વધુ સજ્જન શક્તિની એક સમિતિ બનાવવામાં આવી છે. આ સંમેલનો સંપૂર્ણ સમાજના સહયોગથી યોજાશે.તેમાં સમરસતાનો ભાવ, નાગરિક કર્તવ્ય, કુટુંબ પ્રબોધન અને પર્યાવરણ જાગૃતિ જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. સંમેલનની સમિતિને વિવિધ સંપ્રદાયના મહંતો અને અગ્રણીઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. જેમાં માધવેન્દ્રપ્રસાદજી (આચાર્ય મહારાજ, વઢવાણ સ્વામિનારાયણ મંદિર), મહાત્મા સ્વામીજી (મહંત, સ્વામિનારાયણ ગુરુકુળ, સુ.નગર), કલ્યાણદાસજી બાપુ (મહંત, ગુલાબદાસ બાપુની જગ્યા, વઢવાણ), નિત્યપ્રકાશદાસજી સ્વામી (મહંત, સ્વામિનારાયણ મંદિર, જવાહર રોડ, સુ.નગર), ધર્મચિંતનદાસજી સ્વામી (મહંત, બી.એ.પી.એસ. મંદિર, સુ.નગર), રામાશ્રય બાપુ (મહંત, ગણપતિ ફાટસર, વઢવાણ), મુકુંદદાસજી બાપુ (કોઠારી સ્વામી, વડવાળા મંદિર, દૂધરેજ, સુ.નગર), જગદીશદાસજી બાપુ (મહંત, રામ મહેલ મંદિર, લાલજી મહારાજની જગ્યા, વઢવાણ), આર્યબંધુજી (આર્ય સમાજ, સુ.નગર), અનુભા ગઢવી (લોકસાહિત્યકાર, સુ.નગર) અને ઇસ્કોન મંદિર ગ્રુપ સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના હિન્દી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અનુસ્નાતક હિન્દી વિભાગના વિદ્યાર્થીઓને UPSC, GPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન અને અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. IAS સ્ટડી સેન્ટરના સહયોગથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભવિષ્યના લક્ષ્યો માટે યોગ્ય દિશા આપવાનો હતો. સેમિનારમાં બી.એસ. પરમાર (કેન્દ્ર સંયોજક), મુસ્તાક દાલ (કોર્સ કોઓર્ડિનેટર), હસમુખ સોડવડિયા અને અમદાવાદથી પધારેલા નિષ્ણાત ફેકલ્ટીએ માર્ગદર્શન આપ્યું હતું. હિન્દી વિભાગના ડૉ. ઇશ્વર આહિરે પણ વિદ્યાર્થીઓને સરકારી ભરતી પ્રક્રિયાઓ, પરીક્ષાની નવી પદ્ધતિઓ અને તૈયારીની વ્યૂહરચનાઓ વિશે વિગતવાર સમજાવ્યું હતું. આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત તેમની મૂંઝવણો દૂર કરવામાં મદદ મળી હતી. તેમને ભવિષ્યની કારકિર્દી માટે સાચી દિશા અને પ્રેરણા મળી હતી, જે તેમના શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ માર્ગદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને હિન્દી વિભાગના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા, જેણે સેમિનારને સફળ બનાવ્યો હતો.
ગોધરા સ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે કવચ કેન્દ્ર દ્વારા એક દિવસીય સાયબર સિક્યોરીટી ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરિયાના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. દેવર્ષ પટેલે કુલપતિ ડો. હરિભાઈ કાતરિયાનું સ્વાગત કર્યું હતું. CAWACH પ્રોગ્રામના નોડલ ચિંતનકુમાર ગજ્જરે યુનિસેફ તરફથી ઉપલબ્ધ રિસોર્સ પર્સનનું સ્વાગત કર્યું હતું. આ સેમિનારમાં કુલ ૩૬ સંલગ્ન કોલેજોના 58 CAWACH વોલન્ટિયર્સે ભાગ લીધો હતો. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમના વિસ્તારમાં સાયબર સુરક્ષા, સાયબર સિક્યોરીટી, સાયબર ક્રાઈમ અને સાયબર સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ચંદુજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં આજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પાનવા ગામ પાસે ક્રેટા, રીક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે થયેલી ટક્કરમાં રીક્ષામાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં ત્રણથી ચાર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના દસાડા તાલુકાના વડગામ અને શંખેશ્વર વચ્ચે પાનવા કેનાલ પાસે બની હતી. જેમાં એક ક્રેટા કાર, એક રીક્ષા અને એક સ્વીફ્ટ કાર સામસામે અથડાઈ હતી, જેના કારણે અકસ્માત થયો હતો. જેથી ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે દસાડા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ, વધુ સારવાર માટે તેમને વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ દસાડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. દસાડા પીએસઆઇ વી. જે. માલવીયાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
રાજકોટ શહેર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી પ્યુન અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસરને રૂપિયા 45,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી નિવૃત ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એસીબી દ્વારા પટાવાળા અક્ષય વાગડિયા અને આસી.એકાઉન્ટ ઓફિસર રવિકુમાર જાંગીડની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા ફરિયાદી પાસે તેનું એરિયર્સ બિલ મંજૂર કરવા રૂપિયા 50,000 લાંચની માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નિવૃતિના બે વર્ષ બાદ પણ ભુજ ખાતે રહેતો શૈલેષ ચૌહાણ ઝોનલ એકાઉન્ટ ઓફિસનો વહીવટ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ચાર લાખ એરીયસ બીલ મંજુર કરવા આરોપી રવિ જાંગીડએ એરીયસ બીલ મંજુર કરવા બીલના 20% લેખે 80,000ની લાંચની માંગણી કરી હતી જે રકઝકના અંતે 50,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમા ફરિયાદી પાસે આરોપી રવિએ અગાઉ એડવાન્સમા 5000 લીધા હતા અને બાકીના 45000 તા.29.01.2026ના રોજ આપવાનુ નક્કી થયું હતું. પરંતુ કોઈ કારણસર રૂપીયા લીધા નહી અને આરોપી શૈલેષ ચૌહાણએ ફોન પર વાતચીત કરી હવાલો આપતા આજરોજ આરોપી શૈલેષએ આરોપી અક્ષયને ફોન કરી ફરીયાદીનો સંપર્ક કરી લાંચની રકમ લેવાનો વાયદો કર્યો હતો. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ આપતા લાંચનું છટકુ ગોઠવી આરોપી રવિના કહેવાથી આરોપી શૈલેષએ ફરીયાદી સાથે વાતચીત કરી આરોપી અક્ષયએ બજરંગ ઇમિટેશન દુકાન પાસે ગિરનાર સિનેમા સામે લાંચની રકમ રૂ.45,000 ટ્રેપ દરમિયાન સ્વીકારી હતી. હાલ એસીબીએ બન્ને આરોપીને ઝડપી પાડી ભુજના નિવૃત અધિકારીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી રવિકુમાર સુરેશકુમાર જાંગીડ (ઉ.વ.38) મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સમાં આસીસ્ટન્ટ એકાઉન્ટ ઓફીસર તરીકે કામ કરી રહ્યો છે જયારે શેલેષ ચોહાણ નિવૃત્ત ઇન્કમટેક્ષ ઇન્સપેકટર છે અને અક્ષય શેલેષભાઇ વાગડીયા (ઉ.વ.33) ઇન્કમટેક્ષ ઓફિસમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે.
શહેરમાં સામાજિક સમાનતા લાવવા અને વર્ષો જૂની જાતિવાદની માનસિકતાને નાબૂદ કરવા તરફ મહાપાલિકાએ એક મોટું કદમ ઉઠાવ્યું છે. શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારો અને મહોલ્લાઓના જાતિસૂચક નામો બદલવાની તાકીદની દરખાસ્તને શાસકો દ્વારા સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ નિર્ણયને કારણે દાયકાઓથી ચાલી આવતી અમુક ચોક્કસ જ્ઞાતિ આધારિત ઓળખ હવે ભૂંસાશે અને શહેર એક નવી આધુનિક ઓળખ સાથે આગળ વધશે. સામાન્ય સભામાં હર્ષોલ્લાસ સાથે વધાવાયો નિર્ણયમહાપાલિકાની સામાન્ય સભામાં જ્યારે આ દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે એસસી (SC) અને એસટી (ST) સમાજના કોર્પોરેટરોએ તેને ઉમળકાભેર વધાવી લીધી હતી. સભ્યોએ આ નિર્ણયને સરાહના કરતા જણાવ્યું હતું કે, આ માત્ર નામ બદલવાની પ્રક્રિયા નથી પરંતુ વંચિત સમાજને મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેમના આત્મસન્માનને જાળવવાનો એક પ્રયાસ છે. હવે શહેરના તમામ 9 ઝોનમાં આવેલી 75 શેરી, મહોલ્લાઓ અને ગલીઓને નવા સન્માનજનક નામ આપવામાં આવશે. શા માટે લેવાયો આ ઐતિહાસિક નિર્ણય?આ નિર્ણય પાછળ મુખ્યત્વે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)ની માર્ગદર્શિકા અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનો પરિપત્ર જવાબદાર છે. સુપ્રીમ કોર્ટ અને વિવિધ સરકારી વિભાગોએ અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે 'દલિત', 'હરિજન' કે અન્ય જ્ઞાતિસૂચક શબ્દોનો પ્રયોગ ટાળવો જોઈએ, કારણ કે તે ચોક્કસ વર્ગના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. બંધારણીય મૂલ્યોને જાળવી રાખવા માટે આ ફેરફાર અનિવાર્ય બન્યો હતો. સર્વે બાદ 75 વિસ્તારોની યાદી તૈયારસામાજિક સંગઠનોની લાંબા સમયની રજૂઆતો બાદ પાલિકાના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ મહાપાલિકાના તમામ 9 ઝોનમાં કુલ 75 જેટલી એવી શેરીઓ, નગરો અને ગલીઓની ઓળખ કરવામાં આવી હતી જેમના નામમાં જ્ઞાતિનો ઉલ્લેખ હતો. આ યાદીના આધારે હવે સત્તાવાર રીતે સુધારાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મહાનુભાવોના નામથી ગુંજશે મહોલ્લાઓજાતિસૂચક નામોને સ્થાને હવે આ વિસ્તારો મહાનુભાવો, ક્રાંતિકારીઓ અથવા સામાજિક રીતે પ્રતિષ્ઠિત અને સન્માનજનક નામોથી ઓળખાશે. આ માટે જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા સૂચવાયેલા નામોને પ્રાધાન્ય આપીને નવા નામો નક્કી કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રેકોર્ડ પર આ નામો બદલવાની કામગીરી સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે.
મહીસાગર LCB પોલીસે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને અમદાવાદ-જામનગર હાઈવે પરથી પકડવામાં આવ્યા હતા અને તેમને બાલાસિનોર ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ ટીમો તપાસ કરી રહી હતી. આ દરમિયાન, LCB પીએસઆઈ પી.એમ. મકવાણાને બાતમી મળી હતી કે, બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS-2023 કલમ 61(2), 81, 84, 87, 137(2), 143(સી), 64(2)(એમ), 351(2)(3), 115(2) મુજબ નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપીઓ અમદાવાદ હાઈવે થઈ જામનગર તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે, LCB ટીમે બામણબોર ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતા આરોપીઓ નવગણ રેવભાઈ બાંભવા અને બકા જહાભાઈ બાંભવા (બંને રહે. ગામ- ફલ્લા, તા. ધ્રોલ, જિ. જામનગર) ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમને વધુ કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે.
દાહોદ શહેરના વ્યસ્ત સ્ટેશન રોડ પર આવેલા ચાર થાંભલા વિસ્તારમાં ધોળા દિવસે રૂ. 2.75 લાખની ઉઠાંતરી થઈ છે. શેરડીનો રસ પીવા ઊભેલા એક નિવૃત્ત ક્લાર્કની બાઈકની ડીકીમાંથી આ રકમ ચોરીને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. 2.75 લાખ લઇ ગઠિયા ફરારઆ બનાવ આશ્રમશાળાના નિવૃત્ત ક્લાર્ક અને હાલ પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ, ભાટીવાડાના એકાઉન્ટન્ટ વાઘજીભાઈ પરમાર સાથે બન્યો હતો. તેમણે મંડળ દ્વારા અપાયેલો રૂ. 2.65 લાખનો ચેક બેંકમાંથી વટાવ્યો હતો અને પોતાના રૂ. 10 હજાર એટીએમમાંથી ઉપાડ્યા હતા. આમ, તેમની પાસે કુલ રૂ. 2.75 લાખ હતા. આવીને જોયુ તો પાકિટ ગાયબવાઘજીભાઈ પરમારના જણાવ્યા અનુસાર, તેઓ પૈસા પાકીટમાં મૂકીને બાઈક પર જઈ રહ્યા હતા. સ્ટેશન રોડ ચાર થાંભલા નજીક એક મિત્ર મળતાં તેઓ શેરડીનો રસ પીવા માટે દુકાન સામે બાઈક પાર્ક કરીને ઊભા રહ્યા હતા. રસ પીધા બાદ તેઓ બાઈક લઈને આગળ વધ્યા ત્યારે ડીકી ખખડતી લાગી. તપાસ કરતાં ડીકીનું ઢાંકણું ખુલ્લું જણાયું અને અંદર મૂકેલું પૈસા ભરેલું પાકીટ ગાયબ હતું. તેમણે તરત જ દુકાને પાછા આવી પૂછપરછ કરી અને 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે બે બાઈક પર આવેલા ગઠિયાઓએ આ ચીલઝડપ કરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ: DySPદાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ મદદથી આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે.
પાટણના ટીબી ત્રણ રસ્તા પાસે કારમાં આગ:મોટી દુર્ઘટના ટળી, પેટ્રોલ પમ્પના સ્ટાફે આગ પર કાબૂ મેળવ્યો
પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે આવેલા પેટ્રોલ પમ્પ નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પેટ્રોલ પમ્પના સ્ટાફની સતર્કતા અને તાત્કાલિક અગ્નિશામક સાધનોના ઉપયોગથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જેના કારણે મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી હતી. આ ઘટના પાટણના વ્યસ્ત ટીબી ત્રણ રસ્તા વિસ્તારમાં બની હતી. કારમાંથી ધુમાડા નીકળ્યા બાદ અચાનક આગની જ્વાળાઓ દેખાતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કાર ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત જ ચાલતી કારમાંથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. આગ લાગતાની સાથે જ પેટ્રોલ પમ્પ પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક પમ્પમાં ઉપલબ્ધ અગ્નિશામક (ફાયર એક્સટિંગ્યુશર) સાધનો વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પાણી અને કેમિકલનો ઉપયોગ કરીને આગને વધુ પ્રસરતી અટકાવવામાં આવી હતી. પેટ્રોલ પમ્પ જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારની નજીક આગની આ ઘટના બની હોવાથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. જો સમયસર આગ પર કાબૂ ન મેળવાયો હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ એક સંભવિત કારણ હોઈ શકે છે. આ અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું છે, પરંતુ સમયસરની કામગીરીને પગલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
તમને જાણીને નવાઈ લાગશે કે જર્મનીની 14 જેટલી યુનિવર્સિટીમાં સંસ્કૃતનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જેમાં હાઈડલબર્ગ યુનિવર્સિટીમાં તો 200 વર્ષથી વધુ સમયથી સંસ્કૃત ભણાવવામાં આવે છે. કારણ કે જર્મનના વિદ્વાન મેક્સ મુલરે આપણા ઋગવેદનો જર્મન અને અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. ઈન્ટ્રેસ્ટિંગલી તેઓ ક્યારેય ભારત આવ્યા ન હતા છતાં પણ તેમણે સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે આખું જીવન ખપાવી દીધું હતું. આ વાત આપણે એટલા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે હિટલરના શાસનમાં જર્મનીનું જેવું સેનાનું માળખું હતું તેવું જ અને યુરોપનું સૌથી મોટું સૈન્ય માળખું ફરી તૈયાર કરવા જઈ રહ્યું છે. તેની પાછળ અમેરિકા અને રશિયા કેવી રીતે જવાબદાર છે? ભારતને શું ફાયદો નુકસાન? દુનિયાએ ચીન રશિયા અમેરિકા બાદ હવે જર્મનીની હિલચાલ પર પણ કેમ નજર રાખવી પડશે? કેવી રીતે યુનાઈટેડ નેશન્સ, નાટો અને યુરોપિયન યુનિયનમાં વધી રહ્યું છે જર્મનીનું કદ? આજે આપણે વિગતે બધી જ વિગતો જાણીએ.... નમસ્કાર... આજકાલ જર્મનીની રાજધાની બર્લિનના રસ્તાઓ પર માત્ર મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ જેવી લક્ઝરી કારોનો અવાજ જ નથી સંભળાતો, પણ સેનાના બુટ અને ટેન્કોના એન્જિનનો ગડગડાટ પણ સંભળાઈ રહ્યો છે. જે અવાજ ખાલી યુરોપ પુરતો સીમિત નથી, તેની અસર રાજકોટના રૈયારોડ અને અમદાવાદના એલિસ બ્રિજ સુધી પણ પડી શકે છે. કારણ કે બીજા વિશ્વયુદ્ધમાં કારમી હાર બાદ અત્યાર સુધી એટલે કે લગભગ 70 વર્ષ સુધી જે જર્મનીએ હથિયારોના ટ્રીગર પર આંગળી નહોતી મૂકી તે ફરી યુવાનોના હાથોમાં હથિયારો પકડાવી રહ્યા છે. તેનાથી વિશ્વના અર્થતંત્રને કેવી અસર પડે છે તે સમજવી અતિ જરૂરી છે. સ્માર્ટ જર્મન મૂવઃ અમેરિકા-રશિયા-ચીન સાથે વેપાર બીજા વિશ્વ યુદ્ધ પછી જર્મનીએ બહુ સ્માર્ટ ગેમ રમી. ભયાનક આર્થિક નુકસાન પછી તેમણે ડિફેન્સની જગ્યાએ ઈકોનોમી પર ભાર દીધો. દુનિયાના વેપારી દેશોમાં જર્મનીએ પોતાનું એવું સ્થાન બનાવ્યું કે તે અમેરિકા, રશિયા અને ચીન એમ ત્રણેય સાથે વેપાર કરી શકે અને આર્થિક હિત પણ જોડી શકે જેથી પોતાના દેશ પર યુદ્ધની નોબત જ ન આવે. હથિયાર ઉઠાવવાની મજબૂરી રશિયા અને ટ્રમ્પ પણ, 24 ફેબ્રુઆરી 2022ના દિવસે પુતિને પોતાની સરહદ અમેરિકાથી બચાવવા જર્મનીના જ પાડોશી દેશ યુક્રેન પર ભયાનક હુમલો કરી દીધો અને જર્મનીને પોતાની બનિયા બુદ્ધિ છોડી સૈન્ય નીતિ અપનાવવી પડી. ઉપરથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાઈ આવ્યા અને યુરોપ પર તેણે ટેરિફનો કાળો કેર વરસાવ્યો. UN, WTO, WEF બધાના એવા ફાંટા પાડ્યા કે અંતે જર્મનીને થઈ ગયું કે હવે નાટો નહીં પણ તેમને જ પોતાની અને યુરોપની રક્ષા કરવી પડશે. પોલિટબેરોમીટરનો એક રિપોર્ટ કહે છે... જર્મની ફરી હિટલર માર્ગ પર સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠાલો અબ ગોબિંદ ના આવેંગેની જેમ જર્મનીએ ઈઝરાયલ પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અને અમેરિકા પાસેથી ફાયટર જેટ ખરીદવું પડ્યું છે. ટૂંકમાં ફરી જર્મની મજબૂરીમાં હિટલર માર્ગ પર ચાલી રહ્યું છે. જે જર્મનીએ પોતાને દુનિયાનો દુકાનદારની છબી બનાવી હતી તે હવે આક્રમક મોડમાં આવી રહ્યું છે. ફિક્સ પ્લાન ફેલ, ટ્રમ્પે કર્યા બ્લેકમેઈલ રશિયા પાસેથી સસ્તો ગેસ લેવો અને ચીન-અમેરિકા સહિત દુનિયાને મોંઘી કારો વેચવી... આ તેમનો ફિક્સ પ્લાન હતો. પણ પુતિનની ગેસ પાઈપલાઈન કપાઈ અને ટ્રમ્પે NATO બજેટ માટે પ્રોટેક્શન મનીની ઉઘરાણી કરવાનું શરૂ કર્યું. જર્મની અત્યારે એવા વળાંક પર છે જ્યાં તેની પાસે વેપાર બચાવવા અને સેલ્ફ ડિફેન્સ માટે હથિયાર ઉઠાવ્યા વગર કોઈ છૂટકો નથી. હવે જાણીએ જેની વાત કરી રહ્યા છીએ તે જર્મની વિશે. UN-EU અને નાટોમાં વધતો જર્મન દબદબો આપણે જાણીએ છીએ કે જર્મની માત્ર યુરોપનું જ આર્થિક એન્જિન નથી પણ દુનિયામાં ચાલતી તમામ કારોનું એન્જિન પણ જર્મનીનું જ છે. યુરોપનું 28 દેશોનું સંગઠન એટલે કે યુરોપિયન યુનિયનમાં અને UNમાં પણ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાના કારણે જર્મનીના મોઢે બોલાયેલો શબ્દ આખરી ગણવામાં આવે છે. આખા UNને ચલાવવા અમેરિકા પછી સૌથી વધુ ફાળો જર્મની જ આપે છે. જર્મની અત્યાર સુધી નાટો એટલે કે મિત્ર દેશોના ડિફેન્સ સંગઠનને લોજિસ્ટિક્સ અને ફાઈનાન્શિયલ જરૂરિયતો જ પૂરું પાડતું હતું પણ હવે જર્મની નાટોનો પાયો પણ બનવા જઈ રહ્યું છે. કારણ કે જર્મનીએ નાટોને 2035 સુધીમાં એક્ટિવ અને રિઝર્વ્ડ એમ કુલ 4.6 લાખ સૈનિકો પણ આપશે. અમેરિકાએ એવું કહ્યું કે નાટોની સુરક્ષા જોઈએ તો રૂપિયા આપો ત્યારે જર્મની સમજી ગયું કે યુરોપની સુરક્ષાની કમાન્ડ તેમને પોતાના હાથ પર લેવી પડશે. વિશ્વનો ચોથો મજબૂત ખૂણો આપણે અમેરિકા, ચીન અને રશિયા જ નહીં પણ બર્લિન પર પણ નજર રાખવી પડશે કારણ કે રશિયા, ચીન અને અમેરિકા વિશ્વના ત્રણ મજબૂત ખુણા છે તો જર્મની તેની મધ્યમાં આવેલો ચોથો મજબૂત ખૂણો છે અને વધુ મજબૂત બનવા મથી પણ રહ્યો છે. ટૂંકમાં જર્મનીથી હવે માત્ર લગ્ઝરી કારના ભાવ જ નહીં નક્કી થાય, યુરોપની સુરક્ષા પણ થશે. હવે આપણે રશિયા-અમેરિકા વિશે અને જર્મનીમાં વધતી લશ્કરી તાકાત વિશે વધુ ડિટેઈલમાં વાત કરીએ. રશિયા અચાનક દોસ્તથી દુશ્મન કેમ બન્યું? એક જર્મન નીતિ છે જેનું નામ છે ઓસ્ટપોલિટિક, જેમાં જર્મનીએ રશિયા સાથે ઊર્જા અને વેપારના ગાઢ સંબંધો બાંધ્યા હતા. પણ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી જર્મની સહિત યુરોપે રશિયા સામે મોઢું ફેરવ્યું છે. ગયા વર્ષના જર્મન ડિફેન્સ મંત્રાલય મુજબ રશિયા હવે મુશ્કેલ પાડોશી નહીં પણ પ્રત્યક્ષ ખતરો પણ છે. કારણ કે તેમના મુજબ રશિયા સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. પોટ્સડેમમાં બુન્ડેસવેહર સેન્ટર ઓફ મિલિટરી હિસ્ટ્રી એન્ડ સોશિયલ સાયન્સના વરિષ્ઠ સંશોધક, ટીમો ગ્રાફના જણાવ્યા મુજબ જર્મની લશ્કરોમાં રશિયન જાસૂસી? જેના કારણે જર્મનીને હવે બર્લિનની દીવાલો અને લિથુઆનિયાના જંગલો રશિયાથી બચાવવા છે. જર્મનીમાં આવતા સમાચારો મુજબ ત્યાં રશિયાની જાસૂસી વધી રહી છે. જર્મન લશ્કરી મથકો અને હથિયાર ઉત્પાદન એકમો પર રશિયન જાસૂસીનો પણ જર્મનીએ પર્દાફાશ કર્યો છે. તોડફોડ અને સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. આ બધી જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જર્મની હવે ટોટલ ડિફેન્સ મોડમાં ફરી આવી ગયું છે. ટ્રમ્પે એક જ વર્ષમાં યુરોપને કાળા પાણીએ રડાવ્યું રશિયાની સૈન્ય બાબતોથી હવે અમેરિકા તરફ વળીએ. છેલ્લા એક વર્ષમાં ટ્રમ્પની નીતિઓના કારણે અમેરિકાએ યુરોપને આર્થિક રીતે મોટો ફટકો માર્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે 2025માં મ્યુનિક સુરક્ષા પરિષદમાં ચોખ્ખા શબ્દોમાં યુરોપને સંભળાવી દીધું હતું કે, વિશ્વાસઘાતથી અમેરિકા પર જર્મન્સનો વિશ્વાસ ઘટ્યો જર્મની અમેરિકામાં વસ્તુઓ મોકલીને નફો કમાવે છે. ટ્રમ્પના આકરા ટેરિફના કારણે જર્મની બરોબર સમજી ગયું છે કે સુરક્ષા અને અર્થતંત્ર બંને માટે અમેરિકા પર ડિપેન્ડેન્સી ઘટાડવી પડશે. તેના એક વર્ષ પહેલા જર્મની અને યુકેએ ટ્રિનિટી હાઉસ એગ્રીમેન્ટ પર સાઈન કરી. એટલે બીજા વિશ્વ યુદ્ધ પછી પહેલીવાર જર્મની વિમાનો બ્રિટિશ ધરતી પર ઓપરેટ થયા. જો બંને દેશો પર મિસાઈલ કે ડ્રોન હુમલાઓ થાય તો આ કરાર હેઠળ સાથ અને મદદ મળશે. યુકે-ફ્રાન્સ-જર્મની એટલે અમર અકબર એન્થની માત્ર યુકે જ નહીં ફ્રાન્સ સાથે પણ જર્મનીને વેપાર વધારવો છે પણ ફાઈટર જેટ અને ટેન્ક પ્રોજેક્ટમાં મોડું થવા મામલે અત્યારે થોડો વિવાદ ચાલી રહ્યો છે. એક નોલેજ પોઈન્ટ અહીં લેવા જેવો છે કે આ બંને એટલે કે ફ્રાન્સ અને યુકે પાસે યુનાઈટેડ નેશન્સમાં વીટો પાવર છે. જર્મનીને અત્યારે જ હથિયાર જોઈએ છે અને ફ્રાન્સનું ધ્યાન માત્ર જર્મની કરતાં યુરોપિયન પ્રોજેક્ટ્સ પર વધારે છે. મોડું પોસાય એમ નથી એટલે જર્મનીએ અમેરિકાનો સહારો લીધો જેના કારણે પેરીસ નારાજ થયું હતું. જો કે વિવાદ ભલે હોય રશિયા કે અમેરિકા નામના ખતરા સામે તો ત્રણેય જય-વીરુ જેવી જોડી જ છે. હવે આવીએ મુખ્ય મુદ્દા પર... 2025ના સર્વેક્ષણો દર્શાવતા હતા કે 74 ટકા જર્મન્સ માને છે કે આવનાર થોડા વર્ષોમાં યુરોપમાં મોટું યુદ્ધ થઈ શકે છે. માટે જર્મનીએ નાટોને વિશ્વાસ આપ્યો છે કે તે નાટોનો સેકન્ડ ઈન કમાન્ડ બનશે. જર્મનીમાં યુવાનોની વસ્તી ઘટી રહી છે. માટે જર્મનીએ સ્વીડિશ મોડલની જેમ તમામ 18 વર્ષના યુવાનોને લશ્કરી સેવામાં જોડવા માટેના નિર્ણયો લઈ રહી છે અને સેનાની નોકરીમાં ખૂબ જ સારો પગાર આપી રહી છે. ગયા વર્ષે 20 હજારથી વધુ સૈનિકોની ભરતી કરી હતી. આટલી મોટી ભરતી જર્મનીમાં છેલ્લા 15 વર્ષમાં ક્યારેય નથી થઈ. માત્ર સેનાનું માળખું જ નહીં, હથિયારોમાં પણ જર્મની ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે. હથિયારો પાછળ ખર્ચ અમેરિકા પાસેથી સ્ટીલ્થ ફાઈટર જેટ ખરીદ્યું ઈઝરાયલ પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી મોડર્ન ટેન્કનું પ્રોડક્શન ઝડપી બનાવ્યું હથિયારો માટે બંધારણ ફેરવી તોળ્યું જે કરવા માટે 2025માં જર્મન સંસદે ડેબ્ટ બ્રેક રિફોર્મ નામનો બંધારણીય સુધારો પસાર કર્યો. જેનાથી જર્મન સરકારને ડિફેન્સ બજેટ માટે દેવું કરવાની તાકાત મળી ગઈ છે. ડિફેન્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 500 અબજ યુરોનું એક સ્પેશિયલ ફંડ પણ તૈયાર કરાયું છે. નવાઈ લાગશે પણ આ જ જર્મની અત્યાર સુધી સંતુલિત બજેટને ગાયની જેમ પૂજતા હતા. હવે જર્મનીનું ડિફેન્સ બજેટ જોઈએ જર્મનીની તાકાતમાં ભારતનો ફાયદો ક્યાં? જર્મનીના આ નિર્ણયનો ફાયદો આપણને પણ થઈ રહ્યો છે. ચીન સિવાય જર્મનીને એશિયામાં એક મજબૂત લોકશાહી પાર્ટનરની શોધ હતી જે ભારતે પૂરી પાડી છે. આપણે સૌથી વધુ વસ્તુ વેચીએ છીએ તેવા દેશોમાં જર્મનીનો નંબર આઠમો છે અને જેની પાસેથી સૌથી વધુ વસ્તુઓ ખરીદીએ છીએ તેમાં જર્મનીનો નંબર અગિયારમો છે. ભારત-જર્મનીના સંબંધો કેવા? તમને યાદ હોય તો હમણા ઉત્તરાયણમાં નરેન્દ્ર મોદી સાથે જેણે પતંગ ચગાવી હતી તે ચાંસેલર જર્મનીના જ હતા. ભારત જર્મનીના સંબંધોને 25 વર્ષ પૂરા થયા છે. બંને દેશ વચ્ચે ગયા વર્ષે સવા ચાર લાખ કરોડથી વધારે વેપાર થયો હતો. જો ભારત અને યુરોપીયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ જાય તો 2030 સુધીમાં જર્મની ભારતમાં 50 હજાર કરોડનું ઈનવેસ્ટમેન્ટ કરી શકે છે. આપણે જર્મની પાસેથી કાર સહિત ટેક્નોલોજીની વસ્તુઓ ખરીદીએ છીએ; જ્યારે જર્મની આપણી પાસેથી દારુગોળો અને વિસ્ફોટકો વગેરે ખરીદે છે. જર્મનીમાં મજૂરોની અછત, રોજગારીની તક ભારત અને જર્મની વચ્ચે હમણા જ 75 હજાર કરોડની પ્રોજેક્ટ 75 આઈ સબમરીન ડિલ થઈ છે. દારુગોળો બનાવવા માટે તેમને મજૂરોની અછત છે. ભારત પાસે સ્કિલ્ડ લેબર અને પ્રોડક્શન પણ ક્ષમતા છે. માટે જર્મન કંપનીએ રિલાયન્સ સાથે કરાર કર્યો છે. રત્નાગીરીમાં ધીરુભાઈ અંબાણી ડિફેન્સ સિટી બનશે જેમાં વર્ષે 2 લાખ જેટલા આર્ટિલરી શેલ બનાવાશે, જે બંને દેશોને કામ લાગશે. રાજકોટના બોલબેરિંગ માર્કેટ પણ ઓટોમોબાઈલથી આગળ વધીને ડિફેન્સ ગ્રેડ પર જશે તો સૌરાષ્ટ્રને પણ મોટો ફાયદો થઈ શકે એમ છે. બુલેટપ્રુફ જેકેટ માટે સુરતનું માર્કેટ પણ ખુલ્લું જ છે. પણ બધું સારું જ નથી. જર્મની ભારત અને રશિયાની દોસ્તી પણ શંકાની નજરે જુએ છે. જર્મનીના કડક નિકાસ નિયમો ભારત માટે માથાનો દુખાવો છે. અર્જુન એન્ક માટે જર્મન એન્જિન માટે આપણે 4 વર્ષ વાટ જોવી પડી હતી. જો ખરેખર ભાગીદારી વધારવી હોય તો જર્મનીને પોતાની બ્યૂરોક્રેસી ઝડપી બનાવવી પડશે. અને છેલ્લે... જર્મનીની ધરતી ભારતીય આઝાદીની લડાઈની મૂક સાક્ષી છે. કારણ કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝે પણ આઝાદ હિંદ ફૌજનો પાયો અહીંથી નાખ્યો હતો અને મેડમ ભીખાઈજી કામાએ પણ ભારતનો પહેલો તીરંગો આ જ જર્મન ધરતીથી લહેરાવ્યો હતો. જોઈએ કે ઈતિહાસના વૈશ્વિક સમીકરણો ભવિષ્યમાં નવી મહાસત્તાઓને કેવી ફળશે. સોમવારથી શુક્રવાર રાત્રે આઠ વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી સ્વરાજ આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં તપાસ તેજ બની છે. આ કેસના મુખ્ય આરોપી પ્રફુલ નાયક અને સહ-આરોપી રસોઈણ સોનલબેન દીપકભાઈ પવારના આહવા સેશન્સ કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી પ્રફુલ નાયક આશ્રમશાળાના મહિલા પ્રમુખના પતિ છે, જ્યારે સોનલબેન ત્યાં રસોઈ કામ કરતા હતા. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંભવિત સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જનેશ્વર નલવાયાની દેખરેખમાં આ કેસની તપાસ ચાલી રહી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. આશરે એક અઠવાડિયા પહેલા, રસોઈણ સોનલબેને સગીરાને કામના બહાને બોલાવી નશીલી વસ્તુ પીવડાવી હતી. સગીરા બેભાન થતાં મુખ્ય આરોપી પ્રફુલ નાયક તેને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર ડાંગ પંથકમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. શિક્ષણ અને સંસ્કારના કેન્દ્ર ગણાતી આશ્રમશાળામાં દીકરીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેના કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે. આદિવાસી સમાજના આગેવાનો, વાલીઓ અને સામાજિક સંગઠનો દ્વારા પીડિત દીકરીને વહેલી તકે ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની સંભાવના છે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે તોફાની બની હતી. છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા 'કચરા કૌભાંડ' ને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મેયર દક્ષેશ માવાણીને વિપક્ષી સભ્યોએ ઘેરી લીધા હતા અને ભારે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. મેયર દક્ષેશ માવાણીને વિપક્ષે ધક્કે ચઢાવ્યા હતા કચરા કૌભાંડનો આક્ષેપ અને 'નંબર 1' એવોર્ડ પર સવાલસુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં વારંવાર પ્રથમ ક્રમે આવે છે, પરંતુ વિપક્ષ દ્વારા આ આંકડાઓને 'છેતરપિંડી' ગણાવવામાં આવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે, પાલિકાએ કચરાનું 100 ટકા વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ થતું હોવાના ખોટા ડેટા રજૂ કરીને કેન્દ્ર સરકાર સાથે છેતરપિંડી કરી છે અને એવોર્ડ મેળવ્યો છે. વાસ્તવમાં ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર કચરાના ડુંગરો યથાવત છે, જે પાલિકાના દાવાઓની પોલ ખોલે છે. સામાન્ય સભા પહેલાં ઉગ્ર સૂત્રોચ્ચાર અને પ્લે-કાર્ડ પ્રદર્શનઆજની સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હાથમાં પ્લે-કાર્ડ લઈને પરિસરમાં એકઠા થયા હતા. હજી કેટલાં કરવા છે કાંડ...? અને કચરામાં પણ કૌભાંડ જેવા સૂત્રોચ્ચાર કરી આખું સંકુલ ગજવી મૂક્યું હતું. વિપક્ષી નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં કોર્પોરેટરોએ શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના સીધા પ્રહારો કર્યા હતા. મેયર દક્ષેશ માવાણીને ધક્કે ચઢાવાયાજ્યારે મેયર દક્ષેશ માવાણી સભાખંડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે વિપક્ષી સભ્યોએ તેમને ઘેરી લીધા હતા. આક્ષેપ છે કે યોગ્ય જવાબ ન મળતા મામલો બિચક્યો હતો અને સભ્યો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. મેયરને સુરક્ષાકર્મીઓના કવચ વચ્ચે માંડ-માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. વિપક્ષી નેતા પાયલ સાકરિયા સસ્પેન્ડસભામાં થયેલા હોબાળા અને શિસ્તભંગના કારણોસર મેયર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વિપક્ષના નેતા પાયલ સાકરિયાને સામાન્ય સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ નિર્ણય બાદ વિપક્ષે એવો આરોપ લગાવ્યો હતો કે ભાજપ શાસકો પોતાની નિષ્ફળતા છુપાવવા માટે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તંત્રની કામગીરી પર ઉઠ્યા પ્રશ્નોખજોદ સાઈટની મુલાકાત લીધા બાદ વિપક્ષના સભ્યોએ દાવો કર્યો છે કે લાખો મેટ્રિક ટન કચરો પ્રોસેસ કર્યા વગર જ પડ્યો રહ્યો છે. પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ મામલે હવે રાજ્ય કક્ષાએ પણ તપાસની માંગ ઉઠી શકે છે.
સુરેન્દ્રનગરમાં ગતરોજ રતનપર બાયપાસ રોડ પર ધોળા દિવસે છરીના ઘા ઝીંકી 17 વર્ષના સગીરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જૂની અદાવતમાં મિત્રોએ જ હૃદય પાસે છરીનો ઘા મારતા સગીર ત્યાં જ ઢળી પડ્યો હતો. આ મામલે જોરાવરનગર પોલીસે ગણતરીના કલાકોમાં કાયદાના સંઘર્ષમાં આવલા બે સગીર આરોપીઓને ઝડપી પાડ્યા છે. છરીનો ઘા લાગતા સગીર લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યોઆ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, 17 વર્ષના સગીરની તેના જ બે સગીર મિત્રોએ રતનપર બાયપાસ રોડ પર મેક્સન સર્કલ પાસે હત્યા કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અગાઉ થયેલા ઝઘડાના મનદુઃખને કારણે આ હત્યા કરવામાં આવી હતી. મિત્રોએ હૃદય પાસે છરીનો ઘા માર્યો હતો. જેથી સગીર લોહીલુહાણ હાલતમાં ત્યા જ ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા. બીજી તરફ આ મામલે જોરાવરનગર પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અંગે તપાસ હાથ ધરાઈપોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને સગીરને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા. હાલ પોલીસે બંનેને ડિટેઈન કર્યાં છે તેમજ હત્યા પાછળનું સાચું કારણ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અંગે વધુ તપાસ હાથ ધરી છે. DYSPએ શું કહ્યું?આ અંગે સુરેન્દ્રનગર DYSP વેદિકા બિહાનીએ જણાવ્યું કે, જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપર એરિયામાં મેક્સન સર્કલ પાસે જ્યાં નવું સ્વામિનારાયણ મંદિર બની રહ્યું છે, ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં હત્યાનો ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષની છે. આ બનાવમાં સગીરના બે મિત્રોએ જ એની હત્યા કરી હતી. આ બંને હત્યારા મિત્રો કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે. આજે એ બંને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ડિટેઇન કરવામાં આવ્યા છે. એમને જુબેનાઈલ જસ્ટિસ બોર્ડ સામે રજૂ કરવામાં આવ્યા છે. આ હત્યાનું મુખ્ય કારણ મૃતક ધનરાજ અને આ બન્ને સગીરો વચ્ચે અગાઉ કોઈ ઝઘડો થયો હતો, જેનું મનદુઃખ રાખીને આ હત્યા કરવામાં આવી હતી. હત્યાની અન્ય ઘટનાઓ પણ વાંચો અમદાવાદમાં મહિલાના પૂર્વ પતિએ હાલના પતિને તેના ઘર બહાર જ પતાવી દીધો અમદાવાદમાં એક હત્યાની ઘટના સામે આવી છે, સરખેજ ફતેહવાડી કેનાલ RCC રોડ પર આવેલી હમીદાનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય આમિર મુકીમ નામની વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. ચાકુના ઘા મારી યુવકને પતાવી દીધો છે. બાળકને મારવાનો પૂર્વ પતિને કોઈએ મેસેજ કર્યો ને બબાલ થઈ હતી. અફસાના બાનુના પૂર્વ પતિ દ્વારા હાલના પતિની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) દાહોદના પેથાપુરમાં નર્સની હત્યા, 60 કિમી દૂર શિક્ષકનો આપઘાત દાહોદ જિલ્લામાં શનિવારે એક સાથે બે સનસનાટીભરી ઘટનાઓએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો. વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં ફરજ બજાવતી સ્ટાફ નર્સ સોનલબેન પણદાની તીક્ષ્ણ હથિયારથી કરપીણ હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી, જ્યારે તે જ ગામના શિક્ષક મનોજ ઉર્ફે ભોલા વાલ્મીકીની લાશ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતા. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) જામનગરમાં સાળાએ મિત્ર સાથે મળી છરીના ઘા ઝીંકી બનેવીને પતાવી દીધો 23 જાન્યુઆરીએ જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં પ્રેમલગ્ન મામલે એક યુવાનની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. નીલય કુંડલિયા નામના જૈન યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ ઘટના વંડાફળીમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટ નજીક બની હતી. મૃતકના સાળાએ મિત્રો સાથે મળી આ હત્યાને અંજામ આપ્યો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) અમદાવાદ ક્રાઇમ બ્રાંચ કચેરીથી 100 મી. દૂર યુવકની હત્યાં અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચ કચેરીથી 100 મીટરના અંતરે આકાશ ઓડ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. ગત(21 જાન્યુઆરી) મોડીરાતે બે યુવકો વચ્ચે કોઈ બાબતે થયેલી બોલાચાલી બાદ સમાધાન થયું હતું. જો કે, તેની અદાવત રાખીને બીજા જ દિવસે યુવકની હત્યા કરાઈ હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
વાપીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:24.5 તોલા સોના-ચાંદીના દાગીના સાથે સફાઈકર્મી સહિત બેની ધરપકડ
વાપી GIDC વિસ્તારમાં આવેલી RCL કોલોનીમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે 24.5 તોલા સોના-ચાંદીના દાગીના સાથે સફાઈકર્મી સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. ચોરી કરાયેલો મુદ્દામાલ આરોપીઓએ જમીનમાં દાટી દીધો હતો, જે પોલીસે રિકવર કર્યો છે. ઘટનાની વિગત મુજબ, RCL કોલોનીમાં રહેતા એક વેપારી તેમના માતાના નિધન બાદ વતન મહારાષ્ટ્ર ગયા હતા. દૂધ અને કરિયાણાનો વ્યવસાય કરતા આ વેપારીએ પોતાની દુકાન પર 10 દિવસ માટે બહાર ગયા હોવાની નોટિસ પણ લગાવી હતી. આ તકનો લાભ ઉઠાવીને આરોપીઓએ ઘરમાં ઉપરના ભાગેથી પ્રવેશ કર્યો હતો. ચોરોએ ઘરમાં ઘૂસીને ડ્રોઅરમાં રાખેલી તિજોરીની ચાવી શોધી કાઢી હતી. ત્યારબાદ તિજોરી ખોલીને અંદાજે 24.5 તોલા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પકડાયેલ મુખ્ય આરોપી અજય સોલંકી તે જ કોલોનીમાં સફાઈ કામ કરતો હતો અને તેને વેપારીની હિલચાલ વિશે પૂરી જાણકારી હતી. પોલીસે અજય સોલંકી અને તેના સાગરીત કલ્પેશ મિસ્ત્રીની ધરપકડ કરી છે. આરોપીઓએ ચોરેલો મુદ્દામાલ અલગ-અલગ જગ્યાએ જમીનમાં દાટી દીધો હતો. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ વાત સામે આવતા પોલીસે તમામ દાગીના કબજે કર્યા છે. હાલમાં બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબીમાં 34 સ્થળોએ ફૂડ વિભાગનું ચેકિંગ:15 વેપારીઓને નોટિસ, 500 કિલો અખાદ્ય કલરનો નાશ
મોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 34 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી, જેમાં મીઠાઈ, ફરસાણ અને ડેરીના 15 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 500 કિલોગ્રામ અખાદ્ય કલર સહિત અન્ય અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના જૂના વિસ્તારમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ-ફરસાણની દુકાનો અને ડેરીઓ સહિત કુલ 34 જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તપાસ દરમિયાન, સ્વચ્છતાના ધોરણોનું પાલન ન કરતા 15 જેટલા મીઠાઈ, ફરસાણ, ડેરી અને હોટલના સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, મોમાઈ ડેરી, ખોડીયાર ડેરી અને મોમાઈ ડેરી એન્ડ બેકરીમાંથી દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓને ત્યાંથી મળી આવેલા અખાદ્ય પદાર્થો અને 500 કિલો અખાદ્ય કલરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે વેપારીઓ પાસે ફૂડ લાઇસન્સ ન હોય, તેઓએ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા વહેલી તકે લાઇસન્સ મેળવી લેવું. વેપારીઓએ સ્વચ્છતાના ધોરણો જળવાઈ રહે તેની તકેદારી રાખવી અનિવાર્ય છે. નિયમોનું પાલન ન કરનાર સામે મહાપાલિકા દ્વારા પ્રથમ નોટિસ અને ત્યારબાદ દંડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજવામાં આવ્યો હતો જેમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 2 જેટલા મુલાકાતઓ ઓછા આવ્યા હતા. જેથી, ફ્લાવર શો ફ્લોપ શો બની ગયો હતો. ફ્લાવર શોમાં નાગરિકોની મુલાકાતની સંખ્યા ખૂબ ઓછી રહી હતી. ચાલુ વર્ષે 10.81 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી છે. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 11.61 કરોડની આવક થઈ છે. આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો પાછળ રૂ. 17 કરોડનો ખર્ચ કર્યો હતો પરંતુ 6 કરોડ રૂપિયાનું કોર્પોરેશનને નુકસાન ગયું છે. સીઝનલ પ્લાન્ટને વિવિધ બગીચાઓ, ટ્રાફિક જંકશન અને ડિવાઇડરની વચ્ચે લગાવવામાં આવશે. ટિકિટથી અંદાજિત 9 કરોડ જેટલી આવક થઈસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 29 દિવસમાં જ 10.81 લાખ નાગરીકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. જેમાં કુલ આવક 11.61 કરોડ રૂપિયા થઈ છે ટિકિટથી અંદાજિત 9 કરોડ જેટલી આવક થઈ છે. સ્ટોલની 1.5 કરોડ જ્યારે સ્પોન્સરશિપની 1.40 કરોડ રૂપિયા આવક થઈ છે. ફ્લાવર શોના સીઝનલ પ્લાન્ટ ને ડિવાઇડરમાં તેમજ અલગ-અલગ બગીચાઓમાં પ્લાન્ટ કરી વૃક્ષારોપણ કરાશે. આ વર્ષની આવક ગત વર્ષ કરતા બે કરોડ ઘટીગત વર્ષે ફ્લાવર શોમાં 13 લાખથી વધારે લોકો આવ્યા હતા અને 13 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગયા વર્ષ કરતાં આ સંખ્યા બે લાખ ઓછી છે જ્યારે આવક પણ ગત વર્ષની આવક કરતા બે કરોડ ઘટી છે એટલે કે ચાલુ વર્ષે 11 કરોડની આવક થઇ છે. ફ્લાવર શોમાં ઉપયોગમાં લેવામાં આવેલા ફુલોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ બગીચા, સર્કલ કે પછી સેન્ટ્રલવર્જમાં લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે ફુલ છોડ વેચવામાં નહી આવે તેવી સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી છે. ફ્લાવર શોમાં ટીકીટ ખરીદી નાગરીકો આવ્યા તેની સાથે મોટી સંખ્યામાં બાળકોએ પણ મુલાકાત લીધી હતી. જોકે સૂત્રો મુજબ ફ્લાવર શોમાં યોગ્ય પ્રકારે સારું ડિસ્પ્લે અને આયોજન ન હોવાના કારણે નાગરિકોને ફ્લાવર શો વધુ સારો લાગ્યો નહીં.

25 C