પાટણના વામૈયા ગામે 23 તારીખે યોજાનાર ક્ષત્રિય સમાજનું 'ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન' હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સિદ્ધપુર તાલુકાના હિસોર ગામે ક્ષત્રિય સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓની બેઠકમાં સર્વાનુમતે લેવાયો હતો. સમાજના 18 યુવાનો જેલમુક્ત થયા બાદ આભારવિધિ અને સ્નેહ મિલન સાથે નવી તારીખે આ સંમેલન યોજવામાં આવશે. અગાઉ કલેક્ટર કચેરી, એસપી અને મીડિયાના માધ્યમથી આ સંમેલન માટે જે કોલ આપવામાં આવ્યો હતો, તેને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. યુવા ક્ષત્રિય સેના ગુજરાતના અધ્યક્ષ અભિજિત બારડે જણાવ્યું હતું કે, હિસોર ગામે હર્ષિદના ધામમાં મળેલી ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, સરપંચો, ડેલીગેટ્સ અને રાજકીય-સામાજિક આગેવાનોની મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. હવે નવી તારીખ, નવું સ્થળ અને નવી રણનીતિ મુજબ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. અભિજિત બારડે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ લડત કોઈ ચોક્કસ સમાજ કે આખા પોલીસ તંત્ર સામે નથી. પરંતુ, જે તે સમયે બનેલી ઘટનામાં સંકળાયેલા ચોક્કસ કર્મચારીઓ સામે હતી. તેમણે ઉમેર્યું હતું કે સરકાર કે ગુજરાત પોલીસ સામે કોઈ વિરોધ નથી. સમાજ દ્વારા એવી પણ વિનંતી કરવામાં આવી છે કે આ મુદ્દે સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિને ટ્રોલ ન કરવા કે નકારાત્મક ટિપ્પણીઓ કરી વાતાવરણ ન ડહોળવું. તમામ ક્ષેત્રના કર્મચારીઓ, અધિકારીઓ અને આગેવાનોના સંકલનથી લેવાયેલા આ નિર્ણયને સ્વીકારી લડતને યોગ્ય દિશામાં આગળ વધારવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
જોરાવરનગરની સવા આયુષ હોસ્પિટલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના સન્માન નિમિત્તે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના નવા આધુનિક વિભાગોનું પણ લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ વસેવલીયા, સુરેન્દ્રનગર-વઢવાણ શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને જિજ્ઞાબેન પંડ્યા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝાલાવાડ વિસ્તારની સૌપ્રથમ અને એકમાત્ર NABH માન્યતા પ્રાપ્ત સવા આયુષ હોસ્પિટલમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ, લેઝર દ્વારા પથરીની સર્જરી (RIRS) વિભાગ અને એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જરી વિભાગ જેવા આધુનિક વિભાગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ન્યુરોસર્જરી, યુરોલોજી, મેડિસિન, જનરલ સર્જરી, પીડિયાટ્રિક, ENT, ઓર્થોપેડિક, ગાયનેક અને આંખના વિભાગોમાં નિદાન અને સારવાર ઉપલબ્ધ હતી. પ્રથમ ૫૦ દર્દીઓ માટે મોતીયાના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન ડોક્ટરની સલાહ, જરૂરી તપાસ અને લેબોરેટરી ટેસ્ટ સહિતની તબીબી સેવાઓ દર્દીઓને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. સામાન્ય અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ સેવા યજ્ઞ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સવા આયુષ હોસ્પિટલની ટીમે જહેમત ઉઠાવી હતી.
વલસાડ AAP લોકસભા ઇન્ચાર્જ ડો. રાજીવ પાંડેનું રાજીનામું:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે પક્ષ છોડ્યો
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્વે વલસાડમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. વલસાડ લોકસભા બેઠકના AAPના ઇન્ચાર્જ ડો. રાજીવ પાંડેએ અચાનક પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ડો. રાજીવ પાંડે વલસાડ જિલ્લામાં AAPના એક મહત્વપૂર્ણ ચહેરા તરીકે ઓળખાતા હતા. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેમના રાજીનામાથી AAPના સંગઠનમાં ભંગાણ સર્જાયું હોવાનું મનાય છે. જોકે, ડો. પાંડેના રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજુ સ્પષ્ટ થયા નથી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે તેઓ પક્ષની આંતરિક કામગીરી અથવા આગામી ચૂંટણીઓની રણનીતિને લઈને નારાજ હોઈ શકે છે. તેમના આ નિર્ણયથી પક્ષના કાર્યકરોમાં પણ અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. ડો. રાજીવ પાંડેના રાજીનામા બાદ તેઓ કયા પક્ષમાં જોડાશે તેના પર સૌની નજર છે. સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા પાંડે જો અન્ય કોઈ પક્ષમાં જોડાય છે, તો તેની સીધી અસર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પર પડી શકે છે.
ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં અંદાજે દોઢ લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. ધર્મજાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત (RSS) દ્વારા પ્રેરિત આ પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરિક્રમાના પ્રારંભે ડુંગર તળેટીમાં આવેલા પ્રસિદ્ધ નવગ્રહ મંદિરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રનંદગીરીજી, આત્માનંદ સરસ્વતીજી, ચોટીલા મંદિરના અમૃતગિરિબાપુ અને મનસુખગીરીબાપુ, દુધઈ જગ્યાના મહંત રામબલકદાસબાપુ, સતરંગના પ્રેમબાપુ, કાશીબાપુ, કાળાસરના વાલજી ભગત, હાસ્યકાર હકાભા ગઢવી, બિરજુભાઈ બારોટ, દેવ પગલી સહિત અનેક સાધુ-સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ પરિક્રમાનું મહત્વ સમજાવ્યું હતું અને હિન્દુ સમાજ જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને એક થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. તેમના પ્રવચનોમાં હિન્દુ એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. શ્રી નવગ્રહ મંદિરના પ્રાંગણમાં શ્રી રામકૃપા અન્નક્ષેત્રના હરેશબાપુ શ્રવણ દ્વારા અંદાજે 30 હજાર પરિક્રમાર્થીઓને ભોજનરૂપી મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. બપોરના 2 વાગ્યા સુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી હતી. પરિક્રમાર્થીઓનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો અને સાંજ સુધીમાં કુલ દોઢ લાખ લોકો પરિક્રમા પૂર્ણ કરશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરિક્રમાપથ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરબત, તરબૂચ, છાશ વગેરેના સેવા સ્ટોલ પણ ચલાવવામાં આવ્યા હતા, જેનો લાભ પરિક્રમાર્થીઓએ લીધો હતો.
ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કાળિયાબીડના નાકે આવેલ લખુભાહોલ પાસેથી પસાર થઈ રહેલા બાઈક સવાર બે યુવકોને અટકાવી તપાસ કરતા શખ્સો પાસેથી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવતા પોલીસે બંનેને ઝડપી લીધા હતાં. પૂછપરછમાં દારૂનો જથ્થો અકવાડાના અન્ય શખ્સ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું બહાર આવતા પોલીસે કુલ રૂ. 55,600નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બે શંકાસ્પદને અટકાવીને પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યોમળતી વિગતો અનુસાર, ગઈકાલે(21 માર્ચ) નિલમબાગ પોલીસ સ્ટેશનના જવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન મળેલી બાતમીના આધારે કાળિયાબીડનાં નાકે આવેલ લખુભાહોલ પાસે વોચ ગોઠવી હતી, એ દરમિયાન બાઈક નંબર GJ-04 EC-6810 પર સવાર થઈ બે શખ્સો શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને અટકાવી પૂછપરછ કરી હતી. 12 બોટલ સાથે બેને દબોચ્યાપોલીસે તપાસ કરતા ધાર્મિક હર્ષદ સરવૈયા ઉં.વ 21 તથા વિશાલ વિક્રમ બારૈયા ઉં.વ 21 રહે બન્ને રહેવાસી ભરતનગરના પાસેથી પરપ્રાંતિય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાનીમોટી કુલ 12 નંગ બોટલ મળી આવતા પોલીસે બન્નેને ઝડપી લીધા હતાં. 55 હજારનો મુદ્દામાલ જપ્તપોલીસે આ દારૂ અંગે બન્ને શખ્સોની પૂછપરછ કરતા અકવાડા ગામે રહેતા સંજય શેફા મોભ પાસેથી આ દારૂનો જથ્થો લાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આથી પોલીસે રૂ. 15,600 ઇંગ્લિશ દારૂની 12 બોટલો તથા બાઇક રૂ. 40,000 મળી કુલ રૂ. 55,600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 3 સામે ગુનો નોંધાયોઝડપાયેલા ધાર્મિક હર્ષદભાઈ સરવૈયા, વિશાલ વિક્રમભાઈ બારૈયા બન્ને રહેવાસી ભરતનગર તેમજ સંજય સેફાભાઈ મોભ રહે. ગામ અકવાડા વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદમાં ટેકનોલોજી અને શિક્ષણને પ્રોત્સાહન આપતી રાજ્યકક્ષાની CODEAVOUR 7.0 સ્પર્ધા યોજાઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને કોડિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓએ પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કર્યું હતું. જેમાં રાજ્યભરની 25 જેટલી સ્કૂલાના 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સ્પર્ધામાં નિષ્ણાતોના મૂલ્યાંકન બાદ સારો રોબોટ બનાવનાર અને સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. વિજેતા વિદ્યાર્થીઓ હવે નેશનલ લેવલ પર પોતાની કાબેલિયત સાબિત કરશે. ટેકનોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યોએચ.બી. કાપડિયા હાઈસ્કૂલમાં રાજ્યકક્ષાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને કોડિંગ સ્પર્ધા CODEAVOUR 7.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા અને તાલુકા સ્તરે યોજાયેલી પ્રાથમિક સ્પર્ધાઓમાંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 25થી વધુ સ્કૂલમાં 300 કરતા વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં વિદ્યાર્થીઓએ પોતપોતાના નવીન અને ક્રિયેટિવ રોબોટ્સ બનાવીને રજૂ કર્યા હતા. તેમજ ટેકનોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને નવીન વિચારશક્તિનો વિકાસ કરવાનો હતો. વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયતરાજ્યકક્ષાની CODEAVOUR 7.0માં વિદ્યાર્થીઓએ લાઈવ પ્રોજેક્ટ ડેમોન્સ્ટ્રેશન, ઈન્ટરેક્ટિવ સેશન અને ઇનોવેટિવ પ્રદર્શન દ્વારા પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા તમામ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેક્ટની નવીનતા, ઉપયોગિતા અને ટેક્નિકલ સમજણને ખાસ ધ્યાનમાં લેવામાં આવી હતી. આ પ્રકારની સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્પર્ધાના અંતે નિષ્ણાતોના મૂલ્યાંકનના આધારે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓ હવે નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેશે. જ્યાં તેઓ પોતાના કૌશલ્યને વધુ ઊંચા સ્તરે રજૂ કરશે. સ્પર્ધા માટે વિદ્યાર્થીઓ રોબર્ટ્સ બનાવીને લાવ્યાઃ હર્ષ કાપડિયાએચ.બી. કાપડિયા સ્કૂલના ટ્રસ્ટી હર્ષ કાપડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય કક્ષાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને કોડિંગ સ્પર્ધા યોજાઈ હતી. ગુજરાતની અલગ અલગ સ્કૂલોની 90 જેટલી ટીમ ભાગ લીધો હતો. સ્કૂલોમાંથી અલગ-અલગ કેટેગરીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ટ્રેક 1, ટ્રેક 2 અને ટ્રેક એક ત્રણ ટેક પર કોમ્પિટિશન યોજવામાં આવી છે. વિદ્યાર્થીઓ રોબર્ટ્સ બનાવીને લાવ્યા છે અને બીજી ટીમ સાથે સ્પર્ધા કરી રહ્યા છે. રોબોટ્સથી ફૂટબોલ રમીને ગોલ કરવા જેવી અલગ-અલગ સ્પર્ધા યોજવામાં આવી હતી. ‘એચ. બી. કે. સ્કૂલમાં પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને AIનું શિક્ષણ’વધુમાં હર્ષભાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા AI સમિટ યોજવામાં આવી હતી. AI અને રોબોટિક્સનું મહત્વ પણ વધી રહ્યું છે. તેમજ AI અને રોબોટિક્સ શીખ્યા વગર ચાલી શકે તેમ પણ નથી, જેથી વિદ્યાર્થીઓ તે શીખે અને મોટા લેવલ પર ભાગ લેશે તો દેશને તેનો ઘણો ફાયદો થશે. તેમજ દુનિયામાં પણ લીડર તરીકે ઉભરી આવીશું. એચ.બી.કે શાળામાં પણ પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને AIનું શિક્ષણ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ નવા જમાના પ્રમાણે તૈયાર થાય તે માટે આ સ્પર્ધા યોજવામાં આવી છે.
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પાતાપુરની એક વાડીમાં ચાલતા વિદેશી દારૂના નેટવર્ક પર સફળ દરોડો પાડીને 4 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન વાડીમાં છુપાવી રાખેલી 1390 નંગ વિદેશી દારૂની બોટલો પોલીસે જપ્ત કરી છે અને સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી છે. જોકે, અન્ય ત્રણ શખ્સો ફરાર હોવાથી પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પાતાપુર ગામની આથમણી સીમ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડોજૂનાગઢમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતાં. ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ વજરાજસિંહ ચુડાસમા સહિતના સ્ટાફને એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામની આથમણી સીમ વિસ્તારમાં આવેલી હરેશ લખમણભાઈ ભાદરકાની વાડીમાં આવેલા રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ત્યાં ગાંધીગ્રામ વિસ્તારના ભરત હમીરભાઈ રાડાએ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હતો. 4 લાખની 1390 દારૂની બોટલ જપ્તપોલીસે આ સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1390 બોટલો કબ્જે કરી છે, જેની અંદાજિત કિંમત 4,05,977 રૂપિયા થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે, જેની કિંમત 20,000 રૂપિયા આંકવામાં આવી છે. આમ, ક્રાઇમ બ્રાન્ચે કુલ 4,25,977 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે શખ્સોની ધરકપડ, ત્રણ ફરારની શોધખોળઆ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પાતાપુર ગામના 43 વર્ષીય ખેડૂત હરેશભાઈ લખમણભાઈ ભાદરકા અને જૂનાગઢ ગાંધીગ્રામના 45 વર્ષીય ભરતભાઈ હમીરભાઈ રાડાનો સમાવેશ થાય છે. જોકે, આ કેસમાં અન્ય ત્રણ શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે, જેમાં ગાંધીગ્રામનો મેરા ઉર્ફે બકરી પરબતભાઈ શામળા, મીરાનગરનો દેવા જેસાભાઈ પરમાર અને ગાંધીગ્રામનો નિકુલ ભરતભાઈ રાડા ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
આર્મ્સ એક્ટનો વોન્ટેડ આરોપી નિઝરમાં ઝડપાયો:બિહારનો રમેશકુમાર વ્યાવલ નાકા પાસેથી પકડાયો
તાપી જિલ્લાની નિઝર પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ બિહારના એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને વ્યાવલ નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પકડવામાં આવ્યો હતો. નિઝર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈ અને કલ્પેશભાઈ મસાભાઈને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી. બાતમી અનુસાર, નિઝર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 11824007250017/2025 હેઠળ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટમાં વોન્ટેડ આરોપી આ વિસ્તારમાંથી પસાર થવાનો હતો. આ બાતમીના આધારે, પોલીસે વ્યાવલ નાકા પાસે વોચ ગોઠવી હતી અને આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ રમેશકુમાર ઉર્ફે રાકેશ વિંદા રાય (ઉં.વ. 41), વ્યવસાયે મજૂર, રહેવાસી સકડ્ડડી, થાણા-કોઇલવર, જિલ્લો-ભોજપુર (બિહાર) તરીકે થઈ છે. પોલીસે વોન્ટેડ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાતા પોલીસ વિભાગે રાહત અનુભવી છે.
નવસારીમાં સોશિયલ મીડિયાના દુરુપયોગનો એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીના ફોટાનો ઉપયોગ કરીને અજાણ્યા શખ્સે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું. આ આઈડી પરથી યુવતીના મંગેતરને અભદ્ર મેસેજ મોકલી બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે 27 વર્ષીય યુવતીએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવતી નવસારીના એક જ્વેલરી શો-રૂમમાં નોકરી કરે છે. તેના લગ્ન ત્રણ મહિના પહેલા કમેલા રોડના એક યુવાન સાથે નક્કી થયા હતા. ગત 31 જાન્યુઆરીના રોજ યુવતી નોકરી પર હતી ત્યારે તેના મંગેતરનો ફોન આવ્યો હતો. મંગેતરે પૂછ્યું હતું કે, શું તેણે ઇન્સ્ટાગ્રામ પર કોઈ નવી આઈડી બનાવીને મેસેજ કર્યા છે? યુવતીએ ના પાડતા જાણવા મળ્યું કે, કોઈ અજાણ્યા શખ્સે યુવતીના ફોટાનો ઉપયોગ કરીને ujul_20 નામનું ફેક આઈડી બનાવ્યું હતું. આ ફેક આઈડી પરથી તેના મંગેતરને અત્યંત અભદ્ર મેસેજ મોકલવામાં આવ્યા હતા. પોતાના નામે ફેક આઈડી બનાવી બદનામ કરવાનું કાવતરું જોઈ યુવતી ગભરાઈ ગઈ હતી. તેણે તાત્કાલિક ભારત સરકારના સાયબર ક્રાઈમ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી. ત્યારબાદ, નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈ પુરાવા તરીકે સ્ક્રીનશોટ રજૂ કર્યા હતા અને અજાણ્યા આઈડી ધારક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. નવસારી પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ફેક આઈડી ઓપરેટ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યાં છે. આવનારા દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે. આ સાથે જ જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં તાપમાનમાં ફરી બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. તાપમાનમાં વધારાની સાથે-સાથે ગરમીમાં પણ વધારો નોંધાશે. છેલ્લા 24 કલાકમાં મોટા ભાગના શહેરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાત દિવસ બાદ ફરી વાતાવરણ પલટી શકેહવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. છેલ્લા 48 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. જે બાદ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો વધારો નોંધાશે નહીં. ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સાયકોલિક સર્ક્યુલેશન હતું તે હવે પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેની ગુજરાત પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે નહીં. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો વાતાવરણમાં બદલાવ જોવા મળશે. ઉત્તર પશ્ચિમથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજકોટમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયુંહવામાન વિભાગના આંકડા પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 35 ડિગ્રી નોંધાયું છે. તો અમરેલીમાં 34.9 ડિગ્રી, સુરતમાં 34.5 ડિગ્રી, અમદાવાદમાં 34.2 ડિગ્રી, વડોદરામાં 34.2 ડિગ્રી, ડાંગમાં 34 ડિગ્રી, કંડલામાં 34.7 ડિગ્રી, ગાંધીનગરમાં 33.6 ડિગ્રી, ભુજમાં 33.4 ડિગ્રી, પોરબંદરમાં 33.2 ડિગ્રી, ભાવનગરમાં 33 ડિગ્રી, ડીસામાં 32.7 ડીગ્રી, દમણમાં 32.4 ડિગ્રી, દાહોદમાં 31.7 ડિગ્રી, નલિયામાં 31.6 ડિગ્રી, દીવમાં 30.8 ડિગ્રી, દ્વારકામાં 30.5 ડિગ્રી, ઓખામાં 30.3 ડિગ્રી અને વેરાવળમાં 30.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં સાલીયા અને મિરપ ગામને જોડતા પાનમ નદી પર ₹14 કરોડના ખર્ચે નવનિર્મિત પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે આ પુલ ખુલ્લો મુકાયો હતો. આ પુલના નિર્માણથી મોરવા હડફ મતવિસ્તારના વિકાસ કાર્યોમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. આ પુલ અંદાજે ₹14 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. લોકાર્પણ પ્રસંગે મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, આ પુલ બનવાથી વિસ્તારના હજારો નાગરિકોની અવરજવર સરળ બનશે. ચોમાસા દરમિયાન નદી પાર કરવામાં પડતી હાલાકીનો કાયમી ઉકેલ આવશે.
અમદાવાદ શહેરમાં પિતાની ગરીમાને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. સાવકા પિતાએ ઘરમાં જ છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની માતા બેડરૂમની ગેલેરીમાં કપડાં સૂકવવા ગઈ ત્યારે પિતાએ બાળકીને પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાળકી અચાનક જ ચીસો પાડતા તેની માતા દોડી આવી હતી અને તેણે પિતા પાસેથી લઈ લીધી હતી. આ મામલે પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસ સ્થળ ઉપર પહોંચી અને આરોપી સાવકા પિતાની ધરપકડ કરી છે. બાળકીની ચીસો સાંભળી માતા દોડીને રૂમમાં પહોંચીકૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એચ. જોશીએ જણાવ્યું હતું કે, કૃષ્ણનગર વિસ્તારમાં છ વર્ષની બાળકી તેના પરિવાર સાથે રહે છે. ઘરમાં બાળકી અને તેની માતા અને સાવકા પિતા હાજર હતા. બાળકીની માતા બેડરૂમની ગેલેરીમાં કપડાં સૂકવવા ગઈ હતી, ત્યારે અચાનક જ બાળકીએ જોર જોરથી ચીસો પાડી હોવાનો અવાજ આવતા તે દોડીને બેડરૂમમાં ગઈ હતી. ત્યારે જોયું તો બાળકી નગ્ન હાલતમાં હતી અને તેનો પતિ એટલે કે બાળકીનો સાવકો પિતા પણ નગ્ન હાલતમાં હતો. સાવકા પિતા બાળકી પર દુષ્કર્મ આચરતો હોવાનું જોઈ માતાએ બાળકીને પોતાની પાસે ખેંચી લીધી હતી. માતાએ ના પાડતા પિતાએ દીકરીને શિકાર બનાવીઆરોપી સાવકા પિતાની માનસિકતાનો અભ્યાસ હાલ તપાસમાં છે. આરોપી કૃત્ય પ્રમાણે વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. છ વર્ષની દીકરી સાથે આવું કૃત્ય કર્યું એટલે માનસિકતા પર સવાલો ઉભા થાય છે. આરોપી પોતા TSC ગાંધીનગર ખાતે નોકરી કરે છે. ધો. 10 અભ્યાસ બાદ મેકેનિકલ ડિપ્લોમા કર્યું છે. અગાઉ આવી કોઈ ઘટના થઈ હોય તેવું સામે આવ્યું નથી. ફરિયાદી મહિલાના કહેવા પ્રમાણે આરોપીએ મહિલા પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી. જોકે, મહિલાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેણે ના પાડતા આરોપીએ છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મહિલાએ વર્ષ 2021માં આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતાદુષ્કર્મનો ભોગ બનનાર બાળકીની માતાના વર્ષ 2019માં લગ્ન થયા હતા. તેનાથી તેને એક બાળકી હતી. વર્ષ 2020માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા અને મહિલાએ વર્ષ 2021માં આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા. બીજા પતિ એટલે કે, આરોપીથી એક દીકરો પણ હતો. વાંધાજનક સ્થિતિમાં બાળકીએ બંનેને જોયા હતા. પતિ દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ કર્યું હોવાની આ ઘટનાને લઈ કૃષ્ણનગર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપી સાવકા પિતાની ધરપકડ કરી હતી.
સુરેન્દ્રનગરના વઢવાણ હવામહેલ ખાતે આયોજિત ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’માં અનેક ખેડૂતો અને મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં સુરતની સરદાર પટેલ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી સાથે સંકળાયેલા વિશ્વાબેન ગામીતનો સ્ટોલ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વિશ્વાબેન ‘શ્રી અન્ન’ એટલે કે મિલેટના મહત્વને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાગીમાંથી તૈયાર કરેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે. તેમનો આ પ્રયાસ માત્ર વ્યવસાય પૂરતો સીમિત નથી, પરંતુ સમાજમાં પરંપરાગત અને શુદ્ધ આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનું એક સશક્ત માધ્યમ બની રહ્યો છે. રાગીના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે માહિતી આપતા વિશ્વાબેન ગામીતે જણાવ્યું કે, રાગી કુદરતી પોષક તત્વોનો ખજાનો છે. અન્ય ધાન્ય પાકોની સરખામણીમાં રાગીમાં ફાઈબર, કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. આજના સમયની બેઠાડું જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે થતી ડાયાબિટીસ, હૃદયરોગ અને પાચનની સમસ્યાઓ સામે લડવામાં રાગી અત્યંત મદદરૂપ થાય છે. રાગી પચવામાં હલકી અને સ્વાસ્થ્યપ્રદ હોવાથી નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ વયના લોકો માટે તે ઉત્તમ આહાર છે. તેમના સ્ટોલ પર રાગીના લોટમાંથી બનેલી પૌષ્ટિક લાડુ, ક્રિસ્પી પાપડ, રાગીના ભૂંગળા અને અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો શહેરીજનોમાં ભારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.વિશ્વાબેને વધુમાં ઉમેર્યું કે, રાગી જેવા મિલેટ પાકો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા ઓછા પાણીમાં અને કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર સરળતાથી ઉગાડી શકાય છે. આ પદ્ધતિ ખેડૂતો માટે ઓછી ખર્ચાળ હોવાની સાથે જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણની જાળવણી માટે પણ અનુકૂળ છે. આનાથી ગ્રાહકોને ઝેરમુક્ત અને સાત્વિક આહાર મળે છે. વિશ્વાબેન ગામીત જેવા સજાગ મહિલા સાહસિકોની આ પહેલ સમાજમાં પૌષ્ટિક આહાર પ્રત્યે નવી સભાનતા લાવી રહી છે અને ‘મેદસ્વિતા મુક્ત ભારત’ના નિર્માણમાં પાયાનું કામ કરી રહી છે. સુરેન્દ્રનગરનો આ મિલેટ મહોત્સવ ‘સ્વસ્થ ભારત’ની સંકલ્પનાને સાકાર કરવાનું પ્રેરણાપીઠ બની રહ્યો છે. મુલાકાતીઓ વિશ્વાબેનના સ્ટોલ દ્વારા મિલેટના આધુનિક ઉપયોગો અને તેના વૈજ્ઞાનિક ફાયદાઓને સમજી રહ્યા છે, જેના પરિણામે લોકો ફરી એકવાર પોતાના પરંપરાગત ‘શ્રી અન્ન’ આહાર તરફ વળવા પ્રેરાઈ રહ્યા છે.
સુરતના હજીરા વિસ્તારમાં આવેલા મોરા ટેકરામાં ગત 19 માર્ચના રોજ ફૂંકાયેલા મિની વાવાઝોડાએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. વાવાઝોડા દરમિયાન ધરાશાયી થયેલા વિશાળકાય ઝાડ નીચે દબાઈ જવાથી 35 વર્ષીય મુકેશકુમાર યાદવનું કરુણ મોત નીપજ્યું હતું. નવાઈની વાત એ છે કે, આ યુવક છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતો અને આજે રવિવારે સવારે તેનો મૃતદેહ ઝાડ નીચેથી મળી આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. 7 વર્ષના પુત્ર સાથે પત્નીનું હૈયાફાટ રુદન દેખાયું હતું. પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. સુરતમાં મિની વાવાઝોડાથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 3 થયો છે. 19 માર્ચે મનપાનું લોખંડનું બોર્ડ ધરાશાયી થયું ને યુવકનું મોતઉલ્લેખનીય છે કે, સુરતમાં મીની વાવાઝોડાના ભારે પવનને કારણે અનેક સ્થળોએ હોર્ડિંગ-વૃક્ષો ધરાશાયી થયા હતાં, જેમાં 19 માર્ચે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે ભારે પવનને કારણે સુરત મહાનગરપાલિકાનું એક વિશાળ લોખંડનું બોર્ડ ધરાશાયી થયું હતું. કમનસીબે, આ બોર્ડ યુવક પર પડ્યું હતું. બોર્ડ એટલું વજનદાર હતું કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સચિનમાં વાવાઝોડાના કારણે રૂમની દિવાલ પડતાં 21 માર્ચે આધેડનું મોત મળેલી માહિતી મુજબ, સચિન હળપતિવાસમાં 55 વર્ષ છનાભાઈ સુમનભાઈ રાઠોડ, ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા. છનાભાઈ ખેતરમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 19મીએ રાત્રે શહેરમાં અચાનક વાવાઝોડું આવ્યું હતું. દરમિયાન છનાભાઈની રૂમની દિવાલ તૂટી પડતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 21 માર્ચ(શનિવારે)સવારે તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભારે પવનથી અચાનક વૃક્ષ યુવક પર ખાબક્યુંમળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની મુકેશકુમાર યાદવ (ઉં.વ. 35) સુરતમાં રહી હજીરાની કંપનીમા કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 19 માર્ચના રોજ જ્યારે શહેરમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું, ત્યારે મુકેશકુમાર કામ પર જવા માટે ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન મોરા ટેકરા વિસ્તારમાં અચાનક ઝાડ તેમના પર ખાબક્યું હતું. મુકેશકુમાર ઘરે પરત ન ફરતા ચિંતિત પત્નીએ ઈચ્છાપોર પોલીસ મથકે પતિ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. 3 દિવસ બાદ ઝાડ નીચેથી લાશ મળતા પરિવાર સ્તબ્ધપરિવાર અને સ્થાનિકો સતત શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે આજે 22 માર્ચની સવારે ધરાશાયી થયેલા ઝાડ નીચેથી મુકેશકુમારનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતદેહને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતક પોતાની પાછળ પત્ની અને 7 વર્ષના માસૂમ પુત્રને વિલાપ કરતા છોડી ગયા છે. સિવિલ હોસ્પિટલ ખાતે હાજર મૃતકની પત્નીએ પોલીસ અને વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. 'પોલીસે વહેલી તપાસ કરી હોત તો કદાચ પતિ જીવતા હોત'તેમણે જણાવ્યું કે, મેં ગુમ થયાની ફરિયાદ આપી હતી, છતાં પોલીસે યોગ્ય તપાસ ન કરી. જો ઝાડ નીચે તાત્કાલિક તપાસ કરવામાં આવી હોત તો મારા પતિનો જીવ બચી શક્યો હોત. પત્નીએ હવે ઘરના મોભી ગુમાવ્યા બાદ પ્રશાસન પાસે આર્થિક સહાય અને વળતરની માંગ કરી છે. મિની વાવાઝોડાએ લીધો કુલ 3 લોકોનો ભોગસુરતમાં 19 માર્ચે આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. મુકેશકુમારના મોત સાથે આ વાવાઝોડાને કારણે મૃત્યુઆંક વધીને 3 પર પહોંચ્યો છે. સ્થાનિકોમાં પણ વહીવટી તંત્રની ઢીલી કામગીરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો મનપાનું લોંખડનું બોર્ડ પડતા યુવકનું કમકમાટીભર્યું મોત 19 માર્ચે સુરતમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા મીની વાવાઝોડાએ શહેરભરમાં ભારે તારાજી સર્જી હતી. આ કુદરતી આફત એક યુવક માટે કાળ બનીને આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકાનું બોર્ડ પડવાને કારણે તેનું કરૂણ મોત નીપજ્યું છે. શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ફૂંકાયેલા તેજ પવન અને મીની વાવાઝોડાએ સુરતને બાનમાં લીધું હતું. ભારે પવનના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોર્ડિંગ, પતરા અને વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની. (વાંચો સંપૂર્ણ સમાચાર) સુરતમાં મીની વાવાઝોડાએ યુવકનો ભોગ લીધો રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે ધૂળ ઉડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાની પણ ઘટના સામે આવી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર)
જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં ધોળા દિવસે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જયસુખભાઈ રૂપાપરાનો પરિવાર જ્યારે સવારે પોતાના કુળદેવતા સુરાપુરા બાપાના મંદિરે દર્શન કરવા ગયો હતો, ત્યારે માત્ર બે કલાકના ગાળામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી છે. તસ્કરોએ મકાનના તાળાં અને બારીઓ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી રોકડ તથા સોનાના દાગીના પર હાથફેરો કર્યો હતો. ભોગ બનનાર મકાન માલિક જયસુખભાઈ રૂપાપરાએ રડમસ અવાજે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમે સવારે સવા દસ વાગ્યે સુરાપુરા દાદાને પગે લાગવા ગયા હતા. સવા બાર વાગ્યે જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ઘરના તાળાં અને બારીઓ તૂટેલી હાલતમાં હતી. ઘરમાં તપાસ કરતા માલુમ પડ્યું કે દીકરીના લગ્ન માટે વર્ષોથી ભેગી કરેલી 9 લાખ રૂપિયાની રોકડ અને અંદાજે 7 તોલા સોનાના ઘરેણાં (પાટલા અને વીંટીઓ) તસ્કરો ચોરી ગયા છે. આ અમારી ત્રણ ભાઈઓની 20 વર્ષની મહેનતની કમાણી હતી જે તસ્કરો મિનિટોમાં સાફ કરી ગયા. ઘટનાની જાણ થતા જ જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક ગોકુલધામ સોસાયટી ખાતે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને મકાનનું પંચનામું કર્યું છે. તસ્કરોને પકડવા માટે પોલીસે સોસાયટીના અને આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે, કારણ કે પરિવાર ક્યારે બહાર જાય છે તેની ચોક્કસ માહિતી તસ્કરો પાસે હોય તેવું જણાય છે. જયસુખભાઈએ પોલીસને વિનંતી કરી છે કે આ કેસમાં કડક તપાસ કરવામાં આવે, કારણ કે ચોરાયેલી રકમ માત્ર પૈસા નથી પણ તેમના પરિવારના ભવિષ્યના સપનાઓ છે. ધોળા દિવસે થયેલી આ ચોરીને પગલે જોષીપુરા વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા હાલ અલગ-અલગ ટીમો બનાવી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સુરત જિલ્લાના ધોરણ પારડી સ્થિત યોગ આશ્રમમાં નકલી ચલણી નોટનાં રેકેટમાં પકડાયેલા યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાએ અંદરની ગતિવિધીઓ ગુપ્ત રાખવા માટે આશ્રમની ચોમેર 15 ફૂટ ઊંચી કિલ્લા જેવી દીવાલો બનાવી હતી. તેમજ આશ્રમમાંથી બીજું શંકાસ્પદ ભોંયરું પણ મળી આવ્યું છે. આ સાથે જ અન્ય ચોકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાં ગર્ભ સંસ્કાર માટે અલગ શિબિર કરવામાં આવતી હતી. સંતાન પ્રાપ્તિ માટેની દવાઓ પણ 15થી 18 રૂપિયા લઈને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આયુર્વેદીક દવાઓના ડબ્બામાં નકલી દવા પણ વેચતો હતો. આશ્રમની સાધીકાઓ ગુરૂજીને ફસાવ્યા હોવાનું રટણ કરતી જોવા મળીયોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાની કારમાંથી બે કરોડથી વધુની 500 રૂપિયાનાં દરની બનાવટી ચલણી નોટો મળી આવતા રાજ્ય વ્યાપી પ્રત્યાઘાત બાદ ધોરણ પારડી સ્થિત આશ્રમમાં આવેલી ઓફિસને છેલ્લા બે દિવસથી સાધકો દ્વારા તાળા મારી દેવામાં આવ્યા હતા. તેમજ આશ્રમ પરિસરમાંથી ઈનોવા, થાર જેવી લક્ઝરી ગાડીઓ પણ ગાયબ થઈ ગઈ છે. આશ્રમની સાધીકાઓ ગુરૂજીને ફસાવવામાં આવ્યા હોવાનું સતત રટણ કરતી જોવા મળી હતી. ઓપરેશન થિયેટર અને લેબ નીચેથી રહસ્યમય ભોંયરું મળ્યુંસાધીકાઓએ એવો દાવો કર્યો હતો કે, અગાઉ ગામનાં કેટલાક લોકોએ આશ્રમમાં આવતી યુવતીઓ સાથે છેડતી કરી હોવાથી આશ્રમમાં ગ્રામજનોનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે પ્રદીપની ધરપકડ કરવામાં આવતા ગ્રામજનો જ્યારે આશ્રમની અંદર પહોંચ્યા ત્યારે ઓપરેશન થિયેટર અને લેબની નીચેથી બીજું એક રહસ્યમય ભોંયરું મળી આવ્યું હતું. ગ્રામજનોએ ભોંયરાની અંદર પ્રવેશવાનું સાહસ ન કર્યું 15થી 20 ફૂટ ઊંડું અને 15થી 20 ફૂટ લંબાઈ ધરાવતા આ ભોંયરાને પહેલા ઢાંકણથી કવર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની ઉપર ટાઇલ્સ પણ લગાવી દેવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા ટાઈલ્સ ઉખેડીને ઢાંકણ ખોલવામાં આવતા રહસ્યમય ભોંયરું મળી આવ્યું હતું. જોકે ગ્રામજનો એ કોઈપણ એ આ ભોંયરાની અંદર પ્રવેશ કરવાનું સાહસ કર્યું ન હતું. દરમિયાન સાધકો આવી જતા તમામ ગ્રામજનો બહાર આવી ગયા હતા અને ત્યારબાદ આશ્રમને તાળા મારી દેવામાં આવ્યા છે. સગીરને અર્ધનગ્ન કરીને સુષુમ્ણા નાડીનું રહસ્ય સમજાવતો વીડિયો મુક્યોકામરેજનાં ધોરણ પારડી ખાતે આશ્રમ ધરાવતા કહેવાતા યોગ ગુરૂ પ્રદીપનાં પાપનુ પોટલું દિનપ્રતિદિન ખુલી રહ્યું છે. પ્રદીપનાં વધુ કારનામાઓ સામે આવ્યા હતા. ધોરણ-12 પાસ હોવા છતા યુટ્યુબનાં સહારે ડોક્ટરની ડિગ્રી વિના કેન્સર અને હાર્ટ અટેકની જોખમી સારવાર કરવા સુદ્ધાનાં પ્રદીપ ઉપર આરોપો મુકવામાં આવ્યા છે. આ સાથે જ એક સગીરને અર્ધનગ્ન કરીને સુષુમ્ણા નાડીનું રહસ્ય ઓનલાઇન વીડિયો મૂકીને જણાવતો પણ સામે આવી રહ્યો છે. જ્યારે જાહેરમાં પોતાના સંબોધનમાં પ્રાઇવેટ પાર્ટ અને તેના લગતા વસ્તુઓનો સમાવેશ કરતો હતો. આયુર્વેદીક દવાઓના ડબ્બામાં નકલી દવા પણ વેચતોપ્રદીપ ગુરુ બજારમાં મળતી જાણીતી આયુર્વેદીક કંપનીની દવાઓ ખરીદીને ડબ્બામાંથી તેમની દવા કાઢી લેતો હતો. તેના બદલે તે પોતાની હલકી ગુણવત્તાવાળી દવા તેમાં ભરીને વેચતો હતો. એટલું જ નહીં જે ઓરીજીનલ દવા તે કાઢતો હતો તેના ચારથી પાંચ જેટલા ભાગ કરીને તે પોતાના જ સાધકોને અને આશ્રમમાં આવતા લોકોને પોતાની દવા છે તેમ કહી ત્રણથી ચાર ગણી કિંમતે વેચતો હતો. માત્ર પૈસા કમાવવાની માનસિકતા સાથે આશ્રમ શરૂ કરનાર પ્રદીપ ગુરુ આશ્રમમાં જે શિબિરનું આયોજન કરતો હતો ત્યાં મુંબઈ અને અને અન્ય મોટા શહેરોમાંથી લોકો આવતા હતા. પાખંડી પ્રદીપ ગુરુ ગર્ભ સંસ્કારની શિબિર કરતોપ્રદીપ ગુરુએ તેના જ નજીકના લોકોના સંબંધીઓને સંતાન પ્રાપ્તિની ચમત્કારીક દવા પણ રૂ. 15થી 18 હજારમાં આપી હોવાનું જાણવા મળ્યું છે. નજીકના લોકો માટે સંતાન પ્રાપ્તિની શિબિર પણ કરાવવામાં આવતી હતી. આ સાથે જ તે ગર્ભ સંસ્કારની શિબિર પણ કરતો હોવાનું સામે આવ્યું છે. જેના વીડિયો પણ તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુક્યા છે. 'સંતાન પ્રાપ્તિ માટે અમે પ્રદીપ ગુરુજીની ટ્રીટમેન્ટ અને ઉપચાર શરૂ કર્યા'એક મહિલાએ જણાવ્યું હતું કે, અમારા મેરેજ થયાને પાંચ વર્ષ થઈ ગયા છે. અમે ડોક્ટર પાસેથી ટ્રીટમેન્ટ લેતા હતા પણ ડોક્ટરનું એવું કહેવું હતું કે તમારે સંતાન પ્રાપ્તિમાં પ્રોબ્લેમ થાય એમ છે. મારે પાંચ વર્ષથી કોઈ પણ સંતાન હતું નહીં. પાંચ વર્ષથી હું ડોક્ટરની ટ્રીટમેન્ટ લેતી હતી પણ કોઈ રિઝલ્ટ નહોતું. ડોક્ટરે ના પાડી દીધી હતી કે તમારે કોઈ સંતાન નહીં થાય. પછી અમને શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનનું એડ્રેસ આપેલું. તો અમે ત્યાં જઈને પ્રદીપ ગુરુજીને મળ્યા. અત્યારે ત્યાંથી અમારી ટ્રીટમેન્ટ ચાલુ હતી કુદરતી ઉપચાર અને યોગ અનુસાર. '2017માં યોજાયેલી ગર્ભધારણ શિબિર જોઈન કરી હતી'ગર્ભધારણ શિબિરમાં ભાગ લેનાર એક મહિલાએ જણાવ્યું હતું કે, હું હાલ હીરાબાગ વિસ્તારમાં રહું છું. 2017માં પૂજ્ય ગુરુદેવ દ્વારા યોજાયેલી ગર્ભધારણ શિબિર મેં જોઈન કરી હતી. ત્યાં મને ગર્ભધારણ વિશે જે પણ સંસ્કારો મળ્યા એનું મેં પાલન કર્યું હતું. ક્યારે ગર્ભધારણ કરવું, ગર્ભધારણ સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બધી વસ્તુનું મેં પાલન કર્યું હતું.
સુરત શહેરને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત દ્વારા શરૂ કરવામાં આવેલા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ ઉધના પોલીસે સફળતા હાંસલ કરી છે. શહેરના માર્ગો પર નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલા કડક બંદોબસ્ત અને બાતમીદારોના નેટવર્કને કારણે લાખોની કિંમતો નશીલો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરો પાસેથી અંદાજે 4.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બાતમી મળતા વોચ ગોઠવીમળતી માહિતી મુજબ, ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના જીવનદિપસિંહ ઘનશ્યામસિંહને એક ચોક્કસ અને વિશ્વાસુ બાતમી મળી હતી. બાતમી મુજબ, બે અજાણ્યા શખ્સો પોતાના કબજામાં માદક પદાર્થ ભરેલી બેગો લઈને ઉધના ભાઠેના વિસ્તારમાં આવેલી એલ.એન. પાર્ક સોસાયટીની પાછળ ખાડીના રસ્તેથી માર્કેટ તરફ પસાર થવાના હતા. આ માહિતી મળતા જ પોલીસ ટીમ હરકતમાં આવી હતી અને નિર્ધારિત સ્થળે વોચ ગોઠવી દીધી હતી. બાતમીમાં વર્ણવેલા શખ્સો પસાર થતા જ પોલીસે તેમને અટકાવી તેમની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાંજાના જથ્થા સાથે બે કિશોર ઝડપાયાતલાશી દરમિયાન આ કિશોરો પાસેથી બે અલગ-અલગ બેગમાં ભરેલો કુલ 9.08 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 4,54,000રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે તેમની પાસેથી આઠ હજારની કિંમતના બે મોબાઈલ ફોન અને બે ટ્રેન ટિકિટો સહિત કુલ 4,62,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બંને કિશોરો સામે ઉધના પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985ની કલમ 8(સી), 20(બી) અને 29 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. ખાડીવાળા રસ્તેથી આવતા હોવાની માહિતી મળી હતીઃ DCP ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, ઉધના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હ્યુમનસોર્સથી અમારી પાસે ઇન્ફોર્મેશન હતી કે, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ભાઠેના એરિયા છે, એમાં એલ.એન. પાર્ક સોસાયટીની પાછળ જે ખાડીવાળો રસ્તો છે, એ ખાડીવાળા રસ્તેથી થઈને બે ઇસમ નીકળવાના છે, જે આ NDPSનો ગાંજાનો અથવા તો જે NDPSનો મુદ્દામાલ છે એ લઈને આવનાર છે. બબલુ કુમારને માલ પહોંચાડાવાની કબૂલાતજે બંનેને રાઉન્ડ અપ કર્યા છે અને પૂછપરછ કરી, તો એ બંને બાળ કિશોર છે જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે. જેઓ મૂળ બિહારના છે અને બિહારનો રોશનકુમાર જે સીતામઢીનો છે, એણે આ ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે, ઉધના વિસ્તારમાં જઈને હરિનગર સોસાયટી છે, ત્યાં બબલુ કુમાર કરીને હશે એમને આ આપવાનો છે. કિશોર થોડા દિવસ પહેલાં જ 20 કિલો ગાંજો મુંબઈ આપવા ગયો હતોતેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી. એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે બે કિશોર છે, એમની સામે અમે આગળની કાર્યવાહી કરી છે. જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું. પ્રાઈમરી જે ઇન્ટ્રોગેશન કર્યું છે, એમાં એવો ખ્યાલ આવ્યો છે કે જે કાયદાના સંઘર્ષમાં આવનાર એક કિશોર છે, એણે હકીકત આપી છે કે અગાઉ થોડા સમય પહેલા 20 કિલો ગાંજો લઈ અને મુંબઈ પણ આપવા ગયો હતો. એનો મતલબ આ એક રેકેટ ચાલી રહ્યું છે, જે સંદર્ભે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને આગળનો જે આરોપી છે, એને પણ અમે અટક કરીશું.
દુધરેજ પાસે ગંભીર અકસ્માત:બલેનો કારે 2 બાઇકને ટક્કર મારતા 2 યુવાનના મોત, 2 ઘાયલ
સુરેન્દ્રનગરના દુધરેજ માતોશ્રી પાર્ટી પ્લોટ નજીક આજે (22 માર્ચ) વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધાંગધ્રા તરફથી આવી રહેલી બલેનો કારે બે મોટરસાયકલને ટક્કર મારી હતી, જેમાં બે યુવાનોના ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયા હતા અને અન્ય બે યુવાનો ઘાયલ થયા હતા. મૃતકોમાં દુધરેજના નાથુભાઈ ડાયાભાઈ કલોત્રા (ઉંમર 26) અને મહેશભાઈ જેઠાભાઈ કડ (ઉંમર 25) નો સમાવેશ થાય છે. નાથુભાઈ કલોત્રાનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું, જ્યારે મહેશભાઈ કડને ગંભીર ઈજાઓ થતાં સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મૃતક નાથુભાઈ કલોત્રાએ તાજેતરમાં પોલીસ ભરતીની દોડની પરીક્ષા પાસ કરી હતી. બંને મિત્રોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ શહેરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.આ અકસ્માતમાં અન્ય બે મોટરસાયકલ સવારોને પણ ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢની જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં ગત 20 માર્ચના રોજ યોજાયેલી એન્યુઅલ ફંકશન અને ફેરવેલ પાર્ટી વિવાદના વમળમાં ફસાઈ છે. સામાન્ય રીતે રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર કે ડીજે વગાડવા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે, પરંતુ અહીં ભાવિ તબીબો જ તમામ નીતિ-નિયમો ભૂલીને મોડી રાતના 2 વાગ્યા સુધી ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ કોલેજની બિલકુલ નજીક જ સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં ગંભીર બીમારીઓથી પીડાતા સેંકડો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો વાયરલ વીડિયોને લઈને ડીને કહ્યું તે દિવસે વરસાદ હોવાથી એન્યુઅલ ફંકશન મોડુ શરૂ કરાયું હતું. પરંતુ દર્દીઓને કોઈપણ પ્રકારની પરેશાની ન થાય જેને લઇ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. દર્દીઓની પરવા વગર મધરાત સુધી ચાલ્યો જલસો મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડીજેના અતિશય અવાજ અને ધ્રુજારીને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જે વિદ્યાર્થીઓ આગામી સમયમાં દર્દીઓની સેવા કરવાના શપથ લેવાના છે, તેઓ જ હોસ્પિટલના શાંતિના ઝોન (Silence Zone) માં મોડી રાત સુધી ઘોંઘાટ કરતા હોવાથી સ્થાનિકોમાં અને સોશિયલ મીડિયામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વીડિયો વાયરલ થતા મેડિકલ કોલેજના તંત્રની શિસ્ત પર અનેક સવાલો ઊભા થયા છે. ડીનનો બચાવ: વરસાદને કારણે મોડું થયું, આ સમગ્ર વિવાદ અંગે જ્યારે જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન ડો. આમ્ટે સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે આશ્ચર્યજનક બચાવ કરતા જણાવ્યું હતું કે, આ ફંકશન બે દિવસ પહેલાંનું છે. તે દિવસે વરસાદ હોવાના કારણે કાર્યક્રમ મોડો શરૂ કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ઘણો હતો, પરંતુ અમે પૂરતો ખ્યાલ રાખ્યો હતો કે બાજુમાં આવેલી સિવિલ હોસ્પિટલના દર્દીઓને કોઈ તકલીફ ન પડે. મેં રૂબરૂ જઈને તપાસ કરી હતી અને હોસ્પિટલ સુધી અવાજ જતો નહોતો. તંત્ર સામે સવાલો: શું ઉત્સાહ કાયદાથી ઉપર છે ? ભલે કોલેજ તંત્ર અવાજ ન જતો હોવાનો દાવો કરતું હોય, પરંતુ વાયરલ થયેલા વીડિયોમાં ડીજેનો પ્રચંડ અવાજ સ્પષ્ટપણે સંભળાય છે. સવાલ એ ઊભો થાય છે કે શું શિક્ષણ સંસ્થામાં રાત્રે 12 વાગ્યા પછી ડીજે વગાડવાની મંજૂરી કોણે આપી ? હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં મોડી રાત સુધી આવો ઘોંઘાટ કરવો કેટલો વ્યાજબી છે ?જો સામાન્ય નાગરિકો માટે નિયમો કડક હોય, તો મેડિકલ કોલેજના છાત્રો માટે કેમ છૂટછાટ ? હાલમાં આ મુદ્દે શહેરમાં ચર્ચાઓ તેજ બની છે અને લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર સત્તાધીશો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં હોસ્પિટલની શાંતિ જોખમાય નહીં.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કેસલી ગામે ઘરના ભાગ પાડવા બાબતે થયેલા કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. દિયરે પોતાના સગા ભાઈ અને ભાભી પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો, જેમાં પતિ-પત્ની બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાથે ફ્રેક્ચર થયું હતું. આ મામલે ભાભીએ પોતાના દિયર વિરુદ્ધ બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પ્રિયંકાબેન પટેલ, જે કેસલી ગામના હાઈસ્કૂલ ફળિયામાં રહે છે, તેમણે ફરિયાદમાં જણાવ્યું કે તેમના દિયર દિવ્યેશભાઈ નરેશભાઈ પટેલ છેલ્લા આઠ મહિનાથી પારિવારિક વિવાદને કારણે અલગ રહેતા હતા. ગત ૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ સાંજે પ્રિયંકાબેનના સાસુએ ઘરના બે ભાગ કરવાની વાત કરી હતી. આ દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં દિયર દિવ્યેશે કરેલા ફોન અંગે પૂછપરછ કરવા જતાં મામલો વધુ બિચક્યો હતો. પૂછપરછ દરમિયાન ઉશ્કેરાયેલા દિવ્યેશે ગાળાગાળી શરૂ કરી અને લેથ મશીનરી પાસે પડેલો લોખંડનો સળિયો લઈને હુમલો કર્યો. પ્રિયંકાબેનના પતિ શૈલેષભાઈ વચ્ચે પડતાં તેમને માથામાં અને ડાબા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. હુમલાખોર દિયરે પ્રિયંકાબેનને પણ જમણા હાથે સળિયો મારી ફ્રેક્ચર કરી દીધું હતું. હુમલો કર્યા બાદ દિવ્યેશ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટના બાદ આસપાસના રહીશો અને સંબંધીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં દંપતીને ચીખલીની આલીપોર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ડોક્ટરી તપાસમાં શૈલેષભાઈને ડાબા હાથે અને પ્રિયંકાબેનને જમણા હાથે ફ્રેક્ચર હોવાનું નિદાન થયું છે. હાલ શૈલેષભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પ્રિયંકાબેને પોતાના ભાઈ સાથે પોલીસ મથકે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરના દીપકચોક વિસ્તારમાં રાત્રિના સમયે એક યુવતી અંગે કરવામાં આવેલી ટિપ્પણી અને અપશબ્દો બોલવા મુદ્દે યુવતીના ભાઈ સાથે થયેલી ફોન પર વાતચીત દરમિયાન શખસે આપેલા પડકારને પગલે વિવાદ ઉગ્ર બન્યો હતો. જેના પરિણામે 4 શખસે યુવતીના ઘરની બહાર આવી ધમકી આપી પથ્થરમારો કર્યો હતો. સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસ મથકમાં ચાર સામે ગુનો નોંધાતા વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીએ યુવકને ફોન કરી બહેર વિશે અપશબ્દો કહ્યાંશહેરના દીપકચોક વિસ્તારમાં રહેતા 70 વર્ષીય મંગુબેન સામજીભાઈ વડોદરિયાએ ઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગતરાત્રે તેમના ઘરે પરિવારજનો હાજર હતા, ત્યારે તેમના દીકરાના દીકરા (પૌત્ર) અમીતના મોબાઇલ પર તીલકનગર દેવીપુજકવાસમાં રહેતા ગોપાલ ઉર્ફે મુન્નો રાજુભાઈ મકવાણાનો ફોન આવ્યો હતો. ફોન પર અમીતની બહેન અંગે ગોપાલે ટિપ્પણી કરી અપશબ્દો બોલી “હું હમણાં તારા ઘરે આવું છું” કહીને ધમકી આપી હતી. તેના જવાબમાં અમીતે પણ “તું આવી જા” કહેતા વાત વધુ ઉગ્ર બની હતી. આરોપીઓએ ફરિયાદીના ઘરે પહોંચી પથ્થર માર્યો કર્યોત્યારબાદ ગોપાલ ઉર્ફે મુન્નો રાજુભાઈ મકવાણા, પરેશ પ્રતાપભાઈ મકવાણા, દીપક દિલુભાઈ ચુડાસમા અને વિશાલ વિનોદભાઈ મકવાણા બે મોટરસાયકલ પર આવી મંગુબેનના ઘરની બહાર ઊભા રહી ગાળો બોલી લાકડીઓ સાથે ધમકાવવા લાગ્યા હતા. પરિવારજનો ભયભીત થઈ ઘરમાં બંધ થયા બાદ આરોપીઓએ ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો અને “આજે તો બચી ગયા, ફરી મળશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી ભાગી ગયા હતા. પોલીસ ફરિયાદ દાખલઆ મામલે પોલીસે ગોપાલ ઉર્ફે મુન્નો રાજુભાઇ મકવાણા, પરેશ પ્રતાપભાઈ મકવાણા, દિપક દિલુભાઈ ચુડાસમા, વિશાલ વિનોદભાઈ ચુડાસમા તમામ ભાવનગરના રહેવાસીઓ સામે BNS કલમ 351(3), 352, 54 તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરા કોર્ટ ચોરીનો ભેદ ઉકેલાયો:LCBએ વકીલોના ટેબલમાંથી ચોરી કરનાર આરોપીને ઝડપ્યો
પંચમહાલ જિલ્લાના ગોધરામાં કોર્ટ બિલ્ડિંગમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સ્થાનિક LCB ટીમે વકીલોના ટેબલમાંથી ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ગત 3 માર્ચના રોજ ગોધરા ફોજદારી અદાલતના ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કર્યો હતો. તેણે પાંચ વકીલોના ટેબલના લોક તોડી ડ્રોઅરમાંથી મહત્વના કાગળો અને સિક્કાઓની ચોરી કરી હતી. ન્યાયના ધામમાં થયેલી આ ચોરીની ઘટનાથી વકીલ આલમ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ મામલે કોર્ટના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ LCB ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી સંજયસિંહ જસવંતસિંહ પરમારને વેજલપુરના મઢુલી હોટલ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. તેની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવકુઈ ગામ નજીક વડોદરા હાઈવે પર સિમેન્ટ મિક્સર ટ્રકના અકસ્માતમાં 11 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બસ સ્ટેન્ડ પાસે થયો હતો, જેમાં દાહોદ જિલ્લાના એક મજૂર પરિવારને ટ્રકે અડફેટે લીધો હતો. મૃતક બાળકીનું નામ હેતલ છત્રાભાઈ છે. ટ્રકે લોકોને અડફેટે લેવા ઉપરાંત નજીકમાં આવેલી સેવ-ઉસળની દુકાન, એક ટ્રેક્ટર અને બે બાઈકને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં મૃતક બાળકીની બહેન, અન્ય એક બાળક અને એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક વાહન સ્થળ પર છોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને જંબુસર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી ગંભીર હાલતમાં એક મહિલા અને એક બાળકને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. પોલીસે મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ફરાર થયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વેરાવળમાં 5 કલાકનો પાવર કટ:અંડરગ્રાઉન્ડ કેબલકામગીરીથી અનેક વિસ્તારો પ્રભાવિત
વેરાવળ શહેરમાં વીજ પુરવઠા વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીના કારણે સોમવાર, 23 માર્ચ 2026 ના રોજ શહેરના કેટલાક વિસ્તારોમાં પાંચ કલાક માટે વીજ પુરવઠો બંધ રહેશે. પીજીવીસીએલના વેરાવળ પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર ડોડીયાએ આપેલી માહિતી મુજબ, સવારે 9:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી 11 કેવી વિદ્યુત નગર ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. નાગરિકોને આ અસુવિધા બદલ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 60 ફૂટ રોડ, 66kV પાછળનો વિસ્તાર, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, દેવ પાર્ક રોડ, સરદાર સોસાયટી, વાણંદ સોસાયટી, આરતી એપાર્ટમેન્ટ રોડ, ગોલારાણા, પંચવટી વિસ્તાર, ગીતાનગર-2, શ્રીપાલ સોસાયટી, હવેલી પાછળનો વિસ્તાર, સમૃદ્ધ પાર્ક, મહિલા કોલેજ રોડ, ગંગાનગર રોડ, વૃજ રેસીડેન્સી (જાગનાથ નગર), શ્રી શ્રી પાર્ક, સાઈધામ સોસાયટી, અને ગોકુલધામ સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તંત્રના જણાવ્યા અનુસાર, અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠાની ગુણવત્તામાં સુધારો થશે. આનાથી વારંવાર થતા ફોલ્ટ અને વીજ ખંડિત થવાની સમસ્યામાં ઘટાડો થશે, જે શહેરના આધુનિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ખાસ નોંધનીય છે કે સમારકામ કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો કોઈપણ પૂર્વ સૂચના વિના તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે. તેથી, નાગરિકોને વીજ ઉપકરણો અંગે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. પીજીવીસીએલના નાયબ ઈજનેરે નાગરિકોને વિનંતી કરી છે કે આ સમયગાળા દરમિયાન જરૂરી આયોજન કરી સહકાર આપે, જેથી વિકાસલક્ષી કામગીરી સમયસર પૂર્ણ થઈ શકે અને ભવિષ્યમાં વધુ સુવ્યવસ્થિત અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત થઈ શકે.
ICSIના વડોદરા ચેપ્ટરના 48માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ICSIના નેશનલ પ્રેસિડેન્ટ CS પવન ચાંડક, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CS રાજેશ તારપરા અને આશીષ કરોડિયા અને WIRC ચેરમેન CS યોગેશ ચૌધરી હાજર રહ્યા હતા. આ ઉપરાંત 200થી વધારે CS મેમ્બર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ સાંસદ ડૉ. હેમાંગ જોષીએ CSને મહાભારતના વિદુર સાથે સરખાવ્યા હતા. વડોદરા ચેપ્ટરના પૂર્વ ચેરમેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે ICSIના વડોદરા ચેપ્ટરનો 48મો સ્થાપના દિવસ છેICSIના નેશનલ પ્રેસિડેન્ટ CS પવન ચાંડક એ જણાવ્યું હતું કે, આજે અમે બધા CS વડોદરામાં ભેગા થયા છીએ કારણ કે, આજે ICSIના વડોદરા ચેપ્ટરનો 48મો સ્થાપના દિવસ છે. આ એક ગર્વની ક્ષણ છે અને આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ICSI એક પ્રતિષ્ઠિત સંસ્થા છે જે કંપની સેક્રેટરી (CS) ના વ્યવસાયનું નિયમન કરે છે. અમારી સાથે 80,000થી વધુ સભ્યો અને 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છેતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં અમારા 77 ચેપ્ટર્સ અને 4 રિજનલ કાઉન્સિલ છે. ભારત બહાર પણ અમારા 6 ઓવરસીઝ સેન્ટર્સ કાર્યરત છે. અત્યારે અમારી સાથે 80,000થી વધુ સભ્યો અને 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. કંપની સેક્રેટરી એ 'ગવર્નન્સ' અને 'કોમ્પ્લાયન્સ' પ્રોફેશનલ્સ છે. કોર્પોરેટ ઇન્ડિયાને સર્વિસ પૂરી પાડવામાં અને તેમને કાયદાકીય રીતે સુરક્ષિત રાખવામાં CS ની ભૂમિકા અત્યંત મહત્વની છે. વિશ્વભરમાં અંદાજે 1,30,000 કંપની સેક્રેટરી છે, જેમાંથી 80,000 તો માત્ર ભારતમાં જ છેતેઓએ કહ્યું કે, ભારત અત્યારે અર્થતંત્રમાં 11મા ક્રમેથી 4થા ક્રમે આવી ગયું છે, જેમાં કોર્પોરેટ સેક્ટરનો મોટો ફાળો છે. કંપનીએ ક્યારે IPO લાવવો, ક્યારે મર્જર કે એમાલગમેશન કરવું, ફોરેન માર્કેટમાં ક્યારે પ્રવેશ કરવો. આ તમામ વ્યૂહાત્મક નિર્ણયોમાં CS માર્ગદર્શન આપે છે. વિશ્વભરમાં અંદાજે 1,30,000 કંપની સેક્રેટરી છે, જેમાંથી 80,000 તો માત્ર ભારતમાં જ છે. આ દર્શાવે છે કે આ વ્યવસાયમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. શાળાઓ અને કોલેજોમાં જઈને ‘કરિયર અવેરનેસ’ના કાર્યક્રમો કરીએ છીએતેઓએ ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓમાં CS કોર્સ પ્રત્યે જાગૃતિ લાવવા માટે માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છીએ. અમે વિવિધ શહેરોમાં કોન્ટેક્ટ સેન્ટર્સ ખોલ્યા છે. શાળાઓ અને કોલેજોમાં જઈને ‘કરિયર અવેરનેસ’ના કાર્યક્રમો કરીએ છીએ. અમારી સંસ્થાની સ્થાપના કંપનીઝ એક્ટ 1980 હેઠળ થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી અમે સતત પ્રગતિ કરી છે. વિદ્યાર્થીઓ માટે આ એક ખૂબ જ ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ છે.
હાલોલના પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ બારીયાનું નિધન:વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
પંચમહાલ જિલ્લાના રાજકારણમાં ઊંડું સ્થાન ધરાવતા અને હાલોલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ મોહનસિંહ બારીયાનું આજે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ છેલ્લા એક મહિનાથી પિતાશયની બીમારીને કારણે સારવાર હેઠળ હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉદેસિંહ બારીયાએ માત્ર 27 વર્ષની નાની વયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પંચમહાલના યુવા નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને જિલ્લાના રાજકારણમાં તેમની આગવી ઓળખ બનાવી હતી. વર્ષ 1980માં તેઓ પ્રથમ વખત હાલોલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1980 થી 2002 સુધી સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. તેમણે સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીની સરકારમાં કાયદામંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી. ઉપરાંત, સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીની સરકારમાં ગ્રામીણ વિકાસ અને વન મંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી. સંગઠનમાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને દક્ષિણ ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા હતા. વર્ષ 1989માં તેઓ કોંગ્રેસ પક્ષના નાયબ નેતા તરીકે પણ કાર્યરત હતા. વર્ષ 1953માં જન્મેલા ઉદેસિંહ બારીયાએ L.L.B. સુધીનો અભ્યાસ કર્યો હતો. રાજકારણ ઉપરાંત તેઓ વકીલાત અને ખેતીના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા. ટૂંકા સમયગાળા માટે તેઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ બાદમાં ફરી કોંગ્રેસમાં સક્રિય થયા હતા. સ્વર્ગસ્થ ઉદેસિંહ બારીયાની અંતિમયાત્રા આવતીકાલે, 23 માર્ચ, 2026 (સોમવાર) ના રોજ સવારે 9.00 કલાકે તેમના વતન મુ. ડુમા, તા. જાંબુઘોડા ખાતેના નિવાસસ્થાનેથી નીકળશે.
પ્રભાસ પાટણના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ચાલી રહેલી નદી ડ્રેઝિંગની કામગીરી વિવાદમાં સપડાઈ છે. ડ્રેઝિંગનું કાર્ય લાંબાગાળે યાત્રાધામ માટે ફાયદાકારક હોવા છતાં, હાલમાં તંત્રની ગંભીર બેદરકારીને કારણે સમગ્ર વિસ્તાર કાદવ, કીચડ અને ધૂળના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે. આ અણઘડ અમલવારીને લીધે યાત્રિકો, સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મંકેશ્વર મંદિરથી પ્રજાપતિ ધર્મશાળા સુધી કીચડના થરનદીમાંથી કાઢવામાં આવતો કાંપ અને કચરો મંકેશ્વર મંદિર નજીક એકત્ર કરવામાં આવે છે, જ્યાંથી ટ્રકો મારફતે તેને અન્યત્ર ખસેડાય છે. નિયમ મુજબ આ ટ્રકોને તાલપત્રીથી ઢાંકવી અનિવાર્ય છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લી ટ્રકોમાં જ કાદવ વહન કરવામાં આવતા માર્ગો પર ગંદકી ફેલાઈ રહી છે. મંકેશ્વર મંદિરથી પ્રજાપતિ ધર્મશાળા સુધીનો મુખ્ય માર્ગ કાદવમય બની ગયો છે, જેના પર ચાલવું યાત્રિકો માટે દુષ્કર બન્યું છે. વેપારીઓમાં રોષ ત્રિવેણી સંગમ વિસ્તારના વેપારીઓએ આ સ્થિતિ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ટ્રકોની સતત અવરજવરથી ઉડતી ધૂળ દુકાનોમાં રાખેલા માલસામાન પર જામી રહી છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ, સતત પ્રદૂષિત વાતાવરણને લીધે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં શ્વાસ સંબંધિત બીમારીઓ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા ક્યારેક પાણીનો છંટકાવ કરવામાં આવે છે, પરંતુ ભારે ટ્રાફિક અને સતત વહેતા કાદવ સામે તે ઉપાય નિરર્થક સાબિત થઈ રહ્યો છે. સ્થાનિકોની મુખ્ય માંગણીઓ વકરી રહેલી સમસ્યાને જોતા સ્થાનિકો અને ભાવિકોએ તંત્ર સમક્ષ કેટલીક માંગણીઓ કરી છે: પવિત્ર ત્રિવેણી સંગમ જેવા સંવેદનશીલ સ્થળે વહીવટી તંત્રની આવી શિથિલતા યાત્રિકોની આસ્થા અને સુવિધા સાથે ચેડા સમાન છે. જો આગામી દિવસોમાં સત્વરે પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવે તેવી શક્યતા છે.
જામનગર નજીક પ્લાસ્ટિક દાણા ભરેલો ટ્રક પલટ્યો:ચાલકને ઈજા; ચેલા-ચંગા રોડ પર વાહનવ્યવહાર અવરોધાયો
જામનગર નજીક ચેલા-ચંગા ગામ પાસે રવિવારે સવારે પ્લાસ્ટિકના દાણા ભરેલો એક ટ્રક પલટી ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજા થઈ હતી અને ચેલા-ચંગા રોડ પર વાહનવ્યવહાર અવરોધાયો હતો. મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાંથી જી.જે.-9 એ.વી. 9957 નંબરનો આ ટ્રક પીપી દાણાનો મોટો જથ્થો ભરીને જિલ્લા બહાર લઈ જઈ રહ્યો હતો. અકસ્માત ત્યારે થયો જ્યારે આગળ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક વળાંક લીધો. ટ્રક ચાલકે બ્રેક મારીને વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે ભરેલો હોવાને કારણે ટ્રક કાબૂ બહાર જઈ માર્ગ પર પલટી ગયો. જેના કારણે ટ્રકમાં ભરેલા પ્લાસ્ટિકના દાણાનો જથ્થો રોડ પર ઢોળાઈ ગયો હતો. ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ થતાં તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ટ્રક રોડ પર આડો પડ્યો હોવાથી ચેલા-ચંગા રોડ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેને પુનઃસ્થાપિત કરવા માટે પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર રવિવારે બપોરે પીપલોદી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક પાછળ બીજી ટ્રક ઘૂસી જતાં અકસ્માત થયો હતો, જેમાં એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હિંમતનગર ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવતા ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. હિંમતનગર ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર તાલુકાના પીપલોદી સ્ટેન્ડ નજીક નેશનલ હાઈવે નંબર 08 પર અમદાવાદ તરફથી હિંમતનગર તરફ જઈ રહેલી ટ્રકમાં અકસ્માત થયો હતો. ટ્રક નંબર RJ 27 GF 2946 નો ચાલક કેબિનમાં ફસાયો હતો. ફાયર ટીમે લગભગ 20 મિનિટની જહેમત બાદ કેબિનનું પતરું કાપીને ટ્રક ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ચાલકને પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો.
યુદ્ધ જેવી પરિસ્થિતિ અને વધતી મોંઘવારી વચ્ચે અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો નહીં કરવાની જાહેરાત કરી છે. નવા શૈક્ષણિક સત્ર દરમિયાન અત્યારે જે ભાડું ચાલે છે તે જ ભાડું યથાવત રહેશે. જેથી મોઘવારી વચ્ચે વાલીઓને આર્થિક ભારમાંથી રાહત મળશે. જો CNGના ભાવમાં વધુ પ્રમાણમાં વધારો થશે તો એસોસિએશન દ્વારા બેઠક બોલાવી વાલીઓના હિતમાં જ નિર્ણય લેવાનો નક્કી કરવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન-રિક્ષામાં ભાડા વધારો નહીં કરવા નિર્ણયયુદ્ધની સ્થિતિ વચ્ચે અનેક ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. તેમજ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પણ વધારો થતા લોકોને આર્થિક મુશ્કેલીઓ પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે. જે વચ્ચે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરના આગેવાનોની હાજરીમાં એસોસિએશનની જનરલ બેઠક યોજાઈ હતી. જેમાં હાલની મોંઘવારી અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી. પાલડીમાં આવેલા નરોત્તમ ઝવેરી હોલ ખાતે મળેલી આ બેઠકમાં સહમતિથી એવો નિર્ણય લેવાયો છે કે નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે. આ નિર્ણય ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારો માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી ઘરખર્ચમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં થયેલા વધારા છતાં, વાલીઓ પર વધારાનો બોજ ન આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં ફરીથી ભાડામાં વધારો કરવો યોગ્ય નહીં ગણાતા, એસોસિએશને જૂના ભાડા જ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જૂન-2024માં નક્કી કરાયેલો દર જ અમલી રહેશે11 જૂન 2024ના રોજ જે ભાડા નક્કી કરવામાં આવ્યા હતા, તે જ દર યથાવત રાખવામાં આવશે. જે આ વર્ષ ભાડામાં વધારો વાલીઓ પર આર્થિક ભાર ન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ જો યુદ્ધની સ્થિતિ વચ્ચે CNGના ભાવમાં વધુ પ્રમાણમાં વધારો થશે તો ફરી એકવાર અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ RTO ના નિયમનું પાલન કરીને તમામ કાગળ સાથે રાખવાની પણ સ્કૂલ વર્ધીના ચાલકોને સૂચના પણ આપવામાં આવી છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની રાજ્યભરના આગેવાનોની હાજરીમાં બેઠક મળી હતી. અત્યારે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે આ યુદ્ધની સ્થિતિ વચ્ચે CNG ગેસના ભાવ વધે કે ન વધે પરંતુ અમારી સ્કૂલ વર્ધીના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં. જો CNG ન ભાવમાં વધુ પ્રમાણમાં વધારો થશે તો ફરી એક વખત અમારા એસોસિએશનની બેઠક બોલાવીશું. જે બેઠકમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈશું. તેમજ તમામ સ્કૂલ વર્ધીના ચાલકોને RTO ના નિયમનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. તેમજ ગાડીના તમામ કાગળ સાથે રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. જેથી નવું સત્ર ચાલુ થાય તો વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.
વેરાવળ બંદર અને સોમનાથ રોડ પર માછલીના પાણી અને જૈવિક કચરાને કારણે રસ્તાઓ અત્યંત ચીકણા બનતા અકસ્માતો વધી રહ્યા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે માછીમારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 500થી વધુ માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ગઢવી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ. કાગડા હાજર રહ્યા હતા. અધિકારીઓએ જિલ્લા કલેકટરના જાહેરનામાની વિસ્તૃત સમજ આપી હતી અને રસ્તા પર માછલીના પાણી ઢોળાવાથી થતા અકસ્માતોના જોખમ અંગે ચેતવણી આપી હતી. ચર્ચા દરમિયાન સર્વાનુમતે નિર્ણય લેવાયો કે માછલીના પરિવહન દરમિયાન છકડો રીક્ષા અને અન્ય વાહનોમાં તાલપત્રી અને પ્લાસ્ટિક કવરનો ફરજિયાત ઉપયોગ કરવો. આ પગલાંથી રસ્તા પર પાણી ઢોળાતું અટકશે અને ચીકાશનું પ્રમાણ ઘટશે, જેના પરિણામે અકસ્માતોમાં ઘટાડો થશે. બીજી તરફ, માછીમાર સમુદાયે રજૂઆત કરી હતી કે વેરાવળ-સોમનાથ રોડ પર ચાલી રહેલા ફ્લાયઓવરનું કામ ધીમું છે. આ કારણે બંદરના રસ્તાનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ થતો હોવાથી ટ્રાફિક વધ્યો છે અને સમસ્યા વધુ ગંભીર બની છે. માછીમારોએ ફ્લાયઓવરનું કામ ઝડપી પૂર્ણ કરવાની માંગ કરી, જેથી લાંબા ગાળાનો ઉકેલ મળી શકે. નોંધનીય છે કે વેરાવળ બંદર વિસ્તારમાં જવલા જેવી માછલીના પરિવહન દરમિયાન પાણી રોડ પર ઢોળાતા રસ્તા અત્યંત ચીકણા બની જાય છે, જેના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ માટે પોલીસ અને માછીમાર સમુદાય વચ્ચે સુમેળ સાધીને લેવાયેલા આ નિર્ણયોથી સમસ્યાના ઉકેલ તરફ સકારાત્મક પગલું ભરાયું છે.
હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે સાબરકાંઠા જિલ્લાના ઘોરવાડા, નાની ડેમાઈ અને તીતપુર ગામોમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગાયત્રી પંચકુંડી યજ્ઞ પણ યોજાયો હતો. રવિવારે ઘોરવાડા ગામે નવીન ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું. આ ઉપરાંત, ઘોરવાડા અને નાની ડેમાઈ ગામોમાં પાણીના સંપનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં ઘોરવાડા ગામના રહેવર ફળિયામાં સી.સી. રોડ, પંચાલ ફળિયા તેમજ પ્રજાપતિ અને રહેવર ફળિયામાં ગટર લાઈનનો સમાવેશ થાય છે. નાની ડેમાઈ ગામે સી.સી. રોડનું કામ અને તીતપુર ગામે પ્રાથમિક શાળામાં નવીન ઓરડા તથા પેવર બ્લોકના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી દિલીપસિંહ મકવાણા, જિલ્લા મહિલા મોરચાના મંત્રી જાનકીબા રહેવર, તલાટી કમ મંત્રી વી.એફ. રહેવર, સરપંચ વીણાબા રહેવર સહિત અનેક સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચોટીલા મહાદેવના મહંત અને ગાયત્રી યજ્ઞના મહંત પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
મહેસાણા શહેરની વ્યસ્ત ગણાતી મોઢેરા ચોકડી પાસે આવેલી એક મોબાઈલની દુકાન આગળ પાર્ક કરેલું મોટરસાઈકલ કોઈ અજાણ્યો શખસ ચોરી કરી રફુચક્કર થઈ જવાની ઘટના સામે આવી છે. આ અંગે તળેટી પટેલવાસના રહીશ અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદભાઈ લાલજીભાઈ પટેલે શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. થોડી વાર બાદ બહાર આવતા બાઈક ગાયબ હતુંફરિયાદી ગોવિંદભાઈનો 18 વર્ષીય પુત્ર યુગ ગત 20 માર્ચના રોજ બપોરે પોણા એક વાગ્યાના સુમારે પોતાનું કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ નંબર GJ-02-EM-4445 લઈને મોઢેરા ચોકડી ખાતે આવેલી 'ફોનવાલે' નામની દુકાને ગયો હતો. રિપેરિંગમાં આપેલો મોબાઈલ પરત લેવા માટે તેણે પોતાનું બાઈક દુકાનની બહાર પાર્ક કર્યું હતું. જોકે થોડી જ વારમાં મોબાઈલ લઈને બહાર આવીને જોતા પાર્ક કરેલું બાઈક ત્યાં મળી આવ્યું નહોતું. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરીપુત્રએ આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં બાઈકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે અંદાજે રૂ 60 હજારની કિંમતનું 2025નું આ નવું મોટરસાઈકલ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયું હોવાની ખાતરી થતા ગોવિંદભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો. મહેસાણા બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.
ઉમરગામના કામદારો ખાડી દેશોમાં ફસાયા:પરિવારો ચિંતિત, સાંસદ ધવલભાઈ પટેલને રજૂઆત કરાઈ
ઉમરગામ તાલુકાના મરોલી સહિતના કાંઠા વિસ્તારના ગામોમાંથી રોજગાર અર્થે ખાડી દેશોમાં ગયેલા અને હાલ ત્યાં ફસાયેલા કામદારોના પરિવારોમાં ભારે ચિંતા વ્યાપી છે. આ અંગે પરિવારજનોએ સાંસદ ધવલભાઈ પટેલને રજૂઆત કરી હતી. પરિવારજનોએ સાંસદ સમક્ષ વિનંતી કરી હતી કે વિદેશમાં અટવાયેલા તેમના સગાસંબંધીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવે. સાંસદ ધવલભાઈ પટેલે પરિવારજનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે ખાડી દેશોમાં ફસાયેલા કામદારોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર અને સંબંધિત એમ્બેસીઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અગાઉ પણ આવા પ્રયાસો દ્વારા કેટલાક લોકોને સફળતાપૂર્વક સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. બાકી રહેલા કામદારોને પણ વહેલી તકે પરત લાવવા માટે પ્રયત્નો ચાલુ છે. સાંસદે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઉમરગામ તાલુકા, વલસાડ જિલ્લા અને સમગ્ર દક્ષિણ ગુજરાતના ફસાયેલા તમામ કામદારોને સુરક્ષિત રીતે સ્વગૃહ પરત લાવવામાં આવશે અને ટૂંક સમયમાં સકારાત્મક પરિણામ મળશે.
વલસાડમાં કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા નિર્મિત 'શ્રી ઓધવ ભવન'નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ સદગુરુ ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવના અવસરે યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા કેસરી ગુલાલ અને પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતા ભાનુશાલી સમાજની 'ગુપ્ત દાન'ની પરંપરાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે, આટલા વિશાળ ભવનના નિર્માણમાં કરોડોનું દાન આવ્યું હોવા છતાં ક્યાંય દાતાઓની તકતી જોવા મળતી નથી, જે દર્શાવે છે કે સમાજે પ્રાચીન દાન પરંપરાને સાર્થક કરી છે. તેમણે વડાપ્રધાનના 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રનો ઉલ્લેખ કરી સામાજિક સમરસતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રીએ ઉપસ્થિત જનમેદનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા 9 સંકલ્પોની યાદ અપાવી. તેમણે પાણી બચાવવું, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ અને પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દાઓને જીવનમાં ઉતારી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી. આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રભારી મંત્રી નરેશ પટેલ, સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ભાનુશાલી સમાજની દેશભક્તિ અને ખુમારીની પ્રશંસા કરી.
માર્ચ મહિનાનાં અંત સુધીમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ બિલના નાણાંની વસૂલાત માટે કડકાઈ શરૂ કરવામાં આવી છે. જે લોકોની વીજ બિલની રકમ બાકી છે, તેઓ પાસેથી તેની વસૂલાત અને જો પૈસા ન ભરે તો તેના કનેક્શનને કાપી નાખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈને આગામી 24 માર્ચ અને 27 માર્ચના આ અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. 23 સબ ડિવિઝનમાં 600 જેટલા માણસોને મેદાને ઉતરશેવડોદરામાં બાકી વીજ બિલ વસૂલાત માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મેગા ડિસકનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરના ત્રણ ડિવિઝનના 23 સબ ડિવિઝનમાં કુલ 480 ટીમોમાં 600 જેટલા માણસો આ કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવશે. છેલ્લે 13 માર્ચના રોજ ડ્રાઇવ યોજાઈ હતી. હવે 24 અને 27 માર્ચના રોજ ખાસ ડ્રાઈવ યોજાશે. વડોદરામાં MGVCL દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ચેકિંગ સાથે બાકી રકમ વસૂલાતની કામગીરી ચાલી કરવામાં આવશે. સ્થળ ઉપર જ બિલ ભરવાની વ્યવસ્થાકંપનીએ ગ્રાહકોને રાહત આપતા ઓન ધ સ્પોટ બિલ ભરપાઈ કરવાની પણ વ્યવસ્થા કરી છે. તેમ છતાં જે ગ્રાહકો બિલ ચૂકવશે નહીં તેમના વીજ કનેક્શન નિયમ મુજબ કાપવામાં આવશે. મેગા ડ્રાઇવ દરમિયાન શહેરભરમાં મોટી સંખ્યામાં ચેકિંગ અને ડિસકનેક્શનની કાર્યવાહી હાથ ધરાશે. વડોદરા શહેરમાં લગભગ 8,20,000 જેટલા કનેક્શન છે. MGVCLની ગ્રાહકોને અગત્યની જાહેર અપીલ1. તમામ ગ્રાહકોને સૂચિત કરવામાં આવે છે કે બાકી રહેલાં વીજ બિલની તાત્કાલિક અને સંપૂર્ણ ચુકવણી કરવી અનિવાર્ય છે.2. ડિસકનેકશન જેવી કાર્યવાહીથી બચવા માટે સમયસર વીજ બિલની નિયમિત ચુકવણી કરવાની રહેશે.3. મેગા ડ્રાઈવ પૂર્વે બાકી રહેલાં વીજ બિલની સંપૂર્ણ રકમ જમા કરાવવા વિનંતી કરવામાં આવે છે.4. જો મેગા ડિસકનેક્શન ડ્રાઈવના દિવસે કનેક્શન ડિસકનેકટ કરવામાં આવશે, તો વીજ બિલની બાકી રહેલી 100% રકમ તેમજ રી-કનેકશન ચાર્જીસની સંપૂર્ણ ચુકવણી સબ-ડિવિઝન કચેરીમાં કર્યા બાદ જ કનેકશન ફરીથી રી-કનેકટ કરવામાં આવશે. ગ્રાહક દ્વારા વીજબીલની રકમ કંપનીની સ્થાનિક કચેરી, નજીકના વિસ્તારના ઈ-ગ્રામ સેન્ટર, સી.એસ.સી. સેન્ટર તેમજ વિવિધ ઓનલાઈન પેમેન્ટ મોડસ, એમજીવીસીએલ વેબ પોર્ટલ અને વેબસાઈટ, ક્રેડીટ-ડેબીટ કાર્ડ, યૂઆર કોડ વિગેરે વિકલ્પો પૈકી કોઈ પણ વિકલ્પ દ્વારા ભરપાઈ કરી શકાય છે. કેવી રીતે બિલ ભરી શકાય
ડાયમંડ સિટી સુરત હવે ક્રિકેટના રત્નોથી પણ ઝળકી રહ્યું છે. આઈપીએલ 2026ની સિઝન શરૂ થાય તે પહેલા જ દક્ષિણ ગુજરાતના એક યુવા બેટ્સમેને વિશ્વ ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA) દ્વારા આયોજિત સુરત ક્રિકેટ લીગ (SCL)માં લુથ્રા પેગાસસના કેપ્ટન આર્ય દેસાઈએ એવી બેટિંગ કરી કે સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા. આર્યએ માત્ર 81 બોલમાં 193 રન ફટકારીને ટી-20 ક્રિકેટના તમામ રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે. 81 બોલ, 193 રન અને 238નો સ્ટ્રાઈક રેટ20 માર્ચના રોજ લુથ્રા પેગાસસ અને કૈલાશ સ્પોર્ટ્સ ક્લબ વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં આર્ય દેસાઈનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ઓપનિંગમાં આવેલા આર્યએ પ્રથમ બોલથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરતા 238.27ના આઘાતજનક સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 14 ગગનચુંબી છગ્ગા અને 21 ચોગ્ગાનો સમાવેશ થાય છે. એટલે કે તેણે 168 રન તો માત્ર બાઉન્ડ્રીથી જ મેળવ્યા હતા. ક્રિસ ગેલનો રેકોર્ડ પણ જોખમમાં!આર્ય દેસાઈની આ ઇનિંગે આઈપીએલના દિગ્ગજ ક્રિસ ગેલની યાદ તાજી કરી દીધી છે. આઈપીએલમાં ગેલના નામે 175 રનનો રેકોર્ડ છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર માનવામાં આવતો હતો. જોકે, આર્યએ 193 રન બનાવીને બતાવી દીધું છે કે તે આગામી સમયમાં મોટા મંચ પર પણ આવો જ કમાલ કરી શકે છે. ગુજરાતના સ્થાનિક ક્રિકેટ ઈતિહાસમાં ટી-20 ફોર્મેટમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હોવાનું મનાય છે. કોણ છે આર્ય દેસાઈ?આર્ય દેસાઈની ઉંમર 22 વર્ષ છે અને ગુજરાત માટે રણજી ટ્રોફીમાં પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યો છે. આ સાથે આઈપીએલ કનેક્શન પણ છે. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. વેસ્ટ ઝોન તરફથી દુલિપ ટ્રોફીમાં પણ રમી ચૂક્યો છે. 'વર્લ્ડ કપમાં જેવી બેટિંગ થાય છે, બસ એવો જ પ્લાન હતો'પોતાની આ ઐતિહાસિક ઇનિંગ બાદ આર્ય દેસાઈએ જણાવ્યું હતું કે, મેં ઘણા વર્ષોથી આ માટે મહેનત કરી છે. હાલમાં જે રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બદલાઈ રહ્યું છે, ખાસ કરીને વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ફાઈનલમાં ભારતીય ટીમે જે રીતે 250+ સ્કોર કર્યા હતા, તે જોતા મારો ઇન્ટેન્ટ પહેલા બોલથી જ એટેક કરવાનો હતો. મને ખુશી છે કે હું મારો પ્લાન અમલમાં મૂકી શક્યો અને મારી ટીમને જીત અપાવી. સુરતના ક્રિકેટ જગતમાં ખુશીનો માહોલઆર્યની આ સિદ્ધિ બાદ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો અને સ્થાનિક કોચે તેને અભિનંદન પાઠવ્યા છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે આર્યનું આ ફોર્મ તેને આગામી આઈપીએલ ઓક્શનમાં મોટી કિંમત અપાવી શકે છે. જે રીતે તેણે બોલરોની ધોલાઈ કરી છે, તે જોતા તે ભારતીય ક્રિકેટનું આગામી મોટું નામ બની શકે છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે ગર્ભસંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર ગાયત્રી પરિવાર અને ગઢોડાની શ્રીનાથજી ગીર ગૌશાળાના સહયોગથી આ વિધિ સંપન્ન થઈ હતી, જેમાં 24 ગર્ભવતી મહિલાઓએ ભાગ લીધો હતો. આ વિધિ દરમિયાન, પાંચ યજ્ઞ કુંડ પર 24 ગર્ભવતી મહિલાઓ તેમના પતિઓ સાથે બિરાજમાન થઈ હતી. ગાયત્રી પરિવારની મહિલાઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે સોળ સંસ્કાર પૈકીના એક ગર્ભસંસ્કારની વિધિ કરાવવામાં આવી હતી. આ ગર્ભસંસ્કાર વિધિનો મુખ્ય ઉદ્દેશ્ય આવનાર બાળક સ્વસ્થ અને આધ્યાત્મિક ગુણોથી સભર બને તેવો હતો. શ્રીનાથજી ગીર ગૌશાળાના સંચાલક દ્વારા વર્તમાન સમયમાં વિશ્વમાં પ્રવર્તતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદની શેલ્બી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ગુરુકુળ ખાતે નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 2000થી વધુ દર્દીઓને લાભ મળવાની શક્યતા છે. આ કેમ્પનો શુભારંભ સંતો અને ભાજપના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. વિશ્વવિખ્યાત ડૉ. વિક્રમ શાહની ટીમના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની મફત તપાસ અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં જનરલ સર્જરી, સ્પાઈન સર્જરી, ENT, યુરોલોજી, નેફ્રોલોજી તેમજ કેન્સર નિદાન સહિત વિવિધ વિભાગોમાં દર્દીઓને નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પની શરૂઆતથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ, 500થી વધુ દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સાંજ સુધીમાં આશરે 2000 જેટલા લોકો કેમ્પનો લાભ લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રસંગે ગુરુકુળના માધવ સ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, મહામંત્રી વનરાજસિંહ ડાભી, પાલજીભાઈ પરમાર સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે આ નિદાન કેમ્પ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આવા આરોગ્ય કેમ્પો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ અને સુવિધા પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
અમદાવાદમાં સ્થાનિક પોલીસ દારૂબંધી મામલે નિષ્ક્રિય હોય એમ એજન્સીઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવવામાં આવતો અને ત્યાંથી સગેવગે કરાતો દારૂનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે. શહેરના ગોમતીપુર અને માધુપુરા વિસ્તારમાંથી એજન્સીઓ દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગોમતીપુર વિસ્તારમાં ડીસીપીની સ્ક્વોડ દ્વારા દરોડો પાડીને ગોમતીપુરના જ બુટલેગર દ્વારા આપવામાં આવતા દારૂના જથ્થા સાથે બે બુટલેગરની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ કમિશનરની સ્ક્વોડ દ્વારા માધુપુરા વિસ્તારમાં દરોડો પાડી ટ્રાન્સપોર્ટમાં લાવેલા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. બંને કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગોમતીપુરમાં દારૂનો જથ્થો સગે વગે થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકીઝોન પાંચ એલસીબી સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે, ગોમતીપુર વિસ્તારમાં વિવેકાનંદ નગર વિભાગ એક પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકોએ વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે અને તેને સગે વગે કરવાની તૈયારી કરી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ખુલ્લી જગ્યામાં ત્રણ શખ્સો ટુ-વ્હીલરની ડેકીમાં પુઠાના બોક્સમાંથી નાની બોટલો કાઢીને મુકતા હતા. જેથી તરત જ પોલીસ તેમને પકડવા ગઈ ત્યારે એક વ્યક્તિ ભાગી ગયો હતો, જ્યારે નરેશ ચૌહાણ (રહે. અસારવા) અને સુશાંત શર્મા (રહે. રામોલ) નામના બે શખ્સની ધરપકડ કરી લીધી હતી. અલગ અલગ 336 વિદેશી દારૂના ક્વાર્ટર ઝડપી પાડ્યાપોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાડીની ડેકીમાંથી અને બહારથી કુલ અલગ અલગ 336 વિદેશી દારૂના ક્વાર્ટર ઝડપી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગોમતીપુર વિસ્તારમાં વિવેકાનંદ નગર ઔડાના મકાનોમાં રહેતો વિપુલ પટણીનો દારૂનો જથ્થો છે. વિપુલ પટણીનો માણસ આકાશ ઉર્ફે ડૂમો ત્યાંથી પોલીસ આવતા ભાગી ગયો હતો. વિદેશી દારૂનો જથ્થો લેવા માટે તેઓ ટુ-વ્હીલર લઈને આવ્યા હતા અને ડીકીમાં ભરી અને લઈ જતા હતા તે દરમિયાનમાં પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. સ્થાનિક ગોમતીપુર પોલીસના જાણ બહાર દરોડો પાડીને ગોમતીપુર વિસ્તારમાંથી જ અસારવા અને રામોલનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રાન્સપોર્ટના ગોડાઉનની બહાર પુઠાના બોક્સમાં વિદેશી દારૂ આવ્યોપોલીસ કમિશનરની પીસીબી સ્કવોડની ટીમને બાતમી મળી હતી કે, પ્રેમ દરવાજા બહાર ગુજરાત જિનિંગ મિલમાં આવેલા પટેલ ગુડ કેરિયર ટ્રાન્સપોર્ટના ગોડાઉનની બહાર પુઠાના બોક્સમાં વિદેશી દારૂ આવ્યો છે. જેના આધારે પીસીબી સ્ક્વોડના કર્મચારીઓ ગોડાઉનની બહાર પહોંચ્યા હતા ત્યારે ત્યાં ઘણા બધા કાર્ટુન પડ્યા હતા. ગોડાઉનમાં એક વ્યક્તિ હાજર હતો જે પોતે મજૂર તરીકે નોકરી કરતો હતો ને ગાડીમાં આવતા ટ્રાન્સપોર્ટના માલને ચેક કરી ઉતારવાનું કામ કરતો હતો. પોલીસે બાતમી વાળા લેડીઝ ચપ્પલના કાર્ટૂનમાં જ્યારે તપાસ કરી તો તેમાં ઘણા બધા લેડીઝના ચપ્પલ હતા. જેમાં બીજા ખાખી કલરના બોક્સમાં 32 નંગ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. માધુપુરા પોલીસની જાણ બહાર જ પીસીબીએ દરોડો પાડી દારૂ ઝડપ્યોપોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કોઈ લેવા આવે છે કે કેમ તે જોવા માટે ઘણો સમય રાહ જોઈ હતી, પરંતુ વહેલી સવાર સુધી કોઈ આવ્યું નહોતું. જેથી પોલીસે આ કાર્ટૂનોની બીલટી બાબતે જોતા નોર્થ વેસ્ટ દિલ્હીના જૈન એન્ટરપ્રાઇઝ અને અમદાવાદના નીલમ ફૂટવેરનું બિલ હતું. પોલીસે આ બાબતે તપાસ કરતા મોંઘી વિદેશી દારૂની 32 જેટલી બોટલોને કબજે લીધી હતી. માધુપુરા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં માલ લાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે માધુપુરા પોલીસની જાણ બહાર જ પીસીબીએ દરોડો પાડી દારૂ ઝડપી પાડ્યો હતો.
ટંકારીયામાં ગૌવંશ કતલનો પર્દાફાશ:પાલેજ પોલીસે એક ઝડપ્યો, ત્રણ વોન્ટેડ
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં ગૌવંશ કતલનો પર્દાફાશ થયો છે. પાલેજ પોલીસે સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. રમઝાન ઈદને લઈ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. ચૌધરી અને સ્ટાફ ટંકારીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સિતપોણ તરફ જતાં રસ્તા પર આવેલા એક શેડમાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દીવાનને કતલ કરાયેલ ગાયના ગૌમાસ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી આશરે રૂ. 3,000 કિંમતનો મોબાઈલ ફોન અને આશરે 150 કિલો ગૌમાસ (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સમીર દીવાન ઉપરાંત મયુદીન સઈદ પંડ્યા, મીન્હાજ ઉર્ફે પી.કે. સલીમ કોલવણાવાળા અને અશરફ અયુબ પંડયાને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.ની સંબંધિત કલમો, ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-2017 અને પશુ ઘાતકીપણા અધિનિયમ-1960 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમીના રણાસર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત:વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ, ઓક્સિજન ઘટનું પ્રાથમિક અનુમાન
પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા રણાસર તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. તળાવમાં માછલીઓ મરીને ઉપર આવતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ મત્સ્ય ઉદ્યોગ વિભાગના સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, તળાવમાં પાણી ઓછું થવા અને ભેજવાળા વાતાવરણને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટવાથી માછલીઓના મોત થયા હોઈ શકે છે. આ પ્રાથમિક અનુમાન છે. માછલીઓના મોતને કારણે ફેલાયેલી દુર્ગંધથી તળાવની આસપાસના રહેણાક વિસ્તારોમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. તળાવ પાસેથી પસાર થતા રાહદારીઓ પણ આ દુર્ગંધથી પરેશાન છે. સ્થાનિકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત પણ વ્યક્ત થઈ રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ આ પ્રકારે માછલીઓના મોત થવા પાછળ પાણીમાં ઓક્સિજનની ઘટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા મૃત માછલીઓનો તાત્કાલિક અને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સુરેન્દ્રનગર ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું આયોજન કરવામાં આવ્યું છે. ખેતીવાડી વિભાગ અને ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટ દ્વારા નાગરિકોને પ્રાકૃતિક કૃષિ અને ‘શ્રી અન્ન’ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે વિશેષ સ્ટોલ પ્રદર્શિત કરાયા છે. આ પ્રદર્શનમાં સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લો બાજરી અને જુવાર જેવા મિલેટ પાકોના વાવેતર માટે કુદરતી રીતે અનુકૂળતા ધરાવે છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવાનો છે. મેળામાં અંદાજે 20 જેટલા સ્ટોલ્સ ઊભા કરાયા છે, જ્યાં ખેડૂતોના સીધા ખેત-ઉત્પાદનોથી લઈને મિલેટમાંથી તૈયાર થયેલી મૂલ્યવર્ધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. મિલેટ પાકોના પૌષ્ટિક મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું કે, આધુનિક જીવનશૈલીમાં ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા શારીરિક પ્રશ્નો વધી રહ્યા છે, ત્યારે મિલેટ એક સુરક્ષા કવચ સમાન છે. મિલેટ પાકો એન્ટી-ઓક્સિડન્ટ તત્વોની સાથે ઝિંક અને આયર્ન જેવા સૂક્ષ્મ પોષકતત્વોથી ભરપૂર હોય છે, જે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો કરે છે. આ મેળામાં માત્ર કાચા અનાજનું જ નહીં, પરંતુ લોકોમાં રુચિ કેળવાય તે હેતુથી રાગીના ઢોકળા અને મિલેટની ખીચડી જેવી સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓનો ફૂડ કોર્ટ પણ કાર્યરત છે. આવા નવતર પ્રયોગોથી શહેરીજનોમાં દૈનિક ખોરાકમાં મિલેટનો સમાવેશ કરવા પ્રત્યે સભાનતા આવશે અને તેઓ જંક ફૂડના બદલે પૌષ્ટિક આહાર તરફ વળશે. ખેડૂતોને સંદેશ આપતા ભરતભાઈ પટેલે કહ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ જેવા રોકડિયા પાકોનું ચલણ હોવા છતાં, મિલેટ જેવા પાકો ઓછા ખર્ચે અને પ્રાકૃતિક ખેતી દ્વારા વધુ કાર્યક્ષમ રીતે લઈ શકાય છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ ખેડૂતો હવે ઝેરમુક્ત ખેતી તરફ વળી રહ્યા છે, જે જમીનની ફળદ્રુપતા અને ગ્રાહકના સ્વાસ્થ્ય બંને માટે હિતાવહ છે. આ મેળા દ્વારા ખેડૂતોને પરંપરાગત ખેતીની સાથે મિલેટ જેવા મૂલ્યવાન પાકોનું વાવેતર વધારી આર્થિક સમૃદ્ધિ મેળવવા પ્રોત્સાહન મળશે.
અમદાવાદ શહેરના ચાંદખેડામાં રહેતા બિલ્ડરે અલગ અલગ સોસાયટીના રી-ડેવલોપમેન્ટના કામ માટે MOU કર્યા હતા. આ MOU કર્યા બાદ કેટલાક લોકોએ બિલ્ડર પાસેથી ખંડણી વસૂલી હતી અને બીજી રકમ પણ માંગી હતી. જોકે બિલ્ડરે બીજી રકમ ન આપતા પાંચ શખ્સોએ ભેગા મળીને બિલ્ડરની કંપનીનો લેટરપેડ બનાવી બિલ્ડરની સહી કરીને કામને અસર થાય તે રીતે વાઇરલ કર્યો હતો જે અંગે બિલ્ડરે ફરિયાદ નોંધાવી છે. રીડેવલપમેન્ટનું કામ રોકવાની ધમકી આપીને 15 લાખની માંગણી કરીચાંદખેડામાં રહેતા તેજસ પટેલ શિવાલય ઇન્ફ્રાબિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. તેજસભાઇએ સુભાષબ્રિજ પાસે આવેલી મહેશ્વરી સોસાયટી, મહાપ્રકાશ સોસાયટી અને મનમોહન સોસાયટીના રીડેવલપમેન્ટ માટે MOU કર્યા હતા. 29 જુલાઈએ તેજસભાઈના ઘરે સંજય પટેલ, ભરત પ્રજાપતિ, રમેશ મોદી અને જે.ડી શેખ આવ્યા હતા. જેમણે રીડેવલપમેન્ટનું કામ રોકવાની ધમકી આપીને 15 લાખની માંગણી કરી હતી. જેથી તેજસભાઇએ 15 લાખ રૂપિયા આપ્યા હતા. ત્રણેય સોસાયટીના MOU રદ કરાવી નુકસાન કર્યું બે મહિના બાદ ફરીથી 50 લાખ રૂપિયા માંગ્યા હતા જેની સામે 36 લાખનો ચેક આપ્યો હતો. ચેક આપ્યા બાદ હેરાનગતિ બંધ કરી દીધી હતી. ત્યારબાદ સંજય પટેલે ટુકડે ટુકડે 7 લાખ રૂપિયા લીધા હતા. સંજયે બીજા 50 લાખ માંગતા તેજસભાઇએ આપવાની ના પાડતા સંજયે સોસાયટીમાં આવતો નહીં, નહીં તો બહારથી માણસો બોલાવી જાનથી મારી નાખી ગાયબ કરી દેવાની ધમકી આપી હતી. જે બાદ ત્રણેય સોસાયટીના MOU રદ કરાવી નુકસાન કર્યું હતું. કંપનીના લેટરપેડ પર તેમની ખોટી સહી કરેલો લેટર મોકલ્યો30 જુલાઈના રોજ તેજસભાઈ ઘરે હતા, ત્યારે અશોક તેજવાની નામના વ્યક્તિએ તેમને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો અને તેમની કંપનીના લેટરપેડ પર તેમની સહી કરેલો લેટર મોકલ્યો હતો. જે જોતા આ લેટરપેડ અને તેમની સહી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. આ લેટરપેડ આખી સોસાયટીના ગ્રુપમાં ફરતા હોવાની પણ તમને જાણ થઈ હતી. તેમણે તપાસ કરતા આ લેટરપેડ સંજય પટેલ, ભરત પ્રજાપતિ, રમેશ મોદી, જે.ડી શેખ અને કૈલાસ શાહે ભેગા મળીને બનાવ્યો હોવાની જાણ થઈ હતી. જેથી તેજસભાઈએ પાંચેય વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એક યુવતીના ગુમ થયા બાદ સર્જાયેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. સુરત બ્યુટી પાર્લરનો કોર્સ કરવા ગયેલી યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી પોતે મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાની કબૂલાત કરી છે. ઘટનાની પૃષ્ઠભૂમિપ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલાની નેહા પરમાર નામની યુવતી અંદાજે 10 દિવસ પૂર્વે સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવાના બહાને ઘરેથી નીકળી હતી. લાંબા સમય સુધી સંપર્ક ન થતા અને યુવતી પરત ન ફરતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. વાયરલ વીડિયો અને યુવતીનો દાવોયુવતી ગુમ થવાના મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે નેહા પરમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેણે મુહિસ ફિરાણી નામના યુવક સાથે પોતાની મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે. તેના પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી અને તે સુરક્ષિત છે. પરિવાર અને અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ અને પોલીસ કેસને તેણે અયોગ્ય ગણાવ્યા છે. યુવતીની સ્પષ્ટતાનેહાએ વીડિયોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો તેને, તેના પતિ મુહિસને કે તેના સાસરી પક્ષને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે અથવા ધમકી આપવામાં આવશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તેના પિયર પક્ષ (પરિવાર) ની રહેશે. તેણે હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનોના સમર્થનનો ઉલ્લેખ કરીને અપીલ કરી છે કે આ મામલે કોઈને પણ હેરાન કરવામાં ન આવે. માતાપિતા પર યુવતીનો આક્ષેપહેલો, વર્ષ દિવસથી મારી ફેમિલીને ખબર છે કે હું છેલ્લા ચાર-પાંચ વર્ષથી મોઈઝ સાથે રિલેશનશિપમાં છું અને નાઉ હવે એ લોકો એવું બહાનું કાઢે છે કે, એ લોકો જાણતા નથી,હકીકતમાં એ લોકોને વર્ષ દિવસથી ખબર છે કે હું મોઈઝ સાથે જ હતી અને એ વર્ષ દિવસના ટાઇમમાં મને ઘરમાં ત્રણથી ચાર મહિના સુધી પૂરીને રાખી હતી. મને બહાર જવા નોતા દેતા, ઇવન મને ઘરમાં બહુ ટોર્ચર કરતા હતા. અને ઇન્ડિયન ફેમિલી પ્રમાણે થોડું જાજુ મારપીટ કરતા, બહાર જવા ન દેતા, કોઈની સાથે વાત કરવા ન દેતા, ઇવન મેન્ટલી ટોર્ચર બી એટલી કરેલી છે 'અમે ત્રણ મહિના પહેલા લગ્ન કરી લીધા છે'યુવતી સાથે લગ્ન કરના મોઇઝે વીડિયો દ્વારા નિવેદન આપતા કહ્યું કે,- અમે ઓલરેડી ત્રણ મહિનાથી લગ્ન કરી લીધા છે, એની ફેમિલીને ભી ખબર હતી. ખબર નહીં કે આ ત્રણ મહિના પછી શું થયું જેના લીધે એ લોકો વાંધો ઉપાડે છે. અને મારી વિનંતી છે કે હિન્દુ પરિષદના જે નેતા છે કે હિન્દુ પરિષદનું જે ગ્રુપ છે, બજરંગ દળનું ગ્રુપ છે કે કોઈ ભી રાજકીય નેતા છે, તમે પ્લીઝ આમાં ખોટી રીતના અમને હેરાન કરવાની કે દબાવવાની કોશિશ ન કરો. આ મારી નમ્ર વિનંતી છે. અમે જે કાંઈ કર્યું છે એ અમારી મરજીથી કર્યું છે, કોઈના દબાવમાં આવીને કે કાંઈ ઓલું કરીને નથી આવ્યા.અને અમે બહુ રાજી છીએ. અમે છેલ્લા ત્રણ મહિનાથી સાથે છીએ, વ્યવસ્થિત જીવીએ છીએ અને ખુશ છીએ. તો અમારી એવી વિનંતી કે અમને આવી ને આવી રીતના જીવવા દો અને અમારી ખોટી રીતના મેટર મોટી ન કરો. ધન્યવાદ. સ્થાનિક પ્રતિસાદ અને પોલીસ કાર્યવાહીઆ ઘટનાને પગલે રાજુલામાં હિંદુ સંગઠનોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.એક અઠવાડિયાની અંદર હિંદુ સમાજની ચાર દીકરીઓ લવ જેહાદનો શિકાર બનતા ચિંતા પ્રસરી છે. વીડિયોની સત્યતા તપાસતી પોલીસજ્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે. હાલ પોલીસ આ વીડિયોની સત્યતા તપાસી રહી છે અને યુવતીના નિવેદન લેવા માટેની તજવીજ હાથ ધરી રહી છે. વીડિયોની સત્યતા તપાસતી પોલીસજ્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે. હાલ પોલીસ આ વીડિયોની સત્યતા તપાસી રહી છે અને યુવતીના નિવેદન લેવા માટેની તજવીજ હાથ ધરી રહી છે.
મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે પાટણના વામૈયા ગામે યોજાનાર ઠાકોર અને ક્ષત્રિય સમાજની સભા રદ થવા મામલે સોશિયલ મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપતા વિવાદ વકર્યો છે. બળદેવજી ઠાકોરે કોઈનું નામ લીધા વિના ગંભીર આક્ષેપ કર્યા છે કે, કેટલાક લોકોએ પોતાના વ્યક્તિગત લાભ ખાતર સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક થઈ રહેલા ઠાકોર અને ક્ષત્રિય દરબાર સમાજને સંગઠિત થતા અટકાવવા માટે આ સભા મોફૂક રખાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સંમેલન કોઈ સમાજની વિરુદ્ધમાં નહીં પરંતુ માત્ર સરકાર અને પાટણ પોલીસની કામગીરી સામે હતું. જેને રોકવા માટે રચાયેલું 'ષડયંત્ર' હવે ખુલ્લું પડી ગયું છે. આમ વામૈયાની ઘટના બાદ હવે ઠાકોર સમાજના બે દિગ્ગજ નેતાઓ આમને-સામને આવી જતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયા મારફતે પ્રતિક્રિયા આપીવીડિયો મારફતે તેમણે જણાવ્યું, વમૈયાની મેટરના 23 તારીખે જે સંમેલન મળવાનું હતું એ રબારી સમાજ સામે નહોતું. પાટણના કે ગુજરાતના કોઈપણ સમાજ સામે નહોતું. આ સંમેલન જે પોલીસ દ્વારા વરઘોડો કાઢીને કૃત્ય કર્યું હતું એની સામે હતું. ગુજરાતમાં ઘણા બધા બનાવો બને છે. કોના વરઘોડા નીકળે છે અને કોના નથી નીકળતા. પાટણની જે મેટર હતી. તેમાં વ્યક્તિગત ઝઘડા હતો એની સામે કોઈને વાંધો ના હોય. દરેક સમાજમાં આવા નાના મોટા ઝઘડા ચાલતા હોય છે, પરંતુ પોલીસે એની બહાદુરી બતાવવા માટે જાહેરમાં વરઘોડો કાઢી જે બેરહેમીથી માર્યા હતા. એવી રીતે ગુજરાતમાં તમામ જગ્યાઓ પર પોલીસ આવા વરઘોડા કેમ કાઢતી નથી. કેમ એકજ સમાજના વરઘોડા કાઢે છે. સરકાર અને પોલીસ ફરીવાર આવી ભૂલના કરે એની માટેનું આ સંમેલન હતું. સમાજ એક થઈને એક ખાટલે બેસે એ ના થાય તે માટે ષડયંત્ર રચ્યુંવધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો. એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. ઉત્તર ગુજરાતમાં ઠાકોર, ક્ષત્રિય, દરબાર સમાજ એક થઈ રહ્યો હતો. એ સમાજ એક ના થાય ખાટલે સાથે ના બેસે એની એકતા તોડવા માટેનું ષડયંત્ર હતું એ આજે સતું થયું છે. કોણે કર્યું, કોણે નથી કર્યું એમાં મારે પડવું નથી. વામૈયાની મેટરથી ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય જ્યારે એક થતા હતા ત્યારે જે લોકોએ અટકાવવાની કામગીરી કરી છે એ ના કરવી જોઈએ. આ એક એવો મોકો હતો જેમાં ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય એક તાંતણે બંધાવવાના હતા. એ તાંતણે ના બંધાય એ મનસા મેલી હતી એ બહાર આવી છે. આ હતો સમગ્ર મામલો?ઝીલિયા ગામે મસ્તાની ગેંગના કુખ્યાત ભાર્ગવ અને ભાવેશ ઝીલિયાના ફાર્મ પર થયેલા ઘર્ષણ બાદ વામૈયા અને આસપાસના ગામના 18 ક્ષત્રિય યુવાનોની ધરપકડ થઈ હતી. જેમાં પોલીસ તંત્ર દ્વારા રિકન્સ્ટ્રક્શનના નામે યુવાનોને ઝીલિયા ફાર્મ પર લઈ જઈ ઉઠકબેઠક કરાવી વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માગ કરી હતી ક્ષત્રિય સમાજની મુખ્ય માગ હતી કે, આ ઘટનામાં સંડોવાયેલા LRD કોન્સ્ટેબલ, ASI, PSIથી લઈને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સુધીના તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ અથવા બરતરફ કરવામાં આવે અને ભાર્ગવ અને ભાવેશ ઝીલિયા સામે પણ આવી જ કાર્યવાહીની માગ બાબતે વામૈયા ગામે ક્ષત્રિય સમાજ એકત્રિત થવાનો હતો. શનિવારે અલ્પેશ ઠાકોર સમાજના આગેવાનો સાથે SPને મળ્યાશનિવારે અચાનક ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી સાથે બેઠક કરી હતી. લગભગ પાંચેક કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં સમાજની માંગણીઓ અંગે ચર્ચા કરી હતી. આ બેઠક બાદ ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા સહિતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં સમાજના આગેવાનોએ આયોજન કરાયેલ સંમેલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.
મહીસાગર જિલ્લાના સંતરામપુર બસ ડેપોને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ચાર નવી બસો ફાળવવામાં આવી છે. આ બસોનો મુખ્ય હેતુ નાગરિકોની મુસાફરીને વધુ સુગમ અને આરામદાયક બનાવવાનો છે. રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે આ નવી બસોને લીલી ઝંડી આપી તેમના નિર્ધારિત રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નવી બસોના પ્રારંભથી સંતરામપુર અને આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સુવિધાજનક અને સમયબદ્ધ પરિવહન સેવા મળશે તેવી અપેક્ષા છે. આનાથી જાહેર પરિવહન સેવા વધુ મજબૂત બનશે અને નાગરિકોને સીધો લાભ થશે. આ પ્રસંગે મહીસાગર જિલ્લા ઉપાધ્યક્ષ દીપકભાઈ ચાવડા, જિલ્લા મંત્રી સંદીપભાઈ ભોઈ, નગર પ્રમુખ નિતીનભાઈ રાણા, મહામંત્રી કેવલ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી, સચિન શાહ અને ડેપો મેનેજર ભગોરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સરપંચો, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મોરબીના બંધ સિરામિક કારખાનામાં ક્રિકેટ મેચ:કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો રમતા વીડિયો વાયરલ
મોરબીમાં પ્રોપેન અને નેચરલ ગેસની અછતને કારણે 450 જેટલા સિરામિક કારખાના બંધ પડ્યા છે. આ બંધ પડેલા કારખાનાના શેડ હવે ક્રિકેટ મેદાનમાં ફેરવાઈ ગયા છે. કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો તેમાં ક્રિકેટ રમતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ગેસની અછતને કારણે માત્ર બંધ જ નહીં, પરંતુ જે કારખાના ચાલુ છે તે પણ બંધ થવાની તૈયારીમાં છે. આ સ્થિતિમાં સિરામિક ઉદ્યોગ ફરી ક્યારે ધમધમતો થશે તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ 24 કલાક કાર્યરત રહી દેશ-વિદેશમાં સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન અને નિકાસ કરે છે. જોકે, 23 ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને 28 ફેબ્રુઆરીએ દુબઈ પોર્ટ પર થયેલા હુમલા બાદ પરિસ્થિતિ બદલાઈ છે. આ ઘટનાક્રમ બાદ જીસીસી (GCC) દેશોમાં મોરબીની સિરામિક ટાઇલ્સના કન્ટેનરોની અવરજવર બંધ થઈ ગઈ છે. પરિણામે, મુંદ્રા અને કંડલા પોર્ટ તેમજ દરિયાઈ માર્ગેથી 1500 જેટલા સિરામિક ટાઇલ્સ ભરેલા કન્ટેનરો પાછા ફર્યા છે. આના કારણે દરેક સિરામિક કારખાનેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. બંધ પડેલા સિરામિક કારખાનાઓમાં કેટલીક જગ્યાએ મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે, જ્યારે મોટાભાગના સ્થળોએ કોઈ કામ ન હોવાથી કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો સમય પસાર કરવા ક્રિકેટ રમી રહ્યા છે. આ દ્રશ્યો દર્શાવતા વીડિયો હાલમાં વાયરલ થયા છે. આ સ્થિતિમાં ઉદ્યોગકારો સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે: ગેસના અભાવે બંધ થયેલા કારખાનાઓ ફરી ક્યારે શરૂ થશે? જ્યારે શરૂ થશે ત્યારે ગેસ વર્તમાન ભાવે મળશે કે બમણા ભાવે? જો ગેસના ભાવ બમણા થશે તો સિરામિક ઉદ્યોગકારો બજારમાં ટકી શકશે કે કેમ? આવા અનેક અનિશ્ચિત પ્રશ્નોને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં ભારે મૂંઝવણમાં મુકાયો છે.
નવાપરા વિસ્તારમાં ઈદની મોડી રાત્રે ફાયરિંગ:જૂની અદાવત કારણભૂત, પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ઈદની મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે. 18માં રોઝાના દિવસે થયેલી માથાકૂટનો ખાર રાખી ગતરાત્રિએ બંને જૂથ આમને સામને આવી જતા બે રાઉન્ડ ફાયર કરાયા હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. નિલમબાગ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ( આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ)
વેરાવળ હત્યા-લૂંટ, આરોપીને કોર્ટે આજીવન કેદ ફટકારી:પોલીસે મજબૂત પુરાવા રજૂ કરી ગુનો સાબિત કર્યો
ગીર સોમનાથ જિલ્લામાં બનેલા ચકચારી હત્યા અને લૂંટના કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ, વૈજ્ઞાનિક પુરાવાઓ અને મજબૂત દલીલોના આધારે આ કેસ સાબિત કર્યો હતો. આ ગુનો 13 ડિસેમ્બર 2019ના રોજ નોંધાયો હતો. આરોપી સંજયભાઈ ધનજીભાઈ બારિયાએ ભોગ બનનારને પોતાની મારૂતિ સુઝુકી અર્ટીગા કારમાં બેસાડી વેરાવળના સાંઈબાબા મંદિર પાસેથી દરિયાકાંઠા તરફ લઈ ગયો હતો. ત્યાં કારની અંદર જ તકિયા વડે શ્વાસ રોકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ મૃતકના શરીર પરથી આશરે 10 તોલા સોનાના દાગીના લૂંટી લીધા હતા. ત્યારબાદ મૃતદેહને બોરીમાં ભરી સોમનાથ હાઇવે નજીક ઝાંખરાવાળી પડતર જગ્યામાં ફેંકી દીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વેરાવળ સીટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. વાઘેલા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ, સાક્ષીઓના નિવેદન અને સ્થળ પરના પુરાવાઓના આધારે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ પુરાવાઓ એકત્રિત કરીને 28 ફેબ્રુઆરી 2020ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સરકારી વકીલ કે.ડી. વાળા અને જે.ડી. પાઠકે કોર્ટમાં અસરકારક દલીલો કરી, જેમાં સાક્ષીઓ, ફોરેન્સિક પુરાવા અને તપાસના તથ્યો રજૂ કરાયા હતા. આ દલીલો અને પુરાવાના આધારે વેરાવળ સેશન્સ કોર્ટે આરોપીને ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 302 (હત્યા) અને 392 (લૂંટ) હેઠળ આજીવન કેદની સજા ફટકારી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર તપાસ પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કેસ ગીર સોમનાથ પોલીસ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે, જે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
બોટાદથી ગઢડા 25 કિમી સ્કેટિંગ મેરેથોન યોજાઈ:પોલીસ પેટ્રોલિંગ સાથે ગોપીનાથજી મંદિરે સમાપન થયું
બોટાદ જિલ્લામાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે પાયોનિયર એકેડેમી બોટાદ દ્વારા 25 કિલોમીટર લાંબી સ્કેટિંગ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન બોટાદથી શરૂ થઈને ગઢડાના ગોપીનાથજી મંદિરે સમાપ્ત થઈ હતી. આ મેરેથોનનું પ્રસ્થાન વહેલી સવારે બોટાદથી કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્કેટર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્કેટર્સે 25 કિલોમીટરનું અંતર કાપી ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી મંદિરે પહોંચીને મેરેથોન પૂર્ણ કરી હતી. સમગ્ર મેરેથોન દરમિયાન બોટાદ અને ગઢડા પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મેરેથોન પૂર્ણ થયા બાદ વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રકારની સ્પર્ધાઓ યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધારી સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા આપે છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઉમિયાધામ દ્વારા રાજકોટના ઇશ્વરીયા ગામે આજે 22 માર્ચના કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયુ છે. અહીં રૂ.125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. જેમાં મુખ્ય વક્તા તરીકે ભાજપના લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉમિયાધામના ટ્રસ્ટી જેરામ વાંસજાળીયા, કડવા પાટીદાર સમાજના મૌલેશ ઉકાણી, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, નિલેશ ધૂલેશિયા, ચીમન સાપરિયા સહિતના આગેવાનો જોડાયા હતા. રાજકોટના ઇશ્વરીયા ગામમાં શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્ત પ્રસંગે પરંપરા અને પરિવર્તન વિષય પર સામાજિક સંમેલન યોજાયુ હતુ. જેમાં મુખ્ય વક્તા તરીકે પરસોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સિદસર ઉમિયાધામ દ્વારા રાજકોટના ઇશ્વરીયામાં સામાજિક સંમેલન યોજાયુ હતુ. જેમાં કયા કયા સામાજિક સુધારાઓની જરૂર છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અમદાવાદમાં કાંકરિયા પરિસર અમદાવાદીઓ અને બહારથી આવનારા મુલાકાતીઓ માટે ફરવાનું સ્થળ છે. ત્યારે રમજાન ઈદના દિવસે કાંકરિયા પરિસરમાં ચાલતી ટોય ટ્રેનમાં એક દુર્ઘટના થતાં રહી હતી. ચાલુ ટ્રેનમાં કેટલાક લોકો ચડવા ગયા હતાં. જેમાં એક સગીર બાળક નીચે પડ્યો હતો. જોકે સદનસીબે બાજુના ભાગે પડ્યો હોવાના કારણે ટ્રેનની નીચે ન આવતા તેને ઈજા થઈ નહોતી, જોકે નાના બાળકોથી લઇ અને મોટા યુવકો ચાલુ ટ્રેનમાં ચઢી અને ઉભા રહેતા હતાં. આખી ટ્રેન લોકોથી ભરેલી હોવા છતાં પણ લોકો ટ્રેન ઉપર ચડી જતા હતા તેમજ નીચે ઉતરી જતા હતાં. ભીડમાં ચાલુ ટ્રેને લોકો ચડતાં જોવા મળ્યાંચાલુ ટ્રેનમાં ચડવા અને ઉતરવાના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. સમગ્ર મામલે કાંકરિયા પરિસર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે. કાંકરિયા પરિસરનો હવાલો સંભાળતા HOD પંકજ ભૂતે જણાવ્યું હતું કે, આ મામલે અમે તપાસ કરીશું અને હવેથી જો મોટા તહેવારો આવે અને ખૂબ ભીડ હોય ત્યારે ટ્રેનના દરેક ડબ્બામાં પણ એક વ્યક્તિ મુકીશું જેથી કોઈ ઘટના બને નહીં. ટ્રેનમાં સિક્યુરિટી મૂકાયા છતાં બેદરકારીકાંકરિયાના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, ખૂબ વધારે ભીડ હોવાના કારણે લોકો ચાલુ ટ્રેનમાં આ રીતે ચડે છે અને ખૂબ ધીમી ગતિએ ટ્રેન ચાલતી હોવાના કારણે ચાલુ ટ્રેનમાં ચડવા ઉતરવાનો પ્રયાસ કરે છે. ટ્રેનમાં સિક્યુરિટી મૂકવામાં આવેલી જ છે પરંતુ કેટલાક લોકો આ પ્રમાણે વર્તન કરતા હોય છે. કાંકરિયામાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડઅમદાવાદનું કાંકરિયા પરિસર ફરવા માટેનું સ્થળ છે જ્યાં સૌથી વધારે લોકો આવતા હોય છે રજાના દિવસોમાં પણ લોકોની ભીડ વધુ રહેતી હોય છે. ત્યારે ગઈકાલે 21 માર્ચના રોજ રમજાન ઈદનો તહેવાર હોવાના કારણે કાંકરિયામાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. જોકે કાંકરિયા પરિસરમાં ચાલતી ટોય ટ્રેનમાં એક દુર્ઘટના થતા રહી ગઈ હતી. ચાલુ ટ્રેનમાં ચડવા ગયો ને નીચે પડી ગયોગઈકાલે (21 માર્ચ) સવારથી જ મોટી સંખ્યામાં લોકો કાંકરિયા પરિસરમાં તહેવાર હોવાના કારણે આવ્યા હતા. કાંકરીયા ફરવા માટે આવેલા નાના બાળકોથી લઇ અને મોટા યુવકો દ્વારા ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રેનમાં ઉપર ચઢી અને નીચે ઉતરવાની મજા લેતા હતા, જોકે એક બાળક માટે આ મજા સજા બની જતી ઘટના બની હતી. ચાલુ ટ્રેનમાં ચડવા જતો હતો પરંતુ તે નીચે પડી ગયો હતો. મજાક મસ્તી સજા બની જાય એવા દ્રશ્યો નાના બાળકોની અને યુવકોની આવી મજાક મસ્તી ક્યારે તેમના માટે સજા બની જાય એવા દ્રશ્યો વીડિયોમાં જોવા મળ્યા હતાં. નાના બાળકો ચાલુ ટ્રેનમાં ઉપર ચડી રહ્યા હતા અને ઉતરી રહ્યા હતા ટ્રેનમાં મફતમાં ઉપર ચડવા અને નીચે ઉતારવા જેવી સ્થિતિ જોવા મળી હતી. જો કે કાંકરિયા પરિસરની સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ પ્રમાણે મજાક મસ્તી કરનારા લોકોને રોકવામાં પણ ન આવ્યા હોવાની ચર્ચા છે. કાંકરિયાના તંત્રની બેદરકારી, સિક્યુરિટી ગાર્ડ આ જોતા નહીં હોય?જે લોકો કાંકરિયા પરિસરમાં ફરવા માટે આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે પણ સિક્યુરિટી હોવી જરૂરી છે કોઈ દુર્ઘટના ન ઘટે તેના માટે આવા સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવે છે. પરંતુ સિક્યુરિટી ગાર્ડની ધ્યાન ન રાખતા હોવાના કારણે ચાલુ ટ્રેનમાં ચડવા અને ઉતરવા જેવી ઘટનામાં દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ રમજાન ઇદના દિવસે જોવા મળી છે. મોજ મસ્તીના કારણે પોતાનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિમાતા પિતા પોતાના સગીર બાળકોને ફરવા માટે એકલા પણ મોકલી દેતા હોય છે ત્યારે સગીર દ્વારા મોજ મસ્તીના કારણે પોતાનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ પણ ક્યારેક સર્જાઈ જતી હોય છે. જેથી માતા-પિતા જ્યારે પોતાના બાળકોને બહાર એકલા ફરવા માટે મોકલતા હોય છે ત્યારે આવા બાળકોને એકલા મોકલવા પણ હવે જોખમરૂપ સાબિત થઈ શકે છે. કાંકરિયા પરિસરમાં જે પ્રમાણે સગીર અને બાળકો દ્વારા ચાલુ ટ્રેનમાં મસ્તી કરવામાં આવી છે ત્યારે માતા પિતાએ પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે.
પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ખાતે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનો પ્રારંભ લક્ષ્મણદાસબાપુની શુભ નિશ્રામાં થયો હતો. પાળિયાદ મહાજન પાંજરાપોળ ગૌશાળા ટ્રસ્ટના પટાંગણમાં પ્રેરક પરિવાર દ્વારા આ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે. ઉનાળાની ગરમીમાં રાહત આપવા માટે આ સેવાભાવી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લક્ષ્મણદાસબાપુએ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના અબોલ પશુઓ માટે ઘાસચારા અર્થે રૂ. 11,100નું દાન અર્પણ કર્યું હતું. આ શુભારંભ કાર્યક્રમમાં પાળિયાદ મહાજન પાંજરાપોળના સેવાભાવી કાર્યકરો અને પૂજ્ય બાપુના સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રેરક પરિવારના આ કાર્યને બિરદાવ્યું હતું.
મધ્ય પૂર્વના દેશમાં યુદ્ધની સ્થિતિની વચ્ચે ગેસની અછત સર્જાઈ છે, ત્યારે આનંદનગરમાં ગેસ એજન્સીનો કર્મચારી ખાલી ગેસની બોટલમાં ભરેલી ગેસની બોટલમાંથી ગેસ ભરતો ઝડપાયો છે. આ કર્મચારી પાસેથી 65 ગેસની બોટલો પણ મળી આવી છે જે ખાલી બોટલમાં ગેસ ભરીને બ્લેકમાં વેચતો હતો.આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવક પાસેથી 55 ડોમેસ્ટિક અને 10 કોમર્શિયલ ગેસની બોટલ મળીઆનંદનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે વ્રજનગરી ઔડા આવાસ યોજનામાં બે લોડીંગ રિક્ષા રાખીને ગેસની બોટલમાંથી ગેસની હેરફેર કરતો મહેશ ચૌહાણ નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. મહેશ ચૌહાણ પાસેથી 55 ડોમેસ્ટિક ગેસની બોટલ અને 10 કોમર્શિયલ ગેસની બોટલ મળી આવી હતી. મહેશ સાથે અન્ય 3 શ્રમિકો પણ મળી આવ્યા હતા. ગેસની બોટલ વધુ ભાવમાં કાળાબજારી કરીને વેચતોપોલીસે મહેશની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તે ગેસ એજન્સીમાં નોકરી કરે છે. મહેશ ઔડાના મકાન પાસે ભરેલી ગેસની બોટલમાંથી ખાલી બોટલમાં ગેસ ભરતો હતો. આ ગેસની બોટલ તે બજાર કરતા વધુ ભાવમાં કાળાબજારી કરીને વેચતો પણ હતો. આનંદનગર પોલીસે મહેશ સામે ગુનો નોંધી 65 ગેસની બોટલ, વજન કાંટો, લોડીંગ રિક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
રાજકોટના કાલાવડ રોડ પરની પરિશ્રમ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી રસ્તાની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંતે થાકી હારીને, સત્તાધીશો અને રાજકીય નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે ગઈકાલે રાત્રે સોસાયટીના રહીશોએ ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. જેમાં સોસાયટીનાં લોકોએ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ રે... સહિતનાં ભજનો ગાઈ નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે અનોખો પ્રયાસ કર્યો હતો. તેમજ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ ન આવે તો આગામી ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. વિકાસના દાવાઓ વચ્ચે રસ્તાની બદતર હાલત સોસાયટીના રહીશ ઉપાસનાબા ઝાલાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી તેઓ અહીં રહે છે, પરંતુ અત્યાર સુધી પાયાની સુવિધાઓ જેવી કે સારા રસ્તા અને સ્ટ્રીટ લાઈટનો અભાવ જોવા મળ્યો છે. સોસાયટીના પ્રમુખ નિલેશભાઈ અને ભાનુબેનના સતત પ્રયત્નોથી તાજેતરમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા મળી છે, પરંતુ રસ્તાની હાલત હજુ પણ અત્યંત દયનીય છે.રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહન ચલાવવું તો દૂર, ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને મહિલાઓ જ્યારે ટુ-વ્હીલર પર પસાર થાય છે, ત્યારે રસ્તાની ખરાબ હાલત જોઈને ફાળ પડે છે કે હમણાં પડી જવાશે. રાત્રિના સમયે અંધારામાં અને ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવું જોખમી સાબિત થઈ રહ્યું છે. પરિવહન સુવિધાનો અભાવ અને રહીશોની હાડમારીરસ્તાની ખરાબ હાલતની અસર સીધી રીતે પરિવહન સુવિધા પર પણ પડી રહી છે. અહીં સિટી બસની સુવિધા તો છે, પરંતુ બસ સોસાયટી પાસે માત્ર 2 મિનિટ જ ઉભી રહે છે અને તરત જ જતી રહે છે. સોસાયટીથી મેઈન રોડ સુધી પહોંચવામાં જ 10 મિનિટ જેટલો સમય લાગે છે, જેના કારણે રહીશો વારંવાર બસ ચૂકી જાય છે. બસને ઓછામાં ઓછી 5 મિનિટનો સ્ટોપેજ આપવામાં આવે જેથી વૃદ્ધો અને બાળકો સરળતાથી બસ પકડી શકે તે માટે તંત્રને વિનંતી છે. પરિશ્રમ સોસાયટીના પ્રમુખ નિલેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, સોસાયટીને જોડતા 150 ફૂટ રિંગ રોડ અને કાલાવડ રોડ તરફ જતાં બંને રસ્તાઓની હાલત છેલ્લા 4 વર્ષથી અત્યંત દયનીય છે. આ અંગે કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદ સુધી લેખિત - મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ખરાબ રસ્તાઓને કારણે ચોમાસામાં અકસ્માતોનું પ્રમાણ વધી જાય છે. રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે ઈમરજન્સીના સમયે હોસ્પિટલ પહોંચવું પણ મુશ્કેલ બને છે. વધુમાં તેમણે જણાવ્યું કે, તાજેતરમાં સ્ટ્રીટ લાઈટના ઉદ્ઘાટન સમયે મંત્રી ભાનુબેન બાબરીયાને પણ આ સમસ્યા અંગે રૂબરૂ નિરીક્ષણ કરવા વિનંતી કરી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. જેને લઈને આજે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં 5 વર્ષના બાળકોથી લઈને 70 વર્ષના વૃદ્ધો સહિત 250 કરતા વધારે રહીશો સ્વયંભૂ જોડાયા હતા. જો આગામી સમયમાં રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે, તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન સુધી આ બાબતે રજૂઆત કરવામાં આવશે. કેમ યોજી રામધૂન?સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તેઓએ સ્થાનિક નેતાઓ અને તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ પરિણામ 'શૂન્ય' આવ્યું છે. કોઈ પણ નેતા કે અધિકારી આ વિસ્તારની મુલાકાત લેવા કે સમસ્યા સાંભળવા આવતા નથી. જ્યારે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા ત્યારે રહીશોએ નક્કી કર્યું કે હવે ભગવાન જ આ સત્તાધીશોને સદબુદ્ધિ આપી શકે છે. આ હેતુથી મોટી સંખ્યામાં સોસાયટીની મહિલાઓ, પુરુષો અને બાળકો એકઠા થયા હતા અને રામધૂન બોલાવી હતી. રહીશોનો સુર હતો કે, જાગો તંત્ર જાગો! રસ્તા આપો અથવા રામ ભજો! આ અનોખા વિરોધ દ્વારા તેઓ તંત્રનું ધ્યાન ખેંચવા માંગે છે. તંત્ર પાસે રહીશોની મુખ્ય માંગણીઓ: * 1.5 કિલોમીટરના મુખ્ય એપ્રોચ રોડનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે. * ચોમાસા પહેલા રસ્તાઓનું પેચવર્ક અથવા નવો ડામર રોડ બનાવવામાં આવે. * સિટી બસના સ્ટોપેજ સમયમાં વધારો કરવામાં આવે. * સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈને રહીશોની સુરક્ષાની ખાતરી આપે. ઉલ્લેખનીય છે કે, પરિશ્રમ સોસાયટીના લોકોએ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે, તો તેઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા અથવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ મજબૂર બનશે. અત્યારે તો આ 'રામધૂન' એ તંત્ર માટે લાલબત્તી સમાન છે. હવે જોવાનું એ રહેશે કે ભક્તિના આ માર્ગ પછી તંત્ર જાગે છે કે કેમ. આગામી ચૂંટણીનો પ્રચાર કરવા આવનારા તમામ નેતાઓને પણ અહીં લોકોના રોષનો સામનો કરવો પડશે તેવું લાગી રહ્યું છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે રાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. નશામાં ધૂત બે નશેડીઓએ પોલીસ અધિકારી સાથે જ ઝપાઝપી કરી હોબાળો મચાવ્યો હતો. અઠવા પોલીસના ASI પર હુમલો કરવાનો પ્રયાસ કરી ગાળાગાળી કરતા આખરે ખટોદરા પોલીસે બંનેની અટકાયત કરી છે. નશાની હાલતમાં પોલીસ સાથે આવી ગાળાગાળી કરવા લાગ્યાસિવિલના પીએમ રૂમ પાસે ફરજ પર તહેનાત અઠવા પોલીસ મથકના ASI જયંતિભાઈ જ્યારે પોતાની ડ્યુટી કરી રહ્યા હતા, ત્યારે સિવિલના જ પૂર્વ વોર્ડબોય ચેતન પટેલ અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલક જાવેદ નશાની હાલતમાં ત્યાં આવી ચઢ્યા હતા. કોઈ બાબતે બોલાચાલી બાદ બંનેએ પોલીસનો ખોફ ભૂલીને ASI સાથે ગાળાગાળી શરૂ કરી હતી. ASIએ એકને દબોચ્યો તો બીજાએ હુમલો કર્યોઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, મામલો એટલો બિચક્યો હતો કે નશેડીઓએ ASI જયંતિભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી હતી. ASIએ હિંમત દાખવી એક નશેડીને દબોચી રાખ્યો હતો. તે સમયે બીજા નશેડીએ ASIને છોડાવવા માટે તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. સિવિલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીની વર્ધી પર હાથ નાખતા ચકચાર મચી ગઈ હતી. ખટોદરા પોલીસે બંને નશેડીઓને લઈ જઈ જેલ હવાલે કર્યાપોતાની સાથે થઈ રહેલી ઝપાઝપી વચ્ચે ASI જયંતિભાઈએ તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરી હતી. મેસેજ મળતા જ પીસીઆર વાન અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નશામાં ધૂત બંને શખ્સોને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન ભેગા કર્યા હતા. હોસ્પિટલ પરિસરમાં આ પ્રકારે પોલીસ સાથે બાથ ભીડતા તત્વો સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે.
અમલસાડી ચીકુની સિઝન શરૂ, પ્રથમ ટ્રેન દિલ્હી રવાના:35,000 બોક્સ સાથે ઉત્તર ભારતના બજારોમાં પહોંચશે
ગણદેવી તાલુકાના વિખ્યાત અમલસાડી ચીકુની સિઝનનો પ્રારંભ થયો છે. તહેવારોની સિઝન વચ્ચે પરિવહનની સમસ્યાને પહોંચી વળવા અમલસાડ મંડળી દ્વારા ચીકુનો જથ્થો ટ્રેન મારફતે દિલ્હી મોકલવામાં આવ્યો છે. આશરે 35,000 બોક્સ સાથેની સિઝનની આ પ્રથમ ટ્રેન આજે વહેલી સવારે 3 વાગ્યે દિલ્હી જવા રવાના થઈ હતી. સામાન્ય રીતે ચીકુનું પરિવહન રોડ માર્ગે થતું હોય છે, પરંતુ તહેવારોના કારણે ટ્રકોની અછત સર્જાઈ છે. આથી, રેલવેનો સહારો લેવામાં આવ્યો છે. આ ટ્રેન મારફતે અંદાજિત 80,000 મણ ચીકુ માત્ર 35 કલાકમાં દિલ્હી પહોંચાડવામાં આવશે. આ ઝડપી પરિવહનથી ચીકુની તાજગી જળવાઈ રહેશે, જે ઉત્તર ભારતના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ છે. નવસારીના અમલસાડી ચીકુ તેની વિશિષ્ટ મીઠાશ અને મોટા કદ માટે દેશભરમાં જાણીતા છે. ખાસ કરીને દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા ઉત્તર ભારતના રાજ્યોમાં તેની ભારે માંગ રહે છે. આ વર્ષે ચીકુનો પાક મબલખ થયો છે અને બજાર ભાવ પણ સારા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અમલસાડ મંડળીના પ્રમુખ નિમેશ વશીએ જણાવ્યું હતું કે, અત્યારે ઈદના તહેવારને કારણે ટ્રકો મળતી નથી, તેવા સંજોગોમાં માલ પહોંચાડવો મુશ્કેલ છે. ટ્રેન દ્વારા માલ મોકલવાથી સારી રીતે પહોંચાડી શકાશે. ગરમી હોવાથી ટ્રક કરતાં ટ્રેનમાં માલ વધુ સુરક્ષિત રહેશે અને ભાવો પણ જળવાઈ રહેશે. ચીકુની આવક સતત વધી રહી હોવાથી, મંડળી દ્વારા આજે અને સોમવારે પણ ટ્રેન મારફતે વધુ જથ્થો મોકલવાનું આયોજન કરાયું છે.
કાલાવડમાં ખોડલધામ રથયાત્રાનો પ્રારંભ:કેન્સર હોસ્પિટલ માટે 22 ગામોમાં 5દિવસ ભ્રમણ કરશે
જામનગરના કાલાવડ તાલુકામાં ખોડલધામ રથયાત્રાનો પ્રારંભ થયો છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને ખોડલધામ સમિતિ-કાલાવડ દ્વારા આયોજિત આ રથયાત્રા 21થી 25 માર્ચ સુધી તાલુકાના પશ્ચિમ ઝોનના ૨૨ ગામોમાં ભ્રમણ કરશે. તેનો મુખ્ય હેતુ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના લાભાર્થે લોકસંગ્રહ કરવાનો છે. આ રથયાત્રા સામાજિક જવાબદારી અને ધાર્મિક આસ્થાના સમન્વય સાથે આયોજિત કરવામાં આવી છે. એકત્રિત થનારી સહાય કેન્સર હોસ્પિટલના નિર્માણ અને દર્દીઓની સેવા માટે ઉપયોગમાં લેવાશે, જે તેને માનવસેવાના યજ્ઞ સમાન બનાવે છે. પાંચ દિવસીય આ રથયાત્રા દરમિયાન વિવિધ ગામોમાં મા ખોડલના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રથયાત્રાનો વિગતવાર રૂટ અને રાત્રિ રોકાણ નીચે મુજબ છે. 21 માર્ચના રોજ સાંજે ૫ વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને તેનું પ્રથમ રાત્રિ રોકાણ નાની વાવડી ખાતે થયું હતું. ૨૨ માર્ચના રોજ રથ નાની વાવડીથી નીકળી લક્ષ્મીપુર, મોટી ભગેડી, નાની ભગેડી, દાવલી અને મોરવાડી થઈ લાલોઈ ખાતે રાત્રિ રોકાણ કરશે. 23 માર્ચના રોજ લાલોઈથી ચેલાબેડી, રામપર, રવેશિયા, નાની ભલસાણ થઈ બેરાજા ખાતે રાત્રિ રોકાણ થશે. 24માર્ચના રોજ રથ બેરાજાથી સરાપાદર, બાંગા, કૃષ્ણપુર, ગોલણીયા અને નાગપુર થઈ ખાનકોટડા ખાતે રોકાશે. રથયાત્રાના અંતિમ દિવસે, ૨૫ માર્ચના રોજ, રથ ખાનકોટડાથી મોટી માટલી અને ખંઢેરા થઈ બાદનપર ખાતે પહોંચશે, જ્યાં રથયાત્રાનું સમાપન થશે.
સુરત શહેરમાંથી નશાના કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલા 'નો ડ્રગ્સ ઈન સુરત સિટી' અભિયાનને સફળતા મળી છે. પુણા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને અફીણના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મકાનમાં અફીણનું વેચાણ થઈ રહ્યું હોવાની પોલીસને બાતમી મળી સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સર્વેલન્સ સ્ટાફ સતત કાર્યરત હતો. આ દરમિયાન અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે, પુણાગામમાં આવેલી સીતારામ સોસાયટી વિભાગ-2, ઘાંચી સમાજની વાડી પાસેના એક મકાનમાં અફીણનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે અફીણના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યોપોલીસે મળેલી બાતમીના આધારે, સીતારામ સોસાયટીના ઘર નં. 517ના ત્રીજા માળે દરોડો પાડ્યો હતો. ત્યાંથી રેવન્તસિંહ રાયસિંહ રાઠોડ (ઉં.વ. 24) નામનો ઈસમ મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી 92 ગ્રામ અફીણ (ઘેરા બદામી કલરના ગાંગડા સ્વરૂપમાં), જેની અંદાજિત કિંમત રૂ. 27,600 છે. એક નંગ મોબાઈલ ફોન (કિં. રૂ. 3,000), આધાર કાર્ડ અને પાન કાર્ડ કુલ મળીને રૂ. 30,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલો આરોપી રેવન્તસિંહ મૂળ રાજસ્થાનના બીકાનેર જિલ્લાના ખાજુવાલા તાલુકાના રાવત આબાદી ગામનો વતની છે અને હાલ પુણામાં સુથારીકામ કરતો હતો. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(સી), 18(સી) અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કબજે કરેલા નશીલા પદાર્થને પરીક્ષણ માટે ગાંધીનગર સ્થિત FSL ખાતે મોકલવામાં આવ્યો હતો. લેબોરેટરીના રિપોર્ટમાં આ પદાર્થ અફીણ હોવાની સત્તાવાર પુષ્ટિ થયા બાદ પોલીસે ધરપકડ અને ગુનો નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
વલસાડમાં ભાનુશાલી સમાજ દ્વારા ત્રિવેણી મહોત્સવ:CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ઓધવ ભવન’નું લોકાર્પણ
વલસાડની ધરા પર આગામી 22 માર્ચના રોજ ભાનુશાલી સમાજ દ્વારા એક ઐતિહાસિક પ્રસંગ ઉજવાવા જઈ રહ્યો છે. ધરમપુર ચોકડી પાસે નવનિર્મિત ‘ઓધવ ભવન’નું લોકાર્પણ અને પરમ પૂજ્ય વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી ભવનનું લોકાર્પણ કર્યુ. 19 થી 25 માર્ચ દરમિયાન ભવ્ય આયોજનશ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ, વલસાડ દ્વારા આયોજિત આ મહોત્સવમાં સાત દિવસીય શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ પરથી શરદભાઈ વ્યાસ (દાદા) કથામૃતનું પાન કરાવી રહ્યા છે. સમગ્ર મહોત્સવ પૂજ્ય સંત હરિદાસજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ યોજાશે રાજકીય મહાનુભાવોની હાજરીલોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપ પ્રદેશ સંગઠનના મહાનુભાવો પણ હાજર રહેશે. ભાનુશાલી સમાજના આધુનિક સુવિધાયુક્ત ભવનના નિર્માણથી વલસાડ અને દક્ષિણ ગુજરાતના સમાજ શ્રેષ્ઠીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉનાળામાં ગરમીના ધોમ ધખતાં તાપમાં બપોરે વાહનચાલકો અને ટ્રાફિક સિગ્નલ પર બે મિનિટ સુધી રહેવું પડે છે, ત્યારે ગરમીનો સામનો કરવો પડે છે ત્યારે વાહનચાલકોને ગરમીની આડઅસર ન થાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સૌથી વધારે ટ્રાફિક અને બપોરના સમયે ચાલુ રાખવા પડે એવા ટ્રાફિક સિગ્નલો ઉપર ટુ વ્હીલર ચાલકો માટે નેટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રેડાઈ અને અન્ય સંસ્થાના સહયોગથી આ નેટ લગાવવામાં આવી છે. લાલદરવાજા વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તા પાસે પ્રાથમિક ધોરણે અત્યારે નેટ લગાવવામાં આવી છે. 24 ટ્રાફિક સિગ્નલો પરના મુખ્ય ચાર રસ્તાઓ ઉપર નેટ લગાવવાથી વાહન ચાલકોને બપોરના સમયે ઓછી ગરમી લાગશે. 10થી 12 જેટલા ટ્રાફિક જંકશનનો ઉપર હજી નેટ લગાવાશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે ટુ વ્હીલર ચાલકોને ગરમીના સમયમાં ચાર રસ્તા ઉપર વધારે સમય ઊભું રહેવું પડે છે જેને લઈને ગરમીની આડઅસર થવાની શક્યતાઓ છે. સૌથી વધારે ટ્રાફિક જે ચાર રસ્તા ઉપર આવેલા છે તેમને આઇડેન્ટીફાય કરીને આવા ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવી રહી છે. ક્રેડાઈ અને અન્ય સંસ્થાઓના સહયોગથી લગાવવામાં આવી રહી છે. 10થી 12 જેટલા ટ્રાફિક જંકશનનો ઉપર હજી નેટ લગાવવામાં આવશે. ચાર રસ્તાઓ પર જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહે ત્યાં લગાવાશેશહેરના શિવરંજની ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તા, અંજલી ચાર રસ્તા, પાલડી ચાર રસ્તા જેવા અલગ અલગ મુખ્ય ચાર રસ્તાઓ પર જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહે છે અને બપોરના સમયે ટ્રાફિક જંકશનનો ચાલુ હોય છે ત્યાં લગાવવામાં આવશે. 78 જેટલા ટ્રાફિક સિગ્નલો પર ઓછો ટ્રાફિક શહેરમાં 291 જેટલા ટ્રાફિક સિગ્નલો આવેલા છે જેમાંથી 78 જેટલા ટ્રાફિક સિગ્નલો જ્યાં ઓછો ટ્રાફિક હોવાના પગલે તેને બપોરે 12થી 4 વાગ્યા સુધી બ્લીન્કીંગ મોડ ઉપર રાખવામાં આવ્યા છે. જેથી ત્યાં વાહન ચાલકોને ગરમીનો સામનો નહીં કરવો પડે, પરંતુ જે ટ્રાફિક જંકશન ચાલુ છે ત્યાં ગરમી વાહન ચાલકોને ઓછી લાગે ત્યાં નેટ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 24 ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લાગશેજે ટ્રાફિક સિગ્નલો પર વધુ ટ્રાફિક થાય તેને ચાલુ રાખવા જરૂરી હોવાથી આવા ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ લગાવવા માટે CREDAI અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા 24 જેટલા ટ્રાફિક સિગ્નલો પર અત્યારે ગ્રીન નેટ લાગશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લામાં કુલ રૂ. 25.23 કરોડના 10 વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે તેઓ અમરેલી APMC ખાતે એક વિશાળ જનસભાને પણ સંબોધશે. આ વિકાસકાર્યો દ્વારા જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, ઊર્જા અને માર્ગ સુવિધાઓમાં વધારો થશે, જેનાથી નાગરિકોને વધુ સગવડો ઉપલબ્ધ બનશે. લોકાર્પણ થનારા કાર્યોમાં સહકાર વિભાગ (APMC) હસ્તક રૂ. 12 કરોડના ખર્ચે નિર્મિત 2 લાખ ચોરસ ફૂટના વિશાળ શેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના સાવરકુંડલાના ઢસેડીપરાથી ખોડિયાર મંદિર સુધી રૂ. 1.20 કરોડના ખર્ચે બનેલા રોડનું પણ લોકાર્પણ થશે. શિક્ષણ વિભાગ હેઠળ રૂ. 6.46 કરોડના પાંચ કામોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં કુકાવાવ ખાતે રૂ. 1.12 કરોડના ખર્ચે બનેલી મોંઘી બા કન્યા શાળા, લાઠી તાલુકાના ટોડા ખાતે રૂ. 1.09 કરોડના ખર્ચે બનેલી પ્રાથમિક શાળા, રાજુલા તાલુકાના ડોળિયા ખાતે રૂ. 1.06 કરોડના ખર્ચે બનેલી પ્રાથમિક શાળા, ધારીના છતડીયા ખાતે રૂ. 1.47 કરોડના ખર્ચે બનેલી માધ્યમિક શાળા અને સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ખાતે રૂ. 1.72 કરોડના ખર્ચે બનેલી માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ હસ્તક સાવરકુંડલા તાલુકાના આંબરડી મુકામે રૂ. 1.52 કરોડના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ થશે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ PGVCL દ્વારા અમરેલી વર્તુળ કચેરીની રૂ. 2.29 કરોડના ખર્ચે નવનિર્મિત બે વિભાગીય કચેરીઓ તથા રાજુલા શહેર અને રાજુલા ગ્રામ્ય વિભાગની રૂ. 1.73 કરોડના ખર્ચે નિર્મિત કચેરીઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ વિકાસકાર્યોના લોકાર્પણથી સ્થાનિક નાગરિકોને વધુ સારી અને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ પ્રોજેક્ટ્સ જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે તેવી અપેક્ષા છે.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી
Iran-Israel War Impact: ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું ત્યારે ઘરેલુ અને હોટલની ગુજરાતી થાળી મોંઘી થઈ ગઈ છે. સામાન્ય રીતે ગુજરાતીઓમાં અમુક પ્રસંગો કે તહેવારોમાં હોટલમાં જઈને ગુજરાતી થાળી આરોગવા જવાની એક રસમ છે. પરંતુ હાલમાં પ્રવર્તેલી એલપીજીની અછતને કારણે ગુજરાતી થાળી પર અંદાજિત વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે ઘણી હોટલો અને રેસ્ટોરન્ટોએ હાલમાં લાગુ કર્યો છે. ગુજરાતી થાળીનો ખર્ચ
ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરના પુત્ર અને ધોડીપાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ વિલાસભાઈ પાટકરનું શનિવારે અવસાન થયું છે. આ સમાચાર મળતા જ સમગ્ર વલસાડ જિલ્લા સહિત ઉમરગામ પંથકમાં શોક વ્યાપી ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રવિવારે સવારે 8:00 કલાકે ધોડીપાડા ખાતે ધારાસભ્યના નિવાસ્થાને પહોંચી પરિવારને સાંત્વના પાઠવશે. માત્ર 50 વર્ષની વયે અવસાન પામેલા વિલાસભાઈ પાટકર વિસ્તારમાં લોકપ્રિય અને સેવાભાવી વ્યક્તિત્વ તરીકે જાણીતા હતા. તેમણે 12 પાસ સુધીનો અભ્યાસ કર્યો હતો અને નાની ઉંમરથી જ પિતાના પગલે ચાલીને સમાજસેવાને જીવનનો મંત્ર બનાવ્યો હતો. વર્ષ 2008 થી 2014 દરમિયાન તેમણે ધોડીપાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગામના વિકાસમાં પાયાનું યોગદાન આપ્યું હતું. તેઓ તાલુકા પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. તેમના મિલનસાર સ્વભાવ અને ગરીબોને મદદ કરવાની વૃત્તિને કારણે તેઓ લોકહૈયે વસેલા હતા. તેમના પરિવારમાં પત્ની, બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમનને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ અને સ્થાનિક હોદ્દેદારોને પણ સમયસર ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
પાટણ-ઊંઝા રોડ પર ખોડાભા હોલ પાસે 10 લાખ રૂપિયાની જૂની લેતીદેતીના મામલે એક અરટીકા ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. ચાર ગાડીઓના કાફલાએ અરટીકાને ઘેરીને લોખંડની પાઇપો વડે તોડફોડ કરી હતી, જેમાં અંદાજે 40,000 રૂપિયાનું નુકસાન થયું હતું. ફરિયાદી જાહાજી ઉર્ફે જહુભા ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મિત્ર જીતુભા બળવંતજી રાઠોડ (રહે. મુડેઠા, ડીસા) એ આશરે 12 મહિના પહેલા ભાવેશ દેસાઈના નામે કોઈ પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા. આ નાણાકીય લેતીદેતીને કારણે બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.7 માર્ચ, 2026 ના રોજ સાંજે જહુભા અને જીતુભા પોતાની અરટીકા ગાડી (નંબર GJ-02-DP-9995) માં પાટણથી માંડોત્રી ફાર્મ હાઉસ જઈ રહ્યા હતા. ખોડાભા હોલ પાસે નંબર પ્લેટ વગરની ચાર કાળા કલરની ગાડીઓ આવી પહોંચી હતી. તેમાંથી ભાવેશ દેસાઈનો ભાઈ ભાર્ગવ દેસાઈ, અક્કી દેસાઈ, દેવું દેસાઈ અને અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સો લોખંડની પાઇપો સાથે ઉતર્યા હતા. આ ટોળાએ જીતુભાને માર મારવાના ઇરાદે ગાડી પર હુમલો કરીને તોડફોડ શરૂ કરી હતી. જીતુભાએ સમયસૂચકતા વાપરીને પોતાની ગાડી અન્ય ગાડીઓ સાથે અથડાવીને ત્યાંથી ભગાવી દીધી હતી અને માંડોત્રી ફાર્મ હાઉસ પહોંચ્યા હતા. હુમલાખોરોએ તેમનો પીછો કર્યો હતો, પરંતુ ફાર્મ પર અન્ય લોકો હાજર હોવાથી તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ ફરિયાદીએ ભાવેશ દેસાઈનો ફોન પર સંપર્ક કરતા, તેણે જીતુભાને મારવા માટે માણસો મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી. આ મામલે પાટણ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાવેશ દેસાઈ સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.
વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન એક રેલવે કર્મચારીને અચાનક વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં કર્મચારી ગૌતમ સોલંકીની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. ખલાસી તરીકે કામ કરતો કર્મચારી અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયોમળતી માહિતી અનુસાર, ગૌતમ સોલંકી ખલાસી તરીકે કામગીરી કરે છે અને તેઓ કરચિયા યાર્ડમાં પોતાની નિયમિત ડ્યુટી બજાવી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. ઘટના બનતાં જ તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે, પરંતુ તેઓ સેફ્ટી વગર કામ કરતા હતા કે કેમ તે તપાસ બાદ જાણવા મળશે. રેલવે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અંગે અનેક સવાલોઆ ઘટનાથી પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. હોસ્પિટલ પરિસરમાં પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને રેલવે વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. રેલવે સૂત્રોએ જણાવ્યું કે, આ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. કર્મચારીની સેફ્ટી અને વીજ કરંટ કઈ રીતે લાગ્યો તેની પૂરતી તપાસ કરવામાં આવશે. આ ઘટના રેલવે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અંગે ફરી એકવાર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ‘કર્મીને કરંટ લાગ્યો કે તે નીચે પટકાયો તે હજુ સ્પસ્ટ નથી’: PROઆ અંગે રેલવે PRO અનુભવ સક્સેનાએ જણાવ્યું હતું કે, ટેન્ક વેગન મેન્ટેનસ દરમિયાન કર્મીને વીજ કરંટ લાગ્યો કે તે નીચે પટકાયો તે હજુ સ્પસ્ટ થતું નથી, પરંતુ હાલમાં આ મામલે અમે તપાસ કરી રહ્યા છીયે. આ ઘટના મામલે પહેલા કર્મચારીને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. કરંટ લાગ્યો છે તે સંપૂર્ણ હાલ કહેવું મુશ્કેલ છે.
વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે આર્થિક અનિશ્ચિતતાનો માહોલ છે. જોકે, આ તમામ નકારાત્મકતા વચ્ચે પણ અમેરિકામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર મળી રહ્યા છે. અમેરિકામાં મોંઘવારી કે મંદીની કોઈ મોટી અસર દેખાતી નથી અને ભારતીય ઉદ્યોગસાહસિકોનો વેપાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ખાસ કરીને ભારતીય સમુદાય માને છે કે યુદ્ધ એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી; તેનાથી માત્ર માનવતાને નુકસાન થાય છે. આ જ કારણ છે કે શાંતિના પક્ષધર ભારતીયો આજે અમેરિકાના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. મોંઘવારીનો માર નહિવત: સામાન્ય જીવન યથાવતવૈશ્વિક સ્તરે યુદ્ધની અસરોને લીધે ચીજવસ્તુઓના ભાવ વધવાની આશંકાઓ સતત સેવાઈ રહી છે. આમ છતાં, અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોના મતે ત્યાં મોંઘવારીની કોઈ તોતિંગ અસર વર્તાતી નથી. ટેરિફમાં ફેરફાર કરવામાં આવ્યા હોવા છતાં જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો નથી. માત્ર ગેસના ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળે છે, જે ત્યાંની નિયમિત પ્રક્રિયાનો એક ભાગ છે. ભારતીય પરિવારો ત્યાં સંપૂર્ણપણે સુરક્ષિત અનુભવી રહ્યા છે અને તેમને દૈનિક જીવનમાં કોઈ વિશેષ તકલીફનો સામનો કરવો પડી રહ્યો નથી. ભારતીય બિઝનેસ માટે સોનેરી તકો: નિકાસમાં થશે વધારોઅમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય ઉદ્યોગસાહસિકો અત્યારે સુવર્ણકાળનો અનુભવ કરી રહ્યા છે. ત્યાંના બજારમાં ભારતીય વેપારીઓને કોઈ પણ પ્રકારની હેરાનગતિ વગર મુક્તપણે વેપાર કરવાની છૂટ મળી રહી છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત માટે નવી તકો ઊભી થઈ છે. આગામી સમયમાં ભારતનું એક્સપોર્ટ (નિકાસ) અમેરિકામાં નોંધપાત્ર રીતે વધશે. અમેરિકાના સ્થાનિક બજારોમાં ભારતીય ઉત્પાદનોની માંગમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે. 'મેડ ઈન ઈન્ડિયા' બ્રાન્ડનો વધતો ક્રેઝયોગી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વિદેશમાં ભારતીય વસ્તુઓની વિશ્વસનીયતા વધી છે. હવે વિદેશી ગ્રાહકો પણ 'મેડ ઈન ઈન્ડિયા' પ્રોડક્ટ્સ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. સ્થિતિ એવી છે કે અમેરિકાના સ્થાનિક દુકાનદારો પણ પોતાની દુકાનોમાં 30 થી 35 ટકા જેટલો ભારતીય સામાન રાખતા થયા છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ગ્લોબલ માર્કેટમાં ભારતની આર્થિક શક્તિ અને પ્રોડક્ટ ક્વોલિટીનો દબદબો વધી રહ્યો છે. મંદી માત્ર અફવા: વિઝા અને વિદ્યાર્થીઓની સ્થિતિઅમેરિકામાં રિશેશન (મંદી) હોવાની વાતો માત્ર અફવા સાબિત થઈ રહી છે. વાસ્તવમાં, અમેરિકા હજુ પણ એક ચોક્કસ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે. વિઝા પ્રક્રિયાની વાત કરીએ તો, H1B વિઝા માટે સરકાર તરફથી કોઈ વિશેષ ગેરંટી મળતી નથી, તેમ છતાં ત્યાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને કોઈ ગંભીર સમસ્યા નડતી નથી. ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ અમેરિકામાં પોતાની મજબૂત પકડ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. ટૂંકમાં, વૈશ્વિક પડકારો છતાં અમેરિકામાં વસતો ભારતીય સમુદાય માત્ર સુરક્ષિત જ નથી, પરંતુ આર્થિક રીતે વધુ સમૃદ્ધ બની રહ્યો છે. ભારતની વધતી જતી નિકાસ અને 'મેડ ઈન ઈન્ડિયા'નો વધતો વ્યાપ ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં એક મજબૂત ડગલું છે.
'112' હેલ્પલાઇને યુવાનનો જીવ બચાવ્યો:તાપી પોલીસે સમયસર પહોંચી આત્મહત્યા અટકાવી
ગુજરાત સરકારની '112' ઇમરજન્સી હેલ્પલાઇન અને તાપી જિલ્લાની વાલોડ પોલીસની સતર્કતાને કારણે એક યુવાનનો જીવ બચાવી તેને નવજીવન આપવામાં આવ્યું છે. 20 વર્ષીય યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા હેલ્પલાઇન પર ફોન કર્યો હતો, જેના આધારે પોલીસે સમયસર કાર્યવાહી કરી હતી. આ ઘટના વાલોડના કોઠી ફળીયામાં બની હતી. અહીં રહેતા હિરેન ચેતનભાઈ નાયકા (ઉ.વ.20) એ '112' હેલ્પલાઇન પર ફોન કરીને જણાવ્યું કે, હું આત્મહત્યા કરવા જાઉં છું અને ત્યારબાદ ફોન કાપી નાખ્યો હતો. આ ગંભીર કોલ મળતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. '112' મોબાઇલ વાનના ઇન્ચાર્જ આ.પો.કો. દિગ્વીજયસિંહ કોદરસિંહ તુરંત એક્શનમાં આવ્યા હતા. તેમણે કોલના લોકેશનના આધારે યુવાનનું ઘર શોધી કાઢ્યું અને તેના ઘરની પાછળ આવેલા નદી કિનારે પહોંચ્યા. પોલીસ જવાન જ્યારે નદી કિનારે પહોંચ્યા ત્યારે યુવાન આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે તેને સમયસર અટકાવ્યો અને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ આવ્યા. અહીં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, હિરેન છેલ્લા ત્રણ દિવસથી માનસિક તણાવમાં હતો. તે તેની મિત્ર સંગીતા (નામ બદલેલ છે) સાથે વાત કરી શકતો ન હતો, કારણ કે યુવતીના માતા-પિતાએ તેને સુરત મોકલી દીધી હતી અને વાત કરવા દેતા ન હતા. આ કારણે યુવાને આત્યંતિક પગલું ભરવાનું નક્કી કર્યું હતું. પોલીસે યુવાનને સમજાવતા તેણે ભવિષ્યમાં આવું કોઈ ખોટું પગલું નહીં ભરે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ તેને તેના ભાઈ વિરેનભાઈ સાથે સુરક્ષિત ઘરે મોકલવામાં આવ્યો. પોલીસની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
યુદ્ધની અસર, માછીમારી ઉદ્યોગ પર સંકટ:ડીઝલના ભાવ વધશે, નિકાસ ઘટશે; હજારોની રોજીરોટી જોખમમાં
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતા વ્યાપી છે. જો આ યુદ્ધ લાંબુ ચાલે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડીઝલ-ગેસના ભાવમાં ઉછાળો આવે, તો ગુજરાતનો માછીમારી ઉદ્યોગ મોટું નુકસાન વેઠશે તેવી શક્યતા માછીમારો વ્યક્ત કરી રહ્યા છે. બોટ માલિક નાનજીભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, જો યુદ્ધના કારણે ડીઝલ પુરવઠા પર અસર થશે અને ક્વોટા સિસ્ટમમાં કાપ મૂકવામાં આવશે, તો અમારે ધંધો બંધ કરવો પડે તેમ છે. પૂરતું ડીઝલ નહીં મળે તો માછીમારી માટે દરિયામાં જવું મુશ્કેલ બનશે, જેની સીધી અસર અમારી આજીવિકા પર પડશે. એક ફેરામાં એક બોટને ઓછામાં ઓછું 2 હજાર લીટર ડીઝલનો ઉપયોગ થાય છે. ડીઝલમાં ભાવ વધારો થશે તો માછીમારો પાયમાલ થઈ જશે. ગુજરાત માછીમાર સંઘના પ્રમુખ દિનેશ ટંડેલે જણાવ્યું કે, માછીમારીનો વ્યવસાય સંપૂર્ણપણે નિકાસ પર નિર્ભર છે. યુરોપ અને ચીન જેવા દેશોમાં મોટા પ્રમાણમાં મચ્છી મોકલવામાં આવે છે. હાલમાં યુદ્ધના કારણે શિપમેન્ટમાં મુશ્કેલી પડી રહી છે. સીધું શિપમેન્ટ ન થવાને કારણે કંપનીઓએ અન્ય માર્ગો અપનાવવા પડે છે, જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો કરે છે. નિકાસમાં પડતી મુશ્કેલીને કારણે સ્થાનિક બજારમાં મચ્છીના ભાવ ઘટવાની ભીતિ છે, જેનાથી બોટ માલિકોને આર્થિક ફટકો પડશે. જો બોટ માલિકોને પોષણક્ષમ ભાવ નહીં મળે અથવા ડીઝલના અભાવે બોટ બંધ રાખવી પડશે, તો હજારો શ્રમિકોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થશે. માછીમારી વ્યવસાય સાથે હજારો શ્રમિકો જોડાયેલા છે. લાખો માછીમારો અને ખાસીઓ બેરોજગાર બનશે તેવી ભીતિ છે. માછીમારો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય લે અને નિકાસ પ્રક્રિયામાં પડતી અડચણો દૂર કરવામાં મદદ કરે.
જ્ઞાનમંજરી સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો:રાજકીય અગ્રણીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
ભાવનગરની સુપ્રસિદ્ધ જ્ઞાનમંજરી પબ્લિક સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ભવ્યતાપૂર્વક ઉજવાયો. આ સ્કૂલ હવે વેરાવળમાં પણ શરૂ થઈ છે. વેરાવળ-જૂનાગઢ હાઈવે રોડ પર આવેલા ડારી વાયરલેસ કેમ્પ પાસે જ્ઞાનમંજરી પબ્લિક સ્કૂલની નવી શાખા કાર્યરત થઈ છે. આ પ્રસંગે સ્કૂલનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. મહોત્સવનું દીપ પ્રાગટ્ય પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી ઝવેરીભાઈ ઠકરારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહભાઈ પરમાર, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જયકરભાઈ ચોટાઈ, બિંદુબેન ચંદ્રાણી, મીનાબેન ચોટાઈ સહિત શિક્ષણ જગતના અનેક કોલેજ તથા સ્કૂલના આચાર્યો, અધ્યાપકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સામાજિક, રાજકીય અગ્રણીઓ અને વેપારીઓ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ગ્રામજનોનો સરપંચ પર હુમલો:પાણવી ગામના વૃદ્ધા સરપંચને બે મહિલા સહિત 4 શખ્સોએ મારમાર્યો
વલભીપુરના પાણવી ગામના વૃદ્ધા સરપંચના ઘરે બે મહિલા સહિત 4 ગ્રામજનો મનરેગા તેમજ પાણીના પ્રશ્ને રજુઆત માટે આવ્યા હતા. જે રજુઆતના પ્રશ્નોનો સંતોષકારક જવાબ નહીં મળતા બે મહિલા સહિત ચારેય શખ્સોએ દલીત વૃદ્ધા સરપંચના ઘરેથી ઢસડી, જ્ઞાતીથી અપમાનીત કરી, ગાળો આપી મારમારી ફરાર થઇ જતાં પાણીવી ગામના વૃદ્ધા સરપંચે ચારેય શખ્સો વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વલભીપુરના પાણવી ગામે રહેતા અને સરપંચ તરીકે સેવા આપતા ગૌરીબેન ભીખાભાઇ મકવાણા (ઉ.વ.70) પોતાના ઘરે હતા. તે દરમિયાન મંજુરભાઇ ગુલાબભાઇ માંકડ અને હંસાબેન બાવદીનભાઇ માંકડ બંન્ને મનરેગા યોજનાનું કામ ક્યારે શરૂ થશે તેમ ગૌરીબેનને પૂછવા આવેલા હતા. જેનો ગૌરીબેને બોડીને પૂછીને જવાબ આપશું તેમ કહેતા બંન્ને શખ્સોએ જ્ઞાતીથી અપમાનીત કરી, ગાળો આપી જતા રહેલ હતા. જે બાદ પાણવી ગામમાં રહેતા જતિનભાઇ નાગરભાઇ કુવારીયા અને મીનાબેન પ્રવિણભાઇ કુવારીયા પણ તેમના ઘરે આવેલા અને પાણી નથી આવતું તેવા પ્રશ્ને સંતોષકારક જવાબ નહીં મળતા મંજુરભાઇ ગુલાબભાઇ માંકડ, હંસાબેન બાવદીનભાઇ માંકડ, જતિનભાઇ નાગરભાઇ કુવાડીયા, મીનાબેન પ્રવિણભાઇ કુવારીયા વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ગૌરીબેને એટ્રોસીટી સહિતની કલમોની ફરિયાદ નોંધાઈ છે.
ભાવનગરના ફરીયાદકા ગામે રહેતા એક યુવક તેમની કાર રિપેરીંગ કરીને ઘરે પરત ફરતા હતા. જે દરમિયાન તેમના ભત્રીજાએ કાર થોભાવી, ચાલીસ હજાર પરત આપવા બાબતે કાકા સાથે બોલાચાલી કરી, પાછળથી મોટર સાયકલ લઇને આવેલા બે બુકાનીધારી સહિત ચારેય શખ્સોએ કાર ઉપર ધોકાના ઘા ઝીંકી, નુકશાન કરી, ભત્રીજાએ ત્રણ શખ્સો સાથે એકસંપ કરી, કાકા ઉપર જીવલેણ હુમલો કરી, ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થતાં યુવકે તેમના ભત્રીજા સહિત ચાર વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગરના ફરિયાદકા ગામે પીપળા વાળા ચોક ખાતે રહેતા સંજયભાઇ વજુભાઇ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ભત્રીજા તથા અજયભાઇ સહિત ત્રણેય લોકો વેગનઆર કાર લઇને ખોડિયાર મંદિર પાસે રિપેરીંગ કરવા ગયા હતા. બાદમાં કાર લઇને ઘરે પરત ફરતા હતા તે વેળાએ તેમના ભત્રીજા ભૌતિક પપ્પુભાઇ મકવાણાએ સંજયભાઇને ફોન કરીને ચાલીસ હજાર રૂપિયા પરત આપવા વાત કરવા બાબતે નવાગામ પાસે કારને થોભાવી રાખવાનું કિધું હતું. જે બાદ ભૌતિક મકવાણા અને અશ્વિન મનસુખભાઇ બંન્ને બાઇક ઉપર આવી સંજયભાઇ પાસેથી લીધેલા ચાલીસ હજાર રૂપિયા પરત આપવા બાબતે વાતચીત કર્યા બાદ બોલાચાલી કરી હતી. બાઇકમાં આવેલા અન્ય બે અજાણ્યા શખ્સો મળી ચારેય શખ્સોએ સંજયભાઇની કાર ઉપર ધોકાના ઘા ઝીંકી, આગળ તેમજ પાછળના કાચ તોડી નાંખ્યા હતા અને સંજયભાઇ ઉપર હુમલો કરી, ગંભીર મારમારી ફરાર થઇ જતાં સંજયભાઇને સારવાર માટે ખસેડાયા હતા. સારવારમાં રહેલા સંજયભાઇ મકવાણાએ તેમના ભત્રીજાા ભૌતિક પપ્પુભાઇ મકવાણા, અશ્વિન મનસુખભાઇ તેમજ બીજા બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ખેડૂતોનું આક્રંદ:જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો પર આફત
ગુરૂવારે સાંજના સમયે વાવાઝોડા સાથે માવઠાથી જિલ્લા ભરમાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકશાન થયુ હતુ. ખાસ કરીને ઘઉં, બાજરો અને જુવારનો પાક ઢળી પડયો હતો. ગારિયાધાર તાલુકામાં ગુરૂવારે વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવનની ગતિ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળીયો કુદરતે છીનવી લીધો હોય તેમ ખૂબ જ તૈયાર પાકોને નુકશાન થયું છે.ડમરાળા,રૂપાવટી, સાળંગપુર, સમઢિયાળા સહિતના ગામના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ઘઉં,ચણા,જીરૂ ,ઘાસચારો સહિતના રવિપાકોને ભારે નુકશાન પહોંચ્યું છે.હજુ તો દિવાળી પર કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ સહિતના પાકોને નુકશાન થયું હતું ત્યારે હવે રવિ પાકો ઘઉં જીરૂ,ચણા ,સહિતના પાકોને ભારે નુકશાન થયું છે.કેરી સહિતના પાકોને પણ ભારે નુકશાન પહોંચ્યું છે.ખેડૂતો ચિંતિત થયા છે.ખેતરમાં તૈયાર થયેલો પાકનો સોથ વળી ગયો છે. વલભીપુર પંથકમાં ભારે પવનના વંટોળ ગાજવીજ સાથે પડેલા માવઠાના કારણે માત્ર ખેત ઉત્પાદનને નહી પરંતુ ઈંટો પકવતા ભઠ્ઠાવાળાઓ, લાલ મરચા તેમજ અન્ય મરી મસાલાઓના વેપારીઓને પણ માવઠાનો માર સહન કરવાની નોબત આવી છે. જુવારને ખૂબ જ નુકશાન થયુંગુરૂવારે પડેલા ભારે પવન સાથે વરસાદથી જુવારને ખૂબ જ નુકશાન થયું છે. ઘાસચારો આડો પડી ગયો છે.હવે અમારે માલઢોર રાખવા કે નહી તે ખબર પડતી નથી.ખેડૂતોને ચારેકોર નુકશાન થયું છે.હવે આ નુકસાનીનું કરવું શું - ઘનશ્યામભાઈ સભાડિયા, ખેડૂત સારીંગપુર (તા.ગારિયાધાર) ઘઉં,બાજરો અને ઘાસચારો આડો પડી ગયોમાવઠાથી અમારે આઠ વીઘાના ઘઉં,પાંચ વિઘાનો બાજરો તેમજ ઘાસચારો આડો પડી ગયો છે. ખૂબજ નુકશાન થયું છે.સરકાર આ નુકશાન થયું તેનું વળતર આપે તેવી અમારી માંગણી છે. - પ્રદીપભાઈ પરમાર, ખેડૂત, સમઢિયાળા (તા.ગારિયાધાર)
ધીંગાણુ:ગાળો બોલતા બે ભાઇઓને ટપારતા 16 શખ્સોએ ધીંગાણુ સર્જયુ
ભાવનગરના ચાવડી ગેટ પોલીસ ચોકી નજીક રહેતા બે ભાઇઓ મામાના મંદિર નજીક સરાજાહેર ઝઘડો કરી, ગાળો બોલતા હતા. જે દરમિયાન ગાળો બોલવાની ના પાડી, ટપાર્યા હતા. જે મામલે 16 શખ્સો વચ્ચે ધીંગાણું સર્જાતા સામસામી ફરિયાદ નોંધાવાઈ હતી. શહેરમાં અલકા ગેઇટ પોલીસ ચોકીની બાજુમાં રહેતા વિજય મુળજીભાઇ દેગામા તેમના પરિવારના નવ સભ્યો ચાવડીગેટ વિસ્તારમાં મામાના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં મંદિરની નજીક રહેતા રાકેશ ચુડાસમા અને અજય ચુડાસમા બંન્ને સગા ભાઇઓ ઝઘડો કરી, ગાળો બોલતા હતા. જેને લઇને વિજયભાઇએ ગાળો બોલવાની ના પાડી, ટપાર્યા હતા. ટપારવા બાબતે દાઝ રાખી બંન્ને ભાઇઓ સહિત નવ શખ્સોએ હથિયારો સાથે આવી વિજયભાઇના પરિવારના સભ્યો ઉપર હુમલો કર્યો હતો. જ્યારે ચંદાબેન રાકેશભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ વિજયભાઇ સહિતના આઠ શખ્સોએ પણ હથિયારો સાથે આવી વળતો હુમલો કરતા બંન્ને પક્ષે છથી સાત લોકોને સામસામી ગંભીર ઇજા થતાં સારવારમાં ખશેડાયા હતા. જ્યાં વિજયભાઇએ રાકેશ ચુડાસમા, પરબત, પ્રતાપ, રોહીત, અલ્પેશ, અજય, સાહીલ, છોટું અને બાલા વિરૂદ્ધ અને ચંદાબેને બુધા દેગામા, અમીત ડાભી, રાજુ ડાભી, બલભદ્રસિંહ ગહિલ, અક્ષય દેગામા, રમેશ, મુકેશ અને વિજય દેગામા વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
નોકરી ન્યુઝ:રેલવેમાં 11,127 આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી કરવામાં આવશે
ભાવનગર રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP) ની 11,127 જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાયક ઉમેદવારો 15 મેથી 14 જૂન 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. પસંદગી પામનાર ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ લેવલ-2 માં ₹19,900 ના બેઝિક પગાર ઉપરાંત નિયમ મુજબના ભથ્થાં મળી કુલ ₹35,000 થી વધુ માસિક વેતન મળવાપાત્ર થશે. અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા 18 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. જુદા જુદા પાંચ તબક્કા બાદ ઉમેદવારની પસંદગી કરાશે જેમાં ગણિત, માનસિક ક્ષમતા, અને જીકેની પ્રાથમિક સ્ક્રિનિંગ ટેસ્ટ, બે ભાગમાં પરીક્ષા લેવાશે. પાર્ટ-એ મેરિટ અને પાર્ટ-બી સંબંધિત ટ્રેડના જ્ઞાનની ટેસ્ટ લેવાશે.માનસિક સજ્જતા ચકાસવા માટે કોમ્પ્યુટર બેઝ્ડ એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવાશે,.
રાષ્ટ્રીય સેમિનાર યોજાયો:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લેખકોની ઓથોરિટી સામે અનેક પ્રશ્નો ઉભા થશે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રસાયણ શાસ્ત્ર વિભાગ અને અંગ્રેજી ભવન દ્વારા સંયુક્ત રીતે 'વિજ્ઞાન અને સાહિત્ય' વિષય પર એક બહુશાખાકીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમકાલીન વિષયો પર પણ ચર્ચા થઈ હતી. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેખકની ઓથોરિટી સામે કઈ રીતે પ્રશ્નો ઊભા કરે છે તે અંગેના સંશોધન પત્રોએ ઉપસ્થિતોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આ વિષય પરના વિચાર-વિમર્શથી સ્પષ્ટ થયું કે આજના ડિજિટલ યુગમાં લેખન અને સર્જનાત્મકતાની વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. આ સંમેલનમાં 12 જેટલા વિવિધ રાજ્યોમાંથી કુલ 275 જેટલા સંશોધકો અને વિદ્વાનોએ નોંધણી કરાવી હતી. મુખ્ય વક્તવ્ય સત્ર મેડિકલ કોલેજના ઑડિટોરિયમમાં યોજાયું હતું, જ્યાં કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રો.નીરા રાઘવ, ક્રાઇસ્ટ યુનિવર્સિટી લાવાસા (પુણે)ના એરોન જ્યોર્જ, ફોરેન્સિક યુનિવર્સિટીના દીપક મશરૂ, સૌરાષ્ટ્ર યુનિ.ના મહેશ જીવાણી અને સરદાર પટેલ યુનિ.ના પ્રગ્નેશ દવેએ પોતાના વિશિષ્ટ વક્તવ્યો આપ્યા હતા. આ ઉપરાંત ભાવનગર યુનિવર્સિટીના ઇન્દ્ર ગઢવી અને ભારતસિંહ ગોહિલે પણ પોતાના સંશોધનલક્ષી વિચારો રજૂ કર્યા હતા. આ સંમેલનનું મુખ્યત્વે પર્યાવરણ વિજ્ઞાન અને લોકસાહિત્ય, વન્ય જીવન અને સાહિત્ય, ભારતીય પુરાતન સાહિત્યમાં વિજ્ઞાન, તેમજ ફોરેન્સિક વિજ્ઞાન અને ભાષાવિજ્ઞાન જેવા વિષયો સામેલ હતા. અંગ્રેજી ભવન ખાતે આયોજિત આ સંશોધન સત્રો ઉપરાંત એક વિશેષ પોસ્ટર પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ સંશોધન પત્રો અને પોસ્ટરોને બિરદાવાયા હતા, યુનિ.ના કુલપતિ પ્રો. ભરતભાઈ રામાનુજે આવા સંમેલનો નિયમિત યોજવાની શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અંગ્રેજી ભવનના અધ્યક્ષ પ્રો.દિલીપ બારડ, રસાયણ ભવનના પ્રો.ગોધાણીએ કોઓર્ડિનેટર તરીકે ફરજ નિભાવી હતી. સર્જનાત્મકતાને વધારવા ડિજિટલ ટેકનિક વાપરોસર્જનાત્મકતાને વધારવા માટે ડિજિટલ ટેકનિકોનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે, સર્જનાત્મક સુવિધાઓ પ્રદાન કરતા વિવિધ સાધનો અને પ્લેટફોર્મ્સનું અન્વેષણ કરવું મહત્વપૂર્ણ છે. સારા સૉફ્ટવેરનો પ્રયોગ કરીને આકર્ષક ડિઝાઇન અથવા ડિજિટલ આર્ટવર્ક બનાવો. તમારી સર્જનાત્મક ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે વિવિધ ડિજિટલ ટૂલ્સ સાથે સતત પ્રેક્ટિસ અને પ્રયોગ કરવાનું યાદ રાખો. ઓનલાઈન અભ્યાસક્રમો અને ટ્યુટોરિયલ્સ અને ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સર્જનાત્મક કુશળતા સુધારવામાં મદદ કરી શકે છે.
પરિણીતાને અપાયો ત્રાસ:પતિએ સાસરીમાંથી રૂ.15 લાખ લઇ આડા સંબંધે પત્નિ ઉપર ત્રાસ ગુજાર્યો
ભાવનગર શહેરમાં પિયરમાં રહેતા પરિણીતાના લગ્ન બાદ પતિએ સાસરીમાંથી દહેજ પેટે પંદર લાખ રૂપિયા લઇ કાઢી મુકતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરમાં મામાકોઠા વિસ્તારમાં રહેતા ઋતિકાબેન નમનભાઇ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના સને 2023માં નમન મકવાણા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદમાં સાતેક માસ સુધી સાસરીયાઓએ સારી રીતે રાખેલ હતા. તે બાદ સમયાંતરે કરિયાવર બાબતે મેણાં ટોણા મારી, બે નણંદો અને સાસુ માનસિક ત્રાસ ગુજારતા હતા. પતિએ પત્નિ પાસે કારની માંગણી કરી દહેજ પેટે બાવીસ લાખ રૂપિયા માંગ્યા હતા. જે મામલે પરિણીતાના પિતાએ સંબંધ ટકાવવા માટે રૂપિયા પંદર લાખ જમાઇને આપેલ હતા તેમ છતાં પતિ નમન મકવાણાએ અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ રાખ્યા હતા અને વધું લેણું થઇ જતાં ફરી ઋતિકાબેન પાસે રૂપિયાની માંગણીઓ મુકતા પરિણીતાએ રૂપિયા આપવાની ના પાડતા નમન મકવાણાએ ઋતિકાબેનને મારમારી એક વર્ષિય દિકરા સાથે ઘરેથી કાઢી મુક્યા હતા. જે બનાવમાં ઋતિકાબેન મકવાણાએ તેમના પતિ નમન પ્રદીપભાઇ મકવાણા, સસરા પ્રદીપ વજુભાઇ મકવાણા, સાસુ ચેતના પ્રદીપભાઇ મકવાણા, નણંદ હિરલ મકવાણા અને પૂર્વી મકવાણા વિરૂદ્ધ ભાવનગર મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કરોડપતિમાં થયા લાખોપતિ:ભાવેણાના યુવાન પરાગે KBCમાં જીત્યા 50 લાખ
ભાવનગર જિલ્લાના મૂળ નિવાસી પરાગ સિસોદિયાએ અત્યંત લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ક્વિઝ કૌન બનેગા કરોડપતિમાં પસંદ થઈને સમગ્ર ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને હજારો સ્પર્ધક વચ્ચેની કઠિન પસંદગી પ્રક્રિયા પાર કરીને કોન બનેગા કરોડપતિના મુખ્ય મંચ, હોટ સીટ સુધી પહોંચવાની સિદ્ધિ મેળવ્યા બાદ હવે આ શોમાં પોતાની પ્રતિભાના આધારે રૂપિયા 50 લાખ જીતવાની સિદ્ધિ મેળવી છે. આગામી મહિને તેમનો આ એપિસોડ પ્રકાશિત થશે. વાંચન, સામાન્ય જ્ઞાન અને વર્તમાન ઘટનાઓ પ્રત્યે વિશેષ રસ ધરાવતા પરાગ સિસોદિયાએ પોતાની રોજની વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ સતત અભ્યાસનો પોતાનો શોખ જાળવી રાખ્યો હતો. સાથે જીતવાનો આત્મવિશ્વાસ પણ હતો, તેના પરિણામે તે કોન બનેગા કરોડપતિ જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં રૂપિયા 50 લાખ જીતવામાં સફળ રહ્યા છે. કૌન બનેગા કરોડપતિમાં પરાગભાઇ આમ તો રૂ. 1 કરોડના સવાલ સુધી પહોંચી ગયેલા પણ તે સવાલ સાથે ગેમ ક્વિટ કરતા તેઓને રૂ. 50 લાખના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોન બનેગા કરોડપતિની પસંદગી પ્રક્રિયામાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સહિતના તબક્કાઓ પસાર કર્યા બાદ તેઓને અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસવાની તક પ્રાપ્ત થઈ હતી અને તેમાં એક પછી એક અઘરા સવાલોના સાચા જવાબ આપીને રૂપિયા 50 લાખ જીત્યા હતા. તેની આ સફળતાથી તેમના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. તૈયારી સાથે આત્મવિશ્વાસ હોય તો જીત મળેભાવનગરના યુવાનો માટે તેઓ પ્રેરણા રૂપ છે અને કહે છે કે સતત મહેનત, તૈયારી અને આત્મવિશ્વાસ હોય તો કોઈપણ મોટા મંચ સુધી પહોંચી શકાય છે અને તેમાં જીત પણ અચૂક મેળવી શકાય છે. ત.ઓને આ વખતે તો પૂરતો વિશ્વાસ હતો કે કેસીબીમાં જીતીને જ પાછા ફરશે. UPSC પાસ કરી IAS થવાનું સ્વપ્નતાજેતરમાં જ પરાગભાઇએ જીપીએસસીની પરીક્ષા માટે ઇન્ટરવ્યૂ આપ્યો છે અને તેઓ હાલ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે તેઓનું નવસારીમાં પોસ્ટિંગ થયું છે. હવે UPSC પાસ કરી IAS થવાનું સ્વપ્ન હોવાનું જણાવ્યું હતું.
દંડનીય કાર્યવાહી:1691ને મેમા, 70 લાખનો દંડ, સૌથી વધુ કેસ PUCના
ભાવનગર શહેર-જિલ્લામાં બ્લેક સ્પોટ સહિત વિસ્તારોમાં દિન પ્રતિદીન અકસ્માતો વધતા જાય છે. છેલ્લા અઢી માસમાં નિયમનો ઉલાળીયો કરતા 1691 વાહન ચાલકોને મેમા ફટકારી 70 લાખનો દંડ ફટકાર્યો હતો જેમાં સૌથી વધુ PUCના 180 મેમા ફટકાર્યા હતા. ભાવનગરમાં માર્ગ સલામતી જળવાઈ રહે અને વાહનચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે હેતુથી ભાવનગર આર.ટી.ઓ. વિભાગ દ્વારા સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જાન્યુઆરી-2026થી શરૂ થયેલી આ ઝુંબેશમાં માર્ચના મધ્ય સુધીમાં હજારો વાહનચાલકો દંડાયા છે. ખાસ કરીને રોંગ સાઇડ, લાયસન્સ વગર વાહન ચલાવનારા અને PUC વગરના વાહનો સામે RTOએ આક્રમક વલણ અપનાવ્યું છે. ચેકિંગ ડ્રાઈવમાં સૌથી વધુ કેસ PUC અને વિધાઉટ લાયસન્સના નોંધાયા છે. જાન્યુઆરીમાં 166, ફેબ્રુઆરીમાં 152 અને માર્ચના માત્ર 15 દિવસમાં જ 180 કેસ માત્ર PUCના નોંધાયા છે. ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડતા વ્યવસાયિક વાહનો અને ઓવરલોડ માલસામાન ભરેલા ટ્રકો સામે પણ તંત્રએ સપાટો બોલાવ્યો છે. જિલ્લામાં એક જ વર્ષ દરમિયાન 157 લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા અઢી માસમાં 1691 મેમા ફટકારી, 70 લાખ ઉપરાંતનો દંડ (માર્ચ માસનો ડેટા તા.15 સુધીનો છે) પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટિવ જેકેટ અને લાઠી આપવામાં આવે છેભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ તેમજ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર મોટી સંખ્યામાં પદયાત્રીઓ સંઘમાં ચાલીને ધજા ચડાવવા માટે તેમજ દર્શન કરવા માટે પગાપાળા જઇ રહ્યા હોય છે અને રાત્રીના સમયે પદયાત્રીઓને અકસ્માતોથી બચાવવા માટે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા ગત માસમાં અનેક પદયાત્રીઓને રેડ રીફ્લેક્ટીવ જેકેટ તેમજ રીફ્લેક્ટીવ લાઠી આપવામાં આવી હતી. તેમજ અકસ્માતોથી બચવા માટે વાહનોની વિરૂદ્ધ દિશામાં ચાલવા માટે પણ સુચનો કરાયા હતા. > રૂત્વીકા દાણી, ભાવનગર આર.ટી.ઓ.
સન્ડે બિગ સ્ટોરી:365 દિવસ વિક્ષેપ વગર શુદ્ધ પાણી વિતરણનો એક્શન પ્લાન
ભાવનગર શહેરમાં દિન પ્રતિદિન પાણી વિતરણ અને ગુણવત્તામાં સુધારો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં કાપ સાથે અથવા એકાતરા પાણી વિતરણ કરવામાં આવતું હતું, તે એકપણ પાણી કાપ વગર વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ પણ તેમાં સુધારો કરી 365 દિવસ વિક્ષેપ વગર શુદ્ધ પાણી વિતરણ કરવાનો માસ્ટર ડ્રાફ્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં અમુક વિસ્તારોની ફરિયાદોને બાદ કરતાં નિયમિત શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ ટેકનોલોજી સાથે સુવિધાઓ પણ વધારવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે નવા ઈ.એસ.આર. અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યા છે. તદુપરાંત વર્ષો જૂના પાણીના નેટવર્ક પણ બદલાવી નવા ઉભા કરવામાં આવી રહ્યા છે. નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીના નેટવર્ક અને કનેક્શનનું કામ ઘણું પ્રગતિમાં છે. પરંતુ એ પણ વાસ્તવિકતા છે કે, વારંવાર પાણી વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ પડતા હોય છે. તેમજ ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળી જવાની સમસ્યાને નજર અંદાજ કરી શકાય નહીં. જેથી આ સમસ્યાના ઉકેલ માટે પણ ભાવનગર કોર્પોરેશન દ્વારા માસ્ટર ડ્રાફ્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં સ્વચ્છ અને નિરંતર પાણી પહોંચાડવા માટે જળ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો પહોંચાડવા તેમજ પાણી પુરવઠો ક્યારેય ખોરવાય નહીં તે માટે 17 સ્ટેપ પર કામ કરવામાં આવશે. અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા કોઈપણ જગ્યાએ પાણી વિતરણમાં અવરોધ ઉભો થાય અથવા તો દૂષિત પાણીની ફરિયાદ કરવામાં આવે ત્યારબાદ તંત્ર જાગે અને ભાગે છે. પરંતુ નવા એક્શન પ્લાનમાં ફરિયાદ જ ઊભી ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. ઈસ્યુ પહેલા સોલ્યુશન માટે સતર્ક રહેશે. પરંતુ આ એક્શન પ્લાન માત્ર કાગળ પર ડ્રાફ્ટ તરીકે ન રહે તે માટે પણ તંત્રએ જાગૃત રહેવું પડશે. ભાવનગર શહેર ઉપરાંત 5 તાલુકાના પાણીમાં ખારાશનું પ્રમાણ વધ્યુંદર વર્ષે 22 માર્ચ જળ દિવસ તરીકે ઉજવાય છે. આ જળ દિવસ નિમિત્તે આ વર્ષે ભાવનગર જિલ્લામાં ખાસ પાણીને લગતો પ્રશ્ન પાણીમાં વધતી જતી ખારાશનો છે. જમીનમાં ખારાશ વધી છે અને તેનાથી ભૂગર્ભ જળ પણ દૂષિત થયું છે. ભાવનગર જિલ્લાના સાત તાલુકાઓમાં આવેલી ફળદ્રુપ જમીનમાં ખારાશનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. જિલ્લામાં જમીનમાં ખારાશનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે આગામી દાયકાઓમાં જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આ ભૂમિ રણમાં ફેરવાઈ જશે તેમજ ભૂગર્ભ જળ પીવાલાયક રહેશે નહી. આજથી થોડા સમય પહેલા શિક્ષક ડો.દીપક પંડયાએ સેન્ટ્રલ સોલ્ટ અને ઈસરો જેવી ખ્યાતનામ સંસ્થા સાથે મળીને કરેલા સંશોધનમાં ચોંકાવનારૂં તારણ મળ્યું હતું કે ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં દર વર્ષે ત્રણેક કિ.મી.ની સરેરાશે જમીનમાં ક્ષાર ફેલાઈ રહ્યો છે. આમ છતાં ભાવનગર, ઘોઘા, મહુવા, તળાજા જેવા દરિયાઈ પટ્ટીના તાલુકાઓમાં કોઈ અસરકારક પગલાં ન લેવાતા જમીન વધુને વધુ ખારી થતી રહી છે. ક્યાં 17 સ્ટેપ્સનો એક્શન પ્લાન?કોર્પોરેશન દ્વારા જે 17 સ્ટેપનો ડ્રાફ્ટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે, તેમાં ગુણવત્તાપૂર્ણ પાણી પુરવઠા માટે અને વિક્ષેપ વગર પાણી આપવા માટે 17 ટેકનિકલ સ્ટેપ નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં ખાસ કરીને ટીમ આયોજન, ગેપ વિશ્લેષણ, મૂળ કારણો અને તેનો ઉકેલ, વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ, ઓછી કિંમત અને ટકાઉ ઉકેલ, સંસાધન ઉપલબ્ધતા, સાવચેતીના પગલાં, દૈનિક કામમાં ગુણવત્તા, નમુના લેવાની પ્રક્રિયા, પાઇપલાઇન ઇન્સ્પેક્શન, લીકેજ ડિટેકશન, પાઇપલાઇન ભંગાણ દૂર કરવું, પાઇપલાઇન ફ્લશિંગ, ક્લોરીનેશન, યુવી ફિલ્ટ્રેશન એન્ડ ટ્રીટમેન્ટ, ક્રોસ કનેક્શન નિવારણ, પ્રેશર મોનિટરિંગ, પાણી ગુણવત્તા પ્રયોગશાળા ટેસ્ટ સહિતના પગલાં ઉપર કામ કરવામાં આવશે. નિયમિત શુદ્ધ પાણી વિતરણનું પ્લાનિંગશહેરીજનોને રોજે રોજ નિયમિત શુદ્ધ પાણી મળી રહે તે માટે ડ્રાફ્ટ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેમાં જરૂરી લાગશે તેમાં સુધારો કરી અમલીકરણ તરફ ટીમ આગળ વધી રહી છે. પાણી વિતરણ વ્યવસ્થાને આધુનિક સાથે કાર્યક્ષમ બનાવવાનો હેતુ છે. તદુપરાંત આગામી દિવસોમાં લોકોને નિયમિત 24 કલાક પાણી મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવશે. ભાવનગરના શહેરીજનોને પાણી વિતરણમાં કોઈપણ અવરોધ વગર ગુણવત્તાયુક્ત પાણી મળે તે અમારો ગોલ છે. > મૌલિક પટેલ, એડિશનલ સીટી એન્જિનિયર મ્યુ 20 વર્ષ બાદ ઘોઘાની જમીન ભાલ જેવી થઇ જશેસામાન્ય PHનું પ્રમાણ હોવુ જોઈએ એ કરતા ત્રણ ગણુ વધારે છે એટલે કે 300ને બદલે 1100 PH જેટલુ પાણી અત્યારે પીવાના ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભાવનગરના ઘોઘાથી 35 કિ.મી.ની આજુબાજુના વિસ્તારની જમીન આગામી 20 વર્ષ પછી ભાલ પંથક જેવી કસ વગરની હશે જેને કારણે પાક લઈ શકાય નહીં તેવી પરિસ્થિતિ ઊભી થવાની પણ શકયતા છે.
પરીક્ષાના તણાવની અસર:બોર્ડના પરિણામ પહેલાં જ તણાવનો વિસ્ફોટ, બે વિદ્યાર્થીએ ફિનાઇલ પી લીધું
રાજકોટ શહેરમાં પરીક્ષાનું દબાણ અને ભવિષ્ય અંગેની અનિશ્ચિતતા વચ્ચે બે અલગ અલગ બનાવોમાં સગીરોએ આપઘાતનો પ્રયાસ કરતા ચિંતા વ્યાપી ગઈ છે. બંને બનાવોમાં ફિનાઈલ પી જવાની ઘટના સામે આવી છે અને બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રથમ બનાવ શહેરના થોરાળા વિસ્તારમાં બન્યો હતો, જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતો 17 વર્ષીય વિદ્યાર્થી ઇતિહાસનું પેપર નબળું જતા ભારે ટેન્શનમાં આવી ગયો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ તે સતત માનસિક દબાણમાં રહેતો હતો. ગઈકાલે સાંજે પોતાના ઘરે તેણે ફિનાઈલ પી લીધી હતી. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તરત જ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી અને વિદ્યાર્થીનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરાઈ હતી. તબીબોના જણાવ્યા મુજબ હાલ તેની તબિયત સ્થિર છે. બીજો બનાવ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલી ટાઉનશિપ વિસ્તારમાં બન્યો હતો. અહીં 17 વર્ષની સગીરા ધોરણ 10 બાદ શું કરવું તે મુદ્દે લાંબા સમયથી ગૂંચવણ અને ચિંતામાં હતી. યોગ્ય માર્ગદર્શન ન મળતા તે માનસિક રીતે પરેશાન રહેતી હતી. ગઈકાલે મધરાતે પરિવારજનો સૂતા હતા ત્યારે તેણે ઘરે ફિનાઈલ પી લીધું હતું. થોડીવાર બાદ ઊલટી અને ઊબકા થતા પરિવારજનો જાગી ગયા હતા. પૂછપરછમાં સગીરાએ ફિનાઈલ પીધાનું જણાવ્યું હતું. તરત જ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ જણાવ્યું હતું કે, સમયસર સારવાર મળતા સગીરાની સ્થિતિ પણ હાલ સ્થિર છે. આ બંને બનાવોએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, પરીક્ષાનું દબાણ અને કારકિર્દી અંગેની અનિશ્ચિતતા સગીરો પર ભારે પડી રહી છે. નિષ્ણાતોના મત મુજબ આવા સમયમાં માતા-પિતા અને શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન અને માનસિક સહારો અત્યંત જરૂરી બની જાય છે.
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના આંગણે ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવ નાનામવા ચોક, 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલા કોર્પોરેશન પ્લોટમાં સવારે 9થી રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. મેળાના શુભારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો સંદેશ દ્વારા આ અવસરે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં એકસાથે આ મિલેટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “બેક ટુ બેઝિક” મંત્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તંદુરસ્ત જીવન માટે આરોગ્યપ્રદ આહાર અનિવાર્ય છે અને લોકોની થાળીમાં હેલ્ધી ફૂડ પહોંચે તે માટે મિલેટનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા જનકલ્યાણના બે અભિયાન શરૂ કરાયા છે. કઠોળ, સૂપ, મુખવાસ, ધૂપ, પૂજા સામગ્રી, વિવિધ પ્રકારના તેલ, મસાલા, અથાણા સહિતની તમામ વસ્તુઓનું વેચાણઆ મહોત્સવમાં કઠોળ, સૂપ, મુખવાસ, હેલ્ધી નાસ્તા, ધૂપ, પૂજા સામગ્રી, આયુર્વેદિક ઔષધિઓ, વિવિધ પ્રકારના તેલ, મસાલા, અથાણા સહિતની તમામ વસ્તુઓનું વેચાણ થાય છે. વિશેષ વાત એ છે કે, અહીં રાગી, જુવાર, બાજરી, કોદરીમાંથી બનાવેલી ઇડલી તથા પાણીપૂરી, પિત્ઝા સહિતની ખાણીપીણીની વસ્તુઓ લોકો માટે આકર્ષક બની રહી હતી. જેમાં હંસાબેન માકડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લોકો રાગીની ઇડલી વધુ પસંદ કરે છે અને બાળકો ધાન્યમાંથી બનાવાયેલા રોટલી, રોટલા નથી ખાતા પણ ઇડલીનું નામ સાંભળી બાળકોને પસંદ પડે છે. જેમાં કોદરીની ઇડલી થોડી મોંઘી પડે છે.
પત્નીએ કેરોસીન છાંટી આગ ચાંપી દીધી:પતિએ મંદિરે સાથે આવવાની ના કહેતા પત્નીનું અગ્નિસ્નાન
રામનાથપરા શેરી નં.14માં રહેતા મીનાબેન ચોઇથારામ ખટ્ટર(ઉ.વ.52) નામના મહિલાએ રાતે નવેક વાગ્યે શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતાં ગંભીર હાલતમાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. મીનાબેનના લગ્ન છવ્વીસ વર્ષ પહેલાં થયા છે. સંતાનમાં એક દીકરી અને ત્રણ દીકરા છે. પતિ હેમુ ગઢવી હોલ પાછળ દાળ-પકવાન-નાસ્તાની લારી રાખી ગુજરાન ચલાવે છે. ચોઇથારામ ખટ્ટરે જણાવ્યું હતું કે, શુક્રવારે અમારો સિંધી સમાજનો ચેટીચાંદનો તહેવાર હોઇ રાતે મારા પત્ની મીનાબેનને રામનાથપરામાં જ આવેલા અમારા સમાજના મંદિર ખાતે જવું હતું. પણ હું કામમાં હોઇ મેં તેણીને દીકરાને સાથે લઇ જવાનું કહ્યું હતું, આ કારણે તેણીને માઠું લાગી ગયું હતું અને જૂનું પડતર કેરોસીન પડ્યું હોઇ તે શરીરે છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ:જમીનનો સોદો રદ થતાં ચાર કરોડ ડૂબ્યાં; ભાગીદારોએ ઉઘરાણી કરી ધમકીઓ આપી
રાજકોટના સરધાર ગામમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા આયુષ ભાવેશભાઈ સરધારાએ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આશરે દોઢ-બે વર્ષ પહેલાં તેમના પિતા ભાવેશભાઈએ રાવકી ગામના સુનિત પાનસુરિયા અને સાગર પાનસુરિયા સાથે મળી સુરતમાં એક બિનખેતીની જમીનનો સોદો કર્યો હતો. 27 કરોડની બજાર કિંમતવાળી આ જમીન 13 કરોડમાં મળતી હોવાથી બંને પક્ષોએ ભાગીદારી કરી હતી. સોદા પેટે કુલ 4 કરોડ રૂપિયા (ભાવેશભાઈના 3.25 કરોડ, પાનસુરિયા બંધુઓના 75 લાખ) ચૂકવવામાં આવ્યા હતા. બાકીની રકમ ત્રણ મહિનામાં ચૂકવવાની શરત હતી, પરંતુ પાનસુરિયા બંધુઓ રકમની વ્યવસ્થા કરી શક્યા નહોતા. એક વર્ષનો સમય વધારવા છતાં નાણાં ન ચૂકવાતા જમીન માલિકે સોદો કેન્સલ કર્યો હતો અને નિયમ મુજબ બાના પેટે આપેલી 4 કરોડની રકમ જપ્ત થઈ ગઈ હતી. પોતાના 75 લાખ રૂપિયા ડૂબી જતા સુનિત અને સાગર પાનસુરિયાએ આ રકમ ભાવેશભાઈ પાસે પરત માગવાનું શરૂ કર્યું હતું.આ શખ્સોએ આરોપી ભરત ગાબુ, શામજી ગાબુ અને રામભાઈ જંજા તથા સાગર જંજાને સાથે રાખી આયુષના ઘરે આવી ગાળો ભાંડી હતી. છેલ્લા ચાર મહિનાથી આ શખ્સો અવારનવાર ઘરે આવી પરિવારના સભ્યો સાથે અસભ્ય વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા હતા. આખરે કંટાળીને આયુષે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ શહેરમાં નશાના જાળને ચૂર કરવા પોલીસ હવે આક્રમક મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની બેઠકમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો, શાળા અને કોલેજ આસપાસ ડ્રગ્સનું વેચાણ કોઈપણ કિંમતે સહન નહીં થાય. તાજેતરમાં પકડાયેલા હાઇબ્રિડ ગાંજામાં કુરિયર મારફત સપ્લાય કરાતી હોવાનું બહાર આવતા તે પોલીસ માટે પણ ચિંતાજનક બન્યું છે. કમિશનરે કડક શબ્દોમાં સૂચના આપી કે, પાનના ગલ્લા અને તંબાકુ વેચાણના નામે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક તાબો મેળવવો. શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ નશાકારક પદાર્થો વેચાતા હોવાની શંકા હોય તો સીધી પોલીસને જાણ કરવા શિક્ષણ વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યું. યુવાનોમાં વધતા જતા ગાંજા અને અન્ય ડ્રગ્સના ટ્રેન્ડને “લાલબત્તી” ગણાવી કમિશનરે તમામ પોલીસ સ્ટેશનોને સક્રિય અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. ડી.સી.પી. જગદીશ બાંગરવાએ બેઠકમાં ચોંકાવનારા આંકડા રજૂ કર્યા. માત્ર એક જ મહિનામાં 365 ગ્રામ હાઈબ્રિડ ગાંજો, જેની કિંમત રૂ.12.78 લાખથી વધુ છે, તે ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે જ કુલ 4 કેસમાં રૂ.24 લાખથી વધુના અફીણ અને ગાંજાનો જથ્થો જપ્ત કરી 6 આરોપીને એન.ડી.પી.એસ. હેઠળ જેલહવાલે કરવામાં આવ્યા છે. પોલીસની કડક કામગીરી માત્ર ડ્રગ્સ પૂરતી મર્યાદિત નથી. શાળા આસપાસ 100 મીટર વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં પાનના ગલ્લા ચલાવતા વેપારીઓ સામે કોપટા એક્ટ હેઠળ 141 કેસ કરી રૂ.28,200નો દંડ ફટકારાયો છે. બેઠકમાં એક મહત્ત્વની ચેતવણી પણ આપવામાં આવી કે, ઓનલાઇન પેમેન્ટ અને કુરિયર મારફતે ડ્રગ્સની ડિલિવરીનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.
શહેરમાં ફરી એકવાર હાઈ-પ્રોફાઈલ આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ થતા રોકાણકારોમાં હાહાકાર મચી ગયો છે. 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં રહેતા અને વાસણના સ્ક્રેપના ધંધા સાથે જોડાયેલા દંપતીએ “ઝટપટ નફો”ના સપના બતાવીને સગાં-સંબંધીઓને જ શિકાર બનાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાનો ગુનો નોંધાયા બાદ હવે આર્થિક ગુના નિવારણ શાખાએ આ ચીટર દંપતીનો શિકાર બનેલાઓને ફરિયાદ કરવા અપીલ કરી છે. ઓમનગરમાં રુદ્ર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફ્લેટ નં.301માં રહેતા પ્રિયંક રમેશભાઈ કારિયા અને તેમની પત્ની ડિમ્પલબેન કારિયાએ ‘શ્રી ગિરિરાજ વાસણ’ અને ‘શ્રી દ્વારકાધીશ વાસણ’ નામની પેઢીઓ દ્વારા રોકાણકારોને આકર્ષ્યા હતા. શરૂઆતમાં સમયસર વળતર આપી વિશ્વાસ ઊભો કર્યો, પરંતુ બાદમાં અંદાજે રૂ.3.50 કરોડથી વધુ રકમ એકઠી કર્યા પછી ચૂકવણી બંધ કરી દીધી. પરિણામે અનેક પરિવારો આર્થિક રીતે શીશામાં ઉતરી ગયા છે. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર. ડોબરિયાના જણાવ્યા મુજબ, આરોપી દંપતી સામે BNS-2023ની કલમ 318(4) તેમજ જી.પી.આઈ.ડી. એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો છે. પ્રાથમિક તપાસમાં જ છેતરપિંડીનો આંકડો સાડા ત્રણ કરોડથી વધુનો હોવાની વિગતો બહાર આવી છે. આથી હવે EOW દ્વારા સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે, જે કોઈ નાગરિકોએ આ દંપતી કે તેમની પેઢીઓમાં રોકાણ કર્યું હોય અને છેતરાયા હોય, તેઓએ 3 દિવસમાં પુરાવા સાથે જામનગર રોડ પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ચોથા માળે અથવા મોબાઇલ નં.99781-94661 પર સંપર્ક સાધવો.
વૃદ્ધે જીવન ટૂંકાવ્યું:પગની બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત
રાજકોટના કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલા નારાયણનગર-1માં રહેતા ઉદય અરજણભાઈ ચૌહાણ (ઉ.વ.60) નામના વૃદ્ધે પોતાના ઘરે પંખાના હૂકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતા 108 બોલાવી હતી. ઈએમટી સહિતનાએ જોઈ તપાસી વૃદ્ધને મૃત જાહેર કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી. હેડ કોન્સ્ટેબલ ટી.જે. સરવૈયા સહિતના સ્ટાફે સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે ન્યારી ડેમ નજીક રહેતા કિશન સોલંકી નામના કેટરર્સના ધંધાર્થીને સાગર, માયા તથા સાગરના બે મિત્રોએ જૂની અદાવતનો ખાર રાખી માર માર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો.
રાજકોટની ભાગોળે આવેલ કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામે કમાલ કરી છે. 5200 ઘર અને 3200 નાના મોટા ઉદ્યોગો ધરાવતા શાપર ગામની ગ્રામપંચાયત એક, બે, ત્રણ, ચાર કે પાંચ નહીં, પરંતુ પ્રજાજનોને સુવિધા આપવામાં નવ-નવ બાબતોમાં રાજ્યકક્ષાએ પ્રથમ છે. શાપર પંચાયત ગામમાં નિયમિત સફાઈ અને ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી કમાણી કરતું થયું છે. સાથે જ ગામના પાણીના સમ્પ પર સોલાર પેનલ લગાવી સોલાર પાવર થકી મહિને સ્ટ્રીટલાઈટનું 40થી 50 હજારનું બિલ બચાવવાની સાથે જ કમાણી કરતું થયું છે. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ માત્ર 9237 અને અનઓફિસિયલી 80 હજારની વસ્તી ધરાવતું શાપર ગ્રામ સુવિધા બાબતે આજે રાજકોટ જેવા મહાનગરને પણ ટક્કર આપી રહ્યું છે. સુવિધાઓ આટલી યોજનામાં રાજ્યમાં નંબર-1
ભાસ્કર ફોલોઅપ:તોડબાજ પત્રકારે ભાજપના નેતા પાસેથી ખંડણી માગી’તી!
રાજકોટમાં એક હોમિયોપેથી તબીબ સહિત 12 પત્રકારો અને ન્યૂઝ ચેનલના માલિકો સામે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયા બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શહેર ભાજપના અગ્રણી વિજયભાઈ પાડલિયા પાસેથી અંદાજે રૂ.5 લાખની ઉઘરાણી કરવા અને માનસિક ત્રાસ આપવા મામલે ‘ભારત હેડલાઈન’ના સંચાલક વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં લેખિત ફરિયાદ થઈ છે. ગંદી રમત : દીકરીનું કરિયર-પિતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવીશહેરના નિર્મલા રોડ પર બાલમુંકુંદ પ્લોટ નં.51માં રહેતા વિજયભાઈ પાડલિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પુત્રી યુનિવર્સિટી રોડ પર દાંતનું દવાખાનું ચલાવે છે. આ ક્લિનિક કાયદેસર હોવા છતાં, સામાવાળાઓએ તેને ‘ગેરકાયદે બાંધકામ’ તરીકે ચિતરી ન્યૂઝ પેપરમાં વારંવાર હેડલાઈન્સ છાપી હતી અને જણાવ્યું હતું કે, રાજકીય માણસની પુત્રીના દવાખાનાનું બાંધકામ ગેરકાયદેસર હોવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી. ખરેખર અમારે અમારી પુત્રીના દવાખાના સાથે કોઇ લેવાદેવા નથી. તેમ છતાં અમો ફરિયાદીને બદનામ કરવામાં આવતા હતા. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય વિજયભાઈને રાજકીય રીતે પછાડવાનો અને ડરાવી-ધમકાવીને લાખો રૂપિયા પડાવવાનો હતો. ‘અમારા જેવા અનેક પીડિતો છે, પોલીસ પગલાં લેશે તો બધા સામે આવશે’વિજયભાઈએ આક્રમક રીતે રજૂઆત કરી છે કે, આ કહેવાતા પત્રકારો માત્ર પૈસા બનાવવાના ઈરાદાથી જ ચેનલો ચલાવે છે અને જાહેર જનતાને ઉપયોગી થાય તેવા કોઈ ન્યૂઝ આપતા નથી. તેમણે પોલીસ પાસે માંગ કરી છે કે, આ શખ્સો સામે કડક પગલાં ભરી તેમની પ્રાઈવેટ ન્યૂઝ ચેનલો તાત્કાલિક બંધ કરાવવામાં આવે. તબીબને બ્લેકમેઇલિંગના ગુનામાં પુરાવા ભેગા કરતી પોલીસઆયુર્વેદિક તબીબની અંગત પળોના વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરવાના પ્રકરણમાં ગુનો દાખલ થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરવા કવાયત હાથ ધરી છે અને પુરાવા ભેગા થઇ ગયા બાદ તમામ આરોપીઓને ઉઠાવી લેવાશે તેમ પીઆઇ કૈલાએ જણાવ્યું હતું. ટી.પી. શાખાના અમુક અધિકારી અને તોડબાજ પત્રકારોની સાંઠગાંઠછેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ તોડબાજ ગેંગોએ બિલ્ડર લોબી પર આતંક મચાવ્યો હતો અને તેમાં ટી.પી. શાખાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની સાઠગાંઠ હોવાની ચર્ચા છે. ટી.પી. શાખાના અમુક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા તોડબાજ પત્રકારોને ક્યાં ગેરકાયદે બાંધકામ થાય છે? અથવા કાયદેસર બાંધકામમાં કેટલું બાંધકામ ગેરકાયદે થયું છે? તેની વિગતો આ પૂરી પાડવામાં આવતી હતી અને ત્યારબાદ જે તે બિલ્ડિંગની સાઇટ પર પહોંચી ફોટા પાડી, વીડિયો ઉતારી સીધા તેના માલિકનો સંપર્ક કરતા હતા અને સેટલમેન્ટ નહીં કરે તો છાપામાં છાપવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી માગતા હતા. જો બિલ્ડર કે બાંધકામ કરનાર વ્યક્તિ આ માટે સહમત ન થાય તો તેના વિરુદ્ધ પોતાના ચોપાનિયામાં લેખ છાપી ત્યારબાદ ટી.પી.શાખામાં અરજી કરતા હતા અને પોતાના મળતિયા અધિકારી મારફત ત્યાં ચેકિંગ કરાવી દબાણ કરાવી તોડ કરતા હતા અને તોડ થઇ ગયા બાદ આ અરજી પાછી ખેંચી લેતા હતા. આ પ્રેક્ટિસમાં ટી.પી.શાખાના અધિકારીઓનો પણ હિસ્સો રખાતો હતો. જો ટી.પી. શાખામાં કેટલી અરજી પાછી ખેંચાઇ તેની તપાસ થાય અને તે વિભાગના અધિકારીના મોબાઇલ ડિટેલ ચકાસવામાં આવે તો તોડબાજ પત્રકારો સાથેના તેના સંબંધની હકીકત પ્રકાશમાં આવી શકે તેમ છે. પત્રકારત્વ કે પૈસા છાપવાનું મશીન? ફરિયાદના 3 મોટા ખુલાસા

29 C