શહેરમાં સાયબર ઠગાઈના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે કાલુપુર વિસ્તારમાં રહેતા અને કાલુપુર યાર્ડમાં નોકરી કરતા એક વ્યક્તિ સાથે સાયબર ઠગોએ શેર માર્કેટમાં નફો કરાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં માફી બતાવી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી સાયબર ગઠિયાઓએ 21 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. નફાના રૂપિયા ટ્રાન્સફર ન થતા છેતરપિંડી થઈ હોવાની સામે આવતા ફરિયાદીએ અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. શેર માર્કેટ અને IPOમાં રોકાણ કરીને મોટા નફાની વાતો કરવામાં આવતીકાલુપુર વિસ્તારમાં રહેતા અને કાલુપુર યાર્ડમાં નોકરી કરતા લૂકમાન સાબિર હુસૈન મનસૂરીને નવેમ્બર 2025 દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં એક લિંક મોકલવામાં આવી હતી. ફરિયાદીએ લિંક પર ક્લિક કરતા જ તેઓને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં શેર માર્કેટ અને IPOમાં રોકાણ કરીને મોટા નફાની વાતો કરવામાં આવતી હતી. ગ્રુપમાં મેસેજ કરનાર વ્યક્તિ પોતાને પ્રોફેસર તરીકે ઓળખાવતો હતો અને સભ્યોને શેર ખરીદવા માટે પ્રોત્સાહિત કરતો હતો. થોડા દિવસ બાદ ફરિયાદીને બીજી એક લિંક મોકલીને VIP 317 નામના બીજા ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં માત્ર છ સભ્યો જ હતા અને અહીં વધુ વિશ્વાસ જીતવા માટે રોકાણ અંગે માર્ગદર્શન આપવામાં આવતું હતું. ફરિયાદીએ પણ નફાની આશામાં અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યાત્યારબાદ સાયબર ઠગોએ ફરિયાદીને S-HNWI નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશનમાં લોગિન કરાવ્યા બાદ શેર માર્કેટમાં ટ્રેડિંગ કરીને મોટો નફો કમાવી શકાય એવું જણાવી ફરિયાદીને રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ફરિયાદીએ થોડા રૂપિયા રોકાણ કર્યા હતા અને તેમાં નફો દર્શાવી તે રૂપિયા વીડ્રો થઈ જતા હોવાથી ફરિયાદીને વિશ્વાસ આવી ગયો હતો. આ રીતે વિશ્વાસમાં લઈ સાયબર ઠગોએ ફરિયાદીને વધુ રોકાણ કરવા માટે સમજાવ્યો હતો. ફરિયાદીએ પણ નફાની આશામાં અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એક મહિનાની અંદર ફરિયાદીએ કુલ 11 લાખ રૂપિયા એપ્લિકેશનમાં ટ્રેડિંગ માટે ટ્રાન્સફર કર્યા હતા. એપ્લિકેશનમાં વોલેટમાં કુલ 1.27 કરોડ રૂપિયાનો નફો દર્શાવવામાં આવતો હતોથોડા સમય બાદ એપ્લિકેશનમાં IPO એલોટમેન્ટના નામે ફરિયાદીને 31 લાખ રૂપિયાનો નફો થયો હોવાનું બતાવવામાં આવ્યું હતું. જેથી, ફરિયાદીએ આ નફાની રકમ વીડ્રો કરવા માટે રીક્વેસ્ટ કરી હતી પરંતુ, તે દરમિયાન સાયબર ઠગોએ બીજો IPO એલોટ થયો હોવાનું કહી ફરીથી 11 લાખ રૂપિયા ભરવા માટે મેસેજ કર્યો હતો. વધુ નફાની લાલચમાં આવી ફરિયાદીએ ફરી 11 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ એપ્લિકેશનમાં તેમના વોલેટમાં કુલ 1.27 કરોડ રૂપિયાનો નફો દર્શાવવામાં આવતો હતો. રૂપિયા ઉપાડવા માટે કુલ રકમના 20 ટકા ચાર્જ ભરવા પડશેફરિયાદીએ જ્યારે ફરીથી આ રકમ વીડ્રો કરવા માટે રીક્વેસ્ટ મૂકી ત્યારે કસ્ટમર કેર દ્વારા રીક્વેસ્ટ કેન્સલ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, રૂપિયા ઉપાડવા માટે કુલ રકમના 20 ટકા ચાર્જ ભરવા પડશે. આ વાત સાંભળતા ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી. ફરિયાદીએ સાયબર ઠગોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહોતો. અંતે બાકીની રકમ પરત ન મળતા ફરિયાદીએ અજાણ્યા સાયબર ઠગો સામે 21 લાખથી વધુની છેતરપિંડીની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. અંગ્રેજી 013 (દ્વિતીય ભાષા) વિષયમાં કુલ 12063 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 11,884 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વિષયમાં 179 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત, ગુજરાતી 008 (દ્વિતીય ભાષા) વિષયમાં 218 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અંગ્રેજી 006 (પ્રથમ ભાષા) વિષયમાં કુલ 387 વિદ્યાર્થીઓ પૈકી 382 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે પાંચ વિદ્યાર્થીઓએ ગેરહાજરી નોંધાવી હતી.
શહેરના વડવા દેવજી ભગતની ધર્મશાળા રોડ અને શેખ ઝુબેરી મસ્જિદ સામેના વિસ્તારમાં અગાઉ હટાવવામાં આવેલી યુરિનરી ફરીથી બનાવવાની હિલચાલ શરૂ થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ ના કાર્યકરો આજે ભાજપ નો ખેસ પહેરી મેયર ને રજુઆત કરવા પહોંચ્યા હતા, ભાવનગર શહેરના એક ધાર્મિક સ્થળ દરગાહ અને મસ્જિદની બિલકુલ સામે બની રહેલા શૌચાલયના વિષયે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા જાગી છે જેમાં બે દિવસ પહેલા કોંગ્રેસના કાર્યકર રહીશો સાથે રજુઆત કરી હતી ત્યારે બાદ આજરોજ ભાજપ ના કાર્યકરો ખેસ પહેરી મેયર ભરતભાઈ બારડને રજુઆત કરવા પહોંચ્યા હતા કે અહીંયા જાહેર યુરિનરી ન બનાવવા માં આવે ત્યારે મેયરએ કહ્યું કે અમે નહીં હું રૂબરૂ આવી જોઈ ને સ્થાનિકો સાથે વાતચીત કરી નિર્ણય કરીશું... અને ત્યારબાદ બપોરબાદ મેયર સ્થળ તપાસ માં ગયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે જે જગ્યાએ શૌચાલય બનાવવાનું આયોજન છે, તેની 500 મીટરની ત્રિજ્યામાં જ અન્ય 2 થી 3 શૌચાલયો આવેલા છે આ સંજોગોમાં ધાર્મિક સ્થાનની બિલકુલ સામે નવા શૌચાલયની કોઈ વિશેષ જરૂરિયાત જણાતી નથી, જો આ શૌચાલય ત્યાંથી હટાવવામાં આવે તો ધાર્મિક સ્થળની પવિત્રતા જળવાઈ રહે અને લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે, અમે કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવા માંગતા નથી. અગાઉની રજૂઆત વખતે નેતાઓનું વર્તન ઉગ્ર હતું, જેના કારણે કદાચ મેયરને સમજણફેર થયો હતો, પરંતુ આજે અમે તેમને પૂરતી વિગતો સાથે સમજાવ્યા છે અને તેમણે અમારી વાત સાંભળી સકારાત્મક નિર્ણય કરશે તેમ જણાવ્યું હતું.
સુરતના સિંગણપોર વિસ્તારમાં ગુજરાત ATS દ્વારા એક આંતરરાષ્ટ્રીય સ્તરના ગેરકાયદેસર નિકાસ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ દ્વારા ‘ઓટો-ઇન્ટરમીડિએટ OPI’ પાવડરને ‘એલોવેરા પાવડર’ તરીકે મિસલેબલિંગ કરી મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં મોકલવામાં આવતો હતો. આ કેસમાં ATS દ્વારા મુખ્ય સૂત્રધાર નિકુંજ હરેશભાઈ ગડિયાની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ નેટવર્ક મલેશિયાના નાર્કો કાર્ટેલ્સ સાથે જોડાયેલું છે, જે ભારતથી મોકલવામાં આવતા આ કેમિકલનો ઉપયોગ નશીલા પદાર્થો બનાવવા માટે કરતા હોવાની શંકા છે. 15 મહિનાથી ચાલતું હતું મિસલેબલિંગનું નેટવર્કATSની તપાસ મુજબ મુખ્ય આરોપી નિકુંજ ગડિયા પોતાની કંપની ‘DWN બાયોસાયન્સ’ ના નામે છેલ્લા 15 મહિનાથી આ કૌભાંડ ચલાવી રહ્યો હતો. ATSના તપાસમાં બહાર આવ્યું છે કે,આરોપી અત્યાર સુધીમાં અંદાજે 50 કિલો જેટલો એટોમીડેટ પાવડર વિદેશ મોકલી ચૂક્યો છે. આ પાવડરને સીધો મોકલવાને બદલે તેને એલોવેરા પાવડર, ગીનોપોલ-24 અને કાર્બોમોરના સેમ્પલ તરીકે જાહેર કરવામાં આવતો હતો. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ સમક્ષ ખોટી જાહેરાતો કરી અને બોગસ બિલ બનાવીને આ માલ બાય-એર વિદેશ રવાના કરવામાં આવતો હતો. મલેશિયાના નાર્કો કાર્ટેલ સાથે સીધું જોડાણઆ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં માત્ર સુરતના વેપારીઓ જ નહીં પરંતુ, મલેશિયા સ્થિત નાર્કો કાર્ટેલના સભ્યોની પણ સંડોવણી સામે આવી છે. તપાસમાં મલેશિયાના રહેવાસી મિસ્ટર ચુઆ ઝી જુઆન (Mr. Chua Zhi Xuan) નું નામ ખુલ્યું છે, જે આ માલ મેળવતો હતો. ATSને શંકા છે કે, આ કેમિકલનો ઉપયોગ ત્યાં સિન્થેટિક ડ્રગ્સ બનાવવા માટે કરવામાં આવતો હતો. આ સિવાય થાઈલેન્ડના પણ કેટલાક અજ્ઞાત સભ્યો આ ગુનાહિત કાવતરામાં સામેલ છે, જેમના નામ અને સરનામા મેળવવા માટે એટીએસ દ્વારા ઇન્ટરપોલ અથવા અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવી શકે છે. ત્રણ કંપનીઓના માલિકો સામે ગુનો દાખલATS દ્વારા આ મામલે કુલ ત્રણ મુખ્ય કંપનીઓના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં (1) DWN બાયોસાયન્સના માલિક નિકુંજ હરેશભાઈ ગઢીયા, (2) રુદ્ર એન્ટરપ્રાઈઝના માલિક ચેતનભાઇ કનુભાઈ વાવડીયા અને (3) જાની ફાર્માના માલિક ભૌતિક દામજીભાઈ પદમણીનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઈસમોએ સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલમાં નિકુંજ ગઢીયાની ધરપકડ થઈ છે, જ્યારે અન્ય આરોપીઓની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂરધરપકડ બાદ આરોપી નિકુંજ ગઢીયાને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. એટીએસના પીઆઈ ડી.ડી. રહેવરે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી તપાસમાં સહકાર આપી રહ્યો નથી અને ગોળ-ગોળ જવાબો આપી રહ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે આરોપીના મંગળવારે સવારે 11 વાગ્યા સુધીના (બે દિવસના) રિમાન્ડ મંજૂર કર્યા છે. પૈસાની લેવડદેવડ અને બેંક એકાઉન્ટની તપાસ પર ફોકસATS માટે સૌથી મહત્વનો મુદ્દો આ માલના વેચાણ બદલ મળેલા નાણાં છે. 50 કિલો જેટલો મોંઘો પાવડર વિદેશ મોકલ્યા બાદ તેના પૈસા કયા માધ્યમથી આવ્યા? શું આ નાણાં હવાલા મારફતે આવ્યા છે કે બેંકિંગ ચેનલથી? આરોપીના બેંક એકાઉન્ટ્સ અને છેલ્લા 15 મહિનાના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે. એટીએસ એ મુદ્દે પણ તપાસ કરી રહી છે કે આ કમાણીનો ઉપયોગ કોઈ દેશવિરોધી પ્રવૃત્તિ કે આતંકવાદી સંગઠનોને મદદ કરવા માટે તો નથી થયો ને? ‘OPI પાવડર પ્રતિબંધિત નથી’આરોપી નિકુંજ ગઢીયા તરફથી એડવોકેટ કેતન રેશમવાલાએ કોર્ટમાં દલીલો કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે જે ‘OPI’ પાવડરની વાત કરવામાં આવી રહી છે તે કોઈ પ્રતિબંધિત પદાર્થ (Banned Substance) નથી. આરોપીએ આ માલ જીએસટી બિલ સાથે કાયદેસરની રીતે ખરીદ્યો હતો અને તેના તમામ પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. બચાવ પક્ષના મતે આ માત્ર ટેકનિકલ મિસડીક્લેરેશનનો વિષય હોઈ શકે છે, જે ડ્રગ્સ ટ્રાફિકિંગ જેવો ગંભીર ગુનો નથી. કોણ-કોણ છે આ કૌભાંડના મદદગાર?ATS તપાસ કરી રહી છે કે, આરોપીને ખોટા બિલ બનાવવામાં અને કસ્ટમ્સના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં કોણે મદદ કરી છે. શું કોઈ સર્ટિફાઈડ એજન્ટ અથવા કસ્ટમ હાઉસ એજન્ટ (CHA) આ કૌભાંડમાં સામેલ છે? આટલા લાંબા સમય સુધી મુંબઈ એરપોર્ટથી આટલો મોટો જથ્થો મિસલેબલિંગ સાથે નીકળી ગયો, તે સુરક્ષા એજન્સીઓ માટે પણ એક મોટો પ્રશ્ન છે. રિમાન્ડ દરમિયાન એટીએસ આ ‘ઇનસાઇડર’ મદદગારોના નામ ઓકાવશે. મોબાઈલ ડેટા અને સીડીઆર (CDR) ખોલશે રહસ્યોતપાસ અધિકારીઓએ આરોપી નિકુંજ ગઢીયાના મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ ફોનના કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (CDR) અને સોશિયલ મીડિયા ચેટ્સ પરથી એટીએસ મલેશિયા અને થાઈલેન્ડના ડ્રગ્સ માફિયાઓ સાથેના સીધા સંપર્કો શોધી કાઢશે.આંતરરાષ્ટ્રીય સ્તરે વાતચીત કરવા માટે આરોપી કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો અને કયા કોડવર્ડમાં વાતો થતી હતી, તેની તપાસ આગામી દિવસોમાં તેજ બનશે. તપાસના મુખ્ય 8 મુદ્દાઓ જેના પર ATS કામ કરી રહી છેATS દ્વારા રિમાન્ડ અરજીમાં રજૂ કરવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
રાજકોટ શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને જેઠ વિરૂધ્ધ શારીરિક-માનસિક ત્રાસની આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાએ જણાવ્યું હતું કે પતિ દ્વારા ચારિત્ર્ય પર શંકા કરી માર મારવામાં આવતા અને સાસુ તેમજ જેઠ દ્વારા ચઢામણી કરવામાં આવતી હતી જેથી કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા પુજાબેન ગોવિંદભાઈ મીર (ઉ.વ.25)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેણીના પતિ ગોવિંદ, જેઠ રમેશભાઇ લાખાભાઇ, સાસુ જસુબેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે, પૂજાબેનના લગ્ન સાત વર્ષ પહેલા ગોવિંદભાઇ લાખાભાઈ મીર સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન દંપતીને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. પતિ ગોવિંદભાઈ અવારનવાર તેમના પર ખોટી શંકા અને વહેમ રાખતા હતા તેમજ પતિ ઘરની બહાર જતી વખતે ઘરનો ડેલો બહારથી લોક કરીને જતા હતા જેથી પુજાબેન ઘરની બહાર નીકળી ન શકે. દરમિયાન તા.20.02.2026ના રોજ સવારે પુજાબેને પતિને ઘરનો ડેલો બહારથી બંધ કરવાની ના પાડી ત્યારે પતિ ઉશ્કેરાઈ ગયા હતા અને બેફામ ગાળો આપી ઢોર માર માર્યો હતો. આ સમયે ઘરમાં હાજર જેઠ રમેશભાઈએ પણ પુજાબેનને બચાવવાને બદલે ભાઈનો સાથ આપીને હેરાન કરી હતી. આ ઝઘડા બાદ પતિ અને જેઠે ભેગા મળી ફરિયાદીને ત્રણ માસૂમ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુક્યા હતાં. તેમજ સાસુ જસુબેન અને જેઠ રમેશભાઈ નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારીને તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો અને આ બંનેની ચઢામણીથી પતિ પણ ત્રાસ આપતો હતો. ફરિયાદીને મારપીટના કારણે ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ સારવાર લીધી હતી અને છેલ્લા 15 દિવસથી તેઓ જસોદા ચોક પાસે આવેલા તેમના પિતા જેસાભાઈ સોહલાના ઘરે આશરો લઈ રહ્યા છે. આટલા દિવસો વીતવા છતાં સાસરીયા પક્ષમાંથી કોઈ તેડવા કે ખબર અંતર પૂછવા ન આવતા આખરે પુજાબેને તેમના ભાઈ ગણેશભાઈ સાથે પોલીસ સ્ટેશને જઈ પતિ ગોવિંદભાઈ, સાસુ જસુબેન અને જેઠ રમેશભાઈ વિરૂધ્ધ ફરિયાદ કરતાં યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરની પ્રતિષ્ઠિત ડી.એન. હાઈસ્કૂલના કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં સગીર કિશોરીના શંકાસ્પદ મોત મામલે આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ક્ષત્રિય કોળી સમાજના અગ્રણીઓએ આ ઘટનાને આત્મહત્યા નહીં પણ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી ન્યાયની માંગ સાથે આણંદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ક્ષત્રિય કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આણંદ ખાતે એકઠા થયા હતા. અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ વિજય બારૈયા અને ગુજરાત કોળી સમાજના અગ્રણી રાજુ સોલંકીની આગેવાનીમાં એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી પહોંચેલા સમાજના લોકોએ ત્યાં ધરણા પણ કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં સમાજના અગ્રણીઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું કે, જે સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો તેમાં કિશોરીના બંને પગ જમીન સાથે અડેલા હતા. કબાટના હૂક સાથે દુપટ્ટો બાંધી આ રીતે આત્મહત્યા કરવી અશક્ય છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે સગીરાની હત્યા કર્યા બાદ તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે ઘટના બાદ હોસ્ટેલના રેક્ટર કે શાળાના સત્તાધીશોએ તેમને ત્વરિત જાણ કરી ન હતી. આ વિલંબને કારણે પણ શંકા વધુ ઘેરી બની છે. ચિંતાજનક બાબત એ છે કે આ હોસ્ટેલમાં આવી આ બીજી ઘટના છે. વર્ષ 2023-24માં આરતી નામની સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ હવે તારાપુરના ફતેપુરાની ધરતીબેન ગોહીલનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. કોળી સમાજે આ સમગ્ર પ્રકરણની ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ ઉચ્ચ સ્તરીય તપાસ એજન્સી દ્વારા કરાવવાની માંગ કરી છે જેથી સત્ય બહાર આવી શકે. જો કસૂરવારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં એક પિતાએ પોતાની પુખ્ત ઉંમરની પુત્રીને લઈને હેબિયર્સ કોર્પસ અરજી દાખલ કરી હતી. જેમાં તેની પુત્રીને એક યુવક દ્વારા ગાંધી રખાઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. હાઇકોર્ટે આદેશ કરતા પોલીસે પરિણીત પુત્રીને કોર્ટ સમક્ષ હાજર કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, અરજદાર પિતાએ એક યુવક સાથે તેની સગાઈ નક્કી કરી હતી પરંતુ, બાદમાં આ સગાઈ તૂટી ગઈ હતી. કોર્ટે ન્યાયિક સમયનો વ્યય કરવા બદલ પિતાને ઉદાહરણ 50 હજારનો દંડ ફટકાર્યો જોકે, અરજદાર પિતાની પુત્રીએ તે જ યુવક સાથે લગ્ન કરી લીધા હતા. તે પોતાના પતિ પાસે રહેતી હતી અને તેને જબરજસ્તી ગોંધી રખાઈ નહોતી. કોર્ટ સમક્ષ મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ રજુ કરવામાં આવ્યું હતું. પિતાને પુત્રીના લગ્નથી દુઃખ થયું હોવાથી માનસિક ઉદાસીવશ તેઓએ આ અરજી કરી હતી. આથી કોર્ટે ન્યાયિક સમયનો વ્યય કરવા બદલ પિતાને ઉદાહરણ 50 હજારનો દંડ ફટકાર્યો હતો. જેની રકમ અઠવાડિયામાં પુત્રીને ચૂકવવાની રહેશે. દીકરીના પિયરીયા તેના લગ્નજીવનમાં હસ્તક્ષેપ કરે નહીંઆવા જ બીજા એક કેસમાં એક પિતાએ તેની પુખ્ત વયની પુત્રીને ગોંધી રખાઈ હોવા બાબતે હેબિયા કૉર્પસ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ અરજદારની દીકરીના લગ્ન એક અન્ય યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ, દીકરીનું અપહરણ કરી લેવાયું હોવાથી આ લગ્ન થઈ શક્યા નહોતા. કોર્ટના આદેશથી દીકરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેમાં પરિણીત દીકરીએ જણાવ્યું હતું કે, તેને કોઈ ગેરકાનુની રીતે ગોંધી રખાઈ નથી. તે 26 વર્ષની ઉંમરની છે અને તેને પોતાની મરજી અને પસંદગીથી એક યુવક સાથે લગ્ન કર્યા છે ત્યારે હાઇકોર્ટે નોંધ્યું હતું કે, દીકરી પુખ્ત વયની ઉંમરની છે. તે પોતાના જીવનસાથીની પસંદગી કરવા માટે સ્વાતંત્ર હક્ત ધરાવે છે. જેથી દીકરીના પિયરીયા તેના લગ્નજીવનમાં હસ્તક્ષેપ કરે નહીં. જો તેમના દ્વારા કોઈ નકારાત્મક કામ કરવામાં આવશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.
સમાજમાં સગીરાઓ વિરુદ્ધ વધતા જતા ગુનાઓ રોકવા અને દાખલો બેસાડવા માટે ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17 વર્ષ અને 9 માસની સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી 10 દિવસ સુધી ગોંધી રાખી હતી. તેની પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર દાહોદના આરોપી સાધુ મકન ભૂરીયાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતુંઆ કેસની વિગતો મુજબ, ગત 30 જાન્યુઆરી 2023ના રોજ ખોરજ ગામેથી આરોપી સાધુ મકન ભૂરીયાએ સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. આરોપી સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો અને 10 દિવસથી વધુ સમય સુધી પોતાની પાસે ગોંધી રાખી તેણીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ફરિયાદ નોંધાઈને તપાસમા ખુલાસા થયાઆ અંગે ભોગબનનારના પિતાએ 8 ફેબ્રુઆરી 2023ના રોજ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ કે, અગાઉ પણ આરોપી સગીરાને ભગાડી લઈ ગયો હતો. અને સગીરા દોઢ વર્ષ પછી પરત ઘરે આવી હતી. ત્યારથી શ્રમજીવી પરિવાર ખોરજમાં રહી કડિયાકામની મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયોઆ વખતે સગીરા ગલ્લે વિમલ લેવાનું કહીને ગુમ થઈ ગઈ હતી. જેનું આરોપી અપહરણ કરીને ભગાડી લઈ ગયો હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી જરૂરી આધાર પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ને 4 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશજે કેસ બીજા એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માની કોર્ટ માં ચાલી જતા સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ હાજર રહી દલીલ કરી હતી કે આરોપીએ સગીરાની નાની વયનો ગેરલાભ ઉઠાવી અત્યંત ગંભીર ગુનો આચર્યો છે. તેમણે સમાજમાં દાખલો બેસે તે હેતુથી આરોપીને સખતમાં સખત સજા અને દંડ કરવાની માંગ કરી હતી. જે દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે દાહોદના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.
કડીમાં વર્ષ 2022માં થયેલી ચકચારી બિલાલભાઈ ઘાંચીની હત્યાના કેસમાં જેલમાં બંધ આરોપીની વચગાળાની જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપીએ સંતાનના ઓપરેશનના બહાને જેલમુક્તિ માંગી હતી પરંતુ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે તેને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કડી બિલાલ ઘાંચી હત્યા કેસ આરોપીની જામીન અરજી ફગાવીવર્ષ 2022માં કડી વિસ્તારમાં ઘર નજીક પેસેજ રસ્તો વાપરવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં બિલાલભાઈ ઘાંચી પર છરીના ઘા ઝીંકી તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં અમ્મારભાઈ ઇસબભાઈ ઘાંચી મુખ્ય આરોપી તરીકે જેલવાસ ભોગવી રહ્યો છે. આરોપીએ તાજેતરમાં પોતાની દીકરીના એપેન્ડિક્સના ઓપરેશન માટે વચગાળાના જામીન મેળવવા મહેસાણા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. 'ઓપરેશનના કારણો આગળ ધરીને જામીન મેળવવાનો પ્રયાસ યોગ્ય નથી'આ અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપી સામેની હત્યાનો ગુનો અત્યંત ગંભીર પ્રકારનો છે. ઓપરેશનના કારણો આગળ ધરીને જામીન મેળવવાનો પ્રયાસ યોગ્ય નથી. આ દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ જજ એમ. એફ. ખત્રીએ આરોપી અમ્મારભાઈની જામીન અરજી ફગાવી દીધી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારી પૂનમ ફુમકીયાની જીવન સફર અનેક યુવતીઓ માટે દિશાસૂચક બની છે. રમતગમત પ્રત્યેના અજોડ જુસ્સાને કારણે તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) જેવી પ્રતિષ્ઠિત નોકરી છોડીને સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો સાહસિક નિર્ણય લીધો હતો. પરિવારમાં કોઈ સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ ન હોવા છતાં, માત્ર મહેનત અને મક્કમતાના જોરે મેં આ મુકામ હાંસલ કર્યો છે. જો પ્રેરણા અને લગન હોય તો કોઈ પણ સપનું અશક્ય નથી. શરૂઆત અને રાષ્ટ્રીય ફલક પર પ્રદર્શનપૂનમ ફુમકીયાએ વર્ષ 2003માં ધોરણ 9થી હોકી રમવાની શરૂઆત કરી હતી. શાળાના વ્યાયામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ સફર સમય જતાં તેમનું જીવનલક્ષ્ય બની ગઈ. સતત પરિશ્રમ અને શ્રેષ્ઠ ખેલદિલીના જોરે તેમણે રાજ્યની ટીમમાં સ્થાન મેળવ્યું અને કુલ 7 વખત નેશનલ ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. શિક્ષણ અને વ્યાવસાયિક કારકિર્દીરમતગમત ક્ષેત્રે તકનીકી જ્ઞાન મેળવવા માટે તેમણે વર્ષ 2011-12માં નેતાજી સુભાષચંદ્ર બોઝ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાંથી 'ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ કોચિંગ' પૂર્ણ કર્યું. ત્યારબાદ, વર્ષ 2013માં વડોદરા ખાતે હોકી કોચ તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. PSIની તાલીમ છોડી રમતગમતની પસંદગી તેમના જીવનનો સૌથી મોટો વળાંક વર્ષ 2016-17માં આવ્યો જ્યારે તેમણે PSIની પરીક્ષા પાસ કરી. જોકે, પોલીસની તાલીમ દરમિયાન જ તેમને રમતગમત વિભાગમાં કાયમી નિમણૂક મળતા, તેમણે ખાખી વર્દીને બદલે ખેલના મેદાનને પસંદ કર્યું. મનગમતા ક્ષેત્રમાં કામ કરવા માટે તેમણે PSIની તાલીમ અધવચ્ચે જ છોડી દીધી હતી. વર્તમાન જવાબદારી અને પ્રદાનછેલ્લા 8 વર્ષથી તેઓ અમરેલી જિલ્લામાં હોકી કોચ અને જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ જિલ્લાના અનેક યુવક-યુવતીઓ રમતગમત ક્ષેત્રે તાલીમ મેળવી આગળ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પૂનમ ફુમકીયાની આ મક્કમતા સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વસંધ્યાએ 7 માર્ચ 2026ના રોજ અમદાવાદના શેલા સ્થિત ક્લબ O7 ખાતે એક પ્રેરણાદાયી અને પરિવર્તનશીલ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ સંપન્ન થયો હતો. કોરોના રેમેડીઝ દ્વારા અમદાવાદ ગ્રામ્ય પોલીસના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં અંદાજે 250 મહિલા પોલીસકર્મીઓ અને કોરોના રેમેડીઝની 50 મહિલા કર્મચારીઓ સહિત કુલ 300 સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પહેલનો મુખ્ય હેતુ સમાજની સુરક્ષામાં ખડેપગે રહેતી મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવાનો હતો. પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિધિ ચૌધરી (IPS, પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ રેન્જ - આઈ/સી) અને અતિથિ વિશેષ તરીકે ઓમ પ્રકાશ જાટ (IPS, પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં કોરોના રેમેડીઝની વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમ દ્વારા મહેમાનોનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે પોલીસ જેવી કપરી ફરજ બજાવતી મહિલાઓ ઘણીવાર પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે, ત્યારે આ પ્રકારના આયોજનો તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. નિવારક તપાસ અને તબીબી માર્ગદર્શનમહિલાઓના સર્વાંગી સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં વિવિધ નિઃશુલ્ક આરોગ્ય તપાસની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જેમાં BMD (બોન મિનરલ ડેન્સિટી), ન્યુરોપથી તપાસ, હાયપરટેન્શન, રેન્ડમ બ્લડ ગ્લુકોઝ અને હિમોગ્લોબિન ટેસ્ટનો સમાવેશ થતો હતો. તબીબી માર્ગદર્શન સત્રમાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડૉ. વંદના અમીને એનીમિયા, ગર્ભાવસ્થા દરમિયાન કાળજી, HPV રસીકરણ અને સ્તન કેન્સરની વહેલી તપાસ જેવા ગંભીર વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમયસરની તપાસ લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમોને ટાળી શકે છે. પોષણ અને માનસિક શાંતિ પર ભારસ્વાસ્થ્ય માત્ર શારીરિક જ નહીં પણ માનસિક અને ભાવનાત્મક પણ હોવું જોઈએ તે હેતુથી ન્યૂટ્રિશનિસ્ટ કૃષ્ણા કોઠારીએ મહિલાઓ માટે જરૂરી આહાર શૈલી વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે રોજિંદા જીવનમાં પોષક તત્વોના મહત્વ અને ખોરાક સંબંધિત સાવચેતીઓ અંગે વ્યવહારુ ટિપ્સ આપી હતી. આ ઉપરાંત, ભાગદોડભરી જિંદગીમાંથી રાહત આપવા માટે સહભાગીઓ માટે 'સાઉન્ડ બાથ મેડિટેશન' અને લાઈવ મ્યુઝિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે મહિલાઓને માનસિક રીતે પુનઃજીવિત કરી હતી. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહિલાઓને ગિફ્ટ હેમ્પર્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા-અડિયા રોડ પર આવેલા થડિયાવાળા માતાજીના મંદિરે ગૌશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. સંતો-મહંતોની પાવન નિશ્રામાં આ કાર્યક્રમ યોજાયો હતો. એક સમયે પ્રેત આત્મા તરીકે વિહરતી શક્તિનું આ ધામ હવે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. કાંકરેજના દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી ૧૦૦૮ બળદેવનાથ ગુરુ વસંતનાથજી બાપુના સાંનિધ્યમાં તેમનાં શિષ્યા ગીતાબેનના હસ્તે ગૌશાળાનું ભૂમિપૂજન કરાયું. ડુચકવાડાના ભરતભાઈ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર વિધિ કરવામાં આવી હતી. હાલમાં ૨૧ ગાયોથી ગૌશાળાની શરૂઆત કરાશે. આ પ્રસંગે અલખ ધણી આશ્રમ સરવાલ ગૌશાળાના માતાજી પૂ. ઈંદુગીરીજી, ગોધાણા આશ્રમના શિવાભારતીજી મહારાજ, લોલાડાના શિવાનંદજી બાપુ, ભુવાજીઓ જામાભાઈ ખીમાણા, લવાણા ચેહર ધામના પ્રવીણભાઈ, ખાનપુરના ભગાભાઈ, જામાભાઈ કાટડીયા, કનુભાઈ સુબાપુરા, ઈટોદાના હરજી ભગત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાધેશ્યામ મહિલા મંડળ થરા અને ઈટોદાના આનંદના ગરબા મંડળે ભક્તિભાવ રજૂ કર્યો હતો. મંદિર સંકુલમાં થડિયાવાળી માતાજી, ભગવાન શિવજી, ગોગા મહારાજ અને ગુરુ ગાદીનો ધૂણો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં એક નાનકડો બગીચો પણ બનાવવામાં આવ્યો છે. મંદિર સ્થાપના દિવસ અને નવરાત્રી જેવા પ્રસંગોએ કુવાસીઓના ભોજન અને ભજન જેવા કાર્યક્રમો યોજાય છે. ઉલ્લેખનીય છે કે, થડિયાવાળી માતાજી એક સમયે ચંદ્રુમાણાથી અડિયા રસ્તા ઉપર પ્રેતશક્તિ તરીકે વિહરતા હતા અને લોકોમાં ભયનો માહોલ રહેતો હતો. ભૂતકાળમાં સાધુઓ દ્વારા એક બાળ સેવિકાની અહીંની ઝાડીમાં હત્યા કરવામાં આવી હતી, ત્યારથી આ શક્તિ પ્રેત આત્મા તરીકે ફરતી હોવાનું મનાય છે. મૂળ કાંકરેજ તાલુકાના ગીતાબેનને થડિયાવાળી માતા અને સિકોતર માતાનું દેવ દુઃખ થતાં તેમણે તેનું નિરાકરણ કર્યું હતું. તેમની પ્રેરણાથી તળાવ કિનારે થડિયાવાળા માતાજીની સ્થાપના કરવામાં આવી છે. માતાજીના સેવક ગીતાબેન વહેલી સવારે અને સાંજે પાંચથી આઠ સુધી મૌનવ્રત ધારણ કરે છે. તેમના ગુરુ બળદેવનાથ બાપુ દ્વારા અખંડ ધૂણો પ્રજ્વલિત કરાયેલો છે. ગીતાબેને ૧૨ વર્ષ સુધી અન્ન ન લેવાની ટેક રાખી છે અને છેલ્લા ત્રણ વર્ષથી માત્ર પાણી અને દૂધ જ લઈ રહ્યા છે. તેઓ અખંડ ધૂણામાં સવારે અને સાંજે ત્રણથી પાંચ કલાક સુધી નિત્ય સાધના કરે છે.
રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા હસ્તકના 362.60 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી જીતુ વાઘાણી અહીં આવી પહોંચ્યા હતા. અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં છેલ્લા 30 વર્ષથી હારી રહેલા નેતાઓની કોંગ્રેસે કમિટીઓ બનાવી છે. ભાજપના મન લોકો એ માણસ છે અને તેઓના મન લોકો એ મત છે. કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની નિવૃતિ અંગે કહ્યું કે કોઈ આવે, જાય કે જીવીત થાય તેનાથી ભાજપને કોઈ ફર્ક પડતો નથી. આ સાથે જ જંગલેશ્વરના જંગલને સાફ કરવા બદલ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા તો સાથે જ આજે મેયરનો જન્મદિવસ હોવાથી તેમને પણ શુભેચ્છા પાઠવી હતી. 362 કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપવામાં આવીજીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજકોટના લોકોની સુખાકારી માટે એક જ જગ્યાએથી 362 કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં વધુ 518 કરોડના વિકાસ કામો થવાના છે, જેથી કહી શકાય કે ટૂંકા ગાળામાં 1000 કરોડથી વધુના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થતા લોકોની સુખાકારીમાં વધારો થશે. તેમણે કહ્યું કે, હવે લોકોની ડિમાન્ડ બદલાઈ છે. અગાઉ કોંગ્રેસના શાસનમાં ઉનાળાના દિવસોમાં ટ્રેનમાં પાણી મંગાવવું પડતું હતું જ્યારે હવે પાણી તો આવે જ છે પરંતુ, ફોર્સથી પાણી નથી આવતું એવી ફરિયાદો લોકો કરે છે. હવે રોડ તો છે પરંતું સીસી રોડની ડિમાન્ડ થાય છે. આ સાથે જ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વરનું જંગલ સાફ કરવામાં સફળતા મેળવી તે બદલ હું મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિતની ટીમને અભિનંદન આપું છું. જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી અને સરકારી જમીન ઉપર દબાણ હતું ત્યાં બુલડોઝર ફેરવી જમીન ખુલ્લી કરાવવાની સાથે અસામાજિક પ્રવૃત્તિઓ પણ બંધ કરાવવામાં આવી છે. 30 વર્ષથી ભાજપ સામે હારતા આવે છે તેઓની કોંગ્રેસે કમિટી બનાવીજે બાદ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, જે નેતાઓ છેલ્લા 30 વર્ષથી ભાજપ સામે હારતા આવે છે તેઓની કોંગ્રેસે કમિટી બનાવી છે. જેમની પર એક તરફ દયા અને બીજી તરફ હસવું આવે છે કારણ કકોંગ્રેસમાં કોઈ કાર્યકર્તાઓ નથી અને તેમની સાથે લોકોનો પ્રેમ પણ નથી જેથી આગામી મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આ કોંગ્રેસ ફરીથી ભાજપ સામે હારશે. અમારા મનમાં લોકો એ માણસ છે અને તેમના માટે લોકોએ મત છે. પ્લાન્ટ આગામી 5 વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે તૈયાર કરાશેઆજે 7 માર્ચના રાજકોટના પ્રભારી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કુલ 362.60 કરોડના ખર્ચે તૈયાર અલગ-અલગ જનહિતલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. રાજકોટ મહાનગરપાલિકાની 11 માર્ચના ટર્મ પૂર્ણ થાય તે પૂર્વે શહેરના અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌથી મોટો પ્રોજેક્ટ આજી ડેમ ખાતે 75 એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો છે, જેની પાછળ અંદાજે 6048 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી 5 વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે તૈયાર કરાશે, જેનાથી શહેરની પાણીની સમસ્યામાં મોટો ઘટાડો થશે. આ ઉપરાંત વોટર વર્કસ વિભાગ દ્વારા કટારીયા બ્રિજ પાસે નડતરરૂપ એમ.એસ. લાઈન શિફ્ટ કરી નવી 711 mmની લાઈન નાખવાની કામગીરી પણ હાથ ધરાશે, જેનો ખર્ચ રૂ. 297.88 લાખ છે. 556.00 લાખના ખર્ચે બનેલા વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું લોકાર્પણઆ ઉપરાંત આરોગ્ય અને પર્યાવરણના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જેમાં રેલનગર વિસ્તારમાં 314 લાખના ખર્ચે નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર અને 148 લાખના ખર્ચે તૈયાર થયેલ બગીચાનું લોકાર્પણ કરવામાં આવશે. રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે રેસકોર્ષ સંકુલમાં ફૂટબોલ અને હોકી ગ્રાઉન્ડ વચ્ચે 374 લાખના ખર્ચે વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે. ડ્રેનેજ વિભાગ માટે 229.92 લાખના ખર્ચે 3 નંગ વ્હીકલ માઉન્ટેડ રોબોટીક ક્લીનીગ મશીન વસાવવામાં આવ્યા છે, જેનાથી સફાઈ કામગીરી વધુ આધુનિક બનશે. વોર્ડ નં.17માં 556.00 લાખના ખર્ચે બનેલા વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. પાઈપલાઈન અને અન્ય ડ્રેનેજ કામો માટે પણ કરોડોની ફાળવણી કરવામાં આવીવેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં પણ અનેક કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. જેમાં જામનગર રોડ જંકશન પાસે 371.09 લાખના ખર્ચે ભવ્ય એન્ટ્રી ગેઇટ બનાવવાનું આયોજન છે. વોર્ડ નં.5માં પેડક રોડને 4383.69 લાખના ખર્ચે ગૌરવપથ તરીકે વિકસાવામાં આવશે. ઉપરાંત વોર્ડ નં.6 માં કનકનગર શાક માર્કેટને 490 લાખના ખર્ચે અદ્યતન બનાવવાની અને મહારાણા કોમ્યુનિટી હોલને 1184 લાખના ખર્ચે રીડેવલોપ કરવાની યોજના છે. વોર્ડ નં.18માં વિરાણી અઘાટથી બોલબાલા રોડ સુધી પાઈપલાઈન અને અન્ય ડ્રેનેજ કામો માટે પણ કરોડોની ફાળવણી કરવામાં આવી છે. તાજેતરમાં જુદી-જુદી બે સ્ટેન્ડિંગની બેઠકો પણ યોજવામાં આવી હતીરાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) દ્વારા પણ મોટા પાયે રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ રિંગ રોડ-2, ફેઝ-5 (મોરબી રોડ થી અમદાવાદ રોડ) છે. જે બનાવવા માટે 10581.46 લાખ અને તેમાં બ્રિજ તથા અંડરપાસ બનાવવા માટે 3191.75 લાખનો ખર્ચ થશે તેમજ રોણકી વિસ્તારમાં 2482.00 લાખના ખર્ચે વોટર સપ્લાય સ્કીમ અને કુવાડવાથી સરધાર રોડ સુધી 1314.51 લાખના ખર્ચે 30 મીટરના રોડનું ખાતમુહૂર્ત કરાયુ હતુ. આ તકે તરઘડી અને કાંગશિયાળી વિસ્તારમાં તૈયાર થયેલા નવા રોડનું લોકાર્પણ પણ આ તકે કરાયુ હતુ. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકામાં ભાજપના શાસકોનો કાર્યકાળ 11 માર્ચના રોજ પૂર્ણ થનાર છે. જેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જુદી-જુદી બે સ્ટેન્ડિંગની બેઠકો પણ યોજવામાં આવી હતી. જેમાં કરોડો રૂપિયાના વિકાસકામ મંજુર કરવામાં આવ્યા છે. આ પૈકી જેટલા બને તેટલા વધુ કામોનાં ખાતમુહૂર્ત અને અગાઉના પૂર્ણ થયેલા કામોનાં લોકાર્પણ 11 માર્ચ પહેલા પૂર્ણ કરવાની દોડધામ હાલ શાસકો દ્વારા કરવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જામનગરમાં કોંગ્રેસ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને કોર્પોરેશનની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી ફોર્મ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા ત્રણ દિવસ સુધી ચાલશે. ઈચ્છુક ઉમેદવારો શહેર કોંગ્રેસ કાર્યાલય અને કોંગ્રેસના વોર્ડ પ્રમુખો પાસેથી 10મી તારીખ સુધી ફોર્મ મેળવી શકશે. ભરેલા ફોર્મ પરત કાર્યાલયમાં જમા કરાવવાના રહેશે. ફોર્મમાં ઉમેદવારોએ રાજકીય અનુભવ, કોંગ્રેસ સિવાય અન્ય કોઈ પક્ષ સાથે જોડાણ, અગાઉ લડેલી ચૂંટણીઓ, કયા વોર્ડમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા છે, ચૂંટણી લડવાનું મુખ્ય કારણ, જીતવાની રણનીતિ, સામાજિક અને સેવા કાર્યો, કોઈ સેવા સંસ્થા સાથે જોડાણ અને કાયદાકીય કેસ-વિવાદ જેવી વિગતો ભરવાની રહેશે. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આ પ્રકારની પ્રક્રિયા પ્રથમવાર હાથ ધરવામાં આવી છે. આ પહેલનો હેતુ તમામ વોર્ડમાં સક્ષમ અને યોગ્ય ઉમેદવારોને તક આપવાનો હોવાનું જણાઈ રહ્યું છે. આજની પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ કોંગ્રેસના ભીખુભાઈ વારોતરીયા, પૂર્વ મંત્રી ડો. દિનેશ પરમાર, જામ્યુકોના વિપક્ષી નેતા ધવલ નંદા, સહારાબેન મકવાણા, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ, આનંદ ગોહિલ અને ભરત વાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ સાથેની વાતચીત મુજબ, ત્રણ દિવસ સુધી ફોર્મ સ્વીકારાયા બાદ, પસંદ કરાયેલા તમામ ફોર્મના નામો આગામી 12 અને 13 તારીખે જામનગર આવનારા કોંગ્રેસના પ્રભારી લલિતભાઈ વસોયા અને રહીમભાઈ શૌરા સમક્ષ રજૂ કરવામાં આવશે.
સંઘપ્રદેશ દમણના નાઈટ માર્કેટમાં ગત ૪થી માર્ચે ધુળેટીની રાત્રે સુરતથી આવેલા સહેલાણીઓ અને સ્થાનિક યુવાનો વચ્ચે મારામારી થઈ હતી. એક નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જાહેર માર્ગ પર થયેલી આ ઝપાઝપીમાં નશાની હાલતમાં રહેલા કેટલાક યુવાનોએ એકબીજા પર લાતો અને મુક્કા વરસાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. જાગૃત નાગરિકો દ્વારા 112 નંબર પર જાણ કરવામાં આવતા દમણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ મારામારી કરનાર અને ભોગ બનનાર તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દમણ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે મારામારીમાં સંડોવાયેલા સાત યુવકોને શોધી કાઢી તેમની ધરપકડ કરી હતી. જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવા બદલ અને કાયદો હાથમાં લેવા બદલ પોલીસે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના એક ગામની એક સગીરાનું અપહરણ કરી, તેને રાજસ્થાન લઈ જઈ દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં આણંદની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી પરણિત યુવકને 20 વર્ષની સખત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે. માતા-પિતાની જાનથી મારવાની ધમકી આપીને આરોપીએ સગીરાને બાઈક પર બેસાડીને અજમેર લઈ ગયો હતો. ત્યાંના ગેસ્ટહાઉસમાં બંધક બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આખો કેસ શું છે?કેસની પ્રાપ્ત વિગતો અનુસાર, આંકલાવ તાલુકાના એક ગામના ફળિયામાં રહેતો 32 વર્ષીય પરણિત યુવક સુરેશ ઉર્ફે ફિરોજ માનસંગ વાઘેલા, 18 જૂન, 2024ના રોજ 14 વર્ષ અને 9 માસની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. શરૂઆતમાં સગીરાએ તેની સાથે બાઇક પર બેસવાની ના પાડી હતી, પરંતુ આરોપીએ તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેને મજબૂર કરી હતી. આરોપી સગીરાને અપહરણ કરી રાજસ્થાનના અજમેર લઈ ગયો હતો. ત્યાં 'શાહુ પેલેસ' ગેસ્ટ હાઉસમાં ત્રણ દિવસ સુધી બંધક બનાવી તેણે સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે આંકલાવ પોલીસે ગુનો નોંધી 26 જૂન, 2024ના રોજ આરોપીની ધરપકડ કરી હતી અને જરૂરી પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટની કાર્યવાહી અને દલીલોઆ કેસની સુનાવણી આણંદના સેકન્ડ એડિશનલ અને સ્પેશિયલ પોક્સો જજ એસ. આઈ. ભોરણીયાની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. સરકાર પક્ષે વકીલ વી. બી. મહિડાએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપી સામે પોક્સો એક્ટની કલમ 6 હેઠળ ગંભીર જાતીય હુમલાનો ગુનો સાબિત થયો છે. સરકારી વકીલે વધુમાં ઉમેર્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે. આવા હીન અને ધૃણાસ્પદ ગુનાઓ સામે સમાજમાં દાખલો બેસે અને ભવિષ્યમાં આવા બનાવો પર અંકુશ આવે તે માટે આરોપીને કડકમાં કડક સજા થવી અનિવાર્ય છે. ઐતિહાસિક ચુકાદોબંને પક્ષોની દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને જજ એસ. આઈ. ભોરણીયાએ આરોપી સુરેશ ઉર્ફે ફિરોજને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત, કોર્ટે આરોપીને 26,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય, તો તેને વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવી પડશે.
મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં બી-ડીવીઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની આંતરરાજ્ય ટોળકીના ત્રણ સાગરીતોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ નંબર પ્લેટ સાથે છેડછાડ કરેલી ગાડીમાં આવી ચોરીને અંજામ આપતા હતા. અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી સોનાના દાગીના ચોરી ગયા હતાગત તા 1 માર્ચ, 2026ના રોજ રાત્રિના સમયે મહેસાણાના નાગલપુર કોલેજ પાછળ આવેલી એક સોસાયટીના બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી સોનાના દાગીના ચોરી ગયા હતા. આ અંગે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 331(4) અને 305(1) મુજબ ગુનો નોંધાયો હતો. તસ્કરોએ પોલીસથી બચવા માટે ગાડીની પાછળની નંબર પ્લેટ તોડી નાખી હતીચોરીની ઘટના બાદ સર્વેલન્સ સ્કોડ દ્વારા વિસ્તારના તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એક શંકાસ્પદ ઇનોવા ગાડી GJ-06-CM-7863 અને એક મોટરસાયકલ નજરે પડ્યા હતા. તસ્કરોએ પોલીસથી બચવા માટે ગાડીની પાછળની નંબર પ્લેટ તોડી નાખી હતી અને આગળની પ્લેટ પર એલઈડી લાઈટ લગાવી હતી જેથી નંબર સ્પષ્ટ ન વંચાય. જોકે નેત્રમ કમાન્ડ કંટ્રોલની મદદથી ગાડીનો સાચો નંબર મેળવી પોલીસ તપાસ તેજ કરવામાં આવી હતી. મોટરસાયકલ પર સોસાયટીઓમાં રેકી કરી બંધ મકાનોના તાળા તોડતા હતાપોલીસને બાતમી મળી હતી કે, ગુનામાં વપરાયેલી ઇનોવા ગાડી ગોજારીયા રેલ્વે સ્ટેશન સામે આવેલી એક ઓરડી પાસે પડી છે. પોલીસે તુરંત દરોડો પાડી ત્યાં હાજર ત્રણ શખસોને કોર્ડન કરી ઝડપી લીધા હતા. તેમની પૂછપરછ અને ગાડીની જડતી લેતા સીટ નીચે છુપાવેલી સોનાના દાગીનાની પોટલી મળી આવી હતી. આ ટોળકી અત્યંત શાતિર રીતે ચોરી કરતી હતી. તેઓ પોતાની ઇનોવા ગાડીમાં મહેસાણા આવતા ઓળખ છુપાવવા નંબર પ્લેટ સાથે છેડછાડ કરતા અને પછી શહેરમાંથી કોઈ મોટરસાયકલ ચોરી કરતા હતા.આ ચોરેલા મોટરસાયકલ પર સવાર થઈ સોસાયટીઓમાં રેકી કરી બંધ મકાનોના તાળા તોડતા હતા.ચોરી કર્યા બાદ મોટરસાયકલ અવાવરું જગ્યાએ ફેંકી દઈ પોતાની ગાડીમાં ફરાર થઈ જતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂ.3,00,550 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં સોનાનો ચેન, બુટ્ટી, વીંટી, ઓમ અને ચૂની (કિંમત અંદાજે રૂ.2,15,550 અને એક ઇનોવા ગાડી અને એક ચોરીનું મોટરસાયકલ અને બે મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાયેલ પક્કડ પાનું હાલમાં બી-ડીવીઝન પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓના નામરાજસિંહ ઈશ્વરસિંહ બરનારા (રહે. ધાર, મધ્યપ્રદેશ),મનમોહનસિંહ ઉર્ફે છોટે ઇકબાલસિંહ બરનારા (રહે. ધાર, મધ્યપ્રદેશ) પર્વતસિંહ જામસિંહ ભુકંપસિંહ (રહે. ડુંગરપુર, રાજસ્થાન) આ ગુનામાં અન્ય બે આરોપીઓ, લકુસિંહ પર્વતસિંહ અને નિર્મલસિંહ (બંને રહે. રાજસ્થાન), હજુ પોલીસ પકડથી દૂર છે.
મહેસાણા શહેરના મોઢેરા રોડ પર મોડી રાત્રે જાહેર રોડ ઉપર એરગનથી હવામાં ફાયરિંગ કરી ભયનું વાતાવરણ ઊભું કરનાર એક શખસને મહેસાણા LCBની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ફાયરિંગ માટે વપરાયેલી એરગન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. LCBએ ગંભીરતા દાખવી ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજ તપાસ્યા મહેસાણા LCBનો સ્ટાફ શહેરના મોઢેરા ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, મોઢેરા ચોકડીથી વાઈડ એન્ગલ તરફ જતા જાહેર રોડ પર એક અજાણ્યા શખસે સફેદ રંગની સ્કોર્પિયો ગાડીમાં આવી સ્થાનિકો સાથે બોલાચાલી કરી પોતાની પાસે રહેલી પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કર્યું હતું. આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવા છતાં LCBએ ગંભીરતા દાખવી ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. રાત્રે બે વાગ્યે બોલાચાલી થતા ગાડીમાં રહેલી એરગનથી ફાયરિંગ કર્યુંતપાસ દરમિયાન સ્કોર્પિયો ગાડીના નંબર GJ-01-WW-2444ના આધારે તેના માલિક અભિષેકસિંહ રામસ્વરૂપ સિંગ (રહે. રાજધાની ટાઉનશીપ, રાધનપુર રોડ, મહેસાણા) હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેને LCB ઓફિસ બોલાવી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, ગત રાત્રે બે વાગ્યાના સુમારે બોલાચાલી થતા તેણે પોતાની ગાડીમાં રહેલી એરગનથી ફાયરિંગ કર્યું હતું. પોલીસે આરોપી પાસેથી 800ની કિંમતની કાળા રંગની એરગન પિસ્તોલ કબજે કરી છે. મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ જી.પી. એક્ટની કલમ 135 મુજબ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પંચમહાલમાં મહિલા દિવસ ઉજવણીની બેઠક યોજાઈ:કલેક્ટર અજય દહિયાએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં 'મહિલા સંમેલન'નું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં ગોધરા ખાતે જિલ્લા સેવાસદન કચેરીમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહિલા સંમેલનની સંપૂર્ણ રૂપરેખા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ માટે સ્ટેજ, મંડપ, લાઇટિંગ, ડાયસ પ્લાન, જનમેદનીનું સંચાલન, કાયદો અને વ્યવસ્થા જાળવણી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના વિવિધ પાસાઓ પર વિચારવિમર્શ થયો હતો. કલેક્ટર અજય દહિયાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી કે, કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓ સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ થાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મહિલાઓ ભાગ લેવાની સંભાવના હોવાથી તમામ જરૂરી સુવિધાઓ સુચારુ રીતે ઉપલબ્ધ રહે તેની ખાતરી કરવી.
વેરાવળમાં સ્વ. ભીમાભાઈ લખમણ સોલંકી પરિવાર અને ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા સર્વ હિન્દુ સમાજ માટે સમૂહલગ્ન મહોત્સવ યોજાયો. આ પ્રસંગે 49 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈ નવા જીવનની શરૂઆત કરી. આ સમૂહલગ્ન છેલ્લા છ વર્ષથી સતત આયોજિત થાય છે. તેનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા અને માતા-પિતા વિનાની દીકરીઓને સન્માનપૂર્વક ઘર આપવાનો છે. 49 લગ્નો હોવાથી સમગ્ર વિધિ બે તબક્કામાં સંપન્ન કરવામાં આવી હતી. સમૂહલગ્ન સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી મેગા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. આ કેમ્પમાં અનેક યુવાનો અને સેવાભાવી લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. આ ઉપરાંત, મેગા સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પ પણ યોજાયો હતો, જ્યાં દર્દીઓને વિવિધ રોગોનું નિદાન કરી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી. આરોગ્ય જાગૃતિ માટે કેન્સર અવેરનેસ કેમ્પ પણ યોજાયો, જેમાં તબીબોએ માર્ગદર્શન પૂરું પાડ્યું. આ સેવાકીય કાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. કાર્યક્રમ દરમિયાન સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહી આયોજકોના માનવતાભર્યા કાર્યને બિરદાવ્યું હતું. વેરાવળમાં યોજાયેલો આ સમૂહલગ્ન મહોત્સવ માત્ર લગ્નનો કાર્યક્રમ નહીં, પરંતુ સેવા, સહકાર અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
AAP ગુજરાતમાં તમામ સીટો પર ઉમેદવારો ઉતારશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં તમામ સીટો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે.આજે રાત્રે કેજરીવાલ ગુજરાત આવશે.અને કાલે ગાંધીનગરમાં સભાને સંબોધિત કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઈન્દ્રનીલ રાજ્યગુરુની રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. રાજ્યગુરુની આ જાહેરાત પાછળ પક્ષમાં તેમની ઉપેક્ષા જવાબદાર હોવાનું મનાય છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો IND Vs NZ મેચની ટિકિટનું બ્લેકમાં ધૂમ વેચાણ ભારત અને ન્યુઝીલેન્ડ મેચની ટિકિટોની કાળાબજારી શરૂ થઈ ગઈ છે.એજન્ટો 2 હજારમાં મળતી ટિકિટનું 15 હજારથી 1.50 લાખમાં વેચાણ કરી રહ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા.વિદ્યાર્થિનીએ ChatGPT પર આત્મહત્યા કેવી રીતે કરવી સર્ચ કર્યું હતું. બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો પણ મળી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વડોદરામાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના વડોદરામાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના બની.આરોપીએ વોશિંગ મશીનમાં કપડા ધોવાના બહાને યુવતીને રૂમ પર બોલાવી અને બાદમાં તેને બંધક બનાવી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગૃહવિભાગના પૂર્વ સેક્શન અધિકારીનો આપઘાત ગાંધીનગરમાં વ્યાજખોર નિવૃત્ત PSIના ત્રાસથી ગૃહવિભાગના પૂર્વ સેક્શન અધિકારીએ આપઘાત કર્યો. 10 લાખની સામે 90 લાખ વસૂલ્યા બાદ પણ આરોપી દોઢ કરોડની ઉઘરાણી કરતો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ધારાસભ્ય અને સાંસદ વચ્ચે 'પોસ્ટર વોર' દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે 'પોસ્ટર વોર' છેડાયું. અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાઈરલ થયા બાદ બંને નેતાઓ હવે સામ સામે આવી ગયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જૂનાગઢઃ અફવાને કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો સોશિયલ મીડિયામાં 'ડીઝલની તંગી'ની અફવાને કારણે જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી.અને જોતજોતામાં પેટ્રોલ પંપ પર એક કિલોમીટર લાંબી વાહનોની લાઈ લાગી ગઈ હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતઃ કેમિકલની ટાંકીમાં શ્વાસ રૂંધાઈ જતા ત્રણ શ્રમિકોના મોત સુરતના પાંડેસરામાં આવેલી ન્યુ પારસ ડાઈંગ મિલમાં કેમિકલની ટાંકીમાં શ્વાસ રૂંધાઈ જતા ત્રણ શ્રમિકોના મોત થયા. મિલ પ્રશાસને કોઈપણ સુરક્ષા સાધનો આપ્યા વગર શ્રમિકોને ઝેરી ટાંકીમાં ઉતાર્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આગામી 4 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી આપી છે.સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ગોધરાના ઓરવાડા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત:એક યુવક ગંભીરરીતે ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો
ગોધરા તાલુકાના ઓરવાડા નજીક આજે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘોઘંબા તાલુકાના વાંગડવા ગામના રહેવાસી મનહર પગી પોતાની બાઇક પર વાઘજીપુર ખાતે એક પ્રસંગમાં જઈ રહ્યા હતા. ઓરવાડા નજીક પહોંચતા તેમની બાઇક અને અન્ય એક બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં મનહરને મોઢાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના જનપ્રતિનિધિઓનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા નવી અધિસૂચના બહાર પાડી અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર સહિતના શહેરોમાં હાલ માટે વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવા IAS અધિકારીઓને વહિવટદારો તરીકે નિમણૂક કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થતા વહીવટદારનું શાસનસરકારના આદેશ મુજબ અમદાવાદ શહેરમાં હવે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટ સોંપવામાં આવ્યો છે. વડોદરામાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી છે. સુરત શહેરમાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેને અને ભાવનગરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર અને રાજકોટ શહેરોમાં પણ રાજ્ય સરકારે વહીવટદારોની નિમણૂક કરી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ તમામ IAS અધિકારીઓ અગાઉ સંબંધિત શહેરોમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જેના કારણે શહેરના વહીવટનો અનુભવ તેમને પહેલેથી જ છે. કઈ મનપામાં વહીવટદાર તરીકે કોની નિમણૂક SIRની કામગીરીના કારણે સમયસર ચૂંટણી યોજાઈ શકી નથીરાજ્યમાં SIR પ્રક્રિયા ચાલી રહી હોવાને કારણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજાઈ શકી નથી. પરિણામે, નવી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી શહેરોના વહીવટ માટે રાજ્ય સરકારે આ વહીવટી વ્યવસ્થા અમલમાં મૂકી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં ધમધમાટ રાજયમાં આગામી એપ્રિલ-મેં મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની શક્યતા છે. જેના પગલે રાજકીય પક્ષોમાં હલચલ તેજ બની છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તો તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અલગ અલગ સાત કમિટીની રચના કરી બેઠકોનો દૌર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ તાલુકાઓમાં પ્રભારીઓની હાજરીમાં આ પ્રક્રિયા યોજાઈ હતી. શનિવારે, હિંમતનગર ખાતે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર પ્રભારીઓની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા શરૂ થઈ. આ પ્રક્રિયામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યપદ માટે ચૂંટણી લડવા ઈચ્છુક મોટી સંખ્યામાં દાવેદારો તેમના ટેકેદારો સાથે પહોંચ્યા હતા. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં તબક્કાવાર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું હતું કે, કેટલીક નગરપાલિકાઓમાં ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર હોવા છતાં, શાસક પક્ષ દ્વારા તેમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, તેમણે દાવો કર્યો હતો કે આગામી દિવસોમાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે તૈયાર છે. આ બેઠક સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, તેમજ વિધાનસભા પ્રભારી વિષ્ણુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ અને જિલ્લાના અન્ય પ્રભારીઓ પણ હાજર રહ્યા હતા.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી ડૉ. જશવંતલાલ દામોદરદાસ તલાટી સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગમાં વર્ષ 2026ની ત્રીજી બેચના વિદ્યાર્થીઓ માટે દીપ પ્રાગટ્ય અને શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નર્સિંગના મૂલ્યો અને જવાબદારીઓને સમજી માનવસેવાના સંકલ્પ સાથે નર્સિંગ કારકિર્દીમાં પ્રવેશ કર્યો હતો. આ કાર્યક્રમને 'લેમ્પ લાઇટ ઓથ સેરેમની' તરીકે ઓળખવામાં આવે છે. ઇ.સ. 1800માં યુદ્ધમાં ઘાયલ સૈનિકોની ફ્લોરેન્સ નાઇટિંગેલે ફાનસના અજવાળે સારવાર કરીને નવજીવન આપ્યું હતું, ત્યારથી નર્સિંગની આ કારકિર્દી શરૂ થઈ હતી. આ પરંપરા અનુસાર, નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરનારા વિદ્યાર્થીઓ દીપ પ્રજ્વલિત કરીને શપથ લે છે. મોડાસાની ડૉ. જશવંતલાલ દામોદરદાસ તલાટી સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગ ખાતે યોજાયેલી શપથવિધિ દરમિયાન વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાયની નૈતિકતા, સેવા અને માનવતાના મૂલ્યોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે નર્સિંગના મૂલ્યો અને જવાબદારીઓને સમજીને આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બી.એડ કોલેજ મોડાસાના પ્રિન્સિપાલ ડૉ. બિપીનભાઈ ડી. પટેલ, પાટણ યુનિવર્સિટી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડીન અને અમદાવાદથી કેન્સર રોગના જાગૃતિ એક્ટિવિસ્ટ દર્શનાબેન બૂટાલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સેવાસંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન જીગીશભાઈ મહેતા, સંસ્થાના માનદમંત્રી પુનમભાઈ પટેલ અને પિયુષભાઈ પટેલ, મોડાસા સાર્વજનિક હોસ્પિટલના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ રાકેશભાઈ પટેલ, ડોક્ટરો, વહીવટી ટીમ, સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગના સેક્રેટરી મયુરભાઈ બૂટાલા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. મહાનુભાવોએ નર્સિંગ વ્યવસાયને માત્ર વ્યવસાય નહીં, પરંતુ માનવતાની સેવા પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક ગણાવ્યો હતો. તેમણે સમાજમાં એક આદર્શ નર્સની ભૂમિકા કઈ રીતે ભજવવી તેના પર ભાર મૂકી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સેવાસંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ મોડાસાના ચેરમેન જીગીશભાઈ મહેતા દ્વારા શપથ લેનાર વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, જી.એન.એમ. અને બી.એસ.સી. નર્સિંગમાં ઉત્તમ પરિણામ મેળવનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હર્ષિત રાવલ, વાઈસ પ્રિન્સિપાલ ડૉ. ઉર્વિ પ્રજાપતિ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્થાના સેક્રેટરી મયુરભાઈ બૂટાલા દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આંબેડકર ચેર દ્વારા 'વિકસિત ભારત 2047માં ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારો' વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો હતો.યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. કે. સી.પોરીયા અને કુલસચિવ ડો. રોહિત દેસાઈની ઉપસ્થિતિમાં નિષ્ણાત વક્તાઓએ દેશના વિકાસમાં આંબેડકરના પ્રદાન અને આગામી 25 વર્ષના રોડમેપ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. સેમિનારના મુખ્ય વક્તા વિજય ઝાલાએ જણાવ્યું હતું કે દેશના વિકાસમાં સંતો, મહંતો અને સમાજ સુધારકોનું યોગદાન મહત્વનું રહ્યું છે.તેમણે રામાનુજાચાર્યથી માંડીને સ્વામી વિવેકાનંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.ઝાલાએ ઉમેર્યું હતું કે સામાન્ય રીતે મહાન વિભૂતિઓ સમય જતાં વિસરાઈ જાય છે,પરંતુ વિવેકાનંદ, ડો. બાબાસાહેબ આંબેડકર અને ડો. હેડગવારનું પ્રદાન આજે પણ અવિસ્મરણીય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યુનિવર્સિટીના શિક્ષણવિદોએ પહેલ કરવી પડશે અને પ્રત્યેક નાગરિકે ઝડપથી કામ કરવું પડશે.બાબાસાહેબ આંબેડકરે આઝાદી પહેલા જ વિકસિત ભારત માટે ચાર મુખ્ય પિલર સૂચવ્યા હતા, જેમાં યુવા વિકાસ, શોષિત અને પીડિત સમાજનો વિકાસ, મહિલા વિકાસ તથા ખેડૂતોના વિકાસનો સમાવેશ થાય છે. ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે બાબાસાહેબે માત્ર દલિતો માટે જ નહીં,પરંતુ સમગ્ર સમાજ માટે કામ કર્યું છે.તેમણે હિન્દુ કોડ બિલ માટે કાયદા મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને મહિલાઓ માટે પ્રેગ્નન્સી એક્ટ લાગુ કરાવ્યો હતો. આ ઉપરાંત,ખેતી, પર્યાવરણ અને જળસંચય જેવા વિષયો પર પણ તેમનું ચિંતન પાયાનું રહ્યું છે. સેમિનારના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ કે. સી. પોરીયાએ બાબાસાહેબને સામાજિક ચિંતક ગણાવતા સમાનતા, ન્યાય અને માનવ ગૌરવ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પ્રત્યેક વ્યક્તિને વિકાસની તક મળશે, ત્યારે જ દેશનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ભારતીય સંસ્કૃતિના પ્રકૃતિ સાથેના જોડાણ અંગે વાત કરી યુવાનોને ટેકનોલોજીનો દુરુપયોગ ન કરવા ટકોર કરી હતી. કુલસચિવ રોહિત દેસાઈએ શિક્ષણ અને લોકશાહીના મૂલ્યો વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. અન્ય વક્તા યોગેશ પારેખે નાગરિક કર્તવ્ય અને ફરજો પર ભાર મુકતા જણાવ્યું હતું કે બંધારણ સ્વતંત્રતા આપે છે, સ્વચ્છંદતા નહીં. આ કાર્યક્રમમાં શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ, નિરંજન પટેલ, પાલિકા પ્રમુખ હીરલબેન, ચિરાગ પટેલ સહિતના મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન આંબેડકર ચેરના કો-ઓર્ડિનેટર ડો. જય ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રિપેશ બારોટે કર્યું હતું અને આભાર વિધિ ડો. રોશન અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી.
સુરત શહેરને ટ્રાફિકમુક્ત અને સુવ્યવસ્થિત બનાવવાના અભિયાન હેઠળ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમતા વરાછાના મુખ્ય માર્ગો અને ફૂટપાથ પર ખડકાયેલા ગેરકાયદે લારી-ગલ્લા અને શેડ પર મનપાના બુલડોઝર ફરી વળ્યા હતા. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસના 'ડિસ્ટાફ' ના કર્મીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો. ટ્રાફિકની સમસ્યા હલ કરવા આકરા પગલાંવરાછા વિસ્તાર સુરતનો સૌથી ગીચ અને વ્યસ્ત રહેણાંક તેમજ વ્યાપારી વિસ્તાર ગણાય છે. અહીંના મુખ્ય રસ્તાઓ પર લારી-ગલ્લા અને પથારાવાળાઓના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સ્થાનિક રહીશોની વારંવારની ફરિયાદો અને ટ્રાફિક જામની સ્થિતિને ધ્યાનમાં રાખીને, વરાછા ઝોનની દબાણ હટાવો શાખા દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મનપાની ટીમે ટ્રકો સાથે વરાછાના અનેક વિસ્તારોમાં સપાટો બોલાવ્યો હતો. ફૂટપાથ રોકીને ઉભા રહેતા ખાણી-પીણીના લારી-ગલ્લા, શાકભાજીના પથારા અને દુકાનદારો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર ઓટલા કે શેડને તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્તદબાણ હટાવવાની કામગીરી વખતે લારીધારકો અને તંત્ર વચ્ચે ઘર્ષણ થતું હોય છે. આ સ્થિતિને ટાળવા માટે સુરત પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. વરાછા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મીઓ અને અન્ય પોલીસ જવાનોએ સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત જાળવ્યો હતો. પોલીસની હાજરીના કારણે વિરોધ કરી રહેલા તત્વો નરમ પડ્યા હતા અને મનપાની ટીમે નિર્ધારિત લક્ષ્યાંક મુજબ દબાણો દૂર કર્યા હતા. રસ્તા પર બિનવારસી હાલતમાં પડેલી ચીજવસ્તુઓ અને માલ-સામાનને મનપા દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.
રાજ્યની સરકારી સાહસિક સંસ્થાઓ (PSUs) અને સરકારી કંપનીઓના વહીવટમાં વધુ પારદર્શિતા લાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે આવી કંપનીઓની બોર્ડ મીટિંગમાં ચર્ચા થનારા મુદ્દાઓનો એજન્ડા અધિકારીઓ અને સભ્યોને બેઠક પહેલાં ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ આપવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ મોકલવામાં આવી છે. હવે આ પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છેહાલ સુધી ઘણી સંસ્થાઓમાં બોર્ડ મીટિંગનો એજન્ડા છેલ્લી ઘડીએ અથવા મીટિંગના દિવસે જ રજૂ થતો હતો. પરિણામે સભ્યોને મુદ્દાઓનો પૂરતો અભ્યાસ કરવા સમય મળતો ન હતો અને ઘણી વખત ચર્ચા વિના જ મહત્વના નિર્ણયો લેવામાં આવતાં હતા. સરકારના ધ્યાનમાં આવી બાબતો આવતા હવે આ પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લી ક્ષણે એજન્ડા રજૂ કરવાની છૂટ આપવામાં આવશેનવા માર્ગદર્શનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, બોર્ડ મીટિંગના તમામ મુદ્દાઓ સમયસર શેર કરવાના રહેશે. જેથી, સભ્યો તૈયારી સાથે બેઠકમાં ભાગ લઈ શકે. માત્ર તાત્કાલિક અને અત્યંત જરૂરી પરિસ્થિતિમાં જ છેલ્લી ક્ષણે એજન્ડા રજૂ કરવાની છૂટ આપવામાં આવશે. અધિકારીઓની મનમાની પર પણ અસરકારક નિયંત્રણ આવશેસરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી બોર્ડ મીટિંગમાં ચર્ચાની ગુણવત્તા વધશે, નિર્ણયો વધુ વિચારપૂર્વક લેવામાં આવશે અને સંસ્થાઓના વહીવટમાં પારદર્શિતા મજબૂત બનશે. સાથે સાથે અધિકારીઓની મનમાની પર પણ અસરકારક નિયંત્રણ આવશે.
બરોડા ડેરીની ચૂંટણી સમયે રાજકારણ અગાઉથી જ ગરમાયું છે ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે ચાર ઝોનમાં ચૂંટણી યોજશે જ્યારે 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કુલ 17 ફોર્મ બાકી રહ્યાબરોડા ડેરી માટેના ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેએ જણાવ્યું હતું કે, આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. જેમાં હવે કુલ 17 ફોર્મ રહ્યા છે. જેમાં 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જ્યારે ચાર ઝોનમાં ચૂંટણી યોજવામાં આવશે. આ ચાર ઝોનમાં બે-બે ઉમેદવારો એટલે કે 8 ઉમેદવારો સામસામે છે. ચાર ઝોનમાં ઉમેદવારો સામસામેચાર ઝોનમાં ચૂંટણી યોજશે જેમ હરીફ ઉમેદવારમાં ઝોન 4માં હિતેશભાઈ મફતભાઈ પટેલ, પાર્થિવ શૈલેષભાઈ પટેલ, ઝોન-6માં કુલદીપસિંહ ઉદયસિંહ રાહુલજી અને સુરપાલસિંહ ચિમનસિંહ પરમાર, ઝોન-8માં દીક્ષિતભાઈ ભીખાભાઈ પટેલ અને પ્રહલાદભાઈ મંગળદાસ પટેલ તેમજ ઝોન-12માં રણજીતસિંહ મોહનસિંહ રાઠવા અને રાઠવા ગેમલભાઈ વિઠ્ઠલભાઈ સામ સામે છે. કુલ ચાર ઝોનમાં માં બે-બે ફોર્મ્સ બાકી રહ્યા છે. ડેસર બેઠક પર ખરાખરી જોવા મળશેબરોડા ડેરીની ચૂંટણીમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર વધુ રસ લે છે ત્યારે આ બેઠક પર કુલદીપસિંહ અને સૂરપાલસિંહ બંને ભાજપના જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે સૂરપાળસિંહને મૌખિક મેન્ડેડ આપ્યું હતું ત્યારે એમ હતું કે, કુલદીપસિંહ ફોર્મ પરત ખેંચશે પરંતુ, તેઓએ ફોર્મ પરત ખેંચ્યું ન હતું. અગાઉના વર્ષોમાં કુલદીપસિંહ એ કેતન ઇનામદાર સામે ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યારે તેઓ ડેરીમાં ડિરેક્ટર ન બને તેવા પણ પ્રયાસો કરાયા હતા. ત્યારે હવે આ બેઠક ઉપર ખરાખરીનો જંગ જોવા મળશે. 18 માર્ચે મતદાન યોજાશેસોમવારના રોજ સત્તાવાર રીતે હરીફ અને બિનહરીફ ઉમેદવારોની યાદી પબ્લિશ કરાશે અને એના પછી 18 તારીખે બપોરે 3 વાગ્યા સુધી વોટિંગ થશે અને 3 વાગ્યા પછી કાઉન્ટિંગ કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદમાંથી એક પતિ દ્વારા ફેમિલી કોર્ટના વર્ષ 2019ના ચુકાદા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી. ફેમિલી કોર્ટમાં વર્ષ 2018માં તેની પત્ની દ્વારા દાંપત્ય હક્કોની પુનઃ સ્થાપના અંગે અરજી કરવામાં આવી હતી. જેને મંજૂર કરતા કોર્ટે પતિને તેની દાંપત્ય ફરજોનું વહન કરવા હુકમ કર્યો હતો. પતિ-પત્ની સહમતિથી છૂટાછેડા લેશેજોકે, ગુજરાત હાઇકોર્ટમાં ફેમિલી કોર્ટના હુકમ વિરુદ્ધ વર્ષ 2019માં દાખલ થયેલી અપીલમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું હતું. પત્નીની મુખ્ય ચિંતા હતી કે, તેને દીકરી 18 વર્ષની થઈ ચૂકી છે. તેના લગ્ન સમયે તેનો પતિ દીકરીના પિતા તરીકે હાજર રહે અને એક પિતા તરીકેની ફરજો નિભાવી, ધાર્મિક વિધિ તેમજ સામાજિક રિવાજો પૂર્ણ કરે. આખરે બંને વચ્ચે એક સેટલમેન્ટ ડીડ થઈ હતી. જે મુજબ બંને પતિ-પત્ની સહમતિથી છૂટાછેડા લેશે અને પત્ની છૂટાછેડાની અરજીમાં સહયોગ આપશે. દીકરી અને પત્નીના નામે પતિ એક રકમ આપશે. પતિ પોતાની દીકરી પ્રત્યે પિતાને દરેક જવાબદારી નિભાવશે. તેના લગ્ન સમયે હાજર રહીને પિતાની ફરજો, સામાજિક રિવાજો ઉપરાંત ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ કરશે. બે મહિનાની અંદર પત્ની અને તેની દીકરીના નામે કુલ 5 લાખનો ડીડી આપશેબંને વચ્ચે સેટલમેન્ટ ડીડ થતા પત્નીની સહમતિથી આ અપીલ મંજૂર કરવામાં આવી છે. હાઇકોર્ટે હુકમ કર્યો છે કે, બે મહિનાની અંદર પતિ પત્ની અને તેની દીકરીના નામે કુલ 5 લાખ રૂપિયાનો ડીડી આપશે. જેને તેમની પસંદગીની નેશનલાઈઝ બેન્કમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવામાં આવશે. બંને ફેમિલી કોર્ટમાં તેમની અનુકૂળતાએ છૂટાછેડાની અરજી કરશે. ફેમિલી કોર્ટ હાઇકોર્ટના આ ચુકાદામાં કરાયેલા અવલોકનોને ધ્યાને લીધા વગર અરજી ઉપર સ્વતંત્ર પણે નિર્ણય કરશે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ટાઉનહોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા શક્તિને વંદન અને આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપતી 32 આશા બહેનોનું આરોગ્ય શાખા અને જાયન્ટ્સ સહિયર ગ્રુપ, હિંમતનગર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, હિંમતનગર GMERS જનરલ હોસ્પિટલ બ્લડ બેંક અને પેથોલોજી વિભાગના સહયોગથી 75 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓને જાયન્ટ્સ સહિયર ગ્રુપ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરના ડો. રાકેશ પટેલ અને તેમની ટીમે સગર્ભા માતાઓને ગર્ભ સંસ્કાર દ્વારા બાળકના શારીરિક અને માનસિક વિકાસના મહત્વ વિશે માહિતી આપી હતી. તેમણે બાળપણ દરમિયાન બાળ વિકાસના વિવિધ તબક્કે કઈ કાળજી રાખવી તે અંગે પણ વિશેષ જાણકારી પૂરી પાડી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આશા કાર્યકરોએ તેમના પરિવારમાં ગર્ભ સંસ્કાર વિધિ અંગેના અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણનું મહત્વ અને તેના ફાયદાઓ અંગે પણ ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વેરાવળમાં જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ 2026નું આયોજન:વિકસિત ભારત 2047 અભિયાન અંતર્ગત યોજાઈ
વેરાવળમાં વિકસિત ભારત 2047 અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. માય ભારત અને ચોકસી કોલેજ, વેરાવળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયા અને સંસદીય પરંપરાઓ સમજવાની તક મળી હતી. આ કાર્યક્રમ ચોકસી કોલેજના કેમ્પસ ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં પ્રદેશ ભાજપના અગ્રણી અને જૂના જનસંઘી નેતા ઝવેરીભાઈ ઠકરાર, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. મહેશ મયાત્રા, અગ્રણી કેળવણીકાર પ્રોફેસર જીવાભાઈ વાળા, સોમનાથ એજ્યુકેશન સોસાયટીના ચેરમેન સુરેશભાઈ કંપાણી, સેક્રેટરી ભરતભાઈ શાહ, ચોકસી કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર ડૉ. જીગર રાવલ અને એનએસએસ પાંખના સંચાલક પ્રોફેસર અર્જુન ચોચા સહિત મોટી સંખ્યામાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે ઝવેરીભાઈ ઠકરારે વિદ્યાર્થીઓને દેશના કટોકટીકાળ (ઈમરજન્સી) દરમિયાનની પરિસ્થિતિઓનો જીવંત ચિતાર આપ્યો હતો. તેમણે પોતાના અનુભવો અને સંઘર્ષની વાતો રસપ્રદ રીતે રજૂ કરી હતી, જેને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સુકતા અને ધ્યાનપૂર્વક સાંભળીને લોકશાહી મૂલ્યોને સમજવાનો પ્રયાસ કર્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જીગર રાવલે જણાવ્યું હતું કે આ જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટમાં 50થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સંસદની પ્રક્રિયા, ચર્ચા-વિચારણા અને લોકશાહી મૂલ્યો વિશે પ્રાથમિક તાલીમ મળશે. અહીંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાની યુથ પાર્લામેન્ટમાં ભાગ લેવાની તક મળશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવાનો તેમજ સંસદ અને ધારાસભામાં ધારાસભ્યો અને સાંસદો જે રીતે પોતાની રજૂઆતો કરે છે, તે પ્રક્રિયાનો અનુભવ તેમને કોલેજકાળથી જ મળી રહે તેવો છે. યુવાનોમાં નેતૃત્વ, જવાબદારી અને લોકશાહી પ્રત્યેની સમજ વિકસે તેવા શુભ આશય સાથે આ યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન એનએસએસના કો-ઓર્ડિનેટર પ્રો. અર્જુન ચોચાએ કર્યું હતું.
T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, ત્યારે ફાઈનલ મેચની ટિકિટ ખરીદવા ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ફાઈનલ મેચની ટિકિટ ખરીદવા મોદી સ્ટેડિયમ પહોંચેલા ક્રિકેટ ફેન્સ પાસે દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું. ક્રિકેટ ફેન્સને જ્યારે પૂછ્યું ટિકિટ મળી કે નહીં ત્યારે ચાહકોએ જણાવ્યું હતું કે, આ T20 ફાઈનલની ટિકિટ ખિસ્સા ખાલી કરાવી નાખે એવા ભાવ થઈ ગયા છે. લોકોએ એફડી કે ગોલ્ડ વેચીને ટિકિટ ખરીદવી પડશે. તો કોઈએ કહ્યું અમે દૂરથી આવ્યા છીએ અમને તો ટ્રેન અને બસ ભાડું પણ માથે પડ્યું અને કલાકોથી અહીં ઉભા છીએ પણ ટિકિટ મળી નથી રહી.
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ સામે ગંભીર આક્ષેપો બાદ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. નામદાર કોર્ટે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ FIR નોંધી કાયદેસરની તપાસ કરવાના આદેશ જારી કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. ACPની રેડ કરાવશો તો જાનથી મારી નાખીશઆ કેસની વિગત મુજબ ફરિયાદી જનકભાઈ બાલુભાઈ માલાણીએ આક્ષેપ કર્યો છે કે આરોપી પોલીસ કોન્સ્ટેબલ બી.જી. ઉર્ફે ભરતભાઈ (સલાબતપુરા પો.સ્ટે.) એ તેમને ફોન કરી ડરાવ્યા હતા. આરોપીએ ફોન પર એવી ધમકી આપી હતી કે, મેં સલાબતપુરા પોલીસ સ્ટેશનનો વહીવટ લીધેલો છે, જો હવે તું સલાબતપુરામાં ACPની રેડ કરાવીશ તો તને પતાવી દઈશ, તું ધ્યાન રાખજે. આ ધમકી બાદ ફરિયાદીએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ઉચ્ચ અધિકારીઓએ રજૂઆત ન સાંભળતા ફરિયાદી કોર્ટના શરણેફરિયાદી જનકભાઈએ આ મામલે અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરીમાં પણ લેખિત રજૂઆત કરી હતી. જોકે, પોલીસ વિભાગ દ્વારા પોતાના જ કર્મચારી વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા અથવા FIR ન નોંધાતા ફરિયાદીએ આખરે એડવોકેટ આર.બી. કૈદુરા અને અશ્વિન રાખેલિયા મારફતે સુરતની નામદાર કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે તપાસમાં પારદર્શિતા માટે PI ને આપ્યા આદેશનામદાર કોર્ટે આ મામલાની ગંભીરતા જોઈને મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે અવલોકન કર્યું કે જે-તે પોલીસ સ્ટેશનના કર્મચારી સામે તપાસ તે જ સ્ટેશનના અધિકારી કરે તો નિષ્પક્ષતા જળવાય નહીં. આથી, નામદાર કોર્ટે ઉતરાણ પોલીસ સ્ટેશનના પી.આઈ. ને આ કેસની તપાસ સોંપી છે અને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી છે. પોલીસ અધિકારી સામે ગુનો નોંધવા નામદાર કોર્ટનો આખરી હુકમસમગ્ર દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો છે કે આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવે. કોર્ટે જણાવ્યું કે, કાયદો દરેક માટે સમાન છે અને પોલીસ અધિકારી પણ જો ગુનાહિત કૃત્ય કરે તો તેની સામે કાર્યવાહી થવી અનિવાર્ય છે.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સી.વી.એમ. યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 7 માર્ચ, 2026 ના રોજ યુનિવર્સિટીના 400 થી વધુ મહિલા અધ્યાપકો અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીની બ્રાન્ડિંગ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ હેડ એના વિનોચાએ કર્યું હતું. મહિલાઓ સમાજ અને સંસ્થાનું મજબૂત પાસું છે તે સ્વીકારીને, તેમને પ્રોત્સાહિત કરવાનો આ પ્રયાસ હતો. ઉજવણીના ભાગરૂપે, દરેક મહિલા કર્મચારીને ફૂલ, ચોકલેટ, એક શુભેચ્છા પત્ર અને એક ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ ભેટો મહિલા કર્મચારીઓ ઓફિસ પહોંચે તે પહેલાં તેમના ટેબલ પર મૂકવામાં આવી હતી. આ અચાનક મળેલી ભેટથી તમામ મહિલા કર્મચારીઓ આનંદિત થયા હતા અને તેમણે સંસ્થા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. યુનિવર્સિટીનો આ નાનકડો પ્રયાસ મહિલા શક્તિને તેમની સશક્તતા અને કાર્યક્ષમતાનો અનુભવ કરાવવાનો હતો. સી.વી.એમ. યુનિવર્સિટીની બ્રાન્ડિંગ ટીમની આ પહેલને શૈક્ષણિક જગતમાં પણ સરાહના મળી રહી છે.
પાટનગર ગાંધીનગરમાં વ્યાજખોરીના રાક્ષસે વધુ એક હસતા-ખેલતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ગૃહ વિભાગના નિવૃત સેક્શન ઓફિસર પ્રકાશભાઈ નાયકે અડાલજ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં નિવૃત પોલીસ સબ ઈન્સ્પેક્ટર શૈલેષ બચુભાઈ નાયક સામે મરવા મજબૂર કરવાનો અને વ્યાજખોરીનો ગંભીર ગુનો સાંતેજ પોલીસ મથકે નોંધાયો છે. મૃતક પાસેથી મળી આવેલી બે પેજની સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે, માત્ર 10 લાખ રૂપિયાના ધિરાણ સામે 90 લાખ વસૂલ્યા બાદ પણ વ્યાજખોર નિવૃત PSI દ્વારા વધુ દોઢ કરોડની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. આટલું જ નહીં, વ્યાજખોર નિવૃત્ત પોલીસ અધિકારીએ ગૃહવિભાગના પૂર્વ સેક્શન અધિકારીના પુત્રનું અપહરણ કર્યું હતું અને ધાકધમકી આપી તેમની મિલકત પણ પચાવી પાડી હતી. નિવૃત સેક્શન ઓફિસરે અડાલજ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરીગાંધીનગરના સરગાસણની મેઘ મલ્હાર સોસાયટીમાં રહેતો 32 વર્ષીય જ્વાલિન પ્રકાશભાઈ નાયક સાબરમતી ગેસ લીમીટેડ ખાતે નોકરી કરે છે. જેના પિતા પ્રકાશભાઇ ભગવાનદાસ નાયક આશરે પાંચેક વર્ષ અગાઉ ગુજરાત રાજ્યના ગૃહવિભાગમાં સેક્શન ઓફિસર તરીકે વી.આર.એસ. લઇ નિવૃત થયા હતાં. જેઓએ સેકટર 4સી પ્લોટ નંબર 779/1 માં પત્ની રચનાબેન સાથે રહેતા હતા. 10 લાખ માસિક 10 ટકા વ્યાજે લીધા હતાંજ્યારે જ્વાલિન તેની પત્ની બોસ્કી સાથે સરગાસણ રહે છે. જે હાલ CAની પ્રેક્ટીશ કરે છે. આજથી એકાદ વર્ષ શેરબજારમાં રોકાણ કરવા રૂપિયાની જરૂરીયાત હોવાથી જ્વાલિને સમાજના રીટાયર્ડ PSI શૈલેષભાઈ બચુભાઈ નાયક (રહે. પ્લોટ નંબર 576/2, સેક્ટર 5/બી, ગાંધીનગર) પાસેથી રૂ.10 લાખ માસિક 10 ટકા વ્યાજે લીધા હતાં. દોઢ કરોડની પઠાણી ઉઘરાણીજોકે રુપિયા આપ્યાના વીસેક દિવસમાં જ નિવૃત PSI નાયકે વ્યાજ અને પેનલ્ટીના બહાને પૈસાની કડક ઉધરાણી શરૂ કરી હતી. જે પેટે આજદીન સુધી જ્વાલિને નિવૃત PSIને ટુકડે ટુકડે 90 લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં નિવૃત પીએસઆઈએ હજુ દોઢ કરોડ બાકી નીકળે છે તેમ કહી ધમકાવવાનું શરૂ કરી જ્વાલિનનો પાસપોર્ટ પણ પડાવી લીધો હતો. પુત્રનું અપહરણ કરીને મિલકત પચાવી પાડીઆટલું ઓછું હોય એમ નિવૃત પીએસઆઈ નાયકે જ્વાલિનને ગાડીમાં બેસાડીને સેકટર 4માં નોટરી પાસે લઈ જઇ સરગાસણના ફ્લેટનો કબ્જા સાથેના બાનાખત કરાવી લીધો હતો. જેમાં પત્નીની સહી પણ જ્વાલિન પાસે કરાવી હતી. આટલેથી નહીં અટકેલા શૈલેષ નાયકે 28 જાન્યુઆરી 2026 ના રોજ 90 લાખનો ચેક બેંકમાં ભરીને નોટિસ મોકલી આપી હતી. પૈસા બાબતે ગર્ભિત ધમકીઓ આપી આખરે દિન પ્રતિદિન નિવૃત પીએસઆઇ નાયકનો ત્રાસ વધી જતા જ્વાલીને સઘળી હકીકત પોતાના પિતા પ્રકાશભાઈને કરી હતી. ત્યારે 19 ફેબ્રુઆરીએ શૈલેષ નાયક પ્રકાશભાઈને પોતાની સાથે સેકટર 4 ખાતે લઈ ગયો હતો. અને પૈસા બાબતે ગર્ભિત ધમકીઓ આપી હતી. જેના ચારેક દિવસ પછી 23 ફેબ્રુઆરીએ જ્વાલિન પાટણ ગયો હતો . એક્ટીવા અડાલજ કેનાલ પાસેથી મળ્યુંએ વખતે સાડા ચારેક વાગે તેની પત્નીએ ફોન કરી જાણ કરેલી કે , પપ્પાનું એક્ટીવા અડાલજ કેનાલ પાસેથી મળ્યું છે પણ તેઓ ફોન ઉપાડતા નથી. જેના પગલે જ્વાલિન પરત ગાંધીનગર આવી ગયો હતો. અને તેને જાણવા મળેલું કે, તેના પિતા તેની માતાને સરગાસણ ઉતારીને આવું છું કહી ઘરેથી નીકળી ગયા હતા. પહેલાં ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ અડાલજમાં નોંધાઈબાદમાં તેમણે જ્વાલિનના પિતરાઈ ભાઈ જલદીપને લોકેશન મુકી મેસેજ કરેલો કે 'પ્લીઝ કમ'. આથી બધા લોકેશન વાળી જગ્યાએ પહોંચતા બિનવારસી હાલતમાં એક્ટિવા અને ફોન મળી આવ્યો હતો. એ વખતે ફાયર ટીમોએ કેનાલમાં પ્રકાશભાઈની શોધખોળ કરી હતી. પરંતુ તેમનો પત્તો લાગ્યો ન હતો. જેથી કરીને ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ અડાલજ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. સુસાઈડ નોટ મળી ને નિવૃત્ત PSI સામે ગુનો નોંધાયોદરમિયાન 26 ફેબ્રુઆરીએ પ્રકાશભાઈની લાશ ગણપતપુરા કેનાલના સાયફનમાંથી મળી આવી હતી. જે બાબતે સાંતેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારે પોલીસ તપાસમાં મૃતક પ્રકાશભાઈના ફોનમાંથી 20 ફેબ્રુઆરીના રોજ લખેલી સુસાઈડ નોટના ફોટા હતાં. જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે, મારા પુત્ર જ્વાલીનને શૈલેષભાઈ નાયકે 10 લાખ વ્યાજે આપ્યા હતા, જેની સામે 90 લાખ ચૂકવ્યા હોવા છતાં શૈલેષભાઈ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાથી હું સખત આઘાતમાં છું અને આત્મહત્યા કરું છું. જેના પગલે સાંતેજ પોલીસે આઇબી વિભાગમાંથી નિવૃત્ત થયેલા PSI શૈલેષ નાયક વિરુદ્ધ દુષ્પ્રેરણા સહિતના કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત બનાવવા અને સુવ્યવસ્થિત આયોજન કરવા માટે કોંગ્રેસ દ્વારા કુલ 7 જેટલી મહત્વપૂર્ણ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓની કામગીરી, જવાબદારીઓ અને ચૂંટણી માટેની રણનીતિ નક્કી કરવા માટે અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી, જેમાં આગામી રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી છે. આગામી ચૂંટણીને લઈ રણનીતિ ઘડાઈબેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત સમિતિઓના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનર હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાર્ટી કેવી રીતે સક્રિય રીતે મેદાનમાં ઉતરશે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં દરેક સમિતિની ભૂમિકા અને જવાબદારી સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી. પાર્ટીના સંગઠનને તળિયાના સ્તર સુધી મજબૂત બનાવવા અને કાર્યકરો સાથે સતત સંવાદ રાખવા તેમજ સ્થાનિક મુદ્દાઓને લઈને લોકો સુધી પહોંચવા સૂચના આપવામાં આવી છે. જનતાના મુદ્દાઓ અને કૌભાંડ મામલે લડતના એંધાણતેમજ બેઠકમાં ચૂંટણી માટે વિશેષ ચૂંટણીલક્ષી પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન મતદારો સુધી પહોંચવા માટે પ્રચારની રણનીતિ, સ્થાનિક સમસ્યાઓને મુદ્દો બનાવવાની તૈયારી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ચાલતા કૌભાંડ મુદ્દે વિરોધ કરી જનતાને પોતાની તરફ આકર્ષવા માટેના પણ કોંગ્રેસ પ્રયાસ કરવાની છે. જનતાની સમસ્યા તેના સાથે ઊભા રહી તેમના મુદ્દાઓની ચર્ચા કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ જનતાનો મત ખેંચવા માટેની તૈયારી કરી રહી છે. જનતાના મુદ્દો પર લડત લડીને તેમને કોંગ્રેસ તરફ લાવવા માટે બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ દરેક સમિતિઓ આગામી સમયમાં જિલ્લા અને તાલુકા સ્તર પર અલગ કાર્યકમ પણ કરશે. ઉમેદવારની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છેઃ મુકુલ વાસનિકગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ કેટલીક સમિતિઓની રચના કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આગામી ચૂંટણીમાં કેવી રીતે તૈયારી કરવી તેને લઈને વાતચીત કરવામાં આવશે. તેમજ ચૂંટણી માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ઉમેદવારની યાદી પણ જાહેર કરવામાં આવશે. અત્યારે તેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. યુવાનોને તક આપવાનો અને જવાબદારી નક્કી કરવા મુદ્દે ચર્ચાઃ મનીષ દોશી ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુજરાતની જનતાને જે પ્રમાણે વિશ્વાસ છે તેને ધ્યાનમાં રાખીને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેની આજે બેઠક મળી હતી. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. તમામ કમિટી એકબીજા સાથે સંકળાયેલી છે. યુવાનોને તક આપવાનો અને જવાબદારી નક્કી કરવા મુદ્દે ચર્ચા થઈ છે. ચૂંટણી દરમિયાન સમિતિઓને અલગ અલગ કાર્યક્રમ નક્કી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. સમિતિઓ પોતાની અલગ-અલગ બેઠક કરીને રણનીતિ તૈયાર કરશે. ‘મેનિફેસ્ટો ચાર દીવાલ વચ્ચે પણ બની શકતો હતો’વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા કોંગ્રેસ પર આશા રાખી રહી છે. દરેક કમિટીના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનર સાથે બેઠક કરવામાં આવી હતી. મેનિફેસ્ટો ચાર દીવાલ વચ્ચે પણ બની શકતો હતો, પરંતુ અમે જનતા શું અપેક્ષા રાખે છે? અને તે લોકોની શું સમસ્યા છે? તેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે. તમામ સમાજના લોકોને ધ્યાનમાં રાખીને રણનીતિ તૈયાર કરવામાં આવશે. કમલમ, કમિશનનું કૌભાંડ ચાલી રહ્યું છે. તેમાં ગુજરાતની જનતાને કઈ રીતે ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ આગળ વધશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES), મુંબઈ દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ ખાતે નારી ગૌરવ – હરિત ઉપહાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના સમર્પણ, પ્રેરણાદાયી કાર્ય અને સમાજ તેમજ શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવાનો હતો. આ પ્રસંગે NGES કેમ્પસ પરિવાર સાથે જોડાયેલી 200થી વધુ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓ પરિવાર અને સામાજિક જવાબદારીઓનું સંતુલન જાળવી રાખીને સંસ્થાના વિકાસ અને પ્રગતિમાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપી રહી છે. સન્માનના પ્રતીક રૂપે દરેક મહિલાને એક છોડ ભેટ આપવામાં આવ્યો હતો. આ ઉપહાર માત્ર સન્માન જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ માટેના સંકલ્પને પણ દર્શાવે છે. એક નારી – એક છોડના સંદેશ સાથે, આ અભિયાન દ્વારા મહિલાઓની પ્રેરણાથી આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ સર્જવાનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, મહિલાઓ માત્ર પરિવારની જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસની શક્તિશાળી આધારશિલા છે. શિક્ષણ, સંસ્કાર અને સમાજ નિર્માણમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. આ કાર્યક્રમમાં NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવ અને કેમ્પસની તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. ઝેડ. એન. સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું.
યુદ્ધની અસર ગુજરાતના ડેરી ઉદ્યોગ પર:ગેસ સપ્લાયમાં 40% કાપ, પ્રોડક્શન પર અસર પડવાની શક્યતા
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના ડેરી ઉદ્યોગ પર પણ દેખાવા લાગી છે. સરકાર દ્વારા ડેરી ઉદ્યોગને આપવામાં આવતા ગેસ સપ્લાયમાં 40 ટકા સુધી કાપ મૂકવાની મૌખિક સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયને કારણે ડેરી ઉદ્યોગના ઉત્પાદન પર સીધી અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા નિર્ણય મુજબ હવે માત્ર 60 ટકા ગેસ જ નિશ્ચિત ભાવ પર આપવામાં આવશેમળતી માહિતી મુજબ અત્યાર સુધી ડેરી ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબ 100 ટકા ગેસ સપ્લાય આપવામાં આવતો હતો પરંતુ, નવા નિર્ણય મુજબ હવે માત્ર 60 ટકા ગેસ જ નિશ્ચિત ભાવ પર આપવામાં આવશે. બાકી રહેલા 40 ટકા ગેસ માટે ડેરી સંસ્થાઓને નવા અને ઊંચા ભાવ ચૂકવવા પડશે. ગેસ સપ્લાયમાં કાપ અને વધારાના ખર્ચના કારણે ઉત્પાદન ખર્ચ વધવાની શક્યતાડેરી ઉદ્યોગનું મોટાભાગનું પ્રોડક્શન સંપૂર્ણપણે ગેસ આધારિત હોવાથી ગેસ સપ્લાયમાં કાપ અને વધારાના ખર્ચના કારણે ઉત્પાદન ખર્ચ વધવાની શક્યતા છે. પરિણામે દૂધ તથા દૂધજન્ય ઉત્પાદનોના ઉત્પાદન પર અસર થવાની ચિંતા ઉદ્યોગ સાથે જોડાયેલા વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે. સરકારે ગેસ સપ્લાયમાં કરાયેલા આ ફેરફાર અંગે હાલ મૌખિક સૂચના આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉદ્યોગકારોનું માનવું છે કે જો ગેસ સપ્લાયમાં ઘટાડો યથાવત્ રહેશે તો તેની સીધી અસર ડેરી ઉદ્યોગના પ્રોડક્શન અને ખર્ચ પર પડશે.
દેશમાં રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આવી રહેલા નવા ફેરફારો અને તેની ઉદ્યોગો પર પડનારી અસરોને વાચા આપવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) સક્રિય થઈ છે. ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 2 માર્ચ, 2026ના રોજ નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી (MNRE)ના સચિવ સંતોષ કુમાર સારંગી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં ALMM-II (Approved List of Models and Manufacturers) હેઠળ મંજૂર સોલાર સેલ્સના ફરજિયાત અમલીકરણની તારીખ લંબાવવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. અમલીકરણની તારીખ લંબાવવા વિનંતીચેમ્બરના પ્રતિનિધિમંડળમાં પૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલ અને સેક્રેટરી પૌલિક દેસાઇનો સમાવેશ થયો હતો. તેઓએ મંત્રાલયના 9 ડિસેમ્બર, 2024ના ઓર્ડરનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે, આગામી 1 જૂન, 2026થી ગ્રિડ-કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ્સ માટે ALMM-II હેઠળના સોલાર સેલ્સનો ઉપયોગ ફરજિયાત છે. જોકે, હાલની જટિલ ઉદ્યોગ પરિસ્થિતિ અને વ્યવહારુ મુશ્કેલીઓને જોતા આ નિર્ણયનો અમલ 1 જૂન, 2027 સુધી એટલે કે એક વર્ષ માટે મુલતવી રાખવા મજબૂત રજૂઆત કરવામાં આવી હતી. માંગ અને પુરવઠા વચ્ચેનું અસંતુલનરજૂઆત દરમિયાન ઉદ્યોગના આંકડાકીય પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવાયું હતું કે, હાલમાં ભારતમાં TOPCon સોલાર સેલ્સની ઉત્પાદન ક્ષમતા આશરે 12 GW જેટલી જ છે, જેની સામે બજારમાં માંગ અનેકગણી વધારે છે. બીજી તરફ, Mono PERC સોલાર સેલ્સનું ઉત્પાદન વધુ હોવા છતાં તેની બજારમાં માંગ ઓછી છે. આ અસંતુલનને કારણે સોલાર પ્રોજેક્ટ્સ અટકી પડવાની કે મોડા પડવાની શક્યતા છે. ગુણવત્તા અને આર્થિક બોજની ચિંતાચેમ્બરે ટેકનિકલ પાસાઓ તરફ સચિવનું ધ્યાન દોરતા કહ્યું કે, દેશી TOPCon સેલ્સ અને આયાતી સેલ્સ વચ્ચે ગુણવત્તામાં મોટો તફાવત છે. ભારતીય સેલ્સ હજુ વિકાસના તબક્કામાં હોવાથી પ્રોજેક્ટની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ ઉપરાંત, આર્થિક ભારણ અંગે ચોંકાવનારી વિગત આપતા જણાવ્યું કે, દેશી અને આયાતી સેલ્સ વચ્ચે પ્રતિ વોટ આશરે 9 રૂપિયાનો તફાવત છે. આ તફાવતને કારણે પ્રતિ મેગાવોટ અંદાજે 90 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ થાય છે, જે સોલાર એસેટ્સને અકાર્યક્ષમ બનાવી શકે છે. લક્ષ્યાંક પ્રાપ્તિમાં અવરોધની શક્યતાજો અત્યારથી જ આ નિયમો કડક રીતે લાગુ કરવામાં આવશે, તો સોલાર પ્રોજેક્ટ્સના મૂડી ખર્ચમાં તોતિંગ વધારો થશે. આનાથી ભારત સરકારના વર્ષ 2030 સુધીમાં 500 GW નવીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક પર બ્રેક લાગી શકે છે. પ્રતિનિધિમંડળની તમામ બાબતોને સચિવ સંતોષ કુમાર સારંગીએ ખૂબ જ ગંભીરતાથી સાંભળી હતી અને આ અંગે મંત્રાલય કક્ષાએ યોગ્ય વિચારણા કરી હકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી હતી.
તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. સરકારના જવાબ અનુસાર રાજ્યમાં 0થી 6 વર્ષના 5.70 લાખથી વધુ બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. તેમાં લગભગ 4.38 લાખ બાળકો ઓછા વજનવાળા (Underweight) જ્યારે 1.31 લાખ બાળકો ગંભીર રીતે ઓછા વજનવાળા (Severely Underweight) તરીકે નોંધાયા છે. 24 કરોડના ખર્ચે AI મોનિટરિંગ સિસ્ટમ આવશેઆંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા આ આંકડાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે ટેક્નોલોજી આધારિત પગલાં લેવા તૈયારી શરૂ કરી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આશરે ₹24 કરોડના ખર્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત હાઈટેક મોનિટરિંગ સેન્ટર સ્થાપિત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ગેરરીતિઓને અટકાવવા માટે ડિજિટલ મોનિટરિંગ મહત્વપૂર્ણ સાબિત થશેઆ નવી સિસ્ટમ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતો પોષણ આહાર, બાળકો અને ગર્ભવતી તેમજ ધાત્રી માતાઓને મળતી સેવાઓ તથા પોષણ યોજનાઓના અમલીકરણ પર રિયલ ટાઈમ નજર રાખી શકાશે. અત્યાર સુધી માહિતી એકત્રિત કરવામાં વિલંબ અને માનવીય ભૂલોના કારણે થતી ગેરરીતિઓને અટકાવવા માટે ડિજિટલ મોનિટરિંગ મહત્વપૂર્ણ સાબિત થશે. કુપોષણ ઘટાડવાના પ્રયાસોને વધુ ગતિ મળશેસરકાર ટેક-હોમ રેશન (THR)ના વિતરણમાં પણ પારદર્શિતા લાવવા માટે QR કોડ આધારિત ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ અમલમાં લાવવા જઈ રહી છે. આ વ્યવસ્થાથી રેશન આંગણવાડી સુધી પહોંચ્યું કે નહીં અને લાભાર્થી સુધી યોગ્ય રીતે વિતરણ થયું કે નહીં તે સરળતાથી ટ્રેક કરી શકાશે. રાજ્ય સરકારના મતે, ટેક્નોલોજી આધારિત મોનિટરિંગથી પોષણ કાર્યક્રમોની અસરકારકતા વધશે અને કુપોષણ ઘટાડવાના પ્રયાસોને વધુ ગતિ મળશે. સાથે સાથે લાભાર્થી બાળકો અને માતાઓ સુધી ગુણવત્તાયુક્ત પોષણ આહાર પહોંચે તેની ખાતરી પણ કરવામાં આવશે.
સુરતના લિંબાયત વિસ્તારમાંથી સંબંધોને શર્મસાર કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. 8 વર્ષના લગ્નજીવન બાદ અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે ડિવોર્સનો મુદ્દો એટલો વણસ્યો કે પત્નીએ પોતાના મિત્ર સાથે મળીને પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. ધૂળેટીના તહેવારના દિવસે જ બનેલી આ ઘટનામાં પતિને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ હોસ્પિટલમાં તેની સર્જરી કરાવવાની નોબત આવી છે. 8 વર્ષનું લગ્નજીવન અને 8 મહિનાનો વિરહલિંબાયતના આસપાસનગર વિસ્તારમાં રહેતા 33 વર્ષીય અમોલ શંભાજી પાટીલ માર્કેટમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અમોલના લગ્ન આઠ વર્ષ પહેલા મમતા ઉર્ફે કાજલ સાથે થયા હતા. શરૂઆતના વર્ષોમાં સંસાર સારો ચાલ્યો અને તેમને પાંચ વર્ષનો એક પુત્ર પણ છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ વધતા બંને વચ્ચે અણબનાવ સર્જાયો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે, છેલ્લા આઠ મહિનાથી પતિ-પત્ની અલગ રહેતા હતા અને તેમનો પુત્ર પિતા અમોલ સાથે જ રહેતો હતો. ધુળેટીના રંગમાં ભળ્યો લોહીનો રંગઆ ઘટનાની વિગત મુજબ ગત 4 માર્ચના રોજ ધૂળેટીના દિવસે અમોલ પાટીલ તહેવાર મનાવીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન લિંબાયત નં.1 પ્લોટ નં.224 પાસે તેની પત્ની મમતાએ તેને અચાનક અટકાવ્યો હતો. પત્નીએ વાતચીત કરવાના બહાને અમોલને રોક્યો અને જોતજોતામાં ડિવોર્સ બાબતે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન મમતાનો મિત્ર સતિલાલ ઉર્ફે બુમલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને અમોલ પર હુમલો કરી દીધો હતો. 'ડિવોર્સ કેમ નથી આપતો?' કહી ચપ્પુના ઘા ઝીંક્યાતપાસમાં સામે આવ્યું છે કે, મમતાનો મિત્ર સતિલાલ અમોલ પર સતત દબાણ કરી રહ્યો હતો. આ હુમલા દરમિયાન સતિલાલે બૂમ પાડી હતી કે, તું મમતા કો ક્યુ ડિવોર્સ નહીં દેતા? આટલું કહી તેણે અમોલને ગાળો આપી ઢીક્કામુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. આવેશમાં આવી ગયેલા સતિલાલે પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે અમોલ પર હુમલો કર્યો હતો. અમોલના ડાબા પગના ભાગે અને માથામાં ચપ્પુના ગંભીર ઘા વાગતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ગંભીર હાલતમાં સર્જરીની તૈયારી, પોલીસ એક્શનમાંહુમલા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અમોલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર ઈજાઓ ખૂબ જ ઊંડી હોવાથી તેની તાત્કાલિક સર્જરી કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. બીજી તરફ લિંબાયત પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. લિંબાયત પોલીસમાં પત્ની અને મિત્ર વિરુદ્ધ ફરિયાદલિંબાયત પોલીસે આ મામલે સતિલાલ ઉર્ફે બુમલા અને પત્ની મમતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો ડિવોર્સ માટે દબાણ કરવાના ઈરાદે જ કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં ધરપકડની ખાતરી આપી છે.
હાલમાં ઉનાળાની શરૂઆત થતાં જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આ કાળઝાળ ગરમીની સીધી અસર માત્ર મનુષ્યો પર જ નહીં, પરંતુ પ્રકૃતિના ખોળે વસતા અબોલ જીવો પર પણ જોવા મળે છે. ખાસ કરીને એશિયાટિક સિંહોના ગઢ ગણાતા જૂનાગઢ જીલ્લામાં ગીર વિસ્તાર અને ગિરનાર જંગલમાં સિંહનો વસવાટ છે.ત્યારે ગિરનાર જંગલમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓ અને અન્ય સૂક્ષ્મ જીવોને આ આકરી ગરમીમાં પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા અત્યારથી જ યુદ્ધના ધોરણે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. ગિરનારના પથરાળ અને કપરા ચઢાણ વાળા વિસ્તારોમાં વન્યપ્રાણીઓને પાણીની શોધમાં ભટકવું ન પડે અને માનવ વસાહત તરફ આવવું ન પડે તે હેતુથી વન વિભાગે એક સુવ્યવસ્થિત માળખું ઊભું કર્યું છે. ગિરનાર અભયારણ્યની ભૌગોલિક સ્થિતિ અને વન્યજીવોની વિવિધતા વિશે વાત કરતા એસીએફ સુનિલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગિરનારની આસપાસનો જંગલ વિસ્તાર વર્ષ 2008માં ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે 'અભયારણ્ય' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિશાળ વનરાજીમાં ચિત્તલ, સાબર, જંગલી ભૂંડ અને નીલગાય જેવા અનેક શાકાહારી પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ શાકાહારી પ્રાણીઓની હાજરીને કારણે અહીં ઇકોસિસ્ટમ જળવાયેલી રહે છે, પરિણામે ડાલામથ્થા સિંહ અને ચપળ દીપડા જેવા માંસાહારી વન્યજીવોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. આ તમામ જીવો માટે ઉનાળાના આકરા દિવસોમાં પાણી એ જીવન ટકાવી રાખવા માટેનો સૌથી મહત્વનો સ્ત્રોત બની જાય છે. ગિરનારના જંગલમાં કુદરતી વહેણા અને નાળાઓ ચોમાસા દરમિયાન સક્રિય હોય છે, પરંતુ મે અને જૂન મહિનાની કાળઝાળ ગરમીમાં આ કુદરતી સ્ત્રોતો તળિયાઝાટક થઈ જતા હોય છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાને રાખીને જૂનાગઢ વન વિભાગ દ્વારા સમગ્ર અભયારણ્ય વિસ્તારમાં કુલ 56 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ્સ એટલે કે પાણીના કુંડાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થા માત્ર નામ પૂરતી નથી, પરંતુ તેને આધુનિક ટેકનોલોજી સાથે પણ સાંકળવામાં આવી છે. કુલ 56 પોઈન્ટ્સમાંથી 20 જેટલા વોટર પોઈન્ટ્સ સોલાર એનર્જી પંપથી સજ્જ છે, જે સૂર્યપ્રકાશની મદદથી આપમેળે પાણી ખેંચીને કુંડા ભરે છે. આ ઉપરાંત 8 પોઈન્ટ્સમાં પવનચક્કી દ્વારા પવનની ગતિનો ઉપયોગ કરીને પાણી પુરવઠો જાળવવામાં આવે છે. જ્યાં આ બંને સુવિધાઓ પહોંચી શકે તેમ નથી, તેવા દુર્ગમ વિસ્તારોમાં વન વિભાગના ટેન્કરો દ્વારા નિયમિતપણે પાણી પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. માત્ર પાણી પૂરું પાડવું જ પૂરતું નથી, પરંતુ તે પાણી સ્વચ્છ અને આરોગ્યપ્રદ હોય તે પણ એટલું જ અનિવાર્ય છે. આ માટે વન વિભાગે દરેક રાઉન્ડ દીઠ બે-બે સમર્પિત રોજમદારોની નિમણૂક કરી છે. આ કર્મચારીઓ દરરોજ દરેક વોટર પોઈન્ટની મુલાકાત લે છે, કુંડામાં રહેલો કચરો કે જૂનું પાણી ખાલી કરી, તેને વ્યવસ્થિત રીતે ઘસીને સાફ કરે છે અને ત્યારબાદ જ તેમાં તાજું પાણી ભરવામાં આવે છે. આ સતત મોનિટરિંગને કારણે વન્યજીવોને કોઈ પણ પ્રકારના રોગચાળાનો ભય રહેતો નથી અને તેમને 24 કલાક પીવા માટે ઠંડુ અને શુદ્ધ પાણી ઉપલબ્ધ રહે છે. ઉનાળાના મધ્યાહને જ્યારે તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય છે, ત્યારે વન્યપ્રાણીઓના શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાઈ શકે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા એક નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં જરૂરિયાત મુજબ પાણીમાં ઓ.આર.એસ (ORS) પાઉડર ભેળવવામાં આવે છે. આ દ્રાવણ પ્રાણીઓના શરીરમાં પાણી અને આવશ્યક ક્ષારોનું સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે, જેથી તેઓ હીટવેવ સામે લડી શકે. વન વિભાગની સંવેદનશીલતા માત્ર મોટા પ્રાણીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ મધમાખી અને પતંગિયા જેવા નાના કીટકો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. વોટર પોઈન્ટની દિવાલો પર જ શણના કોથળા રાખવામાં આવે છે જેમને સતત પાણીથી ભીના રાખવામાં આવે છે. મધમાખીઓ આ ભીના કોથળા પર બેસીને સુરક્ષિત રીતે ભેજ અને પાણી મેળવી શકે છે, જે ઇકોસિસ્ટમના સંવર્ધન માટે અત્યંત જરૂરી છે. આ સમગ્ર જહેમત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વન્યજીવોનું રક્ષણ અને માનવ-વન્યપ્રાણી સંઘર્ષને ન્યૂનતમ કરવાનો છે. અનુભવ પરથી જાણવા મળ્યું છે કે જ્યારે જંગલના અંદરના ભાગમાં પાણી ખૂટી જાય છે ત્યારે તરસ્યા વન્યજીવો પાણીની શોધમાં જંગલની સરહદ વટાવીને ગામડાઓ કે રહેણાંક વિસ્તારો તરફ વળે છે, જે ઘણીવાર સંઘર્ષની સ્થિતિ પેદા કરે છે. જોકે, ગિરનારના પહાડોમાં જ પૂરતા પ્રમાણમાં અને આધુનિક પદ્ધતિથી પાણીની સુવિધા ઊભી કરવામાં આવી હોવાથી, વન્યજીવો જંગલની શાંતિમાં રહીને પોતાની તરસ છિપાવી શકે છે. આમ, જૂનાગઢ વન વિભાગની આ વ્યવસ્થા વન્યજીવ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેમાં પ્રકૃતિના નાનામાં નાના જીવની કાળજી લેવામાં આવી છે.
અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં મહેશ્વરી એસ્ટેટમાં આવેલી નમકીનની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટનામાં દાઝી જવાના કારણે ચાર કારીગરોના મૃત્યુ થયા છે. આગ લાગી ત્યારે ચારેય કારીગરો બાજુના ધાબા ઉપર પરથી નીચે ઉતરી ગયા હતા. જોકે આગ બુજાવવા જતા તેઓએ દુકાનનું શટર ખોલી નાખ્યું અને અચાનક જ સામે આગની જાળ લાગતા દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન ચારેયનું મૃત્યુ થયું હતું. ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી હતી. માધુપુરાની આવકાર ફૂડ્સનો બનાવમળતી માહિતી મુજબ શહેરના માધુપુરા વિસ્તારમાં હનુમાનપુરા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે મહેશ્વરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવકાર ફૂડસ નામની નમકીન બનાવવાની ફેક્ટરી આવેલી છે. ફેક્ટરીમાં મૂળ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રહેવાસી એવા ચાર કારીગરો રહેતા હતા અને કામ કરતા હતા.3 માર્ચે મોડી રાતે આગ લાગવાની ઘટના બની હતી જેમાં ચારે કારીગરો ઉપર સૂતા હતા આગ લાગી અને ધુમાડો પ્રસરતા ચારેય જાગી ગયા હતા. નીચે આગ લાગેલી હતી જેથી નીચે જવાય નહીં તેના માટે તેઓ ઉપરની બાજુની ફેક્ટરીમાં થઈ અને ઝાડ પરથી સીધા નીચે ઉતર્યા હતા. ચારેયના સારવાર દરમિયાન મોતનીચે ઉતરી ગયા બાદ દુકાનમાં લાગેલી આગ અને બુજાવવા માટે દુકાનમાં મૂકવામાં આવેલા ફાયર બ્રિગેડના બાટલા લઈને આગ બુજાવવાનો પ્રયત્ન કરવા શટર ખોલવાનો પ્રયત્ન કરતો અને જેવું શટલ ખુલ્યું કે તરત જ આગની જાળ લાગી ગઈ હતી અને શટર પણ તૂટી ગયું હતું. જેથી તારે ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે તેમને સારવાર આપવામાં આવી હતી જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. માધુપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકોના નામઅરવિંદ પરમાર (ઉ. વ. 18)કુલદીપસિંહ રાજપુત (ઉ. વ. 18)સુભાષ પરમાર (ઉ. વ. 26)કૈલાશ વણઝારા (ઉ. વ. 34)
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં SOG દ્વારા 5 માર્ચના રોજ પાડવામાં આવેલા દરોડામાં પનીરના નામે પીરસાઈ રહેલા ધીમા ઝેરનો પર્દાફાશ થયો હતો. હાલ SOGની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ ફેક્ટરીમાં પનીર બનાવવા જે એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો, તે ખાદ્ય પદાર્થો માટેનું (Food Grade) નહીં, પરંતુ કારખાનાઓમાં વપરાતું 'ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ' એસિડ હતું. આ પનીર સુરતની અનેક ડેરીઓમાં સપ્લાય થતું હતું. આ ઉપરાંત SOGની તપાસમાં એ પણ ખુલ્યું છે કે, મુંબઈના એડ્રેસ પર FSSAI લાયસન્સ લઈ સુરતમાં ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. SOGએ 1400 કિલો પનીરનો જથ્થો તો જપ્ત કર્યું પણ આ ઝેર અનેક લોકો આરોગી ગયા હશે તેના સ્વાસ્થ્યને લઈ ચિંતા ઉભી થઈ છે. ઇન્ડસ્ટ્રીયલ એસિટિક એસિડથી પાચનતંત્ર -કિડનીને ગંભીર નુકસાન સામાન્ય રીતે પનીર બનાવતી વખતે દૂધ ફાડવા માટે લિમિટેડ માત્રામાં ફૂડ ગ્રેડ એસિટિક એસિડ અથવા સાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય છે. પરંતુ પકડાયેલા આરોપી મહેશ શર્માના કારખાનામાં SOG એ તપાસ કરતા જાણવા મળ્યું કે, તે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં લેવાતું એસિટિક એસિડ વાપરતો હતો. આ એસિડ માનવ શરીર માટે અત્યંત જોખમી છે અને તેનાથી પાચનતંત્ર તેમજ કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે. જે રીતે ફૂડ કલરના બદલે ડાઈંગના કલર વાપરવા ગુનો છે, તે જ રીતે આ એસિડનો ઉપયોગ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં સમાન છે. લાયસન્સ મહારાષ્ટ્રનું અને કાળો કારોબાર સુરતમાંતપાસમાં સૌથી મોટો વળાંક લાયસન્સ મામલે આવ્યો છે. આરોપી મહેશ શર્મા પાસે FSSAIનું લાયસન્સ તો હતું, પરંતુ તે સુરતનું નહીં પણ મહારાષ્ટ્રના વસઈના એડ્રેસ પર નોંધાયેલું હતું. આરોપી આ મહારાષ્ટ્રના લાયસન્સના આધારે સુરતમાં ગેરકાયદેસર ફેક્ટરી ધમધમાવતો હતો. જ્યારે પણ કોઈ SOG ટીમ તપાસ માટે પહોંચતી, ત્યારે તે વસઈનું લાયસન્સ બતાવીને પોતે કાયદેસર હોવાનો ઢોંગ કરતો હતો. વાસ્તવમાં, જે જગ્યાએ ઉત્પાદન થતું હોય ત્યાંનું જ લાયસન્સ હોવું અનિવાર્ય છે. પામોલીન તેલ અને મિલ્ક સોલિડના મિશ્રણથી 'એનાલોગ પનીર' તૈયાર થતુંઆ પનીર શુદ્ધ દૂધમાંથી નહીં, પરંતુ અત્યંત સસ્તા મટીરિયલમાંથી બનાવવામાં આવતું હતું. SOGની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, તે પામોલીન તેલ, થોડું દૂધ અને બાકીના મિલ્ક સોલિડનો ઉપયોગ કરીને 'એનાલોગ પનીર' તૈયાર કરતો હતો. આ મિશ્રણને જમાવીને તેને પનીર જેવો આકાર આપી દેવામાં આવતો હતો. આ પનીર દેખાવમાં અસલ જેવું જ લાગતું હોવાથી ગ્રાહકો છેતરાઈ રહ્યા હતા. 220 રૂપિયામાં વેચાતું હતુ નકલી પનીરકિંમતનું ગણિત જોવામાં આવે તો આ કૌભાંડ સ્પષ્ટ થાય છે. જો દૂધનો ભાવ 57 રૂપિયે લીટર ગણીએ, તો 100 કિલો દૂધમાંથી માત્ર 15 કિલો પનીર બને. આ હિસાબે અસલી પનીર બનાવવાની પડતર કિંમત જ 380થી 390 રૂપિયાની આસપાસ થાય. તેની સામે આ ટોળકી માત્ર 180થી 220 રૂપિયામાં પનીર વેચતી હતી. SOGના જણાવ્યા મુજબ, જે પનીર 400 રૂપિયાથી ઓછી કિંમતે બજારમાં મળે, તેની ગુણવત્તા પર શંકા કરવી લાઝમી છે. 2 વર્ષથી ચાલતું હતું નેટવર્ક, રોજનું 400 કિલોનું ઉત્પાદનડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે,SOGની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મહેશ શર્મા છેલ્લા 2 વર્ષથી સુરતમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યો હતો. અગાઉ તે ગણેશનગરમાં પનીર બનાવતો હતો અને છેલ્લા 2 મહિનાથી વીર પંચવટી સોસાયટીમાં નવો પ્લાન્ટ શરૂ કર્યો હતો. દરરોજ અંદાજે 400 કિલો નકલી પનીરનું ઉત્પાદન કરીને તે સુરતની નાની-મોટી ડેરીઓમાં સપ્લાય કરતો હતો. એટલે કે, અત્યાર સુધીમાં હજારો કિલો ઝેરી પનીર સુરતીઓના પેટમાં ગયું છે. SOG અને ફૂડ વિભાગનો સંયુક્ત સપાટોSOGને બાતમી મળી હતી કે, પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં નકલી પનીર બની રહ્યું છે. ગત 3 માર્ચ, 2026ના રોજ સાંજે 6થી 9 વાગ્યા દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખીને SOGએ રેડ કરી હતી. આ ઓપરેશનમાં મોટા પાયે મુદ્દામાલ ઝડપાયો હતો અને તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો હતો. 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત• 1401 કિલો શંકાસ્પદ લુઝ પનીર (કિં.રૂ. 3,08,220)• રૂ. 25,00,000ની કિંમતની પનીર બનાવવાની મશીનરી• પામોલીન તેલના ડબ્બા અને એસિટિક એસિડના કેન• “Non Brand Loose Analogue Paneer” લખેલા સ્ટીકરો અને પેકિંગ મટિરિયલ SOGની કાર્યવાહી અને ગ્રાહકોને ચેતવણીSOGએ 40 વર્ષીય મહેશકુમાર પૂર્ણાશંકર શર્માની ધરપકડ કરી હતી. ફૂડ વિભાગે પનીરના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. SOG દ્વારા અપીલ કરવામાં આવી છે કે ગ્રાહકોએ ખૂબ જ સસ્તું પનીર ખરીદવાનું ટાળવું જોઈએ અને હંમેશા વિશ્વાસપાત્ર ડેરી પરથી જ ખરીદી કરવી જોઈએ. લાયસન્સ વગર કે બીજા રાજ્યના લાયસન્સ પર ચાલતા આવા એકમો સામે SOG આગામી દિવસોમાં ઝુંબેશ તેજ કરશે.
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય એમ લાગી રહ્યું છે. શહેરના સરથાણા વિસ્તારમાં જાહેર રસ્તા પર બે જૂથો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. સોસાયટીના રહીશો અને બહારના ફેરિયાઓ વચ્ચે નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં બંને પક્ષે સામસામે લાકડાના ફટકા અને ધોકા ઉછળ્યા હતા. ફેરિયાઓ અને સોસાયટીના રહીશો વચ્ચે ઘર્ષણ મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મુખ્ય ગેઈટ પાસે ઉભા રહેતા ફેરિયાઓ અને સોસાયટીના રહીશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું. રહીશોનો આરોપ હતો કે, ફેરિયાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવે છે એટલે સોસાયટીમાં ઘોંઘાટની સમસ્યા રહેશે. બીજી તરફ ફેરિયાઓ પોતાની રોજીરોટીનો પ્રશ્ન હોવાનું જણાવી ત્યાંથી હટવા તૈયાર નહોતા. સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલી તકરારમાં ફેરિયાઓએ પોતાના સાથીદારોને બોલાવી લીધા હતા તો સામે પક્ષે સોસાયટીના રહીશો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જોતજોતામાં શાંત ગણાતો આ વિસ્તાર રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. મહિલાઓએ પણ ધોકાવાળી કરીઆ ઘટનાનું સૌથી ચોંકાવનાર પાસું એ હતું કે, પુરુષોની સાથે-સાથે મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી હતી. વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલીક મહિલાઓ હાથમાં લાકડાના ફટકા અને ધોકા લઈને એકબીજા પર હુમલો કરી રહી છે. આ સમગ્ર મારામારીની ઘટના ત્યાં હાજર કેટલાક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બે જૂથો એકબીજાને બેફામ ગાળો આપી રહ્યા છે અને લાકડાના ફટકાથી હુમલો કરી રહ્યા છે. બંને પક્ષોએ પોતે બબાલ કરી હોવાનું સ્વીકાર્યું હતુંસરથાણા પી.આઈ. બી.બી કરપડાએ જણાવ્યું હતું કે, આ વીડિયો વાયરલ થયા બાદ બંને પક્ષને પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને હવે બંનેનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને પક્ષોએ પોતે બબાલ કરી હોવાનું સ્વીકાર્યું હતું અને હવે પોલીસ સમક્ષ સમાધાન કરી આવવાનું પણ દાવો કરવામાં આવ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ચાલુ ટર્મની છેલ્લી બેઠક આજરોજ મળી હતી, આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે આશરે રૂપિયા 123.14 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી છે આ બેઠકમાં કુલ 87 તુમારો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રૂપિયા 114 કરોડના કામોની ચર્ચા કરવામાં આવી હતી, આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી વધારાના 27 વિકાસકામો માટે રૂપિયા 8.94 કરોડ મંજૂર કરાયા હતા આમ, કુલ રૂપિયા 123.14 કરોડના ખર્ચે વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી, શહેરની સેવાઓમાં વધારો કરવા માટે કમિટીએ પ્રભુદાસ તળાવ બાદ હવે તરસમીયા વિસ્તારમાં નવું અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવવામાં આવશે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને ચિત્રા-ફુલસર વિસ્તારમાં બે નવા નાના અને મોટા પાર્ટી પ્લોટ તૈયાર કરવામાં આવશે, શહેરની પેરીફેરીમાં નવા રોડ ખોલવા માટે મેટલ ગ્રાઉટિંગના કામો અને નવા ભળેલા વિસ્તારોમાં રોડ નેટવર્ક મજબૂત કરાશે, અધેવાડા જેવા નવા ભળેલા વિસ્તારોમાં DI લાઈનનું નેટવર્ક નાખવા અને પાંચ ગામોમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેમાં બેઠકમાં સૌથી મોટો પ્રોજેક્ટ દક્ષિણ સરદારનગર-અધેવાડા અને ઉત્તર સરદારનગર-તરસમિયા વોર્ડમાં મંત્રેશ કોમ્પ્લેક્સથી ટોપ-શ્રી સર્કલ સુધી રૂ.29.28 કરોડના ખર્ચે બનનારો આઇકોનિક રોડ છે, આ ઉપરાંત, તરસમિયા વિસ્તારમાં રૂ.15.95 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું નવું ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવશે, તેમજ વોર્ડ વાઈઝ વિકાસ કામોઓમાં કાળીયાબીડ-સીદસર-અધેવાડા વોર્ડ આ વિસ્તારમાં સૌથી વધુ કામો હાથ ધરાશે, જેમાં સીદસર-અધેવાડા સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે RCC બોક્સ ડ્રેઇન રૂ.6.04 કરોડ, વિવિધ સોસાયટીઓમાં પેવર રોડ અને RCC રોડ રૂ.5.90 કરોડ અને રૂ.5.90, તેમજ હિલપાર્કથી ટબુડી તળાવ સુધી બિટૂમીન રોડના કામોનો સમાવેશ થાય છે, સરદારનગર-તરસમીયા વોર્ડ ટોપ-શ્રી સર્કલથી ડી-માર્ટ સુધીના રોડને 6-લેન વાઈડનીંગ રૂ.3.74 કરોડ, વિવિધ આંતરિક રસ્તાઓ પર મેટલ ગ્રાઉટીંગ અને પેવિંગ બ્લોકના કામો હાથ ધરાશે, ફુલસર અને હેમુ કાલાણી સર્કલ પાસે અંદાજે રૂ.9 કરોડથી વધુના ખર્ચે બે નવી લાઇબ્રેરી (રીડીંગ રૂમ) બનાવવામાં આવશે, ફુલસર ખાતે રૂ.6.07 કરોડના ખર્ચે નવા પાર્ટી પ્લોટનું નિર્માણ થશે, ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડમાં માલેશ્રી નદી પર બોક્સ કલવર્ટ રૂ.3.21 કરોડ, કુંભારવાડામાં રેલવે લાઈન પાસે RCC રોડ, અને ભરતનગર તથા કાળીયાબીડ વિસ્તારમાં નવી પાણીની લાઇન નાખવાના સહિતના કામો ને બહાલી આપવામાં આવી હતી. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રાબડીયા એ જણાવ્યું હતું કે, ભાવનગરને સુંદર બનાવવા માટે ગાર્ડન અને ડિવાઈડરના ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે આ પ્રક્રિયામાં સહભાગી થનારા દાતાઓને પ્રોત્સાહિત કરી વિવિધ સ્થળો દત્તક આપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, આ મારી ટર્મની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ હતી, ભાવનગર મેગા સિટી તરફ આગળ વધે તે માટે અમે પાયાની સુવિધાઓ અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપ્યું છે શહેરના વિકાસમાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને નગરજનોનો હું આભાર માનું છું, આ બેઠકના અંતે આગામી દિવસોમાં ભાવનગર એક સુવ્યવસ્થિત મહાનગર તરીકે ઉભરી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સરહદી હમીરપુરા ગામના ખેડૂત પુત્ર વિપુલ ચૌધરીએ UPSC પરીક્ષામાં 115મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિથી તેમણે સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અગાઉ IPS તરીકે પસંદગી પામ્યા હોવા છતાં, IAS બનવાના લક્ષ્ય સાથે તેમણે મહેનત ચાલુ રાખી હતી. પરિણામ જાહેર થતાં જ પરિવાર અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલું હમીરપુરા ગામ સુવિધાઓની દ્રષ્ટિએ પછાત ગણાય છે. અહીં માત્ર પ્રાથમિક શિક્ષણની જ સુવિધા ઉપલબ્ધ છે, અને ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને બહાર જવું પડે છે. આવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારના દીકરા વિપુલ કરમણભાઈ ચૌધરીએ કઠોર પરિશ્રમ દ્વારા આ સફળતા મેળવી છે. તેમની આ સિદ્ધિથી સરહદી વિસ્તારના ખેડૂત પરિવારોમાં ગૌરવની લાગણી વ્યાપી છે. વિપુલ ચૌધરીએ પોતાની સફર વિશે જણાવ્યું કે, શરૂઆતમાં યોગ્ય માર્ગદર્શનના અભાવે પરિણામ મળવામાં વિલંબ થયો હતો. જોકે, દ્રઢ નિશ્ચયને કારણે આજે તેમને સફળતા મળી છે. તેમણે વર્ષ 2015માં એક શિક્ષક સાથેની ચર્ચા બાદ IAS બનવાનું નક્કી કર્યું હતું અને કોલેજ પૂર્ણ કર્યા બાદ તૈયારીઓ શરૂ કરી હતી. અગાઉની પરીક્ષામાં 348મો રેન્ક મેળવી તેઓ IPS બન્યા હતા, પરંતુ તેમનું મુખ્ય લક્ષ્ય IAS બનવાનું હોવાથી તેમણે નોકરીની સાથે મહેનત ચાલુ રાખી હતી. આજના યુવાનોને સંદેશ આપતા વિપુલ ચૌધરીએ જણાવ્યું કે, પોતાની મહેનત પર ભરોસો રાખવાથી મોડું તો મોડું પણ ચોક્કસ પરિણામ મળે છે. વિપુલની સફળતા પાછળ તેમના માતા-પિતાનો સંઘર્ષ પણ એટલો જ મહત્વનો રહ્યો છે. પિતા કરમણભાઈએ જણાવ્યું કે વિપુલ નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતો અને તેનું લક્ષ્ય ઉચ્ચ અધિકારી બનવાનું હતું. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં, વિપુલને ભણાવવા માટે પરિવારે પશુપાલન કર્યું હતું અને અન્યની જમીન ભાગે રાખીને ખેતીકામ કર્યું હતું. માતા મીઠીબેને ઉમેર્યું કે, દીકરો જ્યારે આખી રાત વાંચતો ત્યારે તેઓ પણ તેની સાથે જાગતા હતા. માતા-પિતાના આ ત્યાગ અને દીકરાની અવિરત મહેનતને કારણે આજે હમીરપુરાનું નામ દેશના નકશા પર ચમક્યું છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2023માં બનેલી એક ચોંકાવનારી હત્યાના કેસમાં સુરત સેસન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. માત્ર જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં પોતાના પિતાના મિત્ર પર હથોડી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર આરોપી ચેતન ઉર્ફે ચેતલા મુલચંદ ગુપ્તાને અદાલતે આજીવન કેદની સખત સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, આરોપીએ નજીવી બાબતે આવેશમાં આવી ઘાતક હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. પિતાના મિત્ર ઘરમાં જ રહેતા હતા, કામ ન કરતા હોવાથી આરોપી નારાજ હતો. અવારનવાર બંને વચ્ચે ખટરાગ ને હત્યાઘટનાની વિગતો મુજબ, મરણજનાર શબ્બીર ઉર્ફે પપ્પુ ખાન આરોપી ચેતનના પિતા મુલચંદ ગુપ્તાના પાકા મિત્ર હતા. મિત્રતાના દાવે શબ્બીર છેલ્લા ઘણા સમયથી મુલચંદભાઈના ઘરે જ રહેતા હતા. જોકે, આરોપી ચેતનને તે પસંદ નહોતું. શબ્બીર ઘરકામમાં કોઈ મદદ કરતા ન હોવાથી ચેતન તેમનાથી સતત નારાજ રહેતો હતો અને અવારનવાર બંને વચ્ચે ખટરાગ થતો રહેતો હતો. આ નારાજગી જ અંતે લોહિયાળ હત્યામાં પરિણમી હતી. 'જમવાનું કેમ નથી બનાવ્યું?' કહી હથોડીના ઘા ઝીંકી દીધા31 જાન્યુઆરી 2023ના રોજ સાંજે આ વિવાદ વકર્યો હતો. આરોપી ચેતન ગુપ્તાએ શબ્બીરને જમવાનું બનાવવા માટે કહ્યું હતું, પરંતુ શબ્બીરે જમવાનું બનાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ સાંભળી ચેતનનો પિત્તો ગયો હતો અને બંને વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. ઉશ્કેરાયેલા ચેતને પહેલા શબ્બીરને જોરથી ધક્કો મારી નીચે પાડી દીધો અને ત્યારબાદ ઘરમાં રહેલી લોખંડની હથોડી વડે તેમના માથા અને કાનના ભાગે એક પછી એક ઘાતક પ્રહાર કર્યા હતા. ઈજાગ્રસ્ત શબ્બીરે 8 દિવસ સુધી ફરિયાદ ન કરીઆ કેસમાં સૌથી આશ્ચર્યજનક પાસું એ રહ્યું કે, ગંભીર રીતે ઘવાયેલા શબ્બીરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. તેઓ 8 ફેબ્રુઆરી સુધી ભાનમાં હતાં, પરંતુ હુમલો કરનાર વ્યક્તિ તેમના પરમ મિત્રનો દીકરો હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. મિત્રના પુત્રનું ભવિષ્ય ન બગડે તે માટે તેમણે મૌન સેવ્યું હતું. જોકે, સારવાર દરમિયાન જખમ ઊંડા હોવાથી તેમનું મોત થયું હતું, જેના પગલે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી ચેતનની ધરપકડ કરી હતી. સરકારી વકીલની ધારદાર દલીલો અને કોર્ટનો ચુકાદોકેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિશાલ ફળદૂએ દલીલો રજૂ કરી હતી. તેમણે મેડિકલ પુરાવા અને પંચોની જુબાની રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપીએ જાણીજોઈને શરીરના નાજુક ભાગો પર હથોડી જેવા જીવલેણ હથિયારથી હુમલો કર્યો હતો. દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી અદાલતે આ દલીલો ગ્રાહ્ય રાખી હતી અને નોંધ્યું હતું કે સમાજમાં આવા ગુનાઓ વધતા અટકાવવા કડક સજા જરૂરી છે. પરિણામે, સેસન્સ કોર્ટે આરોપી ચેતન ગુપ્તાને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની સત્તાવાર ઘોષણા કરી છે. AAP તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે. તો બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે રાત્રે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનારી 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રાના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધિત કરશે. 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ: મનોજ સોરઠીયાપાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, AAP તમામ સીટો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં છે અને 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 10 માર્ચથી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે ઉમેદવારોની પસંગદી માટે સ્ક્રૂટીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યાર બાદ 16થી 18 માર્ચ દરમિયાન પ્રદેશ સ્તરે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. '20 માર્ચ બાદ તમામ સીટો પર મજબૂત દાવેદારો ઉતારશે'મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તેમજ સમર્થકોને પણ ભાગ લેવાની તક આપવામાં આવશે. જે લોકો ઉમેદવારી કરવા માગતા હોય તેમને જિલ્લા સ્તરે યોજાનારી સ્ક્રૂટીની પ્રક્રિયામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને AAP રાજ્યમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. 20 માર્ચ બાદ તમામ સીટો પર પાર્ટી પોતાના મજબૂત દાવેદારો ઉતારશે. અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસેતો બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે રાત્રે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. બે દિવસના ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનારી 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રાના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધિત કરશે અને ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવશે. 9 માર્ચે સુરતમાં ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનઈસુદાન ગઢવી અને પ્રવીણ રામની આગેવાનીમાં ચાલી રહેલી આ યાત્રાને ગામે ગામથી ખેડૂતોનું સમર્થન મળ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ જનસભામાં ગુજરાતભરના ખેડૂતો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપશે તેવી શક્યતા છે. આ ઉપરાંત 9 માર્ચે સુરત ખાતે કેજરીવાલની હાજરીમાં ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન પણ યોજાશે, જેમાં અંદાજે 20થી 25 હજાર જેટલા બૂથ લેવલના કાર્યકર્તાઓ ભાગ લેશે.
પોરબંદરમાં જુગાર પર પોલીસના 8 દરોડા:42 શખસ ઝડપાયા, ₹1.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોરબંદર જિલ્લામાં પોલીસે ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના 8 જુદા જુદા સ્થળોએ દરોડા પાડી કુલ 42 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં એલ.સી.બી., બગવદર અને રાણાવાવ પોલીસનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન પોલીસે ₹1,53,600/- થી વધુનો રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા શખ્સોમાં પુરુષો અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે. એલ.સી.બી. દ્વારા બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના પાલખડા ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી નાથા શીંગરખીયા, જયેશનાથ ગૌસ્વામી, કરશન શીંગરખીયા, માલદે પાંડાવદરા, ગોવિંદ સાદીયા અને રાજશી કરગઠીયા સહિત છ લોકોને ₹41,950/- ની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોરબંદરના ખાપટ નજીક મારુતિ મીલ પાસે જાહેરમાં જુગાર રમતા 4 પુરુષો અને ગીતાબેન, રીટાબેન, મયુરીબેન સહિત 5 મહિલાઓ મળી કુલ 9 વ્યક્તિઓ ₹23,750/- ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. અન્ય કાર્યવાહીમાં, સાતવાવ વાડી વિસ્તારમાં ઝાડ નીચે લાઈટના અજવાળે જુગાર રમતા રમેશ ગોઢાણીયા, રામા ઓડેદરા અને ભરત ઓડેદરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. કુણવદર ગામમાં ભોજેશ્વર તળાવ પાસે બાવળની કાંટમાં જુગાર રમતા રણમલ કારાવદરા સહિત 5 શખ્સો પણ ઝડપાયા હતા. અમરદળ ગામમાં ચામુંડા માતાજીના મંદિર પાસે હિતેશ ગોહેલ અને ખોડા મકવાણા સહિત 5 શખ્સોને ₹16,350/- ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. રાણા ખીરસરા, આદિતપરા અને આદિત્યાણા જેવા અન્ય સ્થળોએ પણ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે આ તમામ કિસ્સાઓમાં જુગારધારાની કલમ 12 હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાની અસર ભારતમાં પણ વર્તાઈ રહી છે. ભારત સીધી રીતે ભલે યુદ્ધમાં સામેલ નથી, પરંતુ દેશના લોકો તેનો ભોગ બની રહ્યા છે. આજથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 60નો વધારો થયા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારાને લઈ ગૃહિણીઓ કહી રહી છે કે, જો યુદ્ધ હજુ લાંબુ ચાલશે તો લોઅર-મિડલ ક્લાસને તેની ખૂબ ગંભીર અસર પડશે. ગૃહિણીઓનું માનવું છે કે, હાલમાં માત્ર ગેસ સિલિન્ડરોના ભાવ વધ્યા છે, પરંતુ આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધશે તો તમામ ચીજ-વસ્તુઓ મોંઘી થશે. ગેસના ભાવ વધતા તેઓના આ મહિનાનું બજેટ ખોરવાઈ જશે અને બાળકોની જમવાથી લઈને અન્ય ખુશીઓ મારવી પડશે.
રાજકોટની હરિવંદના કોલેજ દ્વારા અનોખો મિલેટસ ફૂડ કાર્નિવલ અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ છે કે નહીં તે ઘરે બેઠા કઈ રીતે જાણી શકાય તે માટેનો ફૂડ એડલ્ટ્રેશન ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિદ્યાર્થીઓએ મિલેટમાંથી નિર્મિત 50 વાનગીઓ બનાવી હતી તો દૂધ, બટર, પનીર, ટોમેટો કેચઅપ, મરી મસાલા અને ઇન્સ્ટન્ટ રીફ્રેશમેન્ટ ડ્રીંક જેવી રોજબરોજના ઉપયોગમાં આવતી 25 વાનગીઓમાં કઈ રીતે ભેળસેળ થાય છે તે વૈજ્ઞાનીક પ્રયોગો થકી ચકાસી બતાવવામાં આવ્યુ હતુ. લોકો ઘરે બેઠા પણ આ ચકાસણી કરી શકે છે ત્યારે ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રાજકોટ લોકસભા સાંસદ રૂપાલાએ મિલેટસ ફૂડ કાર્નિવલ સૌ માતાઓ અને બહેનો સહિતના મુલાકાત લે તેવી અપીલ કરવામાં આવી હતી. રાજકોટ લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, શહેરની હરિવંદના કોલેજમાં મિલેટ્સ 2026 નો પ્રારંભ થયો છે. અહીં મિલેટ્સની તમામ વસ્તુઓ હોમ મેઇડ છે. અહીં 50 થી વધુ વાનગીઓ રાખવામાં આવી છે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને ઘરેલુ નુસખાથી કઈ રીતે ઓળખી શકાય તેનો ડેમો પણ બતાવવામાં આવેલો છે. વિદ્યાર્થી બહેનો દ્વારા કયા પદાર્થમાં ભેળસેળ છે કે નહીં ? તે ખૂબ જ સરળ ભાષામાં બતાવવામાં આવી રહ્યું છે. જેથી રસોડા સાથે કામ કરતી માતા અને બહેનોએ આ મેળાની મુલાકાત અચૂક લેવી જોઈએ. હરીવંદના કોલેજનું જનરલ મેનેજમેન્ટ સંભાળતા સાગર પટેલે જણાવ્યું હતું કે, કોલેજ દ્વારા મિલેટ કાર્નિવલ 2026 માં વિદ્યાર્થીઓ દ્વારા 50થી વધુ વાનગીઓ મિલેટમાંથી બનાવેલી છે. જેમાં જુવાર, બાજરી અને મોરૈયોમાંથી પાણીપુરી, સેન્ડવિચ, બ્રાઉની, ફ્રેન્કી અને નૂડલ્સ બનાવવામાં આવ્યા છે. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી આ વાનગીઓ માત્ર રૂ.5 ના ટોકનદરે લોકોને ટેસ્ટ કરાવવામાં આવી રહી છે. માઇક્રોબાયોલોજીના અધ્યાપક ડૉ. કલ્પના રાખોલીયાએ જણાવ્યું હતું કે, મીલેટમાં ન્યુટ્રીશન અને ફાઇબર હોય છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. ફૂડમાં ભેળસેળ છે કે નહીં તે લોકો ઘરે બેઠા કઈ રીતે તપાસી શકે તે માટે અહીં ડેમો રાખવામાં આવેલો છે. 25 વસ્તુઓ રાખેલી છે અને 5 પ્રેક્ટિકલ ડેમો રાખવામાં આવેલો છે. જેનાથી પબ્લિકમાં જાગૃતિ આવે છે. જેમાં ઘી, દૂધ, તેલ, માખણ, પનીર, જીરું અને હળદરમાં ભેળસેળ છે કે નહીં તે લોકો ચકાસી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાકભાજી લીલુંછમ દેખાય તે માટે મેલેચાટ ગ્રીન, રોડામાન ડાઈનો છંટકાવ કરે છે. જેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો કેન્સર જેવા રોગ થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત બ્રેડ, મેગી અને મેયોનિઝ ન આરોગવું જોઈએ કારણકે તે પેટમાં પચવા માટે ખૂબ જ મૂશ્કેલ હોય છે. જેથી રાજકોટ સહિત ગુજરાતના લોકોએ આ ડેમો નિહાળવો જોઈએ. આ ઉપરાંત અહીં સાયન્સની તમામ વિદ્યાર્થિનીઓ દ્વારા અહીં અલગ અલગ ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ છે કે નહીં તેનો ડેમો બતાવવામાં આવી રહ્યો છે. આ રીતે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે વિદ્યાર્થિની તુલસી આડતિયાએ જણાવ્યું હતું કે, મિલેટસથી બનાવવામાં આવેલ તમામ વાનગીઓ રાખવામાં આવી છે જેમાં કેક, રોટલા અને પાણીપુરી ચીજ વસ્તુઓ જે મિલેટ્સમાંથી બનાવવામાં આવેલી છે તે અહીં રાખવામાં આવેલી છે. આ ઉપરાંત મરી મસાલા, તેલ, મેયોનિઝ, ટામેટા કેચઅપ સહિતમાં કઈ રીતે ભેળસેળ થાય છે તે અહીં બતાવવામાં આવે છે.
સુરતમાં સત્સંગ સભાનું આયોજન:ટેન્શનમુક્તિ માટે મેડિટેશન જરૂરી, મેડિસિન નહીં: પ્રેમવત્સલદાસજી
6માર્ચના રોજ સુરતના કતારગામ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર, અમદાવાદના સંતો દ્વારા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને કીર્તન ભક્તિ કરવામાં આવી હતી. સત્સંગસભામાં પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ પ્રેરક પ્રવચન આપ્યા હતા. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જીવનમાં ટેન્શનથી મુક્ત થવા માટે મેડિસિન નહીં, પરંતુ મેડિટેશન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે ઘણા લોકો દુઃખ અને ટેન્શનને ભૂલવા માટે ઊંઘની ગોળીઓ લે છે, છતાં તેમને ઊંઘ આવતી નથી. પરંતુ દુઃખમાંથી મુક્ત થવા માટે ગોળીઓની નહીં, ભગવાનનું ધ્યાન કરવાની જરૂર છે. શાંતિ પ્રાપ્ત કરવા માટે મેડિસિન નહીં, મેડિટેશન આવશ્યક છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે, સૌ કોઈએ ભગવાનનું ધ્યાન કરવાની ટેવ પાડવી જોઈએ. આપણા ઋષિમુનિઓ અને સંતોએ ધ્યાન દ્વારા જ શાશ્વત સુખ પ્રાપ્ત કર્યું છે. ટેન્શનમાંથી મુક્ત થવા માટે નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને દરેક ક્રિયામાં ભગવાનને કર્તા બનાવવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, સફળતા અને સંપત્તિ મેળવવા માટે મહેનત કરવી જરૂરી છે, પરંતુ ક્રિયા કર્યા પછી તેની ચિંતા ભગવાનને સોંપી દેવી જોઈએ. ભગવાન જે ફળ આપે તેને સ્વીકારી લેવાથી કોઈ પ્રકારનું ટેન્શન કે ચિંતા રહેતી નથી. શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી પણ રાત્રે મોડે સુધી ધ્યાન કરતા હતા, તેમના જીવનમાંથી પ્રેરણા લઈને નિત્ય ધ્યાન કરવાની ટેવ પાડવી જોઈએ.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોહના ગામ નજીક શનિવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાવચાલી ભવઠાણ ફળીયા રોડ પર એક પીકઅપ ટેમ્પો આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. આ ઘટનામાં ટેમ્પોના ચાલક અને ક્લીનરનો બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, GJ-15-AV-1801 નંબરનો પીકઅપ ટેમ્પો મોહના તરફથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટેમ્પો રોડ પરથી નીચે ખીણમાં પડ્યો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી વાહનમાં ફસાયેલા ચાલક અને ક્લીનરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ધરમપુર પોલીસ મથકે આ અકસ્માત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નોંધ કરવામાં આવી નથી. હવે જુઓ અકસ્માતની તસવીરો…
સુરત કોર્પોરેશન કક્ષાએ યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં શાળા ક્રમાંક 199ની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં તેમણે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થી મોદી બીટુએ 200 મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને શાળા માટે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.
મહેસાણાના કુકસ રૂપાલ મુકામે આવેલી મજૂર અદાલતમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અદાલતના પાણીના બોરની મોટર અત્યંત જૂની હોવાથી વારંવાર બંધ થઈ જતી હતી, જે હવે સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા અરજદારો, વકીલો અને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્ટ સંકુલમાં પાણી માટે હાહાકાર, મોટર બિલકુલ બંધ હાલતમાં મજૂર અદાલતના જજ એમ.એમ. અગ્રવાલ દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગને અનેકવાર મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી. તારીખ 4 નવેમ્બર 2024ના રોજ જજ દ્વારા લેખિતમાં પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા માત્ર ટેમ્પરરી રિપેરિંગ અથવા મહિનામાં એકાદ પાણીનું ટેન્કર મોકલીને સંતોષ માની લેવામાં આવે છે. 2025ની દિવાળીથી અત્યાર સુધી મોટર બિલકુલ બંધ હાલતમાં છે. જેના કારણે કોર્ટ સંકુલમાં પાણી માટે હાહાકાર મચ્યો છે. વૃક્ષો સુકાયા અને પશુ-પક્ષીઓ તરસ્યાપાણીના અભાવે માત્ર માણસો જ નહીં. પરંતુ કોર્ટ સંકુલમાં ઉગાડવામાં આવેલા અનેક ઘટાદાર વૃક્ષો પણ સુકાવા લાગ્યા છે. મજૂર અદાલત અને ઉપર આવેલી ટ્રિબ્યુનલના અંદાજે 20થી વધુ કર્મચારીઓ તેમજ અહીં ન્યાયની આશાએ આવતા ગરીબ મજૂરો અને પક્ષકારોને પીવાના પાણી માટે રઝળપાટ કરવો પડે છે. શૌચાલય અને અન્ય જીવનજરૂરી કામો માટે પણ પાણી ઉપલબ્ધ ન હોવાથી સ્થિતિ અત્યંત દયનીય બની છે. ‘છેલ્લા 6-8 મહિનાથી રજૂઆતો છતાં પરિણામ શૂન્ય છે’આ બાબતે એડવોકેટ વિપુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અહીં મજૂરો અને કંપની માલિકો ન્યાય માટે આવે છે. પરંતુ પાયાની સુવિધા ગણાતા પાણી માટે પણ વલખાં મારવા પડે છે. અમે છેલ્લા 6-8 મહિનાથી રજૂઆતો કરી રહ્યા છીએ. PWD વિભાગને વારંવાર લખવા છતાં પરિણામ શૂન્ય છે. જો ન્યાયતંત્રના પત્રની પણ તંત્ર અવગણના કરતું હોય તો સામાન્ય જનતાની હાલત શું હશે તે વિચારી શકાય છે.સ્થાનિકો અને વકીલ મંડળની માંગ છે કે સરકાર આ મામલે તાત્કાલિક દખલગીરી કરી માર્ગ અને મકાન વિભાગ સામે કડક કાર્યવાહી કરે અને નવી મોટર નાખીને કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા પૂરી પાડે.
રાહી ફાઉન્ડેશન દ્વારા રાજપુર-ગોમતીપુરની હીરાલાલની ચાલી ખાતે 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજિટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ ફાઉન્ડેશનનો 217મો ખીચડી વિતરણ પ્રોજેક્ટ હતો. આ કાર્યક્રમમાં બાળકો અને મહિલાઓ સહિત 800થી વધુ શ્રમજીવી પરિવારોએ ભોજનનો લાભ લીધો હતો. વિતરણ મહાકાળી મંદિર નજીક, હીરાલાલની ચાલી, રાજપુર-ગોમતીપુર વિસ્તારમાં યોજાયું હતું. આ કાર્યક્રમના આયોજનમાં રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશને તેમના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન રાહી ફાઉન્ડેશનના સભ્યો જયેશ પરીખ, સ્નેહા શાહ, મહેન્દ્ર પટેલ, ભદ્રેશ પટેલ, જગદીશ પીલુચિયા, વિજય દલાલ, સૌમ્ય દલાલ, કિરીટભાઈ, કુબેરભાઈ અને વિક્રમભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
પંચમહાલ: પુત્રને બચાવતા પિતાની હત્યા:આડા સંબંધની શંકાએ થયેલા ઝઘડામાં 3 આરોપી ઝડપાયા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામે આડા સંબંધની શંકાને કારણે થયેલા ઝઘડામાં પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં શહેરા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ગત 1 માર્ચના રોજ પાડોશીઓ વચ્ચે આડા સંબંધની શંકાને લઈ વિવાદ થયો હતો. આ વિવાદ ઉગ્ર બનતાં મારામારીમાં પરિણમ્યો, જેમાં 63 વર્ષીય અમરસિંહ રતનભાઈ ડાભીનું મોત થયું હતું. આરોપીઓ પુત્ર પર હુમલો કરી રહ્યા હતા ત્યારે અમરસિંહ ડાભી તેને છોડાવવા વચ્ચે પડ્યા હતા. આ સમયે હુમલાખોરોએ અમરસિંહના માથાના ભાગે લાકડીના ફટકા માર્યા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ઢળી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અમરસિંહને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને વડોદરા લઈ જવાયા, જ્યાં ટૂંકી સારવાર બાદ 5 માર્ચે તેમનું નિધન થયું. અમરસિંહના મોત બાદ શહેરા પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા નટુ વજાભાઈ ડાભી, હિંમત ડાભી અને વિનોદ ડાભી એમ ત્રણ આરોપીઓની આજરોજ અટકાયત કરી છે. પોલીસે ત્રણેય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા તેના સ્થાપક સ્વ. સૂર્યકાન્ત શાહની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પરમાર્થ એ જ સાચી ભક્તિ ના તેમના જીવનમંત્રને અનુસરીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા સ્થિત અંબે ગ્રુપની વિવિધ શાળાઓ દ્વારા સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનેક સામાજિક અને માનવતાવાદી કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ કાર્યો દ્વારા સ્વ. સૂર્યકાન્ત શાહને સાચા અર્થમાં કાર્યાંજલિ આપવામાં આવી હતી. અંબે વિદ્યાલય, જય અંબે વિદ્યાલય અને અંબે સ્કૂલ (CBSE) હરણી ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આમંત્રિત કરી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સહભાગી કરાયા હતા. તેમને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક વાર્તાની કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. શ્રી અંબે વિદ્યાલય (વાઘોડિયા રોડ) ની ટીમે 'શ્રી જલારામ પ્રજ્ઞાચક્ષુ પ્રગતિ મંડળ' (SJPPM) ની મુલાકાત લીધી હતી. ત્યાં વરિષ્ઠ નાગરિકોને સન્માનપૂર્વક ભોજન પીરસી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત, અંબે સ્કૂલ (માંજલપુર) ના GSEB અને CBSE વિભાગ દ્વારા વડોદરાની સયાજી હોસ્પિટલ (S.S.G.) ખાતે દર્દીઓ અને તેમના પરિજનોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર ગ્રુપની વિવિધ શાળાઓ દ્વારા કુલ ૨૦૦૦ થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને અન્નદાન કરવામાં આવ્યું હતું. નાના બાળકોના વિકાસ માટે ડ્રોઈંગ કીટ અને ફ્લેવર્ડ મિલ્કનું વિતરણ પણ કરાયું હતું. એક્શનશીટ કાર્ડ મેકિંગ અને ક્રાફ્ટ મેકિંગ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ સ્વ. સૂર્યકાન્ત શાહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના સહ-સ્થાપક ભારતીબહેન શાહ, ચેરમેન અમિતભાઈ શાહ, નિયામક ભાવેશા શાહ, મિત્તલબહેન શાહ તેમજ વિવિધ શાળાઓના આચાર્યઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ સ્વ. સૂર્યકાન્ત શાહને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના શિક્ષણ તથા સમાજ સેવાના વારસાને આગળ ધપાવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. આ સેવાકીય કાર્યક્રમો દ્વારા નવી પેઢીના વિદ્યાર્થીઓમાં કરુણા, સેવા અને માનવતાના સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું.
મહુવા તાલુકાની કુંભણ કન્યા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ સર સી.વી. રામન દ્વારા 'રામન ઈફેક્ટ'ની શોધને બિરદાવવા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી યોજાયો હતો. આ વર્ષે કાર્યક્રમનો વિષય (Theme) 'Science Meets Society' (વિજ્ઞાન અને સમાજનો સમન્વય) રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા થઈ હતી અને તેનું ઉદ્ઘાટન આચાર્ય રેખાબેન મકવાણાએ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક દ્રષ્ટિને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક વિષયો પર ૫૦ થી વધુ મોડેલ્સ અને જીવંત પ્રયોગો રજૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં અનેક પ્રોજેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાર્થીઓએ સામાજિક સમસ્યાઓ અને તેના ઉકેલો પર પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા, જેમાં ગામની પાણીની અછત, અનાજ વિતરણ એટીએમ, ટપક સિંચાઈ પદ્ધતિ, વોટર ફિલ્ટરેશન અને ટોલગેટ મોડેલનો સમાવેશ થાય છે. કૃષિ અને પર્યાવરણ વિભાગમાં વનસ્પતિના વિકાસ પર સંગીતની અસર, પવનચક્કી, પ્રદૂષણની અસરો અને ઔષધીય વનસ્પતિઓનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું. ટેકનોલોજી અને એન્જિનિયરિંગમાં રૉકેટ લોન્ચિંગ, ચંદ્રયાન-૩, ભૂકંપ એલાર્મ, ઇલેક્ટ્રિક સીડી, અને પ્લાસ્ટિક તથા લાકડા કટર ગ્રાઈન્ડર મશીન જેવા મોડેલ્સ રજૂ કરાયા હતા. આરોગ્ય અને જીવવિજ્ઞાનમાં માનવ મગજની સંરચના, કૃત્રિમ લોહી, મચ્છરોના પ્રકાર અને તેનાથી થતા રોગો, વનસ્પતિ અને પ્રાણી કોષ, તેમજ રસોડાના મસાલાનું સ્વાસ્થ્યમાં મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સૂક્ષ્મજીવ વિજ્ઞાનમાં ગંગા નદીના જળમાં જોવા મળતા 'બેક્ટેરિયોફેજ' વાયરસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. રસાયણ વિજ્ઞાનમાં એસિડ-બેઇઝ ઇન્ડિકેટર્સ દ્વારા પદાર્થની પરખ અને વિવિધ મિશ્રણોના અલગીકરણની પદ્ધતિઓનું નિદર્શન કરાયું હતું. ભૌતિક વિજ્ઞાનમાં પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું સાત રંગોમાં વિભાજન, હોલોગ્રામ અને ડેડ સી પાછળનું વિજ્ઞાન દર્શાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ અવકાશ વિજ્ઞાન સંબંધિત પ્રયોગોનું પણ સચોટ માર્ગદર્શન અને જીવંત નિદર્શન આપ્યું હતું. શાળાના વિજ્ઞાન શિક્ષક જયભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ અને જાણીતા વકીલ નલિનભાઈ ડી. પટેલનું અવસાન થતા વકીલ આલમમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓનું નિધન થયું હતું. ગુજરાત બાર કાઉન્સિલમાં પણ ઉમેદવારી કરી હતીએડવોકેટ નલિન પટેલ વડોદરા બાર કાઉન્સિલના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ ગતરોજ યોજાયેલી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સભ્ય પદ માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા, જોકે આ ચૂંટણીની મતગણતરી હજુ બાકી છે. તેઓના અચાનક નિધનના પગલે વડોદરાના ધારાશાસ્ત્રીઓ ઘેરા શોકમાં ગરક થઈ ગયા છે. લાંબા સમયથી બીમાર હતાનલિનભાઈ ડી. પટેલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ તરીકે તેમણે કાનૂની ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. નલિનભાઈ પટેલના અવસાનથી કાનૂની જગતમાં એક ખોટ પડી હોવાનું વકીલ વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. ધારાશાસ્ત્રીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરીનલિન પટેલના અવસાનના સમાચાર મળતા જ વકીલ વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અનેક વકીલો અને કાનૂની ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.
ગુજરાત ATSએ નશાકારક દવાઓની હેરફેર કરતા એક આરોપીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી એર કાર્ગો મારફતે નશાકારક દવાઓ વિદેશ મોકલતો હતો. ખાસ કરીને થાઇલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાં આ દવાઓની સપ્લાય કરવામાં આવતી હતી. ATSની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપી દવાના જથ્થા અંગે ખોટી માહિતી દર્શાવીને પાર્સલ મોકલતો હતો. બિલમાં અન્ય સામાન તરીકે માહિતી દર્શાવવામાં આવતી હતી. જેથી તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરી શકાય. એર કાર્ગો દ્વારા મોકલાતા પાર્સલમાં નશાકારક દવાઓ છુપાવીને વિદેશ મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ATSને મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ કરતા સમગ્ર કૌભાડ સામે આવ્યું છે. હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ પણ ATS દ્વારા કરવામાં આવી રહી છે.
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઈરાને કોની માફી માંગી? કહ્યું- શરત સ્વીકારો તો હુમલો નહીં કરીએ
Middle East Tensions: મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ અને વધતા જતા સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પડોશી દેશોને સુરક્ષાની ખાતરી આપતું એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે કોઈ પણ પડોશી રાષ્ટ્રને નિશાન બનાવશે નહીં, પરંતુ સાથે જ અમેરિકા અને ઈઝરાયલ સામે નમતું જોખવાનો પણ ઈનકાર કર્યો છે. પડોશી દેશોની માફી માંગી અને મૂકી શરત અહેવાલો અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને યુદ્ધ વચ્ચે પડોશી દેશો પર થયેલા હુમલાઓ બદલ દુઃખ વ્યક્ત કરીને માફી માંગી હતી. તેમણે પાડોશીઓને આશ્વસ્ત કર્યા હતા કે ઈરાન તરફથી હવે કોઈ આક્રમક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
8 માર્ચ, 2026એ દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. ત્યારે અમદાવાદમાં જબરદસ્ત ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. અમદાવાદ ક્રિકેટના રંગે રંગાઈ ગયું છે અને અમદાવાદ ‘ભારત’ બનવા તૈયાર છે. ફાઇનલ પહેલાં ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે. હોટલમાં ટીમોનું જોરદાર સ્વાગત કરાયું છે તો કેટલાક ક્રિકેટરો રાત્રે કેફેમાં જઈ અમદાવાદી ફીલ લઈ રંગમાં આવી ગયા છે. આફતને અવસરમાં ફેરવવા માટે જાણીતા ગુજરાતીઓ પોતાના ઘરઆંગણે આવેલા આ અવસરને કેવી રીતે ચૂકી જાય. ત્યારે ગુજ્જુઓએ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ક્રિકેટ ફીવરની સાથે કમાણીનું ગજબનું માઇન્ડ ચલાવ્યું છે. મોદી સ્ટેડિયમ બહાર ટી-શર્ટ, ટોપી વેચાઈ રહી છે, તો આસપાસના કોમ્પ્લેક્સોની દુકાનોમાં નાના-નાના લોકર રૂમ ખુલી ગયા છે, જ્યાં સ્ટેડિયમની પ્રતિબંધિત ચીજ વસ્તુઓને સાચવી કમાણી થઈ રહી છે. તો આસપાસના ઘરોમાં પણ લોકર રૂમ અને રહેવાની વ્યવસ્થા કરાઈ કમાણી કરાઈ રહી છે. બહાર ટીશર્ટ-ટોપીનું ધૂમ વેચાણસ્ટેડિયમની બહાર હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી તેમ જ રોહિત શર્મા વગેરેની નંબરવાળી ટીશર્ટો વેચાઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે પણ મેચ હોય છે ત્યારે ભારત અથવા તો અન્ય ટીમની ટીશર્ટો અને ટોપીનું ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે. ટીશર્ટનો ભાવ 200થી 300 રૂપિયા સુધીનો છે જ્યારે ટોપીનો ભાવ 100થી 150 રૂપિયા છે. ભારતીય ટીમની ટીશર્ટ અને ટોપીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે બહારના રાજ્યોમાંથી કેટલાક લોકો આવી અને ટોપી અને ટીશર્ટનું વેચાણ કરી રહ્યા છે. ‘આસપાસના લોકો સામાન મુકવાના પૈસા લે છે’મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેગ, પાણીની બોટલ, ખાવાની ચીજવસ્તુઓ, પાવર બેંક, ચાર્જર અને ઇલેક્ટ્રોનિક આઈટમ સહિતની કેટલીક ચીજ વસ્તુઓ લઈ જવા ઉપર પ્રતિબંધ હોય છે ત્યારે લોકો પોતાની સાથે બેગ અને કેટલીક ચીજવસ્તુઓ લઈને આવતા હોય છે જે બહાર સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ દ્વારા મુકાવી દેવામાં આવે છે. જેના કારણે આસપાસના લોકો પોતાના ઘરમાં બેગ મુકવા માટે 50થી 100 રૂપિયા સુધીનો ચાર્જ લે છે. આસપાસના કોમ્પલેક્સમાં દુકાનો લોકર રૂમમાં પરિવર્તિતસ્થાનિક વિસ્તારમાં કિર્તીધામ વસાહત, ચામુંડાનગરના ઘરો અને સ્ટેડિયમની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સની દુકાનોમાં લોકો પોતાની વસ્તુઓ મૂકતા હોય છે. મેચ દરમિયાન પ્રતિબંધિત ચીજ વસ્તુઓ જે લોકો લઈને આવતા હોય છે તે લોકોને આ જગ્યા ઉપર પોતાની વસ્તુઓ મુકતા હોવાના કારણે સ્થાનિક લોકોને પણ ખૂબ મોટી આવક થાય છે. અંદાજિત 50થી 100 જેટલી બેગો લોકો મૂકીને જતા હોય છે જેના કારણે તેમને પણ દિવસમાં ખૂબ મોટી આવક થઈ જતી હોય છે. વહેલી સવારથી જ ટિકિટ લેવા લોકો પહોંચ્યાભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે ફાઇનલ છે, પણ મોદી સ્ટેડિયમની બહાર માહોલ આજથી જ જામી ગયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટિકિટ લેવા લોકો વહેલી સવારથી જ પહોંચી ગયા છે. બુકમાય શો પરથી ઓનલાઇન ટિકિટ મળી રહી નથી. છેલ્લા ત્રણ દિવસથી ઓનલાઇન ટિકિટ બંધ હોવાના કારણે અનેક ક્રિકેટ રસીકોમાં રોષ અને નિરાશા જોવા મળી રહી છે. મેચ જોવા માટે ક્રિકેટ રસીકો ખૂબ જ ઉત્સાહમાં છે અને આજે 7 માર્ચથી સવારથી જ સ્ટેડિયમ પર ટિકિટ લેવા માટે લોકો પહોંચ્યા છે, પરંતુ ટિકિટ મળી રહી નથી. ‘ફાઇનલ જોવાની ઈચ્છા બહુ જ છે, પણ ટિકિટ મળતી નથી’નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટિકિટ લેવા માટે આવેલા પ્રણવ શર્મા નામના ક્રિકેટ રસીકે જણાવ્યું હતું કે વર્લ્ડ કપ T20ની ફાઇનલ ભારતમાં અને એમાં પણ અમદાવાદમાં યોજવાની છે ત્યારે મેચ જોવા માટેનો ખૂબ જ ઉત્સાહ છે. ક્યારે વર્લ્ડ કપની ફાઇનલ જોવા મળશે એ ખબર નહીં, પરંતુ આ ફાઇનલ મેચ જોવા માટે ખૂબ જ ઉત્સાહ છે. જેની ટિકિટ લેવા માટે તેઓ છેલ્લા ત્રણ દિવસથી ઓનલાઇન બુકમાય શોમાં પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ઓનલાઇન મળી રહી નથી માત્ર coming soon આવી રહ્યું છે. અન્ય રાજ્યમાંથી મેચ જોવા આવેલા લોકો મેચ જોવા ઉત્સુકરાજસ્થાનના બાડમેરથી મેચ જોવા માટે આવેલા હરપાલ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે મેં વર્લ્ડ કપ ફાઇનલની ટિકિટ સૌથી પહેલા બુક કરાવી લીધી હતી. જેથી ટિકિટ બુક થઈ ગઈ અને ભારત ફાઇનલમાં પહોંચ્યું છે જેથી મેચ જોવા માટેનો ખૂબ જ ઉત્સાહ છે. રાંચીથી પરિવાર આવ્યો પણ ટિકિટ મળી નહીંમહેન્દ્રસિંહ ધોનીના ઝારખંડના રાંચીથી પરિવાર અમદાવાદ ફરવા આવ્યો હતો અને તેમણેે આવતીકાલે મેચ જોવી છે જેથી ટિકિટ લેવા માટે અને સ્ટેડિયમ જોવા આવ્યા હતા. જોકે તેમને ટિકિટ મળી નથી, પરંતુ તેઓ મેચ માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. રાચીના શ્રેયાંસે જણાવ્યું હતું કે મેચ જોવા માટે ઉત્સાહિત છું. અભિષેક શર્મા ખૂબ જ સારું રમી શકે છે, અત્યાર સુધી સારું નથી રમ્યા પણ ફાઇનલ મેચમાં રમશે એવી આશા છે. ગઇકાલે ભારતીય ટીમ અમદાવાદ પહોંચીT20 વર્લ્ડ કપની ફાઈનલ રમવા બંને ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. જેમાં ભારતની ટીમ ગઇકાલે સાંજે અમદાવાદ પહોંચી હતી. 6 માર્ચે અમદાવાદ એરપોર્ટ પર ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફનું ઉત્સાહી ચાહકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પરથી ટીમ સીધી હોટેલમાં રવાના થઈ હતી. ભારતીય ખેલાડીઓને બાંઘણીનો દુપટ્ટો અપાયોસિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટેલમાં ભારતીય ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ઢોલ-નગારા અને ગરબા સાથે ટીમને આવકારમાં આવી હતી. તમામ ભારતીય ખેલાડીઓને બાંઘણીનો દુપટ્ટો અને તિલક કરાયું હતું. ખેલાડીઓના રૂમમાં હોટેલ દ્વારા ફ્રુટ્સ અને મીઠાઈ સાથે ખાસ પ્રકારનો મેસેજ લખીને લેટર મુકવામાં આવ્યો હતો. અભિષેક, અર્શદીપ અને ઈશાન કેફેમાં જોવા મળ્યાઈન્ડિયન ટીમના અભિષેક શર્મા, અર્શદીપ સિંઘ, ઈશાન કિશન અને તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા કોમો બાય કેફેમાં મોડી રાતે જોવા મળ્યા હતાં. આમ અમદાવાદમાં આજથી જ જબરદસ્ત ક્રિકેટ ફીવર જામ્યો છે.
હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને સુજલામ શક્તિ દિવસ નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અંતર્ગત મહિલાઓને ચેક વિતરણ કરવા માટે હતો. સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભાનાબેન બારૈયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ શોભાનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'નલ સે જલ' અભિયાનને સફળ બનાવવાનો શ્રેય ગ્રામીણ માતા-બહેનોને જાય છે. તેમણે ઉમેર્યું કે પાણી સમિતિ દ્વારા ગામના જળ વ્યવસ્થાપનની જવાબદારી ઉપાડીને મહિલાઓએ સાબિત કર્યું છે કે તેઓ ગામના વિકાસના પાયાના પ્રશ્નો ઉકેલવામાં સક્ષમ છે. જળ સંચય એ આવતીકાલની સુરક્ષા છે, અને આ ક્ષેત્રે મહિલાઓનું નેતૃત્વ પ્રશંસનીય છે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ગામોની મહિલા પાણી સમિતિઓને તેમની કામગીરીના પ્રોત્સાહન રૂપે મહાનુભાવોના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાની કુલ 19 ગામોની પાણી સમિતિઓને રૂ. 9,50,000 ના ચેક આપવામાં આવ્યા હતા. દરેક ગામની પાણી સમિતિને રૂ. 50,000નો ચેક મળ્યો હતો. આ પ્રસંગે મહિલા પાણી સમિતિના સભ્યોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સુજલામ શક્તિ દિવસ અંતર્ગત 'જળ મહોત્સવ અભિયાન - ગાવ કા ઉત્સવ - દેશ કા મહોત્સવ' નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમો (WASMO) ના યુનિટ મેનેજર તૃષાબેન પટેલ, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર શિરીનબેન વિજાપુરા, WASMO ના કર્મચારીગણ અને વિવિધ ગામોની મહિલા પાણી સમિતિના સભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરના જાહેર આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત સકારાત્મક અને મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી છે. સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (SMIMER) હોસ્પિટલમાં લાંબા સમયના અંતરાલ બાદ ઓડિયોલોજી (શ્રવણ શક્તિની તપાસ) સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે. આ સુવિધા કાર્યરત થતા સાંભળવાની તકલીફ ધરાવતા હજારો દર્દીઓને હવે ઘરઆંગણે નિષ્ણાત માર્ગદર્શન મળી રહેશે. દર્દીઓની લાંબા સમયની પ્રતિક્ષાનો આવ્યો અંતવર્ષોથી સુરતની મુખ્ય સરકારી હોસ્પિટલો જેવી કે સિવિલ અને સ્મીમેરમાં સુવ્યવસ્થિત ઓડિયોલોજી વિભાગનો અભાવ હતો. આ કારણે આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના દર્દીઓને સાંભળવાની તપાસ કે હિયરિંગ એડ માટે ખાનગી સેન્ટરો પર નિર્ભર રહેવું પડતું હતું. જોકે, હવે આ સેવા શરૂ થવાથી ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને મોટી રાહત મળી છે. 02 માર્ચથી ક્લિનિકલ ટ્રાયલ શરૂ02 માર્ચ 2026 થી SMIMER હોસ્પિટલમાં ક્લિનિકલ સેવાઓ અને પ્રારંભિક ટ્રાયલ તબક્કો સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વિભાગમાં ક્વોલિફાઇડ ઓડિયોલોજી નિષ્ણાતો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે. હાલમાં અહીં સાંભળવાની ક્ષમતાની તપાસ, પ્રોફેશનલ કન્સલ્ટેશન અને યોગ્ય માર્ગદર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કયા કયા દર્દીઓને થશે સીધો ફાયદો?આ સેવાનો લાભ જેમને સાંભળવામાં મુશ્કેલી પડતી હોય તેવા દર્દીઓ, કાન સંબંધિત ગંભીર સમસ્યાઓ ધરાવતા લોકો, દિવ્યાંગતા ઓળખ માટે 'હિયરિંગ ડિસેબિલિટી સર્ટિફિકેટ' મેળવવા ઈચ્છતા નાગરિકો, નવજાત શિશુઓ કે બાળકોમાં શ્રવણ શક્તિની ચકાસણી માટેના દર્દીઓ લઈ શકશે સેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્યઆ પહેલ સંપૂર્ણપણે સમાજ કેન્દ્રિત અને સ્વૈચ્છિક સેવાના ભાવથી શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ સરકારી આરોગ્ય તંત્ર પર નિર્ભર સામાન્ય નાગરિકોને કોઈપણ અડચણ વગર આધુનિક હિયરિંગ હેલ્થકેર પૂરી પાડવાનો છે. સુરત શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ માટે પણ આ કેન્દ્ર આશીર્વાદરૂપ સાબિત થશે.
જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામમાં આજે વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનોના દ્રશ્યો જોવા મળ્યા હતાં. સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી 'ડીઝલની તંગી'ની અફવાને કારણે ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જેના પરિણામે અજાબના પેટ્રોલ પંપ પર લગભગ એક કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતારો લાગી હતી. જેમાં ખાસ કરીને ટ્રેક્ટર, રિક્ષા અને અન્ય ખેતીવાડીના વાહનોની સંખ્યા વધુ જોવા મળી હતી. અફવાથી અરાજકતા, ખેડૂતોએ બેરલ લઈને ડિઝલ લેવા લાઈન લગાવીસ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પાછલા કેટલાક કલાકોથી એવી વાતો વહેતી થઈ હતી કે આગામી દિવસોમાં ડીઝલનો પુરવઠો બંધ થઈ જશે અથવા તેના ભાવમાં તોતિંગ વધારો થશે. આ અફવાએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને લોકો પોતપોતાના વાહનો લઈને પંપ પર દોડી આવ્યા હતા. ઘણા ખેડૂતો તો પીપડા (બેરલ) લઈને પણ ડીઝલનો સંગ્રહ કરવા માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા, જેના કારણે સામાન્ય વ્યવહાર ખોરવાયો હતો. સરપંચ અને પેટ્રોલ પંપ માલિકની જનજાગૃતિ અપીલપરિસ્થિતિની ગંભીરતાને જોતા અજાબ ગામના સરપંચ મગનભાઈ અધેરા અને 'રામ પેટ્રોલિયમ'ના માલિક ખીમભાઈ કરશનભાઈ રામ તાત્કાલિક હરકતમાં આવ્યા હતાં. તેમણે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા નમ્ર વિનંતી કરી છે. 'અમારી પાસે પૂરતો સ્ટોક છે અને પુરવઠો ચાલુ રહેશે'પેટ્રોલ પંપ માલિક ખીમભાઈ રામે જણાવ્યું હતું કે, અત્યારે મીડિયા અને સોશિયલ મીડિયામાં જે વાતો વહેતી થઈ છે કે ડીઝલ મળશે નહીં, તે માત્ર અફવા છે. અમારી પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠો સતત ચાલુ રહેવાનો છે. મોટા પ્રમાણમાં ડીઝલ કે પેટ્રોલનો સંગ્રહ કરવો અત્યંત જોખમીસરપંચ મગનભાઈએ કહ્યું હતું કે, ભારત સરકાર તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પર્યાપ્ત છે. પેનિક બાયિંગ સમસ્યાનો ઉકેલ નથીહાલમાં ખેતીની મોસમ ચાલતી હોવાથી ખેડૂતોમાં ડીઝલને લઈને ચિંતા હોવી સ્વાભાવિક છે, પરંતુ પેનિક બાયિંગ (ગભરાટમાં આવીને ખરીદી કરવી) એ સમસ્યાનો ઉકેલ નથી, બલ્કે તે નવી સમસ્યાઓ ઉભી કરે છે. જ્યારે દરેક વ્યક્તિ જરૂરિયાત કરતા વધુ સંગ્રહ કરવા લાગે છે ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. 'માત્ર જરૂર પૂરતું જ ડીઝલ ખરીદો, અફવાથી દૂર રહો'જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસર સાથે વાત કરતા તેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હાલ જુનાગઢ જિલ્લામાં પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે કોઈએ ખોટી રીતે સંગ્રહ ન કરવો. સરકાર અને કંપનીઓ પાસે ઈંધણનો પૂરતો સ્ટોક છે. વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર આવતા બિનસત્તાવાર મેસેજ પર વિશ્વાસ ના કરો. પેટ્રોલિયમ પદાર્થો જ્વલનશીલ હોવાથી તેનો ગેરકાયદે સંગ્રહ કરવો ગુનો અને જોખમ બંને છે. બીજા ગ્રાહકોને તકલીફ ન પડે તે રીતે માત્ર જરૂર પૂરતું જ ડીઝલ ખરીદો. પેટ્રોલિયમ પેદાશોનો સપ્લાય યથાવતઅત્યારે અજાબના પેટ્રોલ પંપ પર પોલીસ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા વ્યવસ્થા જાળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી, પેટ્રોલિયમ પેદાશોનો સપ્લાય યથાવત છે અને રહેશે.
અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સતત વધતી માંગ અને સુવિધાને પ્રાધાન્ય આપીને મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 22961/22962 માં હવે મુસાફરોને બેઠક વ્યવસ્થા માટે વધુ જગ્યા મળી રહેશે. 16 ના બદલે 20 કોચ સાથે દોડશે ટ્રેનસામાન્ય રીતે 16 કોચ સાથે દોડતી આ હાઈ-સ્પીડ ટ્રેનમાં રેલવે તંત્ર દ્વારા 4 વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 9 માર્ચ થી 31 માર્ચ 2026 સુધી આ ટ્રેન હવે 20 કોચના રેક સાથે પાટા પર દોડતી જોવા મળશે. હોળી અને વેકેશનના માહોલને જોતા આ નિર્ણયથી વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થશે અને વધુ લોકો આ પ્રીમિયમ ટ્રેનનો લાભ લઈ શકશે. ઓનલાઇન વિગતો ઉપલબ્ધપશ્ચિમ રેલવેએ સ્પષ્ટતા કરી છે કે આ સુધારો હંગામી ધોરણે મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે કરવામાં આવ્યો છે. ટ્રેનના સ્ટોપેજ, સમયપત્રક અને કોચની આંતરિક રચના વિશે વધુ માહિતી મેળવવા માંગતા મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. આ વધારાના કોચ લાગુ થવાથી બિઝનેસ ક્લાસ અને ચેર કાર બંને શ્રેણીના મુસાફરોને ફાયદો થશે.
પર્યાવરણ જતનના ક્ષેત્રમાં ગુજરાત હવે એક ડગલું આગળ વધી રહ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડાવસ ગામમાં એક ઐતિહાસિક પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. આશરે 13 એકર જેટલા વિશાળ વિસ્તારમાં 3.5 કરોડના ખર્ચે રાજ્યની પ્રથમ અદ્યતન ‘હાઇટેક નર્સરી’નું નિર્માણ કરવામાં આવશે. આ નર્સરી માત્ર રોપા ઉછેરનું કેન્દ્ર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે પર્યાવરણ સંરક્ષણનું એક પ્રેરણાદાયી મોડેલ સાબિત થશે. વાર્ષિક 10 લાખ રોપાઓનું થશે ઉત્પાદનઆ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યાધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા, રોગમુક્ત અને મજબૂત છોડ તૈયાર કરવાનો છે. આ હાઇટેક નર્સરીની ક્ષમતા વાર્ષિક 10 લાખથી વધુ રોપાઓ ઉત્પન્ન કરવાની રહેશે. પ્રતિકૂળ આબોહવામાં પણ છોડનો સુરક્ષિત વિકાસ થઈ શકે તે માટે અહીં મીસ્ટ ચેમ્બર, જર્મિનેશન ચેમ્બર, પોલી હાઉસ અને નેટ હાઉસ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. લુપ્ત થતી વનસ્પતિઓનું સંવર્ધન અને ‘સોઇલ-લેસ’ ટેકનોલોજીગુજરાતની એવી વનસ્પતિ પ્રજાતિઓ જે લુપ્ત થવાના આરે છે, તેમના સંરક્ષણ માટે આ નર્સરી આશીર્વાદરૂપ બનશે. અહીં ‘સોઇલ-લેસ મીડિયા’ એટલે કે માટી વગરના આધુનિક માધ્યમનો ઉપયોગ કરીને છોડ ઉછેરવામાં આવશે. આ ટેકનિકથી છોડનો વિકાસ અત્યંત ઝડપી અને સ્વાસ્થ્યપ્રદ બને છે, જે વનીકરણના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. સીડ બેંક અને સીડ પ્રોસેસિંગ યુનિટઆ પ્રોજેક્ટની સૌથી મહત્વની કડી તેની સીડ બેંક છે. દુર્લભ અને મૂલ્યવાન બીજને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી સજ્જ સીડ બેંક અને પ્રોસેસિંગ એરિયા વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, નર્સરીમાં જ વર્મી કમ્પોસ્ટિંગ યુનિટ દ્વારા ઓર્ગેનિક ખાતર તૈયાર કરાશે, જે છોડના કુદરતી વિકાસમાં પૂરક બનશે. વનીકરણને વધુ અસરકારક બનાવવા માટે અહીં ‘ઊંચી હાઇટ વાળા વૃક્ષો’ તૈયાર કરવાની ખાસ પદ્ધતિ પર ભાર મૂકવામાં આવશે. ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે ઇન્ફોર્મેશન સેન્ટરમાત્ર વનસ્પતિ ઉછેર જ નહીં, પરંતુ જનજાગૃતિ માટે પણ આ કેન્દ્ર મહત્વની ભૂમિકા ભજવશે. અહીં એક ‘નર્સરી ઇન્ફોર્મેશન સેન્ટર’ કાર્યરત કરવામાં આવશે. આ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓને આધુનિક કૃષિ ટેકનોલોજી, વનીકરણ અને કુદરતી સંરક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવામાં આવશે. ગુજરાત રાજ્ય વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા દ્વારા નિર્મિત આ હાઇટેક નર્સરી ભવિષ્યમાં રાજ્યના ગ્રીન કવરને વધારવા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં પાયાનો પથ્થર સાબિત થશે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શાળાઓ આસપાસ તમાકુનું વેચાણ બંધ કરાવવાને લઈ એક પરિપત્ર કરાતા વિવાદ સર્જાયો છે. શાળા આસપાસ તમાકું વેચાણ ઝડપાશે તો આચાર્યની જવાબદારી નક્કી કરતા શિક્ષકોમાં રોષ ફેલાયો છે. જો પરિપત્ર રદ ન કરાય તો 4000 શિક્ષકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. DDOએ પરિપત્ર કરી શાળાના આચાર્ય અને સરપંચની જવાબદારી નક્કી કરીરાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, શાળા કેમ્પસની આજુબાજુની દુકાનોમાં જ્યારે સિગારેટ કે તમાકુની બનાવટનું વેચાણ થતુ હોય ત્યારે આવી દુકાનો ઉપર ગ્રામજનો, યુવાનો અને વયસ્કો ધુમ્રપાન અને તમાકુનું સેવન કરતા હોય છે. જેથી વિદ્યાર્થીઓને આવા દ્રશ્યો ખૂબ સરળતાથી જોવા મળે છે તેમજ ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓના વડીલો દ્વારા પણ તમાકુ ઉત્પાદનો ખરીદવા માટે વિદ્યાર્થીઓને કહેવામાં આવતું હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓના માનસ ઉપર તેની નકારત્મક અસર થાય છે અને નાની ઉંમરના વિદ્યાર્થીઓને તમાકુના ઉત્પાદનનું સેવન કરવા માટે દુત્પ્રેરણા મળે છે જે વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાથ્ય ઉપર પણ નકારત્મક અસર આપે છે. વિદ્યાર્થીઓમાં થતી આ પ્રકારની નકારાત્મક અસરો નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા COTPA-2003નું અમલીકરણ કરવામાં આવે છે. COTPA-2003 (CIGARETTES AND OTHER TOBACCO PRODUCTS ACT) ની કલમ 6 (એ) અંતર્ગત 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુના વેચાણ તેમજ ખરીદ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમજ આ અધિનિયમની કલમ-6 (બી) મુજબની કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારના તમાકુની બનાવટનું વેચાણ કરવુ કાનૂની ગુન્હો બને છે. આ અધિનિયમની કલમ-4 અન્વયે અધિનિયમના ઉલ્લંઘન સામે દંડ લાદવા અને દંડને એકત્રીત કરવા માટે શાળાના આચાર્યો તથા શિક્ષકોને અધિકૃત કરવામાં આવેલ છે. આ અધિનિયમ અન્વયે રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી તમામ શાળાઓના આચાર્યોએ શાળાની 100 મિટરની ત્રિજ્યામાં તમાકુ વેચાણ પ્રતિબંધિત કરવા COTPA-2003 અંતર્ગત કાર્યવાહી કરવાની રહેશે તથા વેચાણકર્તા સામે આ અધિનિયમની જોગવાઈ અન્વયે દંડાત્મક કાર્યવાહી કરવાની રહેશે.વધુમાં તમામ ગ્રામ પંચાયતો અંતર્ગત આવતી તમામ શાળાઓની આસપાસ તમાકુના ઉત્પાદનો વેચતી દુકાનો કાર્યરત ન રહે તે આચર્યો અને સરપંચો દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે. આ બાબતે શાળાઓની આકસ્મિક મુલાકાત દરમિયાન આવી કોઈ બાબત ધ્યાને આવશે તો જે તે શાળાના મુખ્ય શિક્ષક/આચાર્ય તેમજ સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવશે. શાળાની 100 મીટરની ત્રિજયામાં તમાકુનું વેચાણથતું હશે તો આચાર્ય જવાબદારરાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી કિરીટસિંહ વાળાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે શાળાની આસપાસની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ થતું હશે તો તેના માટે જવાબદાર આચાર્ય રહેશે. જેથી અમારો સવાલ એ છે કે અમારે બાળકોને ભણાવવાના કે દંડ ઉઘરાવવાનો?. પોલીસનું કામ અમારે કરવાનું. જેને લીધે ગ્રામજનો સાથે સંઘર્ષ ઉભો થયો છે. જેથી અમારી જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી છે કે અમને આ કામગીરીમાંથી બાકાત રાખવામાં આવે. પંચાયત વિભાગના કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવે તેવી માંગણી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, SIRની કામગીરી ખૂબ જ જટિલ હતી તેમ છતાં પણ શિક્ષકોએ ખંતથી આ કામગીરી કરી. આ અગાઉ શ્વાન ગણવાની કામગીરી પણ સોંપવામાં આવી હતી આ રીતે નવા નવા પરિપત્રો કરીને શિક્ષકોને હેરાન કરવામાં આવે છે. જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવતો રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું યુનિયન જે આદેશ કરશે તે પ્રમાણે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું. 4000 શિક્ષકો આ યુનિયન સાથે જોડાયેલા છે. હવે વસ્તી ગણતરી અને ચૂંટણીની કામગીરી આવશે તો નવી નવી કામગીરીઓ સોંપી અને શિક્ષકોને હેરાન કરવામાં આવે છે અને તેની અસર વિદ્યાર્થીઓ ઉપર પડે છે. એક મહિના પહેલા શ્વાનની ગણતરીનો પરિપત્ર કરાતા વિવાદ થયો હતો એક મહિના પહેલા શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓની ગણતરી માટે આદેશ કરાતા વિવાદ થયો છે. શિક્ષણ નિયામકે પરિપત્ર કરી શિક્ષકોને કૂતરા ગણવાની જવાબદારી સોંપાતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો. ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની સોંપાતી કામગીરીના કારણે શિક્ષણ પર અસર થતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે. તેની વચ્ચે જ હવે રખડતા કૂતરાની ગણતરીના થયેલા આદેશથી નવો વિવાદ છેડાયો હતો.વિવાદ બાદ શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.
ભરૂચ-દહેજ-અંકલેશ્વર ઔદ્યોગિક પટ્ટીને વૈશ્વિક વેપાર હબ તરીકે વિકસાવવા માટે એક એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના જીઓજી–એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ભરૂચના રંગ લોર્ડ્સ ઇન હોટેલ ખાતે આ કોન્ક્લેવ યોજાયો હતો. આ કોન્ક્લેવ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI)ના આઉટરીચ સહયોગથી યોજાયો હતો. તેનો મુખ્ય હેતુ ભરૂચ-દહેજ-અંકલેશ્વર ઔદ્યોગિક બેલ્ટના ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે માર્ગદર્શન અને વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ દેવાંગ ઠાકોર, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉન્મેષ દીક્ષિત અને જીએફએલના વાઈસ પ્રેસિડેન્ટ (એચઆર) ડો. સુનિલ ભટ્ટે સ્વાગત પ્રવચન આપ્યું હતું. દહેજ SEZના ડેવલપમેન્ટ કમિશનર અનુપમ કુમારે “ભરૂચ-દહેજને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા નિકાસ-આયાત કોરિડોર તરીકે વિકસાવવાની સંભાવનાઓ” વિષય પર સંબોધન કરી ઉદ્યોગો માટે ઉપલબ્ધ તકો અંગે માહિતી આપી હતી. ત્યારબાદ, મનીષા ઠાકર (વાઈસ પ્રેસિડેન્ટ, ટ્રાયલાયન્સ ગ્લોબલ સોલ્યુશન્સ) અને પૂજા સંત (મેનેજર, લોજીબીટ્સ ફ્રેઈટ સર્વિસીસ પ્રા.લિ.) દ્વારા “દહેજ તથા આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી એક્ઝિમ માટે પોર્ટ, શિપિંગ અને મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સને વધુ કાર્યક્ષમ બનાવવાના મુદ્દાઓ” પર પેનલ ચર્ચા યોજાઈ હતી. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના NABLના જોઈન્ટ ડાયરેક્ટર ડો. ભૂમિ રાજ્યગુરુએ “NABL માન્યતા અને નિકાસકારો માટે તેના વ્યૂહાત્મક ફાયદા” વિષય પર વિશેષ સત્રમાં માર્ગદર્શન આપ્યું હતું. વૈશલ શાહ (સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ, ઇન્ડિયા એક્ઝિમ ફિનસર્વ IFSC પ્રા. લિ.)એ “ટ્રેડ ફાઇનાન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને નિકાસ પ્રોત્સાહનો” વિષય પર ઉદ્યોગકારોને મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ ઉપરાંત, “ભરૂચ-દહેજ-અંકલેશ્વર-ઝઘડિયા ઔદ્યોગિક બેલ્ટ માટે ફ્યુચર-રેડી એક્ઝિમ ટેલેન્ટનું નિર્માણ” વિષય પર એક પેનલ ચર્ચા યોજાઈ હતી. જેમાં પી.પી. સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પરાગ સંઘાણી, નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટના ઇનચાર્જ ડાયરેક્ટર ડો. ચેતના મકવાણા અને નવરચના યુનિવર્સિટીના ડીન અને પ્રોફેસર ડો. હિતેશ ભાટિયાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમનું સંકલન AMA એક્ઝિમ ફેકલ્ટી અને એડ વેલ્યુ કન્સલ્ટન્ટ્સના સીઈઓ ચેતન ભોજાણીએ કર્યું હતું, અને અંતમાં તેમણે આભારવિધિ વ્યક્ત કરી હતી.
મોરબી તાલુકાના આંદરણા ગામની સરકારી શાળામાં એક શિક્ષક વિદ્યાર્થીઓને નશાની હાલતમાં ભણાવતો ઝડપાયો છે. આ ઘટનામાં ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ પણ મળી આવી હતી. મોરબી તાલુકા પોલીસે શિક્ષક રાજુભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના મોરબી-હળવદ હાઈવે પર આવેલા આંદરણા ગામની સરકારી શાળામાં બની હતી. શિક્ષક રાજુભાઈ પરમાર ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા ત્યારે તેઓ નશાની હાલતમાં હોવાની જાણ ગામના નિવૃત્ત આર્મીમેન અનિલભાઈ અને મહિલા સરપંચના પતિ નીતેશભાઈ ચાવડાને થઈ હતી. માહિતી મળતા જ અનિલભાઈ અને નીતેશભાઈ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. તપાસ દરમિયાન, શિક્ષક રાજુભાઈ પરમાર ક્લાસરૂમમાં હાજર ન હતા, પરંતુ ક્લાસરૂમમાંથી એક પ્લાસ્ટિક બેગમાંથી દારૂની અડધી ભરેલી બોટલ અને પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરેલું મળી આવ્યું હતું. ત્યારબાદ અનિલભાઈ અને નીતેશભાઈએ શાળાના જુદા જુદા રૂમમાં રાજુભાઈ પરમારને શોધ્યા, જ્યાં તેઓ ઓફિસમાંથી નશાની હાલતમાં મળી આવ્યા હતા. આ ગંભીર ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે રાજુભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
દક્ષિણ ગુજરાતના રાજકારણમાં પોસ્ટર યુદ્ધ તેજ બન્યું છે. નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના વ્યંગાત્મક કાર્ટૂન વાયરલ થયાના બે દિવસ બાદ હવે વલસાડ-ડાંગ બેઠકના સાંસદ ધવલ પટેલ વિરુદ્ધ પણ 'જુઠ્ઠલાલ' તરીકેના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનાથી રાજકીય ગરમાવો આવ્યો છે અને ભાજપ-કોંગ્રેસના સમર્થકો સામસામે આક્રમક બન્યા છે. સાંસદ પર ત્રણ મુદ્દે આક્ષેપ કરાયાસાંસદ ધવલ પટેલ પર મુખ્યત્વે ત્રણ મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યા છે. વાંસદામાં સાયન્સ કોલેજ લાવવાનો ખોટો શ્રેય લેવા, વલસાડમાં પાણીની ટાંકીનો સ્લેબ તૂટવાની ઘટનામાં મૌન રહેવા અને પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ પોતે અટકાવ્યો હોવાની ભ્રામક માહિતી આપવા બદલ તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. પોસ્ટરોમાં ખાસ કરીને પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે સાંસદ ખોટી માહિતી આપી રહ્યા હોવાનો ઉલ્લેખ છે, જેના કારણે તેમને 'જુઠ્ઠલાલ' તરીકે સંબોધવામાં આવ્યા છે. આ મુદ્દો સૌથી વધુ વિવાદનું કેન્દ્ર બન્યો છે. બે દિવસ અગાઉ અનંત પટેલના કાર્ટૂન વાયરલ થયા હતાનોંધનીય છે કે, બે દિવસ અગાઉ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના પણ કાર્ટૂન વાયરલ થયા હતા. આ કાર્ટૂન્સમાં તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ પર કટાક્ષ કરતા તેમને 'મુંગેરીલાલ' તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેમાં તેમની સફર વલસાડના સાંસદથી શરૂ કરી અમેરિકાના રાષ્ટ્રપતિ સુધીની બતાવી વ્યંગ કરવામાં આવ્યો હતો. 'ડિજિટલ વોર' ઉગ્ર બનવાની શક્યતાદક્ષિણ ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સક્રિય છે. એકબીજાના નેતાઓને નીચા બતાવવા માટે શરૂ થયેલું આ 'ડિજિટલ વોર' આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે, અને હાલમાં આ મુદ્દો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ખુલ્લા ખાદ્યપદાર્થમાંથી જીવજંતુ નીકળવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. પરંતુ, હવે તો વડોદરામાં મેંગો જ્યુસના નાના ટેટ્રાપેકમાંથી જીવડું નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. 3 વર્ષીય બાળકે જ્યુસ પીધા બાદ તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પિતાએ હોસ્પિટલમાં જ ટેટ્રાપેક ખોલીને ચેક કરતા અડધા ઈંચ કરતા મોટું જીવડું મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. બાળકના પિતા દ્વારા આ મામલે કાર્યવાહીની માગ કરી છે. ટેટ્રાપેક પીધા બાદ 3 વર્ષીય બાળકની તબિયત લથડીબાળકના પિતા અરવિંદ પરમારે જણાવ્યું કે, ગઈકાલે સાંજે સાડા સાતથી આઠ વાગ્યાની આસપાસ ટેટ્રાપેક લીધું હતું. જેની એક્સપાયરી તારીખ મે મહિનાની હતી. બાળકે થોડી પીધા તેણે ગ્લાસમાં કાઢવાનું કહ્યું હતું. બાદમાં ગ્લાસમાં કાઢતાં કાળા રંગનું પ્રવાહી અને બદબૂ આવી હતી. બાદમાં શંકા થતાં પરિવાર તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલમાં ટ્રેટાપેક ખોલતા મરેલું જીવડું નીકળ્યુંડોક્ટરોએ પેકિંગ તપાસવા કહ્યું તો તેમાં મોટું જીવડું મળી આવતા ડોક્ટર અને માતા પિતા ચોંકી ઊઠ્યા હતા. બાળકને કોઈ ઝેરીની અસરના ભયથી તાત્કાલિક આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. ડોક્ટરોએ 48થી 72 કલાક સુધી દેખરેખ હેઠળ રાખવાનું કહ્યું છે. બાળકે આખી બોટલ પી લીધી હોત તો પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું હોત. આજે મારો દીકરો આ પરિસ્થિતિનો ભોગ બન્યો છે. બાળકને ઠંડુપીણું આપતી સમયે પારદર્શક બોટલ જ ખરીદો- પિતાબાળકના પિતાએ દિવ્ય ભાસ્કરના માધ્યમથી અન્ય વાલીઓને અપીલ કરી કે, બાળકોને ઠંડું પીણું આપતી વખતે બંધ બોટલને બદલે પારદર્શક બોટલ કે ગ્લાસમાં જ પીવડાવો જેથી અંદરનું સ્પષ્ટ દેખાય. જે આ વસ્તુ બનાવે છે તે કંપનીઓને પણ અપીલ કરી કે, એવા પીણાં પારદર્શક બનાવો કે અંદરથી આરપાર દેખાય અને એક્સપાયરી તારીખ ઓછામાં ઓછી રાખો – જેમ કે દૂધની 2-3 દિવસની હોય છે તેવી રીતે હોવું જોઈએ. આ બાબતે અરવિંદ પરમારે ગઈકાલે જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નિવેદન લીધું છે અને પેકેટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં મોકલવાનું કહ્યું છે.
હિંમતનગરમાં આજે શોભાયાત્રા નીકળી:અંબિકા માતાજી મંદિરનો ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવ પ્રારંભ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા શ્રી અંબિકા માતાજી મંદિરનો ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવનો પ્રારંભ થયો છે. અંબિકા માઈ મંડળ દ્વારા સંચાલિત આ મહોત્સવના પ્રથમ દિવસે પૂજન-અર્ચન અને વિધિ-વિધાન સાથે ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા હતા. આ પ્રસંગે મંદિરેથી માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે અને કળશ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં ભગવાનની મૂર્તિઓને પૂજન-અર્ચન બાદ સામેલ કરવામાં આવી હતી. શોભાયાત્રા પોલીસ હેડક્વાર્ટરના વિવિધ વિસ્તારોમાં ફરીને પરત મંદિરે પહોંચી હતી, જેમાં સ્થાનિકો અને પોલીસકર્મીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. બીજી તરફ, મંદિરમાં સ્નપન વિધિ માટે ઔષધીય પાણી ભરેલા ઘડાઓને રંગોળીમાં ગોઠવવામાં આવ્યા હતા. ભગવાનની મૂર્તિઓને આસોપાલવ પર બિરાજમાન કર્યા બાદ મંત્રોચ્ચાર સાથે ઔષધીય અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ, મૂર્તિઓને યજ્ઞમંડપમાં પ્રવેશ કરાવીને વિવિધ ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો. આ મહોત્સવ અંતર્ગત શનિવારે સ્નપનપ્રયોગ અને સાંય પૂજન-આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. પાવનકારી ત્રીજા દિવસે, એટલે કે રવિવારે, પ્રાતઃપૂજન, પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ અને મહાઆરતી થશે. ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
પોરબંદરમાં લંડન વિઝા અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે રૂ. 30.75 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે કમલાબાગ પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના શહેરના છાયા હનુમાન મંદિર નજીક બની હતી. પોલીસ ફરિયાદ અનુસાર, દીપક લખમણભાઈ ઓડેદરાને આરોપી સોમિલ અશ્વિનભાઈ સોની અને પાર્થ સોનીએ 'પી.એસ. કન્સલ્ટન્ટ' નામની કંપની મારફતે લંડનનું વિઝા કરાવી આપવાની ખાતરી આપી હતી. આ માટે આરોપીઓએ જુદી જુદી તારીખે પૈસાની માંગણી કરી હતી. દીપકભાઈએ આરોપીઓના વિશ્વાસમાં આવીને કુલ રૂ. 30,75,500 ચૂકવ્યા હતા. આ રકમ રોનીત અશ્વિનભાઈ સોનીના ગુગલ પે એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા, સાહેદ ભાવેશભાઈ બાપોદરાના હવાલા મારફતે અને અશ્વિનભાઈ સોનીને રોકડમાં આપવામાં આવી હતી. લાંબા સમય સુધી વિઝા ન મળતા દીપકભાઈએ આરોપીઓનો સંપર્ક કર્યો ત્યારે તેમને વિવિધ બહાના બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ વોટ્સએપ મેસેજ દ્વારા ગાળો આપી ધમકીઓ આપવાનું શરૂ કર્યું. ફરિયાદમાં ઉલ્લેખ છે કે આરોપી અશ્વિનભાઈ સોનીએ ફોન પર દીપકભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનામાં આરોપીઓએ પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચી લંડન વિઝા અપાવવાની ખોટી ખાતરી આપી મોટી રકમ પડાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. કમલાબાગ પોલીસે સોમિલ અશ્વિનભાઈ સોની, પાર્થ સોની, અશ્વિનભાઈ સોની અને રોનીત અશ્વિનભાઈ સોની સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધમકી આપવાના ગુનાઓ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આર્થિક લેવડદેવડ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ ઘટનાએ વિદેશ વિઝાના નામે થતી છેતરપિંડી અંગે લોકોમાં ચિંતા વધારી છે.
ભાવનગરના ઐતિહાસિક બોરતળાવમાં મનોરંજનના નામે શરૂ કરાયેલો મ્યુઝિકલ ફાઉન્ટેન છેલ્લા દોઠ-બે વર્ષ થી બંધ હાલતમાં છે. જેમાં આજથી બે વર્ષ પહેલાં ભાવનગરમાં પ્રવાસનને વેગ આપવા માટે કેબિનેટ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના પ્રયાસોથી મંજૂર થયેલો મ્યુઝિકલ ફાઉન્ટેન આજે તંત્રની ઉદાસીનતાના કારણે કરોડોના ખર્ચે બનેલો આ ફુવારો છેલ્લા દોઢ-બે વર્ષથી બિનવારસી હાલતમાં સડી હોવાના ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. બે વર્ષ વિત્યા છતાં પ્રોજેક્ટ શરૂ ન થતા લોકોમાં રોષ શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક બોરતળાવમાં ભાવનગરવાસીઓને મનોરંજન પૂરું પાડવાના હેતુથી કરોડોના ખર્ચે મુકાયેલો મ્યુઝિકલ ફાઉન્ટેન આજે તંત્રની ઘોર બેદરકારીનું પ્રતીક બની ગયો છે, બે વર્ષ વીતી જવા છતાં આ પ્રોજેક્ટ શરૂ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફુવારો હવે તળાવમાં બિનવારસી હાલતમાં સડી રહ્યો છેધારાસભ્ય અને પર્યટન વિભાગના મોટા દાવાઓ વચ્ચે રૂપિયા 1.91 કરોડનો આ ફુવારો હવે તળાવમાં બિનવારસી હાલતમાં સડી રહ્યો છે, ભાવનગરના કેબિનેટ કૃષિમંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના પ્રયાસોથી પર્યટન વિભાગ દ્વારા આ મ્યુઝિકલ ફાઉન્ટેન મંજૂર કરવામાં આવ્યો હતો. 26 પ્રકારના સંગીતના સૂર, રંગબેરંગી લાઈટ્સઆ ફુવારો આશરે 26 પ્રકારના સંગીતના સૂર, રંગબેરંગી લાઈટ્સ અને સંગીતના તાલે પાણીના નૃત્ય જેવો નજારો જોવા મળે તેમ ગોઠવવામાં આવ્યો હતો. આ ફુવારાથી બોરતળાવ ખાતે પ્રવાસનને વેગ મળે તેમજ મોટી સંખ્યામાં ફરવા આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે કાર્યરત કરાયો હતો. ‘અમે નથી બનાવ્યો, ચાલુ કરીને આપો તો સંભાળશું’આ અંગે ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં મહાનગરપાલિકા હસ્તકનું બોરતળાવ છે જેમાં વર્ષો પહેલાના ફાઉન્ટેન નાખવામાં આવેલા છે એ ખરેખર ભાવનગર મહાનગરપાલિકાએ કામ કર્યું નથી. એ સંભાળવા માટે થઈને અમને લેટર આવ્યો છે અમે લેટરના જવાબમાં લખ્યું છે કે, ભાઈ આ ભાવનગર મહાનગરપાલિકાએ કામ કરેલું ન હોય તો એને રન કરીને અમને આપો તો મહાનગરપાલિકા આગામી દિવસોની અંદર ચલાવવા માટે થઈને એક વખત ચકાસણી કરશે અને ત્યાર પછી સંભાળવા માટેનો કદાચ યોગ્ય લાગશે તો નિર્ણય કરશું. જે તે વિભાગે જે તે વખતે નાખેલા છે એ વિભાગ દ્વારા જ આની સંપૂર્ણપણે માહિતી અને હકીકત આપી શકે, ભાવનગર મહાનગરપાલિકા હસ્તકનું બોરતળાવ છે. એની અંદર ફાઉન્ટેન જે છે એ ભાવનગર મહાનગરપાલિકાએ ઉભા નથી કરેલા. ‘બેંગ્લોર જેવા ફુવારાના નામે ગંદકી અને કાટ સિવાય કંઈ નથી’પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની અણઘડ નીતિ તો આખા ભાવનગરને ખબર છે, પણ એમાં ગુજરાત પ્રવાસન નિગમ ઉમેરાણું, મોટા-મોટા તાયફા કરી અને બોરતળાવની અંદર એક ફાઉન્ટેન કર્યો હતો અને એમ કહેવામાં આવ્યું હતું કે બેંગ્લોર જેવા અહીંયા ફુવારા થશે, લોકો જોવા આવશે, લોકો સંગીત સાંભળવા આવશે, પણ એ કે દી? એ નક્કી નહીં....? દોઢ વર્ષથી બોરતળાવની અંદર દોઢ કરોડના ખર્ચે ફાઉન્ટેન જે મેકાણો છે, એ ક્યારેક ચાલુ કરે, ટેસ્ટિંગ કરે, ગીત વાગે નહીં, સંગીત વાગે નહીં અને બંધ છે. તેને વધુમાં કહ્યું કે, ખરેખર ભાવનગરમાં જે ફરવાલાયક સ્થળ બોરતળાવ છે એને અત્યારે આ ફુવારો એ પાણી ગંદુ કરી રહ્યો હોય એવો મારો ચોક્કસ આક્ષેપ છે. ત્યાં તમે જોવો તો પક્ષીઓ ખૂબ ટહેલતા હોય તો એને પણ અડચણરૂપ છે, પાઈપ સડી ગયા છે. આજની તારીખે ફુવારો ચાલુ નથી, જો આ રીતે જ પ્રજા જે ટેક્સ આપે છે, એ ટેક્સના પૈસાનો છે, આ કઈ મામાના ઘરે તો આવતા નથી, ખરેખર પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ છે, વહેલી તકે ફુવારો ચાલુ કરો અથવા કમિશનરને હમણાં ટપાલ પણ લખી છે, આ બોરતળાવનું પાણી દૂષિત કરે છે, આ ફુવારો ત્યાંથી હટાવી દયો.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પાર્ટી દ્વારા હાલ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેની વચ્ચે જ રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય નિવૃતિની જાહેરાત કરતા આશ્ચર્ય સર્જાયું છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી આપમાં ગયા હતા અને ફરી ત્યાંથી કોંગ્રેસમાં પરત ફર્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ 8 વર્ષ પહેલા રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા. રાજકીય નિવૃતિ પાછળ કોઈ ચોક્કસ કારણ ન આપ્યુંઈન્દ્રનીલ રાજ્યગુરુએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સામાજિક પ્રસંગોમાં પણ નહિ અને રાજકીય પ્રસંગોમાં પણ હાજરી નહિ આપે. કોંગ્રેસ પક્ષને માનસિક કે આર્થિક મદદ જરૂર હશે ગમે ત્યારે તો કરીશ પરંતુ કોઈ જગ્યાએ મારી હાજરી કાર્યક્રમોમાં જોવા નહિ મળે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે રચેલી સાત કમિટીમાં સ્થાન ન અપાયુંઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ કોંગ્રેસના મજબૂત નેતા ગણાય છે. તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અલગ અલગ સાત કમિટીઓની રચના કરી હતી. જેમાં એક પણ કમિટીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુને સ્થાન અપાયું નહોતું.
સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સરીપડા ગામ ખાતે તાજેતરમાં સાત દિવસીય વાર્ષિક એન.એસ.એસ. શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજની એન.એસ.એસ.ની કુલ 60 વિદ્યાર્થીનીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓમાં સામાજિક જવાબદારી, સેવા ભાવ અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરવાનો હતો. શિબિરના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં કોલેજનો સમગ્ર સ્ટાફ, સરીપડા ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો, સરીપડા પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 'ગ્રામજન જાગૃતિ શિબિર' અંતર્ગત એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ જાગૃતિ રેલી, અંધશ્રદ્ધા નિવારણ અંગે માર્ગદર્શન, પ્રાકૃતિક ખેતી અંગે મુલાકાત, યોગ કસરત અને મેડિકલ કેમ્પ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીનીઓએ ગામમાં જઈને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમૂહ સફાઈ કરી હતી અને લોકોમાં સ્વચ્છતા તથા આરોગ્ય અંગે જાગૃતિ લાવવા સક્રિય પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત, પાંચમના મેળા નિમિત્તે સરીપડા વીર મહારાજ મંદિર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મેળામાં આવતા ભાવિક ભક્તોએ લીધો હતો. આ શિબિર દરમિયાન ગામ લોકોનો ખૂબ જ સહકાર પ્રાપ્ત થયો હતો. સમગ્ર શિબિરનું આયોજન સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજના આચાર્ય નેહલબેન પરમાર, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ઉર્વશીબેન ખરદીયા અને સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
ITRA જામનગરમાં બે દિવસીય આયુર્વેદ ફૂડ એક્સપો શરૂ:૫૨ સ્ટોલ પર 150 વાનગીઓ, WHO GTMC ગેલેરી પણ
ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, જામનગરની આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) દ્વારા જામનગરની જનતા માટે “આયુરસવાદોત્સવ 2026” નામનો બે દિવસીય આયુર્વેદ આહાર-વાનગીને લગતો એક્સપો શરૂ કરવામાં આવ્યો છે. આજે ધન્વંતરિ મેદાન ખાતે ITRA સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ નવતનપુરી ધામના કૃષ્ણમણીજી મહારાજના વરદ્દ હસ્તે થયું હતું. આ પ્રસંગે ભારત સરકારના ચીફ કન્ટ્રોલર ઓફ એકાઉન્ટ, આરોગ્ય પરિવાર કલ્યાણના જસપાલ કૌર, ડૉ. જોગીન જોશી, ગુલાબકુંવરબા સોસાયટીના કીર્તિભાઈ ફોફરીયા અને WHO GTMC ના ટેકનિકલ ઑફિસર ડૉ. વિનયકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આઈ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીએ જણાવ્યું કે ITRA ફાર્મસી શિક્ષણ વિભાગને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદના સિધ્ધાંતોને આધારે વિવિધ પ્રકારના ખાનપાનના વ્યંજનોનો લાભ મેળવી શકાશે. સાથે જ ફાર્મસીના હાલના અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયુર્વેદ આધારિત ઉત્પાદિત હર્બલ અને કોસ્મેટિક ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ પણ ઉપલબ્ધ છે. 30 હજાર ફૂટ જગ્યામાં વિશાળ એ.સી. ડોમ અને ૩૨ પેગોડા (તંબુ)માં યોજાનાર આ આયુર્વેદ એક્સપોમાં ૫૨ જેટલા સ્ટોલ છે. અહીં 150 પ્રકારની વિવિધ વાનગીઓ લોકોને સ્વાદ અને સ્વાસ્થ્યની દિવાનગી જગાવી રહી છે. લાઈવ ફૂડ આઈટમ, પેકેજ ફૂડ આઈટમ, સૂપ, સ્ટાર્ટર, આરોગ્યપ્રદ પીણાં, આયુર્વેદ રેસીપી, કોસ્મેટીક અને હેલ્થ પ્રોડક્ટ્સનો પણ એક અલગ વિભાગ છે, જેમાં ITRAના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની ચીજવસ્તુઓનું વેચાણ પણ ઉપલબ્ધ છે. આ એક્સપો ભારત સરકારના વિવિધ પ્રકલ્પો જેવા કે વોકલ ફોર લોકલ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, વિકાસ ભી વિરાસત ભી, હર ઘર સ્વદેશી અને સ્કીલ ઇન્ડિયાને અનુમોદન અને પીઠબળ સમાન સાબિત થશે. આ એક્સપોની મુલાકાત લેનાર સૌ કોઈને આયુર્વેદ આહાર વિહાર, ખાનપાન, સ્વસ્થ જીવનશૈલી, પ્રકૃતિ પરીક્ષણ અને શ્રમ પરીક્ષણ કરી આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન WHO GTMCની એક પ્રદર્શન ગેલેરી પણ તૈયાર કરવામાં આવી છે, જ્યાં મુલાકાતીઓને વૈશ્વિક કક્ષાએ પરંપરાગત ચિકિત્સાઓની માહિતી અને રોચક બાબતો વિશે WHO GTMC દ્વારા માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ એક્સપોના સંયોજક તરીકે પ્રો. જોબન મોઢા જવાબદારી નિભાવી રહ્યા છે.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટિંગ સેલની ટીમ દ્વારા ડીઝલ ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેના પડઘા પડતા પીઆઇની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે, ત્યારે નવા આવેલા દાણીલીમડા પીઆઇ દ્વારા વિસ્તારમાંથી ડીઝલ ચોરી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. પાર્ક કરેલા ટ્રકમાંથી ડીઝલની ચોરી કરી વેચવા જઈ રહ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને ચોરાયેલું ડીઝલ પણ કબજે કરવામાં આવ્યું છે. કન્ટેનર પાર્ક કરી સૂઈ ગયો ને તસ્કર ત્રાટક્યોમૂળ હરિયાણાના રહેવાસી અને ટ્રક ડ્રાઇવિંગનો ધંધો કરનાર ઇમરાન પઠાણ રાજસ્થાનના જયપુરના રહેવાસી આશિષભાઈનું ટાટા કંપનીનું કન્ટેનર વાહન ચલાવે છે. ત્રણ માર્ચના રોજ હરિયાણાથી ગાડી ભરી અને રાજસ્થાનના ભીલવાડા ખાતે ખાલી કરી હતી. જે બાદ ભીલવાડાથી અમદાવાદનું તેમને ભાડું મળતા તેઓ છ માર્ચના રોજ મોડી રાત્રે અમદાવાદના બહેરામપુરા પાસે આવ્યા હતાં. જ્યાં ક્રિશ્ચિયન કબ્રસ્તાન પાસે તેમનું કન્ટેનર પાર્ક કરવામાં આવ્યું હતું. કન્ટેનર પાર્ક કરી અને તેઓ રાત્રે કેબિનમાં જ સુઈ ગયા હતા. સવારે જોયું તો અડધી ટાંકી ખાલીવહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ તેઓ જાગ્યા હતા અને ગાડીની નીચે ઉતરીને જોતા બે ડીઝલની ટાંકી પૈકી એક ટાંકી જે ફૂલ ભરેલી હતી. તેનું લોક તૂટેલું હતું. જ્યારે તેમાં તપાસ કરતા અડધી ટાંકી ખાલી થયેલી જોવા મળી હતી. જેથી રાત્રિના સમયે કોઈ વ્યક્તિ દ્વારા ડીઝલની ચોરી કરી હતી. જેને લઈને તેમણે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરી કરેલું ડીઝલ વેચવા ગયો ને ઝડપાયોદાણીલીમડા પોલીસને બાતમી મળી હતી કે, ચોરી કરનાર આરોપી દાણીલીમડા વિસ્તારમાં જ રહે છે અને ચોરી કરેલું ડીઝલ ત્યાંથી લઈને વેચવા જઈ રહ્યો છે. જે બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાં ફૈસલપાર્કમાં રહેતો શોએબ પઠાણ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. 170 લીટર ડીઝલ જપ્તઆરોપી ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે અને તેણે આ ડીઝલ ચોરી લીધું હતું. ડીઝલ ચોરી કરવા જતો હતો તે દરમિયાનમાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. હાલ દાણીલીમડા પોલીસે 170 લીટર ડીઝલ સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર SOGએ ગેરકાયદેસર બંદૂક સાથે એક ઝડપ્યો:રાતીયાનેસ સીમમાંથી આરોપીની ધરપકડ, વધુ તપાસ ચાલુ
પોરબંદર SOG ટીમે ગેરકાયદેસર બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. રાતીયાનેસ ગામની ખારી સીમમાંથી મળેલી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, સ્મશાન તરફ જતા રસ્તા પાસે એક શંકાસ્પદ વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શંકાસ્પદ વ્યક્તિને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, આરોપી પાસેથી પાસ-પરમિટ વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી. પોલીસે આ બંદૂક કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 1,000 આંકવામાં આવી છે. પકડાયેલ આરોપીની ઓળખ ફિરોઝ ઉર્ફે ગફાર કાળુભાઈ મોરી ડફેર (ઉ.વ. 38), રહે. જામટીબડી, તા. ઉપલેટા, જી. રાજકોટ અને હાલ રાતીયાસીમ, તા. જી. પોરબંદર તરીકે થઈ છે. માધવપુર પોલીસે આરોપી વિરુદ્ધ હથિયાર ધારા કલમ 25(1-બી)એ અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી હાઇવે પર ચાલતી કારમાં આગ:ટીંબડી પાટિયા પાસે સ્વીફ્ટ કાર બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં
મોરબી-માળિયા હાઇવે પર ટીંબડી ગામના પાટિયા નજીક વહેલી સવારે એક સ્વીફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કારમાં સવાર વ્યક્તિ સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના વહેલી સવારે લગભગ ચાર વાગ્યે બની હતી. GJ 36 AJ 2116 નંબરની સ્વીફ્ટ કાર મોરબી-માળિયા હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેમાં આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયર ટીમ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. કારમાં આગ લાગતાની સાથે જ ચાલક નીચે ઉતરી ગયો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
ફેસબુક પર કાર વેચાણના બહાને છેતરપિંડી:ભાવનગરનો આરોપી ઝડપાયો, ફરિયાદીના 81,854 પરત મળ્યા
તાપી જિલ્લા પોલીસે ઓનલાઈન છેતરપિંડી આચરતી ટોળકીઓ સામે કાર્યવાહી કરી છે. ઉચ્છલ પોલીસે ફેસબુક પર સસ્તી કાર વેચવાની લાલચ આપી રૂ. 81,854ની ઠગાઈ કરનાર ભાવનગરના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ફરિયાદીના પૂરેપૂરા નાણાં પરત મેળવવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, આરોપી ધર્મેશ સુરેશભાઈ ચુડાસમા (રહે. વાસીતળાવ, મહુવા, જિ. ભાવનગર) એ પોતાના ફેસબુક આઈડી 'dharmesh chudasama' પર અર્ટિગા કાર વેચાણ અંગેની જાહેરાત મૂકી હતી. ઉચ્છલના એક ફરિયાદીએ આ જાહેરાત જોઈને તેનો સંપર્ક કર્યો હતો. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ગાડીના અવેજ પેટે અલગ-અલગ તબક્કે કુલ રૂ. 81,854/- ભરાવડાવ્યા હતા. નાણાં મેળવ્યા બાદ આરોપીએ ન તો ગાડી આપી કે ન તો રૂપિયા પરત કર્યા, અને છેતરપિંડી આચરી હતી. આ અંગે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 318(4), 3(5) તથા આઈ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સચોટ તપાસના આધારે આરોપી ધર્મેશ ચુડાસમાને ઝડપી પાડ્યો. પોલીસની કડક કાર્યવાહીના પરિણામે ફરિયાદીના છેતરપિંડીમાં ગયેલા તમામ રૂ. 81,854/- કબ્જે કરી પરત મેળવવામાં આવ્યા છે. તાપી પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર આવતી અજાણી જાહેરાતોથી સાવધ રહેવા અને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા તેની ખરાઈ કરવા અપીલ કરી છે.
તાપી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અજય વિનોદભાઈ ગામીતને ઝડપી પાડ્યો છે. વ્યારા અને ઉકાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં તે લાંબા સમયથી ફરાર હતો. પોલીસે તેને વ્યારાના નવા બસ સ્ટેન્ડ પાસેથી બાતમીના આધારે પકડ્યો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડના PSI એન.એસ. વસાવા અને LCB તાપીની ટીમ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ASI આનંદભાઈ, ASI જયેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ભુરીવેલ ગામના (નાનુ ફળીયુ, તા. ઉકાઈ) 29 વર્ષીય અજય વિનોદભાઈ ગામીતને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપી અજય ગામીત નીચે મુજબના પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતો: 1. વ્યારા પોલીસ સ્ટેશન પાર્ટ C: પ્રોહિબિશન એક્ટ કલમ 65E, 81, 98(2) મુજબનો ગુનો. 2. ઉકાઈ પોલીસ સ્ટેશન પાર્ટ C: પ્રોહિબિશન એક્ટ કલમ 65AE, 81, 83, 116(2) મુજબનો ગુનો. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીને વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી LCB PI ડી.એસ. ગોહિલ, PI એન.જી. પાંચાણી અને પેરોલ ફર્લો સ્ક્વોડના PI જે.બી. આહિરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમાં PSI એન.એસ. વસાવા સહિત ASI જગદીશભાઈ, આનંદભાઈ, જયેશભાઈ, હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ, રવિન્દ્રભાઈ અને રાહુલભાઈ જોડાયા હતા.
ગીર સોમનાથ જિલ્લાના આજોઠા ગામની શ્રી આજોઠા કન્યા પે સેન્ટર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. વેરાવળના BRC કોર્ડિનેટર જયેશભાઈ સોલંકીના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ધોરણ 6 થી 8 ના કુલ 105 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાન વિષયની 200 થી વધુ સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી હતી. આ કૃતિઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ, નવીનતા અને પ્રયોગાત્મક અભિગમ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રદર્શનના અંતે, શ્રેષ્ઠ કૃતિઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુરસ્કૃત કરાયા હતા. વિજ્ઞાન વિષયમાં પ્રિયાંશી શૈલેષભાઈ સોલંકી અને અનન્યા મનીષભાઈ ચાંડેગરાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મૃદુલા મેણસીભાઈ સોલંકી દ્વિતીય અને હેત્વી રામભાઈ પંપાણિયા તૃતિય સ્થાને રહ્યા હતા. ગણિત વિષયમાં કાવ્યા જયેશભાઈ સોલંકી પ્રથમ, મહેક વિપુલભાઈ મેસવાણિયા દ્વિતીય અને શ્રદ્ધા મનસુખભાઈ ભજગોતર તૃતિય સ્થાને વિજેતા બન્યા હતા. સમગ્ર શાળા પરિવારે SMC સભ્યો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામ નજીક 11 KVનો વીજ વાયર તૂટી પડતા બે યુવાનોના મોત થયા છે. વહેલી સવારે બાઇક લઇને વાડીએ જતા પિતા-પુત્ર અને એક અન્ય યુવક પર પર વીજ વાયર પડતાં પિતાની નજર સામે જ પુત્ર અને અન્ય યુવકનું મોત થયું છે. બાઇક પર 11 KVનો વીજ વાયર પડ્યોમળતી માહિતી મુજબ, ઘાટવડ ગામના દાનસિંગભાઈ ઝાલા પોતાના પુત્ર લાલાભાઈ દાનસિંગ ઝાલા અને રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમા સાથે બાઈક પર વાડી તરફ જઈ રહ્યા હતા. જામવાળા રોડ પર સવારે આશરે 9:30 વાગ્યે અચાનક 11 KVનો વીજ વાયર તૂટી પડ્યો અને સીધો બાઈક પર જ આવી પડ્યો હતો. વીજ પ્રવાહ લાગતા બંને યુવાનો ગંભીર રીતે દાઝી ગયા જ્યારે દાનસિંગભાઈ ઝાલા પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. ગંભીરરીતે દાઝેલા યુવકોનો જીવ ન બચ્યોસ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કોડીનારની રાનાવાલા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે લાલાભાઈ દાનસિંગ ઝાલા અને રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમાને મૃત જાહેર કર્યા હતા. PGVCLના અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યાઘટનાની જાણ થતાં પોલીસ અને PGVCLના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ગામલોકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને મૃતકોના પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠી રહી છે. PGVCL સામે સ્થાનિકોમાં ભારે રોષઆ દુર્ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે PGVCL દ્વારા વીજ લાઈનોની જાળવણીમાં બેદરકારી રાખવામાં આવે છે. લાંબા સમયથી ઢીલા પડેલા કે જોખમી વાયર અંગે રજૂઆતો છતાં યોગ્ય પગલાં ન લેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 'ઝુલતા વાયરોને હાથ અડાડો તો પણ અડી જાય'આ અંગે મુસ્લિમ અગ્રણી અબ્દુલ ચૌહાણે જણાવ્યું કે, કોઇ બાબતે સેફ્ટી જ નથી, ઘણીવાર વાયરમાં ધકાડા થતા હોય છે. આ ઘટનામાં બે લોકોના મોત થઇ ગયા છે અને એક ભાઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમારા વિસ્તારમાં સિંહ-દીપડા પણ માણસને ખાઇ જાય છે, અધિકારીઓ ઘડી-બે ઘડી આવીને આશ્વાસન આપીને જતા રહે છે. અમારા વિસ્તારમાં એટલા ઝુલતા વાયર છે કે હાથ અડાડો તો પણ અડી જાય.

30 C