SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
...

ઉમરકોટમાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી:જાગૃતિ રેલી યોજાઈ, અધિકારીઓ અને ગ્રામજનો જોડાયા

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર ઉમરકોટ ખાતે 24 માર્ચના રોજ વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા અધિકારી ડો. સંજય સોલંકી, જિલ્લા ક્ષય અધિકારી ડો. મહેશ કાપડિયા, તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલ ચંદેલ અને ડો. રમીલાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ટીબી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુત્રોચ્ચાર અને માહિતી, શિક્ષણ અને સંચાર (IEC) પ્રવૃત્તિઓ સાથે આયોજિત આ રેલી સબ સેન્ટરથી શરૂ થઈને જાહેર માર્ગો પરથી પસાર થઈ પ્રાથમિક શાળા સુધી પહોંચી હતી. આ રેલીમાં શાળાના બાળકો, ગામના આગેવાનો અને આરોગ્ય સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉમરકોટના પ્રણામી દુર્ગેશભાઈ (MPHS), કુવેર શર્મા (CHO) અને અલકેશભાઈ (MPHW) દ્વારા આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:58 pm

પ્રદીપ ગુરુ નકલી નોટ છાપવાના મશીન માટે ચીન ગયાનો ઘટસ્ફોટ:નફામાં 50% ભાગ લેતો, એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતો; અમદાવાદમાં કૌભાંડીની પૂછપરછમાં ખુલાસો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડીમાંથી નકલી નોટો સાથે યોગ ગુરુ પ્રદીપ સહિત 7 લોકોને ઝડપી પાડ્યા હતાં. આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ મેળવીને તપાસ કરતા અનેક મોટા ખુલાસા થયા છે. જેમાં પ્રદીપ ગુરુ ગત મહિને નકલી નોટ છાપવાનું મશીન લેવા માટે ચીન ગયો હતો. પ્રદીપે નકલી નોટો છાપીને થનાર નફામાં 50 ટકા ભાગ રાખ્યો હતો. એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતાં હતાં. પ્રદીપ 50 ટકા નફો લઈને અન્ય આરોપીને બાકી સરખે ભાગે વેચી દેતોક્રાઈમ બ્રાન્ચ દ્વારા યોગ ગુરુ પ્રદીપ સહિતના આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે અનેક મોટા ખુલાસા થયા હતાં. પ્રદીપે અન્ય આરોપીઓ સાથે મળીને નકલી નોટો છાપવાની કાવતરું 6 મહિના અગાઉ ઘડ્યું હતું. પોતાના આર્થિક ફાયદા માટે પ્રદીપે અશોક માવાણી નામના આરોપીના ઘરે તમામને સાથે રાખીને મિટિંગ કરી હતી. પ્રદીપે નકલી નોટો છાપીને જે નફો થાય તેમાં 50 ટકા નફો લેવાનું નક્કી કર્યું હતું જ્યારે બાકીનો 50 ટકા નફો અન્ય આરોપીને સરખે ભાગે વેચી દેવાનો હતો. એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી નોટો આપતાં આરોપીઓએ ભેગા મળીને નક્કી કર્યું હતું કે એક લાખની અસલી નોટો સામે ત્રણ લાખની નકલી નોટો આપવાની હતી. જેથી 33% નફો થાય. આરોપીઓ પાસેથી 2.48 કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી છે. જોકે આરોપીઓએ 10 થી 12 લાખ રૂપિયાની નકલી નોટો વેચી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. દાનની રકમ પોતાના પર્સનલ એકાઉન્ટમાં લેતો હાલ પ્રદીપ ગુરુના મિલકતની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે ટ્રસ્ટનું એકાઉન્ટ ચાર વર્ષથી એક્ટિવ નથી. પ્રદીપ ગુરુ દાનની રકમ પોતાના પર્સનલ એકાઉન્ટમાં લેતો હતો અને તેનો ઉપયોગ પણ પર્સનલ કામ માટે કરતો હતો. આયુષ મંત્રાલય લખાવ્યું તેની પણ કલમ ઉમેરાશેહાલ પ્રદીપ ગુરુની મિલકત ત્યાં અને કેટલી છે તેની પર તપાસ કરવામાં આવી રહી છે. પ્રદીપે ગાડીમાં આયુષ મંત્રાલય લખાવ્યું હતું તેની કલમ પણ ઉમેરવામાં આવશે. આ પણ વાંચો સત્યમ યોગ ફાઉન્ડેશનની ફોર્ચ્યુનરમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ 19 માર્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) યોગ ગુરુ-જમીન દલાલ બેડરૂમમાં જ પ્રિન્ટર મૂકીને 'લક્ષ્મીજી' છાપવા માંડ્યા જે હાથમાં યોગની મુદ્રાઓ અને માળા હોવી જોઈએ, એ હાથોમાં આજે 500-500ની નકલી નોટોના થોકડા છે! સુરતનો એક કહેવાતો યોગ ગુરુ અને જમીન દલાલ રાતોરાત અમીર બનવાના એવા રવાડે ચઢ્યા કે ઘરના ખૂણે જ કલર પ્રિન્ટર મૂકીને 'લક્ષ્મીજી' છાપવા માંડ્યા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે ફોર્ચ્યુનર કાર રોકી ત્યારે અંદરથી એટલી નોટો નીકળી કે પોલીસ ગણતા-ગણતા થાકી ગઈ અને આખરે બેંકમાંથી નોટો ગણવાનું મશીન મંગાવવું પડ્યું. આ હાઈ-પ્રોફાઈલ રેકેટમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) ભાસ્કર બતાવે છે પ્રદીપ ગુરૂનો 'રહસ્ય લોક' અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે(18 માર્ચ) એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી હતી. આ તમામ નોટો 500 રૂપિયાના દરની હતી. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. આ પણ વાંચો : 'મારા જ કર્મ મને અહીં લાવ્યા છે': યોગ ગુરૂ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી હતી. આ મામલે સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ હતી. ત્યારે દિવ્ય ભાસ્કર પણ પ્રદીપ ગુરુજીના ‘રહસ્યલોક’માં પહોંચ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) યોગ ગુરૂ તો ગજબનો નીકળ્યો, આશ્રમમાં ઓપરેશન થિયેટર! આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ધોરણ 12 ભણેલો આ નકલી યોગ ગુરૂ કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી વગર હૃદયના બ્લોકેજ અને કેન્સજ જેવી જીવલેણ બીમારી દૂર કરી આપવાની ગેરંટી આપતો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) નકલી યોગગુરુ સાથે શંકરસિંહ વાઘેલાનો વીડિયો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડની નકલી નોટોના કેસમાં ધરપકડ કરેલા કથિત યોગગુરુ પ્રદીપ જોટંગીયાના પાપનું પોટલું હવે એકપછી એક ચોંકાવનારા ખુલાસાઓ સાથે ખૂલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ નકલી ગુરુના આશીર્વાદ લેતા હોય તેવો જૂનો વીડિયો વાઇરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે, તો બીજી તરફ સુરતના સામાજિક કાર્યકર વલ્લભભાઈ ચોથાણીએ આ 'ભોગગુરુ' સામે 2 લાખની છેતરપિંડી, વાઘના ચામડાનો ઉપયોગ અને ડૉક્ટરી ડિગ્રી વગર કેન્સર તથા હાર્ટ એટેકની જોખમી સારવાર કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ પણ વાંચો: નકલી ‘યોગગુરુ’ પ્રદીપના કારનામા ખુલ્યાં માત્ર ધોરણ 12 પાસ હોવા છતાં યુટ્યુબના સહારે ડોક્ટર બની બેઠેલા આ ઠગ વિરુદ્ધ દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ કડક તપાસના આદેશ આપ્યા છે, જેનાથી આગામી દિવસોમાં આ આંતરરાજ્ય છેતરપિંડીના નેટવર્કમાં અનેક મોટા માથાઓના નામ ખૂલે તેવી શક્યતા છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) પાખંડી 'યોગ ગુરુ'ના આશ્રમમાંથી રહસ્યમય ભોયરું મળ્યું સુરત જિલ્લાના ધોરણ પારડી સ્થિત યોગ આશ્રમમાં નકલી ચલણી નોટનાં રેકેટમાં પકડાયેલા યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાએ અંદરની ગતિવિધીઓ ગુપ્ત રાખવા માટે આશ્રમની ચોમેર 15 ફૂટ ઊંચી કિલ્લા જેવી દીવાલો બનાવી હતી. તેમજ આશ્રમમાંથી બીજું શંકાસ્પદ ભોંયરું પણ મળી આવ્યું છે. આ સાથે જ અન્ય ચોકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાં ગર્ભ સંસ્કાર માટે અલગ શિબિર કરવામાં આવતી હતી. સંતાન પ્રાપ્તિ માટેની દવાઓ પણ રૂ. 15થી 18 હજાર લઈને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આયુર્વેદીક દવાઓના ડબ્બામાં નકલી દવા પણ વેચતો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) પાખંડી યોગ ગુરૂ પ્રદીપ સામે આયુર્વેદિક ડોક્ટરોનો મોરચો સુરતમાં કરોડોની નકલી નોટોના કૌભાંડમાં જેલના સળિયા ગણી રહેલા કથિત યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાની મુશ્લેકીમાં હવે મોટો વધારો થયો છે. અત્યાર સુધી માત્ર પોલીસ તપાસનો સામનો કરી રહેલા આ ઢોંગી બાબા સામે હવે સુરતના આયુર્વેદિક ડોક્ટરો લાલઘૂમ થયા છે. યોગ શીખવવાની આડમાં કોઇપણ મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદિક પ્રેક્ટિસ કરી લોકોના સ્થાસ્થ્ય સાથે ચેડાં કરનાર પ્રદીપ સામે કડક કાર્યવાહી માંગ ઉઠી છે. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:51 pm

સત્યનારાયણ સોસાયટીમાં બે પરિવારો વચ્ચે શસ્ત્ર અથડામણ:સામે જોવા અને બાઈક સાઇડમાં લેવા બાબતે બે યુવક વચ્ચે બોલાચાલી બાદ મારામારી, બંને પક્ષે નોંધાવી ફરિયાદ

ભાવનગર શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટી વિસ્તારમાં બે યુવક વચ્ચે કાતર મારવા બાબતે અને બાઈક સાઈડમાં લેવાના મામલે બોલાચાલીમાંથી શરૂ થયેલો વિવાદ ઉગ્ર બની બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાઇ હતી. બન્ને પક્ષે લાકડી અને ધોકા વડે મારામારી સર્જાયા બાદ મામલો પોલીસ મથક પહોંચતા બોરતળાવ પોલીસ મથકમાં સામ સામે ગુના નોંધાયા હતા. યુવકને ધોકા વડે માર મારી ઈજા પહોંચાડીઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા દિપક કાળુભાઈ બોરીયાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓનો ભત્રીજો મીત તેઓની શેરીમાં દુધ લેવા જતો હતો, ત્યારે પ્રદિપ અને પરેશે તેના ભત્રીજાને તું સામુ કેમ જોવે છે અને કાતર કેમ મારે છે તેમ કહી લાફા મારી દેતા તેઓ અને તેના દીકરા સમજાવવા માટે જતા બુધા રબારી અને પ્રવિણ રબારીએ તેને તેમજ તેના દીકરાને સરલ, ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી તેઓની જ્ઞાતી વિશે અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને લઈ પોલીસે પ્રદિપ બાબુભાઈ રબારી, પરેશ ઉર્ફે નનો રબારી, બાબુ રબારી, પ્રવીણ રબારી તમામ ભાવનગરના રહેવાસીઓ સામે BNS 118(1), 115(2), 352, 351(3), 54, તેમજ જીપી એક્ટ 135 અને અનુસુચિત જાતી અને અનુ. જન જાતી પ્રતિબંધ અધિનિયમ તળે ગુનો દાખલ કર્યો હતો. લાકડી-ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીજ્યારે સામા પક્ષે ભાવનગર શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા પોલા બુધાભાઈ સાંબડે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ દુધ દેવા જતા હતા, ત્યારે ધ્રુવ દિપકભાઈએ તેઓને બાઈક સાઈડમાં લેવાનું કહી તેની સાથે બોલાચાલી અને ઝધડો કરી ધ્રુવ દિપકભાઈ બોરીચા, રૂષી દિપકભાઈ બોરીચા, દિપક કાળુભાઈ બોરીચા, ભરત કાળુભાઈ બોરીયા તમામે વારાફરતી આવી લાકડી અને ઢીંકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવના પગલે પોલીસે ધ્રુવ દિપકભાઈ બોરીચા, રૂષી દિપકભાઈ બોરીચા, દિપક કાળુભાઈ બોરીચા, ભરત કાળુભાઈ બોરીયા તમામ ભાવનગરના રહેવાસીઓ સામે BNS એક્ટ 115(2), 352, 351(3), 54, તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:49 pm

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરાયા.:​જૂનાગઢ જિલ્લા પંચાયત માટે 'આપ' ની પ્રથમ યાદી જાહેર: ઉમેદવારોએ ખોરાસા બાલાજીના દર્શન કરી વિજયના નિર્ધાર સાથે પ્રચાર શરૂ કર્યો.

​ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ વાગવા માંડ્યા છે. ચૂંટણી પંચ દ્વારા હજુ સત્તાવાર રીતે તારીખોનું એલાન કરવામાં આવ્યું નથી, તે પૂર્વે જ આમ આદમી પાર્ટીએ આક્રમક રણનીતિ અપનાવીને પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પોતાની પકડ મજબૂત કરવા માટે મૂરતિયાઓના નામ જાહેર કરી દીધા છે. આ યાદીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના કુલ 460 જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાની મહત્વની જિલ્લા પંચાયત સીટો માટે જ્યારે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, ત્યારે આ તમામ ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નામ જાહેર થતાની સાથે જ તમામ ઉમેદવારોએ એકત્રિત થઈને ભક્તિભાવ સાથે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવાનું નક્કી કર્યું હતું. ​આ પરંપરાના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના તમામ જાહેર થયેલા ઉમેદવારો પોતાના સમર્થકો અને પક્ષના પદાધિકારીઓ સાથે ખોરાસા ગામે આવેલા પ્રસિદ્ધ તિરુપતિ બાલાજીના મંદિરે શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. અહીં પવિત્ર વાતાવરણમાં ભગવાન બાલાજીના આશીર્વાદ મેળવીને તેઓએ પોતાની ચૂંટણીલક્ષી ગતિવિધિઓનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે ઉમેદવારોએ ભગવાન પાસે આવનારા પાંચ વર્ષ દરમિયાન જનતાની સેવા કરવાની શક્તિ અને વિજય માટે પ્રાર્થના કરી હતી. ​આ દરમિયાન કણઝા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર પ્રવીણભાઈ વી. ચાવડાના પુત્રએ માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પક્ષના શીર્ષ નેતૃત્વએ તેમના પિતા પ્રવીણભાઈ ચાવડા પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ તેઓ આભારી છે. આ સાથે જ 14-કોયલાણા જિલ્લા પંચાયત બેઠક પરથી હંસાબેન જીવાભાઈ મારડીયાની પણ પસંદગી કરવામાં આવી છે. તેઓએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં તેઓ જંગી બહુમતીથી વિજય મેળવશે અને આવનારા પાંચ વર્ષ સુધી જનતાના કામોને પ્રાથમિકતા આપીને વિસ્તારનો સર્વાંગી વિકાસ કરશે. તેમણે પક્ષના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાનો આ તકે આભાર વ્યક્ત કર્યો હતો. ​ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડતા તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વર્તમાન ભ્રષ્ટાચારી શાસનમાં પ્રશ્નોની કોઈ અછત નથી, ઉલટાનું ક્યાં પ્રશ્ન નથી તે શોધવું મુશ્કેલ છે. ગામડાઓમાં રોડ-રસ્તાની ખરાબ હાલત, પીવાના પાણીની સમસ્યા અને પાયાની સુવિધાઓના અભાવ જેવા અનેક પ્રશ્નોથી જનતા પીડાઈ રહી છે. આમ આદમી પાર્ટી આ તમામ લોકપ્રશ્નોને વાચા આપશે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની નેમ સાથે જનતાની વચ્ચે જશે. તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. બીજી તરફ, સાસણ બેઠકના ઉમેદવાર રાજેશભાઈ ઘૂસાભાઈ મકવાણાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા તેમને મળેલી આ તક બદલ તેઓ અત્યંત ગર્વ અનુભવે છે. તેઓએ પણ ખોરાસા બાલાજીના ચરણોમાં વંદન કરી ચૂંટણી જંગમાં કૂદી પડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. રાજેશભાઈએ ઉમેર્યું હતું કે તેઓ આવતીકાલથી જ સઘન જનસંપર્ક અને પ્રચારની શરૂઆત કરી દેશે. તેઓ છેવાડાના માનવી સુધી પહોંચશે અને જનતાની જે પણ સમસ્યાઓ હશે તેનો નિકાલ કરવા માટે પૂરા પ્રયત્નો કરશે. આમ, જૂનાગઢમાં હવે રાજકીય માહોલ જામ્યો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આશીર્વાદ અને આત્મવિશ્વાસ સાથે પ્રચારના મેદાનમાં ઝંપલાવી દીધું છે, જેના કારણે આગામી દિવસોમાં અહીંનો રાજકીય જંગ અત્યંત રસપ્રદ બની રહેશે તેવું દેખાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:45 pm

લિંબાયતમાં માથાભારે શખસનો આતંક, મોપેડમાં તોડફોડના CCTV:‘તુ મેરે બીચ મેં મત આ...’ કહી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

સુરતના લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં એક શખસે જાહેરમાં મહિલા અને તેની પુત્રીને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, ઉશ્કેરાયેલા શખસે ઘરની બહાર પાર્ક કરેલી મોપેડ તોડફોડ કરી આતંક મચાવ્યાના દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. લાકડાના ફટકા વડે મોપેડમાં તોડફડો કરીસોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં આરોપીનો આતંક સ્પષ્ટપણે જોઈ શકાય છે. ફૂટેજમાં દેખાય છે કે આરોપી હાથમાં લાકડાનો મોટો ફટકો લઈને આવે છે. તે આવતાની સાથે જ સૌથી પહેલા ઘરની બહાર પડેલી મોપેડ પર જોરથી વાર કરે છે. ત્યારબાદ તે મોપેડને જમીન પર પટકી દે છે અને તેના પર લાકડાના ફટકા મારી ભારે નુકસાન પહોંચાડે છે. ‘તુ મેરે બીચ મેં મત આ...’ કહી મહિલાને ધમકાવીલિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટના પતરાની ચાલમાં રહેતા 43 વર્ષીય શેહનાઝ અંસારીના ઘરે બની હતી. આરોપી રીતીક સંતોષ પીપળીએ ફરિયાદી અને તેની પુત્રી અરબીનાને ગંદી ગાળો આપી હતી. આરોપીએ ધમકી આપતા કહ્યું હતું કે, તુ મેરે ઔર સહનાઝ કે બીચ મેં મત આ, નહિ તો તુઝે જાનસે માર દુંગા. આ ધમકીને પગલે પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મધરાત્રે આતંક મચાવી 5 હજારનું નુકસાન કર્યુંઆ ઘટના 22 માર્ચની રાત્રે 9 વાગ્યાથી 23 માર્ચની વહેલી સવારના 5 વાગ્યા દરમિયાન બની હતી. રીતીક પીપળીએ માત્ર ધમકી જ ન આપી, પરંતુ આવેશમાં આવીને ફરિયાદીના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, મોપેડ અને કેમેરા મળીને કુલ રૂપિયા 5,000 જેટલું મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ભયના માહોલ વચ્ચે લિંબાયત પોલીસમાં ફરિયાદજાહેરમાં બનેલી આ ઘટનાને પગલે મીઠીખાડી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલાએ હિંમત દાખવીને લિંબાયત પોલીસ મથકે રીતીક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોનું કહેવું છે કે આવા તત્વો સામે કડક પગલાં લેવા જોઈએ જેથી સામાન્ય નાગરિકો શાંતિથી રહી શકે. આરોપીની શોધખોળ માટે પોલીસના ચક્રો ગતિમાનઘટનાની ગંભીરતાને જોતા લિંબાયત પોલીસે તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને ફરિયાદીના નિવેદનને આધારે આરોપી રીતીક સંતોષ પીપળીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ આરોપીના રહેણાંક વિસ્તાર અને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવશેઆ વિવાદ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ અંગત અદાવત હોવાનું લાગી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ બાદ જ સત્ય હકીકત સામે આવશે કે તેણે શા માટે મહિલાને ધમકી આપી અને તોડફોડ કરી. હાલમાં પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:36 pm

રાજકોટમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો:મવડી-વાવડી વચ્ચે કેન્દ્રબિંદુ હોવાની પુષ્ટિ, સાંજે 5:41 કલાકે ધરા ધ્રુજી

રાજકોટમાં સાંજે 5:41 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો, જેની પુષ્ટિ ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા કરવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટ શહેરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં માત્ર 7 કિલોમીટર દૂર મવડી અને વાવડી વચ્ચે જમીનમાં 15 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. આંચકો પ્રમાણમાં હળવો હોવાથી શહેરના અમુક વિસ્તારોમાં લોકોએ ધ્રુજારી અનુભવી હતી, જ્યારે અન્ય ઘણા લોકોને આ અંગે કોઈ જાણ પણ થઈ ન હતી. અચાનક આવેલી આ ધ્રુજારીને કારણે સ્થાનિકોમાં થોડા સમય માટે કુતૂહલ અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:28 pm

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ અભિયાન:કચરાવર્ગીકરણ, પ્લાસ્ટિક પ્રતિબંધ વિશે વેપારીઓ સાથે સંવાદ કરી માર્ગદર્શન અપાયું

પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગે શહેરને સ્વચ્છ બનાવવા જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન કચરાના સ્તરે જ અલગકરણ (સોર્સ સેગ્રીગેશન) અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગે છે. 24 માર્ચ, 2026ના રોજ વોર્ડ નં. 2 અને 3માં વેપારીઓ તથા નાગરિકો સાથે સંવાદ કરી માર્ગદર્શન અપાયું હતું. અભિયાન અંતર્ગત નાગરિકોને ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની પદ્ધતિ સમજાવવામાં આવી હતી. તેમને ઘરેથી નીકળતો કચરો મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા ગાડીમાં જ આપવા અપીલ કરાઈ હતી. આ ઉપરાંત, સિંગલ યુઝ પ્લાસ્ટિકના પર્યાવરણ પર થતા પ્રતિકૂળ પ્રભાવો વિશે જાણકારી આપી તેનો ઉપયોગ બંધ કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. અઠવાડિયા દરમિયાન શહેરના માર્કેટ વિસ્તારોમાં IEC (Information, Education Communication) પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં વેપારીઓ સાથે વેસ્ટ મેનેજમેન્ટ અંગે ચર્ચા, ઓટોરિક્ષા દ્વારા માઇકિંગ, દીવાલ પર ચિત્રો દ્વારા સ્વચ્છતા સંદેશા અને માર્કેટ લેવલ પર સમીક્ષા બેઠકોનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં સેનિટેશન વિભાગના સિટી મેનેજર (આઈ.ટી.) અશ્વિન વઢીયા અને તેમની ટીમ, તેમજ સંબંધિત વોર્ડના સેનીટેશન સબ ઈન્સ્પેક્ટર અને સુપરવાઈઝરો સક્રિય રહ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને હરિત પોરબંદર બનાવવાના લક્ષ્ય સાથે નાગરિકોને કચરાનું યોગ્ય વિભાજન કરી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:25 pm

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટમાં કાર્યવાહી:ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ, 7 એપ્રિલે સુનાવણી; ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા યથાવત

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઇકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદા સામે ડબલ જજની બેંચ સમક્ષ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે. આજે પક્ષકારોની સહમતિથી સુનાવણી 7 એપ્રિલના બપોરે નક્કી કરવામાં આવી છે. ત્યાં સુધી સિંગલ જજે કરેલ વચગાળાની વ્યવસ્થા યથાવત રહેશે. રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યો હતોવડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપર હાઇકોર્ટમાં લંબાણપૂર્વ સુનાવણી બાદ સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા BCAની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા હતા. આ ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યો હતો. BCAની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડેના કાર્ય કરશેજો કે સિંગલ જજ દ્વારા રિસ્પોન્ડન્ટની વિનંતી ઉપર વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા વધારવામાં આવી હતી. જે મુજબ બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડેના કાર્ય કરશે. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના કે પોલિસી સાથે સંકળાયેલ નિર્ણયો લઈ શકશે નહીં. ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકશે નહીં. બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી મૂળ આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં BCCI, બરોડા ક્રિકેટ એસોસિએશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ હતી. જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના વર્ષ 2022 ના ચુકાદા મુજબ 9 વર્ષ સુધી હોદા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બને છે. વળી હોદ્દા ઉપર સતત બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી છે. અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતોજેથી અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતો અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નહોતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીંબરોડા ક્રિકેટ એસોસિયેશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બ્યુસમેન્ટની રચના છે. જેના ચેરમેન તરીકે કેરાલા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે. જ્યારે અરજદારો પાસે બીજી કાનૂની પ્રક્રિયા ઉપલબ્ધ છે, ત્યારે હાઇકોર્ટમાં સીધી અરજી ટકવા પાત્ર નથી. સામે પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે BCCI અને BCA સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી. ભારતમાં ઓર્ગેનાઇઝ ક્રિકેટ ઉપર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સંપૂર્ણ કાબુ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે. BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથીગુજરાત હાઇકોર્ટે બંને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દૃષ્ટિએ નોંધ્યું હતું કે, BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથી. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકેટ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રૂટિની એ ફક્ત એક મિકેનિકલ પ્રક્રિયા નથી. અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી ઉપર કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારી અવગણ્યા છે. આ કેસને મેરીટ ઉપર નક્કી કરવો જરૂરી છે. જો કે ચૂંટણી પ્રક્રિયા જાહેર થયા બાદ તેની ઉપર અત્યારે સ્ટે આપી શકાય તેમ નથી. જો અરજીને નકારી દેવામાં આવે તો તેનો હેતુ માર્યો જાય તેમ છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:18 pm

કોડીનાર રેલવે સ્ટેશન પાસે ચાલુ કારમાં લાગી આગ:ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, બે લોકોનો આબાદ બચાવ

કોડીનાર શહેરમાં આજે બપોરના સમયે રેલવે સ્ટેશન સામેના વ્યસ્ત માર્ગ પર ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. શ્રદ્ધા માર્બલ નજીક બનેલી આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. ફાયર વિભાગની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કાર રસ્તા પર જઈ રહી હતી ત્યારે તેમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ થતાં જ કોડીનાર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. આ ઘટનામાં કારમાં સવાર બંને વ્યક્તિઓ સમયસર બહાર નીકળી ગયા હોવાથી તેમનો જીવ બચી ગયો હતો. જોકે, આગને કારણે કારને વ્યાપક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. સ્થાનિક પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના વાહનોમાં નિયમિત ચકાસણી અને સુરક્ષા સાવચેતીના મહત્વ પર ભાર મૂકે છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:12 pm

પૈસા ન હોવાથી ચોરી કરીને ધંધો શરૂ કર્યો:વડોદરામાં પોતાનું ડીજે શરૂ કરવા યુવકે સ્પીકર સહિતની વસ્તુઓનું ક્વોટેશન કઢાવ્યા બાદ મામાના દીકરા સાથે મળી ગોડાઉનમાંથી DJના સામાનની ચોરી કરી, બંને ઝડપાયા

વડોદરા શહેરના ધનિયાવી રોડ પર આવેલાં ડીજેના 2 ગોડાઉન પર જઈને યુવકે સામાન જોયા બાદ ક્વોટેશન કઢાવીને પોતાનું ડીજે લેવાના નામે સાગરીત સામે મળીને જુદા-જુદા સામાનની 4.81 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સાંઈનાથનગરમાં દિલીપ વસાવા ધનિયાવી રોડ પર માતાજી ફાર્મમાં એક ગોડાઉનમાં ત્રિનેત્ર સાઉન્ડ નામે ડીજે બનાવવાનું કામ કરે છે. 4 ફેબ્રુઆરીએ રાત્રે તેમના ભાઈ અતુલભાઈ ગોડાઉનને લોક કરીને રાત્રે 10 વાગે ઘરે ગયા હતા. બીજા દિવસે અતુલભાઈએ ગોડાઉનમાં પહોંચી ડીજેનો સામાન ટેસ્ટિંગ માટે બહાર કાઢતા હતા ત્યારે 2 એમ્પ્લિફાયર, મીડનાં 12 સ્પીકર સહિત કુલ 3.42 લાખનો સામાન મળ્યો નહોતો. તસ્કરોએ ગોડાઉનના પતરાના દરવાજાના સ્ક્રૂ ખોલી અંદર પ્રવેશ્યા બાદ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જયવંતસિંહ સોલંકી પાર્ટનરશિપમાં ધનિયાવી રોડના બ્લીસ ફાર્મ પાસે એક ગોડાઉનમાં વી.સી. ઓડિયોના નામે ડીજે બનાવે છે. 16 માર્ચે તેમના પાર્ટનર વસીમભાઈ ગોડાઉનને લોક કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે ગોડાઉન ખોલી જોતાં એમ્પ્લિફાયર, સાઉન્ડ લિમિટર, ખંજરી, ઈલેક્ટ્રિક વાયર સહિત રૂા.1.39 લાખના સામાનની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ બંને ડીજેના ગોડાઉમાંથી તસ્કરો રૂા.4.81 લાખની મતાની ચોરી કરી ગયા હતા. કપુરાઈ પોલીસે બંને મામલે ગુનો નોંધીને તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી. આરોપી અક્ષય પોતાનું ડીજે શરૂ કરવું હતું. તે અગાઉ ડીજે ક્ષેત્રે નોકરી પણ કરતો હતો. જેથી તે ડીજે ખરીદવા માટે અલગ-અલગ ગોડાઉને ફર્યો હતો અને ક્વોટેશન કઢાવ્યાં હતાં. ત્યારબાદ સામાન જોઈને ચોરી કરવાનું આયોજન કર્યું હતું. યુવકે ચોરી માટે મામાના દીકરા દેવાંગની પણ મદદ લીધી હતી. વિવિધ સામાનની ચોરી કરીને તેણે ધીમે-ધીમે આખી સિસ્ટમ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. એક મહિનામાં એક ગોડાઉનમાં ચોરી કરી બીજા મહિને અન્ય ગોડાઉનમાં ચોરી કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી. જાડેજા, પીઆઇ એચ.ડી. તુવરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એન. બારૈયાની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ માહિતીના આધારે કપુરાઈ ચોકડી નજીક શંકાસ્પદ બ્રેઝા કારને રોકી હતી. કારની તપાસ દરમિયાન તેમાં બેઠેલા અક્ષય ગોપાલભાઈ રાઠવા અને દેવાંગકુમાર ગોપાલભાઈ રાઠવા (રહે. નિશાળ ફળીયા, ચાચક ગામ, તા. બોડેલી, જી. છોટા ઉદેપુર) પાસેથી કારની પાછળની સીટ પરથી જુદી જુદી કંપનીના એમ્પ્લિફાયર, ખંજરી અને સાઉન્ડ લિમિટર મળી આવ્યા હતા. માલ સંબંધિત બિલ-પેપર્સ અંગે પૂછપરછ કરતાં આરોપીઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. સઘન પૂછપરછ દરમિયાન આરોપી અક્ષય રાઠવાએ કબૂલાત કરી હતી કે, અંદાજે દોઢ મહિના પહેલા ધનિયાવી રોડ પર આવેલા એક ગોડાઉનમાંથી ડી.જે. સિસ્ટમના સામાનની ચોરી કરી હતી તેમજ સાત દિવસ પહેલા ધનિયાવી રોડ પર આવેલ ‘વી.સી. ઓડિયો’ નામના ગોડાઉનમાંથી પણ ડી.જે. સિસ્ટમની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ ડી.જે. સિસ્ટમનો માલ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી મારૂતિ બ્રેઝા કાર સહિત કુલ રૂ. 10,11,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 9 એમ્પ્લિફાયર, 8 ખંજરી, 1 સાઉન્ડ લિમિટર (રૂ. અને એક કારનો સમાવેશ થાય છે. આરોપી અક્ષય ગોપાલભાઈ રાઠવા સામે અગાઉ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, કરાલી અને છોટાઉદેપુર પોલીસ મથકોમાં પ્રોહીબિશના 3 ગુના નોંધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:09 pm

'અફવા ફેલાવનાર અરાજકતા ફેલાવે છે'ના વડોદરામાં બોર્ડ લાગ્યા:માંજલપુરના MLA યોગેશ પટેલે બેનર લગાવડાવ્યા, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી

છેલ્લા બે દિવસથી પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાવાના કારણે પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે પોતાના વિસ્તારમાં બેનરો લગાવ્યા છે આ ઉપરાંત તેઓએ સોશિયલ મીડિયામાં પણ મેસેજ ફરતો કર્યો છે કે જો અફવા ફેલાવે છે તેઓથી સાવધાન રહો. લોકોને અફવાથી દૂર રહેવા અપીલમાંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પોતાના વિસ્તારમાં મોટા મોટા હોર્ડિંગ લગાવડાવ્યા છે, જેમાં હિન્દીમાં લખવામાં આવ્યું છે કે અફવા ફેલાને વાલેહી અડાજકતા ફેલાતે હૈ. છેલ્લા બે દિવસથી પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ મોડી રાત સુધી લાંબી કતાર લગાવી હતી. જેના કારણે કેટલાક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો પણ ખૂટી ગયો હતો, ત્યારે આવી અફવાઓથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. અફવાથી વડોદરામાં હજુ પણ કેટલાક પંપ ઉપર લાઇનોવડોદરા શહેરમાં આજે સવારથી કેટલાક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ લાઈનો લગાવી હતી જોકે વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે જેથી પેનિક કરવાની કોઈ જરૂર નથી. તેમ છતાં લોકોએ પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવી દીધી હતી. સોશિયલ મીડિયામાં પણ સંદેશ અપાયોધારાસભ્ય યોગેશ પટેલે પોતાના સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ ઉપર પણ આ પોસ્ટ ફરતી કરી હતી તેઓએ લોકોને સંદેશ આપવાની કોશિશ કરી હતી કે પેટ્રોલ ડીઝલનો જથ્થો દેશમાં પૂરતા પ્રમાણમાં છે ત્યારે હાલમાં કોઈએ અફવાથી પ્રેરાવાની જરૂર નથી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:07 pm

ગોધરા-દાહોદ હાઈવે પર કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ:ફાયર વિભાગ પહોંચ્યું, શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા એક કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં દાહોદ હાઈવે પર પ્રભા રોડ નજીક સ્થિત આ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં રાખવામાં આવેલા વેસ્ટેજ કચરામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગોધરા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ગોધરાના વ્યસ્ત ગણાતા દાહોદ હાઈવે વિસ્તારમાં આવેલું આ બે માળનું બિલ્ડિંગ છે. આ કોમ્પ્લેક્સમાં યુકો બેન્ક અને શ્રીરામ ફાયનાન્સ જેવી પ્રતિષ્ઠિત ખાનગી કચેરીઓ કાર્યરત છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે, પરંતુ હાલ પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટ તરફ ઈશારો કરી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:02 pm

જામનગરમાં યુવાનો પર ફાયરિંગ-હુમલો: 6 આરોપી ઝડપાયા:દેશી કટ્ટા, જીવતા કાર્ટીસ, કાર સહિત 18 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર નજીક યુવાનો પર ફાયરિંગ અને હુમલાના ચકચારી કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી દેશી બનાવટના હથિયારો, જીવતા કાર્ટીસ, લોખંડના પાઇપ અને મોટરકાર સહિત કુલ રૂ. 18.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, આ હુમલો જૂની અદાવતનો ખાર રાખીને કરવામાં આવ્યો હતો. નવ જેટલા શખ્સોએ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ભોગ બનનાર યુવાનો પોતાની થાર કારમાં જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમની કારને ઠોકર મારી રોડ પરથી નીચે ઉતારી દીધી હતી. કાર રોડ પરથી ઉતરી ગયા બાદ આરોપીઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને લોખંડના પાઈપ જેવા હથિયારો વડે યુવાનો પર હુમલો કર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર બનાવને પગલે મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના સુપરવિઝન હેઠળ LCB, SOG અને સિક્કા પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી હતી. જિલ્લાભરમાં નાકાબંધી કરીને ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી છ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મોહસીન ઉર્ફે મુસો મહેબુબ રૂમી, હમીદ ઉર્ફે રાંઝો જાનમહમદ બ્લોચ, તબરેઝ રફીક હાલાણી, નુરમામદ ખલીલ સીદીકી, તોહીદખાન ઉર્ફે પપ્પુ ફિરોઝખાન શેખ અને વિજય ઉર્ફે ગોનો ઘેલા સીંગરખીયાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા બે દેશી બનાવટના કટ્ટા (તમંચા), ત્રણ જીવતા કાર્ટીસ, ચાર લોખંડના પાઈપ, એક લોખંડનો કોઈતો, છરી અને હથોડી જપ્ત કર્યા છે. આ ઉપરાંત, રૂ. 15 લાખની કિંમતની થાર મોટરકાર (GJ-10-EC-0786) અને રૂ. 3 લાખની અન્ય એક મોટરકાર સહિત કુલ રૂ. 18,10,440નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કેસમાં હજુ પણ અલ્તાફ ગફાર ખફી, અનવર ગફાર ખફી, મુખ્યાત ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી સહિત અન્ય છ આરોપીઓ ફરાર છે. તેમને પકડવા માટે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:02 pm

સુરેન્દ્રનગરમાં AAA ગ્રુપે ઠંડા પાણીની પરબ શરૂ કરી:121 દિવસ સુધી ચાલશે સેવા, જીવદયા અંતર્ગત 300 કુંડાનું વિતરણ

સુરેન્દ્રનગરમાં 'અજરામર એક્ટિવ અસોર્ટ (AAA)' ગ્રુપ દ્વારા ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને 'ઠંડા પાણીની પરબ' સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા 121 દિવસ સુધી અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સેવા દ્વારા શહેરના જરૂરિયાતમંદ વિસ્તારો અને રાહદારીઓને ઠંડું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. દરરોજ અંદાજે 90 થી 100 ઠંડા પાણીના જગ દ્વારા હજારો લોકોને તરસથી રાહત આપવામાં આવી રહી છે. સંસ્થા 'જળ સેવા એજ પ્રભુ સેવા' અને 'Give a little help a lot' ના સૂત્ર સાથે કાર્ય કરી રહી છે. આ ઉપરાંત, સંસ્થા દ્વારા માનવતાના કાર્યરૂપે આશરે 1500 લોકોને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી. જીવદયા અંતર્ગત લગભગ 300 કુંડા (પક્ષીઓ માટે પાણીના પાત્રો)નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને સેવાભાવી કાર્યકરોનો સંસ્થાના હોદ્દેદારો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રકારની નિઃસ્વાર્થ કામગીરીથી સુરેન્દ્રનગરમાં માનવતાની સુવાસ ફેલાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:59 pm

મુખ્યમંત્રીએ રજૂ કર્યું UCC બિલ:સરકારની ખાતરી પછી પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય, ઉમેદવારોની યાદી જાહેર થતા જ આપમાં ભડકો

મુખ્યમંત્રીએ રજૂ કર્યું UCC બિલ ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવામાં આવ્યુ. મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતાં જ ભાજપના ધારાસભ્યોએ જય શ્રી રામના નારા લગાવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદમાં UCC રજૂ થાય તે પહેલાં વિરોધ જો કે યુસીસી બિલ રજૂ થાય તે પહેલાં લાલ દરવાજા ખાતે મુસ્લિમ સમાજે વિરોધ કર્યો.વિરોધકર્તાઓએ કહ્યું કે યુસીસી સંવિધાન મુજબ નથી. .તો મહિલાઓએ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કર્યાનો આક્ષેપ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરકારના આશ્વાસન બાદ આજે સ્થિતિ સામાન્ય પેટ્રોલની તંગીની અફવા બાદ સર્જાયેલી અફરાતફરીની સ્થિતિ આજે કંઈક અંશે સામાન્ય જોવા મળી. ગઈકાલે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. જોકે સરકારના આશ્વાસન બાદ આજે સ્થિતિ નોર્મલ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરતાં આપમાં ભડકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને AAPએ 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું..લિસ્ટ જાહેર થયા બાદ વડોદરામાં ધડાધડ રાજીનામા પડ્યા. શહેર પ્રમુખે પણ રાજીનામું આપી દીધું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામ મુદ્દે હોબાળો રાજકોટમાં પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું.કહ્યું નાના દુકાનદારોના ઓટલા તો સિંઘમ બની તોડો છો હિંમત હોય તો મેયરનું બાંધકામ તોડી બતાવો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉઘરાણીથી કંટાળી મા-દીકરાએ આપઘાતનો પ્રયાસ કર્યો સુરતમાં 32 વર્ષીય વેપારીએ ઉઘરાણીથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો. દીકરાની સ્થિતિ જોઈ માતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો. બંને હાલ સારવાર હેઠળ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખજોદ ડમ્પિંગ સાઈટમાં ફરી આગ લાગી દ.ગુજરાતની સૌથી મોટી ગણાતી ખજોદ ડમ્પિંગ સાઈટમાં આગ લાગી. .52 દિવસમાં આ સાઈટ પર આગની બીજી ઘટના છે. અગાઉ લાગેલી આગ 4 દિવસે કાબૂમાં આવી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેન્ટેનન્સ મુદ્દે યુવક પર હથોડાથી હુમલો સુરતમાં સોસાયટીના મેન્ટેનન્સ મુદ્દે ડોક્ટર સહિત ત્રણ શખ્સોએ યુવક પર હથોડાથી હુમલો કર્યો..પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક ફરાર છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઘરની બહાર સુતા યુવકની કરપીણ હત્યા અમદાવાદના વાસણામાં ઘરની બહાર સુતેલા યુવકની હત્યા કરી દેવાઈ... બહેનની નજર સામે જ અજાણ્યા શખ્સે ભાઈની હત્યા કરી નાખી..પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉદ્યોગોને ટકાવી રાખવા ગુગલ ફોર્મથી મંતવ્યો મગાવાયા સુરતમાં શ્રમિકોના પલાયનને રોકવા અને ઉદ્યોગોને ટકાવી રાખવા માટે ગુગલ ફોર્મ દ્વારા મંતવ્યો મગાવવામાં આવ્યા.. કારખાના એક પાળીમાં ચલાવવા કે અઠવાડિયે 2 રજા રાખવી તેને લઈને ચર્ચા ચાલી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:55 pm

અમદાવાદ સિવિલની અંગદાનમાં 1000ની ઐતિહાસિક સદી:પાંચ વર્ષમાં 745 થી વધુ દર્દીઓને નવજીવન આપી ગુજરાત દેશમાં મોખરે રહ્યું

અમદાવાદની સિવિલ હોસ્પિટલે અંગદાનના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ અને માનવીય સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે. 27 ડિસેમ્બર 2020 થી શરૂ થયેલા આ સેવા યજ્ઞએ માત્ર 5 વર્ષ અને 87 દિવસના ટૂંકા ગાળામાં 1000 અંગો અને પેશીઓના દાનનો આંકડો પાર કરીને દેશભરમાં એક નવી રાહ ચીંધી છે. 1000મો આંકડો અને રમેશભાઈનું અમર દાનઆ ઐતિહાસિક સિદ્ધિ સંખેડાના 60 વર્ષીય રમેશભાઈ બાબુભાઈ તડવીના અંગદાનથી પ્રાપ્ત થઈ છે. અકસ્માત બાદ બ્રેઇન ડેડ જાહેર કરાયેલા રમેશભાઈના પત્ની નાથીબેન અને પરિવારે અત્યંત દુઃખની ઘડીમાં પણ મક્કમતા દાખવી અંગદાનનો નિર્ણય લીધો હતો. તેમના દ્વારા મળેલા 1 લીવર, 2 કિડની અને 2 આંખોએ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનની નવી આશા જન્માવી છે. જીવનથી જીવન સુધીની પવિત્ર સફરતબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, આ સફળતા પાછળ ટીમવર્ક અને પારદર્શકતા રહેલી છે. અત્યાર સુધીમાં કુલ 1000 દાનમાં 767 અંગો અને 233 પેશીઓનો સમાવેશ થાય છે, જેનાથી 745 થી વધુ લોકોને નવું જીવન મળ્યું છે. હોસ્પિટલની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ NOTTO અને ROTTO દ્વારા તેને બેસ્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર સહિતના અનેક રાષ્ટ્રીય એવોર્ડ્સથી નવાજવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ આ ભગીરથ કાર્યમાં જોડાયેલા પરિવારો અને તબીબોનું સન્માન કરવામાં આવ્યું છે. આંકડાકીય વિગત અને વિશેષ રેકોર્ડછેલ્લા પાંચ વર્ષમાં 232 બ્રેઇન ડેડ અને 86 મૃતદાતાઓએ આ સેવામાં યોગદાન આપ્યું છે. મળેલા અંગોમાં 427 કિડની, 206 લીવર, 192 આંખો, 73 હૃદય, 41 સ્કીન, 34 ફેફસાં, 19 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 આંતરડાનો સમાવેશ થાય છે. વિશેષ વાત એ છે કે, સિવિલ હોસ્પિટલે ગુજરાતનું પ્રથમ હાથનું અને પ્રથમ નાના આંતરડાનું દાન મેળવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. અંગદાતાઓમાં 41 થી 60 વર્ષની વયના 90 લોકો અને 13 થી 25 વર્ષના 44 યુવાનો સામેલ છે. દાનનો આ વ્યાપ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને નેપાળ જેવા પાડોશી દેશના લોકોએ પણ અહીં અંગદાન કરીને માનવતા મહેકાવી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:52 pm

મહીસાગરમાં 'ટીબી મુક્ત ભારત અભિયાન 2.0' શરૂ:DDOએ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી

24 માર્ચ, વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે, મહીસાગર જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 - 100 દિવસીય ઝુંબેશનો પ્રારંભ થયો છે. ભારત સરકાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરૂ કરાયું છે. જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધ્ધાર્થે જિલ્લા સેવા સદનથી અર્બન હેલ્થ સેન્ટર સુધીની જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી આ 100 દિવસીય સઘન ઝુંબેશનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી પહોંચી ટીબીના કેસોનું વહેલું નિદાન અને સચોટ સારવાર પૂરી પાડવાનો છે. ટેક્નોલોજીના માધ્યમથી ટીબી નિર્મૂલનની પ્રગતિને વેગ આપી વર્ષ 2025-26 સુધીમાં ટીબી મુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવાનું આયોજન છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં આરોગ્યની ટીમો દ્વારા સઘન કામગીરી હાથ ધરાશે. જેમાં જિલ્લાના 177 હાઈ રિસ્ક ગામોમાં 100 ટકા એક્સ-રે (X-Ray) સ્ક્રીનિંગ કરવામાં આવશે. ટીબી સ્ક્રીનિંગ માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સક્ષમ હેન્ડહેલ્ડ એક્સ-રે મશીનોનો મહત્તમ ઉપયોગ કરાશે જેથી ત્વરિત નિદાન શક્ય બને. મોબાઈલ મેડિકલ યુનિટ્સને 'નિક્ષય વાહન' તરીકે ઉપયોગમાં લઈ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો સુધી તપાસની સુવિધા પહોંચાડવામાં આવશે. આ અભિયાન અંતર્ગત 'આયુષ્માન આરોગ્ય શિબિરો'નું આયોજન થશે. તેમાં બીપી, સુગર અને હિમોગ્લોબિનની તપાસ સાથે છાતીનો એક્સ-રે અને NAAT ટેસ્ટિંગ પણ કરાશે. આ ઉપરાંત, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એન.જી.ઓ., અને 'My Bharat' સ્વયંસેવકોને જોડીને જનઆંદોલન ઊભું કરવામાં આવશે. ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે 'નિક્ષય મિત્રો' દ્વારા ન્યુટ્રીશન કીટ્સ પૂરી પાડવા પણ પ્રોત્સાહિત કરાશે. આ રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, નર્સિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ટીબી હારેગા, દેશ જીતેગાના નારા સાથે સમગ્ર જિલ્લામાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:47 pm

બોટાદની કેલોરેક્સ પ્રિ સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો:નાના ભૂલકાઓએ રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા

બોટાદના પાળીયાદ રોડ, જવાહર નગર અને ગઢડા રોડ પર આવેલા લક્ષ્મી નારાયણ પાર્ક ખાતેની કેલોરેક્સ પ્રિ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ 22 માર્ચ, રવિવારના રોજ બોટાદની બ્રહ્મ સમાજ વાડી ખાતે યોજાયો હતો. આ મહોત્સવમાં પ્લે ગ્રુપ, નર્સરી, KG 1 અને KG 2 ના નાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી, જેણે ઉપસ્થિત સૌ વાલીઓ અને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મામલતદાર મનસુખભાઈ પંડ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં વાલીગણ પણ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. મહોત્સવના અંતે, આખા વર્ષ દરમિયાન શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેમજ વાર્ષિકોત્સવમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્રો અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન જોનીભાઈ દરેડવાળા અને નેહનલબેન જોનીભાઈ કુંવરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ સઘન જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:42 pm

રાજસ્થાનના ખેડૂતો માટે SPU માં કૃષિ તાલીમ સંપન્ન:ચિત્તોડગઢના 30 ખેડૂતોને આધુનિક તકનીકોનું માર્ગદર્શન મળ્યું

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) સંચાલિત એગ્રો-ઈકોનોમિક રિસર્ચ સેન્ટર (AERC) દ્વારા રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના ૩૦ ખેડૂતો માટે સાત દિવસીય વિશેષ કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સહયોગથી આ કાર્યક્રમ ૧૫ થી ૨૧ માર્ચ દરમિયાન સંપન્ન થયો. આ કાર્યક્રમનું ઉદઘાટન ICAR-DMAPR ના નિયામક ડૉ. મનીષ દાસ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આંતર-રાજ્ય તાલીમ દ્વારા ખેડૂતોને નવી ટેકનોલોજી સાથે જોડવાના મહત્વ પર ભાર મૂક્યો. આ પ્રસંગે AERC ના નિયામક પ્રો. ડૉ. શ્રીકાંત કલમકરે વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કૃષિ વિકાસ અને ખેડૂત કલ્યાણની અનિવાર્યતા સમજાવી હતી. તાલીમ દરમિયાન, ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો, ટકાઉ ખેતી, સજીવ ખેતી, વર્મીકમ્પોસ્ટિંગ અને બજારલક્ષી અભિગમો અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમબદ્ધ ખેડૂતોએ અમૂલ ડેરી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), આણંદ કૃષિ યુનિવર્સિટી અને ઔષધીય છોડ સંશોધન કેન્દ્ર-બોરિયાવી જેવી અગ્રણી સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું. ૨૧ માર્ચના રોજ આયોજિત વિદાય સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. યોગેશ સી. જોષી અને ડૉ. પી.એલ. સારન ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલ અને રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉ. હેમંત શર્મા અને ડૉ. કલ્પના કાપડિયાએ જહેમત ઉઠાવી હતી. આ પ્રકારના તાલીમ કાર્યક્રમોથી ખેડૂતોની ઉત્પાદકતા અને આવકમાં નોંધપાત્ર વધારો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:36 pm

પાટણ સ્વિમિંગ પુલ પ્રવેશ પ્રક્રિયા:10 વર્ષના બાળકો થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વેકેશન બેચ, નવા સત્ર માટે પ્રવેશ ફોર્મનું વિતરણ 2જી એપ્રિલથી

પાટણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ઉનાળુ સીઝન માટે સ્વિમિંગ પુલની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 10 વર્ષના બાળકોથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 20 એપ્રિલ, 2026 થી ખાસ બેચનું આયોજન કરાયું છે. નવા સત્ર માટે પ્રવેશ ફોર્મનું વિતરણ 2 એપ્રિલ, 2026 ના રોજ સવારે 11:00 થી 2:00 વાગ્યા દરમિયાન કરવામાં આવશે. ભરેલા ફોર્મ 7 એપ્રિલ, 2026 થી 9 એપ્રિલ, 2026 દરમિયાન સવારે 11:00 થી 1:00 અને બપોરે 3:00 થી 4:00 કલાક સુધી જમા કરાવી શકાશે. ફોર્મ ફી 50 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. મર્યાદિત સંખ્યાને કારણે 'વહેલા તે પહેલા' ના ધોરણે પ્રવેશ અપાશે, જેમાં એક વ્યક્તિને વધુમાં વધુ બે ફોર્મ મળશે. વિદ્યાર્થીઓ માટેની ખાસ બેચ 20 એપ્રિલ, 2026 થી 19 મે, 2026 સુધી ચાલશે. આ બેચમાં 10 વર્ષના બાળકો અને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. બેચનો સમય સવારે 8:00 થી 9:00 અને 9:00 થી 10:00 કલાકનો રહેશે. પ્રવેશ ફોર્મ સાથે શાળાનું ઓળખપત્ર (આઈ-કાર્ડ) અથવા છેલ્લા વર્ષની માર્કશીટની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે. વહીવટી સરળતા માટે ફોર્મ લેવા અને જમા કરાવવા માટે ભાઈઓ અને બહેનો માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:31 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડોક્ટરનો યુવકના ગળા પર હથોડાથી હુમલો, ખજોદ ડમ્પિંગ સાઈટમાં ભિષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:30 pm

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ભીડ ન કરવા કલેક્ટરની અપીલ

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે જાહેર જનતાને અફવાઓથી દૂર રહેવા અને પેટ્રોલ પંપો પર બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરી છે. વહીવટી તંત્રએ ખુલ્લા કેન કે કેરબામાં ઇંધણ ન આપવા કે મેળવવા સૂચના આપી છે. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઇંધણની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં. અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર બિનજરૂરી દોડાદોડી ટાળી શાંતિ જાળવવા તેમણે અનુરોધ કર્યો હતો. વહીવટી તંત્રએ જિલ્લાના તમામ પેટ્રોલ પંપ સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી છે કે, તેમની પાસે જથ્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી પ્રજાને સતત પેટ્રોલ-ડીઝલ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી. સુરક્ષાના કારણોસર, તમામ પેટ્રોલ પંપોને કડક તાકીદ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિને છૂટક રીતે ખુલ્લા કેન, કેરબા કે અન્ય કોઈ કન્ટેનરમાં પેટ્રોલ-ડીઝલ ન આપવું. નાગરિકોને પણ આવી રીતે ઇંધણ મેળવવા માટે પેટ્રોલ પંપ પર ન જવા કલેક્ટરે ખાસ અનુરોધ કર્યો છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ નાગરિકને પેટ્રોલ-ડીઝલ મેળવવામાં મુશ્કેલી પડે અથવા કોઈ ચોક્કસ ફરિયાદ હોય, તો તેઓ તાત્કાલિક ધોરણે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકે છે. સમગ્ર રાજ્ય અને જિલ્લામાં ઇંધણની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોવાથી જનતાએ ગભરાવાની જરૂર નથી. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે વહીવટી તંત્રને સહયોગ આપવા માટે પણ અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:28 pm

7 બાળકના પિતા મૌલવી પર કાળાજાદુ-ધર્મપરિવર્તનની કોશિષ અને દુષ્કર્મનો આક્ષેપ:કેનેડિયન નાગરિક આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજી, રૂમમાંથી વાયગ્રા ટેબલેટ અને સોલ્યુશન મળ્યું'તું

7 બાળકોના પિતા અને કેનેડાનું OCI કાર્ડ ધરાવતા મૌલવી સામે 28 વર્ષીય NGO કાર્યકર યુવતીએ દુષ્કર્મ, કાળાજાદુ અને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાના ગંભીર આક્ષેપો સાથે ભરૂચના પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધવી છે. જ્યારે તપાસ દરમિયાન, મૌલવીના રૂમમાંથી વાયગ્રા ટેબલેટ અને સોલ્યુશન મળ્યું હતું. પીડિતાનો આરોપ છે કે, મૌલવીએ શારીરિક અને માનસિક રીતે પીડિતાને પ્રતાડિત કરી હતી. આ કેસમાં મૌલવી દ્વારા હાલ હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી છે. સેશન્સ કોર્ટે જામીન અરજી નકારતાં આરોપીની હાઈકોર્ટમાં અરજી મળતી માહિતી અનુસાર, ભરૂચના પાનોલી પોલીસ મથકે 52 વર્ષીય મૌલવી અજવાદ અહેમદ સામે નવેમ્બર, 2025માં દુષ્કર્મની ફરિયાદ 28 વર્ષીય યુવતીએ નોંધાવી હતી. જેની સામે ચાર્જશીટ થયા બાદ તેને ભરૂચની સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. અરજદારનું કહેવું છે કે આ સહમતિના સંબંધો હતા. આ અંગે વધુ સુનવણી આગામી સમયમાં યોજાશે. મૌલવી અને યુવતી હોટેલ અને સ્ટાર બક્સ કોફી શોપમાં ગયા હતા28 વર્ષીય યુવતી NGO સાથે સંકળાયેલ છે. આરોપીની દલીલ મુજબ તેને અગાઉ બે વખત લગ્ન કર્યા છે અને તેને 2 બાળકો પણ છે. આરોપી અને યુવતી 8 ઓક્ટોબર, 2025ના રોજ સંપર્કમાં આવ્યા હતાં. આરોપી રોજ તેને મેસેજ કરતો હતો. તેઓ હોટેલ અને સ્ટાર બક્સ કોફી શોપમાં પણ ગયા હતાં. યુવતી અરજદારના ઘરે તેના ગામમાં મળવા ગઈ હતી. ત્યારે આરોપી ઘરમાં એકલો હતો. યુવતીને 11 હજાર રૂપિયા ગૂગલ પેથી મોકલ્યાયુવતી તેના ગામથી સુરત જવા નીકળી હતી આરોપીએ તેના ખાતામાં 11 હજાર રૂપિયા ગૂગલ પેથી મોકલી આપ્યા હતા, તેમજ ઘટના બાદ બંને વચ્ચે વાત પણ થઈ હતી. યુવતીને આરોપી મેસેજ કરતો હોવાનો વાંધો નહોતો, આ લગ્ન બાહ્યના સંબંધો હતાં. ધર્મપરિવર્તનની કોશિષનો આક્ષેપઆરોપીના કહ્યા મુજબ આ સહમતિના સંબંધો હતા. ઘટનાના ત્રણ દિવસ સુધી યુવતી ચૂપ રહી હતી, ત્યારબાદ તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના શરીર ઉપર જબરજસ્તી કર્યાના કે ઇજાના કોઈ નિશાન નથી. વળી ફરિયાદી યુવતી દ્વારા ધર્મ પરિવર્તન કરવાની વાતનો આક્ષેપ પણ ખોટો છે. આરોપી કેનેડિયન પાસપોર્ટ ધરાવે છેજ્યારે ભરૂચની સેશન્સ કોર્ટમાં આરોપીને જામીન આપવા વિરુદ્ધ સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી કેનેડિયન પાસપોર્ટ ધરાવે છે. જો તેને જામીન આપવામાં આવશે તો તે ભાગી જશે. આરોપીએ યુવતીને લગ્ન કરવા અને ધર્મ પરિવર્તન કરવા સમજાવી હતી. 'આરોપી હિંસક, વિકૃત અને કામુક સ્વભાવનો'વળી આરોપીએ બીજા લગ્ન પણ કર્યા છે, તેની બીજી પત્નીના જણાવ્યા મુજબ આરોપી હિંસક, વિકૃત અને કામુક સ્વભાવનો છે. જેથી ફરિયાદી યુવતી સાથે તેને આવું વર્તન કરેલું હોઈ શકે. વિચિત્ર ગંધનું પાણી પીવડાવી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું આરોપીએ ફરિયાદી યુવતીને તાવીજનો ફોટો આપીને તેને સાત દિવસ ઓશીકા નીચે મુકવા કહ્યું હતું. કાળાજાદુને લઈને યુવતીને એક વિચિત્ર ગંધનું પાણી પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી એક મદરેસાનો મૌલવી છે, જે કાળો જાદુ જાણે છે. જ્યારે ભોગ બનનાર એક હિન્દુ યુવતી છે, તેને જામીન મળતા આરોપી તેને હેરાન કરી શકે તેમ છે. મૌલવીના રૂમમાંથી વાયગ્રાની ટેબલેટ મળી આવીઆરોપી યુક્તિને વારંવાર બોલાવતો અને તેને વિચિત્ર સુગંધનું પાણી પીવડાવતો. જેથી કરીને યુવતી અર્ધ બેભાન અવસ્થામાં આવી જતી ત્યારે આરોપી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો. તપાસ દરમિયાન આરોપીના રૂમમાંથી વાયગ્રાની ટેબલેટ અને જેલી જેવું સોલ્યુશન પણ મળી આવેલ છે. 7 બાળકોના પિતા આરોપી મૌલવીની હાઈકોર્ટમાં જામીન અરજીઆરોપી સામે અગાઉ સુરતના મહિલા પોલીસ મથકે ઘરેલુ હિંસાની ફરિયાદ પણ વર્ષ 2022માં નોંધાયેલી છે. આરોપી OCI કાર્ડ ધરાવે છે અને તેનું કુટુંબ કેનેડામાં રહે છે, વળી તે સાત બાળકોનો પિતા પણ છે. આરોપીએ પહેલાં સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જે નકારી હતી. ત્યારબાદ આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:25 pm

મહીસાગરમાં ગુજકેટ પરીક્ષા માટે જાહેરનામું બહાર પડાયું:અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગેરરીતિ રોકવા કડક નિયંત્રણો

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે 29 માર્ચ, 2025ના રોજ યોજાનારી ગુજકેટ જાહેર પરીક્ષાને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.વી. લટા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાતી આ પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો આદેશ છે. જાહેરનામા મુજબ, 29 માર્ચ, 2025ના રોજ સવારે 8:00 વાગ્યાથી સાંજે 18:00 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસના વિસ્તારમાં કડક નિયંત્રણો લાગુ રહેશે. પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ અને ફરજ પરના અધિકૃત સ્ટાફ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને પરીક્ષા કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી નથી. કાયદેસરની ફરજ બજાવવામાં અવરોધ ઉભો કરવો કે પરીક્ષાર્થીઓને નકલ કરવા માટે પ્રેરિત કરવા અથવા મદદરૂપ થવું સખત રીતે પ્રતિબંધિત છે. પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લૂટૂથ, ઈયરફોન, લેપટોપ, કેલ્ક્યુલેટર સહિતના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ વર્જિત છે. આ ઉપરાંત, પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે અન્ય કોઈ પણ પરીક્ષા સંબંધિત સાહિત્ય સાથે લઈ જવું ગેરકાયદેસર ગણાશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ઝેરોક્ષ સેન્ટરો, ફેક્સ મશીન અને કોપીઅર મશીન સંચાલકોને પણ પરીક્ષા સમયગાળા દરમિયાન સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી પોતાની સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવા સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ માઈક, લાઉડસ્પીકર કે ડી.જે. વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મહીસાગર જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને આ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:22 pm

ભરૂચના ઓસારા ગામે મહાકાળી મંદિરે ભીડ:ચૈત્ર નવરાત્રિ નિમિત્તે દર્શન માટે લાંબી કતારો લાગી; 26 માર્ચે આઠમના હવન

ભરૂચ જિલ્લાના ઓસારા ગામ સ્થિત વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે મંગળવારે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. માતાજીના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. મંદિર પરિસર અને આસપાસના રસ્તાઓ પર વાહનોની પણ ભારે ભીડ રહી હતી. આ સુપ્રસિદ્ધ મંદિર દક્ષિણ ગુજરાતમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે અને તે માત્ર મંગળવારે જ દર્શન માટે ખુલ્લું રહે છે. ચૈત્ર નવરાત્રિના શક્તિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. વધુમાં, 26 માર્ચે નવરાત્રિના આઠમના દિવસે મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ હવનમાં હજારો ભક્તો હાજરી આપશે અને માતાજીની કૃપા મેળવવા માટે શ્રીફળ હોમી પ્રાર્થના કરશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:11 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:લાલ દરવાજા વિસ્તારમાં UCC બિલનો વિરોધ, વાસણામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળ્યું

દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:10 pm

અમરેલીમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:જિલ્લા તંત્રની બીજી વખત સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા અપીલ

રાજ્યના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પુરવઠા અધિકારીએ ફરી એકવાર સ્પષ્ટતા કરી છે. તંત્રએ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી કુંભાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના તમામ 150 પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે નાગરિકોને ખોટી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી હતી. વધુમાં, પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી. આ ઉપરાંત, જિલ્લામાં એલ.પી.જી.ની કુલ 26 એજન્સીઓમાં પણ ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાનું તંત્રએ સ્પષ્ટ કર્યું હતું. રાંધણ ગેસ બોટલના બુકિંગ અંગે, શહેરી વિસ્તારમાં 25 દિવસ બાદ અને ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસ બાદ બુકિંગ થઈ શકશે. જિલ્લા પુરવઠા અધિકારીએ પાઈપ્ડ નેચરલ ગેસ (પી.એન.જી.) કનેક્શન મેળવવા માટે લોકો સ્વયં જાગૃત બને અને નોંધણી કરાવે તે માટે જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:09 pm

સરદાર પટેલ યુનિવર્સિટીમાં 15 દિવસીય કોર્સ સંપન્ન:વ્યક્તિત્વ વિકાસ અને સંવાદ કૌશલ્ય પર વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ

વલ્લભ વિદ્યાનગર, સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ ખાતે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ઇફેકટીવ કમ્યુનિકેશન સ્કિલ્સ વિષય પરનો ૧૫ દિવસીય સર્ટિફિકેટ કોર્સ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ કોર્સમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના ૨૫થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોર્સના ઉદ્ઘાટન પ્રસંગે કુલપતિ પ્રો. નિરંજન પટેલે અધ્યક્ષસ્થાનેથી વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં શૈક્ષણિક જ્ઞાનની સાથે પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સંવાદની કળા કેળવવી અત્યંત અનિવાર્ય છે. આ પ્રસંગે જી.એસ.એફ.સી. યુનિવર્સિટીના ડૉ. સ્નેહા બજાજ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષ ડૉ. નમ્રિતા કોલા અને વિમેન્સ સ્ટડીઝ સેન્ટરના માનદ નિયામક ડૉ. વિરાજ રોઘેલિયા પણ હાજર રહ્યા હતા.૧૫ દિવસ સુધી ચાલેલા આ સઘન કોર્સમાં દરરોજ ૨ કલાકના વ્યાખ્યાનો યોજાયા હતા. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન ડૉ. નમ્રિતા કોલા, ડૉ. કોમલ મિસ્ત્રી, ડૉ. અલ્કા મેકવાન, ડૉ. પારુલ પોપટ, ડૉ. કિંજલ અહીર અને ડૉ. વિરાજ રોઘેલિયા સહિત વિવિધ વિષય નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ અને વ્યક્તિગત જીવનમાં ઉપયોગી થાય તેવી સ્કિલ્સનું માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, ડૉ. ભૂમિકા બારોટ, ડૉ. નીપા ભરૂચા, ડૉ. કોમલ પટેલ, ડૉ. સુનિલ શાહ, ડૉ. શિલ્પા તલાટી, ડૉ. મેઘના જોશી અને ડૉ. પૌલોમી દલાલ જેવા નિષ્ણાતોના વ્યાખ્યાનો દ્વારા વિદ્યાર્થીઓને કમ્યુનિકેશનના વિવિધ પાસાઓથી અવગત કરાયા હતા. કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. નમ્રિતા કોલા અને ડૉ. વિરાજ રોઘેલિયાના સંયુક્ત પ્રયાસોથી આ સમગ્ર શૈક્ષણિક પ્રવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને વેગ આપવાનો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:55 pm

અમદાવાદમાં રામોત્સવ કાર્યક્રમનું આયોજન:સામાજિક સમરસતા જેવા વિષયો પર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું

જિલ્લા કર્ણાવતી ભાગવત વિભાગ અને ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા રામોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માતૃશક્તિ દ્વારા સત્સંગ સ્વરૂપે યોજાયો હતો. આ સત્સંગમાં ઉત્તર ગુજરાત પ્રાંત સહસંયોજિકા ચંદ્રિકાબેનનું વક્તવ્ય રહ્યું હતું. તેમની સાથે ભાગવત વિભાગના માતૃશક્તિના સંયોજિકા રંજનબેન, નારણપુરા જિલ્લા માતૃશક્તિ સંયોજિકા હેતલબેન પરી, નારણપુરા જિલ્લા સહસંયોજિકા જ્યોતિબેન, નીતાબેન, નેહાબેન અને અન્ય બહેનો પણ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન રામના ભજન, હનુમાન ચાલીસા અને કૃષ્ણના ભજન ગાવામાં આવ્યા હતા. બહેનો દ્વારા આધ્યાત્મિક વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું. વક્તવ્યમાં કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતા જેવા વિષયો પર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું કુમકુમ તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:40 pm

સુરતમાં 32 વર્ષના યુવકનો ઝેર પી આપઘાતનો પ્રયાસ:પુત્રની હાલત જોઈ માતાએ દવા ગટગટાવી, બે પેજની સુસાઈડ નોટ લખી; વેપારીએ 3 કરોડ ન ચૂકવતા તેની સામે પગલું ભર્યું

ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતમાં વ્યાપારિક ઉઘરાણીના મામલે વધુ એક વેપારી પરિવાર બરબાદીના આરે આવી ગયો છે. અશ્વિનીકુમાર રોડ પર હોટ ફિક્સ મશીનનું કામ કરતા 32 વર્ષીય યુવાને અન્ય વેપારી પાસે લેવાના નીકળતા 3 કરોડથી વધુની રકમ ન મળતા અને સામેથી પોલીસ કેસની ધમકી મળતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. કરુણતા તો એ છે કે, દીકરાને હોસ્પિટલમાં મરણ પથારીએ જોઈ માતાએ પણ ઝેર ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ છે. શું છે સમગ્ર મામલો?શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા મોદી મહોલ્લામાં ગોડાઉન ધરાવતા 32 વર્ષીય યુવાન વેપારી હોટ ફિક્સ મશીનનું જોબવર્ક કરતા હતા. તેમણે એક કાપડ વેપારીને ત્યાં મોટું કામ કર્યું હતું, જેના પેટે કુલ 3 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી. લાંબા સમયની ઉઘરાણી બાદ સામા પક્ષે માત્ર 71 લાખ જ ચૂકવ્યા હતા. બાકીના અઢી કરોડથી વધુ રૂપિયા માટે યુવાન જ્યારે પણ ઉઘરાણી કરતો, ત્યારે તેને વાયદાઓ આપવામાં આવતા હતા. પોલીસ મથકે સમાધાનને બદલે ધમકી આપીગઈકાલે કાપડ વેપારીએ ભોગ બનનાર યુવાનને પોલીસ મથકે બોલાવ્યો હતો. યુવાનને આશા હતી કે અહીં તેના નાણાંનો નિકાલ આવશે, પરંતુ તેના બદલે કાપડ વેપારીએ ઉદ્ધત વર્તન કરી 'તારા પર કેસ કરી દઈશ અને જેલમાં મોકલી દઈશ' તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ માનસિક ત્રાસ સહન ન થતા યુવાને ત્યાં જ ઝેરી દવા પી લીધી હતી. પુત્રને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા જોઈ પોતને પણ ઝેર પીધુંયુવાનની તબિયત લથડતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોતાના એકના એક જુવાનજોધ દીકરાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો જોઈ માતા ભાંગી પડી હતી. તેમણે પણ ઝેરી દવા પી લેતા તબીબોમાં દોડધામ મચી ગઈ હતી. હાલ માતા અને પુત્ર બંનેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઆ ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક વિગતો નોંધીને જે કાપડ વેપારીએ નાણાં ઓળવી લીધા છે તેની વિગતો એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. વેપારીના પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ચેકમાં ખોટી એમાઉન્ટ નાખીને બધી ભરી દીધીદવા ગટગટાવી લેનાર વેપારીએ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, પેલા વેપારીએ મારી જોડે ફ્રોડ કર્યું. મારી પાસેથી ચેક લીધા હતા. ચેકમાં ખોટી એમાઉન્ટ નાખીને બધી ભરી દીધી. મારે એને 5 લાખ રૂપિયા દેવાના હતા. એની જગ્યાએ બધામાં અલગ અલગ રકમ લખીને એણે ચેક ડિપોઝિટ કર્યા. વેપારીએ દાબ-ધમકીથી બધા ભાવ ભરાવી લીધા અને મને જે ભાવ ભરવાનો હતો એ આપ્યો નહીં. બધા ચલણ ઓરિજનલ, ઝેરોક્સ બધું એની પાસે રાખ્યુંઅત્યારે મારે એની પાસેથી 3 કરોડ રૂપિયા લેવાના છે. એણે મને 71 લાખ રૂપિયા આપ્યા. પછી મને હિસાબ જ નથી કરાવ્યો, મારા ચલણ પણ નથી આપતા. બધા ચલણ ઓરિજનલ, ઝેરોક્સ બધું એની પાસે રાખ્યું છે. મને કંઈ વસ્તુ આપતા જ નથી. હું જાઉં છું તો કહે છે બધો હિસાબ પૂરો થઈ ગયો. વેપારી સિવાય બીજા કોઈનું પ્રેશર નહોતું મને. અન્ય ખાતાવાળા તો મારી જોડે બધા સપોર્ટમાં ઉભા છે. એ બધા તો કહેતા હતા કે અમે આવીએ બધા, વેપારીમાં આવીએ બધા તમારી જોડે. ત્રાસ આપનાર વેપારીનું આશિષભાઈ શાહ છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:37 pm

વાપી મનપા ચૂંટણી:1.13 લાખથી વધુ મતદારો આખરી મતદાર યાદી જાહેર, 13 વોર્ડમાં 122 બૂથ

વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ વાપીમાં કુલ 1,13,095 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જાહેર કરાયેલી યાદી મુજબ, 60,492 પુરુષ મતદારો, 52,600 મહિલા મતદારો અને 3 અન્ય મતદારો નોંધાયા છે. આ આંકડા દર્શાવે છે કે પુરુષ મતદારોનું વર્ચસ્વ છે. મનપાના ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકીના જણાવ્યા અનુસાર, વિધાનસભાની યાદી મુજબ જ વોર્ડવાર વિભાજન કરવામાં આવ્યું છે. નવા સીમાંકન બાદ વાપીમાં ભળેલા 11 ગામોના 43,000 જેટલા નવા મતદારો આ વખતે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. જૂના વાપી નગરપાલિકા વિસ્તારના 70,000 મતદારોનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા માટે તંત્ર દ્વારા કુલ 122 મતદાન મથકોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વોર્ડ નંબર 2 માં સૌથી વધુ 12,707 મતદારો નોંધાયા છે, જ્યારે વોર્ડ નંબર 11 માં સૌથી ઓછા 5,475 મતદારો છે. વોર્ડ નંબર 5 માં 11,375 મતદારો છે. આ મતદાર યાદીના આધારે આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા વધુ વેગ પકડશે અને લોકશાહીના આ પર્વ માટેની તૈયારીઓ આગળ વધશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:34 pm

છઠિયારડા શાળામાં તિથિ ભોજનનું આયોજન:નવીન શિક્ષિકા ભાવનાબેન પટેલ ભોજન દાતા બન્યા

મહેસાણા તાલુકાની છઠિયારડા પ્રાથમિક કુમાર શાળામાં નવીન નિમણૂક પામેલા શિક્ષિકા ભાવનાબેન અંબાલાલ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ ભોજનનો આનંદપૂર્વક લાભ લીધો હતો. શાળાની સવારની પ્રાર્થના સભામાં આચાર્ય જયપ્રકાશ સથવારાએ તિથિ ભોજનના દાતા શિક્ષિકા ભાવનાબેન પટેલનું સન્માન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને અન્નદાન એ મહાદાનનું મહત્વ સમજાવ્યું અને ભાવનાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ભાવનાબેન પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:33 pm

ઋતુ ચાવડાને પીએચ.ડી.ની પદવી એનાયત:નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી કોમર્સ વિષયમાં સંશોધન પૂર્ણ કર્યું

ડૉ. સુભાષ મહિલા કોલેજના વિદ્યાર્થિની ઋતુ બલરામભાઈ ચાવડાને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા કોમર્સ વિષયમાં પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે ‘એનેલાયઝિંગ ધ ઈમ્પેક્ટ ઓફ ડિવિડન્ડ ઓન માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વીટી શેર્સ ઓફ સિલેક્ટેડ આઈ.ટી. સોફ્ટવેર બેઝ કંપની ઇન ઇન્ડિયા’ વિષય પર પોતાનો શોધનિબંધ રજૂ કર્યો હતો. આ શોધનિબંધ ડૉ. પિયુષ મર્થકના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીએ આ સંશોધનને માન્ય રાખી ઋતુ ચાવડાને પીએચ.ડી.ની પદવી પ્રદાન કરી છે. ઋતુ ચાવડાએ તેમની શૈક્ષણિક કારકિર્દીમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેમણે બી.કોમ.માં ડૉ. સુભાષ કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને એમ.કોમ.માં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત, તેમણે ગુજરાત એલિજીબીલીટી ટેસ્ટ (GSET-૨૦૨૫) પણ પાસ કરી હતી. પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરીને ઋતુ ચાવડાએ ડૉ. સુભાષ મહિલા કોલેજ અને આહીર જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવસિંહ ડોડીયા, સંસ્થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, મીતાબહેન ચાવડા અને ડૉ. સુભાષ પરિવાર દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:31 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજી તાલીમ કાર્યક્રમ પૂર્ણ:GSBTM ના સહયોગથી 100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

સિલ્વર ઓક યુનિવર્સિટીના SOIS બાયોટેકનોલોજી વિભાગે ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન (GSBTM) ના સહયોગથી 'એમ્પાવરિંગ ધ નેક્સ્ટ જનરેશન બાયોટેકનોલોજીસ્ટ્સ' નામનો ૧૫ દિવસનો પ્રાદેશિક તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ કાર્યક્રમમાં બાયોટેકનોલોજી અને માઇક્રોબાયોલોજી સ્ટ્રીમ્સના 100થી વધુ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન, ગુજરાત અને અન્ય રાજ્યોની પ્રતિષ્ઠિત સંસ્થાઓના કુલ 55 નિષ્ણાત વક્તાઓએ સત્રો લીધા હતા. આ સત્રો IIT JAM, CUET અને GATB જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી વ્યૂહરચના પર કેન્દ્રિત હતા, જે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદરૂપ થયા. બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સંચાલિત આ 15દિવસીય તાલીમમાં વ્યવહારુ શિક્ષણ, વૈચારિક સ્પષ્ટતા અને વ્યૂહાત્મક પરીક્ષાની તૈયારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સહભાગીઓ તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. કાર્યક્રમનું સમાપન એક વિશેષ સત્ર સાથે થયું, જેમાં 9 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:29 pm

સરકારના આશ્વાસન બાદ પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય:ગઇકાલે અફવા આફત બનતા લોકો જે હાથમાં આવ્યું એ લઇ દોડ્યા; કુકર, બરણી, કેન, ડોલ, કેરબા, ડોલચામાં પેટ્રોલ ભેગું કર્યું

ગઇકાલે(23 માર્ચ) રાજ્યમાં એક અફવા ઉડી કે પેટ્રોલ પંપ બંધ થઈ જશે, બસ પછી શું?. ગાંડરિયા પ્રવાહની જેમ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોના થપ્પેથપ્પા થવા લાગ્યા. કુકર,બરણી, દૂધનું કેન, ડોલ, બેરલ, કેરબા, ડોલચુ લોકોના હાથમાં જે આવ્યું એ લઈ દોડ્યા અને સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપ પર પેનિકની સ્થિતિ સર્જાઈ. સ્થિતિ તો એવી સર્જાઈ કે નોટબંધી અને કોરોનાની યાદો તાજી થઈ ગઈ. અફરાતફરી સર્જાતા રાજ્ય સરકાર પણ એક્ટિવ થઈ અને લોકોને આશ્વાસન આપ્યું કે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે પણ સરકારના આશ્વાસન બાદ પણ લોકોએ ગાંડપણ ચાલું રાખ્યું અને પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લગાવી. ગઇકાલ બાદ આજે રાજ્યમાં પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. ગઇકાલની સ્થિતિએ પેટ્રોલ પંપ પર કોઈ પણ પ્રકારની ભીડ કે અવ્યવસ્થા જોવા મળતી નથી અને સ્થિતિ કાબૂમાં છે અને લોકોને ખપ પૂરતુ પેટ્રોલ પણ મળી રહ્યું છે. ગઇકાલે ગુજરાતના શહેરો તો ઠીક પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોએ માઝા મૂકી હતી. જબરદસ્ત પેનિકની સ્થિતિ વચ્ચે દિવ્ય ભાસ્કર પણ એક જવાબદાર મીડિયા તરીકે લોકોને અપીલ કરી રહ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે, તેથી નાગરિકોએ બિનજરૂરી પેટ્રોલ પંપ પર લાઇનો લગાવી જોઇએ નહીં અને વાહનોમાં ખપ પૂરતુ જ પેટ્રોલ પુરાવવું જોઇએ. ગઇકાલે પેટ્રોલ પંપ પર સર્જાયેલી પેનિકની સ્થિતિની કેટલી તસવીરો

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:29 pm

ગુજરાતી દિગંબર જૈન મહાસંઘની લાઇબ્રેરી-ઓફિસનું ઉદ્ઘાટન:દાતા રમેશભાઈ-મહેશભાઈ શાહ પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ

અમદાવાદના સોલા રોડ ખાતે ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘ, ઉત્તર ગુજરાત ઝોનની રીડિંગ રૂમ-કમ-લાઇબ્રેરી અને ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ દાતા રમેશભાઈ અને મહેશભાઈ મણિલાલ શાહ છાલાવાળા પરિવાર દ્વારા 15 માર્ચ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાસંઘના અધ્યક્ષ રમેશભાઈ જી. શાહ, સુરત મહાસંઘના ચાન્સેલર રાજેશભાઈ દોશી, સંસ્થાપક અને ભૂતપૂર્વ ચાન્સેલર તેમજ સહયોગી દાતા અશોકભાઈ સોમચંદ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં કટારિયા ઓટોમોબાઈલ્સના રાજેન્દ્રજી કટારિયા, નરેશભાઈ જૈન, યુનિવર્સલ હોન્ડાના કૌશિકભાઈ શાહ અને નિખિલભાઈ મહેતા, કોર કમિટી અધ્યક્ષ ડો. સુબોધભાઈ શાહ, વાપીથી સુભાષભાઈ કોટડિયા, મહારાષ્ટ્ર ઝોનના ગવર્નર અને સહયોગી દાતા નવનીતલાલ શાહ, તેમજ વડોદરાથી ભૂતપૂર્વ અધ્યક્ષ મહેશભાઈ એમ. શાહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, મહાસંઘના મહારાષ્ટ્ર (મુંબઈ), સાઉથ ગુજરાત (સુરત), અને મધ્ય ગુજરાત (વડોદરા) ઝોનના ગવર્નરો તેમના કારોબારી સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાત ઝોનના અન્ય ડિવિઝનોના પ્રમુખો પણ તેમના કારોબારી સભ્યો સાથે હાજર રહ્યા હતા. આ સમારોહમાં કોર કમિટી અધ્યક્ષ ડો. સુબોધભાઈ શાહ અને ગવર્નર અજીતભાઈ મહેતાને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2024-25 માટેનો 'બેસ્ટ ઝોન એવોર્ડ' ઉત્તર ગુજરાત ઝોનના ગવર્નર અજીતભાઈ મહેતાને એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન કૌશિકભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ઉત્તર ગુજરાત ઝોન અને અમદાવાદ ડિવિઝનના કારોબારી સભ્યોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:28 pm

પ્રખરતા શોધ કસોટીમાં ગુરુકુળના 30 વિદ્યાર્થીઓ મેરિટમાં:હેત સોનેસરા 12મા ક્રમે, રાજ્યના ટોપ 1000માં સ્થાન

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯ માં લેવાતી 'પ્રખરતા શોધ કસોટી'નું પરિણામ જાહેર થયું છે. ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળ સ્પેશ્યલ વિભાગના કુલ 30 વિદ્યાર્થીઓએ આ કસોટીમાં મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.આ કસોટી દર વર્ષે યોજાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ 1000 તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. ગુરુકુળના વિદ્યાર્થીઓએ આ વર્ષે પણ નોંધપાત્ર દેખાવ કર્યો છે.પરિણામ મુજબ, હેત મનીષ સોનેસરાએ સમગ્ર ગુજરાતમાં 12મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત, ટોપ 50માં કવિતકુમાર ભારતકુમાર ઇટાલિયા (મેરિટ: 19), કવીશ જયદેવસિંહ માલાવાડિયા (મેરિટ: 25) અને પ્રિન્સ પ્રકાશભાઈ બારૈયા (મેરિટ: 30) નો સમાવેશ થાય છે. ટોપ 100 તેજસ્વી વિદ્યાર્થીઓમાં સત્યમકુમાર ભીલ (62) સહિત કુલ 30 વિદ્યાર્થીઓએ રાજ્યના ટોપ 1000માં સ્થાન મેળવ્યું છે.આ સફળતા બદલ સંસ્થાના સંચાલક કે.પી. સ્વામી અને શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:26 pm

અંબાજીમાં શિક્ષણ વિભાગના પેન્શનરોનું સ્નેહ મિલન યોજાયું:ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાના સભ્યો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર સ્થિત શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ દ્વારા અંબાજી ખાતે ઉત્તર ગુજરાત ઝોનના સભ્યો માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના મોટી સંખ્યામાં પેન્શનર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ બી.ડી. મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય, અંબાજીની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ અને નિવૃત્ત આસિસ્ટન્ટ કલેક્ટર એસ.એસ. વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ, ગાંધીનગરના પ્રમુખ આઈ.કે. પટેલ અને મહામંત્રી જી.કે. પરમાર અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, મંડળના અન્ય હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યો ભગુભાઈ સિંઘલ, ઉમેશભાઈ ત્રિવેદી, આઈ.એસ. લવાર, જયેન્દ્રભાઈ વ્યાસ, ડી.જી. સોલંકી, હસમુખભાઈ શર્મા અને કાળુભાઈ પટેલે પણ હાજરી આપી હતી. અમદાવાદ જિલ્લા યુનિટના સહમંત્રી નવીનભાઈ વાણિયા તેમજ બનાસકાંઠા જિલ્લા કન્વીનર ખેંગારભાઈ સોલંકી, પાટણ જિલ્લા કન્વીનર સુરેશભાઈ સોની, સાબરકાંઠા જિલ્લા કન્વીનર વસંતભાઈ પંચાલ અને જામનગર જિલ્લા કન્વીનર વિઠ્ઠલભાઈ ધોળકિયા સહિત વિવિધ જિલ્લાના મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાત ઝોનના ઉપપ્રમુખ રમણભાઈ પટણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, અને મંડળના સભ્યોએ પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. પ્રમુખ આઈ.કે. પટેલે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, ઉત્તર ગુજરાત ઝોનના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાના મંડળના સભ્યોની ઉપસ્થિતિ સંતોષજનક છે. તેમણે ભવિષ્યમાં યોજાનાર કાર્યક્રમોમાં પણ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપીલ કરી હતી. મહામંત્રી જી.કે. પરમારે જણાવ્યું કે, આપણો સંબંધ 'કામ'થી શરૂ થયો હતો, પરંતુ આજે તે 'લાગણી'માં પરિવર્તિત થયો છે. જેમ અલગ અલગ ફૂલો હોય પણ માળા એક હોય છે, તેમ આપણે ભલે અલગ અલગ કચેરીઓમાં કામ કર્યું હોય, પણ આજે આપણે 'પેન્શનર્સ પરિવાર' તરીકે એક છીએ. નિવૃત્તિ પછીના આ સમયને ભાર ગણવાને બદલે તેને જીવવાની નવી તક ગણીએ. મંડળના સભ્યોએ પણ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, મંડળ દ્વારા આવા કાર્યક્રમો યોજીને અલગ અલગ કચેરીઓમાંથી નિવૃત્ત થયેલા મિત્રોને એક જ મંચ ઉપર ભેગા કરવાનું કાર્ય પ્રશંસનીય છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉત્તર ગુજરાત ઝોનના ઉપપ્રમુખ રમણભાઈ પટણી દ્વારા તેમના સ્વખર્ચે કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ સભ્યોને યાદગીરી રૂપે આકર્ષક ભેટ પણ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપલ પરમારે કર્યું હતું, જ્યારે આભાર વિધિ ઉત્તર ગુજરાત ઝોનના સહમંત્રી નારણભાઈ પ્રજાપતિએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:25 pm

આનંદ કુમારે શિક્ષકોને 'વિષયપ્રેમી બનાવો'નો સંદેશ આપ્યો:AI યુગમાં શિક્ષકની ભૂમિકા; પરિણામ નહીં, શીખવાનો પ્રેમ

રાજકોટમાં 21 માર્ચ, 2026ના રોજ RPJ હોટેલ ખાતે એક પ્રેરણાદાયક 'એજ્યુકેટર મીટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની 200થી વધુ શાળાઓના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે વિશ્વવિખ્યાત શિક્ષણવિદ અને 'સુપર 30'ના સ્થાપક આનંદ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના જીવનપ્રવાસ અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા વિશે પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા. આનંદ કુમારે આજના AI અને ChatGPTના યુગમાં શિક્ષકની બદલાતી ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શિક્ષણને એક મિશન તરીકે અપનાવવું જોઈએ. આનંદ કુમારે પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વિદ્યાર્થીઓને વિષયપ્રેમી બનાવવા પર ભાર મૂક્યો. તેમના મતે, શીખવાનો પ્રેમ જ સાચી સફળતા છે. 'સુપર 30' દ્વારા તેમના યોગદાન વિશે વાત કરતા, તેમણે જણાવ્યું કે કેવી રીતે આ પહેલ દ્વારા આર્થિક રીતે પછાત પરંતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નિઃશુલ્ક માર્ગદર્શન આપી IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવવામાં મદદ મળી છે. 'સુપર 30'એ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે, જ્યાં તેમને શિક્ષણ ઉપરાંત રહેવા-જમવાની વ્યવસ્થા સહિત સંપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ અને પ્રશ્નોત્તરી સત્ર યોજાયા હતા. જેમાં શીખવું વધુ મહત્વનું કે પરિણામ? અને વિદ્યાર્થીઓને માત્ર પરિણામકેન્દ્રિત બનાવવા કરતાં વિષયપ્રેમી કેવી રીતે બનાવવું? જેવા મુદ્દાઓ પર વિચારવિમર્શ થયો. શિક્ષકોમાં વિષય પ્રત્યે રસ અને જિજ્ઞાસા વિકસાવવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મારવાડી યુનિવર્સિટી તરફથી ટ્રસ્ટી ધ્રુવ મારવાડી, પ્રોવોસ્ટ ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર પ્રોફ. નરેશ જાડેજા, તેમજ યુનિવર્સિટીના ડીન અને સિનિયર પ્રોફેસર્સ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ જેવા કે કૃષ્ણકાંત ધોળકિયા (ધોળકિયા સ્કૂલ્સ), ધવલ મોદી (મોદી સ્કૂલ્સ), જીમિલ પારીખ (મહાત્મા ગાંધી સ્કૂલ), પ્રવિણ ગોંડલિયા (તપન સ્કૂલ), લાલજી રાઠોડ (તપોવન સ્કૂલ), મૌલિક ડેલવાડિયા (બી.એમ. પટેલ સ્કૂલ, ધ્રોલ), દીપેન છોટાલા (ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ, ગોંડલ), આકાંક્ષા શ્રીવાસ્તવ (નારાયણા સ્કૂલ), મહેશ વડોદરિયા (સ્વામિનારાયણ ગુરુકુલ) અને મહેશભાઈ ગજેરા (ક્રિષ્ના સ્કૂલ) પણ આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો તરીકે હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:23 pm

રાજ્યપાલે સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા:સ્કાઉટ-ગાઇડ અને રોવર-રેન્જર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સન્માનિત કરાયા

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરના રાજભવન ખાતે સિલ્વર ઓક યુનિવર્સિટીના સ્કાઉટ-ગાઇડ અને રોવર-રેન્જર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા. આ સન્માન તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વર્ષ 2025-26 દરમિયાન સમુદાય સેવા, સ્વચ્છતા અભિયાન, આપત્તિ વ્યવસ્થાપન તાલીમ અને વિવિધ કૌશલ્ય-આધારિત પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી બદલ આ એવોર્ડ એનાયત કરાયો હતો. કાર્યક્રમમાં તેમને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નોથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં ધ્રુવ ભટ્ટે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીથી લઈને પુરસ્કાર મેળવવા સુધી મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પોતાના સંબોધનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સ્કાઉટ-ગાઇડ જેવી પ્રવૃત્તિઓ યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ, સેવા ભાવના અને જવાબદારીનો વિકાસ કરે છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય અને રાષ્ટ્ર નિર્માણ માટે આવશ્યક છે. આ કાર્યક્રમથી તમામ વિદ્યાર્થીઓને સમાજ સેવા પ્રત્યે વધુ સમર્પિત બનવાની પ્રેરણા મળી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:17 pm

સાબરકાંઠા સાંસદે રેલ મંત્રીને રજૂઆત કરી:જિલ્લામાં રેલવે સુવિધાઓ અને માળખાગત વિકાસ મજબૂત કરવા માંગ

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેલવે સુવિધાઓ અને માળખાગત વિકાસને વધુ મજબૂત બનાવવા માટે વિસ્તૃત રજૂઆત કરી. સાંસદે ખેડબ્રહ્માથી હડાદ-અંબાજી સુધીની નવી રેલવે લાઇન માટે મંજૂર થયેલા DPRનો અંદાજ તાત્કાલિક તૈયાર કરવા અને તેની રકમ ઝડપથી મંજૂર કરવા પર ભાર મૂક્યો હતો. હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર CRS અને PCEE દ્વારા નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે ત્યારે હવે આ લાઇન વહેલી તકે કાર્યરત થાય તે માટે પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નાગરિકોને વડોદરા, સુરત, વાપી, વલસાડ અને મુંબઈ જવા માટે લગભગ 80 કિલોમીટર દૂર અમદાવાદ જઈને ટ્રેન પકડવી પડે છે. આના કારણે સમય અને પૈસાનો વ્યય થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે, ખેડબ્રહ્માથી મુંબઈ સુધી સીધી ટ્રેન સેવા શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રેલ મંત્રીએ કાલુપુર રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થયા બાદ ટ્રેનો શરૂ કરવા અંગે ખાતરી આપી હતી. મુંબઈથી અમદાવાદ આવતી ઘણી ટ્રેનો અમદાવાદમાં 10 થી 12 કલાક સુધી રોકાય છે. સાંસદે આ પૈકી કોઈ એક ટ્રેનને હિંમતનગર અથવા ખેડબ્રહ્મા સુધી લંબાવવા વિનંતી કરી હતી. નડિયાદ-કપડવંજ-બાયડ-મોડાસા રેલવે લાઇન પર 53 જેટલા રેલવે ફાટકના કારણે અગાઉ ચાલતી ટ્રેન ખૂબ ધીમી ગતિએ ચાલતી હતી. રેલવેની ઝડપ વધારવા માટે નાના ગ્રામ્ય માર્ગો પર રેલવે અંડરપાસ, સ્ટેટ હાઇવે પર ફ્લાયઓવર બ્રિજ અને નજીકના અંડરપાસ પાસે RCC સર્વિસ રોડ બનાવવા માટે પણ રજૂઆત કરાઈ હતી. સાંસદે ઉદયપુર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને શામળાજી ખાતે સ્ટોપેજ આપવા બદલ અને બાયડ રેલવે સ્ટેશનને D ગ્રેડમાંથી B ગ્રેડમાં અપગ્રેડ કરવા માટે અંદાજે 30 કરોડ રૂપિયા ફાળવવા બદલ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો. આ તમામ મુદ્દાઓ અંગે મંત્રીએ સકારાત્મક વલણ દર્શાવ્યું હતું અને શક્ય તેટલું વહેલી તકે નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:03 pm

ઓનલાઇન સટ્ટાનું મસમોટું રેકેટ ઝડપાયું:ઓનલાઇન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાના ચાલતા બેનામી નાણાંની હેરફેર કરનાર પાંચની ધરપકડ, પાલનપુરનો મુખ્ય સૂત્રધાર ફરાર

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલ નજીક આવેલા એક ફ્લેટમાં દરોડો પાડીને ઓનલાઇન ક્રિકેટ સટ્ટા અને બેનામી નાણાકીય વ્યવહારોના મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસની આ કાર્યવાહીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાલનપુરના મુખ્ય સૂત્રધાર સહિત અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બેનામી નાણાં મેળવવા માટે ખોટી પેઢીઓ બનાવતામહેસાણા LCBના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, પાંચોટ બાયપાસ પાસે આવેલ શ્યામ સ્કાયલાઇન ફ્લેટના મકાન નંબર એમ-503માં કેટલાક ઇસમો ભેગા મળીને ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ શખ્સો ઓનલાઇન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાના બેનામી નાણાં મેળવવા માટે ખોટી પેઢીઓ બનાવી તેના જીએસટી નંબર મેળવી બેંક એકાઉન્ટો ખોલાવતા હતા. આ એકાઉન્ટ્સ દ્વારા મોટાપાયે નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. સૌ પ્રથમ ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી જે-તે ધંધાના GST સર્ટિફિકેટ મેળવતાઆ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ શાતિર હતી. આરોપીઓ સૌ પ્રથમ ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી જે-તે ધંધાના જીએસટી સર્ટિફિકેટ મેળવતા હતા. આ દસ્તાવેજોના આધારે અલગ-અલગ પાર્ટીઓના નામે ફેક કરન્ટ એકાઉન્ટ ખોલાવતા હતા. ક્રિકેટ સટ્ટા અને ઓનલાઇન ગેમિંગમાં લોકો સાથે થયેલી છેતરપિંડીના નાણાં આ બેંક એકાઉન્ટ્સમાં જમા કરવામાં આવતા હતા. ત્યારબાદ આ નાણાં ATM, ચેક કે UPI દ્વારા ઉપાડી આંગડિયા મારફતે મુખ્ય સૂત્રધાર મિતેષ ડાહ્યાલાલ ઠક્કર (રહે. પાલનપુર)ના જણાવ્યા મુજબ સગેવગે કરવામાં આવતા હતા. પાંચ શખસોને ઝડપી પાડી 2.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યોમહેસાણા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. હાલમાં ફરાર મુખ્ય આરોપી મિતેષ ઠક્કરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ રેકેટના તાર અન્ય ક્યાં ક્યાં જોડાયેલા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી વિપુલકુમાર કાન્તીભાઈ પટેલ (મહેસાણા), અંકિતકુમાર રામચંદ્ર પઢિયાર (ડીસા), હિમાંશુ વિજયભાઈ જોષી (ડીસા), પ્રતિક ઉર્ફે પરેશ અશોકભાઈ દરજી (ધાનેરા) અને મુકેશકુમાર અરવિંદભાઈ ઠક્કર (ડીસા)ની અટકાયત કરી છે. દરોડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા 2,78,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:02 pm

એમડી ડ્રગ્સ સાથે બિસનોઈ બંધુઓની ધરપકડ:રાજસ્થાનના એક ઢાબા પરથી ડ્રગ્સ લઈ નિકોલ-નરોડા રોડ પર વેચવા આવ્યાં હતાં

શહેરમાં દિન-પ્રતિદિન નશાકારક પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ નજીકના આરપી વસાણી સ્કૂલ પાસેથી કૃષ્ણનગર પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી અને બાકરોલ ખાતે ફેક્ટરીમાં રહી મજૂરી કામ કરનારા બંને શખસ જોધપુરના એક ઢાબા પરથી અજાણ્યા શખસ પાસેથી ડ્રગ્સ લઈને આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે 28 ગ્રામ ડ્રગ્સ અને વાહન સહિત 1.24 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે બન્નેને દબોચી લીધાઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી. એચ. જોશી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, નરોડા નિકોલ રોડ ઉપર મોડીરાત્રે ડ્રગ્સ વેચવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસ દ્વારા નારોલ નરોડા રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. આર. પી. વસાણી સ્કૂલ રોડ ઉપર સિનિયર સિટીઝન ગાર્ડન પાસે વોચ ગોઠવી તે દરમિયાનમાં બાઈક ઉપર બે અજાણ્યા શકમંદો આવ્યા હતા. પોલીસે બંને આરોપીને પકડી તેમનું નામ પૂછતા રામપાલ બિસનોઈ અને મહેન્દ્ર બિસનોઈ (બંને રહે, એમ. એન. ફેક્ટરી બાકરોલ ગામ, મૂળ. જોધપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસે તપાસ કરતાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓ જોધપુર-જેસલમેર હાઇવે પરના ઢાબા પરથી ડ્રગ્સ લાવ્યાં હતાં પડીકીમાં રહેલું ડ્રગનું વજન કરતાં 28 ગ્રામ જેટલું ડ્રગ્સ હતું. આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, બંને છૂટકમાં એમડી ડ્રગ્સનો ધંધો કરે છે. આ ડ્રગનો જથ્થો જોધપુર-જેસલમેર હાઇવે પર આવેલા એક ઢાબા ખાતે અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો. બંને આ ડ્રગ્સનો જથ્થો લાવી અને અમદાવાદ ખાતે વેચવા માટે નીકળ્યા હતા. બંને આરોપી મજૂરી કામ કરે છે અને પૈસા કમાવા માટે આ પ્રમાણે ડ્રગ્સ વેચવા નીકળ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 pm

સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ જાળવી રાખવા સુરત મનપાની ફૂલ તૈયારી:મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન મેદાને, તાપી નદીના કિનારાની સાફસફાઈ કરાવી

સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરતના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં સુરતનો દબદબો જાળવી રાખવા માટે સુરત મહાનગરપાલિકાએ કમર કસી છે. મનપા કમિશનર એમ. નાગરાજન પોતે સવારના વહેલા પહોરમાં શહેરના વિવિધ વિસ્તારોની ગ્રાઉન્ડ વિઝિટ કરી રહ્યા છે. આજે તેમણે તાપી નદીના કિનારે અને શહેરના ઐતિહાસિક વિસ્તારોમાં સફાઈ કામગીરીની સમીક્ષા કરી તંત્રને વધુ ગતિશીલ બનાવ્યું છે. નદીમાં ઠલવાતી ગંદકીને રોકવા માટે કડક સૂચનાઓસુરતની જીવાદોરી સમાન તાપી નદીની પવિત્રતા અને તેના કિનારાની સ્વચ્છતા કમિશનરના એજન્ડામાં ટોચ પર છે. કમિશનરે તાપી નદીના કિનારાના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાં જમા થયેલા કચરા તેમજ નદીમાં ઠલવાતી ગંદકીને રોકવા માટે કડક સૂચનાઓ આપી હતી. નદી કિનારે લોકો દ્વારા કચરો ન ફેંકાય તે માટે જનજાગૃતિ લાવવા અને સતત મોનિટરિંગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઝડબેસલાક સફાઈ ઝુંબેશ ચલાવવા આદેશ આપ્યોસુરતનું ગૌરવ ગણાતી ઐતિહાસિક ચોપાટી નેહરુ ગાર્ડન અને તેની આસપાસના વીઆઈપી વિસ્તારો જેવા કે સર્કિટ હાઉસ રોડ પર સફાઈની સ્થિતિ ચકાસવામાં આવી હતી. કમિશનરે આ વિસ્તારોમાં ઝડબેસલાક સફાઈ ઝુંબેશ ચલાવવા આદેશ આપ્યો હતો. રસ્તાઓ પરથી ધૂળ દૂર કરવી, ફૂટપાથની સફાઈ અને ગાર્ડનની જાળવણી બાબતે તેમણે ઝીણવટભરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ઐતિહાસિક સ્થળોએ પ્રવાસીઓ અને નાગરિકોની અવરજવર વધુ રહેતી હોવાથી ત્યાં સફાઈનું સ્તર ઉચ્ચ કક્ષાનું રાખવા જણાવાયું છે. તમામ ઝોનલ ઓફિસરો એલર્ટ મોડ પરસ્વચ્છતા સર્વેક્ષણની કેન્દ્રીય ટીમ ટૂંક સમયમાં સુરતની ઓચિંતી મુલાકાત લઈ શકે છે. આ ટીમ દ્વારા જાહેર શૌચાલયો, રસ્તાઓ, કચરાનો નિકાલ અને શહેરના બ્યુટીફિકેશનના આધારે ગુણ આપવામાં આવે છે. આ વખતે સ્પર્ધા વધુ કડક છે, ત્યારે કમિશનર એમ. નાગરાજન કોઈ પણ પ્રકારની કચાસ છોડવા માંગતા નથી. તેમણે તમામ ઝોનલ ઓફિસરોને એલર્ટ મોડ પર રાખ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:51 pm

3 મહિનામાં અમદાવાદની 900 સોસાયટીને PNGના નેટવર્કમાં સમાવાશે:કોમર્શિયલ LPGની 10થી વધારીને 25 ટકાની ફાળવણી કરાઈ, રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, આગામી 3 મહિનામાં અમદાવાદની 900 સોસાયટીઓને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી હજારો પરિવારોને રાંધણ ગેસની સીધી સુવિધા મળશે. આ સાથે જ ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કોમર્શિયલ LPGની ફાળવણી 10 ટકાથી વધારીને 25 ટકા કરવાનો નિર્ણય કરાયો છે. પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો પુરતા બફર સ્ટૉક ઉપલબ્ધ છે. પેટ્રોલ અને ડીઝલના વિતરણ પર કોઇ પણ પ્રકારની બાધ નથી, તેથી નાગરીકોને ખોટી ભ્રામક અફવાઓ પર ધ્યાન નહી આપવા તેમજ પેટ્રોલપંપની બહાર લાઇન નહીં લગાડવા સરકારની વિનંતી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ વધારો કે રેશનિંગ નથી. તેથી રાબેતા મુજબની વ્યવસ્થા જાળવી રાખવા અને સરકાર તેમજ ડીલર્સને સહયોગ આપવા સર્વેને સરકારની વિનંતી છે. કોમર્શીયલ LPGની વધારાની ફાળવણીકેન્દ્ર સરકાર દ્વારા LPGનો વધારે જથ્થો ઉપલબ્ધ કરાતા તેમજ શહેરી વિસ્તારમાં PNGને પ્રોત્સાહન આપવાથી ગુજરાતમાં કોમર્શીયલ LPGની ફાળવણી વધારવામાં આવેલ છે. રાજયમાં હોટલ, રેસ્ટોરન્ટ/ઢાબા, ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ વગેરે જેવાં કોમર્શિયલ સિલિન્ડરનો વપરાશ કરતી સંસ્થાઓને PNG કનેક્શનમાં તબદીલ કરવાને પ્રાથમિકતા આપવામાં આવશે. 10%ની મર્યાદામાં કોમર્શિયલ LPG પૂરો પાડી શકાશેગઈકાલે 23 માર્ચ, 2026ના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં LPGની રાજય વ્યાપી પરિસ્થિતિને ધ્યાને લઈ ઉપરોકત ફાળવણીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ જયાં PNG Network ઉપલબ્ધ ન હોય ત્યાં હવે નીચે મુજબ ફાળવણી વધારવામાં આવી છે. ઉપરાંત, હવે દરેક જિલ્લામાં અગત્યના એક MSME સેકટર કે જે વ્યાપકપણે રોજગારી પ્રદાન કરતી હોય તેની ઓળખ કરી તેઓને 10%ની મર્યાદામાં કોમર્શિયલ LPG પૂરો પાડી શકાશે. અગાઉ નિયત થયેલ કોમર્શીયલ LPGની ફાળવણી નીચે મુજબના ક્ષેત્રો માટે યથાવત રહેશે. (1) ખાનગી તથા સરકારી હોસ્પિટલો 100% મુજબ (2) શૈક્ષણિક સંસ્થાઓ 100% મુજબ તથા (3) રજીસ્ટર્ડ વૃધ્ધાશ્રમો, અનાથ આશ્રમો, અંધજન મંડળો જેવી સંસ્થાઓને તેમજ (4) જે ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ છેલ્લા ઓછામાં ઓછા 01 વર્ષથી ભોજનની વ્યવસ્થામાં કાર્યરત હોઇ તથા લોકોને નિયમિત ભોજન આપતી હોઇ તેનાં છેલ્લા 06 માસનાં ઉપયોગને ધ્યાને લઇ ૨૫%ની મર્યાદામાં (5) આ સૂચના અનુસાર જીલ્લામાં કોમર્શીયલ એલ.પી.જી ફાળવણી ઉપલબ્ધિ અને જરૂરીયાત મુજબ ઓઇલ માર્કેટીંગ કંપનીઓ તથા જીલ્લા પુરવઠા સમિતિ દ્વારા કરવામાં આવશે. PNG હશે તો LPG રદ થશેજે પણ કોઈ વપરાશકર્તા LPG તથા PNG બંને ધરાવતા હોઈ તેમના PNG કનેક્શન ચાલુ રાખીને વપરાશમાં આવે તે સુનિશ્વિત કર્યા બાદ LPG કનેકશન O.M.C. દ્વારા Surrender કરાવવામાં આવશે. PNG ઘરેલું તથા કોમર્શિયલ કનેક્શન દિન-10માં અપાશેજે વિસ્તારોમાં હાલના સમયે PNG નેટવર્ક મોજૂદ છે તે વિસ્તારોમાં PNG કનેક્શન માટેની પડતર અરજીઓ મંજૂર કરી PNG કંપનીઓ દ્વારા ઘરેલું તથા કોમર્શિયલ કનેક્શન દિન-10માં આપવામાં આવશે. ત્યારબાદ L.P.G કનેક્શન O.M.C. દ્વારા સરેન્ડર કરાવવામાં આવશે. જે વિસ્તારોમાં PNG ઉપલબ્ધ હોય ત્યાં કનેક્શન શરૂ કરાશેજે સોસાયટી/વિસ્તારોમાં PNG કનેક્શન ઉપલબ્ધ હોય તેમજ ગ્રાહકો વાપરી રહેલ હોય, તે સોસાયટી/વિસ્તારોના જે ગ્રાહકો હાલ ઘરેલું તથા કોમર્શિયલ LPG કનેક્શન ધરાવતા હોય પરંતુ PNG મેળવવા માટે અરજી કરી નથી તેઓને CGD (City Gas Distribution) કંપની દ્વારા અરજી કરાવી PNG કનેક્શન શરૂ કરવામાં આવશે. તેમજ LPG કનેક્શન સરેન્ડર કરાવવામાં આવશે. PNGનું કનેક્શન લેવડાવીને LPGનું કનેકશન રદ કરાવાશેજે વિસ્તારોમાં PNG કંપનીઓનું નેટવર્ક હાલમાં મોજુદ છે, પરંતુ તે વિસ્તારમાં કે તેની નજીકમાં જે સોસાયટી નવી બનેલ હોય અથવા છૂટી ગયેલ હોય તેઓની અરજી મેળવી મંજુરી આપી C.G.D. કંપની દ્વારા PNGનું કનેક્શન શરૂ કરાવી O.M.C. દ્વારા LPGનું કનેકશન Surrender કરાવવામાં આવશે. ગ્રાહકોનો ડેટા એકબીજા સાથે શેર કરી મેપીંગ ઉપરોકત કામગીરી કરવા માટે તમામ PNG કંપનીઓ તેમજ O.M.C. દ્વારા ગ્રાહકોનો ડેટા એકબીજા સાથે શેર કરી મેપીંગ કરવામાં આવી રહ્યું છે. નવા PNG કનેકશન આપવાની કાર્યવાહી C.G.D. કંપનીઓ દ્વારા કરવામાં આવશે. અને LPG કનેક્શન સરેન્ડર કરવાની કામગીરી O.M.C. દ્વારા કરવામા આવશે. સમગ્ર પ્રક્રિયા ઉપર કલેકટર તથા જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા દેખરેખ રાખશે. CGD 24 કલાક કામગીરી કરી શકશેCGD (City Gas Distribution)કંપનીને સ્થાનિક સંસ્થાઓ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 24 કલાકમાં ROW (Right of Way) ની પરવાનગીઓ આપવામાં આવશે તથા તેઓ Right of Way માટેના ચાર્જ વસુલશે નહીં. CGD (City Gas Distribution)ને 24 કલાક કામગીરી કરવાની પરવાનગી આપવામાં આવશે. હાલ અમદાવાદમાં 1200થી વધુ કોમર્શિયલ કનેકશનોઅમદાવાદ શહેરમાં નવા ઘરેલું તથા કોમર્શિયલ PNG કનેકશન આપવાની કામગીરી પ્રાયોરિટીના ધોરણે શરૂ કરવામાં આવેલ છે. જે અન્વયે અમદાવાદમાં હાલ 1200થી વધુ કોમર્શિયલ કનેકશનો તથા 3.50 લાખથી વધુ ડોમેસ્ટિક કનેકશનો P.N.G. માં તબદીલ કરવાની કાર્યવાહી અન્ન,નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર, ઓઇલ માર્કેટીંગ કંપનીઓ અને શહેરની ત્રણ CGD (City Gas Distribution) કપનીઓ દ્વારા શરૂ કરાયેલ છે. અમદાવાદામાં 900 સોસાયટીમાં PNG નેટવર્કનો સમાવેશ થશેઆગામી 3 માસ દરમિયાન અમદાવાદમાં આશરે 900 સોસાયટીને પણ PNGના નેટવર્કમાં સમાવી લેવામાં આવશે. જેના માટે જરૂરી પરવાનગીઓ આપવામાં આવેલ છે. આવી જ રીતે બીજા શહેરોમાં પણ વધુમાં વધુ PNG કનેકશનો આપવાની કામગીરી ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:50 pm

અડિયા શાળામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી:ટીબીના લક્ષણો, નિદાન અને સારવાર વિશે માહિતી અપાઈ

અડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મંગળવારે, 24 માર્ચે અડિયા પ્રાથમિક શાળામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબી રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલે ટીબી થવાના લક્ષણો વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ટીબીનું નિદાન ક્યાં કરાવવું અને નિયમિત દવા લેવાથી ટીબી 100 % મટી શકે છે.વધુમાં, નરેશભાઈએ ટીબી સંબંધિત પંક્તિઓ દ્વારા જાગૃતિ સંદેશ આપ્યો હતો. તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને કાઉન્સેલિંગ કરીને બીડી છોડવા વિનંતી કરી હતી અને બાળકોને આ સંદેશ ઘર સુધી પહોંચાડવા અપીલ કરી હતી. તેમણે બીડી, સિગારેટ જેવા વ્યસનોથી ટીબી થવાનો ભય વધે છે, તેથી ધૂમ્રપાનથી બચવાની પણ સલાહ આપી હતી. આ કાર્યક્રમમાં અડિયા સુપરવાઈઝર ભગવાનભાઈ પ્રજાપતિ, સીએચઓ વિધીબેન, ફિહેવ આરતીબેન તેમજ શાળાના આચાર્ય, સ્ટાફગણ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે આચાર્ય વિષ્ણુભાઈએ આભારવિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:47 pm

દારૂની 90 હજાર બોટલ પર બુલડોઝર ફેરવી દેવાયું:મહેસાણામાં બે વર્ષમાં ઝડપાયેલા 3 કરોડના દારૂનો નાશ

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન અલગ-અલગ દરોડામાં ઝડપી પાડેલા વિદેશી દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. મહેસાણા બાયપાસ હાઇવે નજીક આયોજિત આ કામગીરીમાં હજારો બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા દારૂની નદીઓ વહી હતી. મહેસાણા બાયપાસ હાઇવે પર વ્યવસ્થા કરાઈ હતીમહેસાણા તાલુકા, મહેસાણા એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત બે વર્ષમાં અંદાજે 90,000થી વધુ વિદેશી દારૂની નાની-મોટી બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ જથ્થાની બજાર કિંમત અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ મુદ્દામાલનો નિકાલ કરવા માટે તંત્ર દ્વારા મહેસાણા બાયપાસ હાઇવે પર વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ કાચ-પ્રવાહીને દાટી દેવાયુંઆ સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી ઉર્વીશ વાળંદ, ડીવાયએસપી મિલાપ પટેલ તેમજ સ્થાનિક પીઆઇ સહિતના પોલીસ કાફલાની કડક દેખરેખ હેઠળ યોજાઈ હતી. રોડ પર ગોઠવવામાં આવેલી હજારો બોટલો પર બુલડોઝર ફેરવી તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. દારૂના જથ્થાનો નાશ કર્યા બાદ પર્યાવરણ અને સલામતીને ધ્યાને રાખી બાજુમાં જ ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં આ તમામ કાચ અને પ્રવાહીને દાટી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:43 pm

બોટાદ મારામારી કેસના ફરાર 4 આરોપીઓ ઝડપાયા:પોલીસે ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું, કાયદાનું ભાન કરાવ્યું

બોટાદમાં બે મહિના પહેલા થયેલા મારામારીના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં ફરાર પાંચ આરોપીઓ પૈકી ચારને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સંજય મથુર ખસીયા, સુનિલ ખસીયા, પ્રદિપ ખસીયા અને ભાવિન પરમારની ધરપકડ કરી છે. આ આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા. બોટાદ પોલીસની ટેકનિકલ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી સંજય ખસીયા મધ્યપ્રદેશમાં છુપાયો હતો. બોટાદ ડિવિઝનની ટીમે મધ્યપ્રદેશના મનાસા તાલુકાના પરદા ગામે પહોંચીને તેને પકડી પાડ્યો હતો. અન્ય ત્રણ આરોપીઓને બોટાદમાંથી જ ઝડપી લેવામાં આવ્યા હતા. બોટાદ ટાઉન પીઆઈ ખરાડી અને પોલીસ કાફલા સાથે પકડાયેલા ચારેય આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. ઘટનાના રીકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:41 pm

બનાસકાંઠામાં 31 લાખ લીટરથી વધુ ઇંધણનો સ્ટોક:કલેક્ટરે અફવાઓ ટાળી બિનજરૂરી લાઈનો ન કરવા અપીલ કરી

બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી રીતે પેટ્રોલ પંપ પર લાઈનો ન કરવા અપીલ કરી છે. કલેક્ટરે જણાવ્યું કે, જિલ્લાના કુલ 199 પેટ્રોલ પંપ પર 31 લાખ લીટરથી વધુ ઇંધણનો સ્ટોક છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઇંધણનો પુરવઠો જાળવી રાખવા માટે તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે બેઠકો પણ યોજવામાં આવી છે. કલેક્ટરે નોંધ્યું કે છેલ્લા 12 થી 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ સામાન્ય દિવસો કરતાં ત્રણ ગણો વધી ગયો છે. આ બિનજરૂરી ઉપાડ ગભરાટ અને અફવાઓને કારણે થઈ રહ્યો છે, જેના લીધે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. તેમણે ફરીથી સ્પષ્ટતા કરી કે જિલ્લાના તમામ 199 પેટ્રોલ પંપ પર ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કલેક્ટરે નાગરિકોને ગભરાટમાં આવીને બિનજરૂરી રીતે લાઈનોમાં ઊભા ન રહેવા વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:32 pm

ક્રેસન્ટ સર્કલમાં અશાંતધારોનો વધુ વિવાદ સામે આવ્યો:અશાંત ધારા હેઠળના વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર મુદ્દે જૈન ટ્રસ્ટનો વિરોધ

શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી પરમાનંદ હાઉસિંગ સોસાયટીમાં મિલકત ટ્રાન્સફરના એક વિવાદાસ્પદ મુદ્દે શ્રી સીમંધર સ્વામી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે, ટ્રસ્ટનો આક્ષેપ છે કે અશાંત ધારો લાગુ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનું વેચાણ કરવામાં આવી રહ્યું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, આ અંગે ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ એજણાવ્યું હતું કે, શહેરના ક્રેસન્ટ શિશુવિહાર અને મહિલા સર્કલ જેવા વિસ્તારો સનાતની અને જૈન પરિવારોની વસ્તી ધરાવતા કેન્દ્રો છે અહીં ભગવાન ઘંટાકર્ણ મહાવીરનું પવિત્ર દેરાસર પણ આવેલું છે જેમાં ​પરમાનંદ હાઉસિંગ સોસાયટીના પ્લોટ નં.605/એ-2 અને 605/બી-2 પર નિર્મિત 22 ફ્લેટનું વેચાણ સોસાયટીના પેટા-નિયમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે, આ વેચાણથી સ્થાનિક સમુદાયની ધાર્મિક ભાવનાઓ દુભાઈ શકે છે અને વિસ્તારની શાંતિ જોખમાઈ શકે તેમ છે, ​શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના મતે ધાર્મિક સ્થળની 500 મીટરની ત્રિજ્યામાં આવા ટ્રાન્સફર પર રોક હોવી જોઈએ, આ ​પત્રમાં જણાવ્યું હતું કે, આ મામલે ટ્રસ્ટ દ્વારા લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે જેમાં સૌપ્રથમ આ વિસ્તારને અશાંત ધારા હેઠળ લાવવા અને તપાસ કરવા માંગણી કરાઈ હતી, જેની 2023 માં અશાંત ધારો જાહેર થયા બાદ વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી હતી, અને આ બાબતે રાજ્યના ગૃહમંત્રી, કલેક્ટર, ડી.એસ.પી. અને સ્થાનિક રાજકીય અગ્રણીઓને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે, છતાં પણ ​ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે કે તાજેતરમાં દ્વારા આ વિવાદાસ્પદ વ્યવહારને મંજૂરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:29 pm

MBA ગ્રેજ્યુએટ સાયબર આરોપી બન્યો:સુરતના પિતા-પુત્ર સાથે થયેલી 16 લાખની ઠગાઈમાં આરોપીની ધરપકડ, પોતાના બેંક એકાઉન્ટને સાયબર ગુના માટે આપ્યું

સુરત શહેરમાં રોકાણના નામે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરત સાયબર ક્રાઈમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ઓનલાઇન ગોલ્ડ માઈનિંગ ટ્રેડિંગમાં ઉંચા નફાની લાલચ આપી ફરિયાદીના પિતા સાથે 16,00,000ની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી જીવનરશ્મિ રાઉતને તેલંગાણાના હૈદરાબાદ ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી ઉચ્ચ શિક્ષિત MBA ગ્રેજ્યુએટ છે અને હૈદરાબાદમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે, જેણે કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ગુના માટે કરવા દીધો હતો. નાણાં કમાવવાની લાલચમાં સાયબર માફિયાઓ સાથે હાથ મિલાવ્યાપકડાયેલો આરોપી જીવનરશ્મિ કૃષ્ણચન્દ્ર રાઉત મૂળ ઓડિશાનો વતની છે અને હાલ હૈદરાબાદના આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે. આરોપીએ MBA સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં ટૂંકા સમયમાં વધુ નાણાં કમાવવાની લાલચમાં સાયબર માફિયાઓ સાથે હાથ મિલાવ્યા હતા. શિક્ષિત હોવાને કારણે તે ટેકનોલોજી અને બેંકિંગ વ્યવહારોથી સારી રીતે વાકેફ હતો, જેનો ઉપયોગ તેણે નિર્દોષ લોકોને છેતરવા માટે કર્યો હતો. પોલીસ તપાસમાં તેની આ ગુનાહિત માનસિકતા અને શિક્ષણનો દુરુપયોગ સ્પષ્ટપણે બહાર આવ્યો છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. બેંક એકાઉન્ટને ભાડે નાણાકીય ટ્રાન્જેક્શન કરવાની સુવિધા પૂરી પાડીઆરોપી પ્રોફેશનલ રીતે બાંધકામ ક્ષેત્રે કોન્ટ્રાક્ટર તરીકે કાર્યરત હતો. ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, આરોપી વર્ષ 2017થી પોતાનું કરન્ટ એકાઉન્ટ ધરાવે છે. જોકે, છેલ્લા બે-ત્રણ વર્ષથી બાંધકામ ક્ષેત્રે તેને કોઈ મોટા કોન્ટ્રાક્ટ મળતા ન હતા. આર્થિક સંકડામણ અનુભવતા તેણે શોર્ટકટ અપનાવ્યો અને ફાઈનાન્શિયલ ક્રાઈમના રસ્તે ચડી ગયો. કામના અભાવે તેણે પોતાના વ્યવસાયિક બેંક એકાઉન્ટને ભાડે આપી સાયબર ગઠિયાઓને નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા પૂરી પાડી હતી, જેના બદલામાં તેને તગડું કમિશન મળતું હતું. ગોલ્ડ માઈનિંગમાં નફાની લાલચ આપી જાળ બિછાવીઠગબાજોએ ફરિયાદીના પિતાનો સંપર્ક કરી ગોલ્ડ માઈનિંગમાં ટ્રેડિંગ કરવાથી લાખોનો નફો મળશે તેવી લોભામણી વાતો કરી હતી. વિશ્વાસ સંપાદિત કરવા માટે આરોપીઓએ વ્હોટ્સએપ પર એક બનાવટી વેબસાઈટની લિંક મોકલી હતી. આ લિંક દ્વારા 'BSGC' નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ફરિયાદીના પિતાને વિશ્વાસ બેસે તે માટે એપમાં શરૂઆતમાં વર્ચ્યુઅલ પ્રોફિટ પણ બતાવવામાં આવતો હતો. આ રીતે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને પદ્ધતિસરનું આયોજન કરી વૃદ્ધ પિતાને પોતાની જાળમાં ફસાવવામાં આવ્યા હતા. 16 લાખ પડાવ્યા બાદ પૈસા વિડ્રો કરવા વધુ નાણાંની માંગણી કરીફરિયાદીના પિતાએ વિશ્વાસમાં આવીને અલગ-અલગ તબક્કે કુલ 16,00,000 ટ્રાન્સફર કર્યા હતા. તન્વી શર્મા નામની વ્યક્તિની સૂચના મુજબ તેઓ ક્રીપ્ટોકરન્સી બાય-સેલ કરતા હતા, જેમાં તેમને મોટો નફો દેખાતો હતો. જોકે, જ્યારે ફરિયાદીના પિતાએ આ રકમ વિડ્રો કરવાની કોશિશ કરી, ત્યારે ઠગબાજોએ ટેક્સ અને અલગ-અલગ ચાર્જ પેટે વધુ નાણાંની માંગણી કરી હતી. અંતે રૂપિયા પાછા ન મળતા અને સતત નવી માંગણીઓ થતા ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થયો અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીના બેંક એકાઉન્ટમાંથી 4.75 કરોડના ટ્રાન્જેક્શન મળ્યાસુરત સાયબર સેલની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી જીવનરશ્મિના ICICI બેંકના કરન્ટ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કુલ 4,75,08,351ના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે. આ માત્ર એક જ કેસ નથી, પરંતુ તેના એકાઉન્ટ સામે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર દેશના અન્ય રાજ્યો જેવા કે તમિલનાડુ, હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પણ ફરિયાદો નોંધાયેલી છે. આરોપીના એકાઉન્ટનો ઉપયોગ આંતરરાજ્ય સાયબર રેકેટ ચલાવવા માટે કરવામાં આવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. દુબઈ કનેક્શન અને USDT ટ્રેડિંગની આશંકાપોલીસે આરોપીના મોબાઈલ ફોન અને ટેલિગ્રામ ચેટની તપાસ કરતા આંતરરાષ્ટ્રીય લિંક પણ મળી આવી છે. તેની ચેટમાં દુબઈ સાથેના નાણાકીય વ્યવહારો અને મોટા પાયે USDTના ટ્રાન્જેક્શનની વિગતો જોવા મળી છે. આ ઠગાઈનું નેટવર્ક માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી, પણ વિદેશમાં બેઠેલા સાયબર માફિયાઓ સાથે પણ જોડાયેલું હોઈ શકે છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ બાંધકામ વ્યવસાયી કેટલા સમયથી અને કયા વિદેશી હેન્ડલર્સના સંપર્કમાં હતો. હૈદરાબાદમાં ઓપરેશન પાર પાડી ધરપકડ કરાઈસુરત સાયબર ક્રાઈમની ટેકનિકલ ટીમે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને હૈદરાબાદના સાયબરાબાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તેના નિવાસસ્થાન 'હોલ્માર્ક ટ્રેન્ક્વીલ એપાર્ટમેન્ટ' ખાતેથી તેની ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો છે. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેણે માત્ર કમિશન માટે પોતાનું એકાઉન્ટ નાસતા ફરતા અન્ય આરોપીઓને આપ્યું હતું. હાલ પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય સૂત્રધારો અને મુખ્ય માસ્ટરમાઈન્ડને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:26 pm

સંતવાણી:વાણીનો વિવેક રાખો, કડવાશ ટાળવા હળવાશથી બોલો: સાધુ પ્રેમવત્સલદાસજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા ચારિત્ર્ય ઘડતર કરનારા ઉપદેશમાં વાણીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે જીવનમાં હંમેશા વાણી સમજી વિચારીને બોલવી જોઈએ. સાધુ પ્રેમવત્સલદાસજીના મતે, વાણી સત્ય, પ્રિય અને મધુર હોવી જોઈએ. તેમણે શીખવ્યું કે, દરેકની સાથે હળવાથી બોલો, તો કડવાશ નહિ થાય. વાણીનો વિવેક ચૂકાય ત્યારે દુઃખ અવશ્ય આવે છે. આ વાતને સમજાવવા માટે તેમણે એક દ્રષ્ટાંત આપ્યું. જૂના જમાનામાં છરી અને લોખંડના ઓજારોને ધાર કાઢવાનું કામ કરનાર એક સરાણિયો ગામની શેરીમાં બૂમ પાડતો હતો કે, કાતરની કે છરીની ધાર કાઢવી છે? ત્યારે એક છોકરાએ મશ્કરી કરતા પૂછ્યું, અક્કલની ધાર કાઢી આપો છો? સરાણિયાએ તરત જ જવાબ આપ્યો, હા, પણ અક્કલ તમારી પાસે હોવી જોઈએ. આ નાની વાત પરથી બંને વચ્ચે ઝઘડો થયો. ગુસ્સામાં આવીને ધાર કાઢનારે પેલા યુવાનના માથામાં ઓજાર મારી દીધું, જેના કારણે તેની ખોપરી ફાટી ગઈ અને તેનું મૃત્યુ થયું. સાધુ પ્રેમવત્સલદાસજીએ સમજાવ્યું કે, આ એક નાની વાત હતી જ્યાં વાણીનો વિવેક ચૂકાયો, અને તેના પરિણામે બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ વાણીનો વિવેક રાખવાની શીખ આપે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, કોઈનું દિલ દુભાય તેવી વાણી ક્યારેય ન બોલવી જોઈએ. જો આપણે આ સંદેશને જીવનમાં ઉતારીશું, તો ક્યારેય કોઈની સાથે સંબંધ બગડશે નહીં.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:26 pm

દેવભૂમિ દ્વારકામાં ગૌવંશના માંસ કેસ:LCB તપાસમાં વધુ બે આરોપી ઝડપાયા, સ્થળ તપાસ કરાઈ

દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં ઝડપાયેલા ગૌવંશના માંસના જથ્થાના પ્રકરણમાં સ્થાનિક ગુના શોધક શાખા (LCB) એ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા વધુ 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળનું પંચનામું કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલો શું હતો ?ગત 03/02/2026 ના રોજ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતી સલમાબેન ઇલીયાસભાઇ થૈયમના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાંથી ગૌવંશના માંસનો જથ્થો મળી આવતા દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની ગંભીરતાને જોતા તેની તપાસ LCB દેવભૂમિ દ્વારકાને સોંપવામાં આવી હતી. તપાસમાં નવા ખુલાસા અને ધરપકડLCBની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન રૂપેણ બંદરના મસ્જિદ વિસ્તારમાં રહેતા અન્ય 2 વ્યક્તિઓની આ નેટવર્કમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે 23/03/2026ના રોજ 2 શખ્સોની વિધિવત ધરપકડ કરી છે: મુસા અલ્લારખા રાડીયા (રહે. રૂપેણ બંદર, નવી મસ્જિદ પાસે, દ્વારકા) મહમંદહુનીફ ઉર્ફે મુન્નાબાપુ અહેમદમીંયા સૈયદ (રહે. રૂપેણ બંદર, નવી શાળા પાસે, દ્વારકા) સ્થળ તપાસ અને પંચનામુંધરપકડ કરાયેલા બંને આરોપીઓને સાથે રાખીને LCB તેમજ દ્વારકા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફની ટીમે રૂપેણ બંદરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જ્યાં ગેરકાયદેસર રીતે માંસનું વેચાણ કરવામાં આવતું હોવાની શંકા હતી, તે તમામ સ્થળો પર ઝીણવટભરી તપાસ કરી વિગતવાર પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસનું માર્ગદર્શનઆ સમગ્ર કામગીરી પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર બી. જે. સરવૈયાની રાહબરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. એમ. દેવમુરારી અને તેમની ટીમ આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:24 pm

અમરેલી SP પોલીસ કામગીરીનો સંતોષ ચકાસે છે:સાવરકુંડલામાં ગુનાના ભોગ બનનાર સાથે સીધો સંવાદ કર્યો

અમરેલીના પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતે પોલીસની કામગીરી અંગે અરજદારોના સંતોષની જાતે ચકાસણી કરવાની અનોખી પહેલ કરી છે. આ અંતર્ગત, તેઓ વાર્ષિક નિરીક્ષણ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં અરજદારોને રૂબરૂ બોલાવીને માહિતી મેળવી રહ્યા છે. તાજેતરમાં, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના વાર્ષિક નિરીક્ષણ માટે પહોંચેલા SP સંજય ખરાતે કુલ 18 અરજદાર સાથે સીધો સંવાદ કર્યો હતો. આ અરજદારો અસામાજિક પ્રવૃત્તિઓ, મહિલા અત્યાચાર, મિલકત સંબંધિત વિવાદો અને મારામારી જેવા ગુનાઓના ભોગ બન્યા હતા અથવા તે અંગે અરજીઓ કરી હતી. SP ખરાતે અરજદારોને પૂછ્યું કે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી તેઓ સંતુષ્ટ છે કે કેમ. તેમણે અરજદારોને ન્યાય મળ્યો છે કે નહીં, તેમજ પોલીસકર્મીઓનો વ્યવહાર કેવો રહ્યો તે અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલી આ સીધી અને પારદર્શક પહેલને પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ વધારવાના એક મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. આનાથી પોલીસ તંત્ર પ્રત્યે પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:19 pm

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સામે ચાર્જશીટ રજૂ:2022ના ખેરગામ હિંસા કેસમાં 23 આરોપી સામે 2000 પાનાનું તહોમતનામું; 9 એપ્રિલે સુનાવણી

ડિસેમ્બર 2022માં ખેરગામમાં થયેલી હિંસા અને તોડફોડના કેસમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપીઓ સામે પોલીસે નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 2000 પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું છે. આ કેસમાં આગામી સુનાવણી 9 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં સરકારી વકીલ દ્વારા તમામ આરોપીઓની ગુનાહિત ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવશે. આ સમગ્ર વિવાદ ડિસેમ્બર 2022માં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા કથિત હુમલા બાદ શરૂ થયો હતો. આ ઘટના બાદ ખેરગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી હતી, જેમાં પોલીસ જીપ અને ફાયર ફાઈટરની ગાડીઓમાં તોડફોડ કરી આગચંપીનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત, સ્થાનિક દુકાનોમાં પણ તોડફોડ અને લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે પોલીસે હત્યાનો પ્રયાસ, ધાડ, લૂંટ, રાયોટિંગ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુના નોંધ્યા હતા. આ કેસમાં અનંત પટેલ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, ખેરગામ તાલુકા પ્રમુખ શશીન પટેલ અને સરપંચ ઝરણાં પટેલ સહિત કુલ 23 લોકોના નામ સામેલ છે. આરોપીઓ દ્વારા કોર્ટમાં કેસમાંથી મુક્ત કરવા માટે 'ડિસ્ચાર્જ અરજી' કરવામાં આવી હતી. જોકે, સ્પેશિયલ પબ્લિક પ્રોસેક્યુટર (PP) નરેશ સુખડવાલાએ આ અરજીને 'પ્રિમેચ્યોર' અને 'આધારવિહોણી' ગણાવી છે. તેમણે જણાવ્યું કે, “ધારાસભ્ય કે સરપંચ જેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ જ્યારે ગંભીર ગુનો આચરે, ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. પોલીસે કોઈ પણ પક્ષપાત વગર પુરાવાઓ સાથે નિષ્પક્ષ તપાસ કરી છે.” 'ડિસ્ચાર્જ એપ્લિકેશન' દાખલ કરવામાં આવી હતી નવસારી સેશન્સ કોર્ટમાં 2022ના ખેરગામ બનાવ અંગે ચાલી રહેલા કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) તરીકે શ્રી નરેશ સુખડવાલા દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ધારાસભ્ય અનંત પટેલ, સરપંચ ઝરણાબેન, કોંગ્રેસના આગેવાન શશીનભાઈ અને અન્ય આરોપીઓ દ્વારા 'ડિસ્ચાર્જ એપ્લિકેશન' (કેસમાંથી મુક્ત કરવાની અરજી) દાખલ કરવામાં આવી હતી. સરકાર પક્ષે આ અરજીને 'પ્રિમેચ્યોર' અને 'બેઝલેસ' ગણાવી તેનો લેખિત જવાબ રજૂ કર્યો છે. લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આક્ષેપો પાસ કરનાર અમલદાર DYSP ગોહિલ સાહેબ દ્વારા રજૂ કરાયેલા જવાબમાં ધારાસભ્ય સહિત તમામ આરોપીઓના ગુનાહિત રોલનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ફરિયાદમાં લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આક્ષેપો છે, જે તબક્કે ખોટા માની શકાય તેમ નથી.સુનાવણી દરમિયાન કેટલાક આરોપીઓ ગેરહાજર રહેતા સરકાર પક્ષ દ્વારા વોરંટની અરજી આપવામાં આવી છે. સાથે જ, આરોપીઓના વકીલે કરેલા દાવા મુજબ તેઓ અન્ય કોર્ટમાં હાજર હતા કે કેમ, તેના પુરાવા (રોજકામ) રજૂ કરવા પણ માંગણી કરવામાં આવી છે.સ્પેશિયલ પીપીએ જણાવ્યું કે પોલીસ તપાસના કાગળો જોતા સ્પષ્ટ થાય છે કે પોલીસે કોઈ પક્ષપાત કે 'પીક એન્ડ ચૂઝ'ની નીતિ અપનાવ્યા વગર, નુકસાન પામેલા વાહનો અને દુકાનોના પુરાવાઓ સાથે નિષ્પક્ષ તપાસ કરી છે. સુનાવણી 9મી એપ્રિલે થશે તેમણે અભિપ્રાય આપ્યો કે જ્યારે ધારાસભ્ય કે સરપંચ જેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ ગંભીર ગુનો આચરે, ત્યારે ગુનાની ગંભીરતા વધી જાય છે. જો આ ગુનાઓ પુરવાર થાય, તો તે ખૂબ જ ગંભીર બાબત ગણાશે. આ કેસની આગામી સુનાવણી 9મી એપ્રિલના રોજ રાખવામાં આવી છે, જેમાં આરોપી પક્ષના વકીલ દલીલો કરશે અને સરકાર પક્ષ દસ્તાવેજી પુરાવા રજૂ કરશે. આ મામલે ધારાસભ્ય અનંત પટેલ નો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો નહોતો એટલે સમગ્ર પ્રકરણમાં તેમનો પક્ષ જાણી શકાયો નથી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:02 pm

AAPએ પ્રથમ યાદી જાહેર કરતાની સાથે જ વડોદરામાં ભડકો:શહેર પ્રમુખ સહિતનાએ ખેસ કાર્યલયની બહાર લટકાવ્યાં, ‘એક ઉમેદવારની ડિપોઝિટ પાછી આવશે તો હું મુંડન કરી ફરીશ’

આમ આદમી પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકા તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આજે 24 માર્ચે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. યાદી જાહેર થયા બાદ વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખુદ શહેર પ્રમુખ અશોક ઓઝાએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. આ ઉપરાંત અનેક કાર્યકરોએ પણ રાજીનામા ધરી દીધા છે. આમ આદમી પાર્ટી માટે ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ જેવો ઘાટ થયો છે. કાર્યકરોએ કાર્યાલયની બહાર ખેસ લટકાવી દીધાકેટલાક કાર્યકરોએ આમ આદમી પાર્ટીના કાર્યાલયની બહાર જ પોતાના ખેસ લટકાવી દીધા હતા અને સ્થળ પર જ રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. કાર્યકરોએ પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું કે, આ યાદી સ્થાનિક લોકોને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ દિલ્હીથી નક્કી થઈ છે. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે. એક ઉમેદવારની ડિપોઝિટ પાછી લાવશે તો મુંડન કરી ફરીશઃ રાજેશ માળીઆ મામલે વોર્ડ નંબર 13ના પ્રભારી રાજેશ માળીએ જણાવ્યું હતું કે, આ યાદીમાં એવા લોકોને સમાવ્યા છે, જેઓ એક-બે મહિનાથી પાર્ટીમાં જોડાયા છે. અમે વર્ષોથી પાર્ટી માટે કામ કરી રહ્યા છે, તેમ છતાં અમારી અવગણના થઈ રહી છે. આમ આદમી પાર્ટીમાં દિલ્હીના લોકો અહીં આવે છે અને પૈસા લઈને ત્યાંથી જ ટિકિટ નક્કી કરી નાખે છે. અહીં ટ્રેનમાં આવે છે અને ફલાઇટમાં પાછા જાય છે. આ યાદીમાં એકેય જીતી શકે એવા ઉમેદવારો નથી. જો એક પણ ઉમેદવાર ડિપોઝિટ પાછી લઈને આવશે તો હું મુંડન કરાવીને ફરીશ. મરદને મૂકી માયકાંગલાઓને લાવ્યાઃ ભાવિકાબેનવોર્ડ નંબર 12માંથી ઉમેદવારી નોંધાવનાર ભાવિકાબેને જણાવ્યું હતું કે, પાર્ટીમાં જે કામ કરે છે, એવા મરદ ઉમેદવારોને મૂકીને માયકાંગલાઓની પસંદગી કરી છે. અમે વર્ષોથી પાર્ટી માટે ઘસાયા છે, પરંતુ અમને હાંસિયામાં નાખી દીધા છે. અમે વોર્ડ નં.12માં હજુ પણ કામ કરીશું પણ હવે સામાજિક કાર્યકર તરીકે કામ કરીશું. પૈસા લઈને ટિકિટો આપી છેઃ મહામંત્રી આમ આદમી પાર્ટીના મહામંત્રી જ્હાનવી ગોહિલે જણાવ્યું હતું કે, બધો પૈસાનો ખેલ છે. અહીંથી પૈસા મોકલી અપાય તે પ્રમાણે પાર્ટી ચાલે છે. અમારો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો, પણ તે પ્રમાણે નથી થયું. મારી સામે પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાનના 3 કેસ ચાલે છે પણ અમને કોઈ સપોર્ટ આપવામાં આવ્યો નથી. લીગલ ટીમ તારીખ પણ લેવા રાજી નથી અને તેના કારણે અમારા ફોન પણ હજુ પોલીસ સ્ટેશનમાં જમા છે. કેટલાય ગરીબ લોકોના ફોન જમા છે. જો પાર્ટી આમ કરતી રહેશે તો તેની સાથે કોણ ઊભું રહેશે? તેઓએ પ્રમુખ સામે પણ બળાપો ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, પ્રમુખ સામે અમે અનેક રજૂઆત કરી છે, પરંતુ તેઓને પૈસાના જોરે 2027 સુધીના ઇલેક્શન સુધી ફિક્સ કરી દેવાયા છે. પ્રમુખનું જ ન ચાલ્યું, રાજીનામુ ધર્યુંપ્રથમ યાદીને લઈ નારાજ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાએ પણ રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ જે ઉમેદવારોના નામ મૂક્યા હતા, તેઓની જ બાદબાકી થતાં તેઓએ જાતે રાજીનામુ ધરી દીધું હતું. જો કે આ મામલે તેઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. જો કે, કાર્યકરોમાં એવો પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે કે, પાર્ટી લેવલથી ભલે જે થયું હોય, પરંતુ પ્રમુખે તો પોતાની પરિપક્વતા બતાવવી જોઈતી હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટીની નૈયા કેટલી આગળ ચાલે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:01 pm

મંજુસર પોલીસ ઊંઘતી ઝડપાઈ ને દારૂ અડ્ડા પર SMC ત્રાટકી:આસોજથી 3295 બોટલ અને ટીન જપ્ત, 21 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, બે વોન્ટેડ

વડોદરા ગ્રામ્ય જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આસોજ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે વિદેશી દારૂ સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 11 લખના વિદેશી દારૂ સાથે કુલ 21 લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે બે ઈસમોને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે બે ઈસમો ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મકાન અને પાર્કિંગમાંથી 3295 બોટલ અને ટીન જપ્તઆસોજ ગામની જલારામનગર સોસાયટીમાં આરોપી મોહિત અબ્બાસભાઈ વહોરાના નિવાસસ્થાને તેમજ તેના ઘરના પાર્કિંગ વિસ્તારમાં SMCની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાન અને પાર્કિંગમાંથી 3295 બોટલ અને ટીન વિદેશી દારૂ તથા બિયર મળી આવ્યા હતાં. પોલીસે આ ઉપરાંત 5 વાહનો અને 5 મોબાઈલ મળી કુલ રૂપિયા 21,79,483ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. બે શખ્સ ઝડપાયા અને બે ફરારકાર્યવાહી દરમિયાન વસાવા મુલજીભાઈ મંગળભાઈ (રહે. આસોજ) અને મહેશ સીતાજી વણજારા (રહે. મંજુસર)ને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય આરોપી મોહિત અબ્બાસભાઈ વહોરા અને પ્રકાશ પુનાભાઈ ગોહિલ હાલ ફરાર છે. તેમની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી છે. મંજુસર પોલીસ ઊંઘતી ઝડપાઈ ને દારૂ અડ્ડા પર SMC ત્રાટકીવડોદરા શહેર અને જિલ્લામાં ગેરકાયદે વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરી વિરુદ્ધ એસએમસી દ્વારા અવારનવાર આવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે સ્થાનિક પોલીસ અને પોલીસની ખાનગી એજન્સીઓ સામે અનેક સવાલો ઉભા થતા હોય છે. આ મામલે મંજુસર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:48 pm

ખજોદ ડમ્પિંગ સાઈટ પર 52 દિવસમાં ફરી આગ:ભીષણ આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા દેખાયા, ફરી કચરા કૌભાંડ ગાજશે

સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં ફરી વખત ભીષણ આગ ફાટી નીકળતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ જ્યારે આગ લાગી ત્યારે તેને કાબૂમાં લેતા ચાર દિવસનો સમય લાગ્યો હતો અને તે સમયે વિપક્ષ દ્વારા કરોડોના 'કચરા કૌભાંડ'ના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. હવે જ્યારે ફરીથી આ જ સ્થળે રહસ્યમય રીતે આગ લાગી છે, ત્યારે પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને શહેરમાં ફરી એકવાર કચરા કૌભાંડનો મુદ્દો ગાજે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યાં છીએ…

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:47 pm

વિશ્વ ટીબી દિવસે બોટાદ જાયન્ટ્સ ગ્રુપે 70 કીટનું વિતરણ કર્યું:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દર્દીઓને પોષણ સહાય

વિશ્વ ટીબી દિવસ નિમિત્તે બોટાદમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટીબી પીડિત દર્દીઓ માટે 70 પોષણયુક્ત ફૂડ કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યક્રમ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના સહયોગથી યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજસેવા અને ટીબી દર્દીઓને મદદ કરવાનો હતો. સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ટીબી જેવી ગંભીર બીમારી સામે લડવા માટે દવાઓ સાથે પોષણયુક્ત આહાર અત્યંત જરૂરી છે. દર્દીઓના આરોગ્યમાં સુધારો થાય અને તેઓ ઝડપથી સ્વસ્થ બને તે હેતુથી આ ફૂડ કિટનું વિતરણ કરાયું છે. કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સૌએ મળીને આ સેવાકીય કાર્યને સફળ બનાવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:40 pm

જામનગર ITI રાજ્યમાં તૃતીય ક્રમે વિજેતા:550 ITI વચ્ચેની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, 5 લાખનું અનુદાન મળ્યું

જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) એ ગુજરાત રાજ્યની કુલ 550 ITI વચ્ચે યોજાયેલી શ્રેષ્ઠ સંસ્થાની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ રાજ્ય સરકાર દ્વારા સંસ્થાને પ્રોત્સાહન રૂપે રૂપિયા પાંચ લાખનું અનુદાન પણ એનાયત કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના પ્રથમ તબક્કે રાજકોટ વિભાગની કુલ 99 ITI માંથી જામનગરની સંસ્થા પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ હતી. ત્યારબાદ રાજ્યની પસંદ થયેલી શ્રેષ્ઠ 12 સંસ્થાઓ વચ્ચેની આખરી સ્પર્ધામાં જામનગરે સમગ્ર રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. શ્રેષ્ઠ ITI ની પસંદગી માટે કુલ 30 જેટલા વિવિધ માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા હતા. જેમાં સંસ્થાની સફાઈ, તાલીમની ગુણવત્તા, ઓન જોબ ટ્રેનિંગ, એફિલેશન, ડ્યુઅલ સિસ્ટમ ઓફ ટ્રેનિંગ અને તાલીમાર્થીઓના પાસ આઉટ રેશિયો જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ પાસાઓમાં જામનગર ITI એ 150 ગુણમાંથી 127 ગુણ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સંસ્થા દ્વારા માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ માટે થેલેસેમીયા ટેસ્ટ, બ્લડ ડોનેશન કેમ્પ, કેન્સર અવેરનેસ સેમિનાર, વૃક્ષારોપણ અને વિવિધ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ જેવા રચનાત્મક કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ માટે ગીર, નરારા અને પોલો ફોરેસ્ટમાં શૈક્ષણિક શિબિરો તેમજ ફાયર સેફ્ટી અને સિવિલ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવી હતી. વર્તમાન સમયની ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાને રાખીને જામનગરની આ સંસ્થામાં વિવિધ ઉદ્યોગોના સામાજિક દાયિત્વ (CSR) હેઠળ ઇલેક્ટ્રિક વાહનો, ઔદ્યોગિક ઓટોમેશન, પ્લમ્બિંગ અને ઓટોમોબાઇલ લેબ ડેવલપમેન્ટના આધુનિક પ્રોજેક્ટ્સ પર કાર્ય ચાલી રહ્યું છે. સંસ્થાના આચાર્ય અને તમામ કર્મચારીગણના સહિયારા પુરુષાર્થ તેમજ તાલીમાર્થીઓની મહેનતને રોજગાર અને તાલીમ વિભાગના નિયામકશ્રી દ્વારા પણ બિરદાવવામાં આવી છે. જામનગર ITI ની આ સફળતા જિલ્લાના યુવાનો માટે ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે નવા દ્વાર ખોલનારી સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:38 pm

પાટણમાં 700 ટીબી દર્દીઓને પોષણ કીટ અપાઈ:વિશ્વ ક્ષય દિવસે 124 ટીબી મુક્ત ગામોના સરપંચોનું સન્માન

વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે પાટણમાં ટીબી મુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) મહેસાણાના CSR અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણના સહયોગથી 700 ક્ષયના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, જિલ્લાના 124 ટીબી મુક્ત ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના અગ્રણી નરેશ દવેએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષયના દર્દીઓને સારવારમાં મદદરૂપ થવાનો છે. વિતરિત કરાયેલી પોષણયુક્ત આહાર કીટ દ્વારા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધે અને તેઓ ઝડપથી રોગમુક્ત બને તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, ટીબી નાબૂદીની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 124 ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. આ ગામોના સરપંચોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં સમગ્ર જિલ્લાને સંપૂર્ણપણે ટીબી મુક્ત કરવા માટે સઘન પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:37 pm

જિલાણી બ્રિજ પર લોખંડની સુરક્ષા ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ:ઉત્તરાયણમાં બાઈક સવાર સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા, 3ના મોત થયા'તા

સુરત શહેરના ટ્રાફિકથી ધમધમતા જિલાણી બ્રિજ પર આખરે સુરક્ષા કવચ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત ઉતરાયણના દિવસે બનેલી હૃદયદ્રાવક ઘટના, જેમાં ચાઈનીઝ દોરીને કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. તેના પગલે જાગૃત નાગરિકો અને રાજકીય આગેવાનોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ પર લોખંડની ઊંચી ગ્રીલ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ચાઈનીઝ દોરીએ એક હસતા-રમતા પરિવારનો જીવ લીધો14 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે આખું સુરત પતંગબાજીના ઉત્સાહમાં હતું, ત્યારે જિલાણી બ્રિજ પર એક કમકમાટીભરી ઘટના ઘટી હતી. ઉતરાયણના દિવસે પ્રતિબંધ હોવા છતાં વપરાતી ઘાતક ચાઈનીઝ દોરીએ એક હસતા-રમતા પરિવારનો જીવ લીધો હતો. બાઈક સવાર સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા, 3ના મોતબ્રિજ પરથી પસાર થતા બાઈક સવારના ગળામાં અચાનક ચાઈનીઝ દોરી આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે ગળામાં વાગતા જ ચાલકે બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને બાઈક સવાર સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાએ આખા સુરતને હચમચાવી દીધું હતું અને બ્રિજની ડિઝાઈન તેમજ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા હતા. વારંવાર મનપાને રજૂઆતને 2 મહિના બાદ કામગીરી શરૂ કરાઈઆ ઘટના બાદ લોકરોષ ફાટી નીકળ્યો હતો. પૂર્વ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મારુક પટેલે આ મામલે સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને એક લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે, જિલાણી બ્રિજની ઉંચાઈ અને નીચે પટકાવાની શક્યતાઓને જોતા ત્યાં મજબૂત લોખંડની ગ્રીલ લગાવવી અનિવાર્ય છે. 'બ્રિજ પર યોગ્ય ઉંચાઈની ગ્રીલ હોત, તો ત્રણેય જીવતાં હોત'તેમણે પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો બ્રિજ પર યોગ્ય ઉંચાઈની ગ્રીલ હોત, તો કદાચ પેલા ત્રણ લોકો બ્રિજ નીચે ન પટકાયા હોત અને આજે તેઓ જીવિત હોત. માત્ર ચાઈનીઝ દોરી જ નહીં, પણ સામાન્ય અકસ્માતમાં પણ વાહનચાલક બ્રિજની બહાર ન ફેંકાય તે જોવાની જવાબદારી તંત્રની છે. જિલાણી બ્રિજ પર ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરાઈઆજે 24 માર્ચ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જિલાણી બ્રિજ પર ગ્રીલ લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બ્રિજની બંને બાજુએ મજબૂત લોખંડના એન્ગલ અને જાળીવાળી ગ્રીલ ફીટ કરવામાં આવી રહી છે. આ ગ્રીલની ઉંચાઈ એટલી રાખવામાં આવી છે કે જેથી કોઈ પણ પ્રકારના અકસ્માતમાં વ્યક્તિ બ્રિજની બહાર ન ફેંકાય. અનેક લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતીપૂર્વ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મારુફ પટેલે જણાવ્યું હતું કે, 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ચંદ્રશેખર આઝાદ જીલાની બ્રિજ પર એક વળાંક પર એક પરિવારનું ચાઇના દોરી વાગી જવાથી જીલાની બ્રિજ પરથી નીચે પટકાઈને મૃત્યુ થયું હતું. ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી, સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ફરિયાદ કરી હતી, સુરત શહેરના સામાજિક યુવા આગેવાનોએ પણ ફરિયાદ કરી હતી. આજે સુરત મહાનગરપાલિકા દ્વારા જીલાની બ્રિજ પર ગ્રીલનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, તે બદલ સુરત મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:28 pm

ગુજરાતમાં ઓબીસીનાં હક્ક માટે કોંગ્રેસ મેદાને:રાજકોટથી 'ક્યુ.આર. કોડ' લોન્ચ કરી 53 ટકા વસ્તીને સંગઠિત કરવાનું લક્ષ્ય, ભાજપ સરકારની નીતિ સામે પ્રહારો કર્યા, CM બદલવાની શક્યતા વ્યક્ત કરાઈ

ગુજરાતના રાજકારણમાં આગામી સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીઓ પહેલા પછાત વર્ગોને પોતાની તરફ આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. (OBC) ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પછાત વર્ગના લોકોને પક્ષની વિચારધારા સાથે જોડવા અને તેમના હક્કો માટે લડત આપવા માટે એક આધુનિક ડિજિટલ અભિયાન ‘ક્યુ.આર. કોડ’ લોન્ચ કરવામાં આવ્યો છે. આ તકે કોંગ્રેસના ઓબીસી સમાજના ચેરમેન મહેશ રાજપૂત, પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ સરકારની નીતિ સામે આકરા પ્રહારો કર્યા હતા. ઋત્વિક મકવાણાએ તો મુખ્યમંત્રી બદલાઈ જવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. ડિજિટલ ક્રાંતિ દ્વારા પછાત વર્ગનું સંગઠન ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના પ્રદેશ ચેરમેન મહેશ રાજપૂતે અભિયાનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પછાત વર્ગને સતત થઈ રહેલા અન્યાયને દૂર કરવા અને સમાજમાં એકતા સ્થાપિત કરવા માટે આ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ ના નારા સાથે લોન્ચ કરાયેલા આ ક્યુ.આર. કોડને સ્કેન કરવાથી લોકોના મોબાઈલમાં સીધું એક ફોર્મ ખુલશે. આ ફોર્મમાં લોકોએ પોતાની વિગતો ભરીને પક્ષ સાથે જોડાવવાનું રહેશે અને તેઓ પક્ષ માટે શું સેવા આપી શકે છે તેની પણ વિગત આપવાની રહેશે, જેથી ભવિષ્યમાં જવાબદારીઓની વહેંચણી સુવ્યવસ્થિત રીતે થઈ શકે. તેઓએ ઓ.બી.સી. સમાજને અપીલ કરી હતી કે જો તેઓ મનમાં ગાંઠ વાળી લે, તો તેમને થતા અન્યાયને દૂર કરતા કોઈ રોકી શકશે નહીં. હાલ વ્યાપી ગયેલા ભ્રષ્ટાચાર સામેની લડાઈને જીતવા માટે સમાજનું સંગઠિત થવું અનિવાર્ય છે. 53% વસ્તી અને જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો મહેશ રાજપુતે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ઓ.બી.સી. સમાજની વસતિ કુલ વસતિના 53 ટકાથી પણ વધુ છે, જેમાં અંદાજે 146 જેટલી વિવિધ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. 1931 માં છેલ્લી વાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી, ત્યારબાદ ક્યારેય સત્તાવાર આંકડા જાહેર થયા નથી. કોંગ્રેસની મુખ્ય માંગણી છે કે રાજ્યમાં ફરીથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે જેથી 53 ટકા વસ્તીને તેમનો વાસ્તવિક અધિકાર મળી શકે છે. સરકારી નોકરીઓ અને અનામતમાં અન્યાયના આક્ષેપો પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત પૂર્વ સાંસદ વિક્રમ માડમે પણ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, માંગવાથી ભીખ મળે છે, અધિકાર તો ઝૂંટવીને લેવા પડે છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં હાલ 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી પડી છે, છતાં નવી ભરતી કરવામાં આવતી નથી. સરકાર દ્વારા અપનાવવામાં આવતી 'આઉટ સોર્સિંગ' નીતિને કારણે અનામતની જગ્યાઓ ભરાતી નથી, જેનો સીધો ગેરલાભ ઓ.બી.સી. સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોને થઈ રહ્યો છે. કોંગ્રેસે માંગ કરી છે કે રાજ્યમાં ખાલી પડેલી અંદાજે 4 લાખ નોકરીઓની જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી થાય અને યુવક-યુવતીઓનું થતું શોષણ બંધ કરવામાં આવે. રાજકીય પરિવર્તનના સંકેતો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ સરકારની શાસન વ્યવસ્થામાં સમાનતાનો અભાવ હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ભાજપ દ્વારા વિવિધ સમાજોની અવગણના કરવામાં આવી રહી છે, જેનો કોંગ્રેસ સજ્જડ વિરોધ કરશે. તેમણે એક ચોંકાવનારું વિધાન કરતા કહ્યું હતું કે, જો ટૂંક સમયમાં રાજ્યના મુખ્યમંત્રી બદલાય તો નવાઈ પામવા જેવું નથી. વધુમાં, તેમણે પરસોત્તમ સોલંકી દ્વારા અગાઉ કરવામાં આવેલી પોતાની માંગણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે ભાજપમાં આંતરિક ખેંચતાણ હોવાનું સૂચવે છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી ઋત્વિકભાઈ મકવાણા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ અને પૂર્વ કાર્યકારી ચેરમેન રમેશભાઈ દેસાઈ (રબારી) સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસે આ અભિયાન દ્વારા સંદેશ આપ્યો છે કે તેઓ આગામી સમયમાં પછાત વર્ગના હક્કો માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરવા માટે પણ તૈયાર છે. ત્યારે હવે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ઓબીસીનાં હક્કની લડાઈ ક્યારે અને કેવી રીતે લડવામાં આવશે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:17 pm

હિંમતનગરમાં કાર-બાઈક અકસ્માત CCTVમાં કેદ:ઓવરસ્પીડ બાઈકચાલકે ટક્કર મારતાં બંને વાહનને નુકસાન

હિંમતનગરમાં સિંચાઈ કર્મચારી સોસાયટી આગળના રોડ પર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં બંને વાહનોને નુકસાન થયું હતું. પ્રાથમિક તપાસમાં બાઈકની ગતિ વધુ હોવાનું જણાયું છે. મહાવીરનગર ચાર રસ્તેથી ઇન્દ્રનગર તરફ જતા આ રોડ પર સિંચાઈ કર્મચારી સોસાયટી આવેલી છે. આ રોડ પર તીવ્ર વળાંક હોવા છતાં વાહનચાલકો ઘણીવાર વધુ ઝડપે વાહન ચલાવે છે, જેના કારણે અહીં અવારનવાર અકસ્માતો થાય છે. મંગળવારે બપોરે લગભગ 11.15 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ઇન્દ્રનગર તરફથી મહાવીરનગર તરફ જઈ રહેલી એક અલ્ટો કાર અને મહાવીરનગર તરફથી ઇન્દ્રનગર તરફ આવી રહેલા એક બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. સીસીટીવી ફૂટેજ મુજબ, બાઈક ચાલકે વધુ ઝડપને કારણે કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવતી અલ્ટો કાર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હતું. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:15 pm

LIVE | મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

PM Modi Live in Rajysabha : પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જો આ યુદ્ધ ચાલુ રહેશે, તો તેના ગંભીર પરિણામો આવશે. તેમણે કહ્યું કે, ભારત દરેક ક્ષેત્રમાં એવો પ્રયાસ કરી રહ્યું છે કે કોઈપણ ક્ષેત્રમાં અન્ય દેશો પર વધુ પડતી નિર્ભરતા ન રહે. વડાપ્રધાને શિપ બિલ્ડિંગથી લઈને રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનિજો) સુધી, આત્મનિર્ભરતાના પ્રયાસો ગણાવ્યા અને કહ્યું કે આ સંકટે દુનિયાને હચમચાવી દીધી છે. આમાંથી બહાર આવવામાં પણ વિશ્વને ઘણો સમય લાગશે. સરકાર પળેપળે બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

ગુજરાત સમાચાર 24 Mar 2026 2:07 pm

વડોદરાના પેટ્રોલ પંપો પર પોલીસની અપીલ:'તમામ નાગરિકોને વિનંતી છે કે, પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓથી દૂર રહો, ​તમામ પેટ્રોલ પંપો પાસે પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, ક્યાંય કોઈ અછત નથી.

અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સર્જાયેલી સ્થિતિમાં પણ ભારતમાં પેટ્રોલ ડીઝલ અને ગેસની અછત નહીં હોવાનું વારંવાર તંત્ર દ્વારા કહેવા છતાં ગભરાટના કારણે વાહનચાલકોએ પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવવા રીતસરની દોડધામ મચાવી મૂકી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રએ કેટલાક પેટ્રોલ પંપોએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ડીઝલ અને પેટ્રોલ હોવાની જાહેરાત પોલીસે કરી હતી. વડોદરા શહેરમાં ગઈકાલે સાંજથી લોકો પોતપોતાના વાહનો લઈને ચાલકો ઇંધણની ટાંકી ફુલ કરાવવા નીકળી પડ્યા હતા. જેથી ગઈકાલે શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. એલપીજી ગેસની જેમ જ પેટ્રોલ ડીઝલની પણ અછત ઊભી થશે તેવી અફવા ફેલાઈ હતી જેથી ગભરાઈ ગયેલા વાહન ચાલકોએ પેટ્રોલ ડીઝલ માટે પંપો પર વહેલી સવારથી જ લાઈનો લાગી ગઈ હતી. જેને પગલે તંત્ર એક્શનમાં આવ્યું છે અને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં અનાઉન્સ કર્યું હતું કે, અફવાઓથી દૂર રહો, કારણ કે પેટ્રોલ અને પૂરતી જથ્થો છે. પોલીસકર્મીએ પેટ્રોલ પંપ પર જઈને જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તમામ નાગરિકોને એક ખાસ વિનંતી છે કે અત્યારે સોશિયલ મીડિયામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે જે અફવાઓ ચાલી રહી છે, તેનાથી દૂર રહો અને સાવધાન રહો. ​હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, ​તમામ પેટ્રોલ પંપો પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ​ઇંધણનો પુરવઠો એકદમ રેગ્યુલર છે, ક્યાંય કોઈ અછત નથી. ​મારી નમ્ર અપીલ છે કે ખોટો ગભરાટ ફેલાવશો નહીં અને પેટ્રોલ પંપો પર બિનજરૂરી ભીડ કરશો નહીં. તમારી જરૂરિયાત મુજબ જ ઇંધણ મેળવો અને પેટ્રોલ પંપના સ્ટાફ સાથે પૂરો સહકાર આપો. અફવાઓથી બચો અને સાચી માહિતી જ ફેલાવો. આભાર.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:00 pm

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો:ભરૂચની 13 વર્ષીય બાળકીની શ્વાસનળીમાંથી 4 સેમીની પિન સર્જરી કરી બહાર કાઢી

વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં વધુ એક 13 વર્ષીય ભરૂચની બાળકીની જીવલેણ સ્થિતિમાંથી સફળ સર્જરી કરીને તબીબોએ તેનો જીવ બચાવ્યો છે. ભરૂચની રહેવાસી 13 વર્ષીય બાળકી બુરખા (હિજાબ)માં પિન લગાવતી વખતે મસ્તીમાં તેને મોંમાં પકડી રાખતી હતી. અચાનક તે પિન ગળી ગઈ હતી, ત્યારબાદ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી. બાળકીને ભરૂચથી વડોદરા ખસેડાઈ હતીબાદમાં બાળકીને શરૂઆતમાં ભરૂચ હોસ્પિટલમાં અને ત્યારબાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તપાસ કરતા બાળકીને 4 સેન્ટીમીટર લાંબી પિન તેની શ્વાસનળીમાં ફસાઈ જતા શ્વાસ રુંધાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. પરિવારજનોને બાળકીને ભરૂચ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવી હતી. બાળકીની અડધો કલાક સર્જરી ચાલીબાળકીના જીવન પર મોટું જોખમ હતું. હોસ્પિટલના ENT વિભાગના નિષ્ણાત તબીબોએ તાત્કાલિક સર્જરી કરી હતી અને બાળકીને અડધા કલાકની સર્જરી બાદ બ્રોન્કોસ્કોપીની મદદથી પિનને શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવી હતી. બાળકોને પિન, સિક્કા કે નાની વસ્તુઓ ન દેવા અપીલઆ સાથે સયાજી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં આવા ત્રણ કિસ્સા સામે આવ્યા છે. તબીબોએ વાલીઓને ચેતવણી આપી છે કે, નાનાં બાળકોને પિન, સિક્કા કે નાની વસ્તુઓ મોંમાં ન લેવા દેવી, કારણ કે આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. આ બાળકીની સ્થિતિ હાલમાં સુધારા પર છે. આ વાલીઓ માટે ફરી લાલબત્તી સમાનકિસ્સો સામે આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 1:33 pm

સરકારી કચેરીઓના ધક્કા હવે ભૂતકાળ બનશે:વહીવટી તંત્રમાં ફેસલેસ અને પેપરલેસ ક્રાંતિ, 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા અને નાગરિકોને સરકારી સેવાઓ 'લાઈન' માંથી 'ઓનલાઈન' ઉપલબ્ધ કરાવવા માટે આ એક ક્રાંતિકારી કદમ માનવામાં આવે છે. 20 મહત્વની સેવાઓ હવે ‘ફેસલેસ અને પેપરલેસ’આ કાર્યક્રમ દરમિયાન GARC (Gujarat Administrative Reforms Commission) ના 5 માં અહેવાલની ભલામણોના આધારે, 5 મુખ્ય વિભાગોની 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઈન સરલીકરણ જાહેર કરાયું છે. હવે આવક-જ્ઞાતિના દાખલા, રેશનકાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ મેળવવા માટે નાગરિકોએ કચેરીએ જવાની જરૂર નહીં પડે. આ સેવાઓ સંપૂર્ણપણે 'ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ' બનશે. પ્રજાના કામમાં સરળતા એ જ સરકારનું લક્ષ્યમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2002 માં 'સ્વાગત ઓનલાઇન' દ્વારા જે ટેકનોલોજીની પાયા નાખ્યા હતા, તેના મીઠા ફળ આજે મળી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ગ્રામીણ સ્તરે તલાટી અને VCE એ આ સેવાઓના પ્રચાર-પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. જ્યારે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ એક થઈને કામ કરે છે, ત્યારે પરિણામ અદભૂત આવે છે. આ નવી વ્યવસ્થામાં 'ડિજિટલ લોકર'ની સુવિધા હોવાથી નાગરિકોએ વારંવાર એકના એક દસ્તાવેજો જમા કરાવવા પડશે નહીં. ઈંધણની અછત અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં ડીઝલ, પેટ્રોલ કે ગેસની અછત હોવાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી હતી. ડિજિટલાઇઝેશનથી પારદર્શિતા અને ઝડપમાં વધારોવિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, અગાઉ દિલ્હીથી મોકલેલા 1 રૂપિયો છેવાડાના માનવી સુધી પહોંચતા ઘસાઈ જતો, પરંતુ આજે DBT દ્વારા પૂરેપૂરી રકમ સીધી ખાતામાં જમા થાય છે. કમોસમી વરસાદના વળતર પેટે તાજેતરમાં જ એક ક્લિકથી 11,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાયા છે. ડિજિટલ સિસ્ટમને કારણે આજે કરોડો રૂપિયાની સહાય વચેટિયાઓ વગર સીધી લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે. દર વર્ષે 80 લાખ લોકોની લાઈનો ઘટશેમુખ્ય સચિવ મનોજ દાસે મહત્વની વિગત આપતા જણાવ્યું કે, દર વર્ષે અંદાજે 80 લાખ લોકો પ્રમાણપત્રો માટે લાઈનમાં ઊભા રહે છે, જે હવે બંધ થશે. 'સુગમ ડિજિટલ ગુજરાત' પોર્ટલ એટલું સક્ષમ છે કે એકસાથે 10 લાખ લોકો લોગ-ઈન કરે તો પણ તે હેંગ થશે નહીં. આ સિસ્ટમમાં QR કોડ અને આધાર આધારિત ઓથેન્ટિકેશન હોવાથી સુરક્ષા અને ચોકસાઈ જળવાઈ રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 1:32 pm

મહેસાણામાં અજાણ્યો યુવક વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો:જીવંત વાયરો પકડતા રહીશોએ જીવના જોખમે બચાવ્યો, આપઘાતના ઇરાદે પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન

મહેસાણા શહેરમાં મોઢેરા રોડ પર આવેલી ટહુકો પાર્ટી પ્લોટની બાજુમાં ગત મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક અજાણ્યા યુવકે વીજ ટ્રાન્સફોર્મર પર ચડી જઈ જીવંત વીજ વાયરો પકડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે આસપાસના રહીશોએ સમયસૂચકતા વાપરી યુવકને મોતના મુખમાંથી ઉગારી લીધો હતો. યુવક વીજ લાઈનના વાયરો પકડી લેતા જોરદાર કરંટ લાગ્યોગત મોડી રાત્રિના સમયે એક અજાણ્યો શખ્સ અચાનક ટહુકો પાર્ટી પ્લોટ પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો. કોઈ કંઈ સમજે તે પહેલાં જ તેણે વીજ લાઈનના વાયરો પકડી લેતા જોરદાર વીજ કરંટ લાગવાની શક્યતા ઊભી થઈ હતી. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આપઘાતના પગલે વીજ ટ્રાન્સફોર્મર પર ચડ્યો હોવાનું પ્રાથમિક અનુમાનસ્થાનિક રહીશોએ અત્યંત સાવધાની અને સમયસૂચકતા દાખવી જોખમ ખેડીને યુવકને ટ્રાન્સફોર્મર પરથી સુરક્ષિત નીચે ઉતાર્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાતના ઈરાદે આ પગલું ભર્યું હોવાનું જણાયું છે. ઘટના બાદ તુરંત જ ઇજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા શખ્સને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે વિસ્તારમાં મોડી રાત્રે ભારે કુતૂહલ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે યુવક કોણ હતો અને ક્યાંનો હતો એ જાણી શકાયું નથી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 1:28 pm

અમદાવાદમાં UCC બિલનો વિરોધ:મહિલાઓએ કહ્યું-મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરાયો; લિવ ઈનનો કાયદો મહિલા માટે જોખણી, સંવિધાન મુજબ નથી

આજે ગુજરાત વિધાનસભામાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવનાર છે. ત્યારે આ બિલ રજૂ થવાના ગણતરીના કલાકો પહેલા અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં SDPI પાર્ટી દ્વારા UCC બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની પરવાનગી લીધા વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવતા કારંજ પોલીસ દ્વારા વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરનારા કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, આ ગેર સંવિધાનિક છે અને સરકારનું કામ સેવા કરવાનું છે, પરંતુ આ બિલ જબરજસ્તી તેઓ દ્વારા નાખવામાં આવ્યું છે. આમાં સરકાર તાનાશાહી કરી રહી છેઃ સ્થાનિકોવિરોધ કરનારા મહિલાઓએ પણ જણાવ્યું હતું કે, આ જે બિલ લાગુ કરવામાં આવી રહ્યું છે તે ગેર સંવિધાનિક છે. સંવિધાન મુજબ બિલ બનાવવું જોઈએ. UCC બિલથી દરેક નાગરિકને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. મહિલાને આનાથી કોઈ ફાયદો નથી. ફ્રેન્ડશીપમાં જે લાગુ કરવામાં આવી રહ્યું છે તે મહિલા માટે સારું નથી. બીજાના છોકરાને લઈને આવે તેને સમાન હક આપવાની વાત છે. સંવિધાન મુજબ બિલ હોવું જરૂરી છે. આ બિલ એકદમ ગેરકાનૂની છે અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. સરકાર આમાં તાનાશાહી કરી રહી છે. UCC શું છે?UCCનો અર્થ છે કે, ભારતના તમામ નાગરિકો માટે, પછી ભલે તે ગમે તે ધર્મ, જાતિ કે લિંગના હોય, તેમના વ્યક્તિગત બાબતો (Personal Laws) માટે એક સમાન કાયદો હોવો જોઈએ. અત્યારે ભારતમાં લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા અને વારસા જેવા વિષયોમાં અલગ-અલગ ધર્મો માટે અલગ કાયદા છે (જેમ કે હિન્દુ પર્સનલ લો, મુસ્લિમ પર્સનલ લો વગેરે). UCC આ તમામની જગ્યાએ એક સામાન્ય કાયદો લાવવાની વાત કરે છે. મુખ્ય પાસાઓ

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 1:22 pm

ગિરનારના જંગલમાં ચૈત્રી નવરાત્રિમાં જોવા મળ્યો અદભૂત નજારો:બોરદેવી માર્ગે મંદિરે શીશ ઝુકાવતી સિંહબેલડીએ શ્રદ્ધા પ્રગટ કરી

​હાલ આદ્યશક્તિની આરાધનાનો પર્વ 'ચૈત્રી નવરાત્રિ' ચાલી રહી છે. ભક્તો જ્યારે માતાજીની ભક્તિમાં લીન છે, ત્યારે જૂનાગઢના ગિરનારના ગાઢ જંગલમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. બોરદેવી તરફ જતાં રસ્તા પર આવેલા એક નાના મંદિર પાસે સિંહ બેલડી આવી પહોંચી હતી. વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ વનરાજો જાણે દેવીના ચરણોમાં વંદન કરવા આવ્યા હોય તેમ શાંતિપૂર્ણ રીતે મંદિરના ઓટલા પાસે ઉભા રહી શીશ ઝુકાવી રહ્યા છે. ​શ્રદ્ધાળુએ મોબાઈલમાં કેદ કરી દુર્લભ ક્ષણો​આ આખી ઘટના બોરદેવી મંદિર તરફ જતાં રસ્તા પર બની હતી. ત્યાંથી પસાર થતી કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં આ અદભૂત દૃશ્યો કેદ કરી લીધા હતા. જંગલના રાજા ગણાતા સિંહો સામાન્ય રીતે માનવ વસ્તી કે વાહનો જોઈને પ્રતિક્રિયા આપતા હોય છે, પરંતુ આ વીડિયોમાં સિંહોની એક અલગ જ ભક્તિમય મુદ્રા જોવા મળી રહી છે. ભક્તો આ ઘટનાને કુદરત અને શક્તિનો અનોખો સંગમ માની રહ્યા છે. ​ગિરનાર સિદ્ધો અને સિંહોની પવિત્ર ભૂમિ ​ગિરનાર એ માત્ર પર્વત નથી, પણ આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. અહીં નવ નાથ, ચોર્યાસી સિદ્ધો, ચોસઠ જોગણીઓ અને બાવન વીરના બેસણાં છે. 2025ની સિંહ વસ્તી ગણતરી મુજબ, ગિરનારના જંગલ વિસ્તારમાં 54થી વધુ સિંહો વસવાટ કરી રહ્યા છે. વનરાજોનો આ વિસ્તારમાં દબદબો છે, છતાં અહીં વન્યજીવો અને માનવીય શ્રદ્ધા વચ્ચે એક અતૂટ તાલમેલ જોવા મળે છે. ​બોરદેવી માર્ગ અને ભક્તોની અવરજવર ​બોરદેવી મંદિર ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમાનો છેલ્લો પડાવ ગણાય છે. અહીં વર્ષભર હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની અવરજવર રહે છે. વન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને આ માર્ગ પર અવરજવરની છૂટ આપવામાં આવે છે. જોકે ચોમાસાના ચાર મહિના સુરક્ષાના કારણોસર આ રસ્તો બંધ રાખવામાં આવે છે. સિંહોની સતત હાજરીને કારણે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે જેથી વન્યજીવો અને પ્રવાસીઓ વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય. ​આ વીડિયો હાલ સમગ્ર રાજ્યમાં કુતૂહલ અને શ્રદ્ધાનો વિષય બન્યો છે. લોકો કહી રહ્યા છે કે નવરાત્રિના સમયે ગિરનારની પવિત્ર ધરતી પર સિંહોનું આ પ્રકારે મંદિર પાસે આવવું એ કોઈ આશીર્વાદથી ઓછું નથી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 1:08 pm

સ્થાનિક સ્વરાજ ચૂંટણીની સ્વનિર્ભર શાળાના શિક્ષકોને કામગીરી સોંપવાની તૈયારી:હાઇકોર્ટના જજમેન્ટના આધારે શિક્ષકોને કામગીરીથી દૂર રાખવા શાળા સંચાલક મહામંડળની ચૂંટણી કમિશનરને રજૂઆત

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. જેના માટે સરકારી શિક્ષકોને તો ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે જ છે, પરંતુ ચૂંટણી જાહેર થાય તે પહેલા સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર પણ કરવામાં આવી રહ્યા છે. તો કેટલીક કોર્પોરેશન અને નગરપાલિકા દ્વારા ખાનગી શાળાઓ પાસે શિક્ષકોની વિગત પણ માંગી છે. જેને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળે ચીફ ચૂંટણી કમિશનર અને સરકારને પત્ર લખ્યો છે. જેમાં સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને ચૂંટણીની કામગીરી ન સોંપવા માગ કરવામાં આવી છે. 2017માં નામદાર હાઈકોર્ટ દ્વારા કરેલા જજમેન્ટના આધારે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને ચૂંટણી કામગીરીથી દૂર રાખવા માગ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર કરવાની શરૂઆતગુજરાત હાઇકોર્ટમાં નામદાર જજ દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું હતું કે સ્વનિર્ભર શાળાઓ અને સ્વનિર્ભર સ્કૂલોના શિક્ષકોને ચૂંટણી કામગીરી સોંપવામાં આવે નહીં. જેને ધ્યાનમાં રાખીને 2017માં ચૂંટણી કમિશનર દ્વારા પણ તમામ જિલ્લા કલેકટરને પત્ર લખીને સૂચના આપવામાં આવી હતી કે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવી નહીં, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેમજ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં આવતી સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોની વિગતો માંગવામાં આવી હતી. રાજ્ય શાળા સંચાલક મહામંડળે ચૂંટણી કમિશનર અને સરકારને પત્ર લખ્યોજેથી સ્વનિર્ભર શાળાઓએ રાજ્ય શાળા સંચાલક મહામંડળને ફરિયાદ કરી હતી. જે બાદ રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ચૂંટણી કમિશનર અને સરકારને પત્ર લખવામાં આવ્યો છે. સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો સરકારી નોકર ન હોવાથી તેમના ચૂંટણી કામગીરીના ઓર્ડર ન કરવા માગ કરવામાં આવી છે. જો સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ચૂંટણી માટે ઓર્ડર કરવામાં આવે તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થાય તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 2017માં ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન થઈ હતીગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની સ્વનિર્ભર શાળાઓ અને કોલેજો માટે 2017માં ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન થઈ હતી. જે અંતર્ગત નામદાર જજ સાહેબે જજમેન્ટ આપ્યું હતું કે સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની ભારત સરકારના 1951ની કલમ 159 અંતર્ગત સેવાઓ આવતી નથી. જેથી તેમનો ઉપયોગ ચૂંટણીની કામગીરીમાં કરવો નહીં. કારણ કે તેમને સંપૂર્ણ ખાનગી ગણવામાં આવેલા છે. જે સંજોગોમાં સરકારી નોકરની વ્યાખ્યામાં ન આવતા હોવાથી તેમનો ઉપયોગ ન કરવો તેવો ગુજરાત સરકારના ચીફ ચુંટણી કમિશનર સાહેબે પણ ઠરાવ કરી જિલ્લાના કલેકટરોને જાણ કરી હતી. સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર ન કરવામાં આવે તે માટે રજૂઆતવધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, તેમ છતાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. જે માટે રાજ્યના અલગ અલગ કોર્પોરેશન અને નગરપાલિકાઓ દ્વારા સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની માહિતી માંગવામાં આવી છે. તેમજ ચૂંટણી માટે તેમના ઓર્ડર નીકાળવાની તૈયારી કરવામાં આવી છે. જેથી સરકાર આ અંગે વિચારે અને સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર ન કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે. કારણ કે શિક્ષકોના ઓર્ડર કરવામાં આવશે તો શાળાનું શિક્ષણકાર્ય પણ બગડી શકે છે. પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીની કામગીરી પણ ચાલી રહી છે જેથી તેને પણ અસર થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:53 pm

4 વર્ષથી અપહરણ ગુનાનો આરોપી ઝડપાયો:પંચમહાલ પોલીસે મોરબીમાંથી દબોચ્યો, પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી

પંચમહાલ પોલીસે અપહરણ અને પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવામાં પેરોલ ફ્લો સ્ક્વોડને સફળતા મળી છે. પંચમહાલ રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડ અને તેમની ટીમે આ કાર્યવાહી કરી. પેરોલ ફ્લો સ્ક્વોડના એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસ મથકના વર્ષ 2022ના અપહરણ અને પોક્સો એક્ટ (કલમ 363, 366, 114 અને પોક્સો કલમ 12, 17) ના ગુનાનો આરોપી મુકેશભાઈ ગનીભાઈ ડામોર હાલ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામે ખેતમજૂરી કરી રહ્યો હતો. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક એક ટીમ મોરબીના માથક ગામે રવાના કરી હતી. ત્યાંથી આરોપી મુકેશ ડામોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ભોગ બનનાર પણ મળી આવતા, બંનેને કાયદેસરની વધુ કાર્યવાહી માટે ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:49 pm

ભરૂચમાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી:'ટીબી હારેગા, દેશ જીતેગા' સૂત્રોચ્ચાર સાથે જનજાગૃતિ પત્રિકાઓ પણ વહેંચાઈ

ભરૂચ જિલ્લામાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અંતર્ગત શહેરના રેલ્વે સ્ટેશન પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન થયું. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા પંચાયત ખાતે સમાપ્ત થઈ હતી. આ રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે “ટીબી હારેગા, દેશ જીતેગા, ભરૂચ જીતેગા” જેવા સૂત્રોચ્ચાર કરીને લોકોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવી હતી અને જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રતિનિધિ વાય.એમ. માસ્ટરે વિશ્વ ટીબી દિવસનો હેતુ લોકોને રોગ અંગે માહિતગાર કરવાનો હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ વર્ષની થીમ ટીબીને જડમૂળથી સમાપ્ત કરવાની છે. માસ્ટરે વધુમાં માહિતી આપી હતી કે ભરૂચ જિલ્લામાં ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન દર મહિને રૂ. 1000ની સહાય અને ન્યુટ્રિશન કીટ પૂરી પાડવામાં આવે છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:40 pm

પાટણમાં યુથ કોંગ્રેસનો રાંધણ ગેસ મુદ્દે દેખાવ:ભાવ વધારા અને અછત સામે પ્રદર્શન, 8 કાર્યકરોની અટકાયત

પાટણના બગવાડા દરવાજા વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારા, તેની અછત અને વધતી મોંઘવારીના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન પોલીસે 8 કાર્યકરોની અટકાયત કરી હતી. પાટણ શહેરના ઐતિહાસિક બગવાડા દરવાજા પાસે જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. રાંધણ ગેસના ભાવમાં સતત વધારો અને બજારમાં બાટલાની અછતને કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે દરમિયાનગીરી કરી અને 8 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કરણ પરમાર, પ્રભારી પ્રતાપસિંહ રાજપૂત અને પાટણ શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:40 pm

અમરેલીમાં 25 માર્ચે AAPની જંગી સભા:રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબ CM ભગવંત માન ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. આમ આદમી પાર્ટી (AAP) આવતીકાલે અમરેલીથી ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ કરશે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમરેલીમાં એક જંગી સભાને સંબોધશે. પાર્ટીએ અગાઉ જ 445 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરીને રાજકીય માહોલ ગરમાવ્યો છે. આ સભા અમરેલી શહેરમાં નવા માર્કેટિંગ યાર્ડ પાસે યોજાશે. બપોરે 3 વાગ્યે શરૂ થનારી આ સભામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઉપરાંત ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના AAPના નેતાઓ ઉપસ્થિત રહેશે. ચૂંટણી જાહેર થાય તે પહેલાં આ સભા દ્વારા પ્રચાર કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં AAPના મુખ્ય લક્ષ્યમાંનો એક જણાઈ રહ્યો છે. વર્ષોથી અમરેલી ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રનું રાજકીય કેન્દ્રબિંદુ રહ્યું છે. આવતીકાલે અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહી સરકાર સામે આક્ષેપો કરીને ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, અમરેલીમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની આ પ્રથમ જંગી સભા છે. તેમણે આ સભાને 'પરિવર્તનનો વિશ્વાસ' ગણાવી અને કહ્યું કે તે ભાજપના અત્યાચારમાંથી મુક્તિ અપાવશે. આ સભામાં AAPના હોદ્દેદારો, કાર્યકરો અને આસપાસના જિલ્લાના લોકો પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 22 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર વિકાસ કાર્યોને લઈને સભા કરી હતી. હવે AAPના દિગ્ગજ નેતાઓ માર્કેટિંગ યાર્ડની બાજુમાં સભા યોજીને રાજકીય ગરમાવો વધારશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:36 pm

22 વર્ષીય પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત:8 મહિનાની બાળકીની નજર સામે માતાએ જીવન ટુંકાવ્યું, સુરતના હોડી બંગલા વિસ્તારમાં અરેરાટી

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા હોડી બંગલા પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષીય પરિણીતાએ પોતાની માસૂમ પુત્રીની હાજરીમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લગ્નના માત્ર બે જ વર્ષમાં પરિણીતાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે. એકની એક દીકરીએ માતા ગુમાવીમળતી માહિતી મુજબ, હોડી બંગલા આશિક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ગોવાડીયા ફળિયામાં સિદ્ધિકભાઈ ખટીક પોતાના પરિવાર સાથે રહે છે. સિદ્ધિકભાઈ કતારગામ વિસ્તારમાં ચિકનની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પૂર્વે તેમના લગ્ન સાદીયા (ઉં.વ. 22) સાથે થયા હતા. આ સુખી દંપતીને સંતાનમાં આઠ મહિનાની એક પુત્રી પણ છે. પત્નીને લટકતી હાલતમાં જોઈ પતિ સ્તબ્ધ થઈ ગયોબનાવની વિગતો એવી છે કે, ગતરોજ બપોરે સિદ્ધિકભાઈ તેમના પિતાને કતારગામ સ્થિત ચિકનની દુકાને મૂકવા ગયા હતા. આ દરમિયાન સાદીયા ઘરે પોતાની આઠ મહિનાની બાળકી સાથે એકલી હતી. કોઈ અગમ્ય કારણોસર સાદીયાએ ઘરના પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે સિદ્ધિકભાઈ દુકાનેથી પરત ઘરે આવ્યા ત્યારે પત્નીને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આત્મહત્યાનું કારણ શોધવા પરિવારજનોની પૂછપરછ હાથ ધરીઆ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. લાલગેટ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલ લાલગેટ પોલીસ આત્મહત્યાનું કારણ શોધવા પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. લગ્નજીવનના ટૂંકા ગાળામાં પરિણીતાનો આપઘાતઆઠ મહિનાની માસૂમ બાળકીએ જે ઉંમરે માતાની મમતાની સૌથી વધુ જરૂર હોય, તે જ ઉંમરે તેની નજર સામે માતાએ જીવન ટુંકાવ્યું હોવાની વાતથી સ્થાનિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. લગ્નજીવનના ટૂંકા ગાળામાં સાદીયાએ કયા માનસિક તણાવ કે કારણસર આ પગલું ભર્યું તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:31 pm

વડોદરા શહેરમાં MGVCLની મેગા ડ્રાઇવ:શહેરમાં બાકી બિલના 11 કરોડ નાણાં વસૂલવા માટે 455 ટીમો કામે લાગી, 23 સબ ડિવિઝનમાં કાર્યવાહી

MGVCL બરોડા સીટી સર્કલ દ્વારા બાકી વીજ બિલ વસુલાત માટે મેગા ડ્રાઇવ આજથી શરૂ કરવામાં આવી છે. આગામી 31 માર્ચ 2026 સુધીના 3.31 કરોડ સુધીના લક્ષ્યાંકને પૂરો કરવા અને શહેરમાં 11 કરોડ બાકી રકમ વસુલ કરવા MGVCLના 455 કર્મચારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા સર્કલના 23 સબ ડિવિઝનમાં વહેલી સવારથી સામુહિક કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં શહેરમાં 8.20 લાખ વીજ ગ્રાહકોનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે 31 માર્ચ સુધી આ ઝુંબેશ યથાવત રહેશે. 11 કરોડ બાકી રકમ વસુલવા 455 જેટલી ટીમ તહેનાત આ અંગે વડોદરા સિટી સર્કલ અધિકારી પી.એન.થાનાવાલાએ જણાવ્યું હતું કે, આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ છે, એમાં MGVCL બરોડા સીટી સર્કલ હેઠળ 23 સબડિવિઝન ઓફિસો છે, જે તમામ સબડિવિઝનમાં આ ડ્રાઈવ ચાલુ છે. તેમાં આપણે લગભગ 455 જેટલી ટીમ તહેનાત કરી છે અને તેમાં લગભગ 550 જેટલો સ્ટાફ શામેલ છે. ડ્રાઈવ સવારે 8.30થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશેવધુમાં કહ્યું કે, આ જે આ બાકી લાઈટ બીલ ધરાવતા ગ્રાહકો છે તેઓની વાત છે, બાકી લાઈટ બીલ 31 માર્ચ સુધીમાં 3.31 કરોડથી વધુ ન રહે અને તે કરતાં પણ ઓછું રહે તે અમારો લક્ષ્યાંક છે. ગઈકાલ સુધી લગભગ 11 કરોડ રૂપિયા બાકી બોલે છે. આ માટે કોઈપણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત નથી માંગ્યો પણ GUVNLની ઇન્ટર્નલ પોલીસ છે તેમને લિમિટેડ ફોર્સમાં રાખ્યા છે. બરોડા સીટી સર્કલમાં લગભગ 8.20 લાખ આસરે ગ્રાહકો છે, એમાં તમામ કેટેગરીના રેસીડેન્સીઅલ, કોમર્શિયલ ગ્રાહકો આવી જાય છે. આ ડ્રાઈવ સવારે 8.30થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:30 pm

નિવૃત્ત સૈનિકની પુત્રીનો દેશપ્રેમ:કારગિલ યુદ્ધની યાદોને અનોખી સ્ક્રેપબુકમાં કંડારી

દરેક વ્યક્તિના શોખ અલગ-અલગ હોય છે, પરંતુ વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતા બીના ખેમાણીનો શોખ રાષ્ટ્રભક્તિથી તરબતર છે. એક નિવૃત્ત ભારતીય સૈનિકની પુત્રી હોવાના નાતે દેશસેવાના સંસ્કાર તેમને વારસામાં મળ્યા છે. વર્ષ 1999માં જ્યારે કારગિલ યુદ્ધ ખેલાયું, ત્યારે બીના ખેમાણીએ તે સમયના અખબારના ફોટા અને માહિતી એકત્રિત કરીને એક અનોખી સ્ક્રેપબુક તૈયાર કરી હતી, જેને તેઓ આજે 26 વર્ષ બાદ પણ પોતાની અનમોલ સંપત્તિની જેમ સાચવી રહ્યા છે. અધૂરી ઈચ્છા છતાં દેશપ્રેમ અકબંધબીના ખેમાણી પોતે સેનામાં જોડાઈને દેશની સેવા કરવા માંગતા હતા, પરંતુ સંજોગોવશાત તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ શકી નહીં. છતાં, તેમણે હાર માન્યા વગર સૈનિકો પ્રત્યેના સન્માનને વ્યક્ત કરવા માટે આ અનોખો માર્ગ પસંદ કર્યો. કારગિલ યુદ્ધ દરમિયાન તેમના ઘરે આવતા ‘નવભારત ટાઈમ્સ’ હિન્દી અખબારમાંથી તેમણે યુદ્ધ સંબંધિત તસવીરો, શૂરવીરોની ગાથાઓ અને લશ્કરી કાર્યવાહીની વિગતોના કટિંગ્સ ભેગા કરી આ બુક બનાવી હતી. શહીદોના બલિદાનને સમર્પિત ‘ખજાનો’આ સ્ક્રેપબુકમાં ભારતીય સેનાના અદમ્ય શૌર્યના દર્શન થાય છે. યુદ્ધ દરમિયાન બીના ખેમાણીની ઈચ્છા વડોદરાની EME હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વીર કેપ્ટન હમીર સિંહ રાઠોડને મળવાની હતી, જે કમનસીબે પૂર્ણ થઈ શકી નહોતી. 26 જુલાઈ 1999ના રોજ વિજય સાથે સમાપ્ત થયેલું આ 60 દિવસનું યુદ્ધ ભારત માટે ગૌરવશાળી ઈતિહાસ છે. બીના ખેમાણી માને છે કે આ માત્ર કાગળના ટુકડા નથી, પરંતુ સૈનિકોના બલિદાનની જીવંત સાક્ષી છે જે આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:29 pm

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ; સંગ્રહખોરી પર પ્રતિબંધ

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને કોઈપણ પ્રકારની અછતની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા ખાસ અપીલ કરી છે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં વહેતી ભ્રામક માહિતીથી પ્રેરાઈને ગભરાવાની જરૂર નથી. અફવાઓના કારણે પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ટાળવા અને માત્ર જરૂરિયાત મુજબ જ વાહનમાં ઈંધણ ભરાવવા તંત્રએ અનુરોધ કર્યો છે. પ્રજાહિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જિલ્લાના તમામ પેટ્રોલ પંપ સંચાલકોને ખુલ્લા કેન, કેરબા કે અન્ય સાધનોમાં પેટ્રોલ અથવા ડિઝલનું વેચાણ ન કરવા સૂચના અપાઈ છે. ઈંધણ માત્ર વાહનોની ટાંકીમાં જ સીધું ભરી આપવાનું રહેશે. ભવિષ્યની ચિંતામાં પેટ્રોલ-ડિઝલનો મોટા પ્રમાણમાં સ્ટોક કરવો અયોગ્ય છે. આવી બિનજરૂરી સંગ્રહખોરીથી બજારમાં કૃત્રિમ અછત ઊભી થાય છે, જેનાથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડે છે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને આ પરિસ્થિતિમાં સહકાર આપવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:28 pm

સાણંદમાં વીરાંજલિ ડાયરાની શૌર્યસભર ભવ્ય પ્રસ્તુતિ:CM ભૂપેન્દ્ર પટેલ અને Dy.CM હર્ષ સંઘવીની હાજરીમાં શહીદોની શહાદતને સ્વરાંજલિ અર્પી વંદન કરાયા

સાણંદની ધરા પર વીરતા, શૌર્ય અને અડગ દેશભક્તિના ત્રિવેણી સંગમ સમાન “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમે ઉપસ્થિત હજારોની જનમેદનીમાં રાષ્ટ્રપ્રેમનો નવો જુવાળ ફૂંક્યો હતો. વીરાંજલિ સમિતિ અને GTPLના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં દેશના અમર શહીદોને ગૌરવભેર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લોકકલાકારોએ જમાવી શૌર્યરસની જમાવટઆ ગૌરવમય અવસરે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી અને અલ્પા પટેલ સહિતના કલાવૃંદે પોતાની કલાના માધ્યમથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કલાકારોએ રજૂ કરેલા શૌર્યગીતો અને વીરતાભરી વાતોએ વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. શહીદોના પ્રેરણાદાયક પ્રસંગોની રજૂઆતથી ઉપસ્થિત જનમેદનીમાં રાષ્ટ્રીય ગૌરવનો અદ્દભૂત સંચાર થયો હતો અને સમગ્ર સાણંદ પંથક જય હિંદના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. અમર શહીદોના બલિદાનને વંદન કાર્યક્રમમાં શહીદ ભગતસિંહ, સુખદેવ જેવા અનેક ક્રાંતિવીરોની શહાદતને યાદ કરવામાં આવી હતી. દેશની આઝાદી અને સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર મહાન વીરોની ગાથાઓએ લોકોના હૃદયમાં અપરંપાર આદર અને કૃતજ્ઞતાનો ભાવ જગાવ્યો હતો. વીર રસની છોળો વચ્ચે લોકોએ ઉભા થઈને શહીદોના બલિદાનને નમન કર્યા હતા, જે એક અત્યંત ભાવુક અને ગૌરવશાળી ક્ષણ બની રહી હતી. રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરીઆ ઐતિહાસિક કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની ગરિમામય હાજરી રહી હતી. જેમાં રાજસ્થાનના શહીદ પ્રતાપસિંહજીના પ્રપૌત્ર શત્રુસલ્યસિંહજી બારહટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ ઉપરાંત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રીઓ સંજયસિંહ મહિડા, કમલેશભાઈ પટેલ, દર્શનાબેન વાઘેલા, રિવાબા જાડેજા, પ્રવીણભાઈ માળી અને કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જયરામભાઈ ગામીત, સંગઠન મહામંત્રી રત્નાકરજી, શહેર ભાજપા પ્રમુખ પ્રેરકભાઈ શાહ, વીરાંજલિ સમિતિના પ્રદીપસિંહ વાઘેલા અને સંજયભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. પૂર્વ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા અને મુળુભાઈ બેરા સહિત અનેક ધારાસભ્યો અને રાજ્યભરના આગેવાનોએ પણ શહીદોને અંજલિ અર્પી હતી. મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાઈ-બહેનોએ આ કાર્યક્રમને શહીદો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક સ્મરણીય અવસર બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:26 pm

ચંદ્રુમાણામાં શીતળા માતા-સપ્તઋષિ દેવતાનો પાટોત્સવ:શ્રી દૂધેશ્વર મહાદેવ શિવાલયમાં બહેનોએ આનંદના ગરબા ગાયા

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી દૂધેશ્વર મહાદેવના શિવાલયમાં શ્રી શીતળા માતા અને શ્રી સપ્તઋષિ દેવતાનો 13મો પાટોત્સવ સોમવારે રાત્રે ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે આનંદના ગરબા મંડળ અને ગામની બહેનો દ્વારા શ્રી બહુચર માતાના આનંદના ગરબાનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. ગામના સદગૃહસ્થ કાંતિભાઈ ત્રિભોવનદાસ પટેલ મુખ્ય યજમાન પદે રહ્યા હતા. પાટોત્સવ દરમિયાન શીતળા માતાને કુલેરની પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી, જ્યારે શ્રી સપ્તઋષિ દેવતાને યજ્ઞોપવિત ધારણ કરાવાઈ હતી.આગામી વર્ષ માટે સંજયભાઈ રૂગનાથભાઈ પટેલે પ્રસાદના યજમાન બનવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, 13 વર્ષ પહેલાં ગામના સદગૃહસ્થો ભરતભાઈ દેવશંકર રાવલે સપ્તઋષિ દેવતાની અને ભાનુપ્રસાદ રામશંકર વ્યાસે શીતળા માતાની પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. ત્યારથી દર વર્ષે આ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ધાર્મિક પ્રસંગે જયંતીભાઈ પટેલ, ભરતભાઈ વ્યાસ, વિઠ્ઠલભાઈ પટેલ, નાથાભાઈ પટેલ, શીવાભાઈ પટેલ, ચમનલાલ વ્યાસ, હરનારાયણભાઈ વ્યાસ, કિશોરભાઈ ઠાકર, રમેશભાઈ જાની, નિત્યાનંદ મહારાજ, રામદાસ મહારાજ સહિત મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:25 pm

સુરેન્દ્રનગર હોસ્પિટલમાં અત્યાધુનિક મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત:જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે, દર્દીઓને મળશે ઉત્તમ સારવાર

સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પ્રયાસોના ભાગરૂપે આ સુવિધાથી હવે જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે અને ગંભીર દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળી રહેશે. હોસ્પિટલના એનેસ્થેશિયોલોજી વિભાગને 'રોગી કલ્યાણ સમિતિ'ના સહયોગથી 'હાઈ-એન્ડ એનેસ્થેશિયા વર્કસ્ટેશન' અર્પણ કરાયું છે. આ મશીન કાર્યરત થવાથી ઓપરેશન દરમિયાન દર્દીને અપાતી એનેસ્થેશિયાની પ્રક્રિયા અત્યંત ચોક્કસ અને સલામત બનશે. આધુનિક ડ્રગ ડિલિવરી સિસ્ટમ દ્વારા દવાનો ડોઝ સચોટ રીતે આપી શકાશે, જેનાથી સર્જરી દરમિયાન જોખમમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ વર્કસ્ટેશનમાં ફેફસાના ગંભીર રોગોથી પીડાતા અને લાંબી સર્જરી કરાવતા દર્દીઓ માટે અદ્યતન 'વેન્ટિલેશન મોડ્સ' ઉપલબ્ધ છે. તે હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને શરીરમાં ઓક્સિજનના સ્તર જેવી મહત્વપૂર્ણ વિગતોનું સેકન્ડ-ટુ-સેકન્ડ મોનિટરિંગ કરશે. જો આ માપદંડોમાં કોઈ ફેરફાર જણાશે, તો સિસ્ટમ તુરંત જ તબીબોને સતર્ક કરશે, જે દર્દીના જીવના જોખમને ટાળવામાં મદદરૂપ થશે. આ નવી ટેકનોલોજી ખાસ કરીને હૃદયરોગ, શ્વસન સંબંધી તકલીફો ધરાવતા અથવા વૃદ્ધાવસ્થાના કારણે જોખમી ગણાતી સર્જરીઓને સુરક્ષિત બનાવશે. આ સુવિધાને કારણે સુરેન્દ્રનગરના ગંભીર દર્દીઓને સારવાર માટે અમદાવાદ કે અન્ય મોટા શહેરોમાં જવાની જરૂરિયાત રહેશે નહીં, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે. જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના આ પ્રયાસને સુરેન્દ્રનગર પંથકમાં આવકાર મળ્યો છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમાર તથા તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:24 pm

RMCના શાસનમાં થયેલા ભ્રષ્ટ્રાચાર મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:ત્રિકોણ બાગથી RMC સુધી વિશાળ રેલી કાઢી; મેયર-ચેરમેનના ગેરકાયદે બાંધકામો મુદ્દે કડક કાર્યવાહીની માગ કરી

રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં ચાલતા ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગથી RMC કચેરી સુધી વિશાળ રેલી કાઢીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ગેરકાયદેસર બાંધકામો, ભાજપના પૂર્વ કોર્પોરેટરો સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો તેમજ ટી.પી. શાખામાં ચાલતી ગેરરીતિઓ મુદ્દે સૂત્રોચ્ચારો કરીને ભાજપ સરકારને ઘેરી હતી. ખાસ કરીને TRP ગેમઝોન અગ્નિકાંડમાં થયેલા ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવી કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર જનતાના જીવ સાથે ચેડાં કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. કોંગ્રેસે લગાવેલા આક્ષેપો

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:19 pm

મનપાની ચૂંટણી માટે AAP ના 12 ઉમેદવારોનું લિસ્ટ જાહેર:આમ આદમી પાર્ટીએ ભાવનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે, જેમાં મનપાના અલગ અલગ વોર્ડ માટે કુલ 12 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, ભાવનગર મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઇ આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના 13 વોર્ડમાંથી અલગ અલગ વર્ડમાં નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 1 માંથી 3 નામો, વોર્ડ નંબર 2 માંથી 4 નામો, વોર્ડ નંબર 3 માંથી 1 નામ, વોર્ડ નંબર 8 માંથી 2 નામો તથા વોર્ડ નંબર 10 માંથી 1 નામ જાહેર કર્યું છે, મનપાની ચૂંટણી લઈ આપ દ્વારા નામો જાહેર વોર્ડ નં.1 પરમાર ઇલાબેન જયેશભાઇ, વોર્ડ નં.1 પરમાર બાલાભાઈ સાદુલભાઈ, વોર્ડ નં. 1 સરવૈયા પ્રવિણસિંહ ખોડુભા, વોર્ડ નં. 1 અલગૌતર હીરાબેન હમાભાઈ, વોર્ડ નં. 10 તેજાણી સુધીરભાઈ પોપટભાઈ, વોર્ડ નં. 2 ઝાપડિયા હેતલબેન મહેશભાઈ, વોર્ડ નં. 2 મુકેશભાઈ ટપુભાઈ મેતાણીયા, વોર્ડ નં. 2 ભોકળવા જગદીશભાઈ છેલાભાઈ, વોર્ડ નં. 2 મલેક યાસ્મીનબેન દિલાવરભાઈ, વોર્ડ નં. 3 જુનેજા તોસીફ રફીકભાઈ, વોર્ડ નં. 4 રાઠોડ ગીતાબા દિલુભા તથા વોર્ડ નં. 4 ઘનશ્યામભાઈ વાલજીભાઈ દેસાઈ સહિતના ઉમેદવારો જાહેર કર્યા છે, ​આ યાદી જાહેર થતા જ હવે સ્થાનિક કક્ષાએ રાજકીય ગરમાવો વધી ગયો છે અને અન્ય પક્ષો પણ હવે ટૂંક સમયમાં પોતાના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:08 pm

પડધરી ITI 12 વર્ષમાં જર્જરીત:214 વિદ્યાર્થીઓને 25 કિમી દૂર રાજકોટ શિફ્ટ કરાયા, રોજગારલક્ષી પ્રેક્ટિકલ કોર્સની અપાતી ઓનલાઈન ટ્રેનિંગ !

રાજકોટની પડધરી ITI નું બિલ્ડીંગ માત્ર 12 વર્ષમાં જ જર્જરીત થઈ ગયાનું સામે આવ્યુ છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારી બિલ્ડિંગોની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવામાં આવી હતી. જે દરમિયાન આ ITI ભયજનક હોવાનો રિપોર્ટ આવતા અહીં અભ્યાસ કરતા 214 વિદ્યાર્થીઓને 25 કિલોમીટર દૂર રાજકોટ શિફ્ટ કરવામાં આવેલા છે. રાજકોટ ન આવી શકતા વિદ્યાર્થીઓ 7 માસથી પ્રેક્ટિકલ ટ્રેનિંગ ઓનલાઇન લેવા મજબૂર બન્યા છે. પડધરીના વિદ્યાર્થી નેતા નિખિલ ભોજાણીએ જણાવ્યું હતું કે, પડધરી આઈટીઆઈનું બિલ્ડીંગ જર્જરિત જાહેર કરવામાં આવેલું છે. આ બિલ્ડીંગનું લોકાર્પણ ગત તા.15/08/2014 ના રોજ કરવામાં આવ્યું હતું. સૌથી મોટો સવાલ એ છે કે આ બિલ્ડિંગ માત્ર 12 વર્ષમાં જર્જરીત કઈ રીતે થઈ ગયુ.જેથી આ બિલ્ડીંગના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. અહીં 200 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ITI ના વિદ્યાર્થીઓને રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ડિસેબલ આઈટીઆઈ માં શિફ્ટ કરવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે. પડધરીમાં જ અન્ય કોઈ જગ્યાએ આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે તેવી માંગણી છે. ITI માં ઇલેક્ટ્રિકલ, વાયરમેન, ફિટર, વેલ્ડર, મશીન ડીઝલ અને કોપા સહિતના કોર્સ થાય છે. તેનું પ્રેક્ટીકલ પ્લાન વિદ્યાર્થીઓને આપવાનું હોય છે તેને બદલે અમુક વિદ્યાર્થીઓને ઓનલાઈન ટ્રેનિંગ આપવી પડે છે. આ ઉપરાંત છેલ્લા 8 માસથી આ બિલ્ડીંગ જર્જરિત છે તેવું બોર્ડ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા મૂકવામાં આવ્યુ છે. જેથી સરકારને વિનંતી છે કે આ બિલ્ડિંગ બનાવનાર સામે કડક પગલાં લેવામાં આવે અને તેઓ પોતાના સ્વખર્ચે નવું બિલ્ડીંગ બનાવી આપે તેવી માંગણી છે. જ્યારે આ મામલે પડધરી ITI ના પ્રિન્સિપાલ સૌરભ પાનસુરાએ જણાવ્યું હતું કે, તા.15/08/2014 ના આ ITI ની સ્થાપના કરવામાં આવી હતી. જુલાઇ - 2026 મા વડોદરાનો ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના બન્યા બાદ રાજ્યના તમામ સરકારી બિલ્ડીંગોની સ્ટ્રકચર સ્ટેબિલિટી તપાસવામાં આવી હતી. છે દરમિયાન રાજકોટ રોડ બિલ્ડીંગ વિભાગ દ્વારા પડધરી ITI ની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવામાં આવતા આ બિલ્ડીંગ ભયજનક હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેથી 01/09/2026 આ ITI ના વિદ્યાર્થીઓને રાજકોટ શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલ 214 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેઓને થિયરી માટે શહેરના યુનિવર્સિટી રોડ પરની ITI તો પ્રેક્ટિકલ માટે જામનગર રોડ પરની ITI માં શિફ્ટ કરવા પડ્યા છે. જે વિદ્યાર્થીઓ રાજકોટ આવી શકે તેમ નથી તેઓને ITI ઇ લર્નિંગ પ્રોગ્રામ મારફત પ્રેલટિકલ ટ્રેનિંગ ઓનલાઇન સોફ્ટવેર મારફત આપવામાં આવી રહી છે. હાલ પડધરીમાં કોઈ સરકારી બિલ્ડીંગ મળી જાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:06 pm

ખનિજ ચોરી: ઉપસરપંચને પદ પરથી દૂર કરાયા:સુરેન્દ્રનગરના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં કાર્યવાહી, ₹11 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં ગેરકાયદેસર ખનિજ ચોરીના મામલે ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણાને આજરોજ તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા 8 ઓગસ્ટ, 2025ના રોજ કરવામાં આવેલી આકસ્મિક તપાસના આધારે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામના સરકારી સર્વે નંબર 246 અને ખાનગી સર્વે નંબર 249 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસો)નું ખનન, વહન, સંગ્રહ અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી એક ટ્રેક્ટર, બે કમ્પ્રેસર, 40 મેટ્રિક ટન કાર્બોસેલ (કોલસો) અને ચાર ચરખી સહિત કુલ રૂપિયા 11 લાખનો ગેરકાયદેસર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર ખનિજ ચોરી ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા દ્વારા કરવામાં આવી રહી હોવાનું ધ્યાને આવતા, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તેમને પદ પરથી દૂર કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગરને દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તના આધારે, જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર દ્વારા ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણાને તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:03 pm

ઉદ્યોગમાં કાપ કે વેકેશન?, ગૂગલ ફોર્મ દ્વારા મંતવ્ય મંગાયા:સુરત ટેક્સટાઇલના 15% કારીગરો વતન રવાના; કારખાના એક પાળીમાં ચલાવવા કે અઠવાડિયે 2 રજા રાખવી તેની ચર્ચા

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ખાસ કરીને દુબઈ ખાતે થતું કાપડનું એક્સપોર્ટ સંપૂર્ણપણે બંધ થઈ જતાં વિવર્સની હાલત કફોડી બની છે. કાચા માલ તરીકે વપરાતા યાર્નના ભાવોમાં અચાનક મોટો ઉછાળો આવતા ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે. બીજી તરફ મોંઘા ભાવનું કાપડ ખરીદવા બજારમાં કોઈ ગ્રાહક તૈયાર નથી અને કારીગરોનું પલાયન રોકવું પણ મુશ્કેલ બની રહ્યું છે. અત્યારે ઉદ્યોગ જગત ત્રણ તરફી માર સહન કરી રહ્યું છે. આ ગંભીર સ્થિતિમાં ઉદ્યોગને ટકાવી રાખવા માટે ફેડરેશન ઓફ વ્યુઅર્સ એસોસિએશન દ્વારા તમામ વિવર્સ પાસે ગૂગલ ફોર્મ દ્વારા મંતવ્યો મંગાવવામાં આવ્યા છે. જેમાં કારખાના એક પાળીમાં ચલાવવા, સપ્તાહમાં બે દિવસ રજા રાખવી કે એક મહિનો વેકેશન જાહેર કરવું તે અંગે મંથન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 2000 જેટલા વિવર્સ પોતાનો પ્રતિસાદ આપી ચુક્યા છે અને આગામી દિવસોમાં બહુમતીના આધારે ઉદ્યોગના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે. ફેડરેશન ઓફ વિવર્સ એસો. ગૂગલ ફોર્મના આધારે નિર્ણય લેશેઉદ્યોગને બચાવવા માટે વિવર્સના મંતવ્યો લેવા એક વિશેષ ગૂગલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફોર્મ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 800 થી 2000 જેટલા વિવર્સએ પોતાના પ્રતિભાવો ઓનલાઈન સબમિટ કરી દીધા છે. આગામી ત્રણ-ચાર દિવસમાં અન્ય વિવર્સના મંતવ્યો આવ્યા બાદ, બહુમતીના આધારે ઉદ્યોગના હિતમાં કોઈ મોટો અને સામૂહિક નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઉદ્યોગમાં કાપ કે વેકેશન સહિતના વિકલ્પો પર વિચારણાકાપડ ઉદ્યોગને કેવી રીતે ટકાવી રાખવો તે માટે અત્યારે ગંભીર મંથન ચાલી રહ્યું છે. ગૂગલ ફોર્મ દ્વારા લેવામાં આવી રહેલા મંતવ્યોમાં મુખ્યત્વે ત્રણ વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે. કારખાનામાં ઉત્પાદનનો 25% થી 75% સુધીનો કાપ મૂકવો, અઠવાડિયામાં બે દિવસ રજા રાખવી અથવા તો એક પાળીમાં જ કામકાજ ચલાવવું. કેટલાક વિવર્સ એક મહિનો સંપૂર્ણ બંધ રાખવાની પણ વિચારણા કરી રહ્યા છે. આ તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કર્યા બાદ જ અંતિમ નિર્ણય જાહેર કરાશે. યાર્નના ભાવમાં કૃત્રિમ વધારો અને ક્રૂડની માઠી અસરયાર્ન એ ક્રૂડની બાય-પ્રોડક્ટ હોવાથી ખાડી યુદ્ધને કારણે ક્રૂડના ભાવમાં વધારો થતા યાર્ન મોંઘુ થયું છે. જોકે, એસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાળાના જણાવ્યા અનુસાર, યાર્ન ઉત્પાદકો દ્વારા કરવામાં આવેલો ભાવ વધારો કંઈક અંશે કૃત્રિમ પણ હોઈ શકે છે. ક્રૂડના ભાવ 90 ડોલરની આસપાસ હોવા છતાં જે રીતે યાર્નના ભાવ વધારવામાં આવ્યા છે, તેની સીધી અસર ઉત્પાદન પ્રક્રિયા પર પડી છે. મોંઘું યાર્ન લઈને સસ્તું કાપડ બનાવવું હવે વિવર્સ માટે અશક્ય બની રહ્યું છે. 3 લાખ જેટલા કારીગરો સુરત છોડીને વતનમાં રવાનાસુરતના કાપડ ઉદ્યોગમાં અત્યારે અંદાજે 15 લાખ જેટલા શ્રમિકો કાર્યરત છે, પરંતુ આર્થિક તંગી અને કામના અભાવે પલાયન શરૂ થયું છે. અત્યાર સુધીમાં કુલ કારીગરોના 15 ટકા એટલે કે અંદાજે 3 લાખ જેટલા કારીગરો સુરત છોડીને વતનમાં પલાયન કરી ગયા હોવાનો અંદાજ છે. જો હજુ પણ સ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં આ આંકડો વધી શકે છે. કારીગરોની આ ઘટ ઉદ્યોગ માટે લાંબા ગાળે મોટું નુકસાન સાબિત થઈ શકે તેમ છે. ગેસની તંગી અને કાળાબજારથી શ્રમિકોમાં ભારે હાલાકીકારીગરોના પલાયન પાછળનું એક મોટું કારણ રસોઈ ગેસની ઉભી થયેલી કૃત્રિમ અછત પણ છે. બજારમાં ગેસના બાટલા મળતા નથી અને જે મળી રહ્યા છે, તેના કાળાબજાર થઈ રહ્યા છે. છૂટક ગેસ ભરાવીને ગુજરાન ચલાવતા કારીગરો માટે રસોઈ બનાવવી હવે અત્યંત મોંઘી સાબિત થઈ રહી છે. ગેસની આ દિક્કતને કારણે પણ વધુ 15 ટકા શ્રમિકો શહેર છોડવાની તૈયારી કરી રહ્યા છે, જે કારખાનેદારો માટે માથાનો દુખાવો બની ગયો છે. કારીગરોને રોકવા 'મેસ' અને જમવાની વ્યવસ્થા પર ભારવિવર્સ એસોસિએશન દ્વારા તમામ કારખાનેદારોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના કારીગરોને સ્થળાંતર કરતા અટકાવે. આ માટે તેમને જમવાની વ્યવસ્થા અથવા ગેસ પૂરો પાડવાની રજૂઆત કરવામાં આવી છે. જો કારીગરોને જમવાની સુવિધા આપવામાં આવશે તો તેઓ સુરતમાં ટકી રહેશે. એકવાર કારીગરો મોટી સંખ્યામાં પલાયન થઈ જશે, તો ભવિષ્યમાં જ્યારે ઉદ્યોગ ફરી વેગ પકડશે ત્યારે મશીનો ચલાવવા માટે માણસોની ભારે અછત સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે. છેલ્લા 20 દિવસથી કારખાનેદારો કારીગરોને સાચવી રહ્યા છેભલે ઓર્ડર ઓછા હોય કે કામકાજ ઠપ્પ હોય, પરંતુ સુરતના ઉદાર કારખાનેદારો છેલ્લા 20 દિવસથી પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને કારીગરોને સાચવી રહ્યા છે. કારીગરોને આર્થિક મદદ અને અન્ય સવલતો આપીને રોકી રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, સતત વધી રહેલી મોંઘવારી અને ગેસની અછતને કારણે કારખાનેદારો માટે પણ હવે તેમને સાચવી રાખવા મુશ્કેલ બની રહ્યા છે. આગામી દિવસોમાં જાહેર સભા યોજીને આ અંગે કોઈ નક્કર રસ્તો કાઢવામાં આવશે. યુદ્ધ વિરામ જ હવે વિવર્સ માટે એકમાત્ર આશાનું કિરણઅંતે, ઉદ્યોગ જગતના અગ્રણીઓ માને છે કે, જો ખાડી દેશો વચ્ચેનું યુદ્ધ જલ્દી નહીં અટકે તો સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ વધુ ઉંડી ખાઈમાં ધકેલાશે. ઈરાન અને અન્ય દેશો વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન ખોરવાઈ છે. વિવર્સ અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ યુદ્ધ તાત્કાલિક શાંત થાય, જેથી ક્રૂડ અને યાર્નના ભાવ સ્થિર થાય અને સુરતનું કાપડ ફરી એકવાર વિશ્વના બજારોમાં ધૂમ મચાવી શકે. વીવીંગ ખાતેદાર મિત્રો આગામી 28મી માર્ચ 2026 ને શનિવારે સવારે 10 કલાક સુધીમાં આપનો ક્લીયરકટ અભિપ્રાય ફોગવાને પાઠવશો, જેથી કરીને વણાટ ઉદ્યોગ માટે ભાવિ રણનીતિ નક્કી કરીને ફોગવાના સભ્યો, કારખાનેદારોને માર્ગદર્શિત કરી શકાય. https://forms.gle/qXGuweM4dGsFJGgm7

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:01 pm

જામનગરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી:વિક્ટોરિયા પુલ નજીક ઘટના, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

જામનગરમાં વિક્ટોરિયા પુલ નજીક એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના વિક્ટોરિયા પુલ પાસેના ભારત પેટ્રોલિયમ પંપ અને ફોજી ઢાબા નજીક બની હતી. ચાલુ સ્કૂટરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાના સાક્ષી બનેલા રાહદારીઓ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને (112) જાણ કરી હતી. જામનગર ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લાગેલી આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, સ્કૂટરને મોટું નુકસાન થયું છે. ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:01 pm

'પબ્લિક જ ગાંડી હોય તો શું કરી શકાય?':'લોકો સમજતા જ નથી, ખાલી લાઇનમાં ઉભા રહી જાય છે', પૂરતો સ્ટોક છતાં પંપ પર લાઇનમાં ઉભેલા લોકોએ શું કહ્યું?

ગુજરાતમાં 23 માર્ચની બપોરથી પેટ્રોલને લઈ અફવાઓ ચાલી રહી છે. જો કે પેટ્રોલનો સ્ટોક પૂરતો છે અને લોકોએ પેનિકમાં આવીને લાઈનો લગાવી હતી. કંઈ પણ સમજ્યા કે વિચાર્યા વિના જાણે કાલે પેટ્રોલ મળવાનું જ ન હોય એ રીતે પંપ પર વાહનોની કતારો લગાવી હતી. આ અફવાઓને લઈ દિવ્ય ભાસ્કરે એક જવાબદાર મીડિયા તરીકે વાસ્તવિક સ્થિતિ જાણી હતી. તેમજ સ્ટોક પૂરતો હોવાછતાં લાઇનમાં ઉભેલા લોકોને પૂછ્યું હતું કે, પેટ્રોલ તો મળે છે છતાં કેમ લાઇનમાં ઉભા રહ્યા છો? કેમ આટલું બધું પેનિક કરો છો?

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 11:58 am