અલકાપુરીમાં તું મારી માતા નથી, મારે ડીએનએ ટેસ્ટ કરાવવો છે કહી સગા પુત્રે માતા ઉપર કુહાડીથી હુમલો કર્યો હતો. સાવકા પિતા વચ્ચે પડતા પુત્રે તેમના પર પણ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે ઘરમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને દંપતીને તાત્કાલિક સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાવકા પિતાએ અકોટા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ કરી છે. કાશીવિશ્વનાથ સોસાયટીમાં રહેતા પુષ્પાબહેન શાહે 2010માં દિલીપભાઈ સાથે લગ્ન કર્યા હતા. પુષ્પાબહેન તેમના દીકરા ઋષિત સાથે આવ્યા હતા. દિલીપભાઈએ જ ઋષિતને ઉછેર્યો હતો. ઋષિત અટલાદરામાં અલગ રહે છે. મંગળવારે બપોરે 12.30 વાગ્યે ઋષિત ઘરે આવ્યો હતો અને પુષ્પાબહેનને કહ્યું હતું કે, ‘તું મારી માતા નથી, મારે ડીએનએ ટેસ્ટ કરાવવો છે, ટેસ્ટ કરવાવાળા ઘરે આવે જ છે.’ બાદમાં માતાના માથે કૂહાડીના ઘા ઝિંક્યા હતા. દિલીપભાઈ બચાવવા આવતાં તેમને પણ માથે ઈજા પહોંચાડી હતી. પાડોશીઓએ દંપતિને સયાજી હૉસ્પિટલ ખસેડ્યા હતા. ઋષિત પોલીસ મથકે હાજર થયો હતો. તેને શું થયું ખબર નથી, હું પૂછવા ગયો કે માતાને કેમ મારે છે તો મને પણ માર્યોતેના મગજમાં શું ચાલી રહ્યું હતું કે તે આજે કુહાડી લઈને ઘરે આવ્યો હતો. તેના સગા પિતા મૃત્યુ પામ્યા છે. આ જ સુધી તેણે મારી સાથે ક્યારેય ગેરવર્તણુંક નથી કરી, ખબર નહીં આજે શું થયું. તેણે તેની માતાને અનેકવાર પૂછ્યું હતું કે, તું સાચુ કહે છે ને કે હું તારો જ દીકરો છું. તો તેની માતાએ હા પાડી હતી. તેને પરણવું નથી. બીજુ ઘર પણ બનાવી આપ્યું છે.હું પૂછવા માટે ગયો કે, કેમ મારે છે તો મને પણ માર્યું. > દિલીપભાઈ શાહ ઋષિત પૂર્વ આયોજનના ભાગરૂપે કુહાડી સાથે લઈને જ આવ્યો હતોઋષિત માતા-પિતાથી અલગ રહે છે. તેના સાવકા પિતા દિલીપભાઈએ તેને રૂા.30 લાખ ખર્ચીને તેને કેનેડા મોકલ્યો હતો. જોકે તે હાલમાં અટલાદરા વિસ્તારમાં એકલો રહે છે. ઘરમાં ફૂલ-છોડ રોપવાનો શોખ હોવાથી તે કુહાડી પણ રાખતો હતો. મંગળવારના રોજ તે પોતાની સાથે કુહાડી જ લઈને હૂમલો કરવાના આશયથી જ આવ્યો હતો.
વાઘોડિયા રોડ પર વિદેશી દારૂના વેચાણની સાથે બારની સુવિધાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પંખા-મ્યુઝિક સાથે બેસીને પીવાની સુવિધા ગ્રાહકોને આપવામાં આવતી હોવાનું નજરે પડે છે. દારૂ માટે ઓનલાઈન પેમેન્ટ પણ સ્વીકારવામાં આવે છે. વૈકુંઠ ચાર રસ્તા નજીક હીરાબા નગર ગ્રાઉન્ડ પાસે મકાનમાં દારૂનો અડ્ડો ધમધમતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ અડ્ડાનો સંચાલક યોગેશ ચાવડા હોવાનું બહાર આવ્યું છે. વીડિયોમાં અડ્ડા ઉપર બાર જેવી સુવિધા આપવામાં આવે છે. જેમાં ઠંડી બિયર અને વિદેશી દારૂની જે માંગો એ બ્રાન્ડની બોટલો શોખીનોને આપવામાં આવે છે. વિદેશી દારૂ સામે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. જેના માટે સ્કેનર પણ મૂકવામાં આવ્યું છે. દારૂ ખરીદીને બાજુમાં જ બાર જેવી જગ્યામાં બેસીને દારૂ પીવાની સુવિધા આપવામાં આવે છે. ત્યાં ઠંડા પાણીના જગ હોય છે અને ગ્લાસથી માંડીને ચાખણાનાં પડીકા પણ પૂરા પાડવામાં આવે છે. વીડિયોમાં એક સાથે 25થી વધુ લોકો દારૂ પીતા નજરે પડી રહ્યાં છે અને એમના વાહનો પણ અડ્ડાની બહાર પાર્ક થયેલા છે. બાપોદ પોલીસના જાતના ડર વગર અડ્ડો સવારથી મોડી રાત સુધી ચાલતો હોવાથી શોખીનોની ભીડ જામે છે. જેના કારણે આસપાસના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. દારૂ પીવા માટે વિદ્યાર્થીઓ-નોકરિયાતો વધુ આવે છેવિદેશી દારૂ-બિયરના અડ્ડાના વાઇરલ વીડિયોમાં દારૂનું વેચાણ થતું હોવાનું નજરે પડે છે. અડ્ડાની બાજુમાં જ બાર છે. જેમાં દારૂ ખરીદી બેસીને પીવાની સુવિધા છે. વીડિયોમાં પીનારામાં વિદ્યાર્થીઓ અને કંપનીઓના કર્મચારીઓ કંપનીના ડ્રેસમાં દારૂ પિતા હોવાનું નજરે પડે છે. ગરમીને કારણે પંખાની પણ સુવિધા છે. જૂનો વીડિયો છે, અગાઉ વાયરલ થયો હતો, રેડ કરી હતીઆ જૂનો વિડિઓ છે. અગાઉ પણ વાઇરલ થયો હતો. બાપોદ પોલીસે હીરાબા નગર ખાતે જઈ દરોડો પાડ્યો હતો. જેમાં કશું નહીં મળતા નીલ રેડ કરી હતી. ફરીથી ચાલુ થયું હોય તો હું તાત્કાલિક તપાસ કરાવીશ. > એમ.કે.ગુર્જર, પીઆઇ, બાપોદ
ત્રિવેણી’ નાટ્ય સંસ્થા દ્વારા ‘યોગનિકેતન’ ખાતે મહિલાઓ માટે ખાસ ડિઝાઈન કરવામાં આવેલી એક થિયેટર વર્કશોપનું આયોજન થયું હતું. ‘શી ઇઝ એ સ્ટોરી. શી ઇઝ એ વોઇસ’ના સૂત્રને સાર્થક કરતી આ કાર્યશાળામાં ‘મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે’ના ઉદ્દેશ્ય સાથે વર્કશોપ યોજાયો હતો. જેમાં 20 જેટલા તાલીમાર્થી મહિલાઓ જોડાઇ હતી. આજના અતિ ઝડપી અને વ્યસ્ત જીવનમાં મહિલાઓનું વ્યક્તિત્વ મોટેભાગે ઘર અને ઓફિસની જવાબદારીઓ પૂરતું મર્યાદિત બની જતું હોય છે. સ્ત્રીઓને પોતાની આંતરિક ક્ષમતાઓને ઓળખવા અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા માટે એક મોકળું મેદાન પૂરું પાડવાના હેતુથી વર્કશોપ યોજાયો હતો. તાલીમ દરમિયાન પૂજા પુરોહિતે સમજાવ્યું હતું કે, રંગભૂમિમાં કોઈ ચુસ્ત અને જડ નિયમો નથી હોતા. આ જ અભિગમ મહિલાઓએ જીવનમાં પણ કેળવવાની જરૂર છે. જ્યારે તમે અહીં મુક્ત મને ભાવના વ્યક્ત કરી બોલો છો ત્યારે તમારા મનનાં બંધ દ્વાર ખુલે છે. રંગભૂમિ એ માત્ર સંવાદોના અભિનયની જગ્યા નથી પણ તમારા શરીર અને શ્વાસ દ્વારા તમારી ભીતર રહેલી શક્તિને પ્રગટ કરવાનું માધ્યમ છે. અહીં કોઈની આલોચના અને જજમેન્ટના ડર કે ટીકાના બીક વગર તેઓએ ભાગ લીધો હતો અને પોતાની સંવેદનાઓ રંગભૂમી પર રજૂ કરી હતી. રંગભૂમિ અને સ્ત્રી એકમેકનાં પૂરક છેનાટ્યવિદ પી.એસ.ચારી જણાવ્યું હતું કે, રંગભૂમિ અને સ્ત્રી એકમેકના પૂરક છે. સ્ત્રીમાં સ્વાભાવિક રીતે જ સંવેદના અને પાત્રાલેખનની સમજ હોય છે. નાટક શીખવાથી તમારો જીવન પ્રત્યેનો આખો અભિગમ બદલાય છે અને આ હકારાત્મક બદલાવ જ મહિલા દિવસની સાચી ઉજવણી છે.
મ.સ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના અર્થ રંગ યુથ ફેસ્ટના બીજા દિવસે કેમ્પસમાં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં 700 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બીજા દિવસે ટ્રેઝર હન્ટ, ડાન્સ પ્રતયોગિતા, શોર્ટ ફિલ્મ મેકિંગ, રિલ્સ મેકિંગ, ફોટોગ્રાફી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી.આંકડાની દુનિયાના વિદ્યાર્થીઓએ અર્થરંગમાં ઝૂંબા-ભરતનાટ્યમ કરી ડાન્સનું ગણિત શીખ્યા હતા. જ્યારે બીજી તરફ ટ્રેઝર હન્ટ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ દાખલાના નહીં પણ કેમ્પસમાં મુકેલા ક્લુ ઉકેલ્યા, પડકારો પૂર્ણ કરી ટીમવર્કની ભાવના દર્શાવી હતી. ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા ડિવાઇન અનુભવ કરાવ્યો હતો અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી દર્શાવી હતી. જ્યારે ફોટોગ્રાફી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કેમેરામાં અર્થ રંગની કલાત્મક પળોને કેદ કરી ખરો અર્થ આપ્યો હતો. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને ટીમવર્કની ભાવના રહે તે હેતુથી ફેસ્ટનું આયોજન કરાયું છે.
બુધવારની બપોરે:...ભમ્મ થઈ ગયા!
દુનિયા આખી ક્યારેક ને ક્યારેક તો ‘ભમ્મ...’ થઈ જાય છે, એટલે અમે કશું નવું કે ગૌરવપ્રદ નહોતું કર્યું. બસ, ચાર ફૂટની ઊંચાઈથી પડ્યા, એમાં થાપાનો બૉલ ‘પતી ગયો’ અને દોઢ મહિનાનો ખાટલો હંકારી રહ્યો છું!‘તે....થયું’તું શું? કેવી રીતે પડ્યા...?’ આ બેમાંથી એક અથવા બંને સવાલો પ્રત્યેક ખબરકાઢુ ઘેરથી ગોખીને આવ્યો હોય છે. ચોળાફળીની લારીવાળાની જેમ દરેકને જવાબ સંતોષપૂર્વક આપવો પડે છે. ‘એમાં તો....તમે જાણો છો, હું વાંચતો/લખતો રાત્રે હોઉં છું, એમાં બુક શેલ્ફ ઉપરથી રામ જાણે કંઈક ઉતારવું હશે, તે બાજુમાં સ્ટૂલ મૂકીને ઉપર ચઢ્યો. મારા બદલે સ્ટૂલ ખસી ગયું ને પડ્યો એમાં પૂરા શરીરનું વજન થાપા ઉપર આવી ગયું. બૉલ તૂટી ગયો. રૂમમાં પાછો હું એકલો. કોને બોલાવું? સમજો ને, ઓલમોસ્ટ અઢી કલાક તો કરાહતો કરાહતો પડી રહ્યો. મોબાઇલ પકડવાની માંડ શક્તિ આવી, પછી હકીને ફોન કર્યો... ચાર કલાક તો ઓપરેશન ચાલ્યું. હોસ્પિટલમાં હજી વીસેક દિવસ જ થયા છે... રામ જાણે બીજા કેટલા વીસ-વીસ કાઢવાના છે!’(1) આવી રીતે સ્ટૂલ પર ચઢાય જ નહિ! (2) રાત્રે તઈણ વાગે તમારે એવી તે શી જરૂર પડી કે, સ્ટૂલ પર ચઢવું જ પડે? (3) આટલો મોટો એક્સિડન્ટ થઈ ગયો, તે અમને ફોન ના કરી દઈએ? અડધો કલાકમાં આવી જાત! (4) કયા ડોક્ટરને બતાવ્યું? અરે, ગમે તેને બતાવાય જ નહિ.... મને કીધું હોત તો અમારા રાવજીભ’ઈ ડોક્ટર છે, એ ઇન્ડિયામાં બેસ્ટ છે, એમને તમારા ઘેર ના મોકલાવી દેત? (5) દાદુ, પૈસા-બૈસાની જરૂર હોય તો કહેજો.... હજાર-બે હજાર તો કાચી સેકન્ડમાં મોકલાવી દઈશ...! ઓહ, સોરી..... આમાં તો સાતેક લાખનો ખર્ચો આવશે, એમ?.... ડોન્ટ વરી.... બીજી વાર પડો ત્યારે કહેવડાવજો ને!ઈન ફેક્ટ, હું પડ્યો છું એક જ વાર, પણ ‘હવે પડો’ એ પહેલાં કે એ પછી શું કરવું અને શું ન કરવું, એની કારગત સલાહો આવતી જાય છે. વાત ઈન્ટરેસ્ટિંગ એમાં બને છે કે, દરેક પોતે પડ્યા, એ ઘટનાક્રમ સાથે કહેવાની એમને બહુ લજ્જત આવે છે. નોર્મલી, તો દર્દીને કશું ન પૂછો તો ય ચાલે. તમે ખબર કાઢવા જાઓ, એટલું પૂરતું છે, પણ તમે ફૂટપાથ પર ઊભા’તા ને એક બાઇકવાળો કેવો તમને લપેટમાં લેતો ગયો, માણસ ભેગું થઈ ગયું, કોઈ ઊભું કરનાર નહિ ને એ તો ઓર્થોપેડિક પાસે લઈ ગયા, એક્સ-રે બેક્સ-રે કઢાવ્યો ત્યારે ખબર પડી કે, ઢીંચણ વળી ગયો છે. આખી ઘટના તમને પૂરા ઉત્સાહથી કહે. વચમાં સવાલ નહિ પૂછવાનો અથવા તમે આખી વાત સમજી ગયા છો, એવી મૂન્ડીઓ પણ નહિ હલાવવાની!તમે ખાટલે પડ્યા હો, એટલે આવા પચાસેક ઢીંચણીયાઓની દર્દભરી દાસ્તાનો વગર પૂછે સાંભળવી પડે. એમાં તમારો ખભો ભાંગ્યો હોય ને એમનો (આઠેક વર્ષ પહેલાં) હાથ ભાંગ્યો હોય તો એ વીસેક મિનિટની ચર્ચામાં તમને સાબિત કરી આપે કે, ખભા કરતાં હાથ ભાંગવો વધુ ખતરનાક છે. કાચી સેકન્ડ માટે તો આપણે ય ‘કન્વિન્સ’ થઈ જઈએ કે, આપણા ખભા કરતાં આમની જેમ હાથ ભાંગ્યો હોય તો સારું હોત! કંઈ નહિ... નેક્સ્ટ ટાઈમ, એ તો!જોકે, ગુજરાતીઓના એક સંસ્કાર સારા છે કે, કોઈની આવી ખબર કાઢવા જાય ત્યારે ચા-કોફીની અપેક્ષા રાખતા નથી (...ને સાલાઓ, આપણા માટે લઈ આવતા ય નથી! આ તો એક વાત થાય છે!) સામાન્ય રીતે તો આપણા સંસ્કાર એટલા સારા કે, એ લોકો ‘બૉટલ’ લઈને આવે, એવી અપેક્ષા આપણે રાખતા નથી ને રાખીએ તો ય કોઈ લઈને આવતું નથી. નહિ તો ગુજરાતીઓમાં કહેવત છે કે, ‘કોઈને ત્યાં ખાલી હાથે ન જવાય!’ આપણે લાઈફ-ટાઈમમાં કોઈનું ગળું દબાવ્યું ન હોય એટલે પહેલાં શું દબાવવું, એની તો ભૌગોલિક માહિતી ય ન હોય. આવો ગુસ્સો એટલે આવે કે, નફ્ફટો વ્હિસ્કી-ફિસ્કીને બદલે અડધો ડઝન નારિયેળ લટકાવતાં આવે. મૌસમ્બી-નારંગી તો અમથી ય ભાવતી ન હોય, પણ આ લોકો ‘ખાલી કરવાનો ભાવ છે, ભ’ઈ...’ના ધોરણે કિલો-કિલો મૌસમ્બા ને નારંગા લેતા આવે! આપણને ભાવે મીઠાઈઓ પણ એ લોકો જાતે જ નક્કી કરી લે કે, ‘દાદુને તો ડાયાબિટીસ છે, એટલે ગળ્યું-ફળ્યું ના ખવડાવાય!’પ....પણ હવે પહેલાં જેવા ગુજરાતીઓ રહ્યા છે ક્યાં? ભલે હું ડ્રિન્ક્સ લેતો નથી, પણ વિવેક ખાતરે ય એ લોકો ખબર કાઢવા આવે ત્યારે લાવવું તો જોઈએ ને? મને કેટલું સારું લાગે! કદાચ હું હા ય પાડી દઉં, તો આબરૂ એમની બચી જાય ને? એ તો હવે સારું છે કે, હિંદી ફિલ્મો જોઈ જોઈને ખબરકાઢુઓ હાથમાં વજનદાર બૂકે લઈને સ્માઈલો સાથે આવતા નથી! એ તો આપીને છૂટી જાય, પછી આપણે બૂકેઓના ઢગલા ક્યાં નાંખવા? આ લખનારની સમજ મુજબ, જગતનો સૌથી વ્યર્થ ખર્ચો બૂકે કે હારતોરાનો છે. જેને માટે લઇ ગયા હો, એ એની સામે ય જોતો નથી ને હાથ અડાડીને બાજુમાં ઊભેલા ચપરાસીને આપી દે છે. અરે, બૂકા-ફૂકાને બદલે છેવટે પેનનો સેટ, શર્ટ, ગિલેટવાળો નેકલેસ કે કાંઈ ન સૂઝતું હોય તો, ભલે સીઝન ન હોય તો ય છત્રી ગિફ્ટમાં આપો. તમારું કેટલું સારું દેખાશે?જોકે, જોખમી ટેબલ પર ચઢ્યા પહેલાં, ગબડી પડવાથી બચવાના અત્યારે તો બે-ત્રણ ઉપાયો મળી આવ્યા છે. એક, હાલકડોલક ટેબલ પર કદી જાતે ન ચઢવું. વાઈફ અથવા ધૂળજીને ચઢાવવો. બીજું, જે ટેબલ પર આરોહણ કરવાના હો, એની આજુબાજુ ગાદલાં પાથરી દેવા. ત્રીજું, સહુ સહુનાં કર્મ પ્રમાણે, લાઈફમાં એકાદ વખત તો ક્યાંક ને ક્યાંક ગુલાંટ ખાવાની જ છે તો મારી સલાહ છે, પરમાત્માને રોજ પ્રાર્થનાઓ કરતા રહેવું કે, ‘પ્રભો, મને ગબડી પડવાથી જીવનભર બચાવજે!’ સિક્સર- અરે વાહ.....આ બાબો તમારો છે?- તમારો હોય તો તમે લઇ જાઓ!
કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સંસ્થાઓમાં જામરના ઉપયોગ કરવા વિશે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. ત્યારે યુજીસીએ ઉચ્ચશૈક્ષણિક સંસ્થાઓમાં જામર લગાડવાનો નિર્દેશ કર્યા છે. જેના ભાગ રૂપે અગામી સમયમાં તબક્કાવાર એમ.એસ.યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન જામર લગાડવામાં આવશે. પરીક્ષામાં મોબાઇલ-ડીજીટલ ડિવાઇસનો ઉપયોગથી કોપી પર રોક લાગશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં જામર લાગડવા માટે કઇ વસ્તુઓનું ધ્યાન રાખવું તે વિશે સૂચનાઓ આપી છે. યુનિવર્સિટીમાં યોજવામાં આવતી પરીક્ષાઓ તથા જાહેર પરીક્ષાઓ દરમિયાન જામર લગાડવામાં આવશે. પરીક્ષા દરમિયાન મોબાઇલ તથા ડિજીટલ ડિવાઇસના માધ્યમથી થતી કોપી જામરના ઉપયોગથી અટકાવી શકાશે. યુનિવર્સિટીની પરીક્ષાઓમાં અગાઉ પણ મોબાઇલ. ડિજીટલ ડિવાઇસ જેવી કે સ્માર્ટ વોચ, સ્માર્ટ પેનનો ઉપયોગ કરીને કોપી કરવામાં આવતી હોય તેવા કિસ્સા બહાર આવતા હોય છે. પરીક્ષા કેન્દ્ર પર જામર તૈનાત કરતી વખતે ખાતરી કરવામાં આવશે કે જામર પરીક્ષા કેન્દ્રોની બહાર હાલના મોબાઇલ સંચાર નેટવર્કમાં દખલ ન કરે તે પ્રકારે લગાડવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રોમાં જામરનો ઉપયોગ કરવા ઇચ્છુક સરકારી માન્ય પરીક્ષા સંચાલન સંસ્થાઓ માટેના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જામર ભાડે લઈને ઓછી શક્તિવાળા જામર, વર્ગખંડ જામર લગાડવાની મંજૂરી આપવામાં આવશે. પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થાઓ, અગાઉથી તેમના દ્વારા વાર્ષિક અથવા ચોક્કસ સમયગાળા દરમિયાન લેવામાં આવનારી પરીક્ષાઓનું કેલેન્ડર પણ રજૂ કરવાનું રહેશે. જેમાં જામર તૈનાત કરવા માટે પરીક્ષા કેન્દ્રોનો ઉલ્લેખ હોય, જેથી આવી પરીક્ષાઓમાં જામર તૈનાત કરવા માટે સંકલિત મંજૂરી સચિવના કાર્યાલય પાસેથી લેવામાં આવશે. સંસ્થાએ સુરક્ષા વિભાગની મંજૂરી જરૂરી જામરથી કમ્યુનિકેશન નહીં ખોરવાયપરીક્ષામાં કલાસરૂમ કક્ષાના જામર ફીટ કરવામાં આવશે. જેનાથી અન્ય કોમ્યુનીકેશનને કોઇ અસર થશે નહિ. પરીક્ષા કેન્દ્રની બહારની બાજુએ આવેલા મોબાઇલ નેટવર્કને અસર ન થાય ત્યાં માટે કલાસરૂમ જામર જે લો ફ્રીકવન્સીવાળા આવે છે તેનો ઉપયોગ કરવામાં આવશે.
ટ્રેનોમાં દારૂ લાવી રેલવે સ્ટેશનથી સપ્લાય કરતા બૂટલેગરોનું નેટવર્ક એસએમસીએ 25 દિવસ પહેલાં પકડી 4 આરોપીની ધરપકડ કરી 6ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ કેસના સુત્રધાર ફતેગંજના બુટલેગર રિયાઝ શેખને સોમવારે પોલીસે ધરપકડ કર્યાનું જાહેર કર્યું છે જો કે, તે પોલીસ સમક્ષ જાતે જ હાજર થયો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. કેસની તપાસ ભરૂચ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન પરથી 13 ફેબ્રુઆરીએ રૂ.8.45 લાખનો દારૂ પકડાયો હતો. ટ્રાવેલ બેગો મારફતે આ દારૂ સપ્લાય કરવામાં આવતો હતો. બીજી બાજુ બૂટલેગરો પોલીસની રહેમનજર હેઠળ ખાસ એઆર સિમ્બોલ લગાવીને ખુલ્લેઆમ દારૂ સપ્લાય કરતા હતા. એસએમસીના દરોડા બાદ પણ રેલવે પોલીસ ઉંઘતી રહી હતી અને તેમના નાક નીચેથી બૂટલેગરો દારૂ સપ્લાય ચાલુ રાખ્યો હતો. આ મોટા નેટવર્કમાં કૂલીઓ, રિક્ષા ચાલકોની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. બૂટલેગર રિયાઝ શેખને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડની માગણી કરનાર છે. ત્યારે તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું હતું કે કેમ? દારૂ ક્યાંથી સપ્લાય કરાતો હતો? અન્ય કયા બૂટલેગર સુધી દારૂ પહોંચાડાતો હતો? સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે ભરૂચના પીએસઆઈ એસ.કે.રાણાનો સંપર્ક કરતા થઈ શક્યો નહોતો. એસએમસીએ રેલવે સ્ટેશને દરોડો પાડ્યો ત્યારે 6 વોન્ટેડ પૈકી વલસાડનો કનુ વાડી પણ હતો. જોકે કનુ સાથે બુટલેગર અરવિંદ ઉર્ફે ચડ્ડો આ દારૂનો સપ્લાયર હોવાનું સુત્રોએ કહ્યું હતું. પરંતુ તે સમયે અરવિંદ ચડ્ડાનું નામ સામે આવ્યું નહોતું. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ભાસ્કર ઇનસાઇડરિયાઝે સાગરિતોને જેલમાં સુવિધા અપાવવા કોલ કર્યારિયાઝ શેખને ભરૂચ રેલવે પોલીસે ફતેગંજથી પકડ્યો હોવાનું કહ્યું હતું. જોકે ધરપકડ બાદ રિયાઝ શેખે તેના સાગરીતોને ફોન કરીને જેલમાં તેને સુવિધા મળે તેની ગોઠવણ શરુ કરી હતી. ધરપકડ બાદ પણ રિયાઝે તેના મળતિયાઓ મારફતે કેટલાક ફોન કોલ કર્યા હતા, સાથે જ કેટલાક આરોપી જે અગાઉ જેલમાં રહીને આવ્યા હોય તેમના સંપર્ક કરવામાં આવ્યા હતા તેમ સુત્રોએ કહ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો પોલીસ કર્મીઓની પણ સંડોવણી બહાર આવી શકે તેમ છે.
વડોદરા ગ્રામ્યના જુદા-જુદા વિસ્તારમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપરની ચોરી કરતી રાજસ્થાનની જોગી ગેંગને એલસીબીએ પકડી પાડી હતી. પોલીસને ગેંગ પાસેથી 490 કિલો રૂ.4.90 લાખનો કોપર મળ્યો હતો. એલસીબીને બાતમી મળી હતી કે, ચોરીનો કોપરનો સ્ક્રેપ કંડારીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં સ્ક્રેપના ગોડાઉનમાં વેચાણ કરવા માટે કેટલાક ઈસમો આવ્યા છે. જેના આધારે એલસીબીએ સ્થળ પર પહોંચી ગોડાઉનના માલિક સહિત છ જણાને પકડી પાડી તેમની પાસેથી 490 કિલો રૂ.4.90 લાખનો કોપરનો જથ્થો કબ્જે કર્યો હતો. આ આરોપી પકડાયા હતા વોન્ટેડ આરોપી
શહેરમાં હલકી કક્ષાના બનેલા રોડ ઉનાળામાં 41 ડિગ્રી તાપમાન થતાં જ ઓગળવા લાગ્યા છે. નવાયાર્ડમાં રૂ. 50 લાખના ખર્ચે બનેલો રોડ પીગળી જતા તેમાં ખાડા પડ્યા છે. તો અટલાદરા કલાલી રોડ પર ડામર પીગળતા રાહદારીઓના ચપ્પલ ચોંટી ગયા હતા. પાલિકા દ્વારા રેતી છાંટી ઢાંકપિછોડો કરાઈ રહ્યો છે. નવાયાર્ડમાં રૂ. 50 લાખના ખર્ચે બનેલા રોડ પર કરાયેલી હલકી કક્ષાની કામગીરી બહાર આવી છે અને 41 ડિગ્રી તાપમાનમાં જ રોડ પીગળવાનો શરૂ થયો છે. નવાયાર્ડમાં રોડ પીગળવા સાથે તૂટી જતા સ્થાનિક કાઉન્સિલર જહા દેસાઈએ ફરિયાદ કરી છે. અટલાદરાથી કલાલી રોડ પર પણ ડામર પીગળતાં વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ ફેલાઈ હતી. તદુપરાંત ત્યાંથી જતા રાહદારીઓના ચપ્પલ ડામરના ચોંટી જતા પરેશાની થઈ હતી. 20 ડિગ્રી તાપમાન વધતાં રોડ પીગળે છે: પાલિકાપાલિકાના જન સંપર્ક વિભાગે જાહેર કરેલી પ્રેસનોટ મુજબ ઉનાળામાં લિક્વિડ સીલકોટ કરેલ રસ્તાઓની બ્લેક ટોપ સપાટી બપોરે વધુ ગરમી ગ્રહિત કરે છે. વાતાવરણના તાપમાન કરતાં બ્લેક ટોપ રોડની સપાટીનું તાપમાન 20 સેન્ટિગ્રેડ વધુ થાય છે. જેથી ડામર પીગળે છે. રોડના કામમાં ગ્રેડેશન યોગ્ય ન હોવાથી ડામર ઓગળે છે, આને બ્લીડિંગ કહેવાયરોડમાં ડીએમ, બીસી,કાર્પેટ અને સીલકોટ જેવા અલગ અલગ લેયર હોય છે. જેના ગ્રેડેશનમાં ભૂલ થાય તો 5 પ્રકારની ખામી ઉત્પન્ન થાય છે. આ ખામીમાં પોટ હોલ, ક્રેકિંગ, રેવલીંગ, રટિંગ અને બ્લિડિંગ છે. ડામર ઓગળવો તે બ્લિડિંગમાં આવે છે. રોડમાં એરવોઈડનું ગ્રેડેશન ન જળવાઈ તો આ ખામી સર્જાય છે. 3 રોડ પર ડામર પીગળતાં કોન્ટ્રાક્ટરોને દંડ કરાયોપાલિકાના રોડ પ્રોજેક્ટ વિભાગે ટેક્નિકલ કારણો આપી ડામર પીગળતો હોવા મુદ્દે કોન્ટ્રાક્ટરોનો બચાવ કર્યો હતો. અલકાપુરી એક્સપ્રેસ હોટલથી એન્જોય રેસ્ટોરન્ટ સુધી, મકરપુરા એસટી ડેપો પાછળનો રોડ, સંગમ ચાર રસ્તા પાસે કરેલા રોડના કામમાં ડામર પીગળતા કોન્ટ્રાક્ટરોને દંડ ફટકાર્યો હતો. - કમલેશ થોરાટ, રોડ એક્સપર્ટ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિકાસને સમાંતરે શિક્ષણને પણ પ્રોત્સાહન આપતા હતા, જેથી વિદ્યાર્થીઓ પણ તેમને આદર આપતા હતા. પ્રજાવત્સલ રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાવાસીઓ માટે અનેક લોકોપયોગી કાર્યો કર્યાં હતાં. આપણા વડોદરામાં મહારાજાની પ્રજા હતી અને પ્રજાના પણ મહારાજા હતા. મહારાજા સયાજીરાવની 164મી જન્મજયંતીએ તેમનાં સ્તુત્ય કાર્યો અને લોકોએ પણ આદરભાવ વ્યક્ત કરવા માટે પડઘારૂપે પાડેલા કેટલાક કિસ્સાઓની વાત અહીં પ્રસ્તુત છે. પ્રજાના મહારાજા ... મહારાજાની પ્રજા... મહારાજાના જીવનના બે હળવા પ્રસંગો વડોદરા માટે માર્ચ શુકનવંતો.... ઇઝરાયેલ પર ઊડતા વિમાનમાં સયાજીરાવની યાદગાર તસવીરસયાજીરાવ ગાયકવાડ નિર્ણાયક પ્રસંગોને યાદગાર બનાવવા તસવીરો ક્લિક કરાવતા હતા. 1930ના દાયકામાં તેઓ ઇજિપ્તની મુલાકાતે ગયા હતા. વિમાન જોધપુરથી ઊડ્યું હતું. તેમની સાથે તેમના એડીસી તરીકે ડો.મોડક હતા. આ વિમાન જ્યારે ઇઝરાયેલના જેરુસેલમ નજીક ગાઝા વિસ્તારની માઉન્ટ ઓલિવની પર્વતમાળા પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે તે સમયના જાણીતા ફોટોગ્રાફર કેપ્ટન વુડહાઉસે આ તસીવર ક્લિક કરી હતી.
ઇરાન યુદ્ધને કારણે રાજ્યમાં કોમર્શિયલ ગેસ પુરવઠાને લઈ મર્યાદા મૂકાયા બાદ વેપારીઓમાં ચિંતા ઊભી થઈ છે. શહેરમાં હાલ કેટલીક એજન્સીઓ કોમર્શિયલ સિલિન્ડરનો સ્ટોક ન હોવાનું જણાવી પુરવઠો આપી રહી નથી. જેને કારણે રૂા.1967નો કોમર્શિયલ સિલિન્ડર કાળાબજારમાં રૂા.2500ના ભાવે વેચાઈ રહ્યો છે. ઉપરાંત ઘરેલુ સિલિન્ડરના બુકિંગ અંગે પણ સમસ્યા સામે આવી છે. જેમાં ઓટીપી ન આવતાં ડિલિવરી ન થઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું. કોમર્શિયલ સિલિન્ડરનો સ્ટોક ન હોવાથી હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોમાં ચિંતા વ્યાપી છે. જેમાં 5 હજારથી વધુ સ્ટ્રીટ વેન્ડરોનો સમાવેશ થાય છે. રેસ્ટોરન્ટ પાસે 1થી વધુ સિલિન્ડર હોય છે. પાઈપલાઈન ન હોવાથી માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ આધાર રાખનારા વેપારીઓને ધંધો ઠપ થવાની ચિંતા પેઠી છે. હોટલ-રેસ્ટોરાંના સભ્યો સરકારમાં રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં આઈઓસીએલના 3,66,643 ડોમેસ્ટિક એલપીજીના ગ્રાહકો છે. આઈઓસીએલમાં રોજ 9503 સિલિન્ડરની ડિમાન્ડ હોય છે. જેમાં સોમવારે 7203 ગ્રાહકોને સિલિન્ડર સપ્લાય થઈ શક્યાં છે. જ્યારે 38,233 ડિલિવરી પેન્ડિંગ છે. 3 થી 4 દિવસમાં ડિલિવરી કરાશે. કોમર્શિયલ સિલિન્ડરના વધતા ભાવથી વેપારીઓ પરેશાનહાલ કોમર્શિયલ સિલિન્ડરની અછત છે. કોમર્શિયલ સિલિન્ડર ન મળે તો વેપારીઓને બિઝનેસ બંધ કરવો પડે તેવી સ્થિતિ છે. કોમર્શિયલ સિલિન્ડરનો રેટ રોજ બદલાઈ રહ્યો છે, જેને કારણે વેપારીઓને તકલીફ પડી રહી છે. સ્થિતિ સારી ન થઈ તો સરકારમાં રજૂઆત કરીશું. ફેબ્રુઆરીમાં સિલિન્ડરનો ભાવ 1800 સુધી હતો. હાલ સિલિન્ડર 2400 થી 2500માં મળે છે. > હેમલ મહેતા, ઉપપ્રમુખ, હોટલ-રેસ્ટોરન્ટ એસો. LGPની અછત નથી પ્રોડક્શન વધાર્યું છેએલપીજીની વધતી જતી ડિમાન્ડને કારણે આઈઓસીએલ દ્વારા પ્રોડક્શન વધારી દેવામાં આવ્યું છે. હાલ એલપીજીની કોઈ અછત સર્જાઈ નથી. જ્યારે આ તમામ પ્રોડક્શનનો પુરવઠો અમે ગુજરાત સ્ટેટ ઓફિસમાં મોકલી આપીએ છીએ. > બિપ્લોબ બિશ્વાસ,ઈડી, આઈઓસીએલ ભાસ્કર ઇનસાઇડવેપારીએ લેખિતમાં સિલિન્ડર લેવા માટે જાણ કરવી પડશે તેવી સ્થિતિ સર્જાશેરાજ્ય સહિત શહેરમાં કોમર્શિયલ સિલિન્ડરની અછત સર્જાઈ છે તેવામાં ઓઈલ કંપનીઓ દ્વારા એજન્સીઓને ઇ-મેલ કરવામાં આવ્યો છે. જેમાં કોઈ વેપારી 50, 100 કે 200 સિલિન્ડરો લેતો હોય અને તેને આ જ રેશિયોમાં સિલિન્ડર જોઈતાં હશે તો લેખિતમાં જાણ કરવી પડશે. વેપારી લેખિતમાં સિલિન્ડરોની સંખ્યા એજન્સીને આપશે. ત્યારબાદ ઓઈલ કંપની એજન્સી સાથે વેપારી ખરેખર આ પહેલાં તેટલાં સિલિન્ડર લેતો હતો કે કેમ તેની ખરાઈ કરશે. તે પછી જ વેપારીને તેટલી સંખ્યામાં કોમર્શિયલ સિલિન્ડર અપાશે. જોકે વેપારી નિયમિત સંખ્યાથી વધુ સિલિન્ડરોની માગણી કરશે તો તેને પુરવઠો નહીં મળે. ઘરેલુ ગેસ સિલિન્ડરને લઈને કોઈ પ્રકારની સમસ્યા નથીઆઈઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલના અધિકારી સાથે બેઠક કરી હતી. ઘરેલુ સિલિન્ડરને લઈ સમસ્યા નથી. કોમર્શિયલ સિલિન્ડરની સ્થિતિ સ્થિર છે. ઓટીપી વગર બોટલ અપાતાં નથી, જેથી કાળાબજારી અટકાવી શકાય. > જી.એન. દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી
વેધર રિપોર્ટ:શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી, 15 કિમી દૂર સિંધરોટમાં 43 ડિગ્રી નોંધાયો
શહેરમાં હીટવેવની આગાહી વચ્ચે મંગળવારે સિઝનમાં પહેલી વખત પારો 41 ડિગ્રી પહોંચી ગયો હતો. મંગળવાર સિઝનનો હોટેસ્ટ ડે રહ્યો હતો. જ્યારે વડોદરાથી 15 કિમી દૂર સિંધરોટમાં પારો સાંજે 4 વાગે 43 ડિગ્રી નોંધાયો હતો. 11મીએ પણ હીટવેવની આગાહી કરાઈ છે. બુધવારે પારો 40 ડિગ્રી રહી શકે છે. શહેરમાં મંગળવારે ભારે ગરમી પડતાં કમાટીબાગ ઝૂમાં પણ પશુ-પંખીઓનાં પાંજરાં પર પાણીનો છંટકાવ કરી તેમને રાહત અપાઈ હતી. વડોદરા ઉપરાંત અમદાવાદ, રાજકોટ સહિતનાં શહેરોમાં પણ મંગળવારે પારો 40 થી 42 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. જ્યારે શહેરમાં ગુરુવારથી પારો 40 ડિગ્રીથી નીચે જઈ શકે છે. જોકે માર્ચમાં હજુ બેથી ત્રણ દિવસ સુધી હીટવેવ આવવાની સંભાવના રહેલી છે. શહેરમાં મહત્તમ પારો 41 ડિગ્રી અને લઘુતમ પારો 20.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 41 ટકા અને સાંજે 10 ટકા નોંધાયું હતું. ઉત્તર-પશ્ચિમથી 8 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. સવારે 10 કલાકે જ પારો 35 ડિગ્રી થયો હતો
માર્ચ મહિનાની શરૂઆતમાં જ ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં 41થી 42 ડિગ્રી આસપાસ ગરમીનો પારો પહોંચી ગયો છે, ત્યારે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળે તે માટે હીટ એક્શન પ્લાન અમલમાં લાવવામાં આવ્યો છે. શહેરમાં બપોરે ગરમીમાંથી શહેરીજનોને રાહત મળે તે માટે 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 વાગ્યે બંધ રહશે. CREDAI અને અન્ય સંસ્થાઓ દ્વારા લોકોને ગરમી ન લાગે તે માટે ટ્રાફિક સિગ્નલ ઉપર CCTV કેમેરા ના નડે તે રીતે ગ્રીન નેટ લગાવશે. શહેરમાં 1,000થી વધુ પાણીની પરબો ઉભી કરાશેઆરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકી અને ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, હીટ એક્શન પ્લાન અંતર્ગત શહેરનાં જુદા જુદા ઝોનમાં કામગીરી કરતાં સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, એસોસિએશનો સાથે મળીને 350થી વધુ પાણીની પરબો ચાલુ કરવામાં આવી છે અને વધુને વધુ સંસ્થાઓને જોડીને આગામી દિવસોમાં 1,000થી વધુ પાણીની પરબો શહેરમાં ઉભી કરવામાં આવશે. AMTS અને BRTS બસ સ્ટેન્ડ ઉપર પીવાના પાણીની તેમજ ORS પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. 24 ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લગાવાશેજે ટ્રાફિક સિગ્નલો પર વધુ ટ્રાફિક થાય તેને ચાલુ રાખવા જરૂરી હોવાથી આવા ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ લગાવવા માટે CREDAI અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા 24 જેટલા ટ્રાફિક સિગ્નલો પર અત્યારે ગ્રીન નેટ લગાવવામાં આવનાર છે. 70 ટ્રાફિક સિગ્નલો બપોરના સમયે બંધ રહેશે. શહેરના તમામ બાગ બગીચાઓ સવારે છ વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ દરેક બગીચામાં પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આંગણવાડી, સ્કૂલ અને સફાઈ કામદારોના સમયમાં ફેરફારશહેરમાં આવેલી તમામ બાંધકામ સાઈટો ઉપર અનિવાર્ય સંજોગો સિવાય બપોરે 1થી 4 કામ બંધ રાખવામાં આવશે. ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન શ્રમિકોએ બપોરે 1થી 4 દરમિયાન કામગીરી કરવાની રહેશે નહીં. આંગણવાડી, સ્કૂલ તેમજ સફાઈ કામદારોની કામગીરીમાં સમયમાં ફેરફાર કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિને ચક્કર આવે ઉલટી થાય કે અતિશય માથાનો દુ:ખાવો થાય તો તરત જ નજીકના અર્બન હેલ્થ સેન્ટર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો.
મકાનની હરાજી કરે તો હું અને મારા છોકરાંઓ રસ્તા પર આવી જઇશું. હું મારા છોકરાંઓને લઇને ક્યાં જઉં? આ શબ્દો છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારના ત્રાગડમાં સ્વસ્તિક એલિગન્સમાં ફ્લેટ ધરાવતાં વિધવા મહિલા ગીતા રાઠોડના. તેમના આ મકાનની આજે હરાજી થવાની છે. ગીતાબેન લોકોના ઘરમાં રસોઇ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. દીકરી ધો.11માં અભ્યાસ કરે છે અને દીકરો ધો.10માં અભ્યાસ કરે છે. દીકરાની પરીક્ષા પણ ચાલે છે. ગીતાબેનના પતિ નરેશ રાઠોડ એમ્બ્યુલન્સ ચલાવતા હતા. 2018માં તેમણે આધાર માસ ફાયનાન્સમાંથી 20 લાખ રૂપિયાની લોન અને 20 લાખ રૂપિયાનો વીમો લીધો હતો. જ્યારે વીમો લીધો ત્યારે તેમને એવું કહેવાયું હતું કે જો નરેશ રાઠોડનું મૃત્યુ થાય તો વીમાની રકમમાંથી લોનની રકમ ભરપાઇ થઇ જશે અને મકાન ગીતાબેનના નામે થઇ જશે. 2020માં કોરોનામાં નરેશ રાઠોડનું મૃત્યુ થયું હતું. નરેશ રાઠોડના મૃત્યુ બાદ જ્યારે ગીતાબેને ક્લેઇમ મૂક્યો ત્યારે ફાઇનાન્સ કંપનીએ તેમને કહ્યું હતું કે તમે કાગળ મૂકો એટલે લોન માફ થઇ જશે. જો કે આ ઘટનાના 14 મહિના પછી તેમનો ક્લેઇમ રિજેક્ટ થયો હતો. જેના પછી ફાયનાન્સ કંપનીએ તેમની પાસેથી હપ્તા વસૂલ્યા હતા. ગ્રાહક કમિશને પતિના મૃત્યુ બાદ લોનની રકમ માફ કરવા અને તેમની પાસેથી વસૂલેલી રકમ 9% ના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. જેનાથી નારાજ થઇને ફાયનાન્સ કંપનીએ દિલ્હી સ્થિત નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમિશન સમક્ષ અપીલ કરી છે. હાલ આ અપીલ પેન્ડિંગ છે તેમ છતાં ફાયનાન્સ કંપની આજે આ મકાનની હરાજી કરી રહી છે. આ અંગે ગીતાબેને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર પણ લખ્યો છે. બીજીતરફ ફાયનાન્સ કંપની દાવો કરી રહી છે કે આ કાર્યવાહી કાયદા પ્રમાણે જ થઇ રહી છે. દિવ્ય ભાસ્કરે આ આખા મામલા અંગે ગીતા રાઠોડ અને ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ તેમજ આધાર હાઉસિંગ ફાયનાન્સ કંપનીના જવાબદાર અધિકારીઓ સાથે વાત કરી હતી. પતિના મૃત્યુ પછી 9 લાખ રૂપિયા વસૂલ્યાગીતાબેને દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ક્લેઇમ રિજેક્ટ થયા પછી ફાયનાન્સ કંપનીએ અમારી પાસેથી થોડાં-થોડાં હપ્તા વસૂલવાનું ચાલુ કર્યું હતું. અમને કહેતા કે જો તમે હપ્તા નહીં ભરો તો અમે ઘરનો કબજો લઇ લઇશું. દર 2-4 મહિને હપ્તા વસૂલવા આવી જાય અને ઘર પર નોટિસ મોકલી ઘરને સીલ કરી દેવાની ધમકી આપે છે. મારા પતિના મૃત્યુ પછી અંદાજે 9 લાખ રૂપિયા એ લોકોએ અમારી પાસેથી વસૂલ્યા છે. ગ્રાહક ફોરમે શું ચુકાદો આપ્યો તેની વાત પણ ગીતાબેને કહી.તેઓ જણાવે છે કે, મારા પતિ જીવતાં હતા ત્યારે અમે 3 વર્ષ સુધી દર મહિને 21 હજાર રૂપિયાનો હપ્તો ભર્યો હતો. અમે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિના સુચિત્રાબેનની મદદ લીધી હતી. તેમણે અમારા વતી ગ્રાહક ફોરમમાં કેસ કર્યો હતો. જેમાં એવો ઓર્ડર થયો હતો કે મારા પતિના મૃત્યુ બાદ અમે જેટલી પણ રકમ ભરી છે તે 8% વ્યાજ સાથે પાછી આપવી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યોગીતાબેને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને 9મી માર્ચે લેખિત રજૂઆત કરી છે. આ અરજીમાં સમગ્ર કેસની વિગતો દર્શાવીને જણાવ્યું છે કે ગ્રાહક કમિશને આપેલા ચુકાદા સામે રિવીઝન પિટિશન પેન્ડિંગ હોય તેવા સમયે ફાયનાન્સ કંપનીનું આવું પગલું કોર્ટની અવમાનના ના ગણી શકાય ? ગ્રાહક સુરક્ષા કમિશનનો ચુકાદા અમારી તરફેણમાં હોવા છતાં પણ સરફેસી એક્ટનો દુરૂપયોગ કરીને અમારી મિલકત પચાવી પાડવાની કોશિષ કરી રહી છે. મારા ઘરને કંઇપણ થશે તો હું અને મારા 2 સંતાનો રોડ પર આવી જઇશું. આધાર હાઉસિંગ ફાયનાન્સની મનમાનીઃ ગીતાબેનગીતાબેને આધાર હાઉસિંગ ફાયનાન્સને પણ ગઇકાલે નોટિસ ફટકારી છે. જેમાં આ હરાજી કાયદા વિરૂદ્ધની અને મન મરજી મુજબની હોવાનું કહ્યું છે. સાથે જ નોટિસ મળ્યાં બાદ હરાજીનું કામ તાત્કાલીક બંધ કરવાની માંગ કરી છે. મોત વ્હાલું કર્યા સિવાય કોઇ રસ્તો નહીં બચેઃ ગીતાબેનગીતાબેને કહ્યું કે, જો આધાર હાઉસિંગ ફાયનાન્સ ગ્રાહક સુરક્ષા કમિશનના ચુકાદાઓને અવગણી પોતાની મરજી મુજબની કાર્યવાહી કરશે તો આ જોતાં ભવિષ્યમાં કોઇ ગ્રાહક સુરક્ષા કમિશનનું પગથિયું નહીં ચડે. સમાજ ઉપયોગી, ગ્રાહકલક્ષી કાનૂનનો કોઇ અર્થ, જરૂરિયાત કે હેતુ નથી. આર્થિક રીતે સંપન્ન ફાયનાન્સ કંપની અન્ય કાયદાની જોગવાઇ તથા આંટીઘૂંટીઓની મદદ લઇ અમને નિરાધાર કરે તો સગીર સંતાનો સાથે રસ્તે રઝળવા કરતાં મોત વ્હાલું કરવા સિવાય બીજો કોઇ રસ્તો બાકી નહીં રહે. તેમણે આધારા ફાયનાન્સ કંપની પર દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો.તેઓ કહે છે કે, મારી ઉપર આધાર માસ ફાયનાન્સ તરફથી આવું પ્રેશર નાંખવામાં આવ્યું છે. અમે આધાર ફાયનાન્સમાં આ અંગે કંઇ વાત કરવા ગયા નથી. કેમ કે અમે જઇએ તો પણ તેઓ કંઇ જવાબ આપતાં જ નથી. તેઓ અમારા ઘરે આવીને નોટિસ ચોંટાડી જાય છે પરંતુ અમે હાથોહાથ રૂબરૂમાં અરજી આપવા જઇએ તો પણ તેઓ સ્વીકારતાં નથી અને કંઇ સાંભળતાં પણ નથી. હજુ સુધી અમને ફોરમના હુકમ મુજબ કોઇ રકમ પણ ચુકવી નથી. ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, કોરોનાના સમયે નરેશભાઇ કાર્ડિયાકએરેસ્ટના કારણે મૃત્યુ પામ્યા હતા પણ વીમા કંપનીએ તેમને પોલિસીનો લાભ નહોતો આપ્યો. જેથી ફાયનાન્સ કંપનીએ ગીતાબેન પર પૈસા વસૂલવા દબાણ ઊભું કર્યું હતું. 'અમે ગ્રાહક ફોરમમાં કેસ કર્યો હતો. જેમાં ડિસ્ટ્રીક્ટ ફોરમે અમારી તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. ડિસ્ટ્રીક્ટે ફોરમે 9 જુલાઇ, 2020થી વ્યાજ સાથે રકમ પાછી આપવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે બંને પક્ષકારોએ કમિશન સમક્ષ અપીલ કરી હતી. સ્ટેટ કમિશને પણ ડિસ્ટ્રીક્ટ ફોરમના હુકમને કાયમ રાખ્યો હતો.' તેમણે હરાજીની પ્રક્રિયાને ફાયનાન્સ કંપનીની દાદાગીરી ગણાવી. તેઓ કહે છે કે, આ હુકમ સામે આધાર ફાયનાન્સે નેશનલ કમિશન સમક્ષ અપીલ દાખલ કરી છે. જ્યાં ફાઇનલ સુનાવણી માટે 13 એપ્રિલની તારીખ નક્કી કરાઇ છે. આવા સમયે ફાયનાન્સ કંપનીએ પોતાની મનમરજી મુજબ દાદાગીરી કરીને હરાજી અંગેની નોટિસ આપી છે. જે ખોટું છે. જ્યારે કેસ ચાલી રહ્યો હોય ત્યારે કોઇ દખલગીરી કરી શકાય નહીં તેમ છતાં ફાયનાન્સ કંપની હરાજીની પ્રક્રિયા કરે તો તે ન્યાય સંગત નથી. જરૂર પડ્યે અમે ફાયનાન્સ કંપનીની આ દાદાગીરીને પડકારીશું. ન્યાય મેળવવા માટે અમારે જ્યાં પણ જવું પડશે ત્યાં જઇશું. મકાનની હરાજી વિરૂદ્ધ સુચિત્રા પાલે કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તેમણે વધુમાં કહ્યું કે, સ્ટેટ કમિશને હુકમ કર્યો છે અને નેશનલ કમિશનમાં કેસ પડતર છે ત્યારે તેઓ તરફથી જે પ્રક્રિયા કરવામાં આવી રહી છે તે અંગે અમે કોર્ટના અનાદરની કાર્યવાહી જરૂરથી કરીશું. તેના માટે અમે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલ (ડીઆરટી )માં પ્રોસેસ કરી છે. પરંતુ અમને હરાજી પહેલાંની તારીખ મળી નથી એટલે તે તારીખ સુધી અમારે રાહ જોવી પડશે ત્યારપછી જ અમે આગળની કાર્યવાહી કરી શકીશું. કાયદા પ્રમાણે જ કાર્યવાહીઃ ફાયનાન્સ કંપનીઆધાર હાઉસિંગ ફાયનાન્સ લિ.ના ઓથોરાઇઝ્ડ ઓફિસર અભિલાષ ઉન્નીથાને દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આ મેટર કોન્ફિડેન્શિયલ છે એટલે હું કંપનીની કોઇ વાત ન કરી શકું. અમે કાયદા પ્રમાણે જ કાર્યવાહી કરી છે.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાંથી ઝડપાયેલા કમલસિંહ નામના આરોપી પાસેથી પિસ્તોલ મળી આવી હતી. આ પિસ્તોલ તેણે મનીષસિંહ પાસેથી ખરીદી હતી. મનીષસિંહ ખૂંખાર ગુનેગાર હતો અને તેની સામે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ગંભીર ગુના નોંધાયેલા હતા. તેના પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર થયેલું હતું. બોટાદમાં થયેલા ડબલ મર્ડર કેસમાં મનીષસિંહ વોન્ટેડ હતો. વર્ષ 2021માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે મનીષસિંહ મુંબઇમાં રહે છે. જેના પછી ક્રાઇમ બ્રાન્ચે શરૂ કર્યું ઓપરેશન મનીષસિંહ. હવે આગળ વાંચો.... ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન અધિક પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ અને તત્કાલીન નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે સબ ઇન્સ્પેક્ટર જે.બી. બુધેલિયાની આગેવાનીમાં હેડ કોન્સ્ટેબલ્સ મહાવીરસિંહ બળવંતસિંહ તથા કિશોર ગઢવીની ટીમ બનાવી અને તેને તપાસ માટે મુંબઇ મોકલી હતી. ટીમે મુંબઇ પહોંચીને ખાનગી રીતે તપાસ કરી હતી. જેમાં મનીષસિંહ નાલાસોપારાના રશ્મિ ગાર્ડન (એવર શાઇન) કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ.માં પરિવાર સાથે રહેતો હોવાનું ખૂલ્યું હતું. તેના મકાનમાં કોણ-કોણ રહે છે તેની ઝીણવટભરી જાણકારી પોલીસે મેળવી લીધી હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું કે મનીષસિંહ અવાર નવાર અહીં આવે છે. મનીષસિંહનું નેટવર્ક મોટું હતું, તે ખૂંખાર ગુનેગાર હતો વળી પાછું રાજ્ય પણ અલગ (મહારાષ્ટ્ર) હતું એટલે મનીષસિંહને સરળતાથી પકડવો તે ગુજરાત પોલીસ માટે મોટો પડકાર હતો પણ પડકાર ઝીલવો તે જ તો પોલીસનું કામ છે. પોલીસે મનીષસિંહને પકડવાનો પડકાર ઝીલી લીધો. પોલીસની ટીમ મનીષસિંહ વિશે ઘણી બાતમી મેળવીને ગુજરાત પાછી આવતી રહી. અહીં આવીને મનીષસિંહને પકડવાનો ફૂલપ્રૂફ પ્લાન બનાવી લીધો હતો. થોડા દિવસો બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફરીથી મુંબઇ પહોંચી હતી. આ વખતે મિશન નક્કી જ હતું કે કોઇપણ ભોગે મનીષસિંહને પકડવાનો છે. પોલીસ બીજી વખત મનીષસિંહને પકડવા માટે ગઇ ત્યારે તેની પાસે મનીષસિંહનો સીસીટીવી કેમેરામાં દેખાતો ચહેરો જ હતો. આ ચહેરો પણ અસ્પષ્ટ હતો જેથી મનીષસિંહને ઓળખવો પણ શક્ય નહોતો. પોલીસ પાસે મનીષસિંહનો સ્પષ્ટ અવાજ હતો. મનીષસિંહ અને તેના પરિવારને ચકમો દેવા પોલીસે એક નવી જ યુક્તિ વાપરી. પોલીસે મનીષસિંહનો પરિવાર જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીમાં સિક્યોરિટી પૂરી પાડતી એજન્સીનો સંપર્ક કર્યો અને કોન્સ્ટેબલ કિશોર ગઢવીએ તેમાં સિક્યોરિટી ગાર્ડ તરીકેની નોકરી સ્વીકારી લીધી. કિશોર ગઢવીની સિક્યોરિટી ગાર્ડ તરીકેની ડ્યૂટી પણ મનીષસિંહ જ્યાં રહેતો હતો તે સોસાયટીમાં જ અપાઇ. કિશોર ગઢવીએ વીસેક દિવસ સુધી અહીં નોકરી કરી હતી. આ દરમિયાન અન્ય પોલીસ કર્મચારીઓ કિશોર ગઢવીના સતત સંપર્કમાં હતા. કિશોર ગઢવીએ સોસાયટીના રહીશો સાથે સારો ઘરોબો કેળવી લીધો હતો. આવતાં-જતાં દરેકના ખબર પૂછવા અને તેમની સાથે વાતચીત કરવી એ કિશોર ગઢવીનો નિત્યક્રમ બની ગયો હતો. એક દિવસ કિશોર ગઢવીને ખબર પડી કે મનીષસિંહના ઘરે શ્રાદ્ધ છે એટલે તે આવવાનો છે. આ ખબર પડતાં જ પોલીસ એલર્ટ થઇ ગઇ. જે દિવસે શ્રાદ્ધ હતું તે દિવસે મનીષસિંહ ઘરે આવ્યો હતો ત્યારે સિક્યોરિટીના ડ્રેસમાં રહેલા કિશોર ગઢવીએ તેને રોક્યો હતો. કિશોર ગઢવીઃ ક્યાં જવું છે?મનીષસિંહઃ હું અહીં જ રહું છું. મારે ઘરે જવું છે. કિશોર ગઢવીએ તેને બીજા પણ અમુક પ્રશ્નો પૂછ્યા. જેથી કરીને તેનો અવાજ ઓળખી શકાય. વાતચીત દરમિયાન ખબર પડી ગઇ કે આ જ મનીષસિંહ છે. જેથી મનીષસિંહ પોતાના ઘરે ગયો ત્યારે કિશોર ગઢવીએ અન્ય પોલીસ કર્મચારીઓને જાણ કરી દીધી હતી. થોડી જ વારમાં ગુજરાત પોલીસની ટીમ સાદા વેશમાં ખાનગી કાર સાથે એ સોસાયટીમાં પહોંચી ગઇ. અહીં પોલીસના જવાનો ગેટની બહાર ગોઠવાઇ ગયા હતા અને મનીષસિંહ નીચે ઉતરે તેની રાહ જોઇ રહ્યાં હતા. પોલીસ જે આરોપીને વર્ષોથી શોધતી હતી તે હવે હાથવેંતમાં હતો. થોડીવારમાં મનીષસિંહ શ્રાદ્ધની વિધિ પતાવીને ખભે લૂંગી લટકાવીને નીચે ઉતરી રહ્યો હતો. પોલીસે મનીષસિંહે ખભે લટકાવેલી લૂંગી જ તેના મોંઢા પર નાખીને ચિત્તાની ઝડપે તેના એક હાથમાં હાથકડી પહેરાવી દીધી અને હાથકડીના બીજા ભાગને કારના હેન્ડલ સાથે બાંધી દીધો. જેથી મનીષસિંહ ભાગી ન શકે. મનીષસિંહે છુટવા માટે ઘણું જોર કર્યું પણ તેના દરેક પ્રયત્ન નિષ્ફળ રહ્યાં. પોલીસે હાથકડીની ચાવી પણ ગાયબ કરી દીધી હતી જેથી કોઇ કંઇ કરી ન શકે. આ તરફ મનીષસિંહની પત્નીને જાણ થઇ ગઇ કે તેનો પતિ પોલીસની પકડમાં આવી ગયો છે એટલે તેણે પતિને છોડાવવા માટે ભારે બૂમાબૂમ કરી મૂકી. રસ્તા વચ્ચે કોઇ મહિલા આ રીતે બૂમાબૂમ કરે એટલે લોકોના ટોળાં વળી જાય તે સ્વભાવિક છે. સોસાયટી બહાર પણ એવું જ થયું. અહીં લોકોનાં ટોળાં ભેગા થઇ ગયા હતા વળી ગુજરાત પોલીસની ટીમ સાદા ડ્રેસમાં હતી અને કાર પણ ખાનગી હતી એટલે પરિસ્થિતિ વધારે વણસે તેમ હતી. અધૂરામાં પૂરૂં મનીષસિંહના સાગરિતો પણ તેને છોડાવવા માટે ત્યાં પહોંચી ગયા હતા. અહીં ટોળાં અને ગુજરાત પોલીસ વચ્ચે બોલાચાલી થઇ. પોલીસે પોતાની ઓળખ પણ આપી. સ્થિતિ વધુ ગંભીર બને તે પહેલાં ગુજરાત પોલીસે મુંબઇ પોલીસને જાણ કરી દીધી અને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. આના પછી ગુજરાત પોલીસ મનીષસિંહને લઇને મુંબઇ પોલીસની સાથે ગઇ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવીને બાય રોડ અમદાવાદ લઇ આવી હતી. અમદાવાદ લાવીને પોલીસે મનીષસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે છોટુની કડકાઇથી પૂછપરછ કરી હતી. જેમાં તેની પાસે બીજા હથિયારો હોવાનો પણ પર્દાફાશ થયો હતો. જેથી હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ, કિશોર ગઢવી, વિક્રમભાઇ સાજણભાઇ અને તેમની ટીમ 5 ઓક્ટોબર, 2021ની સાંજે મનીષસિંહને સાથે રાખીને અમદાવાદની સાબરમતી રેલવે કોલોનીના બ્લોક નં.821ના ત્રીજા માળે પહોંચી હતી. અહીં આવેલા એક મકાનમાં તપાસ કરતાં બાથરૂમના માળિયામાંથી એક કાળા કલરનો થેલો મળ્યો હતો. જેમાં દેશી બનાવટની એક પિસ્તોલ, એક રિવોલ્વર, બે મેગઝીન અને 190 જીવતાં કારતૂસ મળી આવ્યાં હતા. જેને કબજે લઇને મનીષસિંહ સામે વધુ એક ગુનો નોંધ્યો હતો. મનીષસિંહની પૂછપરછ દરમિયાન ખળભળાટ મચાવનારા ખુલાસા થવાના હતા. તે સામાન્ય પરિવારમાં જન્મ્યો હતો.ભણવાના સમયે તે ગુનેગારો સાથે રહીને ગુના આચરવા લાગ્યો હતો. તેણે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી ઉઘરાવવા સહિતના અનેક ગુનાઓ આચર્યા હતા. તે ખંડણી માગે અને જો કોઇ ન આપે તો તેની હત્યા કરી દેતો. એકલા વારાણસીના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં મનીષસિંહ સામે 10 જેટલા ગુના નોંધાયેલા છે. જેથી વારાણસી પોલીસે તેના પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. મનીષસિંહ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો પણ તેણે રાજ્ય પ્રમાણે પોતાના નામ રાખ્યા હતા. તે ઉત્તર પ્રદેશમાં મનીષસિંહ જગતનારાયણસિંહના નામથી કુખ્યાત હતો. જ્યારે મહારાષ્ટ્રમાં તેણે રાજુ જગમોહનસિંહ નામ ધારણ કર્યું હતું. ગુજરાતમાં તે શિવલાલ ચતુરલાલ શર્માના નામે ચાંદખેડામાં વિસત પેટ્રોલ પંપ સામે આવેલી સેવંતીલાલની ચાલીમાં રહેતો હોવાનું પોલીસને જુદા-જુદા રેકોર્ડ પરથી જાણવા મળ્યું હતું. બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઇરાલાના સેક્રેટરી અજિત દેવાણીની 30 જૂન, 2001ના રોજ મુંબઇમાં ફાયરિંગ કરીને હત્યા કરી દેવાઇ હતી. આ ગુનામાં મનીષસિંહ અને અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમની સંડોવણી સામે આવી હતી. આ ઘટના પછી ગુનાખોરીની દુનિયામાં મનીષસિંહની મનીષસિંહ જંસા તરીકેની ઓળખ બની હતી. ગુનાખોરીની દુનિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા મનીષસિંહે 2007માં વારાણસીમાં મુન્નાગીરી અને બ્રજેશ મિશ્રા નામના 2 શખસો પર જાહેરમાં 10થી 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેણે સિમ્સ હોટલ મેનેજમેન્ટના ભાગીદાર અશોક તલરેજા પાસેથી ડાયરેક્ટર આર.કે.સિંહની હત્યાની સોપારી લઇને તેના પર ફાયરિંગ કરીને તેની હત્યા કરી નાખી હતી. બીજા ગુનાઓમાં જ્યારે તેની ધરપકડ કરીને ઉત્તર પ્રદેશમાં કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો ત્યારે તે જૂન-2009માં પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હતો. આના પછી તેણે મુંબઇ આવીને બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનના પતિના બારમાં દોઢ વર્ષ સુધી કામ કર્યું હોવાનું પણ પોલીસના ચોપડામાં નોંધાયેલું છે. મનીષસિંહે મુંબઇના શાંતાક્રૂઝ વાકોલા પોલીસ વિસ્તારમાં આવેલા એક બારના માલિક ક્રિષ્ના શેટ્ટી પાસે ખંડણી માગી હતી. તેણે ના પાડતાં બારની બહાર જ તેના પર ફાયરિંગ કર્યું હતું. 2012માં આર.કે.સિંહના ખૂનની સોપારી આપનાર અશોક તલરેજા ઉપર તેના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. આ જ દિવસે તેણે રોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજાતલાબ બજારમાં હાર્ડવેરની દુકાન ધરાવતા વેપારી હરિનાથ પટેલ પાસેથી 25 લાખની ખંડણી માગી હતી. વેપારીએ ખંડણી ન આપતા તેની દુકાન બહાર જ જાહેરમાં ગોળી મારીને તેની હત્યા કરી નાખી હતી. 2014માં જ વડગામમાં નોંધાયેલા એક ગુનામાં ખૂલ્યું હતું કે મનીષસિંહે આરોપી રાજન બારડને પિસ્તોલ અને કારતૂસ આપ્યા હતા. 2015માં વારાણસીમાં લક્ષ્મી મેડિકલ એન્ડ સર્જિકલ હોસ્પિટલ ધરાવતાં ડો. અશોક રાયને ફોન કરીને 50 લાખની ખંડણી માંગી હતી. ડૉક્ટરે ખંડણી ના આપતાં તેના પર ફાયરિંગ કર્યું હતું. આવા અનેક ગુનાઓ મનીષસિંહ પર નોંધાયેલા છે. ગુજરાત પોલીસે મનીષસિંહની ધરપકડ કરી હોવાની જાણ થતાં યુપી અને મહારાષ્ટ્ર પોલીસ તેની પૂછપરછ કરવા અમદાવાદ આવી હતી. વર્ષ 2023માં મનીષસિંહ પેરોલ પર છૂટીને ફરાર થઇ ગયો છે. જેથી પોલીસ ફરીવાર તેને શોધી રહી છે. મુંબઇ જઇને મનીષસિંહને પકડવા બદલ અમદાવાદના પોલીસ કમિશનર તરફથી ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અને કિશોર ગઢવીનું પ્રશંસાપત્ર આપીને સન્માન કરાયું હતું. મુંબઇમાં રોડ પર હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગુજરાત પોલીસે મનીષસિંહને પકડ્યો, વાંચો પાર્ટ-1
ફૂડ વિભાગ દ્વારા કરાયું ચેકિંગ:ફતેગંજ સહિત 22 સ્થળે ચેકિંગ ખાદ્ય ચીજોના 49 નમૂના લીધા
માંજલપુર, તરસાલી, વાસણા ભાયલી રોડ અને સનફાર્મા રોડ સહિત 22 સ્થળોએ રેસ્ટોરાં, દુકાનો અને ઉત્પાદક પેઢીમાં પાલિકાની ખોરાક શાખાએ ચેકિંગ કર્યું હતું. જેમાંથી મસાલા, પિઝા, કઠોળ અને પ્રિપેડ ફુડના 49 નમૂના લઈ તેને પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે. તરસાલી, નોવિનો રોડ, માંજલપુર અલવાનાકા, વાઘોડિયા રોડ, સોમા તળાવ, આજવા રોડ, ન્યૂ વીઆઇપી રોડ, બુદ્ધદેવ કોલોની કારેલીબાગ, ફતેગંજ, ન્યૂ સમા રોડ, નિઝામપુરા, ટીપી 13, ગોત્રી, સ્ટેશન વિસ્તાર, વાસણા-ભાયલી રોડ, સનફાર્મા રોડ, વાડી, ચોખંડી, ખંડેરાવ માર્કેટ વેરાઈ માતા ચોક, નવાપુરા ખાટકીવાડ વિસ્તારોમાં ખોરાક શાખાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ફુડ ઇન્સ્પેક્ટરની ટીમોએ 39 રિટેલર, ડિસ્ટ્રિબ્યૂટર, ઉત્પાદક પેઢી, રેસ્ટોરાંમાં તપાસ કરી હતી. જ્યાંથી શંકાસ્પદ મકાઈ તેલ, મરચું, હળદર, હેરડા, તુવેર દાળ, ચણાદાળ, મગદાળ, મસૂરદાર, અડદ દાળ, વટાણા, મગની મોગર, મગ, બજેઠિયા, રજવાડી મિક્સ, ઘઉં સેવ, દેશી ચણા, ખારીસિંગ, ખજૂર. પનીર, પિઝા, પ્રિપેડ ફુડના 49 નમૂના લીધા હતા. આ સિવાય ગોરવા આઈટીઆઈ પાસે ઊભા કરાયેલાં ખાણી-પીણીનાં યુનિટો પર મોબાઈલ ટેસ્ટિંગ વાનથી ચેકિંગ કર્યું હતું. જેમાં મરચા પાઉડર, તેલ, ગ્રેવી અને લાલ ચટણીના 30 નમૂનાનું ચેકિંગ કર્યું હતું.
નિઝામપુરાની એક રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ગાયનેક તબીબ અને તેમના પરિવારને રેસ્ટોરન્ટના સ્ટાફ અને લિફ્ટનો વરવો અનુભવ થયો હતો. રેસ્ટોરન્ટની લિફ્ટમાં એક માસના શિશુ-વૃદ્ધ સહિત 3 લોકો ફસાયાં હતાં. આ અંગે જાણ કરાતાં પહોંચેલા ફાયરબ્રિગેડે પરિવારને લિફ્ટમાંથી બહાર કાઢ્યો હતો. જોકે તે પછી રેસ્ટોન્ટના સ્ટાફે અણછાજતું વર્તન કર્યાનો આક્ષેપ તબીબે કર્યો હતો. મકરપુરામાં રહેતા ગાયનેક તબીબ તેમનાં પત્ની, પુત્રવધૂ અને પૌત્ર સાથે નિઝામપુરા 3 રસ્તા પાસેની એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. તબીબ લિફ્ટની બહાર હતા અને અન્ય 3 લિફ્ટમાં નીચે ઊતરી રહ્યાં હતાં. આ સમયે પહેલા માળ અને ગ્રાઉન્ડ ફ્લોર વચ્ચે લિફ્ટ ખોટકાઇ ગઇ હતી. લિફ્ટમાં કોઇ ઇમર્જન્સી ફોન નંબર ન હતા, અંધારું છવાયું હતું અને પંખો બંધ હતો. બીજી તરફ એક માસનું બાળક પણ સાથે હોવાથી પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. તેમણે ટેલિફોનિક જાણ લિફ્ટ બહાર ઊભેલા તબીબને કરી હતી. દરમિયાન હોટેલને જાણ થતાં લિફ્ટની ચાવી શોધવા દોડાદોડ કરી મૂકી હતી, પણ ચાવી મળી ન હતી. છેવટે 15 મિનિટ સુધી ચાવી ન મળતાં તબીબે આખરે ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો. ફાયરબ્રિગેડે 10 મિનિટમાં પહોંચીને ગણતરીની મિનિટોમાં જ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તબીબે આ અંગે જણાવ્યું કે, પરિવારજનોના બહાર નીકળ્યા બાદ હોટેલના 2 કર્મચારીઓએ અમને કહ્યું કે, તમે અમારું 50 હજારનું નુકસાન કરાવ્યું છે. જોકે અમારા પરિવારજનોને પડેલી હાલાકી માટે સોરી સુધ્ધાં કહેવાનું સૌજન્ય દાખવ્યું ન હતું. અમે જમવાના મધુરા વિચાર સાથે ગયા હતા, પણ અમને આ વરવો અનુભવ થયો હતો. વીજ પ્રવાહ અચાનક વધી કે ઘટી જાય ત્યારે લિફ્ટનું મધરકાર્ડ બગડતાં આવી સ્થિતિ સર્જાયજો વીજ પ્રવાહમાં અચાનક વધારો કે ઘટાડો જાય ત્યારે લિફ્ટમાં જે મધરકાર્ડ હોય છે તે બગડી જાય છે, જેને કારણે લિફ્ટ ખોટકાય છે. ઉનાળામાં એસી મોટી સંખ્યામાં ચાલતાં હોવાથી આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય છે. > પિયૂષ પટેલ, લિફ્ટ તજ્જ્ઞ રહેણાક કે કોમર્શિયલ લિફ્ટના વીજ પ્રવાહને સંતુલિત રાખવા સ્ટેબિલાઇઝર નાખવું હિતાવહવીજ પ્રવાહમાં આવતી વધ-ઘટને પહોંચી વળવા માટે લિફ્ટમાં સ્ટેબિલાઇઝર નાખી શકાય. આ સ્ટેબિલાઇઝરની કિંમત રૂા.40 હજારથી 50 હજારની હોય છે. 3થી 6 વ્યક્તિની ક્ષમતાની લિફ્ટમાં પણ એક જ પ્રકારની વપરાય છે. હોસ્પિટલો, રેસ્ટોરન્ટ્સ જ નહીં મોટાં રહેણાક અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પણ સામૂહિક રીતે આ વ્યવસ્થા થઇ શકે છે.
રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા વડોદરામાં મહા જન સુનાવણીનું આયોજન કરાયું હતું. જેમાં આયોગનાં અધ્યક્ષે 15 મહિલાની વાતો સાંભળી 12 કેસમાં તાત્કાલિક સમાધાન કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષા વિજયા રહાટકરે કહ્યું કે, કાયદાનો ઉપયોગ યોગ્ય કરવો જોઈએ. કોઈ મહિલા કાયદાનો ખોટી રીતે ઉપયોગ કરે તો તે યોગ્ય નથી. તેના કારણે સમાજમાં અફવા ફેલાય છે કે, મહિલાઓ કાયદાનો ખોટો ઉપયોગ કરી રહી છે. શહેર-જિલ્લાના 15 કેસ સાંભળ્યા હતા, જેમાંથી 12નો નિકાલ કરાયો હતો. 2 કેસ આગળની કાર્યવાહી માટે મોકલ્યા છે. તેમણે કહ્યું કે, ઘણી મહિલા સીધી રીતે આયોગ સુધી પહોંચી શકતી નથી, તેથી ‘આયોગ આપને દ્વાર’ અભિગમ સાથે દરેક જિલ્લામાં મહિલા મહા જન સુનાવણીનું આયોજન કરાયું છે. એક વર્ષમાં 100 જેટલી સુનાવણી થઈ છે. આ અઠવાડિયામાં વિવિધ જિલ્લામાં 500 સુનાવણી પૂર્ણ કરવાનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે, તેઓએ બપોર બાદ પોલીસ ભવનમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કેસ - 1 : મિલકત મુદ્દે ભાઈ સામે કાર્યવાહી કરવા પોલીસને સૂચનગોત્રી વિસ્તારમાં ભાઈ-બહેને મિલકતને લઈને સામસામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. જોકે વૃદ્ધાએ મહિલા આયોગમાં ફરિયાદ કરી હતી. જેથી તેઓને જન સુનવણીમાં બોલાવવામાં આવ્યાં હતાં. તેઓએ જણાવ્યું કે, તેમનો ભાઈ તેમને પરેશાન કરે છે. જેથી મહિલા આયોગે પોલીસને કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું. કેસ - 2 : વૃદ્ધા સાથે ગેરવર્તણૂક કરનાર ડ્રાઈવર પાસે માફી મગાવીસયાજીગંજ પોલીસ મથકમાં વૃદ્ધાએ પોતાની કારના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધાએ મહિલા આયોગમાં પણ ફરિયાદ કરી હતી કે, ડ્રાઈવરે મારી સાથે ગેરવર્તણૂક કરી છે. જેથી મહિલા આયોગે વૃદ્ધાને સાંભળ્યાં હતાં. વૃદ્ધાની માગ હતી કે, ડ્રાઈવર મારી માફી માગી લે. જેથી ડ્રાઈવરે વૃદ્ધાની માફી માગી હતી. જે બાદ મહિલા આયોગે કેસ બંધ કર્યો હતો.
વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં ગત મોડી રાત્રે જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે ભારે બઘડાટી બોલી ગઈ હતી. લાકડીઓ, પાઈપ અને છરી જેવા ઘાતક હથિયારો સાથે બંને પક્ષો સામસામે આવી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જેમાં એક જૂથના ચાર લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પોલીસ સ્ટાફ દોડી ગયા હતા. હાલ આ બનાવમાં બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતા ફરીયાદી સંજયભાઈ રાણાભાઈ ખાંડેખાએ વાંકાનેર સિટી પોલીસમાં છ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તથા આરોપી હરપાલસિંહને અગાઉ સાત-આઠ મહિના પહેલાં વાહન લે-વેચના પૈસા બાબતે મારામારી થઇ હોય, જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓ કારમાં ભાટીયા સોસાયટીના ચોકમાં આવી બેફામ ગાળાગાળી કરી છરી વડે હુમલો કરી હરેશભાઇને ઇજા કરી તેમજ કાર હેઠળ કચડી નાખવાના ઇરાદે નીકળ્યા હતા. તે ઘટનાંમાં ચારને ઇજા થતાં તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ જ બનાવમાં સામાપક્ષે ફરિયાદી શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલાએ આઠ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કાકાના દિકરા હરપાલસિંહને અગાઉ આરોપી સાથે માથાકુટ થઇ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીની કાર પર હુમલો કરી આગળ-પાછળના બન્ને કાચ ઉપર ધોકા તથા પાઇપ વડે આડેધડ ઘા કરી ગાળો આપી હુમલો કર્યો હતો. જેથી હાલ આ મામલે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.મોડી રાત્રે ભાટિયા સોસાયટીમાં છૂટા હાથની મારામારી ધોકા પાઇપ તથા છરી જેવા હથિયારોથી બને જૂથો એકબીજા ઉપર તુટી પડ્યા હતા ત્યારે સ્થાનિકો ભયભીત બની ગયા હતા.
સામાન્ય સભા યોજાઈ:મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું માત્ર 4-5 મિનિટમાં જ સમાપન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હાલની ચૂંટાયેલી બોડીની આગામી 16 માર્ચના રોજ ટર્મ પૂર્ણ થતી હોય અને ટર્મ પૂર્ણ થતા બોડીનું વિસર્જન તેમજ તેમના સ્થાને વહીવટદારની નિમણૂક થવાની શક્યતા છે. આગામી દિવસમાં વહીવટદાર સમક્ષ વિકાસ કામ મંજૂરી માટે લઈ જવા ન પડે તે માટે ગત ત્રણ માર્ચના રોજ જિલ્લા પંચાયતની બજેટ અંગેની સામાન્ય સભા મળી તેના માત્ર સાત દિવસમાં જ ફરી એકવાર મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી દ્વારા અલગ અલગ વિકાસ કામોની સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી તેમજ હેતુ ફેરની કામગીરીને મંજૂરી માટે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ સામાન્ય સભામાં પ્રમુખ હંસાબેન ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા ઉપરાંત ભાજપના માત્ર 11 સભ્ય જ્યારે કોંગ્રેસના માત્ર 2 સભ્યો જ હાજર રહ્યા હતા. જો કે આ સભા માત્ર ગણતરીની મિનિટોમાં જ પૂર્ણ થઈ ગઇ હતી. ડે. ડીડીઓને નવું વાહન મળશેઆ ખાસ સભામાં અગાઉના બજેટની મંજૂરી સભાની કાર્યવાહી નોંધ અને બહાલી ઉપરાંત ખાસ એજન્ડામાં હેતુફેરના રૂપિયા 22 લાખના કામોને મંજૂરી આપવા તેમજ રૂપિયા એક કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી અને 1.92 કરોડના કામને વહીવટી મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યા હતા જેને પણ બહુમતીથી પસાર કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયત ના ડેપ્યુટી ડીડીઓના ઉપયોગમાં લેવાતું જૂનું વાહન 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી હોય જેથી તેનું આયુષ્ય પૂર્ણ થતા તેના સ્થાને નવું વાહન ખરીદવાને પણ સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું.
માર્ચ એન્ડીગ સુધીમાં કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મોરબી મનપાની વેરા વસુલાત શાખાએ હવે કરવેરો ભરવામાં ઉદાસીન આસામી પાસેથી વેરો વસૂલવા કડક કાર્યવાહી હાથ ધરી છે. જો કે પોપર્ટી ટેક્સ બાકી હોય તેવા તમામ મિલકત ધારકોને 31 માર્ચ પહેલા કરવેરો ભરવા ફરમાન જારી કરી દીધું છે. નહિતર કરવેરા ઉપર 18 ટકા વ્યાજ ભરવા તૈયાર રહેવાની કડક ચેતવણી આપી છે અને મિલકત વેરાના બાકીદારો પાસેથી વેરો વસૂલવા માટે મિલકત વેરા શાખા દ્વારા બાકીદારોને વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી આગામી 31 માર્ચ સુધી સઘન બનાવવામાં આવી છે. જો આ સમય દરમિયાન વેરો નહીં ભરાય તો બાકી રકમ માથે 18 ટકા વ્યાજ વસૂલવામાં આવશે. ઉપરાંત રહેણાંક મિલકતનો રૂ.10 હજારથી વધુ ટેક્સ બાકી હોય તેમને રૂબરૂ અથવા મોબાઈલ દ્વારા વોરંટ આપ્યા બાદ પણ જો મિલકત ધારક વેરો ભરપાઈ નહિ કરે તો તેના રહેણાંકના નળ અને ડ્રેનેજ એટલે ભુર્ગભ ગટરના કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી તાકીદ કરી છે.઼ ક્લસ્ટર ઓફિસોમાં સવારના 10:30થી સાંજના 4 વેરો ભરી શકાશે રજાના દિવસોમાં પણ વેરો ભરી શકાશેમાર્ચ એન્ડિંગ નજીક હોવાથી લોકો 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરી શકે અને વેરો ન ભરવા બદલ આકરી કાર્યવાહીથી બચી શકે તેવી મનપાએ વ્યવસ્થા ગોઠવો છે. નાગરિકોને સરળતા રહે તે માટે રજાના દિવસોમાં પણ કાઉન્ટર ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે. આથી 31 માર્ચ સુધી દર શનિવાર અને રવિવારે પણ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા વિવિધ ક્લસ્ટર ઓફિસો ચાલુ રહેશે અને લોકો આ સ્થળોએ વેરો ભરી શકશે.મનપાની મુખ્ય ઓફિસમાં સવારે 10-30થી સાંજે 5 કલાક સુધી પ્રોપર્ટી અને વ્યવસાય વેરો ભરી શકશે. રૂમ નં-9માં POS મશીનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
3 દિવસ હીટવેવની આગાહી:માર્ચમાં જ થર્મોમીટર 43 ડિગ્રીનો આંક બતાવશે
રાજ્યભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળાની શરૂઆત વહેલી અને નવા રેકોર્ડ તોડવા સાથે થઇ રહી છે. ગત વર્ષે જે માહોલ માર્ચના અંતિમ સપ્તાહમાં જોવા મળતો હતો તેવું વાતાવરણ મહિનાની શરૂઆતથી જોવા મળી રહ્યું છે. મોરબી જિલ્લામાં લઘુતમ તાપમાન સવારે ભલે 19 ડિગ્રી હોય તે પારો બપોર સુધીમાં સડસડાટ 35 સુધી પહોંચી જતાં લોકો ફાગણમાં જ ચૈત્ર જેવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગે જે 17 જિલ્લા માટે હીટવેવની આગાહી કરી છે તેમાં મોરબીનો પણ સમાવેશ છે. આગામી ત્રણ દિવસમાં તાપમાન 43 પર પહોંચે તેવી શક્યતા છે. આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે આ સિઝનમાં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસથી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આગામી 11 માર્ચથી 15 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન 39થી 41 ડિગ્રી જયારે લઘુત્તમ તાપમાન 19 થી 21 ડિગ્રી વચ્ચે રહેશે. આટલું કરવું, અને આટલું ન કરવું હવામાન વિભાગની આગાહીના પગલે આરોગ્ય વિભાગે લોકો માટે લૂથી બચવા ખાસ એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં લૂથી બચવા લોકોને બપોરના સમયે બિન જરૂરી બહાર ન નીકળવા,તડકામાં વધુ પડતો શ્રમ ટાળવા, બહાર નીકળતી વખતે માથું ઢાંકવા, સુતરાઉ કાપડ પહેરવા, ઘરેથી નીકળતા પહેલાં જ વધુ પાણી પીવા ખાસ તાકીદ કરવામાં આવી છે. બહારથી આવીને તુરત ઠંડુ પાણી પીવાના બદલે થોડો સમય શરીર ઠંડુ પડ્યા બાદ પાણી પીવાનો આગ્રહ રાખવા જિલ્લા એપેડમિક ઓફિસર ડો.ડી.વી.બાવરવાએ જણાવ્યું હતું. પાણી વિતરણ વ્યવસ્થા કાર્યક્ષમબનાવવા તંત્રની તાકીદની બેઠક મળીમોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ વ્યાપક અને સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને જિલ્લા જલ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને ગામડામાં પાણીની સુવિધા માટે પાણી પુરવઠાના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. હળવદ તાલુકાના કોયબા (હરિપર) ખાતે બોર શારકામ અને પમ્પિંગ મશીનરીનું કામ મોરબીના ઝીંઝુડા ગામે હયાત બોર પર નવી મશીનરી બેસાડવાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. કલેક્ટરએ રણકાંઠાના ગામોમાં પીવાના પાણી કોઈ સમસ્યા ન આવે તેવી સૂચના આપી હતી.ઘોડાધ્રોઈ ડેમ આધારિત ૮ ગામોના જૂથ માટેની યોજના અને માળિયા-હળવદ તાલુકાની વિવિધ રજૂઆતોના હકારાત્મક નિકાલ બાબતે સમીક્ષા કરી હતી સ્વૈચ્છિક લોકડાઉન રાજકોટ જિલ્લાના મોટા ભાગના શહેરો અને ગામડાંઓમાં 41 ડિગ્રી તાપ અનુભવાતાં બપોરના સમયે જાણે સ્વૈચ્છિક લોકડાઉન લદાયું હોય તેવી હાલત બની હતી.લોકોએ ઘરમાં જ પુરાઇ રહેવાનું પસંદ કર્યું હતું અને શેરી ગલીઓ સુમસામ ભાસતી હતી.
મહિલાના પગ પર ટ્રકનું ટાયર ફરી વળ્યું:ધ્રાંગધ્રા કુડા ચોકડીએ ટ્રક, બાઈક વચ્ચે અકસ્માત દંપતીને ઈજા
ધ્રાંગધ્રા ફોરલેન હાઈવે પર કુડા ચોકડી પાસે અવાર નવાર ગંભીર અકસ્માતના બનાવ બને છે. ત્યારે મીઠું ભરેલા ડમ્પરે બાઈકને ટક્કર મારતા નરાળી ગામના દંપતીને ઈજા થઇ હતી. જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થતા 108 દ્વારા દવાખાના સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા-કુડા ચોકડી પાસે ગંભીર અકસ્માતના બનાવો વારંવાર બને છે. માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપી વાહનો નીકળે છે. અને ગંભીર અકસ્માત સર્જે છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના ભોપાભાઈ પાટડિયા અને તેમના પત્ની લીલાબેન પાટડી બાઈક પર નારાળીથી ધ્રાંગધ્રા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા મીઠું ભરેલા ટ્રક ચાલકે તેમની બાઈકને અડફેટે લેતા બન્ને નીચે પડી અકસ્માતમાં લીલાબેન પાટડિયાના પગ પર ટ્રકનું ટાયર ફરી વળતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ભોપાભાઈ પાટડિયાને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત બનતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત લીલાબેનન અને ભોપાભાઈને તાત્કાલિક 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. લીલાબેનની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે હોસ્પિટલમાં લઇ જવાયા આવ્યા હતા.
સુરેન્દ્રનગર મનપા બન્યા બાદ શહેરમાં 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે તવાઇ બોલાવવામાં આવી છે. તેમ છતાં હજુ પણ વેપારીઓ ખાસ કરીને સૌથી વધુ ઝબલાનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે મનપાની ટીમે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાંથી વેપારી પાસેથી 70 કિલોથી વધુનો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરેન્દ્રનગરમાં 50 માઇક્રોનથી પાતળા ઝબલાના ઉપયોગને કારણે શહેરમાં ખાસ કરીને ગટરો ચોકઅપ થઇ જવાની સાથે પર્યાવરણ ઉપર ખૂબ માઠી અસર થઇ રહી છે. આથી જ આવા પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં હજુ પણ સુરેન્દ્રનગરમાં કેટલાક વેપારીઓ આવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે. મનપાના સેનિટેશન વિભાગના કુલદિપભાઇ, કેતનભાઇ સહિતની ટીમે વઢવાણ યાર્ડમાં ચેકિંગ કર્યું હતું. જ્યાં તરૂણ પ્રજાપતિ પાસેથી 70 કિલોથી વધુનો પ્લાસ્ટિકનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો. આથી વેપારીને રૂ.15 હજારનો દંડ પણ કરવામાં આવ્યો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિક સાબિત કરવા કેમિકલનો ઉપયોગમનપાની ટીમ વેપારીઓ પાસે જાય છે ત્યારે કેટલાક વેપારીઓ આ પ્રતિબંધિત પ્લાસ્ટિક ન હોવાની દલીલો કરી રહ્યા હતા. આથી મનપાની ટીમ ડાયક્લોરો મીથેન નામના કેમિકલનો ઉપયોગ કરી રહ્યા છે. આ કેમિકલમાં પ્લાસ્ટિક નાંખતાની સાથે ઓગળી જાય તો કાયદેસરનું પ્લાસ્ટિક અને જો ન ઓગળે તો ગેરકાયદે પ્લાસ્ટિક હોવાનું સાબિત થઇ જાય છે.
વઢવાણ તાલુકાના નગરા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ હતો. જેમાં રજૂઆત બાદ 70 વર્ષીય વૃદ્ધ મહિલાની પેન્શન પ્રક્રિયા શરૂ થઇ છે. રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વઢવાણ તાલુકાના નગરા સેવા સેતુ કાર્યક્રમ હતો. આ દરમિયાન નગરા ગામના સરપંચ દ્વારા એક વૃદ્ધ મહિલાની સમસ્યા અંગે અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. માહિતી મુજબ નગરા ગામની આશરે 70 વર્ષીય વૃદ્ધ મહિલાના લગ્ન ફૂલગ્રામ ગામમાં થયા હતા. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ પોતાના પતિથી અલગ રહી છેલ્લા 35 વર્ષથી નગરા ગામમાં પોતાના માતા-પિતા પાસે રહેતા હતા. આ પરિસ્થિતિને કારણે તેમને વૃદ્ધ પેન્શનનો લાભ મળતો નહોતો. સરપંચ દ્વારા રજૂઆત થતાં વઢવાણ મામલતદાર આર.કે. પંચાલ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી. જેમાં નિયમ મુજબ કાર્યવાહી કરી તેમની વૃદ્ધ પેન્શન શરૂ થઈ શકે તે માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. આથી વઢવાણ તાલુકાના નગરા વૃદ્ધ મહિલાપેરમબેન અને કનુબેને સરકાર, વઢવાણ પ્રાંત કચેરી તથા વઢવાણ મામલતદારનો આભાર વ્યક્ત કર્યો હતો.
PGVCLની 39 ટીમનું વીજ ચેકિંગ:એક જ દિવસમાં 96 વીજ જોડાણોમાંચોરી ઝડપાઈ રૂ. 32.52 લાખનો દંડ
પીજીવીસીએલ, સુરેન્દ્રનગર તરફથી મળતી માહિતી અનુસાર અધિક્ષક ઇજનેર, સુરેન્દ્રનગર એન.એન. અમીનની રાહબરી હેઠળ પીજીવીસીએલની 39 ટીમ સાથે સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના થાન, ચાણપર, ચોટીલા, ખેરાણા, મઘરીખડા, મોઢવણા, નાના અંકેવાળીયા, પીયાવા, સુજાનગઢ વિસ્તારમાં વીજ ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. જે માટે 13 એસઆરપીના જવાનો તથા 14 પોલીસ સ્ટાફ દ્વારા પ્રોટેકશન આપવામાં આવેલા હતા. તેમજ 4 વીડીયોગ્રાફર મુકવામાં આવ્યા હતા. કુલ 497 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી ઘર વપરાશના 96 વીજ જોડાણોમાં વીજ ચોરી પકડવામાં આવી હતી. આ પૈકીના વીજ જોડાણો વગરના કુલ 63 વીજ ચોરીના કેસ પકડવામાં આવ્યા હતા. આ તમામને રૂ. 32.52 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ જોડાણો કોઈ પણ શરમ વગર કાપી નંખાશેકંપની ગ્રાહકોને અવિરત વીજળી આપવા કટિબદ્ધ છે. પરંતુ તેની સામે ગ્રાહકોએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજી સમયસર વીજ બિલની ચુકવણી કરવી જોઈએ. જે ગ્રાહકો બિલ ભરપાઈ નહીં કરે તેમના વીજ જોડાણો કોઈ પણ શેહ-શરમ વગર કાપી નાંખવામાં આવશે. ગ્રાહકોને અપીલ છે કે તેઓ વીજ વિક્ષેપથી બચવા વહેલી તકે પોતાના બાકી લેણાં ઓનલાઈન અથવા નજીકની પેટા વિભાગીય કચેરીએ જઈને ભરી દે. - એન.એન અમીન, અધિક્ષક ઈજનેર 110 ગ્રાહકોના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નંખાયાસુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળ તા.10-3એ કુલ 225 ટીમ દ્વારા ડીસ કનેક્શન તેમજ વસૂલાતની કામગીરી કરાઈ હતી. જેમાં વીજ બિલ ન ભરનારા કુલ 110 ગ્રાહકોના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાંખવામાં આવ્યા હતા. જેમની કુલ બાકી રકમ રૂ.12.04 લાખ જેટલી થવા જાય છે. તેમજ જાગૃત ગ્રાહકોના સહકારથી કુલ 3560 ગ્રાહકો પાસેથી રૂ.140 લાખની વસૂલાત કરવામાં આવી છે.
હળવદ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને આવેદન આપીને રામધૂન બોલાવી હતી અને રજૂઆત કરી હતી. હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસના નામે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવાની ચર્ચાઓ વચ્ચે નાના લારી-ગલ્લાવાળા વેપારીઓ અને મધ્યમ વર્ગના ધંધાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે. આ અંગે હળવદ નગરપાલિકા વોર્ડ નંબર 1ના સદસ્ય ભારતીબેન ગોપાલભાઈ દોરાળા દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે શહેરના વિકાસ માટે ગેરકાયદે દબાણ દૂર કરવું જરૂરી છે, પરંતુ તે કાર્યવાહી સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈઓ મુજબ અને તમામ વર્ગો સામે સમાન રીતે થવી જોઈએ. ખાસ કરીને નાના લારી-ગલ્લાવાળા વેપારીઓ, જેઓ રોજિંદી આવક પરથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમની આજીવિકા ઉપર અયોગ્ય અસર ન પડે તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ભારતીબેન દોરાળાએ જણાવ્યું હતું કે ભારત સરકારના નિયમ મુજબ રસ્તા ઉપર વ્યવસાય કરતા નાના વેપારીઓ માટે વેન્ડિંગ ઝોન નિર્ધારિત કરવું સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ફરજ છે. તે ઉપરાંત નિયમ અનુસાર નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી તમામ કાર્યવાહી નિષ્પક્ષ, પારદર્શક અને ભેદભાવ રહિત હોવી આવશ્યક છે. શહેરમાં ઘણીવાર દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન માત્ર નાના વેપારીઓ સામે જ કડક કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે પ્રભાવશાળી અથવા આર્થિક રીતે સશક્ત લોકો દ્વારા કરાયેલા દબાણો સામે સમાન કડકાઈ દાખવવામાં આવતી નથી તેવી મૌખિક ફરિયાદો પ્રજામાંથી મળતી રહે છે. આવી સ્થિતિ સામાન્ય નાગરિકોમાં અસંતોષ ઊભો કરે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-પાટડી હાઈવે પરથી પોલીસે ઘાસચારાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આઈસર ટ્રકમાંથી રૂ. 28.73 લાખથી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 38.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે. જાડેજા, પીએસઆઈ જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઈ એન.એ. રાયમાનાઓએ તેમની ટીમો સાથે હાઈવે રોડ પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માલવણ-પાટડી હાઈવે પર ફાટક પાસે આવેલી એક બંધ હોટલ નજીકથી એક આઈસર ટ્રક શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ટ્રકની તલાશી લેતા, તેમાં ઘાસચારાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, જેની કિંમત રૂ. 28,73,520 આંકવામાં આવી છે, તે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, રૂ. 10,00,000ની કિંમતની આઈસર ટ્રક અને રૂ. 5,000નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ રૂ. 38,78,520નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક પોકરારામ કાનારામ જાટ રહે. ડીંડાવા, બાડમેર, રાજસ્થાનને ઝડપી પાડી, બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓમાં દેવારામ જાટ (રહે. રામનગર, જિ. બાડમેર), મોરબી ખાતે દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિ અને આઈસર ટ્રકના માલિકનો સમાવેશ થાય છે.
પ્રસ્તાવિત વીજળી (સુધારા) બિલ 2025ના વિરોધમાં મંગળવારે દેશભરમાં વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો દ્વારા વિશાળ પ્રદર્શનો, વિરોધ સભાઓ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF)ના ચેરમેન શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સ (NCCOEEE)ના આહવાન પર આ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. સુરેન્દ્રનગરના કર્મીચારીઓ જોડાઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વિવિધ રાજ્યોમાં પાવર પ્લાન્ટ્સ, ટ્રાન્સમિશન કેન્દ્રો, વિતરણ કચેરીઓ અને જિલ્લા મુખ્ય મથકો પર વીજ ક્ષેત્રના કર્મચારીઓ અને એન્જિનિયરો એકઠા થયા અને પ્રસ્તાવિત કાયદાની સખત નિંદા કરી હતી. પ્રદર્શનકારીઓએ આ બિલને ખેડૂત વિરોધી, ગ્રાહક વિરોધી અને કર્મચારી વિરોધી ગણાવીને તેને તાત્કાલિક પાછું ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. એઆઇપીઇએફના ચેરમેન શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, વીજળી (સુધારા) બિલ 2025નો મુખ્ય હેતુ વીજ વિતરણના મોટા પાયે ખાનગીકરણની સુવિધા આપવાનો અને જાહેર વીજ ક્ષેત્રને નબળું પાડવાનો છે. તેમણે ચેતવણી આપી હતી કે આ બિલના પરિણામે દેશભરના ખેડૂતો, ઘરગથ્થુ ગ્રાહકો અને વીજ ક્ષેત્રના કર્મચારીઓ માટે ગંભીર પરિણામો આવશે. ફેડરેશને એવી પણ ચેતવણી આપી હતી કે આ બિલ દેશના સંઘીય માળખાને નબળું પાડે છે. આ બિલ જાહેર ડિસ્કોમની આર્થિક નબળાઈ, ખેડૂતો અને ઘરગથ્થુ ગ્રાહકો માટે વીજળીના દરોમાં વધારો, નફાનું ખાનગીકરણ અને નુકસાનનું સામાજિકકરણ તરફ દોરી જશે. મંગળવારે ગુજરાતના 7000 ઈજનેર અને 40000 કર્મચારીઓ દ્વારા ગુજરાત ભરની ટ્રાન્સમીશન, ડિસ્ટ્રિબ્યુશન અને જનરેશન અને ગુજરાત ભરની તમામ કંપનીઓની કોર્પોરેટ ઓફિસ, જિલ્લા લેવલની ઓફિસ સામે સૂત્રોચારો કરી ખાનગીકરણનો વિરોધ દર્શાવેલો તેમ જીઇબીઇએના સેક્રેટરી જનરલ એચ.જી. વઘાસિયાએ જણાવ્યું હતું.
ખારાઘોડા નવાગામ ખાતે સનાતન પરંપરાઓ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા વિરાટ હિન્દુ સંમેલન યોજાયુ હતું. આ વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત સાધુ-સંતો, મહેમાનો સાથે વિચરતી અને વિમુક્ત જાતિની દીકરીઓ સહિત સૌ હિન્દુ ભાઇ બહેનો દ્વારા ભારતમાતાની સામુહિક આરતી ઉતારવામાં આવી હતી. પાટડી તાલુકાના નવાગામ મંડલ હિન્દુ સમિતિ દ્વારા સનાતન પરંપરાઓ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા સામાજીક સમરસતા, સદભાવના, સંસ્કાર અને હિન્દુ સ્વાભિમાનની જાગૃતિ અર્થે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા માંડવી ચોક, નવાગામ-ખારાઘોડા ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા પધારેલા સાધુ-સંતો સહિતના મહેમાનોનું સામૈયું કરી કુમકુમ તિલક દ્વારા આવકારવામાં આવ્યા હતા. સાધુ-સંતો સહિતના મહેમાનો દ્વારા દિપપ્રાગટ્ય કરીને વિરાટ હિન્દુ સંમેલનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેગામ ગૂરૂકૃપા આશ્રમના ચંદુબાપુ, મુલાડાના કરશનદાસ બાપુ, હસાબાપુ, બ્રહ્માકુમારીઝ પ્રિયાદીદી સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. વિરાટ હિન્દુ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘુમંતુ કાર્યના સુરેન્દ્રનગર વિભાગ સંયોજક નીલકંઠભાઇ વાસુકિયા અને પ્રખ્યાત સુંદરકાંડ આરાધક મનસુખભાઇ પટેલ (રાધે) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારીઝ પ્રિયાદીદી દ્વારા આશિર્વચન આપતા સનાતન હિન્દુ ધર્મ, આપણા આસ્થાના કેન્દ્રો, વિશ્વ શાંતિ સહિતના મુદ્દે વાત રજુ કરવામાં આવી હતી. હિન્દુ સંમેલનમાં મુખ્ય વક્તા નીલકંઠભાઇ વાસુકિયા દ્વારા આપણે કોણ છીએ, સનાતન હિન્દુ ધર્મ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પુર્વેની સ્થિતી, સંઘ દ્વારા કરવામાં આવતા કાર્યો, સમાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશીભાવ જાગરણ, નાગરિક કર્તવ્ય સહિતના વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ. આ વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત સાધુ-સંતો, મહેમાનો સાથે વિચરતી અને વિમુક્ત જાતિની દીકરીઓ સહિત સૌ હિન્દુ ભાઇ બહેનો દ્વારા ભારતમાતાની સામુહિક આરતી ઉતારવામાં આવી હતી.
મિડલ ઇસ્ટમાં 11 દિવસથી ચાલતાં યુદ્ધની અસર થાનના 250થી વધુ ઉદ્યોગ ઉપર વર્તાઇ રહી છે. સરકારે ઉદ્યોગમાં સપ્લાય થતાં કોમર્શીયલ ગેસના જથ્થામાં 50 ટકાનો કાપ મૂક્યો છે. રોજ 2.50 લાખ ક્યુબીક મીટર (અંદાજે 10 હજાર) કિલો ગેસનો સપ્લાય ઘટી 5 હજાર કિલો થઇ જતાં તા.1 એપ્રિલથી તમામ કારખાના બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેની સીધી અસર ફેક્ટરીમાં કામ કરતાં 50 હજાર કારીગરો અને ટ્રાન્સ્પોર્ટેશન, ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા 2.50 લાખ લોકોની રોજીરોટી ઉપર પડશે. થાન સિરામીક ઉદ્યોગ દ્વારા દર વર્ષે 1500 કરોડથી વધુનો સામાન વિદેશમાં અને 2500 કરોડથી વધુનો સામાન દેશમાં મોકલવામાં આવે છે. રૂ.3500 કરોડનું ટર્નઓવર ધરાવતાં આ ઉદ્યોગ અંગે પાંચાળ સિરામીક એસો.ની બેઠક મળી હતી. પ્રમુખ સુરેશભાઇ સોમપુરા, નાનજીભાઇ પટેલ, શાંતીલાલ પટેલ, સંજયભાઇ બદરખીયા, અશ્વીનભાઇ મારૂ હાજર રહ્યા હતા. જેમાં ગેસમાં 50 ટકા ઓછા પુરવઠાને કારણે ભઠીઓ ચાલુ કરી શકાય તેમ નથી. કારણ કે, એક ભઠ્ઠીને ગરમ કરવામાં અંદાજે રૂ.1 લાખનો ગેસ વાપરવો પડે છે. 12થી 14 કલાક ભઠ્ઠી ચાલુ રાખવી પડે છે. જે 50 ટકા ગેસમાં શક્યતા નથી. ગેસને રૂપાંતરિત કરવાની પ્રક્રિયા જટિલ : યુદ્ધ વિરામ 1 મહિનો ગેસ નહી મળેથાન સિરામીક ઉદ્યોગમાં વપરાતો ગેસ કતારથી આવે છે. ત્યાં એરપોર્ટ ઉપર બે પ્લાન્ટમાં મશીનરી ફીટ કરવામાં આવી છે તે 15 દિવસથી બંધ છે. ઘન સ્વરૂપમાં રહેલા ગેસને 8350 કેલેરી પ્રેશર આપીને ગેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ઓછું પ્રેસર માફક આવતું નથી. વધુ પ્રેસર આવે તો ગેસનું પ્રમાણ ઘટે છે. આ પ્રક્રિયા એકદમ લાંબી અને જટિલ હોવાથી હવે યુદ્ધ પૂર્ણ થઇ જાય તો પણ એક મહિનો સુધી ગેસ ન મળે તેવી સ્થિતિ છે. ગલ્ફ દેશમાં 20 દિવસમાં પહોંચતી શીપના 45 દિવસ લાગે છેથાન સિરામીક ઉદ્યોગનો સામાન આફ્રિકા અને ગલ્ફના દેશમાં નિકાસ કરાય છે. અત્યારે યુદ્ધની સ્થિતીને લઇ શીપને જવા માટેના રસ્તા બદલાયા છે. જે શીપ પહેલા 20 દિવસે પહોંચતી તે અત્યારે 45 દિવસે પહોચે છે. જેને કારણે જે કન્ટેનરનો ટનનો ભાવ રૂ. 1 હજાર ભાવ હતો તે વધીને આજે 5 હજાર થઇ ગયો છે. આટલુ જ નહી પરંતુ ગલ્ફ દેશમાં નિકાસ કરેલા થાનના 5 કન્ટેનર પરત પણ આવ્યા છે. થાન સિરામીક ઉદ્યોગ દર વર્ષે રૂ.3500 કરોડનું ટર્નઓવર ધરાવે છે. .
દારૂ ઝડપાયો:હિંમતનગરમાં લક્ઝરીમાંથી 3.45 લાખનો દારૂ ઝડપાયો
હિંમતનગરમાં નેશનલ હાઇવે પર સાબરડેરી બ્રિજ પાસે પોલીસે વોચ ગોઠવી બાતમીને આધારે લક્ઝરીમાંથી 3.45 લાખનો દારૂ ઝડપી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કુલ 13.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મંગળવાર સવારે હિંમતનગર એ-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી શામળાજી થઈ અમદાવાદ તરફ જતી માયા ટ્રાવેલ્સની લક્ઝરી નંબર RJ-19-PB-6914માં દારૂ છૂપાવવામાં આવ્યો છે. બાતમી મુજબની બસ સાબરડેરી બ્રિજ પાસે આવતા પોલીસે તેને અટકાવી તલાશી લેતાં વચ્ચેની સીટના નીચેના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી હતી. પોલીસે નાનુરામ નાનજી નનોમા (મીણા) (રહે. લાપીયા, તા. આસપુર, જિ. ડુંગરપુર, રાજસ્થાન) અને પ્રતાપસિંહ રણજીતસિંહ ચૌહાણ (રહે. 42/પડાવાડા, તા.જિ. સલુમ્બર, રાજસ્થાન)ની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે 3.45 લાખનો દારૂ, લક્ઝરી, મોબાઇલ સહિત 13.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બે સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂની હેરાફેરી ઝડપાઈ:ઇકોમાં સીટ નીચે ગુપ્તખાનું બનાવી દારૂની હેરાફેરીમાં બે શખ્સો ઝડપાયા
મોડાસાના માલવણ કેશાપુર ચોકડી પાસે એલસીબીને માહિતી મળી હતી કે ઇકો નંબર gj 0 3 lg 77 98 માં બે શખ્સો રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી શામળાજી જીવણપુર બાકરોલ થઈ મોડાસા તરફ જવાના હોવાની માહિતીના આધારે એલસીબીએ ઇકોને બાકરોલથી મોડાસા તરફ આવતાં રોડ ઉપર અટકાવીને તલાશી લેતાં ગાડીમાં સીટ નીચે ગુપ્તખાનું બનાવીને તેમાં સંતાડેલ વિદેશી દારૂ બિયરની બોટલ ટીન નંગ 291 કિં. 74580 મળ્યા હતા. પોલીસે ચાલક સાજનકુમાર લાલજીભાઈ પારગી રહે. ઓડ તા. શામળાજી અને રાહુલકુમાર મણીલાલ ખરાડી રહે. છાત્રેશ્વરી તા. મોડાસાની અટકાયત કરી વોન્ટેડ જયદીપસિંહ અને રાજસ્થાનના સલીયાટ ઠેકા ઉપર બેસતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાન યુદ્ધને કારણે ભારતમાં સર્જાયેલા કોમર્શિયલ સિલિન્ડર સંકટના છે. ઘણી જગ્યાએ હોટલોમાં જમવાનું મળી રહ્યું નથી. બીજી તરફ દુનિયાના 9 દેશોમાં ઓઈલની તંગી સર્જાઈ છે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી તમિલનાડુ-કેરળની મુલાકાત લેશે. 16,450 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 2. સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો ત્રીજો દિવસ. સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. કાલના મોટા સમાચારો 1. ભારતમાં રાંધણ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ:‘ESMA’ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળતો નથી કેન્દ્ર સરકારે દેશભરમાં 'એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955(ESMA)' લાગુ કરી દીધો છે. હોર્મુઝ જળમાર્ગના રસ્તે થતી ગેસ સપ્લાય ઠપ થયા બાદ સરકારે આ પગલું ભર્યું છે. ગેસની અછતને ધ્યાનમાં રાખીને દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોએ કોમર્શિયલ ગેસના સપ્લાય પર હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધને કારણે રેસ્ટોરન્ટ્સ અને હોટલો બંધ થવાની નોબત આવી ગઈ છે. નાના હોટલ અને ભોજનાલય ચલાવનારાઓએ સરકારને કહ્યું છે કે સપ્લાય ફરી શરૂ કરવામાં આવે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. એશિયાના 9 દેશોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ:ઓઈલ-ગેસ માટે હાહાકાર, ક્યાંક લિફ્ટ બંધ તો ક્યાંક પગારમાં કાપ, શું ભારત પર સંકટ વધશે? ઈરાન યુદ્ધની અસર હવે એશિયાના ઘણા દેશોમાં દેખાવા લાગી છે. ઓઇલ અને ગેસના પુરવઠાને અસર થવાને કારણે ઓછામાં ઓછા 9 એશિયન દેશોમાં ઉર્જા સંકટ ઘેરું બનવા લાગ્યું છે. પરિસ્થિતિ એવી છે કે અલગ-અલગ દેશોને ઇંધણ બચાવવા અને ઉર્જા સંકટનો સામનો કરવા માટે કડક પગલાં ભરવા પડ્યા છે. બાંગ્લાદેશમાં તમામ યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે, જેથી વીજળી અને ઇંધણનો વપરાશ ઘટાડી શકાય. જ્યારે થાઈલેન્ડમાં સરકારી કચેરીઓમાં લિફ્ટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને કર્મચારીઓને સીડીઓનો ઉપયોગ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને વર્ક ફ્રોમ હોમ લાગુ કરવામાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. અમેરિકાએ કહ્યું- આજે ઈરાન પર સૌથી મોટા હુમલા થશે:ઈરાન બોલ્યું- ટ્રમ્પની ધમકીથી ડરતા નથી, અમને મારવાના ચક્કરમાં ક્યાંક તમે જ ખતમ ન થઈ જાઓ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ દરમિયાન અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું છે કે મંગળવારે ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી તીવ્ર હુમલા કરવામાં આવશે. હેગસેથના મતે, આ હુમલામાં મોટી સંખ્યામાં ફાઈટર જેટ અને બોમ્બર વિમાનો સામેલ હશે. તેમણે દાવો કર્યો કે ઈરાનની સૈન્ય ક્ષમતાઓ નબળી પડી રહી છે અને તે ખરાબ રીતે હારી રહ્યું છે. બીજી તરફ, ઈરાને પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે તે ધમકીઓથી ડરનારા નથી અને જે લોકો ઈરાનને ખતમ કરવાની વાત કરે છે, તેમણે પોતાના અંજામ વિશે વિચારી લેવું જોઈએ. લારીજાનીએ ટ્રમ્પને ચેતવણી આપતા કહ્યું કે જે લોકો ઈરાનને મિટાવવાની વાત કરી રહ્યા છે, તેમણે સાવધાન રહેવું જોઈએ, ક્યાંક એવું ન થાય કે ઈરાનને મારવાના ચક્કરમાં તેઓ પોતે જ ખતમ થઈ જાય. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સ્પીકર બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ:ગોગોઈએ કહ્યું- રાહુલને 20 વખત ટોકવામાં આવ્યા; રિજિજુએ જવાબ આપ્યો: પ્રિયંકાને વિપક્ષના નેતા બનાવ્યા હોત તો સારું થાત લોકસભામાં મંગળવારે વિપક્ષ સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો. 50થી વધુ સાંસદોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું. આ પછી પીઠાસીને પ્રસ્તાવ રજૂ કરવાની પરવાનગી આપી દીધી. હવે આ પ્રસ્તાવ પર 10 કલાક ચર્ચા ચાલી રહી છે. વિપક્ષે ઓમ બિરલા પર સદનની કાર્યવાહીમાં પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. ચર્ચાની શરૂઆત કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કરી. તેમણે કહ્યું કે બજેટ સત્ર દરમિયાન 20 વખત નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીને રોકવામાં આવ્યા. તેમને વારંવાર રૂલિંગ બુક બતાવવામાં આવી. તેમણે પોતાની સ્પીચમાં એક આર્ટિકલનો હવાલો આપ્યો. તેના પર તેમને રોકવામાં આવ્યા, પરંતુ સત્તા પક્ષના સાંસદોએ ભારતમાં પ્રતિબંધિત પુસ્તકો સદનમાં બતાવી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ટીમ ઈન્ડિયા પર રૂપિયાનો વરસાદ:BCCI ₹131 કરોડ આપશે, ખેલાડીઓ, સ્ટાફ અને સિલેક્ટર્સને અભિનંદન પાઠવ્યા, ભારત ત્રીજી વખત T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડકપ 2026 જીતવા બદલ ટીમ ઈન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. ભારતે રવિવારે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા ન્યુઝીલેન્ડને હરાવી ટ્રોફી જીતી લીધી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પોતાનો ખિતાબ જાળવી રાખ્યો અને T20 વર્લ્ડકપના ઇતિહાસમાં સતત બે વાર ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની ગઈ. BCCI એ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને સિલેક્ટર્સને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. બોર્ડે આશા વ્યક્ત કરી કે ટીમ ભવિષ્યમાં પણ આ જ રીતે શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરતી રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ‘દરેક ઘરમાં ચૂલો સળગે એ સરકારની પ્રાયોરિટી’:કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે, ફર્ટિલાઇઝર-દૂધ માટે 40% કાપ; મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ઊર્જા મંત્રીની હૈયાધારણા અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધના કારણે રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂકવામાં આવ્યા બાદ રાંધણ ગેસ અંગે લોકોમાં ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય નાગરિકોને મળતા રાંધણ ગેસના પુરવઠામાં કોઈ તકલીફ ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. દરેક ઘરમાં ચૂલો સળગે એ સરકારની પ્રાયોરિટી છે અને કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે રાજ્યના નાગરિકોને ઊર્જા મંત્રીએ હૈયાધારણા આપી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદમાં ડામર પીગળતા ચંપલ ચોંટ્યા:42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ, 5 શહેરનો પારો 41ને પાર; હજુ 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડશે ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. આજના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ રહ્યું છે. તો અમદાવાદ, દીવ, વડોદરા, ડીસા, ભૂજનું મહત્તમ તાપમાન પણ 41 ડિગ્રીને પાર રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સુપ્રીમ કોર્ટે કહ્યું- UCC લાગુ કરવાનો સમય આવી ગયો છે:સંસદ નિર્ણય કરે, શરિયત કાયદાની કલમો રદ કરવાથી કાયદાકીય શૂન્યાવકાશ સર્જાઈ શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર હુમલો થયો તો વિશ્વયુદ્ધ નક્કી!:એક્સપર્ટે કહ્યું- આ ઇરાનનું કરોડરજ્જુ, અહીંથી 90% ઈરાની તેલનું એક્સપોર્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક આતંકવાદી ઠાર:સેનાને બે આતંકવાદીઓની ઘૂસણખોરીની જાણકારી મળી હતી, બીજાની શોધખોળ ચાલુ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઈરાનથી ખામેનીની તસવીર લઈને બાળક થાઈલેન્ડ પાછો ફર્યો:લેબનાનમાં પરિવારો સ્કૂલોમાં રહેવા મજબૂર, 22 તસવીરોમાં યુદ્ધનો વિનાશ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : હવે વિદેશ પ્રવાસ મોંઘો થયો:ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સનું ભાડું 15% વધ્યું, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી જેટ ઇંધણના ભાવ બમણા થયા; ઈરાન યુદ્ધની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : જસપ્રીત બુમરાહ T-20 ઓછી, વનડે વધુ રમશે:2027 વનડે વર્લ્ડ કપની તૈયારી પર રહેશે ફોકસ, વર્કલોડ મેનેજ કરશે બોર્ડ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુની ચાલ બદલાશે: 2 જૂન સુધી મિથુન રાશિમાં રહેશે, કન્યા-ધનના જાતકોનો રાજયોગ શરૂ; જાણો ગ્રહનું ગોચર તમારા માટે કેટલું શુભ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ સ્વપ્નમાં જીજાજીએ છેડતી કરી, 7 વર્ષ ચાલ્યો કેસ કાનપુરમાં સગીર સાળી સાથે છેડતીના આરોપમાં ફસાયેલા જીજાજીને 7 વર્ષ બાદ કોર્ટે નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યા છે. સાળીએ હવે કહ્યું કે જીજાજીએ હકીકતમાં છેડતી કરી ન હતી, પરંતુ તેને સ્વપ્નમાં છેડતી થઈ હોવાનો ભ્રમ થયો હતો. પહેલા આપેલા નિવેદનને કારણે એરફોર્સના કર્મચારીને 19 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: આગામી 24 કલાકમાં અમેરિકા-ઈરાન યુદ્ધનો અંત આવશે? કયા 5 મોટા સંકેતો મળી રહ્યા છે, નેતન્યાહુ કઈ શરત પર માનશે 2. પેટ્રોલપંપમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું: ખૂંખાર ગુનેગાર મનીષસિંહે ડબલ મર્ડર કરી બોટાદને ધ્રૂજાવ્યું, નાસ્તાની લારીથી શરૂ થયેલું ઓપરેશન મુંબઇ પહોંચ્યું 3. ગુજરાતની વેપારી સંસ્થાએ યુદ્ધમાં ફસાયેલા માટે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું: સામાન ઓછો રાખવાની અપીલ કરી, બિઝનેસમેન સહિત 6 લોકો સુરક્ષિત અમદાવાદ પાછા ફર્યા 4. ગ્રાઉન્ડ રિપોર્ટ : મુસ્લિમ સાથે લગ્ન, ભાઈનું ભણતર અને રાશન બંધ: મંદિરમાં એન્ટ્રી નહીં, છોકરી શહેર ભાગી ગઈ; ગામના લોકો બોલ્યા- આ ધર્માંતરણનું ષડયંત્ર 5. ભાસ્કર એક્સપ્લેનર : રોકેટ બનાવવાનો સામાન લઈને ચીનથી 2 જહાજ રવાના: ઈરાનની મદદ કેમ કરી રહ્યા છે જિનપિંગ?, શું અમેરિકા રસ્તામાં ઊડાવી દેશે? 6. Editor’s View : યુદ્ધ વખતે જ ઈરાનના બે દોસ્ત ચૂપ: પડદા પાછળ રશિયા અને ચીન ખિચડી રાંધે છે; કેમિકલ વેપન ભરેલા ચીનથી નીકળેલા બે જહાજનું રહસ્ય ઘેરાયું કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: મિથુન-કુંભ રાશિના જાતકો માટે પ્રગતિના દ્વાર ખુલશે, કન્યા રાશિના લોકોને રોકાણથી મોટો ફાયદો થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
ફરાર આરોપી ઝડપાયા:બે વર્ષથી નાસતા ફરતા 8 આરોપી ઝબ્બે
શામળાજી પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં ભિલોડાના ગલીસેમરો ગામના અને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા 8 આરોપીઓને શામળાજી પોલીસે આશ્રમ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓને ઝડપી પાડવા માટે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી. ઝડપાયેલા આરોપીઓ
શિક્ષકોની ઘટ:અરવલ્લી જિલ્લામાં 5 શિક્ષકોની જગ્યા ખાલી
મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં શિક્ષકોની સ્થિતિ અંગે વિધાનસભામાં ચર્ચા થઇ હતી. આ ચારેય જિલ્લામાં સામાજિક વિજ્ઞાન, ગણિત-વિજ્ઞાન અને ભાષાના કુલ 12,062 શિક્ષકોની જરૂરિયાત સામે 11,821 જગ્યાઓ ભરેલી છે. જ્યારે 242 શિક્ષકોની ઘટ છે. બનાસકાંઠામાં 125 અને પાટણમાં 106 જગ્યા ખાલી છે. મહેસાણામાં માત્ર 6 અને અરવલ્લીમાં 5 શિક્ષકોની જગ્યા ભરવાની બાકી છે. અરવલ્લી જિલ્લામાં 1907 શિક્ષકોની જરૂરિયાત સામે 1903 જગ્યા ભરેલી છે, 5 જગ્યા ખાલી છે. સામાજિક વિજ્ઞાનમાં 585 શિક્ષકો સામે 580 જગ્યા ભરેલી અને 5 જગ્યા ખાલી છે. ગણિત-વિજ્ઞાનમાં તમામ 628 શિક્ષકો છે. ભાષામાં 694 સામે 695 જગ્યા ભરેલી છે, અહીં મહેકમ કરતાં 1 શિક્ષક વધુ છે. કરારી એક પણ શિક્ષક નથી. સામાજિક વિજ્ઞાનમાં 20, ગણિત-વિજ્ઞાનમાં 8 અને ભાષામાં 4 મળી કુલ 32 વિદ્યાસહાયકો છે. બનાસકાંઠામાં 125 અને પાટણમાં 106 સહિત ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં શિક્ષકોની 242 જગ્યા ખાલી છે.
મોડાસાના મોટીઇસરોલમાં સોમવારે નાસિકથી વિજયનગર તરફ ભ્રમણ કરતાં દિગંબર જૈન સાધ્વીજી પૂજ્ય સુનંદા મતિ માતાજીનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે અબાલવૃદ્ધ મોટી સંખ્યામાં હાજર રહી સાધ્વીજીના દર્શન કરી સ્વાગત-સન્માનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. મૂળ વિજયનગરના રહેવાસી રહેલા દિગંબર જૈન સાધ્વીજી પૂજ્ય સુનંદા મતિ માતાજીએ માત્ર 18 વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા લીધા બાદ આશરે 54 વર્ષ પછી સૌને દર્શનનો લાભ આપવા તેઓ નાસિકથી વિજયનગર તરફ ભ્રમણ કરી રહ્યા છે. આ અવસરે પૂજ્ય માતાજીએ મોટીઇસરોલમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને સાંજના સમયે દિવ્ય સત્સંગનો લાભ પણ આપ્યો હતો. આગામી 13 મી માર્ચે શુક્રવારે વિજયનગરમાં પૂજ્ય માતાજીનું સ્વાગત થનાર છે.
વડાલી| વડાલીના થેરાસણામાં UGVCLની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. ગામમાંથી બટાકા ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી. તે સમયે રસ્તા ઉપરથી લટકતાં વીજ વાયરોમાં ટ્રક ફસાઈ ગઈ હતી. ટ્રક આગળ વધતાં તાર પર ખેંચાણ સર્જાયું અને વીજ પોલ પાયામાંથી ઉખડીને ધરાશાયી થયો હતો. આ દરમિયાન રસ્તેથી પસાર થઈ રહેલા હીરાબેન ઠાકોર ઉપર આ વીજ પોલ પડતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલ સીધો તેમના પગ પર પડ્યો હતો.આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત મહિલાને ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ઘણા વીજ પોલ લાંબા સમયથી બિનઉપયોગી હાલતમાં ઉભા છે. આ અંગે અનેક વખત તંત્રને મૌખિક રજૂઆતો કરાઇ હોવા છતાં પણ બિનઉપયોગી પોલ પરથી તાર ઉતારવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોતી..
આરોગ્ય સાથે ચેડાં કરતો:મેઘરજના જીવણપુર ટાંડામાંથી ઇડરનો નકલી તબીબ ઝડપાયો
મેઘરજના જીવણપુર ટાંડામાં મેડિકલ ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી એલોપેથીક દવાઓથી સારવાર કરતો ઈડર તાલુકાના બોગસ ડોકટરને એસઓજીએ ઝડપ્યો હતો. પોલીસે 13હજાર ઉપરાંતના મેડિકલ સાધનો એલોપેથીક દવાઓકબજે લઈ નકલી તબીબ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીને ખાનગી માહિતી મળી હતી કે જીવણપુર ટાંડામાં શખ્સ કોઈપણ મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદે રીતે એલોપેથીક દવાઓ રાખી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. તેવી માહિતીના આધારે પોલીસ ટીમ જીવણપુર ટાંડા પહોંચી તપાસ કરતાં અશોકકુમાર કુવરભાઈ વણઝારા જીવણપુર ટાંડા, તા. મેઘરજ, જિ. અરવલ્લી, મૂળ રહે. સવગઢ છાવણી, તા. ઈડર, જિ. સાબરકાંઠાનો શખ્સ કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રીવગર ડોકટર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. એસઓજીની તપાસ દરમિયાન નકલી તબીબ દર્દીઓને તપાસી એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શન આપી સારવાર કરતો હોવાનું બહાર આવ્યું હતું. એસઓજીએ આરોપી અશોકકુમાર કુવરભાઈ વણઝારા વિરુદ્ધ ઇસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
ખેડૂતોમાં આનંદનો માહોલ:હિંમતનગર યાર્ડમાં 4 દિવસમાં 7600 બોરીની ઘઉંની આવક
હિંમતનગરના માર્કેટયાર્ડમાં હોળીના તહેવાર બાદ ઘઉંની સિઝન પૂરબહારમાં ખીલી છે. હોળી બાદ 4 દિવસમાં માર્કેટયાર્ડમાં ઘઉંની કુલ 7600 બોરીથી વધુની આવક થઈ છે. ખાસ કરીને હરાજી દરમિયાન મહત્તમ ભાવ 655 સુધી પહોંચતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. માર્કેટયાર્ડના મેનેજર સિદ્ધરાજસિંહ ઝાલા દ્વારા જણાવ્યા મુજબ, માર્ચ મહિનાની શરૂઆતથી જ ઘઉંની આવક સ્થિર ગતિએ વધી રહી છે. 6 માર્ચના રોજ 1200 બોરીની આવક થઇ હતી અને ભાવ રૂ. 440 થી રુ. 535 રહ્યા હતા. 7 માર્ચના રોજ 1230 બોરીની આવક નોંધાઈ હતી અને ભાવ રૂ. 571 રહ્યા હતા. 9 માર્ચના રોજ ઘઉંની આવકમાં મોટો ઉછાળો થતાં લગભગ ડબલ જેટલી 2630 બોરી ઘઉં માર્કેટયાર્ડમાં આવી હતી તથા રૂ. 425 થી રૂ. 566ની વચ્ચે રહ્યા હતા. જ્યારે 10 માર્ચના રોજ 2540 બોરી ઘઉંની આવક થઈ હતી અને ભાવ રૂ. 440 થી રૂ. 655 સુધી રહ્યા હતા. વેપારીઓના મતે, ચાલુ વર્ષે ઘઉંનું ઉત્પાદન સારું હોવાથી અને ગુણવત્તા જળવાઈ હોવાથી ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. ખાસ કરીને હરાજી દરમિયાન મહત્તમ ભાવ 655 સુધી પહોંચતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
12 મીટરનો રોડ ખૂલ્લો થતાં ટ્રાફિક હળવું થશે:70 કાચાં અને પાકાં દબાણ હટાવ્યા
હિંમતનગર શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવેના સર્વિસ રોડને પહોળો કરવા બાજુમાં આવેલ પાલિકા હસ્તકની બંને બાજુની દોઢ દોઢ મીટર જગ્યા નેશનલ હાઇવેને હસ્તાંતરીત કર્યા બાદ બંને બાજુ 12 મીટર પહોળો આરસીસી સર્વીસ રોડ બનાવવા મંગળવારે સહકારી જીનથી મોતીપુરા જીઆઇડીસી સુધી 70 જેટલા કાચાં પાકાં રોડ સાઈડ દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. હિંમતનગર શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર મોતીપુરા જીઆઇડીસી થી સહકારી જીન ચાર રસ્તા સુધીમાં બે ઓવરબ્રિજ આવે છે અને હાઈવેની બંને બાજુ હોટલો હોસ્પિટલો મોટા મોલ સિવિલ કોલેજ વિવિધ કોલેજો હોવાથી સર્વિસ રોડ પર દિવસ દરમિયાન ભારે ટ્રાફિક રહે છે. હયાત સર્વિસ રોડ નાનો હોવાથી તેની પહોળાઈ વધારવા પાલિકા હસ્તકની જમીન મેળવી 12 મીટરનો નવો સર્વિસ રોડ બનાવવા તજવીજ હાથ ધરાઇ છે. કેટલાક વ્યવસાય ધારકોએ પણ મોટા મોટા હોર્ડિંગ્સ લગાવેલ હતા તે તેમણે જાતે હટાવવાની બાંહેધરી આપતાં તેમને સમય અપાયો હતો. આ મામલે નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે નેશનલ હાઇવેના સર્વિસ રોડને પહોળો કરવા બાજુમાં આવેલ પાલિકા હસ્તકની બંને બાજુની દોઢ દોઢ મીટર જગ્યા નેશનલ હાઇવેને હસ્તાંતરીત કર્યા બાદ બંને બાજુ 12 મીટર પહોળો આરસીસી સર્વિસ રોડ બનાવવા હયાત 70 જેટલા કાચાં પાકાં દબાણો દૂર કરાયા છે. કેટલાક લોકોએ જાતે મોટા મોટા હોર્ડિંગ્સ હટાવ્યા હતા.ભાસ્કર
અરવલ્લી– સાબરકાંઠા બંને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 278 બાળકો અને 1 મહિલા ગુમ થતાં મળી આવ્યા છે. આ પૈકી 31 બાળકો હજુ પણ લાપતા હોવાથી વિધાનસભામાં થયેલા ખુલાસા બાદ કોંગ્રેસે સરકાર ઉપર આકરા પ્રહાર શરૂ કર્યા છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બાળકો ગુમ થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ છેલ્લા બે વર્ષમાં સાબરકાંઠાના 15 બાળકો અને અરવલ્લી જિલ્લાના 16 બાળકો મળી કુલ 31 બાળકો હજુ સુધી શોધી શકાયા નથી. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ 932 બાળકો ગુમ થયાના કેસ નોંધાયા છે. તેમાંથી 824 બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે,. હજુ 98 બાળકો લાપતા છે. આ બાબતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષારભાઈ ચૌધરીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દરેક ગુમ થયેલું બાળક પરિવાર માટે અસહ્ય પીડા અને અસુરક્ષાની લાગણી જન્માવે છે. રાજ્ય સરકાર સુરક્ષાના મોટા દાવા કરે છે. અરવલ્લીમાં વર્ષ-2024માં કુલ 92 અને વર્ષ 2025માં 78 બાળકો ગુમ થયાના આંકડા બહાર આવ્યા છે. જિલ્લામાં બે વર્ષમાં કુલ 170 બાળકો ગુમ થયા છે આ પૈકીના હજુ પણ 16 બાળકો લાપતા હોવાનો વિધાનસભામાં પ્રશ્ન ઉછળ્યો હતો. મહેસાણા જિલ્લામાં 296 બાળકો ગુમ છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં 296 બાળકો ગુમ થયા હતા. તેમાંમાંથી 249 મળી આવ્યા છે, જ્યારે 47 હજુ લાપતા છે. કડીમાં સૌથી વધુ 76 કેસ નોંધાયા છે. ત્યારબાદ મહેસાણા 55, વિજાપુર 45, વિસનગર 29, ઊંઝા 27, વડનગર 21, ખેરાલુ 19, બહુચરાજી 11, સતલાસણા 8 અને જોટાણા 5 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં 201 બાળકો ગુમ બનાસકાંઠામાં છેલ્લા બે વર્ષમાં 201 બાળકો ગુમ થયા હતા. તેમાંમાંથી 191 મળી આવ્યા છે અને 10 હજુ લાપતા છે. પાલનપુરમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા છે. ત્યારબાદ ડીસા 51, ધાનેરા 22, દાંતા 18, કાંકરેજ 17, અમીરગઢ 14, વડગામ 11, દાંતીવાડા 10, હડાદ 3 અને ઓગડમાં 1 કેસ નોંધાયો છે. ગુમ 5 મહિલાને શોધી કઢાઇ છે. પાટણ જિલ્લામાં 115 બાળકો ગુમ જિલ્લામાં 115 બાળકો ગુમ થયા હતા. તેમાંમાંથી 106 બાળકો મળી આવ્યા છે, જ્યારે 10 હજુ લાપતા છે. પાટણમાં સૌથી વધુ 35 કેસ નોંધાયા છે. ત્યારબાદ સિદ્ધપુર 23, સરસ્વતી 16, હારીજ 10, સાંતલપુર 8, રાધનપુર 7, ચાણસ્મા 6 અને શંખેશ્વર તથા સમીમાં 5-5 કેસ નોંધાયા છે. ગુમ 2 મહિલાને શોધી કઢાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં 150 બાળકો ગુમ બે વર્ષમાં 150 બાળકો ગુમ થયા હતા. તેમાંમાંથી 135 મળી આવ્યા છે, જ્યારે 15 હજુ લાપતા છે. હિંમતનગરમાં સૌથી વધુ 46 કેસ નોંધાયા છે. ત્યારબાદ ઇડર 30, પ્રાંતિજ 21, તલોદ 16, ખેડબ્રહ્મા 14, વિજયનગર 12, વડાલી 10 અને પોશીનામાં 1 કેસ નોંધાયો છે. ગુમ થયેલી 1 મહિલાની શોધ કરી લેવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં 170 બાળકો ગુમ બે વર્ષમાં 170 બાળકો ગુમ થયા હતા. તેમાંમાંથી 143 બાળકો મળી આવ્યા છે, જ્યારે 16 હજુ લાપતા છે. મોડાસામાં સૌથી વધુ 38 કેસ નોંધાયા છે. ત્યારબાદ બાયડ 31, મેઘરજ 23, ધનસુરા 21, ભિલોડા 18, શામળાજી 17 અને માલપુર તથા સાઠંબામાં 11-11 કેસ નોંધાયા છે. એક પણ મહિલા ગુમ થઇ નથી.
18.44 લાખના મુદ્દામાલ સાથે ચાલક ઝબ્બે:અમીરગઢ નજીક ટ્રકમાં લવાતો 1740 બોટલ વિદેશી દારૂ જપ્ત
અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે મંગળવારે વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી ગ્રેનાઇટની પાછળ છુપાવીને લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતી ટ્રક નં. જીજે-11-એક્સ-8651 ને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકની કેબીન પાછળ બનાવવામાં આવેલા ગુપ્ત ખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 51 પેટીઓ (1740 બોટલ/ટીન) મળી આવી હતી. ટ્રકમાં ઉપરથી ગ્રેનાઈટ પથ્થર ભરવામાં આવ્યા હતા જેથી દારૂ છુપાવી શકાય. પોલીસે ટ્રક ચાલક લાદુરામ ગંગારામ બિશ્નોઈ (રહે. ચિતલવાના, ઝાલોર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેના મિત્ર પ્રકાશ બિશ્નોઈએ ગુડામાલા હાઇવે પર દારૂ ભરેલો ટ્રક આપ્યો હતો અને અમદાવાદ અડાલજ ચોકડી પાસે પહોંચ્યા પછી ફોન કરીને ટ્રક પહોંચાડવાનો હતો. પોલીસે રૂ.6.25 લાખનો દારૂ, ગ્રેનાઈટ માલ અને મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે રૂ.18.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રક્તદાન શિબિરનું આયોજન:દાદી હૃદયમોહિનીજીની પુણ્યતિથિ નિમિત્તે 414 યુનિટ રકત એકત્ર
બ્રહ્માકુમારીઝ સંસ્થાનના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી હૃદયમોહિનીજીની પુણ્યતિથિ નિમિત્તે શાંતિવન સ્થિત ડાયમંડ હોલમાં રક્તદાન શિબિર યોજાઈ હતી. ઉદ્ઘાટન મહાસચિવ બી.કે. કરુણાભાઈએ કરી રક્તદાનને મહાદાન ગણાવ્યું હતું. અતિરિક્ત મહાસચિવ બી.કે. મૃત્યુંજયભાઈ અને ગ્લોબલ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. પ્રતાપ મિડ્ઢાએ જરૂરિયાતમંદોને સમયસર લોહી મળે તે માટે રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું. મેનેજમેન્ટ કમિટીના વરિષ્ઠ સદસ્ય બી.કે. સુષમાએ પણ લોકોને પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કુલ 414 યુનિટ રક્ત એકત્ર થયું હતું.
પોલીસે 35 લીટર ડીઝલ સહિત સાધનો જપ્ત કર્યા:કનેસરામાં ફાયર સેફ્ટી વિના ડીઝલ રાખનાર સામે ફરિયાદ
સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે રહેણાંક વિસ્તારમાં કોઈપણ સુરક્ષાના સાધનો વિના જોખમી રીતે ડીઝલનો સંગ્રહ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. સિદ્ધપુર પોલીસની ટીમ સોમવારે કનેસરા ગામના વામૈચાવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે પોલીસને જોઈ મેવાજી અનારજી ઠાકોર શખ્શ ગભરાઈને ભાગવા લાગ્યો હતો. પોલીસે કોર્ડન કરીને પકડી પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેના કારણે પોલીસને શંકા ગઈ હતી.ઘરના આંગણમાંથી કેરબામાં ભરેલું ડીઝલ મળ્યું હતુ. પોલીસે પંચોની હાજરીમાં મેવાજીના ઘર તપાસ કરતાં નાના-મોટા કેરબામાં રૂ.3150નું 35 લિટર ડીઝલ મળી આવ્યું હતું, ઉપરાંત પોલીસને ત્યાંથી 200 લિટરનું ખાલી બેરલ, ગરણી અને લોખંડનું માપિયું પણ મળ્યા હતા. ડીઝલના જથ્થા અંગે કોઈ પણ બિલ કે આધાર પુરાવા ન હોવાથી પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડીઝલ અત્યંત જ્વલનશીલ પદાર્થ હોવા છતાં, શખ્સે રહેણાંક વિસ્તારમાં ફાયર સેફ્ટી, પાણી કે રેતીની ડોલ જેવી કોઈ પણ આગ બુઝાવવાની વ્યવસ્થા રાખી નહોતી. આ બેદરકારીભર્યા કૃત્યથી અન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હોવાથી પોલીસે મેવાજી ઠાકોર વિરુદ્ધ સિદ્ધપુર પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સાંતલપુરથી પીપરાળા સુધી બની રહેલા સિક્સ લેન નેશનલ હાઇવેના કામમાં ખેડૂતો સાથે અન્યાય થયાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા યોગ્ય નોટિસ આપ્યા વગર કે વળતરનું ચુકવણું કર્યા વગર જ ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ન્યાય મેળવવા મોટી સંખ્યામાં ખેડૂતો રાધનપુર નાયબ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, સત્તાવાર જાણ કર્યા વગર જ જમીન પર માપણી કરી દેવામાં આવી છે. જીવનનિર્વાહનું મુખ્ય સાધન એવી જમીનનું યોગ્ય વળતર હજુ સુધી ચુકવાયું નથી, જે કાયદેસર રીતે ખોટું છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે તપાસ કરી વળતર નહીં અપાય, તો આગામી સમયમાં હાઇવેનું કામ અટકાવી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
દોડધામ:જામનગરની પોસ્ટ ઓફીસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ
જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફીસને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી મળેલી ધમકીથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, અને વિસ્તારને કોર્ડન કરીને ચેકીંગ કરવામાં આવ્યું હતું. કંઇ વાંધાજનક ન મળતા તંત્રએ હાશકારો લીધો છે. શહેરોની પોસ્ટ ઓફીસ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા તંત્રમાં દોડધામ મચી ગયો હતો. સીટી એ ડિવિઝનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા, એલસીબી, એસઓજી તેમજ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દોડી આવી હતી. પોસ્ટ ઓફીસને કોર્ડન કરી લીધી હતી અને અરજદારો તેમજ કર્મચારીઓને બહાર સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બે કલાક સુધી ચેકીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ કંઇ વાંધાજનક ન મળી આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પખવાડીયામાં પોસ્ટ ઓફીસને ઉડાવી દેવાનો ઈ-મેઈલ મળ્યોશહેરના ચાંદી બજારમાં આવેલી મેઈન પોસ્ટ ઓફીસને ઉડાવી દેવાનો 15 દિવસ પહેલા પણ ઈ-મેઈલ પર ધમકી મળી હતી. જે-તે સમયે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે બાદ ફરી આજે મંગળવારે ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને બે કલાક સુધી ધંધે લાગી હતી. અંતે કંઇ ન મળતા હાશકારો મળ્યો હતો.
કાર્યવાહી:ઉદ્યોગોમાં રૂ.9.94 લાખના વેરા ઉઘરાણીમાં ત્રણ મિલકત સીલ
જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખાની ટીમે લાંબા સમયથી રૂ.9.94 લાખનો મિલ્કતવેરો ન ભરનાર ઉદ્યોગનગરના બે શેડ અને દરેડ-જીઆઈડીસીના એક શેડ મળીને કુલ ત્રણ શેડને સીલ કરવામાં આવતા મલકતવેરો ન ભરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાની ટીમે લાંબા સમય બાદ બાકીદારો પાસેથી મિલકતવેરો વસુલ કરવા માટે આકરી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર જીઆઈડીસીમાં આવેલા એસ.પી.શેડના ભાડુતે રૂ. 2,10,462 મિલ્કતવેરો ભર્યો ન હોવાથી મિલ્કત સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત એક્સેલેન્ટ ઈન્ડસ્ટ્રીઝના બાકી મિલકતવેરો રૂ.1,69,607 બાકી હોવાથી આજદીન સુધી ભરવામાં આવ્યો ન હોવાથી, અને દરેડ જીઆઈડીસી ફેસ-2માં આવેલા પ્લોટ ધારક અરવિંદભા શાહ અને અશોકભાઈ શાહએ મિલ્કત વેરો રૂ.6,14,701 બાકી હોવાથી મિલ્કત સીલ કરવામાં આવી છે. જામ્યુકોની મિલ્કતવેરા શાખાએ મિલ્કતવેરો વસુલ કરવા માટે આકરી ઉઘરાણી શરૂ કરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે.
જામનગર મહાનગરપાલિકાના સત્તાના છેલ્લે દિવસે શાસક ભાજપ દ્વારા 94 ઠરાવો વિવિધ વિભાગોના મંજુર કરી 706 કરોડના કામો અને ખર્ચને બહાલી આપતા નવો રેકોર્ડ સર્જાયો છે. છેલ્લી ઘડીએ તમામને ખુશ કરવાનો પ્રયાસ કરી કોઈ કામ બાકી ન રહી જાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. તળાવ માટે વધુ ખર્ચ, સીટી બસ સેવા માટે કરોડોનો ખર્ચ તેમજ કન્સનન્ટના કરોડો રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. મતલબ વગરના ટ્રી-ગાર્ડ માટે રૂ.10 લાખ મંજુર કરાયા છે. મહાનગરપાલિકાના સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલી છેલ્લી સ્ટે.કમિટીની બેઠકમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર, ડે.કમિશનર સહિતના સભ્યો હાજર રહ્યા હતા. જેમાં જામ્યુકોના સત્તાના છેલ્લા દિવસે રેકર્ડ બ્રેક 94 ઠરાવોને મંજુરી આપીને 706 કરોડના કામોને બહાલી આપવામાં આવી છે. જેમાં ગુલબાનગર રેલ્વે ઓવરબ્રિજથી ધુંવાવ બ્રીજ સુધીના તેમજ સર્મપણ સર્કલથી ખંભાળીયા બાયપાસ સુધીના આસ્ફાલ્ટ સિક્સલેન તેમજ અને ભાનુ પમ્પથી લાલપુર બાયપાસ જંકશન સુધીના રી-કાર્પેટીંગ માટેના રૂ.649.50 લાખ મંજુર કરાયા છે. તેમજ ત્રણ ટી.પી.સ્કીમના રોડ માટેના રૂ.397.78 લાખ, તેમજ રોડ-રસ્તાઓ તેમજ સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેનન્સ કામગીરી માટે ટાવર લેડર માઉન્ટેડ વાહન ભાડે રાખવા તેમજ જુદા જુદા પ્રસંગે ટેમ્પરરી લાઈટીંગ ડેોરેશન અને આનુસંગિક વ્યવસ્થાનું કામ તેમજ વોર્ડ ઓફીસ એન્ડ કેટલ પોન્ડ રીપેરીંગ ઓફ એકઝીસ્ટીંગ બિલ્ડીંગ માટે રૂ.100.42 લાખ મંજુર કરાયા છે. ચેર ઉપરથી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં આવેલા રણમલ તળાવના પાર્ટ-2 એન્ડ પાર્ટ-3 માં વધારાના કામ માટે વધારાના રૂ.785.13 લાખના ખર્ચને તેમજ શહેરના સાત રસ્તા સર્કલથી એસ.ટી.બસ સ્ટેન્ડ સુધીના રોડ સાઈડ ડેવલોપમેન્ટ તેમજ જ્ઞાન શક્તિ સર્કલ, દરબારગઢ સર્કલ તથા બેડી ગેઈટ સર્કલ-જંકશન ડેવલોપમેન્ટ કરવાના કામ માટે રૂ.524.96 લાખ તેમજ મહાનગરપાલિકાની ગાર્ડન શાખાના સ્પેશીફીકેશન મુજબના રાઉન્ડ ટ્રી ગાર્ડ ખરીદ કરવા વર્ષ 2026-27 માટે રૂ.10 લાખના ખર્ચને ચેર પરથી મંજુરી આપવામાં આવી છે. જામનગર માટે ફાળવાયેલી ઈ-બસના ટીકીટીંગની સર્વિસ પુરી પાડવા રૂપિયા 19.43 કરોડની મંજૂરીજામનગર શહેર માટે સરકાર દ્વારા 50 ઈ-બસ ફાળવવામાં આવી છે. જે સીટી બસ સર્વિસ માટે ફેર ક્લેકશન અને ટીકીટીંગ સર્વિસ પુરી પાડવા અંગેના કામ માટે રૂ.19 કરોડ 43 લાખ અને 37 હજારના ખર્ચને ચેર ઉપરથી મંજુરી આપવામાં આવી છે. શહેરના બ્રીજ, રીવર બ્રીજ, નાળા(પુલીયા) ના ઈન્સ્પેકશન માટે રૂપિયા 2.25 કરોડ ચુકવાશેજામનગર મહાનગરપાલિકા હસ્તકના અલગ-અલગ રેલ્વે ઓવર બ્રિજ, અન્ડર બ્રીજ, ફ્લાયઓવર બ્રીજ તથા રીવર બ્રીજ, કોઝ-વે, નાળા (પુલીયા)ના ઈન્સ્પેકશન રીપોર્ટ અંગેની કન્સલ્ટન્સીની કામગીરી માટેના રૂ.2.25 કરોડના ખર્ચને ચેર પરથી મંજુરી આપવામાં આવી છે.
નિમણુંક:જામખંભાળીયા, જામરાવલ, સિક્કા ન.પા.માં વહીવટદાર
જામનગર સહિત રાજ્યની 6 મહાપાલિકામાં વહીવટદારની નિમણુંકો કરાયા બાદ હાલારની ત્રણ નગરપાલિકા સહિત 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણુંક કરવામાં આવી છે. આજે સત્તાધીશોનો છેલ્લો દિવસ છે. જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં આવેલી સિક્કા નગરપાલિકા, ખંભાળીયા અને જામરાવલ નગરપાલિકાની મુદત પુરી થાય છે. ત્યારે ત્યાં પણ વહીવટદારની નિમણુંક કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે. ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. તા.10 થી 20 માર્ચ સુધીમાં નવા વહીવટદારની નિમણૂંક પણ કરી દવામાં આવશે. ત્યારે 6 મહાનગરપાલિકા બાદ હવે 71 નગરપાલીકામાં અધિકારીઓનું રાજ ચાલુ થશે. જે લગભગ ત્રણેક મહિના સુધી ચાલશે. નગરપાલિકાઓમાં વહીવટદાર તરીકે મામલતદાર અને પ્રાંત અધિકારીઓની નિમણુંકો કરવામાં આવી છે. હવે નગરપાલિકા વિસ્તારના વિકાસના કામો, પાણી, સફાઇ અને ગટરના પ્રશ્નો પણ વહીવટદાર જોશે. જ્યાં સુધી નવી ચુંટાયેલી બોડી નહિં આવે ત્યાં સુધી વહીવટદારો તમામ જવાબદારીઓ નિભાવશે.
પરીક્ષા:અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં ઉપસ્થિત થવા ઇચ્છતા 20 માર્ચ સુધી અરજી કરી શકશે
જામનગરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આગામી જુલાઈ-2026માં યોજાનાર અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઈચ્છતા અરજદારો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડી.જી.ટી. ન્યુ દિલ્હીની નવી માર્ગદર્શિકા મુજબ લાયકાત ધરાવતા CoE, GCVT અને SCVT પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા સંસ્થાના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ તેમજ NCVT ટ્રેડ પાસ કર્યા બાદ એલાઈડ ટ્રેડની પરીક્ષામાં બેસવા ઈચ્છતા ઉમેદવારો આ તકનો લાભ લઈ શકશે. આ ઉપરાંત નિયત શૈક્ષણિક લાયકાત અને માન્ય અનુભવ ધરાવતા અરજદારો, એપ્રેન્ટીસશીપ એક્ટ હેઠળ નોંધાયેલા એકમોના તાલીમાર્થીઓ તેમજ લઘુ, મધ્યમ કે સરકારી એકમો અને ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલા સંસ્થાનોમાં ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો પણ આ કસોટી માટે પાત્ર ઠરે છે. રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા અરજદારોએ આગામી તા.20/03/2026 સુધીમાં આઈટીઆઈ જામનગર ખાતે કામકાજના દિવસો દરમિયાન સવારે 11:00થી સાંજે 4:00 વાગ્યા સુધીમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. અરજદારે પોતાની સાથે જરૂરી શૈક્ષણિક લાયકાત, વ્યવસાયિક પ્રમાણપત્રો અને અનુભવના દસ્તાવેજો સાથે રાખી નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. ખાનગી ઉમેદવાર તરીકેની પાત્રતા અને અન્ય વિસ્તૃત વિગતો સંસ્થા ખાતેથી મેળવી શકાશે. વધુમાં ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ જો સંસ્થાની એફિલેટેડ બેઠકોના 10 ટકા કરતા વધુ અરજીઓ પ્રાપ્ત થશે, તો પ્રિ-ટેસ્ટનું આયોજન કરવામાં આવશે અને તેમાં મેરિટમાં આવનાર ઉમેદવારો જ ફાઈનલ પરીક્ષામાં બેસવા પાત્ર થશે, તેમ આચાર્ય, ર્ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરએ જણાવ્યું છે.
તંત્ર એલર્ટ:અમરેલીમાં પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને ફરી એકવાર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમરેલીમાં મંગળવારે બપોરે અચાનક બૉમ્બ ધમકી ભર્યો ઈમેલ મળતા તંત્રને આજે ફરી દોડતું કર્યું હતું. રાજકમલ ચોક નજીક આવેલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ દ્વારા મળતા પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતું. સુરત પાસપોર્ટ કચેરીના ઈમેલ પર અજાણ્યા શખ્સ દ્વારા બૉમ્બથી કચેરી ઉડાવી દેવાની ધમકી મોકલવામાં આવી હતી, જેમાં રાજકોટ અને અમરેલીની વાત પણ હોય જાણ કરતા તંત્ર સાબદું બન્યું હતું અને કચેરીમાં હાજર કર્મચારીઓ અને અરજદારોને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢી સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણના પગલે અમરેલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાથે જ ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડને પણ બોલાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પાસપોર્ટ કચેરીની નજીકમાં જ પોસ્ટ ઓફિસ આવેલી હોવાથી સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામ તપાસ બાદ કોઈ વિસ્ફોટક કે વાંધા જનક ચીજ વસ્તુ નહીં મળતા કચેરીનું કામકાજ પુનઃ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ અગાઉ દસેક દિવસ પહેલા ધમકી ભર્યા મળેલા ઇમેલથી સમગ્ર પોસ્ટ ઓફિસમાં અફર તફરી મચી ગઇ હતી, તેમજ ગઈકાલે જિલ્લા ન્યાયાલયને પણ ધમકી ભરાયા ઈમેલે તંત્રને દોડતું કર્યું હતું,અને આજે ફરી આ જ ધમકીથી તંત્રને ભાગતું કર્યું હતું. આમ વારંવાર બનતી આવી ઘટનાઓથી સરકારી કચેરીઓના કામકાજ અટકી જતા અરજદારો પણ પરેશાન થઈ રહ્યા છે. હાલ પ્રાથમિક તપાસમાં પાસપોર્ટ ઓફિસના ઈમેલ પર બૉમ્બથી ઉડાવી દેવાની આ ધમકી મળ્યાની પુષ્ટિ થઈ છે. પોલીસે ક્લિયરન્સ આપતા કામ ફરી શરૂ કર્યું અમરેલી પોસ્ટ ઓફિસના સુપ્રી. બી. એન. પટેલે જણાવ્યું હતું કે અમારી ઉપલી કચેરીએ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યા અંગે અમને જાણ કરતા એસઓજી અને પોલીસ ઓથોરિટીને જાણ કરાઈ હતી. સંપૂર્ણ તપાસ બાદ પોલીસે ક્લિયરન્સ આપતા અમે કચેરીનું કામકાજ ફરી શરૂ કર્યું છે.
ભયનો માહોલ:આંબરડીની મધ્યમાંથી મોડીરાત્રે સિંહણે ત્રાટકી ભૂંડનો શિકાર કર્યો
સાવરકુંડલા તાલુકામાં સિંહોની સંખ્યા વધવાની સાથે હિંસક પ્રાણીઓ હવે રહેણાંકી વિસ્તારો અને ગામમાં આવીને શિકાર કરી રહ્યા છે. સિંહોને હવે જંગલમાં ફાવતું નહિ હોય તેમ રાત્રિ સમયે ગામમાં પ્રવેશ કરીને ગામડાઓમાં શિકાર માટે ચકકર લગાવી રહ્યા છે. સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે મોડીરાત્રે પ્રાથમિક શાળા નજીક ભૂંડનું ટોળું ચારો કરી રહ્યું હતું. ત્યારે શિકારની શોધમાં કાંટાળી ઝાડીમાં ઘાત લગાવીને બેસેલ સિંહણે મોકો જોઈ ટોળામાથી એક હટ્ટાકટ્ટા ભૂંડને દબોચી લીધું હતું. ભૂંડને દબોચી લેતા ભુંડની મોટા અવાજે ચિચિયારીઓ નીકળી હતી. મોડી રાત્રે સિંહણે ચાલાકીથી ભૂંડને પકડી લીધું હતું. અને સિંહણ ભૂંડને મોમાં ઉઠાવી સીમ તરફ નીકળી ગઈ હતી. આ બનાવની ઘટના દરમિયાન ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકે સિંહણને શિકારમાં કોઈ ખલેલ ન પહોંચે તેવી રીતે મોબાઈલમાં કેદ કરી લીધી હતી.
જૂન 2025 દરમિયાન થયેલી અતિવૃષ્ટિના કારણે સાવરકુંડલા તાલુકાના 15 ગામોમાં ખેતીની જમીનમાં મોટા પાયે ધોવાણ થયું હતું. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ખેડૂતોને રાહત મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાવરકુંડલા તાલુકાના પ્રભાવિત ગામોના અગ્રણીઓ અને સરપંચોએ ખેડૂતોની સમસ્યા અંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ કરેલી રજૂઆત બાદ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સંવેદનશીલતા દાખવી જરૂરી નિર્ણય કર્યો હતો. અમરેલી જિલ્લાના કલેક્ટરે આદેશ આપતા સાવરકુંડલા તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત ગામો ભુવા, જુના સાવર, આંકોલડા, ફાચરીયા, ખાલપર, કુકાવાવ, મેકડા, ફીફાદ, ઘોબા, પીપરડી, હિપાવડલી, મોટા ભમોદ્રા, શેલણા, કેરાળા તથા પીયાવા જેવા 15 ગામોના ખેડૂતોને પોતાના ખેતરોમાં થયેલ ધોવાણ ભરવા માટે માટી લેવાની મંજૂરી આપવામાં આવી છે. 15 ગામોના ખેડૂતોના ખેતરોમાં જમીન ધોવાણ થયું હોય તેઓ સિંચાઈ પેટા વિભાગ સાવરકુંડલા ખાતે અરજી કરશે તો તેમને એકજ દિવસમાં મંજૂરી આપવામાં આવશે. જેથી તેઓ પોતાના ખેતરોનું સમતલીકરણ અને પુનઃસ્થાપન કરી શકશે. માટી ઉપાડવાની મંજૂરી મેળવવા માટે ખેડુતો નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી, સિંચાઈ પેટા વિભાગ હાથસણી સાવરકુંડલા તેમજ નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી સિંચાઈ પંચાયત પેટા વિભાગ,રેલવે સ્ટેશન સામે સાવરકુંડલા ખાતેથી ખેડુતો મંજૂરી મેળવી શકશે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ નુકસાન અમરેલી જિલ્લામાં હતુંગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પાક અને જમીનના ધોવાણનું નુકસાન સમગ્ર રાજ્યમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ જોવા મળ્યું હતું. જેના કારણે આ જિલ્લાના લોકોને જ માટી પુરાણની સૌથી મોટી જરૂરિયાત ઊભી થઈ છે. અગાઉ વર્ષ 2015માં પણ મોટા પ્રમાણમાં ખેતરો ધોવાયા'તા અમરેલી જિલ્લાના ખેડૂતોને સમયાંતરે અતિવૃષ્ટિનો માર પડ્યો છે. વર્ષ 2015માં પણ અતિ ભારે વરસાદના કારણે અમરેલી, ધારી, બગસરા, લીલીયા, કુકાવાવ તાલુકામાં મોટા પ્રમાણમાં વાડી ખેતરોમાં માટીનું ધોવાણ થયું હતું. ત્યારબાદ એક દાયકા પછી ફરી આ સ્થિતિ આવી હતી.
ગરમીનો પ્રકોપ:અમરેલીમાં માર્ચમાં જ મહત્તમ તાપમાન 40.5°એ પહોંચ્યું
અમરેલી શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં બપોરના સમયે તડકાની તીવ્રતા વધી ગઈ હતી. જ્યારે ન્યુનત્તમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું. સવારે હળવી ઠંડકનો અનુભવ થયો હતો, પરંતુ બપોર બાદ ગરમીનું પ્રમાણ વધતા લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ આજે હવામાં ભેજનું પ્રમાણ 41 ટકા નોંધાયું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 3.4 કિલોમીટર નોંધાઈ હતી. પવનની ગતિ ઓછી હોવાના કારણે ગરમીમાં ખાસ રાહત મળી નહોતી. બપોરના સમયે બજારો અને જાહેર સ્થળોએ લોકોની અવરજવર સામાન્ય કરતાં ઓછી જોવા મળી હતી. ગરમી વધતા શહેરમાં ઠંડા પીણાં, છાસ, લીમડું પાણી અને આઈસક્રીમ જેવી વસ્તુઓની માંગમાં વધારો જોવા મળ્યો હતો. ઘણા લોકો તડકાથી બચવા માટે ટોપી, છત્રી અને રૂમાલનો સહારો લેતા નજરે પડ્યા હતા. સતત વધતા તાપમાનને કારણે આગામી દિવસોમાં પણ ગરમીમાં વધારો થવાની શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. માર્ચ મહિનામાં જ કાળજાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે આગામી એપ્રિલ અને મે માસમાં ગરમીનો પ્રકોપ કેવો હશે ? તેના એંધાણ અત્યારથી વર્તાઈ રહ્યા છે. ધારીમાં પણ તાપમાન 40 ડિગ્રીની આંબ્યું ગીર કાંઠાના ધારી પંથકમાં પણ આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આજે મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જેના કારણે લોકો ગરમીમાં શેકાયા હતા.
આપઘાતનો પ્રયાસ:પતિએ બાળકને માર મારવા મુદ્દે ઠપકો આપતા પત્નીએ ઝેર પીધું
બાબરા તાલુકાના સુખપર ગામે પરિવારિક મામલે ખીજાઈ એક મહિલાએ ઝેરી દવા પી લીધી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે પોલીસ દ્વારા નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાબરા તાલુકાના સુખપર ગામે વાડી વિસ્તારમાં રહેતી આશાબેન સાગરભાઈ મકવાણા (ઉ.વ.28) ગત તા.08 માર્ચના રોજ પોતાના ઘરે હતા. ત્યારે તેમના ત્રણ વર્ષના દીકરા કાર્તિકે પિતાનો મોબાઇલ ફોન જોવા માટે માંગ્યો હતો. પતિએ ફોન આપવાનો ઈનકાર કરતાં બાળક રડવા લાગતા આશાબેને દીકરાને ખીજાઈ ગાલ પર તમાચો માર્યો હતો. આ બાબતે પતિએ આશાબેનને બાળકને ન મારવા સમજાવતાં તેમને ઠપકો આપ્યો હતો. આ વાત મનમાં લાગી આવતા આશાબેન સાંજના આશરે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરની પાછળ આવેલી પાણીની કુંડી પાસે પડેલી ઝેરી દવાની બોટલમાંથી બે ઘૂંટ પી ગયા હતા. બાદમાં પરિવારજનોને જાણ થતાં આશાબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સાધન સહાય કેમ્પ:ધારીમાં 50થી વધુ દિવ્યાંગને વ્હિલચેર, કૃત્રિમ પગ અને વોકર સહિત સાધનો નિ:શુલ્ક અપાયા
ધારીમાં પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા અને ભારત વિકાસ પરિષદ વિકલાંગ કેન્દ્ર પાલડીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નિ:શુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં દિવ્યાંગોને નિશુલ્ક સાધન સહાય આપવામાં આવી હતી. આ કેમ્પમાં 50થી વધુ જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને સંતો અને મહાનુભાવોના હસ્તે વ્હીલચેર, ઘોડી, કૃત્રિમ પગ, કેલિપર્સ, વોકર અને સ્ટ્રીક જેવા ઉપયોગી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાધન સહાય મળતા લાભાર્થીઓના ચહેરા પર પ્રસન્નતા જોવા મળી હતી. કાર્યક્રમમાં સાવરકુંડલા માનવ મંદિરના ભક્તિરામ બાપુ તેમજ ધારી સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મભૂષણ સ્વામી અને ધર્મ મનન સ્વામીએ આશીર્વચન આપતાં સેવાકાર્યની મહત્તા પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ગુજરાત પ્રાંતના પ્રમુખ અને જાણીતા એડવોકેટ પ્રકાશભાઈ કસવાલાએ સંસ્થાની રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં કેતનભાઈ ધકાણ, ચિરાગભાઈ પરમાર, અશ્વિનભાઈ કુંજડિયા, મુર્ગેશભાઈ કોટડીયા, સુરેશ ગમારા , પરેશભાઈ પટ્ટણી, બાપુનગર શાખાના પ્રમુખ કમલેશભાઈ કકાણી, મંત્રી નરેશભાઈ ગોંડલીયા તથા ટ્રસ્ટી ધીરુભાઈ કાનાણી, રમેશભાઈ વડાલીયા સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર વિશેષ:પ્રાકૃતિક કૃષિના ફાયદા, ઉત્પાદનોના માર્કેટીંગ અંગે ખેડૂતોને સમજ અપાઈ
અમરેલીના પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખાંભાના ત્રાકુડા અને વાંકિયા ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં 100 ખેડૂતે ભાગ લીધો હતો અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, પ્રાકૃતિક કૃષિમાં સંક્લિત રોગ વ્યવસ્થાપન અને જંતુનાશકો વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં અમરેલીના માસ્ટર ટ્રેનર વૈશાલીબેન ચાવડા, ટી.પી.એમ ઉર્વશીબેન ગજેરાએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો, વિવિધ પાકોની નવી અને સુધારેલી જાતો, ખેતી પદ્ધતિ, પોષણ વ્યવસ્થાપન તથા ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ઉપાયો અને પ્રાકૃતિક કૃષિના માર્કેટીંગ અંગે માહિતી અપાઇ. તેમજ ખેડૂતોને વિવિધ પાકોમાં ઉપયોગમાં લેવાતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત સહિતની માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ તથા જીવાત નિયંત્રણ, જમીનની જીવંતતા વધારવી, ખર્ચ ઘટાડવો તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ ચર્ચા કરાઇ હતી.
માગ:કુંડલાના વાંશીયાળીની શેરીઓમાં બ્લોક પેવીંગ રોડ ચાલુ કરાવવા લોકોની કલેકટરને રજૂઆત
સાવરકુંડલા તાલુકાના વાંશીયાળી ગામે છેલ્લા ચાર વર્ષથી ગ્રામ પંચાયત હતી. વાશીયાળી ગ્રામ પંચાયત સદસ્યો ધ્વારા બજેટ નામંજુર કરવામાં આવેલ અને પંચાયતની આખી બોડી સસ્પેન્ડ થયેલ અને હાલમાં વાશીયાળી ગામે સરકાર દ્વારા વહીવટદાર નીમવામા આવેલ. વહીવટદાર આવ્યા બાદ ગામમાં જરૂરી કામગીરી કરવાની વીકાસના કામો હાથ ધરાતા જગાભાઈ વાળા વાળી શેરીમાં બોકસ કટીગની કામગીરી થઈ ગયેલ છે અને હવે બ્લોક પેવીંગ બેસાડવાનાં બાકી હોય પરંતું રાજકીય આગેવાનો દ્વારા કામ ન કરવા મૌખીક સુચના આપવામાં આવેલ હોવાની વાત ફેલાતા ગામલોકોમાં રોષ છે. ગામમાં જગાભાઈ વાળાની શેરીમાં ખોદકામ થયેલ હોય અને ચાલુ કામ અધુરૂ રહેતા લોકોને આ રોડ ઉપર જવા આવવા વાહન ચલાવવા ખુબજ મુશ્કેલી અને હાડમારી ઉભી થયેલ છે. અને આ કામ જો શરૂ કરવામાં ન આવે તો ગ્રામજનોને પારાવાર હાડમારી અને મુશ્કેલી ઉભી થાય તેવા સંજોગો ઉભા થયેલ છે. વાંશીયાળી ગામે જે કામ મંજુર થયેલ છે તે તમામ કામ વહીવટદારની સુચના માર્ગદર્શન અને તેમની દેખરેખ હેઠળ નિષ્ઠા અને પ્રમાણીકતાથી તમામ કામો કરવામાં આવે તેવો હુકમ કરવા અમો ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ માંગણી કરી છે.
નર્મદા એલસીબીની મોટી સફળતા:ત્રણ વર્ષથી નાસતો ફરતો ધાડનો આરોપી દાહોદથી ઝડપી લેવાયો
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ દ્વારા ગુનાખોરી ડામવા અને નાસતા ફરતા આરોપીઓને પકડવા આપેલી સૂચનાને પગલે એલ.સી.બી. અને પેરોલ ફર્લો ટીમને મોટી સફળતા મળી છે. ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધાડના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપી પરથી માવી રહે વજેલાવ તા. ગરબાડા, જી.દાહોદને પોલીસે તેના વતનમાંથી દબોચી લીધો છે. પૉલિશની ટીમ તપાસમાં હતી, તે દરમિયાન બાતમીદાર મારફતે સચોટ માહિતી મળી હતી કે આરોપી પરથીભાઈ પોતાના ઘરે હાજર છે. પોલીસે તુરંત જ ગરબાડા ખાતે ઓપરેશન હાથ ધરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજપીપલા વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને 2.35 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. એલસીબી ટીમના માણસો રાજપીપલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દ૨મ્યાન બાતમી હકીકત મળેલ કે એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજપીપલા વિસ્તારમાં આવવાનો છે. બાતમી મળતાં કરચઠાં ગામની કરજણ નદીની કેનાલ ધાનપોર માઈનોર કેનાલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની કાર આવતાં તેને રોકવામાં આવી હતી. કારની તલાશી લેવામાં આવતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કાર સહિત પોલીસે કુલ 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દેડિયાપાડાના સામોટના મોગરીબેડા ફળિયાના આશિષ વસાવા અને મેહુલ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. બંને દારૂનો જથ્થો કયાંથી લાવ્યાં હતાં અને કોને આપવા જતા હતાં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ વર્ષે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ગુજરાતની મહિલાઓની સુરક્ષાની કરોડરજ્જુ સમાન 181 અભયમ મહિલા હેલ્પલાઈન પોતાની સફળ સેવાના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલુ હિંસા હોય કે જાહેરસ્થળે થતી છેડતી, સરકારે ટેક્નોલોજી અને સંવેદનાનો સમન્વય સાધીને 8 માર્ચ 2015ના રોજ 181 અભયમનો રાજ્ય વ્યાપી પ્રારંભ કર્યો હતો. આજે આ હેલ્પલાઈન માત્ર એક નંબર નથી પરંતુ ગુજરાતની મહિલાઓ માટે એક મજબૂત સુરક્ષા કવચ સાબિત થયું છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 12 વર્ષમાં કુલ 18,10,913 થી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડીને તેમને જાગૃત કરવામાં આવી છે. આ સેવા માત્ર ફોન પૂરતી સીમિત ન રહેતા 3,60,964 જેટલા કિસ્સાઓમાં અભયમની ટીમે ઘટના સ્થળ પર જઈને મહિલાઓને તાત્કાલિક મદદ પહોંચાડી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 12 વર્ષનાં સમયગાળાની સફળ કામગીરી દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા કુલ 24878 જેટલા કિસ્સાઓમાં જરૂરિયાત મુજબ સલાહ અને માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર 181 અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ દ્વારા 5654 જેટલી મહિલાઓને મદદ પુરી પાડી છે. વલસાડ જીલ્લામાં વર્ષ 2025 દરમિયાન 2743 મહિલાના કોલ આવ્યા હતા જેમાંથી 553 કિસ્સાઓમાં અભયમ રેસ્ક્યુ વાન ડિસ્પેચ કરી 393 કેસમાં સમાધાન અને 137 કેસમાં મહિલાઓને બચાવ અર્થે વિવિધ એજન્સીઓમાં રિફર કરવામાં આવ્યા હતા. કુલ કોલમાં કસ્ટડીના 62, ઘરેલુ હિંસાના 1391, લગ્ન જીવનના વિખવાદો 189, સરકારી મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક માહિતીના 157, શારિરીક, માનસિક, જાતીય હેરાનગતીના 364, પરિવાર છોડેલ ૫૨, અન્ય સબંધોના 73, બીનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિનાં 48 અને અન્ય મહિલાલક્ષી પ્રશ્નોના 450 જેટલા કોલ આવ્યાં હતાં. ફોન કર્યા વિના પણ લોકેશને પહોંચાય ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવતા 181 મોબાઈલ એપમાં આપવામાં આવેલા પેનિક બટન અને ફોન શેકિંગ જેવા ફીચર્સ મહિલાઓને મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ પોતાનું ચોક્કસ લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે. આમ, પરંપરાગત મદદ અને આધુનિક ટેકનોલોજીના સંગમથી ગુજરાતની નારી આજે આત્મવિશ્વાસ સાથે પોતાને વધુ સુરક્ષિત અનુભવે છે.
વલસાડના વલસાડના ડોક્ટરે અંગ્રેજી ભાષામાં પુસ્તક લેખનમાં હાથ અજમાવ્યો છે.વલસાડ માટે ગૌરવની બાબત એ છે કે,મહત્ત્વના વંધ્યત્વ નિવારણ વિષયમાં લખેલા આ પુસ્તકને લંડનની બ્લુરોઝ પબ્લીકેશને પબ્લીશ કર્યું છે. ‘‘SILENT STRUGGLES : UNDERSTANDING INFERTILITY'' નામના પુસ્તકની ફિઝીકલ અને ડિજીટલ કોપી તમામ ઓનલાઇન પ્લેટફોર્મ પર મુકવામાં આવી છે. વલસાડના સ્ત્રી રોગ નિષ્ણાત ડો. પરસી ખરાસે આ પુસ્તક અંગ્રેજીમાં લખ્યું છે. જેમાં વંધ્યત્વ નિવારણ માટેની તકલીફો અને સઁદર્ભ મુદ્દાઓની સમજ આપવામાં આવી છે. મહિલાઓ અને પુરુષો બંનેની કઇ કઇ ખામીઓ હોય શકે અને કઇ ખામીનું કઇ રીતે નિવારણ થાય તે બાબતનું આ પુસ્તકમાં ખૂબ જ સરળ રીતે નિરુપણ કરાયું છે. ડો. ખરાસ વલસાડમાં છેલ્લા 40 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમના ચાર દાયકાના અનુભવનો નિચોડ પુસ્તકમાં જોવા મળી રહ્યો છે. આ પુસ્તક મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વંધ્યત્વ નિવારણ માટે પ્રયાસ કરતા દંપત્તિ માટે માર્ગદર્શક બની રહ્યું છે.
ઇઝરાયેલ અને ઇરાન યુદ્ધથી કરોડો લોકોના જીવ અધ્ધર કરી દીધાં છે. આ યુધ્ધ સમુદ્રના પેલે પાર લડાઇ રહ્યું છે, પરંતું તેની અસર ભારત સહિત દુનિયાના તમામ દેશો પર પડી રહી છે. યુધ્ધના કારણે રાંધણના એલપીજી ગેસનો સપ્લાય હાલે તો યથાવત રહ્યો છે. પરંતું એકાદ અઠવાડિયા બાદ સ્થિતિમાં સુધારો નહિ થાય તો શું થશે તેની ભીતીથી વલસાડ જિલ્લાના ગ્રાહકોના જીવ તાળવે ચોંટ્યા છે. વલસાડ જિલ્લામાં કોમર્શિયલ ગેસનો પુરવઠો આવતો બંધ થઇ ગયો છે.જેથી ડિલરો પાસે પણ સ્ટોક નથી. જેનાથી હોટલો સંચાલકો ચિંતામાં મૂકાયા છે. હાલે જે સ્ટોક છે તે ખલાસ થઇ ગયા બાદ તેમને કોમર્શિયલ સિલિન્ડરોની અનિશ્ચિતતાની દહેશતથી હોટલો સહિતના ગ્રાહકોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. હોટલો,રસ્ટોરન્ટોમાં વપરાતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરોનો જથ્થો જો એકાદ સપ્તાહમાં પરિસ્થિતિ થાળે નહિ પડે તો મુશ્કેલી વધશે. કોમર્શિયલ સિલિન્ડર મળવો હવે મુશ્કેલ એક હોટલ સંચાલકે જણાવ્યું કે, સરકાર દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાય બંધ કર્યું છે. હાલે જે કંઇ અમારી પાસે સિલિન્ડર દૈનિક ધોરણે ઉપલબ્ધ છે તેનાથી કામ ચાલી રહ્યું છે.ચારપાંચ દિવસમાં જો સપ્લાય પૂર્વવત નહિ થાય તો જે બધાનું થશે તે અમારું થશે જેવી સ્થિતિ છે. જો કે હાલમાં જે ગેસ સિલિન્ડર છે તેનો ઉપયોગ મર્યાદિત કરીશું.ખાસ કરીને ઇડલી ઢોસા જેવી આઇટમ જેમાં ગેસનો વધુ વપરાશ થાય છે તે આઇટમ આખો દિવસ નહિ પરંતું સાંજે જ પિરસી શકાય તેવો કાપ મૂકાશે.જે આઇટમમાં ગેસ વધુ નહિ વપરાય તે ચાલૂ રહેશે.બાકી સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. ડોમેસ્ટિકમાં અસર નથી ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરનો સપ્લાય ચાલૂ છે. કોમર્શિયલ હાલે બંધ છે. સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે ઘરેલુ ગેસના ઉત્પાદન પર ફોક્સ કર્યું છે એટલે કોમર્શિયલ ગેસ સપ્લાય અટકાવાયું છે.> ડી.એસ.બારિયા, પુરવઠા અધિકારી એક કિલોના નાના સિલિન્ડરથી કામ ચલાવી રહ્યા છીએડોમેસ્ટિક સિલિન્ડર હાલ માર્કેટમાં ન મળવાથી એક કિલોના સિલિન્ડરથી કામ ચલાવી રહ્યા છીએ. એજન્સીવાળાએ જણાવ્યું છે કે, બુધવારે સિલિન્ડરની ગાડી આવી શકે છે. અને જો બુધવારે ગાડી ન આવી તો પછી 20થી 25 દિવસ બાદ જ સિલિન્ડર મળી શકશે. હાલ 1800ના સિલિન્ડરના ભાવ 2200 રૂપિયા થઇ ગયા છે. > સમીર શેખ, દુકાનદાર સ્મશાનમાં PNG પુરવઠો ચાલુસ્મશાન ભૂમિમાં હાલમાં પીએનજી ગેસ પુરપઠો ચાલૂ જ છે.કોઇ સૂચના નથી. રાબેતા મુજબ જ મૃતદેહોના અંતિમ સંસ્કારમાટે ગેસ ભઠ્ઠી કાર્યરત છે. જેથી હાલ તબક્કે કોઇ ચિંતા નથી.મંગળવારે પણ અંતિમ સંસ્કાર ગેસ ભઠ્ઠીથી કરાયા હતા.>ભોલાભાઇ પટેલ, ટ્રસ્ટી
ભાસ્કર ફોલોઅપ:વાંસદા તાલુકામાં આદિવાસીઓની જમીન પર120થી વધુ ગેરકાયદે ધમધમતા ઇંટના ભઠ્ઠા
વાંસદા તાલુકામાં આદિવાસી ખેડૂતોની કિંમતી જમીનો પર ગેરઆદિવાસી તત્વો દ્વારા ગેરકાયદેસર ઇંટના ભઠ્ઠાનો ધંધો બેફામ રીતે ચાલી રહ્યો છે. તાલુકાના અનેક ગામોમાં આદિવાસી ખેડૂતોને નજીવા ભાડાની લાલચ આપી તેમની જમીન ભાડે લેવામાં આવી રહી છે અને ત્યારબાદ તંત્રની કોઇપણ મંજૂરી વગર ઈંટના ભઠ્ઠાઓ ધમધમતા કરાયા છે. આ સમગ્ર કારોબારમાં ગેરઆદિવાસી સંચાલકો સાથે કેટલાક સ્થાનિક ઇસમો તથા તંત્રના કેટલાક તત્વોની સંભવિત મીલીભગત હોવાની ચર્ચા ઉઠી રહી છે, કારણ કે તાલુકામાં અંદાજે 200થી વધુ ઇંટના ભઠ્ઠાઓ કાર્યરત હોવા છતાં વર્ષોથી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. નિયમો મુજબ આદિવાસી જમીન પર ખેતી સિવાયની કોઈપણ પ્રવૃત્તિ કરવા જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રની પૂર્વમંજૂરી ફરજિયાત છે. ઉપરાંત આદિવાસી ખેડૂત સિવાય ગેરઆદિવાસી વ્યક્તિ દ્વારા વેપાર પ્રવૃત્તિ કરવા ખાસ મંજૂરી લેવી પડે છે. આમ છતાં પણ વાંસદાના અનેક ગામોમાં આ નિયમોને ખુલ્લેઆમ અવગણીને ઇંટના ભઠ્ઠાઓ ચલાવાઇ રહ્યાં છે. આ ભઠ્ઠાઓ માત્ર જમીન હડપવાની શક્યતાઓ જ ઊભી કરતા નથી, પરંતુ પર્યાવરણને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે. સતત માટી ખોદકામ, ધુમાડો અને પ્રદૂષણને કારણે ખેતી અને આસપાસના ગામોના આરોગ્ય પર પણ અસર થવાની શક્યતા વધી રહી છે. આ બાબત અગાઉ પ્રકાશિત થયા બાદ તાલુકા વહીવટી તંત્રએ ગામોના તલાટી કમ મંત્રીઓ પાસેથી માહિતી માંગી હતી પરંતુ અનેક સ્થળે તલાટીઓ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં ટાળટૂળ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, આ સમગ્ર મામલાને વધુ શંકાસ્પદ બનાવે છે. તંત્રની ભૂમિકા લઇ સવાલો ઉઠ્યા તાલુકામાં અંદાજે 120થી વધુ ઈંટના ભઠ્ઠાઓ આદિવાસી જમીન પર ચાલી રહ્યા હોવા છતાં અત્યાર સુધી કોઈ મોટા પાયે કાર્યવાહી ન થવાને કારણે તંત્રની ભૂમિકા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ તંત્ર આ દિશામાં કામગીરી કરે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યાં છે. વિભાગોને રિપોર્ટ છતાં કાર્યવાહી શૂન્ય મામલતદાર કચેરી દ્વારા 20/02/2026ના રોજ જિલ્લા ખાણ-ખનીજ વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને લેખિતમાં કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી હોવા છતાં હાલ સુધી ગેરકાયદેસર ભઠ્ઠાઓ બંધ કરવામાં આવ્યા નથી. છેલ્લા લાંબા સમયથી આ પ્રવૃત્તિઓ વાંસદા પંથકમાં ચાલતી આવી છે. કોઇપણ પ્રકારે તેમાં બ્રેક લાગી નથી ત્યારે આ કામગીરીને લઇ તંત્ર દ્વારા કરાતું મોનિટરીંગ સામે પણ પ્રશ્ન ઉભા થાય છે. જાહેર જગ્યાએ કે ખેતરોમાં ઇંટના ભઠ્ઠા ધમધમી રહ્યાં હોવા છતાં અધિકારીઓને તેના પર નજર જતી નથી અને કાર્યવાહી કરાતા નથી તેને લઇને પણ અનેક સવાલો ઉભા થયા છે. ગેરકાયદે પ્રવૃત્તિ સામે આવશે તો શરતભંગના કેસ કરાશે આ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. જો ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી સાથે શરતભંગના કેસો કરવામાં આવશે. > ભાર્ગવ માહલા, પ્રાંત અધિકારી, વાંસદા
મહાયજ્ઞ યોજાયો:આમધરા ગામે વિશ્વ શાંતિ માટે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં 72 દંપતીની આહુતિ
કળીયુગની સમસ્યાનુ નિવારણ કરવા તેમજ વિશ્વ શાંતિ માટે ચીખલીના આમધરા જલારામધામ પટાંગણમાં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી. આ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કળશ યાત્રા બાદ ગાયત્રીમાતા અને કળશની સ્થાપના કરવામાં આવી હતી. આ મહાયજ્ઞમાં મહામારી, યુદ્ધ, કુદરતી આફતો સામે દેશની સુરક્ષા માટે 72 કપલ યજમાનોએ આહુતિ આપી હતી. આ મહાયજ્ઞનો લાભ લેવા વલસાડ, નવસારી, વાપી, આહવા-ડાંગ, મહુવા, ઉનાઈથી ગાયત્રી પરિવારના ધર્મબંધુઓ પધાર્યા હતાં. આ પ્રસંગે ગાયત્રી પરિવારના ઝોન પ્રભારી હિતેશભાઇએ આર્શીવચન આપતાં જણાવ્યુ હતુ કે મનુષ્યમાં રહેલાં દુર્ગણો દુર કરી, આળસ દુર કરી સતકાર્યો કરવા હોય તો ગુરૂદેવ અથવા સનાતન ધર્મના ગુરૂની દીક્ષા મેળવી પુજા-પાઠ, ભક્તિ અને આવાં યજ્ઞો કરવા જરૂરી છે અને તો જ કળિયુગની સમસ્યાનુ નિવારણ થશે તેમજ વિશ્વ શાંતિની સ્થાપના થશે. મહાયજ્ઞ અંતે મોટી સંખ્યામાં હરીભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ મહાયજ્ઞનુ સંચાલન જલારામધામ નવયુવક મંડળ ટ્રસ્ટ, આમધરા અને ગાયત્રી પરિવાર આમધરા, પિપલગભણ દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમના આયોજન માટે લલ્લુભાઈ પટેલ અને નીરૂબેન પટેલ, આમધરા તરફથી દાન મળ્યું હતું.
નવસારી લુન્સીકૂઇ મેદાનમાં એકવાર ટોયલેટ બનાવાની કામગીરી બાદ રમતવીરો દ્વારા વિરોધ થયા બાદ ફ્લાવર શો, માટીનું પુરાણની કાર્યવાહી બાદ રમતવીરોમાં આક્રોશ છવાયો છે. હાલમાં લુન્સીકૂઇ મેદાનમાં હેન્ડલૂમ મેળાની પરવાનગી આપ્યા બાદ રમતવીરોએ જણાવ્યું કે હાલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બાળકો રમતગમતના મેદાનમાં જ મેળાની પરવાનગી આપી તે બાબતે આક્રોશ છે. નવસારીમાં કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટે જણાવ્યું કે નવસારી મહાપાલિકા બન્યા બાદ શહેરમાં જે રીતનો આપખુદશાહી વહીવટ ચાલી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે વિકાસના નામે વિનાશનું કામ બેરોકટોક ચાલી રહ્યું છે. શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને જનતાના વિરોધ છતાં સરબતિયા તળાવનું કામ કે જેની કોઈપણ જાતની જરૂરિયાત નથી તે કામ પણ અટકાવ્યું નથી અને શહેરનું એકમાત્ર લુન્સીકૂઇનું મેદાન કે જેને એક પારસી સદગૃહસ્ત દ્વારા નવસારીના યુવાનો અને બાળકોને રમતગમતના હેતુસર દાનમાં આપવામાં આવ્યું હતું. તેની પણ મહાનગરપાલિકા દ્વારા એકદમ ખરાબ હાલત કરી દેવામાં આવી છે. આ મેદાન કોઈપણ જાતના ધંધાકીય હેતુ માટે આપવાની મનાઈ હોવા છતાં હાલમાં ત્યાં ડોમનું કામ ચાલી રહ્યું છે. પ્રશ્ન એ થાય કે હાલના શાસકો અને જવાબદાર અધિકારીઓએ તમામના મેળાપીપણામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે કે તેમને અટકાવવાવાળું કોઈ નથી ? પ્રાપ્ત થતી જાણકારી મુજબ હાલમાં જે ડોમ બની રહ્યો છે તેની મંજૂરી દસ દિવસ માટે ગરવી ગુજરાતના નામે કોઈક એક્ઝિબિશન આવવાનું છે તે માટે પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોવાથી આવા એક્ઝિબિશન પબ્લિકને ગેરમાર્ગે દોરી અને રાજકીય જાહેરાત માટે કરવામાં આવતા હોય તેવું મને લાગી રહ્યું છે. ફ્લાવર શો નામે શહેરની જનતાના કરવેરાના અઢી કરોડથી વધારે રૂપિયાનું આંધણ કરી અને રમત ગમતના મેદાનની જે હાલત કરી છે તે જોતા ફરી પાછો મોટો ખર્ચો કરી અને મેદાનને ક્રિકેટ કે અન્ય રમતો માટે તૈયાર કરવું પડશે. રમતવીર ડો.મયુર પટેલે જણાવ્યું કે અગાઉ લુન્સીકૂઇનું મેદાન ગાંધી મેળા કથા માટે ભાડે અપાતું હતું. જેને લઇ રમતવીરોએ નવસારી મનપામાં જાણ કરતા લુન્સીકૂઇ મેદાન રમત સિવાય બીજા કામ માટે નહીં આપવાનો ઠરાવ પસાર કર્યો પણ હાલમાં લુન્સીકૂઇનું મેદાન રમતવીરો માટે નહીં પણ અન્ય કામો માટે મહાનગરપાલિકા નિર્ણય લેવાતા રમતપ્રેમીઓમાં આક્રોશ છે. જેને લઇ સાંજે ભેગા થઇને બુધવારે 12 કલાકે રમતપ્રેમીઓ અને અગ્રણીઓ મનપામાં લેખિતમાં આવેદન આપી રજૂઆત કરશે. લુન્સીકુઇના મેદાનમાં ડોમની કામગીરી ચાલતા લોકોમાં રોષ. પારસી સમાજના દાતાની લાગણી દુભાઈ છે રમતગમતનું એક માત્ર મેદાન છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઘણાં બાળકો મેદાનમાં રમવા આવશે, ફ્લાવર શો બાદ હાલમાં પુરાણ થઈ રહ્યું છે તે હલકી કક્ષાનું મટિરિયલ પુરાણ કરી રહ્યાં છે. પારસી દાતાઓની લાગણીનું માન નહીં રાખનાર મહાનગરપાલિકા મેદાનનો માત્ર રમત માટે જ કરાય તે હિતાવહ છે. > કેરસી દેબૂ, અગ્રણી, પારસી સમાજ
દુષ્કર્મનો મામલો આવ્યો સામે:ઇન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણ બાદલગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ
ભાસ્કર ન્યૂઝ । નવસારી આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી થતી ઓળખાણ ક્યારેક ગંભીર ગુનાનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. નવસારીમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઇન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણ બાદ લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી છેતરપિંડી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી યુવતીની ઓક્ટોબર-2024માં ઇન્સ્ટાગ્રામ દ્વારા નવસારીના મનીષ રાઠોડ સાથે ઓળખાણ થઈ હતી. મનીષે પોતાની જાતને કુંવારો ગણાવી યુવતીને લગ્નની જાળમાં ફસાવી હતી. ઓક્ટોબર-2024માં નવસારીમાં પરિચિતને ત્યાં યુવતીને બોલાવી, હું તારી સાથે જ લગ્ન કરવાનો છું તેમ કહી તેની મરજી વિરુદ્ધ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં આરોપી અવારનવાર એરૂ નજીક આવેલી હોટલમાં યુવતીને લઈ જઈ દુષ્કર્મ આચરતો રહ્યો હતો. ભાંડો કઈ રીતે ફૂટ્યો? ગત તા. 05/03/2026ના રોજ જ્યારે ફરિયાદી યુવતી મનીષના ઘરે પહોંચી ત્યારે સત્ય સામે આવ્યું હતું. યુવતીને જાણવા મળ્યું કે મનીષ કુંવારો હોવાનો જે દાવો કરતો હતો તે તદ્દન ખોટો હતો. આરોપી મનીષ આઠ વર્ષ પહેલાં જ પરણી ચૂક્યો છે અને તે એક બાળકનો પિતા પણ છે. પોતાની સાથે થયેલી આ વિશ્વાસઘાત અને શારીરિક શોષણ અંગે અંતે યુવતીએ હિંમત દાખવી હતી.
વિદ્યા સંજીવની મંડળની રજૂઆત:નવસારીમાં ફૂલે દંપતીની પ્રતિમા સ્થાપો, ‘ભારત રત્ન’ આપો :
નવસારીમાં વિદ્યા સંજીવની મંડળ દ્વારા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું. વિદ્યા સંજીવની મંડળના સંસ્થાપક એડવોકેટ પરેશકુમાર વાટવેચા અને પ્રમુખ વિપુલકુમાર મકવાણાની આગેવાનીમાં રજૂ કરાયેલા આ આવેદનપત્રમાં મુખ્ય બે માંગણીમાંનવસારી શહેરમાં માતા સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવે. જેથી શહેરની મહિલાઓ અને વંચિત વર્ગોને તેમના જીવનમાંથી પ્રેરણા મળી રહે અને સમાજમાં સામાજિક ક્રાંતિ લાવવા અને શિક્ષણના દ્વાર ખોલવા બદલ આ દંપતીને સંયુક્ત રીતે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન’થી નવાજવામાં આવે. મહિલાઓના ઉદ્ધારક તરીકે સાવિત્રી ફૂલે નું યોગદાનમહિલાઓના ઉદ્ધારક તરીકે સાવિત્રીબાઈનું યોગદાન અતુલ્ય છે. આજે તેમના સ્મૃતિ દિને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ ક્રાંતિકારી વિચારધારાને યોગ્ય સન્માન મળે.જેથી અમે સરકાર પાસે માંગ કરી છે. > પરેશ વાટવેચા, એડવોકેટ
જન્મદિવસ વિશેષ:સયાજીરાવે નવસારીમાં બનાવેલ બિલ્ડિંગ, ડ્રેનેજ, પાણીની ટાંકી 100 વર્ષે પણ અડીખમ
નવસારી વિસ્તાર એ જૂનો ગાયકવાડી વિસ્તાર તરીકે જાણીતો છે. 18મી સદીથી ગાયકવાડી સ્ટેટ અમલી બન્યું એ 1949 સુધી રહ્યું. આ સ્ટેટમાં ખૂબ મહત્વની કામગીરી સયાજીરાવ ગાયકવાડ-3 એ કરી હતી. 11 માર્ચ 1863ના રોજ જન્મેલ સયાજીરાવે આમ તો નવસારીમાં અનેક કામો કર્યા, જેમાં કેટલાક તો હજુ અડીખમ છે આજે જ્યારે મહત્તમ શહેરી વિસ્તારમાં ડ્રેનેજ નંખાઇ ગઇ છે તેની શરૂઆત 1927માં સયાજીરાવે ફાળવેલ નાણાંથી થઈ હતી. આજે તેને 100 વર્ષ થવા આવ્યા છે ત્યારે છતાં જૂનાથાણા સ્ટેશન વિસ્તારની ડ્રેનેજ અડીખમ છે. આ 100 વર્ષ બાદ નંખાયેલ અનેક ડ્રેનેજ તૂટી ગઇ છે. 130 વર્ષ અગાઉ જૂનાથાણા વિસ્તારમાં ગાયકવાડી કચેરી માટે બનાવાયેલ બિલ્ડિંગ હજુ અડીખમ છે હવે તેને હેરિટેજ તરીકે રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આજે શહેરની જે લાયબ્રેરીએ રાજ્યભરમાં નામના કાઢી છે એ સયાજીવૈભવ લાયબ્રેરી પણ સયાજીરાવ ગાયકવાડના પ્રયત્નથી જ 1898ના અરસામાં બન્યાનું જાણવા મળે છે. આ ઉપરાંત મહારાજાએ પંથકમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી સુવિધા વગેરે માટે પ્રયત્નો કર્યા હતા.
ભરૂચ જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર તરફથી અંદાજે રૂ.10.91 કરોડના ખર્ચે અને 3.84 એકર જમીન પર નિર્મિત આધુનિક જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થયું છે. કલેકટર બંગલાની પાછળ 15,559 ચો.મી. વિસ્તારમાં બનેલું આ સંકુલ આગામી 14 માર્ચના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થવાની સંભાવના છે. આ સંકુલમાં ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ, મિની કોન્ફરન્સ રૂમ, એડમિન વિભાગ, વિશાળ પાર્કિંગ, અન્ડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અને ફાયર સેફ્ટી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે લોન એરિયા અને સુરક્ષિત કમ્પાઉન્ડ વોલ સાથેનું આકર્ષક વાતાવરણ રમતવીરોને ઉત્તમ સુવિધા પૂરી પાડશે. રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ઈન-સ્કૂલ યોજના અને સેન્ટર ઓફ એક્સલન્સ જેવી યોજનાઓ સાથે સંકલન થવાથી શાળા સ્તરેથી જ પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી અને તાલીમ આપવામાં સહાય મળશે. આ સંકુલથી ભરૂચના યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધશે અને તંદુરસ્ત જીવનશૈલી વિકસશે. સાથે જ ભવિષ્યમાં રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે નવા ચેમ્પિયન્સ તૈયાર થવામાં પણ આ સંકુલ મહત્વની ભૂમિકા ભજવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કઈ કઈ સુવિધા મળશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખો-ખો, ટેબલ ટેનિસ, વોલીબોલ, બેડમિન્ટન, યોગાસન, કરાટે, જુડો, કબડ્ડી અને મલખમ જેવી રમતોનો સમાવેશ કરેલ છે. સાથે જ 200 મી એથલેટીક્સ ટ્રેક તથા ફૂટબોલ પ્રેક્ટીસ ગ્રાઉન્ડ અને મલ્ટીપર્પસ હોલ અને જીમ પણ ઉપલબ્ધ છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ, મિની કોન્ફરન્સ રૂમ, એડમિન વિભાગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ સુવિધા, અન્ડરગ્રાઉન્ડ વોટર ટેન્ક તથા સિક્યુરિટી કેબીન,લોન એરિયા, પાર્કિંગ, એડમિન ઓફિસ, વોલીબોલ કોટ, ખો- ખોનું મેદાન, સ્ટોર રૂમ તથા ફાયર સેફ્ટી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ટેક ફેસ્ટમાં 1300 છાત્રોએ બતાવી બુદ્ધિક્ષમતા:ભરૂચની ઇજનેરી કોલેજના છાત્રોએ ડ્રોન તૈયાર કર્યું
ભરૂચની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ વિશેષ પ્રકારનું ડ્રોન તથા પોર્ટેબલ વોટર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરી છે. કોલેજ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય સ્તરનો ટેકનિકલ ફેસ્ટિવલ ટેકટોનિકનો આચાર્ય ડો. પ્રદીપ લોઢા સહિતના મહેમાનોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલમાં અલગ અલગ કોલેજના 1,300થી વધારે સ્પર્ધકો ભાગ લઇ રહયાં છે. કોલેજના છાત્રોએ વિશેષ પ્રકારનું ડ્રોન તૈયાર કર્યું છે. તેની હાઇબ્રિડ પાવર સિસ્ટમ છે. તે બેટરી અને ફ્યુઅલ એમ બંને શક્તિનો ઉપયોગ કરે છે, જેના કારણે તે લાંબા સમય સુધી હવામાં રહી શકે છે. 25 કિલોગ્રામ વજન ધરાવતું આ ડ્રોન 2 કિલોમીટરની ઊંચાઈએ ઉડવાની ક્ષમતા ધરાવે છે અને 30 કિલોમીટર સુધીના વિસ્તારને કવર કરી શકે છે. વીટીઓએલ ટેકનોલોજી હોવાથી તેને ઉડવા કે ઉતરવા માટે રનવેની જરૂર પડતી નથી. આ ડ્રોનનો ઉપયોગસરહદી વિસ્તારોમાં દુશ્મનો પર નજર રાખવા માટે,કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દેખરેખ, જંગલોમાં પ્રાણીઓના મોનિટરિંગ અને શિકાર અટકાવવા તથા ઊંચી પાવર લાઇનોના સુરક્ષિત ઇન્સ્પેક્શન માટે કરી શકાય તેમ છે. કેમિકલ ઇજનેરી વિભાગનો પ્રોજેક્ટ એકવા પ્રેડીકટ તૈયાર કર્યો છે. તે એક પોર્ટેબલ વોટર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ છે. જે દૂષિત પાણીની ઓળખ કરે છે અને એલઓટીના માધ્યમથી રીઅલ-ટાઇમ ડેટાની માહિતી પૂરી પાડે છે. ભરૂચની 2 તેજસ્વી વિદ્યાર્થીનીઓ કેજલ પટેલ અને કીર્તિ શુક્લા અને આ પ્રોજેક્ટના ઇન્ટરનલ ગાઇડ પ્રો. વિશાલ દોશી અને એક્સટર્નલ ગાઇડ સ્નેહલ પટેલ તરફથી માર્ગદર્શિત સંરક્ષણ અને નિરીક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે તેવું હાઇબ્રિડ વીટીઓએલ યુએવી તૈયાર કર્યું છે.
ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગામે રહેતા મંજુલા વસાવા ના ઘરે ગત શનિવારના રોજ બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી, આગની ઘટના માં ઘરવખરી નો તમામ સામાન બળીને ખાત થયો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ઘરમાં તમામ ચીજ વસ્તુઓ બળીને ખાક થતા મંજુલાબેનના માથે આર્થિક સંકટ ઉભું થયું હતું. ઘટનાની જાણ થતા તેઓની વહારે ગામના સરપંચ આવ્યા હતા સરપંચ સીમા વસાવા દ્વારા મહિલાને આર્થિક મદદ માટે તંત્રને ઘટનાની જાણ કરી નુકસાન સામે સહાય આપવા વિનંતી કરવામાં આવી હતી તેમજ મહિલા સરપંચે પોતે પણ આ મહિલાને અનાજની કીટ અને સાડીઓની ભેટ આપી આર્થિક રીતે મદદરૂપ થયા હતા, સંકટ સમયે ગરીબ મહિલાની વહારે આવેલા મહિલા સરપંચનો ગ્રામજનોએ આભાર માન્યો હતો
ભરૂચમાં પ્રાકૃતિક ખેતી માટે તાલીમ યોજાઈ:બીજામૃત અને જીવામૃત કેવી રીતે બનાવવું તે અંગે માહિતી અપાઇ
ભરૂચ જિલ્લા આત્મા પ્રોજેક્ટ ભરૂચ દ્વારા જિલ્લાના 38 મિશન ક્લસ્ટર હેઠળ કુલ 76 કૉમ્યુનિટી રિસોર્સ પર્સન અને કૃષિ સખી માટે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ભરૂચ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન તાલીમ અધિકારી શિરીષભાઈએ જીવંત નિદર્શન દ્વારા બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિ, તેનો યોગ્ય સમય અને ખેતરમાં ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપી હતી. તાલીમથી સીઆરપી અને કૃષિ સખીને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓથી માહિતગાર કરી તેમને તેમના ક્લસ્ટરના ખેડૂતો સુધી માહિતી પહોંચાડવા માટે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ભાગ લેનારાઓને જૂથ ચર્ચા, પ્રશ્નોતરી તેમજ તાલીમ પહેલાં અને બાદમાં મૂલ્યાંકન કસોટી દ્વારા વિષયની સમજ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તાલુકાઓમાંથી આવેલા તાલીમાર્થીઓએ પોતાના ક્ષેત્રમાં ઉભા થતા પ્રશ્નોના નિરાકરણ પણ મેળવ્યા હતા. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરે પ્રાકૃતિક ખેતીના પોસ્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં પ્રદર્શિત કરવા અપીલ કરી હતી. અને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રયાસ વધારવા સૂચન કર્યું હતું.
વેધર રિપોર્ટ:ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો 37 ડિગ્રી પહોચતાં ગરમી વધી
ભરૂચ જિલ્લામાં હવે રાબેતા મુજબ ઉનાળાની સરૂઆત થઈ ચૂકી છે ત્યારે સરૂઆતના દિવસ થી જ આકરી ગરમી પડી રહી છે. જેના કારણે બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ જિલ્લામાં મહત્તમ તાપમાન આશરે 37 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાન આશરે 22 થી 24 ડિગ્રી આસપાસ નોંધાયું છે. ઉનાળાની શરૂઆત સાથે ગરમી વધતા બપોરના સમયે તાપનો પ્રભાવ વધુ અનુભવાઈ રહ્યો છે. કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે પાકમાં નિયમિત હળવી સિંચાઈ, મલ્ચિંગ અને સવારે કે સાંજે જ ખાતર છંટકાવ કરવો. વધુ ગરમીથી પાકને નુકસાન ન થાય તે માટે પશુઓ અને પાક બંને માટે પૂરતું પાણી ઉપલબ્ધ રાખવાની સૂચના આપવામાં આવી છે. તેમજ પવનની ગતીને ધ્યાને લઇને ખેતી પાકમાં દવાનો છંટકાવ કરવા માટે સલાહઆપવામાં આવી છે.
અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થાય તે પહેલાં વર્ષ 2026-27ના અંદાજપત્ર (બજેટ)ને મંજૂરી આપવામાં આવી છે. આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી હોવાથી આઇકોનિક રોડ, નવા પ્રવેશદ્વાર સહિતના પ્રોજેકટને મંજૂર કરી દેવામાં આવ્યાં છે. નવા કોઇ વેરા નાખવામાં નહિ આવતાં લોકોને રાહત સાંપડી છે. વર્ષ દરમિયાન રૂા.108 કરોડની આવકની સામે 99.70 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.નગરપાલિકાનું બજેટ 8.30 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. પાલિકાના સભાખંડ ખાતે ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થની અધ્યક્ષતામાં સામાન્યસભા મળી હતી. સામાન્યસભામાં કારોબારી સમિતિએ મંજૂર કરેલાં રૂા.108 કરોડના વ્યાપવાળા બજેટને મંજૂરી માટે રજૂ કરાયું હતું. નગરપાલિકાની તિજોરીમાં વર્ષ દરમિયાન રૂા.108 કરોડની આવક થશે જેની સામે 99.70 કરોડનો ખર્ચ કરાશે. શહેરમાં આગામી દિવસોમાં આઇકોનિક રોડ, સ્પોટર્સ કોમ્પલેકસ, નવું પ્રવેશદ્રાર સહિતના નવા પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યાં છે. બજેટ બોર્ડ માં કુલ 42 કામો એજન્ડા પર મુકવામાં આવ્યા હતા. જેમાં વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતે મંજુર કરવામાં આવ્યા હતાં. આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી હોવાથી નવા વેરા ઝીંકવામાં આવ્યાં નથી. વિપક્ષના નેતા રફીક ઝગડીયા વાલા અને જહાંગીર પઠાણે બજેટને 'આંકડાની માયાજાળ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ નગરપાલિકા કથિત લાંચકાંડ લઇને શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા. કયા કામો માટે રૂપિયાની ફાળવણી
આમોદ તાલુકાના ભીમપુરા ગામે આવાસ યોજનામાં 1.10 લાખની ઉચાપત કરાયાં હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. સરપંચે લાભાર્થીને મળેલી રકમ અન્ય જગ્યાએ વાપરી નાખી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આમોદના ભીમપુરા ગામે સરદાર આવાસ યોજનામાં ગેરરીતિ આચરાય હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ભરૂચના આમોદ તાલુકામાં સરદાર આવાસ યોજના હેઠળ બનતા મકાન મામલે ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. અગાઉ આમોદ તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલાં કામોમાં ભારે ગોબાચારી કરવામાં આવી હોવાની પણ ફરિયાદ નોંધાઇ ચુકી છે. ભીમપુરા ગામે રહેતા રમેશ રાઠોડને વર્ષ 2022-23 દરમિયાન સરદાર આવાસ યોજના હેઠળ મકાન મંજુર કરવામાં આવ્યું હતું. ફરિયાદીના જણાવ્યા અનુસાર ગામના સરપંચના કહેવા મુજબ તેમના બેંક ખાતામાંથી બે તબક્કામાં કુલ રૂપિયા 1,10,000 ઉપાડી કોન્ટ્રાકટર રાજુભાઈને મકાન બાંધકામ માટે આપવામાં આવ્યા હતા.પરંતુ કોન્ટ્રાકટરે મકાનનું કામ અધૂરું રાખી કામ બંધ કરી દીધું છે. જ્યારે લાભાર્થીએ કોન્ટ્રાકટરને કામ અધૂરું રાખવા અંગે પૂછપરછ કરતા તેમણે આ રકમ સરપંચ દ્વારા અન્ય કામમાં વાપરી નાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે લાભાર્થી રમેશ રાઠોડે આખરે આમોદ પોલીસ મથકે ભીમપુરા ગામના સરપંચ અને કોન્ટ્રાકટર વિરુદ્ધ લેખિત ફરિયાદ આપતા મામલો ગરમાયો છે.
નવતર અભિગમ:ભરૂચના 411 બાળકો માટે શાળાના દ્વાર ફરી ખુલ્યાં
ભરૂચ જિલ્લામાં શાળાએ ન જતાં હોય તેવા 6 થી 19 વર્ષ સુધી બાળકો અને યુવાઓ કે જે કોઇ દિવસ શાળામાં ગયાં જ નથી તેમનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં મળી આવેલાં 411 બાળકોને ફરીથી શાળાએ મોકલવામાં આવશે. સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણો થી શાળાએ નહીં ગયા હોય તેવા 6 થી 19 વર્ષના બાળકો અને જેઓ પોતે ધોરણ 1 થી 12 નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી. તેવા શાળા બહારના બાળકો અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શાળા છોડી દીધેલ બાળકો, રખડતા, ભટકતા, ભીખ માગતા બાળકોને પણ શિક્ષણનો અધિકાર છે. બાળકોનો સર્વે કરીને બાળકોની વયને અનુરૂપ શિક્ષણ અને જરૂર પડે તો ખાસ તાલીમ આપવામાં આવે છે. 6 થી 19 વર્ષના દરેક બાળક ધોરણ 1થી 12 નું શિક્ષણ મેળવે તેના માટેના પ્રયાસો કરવા શિક્ષણ શાખા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવી રહ્યા છે. 60 દિવસ ચાલેલા સર્વેમાં નવ તાલુકાના 4 શહેરી વિસ્તાર અને 596 ગામડાઓના વિસ્તારને આવરી લઇ શાળા બહારના બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમ કુલ 824 બાળકો મળ્યા હતા. આ બાળકોને તેઓની વય જુથ મુજબ શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણ પુરૂ પાડવામાં આવશે. જેથી જિલ્લા ડ્રોપ આઉટ ની સંખ્યામાં પણ ઘટાડો થશે.શિક્ષણ વિભાગ તરફથી ડ્રોપ આઉટ રેશયો ઘટાડવા માટે આયોજન કરવામાં આવે છે. જેને લઈને દર વર્ષે શાળાએ નહીં જતા બાળકોને સર્વે કરી ને તેને શોધી ને ફરી શાળાએ મોકલવામાં આવે છે. કયા વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતોરિમાન્ડ હોમ, નારી સંરક્ષણ ગૃહ, સ્વૈચ્છિક સંસ્થાના વર્ગોમાં આવરી લીધેલ બાળકો, ઝૂપડપટ્ટી વિસ્તાર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી માટે આવેલ પરિવારો વસતા હોય તેમના બાળકો સિનેમા ઘરોની આસપાસના અને ગ્રામ્ય વિસ્તારોમાં, દરિયા કિનારા , જંગલ ના અંતરિયાળ વિસ્તાર, અગરિયા વગેરે વિસ્તારના તમામ બાળકોને આ સર્વે પ્રક્રિયામાં આવરી લીધા
અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલાં યુધ્ધની અસર હવે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર વર્તાઇ રહી છે. જો હજી 10 દીવસ વધારે યુધ્ધ ચાલશે રો– મટીરીયલ તથા ગેસના અભાવે મોટાભાગના ઉદ્યોગો બંધ કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામશે. ઉદ્યોગો બંધ થવાના આરે હોવાથી 5 લાખ કરતાં વધારે કામદારોની રોજગારી સામે સંકંટ ઘેરૂ બન્યું છે. ગેસ તથા રો–મટીરીયલની આયાત અટકી પડતાં આવા કપરા સંજોગો ઉભા થયાં છે. બીજી તરફ સરકારે રાંધણગેસ સહિતની જીવન જરૂરીયાતની વસ્તુઓની સંગ્રહખોરી રોકવા માટે એસ્મા લાગુ કરી દીધો છે. વિદેશમાંથી આયાત કરવામાં આવતાં ગેસની માત્રા ઓછી થવાથી ઉદ્યોગોને 50 ટકા ગેસનો વપરાશ કરવાની છૂટ આપવામાં આવી છે. ઇરાને હોમુર્ઝની ખાડીમાં જહાજો રોકી દેતાં ગેસ, ખનીજતેલ સહિતની પેટ્રો પેદાશોની આયાત અટકી પડી છે. જો 10 દિવસ યુધ્ધ લંબાશે તો ભરૂચ જિલ્લાના ઉદ્યોગોના 5 લાખ કરતાં વધારે કામદારોની રોજગારી સામે સંકટ ઉભું થશે. સરકાર પાસે 70 ટકા ગેસ વપરાશની મંજૂરી માગી છે હાલમાં ઉદ્યોગો 50 ટકા ગેસનો ઉપયોગ જૂના ભાવથી કરી શકે છે પણ અમે 70 ટકા ગેસનો ઉપયોગ જૂના ભાવથી કરવા દેવાની રજૂઆત કરી છે. બાકીના 30 ટકા ગેસ વપરાશ પર ઓછામાં ઓછો ભાવ વધારો કરવામાં આવે તે ઉદ્યોગોના હિતમાં છે. ગેસની માગની સામે પુરવઠો ઓછો હોવાથી ગેસના ભાવમાં 50 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. આના કારણે ઉત્પાદન મોંઘુ બનશે અને તેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. હાલ ગેસનો ભાવ રૂા.60 છે જે વધીને રૂા.100 થવાની સંભાવના છે.- વિમલ જેઠવા, પ્રમુખ, એઆઇએ ભાસ્કર એક્સપર્ટગેસના વિકલ્પ સમાન કોલસાનીઆયાત પણ હવે અટકી પડી : વાલમજી દેસાઇ, ઉદ્યોગપતિ, અંકલેશ્વર હોમુર્ઝની ખાડીને જહાજો માટે બંધ કરી દેવામાં આવતાં 150 કરતાં વધારે ઓઇલ ટેન્કરો દરિયામાં અટવાઇ ગયાં છે. જહાજો મારફતે આવતો ગેસ તો અટકી ગયો છે પણ ગેસના બદલામાં ઉપયોગમાં લઇ શકાય તે કોલસો પણ આવી રહયો નથી. સોલ્વન્ટ તેમજ અન્ય કેમિકલના ભાવમાં 40 થી 50 % ભાવ વધારો થઇ ગયો છે. છતાં રો મટીરીયલ મળતું નથી. વિદેશમાંથી આવતાં કેમિકલ સહિતનો સામાન અટવાઇ ગયો છે. એક કન્ટેનરના વહન માટે 10 હજાર રૂપિયા આપવા જતાં જહાજ કંપનીઓ કન્ટેનર લઇ જવા તૈયાર નથી. વિદેશથી આયાત કરવામાં આવતું રો– મટીરીયલ અટકી ગયું છે અને સ્થાનિક સ્તરેથી પણ મટીરીયલ મળતાં પણ સમય લાગી રહયો છે.
શિક્ષકની ઘટ:પાટણ જિલ્લામાં 106 શિક્ષકોની જગ્યા ખાલી
મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં શિક્ષકોની સ્થિતિ અંગે વિધાનસભામાં ચર્ચા થઇ હતી. આ ચારેય જિલ્લામાં સામાજિક વિજ્ઞાન, ગણિત-વિજ્ઞાન અને ભાષાના કુલ 12,062 શિક્ષકોની જરૂરિયાત સામે 11,821 જગ્યાઓ ભરેલી છે. જ્યારે 242 શિક્ષકોની ઘટ છે. જેમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં કુલ 161, ભાષાના વિષયોમાં 43 અને ગણિત-વિજ્ઞાનમાં 38 જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની સૌથી વધુ ઘટ જોઇએ તો, બનાસકાંઠામાં 125 અને પાટણમાં 106 જગ્યા ખાલી છે. જ્યારે મહેસાણામાં માત્ર 6 અને અરવલ્લીમાં માત્ર 5 શિક્ષકોની જગ્યા ભરવાની બાકી છે. પાટણ જિલ્લામાં 2156 પૈકી 2050 જગ્યા ભરાયેલી છે અને 106 ખાલી છે. સામાજિક વિજ્ઞાનમાં 612 શિક્ષકોની જરૂરિયાત સામે 526 જગ્યા ભરેલી છે, 86 જગ્યા ખાલી છે. ગણિત-વિજ્ઞાનમાં 698 સામે 688 જગ્યા ભરેલી છે અને 10 જગ્યા ખાલી છે. ભાષાના 846 શિક્ષકો સામે 836 હાજર છે અને 10 જગ્યા ખાલી છે. કરાર આધારિત એક પણ શિક્ષક નથી. સામાજિક વિજ્ઞાનમાં 7 અને ગણિત-વિજ્ઞાનમાં 1 વિદ્યાસહાયક છે.
ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે. ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે.કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બંધ થતા રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર કેવી અસર થશે તે જાણવા અમે ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ અને અન્ય હોદેદારો સાથે વાતચીત કરી હતી. જોકે રાજ્ય સરકારે કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બરોબર હોવાની હૈયાધારણા આપી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા હોટલ-રેસ્ટોરન્ટ પર અસરઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની હવે ગુજરાતમાં અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં ગુજરાતના અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ તેમજ ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે. જો કે અન્ય રાજ્યમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય પર રોક લગાવી દેવામાં આવતા ઘણા બધા હોટલ બંધ થઈ ગયા છે. જો કે હવે અમદાવાદમાં પણ આવી સ્થિતિ માત્ર બે દિવસમાં સર્જાય તો પણ નવાઈ નથી. હોટલ સંચાલકોના જણાવ્યા અનુસાર કોઈને પણ અંદાજ ન હતો કે સપ્લાય બંધ થઈ જશે જેથી કોઈએ પણ સ્ટોક કરી રાખ્યો નથી. જરૂર હોય તે પ્રમાણે લોકો મંગાવીને ઉપયોગ કરતા હતા. જેથી હવે અચાનક સપ્લાય બંધ થઈ જતા હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જે હોટલ-રેસ્ટોરન્ટમાં ગેસ લાઈન નથી તેની મુશ્કેલી વધશેરેસ્ટોરન્ટ બિઝનેસને ગેસ લાઇનથી ગેસ સપ્લાય થાય છે. જેથી મોટી રેસ્ટોરન્ટ કે ગેસ સિલિન્ડરની અછતની કોઈ અસર નહીં થાય. પરંતુ નાના રેસ્ટોરન્ટ અને કેટર્સ બિઝનેસ જે કોમર્શિયલ બોટલથી ચાલે છે એમને વધારે અસર થવાની છે. અમદાવાદમાં 10 હજાર જેટલા નાના રેસ્ટોરન્ટ અને કેટર્સ વેપારીઓના ધંધાને અસર થશે. આગામી બે દિવસમાં સપ્લાય નહીં થાય તો હોટલ અને રેસ્ટોરન્ટ બંધ પણ થઈ શકે છે. કોમર્શિયલ સિલિન્ડરોની સપ્લાય નહીં મળે તો હજારો લોકોની રોજગારી છીનવાઈ શકે છે. વહેલી તકે સપ્લાય શરૂ નહીં કરાય તો કોરોના જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી ચિંતા હોટલ સંચાલકો કરી રહ્યા છે. હોટલ-રેસ્ટોરન્ટના મેનુમાં ફેરફાર કરવા પડે તેવી જો કે તેનાથી બચવા માટે પણ કેટલા હોટલ સંચાલકોએ અને નાના નાના ખાણીપીણીના દુકાનદારોએ રસ્તાઓ કાઢવાની તૈયારી શરૂ કરી દીધી છે. હોટલ સંચાલકોએ મેનુ બદલવાનો અને ઓછો ગેસ વપરાય તેવા ખોરાક બનાવવામાં નિર્ણય કર્યો છે. જે ખોરાક બનાવવામાં ગેસનો વધારે વપરાશ થતો હોય તેવી વસ્તુઓ બંધ કરી દેવામાં આવશે. તેમજ જો સપ્લાય નહીં મળે તો કોરોના સમયગાળા જેમ એક ટાઈમ હોટલ ચાલશે, તો કેટલીક હોટલ બંધ થાય તો પણ નવાઈ નહીં. જેથી વહેલી તકે કોમર્શિયલ સિલિન્ડર સપ્લાય શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં 20 થી 30 ટકા હોટલ-રેસ્ટોરન્ટ સિલિન્ડર પર ચાલે છે- નરેન્દ્ર સોમાણીગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય જ બંધ થઈ ગઈ છે. એટલે સૌથી મોટો પ્રશ્ન છે કે જે નાની રેસ્ટોરન્ટ જે ગેસ જે ગેસ લાઈન પર નથી ચાલતી એમના માટે મોટી મુશ્કેલી સર્જાવાની છે. ગુજરાતમાં 70 થી 80 ટકા હોટલો ગેસ લાઈન ઉપર ચાલે છે પણ 20 થી 30 ટકા જે રેસ્ટોરન્ટો છે એ ગેસ સિલેન્ડર ઉપર ચાલે છે. નાના ગલ્લા ગેસ સિલિન્ડર એના પર ચાલે છે એ અત્યારે સિલિન્ડર મળતા બંધ થઈ ગયા છે. કંપનીમાં અને બે ત્રણ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટર વાત કરી એમણે કીધું કે કોમર્શિયલ સિલિન્ડર સસ્પેન્ડ કરી રાખવામાં આવ્યા છે. જેથી સિલિન્ડર ઉપર ચાલતા નાના રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા ધીરે ધીરે બંધ થવાની શરૂઆત થઈ ગઈ છે. બે દિવસમાં એની મોટી અસર દેખાશે. નાના રેસ્ટોરન્ટ વાળા અને લારી ગલ્લાવાળા ગુજરાતમાં બંધ થઈ જશે. વધુમાં નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, સ્ટોક તો દરેક નાના રેસ્ટોરન્ટ વાળા કોઈ એક બાટલો રાખતો કે બે બાટલા રાખતો હોય કે ત્રણ બાટલા રાખતા એનાથી વધારે નાના રેસ્ટોરન્ટ વાળો સ્ટોક રાખે નહી. કારણ કે જગ્યાનો જ બહુ મોટો પ્રશ્ન હોય છે. અત્યારે સરળતાથી મળી રહેતા હતા એટલે પહેલા શું હતું કે એક જમાનો હતો. કલાકમાં સિલિન્ડર તમને કોમર્શિયલ મળી જતા હતા. સૌથી વધારે અસર કેટરીંગ ધારકોને થવાની છે. કારણ કે જે લોકોએ લગ્નના પ્રસંગ લઈ લીધા છે તે લોકો પ્રસંગ કઈ રીતે પૂરો કરશે તે પણ મોટો સવાલ છે. કેટરર્સ માટે હવે મોટી આફત શરૂ થઈ ગઈ છે. માણેકચોક લો ગાર્ડન સહિતની મોટી મોટી ખાણીપીણી બજાર ગેસ સિલિન્ડર પર ચાલે છે જેથી તે તમામ બંધ થઈ જશે. અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે સપ્લાય જે બંધ કરવામાં આવી છે તે વહેલી તકે શરૂ કરવામાં આવે. નહીતો બહુ મોટો પ્રશ્ન ઉભો થવાનો છે. કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણ બંધ થયો- દિલીપ ઠક્કરકો ચેપ્ટર હેડ અમદાવાદ અને નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દિલીપભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આજે સ્થિતિ નોર્મલ છે, પરંતુ આવતીકાલથી ઘણા રેસ્ટોરન્ટ બંધ થઈ શકે તેવી સ્થિતિ સર્જાશે. કારણ કે કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણ બંધ થઈ ગયો છે. સરકાર દ્વારા કોમર્શિયલ સિલિન્ડર પર રોક લગાવી દેવામાં આવી છે. લોકોના ઘરના ચૂલા બંધ ન થાય તે માટે કોમર્શિયલ સિલિન્ડર પર સપ્લાય બંધ કરી દેવામાં આવી છે. અત્યારે તમામ લોકોને ગેસની આદત પડી ગઈ છે. જેથી કોમર્શિયલ સિલિન્ડર વગર રેસ્ટોરન્ટોને ખરાબ અસર થઈ શકે છે. અમદાવાદમાં અલગ અલગ 10 હજાર જેટલા યુનિટ છે. કોરોના સમયમાં લોકો એક ટાઈમ રેસ્ટોરન્ટ ચલાવતા હતા, કર્ફ્યુ જેવી પરિસ્થિતિ હતી તેમજ ખાલી હોમ ડિલિવરી ચલાવતા હતા તે રીતે આજના સમયમાં પણ હોટલ સંચાલકોને એવું કરવું પડશે. હોટલ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાશે તેવું કહેતા દિલીપભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, તો કેટલાક હોટલ સંચાલકોને રેસ્ટોરન્ટ પણ બંધ કરવી પડશે. તો કેટલાક લોકો પોતાના હોટલના મેનુમાં પણ ફેરફાર કરી શકે છે. તમામ લોકોએ ગેસનો ખોટો વપરાશ ન થાય તે રીતે કામ કરવું પડશે. ગેસનો વપરાશ ઓછો થાય તેવી વસ્તુઓ બનાવવી જોઈએ. એક સારું રેસ્ટોરન્ટ ઓછામાં ઓછા 30 જેટલા લોકોને રોજગારી આપતું હોય છે. જો ગેસ જ નહીં મળતો હોય અને હોટલ જ નહીં ચાલતી હોય તો પછી તે પોતાના માણસોને કઈ રીતે નોકરી પર રાખી શકશે. જેથી ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થતા રોજગારી પર પણ ખરાબ અસર થવાની છે. BPCએ કોમર્શિયલ સિલિન્ડરનું પ્રોડક્શન બંધ, સુરતમાં હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકો મુશ્કેલીમાં સુરતના જાણીતા ગેસ ડિસ્ટ્રીબ્યુટર અને AR કોન્ટ્રાક્ટર્સના પ્રોપરાઈટર અજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે, યુદ્ધની પરિસ્થિતિને કારણે ગેસના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. કંપની દ્વારા હાલમાં કોમર્શિયલ સિલિન્ડરનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. આ અછત ક્યારે દૂર થશે તે કોઈ કહી શકતું નથી કારણ કે બધો આધાર યુદ્ધ કેટલો લાંબો સમય ચાલે છે તેના પર છે. આ વૈશ્વિક અનિશ્ચિતતાએ સ્થાનિક સ્તરે મોટા વેપાર-ધંધાને અસર પહોંચાડી છે. એક અંદાજ મુજબ, સુરત શહેરમાં દરરોજ સેંકડો કોમર્શિયલ સિલિન્ડરની જરૂરિયાત રહેતી હોય છે. અજીતભાઈ જણાવે છે કે તેમની એજન્સી પર જ દૈનિક 20 થી 50 જેટલા ગ્રાહકો કોમર્શિયલ સિલિન્ડરની માંગ સાથે આવે છે, પરંતુ જથ્થો ઉપલબ્ધ ન હોવાથી તેમને ખાલી હાથે પરત ફરવું પડે છે. ઘણા કિસ્સાઓમાં હતાશ થયેલા ગ્રાહકો ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે ઘર્ષણમાં પણ ઉતરે છે, પરંતુ ડિસ્ટ્રીબ્યુટર્સ પણ કંપનીના સપ્લાય પર નિર્ભર હોવાથી લાચાર છે. હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટના વાદળોકોમર્શિયલ સિલિન્ડરની અછતને કારણે સૌથી વધુ અસર સુરતના ખાણી-પીણીના વ્યવસાયને થઈ રહી છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના સિલિન્ડર ન મળવાને કારણે અનેક નાના એકમો બંધ થવાની કગાર પર છે. જો આગામી દિવસોમાં સપ્લાય યથાવત નહીં થાય, તો બહાર જમવાનું મોંઘું થઈ શકે છે અથવા તો વેપારીઓએ વૈકલ્પિક વ્યવસ્થા શોધવી પડશે. ઘરગથ્થુ ગ્રાહકોને ચિંતા કરવાની જરૂર નથીતંત્ર અને ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સામાન્ય નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. ડોમેસ્ટિક (14.2 કિલો) સિલિન્ડરનો પુરવઠો હાલ નિયમિત છે. કંપનીઓનું ધ્યાન અત્યારે પ્રાથમિકતાના ધોરણે ઘરગથ્થુ જરૂરિયાતો પૂરી કરવાનું છે. અછત માત્ર વ્યાપારી હેતુ માટે વપરાતા ગેસમાં જ જોવા મળી રહી છે, તેથી લોકોએ ખોટી રીતે સિલિન્ડરનો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે.
લો ગાર્ડન પાસે ખાનગી કોજલ બહાર અસારવાના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે તેના મિત્રો સાથે મળી કોલેજના વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરી ગાડીમાં તોડફોડ કરી હતી. જે મામલે નવરંગપુરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આરોપીનો 180ની સ્પીડે ગાડી ચાલવતો, મોંઘી ગાડીઓના કાફલા સાથે સ્ટંટ કરતો અને હથિયારથી ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. કિશોર લંગડાના પૌત્રએ વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કર્યોલો ગાર્ડન પાસે ખાનગી કોલેજની બહાર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે ફોર્ચ્યુનર કારમાં આવી સામે દેખવા જેવી બાબતે કોલેજની બહાર ઉભેલા વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આદિત્ય રાઠોડે તેના મિત્રો સાથે મળીને થાર કારમાં તોડફોડ કરી અને ધારીયા વડે વિદ્યાર્થી પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિદ્યાર્થી નીચે ખસી જતા બચી ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ અંગે નવરંગપુરા પોલીસે આદિત્ય રાઠોડ અને તેના મિત્રો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાવના લગભગ 30 કલાક બાદ પણ આરોપી પલોસી પકડથી દૂર છે. (સંપૂર્ણ સમાચાર અહીં વાંચો) ફોર્ચ્યુનર કારથી ટુવ્હીલરને ટક્કર મારતા ચાલકનું મોતઆરોપી આદિત્ય રાઠોડનો ગુનાહિત ઇતિહાસ રહી ચૂક્યો છે. આદિત્ય રાઠોડે અગાઉ શાહીબાગના સર્કિટ હાઉસ પાસે પૂર ઝડપે ફોર્ચ્યુનર કાર વડે એક ટુવ્હીલર ચાલકને ટક્કર મારી હતી. જેમાં ટુવ્હીલર ચાલકનું મોત નિપજ્યું હતું. (સંપૂર્ણ સમાચાર અહીં વાંચો) 180ની સ્પીડે મોંઘીદાટ કાર દોડાવી સ્ટંટ કર્યાઆદિત્યનો આ પહેલો કે બીજો ગુનો નથી, પરંતુ તે અગાઉ પણ મોંઘીદાટ કારને 180ની સ્પીડે દોડાવી સ્ટંટ કરતા જોવા મળ્યો હતો. ગાડીઓના કાફલા સાથે પણ સ્ટંટ કરી વીડિયો સોશિયલ મીડિયામાં રોફ જમાવવા મૂક્યા હતા. આદિત્યએ લોકોમાં તેનો ભય ફેલાવવા માટે હથિયાર વડે ફાયરિંગ કર્યું હોવાનો પણ વીડિયો સામે આવ્યો છે. આ તમામ વીડિયો સામે આવતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
ભાવનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેંકમાં સાયબર ફ્રોડની ગંભીર ઘટના સામે આવતા બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં ડિસ્ટ્રીક્ટ 'કો.ઓપરેટીવ બેન્કના ડેટા હેક' કરી સિક્યુરિટી સિસ્ટમ ને ક્રેક કરી સીદસર, સુભાષનગર, 'ભરતનગર અને તળાજા બ્રાંચમાંથી 7 કરોડથી વધુ રકમની સાઇબર ફ્રોડ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગેની જાણ થતા ભાવનગર હેડ ઓફીસ દ્વારા જિલ્લાની તમામ બ્રાંચોમાં બેન્કની કામગીરી સ્થગિત કરી દેવાઈ છે, અને મામલે વધુ તપાસ માટે બેંકની ટીમ ટેકનિકલ નિષ્ણાતો સાથે ગાંધીનગર પહોંચીને ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ‘રકમ 70-80 લાખને બદલે 7 કરોડથી પણ વધુ બતાવતી હતી’આ બનાવ અંગે ભાવનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડીયાએ જણાવ્યું હતું કે, અમારી બેંકમાં સાયબર ફ્રોડ થયો છે, જેની જાણ અમને ગઈકાલે સોમવારે સવારે 10 વાગ્યે થઈ છે. સામાન્ય રીતે મોબાઈલ બેંકિંગમાં રજાના દિવસે 70થી 80 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન થતું હોય છે. શનિવારે સાંજે બેંક બંધ થયા પછી રવિવારે રજા હતી, અને સોમવારે સવારે 10 વાગ્યે અમારા સ્ટાફના મિત્રોએ જ્યારે ચેક કર્યું, ત્યારે આ રકમ 70-80 લાખને બદલે 7 કરોડથી પણ વધુ બતાવતી હતી. તેમણે તરત જ CEOને જાણ કરી. ‘ચાર બ્રાન્ચમાંથી એક એક નામથી ટ્રાન્સકેઝસન થયું’ભીંગરાડીયાએ વધુમાં કહ્યું કે, આમાં સ્ટાફની કોઈ સંડોવણી નથી, આ સોફ્ટવેરની ખામી છે. સોફ્ટવેરની મુખ્ય ચાવી કંપની પાસે હોય છે. એ અમારા ceo કે જનરલ મેનેજર કે મારી પાસે ન હોય, જે ડેટા નખાવાયેલો હોય એટલું જ કામ થતું હોય, અને આમા જે ફ્રોડ થયું છે એ માત્ર ચાર બ્રાન્ચમાંથી એક એક નામથી થયું છે. ‘ત્રણ-ત્રણ કરોડના એક નામે રકમ ઉપાડી’તેને વધુમાં કહ્યું હતું કે, એમાં ખાસ કરીને જે મોબાઇલ બેન્કિંગમાંથી પાંચ લાખથી વધારે થતું હોય નહીં કોઈનું ન થઈ શકે, અમારી 88 બ્રાન્ચમાંથી ક્યાંથી ના થઈ શકે, એ સોફ્ટવેરમાં નખાવેલું હોય. તેમ છતાં ત્રણ-ત્રણ કરોડના એક નામે રકમ ઉપડી છે. એટલે એ સોફ્ટવેરની ચાવી કોઈ જાણકાર વ્યક્તિ કે ભેજાબાજ માણસોથી થઈ શકે છે. આમાં જેના ખાતામાં રૂપિયા હોય એનાથી ઓછા ઉપડે, વધારે ઉપડે નહીં. કદાચ કોઈના ખાતામાં ₹1,000 પડ્યા હોય તો 1,000 જ ઉપડે. જેમાં એક ખાતામાં 2000 રૂપિયા પડ્યા હતાં, એ ખાતામાંથી ત્રણ કરોડ રૂપિયા ઉપડ્યાં એ સોફ્ટવેરની ખામી છે. 'અમારી ટિમ ટેકનિશિયન સાથે FIR કરવા ગાંધીનગર ગઈબેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે અમારી પાસે આંકડો ફિક્સ આવ્યો એટલે ભાવનગર એસપી પાસે ગયા હતાં. ત્યાં એસપીએ જણાવ્યું હતું કે સાત કરોડથી મોટું ફ્રોડ છે, અને સાયબર ફ્રોડ માટે અમારી પાસે આના કોઈ ટેકનિશિયન છે નહીં. જે બધી સુવિધા ગાંધીનગર છે, એટલે તેને લઈ અમારી આખી ટિમ ટેકનિશિયન સાથે FIR કરવા ગાંધીનગર ગઈ છે. હાલ બેંકની કાર્યવાહી બંધ તેને કહ્યું કે, હાલ બેંકની કાર્યવાહી બંધ છે, એટલા માટે આ લોકોએ કોઈપણનું ફ્રોડ કરેલું છે, જેની ચાવી એને મળી ગઈ હોય અથવા એના ડેટા એની પાસે આવી ગયા છે. એટલે જો કામગીરી શરૂ કરીએ તો ફ્રોડ પાછો શરૂ રહે, તે માટે બેન્ક કાર્યવાહી બંધ કરી છે. ખાતાધારકોને આ મુશ્કેલી પડશેતેને વધુમાં કહ્યું હતું કે, બેંક બંધ રહેવાથી ખેડૂતોને મુશ્કેલી પડશે, એટલા માટે જે સરકાર વ્યાજ વળતર આપે છે એ 364 દિવસ સુધીમાં ભરપાઈ કરે એને મળે. જેની આજ દિવસોમાં મુદત પૂરી થતી હોય એ લોકોના વ્યાજ વળતરનું નુકસાન પડે, એટલા માટે ખેડૂતોને આ મુશ્કેલી પડશે. અને જે જનરલ ખાતા હોય તે લોકોનો રોજેરોજનો વહીવટ હોય, કોઈને ચૂકવવાના થતા હોય એટલે મુશ્કેલી તો પડશે. આ પણ વાંચો બે મહિના પહેલા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની જલાલપુર શાખામાં ઉચાપત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર સ્થિત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ખેડૂતોના પરસેવાની કમાણીના નાણાં બારોબાર ઉપાડી લેવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બેંકના કેશિયર દ્વારા આશરે 100થી વધુ ખાતેદારોના ખાતામાંથી અંદાજે ₹3થી 5 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ખેડૂતોએ ઢસા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કડક કાર્યવાહીની માગ કરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) શું છે સમગ્ર મામલો? જલાલપુર શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતો આનંદ નામનો કર્મચારી છેલ્લા ચાર મહિનાથી ખાતેદારોની પાસબુકમાં એન્ટ્રી પાડવાનું ટાળતો હતો. ગત 12 તારીખથી તે અચાનક બેંકમાં આવતો બંધ થઈ ગયો હતો. જ્યારે ખેડૂતોએ બેંકમાં તપાસ કરાવી, ત્યારે તેમના ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે ખેડૂતોએ કોઈ ચેક આપ્યો નથી કે ઉપાડની સ્લિપ પર સહી કરી નથી, છતાં ₹5 લાખથી લઈને ₹15 લાખ સુધીની રકમો બારોબાર ઉપાડી લેવામાં આવી છે. (સંપૂર્ણ અહેવાલ વાંચો)
સુરતના લિંબાયત વિસ્તારમાં ચારિત્ર્યની શંકા રાખી પતિએ પત્નીની કરપીણ હત્યા કરી નાખી છે, જ્યારે હીરાબાગમાં વર્ષો જૂના મંદિર પ્રવેશ વિવાદમાં કોર્ટે 9 શખસોને 3 વર્ષની સજા ફટકારી છે. બીજી તરફ, વેસુના ચકચારી સામૂહિક આપઘાત કેસમાં હાઈકોર્ટે આરોપી વૈભવ રૂંગટાની ધરપકડ પર સ્ટે આપી રાહત આપી છે. પોલીસ તપાસમાં સામે આવેલા તથ્યો મુજબ, મૃતક પરિવારે ભૂતકાળમાં થયેલા છેતરપિંડીના કેસો અને મિલકત વિવાદના દબાણને કારણે આ અગમ્ય પગલું ભર્યું હોવાનું જણાય છે. લગ્નના માત્ર આઠ મહિનામાં પતિએ પત્નીની હત્યા કરીસુરતના લિંબાયત વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં લગ્નના માત્ર આઠ મહિનામાં જ એક યુવતીનો સંસાર ઉજ્જડ થઈ ગયો છે. કૃષ્ણાનગર-1માં રહેતા જિતેન્દ્ર માલીએ તેની 19 વર્ષીય પત્ની ગીતાંજલિના ચારિત્ર્ય પર શંકા રાખીને ઘરમાં જ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. મૃતકાના ભાઈ મહેન્દ્ર માલીની ફરિયાદ અનુસાર, જિતેન્દ્ર સતત ગીતાંજલિ પર અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા રાખતો હતો અને આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. 9 માર્ચની સવારે ફરી આ મુદ્દે બોલાચાલી થતા આવેશમાં આવી જિતેન્દ્રએ પત્નીના જ દુપટ્ટાથી તેનું ગળું ટૂંપી દીધું હતું. લિંબાયત પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 'તમારે મંદિરમાં આવવું નહીં' કહી હુમલો કરનાર 9 શખસોને 3 વર્ષની કેદબીજી તરફ, વરાછાના હીરાબાગ વિસ્તારમાં આવેલા એક સમાજના મંદિરમાં પ્રવેશ અને નૈવેદ્ય ધરવા બાબતે થયેલા હુમલાના કેસમાં સુરત કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષ 2016માં બનેલી આ ઘટનામાં ફરિયાદી જ્યારે મંદિરમાં દર્શન કરવા અને નૈવેદ્ય ચઢાવવા ગયા હતા, ત્યારે આરોપી ચંદુ સોલંકી અને તેના સાથીઓએ તમારા ચઢાવાના પૈસા પણ નથી જોઈતા અને તમારે મંદિરમાં આવવું નહીં તેમ કહી અદાવત રાખી હુમલો કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ ક્રિષ્ણાબેન રાવલની ધારદાર દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટે નવ આરોપીઓ - ચંદુ સોલંકી, જયેશ સોલંકી, કલ્પેશ હરી, વિપુલ સોલંકી, ભરત સોલંકી, ધીરુ સોલંકી, ઉમેશ સોલંકી, અરવિંદ સોલંકી અને મનોજ સોલંકીને દોષિત ઠેરવી ત્રણ-ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. હાઈકોર્ટે વૈભવ રૂંગટાની ધરપકડ પર વચગાળાનો સ્ટે આપ્યોવેસુ વિસ્તારમાં ગત 24 ફેબ્રુઆરીએ બનેલા હેપ્પી એલિગન્સના સામૂહિક આપઘાત કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. વેપારી બાલમુકુંદ ખેતાન અને તેમના પરિવારના આપઘાત કેસમાં આરોપી વૈભવ રૂંગટાની ધરપકડ પર ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. તપાસ કરનાર અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલી પોલીસ એફિડેવિટ મુજબ, સ્યુસાઈડ નોટમાં મરનારની માતા અને બહેનનું નામ લખેલું હતું અને તેમની વચ્ચે મિલકતની વહેંચણી બાબતે તકરાર ચાલતી હતી. આ ઉપરાંત, મરનાર પર ભૂતકાળમાં પટના ખાતે થયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસોના દબાણને કારણે પરિવારે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આરોપીની મદદ અને સ્યુસાઈડ નોટના તથ્યોને ધ્યાને રાખી કોર્ટે આપી રાહતઆરોપી વૈભવ રૂંગટાના વકીલો સાગર શુક્લા અને પરેશ પંચાલે રજૂઆત કરી હતી કે વૈભવ તો મૃતક પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો અને ઘટનાના દિવસે તેણે જ સૌ પ્રથમ 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવારની વ્યવસ્થા કરી હતી. પોલીસ તપાસમાં પણ એ વાત સ્પષ્ટ થઈ છે કે મરનારની માતા વૃદ્ધ હોવાથી તેમની ધરપકડ કરાઈ નહોતી. હાઈકોર્ટે તપાસની આ વિગતો અને વકીલોની દલીલોને ધ્યાને રાખીને વૈભવ રૂંગટાની કવોશિંગ પિટિશનનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી તેની ધરપકડ ન કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં હવે કાયદાકીય પ્રક્રિયા કઈ દિશામાં જાય છે તેના પર સૌની નજર છે.
વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નોંધપાત્ર ખાલી જગ્યાઓ છે. સરકારના જવાબ મુજબ સામાજિક વિજ્ઞાનના કુલ 601 અને ગણિત-વિજ્ઞાનના 410 મળીને કુલ 1011 જગ્યાઓ ખાલી છે. દાહોદ જિલ્લામાં સૌથી વધુ સામાજિક વિજ્ઞાનના 122 અને ગણિત-વિજ્ઞાનના 152 જગ્યાઓ ખાલી છે, જ્યારે પંચમહાલમાં સામાજિક વિજ્ઞાનના 76 અને ગણિત-વિજ્ઞાનના 99, બનાસકાંઠામાં 66 અને 28, મહિસાગરમાં 30 અને 18 તથા છોટાઉદેપુરમાં 85 અને 27 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે જણાવ્યું હતું. આ ઉપરાંત નર્મદા, વલસાડ, નવસારી, ખેડા, અરવલ્લી, તાપી, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત, ડાંગ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ સામાજિક વિજ્ઞાન અને ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાનું સરકારના જવાબમાં સામે આવ્યું છે. જામનગર–દેવભૂમિ દ્વારકામાં 58 જર્જરિત અને 9 ઓરડા વિનાની શાળાઓરાજ્યના કેટલાક જિલ્લાઓમાં શાળાઓની ભૌતિક સુવિધાઓ અંગે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. મળતી માહિતી મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકાવાર કુલ 58 શાળાઓ જર્જરિત હાલતમાં છે, જ્યારે 9 શાળાઓમાં પૂરતા ઓરડાઓ જ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલ પરિસ્થિતિમાં અભ્યાસ કરવો પડે છે. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં 230 શાળાઓમાં કુલ 163 ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જે શિક્ષણ વ્યવસ્થાની મૂળભૂત સુવિધાઓ અંગે પ્રશ્નો ઉભા કરે છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે તાત્કાલિક મરામત તથા નવા ઓરડાઓના નિર્માણની માંગ ઉઠી રહી છે. ગુજરાત વિધાનસભાની બેઠકમાં ચર્ચા કરતાં કરતાં અનેક મુદ્દાઓએ રાજકીય રંગ લીધો. એક તરફ વિભાગોની માંગણીઓ પર સરકાર અને વિપક્ષ વચ્ચે તીવ્ર ટકરાવ જોવા મળ્યો તો બીજી તરફ ગૃહમાં કેટલીક મજેદાર અને રાજકીય ટિપ્પણીઓએ વાતાવરણ હળવું પણ બનાવી દીધું. દાંતા વિસ્તારમાં વીજળી મુદ્દે સરકારની સ્પષ્ટતાગૃહની શરૂઆતમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા 28 ફેબ્રુઆરીએ પૂછાયેલા પ્રશ્નને લઈને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી. તેમણે જણાવ્યું કે દાંતા તાલુકાના કપાસિયા ગામમાં વીજળી ન હોવાનો આક્ષેપ યોગ્ય નથી. સ્થળ તપાસમાં ખારી ગામમાં પૂરતો વીજ પુરવઠો મળી રહ્યો છે, જ્યારે જાંબા ગામને અમીરગઢથી વીજળી મળી રહી હોવાનું જણાવ્યું. રાણપુર બંગલા વિસ્તારમાં પણ વીજળી ઉપલબ્ધ હોવાનું કહેતા મંત્રીએ કોંગ્રેસના પ્રશ્નોને તથ્યવિહોણા ગણાવ્યા. ખાણ-ખનીજ મુદ્દે કોંગ્રેસનો આક્રમક અંદાજખાણ-ખનીજ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા. તેમણે જણાવ્યું કે મંજૂર કરાયેલી લીઝ છોડીને અન્ય જગ્યાએ ખોદકામ થતું હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ગૃહમાં કરાયેલા આ નિવેદનથી થોડો સમય માટે રાજકીય ગરમાવો જોવા મળ્યો. “ફાઇનલ મેચની ટિકિટ જ મળી નહીં!” – ભાજપ MLAની ગૃહમાં વેદનાચર્ચા દરમિયાન સૌથી રસપ્રદ ક્ષણ ત્યારે આવી જ્યારે ધરમપુરના ભાજપ ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમાં ફરિયાદ કરી કે તેમને ફાઈનલ ક્રિકેટ મેચ જોવા માટે ટિકિટ મળી નહોતી. તેમણે કહ્યું કે રમતગમત મંત્રી જયરામ ગામીતને પણ ટિકિટ માટે વિનંતી કરી હતી, છતાં વ્યવસ્થા થઈ શકી નહીં. આ વાત સાંભળીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દંડકને ટકોર કરી કે સભ્યોની આ ચિંતા અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ત્યારબાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ હળવા અંદાજમાં કહ્યું કે “આગામી વખત અહીં મેચ થશે ત્યારે તમામ ધારાસભ્યોને પરિવાર સાથે મેચ જોવા વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરાશે.” ઉદ્યોગ અને રોજગારી પર સરકારનો દાવોવિવિધ વિભાગોની ચર્ચા દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ભાજપના શાસનમાં વિશ્વના મોટા ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરવા આવે છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં અસરકારક ઉદ્યોગ નીતિ અમલમાં છે અને આત્મનિર્ભર ગુજરાત માટે 313 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2025-26માં 50 હજારથી વધુ યુવાનોને રોજગારી મળ્યાનો પણ તેમણે દાવો કર્યો. રાજ્યમાં અનેક GIDC ઉભી થઈ હોવાનું પણ તેમણે કહ્યું. ખાનગી શાળાઓની ફી મુદ્દે ગૃહમાં પ્રશ્નAAPના ધારાસભ્ય હેમંત આહિરે રાજ્યમાં ખાનગી શાળાઓ FRCના નિયમોનો ભંગ કરતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો. તેના જવાબમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે FRC કમિટી દ્વારા સતત ચકાસણી કરવામાં આવે છે. વધુ ફી લેવાઈ હોવાનો પુરાવો મળે તો દંડથી લઈને માન્યતા રદ કરવાની કાર્યવાહી થાય છે. અનામી ફરિયાદો પર પણ સરકાર કાર્યવાહી કરી રહી હોવાનું તેમણે કહ્યું. જમીન મુદ્દે કોંગ્રેસના આક્ષેપકોંગ્રેસના ડૉ. તુષાર ચૌધરીએ મહેસૂલ વિભાગની ચર્ચા દરમિયાન સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે જમીન ગુમાવનાર આદિવાસીઓને યોગ્ય ન્યાય મળતો નથી. તેમણે દાહોદમાં નકલી કલેક્ટર કચેરી પકડાયાનો ઉલ્લેખ કર્યો તેમજ કેટલાક કલેક્ટરો સામે ભ્રષ્ટાચારના આરોપોની પણ વાત કરી. આ આરોપો સામે મંત્રી જીતુ વાઘાણીએ વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે જો કોઈ માહિતી હોય તો સરકારને આપવી જોઈએ, સરકાર આવા અધિકારીઓ સામે પગલા ભરશે. ખાદી વેચાણ અને કુટિર ઉદ્યોગને પ્રોત્સાહનકુટિર ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ખાદીનું કુલ 683 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. સરકાર “વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ” યોજનાથી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપી રહી છે. નાના ઉદ્યોગોને લોન માટે મહત્તમ મર્યાદા 25 લાખ રૂપિયા સુધી વધારવામાં આવી છે અને માટીકામના કારીગરોને વૈશ્વિક બજારમાં યોગ્ય ભાવ મળે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ઉર્જા ક્ષેત્રે ‘ક્રાંતિ’નો સરકારનો દાવોઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગની ચર્ચામાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષમાં રાજ્યમાં ઉર્જા ક્ષેત્રે મોટો બદલાવ આવ્યો છે. જ્યોતિગ્રામ યોજના પછી રાજ્યના લગભગ 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચી છે અને છેલ્લા વર્ષોમાં 1 કરોડ નવા વીજ જોડાણ આપવામાં આવ્યા છે. ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ હબ બનાવવા સરકાર પ્રયત્નશીલ હોવાનું પણ તેમણે કહ્યું. ગૃહમાં ચર્ચા દરમિયાન કેટલીક મજેદાર ક્ષણો પણ જોવા મળીએક સમયે ભાજપના સભ્ય C.J. ચાવડા સરકારના વખાણ કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ કટાક્ષ કરતાં કહ્યું કે “ચાવડાને મંત્રી બનાવી દો.” તેના જવાબમાં ચાવડાએ કહ્યું કે “ઇમરાન તો બોલે પણ આપણે બોલાય નહીં.” બીજી તરફ ભાજપના સભ્ય જીતેન્દ્ર પટેલ માંગણીઓ પર બોલતા બોલતા વારંવાર બજેટ પર બોલતા રહ્યા, ત્યારે અધ્યક્ષે ટોકી કહ્યું કે “આપ માંગણીઓ પર બોલો, બજેટ પર નહીં.” અધ્યક્ષની નવી પ્રણાલીઅધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એક નવી પ્રણાલી પણ અપનાવી. વિભાગોની માંગણીઓની ચર્ચા બાદ ધારાસભ્યોને પોતાના મતવિસ્તારના પ્રશ્નો પૂછવાની તક આપવામાં આવી. અધ્યક્ષ સભ્યોને પ્રોત્સાહિત કરતાં કહેતા હતા કે “વાંચેલું ન બોલો, જે આત્મસાત કર્યું છે તે બોલો.”
સુરત મહાનગરપાલિકા અને UHCRCEના સંયુક્ત ઉપક્રમે આજરોજ 10 માર્ચ 2026ના રોજ ICCC ખાતે શહેરના આબોહવાકીય પડકારોનો સામનો કરવા અને 'અર્બન લિવબિલિટી' સુધારવા માટે એક વિશેષ વર્કશોપ ‘શેપિંગ સુરત’નું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ), ICLEI અને RUVISION થીંક લેબના પ્રતિનિધિઓ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ટેકનોલોજી પર ભારવર્કશોપ દરમિયાન કમિશનરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં હાલ 'Child Friendly City' અને 'Heat Resilient City' જેવા મહત્વના પ્રોજેક્ટ્સ કાર્યરત છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ટેકનોલોજી અને પાયલોટ પ્રોજેક્ટ્સના આધારે પુરાવા આધારિત નીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે હવે માત્ર શહેરની સીમાઓ પૂરતું મર્યાદિત ન રહેતા બારડોલી અને નવસારી જેવા આસપાસના વિસ્તારોને સાંકળીને એક સંકલિત આયોજન કરવાની તાતી જરૂરિયાત છે. જો તમામ વિભાગો સ્પર્ધા છોડીને એકબીજાના પૂરક બનીને કામ કરશે, તો જ સુરતને ખરા અર્થમાં રેસિલિયન્ટ શહેર બનાવી શકાશે. AI અને ડેટા સિસ્ટમનો ઉપયોગવર્કશોપમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી RUVISION થીંક લેબ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી વોર્ડ સ્તરે હવામાનની સચોટ આગાહી કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેનાથી પૂર, અતિવૃષ્ટિ કે પ્રદૂષણ જેવી આકસ્મિક સ્થિતિમાં નાગરિકોને સમયસર ચેતવણી આપી જાન-માલનું નુકસાન અટકાવી શકાય. ICLEIના પ્રતિનિધિઓએ આબોહવા પરિવર્તનના આર્થિક અને સામાજિક નુકસાનના આકલન માટે સચોટ ડેટા સિસ્ટમ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. આ સિસ્ટમ દ્વારા ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ક્લાયમેટ ફંડ મેળવવામાં પણ મદદ મળશે. મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓએ ભાગ લીધોUHCRCE દ્વારા સુરતની ભૌગોલિક સ્થિતિ મુજબ ‘હીટ એક્શન પ્લાન’ ના અમલીકરણ અને વિવિધ વિભાગોની ભૂમિકા વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરત મનપાના આરોગ્ય, ટાઉન પ્લાનિંગ, ફાયર, ટ્રાન્સપોર્ટ અને આઈ.એસ.ડી જેવા વિભાગો ઉપરાંત UNEP, SVNIT અને જાણીતી મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવી રાખવા અને ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર કચરાના ડુંગરો થતા અટકાવવા માટે એક મોટું અને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016'ને અનુરૂપ આગામી 3 વર્ષ માટે અંદાજે 30 લાખ મેટ્રિક ટન ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરવા માટે 277.26 કરોડના અંદાજોને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. વિવાદી એજન્સીના ભરોસે રહેવાને બદલે 'પ્લાન-B' તૈયારહાલમાં ખજોદ સાઈટ પર કચરાના નિકાલની કામગીરી જે એજન્સી સંભાળી રહી છે તે વિવાદોમાં ઘેરાયેલી છે. જો ભવિષ્યમાં આ એજન્સી કામગીરી બંધ કરે અથવા ટેકનિકલ કારણોસર અટકી પડે, તો આખું સુરત શહેર કચરાના ઢગલામાં ફેરવાઈ શકે છે. આ ગંભીર કટોકટીને ટાળવા માટે મનપા કમિશનર અને સ્થાયી સમિતિએ એડવાન્સ પ્લાનિંગ પર ભાર મૂક્યો છે. વિવાદી એજન્સીના ભરોસે બેસી રહેવાને બદલે મનપાએ નવું ટેન્ડર બહાર પાડવાની તૈયારી કરી લીધી છે. આંકડાની નજરે સુરતનો કચરો વૈજ્ઞાનિક ઢબે નિકાલથી પર્યાવરણને નુકસાન અટકશેઆ પ્રોજેક્ટ હેઠળ માત્ર કચરો એકઠો જ નહીં કરવામાં આવે, પરંતુ તેનું સાયન્ટિફિક પ્રોસેસિંગ કરવામાં આવશે. આનાથી જમીન પ્રદૂષણ અને દુર્ગંધની સમસ્યામાં ઘટાડો થશે. પાલિકાનો ઉદ્દેશ્ય ખજોદ સાઈટને ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી મુક્ત કરી તેને ગ્રીન બેલ્ટ તરીકે વિકસાવવાનો છે. 277 કરોડના ખર્ચે લેન્ડફિલ સાઈટના ભારણને ઘટાડવા માટે આધુનિક મશીનરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સ્થાયી સમિતિની મંજૂરી બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશેસ્થાયી સમિતિએ આ મસમોટા પ્રોજેક્ટના અંદાજોને લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે પણ જરૂર પડે ત્યારે વિલંબ કર્યા વગર તુરંત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી શકાય. આ એક પ્રકારે મનપાનું એડવાન્સ સિક્યુરિટી પ્લાનિંગ છે, જેથી શહેરમાં કચરાના નિકાલની વ્યવસ્થા એક મિનિટ માટે પણ ખોરવાય નહીં. સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર-1 જાળવી રાખવાનો પ્રયાસસુરત શહેર દેશમાં સ્વચ્છતા બાબતે અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા પાલિકા આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે. જો 30 લાખ મેટ્રિક ટન કચરાનો યોગ્ય નિકાલ થશે, તો ખજોદ વિસ્તારની આસપાસ રહેતા હજારો રહીશોને પણ કચરાની દુર્ગંધ અને પ્રદૂષણમાંથી કાયમી મુક્તિ મળશે.
સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ મહેકમ વિભાગ દ્વારા વહીવટી સરળતા ખાતર આરોગ્ય વિભાગમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ સિવાચન દ્વારા કરવામાં આવેલા સત્તાવાર હુકમ મુજબ, વિવિધ ઝોન અને વિભાગોમાં ફરજ બજાવતા કુલ 338 સેનિટરી સબ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમામ કર્મચારીઓએ તેમને ફાળવવામાં આવેલા નવા ઝોન કે વિભાગમાં તાત્કાલિક અસરથી કામગીરી સંભાળવાની રહેશે. જીતેન્દ્ર ઠાકોરભાઈ ચૌધરીને સેન્ટ્રલ ઝોનમાં નિમણૂકબદલીના આ આદેશમાં વેસ્ટ ઝોન (રાંદેર) માંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને અન્યત્ર ખસેડાયા છે. જેમાં આશિષકુમાર ગટુભાઈ નાઈકને માર્કેટ વિભાગમાં, ઈશ્વરભાઈ દેવાભાઈ આહિરને ન્યૂ ઈસ્ટ ઝોન (સરથાણા) માં અને જીતેન્દ્ર ઠાકોરભાઈ ચૌધરીને સેન્ટ્રલ ઝોનમાં નિમણૂક આપવામાં આવી છે. તેવી જ રીતે, સેન્ટ્રલ ઝોનમાંથી નિતિનકુમાર ચીમનભાઈ પટેલને સાઉથ ઝોન (ઉધના) માં અને રામચંદ્ર હર્ષદરાય રાણાને રસીકરણ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. નોર્થ ઝોન (કતારગામ) ના કર્મચારીઓ જેવા કે અબ્દુલમજીદ મોહમદ ભોજા અને પ્રકાશકુમાર કાશીરામ પ્રજાપતિને રસીકરણની કામગીરી સોંપાઈ છે. જ્યારે નરેન્દ્ર પ્રેમાભાઈ પટેલને વેસ્ટ ઝોન (રાંદેર) માં બદલી અપાઈ છે. રણધીરકુમાર ચૌહાણને સાઉથ વેસ્ટ ઝોનમાં મૂકવામાં આવ્યાવહીવટી તંત્રના આ ફેરફારમાં માત્ર ઝોન જ નહીં પરંતુ સ્પેશિયલ વિભાગોમાં પણ ફેરબદલ જોવા મળી છે. ડ્રેનેજ વિભાગના મહેન્દ્રસિંહ ભારતસિંહ મેઢાતને સેન્ટ્રલ ઝોનમાં અને રણધીરકુમાર નાગરભાઈ ચૌહાણને સાઉથ વેસ્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાંથી અનિલકુમાર ડાહ્યાભાઈ સુરતીને વેસ્ટ ઝોનમાં અને અમિતકુમાર ગંભીરસિંહ રાઠવાને સ્મીમેર હોસ્પિટલ ખાતે બદલી કરવામાં આવી છે. રસીકરણ વિભાગમાં ફરજ બજાવતા જ્યોતિકાબેન ભરતકુમાર ચૌહાણને સેન્ટ્રલ ઝોનમાં અને દિનેશકુમાર લાલજીભાઈ પરમારને નોર્થ ઝોનમાં ફરજ સોંપાઈ છે. નૈલેષકુમાર નાઈકની બદલી નોર્થ ઝોનમાં કરાઈઆ ઉપરાંત, લેપ્રસી (રક્તપિત્ત) અને વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ યુનિટમાં પણ ફેરફાર કરાયા છે. માર્કેટ વિભાગમાં ફરજ બજાવતા હર્ષદ ચંદ્રકાંત કરોડેને સાઉથ ઝોન-બી (સચિન) માં અને ભાવેશકુમાર ચંદુલાલ ચૌહાણને સેન્ટ્રલ ઝોનમાં ખસેડાયા છે. લેપ્રસી વિભાગમાંથી દિનેશભાઈ વાલજીભાઈ ગોહિલ અને નૈલેષકુમાર ઠાકોરભાઈ નાઈકની બદલી નોર્થ ઝોનમાં કરવામાં આવી છે. આ સમગ્ર આદેશની નકલ તમામ વિભાગીય વડાઓ અને મ્યુનિસિપલ કમિશનરના અંગત સચિવને જાણ અને અમલવારી માટે મોકલી દેવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં માનવ અને વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ સતત વકરી રહી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની એક વાડીમાં સિંહે હુમલો કરી ખેતમજૂર પરિવારના 5 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગે માનવભક્ષી સિંહને પાંજરે પૂરવા માટે 3 અલગ-અલગ ટીમો બનાવી ઓપરેશન શરૂ કર્યું છે. સમગ્ર ઘટનાક્રમમાણાવાવ ગામમાં આવેલી અનક લખુ વાળાની વાડીમાં મૂળ મધ્યપ્રદેશનો ખેતમજૂર પરિવાર મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન ખેતરમાં હાજર 5 વર્ષના બાળક ધવલ ઈશ્વરભાઈ કટારા પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહ બાળકને મોઢામાં દબાવીને દૂર સુધી ઢસડી ગયો હતો. પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરતા અને પાછળ દોડતા સિંહ બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને સ્થાનિક આગેવાનો મદદ માટે દોડી ગયા હતા. વન વિભાગની કાર્યવાહી: 3 ટીમો અને પાંજરા તૈનાતઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગીર પૂર્વના DCF વિકાસ યાદવે તાત્કાલિક અસરથી પગલાં લેવા સૂચના આપી છે. વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન, પાંજરા ગોઠવા સહિતના પગલાં લેવાયા છે: સર્ચ ઓપરેશન: સરસિયા રેન્જની મદદથી વન વિભાગની 3 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પાંજરા: સિંહને પકડવા માટે વાડી વિસ્તારમાં 3થી વધુ પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. લોક જાગૃતિ: વન વિભાગે સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને વન્યપ્રાણી દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. વધતા હુમલાઓ ચિંતાનો વિષયસૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં સિંહ-દીપડાની વધતી સંખ્યા સામે માનવ મૃત્યુના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. DCF વિકાસ યાદવે જણાવ્યું હતું કે, અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વન્યપ્રાણીને ઝડપથી પકડવા માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. કેરીના બગીચામાં રમતી બાળકીને સિંહણ ઉઠાવી ગઈગીરગઢડા તાલુકાનું છેવાડાનું શાણાવાંકિયા ગામમાં આજે બપોરના સમયે આંબાના બગીચામાં માતા સાથે કેરી વીણતી 8 વર્ષની બાળકીને સિંહણ ઉઠાવી ગઈ હતી. જેથી બાળકીની માતાએ હાથમાં પથ્થર લઈ પાછળ દોટ મૂકી હતી. તેમજ બૂમાબૂમ કરતા સિંહણે માસૂમને છોડી દીધી હતી. જોકે, બાળકીને ગંભીરઈજા પહોંચતા તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. માતાની નજર સામેથી પુત્રીને સિંહણ ઉપાડી ગઈઆ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર શાણાવાંકિયામાં ભૂતડાદાદા ધજા વિસ્તારમાં આવેલા આંબાના બગીચામાં જ વર્ષની રીવા મહેશ રામાણી આજે બપોરના સમયે તેની માતા મનીષાબેન સાથે આંબાના બગીચામાં રમતી હતી અને કેરી વીણતી હતી. એ વખતે બગીચામાં સિંહબાળ સાથે વસવાટ કરતી સીંહણ અચાનક આવી પહોંચી અને માતાની નજર સામેથી તેમની પુત્રી રીવાને સિંહણ ઉપાડી ગઈ હતી.
ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો
Air India hikes Fuel Surcharge: અમેરિકા ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર એરલાઈન કંપનીઓ પર પડી છે ત્યારે એર ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. ખાડી દેશોમાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય સ્થિતિને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ/વિમાનનુંબળતણ (ATF) ના ભાવમાં થયેલા તોતિંગ વધારાને પગલે કંપનીએ ભાવ વધારોનો નિર્ણય લીધો છે. જેની સીધી અસર હવે મુસાફરો પર પડશે. આ વધારો ત્રણ અલગ-અલગ તબક્કામાં લાગુ કરવામાં આવશે. કેમ અચાનક વધારો કરવામાં આવ્યો?

28 C