સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના આર્થિક રીતે નબળા અને શ્રમજીવી વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે તે હેતુથી ચલાવવામાં આવતી સુમન હાઈસ્કૂલોના સશક્તિકરણ માટે એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાજેતરમાં સુમન શાળા સેલ વિભાગ મારફતે એક દરખાસ્ત તૈયાર કરી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્તનો મુખ્ય વિષય સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ સુમન હાઈસ્કૂલોને રાજ્ય સરકાર તરફથી કાયમી ધોરણે ગ્રાન્ટની ફાળવણી કરાવવાનો છે, જેથી શાળાઓનું સંચાલન વધુ સુદ્રઢ અને આર્થિક રીતે સક્ષમ બની શકે. જો સરકાર તરફથી આર્થિક સહાય મળે તો પાલિકા પરનું નાણાકીય ભારણ ઘટશેહાલમાં સુરત શહેરમાં સુમન હાઈસ્કૂલ નંબર-1થી 29 કાર્યરત છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મેળવી રહ્યા છે. કમિશનરની દરખાસ્ત મુજબ માત્ર હાલની 29 શાળાઓ જ નહીં પરંતુ, ભવિષ્યમાં જે નવી સુમન હાઈસ્કૂલો શરૂ કરવામાં આવશે, તે તમામ માટે સરકાર પાસે કાયમી ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે. આ દરખાસ્ત પાછળનો મુખ્ય તર્ક એ છે કે, જો સરકાર તરફથી આર્થિક સહાય (ગ્રાન્ટ) મળે, તો પાલિકા પરનું નાણાકીય ભારણ ઘટશે અને સ્લમ વિસ્તારના ગરીબ વર્ગના બાળકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ અને સંસાધનો ઉપલબ્ધ કરાવી શકાશે. આ પ્રક્રિયાને વહીવટી રીતે વેગ આપવા માટે સુમન શાળા સેલના ખાતાધિકારીને વિવિધ સરકારી વિભાગો સાથે પત્રવ્યવહાર કરવા અને અન્ય જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવાની પણ જોગવાઈ રાખવામાં આવી છે. આ સમગ્ર મામલે અંતિમ નિર્ણય લેવા માટે અને લીધેલા નિર્ણયો પર અમલ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવા બાબતની દરખાસ્ત હવે સ્થાયી સમિતિ મારફતે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી છે.
વડોદરામાં ગત રોજ ભારત ન્યૂઝીલેન્ડ મેચ બાદ ઠેર ઠેર જીતની હવે ઉજવણી કરવામાં આવી રહી હતી. દરમ્યાન સમા વિસ્તારમાં ડી જે ના તાલે ઉજવણી કરી રહેલા કેટલાક પ્રશંસકોને પોલીસે ધ્વનિ પ્રદૂષણ સંદર્ભે કોલ મળતા સાઉન્ડ બંધ કરવાનું જણાવ્યું હતું. આ દરમિયાન પોલીસકર્મી સાથે ફરજમાં રૂકાવટ કરનાર ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પરમિશન વગર જાહેરમાં ડી.જે. વગાડીને નાચગાન કર્યુંગત રાત્રે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ હોવાથી વિસ્તારમાં વધારાનો બંદોબસ્ત ગોઠવાયો હતો. રાત્રિના સમયે બે મોબાઈલ વેનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અભિલાષા ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે જાહેર માર્ગ પર કેટલાક લોકો મોડી રાત્રે કોઈપણ જાતની પરમિશન વગર જાહેરમાં ડી.જે. વગાડીને નાચગાન કરી રહ્યા હતા. પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરવામાં આવીઆ દરમિયાન પોલીસકર્મીએ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાથી ડી.જે. બંધ કરવા જણાવતાં આરોપીઓએ વિરોધ કર્યો અને કહ્યું કે, ડી.જે. બંધ નહીં થાય, હજુ પાંચ ગીત વાગશે ત્યારે જ બંધ થશે. તમને ડી.જે. બંધ કરવાની વર્ધી કોણે આપી છે? તેનું નામ જણાવો. અહીં કોઈ પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો નથી, કોઈ ચોરી કે રેપ થયું નથી, અમે આતંકવાદી નથી, આ ભારત વિરોધી વાત નથી. આરોપીઓએ પોલીસ કર્મચારીઓની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી, વિરોધ કર્યો અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આમ પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરવામાં આવી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરીઆ ઘટના અંગે સમા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે જીતેન્દ્ર મધુભાઈ સોલંકી (રહે. ડી-135, સુંદરવન સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા શહેર ), યજ્ઞેશ મનુભાઈ પટેલ, (રહે. બી-23, સાહેબ કૃપા સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા શહેર),દેવેન મનુભાઈ જયસ્વાલ, રહે. બી-13, સાહેબ કૃપા સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા શહેર ) ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શહેરની બે જાણીતી ગ્રાન્ટેડ શાળાઓને પાલિકા સંચાલિત સુમન શાળાઓમાં તબદીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ફેરફાર અંતર્ગત આઈ.પી. સવાણી હાઈસ્કૂલ અને વી.ડી. દેસાઈ વાડીવાલા માધ્યમિક શાળા હવે સુરત મહાનગરપાલિકાના વહીવટ હેઠળ આવશે. આ શાળાઓના સંચાલક ટ્રસ્ટીઓએ સ્વેચ્છાએ પોતાની શાળાઓને સુમન શાળાઓમાં રૂપાંતરિત કરવા માટે સંમતિ દર્શાવી છે અને તે અંગેના જરૂરી એફિડેવિટ તથા ઠરાવો પણ કરી દેવામાં આવ્યા છે. આ પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાન્યુઆરી 2026માં મ્યુનિસિપલ કમિશનર અને મેયરને પત્રો પાઠવીને જાણ કરવામાં આવી હતી, જેના આધારે હવે સુમન શાળા સેલ દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શાળાઓનું સંપૂર્ણ સંચાલન સુરત મનપા કરશેનવી વ્યવસ્થા મુજબ આ શાળાઓનું સંપૂર્ણ સંચાલન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને પાલિકા જ તેના મુખ્ય ટ્રસ્ટ તરીકે કાર્ય કરશે. જોકે, આ શાળાઓ ગ્રાન્ટેડ હોવાથી તેમાં કાર્યરત શિક્ષકોનો પગાર અને વાર્ષિક ગ્રાન્ટ સરકાર દ્વારા જ ચૂકવવામાં આવશે, જે પાલિકા માટે આર્થિક રીતે રાહતરૂપ રહેશે. આ ઉપરાંત, આ શાળાઓના વર્તમાન શૈક્ષણિક મહેકમને પણ સુમન શાળા સેલમાં સમાવી લેવામાં આવશે, જેથી વર્ષોથી સેવા આપતા શિક્ષકોની નોકરી પર કોઈ વિપરીત અસર ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. શાળાઓના નાણાકીય વ્યવહારો માટે નવા બેંક એકાઉન્ટ ખોલાવવાની પણ મંજૂરી માંગવામાં આવી છે. શાળાના ભવન અને નામમાં ફેરફાર સૂચવાયાઆ ફેરફારમાં શાળાઓના ભવન અને નામમાં પણ મોટા ફેરફારો સૂચવવામાં આવ્યા છે. વરાછા વિસ્તારની આઈ.પી. સવાણી હાઈસ્કૂલને પુણા ખાતેની ટી.પી. સ્કીમ નં. 20, ફાઈનલ પ્લોટ નં. 181 પર તૈયાર થનારા નવા ભવનમાં સુમન હાઈસ્કૂલ નં. 30 ગુજરાતી માધ્યમ તરીકે સ્થાનાંતરિત કરવામાં આવશે. તેવી જ રીતે, અડાજણ વિસ્તારની વી.ડી. દેસાઈ વાડીવાલા માધ્યમિક શાળાને જહાંગીરાબાદ ખાતેની ટી.પી. સ્કીમ નં. 44, એફ.પી. 54 પર સુમન હાઈસ્કૂલ નં. 31 ગુજરાતી માધ્યમ તરીકે ખસેડવામાં આવશે. આ સ્થળ અને નામ ફેરફાર માટે જરૂરી તમામ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુમન શાળા સેલના ખાતાધિકારીને અધિકૃત કરવાની દરખાસ્ત મુકવામાં આવી છે.
ભાવનગર રોડ શિવાજીનગરમાં રહેતાં લાલજીભાઇ રાજેશભાઇ ચાવડા (ઉ.વ.39) નામના યુવાને રાતે 11 વાગ્યે ઘરે છતના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ 108ને કરતા 108ના ઇએમટીએ તપાસી મૃત જાહેર કરતાં થોરાળા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લાલજીભાઇ છુટક મજુરી કરતાં હતાં અને તેમને સંતાનમાં બે દિકરા છે. ઘરના સભ્યો નીચેના રૂમમાં હતાં ત્યારે લાલજીભાઈ ઉપરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જો કે આપઘાતનું કારણ સામે ન આવતાં પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં મવડી વિસ્તારમાં રામધણ આશ્રમ પાછળ શ્રીનાથજી પાર્કમાં રહેતા ભાવનાબેન અલ્પેશભાઇ કાકડીયા (ઉ.વ.54)એ સવારે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભાવનાબેન ઘણા સમયથી થાઇરોઇડની બિમારીથી પીડાતા હતા જેનાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. ભાવનાબેનના પતિ અલ્પેશભાઇ કોન્ટ્રાકટર છે અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું છે. હાલ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી ધરી છે. પત્ની સહિતના સાસરિયાઓના ત્રાસથી કંટાળી હોમગાર્ડ જવાનનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસઘંટેશ્વર પાસે આવેલી અમરનાથ સોસાયટીમાં રહેતા બંસીભાઇ રાજેશભાઈ રાજ્યગુરુ નામના યુવાને નવી કોર્ટ પાસે ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે જે પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની નોકરી કરે છે. તેમને આક્ષેપ કર્યો હતો કે, તેમના લગ્ન 8 વર્ષ પહેલા પૂજા નામની યુવતી સાથે થયા હતા. પૂજા લગ્ન કર્યા બાદ એક વર્ષ સારી રીતે રહ્યા બાદ અવાર નવાર માનસિક ત્રાસ આપતી અને ઝઘડો કરી રીસામણે જતી રહેતી હતી તેમજ સાત વર્ષથી પત્ની અને સાસરિયાંઓ ત્રાસ આપે છે અને છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતા જેથી કંટાળી જઈ પગલું ભરી લીધુ હતુ. હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. 'બીજાના પહેરેલા કપડાં નહીં પહેરવાના' કહીં પતિએ ઠપકો આપતા પરિણીતાએ ફીનાઇલ પી લીધુભીડભંજન સોસાયટીમાં રહેતી મહેક અજયભાઈ રંગપરા (ઉ.વ.25) નામની પરિણીતાએ પોતાના ઘરે ફીનાઇલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. મહેકના પતિ ડ્રાઇવિંગ કામ કરે છે અને તે બીજાના કપડા પહેરવા માટે લાવી હતી જેથી પતિએ તેમને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તારે બીજાના કપડા પહેરવા નહીં નવા કપડાં લઈ આવીશું અને તને હમણાં જ જન્મદિવસ પર પચાસ હજાર રૂપિયાનો મોબાઈલ લઈ આપ્યો છે તો આપણે શા માટે બીજાના કપડા પહેરવા જોઈએ જેથી મહેકને લાગી આવતા તેમણે આ પગલું કરી લીધું હતું હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ સિલેક્શન કમિટી આજે 9 માર્ચના રોજ મળી હતી. પ્રિન્સિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર તરીકે ની નિમણૂક હાલ પૂરતી બાકી રાખવામાં આવી છે.સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા ઇજનેર વિભાગમાં બે અધિકારીઓને નિમણૂક આપી છે જ્યારે એસ્ટેટ વિભાગમાં એસ્ટેટ ઓફિસર તરીકે હાલના ઇન્ચાર્જ એસ્ટેટ ઓફિસરને કાયમી એસ્ટેટ ઓફિસર તરીકે નિમણૂક આપી છે. ચાર જેટલા આસિસ્ટન્ટ સીટી સીટી ઇજનેર તરીકે ભરતી આપવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી ઇજનેર વિભાગના ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે ત્યારે વધુ એક ઇજનેર વિભાગના અધિકારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરતા આગામી એક જૂનથી સ્વૈચ્છિક નિવૃત્તિને મંજૂરી આપવામાં આવી છે. સિટી ઈજનેર તરીકે વિજય પટેલની નિમણૂકમ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય સમયથી ઇજનેર વિભાગમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં વોટર રિસોર્સ મેનેજમેન્ટ (WRM)માં ઇજનેરની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી જેમાં અલગ અલગ ઉમેદવારો દ્વારા ભરતી કરવામાં આવી હતી. જોકે હાલમાં ઇન્ચાર્જ સીટી ઇજનેર તરીકે ફરજ બજાવતા વિજયકુમાર પટેલ દ્વારા પણ વિધિવત ભરતીમાં ભાગ લેવામાં આવ્યો હતો અને આજે મળેલી સ્ટાફ સિલેક્શન કમિટીમાં વિજયકુમાર પટેલને જ સીટી ઇજનેર તરીકે નિમણૂક આપવામાં આવી છે. ઇજનેર ખાતામાં એડિશનલ સીટી ઇજનેર તરીકે અનુસૂચિત જનજાતિના અનામત સીટ પર ઉમેદવાર લેવાના હતા જેના માટે ઓનલાઇન જાહેરાત મંગાવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં વોટર વિભાગમાં ફરજ બજાવતા જગદીશ અસારીએ પણ ફોર્મ ભર્યું હતું. મૌખિક ઇન્ટરવ્યૂના આધારે હાલમાં એડિશનલ સીટી ઇજનેર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. ઇજનેર વિભાગમાં બે અધિકારીઓને ઓનલાઈન ફોર્મ ભરી અને મૌખિક ઇન્ટરવ્યૂના આધારે લેવાના હતા જેમાં હાલમાં જ ઇજનેર વિભાગમાં ફરજ બજાવતા બંને અધિકારીઓને કાયમી તરીકે જે તે હોદ્દા ઉપર લઈ લેવામાં આવ્યા છે. કાયમી એસ્ટેટ ઓફિસર તરીકે હિતેન્દ્ર મકવાણામ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં એસ્ટેટ ઓફિસર તરીકેની જગ્યા ખાલી પડી હતી. જેને બઢતીથી ભરવાની હતી જેથી ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકે અને હાલમાં ઇન્ચાર્જ એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હિતેન્દ્ર મકવાણા ને કાયમી એસ્ટેટ ઓફિસર તરીકે નિમણુક આપવામાં આવી છે. એસ્ટેટ વિભાગમાં હવે કાયમી એસ્ટેટ ઓફિસર તરીકે હિતેન્દ્ર મકવાણા ચાલુ રહેશે. ઇજનેર વિભાગમાં સીટી ઇજનેર અને એડિશનલ સિટી ઇજનેર જેવા ઉચ્ચ હોદ્દા પર જ બજાવતા અધિકારીઓ હવે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે. તાજેતરમાં જ સીટી ઇજનેર તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ ઝાલા દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરવામાં આવી હતી ત્યારે હવે ઇજનેર વિભાગમાં રોડ એન્ડ પ્રોજેક્ટ વિભાગના એડિશનલ સીટી ઇજનેર તરીકે ફરજ બજાવતા શાહ દ્વારા પણ સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી હતી અને તેની મંજૂરી માંગવામાં આવી હતી જેથી આગામી એક જુન 2026 થી તેઓ ઓફિસર બાદ નિવૃત્ત થશે જેની પણ મંજૂરી સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગમાં ડેપ્યુટી સીટી ઇજનેરની ચાર જગ્યા ખાલી પડી છે જેથી તેને બઢતીથી ભરવા માટે આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા ચાર જેટલા અધિકારીઓને બઢતી આપી અને ડેપ્યુટી સીટી ઇજનેર તરીકે નિમણૂક આપવામાં આવી છે. આજે સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા ઇજનેર વિભાગ અને એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓને નિમણૂક આપવામાં આવી છે. જોકે એક અધિકારી દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ માંગવામાં આવતા તેને મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટાફ સિલેક્શન કમિટીમાં ડાયરેકટર ઓફ પાર્કસ એન્ડ ગાર્ડન માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ભરૂચ GNFCમાં બોઇલરની ગરમ રાખથી 8 કામદારો દાઝ્યા:તમામને કંપનીની હોસ્પિટલમાં સારવાર અપાઈ
ભરૂચ સ્થિત સરકારી GNFC કંપનીમાં કામગીરી દરમિયાન અકસ્માત સર્જાતા 8 કામદારો દાઝી ગયા હતા. આ ઘટનાને પગલે કંપની પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, પ્લાન્ટમાં ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન બોઇલરમાંથી અચાનક ગરમ રાખ ઉડી હતી. આ સમયે નજીકમાં કામ કરી રહેલા 8 કામદારો તેના સંપર્કમાં આવતા દાઝી ગયા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક સારવાર માટે GNFCની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક કામદાર મોઢાના ભાગે દાઝી ગયો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય કામદારોને મુખ્યત્વે પગના ભાગે દાઝવાની ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવશે. આ ઘટનાને પગલે કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. અંગ્રેજી ભવનમાં પ્રોફેસર ડો. કમલ મહેતાએ અંગ્રેજી વિષયની બોર્ડ ઓફ સ્ટડીઝ, એકેડેમીક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાંથી રાજીનામું આપી દીધુ છે. જેનું કારણ આપતા અધ્યાપકે કહ્યું કે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં કોંગ્રેસના નેતા ડૉ. નિદત બારોટના બહેનને કાયમી કરતા પહેલા તેમની ભરતી ખોટી રીતે થઈ હોવાનું કુલપતિને ધ્યાન દોરતા કોંગી નેતા બારોટે મારી સામે નિમ્ન સ્તરના આક્ષેપો કર્યા. જો સત્તા મંડળમાં કોઈ બાબતે કુલપતિને ધ્યાન દોરવામાં આવે તો આ પ્રકારના આક્ષેપો થતા હોય તો તેમાં રહીને શિક્ષણનો ઉધ્ધાર નહીં થાય તેમ વિચારી રાજીનામું આપ્યું છે. યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર ડૉ. કમલ મહેતાએ જૂની તારીખોમાં રિસર્ચ પેપર છપાવી નાખ્યા હોવાનો આક્ષેપ કોંગી નેતા અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડૉ.બારોટ દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ ડૉ.મહેતાએ પણ ડૉ.બારોટને રાક્ષસ ગણાવતા વાક યુધ્ધ ખેલાયું હતુ. જોકે આ વચ્ચે ડૉ. મહેતાએ સત્તા મંડળની ત્રણેય બોડીમાંથી રાજીનામું ધરી દીધું છે. જે બાદ ડૉ. મહેતાએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં પ્રોબેશન પર રહેલા એસોસીએટ પ્રોફેસરોને કાયમી કરવાનો મુદ્દો આવ્યો હતો. જે અંગે મેં મારો અતિપ્રાય આપ્યો હતો કે સભ્ય ડૉ. બારોટના બહેન ડૉ.શ્રધ્ધાબેનની ભરતીને લઈ વિવાદ થયો હતો. તેમનો અનુભવ પૂર્ણ ન થયો હોવાથી તેમને કાયમી કરતા પહેલા ચકાસી લેવા કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને ધ્યાન દોર્યું હતુ. જોકે તે બાદ મારી સામે ડૉ. બારોટે આક્ષેપો શરૂ કર્યા. યુનિવર્સિટીના મુખ્ય હાઉસ ગણાતા સતામંડળમાં જો કઈ બોલવાથી બદનામી થતી હોય અને ખોટા આક્ષેપો થતા હોય તો આ પ્રકારના સત્તા મંડળમાં રહેવાનો કોઈ અર્થ નથી. જેથી મેં રાજીનામું આપ્યુ છે. નોંધનીય છે કે, ગત તા.2 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ.નિદત બારોટે કુલસચિવને કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કુલપતિ દ્વારા ડૉ. કમલ મહેતાની નિયુક્તિ કરવામાં આવી છે. આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી મને મળેલી RTI ની માહિતીમાં જે વિગત મળી છે. તેમાં ડૉ.કમલ મહેતા દ્વારા પ્રકાશિત સંશોધન પત્રો અને અન્ય પ્રકાશનોની યાદી સામેલ છે. આ યાદી કમલ મહેતા એ પોતે સહી કરીને યુનિવર્સિટીમાં આપેલી છે. જે RTI દ્વારા મને મળી છે. તેમણે પ્રસિદ્ધ કરેલ રિસર્ચ પેપર્સની યાદી ચકાસતા, નીચે મુજબની બાબતો ઉડીને આંખે વળગે છે. જેમકે તેમણે પ્રસિદ્ધ કરેલા સંશોધન પત્રો વર્ષ 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021, 2022 આમ દર વર્ષે એક Vidhyayana નામના ઓનલાઈન જર્નલમાં પ્રસિદ્ધ થયા છે. આપની પહેલાના કુલપતિ ડૉ. નીલાંબરી દવે દ્વારા કમલ મહેતાને EC માટે લાયક ગણ્યા ન હતા અને તેમાં કારણ આપવામાં આવ્યું હતું કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં રિસર્ચ પેપર ISSN વાળા જર્નલમાં પ્રસિદ્ધ થયેલ નથી. આમ કમલ મહેતાના રિસર્ચ પેપર ISSN જર્નલમાં કેવી રીતે આવ્યા તે જાણવું જરૂરી લાગતા તેનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું અને આ ટેકનિકલ એનાલિસિસને તપસતા નીચે મુજબની બાબતો ધ્યાનમાં આવી છે. 1. બધા જ પેપરને ડાઉનલોડ કરીને તપસતા પહેલી દ્રષ્ટિએ આ પેપર વર્ષ 2014 થી 2022 દરમિયાન પ્રસિદ્ધ થયાં હોય તેવું દેખાય છે પરંતુ PDF ડોક્યુમેન્ટની પ્રોપર્ટી જોવામાં આવે તો આ બધા જ પેપર તા.30/12/2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યા હોય તેનો આધાર Vidhyayana ની વેબસાઇટ ઉપરથી જ મળી શકે છે. 2. જર્નલના ઇન્ડેક્સમાં કમલ મહેતાનું નામ દેખાતું નથી કારણ કે જ્યારે જર્નલ પ્રસિદ્ધ થયું ત્યારે તેમનું પેપર નહતું. પાછળથી પેપર અપલોડ કરાતા તેમનું નામ ઇન્ડેક્સમાં નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે IQAC દ્વારા દર વર્ષે NAAC, ને મોકલવાનો થતો AQAR બનાવેલો હોય છે. આ AQAR માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક અધ્યાપકે પોતે કરેલા સંશોધન સંબંધી વિગતો આપવાની હોય છે. આ વિગતોને આધારે યુનિવર્સિટી દ્વારા મૂલ્યાંકન માટે SSR તૈયાર કરવામાં આવે છે. કમલ મહેતા દ્વારા 2014 થી 2022 સુધીના આ પેપરનો ઉલ્લેખ AQAR માં કરવામાં આવેલ છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈએ. કોઈપણ પ્રોફેસર માટે સિનિયર પ્રોફેસરનું પ્રમોશન મેળવવાના ખોટા ઈરાદાથી, જૂની તારીખમાં સંશોધન પત્રો છપાવવા, તેની વિગત યુનિવર્સિટીમાં રજૂ કરી, પ્રમોશન મેળવવાનો પ્રયાસ કરવો તે અતિ ગંભીર ક્રિમિનલ ગુન્હો છે. રાજ્ય સરકાર પાસેથી ખોટી રીતે વધારાનો આર્થિક લાભ લેવા માટે કરવામાં આવેલું સમજણ પૂર્વકનું ષડયંત્ર છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તા મંડળમાં સભ્ય થવા માટે આપવામાં આવેલા આ ખોટા સંશોધન પત્રોનો ઉપયોગ એ માત્ર ગુનાહિત કૃત્ય નથી પરંતુ ખોટી રીતે લાયક ન હોવા છતાં, કુલપતિને છેતરી ને, સત્તા મંડળમાં સભ્ય બનવા માટેનું જાણી જોઈને કરેલી ગુનાહિત પ્રવૃતિ છે. આગામી દિવસોમાં સિનિયર પ્રોફેસરોના CAS ના ઈન્ટરવ્યૂ થનાર છે. મારી આ ફરિયાદને કમલ મહેતાના ખોટી રીતે સિનિયર પ્રોફેસર થવાના પ્રયાસને અટકાવી, રાજ્ય સરકારને થનાર લાખો રૂપિયાના નુકશાનને અટકાવવું જોઈએ તેવી માંગણી ગણવી. મહેતાની EC માં કરેલી નિયુક્તિને તાત્કાલિક સ્થગિત કરવા માંગણી છે. મારી ફરિયાદ સંદર્ભે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત જિલ્લામાં ફરજ બજાવતા 9 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. આ ફેરબદલને પગલે પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે અને તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ચાર્જ સંભાળવા સૂચના અપાઈ છે. બદલીની વિગતો મુજબ લીવ રીઝર્વમાં રહેલા વાય.બી. રાણાને હવે જૂનાગઢ શહેરના મહત્વના ગણાતા બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે બી-ડીવીઝનમાં અત્યાર સુધી ફરજ બજાવતા જે.જે. પટેલની બદલી માંગરોળ ખાતે કરવામાં આવી છે. તેવી જ રીતે માંગરોળમાં કાર્યરત એસ.કે. દેસાઈને હવે જૂનાગઢના એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિમણૂક આપવામાં આવી છે. ધાર્મિક અને પ્રવાસન દ્રષ્ટિએ મહત્વના એવા ભવનાથ પોલીસ સ્ટેશનમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. મેંદરડાના પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. સરવૈયાની બદલી ભવનાથ ખાતે કરવામાં આવી છે. ભવનાથમાં ફરજ બજાવતા એમ.સી. પટેલને શીલ ખાતે મોકલવામાં આવ્યા છે. આ સાથે જ શીલના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. રાઠોડની બદલી હવે મેંદરડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.અન્ય ફેરફારોમાં લીવ રીઝર્વમાં રહેલા આર.એ.ચૌધરીને ભેંસાણ ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ભેંસાણથી આર.પી. વણઝારાની બદલી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જ્યારે ટ્રાફિક પોલીસ સ્ટેશનના એચ.કે. હુંબલને લીવ રીઝર્વમાં મૂકવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓએ પોતાની નવી નિયુક્તિના સ્થળે હાજર થઈને તે અંગેનો વિગતવાર અહેવાલ પોલીસ અધિક્ષકની કચેરીને તાત્કાલિક મોકલી આપવા આદેશમાં જણાવાયું છે.
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. સુરતના ગોથાણ ગામ ખાતે આયોજિત ભવ્ય 'બૂથ ક્ષેત્રીય સંમેલન'માં તેમણે કાર્યકરોને જીતનો મંત્ર આપી રાજ્યમાં ચૂંટણીલક્ષી રણનીતિના વિધિવત શ્રીગણેશ કર્યા હતા. દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં શક્તિપ્રદર્શનઆ સંમેલનમાં કેજરીવાલની સાથે પક્ષના તમામ મોટા ગજાના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. જેમાં મુખ્યત્વે0ચૈતર વસાવા (ધારાસભ્ય અને આદિવાસી નેતા) ગોપાલ ઇટાલિયા (ધારાસભ્ય અને સ્ટાર પ્રચારક), ઈસુદાન ગઢવી (પ્રદેશ પ્રમુખ) અને ગોપાલ રાય (દિલ્હીના કેબિનેટ મંત્રી) સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકર્તાઓને સંબોધતા કેજરીવાલે સંવાદ સાધ્યો હતો અને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આઝાદીની લડાઈથી લઈ અને આમ આદમી પાર્ટીની લડાઈ સુધીના અનેક દાખલાઓ આ સભામાં ગોપાલ ઇટાલિયાએ વિવાદિત નિવેદન કરતા જણાવ્યું હતું કે, સત્તામાં બેઠેલો માણસ ઉંચી ખુરશી પર બેઠો હોય એટલે એને એમ લાગે કે નાના માણસો કંઈ નહીં કરી શકે, આ તો સામાન્ય માણસ છે, સામાન્ય ખેડૂત છે, સામાન્ય મજૂરી કરતો વ્યક્તિ છે, આ કંઈ નહીં કરી શકે એવું ગાંધીનગરની ઉંચી ખુરશી પર બેઠેલા ભાજપવાળાને લાગતું હોય પણ સામાન્ય માણસ આ દેશમાં શું કરી શકે ને તે આઝાદીની લડાઈથી લઈ અને આમ આદમી પાર્ટીની લડાઈ સુધીના અનેક દાખલાઓ આપણી નજર સામે છે. હું મારા દેશને આઝાદ કરાવીને રહીશદેશમાં અંગ્રેજોની હકુમત હજારો વર્ષો સુધી એમની સરકારો ચાલી અને ગોળીઓ-બંદૂકના ડરથી એમણે શાસન ચલાવ્યું પણ એક સામાન્ય દેશનો નાગરિક ઉભો થયો અને કીધું કે, હું મારા દેશને આઝાદ કરાવીને રહીશ. અંગ્રેજોની ગોળીમાં શું તાકાત છે એ અમારી છાતી અમે બતાવીને જોઈ લઈશું ત્યારે જઈને દેશમાં આઝાદી આવી. અને એટલે એવું કહેવાય છે કે નાનો માણસ જે ધારે એ થાય, પણ નાનો માણસ ધારે તો! આ જ દેશના, ગુજરાતના કરોડો નાના માણસોને વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે. આ આમ આદમી પાર્ટીના મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો શા માટે લડાઈ લડે છે? કલેક્ટર-એસપીને 5 લાખ ખવડાવો એટલે કામ કરવા માંડેગોપાલભાઈ કે ચૈતરભાઈ કે ઈસુદાનભાઈ કે અમારા તમામ આગેવાનો... જેટલી શક્તિ, જેટલી બુદ્ધિ, જેટલું બળ ભાજપ સામે લડવામાં લગાવે છે એના કરતા અડધી બુદ્ધિ અને અડધું બળ ભ્રષ્ટાચાર કરવામાં લગાવે તો અત્યારે ક્યાંયના ક્યાંય થઈ જાય એવા સક્ષમ માણસો છે. ચૈતરભાઈ કે હું અત્યારે રાજકારણ છોડી દઈએ અને વેપાર ધંધામાં લાગી જઈએ તો સારામાં સારા રૂપિયા કમાઈએ, ઈજ્જતથી જીવીએ અને કમાયેલા રૂપિયા ભાજપવાળાને કે એને ત્યાં નોકરી કરતા બે-ચાર સાહેબોને ખવડાવી-પીવડાવીએ તોય આપણું બહુ વજન પડ્યા કરે. કલેક્ટરોને 5 લાખ ખવડાવો, એસપી-ડીએસપીને ખવડાવો એટલે તમેય જાણો છો ને હુંય જાણું છું કે કેવું કામ કરવા માંડે. તો શા માટે હેરાનગતિ ભોગવવી? જેલ શા માટે? અમે વેપાર કરીએ, કરોડો કમાઈએ, થોડાક કલેક્ટરને, થોડાક મામલતદારને, થોડાક ધારાસભ્યને કવર મોકલાવીએ અને મજા-મજાનું જીવન જીવી શકીએ એમ છીએ કે નહીં? કયો જોઈએ બધા. ક્યો ભાઈ, મજા-મજાનું એવું જીવન જીવી શકીએ એમ છીએ કે નહીં? (લોકો: હા!) હું વકીલ છું, હાઈકોર્ટમાં વકીલાત કરું, વર્ષે કરોડો રૂપિયા કમાઈએ અને થોડું ઘણું કવર નીચેથી આપ્યા કરીએ તો જિંદગીમાં મારા ઉપર એકેય એફઆઈઆર થાય? ચૈતરભાઈ પર થાય એકેય એફઆઈઆર? ન થાય! ભાજપ અને હર્ષ સંઘવી, સી.આર. પાટીલ પર આકરા પ્રહારોકાર્યક્રમ દરમિયાન 'આપ'ના નેતાઓએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી નિશાને લેતા કેજરીવાલ અને અન્ય નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ભાજપ સરકારને ઘેરી હતી. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ કર્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'આપ' પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને તેની શરૂઆત સુરતથી થઈ ચૂકી છે. ગોથાણ ખાતેના આ સંમેલનથી પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો સુરત એ આમ આદમી પાર્ટી માટે ગુજરાતનો ગઢ ગણાય છે. ગોથાણ ખાતેના આ સંમેલનથી પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ આગામી પાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને સીધી ટક્કર આપવા તૈયાર છે. કાર્યકરોમાં જોવા મળેલો ઉત્સાહ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારોના સંકેત આપી રહ્યો છે. ખેડૂતો ખૂબ જ નારાજ છે અને આ વખતે ગુસ્સામાં છેઅરવિંદ કેજરીવાલે સુરતમાં પોતાના સંબોધનની શરૂઆત કેમ છો? મજામાં?થી કરી હતી અને જણાવ્યું હતું કે, આજે તમારી વચ્ચે આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. હમણાં છેલ્લા ૧૦-૧૨ દિવસથી અમારા નેતા પ્રવીણ રામ, મનોજ સોરઠીયા અને ઈશુદાન ગઢવી સોમનાથ ભગવાનના ત્યાંથી ગામે-ગામ પદયાત્રા કાઢી રહ્યા છે. જે-જે ગામોમાં તેઓ ગયા, ત્યાં હજારો ખેડૂતોને મળ્યા. ખેડૂતો ખૂબ જ નારાજ છે અને આ વખતે ગુસ્સામાં છે. જ્યાં પણ તેઓ ગયા, લોકોએ એક જ વાત કહી: આ વખતે બોટાદનો બદલો લેવાનો છે. ખેડૂતોને ખૂબ માર માર્યો અને તેમને ઘરમાંથી ખેંચી-ખેંચીને લઈ ગયાતમને ખબર જ હશે કે, બોટાદમાં શું થયું હતું? બોટાદમાં થોડા દિવસો પહેલા કેટલાક ખેડૂતો ભેગા થયા હતા અને 'કરડા પ્રથા' (કરાર આધારિત ખેતીમાં થતા અન્યાય) વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા. કોઈ પથ્થર નહોતો ફેંક્યો, કોઈને માર્યા નહોતા. પ્રદર્શન કરવું એ આપણો અધિકાર છે. તેઓ પ્રદર્શન કરી રહ્યા હતા અને પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો. ખેડૂતોને ખૂબ માર માર્યો અને તેમને ઘરમાંથી ખેંચી-ખેંચીને લઈ ગયા. 85 જેટલા ખેડૂતોને મહિનાઓ સુધી જેલમાં રાખવામાં આવ્યા. આજે આખા ગુજરાતના ખેડૂતોમાં જબરદસ્ત વિદ્રોહ અને ગુસ્સો છે. ખેડૂતો ભાજપ પાસેથી બદલો લેવા માંગે છે. આ ચૂંટણીમાં ખેડૂતો ભાજપને પાઠ ભણાવશે. બધું જ ખાઈ ગયા આ ભાજપવાળા છેલ્લા 30 વર્ષથીછેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ગુજરાતને ચૂસી લીધું પૂરી રીતે. બધું જ ખાઈ ગયા આ ભાજપવાળા, બધું જ ખાઈ ગયા. ખેડૂતોના બીજ ખાઈ ગયા, ખેડૂતોનું ખાતર ખાઈ ગયા, ખેડૂતોનું પાણી પી ગયા, ખેડૂતોના પૈસા ખાઈ ગયા. વેપારીઓનો વેપાર ખાઈ ગયા, બેરોજગારોની રોજગારી ખાઈ ગયા. શાળાઓ ખાઈ ગયા, હોસ્પિટલો ખાઈ ગયા, રસ્તાઓ ખાઈ ગયા, પુલ ખાઈ ગયા. મજૂરોનું મનરેગા ખાઈ ગયા. આ લોકો રેતી ખાઈ ગયા, લોખંડ ખાઈ ગયા, માટી ખાઈ ગયા, બધું જ ખાઈ ગયા આ ભાજપવાળા છેલ્લા 30 વર્ષથી. ચૂસી લીધું એમણે ગુજરાતને! અને જે એમની સામે અવાજ ઉઠાવે છે, એના પર અત્યાચાર કરે છે. જે એમની સામે, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે, એના પર ખોટા કેસ કરીને એને જેલમાં નાખી દે છે. ચૈતર વસાવાએ રેકોર્ડ માગ્યા તો જેલમાં નાખી દીધાચૈતર વસાવાએ મનરેગામાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો. મનરેગામાં આ લોકો ખોટા રેકોર્ડ ભરે છે. દેખાડી દે છે કે આ કામ થયું, પણ કામ થયું હોતું નથી અને એના પૈસા એમના મંત્રીઓ ખાઈ જાય છે, એમના નેતાઓ ખાઈ જાય છે. ચૈતર વસાવાએ કહ્યું કે મને બધા રેકોર્ડ બતાવો, તો ચૈતર વસાવાને ઉપાડીને જેલમાં નાખી દીધા. ચૈતર વસાવા તમારા લોકો માટે લડી રહ્યા હતા. પ્રવીણ રામે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો, તો પ્રવીણ રામને ઉપાડીને જેલમાં નાખી દીધા. ચાર મહિના ચૈતર વસાવા જેલમાં હતા, ચાર મહિના પ્રવીણ રામ જેલમાં હતા. જે એમની સામે અવાજ ઉઠાવે છે એને પકડીને જેલમાં નાખી દે છે. આપણા બાળકોને, આપણા આખા પરિવારને બરબાદ કરવામાં લાગેલા છેઆજે આપણા યુવાનો, નવજુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. એમની પાસે રોજગાર માંગવા જાય છે તો એ એના હાથમાં નકલી દારૂની બોટલ પકડાવી દે છે. આખા ગુજરાતમાં નકલી દારૂ વેચાઈ રહ્યો છે. કેટલાય બાળકો મરી ગયા નકલી દારૂથી. આપણા યુવાનો રોજગાર માંગે છે, તો એના હાથમાં નકલી દારૂ પકડાવી દે છે. એના હાથમાં પડીકી પકડાવી દે છે – કોકેઈનની પડીકી, હેરોઈનની પડીકી, ગાંજાની પડીકી પકડાવી દે છે. આપણા બાળકોને, આપણા આખા પરિવારને બરબાદ કરવામાં લાગેલા છે, પૂરેપૂરા પરિવારને. પરિવારો બરબાદ થાય તેની આપણે રાહ જોઈ રહ્યા છીએ?મેં ગુજરાતના અનેક ગામોની મુલાકાત લીધી છે. હું એવા કેટલાય પરિવારોને જાણું છું જેમના બાળકો નકલી દારૂ પીવાને કારણે મૃત્યુ પામ્યા છે. હું એવા કેટલાય પરિવારોને જાણું છું જેમના બાળકો ડ્રગ્સના રવાડે ચઢી ગયા છે અને આખા પરિવારો બરબાદ થઈ ગયા છે. પણ કસૂર આપણો છે... આપણો કસૂર છે કે આપણા બાળકો મરી રહ્યા છે, બરબાદ થઈ રહ્યા છે તેમછતાં આપણે જઈને 'કમળ'નું બટન દબાવીએ છીએ. કેમ? આપણે ક્યારે જાગીશું? હજી કેટલા પરિવારો બરબાદ થાય તેની આપણે રાહ જોઈ રહ્યા છીએ? લાખો બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છેમોરબીનો પુલ પડ્યો, 140 લોકોના મોત થયા. વડોદરામાં પુલ પડ્યો, 22 લોકોના મોત થયા. છેલ્લા 5 વર્ષમાં 12 જેટલા પુલ પડી ગયા છે. આપણે હજી કેટલા લોકોના મોતના સમાચાર સાંભળવા માંગીએ છીએ? આપણે ક્યારે જાગીશું? હજી કેટલા પુલ તૂટવાની રાહ જોઈ રહ્યા છીએ? એક ગરીબ ખેડૂત પોતાની જમીન વેચીને, પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને પોતાના બાળકને ભણવા મોકલે છે. તેનો દીકરો અમદાવાદ, સુરત કે રાજકોટમાં રાત-દિવસ મહેનત કરીને ભણે છે અને જ્યારે તે પરીક્ષા આપવા જાય ત્યારે પેપર લીક થઈ જાય છે. દરેક વખતે પેપર લીક થાય છે! લાખો બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. આપણે હજી કેટલા બાળકોનું ભવિષ્ય બરબાદ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ? પેપર લીક થતા રહેશે અને આપણે ચૂપ બેસી રહીશું? ભ્રષ્ટાચાર થતો રહેશે અને આપણે ચૂપ બેસી રહીશું? રસ્તાઓ તૂટતા રહેશે અને આપણે ચૂપ રહીશું? સરકારી હોસ્પિટલોમાં આપણા બાળકોના મોત થતા રહેશે અને આપણે કશું જ નહીં કરીએ? પ્રાઈવેટ શાળાઓ આપણને લૂંટતી રહેશે અને આપણે બધું સહન કરતા રહીશું? હર્ષ સંઘવી અને પાટીલના ઘરમાં તો પાણી નથી ભરાતુંઆજે આપણે સુરતમાં બેઠા છીએ. ગયા વર્ષે ચોમાસા દરમિયાન સુરતની જે તસવીરો આખા દેશમાં ટીવી પર આવી હતી તે ભયાનક હતી. થોડો વરસાદ પડે એટલે સુરતમાં ઘરે-ઘરે પાણી ભરાઈ જાય છે. આખા શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. મોટા-મોટા અમીરોનાં બેડરૂમ અને ડ્રોઈંગરૂમ સુધી પાણી પહોંચી જાય છે. 30 વર્ષના શાસનનું આ પરિણામ છે! હર્ષ સંઘવી પણ સુરતમાં રહે છે, તેના ઘરમાં પાણી નથી ભરાતું. સી.આર. પાટીલ પણ સુરતમાં રહે છે, તેના ઘરમાં પાણી નથી ભરાતું. સરકારી પૈસા જનતા માટે ખર્ચ થવા જોઈએ કે ના થવા જોઈએ?તમારા ઘરમાં પાણી ભરાય છે. આ લોકો તમને કીડા-મકોડા પણ નથી સમજતા અને આપણે તેમની પાછળ પાછળ ફરતા રહીએ છીએ દોસ્તો. આને બદલવું છે કે નથી બદલવું? કંઈક કરવું છે કે નથી કરવું? ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ કે ના થવો જોઈએ? ગુંડાશાહી બંધ થવી જોઈએ કે ના થવી જોઈએ? જનતાની સુનાવણી થવી જોઈએ કે ના થવી જોઈએ? સરકારી પૈસા જનતા માટે ખર્ચ થવા જોઈએ કે ના થવા જોઈએ? તો આ વખતે વિસાવદરવાળી કરી દો! આ વખતે વિસાવદરવાળી કરી દો! વિસાવદરવાળાએ દેખાડી દીધું કે જ્યારે જનતા ઉભી થઈ જાય ત્યારે મોટા-મોટા સિંહાસનો ડોલી જાય છે. અમારા ગોપાલ ઈટાલિયા વિસાવદરથી ઊભા છે. એક નાના સામાન્ય પરિવારનો સામાન્ય માણસ છે. એ નેતાનો દીકરો નથી. ગોપાલ ઈટાલિયા કોઈ અમીર અબજોપતિનો દીકરો નથી. એક ખેડૂતનો દીકરો છે, પોલીસમાં કામ કરતો હતો. નાની એવી નોકરી કરતો હતો પોલીસમાં. એના અંદરનું સ્વમાન જાગ્યું, એણે વિચાર્યું કે મારે દેશ માટે કંઈક કરવું છે. એણે વિચાર્યું કે મારે મારા ગુજરાતના લોકો માટે કંઈક કરવું છે. એણે પોલીસની નોકરી છોડી દીધી! એક આમ આદમીને જીતાડી દીધો જનતાએ પોતેકોઈ પોલીસની નોકરી છોડે છે? કેટલા પૈસા કમાઈ લે છે એક દિવસમાં? એણે પોલીસની નોકરી છોડી દીધી, લાત મારી દીધી! છેલ્લા 15 વર્ષથી સમાજસેવા અને રાજનીતિમાં દર-દરની ઠોકરો ખાતો ફરે છે. તેની સામે મોટા-મોટા નેતાઓ ઉભા હતા વિસાવદરમાં, મોટા-મોટા પૈસાવાળા ઉભા હતા, મોટી-મોટી પાર્ટીઓ ભાજપવાળા, કોંગ્રેસવાળા ઉભા હતા પરંતુ, વિસાવદરની જનતાએ ઠાની લીધું અને તેમણે બધાને હરાવી દીધા અને એક આમ આદમીને જીતાડી દીધો જનતાએ પોતે. ચૂંટણી પૂરી થઈ જાય એટલે દરવાજો નથી ખોલતાહવે આખા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે દોસ્તો. દર પાંચ વર્ષે આપણે વોટ આપીએ છીએ. દરેક વખતે ચૂંટણીમાં આ નેતાઓ આવે છે, કેવી રીતે આવે છે? હાથ જોડીને ઉભા રહે છે, દરવાજો ખખડાવે છે, હાથ જોડીને ઉભા રહે છે. કરે છે કે નથી કરતા? તમારા પગ પકડે છે, તમારા બાળકને તેડે છે, ફોટા પડાવે છે, બાળકને વહાલ કરે છે. બહુ પ્રેમ બતાવે છે, તમારી દાદીના પગે લાગે છે અને જેવા ચૂંટણી પૂરી થઈ જાય એટલે જ્યારે તમે એમના ઘરે જાઓ ત્યારે કૂતરા છોડી દે છે. દરવાજો નથી ખોલતા, તમને મળતા નથી, ગાળો આપે છે. કહે છે સાહેબ બીઝી છે, સાહેબ બીઝી છે. આપણને મળતા નથી, પાંચ વર્ષ સુધી આ લોકો મળતા નથી. શું કરે છે પાંચ વર્ષ? પૈસા, પૈસા, પૈસા... પૈસા કમાવવામાં લાગી જાય છે. મંત્રી બની જાય તો કેટલીય કોઠીઓ બની જાય છેએક માણસ MLA બની જાય એટલે લાંબી-લાંબી ગાડીઓ આવી જાય છે એના ઘરે. મંત્રી બની જાય તો કેટલીય કોઠીઓ બની જાય છે, મોલ બની જાય છે. મોટા મોટા મોલ છે આ નેતાઓના, મોટી-મોટી પ્રોપર્ટી છે આ નેતાઓની. એમના બાળકોને ટિકિટ મળે છે, MLAની ટિકિટ એમના બાળકોને મળે છે, તમારા બાળકોને નથી મળતી. નથી ભાજપવાળા આપતા કે નથી કોંગ્રેસવાળા આપતા. પોતાના બાળકોને ટિકિટ આપે છે, એમના બાળકો MLA બને છે, એમના બાળકો મંત્રી બને છે. આમ આદમી પાર્ટીમાં એવું નથી હોતું. અમારા બધા નેતાઓ અહિયાં બેઠા છે: ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંત ખાવા, મનોજ સોરઠીયા, ચૈતર વસાવવા, સાગરભાઈ... અમારા બધા નેતાઓ અહિયાં બેઠા છે અને બીજા પણ ઘણા છે જેમના નામ લેવા હું ભૂલી ગયો છું. બધા જ સામાન્ય પરિવારોમાંથી આવે છે, કોઈ નેતાના સંતાનો નથી દોસ્તો. ખેડૂતના દીકરા છે, શિક્ષકના દીકરા છે, પત્રકારના દીકરા છે, તમારા દીકરા છે. આ બધા તમારા જ બાળકો છે, તમારા ઘરોમાંથી જ આવે છે. આમ આદમી પાર્ટી તમારા બાળકોને ટિકિટ આપશે. હમણાં પંચાયતની ચૂંટણી છે, તમારો દીકરો સરપંચ બનશે, તમારો દીકરો વોર્ડ મેમ્બર બનશે, તમારા બાળકોને ટિકિટ મળશે, નેતાઓના બાળકોને નહીં. કોંગ્રેસ-બીજેપીને વોટ નથી આપવો, પોતાને વોટ આપવો છેઆખા દેશમાં વ્યવસ્થા પરિવર્તન કરવું છે. આ વખતે કોઈ પાર્ટીને વોટ નથી આપવો. કોંગ્રેસને વોટ નથી આપવો, બીજેપીને વોટ નથી આપવો. આ વખતે પોતાને વોટ આપવાનો છે, પોતાની સરકાર બનાવવાની છે, જનતાની સરકાર બનાવવાની છે આ વખતે. જનતાની સરકાર બનશે તો બધા કામ થશે. જનતાની સરકાર બનશે તો જે જનતા કહેશે એ જ કામ થશે. જનતાની સરકાર બનશે તો જનતાની ઈજ્જત થશે. નેતાઓનો ભ્રષ્ટાચાર ખતમ કરવામાં આવશે, નેતાઓની ગુંડાગીરી ખતમ કરવામાં આવશે. જનતાની સરકાર બનશે તો સારી શિક્ષણ વ્યવસ્થા મળશે, ગરીબોને સારું શિક્ષણ મળશે, સારા પુલ બનશે, સારા રસ્તાઓ બનશે, બધાનો ઈલાજ થશે. જેને ટિકિટ મળશે એ પણ ચૂંટણી લડશે અને નહીં મળે એ પણ લડશેઆપના મંત્રી ગોપાલ રાયે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કેન્ડિડેટ બનવા માટે ભલે ગમે તેટલા લોકો તૈયાર હોય પણ કેન્ડિડેટ ફક્ત ચૂંટણી નહીં લડે. ચૂંટણી આખી પાર્ટી લડશે. જેને ટિકિટ મળશે એ પણ ચૂંટણી લડશે અને જેને ટિકિટ નહીં મળે એ પણ ચૂંટણી લડશે. આપણે ગુજરાત માટે લડી રહ્યા છીએ. ભાજપે 50 જેટલા લોકોને જેલમાં ધકેલી દીધા. જૂનાગઢના જિલ્લા અધ્યક્ષને પાસા હેઠળ જેલમાં પૂર્યા. સુરતથી શ્રવણભાઈને પાસામાં પૂર્યા. ચૈતરભાઈ જેવા આપણા અનેક નેતાઓને 3-3 મહિના જેલમાં રાખ્યા. લાઠીચાર્જ કરી રહ્યા છે, અપમાન કરી રહ્યા છે અને દમન ચક્ર ચલાવી રહ્યા છે. હું સુરતવાસીઓને એક જ વાત કહેવા માંગુ છું - આખા ગુજરાતમાં જે દમન ચક્ર ચાલી રહ્યું છે, એ ચલાવનાર વ્યક્તિનું નામ છે હર્ષ સંઘવી. અને હર્ષ સંઘવી સુરતમાં રહે છે. ગયા વખતે આપણે સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષની જવાબદારી નિભાવી હતી. આ વખતે લાઠી, ગોળી, જેલ અને પાસા - આ બધાનો જવાબ આપણે સુરત મહાનગરપાલિકા જીતીને આપવાનો છે.
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં શીતળાધારમાં ત્રણ માળીયા ક્વાર્ટરમાં રહેતાં મુળ જુનાગઢના બરવાળા-ભેંસાણના મહિલા પર તેના જ પુરૂષમિત્રએ વહેલી સવારે છરીથી હુમલો કરી ગળા, છાતી, પેટ પર આડેધડ ઘા ઝીંકી દેતાં ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. પતિ સાથે સાત વર્ષ પહેલા છુટાછેડા લીધા બાદ મહિલાએ ગામના જ પુરૂષ સાથે મૈત્રીકરાર કર્યા હતાં અને રાજકોટ રહેતાં હતાં. જો કે હવે આ પુરૂષમિત્ર મોટા ભાગે રાજકોટ રહેવાને બદલે તેના વતનમાં પત્નિ પાસેજ રહેતો હોવાથી મહિલાએ મૈત્રી છુટી કરવાનું અને ફરી પોતાના અગાઉના પતિ પાસે જવાની વાત કરતા ઉશ્કેરાયેલા પુરૂષ મિત્રએ સવારે આવી અને મહિલાનું મોઢું દાબી દઇ છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો અને હવે પ્રેમિકા પણ મરી ગઈ છે તો મારે જીવીને શું કરવું તેવું વિચારી તેણે પણ ક્વાર્ટરની પાછળથી પસાર થતા રેલવે ટ્રેક પર કૂદી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો છે. શીતળાધાર 25 વારીયામાં શેરી નં.29માં શંકર ભગવાનના મંદિર પાસે રહેતાં કાજલબેન ભુપતભાઇ ગોંડલીયા (ઉ.વ.45) સવારે 5 વાગ્યે ઘરે હતાં ત્યારે તેના મિત્ર જુનાગઢ ભેંસાણના બરવાળા ગામના હિમત વાળાએ આવી છરીથી હુમલો કરતાં ગળા, છાતી, પેટના ભાગે ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. પોલીસ તપાસમાં કાજલબેન મુળ મહારાષ્ટ્રના વતની છે તેમના લગ્ન બરવાળાના ભુપતભાઇ ગોંડલીયા સાથે થયા હતા તેમને સંતાનમાં બે દિકરી અને એક દિકરો હોવાનું સામે આવ્યું છે. કાજલબેનનો સંપર્ક સાતેક વર્ષ પહેલા ગામના જ હિમત નામના શખ્સ સાથે થયો હતો ત્યારથી પતિ પત્ની વચ્ચે ચડભડ થતી હતી આ પછી બન્નેએ છુટાછેડા લઇ લીધા હતાં અને કાજલબેન રાજકોટ હિમત સાથે રહેવા આવી ગયા હતાં. આ બંને મૈત્રી કરારથી રહેતાં હતાં. જો કે હિમત પરણેલો હતો અને તેને સંતાન પણ હોવાથી તે ગામમાં પોતાના પરિવાર સાથે પણ રહેતો હતો અને રાજકોટ કાજલબેન સાથે પણ રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી હિમત મોટે ભાગે ગામડામાં તેના પત્નિ સાથે જ રહેતો જેથી કાજલબેને તેની સાથે મૈત્રી કરાર પુરા કરવાનું નક્કી કર્યુ હતું અને ફરીથી પતિ સાથે રહેવા આવી જાય તેવી વાત થઇ રહી હતી. આ બાબતની જાણ હિમતને થતાં તેને ગમ્યું ન હતું આથી તે સવારે 5 વાગ્યે રાજકોટ આવ્યો હતો અને વાતચીત કર્યા બાદ કાજલબેનનું મોઢુ દબાવી દઇ છરીથી જીવલેણ હુમલો કર્યો હતો અને બાદમાં તે ભાગી ગયો હતો. આ પછી કાજલબેન લોહી નીકળતી હાલતમાં સામે રહેતાં મહિલા પાસે ગયા હતાં અને મદદ માંગતાં તેમણે 108 અને પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતાં દરમિયાન કાજલબેનને છરીના ઘા ઝીંકનાર હિંમત વાળાએ ક્વાર્ટરની પાછળથી પસાર થતી રેલવે લાઇન પાસે પહોંચી ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી દીધું હતું હાલ પોલીસે BNS કલમ 109(1) મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા વિશ્રાંતિ પાર્કમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાતા રહી ગયો હતો. યોગેશ મારવાડીના પુત્ર રાહુલના લગ્નની આગલી રાત્રે હલદીની રસમ ચાલી રહી હતી. આ આનંદના પ્રસંગમાં સ્થાનિક ટપોરીઓ વચ્ચે ચાલતી ગેંગવોરના કારણે અચાનક ફાયરિંગ થતા મંડપમાં અફરાતફરી મચી ગઈ હતી. હરીફ ગેંગના સાગરીતને જોઈને ઉશ્કેરાયેલા બારકુ પાટિલે જાહેરમાં ગોળીબાર કરતા મામલો ગંભીર બન્યો હતો. વિશાલ ગેંગના સાગરીત પર હુમલો: પગમાં ગોળી ધરબીઘટનાની વિગત મુજબ, 21 ફેબ્રુઆરીની રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં વિશાલ ગેંગનો સાગરીત અજય ઉર્ફે પિન્ટુ રામસિંહ ગીરાસે તેના મિત્ર કલ્પેશ સાથે લગ્ન પ્રસંગમાં પહોંચ્યો હતો. ત્યાં પહેલેથી જ હાજર 34 જેટલા ગુનામાં સંડોવાયેલા માથાભારે જયેશ ઉર્ફે બારકુ પાટીલે અજયને જોતા જ જૂની અદાવત તાજી થઈ હતી. બારકુએ તક મળતા જ અજય સાથે ઝઘડો કરી રિવોલ્વર કાઢી તેના પગમાં ગોળી ધરબી દીધી હતી. ભાઈની હત્યાનો બદલો લેવાની હતી ફિરાકપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ લોહિયાળ ખેલ પાછળ ભાઈની હત્યાનો બદલો લેવાની ભાવના હતી. બારકુ પાટિલના ભાઈની મહારાષ્ટ્રમાં હત્યા થઈ હતી, જેમાં તેને શંકા હતી કે આ પાછળ લિંબાયતની વિશાલ અને રાકેશ ગેંગનો હાથ છે. અજય આ ગેંગનો સક્રિય સાગરીત હોવાથી બારકુ લાંબા સમયથી તેની ફિરાકમાં હતો અને લગ્નના પ્રસંગમાં તેને એકલો જોઈ હુમલો કરી દીધો હતો. 15 દિવસની દોડધામ બાદ પોલીસને મળી સફળતાફાયરિંગની આ ઘટના બાદ બારકુ પાટીલ ફરાર થઈ ગયો હતો. સુરત પોલીસની અલગ-અલગ ટીમો તેને શોધવા માટે સતત દરોડા પાડી રહી હતી. છેલ્લા 15 દિવસથી પોલીસને મથાવી રહેલા આ માથાભારે શખ્સના લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બારકુ મહારાષ્ટ્રના પુણેથી બસમાં બેસીને ચાળીસગાંવ તરફ આવી રહ્યો છે, જેના આધારે જાળ બિછાવવામાં આવી હતી. ચાળીસગાંવની હોટેલમાંથી ફિલ્મી ઢબે ધરપકડબાતમીના આધારે લિંબાયત પોલીસની ટીમે મહારાષ્ટ્રના ચાળીસગાંવમાં વોચ ગોઠવી હતી. જેવો બારકુ બસમાંથી ઉતરીને એક સ્થાનિક હોટેલ તરફ જઈ રહ્યો હતો, ત્યારે જ તકેદારી રાખી રહેલી પોલીસે તેને ચારેબાજુથી ઘેરી લીધો હતો. કોઈ પણ પ્રકારના પ્રતિકારની તક આપ્યા વગર પોલીસે તેને દબોચી લીધો હતો અને સુરત લાવવાની તજવીજ હાથ ધરી હતી. ઇન્સ્પેક્ટર એન.કે. કામળિયા દ્વારા વધુ તપાસ શરૂહાલમાં લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન.કે. કામળિયા આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, બારકુ પાસે હથિયાર ક્યાંથી આવ્યું અને તેને ફરાર રહેવામાં કોણે મદદ કરી હતી. આ ધરપકડથી લિંબાયત વિસ્તારમાં ચાલતી ગેંગવોર પર અંકુશ આવશે તેવી શક્યતા છે અને અન્ય સાગરીતોની પણ પૂછપરછ હાથ ધરાશે.
સુરેન્દ્રનગર સસ્તા અનાજ દુકાનદારોએ આવેદનપત્ર આપ્યું:પડતર માંગણીઓ અને કમિશન મોડું મળવા બાબતે રજૂઆત
સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનધારકોએ તેમની વિવિધ પડતર માંગણીઓ અને કમિશન મોડું મળવા સહિતના મુદ્દે જિલ્લા પૂરવઠા અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે. દુકાનદારોએ સરકારી કામગીરીમાંથી મુક્તિ અને સમયસર કમિશન ચૂકવવાની માંગ કરી છે. જિલ્લામાં કુલ 519 સસ્તા અનાજની દુકાનોના લાઇસન્સધારકો છે. આ દુકાનદારોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતું કમિશન અનિયમિત અને મોડું મળે છે, જેના કારણે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, દુકાનદારોને સસ્તા અનાજના વિતરણ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવે છે. જેમાં સરકારી યોજનાઓની એપ્લિકેશન ડાઉનલોડ કરવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે. દુકાનદારોનું કહેવું છે કે આ વધારાની કામગીરીને કારણે તેઓ અનાજના વિતરણ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી, જેનાથી ગ્રાહકોને પણ હાલાકી ભોગવવી પડે છે. આ કામગીરી ખરેખર દુકાનદારોની જવાબદારી નથી. આથી, સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા પૂરવઠા અધિકારી સમક્ષ રજૂઆત કરી છે કે તેમને આવી બિનજરૂરી સરકારી કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે અને તેમનું કમિશન નિયમિતપણે સમયસર ચૂકવવામાં આવે.
અમદાવાદ શહેરમાં સીનીયર સીટીઝન અને વેપારીઓને ટાર્ગેટ કરીને તેમને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયાનો તોડ કરતી ગેંગના બે મહિલા સહિત ત્રણ સાગરિતોને રામોલ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે અત્યાર સુધીમાં 20 સીનીયર સીટીઝનોને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા છે. આરોપીઓ ગુનાને અંજામ આપવા દર મહિને રૂ. 50 હજારના ભાડે ગાડીઓ પણ લીધી હતી અને તેમજ આરોપીના ફોનમાં અનેક વેપારીઓ સાથેની ચેટ મળી આવી છે. આરોપી નકલી પીઆઇ બનીને લોકોને ડરાવતો હતો. સમગ્ર મામલે હાલ હની ટ્રેપના કૌભાંડ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રામોલમાં વૃધ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવવા અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. તેમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીને ઝડપ્યા હતા. જ્યારે ઝોન-5 એલસીબી સ્કવોડ અને રામોલ પોલીસે સમગ્ર કેસમાં ફરાર એવા રવિન્દ્ર હળવદિયા (રહે.અમદાવાદ), ગીતા ગોહિલ (રહે.અમદાવાદ)અને નસરીન ઉર્ફે નાઝ પઠાણ(મૂળ રહે.વલસાડ)ની ધરપકડ કરી છે. આરોપીમાંથી નસરીને વસ્ત્રાલનાં વેપારીને ફસાવી રામોલમાં આવેલા કર્ણાવતી એન્કલેવ ફ્લેટે મળવા બોલાવ્યો હોવાનું સામે આવ્યુ હતું. સોશિયલ મીડિયાથી સંપર્ક કરી સિનિયર સિટીઝનને ફસાવતાઆરોપીઓ અલગ અલગ શહેરમાં મકાન ભાડે રાખી આ રીતે વેપારી અને વૃદ્ધોનો સોશિયલ મીડિયાથી ફસાવી રૂપિયા પડાવતા હતા. ઘરમાં ભોગ બનનાર આવે એટલે તરત જ રવિન્દ્ર હળવદીયા પોલીસ ઈન્સ્પેક્ટર અને ઉપેશ તેમજ હિતેન પોલીસ કોન્સ્ટેબલ બનીને રેડ કરતા અને લાખો રૂપિયા પડાવી લેતા હતા. રવિન્દ્ર પાસે પોલીસનો યુનિફોર્મ પણ હતો અને તેણે પોતાનાં ફોનમાં પીઆઈનાં યુનિફોર્મ સાથેનો ફોટો પણ એડિટીંગ કરીને બનાવ્યો હતો. જે પણ પોલીસને મળી આવ્યો છે. રામોલ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 8 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓ દર મહિને 50000 રૂપિયાની ગાડી પણ ભાડે રાખતા હતા અને તે લઈ જતા હતા. આરોપીઓએ 20 લોકોને ફસાવી રૂપિયા પડાવ્યાનો ખુલાસોઆરોપીઓએ નરોડા, વિવેકાનંદનગર, કીમ, જામનગર, પાલીતાણા અને વડોદરામાં ગુનાઓ નોંધાયેલા છે અને આ સિવાય તેઓએ 20 લોકોને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે. અલગ અલગ જગ્યાએ આરોપીઓએ ગુના આચાર્ય હોવાને લઈને હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-પાટડી હાઈવે પરથી પોલીસે ઘાસચારાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આઈસર ટ્રકમાંથી રૂ. 28.73 લાખથી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 38.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ માટે અલગ અલગ ટીમો બનાવી હાઈવે રોડ પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરવા અને ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરવા એલ.સી.બી. સુરેન્દ્રનગરને નિર્દેશ અપાયા હતા. આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાનાઓએ તેમની ટીમો સાથે હાઈવે રોડ પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. માલવણ-પાટડી હાઈવે પર ફાટક પાસે આવેલી એક બંધ હોટલ નજીકથી એક આઈસર ટ્રક (નંબર RJ-04-GC-7986) શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ટ્રકની તલાશી લેતા, તેમાં ઘાસચારાની આડમાં છુપાવેલો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, જેની કિંમત રૂ. 28,73,520/- આંકવામાં આવી છે, તે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, રૂ. 10,00,000/- ની કિંમતની આઈસર ટ્રક અને રૂ. 5,000/- નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ રૂ. 38,78,520/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક પોકરારામ કાનારામ જાટ (રહે. ડીંડાવા, તા. સેડવા, જિ. બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડી, બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓમાં દેવારામ જાટ (રહે. રામનગર, જિ. બાડમેર), મોરબી ખાતે દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિ અને આઈસર ટ્રકના માલિકનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આ તમામ આરોપીઓને ઝડપી પાડવા અને તપાસમાં ખુલે તેવા અન્ય નામો સુધી પહોંચવા માટે વધુ કાર્યવાહી ચાલી રહી છે. આ સફળ કામગીરી એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા, એ.એસ.આઇ. અસલમખાન મલેક, પો.હેડ કોન્સ. યશપાલસિંહ રાઠોડ, દશરથભાઇ ઘાંઘર, અજયસિંહ ઝાલા, પો.કોન્સ. સંજયભાઇ પાઠક, પ્રતાપસિંહ રાઠોડ, ગીરીરાજસિંહ જાડેજા અને ડ્રા.એ.એસ.આઇ. અનિરુધ્ધસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના પીપરાળા ગામે દોઢ વર્ષ પૂર્વે વાડીમાં બકરા ચરાવવા તેમજ નીલગીરીના વૃક્ષો કાપી નાખવાની બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ એક સંપ કરી કૌટુંબીક ભાઈ ઉપર તલવાર સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી નાખતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. પિતા-પુત્રને આજીવન કેદની સજા તેમજ રોકડ 10,000નો દંડ ફટકાર્યો આ અંગેનો કેશ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ તેમજ પ્રોસીક્યુશનની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી હત્યા કેસમાં સંડોવાયેલા પિતા-પુત્રને આજીવન કેદની સજા તેમજ રોકડ 10,000નો દંડ અદાલતે ફટકાર્યો હતો. બંનેએ આડેધડ તલવારના ઘા મારી માથુ છુંદી હત્યા કરી નાસી ગયાઆ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ઘોઘા તાલુકાના પીપરલા ગામે રહેતા વેલજીભાઈ વશરામભાઈ બારૈયા (ઉ.વ.55) ગત તા. 28/7/2024 ના રોજ દુધ ભરીને બાઈક પર પરત આવતા હતા ત્યારે ગામના જ મેહુલ નાનુભાઈ બારૈયા તથા તેના પિતા નાનુભાઈ બચુભાઈ બારૈયાએ પીપરળા ગામે નિશાળ પાસે આવી વેલજીભાઈને આંતરી બંનેએ આડેધડ તલવારના ઘા મારી માથુ છુંદી નાખી હત્યા કરી નાસી ગયા હતા. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરીઆ અંગે મરણજનાર વેલજીભાઈના ભાઈએ ઘોઘા પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી કે, આરોપી પિતા-પુત્રએ મરણજનાર વેલજીભાઈની જમીનમાં બકરા ચરાવ્યાં હતા તેમજ નીલગીરીનું ઝાડ કાપી નાખ્યુ હતું. જે બાબતે ઠપકો આપતા બંને અવારનવાર ગાળો આપી ઝઘડો કરતા હતા. આ દરમિયાન તા. 28/7/2024ના રોજ તલવારથી તેની હત્યા કરી નાખી હતી. ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંન્ને આરોપીની ધરપકડ કરી હતી. પ્રત્યેક આરોપીને 10,000નો દંડ અદાલતે ફટકાર્યો હતોઆ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એચ.એસ.મુળીયાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ આર. જોષી તથા મુળ ફરીયાદી તરફે વકીલ નિતીન જી. નાગરની લેખીત તથા મૌખિક દલીલો, દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓની જુબાની વગેરે ધ્યાને લઈ આરોપીઓને કસુરવાન ઠરાવી આરોપી મેહુલ નાનુભાઈ બારૈયા તથા આરોપી નાનુ બચુભાઈ બારૈયાને આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને 10,000નો દંડ અદાલતે ફટકાર્યો હતો.
પાટણમાં સત્યનારાયણ કથાનું 48મું આયોજન:દર્દીઓ અને શહેરીજનોના કલ્યાણાર્થે કરાયું પ્રસાદ વિતરણ
પાટણના અગ્રણી ફિઝિશિયન અને ગોપાલકૃષ્ણ ટ્રસ્ટના પ્રમુખ ડો. શંકરભાઈ પટેલ દ્વારા હોસ્પિટલમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા દર્દીઓ અને શહેરના રહીશોના કલ્યાણાર્થે યોજવામાં આવી હતી. આ સત્યનારાયણ કથાનું સતત 48મી વખત આયોજન કરાયું હતું. આ પ્રસંગે ડો. શંકરભાઈ પટેલ, કાંતાબેન પટેલ, ડો. નૈલેશ પટેલ, સીમાબેન પટેલ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.પરિવારજનો દ્વારા દર્દીઓ અને શહેરીજનોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના ગણિત વિષયની પરીક્ષા આજે પૂર્ણ થઈ. પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળેલા વિદ્યાર્થીઓએ પેપર સરળ હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને 'પાર્ટ-B' સારો રહ્યો હોવાનો તેમનો પ્રતિભાવ હતો. વિદ્યાર્થી શહેઝાદ અંસારીએ જણાવ્યું કે ગણિતનું પેપર અઘરું નહોતું. તેમણે કહ્યું કે, 'પાર્ટ-B' ખૂબ જ સારો રહ્યો, જ્યારે 'પાર્ટ-A' માં થોડી મુશ્કેલી પડી હતી. શિક્ષકોએ કરાવેલી તૈયારીને કારણે પેપર સારું ગયું હોવાનું તેણે ઉમેર્યું. અન્ય એક વિદ્યાર્થી મલેક અયાને જણાવ્યું કે તે ગણિતના પેપરથી સંતુષ્ટ છે. તેના મતે, MCQ (પાર્ટ-A) મધ્યમ હતા, પરંતુ 'પાર્ટ-B' સરળ રહ્યો. શિક્ષકો દ્વારા સમજાવેલા દાખલા અને રીતોમાંથી જ મોટાભાગનું પૂછાયું હોવાનું તેણે કહ્યું. ઇંગ્લિશના પેપર પછી ગણિત માટે એક જ દિવસની રજા હતી, પરંતુ અગાઉ મળેલી ચાર દિવસની રજાઓમાં કરેલી મહેનત ઉપયોગી થઈ. એકંદરે, ગણિતના પેપરમાં 'પાર્ટ-B' વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ સાબિત થયો. શિક્ષકો દ્વારા કરાવાયેલ પુનરાવર્તન અને પરીક્ષા પહેલાં મળેલી રજાઓનો સદુપયોગ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહ્યો હોવાનું જણાય છે.
મધ્ય ગુજરાતના મહત્વના જંક્શન સમાન મિયાગામ કરજન રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરવા માટે રેલવે પ્રશાસન દ્વારા 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ (FOB) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલો આ પ્રોજેક્ટ હાલ ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. આ નવા બ્રિજથી પ્લેટફોર્મ વચ્ચેની અવરજવર વધુ સરળ અને સુવ્યવસ્થિત બનશે. નિર્માણ કાર્યની વર્તમાન સ્થિતિપશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ પ્રોજેક્ટનું પાયાનું કામ અને માળખાકીય સ્તંભો ઉભા કરવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગર્ડર લોન્ચિંગ જેવું જટિલ કામ પણ સફળતાપૂર્વક પૂરું થયું છે. હાલમાં સ્ટેશન પર સીડીઓ, ડેક સ્લેબ અને રૂફિંગ (છત) નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. ધાર્મિક અને શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપમિયાગામ કરજન સ્ટેશન માત્ર એક રેલવે સ્ટોપ નથી, પરંતુ આસપાસના અનેક ગામો માટે પરિવહનનું મુખ્ય કેન્દ્ર છે. કરજન વિસ્તારમાં આવેલા પ્રાચીન મંદિરો અને ધાર્મિક સ્થળોના દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ આ સ્ટેશનનો ઉપયોગ કરે છે. ખાસ કરીને તહેવારો અને ધાર્મિક પ્રસંગોએ જ્યારે ભીડ વધે છે, ત્યારે આ 12 મીટર પહોળો બ્રિજ મુસાફરોને જોખમમુક્ત અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે. સ્થાનિક અર્થતંત્ર અને શિક્ષણને મળશે પ્રોત્સાહનઆ રેલવે સ્ટેશન સ્થાનિક ખેડૂતો અને નાના વેપારીઓ માટે વડોદરા અને ભરુચ જેવા મોટા બજારો સાથે જોડાવાનું સબળ માધ્યમ છે. કૃષિ ઉત્પાદનોની હેરફેર માટે આ રૂટ ખૂબ જ મહત્વનો છે. આ ઉપરાંત, દૈનિક ધોરણે નોકરી અર્થે જતા શ્રમિકો અને ઉચ્ચ અભ્યાસ માટે અવરજવર કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ નવી સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે. સ્ટેશન પર સુવિધા વધતા આસપાસની ટ્રાન્સપોર્ટ સેવાઓ અને નાના વ્યવસાયોને પણ આર્થિક ગતિ મળશે.
શહેરના કાલુપુર ઝવેરીવાડની લહેરિયા પોળમાં આવેલા મહાવીર સ્વામી જૈન દેરાસરમાં ચોરીનો બનાવ બનવા બન્યો છે.ગર્ભગૃહના ઉપરના ભાગના સળિયા અને જાળી તોડીનો તસ્કરો મંદિરમાં આવ્યા હતા.જે બાદ સીસીટીવીના કેબલ કાપીને મૂર્તિઓ પરના દાગીના મળી કુલ 7.84 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી હતી.આ મામલે પોલીસને જાણ કરાતા કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રૂ. 7.84 લાખના મુદ્દામાલની ચોરીસેટેલાઇટમાં રહેતા સૌમિલભાઇ ભાવનગરી ઝવેરીવાડની લહેરિયા પોળમાં આવેલા મહાવીર સ્વામી જૈન દેરાસરમાં ટ્રસ્ટી છે.સોમવારે સવારે તે ઘરે હતા ત્યારે સહ ટ્રસ્ટી કેતનભાઇ ઝવેરીએ ફોન કરીને દેરાસરમાં ચોરી થઇ હોવાની જાણ કરી હતી.દેરાસરમાં 10 વર્ષથી કામ કરતા પૂજારી નેમચંદ જાનીને પૂછતાં તેમણે જણાવ્યું કે, તે સવારે 6.15 વાગ્યે દેરાસર આવ્યા હતા. દેરાસર ખોલીને ગર્ભગૃહનો દરવાજો ખોલવા જતા તે દરવાજો ખુલ્લો હતો.જેથી અંદર જઇને તપાસ કરતા ભગવાનની મૂર્તિ પર લાગેલા ચાંદીના દાગીના ગાયબ હતા. ગર્ભગૃહમાં પાછળ આવેલા નાના મોટા મંદિરોમાં તપાસ કરતા ભગવાનની મૂર્તિઓ પર જડીત સોના-ચાંદીના દાગીના ચોરી થયા હોવાનું માલુમ પડ્યું હતું.કાલુપુર પોલીસે મુગટ, ટીકા, કપાલી, ભ્રમર, ચક્ષુ સહિત કુલ રૂ. 7.84 લાખની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોધરા પોલીસે લોન અપાવવાના બહાને રૂ.34 લાખની છેતરપિંડીના કેસમાં બે દિવ્યાંગ આરોપીઓનો હાલોલ જેલમાંથી કબજો મેળવ્યો છે. આ બંને આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસ ગોધરાના ટીમરુના વ્યવસાય સાથે જોડાયેલા વેપારી રૂપેશ જોબનપુત્રા સાથે થયેલી છેતરપિંડીનો છે. તેમને ફાઇનાન્સ કંપનીમાંથી મોટી લોન અપાવવાની લાલચ આપી કુલ 7 જેટલા શખ્સોએ વિશ્વાસમાં લીધા હતા. આ ટોળકીએ લોન પ્રોસેસિંગ અને અન્ય ખર્ચના નામે ટુકડે-ટુકડે રૂ.34 લાખ પડાવી લીધા હતા. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં વેપારી રૂપેશ જોબનપુત્રાએ ગત 16 નવેમ્બર 2025ના રોજ ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા બે દિવ્યાંગ આરોપીઓ શાહિદ ઉર્ફે સાહિલ મીઠા અને ભાવના ગજાનંદ ભટ્ટનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ અન્ય ગુનામાં હાલોલ જેલમાં બંધ હોવાથી, ગોધરા એ-ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી તેમનો કબજો લીધો હતો. પોલીસે તેમને ગોધરા કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ યોગેશ કિશન ભંમવાણી, મનોજ ચેલારામાણી, યોગેશ ભમવાની, ભાવિક પટેલ, વૈશાલી પટેલ, જીગ્નેશ સોની અને કાળુ આહિરની શોધખોળ અને તપાસ હજુ ચાલુ છે.
પોરબંદરમાં ફૂડ સેફ્ટી વિભાગે 28 ખાદ્ય નમૂના લીધા:56 ફૂડ રજિસ્ટ્રેશન અરજીઓને મંજૂરી અપાઈ
પોરબંદરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 28 ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા. આ સાથે, ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની ૫૬ ફૂડ રજિસ્ટ્રેશન અરજીઓને મંજૂરી પણ અપાઈ હતી. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ફેબ્રુઆરી મહિના દરમિયાન જિલ્લામાં વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવાયા હતા. ખાદ્ય ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ફેબ્રુઆરી માસમાં લેવાયેલા કુલ 28 ખાદ્ય નમૂનાઓમાં દૂધ અને દૂધની બનાવટો (મીઠાઈ)ના 7, પનીરના 2, ઘીનો 1, દ્રાક્ષના 3, ખજૂરના 4, ખાદ્ય તેલના 4, વપરાયેલ તેલના 4 અને સોયા ટોફૂનો 1 નમૂનો સામેલ હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે આવા ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવે છે.
28 ફેબ્રુઆરી 2026ની એ સવાર. જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર બોંબમારો કરી દીધો. દસ દિવસનાં યુદ્ધમાં આખી દુનિયાની અર્થવ્યવસ્થા ધ્રૂજી ઉઠી છે. જો કે હજુ આ યુદ્ધ કેટલા દિવસ કે મહિનાઓ સુધી ચાલશે એ પણ નક્કી નથી. કારણ કે, ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના ખાત્મા પછી સત્તાની બાગડોર તેમના પુત્ર મોજતબાએ સંભાળી છે. મોજતબાને બાપ કરતા પણ વધુ કટ્ટર અને ખૂંખાર માનવામાં આવે છે. તેનાં શાસન હેઠળ ઈરાને દુનિયાની આર્થિક નસ સમાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક કરી દીધી છે. આ એક એવો દરિયાઈ માર્ગ છે જ્યાંથી દુનિયાનું 20-25% ક્રૂડ ઓઈલ પસાર થાય છે. આજે તેલના ભાવ 72 ડોલરથી કૂદીને 140 ડોલર સુધી પહોંચવા આવ્યા છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનને લકવો મારી ગયો છે. આ આગ માત્ર ખાડી દેશો પૂરતી સીમિત નથી, તેની લપેટમાં ભારતનું હિત, ચાબહાર પોર્ટ અને ગલ્ફમાં વસતા 90 લાખ ભારતીયોનું ભવિષ્ય પણ જોખમમાં મુકાયું છે. માટે આજે આપણે ઈઝરાયલ અમેરિકા અને ઈરાન યુદ્ધથી ભારતને થનાર અસર અને ગ્લોબલ ચેઈન ખોરવાતા આપણે કેટલા લેવાદેવા તેની વાત કરીશું. નમસ્કાર. 28 ફેબ્રુઆરી 2026ની વહેલી સવારે ઈરાન સામે અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યૂરી અને ઈઝરાયલે ઓપરેશન રોરિંગ લાયન ચલાવ્યું ત્યારે તહેરાનના આકાશને મિસાઈલ્સથી ચીરી નાખવામાં આવ્યું. કોઈને અંદાજ ન હતો કે આ આગથી કોના ઘર બળશે અને કોણ દાઝશે. આ યુદ્ધને આજે આપણે ઈરાનના સત્તા પરિવર્તન, વર્લ્ડ એનર્જી સપ્લાય રૂટનું ફ્રીઝ થવું અને સપ્લાય ચેઈનને થનાર અસર એમ ત્રણ રીતથી સમજીએ. ઈસ્લામિક ક્રાંતિથી વંશવાદ સુધી 1979માં ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ આવી ત્યારે તેમાં એક વિચાર એવો હતો કે વારસાગતમાં સત્તા ન મળે. પણ ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં આ વિચારના ફૂરચા ઉડી ગયા. ઈરાનના સર્વૌચ્ચ નેતા અલી ખામૈનીના ખાત્મા પછી તેમના જ દીકરા મોજતબા ખામૈનીને ઈરાનના નવા સુપ્રીમ લીડર બનાવી દેવામાં આવ્યા છે. વંશવાદને ન સ્વિકારનાર ઈસ્લામિક ક્રાંતિમાં વંશવાદનો જ પાયો નખાયો ત્યારે દુનિયાએ શું કહ્યું તે જાણીએ. મોજતબા પર દુનિયાની પ્રતિક્રિયા IRGCના સહારે સત્તા સુધી મોજતબા એવું કહેવામાં આવી રહ્યું છે કે મોજતબાને સુપ્રીમ લીડર બનાવવા પાછળ ઈરાનની આર્મી રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનો મોટો હાથ છે. મોજતબાના પિતા અલી ખામૈનીના સમયમાં પણ IRGCએ મદદ કરી હતી અને અત્યારે પણ ગેટકીપર તરીકે પડદા પાછળથી સત્તા ચલાવવા મોજતબાની મદદ કરશે. ઈરાનમાં યુવાનોનો વંશવાદ વિરોધ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવા પેઢી સહિત ઈરાનના મોટાભાગના લોકોનું કહેવું છે કે ઈરાનને ફરી ઈસ્લામિક શાસન અને મોજતબાનું સુપ્રીમ લીડર બવું પસંદ નથી. યુવાનો અને સુધારાવાદી લિબરલ ઈરાની જુથો ડેથ ટુ મોજતબાના નારા લગાવી રહ્યા છે અને ધાર્મિક વંશવાદનો વિરોધ કરી રહ્યા છે. બાપના મોતનો બદલો લેવા મોજતબા હવે જે કરશે તેના પર નિષ્ણાતો કહી રહ્યા છે કે દુનિયામાં મોટી કે લાંબી ઉથલપાથલ આવી શકે તેમ છે. બની શકે કે ઈરાન ગૃહયુદ્ધમાં ફસાઈ જાય. હોમુર્ઝ બ્લોક, સપ્લાય ચેઈન તૂટી જેની શરૂઆતની અસર ઈરાન પાસેથી પસાર થનાર વેપારી દરિયાઈ માર્ગ હોમુર્ઝના જળમાર્ગ પર જોવા પણ મળી રહી છે. ઈરાને હોમુર્ઝ સ્ટ્રેડ બ્લોક કરી દીધી છે. જેના કારણે વર્લ્ડ સપ્લાઈ ચેઈનની નસ ફાટી ગઈ છે. ચીનને ફાયદો, દુનિયાને સંકટ ઈરાને જાહેરાત કરી છે કે તેઓ માત્ર ચીની ફ્લેગ ધરાવતા જહાજોને જ પસાર થવા દેશે. આનાથી વર્લ્ડ લેવલે ભારત અને બીજા દેશો માટે સ્થિતિ વધુ કપરી બની છે અને ચીનનો દબદબો વધી રહ્યો છે. પણ આપણે ઈરાનથી 4 હજાર કિલોમીટર દૂર બેઠા છીએ તો પણ યુદ્ધની અસર આપણા ખિસ્સાને ગરમ કરી રહી છે અને રસોડાને દજાડી રહી છે. અમેરિકાની નીતિ: નિયો કોલોનિઝમ? ઈરાન અને વેનેઝુએલા પર ડોળા નાખવા પાછળ અમેરિકાનો આશય છે એક્સપર્ટ્સ મુજબ નસાહતવાદ મનાઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનના નેતા જ નહોતા બદલવા પણ ઈરાનની આખી સિસ્ટમને બદલી નાખવી છે. અમેરિકાના નેતાઓ જે કહી રહ્યા છે તે ચોંકાવનારું છે. માર્કો રૂપિયો અને લિન્ડસે ગ્રેહામ જેવા નેતાઓ ચોખ્ખું કહી રહ્યા છે કે તેમને મિડલ ઈસ્ટના નેચરલ રિસોર્સિઝ પર કબજો જોઈએ છે. ઈરાન લિબિયા-અફઘાન બનવાની ચિંતા વિવેક કાટજુ અને બ્રહ્મા જેવા ભારતીય એક્સપર્ટ્સના કહેવા મુજબ જો અમેરિકા આવુંને આવું ચાલું રાખશે તો ઈરાનના હાલ ટૂંક સમયમાં લિબિયા કે અફઘાનિસ્તાન જેવા થઈ શકે એમ છે. આ બધામાં ભારત ક્યાં છે? હવે આપણે તેની વાત કરીએ. પાકિસ્તાન સહિત ઈસ્લામિક દેશોનું માનવું છે કે હુમલાના 48 કલાક પહેલા ભારતના પ્રધાનમંત્રી ઈઝરાયલ ગયા હતા. સામેની બાજુ ઈઝરાયલનું કહેવું છે કે ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં ભારતનો કોઈ રોલ નથી. બીજી બાજુ ભારત ઈઝરાયલ ઈરાન યુદ્ધ મામલે ન્યુટ્રલ નીતિ અપનાવી છે. વિશ્વ અત્યારે એ વિષય પર નઝર ટકાવીને બેઠું છે કે ભારત અમેરિકા અને ઈઝરાયલ બાજુ નમશે કે ઈરાન જેવા દેશોનો સાથ આપશે. યુદ્ધમાં ભારતની ન્યુટ્રલ ડિપ્લોમસી આપણે સૌ જાણીએ છીએ કે ભારત ઈરાનમાં ચાબહાર પોર્ટ બનાવી રહ્યું હતું. આ ખાલી ઈકોનોમિક પોર્ટ નથી પણ તે આપણા માટે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને એશિયા સુધી પહોંચવાનો ગોલ્ડન ગેટવે છે. જે અત્યારે એક નાજુક મોડ પર છે. ભારતે ચાબહાર પોર્ટ પર 122 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. જો યુદ્ધ લાંબુ ચાલી શકે અને ઈરાનમાં સ્થિરતા ન આવે તો આ કિંમત 500 મિલિયન ડોલરને પણ પાર પહોંચી શકે છે. હાલ ઈરાન-ભારતની વેપારી એક્ટિવિટી અને શિપિંગ રૂટ્સ બંધ છે. જો ભારત ઈરાનના ચાબહાર પોર્ટ જેવા પ્રોજેક્ટ્સથી હાથ ઉંચા કરી લે તો ચીન મિડલ ઈસ્ટમાં કબજો કરવા અને આર્થિક ડોમિનન્સ વધારવા બેઠું જ છે. ચાબહાર પોર્ટ પર યુદ્ધની છાયા ભારત અને અમેરિકા વચ્ચે થયેલી 2016ની એક ડિલ અત્યારે ખૂબ ચર્ચામાં છે. નામ છે લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ. જે મુજબ ભારત અને અમેરિકાની સેનાઓ એકબીજાની સુવિધાનો ઉપયોગ લોજિસ્ટિક્સ અને રિફ્યુલિંગ માટે કરી શકે છે. અમેરિકા ઈરાન સામે યુદ્ધના ઓપરેશન્સમાં ભારતીય બંદરો અને ભારતીય બેઝનો ઉપયોગ કરવા દબાણ કરી રહ્યું છે. જો ભારત આ મંજૂરી આપી દે તો ઈરાન-ઈઝરાયલ વોરમાં આપણે ન્યૂટ્રલમાંથી એક સાઈડ એટલે કે અમેરિકા સાઈડ જતા રહીશું કારણ કે આડકતરી રીતે આપણે અમેરિકાને ઈરાન સામે લડવામાં મદદ કરીશું. ટૂંકમાં આપણે પણ યુદ્ધના સીધા ભાગીદાર બની જશું. આ ડિલના કારણે ભારત ન્યુટ્રલ નહીં રહે? થોડા દિવસો પહેલા અમેરિકાએ ઈરાની નેવીના યુદ્ધ જહાજ આયરિસ ડેનાને ડૂબાડ્યું હતું. આ વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આયરીસ ડેના ભારતીય જળસીમા નજીક તોડી પાડવામાં આવ્યું હતું. કપિલ સિબ્બલ જેવા નેતાનું કહેવું છે કે ભારત મુંગી રીતે અમેરિકાના નિયો કોલોનિઝમને વધારો આપી રહ્યું છે. ભારતીય જળસીમા નજીક ઈરાની જહાજ ડૂબ્યું ભારત માટે સૌથી ચિંતાની વાત છે ગલ્ફ દેશોમાં વસતા 90 લાખથી વધુ ભારતીયોની સિક્યોરિટી. આ માત્ર આંકડો નથી પણ લાખો પરિવારની રોજી રોટી અને ભારતની ઈકોનોમીનો પણ પ્રશ્ન છે. જે ભારતીયો ઈસ્લામિક દેશોમાં કામ કરે છે તેના કારણે દર વર્ષે ભારતને 50-60 બિલિયનનું રેમિટન્સ મળે છે. જે ભારતની વિદેશી કમાણીનો અંદાજે 38 ટકા જેટલો ભાગ છે. યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં કામ કરતા ભારતીયોની નોકરી છૂટી જાય કે તેમને દેશ પાછા આવવું પડે તો ભારતની જીડીપીમાં 1-5 ટકા જેટલું નુકસાન થઈ શકે એમ છે. ગલ્ફમાં 90 લાખ ભારતીયોની ચિંતા જો આ લોકોને ભારત પાછા પણ લાવવા પડે તો આ ઈતિહાસનું અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું માઈગ્રેશન પણ હોય શકે. હજારો ફ્લાઈટ્સ અને જહાજોની આના માટે જરૂર પડી શકે. કેરળ, તેલંગાણા, યૂપી જેવા અનેક રાજ્યોની ઈકોનોમી ગલ્ફ દેશો પર આધારિત છે. જો ભારતીયોને લાવવા પડે તો તોતિંગ આર્થિક અને લોજિસ્ટિકલ બોજ ભારત પર આવી શકે. હજુ એવી સ્થિતિ નથી આવી પણ જો કદાચ પરિસ્થિતિ વધુ તંગ બને તો આ દિવસો દૂર ન હોય શકે.. હવે આપણે ઈરાન ઈઝરાયલ વોરની જીઓપોલિટીકલ અસરની પણ વાત કરીએ. આપણે વાત કરી તેમ ભારત અને ચીન હાલ વેઈટ એન્ડ વોચની સિચ્યુએશનમાં છે. યુદ્ધથી અમેરિકા નફામાં દુનિયા ખોટમાં હોમુર્ઝ સમુદ્રી માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે એશિયામાં અને બીજા દેશોમાં ગેસ અને તેલની કિંમતો વધવા લાગી છે. વિશ્વનો સૌથી મોટો LNG નિકાસકાર અમેરિકા આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી અબજો ડોલરનો નફો કાઢી રહ્યું છે. અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા 30 દિવસની છૂટછાટ આપી છે. જે ભારત માટે સારી વાત છે કારણ કે ફરી આપણે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી શકીશું. ઈઝરાયલ અત્યારે પોતાના વિસ્તારમાં એવો માહોલ ઉભો કરવા માગી રહ્યું છે જેથી તે પોતાના વિસ્તારની મહાસત્તા બની શકે. તેનાથી મોટી વાત કે અમેરિકાનો તેને સપોર્ટ છે. અને છેલ્લે... જે અમેરિકાએ ઈઝરાયલની મદદથી ઈરાનમાં હુમલો કર્યો છે તેના ધણી ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ પછી ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે પણ ટેરિફ મામલે તીખો તમતમતો તમાચો માર્યો છે. કહેવાઈ રહ્યું છે કે અમેરિકાએ 14 લાખ કરોડ રૂપિયા પાછા આપવા પડી શકે છે. યુદ્ધમાં સૌથી વધુ જરૂર હથિયારોની પડે અને સૌથી વધુ હથિયારો કયો દેશ બનાવે છે તે આપણે સૌ જાણીએ છીએ. આવા ડામાડોળ પરિસ્થિતિઓ ઉભી કરીને અમેરિકા પોતાનો ફાયદો અને દુનિયાનું નુકસાન જ કરાવી રહ્યું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
પોરબંદરના ભદ્રકાલી રોડ પર નગરપાલિકા દ્વારા આયોજિત નવા ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આજે મોટી સંખ્યામાં વેપારીઓએ એકઠા થઈ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને આ પ્રોજેક્ટ અટકાવવા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારી મંડળના પ્રતિનિધિ સુરેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, ભદ્રકાલી રોડ ગ્રામ્ય વિસ્તારનો મુખ્ય પ્રવેશદ્વાર છે. અહીં અંદાજે 400થી વધુ વેપારીઓ વર્ષોથી પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. જો ઓવરબ્રિજ બનશે તો રસ્તો બ્લોક થઈ જશે, જેના કારણે સેંકડો વેપારીઓની રોજીરોટી છીનવાઈ જવાનો ભય છે. વેપારીઓના મતે, અહીં રેલવે ફાટક માત્ર 5 થી 7 મિનિટ માટે જ બંધ રહે છે, જે કોઈ મોટી ટ્રાફિક સમસ્યા નથી. તેથી ઓવરબ્રિજની જરૂરિયાત નથી. આ ઉપરાંત, ઓવરબ્રિજને કારણે લિમડા ચોક શાક માર્કેટ, એસ.ટી. પિકઅપ બસ સ્ટેન્ડ અને ગલીઓમાં લારી-ગલ્લા ચલાવતા નાના વેપારીઓને પણ આર્થિક નુકસાન થશે. વેપારીઓએ તંત્ર પાસે રેલવે ફાટક માટે કોઈ અન્ય વિકલ્પ શોધવા અથવા આ પ્રોજેક્ટને અન્યત્ર ખસેડવાની માંગ કરી છે, જેથી સ્થાનિક અર્થતંત્ર પર નકારાત્મક અસર ન પડે. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.
વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પાંચ વર્ષના અંતરાલ બાદ 'અર્થરંગ 2026' ફેસ્ટનો પ્રારંભ થયો છે. આ સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓથી ભરપૂર ફેસ્ટ 9 માર્ચથી 13 માર્ચ 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે. લાંબા સમય બાદ આવા કાર્યક્રમો ફરી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આ ફેસ્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને તેમની સુષુપ્ત પ્રતિભા બહાર લાવવા માટે મંચ પૂરો પાડવાનો છે. શૈક્ષણિક જ્ઞાન ઉપરાંત, આવા કાર્યક્રમો સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, ટીમવર્ક અને નેતૃત્વ જેવા કૌશલ્યો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં નવી વિચારસરણી, નવીનતા અને સ્પર્ધાત્મક ભાવના પણ વિકસે છે. ફેસ્ટના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારંભ સાથે કાર્યક્રમોની શરૂઆત થઈ. ત્યારબાદ વન મિનિટ ચેલેન્જ, ફાયરલેસ કુકિંગ, મૉક્ટેલ મેકિંગ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ગિફ્ટ રેપિંગ, ટી-શર્ટ/કુર્તા પ્રિન્ટિંગ, રંગોળી અને મેહંદી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. વિદ્યાર્થીઓએ દરેક સ્પર્ધામાં સક્રિયપણે ભાગ લીધો અને પોતાની કલાત્મકતા તથા સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું. ફેકલ્ટીનો સમગ્ર કેમ્પસ ઉત્સાહના માહોલથી ગુંજી ઉઠ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પાંચ વર્ષ પછી આવી પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાથી તેમને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળી છે. ઘણા વિદ્યાર્થીઓ માટે આ માત્ર સ્પર્ધા નહોતી, પરંતુ નવા મિત્રો બનાવવા અને નવા અનુભવો મેળવવાનો અવસર પણ હતો. આમ, 'અર્થરંગ 2026' ફેસ્ટ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યો છે.
મોટી કાંટડી પાસે મુખ્ય પાણી લાઈનમાં ભંગાણ:ગોધરા શહેરમાં 10 માર્ચે સવાર-સાંજનો પાણી પુરવઠો બંધ રહેશે
ગોધરા શહેરમાં પાણી પુરવઠાને અસર થઈ છે. ગોધરા તાલુકાના મોટી કાંટડી નજીક નર્મદાની મુખ્ય પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. આ ભંગાણના સમારકામ માટે ગોધરા નગરપાલિકા દ્વારા આવતીકાલે, મંગળવાર, 10 માર્ચના રોજ શહેરમાં સવાર-સાંજનો પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા જણાવાયું છે કે મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ થવાને કારણે પાણીનો પુરવઠો સુચારુ રીતે ચાલુ રાખવો મુશ્કેલ બન્યો છે. તેથી, તાત્કાલિક સમારકામ હાથ ધરવા માટે એક દિવસ માટે પાણીનો સપ્લાય રદ કરવો પડ્યો છે. સમારકામ કામગીરી પૂર્ણ થયા બાદ, બુધવાર, 11 માર્ચથી ગોધરા શહેરમાં રાબેતા મુજબ પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે. નગરપાલિકા તંત્રએ શહેરના તમામ નાગરિકોને આ અંગે અગાઉથી જાણ કરી છે અને જરૂરી પાણીનો સંગ્રહ કરવા તેમજ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સહકાર આપવા અપીલ કરી છે.
ભાવનગર મહાનગરપાલિકાના શાસકોની મુદત પૂર્ણ થવાના છેલ્લા દિવસે શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભૂદેવોની ઉપસ્થિતિમાં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને મહાનગરપાલિકાને શુદ્ધિકરણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. આ અંગે શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસનમાં એક પણ કાર્ય એવું નથી જેમાં ભ્રષ્ટાચાર ન થયો હોય, રોડના કોન્ટ્રાક્ટથી લઈને લીઝ પટ્ટા સુધીના તમામ કામોમાં ગેરરીતિ આચરવામાં આવી છે, મહાનગરપાલિકાના વર્તમાન કોર્પોરેટરોનો આજે છેલ્લો દિવસ હોવાથી, કોંગ્રેસે ગંગાજળ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી શુદ્ધિકરણ કર્યું હતું. કોંગ્રેસના આ શાસકોએ માત્ર ચૂંટણીલક્ષી કામગીરી જ કરી છે અને ભાવનગરની જનતાની સુખાકારીની સંપૂર્ણ અવગણના કરી છે આ ભ્રષ્ટાચારયુક્ત બની ગયેલી મહાનગરપાલિકાનું શુદ્ધિકરણ કરવા માટે અમે આ કાર્યક્રમ કર્યો છે, ભગવાન પાસે પ્રાર્થના છે કે ભાવનગરની જનતાનું ધ્યાન ન રાખનારા આવા શાસકો ફરી સત્તા પર ન આવે, કોંગ્રેસે આ કાર્યક્રમ દ્વારા આગામી સમયમાં જનતા વચ્ચે જઈ ભાજપના કથિત ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ખાસ કરીને 'અબોલ શાસકો' જે જનતાના પ્રશ્નો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેમને સત્તાથી દૂર રાખવા અપીલ કરવામાં આવી હતી.
અમદાવાદમાં ઐતિહાસિક સાબરમતી આશ્રમના પુનઃવિકાસ કાર્ય સંદર્ભે સુપ્રીમ કોર્ટે આજે આશ્રમ પરિસરમાં 5 હજાર ચોરસ મીટરથી વધુ જમીનના કબજા અંગે રાજ્ય સરકાર હસ્તકના 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ' સામેની અરજીને ફગાવી દીધી છે. આ વિવાદ એક દાયકાથી વધુ સમયથી પેન્ડિંગ હતો. 2014માં, અમુક કબજેદારોએ અમદાવાદની સ્મોલ કોઝ કોર્ટમાં આશ્રમ વિસ્તારમાં આવેલી ત્રણ મિલકતો પર પોતાના હકનો દાવો કર્યો હતો. રાજ્ય સરકારે રિડેવલપમેન્ટ શરૂ કરતા કબજેદારો સુપ્રીમમાં ગયા હતારાજ્ય સરકારે પુનઃવિકાસ પહેલના ભાગરૂપે જૂન, 2025ની આસપાસ 5 હજાર ચોરસ મીટરથી વધુ ખુલ્લા જમીનના પ્લોટ પર કામ શરૂ કર્યું હતું. જેની સામે કબજેદારોએ કાનૂની લડત ચાલુ રાખી છેવટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ અરજીને નકારી નાખી છે અને રાજ્ય સરકાર તથા આશ્રમ ટ્રસ્ટની કામગીરીને યોગ્ય ઠેરવી છે. સરકારી વકીલ જી.એચ.વીર્કે રાજ્ય સરકાર હસ્તકના ટ્રસ્ટ વતી હાજર રહ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ પુનઃવિકાસ પ્રોજેક્ટનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય હિતનો એક સ્થાપિત મુદ્દો છે જેને ફરીથી ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપનો ઈન્કાર કર્યો સુપ્રીમ કોર્ટના આ હસ્તક્ષેપના ઇનકાર સાથે, આશ્રમ પરિસરમાં જમીન એકીકૃત કરવાના ટ્રસ્ટના પ્રયાસોને મોટું કાનૂની સમર્થન મળ્યું છે. હાલમાં ખુલ્લી જમીન પર વિકાસલક્ષી કામો શરૂ થઈ ચૂક્યા છે. સાબરમતી આશ્રમ પુનઃવિકાસ પ્રોજેક્ટનો હેતુ આશ્રમની મૂળ ભાવનાને જાળવી રાખીને, ભારત અને વિશ્વભરના મુલાકાતીઓ માટે તેને વધુ વ્યવસ્થિત અને સુલભ હેરિટેજ સ્થળ બનાવવાનો છે.
સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને માત્ર દવા જ નહીં પણ સ્ટાફ તરફથી હુંફ અને આત્મીયતા મળે તે હેતુથી ગાંધીનગર GMERS સિવિલ હોસ્પિટલના 445 જેટલા નર્સિંગ સ્ટાફ માટે આરોગ્ય સાથી પ્રોજેક્ટ અંતગર્ત સોફ્ટ સ્કીલ ટ્રેનિંગનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારના આરોગ્ય સાથી પ્રોજેક્ટ અંતગર્ત હોસ્પિટલની છબી બદલવા આ ટ્રેનિંગ દરમ્યાન દર્દીઓ સાથે કેમ વર્તવું તેના ખાસ પાઠ ભણાવવામાં આવશે. આરોગ્ય સાથી પ્રોજેક્ટનો પ્રારંભ કરાયોગાંધીનગર GMERS જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય સાથી પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટમાં ઇમરજન્સી સેવાનો બહોળો અનુભવ ધરાવતી સંસ્થા GVK EMRI 108 સહયોગી બની છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સેવાની ગુણવત્તા સુધારવાનો છે. દર્દીઓ સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં વાતચીત કરવાની ટ્રેનિંગઆ ટ્રેનિંગ દરમિયાન નર્સિંગ સ્ટાફને દર્દી અને તેમના પરિવારની માનસિક સ્થિતિ સમજી તેમની સાથે માનવીય અભિગમ રાખવો, દર્દીઓ સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં વાતચીત કરી તેમની મૂંઝવણ દૂર કરવી, હોસ્પિટલમાં વધુ ધસારો હોય ત્યારે તણાવ મુક્ત રહી પરિસ્થિતિને સંભાળવી તેમજ હોસ્પિટલના અન્ય વિભાગો સાથે સંકલન સાધી દર્દીને ઝડપી સેવા પુરી પાડવાના પાઠ ભણાવવામાં આવશે. હોસ્પિટલના વહીવટી સ્ટાફે પણ હાજરી આપી હતીમેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મીતાબેન પરીખે જણાવ્યું હતું કે, ઘણીવાર વ્યસ્તતાને કારણે સ્ટાફ અને દર્દી વચ્ચે સંવાદનો અભાવ સર્જાતો હોય છે. આ આરોગ્ય સાથી' પ્રોજેક્ટ દ્વારા સ્ટાફની કાર્યક્ષમતા વધશે અને દર્દીઓને વધુ સંતોષકારક સેવાઓ મળી રહેશે. આ તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સહિત બાવળા ડિવિઝનલ ટ્રેનિંગ સેન્ટરના એસોસિયેટ પ્રોફેસર ડૉ. આર. જી. શ્રીમાળી, ગાંધીનગર DTT ટ્રેનિંગ સેન્ટરના ડૉ. અનિલ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ અને હોસ્પિટલના વહીવટી સ્ટાફે પણ હાજરી આપી હતી.
વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં સઘન ઝુંબેશ ચલાવી છે. આ ઝુંબેશ અંતર્ગત એક હોસ્પિટલ સહિત કુલ 113 કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દ્વારા વિભાગે કુલ 95 લાખ રૂપિયાનો વેરો વસૂલ્યો છે. કમિશનર યોગેશ ચૌધરીની સૂચના બાદ, ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ ઠક્કરે ત્રણ ટીમો બનાવીને વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ બાકી રહેલા વેરાની ઝડપી વસૂલાત કરવાનો છે. આ કાર્યવાહીમાં, ચલા વિસ્તારમાં આવેલા વિનાયક સેન્ટર ખાતે 10 લાખ રૂપિયાનો વેરો બાકી હોવાથી એક હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ચલાના વૈભવ એન્કલેવમાં ટ્રાન્સપોર્ટ ઓફિસ, વાપીના જસ એપાર્ટમેન્ટમાં સલૂન અને હોટલ, તિરુપતિ ટાવરમાં 6 ઓફિસો, તુલસી દર્શનમાં 4 દુકાનો, સાઈ મેજેસ્ટીમાં 4 દુકાનો અને ડુંગરાના મહાવીરનગરમાં 3 ગોડાઉન સહિત અન્ય કોમર્શિયલ મિલકતોને પણ સીલ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં 85%થી વધુ વેરાની વસૂલાત કરી લીધી છે. બાકી રહેલા કરદાતાઓ સામે પણ કાર્યવાહી ચાલુ છે. વિભાગે જણાવ્યું છે કે, માર્ચ મહિનામાં 6% દંડકીય વ્યાજ લાગુ પડે છે, અને જો 31 માર્ચ સુધીમાં વેરો ભરવામાં નહીં આવે તો 1 એપ્રિલથી બાકી રકમ પર 12% વ્યાજ લાગુ પડશે. દંડકીય વ્યાજ અને સીલિંગ જેવી કડક કાર્યવાહીથી બચવા માટે કરદાતાઓને 31 માર્ચ પહેલાં પોતાનો બાકી પ્રોપર્ટી ટેક્સ જમા કરાવવા અપીલ કરવામાં આવી છે.
ભાવનગરના દીપકચોક નજીક આવેલા આડોડિયાવાસ વિસ્તારમાં વહેલી સવારે પોલીસ દ્વારા વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન દેશી દારૂ બનાવવાનો આથો તેમજ તૈયાર દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને 25 પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા હતા. પોલીસે 7 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે કેટલાક શખ્સો ફરાર થતાં તેમની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસ કાફલાએ કોમ્બિંગ હાથ ધર્યુંભાવનગર એસપી નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ શહેરના દીપકચોક નજીક આવેલા આડોડિયાવાસ વિસ્તારમાં આજે વહેલી સવારે શહેરના વિવિધ પોલીસ મથકના પી.આઈ., પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ તેમજ ટ્રાફિક પોલીસ સહિતના મોટા પોલીસ કાફલાએ કોમ્બિંગ હાથ ધરી દેશી દારૂના હાટડાઓ અને દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પર રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો તેમજ તૈયાર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને કુલ 25 પ્રોહિબિશનના કેસ નોંધ્યા હતા. રેડ દરમિયાન સ્થળ પરથી પોલીસે 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 થી 5 શખ્સો ફરાર થઈ જતા તેમને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે અચાનક પોલીસના ધાડેધાડા ઉતરતા વિસ્તારમાં દેશી દારૂના ધંધાર્થીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 7 આરોપીઓની પોલીસે અટકાયત કરીઆ અંગે સીટી DYSP આર.આર.સિંધાલએ જણાવ્યુ હતુ કે, એસ.પી. નિતેશ પાંડે દેખરેખ હેઠળ એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું. જે કોમ્બિંગમાં 5 (PI), 8 (PSI), 80 જેટલા પોલીસકર્મી, ટ્રાફિકની ક્રેન, ટ્રાફિકનો સ્ટાફ, સાથે આજરોજ શહેરના આડોડીયા વાસમાં સવારે 5:30 વાગ્યાથી એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું.જેમાં આશરે 25 જેટલા પ્રોહીના કેસ કરવામાં આવ્યા.જેમાં દેશી દારૂ બનવવાનો આથો આશરે 3,500 લિટર, કિ.રૂ 17,500. દેશી દારૂ આશરે 350 લિટર, કિંમત રૂપિયા 71,000 આ રેડ દરમિયાન જે હાજર હતા એવા 7 આરોપીને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે અને 4 થી 5 શખ્સ રેડ દરમિયાન નાસી ગયેલા,જેને પોલીસ દ્વારા પકડવાની કાર્યવાહી હાલમાં શરૂ છે.અને 3 જેટલા વાહનો ડિટેઈન કરવામાં આવેલા છે અને 2,500 જેટલો દંડ વસૂલ કરવામાં આવેલો છે.
ગુજરાત સરકાર પોતાની માલિકીનું પ્લેન અને હેલિકોપ્ટર ધરાવે છે. જેના મેઈન્ટેનન્સ અને પાયલોટ પાછળ સરકારે બે વર્ષમાં અધધધ 86 કરોડનો ખર્ચ કર્યો હોવાનો વિધાનસભામાં સ્વીકાર કર્યો છે. તે મુજબ જોઈએ તો ગુજરાત સરકાર દર મહિને પ્લેન-હેલિકોપ્ટર પાછળ જ રૂ. 3.59 કરોડનો ખર્ચ કરી રહી છે. વિધાનસભાના સત્ર દરમિયાન સોમવારે રાજ્યમાંથી ગુમ થયેલા બાળકો બાબતે પણ ચર્ચા કરવામાં આવી. રાજ્યમાં બે વર્ષ દરમિયાન 6240 બાળકો ગુમ થયા હતા. જે પૈકીના 553 બાળકો હજી પણ લાપતા હોવાનું સામે આવ્યું છે. સરકારી પ્લેન-હેલિકોપ્ટર પાછળ બે વર્ષમાં અધધધ 86 કરોડનો ખર્ચ ગુજરાત સરકારના માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ પાછળ છેલ્લા બે વર્ષમાં ₹56 કરોડ 66 લાખથી વધુનો ખર્ચ થયો હોવાનો ખુલાસો વિધાનસભામાં થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે આ આંકડા રજૂ કર્યા હતા. સરકારે વધુમાં સ્વીકાર્યું કે આ જ સમયગાળામાં પાયલોટના ખર્ચ તરીકે પણ ₹28 કરોડ 8 લાખથી વધુ રકમ ખર્ચાઈ છે.આ ઉપરાંત અન્ય સ્ટાફ પાછળ દોઢ કરોડથી વધુનો ખર્ચ થયો છે. પ્લેન અને હેલિકોપ્ટર પાછળ બે વર્ષમાં કૂલ 86 કરોડનો ખર્ચ થયો છે. તેને જોતા સરકાર દર મહિને 3.59 કરોડ અને દરરોજનો 11 લાખથી વધુ ખર્ચ કરી રહી છે. ગુજરાત બોર્ડર પરથી 38 કરોડનો દારૂ ઝડપાયો, 1018 આરોપીની ધરપકડવિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રી દ્વારા જણાવાયું કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતની મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદ પર આવેલી ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે.આ સમયગાળા દરમિયાન 10,46,855 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે 38 કરોડ રૂપિયા થાય છે. ઉપરાંત 1,56,265 બિયરની બોટલો પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 3.33 કરોડ રૂપિયા થાય છે.દારૂ હેરફેરના કેસોમાં અત્યાર સુધી 1018 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 141 આરોપીઓને પકડવાના હજુ બાકી હોવાનું સરકારે જણાવ્યું. દારૂબંધી છતાં અમદાવાદ-વડોદરામાં 32 હજારથી વધુ લોકો દારૂ પીતા ઝડપાયાદારૂબંધી ધરાવતા ગુજરાતમાં પણ દારૂ પીવાના કેસોની સંખ્યા ચોંકાવનારી છે.વિધાનસભામાં રજૂ થયેલી માહિતી અનુસાર છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને વડોદરામાં કુલ 32,465 લોકો પરમીટ વિના દારૂ પીતા ઝડપાયા છે.અમદાવાદમાંથી 17,311 અને વડોદરામાંથી 15,154 લોકો સામે કેસ નોંધાયા છે. તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું. બે વર્ષમાં 6240 બાળકો ગુમ, 553 હજુ લાપતારાજ્યમાં બાળકો ગુમ થવાના કેસોની ચિંતાજનક માહિતી પણ ગૃહમાં સામે આવી. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 6240 બાળકો ગુમ થયા હોવાનું જણાવાયું છે. જેમાંથી 553 બાળકો હજુ સુધી શોધી શકાયા નથી. સૌથી વધુ સુરતમાંથી 841 બાળકો ગુમ થયા, જેમાંથી 76 બાળકો હજુ શોધવાના બાકી છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 67 મહિલાઓ ગુમ થઈ હતી, પરંતુ તમામ મહિલાઓને શોધી લેવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું. 'ધારાસભ્યોને કહ્યું હોત તો અમે પણ મેચ જોઈ આવત'ભારતીય ક્રિકેટ ટીમની જીતની ખુશી આજે ગુજરાત વિધાનસભા સુધી પહોંચી હતી. ગૃહની શરૂઆતમાં અધ્યક્ષે ટીમ ઈન્ડિયાને જીત બદલ શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મેચ જોવા ગયા હતા અને ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા હતા.આ દરમિયાન કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે રમૂજભરી ટિપ્પણી કરતાં કહ્યું કે, “મુખ્યમંત્રી એકલા એકલા મેચ જોઈ આવ્યા, બધા ધારાસભ્યોને કહ્યું હોત તો અમે પણ જઈને મેચ જોઈ આવત.” તેમની આ ટિપ્પણીથી ગૃહમાં થોડો સમય હળવો માહોલ સર્જાયો અને સભ્યો વચ્ચે સ્મિત જોવા મળ્યું.ક્રિકેટ જીતની ઉજવણી વિધાનસભામાં પણ જોવા મળી. જામાલપુરના MLA ઇમરાન ખેડાવાલા ભારતીય ટીમની ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવ્યા હતા. તેમણે વર્લ્ડ કપ જીતની ખુશીમાં કેક કાપીને ઉજવણી પણ કરી હતી. “સ્પ્રિંગની જેમ વારે વારે ઊભા ન થાઓ”: અધ્યક્ષે MLA કાંતિ ખરાડીને ખખડાવ્યાવિધાનસભાની કાર્યવાહી દરમિયાન એક સમયે અધ્યક્ષને સભ્યને ટકોર કરવી પડી. મંત્રી પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી વારંવાર વચ્ચે બોલતા હતા.આ બાબતને લઈને અધ્યક્ષે હળવી પરંતુ કડક ટિપ્પણી કરતાં કહ્યું કે, “વારે ઘડીએ સ્પ્રિંગની જેમ ઊભા ન થઈ જવાય.” અધ્યક્ષની આ ટિપ્પણી બાદ ગૃહમાં થોડો હાસ્યનો માહોલ પણ જોવા મળ્યો અને ખરાડી શાંત બેઠા. “ગોલ્ડન સમય એટલે શું?” પ્રશ્ન સાંભળીને ગૃહમાં સ્મિતબાળકો ગુમ થવાના કેસમાં શોધખોળ માટે મહત્વપૂર્ણ ગણાતા “ગોલ્ડન સમય” અંગે ભાજપના નેતા સંજય કોરડિયા એ ગૃહમાં પ્રશ્ન પૂછ્યો. તેમણે પૂછ્યું કે આ ગોલ્ડન સમય એટલે ચોક્કસ શું?આ સવાલ સાંભળીને ગૃહમાં ઘણા સભ્યો મલકાતા જોવા મળ્યા. મંત્રી કૌશિક વેકરીયાએ આ મુદ્દે વિગતવાર અને લાંબો જવાબ આપ્યો, જે દરમિયાન કોંગ્રેસના કેટલાક સભ્યો હળવી રીતે હસતા પણ જોવા મળ્યા. મંત્રીઓ જવાબ આપતા આપતા ચિઠ્ઠીની રાહ જોતા જોવા મળ્યાવિધાનસભાની કાર્યવાહી દરમિયાન એક રસપ્રદ દ્રશ્ય પણ જોવા મળ્યું. પ્રશ્નોના જવાબ આપતા સમયે મંત્રીઓને છેલ્લી ઘડીએ અધિકારીઓ દ્વારા ચિઠ્ઠીઓ લખીને અપડેટ આપવામાં આવતી હતી. કેટલાક મંત્રીઓ જવાબ આપતા આપતા ચિઠ્ઠી આવવાની રાહ જોતા જોવા મળ્યા હતા, જેને લઈને ગૃહમાં ચર્ચા પણ થઈ.આ મુદ્દે અધ્યક્ષે મંત્રીઓને ટકોર કરી કે સભ્યો જેમ મૌલિક પ્રશ્નો કરે છે તેમ મંત્રીઓએ પણ વાંચ્યા વગર મૌલિક રીતે જવાબ આપવા જોઈએ. “વાંચી વાંચીને જવાબ ન આપો”: અધ્યક્ષની મંત્રીઓને કડક ટકોરવિધાનસભામાં મંત્રીઓ દ્વારા લખેલા જવાબો વાંચીને બોલવાની પદ્ધતિ પર અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી.અધ્યક્ષે જણાવ્યું કે નિયમ 38 મુજબ કોઈપણ મંત્રી અથવા સભ્ય ગૃહમાં પ્રવચન વાંચી શકતા નથી. સભ્યો મૌલિક રીતે પ્રશ્ન પૂછે છે ત્યારે મંત્રીઓએ પણ વાંચ્યા વગર જવાબ આપવો જોઈએ. તેમણે ઉમેર્યું કે ઘણા મંત્રીઓ પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા હોવાથી હાલ માટે વાંચીને બોલે છે, પરંતુ ભવિષ્યમાં મૌલિક રીતે જવાબ આપવાની અપેક્ષા રાખવામાં આવે છે. અધ્યક્ષે કહ્યું કે વાંચીને જવાબ આપવાથી ગૃહની કાર્યવાહી નિસ્તેજ બની જાય છે. “એક જ પ્રશ્ન વારંવાર પૂછાય છે”: શૈલેષ પરમારનો પોઇન્ટ ઓફ ઓર્ડરવિધાનસભામાં કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે નિયમ 78 હેઠળ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે ગૃહમાં એક જ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે અને મંત્રીઓ પણ ફરીથી તેનો જવાબ આપે છે. જેના કારણે ગૃહનો કિંમતી સમય બગડે છે. તેમણે આ મુદ્દે કાર્યવાહી કરવાની માંગ પણ કરી. 2 વર્ષમાં 2.84 લાખ બેંક ખાતા અનફ્રીઝસાયબર ગુનાઓના કેસોમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતાઓ અંગે પણ ગૃહમાં માહિતી આપવામાં આવી. સરકાર દ્વારા જણાવાયું કે સાયબર હેલ્પલાઇન અને ઓનલાઈન પ્રક્રિયા દ્વારા છેલ્લા બે વર્ષમાં 2.84 લાખ બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. 2024માં 2,47,587 ખાતા અને 2025માં 37,192 ખાતા અનફ્રીઝ કરવામાં આવ્યા હતા. સાયબર ગુનાઓ માટે વિશેષ ઓનલાઈન પોર્ટલ તેમજ હેલ્પલાઇન અને વોટ્સએપ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ST નિગમને નવી બસ ખરીદવા 1445 કરોડની સહાયગુજરાત સરકાર દ્વારા રાજ્ય પરિવહન નિગમ (ST) ને નવી બસો ખરીદવા માટે મોટી સહાય આપવામાં આવી છે. સરકારે છેલ્લા બે વર્ષમાં 1445.88 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેમાં વર્ષ 2024માં 735.88 કરોડ અને વર્ષ 2025માં 710 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હોવાનું ગૃહમાં જણાવાયું.
સાબરકાંઠા જિલ્લામાં સોમવારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ યોજાઈ હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજ્યશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના પેપર લેવાયા હતા, જ્યારે ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિતનું પેપર હતું. સોમવારના સવારના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના રાજ્યશાસ્ત્ર વિષયની પરીક્ષામાં કુલ 450 વિદ્યાર્થીઓમાંથી 443 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 7 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. ધોરણ 10માં ઇડર અને હિંમતનગર ઝોનમાં સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરીક્ષામાં 1034માંથી 1030 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી, જ્યારે 4 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બપોરના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષામાં 1750માંથી 1735 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે 15 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયની પરીક્ષામાં કુલ 829 વિદ્યાર્થીઓમાંથી 825 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 4 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
જૂનાગઢ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને આયોજનના અભાવે જનતાની હાલત કફોડી બની છે. ગિરનારની ગોદમાં વસેલું આ ઐતિહાસિક શહેર અત્યારે જાણે ખાડાઓનું સામ્રાજ્ય બની ગયું હોય તેમ લાગે છે. ખાસ કરીને મધુરમ વિસ્તારમાં આવેલા શીતલ નગરની મહિલાઓએ આજે વહીવટી તંત્રની ઊંઘ ઉડાડી દીધી હતી. છેલ્લા દોઢ વર્ષથી બિસ્માર રસ્તાઓ અને ધૂળની ડમરીઓ વચ્ચે જીવતી આ મહિલાઓ રણચંડી બની મનપા કચેરીએ પહોંચી હતી. આ દરમિયાન જનતાના સેવક હોવાનો દાવો કરતા મહિલા કોર્પોરેટરના પતિ વાલભાઈ આમછેડા સામે આવતા જ વાતાવરણ ગરમાયું હતું. રજૂઆત સાંભળવાને બદલે સત્તાના નશામાં ચૂર કોર્પોરેટર પતિ મહિલાઓ પર લાલઘૂમ થઈ ગયા હતા, જેને લઈને સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શીતલ નગર વિસ્તારની સ્થિતિ અત્યારે એવી છે કે ત્યાં રહેવું એ એક સજા સમાન બની ગયું છે. ટીંબાવાડી પાસે અને વંથલી હાઈવે રોડ પર આવેલા આ વિસ્તારમાં છેલ્લા 18 મહિનાથી રોડ-રસ્તા જેવી કોઈ સુવિધા બચી નથી. તંત્રએ ભૂગર્ભ ગટર અને પાણીની પાઈપલાઈન નાખવાના નામે આખા રસ્તાઓ ખોદી નાખ્યા છે, પરંતુ કામ પૂર્ણ થયા પછી તેનું રિપેરિંગ કરવાનું જાણે ભૂલી જ ગયું છે. હાલત એટલી ગંભીર છે કે કોઈ ઈમરજન્સી આવે તો એમ્બ્યુલન્સ કે ફાયર ફાઈટર પણ વિસ્તારમાં પ્રવેશી શકતા નથી. નાના બાળકો અને વૃદ્ધો આખો દિવસ ઉડતી ધૂળને કારણે શ્વાસની બીમારીઓનો શિકાર બની રહ્યા છે. ભાનુબેન નામના રહીશે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે હાથ જોડીને વોટ માંગવા આવતા નેતાઓ અત્યારે અમારી સમસ્યા સાંભળવા પણ તૈયાર નથી. મહિલાઓ જ્યારે પોતાની રજૂઆત લઈને પહોંચી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, સ્થાનિક કોર્પોરેટરે હજુ સુધી આ વિસ્તારના રસ્તાઓ માટે કમિશનર સમક્ષ કોઈ દરખાસ્ત જ મોકલી નથી. આ બાબત જાણીને મહિલાઓનો પિત્તો ગયો હતો. આ સમયે મહિલા કોર્પોરેટરના પ્રતિનિધિ તરીકે હાજર વાલભાઈ આમછેડાએ પોતાની ભૂલ સુધારવાને બદલે મહિલાઓને ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેમણે ઉદ્ધત વર્તન કરતા પ્રશ્ન કર્યો હતો કે, તમે ડાયરેક્ટ કમિશનર પાસે કેમ ગયા? જનતાના પ્રશ્નો સાંભળવાને બદલે સત્તાના જોરે અવાજ દબાવવાની આ કોશિશ સામે મહિલાઓએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. વાલભાઈનો બચાવ એવો હતો કે પહેલા લોકોએ જ ગટરની ના પાડી હતી એટલે કામ બાકી છે, પરંતુ સત્ય એ છે કે અત્યારે બધું કામ પૂરું થયા પછી પણ રસ્તા બનાવવાની દાનત દેખાતી નથી. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે પણ લુલો બચાવ કરતા જણાવ્યું કે, અત્યારે પાણી અને ગટરનું કામ પૂરું થયું છે પણ હવે ગેસ લાઈન નાખવાની બાકી છે. તેમણે વર્ષ 2026-27 ના બજેટમાં આ રસ્તાઓને આવરી લેવાની વાતો કરી છે, જેનો સીધો અર્થ એ છે કે હજુ પણ એક વર્ષ સુધી આ વિસ્તારના લોકોએ નર્ક સમાન સ્થિતિમાં રહેવું પડશે. જયાબેન નામના અન્ય એક મહિલાએ આક્ષેપ કર્યો કે, તંત્ર વારંવાર ગ્રાન્ટ નથી અથવા અન્ય બહાના બતાવીને અમને પાછા મોકલી દે છે. અત્યાર સુધી કરેલી અનેક રજૂઆતો બાદ પણ જો કામની યાદીમાં નામ ન હોય, તો કોર્પોરેટરની કાર્યક્ષમતા સામે મોટા સવાલો ઉભા થાય છે. મધુરમ વિસ્તારમાં વિકાસના નામે માત્ર વિનાશ જ જોવા મળી રહ્યો છે. એક જ રોડને વારંવાર ખોદવામાં આવે છે. ક્યારેક પાણીની પાઈપલાઈન તો ક્યારેક ગટરના નામે પ્રજાના પરસેવાની કમાણીના નાણાં વેડફાઈ રહ્યા છે. શીતલ નગરની આ મહિલાઓએ હવે તંત્રને છેલ્લું અલ્ટીમેટમ આપ્યું છે. જો આગામી આઠ દિવસમાં રસ્તાના કામ અંગે કોઈ લેખિત ખાતરી કે નક્કર કાર્યવાહી નહીં થાય, તો આવતા શુક્રવારે વંથલી હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, હવે તેઓ મૌન બેસવાના નથી અને જો જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરીને સત્તાધીશોને પાઠ ભણાવશે. જૂનાગઢ મનપાના સત્તાધીશો માટે આ લપડાક સમાન કિસ્સો છે. સ્માર્ટ સિટીના સપના જોતા આ શહેરમાં જ્યારે મહિલાઓને પાયાની સુવિધાઓ માટે રસ્તા પર ઉતરવું પડે અને નેતાઓ ના પ્રતિનિધિઓ દ્વારા તેમનું અપમાન કરવામાં આવે, ત્યારે લોકશાહી સામે પ્રશ્નો ઉભા થાય છે. શું આ વિસ્તારમાં રસ્તો બનશે કે પછી દર વખતે નવી લાઈન નાખવાના બહાને ખોદકામ ચાલુ જ રહેશે? તે જોવું રહ્યું. હાલ તો શીતલ નગરની મહિલાઓના આક્રોશે આખા શહેરમાં ચર્ચા જગાવી છે અને તંત્ર માટે આ પ્રશ્ન ગળાની ફાંસ બની ગયો છે.
જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા નેશનલ મેડિકલ કમિશનના માર્ગદર્શન હેઠળ ફલ્લા ગામે ગ્રામ્ય આરોગ્ય અભ્યાસ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ વર્ષના MBBSના વિદ્યાર્થીઓએ ફલ્લા ગામના દત્તક લીધેલા પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પરિવારોની આરોગ્ય સ્થિતિ, પોષણનું સ્તર, સ્વચ્છતા, પર્યાવરણ અને જીવનશૈલી સંબંધિત ઝીણવટભરી માહિતી એકત્રિત કરી હતી. ત્યારબાદ નાના સમૂહોમાં આ માહિતીનું જાહેર આરોગ્યના દ્રષ્ટિકોણથી સચોટ વિશ્લેષણ કરી, તેને સરળ અને સમજી શકાય તેવા આરોગ્ય શિક્ષણના સંદેશાઓમાં રૂપાંતરિત કરી ગ્રામીણ પરિવારો સુધી પહોંચાડવાનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું. સંસ્થાના કોમ્યુનિટી મેડિસિન વિભાગે આ સમગ્ર શૈક્ષણિક તાલીમ અને આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં લોકજાગૃતિ માટે નવતર પ્રયોગ હાથ ધરતા વિદ્યાર્થીઓએ ફલ્લાની આંગણવાડી, ધ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ-ધ્રાંગડા તથા મોટી બાણુગરની શાળાઓના સહયોગથી વિવિધ વિષયો પર ‘નુક્કડ નાટક’ રજૂ કર્યા હતા. આ નાટકો દ્વારા કિશોરાવસ્થામાં એનિમિયા અને આયર્નયુક્ત આહારનું મહત્વ, જંક ફૂડને તિલાંજલિ આપી પૌષ્ટિક આહાર અપનાવવા, વ્યક્તિગત સ્વચ્છતા અને હાથ ધોવાની સાચી પદ્ધતિઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત કિશોરીઓમાં માસિક ધર્મ સંબંધી ગેરમાન્યતાઓ દૂર કરવા અને ગંભીર રોગો સામે રસીકરણની અનિવાર્યતા જેવા સંવેદનશીલ વિષયો પર પણ અસરકારક સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ તકે સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની મુલાકાત લઈ ગ્રામીણ સ્તરે મળતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ કામગીરી નિહાળી હતી. આ સમગ્ર અભિયાન અંગે ડૉ. દિપેશ પરમારે જણાવ્યું હતું કે, ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ દ્વારા ભાવિ તબીબોને સમુદાય સાથે સીધો સંપર્ક કરવાની તક મળે છે અને તેઓ ગ્રામ્ય આરોગ્યની વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર થાય છે, જે તેમને ભવિષ્યમાં વધુ સંવેદનશીલ અને જવાબદાર તબીબ બનવામાં મદદરૂપ થશે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ફલ્લા ગામના સરપંચ, ગ્રામજનો, શાળાઓના આચાર્યઓ, આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર, આશા કાર્યકરો અને હેલ્થ વર્કર્સનો મહત્વપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 08 માર્ચ, 2026ના રોજ રમાયેલા વિશ્વ કપ 2026ના હાઈ-પ્રોફાઇલ ફાઈનલ મુકાબલાએ માત્ર ક્રિકેટ પ્રેમીઓના દિલ જ નથી જીત્યા, પરંતુ પશ્ચિમ રેલવે માટે પણ તે આર્થિક અને વ્યવસ્થાપન દૃષ્ટિએ ઐતિહાસિક સાબિત થયો છે. ક્રિકેટના આ મહાકુંભમાં ઉમટેલી મેદનીને મંઝિલ સુધી પહોંચાડવા માટે રેલવેએ 12 વિશેષ ટ્રેનો દોડાવીને ₹1.50 કરોડની રેકોર્ડબ્રેક આવક મેળવી છે. 100 ટકા ઓક્યુપેન્સી અને કરોડોની આવકક્રિકેટ ફીવરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમદાવાદ આવતી અને અહીંથી પરત જતી તમામ વિશેષ ટ્રેનોમાં 100 ટકાથી વધુ ઓક્યુપેન્સી નોંધાઈ હતી. આ 12 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 15,000 થી વધુ ચાહકોએ મુસાફરી કરી હતી. માત્ર વિશેષ ટ્રેનો જ નહીં, પરંતુ અમદાવાદથી દિલ્હી, મુંબઈ અને પુણે જતી વંદે ભારત, રાજધાની અને ગુજરાત મેલ જેવી પ્રીમિયમ ટ્રેનો પણ હાઉસફુલ રહી હતી. પ્રશંસકોની ભારે ભીડને પહોંચી વળવા માટે રેલવેએ કેટલીક ટ્રેનોમાં છેલ્લી ઘડીએ તત્કાલ ધોરણે વધારાના કોચ પણ ઉમેર્યા હતા. વ્યૂહાત્મક આયોજન અને સુરક્ષા વ્યવસ્થાપશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય શહેરોને જોડવા માટે 6 ટ્રેનો અમદાવાદ આવવા માટે અને 6 ટ્રેનો મેચ બાદ પરત જવા માટે સંચાલિત કરવામાં આવી હતી. મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ અને પુણે જેવા સ્ટેશનોથી સીધી કનેક્ટિવિટી આપવામાં આવી હતી. આ આયોજનની ખાસિયત એ હતી કે નિયમિત ટ્રેનોના શિડ્યુલને ખલેલ પહોંચાડ્યા વગર મુસાફરોને ‘ડોર-ટુ-ડોર’ જેવી સુવિધા મળી રહે તેવું મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું. સ્ટેશનો પર ભીડને કાબૂમાં રાખવા માટે વધારાના RPF જવાનો અને વાણિજ્યિક સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. યાત્રીઓની સહાયતા માટે ખાસ હેલ્પ ડેસ્ક અને સતત ઉદ્ઘોષણા પ્રણાલી કાર્યરત રાખવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય. આ સફળ કામગીરીએ સાબિત કરી દીધું છે કે મોટા પાયે આયોજિત ઇવેન્ટ્સમાં પશ્ચિમ રેલવેની વ્યવસ્થાપન ક્ષમતા અત્યંત પ્રભાવશાળી છે.
પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીને અડીને આવેલા વલાદ ગામમાં આજે વિકાસના તમામ દાવાઓ પોકળ સાબિત થયા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. ગામના રાવળ સમાજના એક વડીલના અવસાન બાદ તેમને સન્માનજનક અંતિમ વિદાય આપવા માટે સ્મશાનની જમીન ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આખરે જમીનની માંગ સાથે ડાઘુઓ સહિત રાવળ સમાજના લોકો ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરી અને ત્યારબાદ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અંતિમ ક્રિયા માટે જમીન ન હોવાથી નદીના કોતરોમાં ભટકવું પડી રહ્યું છેગાંધીનગર ગિફ્ટ સિટી પાસેના વલાદ ગામમાં માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારતની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ વલાદ ગામના રાવળ સમાજના લોકોને પોતાના સ્વજનના મૃત્યુ બાદ તેમની અંતિમ ક્રિયા કરવા માટે જમીન ન હોવાથી નદીના કોતરોમાં ભટકવું પડી રહ્યું છે. વર્ષો જૂની સ્મશાનની માંગણી સંતોષાઈ ન હોવાથી આજે રોષે ભરાયેલા સમાજના લોકો ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. નદીના કોતર વિસ્તારમાં ખાડો ખોદીને વડીલના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડીઆજે વલાદ ગામમાં રાવળ સમાજના એક વડીલનું અવસાન થયું હતું. પરિવાર શોકમાં ડૂબેલ હતો પરંતુ, આ શોકની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો કે મૃતકની અંતિમ ક્રિયા ક્યાં કરવી? ગામમાં રાવળ સમાજ માટે ફાળવાયેલું કોઈ ચોક્કસ સ્મશાન ન હોવાથી દર વખતની જેમ ડાઘુઓ અને સમાજના લોકો અસમંજસમાં મુકાઈ ગયા હતા. લાંબી ચર્ચાઓ અને પંચાયતમાં રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા, આખરે મજબૂર બનેલા ડાઘુઓ મૃતદેહને લઈને નદીના અંતરિયાળ રસ્તાઓ પર નીકળ્યા હતા. અંતે નદીના કોતર વિસ્તારમાં ખાડો ખોદીને વડીલના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. તલાટી અને સરપંચને આ બાબતે વારંવાર રજૂઆત કરીઆ ઘટનાને પગલે રાવળ સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. સમાજના લોકોનો આક્ષેપ છે કે, ગામના તલાટી અને સરપંચને આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ યોગ્ય જવાબ આપતા નથી. સ્થાનિક તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ જમીન ફાળવણીની પ્રક્રિયામાં કોઈ રસ દાખવવામાં આવતો નથી. વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે ગરીબ લોકોને પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડ્યોજિલ્લા પંચાયત ખાતે રજૂઆત દરમિયાન જાણવા મળ્યું હતું કે જમીન ફાળવણીની સત્તા કલેક્ટર હસ્તક હોય છે. આથી, પોતાની વ્યથા ઠાલવવા અને કાયમી ઉકેલની માંગ સાથે રાવળ સમાજના લોકો કલેક્ટર કચેરીએ પણ પહોંચ્યા હતા. આ અંગે પંચાયત બોડીના સભ્ય ભવાનસિંહ ગોરે પણ આ મુદ્દે સમાજને સમર્થન આપતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે ગરીબ અને પછાત વર્ગના લોકોને પાયાની સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સ્મશાન જેવી સંવેદનશીલ બાબતમાં વિલંબ એ તંત્રની નિષ્ફળતા છે. જ્યારે સમાજના અતુલ રાવળે કહ્યું કે,અમારા સમાજની આ વર્ષો જૂની માંગ છે. આજે વડીલના અવસાન વખતે અમારે જે હાલાકી ભોગવવી પડી છે તે જોઈને હૃદય દ્રવી ઉઠે છે. શું અમને મર્યા પછી બે ગજ જમીન મેળવવાનો પણ અધિકાર નથી?હવે જોવાનું એ રહે છે કે, વહીવટી તંત્ર આ ગંભીર મુદ્દે જાગશે કે પછી આગામી દિવસોમાં પણ રાવળ સમાજે પોતાના સ્વજનોની અંતિમ યાત્રા નદીના કોતરોમાં જ લઈ જવી પડશે.
મહેસાણા શહેરની સુંદરતા અને સ્વચ્છતા જાળવવા માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અંતર્ગત પાલિકાએ ‘બલ્ક વેસ્ટ જનરેટર’ BWG પોલિસી જાહેર કરી છે. વ્યાવસાયિક એકમો માટે કચરાનું વર્ગીકરણ અને પ્રોસેસિંગ ફરજિયાતઆ પોલિસી મુજબ હવે શહેરના હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ અને લગ્નવાડી જેવા વ્યાવસાયિક એકમો માટે કચરાનું વર્ગીકરણ અને પ્રોસેસિંગ ફરજિયાત બનશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ પોલિસીનો ત્વરિત અમલ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. જેનાથી શહેરની કચરા નિકાલની વ્યવસ્થામાં મોટો બદલાવ આવવાની શક્યતા છે. આ નવી પોલિસી હેઠળ દૈનિક ઉત્પન્ન થતા કચરાના જથ્થાના આધારે એકમોને ચાર મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. 25 કિલોથી ઓછો કચરો ધરાવતા એકમોને 'અન્ય', 25થી 50 કિલો માટે 'લઘુ', 51થી 100 કિલો માટે 'મધ્યમ' અને 101 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમોને 'મહા બલ્ક વેસ્ટ જનરેટર' તરીકે ઓળખવામાં આવશે. મહત્વની વાત એ છે કે, આ તમામ પ્રકારના એકમોએ મહાનગરપાલિકામાં એકવાર નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. ખાસ કરીને લગ્ન હોલ અને રિસોર્ટ જેવા મોટા એકમોએ કોઈપણ પ્રસંગના 7 દિવસ પૂર્વે પાલિકાની ઓનલાઈન મંજૂરી મેળવવી પડશે. નિયમોનું પાલન ન કરનાર એકમો સામે તંત્ર દ્વારા ભારે દંડની જોગવાઈજો આ એકમો દ્વારા કચરાનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા કેટેગરી મુજબ દર મહિને 1,000થી 6,000 સુધીનો યુઝર ચાર્જ વસૂલવામાં આવશે. જ્યારે મોટા પ્રસંગો યોજતા 'મહા બલ્ક વેસ્ટ જનરેટર' પાસેથી પ્રસંગ દીઠ 10,000ની વસૂલાત કરવામાં આવશે. નિયમોનું પાલન ન કરનાર એકમો સામે તંત્ર દ્વારા ભારે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. મંજૂરી વગર કાર્યક્રમ યોજવા કે ખોટી માહિતી આપવા બદલ પ્રથમ વાર 25,000 અને બીજી વાર 50,000નો દંડ ફટકારવામાં આવશે. જો ત્રીજી વખત નિયમભંગ થશે તો જે-તે સંસ્થાનું વ્યવસાયિક લાયસન્સ રદ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે. ભીનો, સૂકો અને જોખમી કચરો મિશ્રિત કરનાર સામે પણ પાલિકા લાલ આંખ કરશે.
રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં આગામી 11 માર્ચ બુધવારના રોજ પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મનપાનાં વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે શહેરના 5 વોર્ડના લાખો નાગરિકોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડશે. ખાસ કરીને છેલ્લા માત્ર 40 દિવસમાં આ ચોથો પાણીકાપ હોવાથી લોકોમાં તંત્રની કાર્યપદ્ધતિ સામે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યા અનુસાર, ઈસ્ટ ઝોનમાં આવેલા વિનોદનગર પમ્પિંગ સ્ટેશન ખાતે હેડર લાઈન બદલવાની અત્યંત આવશ્યક કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત, GSR (ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર) ની સફાઈની કામગીરી પણ સાથે જ કરવામાં આવશે. બીજી તરફ, સેન્ટ્રલ ઝોનના ગુરુકુળ પમ્પિંગ સ્ટેશન પર પણ GSR સફાઈ અને ભાદર ઇનકમિંગ પાઇપલાઇનમાં નવા વાલ્વ મુકવાની કામગીરી કરવાની હોવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાશે. આ જાળવણીના કામોને લીધે બુધવારે વોર્ડ નં. 7, 13, 14, 17 અને 18 ના અમુક હિસ્સાઓમાં નળમાં પાણી આવશે નહીં. વોર્ડ નંબર મુજબ અસરગ્રસ્ત વિસ્તારોની વિગત વોર્ડ નં. 18 (વિનોદનગર હેડવર્કસ હેઠળના વિસ્તારો):રાધાક્રુષ્ણાનગર, રાધાનગર, રેઇનબો સોસાયટી, જવાહરનગર, શિવપાર્ક, શ્રદ્ધાપાર્ક, શિવશ્રધ્ધા સોસાયટી, શ્રધ્ધાદીપ સોસાયટી, ગ્રીનપાર્ક, શ્રધ્ધાપુરી સોસાયટી, રાધાક્રિષ્ણાનગર, સુખરામ સોસાયટી, વિનોદ્નગર, ભવનાથપાર્ક-1, ભવનાથપાર્ક-રંગીલાપાર્ક, પુરૂષાર્થ સોસાયટી, લાલપાર્ક, પારસ સોસાયટી, રજત સોસાયટી, શ્યામપાર્ક, શ્રધ્ધાનગર, ન્યું ગોપવંદના, ન્યું સર્વોદય સોસાયટી, સરદાર વલ્લભભાઇ સોસાયટી, ગુરુક્રુપા સોસાયટી, ઓમ તિરૂપતિ બાલાજી પાર્ક, બાલાજીપાર્ક (સુચિત), ધરમનગર (સુચિત) અને લક્ષ્મણપાર્ક. વોર્ડ નં. 17 (પાર્ટ-1):બાબરીયા કોલોની, અયોઘ્યા સોસાયટી, સુભાષ નગર ABC, આશાપુરા નગર, કોઠારિયા રોડ, જમના નગર, હકરીઘવા રોડ, કિરણ સોસાયટી, સુભાષ નગર 6, નહેરુનગર, જૂનું સુભાષ નગર, રાજલક્ષ્મી સોસાયટી, કામનાથ સોસાયટી, વિશ્રાન્તિ નગર, વિક્રાંતિ નગર, હુડકો-A અને B તેમજ મોરારીનગર. વોર્ડ નં. 13 (ગુરુકુળ હેડવર્કસ હેઠળના વિસ્તારો):નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી અને ટપુભવાન પ્લોટ. વોર્ડ નં. 7:ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા તેની આસપાસના વિગેરે વિસ્તારો. વોર્ડ નં. 14:વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર અને અમૃત પાર્ક. વોર્ડ નં. 17 (પાર્ટ-2):નારાયણ નગર ભાગ-1, 2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1, 2, 3, હસનવાડી ભાગ-1, 2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1, 2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી અને આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ. રાજકોટમાં ઉનાળાનો પ્રારંભ થતા પાણીની જરૂરિયાત વધી છે, તેવા સમયે જ મહાનગરપાલિકા દ્વારા મેન્ટેનન્સ અને GSR સફાઈના નામે વારંવાર પાણીકાપ ઝીંકવામાં આવી રહ્યો છે. છેલ્લા માત્ર 40 દિવસમાં આ ચોથો કાપ હોવાથી ગૃહિણીઓ અને શ્રમજીવી પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વખતે તંત્ર દ્વારા સફાઈ અને મેન્ટેનન્સનું એકસરખું કારણ રજૂ કરવામાં આવે છે, પરંતુ આયોજનના અભાવે વારંવાર આવતા કાપને લઈ ગૃહિણીઓની મુશ્કેલી વધી છે. હાલ જ્યારે પારો ઉપર ચડી રહ્યો છે અને પાણીની જરૂરિયાત વધી છે, ત્યારે જ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી આ લાંબી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
અમદાવાદના આંગણે સ્વામિનારાયણ જેતલપુરધામ ખાતે 5 થી 11 માર્ચ 2026 દરમિયાન આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવ માત્ર ભક્તિ જ નહીં, પરંતુ પર્યાવરણ જાળવણી માટે પણ સીમાચિહ્નરૂપ સાબિત થયો છે. આ મહોત્સવને 'ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ – ઇન્ડિયા' દ્વારા પાણી સંરક્ષણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા બદલ વિશિષ્ટ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. વેસ્ટ વોટર મેનેજમેન્ટની આધુનિક પહેલમહોત્સવમાં લાખો ભક્તોની ઉપસ્થિતિને કારણે પાણીનો વપરાશ વ્યાપક હતો. લાલજી મહારાજજીના માર્ગદર્શન હેઠળ, વપરાયેલા ગંદા પાણીને ફેંકી દેવાને બદલે તેને શુદ્ધ કરી પુનઃઉપયોગમાં લેવા માટે અત્યાધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. Reciclar Technologies Pvt. Ltd. અને Memtrix Technologies LLP ના ટેકનિકલ સહયોગથી સ્થાપિત આ પ્લાન્ટ GPCB અને CPCB ના કડક નિયમો મુજબ કાર્યરત કરાયો હતો. શુદ્ધિકરણની વૈજ્ઞાનિક પ્રક્રિયાઆ પ્રોજેક્ટમાં STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો. જેમાં ઇનલેટ ચેમ્બર દ્વારા ઘન કચરો દૂર કર્યા બાદ, ઇક્વલાઇઝેશન ટાંકામાં એર બ્લોઅર દ્વારા પાણીને મિક્સ કરી દુર્ગંધ મુક્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાયોલોજિકલ ટ્રીટમેન્ટ (MBR) અને ક્લેરિફાયર પ્રોસેસ દ્વારા BOD અને COD નું પ્રમાણ ઘટાડી પાણીને એટલું શુદ્ધ કરવામાં આવ્યું કે તેનો ઉપયોગ ફ્લશિંગ, ગાર્ડનિંગ, કૂલિંગ અને ખેતી માટે પણ કરી શકાયો. 28 લાખ લિટર પાણીનું રિસાયક્લિંગઆંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, મહોત્સવના 7 દિવસ દરમિયાન દરરોજ 4,00,000 લિટર પાણી શુદ્ધ કરવામાં આવ્યું હતું. આમ, સમગ્ર આયોજન દરમિયાન કુલ 28,00,000 લિટર પાણીનું સફળતાપૂર્વક રિસાયક્લિંગ થયું. આ શુદ્ધ થયેલું પાણી સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે આપીને ટકાઉ કૃષિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ધાર્મિક આયોજનોમાં પર્યાવરણ પ્રત્યેની આવી સભાનતા સમાજ માટે એક પ્રેરણાદાયી સંદેશ બની રહી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 06 માર્ચે યોજાઈ ગઈ છે. આ ચૂંટણીમાં 99 એડવોકેટ ઉમેદવાર તરીકે ઊભા હતા. જ્યારે રાજ્યમાંથી 76 હજારથી વધુ અને અમદાવમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતા હતા. જેની મત ગણતરી 9 માર્ચથી શરૂ થવાની હતી. જેમાં પ્રથમ હોદ્દેદારોનું પરિણામ આવવાનું હતું. ઉમેદવારોએ પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને મત ગણતરી શરૂ કરવાની માંગ કરીપરંતુ, મત ગણતરી શરૂ થઈ શકી નથી કારણ કે, ચૂંટણીના દિવસે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલ અટલ કલામ મતદાન સેન્ટર ખાતે વકીલોએ હોબાળો બચાવ્યો હતો. જે સંદર્ભે ચીફ રિટર્નિંગ ઓફિસર સહિત જોઈન્ટિંગ રીટર્નિંગ ઓફિસરોએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. તો ઉમેદવાર વકીલોએ પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને મત ગણતરી શરૂ કરવાની માંગ કરી છે. અટલ કલામ સેન્ટર ખાતે અમુક ઉમેદવારોએ બેલેટ પેપર ભરેલી ટ્રક રોક્યાનો આક્ષેપચૂંટણી અધિકારીના પત્રમાં જણાવ્યા મુજબ ચૂંટણીના દિવસે રાત્રે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલ મતદાન મથક અટલ કલામ સેન્ટર ખાતે કેટલાક વકીલ ઉમેદવારોએ બેલેટ પેપર ભરેલી ટ્રક રોકી હતી. જેની આગળ પાછળ કોઈ સિક્યુરિટી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેથી, બેલેટ પેપરની ચોરી થાય અથવા તેમાં ઘાલમેલ કરવામાં આવે તો જવાબદાર કોને ગણવા તેઓ પ્રશ્નો ઉભો કરવામાં આવ્યો હતો. સાથે જ ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારી અને સ્ટાફને ધમકી આપવાની પણ ફરિયાદચૂંટણીના દિવસે અટલ કલામ સેન્ટર ખાતે ચૂંટણી અધિકારી અને સ્ટાફને ધમકી આપવાની ફરિયાદ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્વક રીતે યોજાઇ હતી તેમજ કોઈ નકારાત્મક ઘટના બની નહોતી. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતેના અટલ કલામ સેન્ટર ખાતે પણ બેલેટ પેપરને નિયમો મુજબ સીલ કરીને ઉમેદવારોની ચકાસણી બાદ તેમની સહી લઈને પોલીસની હાજરીમાં CCTVમાં ટ્રકમાં ગોઠવવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારીઓનો હુરિયો બોલાવવામાં આવ્યો હતોઆ પત્રમાં 12 વકીલ ઉમેદવારોના નામ લખવામાં આવ્યા છે. જેઓએ હોબાળો મચાવતા ચૂંટણી અધિકારીઓ ઘટના સ્થળે પરત આવ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સેક્રેટરી દ્વારા હોબાળાને જોતા પોલીસ પ્રોટેકશન માનવામાં આવ્યું હતું. પત્રમાં ઉલ્લેખિત ઉમેદવાર વકીલો અને તેમના સમર્થકોએ બેલેટ પેપર ભરેલી ટ્રક સળગાવવા ધમકી આપી હતી. ચૂંટણી અધિકારીઓનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. આ ચૂંટણીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોઈપણ બાબતને લઈને ઉમેદવારો દ્વારા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી નથી. ચૂંટણી અધિકારીઓ નિષ્ઠાથી કામ કર્યું હતું. આથી ચૂંટણી અધિકારીઓની માંગ છે કે, ઉમેદવારો મત ગણતરીમાં હસ્તક્ષેપ કરે નહીં. જો આ પરિસ્થિતિ શાંત થશે નહીં ત્યાં સુધી મત ગણતરી યોજાશે નહીં અને ચૂંટણી અધિકારીઓ રાજીનામું આપશે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સેફ્ટી ક્ષેત્રે અપ્રતિમ કામગીરી કરનારા 7 રેલવે કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીના દ્વારા પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. DRM ઓફિસના કોન્ફરન્સ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વીજળી (ટ્રેક્શન) વિભાગના આ કર્મચારીઓની નવેમ્બર 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાનની અસાધારણ સતર્કતાને બિરદાવવામાં આવી હતી. સન્માનિત થનાર કર્મવીરોરેલ સુરક્ષામાં મહત્વનું પ્રદાન કરનારા કર્મચારીઓમાં હિતેશ કુમાર ગઢિયા (SSE, હાપા), જગદીશ પ્રસાદ સાહુ (લોકો પાયલટ, રાજકોટ), મિતેશ પી. વાઘેલા (લોકો પાયલટ, રાજકોટ), જયદીપ પીઠવા (લોકો પાયલટ, રાજકોટ), પ્રકાશ દાસ (લોકો પાયલટ, હાપા), સુનિલ કુમાર યાદવ (લોકો પાયલટ, સુરેન્દ્રનગર) અને સીતારામ ઘાસવા (લોકો પાયલટ, હાપા) નો સમાવેશ થાય છે. કેવી રીતે અટકાવી મોટી હોનારત?આ કર્મચારીઓએ પોતાની ફરજ દરમિયાન અનેક ટેકનિકલ ક્ષતિઓ સમયસર શોધી કાઢી હતી: ઓખા-દહેરાદૂન એક્સપ્રેસ: ટ્રેન નંબર 19565 જ્યારે ખંભાળિયા પાસેથી પસાર થતી હતી ત્યારે વ્હીલના ઢીલા બોલ્ટની સમયસર ઓળખ કરી રિપેરિંગ કરાવાયું હતું. ટ્રેકની ખામી: એન્જિન શન્ટિંગ દરમિયાન અવાજ પરથી ટ્રેકમાં માટીનો ધસારો શોધી કાઢ્યો હતો. વેગન તપાસ: માલગાડીના વેગનમાં તૂટેલી નકલ પિન અને રાજકોટ સાઇડિંગમાં વેલ્ડિંગ જોઈન્ટની ખામી શોધીને ત્વરિત સમારકામ સુનિશ્ચિત કર્યું હતું. અધિકારીઓની ઉપસ્થિતિઆ પ્રસંગે DRM ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે, આ કર્મચારીઓની ત્વરિત નિર્ણયશક્તિ સમગ્ર ડિવિઝન માટે પ્રેરણારૂપ છે. કાર્યક્રમમાં ADRM કૌશલ ચૌબે, ડો. રાજકુમાર, રમેશ ચંદ્ર મીણા, સુધીર દુબે, મનોજ કુમાર રાવ અને જેઠાભાઈ ડામોર જેવા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બોટાદ-સાળંગપુર-બરવાળા રોડને ફોર લેન બનાવવામાં આવશે. આ 22.500 કિલોમીટર લાંબો માર્ગ ₹124.40 કરોડથી વધુના ખર્ચે તૈયાર થશે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની મુખ્યમંત્રી સમક્ષ વારંવારની રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટમાં બોટાદથી સાળંગપુર સુધી પગપાળા યાત્રાળુઓ માટે અલગ ફૂટપાથ પણ બનાવવામાં આવશે. શનિવારે કષ્ટભંજનદેવના દર્શનાર્થે પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે આ માર્ગ સુરક્ષિત બનશે, જેથી અકસ્માતનું જોખમ ઘટશે. સાળંગપુર સ્થિત કષ્ટભંજનદેવ મંદિર અને BAPS પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિર દેશભરમાં જાણીતા છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. ફોર લેન રોડ બનવાથી આ ટ્રાફિક સમસ્યાનો પણ ઉકેલ આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાળંગપુરની આસપાસ બાયપાસ રોડ પણ બનાવવામાં આવશે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ અંગેની માહિતી આપી હતી.
ભાવનગર જિલ્લા પંચાયત ખાતે આજે આગામી નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવા માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણી અને ઉપપ્રમુખ વિક્રમ ડાભી દ્વારા આ વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે, બજેટમાં ગ્રામ્ય જનતા પર કોઈ પણ પ્રકારનો નવો કરવેરો નાખવામાં આવ્યો નથી, સ્વભંડોળ હેઠળ નીચે મુજબની ફાળવણી કરવામાં આવી છે જેમાં ગામડાઓમાં સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ બનાવવા માટે રૂપિયા 30 લાખની જોગવાઈ, જેમાં 60 ટકા રકમ સરકાર અને 40 ટકા જિલ્લા પંચાયત ભોગવશે, નવી યોજનાઓ અને નગરપાલિકાની શાળાઓમાં મૂડીગત ખર્ચ માટે રૂપિયા 140 લાખ, ચૂંટાયેલા સભ્યોના વિસ્તારના કામો માટે રૂપિયા 200 લાખ અને સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાંથી રૂપિયા 200 લાખ, SC/ST/OBC સમાજના ઉત્કર્ષ માટે રૂપિયા 131 લાખ, ક્ષેત્રે વિકાસ માટે રૂપિયા 270 લાખની ફાળવણી, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મજયંતિની ઉજવણી માટે ખાસ જોગવાઈ કરવામાં આવી હતી, કુલ અંદાજિત આવક રૂપિયા 1213.72 કરોડ સરકારી ગ્રાન્ટ + સ્વભંડોળ ખુલતી સિલક રૂપિયા 566.84 કરોડ કુલ ઉપલબ્ધ રકમ રૂપિયા 1780.57 કરોડ, કુલ સૂચિત ખર્ચ રૂપિયા 1192.57 કરોડ વર્ષના અંતે પુરાંત રૂપિયા 588 કરોડ મંજુર કરાયું હતું, આ અંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિક્રમ ડાભીએ જણાવ્યું હતું કે, આ બજેટ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે સભ્યોની ગ્રાન્ટમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી અને શિક્ષણ તેમજ ગ્રામીણ સુવિધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, આ અંગે વિરોધપક્ષ નેતા બળદેવ સોલંકીએ જણાવ્યું હતું કે, વિપક્ષ દ્વારા આ બજેટને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે આ બજેટ માત્ર આંકડાઓની માયાજાળ છે ખેડૂતો, પશુપાલકો કે આરોગ્ય ક્ષેત્રે કોઈ નવી નક્કર જોગવાઈ કરવામાં આવી નથી, જે ખર્ચ કાગળ પર બતાવવામાં આવે છે, તે ગ્રાઉન્ડ લેવલ પર દેખાતો નથી, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રજૂ થયેલા આ બજેટને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે વિપક્ષે દાવો કર્યો છે કે જનતા જાગૃત બની છે અને આગામી સમયમાં પરિવર્તન લાવશે.
અમદાવાદ સ્થિત GCS હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 8 માર્ચના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં હોસ્પિટલના મેડિકલ, પેરા-મેડિકલ અને નોન-મેડિકલ સ્ટાફની મહિલાઓ તેમજ વિદ્યાર્થીનીઓ સહિત 350થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મહિલાઓના સ્વાસ્થ્ય માટે નિઃશુલ્ક મેમોગ્રાફી અને પેપ્સ સ્મિયર ટેસ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. જેમાં ડાન્સ, મ્યુઝિક અને ગ્રુપ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. 350થી વધુ મહિલાઓએ સોલો અને ગ્રુપ પર્ફોર્મન્સ રજૂ કરીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. GCS હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને મહિલા સેલના ચેરપર્સન ડૉ. હિના છાનવાલે જણાવ્યું હતું કે, GCS હોસ્પિટલ દર વર્ષે મહિલા દિવસની ધામધૂમથી ઉજવણી કરે છે. આ વર્ષે પણ તમામ મહિલા સ્ટાફ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ઉજવણીને સફળ બનાવી હતી. મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે વિશેષ પહેલ રૂપે સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સરના વહેલા નિદાન માટે નિઃશુલ્ક મેમોગ્રાફી અને પેપ્સ સ્મિયર ટેસ્ટ ઉપલબ્ધ કરાવાયા હતા. હોસ્પિટલના મહિલા સ્ટાફ અને વિદ્યાર્થીનીઓને આ તપાસ માટે કૂપન આપવામાં આવ્યા હતા, જેથી સમયસર નિદાન અને સારવાર શક્ય બની શકે.
અમદાવાદ શહેરમાં વધતી મોંઘવારીને કારણે અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે દૈનિક જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. આ પરિસ્થિતિમાં હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા આવા પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્ય જરૂરિયાતમંદો માટે મહત્વપૂર્ણ સહાય પૂરું પાડે છે. રાશન કીટમાં ઘઉં, ચોખા, દાળ, તેલ, ખાંડ અને મસાલા જેવી આવશ્યક ખાદ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ કીટ ઓછી આવક ધરાવતા પરિવારોને આર્થિક રાહત પૂરી પાડે છે, જેમને રોજગારની અછતને કારણે દૈનિક ભોજન મેળવવામાં મુશ્કેલી પડે છે. આનાથી તેમના ઘરમાં થોડા દિવસો સુધી ભોજનની ચિંતા ઓછી થાય છે. આવા સેવાકાર્યો સમાજમાં માનવતા, સહાનુભૂતિ અને પરસ્પર સહયોગની ભાવનાને મજબૂત બનાવે છે. જ્યારે સક્ષમ સંસ્થાઓ અને વ્યક્તિઓ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવે છે, ત્યારે સમાજ વધુ સંવેદનશીલ અને એકતાભર્યો બને છે. હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા કરાયેલું આ રાશન વિતરણ માત્ર ભૌતિક સહાય નથી, પરંતુ તે જરૂરિયાતમંદ લોકોમાં આશા અને વિશ્વાસ પણ જગાવે છે. આ કાર્યથી તેમને સમાજ તરફથી સમર્થન મળ્યાનો અનુભવ થાય છે. અમદાવાદ શહેરમાં હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા રાશન કીટનું વિતરણ સેવા, માનવતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આવા કાર્યો સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવી અન્ય લોકોને પણ સેવાકાર્યો માટે પ્રેરણા આપે છે.
વાઘોડિયા રોડ પર આવેલી કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા (સવાર સત્ર) ખાતે ૯ માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને મહિલાઓના યોગદાન અને કાર્યો વિશે વિશેષ જાણકારી આપવામાં આવી હતી.ઉજવણીના ભાગરૂપે, ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ ચિત્રો દોરનારા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના સંગીત શિક્ષક આર્ષ ભાઈ દ્વારા મહિલાઓના સન્માનને ઉજાગર કરતું એક સુંદર ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ, શાળાના આચાર્યએ મહિલાઓના સમાજમાં યોગદાન બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે, શાળાની તમામ મહિલા શિક્ષિકાઓને ગુલાબ અને પેન આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં મહિલાઓ પ્રત્યે આદર અને સન્માનની ભાવના જગાડવાનો હતો.
મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં ઉત્તર ગુજરાત અને મહેસાણા મતવિસ્તારમાં રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. તેમણે કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય સમક્ષ તારાંકિત પ્રશ્ન ક્રમાંક 223 દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં નિર્મિત આઉટડોર તથા ઇન્ડોર સ્ટેડિયમોની વિગતો માંગી હતી. આ ઉપરાંત તેમણે મહેસાણા લોકસભા મતવિસ્તારમાં આગામી સમયમાં નવા સ્ટેડિયમ બનાવવાની સરકારની કોઈ યોજના છે કે કેમ? અને જો હોય તો તેનું નિર્માણ ક્યાં સુધીમાં પૂર્ણ થશે તે અંગે પણ પૃચ્છા કરી હતી. રમતગમત એ રાજ્યનો વિષય હોવાથી સ્ટેડિયમના નિર્માણની જવાબદારી તેમની છેસાંસદના આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરી હતી કે, રમતગમત એ રાજ્યનો વિષય હોવાથી સ્ટેડિયમના નિર્માણની પ્રાથમિક જવાબદારી જે-તે રાજ્ય સરકાર કે કેન્દ્રશાસિત પ્રદેશની રહે છે. જોકે, કેન્દ્ર સરકાર રાજ્યોના આ પ્રયાસોમાં પૂરક બનીને મહત્વની સુવિધાઓના અભાવને દૂર કરવામાં નાણાકીય સહાય પૂરી પાડે છે. પ્રોજેક્ટ્સની વિગતો પારદર્શિતા માટે મંત્રાલયના ડેશબોર્ડ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવીકેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મંત્રાલય દ્વારા અમલી 'ખેલો ઇન્ડિયા સ્કીમ' અને 'રાષ્ટ્રીય ખેલ વિકાસ નિધિ' (NSDF) જેવી યોજનાઓ સંપૂર્ણપણે માંગ-આધારિત છે. જ્યારે પણ રાજ્ય સરકાર કે પાત્ર સંસ્થાઓ તરફથી સ્ટેડિયમ નિર્માણ માટેના દરખાસ્તો (પ્રોપોઝલ) મળે છે. ત્યારે તેની તકનીકી યોગ્યતા અને ઉપલબ્ધ ભંડોળને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ યોજનાઓ હેઠળ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સની વિગતો પારદર્શિતા માટે મંત્રાલયના ડેશબોર્ડ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આમ, ઉત્તર ગુજરાતમાં રમતગમતની સુવિધાઓનો વિસ્તાર રાજ્ય સરકારના પ્રસ્તાવ અને કેન્દ્રની ગાઈડલાઈન્સના આધારે આગળ વધશે તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે.
પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામ ખાતે સનાતન પરંપરાઓ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા માટે એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવાગામ મંડલ હિન્દુ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાધુ-સંતો, મહેમાનો અને મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન, ઉપસ્થિત સાધુ-સંતો, મહેમાનો અને વિચરતી-વિમુક્ત જાતિની દીકરીઓ સહિત તમામ હિન્દુ ભાઈ-બહેનો દ્વારા ભારતમાતાની સામૂહિક આરતી ઉતારવામાં આવી હતી. આ દ્રશ્યએ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કર્યો હતો. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સામાજિક સમરસતા, સદ્ભાવના, સંસ્કાર અને હિન્દુ સ્વાભિમાનની જાગૃતિ લાવવાનો હતો. માંડવી ચોક, નવાગામ-ખારાઘોડા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પધારેલા સાધુ-સંતો અને મહેમાનોનું સામૈયું કરી કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરીને સંમેલનનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે દેગામ ગુરુકૃપા આશ્રમના ચંદુબાપુ, મુલાડાના કરશનદાસ બાપુ, હસાબાપુ, બ્રહ્માકુમારીઝ પ્રિયાદીદી સહિતના અનેક સાધુ-સંતોએ હાજરી આપી હતી. મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘુમંતુ કાર્યના સુરેન્દ્રનગર વિભાગ સંયોજક નીલકંઠભાઈ વાસુકિયા અને પ્રખ્યાત સુંદરકાંડ આરાધક મનસુખભાઈ પટેલ (રાધે) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારીઝ પ્રિયાદીદીએ પોતાના આશીર્વચનમાં સનાતન હિન્દુ ધર્મ, આસ્થાના કેન્દ્રો અને વિશ્વ શાંતિ જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. મુખ્ય વક્તા નીલકંઠભાઈ વાસુકિયાએ 'આપણે કોણ છીએ', સનાતન હિન્દુ ધર્મ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યો, સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્ય સહિતના વિષયો પર વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. સંમેલન બાદ સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નવાગામ મંડલ હિન્દુ સમિતિ દ્વારા આ વિરાટ હિન્દુ સંમેલનને સફળ બનાવવા માટે સેવા અને યોગદાન આપનાર સૌ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિકાસની ગતિની સાથે જ દબાણો દૂર કરવાની ઝુંબેશ તેજ બની છે. શનિવારે યોજાયેલી સંકલન બેઠકમાં ધારાસભ્ય કુમાર કાનાણીની ઉગ્ર રજૂઆત બાદ આજે વરાછા બ્રિજ નીચે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન એક કરુણ દ્રશ્ય સર્જાયું હતું પાલિકા દ્વારા બધો સામાન ઉઠાવી લેવામાં આવ્યો હતો ત્યારે એક મહિલા પોતાના બાળકને કાંખમાં લઈને એક પોટલું આપી દેવા કર્મચારીઓ પાસે આજીજી કરી રહી હતી. વરાછા બ્રિજ હેઠળના દબાણ દૂર કરવામાં આવ્યાશનિવારે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને શહેરના ધારાસભ્યો વચ્ચેની સંકલન બેઠકથી થઈ હતી. આ બેઠકમાં વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ બ્રિજ નીચે થતા દબાણો અને તેને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે બ્રિજ નીચે ગેરકાયદે લારી-ગલ્લા અને રહેઠાણોને કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે. તેમની આ ઉગ્ર રજૂઆતના પગલે મનપા દ્વારા તાત્કાલિક દબાણ હટાવવાની સૂચના આપી હતી. સોમવારે સવારથી જ સુરત મહાનગરપાલિકાનો કાફલો પોલીસ પ્રોટેક્શન સાથે વરાછા બ્રિજ નીચે પહોંચી ગયો હતો. જેસીબી અને ટ્રકો સાથે તંત્રએ વર્ષોથી ત્યાં રહેતા પરિવારો અને લારી-ગલ્લા ધારકો પર કાર્યવાહી શરૂ કરી હતી. બ્રિજ નીચે ઉભેલા ગેરકાયદે પતરાના શેડ અને કાચા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા માલ-સામાન જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરાતા આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકના કપડા પરત આપવા માતાની આજીજીઆ આખી કાર્યવાહીમાં એક એવું દ્રશ્ય સામે આવ્યું જેણે જોનારા તમામની આંખો ભીની કરી દીધી હતી. જ્યારે પાલિકાના કર્મચારીઓ દબાણનો સામાન ભરીને ટ્રક હંકારી રહ્યા હતા, ત્યારે એક ગરીબ મહિલા રડતી રડતી પોતાના બાળકને કાંખમાં લઈને ટ્રક પાછળ દોડી હતી. મહિલા રડતા રડતા કરગરી રહી હતી અને કહેતી હતી, મામા, મારું એક પોટલું આપી દો... એમાં મારા છોકરાના કપડાં છે. આ છોકરાના કપડાં આપી દો. પોતાના વહાલસોયા બાળકો માટે કપડાં જેવી પાયાની જરૂરિયાત મેળવવા માટે એ મહિલાની ચીસ હવામાં ઓગળી ગઈ, પણ ટ્રક રોકાઈ નહીં. આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં તંત્રની સંવેદનહીનતા સામે ભારે ચર્ચાઓ જાગી છે. વરાછાએ સુરતનો સૌથી ગીચ વિસ્તાર છે. અહીં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે દબાણ દૂર કરવા અનિવાર્ય છે પરંતુ જે લોકો દાયકાઓથી બ્રિજ નીચે આશરો લઈ રહ્યા છે તેમની પાસે બીજું કોઈ ઠેકાણું નથી. જ્યારે તંત્ર કાર્યવાહી કરે છે ત્યારે સૌથી વધુ ફટકો આવા શ્રમિક પરિવારોને પડે છે. લોકોમાં ચર્ચા છે કે, દબાણ હટાવવું જોઈએ એમાં બેમત નથી પરંતુ શું આ ગરીબ બાળકોના કપડાં જપ્ત કરવાથી શહેર સ્માર્ટ બની જશે?
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલ પાંખની 5 વર્ષની મુદ્દત આગામી 11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. લોકશાહી ઢબે ચૂંટાયેલી બોડીની ટર્મ પૂરી થતાની સાથે જ મનપામાં વહીવટદાર શાસનનો આરંભ થશે. રાજ્ય સરકાર દ્વારા આ મહત્વની જવાબદારી રાજકોટના પૂર્વ કલેક્ટર રમ્યા મોહનને સોંપવામાં આવી છે. તેઓ મહાનગરપાલિકાના ઈતિહાસમાં 12 મા વહિવટદાર તરીકે કાર્યભાર સંભાળશે. સંભવિત રીતે 12 અથવા 13 માર્ચના રોજ તેઓ પોતાનો ચાર્જ સંભાળી લેશે તેવી શક્યતા છે. હાલમાં રમ્યા મોહન ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે, જેથી તેઓ અઠવાડિયામાં 2 દિવસ રાજકોટમાં હાજર રહીને મનપાના વહીવટી અને નીતિ વિષયક નિર્ણયોની પ્રક્રિયાને વેગ આપશે. નગરસેવકોના હોદ્દા અને સુવિધાઓ છીનવાશે મહાનગરપાલિકામાં હાલ ભારતીય જનતા પાર્ટીના 68 અને કોંગ્રેસના 4 મળી કુલ 72 નગરસેવકોની મુદ્દત 11 માર્ચના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ તમામ પદાધિકારીઓ પાસેથી સરકારી કાર, બંગલા અને અન્ય સુવિધાઓ પરત ખેંચી લેવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈને નવી બોડીની નિમણૂંક થાય ત્યાં સુધી, એટલે કે અંદાજે 2 માસ સુધી તમામ સત્તા વહિવટદારના હસ્તક રહેશે. રમ્યા મોહન કમિશનર દ્વારા મોકલવામાં આવતી દરખાસ્તો પર નિર્ણય લેશે અને નિયમાનુસાર તેઓ સ્ટેન્ડિંગ કમિટી તેમજ જનરલ બોર્ડની સત્તાઓ ભોગવશે. જોકે, આ દરમિયાન યોજાનારી બેઠકોમાં માત્ર અધિકારીઓ જ સામેલ થશે. અગાઉ 2020 માં કોરોના મહામારીના કપરા કાળ દરમિયાન તત્કાલીન કમિશનર ઉદિત અગ્રવાલને સ્ટેન્ડિંગ કમિટીની સત્તા સાથે વહિવટદાર તરીકે નિમણૂંક અપાઈ હતી. આચારસંહિતા અને મતદાનનો સંભવિત કાર્યક્રમ રાજકોટ સહિત રાજ્યની અન્ય 6 મહાપાલિકાઓમાં પણ વહીવટદાર રાજ લાગુ થવા જઈ રહ્યું છે. 25 માર્ચ સુધીમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે, જેને પગલે મતદાનની પ્રક્રિયા 25 એપ્રિલથી 1 મેની વચ્ચે યોજાઈ શકે છે. આ આચાર સંહિતા અને ચૂંટણીના ગાળા દરમિયાન શહેરની રુટીન કામગીરી ખોરવાય નહીં તે માટે વહિવટદારની ભૂમિકા અત્યંત મહત્વની બની રહેશે. રમ્યા મોહન અગાઉ રાજકોટમાં કલેક્ટર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા હોવાથી તેઓ શહેરની ભૌગોલિક અને વહીવટી સ્થિતિથી સારી રીતે વાકેફ છે, જેનો લાભ મનપાને મળશે. નવા પ્રોજેક્ટો મે માસ સુધી વિલંબમાં મુકાય તેવી શક્યતા જોકે, વહીવટદાર શાસન લાગુ થવાને કારણે નવા વિકાસલક્ષી પ્રોજેક્ટો પર બ્રેક લાગવાની સંભાવના સેવાઈ રહી છે. સામાન્ય રીતે રુટીન જાળવણી અને સફાઈ જેવી કામગીરી રાબેતા મુજબ ચાલશે, પરંતુ રોડ-રસ્તા કે અન્ય મોટા પ્રોજેક્ટો માટેની નવી ટેન્ડર પ્રક્રિયા અટકી શકે છે. કોઈપણ નવા પ્રોજેક્ટ માટે કમિશનર વિભાગે દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મોકલવી પડે છે. આગામી 2 માસ સુધી નવી ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં નહીં હોવાથી નીતિ વિષયક મોટા નિર્ણયો લેવામાં મર્યાદાઓ આવી શકે છે, જેના કારણે મે માસ સુધી નવા પ્રોજેક્ટો વિલંબમાં પડી શકે છે. અડધી સદીમાં 12 મી વખત વહિવટદારની નિમણૂંક મહાનગરપાલિકાની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક દિગ્ગજ અધિકારીઓએ વહિવટદાર તરીકે સેવા આપી છે. 1974-75 માં એન. એમ. બ્રિજલાણી, સી.સી. ડોક્ટર, અને કે. ઓ. વરદન જેવા અધિકારીઓએ શાસન સંભાળ્યું હતું. ત્યારબાદ 1980-81 માં આર. રામભદ્રન, 1993-95 દરમિયાન અશોક કોશી અને અશોક નારાયણની નિમણૂંક થઈ હતી. વર્ષ 2000 માં પી.એન. રોય ચૌધરી અને 2005 માં જી. આર. અલોરીયાએ આ પદ શોભાવ્યું હતું. 2020-2021 માં ઉદિત અગ્રવાલ બાદ હવે 2026 માં રમ્યા મોહન આ યાદીમાં સામેલ થશે. શહેરીજનો આશા રાખી રહ્યા છે કે અનુભવી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીના સમયગાળામાં પણ શહેરની પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહેશે.
વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ આજે પૂર્ણ થઇ છે. આવતીકાલથી પાલિકામાં વહીવટદારનું શાસન જોવા મળશે.ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં કેટલાક પદાધિકારીઓએ પોતાના સામાનના પોટલા બાંધી પોતાની સાથે લઇ જવાની તૈયારી કરી દીધી હતી તો અધિકારીઓએ પણ જરૂરી કાગળો અને ફાઈલો વ્યવસ્થિત સુરક્ષિત જગ્યાએ મૂકવાની તૈયારીઓ કરી દીધી છે. અંતિમ દિવસે પાલિકાના ચૂંટાયેલા સભ્યોનું ફોટોસેશનકોર્પોરેશનના ચૂંટાયેલા સભ્યો દ્વારા અંતિમ દિવસે કમાટી બેગ ખાતે ફોટો સેશનનું આયોજન કર્યું હતું. તમામ કોર્પોરેટર ભેગા થયા હતા અને 5 વર્ષની યાદો વાગોળી હતી. તમામે એકબીજા સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. કોર્પોરેશનની ચૂંટણી હજુ સુધી જાહેર નથી થઇ ત્યારે આગામી સમયમાં વર્તમાન બોર્ડના કેટલા સભ્યો રિપીટ થાય છે અને કોની આ અંતિમ ટર્મ હશે તેની પણ કાનાફૂસી જોવા મળી હતી. વર્તમાન બોર્ડ સૌથી ચર્ચામાં રહ્યુંવડોદરા મહાનગરપાલિકાનું વર્તમાન બોર્ડ શરૂઆતથી જ ચર્ચામાં રહ્યું હતું. પાલિકામાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ પહોંચી હતી અને તેના કારણે કેટલીક વખત તો પ્રદેશ કક્ષાની નેતાગીરીએ પણ દરમિયાનગીરી કરવી પડી હતી. ક્યારેક આંતરિક જૂથબંધી તો ક્યારેક વિવાદાસ્પદ નિવેદનોના કારણે વર્તમાન પદાધિકારીઓ ચર્ચામાં રહ્યા હતા. એકબીજાના ટાંટિયા ખેંચવામાં આ બોર્ડે કોઈ કચાશ રાખી ન હતી અને તેના કારણે કેટલાક પદાધિકારીઓ અને સભ્યો તો મોવડી મંડળ માટે માથાના દુખાવા સમાન બની ગયા હતા. કેટલાય દુભાયેલા મને ઘરે પરત ફર્યાઆગામી સમયમાં ચૂંટણી જાહેર થશે. આ વખતે ચૂંટણીઓમાં અનામતની નવી જોગવાઈઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે. અન્ય પછાત વર્ગો OBC માટે અનામત 10%થી વધારીને 27% કરવામાં આવી છે, જ્યારે મહિલાઓ માટે 50% બેઠકો અનામત રહેશે. આ નવા ફેરફારોને કારણે રાજકીય પક્ષોએ નવા ચહેરાઓને તક આપવી પડશે અને ઉમેદવારોની પસંદગીમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે ત્યારે આજે અંતિમ દિવસે અનેક લોકો પોતે રિપીટ નથી જ થવાના તેમ સમજીને જ દુભાયેલા મને ઘરે પરત ફર્યા હતા.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ અડાલજની વાવની મુલાકાતે T20 વર્લ્ડકપની ફાઈનલમાં શાનદાર જીત મેળવ્યા બાદ ઈન્ડિયન ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અડાલજની વાવની મુલાકાતે પહોંચ્યા. વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઈકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી ધમકી બોમ્બ થ્રેટનો સિલસિલો યથાવત.. ગુજરાત હાઈકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી..વકીલ અને પક્ષકારોને બહાર મોકલી પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંજલિ રુપાણીનો ભાજપ કારોબારી સભ્યોમાં સમાવેશ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણીનો રાજકોટ શહેર ભાજપના કારોબારી સભ્યોમાં સમાવેશ કરાયો.. રાજકોટ શહેર ભાજપના નવા હોદેદારોની નિમણૂક કરાઈ.. 70 કારોબારી સભ્યો-18 વોર્ડ પ્રભારી નિમાયા તો 3 મહામંત્રીને ઝોન વાઈઝ જવાબદારી સોંપવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાર્જ સંભાળતા જ એક્શનમાં આવ્યા નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યો. .ચાર્જ લેતા જ તેઓ એક્શનમાં આવી ગયા છે. પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ કરી સીધા ગોંડલ જશે..તેમની ગોંડલ મુલાકાતને બાહુબલીઓને સીધા મેસેજ તરીકે જોવાઈ રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વળતર ન ચૂકવતા પુરાતત્ત્વ વિભાગની મિલકત જપ્તીનો આદેશ રાજકોટ કોર્ટે પુરાતત્ત્વ વિભાગની મિલકત જપ્ત કરવા આદેશ કર્યો .. ધોળાવીરામાં જમીન સંપાદન બાદ ખેડૂતોને વળતર ન ચૂકવતા કોર્ટે આદેશ કર્યો.. ખેડૂતો બેલિફ સાથે કચેરીની પ્રોપર્ટી જપ્ત કરવા પહોંચ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું.. મંદિર,મસ્જિદ અને ચર્ચમાં માઇક સિસ્ટમનો અવાજ સંકુલ બહાર ન જવો જોઇએ, વરઘોડામાં અતિ ઉંચા અવાજથી ડીજે નહીં વગાડી શકાય..હોસ્પિટલ,શૈક્ષણિક સંકુલ, કોર્ટની 100 મીટરની મર્યાદામાં માઈક સિસ્ટમ પર પ્રતિબંધ રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જંગલેશ્વર બાદ લક્ષ્મીનગર વિસ્તારમાં મેગા ડિમોલીશન જંગલેશ્વર બાદ હવે રાજકોટમાં લક્ષ્મીનગર વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરાયું.. વહેલી સવારથી જ રેલવેની જમીન પર બાંધી દેવાયેલા 350 જેટલા કાચા-પાકા ઝુંપડાઓ જમીનદોસ્ત કરવાની કાર્યવાહી શરુ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહેસૂલ વસુલાતનો ટાર્ગેટ પૂરો ન થતા અટકાવ્યા પગાર વડોદરામાં મહેસૂલ વસુલાતનો 60 ટકા ટાર્ગેટ પૂરો ન કરનાર તલાટી કમ મંત્રીઓના પગાર અટકાવી દેવાયા. તલાટી કમ મંત્રીઓ આજે યુનિયન પ્રમુખ સહિતના આગેવાનો સાથે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિદ્યાર્થિનીઓના આપઘાતની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ સુરતના ડીંડોલી વિસ્તારમાં બે સહેલીઓના સામૂહિક આપઘાતની ઘટનાની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થવા લાગી છે...આ ઘટનાની નોંધ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિ અને 'X' ના માલિક એલન મસ્કે લીધી છે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજથી 15 માર્ચ સુધી 17 જિલ્લામાં એલર્ટ માર્ચની શરુઆતમાં જ ગરમીનો પારો હાઈ..આજથી 15 માર્ચ સુધી 17 જિલ્લામાં ગરમીને લઈને એલર્ટ અપાયું.. આજે અમદાવાદ,રાજકોટમાં તાપમાન 40 ડિગ્રી પર પહોંચ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કાર્યરત હજારો કામદારોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. 'પ્રયાસ' નામની નુક્કડ નાટક શ્રેણી દ્વારા પ્રોજેક્ટના વિવિધ સ્થળોએ આશરે 6,000 કામદારોને સલામતીના નિયમો અંગે જાગૃત કરાયા હતા. આ સુરક્ષા અભિયાન 23 ફેબ્રુઆરીથી 7 માર્ચ 2026 દરમિયાન 10 દિવસ માટે યોજાયું હતું. આ સમયગાળામાં બુલેટ ટ્રેન કોરિડોરના કુલ 40 નિર્માણ સ્થળોને આવરી લેવામાં આવ્યા, જેમાં ગુજરાતના 24 અને મહારાષ્ટ્રના 16 સ્થળોનો સમાવેશ થાય છે. આ અભિયાન અંતર્ગત સ્ટેશનો, કાસ્ટિંગ યાર્ડ્સ, ટનલ, ડેપો, પુલ અને વાયડક્ટ નિર્માણ સ્થળો પર કામદારોને સુરક્ષાનું મહત્વ સમજાવવામાં આવ્યું. નુક્કડ નાટકના કલાકારોએ પ્રભાવશાળી પ્રસ્તુતિ દ્વારા કામદારોને કાર્યસ્થળ પર હેલ્મેટ, હાર્નેસ બેલ્ટ, સેફ્ટી શૂઝ અને પીપીઇ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ) કિટનો ફરજિયાત ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા. નાટક દ્વારા સમજાવવામાં આવ્યું કે સુરક્ષા સાધનોનો ઉપયોગ માત્ર નિયમ નથી, પરંતુ જીવન બચાવવા માટે અનિવાર્ય છે. કામદારોને આપવામાં આવેલા મહત્વના સુરક્ષા સંદેશાઓમાં શોર્ટકટ ટાળવા, સામૂહિક જવાબદારી નિભાવવી, જોખમનું મૂલ્યાંકન કરવું, તાલીમ વગર કામ ન કરવું અને કાર્યસ્થળ પર સ્વચ્છતા તથા સાવધાની જાળવવાનો સમાવેશ થાય છે. NHSRCL દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સતત આવા નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારોમાં સુરક્ષિત કાર્યપ્રણાલીની સંસ્કૃતિ કેળવવાનો છે, જેથી કામ આત્મવિશ્વાસપૂર્વક અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે.
દહેજ દરિયાકિનારે આજે લો ટાઈડ દરમિયાન બે ડોલ્ફિન એક નાની ખાડીમાં ફસાઈ ગઈ હતી. સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ દરિયાનું પાણી ઓછું થઈ જતાં બંને ડોલ્ફિન ઊંડા પાણીમાં પાછી ફરી શકી ન હતી. આ ઘટનાની જાણ થતાં જ દહેજ જેટ્ટી પર કાર્યરત મોટર લોન્ચ 'અલ હૈદરી'ના કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. કર્મચારીઓએ ફસાયેલી બંને ડોલ્ફિનને દોરડાની મદદથી સુરક્ષિત રીતે પકડીને ફરીથી દરિયાના ઊંડા પાણીમાં છોડી દીધી હતી. આ મોટર લોન્ચ બિરલા કોપર જેટ્ટી નજીક દહેજના દરિયાકિનારે કામ કરી રહી હતી. ડોલ્ફિનને સુરક્ષિત રીતે દરિયામાં મુક્ત કરવામાં આવતા ત્યાં હાજર લોકોમાં સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી. બોટના કર્મચારી શબ્બીર સોઢાએ રોઝા હોવા છતાં, ભારે મુશ્કેલીઓનો સામનો કરીને દરિયાકિનારાના કાદવમાં પહોંચી બચાવ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની આ કામગીરી પ્રશંસનીય રહી હતી. દહેજ વિસ્તારમાં દરિયાકિનારે કાર્યરત લોકો અને બોટના કર્મચારીઓ દરિયાઈ પર્યાવરણ અને જળચર જીવોના સંરક્ષણ પ્રત્યે સજાગ રહે છે. તેઓ જરૂર પડ્યે તાત્કાલિક અને નિસ્વાર્થ સેવા પૂરી પાડે છે.
વિશ્વ મહિલા દિવસના પાવન અવસરે બ્રહ્માકુમારી અટલદારા સેવા કેન્દ્ર દ્વારા “મહિલા ગૌરવ દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરા શહેરનું નામ રોશન કરનાર અને શિક્ષણ, આરોગ્ય, કલા તથા સમાજસેવા જેવા ક્ષેત્રોમાં અમૂલ્ય પ્રદાન આપનાર 26 સશક્ત મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દેવીઓના આઠ હાથ અને આધ્યાત્મિક શક્તિનો સમન્વયસેવા કેન્દ્રના ડિરેક્ટર બી.કે. ડૉ. અરુણા બહેને મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરતા જણાવ્યું કે, દેવીઓના આઠ હાથ એ વાસ્તવમાં આઠ આધ્યાત્મિક શક્તિઓનું પ્રતિક છે. જ્યારે સ્ત્રી આ શક્તિઓને પોતાના જીવનમાં ઉતારે છે, ત્યારે તે સાચા અર્થમાં શક્તિનું સ્વરૂપ બની જાય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા રાજયોગિની અમર દીદીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે અહંકાર એ તમામ દુઃખોનું મૂળ છે. જ્ઞાનના પ્રકાશ દ્વારા આંતરિક અંધકારને દૂર કરી સકારાત્મક પરિવર્તન લાવવું એ જ સાચું સશક્તિકરણ છે. વિવિધ ક્ષેત્રની અગ્રણી મહિલાઓનું સન્માનકાર્યક્રમ દરમિયાન શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. જેમાં કોર્પોરેટર સંગીતાબેન ચોકસી, સુમનદીપ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. મેઘનાબેન જોશી, બિલાબોંગ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. પ્રીતિબેન શ્રીમલ, મા શક્તિ ગરબા ગ્રુપના ડિરેક્ટર આરતીબેન ઠક્કર, પી.પી. શ્રોફ ગ્રુપના માલિક પરેશાબેન ઠક્કર અને બી.કે. રિયાબેન વૈદ્ય સહિત 26 મહિલાઓનો સમાવેશ થાય છે. મનોબળ અને માનસિક શાંતિ પર ભારસન્માનિત મહેમાનોએ પોતાના વિચારો વ્યક્ત કરતા સ્ત્રીના આત્મસન્માનને સૌથી મોટી તાકાત ગણાવી હતી. ડૉ. મેઘનાબેન જોશીએ મજબૂત મનોબળ અને સહયોગની ભાવના પર ભાર મૂક્યો હતો, જ્યારે ડૉ. પ્રીતિબેન શ્રીમલે દરેક સ્ત્રીને પોતાનું મૂલ્ય ઓળખવા અનુરોધ કર્યો હતો. આરતીબેન ઠક્કરે સ્ત્રીની બહુવિધ ભૂમિકાઓમાં માનસિક શાંતિ માટે ધ્યાન અને આધ્યાત્મિકતાની અનિવાર્યતા સમજાવી હતી. નાટ્ય પ્રસ્તુતિ અને પ્રેરણાદાયી સંદેશકાર્યક્રમના આકર્ષણમાં પ્રખ્યાત વક્તા બી.કે. શિવાની દીદીનો પ્રેરણાદાયી વીડિયો સંદેશ મુખ્ય હતો. આ ઉપરાંત, સેવા કેન્દ્રની બહેનો દ્વારા “મહિલા સશક્તિકરણ, આધુનિકતા અને સંસ્કૃતિનો સંગમ” વિષય પર એક હૃદયસ્પર્શી નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સુરતના સિંગણપોર વિસ્તારમાં ઈલેક્ટ્રિકની દુકાનદારના પુત્રની 20 દિવસ અગાઉ તાપી નદીમાંથી લાશ મળી આવી હતી. આ ઘટનામાં મોબાઇલ ફોન ઝૂંટવી લઈ તોડી નાખવા ઉપરાંત માર મારનાર ચાર વિરૂદ્ધ પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ત્રણની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક પુત્રીને ભગાવી ગયો, માર પડ્યો બીજાને અને આપઘાત ત્રીજાએ કરતા આખો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. હાલ તો આ મામલે ચોક બજાર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 14 ફેબ્રુઆરીએ બપોરે દુકાનેથી જમવા ગયા બાદ પરત આવ્યો ન હતોસિંગણપોરની શ્રધ્ધાદીપ સોસાયટીમાં ઇલેક્ટ્રીકની દુકાન ચલાવતા વિનોદ પોપટ ગેડીયા (ઉ.વ.48 રહે. અભિષેક એપાર્ટમેન્ટ, કતારગામ અને મૂળ. માલસીકા, તા.ધારી, અમરેલી)નો મોટો પુત્ર વ્રજ (ઉ.વ.21) તા. 14 ફેબ્રુઆરીએ બપોરે દુકાનેથી જમવા ગયા બાદ પરત આવ્યો ન હતો. જેથી દુકાનમાં કામ કરતા કર્મચારીએ વતન ગયેલા વિનોદભાઈને જાણ કરી હતી કે વ્રજ હજી દુકાને આવ્યો નથી. જેથી વિનોદે તુરંત જ વ્રજને ફોન કર્યો હતો પરંતુ ફોન બંધ હતો અને બીજા દિવસે વતનથી પરત આવ્યા ત્યારે પણ વ્રજ ઘરે ન હતો. જેથી ચોંકી ગયા હતા. સેરીનીટી હોમ્સની યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતીવ્રજના ગુમ થવા અંગે કતારગામ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી પરંતુ, તા.16 ફેબ્રુઆરીએ સંબંધી હસ્તક વિનોદને જાણવા મળ્યું હતું કે, તા.14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે ભરીમાતા રોડના સેરીનીટી હોમ્સની યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. જેથી યુવતીના પરિજનો યુવકના મિત્રને પકડીને માર મારી રહ્યા હતા ત્યારે વ્રજ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી રહ્યો હોવાથી દિલીપ ધનજી ગોંડલીયાએ મોબાઇલ ઝુંટવીને નીચે ફેંકી દેતા ફોન તૂટી ગયો હતો. ઘરે બાઈક મૂકીને ચાલ્યો ગયો ને સીધી તાપીમાંથી લાશ મળીદિલીપ સાથે આવેલા જયંતિ ગોંડલીયા, દિલીપ પીપલીયા અને ભાવેશ મોહન ઘીઘારીએ વ્રજને માર માર્યો હતો પરંતુ, આ અરસામાં પોલીસ આવી જતા તમામને ચોકબજાર પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પરંતુ વ્રજે ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો હતો અને ત્યાંથી ઘરે આવ્યા બાદ એપાર્ટમેન્ટના પાર્કીંગમાં બાઇક પાર્ક કરી કયાંક ચાલ્યો ગયા બાદ તેની લાશ જહાંગીરપુરા નજીક સંજયનગર પાસે તાપી નદીના પાણીમાંથી મળી આવી હતી. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતીવ્રજના પિતા ગતરોજ ચોકબજાર પોલીસ મથકે પહોંચ્યા હતા અને પુત્રના આપઘાત માટે ભરીમાતા રોડ, સેરિનિટી હોમ્સમાં રહેતા જયંતિ હીરજી ગોંડલિયા, દિલીપ જીવરાર પીપલીયા, દિલીપ ધનજી ગોંડલિયા અને ભાવેશ મોહન ઘોઘારી વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જયંતિ ગોંડલીયા, દિલીપ પીપલીયા અને દિલીપ ગોંડલીયાની ધરપકડ કરી હતી.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
તાપી LCB એ સોનગઢ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:બે સગીરોને રૂ. 51,370 ના મુદ્દામાલ સાથે ઝડપ્યા
તાપી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે સોનગઢના અમનપાર્ક સોસાયટીમાં 6 માર્ચ, 2026ના રોજ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બાતમીના આધારે બે સગીરોને ઝડપી પાડી કુલ રૂ. 51,370/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પકડાયેલા સગીરોની પૂછપરછમાં સામે આવ્યું કે રમઝાન મહિનામાં નવા કપડાં ખરીદવા માટે પૈસાની જરૂરિયાત ઊભી થતાં તેઓએ ચોરીનું કાવતરું ઘડ્યું હતું. આ માટે તેઓએ અમનપાર્ક સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવ્યું. ચોરોએ મકાનના પાછળના ભાગે લાકડાની સીડી મૂકી, ટોયલેટની બારીનો કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કબાટમાંથી ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ શખ્સો સોનગઢ દશેરા કોલોની પાસે આવેલા ખાલી મેદાનમાં ચોરીના પૈસાના ભાગ પાડવા બેઠા છે. આ બાતમીના આધારે PSI કે.આર. પટેલ અને તેમની ટીમે દરોડો પાડી સગીરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સગીરો પાસેથી રોકડ રૂ. 16,370/-, એક જોડી ચાંદીના કડા, બે ચાંદીના સાંકળા અને રીયલમી તથા સેમસંગ કંપનીના કુલ બે મોબાઈલ ફોન (આશરે રૂ. 35,000/- કિંમતના) જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 51,370/- થાય છે. આ કામગીરી LCB તાપીના PI ડી.એસ. ગોહિલ, PI એન.જી. પાંચાણી અને પેરોલ ફર્લો સ્ક્વોડના PI જે.બી. આહિરના માર્ગદર્શન હેઠળ PSI કે.આર. પટેલ તથા ASI જગદીશ જોરારામ, અનિરૂધ્ધસિંહ દેવસિંહ સહિતના સ્ટાફે કરી હતી. હાલ પોલીસે પકડાયેલા બંને સગીરોને સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે અને ચોરીમાં સામેલ અન્ય એક વોન્ટેડ કિશોરની શોધખોળ ચાલુ છે.
પાંડેસરા GIDCમાં આવેલી પારસ મિલમાં સર્જાયેલી માનવસર્જિત હોનારતમાં ચાર માસૂમ શ્રમિકોના જીવ ગયા છે. આ મામલે પાંડેસરા પોલીસે કડક કાર્યવાહી કરતા મુખ્ય જવાબદાર કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની ધરપકડ કરી લીધી છે. આર્થિક નફાની લાલચમાં શ્રમિકોને કોઈપણ સુરક્ષા સાધનો વગર ભૂગર્ભ ટાંકીમાં ઉતારવા બદલ તેની સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગૂંગળામણથી એક મજૂર બેભાન થતા તેને બચાવવા ગયેલા અન્ય 3 પણ મોતને ભેટ્યાપારસ મિલની ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે જ્યારે પ્રથમ શ્રમિક અંદર ઉતર્યો ત્યારે ગૂંગળામણને કારણે તે તરત જ બેભાન થઈ ગયો હતો. તેને બહાર કાઢવાના પ્રયાસમાં માનવતા દાખવી અન્ય ત્રણ સાથી શ્રમિકો પણ ટાંકીમાં ઉતર્યા હતા. જોકે, ટાંકીમાં ઓક્સિજનનો અભાવ અને ઝેરી વાયુ હોવાને કારણે ચારેય શ્રમિકો ત્યાં જ ફસાઈ ગયા હતા. મિલ સ્ટાફ દ્વારા તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. સોનુ કુમાર સહિત 4 શ્રમિકોના કરુણ મોતથી પરિવારમાં માતમહોસ્પિટલમાં દાખલ કરાયેલા શ્રમિકો પૈકી સૌથી પહેલા સોનુ કુમાર કમલેશ પાસવાનને મૃત જાહેર કરાયો હતો. જે બાદ તપાસ દરમિયાન દીપુ કુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન, સંદીપ કુમાર સંતોષભાઈ પાસવાન અને મલેન્દ્ર પાસવાને પણ દમ તોડી દીધો હતો. એકસાથે ચાર યુવાનોના મોતના સમાચાર મળતા જ શ્રમિક પરિવારોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે. સેફ્ટીના સાધનોનો અભાવ: કોન્ટ્રાક્ટરે નફા માટે શ્રમિકોના જીવ જોખમમાં મૂક્યાપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાએ શ્રમિકોને ટાંકીમાં ઉતારતા પહેલા ગેસ માસ્ક, સેફ્ટી બેલ્ટ કે વેન્ટિલેશન જેવી કોઈ જ પૂર્વતૈયારી કરી નહોતી. માત્ર થોડા પૈસા બચાવવા માટે અને આર્થિક લાભ ખાતર તેણે આ શ્રમિકોને સીધા મોતના મુખમાં ધકેલી દીધા હતા. સુરક્ષાના નિયમોની આ ઘોર અવગણના જ આ સામૂહિક મરણનું મુખ્ય કારણ બની છે. સાપરાધ મનુષ્ય વધનો ગુનો: કોન્ટ્રાક્ટરની ધરપકડ બાદ પોલીસની કડક તપાસઘટનાની ગંભીરતાને જોતા પાંડેસરા પોલીસે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની તાત્કાલિક ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ કમિશનર, સેક્ટર-2 અને ઝોન-4 ના અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ હવે એ પણ તપાસી રહી છે કે આ બેદરકારીમાં મિલના અન્ય કયા મેનેજમેન્ટ અધિકારીઓની સંડોવણી છે. પીઆઈ જે. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે,પાંડેસરા GIDCમાં આવેલ પારસ મિલની ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે એક મજૂરને નીચે ઉતારવામાં આવ્યો હતો. ટાંકીમાં ગુંગળામણ અથવા અન્ય કોઈ કારણોસર આ મજૂર બેભાન થઈ ગયો હતો. તેને બચાવવા માટે અન્ય ત્રણ મજૂરો પણ ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ અગમ્ય કારણોસર ચારેય મજૂરો ત્યાં બેભાન થઈ ગયા હતા. મિલના મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા ચારેય મજૂરોને બહાર કાઢીને ડિંડોલી સ્થિત બાપા મેમોરિયલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,હોસ્પિટલમાં દાખલ કરાયેલા મજૂરો પૈકી સૌ પ્રથમ સોનુ કુમાર કમલેશ પાસવાનને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જેના આધારે પાંડેસરા પોલીસે અકસ્માત મોત મુજબ ગુનો નોંધ્યો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અન્ય ત્રણ મજૂરો - દીપુ કુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન, સંદીપ કુમાર સંતોષભાઈ પાસવાન અને મલેન્દ્ર પાસવાનને પણ મૃત જાહેર કરવામાં આવ્યા છે.તપાસમાં સામે આવ્યું છે કે કોન્ટ્રાક્ટર વિનોદભાઈ ગુપ્તાએ પોતાના આર્થિક લાભ માટે કોઈ પણ પ્રકારના સેફ્ટીના સાધનો રાખ્યા વિના મજૂરોને ટાંકી સાફ કરવા ઉતાર્યા હતા.આ ગંભીર બેદરકારી બદલ વિનોદભાઈ ગુપ્તા તથા અન્ય જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જેતલપુરધામ ખાતે હાલમાં ચાલી રહેલા 'અવસર' કાર્યક્રમમાં નારીશક્તિનો અદભૂત જુસ્સો જોવા મળ્યો હતો. આ મહોત્સવ અંતર્ગત આયોજિત 'મહિલા મંચ'માં 20,000 થી વધુ મહિલાઓએ ઉમટી પડીને સમાજને સશક્તિકરણનો મક્કમ સંદેશ આપ્યો હતો. ભક્તિ અને શક્તિના આ સંગમમાં મહિલાઓએ તેમના અતૂટ મનોબળનો પરિચય કરાવ્યો હતો. રચનાત્મકતા અને કૌશલ્યોનું અદભૂત પ્રદર્શનઆ વિશેષ પ્રસંગે માત્ર પુખ્ત મહિલાઓ જ નહીં, પરંતુ નાની બાળકીઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા બાળકીઓ અને મહિલાઓએ પોતાની સુષુપ્ત શક્તિઓ, રચનાત્મકતા અને કૌશલ્યોની અભૂતપૂર્વ પ્રતિભા રજૂ કરી હતી. સ્ટેજ પર રજૂ થયેલા વિવિધ સાંસ્કૃતિક અને કૌશલ્ય પ્રદર્શન જોઈ ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આધ્યાત્મ અને સશક્તિકરણનો બેજોડ સમન્વય'અવસર' કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ આધ્યાત્મિકતા અને આધુનિક સશક્તિકરણનું મિશ્રણ રહ્યું હતું. જેતલપુરધામના પવિત્ર વાતાવરણમાં મહિલાઓએ દર્શાવ્યું કે ધર્મ અને સંસ્કારોની સાથે શારીરિક અને માનસિક દ્રઢતા કેવી રીતે કેળવી શકાય. આ આયોજન દ્વારા સાબિત થયું કે જ્યારે સ્ત્રી ધારે ત્યારે તે પોતાની પ્રતિભાથી કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે.
ગુજરાત સરકારે ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રમાં ઉભરતી ટેકનોલોજીના પ્રભાવને મજબૂત કરવા માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લીધો છે. રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેન, સાયબર સિક્યુરિટી અને ઈમરજિંગ ટેકનોલોજી લો એન્ડ પોલિસીમાં 'પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ' શરૂ કરવામાં આવશે. આ માટે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) વચ્ચે ગાંધીનગર ખાતે કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મંત્રીઓની ઉપસ્થિતિમાં MoU સંપન્નગાંધીનગરમાં આયોજિત 'ગુજરાત વાઇસ ચાન્સેલર્સ મીટ' દરમિયાન આ મહત્વપૂર્ણ સમજૂતી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારતી તેમજ વિવિધ વિભાગીય વડાઓ હાજર રહ્યા હતા. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચેના સમન્વયને મજબૂત કરવાના હેતુથી આ કાર્યક્રમમાં 20થી વધુ વાઇસ ચાન્સેલરોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિષ્ણાત કાર્યબળ તૈયાર કરવાનો ઉદ્દેશ્યઆ ભાગીદારી હેઠળ GIL દ્વારા ઉભરતી ટેકનોલોજીના નિયામક માળખા (regulatory frameworks) તૈયાર કરવા અને વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમોના અમલીકરણમાં GNLUને પૂરતો સહયોગ આપવામાં આવશે. આ નવા કોર્સનો મુખ્ય હેતુ એવા પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો છે જેઓ ટેકનોલોજી અને કાયદા એમ બંને ક્ષેત્રનું ઊંડું જ્ઞાન ધરાવતા હોય. AI ગવર્નન્સ અને તેની નૈતિક અસરો. બ્લોકચેન રેગ્યુલેશન અને કાયદાકીય માળખું. સાયબર સુરક્ષા કાયદા અને ડેટા પ્રાઇવસી. ડિજિટલ ગવર્નન્સ માટેના પોલિસી ફ્રેમવર્ક. ડિજિટલ ઇકોસિસ્ટમને મળશે વેગવિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ પહેલ ગુજરાતની ઝડપથી વિસ્તરી રહેલી ડિજિટલ ઇકોસિસ્ટમને ટેકો આપવા માટે અત્યંત મહત્વની સાબિત થશે. ટેકનોલોજીના ક્ષેત્રમાં આવતા રોજબરોજના બદલાવ સામે લડવા અને કાયદાકીય મજબૂતી આપવા માટે રાજ્યમાં એક કુશળ કાર્યબળ (skilled workforce) ઉભું થશે. આ ડિપ્લોમા કોર્સ દ્વારા રાજ્યના યુવાનો માટે ટેક-લો (Tech-Law) ક્ષેત્રમાં કારકિર્દીની નવી અને ઉજ્જવળ તકો ખુલશે.
સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગની વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ પોતાનું જાળું ફેલાવ્યું છે. ગુજરાત ATSએ બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને સુરતના ત્રણ ઉચ્ચ શિક્ષિત યુવાનોની ધરપકડ કરી છે. આ યુવાનોએ પોતાની નકલી કંપનીઓની આડમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક ડ્રગ્સ 'એટોમિડેટ' ને વિદેશમાં સપ્લાય કરવાનું મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ નેટવર્ક મલેશિયા અને થાઈલેન્ડના ખૂંખાર નાર્કો કાર્ટેલ્સ સાથે સીધું જોડાયેલું હતું અને કરોડોનો વ્યવહાર થયો હતો. મલેશિયા અને થાઈલેન્ડ કાર્ટેલ સાથે સીધું જોડાણATSની તપાસમાં સૌથી મોટો ખુલાસોએ થયો છે કે, આ ત્રણેય યુવાનો માત્ર કુરિયર મોકલનાર નહોતા પરંતુ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલના સક્રિય સભ્યો હતા. મલેશિયામાં બેઠેલા 'મિસ્ટર ચુઆ ઝી ઝુઆન' (Mr. Chua Zhi Xuan) અને અન્ય માફિયાઓ સાથે આ યુવાનો સીધા સંપર્કમાં હતા. સુરતના આ યુવાનો વિદેશી આકાઓના આદેશ પર ભારતમાં ડ્રગ્સ એકઠું કરી તેને એક્સપોર્ટ કરવાનું કામ કરતા હતા. આરોપીઓના મોબાઈલમાંથી ATSને વિદેશી ડ્રગ માફિયાઓના કુલ 7 મહત્વના નંબરો મળી આવ્યા છે. આ નંબરો મલેશિયા, થાઈલેન્ડ, સિંગાપોર અને અમેરિકાના હોવાનું જણાયું છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ મલેશિયા (+60-01054...), થાઈલેન્ડ (+6692372...), અને અન્ય દેશોના નંબરો પર એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ દ્વારા વાતચીત કરતા હતા, જેથી પોલીસની નજરમાં ન આવે. શૈક્ષણિક લાયકાતનો ઉપયોગ ડ્રગ્સને 'હર્બલ પાવડર' તરીકે સાબિત કરવા માટે કર્યોધરપકડ કરાયેલા યુવાનોમાં નિકુંજ ગઢીયા (28 વર્ષ) બી.ફાર્મ ગ્રેજ્યુએટ છે, જે દવાઓ અને તેના કેમિકલ સ્ટ્રક્ચર વિશે જાણતો હતો. ચેતન વાવડીયા (28 વર્ષ) અને ભૌતિક પદમણી (32 વર્ષ) પણ શિક્ષિત છે. આ યુવાનોએ પોતાની શૈક્ષણિક લાયકાતનો ઉપયોગ ડ્રગ્સને 'હર્બલ પાવડર' તરીકે સાબિત કરવા માટે કર્યો હતો. તેઓ જાણતા હતા કે કયા દેશમાં કયા પદાર્થ પર પ્રતિબંધ છે અને કયા નામે તેને સરળતાથી મોકલી શકાય છે. ઓફિસ માત્ર ડ્રગ્સના પેકિંગ અને ડોક્યુમેન્ટેશન માટે જ વપરાતીદિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે આરોપી નિકુંજ ગઢીયાની જહાંગીરપુરા સ્થિત 'DWN બાયોસાયન્સ'ની ઓફિસ પહોંચી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. ઓફિસમાં ન તો કોઈ સ્ટોક હતો, ન તો કોઈ મશીનરી. પાડોશીઓએ જણાવ્યું કે, નિકુંજ દરરોજ સવારે 8:30 વાગ્યે આવતો અને એકલો જ આખો દિવસ અંદર રહેતો. ઓફિસમાં એક પણ કર્મચારી નહોતો, જે સાબિત કરે છે કે આ ઓફિસ માત્ર ડ્રગ્સના પેકિંગ અને ડોક્યુમેન્ટેશન માટે જ વપરાતી હતી. 125 કિલો 'એટોમિડેટ' પાવડર વિદેશ મોકલી દીધોપ્રાથમિક તપાસ મુજબ આ ટોળકીએ અત્યાર સુધીમાં અંદાજે 125 કિલો 'એટોમિડેટ' પાવડર વિદેશ મોકલી દીધો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 4000થી 5000 યુ.એસ. ડોલર પ્રતિ કિલો (આશરે 3.5 લાખથી 4 લાખ) છે. નિકુંજ અને ચેતને 50-50 કિલો, જ્યારે ભૌતિકે 25 કિલો જથ્થો એક્સપોર્ટ કર્યો હતો. આટલી મોટી રકમ હવાલા મારફતે ભારત આવતી હોવાની શંકા છે. એલોવેરા અને ગીનોપોલના નામે ‘મિસલેબલિંગ’આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત ચાલાકીભરી હતી. તેઓ ડ્રગ્સને 'એલોવેરા પાવડર' અથવા 'ગીનોપોલ-24' (પર્સનલ કેર રો-મટીરીયલ) તરીકે બતાવતા હતા. પેકેજિંગ પર પણ ખોટા લેબલ અને નકલી બ્રાન્ડના સ્ટીકર લગાવવામાં આવતા હતા. કસ્ટમ્સ ડિક્લેરેશનમાં તેઓ ખોટી વિગતો ભરતા જેથી તે માત્ર સૌંદર્ય પ્રસાધનો જેવું લાગે અને સરળતાથી મુંબઈ એરપોર્ટના કાર્ગોમાંથી પસાર થઈ જાય. મુંબઈ એરપોર્ટ અને ATSનું ઓપરેશનATSને બાતમી મળી હતી કે, સુરતથી ડ્રગ્સની એક મોટી ખેપ મલેશિયા જવાની છે. તરત જ મુંબઈ કસ્ટમ્સ અને ફેડેક્સ (FedEx) કુરિયરને જાણ કરવામાં આવી. જ્યારે 'રમણ સ્પેક્ટ્રોગ્રાફી' (Raman Spectroscopy) કીટ દ્વારા શંકાસ્પદ પાર્સલની તપાસ કરવામાં આવી ત્યારે તે એલોવેરા નહીં પણ સાયકોટ્રોપિક ડ્રગ્સ હોવાનું કન્ફર્મ થયું. આ પુરાવાના આધારે ATSની ટીમે સુરતમાં દરોડા પાડ્યા હતા. 'એટોમિડેટ' એક એનાલજેસિક (પીડાશામક) ડ્રગ છે, પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં તેનો નશાકારક પદાર્થ તરીકે દુરુપયોગ થાય છે. થાઈલેન્ડમાં આ ડ્રગ 'સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ' હેઠળ આવે છે, જ્યારે સિંગાપોરમાં 'ક્લાસ સી' ડ્રગ ગણાય છે. સુરતના આ યુવાનો જાણતા હતા કે વિદેશમાં તેની ભારે માંગ છે, તેથી તેઓ ગેરકાયદેસર રીતે તેને એક્સપોર્ટ કરીને અઢળક કમાણી કરી રહ્યા હતા. માત્ર નિકુંજ જ નહીં, ચેતન વાવડીયાની 'રુદ્ર એન્ટરપ્રાઈઝ' અને ભૌતિક પદમણીની 'જાની ફાર્મા' પણ આ રેકેટમાં જોડાયેલી હતી. આ કંપનીઓ રજીસ્ટર્ડ હોવાથી એક્સપોર્ટના કામમાં કોઈ શંકા કરતું નહોતું. ATS હવે એ તપાસી રહી છે કે, આ યુવાનોને ભારતમાં ડ્રગ્સનો સપ્લાય કોણ આપતું હતું? શું ગુજરાતમાં કોઈ એવી લેબોરેટરી છે જ્યાં આ ડ્રગ્સ છૂપી રીતે તૈયાર કરવામાં આવે છે? ક્રિપ્ટો અને હવાલા કનેક્શનની તપાસઆંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ સાથે વ્યવહાર હોવાથી નાણાંની લેણદેણ માટે આરોપીઓ કયા રસ્તા અપનાવતા હતા તેની તપાસ ચાલુ છે. એટીએસને આશંકા છે કે ડ્રગ્સના નાણાં હવાલા નેટવર્ક અથવા ક્રિપ્ટોકરન્સી મારફતે આરોપીઓ સુધી પહોંચતા હતા. આરોપીઓના લેપટોપ અને મોબાઈલમાંથી ડિજિટલ વોલેટના પુરાવાઓ શોધવા માટે ફોરેન્સિક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. આરોપીઓના રિમાન્ડ અને આગળની તપાસસૌથી પહેલા નિકુંજ ગઢીયાની એટીએસએ ધરપકડ કરી હવે ચેતન અને ભોતિકની ધરપકડ કરી છે. હાલમાં નિકુંજ ગઢીયા 10 માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર છે, જ્યારે ચેતન અને ભૌતિકના પણ આજે બે દિવસના રિમાન્ડ કોર્ટ મંજૂર કર્યા છે.એટીએસના જણાવ્યા મુજબ, આરોપીઓ અત્યારે ગોળ-ગોળ જવાબો આપીને તપાસ ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, વિદેશી માફિયાઓના 7 નંબરો અને મળેલા ડેટાના આધારે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે મળીને આ નેટવર્કને તોડવા માટે ATS તૈયાર છે. આરોપીઓના વકીલ કેતન રેશમવાલાએ જણાવ્યું હતું કે, આજે બે આરોપીને ધ્રુવ અને બીજા આરોપીને રજૂ રાખવામાં આવેલા છે. રોલ આઈડેન્ટિકલ છે, તે આ બે આરોપીએ પણ 50 કિલો પાઉડર મિસલેબેલિંગ કરીને ખોટા બિલિંગ કરીને અને મિસડિકલેરેશન કરીને મલેશિયા તથા થાઇલેન્ડ મોકલ્યા છે. રિમાન્ડના મુદ્દા અગાઉના મુદ્દા જેવા જ હતા કે, આ આરોપીઓએ આ માલ ખરીદેલો છે તે કાયદેસર રીતે ખરીદેલો છે કે કેમ? આ આરોપીઓએ જે રકમ મેળવેલી છે એ રકમમાંથી કોઈ ગેરકાયદેસર મિલકત ખરીદ કરેલી છે કે કેમ? આ આરોપીઓ સાથે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ? આ આરોપીઓની બીજી મિલકતોની અને બેંક ડિટેલ્સની તપાસ કરવાની છે. આ પૈસા કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટીમાં વપરાયા છે કે કેમ એ બાબતની તપાસ કરવાની છે. આ મુદ્દાઓ રજૂ રાખવામાં આવેલા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા તરફે પાછી એ જ રજૂઆત કરવામાં આવેલી કે જે પાઉડર પ્રશ્નાર્થમાં છે એ પાઉડર ભારતમાં પ્રોહિબિટેડ નથી, કાયદેસર રીતે એનું ખરીદ-વેચાણ થાય છે અને એ એક્સપોર્ટ પણ કરી શકાય છે. એટલે જે પ્રોહિબિટેડ આઈટમ નથી એ બાબતનો જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એ કાયદામાં તથ્ય પાત્ર નથી અને ખોટી રીતે એટીએસએ આ ગંભીર ગુનો છે એ રીતની જાહેરાત કરેલ છે. પરંતુ આ ગુનો એટીએસ લેવલનો ગુનો નથી, આ કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટી અથવા તો હવાલાને લગતો અપેરન્ટલી ગુનો હાલ જણાતો નથી અને અગાઉના આરોપીઓના રિમાન્ડ પછી આજે નવા રિમાન્ડ રિપોર્ટમાં પણ એવી કોઈ હકીકત આઈઓ તરફથી દર્શાવવામાં આવેલ નથી, તો હવાલા અથવા તો ટેરરિસ્ટ એક્ટિવિટી મુજબનો ગુનો નહિ હોવાનું પ્રાઇમા ફેસી મારું માનવું છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવાનો હતો. આ ઉજવણી દરમિયાન, વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓ, દીકરીઓ અને કિશોરીઓનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત, મહિલાઓને પ્રોત્સાહન આપતી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરાયું. મહિલા કલાનિધિ ટ્રસ્ટ, કાણોદરના રશ્મિ હાડાએ આ પ્રસંગે જણાવ્યું કે, તેમનું ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા કાર્યરત છે. તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 10 દીકરીઓને રૂ. 25,000ની ફિક્સ ડિપોઝિટ (FD) આપી હતી. વધુમાં, પાંચ દીકરીઓને 'તેજસ્વિની સન્માન' પણ એનાયત કરાયું હતું. રશ્મિ હાડાએ તેમની કામગીરીને બિરદાવવા બદલ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી, ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર સહિત જિલ્લાના અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલે મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસ માટે મહિલાઓનું સશક્તિકરણ ખૂબ જ આવશ્યક છે. સરકારશ્રી દ્વારા મહિલાઓના શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગાર અને આત્મનિર્ભરતા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓને આ યોજનાઓનો લાભ લઈને પોતાના વિકાસ સાથે સમાજના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન અત્યંત અગત્યનું રહ્યું છે. પરિવારથી લઈને ગામ, જિલ્લો, રાજ્ય, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વના વિકાસમાં મહિલાઓની ભૂમિકા અદભૂત અને પ્રેરણાદાયી છે. મહિલાઓ વિના જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. કલેકટરએ જણાવ્યું કે, સમયની સાથે સમાજની વિચારધારામાં પણ પરિવર્તન આવવું ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં પુરુષો જે કામ કરી શકે છે તે તમામ કામ મહિલાઓ પણ સમર્થ રીતે કરી શકે છે. મહિલાઓના આત્મસન્માન અને ગૌરવની ઉજવણીનો આ વિશેષ દિવસ છે. તેથી સમાજમાં મહિલા પ્રત્યેની સકારાત્મક વિચારધારા વિકસાવવાની જરૂર છે. કલેકટરએ જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કદાચ પ્રથમ મહિલા બેગ પાઇપર બેન્ડ તરીકે અંબાજી ખાતેના શક્તિ સેવા કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલ બેગ પાઇપર બેન્ડ ગૌરવની બાબત છે. આ બેન્ડમાં જોડાયેલી બાળાઓ મુખ્યત્વે ટ્રાઇબલ પરિવારોમાંથી આવે છે. ગબ્બર પર્વત પર ભિક્ષા માગવાની પ્રવૃત્તિ છોડાવીને આ બાળાઓને સારું શિક્ષણ અને સંસ્કાર આપવાનું ઉત્તમ કાર્ય શક્તિ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ માટે તેમણે સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં તેમણે ફરી એકવાર તમામને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન લોહિયાળ દ્રશ્યો સર્જાયા છે. નવા ચેકડેમ અને પુલના ખાતમુહૂર્ત પ્રસંગે દામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા પર ધારિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર હીરા નવાપરાની ધરપકડ કરી તેની સામે 'હત્યાની કોશિશ'નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેર કાર્યક્રમમાં અચાનક હુમલો અને નાસભાગ લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય જનક તળાવિયાના હસ્તે ઠાંસા રોડ પર બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન ઠાંસા ગામના વતની અને બેંક ડિરેક્ટર હીરા નવાપરાએ પાછળથી આવી પ્રકાશ તજા પર ધારિયા વડે હુમલો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાને પગલે સ્થળ પર હાજર કાર્યકરો અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઇજાગ્રસ્તની હાલત ગંભીર: 25 ટાંકા આવ્યા હુમલામાં પ્રકાશ તજાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબી અહેવાલ અનુસાર, તેમને માથામાં આશરે 25 જેટલા ટાંકા આવ્યા છે અને ફ્રેક્ચર પણ થયું છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો કૌટુંબિક અદાવત અથવા કારણોસર થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કાર્યવાહી અને રિમાન્ડની તૈયારી અમરેલી ડિવિજન DYSP ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, દામનગર પોલીસે આ મામલે BNS ની કલમ 109 મુજબ ગુનો દાખલ કર્યો છે. આરોપી હીરા નવાપરાની અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ પુરાવા એકત્ર કરવા માટે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. રાજકીય ગરમાવો અને પોલીસ સામે રોષ આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે: પોલીસ સામે રોષ: ભાજપના કાર્યકરોમાં સ્થાનિક PI સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમની તાત્કાલિક બદલી કરવાની માંગણી ઉઠી છે. કોંગ્રેસના પ્રહાર: પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે આક્ષેપ કર્યો છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ધારાસભ્યની હાજરીમાં હુમલો થવો તે ગંભીર બાબત છે. ઓડિયો વાયરલ: ઘટના બાદ ઇજાગ્રસ્તના સબંધી અને ધારાસભ્ય જનક તળાવિયા વચ્ચેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં પોલીસની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.
જાંબુઘોડાના ખાંડીવાવમાં કિસાન ગોષ્ઠી:કેન્દ્રીય બજેટ અને કૃષિ તકનીકી માર્ગદર્શન અપાયું
જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ સ્થિત 'સેન્ટર ઓફ એક્સેલન્સ' ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત એક વિશેષ 'કિસાન ગોષ્ઠી' અને પોસ્ટ બજેટ વેબિનારનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાનના વેબિનારનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય બજેટમાં કૃષિ ક્ષેત્રે કરાયેલી મહત્વની જાહેરાતો અને 'ભારત વિસ્તાર-એઆઈ' (AI in Agriculture) જેવી આધુનિક ટેકનોલોજી વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી અપાઈ હતી. જાંબુઘોડા તાલુકાના વિવિધ ગામોમાંથી કુલ 115 પ્રગતિશીલ ખેડૂતો, જેમાં 20 ખેડૂત બહેનો અને 95 ખેડૂત ભાઈઓ, આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વડાપ્રધાનના સંબોધન બાદ ટેકનિકલ સેશનમાં પંચાલ સાહેબે ઉપસ્થિત ખેડૂતોને 'પ્રાકૃતિક કૃષિ' (Natural Farming) વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તબક્કે તાલુકામાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ચાલી રહેલી કામગીરી અને ભાવિ આયોજન અંગે પણ ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ પાર્થ પંચાલ, યોગેન્દ્રસિંહ સોલંકી તેમજ તાલુકામાં કાર્યરત સી.આર.પી. (CRP) અને કૃષિ સખી બહેનોએ સહયોગ આપ્યો હતો.
છેલ્લી સાધારણ સભા યોજાઈ:BMC ની સાધારણ સભામાં 18 ઠરાવો તથા 6 અધ્યસ્થાનથી સર્વાનુમતે મંજૂર
ભાવનગર મહાનગરપાલિકાની અંતિમ સાધારણ સભા મેયર ભરત બારડ ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, શાસક પક્ષ સહિત 51 નગર સેવકો ની ટર્મ આજરોજ પૂર્ણ થતી હોય આજે અંતિમ સાધારણ સભા સાથે આ ટર્મનો કાર્યકાળ પૂર્ણ થયો છે સાધારણ સભામાં 18 ઠરાવોને સર્વાનુમતે મંજૂરીની મ્હોંર મારવામાં આવી છે તેમજ અધ્યસ્થાનથી 6 ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતા. મનપામાં છેલ્લા 5 વર્ષથી ભાજપ નું શાસન છે જેમાં 44 નગરસેવકો ભાજપના જ્યારે 8 નગરસેવકો કોંગ્રેસ માંથી ચૂંટાયા હતા, જેમાં ચાલુ ટર્મ દરમ્યાન બે નગરસેવકોનું અવસાન થયું હતું, છેલ્લી સાધારણ સભામાં 18 જેવા ઠરાવો મૂકવામાં આવ્યા હતા જેમાં કર્મચારીને આર્થિક સહાય ચૂકવવા, સોલિડ વેસ્ટનો માલ સમાન નો નિકાલ કરવા, પાણી માટે ફાળવવા, ઢોર ડબ્બાના નિભાવ કામો માટે, કર્મચારીઓના પેન્શન યોજના માટે, લિઝ પટ્ટા સહિતના ઠરાવો મંજુર કર્યા હતા, પરંતુ અંતિમ ટર્મની બેઠક હોય સમગ્ર મામલો થાળે પાડી મેયર એ એક બાદ એક મુદ્દાઓને સર્વનું મતે મંજૂર જાહેર કર્યા હતા સભા બાદ તમામ નગરસેવકોનું મોતીબાગ અટલ બિહારી બાજપાઈ હોલ ખાતે સમૂહ ફોટોસેશન યોજાયું હતું, ભોજન બાદ છુટા પડતા નગરસેવકોએ એકબીજા સાથે ભાવથી મળીને પાંચ વર્ષના શાસન દરમિયાન થયેલી ભૂલચૂક અંગે ક્ષમાયાચના સાથે મિચ્છામી દુકડમ કર્યા હતા.!
સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હક્કનું ઘર આપવાના આશયથી બનાવવામાં આવેલી આવાસ યોજનાઓ હવે વિવાદોના ઘેરામાં આવી રહી છે. શહેરના અંજણા વિસ્તારમાં ટીપી સ્કીમ નં. 7, ફાઈનલ પ્લોટ નં. 98 હેઠળ 'પબ્લિક હાઉસિંગ યોજના-2016' અંતર્ગત તૈયાર કરવામાં આવેલા ટેનામેન્ટમાં રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, જે ફ્લેટોનો ડ્રો હજુ ગત 7 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવ્યો હતો અને લાભાર્થીઓ માંડ ચાર મહિનાથી અહીં રહેવા આવ્યા છે, ત્યાં અત્યારથી જ સમસ્યાઓનો પહાડ ખડકાઈ ગયો છે. બિલ્ડિંગની નબળી ગુણવત્તા અને અધૂરી સુવિધાઓથી કંટાળીને આજે મોટી સંખ્યામાં રહીશોએ ભેગા મળી સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા ઠાલવી હતી. રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે, તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે તેમને મળેલા નવા ઘરોમાં રહેવું હવે જોખમી બની રહ્યું છે. નવું બાંધકામ અત્યારથી જ જર્જરિત દેખાવા લાગ્યું, પાણી પણ લીકેજઆ આવાસ યોજનામાં અત્યારે અંદાજે 50% જેટલા પરિવારો રહેવા આવી ગયા છે, જ્યારે બાકીના ફ્લેટોની ફાળવણી પ્રક્રિયા હજુ ચાલુ છે. પરંતુ જે રહીશો અહીં સ્થાયી થયા છે, તેઓ ટૂંકા ગાળામાં જ પસ્તાવો કરી રહ્યા છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ફ્લેટની અંદર તેમજ કોમન એરિયામાં પાણીના લીકેજની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. દિવાલો અને છત પરથી પાણી ટપકવાને કારણે નવું બાંધકામ અત્યારથી જ જર્જરિત દેખાવા લાગ્યું છે. બાથરૂમ, શૌચાલય અને પાઈપલાઈનમાં કરવામાં આવેલું પ્લમ્બિંગ કામ એટલું હલકી ગુણવત્તાનું છે કે વારંવાર લાઇન ચોક-અપ થઈ જાય છે અથવા લીકેજ જોવા મળે છે. આ ઉપરાંત, ટાઇલ્સ અને ફ્લોરિંગનું કામ પણ અત્યંત ઉતાવળમાં અને કાચું કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે. રહીશોએ જણાવ્યું કે, અનેક ફ્લેટોમાં બારી-બારણાં, ઇલેક્ટ્રિક બોર્ડ અને વાયરિંગમાં પણ ગંભીર ખામીઓ છે, જેના કારણે શોર્ટ સર્કિટનો ભય સતત સતાવી રહ્યો છે. ઈમરજન્સી ગેટ પણ બંધ કરી દેવાયોસૌથી વધુ ચિંતાજનક બાબત ફાયર સેફ્ટી અને લિફ્ટની સુવિધાની છે. બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા અનિવાર્ય છે, પરંતુ અહીં હજુ સુધી ફાયર સેફ્ટીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. જો કોઈ દુર્ઘટના સર્જાય તો રહીશોની સુરક્ષા ભગવાન ભરોસે છે. વળી, બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી લિફ્ટમાં વારંવાર ટેકનિકલ ખામીઓ સર્જાય છે, જેના કારણે વૃદ્ધો અને બાળકોને ઉપરના માળે આવવા-જવામાં ભારે મુશ્કેલી પડે છે. રહીશોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, સોસાયટી અને માર્કેટની વચ્ચે રહેવાસીઓની અવરજવર માટે જે ઈમરજન્સી ગેટ રાખવામાં આવ્યો હતો, તેને ડેવલપર દ્વારા ઈંટ-ચૂનાથી ચણીને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોએ મ્યુ. કમિશનરને આવેદન પાઠવ્યુંરહીશોમાં અત્યારે ભારે રોષ અને ફાળ ફેલાયેલી છે. તેમનું કહેવું છે કે જો માત્ર ચાર મહિનામાં બિલ્ડિંગની આવી હાલત હોય, તો આગામી ચોમાસામાં સ્થિતિ કેટલી સ્ફોટક હશે, તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પાણીના સતત લીકેજને કારણે ઇમારત નબળી પડી શકે છે અને કોઈ મોટી દુર્ઘટના થવાની ભીતિ છે. રહીશોએ માગ કરી છે કે, મનપા કમિશનર પોતે અથવા તેમના પ્રતિનિધિ આ સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરે અને જે એજન્સી કે કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું છે તેની પાસે ગેરંટી પિરિયડ હેઠળ તમામ મરામત કામગીરી મફતમાં અને ગુણવત્તાસભર રીતે કરાવે. જો આ આવેદનપત્ર દ્વારા રહીશોએ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરીને મધ્યમ વર્ગના લોકોના સપનાના ઘર જોખમી ન બને.
પંચમહાલ જિલ્લામાં 4.46 કરોડ રૂપિયાની ખનીજ ચોરી સહિત કુલ 11 ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત ખનીજ માફિયા રાજેશ ઉર્ફે રાજુ જોગાભાઈ ભરવાડને કાંકણપુર પોલીસે છ જિલ્લામાંથી તડીપાર કર્યો છે. આ કાર્યવાહી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ પાસા-તડીપારની અસરકારક કાર્યવાહીના ભાગરૂપે કરવામાં આવી છે.રાજુ ભરવાડ વિરુદ્ધ કાંકણપુર પોલીસ સ્ટેશનમાં જ કુલ નવ ગુના નોંધાયેલા છે, જ્યારે અન્ય પોલીસ સ્ટેશનોમાં બે ગુના નોંધાયા છે. આ ગુનાઓમાં ખનીજ ચોરી જેવા ગંભીર ગુનાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસના આદેશ મુજબ, રાજેશ ઉર્ફે રાજુ જોગાભાઈ ભરવાડને પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, ખેડા અને છોટાઉદેપુર એમ કુલ છ જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો છે. તડીપારના આદેશ બાદ આરોપીને અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
બોટાદ જિલ્લામાં ઘઉંની પુષ્કળ આવક છતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. APMC યાર્ડમાં દરરોજ હજારો મણ ઘઉંની આવક થઈ રહી છે, પરંતુ ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી. હાલમાં ઘઉંના પ્રતિ મણ 400થી ૫૦૦ રૂપિયા સુધીના ભાવ મળતા હોવાથી ખેડૂતોને ખેતીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. આથી ખેડૂતોએ સરકાર સમક્ષ ઘઉંના ભાવ વધારવાની માંગ કરી છે. આ વર્ષે બોટાદ જિલ્લામાં સારો વરસાદ થતાં ઘઉંનું મબલખ વાવેતર થયું હતું. જિલ્લામાં અંદાજે 23 હજારથી વધુ હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેના પરિણામે APMC યાર્ડમાં ઘઉંની આવક મોટા પ્રમાણમાં શરૂ થઈ છે. બોટાદ APMCમાં દરરોજ અંદાજે ૧૫ હજાર મણથી વધુ ઘઉંની આવક નોંધાઈ રહી છે. જોકે, ખેડૂતોને ઘઉંના સંતોષકારક ભાવ મળી રહ્યા નથી. હાલમાં પ્રતિ મણ 400થી 500 રૂપિયાના ભાવ મળતા હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ખેડૂતોના મતે, એક વિઘા જમીનમાં ઘઉંનું વાવેતર કરવા માટે બિયારણ, ખાતર અને દવા સહિત અંદાજે 5થી 7 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. પાક તૈયાર થયા બાદ ઘઉં સાફ કરવાની મજૂરી અને યાર્ડ સુધી પહોંચાડવાના વાહન ભાડાનો પણ ખર્ચ ઉમેરાય છે. આવા સંજોગોમાં ઓછા ભાવ મળવાથી ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે જો ઘઉંના પ્રતિ મણ 600થી 650 રૂપિયા સુધીના ભાવ મળે તો જ તેમને પાક પોસાય તેમ છે. આથી, સરકાર દ્વારા ઘઉંના ભાવમાં વધારો કરવામાં આવે તેવી તેમની માંગ છે. ખેડૂત રસિકભાઈ બાવળીયાએ ભાવ અંગે માહિતી આપી હતી. બોટાદ APMCના ચેરમેન મનહરભાઈ માતરીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ઘઉંનું મબલખ ઉત્પાદન થતાં યાર્ડમાં આવક વધી છે, જેના કારણે હાલ ભાવ થોડા ઓછા છે. તેમણે ઉમેર્યું કે સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી થવાની છે, પરંતુ ઘણા ખેડૂતો રાહ જોયા વિના વેચાણ કરી દે છે. તેથી, સરકાર દ્વારા વહેલી તકે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ઉદયપુર-અસારવા વંદે ભારતને શામળાજી સ્ટેશન પર સ્ટોપેજ:રેલવે મંત્રાલયે સાંસદની રજૂઆત બાદ મંજૂરી આપી
રેલવે મંત્રાલયે ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસને શામળાજી રોડ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાની મંજૂરી આપી છે. આ નિર્ણય સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત બાદ લેવામાં આવ્યો છે. સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આ વિસ્તારના ધાર્મિક પ્રવાસન અને સ્થાનિક નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ આ માગણી કરવામાં આવી હતી. રેલવે મંત્રાલયે આ રજૂઆતના માત્ર 20 દિવસમાં જ સકારાત્મક નિર્ણય લીધો છે. આ નિર્ણયથી શામળાજી મંદિરના દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નાગરિકોને મુસાફરીમાં વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક વ્યવસ્થા મળશે. આ પગલાથી ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને સમગ્ર અરવલ્લી વિસ્તારના વિકાસને પણ નવો વેગ મળશે. ઉદયપુર સિટી – અસારવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 26963/26964) ને શામળાજી રોડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા મંજૂરી આપવામાં આવી છે.
ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આજે નવસારીનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જતા રોડ પરનો ડામર પીગળી ગયો હતો. આ દરમિયાન અહીંથી પસાર થતા લોકોના ચપ્પલ રોડ સાથે ચોંટી જતા લોકોએ ભારે હાલાકી ભોગવી હતી. રાહદારીઓના ચપ્પલ ચોંટી ગયામાર્ચ મહિનાની શરૂઆતમાં જ પડેલી આ અસહ્ય ગરમીને કારણે નવસારી શહેરના ટાવર વિસ્તારથી સુરતને જોડતા મુખ્ય ડામર રોડ પર ડામર પીગળીને છૂટો પડવા લાગ્યો હતો. આ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓના ચપ્પલ ડામરમાં ચોંટી જવાની ઘટનાઓ બની હતી. લોકો માટે રસ્તો ઓળંગવો મુશ્કેલ બન્યો હતો, કારણ કે ડામર પગમાં ચોંટતા તેઓ રોડની વચ્ચે જ ફસાઈ જતા હતા. ભાસ્કર રિપોર્ટરે મહિલાઓને સુરક્ષિત સ્થળે પહોંચાડીબપોરના સમયે કેટલીક મહિલાઓ આ પીગળેલા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પગ ડામરમાં જામી ગયા હતા. ગરમી અને ગભરાટને કારણે મહિલા હલનચલન કરી શકતી નહોતી.આ સમયે અહીં રિપોર્ટિંગ કરતા દિવ્ય ભાસ્કર ડિજિટલના રિપોર્ટર હિતેશ સોનવણેએ મહિલાને ઉંચકીને રોડની કિનારે સુરક્ષિત રીતે પહોંચાડી હતી. કાળઝાળ ગરમીથી લોકો પરેશાનહાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ કાળઝાળ ગરમીમાં રોઝા રાખતા લોકો માટે સ્થિતિ કફોડી બની છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને ગરમીથી બચવા લોકો મોઢે રૂમાલ બાંધીને અથવા ટોપી પહેરીને નીકળવા મજબૂર બન્યા છે. માર્ચના પહેલા અઠવાડિયામાં જ આટલી ગરમીને કારણે શહેરીજનોમાં ચિંતા જોવા મળી રહી છે. હવામાનના જાણકારો મુજબ, જો આ જ ગતિએ તાપમાન વધતું રહેશે તો આગામી એપ્રિલ અને મે મહિનામાં પારો 45 ડિગ્રીને પણ વટાવી શકે તેવી સંભાવના છે.
તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આજ રોજ પિખોર સેવા સહકારી મંડળી દ્વારા NCCFના સહયોગથી તુવેરની ખરીદીનો વિશેષ પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતોના હિતને ધ્યાને રાખીને આ વખતે ખરીદી પ્રક્રિયામાં અનેક રાહતો અને નવી સવલતો ઉમેરવામાં આવી છે, જેથી ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. ઓન-ધ-સ્પોટ રજિસ્ટ્રેશન અને ઝડપી પેમેન્ટઆ ખરીદીની સૌથી મોટી વિશેષતા એ છે કે જે ખેડૂતોએ અગાઉ નોંધણી કરાવી નથી, તેઓ પણ વાવેતરનો દાખલો, 7/12 ઉતારો, બેંક પાસબુક અને આધારકાર્ડ સાથે લાવી સ્થળ પર જ નોંધણી કરાવી શકશે. નોંધણી થયાના તુરંત બાદ જ તોલ કરી આપવામાં આવશે. આ ઉપરાંત, માલ વેચ્યાના માત્ર 5 થી 6 દિવસમાં જ ખેડૂતોના બેંક ખાતામાં સીધું પેમેન્ટ જમા કરી દેવામાં આવશે. VCE દ્વારા રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો પણ પોતાની અનુકૂળતા મુજબના દિવસે તુવેર લાવી શકશે. ખરીદીના નિયમો અને ક્ષમતાનિયમો મુજબ, ખેડૂતો પાસેથી વિઘા દીઠ 10 મણ તુવેર લેવામાં આવશે. જમીનના વિસ્તાર મુજબ ખેડૂત પોતાનો તમામ માલ આપી શકશે. એક ખેડૂતના ખાતામાં એક જ દિવસમાં 40 ખાંડી સુધીની તુવેર જોખવાની ક્ષમતા રાખવામાં આવી છે. ખેડૂતોએ માત્ર ગુણવત્તાયુક્ત માલ લાવવાનો રહેશે. મહત્વની વાત એ છે કે અન્ય જિલ્લાના ખેડૂતો પણ અહીં પોતાનો માલ વેચવા લાવી શકશે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભઆ ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ સોમવાર, તારીખ 9.3.2026 થી થશે. જે ખેડૂતો માલ લાવવા માંગતા હોય તેમણે આગલા દિવસે યાર્ડ પર આવી જથ્થો નોંધાવી જવો. આ પ્રસંગે ઓપનિંગમાં તાલુકા ભાજપ પ્રમુખ સંજય અકબરી, ભૂપત હીરપરા, લાલ શિંગાળા, APMC તાલાલાના વાઇસ ચેરમેન ભરત મકવાણા, ઘનશ્યામ ખાનપરા અને રાજા ચારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
T20 વર્લ્ડ કપના મહામુકાબલામાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડને 96 રને પરાજય આપી ત્રીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શરૂઆતથી જ દબદબો જમાવ્યો હતો. ખાસ કરીને ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતા ન્યૂઝીલેન્ડની ચાર મહત્વપૂર્ણ વિકેટ ઝડપી મેચનો રૂખ બદલી નાખ્યો હતો, જેથી પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. T20 વર્લ્ડ કપની ટ્રોફી અગાઉ નિર્માણ સ્કૂલમાં લાવવામાં આવી હતીભારતીય ટીમની ઐતિહાસિક જીતને લઈને શહેરમાં પણ જોરદાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી નિર્માણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કારણ કે ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પોતાના શાળાકીય અભ્યાસનો એક ભાગ આ નિર્માણ સ્કૂલમાંથી કર્યો હતો. ભારતની જીતની ખબર મળતાં જ સ્કૂલના વિદ્યાર્થીઓએ તિરંગા લહેરાવી અને ‘ભારત માતા કી જય, ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી ઉજવણી કરી હતી. T20 વર્લ્ડ કપની ટ્રોફી અગાઉ નિર્માણ સ્કૂલમાં લાવવામાં આવી હતી, ત્યારે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભારતીય ટીમની જીતની આશા વ્યક્ત કરી હતી. હવે ભારતના વિજય સાથે તે આશા સાકાર થતાં સ્કૂલમાં આનંદ અને ગર્વનો માહોલ છવાઈ ગયો હતો. બુમરાહના પ્રદર્શનથી સ્કૂલને પણ ગર્વ થઈ રહ્યો છેઃ આશિષ દેસાઈઆશિષ દેસાઈએ જણાવ્યું હતું કે, જસપ્રીત બુમરાહે અમારી શાળામાં અભ્યાસ કરેલો છે. આ વર્લ્ડ કપમાં તેનો યોગદાન ખૂબ જ સરસ રહ્યું છે. તેમજ તેને સૌથી વધુ વિકેટ પણ લીધી છે, જેથી વિદ્યાર્થીઓ મોટીવેટ થાય અને શાળામાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી રાષ્ટ્રીય લેવલ પર સિદ્ધિ હાંસલ કરે તે ગૌરવની વાત ગણાતી હોય છે, જેથી શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. તમામ મેચમાં બુમરાહનું પ્રદર્શન ખૂબ જ સારું રહેતા સ્કૂલને પણ ગર્વ થઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપની ટ્રોફી પણ સ્કૂલમાં લાવવામાં આવી હતી. જે દરમિયાન જસપ્રિત બુમરાહના માતા પણ હાજર રહ્યા હતા. જેથી વિદ્યાર્થીઓનો સ્પોર્ટ્સ તરફ લગાવ વધે તે માટે ભારતીય ટીમની જીતની ઉજવણી કરવામાં આવી હતી. બૂમરાહ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો તે સ્કૂલમાં હું છું, ગર્વ છે મનેઃ રુદ્રવિદ્યાર્થી રુદ્રએ જણાવ્યું હતું કે, ભારતીય ટીમની જીતની અમને ઘણી ખુશી છે. ગઈકાલે અમે અમારી સોસાયટીમાં મેચ જોઈ હતી. ગઈકાલે મેચ જોઈને ખૂબ મજા આવી ગઈ હતી. બૂમરાહ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો તે સ્કૂલમાં હું ભણું છે, તેથી મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે. તેમજ ગઈકાલે બૂમરાહે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને 4 વિકેટ પણ લીધી હતી.
ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નારી ગૌરવ સંવાદ અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જ્યારે નારીશક્તિ જાગૃત થાય છે, ત્યારે તે માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. દેશના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું યોગદાન પાયાનું અને અમૂલ્ય છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યની પ્રતિભાસંપન્ન મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને દોહરાવતા ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી હતી કે સરકાર હંમેશા મહિલાઓની પડખે ઊભી છે. માતા યશોદા એવોર્ડ અને મહિલા રત્નોનું સન્માનઆ સમારોહમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પાયાના કાર્યકરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ શ્રેષ્ઠ કામગીરી કરનાર એક સ્વૈચ્છિક સંસ્થા અને એક શ્રેષ્ઠ મહિલા કાર્યકરને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કર્યો હતો. તદુપરાંત, રાજ્યના 4 ઝોનમાં પાયાના સ્તરે સેવા આપતી મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરી બદલ માતા યશોદા એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડ માત્ર સન્માન નથી, પરંતુ મહિલાઓના સેવાકીય યોગદાનની રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી નોંધ છે. મુખ્યમંત્રીનો મહિલા અગ્રણીઓ સાથે સીધો સંવાદકાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘નારી ગૌરવ સંવાદ’ રહ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે રમત-ગમત, સામાજિક સેવા, સંરક્ષણ, ઉદ્યોગ, કલા-સંસ્કૃતિ અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ડંકો વગાડનાર મહિલા અગ્રણીઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હતી. પદ્મશ્રી એવોર્ડી મહિલાઓ, નીતિ આયોગ દ્વારા પુરસ્કૃત પ્રતિભાઓ અને ખ્યાતનામ કલાકારોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ સંવાદ દરમિયાન મુખ્યમંત્રીએ મહિલાઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય સુરક્ષા માટેની સરકારી યોજનાઓની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે જણાવ્યું કે મહિલાઓ જ્યારે ઘરનો ઉંબરો ઓળંગી સાહસ કરે છે, ત્યારે આવતા સામાજિક પડકારોને જે બહેનો પાર કરે છે, તે સમાજ માટે સાચા ‘રોલ મોડેલ’ છે. સખીમંડળો અને આત્મનિર્ભર ગુજરાતનું વિઝનગુજરાતમાં નારી સશક્તિકરણના મોડેલ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું કે રાજ્યમાં હાલ 2.70 લાખથી વધુ સખીમંડળો કાર્યરત છે. આ મંડળો દ્વારા લાખો બહેનોને કૌશલ્યવર્ધન તાલીમ આપીને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવામાં આવી છે. આ આંકડાઓ સાબિત કરે છે કે મહિલાઓ હવે રાજ્યના આર્થિક નિર્માણમાં મજબૂત ભાગીદાર બની છે. સરકારનો નિર્ધાર મહિલાઓને માત્ર ‘જોબ સીકર’ (નોકરી શોધનાર) જ નહીં પરંતુ ‘જોબ ગીવર’ (નોકરી આપનાર) બનાવવાનો છે. ખાસ કરીને ‘હોમ-બેઝ્ડ સ્ટાર્ટઅપ’ કરતી મહિલાઓને આગામી સમયમાં વધુ આર્થિક મદદ મળી રહે તે માટે સરકાર સક્રિયપણે વિચારણા કરી રહી છે. શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ: નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાગુજરાતની દીકરીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં આગળ વધે તે માટે રાજ્ય સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણયોની પણ ચર્ચા કરવામાં આવી હતી. ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' જેવી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ હેઠળ વિદ્યાર્થિનીઓને 50,000 થી 75,000 સુધીની સહાય આપવામાં આવે છે, જેથી આર્થિક કારણોસર કોઈ દીકરી શિક્ષણથી વંચિત ન રહે. મહિલા સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે સરકારની કટિબદ્ધતામહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું કે આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ મહિલાઓના ત્યાગ અને સમર્પણને નવી ઓળખ આપવા પર કેન્દ્રિત છે. તેમણે ઉમેર્યું કે ‘નારી ગૌરવ સંવાદ’ જેવા આયોજનોથી મહિલાઓના પ્રશ્નો અને સૂચનો સીધા સરકાર સુધી પહોંચે છે, જેના આધારે ભવિષ્યમાં વધુ સુધારાત્મક પગલાં લઈ શકાય છે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ICDS કમિશનર રણજીત કુમાર સિંહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આ ગૌરવશાળી ક્ષણના સાક્ષી બન્યા હતા.
પોદાર જમ્બો કિડ્સમાં મહિલા દિવસની ઉજવણી:કસક ખાતે 'ક્વીન્સ ડે આઉટ' કાર્યક્રમ યોજાયો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચના કસક વિસ્તારમાં આવેલી પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ ખાતે 'ક્વીન્સ ડે આઉટ' કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે વિવિધ મનોરંજક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં નેઇલ આર્ટ, મહેંદી, હેર સ્ટાઇલ, ઝુંબા, રમતો અને રેમ્પ વોકનો સમાવેશ થતો હતો. તમામ મહિલાઓએ આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડૉ. સેજલ સેજવાની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ રમતોના વિજેતાઓને ઇનામો એનાયત કરાયા હતા. આ ઉપરાંત, ઉપસ્થિત તમામ મહિલાઓને પ્રકૃતિ અને આરોગ્યનો સંદેશ આપવા તુલસીના રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો કરતા કોઠારીયા રોડ પર આવેલા વર્ષો જૂના વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ અદ્યતન સુવિધાયુક્ત હોલનું લોકાર્પણ હાલમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં જર્જરિત હાલતમાં રહેલા જૂના હોલના સ્થાને હવે પેસેન્જર અને માલસામાન માટેની અલગ લિફ્ટ, ફાયર સેફ્ટી સિસ્ટમ, વિશાળ પાર્કિંગ અને સેન્ટ્રલી એ.સી. જેવી આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, હાઈટેક સુવિધાઓ છતાં મનપા દ્વારા આ હોલના ભાડા અને ડિપોઝિટના દર સામાન્ય જનતાને પોસાય તેવા માત્ર રૂ. 5થી 10 હજાર રાખવામાં આવ્યા છે, તો બેસણા કે ઉઠમણા જેવા માઠા પ્રસંગો માટે માત્ર રૂ. 1-2 હજાર ભાડું રાખવામાં આવ્યું છે. હોલનું માળખું અને ઉપલબ્ધ સુવિધાઓ નવો તૈયાર થયેલ વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ ત્રણ માળમાં વિભાજિત છે, જેમાં દરેક પ્રકારના સામાજિક અને વ્યવસાયિક પ્રસંગોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં વાહનોના વ્યવસ્થિત પાર્કિંગ માટે વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. પ્રથમ માળે નોન એ.સી. યુનિટ-1 કાર્યરત છે, જે મધ્યમવર્ગીય પરિવારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો બીજા માળ પર સેન્ટ્રલી એ.સી. યુનિટ-2ની સુવિધા આપવામાં આવી છે, જે મોટા પ્રસંગો માટે અનુકૂળ છે. ત્રીજા માળે રહેવા અને અન્ય ઉપયોગ માટે 2 એ.સી. અને 4 નોન એ.સી. રૂમ તેમજ 2 સ્ટોર રૂમ બનાવવામાં આવ્યા છે.મહત્વની બાબત એ છે કે, જે તે યુનિટ ભાડે રાખનાર આયોજકોને 3 રૂમ વિનામૂલ્યે વાપરવા માટે આપવામાં આવશે. નવા જાહેર થયેલા ભાડાના દરરાજકોટના વોર્ડ નં. 9 માં આવેલા અભય ભારદ્વાજ હોલ જેવી જ સુવિધાઓ હોવા છતાં, વિનોદભાઈ શેઠ હોલનું ક્ષેત્રફળ ઓછું હોવાથી તેના ભાડાના દર નીચા રાખવામાં આવ્યા છે. અગાઉ 2015 માં નક્કી થયેલા દરોની સરખામણીએ સુવિધાઓમાં ધરખમ વધારો થયો હોવા છતાં ભાડામાં મોટો વધારો કરાયો નથી. જેમાં 'A' કેટેગરીના હોલ માટે ડિપોઝિટ રૂ. 4000 અને ભાડું રૂ. 2000 હતું, તેની સામે અત્યારની મોંઘવારીમાં આ નવા દર સામાન્ય નાગરિકો માટે આશીર્વાદરૂપ છે. પ્રથમ માળ યુનિટ-1 (નોન-એસી હોલ)* લગ્ન, સગાઈ, જનોઈ, ધાર્મિક પ્રસંગો અને લૌકિક વિગેરે પ્રસંગો માટે ભાડાનો દર રૂ. 5,000 અને ડિપોઝીટનો દર રૂ. 10,000.નક્કી કરવામાં આવ્યો છે.* બેસણું અને ઉઠમણું (4 કલાક માટે - સવારે 8 થી 12 અથવા બપોરે 2 થી 6 માટે) ભાડાનો દર રૂ. 1,000 અને ડિપોઝીટનો દર રૂ. 5,000 રહેશે.* કોમર્શિયલ હેતુ માટે તેમજ ઉપરોક્ત ક્રમ 1 અને 2 સિવાયના પ્રસંગો માટે ભાડાનો દર રૂ. 8,000/- અને ડિપોઝીટનો દર રૂ. 10,000/- રહેશે. બીજો માળ યુનિટ-2 (એસી હોલ)* લગ્ન, સગાઈ, જનોઈ, ધાર્મિક પ્રસંગો અને લૌકિક વિગેરે પ્રસંગો માટે ભાડુ રૂ. 10,000 અને ડિપોઝીટ રૂ. 15,000 નક્કી કરવામાં આવ્યો છે.* બેસણું અને ઉઠમણું (4 કલાક માટે - સવારે 8 થી 12 અથવા બપોરે 2 થી 6 માટે) ભાડાનો દર રૂ. 2,000 અને ડિપોઝીટનો દર રૂ. 10,000 રહેશે.* કોમર્શિયલ હેતુ માટે તેમજ ઉપરોક્ત ક્રમ 1 અને 2 સિવાયના પ્રસંગો માટે ભાડાનો દર રૂ. 15,000 અને ડિપોઝીટનો દર રૂ. 20,000 રહેશે. ચાર વોર્ડના હજારો લોકોને સીધો ફાયદો કોઠારીયા રોડ પર આવેલો આ હોલ વર્ષોથી વોર્ડ નં. 14, 16, 17 અને 18 ના રહેવાસીઓ માટે કેન્દ્રસ્થાને રહ્યો છે. આસપાસમાં વસતા હજારો પરિવારો નાના-મોટા સામાજિક પ્રસંગો માટે આ હોલ પર નિર્ભર છે. પ્રાઇવેટ પાર્ટી પ્લોટ કે હોલના તોતિંગ ભાડા પરવડે તેમ ન હોય તેવા પરિવારો માટે આ સરકારી હોલ આધુનિક સુવિધા સાથે શ્રેષ્ઠ વિકલ્પ છે. અભયભાઈ ભારદ્વાજ હોલની સરખામણીએ આ હોલના ભાડા ખૂબ ઓછા હોવાથી મધ્યમ અને શ્રમિક વર્ગના લોકો પણ હવે એ.સી. હોલનો લ્હાવો લઈ શકશે. આધુનિક સગવડો અને વ્યાજબી ભાવના સમન્વયથી હવે સામાન્ય માણસ પણ પોતાના પારિવારિક પ્રસંગોની ગૌરવભેર ઉજવણી કરી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા ધોરણ 10ની મહત્વપૂર્ણ ગણાતી સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા યોજવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં કુલ 347 અને અમદાવાદ ગ્રામ્યમાં કુલ 264 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા હોવાથી પરીક્ષા શરૂ થતા પહેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહની સાથે સાથે થોડો ડર પણ જોવા મળ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને ડર હતો કે પેપર અઘરું પૂછાઈ શકે છે. પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર સરળ પૂછાતા વિદ્યાર્થીઓ સારા માર્ક્સની અપેક્ષા રાખી રહ્યા છે. પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓના ચહેરા પર તણાવ જોવા મળ્યો હતોધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવતી હોય છે. જો કે આ વખતે સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરનાર વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે પૂરતો સમય મળ્યો હતો. ખાસ કરીને સાયન્સ અને કોમર્સ જેવા વિષયો પસંદ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ વિષયમાં સારો સ્કોર મેળવવો જરૂરી બનતો હોય છે. જેના કારણે પરીક્ષા શરૂ થાય તે પહેલાં ઘણા વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ સાથે થોડો તણાવ પણ જોવા મળ્યો હતો. અમદાવાદ ગ્રામ્યમાં સ્ટાન્ડર્ડ ગણિતના 3577 વિદ્યાર્થીઓવિદ્યાર્થીઓએ સૌથી વધુ તૈયારી પણ સ્ટાન્ડર્ડ ગણિતના પેપર માટે કરી હતી. જો મેહનત પ્રમાણે પેપર સરળ પૂછાતા વિદ્યાર્થી અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તો મોટા ભાગના વિદ્યાર્થીઓએ એવું પણ જણાવ્યું હતું કે, પેપર થોડું લેન્ધી પૂછવામાં આવતા સમય ખૂટ્યો હતો. અમદાવાદ ગ્રામ્યમાં સ્ટાન્ડર્ડ ગણિતના કુલ 3577 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 19 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 3558 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સેકશન Aમાં થોડો લેન્ધી લાગ્યોઃ દિયાધોરણ 10ની વિદ્યાર્થિની દિયાએ જણાવ્યું હતું કે, આજે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર સારું ગયું છે. મારી તૈયારી પ્રમાણે મને પેપર સરળ લાગ્યું છે. જો કે આજના પેપર માટે તૈયારી ઘણી કરી હતી. સેકશન Aમાં થોડો લેન્ધી લાગ્યો હતો, પરંતુ મારે સમય ખૂટ્યો નથી, જેથી લાગે છે કે આ પેપરમાં 70 કરતા વધુ માર્ક્સ આવી શકે છે. ફિલિંગ ધ બ્લેન્ક અને સાચા ખોટા થોડા અઘરા પૂછાયા હતાઃ સાર્થકધોરણ 10ના વિદ્યાર્થીઓ સાર્થક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર હતું પેપર સરળ હતું, પરંતુ થોડું લેન્ધી પૂછાયું હતું. ઓબ્જેક્ટીવ સવાલ વધુ પૂછવામાં આવ્યા હતા, જેથી ટાઈમ ખુટે તેવું પેપર પૂછાયુ હતું. ફિલિંગ ધ બ્લેન્ક અને સાચા ખોટા થોડા અઘરા પૂછાયા હતા. જો કે તૈયારી સારી હતી જેથી લાગે છે કે 70 કરતા વધુ માર્ક્સ આવી શકે છે.
જીમમાં જતી મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠતા સુરત પોલીસ એકશનમાં આવી છે. જીમમાં આવતી મહિલા-યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલ કરાતી હોવાની ફરિયાદો ઉઠતા સુરત પોલીસે જીમ સંચાલકો સાથે બેઠક યોજી સ્પષ્ટ સૂચના આપી હતી. જીમમાં હવે વોઈસ રેકોર્ડિંગ સાથેના સીસીટીવી રાખવાના રહેશે. જીમ ટ્રેનરની નિમણૂક કરતા પહેલા તેનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. જીમમાં આવતી મહિલા-યુવતીઓને ટ્રેનર પર્સનલ મેસેજ કરી શકશે નહીં. જો પર્સનલ મેસેજ કરી કનડગત કરતા ઝડપાશે તો જીમ સંચાલક સામે પણ કાર્યવાહી કરાશે. જીમ સંચાલકો સાથે બેઠક યોજી પોલીસે સ્પષ્ટ સૂચના આપીતાજેતરમાં જીમમાં બહેન-દીકરીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ગંભીર મુદ્દે એસ.ઓ.જી. પોલીસ દ્વારા વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારના જીમ માલિકોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. બેઠકમાં પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે જીમ એ કસરત કરવાનું સ્થળ છે, અનૈતિક પ્રવૃત્તિઓનું નહીં. પોલીસે જીમ સંચાલકોને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરી જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. ટ્રેનરોની નિમણૂક પૂર્વે પોલીસ વેરિફિકેશન અને સ્કેનિંગ ફરજિયાતડીસીપી રાજદીપસિંહ નકુમે સૂચના આપી છે કે, જીમમાં કોઈ પણ ટ્રેનરને રાખતા પહેલા તેનું સંપૂર્ણ સ્કેનિંગ કરવું અનિવાર્ય છે. ટ્રેનરનું ભૂતકાળનું કેરેક્ટર કેવું છે, તે ક્યાંથી આવે છે અને તેની વર્તણૂક કેવી છે તેની ખરાઈ કર્યા બાદ જ તેને નોકરી પર રાખવા. ટ્રેનરોની પ્રોફાઈલ અને દસ્તાવેજોની ચકાસણીમાં કોઈ કચાશ રાખનાર જીમ સંચાલકો સામે કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઓડિયો સાથેના CCTV કેમેરા લગાવવા આદેશજીમની અંદર ખરેખર કેવું વાતાવરણ છે અને ટ્રેનરો મહિલા સભ્યો સાથે કઈ રીતે વાતચીત કરે છે તેની દેખરેખ રાખવા માટે પોલીસે નવો નિયમ લાગુ કરવા જણાવ્યું છે. હવેથી તમામ જીમમાં માત્ર વીડિયો જ નહીં, પરંતુ 'વોઈસ રેકોર્ડિંગ' (ઓડિબલ વોઈસ) સુવિધા ધરાવતા CCTV કેમેરા લગાવવા પડશે. આ ફૂટેજનું પોલીસ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે, જેથી કોઈ અજુગતી ઘટના બને તો તેની સત્યતા તપાસી શકાય. સોશિયલ મીડિયા અને મેસેજિંગ પર પ્રતિબંધની સૂચનાઅવારનવાર એવું જોવા મળ્યું છે કે ટ્રેનરો જીમમાં આવતી પરિણીત મહિલાઓ કે યુવતીઓના નંબર મેળવી તેમને પર્સનલ મેસેજ કરે છે અને ત્યારબાદ સંબંધો બાંધવા દબાણ કરે છે. પોલીસે આ બાબતે કડક વલણ અપનાવતા કહ્યું છે કે, ટ્રેનરોએ કોઈપણ સભ્ય સાથે પર્સનલ મેસેજની આપલે કરવી નહીં. જો કોઈ ટ્રેનર આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાશે તો તેની ધરપકડ તો થશે જ, પણ સાથે જીમ સંચાલકની જવાબદારી પણ નક્કી કરાશે. જીમ ચાલતી પ્રવૃતિ પર પોલીસ વોચ રાખશેએસ.ઓ.જી.હવે જીમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે 'અંડરકવર' ઓપરેશનની પણ તૈયારી કરી છે. આગામી દિવસોમાં પોલીસના ખાનગી બાતમીદારો સભ્ય બનીને અથવા વિઝિટર તરીકે જીમની મુલાકાત લેશે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ અચાનક જીમની વિઝિટ કરશે અને ત્યાં આવતા વરિષ્ઠ નાગરિકો સાથે વાતચીત કરીને જીમના વાતાવરણ અંગે પ્રતિભાવ મેળવશે, જેથી અંદરખાને ચાલતી ગેરરીતિઓ પકડી શકાય. જીમ માલિકોએ મહિલાઓની સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવું પડશેડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ પણ જીમમાં મહિલાઓની છેડતી, બ્લેકમેઈલિંગ કે ધર્માંતરણના હેતુથી કરાતા 'જીમ જેહાદ' જેવી પ્રવૃત્તિના ઈનપુટ મળશે, તો પોલીસ કોઈ પણ પ્રકારની દયા રાખશે નહીં. પોલીસનો સંદેશ 'લાઉડ એન્ડ ક્લિયર' છે કે સુરતની દીકરીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જીમ માલિકોએ તેમના સ્ટાફ પર સતત વોચ રાખવી પડશે. મહિલાઓની સુરક્ષા માટે પોલીસનું 'ક્રિસ્ટલ ક્લિયર' અભિયાનસુરત પોલીસના આ પગલાથી જીમ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસનું માનવું છે કે જીમમાં આવતી મહિલાઓ સુરક્ષિત વાતાવરણમાં કસરત કરી શકે તે સુનિશ્ચિત કરવું એ પોલીસની પ્રાથમિકતા છે. જો કોઈ મહિલાને જીમમાં કોઈ ટ્રેનર દ્વારા પરેશાન કરવામાં આવતી હોય, તો તેઓ તુરંત પોલીસનો સંપર્ક કરી શકે છે. પોલીસ હવે દરેક જીમના ડેટાબેઝ અને ત્યાંના સ્ટાફની વિગતો ઓનલાઈન મેન્ટેન કરવાની દિશામાં પણ વિચારી રહી છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વૈશ્વિક અસરો હવે મોરબીના ઉદ્યોગો પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સિરામિક અને પેપર મિલ બાદ હવે મોરબીનો પોલિપેક ઉદ્યોગ પણ ગંભીર સંકટમાં મુકાયો છે. કાચા માલના ભાવમાં થયેલો તોતિંગ વધારો અને માલની અછતને કારણે અનેક એકમો બંધ થવાની અણી પર છે. પ્લાસ્ટિક દાણાના ભાવમાં 50%નો કમરતોડ વધારો થયો છે, કન્ટેનરનું ભાડું પણ 1000 ડોલરથી વધીને 3000 થયું છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં પોલિપેકના 200 કારખાના આવેલા છે, જેમાં 20 હજાર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળે છે. કાચા માલના ભાવમાં 50 ટકાથી વધુનો ઉછાળોયુદ્ધ પૂર્વે પોલિપેક ઉદ્યોગ માટે જરૂરી પ્લાસ્ટિક રો-મટીરીયલ (દાણા) પ્રતિ કિલો 90થી 92 રૂપિયાના ભાવે મળતું હતું. હાલ કંપનીઓના સત્તાવાર પ્રાઇસ લિસ્ટમાં આ ભાવ 135 થી 140 રૂપિયા દર્શાવાય છે, તેમ છતાં કંપનીઓ પાસે માલ ઉપલબ્ધ નથી. પરિણામે, કારખાનેદારોએ બ્લેક માર્કેટમાંથી પ્રતિ કિલો 150થી 160 રૂપિયા ચૂકવીને માલ ખરીદવાની નોબત આવી છે. ઈમ્પોર્ટ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારોમોરબીના પોલિપેક ઉદ્યોગમાં વપરાતા કાચા માલ પૈકી 40% મટીરીયલ આયાત કરવામાં આવે છે, જ્યારે 60% લોકલ માર્કેટમાંથી મેળવાય છે. યુદ્ધને કારણે ઈમ્પોર્ટ થતું મટીરીયલ આવતું બંધ થઈ ગયું છે. આ ઉપરાંત, કન્ટેનરના ભાડામાં પણ જંગી વધારો થયો છે. જે કન્ટેનરનું ભાડું અગાઉ 1,000 ડોલર હતું, તે વધીને હવે 3,000 ડોલર સુધી પહોંચી ગયું છે. ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અને રોજગારી પર સંકટકુલ એકમો: મોરબી જિલ્લામાં અંદાજે 200 જેટલા પોલિપેક કારખાના આવેલા છે. રોજગારી: આ ઉદ્યોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 20,000 થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. મુખ્ય ઉત્પાદન: અહીં બનતી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઘઉં, ચોખા, સિમેન્ટ અને ખાતર જેવા ઉત્પાદનોના પેકિંગ માટે થાય છે. ઉત્પાદન ખર્ચ વધ્યો પણ વેચાણ ભાવ સ્થિરકાચા માલના ભાવમાં 50%થી વધુનો વધારો થતા ઉત્પાદન ખર્ચ અનેકગણો વધી ગયો છે. જોકે, તૈયાર માલ પર કારખાનેદારો ભાવ વધારો લઈ શકતા નથી, જેના કારણે નફાશક્તિ ઘટતા ઉદ્યોગને ટકાવી રાખવો મુશ્કેલ બન્યો છે. જો પરિસ્થિતિમાં વહેલી તકે સુધારો નહીં આવે, તો આગામી દિવસોમાં મોટા પાયે કારખાનાઓ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે.
આજના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માત્ર ટેક્નોલોજી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ ક્રાંતિ લાવી શકે છે. અમદાવાદની ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ આ વાત સાબિત કરી દીધી છે. આ બાળ વૈજ્ઞાનિકોએ ‘ડર્મા વિઝન’ નામની એક AI એપ્લિકેશન તૈયાર કરી છે, જે ત્વચાની સમસ્યાઓને શરૂઆતના તબક્કે ઓળખવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે. 450થી વધુ મહિલાઓનું સફળ સ્ક્રીનિંગમહિલા દિવસ નિમિત્તે અમદાવાદની ઉદગમવર્સ શાળાઓમાં એક ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષિકાઓ અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ સહિત 450થી વધુ મહિલાઓએ આ એપ્લિકેશન દ્વારા ત્વચાનું સ્કેનિંગ કરાવ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે, આ સ્ક્રીનિંગ દરમિયાન આશરે 50 મહિલાઓમાં એવી ત્વચા પેટર્ન જોવા મળી હતી, જેમાં નિષ્ણાત ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી અનિવાર્ય હતી. આ સફળતાએ સાબિત કર્યું છે કે ટેક્નોલોજી દ્વારા સમયસર સારવાર મેળવી શકાય છે. IIT દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરે સન્માનઆ પ્રોજેક્ટની ક્ષમતાને જોતા, જાન્યુઆરી 2026માં IIT દિલ્હી ખાતે યોજાયેલી ‘વિગ્યાનત્રમ નેશનલ ચેમ્પિયનશિપ’માં તેને મોટું સન્માન મળ્યું છે. દેશભરની 49 શાળાઓ વચ્ચેની સ્પર્ધામાં ‘ડર્મા વિઝન’ને “બેસ્ટ ઇનોવેટિવ આઈડિયા ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. દિશેન ગઢિયા, હેતાન્શ પટેલ, યુગ દલસાણિયા અને જનમેશ દરજીની આ ટીમે કમ્પ્યુટર વિઝન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ અદભૂત ટૂલ બનાવ્યું છે. કેવી રીતે કામ કરે છે ‘ડર્મા વિઝન’?આ એપ્લિકેશન ત્વચાના દ્રશ્યમાન પેટર્નનું ગહન વિશ્લેષણ કરે છે અને તેનું પરિણામ ખૂબ જ સરળ ભાષામાં આપે છે. તે માત્ર સમસ્યા જ નથી ઓળખતી, પરંતુ: ત્વચાની મૂળભૂત સંભાળ માટે માર્ગદર્શન આપે છે. પ્રિવેન્ટિવ ઉપાયો અને ઘરેલુ નુસખાઓ જણાવે છે. જ્યારે ખૂબ જ જરૂર હોય ત્યારે જ ડોક્ટર પાસે જવાની સલાહ આપે છે. ભવિષ્યની યોજનાનિષ્ણાત ડર્મેટોલોજિસ્ટ્સ પણ આ પહેલને બિરદાવી રહ્યા છે. વિદ્યાર્થીઓની આ ટીમ હવે આ એપ્લિકેશનને વધુ સચોટ અને વૈજ્ઞાનિક બનાવવા માટે ક્લિનિકલ સુરક્ષા માળખું મજબૂત કરવા પર કામ કરી રહી છે. ઝેબર સ્કૂલનું મેનેજમેન્ટ માને છે કે આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી અને નવીન વિચારધારાનો ઉત્તમ સંગમ છે.
મહેસાણા LCBની સફળ રેડ:કડીના વરખડીયા ગામે પાર્ક કરેલી ક્રેટા ગાડીમાંથી 3 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારના વરખડીયા ગામે બાતમીના આધારે દરોડો પાડી એક સફેદ કલરની ક્રેટા ગાડીમાંથી રૂ. 3,17,660ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ગાડી મળી કુલ રૂ. 8,17,660નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને દારૂની બાતમી મળી હતીમહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ASI મહેન્દ્રકુમાર અને કોન્સ્ટેબલ જોરાજીને સંયુક્ત બાતમી મળી હતી કે, વરખડીયા ગામનો અજયજી ગાભાજી ઠાકોર વિદેશી દારૂનો વેપાર કરે છે અને તેણે દારૂનો જથ્થો પોતાની સફેદ ક્રેટા ગાડીમાં ભરી વરખડીયા ગામના ભરવાડ વાસના ગેટ પાસે પાર્ક કરી રાખ્યો છે. દારૂની 30 પેટી સહિતનો મુદ્દામાલ જપ્તઆ બાતમીના આધારે પીએસઆઈ પી.એન. રબારીએ બાવલુ પોલીસ સ્ટેશનની વાઘરોડા આઉટ પોસ્ટના સ્ટાફનો સંપર્ક કરી સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે બાતમી વાળી જગ્યાએ પહોંચી ક્રેટા ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 30 પેટીઓ તથા છૂટી બોટલો મળી કુલ 472 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ગુનો દાખલ કર્યોપોલીસે રૂ.3,17,660ની કિંમતનો દારૂ અને રૂ. 5,00,000ની કિંમતની ક્રેટા ગાડી મળી કુલ રૂ. 8,17,660નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આરોપી અજયજી ગાભાજી ઠાકોર (રહે. વરખડીયા, ઠાકોરવાસ) વિરુદ્ધ બાવલુ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર 'વ્હાઈટ ફૉસ્ફરસ' વાપરવાનો આરોપ
Israel Lebanon War: લેબેનોન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક નવો વળાંક આવ્યો છે. માનવાધિકાર સંગઠન હ્યુમન રાઈટ્સ વોચ(HRW) એ ગંભીર આરોપ લગાવ્યો છે કે ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબેનોનના યોહમોર ગામના રહેણાંક વિસ્તારોમાં અત્યંત જોખમી અને 'ગેરકાનુની' ગણાતા વ્હાઈટ ફૉસ્ફરસ ગોળા ફેંક્યા છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે ઈઝરાયલી દળોએ સ્થાનિક લોકોને ગામ ખાલી કરવાની ચેતવણી આપી હતી. જોકે, હ્યુમન રાઈટ્સ વોચે સાત જેટલી તસવીરોને વેરિફાઈ કરીને પુષ્ટિ કરી છે કે વસ્તીવાળા વિસ્તારોમાં આ વિવાદાસ્પદ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ પ્રતિબંધિત માનવામાં આવે છે. વ્હાઈટ ફૉસ્ફરસ શું છે?
મહુવા તાલુકાના કરમદીયા ગામે વાડીના શેઢે લોખંડના ખૂંટા નાખવા મુદ્દે સગા ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો હિંસક બન્યો હતો. જેમાં સગા કાકા અને તેમના બે દીકરાએ મળીને ફરિયાદી પર લોખંડના પાઈપ અને દાતરડાથી હુમલો કરતાં ખેડૂતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને પ્રથમ બગદાણા અને બાદમાં મહુવા હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે બગદાણા પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લોખંડનો પાઈપ ઘૂંટણમાં મારતા ફરિયાદી પડી ગયાંઆ બનાવ અંગે બગદાણા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, મહુવા તાલુકાના કરમદીયા ગામે રહેતા રમેશ પોપટભાઈ ચાવડા (ઉં.વ. 40)એ બગદાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, 8 માર્ચની સવારે તેઓ અને તેમનો દીકરો ટુ-વ્હીલર પર વાડીમાં ગયા હતાં. બન્ને વાડીના શેઢે લોખંડના ખુંટા નાખી તાર બાંધવાનું કામ કરતા હતા, તે દરમિયાન પાડોશમાં રહેતા તેમના સગા કાકા આતું વાલાભાઈ ચાવડા ત્યાં આવી પહોંચ્યા હતાં. તેણે ‘અહીં ખુંટા કેમ નાખો છો? કહી બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતા. બાદમાં ગુસ્સામાં આવી તેઓએ રમેશને લોખંડના પાઈપથી ઘૂંટણના ભાગે માર મારતા તે નીચે પડી ગયો હતો. દાતરડાથી પીઠના ભાગે બે ઘા માર્યાઆ દરમિયાન આતું ચાવડાના દીકરો નાથા ઉર્ફે નરેશ અને વિક્રમ પણ દાતરડું લઈને આવી ગયા હતા અને રમેશ ચાવડા પર હુમલો કર્યો હતો, જેમાં નાથા ચાવડાએ દાતરડાથી પીઠના ભાગે બે ઘા મારતા રમેશ ચાવડાને ઈજા પહોંચી હતી. રમેશનો દીકરો મદદ માટે દોડીને આવ્યો, પરંતુ શખસો તેમની ઉપર બેસી જતા નજીક આવી શક્યો નહોતો. બાદમાં રમેશભાઈ કોઈ રીતે છૂટીને દીકરા સાથે ત્યાંથી ભાગી છુટ્યા હતા. આ ત્રણેય શખસે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બગદાણા પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યોઈજાગ્રસ્ત રમેશ ચાવડાને પ્રથમ બગદાણા અને બાદમાં મહુવા હોસ્પિટલ ખાતે સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે બગદાણા પોલીસે આતુ વાલાભાઈ ચાવડા, વિક્રમ આતુભાઈ ચાવડા, નાથા ઉર્ફે નરેશ આતુભાઈ ચાવડા (રહે. કરમદીયા ગામ, મહુવા તાલુકા)નાઓ સામે BNS કલમ 118(2), 117(2), 351(3), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદમાં ગુમ બાળક મળ્યું:ચાઈલ્ડ હેલ્પલાઈન અને પોલીસે વાલીઓને સોંપ્યું
બોટાદ જિલ્લામાં એક અજાણ્યું બાળક મળી આવ્યું હતું. એક જાગૃત નાગરિકે તરત જ 1098 ચાઈલ્ડ હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માંગી હતી. કોલ મળતાની સાથે જ 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં પીસીઆર વાન પણ હાજર હતી. ટીમે બાળકના વાલીઓને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા. બાળક સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તે આંગણવાડીથી ઘરે જતી વખતે રસ્તો ભૂલી ગયું હતું. આ અંગે બોટાદ બાળ કલ્યાણ સમિતિ (CWC) ને જાણ કરવામાં આવી હતી. ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે બાળકના વાલીઓનો સંપર્ક કર્યો અને તેમની સાથે વાતચીત કરી. વાલીઓને જરૂરી પુરાવા સાથે બોટાદ બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બાળક અને તેના માતા-પિતાના આધાર પુરાવાની ચકાસણી કરવામાં આવી. બાળ કલ્યાણ સમિતિ દ્વારા માતા-પિતાને બાળકની જવાબદારી અંગે ગંભીરતાપૂર્વક સલાહ-સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું. માતા-પિતાએ બાંહેધરી આપી કે તેઓ હવે બાળકને ક્યાંય એકલા જવા દેશે નહીં અને આંગણવાડીએ પણ લેવા-મૂકવા જશે. જરૂરી સૂચનાઓ આપ્યા બાદ બાળકનો કબજો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન વિરેન્દ્રસિંહ મોરી, સભ્ય મુકેશભાઈ ખોડદા, પ્રવીણભાઈ બથવાર, હિરેનભાઈ શાહ, જિલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારી જીતેન્દ્રભાઈ કારેલીયા, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના નરેન્દ્રસિંહ ડાભી, ચાઈલ્ડ હેલ્પલાઈન કાઉન્સેલર મેહુલભાઈ સોનગરા, સુપરવાઇઝર જીગ્નેશભાઈ આલ અને સીડબલ્યુસી કર્મચારી દશરથભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
ટીમ ઇન્ડિયા સતત બીજીવાર T-20માં વિશ્વ ચેમ્પિયન બની છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું દીધું હતું. ત્યાર બાદ આજે કેપ્ટન સૂર્ય કુમાર યાદવ અડાલજની વાવની મુલાકાતે પહોંચ્યો છે. ગાંધીનગરમાં આવેલી ઐતિહાસિક અડાલજની વાવ ખાતે આજે ખાસ માહોલ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અડાલજની વાવની મુલાકાત લેવા પહોંચ્યા છે જેને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ક્રિકેટરોને નજીકથી જોવા માટે મોટી સંખ્યામાં લોકો અડાલજ ખાતે ઉમટી પડ્યા છે. માહિતી અનુસાર ભારતીય ટીમના ખેલાડીઓ સાથે ન્યુઝીલેન્ડ ટીમ સાથે આવેલા કેટલાક વિદેશી મહેમાનો પણ અડાલજની વાવ નિહાળવા માટે અહીં પહોંચ્યા છે. વિશ્વપ્રસિદ્ધ આ ઐતિહાસિક સ્થળની કળાત્મક રચના અને વારસાગત મહત્વ વિશે જાણવાની તેઓએ ઉત્સુકતા વ્યક્ત કરી હતી. સૂર્યકુમાર યાદવના આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે. સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ક્રિકેટ ચાહકો પોતાના પ્રિય ખેલાડીને એક નજર જોવા આતુર બનીને સ્થળ પર રાહ જોઈ રહ્યા હતા. અડાલજની વાવ ગુજરાતના મહત્વપૂર્ણ હેરિટેજ સ્થળોમાંથી એક ગણાય છે, જ્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. આજે ક્રિકેટરોની મુલાકાતને કારણે અહીં ખાસ ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું.
વડોદરા જિલ્લાના વિવિધ તાલુકામાં ફરજ બજાવતા અનેક તલાટી કમ મંત્રીના પગાર અટવાતા આજે યુનિયન પ્રમુખ સહિત આગેવાનો જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જિલ્લામાં મહેસૂલની વસુલાતનો નિયત 60 ટકા ટાર્ગેટ પૂરો નહીં કરનારા તલાટી કમ મંત્રીઓના પગાર રાજ્ય સરકારે અટકાવી દીધા હોવાની જાણ થતા તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં ગણગણાટ સાથે રોષ ફેલાયો હતો. વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓને પ્રતિ માસ વેરા વસુલાતનો એક ચોક્કસ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેમાંથી 60થી 70 ટકા જેટલો ટાર્ગેટ પૂરો કરવા માટે તંત્ર દ્વારા દબાણ કરવામાં આવતું હતું. આમ છતાં પણ જો કોઈ તલાટી કમ મંત્રી ટાર્ગેટ પૂરો ના કરી શકે તો તેનો પગાર અટકાવી દેવામાં આવે છે. જેથી સરકારના આવા પગલાથી તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી હતી. આ અંગેની મૂળ વાત એવી છે કે જો કોઈ વ્યક્તિ બાકી મહેસૂલ વેરો ના ભરતો હોય તો એની સામે પગલાં લેવા જોઈએ એને બદલે તંત્ર દ્વારા વેરાની વસૂલાત કરવાનો પ્રયત્ન કરનારા સરકારી કર્મચારીઓ સામે પગલા લેવાય તે કેટલે અંશે વ્યાજબી હોવાનું તલાટી કમ મંત્રીઓ કહી રહ્યા છે. તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓ રજાના દિવસે પણ ડોર ટુ ડોર ઉઘરાણી કરે છે. આ ઉપરાંત વેરો ભરવા માટે બાકીદારોની સગવડ માટે કેમ્પનું પણ આયોજન કરીને વેરો ભરવા બાકીદારોને સૂચન પણ કરતા હોય છે તેમ છતાં પણ કોઈ વેરો ના ભરે તો એમાં તલાટી કમ મંત્રીઓનો શું વાંક કહેવાય? આમ સરકારી તંત્ર દ્વારા તલાટી કમ મંત્રીઓ અને નાના કર્મચારીઓના પગાર અટકાવી દેતા તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. આજે વડોદરા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળના આગેવાન ભરતભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. તેઓ તરફથી હકારાત્મક જવાબ આપવામાં આવ્યો હોવાનું યુનિયન પ્રમુખે જણાવ્યું હતું.
નવસારીમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ વિજય ઉત્સવ મનાવાઈ રહ્યો હતો. આ ઉજવણી દરમિયાન, શહેરના ટાવર રોડ પર એકઠા થયેલા નાગરિકોએ માનવતા અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીત બાદ ટાવર રોડ પર મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એકઠા થયા હતા. આતશબાજી અને નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ બન્યું હતું. આ ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે એક 108 એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી. હજારોની ભીડ હોવા છતાં, એમ્બ્યુલન્સનો સાયરન સાંભળતા જ લોકોએ તાત્કાલિક રસ્તો કરી આપ્યો હતો. સામાન્ય રીતે આવા ઉત્સવના માહોલમાં ટ્રાફિક જામ સર્જાતો હોય છે. જોકે, નવસારીના નાગરિકોએ કોઈ પણ પોલીસ દરમિયાનગીરી વગર સ્વયંભૂ શિસ્ત જાળવી એમ્બ્યુલન્સને પસાર થવા દીધી. તેમણે મેડિકલ ઈમરજન્સીને પ્રાથમિકતા આપીને જવાબદાર નાગરિક તરીકેની ઓળખ આપી. લોકો દ્વારા એમ્બ્યુલન્સને રસ્તો આપતા આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કરવામાં આવ્યા હતા. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે, જ્યાં નેટિઝન્સ નવસારીના નાગરિકોની આ શિસ્તતાની પ્રશંસા કરી રહ્યા છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચના અંત સુધીમાં વેરા વસૂલાતમાં કડકાઈ કરવામાં આવી રહી છે. લક્ષ્યાંક હાંસલ કરવા માટે મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરના મકરપુરા એસટી ડેપો હબનો રૂ. 1 કરોડ 9 લાખનો વેરો બાકી પડતા એસટી ડેપોની મિલકત સીઝ કરી દેવામાં આવી હતી. પાર્સલ ઓફિસ, બુકિંગ ઓફિસ સીઝ કરી દેવાઈમહાનગરપાલિકા દ્વારા આજે સવારે એસટી ડેપો ખાતે પહોંચી વિવિધ કચેરીઓને બંધ કરાવવામાં આવી હતી. પાલિકાએ પાર્સલ ઓફિસ, બુકિંગ ઓફિસ, સીસીટીવી ઓફિસ ઉપરાંત કેન્ટિન સહિતની મિલકતો સીઝ કરવામાં આવી હતી અને નોટિસ લગાવવામાં આવી હતી. જેના પગલે એસટી વિભાગના કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. 'એસટી વિભાગે પોતાના હિસ્સાનો વેરો ભર્યો છે'એસટી વિભાગના કર્મચારીઓના જણાવ્યા અનુસાર એસટી વિભાગે પોતાના હિસ્સાનો 4 લાખ ઉપરાંતનો વેરો ભર્યો છે. એસટી હબની બાકીની મિલકત ભાડે આપવામાં આવી છે જે પૈકી કેટલાકનો વેરો બાકી હોઈ શકે. પરંતુ પાલિકાએ એસટી વિભાગની કચેરીઓને સીઝ કરી છે. વેરો ભર્યો છે તેની રિસીપ્ટ પણ ઉપલબ્ધ છે. આગામી દિવસમાં વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી કરાશેવડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતમાં કડકાઈ શરૂ કરવામાં આવી છે. માર્ચ મહિનાના અંત સુધીમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે રોજે રોજ અનેક મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. તો રહેણાક મિલકતોને નોટિસ આપવામાં આવી રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ વધુ કડકાઈ હાથ ધરવામાં આવશે.
પાટણ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે એક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ, સરકારી યોજનાઓ અને કાયદાકીય હકો અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી મેઘાબેન ગોસ્વામીએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, 'આપણે એવો સમાનતાભર્યો અને સશક્ત સમાજ રચીશું જ્યાં કોઈ દીકરી ભયભીત ન હોય, કોઈ મહિલા પરાવલંબી ન હોય અને દરેક સ્ત્રી ગર્વથી કહી શકે કે હું આત્મનિર્ભર છું.' ઠાકોરે વધુમાં ઉમેર્યું કે, આજના સમયમાં મહિલાઓએ ખેતરથી લઈને અવકાશ સુધી દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા અને શક્તિનું પ્રદર્શન કર્યું છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો, જે મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થઈ રહી છે. સંમેલન દરમિયાન, માંડોત્રી બાલિકા પંચાયતનાં ઉપપ્રમુખ મેશ્વાબેન દ્વારા બાલિકા પંચાયતની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડૉ. અવનીબેન આલે મહિલાઓના કાયદાકીય હકો વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજના, ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના, પાલક માતા-પિતા યોજના, મુખ્યમંત્રી બાલસેવા યોજના, લાભાર્થી દીકરી યોજના અને શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ લાભાર્થીઓને ચેક તથા હુકમનામાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થી મહિલાઓએ આ સહાય બદલ વહીવટી તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, નાયબ જિલ્લા અધિકારી આર. કે. મકવાણા, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના મહિલા અધિકારીઓ સહિત પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે દહેજ પ્રતિબંધક અધિકારી તથા સહ રક્ષક અધિકારી મુકેશભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

32 C