વડોદરામાં યુવતીએ બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવી:ઘટનસ્થળે જ મોત, કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતું મૂકી યુવતીએ જિંદગી ટૂંકાવી છે. (આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ)
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના બનાવ સતત વધુ રહ્યા છે, ત્યારે તસ્કરોએ નારણપુરામાં આવેલું હવામાન વિભાગની ઓફિસમાં ચોરી કરી છે. તસ્કરોએ એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન પર જઈને મશીન, ચાર્જર સહિતના 4.65 લાખના સામાનની ચોરી કરી છે. નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીનગર જીલ્લાના ખોરજ ગામમાં રહેતા સુધીર વિશ્વરકર્માએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે નારણપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા હવામાન વિભાગના એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન (એક્યુએમએસ)માં એક્ઝિક્યુટિવ એન્જીનીયર તરીકે નોકરી છે. હવામાન વિભાગના સ્ટેશન ખાતે વિઝીટ કરવા ગયા ને ચોરીની ખબર પડીઈન્ડિયન ઈન્સ્ટીસ્યુટ ઓફ ટ્રોપીકલ મેટીઓરોલોજી નામના હવામાન વિભાગના જુદી જુદી જગ્યાએ સ્ટેશનો આવેલા છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પણ હવામાન વિભાગનું સ્ટેશન આવેલુ છે જેને એન્જીનીયર નિર્મલ બારીયા સંભાળે છે. થોડા સમય પહેલા સુધીર લાલદરવાજા વિક્ટોરીયા ગાર્ડન ખાતે આવેલા હવામાન વિભાગના સ્ટેશન ખાતે વિઝીટ કરવા માટે ગયા હતાં. ત્યારે નિર્મલ બારીયા સરદાર પટેલ ખાતે તેમના સ્ટેશન પર હાજર હતા. રાતે રાબેદા મુજબ નિર્મલ પોતાના ઘરે જતો રહ્યો હતો ત્યારે સુધીરે સર્વરનો ડેટા ચેક કરવાનું શરૂ કર્યુ હતું. એક બારી તુટેલી હાલતમાંદરમિયાનમાં સુધીરને જાણવાં મળ્યું હતું કે, સરદાર પટેલ સ્ટેડીયમ ખાતેના સ્ટેશનનીં સિસ્ટમ બંઘ છે. પાવર કટ થયો હોવાના કારણે સિસ્ટમ બંધ થઈ હોવાની વિચારીને કોઈ તપાસ કરી નહી. સ્ટેશનની સિસ્ટમ શરુ નહી થતા સુધીરને શંકા ગઈ હતી. જેથી તે તરતજ નિર્મલને લઈને સ્ટેશન પહોચી ગયા હતા. એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન પર ગયા ત્યારે એક બારી તુટેલી હાલતમાં હતી. તસ્કરોએ ઘુસીને 4.65 લાખના મત્તાની ચોરી ફરારસુધીર ઓફિસમાં જઈને ચેક કર્યુ તો સામાન વેરવિખેર પડ્યો હતો. સુધીરને શંકા થઈ ગઈ હતી કે તસ્કરોએ ઘુસીને ચોરી કરી છે. નિર્મલે તપાસ કરી તો તેને ખબર પડીકે તસ્કરોએ નાઈટ્રોજન સિલિન્ડર, બેટરી, એમજીસી મશીન, પંપ, યુપીએસ ચાર્જર સહિત કુલ 4.65 લાખના મત્તાની ચોરી થઈ હતી. સુધીરે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને ચોરીની ફરિયાદ કરી હતી.પોલીસે સુધીરની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
સુરતના ક્રાઈમ બ્રાન્ચ બિલ્ડિંગમાં આજે અચાનક ભયાનક ભીતિનો માહોલ સર્જાયો છે. મેટ્રો ટનલના કામ દરમિયાન ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓએ આગમચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં લોખંડના મોટા ટેકા (ગડર સાથેના સપોર્ટ) ગોઠવી દીધા છે. આ ટેકા બિલ્ડિંગની અંદર જ ગોઠવવામાં આવ્યા છે, જેના કારણે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસને ખાલી કરવાની ફરજ પડી છે. મળતી વિગતો અનુસાર, સુરત મેટ્રોના કામ દરમિયાન ટનલ બોરિંગ મશીન પસાર થતી વખતે આસપાસની ઇમારતોને નુકસાન થવાની શક્યતા સર્જાઈ હતી. આ અંગે મેટ્રો અધિકારીઓએ તાત્કાલિક આગમચેતીના પગલાં લીધા અને ક્રાઈમ બ્રાન્ચ બિલ્ડિંગમાં લોખંડની ગડર સાથેના મજબૂત ટેકા ગોઠવી દીધા છે. આ ટેકા બિલ્ડિંગની અંદર જ રાખવામાં આવ્યા છે, જેના કારણે કાર્યાલયની અંદર રહેવું જોખમી બની ગયું છે. આ પરિસ્થિતિને લઈને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કર્મચારીઓ અને અધિકારીઓને અન્ય સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. મેટ્રોના કામને કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને બિલ્ડિંગની સુરક્ષા માટે વધુ તપાસ અને મજબૂતીના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ અને આસપાસની ઇમારતોની સુરક્ષા અંગે નવી ચર્ચા શરૂ કરી દીધી છે. પોલીસ અને મેટ્રો અધિકારીઓ સંયુક્ત રીતે બિલ્ડિંગની સુરક્ષા અને તપાસ કરી રહ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
રાષ્ટ્રીય સુરક્ષા અને જનજાગૃતિના ઉદ્દેશ્ય સાથે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત “વંદે માતરમ કોસ્ટલ સાઈક્લોથોન 2026” આજે પવિત્ર સોમનાથ મંદિર ખાતે પહોંચી હતી. કચ્છના લખપતથી શરૂ થયેલી આ શિસ્તબદ્ધ રેલીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશભક્તિના નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રા સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. 25 દિવસમાં 6600 કિમી અંતર કાપીને કેરળના કોચીન પહોંચશે અને ત્યાં પૂર્ણાહૂતિ થશે. સુરક્ષિત તટ–સમૃદ્ધ ભારતનો સંકલ્પCISFના ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, ભારતનો અંદાજે 7500 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ અને મહત્વનો છે. આ કોસ્ટલ બેલ્ટ પર વસતા સમુદાયોમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે “સુરક્ષિત તટ –સમૃદ્ધ ભારત” ના નારા સાથે 28 જાન્યુઆરી 2026ના રોજ લખપતથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 65 મહિલા જવાનોની ભાગીદારીઆ સાઈક્લોથોનમાં કુલ 130 CISF જવાનો સહભાગી થયા છે, જેમાં 65 મહિલા જવાનોનો સમાવેશ થાય છે. દેશના વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા આ જવાનો નારી સશક્તિકરણ અને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'નો સંદેશ પ્રસરાવી રહ્યા છે. નાગરિકોની સુરક્ષામાં ભૂમિકારેલી દરમિયાન જવાનો માછીમાર સમુદાય અને કાંઠા વિસ્તારના રહીશો સાથે સંવાદ કરી રહ્યા છે. CISFનો સ્પષ્ટ સંદેશ છે કે સુરક્ષા એ માત્ર એજન્સીઓની જ નહીં, પણ જાગૃત નાગરિકોની પણ જવાબદારી છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત સુરક્ષા દળોને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. શારીરિક તંદુરસ્તી અને દેશપ્રેમના સંગમ સમાન આ રેલી હવે સોમનાથથી આગળ દક્ષિણ ભારત તરફ પ્રયાણ કરશે. મુખ્ય આંકડાકીય વિગતોકુલ અંતર: 6600 કિલોમીટર (લખપતથી કેરળ) સમયગાળો: 25 દિવસ કુલ પડાવ: 52 અલગ-અલગ સ્થળો જવાનોની સંખ્યા: 130 (65 પુરુષ, 65 મહિલા)
મોરબીના સોખડા ગામ નજીક એક ખેતરમાંથી માનસિક બીમાર યુવાનનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવાન છ થી સાત દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનની ઓળખ સંજયભાઈ ઉર્ફે કરસનભાઈ હીરાભાઈ સુરેલા (ઉંમર 36) તરીકે થઈ છે, જે સોખડા ગામનો રહેવાસી હતો. તેનો મૃતદેહ સોખડા અને બહાદુરગઢ રોડ પર આવેલી રમેશભાઈ બાલાસરાની કપાસ વાવેતર કરેલી વાડીમાંથી મળી આવ્યો હતો. સંજયભાઈ માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા અને અવારનવાર ઘરેથી નીકળી જતા હતા. આ વખતે તેઓ કોઈને જાણ કર્યા વગર છ થી સાત દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. રમેશભાઈ બાલાસરા (રહે. કિશનગઢ, સોખડા) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન, વાંકાનેરના કુંભારપરામાં રમણભાઈની વાડી પાસે રહેતા અવચળભાઇ ગોવિંદભાઈ સોલંકી (ઉંમર 67) નું બીમારી સબબ મૃત્યુ થયું છે. તેઓ બીપીની બીમારીથી પીડાતા હતા. અવચળભાઇનું ઘરે જ મૃત્યુ નીપજ્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. વાંકાનેર સિટી પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લા કોંગ્રેસના લઘુમતી વિભાગે ગોધરા શહેરમાં આગામી રમજાન માસ અને હોળી-ધુળેટીના તહેવારો પૂર્વે સફાઈ, રોડ-રસ્તા, પીવાના પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ સુધારવા રજૂઆત કરી છે. ૪ ફેબ્રુઆરીના રોજ જિલ્લા સેવાસદન કચેરી ખાતે આ અંગે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. લઘુમતી વિભાગના નેતૃત્વ હેઠળ ઇમ્તિયાઝ સુઝેલાએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાની હાલત અત્યંત ખરાબ છે. તાજેતરમાં કરાયેલા રોડ નવીનીકરણના કામમાં ગુણવત્તાનો અભાવ હોવાથી ડામર ઉખડી ગયો છે અને ખાડા પડી ગયા છે. આના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે તપાસ કરી જાહેર નાણાંનો દુરુપયોગ અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરાઈ છે.આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે શહેરના અનેક વિસ્તારોમાં રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ બંધ રહે છે, જેના કારણે અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે. જ્યાં લાઈટ બંધ છે ત્યાં નવા બલ્બ લગાવી જરૂરી રિપેરિંગ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે શુદ્ધ પીવાના પાણીની ગંભીર સમસ્યાનો પણ તાત્કાલિક ઉકેલ લાવવા તંત્રને અનુરોધ કરાયો છે.ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં કચરો અને ગંદકી ભરાઈ જવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. જાહેર માર્ગો પર ઉડતી ધૂળ-રજકણો નાગરિકોના આરોગ્ય માટે જોખમી બની રહી હોવાથી તેને કાબૂમાં લેવા પગલાં લેવા પણ રજૂઆત કરાઈ છે. આવેદનપત્રમાં ગોધરા શહેરના મેશરી નદી પટ વિસ્તાર તેમજ સાંપા રોડ અટલ વસાહતમાં મકાનો તોડવાની આપવામાં આવેલી નોટિસ સંદર્ભે પણ માનવીય અભિગમ અપનાવવાની માંગ કરાઈ છે. વર્ષોથી વસવાટ કરતા ગરીબ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે અપીલ કરવામાં આવી છે.આગામી સમયમાં હિન્દુ-મુસ્લિમ સમાજના મહત્વના તહેવારો, શાળા-કોલેજોની પરીક્ષાઓ, લગ્ન અને ધાર્મિક પ્રસંગો આવતા હોવાથી તંત્ર પ્રજાની સુખાકારી માટે તમામ સમસ્યાઓનો વહેલી તકે નિવારણ લાવે તેવી અપીલ કરવામાં આવી છે.
હળવદ તાલુકાના કાવડિયા ગામમાં એક યુવાને પત્નીના રિસામણાથી કંટાળીને આપઘાત કરી લીધો છે. પત્નીએ કામધંધો સુધરે નહીં ત્યાં સુધી પરત આવવાની ના પાડતા યુવાને આ અંતિમ પગલું ભર્યું હતું. મળતી માહિતી મુજબ, કાવડિયા ગામના વિરમભાઇ ઉર્ફે હકો ધનજીભાઈ કોપાણીયા (ઉંમર ૩૦) નામના યુવાને પોતાની વાડીએ જાંબુડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનામાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવાનના પિતા ધનજીભાઈ રામજીભાઈ કોપાણીયા (ઉંમર ૫૫, રહે. કાવડિયા) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવાનની પત્ની છેલ્લા બે-ત્રણ મહિનાથી રિસામણે હતી. પત્નીએ જ્યાં સુધી યુવાન કામધંધો સરખો નહીં કરે ત્યાં સુધી પરત આવવાની ના પાડી હતી. આ કારણે યુવાન ગુમસુમ રહેતો હતો અને આખરે તેણે કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.
ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા 27 તાલુકાના ઠાકોર સમાજના 16 મુદ્દાનું બધારણ પાકિસ્તાન પહોંચી ગયું છે, પરંતું ડીસામાં જ કલાકાર બંધુઓ દ્વારા સમાજના બંધારણનું ઉલ્લઘન થતાં ઠાકોર સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જે મામલે આજે જૂના ડીસાના ઝાબડિયા ગામે ઠાકોર સમાજની બેઠક યોજાઇ છે. જેમાં કલાકાર બંધુઓ સામે ઠાકોર સમાજ કડક પગલાં લઇ શકે છે. સમાજે 16 મુદ્દાનું બંધારણ બનાવ્યું હતુંએકાદ મહિના પહેલા વાવ-થરાદ જિલ્લના ઓગડનાથના થળી મુકામે ઠાકોર સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં ઠાકોર સમાજના લગ્ન-મરણ પ્રસંગમાં થતાં બિનજરૂરી ખર્ચને અટકાવવા 16 મુદ્દાનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. કલાકાર બંધુઓએ ડીજે વગાડી ગામ ગજવ્યુંઆ બંધારણના 16 મુદ્દામાં એક મુદ્દો હતો કે લગ્ન પ્રસંગે કોઇને જાનમાં ડિજે વગાડવું નહીં. આ તમામ મુદ્દાનું બંધારણ પાકિસ્તાના થરપારકર જિલ્લાના ઠાકોર સમાજે પણ અપનાવ્યું હતું. જેનો વીડિયો પણ થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે, જૂના ડીસાના કલાકાર બંધુ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પિતરાઇ ભાઇના લગ્માં ડી.જે વગાડીને બંધારણ તોડતા ઉત્તર ગુજરાતના સમગ્ર ઠાકોર સમાજમાં રોષ વ્યાપી ગયો છે. કલાકાર બંધુઓના ગામમાં જ સભાગઇકાલે કલાકાર બંધુઓના પિતરાઇ ભાઇના લગ્ન પ્રસંગે આ બંને ભાઇઓએ ગામમાં ડીજે વગાડીને બંધારણ તોડતા ગઇકાલથી સોશિયલ મીડિયામાં કલાકાર બંધુઓ સામે કડક પગલા ભગવાની ઠાકોર સમાજના યુવાનો માંગ કરી રહ્યા હતા. જેને લઇને આજે તેમના જ ગામ ઝાબડિયામાં ઠાકોર સમાજની બેઠક મળી છે અને આ ભાઇઓને સામે કડક પગલા ભરવાની ચર્ચા થઇ રહી છે કલાકાર બંધુઓનો લૂલો બચાવ, સમાજ આકરા પાણીએઆ વચ્ચે કલાકાર બંધુઓ એવું જણાવી રહ્યા છે કે, અમને બંધારણ વિષે કંઇ ખબર નહોતી. અમને ટાર્ગેટ કરવામાં આવે છે. જે કોપી ગામમાં આપવાની હોય એ અમને આપી નથી. બીજી તરફ ઠાકોર સમાજના અગ્રણીઓનું કહેવું છે કે, જે બંધારણને પાકિસ્તાન અપનાવી રહ્યું છે એનો અમલ અહીં થતો નથી અને હું આ ગોળ (વિસ્તાર)નો જ છું. આ બંધારણ વિષે આખા પંથકને ખબર છે. કલાકાર બંધુઓ સમાજથી બચવા માટે બાનાબાજી કરી રહ્યા છે. ઠાકોર સમાજનું નવું બંધારણ વાંચવા અહીં ક્લિક કરો આ પણ વાંચો: ઠાકોર સમાજનું બંધારણ પાકિસ્તાન પહોંચ્યું, વીડિયો વાયરલ
વડોદરાના વાઘોડિયા રોડ કહતે આવેલ પારૂલ યુનિવર્સિટમાં ટેકએક્સ્પો 2026નું બે દિવસીય સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્નિકલ પ્રદર્શનમાં નવીનતા, સંશોધન અને એપ્લાઇડ એન્જિનિયરિંગને પ્રોત્સાહન મળે તેવા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ટેક એક્સપોમાં ભારતભરની વિવિધ યુનિવર્સિટીઓમાંથી 250 થી વધુ પ્રોજેક્ટ અને 1000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે 50 થી વધુ ઉદ્યોગ પ્રતિનિધિઓ તથા 30થી વધુ ઉદ્યોગ અગ્રણીઓએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સ, પ્રોટોટાઇપ્સ અને લાઇવ ડેમો રજૂ કર્યા હતા. જેમાં ઇન્ટરએક્ટિવ સેશન્સ, મૂલ્યાંકન તથા ઉદ્યોગ સાથેના સંવાદ દ્વારા શૈક્ષણિક-ઉદ્યોગ વચ્ચે સાર્થક જોડાણ સ્થાપિત થયું હતું આ ટેક એક્સપોમાં મુખ્ય અતિથિ તરીકે BPL મેડિકલ ટેકનોલોજીઝ પ્રા.લિ.ના CEO ગુરૂસ્વામી કૃષ્ણમૂર્તિ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે SAP Labsના ડિરેક્ટર કમલ સ્ટીફન તથા BPLના હેડ મનોગરનને પણ સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાંથી રૂપિયા બે લાખના ઇનામો પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં વ્હીલચેર બનાવનાર પ્રોજેક્ટ ખુબજ આકર્ષણ રહ્યો હતો. આ અંગે દક્ષ કૌશિકે જણાવ્યું હતું કે, અમે આ વ્હીલચેર એટલા માટે ડિઝાઇન કરી કે માર્કેટમાં તે ખુબજ મોગી મળે છે. અમે આ ચેરમાં બધુજ ઓટોમેટિક છે. જે નોર્મલી વાઈફાઈ આધારિત ચાલે છે. માર્કેટમાં મળતી આ વ્હીલચેરની કિંમત પાંચ લાખથી શરૂ થઈ પંદર લાખ સુધી જાય છે. અમે આ વ્હીલચેર ચાલીસથી પિસ્તાળીસ હજાર રૂપિયામાં તૈયાર કરી છે. વધુમાં કહ્યું કે, આ માટે અમે સ્પેશિયલ ફીચર્સ એડ કર્યા છે કે જે લોકો જોઈ શકતા નથી કે મોબાઈલ ચલાવી શકતા નથી તેઓ માટે અમે વોઇસ મોડ સેટ કર્યો છે. જેના આધારે તેઓ આગળ પાછળ અને સાઈડમાં કરી શકે છે. સાથે જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું છે. જેથી કોઈ પણ તેને ટ્રેક કરી શકે છે. સાથે ચેર નીચે કઈ પણ આવે તો સેન્સરના આધારે ડિટેક્ટ થાય છે અને ખ્યાલ આવે છે કે કઈક છે. આ સાથે ટેક્નિકલ ઇવેન્ટ મેનેજર જય ગાંધીએ જણાવ્યું હતું કે, આ એક્સપોમાં બહારની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ઇનોવેટિવ પ્રોજેક્ટ લઈને અહીંયા આવ્યા છે. અહીંયા અમે એક સ્કિલ વિદ્યાર્થીઓ રજૂ કરી શકે તેવું પ્લેટફોમ આપીને છીયે. અહીંયા પાછળથી વધુ ઇન્ડસ્ટ્રીઝ એક્સપર્ટ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી છે.અહીંયા દરેકમાં પ્રતિભાવો લેવામાં આવે છે.
ઔદ્યોગિક નગરી વાપીના UPL બ્રિજ પર બુધવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને બાઇક સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પતિનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત સર્જી ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. પૂરઝડપે આવતા વાહને દંપતીને કચડ્યાપ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના સવારે 11:00થી 11:30 વાગ્યાની વચ્ચે બની હતી. દંપતી પોતાની બાઇક પર વાપી તરફ જઈ રહ્યું હતું, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા એક અજાણ્યા વાહન ચાલકે બેદરકારીપૂર્વક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે દંપતી રોડ પર પટકાયું હતું. ગંભીર ઈજાઓ થવાને કારણે મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું. પોલીસ કાર્યવાહી અને CCTV તપાસસ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા વાહનચાલકને પકડવા માટે પોલીસે બ્રિજ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ગુનો નોંધી આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા સામે સ્થાનિકોનો રોષUPL બ્રિજ પર અવારનવાર સર્જાતા અકસ્માતોને પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ માગ કરી છે કે બ્રિજ પર સ્પીડ કંટ્રોલ માટે કડક અમલવારી કરવામાં આવે. નિયમિત પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે સખત કાર્યવાહી થાય. ટ્રાફિક ક્લિયર કરવાની પોલીસની કામગીરીઅકસ્માત બાદ ટ્રાફિક ક્લિયર કરવાની પોલીસની કામગીરીની પ્રશંસા થઈ હતી, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે પંચનામાની વિધિમાં લાંબો સમય જતો હોવાથી મૃતદેહ રસ્તા પર રહે છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આવી સંવેદનશીલ ઘટનાઓમાં તંત્ર દ્વારા વધુ ઝડપી અને માનવીય અભિગમ સાથે કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.
રાજકોટના રણછોડનગર શેરી નંબર 1માં આજે એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. અતુલભાઈ પટેલ નામના વેપારીના ઘરમાં રાત્રીના સમયે તસ્કરો ઘૂસી ગયા હતા અને કરોડો રૂપિયાની ચાંદીની ચોરી કરી લીધી હતી. આ ઘટનાએ આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જ્યો છે. મળતી વિગતો અનુસાર, તસ્કરોએ રાત્રીના અંધારાનો લાભ લઈને વેપારીના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રાત્રીના 2થી 2.30 વાગ્યા આસપાસ ફોર વ્હીલમાં ત્રણ જેટલા તસ્કરોએ આવી કારમાં 1 કરોડથી વધુ કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયાનું સામે આવ્યું છે. ચોરીની જાણ થતાં જ અતુલભાઈ પટેલે તાત્કાલિક ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી હતી, જે બાદ પોલીસની ઉચ્ચ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ કેસમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન-વન, બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે તપાસમાં જોડાઈ છે. પોલીસે ઘટનાસ્થળે તલાશી લીધી છે અને આસપાસના વિસ્તારોમાં CCTV ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં ચોરીનું કારણ વેપારીના ચાંદીના વેપારને લગતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ રાજકોટના રણછોડનગર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે અને સ્થાનિક વેપારીઓમાં સુરક્ષાની ચિંતા વધી ગઈ છે. પોલીસે આરોપીઓને ઝડપથી પકડવાના પ્રયાસો તેજ કર્યા છે અને આ કેસમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ચોરીના આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે બહુવિધ ટીમો ગઠિત કરવામાં આવી છે.
સુરત શહેરના ખજોદ વિસ્તારમાં આવેલી કચરાની ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગનો મામલો હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકથી વધુ સમય વીતી જવા છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી, ત્યારે પ્રદૂષણ અને પર્યાવરણના જોખમને ધ્યાને રાખી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) હરકતમાં આવ્યું છે. ઝેરી પાણીના નિકાલ અંગે GPCBની લાલ આંખ આગ ઓલવવા માટે અત્યાર સુધીમાં લાખો લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કચરાના ઢગલામાં ભળેલું આ પાણી હવે 'ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી' માં ફેરવાઈ ગયું છે. GPCB ના અધિકારીઓએ સાઈટની મુલાકાત લીધી હતી. આ ઝેરી પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે સુરત મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગને તાકીદની નોટિસ ફટકારવામાં આવી છે. સમગ્ર ઘટના અને પર્યાવરણીય નુકસાન અંગેનો અહેવાલ ગાંધીનગર ખાતે પણ મોકલવામાં આવશે. શંકાના દાયરામાં આગની ઘટના ખજોદ સાઈટ પર લાગેલી આ આગ કોઈ અકસ્માત છે કે પછી કોઈ કાવતરું, તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ખજોદ સાઈટમાંથી કચરો ગેરકાયદે રીતે અન્ય વિસ્તારોમાં ઠાલવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો પહેલાથી જ તપાસ હેઠળ છે. આ તપાસ વચ્ચે જ અચાનક લાગેલી આગને કારણે પુરાવા નાશ કરવાનો પ્રયાસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકોમાં ભારે રોષ અને ફફડાટ કચરાના વિશાળ પહાડોમાં લાગેલી આગને કારણે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. આ ધુમાડો 5 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાતા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાની ફરિયાદ ઉઠી છે. કચરો સળગવાથી હવામાં ઝેરી વાયુઓ ભળતા સુરતની હવાની ગુણવત્તા પર વિપરીત અસર પડી રહી છે. તંત્ર દ્વારા આગ ઓલવવાના પ્રયાસો સતત ચાલુ છે, પરંતુ જે રીતે લાખો લીટર પાણી વેડફાયા બાદ હવે પ્રદૂષણનો નવો ખતરો ઉભો થયો છે, તે જોતા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.
ન્યુક્લિયર મેડિસિન વિભાગને 44 કરોડના ખર્ચે નવા મશીન સિદ્ધિ મળી હતી ત્યારે કેન્સરના પેશન્ટ માટે આ મશીન વરદાનરૂપ સાબિત થયું હતું. જર્મન ટેક્નોલોજીથી દર્દીઓની સારવાર થઈ રહી છે. આ મશીન દ્વારા માત્ર 5થી 6 મિનિટમાં સ્કેનિંગ શક્ય બન્યું છે, જ્યારે અગાઉ આ પ્રક્રિયા માટે 20 મિનિટથી વધુ સમય લાગતો હતો. આ મશીનનું લોકાર્પણ અગાઉ 7 નવેમ્બર, 2025ના રોજ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્સર કયા સ્ટેજ પર છે અને શરીરમાં કેટલુ ફેલાયુ તે મશીન બતાવશેGCRIના ન્યુક્લિયર મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રિતેશ સુથાર જણાવે છે કે, આ ‘વાઈડ બોર’ PET-CT મશીન કેન્સર કયા સ્ટેજ પર છે અને શરીરમાં કેટલું ફેલાયું છે, તે ખૂબ જ સચોટ રીતે બતાવે છે. ફક્ત એટલું જ નહીં, કીમોથેરાપી કે અન્ય સારવાર કેટલી અસરકારક છે તે પણ આ મશીન દ્વારા જાણી શકાય છે. સાથે-સાથે અહીં SPECT-CT મશીન પણ ઉપલબ્ધ છે, જે કિડની જેવા અંગોની કાર્યક્ષમતા તપાસવામાં ઉપયોગી છે. PMJAY યોજના હેઠળ આ સ્કેન સંપૂર્ણપણે મફતખાસ વાત એ છે કે, ખાનગી હોસ્પિટલોમાં જ્યાં આવા સ્કેન માટે 15થી 35 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, ત્યાં GCRIમાં PMJAY યોજના હેઠળ આ સ્કેન સંપૂર્ણપણે મફત કરવામાં આવે છે. ઉપરાંત, PSMA અને DOTA NOC જેવા એડવાન્સ ટ્રેસર્સ પણ અહીં ઉપલબ્ધ છે. ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં હવે માત્ર નિદાન જ નહીં પરંતુ, ટાર્ગેટેડ થેરાપી પણ આપવામાં આવે છે. રેડિયો આયોડિન થેરાપી ઉપરાંત 2024 બાદ Lutetium-PSMA અને Lutetium-DOTATOC જેવી આધુનિક સારવાર પદ્ધતિઓ પણ શરૂ કરવામાં આવી છે. ન્યુક્લિયર મેડિસિન વિભાગને 44 કરોડના ખર્ચે નવા મશીન સિદ્ધિ મળી હતીઆંકડાઓ વિશે વાત કરીએ તો વર્ષ 2018માં જ્યાં કુલ તપાસ અને સારવારના 4,778 કેસ હતા ત્યાં વર્ષ 2025માં આ સંખ્યા વધીને 15,409 થઈ ગઈ છે. PET-CT સ્કેન, આઇસોટોપ થેરાપી અને નવી ટેકનોલોજી પ્રત્યે વધતા વિશ્વાસને આ આંકડા સ્પષ્ટ કરે છે. અગાઉ 7 નવેમ્બર નેશનલ કેન્સર એવેરનેસ ડે પર અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં નવા મશીનરીનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે 44 કરોડની PET CT અને SPECT CT મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ન્યુક્લિયર મેડિસિન વિભાગને 44 કરોડના ખર્ચે નવા મશીન સિદ્ધિ મળી હતી. ત્યારે કેન્સરના પેશન્ટ માટે આ મશીન વરદાનરૂપ સાબિત થયું હતું. જર્મન ટેક્નોલોજીથી દર્દીઓની સારવાર થઈ રહી છે.
રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ માધવ હોટલ પાસે ગઇકાલે સાંજે સરાજાહેર હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શહેરના અંકુર રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા યુવાનની મુળ ખોરાસા ગીરના અને હાલ રાજકોટ રહેતાં યુવાને ક્રુરતા પૂર્વક માત્ર 44 સેકન્ડમાં છરીના 8 ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી અને પછી પોતે સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. મૃતક યુવાન છેલ્લા બે વર્ષથી આરોપીની પરિણીત બહેન સાથે ફોનમાં વાતો કરતો હતો. આ મામલે આરોપીના બહેન-બનેવી વચ્ચે માથાકુટ ચાલતી હતી. ગઇકાલે આરોપી બહેન-બનેવી ઘરે હતા ત્યારે સવારે ફરી બોલાચાલી થતાં તે આરોપી તેની બહેન સાથે પરિચયમાં રહેલ યુવકની હત્યા કરવાના ઈરાદાથી બપોરે રાજકોટ આવ્યો હતો અને યુવકને ફોન કરી મળવા બોલાવતા બંને સ્પીડવેલ ચોકમાં એકઠા થયા હતા અને બાદ આરોપી તેને આગળ ચા પીવાના બહાને હોટલ પાસે લઇ ગયો હતો જ્યાં યુવક પાણી પીતો હતો ત્યારે પાછળથી આવી છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બહેનને હેરાન કરતો હોવાનો વહેમ રાખી આરોપીએ હત્યા નિપજાવી રાજકોટના ગુરૂપ્રસાદ ચોક અંકુર વિદ્યાલય મેઇન રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતાં નિલેશ હરિભાઈ ધોકીયા (ઉ.વ.43)ની હત્યાના બનાવમાં મુળ ખોરાસા ગીર, માળીયા હાટી તાલુકા રહેવાસી આરોપી મહેશ દિનેશભાઇ જેઠવા વિરુધ્ધ મૃતકના મોટા ભાઇ રમેશભાઇ હરિભાઇ ધોકીયાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી મહેશ દિનેશભાઈ જેઠવાની બહેનને મૃતક યુવાન નિલેષ હેરાન કરે છે તેવો વહેમ રાખી મોઢાના ભાગે, છાતીના ભાગે, કમરના ભાગે છરીના 8 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું છે. આરોપીની બહેન સાથે મૃતકનો બે વર્ષ પહેલા પરિચય થયો હતોઆરોપી મહેશની પરિણીત બહેન સાથે મૃતક નિલેશ ધોકીયાને બે વર્ષ પહેલા એક સગાઇ પ્રસંગમાં પરીચય થયા પછી તે બન્ને વચ્ચે ફોનમાં સતત વાતચીત થતી હતી જેની જાણ પરિણીતાના પતિને બે મહિના પહેલા થતા તેણે રાજકોટ રહેતાં સાળા મહેશને વાત કરી હતી જેથી આરોપી મહેશએ અગાઉ નિલેષને સમજાવ્યો પણ હતો. પરંતુ આમ છતાં બન્ને વચ્ચે વાતચીત ચાલુ રહેતા ગઇકાલે સવારે ફરીથી આરોપીના બહેન-બનેવી વચ્ચે મૃતક નિલેશને લઇ માથાકુટ થતાં આરોપી મહેશને બનેવીએ જાણ કરતા રોષે ભરાયેલ મહેશએ સમાધાનની વાત કરવાના બહાને નિલેશને બોલાવી ચા પીવાના બહાને માધવ હોટલ પાસે લઇ ગયો હતો અને પછી નિલેષ પાણી પીવા આગળ વધ્યો ત્યારે પાછળથી આવી મહેશએ ક્રુરતા પૂર્વક તૂટી પડી આઠ જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. ગઈકાલે સાંજે સરાજાહેર હત્યાનો બનાવ બનતા તાલુકા પોલીસ ટિમ સ્થળ પર પહોંચી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક નિલેશ ફર્નિચર કામ કરતો હતો અને તેને સંતાનમા એક 15 વર્ષનો દીકરો અને એક 13 વર્ષની દીકરી હોવાનું સામે આવ્યું છે જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી જવા પામ્યો છે.
મોરબી જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ જિલ્લાના ૩૫ ગામડાઓની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકાના ગામોમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં વાંકાનેર તાલુકાના ૧૭, મોરબીના ૮, હળવદના ૮ અને ટંકારાના ૨ ગામોનો સમાવેશ થાય છે. અધિકારીઓએ આ ગામોમાં વિવિધલક્ષી તપાસ અને સમીક્ષા કરી હતી. આ આકસ્મિક મુલાકાત દરમિયાન, અધિકારીઓએ ગામડાઓમાં સરકારી મકાનો અને કચેરીઓની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપ્યું હતું. સફાઈ માટેની નિયમિત વ્યવસ્થા અને સ્વચ્છતા ઝુંબેશની અમલવારી જેવા મુદ્દાઓની સઘન તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ ગામડાઓમાં પીએચસી, સીએચસી અને સબ સેન્ટરોની કામગીરી તેમજ સ્ટાફની હાજરીની પણ તપાસ કરી હતી. આ ઉપરાંત, ગામની પીવાના પાણીની ટાંકીની સ્થિતિ અને સરકારી મકાનો જર્જરિત છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન, અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની અમલવારી અને સરકારી સુવિધાઓની સુનિશ્ચિતતા સહિતની બાબતોનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. સ્વચ્છતા અંગેનું આયોજન, સરપંચ અને તલાટી-કમ-મંત્રી સાથે મળીને સ્વચ્છતા ઝુંબેશની અમલવારી તથા ગ્રામજનોમાં જાગૃતિ લાવવા અંગેના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચે અને રોડ-રસ્તા, આરોગ્ય, શિક્ષણ તથા પીવા અને સિંચાઈના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય જનતા માટે સુલભ બને તે સુનિશ્ચિત કરવાનો છે. મુલાકાત પૂર્ણ થયે, અધિકારીઓ દ્વારા મેળવેલી વિગતોના આધારે અહેવાલ તૈયાર કરી પ્રજાલક્ષી પ્રશ્નોના ત્વરિત નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસ એટલે કે 10 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં તાપમાન સૂકું રહેશે. વરસાદની અત્યારે કોઈ સંભાવના નથી. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા નહી મળે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયુ વાતાવરણ સર્જાઈ શકે છે. વેસ્ટન ડીસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિયહવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં કમોસમી વરસાદને લઈને કોઈ જાતની શક્યતા નથી. લઘુતમ તાપમાનની અંદર પણ કોઈપણ પ્રકારનો મોટો બદલાવ થવાની પણ શક્યતા નથી. સિસ્ટમ વિશે તેઓએ જણાવ્યું હતું કે અત્યારે વેસ્ટન ડીસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયુંઅમદાવાદમાં 18.7 ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં 18 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 19.6 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 20.8 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ દમણમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ ડીસામાં 15.2 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 19 ડિગ્રી સેલ્સિયસ દ્વારકામાં 18.9 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 18 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 13.1 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 19.6 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 16.3 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 20.6 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 22 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
મોરબીના લાલાપરમાં નવી પાણી યોજના શરૂ:₹31.85 લાખના ખર્ચે 'નલ સે જલ' હેઠળ જલ અર્પણ કરાયું
મોરબી તાલુકાના લાલાપર ગામે ₹31.85 લાખના ખર્ચે નવનિર્મિત પીવાના પાણીની યોજનાનું જલ અર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના પ્રત્યેક નાગરિકને ઘર આંગણે શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તેવા સરકારના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે 'જલ અર્પણ દિવસ'ની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં વાસ્મો દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભડીયાદ જૂથ યોજનામાં સમાવિષ્ટ આ યોજના મહાનુભાવો દ્વારા જલ અર્પણ વિધિ સાથે ખુલ્લી મુકાઈ હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચ્યા છે. તેમણે ભૂતકાળની પાણીની વિકટ પરિસ્થિતિ યાદ અપાવતા ઉમેર્યું કે, આજે નર્મદાના નીર અને 'નલ સે જલ' યોજના થકી ગામડાઓની પાણીની ચિંતા દૂર થઈ છે અને ઘરે-ઘરે શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ બની છે. આ તકે તેમણે લાલાપર ગામની શાળા માટે પોતાની ગ્રાન્ટમાંથી પાણીનો ટાંકો બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે વાસ્મોની કામગીરીને બિરદાવતા મોરબીના યુનિટ મેનેજર મહેશ દામાને રાજ્યકક્ષાએ મળેલા શ્રેષ્ઠ એવોર્ડ બદલ મોરબી જિલ્લા વાસ્મોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં, તેમણે લાલાપર ગામના નાગરિકોને 100 ટકા પાણી વેરો ભરી જવાબદાર નાગરિક તરીકે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આધુનિક માળખાકીય સુવિધાઓના વિકાસ અંતર્ગત લાલાપર ગામની અંદાજિત 7000ની વસ્તીને ધ્યાનમાં રાખીને સુદ્રઢ માળખું ઊભું કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે ₹29.87 લાખના ખર્ચે 20 લાખ લીટર ક્ષમતાની નવનિર્મિત ઊંચી ટાંકીનું નિર્માણ કરાયું છે.
સુરતમાં સાડી ઉપર સ્ટોન લગાવવાનું કારખાનું ધરાવતા ચાર વેપારીઓને ખોટ જતાં તેમણે બીજાના કારખાનામાંથી સ્ટોન એટલે કે ખોટા ડાયમંડ ચોરી પોતાના કારખાનામાં સાડી ઉપર ઉપયોગ કરી વેચાણ કરવાની નવી તરકીબ અજમાવી હતી. આ વેપારીઓએ વરાછા-કાપોદ્રાના પાંચ કારખાનામાંથી 15 લાખના સ્ટોન ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે ત્રણ વેપારીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાંથી 27મી જાન્યુઆરીએ રાધેશ્યામ સ્ટોન મટીરિયલ્સ નામના હોટફિક્ષના તાળાં તૂટ્યા હતા. રિક્ષામાં આવેલા તસ્કરો અહીંથી 1.95 લાખ રૂપિયાની કિંમતના સાડી પર લગાવવાના સ્ટોન ચોરી ગયા હતા. તે પહેલાં સાતમી જાન્યુઆરીએ ઠાકોરદ્વાર સોસાયટીમાં આવેલા સિતારા ઈમ્પેક્ષ નામના કારખાનામાંથી 1.92 લાખના સ્ટોન ચોરી થયા હતા. બંને ચોરીમાં આવેલી ટોળકી રિક્ષામાં આવી હોઈ એક જ ગેંગ હોવાની સંભાવના સાથે સ્ટોન મટીરિયલ્સ ચોરી કરતી નવી વાત હોઇ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરા અને ટીમે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. પોલીસે રિક્ષા નંબરને આધારે જયસુખ રાજા દાંભેલીયા (રહે. ગીતાનગર, સીતાનગર ચોકડી)ને દબોચ્યો હતો. જેની પૂછપરછમાં સીતાનગર કૈલાસધામ સોસાયટીમાં રહેતાં અને બુટભવાની પાસે હોટફિક્ષનું કારખાનું ધરાવતાં માનસિંહ પ્રતાપસિંહ ગોહિલ અને તેજા નાથા ચાસલા ચોરી માટે રિક્ષા ભાડે કરી લઈ જતાં હોવાનું જણાવતાં બંનેને ઝડપી લેવાયા હતા. આરોપીઓની ધરપકડમાં નવી જ વાત બહાર આવી હતી. માનસિંહ ગોહિલ સહિતના ચાર શખ્સો હોટફિક્ષનું કારખાનું ધરાવતાં હતા, પરંતુ ધંધામાં ખોટ જતાં તેઓ સાડી પર લગાવવાનાં સ્ટોન લાવી શકતા નહિ હોઈ બીજાના કારખાનામાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. છેલ્લા છ મહિનામાં આ ટોળકીએ કાપોદ્રાની બે સોસાયટી ઉપરાંત વરાછામાં આવતી કૈલાસધામ સોસાયટીનાં ત્રણ કારખાનાને નિશાન બનાવ્યા હતા. ચારેય વેપારીઓ ચોરીના સ્ટોનનો પોતાના કારખાનામાં જોબવર્ક માટે આવતી સાડીઓ ઉપર ચોંટાડવાનું કામ તો કરતા જ હતા, પરંતુ કેટલાંક સ્ટોન તેઓ બીજાં કારખાનેદારોને પણ વેચતા હતા. પોતે ખોટમાં જતા કારખાનું બંધ કરી દેવાના હોય બચેલો માલ સસ્તામાં કાઢવા માંગતા હોવાનું જણાવી અન્ય કારખાનેદારોને પણ સ્ટોન વેચતા હતા. ચોરી માટે તેઓ રિક્ષા ઉપરાંત પીકઅપ વાન પણ ભાડે કરીને જતા હતા.
છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોને અલગ અલગ ડર બતાવી ડિજિટલ અરેસ્ટ કરી ઠગવાના કિસ્સાઓમાં વધારો થયો છે. હવે વિદેશમાં રહેતા NRI પણ સાયબર ફ્રોડ કરતી ટોળકીના નિશાના પર આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદના એક યુવકને મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ડિજિટલ અરેસ્ટ કરી ઓસ્ટ્રેલિય ડોલર સહિત રૂ. 48 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં રહેતા યુવકના પિતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે સિડનીમાં રહેતા યુવકને વોટ્સએપ કોલ કરાયોઅમદાવાદના નારણપુરા મીરા અંબિકા રોડ પર રહેતા વૃદ્ધના બે દીકરા છે.મોટો દીકરો ઓસ્ટ્રેલિયામાં એડીલેડ રહે છે,જ્યારે નાનો દીકરો સિડનીમાં રહે છે. 26 ઓગસ્ટ 2025ના રોજ સિડનીમાં રહેતા દીકરાને ભારતીય નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનું જણાવી યુવકના મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટના આધારે કરોડો રૂપિયાનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા છે અને તેમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ સંકળાયેલી છે હોવાનું કહી યુવકને ડરાવ્યો હતો. IP એડ્રેસ મેળવી યુવકના લેપટોપ-મોબાઈલનો કંટ્રોલ મેળવી લીધોસાયબર ગઠિયાઓએ યુવકને વીડિયો કોલ પર હાજર રાખીને સતત નજર હેઠળ રાખ્યો હતો. તેને કેમેરા સામે જ રહેવા, કોઈને મળવાનું નહીં અને કોઈ સાથે વાતચીત નહીં કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સહકાર નહીં આપે તો ઓસ્ટ્રેલિયાની સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરાવવાની અને ભારત આવશે ત્યારે એરપોર્ટ પરથી જ પકડાઈ જવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ દબાણને કારણે યુવક માનસિક રીતે ડરી ગયો હતો.ગઠિયાઓએ યુવકને સિડનીમાં નવો મોબાઈલ અને નવું સિમકાર્ડ લેવા પણ મજબૂર કર્યો હતો. એટલું જ નહીં, તેના મોબાઈલ અને લેપટોપના IP એડ્રેસ મેળવી લઈને તેના ફોન અને લેપટોપ પર કાબૂ મેળવી લીધો હતો. તપાસના નામે તેની તમામ બેન્ક વિગતો મેળવી લેવામાં આવી અને ઓસ્ટ્રેલિયામાં આવેલા તેના એકાઉન્ટમાંથી 25,000 ઓસ્ટ્રેલિયન ડોલર, એટલે કે અંદાજે 14 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. અમદાવાદની બેંકમાં રહેલી 34 લાખની FD તોડાવીને રકમ ટ્રાન્સફર કરી લીધીઆ સાથે અમદાવાદ નારણપુરા ખાતેની એક્સિસ બેન્કમાં રહેલી યુવકની 34 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પણ તોડાવીને ગઠિયાઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.સાયબર ગઠિયાઓ યુવકને ખાતરી આપતા હતા કે તપાસ પૂર્ણ થયા બાદ તમામ રકમ પરત આપવામાં આવશે, પરંતુ હકીકતમાં આ એક મોટી ઠગાઈ હતી.એક મહિના સુધી ચાલેલી આ ‘ડિજિટલ એરેસ્ટ’ બાદ યુવકને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો. તેણે ઓસ્ટ્રેલિયામાં સાયબર સિક્યુરિટી વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે અમદાવાદની બેન્કમાંથી રકમ જતી હોવાની જાણ થતાં પિતાએ બેન્કમાં તપાસ કરતા 34 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયાનું સામે આવ્યું. ત્યારબાદ અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. વિદેશમાં વસતા ભારતીયને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવવાનો પ્રથમ બનાવઉલ્લેખનીય છે કે સાયબર માફિયાઓ દ્વારા વિદેશમાં રહેતા ભારતીય નાગરિકને ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પડાવવાનો આ પ્રથમ બનાવ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.આ ઘટના વિદેશમાં વસતા ભારતીયો માટે પણ ચેતવણીરૂપ બની છે કે સાયબર ઠગાઈ હવે કોઈ સીમા માનતી નથી.
પાટણમાં ચાલુ રિક્ષાનું ટાયર નીકળ્યું:ડિવાઈડર સાથે અથડાતા ચાલકને સામાન્ય ઈજા
પાટણ શહેરના સુભાષચોક વિસ્તારમાં આજે એક અકસ્માત સર્જાયો હતો. ચાલુ રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં રિક્ષા ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં રિક્ષા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુભાષચોક વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષાનું આગળનું ટાયર અચાનક નીકળી ગયું હતું. ટાયર નીકળી જતાં રિક્ષા ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા રિક્ષા રોડ પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા હવામાં ઉછળી હતી અને ચાલક રોડ પર પછડાયો હતો. આ ઘટના જોઈ આસપાસના વેપારીઓ અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભેગા મળી રિક્ષાને ઊભી કરી સાઈડમાં ખસેડી હતી, જેથી ટ્રાફિક હળવો થઈ શક્યો. અકસ્માતમાં રિક્ષા ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. સદનસીબે, રિક્ષામાં કોઈ મુસાફરો ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાને કારણે સુભાષચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં થોડા સમય માટે લોકો એકઠા થયા હતા.
પંચમહાલમાં 26 ફેબ્રુઆરીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ:અરજદારો 10 ફેબ્રુઆરી સુધીમાં પ્રશ્નો મોકલી શકશે
પંચમહાલ જિલ્લાનો જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬ ફેબ્રુઆરી, ગુરુવારના રોજ યોજાશે. આ કાર્યક્રમ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે યોજાશે. જિલ્લાના નાગરિકો, અરજદારો અને પ્રજાજનો તેમના સેવાકીય, કોર્ટ મેટર સિવાયના, રહેમરાહે નોકરી અને પેન્શન સિવાયના પ્રશ્નો રજૂ કરી શકશે. અરજદારોએ પોતાના પ્રશ્નો આગામી ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં સંબંધિત કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે. દરેક અરજદારે એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ અથવા પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજીના કવર અને અરજી ઉપર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ સ્પષ્ટપણે લખવું ફરજિયાત છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર (ટેલિફોન કે મોબાઇલ નંબર) અવશ્ય દર્શાવવાનો રહેશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા, અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજી કરેલી હોવી જોઈએ. ત્યારબાદ જે કચેરીનો પ્રશ્ન હોય ત્યાં પણ અરજી કરેલી હોવી જરૂરી છે. જિલ્લાકક્ષાના પ્રશ્ન માટે જિલ્લાના જવાબદાર અધિકારીશ્રીને કરેલી રજૂઆતની નકલ અરજી સાથે જોડવી પડશે. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં મળેલી અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્નો જિલ્લાકક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા અને કોર્ટ મેટર ન હોય તેવા હોવા જોઈએ. અરજદારે પોતાના પ્રશ્નની રજૂઆત જાતે રૂબરૂ કરવાની રહેશે; કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકાશે નહીં. આ માહિતી કલેક્ટર કચેરી, પંચમહાલ દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું છે.
વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 આવેલા દેણા બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક ચાલક આગળ જતી કાર ચાલકને બચાવવા જતા બ્રેક મારે છે અને ટ્રકના પાછળના ભાગમાં રહેલ લોખંડની એંગલો કેબિનમાં આવી જતા ડ્રાઇવર ફસાઇ જાય છે. વડોદરા ફાયર વિભાગની બે ટીમએ ઘટના સ્થળે પોહચી દિલધડક રેસ્ક્યુ કરી એક કલાકની ભારે જહેમતે બહાર કાઢે છે. સીટ અને સ્ટેરિંગ કાપી ટ્રક ચાલકને બહાર કાઢવામાં આવ્યોનેશનલ હાઇવે 48 પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગત સાજે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સુરતથી અમદાવાદ જતા દેણા બ્રિજ પર ટ્રકનો ડ્રાઈવર ફસાયો હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને મળતા તાત્કાલિક ERC ફાયર અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પોહચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એક કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને સીટ અને સ્ટેરિંગ કાપી બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ડ્રાઇવરને સારવારમાં ખસેડાયોઆ વિચિત્ર અકસ્માતમાં ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ડ્રાઇવર નારાયણ જગદીશ રબારી ને પગના ભાગે ઇજાઓ પોહચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવરનું કહેવું છે કે તે આગળ જતી કારને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરે બ્રેક મારતા લોખંડની એંગલો કેબિનમાં ઘૂસીઆ વિચિત્ર અકસ્માતમાં ટ્રકની પાછળ રહેલ લોખંડની એંગલો ડ્રાઈવર બ્રેક મારતા આગળના કેબિનમાં ઘૂસી જતા ડ્રાઈવરના બંને પગ સાથે ફસાઈ જાય છે. વડોદરા ફાયર વિભાગની બે ટીમોએ એક કલાકની ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢી હોસ્પિટલ મોકલ્યો હતો. આ અકસ્માતને લઈ નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ મામલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ટ્રકને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. એક કલાકની ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યો આ અંગે ERC ફાયર સ્ટેશનની ટીમના સબ ફાયર ઓફિસર યુવરાજદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ અકસ્માત અંગેની જાણ થતા તાત્કાલિક અમારી ટીમ પોહચી હતી. બાદમાં પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમને જાણ કરવામાં આવી હતી. કેબિનમાં ડ્રાઇવર એંગલો આગળ ધસી આવતા ફસાયો હતો. જેથી સહી સલામત બહાર કાઢવા માટે અત્યાધુનિક સાધનો વડે એક કલાકની ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યો હતો. પગમાં ઇજાઓ પોહચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અવારનવાર યોજાતા સરકારી કાર્યક્રમો, સાંસ્કૃતિક ઇવેન્ટ્સ અને મહાનુભાવોના સ્વાગત માટે ફૂલોની સજાવટ તેમજ અન્ય ડેકોરેશન પાછળ અંદાજે રૂ.95 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ હેતુ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ત્રણેય ઝોન—સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ—માટે એકસાથે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. બે વર્ષના લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં અગાઉના વર્ષોના અનુભવ અને જરૂરિયાતને ધ્યાને રાખીને બજેટ ફાળવવામાં આવ્યું છે. ખાસ કરીને રેસકોર્સ જેવા મહત્વના સ્થળો સેન્ટ્રલ ઝોનમાં આવતા હોવાથી ત્યાં સૌથી વધુ ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. ટેન્ડરની વિગતો મુજબ, ત્રણેય ઝોન માટે અલગ-અલગ રકમ ફાળવવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ કાર્યક્રમો અને મહત્વની કચેરીઓ આવેલી હોવાથી ત્યાં રૂ.62.50 લાખનું એસ્ટિમેટ રાખવામાં આવ્યું છે. જ્યારે ઇસ્ટ ઝોન માટે રૂ.20 લાખ અને વેસ્ટ ઝોન માટે રૂ.12 લાખના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ અગાઉ જ્યારે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, ત્યારે તે 14 ટકા 'ઓન' (વધારે ભાવ) સાથે મંજૂર થયો હતો. હાલની એજન્સીઓની મુદત પૂર્ણ થતા, ગાર્ડન શાખા દ્વારા આ વખતે અગાઉથી જ 14 ટકા ઓન ગણીને નવું એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યું છે અને તે મુજબ જ નવી એજન્સીઓ પાસેથી ભાવો મંગાવવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આ ટેન્ડરમાં ફૂલોની સજાવટથી માંડી સ્વાગતની નાની-નાની વસ્તુઓના ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. જેમાં ગુલાબની શેર માટે રૂ.21.50, ગલગોટાની શેર માટે રૂ.11 અને લીલીના ફૂલો માટે રૂ.8.50નો ભાવ નક્કી કરાયો છે. આ ઉપરાંત મોંઘા ગણાતા સેવંતીના ફૂલો માટે રૂ.90 અને ગેલોર્ડિયા માટે રૂ.70નો દર રાખવામાં આવ્યો છે. સ્ટેજ ડેકોરેશન માટે ઉપયોગમાં લેવાતા આસોપાલવના બીડા માટે રૂ.4 અને ત્રણથી વધુ રંગના ફૂલોના મિશ્રણવાળા તોરણનો રૂ.71.50નો ભાવ નિર્ધારિત છે. આર્ટિફિશિયલ ડેકોરેશનમાં લાઇનિંગ માટે રૂ.5.50 અને તોરણ માટે રૂ.28.50 પ્રતિ ફૂટ નક્કી કરાયા છે. સજાવટની સાથે-સાથે મહાનુભાવોના સન્માન માટે વપરાતી સામગ્રીના દરો પણ ટેન્ડરમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. મહેમાનોના સ્વાગત માટે વપરાતા સાદા બુકેના રૂ.51.50, જ્યારે ખાદીનો રૂમાલ અને ડચ ગુલાબ સાથેના સ્પેશિયલ બુકેના રૂ.140 રાખવામાં આવ્યા છે. હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમો માટે ઝરબેરા, ઓર્કિડ અને જીપ્સો જેવા વિદેશી ફૂલોથી સજ્જ મોટા હેન્ડ બુકે માટે રૂ.2800 સુધીનો ભાવ નક્કી છે. આ ઉપરાંત સુતરની આંટી માટે રૂ.75 અને બે ઇંચની રીબિન ડેકોરેશન માટે રૂ.25 પ્રતિ ફૂટનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. કાર્યક્રમોમાં આકર્ષણ જમાવતી રંગોળી માટે પણ અલગ-અલગ ભાવ છે, જેમાં લાકડાના ભૂસાની રંગોળી માટે રૂ.45.50 અને ચિરોડી આર્ટવર્ક માટે રૂ.450 પ્રતિ ચોરસ ફૂટ નક્કી કરાયા છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી બે વર્ષ સુધી યોજાનારા તમામ નાના-મોટા સરકારી સમારોહમાં ડેકોરેશનની વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે છે. ખાસ કરીને જ્યારે મુખ્યમંત્રી કે અન્ય મંત્રીઓની મુલાકાત હોય અથવા સ્થાપના દિવસ જેવા મોટા પાયાના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, ત્યારે છેલ્લી ઘડીએ દોડધામ ન થાય તે માટે આ વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવામાં આવી છે. હવે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એજન્સીઓની પસંદગી કરવામાં આવશે અને મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી બાદ વર્ક ઓર્ડર આપવામાં આવશે.
અમદાવાદ શહેરના સાયન્સ સીટી રોડ ઉપર આવેલી સોસાયટીમાં એક યુવક તેમના બહેનના ઘરે જઈ રહ્યા હતાં. ત્યારે સોસાયટીની અંદર જ પૂર ઝડપે એક કાર ચાલકે કાર ચલાવી યુવકને ઉડાવ્યા હતાં. અકસ્માત કરનાર કાર ચાલક 15 વર્ષનો સગીર હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સમયે કારની સ્પીડ એટલી હતી કે કારની અંદરની બંને એરબેગ ખુલી ગઈ હતી. અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ સમગ્ર મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. એક શખ્સને પોલો કારે ટક્કર મારી ને ઉડાવ્યોસાયન્સ સીટી રોડ પર આવેલી શિવાલિક હાઈટેક સોસાયટીમાં 28 જાન્યુઆરીના રોજ વિરમભાઈ રબારી તેમના બહેનના ઘરે આવ્યા હતા. વિરમભાઈ રિક્ષામાં આવીને સોસાયટીના ગેટ ઉપર ઉતર્યા હતા. જે બાદ ચાલીને સોસાયટીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન વિરમભાઇને પાછળથી એક લાલ કલરની પોલો કારે ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે વિરમભાઈ ઉછળીને આગળ પડ્યા હતા. જેમાં તેમને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સગીર કારચાલકના પિતા હાઈકોર્ટમાં નોકરી કરે છેઅકસ્માત થતા સોસાયટીના આસપાસના રહીશો ભેગા થઈ ગયા હતા. અકસ્માતમાં વિરમભાઇને ઇજાઓ તથા પહેલા સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કરનાર કાર ચાલક સોસાયટીમાં જ રહેતા અને હાઇકોર્ટમાં નોકરી કરતા એક કર્મચારીનો 15 વર્ષનો સગીર વયનો દીકરો હોવાનું સામે આવ્યું હતું. એટલી સ્પીડ હતી કે એરબેગ પણ ખુલી ગઈવિરમભાઇએ જણાવ્યું હતું કે, સગીરે જ મારા પર પૂર ઝડપે કાર ચઢાવી હતી તે સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.અકસ્માતમાં કારની સ્પીડ પણ એટલી હતી કે એરબેગ ખુલી ગઈ હતી. અકસ્માત કરનાર હાઇકોર્ટના કર્મચારીનો દિકરો છે. 'પિતા હાઇકોર્ટમાં હોવાથી સગીર બેફામ રીતે કાર ચલાવે છે'વિરમભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, મને એવું પણ જાણવા મળ્યું છે કે આ સગીર રોજ કાર લઈને નીકળી જાય છે. પિતા હાઇકોર્ટમાં હોવાથી સગીર બેફામ રીતે કાર ચલાવે છે. પોલીસે મારી ફરિયાદ પણ નોંધી છે. 'અકસ્માત કરનાર કોણ છે તેની તપાસ ચાલું'એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ દેસાઈએ જણાવ્યું હતું કે, અકસ્માત અંગે ફરિયાદી ફરિયાદ કરવા આવ્યા ત્યારે તાત્કાલિક ફરિયાદ લઈ લેવામાં આવી છે. અકસ્માત કરનાર કોણ છે તેની તપાસ કરવામાં આવશે. જો અકસ્માત કરનાર સગીર હશે તો તેનું નિવેદન લઈને કારના માલિક સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.
હિંમતનગરના ગાંભોઈ પોલીસે સાયબર ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને એક મહિલાના ફોટા એડિટ કરી વાઈરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે વાવડી ગામના આ બંને યુવકોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પાંચ દિવસ પહેલા અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. આરોપીઓએ એક ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ એપ પર મૂકી હતી. ત્યારબાદ ફરિયાદીના મોબાઈલ પર વોટ્સએપ દ્વારા ફરિયાદીના ભાઈ અને પત્નીના ફોટા એડિટ કરીને બીભત્સ લખાણ સાથે સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે વાવડી ગામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓના નામ સુનીલસિંહ બાદરસિંહ મકવાણા અને નરેન્દ્રસિંહ ભરતસિંહ મકવાણા છે, જે બંને હિંમતનગર તાલુકાના વાવડી ગામના રહેવાસી છે.
સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ 'ગદ્દાર મિત્ર' કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં 'દેશના દુશ્મન' ગણાવ્યા
Rahul Gandhi Ravneet Singh Bittu : સંસદમાં આજે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. જ્યારે સંસદના ગેટ પર કોંગ્રેસના સાંસદો હાથમાં તખ્તીઓ લઈને પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદોના વખાણ કર્યા હતા અને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટૂને 'ગદ્દાર દોસ્ત' ગણાવ્યા હતા. તેના જવાબમાં બિટ્ટૂએ પણ રાહુલ ગાંધીને 'દેશના દુશ્મન' કહ્યા હતા.
સુરત શહેરના પુણા વિસ્તારમાં કાંગારું સર્કલ ખાતે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે આગળ જઈ રહેલી ઈકો કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ઈકો કાર રોડ પર જ ત્રણ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ઇકો કારનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો. ઈકો કાર ત્રણ વાર પલટી મારી ફંગોળાઈમળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે જ્યારે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હતો, ત્યારે રાજસ્થાન પાસિંગની ટ્રક (RJ-33-GA-3338) ના ચાલકે પોતાના વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જઈ રહેલી ઈકો કાર (GJ-19-BR-7179) નેજોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે જ ઈકો કાર ત્રણ પલટી મારી ફંગોળાઈ હતી અને રસ્તા પર પલટી ગઈ હતી. ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયોઆ અકસ્માતને પગલે કરણ ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને અથવા ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. ફરાર ટ્રક ડ્રાઈવરને પકડવા માટે પોલીસના ચક્રો ગતિમાનપુણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને વાહનો કબજે કરી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ફરાર ટ્રક ડ્રાઈવરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ કરી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર 15 ફ્લાઇટ ડીલે:ઠંડી અને ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટને અસર, મુસાફરો પરેશાન
અમદાવાદ એરપોર્ટ પરથી આવતી–જતી ફ્લાઈટોના સંચાલન પર આજે પણ અસર જોવા મળી. દેશભરમાં પડી રહેલી કડક ઠંડી અને ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ પર કુલ 15 જેટલી ફ્લાઈટો કલાકો સુધી મોડે ચાલતી રહી, જેના કારણે મુસાફરો ભારે પરેશાન બન્યા હતા. ધુમ્મસના કારણે પૂરતી વિઝિબિલિટી ઘટીઑધુમ્મસના કારણે પૂરતી વિઝિબિલિટી ન મળતાં પાયલોટોને ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે ફ્લાઈટ ઓપરેશનમાં ડીલે થઈ રહ્યો હોવાનું એરલાઈન સૂત્રો જણાવી રહ્યા છે. ફ્લાઈટ રદ અને ડીલે ના કારણે મુસાફરો એરપોર્ટ પર લાંબા સમય સુધી અટવાઈ રહ્યા હતા અને અનેક એરલાઇન્સના ડીલે થવાને કારણે મુસાફરો પણ રોષે ભરાયા હતા. કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છેઈન્ડિગો એરલાઇને એડવાઇઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે આજે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિસિબીલીટી ભારે ઘટાડો થયો છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે. સલામતીને પ્રાથમિકતા આપતા અને એરપોર્ટ પર મુસાફરોને લાંબી રાહ જોવી ન પડે તે માટે દિવસ દરમિયાન કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છે તેમજ કેટલીક ફ્લાઇટ્સને પ્રસ્થાનમાં વધુ સમય લાગી શકે છે. સાથે જ, ધુમ્મસના કારણે રોડ ટ્રાફિક પણ ધીમો પડી શકે હોવાથી મુસાફરોને એરપોર્ટ જવા માટે વધારાનો સમય રાખવાની વિનંતી કરવામાં આવી છે. ફલાઈટમાં જતા હોવ તો આ ચેક કરી લેજોબીજી તરફ, એર ઇન્ડિયાએ પણ એડવાઇઝરી જાહેર કરી છે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નબળી વિઝિબિલિટી જોવા મળી રહી છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી અસરગ્રસ્ત બની છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે. ઈન્ડિગો અને એર ઇન્ડિયા ઉપરાંત અન્ય અનેક એરલાઇન્સે પણ આવી જ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી છે. અમદાવાદ એરપોર્ટ પર આવતી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી જતી ફ્લાઇટ
બોટાદ શહેરમાં આગામી 6 ફેબ્રુઆરી 2026થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસ માટે પાણી પુરવઠો બંધ રહેશે. નાગરિકોને આ સમયગાળા દરમિયાન પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા નાવડા ગામના હેડવર્કસ ખાતે CT ઇન્સ્ટોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી 6 ફેબ્રુઆરી 2026થી 8 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. આ ઉપરાંત, બોટાદના ઢાંકી ગામ ખાતે આવેલા સંપની સાફ-સફાઈની કામગીરી પણ આ જ સમયગાળા દરમિયાન કરવામાં આવશે. ઉપરોક્ત બંને મહત્વપૂર્ણ કામગીરીના કારણે બોટાદ શહેરમાં સતત બે દિવસ સુધી પાણી કાપ રહેશે, જેનાથી પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થશે. બોટાદ નગરપાલિકાએ શહેરના તમામ નાગરિકોને આ સમયગાળા દરમિયાન પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને તેનો વ્યય ન કરવા અનુરોધ કર્યો છે. નગરપાલિકાએ નાગરિકોને અગાઉથી જ જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા અને આ કામગીરીમાં સહકાર આપવા પણ અપીલ કરી છે.
ટ્રમ્પની એક જાહેરાતથી મોટા સંકટમાં ફસાયું પાકિસ્તાન! ભારતે ડીલ કરી 'ખેલ' પાડી દીધો
Donald Trump and Pakistan News : ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ તેમજ યુરોપિયન યુનિયન (EU) સાથેના કરારે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પરના ટેરિફમાં કરેલા મોટા ઘટાડાથી પાકિસ્તાનના નિકાસ ક્ષેત્ર, ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. પાકિસ્તાની નિષ્ણાતોની ચિંતા: વૈશ્વિક બજારમાં ભારતનું વર્ચસ્વ વધશે પાકિસ્તાનના 'કોટન જીનર્સ ફોરમ' ના અધ્યક્ષ એહસાનુલ હકે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન સરકાર કોટન અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે તાત્કાલિક નીતિઓ નહીં લાવે, તો નિકાસમાં ભારે ઘટાડો જોવા મળશે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) ને કારણે ભારતીય ઉત્પાદનો પર ઇમ્પોર્ટ ડ્યુટી શૂન્ય થઈ ગઈ છે, જ્યારે અમેરિકાએ પણ ભારતીય સામાન પરના ટેરિફ ઘટાડીને 18-25% ની રેન્જમાં લાવી દીધા છે.
ગુજરાતના નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ‘જન આક્રોશ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વલસાડના કપરાડાથી શરૂ થયેલી આ યાત્રા નવસારીના ખેરગામ અને ચીખલી તાલુકામાં પહોંચી હતી. આ દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકારને ચીમકી આપી હતી કે જો જનતાની સમસ્યાઓનું નિવારણ નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે. આદિવાસી વિસ્તારોમાં પરિવર્તનનો હુંકારનવસારી જિલ્લા કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકવાના ઉદ્દેશ્ય સાથે નીકળેલી આ યાત્રા ખેરગામના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી ચીખલીના તલાવચોરા ગામે સભામાં પરિવર્તિત થઈ હતી. આ યાત્રાનું નેતૃત્વ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષી નેતા ડો. તુષાર ચૌધરીએ કર્યું હતું. જોકે, સભા તેના નિયત સમય કરતાં 2.5 કલાક મોડી શરૂ થઈ હતી. ભાજપ અને ‘આપ’ પર આકરા પ્રહારોસભાને સંબોધતા અમિત ચાવડાએ આમ આદમી પાર્ટીને ભાજપની ‘B ટીમ’ ગણાવી આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષોના મતો તોડવા માટે આ રણનીતિ ઘડવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસ સમર્પિત સરપંચો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. આદિવાસી પટ્ટામાં જળ, જમીન અને જંગલના અધિકારો છીનવાઈ રહ્યા હોવાના મુદ્દે તેમણે સરકારની આકરી ટીકા કરી હતી. SIR અને મતાધિકાર મુદ્દે કાયદાકીય લડતની જાહેરાતસ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ના બીજા ચરણમાં ફોર્મ નંબર 7 મુદ્દે થતી ગેરરીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરતા ચાવડાએ જણાવ્યું હતું કે, અજાણ્યા લોકો દ્વારા ફોર્મ ભરીને સ્થાનિક નાગરિકોને મતાધિકારથી વંચિત રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ મામલે કોંગ્રેસ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી અને પોલીસ ફરિયાદ નોંધાવશે. 20 વર્ષ બાદ ભાજપના ગઢમાં સભારસપ્રદ વાત એ છે કે, ભાજપનો ગઢ ગણાતા તલાવચોરા અને બારોલીયા ગામમાં કોંગ્રેસે 20 વર્ષના લાંબા ગાળા બાદ સભા યોજવામાં સફળતા મેળવી છે. સ્થાનિક સરપંચ પ્રિયંકા પટેલના સહયોગથી આ આયોજન શક્ય બન્યું હતું. ધારાસભ્ય અનંત પટેલે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, કોળી અને પટેલ (ધોળી) સમાજની એકતા હવે ચીખલી વિસ્તારમાં નવું રાજકીય સમીકરણ રચશે. આંતરિક જૂથવાદ સપાટી પરયાત્રાની સફળતા વચ્ચે કોંગ્રેસનો આંતરિક વિખવાદ પણ જોવા મળ્યો હતો. સભાના પ્રારંભે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ કોઈ કારણસર નારાજ જણાયા હતા અને તેઓ સ્ટેજથી દૂર રહેતા કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં Class-3 (Group-A અને Group-B) માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5,370થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. Group-A હેઠળ કુલ 2,365 જગ્યાઓ ઉપલબ્ધ છે. જેમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ સહિતના પદોનો સમાવેશ થાય છે. જ્યારે Group-B માટે 3,005 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં જુનિયર ક્લાર્કના પદોનો સમાવેશ થાય છે. આ ભરતી માટે ઉમેદવારોને OJAS પોર્ટલ (https://ojas.gujarat.gov.in) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જાહેરાત મુજબ અરજી પ્રક્રિયા તા. 5 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને તા. 20 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરી શકાશે. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આધારે લેવામાં આવશે.ભરતીને લઈને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ તથા અન્ય વિગતવાર માહિતી માટે ઉમેદવારોને GSSSBની અધિકૃત વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર જાહેરાત વાંચવાની સૂચના આપવામાં આવી છે.રાજ્યના યુવાઓ માટે સરકારી નોકરી મેળવવાની આ મોટી તક માનવામાં આવી રહી છે.
કાલાવડમાં ખેડૂતો સાથે ₹96.97 લાખની છેતરપિંડી:તલ, મગફળી ખરીદી નાણાં ન ચૂકવતા ફરિયાદ નોંધાઈ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા ગામના ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા વિરુદ્ધ કરવામાં આવી છે. આરોપીએ કુલદીપભાઈ સહિત અન્ય ખેડૂતો પાસેથી આશરે 96,97,601 રૂપિયાની ખેત પેદાશો ખરીદી નાણાં ચૂકવ્યા ન હતા. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી દિલીપ સાવલિયાએ ફરિયાદી કુલદીપભાઈ કોઠીયા પાસેથી મગફળી અને તલનો જથ્થો ખરીદ્યો હતો. આ ઉપરાંત, તેણે કાલાવડના ગ્રામ્ય વિસ્તારના અન્ય ખેડૂતો પાસેથી સફેદ ચણા સહિતની વિવિધ ખેત પેદાશો પણ મેળવી હતી. કુલ 96,97,601 રૂપિયાની માતબર રકમની ખેત પેદાશો ખરીદી લીધા બાદ આરોપી દિલીપ સાવલિયાએ ખેડૂતોને નાણાં ચૂકવ્યા ન હતા, જેના કારણે આખરે તેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે, કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ એન.વી. આંબલીયા અને તેમની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આરોપી દિલીપ સાવલિયા ફરાર છે, અને પોલીસ તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે પણ તપાસ ચલાવી રહી છે.
ભરૂચમાં જળ-સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પાણી પુરવઠા યોજનાઓની સમીક્ષા કરી
ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)ની બેઠક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લામાં પાણી પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, તેમજ ચાલી રહેલી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. બેઠકની શરૂઆતમાં 22મી ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી અગાઉની બેઠકની કાર્યવાહી નોંધનું વંચાણ કરી બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ “જલ જીવન મિશન – નલ સે જલ” અને “ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી ઇન જનરલ” કાર્યક્રમ હેઠળ અમલમાં રહેલી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. સંબંધિત અધિકારીઓને કામોની ગતિ ઝડપી કરવા જરૂરી સૂચનાઓ અપાઈ હતી. આ બેઠકમાં પાણી પુરવઠા યોજનાઓના બાકી ઓડિટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની મરામત અને જાળવણીની કામગીરી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી (PACS) અને સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) મારફતે હાથ ધરવા બાબતે વિચારણા કરાઈ હતી. આ ઉપરાંત, ગ્રામ્ય કક્ષાના પંપ ઓપરેટરોને હેડવર્ક્સ ખાતે તાલીમ આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. 0 થી 30 ટકા પાણી વેરા વસૂલાત ધરાવતા ગામોની સમીક્ષા કરીને વેરા વસૂલાત વધારવા માટે પ્રોત્સાહક પગલાં લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પાણી વેરા વસૂલાત પ્રોત્સાહન યોજના, ગતિ શક્તિ પોર્ટલ પર થયેલી એન્ટ્રીઓ, તેમજ પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો અને તેના નિવારણ અંગેની વિગતોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં ઓપરેટરની નિમણૂક, ઓપરેટરના માનદવેતન, ઓપરેટર એપ લોગિન અને પાણી પુરવઠા યોજનાઓમાં તેમની કામગીરી અંગે પણ ચર્ચા થઈ હતી. સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) ફેઝ–2ના સુચારુ અમલીકરણ માટે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા સાથે ‘જલ અર્પણ દિવસ’ માટે ગામોની પસંદગી અંગે પણ નિર્ણયાત્મક ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે જિલ્લા કલેક્ટરે પાણી પુરવઠા અને સ્વચ્છતા સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરવાની સૂચના આપી હતી.
વાપીના બિઝનેસ પાર્કમાં આગ, એક શ્રમિકનું નિધન:બે દાઝેલા શ્રમિકોમાંથી એકનું સારવાર દરમિયાન મોત
વાપીના વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કમાં 2જી ફેબ્રુઆરીના રોજ એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં બે શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું છે. ફેક્ટરીમાં લાગેલી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે અંદર કામ કરતા બે શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા. ઘટનાની જાણ થતાં જ વાપી અને આસપાસના ફાયર બ્રિગેડના દળો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. દાઝી ગયેલા બંને શ્રમિકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રો અનુસાર, 21 વર્ષીય સની કુમાર હરિરામ નામના શ્રમિકનું સારવાર દરમિયાન અવસાન થયું છે. અન્ય એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતી વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
અમરેલી તાલુકાના સરંભડા ગામમાં રૂ. 3,95,23,400ના ખર્ચે પૂરસંરક્ષણ દીવાલના કામને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. રાજ્યના મંત્રી કૌશિક વેકરીયાના પ્રયાસોથી આ કામ મંજૂર થયું છે. આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. અમરેલી જિલ્લામાં, ખાસ કરીને અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં, રાજ્ય સરકારના અનેક વિકાસ કામો ચાલી રહ્યા છે. સરંભડા ગામ નજીક પાણીના કારણે થતા નુકસાનને અટકાવવા માટે સ્થાનિક લોકોએ મંત્રી કૌશિક વેકરીયા સમક્ષ પૂરસંરક્ષણ દીવાલ બનાવવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ, રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ પૂરસંરક્ષણ દીવાલના કામને મંજૂરી આપવામાં આવી છે. આ દીવાલના નિર્માણ પાછળ કુલ રૂ. 3,95,23,400નો ખર્ચ થશે. રાજ્ય કક્ષાના કાયદો અને ન્યાયતંત્ર તેમજ ઉર્જા વિભાગના મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, આ પૂરસંરક્ષણ દીવાલનું કામ પૂર્ણ થતાં આગામી સમયમાં વિસ્તારની પ્રજાને પૂરના પાણીના કારણે પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.
સુરતમાં એક યુવતીને નશાકારક ઈન્જેકશન આપી બે શખસોએ એક યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાનો ચકચારી બનાવ સામે આવ્યું છે. રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી અમન નામના આરોપી સાથે સંપર્ક થયો હતો. અમને પોતાનો બર્થડે હોય સેલિબ્રેશન માટે યુવતીને સુરત બોલાવી હતી. અમનના મિત્ર મહંમદ તોહીદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અમને અને મહંમદે સુરત આવેલી યુવતીને નશાકારક ઈન્જેકશન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં સંપર્ક થયા બાદ યુવતીને બર્થ ડે સેલિબ્રેશન માટે સુરત બોલાવીરાજસ્થાનના કોટા પંથકની એક 21 વર્ષીય યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના અમન નામના યુવકના સંપર્કમાં આવી હતી. ગત 25 ડિસેમ્બરના રોજ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. યુવતીનો 1 જાન્યુઆરીએ જન્મદિવસ હોવાથી, આરોપી અમન ઉર્ફે સાગરે તેને લલચાવી-ફોસલાવીને બર્થડે સેલિબ્રેશન કરવા માટે સુરત આવવા આમંત્રણ આપ્યું હતું. મિત્રતાના વિશ્વાસે યુવતી કોટાથી સુરત આવી પહોંચી હતી, પરંતુ તેને અંદાજ નહોતો કે અહીં તેની સાથે હેવાનિયતની તમામ હદો પાર કરવામાં આવશે. હિન્દુ નામ ધારણ કરી મહંમદ તોહીદુલે યુવતીને જાળમાં ફસાવીઆ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, મુખ્ય આરોપીઓ પૈકીના એક મહંમદ તોહીદુલે પોતાની અસલી ઓળખ છુપાવી હતી. તોહીદુલે પીડિતાને પોતે હિન્દુ હોવાનું જણાવ્યું હતું અને પોતાનું નામ 'રોહિત ઉર્ફે તુષાર' હોવાની ખોટી ઓળખ આપી હતી. ધર્મ અને નામ છુપાવીને યુવતીનો વિશ્વાસ જીત્યા બાદ તેને પોતાના સકંજામાં લીધી હતી. આ રીતે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ અને ખોટી ઓળખ ઉભી કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનું આયોજનબદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું. નશીલા ઈન્જેક્શન આપી 20 દિવસ સુધી નરક જેવી યાતનાયુવતી જેવી સુરત પહોંચી કે તરત જ આરોપી અમન વર્મા અને મહંમદ તોહીદુલ તેને સુરતની 'મૂનલાઈટ' સહિતની જુદી-જુદી હોટલોમાં લઈ ગયા હતા. ત્યાં તેને બંધક બનાવી લેવામાં આવી હતી. બર્થડે મનાવવાના બહાને બોલાવેલી યુવતીને સતત 20 દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓ તેને નશીલા ઈન્જેક્શન આપીને બેભાન કરી દેતા હતા અને તેની પર વારંવાર દુષ્કર્મ આચરતા હતા. યુવતીને માર મારીને તેના સોનાના દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા હતા. આરોપીઓ તેને દેહવેપાર જેવા નરક સમાન કામમાં પણ ધકેલવાનો પ્રયાસ કરતા હતા. હિંમત દાખવી નરાધમોના સકંજામાંથી છૂટી પોલીસને જાણ કરીસતત 20 દિવસ સુધી શારીરિક અને માનસિક ત્રાસ વેઠ્યા બાદ, એક દિવસ યુવતીને તક મળતા તે નરાધમોના સકંજામાંથી ભાગવામાં સફળ રહી હતી. પીડિતાએ હિંમત હાર્યા વગર રાંદેર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી હતી. કોટામાં ઝીરો નંબરથી FIR નોધાઇ હતી અને ત્યારબાદ સુરત ટ્રાન્સફર કરવામાં આવી.યુવતીની ગંભીર ફરિયાદ સાંભળીને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને આ મામલે પીઆઈ આર.જે.ચૌધરીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વેઈટર અને દરજી કામ કરતા બંને આરોપીઓની ધરપકડરાંદેર પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં 21 વર્ષીય અમન ઉર્ફે સાગર અજય ગયાપ્રસાદ વર્મા (જે હોટલમાં વેઈટર તરીકે કામ કરે છે) અને 28 વર્ષીય મહંમદ તોહીદુલ ઉર્ફે તુષાર (જે દરજી કામ કરે છે અને મૂળ બંગાળનો વતની છે) નો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ અગાઉ પણ આ ટોળકીએ અન્ય કોઈ યુવતીઓને આ રીતે શિકાર બનાવી છે કે કેમ?
પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે રૂ. 4,21,000ના ચેક રિટર્ન કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પાલનપુરના એક ટ્રસ્ટના વહીવટકર્તા પંકજને એક વર્ષની સાદી કેદની સજા અને 30 દિવસમાં ચેકની પૂરેપૂરી રકમ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. આખો બનાવ શું છે?ફરિયાદી જીગર દરજીએ પાટણમાં શિવણ અને બ્યુટી પાર્લરના ક્લાસિસમાં 210 વિદ્યાર્થીઓને 120 દિવસની તાલીમ આપી હતી. આ ક્લાસ પાલનપુરના એક ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ ચાલતા હતા. બંને પક્ષો વચ્ચે થયેલા કરાર (MoU) મુજબ, કુલ રૂ. 14,40,000 ચૂકવવાના થતા હતા, જેમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓના મહેનતાણા પેટે રૂ. 13,68,000ની રકમ વસૂલવાની હતી. આરોપી પંકજે અગાઉ વિદ્યાર્થી દીઠ રૂ. 3,000 લેખે કુલ રૂ. 4,50,000 મેળવ્યા હતા, જેમાંથી જીગર દરજીને માત્ર રૂ. 2,51,700 ચૂકવ્યા હતા. બાકીની રકમ પૈકી રૂ. 4,21,000નો ચેક આપ્યો હતો અને અન્ય રૂ. 6,95,300 ભવિષ્યમાં ચૂકવવાની ખાતરી આપી હતી. બેંકમાં ચેક રિટર્ન થયોજીગર દરજીએ આ ચેક પોતાની પેઢીના એયુ સ્મોલ બેંકના ખાતામાં જમા કરાવ્યો હતો. જોકે, 9 જુલાઈ, 2019 અને ત્યારબાદ 3 ઓગસ્ટ, 2019ના રોજ આરોપીના ખાતામાં અપૂરતા ભંડોળના કારણે ચેક રિટર્ન થયો હતો. ન્યાયિક કાર્યવાહીવારંવારની ઉઘરાણી છતાં નાણાં ન મળતા, ફરિયાદીએ વકીલ એચ.એન. પટેલ મારફત નોટિસ પાઠવી પાટણ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણીના અંતે મેજિસ્ટ્રેટ ડૉ. હિરલબેન પી. જોશીએ આરોપીને દોષિત ઠેરવી સજા અને વળતરનો હુકમ કર્યો છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મંગળવારે(3 ફેબ્રુઆરી) રાત્રે 3 શખ્સોએ માત્ર 150 રૂપિયા માટે યુવક પર ચપ્પુથી હિંસક હુમલો કર્યો હતો. જેથી તેને લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ત્રણ શખ્સ સામે ગુનો નોંધીને મદદ તપાસ શરૂ કરી છે. 'બે જણાએ તેને પકડી લીધો અને ત્રીજાએ ચપ્પુના ઘા મારી દીધા'ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈએ જણાવ્યું હતું કે, મંગળવારે તેઓ રિક્ષામાં આવ્યા અને મારા છોકરાને બહાર બોલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, લે ભાઈ, તારા 150 રૂપિયા લઈ લે. જેવો મારો છોકરો ત્યાં ગયો, કોઈ પણ વાતચીત કર્યા વગર બે જણાએ તેને પકડી લીધો અને ત્રીજાએ ચપ્પુના ઘા મારી દીધા હતા. ત્રણ શખ્સોએ યુવક પર છરીથી હુમલો કર્યોમાંજલપુર વિસ્તારમાં આવેલ અમર કૃપા સોસાયટીમાં રહેતાં 26 વર્ષીય મનિષભાઈ કોયારામ મારવાડીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 2 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજના સાત વાગ્યાની આસપાસ કાર્તિક નામના યુવક તથા તેના બે સાથીઓ ફરિયાદીના ઘર આગળ આવ્યા હતા અને ગાળાગાળી કરી હતી. યુવકે તેમને ગાળો બોલવાથી રોકતા સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્રણેય જણા ત્યાંથી જતા રહ્યાં હતા. ચપ્પુ પેટમાં અને હાથમાં મારી દીધુંત્યારબાદ 3 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રિના 10.30 વાગ્યાની આસપાસ કાર્તિક તથા તેના બે સાથીઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને આગલા દિવસની વાતને લઈને વાતચીત કરવાના બહાને તેમને ઘરની નજીક આવેલા શ્રી સાંઈબાબા મંદિર પાસેના રોડ પર લઈ ગયા હતા. વાતચીત દરમિયાન તેઓએ અચાનક ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન કાર્તિક તથા એક અન્ય વ્યક્તિએ ફરિયાદીને પકડી રાખ્યો હતો, જ્યારે ત્રીજા વ્યક્તિએ ચપ્પુ દ્વારા તેના પેટના જમણા ભાગે ધા મારી દીધી હતી. ફરિયાદીએ ચપ્પુ પકડવાના પ્રયાસમાં જમણા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હુમલા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે પોતાના ખાનગી વાહન દ્વારા ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલમાં તે સારવાર હેઠળ છે. આ ઘટના અંગે મનિષભાઈએ કાર્તિક તથા તેના બે અજાણ્યા સાથીઓ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસ આ ઘટનાની તપાસ હાથ ધરી રહી છે. '150 રૂપિયા લેવા માટે પેલા લોકો પાસે ગયો'ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈએ જણાવ્યું હતું કે, સોમવારે મારો છોકરો તેના મહેનતના 150 રૂપિયા લેવા માટે પેલા લોકો પાસે ગયો હતો. જ્યારે તેણે પોતાના પૈસા માંગ્યા હતા, ત્યારે તેઓ ગાળાગાળી કરવા લાગ્યા હતા. મારા છોકરાએ માત્ર એટલું જ કહ્યું કે, ગાળો ના આપશો, જો અત્યારે પૈસા ન હોય તો વાંધો નહીં પણ આવી રીતે વર્તન ના કરશો. આ સાંભળીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. હુમલાખોરો રિક્ષામાં આવ્યા ને તૂટી પડ્યાઈજાગ્રસ્ત યુવકના પિતાએ કહ્યું કે, હુમલાખોરો રિક્ષામાં આવ્યા હતા. તેમાંથી એકનું નામ કાર્તિક અને બીજાનું નામ સિકંદર છે. બાકીના બે વ્યક્તિઓના નામ અમે જાણતા નથી. આ ઘટના મારુતિધામ અમરકૃપા સોસાયટી, મકાન નંબર 82 પાસે આવેલી મોબાઈલની દુકાન નજીક બની હતી. આ તમામ દ્રશ્યો મંદિરના CCTV કેમેરામાં કેદ થયા છે. આ પણ વાંચો યુવકને મોત આપ્યા બાદ પણ છરી-લાતો મારતો રહ્યો, CCTVરાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે એક લોહિયાળ હત્યાની ઘટના સામે આવી છે. આશરે 40થી 45 વર્ષની ઉંમરના એક યુવાનને છરીના અનેક ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. હાલ આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં અજાણ્યો શખસ યુવકને મારતો નજરે પડે છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) ઉપરા-છાપરી છરાના ઘા ઝિંકી આંતરડાં બહાર કાઢી નાખ્યાગત 27 જાન્યુઆરી, 2026ના રોજ વડોદરાના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ વિશાલ કહારે તેની લિવ-ઇન પાર્ટનરના પૂર્વ પતિ મોહંમદ હુસૈન ઝુલફીકાર અલી સૈયદને ઉપરા-છાપરી છરાના ઘા ઝિંકી આંતરડાં બહાર કાઢી નાખ્યા હતાં. આ હુમલા બાદ પાણીગેટમાં અરાજકતા છવાઇ હતી. હાલમાં આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા છે અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
વડોદરા શહેર જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ગતરોજ જિલ્લાના ડભોઇ વડોદરા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકના પાછળના ટાયર બાઇક ચાલક પર ચઢી જતા બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે યુવકને ગંભીર ઇજાઓ થતા રોડ પર જ લોહીની ધાર વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે ડભોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રકના વ્હીલ નીચે આવી જતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુંવડોદરા જિલ્લાના ડભોઇ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં પલાસવાડા ગામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં પુરપાટ દોડતી ટ્રક ચાલકે યુવકની બાઈકને અડફેટે લીધી હતી. યુવકની બાઈક ઉપર ટ્રકનાં પાછડનાં ટાયર ફરી વળતાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ યુવક ખેતી કામ પતાવી વડોદરા જતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં મૃતક યુવકનું નામ વિરલ મહેન્દ્રભાઈ પટેલ( ઉંમર વર્ષ 42, રહે પલાસવાડા ડભોઇ) હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતને લઈ ડભોઇ વડોદરા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. મૃતક યુવક રોડ પર હતો ત્યારે ગંભીર ઇજાઓને લઈ લોહી વહી રહ્યું હતું. યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે અકસ્માત સ્થળે જ યુવકે દમ તોડ્યો હતો. ફરાર થઈ ગયેલા ટ્રકચાલકની શોધખોળઆ અકસ્માતમાં મૃતક યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને આ મામલે ડભોઇ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેર દ્વારા નાણાકીય વર્ષ 2026-27નું લીવેબલ થીમ સાથેનું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે જેમાં મિલ્કત વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં વધારો સૂચન કરાયો છે. રહેણાંક મિલકતોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં 365ના બદલે 800 રૂપિયા કરવા સૂચન કરાયું છે જયારે બિન રહેણાંક મિલકતોમાં 1460ના બદલે 3200 રૂપિયા કરવા સૂચન કર્યું છે એટલે કે ગાર્બેજ કલેક્શન મારફત મનપાને 46 કરોડની આવક થવાની ધારણા છે જયારે પાણી વેરામાં રહેણાંક મિલકતો માટે 1500ના બદલે 2400 રૂપિયા અને બિન રહેણાંક મિલ્કતો માટે 3000ના બદલે 4800 રૂપિયા કરવા સૂચન કર્યું છે.
બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરના પાવન આંગણે મહાશિવરાત્રિ પર્વને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. મહાશિવરાત્રિ પૂર્વે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે વહેલી સવારે મંદિર પરિસર, શોપિંગ હાટ અને આસપાસના વિસ્તારોની પગપાળા મુલાકાત લઈ વ્યવસ્થાઓની સ્થળપર સમીક્ષા કરી હતી. દર વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ ભક્તોની વિશાળ ભીડ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, દર્શન વ્યવસ્થા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના તમામ મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. દર્શન સરળ બને તે માટે વિશેષ આયોજનકલેક્ટરે શ્રદ્ધાળુઓને સરળ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત દર્શન મળી રહે તે માટે ફ્રિસ્કિંગ પોઈન્ટ, લગેજ ચેકિંગ પોઈન્ટ, કતાર વ્યવસ્થા અને પ્રવેશ-નિર્ગમ માર્ગોની જાતે તપાસ કરી. સાથે જ બહારથી આવતા યાત્રિકો માટે પૂરતી પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવા અને ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. રાહદારીઓ માટે ખાસ વ્યવસ્થામહાશિવરાત્રિના મુખ્ય દિવસોમાં ભીડ નિયંત્રણ માટે જૂના સોમનાથ મંદિર તરફ જતો તથા સાગરદર્શન તરફનો માર્ગ માત્ર રાહદારીઓ માટે જ રાખવાનો નિર્ણય લેવાયો છે. વન-વે ટ્રાફિક સિસ્ટમ અને નો-પાર્કિંગ ઝોનનું કડક અમલ થાય તે માટે જાહેરનામા બહાર પાડવામાં આવશે. ભક્તિ અને સંસ્કૃતિનું સંગમમાત્ર દર્શન જ નહીં પરંતુ ભક્તિભાવને વધુ ઉંડો બનાવે તેવા આયોજન પણ કરવામાં આવ્યા છે. મહાશિવરાત્રિ નિમિત્તે તા. 14, 15 અને 16 દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભજન, કીર્તન અને આધ્યાત્મિક રજૂઆતો દ્વારા સમગ્ર પરિસર ભક્તિમય માહોલમાં તરબતર બનશે. સાથે જ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ ભંડારાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. વહીવટી તંત્ર અને ટ્રસ્ટનું સંકલનભક્તોની સુવિધા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે સઘન સંકલન સાધવામાં આવ્યું છે. કલેક્ટરની પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, પી.જી.વી.સી.એલ., નગરપાલિકા તથા અન્ય સંબંધિત વિભાગોના શીર્ષ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રદ્ધાળુઓ માટે સંદેશવહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે, નિર્ધારિત પાર્કિંગનો જ ઉપયોગ કરે અને વ્યવસ્થાઓમાં સહકાર આપે, જેથી મહાશિવરાત્રિનો પર્વ સૌ માટે સુખદ, સુરક્ષિત અને સ્મરણિય બની રહે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સિનિયર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની બદલીઓ અને વધારાની જવાબદારી તેમજ વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બદલીના રાઉન્ડમાં છ મહિના કાઢી ફરી અગાઉ જે વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યાં જ બદલી કરાવી લીધી છે. તો સીએનસીડી વિભાગમાં પણ હવે એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપી દેવામાં આવી છે. AMC અધિકારીઓ કર્મચારીઓમાં ચર્ચા છે કે ભૂતકાળમાં ફરજ બજાવતા હતા, એવા ઝોન અને વોર્ડમાં ફરી જવા પાછળનું કારણ તેમના ભૂતકાળના વિવાદોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી અને રાજકીય લાગવગ લગાવી અને ફરી પોસ્ટિંગ મેળવી લીધું છે. દિપક ત્રિવેદી નિવૃત્ત થતા તેમની જવાબદારી મનીષ ત્રિવેદીને સોંપાઈમ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલીઓ અને વધારાની જવાબદારી આપવામાં આવી છે. જેમાં દક્ષિણ ઝોનના એચઓડી તરીકે દિપક ત્રિવેદી નિવૃત્ત થતા તેમની જવાબદારી મનીષ ત્રિવેદીને આપવામાં આવી છે. સાથે દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડ પણ સોંપવામાં આવ્યો છે. કિરણ વનાલિયાની બદલી, હિતેશ ગજ્જર ફરીથી પૂર્વ ઝોનમાંઅમદાવાદ શહેરના સૌથી મોટા વોર્ડ ગણાતા લાંભા વોર્ડ ઉપરાંત દાણીલીમડા અને બહેરામપુરાની જવાબદારી સંભાળતા કિરણ વનાલિયાની બદલી કરી તેમને પશ્ચિમ ઝોનમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ અને AMC મેટની જવાબદારી આપવામાં આવી છે. ભૂતકાળમાં પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હિતેશ ગજ્જરને ફરીથી પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડ સોંપવામાં આવ્યો છે. દેવેન ભટ્ટને લાંભા વોર્ડ સોંપાયોપૂર્વ ઝોનમાં આજ વોર્ડ સંભાળતા દિવ્યેશ પટેલને હિતેશ ગજ્જર સંભાળતા દરીયાપુર, શાહપુર, ખાડિયા, જમાલપુર વોર્ડ સોંપવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પંકજ ભુતને બાલવાટિકાની જ્યારે દેવેન ભટ્ટને નરોડાથી બદલી કરી લાંભા વોર્ડ સોંપવામાં આવ્યો છે. કેલ્વિન કાપડીયાને નરોડા વોર્ડની વધારાની જવાબદારી આપવામાં આવી છે. રખડતા ઢોર પોલિસી નો કડક અમલ કરાવવા બે અધિકારીશહેરમાં નો કેટલ ઝોનમાં અને રોડ ઉપર રખડતા ઢોર ન જોવા મળે તેના માટે સીએનસીડી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને શહેરમાં અમલીકરણની કામગીરી માટે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને વહેંચી દેવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સૌરભ પટેલને પશ્ચિમ વિસ્તારમાં અને સીએનસીડી વિભાગના એચઓડી નરેશ રાજપૂતને પૂર્વ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે. શહેરમાં રખડતા ઢોર પોલિસી નો કડક અમલ કરાવવા માટે હવે સીધી રીતે બંને અધિકારીઓની જવાબદારી રહેશે.
સુરેન્દ્રનગર સબ જેલમાંથી 4 મોબાઈલ મળ્યા:તપાસમાં ₹1300નો પ્રતિબંધિત સામાન જપ્ત
સુરેન્દ્રનગર સબ જેલમાંથી ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેલની બેરેક નંબર 3માં આવેલા ટોયલેટમાંથી ખાડો ખોદીને છુપાવેલા ચાર મોબાઈલ ફોન સહિત કુલ 1300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર સબ જેલના જેલર એફ.એસ. મલેક અને તેમની ટીમે જેલમાં અચાનક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન બેરેક નંબર 3ના ટોયલેટમાં જમીનમાં ખાડો કરીને દાટેલી હાલતમાં આ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ત્રણ કીપેડવાળા મોબાઈલ ફોન, એક એન્ડ્રોઈડ ફોન, એક ચાર્જર અને એક હેન્ડસ ફ્રીનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓની કુલ કિંમત 1300 રૂપિયા આંકવામાં આવી છે. આ મોબાઈલ ફોન કોના હતા તે અંગે કેદીઓને પૂછપરછ કરતા કોઈએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી, જેલરે અજાણ્યા કેદીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે સુરેન્દ્રનગર સબ જેલમાં અગાઉ પણ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના બનાવો બન્યા છે. ભૂતકાળમાં હાથ-પગના મોજાનો દડો બનાવી અને સેલોટેપનો ઉપયોગ કરીને મોબાઈલ મંગાવવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
સુરતમાં સિનિયર સિટીઝન સાથે 42,28,856 ની છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગના મુખ્ય કડી સમાન આરોપી વિશાલ ઉર્ફે વિધાતા ઝાલાવાડિયાની ધરપકડ કરી છે. 29 વર્ષીય વિશાલ, જે B.Com. થયેલો છે, તેણે બેંક મેનેજર રાહુલ મિસ્ત્રી સાથે મળીને છેતરપિંડીના નાણાં છુપાવવા માટે પોતાના મિત્રો અને પરિચિતોના નામે કુલ 7 જેટલા 'મ્યુલ' બેંક ખાતાઓ ખોલાવી આપ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં વિશાલની ભૂમિકા નાણાકીય લેવડદેવડ માટેનું માળખું પૂરું પાડવાની હતી, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નકલી SEBI સર્ટિફિકેટ અને 10% નફાની લાલચઆ કૌભાંડની વિગત એવી છે કે ઠગબાજોએ ફરિયાદી સિનિયર સિટીઝનનો વોટ્સએપ દ્વારા સંપર્ક કરી તેમને શેરબજારમાં ટૂંકા ગાળામાં મોટો નફો મેળવવાની લાલચ આપી હતી. આરોપીઓએ ‘Bajaj Financial Securities Limited’ જેવી પ્રતિષ્ઠિત કંપનીના નામે વિશ્વાસ જીતવા માટે સેબી (SEBI) નું એક બોગસ સર્ટિફિકેટ પણ મોકલી આપ્યું હતું. ફરિયાદીને સસ્તા દરે આઈપીઓ (IPO) અપાવવાની ખાતરી આપી, આરોપીઓએ અલગ-અલગ તબક્કે કુલ Rs. 42,28,856 જેટલી રકમ પોતાની જાળમાં ફસાવીને ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી. બેંક મેનેજર સાથે મળીને રચ્યું મ્યુલ એકાઉન્ટનું જાળુંપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી વિશાલ ઝાલાવાડિયા અગાઉ ભરૂચ ખાતે રેતી-કપચીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આ દરમિયાન તેની ઓળખાણ એક ખાનગી બેંકના મેનેજર રાહુલ મિસ્ત્રી સાથે થઈ હતી. રાહુલે તેને કમિશનની લાલચ આપતા, વિશાલે પોતાના મિત્ર તુષાર વિરાણી અને અન્ય લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી કુલ 7 બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડના ગંદા નાણાં ફેરવવા માટે કરવામાં આવતો હતો. કુલ 7 આરોપીઓની ધરપકડ અને પોલીસ કાર્યવાહીસાયબર ક્રાઇમ સેલે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 7 શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં વિશાલ ઉપરાંત બેંક મેનેજર રાહુલ મિસ્ત્રી (45 વર્ષ), મીત સેલીયા (27 વર્ષ), દીપક નાયક (27 વર્ષ), કેવલ દિયોરા (27 વર્ષ), મિલન સાંગાણી (31 વર્ષ) અને ઉર્વિશ નસીત (22 વર્ષ) નો સમાવેશ થાય છે. આ ટોળકી અત્યંત સંગઠિત રીતે કામ કરતી હતી અને નિર્દોષ લોકોના નામે કરંટ એકાઉન્ટ ખોલાવી ગુનાને અંજામ આપતી હતી. આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂરહાલમાં વિશાલ ઝાલાવાડિયાને કોર્ટમાં રજૂ કરી સાયબર પોલીસે 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મ્યુલ એકાઉન્ટ્સમાં અત્યાર સુધીમાં કેટલા કરોડના વ્યવહારો થયા છે અને આ ગેંગના તાર અન્ય કયા રાજ્યો કે દેશો સાથે જોડાયેલા છે. સુરત સાયબર ક્રાઇમ સેલના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચાલુ છે.
ભાવનગર શહેરના અલકા ચોક નજીક આવેલ મોસમ હોટલમાં જમવા આવેલા ગ્રાહકો અને હોટલ મેનેજર વચ્ચે થયેલી ગેરસમજ હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. મોબાઈલથી વીડિયો ઉતારવાની શંકાને લઈને હોટલ મેનેજર પર મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને નિલમબાગ પોલીસ મથકમાં સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વીડિયો ઉતારવાની શંકાએ ઝઘડોઆ અંગે નિલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના અલકા ચોક નજીક આવેલ મોસમ હોટલ માલિક આરીફ કાલવાએ 3 જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમા 2 ફેબ્રુઆરીના બપોરના સમયે તેઓ ઘરે હાજર હતા, ત્યારે તેમના દીકરાનો ફોન આવ્યો હતો કે હોટલના મેનેજર અફઝલભાઈ મહમદભાઈ પઠાણ સાથે માથાકુટ થઈ છે. આ જાણ થતાં આરીફ કાલવા તાત્કાલિક હોટલ ખાતે પહોંચ્યા હતા. ગાળો આપી મેનેજરને ઢીકાપાટુનો માર માર્યોમેનેજર અફઝલભાઈએ જણાવ્યું હતું કે બપોરના સમયે અંદાજે ત્રીસેક વ્યક્તિ જમવા માટે આવ્યા હતા અને જમ્યા બાદ ઊભા થયા ત્યારે તેઓ કાઉન્ટર પર બેસી પોતાના મોબાઈલમાં ગેમ રમતા હતાં. તે દરમિયાન જમવા આવેલા લોકોને એવું લાગ્યું કે અફઝલભાઈ તેમનો વીડિયો ઉતારી રહ્યા છે. આ શંકાને લઈને છથી સાત વ્યક્તિઓએ તેમની સાથે ઝઘડો કરી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપીહોટલના સ્ટાફે વચ્ચે પડી તેમને બચાવ્યા હતાં. ઝઘડો કરનારામાં સોયેબ ઉર્ફે બિગડે નામનો એક શખ્સ પણ હોવાનું સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવ્યું છે. જતાં જતાં આરોપીઓએ વીડિયો ઉતારશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકમાં તમામ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈઆ બનાવ અંગે નિલમબાગ પોલિસે સોયેબ બીગડે અને અન્ય 6 અજાણ્યા ઈસમો મળી 7 શખ્સો સામે BNS 189(2), 352, 351(2), 115(2) કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ અતુલ કોલોનીમાં લૂંટ:સિક્યુરિટી ઓફિસર પર હુમલો કરાયો, LCBએ બે આરોપીઓને ઝડપી પાડ્યા, ત્રીજો ફરાર
વલસાડના અતુલ લિમિટેડ કંપનીની રિવર સાઈડ-1 કોલોનીમાં 30 જાન્યુઆરીની મધ્યરાત્રિએ લૂંટનો બનાવ બન્યો હતો. બંધ મકાનને નિશાન બનાવી લૂંટ ચલાવી ભાગી રહેલા ત્રણ લૂંટારુઓને પકડવા જતા કંપનીના સિક્યુરિટી વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ અમિતકુમાર પાંડે પર લાકડાના ફટકા વડે ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેમને માથામાં ગંભીર ઇજા અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. વલસાડ LCB પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, 30 જાન્યુઆરીની રાત્રે અમિતકુમાર પાંડે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રિવર સાઈડ-1 કોલોનીમાં રહેતા નિવૃત્ત કર્મચારી ત્રિલોક કુમાર કસવાલાના બંધ મકાનનું તાળું તોડી ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. લૂંટારુઓએ ઘરમાંથી ₹15,000 રોકડા અને આશરે 7 ગ્રામ વજનનું ₹33,500 કિંમતનું સોનાનું મંગળસૂત્ર મળી કુલ ₹39,000ની લૂંટ ચલાવી હતી. સિક્યુરિટી ટીમને જાળી કાપવાનો અવાજ સંભળાતા અમિતકુમાર અને અન્ય ગાર્ડ્સે લૂંટારુઓનો પીછો કર્યો. નદી કિનારે ઝાડીઓ પાસે એક લૂંટારુને પકડવાના પ્રયાસ દરમિયાન બીજા લૂંટારુએ પાછળથી આવી લાકડાના દંડાથી અમિતકુમારના માથા પર ફટકો માર્યો. આ હુમલામાં તેમને માથામાં ગંભીર ઇજા અને ડાબા હાથની હથેળીમાં ફ્રેક્ચર થયું. અન્ય ગાર્ડ્સને પણ ઇજાઓ પહોંચાડી આરોપીઓ અંધારાનો લાભ લઈ ફેન્સિંગ કૂદી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વલસાડ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ LCB ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા. ધરપકડ થયેલા આરોપીઓમાં કૃષ્ણદેવ ઉર્ફે કિશન પ્રકાશ મૌર્ય (રહે. થાણે, મૂળ ઉત્તર પ્રદેશ) અને કમલેશ ઉર્ફે કમલા ફોજદાર ચૌહાણ (રહે. મુંબઈ, મૂળ ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરવા તેમજ ત્રીજા ફરાર આરોપીની શોધખોળ માટે આગળની તપાસ ચલાવી રહી છે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે નારાજગી: ખેડૂતોએ કહ્યું- 'સરકારે ટ્રમ્પ સામે ઘૂંટણ ટેકવી દીધા'
India-US Trade Deal Controversy: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર સમજૂતી (Trade Deal) બાદ દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતને સરકાર અર્થતંત્ર માટે 'ગેમ-ચેન્જર' ગણાવી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂત સંગઠનોએ તેને ખેતી અને ડેરી સેક્ટર માટે વિનાશક ગણાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ: 'અમેરિકન સામ્રાજ્યવાદ સામે ઝૂકી સરકાર' 2020-21ના ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરનારા સંયુક્ત કિસાન મોરચા (SKM) એ આ સોદાની આકરી ટીકા કરી છે. સંગઠનનો દાવો છે કે અમેરિકન વસ્તુઓ પર ઝીરો ટકા આયાત ડ્યુટીની મંજૂરી આપીને સરકારે સ્થાનિક ખેડૂતોના હિતોને જોખમમાં મૂક્યા છે.
વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા અને ફોર્મ નંબર-7 (મતદારનું નામ કાઢી નાખવા અંગેની અરજી) ને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે વલસાડ કલેક્ટર કચેરી બહાર મીડિયા સાથે વાત કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે લોકોના મતાધિકાર છીનવી લેવાનું સુનિયોજિત કાવતરું રચાઈ રહ્યું છે. ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે વાંસદામાં મુસ્લિમ સમાજના અંદાજે 500 થી 600 આગેવાનો આવેદનપત્ર આપવા ગયા હતા, પરંતુ ત્યાંના પ્રાંત અધિકારીએ આવેદનપત્ર લેવાની પણ ના પાડી દીધી હતી. તેમણે આ વહીવટને સદંતર આપખુદશાહી ગણાવ્યો હતો. પટેલે વધુમાં આક્ષેપ કર્યો કે, ભાજપ દ્વારા લોકોના મત ચોરવાનું અથવા તેમને મતદાનના અધિકારથી વંચિત રાખવાનું કાવતરું ચાલી રહ્યું છે. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં 18 વર્ષની ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપ્યો છે, તેમ છતાં જન્મનો દાખલો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોવા છતાં અન્ય બિનજરૂરી દસ્તાવેજો માંગીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે પારદર્શિતાના અભાવ અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. અનંત પટેલે કહ્યું કે, ફોર્મ નંબર-7 હેઠળ કોણે વાંધા અરજીઓ કરી છે, તેનું લિસ્ટ આપવામાં પણ તંત્ર ગભરાઈ રહ્યું છે. આ મામલે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિમાંશુ સોલંકીએ વહીવટી તંત્રનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વલસાડ જિલ્લામાં ફોર્મ નંબર-7 ની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે ચાલી રહી છે. તંત્ર દ્વારા અપાયેલી વિગતો મુજબ, અત્યાર સુધીમાં 3016 જેટલા ફોર્મનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. કુલ 2,85,966 નોટિસ જનરેટ કરવામાં આવી હતી, જેમાંથી 2,53,431 નોટિસ મતદારોને પહોંચાડવામાં આવી છે અને તેમની સુનાવણી પણ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી અધિકારીએ ખાતરી આપી હતી કે કાયદાકીય જોગવાઈઓ અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચના નિર્દેશ મુજબ 13 પ્રકારના માન્ય પુરાવાઓના આધારે મતદાર યાદીમાં નામ દાખલ કે સુધારાની પ્રક્રિયા થાય છે. કોઈપણ સાચા મતદારનું નામ યાદીમાંથી બાકાત ન રહી જાય તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે. અનંત પટેલે ચીમકી ઉચ્ચારી છે કે મુસ્લિમ, આદિવાસી અને અન્ય કચડાયેલા વર્ગના લોકો, જેઓ વર્ષોથી ગુજરાતમાં વસે છે પણ તેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે, તેમના ન્યાય માટે આગામી દિવસોમાં કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર આપવામાં આવશે.
પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરામાં શબ-એ-બરાતના પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા (SP) હરેશ દુધાત અને તેમની ટીમ દ્વારા શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારો સહિત વિવિધ ભાગોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ સજ્જશબ-એ-બરાત દરમિયાન મુસ્લિમ સમાજના લોકો રાતભર જાગીને ખુદાની ઇબાદત કરતા હોય છે. આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી હરેશ દુધાત અને DySP બિંદ્રાબા જાડેજાની આગેવાનીમાં પોલન બજાર જેવા મુખ્ય વિસ્તારોમાં પોલીસ કાફલાએ ચક્રાવાવો લગાવ્યો હતો. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિકોમાં સુરક્ષાનો ભાવ જગાડવાનો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે જોવાનો હતો. કોમી એકતાનું ઉદાહરણઆ ફૂટ પેટ્રોલિંગની ખાસિયત એ રહી હતી કે તેમાં પોલીસ અધિકારીઓ સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેનો આ સમન્વય ગોધરામાં કોમી એકતા અને પરસ્પર વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સ્થાનિકો સાથે સંવાદપેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. અધિકારીઓએ પર્વની ગરિમા જળવાઈ રહે અને શાંતિ જળવાય તે રીતે ઉજવણી કરવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. પોલીસના આ આયોજનને સ્થાનિકોએ પણ આવકાર્યું હતું.
રાજ્ય સરકારની આજે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાવાની છે, જેમાં રાજ્યભરના વિકાસ કામોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને હજુ અધૂરા રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા અને જૂના બજેટમાં મંજૂર થયેલી ગ્રાન્ટના ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક સમીક્ષા થશે. બેઠક દરમિયાન અગાઉના બજેટની અમલવારી, વિવિધ વિભાગોમાં ખર્ચની સ્થિતિ તેમજ આગામી નવા બજેટ માટેના પ્રસ્તાવો અંગે વિગતવાર ચર્ચા થવાની છે. આ સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા નાણાં વિભાગ સાથે વિશેષ પરામર્શ પણ યોજાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા વિકાસલક્ષી યોજનાઓને ગતિ આપવા માટે મુખ્યમંત્રી તમામ વિભાગોને સ્પષ્ટ દિશાનિર્દેશ આપશે. પ્રાથમિક સુવિધાઓ જેમ કે રસ્તા, પાણી, વીજળી અને અન્ય આવશ્યક સેવાઓના કામો નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ખાસ ભાર મુકવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થવાની છે. શાંતિ, સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં અંગે પણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
છેલ્લા 6 મહિનાથી સોના-ચાંદીના ભાવ આસમાને આંબી રહ્યા છે. આ ભાવોને લઈ ઘણાં સમાજે તો સોના-ચાંદી આપવાની મર્યાદા નક્કી કરી લીધી છે. તેમાં પણ જેના ઘરે લગ્ન પ્રસંગ છે તેમના પર આર્થિક બોજ આવી રહ્યો છે. જેને કારણે લગ્ન પ્રસંગમાં સોના-ચાંદી આપવા કે નહીં એવી ચર્ચાઓ ચાલી છે. લગ્નમાં સોના-ચાંદી આપવા જોઈએ કે આ રિવાજ હટાવી દેવો જોઈએ તેને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓ સાથે વાતચીત કરી હતી. આ મંતવ્યો જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો.
રાજ્યમાં મહાનગર પાલિકાઓનું અને સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી વર્ષ 2026-27નું બજેટ રજૂ થવાનું છે. સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ આજે 4 ફેબ્રુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવશે. અંદાજિત 16 હજાર કરોડની આસપાસનું બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીના વર્ષનાં બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં નવા 8 જેટલા બ્રિજ બનાવવામાં આવશે. ખાસ કરીને કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને શહેરમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા ઉપર વધુ બજેટ ફાળવવામાં આવશે. ફ્લાય ઓવર અને રેલવે ઓવરબ્રિજની જાહેરાત કરાશેમ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે રજૂ કરનારા બજેટમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે ફ્લાય ઓવર અને રેલવે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવશે. ત્રણ જેટલા ફ્લાય ઓવરબ્રિજ અને પાંચ જેટલા રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવે છે, ત્યારે હેરિટેજ વારસાની જાળવણી કરવાની હોવાથી હેરિટેજ માટે પણ અલગથી બજેટ ફાળવવામાં આવશે જેમાં હેરિટેજ સ્થળોના નવીનીકરણ સાથે અનેક જાહેરાત થઈ શકે છે. શહેરમાં વધતા જતા એર પોલ્યુશનને ધ્યાનમાં રાખીને પણ હવા પ્રદુષણ નિયંત્રિત કરવા પાછળ બજેટમાં જોગવાઈ કરવામાં આવશે. બજેટમાં અનેક મોટી જાહેરાતો થઈ શકેએપ્રિલ 2026માં મહાનગરપાલિકાની ચૂંટણી હોવાના પગલે બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. શહેરીજનો માટે નવા વિસ્તારોમાં બજેટની વધુ ફાળવણી કરવામાં આવશે. નવા વિસ્તારોમાં પાણીની લાઈન, ડ્રેનેજ લાઈનો, વરસાદી પાણીના નિકાલની લાઈન, નવા ગાર્ડન, મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નવા રોડ સહિતની સુવિધાઓની ફૂલ ગુલાબી બજેટની જાહેરાત કમિશનર દ્વારા થશે. ચાલુ વર્ષે ચૂંટણી હોવાના કારણે નાગરિકો માટે કમિશનર દ્વારા બજેટમાં અનેક મોટી જાહેરાતો થઈ શકે છે જેમાં એક અઠવાડિયા બાદ ભાજપના સત્તાધીશો ચૂંટણીને ધ્યાનમાં રાખી પોતાની નવી સુવિધાઓના ઉમેરા સાથે બજેટને મંજૂરી આપશે.
લોકવાયકા છે કે જ્યારે મહિષાસુર નામના દૈત્યના ત્રાસથી ત્રણેય લોક ધ્રૂજી ઉઠ્યા હતા. દેવોની રક્ષા કાજે આદ્યશક્તિ અંબા પ્રગટ થયા. ભગવાન શિવે પોતાના ત્રિશૂળમાંથી એક દિવ્ય અંશ કાઢી માતાજીને અર્પણ કર્યો. અને એ જ અમોઘ શસ્ત્રથી જગતજનની મા અંબાએ મહિષાસુરનો સંહાર કરી અધર્મ પર ધર્મનો વિજય મેળવ્યો. લોકવાયકા મુજબ વધ કર્યા બાદ માતાએ તે દિવ્ય ત્રિશૂળ ઉત્તરકાશીની ધરતી પર સ્થાપિત કર્યું. જે આજે પણ અડીખમ છે. ત્યારે હવે એ જ દિવ્યતાનો સાક્ષાત્કાર માઇભક્તોને મા અંબાના ધામ અંબાજી ખાતે થશે. તાજેતરમાં જ અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા એક ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું કાર્ય કર્યું છે. ઉત્તરકાશી સ્થિત 1500 વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂળની પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત ત્રિશૂળિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરાયું છે. જેને આગામી 7 તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દર્શન માટે ખુલ્લુ મુકાશે. આ ત્રિશૂળ ઉત્તરકાશીમાં સ્થિત માતા જગદંબા દ્વારા સ્વયં સ્થાપિત કરાયેલા પ્રાચીન અને દિવ્ય શક્તિ ત્રિશૂળની પ્રથમ રેપ્લિકા છે. ઉત્તરકાશીનું મૂળ ત્રિશૂળ 18 ફૂટ ઊંચું છે અને સ્વયંભૂ છે. લોકવાયકા મુજબ મહિષાસુરનો વધ કરીને મહિષાસુર મર્દિની માં અંબાએ તે જગ્યા પર ત્રિશૂળ પ્રસ્થાપિત કર્યું હતું. તેનો અંત ક્યાં છે અને તે શેમાંથી બનેલું છે તે પણ કોઈને ખ્યાલ નથી. આવું અદભૂત ત્રિશૂળ ક્યાંય પણ પ્રસ્થાપિત નથી થયું. આ ત્રિશૂળને એવું જ આબેહૂબ ત્રિશૂળ બનાવવાનો પ્રયત્ન કરાયો છે. સાથે જ આધ્યાત્મિક મર્યાદાને ધ્યાને લઇ અંબાજીના ત્રિશૂળની ઊંચાઈ 16 ફૂટ રાખી છે. કારણ કે શાસ્ત્રોની મર્યાદા મુજબ મુખ્ય ત્રિશૂળ છે તેનાથી ક્યારેય મોટા ન થવાય, એટલે તેની માન-મર્યાદા જળવાય તે માટે 2 ફૂટ ઓછી ઊંચાઈ રાખાઇ છે. આ ત્રિશૂળના ઉપરના ભાગમાં ત્રણ શૂલ છે. આ શાકંભરી નવરાત્રિના મહિમાને પણ જોડે છે. તેમાં દાંતરડાનો ભાગ છે, માતાજીની તલવાર છે અને પરશુરામનો ફરસો પણ છે. એટલે કે આમાં એવું કોઈ શસ્ત્ર નથી જે નથી. આ શિવના ત્રિશૂળમાંથી નીકળેલું હોવાથી બધા જ શસ્ત્રોનો આમાં સમાવેશ થઈ જાય છે. ત્રિશૂળનું નિર્માણ અત્યંત જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈને ચાર ભાગમાં કરવામાં આવ્યું છે. તેને તૈયાર કરવા માટે અમદાવાદના વટવા GIDC સ્થિત અમદાવાદ એન્જિનિયર્સ ફેક્ટરીના 25 કુશળ માણસોએ સતત ચાર મહિના સુધી રાત-દિવસ અથાગ મહેનત કરી હતી.જેની ડિઝાઇન કેનેડામાં આઇટી નેટવર્કિંગનો અભ્યાસ કરતા વિવેક પટેલે 5 દિવસમાં તૈયાર કરી છે. ત્રિશૂળનું મહાત્મય અને આયુષ્ય જળવાઈ રહે તે માટે તેને ખાસ એસ.એસ. 316 મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. આ હાઈ-ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ હોવાને કારણે તેના પર આજીવન ક્યારેય કાટ લાગવાની સંભાવના નથી. ભવ્ય અને દિવ્ય ત્રિશૂળના માઇભક્તો દર્શન કરી શકે તે માટે ટૂંક સમયમાં જ તેને ખુલ્લુ મુકાશે. ત્યારે આ અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને તે વિચારને સાકાર કરવા માટે જય ભોલે ગ્રુપ તરફથી શું શું કરવામાં આવ્યું તે જાણવા દિવ્ય ભાસ્કરે જય ભોલે ગ્રુપના દીપેશ પટેલ સાથે વાતચીત કરી હતી. દીપેશ પટેલ કહે છે કે આજથી ત્રણેક વર્ષ પહેલાં મેં ઉત્તરકાશીમાં માતા જગદંબા પાસે અખંડ શક્તિ ત્રિશૂળ જોયું હતું. ત્યારે મનમાં થયું હતું કે ખરેખર આને જ ત્રિશૂળ કહેવાય. મેં કુતૂહલવશ ત્યાંના મહારાજને મળીને ત્રિશૂળ વિશે જાણ્યું હતું. ત્યારે મહારાજ સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, ભગવાન શંકરે માં જગદંબાને મહિષાસુરનો વધ કરવા માટે આ ત્રિશૂળ આપ્યું હતું. જે 1500 વર્ષ જૂનું છે. ‘મેં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાથે અંબાજી ત્રિશૂળિયા ઘાટ ખાતે ત્રિશૂળની સ્થાપના કરવાની વાત કરી હતી. મંજૂરી મળતાં જ અમારી ટીમ 2જી સપ્ટેમ્બરના રોજ ઉત્તરકાશી ગઈ હતી અને ત્યાં સ્કેનરથી અખંડ શક્તિ ત્રિશૂળ સ્કેન કરી તેની રેપ્લિકા તૈયાર કરી. ’ ‘આબેહૂબ બનાવવા માટે બાય-કાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કર્યો’ ‘પરંતુ તેમાં સફળતા ન મળી એટલે મેં કેનેડામાં રહેતો મારો પુત્ર વિવેક જે આઇટી નેટવર્કિંગનો અભ્યાસ કરી રહ્યો છે, તેને વાત કરી હતી. તેણે સતત પાંચ દિવસ મહેનત કરીને આબેહૂબ ડિઝાઇન તૈયાર કરી દીધી. આ ડિઝાઇનના આધારે અમદાવાદ વટવા જીઆઇડીસીમાં આવેલી અમદાવાદ એન્જિનિયર્સ ફેક્ટરીમાં 25 લોકોની ટીમે કામ શરૂ કર્યું હતું. સતત ચાર મહિના સુધી મહેનત કરીને આ ત્રિશૂળ તૈયાર કરવામાં આવ્યું હતું.ઉત્તરકાશીના ત્રિશૂળની તેની આબેહૂબ રેપ્લિકા બનાવવા માટે બાય-કાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કર્યો અને પેટર્ન ક્રિએટ કર્યા.’ તેઓ વધુમાં જણાવે છે કે સ્ટ્રક્ચરની ડિઝાઇન મુજબ તેનું વજન આશરે 600 કિલો રાખ્યું છે. 16 ફૂટ ઊંચાઈ હોવાથી તેને કુલ ચાર ભાગમાં વેલ્ડિંગ કરીને બનાવવું પડ્યું છે. 16 ફૂટની ઊંચાઈ ધરાવતું આખું ત્રિશૂળ એકસાથે કાસ્ટ કરવું શક્ય નહોતું. તેથી અમે તેને ચાર અલગ-અલગ ભાગમાં તેની પેટર્ન બનાવીને પછી મશીનિંગ અને વેલ્ડિંગ દ્વારા જોડ્યું છે. ‘બેઝ જેટલો મજબૂત હોય તેટલું તેને ઉપર સ્ટ્રેન્થ મળે’ ‘તેની વિશેષતા એ છે કે તેમાં ક્યાંય પણ વેલ્ડિંગ દેખાશે નહીં. પૂરેપૂરું મશીનિંગ કરીને પ્રોપર રીતે અખંડ શક્તિ ત્રિશૂળ એક જ ભાગમાં હોય તેમ બનાવવામાં આવ્યું છે. નીચેનો બેઝ મોટો અને મજબૂત છે કારણ કે જ્યારે કોઈ પણ વસ્તુ ઊંચાઈ પર જાય ત્યારે નીચેનો બેઝ જેટલો મજબૂત હોય તેટલું તેને ઉપર સ્ટ્રેન્થ મળે છે.’ 'આખેઆખું ત્રિશૂળ એસ.એસ. 316 મટીરીયલથી બનેલું છે, જે સ્ટેનલેસ સ્ટીલ હોવાથી તેના પર ક્યારેય કાટ લાગશે નહીં. અમે લાઈફ ટાઈમ ટકી રહે તેવું મટીરીયલ યુઝ કર્યું છે. તેને પી.વી.ડી. (PVD) કોટિંગ કહે છે, જે લેટેસ્ટ ટેકનોલોજી છે. સ્ટેનલેસ સ્ટીલ પર ગોલ્ડન લુક આપવા માટે કિંમતી ઘડિયાળોમાં જેવું કોટિંગ થાય છે તેવું જ અહીં કરવામાં આવ્યું છે. તેને 20-25 વર્ષ સુધી કંઇ જ થતું નથી.' અકસ્માતો ઓછા થાય તેવા ભાવથી ત્રિશૂળિયા ઘાટ પર સ્થાપિત ત્રિશૂળિયા ઘાટ પર સ્થાપનાનો વિચાર કેવી રીતે આવ્યો આ અંગે તેમણે કહ્યું કે અમે શૃંગેરી મઠના શંકરાચાર્યજી પાસે ગયા હતા ત્યારે તેમણે પણ પૂછ્યું હતું કે અહીં જ કેમ? અમે તેમને સમજાવ્યું હતું કે ત્રિશૂળિયા ઘાટ પર ત્રિશૂળ નથી અને ત્યાં અકસ્માતોનું પ્રમાણ વધુ છે. લોકોની સુખાકારી વધે અને અકસ્માતો ઓછા થાય તેવા ભાવથી તેમણે અમને પૂજનના અક્ષત (ચોખા) આપ્યા હતા, જે મૂકીને અમે કામ શરૂ કર્યું હતું. ‘ત્રિશૂળ બનાવ્યા પછી કલેક્ટરે ઉદ્ઘાટન કર્યું અને પાંચ દિવસ સુધી ભક્તોને દર્શન કરાવાયા હતા. ત્યારબાદ 26મી જાન્યુઆરીએ તેને આઇસર ગાડીમાં ત્રિશૂળિયા ઘાટ પર લઈ જવામાં આવ્યું. અને ક્રેઈનની મદદથી માત્ર 10થી 15 મિનિટમાં તેને ફાઉન્ડેશન પર પ્રસ્થાપિત કરી દીધું હતું.’ અમદાવાદમાં વટવા ખાતે દર્શન કરવા માટે મૂકાયેલા ત્રિશૂળની બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર જતીન પટેલે પૂજા વિધિ કરી હતી. આ ત્રિશૂળને અંબાજીના ત્રિશૂળિયા ઘાટ ખાતે સ્થાપિત કરાયું છે અને 7મી તારીખે દર્શન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવશે. વટવા ખાતે દર્શનાર્થે આવેલા બનાસકાંઠા જિલ્લાના કલેકટર મિહિર પટેલે આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, પાલનપુર અને દાંતાના રસ્તે આવતો પવિત્ર ત્રિશૂળિયા ઘાટ પગપાળા આવતા માઈભક્તો માટે ઘણો દુર્ગમ રહ્યો છે. અહીં અકસ્માતોની અડચણો આવતી હોય છે. આ સ્થળની વિશેષતા જાળવવા ઉત્તરકાશીમાં સ્થિત 1500 વર્ષથી વધુ જૂના ત્રિશૂળની પ્રતિકૃતિ અહીં પ્રસ્થાપિત કરવાનો વિચાર જય ભોલે ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ 16 ફૂટનું ત્રિશૂળ અંબાજી શક્તિપીઠમાં શક્તિ ઉપાસકો માટે આસ્થાનું વધુ એક કેન્દ્ર બનશે. આ ગ્રુપ અંબાજી ટ્રસ્ટ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલું છે. વડાપ્રધાનના હસ્તે સ્થાપિત શ્રી યંત્ર બાદ આ તેમનું બીજું મોટું અને પ્રશંસનીય કાર્ય છે. ‘ત્રિશૂળની સ્થાપનાથી તે એક પવિત્ર દર્શનના સ્થળ તરીકે ઉભરી આવશે’ વટવા ખાતે દર્શનાર્થે આવેલા અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલે જણાવ્યું હતું કે, આજે જ્યારે ટેકનોલોજી અને મોબાઈલનો યુગ છે, ત્યારે અંબાજીના ગૌરવશાળી ઇતિહાસ અને મહિષાસુર મર્દિનીની કથાને લોકો સુધી પહોંચાડવામાં આ નવીન પ્રકલ્પ મહત્વનો સાબિત થશે. જે સ્થળ અગાઉ 'અકસ્માત ઝોન' તરીકે જાણીતું હતું, ત્યાં હવે આ દિવ્ય ત્રિશૂળની સ્થાપના થવાથી તે એક પવિત્ર દર્શનના સ્થળ તરીકે ઉભરી આવશે. ‘અમે દરેક માઈભક્તોને આમંત્રણ આપીએ છીએ’ દીપેશભાઈ પટેલે અંતમાં ભાવુક થઈને જણાવ્યું કે અમે માતાજીનું આ કાર્ય ગ્રહો, નક્ષત્રો અને મુહૂર્તને આધીન જ કર્યું છે. જે રીતે આપણે ગાડી પણ મુહૂર્તમાં લઈએ તેમ આ પવિત્ર કાર્યમાં પણ નક્ષત્રોનું ધ્યાન રાખ્યું છે. જે ભક્તો ઉત્તરકાશી જઈ શક્યા નથી, તેમને હવે અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર તે જ શક્તિશૂળના દર્શનની અનુભૂતિ થશે. દરેકને પાપમાંથી મુક્તિ મળે અને આના દર્શન કરવાથી પુણ્યમાં વધારો થાય તેવા ભાવ સાથે અમે દરેક માઈભક્તોને આમંત્રણ આપીએ છીએ.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી સાથે જોડાયેલા રહ્યા. કોર્ટે કહ્યું કે જેમને બેટ પકડતા નથી આવડતું, તેઓ ક્રિકેટ સંઘમાં છે. બીજા મોટા સમાચાર ભારત-US ડીલની અસરના રહ્યા. આના કારણે માર્કેટ વધ્યું અને રૂપિયો મજબૂત થયો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભાજપ અધ્યક્ષ નીતિન નબીન તેલંગાણાના મહેબૂબનગરમાં રેલી કરશે. 2. પશ્ચિમ બંગાળમાં SIR અભિયાન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. લોકસભામાં રાહુલની સ્પીચ પર સતત બીજા દિવસે પણ હોબાળો:નરવણે પર આર્ટિકલ દેખાડ્યો, તો સ્પીકરે રોક્યા; પેપર ઉછાળનારા 8 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર સતત બીજા દિવસે હંગામો થયો. રાહુલે મંગળવારે બપોરે 2 વાગ્યે પૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત પુસ્તકના આર્ટિકલને સદનમાં રજૂ કર્યો અને કહ્યું- મને બોલવા દેવામાં આવે. તેમના આમ કહેતા જ NDAના સાંસદોએ તેમને ટોકવાનું શરૂ કરી દીધું. આજે તેઓ 14 મિનિટ સુધી બોલવાનો પ્રયત્ન કરતા રહ્યા. રાહુલે કહ્યું- 'મને પરવાનગી આપવામાં આવી રહી નથી. મને બોલવા દેવામાં નથી આવી રહ્યો. હું વિરોધ પક્ષનો નેતા છું. મેં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. હું બસ જણાવી રહ્યો છું કે ચીન-ભારત વચ્ચે શું થયું. પૂર્વી લદ્દાખમાં આપણા સૈનિકો શહીદ થયા.' વાંચો સંપૂર્ણ સમાચાર 2. અમેરિકી ટ્રેડ ડીલ પર સરકારનું પહેલું નિવેદન: કહ્યું- એન્જિનિયરિંગ, કાપડ અને જ્વેલરી ઉદ્યોગને ફાયદો; ટ્રમ્પનો આભાર, તેમણે દોસ્તીનું માન રાખ્યું અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર ભારત સરકારનું પહેલું નિવેદન આવ્યું છે. મંગળવારે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મીડિયાને જણાવ્યું કે આ ડીલથી કોઈના હિતો સાથે સમાધાન કરવામાં આવ્યું નથી. બંને દેશો આ ડીલ પર ટૂંક સમયમાં સંયુક્ત નિવેદન બહાર પાડશે. આ એક એવી ડીલ છે, જેના પર દરેક ભારતીયને ગર્વ થશે. તેમણે કહ્યું કે PM મોદીએ હંમેશા કૃષિ અને ડેરી બંને ક્ષેત્રોને ટેકો આપ્યો છે, તેમના હિતોનું રક્ષણ કર્યું છે. જે લોકો અલગ-અલગ ક્ષેત્રોમાં રોકાણ કરવા માગે છે, ખાસ કરીને એવા ક્ષેત્રો જેમાં વધુ મહેનત લાગે છે અને જે લાખો લોકોને રોજગાર આપે છે. બધા આનાથી ઉત્સાહિત છે. ગોયલે કહ્યું કે આ ડીલ કરવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર, તેમણે PM મોદીની મિત્રતાનું સન્માન કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર… 3. SCએ કહ્યું- જેમને બેટ પકડતા નથી આવડતું, તેઓ ક્રિકેટ સંઘમાં:રમતની ઓળખ માત્ર ખેલાડીઓથી; મહારાષ્ટ્ર એસોસિએશનની ચૂંટણી પરથી સ્ટે હટાવવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે ક્રિકેટ અને અન્ય રમતગમત સંઘોના સંચાલન પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે રમતગમત સંસ્થાઓનું નેતૃત્વ એવા લોકોના હાથમાં હોવું જોઈએ, જેઓ રમતને સમજતા હોય. ક્રિકેટ સંઘોમાં નિવૃત્ત ક્રિકેટરોને સ્થાન મળવું જોઈએ, ન કે એવા લોકોને જેમને બેટ પકડતા પણ નથી આવડતું. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના તે આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA)ની ચૂંટણી પર રોક લગાવવામાં આવી હતી. આ ચૂંટણી 6 જાન્યુઆરીએ યોજાવાની હતી, પરંતુ તેમાં ભાઈ-ભત્રીજાવાદ અને પક્ષપાતના આરોપો લાગ્યા હતા. CJIએ MCAમાં અચાનક સભ્યો વધવા પર સવાલ ઉઠાવ્યો સુનાવણી દરમિયાન CJIએ MCAની સભ્યપદમાં અચાનક થયેલા વધારા પર સવાલ ઉઠાવ્યો. કોર્ટે રેકોર્ડનો હવાલો આપતા કહ્યું કે 1986થી 2023 સુધી એસોસિએશનમાં 164 સભ્યો હતા, પરંતુ ત્યારબાદ અચાનક મોટી સંખ્યામાં નવા સભ્યો ઉમેરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર… 4. યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના 13મા CM બનશે:ભાજપના ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા; રાષ્ટ્રપતિ શાસન 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે ભાજપના નેતા યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના 13મા મુખ્યમંત્રી હશે. મંગળવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. હવે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે. ભાજપના સૂત્રો અનુસાર, કુકી-જો સમુદાયને સંતુષ્ટ કરવા માટે 10 કુકી ધારાસભ્યોમાંથી એકને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવી શકે છે. આ દરમિયાન મણિપુરના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે નિયુક્ત કેન્દ્રીય નિરીક્ષકો તરુણ ચુગ, સંબિત પાત્રા અને મણિપુરના પૂર્વ સીએમ બીરેન સિંહ પણ હાજર રહ્યા હતા. મણિપુરથી NDAના લગભગ 20 ધારાસભ્યો રવિવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે અન્ય ધારાસભ્યો સોમવારે કેન્દ્રીય નેતૃત્વના નિર્દેશ પર રાજધાની પહોંચ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સેન્સેક્સમાં 2,073 પોઈન્ટની તેજી, કારણ-ટ્રમ્પે ટેરિફ ઘટાડ્યા:83,739 પર બંધ, નિફ્ટીમાં પણ 639 પોઈન્ટનો ઉછાળો; અદાણીના શેર 11% સુધી વધ્યા 3 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં તેજી રહી. સેન્સેક્સ 2073 પોઈન્ટ (2.54%) વધીને 83,739 પર બંધ થયો. નિફ્ટી પણ 639 પોઈન્ટ (2.55%) વધીને 25,728 પર બંધ થયો. ટ્રમ્પે ભારત પરના ટેરિફ 50% થી ઘટાડીને 18% કર્યા, જેના કારણે બજારમાં તેજી રહી. રિયલ્ટી, મેટલ અને ફાર્માસ્યુટિકલ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 4.79% વધ્યો. સેન્સેક્સના 30 શેરમાંથી 28 શેરમાં તેજી રહી. નિફ્ટીના 50 શેરોમાંથી 46 શેરો વધીને બંધ થયા. બજેટમાં સ્પેશિયલ ટેક્સ (STT) ટેક્સમાં વધારાની જાહેરાત થયા પછી 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1,546 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. 2 ફેબ્રુઆરીએ, સેન્સેક્સ 943 પોઈન્ટ વધીને 81,666 પર બંધ થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ચાર મહાનગરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે:સુરતમાં સૌથી વધુ 225 AQI નોંધાયો, સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું રાજ્યના ચાર મોટા શહેરોમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં નોંધાયેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડાઓ અનુસાર રાજ્યના મુખ્ય મહાનગરોમાં હવા સ્વચ્છતા માપદંડથી ઘણી નીચે પહોંચી ગઈ છે, અને સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જે સામાન્ય જનતા માટે ચિંતાજનક સ્થિતિ સર્જે છે. અમદાવાદમાં AQI 186 નોંધાયો છે, જે ‘મધ્યમથી ખરાબ’ શ્રેણીમાં આવે છે. આ સ્તરની હવા લાંબા સમય સુધી શ્વાસમાં લેતાં શ્વાસનળી સંબંધિત તકલીફો, આંખોમાં બળતરા અને એલર્જી જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શ્વાસના રોગોથી પીડાતા લોકો માટે આ પરિસ્થિતિ જોખમરૂપ બની શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. યુવકને મોત આપ્યા બાદ પણ છરી-લાતો મારતો રહ્યો, CCTV:રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં ધોળા દિવસે છરીના 7 ઘા ઝીંકી ખૂની ખેલ, હત્યારો બાઇક પર ફરાર રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે એક લોહિયાળ હત્યાની ઘટના સામે આવી છે. આશરે 40થી 45 વર્ષની ઉંમરના એક યુવાનને છરીના અનેક ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં અજાણ્યો શખસ યુવકને મારતો નજરે પડે છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : એર ઇન્ડિયા ડ્રીમલાઇનરના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની તપાસ શરૂ:ગઈકાલે લંડન-બેંગલુરુ વિમાનની સ્વીચ લોક થઈ રહી નહોતી; પ્લેનની ઉડાન પર પ્રતિબંધ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રશિયાને ટ્રમ્પના દાવા પર વિશ્વાસ નથી:કહ્યું- ભારતે તેલની ખરીદી રોકવા અંગે કંઈ કહ્યું નથી, અમે ટ્રમ્પના નિવેદનનો અર્થ સમજી રહ્યા છીએ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાહુલ-પ્રિયંકા ખભે હાથ નાખીને સંસદ પહોંચ્યા:કોંગ્રેસના સાંસદે 'યાર' કહ્યું તો પીઠાધિકારી કૃષ્ણા પ્રસાદ ભડક્યા, વિપક્ષે બે વાર સ્પીકર પર કાગળો ફેંક્યા; મોમેન્ટ્સ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નોર્વેની ક્રાઉન પ્રિન્સેસે જાતીય અપરાધીને સ્વીટહાર્ટ કહ્યું:એપસ્ટીન ફાઇલોમાં 1000 વખત નામ આવ્યું; દીકરો બળાત્કાર સહિત 38 કેસોમાં આરોપી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ફરી ચમકી, ત્રણ દી ભાવ ઘટ્યા પછી વધ્યા:કિલોએ 17,000નો વધારા સાથે 2.53 લાખ થયા, 4 લાખે પહોંચ્યા પછી જોરદાર કડાકો બોલ્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T20 વર્લ્ડકપનો કેપ્ટન્સ ડે બે શહેરોમાં યોજાશે:મુંબઈમાં 12 અને કોલંબોમાં 8 ટીમના કેપ્ટન ભાગ લેશે, ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : હોળી પર દુર્લભ સંયોગ: ભદ્રા અને ચંદ્રગ્રહણ એકસાથે:ગ્રહણના 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ; શુભ કાર્યો અને મંદિર દર્શન વર્જિત વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ગાય ખરીદવા ગયેલા શખ્સના જબરદસ્તી લગ્ન બિહારના ખગડિયામાં યુવકને ગાય ખરીદવાના બહાને બોલાવવામાં આવ્યો. ગામમાં પહોંચતા જ કેટલાક લોકોએ તેને બંધક બનાવી લીધો અને હથિયારના જોરે જબરદસ્તી લગ્ન કરાવી દીધા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. નાનાભાઈનું અકસ્માતમાં મોત, મોટોભાઈ ગુમ અને ઘેરાતું રહસ્ય: પિતાએ પોલીસને કહ્યું, અંતિમવિધિ પછી બધું કહીશ; જીપના માલિકે પૂછપરછમાં વટાણા વેરી દીધા 2. મોદી જ નહીં, નહેરુના જમાનાથી સેના સાથે વિવાદ ચાલે છે: પૂર્વ એડમિરલે પુસ્તક લખ્યું ને રક્ષામંત્રીએ ખુરસી ગુમાવી; વાંચો નરવણેના પુસ્તક અને સરકાર-સેના વચ્ચેના તણાવના કિસ્સા 3. ‘બજરંગ દળથી પરિવાર ડર્યો, દીકરીની શાળા છૂટી’: મુસ્લિમ દુકાનદારને સપોર્ટ કરનારા ‘મોહમ્મદ દીપક’નું જિમ બંધ, બજરંગ દળે કહ્યું, ટાર્ગેટ પર છો 4. Editor's View: 32 મિનિટમાં જ અમેરિકા ઘૂંટણિયે: મોદી માટેના ટ્રમ્પના શબ્દો સાચા પડ્યા, એક ફોનમાં રાતોરાત ખેલ પડી ગયો, જાણો ટ્રેડ ડીલ અને તમારા નફા-નુકસાનની વાત કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: કર્ક રાશિનો દિવસ આર્થિક દૃષ્ટિએ ભાગ્યશાળી રહેશે, વૃશ્ચિક જાતકોના મિલકત સંબંધિત વિવાદો ઉકેલાશે વાંચો સંપૂર્ણ રાશિફળ
ઉત્તર ગુજરાતના 260થી વધુ સરપંચોની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે આયોજિત ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સ્તરે પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે કામ કરવા સરપંચોને આહ્વાન કર્યું હતું. ગ્રામ વિકાસને દેશના વિકાસનો પાયો ગણાવી તેમણે વિકસિત ગ્રામથી વિકસિત ભારતની દિશામાં જોડવા અપીલ કરી હતી. ગાંધીનગર વિધાનસભામાં ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી ના 260થી વધુ સરપંચોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે,ગામડાં દેશના વિકાસનો પાયો છે. અને સરપંચોએ સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રથી જનશક્તિને જોડવી જરૂરી છે.તેમણે જાહેરહિતના કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન ચાલે તેમ સ્પષ્ટ કર્યું અને સેચ્યુરેશન એપ્રોચથી 100 ટકા લક્ષ્યાંક સાથે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી. શંકર ચૌધરીએ ગ્રામસભામાં લોકભાગીદારી વધારવા અને ગ્રામ સચિવાલયના મંત્રને સાકાર કરવા પર ભાર મૂક્યો હતો. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને ગામડાની વિકાસ યાત્રામાં પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે જાહેરહિતના કામોમાં બાંધછોડ નહીં ચાલે તે નિશ્ચિત કરવા, યુવાનોને જોડવા અને ટેક્નોલોજી દ્વારા સેવાઓ પહોંચાડવા જણાવ્યું હતું.અને સરપંચોને યોજનાઓનો લાભ ગામજનો સુધી પહોંચાડવાની જવાબદારી યાદ અપાવી.
મતદાર યાદી સુધારણા:હાલ ડોક્યુમેન્ટનહીં લેવાય,17 ફેબ્રુઆરીથી ફરી શરૂ
મતદાર યાદી સુધારણા કામગીરી હાલ મામલતદાર કચેરીમાં મતદારો માટે આટોપી લેવાઈ છે.અને સ્થાનિક તંત્ર મતદારયાદી પ્રસિદ્ધ કરવાની કામગીરીમાં લાગ્યું છે. 30 તારીખ બાદ વાંધા સૂચનો અને ડોક્યુમેન્ટ લેવાનું મામલતદાર કચેરી દ્વારા બંધ થયુ છે જે હવે 17 ફેબ્રુઆરીએ નવી મતદાર યાદી જાહેર થયા બાદ ફરી ડોક્યુમેન્ટ લેવાનું શરૂ કરાશે. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના 7 હજાર લોકોને ફરી નોટિસો પાઠવી ચાર ફેબ્રુઆરીએ હાજર રહેવા જણાવ્યું છે. મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા અંતર્ગત જિલ્લામાં ચાલી રહેલી કામગીરી અંતર્ગત 30 તારીખ બાદ મામલતદાર કચેરી દ્વારા વાંધા સૂચનો તેમજ ડોક્યુમેન્ટ સ્વીકારવાની પ્રક્રિયા અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે. હાલ મતદારો તરફથી રજૂ થતા દસ્તાવેજો લેવામાં આવતા નથી, જેને લઈને અનેક લોકોમાં ગૂંચવણ જોવા મળી રહી છે. શહેરના ઢુંઢિયાવાડી વિસ્તારમાંથી આવેલા એક સ્થાનિકે જણાવ્યું કે ડોક્યુમેન્ટ્સ મળતા નહોતા એટલે જમા કરાવવામાં વિલંબ થયો છે. આજે જ્યારે અહીં મામલતદાર કચેરીમાં.. અનુસંધાન પાન-3
ઘોડો ભડકતા વરરાજા નીચે પટકાયા:વરઘોડામાં ફટાકડાના અવાજથી ઘોડો બેકાબૂ બનતાં વરરાજા નીચે પટકાયા
બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં વરઘોડા દરમિયાન ફટાકડાના અવાજથી ઘોડો ભડકતા વરરાજા નીચે પટકાયા હતા. જેમને આંતરડાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી આ ઘટનાને પગલે લગ્ન પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ધામધૂમથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. વરરાજા પરંપરાગત સાફા અને શેરવાની પહેરીને ઘોડે ચડીને જાન લઈને નીકળ્યા હતા. ઢોલ-નગારાના તાલે સંબંધીઓ નાચી રહ્યા હતા અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડાના જોરદાર અવાજથી ઘોડો અચાનક ભડક્યો હતો. ઘોડાએ છલાંગ લગાવતા વરરાજા સંતુલન ગુમાવી બેઠા હતા અને સીધા નીચે પટકાયા હતા. વરરાજાને પેટના ભાગે સખત દુખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, પટકાવાને કારણે આંતરડામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે આંતરિક રક્તસ્ત્રાવ થવાની ભીતિ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાથી જે ઘરમાં ગીતો ગવાતા હતા અને મહેમાનોની ચહેલપહેલ હતી, ત્યાં હવે સન્નાટો વ્યાપી ગયો છે. જાન લઈને નીકળવાની તૈયારીઓ વચ્ચે વરરાજા હોસ્પિટલના બિછાને પહોંચતા પરિવારજનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. કન્યા પક્ષે પણ સમાચાર મળતા શોકનું મોજું ફરી વળ્યું હતું. બંને પક્ષોની સહમતીથી હાલ લગ્નની તમામ વિધિઓ અટકાવી દેવામાં આવી છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:માલણ દરવાજા વિસ્તારમાં ગેસ ગળતરની ઘટના પછી તંત્રએ ગંભીર નોંધ લીધી નથી
પાલનપુરમાં બે વર્ષ અગાઉ માલણ દરવાજા વિસ્તારમાં આવેલા ભંગારવાડામાં ગેસ કટર માટે ઉપયોગમાં લેવાતા એસિટિલિન ગેસની બોટલ લીકેજ થતાં 100થી વધુ લોકોને અસર થઇ હતી. જે પછી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ત્રણ ભંગારવાડા શહેરથી દૂર ખસેડી દેવાયા હતા. તેમજ અન્ય 10 ભંગારવાડા ખસેડવા માટે આદેશ કરાયો હતો. દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા આ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેતાં વર્તમાન સમયે માલણ દરવાજા વિસ્તારમાં પોલીટેકનિક કોલેજ સ્ટેન્ડની બાજુમાં, સ્મશાનની સામે, માલણ દરવાજા ચોકડીની સામે, મીરા દરવાજા કબ્રસ્તાનની બાજુમાં, જનતાનગર ચાર રસ્તાની બાજુમાં તેમજ હાઇવે એરોમા ફેકટરી નજીક ગેરકાયદે ભંગારવાડા જોવા મળી રહ્યા છે. જ્યાં પુન: હોનારતથી લોકો મુશ્કેલીમાં મુકાય તે પહેલા ભંગારવાડા દૂર કરવા જોઇએ તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે. રહેણાંક મકાનોથી 500 મીટર, શહેરથી 1 કિ.મી. દૂર ભંગારવાડો રાખવાનો નિયમ સામાન્ય રીતે ભંગારવાડો રહેણાંક વિસ્તારથી ઓછામાં ઓછું 500 મીટર અને શહેરની મ્યુનિસિપલ હદથી લગભગ 1 કિલોમીટર દૂર હોવો જોઈએ એવી માર્ગદર્શિકા અમલમાં છે. સ્કૂલ, હોસ્પિટલ અને બજાર જેવી સંવેદનશીલ જગ્યાથી પણ યોગ્ય અંતર રાખવું જરૂરી છે. ભંગારવાડામાં ગેસ સિલિન્ડર, ઓઇલ, વાહન કટિંગ કે વેલ્ડિંગ થતું હોય તો દુર્ઘટનાનો ખતરો વધારે રહે છે. આ કારણે મ્યુનિસિપાલિટી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી પણ ફરજિયાત છે. :> બિપીન ઠાકોર (નિવૃત નાયબ મામલતદાર, પાલનપુર) ભંગારવાડા દૂર થશે: પ્રમુખ પાલનપુર શહેરમાં જે ગેરકાયદે ભંગારવાડા છે તે જમીન સીટી મામલતદાર કચેરી દ્વારા શ્રી સરકાર થયેલી છે. જેથી પાલિકા સીધી કાર્યવાહી કરી શકતી નથી. મામલતદાર અધિકારીના આદેશથી ભંગારવાડા શહેરથી દૂર ખસેડવામાં આવશે. > ચિમનભાઇ સોલંકી ( પ્રમુખ, પાલિકા,)
3 વર્ષમાં બનાસકાંઠા તથા વાવ-થરાદ જિલ્લાઓમાંથી 28,290 કેન્સરના દર્દીઓએ સરકારી આરોગ્ય કાર્ડ હેઠળ સારવાર લીધી હોવાનું સત્તાવાર ક્લેમ ડેટા પરથી સામે આવ્યું છે. આ સારવાર માટે સરકાર દ્વારા પાલનપુર, મહેસાણા અને અમદાવાદની વિવિધ કેન્સર હોસ્પિટલને કુલ 50.66 કરોડ રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા છે. પાલનપુર જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ આપેલી વિગતો અનુસાર વર્ષ 2024માં બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના 11,513 દર્દીઓ નોંધાયા હતા. પાલનપુર મહેસાણા અને અમદાવાદમાં સારવાર દરમિયાન 21.36 કરોડ રૂપિયા ચૂકવાયા છે. જ્યારે 2023માં 9,318 દર્દીઓએ કેન્સરની સારવાર લીધી હતી. જે માટે સરકારે ખાનગી હોસ્પિલોને 16.44 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. 2025માં 5,024 કેસ સામે 8.82 કરોડ, જ્યારે છેલ્લા 2 મહિનામાં જ 2,435 દર્દીઓ માટે 4.01 કરોડ રૂપિયા ખર્ચાયા છે. કુલ મળીને ત્રણ વર્ષમાં 28,290 દર્દીઓ કેન્સરના નોંધાયા છે. જેની સામે સરકાર પર 50.66 કરોડ રૂપિયાનો ભાર પડ્યો છે.આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કેટલીક ખાનગી વીમા કંપનીઓ કેન્સર માટે અલગ કાર્ડ કે પોલિસી વેચીને લોકો પાસેથી રકમ વસૂલતી હોવાની હકીકત સામે આવી રહી છે. જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આયુષ્માન યોજના હેઠળના કાર્ડમાં જાહેર આરોગ્ય યોજનાઓમાં કેન્સર સહિતની ગંભીર બીમારીઓનો સમાવેશ પહેલેથી જ કરવામાં આવ્યો છે. જાણકારીના અભાવે ઘણા લોકો ખાનગી કંપનીઓના લોભામણા વચનોમાં આવી બેવડો ખર્ચ કરે છે.
બસમાં અંતરિક્ષ સિદ્ધિઓનું જીવંત પ્રદર્શન:ચંદ્રયાન, મંગળયાન સિસ્ટમની રેપ્લિકાએ આકર્ષણ જમાવ્યું
વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતી) ગુજરાત યુનિટ અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના સહયોગથી સ્પેસ ઑન વ્હીલ્સ’ નામનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ એક અત્યાધુનિક બસને ફરતા વિજ્ઞાન મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી છે, જે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનના દ્વાર ખોલશે. આ બસની અંદર પ્રવેશતા જ વિદ્યાર્થીઓને ભારતની ગૌરવશાળી સ્પેસ જર્ની જોવા મળે છે. જેમાં મિશન મોડલ્સ : ચંદ્રયાન, મંગળયાન અને ભવિષ્યના ગગનયાન મિશનના મોડલ્સ, રોકેટ ટેક્નોલોજી : GSLV, PSLV અને HRLV જેવા લોન્ચ વ્હિકલની પ્રતિકૃતિઓ. સેટેલાઈટ સિસ્ટમ: ભારતની પોતાની GPS સિસ્ટમ નાવિક અને પ્રથમ સંચાર ઉપગ્રહ એપલની માહિતી. જેમાં શિક્ષણ અને ઊર્જાનો સમન્વય કરાયો હતો. માત્ર સ્પેસ જ નહીં, પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની ટોય-વાન પણ આ પ્રદર્શનનો ભાગ છે, જે રમકડાં દ્વારા શિક્ષણ (Play-way method) પૂરું પાડે છે. સાથોસાથ, ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA)ની બસ દ્વારા સોલાર એનર્જી અને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોના ઉપયોગ વિશે સમજણ આપી ઉર્જા બચતનો સંદેશ ફેલાવવામાં આવે છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાડવી અને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. ગ્રામ્ય સ્તરે જ્યાં સંસાધનોની અછત છે, ત્યાં આ લેબ ઓન વ્હીલ્સ વિજ્ઞાનને સુલભ બનાવી રહી છે.
ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:હળવદ APMC ચેરમેનના નામે 50થી વધુમતદારોના નામ કમી કરવા ફોર્મ-7 ભરાયું
ૉધ્રાંગધ્રાના નરાળી, નિમકનગરના 50થી વધુ લોકોના નામે ફોર્મ 7 ભરાયા તેઓ આબાબતથી સાવ અજાણ હતા. આ મામલે નરાળી સરપંચે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશને દાેષિતો સામે કાર્યવાહીની માંગ કરી છે. જેમાં હળવદ ભાજપના કાર્યકર્તા અને એપીએસી ચેરમેનના નામજોગ ફોજદારી ગુનો નોંધવા અરજી આપી છે. આ અંગે નરાળી સરપંચ ત્રીકમભાઇ બળદેવભાઇ મુલાડીયાએ જણાવ્યું હતું કે, હળવદ ભાજપના રજનીભાઈ સંઘાણી અમારા નરાળી અને નિમકનગરના જે મારી સાઇનથી એક પણ ફોર્મ ભરાયું નથી મારી જવાબદારી 64 વિધાનસભાના બીએલએ-1ની છે. દરેક પાર્ટીના બીએલએ-1 હોય મારા હોદ્દા જોગ એમણે આપ્યું હોય હંુ થોડુ જમા કર્યુ હોય મારી સાઇનથી ફોર્મ ભર્યા હોય, મે કોઇના ફોર્મ રદ કરવા અરજી કરી નથી. જે અરજી થઇ તો જવાબદાર હોદા જોગ ફરીયાદ કરી હશે મારી સાઇનથી એકપણ ફોર્મ ભરવામાં આવ્યુ નથી. > રજનીભાઇ સાંઘાણી, ભાજપ કાર્યકર્તા વિપક્ષનો વિરોધ : અઠવાડિયામાં ફોર્મની સંખ્યા 23098 ઘટી 1472 થઇ ગઇજિલ્લામાં તા.23 જાન્યુઆરીની સ્થિતીએ 24570 ફોર્મ 7ની સંખ્યા હતી તે 31 જાન્યુઆરીએ 1472 થઇ ગઇ હતી. આમ અઠવાડિયામાં નામ કમી કરવાની ફોર્મ વિરોધ થતા 23098 ઘટી ગયા હતા. મતદાર યાદી વિશેષ સુધારણા પ્રક્રિયા દરમિયાન BLO દ્વારા ઘેર ઘેર જાતે સ્થળ તપાસ કરી રજૂ કરેલી ડ્રાફ્ટ યાદીમાંથી વાસ્તવિક મતદારોના નામો દૂર કરવા ફોર્મ 7માં હજારોની સંખ્યામાં આશરે 5000થી 10000 એકસાથે ભર્યા છે. આ મામલે દસાડા વિધાન સભા વિસ્તાર ઇઆરઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઇ સોલંકી, દસાડા વિધાનસભા બીએલએ વિક્રમભાઇ રબારી સહિત આગેવાનોએ ફરીયાદ નોંધવા માંગ કરી છે.
HCનો સવાલ:નોટિસ વગર કાર્યવાહી કેમ ? ઇન્ચાર્જ મામલતદાર વિરુદ્ધ તપાસની નોટિસ
ચોટીલા યાત્રાધામમાં નવગ્રહ મંદિરના ડિમોલિશનને લઈને શરૂ થયેલો વિવાદ હવે હાઈકોર્ટના ઉંબરે પહોંચ્યો છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આક્રમક દબાણ હટાવવાની ઝુંબેશમાં પક્ષપાત થયો હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે હાઈકોર્ટે ચોટીલાના ઇન્ચાર્જ મામલતદારની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસે તંત્રની કાર્યશૈલી પર લાલ આંખ કરી હતી. અદાલતે પૂછ્યું હતું કે, પૂરતી નોટિસ આપ્યા વગર અને કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યા વિના શ્રદ્ધાના કેન્દ્ર સમાન મંદિર પર ડિમોલિશન કેમ કરવામાં આવ્યું? કોર્ટે આ મામલે અત્યંત કડક વલણ અપનાવી મામલતદારને જણાવ્યું ન્યાયિક પ્રક્રિયા પર પૂરો વિશ્વાસ છેવહીવટી તંત્ર સામે સવાલ કર્યો કે વહીવટી તંત્ર દ્વારા કામગીરીમાં બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે. ન્યાયીક પ્રક્રિયા પર અમને પુરો વિશ્વાસ છે. { મનસુખગિરિ ગોસાઈ, નવગ્રહ પૂજારી પરિવાર 9મી ફેબ્રુઆરીએ સરકારી વકીલ હાઇકોર્ટમાં સોગંદનામુ સબમીટ કરાવશેડિમોલીશન અંગે કરેલ કાર્યવાહીના તમામ ડોક્યુમેન્ટ સરકારી વકીલ મારફત હાઇકોર્ટમાં સબમીટ કરેલા છે. તે નોટીસમાં તારીખ લખવાની ભૂલ મામલતદાર દ્વારા થયેલ ધ્યાને આવતા તે અંગેનું કારકુની ભૂલ અંગેનું એફિડેવિટ સરકારી વકીલ હાઇકોર્ટમાં 9મી ફેબ્રુઆરીએ સોગંદનામુ સબમીટ કરવામાં આવશે. { એચ.ટી.મકવાણા, નાયબ કલેકટર ચોટીલા
હિંસક બનાવ:એક કેદીએ બીજા કેદી પર ધારદાર હથિયારથી કર્યો હુમલો, 6 ટાંકા આવ્યા
સુરેન્દ્રનગર સબજેલની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. જેલની અંદર બેરક નં-3 માં રહેતા એક કેદીએ બીજા કેદીના ભત્રીજા પાસેથી રૂપિયા 5000ની દાદાગીરીથી માંગણી કરી હિંસક હુમલો કર્યો હતો. આ ઝઘડામાં વચ્ચે પડેલા સંજયભાઈ સીહોરા નામના કેદી પર આરોપીએ ધારદાર વસ્તુ વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજા પહોંચી છે. જેલની અંદર ધારદાર હથિયાર ક્યાંથી આવ્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સીટી એ ડિવિઝન પોલીસ મથકે સુરેન્દ્રનગર સબજેલના કેદી સંજયભાઇ નટવરભાઇ સીહોરાએ નોંધાવી હતી. જે મુજબ અમો હાઇ સુરેન્દ્રનગર સબજેલ બેરેક નંર 3માં કાચાકામના કેદી તરીકે જોરાવરનગર પોલીસ મથકના ગુનાના કામે એક મહિનાથી છું. તા.2-2-2026નારોજ સાંજે સવા ચાર આસપાસ સુરેન્દ્રનગર સબજેલમાં જેલબંધી ખુલ્લી હોવથી માર સગાદાદાનો દીકરો ભાઇ મુનાભાઇ ભુપતભાઇ શીહરા જેલના ગ્રાઉન્ડમાં બેઠા હતા. ત્યારબાદ અમો તથા મુનાભાઇ બેરેક 3માં પહોંચતા મારો ભત્રીજો રોહીત સામેથી મારી તરફ દોડતા આવતો હતો. અમે અજીતને ઝઘડા બાબતે પૂછતા અજીતે આવેશમાં આવીને તેમની પાસે રહેલ કોઇ ધારદાર વસ્તુથી હુમલો કરી ઝપાઝપી કરી બાદમાં મુનાભાઇ દીપકભાઇ તથા રોહીત હાજર હોઇ તેઓએ છોડાવ્યા હતા. જમણા હાથે કાંડા પર વાગ્યુ હોવાથી લોહી નીકળતા તાત્કાલીક જેલ સ્ટાફને જાણ કરી હતી. આથી પોલીસ જપ્તા સાથે સૌપ્રથમ ગાંધી હોસ્પિટલ લઇ જવાયા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ટીબી હોસ્પિટલ રિફર કરાયા. જ્યાં જમણા કાંડા પર 6 ટાંકા આવ્યા હતા.
ભાસ્કર એક્સપર્ટ:સુરેન્દ્રનગરમાં જાન્યુઆરીમાં પારો 30 ડિગ્રીને પાર ફેબ્રુઆરીમાં પારો 33એ જશે
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ માવઠા બાદ લંબય બાદ ઠંડીનો પારો વધ્યો નથી. જાન્યુઆરીમાં ગરમીનું તાપમાન સતત વધ્યું છે. જેના કારણે જાન્યુઆરી મહત્તમ તાપમાન એવરેજ 30 ડિગ્રી ઉપર રહ્યું હતું. આથી 2026નો જાન્યુઆરી મહિનો 10 વર્ષમાં સૌથી વધુ ગરમ માસ બન્યો છે. આ વર્ષ જિલ્લામાં ચોમાસામાં પાછોતરું, ઓક્ટોબર નવેમ્બર માસમાં કમોસમી માવઠુ પડ્યું હતું. ત્યાર બાદ સતત ઠંડીનો પારો વધ્યો નથી. જેના કારણે નવેમ્બર ડિસેમ્બર માસ બાદ જાન્યુઆરી શરૂઆતથી જ તાપમાનનો પારો ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. જિલ્લામાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન એવરેજ મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહ્યું છે. ત્યારે 10 વર્ષની સાથે જો સરખામણી કરાય તો 2026નો જાન્યુઆરી મહિનો સૌથી ગરમ મહિનો રહેવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફેબ્રુઆરી મહિના દરમિયાન જિલ્લાનું તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની આગાહી છે. આ મહિના દરમિયાન શરૂઆતના દિવસોમાં લઘુતમ તાપમાન 17થી 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31થી 33 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર બન્સથી ભેજ વધ્યું, શુષ્કતા ઘટતા ઠંડી વધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હાલમાં વાતાવરણના ઉપરના લેવલમાં ટર્ફની ભેજની સિસ્ટમ સક્રિય થઇ છે. જે અરબી સમુદ્ર થઇને ગુજરાત સુધી લંબાય છે. જેથી અરબી સમુદ્ર પરથી ભેજ ખેંચાઇને ગુજરાત તરફ આવતો હોવાથી વાતાવરણમાં ભેજ વધતા વાદળીયું વાતાવરણ સર્જાયું. જેના કારણે વાતાવરણમાં ઠંડીને જરૂરી એવી શુષ્કતા ઓછી થઇ અને ઠંડીનો ચમકારો ઓછો અનુભવાઇ રહ્યો છે. { રમેશભાઇ ગોસાઇ, નિવૃત ડિઝાસ્ટર મામલતદાર
ભાસ્કર વિશેષ:સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડીના 160 બાળવિદ્વાને 315 સંસ્કૃત શ્લોક કંઠસ્થ કર્યા
આજના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે બાળકો પુસ્તકોથી દૂર જઈ રહ્યા છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સંસ્કૃતિના જતન માટે એક ભગીરથ સંકલ્પ કર્યો હતો. ગત વર્ષે કરેલા સંકલ્પ મુજબ, સંસ્થાના હજારો બાળકોએ માત્ર એક વર્ષમાં કઠિન સંસ્કૃત શ્લોકો મોઢે કરી બતાવ્યા છે. સંસ્થા દ્વારા 3થી 13 વર્ષના બાળકોને ઓનલાઈન ટ્રેનિંગ અને રિવિઝન ક્લાસીસ દ્વારા બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિએ પણ આ સિદ્ધિને વિશ્વમાં અદ્વિતીય ગણાવી છે. મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગદીક્ષા ગ્રંથમાં 315 શ્લોકો દ્વારા સદાચાર, વ્યસનમુક્તિ, રાષ્ટ્રીય ભાવના અને આધ્યાત્મિક મૂલ્યોનું વર્ણન કરાયું છે. આ આયોજનમાં નિઃસ્વાર્થભાવે જોડાયેલા સ્વયંસેવકોએ બાળકોને મુખપાઠ કઈ રીતે કરાવવો, રિવિઝન ક્યારે, કેટલું અને કેવી રીતે લેવું તેની વિસ્તૃત તાલીમ આપી હતી. તે માટે ઓનલાઈન મિટિંગો અને ટ્રેનિંગ ક્લાસિસનું આયોજન કર્યું હતું. આ ગ્રંથનો મુખપાઠ કરનારા બાળકો માત્ર શ્લોક જ નહીં, પણ તેના અર્થ અને વર્ગીકરણ પણ મોઢે બોલી શકે છે. આ અભિયાનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં 3 વર્ષના ભૂલકાઓ પણ જોડાયા હતા. જે બાળકો હજુ લખી કે વાંચી શકતા નથી તેમણે માત્ર સાંભળીને આ શ્લોકો યાદ રાખ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના 160 બાળકે આ કઠિન કસોટી પાર કરી ગુરુહરીના રાજીપાની સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સન્માન મેળવ્યું છે. આ સિદ્ધિ પાછળ સંસ્થાના સંતો અને કાર્યકરોની તાલીમ તેમજ વાલીઓની રાત-દિવસની મહેનત રહેલી છે. મુખપાઠ યજ્ઞમાં 3 વર્ષથી 13 વર્ષ સુધીનાં બાળકો, બાલિકાઓ જોડાયાઆ અભિયાનમાં સંસ્થાના સંતો અને કાર્યકરોની ટીમ દ્વારા વાલીઓ અને બાળકો માટે પ્રેરણા સભાઓ યોજાઇ હતી. દર અઠવાડિયે વિવિધ સેન્ટરોમાં યોજાતી બાળ બાલિકા સમા દ્વારા ભારતીય સંસ્કૃતિમાં રહેલ જીવનમૂલ્યો શીખ્યારહ્યા છે. ઉદઘોષ સભાઓ દ્વારા સત્સંગદીક્ષા ગ્રંથને લગતું તમામ સાહિત્ય વિવિધ માધ્યમો દ્વારા બાળકો સુધી પહોંચાડી હતી. આ આયોજનમાં નિઃસ્વાર્થભાવે જોડાયેલા સ્વયંસેવકોને બાળકોને મુખપાઠ કઈ રીતે કરાવવો.રીવીઝન ક્યારે કેટલું અને કેવી રીતે લેવું તેની વિસ્તૃત તાલીમ માટે ઓનલાઈન મિટિંગો, ટ્રેનિંગ કલાસીસનું આયોજન કર્યું હતું. આ મુખપાઠ યજ્ઞમાં 3 વર્ષથી 13 વર્ષ સુધીનાં બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. { ધર્મચિંતનસ્વામી કોઠારી સ્વામી, બીએપીએસ મંદિર સુરેન્દ્રનગર
બમણા ભાવથી લોકો ત્રસ્ત:માવઠાની અસર : શાકભાજીની આવક ઓછી અને ભાવ વધુ
પોરબંદરમાં ચોમાસા બાદ કમોસમી વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં માવઠાની અસર જોવા મળી હતી. ખાસ કરીને શાકભાજી પર પણ અસર પડી છે. હાલ શિયાળા દરમ્યાન ટમેટા અને રીંગણ સહિતના શાકભાજીની આવક ઓછી હોવાથી શિયાળા દરમ્યાન ટમેટા અને રીંગણના ભાવ હોવા જોઈએ તેના કરતા બમણા હોવાનું શાકભાજીના વેપારીઓએ જણાવ્યું છે. શાકભાજીના વેપારી મહેશભાઈએ જણાવ્યું હતુ કે, ચોમાસા બાદ દર શિયાળાની ઋતુમાં ટમેટાના ભાવ તળિયે હોય છે. ગત શિયાળા દરમ્યાન રૂ. 5 થી રૂ. 20ના કિલો ટમેટા મળતા હતા અને રીંગણના ભાવ રૂ. 20 થી 40ના કિલો હતા પરંતુ આ શિયાળા દરમ્યાન ટમેટા રૂ. 20 થી રૂ.30ના કિલો મળે છે અને રીંગણ રૂ. 40 થી 60ના કિલો મળે છે. આમ ગત શિયાળા દરમ્યાન ટમેટા અને રીંગણના ભાવ કરતા આ શિયાળે ટમેટા અને રીંગણના ભાવ ડબલ થયા છે જેથી લોકો ત્રસ્ત બન્યા છે. સૂપ અને ઓળાનું બજેટ ખોરવાયુંઉલ્લેખનીય છે કે શિયાળા દરમ્યાન રૂ. 5 થી 20ના કિલો મળતા ટમેટા આ શિયાળામાં રૂ.20 થી 30ના કિલો મળે છે. તે રીતે રીંગણના ભાવ પણ ગત શિયાળા કરતા ડબલ છે જેથી ગૃહિણીઓના બજેટ પર અસર પડી છે. ગ્રાહકોએ જણાવ્યું હતુ કે, ભાવ વધુ હોવાથી શિયાળે ટમેટા સૂપની મજા ફિક્કી પડી છે તો ભાવ બમણા હોવાથી રીંગણના ઓળા બનાવવા પણ મોંઘા થતા બજેટ ખોરવાયું છે.
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કિમો થેરાલી સેન્ટર આવેલ છે.આ સેન્ટરમાં કેન્સર નિષ્ણાંત ડોકટર ન હોવાથી કેન્સરનું કિમો થેરાપી સેન્ટર મોટાભાગના દર્દીઓ કામ લાગતું નથી.કેન્સરના દર્દીઓને દર ચાર માસે તબીબોને દેખાડવા બહારગામ જવું પડે છે અને કિમો થેરાપી અહીં લેવા આવું પડે છે જેથી દર્દીઓના છેડા ભેગા થતા નથી તેમજ આયુષ્યમાન કાર્ડ પણ અહીંથી બહારગામ ફેરવવામાં મુશ્કેલી પડે છે. સમગ્ર વિશ્વમાં 4 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે અલગ અલગ થીમ પર કેન્સર અંગે જાગૃતતા માટે વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવે છે.હાલ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત પોરબંદર જિલ્લામાં પણ કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.પોરબંદર જિલ્લામાં વ્યસનનું પ્રમાણમાં વધારો થયો છે જેથી હાલ આ વ્યસનને લઈને મોઢાનું કેન્સર તેમજ ગળાનું કેન્સરમાં વધારો થયો છે.કેન્સરના ટોટલ દર્દીઓમાંથી 80 ટકા દર્દીઓ આ બંને કેન્સર હોવાનું સામે આવ્યું છે.પોરબંદર જિલ્લામાં મહિલાઓમાં પણ સ્તન કેન્સરનું પ્રમાણ વધ્યું છે જિલ્લામાં મહિલાઓમાં સૌથી વધુ સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓને તબીબી સહાય યોજના હેઠળ સહાય આપવામાં આવે છે જેમાં કુલ 679 કૅન્સરગ્રસ્ત દર્દીઓ નોંધાયેલ છે.પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે તા 11-10-2022માં ડે કેર કિમો થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.પરંતુ આ સેન્ટરમાં કેન્સર નિષ્ણાંત ડોકટર ન હોવાથી દર્દીઓમાં ભારે મુશ્કેલી વેઠવી પડેછે. કેન્સરના દર્દીઓને કિમો થેરાપી સહિતની સારવાર લખાવવા અને તપાસ કરવા બહારગામ જવું પડે છે અને બાદમાં કિમો થેરાપી લેવા પોરબંદર આવું પડે છે જેથી દર્દીઓના છેડા ભેગા થતા નથી કૅન્સરગ્રસ્ત દર્દીને કેન્સરની તપાસ માટે બહારગામની હોસ્પિટલ ખાતે જાય ત્યારે દર્દીઓને આયુષ્યમાન કાર્ડ પર સારવાર લેવામાં પણ ભારે હાડમારી વેઠવી પડે છે અને કાર્ડ પર સારવાર લેવા તેમજ કાર્ડ હોસ્પિટલમાં ચાલુ બંધ કરાવવા દર્દી અને તેમના પરિવારને કલાકો સુધી લાઇનમાં બેસવાની નોબત આવે છે. ગળા અને મોઢાના કેન્સરમાં 15 ટકા અને સ્તનકેન્સરમાં 10 ટકાનો વધારોપોરબંદર જિલ્લામાં દિન પ્રતિદિન કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે.ચાલુ વર્ષમાં જિલ્લામાં પાન, માવા અને ધુમ્રપાનને લીધે ગળા અને મોઢાના કેન્સરમાં 15 ટકા અને મહિલાઓમાં સ્તનકેન્સરમાં 10 ટકાનો વધારો થયો છે. કેન્સરનાં ચેતવણીરૂપ ચિહ્નો(1)આંતરડ અથવા બ્લેકર (મૂત્રાશય)ની કામગીરીમાં ફેરફાર (2) રુઝાતો ન હોય તેવા ઘા (3) અસામાન્ય રકતસ્ત્રાવ (બ્લીડીંગ) અથવા પ્રવાહી નીકળવું. (4)સ્તન અથવા અન્ય જગ્યાએ ચામડીમાં સોજો અથવા (5)અપચો અથવા વસ્તુ ગળે ઉતારવામાં મુશ્કેલી (6)મસા અથવા તલમાં દેખીતો ફેરફાર. સતત ઉધરસ અથવા અવાજમાં ધોધરાપણું સેન્ટરમાં 41 માસમાં 404 દર્દીઓને 816 ડોઝ કિમોથેરાપીના આપ્યાપોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આવેલ કિમોથેરાપી સેન્ટર ખાતે કેન્સર ગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવે છે.આ સેન્ટરમાં 41 માસમાં 404 કેન્સરગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી છે.આ સેન્ટરમાં કિમો થેરાપી ઉપરાંત જરૂરી તમામ દવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
રજૂઆત:આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં રહેતા 114 પરિવાર મૂળભૂત સુવિધાઓથી વંચિત
પોરબંદરના આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં છેલ્લા 121 વર્ષથી 114 પરિવારો વસવાટ કરી રહ્યા છે. રજવાડાના સમયમાં સેવા બદલ આ પરિવારોને રહેણાંક ફાળવવામાં આવ્યું હતું. આજે આ વસાહતમાં અંદાજે 700 જેટલા સ્થાનિકો વસે છે, છતાં તેમને પીવાના પાણી, વીજળી, રસ્તા, ગટર અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે રજવાડાના સમયમાં કમ્પાઉન્ડમાં કુલ 7 કૂવા હતા, હાલ કૂવાનું અસ્તિત્વ નથી. પાણીની તંગી દૂર કરવા 1955માં સ્થાનિકોએ પોતાના ખર્ચે બોર ખોદાવી પાણીની વ્યવસ્થા કરી હતી, પરંતુ 1983 બાદ બોરનું પાણી ક્ષારયુક્ત અને ખારું થયું છે. પાણીના અભાવે સ્થાનિકોને પીવાનું પાણી લેવા માટે બે કિમી દૂર જવું પડે છે. મનપા દ્વારા ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ વસ્તી પ્રમાણે તે પૂરતું નથી. આ ઉપરાંત વસાહતમાં શૌચાલયની કોઈ સુવિધા નથી, માર્ગો અત્યંત ખરાબ હાલતમાં છે અને સ્ટ્રીટલાઈટ નથી. નિયમિત રીતે હાઉસ ટેક્સ ભરવા છતાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. વહેલી તકે પીવાનું પાણી, ગટર, રસ્તા, લાઈટ અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી છે. પોરબંદર આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં રહેતા સ્થાનિક લોકોએ મનપા કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. 55 વર્ષથી રજૂઆત પરંતુ સુવિધા નહીં આરજીટી કોલેજ કમ્પાઉન્ડના સ્થાનિકો દ્વારા પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થાય તે માટે 55 વર્ષથી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાઈ નથી. હાલ મનપા બની છે ત્યારે પણ અહીંના સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં પરંતુ હજુસુધી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી વધુ એક વખત સ્થાનિકો દ્વારા મનપા ખાતે લેખિતમાં રજૂઆત કરી છે.
વાતાવરણ:પોરબંદરમાં મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રીએ પહોંચ્યું
પોરબંદરમાં મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રીએ પહોંચ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 15 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. પોરબંદરમાં બપોરે ગરમીનો અનુભવ થાય છે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગઈકાલે સોમવારે મહતમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા નોંધાયું હતું જેની સામે મંગળવારે મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 16 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 15 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે. તાપમાનમાં વધારો થતા ઠંડીમાં રાહત મળી છે. બપોરે ગરમી અને રાત્રે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થતા લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યા છે.
તરૂણીએ જાગૃતિ દાખવી:કુતિયાણા પંથકમાં 181 ટીમે બાળ લગ્ન થતા અટકાવ્યા
કુતિયાણા પંથકમાંથી એક તરૂણીએ જાગૃતતા દાખવી 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જાણ કરી હતી કે તેની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયેલી નથી, તેમ છતાં તેના માતા–પિતા તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવી રહ્યા છે. કેસની ગંભીરતા ધ્યાને લઈ 181 ટીમના કાઉન્સેલર મીરા માવદિયા અને કોન્સ્ટેબલ સેજલબેન પંપાળીયા સ્થળ પર પહોંચ્યા હતા. ટીમ દ્વારા તરૂણીનું કાઉન્સેલિંગ કરી લગ્નની કંકોત્રી અને ઉંમર સંબંધિત દસ્તાવેજોની તપાસ દરમિયાન તરૂણીની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું તથા તેના લગ્ન આગામી તા.10/2/2026ના રોજ નિર્ધારિત કરાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે પરિવારજનોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ બાળ લગ્ન કરાવવું કાયદેસર ગુનો હોવાનું સમજાવવામાં આવ્યું હતું.અને સમાજ સુરક્ષા અધિકારી, ડીસીપીઓ અને પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી તથા ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી. તરૂણી ઘરે રહેવા ઇચ્છુક ન હોવાથી તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે તરૂણીના વાલીઓના લેખિત નિવેદન લેવામાં આવ્યા હતા.
સારવાર:ખાગેશ્રી ગામની સગર્ભાની હાઇવે પર 108 ટીમે એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી
પોરબંદરના ખાગેશ્રી ગામે રહેતી એક સગર્ભાની ત્રીજી ડિલિવરીની પ્રસૂતિની પીડા ઉપડતા ઉપલેટાની હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે રીફર કરી રહ્યા હતા ત્યારે હાઇવે પર એમ્બ્યુલન્સ પહોંચતા સગર્ભાને પ્રસૂતિની પીડા વધી જતાં 108 એમ્બ્યુલન્સ નોર્મલ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. ખાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં રહેતા સગર્ભાને ત્રીજી ડિલિવરી પ્રસુતિની પીડા ઉપડતા 108ને જાણ કરી હતી જેથી 108ની સગર્ભાને ઉપલેટા રીફર કરી રહ્યા હતા તે દરમ્યાન હાઇવે પર સગર્ભાને પ્રસૂતિની પીડા વધી જતાં ઈ.એમ.ટી. યોગેશકુમાર રાઠવા અને પાયલોટ સરમણભાઈ ચાવડાએ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો રીચીના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમ ની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ સગર્ભાની એમ્બ્યુલન્સમાં નોર્મલ ડીલેવરી કરાવી હતી અને પુત્રીનો જન્મ થયો હતો. એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલ ઉપલેટા ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
બેઠક:4500 બોટોને દર વર્ષે રૂ.60થી 70 કરોડનું આર્થિક નુકસાન
પોરબંદરના સુભાષનગર સ્થિત હોલ ખાતે પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળની અધ્યક્ષતામાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશનની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખારવા સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. અસ્માવતીઘાટ પાસે આવેલી બોટોના આવન-જાવન માટેની મુખ્ય ચેનલમાં રેતી ભરાવાનો બેઠકનો મુખ્ય મુદ્દો રહ્યો હતો. રેતી ભરાવાના કારણે બોટો 24 કલાક સરળતાથી આવન-જાવન કરી શકતી નથી અને માત્ર હાઈટાઈડના 2 થી 4 કલાક દરમિયાન જ બંદરમાં પ્રવેશ કરી શકે છે. પરિણામે બોટોને પોરબંદર જેટીની સામે ખુલ્લા સમુદ્રમાં એન્કર પોઈન્ટ પર ફરજિયાત ઊભી રાખવી પડે છે. હાઈટાઈડ દરમિયાન એકસાથે બોટો બંદરમાં પ્રવેશ કરતી હોવાથી અંદર ભારે ભરાવો સર્જાય છે, જેના કારણે માછલીઓના વેચાણ ભાવ ઘટે છે. આથી એક બોટ દીઠ વર્ષે અઢીથી ત્રણ લાખ રૂપિયાનું નુકશાન થાય છે. પોરબંદર બંદરમાં અંદાજે 4500 નાની-મોટી બોટો હોવાથી કુલ આર્થિક નુકશાન 60 થી 70 કરોડ રૂપિયાનું થાય છે. આ મુદ્દે અગાઉ અનેક વખત સરકારમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા માછીમારો દ્વારા ફરી એકજૂટ થઈ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અસ્માવતીઘાટ પાસેની મુખ્ય ચેનલમાં રેતી દૂર કરી કાયમી ડ્રેજીંગ કરવામાં આવે તેવી ખારવા સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર માંગ કરી છે. બંદરમાં અન્ય અસુવિધાઓબેઠકમાં ડ્રેજિંગ ઉપરાંત બંદરની અંદર લાઈટનો અભાવ, શૌચાલય, ફાયર સેફટી, સફાઈ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ હોવાનું જણાવ્યું હતું પોરબંદરના માછીમારોને થતું આર્થિક નુકશાન અટકી શકે અને બંદર પર પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેવી માંગ ઉઠી છે.
દરોડો:ચીકાસા ગામ ભાદરપૂલ પાસે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા, 4 નાસી ગયા
પોરબંદરના નવીબંદર ચીકાસા ગામ ભાદરપૂલ પાસે બાવળની કાટમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી આધારે એલસીબીએ દરોડો પાડી આ સ્થળેથી જુગાર રમતા 5 શખ્સને ઝડપી લીધા હતા જ્યારે 4 શખ્સ નાશી છૂટ્યા હતા. પોરબંદર એલસીબી ટીમ નવીબંદર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતીકે, નવીબંદર ચીકાસા ગામ ભાદરપૂલ પાસે બાવળની કાટમાં કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમે છે, જેથી એલસીબી ટીમે આ સ્થળે દરોડો પાડી જુગાર રમતા કિરણ બાબુ પરમાર, ઉતમ ઉર્ફે ભોલો રાજેશ માકડીયા, વિપુલ કાંધા વાઢીયા, વિક્રમ લખમણ ભોગેસરા અને હાજા ભુરા ભોગેસરાને ઝડપી લીધા હતા જ્યારે દરોડા દરમ્યાન અરજણ સરમણ ખુંટી, હરસુખ ઉર્ફે અશોક કરશન પંડીત, પ્રવીણ ઉર્ફે સોપારીવાળો જીણા કારગટીયા અને રામદે પરબત ઓડેદરા નાશી છૂટ્યા હતા. પોલીસે દરોડા દરમ્યાન 5 શખ્સને ઝડપી લઇ સ્થળ પરની કુલ રકમ રૂ. 64,800નો મુદ્દામાલ કબ્જે કરી, ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આયોજન:પોરબંદર શહેરના ડેવલપમેન્ટ પ્લાન માટે વિભાગીય પરામર્શ બેઠક યોજાઈ
પોરબંદર મનપાના સભાખંડ ખાતે કમિશનર પ્રજાપતિની અધ્યક્ષતામાં શહેરના ડેવલપમેન્ટ પ્લાન માટે વિભાગીય પરામર્શ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના આયોજનબદ્ધ વિકાસને ધ્યાનમાં રાખી તૈયાર થનારા ડેવલપમેન્ટ પ્લાન લેન્ડ યુઝ માટે વિભાગો વચ્ચે સંકલન સાધવાનો આ બેઠકનો મુખ્ય હેતુ રહ્યો હતો. બેઠક દરમિયાન ટાઉન પ્લાનિંગ વિભાગ તથા સંકળાયેલી એજન્સી દ્વારા ડેવલપમેન્ટ પ્લાનની વ્યાપ્તિ, પ્લાનિંગ એરિયા, કાયદાકીય માળખું તથા આયોજન પ્રક્રિયા અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશનમાં શહેરની વર્તમાન વિકાસ સ્થિતિ, ભવિષ્યની જરૂરિયાતો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, માર્ગ વ્યવસ્થા, જાહેર સુવિધાઓ, રહેણાંક અને વ્યાવસાયિક વિસ્તારોના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો.સંબંધિત વિભાગોના હાલના, પ્રસ્તાવિત અને મંજૂર પ્રોજેક્ટ્સ, તેમની જમીન જરૂરિયાતો તથા ભવિષ્યની વિકાસ યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, આ તમામ મુદ્દાઓને આવનારા ડેવલપમેન્ટ પ્લાનમાં યોગ્ય રીતે સામેલ કરી શકાય અને અમલીકરણ સમયે કોઈ અડચણ ન ઊભી થાય તેવુ જણાવ્યું હતું. ગુજરાત વોટર સપ્લાય એન્ડ સ્યુએરેજ બોર્ડ, માર્ગ અને મકાન વિભાગ, જી.આઈ.ડી.સી., જી.એસ.આર.ટી.સી., આર.ટી.ઓ., પી.જી.વી.સી.એલ., રેલવે, કોસ્ટ ગાર્ડ, નેશનલ હાઈવે ઓથોરિટી સહિતના અનેક વિભાગોના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા. મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગીય પરામર્શથી શહેર માટે સંકલિત અને વ્યવહારુ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં મહત્વપૂર્ણ મદદ મળશે. બેઠકમાં મળેલા સૂચનોના આધારે આગળની આયોજન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ફરિયાદ:પ્રેમ સંબંધના મનદુઃખથી યુવકનીહત્યા, વચ્ચે પડેલા મિત્રને પણ ઇજા
વંથલી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી ભલાયશા પીરની દરગાહ પાસે સોમવારની રાત્રે એક યુવકની 4 શખ્સે હત્યા કરતા સનસની મચી ગઈ હતી. વંથલીમાં વાલી ઝાંપા પાસે રહેતા 66 વર્ષીય મુસાભાઈ અબદલભાઈ સોઢાની ફરિયાદ અનુસાર તેના પુત્ર તાજીમ ઉ. વ. 34 અને રફીકશા કાસમશા સર્વદીની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી છેલ્લા પાંચ-છ મહિનાથી વિવાદ ચાલતો હતો. સોમવારની રાત્રે જ્યારે તાજીમ તેના મિત્ર સકીલ રજાકભાઈ જેઠવા વગેરે સાથે ભલાયશા પીરની દરગાહ પાસે હતો, ત્યારે રફીકશા કાસમશા સર્વદી, તેનો પુત્ર અરબાજશા, ભત્રીજો અકરમશા હનીફશા અને ઈરફાનશા અમીનશા સર્વદીએ લોખંડના સળિયા, છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી તાજીમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું. વચ્ચે છોડાવવા પડેલા તાજીમના મિત્ર શકીલને પણ હુમલામાં ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકના પિતા મુસાભાઈની ફરિયાદ લઈ જુદી જુદી કલમ મુજબ હત્યા સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વંથલીના તાજીમ મુસાભાઈ સર્વદીની હત્યાના મામલે પીઆઇ આર. બી. ગઢવી, પીએસઆઇ જે.આર. વાજાની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી રફીકશા કાસમશા સર્વદી, તેનો પુત્ર અરબાજશા, ભત્રીજો અકરમશા હનીફશાની અગતરાય ગામે મરઘા ઉછેર કેન્દ્ર પાસેથી ધરપકડ કરી ચોથો ફરાર આરોપી ઈરફાનશા અમીનશા બાનવાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આત્મહત્યા:માંગરોળના આંત્રોલી ગામમાં મહિલાએ ગળાફાંસો ખાધો
માંગરોળના આંત્રોલી ગામના એક મહિલાને પતિએ દિકરાને ત્યાં આંટો દેવા જવાની ના પાડતા ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. માંગરોળ તાલુકાના આંત્રોલી ગામના 45 વર્ષીય મંજુબેન અરજણભાઈ કેશવાલાને તેના અમદાવાદ ખાતે રહેતા દીકરાને ત્યાં આંટો દેવા જવું હતું. પરંતુ પતિ અરજણભાઈએ જવાની ના પાડી હતી. મહિલા જીદી અને હઠીલા સ્વભાવ હોવાથી અવારનવાર ગુસ્સે થઈ જતા જેથી પોતાને લાગી આવતા મંજુબેને સોમવાર ની વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મહિલાના આપઘાતની જાણ થતા શીલ પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને મૃતકના પુત્ર રામભાઇના નિવેદન આધારે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
કામગીરી:લાંચીયા મેંદરડા તાલુકા વિકાસ અધિકારીના ઘરે પણ તપાસ
80,000ની લાંચ લેનાર મેંદરડા તાલુકા વિકાસ અધિકારીના ઘરે એસીબીની ટીમે સર્ચ હાથ ધર્યું હતું. મેંદરડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તુષાર વિઠ્ઠલભાઈ રાદડિયાને સોમવારે એટીવીટીના કામના વર્ક ઓર્ડર કાઢી આપવા રૂપિયા 1.5 લાખની લાંચ માગી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે સોમવારે જૂનાગઢ એસીબીએ છટકું ગોઠવી જાગૃત નાગરિક પાસેથી તુષાર રાદડિયાને રૂપિયા 80 હજારની લાંચ સ્વીકારતા અને પૈસા ખીસામાં નાખે તે પહેલા ઝડપી લીધા હતા. મંગળવારે એસીબીના તપાસનીશ એસ. એન. ગોહિલે 3 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને કોર્ટમાં રજુ કરતા એડ અદાલતે બુધવાર સાંજના 4 વાગ્યા સુધી 1 રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેના પગલે એસીબીની ટીમ આરોપીને લઈ તેના મેંદરડામાં નાઝાપુર રોડ પર બ્રહ્માકુમારીની બાજુમાં આવેલ ટીમ ઘરે પહોંચી સર્ચ હાથ ધર્યું હતું.
વાતાવરણ:શહેરનું તાપમાન 32 ડિગ્રી
જૂનાગઢ સહિત સોરઠમાં સતત બીજા દિવસે ગરમીમાં વધારો થતા બપોરનું તાપમાન વધીને 32 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના પરિણામે શિયાળાએ વિદાય લેવાનું શરૂ કર્યું હોવાનું અને ઉનાળાની શરૂઆતની અનુભૂતિ લોકોને થઈ હતી. સોમવારે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન 13.7, શહેરમાં 18.7 ડિગ્રી રહ્યા પછી 24 કલાકમાં મંગળવારની સવારે 2 ડિગ્રી ઘટીને ગિરનાર ખાતે 11.7, જૂનાગઢમાં 16.7 ડિગ્રી નોંધાયું હતુ. જોકે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 69 ટકાએ પહોંચી ગયુ હતુ. જ્યારે પવનની પ્રતિ કલાકની ગતિ 6.3 કિલોમીટરની રહી હતી. બીજી તરફ બપોરની શરૂઆત થતાની સાથે મહતમ તાપમાનનો પારો 31.8 ડિગ્રીએ સ્થિર થયો હતો. જેની સાથે સતત બીજા દિવસે બપોરની હવામાં 33 ટકા ભેજ રહ્યો હતો. વાદળછાયું વાતાવરણ વચ્ચે સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીના કારણે મિશ્ર હવામાન રહ્યું હતું. દરમ્યાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિયાળાની વિદાયની શરૂઆત ધીમા પગલે થઈ ચૂકી છે અને આગામી બે દિવસમાં બપોરનું તાપમાન પણ ક્રમશઃ વધતું રહેશે. જેથી ઉનાળાના પગરણ શરૂ થઈ જશે.
તંત્ર હરકતમાં:ભાસ્કરના અહેવાલ પછી મામલતદાર કચેરીના ખૂણે-ખૂણે સફાઇ શરૂ થઇ
શહેરમાં આવેલ તાલુકા સેવા સદન કચેરી ખાતે ખુણે- ખુણે ગંદકી જોવા મળતી હતી. તમામ ખુણા પર કચરાના ઢગલા પડેલા હતા. એક તરફ સરકાર સફાઇ અભિયાનના દાવા કરી રહી હતી પરંતુ જૂનાગઢની મામલતદાર કચેરી ખાતે તે દાવા પોકળ સાબિત થયા હતા. એટલુ જ નહીં જ્યાં અધિકારીઓની ગાડીઓ પડેલી રહેતી હતી તેમજ જ્યાંથી પસાર થતી હતી તે તમામ સ્થળ પર કચરાનો નિકાલ ન થતા ઢગલા પડેલા હતા. આ સમગ્ર બાબતને લઇ ભાસ્કરે સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. અને કચેરીના ખુણે-ખુણેથી કચરાનો નિકાલ કરી સફાઇ કરવામાં આવી હતી.
કામગીરી:કોર્ટને ક્યાં સર્વરમાંથી ધમકીનો ઇ-મેઇલ મળ્યો, તે દિશામાં તપાસ
કોર્ટને ક્યાં સર્વરમાંથી ધમકીનો ઇ-મેઇલ મળ્યો તે દિશામાં એ ડિવિઝન પોલીસે એસઓજી, એલસીબી, રેન્જ સાયબર પોલીસની મદદ લઈ તપાસ હાથ ધરી છે. સોમવારે સવારે 6:30 વાગ્યે જૂનાગઢ મુખ્ય ન્યાયાલયના ઓફિસિયલ ઇ-મેઇલ આઇડી પર ખોટા નામવાળા ઇ-મેઇલ આઇડી મારફતે ઇ-મેઇલ કરી બપોરના 2:10 વાગ્યે બધી કોર્ટ, જજ ચેમ્બરમાં 3 બોંબ ફૂટવાના છેં એવો ઇ-મેઇલ કરી કોર્ટની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી અને લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો. જેની જાણ સવારે 10:30 વાગ્યે થતાની સાથે પોલીસની જુદી જુદી ટીમે કોર્ટ પર પહોંચી આવવા, જવાના રસ્તા બ્લોક કરી કોર્ટમાંથી તમામને સલામત ખસેડી 3 કલાક સર્ચ કર્યું હતું. સદનસીબે કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. આ મામલે જિલ્લા રજીસ્ટ્રાર દેવાંગકુમાર કનુભાઈ દવેની ફરિયાદ લઈ એ ડિવિઝન પોલીસે અજાણ્યા ઇ-મેઇલ ધારક સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની ઓલો મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. કેસમાં પ્રો. પીઆઇ વી. જે. સાવજે કોર્ટને કયા સર્વરમાંથી ધમકીનો ઇ-મેઇલ મળ્યો, કોણે મોકલ્યો સહિતના મુદે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, રેન્જ સાયબરની ટીમ પણ કામે લાગી છે.
જૂનાગઢના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક પરિવારની 14 વર્ષની દીકરીના લગ્ન તેના પિતા અને દાદી દ્વારા પૈસાની લાલચથી અલગ અલગ જગ્યાએ નક્કી કરી દેવામાં આવ્યા હતા. જોકે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જૂનાગઢ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સમયસર તેના પર રોક લગાવીને પરિવારને સમજાવવામાં આવ્યો હતો. શહેરના એ ડિવિઝન વિસ્તારમાં રહેતા એક પરિવારની 14 વર્ષની કિશોરી કુમારી ટીના (નામ બદલાવેલ છે) દ્વારા રજૂ કરાયેલી અરજીના આધારે બાળલગ્નના ગંભીર મામલે કાયદેસર કાર્યવાહી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટીના હાલ તેના પિતા અને દાદી સાથે રહે છે, તેણે જણાવ્યું હતું કે, તેમના પિતા નિયમિત દારૂ પીને ઘર તેમજ બહાર તેણીને હેરાન કરે છે. તેમના લગ્ન 16 ફેબ્રુઆરી, 2026ના રોજ નક્કી કરાયાં હતા, જેના આમંત્રણ કાર્ડ પણ છપાઈ ગયા હતા. આ લગ્ન તેમની દાદી દ્વારા, તેમની સંમતિ વિના અને તેમની નાબાલિક વયમાં બળજબરીથી નક્કી કરાયાં હતા. તેણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તે આ લગ્ન કરવા માંગતી નથી અને લગ્ન પ્રક્રિયામાં આગળ વધવા ઇચ્છુક નથી. પિતા અને દાદી દ્વારા અલગ અલગ જગ્યાએ રૂપિયાની લાલચથી તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. આ અંગે ટીનાએ અગાઉ પણ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપી હતી તથા આ મુદ્દો પરા લીગલ વોલન્ટિયરના ધ્યાન પર પણ લાવવામાં આવ્યો હતો. એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પરા લીગલ વોલન્ટિયર કુ. પ્રતીક્ષા રાઠોડ દ્વારા ટીનાના પિતા અને દાદીને સમજાવવામાં આવ્યું હતું કે 18 વર્ષથી નીચેની બાળકીના લગ્ન તેની સંમતિ વિના કરાવવા એ ગુનો છે, જેમાં 2 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ છે. આવા લગ્ન ગોઠવવામાં અથવા કરાવવામાં સામેલ તમામ વ્યક્તિ જવાબદાર બને છે. પિતા અને દાદી દ્વારા વિવિધ સ્થળોએ લગ્ન ગોઠવવાનો પ્રયાસ થતો હોવાથી તેમને એકથી વધુ વખત કાયદાની જોગવાઈઓ અને તેના ગંભીર પરિણામોની સ્પષ્ટ જાણ કરવામાં આવી હતી. પરિણામે ટીના પિતા અને દાદી બાલ્યાવસ્થામાં તેના લગ્ન ન કરાવવા બાબતે સંમત થયા હતા.
વિવાદ:ભવનાથમાં અન્નક્ષેત્રની જગ્યા માટે સાધુઓ વચ્ચે મારામારી
ભવનાથમાં સોમવારે અન્નક્ષેત્રની જગ્યા માટે સાધુઓ વચ્ચે મારામારી થતાં સામસામી ફરિયાદ થઈ હતી. પોલીસે 5 સામે કાર્યવાહી કરી તપાસ શરૂ કરી હતી. ભવનાથમાં બાલક સાહેબની જગ્યા ભારતી આશ્રામની બાજુમાં રહેતા 60 વર્ષીય ગુલાબદાસ વાલદાસ પઢીયાર નામના મેઘવાળ સાધુ સોમવારે પરિવાર સાથે ઘરે હતા. ત્યારે ઘરની બહાર આવેલ ખુલ્લી જગ્યામાં સેવક વિનોદભાઈને અન્નક્ષેત્ર તથા સંતવાણીનો કાર્યક્રમ કરવાનો હોવાથી જગ્યાની સફાઇ કરવા ગયા હતા. તે દરમિયાન 2અજાણ્યા સાધુએ આવી રસ્તો તેમજ જગ્યા બંધ કરી ધુણો શરૂ કરવાનું કરી દીધું હતું જેથી તેઓને ગુલાબદાસે રસ્તો બંધ કરવાની અને પોતાની માલિકીની જગ્યામા આવવાની ના પાડતા બંને સાધુએ ઉશ્કેરાઈ જઇ તેને તથા તેના ભાઈ ભગવાનદાસને ઘરે આવી હાથ મરડી જાપટ મારી હતી. જેથી વૃધ્ધ પોલીસ સ્ટેશન પર ફરીયાદ કરવા જતા હતા ત્યારે રસ્તામાં પણ રોકી માર માર્યો હતો. સામા પક્ષે શ્રીશંભુ પંચ દશનામ જુના અખાડાના 53 વર્ષીય રાજરાજેશ્વરીગીરી ગુરૂ થાનાપતી બુધ્ધગીરી નાગાબાવા અખાડા પાસે પ્રેમગીરી અતિથી ભવનના ગેઇટ સામે આવેલ ઝાડ નીચે છેલ્લા 36 વર્ષથી અન્નક્ષેત્ર ચલાવતા હોય અને તે જગ્યાની બાજુમાં આવેલ આશ્રામવાળા ભાડેથી આ જગ્યા કોઇ બીજાને આપતા હોય જેથી રાજરાજેશ્વરીગીરીએ જગ્યા ભાડે આપવાની ના પાડતા 3 અજાણ્યા શખ્સે ઉશ્કેરાઈ જઈને પછડી દીધા હતા અને અને પથ્થર મારી ઇજા પહોંચાડી હતી. ઘટના અંગે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કાર્યવાહી:મધુરમમાંથી બાઈક ચોરનાર પીધેલી હાલતમાં પકડાયો
શહેરના મધુરમ વિસ્તારમાંથી બાઈક ચોરનાર શખ્સને પીધેલી હાલતમાં નંબર પ્લેટ વગરની બાઈક સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. મધુરમ વિસ્તારની શ્રીનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ પાલાભાઈ વાળાનું જીજે 11 એલએલ 9716 નંબરનું બાઈક ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ રાત્રે 9:30 વાગ્યે શેરીમાંથી ચોરાઈ ગયું હતું. રૂપિયા 15,000ની કિંમતના બાઈકની ચોરીની ફરિયાદ થતા સી ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. સોમવારે પીઆઇ એ. બી. ગોહિલની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મધુરમ વંથલી રોડ પર આવેલ રામાપીરના મંદિર પાસે એક શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવતો જોવા મળ્યો હતો. જેથી તેને રોકી પૂછપરછ કરતા શખ્સ મધુરમ, રામાપીરના મંદિરની સામે બુધવિહારની બાજુમાં આવેલ અવિધિ નગરમાં રહેતો મૂળ ઉપલેટા તાલુકાના નાગવદર ગામનો 32 વર્ષીય શૈલેષ કિશોરભાઈ માકડીયા હોવાનું જણાવ્યું હતું. બાઈકના કાગળો નહિ હોવાનું જણાવી બાઈક શ્રીનગર સોસાયટીમાંથી ચોર્યું હોવાની કબુલાત આપી હતી. શખ્સ વિરૂધ્ધ અગાઉ સી ડિવિઝન તેમજ વંથલી પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાયો હતો.
આયોજન:જામજોધપુરમાં આયોજિત આયુષ મેળાનો અઢી હજારથી વધુ નાગરિકોએ લાભ લીધો
જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ નિયામક આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ 31મી ના રોજ જામજોધપુરના શ્રી કડવા પાટીદાર જ્ઞાતિ સેવા સમાજ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ એવી આયુર્વેદ અને હોમિયોપેથીનો વ્યાપ વધે અને લોકો કુદરતી સારવાર દ્વારા પોતાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા હેતુથી આ પ્રજાલક્ષી મેળો યોજાયો હતો. આ મેળામાં નિઃશુલ્ક નિદાન સારવાર ઉપરાંત પ્રકૃતિ અને નાડી પરીક્ષણ, બાળકો માટે સુવર્ણ પ્રાશન, પંચકર્મ અને અગ્નિકર્મ જેવી વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ પ્રેશર અને સુગરની તપાસ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રસોડામાં વપરાતી ઘરગથ્થુ ઔષધિઓનું પ્રદર્શન, આયુર્વેદિક ચાર્ટ પ્રદર્શન અને પર્યાવરણના જતન માટે નિઃશુલ્ક ઔષધ રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન કુલ 610 દર્દીઓએ સારવાર મેળવી હતી, જ્યારે ૨૫૦૦થી વધુ લોકોએ મુલાકાત લઈ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગલાભાઈ ગરસર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના હસમુખભાઈ કણજારીયા, તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન રાઠોડ, નગરપાલિકા પ્રમુખ કંચનબેન ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ભાજપ શહેર પ્રમુખ રવિભાઈ શિહોરા, તાલુકા પ્રમુખ ભાગ્યેશભાઈ માણસુરીયા તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયુષ મેળાને સફળ બનાવવા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય હિરેન ઠક્કરના નેતૃત્વમાં વૈદ્ય ફોરમ પરમાર, ભાવેશ બેરા, અંકિતા સોલંકી, જિજ્ઞેશ સોનગરા સહિતના તબીબો અને ફાર્માસિસ્ટની ટીમે જહેમત ઉઠાવી હતી.
કરૂણાંતિકા:જામનગરમાં બીડી પીતા દાઝી ગયેલા વૃદ્ધનું મૃત્યુ
જામનગર શહેરમાં પેરાલીસીસની બીમારીથી પીડાતા વૃધ્ધ ખાટલામાં બીડી પીતા હોય અને આગ લાગતા શરીરે દાઝી જતાં વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું છે. શહેરના ઈન્દીરા માર્ગ જકાતનાકા આશાપુરા હોટેલની બાજુમાં વિજયનગર શેરીનં-3માં રહેતા પરબતભાઈ રાજાભાઈ ગોજીયા (ઉ.વ.65) નામના વૃધ્ધને પેરાલીસી હોય, જેથી તેમનું અડધુ શરીર કામ કરતુ ન હતું. ગત તા.21 જાન્યુઆરીના રોજ સવારના સમયે તેઓ ખાટલામાં બીડી પીતા હતા. ત્યારે બીડીમાંથી તણખો ખાટલામાં અડી જતાં સળગતા વૃધ્ધ શરીરે દાઝી ગયા હતા. તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગેની દિનેશભાઈ પરબતભાઈ ગોજીયાએ પોલીસમાં જાહેર કર્યુ છે.
દુર્ઘટના:લગ્નમાંથી ઘરે જતાં અકસ્માતમાં સગીરનું મોત, પિતા-પુત્રને ઈજા
જામનગર-રાજકોટ હાઈવે પર હાપા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં લગ્ન પ્રસંગમાં ગયેલા 13 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે સાથે રહેલા પિતા-પુત્રને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વસઈમાં રહેતા કારાભાઈ ડાયાભાઈ ટારીયા (ઉ.વ.42) નામના યુવકના 13 વર્ષના પુત્ર મેઘરાજ ઉર્ફે મેઘાભાઈ નામના માતા સાથે જામનગર લગ્નમાં ગયા હતા. ગત તા.2ના મોડી રાતના કારાભાઈના સાળા મુકેશભાઈ સાથે તેમનો દિકરો મેઘરાજ અને મુકેશભાઈનો પુત્ર જીતેશભાઈ મોટર સાયકલ લઈને જામનગરથી હાપા જતા હતાં. હાપા ગામ પાસેપસાર થતા હતા. ત્યારે પુરપાટ આવતા અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રણેયને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કારાભાઈના પુત્ર મેઘરાજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર કારગત નિવડે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મુકેશભાઈ અને તેમના પુત્ર જીતેશને ઈજા પહોંચતા સારવારમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પીએસઆઈ એ.આર. પરમાર સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને શોધખોળ આરંભી છે.
વાતાવરણ:લઘુતમ પારો 16.6 ડિગ્રી ટાઢોડામાંથી મુક્તિ મળી
જામનગર શહેરમાં સતત ત્રીજા દિવસે લઘુતમ તાપમાનમાં વધારો થતા 16.6 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જેના કારણે સપ્તાહના પ્રારંભથી તિવ્ર ઠંડીનુ જોર ધીમુ પડયુ છે.જોકે,રાત્રીથી સવાર સુધી ટાઢનો મુકામ બરકરાર રહયો છે. જામનગર શહેરમાં મંગળવારે પણ લઘુતમ તાપમાન આંશિક વધારા સાથે 16.6 ડિગ્રી નોંધાયુ હતુ.છેલ્લા 48 કલાકથી અવિરત પારો ઉંચકાતા તિવ્ર ઠંડીથી જનજીવને આંશિક મુકિત મેળવી હતી.જે સાથે મહતમ પારો પણ 28.5 ડીગ્રી પર સ્થિર થયો હતો.જેના કારણે બપોરે સુર્યનારાયણના આગવા મિજાજનો અહેસાસ જનજીવને કર્યો હતો.જોકે, સુર્યાસ્ત સાથે જ ફરી વાતાવરણમાં ટાઢોડુ પ્રસર્યુ હતુ.ફેબ્રુઆરી માસના પ્રારંભથી જ ઠંડીનુ જોર ક્રમશ: ઘટતા જનજીવને પણ રાહત અનુભવી હતી.ઠંડીની સાથે પવનની ઝડપમાં પણ નોંધપાત્ર્ર ઘટાડો થતા પાંચથી દશ કિ.મી.ની ઝડપ નોંધાઇ હતી.જોકે, હજુ પણ ઠંડીના એક રાઉન્ડની સભાવના જાણકારો દર્શાવી રહયા છે. શહેરમાં સવારે આકાશમાં હળવા વાદળો પણ છવાયેલા રહયા હતા.જોકે,થોડીવારમાં જ વાતાવરણ પુન: સ્વચ્છ જોવા મળ્યુ હતુ.
કાર્યવાહી:મનપા દ્વારા ડી.પી.કપાતમાં 963 દબાણોનું ડિમોલિશન, રૂ.295 કરોડની જગ્યા ખુલ્લી
જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025માં ડી.પી. કપાતમાં 963 જેટલા આસામીઓની મિલ્કતોનું ડીમોલીશન કરીને રૂ.295.66 કરોડની કિંમતની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. જેમાં 54,790 ચોરસ ફુટ અને શહેરના બચુનગરમાં 7,74,286 સ્કવેર ફુટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. તો રંગમતી રીવરફ્રન્ટમાં ગેરકાયદે કરાયેલા દબાણમાં 294 આસામીઓની મિલ્કતોને નોટીસો આપીને ડીમોલેશન કરવામાં આવ્યું છે. શહેરી વિકાસના કામોમાં ગેરકાયદે થયેલા દબાણો દુર કરવા માટે મ્યુ.તંત્ર દ્વારા વર્ષ 2025માં 295.66 કરોડની બજાર કિંમતની જગ્યાઓ ખુલ્લી કરાવવામાં આવી છે. જેમાં શહેરના સોનાપુરી રોડથી સ્વામીનારાયણ નગરથી ડ્રીમ સીટી થઈ નવાગામ ઘેડમાંથી પસાર થઈ ગાંધીનગર ગ્રોફેડ મીલવાળા રોડને જોડતો 30 મીટર ડી.પી.રોડ (હાલે 12 મીટર અમલીકરણ), જેમાં 331 આસામીઓને કપાતની અસર થયેલ હતી. તેમાં અંદાજીત રૂ.21.87 કરોડની 13,547 ચોરસ મીટર જમીન મહાનગરપાલિકા દ્વારા ખુલ્લી કરાવવામાં આવી હતી. તેમજ શહેરના ડીવાયએસપી બંગલા થઈ મીગ કોલોની સુધીનો 8 મીટર ડી.પી.રોડ મંજુર કરાયો હતો. જેમાં 8 આસામીઓને કપાતની અસર થયેલ અને તેમાં અંદાજીત રૂ.11.97 કરોડની 4,450 ચોરસમીટર જગ્યા મ્યુ.તંત્ર દ્વારા ખુલ્લી કરાવવામાં આવી છે. તેમજ શહેરના જ્ઞાનશક્તિ સર્કલ (ગોકુલનગર જકાતનાકા)થી સમર્પણ સર્કલ સુધીનો 30 મીટર પહોળો ડી.પી.રોડમાં 28 આસામીઓને કપાતની અસર થયેલ હતી. તેમાં અંદાજીત રૂ.8.07 કરોડની 3,750 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના રંગમતી રીવ ફ્રન્ટમાં 294 આસામીઓ દ્વારા દબાણ કરાયેલી 33,043 ચોરસમીટર જગ્યા કે જેની અંદાજીત રૂ.53.35 કરોડ કિંમતની છે. તેમજ બચુનગર તરીકે ઓળખાતી મહાનગર પાલિકાની માલિકાની જગ્યા જેની અંદાજીત કિંમત રૂ.200.50 કરોડ થવા પામે છે તે પણ ખુલ્લી કરાવવામાં આવી હતી. જેમાં 300 આસામીઓએ અંદાજિત 7,74,286 સ્કવેર ફુટ જગ્યા હોવાનું તંત્રએ જાહેર કર્યુ હતું. મ્યુ.તંત્ર દ્વારા 4 ટી.પી. સ્કીમની અમલવારી કરાવવામાં આવીજામનગર મહાનગરપાલિકાએ મુસદારૂપ મંજુર ટી.પી.સ્કીમ નં-11, 20, 21 અને 23માં કુલ 4 ટી.પી. રસ્તાઓ (રાધિકા સ્કુલ રોડથી જામનગર-રાજકોટ બાયપાસને જોડતો તથા ઠેબા ચોકડી નજીકથી ખુલ્લા કરી કબજો મેળવે છે, જેમાં રૂ.2.80 કરોડના ખર્ચે મેટર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

34 C