SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

દેશભરના 450થી વધુ દિલ જીતી લેતા કબૂતરો ભરૂચમાં:પ્રેમના પ્રતીકને વિજેતા જાહેર કરવા જર્મની સહિતના દેશના જજ, ભરૂચમાં ઓલ ઇન્ડિયા પીજન શોની બીજી સિઝન,

ભરૂચના ચાવજ વિસ્તારમાં આવેલા રંગૂન હોલ ખાતે બીજા 'ઓલ ઇન્ડિયા પીજન શો'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કબૂતર પાલકોને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ અનોખા મેળામાં દેશના વિવિધ રાજ્યોમાંથી પક્ષી પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. વિવિધ રાજ્યના દુર્લભ જાતિના કબૂતરઆ શોમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોના કબૂતર પાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રદર્શનમાં કુલ 14 અલગ-અલગ બ્રીડના અંદાજે 450 જેટલા આકર્ષક કબૂતરો રજૂ કરવામાં આવ્યા હતા. કઈ કઈ બ્રીડના કબૂતર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ મૂલ્યાંકનપ્રદર્શનમાં રજૂ કરાયેલા કબૂતરોનું મૂલ્યાંકન આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું હતું. પક્ષીઓની જાતિ, શારીરિક બંધારણ, પાંખોની રંગછટા, સુંદરતા અને તેમના સ્વાસ્થ્યના કડક માપદંડોને આધારે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ દેખાવ કરનારા કબૂતરોના માલિકોને પુરસ્કાર અને સન્માન પત્ર આપી નવાજવામાં આવ્યા હતા. નિષ્ણાતો દ્વારા માર્ગદર્શનમાત્ર પ્રદર્શન જ નહીં, પરંતુ આ પ્રસંગે આયોજકો દ્વારા કબૂતર પાલન વિશે શૈક્ષણિક સત્ર પણ યોજાયું હતું. જેમાં પક્ષીઓનો યોગ્ય આહાર, રસીકરણ, અને સ્વાસ્થ્ય સંભાળ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગે અને પશુ-પક્ષી સંરક્ષણ માટે સામાજિક જવાબદારી વધે તેવો રહ્યો હતો. સ્થાનિક નગરજનો અને પક્ષી પ્રેમીઓની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે આ આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આયોજક સમિતિએ કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન માટે સઘન પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:25 pm

પોકેટ કોપથી ચોરાયેલી ચાર બાઈક શોધી કઢાઈ:પાલનપુર પોલીસે પાલનપુર, વડગામ, અમદાવાદથી ચોરાયેલી બાઈક શોધી એક શખસને ઝડપી પાડ્યો

પાલનપુર તાલુકા પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી ચોરાયેલી ચાર મોટરસાયકલ શોધી કાઢી છે. આ બાઈકો પાલનપુર, વડગામ અને અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે, પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. જે.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ધાંધલ્યાની રાહબરી હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે રામપુરા વડલા ખાતે એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલકને રોક્યો હતો. પૂછપરછ કરતાં, તે વ્યક્તિ વાહન સંબંધિત કોઈ માન્ય દસ્તાવેજો રજૂ કરી શક્યો ન હતો. પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી વાહન સર્ચ કરતાં જાણવા મળ્યું કે આ મોટરસાયકલ એક મહિના પહેલા માણકા, તા. પાલનપુર ખાતેથી ચોરાઈ હતી અને તેની ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વધુ પૂછપરછમાં આરોપીએ અન્ય ત્રણ મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ ચાર મોટરસાયકલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:24 pm

7 દિવસ સુધી શુષ્ક વાતાવરણની આગાહી:એક ટ્રફ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં મધ્ય મહારાષ્ટ્રથી દક્ષિણ હરિયાણા સુધી એક ટ્રફ સિસ્ટમ સક્રિય છે, જે સમુદ્ર સપાટીથી અંદાજે 0.9 કિમીની ઊંચાઈ પર સ્થિત છે. આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તાપમાનમાં 7 દિવસ કોઈ મોટો ફેરફાર નહિ થાયઆ ઉપરાંત, ઉત્તર પાકિસ્તાન ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, પરંતુ તેની ગુજરાતના હવામાન પર કોઈ ખાસ અસર થવાની શક્યતા નથી. જ્યારે આગામી 7 દિવસની આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો કે મહત્વપૂર્ણ ફેરફાર થવાની સંભાવના નથી. દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલમાં માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. જોકે, ઉત્તર અને ઉત્તર-પૂર્વીય પવનો 15થી 20 નોટની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં મહાનગરોમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન રાજ્યના અન્ય શહેરોમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:23 pm

અમરેલીમાં તમાકુ નિયંત્રણ: રૂ. 2,600 દંડ વસૂલાયો:COTPA-2003 હેઠળ 14 કેસ નોંધી કાર્યવાહી કરાઈ

અમરેલી ડિસ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ – 2003 (COTPA-2003) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ 14 કેસ નોંધી રૂ. 2,600નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને નોડલ અધિકારી (તમાકુ નિયંત્રણ કાર્યક્રમ)ના નેતૃત્વ હેઠળ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં તમાકુ નિયંત્રણને વધુ અસરકારક બનાવવા માટે આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, માહિતી નિયામક કચેરી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, આર.ટી.ઓ. તથા સ્થાનિક સંસ્થાઓની સંયુક્ત ટીમે કામગીરી કરી હતી. આ ટીમે જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારાઓ, પ્રતિબંધિત સ્થળોએ તમાકુ ઉત્પાદનોનું વેચાણ કરનારાઓ અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, તમાકુ ઉત્પાદનોના પેકેટ પર કાયદેસર ચેતવણીનો અભાવ, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની 100 ગજની અંદર તમાકુનું વેચાણ, તેમજ જાહેર સ્થળોએ ધુમ્રપાન જેવા ગુનાઓ સામેલ હતા. COTPA-2003ની વિવિધ કલમો હેઠળ આ ગુનાઓ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. વસૂલવામાં આવેલી દંડની રકમ સરકારી ખાતામાં જમા કરાવવામાં આવી છે. આ કાર્યવાહી અમરેલી શહેરના નાગનાથ બસસ્ટેન્ડ, લાઠી રોડ, કોલેજ સર્કલ, માર્કેટીંગ યાર્ડ, સ્ટેશન રોડ અને બાયપાસ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. કુલ 59 વિક્રેતાઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે COTPA-2003ના નિયમોના ભંગ બદલ 14 કેસ નોંધાયા અને રૂ. 2,600નો દંડ વસૂલવામાં આવ્યો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જનતાને તમાકુના ઉપયોગથી થતી ગંભીર આરોગ્ય હાનિને ધ્યાનમાં રાખી, જાહેર આરોગ્યના હિતમાં તમાકુથી દૂર રહેવા અને કાયદાનું પાલન કરવા અપીલ કરી છે. તેમણે તમામ વેપારીઓ અને નાગરિકોને તમાકુ નિયંત્રણ અધિનિયમ–2003ના નિયમોનું કડક પાલન કરવા પણ અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:20 pm

ગૌરક્ષક ટીમે 40થી વધુ ગાયોને રેડિયમ પટ્ટી લગાવી:જાહેર માર્ગો પર રાત્રીના અકસ્માતો ઘટાડવા વિશ્વ હિન્દુ પરિષદની પહેલ

અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ની ગૌરક્ષક ટીમે જાહેર માર્ગો પર 40થી વધુ રખડતી ગાયોને રેડિયમ પટ્ટી લગાવી છે. રાત્રીના સમયે થતા અકસ્માતો ઘટાડવા અને પશુઓ તેમજ વાહનચાલકોના જીવ બચાવવાના ઉદ્દેશ્યથી આ પહેલ કરવામાં આવી છે. જિલ્લામાં રાત્રીના સમયે રખડતા પશુઓને કારણે માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. વાહનોની અડફેટે આવવાથી પશુઓના જીવ જાય છે અને નિર્દોષ વાહનચાલકોને પણ ગંભીર ઈજાઓ થાય છે, કેટલીકવાર જીવ પણ ગુમાવવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, VHPની ગૌરક્ષક ટીમના સભ્યોએ મોડી રાત્રે રેડિયમ બેલ્ટ સાથે વિવિધ માર્ગો પર ગાયોને પટ્ટીઓ લગાવી હતી. રેડિયમ પટ્ટીઓ રાત્રીના અંધારામાં વાહનચાલકોને ગાયોની હાજરી વિશે જાગૃત કરશે, જેથી અકસ્માતો ટાળી શકાય. ખાસ કરીને રાજુલા-સાવરકુંડલા હાઈવે જેવા માર્ગો પર રાત્રીના અને સવારના સમયે પશુઓનો અડ્ડો જોવા મળે છે, જેના કારણે અકસ્માતનો ખતરો વધી જાય છે. અગાઉ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પણ આવા અકસ્માતોમાં અનેક વાહનચાલકોએ જીવ ગુમાવ્યા હોવાના કિસ્સા બન્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:17 pm

ગુજરાતને નેશનલ હેન્ડબોલમાં ગોલ્ડ મેડલ:69મી SGFI અંડર-19 ભાઈઓની સ્પર્ધામાં ટીમે જીત મેળવી

ગુજરાત રાજ્યે 69મી શાળાકીય રમત (SGFI) 2025 નેશનલ કક્ષાની અંડર-19 ભાઈઓની હેન્ડબોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે રાજ્યે રાષ્ટ્રીય સ્તરે પોતાનો દબદબો ફરી સ્થાપિત કર્યો છે. આ સ્પર્ધા સોમનાથ ખાતે 27 થી 31 દરમિયાન યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યની ટીમે ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત હેન્ડબોલ ટીમમાં આદર્શ વિદ્યાલય, બોટાદના બે ખેલાડીઓ - હાંડા હર્ષદ અને ભમ્મર જયદીપ - એ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. આ ખેલાડીઓએ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત રાજ્ય, બોટાદ જિલ્લા રમત વિકાસ અધિકારી અને સમગ્ર બોટાદ જિલ્લા માટે ગૌરવ અપાવ્યું છે. આદર્શ શૈક્ષણિક સંકુલ, બોટાદ વતી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુ સાહેબ અને આચાર્ય સંજયભાઈ ધાધલે વિજેતા ખેલાડીઓ તેમજ ડિસ્ટ્રિક્ટ કોચ કૌશિકભાઈ પટેલ અને હેન્ડબોલ ટ્રેનર નકુમ પાયલ સહિત DLSS ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ આપી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:17 pm

કાર ચાલકની દાદાગીરી, પોલીસ કર્મીને મારમાર્યો-VIDEO:નો-પાર્કિંગમાં ટોઈંગ કરવા ગયેલા હેડ કોન્સ્ટેબલ સાથે બોલાચાલી કરી, સુરતમાં કારચાલક સામે ગુનો દાખલ

સુરત શહેરના ઉધના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધનામાં આવેલા સિલિકોન શોપર્સ પાસે નો-પાર્કિંગમાં ઉભેલી કારને ટોઈંગ કરવાની કામગીરી કરી રહેલા ટ્રાફિક પોલીસ કર્મી પર કાર ચાલકે હુમલો કરી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગાડી ટોઈંગ કરતાં પોલીસકર્મી સાથે બબાલમળતી માહિતી મુજબ, ઉધનાના વ્યસ્ત એવા સિલિકોન શોપર્સ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો-પાર્કિંગમાં ઉભેલા વાહનો હટાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક ફોર-વ્હીલ કાર ખોટી રીતે પાર્ક થયેલી હોવાથી ટ્રાફિક પોલીસના જવાનો તેને ટોઈંગ કરી રહ્યા હતા. પોતાની ગાડી ટોઈંગ થતી જોઈ કાર ચાલક સુનિલ મિસ્ત્રી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પહેલા પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી અત્યંત અભદ્ર વર્તન કર્યું હતું. પોલીસ કર્મી પર હાથ ઉપાડ્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલમામલો એટલો બિચક્યો હતો કે કારચાલકે કાયદાનો ડર રાખ્યા વિના ફરજ પરના પોલીસ કર્મી પર હાથ ઉપાડ્યો હતો અને તેમની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. કાર ચાલકની આ ગુંડાગર્દી આસપાસ ઉભેલા લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે કાર ચાલક પોલીસ કર્મી સાથે ઘર્ષણ કરી રહ્યો છે. આ લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાર ચાલક સામે ફરજ રૂકાવટનો ગુનો દાખલફરજ પર રુકાવટ અને હુમલાની આ ઘટના બાદ ભોગ બનનાર ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે કાર ચાલક સુનિલ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. જાહેર માર્ગો પર વાહનો પાર્ક કરતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે અને ફરજ પરના અધિકારીઓ સાથે ગેરવર્તન કરવું એ ગંભીર ગુનો બને છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:00 pm

ગોધરા ભાજપ કાર્યાલયમાં બજેટ નિહાળવાનો કાર્યક્રમ:નિર્મલા સીતારામણ દ્વારા રજૂ કરાયેલ બજેટને શિક્ષણવિદોએ આશાસ્પદ ગણાવ્યું

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા સંસદમાં રજૂ કરાયેલ વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટને નિહાળવા માટે આજે ગોધરા સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનો, ગોધરાના અગ્રણી વેપારીઓ અને કોમર્સ ક્ષેત્રના શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ બજેટનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. બજેટની જાહેરાતો બાદ, ઉપસ્થિત શિક્ષણવિદોએ પોતાની પ્રતિક્રિયા આપતા તેને મધ્યમ વર્ગ માટે આશાસ્પદ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, બજેટમાં ગંભીર બીમારીઓની દવાઓના ભાવ ઘટાડવા અને સોલાર પેનલ સસ્તી કરવાની જોગવાઈઓ મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક રીતે લાભદાયી સાબિત થશે. ખાસ કરીને, સ્વાસ્થ્ય અને ઉર્જા ક્ષેત્રે અપાયેલી આ રાહતો સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવશે તેવી આશા બુદ્ધિજીવીઓ અને વેપારી અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:55 pm

બોટાદ LCBએ વિદેશી દારૂનો જથ્થો પકડ્યો:બલેનો કારમાંથી 581બોટલ સાથે એક આરોપી ઝડપાયો

બોટાદ LCB પોલીસે મિલેટ્રી ચોકડી પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક બલેનો કારમાંથી ૫૮૧ બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષકની સૂચના અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ દારૂબંધીને નેસ્તનાબૂદ કરવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB બોટાદના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. સોલંકીના સુપરવિઝન હેઠળ, એ.એસ.આઇ. રામદેવસિંહ દેવુભા મોરી અને એ.એસ.આઇ. મયુરસિંહ રામસિંહ ડોડીયાને મળેલી બાતમીના આધારે મિલેટ્રી ચોકડી ખાતે ખાનગી વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન નાની વાવડીના રહેવાસી ભરતભાઈ ઉર્ફે ભુરો ધુડાભાઈ પાડલીયાને તેમની બલેનો કાર (નંબર GJ-06-LK-8688) સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. કારની તલાશી લેતા, ગેરકાયદેસર પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની ૫૮૧ સીલપેક બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૯૦,૭૯૦/- આંકવામાં આવી છે. પોલીસે ફોર વ્હીલ ગાડી સહિત કુલ રૂ. ૩,૯૦,૭૯૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:52 pm

મોરબી પોલીસે 62.63 લાખનો ખોવાયેલો મુદ્દામાલ પરત કર્યો:22 મોબાઈલ, સોનાના દાગીના 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ સોંપ્યા

મોરબી એ ડિવિઝન પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત અરજદારોનો ખોવાયેલો રૂ. ૬૨.૬૩ લાખનો મુદ્દામાલ પરત કર્યો છે. આ મુદ્દામાલમાં ૨૨ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. પોલીસે ગુમ થયેલા ૨૨ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કિંમત રૂ. ૪,૧૩,૦૮૯ આંકવામાં આવી છે. આ ઉપરાંત, એક અરજદારનું રૂ. ૬ લાખનું સોનાનું પેન્ડલ, ચાર સોનાના બિસ્કીટ અને સોનાનો ચેન પણ પરત કરવામાં આવ્યા હતા. સોનાના દાગીનાની કુલ કિંમત રૂ. ૫૨,૫૦,૦૦૦ થાય છે. આ મુદ્દામાલ શોધવા માટે પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કર્યો હતો. ગુમ થયેલા મોબાઈલ ફોન અને સોનાના દાગીના શોધી કાઢીને મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:51 pm

મોરબી લાયોનેસ ક્લબ દ્વારા 180 વિધવા બહેનોને સાડી વિતરણ:પૂર્વ પ્રમુખ પ્રીતિબેન દેસાઈના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 180 વિધવા અને જરૂરિયાતમંદ બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ક્લબના પૂર્વ પ્રમુખ પ્રીતિ દેસાઈએ તેમના જન્મદિવસ, 29 જાન્યુઆરીના રોજ, આ કાયમી પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રોજેક્ટ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી દર વર્ષે યોજાય છે અને આ તેનો સતત નવમો વર્ષ હતો. પ્રીતિબેન દેસાઈના આર્થિક સહયોગથી આ કાયમી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. તેઓ ઇન્ડિયન લાયોનેસ ક્લબના વિવિધ સેવાકીય કાર્યોમાં શરૂઆતથી જ મહત્વપૂર્ણ યોગદાન આપતા રહ્યા છે. આ પ્રસંગે સંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા, ફાઉન્ડર શોભનાબા ઝાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ નયના બારા અને ઈમીડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા સહિત સમગ્ર ટીમે પ્રીતિ દેસાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:49 pm

ગોધરા 'શ્રી કમલમ' ખાતે કેન્દ્રીય બજેટનું જીવંત પ્રસારણ:ધારાસભ્ય સી.કે. રાઉલજી અને ભાજપના કાર્યકરોએ નિહાળ્યું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે લોકસભામાં વર્ષ ૨૦૨૬-૨૭નું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટને લોકો સુધી પહોંચાડવા અને તેની વિગતો સમજવા માટે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગોધરા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે મોટી સ્ક્રીન પર બજેટનું જીવંત પ્રસારણ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને શહેરના વિવિધ હોદ્દેદારો પણ જોડાયા હતા. કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શક્તિકેન્દ્રના સંયોજકો તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યકરોએ બજેટની જાહેરાતોને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધી હતી. ધારાસભ્ય અને હોદ્દેદારોએ બજેટના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી તેને જનહિતલક્ષી ગણાવ્યું હતું. બજેટ નિહાળ્યા બાદ ઉપસ્થિત સૌ કાર્યકરોએ 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:48 pm

સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ દ્વારા ફિલ્ડ વિઝિટ યોજાઈ:કાંકણપુર પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ પણ કરાયો

પંચમહાલ જિલ્લા સુરક્ષા સોસાયટી અંતર્ગત કાંકણપુર પોલીસ સ્ટેશન અને રતનપુર (કાં) પ્રાથમિક/માધ્યમિક શાળાના સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) દ્વારા એક ફિલ્ડ વિઝિટ અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SPC બાળકોએ પોલીસ કાર્યપ્રણાલી અને ટ્રાફિક નિયમો વિશે જાણકારી મેળવી હતી. કાંકણપુર પોલીસ સ્ટેશનની ફિલ્ડ વિઝિટ દરમિયાન, કેડેટ્સને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમને કેસ, જેલ, ગુના, ક્રાઈમ, પોસ્કો, લેબર ગુનાની કલમો, સજા, રાઈફલ, ગોળીઓ અને બોમ્બ જેવી બાબતો અંગે ઊંડાણપૂર્વક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ ઉપરાંત, SPC કેડેટ્સે વિવિધ માર્ગો પર ફ્લેગ માર્ચ કરી હતી. પોલીસ સ્ટેશન બહાર વાહન ચેકિંગ ચેકપોસ્ટ પર વાહનચાલકોને લાલ ગુલાબ આપીને સીટબેલ્ટ બાંધવા, હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા અને અન્ય ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કાંકણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એલ. કામોલ , પીએસઆઈ પલાસ , રિઝર્વ ડી.આઈ. અશોક પરમાર, સુનિતા પરમાર અને દીપક પરમાર તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ભરત પટેલ અને હર્ષવર્ધનસિંહ પુવારે પણ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.પી.આઈ. એસ.એલ. કામોલ અને શાળાના આચાર્યએ SPC બાળકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તમામ કાયદાઓનું પાલન કરવા, ભવિષ્યમાં સારા નાગરિક બની વ્યક્તિગત ઘડતર કરીને સમાજ, શાળા, ગામ, જિલ્લા અને દેશનું નામ રોશન કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:30 pm

અમદાવાદ એરપોર્ટ પરથી 108.07 ગ્રામ સોના એક શખ્સ ઝડપાયો:મોઢામાં કાળા ટેપમાં લપેટીને 4 કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ સંતાડ્યા હતા

અમદાવાદ એરપોર્ટ પરથી ફરી વાર સોનું ઝડપાયું છે. કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી અમદાવાદ આવી રહેલા સુનિલ ભાટીયાને 108.07 ગ્રામ સોના સાથે ઝડપ્યો છે. જેની બજાર કિંમત અંદાજે 17.19 લાખ થાય છે. મુસાફરે માઉથમાં કાળા ટેપમાં લપેટીને ચાર કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ સંતાડ્યા હતા. બેંગકોકથી અમદાવાદ આવતી ફલાઈટમાં સોનાની દાણચોરીઅમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સોનાની દાણચોરી કરતાં એક શખ્સને પકડ્યો છે. પેસેન્જર પ્રોફાઇલિંગ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે, ગત 31 જાન્યુઆરી 2026ના રોજ બેંગકોકથી અમદાવાદ આવતી વિયેટજેટ ફ્લાઇટ (VZ 750) દ્વારા ઉતરેલા મુસાફર સુનિલ ભાટિયાની અટકાયત કરવામાં આવી હતી. 17.39 લાખના સોનાના ચાર બિસ્કિટ જપ્તતપાસ દરમિયાન અધિકારીઓ ત્યારે ચોંકી ગયા જ્યારે મુસાફરના માઉથમાંથી કાળા ટેપમાં લપેટેલા ચાર કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. 108.07 ગ્રામ જપ્ત કરાયું છે. બજારમાં આ સોનાની અંદાજિત કિંમત ₹17,39,927 છે. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ મુદ્દામાલ જપ્ત કરી વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:27 pm

હિંમતનગરમાં પૂનમ નિમિત્તે મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના:હરસિદ્ધિ મંદિરે નવચંડી હવન, પંચદેવ મંદિરે આરતીનો લાભ

સાબરકાંઠા જિલ્લા સહિત હિંમતનગરમાં પૂનમ નિમિત્તે વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે નવચંડી હવનનો પ્રારંભ થયો હતો, જ્યારે પંચદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તોએ આરતીનો લાભ લીધો હતો. હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. યજમાન પલ્કેશકુમાર જોઈતારામ પટેલના હસ્તે નવચંડી હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ હવનમાં ચેતનભાઈ કનૈયાલાલ રાવલ મુખ્ય યજમાન તરીકે બિરાજમાન થયા હતા. આ નવચંડી હવનની પૂર્ણાહુતિ સાંજે શ્રીફળ હોમ સાથે કરવામાં આવશે. બીજી તરફ, હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તે આવેલા પંચદેવ મંદિરે માઘ મહિનાની પૂનમને લઈને રવિવારે સવારે અંબા માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પંચદેવ મંદિરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ આરતીનો લાભ લીધો હતો અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:08 pm

બજેટ 2026, જામનગરમાં આયુષ પાર્ક, ધોળાવીરા હેરિટેજ સિટી:ગુજરાતમાં મહિલા હોસ્ટેલ, ફાર્મા-સેમીકન્ડક્ટર હબનો પણ વિકાસ

કેન્દ્રીય બજેટ 2026 અંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના ધરમપુરની લાયબ્રેરી ખાતે ભાજપના અગ્રણીઓ સાથે બજેટ નિહાળ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ 'વિકસિત ભારત 2047' અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરનારું છે. આ બજેટમાં ખાસ કરીને ગુજરાતના વિકાસ માટે અનેક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે, જેનાથી રાજ્યના આર્થિક અને સામાજિક માળખાને મોટો વેગ મળશે. બજેટમાં ગુજરાતને મળેલી મુખ્ય ભેટોમાં જામનગરમાં આયુષ પાર્કની સ્થાપનાનો સમાવેશ થાય છે, જેને કેન્દ્ર સરકાર તરફથી વિશેષ સહાય મળશે. આ પ્રોજેક્ટથી આયુર્વેદ અને નેચરોપેથી ક્ષેત્રે ગુજરાત વૈશ્વિક હબ બનશે. આ ઉપરાંત, કચ્છના ઐતિહાસિક ધોળાવીરાને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાનું આયોજન છે, જેનાથી પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઊભી થશે. મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટા પગલા તરીકે, ગુજરાતના દરેક જિલ્લામાં મહિલાઓ માટે આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે. ફાર્મા ક્ષેત્ર માટે જાહેર કરાયેલા રૂ. 10,000 કરોડના પેકેજનો મોટો લાભ ગુજરાતને મળશે, કારણ કે ગુજરાત ફાર્મા ઉદ્યોગમાં દેશમાં અગ્રેસર છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે પણ દેશના 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટમાંથી 4 ગુજરાતમાં છે. બજેટમાં આ ક્ષેત્ર માટે રૂ. 46,000 કરોડની જોગવાઈ કરાતા ગુજરાત ગ્લોબલ ટેક હબ બનશે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, “આ બજેટ ખેડૂતો, યુવાનો, ગરીબો અને મહિલાઓ - આ ચાર સ્તંભોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. 25 કરોડ લોકો ગરીબીરેખાથી બહાર આવ્યા છે અને આ બજેટ વધુ લોકોને આર્થિક રીતે સક્ષમ બનાવશે.” વેપારીઓ અને ટેક્સ પેયર્સ માટે પણ રાહતની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' પર ભાર મુકતા વિદેશી પ્રવાસ પર લાગતા રૂ. 5 લાખના ટેક્સને ઘટાડીને રૂ. 2 લાખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નાના કોન્ટ્રાક્ટરો માટે TDS નો દર ઘટાડીને 1% કરવામાં આવ્યો છે, જેનાથી વેપારીઓને રોકડ પ્રવાહમાં મોટી રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:41 pm

મોરબીમાં ધમકી આપી ઢોર છોડાવવાનો મામલો:મનપાની ટીમ દ્વારા ફરી તે સ્થળેથી જ ઢોરને પકડીને ઢોરવાડામાં પૂરવામાં આવ્યું

મોરબીમાં મનપાની ઢોર પકડવાની ટીમે અગાઉ ધમકી આપીને છોડાવવામાં આવેલા ઢોરને તે જ સ્થળેથી ફરીથી પકડી પાડ્યું છે. આ કાર્યવાહી થોડા દિવસો પહેલા બનેલી ઘટના બાદ કરવામાં આવી છે, જેમાં બે શખ્સોએ ટીમને ધમકી આપીને પકડાયેલા ઢોરને છોડાવી દીધા હતા. ગત 9 જાન્યુઆરીના રોજ સવારે 9:45 વાગ્યાની આસપાસ મોરબીના ખાખરેચી દરવાજા પાસે મનપાની ટીમ રખડતા ઢોરને પકડવાની કામગીરી કરી રહી હતી. તે સમયે એક ગાયને પકડવામાં આવી હતી. આ દરમિયાન રાજુભાઈ દેવાભાઈ અને વિજયભાઈ રાતડીયા નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા. તેમણે મનપાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી, અપશબ્દો બોલી અને પકડાયેલી ગાયને છોડાવી દીધી હતી. આ શખ્સોએ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે મનપાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી વિપુલભાઈ લખમણભાઈ છૈયા (ઉંમર 29) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ દેવાભાઈ અને વિજયભાઈ રાતડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ નોંધાયા બાદ, મનપાની ઢોર પકડવાની ટીમે ફરીથી કાર્યવાહી કરી. જે સ્થળેથી ધમકી આપીને ઢોરને છોડાવવામાં આવ્યું હતું, તે જ ખાખરેચી દરવાજા પાસે જઈને ટીમે તે ઢોરને ફરીથી પકડીને ઢોરવાડામાં પૂરવાની કામગીરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:37 pm

અમદાવાદમાં સંત રવિદાસની 649મી જન્મજયંતીની ઉજવણી:સામાજિક સમરસતાના પ્રતીક સમી શોભાયાત્રા આશ્રમ રોડથી શાહીબાગ સુધી યોજાઈ

અમદાવાદમાં સંત રવિદાસની 649મી જન્મજયંતી ઉજવાઈ અમદાવાદમાં મધ્યકાલીન યુગના મહાન સંત અને 'બેગમપુરા'ના સ્વપ્નદ્રષ્ટા સંત શિરોમણી રવિદાસ મહારાજની 649મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રવિદાસ વિશ્વમહાપીઠ ગુજરાતના પ્રમુખ વિક્રમભાઈ ચૌહાણે જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં આ ઉત્સવ ખૂબ જ સન્માનપૂર્વક ઉજવાય છે. મહાનુભાવોની ઉપસ્થિતિ અને શોભાયાત્રાનું પ્રસ્થાન આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ આલોકકુમાર, જગદીશભાઈ વિશ્વકર્મા, આત્મારામભાઈ પરમાર, જીતુભાઈ વાઘેલા, પ્રદિપભાઈ પરમાર તથા મંત્રી મનીષાબેન વકીલ અને દર્શનાબેન વાઘેલા સહિત અનેક ધારાસભ્યો અને IAS અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સંત રવિદાસને પુષ્પાંજલિ અર્પણ કરી આરતી ઉતાર્યા બાદ લીલી ઝંડી બતાવી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સમાજની સુખાકારી માટે ભવ્ય આયોજન વિક્રમભાઈ ચૌહાણે આ યાત્રાને સમાજની ઉત્કૃષ્ઠતા અને સર્વે જ્ઞાતિની સુખાકારી માટેની યાત્રા ગણાવી હતી. આ શોભાયાત્રા આશ્રમ રોડથી શરૂ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:24 pm

જામનગરમાં નેપાળી હોટલ બોયની શંકાસ્પદ હાલતમાં લાશ મળી:હિમાલય સોસાયટીમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસ તપાસ શરૂ

જામનગરમાં હિમાલય સોસાયટી વિસ્તારમાંથી એક નેપાળી હોટલ બોયનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં અને શંકાસ્પદ રીતે મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મૃતક યુવકની ઓળખ 32 વર્ષીય રાજન કેસી નેપાળી તરીકે થઈ છે, જે ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસાયટી શેરી નંબર-3માં રહેતો હતો અને એક હોટલમાં કામ કરતો હતો. તેનો મૃતદેહ મકાનની અગાસી પર લોખંડના એન્ગલ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. મોડી સાંજે આ મૃતદેહ મળી આવતાં જામનગરનો સિટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. શહેર વિભાગના DYSP જે. એન. ઝાલાએ પણ સ્થળની મુલાકાત લઈ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પોલીસે નેપાળી યુવકના મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આસપાસના રહેવાસીઓ તેમજ હોટલમાં કામ કરતા અન્ય વ્યક્તિઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:24 pm

ગોધરા તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા:કાકણપુર, પઢીયાર સહિતના વિસ્તારોમાં સવારે ધરા ધ્રુજી, સ્થાનિકોમાં ભયનો માહોલ

ગોધરા તાલુકાના કાકણપુર, પઢીયાર, વેલવડ અને રામપુરા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ આંચકા સવારે 10 વાગ્યે, 8 મિનિટે અનુભવાયા હતા. ભૂકંપના આ હળવા આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. જિલ્લા પ્રશાસન દ્વારા ભૂકંપની ચોક્કસ માહિતી અને તેની તીવ્રતા જાણવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2001 બાદ પ્રથમ વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:14 pm

રાજકોટમાં કેન્સરના દર્દીઓ માટેના પેલીએટીવ કેર સેન્ટર શરૂ થશે:UP શંકરાચાર્ય વિવાદ મામલે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યને સવાલ કરતાં જવાબ ટાળ્યો

રાજકોટ અને સૌરાષ્ટ્રના કેન્સરગ્રસ્ત દર્દીઓને એક ઉત્તમ સારવારની સાથે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સપોર્ટ મળે તે માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પેલેટિવ કેર બનાવવામાં આવી રહ્યું છે. જેના માટે એક એકર જેટલી જમીન દાત્તા તરફથી મળતા ઓગષ્ટ મહિનાથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને હાલ રૂ.7 કરોડના ફંડ સાથે 25 બેડની બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે સમય રહેતા ફંડ વધશે તો બેડની સંખ્યા વધારીને 50 કરવામાં આવશે. ‘ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ’જેમાં દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે, દર્દીઓ માટે અહીં કેન્સર કેર સેન્ટર શરૂ થઈ રહ્યું છે તે ખૂબ જ સારી બાબત છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે, ગુજરાતમાં નહીં પરંતુ ભારતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ. અમે 50 વર્ષથી કહી રહ્યા છીએ કે ગૌ હત્યા બંધ કરવામાં આવે. હિન્દુ હોવાનું પહેલું પ્રમાણ એ જ ગૌમાતાની પૂજા છે. જોકે ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્યના ચાલી રહેલા વિવાદ અંગે પૂછવામાં આવતા તેમના દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. વિવિધ સાધુસંતોની હાજરીમાં ભૂમિપુજનરાજકોટ આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી તેમજ જીગ્નેશ દાદા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જ્યારે જૂનાગઢના ગિરનાર મંડળના અધ્યક્ષ અને કાશીના પંચ દશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતીજી મહારાજની તબિયત નાદુરસ્ત છે તો ભાઈશ્રી રમેશ ઓઝાને ગાંધીનગર કથા હોવાથી તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા. પેલીએટિવ કેન્સર કેર સેન્ટરનું ખાતમુહૂર્ત દ્વારકા મઠના શંકરાચાર્યજીના હસ્તે કેન્સર કેર ફાઉન્ડેશનના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વર્ષે કેન્સરના એક લાખ દર્દીઓ સામે આવી રહ્યા છે. રાજકોટ હવે કેન્સરની રાજધાની બની રહ્યું છે કેન્સરના છેલ્લા સ્ટેજમાં રહેલા દર્દીઓને યોગ્ય સારસંભાળ મળે તે માટે પ્રીતિબેન પ્રભુદાસભાઈ પારેખ પેલીએટિવ કેન્સર કેર સેન્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેનું ખાતમુહૂર્ત આજે દ્વારકા મઠના શંકરાચાર્યજીના હસ્તે કરવામાં આવશે. દરરોજના 50થી 100 કેન્સર દર્દીઓને વિવિધ રીતે મદદરૂપતેમણે વધુમા જણાવ્યું હતું કે, વર્ષ 2019માં મને કેન્સર ડિટેકટ થતા મેં કેન્સર ક્લબ બનાવી. આ સમયે હું એકલો હતો પરંતુ આજે 600 જેટલા સભ્યો સાથેની એક મોટી સંસ્થા બની ગઈ છે. કેન્સર ક્લબમાંથી અમે કેન્સર કેર ફાઉન્ડેશન નામની રજીસ્ટર સંસ્થા શરૂ કરી. આજે અમારી સંસ્થા દરરોજના 50થી 100 કેન્સર દર્દીઓને વિવિધ રીતે મદદરૂપ બને છે. વર્ષ 2020થી અમે લોકોએ કેન્સરના દર્દીઓ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રત્યક્ષ રીતે, પરોક્ષ રીતે, કેન્સર અવેર્નેસન વિવિધ પ્રોગ્રામ, વેક્સિનેશ વિના મુલ્યે બાળકો અને દીકરીઓને આપવામાં આવે છે. અને વિવિધ રીતે કેન્સર અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ. સરકારો કચેરીઓ અને ખાનગી સંસ્થાઓમાં અમે લોકો વ્યસન અટકાવવા માટે લોકોને સમજાવી રહ્યા છીએ અને કેન્સર સામે જાગૃતતા લાવવા પ્રયાસ કરીએ છીએ એની ગંભીરતા સમજાવી વ્યસન મુક્તિના સેમિનાર પણ કરીએ છીએ. ‘સૌરાષ્ટ્ર કેન્સરની રાજધાની બની ગયું હોય તેવું લાગી રહ્યું છે’તેમને વધુમાં જણાવ્યું હતું કે, કેન્સરમાં મોટા ભાગના દર્દીઓને મોટીવેશનની જરૂરિયાત રહેતી હોય છે. અમારી સંસ્થા મોટિવેશન પણ પુરુ પાડે છે. દર્દીઓને કેન્સર ડિટેકટ થયા પછી ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરાવવા અમે સલાહ આપીએ છીએ. કેન્સર ડિટેકટ થયા પછી કીમોથેરાપી, રેડિયેશન સ્કિપ ન કરવી જોઈએ આ બાબતે અમે ખાસ સલાહ આપીએ છીએ. સૌરાષ્ટ્રની અંદર કેન્સરના દર્દીઓ દિવસે ને દિવસે ખુબ જ વધી રહ્યા છે. અમારા જેવી એક બે નહિ 50 સંસ્થા જોડાશે તો પણ નહિ પહોંચી શકાય એવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, રાજકોટ જિલ્લામાં કેન્સરના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્ર કેન્સરની રાજધાની બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. માનસિક, આર્થિક અને સામાજિક રીતે પીડાતા દર્દીને સાથ મળશેઆ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, બાળકોથી લઇ વૃધ્ધો સુધી દર્દીઓ જોવા મળે છે જેમાં 60 વર્ષથી વધુ ઉંમરમાં ફ્રોસ્ટેડનું કેન્સર અને બહેનોમાં 80 વર્ષની ઉંમરે સ્તન કેન્સરના દર્દી પણ જોવા મળી રહ્યા છે. 14 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરના બહેનોમાં ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. નાના બાળકોને લ્યુકેમિયા, CML, અને બ્લડ કેન્સરના કેસ વધતા જોવા મળી રહ્યા છે જે ચિંતાજનક કહી શકાય. આ બધા વચ્ચે ફોર ગ્રેડ કેન્સર કયારે આવી જાય તરની ખબર પડતી નથી. અને પછી તે મોંઘી સારવાર બની જાય છે જે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને પોસાતું નથી. આવા દર્દીઓ માનસિક રીતે આર્થિક રીતે અને સામાજિક રીતે પીડાય છે આવા દર્દીના પરિવારજનો પણ પીડા અનુભવતા હોય છે. આવા સમયે અમારી સંસ્થા એ દર્દી અને તેમના પરિવારને સાથ આપે છે. માત્ર ઘરે રહીને સારવાર અપાવવા સલાહ ને કેન્સર પેલીએટીવ સેન્ટરનો નિર્ણયફોર ગ્રેડ કેન્સર એટલે કે ચોથા સ્ટેજનું કેન્સર. ફોર ગ્રેડ કેન્સરમાં સારવાર ન થઇ શકે એવી સ્થિતિ હોય છે જેમાં ડોકટરો દ્વારા તેમને મેડિસિન અને અન્ય સારવાર સાથે માત્ર ઘરે રહીને સારવાર અપાવવા સલાહ આપવામાં આવે છે. આવા સમયે દરેક પરિવારની સ્થિતિ સારી નથી હોતી તેને પેલીએટીવની જરૂર હોય છે માટે રાજકોટના ડો. ખ્યાતિ વસાવડા અને પૂર્વ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આપેલ સલાહને અનુસરી અમે રાજકોટમાં કેન્સર પેલીએટીવ સેન્ટર શરૂ કરવા નિર્ણય કર્યો હતો. અમદાવાદ બાદ રાજકોટમાં ગુજરાતનું બીજું કેન્સર પેલીએટીવ સેન્ટરગુજરાતમાં એક માત્ર અમદાવાદમાં પેલીએટીવ સેન્ટર કાર્યરત છે જે અમે જોયું હતું અને જાણ્યું હતું જે બાદ હવે ગુજરાતમાં બીજું અને સૌરાષ્ટ્રમાં પહેલું કેન્સર પેલીએટીવ સેન્ટર અમે રાજકોટમાં બનાવવા જઇ રહ્યા છીએ. આ માટે કાલાવડ રોડ પર અમન દાતા દ્વારા જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે અને પ્રાથમિક હાલ 25 બેડ સાથે આ સેન્ટર શરૂ કરવાનું આયોજન છે શક્ય હશે તો અમે તેને 50 બેડનું કરવા પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અને જો આવું બને તો દેશનું સૌથી મોટું પેલીએટીવ કેન્સર સેન્ટર બની જશે કારણ કે 50 બેડની સુવિધા સાથે આખા દેશમાં કોઈ જગ્યાએ પેલીએટીવ કેર સેન્ટર ઉપલબ્ધ નથી. ‘નિઃશુલ્ક સારવાર અને 5 સ્ટાર હોટલ જેવો અતિઆધુનિક બનાવાનનો સંકલ્પ’કેન્સર પેલીએટીવ સેન્ટર અંગે માહિતી આપતા તેમને જણાવ્યું હતું કે, આખા દેશમાં માત્ર 6 થી 7 મેટ્રો સીટીમાં પેલીએટીવ સેન્ટર છે જયારે ગુજરાતમાં હાલ અમદાવાદમાં કાર્યરત છે અને બીજું રાજકોટમાં બનશે. ગુજરાતમાં અમદાવાદ પેલીએટીવ સેન્ટરમાં પણ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી રહે છે એ જ રીતે રાજકોટમાં પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. રાજકોટમાં બનનાર કેન્સર પેલીએટીવ સેન્ટર 5 સ્ટાર હોટલ જેવી અતિઆધુનિક બનાવવાનો અમારો સંકલ્પ છે. અમારી સાથે 250 જેટલા દાતા જોડાયેલા છે જેઓ અમને મદદરૂપ થાય છે જે પૈકીના એક દાતાએ કાલાવડ રોડ પર અમને એક એકર જગ્યા પેલીએટીવ સેન્ટર બનાવવા માટે ફાળવેલ છે. જગ્યા મળ્યા બાદ હવે આ સ્વપ્ન જલ્દીથી સાકાર થતું જોવા મળે છે. તબીબો દ્વારા દર્દીને પેલેટિવ જાહેર કરાશે તેઓને સીધી ત્વરિત સારવાર મળી રહેશેહાલના તબક્કે રૂ.7 કરોડના ફંડ સાથે 25 બેડનું પેલીએટિવ કેર કાર્યરત કરાશે. પરંતુ જો ફંડમાં વધારો થશે તો 50 બેડ સુધી સુવિધા વધારવામાં આવશે. પેલેટિવ કેરમાં તમામ સુવિધા-સારવાર અને સગવડો નિ:શુલ્ક રહેશે. તબીબ દ્વારા કોઈ દર્દીને પેલેટિવ જાહેર કરાશે તો તુરંત તેમને પેલીએટિવ કેરમાં એન્ટ્રી મળી જશે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઓગસ્ટ મહિનાથી જ પેલીએટિવ કેર સેન્ટર માટેની કામગીરી શરૂ થઇ ચુકી છે. બાંધકામ અને તમામ સાધનો સાથે ડિસેમ્બર 2026 સુધીમાં સૌરાષ્ટ્રનું પ્રથમ પેલેટીવ કેર સેન્ટર શરૂ કરવા માટેની પુરી તૈયારી છે. યજ્ઞશાળા, પુસ્તકાલય, ગૌશાળા, હોમ થિયેટર અને ગેમઝોનની સુવિધારાજકોટમાં બનનાર પેલીએટીવ સેન્ટરની અંદર ટ્રીટમેન્ટ એટલે કે તબીબો દ્વારા જે સલાહ આપી હશે એ મુજબ સારવાર આપવામાં આવશે. ફાર્માની સુવિધા પણ અંદર જ ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત યજ્ઞશાળા, પુસ્તકાલય, ગૌશાળા, હોમ થિયેટર, પેલેટીવ બાળકો હોય તો તેમના માટે ગેમઝોનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ સાથે અહીંયા 24 કલાક નર્સિંગ સ્ટાફ પણ હાજર હશે અને દર્દી તેમજ તેમની સાથે તેમના એક સબંધી માટે રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા આપવામાં આવશે. પેલીએટીવ દર્દી એટલે શું?જયારે પણ કોઈ દર્દીને કેન્સર ડિટેકટ થયું હોય અને પછી તે ચોથા સ્ટેજનું કેન્સર હોય જેની સારવાર બાદ રિકવર થાય તો ત્યારપછી બાકીનો સમય વિતાવવો તેમના માટે ખુબ જ કઠિન હોય છે. આ સમયે તેમને એક હૂંફ અને પ્રેમની જરૂર હોય છે ત્યારે પેલીએટીવ દર્દી માટે તેમની દરેક ઈચ્છા પુરી કરવામાં આવે તો તેમના જીવનમાં એક ખુશી અને આનંદ અલગ જ હોય છે. દરેક પરિવાર પેલીએટીવ દર્દીની બધી ઈચ્છાઓ પુરી નથી કરી શકતો માટે આ સમયે કેન્સર પેલેટીવ કેર સેન્ટર તેમના માટે ખુબ જ લાભદાયી નીવડે છે. રાજકોટના કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા આ જ વિચાર સાથે કેન્સર પેલીએટીવ કેર સેન્ટર બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે હાલમાં પણ તેઓ દર્દીઓના ઘરે જઇ તેમની સાથે હરિ ફરી તેમને મદદરૂપ બને જ છે પરંતુ હવે એક સાથે એક જગ્યાએ તેઓએ બધી જ સુવિધા મળી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:04 pm

બેંકના હપ્તા ન ભરતા રિકવરી એજન્ટોએ યુવક માર માર્યો:ક્રેડિટકાર્ડની બાકી રકમને લઈ કેક શોપમાં થયો ઝઘડો, પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો

ભાવનગર શહેરના ભરતનગર રિંગ રોડ પર આવેલ સિલ્વરસ્કાય કોમ્પલેક્ષમાં આવેલી કેકની દુકાનમાં ક્રેડિટકાર્ડના હપ્તાની વસુલાતને લઈને ઝઘડો ઉગ્ર બન્યો હતો. વસૂલી કરવા આવેલા ખાનગી બેંકના રિકવરી એજન્ટ અને તેના સાથીઓએ યુવક પર હુમલો કર્યો હતો. મારામારીમાં યુવકને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભરતનગર પોલીસે 4 શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બેંકના રિકવર એજન્ટોએ આવી ઝઘડો કર્યોભરતનગરના હરિઓમ નગરના રહેવાસી પ્રતિક ભીમજીભાઈ પાંગળ/રાવળદેવએ ફરિયાદ નોંધાવી હતી કે, સાંજના 7.30 વાગ્યે ફરિયાદી પ્રતિક તથા તેના બાપુજી તથા તેના ભાઈ ભરતનગર રિંગ રોડ સિલ્વરસ્કાય કોમ્પલેક્ષમા ધ કેક પોઇન્ટ નામની કેકની દુકાને હાજર હતા. આ દરમિયાન એક્સિસ બેંકમાં રિકવરી એજન્ટ તરીકે નોકરી કરતા બેંકના કર્મચારી મિતરાજસિંહ તથા હરદીપસિંહ ક્રેડિટકાર્ડના હપ્તાના તેમજ કેડીટકાર્ડમાંથી ઉપાડેલા રૂપિયા મળી બેંકના 45,000 હજાર બાકી રૂપિયાની વસુલાત માટે આવ્યા હતાં. પૈસાની સગવડ ન હોવાનું કહેતાં માર માર્યોમારી પાસે સગવડ ન હોવાથી મેં આવતા મહીને બેંકમાં ભરી આપીશ તેમ કહેતા બંને જણા ઉશ્કેરાયા હતાં અને મને ગાળો દેવા લાગ્યા હતા. આ દરમિયાન અન્ય બીજા બે અજાણ્યા શખસ આવ્યાં અને તે પણ મારી પાસે બેંકના બાકીના રહેતા હપ્તાની માંગણી કરતા મારી પાસે હપ્તા ભરવાની સગવડ ન હોલાથી ના પાડી હતી, જેથી અજાણ્યા શખસો પૈકી એક શખસે મને ધોલ-થપાટનો ઘા માર્યો તથા મારા હાથમા કેક કાપવાની છરી હતી તે બીજા માણસે આંચકી લઈ મને જમણા હાથના અંગુઠા પર મારતા ઇજા થઈ હતી. ત્યારબાદ મને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં લઇ ગયાં જ્યા મને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરીઆ બનાવ બાબતે પીડિતે મિતરાજસિંહ, હરદીપસિંહ તથા બીજા બે અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રતિક પાંગળ/રાવળદેવની ફરિયાદ નોંધી ભરતનગર પોલીસે મિતરાજસિંહ, હરદીપસિંહ અને અન્ય બીજા બે અજણાયા ઈસમો વિરુદ્ધ BNS 115(2), 118(1), 352,54 અને જી.પી.એકટ 135 ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:02 pm

પોશીનામાં 3.112 કિલો ગાંજા સાથે ચાલક ઝડપાયો:વેગનઆર કારમાંથી પોલીસે રૂ. 1.55 લાખનો જથ્થો જપ્ત કર્યો

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશન નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક વેગનઆર કારમાંથી 3.112 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે વલસાડી ગામના એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ગાંજા ઉપરાંત કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા ગાંજાની કિંમત આશરે રૂ. 1.55 લાખ આંકવામાં આવી છે. પોશીના પોલીસ સ્ટેશનના PI ડી.એન. સાધુએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, PSI આર.કે. ગજ્જર અને તેમની ટીમ, જેમાં પરેશકુમાર, દીપકકુમાર, દશરથભાઈ અને તેજસભાઈનો સમાવેશ થાય છે, તેઓ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. પરેશકુમારને મળેલી બાતમીના આધારે આ વેગનઆર કાર (GJ 23 M 4117)ને રોકવામાં આવી હતી અને તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી 3.112 કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી દીતાભાઈ ખેતાભાઈ બુંબડીયા (ઉંમર 31, રહે. વલસાડી, તા. પોશીના, જિ. સાબરકાંઠા) વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 11:50 am

રાજેન્દ્રનગરના જંગલમાં 3.88 લાખનો દારૂ ઝડપાયો:ક્રેટા કાર, બાઈક, એક્ટિવા સાથે 9.68 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગરના જંગલ વિસ્તારમાં વિદેશી દારૂનું કટિંગ ઝડપાયું છે. ગાંભોઈ પોલીસે બળદ પગલા પાસેના ખેતરમાંથી 3.88 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં કુલ 9.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફના કુંદનસિંહની બાતમીના આધારે આડા હાથરોલથી રાજેન્દ્રનગર તરફ જતા ત્રણ રસ્તા પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. ભિલોડા તરફથી બાતમીવાળી ક્રેટા ગાડી આવતા તેના ચાલકે નાકાબંધી તોડી રાજેન્દ્રનગર રોડ પરથી સજાપુર ગામ તરફ ગાડી હંકારી હતી. પોલીસે ખાનગી વાહનથી પીછો કરતા ચાલકે ગાડી સજાપુર ગામ નજીક બાળમણિયા ડુંગરવાળી સીમમાં બળદ પગલા તરીકે ઓળખાતી જગ્યા પાસે ખેતરોમાં થઈ ડુંગરની અવાવરુ જગ્યાએ સંતાડી હતી. દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન પોલીસને જોઈને ચાલક પોતાની ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ક્રેટા કારમાંથી 1275 વિદેશી દારૂ અને બિયર ટીન જપ્ત કર્યા હતા, જેની કિંમત 3,88,720 રૂપિયા થાય છે. આ ઉપરાંત, 5 લાખ રૂપિયાની ક્રેટા કાર, 80 હજાર રૂપિયાનું મોટરસાયકલ અને એક્ટિવા સહિત કુલ 9,68,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 11:43 am

દ્વારકામાં પૂર્ણિમાએ દ્વારકાધીશના દર્શને ભક્તોનું ઘોડાપૂર:ગોમતી સ્નાન અને દર્શનના પવિત્ર સંયોગે ભક્તોમાં વિશેષ ઉત્સાહ

યાત્રાધામ દ્વારકામાં પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ શિયાળાના ઠંડા વાતાવરણમાં હજારો ભાવિકોએ ગોમતી નદીમાં સ્નાન કર્યું હતું. ગોમતી સ્નાન અને દ્વારકાધીશ દર્શનના પવિત્ર સંયોગે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. બ્રહ્મમુહૂર્તથી જ ગોમતી ઘાટો પર ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કર્યું. સ્નાન કર્યા બાદ, ભક્તો 56 સીડીઓ ચઢીને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે મંદિર તરફ આગળ વધ્યા હતા. પૂર્ણિમાના દિવસે ભગવાન દ્વારકાધીશના વિશેષ શૃંગાર અને મંગળ આરતીના દર્શન માટે મંદિર પરિસરમાં ભારે ભીડ હતી. હરિ-નામના ગુંજન અને જય દ્વારકાધીશના નારા સાથે સમગ્ર દ્વારકા નગરી ભક્તિમય બની હતી. ભક્તોએ ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી પણ શ્રદ્ધાળુઓ પૂર્ણિમાના પર્વે દ્વારકાધીશના દર્શને આવ્યા હતા. અનેક ભક્તોએ પરિવાર સાથે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી સુખ-સમૃદ્ધિ અને કલ્યાણની કામના કરી હતી. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ, પોલીસ પ્રશાસન અને સ્વયંસેવકો દ્વારા યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી અને ભક્તોને સુવ્યવસ્થિત રીતે દર્શન મળી રહે તે માટે કતાર વ્યવસ્થા અમલમાં મુકાઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના વગર સમગ્ર દર્શન વ્યવસ્થા સુચારુ રીતે સંપન્ન થઈ હતી. આમ, પૂર્ણિમાના પાવન પર્વે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટેલા ભક્તોના ઘોડાપૂરથી સમગ્ર નગરીમાં ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 11:35 am

કેન્દ્રીય બજેટને લઈ GCCI અને ભાજપ કાર્યાલયમાં કેન્દ્રીય બજેટનું સ્ક્રીનિંગ:નાના વેપાર અને GST લઈ આશા, ગુજરાતને રાહત મળે એવી અપેક્ષા

આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરવામાં આવી રહ્યું છે. બજેટને લઈને વેપારીઓ અને ઉદ્યોગપતિઓને જાહેરાતની આશા છે. ગુજરાતને પણ બજેટમાં ઘણી જાહેરાત થાય તેવી શક્યતા છે. આજે કેન્દ્રના બજેટને લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI) અને અમદાવાદ ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય બજેટનું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છે. ભાજપ કાર્યાલયમાં કેન્દ્રીય બજેટનું વિશેષ સ્ક્રીનિંગ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, ધારાસભ્ય અમિત ઠાકર, અમિત શાહ, કૌશિક જૈન, ડો. હસમુખ પટેલ, કંચનબેન રાદડિયા, અમુલ ભટ્ટ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષનાં નેતા ગૌરાંગ પ્રજાપતિ, ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા કાર્યાલય ખાતે યોજાયેલા કેન્દ્રીય બજેટના વિશેષ સ્ક્રીનિંગ નિહાળવામાં આવ્યું છે. આશ્રમ રોડ ખાતે GCCI ઓફિસ ખાતે વિવિધ એસોસિએશનના પ્રમુખ અને વેપાર સાથે જોડાયેલા લોકો હાજર રહ્યાં છે. GCCI દ્વારા ડાયરેક્ટ ટેક્સ અને ઈનડાયરેક્ટ ટેક્સ અંગે રજૂઆતGCCI પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં ગુજરાતને અને વેપારીઓને રાહત મળે એવી અપેક્ષા છે. નાની ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાના આવે તેવી આશા છે. નાની ઈન્ડસ્ટ્રીને વેગ મળે તો મેક ઇન ઇન્ડિયા ને પ્રોત્સાહન વધુ મળશે. GCCI દ્વારા ડાયરેક્ટ ટેક્સ અને ઈનડાયરેક્ટ ટેક્સ અંગે રજૂઆત કરાઈ છે. GSTને લઈને પણ આવતા કોમ્પ્લિકેશન અંગે પણ રજૂઆત કરી છે. ટેક્સ,ઈમ્પોર્ટ ,એક્સપોર્ટ, ગ્રીનએનર્જીને લઈને અપેક્ષા છે. ગ્લોબલ ચેલેન્જને ધ્યાનમાં રાખીને બજેટ આવે તેવી આશા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને કોઈ જાહેરાત થાય તેવી આશા છે. MSME ને લઈને પણ કોઈ રાહત મળે તેવી આશા છે

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 11:35 am

પાટણ સિદ્ધિ સરોવર પાસે જમીન ફાળવાઈ:ઇન્ટેકવેલ, ફિલ્ટર પ્લાન્ટ અને સમ્પ માટે કલેક્ટરે 20,000 ચો.મી. જમીન આપી

પાટણ શહેરમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના રૂ. 161 કરોડના કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પાટણ કલેક્ટરે સિદ્ધિ સરોવર પાસે 20,000 ચોરસ મીટર જમીન ફાળવી છે. આ જમીન ઇન્ટેકવેલ, ફિલ્ટર પ્લાન્ટ અને સમ્પ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે. આ જમીન પાટણના સાંડેસરા પાટીના સર્વે નં. 28 પૈકી શીટ નં. 53ના સિટી સર્વે નં. 2892 પૈકી આવેલી છે. પાટણ નગરપાલિકા દ્વારા માંગવામાં આવેલી આ જમીનનો કબજો સોંપવાનો હુકમ કલેક્ટરના ચીટનીશ એફ.ડી. ચૌધરીએ 30 જાન્યુઆરી, 2026ના રોજ કર્યો હતો. હુકમ મુજબ, નગરપાલિકાએ જમીનની જંત્રી આધારિત કિંમતના 10% રકમ અગાઉથી ચૂકવવાની રહેશે. જો જમીનની અંતિમ કિંમત/ક્ષેત્રફળ નક્કી થયા બાદ તફાવતની રકમ ભરપાઈ કરવામાં વિલંબ થાય, તો તે તારીખ સુધી વાર્ષિક 8%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. આ બાંહેધરી સાથે આગોતરો કબજો સુપ્રત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાએ આ જગ્યા સિદ્ધિ સરોવર ખાતે ઇન્ટેકવેલ, 20 MLD ફિલ્ટર પ્લાન્ટ અને 50 લાખ લિટરનો સમ્પ (ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં) બનાવવા માટે માંગી હતી. પાટણ નગરપાલિકા પ્રમુખ હિલબેન પરમારે જણાવ્યું હતું કે, આ જગ્યા ફાળવવા બદલ તેમણે પાટણના કલેક્ટર, નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી સહિતના તંત્રનો આભાર માન્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 11:32 am

ભરૂચમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો:શ્રવણ ચોકડી પાસેથી ચોરાયેલી CD ડિલક્સ સાથે આરોપી ઝડપાયો

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શ્રવણ ચોકડી નજીકથી ચોરાયેલી સી.ડી. ડિલક્સ મોટરસાયકલનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીની બાઇક સાથે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. LCB ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે નંદેલાવ બ્રિજ નજીકથી એક શંકાસ્પદ ઇસમને પકડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસે બાઇકના દસ્તાવેજો નહોતા અને એન્જિન-ચેસિસ નંબરમાં ફેરફાર કરાયો હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે 26 જાન્યુઆરીના રોજ શ્રવણ ચોકડી નજીક યશ કોમ્પ્લેક્સ સામે બની રહેલા બ્રિજ નીચે પાર્ક કરેલી GJ-19-S-1131 નંબરની સી.ડી. ડિલક્સ બાઇકની ચોરી કરી હતી. પોલીસથી બચવા માટે આરોપીએ બાઇકનો કલર બદલાવ્યો હતો અને નંબર પ્લેટમાં પણ ફેરફાર કર્યો હતો. ઝડપાયેલ આરોપીની ઓળખ આમોદ તાલુકાના કુરચણ ગામના અબ્દુલ મહંમદ પટેલ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી ચોરીની બાઇક અને એક સ્માર્ટ મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 11:32 am

લેન્સકેપ કેરળ ફોટોગ્રાફી એક્ઝિબિશન:10 પ્રખ્યાત ફોટોગ્રાફર્સ દ્વારા ખેંચાયેલા 100 ફોટોઝનું પ્રદર્શન યોજાશે

લેન્સકેપ કેરળ (Lenscape Kerala) અંતર્ગત 10 પ્રખ્યાત ફોટોગ્રાફર્સ દ્વારા સમગ્ર કેરળમાં ખેંચાયેલા 100 અદભૂત ફોટાઓનું એક વિશેષ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ (CEPT) સ્થિત હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે તારીખ 03 થી 05 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે, જેનો સમય સવારે 11:00 થી સાંજે 07:00 વાગ્યા સુધીનો રહેશે. ઉમા નાયર દ્વારા ક્યુરેટ કરાયેલા આ પ્રદર્શનમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રદર્શનના બીજા દિવસે એટલે કે 04 ફેબ્રુઆરી 2026 ના રોજ બપોરે 02:00 થી 04:00 વાગ્યા દરમિયાન જાણીતા મેન્ટર ઉમેશ ગોગના દ્વારા ફોટોગ્રાફી પર એક વિશેષ માસ્ટરક્લાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ ઉત્સાહીઓ નિઃશુલ્ક જોડાઈ શકશે. 'લેન્સકેપ કેરળ' એ એક ફોટોગ્રાફી એક્ઝિબિશન છે, જેમાં દસ પ્રખ્યાત ફોટોગ્રાફર્સ દ્વારા સમગ્ર કેરળ રાજ્યમાં ખેંચાયેલી 100 તસવીરોનું ક્યુરેટેડ કલેક્શન રજૂ કરવામાં આવ્યું છે. કેરળ ટુરિઝમ દ્વારા પ્રસ્તુત અને જાણીતા કલા વિવેચક ઉમા નાયર દ્વારા ક્યુરેટ કરવામાં આવેલ આ કલેક્શનમાં વ્યક્તિગત પોટ્રેટ્સ અને જીવનશૈલીથી લઈને વિશાળ લેન્ડસ્કેપ્સ, વન્યજીવન અને રોજિંદી ક્ષણોનો સમાવેશ થાય છે. આ એક્ઝિબિશન દસ અલગ-અલગ દ્રષ્ટિકોણને એક મંચ પર લાવીને 'ગોડ્સ ઓન કન્ટ્રી'નું એક વાઇબ્રન્ટ અને કન્ટેમ્પરરી પોટ્રેટ રજૂ કરે છે. એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર બાલન માધવનના નિર્દેશનમાં તૈયાર થયેલ 'લેન્સકેપ કેરળ', એચ. સતીશ, શિવાંગ મહેતા, અમિત પસરીચા, સૌરભ આનંદ ચેટર્જી, સૈબલ દાસ, ઉમેશ ગોગના, મનોજ અરોરા, ઐશ્વર્યા શ્રીધર, નતાશા કતાર હેમરાજની અને કૌંતેય સિંહાની નજરથી કંડારાયેલા કેરળના અદભૂત દ્રશ્યો રજૂ કરે છે. પ્રદર્શનના બીજા દિવસે, જાણીતા ફોટોગ્રાફર ઉમેશ ગોગ્ના દ્વારા ફોટોગ્રાફી પર એક વિશેષ 'માસ્ટરક્લાસ'નું પણ આયોજન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 11:31 am

નવસારીમાં માર્ગ અકસ્માતમાં ત્રણના મોત:ચીખલી, વાંસદા અને ઉન્નગામમાં માર્ગ અકસ્માતની અલગ-અલગ ઘટનાઓ

નવસારી જિલ્લામાં શનિવાર રાત્રિથી રવિવાર સવાર સુધીમાં બનેલા ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. આ ઘટનાઓ ચીખલી, વાંસદા અને નવસારી રૂરલ વિસ્તારમાં બની હતી. પ્રથમ ઘટના ચીખલીના આલીપોર પાસે બની હતી. શનિવારે રાત્રે 9:00 વાગ્યાના અરસામાં આલીપોર નેશનલ હાઈવે 48 પર નાયરા પેટ્રોલ પંપ સામે રસ્તો ઓળંગી રહેલા 56 વર્ષીય શિવરાજ બેચન શર્માને (રહે. અલ્માસ હોટલ, આલીપોર, મૂળ ઉત્તર પ્રદેશ) અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પર પૂરઝડપે આવેલા વાહનની ટક્કરથી શિવરાજભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. મૃતકના ભાઈ શિવશંકર શર્માએ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નવા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી ઘટના વાંસદા-ધરમપુર રોડ પર ગંગપુર પટેલ ફળીયા પાસે રવિવારે સવારે બની હતી. ધરમપુર તરફથી આવતી ઇકો કાર (UP-78-FY-6022) ના ચાલક રામકુમાર રમેશભાઈ રાવતે બેફામ રીતે ગાડી હંકારી સામેથી આવતી પિયાગો રિક્ષા (GJ-15-TT-561) ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલક હર્ષભાઈ ઉકડભાઈ સોલંકી (ઉ.વ. 56, રહે. ઢોલુમ્બર) નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રિક્ષામાં સવાર લલિતાબેન સોલંકીને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે ઇકો કારમાં સવાર અન્ય બે મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. વાંસદા પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. ત્રીજી ઘટના નવસારી રૂરલ વિસ્તારમાં ઉન્નગામ પાસે નેશનલ હાઈવે પર બની હતી. અહીં બાઈક સ્લીપ થતા ગણેશ સિસોદરાના એક આધેડ ચાલકનું મોત થયું હતું. આ ઘટનામાં તેમની પત્નીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 11:31 am

મોરબીમાં વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો:સરકારી વકીલ દ્વારા સિનિયર વકીલો અને બાર એસો.ના પ્રમુખનું સન્માન

મોરબી જિલ્લાના વકીલો માટે એક સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ સહિતની ટીમ, સિનિયર વકીલો અને પૂર્વ પ્રમુખોનું જિલ્લાના સરકારી વકીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સહિતના મહાનુભાવોના હસ્તે આ સન્માન કરાયું હતું. આ સમારોહ મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલી ક્લબ 36 ખાતે યોજાયો હતો. મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા આ સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોરબી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી.વી. શ્રીવાસ્તવ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ કે.આર. પંડ્યા, જે.જે. પટેલ, અંશભાઈ ભારદ્વાજ, મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ અને મોરબી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સરકારી વકીલ વિજયભાઈ સી. જાની દ્વારા મોરબી જિલ્લામાં છેલ્લા 35 વર્ષ કે તેથી વધુ સમયથી વકીલાત કરતા સિનિયર વકીલોનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત, મોરબી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા અને તેમની ટીમ તેમજ જિલ્લા અને તાલુકા બાર એસોસિએશનના પૂર્વ અને વર્તમાન પ્રમુખોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં વકીલો, વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ અને પત્રકારો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 11:07 am

ઘાટલોડિયાનો પરિવાર પ્રસંગમાં ગયો ને ઘરમાંથી 13 લાખના દાગીનાની ચોરી:વેન્ટિલેશન જાળીનો કાચ તોડીને ચોર ઘરમાં ઘૂસ્યો

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો પરિવાર સામાજિક પ્રસંગમાં રાજકોટ ખાતે ગયો હતો. આ દરમિયાન ઘરમાંથી સોના ચાંદીના 13 લાખથી વધુના દાગીનાની ચોરી થઈ હતી. પરિવાર જ્યારે પરત આવ્યો ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા ધાબા ઉપરની વેન્ટિલેશન જાળીનો કાચ ખોલીને ચોર ઘરમાં આવ્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે ઘાટલોડીયા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. કબાટના દરવાજા ખુલ્લા અને સામાન વેરવિખેર પડેલોઘાટલોડિયામાં રહેતા સંકેત ઠક્કર આયુર્વેદિક કંપનીમાં કમિશન પર વેપાર કરે છે. 22 જાન્યુઆરી રોજ તેઓ તેમના પરિવાર સાથે રાજકોટ જનોઈના પ્રસંગમાં ગયા હતા. તેઓ જ્યારે 25 જાન્યુઆરીએ સાંજે ઘરે આવ્યા ત્યારે ઘરની અંદર જઈને જોયું તો બેડરૂમમાં કબાટના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો. જેથી તેમણે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. સંકેતભાઈએ ઉપરના માટે જઈને ત્રણે બેડરૂમના તપાસ કરતા તેમના પિતાજીના બેડરૂમમાંથી કબાટનું ખાનુ ખુલ્લું હતું. ધાબા પરથી વેન્ટિલેશનની જાળીનો કાચ તોડીને ઘરમાં ઘૂસ્યોકબાટમાંથી સોના ચાંદીના લાખો રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી. તેમણે તપાસ કરી ત્યારે 12.70 લાખના સોનાના દાગીના અને 33,000ના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. ચોર ધાબા પરથી વેન્ટિલેશનની જાળીનો કાચ ખોલીને આવ્યો હતો. ચોરીની જાણ થતા સંકેતભાઈના માતાની તબિયત ખરાબ થઈ ગઈ હતી.સંકેતભાઈએ ચોરી અંગે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 10:47 am

પૂરપાટ ઝડપે જતા યુવકનું ડમ્પરની અડફેટે મોત:એલેમ્બિક કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતો 21 વર્ષીય શ્રીજી નોકરી કરીને બાઇક પર ઘરે જતો હતો ને ડમ્પરે કાળ બનીને આવ્યું, ડાબો પગ છુંદાઈ

વડોદરા શહેરના અક્ષર ચોક સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરની અડફેટે 21 વર્ષીય યુવાનનું મોત થયું છે. જેપી રોડ પોલીસે આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા જિલ્લાના પાદરામાં રહેતો શ્રીજી ધર્મેશકુમાર ગાંધી (ઉં. 21) પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી એલેમ્બિક કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે નોકરી કરતો હતો અને સેકન્ડ શિફ્ટમાં જતો હતો. ગઈકાલે મોડી રાત્રે યુવક નોકરી કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ડમ્પરને ઓવરટેક કરતી વખતે અકસ્માત થયો હતો. જેમાં તેને પોતાનો જીવ ગુમાવ્યો છે, જેને પગલે ગાંધી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતકના મોટા ભાઈ ધ્રુવકુમાર ધર્મેશકુમાર ગાંધી (ઉં. 28) દ્વારા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ પ્રમાણે ગઈકાલે રાત્રે નોકરી પૂરી કરી શ્રીજી ગાંધી ટી.વી.એસ. રાઈડર મોટરસાયકલ (રજિ. નં. GJ 06 QA 8735) પર ગેંડા સર્કલથી ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માત રાત્રિના આશરે 11 વાગ્યાની આસપાસ અક્ષર ચોક સર્કલ પાસે થયો હતો. જેને પગલે અક્ષરચોક ખાતે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સની જાણકારી હતી, જેથી 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સના સ્ટાફે મૃતકના મોબાઈલ નંબર પરથી પરિવારને સૂચના આપી હતી અને મૃતકને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. પરિવારના સભ્યો તાત્કાલિક સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા, ત્યારે શ્રીજી ગાંધીને ઈમરજન્સી વિભાગમાં સ્ટ્રેચર પર સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો. તેને છાતીના ભાગે તથા ડાબા પગે ગંભીર ઈજાઓ તેમજ મોંના ભાગે પણ ઈજાઓ થઈ હતી. જ્યાં ડોક્ટરોએ શ્રીજીને મૃત જાહેર કર્યો હતો. જેને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતના સ્થળે પહોંચી તપાસ કરતા બાઇક રોડની સાઈડમાં નુકસાન થયેલ હાલતમાં મળી આવી હતી. આજુબાજુના લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, અકસ્માત કરનાર ડમ્પર તથા તેના ચાલક જેપી રોડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશન પર તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, સફેદ રંગનું ડમ્પર ટ્રક (રજિ. નં. GJ 17 XX 0236) કપચી ભરેલ હાલતમાં મળી આવ્યું હતું. અકસ્માત કરનાર ડમ્પરના ચાલકની ઓળખ વિઠ્ઠલભાઈ ચેહરભાઈ રાઠવા (રહે. નાથકુવા ગામ, તા. હાલોલ, જિ. પંચમહાલ) તરીકે થઈ છે. તે હાલ પોલીસ કસ્ટડીમાં છે. જેપી રોડ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે, જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ખાસ કરીને ભારદારી વાહનો બેફામ રીતે વાહનો હંકારીને લોકોના જીવ જોખમમાં મૂકી છે. રોજે રોજ અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં અનેક પરિવારોના કુળદીપક બુઝાય છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 10:39 am

નવસારીના વિજલપોરમાં વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી:શ્રી વિશ્વકર્મા લુહાર સમાજ મંડળે 31 જાન્યુઆરી 2026ના રોજ મહોત્સવ યોજ્યો

નવસારીના વિજલપોર ખાતે શ્રી વિશ્વકર્મા લુહાર સમાજ મંડળ દ્વારા 31 જાન્યુઆરી, 2026ના રોજ દેવશિલ્પી ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીના ભાગરૂપે, વિજલપોર સ્થિત ઘનશ્યામ પાર્ક પાસે આવેલી ‘શ્રી પાટીલ સમાજ વાડી’ ખાતે સવારે 8:30 કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ સવારે 11:30 કલાકે ભગવાન વિશ્વકર્માનું વિધિવત પૂજન અને આરતી કરવામાં આવી હતી. બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન થયું હતું, જેમાં લુહાર સમાજ સહિત વિવિધ સમાજના ભાઈ-બહેનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સામાજિક અગ્રણીઓ અને વિવિધ વોર્ડના માજી નગરસેવકોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજલપોરના પાટીલ સમાજ, મરાઠા સમાજ, રાજપૂત સમાજ, તેલી સમાજ અને માળી સમાજ સહિતના અનેક મંડળોનો સહકાર મળ્યો હતો. મંડળના પ્રમુખ શ્રી દિનેશ સીતારામ સુર્યવંશી, ખજાનચી શ્રી ગોપાલ ભાલચન્દ્ર લોહાર, સહમંત્રી શ્રી ભુષણ સુભાષ લોહાર અને સમગ્ર ટ્રસ્ટી મંડળના સભ્યોએ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 10:29 am

ગિરનાર સર કરવા 516 રમતવીરોની દોટ:જૂનાગઢમાં 18મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ,12 રાજ્યોના સ્પર્ધકો વચ્ચે જંગ, RFID ટેકનોલોજી સાથે 18મી રાષ્ટ્રીય સ્પર્ધાનો પ્રારંભ.

​જૂનાગઢમાં આજે વહેલી સવારે સાધુ-સંતોની ભૂમિ અને ગરવા ગિરનારની ગોદમાં એક અનોખો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના સૌથી ઊંચા ગિરનાર પર્વતને સર કરવા માટે દેશભરના 12 રાજ્યોમાંથી આવેલા 516 જેટલા સ્પર્ધકોએ પૂરા જોશ સાથે દોટ લગાવી હતી. ​આ વર્ષે સ્પર્ધા કુલ ચાર મુખ્ય કેટેગરીમાં યોજાઈ છે જેમાં સિનિયર ભાઈઓમાં 189, જુનિયર ભાઈઓમાં 128, સિનિયર બહેનોમાં 83 અને જુનિયર બહેનોમાં 116 સ્પર્ધકોએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. ખાસ ઉલ્લેખનીય છે કે સિનિયર અને જુનિયર ભાઈઓ માટે અંબાજી સુધીના 5500 પગથિયાં ચડીને પરત આવવાનું હોય છે જે માટે 90 મિનિટની સમય મર્યાદા નક્કી કરાઈ છે, જ્યારે બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથિયાં માટે 60 મિનિટની સ્પર્ધા રાખવામાં આવી હતી. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2008માં શરૂ થયેલી આ સ્પર્ધા આજે 18માં વર્ષમાં પ્રવેશી છે. આ આયોજન માત્ર એક રમત નથી પરંતુ તે ગુજરાત અને જૂનાગઢ સાથે દેશભરના સ્પર્ધકોનું સાંસ્કૃતિક જોડાણ પણ સ્થાપિત કરે છે. આ ઉપરાંત આ સ્પર્ધા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'ફિટ ઇન્ડિયા' અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 'મેદસ્વિતા મુક્ત' અભિયાનને પણ સાચા અર્થમાં સાર્થક કરી રહી છે. ​સ્પર્ધાના સંચાલનમાં પારદર્શિતા લાવવા માટે આ વખતે સંપૂર્ણપણે ટેકનોલોજીનો આશરો લેવામાં આવ્યો છે. કોઈપણ માનવીય હસ્તક્ષેપ વગર સચોટ પરિણામ મેળવવા માટે આરએફઆઈડી (RFID) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દૂર-દૂરથી આવેલા સ્પર્ધકો માટે વહીવટી તંત્ર દ્વારા રહેવા, જમવા અને મેડિકલ તપાસ સહિતની તમામ પાયાની વ્યવસ્થાઓ ખૂબ જ ચીવટપૂર્વક કરવામાં આવી છે જેથી રમતવીરોને કોઈ મુશ્કેલી ન પડે. હિમાચલ પ્રદેશની 'નાની કાશી' ગણાતા મંડી શહેરથી આવેલા સ્પર્ધક નીરજકુમાર ગોંડલેએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે તેઓ આ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે. તેમણે આ માટે ખાસ એક મહિનાની તૈયારી કરી હતી અને બે દિવસ અગાઉ જૂનાગઢ આવીને પ્રેક્ટિસ પણ કરી હતી. તેમણે ઉમેર્યું કે દેશના બાળકો અને યુવાનો માટે આ પ્રકારની રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થવું એ ખરેખર ભાગ્યની વાત છે. ​બિહારના પટનાથી આવેલા સ્પર્ધક સંપત કુમાર સાહનીએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે ગિરનાર પર્વત ચડવાની આ તક મળવી એ તેમના માટે આનંદની વાત છે. તેમણે વહીવટી તંત્રની વ્યવસ્થા અને મેડિકલ ટીમની કામગીરીના વખાણ કરતા કહ્યું કે ગિરનારની ઊંચાઈ ભલે ગમે તેટલી હોય અને જોખમ ગમે તેવું હોય, પણ બિહારના લોકોનો જુસ્સો અને તાકાત તેમને સફળતા અપાવશે. તેમણે આગામી સમયમાં પોતાના વધુ મિત્રોને પણ આ સ્પર્ધામાં જોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ રાષ્ટ્રીય કક્ષાની મહત્વપૂર્ણ સ્પર્ધાનો શુભારંભ જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશિયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યો હતો. તમામ મહાનુભાવોએ આકાશમાં ત્રિરંગા બલૂન ફ્લાય કરી અને ફ્લેગ ઓફ આપીને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર અને એસપી સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 10:20 am

સાબરકાંઠાથી અંબાજી ગબ્બર પરિક્રમા માટે 65 બસો રવાના:હિંમતનગર તાલુકા અને પાલિકાના 924 ભક્તો જોડાયા

અંબાજી ખાતે યોજાયેલી ત્રિદિવસીય ગબ્બર પરિક્રમાની આજે પૂર્ણાહુતિ થઈ હતી. આ પરિક્રમા માટે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાંથી કુલ 65 બસો અંબાજી જવા રવાના થઈ હતી. આ નિઃશુલ્ક સેવાનો લાભ સરેરાશ 50થી વધુ ભક્તોએ લીધો હતો. હિંમતનગર તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાંથી કુલ 19 બસોમાં 924 ભક્તો અંબાજી જવા રવાના થયા હતા. આમાં હિંમતનગર તાલુકાના 14 ગામોમાંથી 14 બસો અને નગરપાલિકા વિસ્તારમાંથી 5 બસોનો સમાવેશ થાય છે. માઘ માસની પૂનમના રોજ રવિવારે હિંમતનગર નગરપાલિકા દ્વારા ડૉ. નલિનકાંત ગાંધી ટાઉન હોલ, જૂની નગરપાલિકા ગોકુલનગર, છાપરિયા વિસ્તાર, ટાવર ચોક હનુમાનજી મંદિર અને મહાકાળી માતાજી મંદિર ઉમિયાવાડી પાસે સહિત પાંચ સ્થળોએથી એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. હિંમતનગર તાલુકાના હાજીપુર, સાચોદર, રાજપુર, લાલપુર, દેસાસણ, સાકરોડિયા, આકોદરા, નિકોડા, સુરજપુરા, નાદરી, કાંકણોલ, ખેદ, કડોલી અને વાસણા ગામોમાંથી ભક્તો એસટી બસોમાં અંબાજી જવા રવાના થયા હતા. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં એસટી વિભાગ દ્વારા બસોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં હિંમતનગર તાલુકાને 19, ઇડર અને વડાલી તાલુકાને 22, ખેડબ્રહ્મા-વિજયનગર-પોશીના તાલુકાને 15, અને પ્રાંતિજ-તલોદ તાલુકાને 9 એસટી બસો ફાળવવામાં આવી હતી. આ બસો સવારે નિર્ધારિત સ્થળોએથી ભક્તોને લઈને અંબાજી જવા રવાના થઈ હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 10:18 am

હિંમતનગર: પુનાસણ બસ સ્ટેન્ડ નજીક કારમાં આગ:CNG કારમાં અચાનક આગ લાગતા સંપૂર્ણ બળીને ખાખ

હિંમતનગરના પુનાસણ બસ સ્ટેન્ડ નજીક શનિવારે રાત્રે એક CNG કારમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. શનિવારે રાત્રે બનેલી આ ઘટનામાં કારચાલક સહિત બે યુવકો સમયસર કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. જોકે, સળગતી કારની બાજુમાંથી વાહનવ્યવહાર ચાલુ રહ્યો હતો. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પુનાસણ સ્ટેન્ડ નજીક રાત્રે CNG કારમાં આગ લાગી હતી. જોકે, આ અંગે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કરવામાં આવી નથી. હિંમતનગર ફાયરના ઇન્ચાર્જ ફાયર ઓફિસર મયંક પટેલે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ પુનાસણ પાસે કારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ફાયર ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. જોકે, કાર માલિક તરફથી જાણ કરવામાં આવી હતી કે કાર સંપૂર્ણપણે બળી ગઈ છે અને હવે ફાયર ટીમની જરૂર નથી. આથી ફાયર ટીમ પરત ફરી હતી. ત્યારબાદ ગાંભોઈ PCR દ્વારા ફાયરને કોલ કરવામાં આવતા તેમને પણ આ જ માહિતી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 10:16 am

રાતડી ગામમાં મહિલાની ઘરે પ્રસૂતિ:108 ટીમે સફળતાપૂર્વક ડિલિવરી કરાવી, તંદુરસ્ત બાળકનો જન્મ

પોરબંદર નજીકના રાતડી ગામના વાડી વિસ્તારમાં એક મજૂર મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા 108 ટીમે ઘરે જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. આ દરમિયાન એક તંદુરસ્ત દીકરાનો જન્મ થયો હતો, જેનાથી શ્રમિક પરિવારમાં ખુશી છવાઈ હતી. મહિલાને ચોથી ડિલિવરીની પીડા ઉપડતા, જે જોખમી હતી, વિસાવાડા 108 ટીમના ઈ.એમ.ટી. ઉદય ઓડેદરા અને પાયલોટ રાજેશભાઈ મોકરિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હેડ ઓફિસ પર રહેલા ફિઝિશિયન ડો. રુચિ મેડમના માર્ગદર્શન હેઠળ અને પોતાની તાલીમ તથા સમયસૂચકતાનો ઉપયોગ કરીને, ટીમે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી હતી. મહિલાને વધુ પીડા હોવાથી આ નિર્ણય લેવાયો હતો. દીકરાના જન્મ બાદ, એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ, માતા અને બાળકને વધુ સારવાર માટે સરકારી એમ.આર. લેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સફળ પ્રસૂતિ બદલ 108 ટીમના ઈ.એમ.ટી. ઉદય ઓડેદરા, પાયલોટ રાજેશભાઈ મોકરિયા અને સમગ્ર વિસાવાડા 108 ટીમને બિરદાવવામાં આવ્યા હતા. જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ સર અને જિલ્લાના એક્ઝિક્યુટિવ જયેશગીરી મેઘનાથી સર દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:55 am

ઇન્ટરનેશનલ મેરેથોનમાં 1 લાખ રનર દોડ્યા:LGBTQ કમ્યુનિટીના 800 સભ્યો સાથે વડોદરાના મહારાણી પણ દોડ્યા, દિવ્યાંગ રનરે કહ્યું-હાર-જીત નહીં પોઝિટિવિટી અને ફિટનેસ માટે લડું છું

આજે વહેલી સવારે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં દોડવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. આ મેરેથોનમાં 42 કિમી, 21 કિમી, 10 કિમી અને 5 કિમીની ટાઈમ રન ઉપરાંત 'જવાન રન', 'દિવ્યાંગ રન' અને 'NGO પ્લેજ રન' જેવી વિવિધ શ્રેણીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રનમાં એલજીબીટીક્યુ સહિતના 800 દોડવીરો સાથે મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ દોડ્યા હતા. મેરેથોનમાં 1 લાખ જેટલા દોડવીરો નિયત રૂટ પર વિવિધ પ્રકારની 7 રનમાં દોડ્યા હતા. જેમાં ફુલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિમી રન, ટાઈમ્ડ રન, હેરિટેજ ફન રન, ગજરા રન અને દિવ્યાંગ રનનો સમાવેશ થાય છે. આ મેરેથોન એલવીપી, ન્યાયમંદિર, હજીરા સહિત 15 હેરિટેજ સ્થળો સામેથી પસાર થઈ હતી. આજની મેરેથોનમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો દોડ્યા હતા. વહેલી સવારથી જ વડોદરાના રસ્તાઓ રનરથી ઉભરાઈ ગયા હતા. મેરેથોનના ફ્લેગ ઓફમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી આવવાના હતા, પરંતુ તેમનો પ્રોગ્રામ કેન્સલ થયો હતો. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના આયોજક તેજલ અમીને જણાવ્યું હતું કે, વડોદરા મેરેથોનની આ 13મી આવૃત્તિ ખૂબ જ સુંદર રીતે, અદભૂત ઉત્સાહ અને ઉર્જા સાથે શરૂ થઈ હતી. આજે વહેલી સવારે ફ્લેગ-ઓફની શરૂઆત થઈ હતી. આ મેરેથોનમાં 42 કિમી, 21 કિમી, 10 કિમી અને 5 કિમીની ટાઈમ રન ઉપરાંત 'જવાન રન', 'દિવ્યાંગ રન' અને 'NGO પ્લેજ રન' જેવી વિવિધ શ્રેણીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આજની આ મેરેથોન આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યુ ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા ના આહવાનને સમર્થન આપે છે. આ ઉપરાંત, વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા શરૂ કરાયેલ 'વ્યસન મુક્તિ' ના અભિયાનને પણ અહીંથી વેગ મળ્યો છે. મને એ જણાવતા ગર્વ થાય છે કે 'વ્યસન મુક્ત ભારત' ના સંકલ્પ માટે આજે 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડન' માં એક નવો રેકોર્ડ પણ સ્થાપિત થયો છે. આ વર્ષે અમે કેટલીક નવી અને પ્રેરણાદાયક પહેલ કરી છે. મહારાણી રાધિકારાજે ગાયકવાડની પ્રેરણાથી પ્રથમ વખત LGBTQ+ કોમ્યુનિટીના સભ્યોને મેરેથોનમાં સામેલ કરવામાં આવ્યા છે, જે વડોદરા માટે ગર્વની વાત છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રુપેશ શાહ અને તેમની ટીમ દ્વારા 'ભજન અને સંસ્કૃત શ્લોકો' ને આધુનિક રિધમ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. આ નવી શૈલી આજની યુવા પેઢીને આપણી સંસ્કૃતિ સાથે જોડે છે અને દોડવીરોમાં નવો જોશ ભરે છે. વડોદરા મેરેથોન એ માત્ર એક દોડ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, સેવા, સ્વચ્છતા અને સસ્ટેનેબિલિટીનો એક અદભૂત સમન્વય છે. આ મેરેથોન દ્વારા અમે શહેર અને દેશને પ્રગતિ તરફ ઝડપથી આગળ લઈ જવા માટે એક સકારાત્મક માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દિવ્યાંગ રનર ભારતીબેન શાહે જણાવ્યું હતું કે, હું નિયમિતપણે 5થી 10 કિલોમીટર કે તેથી પણ વધુ સાયકલ ચલાવું છું. પરંતુ આ ‘દિવ્યાંગ રન’ છે, એટલે મેં ખાસ ઉત્સાહથી આમાં ભાગ લીધો છે. આ મારું સતત 13મું વર્ષ છે. મને ખૂબ જ ખુશી થાય છે કે હું આટલા વર્ષોથી આની સાથે જોડાયેલી છું. 6-7 વર્ષ પહેલા તો મેં પહેલાથી ત્રીજા નંબર સુધીના ઈનામો પણ જીત્યા છે. આજે મારો ચોથો નંબર આવ્યો છે, પણ મને હાર-જીત કે નંબરની કોઈ ચિંતા નથી. મારા માટે સૌથી મહત્વની બાબત છે પોઝિટિવિટી અને ફિટનેસ. તેજલબેન અમીન અને તેમની આખી ટીમ છેલ્લા 13 વર્ષથી આટલું સુંદર આયોજન કરે છે, તે ખરેખર પ્રશંસનીય છે. દિવ્યાંગ રન તો 4-5 વર્ષ પહેલાં જ શરૂ થઈ છે, એ પહેલાં હું નોર્મલ કેટેગરીમાં સાયકલ સાથે દોડતી હતી અને ત્યાં પણ મારો પ્રથમ નંબર આવતો હતો. હું અત્યારે 61 વર્ષની છું. મને ગર્વ છે કે આ ઉંમરે પણ હું ટ્રાઈસિકલ દોડાવી શકું છું. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા ફિટનેસ પર ભાર મૂકે છે, તો આપણે આપણા સ્વાસ્થ્ય માટે આટલું તો ચોક્કસ કરી જ શકીએ. 60 વર્ષીય ખેડૂત અને ઉત્સાહી દોડવીર કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામનો રહેવાસી છું. મેં વડોદરા મેરેથોનની 5 કિલોમીટર (5.65)ની કેટેગરીમાં ભાગ લીધો હતો. મારો આ પહેલો જ અનુભવ હતો અને મને અહીં આવીને ખૂબ જ મજા આવી. અહીંનું વ્યવસ્થાપન અને આયોજન ઘણું સરસ હતું. મને મેડલ મળ્યો તેનો ખૂબ જ આનંદ છે. 60 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવીને મને અનહદ ખુશી થઈ રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું વ્યવસાયે એક ખેડૂત છું. ખેતીકામને કારણે મારા રોજિંદા જીવનમાં ઓછામાં ઓછું 10 કિલોમીટર જેટલું ચાલવાનું તો થઈ જ જાય છે. તેને કારણે 60 વર્ષની ઉંમરે પણ મારી ફિટનેસ એકદમ સારી છે. આ વખતે 5 કિલોમીટરમાં ભાગ લીધા પછી હવે મારો આત્મવિશ્વાસ વધ્યો છે. આવતા વર્ષે હું 10 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લેવાનું આયોજન કરી રહ્યો છું.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:36 am

કોટ વિસ્તારમાં બીજા દિવસે પાણી કાપ, લોકો મુશ્કેલીમાં:મેયરના મતવિસ્તાર સહિત જમાલપુર, દરિયાપુર, શાહપુરમાં પાણી ન આવ્યું, લાઈન જોડાણની કામગીરી અધુરી

અમદાવાદના મેયર પ્રતિભા જૈનના મતવિસ્તાર સહિત શહેરના કોટવિસ્તાર ગણાતા એવા જમાલપુર, શાહપુર, દરિયાપુર, દિલ્હી દરવાજા, કાલુપુર, અસારવા અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં આજે 1 ફેબ્રુઆરીના રોજ પાણી આવ્યું નથી. મધ્ય ઝોન વિસ્તારમાં પાણી પૂરું પાડતા દૂધેશ્વર વોટર વર્ક્સમાં કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુખ્ય લાઈનનું જોડાણ કરવાનું હોવાના કારણે 30 જાન્યુઆરીએ દૂધેશ્વર વોટર વર્કસ બંધ કરવામાં આવ્યું હતું, જેથી ગઈકાલે 31 તારીખે પાણી આવ્યું નહોતું. જોકે થોડી કામગીરી અધુરી રહી હોવાના કારણે આજે એક ફેબ્રુઆરીના રોજ સવારથી જ પાણીનો સપ્લાય બંધ હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. અવારનવાર લાઈનમાં ભંગાણથી પાણીની સમસ્યાંહાટકેશ્વરમાં જર્જરિત ઓવરબ્રિજના તોડવાની કામગીરી દરમિયાન સતત પાંચમી વાર પીવાના પાણીનો બગાડ થયો છે. બ્રિજ પાસે આવેલી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય છે, ત્યારે અવારનવાર આ પ્રકારે લોકોને તકલીફ પડી રહી છે. ખાસ કરીને ખોખરા વોર્ડમાં પીવાનું પાણી ઓવરબ્રિજ પાસે આવેલી પાણીમાંથી પસાર થઈને મળે છે, ત્યારે આ જ પાઇપલાઇન તૂટી જતા તેમાંથી પાણીનો વ્યય થાય છે. જેથી આજે ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ બ્લોકો, ખોખરા ગામ, લક્ષ્મીનારાયણ સોસાયટી અને હાટકેશ્વર રિંગરોડ પરના વિસ્તારો પણ પીવાના પાણીથી વંચિત રહ્યાં છે. બપોર સુધીમાં પાણી આપી શકાય તેવાપ્રયત્નો: રમ્ય ભટ્ટમધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા કોતરપુર વેસ્ટર્ન ટ્રંક લાઈનની જોડાણની કામગીરી કરવાના હોવાના કારણે દૂધેશ્વર વોટર વર્કસ ખાતે શટ ડાઉન લેવામાં આવ્યું હતું. જેમાં જોડાણની કામગીરી બાદ પાણી મુખ્ય લાઈન સુધી આવવામાં તકલીફ પડી છે. આજે સવારે પાણી આવ્યું નથી. આજે બપોર સુધીમાં આપી શકાય તે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બપોર સુધીમાં કામગીરી પૂર્ણ થતાં પાણી અપાશે: કૌશિક જૈન શહેરના કોટ વિસ્તાર એવા શાહપુર દરિયાપુર સહિતના મધ્ય ઝોન વિસ્તારમાં આજે સવારથી પાણી ન આવતા દરિયાપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન દુધેશ્વર વોટર વર્કસ ખાતે પહોંચ્યા હતા પાણીની પાઇપલાઇનની કામગીરી જ્યાં ચાલી રહી છે ત્યાં પહોંચ્યા અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કૌશિક જઈને જણાવ્યું હતું કે, પાણી આવ્યું નથી જેના કારણે થઈને જાણ થતા દુધેશ્વર વોટર વર્કસ ખાતે જ્યાં કામગીરી ચાલી રહી છે ત્યાં હું પહોંચ્યો હતો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આજે બપોર સુધીમાં કામગીરી પૂર્ણ થઇ જશે અને લોકોને પાણી આપવામાં આવશે. ટેન્કર મારફતે લોકોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લોકોને જાણ કર્યા વગર પાણી કાપ30 જાન્યુઆરીના રોજ સાંજથી દૂધેશ્વર વોટર વર્કસ ખાતે પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો હોવાથી 30 જાન્યુઆરીના સાંજે 31 જાન્યુઆરીએ આખો દિવસ પાણી બંધ રહેવું હતું, જેથી લોકોએ ટેન્કરો મારફતે અને બોરમાંથી પાણી ભર્યું હતું. એક દિવસ શટડાઉન કરી પાણીની પાઇપલાઇનની જોડાણની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કામગીરી પૂર્ણ ન થતા આજે સવારથી જ પાણી આવ્યું નથી. વોટર પ્રોજેક્ટ વિભાગની કામગીરી અધુરી રહી હોવાથી આજે સવારે પાણી ન આવી શકતા સવારથી લોકોને જાણ કરવામાં આવી નહોતી. આજે રવિવારની રજા હોવાથી લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે કેટલીક જગ્યાએ હવે ટેન્કર ચાલકો દ્વારા પણ પાણી આપવામાં આવી રહ્યું નથી. લાઈનની કામગીરીને કારણે બે દિવસથી પાણીના ધાંધિયાશહેરના દૂધેશ્વર વોટર વર્કસ -1માં નવા બનાવવમાં આવેલા 20 MLD અન્ડરગ્રાઉન્ડ સમ્પની 700મી.મી. વ્યાસની ફીડર લાઈનું 1600 મી.મી. વ્યાસ કોતરપુર મેઈન ટ્રંક લાઈનમાં જોડાણ કરવાની અને નવા બનાવાયેલા 20 MLD પંપ હાઉસમાંથી નીકળતી 640પી મી.મી. વ્યાસની મેઈન હેડર લાઈનનું બુસ્ટર પંપ નં.- 3 પાસે આવેલી હયાત 1200 મી.મી. વ્યાસની પાઈપલાઈ સાથે જેડાણ કરવાની કામગીરી તેમજ નવી પૂરી થયેલી કોતરપુર 20 MI.D ટાંકીનું હયાત ભૂગર્ભ ટાંકી સાથે ઈનટ્ કનેક્શનની કામગીરી કરવામાં આવી છે. 30 જાન્યુઆરીના રોજ કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈનલાઇનમાં શટડાઉન કરવાની થતી હોવાથી મધ્ય ઝોનના તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં પાણીનો સપ્લાય બંધ રાખવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:32 am

સુસ્કાલ પ્લાન્ટમાં સગીરનું મોત: માલિક સામે ગુનો:બે બાળ શ્રમિકો પાસે જોખમી કામ કરાવવા બદલ ફરિયાદ

છોટા ઉદેપુર જિલ્લાના સુસ્કાલ ખાતે આવેલા મીરા એન્ટરપ્રાઈઝના રેતી વૉશિંગ પ્લાન્ટમાં 26 જાન્યુઆરીની સાંજે વીજ કરંટ લાગવાથી એક સગીરનું મોત થયું હતું. આ મામલે સરકારી શ્રમ અધિકારીએ બાળ મજૂરો પાસે જોખમી કામ કરાવવા બદલ મીરા એન્ટરપ્રાઈઝના માલિક સામે ગુનો નોંધાવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લો ખનીજ સંપત્તિથી ભરપૂર છે, જ્યાં રેતી અને ડોલોમાઇટ ખનીજ વિપુલ પ્રમાણમાં મળે છે. આ કારણે જિલ્લામાં નિયમોને નેવે મૂકીને ખનીજ સંપત્તિની લૂંટ ચલાવવામાં આવી રહી છે. મીરા એન્ટરપ્રાઈઝમાં ત્રણ ભાઈઓ એક વર્ષથી કામ કરતા હતા, જેમાંથી એકની ઉંમર 23 વર્ષ હતી, જ્યારે મૃતકની ઉંમર 16 વર્ષ અને ત્રીજા ભાઈની ઉંમર 15 વર્ષ હતી. તેમ છતાં, મીરા એન્ટરપ્રાઈઝના માલિક દ્વારા બાળ મજૂરીના નિયમોનું ઉલ્લંઘન કરીને બે સગીરો પાસે જોખમી કામ કરાવવામાં આવતું હતું. આને કારણે 26 જાન્યુઆરીની સાંજે 16 વર્ષીય સગીરનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ શ્રમ વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ, પોલીસ વિભાગ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી, તેમજ ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમે મીરા એન્ટરપ્રાઈઝની મુલાકાત લીધી હતી. બાળ અને તરુણ મજૂર (પ્રતિબંધિત અને નિયમન) સુધારા કાયદો 1986ની કલમ 33 અ હેઠળ પાવી જેતપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાવી જેતપુર પોલીસે મીરા એન્ટરપ્રાઈઝના માલિક અશોકભાઈ કરમશીભાઈ ખોખર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:19 am

પાટણ લેઉવા પાટીદાર સમાજ 24મો સમૂહ લગ્નોત્સવ યોજશે:8 ફેબ્રુઆરીના રોજ 9 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે

પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા 8 ફેબ્રુઆરી 2026ના રોજ 24માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોતીશા દરવાજા બહાર આવેલી ખોડીયાર માતાની વાડી ખાતે યોજાનારા આ પ્રસંગે સમાજના 9 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમની વિગતવાર માહિતી અનુસાર, 8 ફેબ્રુઆરીના રોજ સવારે 9:00 કલાકે મંડપ મુહૂર્ત અને 9:30 કલાકે ગણેશ સ્થાપના થશે. સાંજે 6:00 કલાકે ભોજન સમારંભ યોજાશે, ત્યારબાદ 7:00 કલાકે પોંખણું અને રાત્રે 8:00 કલાકે હસ્તમેળાપની વિધિ સંપન્ન થશે. રાત્રે 10:00 કલાકે વિદાય સમારંભ યોજાશે. આ કાર્યક્રમમાં જ્ઞાતિના દાતાઓએ ઉમદા સહયોગ આપ્યો છે. જમણવારના દાતા તરીકે મનસુખ હરિભાઈ પટેલ પરિવાર, રેફ્રિજરેટરના દાતા તરીકે રણછોડ પુંજાભાઈ પટેલ અને લગ્ન મંડપના દાતા તરીકે હીરાબેન મંછારામ પટેલ પરિવાર સેવા આપશે. સમાજ દ્વારા નવદંપતીઓને કરિયાવરમાં સોનાની ચૂની, ચાંદીના સિક્કા, ચાંદીના ગણપતી, ગેસ સગડી, મિક્ચર, ઇન્ડકશન કુકટોપ અને ઘરવખરીની અન્ય ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળના સભ્યો આ પ્રસંગને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:08 am

ભાવનગર માતંગી મંદિરે ૨૫મો પાટોત્સવ ઉજવાયો:ટ્રસ્ટી નિલેશ પારેખે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું

ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા મોઢેશ્વરી ઉર્ફે માતંગી મંદિરે ૩૧ જાન્યુઆરીના રોજ ૨૫મો પાટોત્સવ ઉજવાયો હતો. મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ પારેખ અને ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી નિલેશભાઈ પારેખે જણાવ્યું હતું કે માતંગી મંદિરની સ્થાપના ઈ. સ. ૨૦૦૨માં કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ મહા સુદ તેરસના રોજ પાટોત્સવ ઉજવાય છે. માતંગી માતાજી દશ મહાવિદ્યા પૈકી નવમી મહાવિદ્યા છે અને તેમને સરસ્વતીનું સ્વરૂપ તથા કલાની દેવી માનવામાં આવે છે. ત્રણ દિવસીય આયોજનમાં સંગીત સંધ્યા, ઓમ કાર ગ્રુપ દ્વારા માતા કી ચૌકી અને બાંભણીયા બ્લડ બેંકના ઉપક્રમે રક્તદાન કેમ્પ જેવા કાર્યક્રમો યોજાયા હતા. પાટોત્સવ નિમિત્તે માતાજીને કેસર સ્નાન, મંગળા આરતી, ધ્વજાજી આરોહણ, રાજૌપચાર મહાપૂજા અને મહાઅભિષેક કરવામાં આવ્યા હતા. આ પાટોત્સવમાં દરેક વર્ગના અને ૧૮ એ વરણના લોકોએ માતાજીની પૂજા-અર્ચના કરી હતી. નિજ મંદિર સંસ્થા દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓ, સામાજિક કાર્યો અને શૈક્ષણિક ક્ષેત્રના કાર્યો પણ કરવામાં આવે છે. દર રવિવારે મંદિર પરિસરમાં રવિસભાનું આયોજન થાય છે. આયોજનના ત્રીજા દિવસે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સરદારનગરના મુખ્ય માર્ગો પર માતાજીની પાલખી યાત્રા નીકળી હતી. મહાઆરતી બાદ આતશબાજી કરવામાં આવી હતી અને મહાપ્રસાદનું આયોજન થયું હતું. આ પ્રસંગે સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મોઢેશ્વરી ઉર્ફે માતંગી દેવસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશ પારેખ, ટ્રસ્ટના સભ્યો અને ભક્તગણોએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:06 am

23 કોલેજોને સુનાવણી માટે બોલાવાઈ:પાટણ યુનિવર્સિટીએ ત્રણ દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા નિષ્ક્રિય બનેલી કોલેજોને પુનઃ સક્રિય કરવા માટે બે દિવસીય સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોલેજોને અગાઉ 'નો એડમિશન ઝોન'માં મૂકવામાં આવી હતી. કુલ 23 કોલેજોને સુનાવણી માટે બોલાવવામાં આવી હતી, જેમાંથી 14 કોલેજોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. યુનિવર્સિટીએ હાજર રહેલી કોલેજોને 3 ફેબ્રુઆરી સુધીમાં તેમની અરજી સહિતની તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને યુનિવર્સિટીને જાણ કરવા તાકીદ કરી છે. જો આ સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ નહીં થાય, તો યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટ કમિટી સમક્ષ આ બાબત રજૂ કરીને આખરી નિર્ણય લેવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ, કોલેજો ચાલુ કરવા માટે સરકારની પૂર્વ સૈદ્ધાંતિક મંજૂરી મેળવવી ફરજિયાત છે. યુનિવર્સિટી દ્વારા વારંવાર પરિપત્રો કરવા છતાં, ઘણી સંલગ્ન કોલેજોએ સરકારના ઉદયન કોજન્ટ પોર્ટલ પર અરજી કરવામાં ઉદાસીનતા દાખવી હતી. આથી, સરકારની સૂચના મુજબ આવી કોલેજોને રૂબરૂ સાંભળવા માટે સુનાવણી રાખવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જાણવા મળ્યું કે, યુનિવર્સિટી સંલગ્ન ત્રણ કોલેજોને અગાઉ મંજૂરી મળી હોવા છતાં, તેઓ લાંબા સમયથી પ્રવેશ કે અન્ય પ્રક્રિયા કરતી ન હતી અને યુનિવર્સિટી સમક્ષ દસ્તાવેજો જમા કરાવ્યા ન હતા. જ્યારે ચાર કોલેજોએ તેમની કોલેજો બંધ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રક્રિયાના પરિણામે, સરકારની સૈદ્ધાંતિક પૂર્વ મંજૂરી વગર ચાલતી કેટલીક કોલેજો અને અનઅધિકૃત રીતે કાર્યરત જણાતી કોલેજો આપોઆપ બંધ થઈ શકે છે. કુલપતિએ સ્પષ્ટ સૂચના આપી છે કે, સરકારની પૂર્વ મંજૂરી વગર ચાલતી કોલેજોને કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે કોલેજની રહેશે. કોલેજો સામે કાર્યવાહી કરવા માટે નિમાયેલી કમિટીમાં કુલપતિ, રજિસ્ટ્રાર અને યુનિવર્સિટીના સત્તા મંડળના સભ્યોનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:04 am

સુરતના જાણીતા બિલ્ડરનો આપધાતનો પ્રયાસ:પોતાના ઘરે રિવોલ્વરથી ગોળી મારી, મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરતના જાણીતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આજે (1 ફેબ્રુઆરી) પોતાના ઘરમાં પોતાની રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ કર્યો છે. હાલમાં બિલ્ડરને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. ઘરે જ ગોળી મારી આપઘાતનો પ્રયાસમળતી માહિતી મુજબ, આ ઘટના સુરતના પોશ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં બની હતી. બિલ્ડરે અગમ્ય કારણોસર પોતાની રિવોલ્વરથી ગોળી ચલાવી હતી. ગોળીબારનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી છે. આપઘાતના પ્રયાસનું કારણ જાણવા પ્રયાસઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો છે. બિલ્ડરે આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પોલીસ હાલ ક્યા કારણોસર આ પગલું ભર્યું છે તે અંગે તપાસ કરી રહી છે. આ સમાચારથી સુરતના બિલ્ડર લોબીમાં શોક અને ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…..

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:02 am

વલસાડમાં બાઈક ચોર ઝડપાયો, 17 બાઈક ચોરીની કબૂલાત:સોમવાર સુધી રિમાન્ડ મંજૂર, વધુ તપાસ ચાલુ

વલસાડ પોલીસે બાઈક ચોરીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ વલસાડ, નવસારી અને ભરૂચ સહિત વિવિધ જિલ્લાઓમાંથી કુલ 17 બાઈક ચોરીની કબૂલાત કરી છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, ડુંગરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. વાઘલધરા પોલીસ ચોકી સામે NH 48 પર વાહન ચેકિંગ દરમિયાન, પોલીસે શંકાસ્પદ રીતે બાઈક ચલાવતા સરફરાજ મીયાં ઉમરાન પંડોલિયાને અટકાવ્યો હતો. પૂછપરછ દરમિયાન, સરફરાજે બાઈક ચોરીનું હોવાનું કબૂલ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ બાઈક વલસાડ સિટી વિસ્તારમાંથી ચોરાયું હતું. ડુંગરી પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા તેણે શરૂઆતમાં વલસાડ, નવસારી અને ભરૂચમાંથી કુલ 9 બાઈક ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી રૂ. 1.25 લાખની કિંમતની 4 બાઈક, 3 ચાવીઓ અને 3 આર.સી. બુક જપ્ત કરી વલસાડ સિટી પોલીસને સોંપી હતી.વલસાડ સિટી પોલીસે આરોપીનો કબ્જો મેળવી તેને વલસાડ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન, આરોપીએ વલસાડ, નવસારી, ભરૂચ સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી કુલ 17 બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. વલસાડ સિટી પોલીસ હવે આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. આ ઉપરાંત, ચોરી કરેલી બાકીની બાઈકનો મુદ્દામાલ રિકવર કરવા અને કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વલસાડ મામલતદાર કચેરીની બહાર ધોળા દિવસે બાઈક ચોરીની ઘટના સામે આવી હતી. બાઈક ચોરીની સતત વધી રહેલી ઘટનાઓને પગલે પોલીસે તપાસ અને કાર્યવાહી વધુ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:45 am

વલસાડમાં ચાર વર્ષની બાળકી સાથે અડપલાં:પાડોશી યુવકની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

વલસાડ તાલુકામાં ચાર વર્ષની બાળકી સાથે અડપલાંનો ગંભીર બનાવ સામે આવ્યો છે. શનિવારે બપોરના સમયે બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે પાડોશમાં રહેતા યુવકે તેને લાલચ આપી સુમસામ જગ્યાએ લઈ જઈ અડપલાં કર્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ બાળકીના પરિવારજનોએ સ્થાનિક અગ્રણીઓને જાણ કરી હતી. સ્થાનિક અગ્રણીઓએ તાત્કાલિક વલસાડ સિટી પોલીસનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાની સાથે જ વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર દિનેશ પરમારના નેતૃત્વમાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બાળકી સાથે અડપલાં કરનાર આરોપી યુવકની અટકાયત કરી હતી. પોલીસે બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે અને પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી યુવકનું પણ મેડિકલ પરીક્ષણ અને નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાને લઈને વલસાડ તાલુકામાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:38 am

સુરેન્દ્રનગર: ભૂમાફિયા-બુટલેગરોના મકાનો પર વીજ ચેકિંગ:પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ PGVCL ટીમ સાથે કાર્યવાહી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ પીજીવીસીએલની ટીમ સાથે રાખી ભૂમાફિયાઓ અને બુટલેગરોના મકાનો પર વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી. આ કોમ્બિંગ ડ્રાઇવમાં 50થી વધુ પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તેમની સાથે 250થી વધુ પોલીસકર્મીઓનો કાફલો પણ હતો. આ ટીમે ભૂમાફિયાઓના ઘરો પર દરોડા પાડી વીજ ચોરી અંગે તપાસ કરી હતી. પોલીસ વડા પ્રેમસુખ ડેલુંના નેતૃત્વ હેઠળ, એએસપી, ડીવાયએસપી, લીંબડી અને ચોટીલાના ડીવાયએસપી સહિત વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબી અને એસઓજી ટીમો પણ આ કામગીરીમાં સામેલ હતી. અનેક સ્થળોએથી મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ ચોરી ઉપરાંત, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કેટલાક વાહનો પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા. શહેરમાં નાગરિકોને પરેશાન કરતા બદમાશ અને લુખ્ખા તત્વો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:38 am

પોરબંદરમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો:એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમી કોલેજની વિદ્યાર્થિનીઓને માર્ગ સલામતિ અંગે માર્ગદર્શન અપાયું

પોરબંદરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસની ઉજવણી અંતર્ગત ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમી કોલેજ ખાતે યોજાયો હતો, જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓને માર્ગ સલામતિ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. આહિર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન. અધેરા અને પોરબંદર ટ્રાફિક શાખાની ટીમે આ માર્ગદર્શન આપ્યું હતું. વાહન અકસ્માતો અટકાવવાના હેતુથી, વિદ્યાર્થિનીઓને ટ્રાફિકના મહત્વના નિયમો સમજાવવામાં આવ્યા હતા. જેમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, વાહન હંમેશા ધીમે અને નિયંત્રણમાં ચલાવવું તેમજ રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોતાની અને અન્યની સલામતી માટે વાહન ચલાવતી વખતે કઈ રીતે કાળજી રાખવી તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. માર્ગ અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સરકારની રાહવીર યોજના અને તેના કાયદાકીય પાસાં વિશે પણ માહિતી આપવામાં આવી હતી, અને લોકોને માનવતાપૂર્ણ સહાય માટે આગળ આવવા પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના સમાપન સમયે, ટ્રાફિક પોલીસે તમામ વિદ્યાર્થિનીઓને પોતાની સલામતી અને સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા તેમજ આ નિયમોની જાણકારી અન્ય લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ અંતર્ગત યોજાયેલો આ કાર્યક્રમ યુવાવર્ગમાં ટ્રાફિક જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થયો છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:29 am

રાણાવાવ પોલીસે બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી:1600 લિટર આથો, સાધનો જપ્ત; આરોપી ફરાર

રાણાવાવ પોલીસે બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન 1600 લિટર દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના વિવિધ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બરડા ડુંગરના કાસવીરડાનેશથી પૂર્વ દિશામાં આશરે એક કિલોમીટર દૂર પાણીની ઝરમાં આવેલી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં તાડીવારાનેશ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકાના રહેવાસી અમરા લાખાભાઈ મોરી દ્વારા ચલાવવામાં આવતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. દરોડા સમયે આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ભઠ્ઠીમાંથી 1600 લિટર દેશી દારૂ બનાવવાનો આથો અને અન્ય સાધનો કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 57,200/- આંકવામાં આવી છે. આ મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તેમની કાર્યવાહી યથાવત્ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:19 am

મધ્ય રેલવે પર ચાલતી લોકલમાંથી પડી જતાં 3 મુસાફરો ઘાયલ

માટુંગા રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ ભીડને કારણે અકસ્માત સર્જાયો હોવાની આશંકા મુંબઈ - મુંબઈના સાયન અને માટુંગા રેલવે સ્ટેશન વચ્ચે સીએસએમટી જતી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી ત્રણ મુસાફરો ઘાયલ થયા હતા. લોકલ ટ્રેનમાં ભારે ભીડ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. ત્રણેય મુસાફરોમાંથી એકની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.

ગુજરાત સમાચાર 1 Feb 2026 7:55 am

રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારની શપથવિધિ સંપન્ન

પતિ અજિત પવારના અવસાનના ચોથા દિવસે શપથ સમારોહ આ પહેલા તેમને પાર્ટીના વિધાનસભાના ગુ્રપ લીડર તરીકે વરણી કરાઇ, શરદ પવારનો પરિવાર શપથવિધિમાં ગેરહાજર મુંબઇ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાનના આજે ચોથા દિવસે જ તેમના પત્ની સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પતિના મૃત્યુના ગણતરીના દિવસોમાં જ ઉતાવળે લેવાયેલી શપથવિધિમાં સામે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો પર શરૃ થઇ ગયા હતા. આ પહેલા રાજ્ય સભાના સાંસદ પદેથી રાજીનામું આપનારા ૬૨ વર્ષીય સુનેત્રા પવારને ગવર્નર આચાર્ય દેવવ્રતે લોકભવનમાં સાંજે પાંચ વાગે એક સંક્ષિપ્ત સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

ગુજરાત સમાચાર 1 Feb 2026 7:50 am

કારભાડાના પૈસાના વિવાદમાં યુવાનની હત્યા, 3 જણની ધરપકડ

થાણેમાં હત્યાના ત્રણ કલાકમાં આરોપી પકડાયા આરોપી દ્વારા અપહરણ કરાયેલી એક વ્યક્તિને બચાવી લેવાઈ મુંબઈ - થાણેના શીળ ફાટા વિસ્તારમાં થયેલી હત્યાના બે કલાકમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે આરોપીએ અપહરણ કરેલા એક વ્યક્તિને પણ બચાવી લેવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. થાણે શીળ ડાયઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે ૨૯ જાન્યુઆરીના રોજ અમન શેખની હત્યા કાર ભાડા સંબંધિત પૈસાના વિવાદને લીધે કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર 1 Feb 2026 7:30 am

ગોંદિયામાં નક્સલીઓના શસ્ત્રો અને દારુગોળાનો જથ્થો જપ્ત

એકે ૪૭,એસએલઆર,વિસ્ફોટકો પકડાયા આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલીઓએ આપેલી બાતમીને આધારેકાર્યવાહી મુંબઈ - મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં નક્સલવાદીઓનો શસ્ત્રોનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો.સર્ચઓપરેશન દરમિયાન બાદ એક એકે ૪૭ ,બે એસએલઆર રાઇફલ ,વિસ્ફોટકો અને દારૃગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.એમ એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર 1 Feb 2026 7:30 am

દેશમાં સોશિયો-ઈકોનોમિક તફાવત ખૂબ જ મોટો થઈ ગયો

- પ્રજાનું આર્થિક સરવૈયું : વિશ્વના ચોથા સૌથી મોટા અર્થતંત્રમાં આર્થિક ભેદભાવ વકર્યો, મોટા વધારે મોટા થયા, નાના વધારે નાના થયા - કોરોના બાદ સામાન્ય માણસ ઘર ચલાવવા અને ગુજરાન ચલાવવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે કોઈપણ નક્કર કારણ વગર શેરબજાર રોકેટ ગતિએ ઉડી રહ્યું હતું. દેશનું અર્થતંત્ર બે વિપરિત દિશાઓમાં વહેંચાઈ ગયું હતું. એક તરફ સંગઠિત અને ધનિક વર્ગ આગળ વધતો હતો, વિકાસ કરતો હતો અને બીજી તરફ અસંગઠિત અને ગરીબ વર્ગ રસાતાળ થઈ રહ્યો હતો : મોટાભાગના કરવેરા નીચલા વર્ગના લોકો પાસેથી, મધ્યમવર્ગ પાસેથી આવે છે. બીજી તરફ ઔદ્યોગિક જૂથો અને સુપરરિચ લોકોને લાખો અને કરોડો રૂપિયાની કર રાહત આપવામાં આવે છે, દેવા માફી આપવામાં આવે છે જ્યારે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, નાના વેપારીઓ મજૂરી કરવાના સ્તરે આવી ગયા છે : ફૂડ ઈન્ફ્લેશન 11 ટકા પહોંચી ગયું છે. હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટરમાં ખર્ચા અધધ થઈ રહ્યા છે.

ગુજરાત સમાચાર 1 Feb 2026 7:00 am

ગાંધીનગરમાં મિલકતધારકો પર GMCની 'ત્રીજી આંખ' વોચ રાખશે:શહેરી વિસ્તારમાં ડ્રોન અને AI વડે મિલ્કતોનો સર્વે કરાશે,સેકન્ડોમાં ગેરકાયદે બાંધકામોની પોલ ખૂલશે

સ્માર્ટ સિટી ગાંધીનગર હવે સાચા અર્થમાં હાઈટેક બનવા જઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ ટેક્સ ચોરી રોકવા અને ગેરકાયદેસર બાંધકામોને નેસ્તનાબૂદ કરવા માટે એક મહત્વની યોજના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે મિલકતોના સર્વે માટે મ્યુનિસિપલ કર્મચારીઓ તમારા ઘરે માપપટ્ટી લઈને નહીં આવે પરંતુ આકાશમાંથી 'ડ્રોન' નજર રાખશે અને 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ' તમારી ગેરકાયદેસર મિલકતની કુંડળી ખોલશે.મહાનગરપાલિકા હવે પાટનગરમાં પ્રોપર્ટી ટેક્સની ચોરી કરનારા અને ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે 'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક' કરવાની તૈયારીમાં છે. આ નવી ડિજિટલ સિસ્ટમ થી મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં કરોડો રૂપિયાનો વધારો પણ થશે. મંજૂરી વગરના બાંધકામો ઝડપવા AIનો ઉપયોગરાજ્યના પાટનગરમાં હવે મિલકત વેરો બચાવવા માટે વધારાનું બાંધકામ છુપાવવું મિલકતધારકો માટે મુશ્કેલ બનશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ 'સ્માર્ટ ગવર્નન્સ' તરફ મોટું કદમ ઉઠાવતા હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને હાઈટેક ડ્રોન દ્વારા મિલકત સર્વે કરવાની દિશામાં આયોજન કર્યું છે. આ નવી સિસ્ટમ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં કરોડો રૂપિયાનો વધારો કરશે. ડ્રોનની મદદથી મિલકતોનો સર્વે કરી કાર્યવાહી કરાશેઆ અંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સૂત્રોએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું કે, શહેરમાં અનેક મિલકતો એવી છે જ્યાં મંજૂરી કરતા વધુ બાંધકામ કરી લેવામાં આવ્યું છે અથવા તો રહેણાંકના હેતુ વાળી મિલકતનો ઉપયોગ વ્યાપારી હેતુ માટે થઈ રહ્યો છે. કોર્પોરેશનની ટીમ માટે દરેક ગલી અને મકાનનો સચોટ સર્વે કરવો સમય માંગી લે તેવું અને ભૂલભરેલું હોઈ શકે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે હવે AI અને ડ્રોન ટેક્નોલોજી વડે'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક' કરવાનું આયોજન છે. વધુમાં સૂત્રોએ ઉમેર્યું કે, મિલ્કતોના સર્વે માટે હાઈ-રિઝોલ્યુશન મેપિંગ થશે .સૌથી પહેલા ડ્રોન દ્વારા સમગ્ર શહેરનું 3D મેપિંગ કરવામાં આવશે. બાદમાં ડેટા ફ્યુઝન એટલે કે AI સિસ્ટમ પાસે કોર્પોરેશનના જૂના ટેક્સ રેકોર્ડ અને મંજૂર થયેલા પ્લાનનો ડેટા પહેલેથી જ હશે. જ્યારે ડ્રોન જેતે મિલકતનો નવો ફોટો વિડિઓ લેશે ત્યારે AI સેકન્ડોના ભાગમાં જૂના રેકોર્ડ અને નવા ફોટાની સરખામણી કરશે. જો કોઈએ મિલકતધારક ધ્વારા ધાબા પર પતરાનો શેડ નાખ્યો હશે, વધારાનો રૂમ બનાવ્યો હશે કે બાલ્કની પેક કરી હશે તો AI તરત જ તે ભાગને લાલ રંગથી માર્ક કરી દેશે. આ સિસ્ટમ એટલી સચોટ હશે કે ક્ષેત્રફળમાં થોડો પણ વધારો હશે તો તે પકડાઈ જશે. આ પ્રોજેક્ટ હેઠળ માત્ર ટેક્સની વસૂલાત જ નહીં પરંતુ ટાઉન પ્લાનિંગના નિયમોનું પાલન પણ કરાવવામાં આવશે. જો કોઈ મિલકતધારકે FSI કરતા વધુ બાંધકામ કર્યું હશે અથવા માળની સંખ્યામાં વધારો કર્યો હશે તો તેની વિગતો સીધી જ કોર્પોરેશનના સર્વર પર ફ્લેશ થશે. આનાથી વ્હાલા દવલાની રાજકીય ભલામણોની શક્યતાઓ પણ ઘટશે કારણ કે ડેટામાં છેડછાડ કરવી મુશ્કેલ બનશે. કેમકે બધો ડેટા ઓનસ્ક્રીન જ પુરાવા સાથે જોવા મળશે. ગાંધીનગર મનપાની હદમાં વધારો થતા ટેક્સની આવકમાં વધારોમહત્વનુ છેકે,ગાંધીનગર મહાનગરપાલિકા ની હદ વધતા 11,966 નવી મિલકતોની આકારણી થકી કોર્પોરેશનની આવકમાં રૂ. 7.05 કરોડનો ફાયદો થયો છે. સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, રહેણાંક અને બિન-રહેણાંક બંને પ્રકારની મિલકતોમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને રહેણાંક મિલકતોમાં 10,151 નો વધારો નોંધાયો છે, જે ગત વર્ષના 1,66,890 થી વધીને ચાલુ વર્ષે 1,77,044 પર પહોંચી છે. જે રહેણાંક શ્રેણીમાં 6.08% ની વૃદ્ધિ દર્શાવે છે. તેવી જ રીતે કોમર્શિયલ અને અન્ય બિન-રહેણાંક મિલકતોમાં પણ 1,815 નો વધારો થયો છે. આ મિલકતો 33,487 થી વધીને 35,302 થઈ છે, જેમાં 5.42% નો વધારો જોવા મળ્યો છે. આમ, ગત નાણાકીય વર્ષ 2024-25 ની સરખામણીએ કુલ મિલકતોની સંખ્યા 2,00,377 થી વધીને 2,12,343 થઈ છે. મિલકતોની આ નવી આકારણી પ્રક્રિયાને પરિણામે મહાનગરપાલિકાના મિલકતવેરાના માંગણામાં પણ સીધો ફાયદો થયો છે. નાણાકીય વર્ષ 2025-26 માટે મિલકતવેરાનું કુલ માંગણું વધીને રૂ. 85,09,34,583 પર પહોંચ્યું છે. આ સમગ્ર આકારણી પ્રક્રિયાને લીધે કોર્પોરેશનની આવકમાં અંદાજિત રૂ. 7,05,12,024 નો વધારો થયો છે, જે શહેરના વિકાસ કાર્યોને વધુ વેગવંતુ બનાવશે. તંત્ર દ્વારા હાલ સુધીમાં રૂ. 64,05,91,747 ની વસુલાત પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 6:00 am

પાંચ વર્ષથી બનતું દાણાપીઠ મલ્ટીલેવલ પાર્કિંગ હેરિટેજ લૂકમાં અટવાયું:AMCના અણઘણ આયોજનથી કામ અધુરૂં, ત્રણ માળનું બિલ્ડિંગ છતાં લોકોને રસ્તા પર વાહન પાર્ક કરવા પડ્યા

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા પાર્કિંગ જરૂરી બન્યું છે. જોકે, કેટલીક જગ્યાએ AMCએ બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગ નિષ્ફળ ગયા છે. કારણ કે, AMCએ અણઘણ આયોજન કરી પાર્કિંગ બનાવી દીધા છે. શહેરના કોટ વિસ્તારમાં સૌથી વધુ પાર્કિંગની સમસ્યા રહે છે, ત્યારે દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછળ જ મલ્ટીલેવલ પાર્કિંગ અને નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે, પરંતુ આ પાર્કિંગ અને ફાયર સ્ટેશન નાગરિકો માટે ઉપયોગી બન્યું નથી. એક તરફ શહેરના મલ્ટીલેવલ પાર્કિંગો ખાલી રહે છે તો બીજી તરફ વાહન પાર્કિંગ માટે મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર છે, પરંતુ બિલ્ડિંગને હેરિટેજ લુક આપવાનો બાકી હોવાને કારણે શરૂ થઈ નથી. વાહનચાલકો આ પાર્કિંગ ક્યારે શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. કોટ વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કિંગ ખૂબ જરૂરિયાતઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આફિસ દાણાપીઠ પાછળ જૂનું ફાયર સ્ટેશન તોડી ત્યાં નવું ફાયર સ્ટેશન અને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા વર્ષ 2019થી શરૂઆત કરી હતી. કોટ વિસ્તારમાં પાર્કિંગ માટે આ મલ્ટીલેવલ પાર્કિંગ ખૂબ જ જરૂરી છે, ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા આ મલ્ટીલેવલ પાર્કિંગનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. હેરિટેજ લૂક આપવાની કામગીરી બાકી રહેતા હાલ પાર્કિંગ બંધઆ મલ્ટીલેવલ પાર્કિંગની કામગીરી 80થી 90% જેટલી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હવે મલ્ટીલેવલ પાર્કિંગ હેરિટેજ સ્થળોની આસપાસ આવેલું હોવાથી તેને હેરિટેજ લૂક આપવાનો બાકી હોવાના કારણે કામગીરી અધુરી રહી છે અને હજી સુધી મલ્ટીલેવલ પાર્કિંગ લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું નથી. જેથી લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ત્રણ માળનું મલ્ટીલેવલ પાર્કિંગમાણેકચોક, ત્રણ દરવાજા, પાનકોર નાકા અને ગાંધી રોડ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે નાની ગલીઓમાં ખરીદી કરવા જવું પડે ત્યારે વાહનો પાર્કિંગ કરવાની સમસ્યા દૂર કરવા જૂના દાણાપીઠ ફાયર સ્ટેશન અને મલ્ટીલેવલ પાર્કિંગને તોડીને ત્યાં નવું બનાવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ત્રણ માળ સુધીનું મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ પાર્કિંગના ત્રણેય માળ બનીને તૈયાર થઈ ચૂક્યા છે. ત્રીજા માળ ઉપર અત્યારે હાલમાં કલરની કામગીરી કરવામાં આવી રહી છે. લિફ્ટ અને ફાયરની સુવિધાઓ લગાવવામાં આવી રહી છે, પરંતુ પાર્કિંગના બિલ્ડિંગને હજુ હેરિટેજ લૂક આપવાનો બાકી છે. ધીમા કામથી લોકો ટ્રાફિક-પાર્કિંગની સમસ્યાથી પરેશાનપાંચ વર્ષ પહેલાં આ બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું હતું અને કામગીરી વર્ષ 2022માં શરૂ થઈ હતી. મલ્ટીલેવલ પાર્કિંગની બાજુમાં ફાયર સ્ટેશન અને ક્વાટર્સ પણ બનાવવામાં આવ્યા છે. જેની અત્યારે હાલ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. AMCની ધીમી કામગીરીથી એક વર્ષથી લોકો ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુનેસ્કો-આર્કોલોજી વિભાગનો હેરિટેજ લૂક આપવા AMCને પત્રદાણાપીઠ મલ્ટીલેવલ પાર્કિંગ અને ફાયર સ્ટેશન હેરિટેજ સ્થળની 100થી 300 મીટરની મર્યાદામાં આવે છે. જેને લઇને હવે યુનેસ્કો-આર્કોલોજી વિભાગ દ્વારા હવે હેરિટેજ લૂક આપવા માટે AMCને પત્ર લખીને જાણ કરી છે. જેના પગલે AMC દ્વારા હવે પાર્કિંગને હેરિટેજ લૂક આપવાનો હોવાથી તેની કામગીરી કરવામાં આવશે. હેરિટેજ લૂકની ડિઝાઈન બનાવવાની કામગીર સેપ્ટ યુનિવર્સિટીને સોંપાઈAMC દ્વારા દાણાપીઠ ફાયર સ્ટેશન અને મલ્ટીલેવલ પાર્કિંગને હેરિટેજ લૂક આપવાનો હોવાથી તેની ડિઝાઈન અને ફસાડ બનાવવા માટે સેપ્ટ યુનિવર્સિટીને કામગીરી સોંપી છે. ડિઝાઈન બનીને તૈયાર થયા બાદ તેને કોર્પોરેશન દ્વારા મંજૂરી આપી અને દાણાપીઠ ફાયર સ્ટેશનને હેરિટેજ લૂક આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પાછળ ત્રણથી ચાર મહિનાનો સમય લાગી શકે છે. આગામી એપ્રિલ મહિના સુધીમાં મલ્ટીલેવલ પાર્કિંગ લોકો માટે શરૂ થઈ શકે તેવી સ્થિતિ નથી. મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા હેરિટેજની મંજૂરીમાં વિલંબદાણાપીઠ મલ્ટીલેવલ પાર્કિંગ જ્યારથી બનાવવાની શરૂઆત કરાઈ ત્યારથી જ વિવાદોમાં આવ્યું છે. વર્લ્ડ હેરિટેજ સિટી ગણાતા અમદાવાદમાં હેરિટેજ સ્થળ એવા જુમ્મા મસ્જિદની 100થી 300 મીટરની મર્યાદામાં આવતું હોવાથી આ જગ્યા ઉપર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા હેરિટેજની મંજૂરીમાં વિલંબ થયો હતો. હવે હેરિટેજ લૂક આપવાનો બાકી હોવાના કારણે સમયસર પાર્કિંગ ન બનતા લોકોને પાર્કિંગ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. AMC ઓફિસમાં આવતા લોકોનું રસ્તા પર વાહન પાર્કિંગઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આફિસ દાણાપીઠમાં જ પાર્કિંગની ખૂબ જ સમસ્યા જોવા મળે છે. ગાડીઓ અને વાહનો પાર્ક કરવા માટેની જગ્યા હોતી નથી જેના કારણે થઈને વાહનો બહાર પાર્ક કરવા પડે છે. AMC ઓફિસમાં આવનારા લોકોને જ પોતાની ગાડીઓ બહાર રોડ પર પાર્ક કરવી પડે છે, ત્યારે આ પાર્કિંગ ખૂબ જ જલદી શરૂ થાય તેના માટે AMCના અધિકારીઓ અને ભાજપના સત્તાધિશોએ સમજવાની જરૂર છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ધીમી ગતિએ કામગીરી ઝડપી થાય તેવા પ્રયત્નો કરવામાં ન આવતા આજે પણ AMC ઓફિસમાં જ આવતા લોકો ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 6:00 am

સોના-ચાંદીના ભાવ વધતા લોકો તાંબા તરફ વળ્યા:એક કિલોની લગડીમાં 3 મહિનામાં 35% રિટર્ન, માર્કેટ એક્સપર્ટે ચેતવ્યા- ભંગારના ભાવે વેચવું પડશે

ભાઇ, હવે તો સોના અને ચાંદીના ભાવે એટલા વધ્યા છે કે કાચના શો રૂમમાં બહારથી જ જોઇને સંતોષ માનવો પડે એવી સ્થિતિ આવી ગઇ છે. આવું વાક્ય થોડા દિવસ પહેલાં દરેક ગુજરાતીઓના ઘરે સૂર્યોદયની સાથે સાથે સાંભળવા મળતું હશે કેમ કે સોના અને ચાંદીના ભાવ ક્યારેક 10 હજાર તો ક્યારેક 30 થી 40 હજાર વધતા હતા. જો કે શુક્રવારે આ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો બોલી ગયો. સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચડાવ વચ્ચે લોકો હવે કોપરની ખરીદી તરફ વળ્યાં છે. એક સમયે સોના અને ચાંદી પાછળ ઇન્વેસ્ટ કરનાર ગુજરાતીઓમાં હાલ કોપરના બાર ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કોઇ 1 કિલો તો કોઇ 10-10 અને 20-20 કિલો કોપરના બાર ખરીદી રહ્યાં છે. શું ખરેખર કોપરમાં ઇન્વેસ્ટ કરાય ખરું? શું કોપર ક્યારેય ચાંદી અને સોનાનો વિકલ્પ બની શકે? કોપર ખરીદતાં પહેલાં કેવી તકેદારી રાખવી જોઇએ? કોપર બજારમાં સરળતાથી મળી તો રહ્યું છે પણ જ્યારે તેને વેચવા જાઓ તો ક્યાં વેચવું? આવા તમામ સવાલોના જવાબ વાંચો આજની સન્ડે બિગ સ્ટોરીમાં. દિવ્ય ભાસ્કરે બજારના મોટા બુલિયન વેપારીથી લઈને વર્ષોથી સોના ચાંદીની દુકાન ચલાવનાર સોની અને શેર માર્કેટના એક્સપર્ટ સાથે વાતચીત કરી હતી. જો સોનુ-ચાંદી તિજોરીમાં પડ્યું રહે તો વર્ષો પછી પણ તેની કિંમત જળવાઇ રહે છે. હા, ચાંદી કાળી પડી જાય છે. કોપરની વાત થોડી અલગ છે. કોપરની લગડીને જો પ્લાસ્ટિકના પેકિંગમાંથી બહાર કાઢવામાં આવે તો થોડી જ મિનિટોમાં તેના પર લીલા ડાઘ (ઝંક) લાગી જાય છે અને ચમક પર અસર થાય છે. કોઇપણ સોનીને ત્યાં જઇને સોનુ-ચાંદી વેચીને રૂપિયા મેળવી શકાય છે. જો કે કોપર માટે કોઇ આવી પોલિસી નથી. કોપરમાં છેલ્લા ત્રણેક મહિનામાં 35% જેટલું વળતર મળ્યું છે. સોનુ-ચાંદી મોંઘું થતાં લોકો હવે કોપર બારને પણ ગિફ્ટમાં આપી રહ્યાં છે. કોપરની લગડી કેવી રીતે બને છે?ઇલેક્ટ્રિક વાયર કે કેબલના સ્ક્રેપને પ્રોસેસ કરીને તેમાંથી રો મટિરિયલ બનાવાય છે. આ રો મટિરિયલને ઊંચા તાપમાને ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે છે. ઓગળી ગયેલા મટિરિયલને બીબાંમાં ઢાળવામાં આવે છે. આ બીબાં 1 કિલો, 5 કિલો એમ અલગ અલગ કિલોના માપના હોય છે. બીબાંમાં રેડ્યા પછી તેને ઠંડું થવા દેવાય છે. કોપર ઠંડું થયા પછી તેના પર વજન અને કંપનીનો લોગો મારવામાં આવે છે. કોપર હવામાં ખૂલ્લું રહે તો તેના પર લીલા ડાઘ (ઝંક) લાગી જાય છે. જેથી કોપરની લગડી જેવી તૈયાર થાય કે તરત જ તેના પર પ્લાસ્ટિકનું મજબૂત પેકિંગ કરી દેવાય છે. જેના લીધે તેની ચમક જળવાઇ રહે છે. વિશ્વમાં ભારત સહિત ઘણા દેશો કોપરનું ઉત્પાદન કરે છે. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યો કોપરના મુખ્ય ઉત્પાદક છે. 5 વર્ષ પહેલાં આટલી માંગ નહોતીશ્રી અંબિકા ટચના ઓનર અને પ્રોપરાઇટર ભૌમિક સોનીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, આજથી 5 વર્ષ પહેલાં કોપરને કોઇ ઇન્વેસ્ટમેન્ટ તરીકે નહીં પરંતુ સ્ક્રેપ્ટ તરીકે જોતા હતા એટલે 5 વર્ષ પહેલાં કોપરને પ્રિસિયસ મેટલમાં કે કોઇ જવેલર્સમાં તેની કોઇ જ ડિમાન્ડ નહોતી. જો કે હાલમાં તેની ડિમાન્ડ જોવા મળી રહી છે. તેમણે કોપરની ડિમાન્ડ વધવા પાછળના કારણો પણ જણાવ્યા. તેમના મતે, સોના-ચાંદીના ભાવ આસમાને આંબી જતાં છેલ્લા 2-3 મહિનાથી જ કોપરની ડિમાન્ડ વધી છે. કેટલીક કંપનીઓએ એવી જાહેરાત કરી કે અમે AI, EV અને સોલારમાં પણ કોપરનો ઉપયોગ કરીશું. જેથી લોકોને એવું લાગે છે કે કોપર સિલ્વરનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. કોપરની લગડીનો ભાવ 1200 રૂપિયાને પારકોપરના હાલના અને ભૂતકાળના ભાવ વિશે પણ ભૌમિક સોનીએ માહિતી આપી. તેઓ કહે છે કે, આજથી 2 કે 3 મહિના પહેલાંની વાત કરીએ તો કોપર ફક્ત 800 કે 900 રૂપિયે કિલો વેચાતું હતું. ચાંદીની વધતી જતી માંગના કારણે કોપરનું ચલણ વધ્યું અને તેના ભાવ પણ વધ્યા. આજે કોપરનો ભાવ 1200 રૂપિયાથી પણ વધુ છે. 'અત્યાર સુધી તો કોઇ પૂછવા નહોતું આવતું કે અમારે કોપર ખરીદવું છે પણ આજે 10% ગ્રાહકો માત્ર કોપરની ખરીદી કરવા માટે આવી રહ્યાં છે એટલું જ નહીં તેઓ 10 કિલોથી માંડીને 20 કિલો સુધીનું કોપર લઇ જાય છે. તેમણે માર્કેટમાં વેચાતા કોપરના પટ્ટા અને તાર મિશ્રણવાળા હોવાનું પણ જણાવ્યું. 'જેમ ગોલ્ડ અને સિલ્વર બાર મળે છે એવી જ રીતે કોપર પણ બારમાં જ મળી રહ્યું છે. હાલમાં માર્કેટમાં કેટલાક લોકો સ્ક્રેપ્ટમાંથી પણ તૈયાર કરેલાં કોપરના પટ્ટા વેચી રહ્યાં છે. કેટલાક લોકો તાર વેચી રહ્યાં છે. જે પ્રોપર નથી, ઇમ્પ્યોરિટીવાળું છે. તેમાં ઝીંક કે અન્ય મેટલનું મિશ્રણ કરેલું હોય છે.' 'હાલમાં ગમે તે જગ્યાએ કોપર મળી રહ્યું છે એટલે ત્યાંથી લેવાને બદલે જ્વેલર્સ પાસેથી જ લેવાનો આગ્રહ રાખવો જોઇએ કેમ કે તેનું સાચું પ્રમાણે જ્વેલર્સ જ નક્કી કરી શકે છે. દરેક જવેલર્સની પોતાની એક રેપ્યુટેશન હોય છે. હાલમાં બજારમાં 85%, 95% અને 99%નું કોપર મળી રહ્યું છે. સામન્ય રીતે હાલમાં બજારમાં કોપર 1800 થી 2000 રૂપિયે કિલો મળી રહ્યું છે.' 'MCXમાં કોપરનો ભાવ 1200 રૂપિયા છે જેમાં 18% જીએસટી અને બાકી હેન્ડલિંગ ચાર્જ લગાવવામાં આવે છે. બજારમાં મળતાં લંડન બુલિયન માર્કેટ એપ્રુવડ કોપરમાં અઢી ટનનો કોન્ટ્રાક્ટ હોય છે એટલે પહેલાં અઢી ટન કોપર લેવું પડે છે. આજે ઇન્વેસ્ટમેન્ટ ખૂબ વધારે છે એટલે નફાનો ભાગ પણ વધારે છે પણ તમને બુલિયન અને જ્વેલર્સમાં જે ખાતરી મળે છે એવી ક્યાંય નહીં મળે.' અમદાવાદમાં દૈનિક 300થી 400 કિલો કોપરનું વેચાણતેમણે કહ્યું કે, મારા અંદાજ પ્રમાણે છેલ્લા એકાદ મહિનામાં અમદાવાદમાં 999 ક્વોલિટીનું દૈનિક 300થી 400 કિલો કોપર વેચાઇ રહ્યું છે. જ્યારે દેશભરમાં 2થી 3 ટનનું વેચાણ થઇ રહ્યું છે. હાલમાં લોકો કોપરની ધૂમ ખરીદી કરી રહ્યાં છે. લોકો એવું વિચારી રહ્યાં છીએ કે ચાંદીની જેમ કોપરનો પણ ભાવ વધશે ત્યારે તેને વેચીને પૈસા ઊભા કરી શકાશે. જો કે કોપરને કેવી રીતે વેચી શકાશે તેના વિશે ભૌમિક સોનીનું માનવું છે કે, અત્યારે હાલ પૂરતી તો કોપરમાં કોઇ બાય બેક વેલ્યૂ નથી એટલે તેની વેલ્યૂ નથી એવું ન કહી શકાય પણ હા બાયબેક નથી. કોપરની કિંમત ઓછી છે તેની સામે 18% જીએસટી છે એટલે સેલિંગ પોલીસી છે પણ રિટર્ન પોલીસી નથી. દોઢ થી બે વર્ષમાં રિટર્ન પોલિસી પણ આવી જશે. કોપરના રેટમાં વધારો ચોક્કસ થશે. અઠવાડિયામાં કોપરની 10થી વધુ ઇન્ક્વાયરીદેવિકા જવેલર્સના માલિક જૈનિલ સોનીને ત્યાં અઠવાડિયામાં કોપરની 10થી વધુ ઇન્કવાયરી આવે છે. તેમણે કહ્યું કે, હવે સોનુ-ચાંદી મધ્યમ વર્ગના બજેટની બહાર જતું રહ્યું છે. જેથી મધ્યમ વર્ગ કોપરની ખરીદી તરફ વળ્યો છે. અમારે ત્યાં અઠવાડિયામાં કોપરની 10થી વધુ ઇન્કવાયરી આવે છે પણ જોઇએ એવી ડિમાન્ડ હજી નથી કેમ કે તેની બાયબેક પોલિસી નક્કી નથી થઇ શકી. લોકો અત્યાર સુધી સોના-ચાંદીની નાની વસ્તુઓમાં રોકાણ કરતા હતા અથવા તો લોકોને ગિફ્ટ આપવા માટે લઇ જતાં હતા પણ હવે કેટલાક લોકો કોપરના બાર ખરીદીને ગિફ્ટમાં આપી રહ્યાં છે. કોપર ચાંદીનું સ્થાન નહીં લઇ શકેજૈનિલ સોનીએ કહ્યું, હાલમાં જે રીતે લોકો બજારમાંથી કોપરના બાર ખરીદી રહ્યાં છે તેવામાં તેમણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ જેમ કે આવી વસ્તુ રેગ્યુલર જ્વેલર્સ પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખો. જેથી ભવિષ્યમાં કોઇ રિટર્ન પોલિસી આવે તો તમને સારો અને સાચો જવાબ મળી રહે. કોપર સિલ્વરની જગ્યા લઇ લેશે તેવું તો ન જ કહી શકાય. હા, એટલું ચોક્કસ છે કે થોડુંક ચલણમાં આવી જશે. 3 મહિનામાં 35%થી વધુ રિટર્નઆપકા ઇન્વેસ્ટમેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ ફાઇનાન્શિયલ એક્સપર્ટ હિતેશ સોમાણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, છેલ્લાં 5 વર્ષની વાત કરવામાં આવે તો કોપર 600 થી 700 રૂપિયા કિલોના ભાવે મળતું હતું જે ઘણાં વર્ષ સુધી ચાલ્યું. 2025ના વર્ષથી કોપરમાં ખૂબ જ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને આજે કોપર 1300 થી 1400 રૂપિયાએ પહોંચી ગયું છે. ઓવર ઓલ છેલ્લા 3 મહિનામાં 35%થી વધારાનું રિટર્ન આપી ચૂક્યું છે. ભંગારના ભાવે વેચવું પડશેઃ માર્કેટ એક્સપર્ટ તેમના મતે, કોપરના બાર્સમાં ભલે ગમે તેટલી તેજી આવે પણ જ્યારે વેચવા જાઓ ત્યારે ભંગારના ભાવે જ વેચવું પડશે. 'લોકો સિલ્વરની અને ગોલ્ડની ચેઇન પહેરે છે પણ મને નથી લાગતું કે આવનારા 10 વર્ષના સમયમાં લોકો કોપરની ચેઇન પહેરતાં થશે. જ્યારે તમે કોપરને વેચવા જશો ત્યારે તમારા કોપરના બાર્સ ભલે ને ગમે તેટલી ચમક આપતાં હોય પણ તેને તમારે ભંગારના ભાવે જ વેચવું પડશે કેમ કે તે ભંગારના ભાવે જ વેચાય છે.' 'જો બાર્સની જગ્યાએ તમે કોપરને લગતાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરશો તો તે એક સારો વિકલ્પ બની શકે છે. જે પણ કોપર રિલેટેડ કંપનીઓ છે જેમ કે હિન્દ કોપર, હિન્દુસ્તાન ઝિંક્સ તેમાં પણ કોપરના ભાવની સાથે સાથે વધારો જોવા મળે છે. છેલ્લા 2 મહિનામાં અમે જોયું છે કે આ બંને કંપનીઓએ ખૂબ જ સારી પ્રાઇસ મૂવમેન્ટ બતાવી છે એટલે આવી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવું એ વધારે નફાકારક રહેશે.' 'સોના-ચાંદીનો ભાવ વધતાં લોકોને તે મોંઘું લાગી રહ્યું છે. લોકો સોનુ-ચાંદી ખરીદી શકે તેમ નથી. જેથી એવું વિચારી રહ્યાં છે કે સોના-ચાંદી જેવી બીજી કઇ ધાતુ છે જે લાંબાગાળે નફો આપી શકે તેમ છે. આ જ કારણોસર કોપર લાઇમ લાઇટમાં છે. કોપર સસ્તા ભાવે મળી રહ્યું છે એટલે લોકોને એવું લાગે છે કે તેની ખરીદી કરીને ભેગું કરી લેવું જોઇએ. જ્યારે ભાવ વધશે ત્યારે ફાયદો થશે.' સોમાણી જણાવે છે કે, કોપર ઇન્ડસ્ટ્રિયલ મેટલ છે. આવનારા સમયમાં તેના પર ઝંક લાગી જશે. ધીરે ધીરે તે ખરાબ થતું જશે. હાલમાં જે રીતે કોપરના બાર્સ મળી રહ્યાં છે તે તો ખૂબ જ ખોટું છે. રિટેલમાં ઇન્વેસ્ટ કરવાવાળા લોકોએ આમાંથી બચવું જોઇએ. કોપરના એક કિલોના બાર્સ 1200 થી 1300 રૂપિયાના છે. જે બજારમાં 2-2 હજાર રૂપિયામાં વેચાઇ રહ્યાં છે. 750 રૂપિયા જેટલો ચાર્જ તો ફક્ત મેકિંગનો હોય છે. એનો મતલબ એ છે કે ખાલી 60% રકમ તો તમે મેકિંગની જ આપી રહ્યાં છો.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 6:00 am

ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘર પર 4 રાઉન્ડ ગોળીબાર:મુંબઈમાં આ જ વિસ્તારમાં અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝના ઘર; હજુ સુધી કોઈએ ફાયરિંગની જવાબદારી લીધી નથી

મહારાષ્ટ્રના મુંબઈમાં ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગ થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફોરેન્સિક ટીમ તેમના ઘરે પહોંચી હતી. રોહિત શેટ્ટી મુંબઈના જુહુ વિસ્તારમાં રહે છે. તેમના ઘરની નજીક બોલિવૂડની ઘણી સેલિબ્રિટીઓના પણ ઘર છે. આ ઘટના શનિવારે રાત્રે લગભગ 3 વાગ્યે બની હતી. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. રોહિત શેટ્ટી અથવા પોલીસ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ બાબતે હજુ સુધી કોઈએ જવાબદારી લીધી નથી. પોલીસ આગળની તપાસ કરી રહી છે. ઘટના બાદ રોહિત શેટ્ટીના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 5:19 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કોંગ્રેસે કહ્યું- એપ્સટિન ફાઇલમાં મોદીનું નામ, ટ્રમ્પ માટે તે નાચ્યા; ઈરાનના 7 શહેરોમાં વિસ્ફોટ; બજેટમાં સોનું-ચાંદીના સસ્તા થઈ શકે

નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર કોંગ્રેસ પાર્ટીના દાવાના રહ્યા. પાર્ટીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ એપ્સટિન ફાઇલ્સમાં દેખાય છે. બીજા મોટા સમાચાર ઇરાનના સાત શહેરોમાં બોમ્બ વિસ્ફોટના અહેવાલો હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. કોંગ્રેસે કહ્યું- ટ્રમ્પના ફાયદા માટે મોદી ઇઝરાયેલમાં નાચ્યા:પૂછ્યું- PMએ યૌન અપરાધી એપસ્ટીન પાસેથી શું સલાહ લીધી; સરકારે કહ્યું- જાહેર ગુનેગારની આ ઘટિયા ટિપ્પણી કોંગ્રેસે શનિવારે કહ્યું કે જાતીય ગુનેગાર જેફ્રી એપસ્ટીનની ફાઇલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ નામ છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ X પર બે પોસ્ટ કરી છે. તેમણે લખ્યું - આ રાષ્ટ્રીય શરમનો વિષય છે. પીએમ શા માટે જેફ્રી એપસ્ટીનની સલાહ લઈ રહ્યા હતા? પહેલી પોસ્ટમાં ખેડાએ લખ્યું છે કે જેફ્રી એપસ્ટીન, જે અમેરિકામાં માનવ તસ્કરી, સગીરોનું જાતીય શોષણ અને બળાત્કાર માટે દોષિત ઠર્યો છે, તે લખે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સલાહ માની. અમેરિકાના રાષ્ટ્રપતિને ફાયદો પહોંચાડવા માટે ઇઝરાયલમાં નાચ-ગાન કર્યું. થોડા અઠવાડિયા પહેલા તેમની મુલાકાત થઈ હતી અને આ કામ કરી ગયું. સંપૂર્ણ સમાચાર વાંચો 2. મી સુનેત્રા અજિત પવાર...:અજિતના નિધનના ચોથા દિવસે સુનેત્રા પવાર બન્યા મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા Dy.CM; શરદ પવારની સૂચક ગેરહાજરી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર શનિવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવનમાં સુનેત્રાને શપથ લેવડાવ્યા. શપથગ્રહણ સમારોહ અંદાજે 12 મિનિટ સુધી ચાલ્યો. શરદ પવારની આ સમારોહમાં સૂચક હાજરી રહી. આ અગાઉ દિવસ દરમિયાન NCP ધારાસભ્ય દળ અને વિધાન પરિષદના સભ્યોની વિધાન ભવનમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સુનેત્રાને પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 3. એકસાથે 12 શહેર પર હુમલાથી પાકિસ્તાન ધ્રૂજ્યું:BLAનું 'ઓપરેશન હેરોફ', 10 પોલીસકર્મીનાં મોત; ડેપ્યુટી કમિશનરનું કિડનેપ, શાહબાઝે કહ્યું- ભારતનો હાથ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શનિવારે બલુચ લિબરેશન આર્મી (BLA)એ એકસાથે 12 સ્થળોએ હુમલા કર્યા. ન્યૂઝ એજન્સી AFP અનુસાર, હુમલામાં ઓછામાં ઓછા 10 સુરક્ષાકર્મીઓના મોત થયા છે. જ્યારે, પાકિસ્તાની સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં 37 લડવૈયાઓ પણ માર્યા ગયા. એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે બલુચ વિદ્રોહીઓએ ક્વેટા, પસની, મસ્તુંગ, નુશ્કી અને ગ્વાદર જિલ્લામાં શનિવારે સવારે 12થી વધુ સ્થળોએ એકસાથે હુમલા કર્યા. રાજધાની ક્વેટામાં ઓછામાં ઓછા ચાર પોલીસકર્મીઓ માર્યા ગયા. સંપૂર્ણ સમાચાર વાંચો 4. બજેટમાં અપેક્ષાઓ: સોનું-ચાંદી સસ્તાં થઈ શકે છે:ડ્યૂટી ઘટાડીને 4% કરવામાં આવે એવી શક્યતા; 2025માં ચાંદી 167%, સોનું 75% મોંઘું 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પછી સોનું-ચાંદી ખરીદવું સસ્તું થઈ શકે છે. સરકાર આના પર લાગતી કસ્ટમ ડ્યુટી 6%થી ઘટાડીને 4% કરી શકે છે. જો આવું થશે, તો સોનું પ્રતિ 10 ગ્રામ આશરે 3 હજાર અને ચાંદી 6 હજાર રૂપિયા સસ્તી થઈ શકે છે. વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% વધ્યા છે. અત્યારે એટલે કે જાન્યુઆરી 2026માં 10 ગ્રામ 24 કેરેટ સોનું 1.50 લાખ અને એક કિલો ચાંદી 3.30 લાખ રૂપિયામાં મળી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. 'ભીખ માગતી વખતે શરમથી માથું ઝૂકી જાય છે':PM શાહબાઝે પાકિસ્તાનની પોલ ખોલી, કહ્યું- લોન અમારા આત્મસન્માન પર બહુ મોટો બોજ, કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે વિદેશી દેવાં પર દેશની વધતી નિર્ભરતા અંગે નારાજગી વ્યક્ત કરી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ, શાહબાઝે શુક્રવારે સ્વીકાર્યું હતું કે દેશની ખરાબ આર્થિક સ્થિતિને કારણે તેમને વારંવાર વિદેશપ્રવાસે જઈને લોન માગવી પડી હતી. પાકિસ્તાની વડાપ્રધાન રાજધાની ઇસ્લામાબાદમાં બિઝનેસ લીડર્સને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, 'હું તમને કહેવા માગું છું કે જ્યારે ફિલ્ડ માર્શલ અસિમ મુનીર અને હું દુનિયાભરમાં પૈસા માગવા જઈએ છીએ ત્યારે અમને શરમ આવે છે.' સંપૂર્ણ સમાચાર વાંચો 6. 15 વર્ષની દીકરી પર સગા બાપનું 4 વર્ષથી દુષ્કર્મ:ઉપલેટામાં માતા કેન્સરથી પથારીવશ થતાં દિવ્યાંગ પિતાએ બળજબરી કરી, 17 વર્ષની ભત્રીજીનું પણ 7 વર્ષથી શોષણ કર્યાનો ઘટસ્ફોટ રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સમાજને શર્મસાર કરતી અને પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોહીના સંબંધોને લજવતા આ કિસ્સામાં એક નરાધમ દિવ્યાંગ પિતાએ પોતાની જ સગી પુત્રી પર છેલ્લાં ચાર વર્ષ સુધી સતત દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર યુવતી જ્યારે માત્ર 15 વર્ષની હતી ત્યારથી તેની સાથે સગા બાપે હેવાનિયત શરૂ કરી હતી. રક્ષક જ ભક્ષક બનતા પિતાએ સંબંધની મર્યાદા ઓળંગી, પુત્રીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક અવારનવાર શરીર સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી પિતાએ તેની 17 વર્ષની ભત્રીજી પર પણ છેલ્લા 7 વર્ષથી દુષ્કર્મ ગુજાર્યુ હોવાનું સામે આવ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. પોલીસે થેલી ખંખેરી તો હાડકાંનો ઢગલો થયો:જૂનાગઢના ગુમ વૃદ્ધાની હત્યાની આશંકામાં ગામના યુવકની ધરપકડ, કૂવામાંથી માનવકંકાલ મળ્યું જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામના છેવાડે આવેલા એક અવાવરૂ કૂવામાંથી માનવકંકાલ અને કીમતી દાગીના મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે કૂવામાંથી કચરાની ભરેલી થેલીમાંથી હાડપિંજરનાં ટુક્ડા બહાર કાઢ્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગુમ થયેલાં 65 વર્ષીય વૃદ્ધાનું કંકાલ હોવાનું મનાઈ રહ્યું છે. હાડપિંજરના અવશેષો સત્તાવાર પુષ્ટિ કરવા માટે DNA ટેસ્ટ અને FSLમાં મોકલી આપ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ દાવો- રાજસ્થાનની સાધ્વીનું ઇન્જેક્શનથી મૃત્યુ થયું:પિતા બોલ્યા- તેમના અંતિમ શબ્દો હતા 'મને ન્યાય અપાવજો', એટલે 4 કલાક પછી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ ભયાનક વિસ્ફોટોથી હચમચ્યું ઈરાન:7 શહેરોમાં એકસાથે બ્લાસ્ટમાં 5 લોકોનાં મોત; 14 ઘાયલ, ઇઝરાયલે હાથ અદ્ધર કર્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ શાહે કહ્યું- બંગાળમાં SIRથી ઘૂસણખોરો બહાર થશે:જે રહી જશે તેમને ભાજપના CM કાઢી મુકશે; આ વર્ષ TMCને 'ટાટા, બાય-બાય' કહેવાનું છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ કેનેડાના દુશ્મનોને મળ્યા અમેરિકાના અધિકારીઓ:અલ્બર્ટાને આઝાદ દેશ બનાવવાના પ્રયાસમાં અલગતાવાદીઓ; PM કાર્ની બોલ્યા-આંતરિક મામલાઓમાં દખલગીરી સહન નહીં કરીએ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. ક્રિકેટઃ ભારતે ન્યૂઝીલેન્ડને 46 રને હરાવ્યું:ઈશાન કિશનની સેન્ચુરી; અર્શદીપ સિંહે 5 વિકેટ ઝડપી; ટીમ ઈન્ડિયાએ સિરીઝ 4-1થી કબજે કરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ ફાસ્ટેગ માટે KYV પ્રક્રિયા આવતીકાલથી પૂરી થશે:વાહન માલિકોને વારંવાર અપડેટ નહીં કરવું પડે, બેંકો પોતે ડેટા વેરિફાય કરશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ 01 ફેબ્રુઆરીનુ ટેરો રાશિફળ:તુલા જાતકોને ઝડપી નિર્ણયશક્તિથી નાણાકીય લાભ થશે, મીન જાતકોનો દિવસ વિચારોની ગડમથલમાં પસાર થશે (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ આંખો સ્કેન કર્યા પછી જ મળશે જમવાની થાળી દિલ્હીના અટલ કેન્ટીનમાં હવે આંખના સ્કેન પછી જ ફૂડ પ્લેટો પીરસવામાં આવશે. જેથી કોઈ પણ એકથી વધુ પ્લેટ લઈ ન શકે. 86 અટલ રસોડામાં રેટિના સ્કેનીંગ કેમેરા લગાવવામાં આવ્યા છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:એક જ દિવસમાં ચાંદી 1 લાખ કેમ તૂટી? કોને ફાયદો ને કોને નુકસાન? રાહ જોવી કે ખરીદીનો યોગ્ય સમય? 2. અબજોપતિ બિલ્ડર્સ જેની પાસે રીલ બનાવડાવે એ દર્શક રાઠોડ કોણ?:મિત્ર સાથે શરત લગાવી રિયલ એસ્ટેટમાં એન્ટ્રી કરી, એક વીડિયોથી કિસ્મત ચમકી, આજે વેચે છે કરોડોની પ્રોપર્ટી 3. 2 હજારની નોટ બદલી આપનારા માફિયા કેમેરામાં કેદ:''બેન્કની ગાડીમાં જ 2 હજારની સામે 500ની નોટો આપી દઈશું'', 50 કરોડની ડીલમાં 22 કરોડ કમિશન 4. અજિત-શરદની NCP એક થવાની તૈયારીમાં, ભાજપ સંમત:શરદ જૂથના 8 સાંસદ મોદી સરકારને ટેકો આપશે, પક્ષના નેતૃત્વને લઈને ખેંચતાણ 5. 45 મિનિટમાં ધોલેરા-બુલેટ સ્પીડે ભાવનગર:પહેલીવાર જુઓ 11 ફાંટાવાળા એક્સપ્રેસ-વેનો ડ્રોન વીડિયો, રાખ અને કચરામાંથી કમાલ, હાઇવેની પેરેલલ હાઇસ્પીડ ટ્રેન દોડશે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: કુંભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે, સિંહ જાતકોને મહેનત વધુ અને નફો ઓછો મળશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 5:00 am

મુસાફરોની સુવિધામાં વધારો:ભાવનગર-ઓખા અને સાબરમતી ઇન્ટરસિટી ટ્રેનમાં કોચ વધારાયા

ભાવનગર રેલવે ડિવિઝનની ભાવનગર–ઓખા એક્સપ્રેસ અને ભાવનગર–સાબરમતી ઇન્ટરસિટી ટ્રેનોમાં વધારાના કોચની સુવિધા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19209, 19210)માં તાત્કાલિક ધોરણે એક થર્ડ એસી કોચ તથા ભાવનગર–સાબરમતી–ભાવનગર ઇન્ટરસિટી ટ્રેન (20966, 20965)માં તાત્કાલિક ધોરણે 4 વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેન નં. 19209, 19210 ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક થર્ડ એસી કોચ 1લી થી 5મી ફેબ્રુઆરી સુધી લગાડવવામાં આવશે. ટ્રેન નં. 20966, 20965 ભાવનગર–સાબરમતી–ભાવનગર ઇન્ટરસિટી ટ્રેનમાં 4 જનરલ કોચ 1લી થી 5મી ફેબ્રુઆરી લગાડવવામાં આવશે. આ ટ્રેનોના વિરામસ્થાનો, સંરચના અને સમયસૂચિ અંગે વિગતવાર માહિતી માટે યાત્રીઓને સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર વિઝીટ કરવા પણ જણાવવામાં આવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:31 am

સાધારણ સભામાં વિપક્ષ દ્વારા આક્ષેપબાજી:લીઝ રીન્યુમાં ભાજપ ચેકથી રૂપિયા લે છે : કોંગ્રેસ; લીઝની વિઝીટે કોંગ્રેસ પ્રમુખ શું કામ ગયા? : ભાજપ

ભાવનગર કોર્પોરેશન હસ્તકના લીઝ હોલ્ડ પ્લોટના રીન્યુઅલ અને હેતુફેર સહિતના મુદ્દે વર્ષોથી ભ્રષ્ટાચારના છાંટા ઉડી રહ્યા છે ત્યારે આજે આજે મળેલી સાધારણ સભામાં પણ કોંગ્રેસના સભ્યો દ્વારા ખુલ્લેઆમ લીઝ પટ્ટા રીન્યુમાં ભાજપ ચેક થી રૂપિયા લેતા હોવાના આક્ષેપ કર્યા હતા. જ્યારે બીજી તરફ વિરોધ પક્ષના નેતા સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ ફેક્ટરી લીઝ હોલ્ડ પ્લોટની મુલાકાતે જતા ભાજપના સભ્યો દ્વારા આડકતરી રીતે પ્લોટના મુલાકાતના હેતુ સામે પ્રશ્ન ઉભા કર્યા હતા. આજની સાધારણ સભામાં પુનઃ બિન રહેણાકી લીઝ હોલ્ડ પ્લોટને રીન્યુઅલ કરવાના કાર્યો લેવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ત્રણ ફેક્ટરી પ્લોટ પૈકી રૂવાપરી રોડ પર આવેલ પ્લોટ નંબર એફ/46/18ના લીઝ પટ્ટાની મુદ્દત રીન્યુ કરવાના કાર્યમાં પક્ષના નેતા જીતુભાઈ સોલંકી દ્વારા કોર્ટ મેટર હોવાથી અને સ્થળ પર વિઝીટ કરતા પ્લોટનો દૂર ઉપયોગ થતો હોવાથી કાર્યનો વિરોધ દર્શાવ્યો હતો. જોકે, ફેક્ટરી પ્લોટની મુલાકાતને સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયાએ ખુલ્લી પાડી હતી. અને લીઝ હોલ્ડ પ્લોટ કે જેનું રીન્યુ થવાનું કાર્ય છે તેમાં કોંગ્રેસ પ્રમુખની મુલાકાતને ગંભીર ગણાવી હતી. વિરોધ પક્ષના નેતા સાથે શહેર કોંગ્રેસના પ્રમુખ પણ ફેક્ટરી પ્લોટની મુલાકાતે ગયા હતા. કોર્પોરેશનના પદાધિકારી, અધિકારી કે સભ્ય નહિ હોવા છતાં ફેક્ટરી પ્લોટની મુલાકાત સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા. મેયર ભરતભાઈ બારડ દ્વારા પણ કોઈ રાજકીય પાર્ટીના આગેવાન કે હોદ્દેદાર કોર્પોરેશનના સભ્ય ન હોય તે કોર્પોરેશનના કાર્યમાં રસ લઈ શકે નહીં અને સ્પષ્ટ રીતે આવા કાર્યમાં દખલગીરી ન કરવા પણ જણાવ્યું હતું. જેથી ભરતભાઈ બુધેલીયાએ પણ એક સાથે તમામ લીઝ પટ્ટાને મંજૂરી માટે લાવવા અને લીઝ પટ્ટા રીન્યુ માટે પાર્ટી પાસેથી ભાજપ ચેકથી રૂપિયા લેતા હોવાના આક્ષેપ કરતા ભાજપના સભ્યો ઉકળી ઉઠ્યા હતા. અંતે લીઝ પટ્ટો રીન્યુ કરવાનું કાર્ય મતદાન પર લઈ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે વિરોધ પક્ષના નેતા દ્વારા ઔદ્યોગિક હેતુ માટે ફાળવાયેલા પ્લોટની મુદ્દત પૂર્ણ થયા પહેલા કે પછી અરજી કરી હોય તો નિયમ અનુસાર રીન્યુ કરવા વધારાનું કાર્ય મૂકવામાં આવ્યું હતું. જેમાં કમિશનર દ્વારા પણ વધારાના કાર્યનો હાલમાં પણ નિયમ અને જોગવાઈ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. છતાં વિપક્ષ નહીં માનતા અંતે બહુમતીથી નામંજૂર કરાયું હતું. પ્રશ્નોત્તરીમાં ભરતભાઈ બુધેલીયાએ યુસીડી વિભાગ હસ્તકની યોજનાઓ વિશેના પ્રશ્નનો પ્રત્યુતર મળી ગયો હોવાથી વિશેષ ચર્ચા નહીં કરતાં ભાજપના સભ્યો દ્વારા એક પછી એક સરકારની યોજનાઓ અને તેના ફાયદાઓ વિશે અધિકારી પાસેથી માહિતીઓ માગી એક કલાક પ્રશ્નોત્તરીનો પૂર્ણ કરાવી લીધો હતો. કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવનાર રોડ અને એસ્ટેટ સહિતના પ્રશ્નની ચર્ચાની તક છીનવી લીધી હતી. 1982 થી આવતી કાર્ય પ્રણાલીઓમાં ફેરફારને મંજુરીસાધારણ સભામાં સંચાલન કરવાની અને કોર્પોરેશનની સમિતિઓની કાર્યવાહીનું સંચાલન અને નિયમો તેમજ કાર્ય પ્રણાલી 1982થી ચાલી આવી રહી છે. અન્ય મહાનગરોમાં સુધારા વધારા અને ફેરફાર થયા છે. ત્યારે આજે સાધારણ સભામાં વર્ષો જૂની કાર્યપ્રણાલીમાં ફેરફારનો ઠરાવ કર્યો છે. જોકે, જયદીપસિંહ ગોહિલ દ્વારા અમદાવાદ કોર્પોરેશનની જેમ ભાવનગરમાં વ્યાજ માફી આપવા માગણી કરી હતી. એક વિસ્તારના ત્રણ પ્લોટ છતાં એકનો જ વિરોધ !કોર્પોરેશન દ્વારા છેલ્લા દોઢ બે મહિનાથી બંધ ઔદ્યોગિક લીઝ પટ્ટાની રીન્યુઅલ શરૂ કરી અને વિવાદ છંછેડાયો હતો. આજે આજે સભામાં રૂવાપરી રોડ પરના ત્રણ ફેક્ટરી પ્લોટની મુદ્દત રીન્યુઅલ કરવાનું કાર્ય હતું. તે પૈકી માત્ર એક ફેક્ટરી પ્લોટનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અન્ય બે ફેક્ટરી પ્લોટમાં હરફસુધ્ધા ઉચ્ચાર્યો ન હતો. ત્યારે સભામાં પણ જાહેર થયેલ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ ફેક્ટરી પ્લોટની કરેલી મુલાકાતે અનેક શંકા કુશંકાઓ ઊભી કરી હતી. અને તેમાં પણ પાર્ટી ફંડની ચર્ચાએ જોર પકડ્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:30 am

વર્ષોથી વિવાદિત રીંગરોડ અધૂરોને અધૂરો જ રહ્યો:એક વર્ષમાં રોડના 473 કામ સૂચવ્યા અને થયા માત્ર 316

ભાવનગર શહેરના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. અને મોટાભાગનો વિકાસ ભાવનગર કોર્પોરેશન રોડ પાછળ જ કરે છે જે વાસ્તવિકતા છે. વર્ષ 2024-25 માં કોર્પોરેશનની હદમાં કુલ 473 કામ સૂચવ્યા હતા તે પૈકી 316 કામ જ પૂર્ણ થયા છે. વર્ષ 2024 - 25 દરમિયાન ભાવનગર કોર્પોરેશનની હદમાં સૂચવેલા કુલ 473 કામ પૈકી 37 કામો તો સર્વિસ લાઈન નાખવાની હોવાથી થઈ શક્યા જ નથી. જ્યારે 55 કામો કાર્યરત હોવાનું રોડ વિભાગ દ્વારા કોર્પોરેશનના સભ્ય દ્વારા માગવામાં આવેલી માહિતીમાં જણાવ્યું છે. ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી રીંગરોડ વિવાદમાં સપડાયેલો છે. રિંગરોડનું કામ આર એન્ડ બી હસ્તક કરવામાં આવી રહ્યું છે જે પૈકી મહાનગરપાલિકા હસ્તકના રીંગરોડમાં તળાવથી મંત્રેશ સુધીનું કામ શરૂ છે. ક્યારે મંત્રેશ થી ટોપ થ્રી સર્કલ સુધી આઇકોનિક રોડ બનાવવાનું ટેન્ડર અપલોડ કરવામાં આવ્યું છે. ટોપ થ્રી સર્કલ થી આગળનું કામ હજુ મંજૂરીની પ્રોસેસમાં છે. ક્યારે મંજૂરી મળશે અને ક્યારે કામ થશે તે બાબતે તંત્ર પણ માથું ખંજવાળે છે. જ્યારે હિલ પાર્ક ચોકડી થી ઢબુડી તળાવ તરફ 400 મીટર બાકી રહેલ રસ્તો આર એન્ડ બી સ્ટેટ દ્વારા બનાવવામાં આવે છે. આમ ભાવનગરનો રીંગરોડ વર્ષોથી અધુરોને અધુરો જ રહ્યો છે. જ્યારે શહેરના અન્ય ઘણા રોડ તૂટ્યા પહેલા જ નવા બનાવવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:25 am

સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ:GMB દ્વારા જર્જરીત જેટી પર પ્રતિબંધ, તત્કાલ રિપેર કરાશે

લાંબા સમયથી જર્જરીત હાલતમાં ગરકાવ થયેલી ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) હસ્તકની ઘોઘા જૂના બંદરની કોંક્રિટ જેટી (વાર્ફ)ની કંગાળ હાલત અંગેના સવિસ્તર અહેવાલ દિવ્ય ભાસ્કરના સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિધ્ધ થતા જ તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને તત્કાળ ધોરણે આ જેટીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી અને રિપેરિંગ અને નવી જેટી બનાવવાની પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવી છે. ઘોઘાની જેટીની કંગાળ હાલતની અવગત થતાની સાથે જ રાહુલ મિશ્રા, બંદર અધિકારી, જીએમબી ભાવનગર દ્વારા તત્કાળ અસરથી વાર્ફવોલના ડાઉન્ડેશનને ભારે નુકસાન થયુ હોવાનું અને બેકઅપ મટિરીયલનું પણ ધોવાણ થયુ હોવાનું જણાતા આદેશ થકી નુકસાન થયેલ વાર્ફવોલનો ઉપયોગ થવો હિતાવહ નહીં હોવાના અભિપ્રાયસ સાથે ત્યાં બાર્જ, ટગ કે અન્ય દરિયાઇ પરિવહનના સાધનોને રાખવા, બાંધવા, પરિવહન કરવા પર તત્કાળ અસરથી પ્રતિબંધ મુકાયો છે. નવેસરથી ઘોઘા જેટી બનાવવામાં આવશેઘોઘા ખાતેની કોંક્રિટ જેટી (વાર્ફ) તદ્દન જર્જરીત થઇ ગયો છે, અને હાલ તુરત વધુ નુકસાન ન થાય તેવા હેતુથી રિપેરિંગના ટેન્ડર બહાર પાડવામાં આવનાર છે. બજેટમાં નવેસરથી આ જેટી બનાવવાનું પ્રાવધાન કરવામાં આવશે અને તેના માટે કન્સલટન્ટની નિમણૂંક પણ કરવામાં આવનાર છે. > એમ.વાય.પવાર, કાર્યપાલક ઇજનેર, જીએમબી, ભાવનગર લાંબા સમયથી જીએમબી શું કરી રહ્યું હતુ?લાંબા સમયથી ઘોઘાની કોંક્રિટ જેટી વાર્ફ ઉબડ-ખાબડ અને મરામત વિના સાવ જર્જરીત બની ગઇ છે. જુનુ માળખું તોડી અને નવું બનાવવાની કોઇ ખાતાકીય કામગીરી પણ કરવામાં આવી ન હતી. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ દરમિયાન કોઇ અકસ્માત ઘટ્યો હોત તો તેના માટે જવાબદાર કોણ?

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:24 am

રાષ્ટ્રીય સ્તરે પ્રથમ પહેલ:યુનિ.દીક્ષાંત સમારોહનો સંપૂર્ણ ભાર મહિલાઓના શિરે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) દ્વારા માર્ચ 2026માં યોજવા જઈ રહ્યો છે 10મો દીક્ષાંત સમારોહ એક નવો ઇતિહાસ રચાવ જઈ રહ્યો છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં અને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ વાર, દીક્ષાંત સમારોહ જેવી મહત્ત્વની ગરિમા પૂર્ણ ઇવેન્ટ તમામ વહીવટી અને વ્યવસ્થાપક સમિતિઓની કમાન સંપૂર્ણપણે મહિલા અધિકારીઓ અને મહિલા અધ્યાપિકા અને મહિલા કર્મચારીઓ ને સોંપવામાં આવી છે. કુલપતિ ડો ભરતભાઈ રામાનુજ ના નવતર અભિગમ સાથે 10396 સ્નાતકોને પદવી એનાયત થશે. દીક્ષાંત સમારોહના સુચારુ આયોજનમાં કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશન પ્રો. તેજસ પી. જોશી અને તેમની પરીક્ષા ટીમ દ્વારા જવાબદારીઓ નિભાવવામાં આવી રહી છે. શૈક્ષણિક સંકલન, પ્રોટોકોલ વ્યવસ્થા, લોજિસ્ટિક્સ, મંચ વ્યવસ્થા, દસ્તાવેજીકરણ, વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓ, મહેમાનોનું સંચાલન અને વહીવટી કામગીરી—દરેક ક્ષેત્રમાં મહિલા નેતૃત્વ હેઠળ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ આયોજન કરવામાં આવી રહ્યું છે. કુલપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મહિલા નેતૃત્વ હેઠળ આયોજિત આ 10મો દીક્ષાંત સમારોહ શૈક્ષણિક ગૌરવ, શિસ્ત અને સંસ્થાગત પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે અને દેશની અન્ય યુનિવર્સિટીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. વિદ્યાશાખા અને ડિગ્રીધારકોની સંખ્યા મહિલા નેતૃત્વ હેઠળની મુખ્ય સમિતિઓ

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:23 am

વેધર રિપોર્ટ:ભાવનગરમાં રાતે તાપમાનમાં ત્રણ દિવસમાં 5 ડિગ્રીનો થયેલો વધારો

ભાવનગર શહેરમાં રાતનું તાપમાન છેલ્લાં ત્રણેક દિવસથી સતત વધી રહ્યું હોય અને સાથે પવનની ઝડપ પણ ઘટી ગઇ હોય તેમજ સવારના સમયે ભેજનું પ્રમાણ વધ્યું હોય ઠંડી કૂણી પડી ગઇ છે. લોકોને લગ્નસિઝનમાં ઠંડીમાં રાહત મળી છે. શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 18.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જ્યારે મહત્તમ તાપમાન પણ વધીને 28.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. રાતનું તાપમાન સામાન્ય હોવું જોઇએ તેનાથી 3.9 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. ત્રણ દિવસમાં રાતનું તાપમાન 5 ડિગ્રી વધી ગયું છે. ગઇ કાલે મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 28.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 17.7 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 18.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ વધીને 89 ટકા થઇ ગયુ હતુ. તો સાંજે હવામાં ભેજનું પ્રમાણ પણ 69 ટકા હોય બપોરના સમયે ઠંડીની ગાયબ થઇ ગઇ હતી. ગઇ કાલ સાંજની તુલનામાં આજે સાંજે ભેજનું પ્રમાણ 11 ટકા વધુ નોંધાયુ હતુ. મહત્તમ તાપમાનમાં વધારો

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:20 am

સન્ડે ફોટો સ્ટોરી:ધુમ્મસ વચ્ચે બોરતળાવ મધ્યે આવેલા ટાપુનું સોંદર્ય

શનિવારે સવારે જાણે શિયાળો વિદાય લઇ રહ્યો હોય તેવું વાતાવરણ ભાવનગર શહેરમાં સવારે જોવાં મળ્યું અને સાથે મસ્ત મજાનું ધુમ્મસ તો ખરું જ. હુંફાળું વાતાવરણ અને ધુમ્મસ હોવાથી મજાના વાતાવરણમાં બોરતળાવ વચ્ચે આવેલો પ્રચલિત ટાપુ જાણે ખોવાઇ ગયો હોય તેવો અથવા ટાપુ તરતો હોય તેવો આભાસ થતો હતો. શનિવારે સવારે મોર્નિંગ વોકર્સને આવું વાતાવરણ માણવા મળ્યું હતું. પ્રમાણમાં ઠંડી પણ આજે ઓછી હતી. આ ઐતિહાસિક ટાપુ ધરાવતા બોરતળાવની રમણીયતા ખીલી ઉઠી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:18 am

સિટી કેલેન્ડર:21મીએ માતૃભાષા દિવસ, 26મીથી 10 અને 12ની પરીક્ષાનો આરંભ

02 સોમવાર: વેટલેન્ડ દિવસની યુનિ.માં ઉજવણી• વિશેષતા : આ દિવસ માનવ સમાજમાં જળપ્લાવિત વિસ્તારોનું સંરક્ષણ અંગે જાગૃતિ કેળવવા માટે ઉજવાશે 04 બુધવાર: કેન્સર દિવસની ઉજવણીની રેલી• વિશેષતા : કેન્સરનાં લક્ષણો અને કેન્સર થવાનાં કારણો પ્રત્યે લોક જાગૃતિ કાર્યક્રમ 08 રવિવાર: હિનદી ફિલ્મી ગીતો• વિશેષતા : સાંજે 6 થી 9 કલાકે શિશુવિહાર રંગમંચ સ્વર આનંદ ગ્રુપ દ્વારા હિન્દી ફિલ્મી ગીતોનો કરાઓકે ટ્રેક શો કાર્યક્રમ 14 શનિવાર: વેલેન્ટાઇન ડેની ઉજવણી • વિશેષતા : પ્રેમની અભિવ્યક્તિ માટે ટેડીબેર, ઘડિયાળ વોલેટ, પરફ્યુમ અને બેલ્ટની ભેટ અપાશે. 15 રવિવાર: સૂર સંગમ ફિલ્મ ગીતો • વિશેષતા : સાંજે 5.30 વાગ્યે શિશુવિહાર રંગમંચ સૂર સંગમનો કાર્યક્રમ ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ હોય વહેલો રાખવામાં આવ્યો છે. 15 રવિવાર: એક સાંજ આપની સાથે • વિશેષતા : બપોરે 3.30 થી સાંજે 7 કલાકે યશવંતરાય નાટ્યગૃહ હોલ ખાતે લાઈવ ઓરકેસ્ટ્રા સાથે 179મો કાર્યક્રમ રજુ થશે 21 શનિવાર: માતૃભાષા દિવસની કરાશે ઉજવણી• વિશેષતા : શાળા અને સંસ્થાઓમાં માતૃભાષા અંગે જાગૃતિ કેળવતા કાર્યક્રમો 22 રવિવાર: કોહિનુર મ્યુઝિક ગ્રુપ • વિશેષતા : સાંજે 5.30 કલાકે શિશુવિહાર રંગમંચ નટરાજ કલા સંસ્થાનો ગાયેજા ગીત મિલન કેનો 82મો કાર્યક્રમ યોજાશે 26 ગુરૂવાર: ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા• વિશેષતા : બોર્ડમાં ધો.10 અને ધો.12 સાયન્સમાં એકાંતરા પેપર લેવાશે 28 શનિવાર: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાશે• વિશેષતા : રામન ઇફેટ્સની શોધના દિવસની યાદગીરી રૂપે કાર્યક્રમો યોજાશે. મારા કામના નંબર વિવિધ સરકારી વિભાગ વિવિધ સેવાના નંબર વીજ કંપનીના નંબર કોર્પોરેશનના નંબર

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:17 am

માથાના દુ:ખાવા સમાન બની ટ્રાફિકની સમસ્યા:વલાદ–ચિલોડા હાઈવે પર વારંવાર ભારે ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન થયા

ગાંધીનગરના વલાદથી ચિલોડા તરફ જતા હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે મુશ્કેલી બની રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર અઠવાડિયે 4 થી 5 દિવસ અહીં 2 કિલોમીટર સુધી વાહનો ટ્રાફિક જામમાં અટકી જાય છે, ગઈકાલે એક ટ્રકે કારને ટક્કર મારતાં રસ્તા પર વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો અને થોડી જ વારમાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જેના કારણે ફરી આ જ માર્ગ પર લગભગ 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. રોજ ઓફિસ, શાળા અને અન્ય કામ માટે જતા લોકો લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:01 am

શિષ્ટાચારના લીરેલીરા:બીયુ અને કમ્પ્લિશન સર્ટિ. આપતા મહિના લાગી જાય, શું‎મકાનો પાકિસ્તાનની બોર્ડરે છે? ભાજપ સભ્યનો પ્રશ્ન

વલસાડ પાલિકામાં ભાજપને શહેરીજનોએ ગત ચૂંટણીમાં ખોબે ખોબે મતો આપી 44માંથી 41 બેઠકો આપી છતાં અંદરોઅંદર ભારે મતભેદ અને જૂથબંધી ચાલી રહી છે. જિલ્લા અને શહેર ભાજપ સંગઠનને પણ સભ્યો ગાંઠતાં નથી તેવું પાલિકા સભાગૃહમાં હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા. મતદારોનો વિશ્વાસ ડગમગી જાય તેવું સામાન્ય સભામાં સભ્યોના બુમબરાડા પરથી નજરે પડતાં કેડર બેઝ ધરાવતા ભાજપને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધું હતું. છેલ્લાં 6 માસથી કેટલાક સભ્યોની વિવાદાસ્પદ ભૂમિકાને લઇ સત્તાધારી ભાજપને અચંબાની સ્થિતિમાં મૂકાઇ જવું પડ્યું હતું. તે દરમિયાન શનિવારે મળેલી સામાન્ય સભામાં પાલિકા પ્રમુખની વહીવટી નિષ્ક્રિયતા, કામો સામે ઉદાસીનતાના આક્ષેપો કરી ખુદ ભાજપના જ સભ્યોએ ભારે વિરોધ કર્યો હતો. પરંતુ શિસ્તને નેવે મૂકી દેવાતાં કબાડી બજાર જેવા દ્રશ્યો સર્જાયા હતા. સભામાં એજન્ડાના કામોની ચર્ચા માટે ઉપપ્રમુખ આશુતોષ મિશ્રાએ વાંચન કરવા સામે સભાગૃહમાં ભારે બુમબરાડા, શોરબકોર અને હોબાળાથી ભારે તંગ વાતાવરણ સર્જાયું હતું. આરટીઆઇના જવાબમાં વિલંબ, રસ્તા, વેરા આકારણી, લાઇટના પ્રશ્ને ભાજપના સભ્યોએ જ પ્રમુખ માલતીબેન ટંડેલ સામે રોષ ઠાલવ્યો હતો. કેટલાક સભ્યોએ તો પોતાની આરટીઆઇનો જવાબ આપતાં નથી તેવો પ્રશ્ન ઉઠાવતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. આરટીઆઇ ભાજપના સભ્યોને કરવાની જરૂર કેમ પડે તે મુદ્દે લોકોમાં ટીકાઓ થઇ હતી. ભાજપના નિતેશ વશીના વેધક પ્રશ્નબાંધકામના બીયુ અને સીસી પાલિકામાંથી અપાતા જ નથી. હાલર વિસ્તારમાં બિલ્ડિંગના કામે વાંધાજનક રજૂઆતો અંગે પ્રમુખને જ ખબર નથી. બાંધકામની કાયદેસરની પરમિશન મળતી જ નથી. લેખિત રજૂઆતો છતાં સીસી માટે મહિનાઓ લાગી જાય છે તો શું વલસાડમાં બાંધકામના ઘરો ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા છે કે શું? પાલિકાની કી પોસ્ટ પર કોઇ નથી. પ્રમુખનું કર્મીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી. સીઓનો પણ કન્ટ્રોલ નથી. કર્મીઓ ગણતા જ નથી. સમયસર બાંધકામોના બીયુ અને કમ્પલિશન સર્ટિફિકેટ ઇસ્યુ કરાતા જ નથી. લેખિતમાં ફરિયાદ છતાં પ્રમુખ કોઇ કામ કરતા નથી. કંપનીની આકારણી કેમ કરાતી નથી એક સભ્યએ અબ્રામા વિસ્તારમાં આવેલી કંપનીના આકારણી કરવામાં આવતી નથી તેવો પ્રશ્ન કરી ફિઝિકલ મેઝરમેન્ટ કયારે થયેલું તે સવાલ સામે વેરા અધિકારીએ 2017માં આકારણી થઇ હોવાનો ઉત્તર વાળતાં દર ચાર વર્ષે મેઝરમેન્ટ કરવાનો નિયમ હોય ખોટું થતું હોય તો દંડની વસુલાત કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આકરણી ન કરાતા પાલિકાને મોટું નુકસાન થાય છે. ડ્રેનેજ લાઇનથી માત્ર બિલ્ડરને લાભઅબ્રામા વિસ્તારમાં 1200 મીટરની ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે જે એક બિલ્ડરને લાભ થાય તે માટે નંખાઇ છે કે શું તેવો પ્રશ્ન અબ્રામાના સભ્યએ ઉઠાવ્યો હતો. વાત સાથે સંમત થતાં નિતેશ વશીએ ઇજનેરને પ્રશ્ન કર્યો કે, આ ડ્રેનેજ લાઇન નાંખવા કોઇ સભ્યએ, નાગરિકે કે કોઇ હોદ્દેદારોએ રજૂઆતો કરી હોય તો બતાવો. હિતેશ પટેલે પ્રમુખને ઉદ્દેશી કહ્યું કે, ઇન્કવાયરી કરી કસુરવાર કોઇ હોય તો કાર્યવાહી કરો. વિનોદ શર્માએ બેઠક પરથી ઉભા થઇ કહ્યું કે, કોઇ પણ કામો કરવા હોય તો નાણાંકિય જવાબદારીને ધ્યાને લઇ કોન્ટ્રાકટરો પાસે સોગંદનામુ લો. જો કે આવી કોઇ કાયદાકીય જોગવાઇ જ નથી તેવું સભ્યને જણાવાયું હતું. આજની સભા વિવિધ મુદ્દે તોફાની બની હતી. ભાજપના જ સભ્યોએ બળાપો ઠાલવ્યો હતો. ઉપપ્રમુખનો ફોન પણ પ્રમુખ નથી ઉપાડતા સભ્યોની રજૂઆતો છે કે, પાલિકા પ્રમુખ ફોન જ ઉંચકતા નથી, ફોન નથી ઉપાડતાં તો કામ શું કરવાના? પબ્લિકના કામ કરવા આવેલા કે બેસવા આવેલા તેવો વેધક સવાલ પ્રમુખ માલતીબેન સમક્ષ ઉઠાવતા પ્રમુખે સફાઇ આપતાં કહ્યું કોઇ કામ હોય તો ફોન તરત ન પણ ઉંચકાય.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેઠક:નર્મદા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના સેવાસેતુ કાર્યક્રમ શરૂ‎

નર્મદા જિલ્લામાં લોકોની સમસ્યાઓ તથા પડતર પ્રશ્નોના નિવારણ માટે ફરીથી સેવાસેતુ કાર્યક્રમ શરૂ થવા જઇ રહયો છે.પ્રથમ તબકકો 28મીથી શરૂ થઇ ગયો છે અને 28મી ફેબ્રુઆરી સુધી ચાલશે જયારે બીજો તબકકો 7મી માર્ચથી શરૂ થશે. જિલ્લા વિકાસ અધિકારી આર. વી. વાળાના અધ્યક્ષતામાં સેવાસેતુ (ગ્રામ્ય) કાર્યક્રમના અસરકારક અમલીકરણ તથા દેખરેખ અંગે જિલ્લા કક્ષા સમિતિની બેઠક કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ પ્રજાજનો સુધી પહોંચે તે હેતુસર તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ છેવાડાના નાગરિકોને યોજનાકીય લાભ સમયસર મળી રહે તે માટે બેઝિક ડોક્યુમેન્ટેશનની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધીત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. પ્રથમ તબકકો 28મીથી શરૂ થઇ ગયો છે અને 28મી ફેબ્રુઆરી સુધી ચાલશે જયારે બીજો તબકકો 7મી માર્ચથી શરૂ થશે. બંને તબક્કાઓ દરમિયાનની કામગીરી સો ટકા પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં દેડિયાપાડા પ્રાંત અધિકારી જૂહી પાંડે, નાયબ કલેકટર સુશ્રી વિધુ ખૈતાન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિનાકીની ભગોરા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

નાંદોદ અને દેડિયાપાડા તાલુકામાં ત્રણ દિવસ સુધી સામુહિક કામગીરી થશે‎:નર્મદા જિલ્લાના 289 ગામોના 3.55 લાખ લોકોને હાથીપગાની દવા આપવામાં આવશે

નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય હાથીપગા નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત નાંદોદ અને દેડીયાપાડા તાલુકામાં ત્રણ દિવસ સુધી સામુહિક દવા વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત 289 ગામોના કુલ 3.55 લાખ લોકોને આવરી લેવામાં આવશે. નર્મદા જિલ્લાની આરોગ્ય શાખા તરફથી નેશનલવેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઈલેરિયાસીસ (હાથીપગા) રોગના નિયંત્રણ અને નિર્મૂલન માટે 10મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ સુધી દવાઓનુું વિતરણ કરવામાં આવશે. નાંદોદ તથા ડેડીયાપાડા તાલુકામાં હાથીપગા રોગનું પ્રમાણ જોવા મળેલ હોઈ, આ ત્રણ દિવસ દરમિયાન ડીઈસી. તથા આલ્બેન્ડાઝોલ દવાઓનું વિતરણ કરવામાં આવશે. આ દવાનો ડોઝ બે વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને ડોટ (DOT) પદ્ધતિ મુજબ આરોગ્ય કર્મચારીઓ દ્વારા રૂબરૂ ગોળી ગળાવી આપવામાં આવશે. સગર્ભા માતાઓ, ધાત્રીમાતાઓ તેમજ ગંભીર પ્રકારની બીમારી ધરાવતા વ્યક્તિઓને આ દવા ગળાવવામાં આવશે નહિ. દવા વિતરણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને તેમજ શાળા અને કોલેજોમાં જઈને ગળાવવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત નાંદોદ તાલુકાનાં 115 ગામોની 1.44 લાખ વસ્તી અને દેડીયાપાડા તાલુકાનાં 174 ગામોની 2.11 લાખ વસ્તી આમ કુલ 3,55,854 લોકોને આવરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ, જેને સામાન્ય રીતે 'એલિફેન્ટિયાસિસ' પણ કહેવાય છે, તે એક પીડાદાયક અને અતિશય વિકૃત રોગ છે. ભારતમાં, મોટાભાગના (લગભગ 99 ટકા) ચેપ મચ્છરોથી ફેલાય છે જે તેના કરડવાથી એક પ્રકારનો કૃમિ ફેલાવે છે. તે લસિકા વાહિનીઓ પર હુમલો કરે છે તેથી તેને લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ પણ કહેવામાં આવે છે. લસિકા વાહિનીઓ આખા શરીરમાં હાજર હોય છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

સન્ડે ફોટો સ્ટોરી:નાગર્જુન સિસોદીયા પાર્કમાં 97 વર્ષ પૌરાણિક મોનિડોર ઉપલબ્ધ

પોરબંદર શહેરમાં હાલ પણ અનેક ઐતિહાસિક સ્મારકો અને બિલ્ડીંગો ઉપલબ્ધ છે.પોરબંદર શહેરમાં એસ.ટી.બસ સ્ટેશન નજીક શહીદ નાગર્જુન સીસોદીયા પાર્ક આવેલ છે. આ પાર્કમાં વર્ષ 23 નવેમ્બર 1928ના દિવસે દાતાઓના સહયોગથી પીવાના પાણી માટે મોનિડોર બનાવવામાં આવ્યું હતું. હાલ પણ આ બગીચામાં 97 વર્ષ પૌરાણિક મોનિડોર ઉપલબ્ધ છે.ત્યારે અગાઉ બાગ,બગીચામાં પીવાના પાણીની સુવિધા માટે મોનિડોર બનાવવામાં આવતા હતા.આ મોનિડોરની કોટરની અને તેમની બનાવટ તેમજ મોનિડોર પર ગીઘ પક્ષીઓ કડોરવામાં આવ્યું છે.પોરબંદર જિલ્લામાં એકમાત્ર આ બગીચામાં 97 વર્ષ પૌરાણિક મોનિડોર ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

કર્કશ અવાજ કરતા બુલેટ બાઈક સામે પોલીસની તવાઈ‎:મોડિફાઈડ સાયલેન્સરની ઝુંબેશમાં વધુ 38 બુલેટ બાઈક ડિટેઈન કર્યા

પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના સૂચન મુજબ શહેરમાં કર્કશ અવાજ કરતા મોડીફાઈડ સાયલેન્સર વાળા બુલેટ બાઈક સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઝુંબેશના બીજા દિવસે ટ્રાફિક શાખાના પીઆઈ એમ. એલ. આહિરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ કે.બી. ચૌહાણ, કે.એન.અઘેરા તથા ટ્રાફિક ટીમ દ્વારા શહેરના વિવિધ પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બીજા દિવસે ચેકિંગ દરમ્યાન 38 જેટલા બુલેટ બાઈકમાં મોડીફાઈડ સાયલેન્સર મળી આવતા મોટર વાહન અધિનિયમ કલમ 207 મુજબ બાઈક ડીટેઈન કરવામાં આવ્યા છે. આમ 2 દિવસમાં કુલ 75 બુલેટ બાઈક ડીટેઈન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ખાસ ઝુંબેશ આગામી એક સપ્તાહ સુધી ચાલુ રાખવામાં આવશે. ઝુંબેશ પૂર્ણ થયા બાદ પણ નિયમિત વાહન ચેકિંગ દરમ્યાન જો મોડીફાઈડ સાયલેન્સર વાળા બાઈક ચાલકો મળી આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, વાહન ચેકિંગ દરમ્યાન જો મોડીફાઈડ સાયલેન્સર મળી આવશે તો તેને સ્થળ પર જ દૂર કરી કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોરબંદર પોલીસે બાઈક ચાલકોને પોતાની બાઈકમાં મોડીફાઈડ સાયલેન્સર ન રાખવા જાહેર અનુરોધ કર્યો છે. સાયલેન્સરથી શું નુકસાન થાય છે ? ભારે અને કર્કશ અવાજથી નાગરિકોને માનસિક તણાવ થાય છે. વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓના સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. દર્દીઓ, વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓને ગંભીર તકલીફ પડે છે. ખાસ કરીને અવાજ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન થાય છે, ટ્રાફિકમાં અચાનક અવાજથી અકસ્માતની શક્યતા વધી જાય છે કાયદેસર દંડ અને વાહન ડીટેઈન જેવી કાર્યવાહીનો સામનો કરવો પડે છે. આરટીઓ ખાતે દંડ ભરવો પડે‎ઉલ્લેખનીય છે કે, વાહનો ડિટેઇન કરવામાં આવે‎ત્યારે ચાલકોએ આરટીઓ ખાતે જઈને દંડની રકમ‎ભરવી પડે છે અને ત્યાંથી પહોંચ લઈને ટ્રાફિક‎ઓફિસે રજૂ કરવામાં આવે ત્યારે વાહન છોડવામાં‎આવે છે. રૂ.1 હજારથી લઈને રૂ.5 હજાર સુધીનો‎આરટીઓ દંડ ભરવો પડે છે.‎ ટ્રાફિક પોલીસ રાત્રે પણ‎સરપ્રાઈઝ ચેકીંગ કરશે‎પોરબંદર પોલીસ દ્વારા શહેરના વાહનચાલકોને‎પોતાની બુલેટ કે અન્ય બાઈકમાં મોડીફાઇડ‎સાઈલેન્સર ન રાખવા તથા ટ્રાફિક નિયમોનું પાલન‎કરવા અપીલ કરવામાં આવી છે. પીએસઆઈ કે.બી.‎ચૌહાણે જણાવ્યું હતુ કે, રાત્રીના સમયે પણ આવા‎બુલેટ બાઈક ચાલકો ધૂમ સ્ટાઇલમાં પસાર થાય છે‎ત્યારે રાત્રે પણ સરપ્રાઈઝ ચેકીંગ કરી કાર્યવાહી‎કરવામાં આવશે.‎

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

હુમલો:દરવાજો હટાવવા મુદે યુવક પર લાકડી વડે હુમલો, 3 સામે ગુનો

બાંટવામાં દરવાજો હટાવવા મુદે 3 શખ્સે લાકડી વડે હુમલો કરતા યુવકને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મળતી વિગત મુજબ, બાંટવાના હુસેનપરામાં રહેતા અને ઈલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા 42 વર્ષીય ધવલભાઈ હરસુખભાઈ પીઠડીયા શુક્રવારે બપોરના પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પરેશ લોઢીયાએ તેને રોક્યો હતો અને ઘર પાસે મૂકેલો દરવાજો તેને નડે છે અને તે હટાવી લેવાનું કહી ઉગ્ર બોલાચાલી થતા પરેશ લોઢીયાએ ધવલ પર લાકડી વડે હુમલો કર્યો હતો, તેના ભાઈ હિતેશ અને સંદીપ લોઢીયાએ પણ મારપીટ કરી ગાળો કાઢી હતી. હુમલામાં યુવકને પીઠ, પગ અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે માણાવદર સિવિલ હોસ્પિટલ અને બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. બાંટવા પોલીસે યુવાનની ફરિયાદ લઈ ત્રણેય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વડિયામાં બીએલઓ, સરકારી કર્મીઓ, પેન્શનર અને ગ્રામ પંચાયતના સદસ્યના નામો મતદાર યાદીમાંથી રદ્દ

વડીયામાં બીએલઓ, પત્રકાર, સરકારી કર્મચારીઓ, પેન્શનર, ગ્રામપંચાયત સદસ્ય સહિતના લોકોના મતદાર યાદીમાંથી નામ કમી થતા હડકંપ મચ્યો છે. મતદારો અરજી માટે માલતદાર કચેરીએ દોડી ગયા અને અરજી કરી હતી. રાજ્યમાં SIRની અંતર્ગત મતદાર યાદી સુધારણાની કામગીરી ચૂંટણી આયોગ દ્વારા વહીવટી તંત્ર પાસે કરાવવામાં આવી રહી છે. આ SIRની કામગીરીમાં અમરેલી જિલ્લાના અનેક જગ્યાએ મતદારોના 7 નંબરના ફોર્મથી વાંધા અરજીઓ આવેલી છે. વડીયામાં પણ આ બાબતની અરજીઓએ હાલ ભારે વિવાદ સર્જયો હોય તેમ સતત બજારોમાં 7 નંબરના ફોર્મની અરજીઓ બાબતે થઇ રહેલી ખરાઈની ચર્ચાઓ ચકડોળે ચડતી જોવા મળી રહી છે. તો ક્યાંક વહીવટી તંત્રને આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી વિધાનસભામાં કુલ 6500થી વધુ મતદારો સામે 7 નંબર ના ફોર્મ આવ્યા છે. જયારે વડીયા તાલુકમાં 360 માંથી વડીયા ગામમાં 200 લોકોના મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવ્યા છે. જેના માટે 7નંબરના ફોર્મ સામે હાલ બીએલઓ દ્વારા ખરાઈ કરવામાં આવી રહી છે. નવાઈની વાત એ છે કે વડીયામાં જે મતદારો સામે 7 નંબરના ફોર્મથી અરજીઓ કરવામાં આવી છે. તેવા લોકોમાં સરકારી કર્મચારીઓ, પત્રકાર, પેન્શનરો, ગ્રામપંચાયતના સદસ્ય સહિતના લોકો મતદાર યાદીમાંથી નામ કમી થતા હડકંપ મચ્યો છે. ત્યારે આવા લોકો જે વડીયા ગામમાં વર્ષોથી વસવાટ કરી અનેક પ્રવુતિઓ સાથે જોડાયને પોતાની સેવા આપે છે. તે લોકોને ટાર્ગેટ કરનાર અને તંત્રને ખોટા ગેરમાર્ગે દોરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવા લોકોમાં માંગણી ઉઠી છે. સરના કામમાં જોડાનાર મહિલા બીએલઓનું નામ પણ કમીવડીયામાં જે મહિલાએ બીએલઓમાં કામ કર્યું છે. તે મહિલાનું નામ પણ મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજુ થયું છે. બીએલઓમાં કામગીરી કરી છતાં નામ કમી કરવાનો પ્રયાસહું સરકારી શિક્ષક છું. વડીયામાં બીએલઓની કામગીરી કરૂ છું. છતાં મારૂ નામ ફ્રોમ નંબર 7 ભરી કાઢવાનો પ્રયાસ કર્યો છે. તે એક નીંદનીય અને લોકશાહી ખત્મ કરવાનો હક છીનવવાનો પ્રયાસ છે. આ બાબતે દુઃખ વ્યક્ત કરૂ છું. > સાયલ બાલાપરિયા, વડીયાના શિક્ષક મતદારોના નામ કાપી મતનો અધિકાર લૂંટે છેમતદારોના નામ કાપી મતનો અધિકાર લૂંટે છે. હાલ ગુજરાત માં કોંગ્રેસના મતદારો ટાર્ગેટ કરતા હોવાનો તેણે આક્ષેપ કર્યો હતો. > જુનેદ ડોડીયા, અમરેલી વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

રાજ્યમંત્રી દ્વારા નદીની સાફ સફાઈ ઝુંબેશનો ‎પ્રારંભ:અમરેલીના સોનારીયામાં 6 કિલોમીટરની નદીમાં બાવળ સહિતની આડશની સફાઈ થતા ધરતીપુત્રોને ફાયદો થશે

અમરેલી તાલુકાના સોનારીયામાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને નદીની સાફ સફાઈ ઝુંબેશનો પ્રારંભ થયો હતો. રાજ્ય સિંચાઈ વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના સોનારીયાથી ચાંદગઢ સુધી 6 કિલોમીટરની લંબાઈ ધરાવતી નદીમાં ઉગી નીકળેલા ગાંડાબાવળ સહિતની આડશની સફાઈ કરવામાં આવશે. આ પ્રસંગે નદીના પટમાં રાજ્યમંત્રીના હસ્તે કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજ્યમંત્રીએ ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ આપતા શુભકામનાઓ પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો. કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે નદીમાં આડશના લીધે વહન ક્ષમતા ઘટી જવાથી પૂરની સ્થિતિમાં ખેતીલાયક જમીનમાં વ્યાપક ધોવાણ થતું હતું. આ માટે રાજ્ય સરકારે જરૂરી નાણાકીય જોગવાઈ કરી કામ મંજૂર કરતા આજે આ કાર્ય શરૂ થયું છે. આ વિસ્તારના ખેડૂતોની જમીન ધોવાણ થતી અટકશે અને નદીની વહન ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત અમરેલી તાલુકાના ચાંપાથળ અને ફતેપુરમાં 10-10 લાખના અનુદાનથી નિર્મિત કોમ્યુનિટી હોલનું સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે તેમણે ફેતપુર મુકામે પ્રાથમિકશાળાની મુલાકાત લઈ અને 418 જેટલી વ્યાપક સંખ્યા થવા બદલ શાળાના આચાર્ય અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

સાયબર ફ્રોડ:એપ્લિકેશન અપડેટ કરવા અને બેંક કર્મીની ઓળખ આપી રૂા. 4.50 લાખની છેતરપિંડી

અમરેલી જિલ્લામાં આજે વધુ ત્રણ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી. એપ્લિકેશન અપડેટ કરવા અને બેંકના કર્મચારીની ખોટી ઓળખ આપી 4.50 લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી. અમરેલીના રંગપુરમાં રહેતા વિપુલભાઈ નાગજીભાઈ રાદડીયા (ઉ.વ.48)ને એક મોબાઈલ નંબર ધારકે વોટસએપ કોલ કરી એસબીઆઈ યોનો એપ્લીકેશન અપડેટ કરવાનું કહી લિંક ઓપન કરાવી રૂપિયા 87,772ની વિપુલભાઈના ખાતામાંથી મેળવી લીધા હતા અને છેતરપીંડી આચરી હતી. જ્યારે વંડા પોલીસે મુળ વંડાના અને હાલ સુરતમાં રહેતા દિપક રમેશ ખસીયા અને સુરતના વિપુલ મહાજન સામે સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા મુદ્દે ગુનો નોંધ્યો હતો. આ બંને શખ્સોએ વિજયભાઈ રમેશભાઈ ખસીયાના બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા 2,00000 જમા કરાવી તેને સગેવગે કરી દીધા હતા. જ્યારે લીલીયાના વિશાલ માનસીંગ ચૌધરીને અજાણ્યા મોબાઈલ નંબર ધારકે મુંબઈ એસબીઆઈ બેંકના કર્મચારીની ખોટી ઓળખ આપી ક્રિડીટ કાર્ડ બંધ કરવાની ધમકી આપી ઓટીપી મેળવી બેંક ખાતામાંથી રૂપિયા 1,62,892ની છેતરપીંડી કરી હતી. આમ અમરેલી જિલ્લામાં 4.50 લાખની સાયબર ફ્રોડની છેતરપીંડી અંગે વધુ 3 ફરિયાદ નોંધાઈ હતી. ગઈકાલે અમરેલી જિલ્લામાં એક સાથે સાયબર ફ્રોડની 7 ફરિયાદ નોંધાઈ હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ભાસ્કર વિશેષ:અમરેલી જિલ્લામાં ઈમરજન્સી સેવા અને પ્રાથમિક સારવાર અંગે વિદ્યાર્થીઓને સમજણ અપાઈ

અમરેલી જિલ્લાની જુદી જુદી શાળામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ તથા શિક્ષક સ્ટાફ માટે સલામતી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા સલામતી સપ્તાહ અંતર્ગત અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા બગસરા ખાતે આવેલી શાળા નંબર–૩ માં ફાયર સેફ્ટી અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગઢવી હરિક્રુષ્ણ, બાંભણીયા હિમતભાઈ તથા ઇસોટીયા જયદીપભાઇ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સ્ટાફને બેઝિક ફાયર અવેરનેસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગના પ્રકારો, આગ લાગવાની જુદી જુદી પરિસ્થિતિઓમાં અલગ અલગ અગ્નિશામક સાધનોના ઉપયોગ અંગે માહિતી આપી વિદ્યાર્થીઓની હાજરીમાં લાઈવ ડેમોસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાવરકુંડલાની પ્રાથમિક શાળા નંબર–3 ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મેહુલભાઈ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષક સ્ટાફને પ્રાથમિક સારવાર અંગે તાલીમ આપવામાં આવી હતી. સાવરકુંડલાના આદસંગ પ્રાથમિક શાળા ખાતે 108 ઈમરજન્સી સેવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

વેધર રિપોર્ટ:અમરેલીમાં ન્યુનત્તમ પારો 16.2 ડિગ્રી પર પહોંચતા ઠંડી ઘટી

અમરેલીમાં આજે ન્યુનત્તમ તાપમાનનો પારો 16.2 ડિગ્રી પર પહોંચતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. જ્યારે હવામા ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું હતું. અમરેલીમાં ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ વધારે રહ્યું હતું. અહીં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે પહોંચી ગયો હતો. જેના કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતુ 26મી જન્યુઆરી બાદ અમરેલમાં ન્યુનત્તમ તાપમાનમાં સતત વધારો થયો છે. આજે અમરેલીમાં ન્યુનત્તમ તાપમાન 16.2 ડિગ્રી રહેતા ઠંડી ઘટી હતી. તેમજ બપોરના સમયે મહત્તમ તાપમાન પર 30.5 ડિગ્રી રહ્યું હતું. જ્યારે હવામા ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું હતું. તેમજ પવનની ગતિ પ્રતિ કલાક 1 કિલોમીટરની રહી હતી. અમરેલીમાં હવે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. આમ, ઠંડી ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

75 લાખના ખર્ચે પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગનું નિર્માણ:અમરેલીના નાના માચિયાળામાં સીસીટીવી સુવિધા સાથે પ્રાથમિક શાળાના બિલ્ડીંગને ખુલ્લુ મુકાયું

અમરેલીના નાના માચીયાળામાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાનું નવુ બિલ્ડિંગ આકાર પામતા બાળકોને સુવિધાયુક્ત શિક્ષણનો લાભ મળશે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ 75 લાખના ખર્ચે સીસીટીવી, સ્માર્ટ ક્લાસરૂમ, દિવ્યાંગ સેનિટેશન સહિતની સુવિધાઓ સાથે પ્રાથમિક શાળાનું નવું બિલ્ડિંગ આકાર પામ્યું છે. નાના માચિયાળામાં 38 લાખથી વધુના ખર્ચે વિવિધ 11 વિકાસકામોનું રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રેન બસેરા, કોમ્યુનિટી હોલ, પુર સંરક્ષણ દિવાલ, બ્લોક રોડ સહિતના કામોનો સમાવિષ્ટ છે. આ તમામ વિકાસકાર્યો થકી ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત સભ્યઓ, અમરેલી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ, ગ્રામ પંચાયત સરપંચ અને સભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ચોરીનો આવ્યો બનાવ:રાભડા અને મેમદા ગામની વાડીમાંથી કેબલ વાયર, ઈલેક્ટ્રીક મોટરની ચોરી

દામનગરના રાભડા અને મેમદામાં વાડીમાંથી 900 ફૂટ કેબલ વાયર અને ઈલેકટ્રીક મોટરની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ અંગે દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. લાઠીના રાભડામાં રહેતા કાંતિભાઈ ગોબરભાઈ મેરૂલીયાએ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની વાડીમાંથી 600 ફૂટ કેબલ વાયર અને ઈલેક્ટ્રીક મોટરની અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. અહીંથી રૂપિયા 70,000ની મત્તાની ચોરી થઈ હતી. જ્યારે લાઠીના મેમદામાં રહેતા માવજીભાઈ પુંજાભાઈ સોલંકીએ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ખેતરમાંથી અજાણ્યો શખ્સ રૂપિયા 10,500ની કિંમતનો 300 ફૂટ કેબલ વાયર ચોરી ગયો હતો. આમ દામનગરના રાભડા અને મેમદામાંથી બે સ્થળેથી રૂપિયા 80,500ની કિંમતના કેબલ વાયર અને ઈલેકટ્રીક મોટરની ચોરી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છેકે, અમરેલી જિલ્લા સહિત દામનગર પંથકમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

પરિણીતાને અપાયો ત્રાસ:સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ નોંધાવી ફરિયાદ

ભાલગામના પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. મમતાબેન મેવાડાની ફરિયાદ મુજબ, તેમના લગ્ન જેતપુર તાલુકાના નવાગઢ ના ધર્મેશ સોમાભાઈ મેવાડા સાથે 2022માં થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ, સસરા સોમાભાઈ પુંજાભાઈ, સાસુ વનીતાબેન, જેઠ પીન્ટુભાઈ, જેઠાણી વંદનાબેન નાની વાતોમાં ઝઘડો કરી મેણા-ટોણા મારવાનું શરૂ કર્યું હતું. પતિ દ્વારા મારપીટ કરી ઘરમાંથી કાઢી મૂકતા હાલ માણાવદરના ભલગામ ખાતે પિયરમાં રહેતા પરિણીતાએ ફરિયાદ કરતા બાંટવા પોલીસે સાસરીયા સામે કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

SOGની કાર્યવાહી:ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 95,000 પડાવ્યા, 2 પકડાયા

શહેરના એક યુવકને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 2 શખ્સે રૂપિયા 95,000 પડાવી લીધા હતા જોકે એસઓજીએ ગણતરીની કલાકોમાં આરોપીને કોલ રેકોર્ડિંગ આધારે પકડી લીધા હતા. શહેરમાં સરદાર બાગ પાછળ આવેલ ગુલિસ્તાન સોસાયટી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય અરમાન જાહિદ ભાઈ થઇમ નામના યુવક બાઈક લઈને જતો હતો ત્યારે સોસાયટીમાં રહેતો સાજીદ હુસેનભાઈ હાલા ઘોરી પીરની દરગાહ પાસે મળ્યો હતો. શખ્સે યુવકને એસઓજીએ તેના મિત્રને એમડી ડ્રગ્સ સાથે પકડ્યો છે અને તેમાં તારું નામ પણ ખુલ્યું છે. પોલીસ ધરપકડ કરશે અને હેરાન કરશે તેમ જણાવી એમડીના કેસમાંથી નામ કઢાવી નાખવા પોતે વહીવટ કરાવી આપશે તેવું જણાવ્યું હતું. યુવાનને 200 ગ્રામ એમડી ડ્રગ્સના ગુનામાં સંડોવણીની બીક લાગી હતી. યુવકે મિત્રો પાસેથી ઉછીના નાણાં મેળવી અને પિતાનું ક્રેડિટ કાર્ડ વાપરીને અલગ-અલગ સમયે કુલ રૂપિયા 95,000 સાજીદ હુસેન અને અખ્તર અમરેલીયાને આપ્યા હતા. બાદમાં પોતે છેતરાયો હોવાનો અહેસાસ થતા અરમાને શુક્રવારે રાત્રે ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસે બંને શખ્સ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી . દરમ્યાન ગુનામાં સંડોવાયેલ સાજીદ હુસેન હાલા અને અખ્તર કમાલભાઈ અમરેલીયાને એસઓજી પીઆઇ આર. કે. પરમારની ટીમે પકડી મોબાઈલ ફોન ચેક કરતા કોલ રેકોર્ડિંગ મળી આવ્યું હતું. પૂછપરછમાં બંને શખ્સે ગુનાની કબુલાત કરતા 2 મોબાઈલ કબજે કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

રોકાણકારોને અપાયું માર્ગદર્શન:ઘટતા જતા વ્યાજ દરને કારણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધુ સુરક્ષિત, સમયની સાથે રોકાણમાં પરિવર્તન કરો

દિવ્ય ભાસ્કર અને યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે લોકોમાં સુરક્ષિત રોકાણ માટેની જાગૃતિ આવે તે માટે જૂનાગઢની રેલવે સ્ટેશન રોડ પર આવેલી લીલા બીજોટેલ (રંગત) હોટલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિષ્ણાંત વક્તા દ્વારા સુરક્ષિત અને લાંભા ગાળાનું નફાકારક રોકાણ કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન અપાયું હતું, આ કાર્યક્રમમાં સંખ્યાબંધ લોકોએ ભાગ લીધો હતો. ભારત 2030 સુધી 5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચવાના નિર્ધાર સાથે આગળ વધી રહ્યું છે. આ મિશનમાં યુટીઆઈ જોડાયેલું છે તેવું જણાવતા અમદાવાદના ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ વક્તા શ્રેયા દવેએ બચત અને રોકાણ વચ્ચેનો તફાવત તેમજ સુરક્ષિત રોકાણ કઈ રીતે કરી શકાય તેના પર પ્રકાશ પાડ્યો હતો. સરળ ભાષામાં ઉદાહરણ આપીને સમજાવ્યું કે, જ્યાં સુધી પૈસા એકઠા કરવામાં આવે તે બચત અને તે પૈસા પોતે કમાવા માંડે તે રોકાણ, જે કાંઈપણ આજનો ખર્ચ છે, તે સમજવા આ નિયમ સમજવો પડે. આવનારા ત્રીસ વર્ષમાં માસિક ખર્ચ અનેકગણા વધી જશે માટે જ મ્યુચ્યુઅલ ફંડ સુરક્ષિત છે. કંઈ ઉંમરે કેટલું રોકાણ કરવું જોઈએ તે બાબતે સમજાવતા કહ્યું કે, જો તમારી નાની ઉંમર છે તો આજથી જ નાની રકમની પણ એસઆઈપી શરૂ કરી દેવી જોઈએ. જે નિવૃત્તિના સમયે લાખોમાં પહોંચશે. ઘટતા વ્યાજદર ને ધ્યાનમાં લઈને લાંબા ગાળાની રોકાણ યોજના જરૂરી છે. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દરેક માટે પેન્શન યોજના સમાન ગણી શકાય. શોર્ટ ટર્મ માટે જરૂર હોય તેટલા રૂપિયા રાખીને બાકીના રૂપિયા લૉગ ટર્મ માટે રોકાય. સોના-ચાંદીમાં રોકાણ જોખમી છે ? તે માટે દ્રષ્ટાંત આપ્યું કે, છેલ્લા દસ વર્ષમાં ચાર વખત નેગેટિવ રિટર્ન મળ્યું છે. સોનુ લાંબા ગાળા માટે ખરીદાય. ઇક્વિટીમાં પણ માર્કેટ રિસ્ક છે. મ્યુચ્યુલ ફંડમાં રોકાણ વધુ સુરક્ષિત વિકલ્પ છે. કારણકે આ કંપનીઓ તેમના એક્સપર્ટ દ્વારા શેર માર્કેટ, સોના ચાંદી, કોમોડિટી વગેરે પર સતર્કતાથી નજર રાખે છે અને ગ્રાહકને ફાયદો થાય તે રીતે રોકાણ કરે છે. ઈ-કેવાયસી કરવું જરૂરી છે આજે જ કરો. છેતરપિંડી ન થાય તે માટે પણ સતર્ક રહો તે ખાસ સલાહ આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં દિવ્ય ભાસ્કર જૂનાગઢના તંત્રી જયરામ મહેતા, યુનિટ હેડ જયદીપ પ્રજાપતિ, એક્સપર્ટ શ્રેયા દવે, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જૂનાગઢના કસ્ટમર હેડ રમેશ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા તેમજ શહેરના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

સન્માન સમારોહ યોજાયો:નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 22 વિષયોના સંશોધકોની તાલીમ પૂર્ણ

જૂનાગઢ સ્થિત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને પીએચ.ડી. કોર્સવર્કનો સમાપન સમારોહ યોજાયો હતો. કુલપતિએ 22 વિષયોના 184 સંશોધક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, જ્ઞાન અને વિજ્ઞાનમાં વિશ્વ કલ્યાણની ભાવના રહેલી છે. તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલા સૂચનો આગામી શૈક્ષણિક નિર્ણયો માટે ઉપયોગી સાબિત થશે. કાર્યકારી રજીસ્ટ્રાર ડો. કિર્તીબા વાઘેલાએ સમયબદ્ધ આયોજન અને કોર્સવર્કની પારદર્શિતાને બિરદાવી હતી. આ એક માસના તાલીમી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ થીસીસ માળખું, સાહિત્ય સમીક્ષા, સંશોધન પદ્ધતિ અને ડેટા સંગ્રહ જેવા પાસાઓનું જ્ઞાન મેળવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નયનાબેન ઢોલરીયા, મૌલિક શાહ સહિતના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કરી યુનિવર્સિટીની કાર્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. નોડલ ઓફિસર ડો. ઓમ જોષીએ સંશોધન કાર્યની વિગતો આપી હતી. તથા પરીક્ષા નિયામક ડો. દિલસુખ સુખડીયા સહિત વિવિધ વિદ્યાશાખાના અધ્યાપકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. ઋષિરાજ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

મનપાનું 2026-27નું ડ્રાફટ અંદાજપત્ર રજૂ કરાયું:જામ્યુકોનું બાકી લેણું 848.88 કરોડ, મિલ્કત વેરાના જ રૂા. 550.90 અને પાણી વેરાના રૂા. 142.49 કરોડ

જામનગર મહાનગરપાલિકાનુ વર્ષ 2026-27નુ ડ્રાફટ અંદાજપત્ર સ્થાયી સમિતિમાં રજુ કરાયુ હતુ જેમાં આર્થિક ભારણના કારણે જુદા જુદા કરદરમાં મળી રૂા.9.10 કરોડનો વધારો સુચવાયો છે. અંદાઝપત્રમાં જાહેર થયા અનુસાર મનપા પર અંદાજિત 1027 કરોડ (વિવિધ વિભાગો અને સરકાર)નુ દેણુ છે જયારે મહાપાલિકાને શહેરીજનો તથા સરકાર પાસેથી મળી રૂા. 848.88 કરોડનુ લેણુ બાકી દર્શાવાયુ છે. જેમાં માત્ર મિલ્કત વેરાના પેટેજ લગભગ 550.90 કરોડનો સમાવેશ થાય છે જયારે પાણી વેરાના પણ બાકી રૂા. 142.49 કરોડ દર્શાવાયા છે.તંત્ર વેરા વસુલાતમાં ઉણું ઉતર્યુ હોવાનુ ચિત્ર મસમોટી બાકી રકમ પરથી ઉપસી રહયુ છે. જામનગર મહાનગરપાલિકાનુ વર્ષ 2025-06નુ રીવાઈઝડ તથા વર્ષ 2026-27નુ રૂા. 1860 કરોડનુ ડ્રાફટ અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનને સુપરત કરવામાં આવ્યુ હતુ.જેમાં જાહેર થયા અનુસાર મહાપાલિકાને વિવિધ 19 વોર્ડ(વિભાગ)ના શહેરીજનો ઉપરાંત સરકાર પાસેથી વિવિધ લેણા પેટે 848.88 કરોડ દર્શાવાયા છે જેમાં મિલ્કત વેરા પેટે જ લગભગ 2.16 લાખ કરદાતા પાસેથી 550.90 કરોડનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ વોર્ડ નં. 2માં 123.94 કરોડ બાકી દર્શાવાયા છે જયારે વોર્ડ નં. 9માં સૌથી ઓછા 3.60 કરોડ જાહેર થયા છે.જયારે મનપાને અંદાજિત 85 હજારથી વધુ કરદાતાઓ પાસેથી પાણી વેરા પેટે 142.49 કરોડ લેવાના રહે છે.જેમાં કારપેટ બેઇઝ પધ્ધતિ મુજબ 78 હજારથી વધુ કરદાતા પાસેથી 91.67 કરોડ, રેન્ટ બેઇઝ પધ્ધતિ મુજબ 7 હજારથી વધુ કરદાતા પાસેથી 21.95 કરોડ અને સ્લમના 22 હજારથી વધુ કરદાતા પાસેથી 28.86 કરોડ દર્શાવવામાં આવ્યા છે. 20 વર્ષ પુર્વેની લગભગ 84 કરોડથી વધુ વસુલાત બાકી....લગભગ બે દશકા પુર્વે મનપા રેન્ટ બેઇઝ પધ્ધતિથી વેરાની વસુલાત કરતી હતી.જે તે સમયના કરદાતાઓ પાસેથી વર્તમાન સ્થિતિએ પણ 7,245 કરદાતા પાસેથી 62,09,52,399ની વસુલાત બાકી છે.જયારે પાણી વેરામાં પણ રેન્ટ બેઇઝડ પધ્ધતિના 7,354 કરદાતા 21,95,93,525ની રકમ હજુ સુધી ચુકવી નથી એવુ આંકડા દર્શાવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છેકે, વર્ષ 2006 સુધી મનપા દ્વારા રેન્ડ બેઇઝડ પધ્ધતિથી મિલકત-પાણી વગેરે વેરાની વસુલાત કરવામાં આવતી હતી.જે બાદ કારપેટ બેઇઝડ પધ્ધતિથી વેરા વસુલાત શરૂ કરાઇ હતી. લગભગ બે દશકાના લાંબા સમયગાળા બાદ પણ તંત્ર માતબર બાકી રકમની વસુલાત કરી શકી ન હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે. મનપાનું કુલ બાકી લેણું

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ફરિયાદ:જામનગરમાં એડવોકેટનું અપહરણ કરી રૂા. 10 હજારની લૂંટની ફરિયાદ

જામનગર શહેરમાં પૈસાની લેતી-દેતી બાબતે એડવોકેટની ઓફીસમાં ઘુસીને છરીની અણીએ રૂ.10 લાખની માંગણી કરીને આરોપીઓએ રૂ.10 હજારની લૂંટ કરી હતી. બાદમાં એડવોકેટનું અપહરણ કરીને બાકીની રકમ કઢાવવા માટે ધમકી આપી હતી. આ બનાવમાં ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સહિત 4 શખસો સામે ફરિયાદ નોંધાતા શહેરમાં ચકચાર જાગી છે. પોલીસે આરોપીઓની શોધખોળ આરંભી છે. શહેરના હવાઈચોકમાં આવેલા ભાનુશાળી વાડની શેરી નં.1માં રહેતા એડવોકેટ પંકજ અરવિંદભાઈ લહેરૂ (ઉ.વ.39) નામના યુવાનને આરોપીઓ સાથે પૈસાની લેતીદેતીનો વ્યવહાર હતો. આ બાબતે હલુ પટેલના કહેવાથી બુધવારે બપોરે પંકજભાઈ જ્યારે કોર્ટમાં હતા ત્યારે મુન્નાભાઈએ આવીને ગાળો ભાંડી હતી અને બોલાચાલી કરી હતી. ત્યારપછી સાંજના સમયે પંકજભાઈ હવાઈચોકમાં પોતાની ઓફિસે હતા, ત્યારે હલુ પટેલના કહેવાથી આવી ચઢેલા ગટુ આસિફભાઈ અને સમીર રફીકભાઈએ ઓફીસે એડવોકેટને છરી બતાવીને રૂ.10 લાખની માંગણી કરી હતી. પરંતુ એડવોકેટે રુપિયા આપવાની નાપાડતા બન્ને શખસોએ ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુનો માર મારીને દિવાલમાં માથુ અફળાવ્યું હતું. સમીરે પોતાની પાસે રહેલી મુંઠ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી એડવોકેટ પંકજભાઈના ખિસ્સામાંથી રૂ।.10 હજાર ઝૂંટવી લીધા હતા. બાદમાં એડવોકેટનું અપહરણ કરીને પરીવાર પાસેથી બાકીના રૂપિયા કઢાવવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે એડવોકેટ પંકજભાઈએ સીટી એ ડિવિઝનમાં આરોપી મુના આંબલીયા, ગટુ આશીફભાઈ, સમીર રફીકભાઈ અને હલુ ઉર્ફે પટેલ આંબલીયા સામે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ધો.12 વિ.પ્ર.ની પ્રાયોગિક પરીક્ષા:ધો.12 વિ.પ્ર.ની પ્રાયોગિક પરીક્ષા 1820 છાત્રો આપશે

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત રાજયભરમાં આગામી તા.5મી ફેબ્રુઆરીથી ઘો. 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા યોજાશે. જામનગર શહેરમાં જુદા જુદા ચાર પરીક્ષા કેન્દ્ર અને ધ્રોલમાં બે પરીક્ષા કેન્દ્ર રહેશે.જેને અનુલક્ષીને શિક્ષણ તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરી દેવાઇ છે. આગામી તા.5મી ફેબ્રુઆરીથી તા.16મી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી પ્રાયોગિક પરીક્ષા માટે શહેરના જુદા જુદા ચાર કેન્દ્રો પર 1260 વિધાર્થીઓ અને ધ્રોલમાં જુદા જુદા બે પરીક્ષા સેન્ટર પર 560 વિધાર્થીઓ નોંધાયા છે. આમ,જામનગર જિલ્લાના જુદા જુદા છ પ્રાયોગિક પરીક્ષા કેન્દ્રો પર કુલ 1820 વિધાર્થીઓ પરીક્ષા આપશે.ઘો. 12 વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી, ફિઝીકસ અને કેમેસ્ટ્રી વિષયોની પ્રાયોગિક પરીક્ષાને અનુલક્ષીને તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્યાઓ હાથ ધરાઇ છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ:જામનગરમાં વિશ્વકર્મા જયંતીની ઉજવણીમાં 7 હજારથી વધુ લોકોએ દર્શન-મહાપ્રસાદનો લાભ લીધો

જામનગર સુથાર જ્ઞાતિમા વિશ્વકર્મા જયંતી ઉત્સવમાં જ્ઞાતિના 7000થી વધુ લોકો મહાપ્રસાદનો લાભ લીધો હતો. જેમાં સવારે 5 વાગ્યે મંગળા આરતી, 7 વાગ્યે હવન તેમજ 11 થી 12 સભા સંબોધન અને 12.30ના મહાપ્રસાદ યોજાયો હતો. આ ઉત્સવમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં દર્શનને લાભ લીધો હતો અને જ્ઞાતિના પ્રમુખ રમણીકભાઈ ગોરેચા, દિલીપ મામા, અશોકભાઈ આમરણીયા, ભરતભાઈ વડગામા, નિલેશભાઈ ખારેચા, હેમાંશુભાઈ આમરણીયા, દેવીકાબેન બકરાણીયા સહિતના જોડાયા હતાં.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am