SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

અમરેલી પોલીસે અપહરણના ગુનાના આરોપીને પકડ્યો:દોઢ વર્ષથી નાસતા ફરતા રૂ. 10,000ના ઇનામી આરોપીની રાજકોટમાંથી ધરપકડ

અમરેલી પોલીસે અપહરણના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા રૂ. 10,000ના ઇનામી આરોપીની રાજકોટમાંથી ધરપકડ કરી છે. ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા લોકો અને ફરાર આરોપીઓને પકડવા ચલાવવામાં આવેલી ઝુંબેશ હેઠળ આ સફળતા મળી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના સીધા સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. ઓમદેવસિંહ જાડેજા અને તેમની ટીમે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના નવી મેંગણી ગામમાંથી આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢ્યો હતો. આરોપી વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 137(2), 87 તેમજ પોક્સો એક્ટ કલમ 18 હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ અજય ઉર્ફે વિજ્યો રામસિંહભાઈ નીનામા છે, જે ધાર જિલ્લાના આબંલીપુરાનો રહેવાસી છે. પોલીસને તેની કોઈ કડી ન મળતા રૂ. 10,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી પી.આઈ. ઓમદેવસિંહ જાડેજા, એએસઆઈ જી.બી. લાપા, પોલીસ કર્મચારી ઉદયભાઈ મેણીયા, દેવાયતભાઈ ભેડા, અક્ષયરાજસિંહ ગોહિલ, વુમન કોન્સ્ટેબલ નિજલબેન મેતલિયા અને ડ્રાઈવર કોન્સ્ટેબલ ભરતભાઈ પરમાર સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. જિલ્લા પોલીસ વડાએ આ કામગીરીને બિરદાવી પોલીસ ટીમની પ્રશંસા કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:55 pm

બ્રહ્માકુમારીઝ કાંકરિયાએ સ્વાસ્થ્ય જાગૃતિ શિબિર યોજી:કેન્સરની ઓળખ અને આંખોની સંભાળ પર માર્ગદર્શન અપાયું

વર્તમાન સમયની દોડધામ ભરી અને તણાવપૂર્ણ જીવનશૈલીમાં સ્વાસ્થ્ય જાગૃતિ એક મહત્વનો મુદ્દો બની ગયો છે. આ સંદર્ભે, બ્રહ્માકુમારીઝ કાંકરિયા સંસ્થા દ્વારા કેન્સરની ઓળખ અને આંખોની કાળજી માટે એક સ્વાસ્થ્ય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ઓન્કોલોજિસ્ટ ડો. ભરત પટેલ અને આંખના સર્જન ડો. કૃણાલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેન્સરની ઓળખ અને આંખોની સંભાળ જેવા વિષયો પર વિગતવાર માહિતી પૂરી પાડી હતી. બંને ડોક્ટરોએ ઉપચાર, જાગૃતિ અને સાવચેતીના ઉપાયો વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી. તેમણે ઉપસ્થિત લોકોના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો પણ આપ્યા હતા, જેનાથી શ્રોતાઓને સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી ડો. નેહાબેને આશીર્વાદ પાઠવી લોકોને તન અને મનથી સ્વસ્થ રહેવા માટે શુભકામનાઓ આપી હતી. કાર્યક્રમનું મંચ સંચાલન બ્રહ્માકુમારી ડો. નંદિનીબેને કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:53 pm

મેઉ પગાર કેન્દ્ર શાળામાં વિદ્યાર્થીઓએ આનંદમેળો યોજ્યો:વ્યાપારિક કૌશલ્ય અને ટીમ વર્કનો વિકાસ થયો

મેઉ પગાર કેન્દ્ર શાળામાં શનિવારે, 14 માર્ચ 2026 ના રોજ, વિદ્યાર્થીઓમાં વ્યાપારિક કૌશલ્ય અને ટીમ વર્કની ભાવના કેળવવાના હેતુથી 'આનંદમેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં નાના બાળકોથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ આનંદમેળાનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 40 જેટલા ફૂડ સ્ટોલ હતા. વર્ગશિક્ષકોના માર્ગદર્શન હેઠળ, બાળકોએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ રજૂ કરી હતી. સ્ટોલ પર પાણીપુરી, દાબેલી, સેવ ખમણી, સમોસા, વડાપાઉં જેવા ચટાકેદાર નાસ્તા ઉપલબ્ધ હતા. આ ઉપરાંત, લસ્સી, બદામ શેક, લીંબુ શરબત, ઓરેન્જ જ્યૂસ અને છાશ જેવા તાજગીસભર પીણાં પણ પીરસવામાં આવ્યા હતા. લાઈવ ઢોકળા અને બટાકા પૌવા જેવી ગરમાગરમ વાનગીઓ પણ હતી. આ તમામ વાનગીઓ વ્યાજબી ભાવે વેચવામાં આવી હતી. ખાણી-પીણી ઉપરાંત, મેળામાં મનોરંજનની પણ વ્યવસ્થા હતી. શિક્ષક શૈલેષભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ધોરણ 1 ના નાના બાળકો દ્વારા રખાયેલી '1 કા 5' રમત મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. શિક્ષક બિપીનભાઈ નાયી દ્વારા સમગ્ર કાર્યક્રમની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. શાળાના આશરે 500 વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓએ મેળામાં હાજરી આપી હતી. શાળાના આચાર્ય સુનીલભાઈ પટેલે સફળ આયોજન બદલ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને SMC સભ્યો તથા વાલીઓનો આભાર માન્યો હતો. સુદ્રઢ આયોજન અને સહકારને કારણે આ આનંદમેળો અર્થપૂર્ણ અને આનંદદાયક રહ્યો. આવા કાર્યક્રમોથી બાળકોમાં ગણિત, વ્યવહારુ જ્ઞાન અને સામાજિકતાના ગુણોનો વિકાસ થાય છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:53 pm

કરમસદ-આણંદ મનપાનું 1115.06 કરોડનું બજેટ રજૂ:2026-27 માટે 42.95 કરોડની પુરાંત સાથે વિકાસલક્ષી જોગવાઈઓ

કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું રૂ. 1115.06 કરોડનું બજેટ મનપા કમિશનર મિલિંદ બાપના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં રૂ. 42.95 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે, જે ગત વર્ષના બજેટ કરતાં 5.66 ટકા વધુ છે. બજેટમાં કુલ રૂ. 901.21 કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. વિકાસને પ્રાથમિકતા આપતા, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા માટે રૂ. 175.34 કરોડની જોગવાઈ કરાઈ છે. વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂ. 549.67 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંતર્ગત ચિખોદરા ચોકડીથી વલાસણ સુધીના માર્ગને ગ્રીન રિંગ રોડ તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, શહેરના 100 ફૂટ અને 80 ફૂટના મુખ્ય માર્ગોને ડસ્ટ ફ્રી રોડ તરીકે વિકસાવવાની યોજના પણ રજૂ કરાઈ છે. સામાજિક સુવિધાઓને પણ બજેટમાં પ્રાધાન્ય અપાયું છે. દિવ્યાંગજનો માટે સુગમ્ય ઉદ્યાન વિકસાવવાની યોજના છે. સરદાર પટેલ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને ગુજરાત ગૌરવ પાર્ક તરીકે એક આઇકોનિક થીમ પાર્કનું નિર્માણ પણ કરાશે. શહેરમાં ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે બે નવા ઓપન જિમ બનાવવામાં આવશે. સામરખા ચોકડી પાસે નવીન ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન પણ બજેટમાં સામેલ છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરાઈ છે. આણંદના અટલ ચોક અને APC સર્કલ પર નવા ફ્લાયઓવર બ્રિજ બનાવાશે. ગીતા સર્કલથી યોગી સર્કલ મોગરી સુધી ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવાની પણ યોજના છે. ખેલકૂદના વિકાસ માટે શહેરમાં નવા ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી છે. આ અને આવા અનેક વિકાસ પ્રોજેક્ટ્સ દ્વારા કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મહાનગરના સર્વાંગી વિકાસ માટે કામગીરી થઈ રહી છે. તેમણે મનપા કમિશનર મિલિંદ બાપનાને અભિનંદન પાઠવ્યા હતા. આ બજેટ રજૂઆત દરમિયાન મનપાના ડેપ્યુટી કમિશનર નિલાક્ષ મકવાણા અને એસ.કે. ગરવાલ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:52 pm

હવે લોકોના ‘અગ્નિસંસ્કાર’ પણ મોંઘા, રૂ.1100 ચૂકવવા પડશે:સુરતમાં રામનાથ ઘેલા સહિતના સ્મશાનોને મફતમાં મળતો ગેસ પૂરવઠો બંધ; રોજના 20થી 25 અગ્નિદાહ

યુદ્ધની પરિસ્થિતિ, આર્થિક મંદી તેમજ મોંઘવારીના જમાનામાં હવે સામાન્ય માણસ માટે ‘અંતિમ સંસ્કાર’ પણ મોંઘા બન્યા છે. સુરતના તાપી કિનારે આવેલા સુપ્રસિદ્ધ રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ સહિત શહેરના અન્ય સ્મશાનોમાં અત્યાર સુધી ગેસથી થતા અંતિમ સંસ્કાર માટે ગેસ પુરવઠો મફત મળતો હતો. જોકે, ગુજરાત ગેસ અને સહયોગી સંસ્થા દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હવેથી સ્મશાન ટ્રસ્ટોએ ગેસના વપરાશ પેટે ચાર્જ ચૂકવવો પડશે. આ નિર્ણયને કારણે એક બોડી પાછળ અંદાજે 1100 રૂપિયાનો સીધો આર્થિક ભાર વધવાની ભીતિ સેવાઈ રહી છે. વર્ષોથી ચાલતી ફ્રી ગેસ સેવાનો અંતછેલ્લા ઘણા સમયથી સુરતના મુખ્ય સ્મશાનગૃહોમાં ગુજરાત ગેસ દ્વારા 'સેતુ' (SETU) સંસ્થાના માધ્યમથી CSR ફંડ હેઠળ ગેસનો પુરવઠો વિનામૂલ્યે પૂરો પાડવામાં આવતો હતો. આ વ્યવસ્થાને કારણે સ્મશાન ટ્રસ્ટો પર આર્થિક બોજો પડતો ન હતો અને ડાઘુઓને રાહત રહેતી હતી. પરંતુ હવે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ, આ મફત સેવામાં કાપ મૂકવામાં આવ્યો છે અને આગામી સમયમાં તબક્કાવાર પૂરેપૂરો ચાર્જ વસૂલવાનું નક્કી કરાયું છે. રામનાથ ઘેલા સ્મશાનના મેનેજર જયેશ ઉમરીકરની રજૂઆતઆ મામલે રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ ટ્રસ્ટના મેનેજર જયેશ ઉમરીકરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમને વિનિમય મૂલ્યે ગેસ પુરવઠો ફ્રીમાં મળતો હતો, જેના કારણે સ્મશાનનું સંચાલન સરળ રહેતું હતું. હવે કંપનીનો પરિપત્ર આવ્યો છે કે, આ વર્ષથી ગેસનો ચાર્જ વસૂલવામાં આવશે. હાલમાં જે ડાઘુઓ આવે છે તેઓ સ્લિપ લખાવે છે, પરંતુ ભવિષ્યમાં આ વધારાના ખર્ચની વસૂલાત કેવી રીતે કરવી તે અંગે ટ્રસ્ટ મંડળ વિચારણા કરશે. એક મૃતદેહ પાછળ 1100નો સીધો ખર્ચમેનેજર જયેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યારે એક મૃતદેહના અંતિમ સંસ્કાર ગેસ ભઠ્ઠીમાં કરવામાં આવે ત્યારે અંદાજે 1100 રૂપિયાનો ગેસ વપરાય છે. જો ગેસ કંપની મફત પુરવઠો બંધ કરે, તો આ 1100 રૂપિયાનો ખર્ચ કોણ ભોગવશે? તે એક મોટો પ્રશ્ન છે. જો ટ્રસ્ટ આ ખર્ચ ઉઠાવે તો ટ્રસ્ટ પર આર્થિક સંકટ આવી શકે છે અને જો લોકો પાસેથી વસૂલવામાં આવે તો સામાન્ય જનતા પર બોજો વધશે. દૈનિક 20થી 25 મૃતદેહના અંતિમ સંસ્કારરામનાથ ઘેલા સ્મશાનમાં દરરોજ સરેરાશ 20થી 25 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે. આ પૈકી 75 ટકા લોકો હજુ પણ પરંપરાગત રીતે લાકડામાં અંતિમ સંસ્કાર કરવાનું પસંદ કરે છે, જ્યારે 25 ટકા લોકો ગેસ ભઠ્ઠીનો ઉપયોગ કરે છે. જો ગેસ મોંઘો થશે, તો ગેસ ભઠ્ઠીનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, જે પર્યાવરણની દૃષ્ટિએ પણ નુકસાનકારક સાબિત થશે. સરકારી પરિપત્ર અને 'સેતુ' સંસ્થાનો નવો નિયમગેસ કંપની અને 'સેતુ' સંસ્થા દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, CSR પ્રવૃત્તિઓના ભાગરૂપે અત્યાર સુધી 100 ટકા સહાય આપવામાં આવતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ, સ્મશાન ટ્રસ્ટોએ ધીમે ધીમે આ ખર્ચ પોતાની રીતે ઉઠાવવો પડશે. આગામી વર્ષોમાં આ સહાયમાં ઉત્તરોત્તર ઘટાડો કરીને અંતે 100 ટકા પેઇડ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. ટ્રસ્ટ મંડળની આગામી મિટિંગ પર સૌની નજરજયેશ ઉમરીકરે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યારે ગેસ ચાર્જ વસૂલવાનો પરિપત્ર તો આવી ગયો છે, પરંતુ અમારા ટ્રસ્ટ મંડળે હજુ સુધી આ અંગે કોઈ આખરી નિર્ણય લીધો નથી. આગામી સમયમાં ટ્રસ્ટ મંડળની મહત્વની મિટિંગ યોજાશે, જેમાં ગેસના બિલની ચુકવણી અને ડાઘુઓ પાસેથી લેવામાં આવતા ચાર્જ અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવશે. પ્રદૂષણ મુક્ત અંતિમ સંસ્કારના અભિયાનને ફટકોસરકાર દ્વારા હંમેશા એવો આગ્રહ રાખવામાં આવે છે કે લોકો લાકડાના બદલે ગેસ કે ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો ઉપયોગ કરે જેથી પર્યાવરણનું જતન થાય અને પ્રદૂષણ ઓછું ફેલાય. પરંતુ જો ગેસના ભાવ આટલા ઊંચા રહેશે અને મફત મળતી સુવિધા છીનવાઈ જશે, તો લોકો ફરીથી લાકડા તરફ વળશે. આ નિર્ણય પ્રદૂષણ મુક્ત સુરતના અભિયાન માટે અવરોધરૂપ સાબિત થઈ શકે છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધીસુરતમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સ્મશાનની સેવાઓ અત્યાર સુધી આશીર્વાદરૂપ રહી છે. ખાસ કરીને રામનાથ ઘેલા જેવા વિશ્વાસપાત્ર સ્મશાનમાં લોકો મોટી સંખ્યામાં આવે છે. હવે જો અંતિમ સંસ્કાર માટે પણ 1100 રૂપિયા કે તેથી વધુનો ચાર્જ ચૂકવવો પડશે, તો ગરીબ પરિવારો માટે આ એક વધારાનો આર્થિક ફટકો ગણાશે. સ્મશાન સંચાલકોમાં રોષ અને રજૂઆતની તૈયારીમાત્ર રામનાથ ઘેલા જ નહીં, પણ સુરતના અન્ય સ્મશાન ટ્રસ્ટોમાં પણ આ પરિપત્રને લઈને ચિંતા જોવા મળી રહી છે. સંચાલકોનું કહેવું છે કે સ્મશાન એ કોઈ નફાકારક સંસ્થા નથી પણ સેવાકીય પ્રવૃત્તિ છે. ગેસ કંપનીએ પોતાની CSR પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ જેથી સામાન્ય જનતાને હાલાકી ન પડે. આગામી સમયમાં આ મુદ્દે કલેક્ટર કે સરકારમાં રજૂઆત થઈ શકે છે. અંતિમ નિર્ણય સુધી હાલની સ્થિતિ યથાવત્જ્યાં સુધી ટ્રસ્ટ મંડળની મિટિંગ ન થાય ત્યાં સુધી રામનાથ ઘેલા સ્મશાનમાં હાલની પદ્ધતિ મુજબ જ કામગીરી ચાલશે. ડાઘુઓએ અત્યારે માત્ર જરૂરી સ્લિપ અને નોંધણીની પ્રક્રિયા કરવાની રહેશે. જોકે, મેનેજમેન્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આગામી સમયમાં જે પણ ફેરફાર થશે તેની જાણકારી ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:52 pm

બયતુલ માલ ટ્રસ્ટે રમઝાનમાં રોકડ સહાય આપી:200 જરૂરિયાતમંદો અને વિધવાઓને ₹3 લાખથી વધુનું વિતરણ કરાયું

બયતુલ માલ ટ્રસ્ટ, વિરમગામ દ્વારા 15 માર્ચના રોજ સંજીવની હોસ્પિટલ ખાતે રમઝાન નિમિત્તે જરૂરિયાતમંદો અને વિધવાઓને રોકડ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 200 લાભાર્થીઓને ₹3 લાખથી વધુની રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રકમ સંસ્થા દ્વારા નિભાવવામાં આવતા ઝકાત ફંડમાંથી વિતરિત કરવામાં આવી હતી. બયતુલ માલ ટ્રસ્ટ 2009થી રમઝાન માસ નિમિત્તે સતત આ કાર્ય કરી રહ્યું છે.લાભાર્થીઓની યાદી કાર્ડ સ્વરૂપે રાખવામાં આવે છે અને નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. આ ફંડમાં ચોક્કસ દાતાઓ દ્વારા નિયમિતપણે દાન કરવામાં આવે છે. સંસ્થા દ્વારા હોસ્પિટલમાં ઓપીડી પણ ચલાવવામાં આવે છે, તેમજ રાહત દરે મેડિકલ સ્ટોરમાંથી દવાઓનું વિતરણ પણ કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બયતુલ માલ ટ્રસ્ટ, વિરમગામના પ્રમુખ ઇમતીયાઝુદ્દીન સૈયદ, સેક્રેટરી બરાન ઇકબાલ હુસૈન, ખજાનચી વોરા મોહમ્મદ ઇરફાન, ટ્રસ્ટીઓ ખોખર મુસ્તાકભાઈ, મોદન અલી મોહમ્મદ, તાઈ ઝુબેર અને તેમની ટીમે વિશેષ જહેમત ઉઠાવી હતી. અશફાક સબાસરા અને અન્ય યુવાનોએ પણ કાર્યક્રમ દરમિયાન સારો સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:51 pm

સુરતની ગુલાબદાસ બ્રોકર શાળામાં માતાઓ માટે સેમિનાર:'હેપી મોમ હેપી ચાઈલ્ડ' વિષય પર મનોચિકિત્સક બીના ગજ્જરએ માર્ગદર્શન આપ્યું

સુરતની ગુલાબદાસ બ્રોકર પ્રાથમિક શાળા ક્રમાંક 90 માં માતાઓ માટે 'હેપી મોમ હેપી ચાઈલ્ડ' વિષય પર એક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં જાણીતા મનોચિકિત્સક બીનાબેન ગજ્જર દ્વારા માતાઓને બાળ ઉછેર સંબંધિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સેમિનારમાં શાળાના બાળકોની માતાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિશ્વાસ ફાઉન્ડેશનના સામાજિક કાર્યકર વિભાબેન કટારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. બીના ગજ્જરે માતાઓને બાળ ઉછેરમાં આવતી સમસ્યાઓ જેવી કે માતાના માનસિક સ્વાસ્થ્યની બાળક પર થતી અસરો, મોબાઈલ એડિક્શન અને બાળકનું જીદ્દીપણું જેવા વિષયો પર વિસ્તૃત અને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:48 pm

વીજચોરી ઝડપવા PGVCL-પોલીસનું મેગા ઓપરેશન:લીંબડી-સાયલાના ગામોમાં સરપંચ સહિતના કેટલાક ઘરેથી ગેરકાયદેસર વીજ કનેક્શન મળ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ અને પોલીસે ગેરકાયદેસર વીજ કનેક્શનો શોધવા માટે એક વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં પીજીવીસીએલની 460 ટીમો અને 400થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આ સર્ચ ઓપરેશન લીંબડીના ચોરણીયા સબ-સ્ટેશન વિસ્તારના ગામો તેમજ સાયલા તાલુકાના નોલી અને લાખણકા ગામમાં ચલાવવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યવાહીમાં સામેલ હતા. કાર્યવાહી દરમિયાન બુટલેગરો અને અસામાજિક તત્વોના ઘરોમાંથી મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી. ખાસ કરીને, લાખણકા ગામમાં સરપંચ સહિતના કેટલાક લોકોના ઘરેથી ગેરકાયદેસર વીજ કનેક્શનો મળી આવ્યા હતા. પોલીસ અને પીજીવીસીએલની ટીમોએ ગેરકાયદેસર વીજ કનેક્શનો ઉપરાંત ઇલેક્ટ્રિક સગડી, હીટર અને એસી સહિતનો મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ આ અંગે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:46 pm

સુરતમાં ફ્રી હેલ્થ ચેકઅપ, રક્તદાન શિબિર યોજાઈ:શ્રી સુરતી કંસારા શુભેચ્છક મંડળે કેમ્પનું આયોજન કર્યું

શ્રી સુરતી કંસારા શુભેચ્છક મંડળ દ્વારા સુરતમાં ફ્રી હેલ્થ ચેકઅપ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર 15 માર્ચના રોજ રવિવારે મહિધરપુરા જદાખાડી વિસ્તારમાં આવેલા મહાકાળી માતાજી મંદિરના પહેલા માળે યોજાઈ હતી. આ કેમ્પમાં સમાજના સભ્યોએ સ્વૈચ્છિક રીતે ભાગ લીધો હતો. તેમણે બ્લડ સેમ્પલ આપ્યા હતા અને ફ્રી હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું હતું. નાનાથી મોટા વડીલો સહિત અનેક લોકોએ રક્તદાન કરીને જરૂરિયાતમંદોને મદદ કરી હતી. ફ્રી હેલ્થ ચેકઅપ અંતર્ગત આંખ, દાંત, ડાયાબિટીસ અને ફિઝિયો ચેકઅપ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ માટે વિવિધ ક્ષેત્રના ડોકટરોની એક ટીમ હાજર રહી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:46 pm

50 બહેનોને સિલાઈ મશીન અપાયા:મંગલ નવકાર અને ભૂદરદાસ ટ્રસ્ટ દ્વારા વિવિધ સહાયનું વિતરણ કરાયું

મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ભૂદરદાસ સેવા નિધિ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 50થી વધુ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું. સિલાઈ મશીન સાથે દરેક બહેનને ₹200નું કવર પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 10 વિધવા બહેનોને કરિયાણાની કીટનું વિતરણ પણ કરાયું. કાર્યક્રમ દરમિયાન, 50 વિધવા બહેનોને હરિદ્વાર યાત્રા માટે આવવા-જવાની ટિકિટો અને ₹1500નું કવર પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું. આ કાર્યક્રમના અંતે 1000 વ્યક્તિઓ માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામને સંપૂર્ણ ભોજન પીરસવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટ દ્વારા 45થી વધુ વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:45 pm

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:સેક્ટર-10ના તોલમાપ વિભાગને ધમકીભર્યો ઈમેલ મળ્યો, BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન

ગાંધીનગરમાં આવેલું અને મહત્વની સરકારી કચેરીઓ ધરાવતું કર્મયોગી ભવન આજે બોમ્બની ધમકીને પગલે હચમચી ગયું હતું. સેક્ટર-10 સ્થિત આ ભવનના બ્લોક નંબર 2માં કાર્યરત તોલ-માપ વિભાગની કચેરીને એક અનામી ઈમેલ દ્વારા બિલ્ડિંગ ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. તોલ-માપ વિભાગના ઈમેલ આઈડી પર બોમ્બ થ્રેટ મેઈલમળતી માહિતી મુજબ, આજે સવારે તોલ-માપ વિભાગના સત્તાવાર ઈમેલ આઈડી પર એક સંદેશો મળ્યો હતો, જેમાં વિસ્ફોટ કરવાની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ કર્મચારીઓમાં ભારે ડરનો માહોલ ફેલાયો હતો. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે તમામ બ્લોક અને કચેરીઓમાંથી કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર કેમ્પસ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસઆ ધમકી ભર્યા ઇમેઇલની જાણ થતા જ ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા બિલ્ડિંગના ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે શંકાસ્પદ વસ્તુઓની તપાસ માટે ડોગ સ્ક્વોડ મદદ લેવાઈ છે. બીજી તરફ ઈમેલનું આઈપી એડ્રેસ ટ્રેસ કરીને મોકલનાર સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરાયા છે. અગાઉ પણ પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ કચેરીઓને બોમ્બ થ્રેટનોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પાટનગર સહિત ગુજરાતની મહત્વની સંસ્થાઓને નિશાન બનાવવાનું ષડયંત્ર વધી રહ્યું હોય તેમ જણાય છે. અગાઉ પણ રાજ્યની વિવિધ પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ કચેરીઓ અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓને આ પ્રકારે ફેક ઈમેલ દ્વારા ધમકાવવામાં આવી હતી. આ કોઈ ગંભીર કાવતરું છે કે માત્ર અફવા ફેલાવવાનો પ્રયાસ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:43 pm

GMC ભાવનગર દ્વારા તબીબો માટે 'ગ્રેટીટ્યુડ જર્નલ' લોન્ચ:બર્નઆઉટ ઘટાડી માનસિક સુખાકારી વધારવાનો હેતુ

GMC ભાવનગર દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોકટરો માટે 'ગ્રેટીટ્યુડ જર્નલ' લોન્ચ કરવામાં આવી છે. આ પહેલ મેડિકલ તાલીમ દરમિયાન જોવા મળતા માનસિક તણાવ અને કામના ભારણને ઘટાડવા તેમજ આરોગ્ય કર્મચારીઓની માનસિક સુખાકારીને પ્રાધાન્ય આપવા માટે શરૂ કરાઈ છે. ભારતમાં મેડિકલ પ્રોફેશનલ્સ માટે આ એક ગંભીર પડકાર છે. સંશોધનો દર્શાવે છે કે આશરે 45% થી 56% જેટલા પોસ્ટગ્રેજ્યુએટ રેસિડેન્ટ્સ નોંધપાત્ર માનસિક થાક (બર્નઆઉટ) અને ડિપ્રેશનના લક્ષણો અનુભવે છે. લાંબા કામના કલાકો, રાત્રિની ફરજો અને પૂરતી ઊંઘનો અભાવ આ માનસિક તણાવના મુખ્ય કારણો છે. GMC ભાવનગરની આ 'ગ્રેટીટ્યુડ જર્નલ' મનોવૈજ્ઞાનિક માળખા પર આધારિત છે. વૈજ્ઞાનિક પુરાવા મુજબ, દરરોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા ન્યુરોટ્રાન્સમીટર મુક્ત થાય છે. આનાથી મૂડ સુધરે છે, તણાવ ઘટે છે અને તબીબોની માનસિક સ્થિતિસ્થાપકતા (Resilience) વધે છે. આ જર્નલ રેસિડેન્ટ ડોકટરોના વ્યસ્ત શિડ્યુલને ધ્યાનમાં રાખીને 'માઈક્રો-રિટ્યુઅલ્સ' તરીકે તૈયાર કરવામાં આવી છે. તેમાં દિવસની શરૂઆતમાં કોઈ સાથીદાર અથવા સાધન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી, તેમજ દિવસની ક્લિનિકલ પડકારો વચ્ચે બનેલી ત્રણ હકારાત્મક બાબતોની નોંધ લેવાનો સમાવેશ થાય છે. દર્દીઓ સાથેની સારી વાતચીત અને સાથી તબીબોના સહકારને ઓળખવા માટેના વિશેષ વિભાગો પણ તેમાં છે. આ પ્રસંગે સંસ્થાના ડીન ડો. ચિન્મય શાહે જણાવ્યું હતું કે, મેડિકલ શિક્ષણ પડકારજનક છે અને અમારા વિદ્યાર્થીઓ અમારી તાકાત છે. આ જર્નલ દ્વારા અમે તેઓને ક્લિનિકલ તણાવ સામે લડવા માટે એક સબળ સાધન પૂરું પાડવા માંગીએ છીએ. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને મનોચિકિત્સા નિષ્ણાત ડો. અશોક વાલાએ ઉમેર્યું હતું કે તબીબોનું સારું માનસિક સ્વાસ્થ્ય દર્દીઓની સારવારની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. આ 'ગ્રેટીટ્યુડ જર્નલ' હાલમાં ૨૦૨૦ બેચના ઇન્ટર્ન ડોકટરો અને તમામ રેસિડેન્ટ્સને વિતરણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:43 pm

બોટાદ LCBએ ₹12.63 લાખનો બીયર જથ્થો જપ્ત:પાળીયાદ વિસ્તારમાંથી ઝડપાયો, ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

બોટાદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે અલગ-અલગ દરોડા પાડી કુલ ₹12.63 લાખનો ભારતીય બનાવટનો વિદેશી બીયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે ત્રણ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચના હેઠળ, જિલ્લામાં દારૂની બદી નાબૂદ કરવા માટે LCBની ટીમો દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજાના સુપરવિઝન હેઠળ, PSI એસ.બી. સોલંકી અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે મોટા છૈડા ગામની સીમમાં ભાદર નદી પાસે પડતર જગ્યામાંથી કાર્યવાહી કરાઈ હતી. અહીં રજીસ્ટ્રેશન વગરની મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીમાંથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ અને થંડર બોલ્ટ પ્રીમિયમ બીયરનો કુલ ₹8,46,560નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં, PSI એચ.એ. વસાવા અને તેમની ટીમે મોટા પાળીયાદ ગામની સીમમાં સુરેન્દ્રનગરના જૂના માર્ગે આવેલી ગેસ એજન્સી પાસેની વાડીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કિંગફિશર સુપર સ્ટ્રોંગ બીયરના ટીન મળી કુલ ₹4,17,120નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંને કેસમાં ઉદયભાઈ ભાંભળા, ગૌતમભાઈ ખાચર અને ગોવિંદભાઈ ખટાણા સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બોટાદ LCB દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ આ બીયર જથ્થાની જપ્તી અંગે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:37 pm

6 કરોડની લોન કરાવા વેપારી ગયાને 76.89 લાખ ગુમાવ્યા:ઠગ પરિવારે લોન પ્રોસેસના નામે રૂપિયા એડવાન્સ લઈ શાહીબાગના શખ્સ સાથે છેતરપિંડી કરી

લોભીયા હોય ત્યા ધુતારા ભુખે નથી મરતા તે કહેવત શાહીબાગમાં રહેતા એક વેપારી ઉપર સાચી સાબીત થઈ રહી છે. વેપારીએ 6 કરોડ રૂપિયાની લોન કરાવવા માટે 76.89 લાખ રૂપિયા ઠગ પરિવારને આપી દીધા હોવાનું સામે આવ્યુ છે. પિતા, પુત્ર અને પરિણીતાએ મળીને લોન કરાવી આપીને કમીશન હડપ કરવાનું કામ શરુ કર્યુ હતું. આ અંગે વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કૃતેશ શાહ, તેના પિતા ભરત શાહ અને પત્નિ મૃગંધા શાહ વિરૂદ્ધ 76.98 લાખ રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ કરી છે. શાહીબાગમાં રહેતા દિનેશ સોની સંયુક્ત પરિવારમાં રહે છે અને શિવમ એન્ટરપ્રાઈઝ નામથી ફર્મ ધરાવીને એન્જીનીયરીંગ વર્કશોપની મશીનરીનો વેપાર કરે છે. વર્ષ 2025માં દિનેશ સોનીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકજ પરિવારના ત્રણ સભ્યો વિરૂદ્ધ છેતરપિંડીની અરજી કરી હતી. જેમાં પોલીસે ગઈકાલે ગુનો નોધ્યો છે. ઠગ પરિવારે દસ ટકા કમિશને લોન કરાવી આપવાની વાત કરીમળતી વિગત અનુસાર, એપ્રિલ મહિનામાં ધંધાના વિકાસ માટે રૂપિયાની જરૂર હોવાથી તેમણે તેના મિત્રવર્તુળમાં વાત કરી હતી. દરમિયાન દિનેશ સોનીને અમરાઈવાડી વિસ્તારમાં રહેતા મિત્રએ લોન કરી આપવા માટે એક સંપર્ક આપ્યો હતો. વસંત મોદીએ દિનેશ સોનીને કહ્યુ હતું કે, કૃતેશ શાહ એક કંપની ધરાવે છે અને ધંધાદારી લોકોને ધંધા માટે લોન કરાવી આપે છે અને તેના બદલામાં લોન થાય તેના દસ ટકા કમિશન લે છે. દિનેશ સોનીએ કમિશન આપવા માટે પણ તૈયાર થઈ ગયા હતા અને વસંત મોદીને તેમની ઓફિસે લઈ જવાનું કહ્યું હતું. વસંત અને દિનેશ ડ્રાઈવ-ઈન રોડ ખાતે આવેલા ગાલા એમ્પાયરમાં કૃતેશને મળવા માટે ગયા હતા જ્યા તેની પત્નિ મૃગંદા પણ હાજર હતી. દિનેશે ધંધાની વાત કરતા કૃતેશ શાહે લોન કરાવી આપવાની બાંહેધરી લીધી હતી. પહેલાં કમિશનના અંદાજે 9 લાખથી વધુ પડાવ્યા4 એપ્રિલ 2025માં કૃતેશ અને તેના પિતા ભરત શાહે દિનેશ સોનીને જણાવ્યુ હતું કે, મે તમારી લોનની પ્રોસેસ ચાલુ કરી દીધી છે તો મને અત્યારે મારા કમિશનના 7 લાખ રૂપિયા આપો. કૃતેશ પર વિશ્વાસ કરીને દિનેશે સોનીએ સાત લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતાં. આ બાદ બે વખત કૃતેશે 45 હજાર રૂપિયા અને એક વખત 1.80 લાખ રૂપિયા લોન પાસ કરાવવાના લીધા હતાં. તમારી લોન ટુંક સમયમાં પાસ થઈને આવી જશે તેમ કહીને કૃતેશે રૂપિયા ખંખેરી લીધા હતાં. 'જેટલા રૂપિયા આપ્યા છે તે મને પાછા આપી દો'દિનેશને શંકા જતા તેમણે કૃતેશને કહ્યું હતું કે, જો મારી લોન થાય તેમ ના હોય તો મે અત્યાર સુધી જેટલા રૂપિયા આપ્યા છે તે મને પાછા આપી દો. દિનેશની વાત પર કૃતેશે તેમને જવાબ આપ્યો છે કે, તમારી લોનની રકમ વધારે છે એટલે તે પાસ થવામાં સમય લાગે, વિશ્વાસ રાખો હું તમારી લોન કરાવી આપું છું. બાદમાં કૃતેશે દિનેશના મોબાઈલના વોટ્સએપમાં એક પીડીએફ ફાઈલ મોકલી હતી. ફક્ત પીડીએફ મોકલી, 15.30 લાખ મોકલ્યાં નહીપીડીએફ ફાઈલમાં કૃતેશે 15.30 લાખ રૂપિયા પરત કર્યા હોવાની વિગત હતી. દિનેશ સોનીએ કૃતેશ પર વિશ્વાસ કરીને થોડી રાહ જોઈ હતી. દરમિયાનમાં દિનેશે તેમના બેંકમાં જઈને તપાસ કરી તો કૃતેશે કોઈ 15.30 લાખ રૂપિયા મોકલ્યા હતાં નહી. જેથી દિનેશે કૃતેશને ફોન કરીને કહ્યું હતું કે, મારા ખાતામાં એક પણ રૂપિયા આવ્યો નથી. કૃતેશે ફરીથી દિનેશને સમાજવ્યુ હતું કે, મોટી રકમ હોય તો ઘણી વાત ટ્રાન્સફર થવામાં વાર લાગે તેમ છે. દિનેસે કૃતેશને રૂપિયા આપવાનો ઈન્કાર કરી દીધોત્યારબાદ કૃતેશે દિનેશને જણાવ્યું કે, મારે 7.28 લાખ રૂપિયા રોકડા જોઈશે. આ રૂપિયા બેંકના કર્મચારીને લોન કરાવવા માટેનો વહીવટ આપવો પડશે. દિનેસે કૃતેશને રૂપિયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કૃતેશે તેની કંપનીનો સહીવાળો ચેક દિનેશને આપ્યો હતો અને કહ્યું હતું કે, જો તમારા ખાતામાં પૈસા ના આવે તો આ ચેક તમે ભરી દેજો. કૃતેશની વાત પર દિનેશે વિશ્વાસ કરી લીધો હતો અને બાદમાં તેને રૂપિયા આપી દેવાની હા પાડી દીધી હતી. 'મારા ખાતામાં કમિશનના 31.32 લાખ અને 30 લાખ ટ્રાન્સફર કરો'દિનેશે 7.28 લાખ રૂપિયા કૃતેશને રોકડા આપ્યા હતા. થોડા સમય બાદ કૃતેશે દિનેશ સોનીને જણાવ્યુ કે, બેંકની પ્રોસેસ ફીમાં પૈસા ભરવા પડશે અને બેંકની પ્રોસેસના 99 સ્ટેપ પુરા થઈ ગયા છે ખાલી એક સ્ટેપ બાકી છે. તો તમે એક કામ કરો મારા ખાતામાં કમિશનના 31.32 લાખ રૂપિયા અને 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરો તો હું તમારા ખાતામાં 6 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દઉ છું. કૃતેશ પર વિશ્વાસ કરીને દિનેશે તમામ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતાં. અલગ અલગ રીતે 76.98 લાખ પડાવ્યારૂપિયા આપી દીધા બાદ પણ દિનેશ સોનીના ખાતામાં લોનના 6 કરોડ અને પહેલા આપેલા 15.30 લાખ રૂપિયા રૂપિયા નહી આવતા તેમણે કૃતેશને ફોન કર્યો હતો. કૃતેશે લોન આવી જશે તેવી બાહેધરી આપીને દિનેશ સોનીને ગોળગોળ ફેરવતા હતાં. દિનેશ સોની 6 કરોડ રૂપિયાની લોન કરાવવા માટે કૃતેશને અલગ અલગ રીતે 76.98 લાખ રૂપિયા આપ્યા હતાં. કૃતેશ ચેક પણ આપ્યો હતો જે બાઉન્સ ગયો હતો. દિનેશ સાથે વિશ્વાસઘાત થતા અંતે તેમણે કૃતેશ તેની પત્નિ અને પિતા વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:37 pm

અમદાવાદમાં GUJPEDICRITICON 2.0 કોન્ફરન્સ:250થી વધુ બાળરોગ નિષ્ણાતો હાજર રહ્યા, 34 રિસર્ચ પેપર્સ રજૂ થયા

અમદાવાદ ખાતે તા. 14 અને 15 માર્ચ, 2026 દરમિયાન ગુજરાત પીડિયાટ્રિક ક્રિટિકલ કેર ચેપ્ટર, એઓપી ગુજરાત , એઓપી અમદાવાદ તથા એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના સહયોગથી ગંભીર રીતે બીમાર બાળકોની સારવાર વિષયક બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ “GUJPEDICRITICON 2.0” યોજાઈ હતી. આ અંગે ડૉ. જીતેશ રાવલ, ડૉ. અમિત ચિતલીયા, ડૉ. વૈભવ પટેલ, ડૉ. જય શાહ, ડૉ. સ્નેહલ પટેલ, ડૉ. ખંજન શાહ (અમદાવાદ), ડૉ. હિરેન પટેલ (ડીસા), ડૉ. કૃણાલ શાહ (વાપી), ડૉ. કૃતિકા ટંડન (કરમસદ), ડૉ. હિમાંશુ તડવી અને ડૉ. પ્રતીક શાહ (સુરત) એ માહિતી આપી હતી. તા. 15 માર્ચે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે યોજાયેલી મુખ્ય કોન્ફરન્સમાં આશરે 250 જેટલા બાળરોગ નિષ્ણાત ડોક્ટરોએ ભાગ લીધો, જેમાં 34 રિસર્ચ પેપર્સ રજૂ થયા. કોન્ફરન્સમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત વિવિધ રાજ્યોમાંથી ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સના પ્રથમ દિવસે, તા. 14 માર્ચના રોજ શહેરની ત્રણ મુખ્ય હોસ્પિટલોમાં ગંભીર બાળકોની સારવાર અંગેના વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. અપોલો હોસ્પિટલ ખાતે બાળકોને લાઈફ-સેવિંગ વેન્ટિલેટર થેરાપી દ્વારા ફેફસાંના જટિલ રોગોની સારવાર અંગે ડોક્ટરો માટે ટ્રેનિંગ વર્કશોપ યોજાયો હતો. જ્યારે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે ગંભીર રોગોની સારવાર માટે જરૂરી પ્રોસીજર્સની તાલીમ અર્થે અત્યાધુનિક સિમ્યુલેશન આધારિત ટ્રેનિંગ યોજાઈ હતી. આ કક્ષાની ટ્રેનિંગ ગુજરાતમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આયોજિત કરવામાં આવી હતી, જેમાં 16 મોર્ડન સિમ્યુલેશન સ્ટેશન્સ અને ECMO ટ્રેનિંગની મદદથી રિયલ દર્દીમાં થતી ઈમરજન્સી સારવાર માટે ડોક્ટરોની સ્કીલ અપગ્રેડેશન અને ઈમરજન્સી રિસ્પોન્સ ઇમ્પ્રૂવમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેડી હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ માટે વિશેષ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન થયું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:29 pm

પાટણના અઘાર ગામે કુંવારિકા માતાજીની રથયાત્રા નીકળી:હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં કુંવારિકા માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. આ પરંપરાગત લોકમેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે પ્રચંડ ભીડ જોવા મળી હતી. સોમવારથી શરૂ થયેલો આ બે દિવસીય મેળો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગામના પટેલ મહોલ્લામાંથી સવારે વેલડા જોડીને કુંવારિકા માતાજીની રથયાત્રા વાજતે ગાજતે શરૂ કરવામાં આવી હતી. મંદિરમાં આરતી ઉતાર્યા બાદ માતાજીની મૂર્તિને રથમાં બિરાજમાન કરવામાં આવી હતી. અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ પાટણ અને આસપાસના વિસ્તારોમાંથી હજારો ભક્તો માતાજીના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પ્રાચીન મંદિરથી નીકળેલી આ રથયાત્રામાં દર્શનાર્થીઓએ અબીલ-ગુલાલ, ચોખા અને ફૂલોની વર્ષા કરીને માતાજીનું સ્વાગત કર્યું હતું. ગામમાં ફરીને રથયાત્રા તળાવ કિનારે આવેલા પાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી. અહીં કુંવારિકા મૈયા રાતવાસો કરશે અને શનિવારે માતાજીનું પુન: નિજ મંદિરે સ્થાપન કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ, ખાસ કરીને મહિલાઓ, વિવિધ માનતાઓ પૂરી કરવા માટે દર્શને આવી હતી. પુત્ર જન્મની બાધા પૂરી કરવા માટે કેટલીક મહિલાઓ ગામના ગોદરેથી પોતાના બે હાથ રૂમાલથી બાંધી, તેમાં શ્રીફળ મૂકીને મંદિરે પહોંચી હતી. ત્યાં માતાજીને શીશ નમાવી શ્રીફળ વધેરીને શ્રદ્ધાપૂર્વક બાધા પૂર્ણ કરી હતી. કેટલીક મહિલાઓ માથે સળગતી સગડી મૂકીને પણ માતાજીના દર્શને આવી હતી. આ લોકમેળામાં બાળકો માટે અવનવી ચગડોળ, ચકરડી અને રાઈડ્સ ગોઠવવામાં આવી હતી, જેનો બાળકોએ ભરપૂર આનંદ માણ્યો હતો. ખાણી-પીણીના સ્ટોલ પણ ધમધમ્યા હતા અને મોતના કૂવા આસપાસ સ્ટંટ નિહાળવા શોખીનોની ભીડ જામી હતી. દર્શનાર્થીઓ માટે ઠેર ઠેર પાણીના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરસ્વતી તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:25 pm

સુરતમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતા સાથે ક્રૂરતા:રત્નકલાકાર પતિ જ બન્યો હૈવાન, ઘરમાં દારૂની મહેફિલ જમાવી પત્નીને માર માર્યો, 3 મિત્રો સાથે મળી પત્ની પર ગુજાર્યો ગેંગરેપ

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર એક પરિણીતા સાથે તેના જ પતિ અને મિત્રોએ મળીને આચરેલા સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકાર પતિએ દારૂના નશામાં ભાન ભૂલી પોતાની પત્નીને જ હૈવાન મિત્રોના હવાલે કરી દીધી હતી. પોલીસે આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રેમલગ્નનું લોહીલુહાણ સત્ય ભોગ બનનાર 25 વર્ષીય પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે અમરેલીના બગસરાના વતની એવા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંને કાપોદ્રાની લક્ષ્મણ નગર સોસાયટી પાસે ભાડાના મકાનમાં રહેતા હતા. પતિ હીરા ઘસવાનું કામ કરતો હતો. જોકે, તેની સાથે કામ કરતા તેના ત્રણ મિત્રો અજય, જગો અને ચિરાગ પણ અવારનવાર ઘરે આવતા અને ત્યાં જ રોકાતા હતા. મે 2025ની એ કાળી રાતની આપવીતી પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે મે 2025માં એક રાત્રે તેના પતિએ ત્રણ મિત્રો અજય, જગો અને ચિરાગ સાથે મળી ઘરમાં જ દારૂની મહેફિલ જમાવી હતી. નશામાં ચૂર પતિ અને તેના મિત્રોએ પરિણીતા સાથે ગાળાગાળી કરી મારઝૂડ શરૂ કરી હતી. નરાધમોએ બળજબરીથી પરિણીતાના કપડાં ઉતારી નાખ્યા હતા. પતિની હાજરીમાં જ તેના ત્રણેય મિત્રોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું અને પતિ પણ આ પાપમાં સામેલ થયો હતો. આ કૃત્ય બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે, જો કોઈને મોઢું ખોલ્યું છે તો તારી લાશ પણ નહીં મળે. મિત્રો સાથે સંબંધ બાંધવા દબાણ કરતો આ ભયાનક ઘટના બાદ પણ પરિણીતા સમાજના ડરે મૂંગા મોઢે અત્યાચાર સહન કરતી રહી. પરંતુ પતિની હેવાનીયત અહીં જ ન અટકી. તે અવારનવાર તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા પત્ની પર દબાણ કરવા લાગ્યો હતો. અંતે કંટાળેલી પરિણીતાએ ઘર છોડી દીધું હતું અને હિંમત કરી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી. અલગ-અલગ ટીમો બનાવી ત્રણ આરોપીની ધરપકડ કાપોદ્રા પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેડિકલ તપાસ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે. અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને પતિ અસહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે. મહિલા સુરક્ષા પ્રાથમિકતા છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:25 pm

અમદાવાદમાં ઇનવિન્સિબલ એનજીઓનો ભવ્ય કાર્યક્રમ:નશામુક્તિ માટે 1400 કિમીની સાયકલ યાત્રા કરનાર યુવા શક્તિનું ટાગોર હોલમાં સન્માન

અમદાવાદના ટાગોર હોલ ખાતે તાજેતરમાં ઇનવિન્સિબલ એનજીઓ દ્વારા 'વોલેન્ટિયર્સ એવોર્ડ સમારોહ'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 600 થી વધુ વોલેન્ટિયર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કર્નલ પી. પી. વ્યાસ, સામાજિક કાર્યકર મિત્તલ પટેલ અને યુથ આઇકન શ્વેતા પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ યુવાઓને રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક જવાબદારી માટે પ્રોત્સાહિત કર્યા હતા. નેતૃત્વ અને સાહસિક અભિયાનોભારતની સૌથી મોટી ટ્રેકિંગ સંસ્થા તરીકે જાણીતી ઇનવિન્સિબલ એનજીઓ પ્રકૃતિ સંરક્ષણ, હેરિટેજ જાળવણી અને કોમ્યુનિટી ડેવલપમેન્ટના ક્ષેત્રે કાર્યરત છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સાહસિક પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં લીડરશિપ ડેવલપમેન્ટ અને સેવા ભાવના જગાડવાનો છે. આ એવોર્ડ સમારોહમાં વોલેન્ટિયર્સના અતુલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. નશામુક્તિ અને પર્વતારોહણના વિક્રમોસમારોહમાં ખાસ કરીને 'No Drugs Campaign' હેઠળ 1400 કિલોમીટરની સાયકલ યાત્રા કરનારા અને 16,000 ફૂટથી વધુ ઊંચાઈના પર્વત શિખરો સર કરનારા વોલેન્ટિયર્સને સન્માનિત કરાયા હતા. આ યુવાઓએ નશામુક્ત સમાજનો સંદેશ ફેલાવીને સાહસ અને ટીમવર્કનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર કાર્યક્રમ યુવા ઊર્જા અને સકારાત્મક પરિવર્તનનો મહોત્સવ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:25 pm

અમદાવાદમાં ઉત્તર ભારતીય બ્રહ્મસમાજનું સ્નેહમિલન:નવેમ્બરમાં જગન્નાથ મંદિરે સમૂહ કન્યા વિવાહ અને UCC લાગુ કરવાની ઉગ્ર માંગ

અમદાવાદના નિકોલ સ્થિત વીર શહીદ મંગલ પાંડે ઓડિટોરિયમ ખાતે ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ દ્વારા ‘હોલી સ્નેહમિલન’ સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2006માં માત્ર 50 સભ્યોથી શરૂ થયેલું આ સંગઠન આજે 20 વર્ષ પૂર્ણ કરી 2200થી વધુ પરિવારો અને 10,000 સદસ્યોનું વિશાળ વટવૃક્ષ બન્યું છે. આ પ્રસંગે હજારોની મેદની વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામી હતી. પ્રતિભા સન્માન અને સામાજિક ઉદ્દેશ્યકાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ભગવાન પરશુરામની પ્રતિમા અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ ‘બ્રહ્મ ગૌરવ’ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. સંસ્થાના અધ્યક્ષ ઉદ્ધવ પાંડેએ જણાવ્યું કે, આવા આયોજનોનો મુખ્ય હેતુ પરસ્પર મેળાપ વધારવા સાથે શિક્ષણ, ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને દીકરીઓના અભ્યાસ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. દહેજ મુક્તિ માટે સમૂહ લગ્નનું આયોજનસમાજ દ્વારા આગામી 21 નવેમ્બરે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે સમૂહ કન્યા વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દહેજ પ્રથાને નાબૂદ કરવાનો છે. આ ઉપરાંત, સંગઠન દ્વારા સમયાંતરે મેડિકલ કેમ્પ, ચોપડા વિતરણ અને સમૂહ યજ્ઞોપવીત જેવા સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. UCCની માંગ અને આરક્ષણ પર આકરા પ્રહારકાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ પાંડેએ નીતિવિષયક મુદ્દે પણ મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે દેશમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે આરક્ષણનો લાભ માત્ર આર્થિક રીતે નબળા તમામ ગરીબોને મળવો જોઈએ. તેમણે સામાજિક ભાગલા પાડતા કાયદાઓનો વિરોધ નોંધાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:20 pm

દારૂના નશામાં પૂરઝડપે આવીને બાઈક-પાર્ક કારને ટક્કર મારી, CCTV:કારમાં રહેલા એક વ્યકિતનો માંડ જીવ બચ્યો, રબારી કોલોની ચાર રસ્તા પાસે અકસ્માત

અમદાવાદ શહેરના રબારી કોલોની ચાર રસ્તા પાસે મોડી રાત્રે એક કાર ચાલક પાર્ક કરીને ફોનમાં વાત કરી રહ્યો હતો.ત્યારે સામેથી પૂર ઝડપે દારૂના નશામાં એક કાર ચાલક પૂરઝડપે કાર લઈને આવી રહ્યો હતો. પૂરઝડપે આવી રહેલી કારે પહેલાં બાઈકને અને ત્યારબાદ પાર્ક કરેલી કારને સામેથી ટક્કર મારી હતી. જેના કારણે કારચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માત કરનાર અગાઉ પણ એક અકસ્માત કરીને આવ્યો હતો. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારચાલક દીપક બધેલની અટકાયત કરી છે. દારૂના નશામાં કારચાલકે બે વાહનોને ટક્કરી મારીમળતી વિગત અનુસાર, અમરાઈવાડીમાં રહેતા નીરજ દેવાચાર્ય પીજી હોસ્ટેલમાં રહે છે અને કઠવાડા ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. નીરજને કંપની તરફથી એક ફોરવ્હિલર કાર આપવામાં આવી છે. 15 માર્ચના રોજ નીરજ રબારી કોલોની ચાર રસ્તા પાસે મેટ્રો બ્રિજની નીચે કાર પાર્ક કરી ફોન પર વાતચીત કરી રહ્યો હતો. પાર્ક કરેલી કારમાં બેસેલા વ્યકિતનો માંડ જીવ બચ્યોઆ દરમિયાન સામેથી રોંગ સાઈડમાં પૂર ઝડપે એક કાર આવી રહી હતી, જેમાં પહેલા બાઈકને ટક્કર મારી હતી, ત્યારબાદ નશામા ધૂત કારચાલકે નીરજની કારને બોનેટના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે નીરજને ઈજા પહોંચતી હતી અને નીરજની કારને ભારે નુકસાન પણ થયું હતું. અકસ્માત બાદ કાર ચલાવનાર દીપક બધેલની ડ્રાઇવર સીટ બાજુમાં બેઠેલો વ્યક્તિ નીચે ઉતારીને કાર લઈને નાસી ગયો હતો. અકસ્માત કરનારની અટકાયતબનાવની જાણ થતા પોલીસ પર સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માત કરનાર દીપકની અટકાયત કરી હતી. જ્યારે નીરજને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાઇક ચાલક રસ્તાની બાજુમાં ઘૂસી ગયોપોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, કાર ચાલકે નશાની હાલતમાં રબારી કોલોની તરફ પૂરઝડપે એક બાઈક ચાલકને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે બાઇક ચાલક રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારના પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો. જેના કારણે કાર અને બાઇકને નુકસાન થયું હતું તથા બાઇક ચાલકને પણ ઇજાઓ થઈ હતી. કાર ચાલકે બે અકસ્માત કર્યા હતા. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:19 pm

જન્મદિવસની અનોખી ઉજવણી:મંત્રી કુંવરજી બાવળીયાએ કડિયા નાકા પર શ્રમિકો સાથે સંવાદ કર્યો , 121 નવા કેન્દ્રો અને સ્વાસ્થ્ય તપાસની ભેટ

ગુજરાતના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોતાના 71 મા જન્મદિવસની ઉજવણી એક સંવેદનશીલ અને પ્રેરણાદાયક રીતે કરી હતી. ગાંધીનગરના સેક્ટર-6 સ્થિત કડિયા નાકા પાસે આવેલા 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' કેન્દ્રની મુલાકાત લઈ મંત્રીએ શ્રમિકોને પોતાના હાથે ગરમા ગરમ ભોજન પીરસ્યું હતું. આ પ્રસંગે તેમણે શ્રમિક પરિવારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક આહારની સુવિધાબાંધકામ ક્ષેત્રે દિવસ-રાત પરસેવો પાડતા શ્રમિકોને પૂરતું પોષણ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. આ યોજના હેઠળ શ્રમિકો અને તેમના પરિવારને માત્ર 5 રૂપિયાના રાહત દરે સાદું, સાત્વિક અને પોષણયુક્ત ભોજન પૂરું પાડવામાં આવે છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ કેન્દ્રો પર માત્ર ભોજન જ નહીં, પરંતુ શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા પ્રાથમિક આરોગ્ય તપાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી શ્રમિકોના સ્વાસ્થ્યની પણ પૂરતી જાળવણી થઈ શકે. યોજનાનો વ્યાપ: 300 નવા કેન્દ્રોનું આયોજનરાજ્યમાં આ યોજનાની સફળતાને જોતા તેનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં 293 જેટલા સેન્ટરો કાર્યરત છે. મંત્રીએ આગામી આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં નવા 121 કેન્દ્રો શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં, ચાલુ વર્ષના બજેટમાં વધુ 300 નવા કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી છેવાડાના શ્રમિક સુધી આ પાયાની સુવિધા પહોંચાડી શકાય. આરોગ્ય અને વિશેષ સંભાળ પર ભારમુલાકાત દરમિયાન મંત્રીએ સેન્ટર પર ઉપલબ્ધ તબીબી સેવાઓની સમીક્ષા કરી હતી. ખાસ કરીને બાંધકામ સાઇટ પર રહેતા પરિવારો માટે હવામાન આધારિત વિશેષ તકેદારી રાખવા અને જરૂરી સારવાર પૂરી પાડવા વિભાગને સૂચનાઓ આપી છે. મંત્રીની આ પ્રેરક ઉપસ્થિતિ અને આત્મીયતા જોઈને ગાંધીનગરના ઘ-2 કડિયાનાકા ખાતે શ્રમિકોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:18 pm

સંસ્કૃત ભવનના અધ્યક્ષનો રાષ્ટ્રીય સંશોધન પ્રોજેક્ટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સોશિયલ સાયન્સ ક્ષેત્રે 10 લાખની સૌથી મોટી ગ્રાન્ટ મંજૂર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત ભવનના અધ્યક્ષ રાજા કાથડના સંશોધન પ્રોજેક્ટને રાષ્ટ્રીય કક્ષાએ મંજૂરી મળી છે. યુનિવર્સિટીની સ્થાપનાથી અત્યાર સુધીમાં સોશિયલ સાયન્સ અને ભાષા વિભાગમાં આટલી મોટી રકમનો પ્રોજેક્ટ લાવનાર તેઓ પ્રથમ પ્રોફેસર બન્યા છે. ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળની ICSSR સંસ્થા દ્વારા આ પ્રોજેક્ટ માટે 1 વર્ષ માટે 10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પ્રોજેક્ટનો મુખ્ય વિષય અને ઉદ્દેશ્યરાજા કાથડ આધુનિક સંસ્કૃત પંચ મહાકાવ્યો મેં પ્રતિપાદિત દાર્શનિક ચિંતન કા વિમર્શ વિષય પર સંશોધન કરશે. જેમાં ઉત્તરસીતાચરિતમ્, ભીમાયનમ્, જાનકીજીવનમ્, બોધિસત્ત્વચરિતમ્ અને રાઘવીયમ્ જેવા 5 આધુનિક મહાકાવ્યોનો અભ્યાસ કરવામાં આવશે. આ કૃતિઓમાં રહેલા ધર્મ, નૈતિકતા, સામાજિક ન્યાય અને માનવતાવાદ જેવા દાર્શનિક તત્વોને આધુનિક સંદર્ભમાં તપાસવામાં આવશે. સંશોધનના વિવિધ પાસાઓઆ પ્રોજેક્ટ દ્વારા બોધિસત્ત્વચરિતમ્‌માં કરુણા, ભીમાયનમ્‌માં સામાજિક સમતા અને રાઘવીયમ્‌માં આદર્શ રાજધર્મનું વિશ્લેષણ થશે. ઉપરાંત, નારી ગૌરવ અને કર્મસિદ્ધાંત જેવા વિષયો પર પણ પ્રકાશ પાડવામાં આવશે. રાજા કાથડ અગાઉ B.A., M.A. અને M.Phil માં યુનિવર્સિટી પ્રથમની હેટ્રિક સાથે 4 સુવર્ણ ચંદ્રક મેળવી ચૂક્યા છે. હાલ તેઓ બાબા સાહેબ આંબેડકર ચેર-સેન્ટરના ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યા છે. આ સફળતા આગામી NAAC માન્યતા પ્રક્રિયામાં યુનિવર્સિટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:11 pm

યુવા રોજગાર યોજનાનો અમદાવાદથી પ્રારંભ:રોજગારલક્ષી અભિગમ સાથે નવનિયુક્ત અધિકારીઓનું સન્માન અને આત્મનિર્ભરતા

ભરવાડ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા સમાજના ઉત્થાન માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. અમદાવાદના ગોતા ચોકડી પાસે આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે “યુવા રોજગાર યોજના – પ્રથમ તબક્કો 2026” અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના યુવાનોને આર્થિક રીતે સધ્ધર બનાવી સ્વરોજગાર સાથે જોડવાનો છે. આ યોજનાના ભાગરૂપે પ્રથમ તબક્કામાં પસંદ કરાયેલા લાભાર્થીઓને પ્રતીકરૂપે 55 JCB મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે સમાજમાં રોજગારીની નવી તકો ઉભી કરશે. નવનિયુક્ત અધિકારીઓનું ગૌરવશાળી સન્માનઆ પ્રસંગ માત્ર રોજગાર પૂરતો મર્યાદિત ન રહેતા શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે મળેલી સફળતાના ઉત્સવ સમાન બની રહ્યો હતો. સમાજના જે યુવાનોએ તાજેતરમાં વિવિધ સરકારી ભરતીઓ અને પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ મેળવી નવનિયુક્ત અધિકારી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેમનું મહાનુભાવોના હસ્તે મંચ પર વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વક્તાઓએ આ યુવાનોની સફળતાને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. રાજકીય અને સામાજિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિકાર્યક્રમમાં સાંસદ નરહરિ અમીન, માજી ધારાસભ્યો ભવાન ભાઈ ભરવાડ અને લાખા ભાઈ ભરવાડ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નરેશ ભાઈ મારું, બાબા ભાઈ ભરવાડ, મનોજ ભાઈ ગમારા અને રામ ભાઈ મેવાડા જેવા અગ્રણીઓએ યુવાનોને શિક્ષણ અને મહેનત દ્વારા આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કોર્પોરેટર કાલુભાઈ ભરવાડ, સંગ્રામ ભાઈ ભરવાડ, રણછોડ ભાઈ દાજી અને ડેપ્યુટી કલેક્ટર સાજણ ભાઈ મેરની વિશેષ હાજરીએ કાર્યક્રમની શોભા વધારી હતી. આગામી સમયમાં વધુ મજબૂત આયોજનની નેમસંગઠનના પ્રદેશ પ્રમુખ દિલીપભાઈ ભરવાડ અને મહામંત્રી અમિત ભાઈ મારુંએ જણાવ્યું હતું કે, આ માત્ર શરૂઆત છે. મુકેશભાઈ જીવણભાઈ દેસાઈ (પ્રમુખ, RECT) અને અન્ય હોદ્દેદારોએ સમાજને ખાતરી આપી હતી કે આવનારા સમયમાં શિક્ષણ અને વ્યવસાયિક ક્ષેત્રે યુવાનોને પૂરતું પ્લેટફોર્મ પૂરું પાડવા સંગઠન વધુ મજબૂત રીતે કાર્ય કરશે. કાર્યક્રમના અંતે તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:08 pm

ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાની નવી ટીમ જાહેર:નવસારીના બે નેતાઓને પ્રદેશ મંત્રી પદ મળ્યું

ગુજરાત પ્રદેશ ભાજપે આદિજાતિ મોરચાની નવી ટીમની જાહેરાત કરી છે. સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવાના હેતુથી આ જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં નવસારી જિલ્લાના બે નેતાઓને પ્રદેશ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. નવનિયુક્ત પ્રદેશ મંત્રીઓમાં વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિ પટેલ અને જિલ્લાના અગ્રણી કાર્યકર મોહિત પટેલનો સમાવેશ થાય છે. આ નિમણૂકોથી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે. દીપ્તિ પટેલની પ્રદેશ મંત્રી તરીકેની જાહેરાત બાદ વાંસદા તાલુકા ભાજપના કાર્યકરો અને સમર્થકોએ ઉજવણી કરી હતી. સ્થાનિક સ્તરે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. દીપ્તિ પટેલ લાંબા સમયથી પાયાના સ્તરે લોકોના પ્રશ્નો માટે કાર્યરત છે. નવસારીના સાંસદ ધવલ પટેલે નવનિયુક્ત પદાધિકારીઓને સોશિયલ મીડિયા અને રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશ આદિજાતિ મોરચાની આ નવી ટીમ આદિવાસી સમાજના ઉત્થાન અને સરકારી યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અન્ય વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરોએ પણ દીપ્તિ પટેલ અને મોહિત પટેલને શુભેચ્છાઓ પાઠવી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:07 pm

ઘેડમાં જળબંબાકારની સમસ્યાનો આવશે કાયમી અંત:કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નદીઓના ઊંડાણ અને વિકાસકાર્યોની ગુણવત્તા ચકાસવા સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી

જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની જે વિકટ સમસ્યા છે, તેના કાયમી નિવારણ માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગત 15 માર્ચના રોજ આ વિસ્તારની મુલાકાત લઈ હાથ ધરાયેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફુલરામા અને મેખડી ગામ નજીક ચાલી રહેલા નદીઓને ઊંડી ઉતારવાના કાર્યોનું પ્રત્યક્ષ અવલોકન કરી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેશોદમાં ઉચ્ચસ્તરીય બેઠક અને કામગીરીની સમીક્ષાનદીઓના નિરીક્ષણ બાદ મનસુખ માંડવિયાએ કેશોદ પ્રાંત ઓફિસ ખાતે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કા (Phase-1) માં થયેલી કામગીરીની પ્રગતિની વિગતો મેળવવામાં આવી હતી. સાથે જ આગામી ફેઝ-2 ના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ઘેડ વિસ્તારના લાખો લોકોના હિતમાં આ યોજના અત્યંત મહત્વની છે, તેથી તેમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. ગુણવત્તા અને સમયમર્યાદા પર વિશેષ ભારવિકાસના કામોમાં પારદર્શિતા અને મજબૂતી જળવાઈ રહે તે માટે મનસુખ માંડવિયાએ કડક નિર્દેશ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિકાસના કામોની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ થવી જોઈએ નહીં. અધિકારીઓને તાકીદ કરતા તેમણે કહ્યું કે, માત્ર કાગળ પરની કામગીરી પૂરતી નથી, પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે અધિકારીઓએ જાતે સ્થળ વિઝીટ (Site Visit) કરવી જોઈએ. જો અધિકારીઓ સ્થળ પર જશે તો જ ટેકનિકલ ખામીઓ અને સ્થાનિક પ્રશ્નોને સમજી શકાશે. આ ઉપરાંત તમામ કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી. શું છે ઘેડનો માસ્ટર પ્લાન?ઘેડ વિસ્તારની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં દર ચોમાસે પાણી ભરાઈ રહે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે બહુપાંખીયો વ્યૂહ અપનાવ્યો છે: નદીઓના વહેણને ઊંડા કરવા અને પહોળા કરવા. નદીની આસપાસના આડેધડ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરવા. નદીના કાંઠાને મજબૂત કરવા માટે પ્રોટેક્શન વોલનું નિર્માણ કરવું. આ તમામ કામગીરી તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે જેથી કરીને ખેતીની જમીન અને રહેણાંક વિસ્તારોને નુકસાન થતું અટકાવી શકાય. ગ્રામ્ય વિકાસ અને હાઈવેના પ્રશ્નોની ચર્ચામાત્ર સિંચાઈ જ નહીં, પરંતુ પંચાયત વિભાગ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા અન્ય વિકાસકાર્યોમાં પણ ગુણવત્તા જળવાય તેની તકેદારી લેવા મંત્રીએ ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન નેશનલ હાઈવે અંતર્ગત રોડ-પરિવહનને લગતા વિવિધ પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ સૌનું સ્વાગત કર્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:04 pm

પારૂલ યુનિવર્સિટી બની નેશનલ રનર-અપ:39મા યુથ ફેસ્ટિવલમાં મ્યુઝિક-ડાન્સમાં પ્રથમ રહી વડોદરાનું ગૌરવ દેશભરમાં વધાર્યું

વડોદરાની પારૂલ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય ફલક પર પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. પ્રતિષ્ઠિત 39મા AIU નેશનલ યુથ ફેસ્ટિવલ 2025-26માં યુનિવર્સિટીએ 'ઓવરઓલ ફર્સ્ટ રનર-અપ'નું ટાઇટલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દેશભરની ટોચની યુનિવર્સિટીઓ સામેની સ્પર્ધામાં પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સાહિત્ય, કલા અને સંગીત જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વડોદરાનું નામ રોશન કર્યું છે. મ્યુઝિક અને ડાન્સમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમઆ ફેસ્ટિવલમાં પારૂલ યુનિવર્સિટીએ 'ઓવરઓલ મ્યુઝિક' અને 'ઓવરઓલ ડાન્સ' એમ બંને મહત્વની કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. આ ઉપરાંત, 'ઓવરઓલ લિટરરી' કેટેગરીમાં યુનિવર્સિટીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. ક્લાસિકલ ડાન્સ અને ફૉક ડાન્સમાં પ્રથમ સ્થાન મેળવી વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિની ભવ્યતા રજૂ કરી હતી. સંગીત અને સાહિત્યમાં સુવર્ણ સફળતાસંગીત ક્ષેત્રે વિદ્યાર્થીઓએ અદભૂત કૌશલ્ય બતાવતા ફૉક ઓર્કેસ્ટ્રા, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલ સોલો અને વેસ્ટર્ન ગ્રુપ સોંગમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ઇન્સ્ટ્રુમેન્ટલ કેટેગરીમાં ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ સોલો (પર્ક્યુશન અને નોન-પર્ક્યુશન બંને) માં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. સાહિત્યિક સ્પર્ધાઓમાં હિન્દી ડિબેટ અને એલોક્યુશનમાં વિદ્યાર્થીઓ પ્રથમ રહ્યા હતા. કલા અને સર્જનાત્મકતાનું પ્રદર્શનપરફોર્મિંગ આર્ટ્સમાં મિમ પર્ફોર્મન્સમાં દ્વિતીય, જ્યારે કાર્ટૂનિંગ અને ક્રિએટિવ કોરિયોગ્રાફીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. યુનિવર્સિટીની કલ્ચરલ પ્રોસેશન (સાંસ્કૃતિક રેલી) એ પણ ત્રીજું સ્થાન જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ગૌરવની ક્ષણ અને મહાનુભાવોનો સંદેશઆ ભવ્ય સફળતા અંગે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના ડીન મનીષ જાંગરાએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ વિદ્યાર્થીઓની સખત મહેનત અને સર્જનાત્મક ક્ષમતાનું પરિણામ છે. યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. પારૂલ પટેલે ઉમેર્યું કે, યુનિવર્સિટીમાં વર્ષોથી કેળવાયેલું જીવંત વાતાવરણ અને શૈક્ષણિક સાથે સાંસ્કૃતિક વિકાસની પ્રતિબદ્ધતા આજે રાષ્ટ્રીય સ્તરે ફળીભૂત થઈ છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:01 pm

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ચાણસ્મામાં સંબોધન:સુરાણી વાડીમાં કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય પર પ્રહાર કર્યા, વિઝન વગરનો પક્ષ ગણાવ્યો

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પક્ષની મજબૂતી અને સંગઠનાત્મક લક્ષ્યો સાથે પાટણ જિલ્લાનો એક દિવસીય પ્રવાસ કર્યો હતો. ચાણસ્મા ખાતે કાર્યકર્તા સંમેલનને સંબોધતા તેમણે સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્યની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા હતા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ ગણાવી આગામી પંચાયત ચૂંટણીઓમાં કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા હાકલ કરી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યા બાદ જગદીશ વિશ્વકર્મા પ્રથમ વખત પાટણ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમણે ચાણસ્મા ખાતે સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું અને પીપળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારબાદ સુરાણી વાડી ખાતે કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું. પોતાના સંબોધન દરમિયાન તેમણે સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચાણસ્માના ધારાસભ્યએ વિધાનસભામાં આ વિસ્તારના કોઈ પ્રશ્નો રજૂ કર્યા નથી. તેમણે કાર્યકર્તાઓને આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા અપીલ કરી હતી. વિશ્વકર્માએ કોંગ્રેસના શાસનકાળ પર પ્રહાર કરતા કહ્યું કે, 60 વર્ષ સુધી દેશમાં રાજ કરનાર પક્ષને ક્યારેય મહિલાઓની સુવિધા માટે શૌચાલય બનાવવાનો વિચાર કેમ ન આવ્યો. તેમણે કોંગ્રેસને વિઝન વગરનો પક્ષ ગણાવ્યો હતો. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીના વખાણ કરતા જણાવ્યું કે, ભાજપ સરકારે ઘરે-ઘરે શૌચાલય, ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ, ગરીબોને પાકા ઘર અને મફત અનાજ જેવી યોજનાઓ સાકાર કરી છે. નર્મદાના પાણી સરદાર સરોવરથી કચ્છ સુધી પહોંચાડવાનું કામ પણ ભાજપ શાસનમાં જ થયું છે. કોંગ્રેસના સંગઠન પર કટાક્ષ કરતા પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની આખા જિલ્લાની રેલીમાં જેટલી ખુરશીઓ ભરાતી નથી, તેનાથી વધુ ખુરશીઓ તો માત્ર ચાણસ્મા વિધાનસભાના કાર્યકર્તા સંમેલનમાં ભરાયેલી જોવા મળે છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ પાસે ન તો કોઈ વિઝન છે, ન તો કોઈ વિઝનરી નેતા, અને તે માત્ર ગુજરાત વિધાનસભા તથા સંસદમાં વિકાસના કામોનો વિરોધ કરવાનું જ કામ કરે છે. વધુમાં, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે, આજે ભારતના વિકાસનો ડંકો આખા વિશ્વમાં વાગી રહ્યો છે. અત્યાર સુધીના તમામ વડાપ્રધાનોની સરખામણીએ નરેન્દ્ર મોદીને વિદેશની ધરતી પર સૌથી વધુ સન્માન પ્રાપ્ત થયું છે. કાર્યક્રમના અંતે, તેમણે કાર્યકર્તાઓને પક્ષની મજબૂતી માટે જોડાવા અને આગામી દિવસોમાં ભાજપનો વિજય નિશ્ચિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:00 pm

ગાંધીનગર ખાતે સન્માન સમારોહનું આયોજન:UPSC માં 115મો રેન્ક મેળવી IAS બનનાર યુવાન સહિત 30 ઉમેદવારોનું સન્માન

અખિલ આંજણા કેળવણી મંડળ, ગાંધીનગર સંચાલિત UPSC/GPSC તાલીમ કેન્દ્ર દ્વારા સેક્ટર-7 સ્થિત ચૌધરી કોલેજ કેમ્પસ ખાતે એક ભવ્ય અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંજણા ચૌધરી સમાજમાંથી સીધી ભરતી દ્વારા પ્રથમ IAS બનવાનું બહુમાન મેળવનાર વિપુલ કે. ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલા અન્ય 30 જેટલા તેજસ્વી ઉમેદવારોને પણ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. સંઘર્ષથી સફળતાપાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના અમીરપુરા જેવા અંતરિયાળ વિસ્તારમાંથી આવતા વિપુલ ચૌધરીએ પોતાની 5 વર્ષની લાંબી અને કઠિન મજલના અનુભવો વહેંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, વર્ષ 2024માં તેઓ IPS તરીકે પસંદ થયા હતા, પરંતુ તેમનું લક્ષ્ય મક્કમ હતું. સતત પરિશ્રમને પ્રતાપે વર્ષ 2025માં UPSC પરીક્ષામાં સમગ્ર ભારતમાં 115મો રેન્ક મેળવી તેઓ IAS બન્યા છે. તેમણે યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે, શૈક્ષણિક કે આર્થિક પૃષ્ઠભૂમિ ગમે તે હોય, પણ જો આત્મવિશ્વાસ અડગ હોય તો લક્ષ્ય ચોક્કસ હાંસલ કરી શકાય છે. મહાનુભાવોની ઉપસ્થિતિઆ સમારોહમાં નિવૃત IAS અધિકારી સી. આર. ખરાસાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જે. એમ. ચૌધરી, ભામાશા હરિભાઈ વી. ચૌધરી, વિશ્વ આંજણાધામના પ્રમુખ એમ. કે. ચૌધરી અને તાલીમ કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. એસ. આર. ચૌધરી સહિત કારોબારી સભ્યો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની હાજરીએ વાતાવરણને ઉત્સાહિત બનાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:58 pm

વડોદરામાં ટ્રિપલ અકસ્માતમાં પિતા-પુત્ર ઇજાગ્રસ્ત:નશામાં ધૂત રિક્ષાચાલકે રોંગ સાઈડ આવી કાર-બાઈક સાથે અકસ્માત કર્યો, બાઈકનો બુકડો બોલી ગયો

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મોડીરાત્રે રિક્ષા, કાર અને બાઇક વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, બાઈકના કુરચા બોલી ગયા હતા અને પિત-પુત્ર ઇજાગ્રસ્ત થતાં તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગેલ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માત અંગે જાણ થતા જ કારેલીબાગ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી ગયો હતો. આ મામલે કારેલીબાગ પોલીસે રિક્ષામાં બેઠેલા બે શખસ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. રિક્ષાચલક રોંગ સાઈડ જતો હતો અને અકસ્માત કર્યો હતો. રિક્ષામાં સવાર બન્ને સામે ગુનો દાખલપ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, રિક્ષાચાલક દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. કારેલીબાગ પોલીસે રિક્ષાચાલક યશ ચૌધરી અને રિક્ષામાં પાછળ બેઠેલા ભાવિન સીરવડકર સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કર્યો છે. અકસ્માતમાં મને અને મારા છોકરાને ઇજાઓ થઈઃ ફરિયાદીઇજાગ્રસ્ત ફરિયાદી મોહસીન અહેમદ મુખ્ત્યાર અહેમદ શેખે જણાવ્યું હતું કે, નાગરવાડા ચાર રસ્તા પાસે, 'મુલ્લા ચાની લારી'ની બરાબર સામે આ બનાવ બન્યો છે. હું મારા છોકરા સાથે બાઇક પર દૂધ લેવા જતો હતો. એક કાર ત્યાં ઉભી હતી અને હું બાજુમાંથી ઓવરટેક કરી રહ્યો હતો. મારી સ્પીડ લગભગ 20-30ની જ હતી, ત્યારે સામેથી એક રિક્ષા રોંગ સાઈડમાં આવી ગઈ અને કાર તથા રિક્ષાની વચ્ચે મારી બાઇક આવી ગઈ હતી. આ અકસ્માતમાં મને અને મારા છોકરાને ઇજાઓ થઈ છે. ‘મને મારી આખી ગાડી રિપેર કરી આપે’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી 100 મીટરથી પણ ઓછા અંતરે જ કારેલીબાગ પોલીસ સ્ટેશન આવેલું છે. મારી માંગણી છે કે, મને મારી આખી ગાડી રિપેર કરી આપે. મારા છોકરાને બહુ વાગ્યું નથી, પણ હાથમાં ઇજા થઈ હોવાથી અહીં ડ્રેસિંગ કરાવ્યું છે અને ટાંકા આવ્યા છે. અત્યારે એક્સ-રે પણ કરાવ્યો છે, જોઈએ હવે એક્સ-રે રિપોર્ટમાં શું આવે છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:47 pm

ગેસ મોંઘો થતાં ગરીબ પરિવારો પરંપરાગત ચૂલા તરફ વળ્યાં:કેરોસીન ફરી ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી

આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે ઇંધણના ભાવમાં થયેલા વધારાની અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી છે. રાંધણ ગેસ મોંઘો બનતા ભરૂચના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ફરીથી પરંપરાગત ચૂલા તરફ વળવા મજબૂર બન્યા છે. આ પરિવારો દ્વારા ફરીથી કેરોસીન ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા રાંધણ ગેસના ભાવમાં વધારો કરાયો છે. એક સમયે પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજના હેઠળ ગરીબ પરિવારોને સબસિડી સાથે ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા હતા, જેથી તેઓ સ્વચ્છ ઇંધણનો ઉપયોગ કરી શકે. જોકે, હાલના ઊંચા ભાવોને કારણે ઘણા પરિવારો માટે ગેસનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો છે. ભરૂચ શહેરના ગેલાની કુવા વિસ્તારમાં ગરીબ પરિવારો હાલમાં લાકડાં વીણીને ચૂલા પર રસોઈ બનાવતા જોવા મળ્યા. સ્થાનિક રહેવાસી શારદાબેને જણાવ્યું કે, પહેલા તેઓ ચૂલા અને કેરોસીન બંનેનો ઉપયોગ કરતા હતા, જેનાથી ઘર ચલાવવું સરળ હતું. પરંતુ ગેસ સિલિન્ડરના વધેલા ભાવોને કારણે મુશ્કેલી વધી છે. લાકડાં પણ મોંઘા હોવાથી તેઓ જંગલ વિસ્તારમાંથી વીણી લાવી તેનો ઉપયોગ કરે છે અને ફરીથી કેરોસીન ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. અન્ય એક સ્થાનિક રહેવાસી ભીખા વસાવાએ જણાવ્યું કે, તેમના ઘરે ગેસ સિલિન્ડર પૂરો થઈ ગયો છે અને સમયસર સિલિન્ડર મળતો પણ નથી. આવી પરિસ્થિતિમાં તેમને ચૂલા પર જમવાનું બનાવવાની ફરજ પડી રહી છે. તેમણે સરકારને ગેસ સિલિન્ડર સરળતાથી ઉપલબ્ધ કરાવવા અથવા કેરોસીન પૂરું પાડવા વિનંતી કરી છે. આ મુદ્દે પાલિકાના કોંગ્રેસના નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગેસના વધતા ભાવોના કારણે ગરીબ લોકો ફરીથી લાકડાંના ચૂલા તરફ વળી રહ્યા છે. અનેક ઘરોમાં ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયા છે અને લોકો પાસે વિકલ્પ તરીકે લાકડાં જ બાકી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:44 pm

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP 12 હજાર બેઠકો પર ચૂંટણી લડશે:ઈસુદાન ગઢવીએ કહ્યું, બાપ-બેટાની રાજનીતિ ખતમ કરી સામાન્ય માણસને ટિકિટ આપીશું

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આપ આ વખતે ગુજરાતની તમામ 12,000 બેઠકો પર પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ઉમેદવારોના સેન્સ લેવા માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુની પ્રક્રિયા આ અંગે ઈસુદાન ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા રાજ્યભરમાં 7 ઝોન મુજબ કમિટીઓની રચના કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા ગત 10 તારીખથી ઉમેદવારોના સેન્સ લેવા માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં હજારો કાર્યકરો અને નાગરિકોએ ચૂંટણી લડવા માટે ઉત્સાહ દાખવ્યો છે. 'ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરાશે'પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. ઈસુદાન ગઢવીએ ઉમેર્યું કે, ઉમેદવારોનું એ, બી અને સી ગ્રેડમાં વિભાજન કરી ચર્ચાઓ કરવામાં આવશે. આગામી 16, 17 અને 18 તારીખ દરમિયાન જેતે ઝોનના સંભવિત ઉમેદવારોના નામો પર આખરી મંથન કરવામાં આવશે. ત્રણ દિવસના ગહન સ્ક્રીનિંગ બાદ પક્ષ દ્વારા ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે. 'બાપ-બેટાની રાજનીતિ ખતમ કરી સામાન્ય માણસને ટિકિટ આપીશું'પરંપરાગત પક્ષો પર પ્રહાર કરતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ગુજરાતમાં માત્ર બાપ-બેટાની નીતિ ચાલતી હતી, જ્યાં મોટા નેતાઓના સંતાનોને જ તક મળતી હતી. પરંતુ આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે ઓપન ટુ ઓલ પોલિસી હેઠળ સામાન્ય માણસને લડવા માટે મોકો આપીશું. ગુજરાતમાં પહેલીવાર કોઈ પક્ષ પરિવારવાદથી અલગ હટીને જનતાના પ્રતિનિધિ નક્કી કરી રહ્યો છે. ઉમરેઠ વિધાનસભા બેઠકમાં પણ ઉમેદવાર ઉતારશે?ઉમરેઠ વિધાનસભાની બેઠક ખાલી પડી છે તે મુદ્દે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, આ અંગે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે પરામર્શ ચાલુ છે. આગામી સમયમાં કેન્દ્રીય નેતૃત્વ જે નિર્ણય લેશે તે મુજબ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ તરીકે જનતા આપ તરફ આશાભરી નજરે જોઈ રહી હોવાનો દાવો પ્રદેશ અધ્યક્ષે કર્યો હતો. આમ 12,000 બેઠકો પર ચૂંટણી લડવાના મક્કમ નિર્ધાર સાથે આમ આદમી પાર્ટીએ અત્યારથી જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:34 pm

LPGના અભાવે રેલવે કેન્ટીનને લાગ્યા તાળા:150થી વધુ કર્મચારીઓ મોંઘુ ભોજન જમવા માટે મજબૂર

ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની માઠી અસરો હવે સ્થાનિક સ્તરે છેવાડાના માનવીના રસોડા સુધી પહોંચી ગઈ છે. દાહોદમાં વર્ષોથી કાર્યરત અને હજારો રેલવે કર્મચારીઓની જઠરાગ્નિ ઠારતી રેલવે કેન્ટીન પર આજે અચાનક તાળા મારી દેવામાં આવ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ કોઈ આંતરિક વિવાદ નહીં, પરંતુ આ દેશો વચ્ચેના ભીષણ યુદ્ધને કારણે સર્જાયેલી LPG (કોમર્શિયલ ગેસ સિલિન્ડર)ની ભારે અછત છે. રેલવેના શ્રમિકો અને અધિકારીઓ જેમના માટે આ કેન્ટીન આશીર્વાદ સમાન હતી, તેઓ આજે ભોજન માટે પરેશાન થઈ રહ્યા છે. અંગ્રેજોના સમયનું કારખાનું અને વર્ષો જૂની ભોજનની પરંપરા દાહોદમાં અંગ્રેજ શાસનકાળથી સ્થાપિત રેલવેનું વિશાળ કારખાનું આવેલું છે, જ્યાં હજારો કર્મચારીઓ રાત-દિવસ કાર્યરત હોય છે. આ કર્મચારીઓ અને અધિકારીઓના જમવા માટે વર્ષોથી અહીં રેલવે કેન્ટીન ચલાવવામાં આવે છે. આ કેન્ટીન માત્ર એક ભોજનનું સ્થળ નથી, પણ શુદ્ધ, સાત્વિક અને હાઇજેનિક ભોજનનું પ્રતીક છે. અહીં નજીવી કિંમતમાં પૌષ્ટિક આહાર પીરસવાની પરંપરા દાયકાઓથી અવિરત ચાલી રહી હતી, જે આજે ગેસના અભાવે થંભી ગઈ છે. માત્ર 30 રૂપિયામાં મળતું હતું ભરપેટ ભાણું મોંઘવારીના આ યુગમાં જ્યાં સાદું લંચ પણ 100-150 રૂપિયામાં મળે છે, ત્યાં આ રેલવે કેન્ટીન કર્મચારીઓ માટે દેવદૂત સમાન હતી. અહીં માત્ર 30 રૂપિયાની નજીવી કિંમતમાં દાળ, ભાત, શાક, 5 રોટલી, પાપડ અને છાશ જેવું સંપૂર્ણ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવતું હતું. ખાસ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા શ્રમિક વર્ગના કર્મચારીઓ માટે આ કેન્ટીન જ એકમાત્ર આશરો હતી. આજે આ સુવિધા છીનવાઈ જતાં કર્મચારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની તીવ્ર અછત હાલમાં ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર દેશમાં LPG, CNG અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના પુરવઠા પર માઠી અસર પડી છે. અછતના એંધાણ વર્તાતા જ બજારમાં પેનિક જેવો માહોલ સર્જાયો છે. હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સને મળતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે દાહોદની આ કેન્ટીન ચલાવવી અશક્ય બની ગઈ છે. સંચાલકોએ મજબૂરીમાં કેન્ટીન બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:34 pm

ધોરણ 12 સામાન્ય પ્રવાહના બોર્ડ પેપર સરળ:વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર, એસ.પી.સી.સી.માં વિદ્યાર્થીઓને રાહત મળી

તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષામાં વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર અને એસ.પી.સી.સી. વિષયોના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ માટે એકંદરે સરળ રહ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગના સંચાલક તથા વિષય નિષ્ણાંત રવિરાજે માહિતી આપતા જણાવ્યું હતું કે, ત્રણેય વિષયોના પ્રશ્નપત્રો મુખ્યત્વે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય આધારિત હતા. આના કારણે વિદ્યાર્થીઓ સરળતાથી અને આત્મવિશ્વાસપૂર્વક જવાબો લખી શક્યા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેટલાક પ્રશ્નો અગાઉના વર્ષોના બોર્ડના પ્રશ્નપત્રોના ધોરણે પણ પૂછાયા હતા. જે વિદ્યાર્થીઓએ પાછલા વર્ષોના પેપરનો અભ્યાસપૂર્વક સોલ્યુશન કર્યું હતું, તેમના માટે પ્રશ્નપત્ર વધુ સરળ બન્યું. પરીક્ષા કેન્દ્ર બહાર વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, પ્રશ્નો સ્પષ્ટ, સરળ અને સમજવા જેવા હતા. પરિણામે મોટાભાગના વિદ્યાર્થીઓ સમયમર્યાદામાં પ્રશ્નપત્ર પૂર્ણ કરી શક્યા. નિયમિત તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આ ત્રણેય વિષયોમાં સારું પરિણામ આવવાની શક્યતા છે. આ સરળ પ્રશ્નપત્રોને કારણે વિદ્યાર્થીઓમાં સકારાત્મકતા જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:26 pm

NH-48 પર પદમલા નજીક વાહનોની 2 KM લાંબી કતાર:વાહન-વ્યવહારને સર્વિસ રોડ ઉપર ડાઇવર્ટ કરાતા ટ્રાફિકજામ, ગરમીમાં વાહનચાલકો પરેશાન

અમદાવાદ વડોદરાને જોડતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર પદમલા નજીક ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. અંદાજે બે કિમી લાંબી વાહનોની કતાર લાગી છે. અમદાવાદ તરફથી વડોદરા તરફ આવવાના સર્વિસ રોડ ઉપર વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બ્રિજ ઉપર કાર્પેટિંગ કામના કારણે વાહન-વ્યવહાર ડાઇવર્ટપદમલા નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજ ઉપર કાર્પેટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વાહન-વ્યવહારને સર્વિસ રોડ ઉપર ડાઇવર્ટ કરી દેવામાં આવ્યો છે, જેના પગલે સર્વિસ રોડ ઉપર ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. હાઈવે ઓથોરિટી દ્વારા વાસદથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે ધીમે ધીમે વડોદરા તરફ આગળ ધપી રહી છે. 2 કિમી કાપતા અડધો કલાકથી વધુ સમયટ્રાફિકજામની સ્થિતિના કારણે સર્વિસ રોડ ઉપર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. ભારે વાહનો પણ સર્વિસ રોડ ઉપર ડાઇવર્ટ થતા 2 કિમીની અંતર કાપતા અડધાથી પોણા કલાકનો સમય થઈ રહ્યો છે. નાના વાહનોએ પણ હાલાકી વેઠવી પડી રહી છે. જંકશનના કારણે વધુ ટ્રાફિકજામસર્વિસ રોડ ઉપર જંક્શન હોવાના કારણે ટ્રાફિકજામની સ્થિતિ વધુ વણસી છે. એક તરફ રણોલી રેલવે સ્ટેશન તરફ જવાનો માર્ગ છે, બીજી તરફ સાંકરદા તરફ જવાનો માર્ગ છે, જેથી ઉધોગોમાં જતા વાહનો પણ અહીંથી પસાર થાય છે, જેના કારણે ટ્રાફિક વધ્યો છે. વાહનચાલકો ગરમીમાં શેકાયાસૂર્ય જેમ-જેમ ઉપર ચઢતો કે છે તેમ-તેમ ગરમીનો પારો વધી રહ્યો છે અને ગરમીમાં ટ્રાફિકજામના કારણે વાહનચાલકોની હાલત કફોડી બની રહી છે. જો કે સાંજ સુધીમાં આ બ્રિજ ઉપરનું કાર્પેટિંગ કામ પૂર્ણ થઈ જવાની શક્યતા છે. જો કે બપોરે વાહનોની આવનજાવન ઘટે તો ટ્રાફિકમાંથી રાહત મળવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:26 pm

બોટાદ LCBએ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો:9 આરોપી ઝડપાયા, ₹12.58 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 ગુના ઉકેલાયા

બોટાદ જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓ ડામવા માટે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોટી સફળતા મેળવી છે. પોલીસે ફેક્ટરીઓ અને અવાવરુ સ્થળોને નિશાન બનાવતી એક રીઢા તસ્કરોની ગેંગના 9 સભ્યોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 12.58 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોડસ ઓપરેન્ડી પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગમાં કુલ 12 સભ્યો સામેલ હતા. તેઓ ખાસ કરીને બંધ ફેક્ટરીઓ, અવાવરુ જગ્યાઓ અને ખેતરોમાં રહેલી પાણીની મોટર જેવી કિંમતી વસ્તુઓને નિશાન બનાવતા હતા. ચોરી કર્યા બાદ પકડાઈ જવાની બીકે તેઓ આ માલ ભંગારના વેપારીઓને વેચી દેતા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના શખ્સો અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. 10થી વધુ ગુનાઓ ઉકેલાવાની શક્યતાબોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ધર્મેન્દ્ર શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હાલની પૂછપરછમાં ચોરીના 3 મોટા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જોકે, આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન આગામી દિવસોમાં અન્ય 10 જેટલા વણઉકેલાયેલા ગુનાઓ પરથી પડદો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પકડાયેલા તમામ 9 આરોપીઓ બોટાદ શહેરના જ રહેવાસી છે. ઝડપાયેલા આરોપીઓની યાદી ત્રણ શખસ હજુ ફરારઆ કેસમાં હજુ 3 શખ્સો પોલીસ પકડથી દૂર છે, જેમાં ગેંગના સભ્યો ઈરફાન જીકરી આમદાણી અને માહિર ઉર્ફે બોર્ડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચોરીનો મુદ્દામાલ ખરીદનાર રાજસ્થાનના વેપારી મુકેશચંદ્ર ગોપીલાલ ખટકીને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:23 pm

ગેસની અછતથી મીની ભારતમાંથી હજારોની હિજરત:રોજગારીના ધામ સુરતમાં 'ચૂલા' ઠર્યા; ગેસની અછત અને મોંઘવારીએ શ્રમિકોને વતન પરત ફરવા મજબૂર, કહ્યું - ત્રણ દિવસથી ચૂલો સળગ્યો નથી

'સુરત જેનું નામ, તેનું દુનિયામાં કામ' – આ ઉક્તિ આજે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કદાચ ફિક્કી પડી રહી છે. જે સુરત શહેર લાખો પરિવારોનું પેટ ભરે છે, આજે ત્યાં જ શ્રમિકો ભૂખ્યા પેટે વતન પરત ફરવા મજબૂર બન્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી આંખમાં સપના લઈને આવેલા શ્રમિકો અત્યારે ગેસની ભીંસ અને અસહ્ય મોંઘવારીને કારણે પલાયન કરી રહ્યા છે. સપનાઓ પર મોંઘવારીનો માર હજારો કિલોમીટર દૂરથી શ્રમિકો સુરત આશા સાથે આવ્યા હતા કે અહીં રોજગારી મળશે અને પરિવારનું ગુજરાન સારી રીતે ચાલશે. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, રોજગારી પણ મળી, પરંતુ હાલની આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિ અને ગેસના પુરવઠામાં આવેલા વિક્ષેપે આ શ્રમિકોની કમર તોડી નાખી છે. ગરીબોની થાળીમાંથી રોટલી છીનવાઈ શ્રમિકોની વેદના સાંભળતા હૈયું ભરાઈ આવે તેવી સ્થિતિ છે. જે ગેસ અગાઉ 100 પ્રતિ કિલો મળતો હતો, તેના ભાવ આજે ₹300 થી 400 સુધી પહોંચી ગયા છે. અનેક શ્રમિકોના ઘરમાં છેલ્લા ત્રણ દિવસથી ચૂલો સળગ્યો નથી. કેટલાક પરિવારો તો માત્ર પાણી પીને દિવસો વિતાવી રહ્યા છે. મોંઘા ભાવે ગેસ ખરીદવો શ્રમિકોના સીમિત વેતન માટે અશક્ય બની ગયું છે. ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટના વાદળો સુરતનો કરોડો રૂપિયાનો ટેક્સટાઇલ ઉદ્યોગ આ શ્રમિકોના પરસેવા પર ટકેલો છે. જો આ રીતે જ મોટા પાયે હિજરત ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં કારખાનાઓમાં કારીગરોની ભારે અછત સર્જાશે. ઉત્પાદન ઘટશે અને તેની સીધી અસર સુરતના અર્થતંત્ર પર પડશે. શ્રમિકોનું કહેવું છે કે, અમે કમાવા આવ્યા હતા, પણ હવે અહીં જીવવું મુશ્કેલ છે. ગેસ વગર રાંધવું કઈ રીતે? ભૂખ્યા રહેવા કરતા વતન ભેગા થઈ જવું સારું. સુરતની શાન ગણાતા શ્રમિકોની આ હિજરત તંત્ર અને ઉદ્યોગપતિઓ માટે લાલબત્તી સમાન છે. જો વહેલી તકે ગેસના પુરવઠા અને ભાવ પર નિયંત્રણ નહીં આવે, તો ડાયમંડ અને ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાતું સુરત શ્રમિક વિહોણું બની જશે. સુરત જેવા 'સોનાની મુરત' ગણાતા શહેરમાંથી જ્યારે શ્રમિકોએ ભૂખ્યા પેટે હિજરત કરવી પડે, ત્યારે તે ઉદ્યોગ જગત અને સમાજ બંને માટે ચિંતાનો વિષય છે. નૂતનબેને જણાવ્યું હતું કે, અત્યારે ગેસની સમસ્યાના કારણે બાળકોને લઈને ઘરે જઈ રહી છું. અહીં ગેસ નથી મળી રહ્યો. આ જ તકલીફ છે, કામ-ધંધો બંધ થઈ ગયો છે અને ગેસ નથી મળી રહ્યો. જો જમવાનું જ નહીં મળે તો પછી કામ કેવી રીતે કરીશ? ગેસ ખૂબ મોંઘો થઈ ગયો છે અને મળતો પણ નથી. ત્રણ-ચાર દિવસથી ખૂબ જ તકલીફ છે. જમવાનું સુકું-ભીનું (જેમ તેમ) ખાઈ લઉં છું. બાજુમાં ભાભી રહે છે, તેમના ચૂલા પર બે-ત્રણ દિવસ બનાવીને ખાધું, બસ એટલું જ. ભાગલપુર જઈ રહી છું. ગામ જઈ રહી છું, બીજું શું કરીશ? જ્યારે બધું ફરી શરૂ થશે (પરિસ્થિતિ સુધરશે) ત્યારે પાછી આવીશ. હું સરકારને એટલું જ કહીશ કે ગેસ જલ્દી ચાલુ થઈ જાય તો સમસ્યા ખતમ થઈ જાય. ગેસ 300-400 (રૂપિયા) ની આસપાસ મળતો હતો, પણ હવે એ પણ નથી મળી રહ્યો. બધું બંધ છે. શોધવા છતાં પણ ગેસ મળતો નથી. ત્રણ છોકરાઓ છે. અમે પાંચ સભ્યો છીએ, તો પાંચેય જણનું જમવાનું કોણ બનાવી આપે? ફ્લેટમાં ચૂલો સળગાવવા પણ નથી દેતા. ગેસ નથી મળી રહ્યો એટલે જ જઈ રહી છું. મોંઘવારી વધી ગઈ છે. મોહમ્મદ કરીમ અંસારી (સિલાઈ કામદાર) એ જણાવ્યું હતું કે હું ઝારખંડના ગોડ્ડા જિલ્લાનો રહેવાસી છું. ગૅસની અછતના કારણે અમે અહીંથી ગામ જઈ રહ્યા છીએ. અમે અહીં કામ માટે આવ્યા હતા, પરંતુ કામ કરતાં-કરતાં બે-અઢી મહિના થયા અને આ ત્રીજો મહિનો શરૂ થયો એવામાં જ ગૅસની અછત સર્જાવા લાગી. અમને લાગ્યું કે બે-ચાર દિવસમાં ગૅસના ભાવ ઓછા થઈ જશે. અમારી પાસે જે એક-બે કિલો ગૅસ હતો (નાના સિલિન્ડરમાં) તે પણ ખતમ થઈ ગયો. જ્યારે ગૅસ ખતમ થઈ ગયો અને અમે દુકાને ગૅસ લેવા ગયા, તો ત્યાં ગૅસનો ભાવ 400 રૂપિયે કિલો જણાવવામાં આવ્યો. કોઈ 300, 400 કે 500 રૂપિયા કહેતું હતું. અમે મોટા સિલિન્ડર માટે તપાસ કરી તો તેનો ભાવ 5000 રૂપિયા બોલાયો. અમારી પાસે મોટું સિલિન્ડર નથી એટલે અમે તે ભરાવી શક્યા નહીં. આ કારણોસર અમને ગૅસ મળી રહ્યો નથી. બ્લેકમાં ગૅસ મળી રહ્યો હતો પણ દુકાનદારો કહે છે કે પોલીસ પકડી લે છે એટલે તેમણે દુકાનો બંધ કરી દીધી છે. અમારી પાસે જે ગૅસ હતો તે ખતમ થઈ ગયો છે અને હવે જમવાની કોઈ વ્યવસ્થા નથી. તેથી જ અમે ગામ જઈ રહ્યા છીએ. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી ગૅસની સમસ્યા દૂર કરે, જેથી ખાવા-પીવાની તકલીફ ન પડે. જમવાની તકલીફ લગભગ એક અઠવાડિયાથી, જ્યારથી આ ગૅસની અછત શરૂ થઈ ત્યારથી. ગૅસ પૂરો થઈ ગયા પછી આસપાસના લોકો અમારી મુશ્કેલી જોઈને ક્યારેક ખાવાનું આપે છે, પણ બીજાના ભરોસે કેટલા દિવસ ચાલે? તેઓ એક-બે વાર મદદ કરી શકે, તેનાથી વધારે નહીં. એટલા માટે અમે ગામ જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને કોઈ કામ-ધંધો શોધીશું. કંપનીવાળા પણ કહે છે કે તમે કામ કરો કોઈ વાંધો નથી, પણ ગૅસની વ્યવસ્થા અમે નહીં કરી શકીએ. એટલે અમે કંપનીમાં પણ કહી દીધું કે અમે ગામ જઈ રહ્યા છીએ. અહીં બધી જ રાશનની વસ્તુઓ મળી રહે છે, પણ ગૅસ નથી મળતો. ગૅસની આ સમસ્યાના કારણે જ અમે ગામ પાછા જઈ રહ્યા છીએ. સુરજ પ્રસાદ (શ્રમિક) એ જણાવ્યું હતું કે અત્યારે તો કામ કરતો હતો અહીંયા જ સુરતમાં. અત્યારે ગેસની તકલીફ થઈ રહી છે એના કારણે અમે ગામ જઈ રહ્યા છીએ, હવે શું કરીએ? ગેસની તકલીફ થઈ રહી છે, મોંઘવારી છે, કાળાબજારી ચાલી રહી છે. આટલી તકલીફ તો કોરોનાના સમયમાં પણ નહોતી પડી જેટલી અત્યારે ગેસ માટે પડી રહી છે. અત્યારે તો જેનો જેવો ભાવ હોય એવું બોલે છે. કોઈ 400, કોઈ 500 તો કોઈ 300 કહે છે. જેની પાસે જેવો માલ છે એ રીતે ભાવ બોલે છે. અને એ પણ મળતો નથી. ખાવાનું તો અત્યારે જેમ તેમ ખાઈ જ લઈએ છીએ. પણ ગેસ નથી મળતો તો જાતે બનાવીને ખાવામાં તકલીફ પડે છે. એટલે જ અમે લોકો ગામ જઈ રહ્યા છીએ. અત્યારે અહીંયા એક અઠવાડિયાથી આ તકલીફ ચાલી રહી છે. ગામ જઈને હવે ગામમાં જ રહીશ, બીજું શું? અહીંયા તો ભાડાના મકાનમાં રહું છું, ત્યાં થોડું લાકડા પર જમવાનું બનાવવા દેશે? એ તો કહેશે કે રૂમ ખાલી કરો. ગામની વાત જ અલગ છે, પોતાનું ઘર હોય તો ગમે ત્યાં એડજસ્ટ કરી લઈએ. બહાર એડજસ્ટ થોડું થાય? હવે ગેસ મળતો થશે અને મોંઘવારી ઓછી થશે ત્યારે જ આવીશ. સરકારને એ જ કહીશ કે ગેસના ભાવ ઘટાડે અને આનો જલ્દીમાં જલ્દી ઉપાય કરે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:17 pm

નર્સ ભરતી મામલે વિવાદ ગરમાયો:ખોટો ઓર્ડર વાઇરલ કરનાર સામે પોલીસ ફરિયાદ કર્યાનો મંત્રી પ્રફુલ પાનસેરિયાનો દાવો

ગુજરાતમાં નર્સોની ભરતીને લઈને થયેલા આક્ષેપો પર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, છેલ્લા દોઢ વર્ષમાં રાજ્ય સરકારે કુલ 1903 નર્સોની ભરતી સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટ આધારે કરી છે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત હોવાથી મેરિટ લીસ્ટ દરેક માટે જાહેર અને જોવા માટે ઉપલબ્ધ હોય છે. લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસઃ પાનસેરિયામંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે ‘શિવાની’ નામની એક વ્યક્તિએ ખોટો ઓર્ડર બનાવી તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો, જેના કારણે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે. આ મામલે સરકારે ગંભીર નોંધ લઈને 14 માર્ચના રોજ બપોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે વધુમાં કહ્યું કે, પોલીસ તપાસમાં સમગ્ર હકીકત બહાર આવશે અને જે કોઈ પણ વ્યક્તિ ખોટી માહિતી ફેલાવીને સમાજમાં ગેરસમજ ઊભી કરવાની કોશિશ કરશે તેને છોડવામાં આવશે નહીં. મંત્રીએ લોકોને અપીલ કરી કે, આવા લેભાગુ તત્વોથી સાવચેત રહે અને સાચી માહિતી સિવાય કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:07 pm

હાઈ ટેન્શન વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ:બજાર-જંત્રી ભાવની વિસંગતતા દૂર કરવાની માગ સાથે સચિવાલયે ધરણા; રાજ્યભરના ખેડૂતોને એકઠા કરી આંદોલનની ચીમકી

રાજ્યમાં હાઈ ટેન્શન વીજ લાઈન માટે જમીનમાંથી પસાર થતી લાઈનના વળતર મુદ્દે ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે. બજાર ભાવ અને જંત્રી કિંમત વચ્ચે ભારે વિસંગતતા હોવાના આક્ષેપ સાથે વિવિધ જિલ્લાઓના ખેડૂત આગેવાનો ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા હતા. ખેડૂતોનું કહેવું છે કે, હાઈ ટેન્શન વીજ લાઈન માટે જમીન ઉપયોગમાં લેવાય ત્યારે મળતું વળતર એકસરખું નથી અને તેમાં અસમાનતા જોવા મળે છે. વળતરની પ્રક્રિયામાં અસમાનતાખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, અગાઉ સરકાર તરફથી આ મુદ્દે પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં નારાજગી વધી રહી છે. વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેડૂત આગેવાનો સચિવાલય પહોંચીને અધિકારીઓ સમક્ષ પોતાની માગ રજૂ કરી હતી અને હાઈ ટેન્શન વીજ લાઈન માટે વળતર નક્કી કરવાની પ્રક્રિયામાં સમાનતા લાવવાની માગ કરી હતી. પરિપત્ર બહાર પાડી વળતર આપવા માગખેડૂતોનું કહેવું છે કે, જમીનની બજાર કિંમત અને જંત્રી કિંમત વચ્ચે મોટા તફાવતને કારણે તેમને યોગ્ય વળતર મળતું નથી. આ મુદ્દે અગાઉ કિસાન સંઘ દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યું હતું. હવે સરકાર દ્વારા આપેલા આશ્વાસનને અમલમાં મૂકી તાત્કાલિક પરિપત્ર બહાર પાડવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. માગ પૂરી નહિ થાય તો રાજ્યભરના ખેડૂતોને ભેગા કરી ઉગ્ર આંદોલન કરીશુંઃ વિરુભાઈ ખેડૂત આગેવાન વિરુભાઈ આહિરે જણાવ્યું કે, અમારી રાજ્ય સરકાર પાસે માગણી છે કે, મહાકાય કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્સન લાઈન નાખવામાં આવી છે, તેનું પૂરતુ વળતર મળે. બીજુ જે વાણિજ્ય હેતુના ઓર્ડર માટે જે કિસાન સંઘને ખાતરી આપી હતી તે હજુ સુધી પૂરી થઈ નથી. ત્રણ મહિના થવા આવ્યાં છે એટલે આજે અમે મુખ્યમંત્રી અને મંત્રી સાહેબને રજૂઆત કરવા આવ્યાં છીએ. અમે માગણી કરીએ છીએ કે અમારો વાણિજ્ય હેતુનો દર અને જંત્રી દર છે તે આપો, નહિ તો આખા રાજ્યના ખેડૂતોને ભેગા કરીને ઉગ્ર આંદોલન કરીશું અને અમે અમારો હક્ક લઈને જ ઝંપીશું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 1:01 pm

ભરૂચમાં 8 ફૂટ ઊંડા ખાડામાંથી શ્વાનનું રેસ્ક્યૂ:પાલિકા અને જીવદયા પ્રેમીઓએ સફળતાપૂર્વક બચાવ્યું

ભરૂચના નારાયણનગર-2 વિસ્તારમાં એક શ્વાન સાતથી આઠ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. વિસ્તારના રહેવાસી મેહુલ ભાવસારે નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કરીને મદદ માંગી હતી. માહિતી મળતા જ હિરેન શાહે તાત્કાલિક ભરૂચ પાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. ફાયર વિભાગની ટીમ હિરેન શાહ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ખાડામાં પડેલા શ્વાનને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. લાંબા પ્રયાસો બાદ શ્વાનને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. શ્વાનને મુક્ત કરાતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. આ સફળ કામગીરી બદલ ફાયર વિભાગ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ટીમના પ્રયાસોની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:58 pm

'તમે કોલેજમાંથી બહાર નીકળો એટલે તમારા ટાંટિયા તોડી નાખીશું':સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી કોલેજમાં ભાજપ-આપના નેતાઓની ધમકી, જુ.ક્લાર્કની ભરતીમાં સેટિંગ થતું હોવાનો આક્ષેપ

અમરેલી જિલ્લાના સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા દરમિયાન વિવાદ સર્જાયો છે. ભાજપના નગરપાલિકા સદસ્ય, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેમના પુત્રએ કોલેજમાં જઇને તમે પૈસા લઇને પાસ કરો છો કહીને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપતા ત્રણેય સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરીક્ષા શરૂ થવાના સમયે બોલાચાલી કરીસાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં કોલેજના ટ્રસ્ટી ચંદ્રિકાબેન ગિરીશભાઈ કામદારે નોંધાવેલી ફરિયાદ મુજબ સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે કોલેજ વહીવટ મંડળ અને ટ્રસ્ટીઓ કાર્યરત હતા. આ દરમિયાન પરીક્ષા શરૂ થવાના સમયે કોલેજની લોબીમાં આરોપી ધર્મેન્દ્ર મહેતા (ભાજપના નગરપાલિકાના સદસ્ય), જગદીશ ઠાકોર (આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ) અને જગદીશ ઠાકોરનો પુત્ર બોલાચાલી કરતા જોવા મળ્યા હતા. કોલેજે પરીક્ષાનું સેટિંગ કરી લીધું હોવાના આક્ષેપચંદ્રિકાબેન કામદારે ફરિયાદમાં જણાવ્યું છે કે, પરીક્ષા શરૂ થવાની તૈયારી હતી ત્યારે આરોપીઓ કોલેજમાં આવીને કોલેજ મેનેજમેન્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જાહેરમાં બૂમો પાડીને કહ્યું કે, ‘તમે આ પરીક્ષામાં મોટું સેટિંગ કરી લીધું છે, તમે પૈસા ખાધા છે અને કઈ દીકરીને પાસ કરવી તે અગાઉથી નક્કી કરી લીધું છે’, કહીને ધાક ધમકી આપતા હતા. આ દરમિયાન અમે સિક્યુરિટી મારફતે તેમને બહાર મોકલ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ઉશ્કેર્યાજોકે, પરીક્ષા પૂર્ણ થયા બાદ આ ત્રણેય આરોપીઓ ફરીથી કોલેજની લોબીમાં આવ્યા હતા અને ત્યાં હાજર પરીક્ષાર્થીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘આ ખોટી પરીક્ષા છે, પસંદગી પહેલેથી જ થઈ ગઈ છે અને તેમની મહેનત પાણીમાં જશે, આ પરીક્ષા માત્ર એક નાટક છે.’ શૈક્ષણિક વાતાવરણમાં આ પ્રકારના નકારાત્મક પ્રચારથી પરીક્ષાર્થીઓમાં પણ ગભરાટ અને અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી. કોલેજમાં જઇને ટાંટિયા તોડી નાખવાની ધમકીઆરોપીઓ વિદ્યાર્થીઓને ઉશ્કેરતા હોવાથી ટ્રસ્ટીઓ અને અન્ય લોકોએ આ નેતાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, ‘જો તમારી પાસે કોઈ નક્કર પુરાવા હોય અથવા રજૂઆત હોય, તો અમારા મંડળને લેખિતમાં આપો, અમે તેની તપાસ કરીશું'. આ દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ટ્રસ્ટીઓને ધમકાવતા કહ્યું કે, ‘તમે અમને ઓળખતા નથી, બહાર નીકળો એટલે તમારા ટાંટિયા ભાંગી નાંખીશું અને તમને જોઈ લઈશું.’ આરોપીઓ ભાજપ-આપના નેતાનોંધનીય છે કે આરોપી ધર્મેન્દ્રભાઈ મહેતા સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના સદસ્ય છે, જ્યારે જગદીશ ઠાકોર આમ આદમી પાર્ટીના સાવરકુંડલા શહેર પ્રમુખ છે. આ ત્રણેય સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરીઆ મામલે સાવરકુંડલા ઇન્ચાર્જ પી.આઇ. ચૌધરીએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર મહેતા,જગદીશ ઠાકોર અને તેના પુત્ર સહિત ત્રણ લોકો સામે કોલેજના ટ્રસ્ટીએ ફરિયાદ આપી છે. પોલીસે આઈ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓની ધરપકડ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:48 pm

ચંદ્રુમાણામાં શાળા-આંગણવાડીના બાળકોને તિથિ ભોજન અપાયું:અકસ્માતમાં અવસાન પામેલા યુવાનની સ્મૃતિમાં પરિવારનું સત્કાર્ય

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે રાઠોડ દરબાર પરિવારે સોમવારે ગામની પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને આંગણવાડીના બાળકોને મિષ્ટાન તિથિ ભોજન કરાવ્યું હતું. આ તિથિ ભોજન તાજેતરમાં યુવાન વયે અકસ્માતમાં અવસાન પામેલા ગામના રાઠોડ હનુભા જેઠુભાની સ્મૃતિમાં તેમના બારમાની તર્પણ વિધિ પ્રસંગે યોજવામાં આવ્યું હતું. હનુભાના ભાઈઓ વિક્રમસિંહ રાઠોડ, ભરતસિંહ રાઠોડ, બાબાજી મફાજી રાઠોડ અને બહાદુર સિંહ રાઠોડ સહિતના પરિવારજનોએ શાળાના ભૂલકાઓને ભોજન પીરસ્યું હતું. આ પ્રસંગે પ્રાથમિક શાળાના આચાર્ય ગણેશભાઈ ડોડીયા અને શ્રી ગૌરી વિદ્યાલયના શિક્ષક ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડીના નાના ભૂલકાઓ માટે મિષ્ટાન ભોજન તેમના કેન્દ્રો પર પહોંચાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:38 pm

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ શરૂ:દર્શનાર્થીઓ માટે મંદિર સાંજે 4 વાગ્યે ખુલશે, 8 કલાક દર્શન બંધ રહેશે

સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને 'નાના અંબાજી' તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના મંદિરમાં આગામી ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે સોમવારે સવારે 8:00 વાગ્યાથી ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રક્ષાલન વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ધાર્મિક વિધિને કારણે શ્રદ્ધાળુઓ માટે મંદિરના દ્વાર સાંજે 4:00 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે વિગતો આપતા જણાવ્યું હતું કે, 19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પવિત્ર અવસર પહેલાં પરંપરાગત રીતે ગર્ભગૃહની શુદ્ધિ માટે પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે શરૂ કરાયેલી આ પ્રક્રિયા અંદાજે 8 કલાક સુધી ચાલશે. વિધિ પૂર્ણ થયા બાદ સાંજે 4:00 વાગ્યાથી મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખોલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:30 pm

વડોદરામાં વિશ્વકર્મા સમાજે હિન્દુ સંમેલન યોજ્યું:સંતો-આગેવાનોએ સનાતન સંસ્કૃતિ અને સામાજિક એકતાનું આહ્વાન કર્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વડોદરાના ન્યુ.વી.આઈ.પી. રોડ, ખોડિયાર નગર સ્થિત માય શૈનન સ્કૂલ ખાતે વિશ્વકર્મા સમાજ વડોદરા દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રભક્તિ, સામાજિક એકતા અને સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે હિન્દુ ગુરુકુળ, લકુલીશધામ કાયાવરોહણના પરમ પૂજ્ય સ્વામી પ્રીતમમુનિજીએ આશીર્વચન પાઠવ્યા હતા. કાશી, વારાણસીના પરમ પૂજ્ય સ્વામી શ્રી રાજેશ્વરાચાર્યજીએ પોતાના પ્રવચનમાં સનાતન ધર્મના સિદ્ધાંતો અને હિન્દુ સમાજમાં એકતા જાળવવાના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વડોદરા વિભાગના સંપર્ક વડા દયારામજી પાલે મુખ્ય વક્તા તરીકે સમાજમાં હિન્દુ સંસ્કૃતિ, કર્તવ્ય અને સંસ્કારો જાળવવા માટે સૌને પ્રેરિત કર્યા હતા. સંમેલનમાં બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જનરલ સેક્રેટરી સજ્જનસિંહજી ચૌહાણ ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સમાજમાં એકતા, સ્વદેશી ભાવના અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આજવા રોડના રાજપુત ક્ષત્રિય તલવારબાજી ગ્રુપ દ્વારા તલવારબાજીનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. બાળકો અને યુવાનોએ પરંપરાગત તલવારબાજીના વિવિધ કૌશલ્યો દર્શાવ્યા હતા. આ પ્રદર્શનનો હેતુ યુવાનોને આત્મરક્ષણ અને આત્મવિશ્વાસ વધારવા માટે આવી કળાઓનું મહત્ત્વ સમજાવવાનો હતો. આ ગ્રુપના આગેવાનોમાં સંતોષસિંહ પરમાર, મહેન્દ્રસિંહ રાજ, જસપાલસિંહ પુવાર અને નરેન્દ્રસિંહ રાજનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ શ્રોતાઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:09 pm

હોર્મુઝ સ્ટ્રેટથી ભારતીય જહાજોને પસાર થવાની મંજૂરી આપશે ઈરાન? જયશંકરે આપ્યો જવાબ

Iran America War: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતની મોટી રાજદ્વારી જીત: જયશંકરની મધ્યસ્થીથી હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ભારતીય જહાજો સુરક્ષિત પસાર થયા છે. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલાસો કર્યો છે કે, ઈરાન સાથેની સીધી વાતચીતને પરિણામે ભારતીય જહાજો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશોને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ખોલવા માટે યુદ્ધ જહાજો મોકલવાની અપીલ કરી છે.

ગુજરાત સમાચાર 16 Mar 2026 12:06 pm

બનાસકાંઠા LCBએ દારૂની હેરાફેરી ઝડપી પાડી:પાલનપુર તાલુકામાંથી ₹1.99 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી પકડાયા

બનાસકાંઠા LCBએ પાલનપુર તાલુકામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે એક ઓટો રિક્ષામાંથી કુલ ₹1,99,732/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. LCB સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, GJ.08.AX.5710 નંબરની ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો માલણથી કુંપર ગામ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે માલણથી કુંપર જતા રોડ પર નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન શંકાસ્પદ ઓટો રિક્ષાને રોકવામાં આવી હતી. તેની તપાસ કરતાં તેમાંથી પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 211 બોટલ અને બિયર મળી આવ્યા હતા, જેની કિંમત ₹84,732/- છે. પોલીસે દારૂ અને ઓટો રિક્ષા સહિત કુલ ₹1,99,732/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ કેસમાં અજયજી પ્રતાપજી ઠાકોર (ઉં.વ. 19, રહે. રંગપુર(ભચડીયા), તા. દાંતા) અને જગદીશભાઈ વાઘાભાઈ રબારી (ઉં.વ. 27, રહે. અડેરણ, તા. દાંતા) ની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો ભરાવનાર મંડીયા ઠેકાવાળો નામનો એક અજાણ્યો ઈસમ પણ આ ગુનામાં સામેલ હોવાનું ખુલ્યું છે. આ તમામ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાના આધારે દારૂ-જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે આ કાર્યવાહી કરાઈ હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કામગીરી પાર પાડવામાં આવી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 12:04 pm

ખેડૂતને ચાર શખ્સો મારમારી લૂંટ ચલાવી:ખેતીના હિસાબની માથાકૂટમાં હીરાના વેપારી પર જીવલેણ હુમલો, લાખોની લૂંટ ચલાવી શખ્સો ફરાર

ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામે ખેતીના હિસાબ બાબતે થયેલી તકરારમાં એક હીરાના વેપારીને રસ્તામાં આંતરી માર મારી અને અંદાજે રૂપિયા 3 લાખની મત્તાની લૂંટ ચલાવી ચાર શખ્સોએ મારી નાખવાની ધમકી આપતા ખેડૂતએ વરતેજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​મૂળ નાગધણીબાના વતની અને હાલ સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા અશોક દુલાભાઈ ઈટાલીયા ઉં.વ. 52, જેઓ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમની નાગધણીબા ગામે આવેલી વાડીમાં સંજય ગોરધનભાઈ પરમાર નામના શખ્સે ભાગીદારીમાં ઘઉંનું વાવેતર કર્યું હતું, ઘઉંના હિસાબના પૈસા બાબતે અશોક અને સંજય વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી, આ બાબતે પોલીસ ફરિયાદ કરવા જઈ રહેલા અશોકની કાર GJ-04-EP-8130 ને ભંડારિયા માર્ગે ધોરીની વેણ પાસે ચાર શખ્સોએ આંતરી હતી, જેમાં ભડી ગામના ભગત નાનુભાઈ ભરવાડ, નાથા ભરવાડ, ગોપાલ પોપટભાઈ કોળી અને એક અજાણ્યો ​હુમલાખોરોએ અશોકનો કાઢલો પકડી, તેમને લાફા મારી અને તેમનું મોઢું સ્ટેરીંગ સાથે દબાવી દીધું હતું આ દરમિયાન આરોપીઓએ ​ગળામાંથી અઢી તોલાની સોનાની રુદ્રાક્ષની માળા કિંમત રૂ.2,00,000, ​હાથની આંગળીઓમાંથી બે સોનાની વીંટી કિંમત રૂ.50,000 તથા ​ડાબા હાથમાં પહેરેલી સેકોન્ડા કંપનીની ઘડિયાળ કિંમત રૂ.50,000 ના મુદ્દામાલ કાઢી લીધી હતી, જ્યારે ​હુમલાખોરોએ ખેડૂતને ધમકી આપતા કહ્યું હતું કે, આ વાડી બાજુ આવવાનું બંધ કરી દેજે, તારી વાડી સસ્તામાં લઈ લેવાની છે તેમજ જો ફરીથી હિસાબ બાબતે માથાકૂટ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, હુમલાના કારણે છાતીના ભાગે ગંભીર ઈજા થતા અશોકને તાત્કાલિક 108 મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, હાલ તેઓ વોર્ડ નં. 1માં સારવાર હેઠળ છે, ​અશોકએ ભગત નાનુભાઈ ભરવાડ, નાથા ભરવાડ, ગોપાલ પોપટભાઈ કોળી, એક અજાણ્યો ઈસમ તથા ભાગીયો સંજય પરમાર સહિત પાંચએ શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ મથકે બી.એન.એસ ની કલમ 309(6), 115(2), 352, 351(3) તથા 54 મુજબ ફરિયાદ નોંધાવી હતી, પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:55 am

સુરેન્દ્રનગર પોલીસનો નવતર અભિગમ:એક જ સ્થળે પ્રશ્નોના ઉકેલ માટે 'અરજી મેળો'

સુરેન્દ્રનગર પોલીસે એક નવતર પ્રયોગ રૂપે અરજી મેળાનું આયોજન કર્યું હતું. આ મેળામાં અરજદારોને એક જ સ્થળે બોલાવી તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી અને પોલીસ વિભાગને લગતી અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવાનો પ્રયાસ કરાયો હતો. મોટી સંખ્યામાં અરજદારોએ હાજર રહી પોતાની અરજીઓ આપી હતી. રાજકોટ રેન્જ આઈ.જી. નિલિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની નિમણૂક બાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા આ પહેલ કરવામાં આવી છે. અરજદારોને લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે તે માટે એક જ સ્થળે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રજૂઆતો સાંભળી તાત્કાલિક ઉકેલ લાવવાનો પ્રયાસ કરાયો. આ અરજી મેળામાં વ્યાજખોરોનો ત્રાસ, ટ્રાફિક પોલીસની કનડગત અને પોલીસ દ્વારા યોગ્ય તપાસ ન થઈ હોવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા. ચુડા, વઢવાણ, બી. ડિવિઝન, એ. ડિવિઝન અને જોરાવરનગર પોલીસ મથક ખાતે યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા હતા. સામાન્ય લોકો અને પોલીસ અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થયો, જેનાથી પારદર્શિતા વધી છે. હાજર રહેલા પોલીસ અધિકારીઓએ અરજીઓ સ્વીકારી હતી અને તાત્કાલિક સંબંધિત પોલીસકર્મીઓ કે બીટ જમાદારોને સૂચનો આપ્યા હતા. જરૂર જણાયે અરજીના આધારે ફરિયાદ નોંધવા પણ સૂચનાઓ અપાઈ હતી. અધિકારીઓની હાજરીમાં અરજીઓનો નિકાલ થતા અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી, કારણ કે અગાઉ ઘણીવાર અરજીઓ પર કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદો હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:54 am

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો:પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા BCAના હોદ્દેઆરો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અરજદારની અરજી મંજૂર રાખી હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને BCAના હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા છે. ઉપરોક્ત ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય હાઇકોર્ટે રદ્દ કર્યો છે. મૂળ ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી, હવે પરિણામ જાહેર કરવામાં ચૂંટણી અધિકારીને સૂચના અપાઈ છે અને વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા વધારાઈ છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલમાં જશે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:50 am

નર્મદા પરિક્રમામાં બોટની ક્ષમતાથી વધુ મુસાફરો, વીડિયો વાઇરલ:યાત્રાળુઓ પાસેથી ₹250-500ની વસૂલવા છતાં સુરક્ષાની કોઇ ગેરંટી નહીં; વમલેશ્વરથી મીઠી તલાઈ વચ્ચે સંગમ નજીક જીવનું જોખમ

ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વરથી મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓને બોટમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં લઈ જવાતા હોવાનો એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં દેખાતી બોટમાં અંદાજે 100 લોકોની ક્ષમતા હોય છે, પરંતુ આમાં 125થી 150 લોકોને બેસાડ્યા હોવાનું દેખાય છે. આ વીડિયોમાં યાત્રાળુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે. પરિક્રમાવાસીઓ નદી પાર કરવા માટે બોટનો ઉપયોગ કરે છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, બોટમાં નિર્ધારિત ક્ષમતા કરતાં અનેક ગણા વધુ યાત્રાળુઓને બેસાડવામાં આવ્યા છે. આક્ષેપ છે કે, સલામતીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. વમલેશ્વર ઘાટનું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા હરાજી પ્રક્રિયા દ્વારા સંચાલકોને સોંપવામાં આવે છે. પરિક્રમાવાસીઓ પાસેથી નદી અને સમુદ્રના સંગમ સ્થળ પાર કરવા માટે વાહનોમાં આવતા યાત્રાળુઓ પાસેથી ₹500 અને પગપાળા આવતા યાત્રાળુઓ પાસેથી ₹250 સુધીની રકમ વસૂલવામાં આવે છે. બોટમાં સવાર પરિક્રમાવાસીઓએ જ આ સ્થિતિનો વીડિયો બનાવી વાઇરલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યાંથી બોટ દ્વારા યાત્રાળુઓને પાર ઉતારવામાં આવે છે તે વિસ્તાર નદી અને સમુદ્રના સંગમ નજીકનો છે, જે સંભવિત જોખમ ઊભું કરે છે. હાંસોટના વમલેશ્વરથી દહેજ મીઠી તલાઈ વચ્ચે નર્મદા નદી અને સમુદ્રનું સંગમ સ્થળ આવેલું છે. અહીં ઉંડાઈ 18થી20 ફૂટ સુધીની હોય છે ત્યારે, બોટને દુર્ઘટના નડે તો મોટી જાનહાની થવાની પણ સાંભવના છે. મોટી બોટમાં 100 જેટલા પ્રવાસીઓ બેસાડવાની મંજૂરી હોય છે, પંરતુ બોટ સંચાલકો 130થી 150 લોકો બેસાડતા હોવાની માહિતી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 5 વર્ષ પૂર્વે પણ નર્મદા પરિક્રમવાસીઓની બોટ સમુદ્રમાં ફસાઈ હતી ત્યારે, તંત્ર દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિવાદ અંગે હાંસોટ મામલતદાર રણજીત મકવાણા સાથે ટેલિફોનિક વાત કરતા તેઓર જણાવ્યું હતું કે, વીડીયો અંગે સ્થાનિક તલાટી પાસે વિગતો મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે હોડી ઘાટના સંચાલક સંકેત પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, બોટમાં નિયમો અનુસાર જ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવ્યા હતા અને તબક્કાવાર લાઈફ જેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે તેમના વિરોધીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવા માટે વીડિયો બનાવી વાઇરલ કરવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે અંગે ચર્ચાઓ ઉઠી રહી છે. આ ઘટના સામે આવતા સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને નિયમોની તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:38 am

પોલીસ જાપ્તામાં 5 આરોપીને પરીક્ષા કેન્દ્ર લઈ જવાયા:રાજકોટ AIIMSના ઇન્ટર્ન ડૉક્ટર આપઘાત કેસમાં આરોપીઓ આજે MBBS ફાઇનલ યરની પરીક્ષા આપશે

રાજકોટ સ્થિત AIIMS હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટર રતનકુમાર મેઘવાલના આપઘાત પ્રકરણમાં ધરપકડ કરાયેલા 5 આરોપી વિદ્યાર્થીઓને આજે(16 માર્ચ) પોલીસ જાપ્તા હેઠળ પરીક્ષા આપવા લઈ જવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓ MBBS ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ છે અને તેઓએ જેલમાંથી પરીક્ષા આપવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટ દ્વારા રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવતા, તમામ 5 આરોપીઓને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા કેન્દ્ર પર મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે શનિવારના રોજ પોલીસ ફરિયાદ નોંધાયાના ગણતરીની મિનિટોમાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને રવિવારે કોર્ટમાં રજૂ કરતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. 14 માર્ચ, 2026એ રાજસ્થાનના ઇન્ટર્ન ડૉક્ટર આપઘાત કર્યો હતોઆ ચકચારી કેસની વિગત મુજબ, રાજસ્થાનના જેસલમેરનો વતની રતનકુમાર 13 માર્ચે રાજસ્થાનથી રાજકોટ આવ્યો હતો અને 14 માર્ચની વહેલી સવારે પરાપીપળીયા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત પૂર્વે યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર 18 પેજની સુસાઈડ નોટ મૂકી હતી, જેમાં તેની સાથે જ અભ્યાસ કરતા સહપાઠીઓ દ્વારા અપાતા શારીરિક અને માનસિક ત્રાસનો ગંભીર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સુસાઈડ નોટમાં એક સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ કરાયો છે, જે મૃતક અને આરોપી બંનેની મિત્ર હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાને પોતાની વ્યથામાં સાથી વિદ્યાર્થીઓના ત્રાસને જ અંતિમ પગલું ભરવાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. મૃતકે અગાઉ પણ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતોપોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે રતનકુમારે અગાઉ પણ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં 28 જાન્યુઆરી 2026ના રોજ પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન નીચે પડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે તેને બચાવી લેવાયો હતો. ત્યારબાદ તેનું આ અંગે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી. તે સમયે તે થોડો સમય પોતાના વતન જેસલમેર પણ રહ્યો હતો, જ્યાં પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું છે. જોકે, ત્રીજી વખતના પ્રયાસમાં તેણે જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને રેગિંગ જેવા ગંભીર મુદ્દાઓ પર ફરી સવાલો ઉભા કર્યા છે. મૃતકને કઈ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપતા હતા તે દિશામાં તપાસરાજકોટ SC-ST સેલના ACP ચિંતન પટેલે જણાવ્યું કે, સુસાઈડ નોટના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, યુવરાજ ચૌધરી (ત્રણેય રાજસ્થાન), નિર્વિઘ્નમ યાદવ (હરિયાણા) અને આયુષ યાદવ (ભરૂચ) નો સમાવેશ થાય છે. પોલીસ હાલમાં એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓ મૃતકને કઈ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપતા હતા. કેસની ગંભીરતાને જોતા પોલીસ પીડિત પરિવારને ન્યાય મળી શકે તે માટે તમામ પુરાવાઓ એકત્ર કરી રહી છે. ગુજરાતની એકમાત્ર રાજકોટ સ્થિત નામાંકિત AIIMS હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પ્રકરણમાં નવો વણાંક આવ્યો હતો. એમબીબીએસના ફાઈનલ યરના વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલે તેના સહપાઠી પાંચ વિદ્યાર્થીના શારીરિક અને માનસિક ત્રાસના કારણે જ જીવન ટૂંકાવી લીધાનું સુસાઈડ નોટમાં સામે આવ્યું હતું. આ મામલે મૃતકના પિતા મોહનલાલ મેઘવાલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 108, 3(5) તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મૃતક યુવાને અગાઉ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પોતે માનસિક અસ્વસ્થ હોય મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી. સુસાઇડ નોટમાં તેમની સાથે જ અભ્યાસ કરતી સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ કરાયો છે. જોકે હાલ પોલીસે કોર્ટના આદેશ મુજબ પાંચેય ઇન્ટર્ન તબીબ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલી સુસાઈડનોટમાં લખ્યું કે, હું અને નીલમ(નામ બદલ્યું છે) પરિસ્થિતિનો શિકાર બન્યા, હું તેની માફી માગું છું. પ્રણવે રતનકુમાર-નીલમના ટેન્શનનો ફાયદો ઉઠાવી ગેમ રમી હતી. આરોપીઓના નામ પ્રણવ પાલીવાલ (રાજસ્થાન) અસ્મિત શર્મા (રાજસ્થાન) યુવરાજ ચૌધરી (રાજસ્થાન) નિર્વિઘ્નમ યાદવ (હરિયાણા) આયુષ યાદવ (ભરૂચ) શું છે સમગ્ર ઘટના?રાજસ્થાનના જેસલમેર જિલ્લાના ફલસુંડ ગામના રહેવાસી અને ઘડિયાળ રિપેરિંગનો વ્યવસાય કરતા મોહનલાલ મેઘવાલનો 26 વર્ષીય દીકરો રતનકુમાર મેઘવાલ છેલ્લા ચાર વર્ષથી રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હતો અને હાલમાં ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહ્યો હતો. 14 માર્ચ, 2026ના રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યે જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારીયા નજીક રેલવે ટ્રેક પર રતનકુમારે ટ્રેન નીચે આવી આપઘાત કરી લીધો હતો. પોલીસને મળેલી બેગમાંથી 17 પેજની સુસાઇડ નોટ મળીઘટનાસ્થળેથી રેલવે પોલીસને રતનકુમારની બેગ મળી આવી હતી, જેમાં મોબાઇલ ફોન, ટેબલેટ અને નોટબુક મળી આવી હતી. નોટબુકમાં 17 પેજની સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં હિન્દી અને અંગ્રેજીમાં લખાણ લખેલું હતું. સુસાઈડ નોટમાં રતનકુમારે લખ્યું છે કે, ‘નિલમ’ સાથે સંબંધ હોવાની શંકાના આધારે સાથે અભ્યાસ કરતા કેટલાક લોકોએ જાન્યુઆરી, 2026થી તેની સાથે મારપીટ અને માનસિક હેરાનગતિ શરૂ કરી હતી. નોટમાં 27 જાન્યુઆરી, 2026ના રોજ પોતાની સાથે થયેલી શારીરિક અને માનસિક પ્રતાડનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સતત હેરાનગતિના કારણે દીકરો આપઘાત કર્યાનો પિતાનો FIRમાં ઉલ્લેખસાથે જ સુસાઇડ નોટમાં ‘આ નોટને રતનકુમારનું ડાઇંગ ડિકલેરેશન માનવામાં આવે’ એવો ઉલ્લેખ કરી પાંચ લોકોના નામ જવાબદાર તરીકે લખવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મૃતકના પિતાનો આક્ષેપ છે કે, સતત હેરાનગતિના કારણે તેમનો દીકરો માનસિક રીતે તૂટી ગયો હતો અને અંતે આત્મહત્યાનું પગલું ભરવા મજબૂર થયો હતો. હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર મામલાની તપાસ SC, ST સેલના ACP ચિંતન પટેલને સોંપવામાં આવી છે. મૃતકને MBBSના જ 5 વિદ્યાર્થી ત્રાસ આપતા હતાંઃ ACP રાજકોટ SC, ST સેલના ACP ચિંતન પટેલે જણાવ્યું હતું કે, AIIMS હોસ્પિટલના ઇન્ટર્ન તબીબ અને MBBSના વિદ્યાર્થી રતનકુમાર મોહનલાલ મેઘવાલે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યા મૂજબ, તેમની સાથે અભ્યાસ કરતા MBBSના જ 5 વિદ્યાર્થી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને તેના કારણે જ તેને આપઘાતનું અંતિમ પગલું ભર્યુ હતુ. પોલીસે મૃતક યુવાન સાથે અભ્યાસ કરતા મેડિકલના 5 વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ સિવાય એક મહિલા મિત્રનો ઉલ્લેખ છે, જે મૃતક યુવાન અને આરોપીઓ બંનેના મિત્ર છે. જે પણ MBBSમાં જ અભ્યાસ કરે છે. તેઓની વચ્ચે વ્હોટ્સએપ મેસેજમાં વાતચીત થતી હતી. પાંચ આરોપી પૈકી ત્રણ આરોપી રાજસ્થાનના વતની છે. એક આરોપી હરિયાણા તેમજ એક આરોપી ભરૂચનો વતની છે. ત્રીજી વખત આપઘાતના પ્રયાસમાં મોતરતનકુમારે અગાઉ એક નહીં પરંતુ બે-બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે ત્રીજી વખત તેને આપઘાતનો પ્રયાસ કરતા તેનું મૃત્યુ નીપજ્યુ. અગાઉ 28 જાન્યુઆરી, 2026ના રોજ એઇમ્સની હોસ્ટેલ છોડી રતનકુમાર સુસાઇડ નોટ લખી પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવવા પહોંચી ગયો હતો. જો કે, પોલીસ દ્વારા તેને રેલવેના પાટા પાસેથી બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ રતનકુમારનું કાઉન્સિલિંગ કરી તેની કસ્ટડી પરિવારજનોને સોંપવામાં આવતા તેઓ રતનકુમારને રાજસ્થાનના જેસલમેર પોતાના ઘરે લઈ ગયા હતા, જ્યાં પણ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેની મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી. તાજેતરમાં રતનકુમાર MBBSની ફાઈનલ યરની એક્ઝામ આપવા માટે રાજકોટ પરત આવ્યો હતો. જો કે, તે હોસ્ટેલની જગ્યાએ આપઘાત કરવા રેલવે ટ્રેક પર ગયો હતો અને ટ્રેન નીચે ઝંપલાવી લીધુ હતું. જો તે સમયે પોલીસે કાર્યવાહી કરી હોય તો કદાચ....જાન્યુઆરી મહિનામાં જ્યારે રતનકુમાર આપઘાત કરવા નીકળ્યો તે સમયે તેણે લખેલી સુસાઈડ નોટમાં હાલના આરોપીઓના નામ લખ્યા હતા. જો કે, તે સમયે રતનકુમારના પરિવારે ફરિયાદ ન કરી હોવાના કારણે પોલીસે આરોપીઓને વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નહોંતી. જે તે સમયે આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આજે રતનકુમાર જીવીત હોત! ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે આવી જીવન ટૂંકાવ્યું, દોઢ મહિના પહેલા ગ્રામજનોએ સુસાઇડ કરતા બચાવ્યો હતો યુવકે આપઘાત પૂર્વે 18 પેજની સુસાઇડ નોટ ઈન્સ્ટાગ્રામ પર મૂકીજે બાદ ગત 13 માર્ચ, 2026ના યુવાન રાજસ્થાનથી રાજકોટ આવી પહોંચ્યો હતો અને 14 માર્ચના વહેલી સવારે પરાપીપળીયા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવી લીધુ છે. યુવાને આપઘાત પૂર્વે 18 પેજની સુસાઇડ નોટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી, જેમાં તેમની સાથે અભ્યાસ કરતા મિત્રો જ તેમને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે તેઓ કઈ રીતે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, તેનો કોઈ ઉલ્લેખ નથી. આજે 15મી માર્ચે પાંચેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો છે. AIIMS રાજકોટના 2021 બેચના વિદ્યાર્થી મૃતક રતનકુમાર મેઘવાલ દ્વારા લખાયેલ એક પત્ર સામે આવ્યો છે, જેમાં તેમણે તેની આત્મહત્યા માટે જવાબદાર કારણો અને વ્યક્તિઓ વિશે વિગતવાર માહિતી આપી છે. રતનકુમારે લખેલી સુસાઈડ નોટનો સારાંશ મારપીટ અને પ્રતાડના: રતનકુમારે ઉલ્લેખ કર્યો છે કે 27/1/26ના રોજ આ 5 છોકરાએ તેમની સાથે રૂમ 203 (બોયઝ હોસ્ટેલ)માં મારપીટ કરી હતી. તેમણે રતનકુમારના વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ પણ કર્યા હતા, જેથી તેમને માનસિક રીતે તોડી શકાય. યુવતી વિશે સ્પષ્ટતા: રતનકુમાર ભારપૂર્વક જણાવ્યું છે કે આમાં યુવતીની કોઈ ભૂલ નથી અને તેને અથવા તેના માતા-પિતાને આ માટે જવાબદાર માનવા નહીં. તેમના મતે, યુવતી પોતે જ આ છોકરાઓના 'માઇન્ડ ગેમ' અને 'લવ બોમ્બિંગ'નો શિકાર બની હતી. રતનકુમાર અને યુવતીનો સંબંધ: તેમની વચ્ચે કોઈ પ્રેમ સંબંધ (Love) નહોતો પરંતુ ઊંડું ભાવનાત્મક જોડાણ (Emotional Attachment) હતું. રતનકુમાર સ્વીકાર્યું કે બંને વચ્ચે ગેરસમજ થઈ હતી અને વાતચીત બંધ થવાને કારણે સ્થિતિ બગડી હતી. પ્રણવ પાલીવાલની ભૂમિકા: રતનકુમાર આક્ષેપ કર્યો છે કે પ્રણવે રતનકુમાર અને યુવતી વચ્ચેના તણાવનો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે યુવતીને ઈમોશનલી મેનીપ્યુલેટ કરીને પોતાની જાળમાં ફસાવી હતી, જે માત્ર એક 'ટાઈમપાસ' હતો. અંતિમ ઈચ્છાઓ અને વિનંતીઓકાનૂની કાર્યવાહી: રતનકુમાર માંગ કરી છે કે તે 5 છોકરા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેમના ફોનની FSL તપાસ કરવામાં આવે, જેથી ડિલીટ કરેલા વીડિયો અને પુરાવા મળી શકે. યુવતી માટે રક્ષણ: રતનકુમાર કોલેજને વિનંતી કરી છે કે યુવતી સામે કોઈ કાનૂની કે એકેડેમિક પગલાં ન લેવામાં આવે. તેને પ્રોફેશનલ કાઉન્સેલિંગ આપવામાં આવે અને તેનો અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરવામાં આવે. અન્ય પીડિતો: પત્રમાં જણાવાયું છે કે આ જ છોકરાઓએ અગાઉ રાજ તિવારી નામના વિદ્યાર્થી સાથે પણ મારપીટ કરી હતી, પરંતુ કોલેજ દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નહોતા. સુસાઈડ નોટથી સમજો આખી ઘટના 27 જાન્યુઆરીએ હું શારીરિક અને માનસિક હેરાનગતિનો શિકાર બન્યો હતો. મેં ઉશ્કેરાઈને સુસાઇડ નોટ લખી અને આખો દિવસ પોલીસથી બચીને રાત્રે રેલવે ટ્રેક પર ઉભો હતો ત્યારે પોલીસે ટ્રેસ કરી લીધો. 2021ની બેચના 5 છોકરાએ મારી સાથે મારઝૂડ કરીપરંતુ આજે હું ઉશ્કેરાયા વિના લખી રહ્યો છું. રતનકુમાર મેઘવાલ, એઇમ્સ-રાજકોટ. મારા મોતના જવાબદાર 2021ની બેચના 5 છોકરા છે. તેમણે મારી સાથે મારઝૂડ કરી હતી. જેમાં પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, આયુષ યાદવ નિર્વિમ નૂર અને યુવરાજ ચૌધરી સામેલ છે. 28 જાન્યુઆરી, 20026ના રોજ પહેલો સુસાઈડ લેટર લખ્યો ત્યારે મેં મારા મોત માટે મારી સાથે થયેલા દગાને જવાબદાર ઠેરવ્યો પણ મારા મોત માટે 5 છોકરા જવાબદાર છે, જેણે મારી સાથે મારઝૂડ કરી છે. 12 કલાક બાદ રેલવે ટ્રેક પર મળ્યો અને ત્યાર બાદ મને જાઈ થઈ તે વ્યવહાર સમજોમારી ઈચ્છા છે કે, નીલમ(નામ બદલ્યું છે) અને મારા પિતાને જવાબદાર ન માનવામાં આવે. 28 જાન્યુઆરી, 2026ના રોજ હું કોલેજથી ક્યાંક ચાલ્યો ગયો તો 12 કલાક બાદ હું રેલવે ટ્રેક પર મળ્યો અને ત્યાંથી આવ્યા બાદ મને જાણ થઈ અને જે વ્યવહાર થયો તે સમજો. રતનકુમાર નીલમ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હતોરતનકુમારને નીલમનો આશિક સમજવામાં આવ્યો પણ રિયાલિટીમાં રતનકુમાર એક ઇમોશનલ વ્યક્તિ હતો જે નીલમ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હતો. પ્રેમ-રોમાન્સ કંઈ નહીં. જે નીલમની કેર કરવા માટે મેં તેના ઘરે કોલ કર્યો. પરંતુ તેના માતા-પિતા સામે તેની નિંદા કરી નહીં, ઉલટાનું તેને સમજાવ્યું કે, તમે નીલમને બેસીને પ્રેમથી સમજાવો. તો પહેલી સુસાઇડનોટમાં નીલમને કેમ ખરી-ખોટી કહી? કારણ કે જ્યારે રતનકુમારને ખબર પડી કે નીલમે કોલ રેકોર્ડિંગ(જેમાં નીલમ માટે કંઈ ખરાબ બોલ્યો નહીં) પ્રણવને મોકલી દીધું અને રતનકુમારને માર ખવડાવવાનો વિચાર કર્યો. રતનકેુમાર તેને પોતાની સાથે થયેલો દગો માની લીધો. રતનકુમારને તેના માટે ગુસ્સો આવ્યો કે તેના માટે સારું વિચાર્યું છતાં મારી સાથે આવો વ્યવહાર કર્યો. (IMPના માર્ક સાથે)-નીલમ રતનકુમારના ઇમોશનલ એટેચમેન્ટને શરૂઆતથી જ પ્રેમ સમજી રહી હતી, તેને એવું લાગતું હતું કે રતનકુમાર મને પ્રેમ કરે છે. પરંતુ વાસ્તવિકતા જુદી હતી. પરંતુ રતનકુમાર જ્યારે હોસ્ટેલ પરત આવ્યો ત્યારે જાણ થઈ કે રેકોર્ડિંગ પાંચ છોકરામાંથી કોઈ પાસે પહોંચ્યું છે. પરંતુ પ્રણવ પાસે નથી અને નીલમના કોઈ મિત્રએ મોકલ્યું છે. જ્યારે રતનકુમારે સુસાઈડ નોટ નીલમને મોકલી તો તુરંત તેનો રિપ્લાય આવ્યો, તમે મારા ઘરે કોલ કરી ખરાબ કર્યું તમે સોરી બોલી દો. (IMPના માર્ક સાથે)-મને લાગતું નથી કે, નીલમને રેકોર્ડિંગ શેર કરતી વખતે કોઈ આઇડિયા હશે કે, પ્રણવ અને તેના દોસ્તી રતનકુમાર સાથે મારપીટ કરશે નહીંતર નીલમ એવું કરત નહીં. નીલમ અથવા તેની બહેનપણીઓઓને મારી મિત્રને જવાબદાર ન બનાવવામાં આવે, ના માતા-પિતાને આમાં ખેંચવામાં આવે. આ પાંચેય સામે કાનૂની કાર્યવાહી કરી મારપીટનો કેસ દાખલ કરવો. એમણે પહેલા રાજ સાથે મારપીટ કરી, હવે મારી સાથ કાલે ફરી એક વાર કરશે. ગુનાખોરીની માનસિકતા ધરાવે છે, નાર્સિસ્ટ છે. એમણે શારીરિક રીતે હેરાન કરીને માનિસક ટોર્ચર એક કલાક સુધી કર્યાં. જેના કારણે ડિપ્રેશન થયું હતું. એમણે મારપીટ કે વીડિયો/ઓડિયો નથી બનાવ્યો તો FSL તપાસ કરવામાં આવે.એક યુવતી નીલમને ઈમોશનલ મેન્યૂપ્લેટ કરીને ભાવનાત્મ રીતે ખોટા પ્રેમમાં ફસાવીને ટાઈમપાસ કરીને કેટલાય કેસ એની પર કર્યાં. જેને રતનકુમારને દગો માન્યો. રતનકુમારે નીલમને જવાબદાર માની કેમ કે નીલમે જ્યારે કોલ રેકોર્ડિંગ શેર કરીને પ્રણવ અને એના મિત્રો પાસે રતનકુમારને માર ખવડાવી એની સાચી માહિતી મળી ગઈ હતી. તો હું નીલમ પાસે માંફી માગું છું એને બિલકુલ આઈડિયા ન હોત કે પ્રણવ અને એના મિત્રો રતનકુમાર સાથે મારપીટ કરશે, એના માટે નીલમને જવાબદાર માનવામાં આવે. પૂરી કોલેજ નીલમને રતનકુમારના નિર્ણય માટે જવાબદાર ન માને. હું અને નીલમ પરિસ્થિતિનો શિકાર બન્યા. કોલેજના તમામ વ્યક્તિ એમાં નીલમને કસૂરવાર ન સમજે એ મારી અંતિમ ઇચ્છામારી હજુ એક અંતિમ ઈચ્છા છે કે કોલેજના તમામ વ્યક્તિ એમાં નીલમને કસૂરવાર ન સમજે અને એને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા દે. જો શક્ય હોય તો એને સપોર્ટ કરે. તે પરિસ્થિતિઓનો શિકાર બની છે. જે નીલમની આસપાસના લોકો છે તે તેને સંભાળે, સપોર્ટ કરે. અને નીલમ પોતાના જીવનમાં સફળ થશે અને ન થાય તો રતનકુમારની આત્મા દુખી થશે. કે નીલમને પ્રણવવાળી વાત બતાવીને સાચું નથી કર્યું કે કે પ્રણવે રતનકમાર-નીલમ ટેન્શનનો ફાયદો ઉઠાવીને ગેમ રમી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:29 am

ચાર સગીરોએ ધો. 10ના વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો:બહેનના એન્યુઅલ ફંક્શનમાં ગયો'તો, પિતાનો ગંભીર આરોપ- ‘ઓનલાઇન મંગાવ્યા હતા ચપ્પુ’

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો, ત્યારે બદલાની ભાવના રાખીને બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સર્જરી કરવામાં આવી છે. આ હુમલાને કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે.પિતાનો ચોંકાવનારો આરોપ: ઇકોમર્સ સાઇટ પરથી હથિયારો મંગાવાયા આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ અત્યંત ગંભીર અને ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. પિતાના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા. પિતાએ આક્ષેપ કર્યો છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર હથિયારો સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે સગીરોમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ થયેલી સામાન્ય ટક્કર બાદ જ્યારે વિદ્યાર્થીએ ટકોર કરી હતી, ત્યારે તેનો ખાર રાખીને આ સગીરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઓનલાઇન હથિયાર વસાવી આ હુમલાને અંજામ આપ્યો હોવાનું પિતાનું કહેવું છે. પાંડેસરા પોલીસે 4 સગીરોને દબોચ્યા, પરિવારમાં રોષ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલો કરનાર ચારેય વિદ્યાર્થીઓને પકડી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચારેય આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ખરેખર હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા. એક તરફ પુત્ર હોસ્પિટલના બિછાને લોહીલુહાણ હાલતમાં છે અને તેની પરીક્ષા છૂટી ગઈ છે, ત્યારે બીજી તરફ પરિવારજનો આવા હિંસક સગીરો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:26 am

સુત્રાપાડાના કદવાર ગામમાં મોડીરાત્રે સિંહના આંટાફેરા:CCTVમાં દૃશ્યો કેદ, ગ્રામજનોમાં ભયનો માહોલ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં મોડી રાત્રે સિંહના આટાફેરા જોવા મળ્યા હતા. 14 માર્ચની વહેલી સવારે લગભગ 4 વાગ્યે ગામની ગલીઓમાં સિંહ ફરતો હોવાના દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સીસીટીવી ફૂટેજમાં સિંહ શાંતિથી ગામના રસ્તાઓ પર ફરતો જોવા મળે છે. રાત્રિના સમયે મોટાભાગના લોકો ઊંઘમાં હોવાથી કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, સવારે આ દૃશ્યો સામે આવતા ગામમાં ભારે ચિંતા અને ભયનો સંચાર થયો હતો. ગીર અને આસપાસના જંગલ વિસ્તારોને અડીને આવેલા ગામોમાં સિંહોના આવા આટાફેરાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી સિંહોનો માનવ વસાહત નજીક આવવાનો સિલસિલો વધ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભય અને અનિશ્ચિતતા વધી રહી છે. કદવાર ગામના રહેવાસીઓએ વન વિભાગને આ અંગે જાણ કરી છે. તેમણે સુરક્ષા વધારવા તેમજ સિંહોને ફરી જંગલ વિસ્તારમાં ખદેડવા માટે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. ગામમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની અને લોકોમાં જાગૃતિ લાવવાની પણ અપીલ કરવામાં આવી છે. વન વિભાગના સૂત્રો અનુસાર, ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં વધારો થતાં તેઓ ખોરાક અને નવા વિસ્તારની શોધમાં ક્યારેક માનવ વસાહત નજીક આવી જાય છે. વન વિભાગે લોકોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે બહાર ન નીકળવા અપીલ કરી છે. કદવાર ગામની આ ઘટના માનવ વસાહત અને વન્યજીવો વચ્ચે વધતા સંપર્ક અંગે ફરી એકવાર ચર્ચા જગાવી રહી છે. ગ્રામજનોની સુરક્ષા સાથે સિંહોના સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવું એ વન વિભાગ માટે એક મહત્વપૂર્ણ પડકાર બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:19 am

રાજકોટમાં 6 શખસોએ પાઈપના ઘા ફટકારી યુવકની હત્યા નિપજાવી:આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર, માતાએ કહ્યું- 'મારા દીકરાને સમાધાન માટે બોલાવી મારી નાખ્યો'

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર જૂની અદાવતમાં 6 શખસોએ એક યુવકનું ઢીમ ઢાળી દીધાનો બનાવ સામે આવ્યો છે. પરિવારજનોએ કહ્યું કે, એટલો ક્રુરતાથી માર મારવામાં આવ્યો હતો કે શરીરનું એકેય અંગ બાકી નથી રાખ્યું. જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતા પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા છે. મૃતક ભાવેશ પરિણીત અને બે સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના માતાએ રડતા રડતા જણાવ્યું હતું કે, મારા દીકરો 2 લાખ રૂપિયા લઈ સમાધાન માટે ગયો હતો. તેઓએ છેતરીને મારા દીકરા પર ઘા કર્યો. 150 ફૂટ રીંગ રોડ પરથી ભાવેશને કારમાં ઉઠાવી જઈ હુમલો કરાયોનર્સિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલ રાહુલ પરમાર દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રવિવારના રોજ રાત્રિના સમયે પોતાના મિત્ર ભાવેશ વાણવી તેમજ પ્રિન્સ વાણવી સાથે સોપાન હાઈટ્સ પાસે બેઠા હતા. તેમજ ત્યારબાદ ત્રણેય મિત્રો ઘરે જમવા માટે નીકળ્યા હતા. દરમિયાન ડ્રીમ સિટીની સામે પહોંચતા 4 થી 5 અજાણ્યા વ્યક્તિઓ સ્વીફ્ટ કાર તેમજ બાઈક લઈને અમારી પાછળ આવ્યા હતા. તેમજ તેમના દ્વારા લાકડી, ધારિયા, કુહાડી સહિતના હથિયારો વડે ભાવેશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ પ્રિન્સ પણ ત્યાં ઉભો રહેતા પ્રિન્સને પણ માર મારવામાં આવ્યો હતો. ડર લાગવાના કારણે હું ત્યાંથી સાઈડમાં જતો રહ્યો હતો. ત્યારબાદ કારમાં આવેલા વ્યક્તિઓ ભાવેશને કારમાં બેસાડીને ત્યાંથી લઈને જતા રહ્યા હતા. પ્રિન્સને માથાના ભાગે ઇજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. રસના ચિચોડા બાબતે મહાનગરપાલિકામાં કરેલી અરજી કારણભૂતબનાવ સંદર્ભે પ્રિન્સ ને પૂછતા તેણે જણાવ્યું હતું કે હમીર જોગરાણા સાથે ચિચોડો રાખવા બાબતે ભાવેશ વાણવી દ્વારા મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી. જે બાબતનો ખાર રાખીને હમીર જોગરાણા સહિતના વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભાવેશ ઉપર જીવલેણ હુમલો કર્યા બાદ તેને માર મારીને રસ્તામાં ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સારવાર છે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારયુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ રુમે ખસેડવામાં આવતા ત્યાં સંબંધીઓ અને તેમના સમાજના આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને આરોપી પકડાયા બાદ જ તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવશે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું.મૃતક પત્રકાર હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા જાણવા મળ્યું છે. ભાવેશનું એકેય અંગ એવું નથી જ્યાં માર ન માર્યો હોય- માવજીભાઈ રાખસીયાસામાજિક આગેવાન માવજીભાઈ રાખસીયાએ જણાવ્યું હતું કે, અમારા સમાજના યુવાન ભાવેશ વાણવીની બેરહેમીથી હત્યા કરવામાં આવી છે. 10 થી 12 શખ્સોએ હૂમલો કર્યો હતો. જેમાં યુવાનનું એક પણ અંગ એવું નથી જ્યાં માર ન માર્યો હોય. જેથી પોલીસ આરોપીઓની સાન ઠેકાણે લાવે તેવી માંગણી છે. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવીમૃતક ભાવેશ બે બહેનનો એકનો એક ભાઈ હતો.તેમના બે બહેન શિલ્પાબેન અને તારીકાબેન નામ છે.તેમજ તેમના પત્નીનું નામ દિવ્યાબેન છે તેમજ સંતાનમાં બે પુત્ર લક્ષ(ઉ.7) અને અંશ(ઉ.4) છે.પોતે જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ભાવેશ વિરુદ્ધ અગાઉ ધમકી અંગેની 3 ફરિયાદ અને એક વખત પાસા થઈ ચૂકી છેમૃતક ભાવેશ વાણવી જેઓ પત્રકાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે તેમજ અગાઉ તેમનો અને બિલ્ડરનો એક ઓડિયો વાયરલ થયો હતો.તેમજ સાધુવાસવાણી રોડ પર પાર્સલ આપવા મામલે તેમના છાત્રાલયના સંચાલકો સાથે માથાકૂટ પણ કરી હતી.જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે તેમજ પોલીસે ભાવેશને પાસા તળે જેલ હવાલે કર્યો હતો.તે થોડા સમય પહેલા જેલમાંથી છૂટયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 11:15 am

મહેસાણા જિલ્લામાં જમીન વિવાદ સંબંધિત ફરિયાદો વધી:ગત વર્ષે કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ 273 અરજી નોંધાઈ, 134 અરજીમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાન

કહેવાય છે કે 'જર, જમીન અને જોરું,ત્રણેય કજીયાના છોરું', આ કહેવત વર્તમાન સમયમાં મહેસાણા જિલ્લામાં સાચી સાબિત થઈ રહી છે.જિલ્લામાં જમીનના ભાવ કરોડો રૂપિયાએ પહોંચતા જમીન સંબંધી તકરારો અને વિવાદોમાં મોટો વધારો જોવા મળ્યો છે.ખાસ કરીને લેન્ડ ગ્રેબિંગ વિરોધી કાયદા હેઠળ સરકારી ચોપડે નોંધાતી અરજીઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. લેન્ડ ગ્રેબિંગની 273 અરજી ને 134 અરજીમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાનમહેસાણા અધિક કલેક્ટર જશવંત જેગોડાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર પાસે જમીન વિવાદને લગતી અસંખ્ય અરજીઓ આવી રહી છે.ગત વર્ષ દરમિયાન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કુલ 273 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. તંત્ર દ્વારા આ તમામ અરજીઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી 134 જેટલી અરજીઓમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાન થયું હોય અથવા માપણી જેવા ટેકનિકલ પ્રશ્નો હોય તેવા કિસ્સાઓમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી અરજીઓ ફાઈલ કરવામાં આવી છે. કોઈ કિસ્સો ગુનો દાખલ કરવા પાત્ર છે કે નહીં તેનો નિર્ણય કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદોમાં તંત્ર દ્વારા અત્યંત પદ્ધતિસરની તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર અને જરૂર જણાય ત્યાં તાલુકા વિકાસ અધિકારી કે ચીફ ઓફિસરનો વિગતવાર અહેવાલ મંગાવવામાં આવે છે. કોઈ કિસ્સો ગુનો દાખલ કરવા પાત્ર છે કે નહીં તેનો નિર્ણય જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી હાઈપાવર કમિટી દ્વારા લેવામાં આવે છે. આ કમિટીમાં જિલ્લા પોલીસ વડા , જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર અને સભ્ય સચિવ તરીકે RAC ફરજ બજાવે છે. 6 કિસ્સાઓમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈઅધિક કલેક્ટરે વધુમાં જણાવ્યું કે જે અરજીઓમાં પ્રથમ દ્રષ્ટિએ તથ્ય જણાય ત્યાં બંને પક્ષોને રૂબરૂ સાંભળવામાં આવે છે.ચર્ચા-વિચારણા અને તપાસના અંતે જે કેસ અત્યંત ગંભીર જણાયા છે તેવા 6 કિસ્સાઓમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવાના કડક આદેશો આપવામાં આવ્યા છે. જમીનોના વધતા ભાવને કારણે પેદા થતા ભૂમાફિયાઓ અને ગેરકાયદે કબ્જો જમાવનારા તત્વો સામે તંત્રની આ કાર્યવાહીથી ફફડાટ પેસી ગયો છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:56 am

ઓવરસ્પીડમાં વાહન ચાલકને રોકતા હોબાળો:પરિવારે સાબરમતી રિવરફ્રન્ટ પીઆઇ અને સ્ટાફને પટ્ટા અને વર્દી ઉતરાવી લેવાની ધમકી આપી

શહેરના રીવરફ્રન્ટ પર નાઇટમાં નોકરી દરમિયાન ઓવર સ્પીડમાં આવનાર વાહન ચાલકને રોકતા પરિવારે સાબરમતી પીઆઇ અને પોલીસ સ્ટાફને પટ્ટા અને વર્દી ઉતરવાની ધમકી આપી હતી.દંપતી અને તેમના દીકરાઓએ પોલીસને ગાળ આપી ખોટા આક્ષેપો કરીને ટોળું પણ ભેગું કર્યું હતું.આ અંગે પોલીસે ગુનો નોધી ચારેયની ધરપકડ કરી છે. પોલીસે લાઈસન્સ માગતા જોરથી બૂમો પાડવા લાગ્યાસાબરમતી રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જગદીશભાઇએ ફરિયાદ નોંધાવી છે કે ગત મોડી રાતે તેઓ સાબરમતી રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન વાઘેલા અને સ્ટાફના કર્મચારીઓ હાજર હતા ત્યારે વલ્લભસદન પાસે રાતે 12:30 વાગે ઊભા રહીને રોંગ સાઈડમાં આવતા વાહનો ચાલકોને સમજાવીને મોકલવામાં આવતા હતા. દરમિયાન એક ટુ વ્હીલર ઉપર બે યુવકો આવ્યા હતા જે રોંગ સાઈડમાં હોવાથી તેમને રોકીને તેમની પાસે લાયસન્સ અને કાગળ માંગ્યા હતા પરંતુ કાગળ ન હોવાથી બંને જણાએ પોલીસ પર ઉશ્કેરાઈને જોરથી બૂમો પાડવા લાગ્યા અને આક્ષેપો કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. દીકરાઓનું ઉપરાણું લઈ માતાપિતાએ પોલીસને ધમકાવ્યાબંને યુવકોના માતા-પિતા પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમના દીકરાનો ઉપરાણું લઈને પોલીસની ફરજમાં રૂકાવટ કરી મોબાઈલ ફોનથી પોલીસનો વીડિયો ઉતારીને બોલવા લાગ્યા હતા કે તમારા પટ્ટા તેમજ વર્ધી ઉતારવી દઈશું.આસપાસ લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું જેથી પોલીસે બીજી ગાડી બોલાવીને જાણ કરી હતી.પોલીસ દ્વારા માતા-પિતા અને તેમના બંને દીકરાઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.પોલીસની ફરજમાં રૂકાવટ બદલ યજ્ઞેશ પંડ્યા તેમના પત્ની બીના પંડ્યા પુત્ર ગૌરવ પંડ્યા અને દેવ પંડ્યા વિરુદ્ધ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ચારેની ધરપકડ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:43 am

વલસાડમાં પવનથી ગરમીમાં આંશિક રાહત:તાપમાન 34°C, UV ઇન્ડેક્સ 9; સાવચેતી જરૂરી

વલસાડ જિલ્લામાં સોમવારે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. મહત્તમ તાપમાન 34C આસપાસ સ્થિર રહ્યું હોવા છતાં, બપોર બાદ પવનની ગતિ વધવાને કારણે ગરમીની તીવ્રતા ઓછી અનુભવાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વલસાડમાં મહત્તમ તાપમાન આશરે 34C અને લઘુત્તમ તાપમાન 24C રહેવાની સંભાવના છે. સવારથી આકાશ સ્વચ્છ જોવા મળ્યું હતું. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી લગભગ 10 mph (16 કિમી/કલાક)ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ પવનને કારણે 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવા છતાં, અનુભવાતી ગરમી 29C જેટલી લાગી શકે છે. હવામાં ભેજનું પ્રમાણ લગભગ 67% નોંધાયું છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોનો ઇન્ડેક્સ 9 સુધી પહોંચ્યો હોવાથી, બપોરના સમયે તડકામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ગઈકાલે રવિવારે પણ વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 34C નોંધાયું હતું. આજે પણ તાપમાન લગભગ યથાવત રહેવાની શક્યતા છે, પરંતુ પવનની ગતિ વધવાથી ગરમીની અસર ઓછી અનુભવાશે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાપમાનનો અંદાજ નીચે મુજબ છે: વલસાડમાં મહત્તમ 32C – 34C અને લઘુત્તમ 24C – 25C (આકાશ સ્વચ્છ); વાપીમાં મહત્તમ 33C – 35C અને લઘુત્તમ 24C – 25C (ગરમ અને ભેજવાળું); ધરમપુરમાં મહત્તમ 34C – 36C અને લઘુત્તમ 22C – 23C (રાત્રે ઠંડક); કપરાડામાં મહત્તમ 35C – 37C અને લઘુત્તમ 21C – 23C (બપોરે વધુ ગરમી); પારડીમાં મહત્તમ 32C – 34C અને લઘુત્તમ 23C – 24C (આકાશ ચોખ્ખું); ઉમરગામમાં મહત્તમ 31C – 33C અને લઘુત્તમ 24C – 25C (દરિયાકાંઠે હોવાથી તાપમાન ઓછું); નાનાપોંઢામાં મહત્તમ 34C – 36C અને લઘુત્તમ 22C – 24C (ગરમ હવામાન). દરિયાકાંઠાના વિસ્તારો, ખાસ કરીને વલસાડ અને ઉમરગામમાં, ભેજનું પ્રમાણ 70% થી 80% સુધી રહેવાની શક્યતા છે. આના કારણે બપોરના સમયે ઉકળાટ વધુ અનુભવાઈ શકે છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આગામી અઠવાડિયામાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે ઉનાળાની અસર વધુ તીવ્ર બની શકે છે. કાળઝાળ ગરમી સામે રાહત મેળવવા લોકો બરફ ગોલા, આઇસ ડિસ, શેરડીનો રસ, સિકનજી અને લીંબુ શરબત જેવા ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:43 am

મોરબી, વાંકાનેર, હળવદમાં ત્રણ અપમૃત્યુ:વીજ શોક, ઝેરી દવા અને બીમારીથી મોત

મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે. આ ઘટનાઓમાં એક બાળક, એક યુવાન અને એક મહિલાનું મોત થયું છે. મોરબીમાં બાળકનું વીજ શોકથી, વાંકાનેરમાં યુવાનનું ઝેરી દવા પીવાથી અને હળવદમાં મહિલાનું બીમારીના કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં, જેતપર રોડ પર સોમનાથ પેટ્રોલ પંપ સામે નવઘણભાઈના ઝૂંપડા પાસે રહેતા સવજીભાઈ વાજવેલીયાના સાત વર્ષીય પુત્ર લવજી ઉર્ફે રવજીને ગત 1 માર્ચના રોજ બપોરે 12:30 વાગ્યાના અરસામાં વીજપોલ પાસે રમતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. તેને તાત્કાલિક મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર નજીક નવા ધમલપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા ધરમશીભાઈ ભરતભાઈ અબાસણીયા (ઉંમર 32) એ ગઈકાલે રાત્રે આઠ વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં તેમનું મોત થયું હતું. મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં ભાવેશભાઈ પરમારની વાડીએ રહીને મજૂરી કામ કરતી સુમનીબેન મહેન્દ્રભાઈ નાયકા (ઉંમર 20) નામની મહિલાને બીમારી સબબ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના પતિ મહેન્દ્રભાઈ નાયકા (ઉંમર 25) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:41 am

હાપા યાર્ડમાં અત્યાધુનિક વેગન શેડ તૈયાર:રૂ. 45.41 કરોડના ખર્ચે બન્યો, મરામત ક્ષમતા વધશે

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત જામનગરના હાપા યાર્ડમાં માલગાડીના વેગનની જાળવણી માટે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ. 45.41 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ શેડથી દરરોજ 5 વેગનની મરામત ક્ષમતા વધશે અને માલસામાનનું પરિવહન વધુ ઝડપી બનશે. આ પ્રોજેક્ટ ગતિ શક્તિ યુનિટ, રાજકોટ દ્વારા વિક્રમી સમયમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. મુખ્ય વહીવટી અધિકારી (રોડ સેફ્ટી, ચર્ચગેટ) અમિત મનુવાલના માર્ગદર્શન અને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના દિશાનિર્દેશ હેઠળ મુખ્ય પ્રોજેક્ટ મેનેજર (ગતિ શક્તિ, રાજકોટ) સુધીર દુબે અને તેમની ટીમે આ કાર્ય પાર પાડ્યું છે. વર્તમાનમાં, માત્ર દોઢ વર્ષના વિક્રમી સમયમાં આ પ્રોજેક્ટનું લગભગ 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ નવી સુવિધા શરૂ થવાથી બી.ટી.એન.પી., બી.સી.એન., બી.ટી.પી.એલ.એન. સહિત વિવિધ પ્રકારના માલવાહક વેગનનું નિરીક્ષણ, મરામત અને જાળવણીનું કામ હવે વધુ ઝડપી, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે થઈ શકશે. આનાથી રેલવેની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે. નવા વેગન શેડનું કદ 172 મીટર 25 મીટર છે અને તેની મહત્તમ ઊંચાઈ 16.5 મીટર છે. તેમાં ટ્રસ વગરની સ્વ-સમર્થિત હળવા વજનની પ્રોફ્લેક્સ રૂફ શીટ લગાવવામાં આવી છે. શેડની અંદર વેગનની જાળવણી માટે ત્રણ રેલવે ટ્રેક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને ભારે સાધનોના ઉપયોગ દરમિયાન ફ્લોરિંગને સુરક્ષિત રાખવા માટે હાર્ડોનાઈટ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. વેગનના ઉપરના ભાગના નિરીક્ષણ માટે લાઇન નંબર 1 અને 3 ની સાથે ઇન્સ્પેક્શન ગેન્ટ્રી અને દર 17 મીટરના અંતરે ઇન્સ્પેક્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેનાથી કર્મચારીઓ વેગન પર સુરક્ષિત રીતે પહોંચી શકશે. નવા શેડને રાજકોટ દિશા તરફથી લાઇન નંબર 22 દ્વારા જોડવામાં આવ્યો છે, જ્યારે એસી લોકો ટ્રિપ શેડને લાઇન નંબર 24 થી અલગ ઇલેક્ટ્રિફાઇડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ 78 મીટર 9 મીટરનું આધુનિક વહીવટી ભવન પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 10 રૂમ અને પ્રથમ માળે 12 રૂમનો સમાવેશ થાય છે. તેમાં મહિલા કર્મચારીઓ માટે અલગ મહિલા વિશ્રામ ખંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, પરિસરમાં અલગ પાર્કિંગ એરિયા, સર્વિસ રોડ (સીસી રોડ) અને પાણી પુરવઠા માટે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્કનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જેને હાલની ઓવરહેડ ટેન્ક સાથે જોડીને વેગન શેડ અને વહીવટી ભવનમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. માલવાહક વેગનની મરામત ક્ષમતામાં મોટો વધારો થશે​નવી સુવિધા શરૂ થવાથી માલવાહક વેગનની મરામત ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. જ્યાં પહેલા દરરોજ અંદાજે 12 વેગનની મરામત શક્ય હતી, હવે તે ક્ષમતા વધીને દરરોજ 56 વેગન થઈ જશે. આ સાથે જ આર.ઓ.એચ. (રૂટિન ઓવરહોલિંગ) આઉટટર્ન દર મહિને 70 વેગનથી વધીને 125 થી વધુ વેગન થવાની સંભાવના છે. આ વ્યવસ્થાથી બીમાર વેગનને હવે લગભગ 3 દિવસમાં ફિટ કરી શકાશે, જ્યારે પહેલા આમાં સરેરાશ 10 દિવસ જેટલો સમય લાગતો હતો. આનાથી યાર્ડમાં ભીડ ઘટશે અને માલ લોડિંગ માટે વેગનની ઉપલબ્ધતા ઝડપથી વધશે. સાથે જ અનેક ટેકનિકલ પરીક્ષણો અને ઓવરહોલિંગના કાર્યો હવે સ્થાનિક સ્તરે જ શક્ય બનશે, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે. ​રેલ સંચાલન અને માલ પરિવહનને મોટો લાભ મળશે​રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ નવી સુવિધાથી હાપા યાર્ડમાં વેગનની મરામત અને જાળવણીનું કામ પહેલાની સરખામણીમાં ઘણું ઝડપી અને વધુ સારું બનશે. આનાથી વેગન જલ્દી ફિટ થઈને માલ પરિવહન માટે ઉપલબ્ધ થશે, યાર્ડમાં ભીડ ઘટશે અને ટ્રેનોનું સંચાલન વધુ સરળ રહેશે. પરિણામે ઉદ્યોગો અને વેપારીઓને માલસામાનના પરિવહનમાં વધુ સુવિધા મળશે અને રેલવેની માલ પરિવહન ક્ષમતા તેમજ આવકમાં પણ વધારો થશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:40 am

ધોલાઈ બંદરે ફિશરીઝ વિભાગના દરોડા:ઓનલાઈન ટોકન વગર ખલાસીઓ લઈ જતી બે બોટ ઝડપાઈ

ધોલાઈ બંદરે દરિયાઈ સુરક્ષામાં ગંભીર બેદરકારી સામે આવી છે. ફિશરીઝ વિભાગે ચેકિંગ દરમિયાન બે બોટ ઝડપી પાડી છે, જેમાં નિયમ કરતાં વધુ ખલાસીઓ અને ઓનલાઈન નોંધણી વગરના શ્રમિકો દરિયામાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રથમ ઘટનામાં, ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.આર. ચાવડાની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન ધોલાઈ બંદર પર લાંગરેલી 'DARIYA DAULAT' (IND-GJ-15-MM-4059) નામની બોટની તપાસ કરવામાં આવી હતી. બોટના સંચાલક દીપકભાઈ ઉક્કડભાઈ ટંડેલ (રહે. ડુંગરી, વલસાડ) પાસેથી ઓનલાઈન ટોકન માંગવામાં આવતા જાણવા મળ્યું કે, ટોકન નંબર NVDL2802260291 માં માત્ર 7 ખલાસીઓની નોંધણી હતી, જ્યારે બોટમાં કુલ 9 ખલાસીઓ સવાર હતા. આમ, 2 ખલાસીઓની નોંધણી વગર તેમને દરિયામાં લઈ જઈ સુરક્ષા નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. બીજી એક સમાન ઘટનામાં, 'AADHYA SHAKTI' (IND-GJ-15-MM-4113) નામની બોટની તપાસ કરવામાં આવી હતી. તેના સંચાલક અરવિંદભાઈ નાનાભાઈ ટંડેલ (રહે. મોટી દાંતી, વલસાડ) પાસેથી પણ ઓનલાઈન ટોકન (NVDL2702260349) માં 7 ખલાસીઓની મંજૂરી સામે 9 ખલાસીઓ દરિયામાં માછીમારી કરવા ગયા હોવાનું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ બંને બોટ 27 અને 28 ફેબ્રુઆરીના રોજ દરિયામાં ગઈ હતી અને 15 માર્ચના રોજ પરત ફરી હતી. ફિશરીઝ ગાર્ડ તુલસીદાસ શંકરભાઈ પટેલની ફરિયાદ મુજબ, ઓનલાઈન ટોકનમાં ખલાસીઓની નોંધણી ન કરાવવી એ રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત ગંભીર બાબત છે. દરિયાઈ માર્ગે થતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે દરેક ખલાસીની સંપૂર્ણ વિગત સરકાર પાસે હોવી અનિવાર્ય છે. આ મામલે બંને બોટના સંચાલકો સામે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમની કલમ 7(4) અને 21(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પી.આઈ. એમ.આર. ચાવડા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:37 am

મોરબીમાં મકાન અને દુકાનમાં આગ:ફાયર વિભાગે બંને સ્થળે આગ પર કાબૂ મેળવ્યો

મોરબી શહેરમાં અલગ-અલગ બે સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી. એક દુકાન અને એક મકાનમાં આગ લાગી હતી. મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતાં જ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને સ્થળોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે, આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રથમ ઘટના ગાંધી ચોક પાસે તખ્તસિંહજી રોડ પર આવેલી યદુનંદન ચેમ્બરમાં બની હતી. કોઈ અગમ્ય કારણોસર દુકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં દુકાનમાં રાખેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં પણ કોઈને ઈજા થઈ ન હતી. બીજી ઘટના મોડી રાત્રે શક્તિ પ્લોટ શેરી નંબર ૧૨માં મહેશ હોટલ સામેની શેરીમાં આવેલા એક મકાનમાં બની હતી. મકાનમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી આગને ઓલવી નાખી હતી. આ બનાવમાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:36 am

પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા મેડિકલ સેવા શરૂ:સર્જિકલ સાધનો અને અન્ય સેવાઓ ટોકન દરે ઉપલબ્ધ

પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાલ પરગણા સમાજ દ્વારા મેડિકલ સેવા કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત સમાજના જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સર્જિકલ સાધન સામગ્રી, ફ્રી રોગ નિદાન કેમ્પ, ફ્રી હોમ નર્સિંગ સેવા, રાહત દરે લેબોરેટરી તપાસ, ફિઝિયોથેરાપી સેવા અને પ્રસુતાઓને સ્વાસ્થ્યવર્ધક પોષણ સામગ્રીનું વિતરણ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ સેવાઓના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન સમાલ પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજ શિક્ષણ સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા ડૉ. એન.આર. જોષીએ કરી હતી. આ પ્રસંગે ડૉ. નીતિન છત્રાલિયા, ડૉ. આર.જી. શ્રીમાળી, ડૉ. હાર્દિક જે. શ્રીમાળી, ડૉ. વિપુલ ડી. યાજ્ઞિક, ડૉ. સચિન કે. સાધુ, ડૉ. હાર્દિક એચ. ભટ્ટ, ડૉ. હિરેન એન. આચાર્ય, ડૉ. સૌરવ આર. શ્રીમાળી અને પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મેડિકલ સેવા કાર્ય થકી મેડિકલ બેડ, વ્હીલચેર, ટોઇલેટ ચેર, સ્ટીલની ટોઇલેટ ચેર, હોકર, ફોર લેગ હેન્ડસ્ટીક અને વોકર જેવા સર્જિકલ સાધનો ટોકન દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, ફ્રી રોગ નિદાન કેમ્પ, ફ્રી હોમ નર્સિંગ સેવા, રાહત દરે લેબોરેટરી તપાસ, રાહત દરે ફિઝિયોથેરાપી સેવા અને પ્રસુતાઓને સ્વાસ્થ્યવર્ધક પોષણ સામગ્રીનું વિતરણ જેવી સેવાઓ સો રૂપિયાના ટોકન દરે આપવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવશે, તેમ સંયોજક ટીમના મુખ્ય સંયોજક વિનોદભાઈ કરલિયાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમની સફળતા માટે પાટણવાડા ગુરુ બ્રાહ્મણ મેડિકલ સેવા કાર્ય સંયોજક ટીમના મુખ્ય સંયોજકો પ્રવીણભાઈ સાધુ, વિનોદભાઈ કરલિયા અને સહ-સંયોજકો પ્રેમભાઈ શ્રીમાળી, રમેશભાઈ શ્રીમાળી, અનિલભાઈ શ્રીમાળી, ડૉ. દીપકભાઈ શ્રીમાળી, કનુભાઈ નાગર, ડૉ. રમેશભાઈ શ્રીમાળી અને નવીનભાઈ વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી. પાટણના જાગૃત નગરસેવક રાજેન્દ્રભાઈ હિરવાણિયાએ શૈક્ષણિક વિકાસ સંકુલની મુલાકાત લઈ તમામ સર્જિકલ સાધનોનું નિરીક્ષણ કર્યું હતું અને સમાજની જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાવનાને બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:36 am

રાજ્યમાં 18 થી 20 માર્ચ સુધી માવઠાની આગાહી:પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત, તાપમાનમાં હજી પણ ઘટાડો થવાની શક્યતા

રાજ્યમાં માર્ચના પ્રારંભમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થયા બાદ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે. તો બીજી તરફ 18મી માર્ચથી 20 માર્ચ સુધી માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ તાપમાનનો પારો ગગડીને 40 ડિગ્રીને નીચે આવી જતા હાલ કોઈ શહેરમાં હીટવેવની શક્યતા નથી. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીમાં રાહતરાજ્યમાં સર્જાયેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેથી છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. જો કે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીએ તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આગામી 7 દિવસ સુધી હિટવેવની કોઈપણ પ્રકારની શક્યતા નથી. 18 થી 20 માર્ચ સુધી માવઠાની આગાહીમાર્ચ મહિનામાં જ પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જતા 18, 19 અને 20 માર્ચ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 18 માર્ચના કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના રાજકોટ, ભાવનગર, અમરેલી, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચના ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલું મહત્તમ તાપમાનહવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 39.2 ડિગ્રી, અમદાવાદમાં 38.4 ડિગ્રી, ભુજમાં 38 ડિગ્રી, ગાંધીનગરમાં 37.9 ડિગ્રી, ડીસામાં 37 ડિગ્રી, સુરતમાં 37 ડિગ્રી, વડોદરામાં 36.5 ડિગ્રી, નલિયામાં 36.4 ડિગ્રી, ભાવનગરમાં 35.3 ડિગ્રી, ડાંગમાં 35.2 ડિગ્રી, દાહોદમાં 34.9 ડિગ્રી, કંડલામાં 34.8 ડિગ્રી, દમણમાં 33.8 ડિગ્રી, પોરબંદરમાં 32.9 ડિગ્રી, દીવમાં 32 ડિગ્રી, ઓખામાં 31.2 ડિગ્રી, વેરાવળમાં 31.2 ડિગ્રી, દ્વારકામાં 29.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી હિટવેવની પણ કોઈપણ પ્રકારની શક્યતા જોવા મળી રહી નથી. પરંતુ આગામી 18, 19 અને 20 માર્ચના કેટલાક જિલ્લાઓમાં માધ્યમથી કમોસમી વરસાદ થઈ શકે છે. 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અત્યારે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી પહોંચી જશે. તેમજ અન્ય શહેરમાં પણ તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો નોંધાશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:28 am

મહીસાગરમાં વાતાવરણમાં પલટો, ખેડૂતોને પાક નુકસાનની ચિંતા:વાદળછાયા વાતાવરણથી ઠંડક, રાજ્યમાં 18-19 માર્ચે કમોસમી વરસાદની આગાહી

મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત બાલાસિનોર, સંતરામપુર, કડાણા, વીરપુર, ખાનપુર, કોઠંબા તેમજ ગોધર સહિતના તાલુકાના વિસ્તારોમાં આકાશમાં ઘેરા વાદળો છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હાલમાં ખેડૂતોના ખેતરોમાં ઘઉં, ચણા, ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થવાના તબક્કામાં છે. જો આ સમયમાં અચાનક વરસાદ પડે તો તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. તે ઉપરાંત, સતત વાદળછાયા વાતાવરણના કારણે ખેતરમાં વાવેતર કરેલા પાકમાં જીવાત અને રોગચાળો ફેલાવાની શક્યતા પણ વધી જતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બદલાયેલ વાતાવરણના કારણે આંબા ઉપર તૈયાર થઈ રહેલ કેરીના પાકને પણ અસર થતી હોય છે. હાલ ખેડૂતો વાતાવરણ પર નજર રાખી રહ્યા છે અને વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે, જેથી તેમની મહેનતથી તૈયાર કરેલો પાક સુરક્ષિત રહી શકે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ ગતરોજ જણાવ્યું હતું કે, આગામી તારીખ 18 અને 19 માર્ચે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપોને લીધે કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તારીખ 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદ થઈ શકે છે. જ્યારે 19 માર્ચે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ, રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળવાની છે તેમજ મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:06 am

વલસાડમાં મીરલ ગ્રુપ દ્વારા ઇફતારીનું આયોજન:ઇસ્ટ યાર્ડમાં કોમી એકતાનો સંદેશ અપાયો

વલસાડના ઇસ્ટ યાર્ડ વિસ્તારમાં મીરલ ગ્રુપ દ્વારા મુસ્લિમ બિરાદરો માટે ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું. રમઝાન માસના પવિત્ર 25માં રોઝા નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સાંજના સમયે મગરીબની અઝાન પૂર્વે ઉપસ્થિત તમામ બિરાદરોએ સાથે મળીને દુઆ માંગી હતી. ત્યારબાદ સૌએ રોઝા ખોલ્યા હતા. ઇફતારીમાં ફ્રૂટ્સ, શરબત અને વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી. મીરલ ગ્રુપ દ્વારા દર વર્ષે સામાજિક અને ધાર્મિક સદ્ભાવના વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો તહેવારોના માધ્યમથી લોકોને એકબીજાની નજીક લાવવામાં મદદરૂપ થાય છે અને કોમી એકતાનો સંદેશ આપે છે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને મીરલ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઇફતારી બાદ તમામ બિરાદરોએ ગ્રુપની આ પહેલને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 10:01 am

સાઇકલવાળાને કહ્યું ‘હું પડુ છું જોજો ને કેનાલમાં કૂદી ગયો’:વડોદરામાં યુવકે આપઘાત કરતા દુકાન માલિકે બુમાબુમ કરી મૂકી, અઠવાડિયાથી કહેતો'તો હું આજે કેનાલમાં પડીને મરી જઈશ

વડોદરા જિલ્લાના પાદરા પાસે મહલી કેનાલમાં કૂદીને યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચેલી મકરપુરા GIDC ફાયર સ્ટેશનની ટીમે માત્ર એક કલાકની જહેમત બાદ યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પાદરા તાલુકાના ડભાસા ગામના યુવાને આપઘાત કર્યોમળતી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામનો રહેવાસી અતુલભાઈ રવજીભાઈ ઠાકોર (ઉંમર 25 વર્ષ) મહલી કેનાલમાં ડૂબી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ GIDC ફાયર સ્ટેશનના સબ ઓફિસર જયદાન બારહટ અને સર સૈનિક વિપુલ સાધુ સહિતની ટીમ બોટ તથા એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડે એક કલાકમાં મૃતદેહને શોધી કાઢ્યોફાયર બ્રિગેડની ટીમે તુરંત જ કેનાલમાં બોટ ઉતારીને શોધખોળ શરૂ કરી હતી. એક કલાકના સમયગાળામાં યુવાનનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો અને તેને પાદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસ મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. હુ પડુ છું જોજો કહી કેનાલમાં કૂદી ગયોપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા પાંચ-છ દિવસથી મૃતક યુવક સતત એવું જ કહેતો હતો કે, હું આજે કેનાલમાં પડીને મરી જઈશ, એ દિવસે એ સાઇકલ લઈને સાઈકલવાળા કાકાની દુકાન પાસે ગયો હતો. એ દુકાન કેનાલની બિલકુલ બાજુમાં જ છે. ત્યાં તેણે કાકાને કહ્યું કે હું પડુ છું જોજો અને સીધો દોટ મૂકીને કેનાલ પાસે ગયો અને ત્યાં બહાર મોબાઈલ અને હેન્ડગ્લોવ્સ કાઢી અંદર પડી ગયો હતો. આ સમગ્ર ઘટના સાઇકલની દુકાનવાળા કાકાએ જોઈ હતી અને યુવકને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો અને બૂમાબૂમ કરી હતી, પણ યુવક નદીમાં કૂદી ગયો હતો અને તેનું મોત થયું હતું. ચામડીની બીમારીથી કંટાળી આપઘાત કર્યોપોલીસ પૂછપરછમાં મૃતક યુવકના પિતાએ કહ્યું હતું કે, યુવકને ચામડીની બીમારી હતી, જેની ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. જોકે કોઈ ફરક ન પડતા તે કંટાળી ગયો હતો. જેના કારણે તેને આ પગલું ભર્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 9:58 am

લોકાર્પણના એક અઠવાડિયામાં ડુમસ સી ફેસમાં ગંદકી:લોકજાગૃતિ માટે સુરત પાલિકાએ સ્પેશિયલ સફાઈ ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવું પડ્યું

સુરત શહેરના મનોરંજન અને પ્રવાસન ક્ષેત્રે એક નવું છોગું ઉમેરાયું છે, ડુમસ સી-ફેસ 8 માર્ચ 2026ના રોજ જ્યારે આ ભવ્ય પ્રોજેક્ટને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, આ ઉત્સાહની સાથે નાગરિક શિસ્તનો અભાવ પણ જોવા મળ્યો, જેના પરિણામે લોકાર્પણના એક જ અઠવાડિયામાં આ સુંદર સ્થળ કચરાપેટીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લેતા સુરત મહાનગરપાલિકાના કમિશનરે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ સફાઈ ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાનના આદેશ આપ્યા છે. લોકાર્પણના પ્રથમ અઠવાડિયામાં જ ગંદકી8 માર્ચના રોજ ડુમસ સી-ફેસના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓને સંબોધતા અત્યંત ભાવુક અને મક્કમ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર કરોડોના ખર્ચે સુવિધાઓ ઉભી કરી શકે છે, પરંતુ તેની જાળવણી રાખવી એ નાગરિકોના હાથમાં છે. તેમણે ખાસ કરીને પાનની પિચકારી મારીને દીવાલો ગંદી ન કરવા અને પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ન ફેંકવા વિનંતી કરી હતી. તેમ છતાં, લોકાર્પણના પ્રથમ અઠવાડિયામાં જ આ અપીલની અવગણના થતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ગંદકીના વીડિયો વાયરલ થયાઆ શનિવારે હજારોની સંખ્યામાં લોકો ડુમસ સી-ફેસની મુલાકાતે ઉમટી પડ્યા હતાં. લોકોના ભારે ધસારાને કારણે ખાણી-પીણીની લારીઓ અને સહેલાણીઓ દ્વારા ફેંકવામાં આવેલા પ્લાસ્ટિકના કપ, પ્લેટ્સ અને એઠવાડને કારણે સી-ફેસની સુંદરતા પર ગ્રહણ લાગ્યું હતું. ગંદકીના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં જાગૃત નાગરિકોએ તંત્ર અને બેજવાબદાર લોકો સામે રોષ ઠાલવ્યો હતો. SMCએ સફાઈ અભિયાન ચાલુ કરવું પડ્યુંસુરત મહાનગરપાલિકાના કમિશનરની સીધી સૂચના મુજબ ડુમસ સી-ફેસ ખાતે એક મોટી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ માત્ર સફાઈ પૂરતી સીમિત ન રહેતા 'જનજાગૃતિ' લાવવા પર વધુ કેન્દ્રિત હતી. 70થી 80 જેટલા લોકોએ મહેનત કરીને સી-ફેસને ચમકાવ્યોઆ કામગીરીમાં સુરત મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા હતા. અઠવા ઝોનના આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર અને મુખ્ય આરોગ્ય નિરીક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં 12થી 15 જેટલા સુપરવાઈઝરોએ સ્થળ પર રહીને મોનિટરિંગ કર્યું હતું અને સુરતના 5 અલગ-અલગ ઝોનની બિન-સરકારી સંસ્થાઓ NGOની ટીમો સ્વયંસેવક તરીકે જોડાઈ હતી. અંદાજે 70થી 80 જેટલા લોકોએ સતત મહેનત કરીને સી-ફેસને ચમકાવ્યો હતો. સ્પીકર લગાવી લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવ્યાકચરો ઉપાડવાથી સમસ્યાનો અંત આવતો નથી તેથી SMCએ બિહેવિયરલ ચેન્જ લાવવા માટે સફાઈ કામદારોએ ફરવા આવેલા લોકોને સૂકો અને ભીનો કચરો અલગ-અલગ ડસ્ટબિનમાં કેમ નાખવો જોઈએ તેની પ્રત્યક્ષ સમજ આપી હતી. મોટા સ્પીકર લગાવી લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવ્યા હતા અને જ્યાં ત્યાં કચરો ન નાખવા અપીલ કરવામાં આવી હતી સૂત્રો દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સાથે આરોગ્યની દ્રષ્ટિએ મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે સૂકો શનિવાર અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો. જાહેર સ્થળો પર પાણીનો ભરાવો ન થાય અને સફાઈ જળવાય તે માટે ભાર મૂકવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 9:51 am

રાજકોટમાં સાયબર માફિયાઓનો આતંક:નેટ બેન્કિંગનાં માધ્યમથી રૂ. 19,99,400 ની છેતરપિંડી, સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ સાગરીતોને દબોચી લીધા, રૂ. 7,44,400ની રકમ પરત અપાવી

રાજકોટમાં સાયબર ફ્રોડમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ફ્રોડની ઘટના સામે આવી હતી. જેમાં રૂ. 19,99,400 ની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓને ઝડપી લઈ રૂ. 7,44,400 ની રકમ રિકવર કરી છે. હાલ પોલીસે બાકીની રકમ રિકવર કરવા સહિતના મામલે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. ડિજિટલ યુગમાં સામાન્ય માણસની મહેનતની કમાણી હડપ કરવા માટે સાયબર ગઠિયાઓ અવનવા કીમિયા અપનાવતા હોય છે. રાજકોટમાં બનેલી આ ઘટનામાં પણ ભેજાબાજ ગુનેગારોએ ફરિયાદીના બેંક ખાતાને નેટ બેન્કિંગના માધ્યમથી હેક કરી લીધું હતું. અને કોઈને ગંધ સુધ્ધાં ન આવે તે રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરી, આ ઠગબાજોએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ખાતામાંથી રૂ. 19,99,400 ની મત્તા સેરવી લીધી હતી. જ્યારે ફરિયાદીને આ બાબતની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા, 2023 અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને ખાનગી બાતમીદારોની મદદથી આ મામલે 3 શખ્સોના લોકેશન ટ્રેસ કરવામાં આવ્યા હતા. પોલીસની અલગ-અલગ ટીમોએ દરોડા પાડીને ઉના અને રાજકોટના વિસ્તારોમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં 43 વર્ષીય વિનોદભાઈ તારાચંદ ભોજવાણી (રહે. ઉના, જી. ગીર સોમનાથ), 24 વર્ષીય યશભાઈ પ્રફુલભાઈ જાદવ (રહે. વર્ધમાન નગર, રાજકોટ) અને 20 વર્ષીય મહમ્મદદાનિશ મોહમ્મદસિદ્દિક સિપાઈ (રહે. બાપુનગર, રાજકોટ) નો સમાવેશ થાય છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં વિનોદ ભોજવાણી નામના આરોપીના ખાતામાં ફ્રોડના નાણાં જમા થતા હતા અને તે નાણાં ઉપાડીને અન્ય સુધી પહોંચાડતો હતો. જ્યારે યશભાઈ જાદવ નાણાંની હેરફેરીમાં મદદ કરવા બદલ કમિશન મેળવતો હતો. મહમ્મદદાનિશ પણ આ નાણાંની લેવડદેવડમાં સક્રિય રીતે સંકળાયેલો હતો અને તેને આ છેતરપિંડીના નાણાંમાંથી હિસ્સો પણ મળ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે પ્રાથમિક તબક્કે રૂ. 7,44,400 રિકવર કર્યા છે અને ટોળકીના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે. સાયબર ફ્રોડથી બચવા માટેની સાવચેતી વધતા જતા સાયબર અપરાધો વચ્ચે નાગરિકોએ ખૂબ જ સતર્ક રહેવું જરૂરી છે. તમારા બેંક ખાતા કે નેટ બેન્કિંગની વિગતો, યુઝર આઈડી, પાસવર્ડ કે મોબાઈલ પર આવતો OTP ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર કરવો જોઈએ નહીં. લોભામણી લિંક્સ કે અજાણ્યા સોર્સ પરથી આવતા મેસેજથી દૂર રહેવું. જો તમારા ખાતામાંથી અનધિકૃત રીતે નાણાં કપાઈ જાય, તો વિલંબ કર્યા વગર તુરંત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી, જેથી સમયસર નાણાં બ્લોક કરી શકાય અને છેતરપિંડીથી બચી શકાય છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 9:43 am

ભાજપ આદિજાતિ મોરચામાં વલસાડના બે નેતાને સ્થાન:મહેન્દ્ર ચૌધરી પ્રદેશ મહામંત્રી, વિલાસ વારલી મંત્રી બન્યા

ભાજપના આદિજાતિ મોરચાના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વલસાડ જિલ્લાના બે નેતાઓને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. ધરમપુરના મહેન્દ્રભાઈ ચૌધરીને પ્રદેશ મહામંત્રી અને વલસાડના વિલાસભાઈ વારલીને પ્રદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના વલસાડ પ્રવાસના બે દિવસ બાદ કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથેની ચર્ચા બાદ આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતસિંહ વસાવા દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે. મહેન્દ્રભાઈ ચૌધરી ધરમપુર તાલુકામાં ભાજપના પાયાના કાર્યકર્તા અને મણીભાઈ ચૌધરીના પુત્ર છે. તેઓ આદિવાસી સમાજ માટે કન્યા આશ્રમ શાળા બનાવી વિદ્યાર્થીનીઓ માટે સેવાકીય કાર્યો કરતા રહ્યા છે. ભાજપ માટે તેમની સમર્પિત સેવા નોંધનીય છે. વલસાડ જિલ્લાના અન્ય અગ્રણી કાર્યકર વિલાસભાઈ વારલીને પણ પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની નિમણૂકથી જિલ્લાના સંગઠનમાં પ્રભાવ વધ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. લાંબા સમયથી સંગઠનમાં સક્રિય રહી આદિવાસી સમાજમાં મજબૂત પકડ ધરાવતા મહેન્દ્રભાઈ ચૌધરીને પ્રદેશ કક્ષાએ મહત્વનું પદ મળતા દક્ષિણ ગુજરાતના સંગઠનને નવી દિશા મળશે તેવી ચર્ચા થઈ રહી છે. આ યાદીમાં દક્ષિણ ગુજરાતને પ્રતિનિધિત્વ મળ્યું છે. આ નિમણૂકો આગામી સમયમાં આદિજાતિ વિસ્તારોમાં સંગઠનાત્મક કામગીરીને વેગ આપવા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ભાજપે વલસાડ જિલ્લાના પ્રતિનિધિઓને પ્રદેશ માળખામાં સ્થાન આપી આદિવાસી પટ્ટામાં પોતાની પકડ મજબૂત કરવાનો સંકેત આપ્યો છે. વલસાડ જિલ્લાના બે નેતાઓને પ્રદેશ સ્તરે સ્થાન મળતા ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ધરમપુર સહિતના વિસ્તારોમાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આ વરણીને વધાવી લીધી હતી. સોશિયલ મીડિયા પર પણ બંને નેતાઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 9:14 am

સ્કૂલ બાદ ટ્યુશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ મિત્રને છરી મારી:પેટમાં છરીનો ઘા વાગવાથી ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો, અમદાવાદમાં સગીરોના મારામારીના બનાવોમાં વધારો

અમદાવાદ શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ખોખરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધો.11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે છરીનો ઘા મારી દીધો હતો. પેટમાં છરીનો ઘા વાગવાથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે બાપુનગર પોલીસે છરી મારનાર સગીર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બીજા રૂમમાં બેસવાનું કહેતાં ઝઘડો થયોઅમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં હીરાવાડી નજીક 17 વર્ષીય સગીર તેના પરિવાર સાથે રહે છે અને ભગવતી વિદ્યાલય બાપુનગર ખાતે ધો. 11માં અભ્યાસ કરે છે. બાપુનગર વિસ્તારમાં પ્રતીક્ષા માર્કેટ પાસે આવેલા કોમર્સ એક્સપોર્ટ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ અર્થે જાય છે. સ્કૂલમાં જ સાથે અભ્યાસ કરતો અન્ય એક વિદ્યાર્થી પણ આ જ ટ્યુશન ક્લાસમાં સાથે અભ્યાસ કરે છે. 15 માર્ચના રોજ સગીર ટ્યુશન ક્લાસીસમાં ગયો હતો ત્યારે તેના રૂમમાં જગ્યા ન હોવાથી તેના સાથી વિદ્યાર્થીને તેણે બીજા રૂમમાં જવાનું કહ્યું હતું જેના કારણે બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. છરો કાઢીને પેટના ડાબા ભાગે મારી દીધોબંને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી, ત્યારે બપોરના સમયે જ્યારે સગીર હીરાવાડી વિસ્તારમાં તુલસી ફ્લેટ નજીક આવેલા ભોમિયા ડેરી પાસે ઉભો હતો ત્યારે તેનો સાથી વિદ્યાર્થી મિત્ર આવ્યો હતો અને ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા ન હોવાથી બીજા રૂમમાં કહેવા બાબતે થયેલી બોલા ચાલીને લઈને તેના પાસે રહેલો છરો કાઢ્યો હતો અને પેટના ડાબા ભાગે એક ઘા મારી દીધો હતો. ઈજાગ્રસ્તને સાથી અન્ય મિત્ર રીક્ષામાં લઈ ગયોજેથી બૂમાબૂમ થઈ હતી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને છરી મારનાર વિદ્યાર્થી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સગીર સાથે ઉભેલો તેનો બીજો મિત્ર તેને રીક્ષામાં બેસાડીને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હાલ સારવાર હેઠળ છે. આ બાબતે બાપુનગર પોલીસે ગુનો નોંધી આરોપી સગીર અંગે તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો શું હતો સેવન્થ-ડે સ્કૂલનો સમગ્ર મામલો? 19 ઓગસ્ટ, 2025ના દિવસે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી. આ ઘટનાના 15 દિવસ એટલે કે, 2 સપ્ટેમ્બરના રોજ સ્કૂલના CCTV સામે આવ્યા હતાં. મૃતક વિદ્યાર્થી નયન ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો જોવા મળે છે. બપોરે 12:53 કલાકે નયનને જ્યાં ઇજા પહોંચી એ પેટના ભાગને હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળે છે. આ પણ વાંચો... 'સેવન્થ ડે'ની પોલ ખોલતો વીડિયો, લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો, પહેલીવાર સામે આવ્યા CCTV જોકે થોડીવાર બાદ નયન ઢળી પડતાં આસપાસમાં વિદ્યાર્થીઓનું ટોળું ભેગું થઈ જાય છે. આ દરમિયાન સ્કૂલના સ્ટાફ કે સિક્યોરિટી ગાર્ડ દ્વારા નયનને કોઈ મદદ કરવામાં આવી નહોતી અને લોકો ત્યાં ઊભાં ઊભાં માત્ર બધું જોઈ રહ્યા હતા. ત્યાર બાદ નયનની માતા અને અન્ય એક મહિલા ત્યાં આવી પહોંચે છે અને વિદ્યાર્થીઓની મદદથી નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતાં પણ જોવા મળી રહ્યાં છે. આ ઘટનામાં સ્કૂલની બેદરકારી હોવાનું જણાવી વાલીઓએ રોષે ભરાઈને વિરોધ નોંધાવી સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટના બાદ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. બાદમાં વિદ્યાથીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓની તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 3 ઓક્ટોબરે ધો.10 અને 12ના વિદ્યાથીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો: અગાઉ ઝઘડો થતાં શિક્ષકોએ કહ્યું હતું, 'એકબીજાને સોરી બોલી દો’, સેવન્થ ડે સ્કૂલે કર્યો હતો ઢાંકપિછોડો આ પણ વાંચો: સ્ટુડન્ટના પેટમાં છરી નહીં, ફિઝિક્સનું સાધન ભોંક્યું: નજરે જોનારનો દાવો આ પણ વાંચો: સ્કૂલ સ્ટાફને માર મારી બેફામ તોડફોડ, સેવન્થ ડે સ્કૂલના ધો.8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટની હત્યા કરતા સ્થિતિ વણસી હતી અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના, CCTV અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી જ ઘટના ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર બની છે. 19 જાન્યુઆરી સ્કૂલ બહાર ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો બીજી તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની બહેને આક્ષેપ કર્યા છે કે, ભાઈને માથામાં વધારે વાગ્યું છે, પણ સ્કૂલે પટ્ટી પણ સરખી બંધાવી નથી. જો તેના મિત્રએ છરી ન પકડી હોત અને મર્ડર થયું હોત તો શું કરત? (વાંચો સંપૂર્ણ સમાચાર) નવસારીની SGM સ્કૂલની બહાર થઈ અમદાવાદવાળી; એક વિદ્યાર્થી કાતર લઈ તૂટી પડ્યો 26 નવેમ્બર, 2025ના નવસારીની SGM સ્કૂલની બહાર આજે અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી છે. જ્યાં બે વિદ્યાર્થીઓ વચ્ચે હાથાપાઈ થઈ હતી. જે દરમિયાન એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના પેટમાં કાતર મારી દીધી હતી. જે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. જેને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બોલાચાલી બાદ વિદ્યાર્થીઓ વચ્ચે હાથાપાઈ થઈ આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર, SGM શિરોયા સ્કૂલના ચાર-પાંચ વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર ભેગા થયા હતા. શરૂઆતમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. ઝઘડા દરમિયાન, એક વિદ્યાર્થીએ મોપેડ પર બેઠેલા અન્ય વિદ્યાર્થીને માથામાં ટપલી મારી હતી. ત્યારબાદ બંને વચ્ચે મારામારી શરૂ થઈ હતી. જેમાં એક વિદ્યાર્થીએ ધારદાર વસ્તુ વડે હુમલો કરતા બીજા વિદ્યાર્થીને હાથ અને પેટના ભાગે ઈજાઓ થઈ હતી.(વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 9:11 am

સોમનાથ મંદિર પર જાકળની ચાદર છવાઈ:ગીરસોમનાથમાં વાતાવરણ પલટાતા વહેલી સવારે અદ્ભુત દ્રશ્યો સર્જાયા

ગીરસોમનાથમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર જાકળની ગાઢ ચાદર છવાઈ ગઈ હતી. વહેલી સવારે ધુમ્મસના કારણે મંદિર પરિસરમાં અદ્ભુત અને મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. મંદિરે દર્શનાર્થે આવતા યાત્રિકોએ પણ સોમનાથ દાદાના જાકળભર્યા દર્શનનો લાભ લીધો હતો. આ અસામાન્ય વાતાવરણથી દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ પ્રભાવિત થયા હતા. સામાન્ય રીતે આવા સમયે સોમનાથ ખાતે આટલી ગાઢ જાકળ જોવા મળતી નથી. વાતાવરણમાં આવેલા આ એકાએક પલટાને કારણે વહેલી સવારે સોમનાથ દાદા જાણે ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 9:04 am

કાલોલ ગેંગડિયા ચોકડી પાસે બાઇક સ્લીપ:માતા-પુત્ર ગંભીર ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલમાં દાખલ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. કાલોલની ગેંગડિયા ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માતા-પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘોઘંબાના રહેવાસી અશોકભાઈ પરમાર તેમની માતા લીલાબેન સાથે બાઇક પર વેજલપુર ખાતે તેમના માસીના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગેંગડિયા ચોકડી પાસેથી પસાર થતી વખતે અચાનક તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. અકસ્માતમાં બાઇક ચાલક અશોકભાઈને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે તેમની માતા લીલાબેનને મોઢાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તેમણે ઇજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 8:57 am

ડિકેબીન અંડરપાસ પાસેનો 500 મીટર રોડ ધૂળિયો બન્યો:ચંદ્રભાગા નાળા રીડેવલોપમેન્ટની કામગીરીમાં AMC કોન્ટ્રાક્ટરની બેદરકારી!, કમિશનરની સૂચનાનો ઉલાળ્યો

અમદાવાદ શહેરમાં વધતા જતા હવા પ્રદુષણને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસને અમલમાં લાવવા માટે મીટીંગો કરીને અધિકારીઓને જો આ પ્રેક્ટિસનો અમલ ન કરે તો તેની સામે કડક કાર્યવાહીના આદેશ આપે છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામોના જ કોન્ટ્રાક્ટરો દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસનો અમલ કરવામાં આવતો નથી. અમદાવાદ શહેરના ડિકેબિનથી વાડજ ચંદ્રભાગાના નાળા સુધીના રીડવલપમેન્ટની કામગીરીમાં સુધાકર નામના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર માટી ઉડાડવાથી લઈને તેમના આરએમસી પ્લાન્ટના કારણે આખો વિસ્તાર પ્રદૂષિત થયો છે. 24 કલાક આ રોડ ઉપર માટી ઉડતી હોય છે જેના કારણે થઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ખૂબ જ હાલાકી પડે છે. અધિકારીનો લૂલો બચાવ કરતો જવાબમ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારી રાકેશ બોડીવાલાએ જણાવ્યું હતું કે, ચંદ્રભાગા નાળાના રી ડેવલપમેન્ટની કામગીરી બે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે. જેમાં ડીકેબીનથી કાળી ગામ સુધી સુધાકર અને કાળીગામથી વાડજ સુધી પી.દાસ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ડી કેબીનથી નવા રેલવે અન્ડરપાસ સુધી કામગીરી દરમિયાન ધૂળ ઉડતી હોય કે રોડ ઉપર માટી હશે તો આ બાબતે હું તપાસ કરાવી લઉં છું. ખુલ્લેઆમ RMC પ્લાન્ટ,માટી ને ધૂળિયો રસ્તોમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નાળા બંધ કરવામાં આવી રહ્યા છે. ચંદ્રભાગાનું નાળામાં બંધ કરવા માટે ડીકેબિન અંડરપાસથી કાળીગામ સુધીના નાળાની કામગીરીમાં સુધાકર નામના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ડિકેબીન અંડરપાસથી કાળીગામના નવા બનાવેલા રેલવે અન્ડર પાસ સુધીની અત્યારે જે કામગીરી ચાલી રહી છે, તેમાં 500 મીટરનો રોડ ધૂળવાળો કરી નાખવામાં આવ્યો છે. બંને અંડરપાસ વચ્ચેના રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ધૂળ ઉડવાનો સામનો કરવો પડે છે ખાસ કરીને રેલ્વે યાર્ડની ઓફિસ પાસે કોન્ટ્રાક્ટરને ખુલ્લેઆમ RMC પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે અને ત્યાં જ બધી માટી રાખવામાં આવી છે જેના કારણે થઈને ધૂળ ઊડી રહી છે. ગુડ કન્સ્ટ્રક્શન સાઈટ પ્રેક્ટિસનો અમલ કરવા કમિશનરની સૂચનાનો ઉલાળ્યો આખો નવો રેલવે અંડર પાસ પણ ધૂળથી ભરાઈ ગયો છે. રોજની ખૂબ મોટી સંખ્યામાં ધૂળ ઉડે છે અને જો આ વિસ્તારમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ માપવામાં આવે તો 500થી પણ ઉપર જાય એટલી ખરાબ સ્થિતિ આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરીના કારણે થઈ રહી છે. એક તરફ શહેરમાં મ્યુનિસિપલ કમિશનર ગુડ કન્સ્ટ્રક્શન સાઈટ પ્રેક્ટિસનો અમલ કરવા માટેની સૂચના આપી રહ્યા છે. પરંતુ ખુદ તેમના જ કોન્ટ્રાક્ટરો આ પોલીસીનો અમલ કરી રહ્યા નથી. સામાન્ય જો ગ્રીન નેટ ના લગાવી હોય અથવા તો પાણી રોડ ઉપર છાંટવામાં ન આવ્યું હોય તો સાઈડના સીલ કરવાથી લઈ મોટો દંડ કરવામાં આવે છે ત્યારે આ કોન્ટ્રાક્ટરની સાઈટને સીલ કરી દેવામાં આવશે કે તેને ખૂબ મોટો દંડ કરાશે તેને લઈને સવાલ છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 8:46 am

કિંજલ રબારીનો યુ-ટર્ન: 'હું રાહ ભટકી ગઈ હતી':ગઈકાલે ઘરે પરત ફર્યા બાદ ઈન્ટા પર પોસ્ટ મુકી; 'મેં સ્વેચ્છાએ પરિવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે, અફવાઓથી દૂર રહેવા અપીલ'

લોકગાયિકા કિંજલ રબારીના લગ્ન અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. સોશિયલ મીડિયા પર ધમકીઓ અને સુરક્ષાની માંગણીના વીડિયો વાઇરલ કર્યા બાદ, હવે કિંજલ રબારી પોતાના પરિવાર પાસે પરત ફરી છે અને અગાઉના તમામ નિવેદનોથી યુ-ટર્ન લીધો છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમલગ્નનો વિવાદ આખરે શાંત પડ્યો છે. રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ કિંજલ રબારી 14 માર્ચે મોડી રાત્રે પોતાના પરિવાર પાસે પરત ફરી છે. પરિવાર સાથે મિલન બાદ કિંજલે સોશિયલ મીડિયા પરથી પોતાના જૂના વિરોધ પ્રદર્શનવાળા વીડિયો ડીલીટ કરી દીધા છે અને એક નવી સ્પષ્ટતા જાહેર કરી છે. સમાજની મધ્યસ્થી અને મોડી રાત્રે લેવાયેલો નિર્ણય કિંજલ રબારીએ જ્યારે અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હોવાની જાહેરાત કરી, ત્યારે સોશિયલ મીડિયા પર ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો. આ મામલે રબારી અને ચૌધરી સમાજના આગેવાનો વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો. ચૌધરી સમાજના આગેવાનોએ રવિવાર પહેલાં કિંજલને તેના પરિવારને સોંપવાની બાહેંધરી આપી હતી. જે અંતર્ગત મોડી રાત્રે કિંજલ અને અશોકને અલગ કરી, કિંજલને તેના પિતા અને પરિવારજનોને સોંપવામાં આવી હતી. કિંજલ રબારીનો યુ-ટર્ન: હું રાહ ભટકી ગઈ હતી પરિવાર પાસે પરત ફર્યા બાદ કિંજલ રબારીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, હું મારી રાહ ભટકી જે પગલું ભરેલું તે ખોટું હતું. અત્યારે હું મારી રાજીખુશીથી પરિવાર પાસે આવી ગઈ છું અને કાયમ માટે પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું. તેણે વધુમાં વિનંતી કરી છે કે. હવે તેના વિશે કોઈએ અફવા ફેલાવવી નહીં અને તેના નામે ચાલતા ફેક એકાઉન્ટ્સ પરથી અગાઉના વીડિયો કે AI દ્વારા બનાવેલા ફોટા ડિલીટ કરી દેવા. કિંજલ રબારીએ ઘરે પરત ફર્યા બાદ ઇન્સ્ટા પર પોસ્ટ હું કિંજલ રબારી મારા નામે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે કહેવા માગું છું, હું મારી રાહ ભટકી જે પગલું ભરેલું તે પગલું ખોટુ હતું માટે હું રાજી ખુશીથી મારા પરિવારનો સપર્ક કરી મારા પરિવાર પાસે આવી ગયેલી છું અને હું કાયમ માટે મારા પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું. મારા માલધારી સમાજના દરેક આગેવાનોને અને ભાઈઓને અને સર્વે અઢારે આલમના મારા ચાહકમિત્રોને વિનંતી કરવા માગું છું કે, કોઈએ મારા વિશે ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીં અને કોઈ ખોટી વાતો અફવાઓમાં આવવું નહીં. મારા નામે જે પણ અન્ય સોશિયલ મિડિયાના એકાઉન્ટ ચાલવી રહ્યા છે તે તમામને મારા આગળના વીડિયોને ડીલીટ કરવા સાથે અન્ય કોઈ ખોટા એઆઈથી બનાવેલા ફોટો કે વીડિયો નહીં મૂકવા વિનંતી.. જય દ્વારકાધીશ.. ~ કિંજલ રબારી શું હતો સમગ્ર વિવાદ? આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કિંજલે એક વીડિયો શેર કરી જણાવ્યું કે, તેણે ચૌધરી જ્ઞાતિના યુવક સાથે મરજીથી લગ્ન કર્યા છે. ત્યાર બાદ તેણે વધુ એક વીડિયોમાં ગંભીર આક્ષેપો કર્યા હતા: કોણ છે કિંજલ રબારી? રાધનપુરના સિનાડ ગામની વતની કિંજલ રબારી એક સાધારણ પરિવારમાંથી આવે છે. સરકારી શાળામાં અભ્યાસ દરમિયાન શિક્ષકોના પ્રોત્સાહનથી તે ગાયકીના ક્ષેત્રમાં આવી હતી. પોતાની મહેનતથી તે 'કોયલ કંઠી' સિંગર તરીકે પ્રખ્યાત થઈ અને અનેક લોકગીતો તેમજ લગ્નગીતો દ્વારા ગુજરાતમાં જાણીતી બની છે. કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્નનો મામલો જે કાયદાકીય અને સામાજિક લડાઈ તરફ જઈ રહ્યો હતો, તેનો અંત સામાજિક સમજાવટથી આવ્યો છે. કિંજલે હવે તમામ વિવાદો પર પૂર્ણવિરામ મૂકીને પરિવાર સાથે રહેવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 8:01 am

ઓડિશામાં કરુણાંતિકા : SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10ના મોતની આશંકા

Odisha SCB Hospital Fire News : ઓડિશાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે જ અહીં SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 10થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગમાં લગભગ પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા હતા.

ગુજરાત સમાચાર 16 Mar 2026 7:30 am

4000 કર્મચારીઓએ જ એર ઈન્ડિયામાં આચર્યું કૌભાંડ, પરિજનોના નામે ફ્રી ટિકિટો લઈ ઊંચા ભાવે વેચી મારી

Air India Scam News : એર ઈન્ડિયાના આશરે ચાર હજાર કર્મચારીઓએ કંપનીની એમ્પલોયી લેઝર ટ્રાવેલ (ઈએલટી) પોલિસીનો ગેરલાભ લઈ પરિવારજનોને નામે ફ્રી ટિકિટ મેળવી ત્રાહિત લોકોને ઊંચા ભાવે વેચી દઈ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ એર ઈન્ડિયાએ કસૂરવાર કર્મચારીઓ પાસેથી રિફંડ મેળવવાનું તથા તેમને જંગી દંડ ફટકારવાનું શરુ કર્યુું હોવાનું કહેવાય છે. એરલાઈન દ્વારા હાથ ધરવામાં આવેલી વિગતવાર આંતરિક તપાસ બાદ આ ગેરરિતીઓ પ્રકાશમાં આવી હતી. આ તપાસમાં સ્ટાફના સભ્યો દ્વારા ઈએલટી સુવિધાના ઉપયોગમાં મોટા પાયે વિસંગતાઓ જોવા મળી હતી.

ગુજરાત સમાચાર 16 Mar 2026 7:17 am

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

Weather News : ઉત્તર ભારતનાં મેદાની વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં હળવો વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. દેશની રાજધાની દિલ્હીમાં સવારે હળવો વરસાદ પડયો હતો. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર દિલ્હીમાં સવારે 8:30 વાગ્યા સુધીમાં 8 મિમી વરસાદ નોંધાયો હતો. હવામાન નિષ્ણાતોનાં જણાવ્યા અનુસાર પશ્ચિમ વિક્ષેપ પશ્ચિમ હિમાલય તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે મધ્ય પાકિસ્તાન, પંજાબ અને હરિયાણામાં વાવાઝોડાની શક્યતા છે.

ગુજરાત સમાચાર 16 Mar 2026 7:14 am

મુસાફરી બનશે સુગમ:ભચાઉ-ખડીર વચ્ચેનું અંતર 80 કિમી ઘટશે એકલ-બાંભણકા માર્ગમાં માટી-મેટલ કામ પૂર્ણ

ભચાઉ તાલુકાના ખડીર બેટ વિસ્તારને તાલુકા મથક સાથે સીધો જોડવા અત્યંત મહત્વપૂર્ણ એવા એકલ-બાંભણકા રોડનું નિર્માણ કાર્ય બે વર્ષથી ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના આ પ્રોજેક્ટની 60 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. હાલમાં આ રસ્તો બીજા રોડ ટુ હેવન તરીકે પણ પ્રચલીત છે. હાલમાં અહીં માટીકામ અને મેટલકામ પુર્ણ થયું છે અને ડામર કામ હવે શરૂ થશે. રણમાં કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા હોવાથી ત્યાં પુલનું કામ બાકી છે. સંભવત ચાલુ વર્ષમાં કામ પુર્ણ થતા ખડીરના 11 ગામોના લોકો, પ્રવાસીઓ અને સરહદ પર તૈનાત સુરક્ષાકર્મીઓ માટે મુસાફરી સુગમ બનશે. આ અંગેની વિગતો મુજબ, હાલમાં ખડીર બેટના રહેવાસીઓને ભચાઉ આવવા માટે રાપર તાલુકામાંથી પસાર થઈને આશરે 150 કિમીનું અંતર કાપવું પડે છે. આ નવી મિસિંગ લિંક તૈયાર થવાથી આ અંતર ઘટીને માત્ર 80 કિમી થશે. ખડીર વિસ્તારના ગામોના સામાજીક વ્યવહાર ભરૂડીયા- ચોબારી સાથે હોઇ હાલે રાપર, ભચાઉ થઈ આશરે 180 કીમીના અંતરથી પ્રવાસ કરે છે. વર્ષ 2006-07 માં આ રસ્તાના કામ માટે ગુજરાત સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી જોકે, ઘુડખર અભયારણ્ય અને વાઈલ્ડ લાઈફ ક્લિયરન્સના કારણે કામ અટકેલું હતું. છેવટે 2018માં નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફ દ્વારા વન્ય જીવોને નુકસાન ન થાય તેવી શરતો સાથે આ પ્રપોઝલ માન્ય રખાઈ જે બાદ કામ શરૂ કરાયું હતું આ રસ્તા માટે રૂ. 127.43 કરોડથી વધુની ટેકનિકલ મંજૂરી મળી હતી. જે બાદ ફેબ્રુઆરી 2024માં વર્કઓર્ડર અપાયો હતો. રસ્તો રણ વિસ્તાર અને વોટરલોગ્ડ એરિયામાંથી પસાર થતો હોવાથી જમીનથી 1.40 મીટરની ઊંચાઈ પર બનાવાઈ રહ્યો છે. આ સિંગલ પટ્ટી માર્ગો ડબલ લેન બને તો સોનામાં સુગંધ ભળેએકલ-બાંભણકા રસ્તાની સાથે સ્થાનિકોએ જણાવ્યું કે અન્ય સિંગલ પટ્ટી રોડ ડબલ લેન બનાવી આપવામાં આવે તો વિશેષ ફાયદો થાય તેમ છે. જેમાં હાલમાં જનાણથી બાંભણકા વચ્ચે 3 કિલોમીટર અને એકલથી ભરૂડિયા વચ્ચે 5 કિલોમીટરનો સિંગલ પટ્ટી ડામર રોડ છે. જો આ માર્ગને ડબલ લેન કરાય તો પ્રવાસીઓનો સમય અને ઇંધણ બંને બચી શકે તેમ છે. માર્ગ પરિવર્તનની આ યોજનામાં ભરૂડિયાથી કુડા સુધીના 5 કિલોમીટરના સિંગલ રોડ સાથે રવેચીનગર (ભરૂડિયા) થી રામવાવ આધોઈ ફાટક સુધીના આશરે ચારથી પાંચ કિલોમીટરના જૂના ગાડા માર્ગને નવો ઓપ આપવામાં આવે તો ભરૂડિયા ગામ બાયપાસ થઈ શકે તેમ છે ઉપરાંત એકલ માતાજીથી સુવઈ થઈ રાપર જતો 25 કિલોમીટરનો સિંગલ પટ્ટી માર્ગ જો ડબલ લેન કરાય તો રાપર અને ધોળાવીરા વચ્ચેનું અંતર પણ 20 કિલોમીટર જેટલું ઘટી જશે તેમ ભૌગોલિક જાણકારો જણાવી રહ્યા છે. માર્ગોના આયોજનબદ્ધ કામો પૂર્ણ થવાથી ધોળાવીરાથી રાપર થઈ અમદાવાદ જવાનું અંતર જે 370 કિલોમીટર અને રાજકોટનું અંતર 270 કિલોમીટર છે તેમાં 40 કિલોમીટરનો ઘટાડો નોંધાશે. ઘડુલી-સાંતલપુર રસ્તો કાર્યરત હોતાં લખપત, હાજીપીર અને ખાવડા તરફથી આવતા પ્રવાસીઓ ડાયરેક્ટ ધોળાવીરા થઈ સીધા અમદાવાદ તરફ જઈ શકશે. આ રીતે 160 કિમીનું અંતર 80 કિમીમાં ફેરવાયું આ રસ્તો બંધ હતો ત્યારે લોકોને તાલુકા મથક જવું હોય તો ભચાઉ - સામખીયાળી - ચિત્રોડ-રાપર - જનાણ - ધોળાવીરા એમ 160 કિલોમીટર રસ્તાનો ઉપયોગ કરવો પડતો.હાલમાં માર્ગનું કામ ચાલુ છે અને વાહનવ્યવહાર પણ ચાલુ છે જેમાં ભચાઉ - કુડા - ભરૂડિયા - એકલ- બાભણકા (રણ) - જનાણ (ગઢડા) - ધોળાવીરા માર્ગ બની રહ્યો છે જે 80 કિલોમીટરનો છે. ઇતિહાસ ઘણો જૂનો : 1984-85 સુધી અહીં એસટી બસ દોડતીઆ રસ્તાનો ઈતિહાસ ઘણો જૂનો છે. વર્ષ 1984-85 સુધી આ માર્ગ પર એસટી બસ સેવા કાર્યરત હતી, પરંતુ ત્યારબાદ રણના આ કાચા માર્ગ પર અવરજવર મુશ્કેલ હતી. એકલ-બાંભણકા રણમાં હયાત માટી કામવાળા રસ્તા પર વર્ષ 1983-84 અને 1985-86માં અછત રાહતકામ હેઠળ માટી કામ પણ થયેલ છે. અને અછત સેફ સ્ટેજમાં નાળા પુલીયાની કામગીરી પણ થઇ છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:35 am

ભીમાસર ગામના વિકાસની કલગીમાં નવું છોગું ઉમેરાયું:કચ્છમાં ગ્રામ્ય સ્તરે પ્રથમ મોડેલ શાક માર્કેટ કાર્યરત

રાષ્ટ્રીય કક્ષાએ અનેક એવોર્ડ મેળવી ચૂકેલા અંજાર તાલુકાના ભીમાસર ગામના વિકાસની કલગીમાં આજે વધુ એક છોગું ઉમેરાયું છે. ભીમાસર ગ્રામ પંચાયતે સરકારી ગ્રાન્ટની રાહ જોયા વગર પોતાના સ્વભંડોળમાંથી અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરેલી ભવ્ય અને આધુનિક શાક માર્કેટનું રવિવાર 15 માર્ચના લોકાર્પણ કરાયું હતું. કચ્છમાં ગ્રામ્ય કક્ષાએ આ પ્રકારની પ્રથમ વિશાળ અને સુવિધાજનક શાક માર્કેટ બનાવીને ભીમાસરે સમગ્ર ગુજરાતમાં એક નવો રાહ ચીંધ્યો છે. આ શાક માર્કેટના સ્વપ્નદ્રષ્ટા અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલ, સરપંચ ડાઈબેન હરેશ હુંબલ તથા પંચાયતના હોદ્દેદારોના હસ્તે રીબીન કાપી અને તકતીનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે રાધે કૃષ્ણા મંદિરના પૂજારી સુનીલ શાસ્ત્રી દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી. આ માર્કેટમાં 50 જેટલા પાકા થલ્લા અને છૂટક ફેરિયાઓ માટે ખાસ હોકર્સ ઝોન બનાવવામાં આવ્યો છે. પંચાયત દ્વારા નિયમો નક્કી કરી ગામના જ ગરીબ પરિવારો, રેકડીધારકો અને દેવીપૂજક સમાજના નાના વેપારીઓને અગ્રતા આપીને થલ્લા ફાળવણી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના ઉપસરપંચ કંકુબેન જીવાભાઈ બાર, સા.ન્યા. ચેરમેન જોમાબેન ડુંગરિયા, તલાટી એલ.એસ. અસોડા, જીલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન ડાંગર, તાલુકા પંચાયત સદસ્ય કુંવરબેન હુંબલ, ગ્રામ પંચાયતના સદસ્યઓ મમતાબેન ઔદીચ્ય, રૂડીબેન જરૂ. કકુબેન હેઠવાડીયા, મઘીબેન કરોત્રા, મોમાયા ડુંગરિયા, રાજેશ ભીલ, બાબુ કારું, શામજી હુંબલ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો હાજરરહ્યા હતા. રેકડી ચલાવવામાંથી મુક્તિ અને ગ્રાહકોને સુવિધાઆ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગામના નાના વર્ગના શાકભાજી વેચતા પરિવારોને રઝળપાટ અને રેકડી ચલાવવામાંથી મુક્તિ આપી એક કાયમી આશ્રયસ્થાન આપવાનો છે. હવે ગામલોકોને એક જ છત નીચેથી તમામ પ્રકારની તાજી શાકભાજી મળી રહેશે, જેનાથી ગ્રાહકો અને વેપારીઓ બંનેનો સમય અને શક્તિ બચશે. સ્વનિર્ભર પંચાયતનું શ્રેષ્ઠ ઉદાહરણ18થી વધુ રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત ભીમાસર ગ્રામ પંચાયતે ફરી એકવાર સાબિત કર્યું છે કે જો મક્કમ ઈચ્છાશક્તિ હોય તો પંચાયત સ્વભંડોળમાંથી પણ નગરપાલિકા જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરી શકાય છે. આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પંચાયતની આ વ્યવસ્થાને બિરદાવી હતી. ભીમાસરની આ ‘મોડેલ શાક માર્કેટ’ હવે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:31 am

ફુજૈરાહ હુમલા બાદ ‘જગ લાડકી’ મુન્દ્રા તરફ રવાના:યુએઇના પોર્ટ પર હુમલા વચ્ચેથી ભારતીય ક્રૂડ ટેન્કર ‘જગ લાડકી’ મુન્દ્રા આવવા રવાના

પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે અને વૈશ્વિક દરિયાઈ વેપાર પર જોખમ વધી ગયું છે. ત્યારે યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ના અત્યંત વ્યસ્ત એવા ફુજૈરાહ પોર્ટના ઓઈલ ટર્મિનલ પર શનિવારે ડ્રોન દ્વારા ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા વખતે પોર્ટ પર જ રહેલા ભારતીય ધ્વજ ધરાવતા ક્રૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’નો આબાદ બચાવ થયો છે અને હવે આ જહાજ કચ્છના મુન્દ્રા પોર્ટ તરફ રવાના થઈ ચૂક્યું છે. ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયની સત્તાવાર માહિતી અનુસાર, 14 માર્ચના રોજ જ્યારે ‘જગ લાડકી’ જહાજ ફુજૈરાહના સિંગલ પોઈન્ટ મૂરિંગ પર ક્રૂડ ઓઈલ લોડ કરી રહ્યું હતું. બરાબર તે જ સમયે ઓઈલ ટર્મિનલ પર ડ્રોન સ્ટ્રાઈક થઈ હતી. હુમલાના કારણે ટર્મિનલની આસપાસ આગ ફાટી નીકળી હતી અને મોટાભાગની લોડિંગ કામગીરીઓ તાત્કાલિક રોકવી પડી હતી. જોકે, આ ભયાનક અને જીવલેણ સ્થિતિ વચ્ચે પણ ભારતીય જહાજનો બચાવ થયો છે. રવિવારે સવારે 10:30 કલાકે (IST), ‘જગ લાડકી’ લગભગ 80,800 ટન મરબન ક્રૂડ ઓઈલ લઈને ફુજૈરાહ પોર્ટ પરથી સંપૂર્ણપણે સુરક્ષિત રીતે કચ્છના મુન્દ્રા બંદર આવવા રવાના થઈ ચૂક્યું છે. સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે જહાજ પર સવાર તમામ ભારતીય સી-ફેરર્સ (નાવિકો) એકદમ સુરક્ષિત છે. મિડલઇસ્ટમાંથી મોટા ભાગના ભારતીય જહાજો કચ્છના કંડલા અને મુન્દ્રા બંદરે જ આવશેબીજી તરફ, ગલ્ફ ઓફ ઓમાનમાં ભારતીય નૌકાદળનું ‘ઓપરેશન એસ્કોર્ટ’ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને આવી રહેલા ભારતના બે મોટા LPG જહાજો ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ હાલમાં ઇન્ડિયન નેવીના 3 યુદ્ધજહાજોના કડક સુરક્ષા કવચ હેઠળ ભારત તરફ જ આગળ વધી રહ્યા છે.કુલ 92,700 મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) ભરેલા આ બંને જહાજો 16 માર્ચ, સોમવારે કચ્છના કાંઠે પહોંચી જશે. લેટેસ્ટ સેટેલાઇટ ટ્રેકિંગ મુજબ, ‘શિવાલિક’ સોમવારે વહેલી સવારે મુન્દ્રા પોર્ટ પર અને ‘નંદા દેવી’ સોમવારે રાત્રે કંડલા (દીનદયાળ પોર્ટ) પર લાંગરશે. કચ્છના સ્થાનિક પોર્ટ પ્રશાસન દ્વારા આ વિશાળ કાર્ગોને ખાલી કરવા માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:26 am

ખાંભલા ઓનર કિલિંગ:આરોપી પિતા-ભાણેજ 2 દિવસ રિમાન્ડ પર

નખત્રાણા તાલુકાના ખાંભલામાં પ્રેમ પ્રકરણના કારણે બનેલા ઓનર કિલિંગના બનાવમાં આરોપી પિતા અને તેના ભાણેજને કોર્ટમાં રજુ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે.હત્યા બાદ મૃતક યુવકનો ફોન તોડી નજીકમાં ફેકી દેવાયો હતો જે પોલીસે કબ્જે કરી લીધો છે. છેલ્લા બે દિવસથી ચર્ચાસ્પદ બનેલા ખાંભલાના ઓનર કિલિંગના બનાવમાં પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી લીધી હતી.જે બાદ યુવતીની માતાને જેલ હવાલે કરી દેવામાં આવી હતી અને તેના ભાઈને જુવેનાઈલમાં મોકલી દેવાયો હતો. આ મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ જે.ડી.સરવૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, રવિવારે આરોપી પિતા વંકા ઉર્ફે રાજા પેના રબારી અને તેના ભાણેજ સોમા ઉર્ફે પબા સામત રબારીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં કોર્ટે બન્ને આરોપીઓના મંગળવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાની તલસ્પર્શી વિગતો બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે.પ્રેમી યુગલની હત્યા નિપજાવ્યા બાદ આરોપીઓએ યુવકનો મોબાઈલ તોડીને નજીકમાં આવેલા થોરના ઝાડમાં ફેંકી દીધો હતો જે પોલીસે કબ્જે કરી લીધો છે. જ્યારે યુવતીનો મોબાઈલ સળગાવી દેવાયો હતો તે કબ્જે કરવાનું બાકી છે. ઉલ્લેખનીય છે કે,ચારેય આરોપીઓએ આયોજન પૂર્વક હત્યાના બનાવને અંજામ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:24 am

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરાઇ જાહેરાત:ફાસ્ટેગના વાર્ષિક પાસના ભાવમાં દરોમાં 75 રૂપિયાનો વધારો ઝીંકાયો

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા વાહનચાલકો માટે ફાસ્ટેગ વાર્ષિક પાસની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ કાર, જીપ અને વાન માટેના વાર્ષિક પાસની કિંમત હવે ₹3000 ના બદલે ₹3075 રાખવામાં આવી છે. આ સુધારેલો દર 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ફીમાં કરવામાં આવેલો આ વધારો નેશનલ હાઇવે ફી નિયમો–2008 હેઠળ કરવામાં આવ્યો છે. હાલ દેશમાં લગભગ 56 લાખથી વધુ ખાનગી વાહન માલિકો ફાસ્ટેગ વાર્ષિક પાસનો ઉપયોગ કરી રહ્યા છે. આ વાર્ષિક પાસ માત્ર બિન-વાણિજ્યિક વાહનો માટે માન્ય રહેશે. ફાસ્ટેગ ધરાવતા આવા વાહન માલિકો રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર આવેલા આશરે 1,150 ટોલ પ્લાઝા પર આ સુવિધાનો લાભ લઈ શકશે. વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરવાની ઝંઝટ ટાળવા માટે આ વાર્ષિક પાસ ઉપયોગી માનવામાં આવે છે. વાહન માલિકો ‘હાઇવે યાત્રા’ મોબાઈલ એપ અથવા NHAI ની સત્તાવાર વેબસાઈટ દ્વારા એક વખત ફી ચૂકવીને આ પાસ સક્રિય કરી શકે છે. ચુકવણી થયા બાદ લગભગ બે કલાકમાં ફાસ્ટેગ પર વાર્ષિક પાસ સક્રિય થઈ જાય છે. ભાસ્કર ઈનસાઈડરાજ્યમાં સૌથી વધુ 7 ટોલનાકા કચ્છમાં1 એપ્રિલથી ફાસ્ટેગ વાર્ષિક પાસમાં ₹75નો વધારો લાગુ થવાના કારણે કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને વાહનચાલકો પર તેની નાની તો નાની પણ અસર જોવા મળશે. રાજ્યમાં સૌથી વધુ નેશનલ હાઈવેના 7 ટોલનાકા કચ્છ જિલ્લામાં આવેલા છે, જેમાં સામખિયાળી, સુરજબારી, માખેલ, કુકમા, ભીમરાસર, ભીરંડીયાર અને મોખા ટોલ પ્લાઝાનો સમાવેશ થાય છે. કચ્છમાં મોટા બંદરો અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ખૂબ વિકસિત છે અને અહીંથી દરરોજ હજારો ટ્રક તથા અન્ય વાહનો હાઈવે પર પસાર થાય છે. ગુજરાતમાં સૌથી વધુ આવક આપતા ટોપ ટેન ટોલનાકાઓમાં પણ કચ્છના કેટલાક ટોલનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:19 am

કરુણાંતિકા સર્જાઈ:કેરામાં છકડાએ એકટીવાને ટક્કર મારતા 14 વર્ષિય કિશોરનું કરૂણ મોત નીપજ્યું

તાલુકાના કેરા ગામમાં આવેલ બેંક ઓફ બરોડાની સામે એકટીવા લઈને ઉભેલા કિશોરને પાછળથી આવેલા છકડાએ ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ બળદિયા ગામના 14 વર્ષીય ફારુક કાસમ વેણનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.બનાવ 14 માર્ચના સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી કિશોર કેરામાં આવેલ બેંક ઓફ બરોડાની સામે એકટીવા લઈને ઉભેલો હતો.એ દરમિયાન પાછળથી આવેલા છકડાએ તેને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. બનાવ બાદ તેને સારવાર માટે એકોર્ડ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાંથી વધુ સારવાર માટે જી.કે.જનરલ ખાતે લઇ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે માનકુવા પોલીસે ઘટના સબંધિત ગુનો દાખલ કરવા સહીતની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:18 am

નગરપાલિકાની મહેકમ શાખા ફરી ચર્ચામાં:મહેકમ શાખામાં સ્ટાફ વ્યવસ્થા અને વહીવટી પ્રક્રિયા ધીમી

નગરપાલિકામાં મહેકમ શાખા ફરી ચર્ચામાં આવી છે. વર્ષોથી આ શાખામાં જરૂરિયાત મુજબ કર્મચારીઓની સંખ્યા ગોઠવવા અને યોગ્ય વહીવટ અંગે પ્રશ્નો ઉઠ્યા છે. ગત 28 ફેબ્રુઆરીએ હેડ ક્લાર્કની નિવૃત્તિ બાદ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને મહેકમ શાખાની જવાબદારી સોંપાઇ છે. જોકે સૂત્રોના મતે આ પ્રકારની સંવેદનશીલ અને મહત્વપૂર્ણ શાખા અનુભવી કર્મચારીના હાથમાં હોય તો અનેક કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે પાર પડી શકે તેમ જાણકારો કહી રહ્યા છે. પાલિકામાં કેટલાક કર્મચારીઓ નિવૃત્તિ બાદ પણ પગાર લેતા હોવાની ચર્ચા છે, જ્યારે માત્ર રજીસ્ટરમાં નોંધાયેલા પરંતુ કામ પર હાજર ન રહેતા કર્મચારીઓ હોવાની ફરિયાદ પણ છે. સેનીટેશન શાખામાં પાણી, ગટર અને સફાઈ જેવી જરૂરી કામગીરી કરતા કર્મચારીઓ ઓછા અને સુપરવાઈઝરનું પ્રમાણ વધુ હોવાનું કહેવાય છે. પાલિકાના મકાનો ખાલી કરાવવાની પ્રક્રિયા પણ ધીમી છે. ભાડું પણ નિયમિત વસૂલાતું નથી. કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ હંગામી કર્મચારીઓને છૂટા કરવાની જગ્યાએ તેમને ચાલુ રાખવાની બાબતે પણ પ્રશ્નો ઉઠ્યા છે. નિયમ મુજબ કોઈપણ કર્મચારી નિવૃત્ત થાય તે પહેલાં ત્રણ મહિના અગાઉ તેની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ, પરંતુ તેમાં વિલંબ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ 1961થી 1975 વચ્ચે જન્મેલા કેટલાક કર્મચારીઓ હજુ પણ ફરજ બજાવે છે, જ્યારે તેઓ નિવૃત્તિની ઉંમર પાર કરી ચૂક્યા હોવા જોઈએ. આ બાબતે યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે. ટપાલ સંચાલન બાબતે ચીફ ઓફિસર ખફાપાલિકામાં સરકારી ટપાલોના સંચાલનને લઈને ગડબડ સામે આવતા ચર્ચા ઊભી થઈ છે. અનેક સરકારી પત્રો ડાયરી ક્લાર્ક પાસે જમા થયા હતા અને સંબંધિત વિભાગો કે મુખ્ય અધિકારી સુધી સમયસર પહોંચ્યા નહોતા. આ બાબત ધ્યાનમાં આવતા મુખ્ય અધિકારીએ અઠવાડિયાની શરૂઆતમાં જ ડાયરી ટેબલ સંભાળતા કર્મચારીઓ પાસે મૌખિક ખુલાસો માંગ્યો હોવાનું જાણવા મળે છે. મુખ્ય અધિકારીએ દરરોજની ટપાલ એ જ દિવસે સંબંધિત વિભાગ સુધી પહોંચાડવાની કડક સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:18 am

108ના કર્મીઓ આર્થિક સંકટમાં:સેવા ‘ઈમરજન્સી’માં પણ પગાર ‘વેઈટિંગ’માં, 108ના કર્મીઓ પરેશાન

લાખો લોકોનો જીવ બચાવતી અને જીવાદોરી ગણાતી 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ આજે પોતે જ આર્થિક સંકટમાં મુકાયા છે. દિવસ-રાત જોયા વગર ખડેપગે સેવા આપતા આ કર્મચારીઓને ફેબ્રુઆરી માસનો પગાર અડધો માર્ચ વીત્યો ત્યાં સુધી મળ્યું નથી. કર્મચારીઓએ મેનેજમેન્ટને વિનંતી કરી છે કે તેમનો પગાર દર મહિને નિયત તારીખે કરવામાં આવે, જેથી તેઓ પોતાનું જીવન નિર્વાહ કરી શકે. કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “અમે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં સેકન્ડોનો પણ વિલંબ કરતા નથી, પરંતુ કંપની અમારો પગાર કરવામાં દિવસો લગાડી દે છે.” પગાર મોડો આવવાને કારણે મધ્યમ વર્ગીય કર્મચારીઓને ઘરનું ભાડું ચૂકવવામાં, ઘરનું રાશન લાવવામાં અને રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. ઘણા કર્મચારીઓએ લોનના હપ્તા અને બાળકોની સ્કૂલ ફી ભરવા માટે ઉછીના પૈસા લેવાની નોબત આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છની 1700 આશા વર્કર અને 600 નેશનલ હેલ્થ મિશનના કર્મીઓને પણ 2 મહિનાથી પગાર મળ્યો નથી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:16 am

પાલિકાએ સુખાકારીના કામોની યાદી જાહેર કરી:પાલિકાએ અઢી વર્ષમાં વિકાસ કામોની વણઝાર કરી હોવાનો દાવો

આજે 16 માર્ચથી ભુજ નગરપાલિકાના વર્તમાન પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થઇ છે ત્યારે છેલ્લા અઢી વર્ષના સમયગાળામાં ભુજ નગરપાલિકાની ટીમે શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી તેની યાદી બનાવવામાં આવી છે તે મુજબ ગ્રાન્ટનો કુનેહપૂર્વક ઉપયોગ કરીને વિકાસકામોના કીર્તિમાન સ્થાપિત કર્યા છે. નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા કમલભાઈ ગઢવી તથા દંડક રાજેશભાઈ ગોરના નેતૃત્વ હેઠળ વિવિધ શાખાઓના ચેરમેનો અને નગરસેવકોના સંકલનથી શહેરમાં વિકાસકામોના કામો હાથ ધરવામાં આવ્યા હતા. તેમાં પાણી પુરવઠા વિભાગ હેઠળ શહેરમાં દસ નવા બોર જીવંત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે તેમજ પાણી વિતરણ સુવિધા મજબૂત બનાવવા માટે જેસીબી, ટ્રેક્ટર, છકડા અને અન્ય મશીનરી ખરીદવામાં આવી છે. નર્મદા સિવાય પણ લેર ડેમથી ભુજ સુધી પાણી લાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. અમૃત 2.0 યોજના હેઠળ પાંચ નવા સંપ બનાવવાની કામગીરી પણ ચાલુ છે. તો ડ્રેનેજ વિભાગ દ્વારા શહેરની ગટર સમસ્યાના કાયમી ઉકેલ માટે અંદાજે 70 કિમી લાંબી નવી ડ્રેનેજ લાઇન પાથરવાનું કામ હાથ ધરાયું છે. આ ઉપરાંત પાંચ નવા પમ્પિંગ સ્ટેશન બનાવવાની યોજના છે. ડોલર હોટેલથી ખાવડા ચોકડી અને કોમર્સ કોલેજથી ત્રિમૂર્તિ મંદિર સુધી નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે. ગટર લાઇનની સફાઈ માટે રોબોટિક ડિસિલ્ટ મશીન અને જેટિંગ મશીન પણ ફાળવવામાં આવ્યા છે. સેનીટેશન વિભાગ દ્વારા સ્વચ્છતા માટે વિવિધ સાધનો ખરીદવામાં આવ્યા છે. ગાયત્રી મંદિર રોડને ‘આઈકોનિક રોડ’ તરીકે વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. શહેરમાંથી 40 હજાર મેટ્રિક ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે અને લેગસી વેસ્ટ એવા 1,11,622 મેટ્રિક ટન કચરાના નિકાલ કરવાની કામગીરી ચાલુ છે. રોડ લાઈટ વિભાગ દ્વારા શહેરમાં અંદાજે 1900 નવી સ્ટ્રીટ લાઈટો ખરીદવામાં આવી છે તેમજ કલેકટર કચેરીથી માંડવી ઓક્ટ્રોય સુધી હેરિટેજ લાઈટો લગાવી માર્ગનું સુશોભન કરવામાં આવ્યું છે. હમીરસર તળાવ પાસે ‘થીમ રોડ’ બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. બાંધકામ શાખા દ્વારા અંદાજે 35 કરોડ રૂપિયાના વિકાસકામો હાથ ધરાયા છે જેમાં સીસી રોડ, ઇન્ટરલોક, બોક્સ કલ્વર્ટ અને રોડ રિસરફેસિંગનો સમાવેશ થાય છે. નગરપાલિકાની નવી ઓફિસ ‘અટલ ભવન’નું નિર્માણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામો મહત્વપૂર્ણહમીરસર તળાવ પાસે આરોગ્ય પથ, સ્મશાનગૃહ વિકાસ અને વિવિધ વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરટીઓ સર્કલનું નવીનીકરણ કરી ભુજના સ્થાપક રા’બાવા ખેંગારજી પ્રથમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. છેલ્લા અઢી વર્ષમાં શહેરમાંથી 1500 જેટલા રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે ભુજના નાગરિકોએ મૂકેલા વિશ્વાસને સાચવવા માટે ટીમે સંપૂર્ણ નિષ્ઠાથી વિકાસકાર્યો કર્યા છે અને ભુજને વધુ સુંદર અને સુવિધાસભર બનાવવા માટે સતત પ્રયાસો ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:15 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ટાઉનહોલ રામભરોસે, પાલિકાને વર્ષે 25 લાખની આવક છતાં સુવિધા ભંગારવાડામાં ફેરવાઇ

શહેરની વચ્ચોવચ આવેલો ટાઉનહોલ ભંગારવાડા સમાન ભાસી રહ્યો છે. પાલિકાની બેઠકો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો, સાર્વજનિક સભાઓ વગેરે સહિતના આયોજન માટે ઉપયોગમાં લેવામાં આવતા ટાઉનહોલમાં ઉકરડો વ્યાપી રહ્યો છે. તાજેતરમાં ભુજ પાલિકા દ્વારા અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમાં માત્ર આ વર્ષમાં જ ટાઉનહોલ દ્વારા રૂ.25 લાખ આવક પ્રાપ્ત થયાનું દર્શાવાયું છે પરંતુ તેની જાળવણી બાબતે પાલિકા દ્વારા નિરસતા કરવામાં આવી રહી છે. જ્યારે સ્થળ પર તપાસ કરવામાં આવી તો, ટાઉનહોલની કાળજી રાખવા માટે રાખવામાં આવેલા લોકોના રૂમ જ ગંદકી ફેલાયેલી હતી, ટાઉનહોલની ચોતરફ અનેક જગ્યાએ ખુલા વાયર પણ પડ્યા છે. જે પણ મોટી ચિંતા સમાન છે. પાછળની બાજુએ ઘણી બધી તૂટેલી લારીઓ, બારીઓ, બારણાઓ સહિત લાકડાનો ઘણો બધો બિનઉપયોગી સમાન ખડકી રાખ્યો છે. ત્યાં જ સાથે દારૂની બોટલ પણ જોવા મળી હતી. જે દર્શાવે કે સંભવિત રાતના સમયે અસામાજિક તત્વો મહેફિલ જમાવતા હોય. સીસીટીવી સાથેની સુવિધા હોવા છતાં પણ બેકરદારી જોવા મળી રહી છે. એક બાજુએ ઓઈલના ભરેલા ડબ્બા પણ જોવા મળ્યા હતા, બેકારદારીપૂર્વક જો નાની એવી પણ ભૂલથી આગ લાગે તો એને વિકરાળ સ્વરૂપ આપવામાં આ ખુલ્લા પડેલા ડબ્બાઓ મોટો ભાગ ભજવી શકે છે. તેમજ ટાઉનહોલના પગથિયાથી લઈને ચારે બાજુએ ઠેર ઠેર પીપળાના વૃક્ષો પણ ઊગી નીકળ્યા છે. જે કાળજીનો અભાવ દર્શાવે છે. શહેરીજનોને સ્પર્શતા વિવિધ આયોજન અને સામુદાયિક પ્રવૃત્તિઓ માટેના કેન્દ્રબિંદુ સમાન ટાઉનહોલ પાસેથી આવક રળવામાં તો પાલિકા સક્રિય છે પરંતુ એની જાળવણી બાબતે જાગૃત રહેવામાં નિષ્ક્રિય દેખાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:12 am

મંડે પોઝિટીવ:‘કુંજી’ સાથે 22 હજાર કિમી કાપી કચ્છ પહોંચ્યો યુવાન

જીવનને યાત્રા દ્વારા માણવા અને દેશની સંસ્કૃતિને જાણવા કેરાલાથી કાશ્મીર સુધી સાઈકલ પર નિકળેલા કેરાલા રાજ્યના કોટ્ટાયમ જિલ્લાના અતિરામપુઝા ગામનો 50 વર્ષીય યુવાન જોબિન સેબાસ્ટિયન જ્યારે કચ્છ પહોંચ્યો ત્યારે અહીંના લોકોના સ્વભાવ, લાગણી અને કચ્છની સુંદરતા પર મોહી ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ને સમર્થન આપી રહ્યો છે. દોઢેક વર્ષ પહેલા 11 ઓક્ટોબર 2024ના એના ગામથી શરૂ કરેલી કેરાલાથી કાશ્મીર યાત્રામાં 22,000 હજાર કિલોમીટર કાપ્યા બાદ જોબિન એના 10 વર્ષની પાલતુ શ્વાન કુંજી સાથે કચ્છ પહોંચ્યો છે. પાંચ દિવસ કચ્છમાં ઠેર ઠેર ફર્યા બાદ હવે નારાયણ સરોવર, લખપત, સફેદ રણ, રોડ ટુ હેવન, ધોળાવીરા તરફ પ્રયાણ કરશે. બાળપણથી સમયાંતરે યાત્રાઓ, પ્રવાસ કરવાના શોખીન જોબિને 14 વર્ષ સાઉદી અરેબિયામાં જોબ કરી અને વતન પરત ફર્યા બાદ 2018ના કેરાલાના ભયાનક પૂરમાં ઘર ડૂબવા સહિત આર્થિક સંકટનો સામનો કર્યો પણ માનસિક સ્થિતિ પર લાગેલા આઘાતને વધુ હાવી ન થવા દઈને થોડી સ્થિતિ સુધરતા જ જન્મથી એના સાથે રહેતી એની પાલતુ શ્વાન કુંજી સાથે નિજાનંદ, આત્મસંતોષ અને દેશની સંસ્કૃતિ જીવવા સાઈકલ યાત્રા પર નીકળી પડ્યો. રસોઈ કરવાની થોડી સામગ્રી, કપડાં, ટાયર, ટ્યુબ, ફોન ચાર્જ કરવા માટે સોલાર પ્લેટ, રહેવા માટે ટેન્ટ સાથે દિવસના અંદાજે 40થી 50 કિલોમીટર કાપીને વિવિધ ગામોમાં રોકાણ કરે છે. મોટા ભાગે જે તે સ્થાનિકો દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા થઈ જતી હોય છે તો ક્યારેક પોતે ટેન્ટમાં રહી લે છે અને જાતે જમવાનું બનાવી લે છે. દોઢેક વર્ષ કેરાલા, કર્ણાટક, તમિલનાડુ, પોંડિચેરી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, મહારાષ્ટ્રમાં વીતાવ્યા બાદ હાલે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા ફર્યા બાદ કચ્છમાં સમય ગાળી રહ્યો છે તો નહિવત ખર્ચા સાથેની ચાલતી ભારત ભ્રમણની આ સમગ્ર યાત્રા અંદાજે પાંચ વર્ષ ચાલશે. અનેક ભાષાઓ સાથેના આપણે દેશવાસીઓ એક જમલયાલમ માતૃભાષા સાથે થોડી થોડી હિંદી અને અંગ્રેજી જાણતા જોબિનને અત્યાર સુધી ક્યાંય પણ અન્ય ભાષાના કારણે લોકો સાથે સંપર્ક સાધવામાં તકલીફ પડી નથી. તેમણે કહ્યું હતું કે, આપણે ભારતવાસીઓ અનેકતામાં એકતા સાથે સંકળાયેલા છીએ ત્યારે ધર્મ, ભાષા કે સંસ્કૃતિના કારણે યાત્રા દરમિયાન કોઈ જ રૂકાવટ થઈ નથી. દરેક સ્થળે લાગણીથી આવકાર મળતો હોવાના કારણે વાત કહેવામાં કે સમજવામાં ભાષા બાધ્યતા બનતી નથી. કુંજી એ પ્રેમ અને લાગણીનો સતત સુખદ અનુભવ આપે છેસાઇબેરીયન પ્રજાતિની 10 વર્ષની પાલતુ શ્વાન કુંજી એના જન્મથી જોબિન સાથે છે. નાના નાના ઘણા બધા પ્રવાસોમાં સતત સાથે રહેતી કુંજી પ્રત્યે અઢળક સ્નેહ અને લાગણીથી બંધાયેલા જોબિને તેને પોતાના સુખ-દુઃખના સાથી તેમજ પરિવાર સમાન ગણાવી હતી. સાથે ઉમેર્યું હતું કે, કુંજી સાથેની લાગણીના માધ્યમથી જીવનમાં પ્રેમ અને ભાવનાઓને વધુ સારી રીતે અનુભવતા શીખ્યો છું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:10 am

પર્ફોર્મિંગ આર્ટ્સમાં વાર્ષિકોત્સવ-સભા વાદન કાર્યક્રમ:ભરતનાટ્યમમાં ‘પુષ્પાંજલિ’, ‘કાલ તાંડવમ’ અને ‘ગંગા અવતરણ’થી સાંસ્કૃતિક સફરનો અનુભવ

મ.સ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસમાં વાર્ષોકોત્સવની ઉજવણી રૂપે ‘પુષ્પાંજલિ’, ‘કાલ તાંડવમ’ અને ‘ગંગા અવતરણ’ જેવી ભરતનાટ્યમ નૃત્ય રચનાઓની પ્રસ્તુતિ આપવામાં આવી હતી. અંતિમ ભાગમાં યુનિવર્સિટીના દેશ-વિદેશ વિદ્યાર્થીઓ દ્વારા ‘લોક રંગો’ નામે લોકનૃત્ય અને લોકસંગીતની રંગબેરંગી રજૂઆતો કરવામાં આવી. આ રજૂઆતો દ્વારા ભારતના વિવિધ પ્રદેશોની લોકસંસ્કૃતિ અને પરંપરાની ઝલક દર્શાવવામાં આવી, જે દર્શકો માટે વિશેષ આકર્ષણ બની. તેમજ બીજા દિવસે ભારતીય પુરાણિક અને સાંસ્કૃતિક પરંપરાને કલાત્મક રીતે રજૂ કરવામાં આવી. ‘સ્વદેશાભિમાન’ જેવી રજૂઆત દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાનું પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું. ભારતીય શાસ્ત્રીય નૃત્ય વિભાગ દ્વારા આજે પરંપરા, સાધના અને સર્જનાત્મકતાના સુમેળરૂપ ‘સભા નૃત્ય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે યોજાયેલા સભ વાદનમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિ પ્રસ્તુત કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:04 am

‘ગુજરાતી રંગભૂમિ’ વિષયે વક્તવ્ય યોજાયું:ફિલ્મો-ટીવી વચ્ચે પણ રંગભૂમિ જીવંત, નાટકો માટે પ્રેક્ષકો ટિકિટ લઈ થિયેટર સુધી પહોંચે છેઃ વિહંગ મહેતા

જમાનો બદલાયો ફિલ્મો આવી,ટીવી આવ્યું એટલે જૂની રંગભૂમિ મૃત:પ્રાય થઈ ગઈ. જો કે જમાના સાથે રંગભૂમિમાં બદલાવ આવ્યો. નવી રંગભૂમિ પર નાટકોનું અલગ જ સ્વરૂપ આવ્યું. ટીવી. સિનેમાના જમાનામાં પણ નાટ્યગૃહોમાં જઇ ટિકિટ લઈ નાટક જોવાની ફરજ પડે એવાં નાટક થવા માંડ્યા. રંગભૂમિ જ્યારે જૂની રંગભૂમિ થી નવી રંગભૂમિ તરફ પ્રયાણ કર્યું ત્યારે સૌ કલાકારોએ નવી રંગભૂમિની શરૂઆત કરી. તેમ જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા ‘એ ત્રાડની ધ્રૂજારી હજુ શમી નથી ગુજરાતી રંગભૂમિની ગઈકાલ, આજ અને આવતીકાલ’ વિષય પર યોજાયેલા વક્તવ્યમાં રંગભૂમિના લેખક વિહંગ મહેતાએ જણાવ્યું હતું. ગુજરાતી રંગભૂમિના સુવર્ણ યુગનો અનુભવગુજરાત તેમજ મુંબઈની રંગભૂમિ સાથે જોડાયેલા પોતાના પાંચ દાયકાના અનુભવોને આધારે ગુજરાતી રંગભૂમિના વિકાસની વાત કરી હતી. પોતાના પ્રવચનમાં તેમણે ગુજરાતી રંગભૂમિના સુવર્ણ યુગ, તે સમયના પ્રતિષ્ઠિત કલાકારો, પ્રયોગશીલ નાટકો અને વ્યાવસાયિક રંગભૂમિના વિવિધ તબક્કાઓ અંગે રસપ્રદ માહિતી આપી હતી. સાથે જ આજની રંગભૂમિની સ્થિતિ, નવા લેખકો અને દિગ્દર્શકોના પ્રયત્નો તથા આવનારા સમયમાં ગુજરાતી રંગભૂમિ માટે રહેલી સંભાવનાઓ અંગે પણ તેમણે વિચારપ્રેરક રજૂઆત કરી હતી

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:03 am

કોર્પોરેટ કર્મચારીઓ માટે પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો:વર્કિંગ વિમેનનો ક્રિએટિવ બ્રેક, ટ્રે અને ટોટ બેગ પર ફૂલ બનાવી રંગ ભર્યા

કોર્પોરેટ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ માટે અનોખું અને સર્જનાત્મક ટ્રિન્કેટ ટ્રે પેઇન્ટિંગ તથા ટોટ બેગ પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગો, ડિઝાઇન અને કલ્પનાશક્તિથી ભરપૂર આ વર્કશોપમાં 30થી વધુ કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન ભાગ લેનાર મહિલાઓએ ટ્રિન્કેટ ટ્રે અને ટોટ બેગ પર વિવિધ રંગો, પેટર્ન અને કલાત્મક ડિઝાઇનનો ઉપયોગ કરીને પોતાની અનોખી કૃતિઓ તૈયાર કરી હતી. કેટલાકે ફ્લોરલ ડિઝાઇન, કેટલાકે એબ્સ્ટ્રેક્ટ આર્ટ તો કેટલાકે પરંપરાગત પેટર્ન દ્વારા પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરી હતી. સમગ્ર હોલ રંગો અને સર્જનાત્મક ઉર્જાથી ઝળહળી ઉઠ્યો હતો. આ કાર્યક્રમ માત્ર પેઇન્ટિંગ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ મહિલાઓ માટે રોજિંદા વ્યસ્ત જીવનમાંથી થોડો વિરામ લઈને પોતાને સમય આપવા માટે આયોજન કરાયું હતું. તેમજ નવી નવી કલાનો અનુભવ મેળવવાની તેઓ માટે સુંદર તક બની રહ્યો હતો. વર્કશોપથી માનસિક શાંતિનો અનુભવ થયોભાગ લેનાર મહિલાઓએ જણાવ્યું હતું કે આ વર્કશોપે તેમને માનસિક તાજગી આપી તેમજ ટીમ સાથે આનંદમય સમય પસાર કરવાની અનોખી તક આપી. વર્કશોપના અંતે તમામ મહિલાઓએ પોતાની બનાવેલી સુંદર ટ્રિન્કેટ ટ્રે અને ટોટ બેગ સાથે ખુશી વ્યક્ત કરી હતી. સર્જનાત્મકતા, ઉત્સાહ અને રંગોની ઉજવણી બની રહેલો આ વર્કશોપ દરેક માટે યાદગાર અનુભવ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:02 am