સુરેન્દ્રનગર શહેરમાં બજરંગબલી હનુમાન દાદાની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિઠલપ્રેસ રોડ પર આવેલા બળીયા હનુમાનજીના મંદિરે ભાવિક ભક્તો દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મંદિરે ડીજે સાઉન્ડ અને નાશિક ઢોલના તાલે ભવ્ય આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર વર્ષની પરંપરા મુજબ, રાજાભાઈ સર્વોદય શોરૂમવાળા દ્વારા કેક કાપીને ધજા ચડાવવામાં આવી હતી. આ ઉપરાંત, ગાંઠીયા, સેવ-બુંદી અને મોહનથાળ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમેશભાઈ જીવણી (માં આશાપુરા ઇલેક્ટ્રિકવાળા) પણ કેક કાપવાના કાર્યક્રમમાં જોડાયા હતા. પરી એનિમેશનવાળા પરેશભાઈ અને હિતેશભાઈ સહિતના આગેવાનો તથા વેપારી મિત્રોના સહયોગથી આ ભગીરથ સેવા કાર્ય સંપન્ન થયું હતું. દાદાના ભાવિક ભક્તોએ પ્રાર્થના કરી હતી કે દાદાની કૃપાથી દર વર્ષે આવા જ ભવ્ય કાર્યક્રમોનું આયોજન થતું રહે.
ગીર સોમનાથમાં કમોસમી વરસાદ:વેરાવળ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે રસ્તાઓ પર પાણી
ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વેરાવળ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે આશરે 5:30 વાગ્યે કમોસમી વરસાદ શરૂ થયો હતો. ભર ઉનાળાની ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. ગાજવીજ સાથેના વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માત્ર 15થી 20 મિનિટ સુધી પડેલા મુશળધાર વરસાદને કારણે શહેર અને ગામડાંના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે સવારે બહાર નીકળેલા લોકો અને વાહનચાલકોને થોડા સમય માટે અવરજવરમાં મુશ્કેલી પડી હતી. આ કમોસમી વરસાદની ખેડૂતો પર મિશ્ર અસર જોવા મળી શકે છે. એક તરફ ગરમીથી રાહત મળતા કેટલાક પાકને ફાયદો થઈ શકે છે, જ્યારે બીજી તરફ અચાનક પડેલા ભારે વરસાદથી અમુક પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
GPSC દ્વારા આયોજીત પરીક્ષાના પ્રશ્નના જવાબના વિવાદના મામલે હાઇકોર્ટમાં ચાલી રહેલા એક કેસની સુનવણીમાં કોર્ટે GPSCની ભારે ઝાટકણી કાઢી હતી. કોર્ટે GPSCના વલણ અને વર્તણૂકમાં માત્રને માત્ર અહંકાર હોવાની અત્યંક આકરી ટકોર કરી હતી અને ત્રણ વારના નિર્દેશની અવગણના બદલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટ અગાઉ GPSCના પેપર સેટર્સ ઉપર સવાલો ઉઠાવી ચૂકી છે. તમારા ચેરમેન અને સેક્રેટરી પોતાની જાતને કોર્ટની ઉપર માને છે?કોર્ટે GPSCના વકીલને કહ્યું હતું કે તમે અગાઉ જે નિવેદન કર્યું હતું એ મુજબનો ઠરાવ ક્યાં છે? તમારા સેક્રેટરી આ કોર્ટનું સીટીંગ પુરું થવાની રાહ જોઇ રહ્યા છે? તમારા ચેરમેન અને સેક્રેટરીને કોર્ટમાં બોલાવવાથી કોર્ટ ખચકાશે નહીં. તમારા ચેરમેન અને સેક્રેટરી પોતાની જાતને કોર્ટની ઉપર માને છે અને કોર્ટના વારંવાર કહેવા છતાં શા માટે સોગંદનામું કરતા નથી? શું તેઓ રોસ્ટર બદલાવવાની રાહ જોઈ રહ્યા છે? શા માટે તેમની વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ના પાઠવવામાં આવે? નોંધપાત્ર છે કે અર્થશાસ્ત્રના એક પ્રશ્નના વિવાદનો આ મામલો છે અને એમાં હાઇકોર્ટે અગાઉ આદેશ કર્યો હોવા છતાંય GPSC યોગ્ય જવાબ આપી રહ્યું નથી. તેથી અગાઉ તો હાઇકોર્ટે GPSCના સોગંદનામાને આંખમાં ધૂળ નાંખવા સમાન પણ ગણાવ્યું હતું અને ઝાટકણી કાઢી હતી. તેમ છતાં 20મી માર્ચના આદેશમાં હાઇકોર્ટે GPSCને એક વધુ તક આપી હતી અને સ્પષ્ટ સોગંદનામું કરવાનું કહ્યું હતું. હાઇકોર્ટે 16 અને 20 માર્ચના રોજ કરેલા આદેશ મુજબનું GPSCએ સોગંદનામું કર્યું નહોતું અને તેથી હાઈકોર્ટે ફરી એકવાર ભારે નારાજગી દર્શાવી હતી. કોર્ટે એક તબક્કે એવી ટકોર પણ કરી હતી કે GPSC અત્યંત વિશાળ સંસ્થા હોવાનો દાવો કરે છે. તે વર્ષે 200 એટલે કે દર બીજા દિવસે એક પરીક્ષા લે છે. તેમ છતાંય આ બધાની જવાબદારી લેવા તૈયાર નથી. તે ફક્ત પોતાને પરીક્ષાના વ્યવસ્થાપક તરીકે જણાવીને સત્તાઓ ભોગી રહ્યું છે, પરંતુ જવાબદારી પેપર સેટરના માથે નાખી રહ્યું છે. કોર્ટે અગાઉના આદેશ કરીને તમને પુરતી તક આપી છે, પરંતુ તેમ છતાંય તેનું વલણ માત્ર અને માત્ર અહંકાર ભર્યું છે. હવે આ કેસની વધુ સુનાવણી 07 એપ્રિલના રોજ રાખવામાં આવી છે. જેમાં ગવર્મેન્ટ પ્લીડર GPSC વતી જવાબ રજૂ કરે તેવી શક્યતાઓ છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ગુજરાત જાહેર સેવા આયોગ GPSCને કૌટિલ્યના અર્થશાસ્ત્રના મૂળ લખાણ ખાસ કરીને 1915 માં પ્રકાશિત થયેલા પ્રથમ અંગ્રેજી અનુવાદને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. GPSC પરીક્ષામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબની સચોટતા બાબતે કોર્ટરૂમમાં થયેલી દલીલો બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્દેશ ત્યારે આવ્યો જ્યારે GPSCના વકીલે કોર્ટને જાણ કરી કે વિવાદિત પ્રશ્ન પુસ્તકની તે ચોક્કસ આવૃત્તિમાંથી જ બનાવવામાં આવ્યો હતો. 2025ની GPSC પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નમાં ઉમેદવારોને કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશેના બે વિધાનોનું મૂલ્યાંકન કરવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રથમ કે પુસ્તક સંસ્કૃતમાં લખાયેલું હતું અને બીજું તે અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે. એક માર્ક માટે રહી ગયેલી ઉમેદવારે આન્સર કી હાઇકોર્ટમાં પડકારી એક ઉમેદવાર જે ભરતી પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે લાયક ઠરવામાં માત્ર એક ગુણ માટે પાછળ રહી ગઈ હતી, તેણે GPSCની સત્તાવાર આન્સર-કીને પડકારી હતી. તેણીએ દલીલ કરી હતી કે આન્સર-કીમાં આપવામાં આવેલો જવાબ ખોટો હતો. જવાબની સચોટતા અંગે વિવાદ ઊભો થયો આપવામાં આવેલા વિકલ્પો આ મુજબ હતા. A:માત્ર એક, B:માત્ર બે, C:એક અને બે બંને અને D:ઉપરનામાંથી કોઈ નહીં. ઉમેદવારે તેના જવાબ તરીકે 'C' પસંદ કર્યો હતો, પરંતુ GPSC તેની સાથે અસંમત હતું. જેના કારણે જવાબની સચોટતા અંગે વિવાદ ઊભો થયો હતો. ઉમેદવારના વકીલોએ રજૂઆત કરી હતી કે GCERT અને NCERTના પુસ્તકો દર્શાવે છે કે તેનો જવાબ સાચો હતો. જો કે GPSC આ વાત સાથે સહમત ન થયું અને તેના વકીલે ભારપૂર્વક જણાવ્યું કે પ્રશ્ન ફક્ત મૂળ લખાણ એટલે કે 1915 માં પ્રકાશિત અર્થશાસ્ત્રના અંગ્રેજી અનુવાદમાંથી બનાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટે GPSC ને તે પેપર સેટરની ઓળખ જાહેર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો જેમણે પ્રશ્ન તૈયાર કરવા માટે આ મૂળ લખાણ પર ભરોસો કર્યો હતો, ખાસ કરીને જ્યારે GPSC નો જવાબ તે શાળાના પાઠ્યપુસ્તકો સાથે મેળ ખાતો ન હતો. જેને GPSC પોતે ઉમેદવારો માટે સંદર્ભ સામગ્રી તરીકે સૂચવે છે. GPSC તે આવૃત્તિ રજૂ કરવામાં નિષ્ફળGPSC તે આવૃત્તિ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું અને તેના બદલે પુસ્તકની માત્ર એક PDF કોપી રજૂ કરી. જો કે GPSC એ જણાવ્યું કે તે PDF ના સ્ત્રોતને ઓળખવામાં અસમર્થ છે. આ બાબતે હાઇકોર્ટે GPSC ની ટીકા કરતા તેને જિદ્દી અને અહંકારી ગણાવ્યું અને પોતાની ભૂલ ન સ્વીકારવા બદલ ઠપકો આપ્યો હતો. કોઈ મૂળ પુસ્તક રજૂ ન કરવામાં આવતા કોર્ટે GPSC એ પરીક્ષાનો પ્રશ્ન તૈયાર કરવા માટે જે લખાણનો ઉપયોગ કર્યો હતો તેની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે GPSC સચિવને એક એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે જ્યારે મૂળ સ્ત્રોત ઉપલબ્ધ ન હોય, ત્યારે શું એવા પુસ્તકમાંથી પ્રશ્નો તૈયાર કરવા યોગ્ય છે કે જેની ભૌતિક નકલ ઉપલબ્ધ નથી અને જે સોર્સમાંથી PDF ડાઉનલોડ કરવામાં આવી હતી તે પણ ઉપલબ્ધ નથી ? જો આવી પ્રથા માન્ય હોય, તો એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે આવા પુસ્તકની અધિકૃતતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે.
અમદાવાદના બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની જામીન અરજી અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ ચિલ્ડ્રન કોર્ટે ફગાવી નાખ્યા બાદ, આ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઈ હતી. હાઇકોર્ટે આ અરજીને મંજૂર રાખતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને જામીન આપ્યા છે. આ પણ વાંચો: અગાઉ ઝઘડો થતાં શિક્ષકોએ કહ્યું હતું, 'એકબીજાને સોરી બોલી દો’, સેવન્થ ડે સ્કૂલે કર્યો હતો ઢાંકપિછોડો ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે સમક્ષ રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર અગાઉ ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી ગયો હતો. વળી હત્યાની ઘટના પહેલા મૃતક કિશોર પણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને હેરાન કરતો હતો. હત્યાની ઘટના બાદ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને સેવન્થ ડે સ્કૂલે કાઢી મૂક્યો છે, તે ગુસ્સા વાળા સ્વભાવનો છે. 17 જેટલા સાક્ષીને ચકાસવામાં આવ્યાઆ કેસની ટ્રાયલ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ચાલુ થઈ ગઈ છે. ચાર્જશીટમાં કુલ 55 સાક્ષી છે, જે પૈકી 17 જેટલા સાક્ષીને ચકાસવામાં આવ્યા છે. પ્રોબેશન ઓફિસરે હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ મૂક્યો હતો. રાજ્ય સરકારે ગુનાની ગંભીરતાને ટાંકીને જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. મૃતક સગીરની માતાના વકીલે પણ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓને વિગતવાર ટાંકીને સમજાવ્યું હતું કે તેનો હેતુ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકમાં સુધાર લાવવાનો અને તેનું પુનર્વસન કરવાનો છે. કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પોતે સ્કૂલે જતું બાળક છે અને કેસ ચાલવામાં સમય લાગશે તે બાબતને ધ્યાનમાં રાખીને, કિશોરને તેના પિતા દ્વારા 10 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવાની શરતે જામીન પર મુક્ત કરવામાં આવે છે. શું હતી ઘટના? અમદાવાદમાં 19 ઓગસ્ટને મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને બોક્સ કટર મારી દીધું હતી. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલે દોડી આવેલા 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી, એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે3 એપ્રિલ ગુરૂવારના રોજ અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં નિરીક્ષકો ઉમેદવારી નોંધાવવા આવતા દાવેદારોને સાંભળશે, ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા માટે જે ફોર્મ ભરાવવામાં આવે છે તેમાં દાવેદારીના ફોર્મ ઉપરાંત એક અન્ય ફોર્મ પણ ભરાવવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લી ત્રણ ચૂંટણીની માહિતી ભરવાની છે જેમાં કયા વર્ષમાં ચૂંટણી લડ્યા છે. તેમાં હાર થઈ કે જીત થઈ તેની વિગતો ભરવાની રહેશે. અગાઉ કોઈ પદ મેળવી ચૂક્યા છે કે તેની પણ વિગતો આપવાની રહેશે. આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળશેઉલ્લેખનીય છે કે, 2 એપ્રિલના રોજ ગાંધીનગરમાં ભાજપની સેન્ટ્રલ ઈલેકશન કમિટી (CEC)ની બેઠક મળી હતી. જેમાં આગામી ચૂંટણીમાં 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ લડી ચૂકેલા કોર્પોરેટરોને રિપિટ નહીં કરવા પાર્ટીએ મન બનાવી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળશે.
નખત્રાણા તાલુકાના નિરોણામાં આવેલ લયવારા વાસમાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક વીજપોલ સાથે ભટકાતા ગંભીર ઈજાઓને કારણે 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.જ્યારે અબડાસા તાલુકાના ભવાનીપર નજીક અરટીકા કારે બાઈકને હડફેટે લેતા વૃદ્ધ બાઈક ચાલકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ નિરોણા ગામના 25 વર્ષીય કાનજી સામતભાઈ આહીરનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.બનાવ 2 એપ્રિલના સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી યુવક બાઈક પુરઝડપે ચલાવીને જઈ રહ્યો હતો. એ દરમિયાન લયવારા વાસમાં બાઈક વીજપોલ સાથે ભટકાયો હતો.અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે નિરોણા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બીજી તરફ નલિયા પોલીસ મથકે ફરિયાદી દિનેશ પરષોત્તમભાઈ ભાનુશાલીએ આરોપી અરટીકા કાર નંબર જીજે 10 સીએન 5936 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 31 માર્ચના બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં ફરિયાદીના 65 વર્ષીય પિતા બાઈક લઇને ખેતરથી ઘરે આવી રહ્યા હતા.ત્યારે ભવાનીપર-બીટ્ટા હાઈવે પર આરોપીએ બાઈકને ટક્કર મારી હતી.જેમાં ગંભીર ઈજાઓ પહોચતા ફરિયાદીના પિતાનું મોત થયું હતું.બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ બાઈકને ટક્કર મારી હતી.જેમાં ગંભીર ઈજાઓ પહોચતા ફરિયાદીના પિતાનું મોત થયું હતું.બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કર્યો હતો.બનાવને પગલે નિરોણા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બીજી તરફ નલિયા પોલીસ મથકે ફરિયાદી દિનેશ પરષોત્તમભાઈ ભાનુશાલીએ આરોપી અરટીકા કાર નંબર જીજે 10 સીએન 5936 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 31 માર્ચના બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં ફરિયાદીના 65 વર્ષીય પિતા બાઈક લઇને ખેતરથી ઘરે આવી રહ્યા હતા.ત્યારે ભવાનીપર-બીટ્ટા હાઈવે પર
ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહીની માંગ:પીએમને પત્ર લખી કચ્છની ધરતી પરત મેળવવા માટે ફરી રજૂઆત
ભારત-પાકિસ્તાન વચ્ચે 1965માં થયેલા સંઘર્ષની યાદમાં ઉજવાતા 61મા શૌર્ય દિવસને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ ત્યારે ભુજમાંથી કચ્છની સરહદી ધરતીનો મુદ્દો ફરી રાષ્ટ્રીય પટલ પર લાવવાનો પ્રયાસ કરાયો છે. કચ્છ સત્યાગ્રહ મંડળ 1968ના પ્રમુખ કે.વી. ભાવસારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કચ્છની આશરે 300 ચો.કિ.મી. જમીન પરત મેળવવા દૃઢ કાર્યવાહી કરવાની વિનંતી સાથે રજૂઆત કરી છે. ભાવસારેએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, જેમ ‘ઓપરેશન સિંદૂર’ જેવી કાર્યવાહીથી દેશની નારીઓને ન્યાય મળ્યો છે, તેમ 60 વર્ષથી ચર્ચાસ્પદ કચ્છની સરહદી જમીન મુદ્દે પણ કેન્દ્ર સરકાર કડક પગલાં ભરે તેવી અપેક્ષા છે. તેમણે વધુમાં જણાવ્યું કે 30 જુલાઈ 2025માં લોકસભામાં થયેલી મૌખિક ચર્ચા દરમિયાન વડાપ્રધાન દ્વારા 1965ની મધ્યસ્થીના પરિણામે છાડબેટ ગુમાવવો પડ્યો હતો અને કચ્છ જિલ્લાના લગભગ 300 ચો.કિ.મી. જમીન અંગે સંસદમાં મુદ્દો ઉઠાવાયો હોય તેવો આ પ્રથમ સંભવિત પ્રસંગ ગણાય છે. તેમણે પત્રમાં જણાવ્યું કે, આ ઐતિહાસિક અને સંવેદનશીલ જમીન મુદ્દે વર્ષોથી સ્પષ્ટતા અને કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ છે. પાકિસ્તાન સાથેની નીતિ અંગે પણ તેમણે કડક અભિપ્રાય વ્યક્ત કરી જણાવ્યું કે પાકિસ્તાન માત્ર કડક પ્રતિસાદની ભાષા જ સમજી શકે છે. 61મા શૌર્ય દિવસ પૂર્વે, એટલે કે 9 એપ્રિલ સુધીમાં, કચ્છ જિલ્લાની જમીન પરત મેળવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.
PGVCLની સરાહનીય કામગીરી:પૂર્વ કચ્છના 38 ગામોએ વીજબીલમાં નોંધાવ્યો ‘ઝીરો પેન્ડન્સી’નો વિક્રમ
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ ભચાઉ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાકી વીજ બિલોની વસૂલાત માટે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લાના 38 ગામોએ ઉત્તમ આર્થિક શિસ્ત અને જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાણાકીય વર્ષ પૂર્ણ થતા 31 માર્ચના રોજ આ ગામોના તમામ ગ્રાહકોએ પોતાનું 100 ટકા વીજ બિલ ભર્યું છે અને ‘ઝીરો પેન્ડન્સી’નો રેકોર્ડ નોંધાવ્યો છે. PGVCL દ્વારા જાન્યુઆરી મહિનાથી તાલુકા સ્તરે ટીમો બનાવી બાકી લેણાંની વસૂલાત માટે કામગીરી શરૂ કરાઈ હતી. તંત્રની આ કામગીરીને ગ્રામ્યજનતાએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને સ્વયં આગળ આવી બાકી બિલો ચૂકવ્યા હતા. કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારની જાગૃતિ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. PGVCL તંત્રએ આ કામગીરી બદલ તમામ ગામોના ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. સમયસર વીજ બિલ ચુકવવાથી વીજ પુરવઠાની સુવિધામાં સુધારો અને નેટવર્કના વિકાસ માટે પણ મદદરૂપ બનશે. 100% વીજ બિલ ચુકવનારા ગામનાભચાઉ પંથકના ચોબારી, નેર, અમરસર, લાખાવટ, દેશલપર, અને ફતેપર, મેઘપર, બંધડી, બનીયારી, સુખપર, ભુજપર, કુંજીસર, પાંકડસર , નીલપર ગામએ સો ટકા સિદ્ધિ મેળવી છે. જયારે રાપર પંથકના સોનાલવા, છાપેડા વાંઢ, પાલનપર, ઝંગરા, બાલાસરી ગામોનો સમાવેશ થાય છે. બાલાસર પેટા વિભાગીયમાં લાલા હિરાણી વાંઢ, ફાફડા વાંઢ, શંભુ વાંઢ, ખોરોડી વાંઢ, પગી વાંઢ સારણ વાંઢ જયારે સામખીયાળી પેટા વિભાગીયમાં ભાસવાણ, ગોડપર, ખોડાસર, લાખાપર, લગધીરગઢ, ચાંદ્રોડી. તો ભીમાસર પેટા વિભાગીયમાં ફુલપર, નદિલા વાંઢ, ખેડુકા વાંઢ, ભક્તાવારી વાંઢ, કાનપર, ગામના રહિશોએ પોતાની નૈતિક ફરજ અદા કરી છે.
બુટલેગર થયો બેફામ:મંગળવારે એલસીબીની રેડમાં ફરાર થયેલો બુટલેગર ગુરૂવારે ફરી દારૂ વેચતો ઝડપાયો !
સામાન્ય રીતે પોલીસનો દરોડો પડ્યા બાદ આરોપીઓ બીકને કારણે ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે. પરંતુ પશ્ચિમ કચ્છમાં બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે,બે દિવસ પહેલા એલસીબીએ દરશડીમાં દરોડો પાડી રૂપિયા 12.75 લાખનો દારૂ પકડ્યો ત્યારે ભાગી ગયેલો બુટલેગર જાણે પોલીસની કોઈ બીક ન હોય તેમ એકટીવા પર દારૂ વેચવા નીકળ્યો હતો જેને સ્થાનિક પોલીસે રૂપિયા 25 હજારની કિંમતના દારૂ અને બીયર સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે,આરોપી ભાવસંગજી ભગુભા જાડેજા દરશડીથી બિલેશ્વર જતા રોડ પર સાકરીયા પીરની દરગાહ પાસે પોતાની કબ્જાની એકટીવામાં દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીને આધારે પોલીસે સ્થાનિકે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. જેની પાસેથી રૂપિયા 25 હજારની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,એલસીબીએ મંગળવારે દરશડીમાં દરોડો પડ્યો ત્યારે રૂપિયા 12.75 લાખનો દારૂનો જથ્થો પકડાયો હતો. એ દરમિયાન આરોપી ભાવસંગજી પોલીસને હાથ લાગ્યો ન હતો. આરોપીઓ બે કારમાં રાખેલ દારૂનો જથ્થો છુપાવવા માટેની પેરવીમાં હતા અને અચાનક પોલીસ આવી જતા ભાગી છુટ્યા હતા. જોકે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પોલીસને હાથ લાગ્યો હતો. પોલીસની આ કાર્યવાહી બાદ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ આરોપીને જાણે કોઈ બીક ન રહી હોય તેમ બુધવારે એકટીવા પર દારૂનો વેચાણ કરવા નીકળતા ઝડપી લેવાયો હતો.
જાહેરાત પોકળ નીકળી:એપ્રિલમાં એક સાથે ત્રણ મહિનાનું રાશન મળવાની વાત હજુ હવામાં
સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાતો સામાન્ય જનતા માટે હાલાકી સર્જી શકે છે, તેનો જીવંત દાખલો એપ્રિલ મહિનાના પ્રારંભે જ જોવા મળ્યો છે. ગત 19 માર્ચના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા સત્તાવાર X (ટ્વિટર)એકાઉન્ટ પર જાહેરાત કરાઈ હતી કે એપ્રિલ, મે અને જૂનનું રાશન એકસાથે અપાશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે એપ્રિલ શરૂ થઇ ગયો છતાં રેશનિંગની દુકાને પહોંચતા ગરીબ લોકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. જાહેરાત મુજબ, લાભાર્થીઓને સુવિધા રહે તે હેતુથી ત્રણ મહિનાનો જથ્થો એકસાથે આપવાની વાત હતી. જોકે, આ જાહેરાતના અમલીકરણ માટે જરૂરી એવા ‘લેખિત આદેશ’ હજુ સુધી જિલ્લા પુરવઠા વિભાગ સુધી પહોંચ્યા જ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ પુરવઠા વિભાગના કર્મચારીઓ સ્વીકારી રહ્યા છે કે તેમને પણ આ અંગેની જાણકારી માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જ મળી છે ! કોઈ સત્તાવાર પરિપત્ર કે સૂચના મળી નથી. સરકારની જાહેરાત પર વિશ્વાસ મૂકીને અનેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો છેલ્લા બે દિવસથી સસ્તા અનાજની દુકાનો પર રાશન લેવા પહોચી રહ્યા છે. જ્યારે દુકાનદારો કહી રહ્યા છે કે “અમારી પાસે કોઈ સૂચના કે જથ્થો નથી”, ત્યારે આ જનતાની સ્થિતિ દયનીય બની જાય છે. રેશનિંગના દુકાનદારો પણ મૂંઝવણમાં છે કારણ કે તેમની પાસે ન તો વધારાનો સ્ટોક છે, ન તો સરકાર તરફથી કોઈ દિશા-નિર્દેશ.
સાયબર ઠગાઈ:માધાપરના વૃદ્ધે એપ્લીકેશન ફાઈલ ખોલતા 99 હજારની સાયબર ઠગાઈ
માધાપરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધે વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવેલી ફાઈલ ડાઉનલોડ કરતા જ રૂપિયા 99 હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો.યુનિયન બેંકના લોગો જેવી ફાઈલ ખુલી ન હતી અને અલગ અલગ 6 ટ્રાન્ઝેક્શનથી ખાતામાંથી રૂપિયા ઉપાડી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ માધાપરમાં રહેતા ફરિયાદી ગીરીશભાઈ દેવજીભાઈ સોનેજીએ માધાપર પોલીસ મથકે અજાણ્યા આરોપી સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 18 માર્ચના બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદીને પોતાના મોબાઈલમાં વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી એપ્લીકેશન ફાઈલ આવેલી હતી.યુનિયન બેંકના લોગો જેવી ફાઈલ દેખાતા ફરિયાદીએ બેંકની વિગતો હોવાનું સમજી ફાઈલને ડાઉનલોડ કરી હતી.પરંતુ ત્યારબાદ ફાઈલ ખુલી ન હતી. જેથી ફરિયાદીએ તે સમયે વોટ્સએપમાંથી બહાર નીકળી ગયા હતા.ત્યારબાદ સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ફરિયાદીને મોબાઈલમાં મેસેજ આવ્યા હતા જેમાં પોતાના યુનિયન બેંકના ખાતામાંથી છ અલગ અલગ ટ્રાન્ઝેક્શન થયેલા હતા અને રૂપિયા 99,990 ઉપાડી ગયા હતા. જેથી ફરિયાદી તાત્કાલિક બેંક ગયા હતા અને તપાસ કરતા ઓનલાઈન ફ્રોડ થયેલો હોવાનું સામે આવ્યું હતું.જે મામલે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ લખાવી હતી.સમગ્ર મામલે માધાપર પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધી કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક લી. (KDCC Bank) દ્વારા ગત નાણાંકીય વર્ષના અંતે રૂ. 325 લાખના ઐતિહાસિક ચોખ્ખા નફા સાથે કુલ બિઝનેસ રૂ. 793 કરોડે પહોંચાડવાની મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સાથે વર્ષના અંતે બેન્કનું નેટ NPA 0% રહેવા પામ્યું છે. બેન્કની કામગીરી અંગે માહિતી આપતા જણાવાયું છે કે, બેન્કની ડિપોઝીટમાં વધારો થઈને રૂ. 525.16 કરોડ થયેલ છે, જે બેન્ક પ્રત્યે ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. રિઝર્વ બેન્કના નિયમ મુજબ થાપણદારોની થાપણ વિમાથી સુરક્ષિત છે અને અન્યની સરખામણીમાં ઊંચો વ્યાજદર થાપણદારોને ચૂકવવામાં આવે છે. બેન્કનો CD રેશિયો 51.09% રહેલ છે. બેન્ક દ્વારા કરંટ એકાઉન્ટ ધારકોને નિયમોને આધિન NEFT, RTGS કોઈપણ ચાર્જ વગર કરી આપવામાં આવે છે. તેમજ બેન્ક દ્વારા ચાલુ વર્ષથી ડીજીટલ સેવાઓ મોબાઇલ બેન્કીંગ સાથે “UPI” ના માધ્યમ દ્વારા G-pay, PhonePay અને QR ની સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. બેન્ક દ્વારા વર્ષ દરમિયાન રૂ. 268 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને પાક ધિરાણમાં રૂ. 1254 લાખની વ્યાજ સહાય ચૂકવવામાં આવતા ખેડૂતોને 0% વ્યાજે પાક ધિરાણ પૂરું પાડવામાં આવેલ છે. દેશના વડાપ્રધાન અને સહકાર મંત્રીના “સહકારથી સમૃદ્ધિ” મંત્ર અંતર્ગત છેવાડાના માનવી સુધી બેન્કની સુવિધા પહોંચાડવા 25 જેટલી નવી બહુહેતુક મંડળીઓની રચના કરવામાં આવેલ છે અને 158 મંડળીઓને સરકારશ્રીની કોમ્પ્યુટરાઈઝેશન યોજનામાં જોડવામાં આવેલ છે. બેન્કના ચેરમેન દેવરાજભાઈ કે. ગઢવીએ આ ઐતિહાસિક પ્રગતિ બદલ તમામ થાપણદારો, સહકારી સંસ્થાઓ, ખેડૂતો, પશુપાલકો, ગ્રાહકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, નાબાર્ડ, RBI, સરકાર, સાંસદ, ધારાસભ્યો તેમજ બેન્કના સૌ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. પશુપાલકોને દર માસે રૂ. 45 થી 50 કરોડનું ચુકવણુંબેન્ક દ્વારા સરહદ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને દર માસે રૂ. 45 થી 50 કરોડનું ચુકવણું વિનામુલ્યે કરવામાં આવે છે, જે વર્ષના અંતે અંદાજીત રૂ. 500 કરોડની આજુબાજુ થાય છે. સરહદ ડેરી સાથે જોડાયેલ 34000 પશુપાલકોને તથા બેન્કના તમામ ગ્રાહકોને તેમના જ ગામમાં રોકડ નાણાં મળી રહે તે હેતુથી 520 મંડળીઓને માઈક્રો એ.ટી.એમ. (Micro ATM) આપવામાં આવ્યા છે. જેથી પશુપાલકો અને ગ્રામજનોને ઘરબેઠા બેન્કીંગ સુવિધા મળી રહે છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:સૈયદપર પાસે છોટાહાથીએ પાછળથી ટક્કર મારતા ગાંધીધામના યુવકનું મોત નીપજ્યું
ભુજથી ગાંધીધામ જતા હાઈવે પર સૈયદપર પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ગાંધીધામથી ગુડથર મતિયા દેવના મેળે પગપાળા જતા ચાર યુવકોને પાછળથી આવતા છોટાહાથીએ ટક્કર મારતા એક યુવકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. ગાંધીધામના ફરિયાદી મનીષ ગોપાલભાઈ મહેશ્વરીએ પદ્ધર પોલીસ મથકે ટાટા મદનીયુ નંબર જીજે 12 બીટી 2615 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 1 એપ્રિલના બપોરે અઢી વાગ્યાના અરસામાં બન્યો હતો ફરિયાદી અને સનીભાઈ રાયશીભાઈ મહેશ્વરી,પ્રિન્સભાઈ મોહનભાઈ પાતળીયા અને ગરવા દીપકભાઈ પ્રવીણભાઈ પગપાળા મતિયા દેવના દર્શને જઈ રહ્યા હતા.એ દરમિયાન સૈયદપર પાટીયા પાસે પહોચ્યા ત્યારે આરોપી ચાલકે ચારેયને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ ચારેયને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ગરવા દીપક પ્રવીણભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.તેમજ ફરિયાદીને સામાન્ય ઈજાઓ પહોચી હતી જ્યારે અન્ય બે યુવકો ઈજાગ્રસ્ત હોવાથી સારવાર તળે રાખવામાં આવ્યા હતા.સમગ્ર મામલે પદ્ધર પોલીસે આરોપી ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માધાપર હાઈવે પર 2 બાઈક ભટકાતા એકનું મોતમાધાપર હાઈવે પર આવેલી તુલસી હોટલ સામે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજાઓને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જે મામલે ગાંધીધામના ફરિયાદી પ્રીતમભાઈ ખેતશીભાઈ ચારણે માધાપર પોલીસ મથકે આરોપી બાઈક નંબર જીજે 12 એચઈ 7751 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે. માધાપરમાં રહેતા ફરિયાદીના ભાઈ ભરતભાઈ અને તેમના પત્ની બાઈક લઇને મોરારીબાપુની રામકથા સંભાળવા જતા હતા.ત્યારે આરોપી બાઈક ચાલકે ટક્કર મારતા ભરતભાઈને માથાના ભાગે ઈજાઓ પહોચી હતી જેથી સ્થાનિકે સારવાર બાદ અમદાવાદ લઇ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સિટી એન્કર:લીંબુ હૉલસેલમાં 110 માં વેચાય, જયારે છૂટકમાં 200
ભુજમાં ઉનાળાની શરૂઆત સાથે જ લીલા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શાકભાજીના હોલસેલ માર્કેટની સરખામણીએ છૂટક બજારમાં ભાવ વધુ હોવાના કારણે સામાન્ય ગ્રાહકોને વધારાનો આર્થિક બોજ સાથે શાકભાજી ખરીદવા પડે છે. હોલસેલમાં રૂ. 10થી 45 સુધીમાં મળતા શાકભાજી રૂ. 80 થી 100 સુધીમાં વેચાય છે. ઉનાળાની ઋતુ શરૂ થતાં પાણીદાર શાકભાજીની માંગ વધતી જાય છે. લીંબુ હોલસેલમાં રૂ. 110- 120 માં વેચાય છે. જયારે છુટકમાં રૂ.200 સુધીમાં વેચાય છે. તેવી જ રીતે ગુવારનો ભાવ રૂ. 60- 80 અને છૂટકમાં રૂ.120 માં વેચાય છે. વટાણા, ભીંડા અને ફલાવર જેવા સામાન્ય શાકભાજી જે લોકો પોતાના રોજીદા જીવનમાં વપરાશ કરતા હોય છે, છેલ્લા 2થી 3 મહિના જે સામાન્ય ભાવમાં મળતા શાકભાજીના ભાવ હવે ઊનાળામાં વધતા જોવા મળ્યા છે. હોલસેલ અને છૂટક ભાવ વચ્ચે રૂ. 30થી 60 સુધીનો તફાવત જોવા મળી રહ્યો છે. વેપારીઓ મુજબ, ઉનાળામાં માલ જલદી બગડવાની શક્યતા, પરિવહન ખર્ચ, સ્ટોરેજ, મજૂરી અને અન્ય ખર્ચને ભાવવધારાનું કારણ ગણાવે છે, પરંતુ ગ્રાહકોના મત મુજબ આટલો ભાવફેર યોગ્ય લાગતો નથી. મોંઘાદાટ લીંબુની ખરીદી કરતી ગૃહિણીઓ માટે સ્થિતિ મુશ્કેલ બનીસંસ્કાર નગરમાં રહેતા પ્રતિભા બહેનના જણાવ્યા અનુસાર લીંબુના વધતા ભાવને લઈને તેઓ તથા તેમના પરિવારના અન્ય સભ્યો લીંબુની જગ્યાએ શાક બનાવામાં ટમેટા અથવા વિનેગરનો ઉપયોગ કરે છે. તેમની સાથે રહેલા બહેનનું પણ કહેવું એ જ હતું કે અમે મધ્યમ વર્ગથી આવ્યે છીએ અને શાકભાજીના એટલા ભાવ અમારા મહિનાના બજેટને વિખેરી નાખે છે જેના લીધે અમે તો એક ટાઈમ અલગ અલગ દાળ ખાવાનું ચાલુ કર્યું છે અને તેમાં પણ લીંબુની જગ્યાએ લીંબુના ફૂલ અથવા આમચૂર પાવડરનો ઉપયોગ કરીયે છીએ. જેને લીધે અમારે એક ટકના શાકભાજીનો ખર્ચ બચે. કારણ કે થોડા થોડા વધેલા ભાવ મહિના અંતે મોટો ખર્ચ ઉભો કરે છે. હજી પણ ભાવ વધવાની શક્યતાશહેરનાં વેપારીએ જણાવ્યું કે, લીંબુના ભાવ જેવી રીતે ઉનાળાની ઋતુ આગળ વધશે તેવી જ રીતે 250 ને પાર થવાની શક્યતા છે. સાથે જ ટમેટા, ગુવાર, ચોળી, ભીંડા, ફ્લાવર, કોબીના ભાવમાં પણ વધારો થવાની શકયતા છે. હૉલસેલ એન છૂટક બજારના ભાવ કિલોમાં
કેમ્પસમાં ઘૂસણખોરો પર લાગશે બ્રેક:પ્રથમવાર કોમર્સ ફેકલ્ટી 15 હજાર વિદ્યાર્થીને સ્માર્ટ આઇકાર્ડ આપશે
મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં 6 વર્ષ પછી આઇકાર્ડ અપાશે. પ્રથમવાર સ્માર્ટ આઇકાર્ડ કોમર્સ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. 15 હજાર વિદ્યાર્થીઓને આઇકાર્ડ અપાશે. એમકોમમાં સ્માર્ટ આઇકાર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં લાંબા સમયથીલ કરવામાં આવતી વિદ્યાર્થીઓની આઇકાર્ડની માંગ પૂરી કરવામાં આવી છે. કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ માટે સાદા નહિ પંરતુ સ્માર્ટ આઇકાર્ડ તૈયાર કર્યા છે. જેનું વિદ્યાર્થીઓને તબક્કાવાર વિતરણ કરવામાં આવશે. કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા છે જેના પગલે આઇકાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા ના હતાય કોરોના કાળ બાદ આઇકાર્ડને ડીજીટલ સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું અને તેની પ્રિન્ટ લઇને વિદ્યાર્થીઓ લેમિનેશન કરાવતા હતા. ઘણાં કિસ્સામાં આઇકાર્ડ ન હોવાથી અસમાજીક તત્વો ઘૂસી જતા હોવાની ફરીયાદો ઉઠી હતી. ફેકલ્ટીમાં 15 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે તમામને સ્માર્ટ આઇકાર્ડ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ ફરજિયાત આઇકાર્ડ પહેરીને કોલેજમાં આવવાનું રહેશે. સિકયુરિટી પણ ચેકિંગ કરશે. કોમર્સ જેવા સ્માર્ટ આઇકાર્ડ બનાવવા અન્ય ફેકલ્ટીઓને વીસીની ટકોરકોમર્સ ફેકલ્ટી દ્વારા જે પ્રકારે સ્માર્ટ આઇકાર્ડ બનાવવામાં આવ્યા છે તેવી જ રીતે યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓ પણ સ્માર્ટ આઇકાર્ડ બનાવે તેવી ટકોર વીસીએ ડીનની બેઠકમાં કરી હતી. અગામી સમયમાં તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે પ્રોફેશનલ લાગે તેવા પ્રકારના સ્માર્ટ આઇકાર્ડ બનાવવામાં આવશે. આઈકાર્ડના અભાવે અસામાજિક તત્ત્વો કેમ્પસમાં બેરોકટોક પ્રવેશ કરતાં હતાં
સુમનદીપ વિદ્યાપીઠ ખાતે યુનિવર્સિટી ખાતે 13મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો. સુમનદીપ વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, નર્સિંગ અને એલાઈડ હેલથકરે અને ડી.એ.એસ.એલ.પી સહિત વિવિધ ફેકલ્ટીના કુલ 831 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા. 33 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ ના અધ્યક્ષ ડો. યજ્ઞા શુક્લા, અતિથિ વિશેષ તરીકે સુમનદીપ વિદ્યાપીઠના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ડો. મનસુખ શાહ, પ્રમુખ ડૉ. દિક્ષિત શાહ સહિત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ ડૉ.યજ્ઞા શુક્લાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું કે, આરોગ્ય ક્ષેત્રમાં નૈતિકતા, કરુણા અને નવીનતા અત્યંત મહત્વપૂર્ણ છે. વાઈસ ચાન્સેલર ડૉ. રાજેશ ભારાણેએ શૈક્ષણિક વિકાસ, સંશોધન પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.
વડોદરામાં ચૂંટણીનો રણશિંગુ ફૂંકાયું:પાલિકાના ઉમેદવાર હવે 9 લાખ સુધી ખર્ચ કરી શકશે, આચારસંહિતા લાગુ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવતાંની સાથે જ વડોદરા સહિત રાજ્યભરમાં ‘આદર્શ આચારસંહિતા’ અમલી બની છે. આ જાહેરાત સાથે જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવા માટે 5 નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારીને ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપાઈ છે. જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે 4 મામલતદાર અને 2 સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટની નિમણૂક કરવામાં આવી છે. આચાર સંહિતાના કડક નિયમો, શું થાય અને શું નહીં? ઓળખ સ્લિપમાં ચિહ્ન રાખ્યું તો ગુનો બનશેમતદાનના દિવસે (26 એપ્રિલ) મતદારોને આપવાાં આવતી ઓળખ સ્લીપ માત્ર સફેદ કાગળ પર હોવી જોઈએ. આ ઓળખ સ્લિપ પર જે તે ઉમેદવારનું નામ, તેના પક્ષનું નામ કે ચિહ્ન દર્શાવી શકાશે નહીં. જો ઓળખ સ્લિપમાં ચિહ્ન રાખવામાં આવશે તો ગુનો બનશે. આ ઉપરાંત જે તે મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારમાં કોઇ પણ પ્રકારના મંડપ બાંધવા પર પણ પ્રતિબંધ રહેશે. આચાર સંહિતાના ભંગ બદલ શહેરના ચૂંટણી અધિકારીઓનો સંપર્ક કરી શકાશે
ફોટોગ્રાફી પ્રેમીઓ માટે ખાસ ‘સ્ટિલ સ્ટોરીઝ’ નામનું સોલો પ્રદર્શન આયોજિત થયું છે, જેમાં ફોટોગ્રાફર વૈશાલી જાડાવાલાએ પોતાના અનોખા દ્રષ્ટિકોણથી જીવનના વિવિધ પાસાઓને રજૂ કર્યા છે. પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુરુવારે સાંજે 5 વાગ્યે થયું હતું, જે 5 એપ્રિલ સુધી બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે.આ પ્રદર્શનનું આયોજન અલકાપુરી સ્થિત આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે. વૈશાલી જાડાવાલાએ પોતાના કેમેરામાં મોર, વિવિધ પક્ષીઓ તેમજ માનવીય લાગણીઓ દર્શાવતા ક્ષણોને સુંદર રીતે કેદ કર્યા છે. ખાસ કરીને સૂર્યાસ્તના દ્રશ્યો, પ્રકૃતિના રંગો અને માનવીના અભિવ્યક્તિપૂર્ણ પળો પ્રદર્શનને વિશેષ બનાવે છે.
વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓ 26 એપ્રિલના રોજ યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે જિલ્લા ભાજપે વંદે કમલમ અને કરજણ એપીએમસીમાં અંતિમ સેન્સ પ્રક્રિયા કરી હતી. વાઘોડિયા, પાદરા, કરજણ અને વડોદરા તાલુકામાં 550થી વધુએ દાવેદારી નોંધાવી હતી. મોડી રાત સુધી પ્રક્રિયા ચાલી હતી. 1 એપ્રિલના રોજ બે જૂથમાં કરાયેલી સેન્સ પ્રક્રિયામાં સાવલી, ડેસર, ડભોઈ તાલુકા અને શિનોરની બેઠકો માટે 500થી વધુએ દાવેદારી નોંધાવી હતી. ઉલ્લેખનિય છે કે, વંદે કમલમ ખાતે મોટી સંખ્યામાં દાવેદારો પોતાના બાયોડેટા લઈને પહોચ્યાં હતાં. જ્યારે રાતે 9 વાગ્યા બાદ પણ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સેન્સ લેવાની પ્રક્રિયા બાદ નિરીક્ષકોની ટીમ 3 પેનલ બનાવીને દાવેદારોના નામ પ્રદેશમાં મોકલી આપશે. ત્યારબાદ પ્રદેશ દ્વારા બેઠક મુજબ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરતા જ ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલુ થઈ જશે. ભાસ્કર ઇનસાઇડ: વડુ પંચાયતના કોંગ્રેસના પૂર્વ સભ્યે સોશિયલ મીડિયામાં હિસાબો આપ્યાવડુ બેઠકના ગત ટર્મના કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢીયારે લોકો સમક્ષ સોશિયલ મીડિયામાં લાઈવ આવીને 10 વર્ષમાં કરેલા કાર્યોના હિસાબ આપ્યાં હતાં. જિલ્લા પંચાયતની વડું બેઠક આ વખતે મહિલા અનામત છે. જેથી અર્જુનસિંહ પઢીયાર ચૂંટણી નહીં લડી શકે. તેમણે જણાવ્યું કે, મારા બદલે મારા પત્ની ચૂંટણી લડશે. હિસાબ આપ્યા બાદ દરેકને કેલેન્ડર પણ આપવાનું આયોજન છે. સેન્સ પ્રક્રિયામાં રાત્રે 9 વાગ્યા સુધી 550 લોકોએ દાવેદારી કરી
શહેરના વોર્ડ 4માંથી ભાજપમાંથી પહેલીવાર ચૂંટાઈને આવેલાં કાઉન્સિલર પિન્કીબેન સોની બીજી ટર્મમાં મેયર બન્યાં હતાં. જોકે તેઓ બિન અનુભવી હોવાથી અને કોઈ ગાઈડ-લાઈન ન મળી હોવાથી વિવાદમાં રહ્યાં હોવાનો બળાપો તેમના જ સાથી કાઉન્સિલરે ઠાલવ્યો છે. કાઉન્સિલર રાખી શાહે મેયરની કાર્યક્ષમતા સામે સવાલો ઉઠાવતાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે. પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થવા સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે. જેમાં વોર્ડ 4નાં કાઉન્સિલર રાખીબેન શાહ ખોડિયારનગર ખાતે પ્રદેશથી આવેલી નિરીક્ષકોની ટીમને સેન્સ આપવા પહોંચ્યાં હતાં. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, મેયર પહેલી વખતનાં કાઉન્સિલર હતાં એટલે બધું કમ્પલિટલી ટેકલ ન કરી શક્યાં. તેમને કોઈ ગાઈડ-લાઈન પણ ન મળી, જેથી તેઓ વિવાદમાં રહ્યાં છે. નિખાલસ ભાવે મેયરની સ્થિતિ અંગે કરેલી સ્પષ્ટતાને કારણે તેઓનું નિવેદન શહેરભરમાં ચર્ચાસ્પદ બન્યું છે. જોકે તેઓએ સાથી કાઉન્સિલર તરીકે મેયર પિન્કીબેન સોનીએ તેમને ઘણો સપોર્ટ કર્યો છે તેમ કહી બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ વધુમાં કહ્યું હતું કે, નો રિપીટ થીયરી આવે તો તેમના પતિ મનોજ શાહ દાવેદાર રહેશે. મહત્વનું છે કે, પાલિકાની સામાન્ય સભામાં લીધેલા નિર્ણય અથવા બજેટની બેઠક દરમિયાન વિપક્ષને સસ્પેન્ડ કરવાની બાબત હોય, મેયરની ભૂમિકા મોટેભાગે શહેરભરમાં ચર્ચાનું કારણ બની હતી.
ભારત 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીના લક્ષ્ય તરફ વધી રહ્યું છે, ત્યારે ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ, ગુજરાતની પહેલથી ગુજરાતી ઉદ્યોગકારો માટે મોરેશિયસ ‘એન્ટ્રી પોઈન્ટ’ બનવા જઈ રહ્યું છે. મોરેશિયસ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ સાથે બેઠકમાં ફિનટેક, લોજિસ્ટિક્સ, ફાર્મા અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં સહકારના દ્વાર ખુલ્યા છે. મોરેશિયસ પાસે 10થી વધુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે, જેના કારણે વિશ્વની 70% વસ્તી ધરાવતા બજારો સુધી ગુજરાતી માલ-સામાન સરળતાથી પહોંચી શકશે. ‘મોરેશિયસ ફ્રીપોર્ટ’નો ઉપયોગ કરીને ઉદ્યોગસાહસિકો માત્ર 3% કોર્પોરેટ ટેક્સ ભરીને આફ્રિકા અને યુરોપમાં નિકાસ કરી શકશે. 54 દેશો સાથે થયેલા ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટને કારણે બેવડો ટેક્સ ભરવો પડશે નહીં. ગુજરાતી ઉદ્યોગકારો માટે નવું સીમા ચિહ્ન બનશેગુજરાતી ઉદ્યોગ જગત માટે આ માત્ર સ્થાનિક નહીં પણ વૈશ્વિક બનવાની વ્યૂહરચના છે. મોરેશિયસ દ્વારા આપણે આફ્રિકાના ઝડપથી વિકસતા બજારોમાં મજબૂત સ્થાન જમાવી શકીશું. > વિરલ ચૌધરી, અધ્યક્ષ, ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ, ગુજરાત
ઠગાઈ:મહિલાકર્મીના મોબાઇલ થકી લોન લીધી,1.92 લાખ ઠગી વેપારી ફરાર
સેન્ટ્રલ એસ.ટી. ડેપોની શ્રીજી હેલ્પ સેન્ટર નામની ઓફિસના સંચાલકે મહિલાકર્મીના મોબાઈલમાં પોતાની ફિંગર પ્રિન્ટ અને પાસવર્ડ સેટ કરી રૂ. 1 લાખની લોન સહિત 1.92 લાખની ઠગાઇ કરી હતી. મહિલાએ નાણાં પરત માંગતા આરોપીઓ ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે. કોયલી રોડ રહેતા મહિલા મોહન મેરીયાની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર હતા. નવેમ્બર 2025માં મોહને ઉછીના રૂ.69,300 લીધા હતા. મહિલાના મોબાઈલમાં એપ ઈન્સ્ટોલ કરી પાસવર્ડ સેટ કરી રૂ.1 લાખની લોન લીધી હતી. મહિલાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તેમાં 33 હજારનું દેવું કર્યું હતું. શંકા થતા મહિલાએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એક્સપર્ટ વ્યૂ : અન્યને બાયોમેટ્રિક્સ રજિસ્ટ્રેશન ન કરવા દો - આશિષ પટેલ, સાયબર એક્સપર્ટ
પાલિકાની ચૂંટણી માટે ભાજપની 2 દિવસ ચાલેલી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં 19 વોર્ડની 76 બેઠક માટે 1434 કાર્યકરે દાવેદારી કરી છે. ગત ચૂંટણી કરતાં આ વર્ષે 21 દાવેદાર ઓછા છે. ચોંકાવનારી બાબત એ છે કે, કોંગ્રેસની બેઠકવાળા વોર્ડ 16માં અન્ય વોર્ડ કરતાં સૌથી ઓછા 41 દાવેદાર છે. જ્યારે વોર્ડ 13માં 60 અને વોર્ડ 1માં 69 દાવેદાર છે. જોકે ભાજપમાંથી સસ્પેન્ડેડ અને કોંગ્રેસમાં જોડાયેલા કાઉન્સિલર આશિષ જોષીના વોર્ડમાં 41 દાવેદાર છે. બીજી તરફ વોર્ડ 12 સૌથી વધુ 103, વોર્ડ 17 અને વોર્ડ 18માં 101 દાવેદારો છે. વોર્ડ 15માં ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલર કોંગ્રેસમાં જોડાતાં ટક્કર થશે, ઓછી દાવેદારીથી ચિંતા 19 વોર્ડમાંથી મહિલા અને પુરુષની દાવેદારી સેન્સ પ્રક્રિયા પૂર્ણ: હવે સંકલન સમિતિ નામ મૂકશે, પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર નક્કી કરશે ભાજપ : સંકલન સમિતિ નામ મૂકશે, પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર નક્કી કરશે કોંગ્રેસ : ત્રણ તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા આમ આદમી પાર્ટી : પહેલી યાદી જાહેર કરાઈ, બે દિવસમાં બીજી યાદી જાહેર કરાશે
વીજળી ડૂલ થતાં 20 હજાર લોકો પરેશાન:દશરથમાં થાંભલામાં પક્ષી અથડાતાં વાયર તૂટ્યો,અઢી કલાક વીજળી ડૂલ
દશરથના ઔદ્યોગિક ક્ષેત્ર બ્રૂક ફીલ્ડ્સ પાસે એક વીજ થાંભલા પર મોટું પક્ષી અથડાતાં વાયર તૂટી ગયો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. જેને પરિણામે અઢી કલાક સુધી આ વિસ્તારના 20 હજાર જેટલા રહીશોને હેરાન થવાનો વારો આવ્યો હતો. આ ઘટના સાંજે 5 વાગ્યાના સુમારે બની હતી. જોકે એમજીવીસીએલે 3 ટીમોને કામગીરી સોંપતાં અઢી કલાકની જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વવત થયો હતો. અચાનક જ વીજ પુરવઠો ખોરવાઇ જતાં ગરમીને લીધે રહીશો હેરાન થયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ અમે છાણી સ્થિત કચેરીના નંબર 99789 35594 પર સંખ્યાબંધ કોલ કર્યા, પણ કોઇ ફોન કેટલાય સમય સુધી ઉપાડતું ન હતું. છેવટે 7-30 વાગ્યાના સુમારે વીજ પુરવઠો પૂર્વવત થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વાયર તૂટતાં 3 જમ્પર અને સેફ્ટી સ્વિચ પણ બળી જતાં સ્થિતિ કથળીવાયર તૂટવાને લીધે એમજીવીસીએલના 3 જમ્પર અને 1 સબ સ્ટેશન પાસેની સેફ્ટી સ્વિચમાં આગ લાગતાં બળી ગઇ હતી. એક સાથે આટલા મોટા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતાં એમજીવીસીએલે 8 સભ્યોની 3 ટીમ બનાવી કામગીરી શરૂ કરી હતી. બેંકના એટીએમમાં નાણાં ભરવા માટે આવેલી ટીમ 1 કલાક બેસી રહીદશરથ સ્ટેશન પાસે નેશનલાઇઝ બેંકના એટીએમમાં નાણાં ખલાસ થવાથી રૂપિયા સાથે એક વાન આવી હતી. જોકે અચાનક લાઇટો ડૂલ થતાં કામ શરૂ થઇ શક્યું નહોતું. તેમણે 1 કલાક રાહ જોવી પડી હતી. એ ટીમ રોકાઇ કે જતી રહી તે જાણવા મળ્યું ન હતું.
ટ્રેનમાં મુસાફરોને યાત્રાનો સારો અનુભવ મળે તે માટે રેલવેએ નોંધપાત્ર સુધારા કરવા કવાયત હાથ ધરી છે. હવે માત્ર એસી ટ્રેનના કોચ જ સુઘડ નહીં હોય, જનરલ ડબામાં પણ નિયમિત સફાઇ કરાશે. એટેન્ડન્ટ એસી કોચમાં ચાદર-તકિયાની કામગીરી સુધી મર્યાદિત નહીં રહે, હવે કોચમાં નાનો ફોલ્ટ સર્જાય તો રિપેરિંગ કરવું પડશે. આગ જેવી ઘટનામાં તેની જવાબદારી વધશે. ઉપરાંત યાત્રીઓને તકલીફ પડે તો પહેલી મદદ તેની હશે. રેલવેનાં સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક મહિનાથી રેલ મદદથી ડેટા વિશ્લેષણ કરાતું હતું. તેમાં મુસાફરોને કોચમાં સફાઇ મુદ્દે અસંતોષ વધુ હોવાનું જણાતાં નવા નિયમો લાગુ પાડવાની પહેલ કરી છે. પ્રારંભિક તબક્કે 85 ટ્રેનોમાં તેને લાગુ પડાશે. ટ્રેન કોચમાં દર બે કલાકે સફાઇ કરાશે. જોકે રેલવે આ કામગીરીનો કોન્ટ્રાક્ટ આપશે. જેમાં એજન્સીની પસંદગી માટે પણ આ જ બાબતો પર વધુ ભાર મૂકાશે. અગાઉ ધો.10 પાસ ઉમેદવારો આ કામગીરી માટે મૂકાતા હતા, હવે ધો.12 પાસ અને આઇટીઆઇનો ક્રાઇટેરિયા રખાયો છે. ટ્રેનમાં કામગીરી કરતા કર્મી મુસાફરોને સામેથી ટ્રેનમાં અપાતી સેવા વિશે પૃચ્છા કરશે અને તેમનું વર્તન સહાનુભૂતિ પૂર્ણ હશે. આ માટે તેમને તાલીમ પણ અપાઈ રહી છે. જ્યારે ફીડબેક એનાલિસીસમાં ટ્રેનમાં મુસાફરો પાણીની ઉપલબ્ધિ, કોચની સફાઇ, બેડરોલ સર્વિસ, સ્ટાફની વર્તણૂક અને ઇલેક્ટ્રિકલ ફોલ્ટના મુદ્દે સૌથી વધુ ફરિયાદો કરે છે. વડોદરા ડિવિઝનમાં ઉકેલ ઝડપી બન્યો
મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સુરત શહેરના વોર્ડ નંબર 1 એટલે કે જહાંગીરપુરા, વરિયાવ, છાપરાભાઠા અને કોસાડ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેવી કામગીરી થઈ છે. અહીં થયેલા વિકાસ અને થઈ રહેલા વિકાસને લઈ મતદારો શું કહી રહ્યા છે. તે જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર વોર્ડ નંબર 1માં પહોંચી હતી. કેટલાક લોકો અહીંના વિકાસથી ખુશ છે તો કેટલાક મતદારો આક્રોશિત જોવા મળ્યા હતા. વોર્ડ નંબર એકની અંદર ઠેર ઠેર કચરાના ઢગલાઓ અને સરકારી સ્કૂલ ન હોવાનો દાવો કરી આક્રોશ વ્યક્ત કર્યો.છાપરાભાઠા અને વરીયાવ વચ્ચેથી પસાર થતી ખાડી પણ ગંદકી ખદબત્તી હોવાનું પણ જોવા મળ્યું હતું. એટલું જ નહીં કોસાડ વિસ્તારમાં મહિલાઓની સુરક્ષાઓ પર સવાલો જનતાએ ઉઠાવ્યા. આ સાથે જ છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેટર દેખાયા ન દેખાયો હોવાનો જનતાએ રોષ ઠાલવી કહ્યું કે અમે અમારા વોર્ડના કોર્પોરેટરોને તો ઓળખતા જ નથી. જ્યારે રેસીડેન્શિયલ વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની પરમિશનો કોર્પોરેટરોની મહેરબાનીથી આપવામાં આવતી હોવાનો જનતાએ આક્ષેપ કર્યો હતો. 'ચૂંટણી આવે એટલે બધા દોડ્યા આવે'ગીતાબેન ચોટલિયાએ જણાવ્યું હતું કે, અમરોલી વિસ્તારમાં સરકારી સ્કૂલ જ નથી. બીજી સ્કૂલમાં છોકરાઓને ભણાવવા પોસાય એમ જ નથી.કોર્પોરેટરોને તો ઓળખા જ નથી.એટલું જ નહીં કોર્પોરેટરો જોવા પણ નથી આવતા કે સ્કૂલ છે ક્યાં? ઘરના ખર્ચા, હીરામાં મંદી, સાડીઓમાં મંદી, બધાયમાં મંદી છે. ગેસના બાટલા પણ મળતા નથી.મત દેવો જ નથી આ વખતે કોઈને.ચૂંટણી આવે એટલે બધા દોડ્યા આવે, 'આમાં દેજો મત, આમાં દેજો મત'. મત શેમાં દેવો? રાજલ દવેએ મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યોવોર્ડ નંબર એકના સ્થાનિક રહેવાસી રાજલ દવેએ કહ્યું કે, આ વિસ્તારમાં બે મહિલા કોર્પોરેટર છે. જ્યારે મત માંગવા આવ્યા ત્યારે જોયા હતા. બાકીના પાંચ વર્ષમાં જોયા નથી. આ વિસ્તારમાં મહિલાની સુરક્ષા નથી, કોઈ પણ હાલતા-ચાલતા છેડતી કરી શકે છે. એવા ઘણા કિસ્સા પણ આ વિસ્તારમાં જોવા મળ્યા છે. મર્ડરના કિસ્સા પણ જોવા મળી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી: વિપુલભાઈસ્થાનિક વિપુલભાઈએ જણાવ્યું હતું કે, અમરોલી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકની જ મોટામાં મોટી સમસ્યાઓ છે. તાપી નદીના બ્રિજ પર સવારથી લઈ સાંજ સુધી ટ્રાફિક હોય છે. ટ્રાફિકની સમસ્યાનું કોઈ સમાધાન થતું નથી. કોઈ કામ સમયે પૂર્ણ થયા નથી. એ સાથે જ રોડ રસ્તા ખોદી નાખવામાં આવે છે અને થીગડા મારી દેવામાં આવે છે.ભાજપના ચાર કોર્પોરેટર છે. એમાંથી એક પણ ક્યારેય કોઈ જગ્યાએ જોવા મળતા નથી. બસ ખાલી વાત થાય છે. કોઈને નામ પણ નથી આવડતા કોર્પોરેટરના. 'અમરોલીમાં ખૂબ સારી વ્યવસ્થા અને સુવિધા'લાલજીભાઈએ પણ ટ્રાફિક સમસ્યા મુદ્દે હૈયાવરાળ ઠાલવી.કહ્યું કે ગજેરા સર્કલ સુધી ટ્રાફિક થાય છે એનું નિરાકરણ આવે તો મહેરબાની. હું કોઈ નેતાનો માણસ નથી, હું આમ નાગરિક છું. રોજ આ રોડ ઉપર અવર-જવર કરું છું મને ખબર છે ટ્રાફિક કેટલું છે કેટલું નથી.ટ્રાફિકની સમસ્યા સિવાય લાલજીભાઈએ વિકાસ કાર્યોના પણ વખાણ કર્યાં. વધુમાં કહ્યું કે રોડ-રસ્તા બધું સારું છે. શાંતિ પણ છે કે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બહુ સારી વ્યવસ્થા અને સુવિધાઓ પણ સારી છે. કોર્પોરેટરો આ વિસ્તારમાં આવે તો ઓળખીને!રેખા તારાએ મોંઘવારી અને મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે હાલની સ્થિતિ પ્રમાણે આ વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ એરિયા વધી રહ્યો છે. ત્યારે મહિલાઓને બહાર નીકળવામાં થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પ્રાથમિક સુવિધા મુદ્દે પણ રોષ વ્યક્ત કરીને કહ્યું રસ્તા ખરાબ છે, રાતના સમયે સ્ટ્રીટ લાઈટ નથી ચાલુ રહેતી. કોર્પોરેટરોને તો જોયા જ નથી એવી વાત કરી. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે કોર્પોરેટરો આ વિસ્તારમાં આવે તો એમને ઓળખીએને. આ સરકારને મત દેવાય નહીં: હર્ષદભાઈ સવાણીહર્ષદભાઈ સવાણીનું કહેવું છે કે જ્યાં કોસાડ ગાર્ડન છે, જ્યાં સિનિયર સિટીઝન લોકો કસરત કરવા, વોકિંગ કરવા જાય છે ત્યાં બધા દારૂડિયાઓ હોય છે. ત્યાં પોલીસ કંઈ જતી નથી કે કોઈ SMCના સાહેબ નથી જોતા. તેની બહાર રોજ ગટર છલકાય છે. રોજ કોર્પોરેશનવાળા માણસો આવે છે ટેન્કર લઈને, બધા પૈસા ખાવા બેઠા છે. બધા કોર્પોરેટરોને ઓળખીએ છીએ, બધાની છઠ્ઠી જાણીએ છીએ. પૈસા સિવાય કાંઈ થતું નથી. કોઈ કામ કરતું નથી. એની ઓફિસે જઈએ સહી કરાવવા તોય ધક્કા ખાવા પડે છે કે અત્યારે સાહેબ નથી. સાહેબ પૈસા લેવાની ઉતાવળમાં હોય ને! મત હવે આ વખતે આવે ને ત્યારે ખબર પડે. આ વખતે આવે? સોસાયટી આખી વિરોધમાં જ છે, હું એક નહીં. 'બસ અધિકારીઓ મનમાની કરીને રોડ ખોદી નાખે છે, પછી થીગડા મારે'અમિત તાડાએ જણાવ્યું હતું કે, કચરાના ઢગલાઓ છે અને રાત્રિના સમયે સળગાવવામાં આવે છે. એટલે વાતાવરણ પ્રદૂષણ વાળું થઈ જાય છે. વારંવાર રજૂઆતો કલેક્ટર, કોર્પોરેટરને કરી છે, મેયર સુધી, કમિશનર સુધી અરજીઓ કરી છે. પરંતુ નિરાકરણ હજુ સુધી થયું નથી. રેસીડેન્શિયલ વિસ્તારોમાં પણ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની પરમિશનો આપવામાં આવે છે કોર્પોરેટરોની મહેરબાનીથી.અરજી કે ફરિયાદ કરી તો કોઈ જવાબ પણ આપતું નથી. બસ અધિકારીઓ મનમાની કરીને રોડ ખોદી નાખે, પછી થીગડા મારી દે છે રોડ ઉપર, ભલેને લોકો પરેશાન થયા રાખે. કોર્પોરેટરોને ફોન કરીએ તો આવું કામ અટકાવેલું હોય જ્યારે આપણે આંદોલન કરવા નીકળ્યા કે ભાઈ આ કામ શા માટે કરીએ છીએ, ત્યારે એ ખાલી બતાવવા આવે કે ભાઈ આ કામ તો સરકારી કામ છે, કરવા દો. કારણ કે એમાં તો એને અંદર ખિસ્સામાં પડતા હોય છે, એટલે ખાલી અમે કામ અટકાવીએ નહીં એટલે આવે છે. બાકી સારા કામની કે અમારી ફરિયાદો સ્વીકારવા માટે કોઈ આવતું નથી.
BCA વિવાદ:એપેક્ષની બેઠક મુદ્દે લેલેને વળતો ઇ-મેલ, સેક્રેટરી તરીકે તમારો કાર્યકાળ પૂરો થયો
બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં ચૂંટણીનું કોકડું હજી કોર્ટમાં ગૂંચવાયેલું છે. દરમિયાન બુધવારે બીસીએના માનદ સેક્રેટેરી અજિત લેલેએ એપેક્ષની બેઠક બોલાવવાના ઇ-મેલે વિવાદ સર્જ્યો હતો. હવે આજે એપેક્ષ મેમ્બર કલ્યાણ હરિભક્તિએ આ સંદર્ભે સેક્રેટરીને વળતો ઇ-મેલ કર્યો છે. જેમાં તેમણે હાઇકોર્ટની માર્ગદર્શિકાની વાતને ટાંકી સેક્રેટરી તરીકે તમારો કાર્યકાળ પૂરો થયો છે તેવો ઉલ્લેખ કરીને આ રીતે મર્યાદિત સભ્યોને જ બેઠક માટે આમંત્રિત કરી એપેક્ષની બેઠક બોલાવવી બિન સત્તાવાર, ગેરકાયદે અને કાનૂની મંજૂરી વિનાની ગણાવી હતી. આ રીતે બેઠક બોલાવવા પાછળ બદઇરાદો છે તેવો સીધો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું છે કે, પાછલી મંજૂરીઓ, નિમણૂકો અને કોન્ટ્રાક્ટ્સ અને અન્ય વહીવટી કામગીરી સહિતના મહત્ત્વના નિર્ણયો માટેની દિશામાં કામગીરીનો પ્રયાસ પણ હાઇકોર્ટની આ સંદર્ભે કરલી માર્ગદર્શિકાની ઘોર અવહેલના છે. સૂત્રોના જણાવ્યા મુજબ સેક્રેટરી દ્વારા 11 સભ્યો પૈકીના 7 એપેક્ષ સભ્યોને જ ઇ-મેલ કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે આ સંદર્ભે જ્યાં માર્ગદર્શિકાનું ઉલ્લંધન થતું હોય તે સ્થિતિમાં કાનૂની કાર્યવાહી કરવાની શક્યતા અંગેની ચીમકી પણ ઉચ્ચારી છે. અન્ય સભ્યોને શા માટે આમંત્રિત ન કરાયા તે પ્રશ્નકલ્યાણ હરિભક્તિએ જણાવ્યું કે, જેમની મેટર હમણાં કોર્ટમાં છે તે સભ્યોને શા માટે આમંત્રિત ન કરાયા તે સમજાતું નથી. આ વિશે સેક્રેટરીને સવાલો પૂછાવા જોઇએ. આ સંદર્ભે અજિત લેલેનો વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ પ્રતિક્રિયા મળી શકી ન હતી.
ભાયલીમાં રાજ્ય સરકારે અશાંતધારો અમલી બનાવ્યો છે. મહેસૂલ વિભાગે 30 માર્ચે પ્રસિદ્ધ કરેલા નવા જાહેરનામા અનુસાર જે.પી. રોડ પોલીસ મથકની હદમાં તાંદલજાની 500 મીટરની ત્રિજ્યામાં આવતા ભાયલીના ટીપી-3 અને 4ના વિવિધ પ્લોટ,સર્વે નંબરોનો સમાવેશ અશાંત વિસ્તારની યાદીમાં કર્યો છે. સરકારે 21 જાન્યુઆરી, 2025ના રોજ બહાર પાડેલા જાહેરનામામાં સુધારો કરી આ નિર્ણય લીધો છે. ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆત બાદ વહીવટી તંત્રે કરેલા સરવેના આધારે ભાયલીના ચોક્કસ સર્વે નંબરને 5 વર્ષ માટે અશાંત જાહેર કર્યા છે. જેથી આ વિસ્તારોમાં મિલકત વેચવા કે હસ્તાંતરિત કરવા કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત થશે.ધારાસભ્યે ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા 9 જુલાઈ,2025ના રોજ ના. કલેક્ટરને પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું કે, ભાયલીની દક્ષિણ-પૂર્વ દિશાએ આવેલું તાંદલજા ‘ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ, 1991’ હેઠળ સૂચિબદ્ધ છે. ભવિષ્યમાં કાયદો-વ્યવસ્થા સુચારુ રહે તે માટે તાંદલજાને અડી આવેલા ભાયલીના ટીપી-3 અને ટીપી-4 ના ફાઈનલ પ્લોટ અને સર્વે નંબરોની તપાસ કરી અશાંત વિસ્તારની સૂચિમાં ઉમેરવા ભલામણ કરી હતી. શહેરના મુખ્ય વિસ્તારો જ્યાં અશાંતધારો લાગુ છે 1. સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર જેમાં માંડવી, ગેંડીગેટ, પાણીગેટ, તેની આસપાસની પોળ.2. વાડી, ગાજરાવાડી અને આસપાસના રહેણાક વિસ્તાર.3. કારેલીબાગ-ફતેગંજના વિસ્તાર, નવાપુરા- રાવપુરાના સંલગ્ન વિસ્તારો.4. પાણીગેટ દરવાજાની અંદર અને બહારના વિસ્તારો.5. ગોરવા અને જેપી રોડ, ભાયલીના ચોક્કસ સર્વે નંબરો ધરાવતી સોસાયટી. અશાંતધારાનો ભંગ થતાં રહીશોએ રામધૂન કરીતાંલદજાના અક્ષર આર્યનામ ફ્લેટના રહીશોની રજૂઆત છે કે, અમારા ફ્લેટની સામે જ બીજા ફ્લેટની સ્કીમ મૂકાઈ છે. જેમાં સ્થાનિક કોર્પોરેટરના ભાઈ રાજવીરસિંહ ચુડાસમાનું નામ છે, જે સ્કીમનો વહીવટ કરશે. જ્યારે અન્ય બે ભાગીદાર સોહિલ મેમણ અને કૈયુમ મેમણ છે. જેથી હિંદુઓની વસતીમાં લઘુમતી કોમના લોકોને મકાન મળે તો કાયદો અને વ્યવસ્થા જોખમાય તેમ હોવાથી ફ્લેટની સ્કીમ માટે લીધેલી અશાંતધારાની પરવાનગી રદ કરવા રહીશોએ કલેક્ટર કચેરી પહોંચીને રામધૂન બોલાવી હતી.
હવામાન વિભાગ દ્વારા 3 એપ્રિલ એટલે કે આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખસા કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસે જણાવ્યું કે, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ શક્યતાઃ અંબાલાલહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ) સર્જાવા જઈ રહ્યો છે, જેની અસર દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા છે. ગુજરાતના ભાગોમાં પવનની ગતિ લગભગ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તો કેટલાક ભાગોમાં 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા છે. દ્વારકાના ભાગમાં હવામાન પલટાશે, જામનગરના ભાગો અને આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા છે. 2 એપ્રિલના જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં કરા સાથે વરસાદઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રમાં 2 એપ્રિલના રોજ અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભુજ તાલુકાના ખાવડા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતા ખાવડા, મિરઝાપર, સુખપર, માનકુવા સહિતના ગામોમાં તેમજ જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં કરા સાથે પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એવા દૃશ્યો સર્જાયા હતા. ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું યુગલ ફૂંકાઈ ચુક્યું છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં 2 અને 3 એપ્રિલના રોજ ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદના 24 વોર્ડમાં પ્રથમ દિવસે 70થી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. પૂર્વ કોર્પોરેટરોથી દીકરા દીકરીઓ અને પૂર્વ હોદ્દેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે દિવ્ય ભાસ્કર પાસે કેટલાક મુખ્ય દાવેદારો અને સંભવિત ઉમેદવારોના નામ આવ્યા છે. જે પોતાના વોર્ડમાં ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી કરી છે અને સંભવિત ઉમેદવાર પણ બની શકે છે. અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા ગુરુવારે સવારથી શરૂ થઈ હતી જેમાં જે પૂર્વ કોર્પોરેટરો અનામત રોટેશનના કારણે કપાઈ ગયા છે તેના સિવાયના જે કોર્પોરેટરો છેલ્લી ટર્મમાં કોર્પોરેટર હતા તેવા તમામ કોર્પોરેટરોએ ફરીથી ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. રાણીપ, ચાંદખેડા, જોધપુર, સરખેજ, વેજલપુર, અમરાઈવાડી, શાહીબાગ, અસારવા, શાહપુર, નવરંગપુરા, વાસણા, પાલડી, ઓઢવ, કુબેરનગર, સરદાર નગર, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારોના પૂર્વ કોર્પોરેટરો અને શહેરના ઉપપ્રમુખ મંત્રી અને વોર્ડ મહામંત્રીઓ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. સરખેજ વોર્ડની જનરલ બેઠક પર SC ઉમેદવારોએ ટિકિટ માગીસરખેજ વોર્ડમાં અંદાજિત 19 હજાર મતદારો અનુસૂચિત જાતિના હોય જનરલ બેઠક હોવા છતા અનુસૂચિત સમાજના 65 દાવેદારો દ્વારા ટિકિટની માગણી કરવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિના ડો. અલ્પેશ સોલંકી, પ્રતીક ઝાલા, વિવેક પરમાર, ભરત ચાવડા, પૂજા સોલંકી, જ્યોતિ વાણિયા, પારુલ મકવાણા, ગોપાલ ચૌહાણ, રાજન ચૌહાણ, રાકેશ સુર્યવંશી, હિરેન મકવાણા, હિરેન સોલંકી, વિજય પરમાર, રમેશ વેગડા, નિકુંજ સોલંકી, અરવિંદ પરમારે દાવેદારી કરી છે. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે મંજુબેન સોલંકી જનરલ બેઠકમાં મેન્ડેટ આપ્યું હતું. જેમાં મંજુબેન સોલંકીને 10785 વોટ મળ્યા હતા હવે ભાજપમાં જનરલ બેઠકમાં પણ અનુસૂચિત જાતિના મેન્ડેડ આપવાની માગ કરવામાં આવી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
આજવા રોડ પર રહેતા દંપતી વચ્ચે સવારનો નાસ્તો બનાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જેને પગલે પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. તે પછી આખો દિવસ પતિનો કૉલ ન આવતાં મહિલાએ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમ મહિલાને લઈને તેમના ઘરે પહોંચી હતી અને પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. જે બાદ પતિ ખાતરી આપી હતી કે, તે હવે ક્યારેય પત્નીને ઘરમાંથી બહાર નહીં કાઢી મૂકે અને તેની સાથે સારો વ્યવહાર કરશે. આજવા રોડ પર રહેતા પ્રકાશભાઈ (નામ બદલ્યું છે) કરિયાણાની દુકાન ચલાવે છે. તેમણે ઘરના તમામ કામ માટે કામવાળા બહેન રાખ્યાં છે. જેથી તેમની પત્ની રાખીબહેન (નામ બદલ્યું છે)ને કોઈ કામ ન કરવું પડે. રાખીબહેનને સવારે માત્ર નાસ્તો જ બનાવવાનો હોય છે. જોકે મંગળવારે રાખીબહેને નાસ્તો બનાવ્યો ન હોવાથી પતિએ તેમની સાથે ઝઘડો થયો હતો. પત્નીએ કહ્યું હતું કે, મારી તબિયત સારી ન હોવાને કારણે નાસ્તો નથી બનાવ્યો. છતાં પ્રકાશભાઈએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને કહ્યું હતું કે, તારે જ્યાં જવું ત્યાં જા, પણ ઘરે ન આવતી. જેથી રાખીબહેન ઘરમાંથી નીકળી ગયાં હતાં. તેઓને લાગ્યું હતું કે, પતિનો ગુસ્સો શાંત થશે ત્યારે કૉલ કરીને બોલાવી લેશે. જોકે રાત સુધી પતિનો કૉલ ન આવતાં તેઓએ અભયમને કૉલ કરીને સમગ્ર ઘટના જણાવી હતી. જેથી અભયમની ટીમ રાખીબહેને લઈને તેમના ઘરે પહોંચી હતી. ટીમે પ્રકાશભાઈને સમજાવ્યા હતા કે, તમારી પત્નીની તબિયત 3 દિવસથી ખરાબ હોવાથી તે નાસ્તો બનાવી શકતાં નથી, આવી નાની વાતમાં ઘરમાંથી કાઢી ન મૂકાય. આવી અવસ્થામાં તેમની મદદ કરવી જોઈએ. જેથી પ્રકાશભાઈ રાખીબહેન પાસે માફી માગતાં મામલો થાળે પડ્યો હતો. બંને સમયનું જમવાનું બનાવવા બહેન રાખ્યાં છે, પત્નીએ માત્ર નાસ્તો બનાવવાનો છેઃપતિઅભયમની ટીમ પ્રકાશભાઈના ઘરે પહોંચી ત્યારે તેમણે ટીમને જણાવ્યું કે, પત્નીને કોઈ કામ ન કરવાં પડે તે માટે કામવાળાં બહેન રાખ્યાં છે. બંને સમયનું જમવાનું બનાવવા માટે પણ બહેન આવે છે, માત્ર સવારે નાસ્તો બનાવવાનો હોય છે, તે પણ તે નથી બનાવતી. જેથી મેં તેને પાઠ ભણાવવા માટે ઘરમાંથી કાઢી મૂકી હતી.
ખનીજ વિભાગની કડક કાર્યવાહી:વાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ પર ધોંસ, રૂ. 1.70 કરોડનો મુદ્દામાલ કબજે
છેલ્લા થોડા સમયથી ભૂમાફિયાઓ પર ખાણ અને ખનીજ વિભાગે ધોંસ બોલાવી છે અને ચાર ડમ્પર તેમજ એક એસ્કેવેટર સહિતના 1.07 કરોડના સાધનો કબજે લઇ તેના માલિકો પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી તેજ બનાવાઇ છે. વાંકાનેર તાલુકામાં Dy.S.P. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી. પટેલ, પીએસઆઇ ડી.વી. ખાંભલા તથા સ્ટાફ દ્વારા તાલુકા પંથકમાં ખનીજ ચોરી બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મેસરીયા પંથકમાંથી ત્રણ ખનીજ ભરેલા તથા એક ખાલી ડમ્પર પકડી પાડવામા આવ્યા હતા, જ્યારે તાલુકાના ભેરડા વિસ્તારમાંથી એક ડમ્પર સાથે સહિતના કરોડોના સાધનો પકડી પાડ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ખનીજ માફીયાઓ બેલગામ બની ગયા હતા જેને પોલીસ કે ખનીજ વિભાગનો કોઈ જ પ્રકારનો ડર જ ન હોય તેવી રીતે બેખૌફ બની ખનિજનું ખનન તથા ગેરકાયદે વહન કરી રહ્યા હતા. તેના પર ધોંસ બોલાવવા પોલીસ અને ખાણ ખનીજ ખાતું સાગમટે ત્રાટક્યું હતું. ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ છવાયો ગયો છે. તાલુકા પોલીસ ટીમે સવારથી જ પંથકમાં ચેકિંગ કામગીરી શરૂ કરી હતી જેમાં કુલ ચાર ડમ્પર તથા એક એસ્કેવેટર જપ્ત કરી ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ખનીજ વિભાગે પણ આળસ ખંખેરવી પડી હતી, માલિકોને દંડ ફટકારવાની ગતિવિધિ તેજ કરી છે. પોલીસે ચાર ડમ્પર જેની 1.20 કરોડ રૂપિયા તેમજ એક એસ્કેવેટર કે જેની કિંમત રૂપિયા 50 લાખ મળી કુલ 1.70 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
મનપાની 52 બેઠકો માટે મૂરતિયાઓનો રાફડો:મહાનગરપાલિકાની 52 બેઠક માટે નવ ગણાં 491 દાવેદાર !
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડની 54 સીટ માટે 491 ભાજપ કાર્યકરોએ ટિકિટ માંગી છે. ગત ચૂંટણીમાં સંયુક્ત પાલિકામાં 13 વોર્ડ જ હતા તેમ છતાં 242 કાર્યકરોએ ટિકિટ માંગી હતી. આ વખતે વોર્ડ નં.9માં સૌથી વધુ 52 કાર્યકરોએ ટિકિટ માંગી છે. જે ખરેખર તમામ વોર્ડના સભ્યો બરાબર છે. ખાસ કરીને આ વોર્ડમાં માળોદ અને ખેરાળી બે ગામ ભળતા ગામડામાંથી પણ કાર્યકરોએ ઉમેદવારી કરી છે. સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની પહેલી ચૂંટણીનો બુંગીયો વાગી ચૂકયો છે. 491 ભાજપ કાર્યકર્તાઓએ આ વખતે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે. વોર્ડ નં.9 બાદ સૌથી વધુ વોર્ડ નં.3માં 32એ ટિકિટ માંગી છે. મહત્વની બાબત એ છે કે, પાલિકાના વહિવટના સારા જાણકાર છે અને કાયદાની સાથે નિયમો પણ સારી રીતે જાણે છે તેવા પીઢ નેતાઓએ ટિકિટ માંગવાનું ટાળ્યું છે. ભાજપની પરંપરા રહી છે કે ટિકિટ માંગવાનો બધાયને અધિકાર છે. ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય મહેશભાઇ મોદી અને પાલનપુરના ધારાસભ્ય અનીકેતભાઇ ઠકકરે ઉમેદવાર કાર્યકરોને સાંભળ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઇ ટમાલીયાના માર્ગદર્શનથી પ્રભારી પ્રતાપભાઇ ખાચર, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઇ રાવલ અને વિપુલભાઇ ચૌહાણ સહિતની ટીમે વ્યવસ્થા સંભાળી હતી. ટેકનીકલ રણનીતિ : ફોર્મમાં સો.મીડિયા ફોલોઅર્સ જણાવવા ફરજિયાતમનપાની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારે ફોર્મ ભરવાના હોય છે ત્યારે સામાન્ય રીતે ઉમેદવારનું સભ્ય પદ કેટલા સમયથી પક્ષમાં સક્રિય અને શું શું કામગીરી કરી તેની વિગતો માંગવામાં આવી હતી. પરંતુ આ ચૂંટણીના ઉમેદવારી ફોર્મમાં ઉમેદવારની સોશિયલ મીડિયામાં સક્રિયતા તપાસવા ખાસ કરીને કેટલા ફોલોઅર્સ છે તેની પણ વિગતો માંગવામાં આવી છે. આમ જેના ફોલોઅર્સ ઓછા તેની ટિકિટ કપાશે તે નક્કી તેવી ચર્ચા છે. મનપાની ચૂંટણીમાં આટલા ઉમેદવારોએ દાવેદારીની વિગત 50% નવા ઉમેદવારો સામે વહિવટનો મોટો પડકારમનપાની આ પહેલી ચૂંટણીમાં હાલની સ્થિતિ જોતા સૌથી વધુ નવા ચહેરાને સ્થાન અપાઇ શકે છે. યુવા ટીમને મનપાના વહિવટ અને સદસ્યો, ચેરમેનની સત્તાનું વિશેષ જ્ઞાન નથી. આથી 80% નવા ચહેરાઓના હાથમાં સત્તા આવશે તો મોટો પડકાર ઉભો થશે. ઉમેદવારો વધવાના મુખ્ય કરણો ભાસ્કર ઇનસાઇડ: 3 ટર્મ, 60 વર્ષની આયુ, પરિવારવાદનો નિયમ જળવાય તો અનેકની ટિકિટ કાપશેભાજપે પોતાની નવી ઉમેદવારની ટીમ તૈયાર કરવા માટે 60 વર્ષથી વધુની ઉંમરના, 3 ટર્મ ચૂંટણી લડી ચૂકેલા હોય તેવા અને પરિવારના સભ્યોને ટિકિટ ન આપવાનો નિર્ણય લીધો હોવાની હાલ ચર્ચા છે. જો પક્ષ ખરેખર આ નિયમનું ચુસ્ત પણે પાલન કરે તો અત્યારે જે લોકોએ ટિકિટ માંગી છે તેમાંથી ઘણા લોકોની ટિકિટ કપાઇ શકે છે. ભાસ્કર એક્સપર્ટ: ટિકિટ કપાશે તેઓના ક્રોસ વોટિંગ થઇ શકે છેઆટલી મોટી સંખ્યામાં જ્યારે ભાજપના કાર્યકર્તાઓએ ટિકિટ માંગી છે ત્યારે ટિકિટ માત્ર 52 વ્યકિતને જ મળવાની છે. આથી જે લોકોએ માત્ર નામ ખાતર ટિકિટ માંગી છે તેમાં કોઇ વાંધો નહી આવે પરંતુ જે ખરેખર સાચા દાવેદાર છે, પક્ષ અને પોતાના વોર્ડમાં સક્રિય છે તેવા લોકોની ટિકિટ કપાશે તો ક્રોસવોટીંગની શકયતાઓ વધી જશે. પરંતુ સામે કોંગ્રેસ નિષ્ક્રિય છે. આથી લોકો પાસે ભાજપ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. પરિણામે અંતે ભાજપનું પલડુ ભારે રહી શકે છે. - કે.સી.શાહ, પૂર્વ સદસ્ય (એક્ષપર્ટ)
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષ ગરમીનો પારો સતત વધઘટ વાળો રહ્યો છે. ત્યારે માર્ચ માસમાં ગરમીનો છેલ્લા 10 વર્ષનો પારો મહતમ તાપમાન સુધી પહોંચવામાં સૌથી ઓછા દિવસો લાગ્યા છે. જિલ્લામાં આ વર્ષ માર્ચ માસનું હાઇએસ્ટ મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી રહ્યું છે. જે માત્ર 10 દિવસમાં ગરમીનો પારો વધતા લાગ્યા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી રહ્યું છે જેને માત્ર11 દિવસ લાગ્યા છે. સામાન્ય રીતે માર્ચ મહિનાની શરૂઆત સાથે આકરા ઉનાળાની શરૂઆત થઇ જતી હોય છે. ત્યારે મહત્તમ ગરમી સુધી પહોંચતા સામાન્ય રીતે 20થી 28 દિવસનો સમય લાગે છે. ત્યારે જિલ્લામાં આ વર્ષ માર્ચ તાપમાનની દ્રષ્ટીએ ઉતાર ચઢાવ વાળો રહ્યો છે. જેમાં શરૂઆતમાં મધ્યમ તાપમાન બાદ બાદ મહિનાના અંતમાં વાતાવરણ પલ્ટાને કારણે ગરમી ઘટી તથા સપ્તાહમાં ઉનાળાની અસર ઓછી વર્તાયા બાદ અંતના દિવસોમાં ફરી તાપમાન વધ્યું હતું. આ વર્ષ એપ્રિલની શરૂઆતમાં વર્તાતી હોય તેમ 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. ત્યારે જૂના વર્ષોના તાપમાન સાથે સરખાવીએ તો આ વર્ષનો માર્ચ મહિનો જિલ્લામાં છેલ્લા 10 વર્ષના તાપમાનની દ્રષ્ટીએ સૌથી વધુ મહત્તમ જે બપોર બાદ નોંધાય છે તેના 42 તાપમાનના પારા સુધી પહોંચવામાં સૌથી ઓછા 10 દિવસો લાગ્યા છે. જ્યારે લઘુત્તમ તાપમાન જે રાત્રી બાદ નોંધાય છે તેના હાઇએસ્ટ 25 ડિગ્રી સુધી પહોંચતા 11 દિવસ લાગ્યા છે. વાતાવરણ પલટો, કમોસમી વરસાદે તાપમાન આ વર્ષ ઓછુ કર્યું20 માર્ચે વાવાઝોડુ, વરસાદ અને 4 દિવસ સુધી વાતાવરણ પલ્ટાને કારણે માર્ચમાં અંતિમ દિવસો થોડી રાહત થઈ. છેલ્લા દિવસો દરમિયન લઘુત્તમ તાપમાન 23.5 અને મહત્તમ 35.3 રહ્યું હતું. ગત વર્ષ માર્ચે લઘુતમ 23.6 અને મહત્તમ 37.5 ડિગ્રી રહ્યું હતું. માર્ચમાં મહત્તમ તાપમાન સુધી પહોંચવામાં લાગેલા દિવસો
ફરિયાદ:શીશલી ગામે મહિલા સહિત 3 શખ્સનો યુવતી પર હુમલો
પોરબંદરના શીશલી ગામે યુવતીના પિતા અને યુવતી સાથે શખ્સોને મનદુખ હોય જે મનદુઃખના કારણે મહિલાઓએ યુવતીને માર માર્યો હતો જ્યારે શખ્સે યુવતીને ગાળો કાઢી ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના શીશલી ગામે નવાપરા પાણીના ટાંકા પાસે રહેતી જ્યોતિબેન ભરતભાઈ મોઢાના પિતા તથા આરોપીઓ માયાબેન સંજય મોઢા, તેજલબેન વિજય અને અમિત સંજય મોઢાને ત્રણ વર્ષ પહેલા મારામારી અને ઝઘડો થયેલ હતો, જે બાબતે આરોપીઓ વચ્ચે મનદુઃખ હતું. જેને કારણે માયાબેન અને તેજલબેને જ્યોતિબેનને ઢીકા પાટુનો માર મારી ગાળો કાઢી હતી જ્યારે અમિતે જ્યોતિબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જ્યોતિબેને ફરિયાદ નોંધાવતા પોલીસે માયાબેન, તેજલબેન અને અમિત સામે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ બગવદર પોલીસ ચલાવી રહી છે.
પોરબંદર જિલ્લામાં યોજાનાર મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કલોરશીપ (CGMS) 2026 ની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો આસપાસ લોકો એકત્ર ન થાય અને પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તેમજ પરીક્ષા શાંતિ અને એખલાસભર્યા વતાવરણમાં યોજાય તેમ માટે એકથી વધુ લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ મશીન દ્વારા કોપીઓ કરવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. બિનઅધિકૃત વ્યકિતઓ પરીક્ષાની કામગીરીને દખલ પહોંચાડે નહી તે હેતુથી પોરબંદર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા પોરબંદર જિલ્લા ખાતેના નિયત કેન્દ્ર કે ઝોનલ ઓફીસ ખાતે તા.04.04.2026 ના રોજ સવારે 10.30 થી બપોરના 13.30 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં બે કે બે કરતા વધારે સંખ્યામાં લોકોએ એકઠા થવું નહીં. સરઘસો કાઢવા નહી, સુત્રો પોકારવા નહી, લાઉડ સ્પીકર કે અન્ય રીતે ધોંધાટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેન્દ્ર નજીક ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા મનાઈપોરબંદર જિલ્લા ખાતેના પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200 મીટરના વિસ્તારની ઝેરોક્ષ મશીન દ્રારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ કે મશીનધારકોએ તેમના ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા નહી તેમજ પરીક્ષા કેન્દ્રોના પરિસરમાં કે પરીક્ષા ખંડોમાં ગેરરીતી કે ચોરીઓના દુષણો ન થાય તે હેતુથી મોબાઇલ, કેલ્કયુલેટર, ડીઝીટલ વોચ, કોઇપણ પ્રકારના ઇલેકટ્રીકલ, મીકેનીકલ, ઇલેકટ્રોનિક ઉપકરણો તેમજ ગેરરીતી આચરવા કોમ્યુનીકેશન થઇ શકે એવા કોઇ પણ પ્રકારના સાધનો કે ઉપકરણો લઇ જવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે. જેથી કોઇ ગેરરિતી કે પરીક્ષામાં ચોરી લક્ષી પ્રવૃતિઓને રોકી શકાશે.
કામગીરી:મનપા વિસ્તારમાં 20 એપ્રિલથી પ્રથમ તબક્કાનીવસ્તી ગણતરી 350થી વધુ સ્ટાફ દ્વારા શરૂ થશે
પોરબદર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી 20 એપ્રિલથી વસ્તી ગણતરીની પ્રકિયા શરૂ કરવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં મનપા વિસ્તારમાં રહેલ મકાનોની વિગતો એકત્રિત કરવામાં આવશે.આ વિગતો માટે દરેક મકામ દીધી 34 પ્રકારની વિગતો પૂછવામાં આવશે તો મનપા વિસ્તારમાં 3 ભાગમાં 450 થી વધુ સ્ટાફ આ ગણતરીમાં જોડાશે ત્યારે આ ગણતરીને લઈને આગામી દિવસોમાં સ્ટાફને પણ તાલીમ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા અમુક રાજ્યમાં વસ્તી ગણતરીનો 1 એપ્રિલથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે રાજ્યમાં પણ વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ વસ્તી ગણતરી અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મનપા દ્વારા આગામી 20 એપ્રિલથી પ્રથમ તબક્કાની વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે. આ વસ્તી ગણતરીમાં પ્રથમ તબક્કામાં મનપા વિસ્તારમાં આવેલ મકાનો અંગે વિગતો એકત્રિત કરવામાં આવશે. મનપા દ્વારા મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી માટે 3 ભાગ કરવામાં આવ્યા છે. જેમાં અંદાજે 380 જેટલા ગણતરીદાર તેમજ 70 જેટલા સુપરવાઈઝર સહિતના અધિકારીઓ ખાસ જોડાશે. આ ગણતરીમાં જોડાયેલ કર્મીઓને આગામી દિવસોમાં ખાસ તાલીમનું પણ આયોજન કરવામાં આવશે.આ તાલીમમાં ગણતરી અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવશે. ગણતરી આખી ડિઝીટલ રીતે કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા આ વસ્તી ગણતરી આખી ડીઝીટલ રીતે કરવામાં આવશે.જેમાં સ્ટાફ દ્વારા મોબાઈલ સોફ્ટવેર મારફતે ગણતરીની તમામ વિગતો સબમિટ કરવામાં આવશે. આ ગણતરીમાં સેલ્ફ આઈ.ડી. મારફતે ગણતરી કરી સ્વ ડેટા સબમિટ કરી શકશે.
ખેડૂતો ચિંતાતુર બન્યા:પોરબંદરમાં કમોસમી વરસાદ
પોરબંદર જિલ્લામાં ગુરુવારે સવાર થી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું ત્યારે આ વરસાદી વાતાવરણ વચ્ચે પોરબંદર શહેરમાં કમોસમી વરસાદનું ઝાપટું નોંધાયું હતું.શહેરમાં કમોસમી વરસાદ સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો.જોકે હવામાન વિભાગ દ્વારા શુકવારે પણ પોરબંદર સહિત રાજ્યના અમુક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગાજવીજ, આંધી-તોફાન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વરસાદી ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહીને લઈને પોરબંદર શહેરમાં ગુરુવારે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું ત્યારે આ વરસાદી વાતાવરણ વચ્ચે બપોર બાદ એકાએક પોરબંદર શહેરમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું.શહેરમાં વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફૂંકાતા રોડ પર લગાવેલ બેરીકેટ પણ ઉડયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયાપોરબંદર ઉપરાંત ગ્રામ્ય પંથકોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના મિયાણી ભાવપરા ટુકડા વિસાવાળા પાલખડા રાતડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા હાલ ખેડૂતોએ ઉનાળુ પાક નું વાવેતર કર્યું છે જેને લઈને પાકમાં નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સેવાઇ રહી છે. ત્યારે બપોરના સમયે આ પંથકમાં કમસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તસવીર - રામ મોઢવાડીયા આજે પણ વરસાદની આગાહીહવામાન વિભાગ દ્વારા શુકવારે પણ રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગર સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
ભાસ્કર બ્રેકિંગ:પોરબંદરથી હવે મુંબઈની જેમ વડોદરા માટે પણ એરોપ્લેન સેવા ઉપલબ્ધ બનશે
આગામી દિવાળી અગાઉ પોરબંદર થી વડોદરા એક કલાકમાં પહોંચી જવાશે, કારણ કે વડોદરા એરપોર્ટ થી આ વર્ષે ઓક્ટોબરમાં ત્રણ સ્થળ માટેની એર ટેકસીની ફ્લાઈટ શરૂ થવાની છે આ ત્રણ સ્થળમાંથી એક સ્થળ પોરબંદર પણ છે. આ સેવા શરુ થતા પોરબંદરથી હવે મુંબઈની જેમ વડોદરા માટે પણ એરોપ્લેન સેવા ઉપલબ્ધ બનશે. જેથી હવાઈ મુસાફરી માટે હંમેશા પાછળ રહી ગયેલા પોરબંદરને આ ફલાઈટ મળતા 9 કલાકનો રસ્તો 1 કલાકમાં કાપી શકાશે. પોરબંદર અને વડોદરા વચ્ચેની હવાઈ સેવાને ઉડાન સ્કીમ અંતર્ગત વીમાની ઓપરેટર કંપનીને મંજૂરી અપાય છે. હવે કેટલીક ઔપચારિકતા બાકી છે આ સેવા અંતર્ગત વિમાનમાં આઠ મુસાફરો હવાઈ સફર કરી શકશે. એટલું જ નહીં ટિકિટના દર પણ આકર્ષક રખાશે આ સેવા શરૂ કરાતા પોરબંદર અને વડોદરાના ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનને રોકાણ કરવા માટે અનુકૂળતા ઊભી થશે. તે સિવાય વડોદરામાં અભ્યાસ કરતા પોરબંદરના વિદ્યાર્થીઓને પણ પોરબંદર વડોદરા વચ્ચે આવવું જવું સરળ બની જશે. ઉડાન ઉડે દેશ કા આમ નાગરિક અંતર્ગત સરકારે પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂક્યો છે, જેમાં સરકાર વાયાબીલીટી ગેપ ફંડિંગ આપશે, એટલે વિમાની ભાડું સામાન્ય નાગરિકને પણ પરવળશે. ઉલ્લેખનીય છે કે અત્યારે પોરબંદર થી મુંબઈ અઠવાડિયામાં બે દિવસ જવાની ફ્લાઈટ છે, પણ હવે પોરબંદર થી બરોડા જવાની પણ ફ્લાઈટ શરૂ થતા શહેરના પ્રવાસન, બિઝનેસ, ઉદ્યોગ અને મેડિકલ ટુરીઝમને વેગ મળશે. તે ઉપરાંત અહીંથી વડોદરા ભણવા જતા વિદ્યાર્થીઓને પણ પોતાના વતન આવવા માટે એક નવી યુટીલીટી મળશે. વડોદરા જવા માટે અત્યારે લાગતા 9 થી 10 કલાકના રસ્તામાં ઘટાડો થશે અને હવે આ સેવા મારફતે વડોદરા જવા માટે લોકો એક કલાકમાં પહોંચી શકશે. માત્ર રૂ.10માં ચા, રૂ.20માં નાસ્તો: ઉડાન કાફેનું આકર્ષણહવાઈ મુસાફરીને સામાન્ય માણસ સુધી પહોંચાડવા માટે એરપોર્ટ પર ખાસ ''ઉડાન કાફે'' શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ કાફેમાં મુસાફરોને એરપોર્ટના મોંઘા ભાવથી મુક્તિ મળશે અને માત્ર રૂ. 10 માં ચા તથા રૂ. 20 માં સમોસા જેવો નાસ્તો મળી રહેશે. સરકાર દ્વારા ઓપરેટરોને સબસિડી અપાતી હોવાથી ફ્લાઈટની ટિકિટના દરો પણ મધ્યમ વર્ગને પરવડે તેવા આકર્ષક રાખવામાં આવશે. અગાઉ જે અમદાવાદની ફ્લાઈટ બંધ થઈ હતી તેનો વિકલ્પ પણ બની શકશે પોરબંદર થી અમદાવાદ જવા માટે પહેલા એક ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી,જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ પાછળથી કોઈને કોઈ કારણોસર આ ફ્લાઈટ બંધ થઈ જતા પોરબંદરના પ્રવાસીઓને અમદાવાદ સુધીની હવાઈ સેવા બંધ થઈ ગઈ હતી. હવે ફરી જ્યારે આ સેવા શરૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદ નહીં તો વડોદરા સુધી પણ પોરબંદર વાસીઓને જવા મળશે તો તેમને ગુજરાત સાથેનું એર કનેક્શન મળી જશે જેથી આ ફ્લાઈટ અમદાવાદની ફ્લાઈટનો વિકલ્પ પણ બની શકશે.
પોરબંદર જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉનાળુ પાકનું વધુ વાવેતર નોંધાયું છે.આ વર્ષે જિલ્લામાં ઉનાળુ પાક માટે પૂરતી પિયતના પાણીની વ્યવસ્થા હોવાથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 7741 હેકટરમાં વધારા સાથે કુલ 13361 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર નોંધાયું હતું તો ગત વર્ષે જિલ્લામાં કુલ 5620 હેકટરમાં બાજરી, મગ,તલ અને શાકભાજીનું વાવેતર નોંધાયું હતું. પોરબંદર જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમ્યાન પુષ્કળ વરસાદ પડ્યો હતો તેમજ ખાસ કરીને દિવાળી દરમ્યાન પણ જિલ્લામાં 2 થી 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેથી પોરબદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આવેલ સ્થાનિક જળાશયોમાં પૂરતા પાણીનો સ્ટોક ઉપલબ્ધ થયો હતો જેથી જિલ્લાના ખેડૂતો દ્વારા ખરીફ પાક બાદ શિયાળું પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે શિયાળું પાક તૈયાર થતા હવે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે ખેડૂતોને ઉનાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં પિયતના પાણીની વ્યવસ્થા હોવાથી ઉનાળુ પાકના વાવેતરમાં વધારો થયો છે.પોરબંદર જિલ્લામાં આ વર્ષે કુલ 13361 હેકટરમાં બાજરી, મગ, તલ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું તો ગત વર્ષ જિલ્લામાં 21 માર્ચ સુધીમાં 5620 હેકટરમાં બાજરી, મગ, તલ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું. વર્ષ 2026માં ઉનાળુ પાકનું વાવેતરબાજરી-325 હેકટર મગ-7750 હેકટર અડદ-125 હેકટર તલ-1190 હેકટર શાકભાજી-210 હેકટર ઘાસચારો-3726 હેકટર કુલ-13361 હેકટર
વાતાવરણ:લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 21.3 ડિગ્રી નોંધાયું
માવઠાની આગાહીને પગલે પોરબંદરમાં પવન ફૂંકાયો હતો. મહતમ તાપમાન 32.4 ડિગ્રી યથાવત રહ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 21.3 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 6 ટકા વધીને 55 ટકા નોંધાયું છે.માવઠાની આગાહીને પગલે પોરબંદરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. અને છૂટાછવાયા વરસાદી છાંયા પડ્યા હતા. પોરબંદરમાં ગઈકાલે બુધવારે મહતમ તાપમાન 32.4 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી સુધી પહોંચ્યું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49 ટકા રહ્યું હતું, જેની સામે ગુરુવારે મહતમ તાપમાન 32.4 ડિગ્રી યથાવત રહ્યું છે અને લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 21.3 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 6 ટકા વધીને 55 ટકા રહ્યું છે. ભેજનું પ્રમાણ વધી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓની તારીખ જાહેર થઈ છે ત્યારે પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તેમજ ત્રણેય તાલુકા પંચાયતમાં તા. 26 એપ્રિલના ચૂંટણી યોજાશે. પોરબંદર મહાનગર પાલિકાના 13 વોર્ડ તેમજ જિલ્લા પંચાયતની 18 અને પોરબંદર તાલુકા પંચાયતની 22, રાણાવાવ તાલુકા પંચાયતની 16 અને કુતિયાણા તાલુકા પંચાયતની 16 સીટ એટલેકે જિલ્લા પંચાયતની 18 અને ત્રણેય તાલુકા પંચાયતની 54 સીટ માટે તા.6 એપ્રિલથી ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. તા.11 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ત્યારબાદ ઉમેદવારોના ફોર્મની ચકાસણી તા.13 એપ્રિલ અને ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની તારીખ 15 એપ્રિલ છે. મતદાન તા. 26 એપ્રિલ તેમજ તા.28 એપ્રિલના મત ગણતરી યોજાશે. પોરબંદર મનપાના 13 વોર્ડની વાત કરીએ તો મનપા વિસ્તારમાં કુલ 166871 મતદારો છે, જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતના 234910 મતદારો, તાલુકા પંચાયતના 132109 મતદારો, રાણાવાવ તાલુકા પંચાયતના 47857 અને કુતિયાણા તાલુકા પંચાયતના 54944 મતદારો નોંધાયેલ છે.આચાર સંહિતાના અમલ તેમજ અધિકારી કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ બદલી કરી શકાશે નહિ. સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહિ. મતદાન મથકની સંખ્યાપોરબંદર મનપા વિસ્તારના 13 વોર્ડમાં 191 મતદાન મથક રહેશે જ્યારે પોરબંદર તાલુકા પંચાયતમાં 22 મતદાર મંડળોની સંખ્યા અને 155 મતદાન મથક, રાણાવાવ તાલુકા પંચાયતમાં 16 મતદાર મંડળોની સંખ્યા અને 61 મતદાન મથક તેમજ કુતિયાણા તાલુકા પંચાયતમાં 16 મતદાર મંડળોની સંખ્યા અને 71 મતદાન મથક રહેશે.
બેઠક:0 ટકા સર્વિસ ચાર્જ કરનારી કંપનીને કામ મળતા રૂા. 40 લાખનું નુકસાન થતું બચ્યું
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાથી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક કાર્યકારી અધ્યક્ષ સંજય મણવરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે. જેમાં સૌથી નોંધપાત્ર નિર્ણય અમૃત 2.0 અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત ''મ્યુનિસિપલ બોન્ડ'' બહાર પાડવાનો છે. જૂનાગઢ મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત ટેક્ષેબલ બોન્ડ બહાર પાડીને વિકાસના કામો માટે ભંડોળ એકત્ર કરવાની દિશામાં કમિશ્નરને સત્તા સોંપવામાં આવી છે. આ બેઠકમાં મેયર ધર્મેશ પોશીયા, ડે.મેયર આકાશ કટારા અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરની માળખાગત સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે આઉટસોર્સિંગ દ્વારા મેનપાવર પૂરો પાડવા માટેની ટેન્ડર પ્રક્રિયામાં એલ-1તરીકે આવેલી અમદાવાદની એજન્સીના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વોર્ડ નં. 14માં આરસીસી પાઈપલાઈન અને સિવિલ રિપેરિંગના કામોને પણ મંજૂરી આપી જનસુખાકારીના કામોને પ્રાથમિકતા અપાઈ છે. આ બેઠકમાં શાસકપક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશ અજવાણી તેમજ સમિતિના સભ્યો વીનસ હદવાણી, નિલેશ પીઠીયા અને અન્ય કોર્પોરેટરઓ હાજર રહ્યા હતા. અમૃત 2.0 અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત અમલીકરણ થશે, એટલે કે આ યોજના હેઠળ કોઈ રકમ લેવી હોય તો બોન્ડ આપવા પડશે. શહેરના મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે નાણાકીય ભંડોળ ઉભું કરવામાં આ ખૂબ જ કામ આવશે. મનપા પ્રથમ વખત ટેક્ષેબલ બોન્ડ બહાર પાડશે, જે આર્થિક આત્મનિર્ભરતા તરફનું પગલું છે.
તસ્કરી:વેપારીના મકાનમાંથી રૂા. 3.17 લાખના સોનાના દાગીનાની ચોરી
મેંદરડામાં એક વેપારીના મકાનને નિશાન બનાવી કબાટના લોક તોડી તસ્કરો શખ્સો રૂ. 3.17 લાખની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મેંદરડામાં સરકારી દવાખાના પાછળ રહેતા અને વેપારી પરાગભાઈ જેઠાલાલ ચંદે ગત તારીખ 15 માર્ચના રોજ ઘરના હોલમાં લાકડાના સાદા કબાટમાં અગાઉથી સોનાનો ચેઇન, રૂપિયા 2 લાખની રોકડ પડી હતી અને સોનાનું કડુ, મંગળસૂત્ર, સોનાનો ચેઇન કબાટમાં રાખી પત્ની આઉટ સ્ટેટ ફરવા ગયા હતા. જ્યારે તેના માતા પિતા ઘરે હતા. 29 માર્ચના રોજ રાત્રિના ફરીને પરત આવ્યા હતા. જ્યારે 1લી એપ્રિલના રોજ સાંજે ઘરના હોલમાં રાખેલા લાકડાના કબાટનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. કબાટમાં તપાસ કરતા અંદર રાખેલું રૂપિયા 3,17,644ની કિંમતના 39.900 ગ્રામ વજનના સોનાના કડા ગાયબ હતા. તેઓ જ્યારે ફરવા ગયા ત્યારે સોનાના અન્ય દાગીના સાથે આ કડા પણ કબાટમાં સુરક્ષિત રાખ્યા હતા. તસ્કરોએ માત્ર આ કડાની તારીખ 15/03/2026 થી 01/04/2026 દરમિયાન ચોરી થયાની ફરિયાદના આધારે તપાસ કરી છે.
ધરપકડ:બોગસ લર્નિંગ લાયસન્સ કેસ, આરોપીઆફ્રિકાથી જૂનાગઢ આવતા દબોચ્યો
બોગસ લર્નિંગ લાયસન્સ કેસમાં 10 વર્ષથી ફરાર આરોપી આફ્રિકાથી આવતા પોલીસે શહેરના મુલ્લાવાડામાંથી દબોચી લીધો હતો. મુલ્લાવાડામાં આવેલ અલીફ પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતો ઇમરાન ગફારભાઈ મચ્છર નામના શખ્સ વિરુદ્ધ વર્ષ 2016માં ખોટા લર્નિંગ લાયસન્સ બનાવવાનો ગુનો વિવિધ કલમ મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. ગુનો આચરી શખ્સ છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો હતો. દરમિયાન હ્યુમન સોર્સ આધારે બાતમી મળી હતી કે આરોપી ઈમરાન ગફાર ગુનો કર્યા બાદ ભારત છોડી આફ્રિકા જતો રહ્યો હોય અને 15 દિવસ પહેલા આફ્રિકાથી જૂનાગઢ ખાતે આવ્યો છે. આ બાતમી આધારે એ ડિવિઝન પીઆઇ એસ. કે. દેસાઈના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ વાય. એન. સોલંકીની ટીમે તપાસ કરતા 44 વર્ષીય આરોપી ઇમરાન મચ્છર શહેરના મુલ્લાવાડામાંથી મળી આવતા તેને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોંગોમાં મેનેજરની નોકરી કરતો પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, 'જ્યારે તેને ઝેરોક્ષની દુકાન હતી ત્યારે બોગસ લર્નિંગ લાઇસન્સ બનાવ્યા હતા. બાદમાં દુકાન વેચી નાખી હતી અને ગુનો આચરી આફ્રિકા નાસી ગયો હતો જ્યાં કોંગો ખાતેના એક સ્ટોરમાં મેનેજરની નોકરી કરતો હતો.'
કામગીરી:બદલીને આવેલ 6 પોલીસ ઇન્સ્પેક્ટરને ચાર્જ સોંપાયો
જૂનાગઢ જિલ્લામાં બદલીને આવેલા 6 પોલીસ ઇન્સ્પેક્ટરને ચાર્જ સોંપવામાં આવતા તેઓએ ફરજના શ્રીગણેશ કર્યા હતા. તાજેતરમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓના પીઆઇની આંતર જિલ્લા બદલી કરવામાં આવી હતી. જેની સાથે બઢતી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. ટ્રાન્સફર સાથે જૂનાગઢ જિલ્લામાં આવેલા 6 પોલીસ ઇન્સ્પેક્ટરોને એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી જુદા જુદા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
ચેકિંગ:જેલની અંદર રહેલા કેદી સામે ત્રીજી ફરિયાદ, મોબાઇલ મળ્યો
જૂનાગઢ જીલ્લા જેલમાં સિપાઇની ફરજ બજાવતા ભરત યુ. વાળાને જેલનો કાચા કામનો આરોપી અયાન ઉર્ફે પાંચીયો અમીન મૂળિયા જેલમાં અન-અધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ બાતમી આધારે 2 એપ્રિલના રોજ મધરાત્રે જેલની ઝડતી સ્ક્વોડ દ્વારા અયાન ઉર્ફે પાંચીયો સાથેના કેદી ઈમ્તિયાઝ ઉર્ફે બકરો ઈબ્રાહીમ હિંગોરજા તથા નદીમ ઉર્ફે નીક્કી મુન્નાભાઈ ચંદાણીની સલામતી વિભાગની બેરેક નંબર 11માં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બેરેકમાં રહેલા કાચા કામના આરોપી અયાન ઉર્ફે પાંચીયો અમીનભાઈ મુળીયાના બિસ્તરની તલાશી લેતા તેના તકિયા નીચેથી કી-પેડ વાળો ફોન મળી આવ્યો હતો. આ ફોનમાં સિમકાર્ડ પણ કાર્યરત હતું. જેની સાથે વિસ્તારની બાજુમાં પડેલી બ્લુ કલરની પ્લાસ્ટિકની ડબ્બી ચેક કરતા તેમાંથી લાલ કલરના કેબલ સાથેનું સફેદ કલરનું એડેપ્ટર અને દરેકની બંધ ટ્યુબલાઈટની પટ્ટીમાં ભરાવેલ ટુ પીન હોલ્ડર પણ મળી આવ્યું હતું. આ અંગે ફરિયાદ થઇ છે. અગાઉ જેલમાં તમાકુ બાબતે ફરિયાદ અગાઉ પણ આ કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. એ પછી જેલ બહારથી બીડી, તમાકુ, ગુટખા સહિતની પ્રતિબંધિત વસ્તુઓનું પોટલું મોપેડ ચાલકે જેલની અંદર ફેંક્યુ હતુ આ મોપેડ આ કેદીના નામનુ હોવાથી ફરિયાદ થઇ હતી.
કાર્યવાહી:જામનગરમાં આયુ.યુનિવર્સિટી કેમ્પસમાં મદદનીશ ઈજનેર 4.52 લાખની લાંચ લેતાં ACBના છટકામાં
જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ચેમ્બર સેન્ટ્રલ પબ્લીક ર્વક ડીપાર્ટમેન્ટની કચેરીમાં ઈલેક્ટ્રીક શાખામાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા વિજયકુમાર બાબુલાલ મીના પોતાની ફરજ પર આજે હતા. જામનગરના લાખાબાવળ ગામના પાટીયા પાસે હાઈવે રોડ પર આવેલી ગુજરાત આયુર્વેદ યુનિર્વસિટી તથા ડબલ્યુ.એચ.ઓ.દ્વારા સંયુક્તમાં દવાઓના રિસર્ચ સેન્ટરમાં ઈલેકટ્રીકની કામગીરીનો અને દેવભુમિ દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલ બી.એસ.એફ.મરી તાલીમ કેન્દ્રના ઈલેક્ટ્રીક સરસામાન ફીટીંગ કરવાની કામગીરીનો કોન્ટ્રાકટર ફરિયાદીને મળ્યો હતો. જેના બીલ પાસ કરાવવા માટે ફરિયાદી પાસેથી રૂ.4.52 લાખની લાંચ માંગવામાં આવી હતી. જે લાંચ કોન્ટ્રાકટરના ભાગીદાર આપવા માટે તૈયાર ન હતા. જેથી તેમણે જામનગર એસીબીમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ એસીબી મદદનીશ નિયામક જે.ડી.મેવાડાની સુચનાથી એસીબી પીઆઈ આર.એન.વિરાણીએ ટીમના બલદેવસિંહ વાઘેલા સહિતના સ્ટાફ સાથે આજે બપોર બાદ ગુજરાત આયુ.યુનિ.ના કેમ્પસમાં કચેરીમાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન ફરિયાદીના મિત્ર પાસેથી રૂ.4.52 લાખની લાંચ સ્વીકારી હતી અને ફોનમાં ફરિયાદી સાથે રકમ મળ્યાની કબુલાત કરતા જ એસીબી ટીમ પહોંચી ગઈ હતી અને રંગેહાથ ઝડપી લીધો છે.
હુકમ:ભુજિયા કોઠાના રિસ્ટોરેશનમાં નિયમોનું ઉલ્લઘંન, દિલ્હી NMAનો તપાસનો આદેશ
જામનગરના ઐતિહાસિક ધોરહર ભુજિયો કોઠોના થયેલા રિસ્ટોરેશન કાર્ય સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, તજજ્ઞો અને વારસા પ્રેમીઓના મતે, આ રિસ્ટોરેશન પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ 1958ના મૂળભૂત સિધ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. જે અંગે ઉઠેલી ફરિયાદોના આધારે દિલ્હીની નેશનલ મોન્યુમેન્ટસ ઓથોરીટી (NMA)એ તપાસના આદેશ આપ્યા છે. શહેરના ભુજીયા કોઠાના શિલ્પોને રિસ્ટોર કરવાને બદલે તેમની આસપાસ નવી દિવાલો ચણીને તેમને અડધા ઢાંકી દેવામાં આવ્યા હોય, જે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સિધ્ધાંતોની વિરૂધ્ધ છે. જ્યારે સમગ્ર સ્થાપત્યને નવો ઓપ આપવામાં આવ્યો, ત્યારે આ મહત્વના શિલ્પોને કેમ રિસ્ટોર કરવામાં આવ્યા નથી. તેમજ ઘણા શિલ્પોને જર્જરિત હાલતમાં જ કેમ છોડી દેવાયા છે. આનાથી પથ્થરમાં ભેજ ઉતરી શકે છે, જે લાંબે ગાળે આ અમૂલ્ય વારસાનો નાશ કરશે. પુરાતત્વીય નિયમો મુજબ રિસ્ટોરેશનનો અર્થ જેવું હતું તેવું જાળવવું થાય છે, નહીં કે તેે નવું બનાવવું. જામનગરના આ સ્મારકમાં સૌંર્દયના નામે ઈતિહાસના મૂળ પુરાવાઓ અને શિલ્પોની અવગણના કરવામાં આવી છે. જે અંગે જામનગરમાંથી ફરિયાદો ઉઠી હતી. આ સ્મારક પર થઈ રહેલા બિન-શાસ્ત્રીય કામ પ્રાચીન શિલ્પોને ચણતરમાં દબાવી દેવા અને સ્મારકની મૂળ ઓળખ સમાન સેન્ડસ્ટોન (પથ્થર) પર આધુનિક ટાઈલ્સના બિનઅધિકૃત ઉપયોગ અંગે ભુજિયા કોઠાના વિવાદાસ્પદ રિનોવેશન અંગે ચાલી રહેલી ચર્ચામાં કેન્દ્ર સરકાર તરફથી વળાંક આવ્યો છે. મનપા વિભાગે હવે નવી દિલ્હીને જવાબ આપવો પડશે. દિવાલ પર પાંખવાળા સિંહનું ચિત્ર દોરવામાં આવ્યું...! ઈતિહાસ સાથે છેડછાડ : આધુનિક ચાઈનીઝ શૈલીના સિંહનું ચિત્રણ સમારક પર જે પાંખવાળા સિંહનું ચિત્ર દોરવામાં આવ્યું છે, તે ભારતીય કે જામનગરની કલાશૈલી સાથે કોઈ લેવાદેવા ધરાવતું નથી. આ એક આધુનિક ડિજિટલ ગ્રાફિક છે. જે પૂર્વ એશિયન (ચાઈનીઝ) કલાથી પ્રભાવિત છે. પ્રાચીન ભારતીય વ્યાલ કે ગજસિંહની શૈલીને બદલે આવી આધુનિક અને વિદેશી શૈલીના ચિત્રો દોરવા એ ઈતિહાસનું ખોટું નિરૂપણ છે. નકલી બ્રિક પેટર્ન દ્વારા અસલી સ્થાપત્યનું આવરણ ભુજિયો કોઠો તેના વિશિષ્ટ પથ્થર અને ખરબચડા ટેક્સચર માટે જાણીતો હતો, જે 400 વર્ષનો ઈતિહાસ દર્શાવતો હતો. રિસ્ટોરેશનમાં આ અસલી પથ્થરને છુપાવી તેના પર આધુનિક બ્રિક સ્ટાઈલ પેટર્ન (નકલી ઈંટો જેવી ભાત) લગાવી દેવામાં આવી છે. કાયદાકીય રીતે, સંરક્ષિત સ્મારકની મૂળ બાહ્ય સપાટીમાં ફેરફાર કરવોએ ગેરકાયદેસર છે. આ ફેરફાર સ્મારકને ઐતિહાસિક ઈમારત મટાડીને એક આધુનિક થીમ પાર્ક જેવો દેખાવ આપે છે.
ધર્મોત્સવ:છોટીકાશી જામનગરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, મંદિરો જય શ્રી રામના નારાથી ગુંજ્યા
છોટીકાશી જામનગરમાં હનુમાન જયંતિ નિમિતે સવારથી હનુમાન મંદીરોમાં જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા. તો વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદીરે ભવ્ય આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થઈ હતી. તો ફૂલિયા હનુમાન મંદિરના પુજારીએ સિંદરપાન કર્યુ હતું. જામનગરમાં હનુમાન જયંતિની ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં આવેલા વિશ્વ વિખ્યાત બાલાહનુમાન મંદીર, દાંડીયા હનુમાન, ફુલિયા હનુમાન દાદા, લીંબડીયા હનુમાન દાદા સહિતના જુદા જુદા નામોથી બિરાજમાન હનુમાન દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી હનુમાનથી દાદાના મંદીરોમાં ભક્તો ઉમટ્યા હતા. જેમાં શહેરના બાલા હનુમાન મંદીરમાં મંગળા આરતીમાં ભક્તોજનો ઉપટ્યા હતા. તો રામધુન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ફુલી્યા હનુમાન દાદાના મંદિરે આજે હનુમાન જયંતિના દિને પુજારી દ્વારા સિંદુરાપા કરવાની પરંપરા છે., જે આ જે પણ નિભાવવામાં આવી હતી. વર્ષોથી ચાલતી પરંપરા જાળવી રાખી હતી. તો શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા હનુમાન દાદાના મંદિરો ખાતે મહાપ્રસાદના પણ આયોજન કરવામાં આવ્યા હતા. તો મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજનો કરવામાં આવ્યા હતા. તો વિશ્વ વિખ્યાત બાલા હનુમાનજીના મંદિરે ચાલતી અખંડ રામધુનમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
હવામાન:અમરેલીમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ પડવાની આગાહી
અમરેલીમાં આજે મહત્તમ તાપમાન 35.5 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 20.6 ડીગ્રી સુધી નોંધાયું હતું. બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા જેટલું ઊંચું નોંધાતા ઉકળાટનો અનુભવ પણ લોકો કરી રહ્યા હતા. પવનની ગતિ પ્રતિ કલાક 4.2 કિલોમીટર રહી હતી. જેના કારણે વાતાવરણમાં થોડો ઠંડકનો અહેસાસ થયો હતો. અમરેલી જિલ્લામાં આજે આકાશમાં કાળા ડીબાંગ વાદળો દેખાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. આગામી દિવસોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહી શકે છે અને ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. 15 દિવસ પૂર્વે અમરેલી પંથકમાં ભારે પવન સાથે માવઠું પડ્યું હતું. જેના કારણે કેરીના પાકને નુકશાન થયું હતું.
વિકાસ કાર્યો:બગસરાના ગામોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત
બગસરા તાલુકાના માણેકવાડા ગામે સરકાર દ્વારા ડી.એમ.એફ. યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા 3 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું. આ ફંડના ઉપયોગથી ગામના વિવિધ વિકાસકાર્યો હાથ ધરવા માટે માણેકવાડા ગ્રામ પંચાયત દ્વારા લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત મોટા મુંજીયાસર ગામે પાણીનો કૂવો અને પાણીની પાઇપલાઇન માટે અંદાજિત રૂ. 35 લાખ, બ્લોક રોડ માટે રૂ. 20 લાખ તથા ગટર લાઇન માટે રૂ. 15 લાખ તેમજ અમરેલી જિલ્લા પંચાયત દ્વારા ડેમ માટે ફાળવેલ અંદાજિત રૂ. 12 લાખના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નાના મુંજીયાસર ગામે અંદાજિત રૂ. 83.60 લાખના ખર્ચે નિર્માણ પામેલ પ્રાથમિક શાળા અને રૂ. 36 લાખના ખર્ચે બનાવાયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે શીલાણા ગામે અંદાજિત રૂ. 36 લાખના ખર્ચે નિર્માણ પામેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જે.વી. કાકડિયા, મનોજભાઈ મહીડા, પ્રદીપભાઈ ભાખર, હરેશભાઈ ખેતાણી તથા દિલીપભાઈ ગોધાણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
ફરિયાદ:બાબરામાં નોટિસ આપવા ગયેલા પોલીસ કર્મચારી ઉપર સ્થાનિક શખ્સનો હુમલો
બાબરા શહેરના આડી શેરી વિસ્તારમાં મોટા રામજી મંદિર પાસે પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે, નોટીસ બજાવવા ગયેલા એક પોલીસ કર્મચારીને મારમારી ઇજાગ્રસ્ત કર્યાની રાવ આવી છે. બાબરા શહેર વિસ્તારમાં કાલે મોડી રાત્રે આ ઘટના બની હતી. બાબરામાં રહેતા અને પોલીસ કર્મચારી શીવાભાઇ કેશુભાઇ મકવાણા (ઉં.વ.41) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. કે, બાબરામા જ રહેતો શ્યામ હિંમતભાઇ તેરૈયાને એક ગુનાના સંદર્ભે નોટિસ આપવા માટે પોલીસ કર્મચારી અનોપસિંહ ગગજીભાઇ સોલંકી ગયા હતા. જે વાત તેઓને નહીં ગમતા કર્મચારીને આપશબ્દો બોલી માથાકુટ કરી તેમને મારવા દોડ્યો હતો. આ અંગે જાણ થતા શીવાભાઇ મકવાણા સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે તેમને પણ અપશબ્દો બોલી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી અને બંને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં શીવાભાઇ મકવાણાને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે બાબરા પોલીસ દ્વારા શ્યામ તેરૈયા વિરુદ્ધ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આયોજન:રાજુલા અને જાફરાબાદમાં હનુમાન જયંતિ નિમિત્તે ઠેર - ઠેર કાર્યક્રમો
રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં હનુમાન જયંતિના અવસરે ભક્તિ અને આસ્થા નો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો મંદિરોમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા અને અનેક સ્થળોએ ભવ્ય મહા આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા તાલુકાના ભંડારિયા ગામે આવેલ પ્રસિદ્ધ ભંડારિયા હનુમાન મંદિર ખાતે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભક્તો વહેલી સવારે પગપાળા દર્શન માટે નીકળ્યા હતા. આશરે આઠ કિલોમીટર સુધી ભક્તો પગપાળા ચાલી હનુમાન દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો. રાજુલા શહેરના મુખ્ય બજારમાં આવેલ કેસરીનંદન હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી વેપારીઓ અને સ્થાનિક ભક્તો મંદિરે પહોંચ્યા હતા અને હનુમાન ચાલીસાનું પાઠ કરી દાદાની આરાધના કરી હતી. બપોરે ભવ્ય મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત સનાતન બાપુ અને સેવકગણ દ્વારા મંદિરને સુંદર કલાત્મક શણગારથી સજાવવામાં આવ્યું હતું. જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જાફરાબાદ ખાતે આવેલી તપોવન ટેકરી પર સ્થિત હનુમાન મંદિર ખાતે પણ વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. તપસી બાપુ દ્વારા સ્થાપિત આ પવિત્ર સ્થળે સ્થાપિત આશરે 15 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. તાજેતરમાં રામપુરાના કારીગરો દ્વારા અહીં કલાત્મક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિના દિવસે જાફરાબાદથી મોટી સંખ્યામાં ખારવા સમાજ, કોળી સમાજ તથા વેપારીઓ સહિતના ભક્તો વહેલી સવારે પગપાળા તપોવન ટેકરી પર પહોંચ્યા હતા અને હનુમાન દાદાના દર્શન સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ગામ પાસે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક ઇકો વાનના ચાલકે બાઇક સવાર પરિવારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં દોઢ વર્ષના માસૂમ બાળક અને 15 વર્ષીય કિશોરી સહિત કુલ 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. પોલીસે અકસ્માત સર્જનાર વાન ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચીકદા તાલુકાના ઓલગામ સ્થિત મંદિર ફળિયામાં રહેતા 67 વર્ષીય હાવલાભાઈ હથિયાભાઈ વસાવા બાઇક પર પરિવારના સભ્યોને લઈને ગંગાપુર દવાખાને જઈ રહ્યા હતા. તેમની સાથે બાઇક પર ઉમરપાડાના રૂઢિગવાણ ગામના બાજુબેન રાકેશભાઈ વસાવા, 15 વર્ષીય સુહાની વસાવા અને દોઢ વર્ષનો માસૂમ વિરમ વસાવા સવાર હતા. ગંગાપુર પાસે ઇકો વાને ટક્કર મારતા ચારેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે હાવલાભાઈ, બાજુબેન અને માસૂમ વિરમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 15 વર્ષીય સુહાનીને તાત્કાલિક રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તેણે પણ જીવ ગુમાવ્યો હતો. આમ, વાન ચાલકની બેદરકારીએ હસતા-રમતા પરિવારના ચાર સભ્યોનો ભોગ લીધો છે. હાલ ડેડીયાપાડા પોલીસે વાન ચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
રાજકારણના આટાપાટા:કોંગ્રેસી પરિવારની બે મહિલાઓએ ભાજપમાંથી ટિકીટ માગી
રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. નર્મદા જિલ્લામાં કોંગ્રેસના જ એક પીઢ નેતાના પરિવારમાં ડખો ઉભો થયો છે. નેતાના પરિવારની જ બે મહિલાએ એક જ બેઠક પરથી ભાજપમાંથી ટિકિટની માગણી કરી છે. નર્મદા કોંગ્રેસના એક પીઢ આગેવાનના પરિવારની 2 મહિલાઓએ એક જ બેઠક પરથી ભાજપની ટિકિટ માંગી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.હવે આ કોંગ્રેસના પીઢ નેતા ક્યા એની રાજકીય મોરચે ચર્ચાઓ હાલ ચાલી રહી છે. તો આ ટિકિટની માંગણી કરાવવામાં ભાજપના જ એક પીઢ સહકારી નેતાનો હાથ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ ની જાહેરાત થઈ ગઈ છે. નર્મદા જિલ્લામાં 6 તાલુકા અને એક નગરપાલિકા ની ચૂંટણી યોજાવાની છે. ભાજપના મેન્ડેટ પરથી ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાલ રાજપીપળા કમલમ ખાતે ચાલી રહી છે. નિરીક્ષકોની ટીમ એક પછી એક તમામ લોકોને સાંભળી રહ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે નર્મદા કોંગ્રેસના એક પીઢ આગેવાન અને વર્ષોથી કોંગ્રેસ પર પોતાની મજબૂત પક્કડ ધરાવનારા નેતાના પરિવારની 2 મહિલાઓએ નર્મદા જિલ્લા પંચાયતની એક જ બેઠક પરથી ભાજપની ટિકિટ માંગી હોવાનું રાજકીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હવે કોંગ્રેસ નેતાના પરિવારની બે મહિલાઓએ એક જ બેઠક પરથી ભાજપની ટિકિટ માંગતા ભાજપ પણ દ્વિધામાં મુકાયું છે. ઉલ્લેખનીય છે કે આ ટિકિટની માંગણી કરાવવામાં ભાજપના જ એક પીઢ નેતાનો હાથ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ચોકાવનારી બાબત સામે આવી:દેહરી બેઠકની મતદાર યાદીમાંથી 1400થી વધુ મતદારોના નામ ગાયબ
દેહરી તાલુકા પંચાયત ઉમરગામ બેઠકની મતદાર યાદીમાંથી 1400 થી વધુ મતદારોના નામો ગાયબ થઈ દહાડ ગામની અંદર સમાવેશ થઈ ગયા હોવાની ચોકાવનારી બાબત સામે આવતા સામે ચૂંટણી સમયે સ્થાનિક નેતાઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થતા વિવિધ રાજકીય પક્ષોએ ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે દેહરી વિસ્તારના ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ ફોર્મ ભરવાનું હોય મતદાર યાદીમાં પોતાનું નામ ભાગ નંબર અને ક્રમ નંબરની તપાસણી કરી રહ્યા હોય તે વખતે ધ્યાનમાં આવ્યું હતું કે 5-દેહરી તાલુકા પંચાયત ઉમરગામની બેઠકની મતદાર યાદીમાંથી દેહરી ભંડારીવાડ, પતરાગઢ રામવાડી, બગરીયા, ભીંડીયા ફળિયાના આખા વિસ્તારના અંદાજે 1400 થી વધુ મતદારોના આખા વોર્ડના નામો ગાયબ હોવાનું સામે આવ્યું છે. આ બાબત સામે આવતા દેહરી ગામના સરપંચ ધનેશભાઈ, ઉપસરપંચ ઉમેશભાઈ તથા પંચાયતના સભ્ય નીતિનભાઈ અને માજી ઉપસરપંચ રાજેશભાઈ તાત્કાલિક ઉમરગામ મામલતદાર કચેરીએ ચૂંટણી શાખામાં પહોંચ્યા હતા અને મામલતદારને મળીને સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરી હતી. અને મતદાર યાદીમાંથી દેહરી ભંડારવાડ પતરાગઢ રામવાડી બગરિયા અને ભીંડીયા ફળિયાના મતદારોના નામો નીકળી ગયા હોવાનું અને આ નામો ઉમરગામ તાલુકા પંચાયત 3-દહાડની મતદારયાદીના ભાગ નંબર 4 અને 5 માં જતા રહ્યા હોવાનુ જણાવ્યું હતું. તાત્કાલિક ઘટતુ કરવા મતદાર યાદીમાં સુધારો કરવા નામો દાખલ કરવા રજૂઆત કરી હતી. વધુમાં આ બાબતે સ્થાનિક આગેવાનોએ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા તાલુકા ભાજપ પ્રમુખ નિરવભાઈ શાહને જાણ કરી ચૂંટણી અધિકારીનુ આ બાબતે ધ્યાન દોરવા જણાવ્યું હતું.
રિટાયર્ડ પોસ્ટ માસ્તર દ્વારા નાણામંત્રીને રાવ:વલસાડના ઉંટડીમાં તળાવ કચરાથી ઢંકાઇ જતા ફરિયાદ
વલસાડ તાલુકામાં આવેલ ઉંટડી ગામે આવેલ મોટું તળાવ હાલ કચરાના ઢગમાં ઢંકાઇ જતા ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે અને તેને લઇ આરોગ્યને ખતરો જણાવી રિટાયર્ડ પોસ્ત માસ્તરે આ અંગે નાણામંત્રીને લેખિતમાં ફરિયાદ કરી નિવારણ લાવવા જણાવ્યું છે. વલસાડ તાલુકાના ઉંટડી બજાર વિસ્તારમાં રહેતા અને વાપી પોસ્ટ ઓફિસમાં પોસ્ત માસ્તર તરીકે ફરજ બજાવી ચૂકેલા દિપકભાઇ જયંતિલાલ ટેલરે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇને એક પત્ર લખી જણાવ્યું કે, ઉંટડી ગામમાં મુખ્ય બજાર વિસ્તારમાં એક મોટું તળાવ છે. જેમાં ગામના સ્થાનિકો દ્વારા કપડા ધોવાથી તેમજ આજુબાજુના ઢોર ઢાખર દ્વારા ઉક્ત તળાવનું પાણી ગંદુ થતું જોવા મળે છે. તેનાથી ગંદા પાણી જન્ય રોગ ફેલાવવાનું જોખમ જોવા મળે છે. કચરાથી ઢંકાઇ જતા તળાવમાં પાણી ક્યાં છે તે પણ દેખાતું નથી. આ બાબતે દિપકભાઇએ સ્થાનિક અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છતાં કોઇ નક્કર પરિણામ મળ્યું નથી. સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોની તંદુરસ્તીને સર્વોપરિ ગણીને વિવિધ યોજનાના અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઇ સકારાત્મક પગલા લેવા અપીલ કરાઇ છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખ ફુંકી દેવામાં આવ્યો છે ત્યારે રાજકીય ગરમાટો ફરી વળ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિત પાર્ટીઓ કામે લાગી ગઇ છે. યોગ્ય ઉમેદવારની પસંદગી માટે વલસાડમાં ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના હોલમાં પાર્ટીના દાવેદારો પાસે ઉમેદવારી માટે પાર્ટીના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પાર્ટીએ તમામ જરૂરી વિગતો ફોર્મમાં ભરવા જણાવ્યું છે. દાવેદારોએ ચૂંટણી લડવા ટિકિટ મેળવવા જે ફોર્મ રજૂ કર્યા હશે તેમની ચકાસણી કરી નિર્ણય લેવામાં આવશે. જેના પગલે ચૂંટણીની જાહેરાતના બીજા જ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી માટે ઉમેદવારીનો નોંધાવવા પહેલા પાર્ટીના ફોર્મ ભરવા દાવેદારો મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત સ્થાનિક સંસ્થા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ચૂંટણી-2026ની ઉમેદવારી માટે ઈચ્છા ધરાવતા વ્યક્તિઓને એક ફોર્મ ભરવા જણાવવામાં આવ્યું છે. સેન્સથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં સરળતાઉમેદવારી નોંધાવવા માટે પાર્ટીના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરાઇ હતી.ગુરૂવારે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી માટે યોગ્ય ઉમેદવારના ચયન માટે પાર્ટી સ્તરના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્યામાં ટિકિટ માગનારા ઇચ્છુકો જોવા મળ્યાં હતા.> રાકેશ પટેલ,ભાજપના દાવેદાર તાલુકા, જિલ્લાની બેઠક પર 5થી7 દાવેદારો વલસાડ તાલુકામાં વલસાડ, ચણવઈ, પારનેરા, નાનકવાડા, વાંકલ, પારડી સાંઢપોર, અટગામ, ડુંગરી, કકવાડી- દાંતી તેમજ, કોસંબાગામના સ્થાનિક દાવેદારોએ ગુરુવારે ફોર્મ ભર્યા હતા. લોક ચર્ચા એ છે કે, જ્યારે એક સીટ માટે પાર્ટીના 6થી 7 ઉમેદવારો ફોર્મ ભરે છે, તો તેમાંથી એક જણને જ ટિકિટ મળે અને જો ટિકિટ ન મળે તો નારાજગી થવાની સંભાવના છે. જેના પરિણામે દાવેદારો અંદરખાને પાર્ટી વિરોધમા પણ કામ કરી શકે છે એવી ભીતી સેવાઈ રહી છે. ભાજપે ફોર્મમાં વિગતો માગીઉમેદવારીઓએ પોતાનો પૂરો બાયોડેટા, ફોર્મમાં ભરવોપડે છે. સંગઠનમાં અગાઉ કોઈ જવાબદારી સંભાળીહોય કે, ભૂતકાળમાં ચૂંટણી લડ્યા હોય તે અંગેની યોગ્યવિગત ફોર્મમાં રજૂ કરવાની રહેશે. દાવેદાર ઉમેદવારઅન્ય પક્ષમાં કોઈ જવાબદારી હોય તો તેની વિગત પણઆપવી પડશે. આ ઉપરાંત ફોજદારી ગુના સંદર્ભે કોઈપોલીસ કેસ થયો છે? જો હોય તો પોલીસ કેસની સંખ્યાતેમજ બે ફોટા બીડવાના રહેશે.જોકે, સોશ્યિલમીડિયામાં ફોલવર્સને પણ ધ્યાનમાં લેવાય છે.
લોકાર્પણ:સરોંડા પંચાયત કચેરી તથા આંગણવાડીઓનું લોકાર્પણ
સરોંડા ગામે પંચાયત કચેરી (ગ્રામ સચિવાલય) તથા આંગણવાડીઓનું લોકાર્પણ કરાયું હતું. ઉમરગામ તાલુકાના સરોંડા ગામે સરપંચ શ્રી રંજનાબેન સંદીપભાઈ રાઠોડની આગેવાની હેઠળ સરકારની સીડીપી 5 અંતર્ગત 16.75 લાખ તથા લોકફાળાથી અંદાજિત 55 લાખના ખર્ચે ભવ્ય પંચાયત કચેરીનું મકાન નિર્માણ કરાયું છે. જેનું લોકાઅર્પણ ગત તા 31 માર્ચના દિને ધારાસભ્ય રમણભાઈ પાટકરના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મકાન નિર્માણ માટે દાતાઓ તરફથી દાન પ્રાપ્ત કરી સુંદર મકાન નિર્માણ કરવા બદલ ધારાસભ્ય રમણભાઈ પાટકરે સરોડા ગામના સરપંચ રંજનાબેન સંદીપભાઈ રાઠોડના વખાણ કર્યા હતા. આ પ્રસંગે માજી જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઈ જાદવ, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડો. નીરવભાઈ શાહ, દિલીપભાઈ ભંડારી, મુકેશભાઈ પટેલ, અલકાબેન શાહ, દિપકભાઈ મિસ્ત્રી આજુબાજુ ગામના સરપંચ શ્રીઓ, આગેવાનો, ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી. આ નિમિત્તે દાતાનો આભાર વ્યક્ત કરવા માટે તેમને સન્માનિત કરાયા હતા.
વલસાડ જિલ્લા ચિત્રશિક્ષક સંઘના 50મો સુવર્ણજયંતિ પ્રસંગે કાર્યક્રમમાં નિવૃત્ત ચિત્ર શિક્ષકો અને ચિત્ર સ્પર્ધા,રંગોળી સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘના મહામંત્રી ભરતકુમાર આર.પટેલ દ્વારા વર્ષ દરમિયાન થયેલ પ્રવૃતિ વિશેની માહિતીનો અહેવાલ રજૂ કર્યો હતો. વાઘછીપા હાઈસ્કૂલ ખાતે યોજિત કાર્યક્રમમાં જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ ઊજળો દેખાવ કરનારા વિદ્યાર્થીઓ,સંનિષ્ઠ વિદ્યાર્થીઓ શીધ્ર ચિત્રસ્પર્ધા, રંગોળી સ્પર્ધામાં ઊજળો દેખાવ કરનારાઓનું સન્માન સાથે નિવૃત ચિત્ર શિક્ષકોનું સન્માન કરાયું હતું. ચિત્ર પ્રદર્શનમાં બાળ કલાકાર તરીકે ફલેષા વિપુલ પટેલના સુંદર ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.યોગેશભાઈ નાયક જશુભાઈ નાયક આટૅ ફાઉન્ડેશન નવસારી જીતેન્દ્ર એ. પરમાર,મહામંત્રી ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય, મુખ્ય મહેમાન મહેન્દ્રભાઈ પટેલ પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારી માટેની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ શહેર અને તાલુકા સ્તરે મોટી સંખ્યામાં દાવેદારો મેદાનમાં ઉતર્યા છે. ખાસ કરીને નવસારી-વિજલપોર વિસ્તારમાં સૌથી વધુ રસ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ નવસારી વિજલપોર વિસ્તારમાં કુલ 13 સીટ માટે 347 ફોર્મ ભરાયા છે, જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ ગણાય છે. જ્યારે નવસારી તાલુકામાં 16 તાલુકા પંચાયત માટે 54 અને 3 જિલ્લા પંચાયત માટે 11, જલાલપોર તાલુકામાં 20 તાલુકા પંચાયત માટે 101 અને 4 જિલ્લા પંચાયત માટે 21, ગણદેવી તાલુકામાં 24 તાલુકા પંચાયત માટે 76 અને 6 જિલ્લા પંચાયત માટે 24, તેમજ ચીખલી તાલુકામાં 28 તાલુકા પંચાયત માટે 106 અને 8 જિલ્લા પંચાયત માટે 31 ફોર્મ નોંધાયા છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે તાલુકા પંચાયતની સરખામણીએ જિલ્લા પંચાયત માટે પણ સારી સ્પર્ધા જોવા મળી રહી છે, પરંતુ મુખ્ય લડત તાલુકા સ્તરે જ વધુ જોરદાર બનવાની સંભાવના છે. આ વખતે ખાસ નોંધપાત્ર બાબત એ છે કે અગાઉ પાલિકા અને પંચાયતમાં ચૂંટાયેલા અનેક જૂના સભ્યોએ ફરીથી દાવેદારી નોંધાવી છે. અનુભવનો ફાયદો લઈ ફરી તક મેળવવાની કોશિશ કરતા આ નેતાઓએ સંગઠન પર દબાણ પણ વધાર્યું છે. જેના કારણે નવા અને જૂના ચહેરાઓ વચ્ચે ટિકિટ માટે કડક સ્પર્ધા સર્જાઈ છે. ભાજપ માટે આ વખતે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવી પડકારરૂપ બનશે, કારણ કે દરેક બેઠક માટે સરેરાશ અનેક દાવેદારો છે. સ્થાનિક સ્તરે જૂથવાદ અને પ્રભાવશાળી નેતાઓની ભલામણોને ધ્યાનમાં રાખીને અંતિમ પસંદગી કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ભાજપ જિલ્લા કક્ષાએ ચર્ચા કરી અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરશે. આગામી દિવસોમાં ટિકિટ વિતરણ સાથે જ રાજકીય ગરમાવો વધુ તેજ બનવાની સંભાવના છે. તાલુકાવાર દાવેદારીનો ચિત્ર
ચીખલી તાલુકામાં તાલુકા- જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જિ. પં.ની 8 બેઠકો માટે 36 અને તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 65 દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી હતી. જિલ્લા પંચાયતની રૂમલા બેઠક પર સૌથી વધુ 10 મૂરતિયાઓએ દાવેદારી કરી હતી. મજીગામમાં મનાભાઈના ફાર્મમાં ભાજપના નિરીક્ષક તરીકે આણંદના ધારાસભ્ય યોગેશભાઇ, પ્રદેશ મંત્રી ઊર્મિલાબેન વસાવા તથા જે.પી.પટેલ સમક્ષ તાલુકામાં જિલ્લા પંચાયતની ખૂંધ, ઘેજ, સાદકપોર, સમરોલી, વાંઝણા, કુકેરી, રૂમલા, માંડવખડક સહિતની 8 બેઠક માટે 36 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. રૂમલાની બિનઅનામત સામાન્ય બેઠકમાં વર્તમાન જિલ્લા પંચાયત સભ્ય બાલુભાઇ પાડવી ઉપરાંત મણિલાલ દેશમુખ,દિનેશભાઇ મહાકાળ સહિત સૌથી વધુ 10 જણાંએ દાવેદારી નોંધાવી છે. સમરોલીની સામાન્ય સ્ત્રી માટેની બેઠક પર વાસંતીબેન પટેલ, શિવાની દર્શનભાઈ, વૈશાલીબેન પ્રકાશભાઇ, સોનાલીબેન, શોભનાબેન તથા હરસિદ્ધિબેન પટેલ સહિત છ દાવેદારોએ, ઘેજની ઓબીસી સ્ત્રી માટે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમીતાબેન પટેલ ઉપરાંત ચાર,ખૂંધની એસટી સ્ત્રી બેઠક પર વર્તમાન સભ્ય રમીલાબેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માલતીબેન અને વિરાંગીબેન, કુકેરીની એસટી સ્ત્રી બેઠક પર ડો.નેહાબેન પટેલ, ભાવિકાબેન, જ્યોતિબેન, માંડવખડકની સામાન્ય સ્ત્રી બેઠક માટે ગીતાબેન ગાવિત, ઉષાબેન, જેસ્વીબેન જ્યારે વાંઝણાની એસટી સામાન્ય બેઠક પર વાંઝણાના નલિન પટેલ ઉપરાંત હિતેન્દ્ર પટેલ, રશ્મિકા જગદીશ અને અક્ષય પટેલનો સમાવેશ થાય છે. જ્યારે તાલુકા પંચાયતની 28 બેઠક માટે 65 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. દાવેદારી દરમિયાન તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઇ મહામંત્રી સમીરભાઇ ઉપરાંત પાર્ટીના ચૂંટણી ઇન્ચાર્જ ડો.અશ્વિનભાઇ, કલ્પેશભાઇ દેસાઇ, દિપકભાઇ સમરોલી સહિત એ ખડેપગે હાજર રહી જરૂરી વ્યવસ્થા પુરી પાડી સફળ આયોજન કર્યું હતું. ભાજપના ઉમેદવારોના માપદંડ પર સૌની મીટ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને કેટલીક બેઠકો પર ભાજપમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. જોકે ભાજપ દ્વારા વર્ષોથી પક્ષમાં નિષ્ઠાપૂર્વક, પ્રજાલક્ષી કામ કરનારા પક્ષને વફાદાર એવા સિનિયર આગેવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે કે પછી નવા નિશાળિયાઓને તે જોવું રહ્યું. મોવડી મંડળ દ્વારા કેવા માપદંડો અપનાવામાં આવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
મદદ કરવાના બદલે દારૂ લેવા પડાપડી:દુવાડા પાટિયા પાસે કાર અકસ્માત બાદ અડધા કલાકમાં દારૂના કાર્ટૂન સાફ
24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 48ના દુવાડા પાટિયા પાસે મળસ્કે કાર ડિવાઈડરમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ કારમાં દારૂના કાર્ટૂન હોય લોકો દારૂ લૂં ટી ગયા હતા. એંધલ હાઇવેના દુવાડા પાટિયા પાસે ગુરૂવારના રોજ મળસ્કે 5 કલાકે કાર (નં. જીજે-15-સીએફ-1530)ના ચાલકે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડરમાં અથડાઇ હતી. આ અકસ્માત જોઈ હાઇવે પર જતા વાહનો થંભી ગયા હતા અને કારમાં બેસેલાઓને બચાવવા દોડી આવ્યા હતા પરંતુ કારમાં દારૂના કાર્ટુન હોય બધા કારમાંથી દારૂ લઇને ભાગી ગયા હતા. જેમ જેમ બધાને ખબર પડી તેમ લોકો દારુ લેવા પડાપડી કરવા લાગી ગયા હતા અને જોત જોતામાં 30 મિનિટમાં દારૂના કાર્ટૂન સાફ કરી ગયા હતા. આ અકસ્માતમાં એક ચાલક જ હતો જે પણ અકસ્માત થતા ભાગી છૂટ્યો હતો. બાદમાં 7.30 કલાકે હાઇવેની પેટ્રોલિંગ જીપે કારને સીધી કરી બાજુમાં મૂકી ગયા હતા પરંતુ અકસ્માતમાં પડેલ કારની બોડીનો સામાન ત્યાં જ વેરવિખેર મૂકી ગયા હતા. આમ હાઇવેની પેટ્રોલિંગ જીપના કર્મચારીઓ ઘણી જગ્યાએ અકસ્માત બાદ પડેલ કાચ કે અન્ય સામાનની સાફ સફાઈ કરતા નથી, જેને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જવાનો ભય રહેલો છે. તો હાઇવેના અધિકારીઓએ આવા બેદરકારી દાખવતા કર્મચારીઓ ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ.
નવસારી જેસીઆઇ દ્વારા પાંચ ગોળ પ્રજાપતિ સમાજના સભ્યો માટે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની વાડીમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે યોગ્ય કારકિર્દી પસંદગી અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે એસ. એસ. અગ્રવાલ એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. દીપેશ શુક્લાએ વિદ્યાર્થીઓને આધુનિક સમયમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો, ઉચ્ચ અભ્યાસની તકો તેમજ પોતાની ક્ષમતા અને રસ અનુસાર યોગ્ય ક્ષેત્ર પસંદ કરવાની મહત્વતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમના પ્રેરણાદાયક સંબોધનથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો હતો. આ સેમિનારમાં 500થી વધુ સભ્યો એ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન જેસીઆઇ પ્રમુખ જેસી હિતેશ પવાર, ઉપપ્રમુખ જેસી જેસલ શાહ તેમજ જેસી સંકેત પટેલ, જેસી રાહુલ સોની, જેસી જય સચલા અને જેસી રૂપેશ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને સમાજના સભ્યો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.
ધરા ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ:વાંસદા અને ડાંગમાં વહેલી સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ડાંગ અને વાંસદા તાલુકામાં સવારે 5:27 વાગ્યે ભૂકંપના આંચકાથી લોકો ફફડી ઉઠ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર સરહદ તરફ નોંધાયું હતું. વાંસદા તાલુકામાં સવારે 5.27 વાગ્યે 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજતા લોકો ઊંઘમાંથી ફફડી ઉઠ્યા અને જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. સીસ્મોલોજી સેન્ટરની પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર સરહદ તરફ નોંધાયું છે. ખાસ કરીને જૂજ ડેમ પટ્ટાના ગામોમાં સૌથી વધુ અસર જોવા મળી, જ્યાં ઘરનાં વાસણો ખખડાયા, બારીઓ-દરવાજા ધ્રૂજી ઉઠ્યા અને કેટલાક સ્થળોએ લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. સ્થાનિકોમાં ચર્ચા છે કે ડેમ વિસ્તારને કારણે છેલ્લા કેટલાક સમયથી ભૂસ્તરીય હલચલમાં વધારો નોંધાઈ રહ્યો છે અને આ પહેલાં પણ નાના આંચકા અનુભવાયા હતા. આજે આવેલા આંચકાથી આ ભીતિને વધુ ગાઢ બનાવી દીધી છે. રાહતની વાત એ છે કે હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ મળ્યા નથી, છતાં લોકોમાં હજુ પણ ફરી આંચકો આવવાની ભીતિ યથાવત જોવા મળી રહી છે. સ્થાનિક લોકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે વાંસદા-જૂજ ડેમ પટ્ટો શું ભૂકંપ માટે સંવેદનશીલ ઝોન બની રહ્યો છે ? તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાથી દૂર રહી સાવચેત રહેવા સૂચના અપાઇ છે. લોકોમાં ચિંતા પ્રસરીઉનાળામાં દર વર્ષે વાંસદા પંથકમાં અવારનવાર ભૂકંપના આંચકા આવવા હવે સહજ બની રહ્યું છે. પરંતુ દર વર્ષે માત્ર એકથી બેની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતો રહ્યો છે. જે હાલ આવેલા ભૂકંપના આંચકા કરતા ઘણો નાનો છે. આ વખતે ભૂકંપનો આંચકો જે તિવ્રતાથી આવ્યો તે જોતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 5 વર્ષ અગાઉની ગત પાલિકાની ચૂંટણી કરતા વિસ્તાર વધવા છતાં મતદાન મથકો 7 ઘટ્યા છે,જેનું કારણ ગયેલ મતદાર છે. સામાન્યતઃ પાલિકા યા મહાપાલિકામાં વિસ્તારમાં વધારો થાય તો ચૂંટણીમાં મતદાન મથકોની સંખ્યા પણ વધતી જોવા મળી છે. જોકે આ વખતે નવસારીમાં એથી વિપરીત બન્યું છે. સને 2021માં નવસારી વિજલપોર પાલિકાની ચૂંટણી થઈ હતી ત્યારે 199 મતદાન મથકો ઉપર મતદાન થયું હતું. હવે 5 વર્ષ વીત્યા શહેરમાં નજીકના 4 ગામો જોડી મહાપાલિકા બનાવવામાં આવી છે અને તેની પ્રથમ ચૂંટણી જાહેર થઈ છે. આ ચૂંટણીમાં મતદાન મથકો ઘટી 192 જગ્યાએ જ મતદાન થશે. વિસ્તાર વધવા છતાં બુથ ઘટવાનું કારણ જાણવા મળ્યા મુજબ 5 વર્ષ અગાઉની ચૂંટણીમાં મતદાર 2.18 લાખ જેટલા હતા, જે ઘટી હાલ 1.87 લાખ થઈ ગયા છે. મતદારના ઘટાડો થતા મતદાન માટેના બુથ પણ ઘટ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે વિસ્તાર વધવા છતાં અને 5 વર્ષ વિતવા છતાં મતદાર વધવાની જગ્યાએ ઘટવાનું કારણ ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ ‘સર’ છે,જેમાં મોટી સંખ્યામાં મતદાર કમી થયા છે.
સાયબર ઠગોની કરતૂત:વેપારીની પત્નીનું સો. મીડિયા એકાઉન્ટ્સ હેક કરી ઠગે તેના મિત્રો પાસે નાણાં માંગ્યા
આજના સમયમાં આપણી ડિજિટલ ઓળખ એ આપણી સામાજિક આબરૂ સમાન છે. સાયબર ઠગબાજો હવે લોકોના બેંક ખાતાની સાથે-સાથે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ નિશાન સાધી રહ્યા છે. તાજેતરમાં નવસારીમાં બનેલી આ ઘટના સાબિત કરે છે કે તમારી એક નાનકડી ભૂલ (ઓટીપી શેર કરવો) તમને અને તમારા સ્નેહીજનોને કેટલી મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. નવસારીના એક વેપારી દ્વારા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા શખ્સે તેમની પત્નીના વોટ્સએપ ગ્રુપમાંથી પોતે રિમૂવ થઈ ગયા હોવાનું બહાનું બતાવી વિશ્વાસમાં લઈ ઓટીપી મેળવી લીધો હતો. આ ઓટીપી દ્વારા ગઠિયાએ પહેલા પત્નીનું વોટ્સએપ, ત્યારબાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લીધા હતા. આરોપીએ પત્નીના પ્રોફાઇલ પિક્ચરનો દુરુપયોગ કરી, સંપર્કમાં રહેલા લોકો અને સંબંધીઓ પાસે પત્નીના નામે નાણાંની માંગણી શરૂ કર્યાનું ધ્યાને આવતા પોલીસમાં તે અંગે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ફ્રોડથી બચવા આટલુ કરો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા કે રિમૂવ થવા માટે ક્યારેય કોઈ ઓટીપીની જરૂર પડતી નથી. (ટુ-સ્ટેપ વેરિફિકેશન) ચાલુ કરો: આ સૌથી અગત્યનું સુરક્ષા કવચ છે. તમારા વોટ્સએપના સેટીંગ્સ > એકાઉન્ટ > ટુ-સ્ટેપ વેરીફિકેશનમાં જઈને તેને ટર્ન ઓન કરો અને તમારો પોતાનો 6 આંકડાનો પિન સેટ કરો.જો તમે આ ચાલુ રાખ્યું હશે, તો હેકરને ઓટીપી મળી જશે તો પણ તે પિન વગર તમારું વોટ્સએપ ખોલી શકશે નહીં. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ આ સેટિંગ ચાલુ રાખો. >ચિરાગ લાડ, સાયબર એડવોકેટ
મહાત્મા ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ કરવા અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી સુધી કૂચ કરી ત્યારે 2 એપ્રિલના રોજ વાંઝ ગામે રાત્રિ રોકાણ કર્યું હતું અને બીજા દિવસે 3 એપ્રિલના રોજ વાંઝ ગામથી નીકળી દિવસે નવસારીના ધામણ ગામે આવ્યા હતા. અહીં બપોરનું ભોજન કર્યું અને વિરામ પણ કર્યો હતો. જે માર્ગ પરથી ધામણ આવ્યા ત્યાં સ્થાનિકોની ભીડ બાપુને સન્માનવા જામી હતી. ધામણથી બપોરબાદ બાપુ નવસારી જવા નીકળ્યા અને પહોંચ્યા હતા. અહીં બાપુને સાંભળવા ઐતિહાસિક તે સમયે 25 હજાર લોકો ઉમટ્યા હોવાનું જુના લખાણોમાં જાણવા મળે છે. તે સમયે સારી વ્યવસ્થા થાય તે માટે એક પારસી સજ્જને લાઇટ ફિટીંગ કરવામાં પણ મદદ કરી હતી. બાપુએ રાત્રિ રોકાણ દુધિયા તળાવ વિસ્તારમાં આવેલ ઘાંચીની વાડીમાં કર્યું હતું. અહીં બાપુને થેલી પણ અપાઇ હતી. નવસારી રાત્રિ રોકાણ કર્યા બાદ 4 એપ્રિલે દાંડીકૂચ પદયાત્રીઓ વિજલપોર તરફ ગયા હતા. વિજલપોરમાં તેલી મિલમાં રોકાણ કર્યું નવસારીથી 4 એપ્રિલના રોજ નિકળી બાપુ નજીકના વિજલપોર પહોંચ્યાં હતા અહીં આવેલ માયાભાઇ તેલીના કમ્પાઉન્ડમાં રોકાણ કર્યું હતું. અહીં સ્થાનિક અગ્રણી ડો.ખંડુભાઇ દેસાઇ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. વિજલપોરથી બપોર બાદ કરાડી મટવાડ તરફ જવા રવાના થયા હતા.
જ્ઞાનસાધના પરીક્ષાનું 4 એપ્રિલે આયોજન:14,500 વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા આપશે
ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું 4 એપ્રિલે આયોજન કરાયું છે. જેમાં 14,500 વિદ્યાર્થીઓ માટે 55 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ધો- 9 થી 10 સુધી વર્ષે 6 હજાર અને 11 થી 12 ધોરણ માં વર્ષે 7 હજાર સ્કોલરશિપ આપવામા આવશે. જિલ્લામાં શનિવારે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા યોજાશે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સારી આર્થિક સ્થિતિ ન ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓ ના અભ્યાસ મા સહાય મળી રહે તે માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનું આયોજન કરવામાં આવે છે. આ યોજનાનો લાભ ધો-9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ ક્સોટી કુલ 120 માર્ક ની હોય છે. જેનો સમય 150 મિનિટ નો રાખવામાં આવેલ છે. જેને લઈને જિલ્લામાં 4 એપ્રિલે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેઓની બેઠક વ્યવસ્થા 55 કેન્દ્રો પર કરવામાં આવી છે. પરીક્ષાનો સમય 11 થી 1:30 દરમિયાન રાખવામાં આવ્યો છે. જેમાં સ્થળ સંચાલક, વહીવટી મદદનીશ, ક્લાર્ક, રિલીવર અને સેવક મળી અંદાજે 270 થી વધુ કર્મચારીઓ કેન્દ્રો પર ઉપસ્થિત રહેશે. પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામા આવશે. તમે જણાવેલી રકમ સામાન્ય રીતે સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હોય છે. જો વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરીને ખાનગી (Private) શાળામાં પ્રવેશ મેળવે, તો સરકાર દ્વારા ધોરણ 9-10 માટે વાર્ષિક 22 હજાર અને ધોરણ 11-12 માટે વાર્ષિક 25 હજાર સુધીની સહાય આપવામાં આવે છે. જિલ્લાના કેન્દ્રોની માહિતી
ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો:કાલરી પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ટકરાતાં બાઇકચાલકનું મોત થયું
બહુચરાજી તાલુકાના કાલરી ગામ પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે જઈ રહેલી મોટરસાયકલ આગળ જતી ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડાકાભેર અથડાતા 19 વર્ષીય ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ચાણસ્મા તાલુકાના મણીપુરા ગામના 19 વર્ષિય આકાશજી રમેશજી ઠાકોર ગુરુવાર વહેલી સવારે આશરે 3 વાગ્યે પોતાની બાઇક (GJ-18-FD-7876) લઈને તેના બે મિત્રો અલ્કેશજી અને નિખિલજી સાથે નીકળ્યા હતા. સવારે 4:30 કલાકે જ્યારે તેઓ કાલરી ત્રણ રસ્તાથી મોઢેરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે મહાદેવના મંદિર પાસે આકાશજીએ પોતાની બાઈક પૂરઝડપે હંકારી આગળ જતી ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે ભટકાડી દીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આકાશજીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત મિત્રોને તાત્કાલિક શંખલપુર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખસેડાયા હતા.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનના રહ્યા. શાહે કહ્યું કે તેઓ 15 દિવસ સુધી પશ્ચિમ બંગાળમાં રહેશે, જેથી મમતાને હરાવી શકાય. બીજા મોટા સમાચાર ચાંદીના ભાવમાં આવેલા 12 હજાર રૂપિયાના ઘટાડાને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી પુડુચેરીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આ દરમિયાન તેઓ 2 કિલોમીટર લાંબો રોડ શો કરશે. 2. ભારતીય નૌસેનામાં INS તારાગીરી વૉરશિપ સામેલ કરવામાં આવશે. કાલના મોટા સમાચારો 1. ભારત બોલ્યું- હોર્મુઝમાં નાવિકો ગુમાવનાર અમે એકમાત્ર છીએ:આ સંકટનો ઉકેલ વાતચીતથી જ શક્ય છે, ઓનલાઈન બેઠકમાં 60 દેશો સામેલ થયા બ્રિટનની પહેલ પર હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે એક મોટી ઓનલાઈન બેઠક યોજાઈ હતી, જેમાં 60થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરી હાજર રહ્યા હતા. બેઠકમાં વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સંકટમાં અત્યાર સુધી માત્ર ભારતના જ નાગરિકો માર્યા ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોર્મુઝ સંકટમાં અત્યાર સુધીમાં 3 ભારતીય નાવિકો માર્યા ગયા છે, જેઓ બધા વિદેશી જહાજો પર કામ કરી રહ્યા હતા. ભારતે કહ્યું કે આ સમગ્ર સંકટનો ઉકેલ માત્ર વાતચીત અને શાંતિથી જ આવી શકે છે. ભારતે તમામ દેશોને અપીલ કરી કે તણાવ ઓછો કરે અને પરસ્પર વાતચીત દ્વારા માર્ગ શોધી કાઢે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પશ્ચિમ બંગાળમાં 7 ઈલેક્શન ઓબ્ઝર્વર બંધક, સુપ્રીમ નારાજ:કહ્યું- અમને ખબર છે કે આ કોણે કર્યું, મતદાર યાદીમાંથી નામ કમી થવા પર સતત બીજા દિવસે પ્રદર્શન સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં SIR સાથે સંકળાયેલા 7 ચૂંટણી નિરીક્ષકોને બંધક બનાવવાની ઘટના પર નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમે કહ્યું- તેમને નવ કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા. ખાવા-પીવાનું પણ મળ્યું નહીં. આ ઘટના સુનિયોજિત અને ઉશ્કેરણીજનક લાગે છે. તેનો હેતુ ન્યાયિક અધિકારીઓનું મનોબળ તોડવાનો અને ચૂંટણી પ્રક્રિયાને રોકવાનો છે. CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. બેન્ચે રાજ્યના ગૃહ સચિવ, ડીજીપી અને અન્ય અધિકારીઓ પાસેથી તેમની નિષ્ક્રિયતા પર જવાબ માંગ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ચંદીગઢમાં પંજાબ BJP હેડક્વાર્ટરની બહાર બ્લાસ્ટ:ગ્રેનેડ પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યું, 2 શંકાસ્પદ લોકોની શોધખોળ ચંદીગઢમાં BJPના પંજાબ મુખ્યાલયની બહાર બુધવારે સાંજે 5 વાગ્યે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ પછી ત્યાં પાર્કિંગમાં ઉભેલી ઘણી ગાડીઓના કાચ તૂટી ગયા. BJP ઓફિસની દીવાલ પર 70થી 80 છરા જેવા નિશાન બની ગયા છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ગ્રેનેડની પિન ખોલીને તેને ફેંકીને ભાગી રહ્યો છે. આ દરમિયાન ધમાકાનો અવાજ પણ સંભળાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો BJP ઓફિસ પર થયેલા હુમલાનો છે. તપાસમાં આ ગ્રેનેડ પાકિસ્તાન બનાવટનો હોવાનું સામે આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. AAPએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવ્યા:કહ્યું- ગૃહમાં પાર્ટી વતી નહીં બોલે; ગિર્ગ વર્કર્સ-રીચાર્જ જેવા મુદ્દા ઉઠાવી ચૂક્યા છે આમ આદમી પાર્ટી (AAP) એ ગુરુવારે સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ આ પદ રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને આપવામાં આવ્યું છે. પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને આ માહિતી આપી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે સદનમાં પાર્ટી તરફથી બોલવાનો સમય ન આપવામાં આવે. રાઘવ 2022થી પંજાબથી રાજ્યસભા સાંસદ છે. તેમનો કાર્યકાળ 2028 સુધીનો છે. પાર્ટીએ આ નિર્ણયનું કારણ જણાવ્યું નથી. જોકે, તેમણે લાંબા સમયથી પાર્ટીથી અંતર બનાવી લીધું હતું અને AAPને લઈને કોઈ નિવેદન આપી રહ્યા ન હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ટ્રમ્પના ભાષણ પછી સોના-ચાંદીના ભાવ તૂટ્યા:સોનામાં ₹3,263, ચાંદીમાં ₹13 હજારનો ઘટાડો; ઈરાન યુદ્ધથી 34 દિવસમાં સોનું ₹16 હજાર સસ્તું થયું અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, ગુરુવારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 5,346 રૂપિયા ઘટીને 1.46 લાખ રૂપિયા થયું છે. આ પહેલા બુધવારે તે 1.51 લાખ પર હતું. જ્યારે, એક કિલો ચાંદી 15,176 રૂપિયા ઘટીને 2.25 લાખ રૂપિયા થઈ ગઈ, જે 25 માર્ચે 2.40 લાખ રૂપિયા પર હતી. અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે સોનું 34 દિવસમાં 13,590 અને ચાંદી 42,040 સસ્તી થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. LRD ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર:14 જૂને લેખિત પરીક્ષા, ચેક કરો તમારું નામ ગુજરાત રાજ્યમાં લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક કેડરની શારીરિક કસોટી પૂર્ણ થતાં તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તા. 21 જાન્યુઆરી, 2026થી રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારો હવે પોતાનું પરિણામ ઓનલાઇન જોઈ શકે છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં LRDની શારીરિક કસોટી માટે 10 લાખ લોકોએ દોડમાં ભાગ લીધો હતો, જેમાંથી 1.10 લાખ લોકો ઉત્તિર્ણ થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. મિલ્ક પનીર છે કે એનાલોગ, હોટલ-રેસ્ટોરન્ટમાં ફરજિયાત બોર્ડ લાગશે:નકલી, સબ-સ્ટાન્ડર્ડ પનીરનું વેચાણ રોકવા સરકાર એક્શન મોડમાં; અસલી પનીરને આ રીતે ઓળખો જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્ત્વના છે. રાજ્યમાં સતત વધી રહેલા નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા માટે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક સૂચના આપી છે કે હવેથી રાજ્યની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર અસલી છે કે 'એનાલોગ', તેની જાણકારી ફરજિયાતપણે બોર્ડ પર પ્રદર્શિત કરવી પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અમિત શાહે કહ્યું- 15 દિવસ બંગાળમાં જ રહીશ:મમતાને ઘરમાં જ હરાવવાના છે, TMCને ઉખેડીને બંગાળની ખાડીમાં ફેંકી દો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિની ઠેકડી ઊડાવી, મેક્રોને કહ્યું- માપમાં રહો:ટ્રમ્પે કહ્યું- પત્નીના હાથે થપ્પડ ખાધા કરે છે, ખરાબ વ્યવહાર કરે છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : TMCનું ચૂંટણી મેનેજમેન્ટ સંભાળતી I-PACને ત્યાં EDના દરોડા:દિલ્હી-બેંગલુરુ, હૈદરાબાદમાં EDની તપાસ, કોલસા કૌભાંડ સાથે સંકળાયેલો મામલો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નેપાળમાં એવરેસ્ટ કૌભાંડનો પર્દાફાશ:ખાવામાં બેકિંગ સોડા ભેળવીને બીમાર કરતા હતા, પછી હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાવીને વધુ કમાણી કરતા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : PPF એકાઉન્ટમાંથી દર મહિને ₹61 હજારની કમાણી:₹1.03 કરોડનું ફંડ પણ તૈયાર થઈ જશે, જાણો શું છે તેનો 15+5+5 ફોર્મ્યુલા વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : સર્જાયો દુર્લભ ‘ત્રિગ્રહી યોગ’:મંગળનું મીન રાશિમાં 'મંગળ' ગોચર; વૃષભ, મિથુન, કર્ક સહિત 8 રાશિઓ પર સંકટમોચન ખુશખુશાલ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ₹167.2 કરોડમાં વેચાયું ‘યશોદા-કૃષ્ણ’નું પેઇન્ટિંગ રાજા રવિ વર્માના પ્રખ્યાત ‘યશોદા અને કૃષ્ણ’ના પેઇન્ટિંગની મુંબઈમાં ₹167.2 કરોડમાં હરાજી થઈ. 130 વર્ષ જૂના આ પેઇન્ટિંગ સાયરસ પૂનાવાલાએ ખરીદી છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય પેઇન્ટિંગે લાઈવ ઓક્શનમાં આટલી મોટી કિંમત હાંસલ કરી હોય. ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: પેટ્રોલ-ડીઝલ ને ગેસ માટે ફરી લાઇનો લાગી શકે:બીજો રૂટ પણ બંધ કરી દેવાની ઇરાનની ધમકી, 20 મિનિટમાં ટ્રમ્પે 18 ફાંકા માર્યા, હોર્મુઝ ખોલવા 35 દેશ મેદાને 2. ભાસ્કર સિરીઝ: ‘તારા પર પ્રેતાત્માનો પડછાયો છે, બાપુ જ તેને હટાવી શકશે’: દોઢ કલાક સુધી આસારામે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું, એપિસોડ-24માં જુઓ માતા-પિતાએ જ દીકરીને આસારામની રૂમમાં મોકલી 3. જામનગરની દીકરી જજની ખુરશી સંભાળશે:2 વાર નિષ્ફળતા મળી છતાં હિંમત ન હારી, ઘૂંઘટની મર્યાદા પણ પાળી અને ઇતિહાસ પણ રચ્યો 4. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પ હોર્મુઝ નહીં ખોલાવે, ન તો પરમાણુ બોમ્બનું યુરેનિયમ જપ્ત કરશે; ટ્રમ્પના 4 મોટા સંકેત, ઈરાન યુદ્ધમાં આગળ શું થશે? 5. ભાસ્કર એનાલિસિસ : ગુજરાતમાં દારૂની પરમિટ આપવા કેવા સગવડિયા નિયમો?:આરોગ્યના નામે પરવાનગી લેવાના ફોર્મમાં કારણો અગાઉથી છાપ્યા; ડૉક્ટરો, WHOના રિપોર્ટે સરકારી તર્કની પોલ ખોલી 6. દુનિયામાં પહેલી ચૂંટાયેલી વામપંથી સરકાર કેરળમાં બની:ઈન્દિરાના કહેવાથી નહેરૂએ સરકાર બરતરફ કરી; આજે લેફ્ટ કેમ કેરળમાં જ બચ્યો? 7. ઉનાળામાં પથરીનું જોખમ વધુ:ભારતમાં 12% લોકો આ સમસ્યાથી પીડિત, જાણો કઈ ભૂલોના લીધે થાય છે કિડની સ્ટોન; બચવા માટે 12 ટિપ્સ અપનાવો 8. બ્લેકબોર્ડ-હટ્ટો-કટ્ટો ભરતી થયો, સેનાએ વિકલાંગ બનાવીને મોકલી દીધો:8 મહિના કોમામાં રહ્યો, ભાનમાં આવ્યો તો ખબર પડી - મને આર્મીમાંથી કાઢી મૂક્યો છે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: કન્યા-મકર રાશિના જાતકો નવી સિદ્ધિઓ હાંસલ કરશે, સિંહ-વૃશ્ચિક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતોમાં સાવધ રહેવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 11 એપ્રિલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોય ભાજપ, કોંગ્રેસ, આપ સહિતની પાર્ટીઓએ ઉમેદવારોની પસંદગી કરવા કવાયત તેજ કરી છે. કોંગ્રેસ દ્વારા પણ મોટાભાગની મહાનગરપાલિકાઓમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન એક તરફ ભાજપમાં રાફડો ફાટ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે રેસના ઘોડા શોધવા મુશ્કેલ બન્યા હોય એવી સ્થિતિ છે. સુરતને બાદ કરતા અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોંગ્રેસને બેઠક દિઠ માત્ર ચાર થી પાંચ દાવેદારો જ મળ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની એક બેઠકની સામે ફક્ત 3 દાવેદારઅમદાવાદ મહાનગરપાલિાકના 48 વોર્ડની 192 બેઠક માટે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. અમદાવાદ મનપાની ચૂંટણી લડવા એક તરફ ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે તો બીજી તરફ કોંગ્રેસને રેસના ઘોડા મળવા મુશ્કેલ બન્યા છે. 92 બેઠક માટે કોંગ્રેસમાંથી ફક્ત 602 કાર્યકર્તાઓ દાવેદારી કરી છે. શહેરના કેટલાક વોર્ડ તો એવા છે કે જ્યાં 4 થી 5 લોકોએ જ દાવેદારી કરી છે. કયા ઝોનમાં કેટલા કેટલા દાવેદાર?અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 7 ઝોનમાં 602 જેટલા કાર્યકાર્તાઓએ ચૂંટણી લડવા માટેની ઈચ્છા દર્શાવી છે.જેમાં કયા ઝોનમાં કયા વોર્ડ આવે છે અને કેટલા કાર્યકર્તાઓએ દાવેદારી કરી છે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ. અમદાવાદ મનપામાં કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવવાનો સવાલઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન છે. જ્યાં 20 વર્ષથી કોંગ્રેસ શાસનમાં આવવા માટે અનેક પ્રયાસ કરી રહી છે, પરંતુ જોઈએ તેવું પરિણામ જ કોંગ્રેસને મળતું નથી. જેથી કોંગ્રેસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અસ્તિત્વ ટકાવી રાખવા માટેની ચૂંટણી બની જવાની છે. છેલ્લા ઘણાં સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન હોવાથી શહેર કોંગ્રેસનું સંગઠન ના બરાબર જોવા મળી રહ્યું છે. જેથી જમીની સ્તરે સંગઠનને ફરી બેઠું કરવાનું છે. તેમજ રાહુલ ગાંધીએ ચૂંટણીમાં રેસના ઘોડા કોણ છે અને લગ્નના ઘોડા કોણ છે તે નક્કી કરીને પછી ઉમેદવારોને મેદાને ઉતારવા માટે આદેશ કર્યો હતો. પરંતુ કોંગ્રેસ માટે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે રેસના ઘોડા શોધવામાં પણ ફાંફા પડી ગયા છે. કોંગ્રેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવામાં કોઈને રસ નથી તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે 7 જેટલા ઝોન બનાવ્યા હતા. જ્યાં બે બે નિરીક્ષક દ્વારા સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના 48 વોર્ડમાં ચૂંટણી લડવા માટે કુલ 602 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે કેટલાક વોર્ડમાં તો ગણ્યા ગાંઠ્યા લોકોએ જ બાયોડેટા આપીને ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. ઘાટલોડીયા થલતેજ, ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ વોર્ડમાં માત્ર 4થી 5 જેટલા લોકોએ જ ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. અમદાવાદ સિવાય રાજ્યની જૂની અન્ય 5 મહાનગરપાલિકાઓ કે જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં પણ સુરત સિવાય બહુ ઓછા દાવેદાર સામે આવ્યા છે. અમદાવાદ મનપામાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસનઅમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા બે દાયકાથી ભાજપનો દબદબો છે. છેલ્લી બે ચૂંટણીની વાત કરીએ તો 2015માં પાટીદાર આંદોલન સમયે કોંગ્રેસને 48 બેઠકો મળી હતી. પરંતુ, 2021માં માત્ર 25 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે રાજકોટ મનપામાં 20 વર્ષથી અને સુરત, વડોદરા, ભાવનગર, જામનગરમાં 30 વર્ષથી સત્તાથી બહાર છે. રાજ્યમાં 26 એપ્રિલે યોજાશે પાલિકા પંચાયતની ચૂંટણી માટે મતદાનગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવતાની સાથે જ ડાયમંડ સિટી સુરતમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર 'એક્શન મોડ'માં આવી ગયું હતું. મનપા કમિશનરના આદેશ અનુસાર, શહેરના તમામ 9 ઝોનમાં સવારથી જ રાજકીય પ્રચારના સાહિત્ય દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. જાહેર માર્ગો, સરકારી ઇમારતો, વીજળીના થાંભલા અને બ્રિજ પર લાગેલા રાજકીય પક્ષોના બેનરો, હોર્ડિંગ્સ અને ધજા-પતાકાઓને ક્રેન અને જેસીબીની મદદથી હટાવી લેવામાં આવ્યા છે. તંત્રદ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ખાનગી મિલકત પર પણ પરવાનગી વગર લગાવવામાં આવેલા બેનરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 27 સેકન્ડ લેવલના નોડલ ઓફિસરોની ટીમ તૈનાતવહીવટી તંત્રને સુચારૂ રીતે ચલાવવા અને ચૂંટણી પ્રક્રિયા પારદર્શક બનાવવા માટે સુરત મનપા દ્વારા મોટા પાયે નિમણૂંકો કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર આર.બી. ભોગાયતાને મુખ્ય નોડલ ઓફિસર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની દેખરેખ હેઠળ અન્ય 27 સેકન્ડ લેવલના નોડલ ઓફિસરોની ટીમ તૈનાત કરવામાં આવી છે, જેઓ ખર્ચ પર દેખરેખ, સોશિયલ મીડિયા મોનિટરિંગ અને કાયદો-વ્યવસ્થા જેવી બાબતો પર નજર રાખશે. આ ઉપરાંત, આગામી 48 કલાકમાં સુરત મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગ, વહીવટી સ્ટાફ અને પાયાના કર્મચારીઓ મળીને કુલ 6,000 થી વધુ સ્ટાફને ચૂંટણીલક્ષી ફરજના ઓર્ડર ઈશ્યૂ કરી દેવામાં આવશે. આ કર્મચારીઓને મતદાન મથકો પર વ્યવસ્થા જાળવવાથી લઈને મતગણતરી સુધીની વિવિધ તાલીમ પણ આપવામાં આવશે. મનપાના પદાધિકારીઓએ સરકારી ગાડીઓ જમા કરાવી દીધીઆચારસંહિતા અમલી બનતા જ રાજકીય પદાધિકારીઓની સત્તા અને સુવિધાઓ પર પણ કાતર ફેરવવામાં આવી છે. ઇલેક્શન એન્ડ સેન્સસ વિભાગના જણાવ્યા અનુસાર, હવે કોઈપણ નવા વિકાસલક્ષી કામોના ટેન્ડર બહાર પાડી શકાશે નહીં કે જૂના કામોના ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરી શકાશે નહીં. વર્તમાન સાંસદો અને ધારાસભ્યોની ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા પરંતુ હજુ સુધી શરૂ ન થયેલા કામો પર પણ તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. મનપાના પદાધિકારીઓએ પ્રોટોકોલ મુજબ પોતાની સરકારી ગાડીઓ જમા કરાવી દીધી છે અને સરકારી કચેરીઓમાં યોજાતી લોકપ્રતિનિધિઓની બેઠકો પણ સ્થગિત કરી દેવામાં આવી છે. આ કડક નિયમોનો ઉદ્દેશ્ય સત્તાધારી પક્ષ દ્વારા સરકારી મશીનરીનો દુરુપયોગ રોકવાનો છે. આચારસંહિતાનો ભંગ થાય તો 'C-Vigil' એપ પર ફરિયાદ કરોબીજી તરફ, સુરત પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને સતર્ક થઈ ગઈ છે. આચારસંહિતાના નિયમ મુજબ, જે લોકો પાસે લાયસન્સ ધરાવતા હથિયારો છે, તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં તે જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. શહેરના સીમાડાઓ પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે જેથી ગેરકાયદેસર રોકડ રકમ, દારૂ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી અટકાવી શકાય. ચૂંટણી પંચે મતદારોને પણ અપીલ કરી છે કે જો તેઓ ક્યાંય પણ આચારસંહિતાનો ભંગ થતો જુઓ તો 'C-Vigil' એપ દ્વારા તુરંત ફરિયાદ કરે. આમ, આગામી દિવસોમાં સુરત શહેર રાજકીય ગરમાવા સાથે લોકશાહીના આ પર્વની ઉજવણી માટે સજ્જ બન્યું છે.
અમદાવાદના વૃદ્ધ વકીલને લગ્નની લાલચ આપી ઈટલીમાં સેટલ થવાનું કહેનાર યુવતીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે વકીલ પાસેથી રૂપિયા 57 લાખનો ચૂનો લગાવ્યો હતો. ચાઈનીઝ ગેંગ દ્વારા ઓપરેટ થતી આ ઠગાઈની ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છ આરોપીને ઝડપી પાડ્યા હતા, જ્યારે માસ્ટરમાઇન્ડ મયુર સાવલિયા દુબઇની જેલમાં હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેકનીય છે કે, આ ટુકડી જરૂરિયાતમંદ લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેને ચાઈનીઝ ગેંગને આપતી હતી અને મોટા ટ્રાન્ઝેક્શન થવાના હોય ત્યારે તેમને દિલ્હીની હોટલમાં રાખવામાં આવતા હતા. તમામ ટ્રાન્ઝેક્શન પર ગેંગને તેમનું કમિશન મળી જતું હતું. વૃદ્ધ વકીલ સાથે 57.90 લાખની સાયબર ઠગાઈઅમદાવાદના શિલજમાં રહેતા વૃદ્ધ વકીલે 57.90 લાખની સાયબર ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ પી.વી. વાઘેલાએ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન વૃદ્ધ પાસેથી ગયેલા રૂપિયા પૈકી 9 લાખ તાહીર અને મકસુદની કંપનીમાં ટ્રાન્સફર થયા હોવાનું ધ્યાને આવતા પોલીસે તરત જ તેમની ધરપકડ કરી હતી. તેમની સાથે સંકળાયેલા અદનાન અને એઝાઝની બોગસ કંપનીઓની વિગતો પણ સામે આવતા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. દુબઈના મયુર સાવલિયાને એકાઉન્ટ પ્રોવાઈડ કરતોહવે આ બોગસ બેંક એકાઉન્ટ જેના ઈશારે ઓપરેટ થતા હતા તે ઓમકાર ભારતીની પણ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ઓમકાર સાથે સંકળાયેલો દિલ્હીનો સની મગો ચાઈનીઝ ગેંગ માટે કામ કરતા દુબઈના મયુર સાવલિયાને એકાઉન્ટ પ્રોવાઈડ કરતો હતો. સાથે સાથે એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થવાના હોય તે ખાતેદારોને ઓમકાર દિલ્હી લઈ જતો હતો. જ્યાં સની તેમને હોટલમાં રાખતો અને ટ્રાન્ઝેક્શન થઈ ગયા બાદ 5થી 10 ટકા કમિશન આપતો હતો. દિલ્હીના સગી મગોએ ITમાં બી.ટેકનો અભ્યાસ કર્યોપ્રાથમિક તપાસમાં મયુર સાવલિયા હાલ દુબઈની જેલમાં હોવાનું અને એડવોકેટ સાથે ઠગાઈ માટે જે ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ થતો તે કંબોડીયાથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું છે. દિલ્હીના સગી મગોએ ITમાં બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે. તે ક્રોકરીનો બિઝનેસ કરતો હતો. જેમાં નુકસાન જતા તે અન્ય સારા વિકલ્પ માટે સપ્ટેમ્બર 2025માં દુબઈ ગયો હતો. જ્યાં તેની મુલાકાત મયુર સાવલિયા સાથે થઈ હતી. મગો સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગનો હાથો બન્યોમયુરે આ સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ પ્રોવાઇડ કરીને લાખો રૂપિયા કમાવાની લાલચ આપી હતી. સાથે સાથે ઓમકાર સાથે વાત પણ કરાવી દીધી હતી અને મગો સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગનો હાથો બન્યો હતો. સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ભાડે આપતી અને રૂપિયા વિથડ્રો કરી આપતી આ ગેંગ દ્વારા બોગસ કંપનીઓના નામે બેંક એકાઉન્ટ ઓપન કરાવી તેમાં સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. સાયબર ફ્રોડની 41 ફરિયાદો જુદા જુદા રાજ્યોમાં નોંધાઈપોલીસને તપાસ દરમિયાન આવી પાંચ જુદી જુદી કંપનીઓના ચાર બેંક એકાઉન્ટની વિગતો મળી છે. જેના સામે સાયબર ફ્રોડની 41 ફરિયાદો જુદા જુદા રાજ્યોમાં નોંધાઈ છે અને કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા છે. તમામ ફરિયાદો લેયર-1ની હોવાનું જાણવા મળ્યું છે. મયુર સાવલિયા અને ઓમકારે ઘણા લોકોને એકાઉન્ટ ભાડે લેવા માટે કામે લગાડ્યા હતા. હવે તે દિશામાં તપાસ ચાલી રહી છે. જેમાં ઘણી વિગતો સામે આવશે. ઝડપાયેલા આરોપીઓ
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા બે દિવસમાં જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને બે નગરપાલિકાની કુલ 179 બેઠકો માટે 580 દાવેદારોએ ટિકિટ માંગી છે. ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો પસંદ કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બુધવાર અને ગુરુવારે મોરબી, માળિયા, વાંકાનેર, ટંકારા અને હળવદ એમ પાંચ તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે સેન્સ લેવાઈ હતી. આ ઉપરાંત, વાંકાનેર અને ટંકારા નગરપાલિકાની બેઠકો માટે પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતેથી પ્રાપ્ત વિગતો અનુસાર, માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 47 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે 31 દાવેદારો છે. વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 83 અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 44 દાવેદારોએ ટિકિટ માંગી છે. વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે 98 દાવેદારો નોંધાયા છે. ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 40 અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે 11 દાવેદારો છે. ટંકારા નગરપાલિકાની 28 બેઠકો માટે 35 દાવેદારોએ દાવેદારી કરી છે. મોરબી તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 55 અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે 28 દાવેદારો છે. હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 71 અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 37 આગેવાનોએ ટિકિટ માટે અરજી કરી છે. શુક્રવારે મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો અને માળિયા મીયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની કુલ 255 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.
ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન 'પીક' પર રહેશે
IMD Weather Alert: જો તમને લાગતું હતું કે માર્ચની વિદાય સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે, તો તમારી ચૂક છે, કુદરતે એપ્રિલ માટે કંઈક અલગ જ પ્લાન બનાવી રાખ્યો છે. ઉત્તર ભારત ફરી એકવાર હવામાનના મોટા અને પડકારજનક ફેરફાર માટે તૈયાર થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપવા જઈ રહ્યું છે, જે 3 થી 5 એપ્રિલ 2026 વચ્ચે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, બરફવર્ષા અને કરા લાવશે. 3 થી 5 એપ્રિલની વચ્ચે હવામાન 'પીક' પર રહેશે ચાલુ સપ્તાહથી જ હવામાનનો મિજાજ બદલાવાનું શરૂ થઈ જશે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે બીજા દિવસે પણ ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જ્યાં નિરીક્ષકો સમક્ષ વધુ 12 વોર્ડના કાર્યકરોએ ટિકિટ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. ગત દિવસની સરખામણીએ આજે કાર્યકરોનો ઉત્સાહ અને ભીડ વધુ જોવા મળી હતી, જેના કારણે ભાજપના મોવડી મંડળમાં પણ આશ્ચર્યની લાગણી જોવા મળી છે. વોર્ડ નંબર-20 બન્યો આકર્ષણનું કેન્દ્રબીજા દિવસની સેન્સ પ્રક્રિયામાં સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 20 (ખટોદરા-મજુરા-સગરામપુરા) ની રહી હતી. આ વિસ્તાર નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો મતવિસ્તાર હોવાથી અહીં ટિકિટ મેળવવા માટે જાણે હોડ જામી હોય તેમ રેકોર્ડબ્રેક 104 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. મજુરા વિધાનસભા હેઠળ આવતા આ વોર્ડમાં એક બેઠક દીઠ અનેક સક્ષમ કાર્યકરો મેદાનમાં આવતા સંગઠન માટે પસંદગી કરવી હવે એક મોટો પડકાર બની રહેશે. બે દિવસમાં 1580 ફોર્મ ભરાયાઆંકડાકીય વિગતો પર નજર કરીએ તો, બે દિવસની પ્રક્રિયામાં કુલ 30 વોર્ડ પૈકી 24 વોર્ડ માટે 1580 જેટલા દાવેદારોએ પોતાનું ફોર્મ સબમિટ કર્યું છે. બીજા દિવસે જે 12 વોર્ડની સેન્સ લેવાઈ તેમાં કુલ 778 કાર્યકરોએ ઈચ્છા વ્યક્ત કરી હતી. ખાસ કરીને વેસુ, ભટાર અને ઉધના જેવા વિસ્તારોમાં દાવેદારોની સંખ્યા 80 થી વધુ નોંધાઈ છે, જે સૂચવે છે કે શહેરી વિસ્તારોમાં ભાજપની ટિકિટ મેળવવા માટે સખત સ્પર્ધા છે. ત્રણ-ત્રણ નામોની પેનલ તૈયાર થશેદાવેદારીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગામી તબક્કો શોર્ટલિસ્ટિંગનો રહેશે. શુક્રવારે બાકીના 6 વોર્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બપોરે 12 વાગ્યે ભાજપ કાર્યાલય ખાતે હાઈપ્રોફાઈલ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં શહેર પ્રમુખ, નિરીક્ષકો, ધારાસભ્યો અને સાંસદો સાથે મળીને દરેક બેઠક માટે લાયક ઉમેદવારોના નામ પર મંથન કરશે અને આખરે દરેક વોર્ડ દીઠ ત્રણ સભ્યોની પેનલ તૈયાર કરવામાં આવશે. આખરી મહોર પ્રદેશ કક્ષાએ લાગશેઆગામી દિવસોમાં આ પેનલ પ્રદેશ સ્તરે મોકલવામાં આવશે, જ્યાં આખરી મહોર મારવામાં આવશે. 1500થી વધુ દાવેદારો હોવાથી અનેક જૂના જોગીઓના પત્તા કપાય એવી પણ શક્યતા સેવાઈ રહી છે, જ્યારે નવા અને યુવા ચહેરાઓને તક આપવાની ભાજપની રણનીતિ આ વખતે પણ જોવા મળી શકે છે. હાલમાં તો સુરતના રાજકારણમાં કયા કાર્યકરનું નસીબ ખુલશે અને કોને 'નો-રિપીટ થિયરી'નો સામનો કરવો પડશે તે અંગે અટકળો તેજ બની છે.
સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આજે એક એવી ઘટના બની જેણે સ્થાનિકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. માતૃ શક્તિ સોસાયટીમાં રમી રહેલા બે માસૂમ બાળકો અચાનક રૂમમાં કેદ થઈ ગયા હતા. અડધા કલાક સુધી ચાલેલી આ ખેંચતાણ બાદ ફાયર બ્રિગેડે બાળકોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. માતા ઘરકામમાં હતા અને દરવાજો 'વિલન' બન્યોમળતી માહિતી પ્રમાણે, પુણાગામની માતૃ શક્તિ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ઝાલાવડિયાના ઘરે આજે રોજિંદી ચહલપહલ હતી. પત્ની મીરાબેન રસોડામાં ઘરકામ કરી રહ્યા હતા, ત્યારે તેમના બે વર્ષના જોડકાં બાળકો દેવ અને દેવિકા બાજુના રૂમમાં રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પવનના ઝપાટા કે બાળકોના રમતા-રમતા હાથ અડકી જવાથી રૂમનો દરવાજો જોરથી બંધ થઈ ગયો અને લોક થઈ ગયો હતો. માસૂમોની રડારોડથી સોસાયટીમાં દોડધામ મચીદરવાજો લોક થઈ જતાં અંદર ફસાયેલા બંને બાળકો ગભરાઈ ગયા હતા અને ચીસાચીસ કરીને રડવા લાગ્યા હતા. માતા મીરાબેને દરવાજો ખોલવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ સફળતા મળી નહીં. બાળકોના રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ઘરમાં હાજર સભ્યો ગભરાઈ ગયા હતા કે ક્યાંક બાળકો ગૂંગળામણનો શિકાર ન બને. ફાયર બ્રિગેડ 'દેવદૂત' બનીને પહોંચ્યુંસ્થિતિ કાબૂ બહાર જણાતા પરિવારજનોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પુણા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાની ગંભીરતા જોઈને તુરંત જ કાફલા સાથે સોસાયટીમાં પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરી સાવચેતીપૂર્વક દરવાજાનું લોક તોડ્યું હતું. જેવો દરવાજો ખુલ્યો કે તરત જ માતાએ બંને બાળકોને તેડી લીધા હતા. ‘ફાયરની ટીમને સો-સો સલામ’બાળકો સુરક્ષિત બહાર આવતા જ ઝાલાવડિયા પરિવાર અને સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈપણ પ્રકારની ઈજા કે જાનહાનિ વગર બાળકો હેમખેમ બહાર આવતા વાતાવરણ હળવું બન્યું હતું. વિપુલભાઈએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે આજે અમારા બાળકો સુરક્ષિત છે, અમે તેમનો આભાર માનીએ છીએ.
સુરત શહેર માત્ર વ્યાપારમાં જ નહીં, પણ નાગરિક ધર્મ નિભાવવામાં પણ હંમેશા અગ્રેસર રહે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષ 2026-27ના પ્રારંભે અમલમાં મૂકાયેલી 10 ટકા એડવાન્સ ટેક્સ રીબેટ યોજનાને સુરતીઓએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. 1લી એપ્રિલના રોજ એટલે કે નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ 5,883 કરદાતાઓએ કુલ 5.80 કરોડનો ટેક્સ ભરીને પાલિકાના ઇતિહાસમાં એક નવો આંક પ્રસ્થાપિત કર્યો છે. 24 કલાકમાં જ પાલિકાને 5.80 કરોડની આવક થઈ1લી એપ્રિલની સવારથી જ સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન ઓફિસના કેશ કાઉન્ટરો અને ઓનલાઇન પોર્ટલ પર કરદાતાઓની ભીડ જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર, 31મી માર્ચની મધરાતથી ઓનલાઇન સિસ્ટમ કાર્યરત થતાની સાથે જ લોકોએ ટેક્સ ભરવાનું શરૂ કરી દીધું હતું. પ્રથમ 24 કલાકમાં જ પાલિકાને 5.80 કરોડની આવક થઈ છે. 5,883 જાગૃત નાગરિકોએ રીબેટનો લાભ લીધો છે.10 ટકા રીબેટ યોજના હેઠળ સુરતીઓને પહેલા જ દિવસે કુલ 25.76 લાખની સીધી રાહત મળી છે. 4.74 કરોડની વસૂલાત ઓફલાઇન માધ્યમો દ્વારા થઈ હતી, જ્યારે બાકીની રકમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા જમા થઈ હતી. 10 ટકા રીબેટની જાહેરાત કરવામાં આવી હતીસુરત પાલિકા દર વર્ષે એડવાન્સ ટેક્સ ભરનારા નાગરિકો માટે પ્રોત્સાહક યોજના લાવે છે. આ વર્ષે પણ 10 ટકા રીબેટની જાહેરાત કરવામાં આવી હતી. મોંઘવારીના જમાનામાં મધ્યમ વર્ગ અને ઉદ્યોગપતિઓ માટે 10 ટકાની રકમ મોટી બચત સમાન છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કરદાતાનો વાર્ષિક ટેક્સ 10,000 હોય, તો તેને એડવાન્સ પેમેન્ટ પર 1,000ની સીધી બચત થાય છે. આ આર્થિક ફાયદાને કારણે લોકો છેલ્લી ઘડીની રાહ જોવાને બદલે પહેલા જ દિવસે નાણાં ભરવાનું પસંદ કરી રહ્યા છે. વેબસાઈટ પર સરળ પેમેન્ટ ગેટવેની સુવિધાને કારણે ઘરેબેઠા જ ચૂકવણીપાલિકાના આંકડા મુજબ, ઓનલાઇન માધ્યમથી ટેક્સ ભરનારની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. SMCની મોબાઈલ એપ અને વેબસાઈટ પર સરળ પેમેન્ટ ગેટવેની સુવિધાને કારણે યુવા પેઢી અને નોકરિયાત વર્ગે ઘરે બેઠા જ ટેક્સની ચુકવણી કરી હતી. તેનાથી બે ફાયદા થયા છે એક નાગરિકોને કચેરીના ધક્કા ખાવા પડ્યા નહીં અને બીજુ પાલિકાના કાઉન્ટરો પર કામનું ભારણ ઘટ્યું છે.
ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ અને કોમી સદ્દભાવ જાળવવા માટે અમલી અશાંત ધારો હાલમાં રાજ્યભરમાં ચર્ચાનો અને કાયદાકીય વિવાદનો વિષય બન્યો છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 25 માર્ચ, 2026ના રોજ વિધાનસભામાં પસાર કરાયેલા ગુજરાત બિલ અને અગાઉના 2022ના નોટિફિકેશનને લઈને કાનૂની જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પક્ષકારો અને વકીલોનું માનવું છે કે, આ નવા સુધારા સામાન્ય જનતા માટે આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ શકે તેમ છે. વર્ષ 2022માં સુરત કલેક્ટર દ્વારા અશાંત ધારાના સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેને ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દ્વારા પડકારવામાં આવ્યું છે. આ કેસની ગંભીરતાને જોતા હાઈકોર્ટે આગામી સુનાવણી 13 એપ્રિલ, 2013ના રોજ નિયત કરી છે. રેન્ટ અને લીઝ એગ્રીમેન્ટ જેવા દસ્તાવેજોને પણ અશાંત ધારાની મંજૂરી હેઠળ આવરી લેવાયાઆ બાબતે એડવોકેટ ઝફીરઅલી બદરી જણાવ્યું હતું કે, 2022ના નોટિફિકેશનમાં 'ટ્રાન્સફર' શબ્દની વ્યાખ્યા એટલી હદે વિસ્તૃત કરી દેવામાં આવી છે કે જે કાયદાના મૂળ હેતુથી વિપરીત છે. તેમાં 11 મહિનાના લીવ એન્ડ લાયસન્સ, રેન્ટ એગ્રીમેન્ટ અને લીઝ એગ્રીમેન્ટ જેવા દસ્તાવેજોને પણ અશાંત ધારાની મંજૂરી હેઠળ આવરી લેવાયા છે. વાસ્તવમાં આ દસ્તાવેજોથી મિલકતની માલિકી બદલાતી નથી, છતાં પ્રજાએ બિનજરૂરી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અરજદારો એવી અપેક્ષા રાખતા હતા કે, 25 માર્ચ, 2026ના નવા ઓર્ડિનન્સમાં સેક્શન 2(E) માં સુધારો કરીને આ જટિલતા દૂર કરવામાં આવશે, પરંતુ કમનસીબે નવા સુધારામાં પણ આ વિવાદાસ્પદ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સામાન્ય સોદાઓ પૂર્ણ થવામાં મહિનાઓ લાગી જશેસરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા સુધારા વિધેયકમાં કેટલીક એવી જોગવાઈઓ છે જેનો વકીલો વિરોધ કરી રહ્યા છે, જેમાં નવા સુધારા મુજબ, હવે મિલકતના વેચાણ કે ખરીદીના સોદામાં કોઈપણ ત્રાહિત પક્ષકાર વાંધો ઉઠાવી શકશે. એડવોકેટ નીરવ દૂધવાલા આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહે છે કે, આ જોગવાઈ ભ્રષ્ટાચારને મોકળું મેદાન આપશે. કોઈપણ વ્યક્તિ ઈર્ષ્યા કે અંગત અદાવત રાખીને જેન્યુઈન સોદામાં અડચણ ઉભી કરી શકશે. જેના કારણે સામાન્ય સોદાઓ પૂર્ણ થવામાં મહિનાઓ લાગી જશે. સરકારનું આટલું કડક નિયંત્રણ વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ સમાનકાયદાકીય નિષ્ણાતોના મતે આ જટિલ પ્રક્રિયાને કારણે સાચા રોકાણકારો અશાંત ધારા હેઠળ આવતી મિલકતો ખરીદવાનું ટાળશે. એટલું જ નહીં, જે મિલકતો પર ક્લિયરન્સ મેળવવું મુશ્કેલ હોય ત્યાં બેંકો પણ લોન આપવામાં ખચકાશે, જેની સીધી અસર રિયલ એસ્ટેટ માર્કેટ પર પડશે. ભારતીય બંધારણ મુજબ દરેક નાગરિકને પોતાની મિલકતની ખરીદ-વેચાણની સ્વતંત્રતા છે. વકીલોની દલીલ છે કે, અશાંત ધારાના નામે વ્યક્તિ કોને મિલકત વેચે છે, તેના પર સરકારનું આટલું કડક નિયંત્રણ વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ સમાન છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનમાં અરજદાર ભરતભાઈ વાલજીભાઈ ખૂંટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને ડેપ્યુટી કલેક્ટર રાજકોટ દ્વારા જે હુકમો કરાયા છે તે અશાંત ધારાની કલમ 5(3)(b) ની વિરુદ્ધમાં છે. કોર્ટે નોંધ્યું છે કે મિલકત ટ્રાન્સફર વખતે બે બાબતો મુખ્ય છે જો આ બંને શરતો સંતોષાતી હોય તો મંજૂરી આપવી જોઈએ, પરંતુ તંત્ર દ્વારા ઘણીવાર આ બાબતોને અવગણીને ખોટા આધારો પર અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. નામદાર હાઈકોર્ટે આવા કિસ્સાઓમાં કલેક્ટર કચેરીને ફરીથી સુનાવણી કરવા અને 15 જાન્યુઆરી 2025 સુધીમાં યોગ્ય નિર્ણય લેવા અગાઉ આદેશો પણ કર્યા છે.
વેરાવળમાં હનુમાન જયંતિએ શોભાયાત્રા નીકળી:હિન્દુ યુવા સંગઠન સહિત અનેક સંસ્થાઓ જોડાઈ
વેરાવળ શહેરમાં સંવત ૨૦૮૨ ચૈત્ર સુદ પૂનમ, ગુરુવાર, તા. ૨-૦૪-૨૦૨૬ ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા હિન્દુ યુવા સંગઠન, જાગૃત હનુમાન મંદિર, શિક્ષબંધુ સત્સંગ મંડળ, ત્રિકમરાયજી મંદિર, અખંડ હરિનામ સંકીર્તન મંદિર પ્રેમ પરિવાર ભાલકા અને બાપા સીતારામ ધુન મંડળના ઉપક્રમે યોજાઈ હતી. આ વિશાળ શોભાયાત્રામાં હિન્દુ યુવા સંગઠન સહિત વિવિધ ધાર્મિક સંસ્થાઓ, ધૂન મંડળના સ્વયંસેવકો, ભાઈઓ, બહેનો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહેરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રા દરમિયાન ભગવા રંગના દેશભક્તિ અને ધાર્મિક ગીતોની ધૂન પર વેરાવળવાસીઓ મન મૂકીને નાચતા જોવા મળ્યા હતા. વાતાવરણને ભક્તિમય બનાવવા માટે શ્રીનાથજી, આદિનાથ અને વીર હનુમાનની પ્રતિમાની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હિન્દુ યુવા સંગઠનના જતીન બાપુ સહિતની ટીમ, સાગર પુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ દામજીભાઈ ભેસલા, તુલસીભાઈ ગોહેલ, નરેશભાઈ ગોહેલ, કનૈયાભાઈ, વેરાવળ સિટી પીઆઈ ગઢવી સાહેબ, પ્રજાપતિ સાહેબ, એસઓજી ડી સ્ટાફ સહિતના મુખ્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેપારી સંગઠનના મુકેશભાઈ ચોલેરા, દિનેશભાઈ રાયઠઠા, કેવિન કાનાબાર અને વેરાવળ શહેર ભાજપના તમામ મુખ્ય હોદ્દેદારો પણ જોડાયા હતા. દુઃખભંજન હનુમાન મંદિરથી પ્રારંભ થયેલી આ યાત્રા એસ.ટી. રોડ, ટાવર ચોક, કાશી વિશ્વનાથ મંદિર અને બજરંગ સોસાયટી સહિતના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણ અને ઠંડા પીણાંના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી IPL 2026ની ડે-નાઈટ મેચને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા. 4, 17, 20, 26 અને 30 એપ્રિલ તેમજ 3 અને 12 માર્ચના રોજ યોજાનારી મેચો દરમિયાન મુસાફરોની સુવિધા માટે મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રે 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સામાન્ય દિવસોમાં અમદાવાદ મેટ્રો રાત્રે 10 વાગ્યા સુધી અને ગાંધીનગર કોરિડોરમાં રાત્રે 7:40 વાગ્યા સુધી ચાલે છે. મેચના દિવસોમાં સ્પેશિયલ ટ્રેનનું શિડ્યૂલ મોટેરા સ્ટેડિયમથી APMCરાત્રિના 10 થી 12:30 વાગ્યા સુધી ઓલ્ડ હાઈકોર્ટથી વસ્ત્રાલ ગામ/થલતેજ ગામરાત્રિના 10 થી 12:30 વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર મહાત્મા મંદિરરાત્રિના 11:40 થી 12:10 વાગ્યા સુધી મેચના દિવસોમાં સ્પેશિયલ પેપર ટિકિટ અગાઉથી સ્પેશિયલ પેપર ટિકિટ ખરીદી શકશોમોટેરા સ્ટેડિયમ પર પરત ફરતી વખતે લાંબી લાઈનોથી બચવા માટે મુસાફરો આ સ્પેશિયલ પેપર ટિકિટ દિવસ દરમિયાન જ અગાઉથી ખરીદી શકશે. આ ટિકિટો મોટેરા, સાબરમતી, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ અને મહાત્મા મંદિર સહિતના મુખ્ય મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યા પછી મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ ટ્રેનમાં પ્રવેશ મેળવી શકશે.
અમદાવાદના મેઘાણીનગર પોલીસ મથકે વર્ષ 2024 માં હાટકેશ્વરમાં રહેતા 34 વર્ષીય આરોપી ધવલ મકવાણા સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલત ચાલી જતા જજ એ.બી. ભટ્ટે સરકારી વકીલ કે.જી.જૈનની દલીલો, પુરાવા અને સાહેદો તપાસીને આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને કુલ 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સગીરાનો મોબાઈલ સ્કૂલના પ્રિન્સિપાલે જમા લઈ લીધો હતોકેસને વિગતે જોતા સગીરાની ઉંમર 17 વર્ષની અને 7 મહિનાની હતી. તેનો મોબાઈલ શાળાના પ્રિન્સિપાલે જમા લીધો હતો. તે ટ્યુશન ક્લાસમાં પણ જતી હતી. જ્યારે તે ટ્યુશનેથી પરત ફરતી હતી, ત્યારે તેને અજાણ્યા એવા આરોપી ધવલ મકવાણા પાસે પોતાની મિત્ર સાથે વાત કરવાની ફોનની માંગણી કરી હતી. જેમાં આરોપી બંનેની વાતો સાંભળી ગયો હતો. આરોપી ફોસલાવીને તેને રિક્ષામાં લઈ ગયોઆરોપીએ સગીરાને કહ્યું હતું કે, તે શાળાના પ્રિન્સિપાલ પાસેથી તેને મોબાઇલ ફોન પરત અપાવી આપશે. એક વખત સગીરા ટ્યુશને ગઈ ત્યાંથી પરત ફરી નહોતી અને થોડા દિવસો બાદ અસારવામાંથી મળી આવી હતી. જેને જણાવ્યું હતું કે, આરોપી ધવલ તેને રીક્ષામાં બેસાડીને હાટકેશ્વર લઈ ગયો હતો. બહેનના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યુંજ્યાં તેના કાકાના મકાન ધાબા ઉપર અને ત્યારબાદ આરોપીની બહેનના ઘરે લઈ ગયો હતો, જ્યાં પણ મકાનના ધાબા પર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે આરોપીને સજા આપવાની સાથે સરકારને 4 લાખ રૂપિયા સગીરાને વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
વડોદરાના સિવિલ એન્જિનિયર ફૈઝલ દુધવાલાનો એક વિચાર આજે વિશ્વવ્યાપી ચલણી નોટનો સંગ્રહમાં પરિવર્તિત કર્યો છે. તેમણે વિશ્વના 82 દેશોની '1'ની નોટોનો વિશિષ્ટ સંગ્રહ તૈયાર કર્યો છે, જેમાં એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા તેમજ ઓસેનિયા ખંડના દેશોનો સમાવેશ થાય છે. પિતાના સંગ્રહને જોઈને તેમની રુચિ વધીઆ સંગ્રહમાં એવા દેશોની નોટો પણ સામેલ છે જે હવે અસ્તિત્વમાં નથી અથવા વિલીન થઈ ગયા છે. નાની ઉંમરથી જ સિક્કા, ચલણી નાણાં અને પ્રાચીન વસ્તુઓના સંગ્રહનો શોખ તેમને તેમના પિતા પાસેથી મળ્યો હતો. કોરોના મહામારી દરમિયાન વડોદરામાં લોકડાઉન હતું ત્યારે તેમણે આ શોખને અપનાવ્યો અને તેને નોટને સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. પિતાના સંગ્રહને જોઈને તેમની રુચિ વધી અને વિદેશમાં રહેતા મિત્રોની મદદથી તેમણે આ અનોખી '1'ની નોટોની કલેક્શન શરૂ કરી હતી. ઊંચા ફુગાવા અથવા કડક ચલણી નિયમોવાળા દેશોમાં તે દુર્લભ બની ગઈફૈઝલ માટે '1'નો આંકડો ખૂબ જ પ્રતીકાત્મક છે, કારણ કે તે દરેક મહત્વપૂર્ણ વસ્તુની શરૂઆતને દર્શાવે છે. તેમણે જણાવ્યું કે, વૈશ્વિક ફુગાવા અને ડિજિટલ પેમેન્ટ્સના વધતા વપરાશને કારણે '1'ની નોટો ધીરે-ધીરે વિશ્વભરમાં અસ્તિત્વમાંથી લુપ્ત થઈ રહી છે. નેપાળ, જાપાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોએ આવી નોટોને પહેલેથી જ બંધ કરી દીધી છે, જ્યારે ઊંચા ફુગાવા અથવા કડક ચલણી નિયમોવાળા દેશોમાં તે દુર્લભ બની ગઈ છે. આ કારણે તેમના સંગ્રહનું મૂલ્ય વધુ વધી ગયું છે. તેમના સંગ્રહની વિશેષતા એ છે કે, તેમાં કતારની ફિફા વર્લ્ડ કપ સ્મારક નોટ, સાઉદી અરેબિયાની G-20 સમિટ નોટ અને ફિજીની અનોખી 7 ડોલરની નોટ જેવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ નોટો સામેલ છે. ફૈઝલ દુધવાલા કોન્સર્ટ ફોટોગ્રાફીનો શોખ ધરાવે છેફૈઝલે ઉમેર્યું હતું કે, સૌથી નાની ચલણી નોટ પણ એક દેશના આર્થિક પાયા અને તેના લોકોના જીવનને પ્રતિબિંબિત કરે છે. હવે તેઓ આ સંગ્રહને પ્રદર્શિત કરીને નાગરિકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપવા માંગે છે કે, નાનામાં નાની વસ્તુ પણ ઐતિહાસિક અને પ્રતીકાત્મક મહત્વ ધરાવી શકે છે. સંગ્રહ ઉપરાંત, ફૈઝલ દુધવાલા કોન્સર્ટ ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે અને સરકારી વિભાગોમાં ખાનગી કન્સલ્ટન્ટ તરીકે પણ સેવાઓ આપે છે.
જામનગરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી:બાલા હનુમાન મંદિરમાં મહાઆરતી, 62 વર્ષથી અખંડ રામધૂન
જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સવારથી જ હજારો ભક્તો હનુમાનજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. સાંજે 7:30 વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું હતું. મહાઆરતી દરમિયાન 'શ્રીરામ જય રામ જય જય રામ'ની અખંડ રામધૂન બોલાવવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મંદિર પરિસરમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને મંદિરના ગેટ બહાર સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. બાલા હનુમાન મંદિરની એક વિશેષતા એ છે કે અહીં છેલ્લા 62 વર્ષથી અખંડ રામધૂન અવિરત ચાલી રહી છે. હનુમાન જયંતિના પવિત્ર દિવસે આ રામધૂન વધુ ભાવપૂર્વક ગુંજી ઉઠી હતી. મહાઆરતી સંપન્ન થયા બાદ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો, અને સવારથી સાંજ સુધી ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો.
બનાસકાંઠા ખાણ-ખનિજ વિભાગે 201 કરોડની આવક મેળવી:ગુજરાતમાં પ્રથમ ક્રમાંક સાથે નવો વિક્રમ સ્થાપ્યો
બનાસકાંઠા જિલ્લાના ખાણ અને ખનિજ વિભાગે વર્ષ 2025-26 દરમિયાન મહેસૂલી આવક અને બિનઅધિકૃત ખનન સામેની કાર્યવાહીમાં રાજ્યભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે. વિભાગે સરકાર દ્વારા નિર્ધારિત ₹164 કરોડના સુધારેલા લક્ષ્યાંક સામે ₹201 કરોડથી વધુની આવક મેળવી છે. આમ, લક્ષ્યાંક સામે 122% જેટલી નોંધપાત્ર કામગીરી કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 164 કરોડના લક્ષ્યાંક સામે 201 કરોડથી વધુની આવકનોંધનીય છે કે, ગત વર્ષે પ્રથમવાર ₹100 કરોડનો આંકડો પાર કર્યા બાદ, આ વર્ષે ₹200 કરોડથી વધુની આવક કરીને વિભાગે પોતાના જ જૂના રેકોર્ડ તોડીને નવી ઊંચાઈ સર કરી છે. આ સિદ્ધિ પાછળ સુવ્યવસ્થિત આયોજન જવાબદાર છે. શરૂઆતમાં ₹132 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે જાન્યુઆરી 2026માં જ પૂર્ણ કરી લેવાયો હતો. ત્યારબાદ, જિલ્લા કલેક્ટર મિહીર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ નવો લક્ષ્યાંક ₹164 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીત સિંહ સારસ્વાની પ્રસંશનીય કામગીરીમહેસૂલી વસૂલાતની સાથે-સાથે બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કેસોમાં પણ વિભાગે કડક હાથે કામગીરી હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત ₹22.5 કરોડની દંડકીય વસૂલાત કરવામાં આવી છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીત સિંહ સારસ્વાનું ઓગસ્ટ માસમાં કલેક્ટર દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. સઘન ચેકિંગ અને પારદર્શક વહીવટના પરિણામે વિક્રમજનક આવકભૂસ્તરશાસ્ત્રી અને તેમની ટીમ દ્વારા સઘન ચેકિંગ અને પારદર્શક વહીવટના પરિણામે ₹201 કરોડ જેવી વિક્રમજનક આવક ઊભી કરવામાં સફળતા મળી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ખનિજ ચોરી કરતા તત્વોમાં કડક સંદેશ પહોંચાડવાનો અને કાયદેસર વ્યવસાય કરતા લોકોમાં હકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો છે. આગામી સમયમાં પણ બિનઅધિકૃત ખનન રોકવા માટેની આ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવાની નેમ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદના ભાટ ગામમાં હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે આધ્યાત્મિકતાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય સંગીતમય સુંદરકાંડ મહાપાઠમાં હજારોની સંખ્યામાં ઉમટેલા ભક્તોએ રામભક્ત હનુમાનજીની ભક્તિમાં લીન થઈ એક અવિસ્મરણીય સાંજ વિતાવી હતી. ધવલકુમારના કંઠે ગુંજ્યો સુંદરકાંડનો નાદશહેરના રાધે ફાર્મ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ રામ કથાવાચક અને સુંદરકાંડ સાધક ધવલકુમારના મુખારવિંદથી સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું હતું. સંગીતમય સૂરો સાથે જ્યારે સુંદરકાંડના પાઠ શરૂ થયા ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે માત્ર અમદાવાદ કે ગાંધીનગર જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી અંદાજે 15,000થી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા. જય શ્રી રામ અને જય હનુમાનના ગગનભેદી નાદથી આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું. ગૌપૂજન અને સકારાત્મક ઊર્જાનો સંદેશકાર્યક્રમની શરૂઆત ખૂબ જ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવી હતી. સૌથી પહેલા ગૌમાતાની પૂજા કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે ધવલકુમારે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, આજના આધુનિક અને દોડધામભર્યા યુગમાં સુંદરકાંડનો પાઠ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જા મેળવવાનું એક સશક્ત માધ્યમ છે. તેમણે દરેક હિન્દુ પરિવારને વિનંતી કરી હતી કે તેઓ પોતાના સંતાનો સાથે ધર્મ અને શાસ્ત્રો વિશે નિયમિત ચર્ચા કરે અને તેનું અધ્યયન કરે. નિઃશુલ્ક પ્રવેશ અને મહાપ્રસાદનું આયોજનમાનસ સત્સંગ ટ્રસ્ટના આયોજકોએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકો આ ધાર્મિક મહોત્સવનો લાભ લઈ શકે તે માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. વ્યવસ્થાપકો દ્વારા ભક્તોની સગવડનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ 15,000 ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ભવ્ય આયોજને ભક્તોમાં એક નવી ચેતના અને આસ્થાનો સંચાર કર્યો હતો.
રાજ્યના પાટનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં શ્રમિકની હત્યાના મામલે આખરે સાત મહિના બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં લેબર કોલોનીમાં થયેલા હિંસક હુમલા બાદ ઉત્તર પ્રદેશમાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત થયુ. જેને લઈ સ્થાનિક પોલીસે ઝીરો FIRના આધારે ચાર શખ્સ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. જે મામલે ટેક્નિકલ તપાસના અંતે ડભોડા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 4 શખ્સે ક્રુરતાપૂર્વક માર માર્યો હતોપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત 10 ઓગસ્ટ, 2025ની રાત્રે ગિફ્ટ સિટી નજીકની શિવાલિક લેન્ડમાર્ક પાસેની લેબર કોલોનીમાં ગયાદીન ઉર્ફે ડાલા રાજકુમાર નામના શ્રમિક પર કોઈ કારણસર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. રાજેશ રામબાબુ, રમેશ વિશ્વનાથ, રાહુલ રમેશ અને મહેન્દ્ર તેજવલી નામના શખ્સોએ તેને બેરહેમીથી માર માર્યો હતો.જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા ગયાદીને પોતાના પરિવારનો સંપર્ક કર્યો હતો. બાદમાં તે ઇજાગ્રસ્ત હાલતમાં વતન જતો રહ્યો હતી. આ હુમલાના ત્રણ દિવસ ગયાદીનનું બાંદ્રા મેડિકલ કોલેજ - હોસ્પિટલમાં 16 ઓગસ્ટના રોજ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકની પત્ની ગુડીયાએ ઉત્તર પ્રદેશમાં સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ કરી હતી. ઘટનાના સાત મહિના બાદ ગુનો દાખલબાદમાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ઉત્તર પ્રદેશ પોલીસે આ ફરિયાદને ઝીરો એફઆઈઆર તરીકે નોંધી અમદાવાદ અને ગાંધીનગર પોલીસને મોકલી આપી હતી. જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા તપાસ સોંપાતા અંતે ડભોડા પોલીસે ઘટનાસ્થળનું વેરિફિકેશન કરી સમગ્ર મામલે સાત મહિને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

26 C