SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

‘સામાન્ય ઓપરેશનનું કહી કોન્સરનું કરી નાખ્યું’, માતા-દીકરી રડી પડ્યાં:કહ્યું-મેં મારી દીકરીને ભણતી ઉઠાવી લીધી; 4 લાખ પડાવનાર શિવ હોસ્પિટલમાં ગયા તો અમારા પર દાવો કરવાનું કહ્યું

રાજકોટમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં એક ડોક્ટરની કથિત ભૂલ અને આર્થિક શોષણના કારણે એક હસતો-રમતો પરિવાર પાયમાલ થઈ ગયો હોવાનો આરોપ લગાવાયો છે. મહાપૂજા ધામ પાસે આવેલી શિવ હોસ્પિટલના ડો. કામિલ રાજપારી સામે ગંભીર આક્ષેપો કરતા પીડિત પરિવારે મીડિયા સમક્ષ પોતાની આપવીતી રડતા રડતા જણાવી હતી. આ મામલામાં સૌથી કરુણ બાબત એ છે કે, જે દીકરી ડોક્ટર બનવાનું સપનું જોતી હતી, તેણે આજે પોતાના પિતાની હાલત જોઈને ભણતર છોડવું પડ્યું છે. બીજી તરફ પતિની ખરાબ હાલતને પગલે પરિવારનું ગુજરાન ચલાવવા પત્નીને રાતે પણ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરવાની ફરજ પડી છે. આ ઘટના અંગે મીડિયા સાથેની વાતચીતમાં ડોક્ટરે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ઊલટું વ્હોટ્સએપમાં તેમને ધમકી આપ્યાનો વળતો આરોપ લગાવીને તેનો સ્ક્રીનશોટ પણ જાહેર કર્યો છે. દીકરીએ વીડિયો બનાવી ન્યાયની માગ કરીરાજકોટમાં રહેતા જીતુભાઇ સોલંકી નામના દર્દીની ધો. 9માં અભ્યાસ કરતી પુત્રીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ કરતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે. દીકરીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ન્યાયની માગ કરી છે. તેમજ આક્ષેપ કર્યો છે કે, મારા પિતાની હાલત અતિશય ખરાબ છે અને તેના માટે શિવ હોસ્પિટલનાં ડોક્ટરની ભૂલ જવાબદાર છે. જ્યારે અમે ડોક્ટર પાસે જવાબ માંગવા જઈએ છીએ, ત્યારે તેઓ ભૂલ સ્વીકારવાને બદલે અમને ધમકાવે છે. મેં મારું ભણતર છોડી દીધું છે, કારણ કે અમારી પાસે ફી ભરવાના પણ પૈસા નથી. ઓપરેશનનો ખર્ચ રૂ. 50 હજાર કહી, 4 લાખ પડાવી લીધાઃ પાયલબેનત્યારબાદ દર્દીના પત્ની પાયલબેન સોલંકીએ મીડિયા સમક્ષ આવીને પોતાની વ્યથા વર્ણવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આશરે એક વર્ષ પહેલા દર્દીને મોઢામાં ચાંદી હોવાનું કહીને શિવ હોસ્પિટલમાં તપાસ કરાવવામાં આવી હતી. ત્યાં ડો. કામિલે તપાસ બાદ સામાન્ય ઓપરેશન હોવાનું કહીને અંદર લઈ જઈને કેન્સરનું ઓપરેશન કરી નાખ્યું હતું. તેણીએ આક્ષેપ કર્યો છે કે, શરૂઆતમાં ઓપરેશનનો ખર્ચ માત્ર રૂ.50,000 જણાવવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન અને ત્યારબાદ ટુકડે-ટુકડે કુલ રૂ. 4,00,000 પડાવી લેવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ પતિની હાલત સુધરવાને બદલે વધુ લથડી હતી. ‘ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું, સિક્યુરિટી ગાર્ડની નોકરી કરવી પડે છે’પાયલબેન સોલંકીએ ભારે હૈયે જણાવ્યું કે, આ ડોક્ટરે અમને વિશ્વાસ આપ્યો હતો કે ઓપરેશન બાદ બધું ઠીક થઈ જશે, પરંતુ આજે મારા પતિની સ્થિતિ એવી છે કે તેઓ બોલી કે ચાલી પણ શકતા નથી. અમારું ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે, જેના કારણે મારે લોકોના ઘરકામ અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરવી પડે છે. એટલુ જ નહીં મારી દીકરીને ભણવાનું પણ છોડી દેવાની ફરજ પડી છે. ડોક્ટર પાસે જઈએ તો સરખો જવાબ આપતા નથી અને કહે છે કે, હવે હોસ્પિટલમાં આવશો તો તમારી સામે દાવો કરી દઈશ. અમારે કોઈ રૂપિયા પરત જોઈતા નથી. માત્ર મારા પતિની યોગ્ય સારવાર કરીને તેઓને સ્વસ્થ કરી દેવામાં આવે તેવી અમારી માગ છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકામાં પણ લેખિત ફરિયાદ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર નિરાકરણ લાવવામાં આવ્યું નથી. માતાને રાત-દિવસ કામ કરવું પડે, પિતાને જોઈ જીવ બળે છેઃ દીકરી જીતુભાઈની પુત્રીએ પણ મીડિયા સામે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, મારા પિતાની સ્થિતિ જોઈ શકાતી નથી. બીજીતરફ મારી માતાને પણ ઘર ચલાવવા રાત-દિવસ કામ કરવું પડે છે, જે જોઈને મારો જીવ બળી ગયો હતો. આ કારણે મેં સોશિયલ મીડિયા દ્વારા PM-CM પાસે ન્યાય માટે ગુહાર લગાવી છે. મારા પિતાનાં ઓપરેશન માટે લાખો રૂપિયા લીધા છતાં શિવ હોસ્પિટલનાં ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર કરવામાં નહીં આવતા અમારો પરિવાર પરેશાન થઈ ચૂક્યો છે. ત્યારે આ બાબતે મારા પિતાની યોગ્ય સારવાર કરી આપવામાં આવે તેટલી જ અમારી માગ છે. બેન પિક્ચરમાં હતાં જ નહિ, તમામ આક્ષેપો પાયાવિહોણાઃ ડો. કામિલબીજી તરફ, આ વિવાદ મામલે ડો. કામિલ રાજપારીએ પોતાનો પક્ષ રાખતા તમામ આરોપોને ફગાવી દીધા છે. ડોક્ટરે દાવો કર્યો છે કે, દર્દીને ચોથા સ્ટેજનું (Stage 4) કેન્સર હતું, જે અત્યંત ગંભીર સ્થિતિ ગણાય છે. જોકે પોતે તેમની સર્જરી સંપૂર્ણપણે પ્રોટોકોલ મુજબ અને યોગ્ય રીતે કરવામાં આવી છે. પરિવાર દ્વારા 4,00,000 રૂપિયાનો જે આક્ષેપ છે તે પણ ખોટો છે. હોસ્પિટલ દ્વારા બિલ પેટે માત્ર 2,47,000 રૂપિયા જ લેવામાં આવ્યા છે, જેના પુરાવા અને બાયોપ્સી રિપોર્ટ પણ તેમણે જાહેર કર્યો હતો. ‘ડોક્ટરે પરિવારનો સ્ક્રીનશોટ શેર કર્યો’વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દર્દીએ પોતે તેની પત્નીને સર્જરીની ગંભીરતા વિશે ન જણાવવા વિનંતી કરી હતી. ઉલટાનું, દર્દીના પરિવારજનો ડોક્ટરને વ્હોટ્સએપ ઉપર પોતાને ધમકીઓ આપી રહ્યા હોવાનો વળતો આક્ષેપ ડોક્ટરે કર્યો છે. એટલું જ નહીં તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો અને પીડિત પરિવારે લગાવેલા આરોપોમાં કોઈ તથ્ય નહીં હોવાનું જણાવ્યું હતું. જોકે, ડોક્ટરે માનવતાના ધોરણે એટલું ચોક્કસ કહ્યું છે કે, જો દર્દીને હજુ પણ કોઈ તકલીફ હશે, તો તેઓ સારવાર કરી આપવા તૈયાર છે. શિવ હોસ્પિટલમાં PMJAY યોજના ઉપલબ્ધ જ નથીઃ અધિકારી ઉલ્લેખનીય છે કે, આ મામલે રાજકોટ મહાપાલિકાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ દિવ્ યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શિવ હોસ્પિટલમાં PMJAY યોજના ઉપલબ્ધ જ નથી. આ માટે મનપાનો તેમાં કોઈ રોલ આવતો નથી. હાલ તો આ મામલો ભારે ચર્ચામાં છે. એક તરફ લાચાર પરિવાર છે જેણે પોતાની આજીવિકા અને દીકરીનું ભવિષ્ય ગુમાવ્યું છે, તો બીજી તરફ ડોક્ટર મેડિકલ રિપોર્ટ્સ સહિતના પુરાવાઓ સાથે પોતાને સાચા ગણાવી રહ્યા છે. ત્યારે હવે તંત્ર દ્વારા જો તટસ્થ તપાસ કરવામાં આવે તો જ સાચી હકીકત સામે આવશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 3:27 pm

શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનારા વેપારી અને બનાવનારા સામે લાલ આંખ:ફેક્ટરી ઝડપાય તો 15 દિવસ સીલ કરાશે, પ્લાસ્ટિકની થેલીઓ રાખનારા વેપારીઓ-ફેરિયાઓને દંડ ફટકારાશે

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ શાકભાજી અને ફ્રુટ બજાર સહિતની જગ્યા ઉપર પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ લાવવા માટે આદેશ કર્યો છે. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીએ શહેરમાં હવે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ રાખનાર ફેરિયાઓ-વેપારીઓની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર ફેક્ટરીમાં જો પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન થતું હશે તો 15 દિવસ માટે સીલ કરવામાં આવશે. જો 100 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાશે તો 10 દિવસ માટે સીલ કરી દેવામાં આવશે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે અમદાવાદને પ્રતિબંધિત પ્લાસ્ટીક ફ્રી સિટી કરવા શહેરમાં વિવિધ સ્થળોએ આવેલા શાકભાજી માર્કેટ તથા ફુટ માર્કેટમાં તથા અન્યત્ર ધંધો-વેપાર કરતા તમામ ફેરિયાઓ અને ધંધાર્થીઓને પ્લાસ્ટીક વેસ્ટ રૂલ્સ - 2016 અંતર્ગત 120 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટીકની થેલીઓ કે 60 ગ્રામ પર સ્કવેર મીટર(GSM)થી ઓછી જાડાઈની નોન-વુવન કેરી બેગનો વપરાશ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગેની કડક અમલવારી કરાવવા અને નિયમનો ભંગ કરતાં ફેરિયાઓ અને ધંધાર્થીઓને પ્રથમ વખતનાં ભંગનાં કિસ્સામાં રૂ. 1000, બીજી વખતનો કિસ્સામાં રૂ. 3000 અને ત્રીજી વખતનાં અને ત્યારબાદનાં કિસ્સામાં રૂ.5000ની રકમ પેનલ્ટી પેટે વસૂલ કરવામાં આવશે. આજે મળેલી કમિટીમાં અમદાવાદમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનારા ઉત્પાદકો દ્વારા જો પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવતું હશે અને આવી કોઈ ફેક્ટરી શહેરમાંથી ઝડપાય તો તેને 15 દિવસ સુધી સીલ કરવાની રહેશે. તેમ જ જો કોઈ દુકાનદાર અથવા મોટા હોલસેલ વેપારી પાસેથી 100 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાય તો દસ દિવસ સુધી દુકાન અથવા ગોડાઉન સીલ કરવાનું રહેશે અને તેમની પેનલ્ટી જે નિયમ મુજબ થતી હોય તે પ્રમાણે લેવાની રહેશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક નાગરિકો કોઈપણ ચીજ વસ્તુ લેવા જાય ત્યારે ઘરેથી કાપડની થેલી સાથે લઈને જાય તેના માટે 16 લાખથી વધુ કાપડની થેલીઓનું વિતરણ શહેરીજનોને કરવામાં આવ્યું છે બે વર્ષ પહેલાં પણ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઘરે બે કાપડની થેલીઓ આપવામાં આવી છે અને લોકો પ્લાસ્ટિકની થેલીઓનું ઉપયોગ બંધ કરે તેના માટે જાગૃતિ લાવવામાં આવે છે જોકે કેટલાક વ્યાપારીઓ દ્વારા હજી પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે આવા વેપારીઓ અને ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 3:21 pm

મોરબી આર્ટસ કોલેજમાં માતૃભાષા મહોત્સવ:20 ફેબ્રુઆરીએ ઉજવણી કરાશે

મોરબીની શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 20 ફેબ્રુઆરીના રોજ સવારે 9 કલાકે કોલેજના સેમિનાર હોલ, ભડિયાદ રોડ, મોરબી ખાતે યોજાશે. આ મહોત્સવમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહા, વડોદરા કેન્દ્રીય યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડો. રાજેશ મકવાણા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા ભવનના પ્રોફેસર ડો. જે.એમ. ચંદ્રવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તેઓ માતૃભાષાના મહત્વ અંગે પ્રેરણા આપશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસના અગ્રણી ડો. જયંતીભાઈ ભાડેશીયા હાજર રહેશે. આ ઉપરાંત, સંચાલક ડો. કવિતાબા ઝાલા અને સંયોજક ડો. રામ વારોતરીયા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 3:20 pm

મોરબીમાં 18 ફેબ્રુઆરીથી બે દિવસ 'ધ પ્યોરિટી પ્રોજેક્ટ' સાયન્સ ફેર:ખાદ્ય પદાર્થો અને કોસ્મેટિક્સનું નિ:શુલ્ક ટેસ્ટિંગ કરાશે

મોરબીમાં જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા 'ધ પ્યોરિટી પ્રોજેક્ટ: સાયન્સ ફોર સેફર લિવિંગ' અંતર્ગત એક વિશેષ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ રોજિંદા જીવનમાં વપરાતી ખાદ્ય ચીજવસ્તુઓ અને સૌંદર્ય પ્રસાધનોમાં થતી ભેળસેળ તથા હાનિકારક રસાયણો વિશે લોકોને વૈજ્ઞાનિક રીતે જાગૃત કરવાનો છે. આ સાયન્સ ફેરમાં આવનાર મુલાકાતીઓ પોતાના ઘરેથી ખાદ્ય પદાર્થો અને કોસ્મેટિક્સના નમૂના લાવી શકશે. કોલેજની નિષ્ણાત ટીમ દ્વારા સ્થળ પર જ આ નમૂનાઓનું નિ:શુલ્ક ટેસ્ટિંગ કરી આપવામાં આવશે. ટેસ્ટિંગ માટે લાવી શકાતી ખાદ્ય વસ્તુઓમાં દૂધ, ઘી, ખાદ્યતેલ, મધ, ચોખા, હિંગ, આયોડિનયુક્ત મીઠું, કોપરેલ, લીલા શાકભાજી (મેલાકાઈટ ગ્રીન તપાસ માટે), કાળા મરી, કોફી, આઈસ્ક્રીમ, તેમજ પીળા કલરની વસ્તુઓ જેવી કે મીઠાઈ, લાડુ, જલેબી, સરબત, દાળ, હળદર, ગોળ અને તૈયાર ચાનો સમાવેશ થાય છે.કોસ્મેટિક્સ અને બ્યુટી પ્રોડક્ટ્સમાં નેલ પોલિશ, કોમ્પેક્ટ પાવડર, મોઈશ્ચરાઈઝર, નેલ પોલિશ રીમુવર, લિપસ્ટિક, આઈ શેડો અને મસ્કરાના નમૂના તપાસ માટે લાવી શકાશે. આ કાર્યક્રમ 18 અને 19 ફેબ્રુઆરી, 2026 ના રોજ સવારે 7:30 થી બપોરના 12:30 વાગ્યા સુધી કન્યા છાત્રાલય કેમ્પસ, મોરબી ખાતે યોજાશે. જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ પરિવાર મોરબીની જનતાને ભેળસેળ મુક્ત ભોજન અને કેમિકલ મુક્ત જીવન માટે આ જ્ઞાનવર્ધક કાર્યક્રમનો લાભ લેવા આમંત્રણ પાઠવે છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 3:19 pm

સાબરકાંઠામાં ધો-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ:5 કેન્દ્રો પર 509 વિદ્યાર્થીઓ હાજર રહ્યા

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા સોમવારે પૂર્ણ થઈ હતી. જિલ્લાના 5 કેન્દ્રો પર યોજાયેલી પરીક્ષામાં કુલ 520 વિદ્યાર્થીઓમાંથી 509 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 11 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની આ પ્રાયોગિક પરીક્ષા 5 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, તલોદ, ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં કુલ 11 કેન્દ્રો પર પરીક્ષાનો પ્રારંભ થયો હતો. સોમવારે, પરીક્ષાના દસમા અને અંતિમ દિવસે, બે સેશનમાં પરીક્ષા લેવાઈ હતી. રસાયણ વિજ્ઞાનમાં 200માંથી 193 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 7 ગેરહાજર રહ્યા હતા. ભૌતિક વિજ્ઞાનમાં 200માંથી 200 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જીવ વિજ્ઞાનમાં 120માંથી 116 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 4 ગેરહાજર નોંધાયા હતા.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 3:17 pm

વાંસદા શાળામાંથી ₹65,000નું લેપટોપ ચોરાયું:ડુપ્લીકેટ ચાવીથી ધોરણ-7ના રૂમનું તાળું ખોલી તસ્કરો ફરાર

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી વડલી મુખ્ય પ્રાથમિક શાળામાંથી ₹65,000ની કિંમતનું સરકારી લેપટોપ ચોરાઈ ગયું છે. અજાણ્યા તસ્કરો ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને ધોરણ-7ના વર્ગખંડમાંથી લેપટોપ ચોરી ગયા હતા. આ મામલે શાળાના આચાર્યાએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વાંસદા રાણી ફળીયામાં રહેતા અને વડલી મુખ્ય પ્રાથમિક શાળામાં આચાર્યા તરીકે ફરજ બજાવતા ભારતીબેન ભીખુભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 12 ફેબ્રુઆરીના રોજ શાળા છૂટ્યા બાદ તમામ વર્ગખંડો અને મુખ્ય દરવાજાને લોક કરવામાં આવ્યા હતા. બીજા દિવસે, 13 ફેબ્રુઆરીએ સવારે શિક્ષકો શાળાએ પહોંચ્યા ત્યારે ધોરણ-7ના વર્ગ શિક્ષિકા સંગીતાકુમારી સોલંકીએ વર્ગખંડની બહારની લોખંડની ગ્રીલનો દરવાજો ખુલ્લો જોયો હતો. તપાસ કરતાં માલુમ પડ્યું કે કોઈ અજાણ્યા શખ્સે ડુપ્લીકેટ ચાવીથી ગ્રીલનું તાળું ખોલ્યું હતું. ત્યારબાદ વેન્ટિલેશનમાંથી હાથ નાખી અંદરની સ્ટોપર ખોલી રૂમમાં પ્રવેશ કર્યો હતો. વર્ગખંડમાં રાખેલા લોખંડના કબાટની તપાસ કરતાં તેમાંથી સરકાર તરફથી ફાળવવામાં આવેલ Acer કંપનીનું (મોડેલ: Acer One-14-Z2-493) લેપટોપ ગાયબ હતું. આ લેપટોપનો સીરીયલ નંબર UN431511773311CEDD0700 છે. આચાર્યા ભારતીબેને તરત જ શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અલ્કેશભાઇ પટેલને જાણ કરી હતી. શરૂઆતમાં GPS ટ્રેકિંગ દ્વારા લેપટોપ મળી આવશે તેવી આશા હતી, પરંતુ લેપટોપ ટ્રેસ ન થતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવાયો. આચાર્યા ભારતીબેન પટેલની ફરિયાદના આધારે વાંસદા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે શાળામાં અન્ય કોઈ ચીજવસ્તુની ચોરી થઈ છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 3:09 pm

સામી ચૂંટણીએ ભાજપમાં ભાંજગડ:કથિત આક્ષેપો બાદ વડોદરા શહેરના વોર્ડ નં.8ના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીનું રાજીનામું

વડોદરા શહેર ભાજપમાં સામી ચૂંટણીએ વોર્ડ 8ના ભાજપના પ્રમુખ અને મહામંત્રીએ રાજીનામું ધરી દેવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બંને સામે ચાલી રહેલા આંતરિક વિવાદના કારણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે શહેર અધ્યક્ષે આ બંને આગેવાનોએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. અંગત કારણોસર રાજીનામું આપ્યું: શહેર પ્રમુખવડોદરા મહાનગરના વોર્ડ 8ના વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ અને મહામંત્રી વિજય ચાવડાએ રાજીનામુ ધરી દીધું છે. આ અંગે ભાજપના શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, બંને આગેવાનોએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. આ બંને આગેવાનોએ પદ પરથી રાજીનામા આપ્યા છે. વિવાદમાં યોગ્ય તપાસની માંગ: વિપુલ બારોટઆ અંગે રાજીનામું આપનાર વિપુલ બારોટે જણાવ્યું હતું કે, અમે હંમેશા ભાજપના કાર્યકર છે. તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે, અમારી સામે જે આક્ષેપ થયા છે તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે. હું છેલ્લા 10 વર્ષથી કાર્યકર છું. આ જે કંઈ પણ વિવાદ ચાલી રહ્યો છે, તેમાં યોગ્ય તપાસની માગ છે. અમે હંમેશા ભાજપને વરેલા કાર્યકર છે અને રહીશું. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ સામે જમીન કરોડિયા વિસ્તારમાં સરકારી જમીન વેચવાના મામલામાં કથિત રીતે તેઓનું નામ ઉછળ્યું હતું. જોકે શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, આ મામલે કોર્પોરેશન તેની તપાસ કરી રહ્યું છે અને કસૂરવાર હશે તેની સામે પગલા ભરવામાં આવશે. જો કે આ બંને આગેવાનોએ તેમના અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. આ મામલો તેઓ સાથે જોડીને રાજીનામા આપ્યા છે તેવું નથી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 3:02 pm

જામનગરમાં ઘરેલું હિંસા અધિનિયમ પર જાગૃતિ સેમિનાર યોજાયો:મહિલાઓને કાયદાકીય અધિકારો અને સહાય અંગે માર્ગદર્શન અપાયું

જામનગરના રામેશ્વર નગરમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જ્યાં તેમને કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત કરીને અન્યાય સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) ના પ્રતિનિધિ અને કસ્ટમ્સ તથા સેન્ટ્રલ જીએસટીના પેનલ વકીલ હર્ષિદા જોશીએ ઘરેલું હિંસા અધિનિયમની વિવિધ જોગવાઈઓ, કાયદાકીય સુરક્ષા અને ઉપલબ્ધ સહાય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલાઓ માટે ન્યાયને સરળ બનાવવામાં DLSAની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી ડૉ. પૂજા ડોડીયા અને દહેજ પ્રતિબંધ અધિકારી સોનલ વર્ણાગરે પ્રશ્નોત્તરી દ્વારા સરળ ભાષામાં મહિલાઓને માર્ગદર્શન આપી, ઘરેલું હિંસા સામે કાયદાકીય રીતે મજબૂત બનવા પ્રેરણા આપી. આ ઉપરાંત, DMC બંસી ખોડિયારે વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી, જ્યારે GS હેતલ ચાવડાએ “વ્હાલી દીકરી યોજના” ના લાભાર્થીઓ સુધી પહોંચવા અંગે જાગૃતિ ફેલાવી. સખી વન સ્ટોપના સંચાલક દક્ષાબા રાઠોડે સંકટમાં રહેલી મહિલાઓ માટે વન સ્ટોપ સેન્ટર (OSC) કેવી રીતે વિશ્વસનીય આધાર બની શકે તેની ઉપયોગી માહિતી આપી હતી. ઉપસ્થિત મહિલાઓએ કચેરીની આ કામગીરી પ્રત્યે સંતોષ અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે પ્રતીકરૂપે મહિલાઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 2:59 pm

બોટાદમાં બાઈકને ટક્કર મારી હત્યાનો પ્રયાસ, CCTV:સાળંગપુર રોડ પર બાઈકને કારે અડફેટે લીધું, બાઈકસવાર પટકાઈને રોડ પર ગોથમડા ખાઈ ગયો, ચાર સામે ફરિયાદ

બોટાદ શહેરના સાળંગપુર રોડ પર જૂની અદાવતનો લોહિયાળ અંજામ જેવો બનાવ બનતાં રહી ગયો. હત્યાના ઈરાદે એક યુવક પર કાર ચઢાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે 4 શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. બાઈકને પાછળથી ટક્કર મારીને હત્યાનો પ્રયાસમાં બાઈકસવાર રોડ પર પટકાઈને ગોથમડા ખાઈ ગયો હતો. સમગ્ર ઘટના શું છે?મળતી માહિતી મુજબ, શબ્બીર નિયાતર વહેલી સવારે રનિંગ પતાવીને પોતાના બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન સાળંગપુર રોડ પર પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે એક ફોર-વ્હીલર કારના ચાલકે તેના બાઈકને અડફેટે લઈ કચડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હુમલાનું કારણ ભોગ બનનાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, આ હુમલો જૂની અદાવતને રાખીને કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ચાર શખસ સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં કોણ સામેલ પોલીસ કાર્યવાહીઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. બોટાદ પોલીસે હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 2:45 pm

67 નવયુગલો સાજણાવદર સમૂહલગ્નમાં વૈવાહિક બંધનમાં જોડાયા:સંતો, રાજકીય અને સામાજિક આગેવાનોએ આશીર્વાદ આપ્યા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાજણાવદર ગામે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 67 નવયુગલો વૈવાહિક બંધનમાં જોડાયા હતા. કાળુબાપુની પ્રેરણાથી આ સમૂહલગ્નનું આયોજન થયું હતું. ગ્રામજનો અને મહેમાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. સમૂહલગ્ન સમિતિ દ્વારા દરેક નવદંપતિને કરિયાવરમાં આશરે 100 જેટલી ઉપયોગી ઘરગથ્થુ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ ભેટનો ઉદ્દેશ્ય નવદંપતિઓને તેમના નવા જીવનની શરૂઆતમાં મદદરૂપ થવાનો હતો. આ પ્રસંગે અનેક સંતો-મહંતો તેમજ વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમના સુખી દામ્પત્ય જીવનની કામના કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ સમૂહલગ્ન જેવા આયોજનોને સામાજિક એકતા મજબૂત કરવા અને આર્થિક રીતે નબળા પરિવારોને રાહત આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સુખદ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 2:39 pm

ગોધરા-વડોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો:બાઈકની ટક્કરે આધેડનું સારવાર દરમિયાન મોત

ગોધરા-વડોદરા હાઈવે પર ખડકી ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકની ટક્કરે 50 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, રોડ ક્રોસ કરી રહેલા રયજીભાઈ શંકરભાઈ પટેલ નામના આધેડને પૂરપાટ ઝડપે આવી રહેલા બાઈક ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રયજીભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત રયજીભાઈને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. વેજલપુર પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી મૃતકના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 2:38 pm

સાંસદ ધવલ પટેલે રેલમંત્રી સાથે બેઠક કરી:ઉમરગામ-સંજાણ માટે ટ્રેન સ્ટોપેજ, નવી મેમુ ટ્રેનની માંગ

વલસાડ લોકસભાના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે નવી દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે ઉમરગામ-સંજાણ સહિત સમગ્ર ઔદ્યોગિક પટ્ટાના રેલવે વિકાસ અને મુસાફર સુવિધા સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વિસ્તારના હજારો શ્રમિકો અને દૈનિક મુસાફરોને સીધી રાહત મળે તેવી માંગણીઓ પર સકારાત્મક ચર્ચા થઈ હતી. સાંસદે ખાસ કરીને ઉમરગામ (UBR) અને સંજાણ (SJN) સ્ટેશનો પર લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા પર ભાર મૂક્યો હતો. ઉમરગામ સ્ટેશન પર ફ્લાયિંગ રાણી એક્સપ્રેસ (12921/12922), અવધ એક્સપ્રેસ (19037/19038) અને રાનકપુર એક્સપ્રેસ (14707/14708) ને સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી છે. જ્યારે સંજાણ સ્ટેશન પર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ (19217/19218) ને રોકાણ આપવા રજૂઆત કરવામાં આવી છે. સાંસદે જણાવ્યું હતું કે, વલસાડ-ઉમરગામ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ ઝડપથી વિકસી રહ્યો છે. આથી, રોજિંદા હજારો કામદારો અને વેપારીઓને મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સ્ટોપેજની સુવિધા મળવાથી સ્થાનિક ઉદ્યોગોને પણ ગતિ મળશે અને મુસાફરોને રાહત થશે. ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોને ધ્યાનમાં રાખીને ઉધના અને વિરાર વચ્ચે નવી મેમુ (MEMU) ટ્રેન શરૂ કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ ટ્રેન શરૂ થવાથી ઉમરગામ-સંજાણ પટ્ટામાં રોજ અપ-ડાઉન કરતા હજારો કામદારોને મોટી રાહત મળશે. બેઠક દરમિયાન ઉદવાડા (UVD) અને ડુંગરી (DGI) ખાતે ચાલી રહેલા અંડરપાસના કામોને વહેલી તકે પૂર્ણ કરવા તેમજ છીપવાડ, મોગરાવાડી અને ગુંદલાવ ખાતેના ઓવર બ્રિજ (ROB)ના કામોને ગતિ આપવા પણ સાંસદે રજૂઆત કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 2:34 pm

સુરેન્દ્રનગરમાં 150 ક્રશર પ્લાન્ટ બંધ, 3000 ટ્રકો થંભી:હજારોની રોજગારી છીનવાઈ; સુત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદન

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, વઢવાણ અને ચુડા તાલુકામાં આવેલા આશરે 150 ક્રશર પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. બ્લેક ટ્રેપ ક્વોરી બંધ થવાના કારણે આ પ્લાન્ટ્સ પર નિર્ભર 3000 જેટલા ટ્રકો પણ થંભી ગયા છે, જેના પરિણામે હજારો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. આ અંગે આજે ટ્રાન્સપોર્ટ સંચાલકો, ડ્રાઇવરો અને રોજમદારો દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે મામલતદારને લેખિત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ બંધના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને તેના પર નિર્ભર દૈનિક વેતન મેળવતા કામદારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ તેમની પાસે કોઈ કામધંધો ન હોવાથી તેમના પરિવારોનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તાર આર્થિક રીતે પછાત ગણાય છે. અહીંની ખેતીવાડી સૂકી ખેતી પર આધારિત છે અને નર્મદા કમાન્ડ એરિયાનો લાભ પણ મળતો નથી, જેના કારણે રોજગારીની અન્ય તકો મર્યાદિત છે. બ્લેક ટ્રેપ ક્વોરીમાં કામ કરતા રોજમદારોએ સરકારને તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ લાવવા અને તેમને ફરીથી રોજગારી પૂરી પાડવા વિનંતી કરી છે. આ અંગે સમીરભાઈએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આજથી થોડા દિવસો અગાઉ ક્વોરી ઉદ્યોગ દ્વારા સરકાર પાસે વિવિધ માંગણીઓને લઈને હડતાળ કરવામાં આવી હતી. જેનાથી અમે ડમ્પરના ડ્રાઇવરો સહિતના સ્ટાફને ખુબ મોટી તકલીફ પડી રહી છે, આમેય સાયલા પંથકમાં 5,000 જેટલા ડમ્પરો છે, એ સિવાય હિટાચી અને લોડરના ડ્રાઇવરો સહિતના સ્ટાફની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આથી સરકારને નમ્ર વિનંતી છે કે, ક્વોરી ઉદ્યોગની વિવિધ માંગણીઓનો સ્વીકાર કરે, એ અનુસંધાને આજે વિરોધ પ્રદર્શન સાથે વિશાળ રેલી યોજી મામલતદારને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 2:18 pm

વિકેટ લેતા જ કેપ્ટનનો પિત્તો ગયો ને હાથ ભાંગી નાખ્યો:અદાવત રાખીને ક્રિકેટ બેટથી હુમલો કર્યો, ભાટપોરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિકેટ સેલિબ્રેશન કરવું યુવકને ભારે પડ્યું

સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાટપોરના બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમતગમત દરમિયાન લોહીયાળ દ્રશ્યો સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. મેચ દરમિયાન વિકેટ પડતા કરવામાં આવેલા સેલિબ્રેશનથી ઉશ્કેરાઈને વિરોધી ટીમના કેપ્ટન સુનિલ યાદવે વિવેક વાળા પર ક્રિકેટ બેટથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 20 વર્ષીય વિવેકને હાથના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું છે, જેના પગલે ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાટપોરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવક પર હુમલોફરિયાદી વિવેક જગદીશભાઈ વાળા (ઉ.વ. 20), જે હાલ નાના વરાછા વિસ્તારમાં રહે છે અને મૂળ ભાવનગરના પાલીતાણાનો વતની છે, તેને ગત 12 ફેબ્રુઆરીના રોજ 'ધ અનબ્રેકેબલ યુનિટી' ટીમના કેપ્ટન સુનિલ કૃષ્ણપ્રસાદ યાદવ સાથે બોલાચાલી થઈ હતી. વિવેક તેના મિત્રની ટીમ 'સુરત યુનાઇટેડ' તરફથી રમવા માટે ભાટપોરના ગ્રાઉન્ડ નંબર 07 પર પહોંચ્યો હતો. પહેલા કેચ આઉટની ખુશી ને પછી ઝઘડોમેચ દરમિયાન સુનિલ યાદવની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી. બપોરના આશરે 12 વાગ્યાના અરસામાં વિવેક જ્યારે તેની ટીમ વતી ત્રીજી ઓવર ફેંકવા આવ્યો ત્યારે સામેની ટીમનો ખેલાડી પ્રણવ સોલંકી બેટિંગમાં હતો. વિવેકે ઓવરના બીજા બોલે પ્રણવને કીપર કેચ આઉટ કરાવતા તેની ટીમમાં ખુશીનો માહોલ છવાયો હતો. પોતાની ટીમના ખેલાડીઓ સાથે વિકેટની ઉજવણી કરી રહેલા વિવેકને જોઈ સુનિલ યાદવ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો. વિકેટ લેતા જ કેપ્ટનનો પિત્તો ગયો ને હાથ ભાંગી નાખ્યોજ્યારે વિવેકે ગાળો બોલવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા સુનિલ યાદવે હાથમાં રહેલા ક્રિકેટ બેટથી વિવેક પર હુમલો કર્યો હતો. સુનિલે સૌપ્રથમ વિવેકની પીઠના ભાગે બેટનો ફટકો માર્યો હતો. ત્યારબાદ તેણે જોરથી બેટ વિવેકના માથામાં મારવા માટે વીંઝ્યું હતું. પોતાનો બચાવ કરવા માટે વિવેકે જમણો હાથ આડો ધરતા બેટનો જોરદાર ફટકો કાંડાના ભાગે વાગ્યો હતો. આ ફટકો એટલો ગંભીર હતો કે વિવેકને કાંડાના ભાગે ગંભીર ફ્રેક્ચર થઈ ગયું હતું. યુવકને જાનથી મારી નાખવાની ધમકીહુમલા બાદ ગભરાયેલો વિવેક મેદાનની બહાર નીકળી ગયો હતો, પરંતુ સુનિલનો ગુસ્સો શાંત થયો ન હતો. તેણે વિવેકની પાછળ આવીને જાહેરમાં ધમકી આપી હતી કે, તારે જેને બોલાવવા હોય તેને બોલાવી લે, હું અહીંયા જ છું, તને તો હું છોડીશ નહીં. આ ઘટનાને પગલે મેદાન પર હાજર અન્ય ખેલાડીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મારામારી અને ધમકી આપવા બદલ ગુનો નોંધાયોસમગ્ર મામલે વિવેક વાળાએ 15 ફેબ્રુઆરીના રોજ ઈચ્છાપોર પોલીસ મથકમાં સુનિલ કૃષ્ણપ્રસાદ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે મારામારી અને ધમકી આપવા બદલ ગુનો દાખલ કર્યો છે. ક્રિકેટ જેવી જેન્ટલમેન ગેમમાં ખેલદિલી બતાવવાને બદલે હિંસા આચરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હાલ પોલીસ આરોપીની ધરપકડ કરવા માટે તજવીજ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 2:17 pm

વડોદરામાં બાઈકચાલકે ઉડાવતા 5 વર્ષના બાળકનું મોત:એકના એક દીકરાના મોતથી માતા અજાણ, આગલા દિવસે સ્કૂલના એન્યુઅલ ફંકશનમાં નાચતો-કૂદતો બાળકો બીજા દિવસે કાળનો કોળિયો બન્યો

વડોદરા શહેરના સુસેન સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલા માતા પુત્ર સહિત 3 લોકોને બાઇક પર સવાર 3 લોકોએ અડફેટે લીધા હતા. જેમાં 5 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 2 મહિલાઓને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. માતાને તો ખબર પણ નથી કે, તેનો 5 વર્ષનો દીકરો હવે આ દુનિયામાં રહ્યો નથી. માતા દીકરીને મળવા માટે જીદ લઈને બેઠી છે, પરંતુ આ મિલન હવે શક્ય નથી. આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના આગલા દિવસે ધર્વની કીડ્સ સ્કૂલમાં એન્યુઅલ ફંકશન હતુંઅકસ્માતમાં આગળના દિવસે જ 5 વર્ષના ધર્વની સ્કૂલ કિડઝીમાં એન્યુઅલ ફંકશન હતું. જેમાં ધર્વએ પાર્ટિસિપેટ કર્યું હતું. જેના વિડીયો પણ સામે આવ્યા છે. જેમાં ધર્વ ખુશખુશાલ જોવા મળે છે અને નાચતો કૂદતો જોવા મળી રહ્યો છે અને બીજા જ દિવસે તે અકસ્માતમાં મૃત્યુ પામે છે. પુત્ર ધર્વ અને માતા જુહી બંને એકલા રહેતા હતા. જેથી માતા હવે એકલી પડી ગઈ છે. જુહીના ડિવોર્સ થયા હતા. જુહીના પિતા પણ એકલા જ રહે છે, કારણકે જુહીના માતા પણ મૃત્યુ પામી છે. બાઈક પર સવાર 3 પૈકી પાછળ બેઠેલ એક શખ્સ ઈજાગ્રસ્ત થતા તને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યારબાદ તેને રજા આપવામાં આવી હતી. જ્યારે અન્ય 2 શખ્સ ઘટના સ્થળેથી જ ભાગી છૂટ્યા હતા. માતા-પુત્ર અને અન્ય એક યુવતી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતોબંને મહિલાઓ સાથે કામ કરતા યુવક રિતેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ ઘટના ગઇકાલે રવિવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી. સુસેન સર્કલ પાસે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી બે મહિલાઓ અને એક નાનું બાળક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તેઓ સામેની બાજુ આવેલા ફૂડ સ્ટોલ પર નાસ્તો કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન એક ફૂલ સ્પીડમાં આવેલી બાઇકે તેમને અડફેટે લીધા અને ત્રણેય જણા નીચે પડી ગયા હતા. અકસ્માતમાં બે મહિલાઓને ગંભીર ઇજાઓ થઈ છે. તેમના પગમાં ફ્રેક્ચર થયું છે અને પાંસળીઓ પણ તૂટી ગઈ છે. હાલ તેઓ SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૌથી દુઃખદ વાત એ છે કે, 5 વર્ષના બાળકનું આ અકસ્માતમાં મૃત્યુ થયું છે. હાલ તેનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે, બાઇક પર સવાર ત્રણ લોકોમાંથી અમે એક વ્યક્તિને પકડીને એમ્બ્યુલન્સમાં સાથે લાવ્યા હતા. તેને પણ થોડી ઇજાઓ થઈ હતી, પરંતુ સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ અમે 112 પર કોલ કરીને તેને માંજલપુર પોલીસને સોંપ્યો છે. બાકીના બે લોકો વિશે હજુ કોઈ માહિતી મળી નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજુબાજુના લોકોના જણાવ્યા મુજબ બાઇકની સ્પીડ ખૂબ જ વધારે હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે જેનાથી વધુ સ્પષ્ટતા થશે. બંને મહિલાઓ અમારી ઓફિસમાં જ કામ કરે છે. તેમના નામ જુહી શર્મા અને સૈયર અફઝલ છે. જ્યારે મૃતક બાળકનું નામ ધર્વ હતું. ધર્વની માતા જીદ કરે છે કે મને મારા બાળકને બતાવો- રાજેશભાઈમૃતક બાળકના નાના રાજેશભાઈ વાળંદે જણાવ્યું હતું કે, હું તે સમયે બહાર જતો હતો ત્યારે મને ફોન આવ્યો કે, ધર્વનો અકસ્માત થયો છે. મેં તરત જ જુહી સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તેની સાથે વાત ન થઈ શકી. કારણ કે તેને પણ ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી. હું તાત્કાલિક પંડ્યા બ્રિજ ઉતરીને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મારી દીકરીઓ અને પાંચ વર્ષનો પૌત્ર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે એક બાઇક પર સવાર ત્રણ લોકો ખૂબ જ ફૂલ સ્પીડમાં આવ્યા અને ત્રણેયને જોરદાર ટક્કર મારી હતી. તેમાંથી બે જણા તો તરત જ ભાગી ગયા હતા, પણ એક પકડાઈ ગયો હતો. મારો પાંચ વર્ષનો પૌત્ર ધર્વ જે સીનિયર KG માં ભણતો હતો, તે આ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. હવે તે અમારી વચ્ચે નથી રહ્યો. મારી દીકરી માંજલપુર વિસ્તારમાં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તે નશામાં જ હતો. તેને કશું જ ભાન નહોતું. મેં તેને પકડી રાખ્યો હતો અને પોલીસને બોલાવી હતી. પોલીસ આવ્યા બાદ તેને ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા.આવા લોકો પર કડક પ્રતિબંધ હોવો જોઈએ. તેઓ દારૂ ક્યાંથી લાવે છે અને પીને આ રીતે બેફામ ગાડીઓ ચલાવી નિર્દોષોના જીવ લે છે, તેમના પર સખત કાર્યવાહી થવી જોઈએ. તેઓએ કહ્યું હતું કે, મારા પરિવારમાં હવે માત્ર હું અને મારી દીકરી જ છીએ. મારી પત્ની પણ હયાત નથી. મારો પૌત્ર જ મારો સહારો હતો, જે હવે જતો રહ્યો છે. મારી દીકરી એમ કહે છે કે મારા છોકરાનો ફોટો પાડીને મોબાઇલમાં બતાવો. મેં એને કહ્યું કે અહીં મોબાઈલ એલાઉડ નથી, એટલે ફોટો નથી પાડી શકાય તેમ. તો એ કહે છે કે, એવું ન હોય, મારો છોકરો છે, મને કેમ ન બતાવો? એ સતત તેના દીકરા વિશે જ પૂછ્યા કરે છે. તે દર વખતે એમ જ પૂછે છે કે, મારો દીકરો ક્યાં છે? એને કેટલું વાગ્યું છે? બસ એને એના બાળકની જ ચિંતા છે. અમે એને સાચું નથી કહ્યું. અમે એને એમ જ કહીએ છીએ કે, થોડુંક વાગ્યું છે, પણ સત્ય જણાવવાની હિંમત અમારામાં નથી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 2:10 pm

વાપી કોર્ટે સાયબર ફ્રોડના આરોપીના જામીન નામંજૂર કર્યા:બે ગુનામાં સંડોવાયેલા ઝૈદ શેખની અરજી ફગાવી

વલસાડ જિલ્લાના વાપીમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે 'મ્યુલ એકાઉન્ટ' ભાડે આપવાના બે અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા આરોપી ઝૈદ ઉર્ફે સાનુ હનીફ શેખની જામીન અરજી વાપી કોર્ટે ફગાવી દીધી છે. એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને આ આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે સાયબર ફ્રોડ જેવા ગંભીર ગુનામાં આરોપીની સંડોવણી જોતા તેને મુક્ત કરી શકાય નહીં. આરોપી ઝૈદ ઉર્ફે સાનુ હનીફ શેખ અને તેના સાગરીતોએ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા લાખો રૂપિયા સગેવગે કરવા માટે બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. આ કેસમાં વાપી ટાઉન પોલીસે ઝૈદની ધરપકડ કરી હતી અને તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ લોકો સાથે છેતરપિંડી કરીને લાખો રૂપિયા અલગ-અલગ બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. આરોપીએ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેની સામે ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ જોરદાર દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોપી સાયબર ફ્રોડના મોટા નેટવર્ક સાથે જોડાયેલો છે અને જો તેને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે અથવા ફરાર થઈ શકે છે. ડી.જી.પી. ત્રિપાઠીએ વધુમાં દલીલ કરી હતી કે આ પ્રકારના ગુનાઓથી દેશના અનેક રાજ્યોના લોકો ભોગ બન્યા છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, નામદાર કોર્ટે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી હતી. જજ એચ.એન. વકીલે જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ એ વર્તમાન સમયનો ગંભીર પડકાર છે અને આવા કિસ્સામાં ન્યાયના હિતમાં આરોપીને જામીન આપવા ઉચિત નથી. પરિણામે, આરોપી ઝૈદ ઉર્ફે સાનુની બંને કેસમાં જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 2:07 pm

HNGUમાં રાજમાતા નાયકાદેવી ખેલકૂદ મહોત્સવ:84 કોલેજોના 1176 ખેલાડીઓ ભાગ લેશે, 23મીએ ઉદ્ઘાટન

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા આગામી 22 થી 25 ફેબ્રુઆરી દરમિયાન 35મા 'રાજમાતા નાયકાદેવી ખેલકૂદ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ઉત્તર ગુજરાતની 84 કોલેજોના કુલ 1176 વિદ્યાર્થી ભાઈ-બહેનો પોતાની ખેલ પ્રતિભા દર્શાવશે. યુનિવર્સિટીના નિયામક, શારીરિક શિક્ષણ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધ્યક્ષ ડો. ચિરાગ પટેલે આ અંગે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે, આ મહોત્સવ 22 થી 25 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં 84 કોલેજોએ નોંધણી કરાવી છે. આ ખેલકૂદ મહોત્સવમાં કુલ 1176 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મહોત્સવ દરમિયાન એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધાઓ જેવી કે દોડ, કૂદ અને ફેંકની વિવિધ કેટેગરીમાં સ્પર્ધકો વચ્ચે રસાકસી જોવા મળશે. સ્પર્ધાના સુચારુ સંચાલન માટે તમામ આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, સહભાગી થનાર તમામ ખેલાડીઓ અને ટીમોએ 22 ફેબ્રુઆરીની સાંજે રિપોર્ટિંગ કરવાનું રહેશે. ત્યારબાદ 23 ફેબ્રુઆરીના રોજ સવારે કુલપતિ કે.સી. પોરિયાના હસ્તે મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે, જેનાથી સ્પર્ધાઓનો પ્રારંભ થશે. 25 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં વિજેતા થનારા ખેલાડીઓને યુનિવર્સિટી કક્ષાએ સન્માનિત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 2:02 pm

ખ્વાહિશ જોશીએ રાષ્ટ્રીય સાયન્સ સિમ્પોઝિયમમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો:રાજકોટમાં આયોજિત સ્પર્ધામાં દેશભરના વિદ્યાર્થીઓને પછાડી સિદ્ધિ મેળવી

જામનગરની કુ. ખ્વાહિશ જોશીએ રાજકોટની ક્રાઈસ્ટ કોલેજ ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ સિમ્પોઝિયમમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિથી તેણે પરિવાર અને બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં દેશભરની વિવિધ યુનિવર્સિટીઓમાંથી આવેલા તેજસ્વી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખ્વાહિશ જોશીએ પોતાની વૈજ્ઞાનિક સમજ અને મહેનત દ્વારા સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ખ્વાહિશ સચિનભાઈ જોશી (T.P.S.Sikka) અને દર્શાબેન જોશી (શિક્ષિકા-જિલ્લા પંચાયત) ની પુત્રી છે. સ્પર્ધા દરમિયાન, ખ્વાહિશનું પ્રેઝન્ટેશન અને વિષય પ્રત્યેની તેની પકડ નિર્ણાયકો દ્વારા ખૂબ જ પ્રશંસા પામી હતી. તેની આ સફળતા તેની સખત મહેનત, સમર્પણ અને વિજ્ઞાન પ્રત્યેની ઊંડી રુચિનું પરિણામ છે. ખ્વાહિશને તેની આ રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તે વિજ્ઞાન તથા નવીનતાના ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 1:54 pm

કતારગામ GIDCમાં દીવાલ ધરાશાયી થતા યુવકનું મોત:સામાન લઈને ત્રીજા માળે પહોંચ્યો ને દીવાલ માથે પડી, 20 વર્ષીય શ્રમિક કામ કરતો હતો ને દૂર્ધટના

સુરત શહેરના કતારગામ જીઆઇડીસીમાં એક કરુણ દુર્ઘટના સામે આવી છે. બાંધકામ સાઇટ પર કામ કરી રહેલા એક 20 વર્ષીય પરપ્રાંતિય શ્રમિક યુવાન પર ત્રીજા માળે અચાનક જ સાંધો તૂટી દીવાલ માથે પડતા તેનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. સામાન લઈને ત્રીજા માળે પહોંચ્યો ને દીવાલ માથે પડીમળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની શાંતિ ભૂરજી ડામોર (ઉં.વ. 20) સુરતમાં રોજગારી અર્થે આવ્યો હતો. પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને માતા વતનમાં રહે છે. તે કતારગામ વિસ્તારમાં આવેલા હાથી મંદિર રોડ પર ફૂટપાથ પર રહી છૂટક મજૂરી કામ કરતો હતો. શાંતિ મજૂરી કામ કરીને પોતાના વતનમાં રહેતા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગઈકાલે શાંતિ કતારગામ જીઆઇડીસીમાં એક નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર કામ કરી રહ્યો હતો. તે નીચેથી સામાન લઈને ત્રીજા માળે પહોંચ્યો હતો, ત્યારે અચાનક જ સાંધો તૂટીને દીવાલ તેના માથાના ભાગે પડ્યો હતો. આ અચાનક બનેલી ઘટનાથી સાઇટ પર અફરાતફરી મચી ગઈ હતી. માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોતઘટના બનતા જ આસપાસના સાથી કામદારો તાત્કાલિક શાંતિની મદદે દોડી આવ્યા હતા. તેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી રાત્રિ દરમિયાન સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત મોતનો ગુનો નોંધાયોયુવાનના મોતના સમાચાર મળતા જ કતારગામ પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. યુવાનના અકાળે અવસાનથી તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 1:52 pm

મકતમપુર મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપ:કલેક્ટરને રજૂઆત, જવાબદારો સામે કાર્યવાહીની માંગ

ભરૂચ જિલ્લાના મકતમપુર ગામના મુસ્લિમ સમાજના રહીશોએ મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે. તેમણે જિલ્લા કલેક્ટરને સંયુક્ત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, મકતમપુર ગામના કાયદેસર અને વર્ષોથી વસવાટ કરતા અનેક મતદારોના નામો સામે ખોટી અને ગેરકાયદેસર વાંધા અરજીઓ કરવામાં આવી છે. ઘણા કિસ્સાઓમાં સ્થળ તપાસ, સંબંધિત મતદારોની પૂછપરછ કે પૂરતા પુરાવા જોયા વિના જ ફોર્મ સ્વીકારી કાર્યવાહી કરાઈ છે. આ પ્રક્રિયા કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ હોવાનો પણ આક્ષેપ છે. આક્ષેપ મુજબ, ફોર્મ નંબર-7 દ્વારા મોટા પાયે નામ કમી કરવાની અરજીઓ કરવામાં આવી છે, જેમાં નિવૃત્ત સરકારી અધિકારીઓ, વેપારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોના નામોનો સમાવેશ થાય છે. આવેદનમાં દિવ્યેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ, કલ્પેશકુમાર કેશવભાઈ પટેલ અને ગણેશ પૂનમભાઈ માછી નામના વ્યક્તિઓ દ્વારા રાજકીય પ્રેરણાથી ગામના 290 થી વધુ વ્યક્તિઓ સામે અરજીઓ કરાઈ હોવાનો આક્ષેપ છે. સંબંધિત સરકારી અધિકારીઓએ યોગ્ય ચકાસણી વિના અરજીઓ સ્વીકારી ગંભીર બેદરકારી દાખવી હોવાનું પણ જણાવાયું છે. ગામજનોએ કલેક્ટર સમક્ષ માંગણી કરી છે કે, તમામ વાંધા અરજીઓની સ્વતંત્ર, નિષ્પક્ષ અને વિગતવાર તપાસ થવી જોઈએ. કયા મતદારો વિરુદ્ધ અરજીઓ થઈ તેની સત્તાવાર માહિતી મેળવી ખોટી માહિતીના આધારે કાર્યવાહી કરનાર વ્યક્તિઓ અને અધિકારીઓ સામે કાયદેસર પગલાં લેવાય. વધુમાં, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત ભલામણો સ્થગિત રાખવામાં આવે અને મતદારોને પૂરતી રજૂઆત તથા પુરાવા રજૂ કરવાની તક આપી અંતિમ નિર્ણય સુધી કોઈપણ મતદારનું નામ યાદીમાંથી ન કાઢવામાં આવે. ગામજનોએ જણાવ્યું છે કે, જરૂર પડ્યે તેઓ તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા તૈયાર છે. આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા લોકો અને તેમને મદદ કરનાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 1:17 pm

અમરેલીમાં 'સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા' પર પરિસંવાદ:કે.કે. પારેખ કોમર્સ કોલેજ અને કર્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આયોજન

અમરેલી શહેરની શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સ્થિત કે.કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા વિષય પર એક પરિસંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમ અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કોલેજ અને રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા દ્વારા સ્થાપિત કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ-અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પરિસંવાદમાં જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને એફ.આર.સી.ના સૌરાષ્ટ્ર ઝોનના સભ્ય મુકુંદભાઈ મહેતા તથા એ.બી.વી.પી.ના નગર અધ્યક્ષ પ્રા. ડો. એ. જે. ચંદ્રાવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કૌશિક વેકરિયાના અંગત મદદનીશ ભાવેશભાઈ ભાલીયાએ કર્મભૂમિ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના પ્રાધ્યાપક પ્રા. જે. એમ. તળાવિયાએ કર્યું હતું. તેમણે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બી.કોમ. સેમેસ્ટર–૨ની વિદ્યાર્થીનીઓ દેવાંશી સાવલિયા, જાનવી કાળસારા અને આયુષી સોલંકીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે પરિસંવાદનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રા. ડો. એમ. જે. પટોળીયાએ રસપ્રદ અને પ્રેરણાદાયી શૈલીમાં વિદ્યાર્થીઓને જીવનમાં ભગવદ્ગીતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે યુવાનોને જીવનમાં સંકલ્પ, સંસ્કાર અને સંઘર્ષશીલતા અપનાવી આત્મબળ વધારવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમની સફળ વ્યવસ્થા બદલ ટ્રસ્ટ વતી મનીષભાઈ સિદ્ધાપુરાએ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયા સહિત પ્રાધ્યાપકો અને વિઝિટિંગ ફેકલ્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો. અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ તથા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ કાર્યક્રમના સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 1:15 pm

લીમખેડામાં તેડાઘર બહેનોને રસોઈ શો, પોષણ તાલીમ અપાઈ:DDO સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ ‘સુપોષિત દાહોદ’ અભિયાનને વેગ મળ્યો

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઘટક-૨માં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તેડાઘર બહેનો માટે રસોઈ શો અને પોષણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોમાં અપાતા પોષણયુક્ત આહારની ગુણવત્તા સુધારવાનો અને તેડાઘર બહેનોને સશક્ત બનાવવાનો હતો. તાલીમ દરમિયાન, આંગણવાડી કેન્દ્રોના દૈનિક મેનુ મુજબ સવારના નાસ્તા અને બપોરના ભોજનની વિવિધ વાનગીઓ બનાવવાની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. નિષ્ણાતોની હાજરીમાં, પોષણમૂલ્ય જળવાઈ રહે તે રીતે રસોઈ બનાવવાની પદ્ધતિઓનું જીવંત પ્રદર્શન કરાયું હતું. ખાદ્ય પદાર્થોમાં પોષક તત્ત્વો અને સ્વચ્છતા જળવાઈ રહે તેમજ બાળકોને સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ભોજન મળે તે અંગે વિશેષ માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં તમામ તેડાઘર બહેનોએ સ્વયં વાનગીઓ બનાવીને પ્રાયોગિક તાલીમ મેળવી હતી, જેનાથી તાલીમ વધુ અસરકારક બની. બહેનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓએ શીખેલી પદ્ધતિઓને પોતાના કેન્દ્રોમાં અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, પોષણયુક્ત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ અને બાળ વિકાસ સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ‘સુપોષિત દાહોદ’ અભિયાન અંતર્ગત આદર્શ આંગણવાડી કેન્દ્ર માટે તેડાઘર બહેનોની ફરજો અને જવાબદારીઓ વિશે પણ સમજણ અપાઈ હતી. આ તાલીમ કાર્યક્રમમાં લીમખેડા બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા, પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, બ્લોક કોઓર્ડિનેટર (NNM) તેમજ તેડાઘર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, આંગણવાડી સેવાઓને વધુ ગુણવત્તાસભર અને પોષણમુખી બનાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 1:07 pm

નવી નક્કોર બોલેરો પીકઅપમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી:પેરોલ-ફર્લો સ્કવોડે 1056 બોટલ સાથે એકની ઝડપી પાડ્યો; અન્ય આરોપીની શોધખોળ

ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ખેતાખાટલી ગામેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. મહિન્દ્રા મેકસેસ બોલેરો પીકઅપમાં બનાવવામાં આવેલા ચોરખાનામાં સંતાડીને લાવવામાં આવેલ 180 એમએલની 1056 બોટલો સહિત કુલ રૂ. 11,34,472નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે રાજસ્થાનના એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે. બનાવ અંગે વેળાવદર ભાલ પોલિસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડને બાતમી મળતા કાર્યવાહીભાવનગર એલસીબી કચેરીથી મળતી માહિતી મુજબ, 15 ફેબ્રુઆરીના રોજ ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડનો પોલીસ સ્ટાફ ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન ભાવનગર નજીકનાં કાળાતળાવ રહેતા વિજય હમીરભાઇ મેર અને રાજસ્થાનનો ભજનલાલ સુખરામ વરાડ મહિન્દ્રા કંપનીની મેકસેસ બોલેરો પીકઅપ નંબર વગરની નવી ગાડીમાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવ્યા છે. તેમજ આ દારૂ ભરેલી ગાડી ખેતાખાટલી ગામે, પાતા વિસ્તારમાં સોલારવાળા રોડ ઉપર આવેલ વિજય મેરના તબેલા (વાડા)માં સંતાડી રાખવામાં આવી હોવાનું અને આ દારૂ સગેવગે કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ચોરખાનામાંથી દારૂનો માલ જપ્ત કર્યોજે બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, પોલીસ તપાસ દરમ્યાન બોલેરો પીકઅપ ગાડીના પાછળના ભાગમાં બનાવેલા ચોરખાનામાંથી 180 એમએલની 1056 પ્લાસ્ટિક બોટલો કિં.રૂ. 3,29,472 કિંમતની અને મહિન્દ્રા મેકસેસ બોલેરો ગાડી કિં.રૂ. 8,00,000 તેમજ એક મોબાઇલ ફોન કિં.રૂ. 5,000 મળી કુલ કિં.રૂ.11,34,472નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ભજનલાલ સુખરામ વરાડ (ઉં.વ. 26)ને ઝડપી પાડી પૂછપરછ કરતા વિજય હમીરભાઇ મેર, નિતેષ પરમાર (બંને રહે. ભાવનગર) તેમજ સુરેશ ભાખરારામ (રહે. રાજસ્થાન)ના નામ ખુલ્યા હતા. બનાવ સંદર્ભે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી અન્ય શખ્સોને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 1:05 pm

સૌરાષ્ટ્રના સૌથી મોટા બ્રિજ પર પ્રથમ ભોગ લેવાયો:જામનગરના નવા ફ્લાયઓવર પર ઓવરસ્પીડથી બાઈક સવારનું મૃત્યુ

જામનગરમાં નવા ફ્લાયઓવર બ્રિજ પર શિવરાત્રીની મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓવરસ્પીડમાં બાઈક ચલાવી રહેલા એક યુવાનનું પુલની આરસીસી દીવાલ સાથે અથડાતા મૃત્યુ થયું હતું. આ નવા બ્રિજ પર મૃત્યુનો આ પ્રથમ બનાવ નોંધાયો છે. મૃતક યુવાનનું નામ દિનેશ વેલજીભાઈ રાઠોડ (ઉં.વ. 21) હતું, જે જામનગરના ખેતીવાડી ફાર્મ શેરી નંબર-8 માં રહેતો હતો. તે GJ 10 CA 6675 નંબરના પોતાના બાઈક પર ઓવરસ્પીડમાં પસાર થઈ રહ્યો હતો. આ અકસ્માત સુભાષ બ્રિજ નજીક, ફોરેસ્ટ ઓફિસના ગેટ પાસે નવા પુલના ઉપરના ભાગે ડાબી બાજુએ થયો હતો. દિનેશનું બાઈક પુલની આરસીસી દીવાલ સાથે જોરાકાભેર અથડાયું હતું, જેના કારણે તે બાઈક સાથે નીચે પટકાયો હતો. અકસ્માતમાં દિનેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા વેલજીભાઈ દેવાભાઈ રાઠોડે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પી.એસ.આઈ. એમ.વી. મોઢવાડિયા મોડી રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 1:04 pm

બોટાદમાં યુવા કોંગ્રેસનું ચક્કાજામ, 50થી વધુ કાર્યકરોની અટકાયત:ગૌચર જમીન પર દબાણ મુદ્દે દિનદયાળ ચોક ખાતે વિરોધ પ્રદર્શન

બોટાદમાં જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ૫૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. રાણપુર તાલુકાના ચંદરવા ગામે ગૌચરની જમીન પર સોલાર કંપની દ્વારા કરાયેલા કથિત દબાણના મુદ્દે યુવા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. યુવા કોંગ્રેસના કાર્યકરો શહેરના દિનદયાળ ચોક ખાતે રસ્તા વચ્ચે બેસી સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોને ટીંગાટોળી કરીને હટાવ્યા હતા અને ૫૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. યુવા કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો એક મહિનામાં ગૌચર જમીન પરના દબાણો દૂર કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 1:02 pm

માથા પર પિસ્તોલ તાકી ચિરાગ કહેતો 'આ સગી નહીં થાય':સુરતમાં પોતાના ઘરે બોલાવીને જ પીડિતોને ટોર્ચર કરતો, 47 અને 20 લાખ પડાવ્યાની વધુ બે ફરિયાદ

ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનું ષડયંત્ર કરનારા નામચીન ચિરાગ ગોટીના આતંકના વધુ કારસ્તાનો ચર્ચાને ચગડોળે ચઢ્યા છે. ઉપરાછાપરી વીડિયો વાયરલ થતા જ ગોટીના પાપનો ઘડો ફૂટી ગયો હતો. પોતાની પાસે રહેલી પિસ્તોલથી ઘરે બોલાવી ટોર્ચર કરનારા ગોટીના એક પછી એક કમકમાટીભર્યા કારનામાએ સોપો પાડી દીધો છે. કાયદાને ખિસ્સામાં લઈને ફરતા ગોટીએ રિવોલ્વરની અણીએ ઉઘરાણી કરવા માટે આતંકનો જે પરચો આપ્યો છે. તેના લાઈવ વીડિયો જ તેના માટે કાળ બન્યા છે. પોલીસ તેની સામે ગાળિયો કસવા સજ્જ થઈ છે. ત્યારે સુરત શહેરના કતારગામ અને સિંગણપોર વિસ્તારમાં વધુ બે ફરિયાદ ચિરાગ ગોટી સામે નોંધાય છે. જેમાં પણ તેણે પિસ્તોલની અણીએ એક પાસેથી 47 લાખ અને બીજા પાસેથી 20 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પહેલો કેસ: સિંગણપોરમળતી વિગતો પ્રમાણે ઉત્રાણ, વીઆઇપી સર્કલ પાસે સિલ્વર પેલેસમાં રહેતા મુકેશ જીણાભાઈ ગજેરા (ઉ.વ. 48, મૂળ ધારગણી, ધારી, અમરેલી) ટ્રાવેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ 2021માં કોરોના કાળ બાદ ચિરાગ ગોટી અને યુવરાજ જાદવ નાણાંની જરૂરિયાત હોવાથી મુકેશભાઈ પાસે ગયા હતા. ચિરાગ ગોટીએ 18.75 લાખ તો યુવરાજે 1 લાખ ઉછીના લીધા હતા. અઠવાડિયામાં નાણાં પરત કરવાનો વાયદો કર્યા બાદ બંનેએ પોત પ્રકાશ્યું હતું. મુકેશ ગજેરાએ કોલ કરી ઉઘરાણી કરી તો તેઓએ એલફેલ ભાષાપ્રયોગ કર્યો હતો. ચિરાગ ગોટી, નિરાંત અને યુવરાજે કારમાં મુકેશ ગજેરાના ઘરે ધસી જઇ હંગામો કર્યો હતો. ચિરાગે રિવોલ્વર તાકી આ કોઈની સગી નહિ થાય એમ કહી ધાકધમકી પણ આપી હતી. 19.75 લાખ હડપ કર્યા બાદ બળજબરીથી તેઓએ રૂપિયા 5 હજાર પણ મુકેશ ગજેરા પાસેથી ખંખેરી લીધા હતા. ગોટી ગેંગના આતંકનો પરપોટો ફૂટી જતા એક પછી એક પીડિતો હિંમતભેર ફરિયાદ માટે આગળ આવી રહ્યા છે. મુકેશ ગજેરાએ પણ ગતરોજ સિંગણપોર પોલીસનું શરણું લીધું હતું. પોલીસે ચિરાગ ઘનશ્યામ ગોટી, નિરાંત ઉર્ફે લાલો ઘનશ્યામ ગોટી, યુવરાજ લક્ષ્મણ જાદવ સામે ખંડણી અને આર્મ્સ એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો હતો. આગામી દિવસોમાં વધુ કારનામા બહાર આવે તેવી વકી છે. પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજો કેસ: કતારગામમળતી માહિતી પ્રમાણે, વેડ રોડ, તૃપ્તી સોસાયટીમાં રહેતા અને જમીનદલાલી કમ વેપાર કરતા જિજ્ઞેશ મગનભાઈ વ્યાસને મારતો વીડિયો વાયરલ થવાની ઘટનામાં ગત ગુરુવારે ચોકબજાર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ તેના નાના ભાઈ પ્રભાત (ઉ.વ. 35)એ રાત્રે ચિરાગ ગોટી અને તેના સાગરીત યુવરાજ જાધવ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. 15મી ઓક્ટોબર-21ના દિવસે ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત ગોટી, પિતા ઘનશ્યામ ગોટી, સાગરિતો યુવરાજ લક્ષ્મણ જાધવ અને રવિ ભાલ ઉપરાંત સાત શખ્સો વેડ રોડ રોયલ પ્લાઝાથી જીજ્ઞેશ વ્યાસનું અપહરણ કરી 10 લાખ પડાવી લીધાના દસ દિવસ બાદ જીજ્ઞેશ અને તેના ભાઇ પ્રભાતને મિટિંગ માટે કે.ડી. ઢોસા (કતારગામ) બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કતારગામમાં આવેલી રાજુભાઈ ટીંબીની ઓફિસે મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગ વખતે ચિરાગે બધાની હાજરીમાં પિસ્તોલ કાઢી તેમાંથી છ બુલેટ બહાર કાઢી હતી. આ બધી બુલેટ તારી પાછળ ફોડવાનું નક્કી કરીને આવ્યો છું તેવી ધમકી આપી નિર્લજ્જ અટ્ટહાસ્ય કર્યું હતું. કામરેજના જોખા ગામે આવેલા પ્લોટ નંબર 66, 67, 68, 69ને લઇને હિતેશ મકવાણા સાથે જીજ્ઞેશને વિવાદ સર્જાયો હતો. આ જમીન હિતેશ મકવાણાએ પોતાના નામે કરી આપી છે, તે પરત જોઇતી હોય તો 42 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. 42 લાખ રૂપિયા લઇ આ પ્લોટના મામલતદાર કચેરીએ જઇ વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. દસ્તાવેજ તો કરી આપ્યા હતા. પરંતુ 7/12માં નામ ચઢાવવાનું કાગળ યુવરાજ જાધવે કાઢી લીધું હતું. આ કાગળ આપવા માટે 4.81 લાખ રૂપિયાના હીરા યુવરાજ જાધવે પડાવી લીધા હતા. 7/12માં નામ ચઢાવી પણ આપ્યું ન હતું તેમજ પ્રભાતને થપ્પડ પણ મારી હોઇ પોલીસે તેને પણ આરોપી બનાવ્યો હતો. ચિરાગ ગોટી ઘરે બોલાવી ટોર્ચર કરી પિશાચી આનંદ લૂંટતોસમગ્ર શહેરમાં હાલ ચિરાગ ગોટીના આતંકના કારસ્તાન ચર્ચાને ચગડોળે છે. માથાભારે ગોટી દ્વારા લોકોને માર મારતો હોય તેવા ત્રણ વીડિયો બહાર આવ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ દોડતી થઈ હતી. ચિરાગ ગોટીની મોડસ ઓપરેન્ડી રીઢા ગુનેગાર કરતા પણ વધુ ભયાનક છે. જે લોકો તેની પાસેથી વ્યાજે નાણાં લેતા અથવા જેની પાસે પઠાણી ઉઘરાણી કરવાની હોય, તેમને પોતાના ઘરે એટલે કે સિંગણપોર ચાર રસ્તો ખાતે આવેલી સોસાયટીમાં અને મળતિયાઓની ઓફિસે બોલાવી ગોંધી રાખતો હતો. અહીં શરૂ થતો હતો તાલિબાની સજાનો ખેલ. બેરહમીપૂર્વક માર અને અપશબ્દો બોલી પીડિતો પર અમાનુષી અત્યાચાર ગુજારાતો હતો. અત્યાચારના વીડિયો ઉતારી પિશાચી આનંદ લૂંટતોપિસ્તોલની અણીએ દમદાટી આપવામાં પણ તે કુખ્યાત છે. પીડિતો પર અત્યાચારના વીડિયો ઉતારી પિશાચી આનંદ લૂંટતો હતો. જોકે, પોતાની વિકૃત માનસિકતા સંતોષવા માટે બનાવેલા આ વીડિયો આજે પોલીસ માટે મજબૂત પુરાવા બની ગયા છે. નામચીન ચિરાગ ગોટી અને તેની મંડળી સામે પોલીસે કડક તેવર અખત્યાર કર્યા છે. માત્ર સામાન્ય ગુનાઓ જ નહીં, પણ સંગઠિત ગુનાખોરી ડામવા પોલીસ હવે આ ગોટી ગેંગ સામે ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ સમાચાર પણ વાંચોઃ સુરતના ગુંડા ગોટી મામલે ભાજપના નેતા MLA મોરડિયા સામે મેદાને 11 ફેબ્રુઆરીએ ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કર્યું 11 ફેબ્રુઆરીના રોજ ચિરાગ ગોટીનાં પાપનો ઘડો ફૂટ્યો હતો. આઠ મહિનાથી પોલીસને થાપ આપી નેપાળ સહિતનાં સ્થળોએ ભાગતા ફરતા કુખ્યાત ચિરાગ ગોટીએ સુપ્રીમ કોર્ટની કડક ટકોર બાદ સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ખોટા કેસમાં ફસાવ્યો આ સમગ્ર મામલાની શરૂઆત 10 મહિના પહેલાં થઈ હતી, જ્યારે સુરતના વેડરોડ ગુરુકુલ પાસેથી અલ્પેશ મિયાણી નામના શખસને 70 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યો હતો, જોકે પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે ચિરાગ ગોટી અને અલ્પેશ વચ્ચે તેલના ધંધામાં અણબનાવ થયો હતો. આ અદાવત રાખીને ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીએ મળીને અલ્પેશની ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી તેને ખોટા કેસમાં ફસાવ્યો હતો. આ ઘટના બાદ ચિરાગ ગોટી ફરાર થઈ ગયો હતો અને તેની સામે કલમ-70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ગાદલા પર સુવડાવીને લાકડીથી ફટકારતો વીડિયો વાઇરલ સોશિયલ મીડિયા પર ચિરાગ ગોટીના અત્યાચારનો વધુ એક વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં એક યુવકને ચિરાગ ગાદલા પર સુવડાવીને લાકડીથી ફટકારતા નજરે પડી રહ્યો છે. યુવક બે હાથ જોડીને માફી માગી રહ્યો છે છતાં પણ ચિરાગ યુવકને લાકડીથી ઢોરમાર મારતો દેખાઈ રહ્યો છે. રિવોલ્વરથી જાહેરમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરતો દેખાયો કુખ્યાત આરોપી ચિરાગ ગોટીની ધરપકડ થયા બાદ લોકો પર આતંકના અલગ અલગ વીડિયો પણ સામે આવી રહ્યા છે અને અલગ અલગ ફરિયાદીઓ પણ સામે આવી રહ્યા છે. વધુ એક વીડિયોમાં ચિરાગ ગોટી તેના જ એક ડ્રાઈવરને તમાચા મારતો દેખાઈ રહ્યો છે. આ સાથે જ અભદ્ર વર્તન કરતો હોય તે પ્રકારનું પણ નજરે પડી રહ્યું છે. આ સાથે જ અન્ય એક વીડિયોમાં પણ તે ગણેશોત્સવ પ્રસંગમાં રિવોલ્વરથી જાહેરમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરતો પણ કેમેરામાં કેદ થયો છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 12:55 pm

દીપડાએ 2 પશુનું મારણ કર્યુ, ફોરેસ્ટ વિભાગે પાંજરુ મૂક્યુ:હીરાસરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇશ્વરીયા પાસેના મનહરપુર ગામમાં દીપડાનો આતંક

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે હિરાસરમાં અને ઇશ્વરીયા પાસેના મનહરપુર ગામમા દીપડાનો આતંક સામે આવ્યો છે. અહીં બંને જગ્યાએ દીપડાએ પશુનું મારણ કર્યુ છે. મનહરપુર ગામના પશુપાલકો દીપડાના ત્રાસથી ત્રાહીમામ પોકારી ચૂક્યા છે. તેમનો દાવો છે કે, છેલ્લા 8 દિવસના સમયમાં 7 જેટલા પશુઓનું મારણ કરવામાં આવ્યું છે. જોકે રાજકોટ ફોરેસ્ટ વિભાગના જણાવ્યા પ્રમાણે દીપડાએ બે જગ્યાએ પશુઓનું મારણ કર્યું છે અને તેના માટે એક પિંજરું મૂકવામાં આવ્યું છે. દરરોજ ફટાકડા ફોડ્યા બાદ ફુલ ઉતારવા પડે છેઃ ખેડૂતમનહરપુર ગામના પિન્ટુભાઈ ગોહેલે જણાવ્યુ હતુ કે, અમે ફૂલનું વાવેતર કરીએ છીએ, જેથી અમારે અહીં દરરોજ ફૂલ ઉતારવાના હોય છે. પરંતુ છેલ્લા એક મહિનાથી અહીં દીપડાનો આતંક છે. અમારે દરરોજ ફટાકડા ફોડ્યા બાદ ફુલ ઉતારવા પડે છે. કલેકટર અને વન વિભાગને અમારી વિનંતી છે કે, દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે, જેથી અમારા સહિત તમામ વાડી વિસ્તારના લોકોનો ભય દૂર થાય. અઠવાડિયામાં સાતથી આઠ પશુનું મારણ કર્યુઃ દિનેશભાઈઆ ઉપરાંત અહીંના સ્થાનિક દિનેશભાઈએ જણાવ્યું હતું કે, અહીં દીપડાનો ખૂબ જ આતંક છે, જેને લીધે પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ ઉપરાંત વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરો પણ ટકતા નથી. વિસ્તારમાં દિપડો ઘૂસી ગયો છે તો કોઈ માણસને મારી નાખશે તો તેનું શું કરવાનું? એક અઠવાડિયામાં સાતથી આઠ પશુઓનું મારણ કર્યુ છે. આજીડેમ-2 હેઠળની મનહરપુર સીમનો આ વિસ્તાર છે. હાલ દીપડા પશુઓનું મારણ કરી રહ્યા છે, જેથી વન વિભાગ તાત્કાલિક દીપડાને ઝડપે તે જરૂરી છે. દીપડાને પાંજરે પૂરવા ખેડૂતોની માગહીરાસરમાં એરપોર્ટની બાજુમાં આવેલી વિપુલભાઈ દેવજીભાઈ વાડીએ દીપડાએ એક ગાય ઉપર હુમલો કરી ગંભીર રીતે ગાય ઘાયલ કરી હતી. રાત્રે ગાયનું મારણ થતા ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરી છે, ત્યારે ખૂંખાર દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી સમસ્ત બામણબોર ગામના તમામ માલધારી સમાજ અને ખેડૂતોએ ફોરેસ્ટ વિભાગ સમક્ષ માગ કરવામાં આવી છે. મનહરપુર ગામમાં પાંજરુ મૂકવામાં આવ્યુ છેઃ RFOજ્યારે આ બાબતે રાજકોટ ફોરેસ્ટ વિભાગના RFO વિક્રમસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તો વન્ય જીવોનો વિસ્તાર છે, જેથી ત્યાં અવારનવાર દીપડો નજરે પડતો હોય છે. જ્યાં ગત 14 ફેબ્રુઆરીના દીપડાએ પશુનું મારણ કર્યુ હતુ. જે દરમિયાન ઇશ્વરીયા પાસેના મનહરપુર ગામમાં વાડી વિસ્તારમાં રહેણાંક જગ્યામાં પશુનું મારણ કર્યુ, જેથી આ રહેણાંક વિસ્તારમાં દીપડાને પૂરવા માટે પાંજરુ મૂકવામાં આવ્યુ છે. જોકે 2 દિવસ થઈ ગયા હોવાથી હવે આ વિસ્તારમાં દીપડો આવે તેવી શક્યતા ઓછી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 12:52 pm

વલસાડમાં નગરપાલિકાની નિષ્ક્રિયતા:મોગરાવાડી અંડરપાસમાં બિસ્માર રસ્તાથી પરેશાન લોકોએ જાતે ખાડા પૂર્યા

વલસાડના મોગરાવાડી રેલવે અંડરપાસમાં રસ્તાની બિસ્માર હાલતથી પરેશાન સ્થાનિકોએ નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે જાતે જ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. મોગરાવાડી અંડરપાસ વલસાડ શહેરને પારડી સાંઢપોર, મોગરાવાડી અને અબ્રામા જેવા વિસ્તારો સાથે જોડતો મુખ્ય માર્ગ છે. સ્થાનિક રહીશ પ્રદીપસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, આ માર્ગ પરથી રોજના 40 થી 50 હજાર લોકો પસાર થાય છે. રેલવે દ્વારા સ્લેબ ભરવાની અને બ્લોક કાઢવાની કામગીરી બાદ રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે. અચાનક ઉપરથી પડતા પાણી અને રસ્તા પરના ખાડાઓને કારણે તાજેતરમાં એક મહિલા બાઈક પરથી પટકાતા તેમને ઈજા પહોંચી હતી. સ્થાનિક રહીશ ચેતનભાઈએ જણાવ્યું કે તેઓ 27 વર્ષથી વલસાડમાં રહે છે અને આ ગરનાળાની હાલત ક્યારેય સુધરી નથી. હાલમાં એટલી ધૂળ ઉડે છે કે સામેથી આવતું વાહન પણ દેખાતું નથી, જેનાથી લોકોને પથરી અને ફેફસાની બીમારી થવાની શક્યતા છે. રહીશોનો આક્ષેપ છે કે ચૂંટાયેલા કાઉન્સિલરોને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. ચોમાસા દરમિયાન પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ ત્યારે 'ચોમાસા પછી કામ થશે' તેમ કહીને તંત્રએ હાથ ખંખેરી લીધા હતા. હવે નગરપાલિકાના સત્તાધીશો ફોન રિસીવ કરવાનું પણ ટાળી રહ્યા છે. તંત્રની આ નિષ્ક્રિયતા જોઈને જાગૃત નાગરિકોએ જાતે મજૂરો બોલાવી અને મિત્રો સાથે મળીને ખાડામાં માટી પુરાવી હતી, જેથી વાહનચાલકો અકસ્માતનો ભોગ ન બને. મોગરાવાડીના રહીશોએ ચેતવણી આપી છે કે જો અઠવાડિયામાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર વિસ્તારના સંગઠનો સાથે મળીને નગરપાલિકા કચેરીએ ઉગ્ર મોરચો લઈ જવામાં આવશે. આ મામલે વલસાડ નગરપાલિકાના કાઉન્સિલર સુનિલ યાદવે આગામી 2 થી 3 દિવસમાં રેલવે અંડરપાસમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સ્થાનિક અગ્રણીઓને ખાતરી આપી છે. સ્થાનિક અગ્રણીઓએ પણ સુનિલ યાદવના જવાબને આવકારી સ્થાનિક લોકોના હિતમાં કામગીરી કરવા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 12:51 pm

નવસારીમાં બાઈક અકસ્માત: યુવાનનું ઘટનાસ્થળે મોત:માણેકપોર-ટંકોલી પાટિયા પાસે વાહન પરથી કાબૂ ગુમાવતા દુર્ઘટના

નવસારીના માણેકપોર-ટંકોલી ગામના પાટિયા પાસે આજે સવારે એક બાઈક અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવાનનું નામ અજય છે. આ દુર્ઘટના આજે સવારે આશરે 9:30 વાગ્યાના સુમારે નવસારીના કસ્બા ગામ નજીક બની હતી. અજય નામનો યુવક પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત કઈ રીતે થયો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. જોકે, એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાઈક સ્લીપ થઈ ગયું હતું અથવા ડિવાઈડર સાથે અથડાયું હતું. ટક્કર એટલી ગંભીર હતી કે અજયને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતક યુવાનના દેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મરોલી પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 12:36 pm

માત્ર 1 રૂપિયાને લઈ સર્જાયેલા વિવાદમાં હુમલો, CCTV:સચિનમાં નજીવી બાબતે પાડોશીઓએ લોન્ડ્રી માલિકને ઢોર માર માર્યો

લોન્ડ્રીમાં કપડાં ઇસ્ત્રી કરવાના ચાર્જમાં માત્ર એક રૂપિયાનો વધારો માંગવો એક શ્રમિકને મોંઘો પડી ગયો. પાડોશમાં રહેતા દીક્ષિત બંધુઓએ રાક્ષસી મનોવૃત્તિ દાખવી લોન્ડ્રી સંચાલકને રસ્તા પર ઢોર માર માર્યો હતો. આ રુંવાડા ઉભા કરી દેતી ઘટનાના CCTV ફૂટેજ હવે પોલીસ માટે મુખ્ય પુરાવો બન્યા છે. સચિન પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. માત્ર એક રૂપિયાની બાબતે મારમારી કરીસુરતના સચિન વિસ્તારમાં આવેલી રાજ અભિષેક સોસાયટીમાં દિલીપ કનોજીયા પોતાની લોન્ડ્રી ચલાવી ગુજરાન ચલાવે છે. સામાન્ય રીતે જોડી કપડાંના 15 રૂપિયા લેવાય છે, પણ સિંગલ કપડાંના 8 રૂપિયા લેવાના નિયમમાં માત્ર 50 પૈસા કે એક રૂપિયાનો ફેર પડે છે. આ નજીવી રકમનો હિસાબ સમજાવવો દિલીપ માટે કાળ સમાન સાબિત થયો. દીક્ષિત પરિવારની દાદાગીરીલોન્ડ્રી સંચાલક પાસે કપડાં ઇસ્ત્રી કરાવવા આવેલા પાડોશી દીક્ષિત પરિવારના સભ્યોને આ ભાવ વધારો મનમાં ખટકી ગયો હતો. જોકે તે સમયે તેમણે 32 રૂપિયા ચૂકવી દીધા હતા, પરંતુ મનમાં રહેલી અદાવત રાત્રે બહાર આવી હતી. આરોપીઓએ એક સામાન્ય શ્રમિકને પાઠ ભણાવવાના ઈરાદે ઘાતકી પ્લાન ઘડ્યો હતો. મારામારીની ઘટના CCTVમાં કેદઘટના સ્થળના CCTV કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા છે તે જોઈને કોઈનું પણ હૃદય ધ્રૂજી ઉઠે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે દીક્ષિ બંધુઓ લાકડાના મસમોટા ફટકા લઈને દિલીપ પર તૂટી પડ્યા હતા. માથા અને હાથ-પગના ભાગે બેરહેમીથી ફટકા મારતા આરોપીઓ જરા પણ અચકાયા નહોતા. જીવ બચાવવા ભાગતો રહ્યો શ્રમિકહુમલાખોરોના આતંકથી બચવા દિલીપે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંસક બનેલા આરોપીઓએ તેને ઘેરી લીધો હતો. આસપાસના લોકો તમાશો જોતા રહ્યા અને આરોપીઓ લાકડાના ફટકા તેમજ લાતોથી તેને મારતા રહ્યા. આ સમગ્ર લાઈવ હિંસા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સચિન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીઇજાગ્રસ્ત હાલતમાં દિલીપ કનોજીયાએ હિંમત ભેગી કરી સચિન પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી છે. દિલીપની ફરિયાદના આધારે પોલીસે દીક્ષિત પરિવારના સભ્યો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી દિલીપ કનોજીયાએ જણાવ્યું હતું કે, મારી દુકાન નંબર 7 છે, મને ગળું દબાવીને, અને ધક્કો મારીને મારા છાતી પર પગ રાખીને અને માર માર્યા, લોકો મારા બાજુમાં રહે છે, જેમના ઘરનો નંબર E-14 છે અને તેમનું નામ વિનીત દીક્ષિત છે, અને એક વ્યક્તિનું નામ શુભમ દીક્ષિત છે. અને તેઓ આખા પરિવાર સાથે રહે છે. અને તે લોકો આવું અનેકવાર, ઘણા લોકો સાથે કરી ચૂક્યા છે. અને તેમની દાદાગીરી આવી જ છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 12:31 pm

વલ્લભ વિદ્યાનગરમાં BAPS છાત્રાલયનો ષષ્ટીપૂર્તિ મહોત્સવ:સત્સંગ દીક્ષા મહાયાગ સાથે દિવ્ય ઉજવણી કરાઈ

વલ્લભ વિદ્યાનગર સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલય દ્વારા તેના ષષ્ટીપૂર્તિ (60 વર્ષ) મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે છાત્રાલયના આંગણે એક દિવ્ય સત્સંગ દીક્ષા મહાયાગનું આયોજન કરાયું હતું, જેણે સમગ્ર વાતાવરણને આધ્યાત્મિકતાથી ભરી દીધું હતું. આ પવિત્ર મહાયાગમાં સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતોએ ઉપસ્થિત રહી ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સદગુરુવર્ય ડોક્ટર સ્વામી, સાધુજીવન સ્વામી, યજ્ઞપ્રિય સ્વામી અને ભાગવતચરણ સ્વામી સહિતના સંતોના સાન્નિધ્યમાં વેદોક્ત વિધિ સાથે આ યજ્ઞ સંપન્ન થયો હતો. આ યજ્ઞથી છાત્રાલયના પરિસરમાં દિવ્યતા અને નવી ચેતનાનો સંચાર થયો હતો. મહાયાગમાં વર્તમાન વિદ્યાર્થીઓ ઉપરાંત, છાત્રાલયમાં રહીને કારકિર્દી ઘડનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્ષોથી નિઃસ્વાર્થ સેવા આપતા સેવકો અને મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. આ પ્રસંગે વર્ષો જૂના મિત્રો અને ગુરુ-શિષ્યોનું મિલન થયું હતું, જેણે ષષ્ટીપૂર્તિ મહોત્સવની સ્મૃતિઓને તાજી કરી હતી. મહાયાગની પૂર્ણાહુતિ બાદ એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વલ્લભ વિદ્યાનગર છાત્રાલયમાંથી તાલીમ મેળવીને આજે બી.એ.પી.એસ. સંસ્થાની વિવિધ પાંખો, જેમ કે યુવક મંડળ, બાલ મંડળ અને સત્સંગ પ્રવૃત્તિમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલા કાર્યકર્તાઓનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. છાત્રાલયના સંચાલકોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ ષષ્ટીપૂર્તિ મહોત્સવ એ છાત્રાલયના ગૌરવશાળી ઇતિહાસ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણની પરંપરાને વંદન કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 12:25 pm

મોરબીના ઘૂટું પાસે 237 બોટલ દારૂ સાથે ઇકો ઝડપાઈ:7.60 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપીની શોધખોળ શરૂ

મોરબી એલસીબીએ ઘૂટું ગામ પાસે વસંતવિહાર સોસાયટી નજીકથી દારૂ ભરેલી એક ઇકો કાર ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી 237 બોટલ વિદેશી દારૂ અને કાર સહિત કુલ 7,60,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના મચ્છી પીઠ વિસ્તારનો મોઈન મહમદભાઈ જામ નામનો શખ્સ અન્ય એક વ્યક્તિ સાથે મળીને GJ 36 AJ 5692 નંબરની સફેદ ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવ્યો છે. આ દારૂ ઘૂટું ગામ પાછળ આવેલ વસંતવિહાર સોસાયટી પાસેની પડતર જગ્યામાં રાખીને હેરાફેરી કરવાની તૈયારીમાં છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યાં પડતર જગ્યામાં ઇકો ગાડી પડેલી મળી આવી હતી, પરંતુ વાહનચાલક કે અન્ય કોઈ વ્યક્તિ હાજર નહોતા. કારની પાછળની સીટમાં બોક્સની અંદર દારૂની બોટલો ભરેલી જોવા મળી હતી. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 237 મોટી બોટલ દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત 2,60,700 રૂપિયા અને ઇકો ગાડીની કિંમત 5 લાખ રૂપિયા ગણવામાં આવી છે. આમ, કુલ 7,60,700 રૂપિયાનો મુદ્દામાલ રેઢી હાલતમાં કબજે કરવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોઈન મહમદભાઈ જામ અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી, આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 12:16 pm

મોરબીમાં શ્રમિકનું ઊંચાઈ પરથી પડી જવાથી મોત:ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપીઓની ધરપકડ માટે પોલીસને ચીમકી આપી

મોરબીના રંગપર ગામ નજીક એક બંધ કારખાનામાં ઊંચાઈ પરથી પડી જવાથી એક શ્રમિક યુવાનનું મોત થયું હતું. આ ઘટના બાદ કારખાનેદાર સહિત પાંચ શખ્સો વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે કોળી સમાજના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા સૂચના આપી હતી. તેમણે આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ ઘટના ગત તા. 11 ફેબ્રુઆરીના રોજ મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલા લુકાસો સિરામિક નામના બંધ કારખાનામાં બની હતી. રાત્રિના સમયે પાતરા અને એંગલ ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. જોખમી કામગીરી હોવા છતાં સુરક્ષાના કોઈ સાધનો પૂરા પાડવામાં આવ્યા ન હતા. યુવાન વિક્રમભાઈ પાટડિયા (ઉં.વ. 35) એંગલ કટિંગનું કામ કરતી વખતે 25 ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યા ત્યારે રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવી હતી. આ મામલે મૃતકના સાળાએ તા. 14 ફેબ્રુઆરીના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કારખાનેદાર અંબારામભાઈ રંગપરિયા અને જીતેન્દ્રભાઈ રંગપરિયા, તેમજ કામ રાખનાર જયદીપ પટેલ, હિરેન પટેલ અને ગોપાલભાઈ સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મૃતક યુવાનના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના આપી હતી. ત્યારબાદ તેઓ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પીઆઈ એસ.કે. ચારેલને રજૂઆત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો આ ગુનામાં આરોપીઓને વહેલી તકે પકડવામાં નહીં આવે, તો તેઓ આ પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવશે. ધારાસભ્યએ આ બનાવમાં પેનલ પીએમ કરાવવા અને મોતનું સાચું કારણ સ્પષ્ટ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 12:12 pm

મામલતદારના ડ્રોન સર્વે બાદ જ કેમ લાગી આગ?:બોટ દ્વારા પોલીસનો કાફલો કિડિયાબેટ પહોંચશે, ACP શ્વેતા ડેનિયલ અને બે PI દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

સુરત નજીક દરિયાની વચ્ચે આવેલા કિડિયાબેટ પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓના પર્દાફાશ થઈ રહ્યા છે. તાજેતરમાં એસઓજી દ્વારા ડીઝલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મામલતદાર દ્વારા ડ્રોન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ અચાનક બેટ પર રહસ્યમયી આગ જોવા મળી હતી. ફફડી ઉઠેલા તત્વોએ પુરાવાનો નાશ કરવા આગ લગાડી હોવાની આશંકા સેવાઈ રહી છે, જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સુમસામ બેટ પર રહસ્યમય આગકિડિયાબેટ એક એવો વિસ્તાર છે જ્યાં સામાન્ય નાગરિકોનું જવું અત્યંત મુશ્કેલ છે. ભરતીના સમયે જ અહીં બોટ મારફતે પહોંચી શકાય છે. આવા નિર્જન ટાપુ પર શનિવારની રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારોમાં અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. રાત્રિના અંધકારમાં લાગેલી આ આગ પાછળ કોઈ ચોક્કસ ષડયંત્ર હોવાનું જણાય છે. આગ તપાસ શરૂ: ઉચ્ચ અધિકારીઓ મેદાનેઆ ઘટનાની ગંભીરતા જોતા એસીપી શ્વેતા ડેનિયલ અને બે પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. મરીન પોલીસ અધિકારીઓ હવે બોટ દ્વારા કિડિયાબેટ પર પહોંચીને પંચનામું કરશે. આગ કયા કારણોસર લાગી અને તેમાં કયા કયા મુદ્દાઓ સળગીને ખાખ થયા છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. મેન્ગ્રુવ અને કેરબાઓ થયા ખાખપ્રાથમિક અહેવાલો મુજબ, દરિયાઈ ધોવાણ અટકાવવા માટે વન વિભાગ દ્વારા વાવવામાં આવેલા મેન્ગ્રુવના વૃક્ષોને આ આગમાં ભારે નુકસાન થયું છે. વધુમાં, ઘટનાસ્થળેથી ડીઝલ ભરવા માટે વપરાતા અસંખ્ય પ્લાસ્ટિકના કેરબાઓ પણ સળગી ગયા છે. આ પુરાવાઓ સૂચવે છે કે અહીં લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. ષડયંત્રની આશંકા અને મરીન પોલીસમરીન પોલીસ દ્વારા હવે બેટ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસને શંકા છે કે મામલતદારના સર્વેમાં જે જમીન દબાણો અને ગેરકાયદે બાંધકામો ઝડપાયા હતા, તેને છુપાવવા માટે જ આ આગચંપી કરવામાં આવી છે. જો પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે તો હજુ પણ મોટા કૌભાંડો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. તપાસમાં ટેકનોલોજીનો ઉપયોગપોલીસ અને મામલતદારની ટીમ દ્વારા ડ્રોન ફૂટેજ અને એફએસએલની મદદ લેવામાં આવી શકે છે. આગ કયા પોઈન્ટથી શરૂ થઈ અને તેના માટે કોઈ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થયો હતો કે કેમ તેની ઝીણવટભરી તપાસ થશે. ટાપુ પર અવરજવર કરનાર બોટ અને શંકાસ્પદ વ્યક્તિઓની પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. નવા ખુલાસાઓની શક્યતાકિડિયાબેટ પર લાગેલી આ આગ માત્ર કુદરતી અકસ્માત નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. વન વિભાગ, પોલીસ અને મહેસૂલ વિભાગ જો સંયુક્ત રીતે તપાસ કરશે તો કિડિયાબેટ પર ચાલતા કાળા કારોબારના નવા પરપોટા ફૂટશે અને અનેક વગદાર લોકોના નામ પણ સામે આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 12:12 pm

સેવન્થ ડે સ્કૂલનો વધુ એક વિવાદ સામે આવ્યો:2017-18થી 8000 વિદ્યાર્થીઓને RTEમાં પ્રવેશ ના આપીને 19 કરોડની ફી મેળવી

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્કૂલના પ્રાથમિક વિભાગમાં વર્ષ 2017-18થી RTEમાં એક પણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો નથી. સ્કૂલે RTEની બેઠકોમાં સામાન્ય વિદ્યાર્થીઓની જેમ ફી વસૂલી છે. જેમાં મળતી વિગત અનુસાર, 2017-18થી 8000 વિદ્યાર્થીઓને RTEમાં પ્રવેશ ના આપીને 19 કરોડની ફી વસૂલી છે. સ્કૂલે માઇનોરીટીના નામે RTEમાં એડમીશન ફાળવ્યા નથી. જોકે સ્કૂલ પાસે માઇનોરીટીનું સર્ટિફિકેટ નથી. જેથી સ્કૂલે RTEમાં એડમિશન આપવું પડે. હાલ આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે જેનો ચુકાદો પણ આવશે. અમે સમાચાર અપડેટ કરી રહ્યા છીએ……..

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 11:49 am

હિંમતનગર કિન્નર સમાજે ક્ષત્રિય સમાજને ₹80,000નું દાન આપ્યું:સમાજવાડી અને શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે બે માસીબાએ યોગદાન આપ્યું

સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા નિર્માણ પામી રહેલી સમાજવાડી અને શૈક્ષણિક સંકુલ માટે હિંમતનગરના કિન્નર સમાજે ₹80,000નું દાન આપ્યું છે. કિન્નર સમાજના ચેતનાબા અને સોનલબા માસીએ આ યોગદાન આપી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ક્ષત્રિય સમાજ દ્વારા 2 વિઘા જમીન પર ભવ્ય સમાજવાડી અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ભવનના નિર્માણનો અંદાજિત ખર્ચ ₹2 થી ₹5 કરોડ છે. આ સંકુલ સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ નિર્માણ કાર્યમાં સમાજ અને સમાજ બહારના અગ્રણીઓ પણ દાન આપી રહ્યા છે. ક્ષત્રિય સમાજે કિન્નર સમાજના આ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 11:42 am

છોટા ઉદેપુરમાં રૂ. 4.36 લાખનો દારૂ ઝડપાયો:મોટી સઢલી પાસે વર્ના કારમાંથી વિદેશી દારૂ જપ્ત, ચાલક ફરાર

છોટા ઉદેપુર જિલ્લાના મોટી સઢલી ગામ પાસેથી રંગપુર પોલીસે હ્યુન્ડાઇ વર્ના ગાડીમાંથી રૂ. 4,36,763/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 6,36,763/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી અહીં વિદેશી દારૂની હેરાફેરીના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા સતત કાર્યરત છે. રંગપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પી.આઈ. જલ્પાબેન પંડ્યાને બાતમી મળી હતી કે, હ્યુન્ડાઇ વર્ના ગાડીમાં વિદેશી દારૂ ભરીને રંગપુર તરફથી છોટા ઉદેપુર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોટી સઢલી પાસે નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન બાતમી મુજબની GJ 27 CM 4430 નંબરની હ્યુન્ડાઇ વર્ના ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. જોકે, ગાડીના ચાલકે ગાડી ભગાવીને આગળ જઈ ગાડી મૂકી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી 1505 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 4,36,763/- આંકવામાં આવી છે. રંગપુર પોલીસે વિદેશી દારૂ અને હ્યુન્ડાઇ વર્ના ગાડી સહિત કુલ રૂ. 6,36,763/- નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 11:35 am

બહુચરાજીમાં ચોરીની શંકાએ પૂછપરછ કરતા બે ભાઈ પર હુમલો:લાકડીનો ફટકો મારતા માથામાં 8 ટાંકા આવ્યાં; કાતર મારવાનો પણ પ્રયાસ, મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં થતી ચોરી બાબતે પૂછપરછ કરવા ગયેલા બે ભાઈ પર એક જ પરિવારના ત્રણ સભ્યે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં એક યુવકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા 8 જેટલા ટાંકા આવ્યા છે, જ્યારે અન્ય એક ભાઈને કાતર વડે ઈજા પહોંચાડવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીની શંકાએ પૂછપરછ કરતા હુમલોબહુચરાજીના બેચરગામ વિસ્તારમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા દિનેશ મંગાભાઈ દેવીપૂજકનું હાસલપુર રોડ પર ગોડાઉન આવેલું છે. છેલ્લા કેટલાક સમયથી તેમના ગોડાઉનમાંથી ચીજવસ્તુઓ ચોરાતી હોવાથી તેઓને મુકેશ કરશનભાઈ દેવીપૂજક પર શંકા હતી. આ બાબતે સ્પષ્ટતા કરવા માટે દિનેશ અને તેમનો ભાઈ મનુ કાલે સવારે 11 વાગ્યાના અરસામાં મેળાના મેદાન પાસે મુકેશ પાસે ગયા હતા. ફરિયાદની માથામાં લાકડી મારતા આઠ ટાંકા આવ્યાંચોરી બાબતે પૂછપરછ કરતા જ મુકેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી શરૂ કરી હતી. વિવાદ વધતા મુકેશે લાકડી વડે દિનેશના માથામાં ફટકો મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. આ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા તેમના ભાઈ મનુ પર મુકેશના પિતા કરશનભાઈએ કાપડ કાપવાની કાતર વડે હુમલો કરી ડાબા હાથે ઈજા પહોંચાડી હતી. મુકેશની માતાએ પણ આ ઝઘડામાં જોડાઈ બંને ભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. ધમકી આપી આરોપીઓ ફરાર, ત્રણ સામે ફરિયાદઆસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો 'જો બીજી વાર ચોરીનો આરોપ લગાવશો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત દિનેશને તાત્કાલિક બહુચરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમના માથામાં આઠ ટાંકા આવ્યા છે. ભોગ બનનાર દિનેશે આ મામલે મુકેશ, કરશન અને તેની માતા વિરુદ્ધ બહુચરાજી પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 11:32 am

જામનગરમાં મહાશિવરાત્રી શોભાયાત્રામાં ડીજે વિવાદ!:આયોજકોએ ભાજપ સરકાર સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી

જામનગરમાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વે નીકળેલી શિવ શોભાયાત્રામાં ડીજે અને લાઉડસ્પીકરના નિયંત્રણોને લઈને વિવાદ સર્જાયો હતો. મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુ વ્યાસ (રાજુ મહાદેવ) એ જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, બાદમાં મામલો થાળે પડી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. શહેર ભાજપ દ્વારા બેડિગેટ ખાતે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે રાજુ વ્યાસે માઈક પરથી પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપની સરકાર હોવા છતાં અને હિન્દુઓના તહેવાર હોવા છતાં છેલ્લા પાંચ દિવસથી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. રાજુ મહાદેવે આક્ષેપ કર્યો હતો કે 45 વર્ષમાં પ્રથમ વખત આવી સ્થિતિ જોવા મળી છે. ભાજપના પ્રતિનિધિઓ અને પ્રમુખે સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં અમુક અધિકારીઓ માનતા નથી. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે શિવરાત્રીના ઉત્સવમાં ડીજે બંધ કરાવી દેવામાં આવ્યું છે, જેના કારણે શોભાયાત્રા અત્યંત કપરી બની રહી છે. આ ઘટના સમયે જામનગર શહેર ભાજપના અગ્રણીઓ અને હોદ્દેદારો પણ હાજર હતા. કલાકારે વારંવાર શહેર ભાજપ પ્રમુખને આ મામલે મધ્યસ્થી કરી ડીજે વગાડવાની મંજૂરી અપાવવા વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે સાંસદ સભ્ય અને ધારાસભ્યએ ટેકો આપ્યો હોવા છતાં શોભાયાત્રાનો જે આનંદ હોવો જોઈએ તે જોવા મળતો નથી. આ ઘટનાને પગલે ભીડમાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા. કલાકારના આ આકરા તેવરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 11:23 am

નવાબંદર રોડ પર જુગાર રમતા છ ઝડપાયા:LCBએ 23 હજાર રોકડ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા

ભાવનગર એલસીબી પોલીસે શહેરના નવાબંદર રોડ પર રેલવે પાટા પાસે જાહેર જગ્યામાં હાથકાંપનો જુગાર રમતા છ શખસને ઝડપી લીધા છે. પોલીસે રેડ દરમિયાન ગંજીપાનાં સાથે રૂ.23,540ની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. LCBએ બાતની વાળી જગ્યાએ રેડ કરી છને ઝડપી પાડ્યાંઆ બનાવ અંગે એલસીબી કચેરીથી મળતી માહિતી મુજબ, 15 ફેબ્રુઆરીના રોજ એલ.સી.બી. પોલીસ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર શહેરના નવાબંદર રોડ પર રેલવેના પાટા પાસેના નાળાની બાજુમાં આવેલી બાવળની કાંટમાં જાહેર જગ્યામાં ભેગા થઇ મોબાઇલ ફોનની લાઇટના અંજવાળે ગંજીપાના પૈસા વડે હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે તે જગ્યાએ રેઇડ કરતાં હાથકાંપનો હારજીતનો જુગાર રમતાં છ શખસને રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ઘોઘારોડ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈપોલીસે જુગાર રમતા જીતેન્દ્ર વાઘજીભાઈ સોલંકી (ઉં.વ.49), રાકેશ ધીરૂભાઈ ડાભી (ઉં.વ.48), પ્રકાશ ચંદુભાઈ રાઠોડ (ઉં.વ.34), જગદીશ ગીરધરભાઈ ચૌહાણ (ઉં.વ.50), જગદીશ મનસુખભાઈ જાદવ (ઉં.વ.39) અને ધરમશી શાંતિભાઈ ચૌહાણ (ઉં.વ.46)ને ઝડપી લીધા હતા. તમામ ભાવનગર રહેવાસીઓ પાસેથી પોલિસે ગંજીપાનાં સાથે રોકડ રૂ.13,540 તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.10,000 મળી કુલ રૂ.23,540નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ શખસો વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરતા ઘોઘારોડ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 11:17 am

12 બોલેરો પીકએપ બારોબાર વેચી છેતરપિંડી:પોર્ટર કંપનીમાં લોડિગ ગાડીનું મહિને 27 હજાર ભાડાની લાલચ આપી હતી

શહેરના સરખજેમાં રહેતા શખ્સે લોડિંગની ગાડી ચલાવતા વ્યક્તિને તેની ગાડી પોર્ટર કંપનીમાં ભાડે આપવાનું કહીને દર મહિને 27 હજાર ભાડું આપવાનું નક્કી કર્યું હતું. એક બે નહીં પરંતુ 12 જેટલી લોડિંગ ગાડી પોર્ટર કંપનીમાં ભાડે મૂકવાનું કહીને શખ્સે ભાડું અને ગાડી પરત આપી નહોંતી. ગાડી માલિકે તપાસ કરતા ગાડી બરોબર વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું, જેથી ગાડી માલિકે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને ઓફર સારી લાગતા મિત્રને જણાવ્યુંધંધુકામાં રહેતા ઉકડભાઈ મુંધવાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે કે, તેમની પાસે બે બોલેરો પીકપ ગાડી હતી, જેમાં તેઓ માલની હેરાફેરી કરીને તેમનું ગુજરાન ચલાવતા હતા. ત્રણ મહિના અગાઉ તેમના મિત્ર ગણપતભાઈ દ્વારા તેમનો સંપર્ક સરખેજના ઈકબાલ સિપાઈ સાથે થયો હતો. ઈકબાલ સિપાઈએ ઉકળભાઈને જણાવ્યું હતું કે, તેમનો પોર્ટર કંપનીમાં કોન્ટ્રાક્ટ છે અને તેમાં એક ગાડીમાં 500 કિલો વજન ભરીને રોજના 200 કિમી માલની હેરફેર કરવા માટે લોડિંગ ગાડીની જરૂરિયાત છે. જે ગાડીનું મહિને 27 હજાર રૂપિયા ભાડું મળશે. ઉકળભાઈ ઘરે જઈને ઓફર સારી લાગતા તેમના મિત્રોને જણાવ્યું હતું. ફરિયાદીએ 12 ગાડીનો મેળ કર્યોઉકળભાઈએ ઈકબાલ સાથે વાત કરીને તેમની ગાડી ભાડે આપવાનું નક્કી કર્યું હતું, ત્યારે ઈકબાલે કહ્યું હતું કે વધારે ગાડી હોય તો કંપનીમાં વધારે ગાડીની પણ જરૂરિયાત છે. જેથી ઉકાળભાઈએ મિત્રો અને ઓળખીતાની કુલ 12 અલગ-અલગ લોડીંગ ગાડી આપવા માટે તૈયાર થયા હતા. તમામ ગાડી ઈકબાલને આપી પણ દીધી હતી. બારોબાર ગાડી વેચી દેતા ફરિયાદઈકબાલે કંપનીનું કોન્ટ્રાક્ટ માટેનું પેપરનું કામ ચાલુ છે તેમ કહીને બહાના બનાવ્યા હતા. લાંબા સમય સુધી કોન્ટ્રાક્ટના પેપર આપ્યા ન હતા અને શરૂઆતમાં બે ગાડીનું 27,000 અને 20000માં ભાડું આપ્યું હતું, પરંતુ બાદમાં ભાડું આપવાનું પણ બંધ કરી દીધું હતું. ઉકડભાઈએ તપાસ કરી તો ઇકબાલે બારોબાર 12 ગાડી જેની કિંમત 18 લાખ રૂપિયા છે તે કોઈ વ્યક્તિને વેચી દીધી હતી. જેથી ઉકળભાઈએ ઈકબાલ વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 11:05 am

ભારતે પાકિસ્તાનને હરાવી T20 વર્લ્ડ કપ જીત્યો:જામનગરમાં શિવરાત્રી પર્વ સાથે દેશભક્તિનો માહોલ

ગઈકાલે જામનગર શહેરમાં મહાશિવરાત્રી પર્વની સાથે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતે પાકિસ્તાન સામે શાનદાર વિજય મેળવતા શહેરમાં ભવ્ય ઉજવણી થઈ હતી. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શહેરમાં નીકળેલી શોભાયાત્રાના માર્ગો પર ડી.જે. પર ભગવાન શિવજીની ધૂન વાગી રહી હતી. આ ધૂન સાથે જ ભારતના વિજય બાદ કેટલાક ક્રિકેટ પ્રેમીઓએ દેશભક્તિના ગીતો વગાડીને જીતનો જશ્ન મનાવ્યો હતો. જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં ભારત-પાકિસ્તાન મેચનું મોટા સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમીઓથી હવાઈ ચોક ઉભરાઈ ગયો હતો. ભારતે 175 રન બનાવ્યા ત્યારે ચોગ્ગા-છગ્ગાની રમઝટથી દર્શકો ખુશ થયા હતા. પાકિસ્તાનની વિકેટો પડવા માંડતા સમગ્ર હવાઈ ચોક વિસ્તાર ક્રિકેટ પ્રેમીઓની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. ભારતની જીત બાદ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા. હવાઈ ચોક વિસ્તારમાં શિવમય વાતાવરણની સાથે દેશપ્રેમની પણ ઝલક જોવા મળી હતી. રાત્રિના સમયે ભારતની જીત બાદ અનેક ક્રિકેટ પ્રેમીઓ હાથમાં તિરંગો ઝંડો લઈને બાઈક પર નીકળી પડ્યા હતા, જેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 11:03 am

ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા ગરમીનું પ્રમાણ વધ્યું:ચાર દિવસ બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે; શિયાળો વિદાય લેવાની તૈયારીમાં

રાજ્યમાં હાલ ઠંડી ઘટી છે અને દિવસે ગરમીનો અહેસાસ શરૂ થયો છે. આગામી 4 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ 2-3 ડિગ્રી તાપમાન વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે બાકીના વિસ્તારમાં કોઈ ખાસ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ અને અમદાવાદમાં 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હાલમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3થી 4 ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે. શિયાળો વિદાય લેવાની તૈયારીમાંરાજ્યમાં હાલમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તરીય પવનો ફૂંકાઈ રહ્યા છે. તાપમાનમાં વધારાનું મુખ્ય કારણ પૂર્વીય પવનો છે, જે પ્રમાણમાં ગરમ હોય છે. હાલમાં આપણે ઉનાળા તરફ આગળ વધી રહ્યા હોવાથી આ એક ટ્રાન્ઝિશન પિરિયડ છે. આગામી 4 દિવસ માટે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 4 દિવસ પછી ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેનાથી ગરમીનો અહેસાસ વધશે. સમગ્ર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 10થી 15 નોટ્સની આસપાસ રહેશે. હાલમાં માછીમારો માટે દરિયો ન ખેડવા અંગેની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 10:56 am

લુણાવાડા અખાડામાં 623 વર્ષથી અખંડ ધુણો પ્રજ્વલિત:ભક્તોને મહાશિવરાત્રિ-જન્માષ્ટમીએ જ દર્શનનો લાભ મળે છે

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં એક અનોખો ઇતિહાસ ધરાવતું મહાદેવનું મંદિર આવેલું છે. અહીં શ્રી સિદ્ધ મનોહરનાથજીના અખાડામાં 623 વર્ષથી એક અખંડ ધુણો નિરંતર પ્રજ્વલિત છે. આ ધુણાના દર્શન વર્ષમાં માત્ર બે વાર – જન્માષ્ટમી અને મહાશિવરાત્રિના દિવસે જ ભક્તોને મળે છે. લુણાવાડા નગરની સ્થાપના પહેલાથી અસ્તિત્વ ધરાવતા આ પ્રાચીન અખાડામાં શ્રી વીરભદ્ર મહાદેવ, કેદારેશ્વર મહાદેવ અને હનુમાનજી સહિત અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ અખંડ ધુણો વીરભદ્ર મહાદેવના શિવલિંગની બરાબર બાજુમાં સ્થિત છે. આ ધુણાને ખોલવાની વિધિ અત્યંત ખાસ છે. નાગા સાધુ રાજગીરી મહારાજ દ્વારા જ ધુણાના દ્વાર ખોલવામાં આવે છે. આ સમયે કોઈ સામાન્ય વ્યક્તિની હાજરી નિષિદ્ધ હોય છે. મનોહરનાથજી મહારાજે અહીં જીવિત સમાધિ લીધેલી હોવાથી આ ભૂમિને તપની ભૂમિ માનવામાં આવે છે. મહારાજના તપના પ્રતાપે આ અખાડાની પાવન ભૂમિ જાગૃત છે. અહીં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. એવી માન્યતા છે કે જે ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે અહીં માનતા માને છે, તેમની દરેક માનતા ભગવાન મહાદેવ પરિપૂર્ણ કરે છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 10:52 am

દેશની પ્રથમ સાયબર સ્લેવરી વેબ સિરીઝ 'મ્યાનમાર ફાઈલ'નું ટ્રીઝર લોન્ચ:IT પ્રોફેશનલ્સ-પોલીસ અધિકારીઓ એક મંચ પર; મોડસ ઓપરેન્ડી, ડ્રામા દ્વારા સાયબર માફિયાઓનો પર્દાફાશ

સુરત શહેર પોલીસ હવે ડિજિટલ યુગના ગુનેગારોને તેમની જ ભાષામાં જવાબ આપી રહી છે. સાયબર ક્રાઇમની માયાજાળમાં ફસાતા નિર્દોષ નાગરિકોને બચાવવા માટે દેશની પ્રથમ સાયબર અવેરનેસ માઇક્રો વેબ સિરીઝ 'Myanmar File'નું ટ્રીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આ માત્ર મનોરંજન નથી, પણ સાયબર માફિયાઓ વિરુદ્ધનું એક સબળ શસ્ત્ર છે. દરેક નાગરિકને 'સાયબર સ્માર્ટ' બનાવવા સુરત પોલીસનો પ્રયાસ આ આખા પ્રોજેક્ટમાં SITA (South Gujarat Information Technologists Association)એ મહત્વની ભૂમિકા ભજવી છે. 15 ફેબ્રુઆરીએ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ટ્રીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જ્યાં આઈટી પ્રોફેશનલ્સ અને પોલીસ અધિકારીઓ એક મંચ પર આવ્યા હતા. સુરત પોલીસનું લક્ષ્ય છે કે, દરેક નાગરિક 'સાયબર સ્માર્ટ' બને. આ વેબ સિરીઝ અને ડ્રામા સોશિયલ મીડિયા પર પણ વાઇરલ કરવામાં આવશે, જેથી છેવાડાના માનવી સુધી આ મેસેજ પહોંચી શકે. વિદેશમાં નોકરીની લાલચ પાછળનું કડવું સત્ય વેબ સિરીઝમાં દેખાશેવેબ સિરીઝ ‘મ્યાનમાર ફાઈલ’ મુખ્યત્વે 'સાયબર સ્લેવરી'ના ગંભીર વિષય પર આધારિત છે. આ સિરીઝમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એજન્ટો દ્વારા ઊંચા પગાર અને લક્ઝરી લાઈફની લાલચ આપી ભારતીય યુવાનોને મ્યાનમાર જેવા દેશોમાં લઈ જવામાં આવે છે. ત્યાં પહોંચ્યા પછી તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવાય છે અને તેમને ગન પોઈન્ટ પર રાખીને ભારતીય નાગરિકો સાથે જ સાયબર ફ્રોડ કરવા મજબૂર કરવામાં આવે છે. આ વેબ સિરીઝ યુવાનો માટે લાલબત્તી સમાન છે. ઇન્વેસ્ટમેન્ટ અને APK ફ્રોડનો સામાન્ય લોકો કેવી રીતે બને છે શિકાર?લોન્ચિંગ દરમિયાન રજૂ કરાયેલા સાયબર અવેરનેસ ડ્રામામાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને APK ફાઈલ ફ્રોડની આધુનિક પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. વ્હોટ્સએપ કે ટેલિગ્રામ પર 'ઘરે બેઠા કમાણી'ની લિંક મોકલીને કેવી રીતે લોકોના લાખો રૂપિયા લૂંટાય છે. અજાણી લિંક પરથી ફાઈલ ડાઉનલોડ કરતા જ તમારો ફોન હેક થઈ જાય છે અને બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. આ ડ્રામા દ્વારા નાગરિકોને સમજાવવામાં આવ્યું કે, લાલચ એ સાયબર ક્રાઇમનું પહેલું પગથિયું છે. 'તેરા તુજકો અર્પણ', 23,14,542 રૂપિયાનો હિસાબ ચૂકતેઆ કાર્યક્રમ માત્ર જાગૃતિ પૂરતો સીમિત નહોતો. સુરત પોલીસે પોતાની સફળતાનો પુરાવો આપતા 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા ફરિયાદીઓને તેમના ગુમાવેલા નાણાં પરત કર્યા હતા. પોલીસ કમિશનરના હસ્તે કુલ 23,14,542 રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું છે કે જો સમયસર સાયબર હેલ્પલાઈન 1930 પર જાણ કરવામાં આવે, તો નાણાં પરત મેળવવાની શક્યતા વધી જાય છે. સાયબર ક્રાઇમથી બચવા સુરત પોલીસની અપીલપોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત જણાવ્યું કે, સાયબર ગુનેગારો સતત નવી રીતો શોધી રહ્યા છે, તેથી આપણે અપડેટેડ રહેવું જરૂરી છે. કોઈપણ અજાણી વ્યક્તિને OTP આપવો નહીં, શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું નહીં અને ખાસ કરીને વિદેશમાં નોકરી માટે જતા પહેલા એજન્ટની પૂરેપૂરી તપાસ કરવી. સુરત સાયબર ક્રાઇમ સેલ 24/7 નાગરિકોની મદદ માટે તૈયાર છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 10:22 am

પરિવારના ચાર સભ્યનો ચમત્કારિક બચાવ:સુરતમાં દાંડી રોડ પર બેલેન્સ ગુમાવતા કાર પલ્ટી ખાઈને નેહરમાં ખાબકી, દંપતિ અને તેમના બે માસૂમ પુત્રને લોકોએ બહાર કાઢ્યા

રામ રાખે તેને કોણ છે ચાખે આ કહેવત સાર્થક કરતો કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. સુરતના દાંડી - નરથાણ રોડ પર મોડી રાત્રે અમરોલી ખાતે પરિવારના સભ્યોને મળીને કારમાં ઓલપાડના નરથાણ ગામ આવતી વખતે દાંડી રોડ પર કુકણી ગામ પાસે બેલેન્સ ગુમાવતાં કાર પલ્ટી થઈ કાચી નેહરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. દંપતી અને તેમના બે માસૂમ પુત્રને ગામના લોકોએ બહાર કાઢ્યા હતા. જોકે રાઠોડ પરિવારના ચારેય સભ્યોમાં ચમત્કારિક બચાવ થતા હાસકારો અનુભવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, ઓલપાડના નરથાણગામમાં માલબારી હોમ્સમાં રહેતા 36 વર્ષીય મનીષ રાઠોડ તેમની પત્ની ખુશ્બુ (ઉ-વ -34) તેમનો 8 વર્ષીય પુત્ર વ્યોમ અને દોઢ વર્ષનો પુત્ર વ્યાન સાથે મોડી રાત્રે અમરોલી ખાતે રહેતા પરિવારના સભ્યોને મળીને કારમાં પરત ઘરે આવવા નીકળ્યા હતા. દરમિયાન દાંડી નરથાણ રોડ પર કુકણી ગામ પાસે અંભેટા રોડ પર અચાનક બેલેન્સ ગુમાવતા કાર પલ્ટી થઈને કાચી નેહરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જોકે નેહરના ઓછા પાણીમાં કાર પલ્ટી થઈ હતી. મનીષે હિંમત દાખવીને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આ અંગે કુકણીગામ પાસે મંદિરમાં શિવલિંગ બનાવી રહેલા કેટલાક વ્યક્તિઓને જાણ થતા તરત ત્યાં દોડી ગયા હતા. 20 મિનિટ બાદ કારનો દરવાજો ખોલી. ત્યાંના લોકોએ સહી સલામત પરિવારના ચારેય સભ્યોને વારા ફરતી બહાર કાઢ્યા હતા. સદનસીબે દંપતી અને તેમના બંને માસૂમ પુત્ર જરા પણ ઈજા નહીં થતા ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, ફાયરબ્રિગેડના જવાનો ત્યાં પહોંચે તે પહેલાં તેઓને સ્થાનિકો દ્રારા નહેરમાં ખાબકેલી કારમાથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 10:17 am

ગાંધીનગરમાં વ્યાજખોરોનો આતંક:રાંધેજાના યુવાને ધંધાર્થે લીધેલા રૂપિયાની સામે 1.80 કરોડ ચૂકવ્યા છતાં મારી નાખવાની ધમકી, 7 સામે ગુનો દાખલ

ગાંધીનગરના રાંધેજાના એટોમોબાઇલના વેપારીએ ધંધાકીય જરૂરિયાત માટે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી 2 ટકાથી લઈ અઠવાડિયે 10 ટકા જેવા ઉંચા વ્યાજે લીધેલા નાણાંની અવેજીમાં મુદલ કરતાં પણ અનેકગણું વ્યાજ ચૂકવ્યા પછી પણ સિક્યુરિટી પેટે આપેલા ચેક પરત ન આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર સાત વ્યાજખોરો વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ચેક પરત ન આપી ધમકી આપીગાંધીનગરના રાંધેજામાં રહેતા અને મેટ્રો ઓટોમોબાઈલ નામનું ગેરેજ ધરાવતા ધ્રુવકુમાર રમેશભાઈ દેસાઈએ આર્થિક સંકડામણને કારણે છેલ્લા ચાર વર્ષ દરમિયાન અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી 2 ટકાથી લઈ અઠવાડિયે 10 ટકા જેવા ઉંચા વ્યાજે નાણાં લીધા હતા. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેણે ઇન્દ્રોડા ગામના અશોકજી ઠાકોરને 1 લાખની સામે મુદલ અને વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં ચેક પરત ન આપી ધમકી આપવામાં આવી રહી છે. જમીન વેચી નાણાં પરત કર્યા બાદ પણ ઉઘરાણીજ્યારે સેકટર 26માં રહેતા તેજાભાઇ દેસાઈ પાસેથી 17.20 લાખ ટુકડે-ટુકડે લીધા હતા, જેને જમીન વેચીને પણ નાણાં પરત કર્યા છતાં તે હજુ પણ વ્યાજની ઉઘરાણી કરે છે. તો રાંધેજાના ​મીનત પટેલ પાસેથી રૂ.24 લીધા હતા, જેનું દૈનિક 4 ટકા લેખે રૂ. 96 હજાર વ્યાજ ચૂકવતા હતા. આ રુપિયા પણ ચૂકવ્યા છતાં તે ચેક પરત આપતો નથી. જ્યારે રાંધેજાના હાર્દીક પટેલના પાસેથી રૂ. 10 લાખ લીધા હતા. જેને 10 ટકા લેખે વ્યાજ ચૂકવ્યું હોવા છતાં હાર્દિક ઘર ખાલી કરાવી દેવાની ધમકી આપે છે. 3 વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પણ માનસિક ત્રાસએજ રીતે સેકટર 26નો તેજપાલસિંહ વાઘેલા પણ મુદલ પરત આપી દીધી હોવા છતાં જૂના ચેક પરત ન આપી વ્યાજની માંગણી કરી રહ્યો છે. અને સેકટર 26ના ​સુરેન્દ્રસિંહ ગજેરાને રૂ. 2 લાખનું ત્રણ વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પણ તે માનસિક ત્રાસ આપી રહ્યો છે. જ્યારે કોલવડા ગામના કરણસિંહ વાઘેલાને રૂ. 1.61 લાખ સામે કુલ રૂ. 1.80 લાખથી વધૂ ચૂકવી દીધા છતાં તે પઠાણી ઉઘરાણી કરી રહ્યો છે. પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરીઆમ વ્યાજખોરો દ્વારા સિક્યુરિટી પેટે રાખેલા બેંકના કોરા ચેક પરત આપવામાં આવતા નથી અને ચેક પરત માંગવા જતાં વેપારીને તેમજ તેના પરિવારને ઘર ખાલી કરાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી હોવાની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે ઉક્ત સાતેય વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:52 am

સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી:ભક્તોએ 42 કલાક દર્શન કર્યા, ચાર પ્રહર પૂજા સંપન્ન

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ અવસરે ચાર પ્રહરની વિશેષ મહાપૂજા અને મહાઆરતી સંપન્ન થઈ. સમગ્ર મંદિર પરિસર 'બમ બમ ભોલે' અને 'હર હર મહાદેવ'ના ગુંજનથી ગુંજી ઉઠ્યું હતું. મહાશિવરાત્રી નિમિત્તે મંદિરના દ્વાર ગઈકાલે વહેલી સવારે 4 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, જે આજે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહ્યા. આ રીતે, સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે દ્વાર ખુલ્લા રહેવાનો અનોખો સંયોગ સર્જાયો, જે વર્ષમાં એક જ વાર બને છે. આ મહાપર્વ દરમિયાન વિશેષ રુદ્રાભિષેક, પાઠાત્મક લઘુરુદ્ર, મહામૃત્યુંજય મંત્રજાપ, શિવ પાર્થેશ્વર પૂજા, સોમેશ્વર પૂજા અને ધ્વજાપૂજા સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું. રાત્રિભર ચાર પ્રહરની મહાપૂજા અને મહાઆરતી ધાર્મિક વિધિપૂર્વક યોજાઈ હતી. ચાર પ્રહરની પૂજાના સમયપત્રક મુજબ, પ્રથમ પ્રહરની મહાપૂજા રાત્રે 08:45 વાગ્યે અને આરતી 09:30 વાગ્યે થઈ. બીજો પ્રહર રાત્રે 11:00 વાગ્યે મહાપૂજા અને મધ્યરાત્રિ 12:30 વાગ્યે આરતી સાથે સંપન્ન થયો. ત્રીજા પ્રહરની મહાપૂજા વહેલી સવારે 02:45 વાગ્યે અને આરતી 03:30 વાગ્યે યોજાઈ. જ્યારે ચોથા પ્રહરની મહાપૂજા સવારે 04:45 વાગ્યે અને આરતી 05:30 વાગ્યે કરવામાં આવી હતી. મધ્યરાત્રિ 10:15 વાગ્યે જ્યોત પૂજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાત્રિ દરમિયાન ભક્તોની અવિરત અવરજવર ચાલુ રહી અને તેમણે દર્શનનો લાભ લીધો. ચાર પ્રહરની પૂજા અને અભિષેકનું વિશેષ માહાત્મ્ય છે. પ્રથમ પ્રહરમાં ગંગાજળથી અભિષેક શાંતિ અને ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે કરાય છે. બીજા પ્રહરમાં દૂધ અને શેરડીના રસથી અભિષેક સમૃદ્ધિ અને સંપત્તિમાં વૃદ્ધિ માટે હોય છે. ત્રીજા પ્રહરમાં પંચામૃત અભિષેક આધ્યાત્મિક જ્ઞાન અને સદબુદ્ધિ પ્રદાન કરે છે. જ્યારે ચોથા પ્રહરમાં નારિયેળ જળથી અભિષેક મોક્ષ અને મનોકામનાઓ પૂર્ણ થવાનું પ્રતીક મનાય છે. મહાશિવરાત્રીની આ રાત્રિ શિવ-શક્તિના મિલનનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા અનુસાર, આ જ પવિત્ર રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વૈવાહિક સંયોગ થયો હતો. રાત્રિભર જાગરણ અને મહાઆરતીમાં સહભાગી થવાથી ભક્તો પર શિવકૃપા વરસે છે અને સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે તેવી શ્રદ્ધા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પવિત્ર આંગણે મહાશિવરાત્રી નિમિત્તે યોજાયેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત દ્વિ-દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોએ ભક્તિ અને આસ્થાનો અદ્વિતીય માહોલ સર્જ્યો હતો. ડાક-ડમરૂના નિનાદ અને ‘બમ બમ ભોલે’ના ગુંજારવ વચ્ચે સમગ્ર સોમનાથ પરિસર શિવમય બની ગયું હતું. ઋષભ આહિરે શિવાજીના હાલરડા સાથે ‘નથી હવે તું નટવર નાનો...’ જેવા દ્વારકાધિશ અને શિવભક્તિના ભજનોના સૂર રેલાવી ભક્તિનું અનોખું સમન્વય સર્જ્યો હતો. આમ, ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત યોજાયેલા આ દ્વિ-દિવસીય મહોત્સવમાં તમામ કલાકારોએ ત્રિલોકના નાથ ભગવાન શિવશંભુની વિવિધ રાગ-આલાપ દ્વારા આરાધના કરી હતી. ભક્તિ, સંગીત અને આધ્યાત્મિક ઉર્જાનો આ સમન્વય સોમનાથની પવિત્ર ધરતી પર ઉપસ્થિત દરેક શ્રદ્ધાળુ માટે અવિસ્મરણીય અનુભવ બની રહ્યો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:51 am

વેજલપુર મર્ડર કેસનો પેરોલ જમ્પ કેદી ઝડપાયો:પાટણ પોલીસે ઉનાવાથી પકડી અમદાવાદ જેલ મોકલ્યો

પાટણ જિલ્લા પેરોલ-ફર્લો સ્કવોડે વેજલપુર મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા એક કેદીને ઉનાવા ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કેદી પેરોલ રજા પરથી ફરાર થયો હતો. પોલીસે તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા કેદીનું નામ લતીફ ઇસ્માઇલ સૈયદ છે, જે પાટણ જિલ્લાના સમી તાલુકાના મોટોમાઢનો રહેવાસી છે. તે વર્ષ 2009ના વેજલપુર પોલીસ સ્ટેશનના IPC કલમ 302 મુજબના મર્ડર કેસમાં સંડોવાયેલો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. કેદી લતીફ સૈયદને 26 ડિસેમ્બર, 2025ના રોજ પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થતાં ફરાર થઈ ગયો હતો. ગુજરાતની જેલોમાંથી ફરાર થયેલા કેદીઓને પકડવા માટે અપાયેલી સૂચનાના આધારે પાટણ પેરોલ-ફર્લો સ્ક્વોડ ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરી રહી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઉનાવા ખાતેથી લતીફ સૈયદને પકડી પાડ્યો હતો. પોલીસે તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(જે) હેઠળ અટકાયત કરી છે. આરોપીને બાકીની સજા ભોગવવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કામગીરીમાં પેરોલ-ફર્લો સ્કવોડના પીએસઆઈ એન.પી. મંડલી સહિત જયંતીભાઈ, કમલેશભાઈ, પ્રવિણસિંહ, સતિષકુમાર, અનુપસિંહ, પ્રદીપસિંહ અને દિલીપસિંહ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:47 am

ભારતે પાકિસ્તાન સામે 61 રનથી સૌથી મોટો વિજય મેળવ્યો:ભરુચ શહેરભરમાં દિવાળી જેવો માહોલ છવાયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. ટુર્નામેન્ટના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ પાકિસ્તાન પર ભારતનો આ સૌથી મોટો વિજય છે. આ જીત બાદ શહેરભરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. મેચ દરમિયાન રમતરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને ક્રિકેટપ્રેમીઓ દ્વારા મોટા પ્રોજેક્ટર સ્ક્રીન મુકીને મેચ નિહાળવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સોસાયટીઓ, ચોક-ચોરાહા તેમજ ક્લબોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ભારતના દરેક રન અને વિકેટ પર તાળીઓ અને જયઘોષ સાથે ઉત્સાહ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. મેચમાં ભારતની જીત નિશ્ચિત થતા જ શહેરના અનેક વિસ્તારોમાં ફટાકડાં ફોડવામાં આવ્યા હતા. શહેરના પાંચબત્તી સર્કલ નજીક મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડી ઢોલ નગારા અને આતીશબાજી સાથે જીતનો જશ્ન ઉજવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં દેશભક્તિ ગીતો સાથે યુવાનો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને તિરંગા લહેરાવી ઉજવણી કરી હતી. મીઠાઈ વહેંચી લોકો એકબીજાને અભિનંદન પાઠવતા જોવા મળ્યા હતા. પાકિસ્તાન સામેના આ વિજયને લઈને ક્રિકેટરસિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. અનેક સ્થળોએ ઢોલ-નગારા સાથે વિજય રેલી પણ યોજાઈ હતી. ભારતની આ જીતને લઈને શહેરમાં દિવાળી જેવો ઝળહળતો માહોલ સર્જાયો હતો અને મોડીરાત સુધી ઉજવણીનો જશ્ન યથાવત રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:47 am

જીતનો જશ્ન, આતશબાજીથી આખું આકાશ ઝળહળી ઉઠ્યું:ભારતની પાકિસ્તાન સામે જીત થતાં વલસાડના આઝાદ ચોકમાં ક્રિકેટ રસિકોએ વિજય ઉત્સવ મનાવ્યો

T-20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ જીત બાદ સમગ્ર દેશ સહિત વલસાડમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વલસાડના ઐતિહાસિક આઝાદ ચોક ખાતે ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમણે ફટાકડા ફોડી, નાસિક ઢોલના તાલે ઝૂમીને ભારતની જીતને વધાવી લીધી હતી. સંયોગવશ, આ જીત મહાશિવરાત્રિના પાવન પર્વ પર આવી હતી. ભક્તો અને ક્રિકેટ રસિકોએ 'હર હર મહાદેવ'ના નાદ સાથે વિજયની ખુશી બમણી કરી હતી. મેચ જેમ-જેમ ભારત જીત તરફ આગળ વધ્યું, તેમ-તેમ વલસાડના રસ્તાઓ પર લોકો ઉતરી આવ્યા હતા. મેચ પૂરી થતાની સાથે જ આઝાદ ચોક વિજયના મેળામાં ફેરવાઈ ગયો હતો. યુવાનોથી લઈને વૃદ્ધો હાથમાં તિરંગો લહેરાવી 'ઇન્ડિયા-ઇન્ડિયા' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવતા જોવા મળ્યા હતા. આઝાદ ચોકમાં મોડી રાત સુધી ઉત્સાહભર્યો માહોલ રહ્યો હતો. ક્રિકેટ રસિકોએ જણાવ્યું હતું કે મહાદેવના આશીર્વાદથી ભારતની જીત થઈ છે. નાસિક ઢોલના ધબકારે લોકો ગરબે ઘૂમ્યા હતા અને આતશબાજીથી આખું આકાશ ઝળહળી ઉઠ્યું હતું. આઝાદ ચોકમાં સતત અડધો કલાક સુધી ફટાકડા ફોડી જીતની ઉજવણી કરાઈ હતી. 'હર હર મહાદેવ' અને 'વંદે માતરમ'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વલસાડના ક્રિકેટ પ્રેમીઓ માટે આ જીત માત્ર એક રમત નહીં, પરંતુ રાષ્ટ્રીય ગર્વનો વિષય બની રહી હતી, જેની ઉજવણીમાં આખું શહેર રંગાઈ ગયું હતું.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:40 am

ભારતનો પાકિસ્તાન સામે T-20 વર્લ્ડ કપમાં ભવ્ય વિજય:ICCની U-19 ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર હેનીલ પટેલે વલસાડના જુજુવામાં જીતની ઉજવણી કરી

T-20 વર્લ્ડ કપના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવી શાનદાર વિજય નોંધાવ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ ગ્રુપ-Aમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે અને સુપર-8 રાઉન્ડ માટે સત્તાવાર રીતે ક્વોલિફાય કરનારી પ્રથમ ટીમોમાં સ્થાન મેળવ્યું છે. આ રોમાંચક મુકાબલામાં ભારતીય ખેલાડીઓએ દબાણ હેઠળ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ટીમે પ્રથમ બેટિંગ કરતા મજબૂત સ્કોર બનાવ્યો. ત્યારબાદ, ભારતીય બોલરોની કડક લાઇન-લેન્થ સામે પાકિસ્તાનના બેટ્સમેનો ટકી શક્યા નહીં. 61 રનની આ જીતથી ભારતનો નેટ રન રેટ +3.05 સુધી પહોંચ્યો છે, જે ગ્રુપમાં સર્વોચ્ચ છે. આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. શહેરોમાં ફટાકડા ફોડી અને 'ભારત માતા કી જય'ના નાદ સાથે ચાહકોએ ઉત્સવ મનાવ્યો હતો. ICCની U-19 ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર હેનીલ પટેલે વલસાડના જુજુવા ગામ ખાતે પોતાના મિત્રો સાથે ભારતની જીતની ઉજવણી કરી હતી. હેનીલ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ટીમ ઇન્ડિયાનું સંયોજન અને આત્મવિશ્વાસ જીતનો મુખ્ય આધાર રહ્યો. તેમણે ઉમેર્યું કે, ભારત-પાકિસ્તાન મેચમાં હંમેશા દબાણ હોય છે, પરંતુ ખેલાડીઓએ મૂળભૂત બાબતો પર ધ્યાન આપીને ટીમ વર્કથી જીત મેળવી. હાલમાં, ગ્રુપ-Aમાં ભારત 3 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ મેળવીને નંબર-1 સ્થાને છે. બીજી તરફ, પાકિસ્તાન ત્રીજા સ્થાને ધકેલાઈ ગયું છે, જેના કારણે તેમના માટે આગળનો માર્ગ મુશ્કેલ બન્યો છે. ભારત હવે 18 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે પોતાની છેલ્લી ગ્રુપ મેચ રમશે. સુપર-8 પહેલાં ડેથ ઓવર્સની બોલિંગ અને પ્લેઈંગ ઇલેવનનું યોગ્ય સંયોજન ટીમ મેનેજમેન્ટ માટે મહત્વપૂર્ણ રહેશે. ભારતીય ચાહકો હવે વર્લ્ડ કપ ટ્રોફી જીતવાની આશા રાખી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:38 am

ભારતે પાકિસ્તાનને 61 રને હરાવ્યું:ટીમ ઇન્ડિયા સુપર-8માં, નવસારીમાં ફેન્સની ટાવર પર જીતની ઉજવણી,ઢોલ નગારાના ટાળે ફેન્સ ઝૂમ્યા

ભારતની જીત થતા જ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. નવસારીના ઐતિહાસિક ટાવર પાસે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા હતા. હાથમાં તિરંગો અને ઢોલ-નગારાના તાલે લોકોએ રસ્તા પર ઉતરીને આ વિજયને વધાવ્યો હતો. આતશબાજી સાથે પ્રશંસકોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવી હાથમાં તિરંગો લઈને જીતની ખુશી વ્યક્ત કરી હતી.નવસારીના ટાવર વિસ્તારમાં રાત્રે 11 વાગ્યા બાદ માનવ કીડિયારું ઉભરાયું હતું. આ જીત સાથે ભારતે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આઠમી વખત પાકિસ્તાનને પરાજય આપ્યો છે. ભારતીય ટીમ અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહી છે અને બોલિંગ-બેટિંગ બંને વિભાગમાં પાકિસ્તાન પર સંપૂર્ણ રીતે હાવી જોવા મળી હતી. T20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 61 રને હરાવી શાનદાર વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ ગ્રુપ-Aના પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે અને સત્તાવાર રીતે સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ પાકિસ્તાન સામે ભારતનો આ અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 175 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી સલામી બેટ્સમેન ઈશાન કિશને આક્રમક બેટિંગ કરતા 40 બોલમાં 77 રન ફટકાર્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 32 રન અને શિવમ દુબેએ 27 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી સૈમ અયુબે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. 176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ ભારતીય બોલરો સામે લાચાર જોવા મળી હતી. પાકિસ્તાનની આખી ટીમ 18 ઓવરમાં માત્ર 114 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને હાર્દિક પંડ્યાએ ઘાતક બોલિંગ કરતા બબ્બે વિકેટ ઝડપી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:34 am

નેતન્યાહુએ PM મોદીના ઈઝરાયલ પ્રવાસની કરી જાહેરાત, કહ્યું - ભારત સાથે અમારું જબરદસ્ત ગઠબંધન

(IMAGE - IANS) PM Modi Visit to Israel: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પીએમ નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ પહેલા ભારતની ભવ્ય પ્રશંસા કરતા બંને દેશો વચ્ચે 'મજબૂત ગઠબંધન' હોવાનું જણાવ્યું છે. ભારતની 1.

ગુજરાત સમાચાર 16 Feb 2026 9:09 am

'જરાય શરમ રહી નથી, જોકરોનો શૉ ચાલી રહ્યો છે...', ટ્રમ્પ સરકાર પર ઓબામાનો મોટો શાબ્દિક હુમલો

Obama Calls Trump Administration A Clown Show : પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ વર્તમાન ટ્રમ્પ સરકારમાં અમેરિકન રાજનીતિના ઘટતાં સ્તરને શાબ્દિક હુમલો કર્યો છે. ઓબામાએ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકાના રાજનીતિને 'જોકરોનો શૉ' ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'વ્હાઈટ હાઉસમાં તાજેતરના નિવેદન મોટાભાગે અમેરિકનને પરેશાન કરવામાં આવ્યા છે.' બ્રાયન ટાયલર કોહેનના 'નો લાઈ' પોડકાસ્ટ પર વાતચીત કરતી વખતે ઓબામાએ પૂર્વ પ્રથમ મહિલા મિલેશ ઓબામા અને તેઓને આપત્તિજનક રીતે બતાવવામાં આવેલા વીડિયો વિશે વાત કરી હતી. આ મુદ્દે ટ્રમ્પ દ્વારા માફી ન માંગવા અને કર્મચારીની ભૂલ ગણાવી હતી.

ગુજરાત સમાચાર 16 Feb 2026 8:52 am

VIDEO : ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર પર હાર્દિક પંડ્યા મેદાનમાં જ ગુસ્સે, સૂર્યાએ ક્લાસ લગાવી

IND vs PAK Match News : ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ જંગમાં ભલે ટીમ ઈન્ડિયાએ મેદાન મારી લીધું હોય, પરંતુ મેદાન પર એક એવો કિસ્સો બન્યો જેણે વિજયના ઉત્સાહ વચ્ચે ગરમાવો લાવી દીધો હતો. પાકિસ્તાન સામેની 61 રનની શાનદાર જીત છતાં, કુલદીપ યાદવની એક ભૂલ પર હાર્દિક પંડ્યા અને કેપ્ટન સૂર્યા લાલઘૂમ જોવા મળ્યા હતા.

ગુજરાત સમાચાર 16 Feb 2026 8:52 am

વડોદરાની ત્રણ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ડી. આર. અમીન, ઉર્મિ અને નાલંદા સ્કૂલને મેઈલ મળ્યો; ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવાઈ

વડોદરાની જાણીતી ડી.આર. અમીન, ઉર્મિ અને નાલંદા સ્કૂલને ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઈમેલ મળતા જ શાળા સંચાલકોએ સતર્કતા દાખવી તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી આપ્યા છે. સાવચેતીના ભાગરૂપે ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો શાળાઓ પર પહોંચી ગયો હતો અને સમગ્ર પરિસરને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…. 14 દિવસ પહેલાં જૂનાગઢ શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ અને રાજકોટ કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી મળી હતી ગત 2 ફેબ્રુઆરીના રોજ ​જૂનાગઢ શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મેલ આવ્યો હતો કે, 2:10 વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે. મેલ મળતાની સાથે જ કોર્ટના અધિકારીઓએ તુરંત પોલીસ વિભાગને જાણ કરી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ઉતરી પડ્યો હતો. અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ કોઈ અઘટિત ઘટના કે શંકાસ્પદ વસ્તુ મળી નહોંતી. આજ દિવસે રાજકોટ કલેક્ટર કચેરીને પણ ઇ-મેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોંતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) 23 જાન્યુઆરીએ અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારાં બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું’. 17 ડિસેમ્બર, 2025એ અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના 36 દિવસ બાદ 23 જાન્યુઆરી, 2026એ ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા હતા. ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 8:49 am

આજે બપોરે વિધાનસભા સત્ર, રાજ્યપાલના સંબોધનથી શરૂઆત થશે:ઉપાધ્યક્ષની ચૂંટણીથી લઈ અનેક અહેવાલો મેજ પર, સલાહકાર સમિતિના અધિવેશનની જાહેરાત થઈ શકે

ગુજરાત વિધાનસભાની પંદરમી વિધાનસભાનું સત્ર આજે સોમવાર 16 ફેબ્રુઆરીના બપોરે 12:00 કલાકે મળશે. વિધાનસભા દ્વારા દિવસના કાર્યક્રમની યાદી મુજબ, પંદરમી વિધાનસભાના આઠમા સત્રમાં ઉપાધ્યક્ષની ચૂંટણીથી લઈ અનેક અહેવાલો મેજ પર મુકવામાં આવશે. રાજ્યપાલનું સંબોધનથી શરૂઆત ને ત્યારબાદ શોકદર્શક ઉલ્લેખસત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધન અને તે અંગે આભાર પ્રસ્તાવની રજૂઆતથી થશે. ત્યારબાદ શોકદર્શક ઉલ્લેખ કરવામાં આવશે. પંદરમી વિધાનસભાના આઠમા સત્ર દરમિયાન રાજ્યના પૂર્વ મંત્રી અને વિધાનસભ્યોના અવસાન અંગે શોક વ્યક્ત કરવામાં આવશે. વિવિધ વિભાગો અહેવાલો રજૂ કરશેવિધાનસભાની કાર્યસૂચિ મુજબ, વિવિધ વિભાગોના વર્ષ 2024-25ના વાર્ષિક અહેવાલો, હિસાબ, ઓડિટ અહેવાલ તેમજ સરકારી કંપનીઓના કારોબારી અહેવાલો વિધાનસભાના મેજ પર મુકવામાં આવશે. તેમાં ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સહિતના અહેવાલોનો સમાવેશ થાય છે. સાથે જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અહેવાલો પણ રજૂ કરાશે. સત્રનો મહત્વપૂર્ણ મુદ્દો ઉપાધ્યક્ષની ચૂંટણીઆ ઉપરાંત, અનુમતિ મળેલા વિધેયકો વિધાનસભાના મેજ પર મુકવામાં આવશે. સત્રનો એક મહત્વપૂર્ણ મુદ્દો ઉપાધ્યક્ષની ચૂંટણી રહેશે. સભ્યો દ્વારા પ્રસ્તાવિત નામો પર ચર્ચા બાદ ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. સલાહકાર સમિતિના અધિવેશનની જાહેરાત થઈ શકેત્યારબાદ કામકાજ સલાહકાર સમિતિના અધિવેશનની જાહેરાત પણ કરવામાં આવી શકે. વિધાનસભાના આ સત્રમાં વિકાસ, વહીવટ અને નીતિગત મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે, જેને લઈ રાજકીય વર્તુળોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:00 am

સાહેબ મિટિગમાં છે:મહિલા ધારાસભ્યોને નવા ફ્લેટમાં અલગ બ્લોક ફાળવ્યો હોવા છતા એક MLAને ન ફાવ્યું, સસ્પેન્ડેડ IAS મદદ માટે સચિવાલય પહોંચ્યા!

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… ટૂંક સમયમાં IPSની બદલીઓની તૈયારીરાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ક્યાંકને ક્યાંક સારા અધિકારીઓની પણ જરૂર પડે છે. પરંતુ રાજ્ય સરકારે IPS અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી રાખ્યા છે. તો કેટલાક અધિકારીઓને જગ્યા છોડી અને નવી જગ્યા ઉપર જવું છે પરંતુ સરકાર IPS અધિકારીઓની બદલી પડતી નથી. જોકે હવે 15થી 20 દિવસમાં આઇપીએસ અધિકારીઓની બદલીઓ આવશે એવી ચર્ચા છે. છેલ્લા કેટલાય સમયથી આઇપીએસ અધિકારીઓ પોતાની બદલીઓની રાહ જોઈ રહ્યા છે ત્યારે સરકાર ચૂંટણીની રાહ જોઈ રહી છે. કારણ કે આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે મહિનામાં યોજાવાની છે ત્યારે એક સાથે આઇપીએસ અધિકારીઓની બદલીઓ અને પોસ્ટિંગ કરવામાં આવશે. આઇપીએસ અધિકારીઓની બદલીઓનો આતુરતાનો અંત હવે ખૂબ નજીક હોવાની ચર્ચા છે. સરકારી પ્લોટ ભાડે મેળવી કમાણી કરનારા નેતાને ભાજપ સંગઠનમાં સ્થાન મળતા કાર્યકર્તાઓમાં કચવાટભાજપમાં સંગઠન ટીમની જાહેરાતો કરવામાં આવી છે. જેમાં અમદાવાદના સંગઠનની ટીમની જાહેરાત થતા કાર્યકર્તાઓમાં નારાજગી છે.ભાજપના જ કાર્યકર્તાઓની સાથે મળીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી પ્લોટને સસ્તા ભાવે ભાડે મેળવીને લાખો રૂપિયા કમાવવામાં સાથે રહેલા એક યુવા નેતાને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે. યુવા નેતા દ્વારા તેમના સાથી કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર કમલમ ખાતેથી આદેશો કરાવી અમદાવાદના પોશ વિસ્તારનો કરોડો રૂપિયાનો સરકારી પ્લોટ ભાડે મેળવી લીધો હતો બાદમાં તેને ભાડે ચડાવી અને લાખો રૂપિયા કમાવવાના હતા. સરકારી પ્લોટને ભાડે મેળવીને ઉપયોગ કરનારા એવા ભાજપના નેતાને પણ સ્થાન આપવામાં આવતા ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે, જો આવા નેતાને સંગઠનમાં સ્થાન આપવામાં આવે છે તો આ હવે શહેર ભાજપ સંગઠનના નામે કેટલી સરકારી જગ્યાઓમાં હવે પોતાના કમાવાના સાધનો ઊભા કરશે. નવા ફ્લેટમાં 11 મહિલા MLAને એક અલગ બ્લોક ફાળવાયો, એક MLA અન્ય બ્લોકમાં શિફ્ટ થયાતાજેતરમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો માટે તૈયાર થયેલા નવા ફ્લેટ્સમાં 11 મહિલા ધારાસભ્યોને એક અલગ બ્લોક ફાળવવામાં આવ્યો હતો. સુવિધા, સુરક્ષા અને સહકારના માહોલને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું માનવામાં આવે છે. જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, એક મહિલા ધારાસભ્યને ફાળવાયેલો ફ્લેટ તેમની સુવિધા અને વ્યક્તિગત પસંદગી મુજબ અનુકૂળ ન લાગતાં તેઓએ અન્ય બ્લોકમાં શિફ્ટ થવાનું પસંદ કર્યું છે. અંદરખાને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, કોઈ કહે છે કે બ્લોકની વ્યવસ્થા અનુકૂળ ન હતી, તો કોઈ કહે છે કે કદાચ શાંતિપૂર્ણ વાતાવરણ માટે બદલાવ કર્યો હશે, જોકે સત્તાવાર રીતે કોઈએ આ બાબતે કંઈ જણાવ્યું નથી. રાજકારણમાં નાનામાં નાની હિલચાલ પણ ચર્ચાનો વિષય બની જાય છે. અહીં પણ એવું જ કંઈક બન્યું છે, સાદી શિફ્ટિંગને લઈને અનેક તર્ક થઈ રહ્યાં છે. હકીકત જે હોય તે હોય, હાલ તો આ મામલો રાજકીય વર્તુળોમાં હળવી ચર્ચાનો વિષય બની રહ્યો છે. સેક્રેટરીઓને મુખ્ય સચિવની સૂચના- 'ભ્રષ્ટાચારીઓને બચાવનારા હવે નહીં બચે'ગત બુધવારે મુખ્યમંત્રી ગાંધીનગરમાં નહી હોવાથી કેબિનેટની બેઠક મળી નહોતી. ગુરુવારે તેઓ હાજર હોવા છત્તા કેબિનેટની બેઠક નહી મળતા બ્યુરોક્રેટ્સમાં આશ્ચર્ય સર્જાયુ હતુ. જો કે, મુખ્ય સચિવે COS- કમિટી ઓફ સેક્રેટરીઝની બેઠક બોલાવી હતી. તેઓ તમામ IAS અધિકારીઓને કડક શબ્દોમાં કહ્યુ હતું કે, મારા ધ્યાન પર આવ્યુ છે કે, હજુ પણ કેટલીક જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એટલુ જ નહી, તેને કેટલાક અધિકારીઓ સીધી કે આડકતરી રીતે બચાવી રહ્યા છે,જે યોગ્ય નથી. જીએસટીના બે કેસમાં ખોટીરરીતે ઈનપુટ્સ લેવાના કેસમાં આરોપી અધિકારીને બચાવવા માટે અમુક અધિકારીએ પ્રયત્નો કર્યા હતા. જેથી તમામ અધિકારીઓને ચેતવણી આપી હતી કે, આવા બધાથી દૂર રહેવુ. જે અધિકારીઓ ફાઈલો આડીઅવળી કરશે કે ભ્રષ્ટાચારીઓને બચાવવાના પ્રયત્નો કરશો તો તેવા અધિકારી સામે પણ કડક કાર્યવાહી કરાશે. ખોટું કરનારા બચી શકશે નહી. દોષિતોને બચાવવા માટે ફાઈલોને ઉપર નીચે કરવાની જરુર નથી. તેઓ શિખામણ આપી છે કે, સૌ કોઈએ સરકાર પ્રત્યેની નિષ્ઠા રાખવી જોઈએ. સસ્પેન્ડેડ IAS આયુષ ઓક GADમાં મળવા આવ્યા,મદદની માગણી કરીસુરતના ડુમ્મસના 2000 કરોડની કીંમતની સરકારી જમીનના કૌભાંડમાં સંડોવાયેલા મનાતા અને સસ્પેન્ડ થયેલા આઈએએસ અધિકારી આયુષ ઓકે ગત અઠવાડીયે સચિવાલયમાં દેખા દીધી હતી. તેઓ બપોરે બે વાગ્યાની આસપાસ આવ્યા હતા. તેઓ બ્લોક નં 1ના છઠ્ઠા માળે આવેલી સામાન્ય વહીવટી વિભાગની ઓફિસમાં ગયા હતા. તેઓ જીએડીના એડિશનલ ચીફ સેક્રેટરી અંજુ શર્માને મળવા માગતા હતા. તેઓએ મેડમને મળીને તેમની સાથે વાતચીત પણ કરી હતી. તેમજ પોતાનો બચાવ કર્યો હતો. ચર્ચા મુજબ તેઓએ મેડમને એવુ કહ્યુ છે કે, આ પ્રકરણમાં હું નિર્દોષ છું. મને ફસાવી દેવાયો છે. માટે મારુ સસ્પેન્શન રદ થાય તે માટે તમે સરકારને ભલામણ કરીને મને મદદ કરો. મેડમે તેમની વાતને શાંતિથી સાંભળીને આશ્વાસન આપ્યુ હતુ. મેડમને મળીને બહાર નિકળેલા ઓકે લોબીમાં ઉભેલા પત્રકારે રોકીને પૂછ્યુ હતુ કે, સાહેબ તમે અહીં કેમ આવ્યા છો. હવે તમે શું કરશ? જો તમો ઈચ્છો તો તમે અમને તમારો પક્ષ જણાવો અમે તેને ન્યાય આપીશુ અને તમને એક પ્રકારની મદદ પણ મળશે. જો કે, તઓએ ખાસ કોઈ જવાબ આપ્યા નહોતા પરંતુ એટલુ સ્પષ્ટ કર્યુ હતુ કે, આમા તમારા લખવાથી મને કોઈ મદદ મળવાની નથી. રાજકીય રીતે જ્યારે મને મદદ મળશે તો જ મારો છુટકારો થશે. CMOના મુખ્ય સલાહકાર હસમુખ અઢીયાની ગિફ્ટ સિટીમાંથી અણધારી એક્ઝિટથી અનેક ચર્ચામુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સત્તાવાર રીતે મુખ્ય સલાહકાર તરીકે નિવૃત્ત IAS હસમુખ અઢીયાની નિમણૂક કરાઈ હતી. ઉપરાંત તેમને ગિફ્ટ સિટીના ચેરમેનની જવાબદારી પણ સોંપાઈ હતી. જો કે, જીએમડીસીના ચેરમેન પણ તેઓ જ છે. ગત શનિવારે સાંજના સમયે સરકારે કરેલા એક ઓર્ડરથી બ્યુરોક્રેટસમાં જબરજસ્ત ચર્ચા શરુ થઈ છે. કેમકે આ ઓર્ડરમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અઢીયાને ગિફ્ટ સિટીના ચેરમેન તરીકેની ફરજમાંથી તાત્કાલીક અસરથી છૂટા કરીને તેમને સ્થાને કોટક બેન્કના સર્વેસર્વા એવા ઉદય કોટકને મુકી દેવાયા હતા. ગિફ્ટ સિટીમાં અત્યાર સુધીમાં જે કોઈ નિમણૂકો થઈ હતી તે સરકારમાંથી જ આવતા હતા અથવા તો નિવૃત્તી પછી મુકાતા હતા. આ વખતે પ્રથમવાર જ કોઈ વ્યક્તિને બહારથી લવાયા છે. બ્યુરોક્રેટ્સમાં ચર્ચા છે કે, અઢીયાને તેમનો સ્વભાવ અને એટીટ્યુડ નડી ગયા હતા.તેમજ અહીં આવવા માગતી કંપનીઓને તેઓ કોઈ પ્રકારનો સપોર્ટ કરતા નહોતા. હવે આગામી સમયમાં આ પ્રકારના વધુ ફેરફારો થઈ શકે છે. ગુજરાત સરકારના PSUનો પણ ખાનગી કંપનીની જેમ વિકાસ કરોઃ CS કેબિનેટને સમાંતર મળેલી કમિટી ઓફ સેક્રેટરીઝમાં મુખ્ય સચિવ મનોજકુમાર દાસે પોતે સરકારના જાહેર એકમોના સંદર્ભમાં રસપ્રદ પ્રેઝન્ટેશન કર્યુ હતુ.જેમાં તેઓએ કહ્યુ હતુ કે, ખાનગી કંપનીઓની માફક આપણા સરકારના જાહેર એકમો-કંપનીઓનો પણ વિકાસ કરવો જોઈએ. સમગ્ર વિશ્વની નજર અત્યારે ભારત પર છે. વિઝન અને ઓપર્ચ્યુનિટી વધી છે. ગુજરાતના વિકાસમાં-જીડીપીમાં જાહેર સાહસોનો હિસ્સો હજુ પણ નોંધપાત્ર રીતે વધે તે પ્રકારનુ પ્લાનીંગ કરવુ પડશે. તેઓએ કહ્યુ કે, ગુજરાત ગેસની નેટવર્થ 80 હજાર કરોડની છે. જ્યારે જીએનએફસી, જીએમડીસી-જીએસપીસી સહિતના અનેક એકમોની વેલ્યુ હજારો કરોડોમાં થવા જાય છે.આગામી બે દાયકા વિકાસ માટે ખુબ જ મહત્વના હોવાથી આવી કંપનીઓના વિકાસ માટે શું કરવુ જોઈએ તેનો પાંચ વર્ષનો રોડ મેપ તૈયાર કરો.જેના માટે ઉચ્ચ અધિકારીઓએ એલર્ટ થવુ પડશે. માર્કેટ સાથે અપડેટ રહેવુ પડશે. આ કંપનીઓ થકી ગુજરાતનો જીડીપી વધે તેવા પગલા લેવાનુ વિચારો. ગુજરાતમાં બનેલી પ્રથમ કોમર્શિયલ ચિપ્સને વડાપ્રધાનના હસ્તે બજારમાં વેચાણ માટે મુકાશેઅમેરિકાની જાયન્ટ કંપની માઈક્રોને ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપ્યો છે. જેમાં ચિપ્સનુ ઉત્પાદન થઈ રહ્યુ છે. કંપની દ્રારા કોમર્શિયલી ઉત્પાદન થઈ રહ્યુ છે. આ પ્લાન્ટમાં બનેલી પ્રથમ ચિપ્સના લોન્ચીંગ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ આમંત્રણ અપાઈ ગયુ છે. તેઓ 28મી ફેબ્રુઆરીએ સાણંદમાં ચિપ્સના વેચાણ માટેનુ ઓપનીંગ કરવા આવે ત્યારે સાથોસાથ અન્ય કોઈ ઈવેન્ટમાં પણ વડાપ્રધાન હાજર રહે તે માટે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 1લી માર્ચે સેમી કનેક્ટ કોન્ફરન્સ 2026 ઈવેન્ટ યોજવાની સરકારે તૈયારી કરી છે. સરકાર દ્રારા PMOમાં લેટર લખાયો છે. પણ હજુ ત્યાંથી કોઈ જાતનુ કન્ફર્મેશન આવ્યુ નથી. કેમકે માત્ર વાહવાહી લૂંટવાના હેતુથી આયોજન કરાતુ હોવાની છાપ ઉભી થતા વડાપ્રધાનના હાજર રહેવાની શક્યા દેખાતી નથી. DSTના કેટલાક ટેન્ડરોના મુદ્દે મુખ્યમંત્રી ચિંતિત, સેક્રેટરી-અધિકારીઓને ખખડાવ્યા;પી.ભારતી દિલ્હી દોડ્યા છેલ્લા કેટલાક સમયથી સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ મૃતપાય હાલમાં હોય એવુ લાગી રહ્યુ છે. હજારો કરોડોના ટેન્ડરોના કોઈ ઠેકાણા નથી. આ સંદર્ભમં કેન્દ્ર સરકારના અધિકારીઓ-મત્રી આવેને મીટીંગો કરી ગયા છે. અહીંથી અધિકારીઓ દિલ્હી જઈને મીટીંગો કરી આવ્યા છે પણ કોઈ હલ આવતો નથી. આખરે ગત અઠવાડિયે મુખ્યમંત્રીએ ડીએસટીના સેક્રેટરી પી.ભારતી સાથે મીટીંગ કરી હતી. જેમાં સીએમના મુખ્ય સલાહકાર હસમુખ અઢીયા પણ હાજર હતા. જેમાં ભારતીને ઠપકો આપ્યો હતો. તેમજ લટકી પડેલા ટેન્ડરના મુદ્દે ચોક્કસ સમય સુધીમાં જ ઠોસ નિર્ણય લેવાનુ કહેવાયુ હતુ.જેને પગલે પી. ભારતી દિલ્હી દોડ્યા હતા તેમજ હજારો કરોડનો ટેન્ડરના મુદ્દે કેન્દ્રનુ ગાઈડન્સ માગ્યુ હતુ. શિક્ષકોને ઉચ્ચતર પગારનો હક મળવા છતા “સ્ટીકર” અને ફાઈલની પ્રક્રિયા બારી સુધી સીમિતજુના સચિવાલય સ્થિત ડાયરેક્ટોરેટ ઓફ એકાઉન્ટ એન્ડ ટ્રેઝરીની ઓફિસને લઈ શિક્ષક વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ છે, કહેવામાં આવે છે કે 20 વર્ષની સેવા પૂર્ણ થતાં ઉચ્ચતર પગારનો હક મળવા છતાં “સ્ટીકર” અને ફાઈલની પ્રક્રિયા બારી સુધી સીમિત રહી જાય છે; સોમ-ગુરુએ જ ખુલતી નાની બારી પર દુર-દુરથી આવેલા શિક્ષકોને માત્ર “15-20 દિવસ” લાગશે તેવો સ્ટેટસ જવાબ મળે છે, પણ હકીકતમાં મહિના વીતી જાય છે. DEO ઓફિસથી આવેલી નોંધમાં નાની કમી જણાય તો ફાઈલ પાછી ફરતી હોવાનું કહેવાય છે, જેના કારણે પગાર વધારો દોઢ-બે વર્ષ સુધી અટક્યો રહે એવી પણ ચર્ચા છે. અંદરખાને એવું પણ સાંભળવા મળે છે કે, ઉચ્ચ અધિકારી સુધી સીધી પહોંચ મુશ્કેલ હોવાથી સ્પષ્ટ જવાબ મળતા નથી, અને આ ધીમી ગતિનો અંતે ભાર સરકાર પર એરિયર્સ રૂપે જ ચડે છે. સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ ન હોવા છતાં શિક્ષકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગને ફૂલ ટાઈમ સેક્રેટરી ક્યારે મળશે?દુનિયાભરમાં યુનાઈટેડ નેશનના મંચથી લઈને દરેક આંતરરાષ્ટ્રીય ફોરમ પર ક્લાઈમેટ ચેન્જની ગુંજ સાંભળાઈ રહી છે અને વૈશ્વિક સ્તરે પણ SDG (Sustainable Development Goals)ને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગની હકીકત થોડુંક ‘ફાઈલોમાં જ ફસાયેલી’ જેવી લાગી રહી છે. ક્લાઈમેટ ચેન્જ વિભાગના બજેટ અને ગ્રાઉન્ડ લેવલ અમલ બાબતે હજી ‘નવું નાણાકીય વર્ષ આવશે ત્યારે જોશું’ જેવી ચર્ચાઓ ચાલી રહી છે. રિસર્ચ માટે રૂ.1 કરોડ સુધીનો પાવર હોવાની વાત વચ્ચે GEDAની પ્રેઝન્ટેશન મેરેથોનમાં 50 જેટલા રિસર્ચર્સને એક જ દિવસે બોલાવી અવ્યવસ્થાની ચર્ચા પણ ચાલી રહી છે, ચર્ચાઈ રહ્યું છે કે સંશોધનનો પ્રસ્તાવ લઈને આવેલા પ્રોફેસરો લોબીમાં કલાકો ઊભા રહ્યા! અંતે થોડા પ્રોજેક્ટને જ મર્યાદિત ફંડ મળતાં સવાલ ઊભા થયા છે કે વિચારો તો આવે છે, પણ અમલ માટેનું મોટું ચિત્ર ક્યારે દેખાશે? ઉપરથી આ ઉચ્ચ અધિકારી જોડે બે વિભાગના ચાર્જ હોય તેઓ બીજા વિભાગમાં જ વ્યસ્ત હોય છે એટલે ચર્ચાઈ રહ્યું છે કે ક્લાઈમેટ ચેન્જ વિભાગને ફુલ ટાઈમ સેક્રેટરી ક્યારે મળશે કે પ્રાથમિકતા ફક્ત કાગળો પર જ રહેશે! અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં પ્રદેશ પ્રમુખની નજીક રહેલા નેતાઓને દબદબોગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં શહેર અને જિલ્લાઓની નવી સંગઠનની ટીમ જાહેર થઈ છે. જોકે અમદાવાદની ટીમમાં ક્યાંક ને ક્યાંક કેટલાક નેતાઓમાં ભાજપના પ્રદેશ પ્રમુખનો ખુબ મોટો ફાળો રહ્યો હોવાથી પૂર્વ વિસ્તારના અને તેમની નજીકના માણસોને લેવામાં આવ્યા હોવા અંગેની ચર્ચા જાગી છે. પ્રદેશ પ્રમુખ પોતાના નજીકના માણસોના સંગઠનમાં સ્થાન આપી રહ્યા છે. જે હોદ્દેદારો સંગઠનમાં ખૂબ વર્ષોથી અને પાયાના કાર્યકરો તરીકે કામ કરે છે એવા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને દૂર કરી દેવામાં આવ્યા છે અને જે લોકો પ્રદેશ પ્રમુખ માટે અગાઉ કામ કરી ચૂક્યા છે એવા નેતાઓને આગળ ધરીને હોદ્દાઓ આપવામાં આવી રહ્યા છે. ભાજપના સંગઠનમાં જે પ્રમાણે હોદ્દાઓ મળી રહ્યા છે ત્યારે કેટલાક કાર્યકર્તાઓમાં અને હોદ્દેદારોમાં નારાજગી જોવા મળી રહી છે. સંગઠનની ટીમો જાહેર થતાં ક્યાંક ને ક્યાંક આંતરિક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે નવી સંગઠનની ટીમ હવે આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવી શકશે નહીં એવી ચર્ચા ભાજપના કાર્યકર્તાઓમાં જાગી છે. અમદાવાદ શહેર ભાજપમાં રિપિટ થિયરીના કારણે અનેક કાર્યકર્તા રાહ જોતા રહી ગયાગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની ટીમ જાહેર થયા બાદ અમદાવાદ શહેર ભાજપ સંગઠનની ટીમની 14 ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરવામાં આવી. જેમાં સંગઠનમાં જે હોદ્દેદારો જુના હોદ્દા ફુગાવતા હતા તેમને નવા હોદ્દા આપી અને જાળવી રાખવામાં આવ્યા છે. નવા માત્ર 10 ટકા જેટલા જ લેવામાં આવ્યા હોવાથી અનેક કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ પ્રમુખની ખૂબ નજીકના માણસોને સંગઠનમાં ગોઠવવાની જગ્યાએ કોર્પોરેશનની ટિકિટ આપી મુખ્ય પાંચ હોદ્દેદારોમાં સ્થાન મળશે તેના માટેની ચર્ચા શરૂ થઈ છે. કોર્પોરેટરોની ટિકિટ કાપવા માટે થઈને સંગઠનમાં સ્થાન આપી દેવામાં આવ્યું છે જ્યારે કેટલાક નેતાઓને પ્રદેશ પ્રમુખનો ઝભ્ભો પકડીને આગળ પાછળ ફરવાનું શરૂ કર્યું છે. પ્રાથમિક સુવિધાઓને સાઈડમાં મૂકી સર્કલના ઉદઘાટનમાં વ્યસ્ત નેતાઓ ચૂંટણી આવતાની સાથે જ હવે ભાજપના નેતાઓ ઉદઘાટનો કરવા લાગ્યા છે. નામની પ્રસિદ્ધિ મેળવવા ભાજપ નેતાઓ હવે સર્કલોના ઉદ્ઘાટનો કરી રહ્યા છે. પરંતુ ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યો જે વિસ્તારમાં ઉદઘાટન કરવા જાય છે ત્યાં વર્ષોથી રોડ પાણી અને ગટરની સમસ્યા છે. તેનો ઉકેલ લાવવા માટે ખાસ રસ આપતાં નથી. ગોદરેજ ગાર્ડન સિટીના સ્થાનિક લોકોમાં ચર્ચા જાગી છે કે ગોદરેજ ગાર્ડન સિટી ચોકી નજીક સર્કલનું ઉદઘાટન કરવા નેતાઓ આવી ગયા હતા. પરંતુ ત્યાંથી માત્ર 100 મીટર દૂર એક રોડ આવેલો છે જે નવો રોડ બનાવી શકતા નથી. સ્ટ્રીટ લાઈટો છેલ્લા એક મહિનાથી બંધ છે છતાં લાઈટો ચાલુ કરાવી શક્યા નથી. સર્કલનું ઉદઘાટન કરવા માટે નેતાઓ આવી ગયા હતા. પરંતુ છેલ્લા અનેક મહિનાઓથી રોડ ખરાબ છે લાઈટો બંધ છે અને ત્યાં પાણી રોડ ઉપર આવી જવાની સમસ્યા છે એ જોવા ના આવ્યા અને ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરો સર્કલ ઉદ્ઘાટન કરવા માટે પહોંચી જતાં અનેક ચર્ચાઓ જાગી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:00 am

RTO લાઈસન્સ કઢાવવામાં હવે પોલંપોલ નહીં ચાલે:ટેસ્ટ દરમિયાન ભૂલ કરી તો 17 કેમેરા પકડી પાડશે, રાજકોટમાં ડ્રાઈવીંગ ટેસ્ટ માટે AI આધારિત ટ્રેક તૈયાર

રાજકોટ RTO કચેરીમાં આધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ચૂક્યો છે. રૂ. 80 લાખના ખર્ચે નિર્મિત ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને RFID (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન) સેન્સર છે. જેને લીધે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ ઝડપથી અને ચોકસાઈ પૂર્વક થઈ શકશે. અન્ડર ગ્રાઉન્ડ સેન્સર અને પાવર બેકઅપની સુવિધા હોવાથી વાવાઝોડા કે વરસાદ સમયે તેમજ વિજળી ગૂલ થઈ ગઈ હશે તો પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રહેશે. નવા ટ્રેકમાં વાહન ચાલકોને કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે તેની તમામ વિગતો વીડિયોના માધ્યમથી દિવ્ય ભાસ્કર ડિજિટલ આપને બતાવવા જઈ રહ્યું છે. કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની ને કેટલા સમયમાં પૂર્ણ કરવી?રાજકોટના આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાકે જણાવ્યું હતું કે, RTOનો નવો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટ્રેક માનવ હસ્તક્ષેપ રહિત છે. જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર વ્યક્તિ ફેઈલ થાય તો તે પણ રિઝલ્ટમાં જણાવવામાં આવે છે. નવા ટ્રેકમાં ટેસ્ટ આપતા પહેલા ફરજિયાત વીડિયો જોવાનો રહેશે. જેથી વ્યક્તિ સરળતાથી સમજી શકશે કે કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની છે અને કેટલો સમય આ ટેસ્ટ માટે આપવામાં આવે છે. નવા ટ્રેકમાં 17 AI કેમેરાRTOના જૂના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં 4 CCTV કેમેરા છે. જ્યારે નવા ટ્રેકમાં 17 AI કેમેરા હશે. જે 360 ડિગ્રી ફરી શકશે. જેથી જો વ્યક્તિ ટેસ્ટમાં નાપાસ થાય તો તે બતાવે છે. જેથી બીજી વખત વ્યક્તિ જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપે ત્યારે તે બાબતોનું ધ્યાન રાખી શકે. અંડર ગ્રાઉન્ડ વાયરિંગ સેન્સર ને પાવર બેકઅપ રાજકોટમાં દરરોજ ટુ વ્હીલર અને ફોર વ્હીલર તેમજ હેવી વ્હીકલ મળી 500 જેટલા અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવે છે. આ AI ટ્રેક હોવાથી ઓટોમેટિક હશે. જેમાં પાવર બેકઅપ પણ હશે. જેથી લાઈટ નહીં હોય તો પણ સર્વર બંધ નહીં થાય. ચોમાસામાં વરસાદમાં વાયરીંગને કોઈ નુકશાન નહીં થાય કારણકે અંડર ગ્રાઉન્ડ વાયરિંગથી સેન્સર મૂકવામાં આવ્યા છે. જેથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેવાની સમસ્યા નહીવત થઈ જશે. વારંવાર ટેકનિકલ ખામીઓને કારણે ટ્રેક બંધ થતોમહત્વની વાત એ છે કે રાજકોટ સહિત રાજ્યભરમાં 31 ડિસેમ્બર, 2017 બાદ ટ્રેક મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવેલો નથી એટલે કે છેલ્લા 7 વર્ષથી ટ્રેકના મેન્ટેનન્સ માટે કોઈ ટેકનિકલ વ્યક્તિ જ નથી. જે તે વખતે ટ્રેક મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ સિલ્વર ટચ નામની કંપનીને આપવામાં આવ્યો હતો જોકે બાદમાં આ કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવતા વારંવાર ટેકનિકલ ખામીઓને કારણે ટ્રેક બંધ થઈ જાય છે. ટ્રેક મેન્ટેનન્સ માટે પૂરતો સ્ટાફ નથીરાજકોટ આરટીઓની જો વાત કરવામાં આવે તો અહીં ટ્રેક મેન્ટેનન્સ માટે કોઈ જ ટેકનિકલ વ્યક્તિ ન હોવાને કારણે સવાર અને સાંજ એમ 2 સિફ્ટમાં મોટર વ્હિકલ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર ફરજ બજાવી રહ્યા છે. ફોર વ્હીલર ટ્રેક પર 5 ને ટુ વ્હીલર ટ્રેક પર 2 RFID સેન્સરરાજકોટ RTO કચેરી ખાતે ફોર વ્હીલર ટ્રેક પર 5 RFID ( રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન) સેન્સર છે જ્યારે ઢાળ, પાર્કિંગ, ઇંગલિશ 8, રિવર્સ અને કેપ્ચર એમ 5 કેમેરા છે. જ્યારે ટુ વ્હીલર ટ્રેક પર 2 RFID સેન્સર છે અને કેપ્ચર અને ટેસ્ટ લેવા માટેના એમ 2 કેમેરા છે. કેમેરા બંધ થતાં સિસ્ટમ સાથે કનેક્ટ કરવા મુશ્કેલીઆ કેમેરા 13 વર્ષ જૂના છે. જેને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં વિઝ્યુલીટી નબળી આવે છે અને જ્યારે કેમેરા બંધ થઈ જાય ત્યારબાદ તેને ચાલુ કરી સિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને આ કેમેરા રીપેર કરવા માટે સ્થાનિક સોર્સ ન હોવાથી બહારથી ટેકનિકલ વ્યક્તિઓને રીપેર કરાવવા માટે બોલાવવા પડે છે જે પણ એક સમસ્યા છે. જેથી અંદાજે એક મહિના બાદ AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થતાં સંપૂર્ણ સમષ્યાનો અંત આવશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:00 am

બાઈક ચોરીનો કિસ્સો આવ્યો સામે:તિલકનગર પોલીસ ક્વાર્ટર સામેથી બાઈક ચોરી થઈ

ભાવનગર શહેરના તિલકનગર પોલીસ ક્વાર્ટર ની સામે રહેતા રવિન્દ્રભાઈ ધીરુભાઈ ભલગામિયા એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તા. 1/2/2026 ના રોજ પોતાના ઘરની બહાર મોટરસાયકલ નંબર GJ/04/CS/5040 ને લોક માર્યા વગર મૂક્યું હતું ત્યારે બીજા દિવસે સવારે ઘર બહાર આવીને જોતા મોટરસાયકલ હાજર ન હોય જેથી પરિવારમાં બીજા સભ્યોને પૂછીને મોટરસાયકલ વિશે માહિતી મેળવતા ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર બનાવ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:17 am

જીવલેણ હુમલો કરાયો:બજરંગદળના કાર્યકર્તા પર બોલાચાલીમાં છરીથી હુમલો, રૂપિયા લૂંટી આરોપી ફરાર

ભાવનગર શહેરમાં વધતા અસામાજિક તત્વોના આતંક વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નાની બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં રીક્ષા ચાલક તથા બજરંગ દળના કાર્યકર્તા લક્ષ્મણભાઈ વાલાભાઈ સાટીયા પર છરીથી હુમલો કરી રૂપિયા લૂંટી ફરાર થઈ જવાની ઘટનાએ કાયદો-વ્યવસ્થાને લઈને પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. ઘટનાની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ખાતે કરવામાં આવી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ફરિયાદ નોંધાવ્યા મુજબ, નારી રોડ કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને બજરંગદળના કાર્યકર્તા લક્ષ્મણભાઈ સાટીયા પોતાની રીક્ષામાં મુસાફરને બેસાડી ગંગાજળિયા તળાવ તરફ જઈ રહ્યા હતા. સવારે 11:15 વાગ્યાના સુમારે વડવા તલાવડી ચોકડી નજીક પહોંચતાં તેમની આગળ ચાલતા GJ/04/EH/0077 નંબરના મોટરસાયકલ ચાલકે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતાં અચાનક વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો. આ બાબતે સમજાવટ કરતાં મોટરસાયકલ ચાલક ઉશ્કેરાઈ ગયો અને લક્ષ્મણભાઈને ભુંડાબોલી ગાળાગાળી કરી. ગાળો ન બોલવાની ના પાડતા જ આરોપીએ અચાનક છરી કાઢી લક્ષ્મણભાઈના પગના ભાગે ઘા મારી દીધો. આચાનક થયેલા હુમલામાં લક્ષ્મણભાઈ ઘાયલ થતાં તેમની પાસે રહેલા રૂ. 2000 લૂંટી આરોપી ફરાર થઈ ગયો. ઇજાગ્રસ્ત હાલતમાં લક્ષ્મણભાઈએ પોતાની રીક્ષા સ્થળ પર મૂકી બસ મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા, જ્યાં બજરંગ દળના અનેક કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. પોલીસે આરોપી મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ તેજ કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:17 am

સિટી એન્કર:યુનિ. 6 કેટેગરીમાં નેશનલ યુથ ફેસ્ટિવલમાં ક્વોલિફાય

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ટીમે ૩૯મા AIU વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં શાનદાર પ્રદર્શન કરી MKBયુનિવર્સિટીનાં ઇતિહાસ માં સૌ પ્રથમવાર 6 કેટેગરી (વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, કાર્ટૂનિંગ, સ્કીટ, કોલાઝ, ફોક ઓર્કેસ્ટ્રા, રંગોળી)માં નેશનલ યુથ ફેસ્ટિવલ માટે ક્વોલિફાય કર્યું છે. વલ્લભ વિદ્યાનગર, ચારુતર વિદ્યા મંડળ (CVM) યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ખાતે 39માં એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ટીમે ઉત્તમ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન અંકે કરી વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ - સોલો: મોહમ્મદ ફૈઝાન આઝબ (નેશનલ યુથ ફેસ્ટિવલ માટે ક્વોલિફાય) - ​કાર્ટૂનિંગ: આશીષ ડોડિયા (નેશનલ યુથ ફેસ્ટિવલ માટે ક્વોલિફાય). ​બીજું સ્થાનમાં સ્કિટ: (નેશનલ યુથ ફેસ્ટિવલ માટે ક્વોલિફાય) અને ​કોલાજ: બારૈયા વિશાખા (નેશનલ યુથ ફેસ્ટિવલ માટે ક્વોલિફાય)​ત્રીજુ઼ સ્થાન મેળવ્યું તેમાં ફોક ઓર્કેસ્ટ્રા: (નેશનલ યુથ ફેસ્ટિવલ માટે ક્વોલિફાય) અને રંગોળી: બારૈયા વિશાખા (નેશનલ યુથ ફેસ્ટિવલ માટે ક્વોલિફાય), ચોથું સ્થાનમાં ક્લાસિકલ પર્ક્યુશન: શુભમ ભટ્ટી અને પોસ્ટર મેકિંગ, ​ફોક ડાન્સ તેમજ પાંચમું સ્થાન ​મિમિક્રી અને વન એક્ટ પ્લે કેટેગરીમાં મેળવ્યું છે. કુલપતિ પ્રો. ભરતભાઇ રામાનુજ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્યો, રજિસ્ટ્રાર, ડૉ. દિલીપસિંહ ગોહિલે,વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. આ ટીમનું નેતૃત્વ ટીમ મેનેજર ડૉ. આશીષસિંહ ઝાલા અને પ્રો. દીપિકાબેન પંડ્યાએ સંભાળ્યું હતું, સંગીત ઇવેન્ટ્સ માટે માર્ગદર્શક તરીકે વિહિત પાઠક અને જયદીપ પરમાર, સ્કિટ માટે અનોપસિંહ સરવૈયા અને વિપુલ રાઠોડ તથા ફાઇન આર્ટ્સ માટે શૈલેષ ડાભીએ યોગદાન આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:13 am

મંડે પોઝિટીવ:જૂના જહાજોની નવી મંજિલ, અલંગ ફરી ચર્ચામાં

અલંગ-સોસિયા શિપ રિસાયક્લિંગ યાર્ડ યુરોપિયન યુનિયન દ્વારા તાજેતરમાં શિપ રીસાયક્લિંગ નિયમોમાં છૂટછાટના સૌથી મોટા લાભાર્થીઓમાં ટોચના ક્રમે ઉભરી આવવા માટે તૈયાર છે, એક પગલું જે વૈશ્વિક સ્તરે જૂના શિપ વ્યવસ્થાપનને ફરીથી આકાર આપી શકે છે. નીતિમાં ફેરફાર એવા સમયે થયો છે, જ્યારે દરિયાઇ ઉદ્યોગ નિયત અવધિ વટાવી ચૂકેલા તથા અને પર્યાવરણીય રીતે યોગ્ય અને કામદારો-સુરક્ષિત રીસાયક્લિંગ પ્રથાઓ સુનિશ્ચિત કરવા માટે વધતા દબાણનો સામનો કરી રહ્યો છે. જહાજોમાં વિશ્વ કાફલાનો મોટો હિસ્સો નિવૃત્તિની નજીક છે અને નિયમનકારી અવરોધો હળવા થવા સાથે, વિશ્લેષકો અલંગ જેવા પ્રમાણિત યાર્ડ્સમાં જહાજોનો નવેસરથી પ્રવાહ થવાની અપેક્ષા રાખે છે. યુરોપિયન કમિશને યુરોપીયન યુનિયન શિપ રીસાયક્લિંગ રેગ્યુલેશન હેઠળ પ્રક્રિયાગત આવશ્યકતાઓને સરળ બનાવી છે, તેને જૂન 2025માં અમલમાં આવેલા હોંગકોંગ ઇન્ટરનેશનલ કન્વેન્શન (HKC) સાથે વધુ નજીકથી સંરેખિત કરી છે. જ્યારે EU શિપ રીસાયકલિંગ રેગ્યુલેશન એ અગાઉ કડક દસ્તાવેજીકરણ, જોખમી સામગ્રી ઇન્વેન્ટરીઝ અને માન્ય રિસાયક્લિંગ સુવિધાઓ પર મર્યાદાઓ લાદી હતી, ત્યારે સુધારેલ માળખું પર્યાવરણીય અથવા સલામતી ઉદ્દેશ્યોને ઘટાડ્યા વિના વહીવટી ડુપ્લિકેશન ઘટાડે છે. આંતરરાષ્ટ્રીય ડેટા દર્શાવે છે કે વૈશ્વિક વાણિજ્યિક કાફલાનો લગભગ 40-45% શિપ 25 વર્ષથી વધુ જૂના છે, આગામી વર્ષોમાં પ્રમાણિત રીસાયક્લિંગ ક્ષમતાની માંગમાં તીવ્ર વધારો થવાની ધારણા છે. અને તેનો સીધો લાભ અલંગને મળવાની શક્યતા છે. અલંગ ખાતેના મોટાભાગના પ્લોટ હવે હોંગકોંગ કન્વેન્શન અનુરૂપ છે જે યાર્ડને EU-લિંક્ડ ટનેજ માટે અનુકૂળ રીતે સ્થિત કરે છે. નિયમનકારી સરળતાનો એક મોટો ફાયદો એ છે કે ડુપ્લિકેટિવ પેપરવર્ક દૂર કરવામાં આવે છે, જેનાથી જહાજ માલિકો એક જ પ્રમાણપત્ર પ્રક્રિયા દ્વારા EU અને આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ બંનેને પૂર્ણ કરી શકે છે. આ ખર્ચ, જટિલતા વિ. ને ઘટાડે છે. સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટયુરોપીયન યુનિયન માટે અલંગ સક્ષમ સ્થળયુરોપિયન જહાજ માલિકોને યુરોપની બહાર, ખાસ કરીને દક્ષિણ એશિયામાં, અનુરૂપ રીસાયક્લિંગ યાર્ડ્સ પર વધુને વધુ વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. આમાં, ભારતનું અલંગ યાર્ડ તેના સ્કેલ, પાલન રેકોર્ડ અને વ્યૂહાત્મક તૈયારીને કારણે અલગ દેખાય છે. - આશિત પરીખ, આશિત શિપિંગ પ્રા.લિ., સૌરાષ્ટ્ર સમાચાર નોલેજશા માટે અલંગ ફેવરિટ ગણાય છે?12 કિલોમીટરમાં ફેલાયેલું, અલંગ વૈશ્વિક જહાજ રીસાયક્લિંગ ક્ષમતાના આશરે 32% હિસ્સો ધરાવે છે, જે તેને અંતિમ જીવનકાળના જહાજોને તોડી પાડવા માટે વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર બનાવે છે. ચાર દાયકા પહેલાં તેની સ્થાપના થઈ ત્યારથી, યાર્ડે 8,800થી વધુ જહાજોને રિસાયકલ કર્યા છે અને લગભગ 99.95% નો સામગ્રી પુનઃપ્રાપ્તિ દર પ્રાપ્ત કર્યો છે, જે સ્ટીલ અને અન્ય સંસાધનોને પરિપત્ર અર્થતંત્રમાં પાછા લાવે છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:12 am

પરિવર્તનનો પવન:ITમાં રોજગારી વધતા એ ગ્રુપમાં વિદ્યાર્થીઓ 24% વધ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.26 ફેબ્રુઆરીથી ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ ચાલુ થવાની છે ત્યારે આ વર્ષે એક અગત્યના ફેરફારમાં ભાવનગર જિલ્લામાં ધો.12 સાયન્સમાં એ ગ્રુપમાં ગત વર્ષે 36,455 વિદ્યાર્થીઓ હતા તે આ વર્ષે 45,405 થઇ જતા આ વર્ષે 8,950 વિદ્યાર્થીઓ વધ્યા છે. જે ટકાવારીની દ્રષ્ટિએ 24.55 ટકાનો વધારો થયો છે. જ્યારે બી ગ્રુપમાં ગત વર્ષે સંખ્યા 1,515 વધી છે. આ ફેરફાર ભલે નજીવો લાગતો હોય પણ હવે પુન: એ ગ્રુપ તરફ ધસારો વધ્યો છે તેનું મુખ્ય કારણ આઇટી ક્ષેત્રે અનેક તકો અને રોજગારી વધી તે છે. ગત વર્ષેની તુલનામાં ભાવનગર જિલ્લામાં આ વર્ષે એ ગ્રુપમાં 504 વિદ્યાર્થીઓ અથવા તો 29.53 ટકા વિદ્યાર્થીઓ વધ્યા છે જ્યારે બી ગ્રુપમાં આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં 461નો ઘટાડો થયો છે. ગત વર્ષે બી ગ્રુપમાં જિલ્લામાં 4,271 વિદ્યાર્થીઓ હતા તે આ વર્ષે 3,810 થઇ ગયો છે. જ્યારે એ ગ્રુપમાં ગત વર્ષે સંખ્યા 1,707 હતી તે આ વર્ષે વધીને 2,211 થઇ ગઇ છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ભાવનગર જિલ્લામાં ગત વર્ષે 5863 વિદ્યાર્થીઓ નોંધાયા હતા તે આ વર્ષે 6366 થઇ ગયા છે. એટલે કે એક વર્ષમાં સાયન્સમાં 503 વિદ્યાર્થીઓનો વધારો થયો છે. તો આ વર્ષે ગુજરાત બોર્ડમાં કુલ 14,28,175 પરીક્ષાર્થી બોર્ડની પરીક્ષા આપશે, જેમાં ધો.10માં કુલ 8,92,882 પરીક્ષાર્થી છે, જે ગત વર્ષે 9,17,687 હતા. આ વર્ષે 26 ફેબ્રુઆરીથી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા લેવાની છે ત્યારે ગુજરાત રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે કુલ 1,19,263 વિદ્યાર્થીઓ નોંધાયા છે જ્યારે ગત વર્ષે આ સંખ્યા 1,11,384 હતી. આ આ વર્ષે કુલ સંખ્યામાં 7879 અથવા તો 7.07 ટકાનો વધારો ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયો છે. ધો.12માં બોર્ડમાં 85,253 પરીક્ષાર્થી વધ્યાખાસ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષાર્થીઓ નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યા છે. જે ગત વર્ષે ધો.12ના બંને પ્રવાહમાં કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા 5,35,293 હતી તે આ વર્ષે ઘટીને 6,20,546 થઈ ગઈ છે. આમ એક જ વર્ષમાં ધો.12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાત બોર્ડમાં 85,253 પરીક્ષાર્થી ઘટ્યા છે. આઇટી ક્ષેત્રે અનેક તકો ઉપલબ્ધઆજે રાજ્ય અને રાષ્ટ્રમાં આઇટી ક્ષેત્રે અનેક તકો ઉપલબ્ધ થઇ છે. આથી ધો.12 સાયન્સમાં એ ગ્રુપમાં સંખ્યા વધી છે. ખાસ કરીને આઇટી કે કમ્પ્યૂટર સાયન્સની ડિગ્રી ધારકોની ડિમાન્ડ વધી છે તેમજ પેકેજ પણ સારા મળે છે. આ ઉપરાંત એ ગ્રુપ પાસ કર્યા બાદ ઇજનેરી કોલેજમાં હજારો બેઠકો ઉપલબ્ધ છે. તેની સામે બી ગ્રુપમાં સ્પર્ધા વધી ગઇ છે અને વિદ્યાર્થીઓ વધી ગયા છે. તેની સામે બેઠકો હોતી નથી. આથી ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓએ સંઘર્ષ કરવો પડે છે. બી ગ્રુપ પાસ કર્યા બાદ કોલેજોમાં બેઠકોની સંખ્યા ઓછી છે. > મનહર રાઠોડ, સંચાલક, જ્ઞાનગુરૂ વિદ્યાપીઠ

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:10 am

નેતા સ્ટેજ પરથી બોલ્યા, ‘લાગશે વાર પણ આવશે મજા’:રીવાબાએ રોડ બનાવવાની ડેડલાઈન આપી દીધી, શું બોલ્યા મંત્રી મેડમ? જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:00 am

ભાજપ MLAની જમીનના ભાવ વધારવા કલેક્ટરે ગોઠવણ કરી આપી:29 દિવસમાં પ્રકાશ વરમોરાની ફાઇલ પાસ કરી, સરકારી પ્રોજેક્ટમાં જમીન આપનાર ખેડૂતના લિસ્ટમાંથી નેતાનું નામ ગુમ

જ્યારે ખેડૂતોની જમીન કોઈ સરકારી કામ માટે લેવાય અને પુરતું વળતર ન મળ્યું હોય એવી તો ગુજરાતમાં ઘણીય ફરિયાદો ઉઠેલી છે. પણ જો કોઈ વ્યક્તિના હાથમાં સત્તા હોય, પહોંચ હોય, વગ અને વટ હોય ત્યારે આખી સરકારી સિસ્ટમને કેવી રીતે તેના ઇશારે ચાલે છે એ કિસ્સો સુરેન્દ્રનગરમાં જોવા મળ્યો. થોડા સમય અગાઉ સુરેન્દ્રનગરમાં EDના દરોડા પડ્યા અને ભ્રષ્ટાચારના આરોપમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની જ ધરપકડ થઈ ગઈ. હવે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાથી ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના એક પ્રકરણના કારણે ચર્ચામાં છે. આ મામલો પણ જમીન સાથે જ જોડાયેલો છે. એટલું જ નહીં, આ ઘટનાક્રમ રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન જ બન્યો છે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટીગેશનમાં વાંચો કેવી રીતે અન્ય ખેડૂતોને ખોળ અને ધારાસભ્યને ગોળ આપવાનો પ્રયાસ થયો. વાત છે વઢવાણથી વટામણ વચ્ચે લગભગ 90 કિલોમીટર સુધીના 765 કેવીના પાવર ગ્રીડ લાઈન પ્રોજેક્ટની. જેમાં ઘણા ખેડૂતોની જમીન પર મસમોટા થાંભલા નંખાવવાના છે. તેમને વળતર પણ મળશે એ વાત સાચી. પણ વાત જ્યારે ધારાસભ્યની માલિકી 23 હજાર ચોરસ મીટર જમીનની આવી તો જાણે કે તેમની જમીન બચાવવા અથવા તો કરોડો રૂપિયાનું વળતર મળે એ માટે “સ્પેશિયલ ટ્રીટમેન્ટ” આપવા માટેની પૂરતી વ્યવસ્થા કરી આપવાનો પ્રયાસ થયો. દિવ્ય ભાસ્કરને કેટલાક ડોક્યુમેન્ટ હાથ લાગ્યા, તેનો અભ્યાસ કર્યો અને ધારાસભ્ય પ્રકાશ વરમોરાની જમીન આવેલી છે ત્યાં જઈને હકીકત પણ જાણી. આટલું જ નહીં અન્ય ખેડૂતોની વ્યથા પણ સાંભળી. જેમાં ઘણા મોટા ઘટસ્ફોટ થયા છે. વઢવાણથી વટામણ વચ્ચે મોટી વીજલાઇન માટેના પ્રોજેક્ટમાં વઢવાણના 20 ખેડૂતોના ખેતરમાં મોટા થાંભલા નાખવાના થશે. એટલું જ નહીં, 80થી 100 ખેડૂતોના ખેતર ઉપરથી વીજલાઈન પસાર થવાની છે. આ મામલે 13 એપ્રિલ, 2024ના રોજ એક હિન્દી અને એક અંગ્રેજી અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. હવે, ધારાસભ્યની વગ સામે ટૂંકી પડેલી સિસ્ટમના નિર્ણયોને તબક્કાવાર સમજો.નીચે આપેલા લિસ્ટમાં એ ખેડૂતોના નામ અને જમીનની વિગત છે જેમની જમીન પર મોટા વીજ થાંભલા નખાવવાના છે. આ લિસ્ટમાં સાતમાં ક્રમે ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું નામ છે. જેનો અર્થ સ્પષ્ટ થાય કે પ્રકાશ વરમોરાની સરવે નંબર 2602ની જમીન પર પ્રોજેક્ટ હેઠળ વીજ થાંભલા નંખાશે અને વળતર પણ મળશે. આ ડોક્યુમેન્ટ વીજલાઇન નાખતી કંપની પાસેથી ખેડૂતોએ મેળવેલા છે. વીજ લાઈનના થાંભલા જે ખેડૂતોના ખેતરમાંથી પસાર થવાના છે એ લિસ્ટ આવ્યું ત્યાં સુધી તો તમામ ખેડૂતોને લાગ્યું કે બધું જ બરાબર થઈ રહ્યું છે. પણ થોડા દિવસો પછી કંઈક ખોટું રંધાઈ ગયું હોવાની જાણ થઈ. 31 જાન્યુઆરી, 2025ના રોજ ભારત સરકારે ગેજેટ બહાર પાડ્યું. એટલે હવે વીજલાઇન નાખવા માટેનું કામ આગળ વધ્યું. પરંતુ, ગેઝેટ પ્રકાશિત થયાના માત્ર 35 દિવસમાં સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલની કચેરીને NA એટલે કે બિનખેતી કરવાની ઓનલાઇન અરજી મળી. અરજી કરનાર વ્યક્તિ હતા ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા. જમીન NA કરાવવી એટલી સરળ નથી હોતી. કોઈપણ જમીનની અરજી NA માટે આવે તો તે રેડ, યલો કે ગ્રીન એમ ત્રણ ચેનલમાંથી કોઈ એકમાં ગણવામાં આવે છે. આ વાત જમીનના પ્રકાર અને જગ્યા તેમજ વાંધા પર નિર્ભર કરે છે. ઘણા કિસ્સામાં તો જમીન NA થવામાં છ મહિના કરતા પણ વધુ સમય નીકળી જાય છે. ગેઝેટ પ્રકાશિત થયું છતાં ગણતરીના દિવસોમાં વરમોરાની જમીન NA થઈ ગઈકોઈ જમીન પર બાંધકામ અંગેનું સરકારનું ગેઝેટ પ્રકાશિત થઈ ગયા બાદ સામાન્ય રીતે જમીન બિનખેતી કરવાની પ્રક્રિયા એકદમ જટિલ બની જતી હોય છે. અને જાણકારોને મતે આવા કિસ્સામાં મોટેભાગે કલેક્ટર કચેરીએથી નકારાત્મક અભિપ્રાય મળવાની સંભાવના વધુ હોય છે. પરંતુ ધારાસભ્ય પ્રકાશ વરમોરાની જમીન બિનખેતી કરવાની ફાઇલ માત્ર એક મહિનાની અંદર જ ક્લિયર થઈ ગઈ અને એ સમયના કલેક્ટર રાજેન્દ્ર પટેલે જમીન બિનખેતી કરવાનો હુકમ 3 એપ્રિલ, 2025ના રોજ કરી દીધો. પણ આ જો માત્ર શરૂઆત હતી, મોટું ભોપાળું તો હજુ બાકી હતું. મળતી માહિતી મુજબ, માત્ર 29 દિવસની અંદર પોતાની જમીન NA થઈ ગયા બાદ પ્રકાશ વરમોરાએ આ વીજલાઈન નાખવા મામલે વાંધો ઉઠાવ્યો અને સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને 7 જાન્યુઆરી, 2026ના રોજ અરજી મોકલી હતી. એટલે કે 31 જાન્યુઆરી, 2025ના ગેઝેટ પ્રકાશિત થયાના લગભગ એક વર્ષે વરમોરાને વાંધો પડ્યો. આ અરજીમાં વરમારોએ લખ્યું હતું, વઢવાણમાં આવેલી 2602 સરવે નંબરની જમીન કલેક્ટરના હુકમથી બિનખેતી થઈ ગઈ છે. જેથી અમે બાંધકામ શરૂ કરી દીધું છે. જેથી બિનખેતીની આ જમીનમાં કોઈપણ પ્રકારની વીજલાઈનનું કામ થઈ શકે તેમ નથી. એટલે અન્ય જમીનમાં વીજલાઈન ખસેડવા વિનંતી છે. આમ, આ અરજી પરથી બે સંભાવના ઉભી થાય છે. પહેલી- વરમોરાએ પોતાની જમીનમાંથી વીજલાઈન ન નીકળે એ પ્રયાસમાં હતા. બીજી- જો વીજલાઈન નીકળે તો બિનખેતીના ધારાધોરણ હેઠળ વળતર મળે તો રકમ કરોડો રૂપિયામાં પહોંચી શકે. પ્રકાશ વરમોરાની જે સરવે નંબરની જમીન વિવાદમાં આવી છે તે 5 એકર જેટલી છે. સ્થાનિક ધોરણેથી મળેલી જાણકારી પ્રમાણે આ વિસ્તારમાં 1 એકરનો ભાવ દોઢ કરોડ રૂપિયાની આસપાસ ચાલે છે. એ પણ NA થયા વગરની જમીન. જો NA થયેલી હોય તો સ્વાભાવિક રીતે આ કિંમતમાં ખૂબ મોટો વધારો થઈ જાય. નોંધવા જેવી વાત એ પણ છે કે વઢવાણના જે ખેડૂતોની જમીનમાં વીજ થાંભલા નાખવાના હતા એ ખેડૂતોને 5 જૂન, 2025 અને 11 જૂન, 2025ના રોજ કલેક્ટરે નોટિસ મોકલી. પણ આશ્ચર્યજનક રીતે આ લિસ્ટમાં પ્રકાશ વરમોરાનું નામ સામેલ ન હતું. ખેડૂતોને નોટિસ આપી દીધા બાદ 17 જૂન, 2025ના રોજ કલેક્ટરે કામગીરીનો હુકમ કર્યો. એટલે કે હવે આ કામમાં કોઈ અડચણ બાકી રહી ન હતી. પણ આ આખાય પ્રકરણમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાની જમીન અંગે શું નિર્ણય લેવામાં આવ્યો? તેનો જવાબ છ મહિના પછી મળવાનો હતો. દિવ્ય ભાસ્કરે આ તમામ ડોક્યુમેન્ટ જોયા બાદ વઢવાણમાં જે જગ્યાએ પ્રકાશ વરમોરાની જમીન આવેલી છે ત્યાં જવાનું નક્કી કર્યું. અમે વઢવાણ પહોંચીને લખતર તરફ જવાના સ્ટેટ હાઇવે પર આગળ વધ્યા. લગભગ પાંચેક કિલોમીટરના અંતરે પ્રકાશ વરમોરાની હાઇવે ટચ જમીન આવેલી છે. ત્યાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. અમને જાણકારી મળી કે તાત્કાલિક ધોરણે જમીન NA કરાવી લીધા બાદ પ્રકાશ વરમોરા પોતાની જમીન કોર્ડન કરી રહ્યા છે. એટલે કે તેમણે કલેક્ટરને બાંધકામ શરૂ થઈ ગયાની અરજી કરી હતી એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. જોકે આ જગ્યાએ અમને પ્રકાશ વરમોરા તરફથી બોલી શકે એવી કોઈ વ્યક્તિ ન મળી. પરંતુ પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં જે ખેડૂતોની જમીન ગઈ છે એ લોકો સાથે અમારી મુલાકાત થઈ, જેમાં તેમણે આ કથિત ગેરરીતિ અંગે ઘણી ચોંકાવનારી વાતો કહી. પ્રકાશ વરમોરાની વગ અને શરમના કારણે જમીન બિનખેતી થઈ- ખેડૂતોનો દાવોઆ સમગ્ર વિવાદની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે ખેડૂત પ્રમોદભાઈ મકાવાણાએ કહ્યું, જ્યારે પાવર ગ્રીડ કંપનીના લોકો પહેલીવાર નોટિસ આપવા માટે આવ્યા ત્યારે એક ખેડૂતે માત્ર જાણવા ખાતર તેમની પાસેના ડોક્યુમેન્ટનો ફોટો પાડ્યો, એ જાણવા માટે કયા કયા ખેડૂતની જમીન આ પ્રોજેક્ટમાં જઈ રહી છે. તે સમયે તેમને એ ખ્યાલ પણ નહોતો કે લિસ્ટમાં કોઈ રાજકીય નેતાનું નામ હશે. પછી જ્યારે કલેક્ટરે નોટિસ આપી ખેડૂતોને બોલાવવાનું શરૂ કર્યું, ત્યારે ખેડૂતોનું ધ્યાન લિસ્ટના 7 નંબરના ક્રમ પર ગયું. તેમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનું નામ હતું, પરંતુ તેમને કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. આ બાબત સામે આવતા ખેડૂતોમાં વાત ફેલાઈ ગઈ અને વિરોધ શરૂ કર્યો. પ્રમોદભાઈ મકવાણાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું, મારા બે ખેતરો(અઢી અને ત્રણ એકર)માંથી પાવર ગ્રીડ લાઈનના વીજપોલ પસાર થવાના છે. આ લાઈન આવવાથી જિંદગીભરની કમાણી સમાન જમીનનું એવું નુકસાન થશે જે ક્યારેય ભરપાઈ નહીં થઈ શકે. જમીનની બજાર કિંમત જો 50થી 60 લાખ હોય તો વીજપોલના કારણે તેની કિમત ઘટીને 25થી 30 લાખ થઈ જશે. ખેડૂત માટે આ માત્ર જમીન નથી પણ તેના બાળકોનું ભવિષ્ય છે. પ્રમોદભાઈએ વધુમાં ઉમેર્યું કે, ગેઝેટ પ્રસિદ્ધ થઈ ગયા પછી જમીન બિનખેતી ન થઈ શકે એમ હું જાણું છું. જો એમ માની લઈએ કે પ્રકાશભાઈ નિર્દોષ છે અને ગેઝેટ પ્રસિદ્ધ થયા પછી જમીન બિનખેતી NA થઈ તેની તેમને ખબર નથી, તો પણ હવે જ્યારે આ સત્ય સામે આવ્યું છે ત્યારે તેમણે આગળ આવીને ખેડૂતોને ન્યાય અપાવવો જોઈએ. ખેડૂતોએ વિરોધ કર્યો તો કલેક્ટર કચેરીએ બોલાવ્યાવળતર અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, કંપનીની શરતો મુજબ વળતરના હપ્તામાં મળે. ફાઉન્ડેશન પોલ ઊભો થાય અને લાઈન ખેંચાય તે રીતે ટુકડે-ટુકડે આપવાના છે, જે ખેડૂતોને મંજૂર નથી. આ મુદ્દે રજૂઆત કરતા પહેલા જ પાવર ગ્રીડ તરફથી ખેડૂતોને ટેલિફોનિક નોટિસ આપવામાં આવી હતી. સવારે ફોન કરીને બપોરે કલેક્ટરને મળવા બોલાવવામાં આવ્યા હતા. આવી ટૂંકી નોટિસ અને અવ્યવસ્થિત કાર્યપદ્ધતિ સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે તેઓ રૂબરૂ મળવા ગયા ત્યારે ગણ્યા-ગાંઠ્યા ખેડૂતોને લેખિત નોટિસ આપી દેવામાં આવી હતી. જમીન NA થઈ જતા અન્ય ખેડૂત કરતા વધુ વળતર મળશેતેમણે દાવો કર્યો કે, પ્રકાશભાઈને હવે બિનખેતી મુજબ ખેડૂતો કરતા ત્રણ-ચાર ગણું વધુ વળતર મળશે, પણ બાકીના પીડિત ખેડૂતોનો શું વાંક? તંત્રએ ધારાસભ્યને નોટિસ પણ આપી ન હતી, જે પ્રશાસન અને પાવર ગ્રીડ કંપનીની 'વાલા-દવલા'ની નીતિ સ્પષ્ટ કરે છે. પ્રશાસને તટસ્થ રહીને સૌને ન્યાય આપવો જોઈએ. અન્ય એક ખેડૂત ચતુરભાઈ પરમારે કહ્યું, મારી પાસે 10 વીઘા જમીન છે અને હાઈટેન્શન વાયર પસાર થવાને કારણે તેમની મોટાભાગની જમીન નકામી થઈ જશે. જો ગેઝેટ પ્રસિદ્ધ થયા પછી પણ સરકાર પ્રકાશભાઈની જમીન બિનખેતી કરી શકતી હોય, તો અમને પણ અમારી જમીન NA કરવાની મંજૂરી આપવી જોઈએ. અમારી સરકાર અને ધારાસભ્યને અપીલ છે કે તેઓ અમારી સાથે રહે અને અમને પણ બિનખેતી મુજબનું જ વળતર અપાવે. પાલ આંબલિયાનો ભાજપના ધારાસભ્યને પડકાર- બધુ યોગ્ય હોય તો પુરાવા આપોકિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, શું ગુજરાતમાં ધારાસભ્યો માટે કાયદાઓ બદલાઈ જાય છે? હળવદ-વટામણ 765kv વીજ લાઈન પ્રોજેક્ટમાં કંઈક આવું જ બન્યું હોવાની શંકા છે. પાલભાઈએ વધુમાં પૂછ્યું કે, કંપની અને કલેક્ટરની નોટિસમાંથી ધારાસભ્યનું નામ બાકાત કેવી રીતે રહ્યું? ટંકારાના જબલપુર ગામના એક ખેડૂત ભાણજીભાઈની જમીન ગેઝેટ પહેલાની બિનખેતી હોવા છતાં જો તેમને કલેક્ટરની નોટિસ મળતી હોય, તો ધારાસભ્યને કેમ નહીં? શું ધારાસભ્ય માટે કાયદા અલગ છે? અન્ય ખેડૂતોને હુકમ થયા પછી પ્રકાશભાઈને અલગથી બોલાવવામાં આવે છે, જે કલેક્ટર તંત્રની પક્ષપાતી નીતિ દર્શાવે છે. પ્રકાશભાઈના દાવા મુજબ ગેઝેટ પછી બિનખેતી થઈ શકે, પરંતુ નિયમ મુજબ લાઈન નીકળતી હોય ત્યાં 67 મીટરનો ભાગ છોડવો પડે છે. શું તેમણે આ જગ્યા છોડી છે? વધુમાં, બિનખેતીની અરજી વખતે ખેતર માલિકે સોગંદનામું કરવું પડે છે કે જમીન પરથી કોઈ વીજલાઈન નીકળતી નથી. આ સમગ્ર મામલે જ્યારે 'દિવ્ય ભાસ્કર' દ્વારા પાવર ગ્રીડ કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે ત્યાં હાજર અધિકારીઓ કોઈ પણ સચોટ જવાબ આપી શક્યા ન હતા. તેમણે જણાવ્યું હતું કે વળતર અંગેની માહિતી તેઓ જાહેર કરી શકે તેમ નથી અને કોને કેટલું વળતર મળશે તેની યાદી કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમને એક એવા ખેડૂત મળ્યા જેમની જમીન બિનખેતી નથી. આવા કિસ્સામાં તેમને અંદાજે 21 લાખ રૂપિયા જેવું વળતર મળવાપાત્ર છે. જોકે, જ્યારે ધારાસભ્યના વળતર અંગે પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીઓએ મૌન સાધી લીધું હતું. રાજેન્દ્ર પટેલની ધરપકડ થયા બાદ સુરેન્દ્રનગરમાં ઇન્ચાર્જ કલેક્ટરનો હવાલો એક અધિકારીને આપવામાં આવ્યો છે. તેઓ આ મામલે કાંઈ જ બોલવા તૈયાર નથી. જ્યારે અધિક કલેક્ટર આર.કે.ઓઝાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું, વીજલાઇનમાં ફેરફાર કરવાનો અધિકાર પાવર ગ્રીડ કંપની પાસે છે, એ જ એલાઇમેન્ટ બદલી શકે છે. કલેક્ટર પાસે આવી જમીનમાંથી અવરોધ દૂર કરવો અને વળતર નક્કી કરવાની સત્તા છે. એક કમિટી બેસીને વળતરની રકમ નક્કી કરતી હોય છે, કલેક્ટર હુકમ કરે એમાં વળતરની રકમ લખવામાં આવે છે. જો ખેડૂત અને કંપની વચ્ચે સહમતીથી વળતર નક્કી થઈ જતું હોય તો વહીવટી તંત્ર માટે કોઈ પ્રશ્ન જ નથી આવતો. વિવાદ ઉઠ્યો એટલે વરમોરાને નોટિસ ફટકારીપ્રકાશ વરમોરાની જમીનની ચર્ચા ઉપડી એટલે હવે અધિકારીઓને મોડેમોડે ભાન થયું હોય એમ લાગે છે. સમગ્ર પ્રકરણ મામલે કાગળ પર તપાસના ઘોડા દોડાવવા માંડ્યા છે. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીએથી ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત ત્રણ લોકો મેરાભાઈ દલવાડી અને ભરતભાઈ પરશોત્તમભાઈ નામના ખેડૂત ખાતેદારને આ પ્રકરણમાં નોટિસ મોકલવામાં આવી છે. જમીનના આધાર પુરાવા સાથે આ ત્રણેય લોકોને 16મી ફેબ્રુઆરીએ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસે હાજર થવાનું ફરમાન મળ્યું છે. આટલું જ નહીં, જ્યાં સુધી કોઈ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી જમીન પર નવું બાંધકામ ન કરવાનું પણ સૂચન છે. એટલે હવે પ્રકાશ વરમોરાની કરોડો રૂપિયાની જમીન પર સવાલો ઉભા થયા છે. આ સમગ્ર પ્રકરણમાં પ્રકાશ વરમોરા પાસે ખુલાસો પૂછવામાં આવ્યો ત્યારે જણાવ્યું, મારી ત્યાં 23 હજાર સ્ક્વેર મીટર એટલે કે 5 એકર જમીન છે. બિનખેતી જમીન કરીને હું ત્યાં મકાન બનાવવાનો છું. હવે, પ્રકાશ વરમોરા તેમને મળેલી નોટિસના સંદર્ભમાં સુરેન્દ્રનગરની કલેક્ટર ઓફિસને શું પુરાવા અને કારણો ધરે છે એના પરથી નક્કી થશે કે આગળ જતા તેમની જમીનનું શું થશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:00 am

કાયદાની છટકબારી:ઍરપોર્ટ પરથી 2 વર્ષમાં 34 પકડાયા પણ ગાંજાના ઓછા વજનને કારણે છૂટી ગયા

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક અત્યાર સુધી સોનાની દાણચોરી માટે ચર્ચામાં રહ્યું હતું પરંતુ હવે નશીલા પદાર્થોની હેરફેર માટે પણ હોટસ્પોટ બની રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં કસ્ટમ વિભાગે કુલ 168 કિલો ગાંજા સાથે 34 લોકોને ઝડપી પાડ્યા છે. જોકે, પકડાયેલા તમામ કેસોમાં ગાંજાનું વજન કાયદામાં નક્કી કરેલી મર્યાદા કરતાં ઓછું હોવાથી આરોપીઓને કોર્ટમાંથી સહેલાઈથી જામીન મળી જતા હોવાનું સામે આવ્યું છે. આંકડાઓ મુજબ વર્ષ 2024માં 5 કેસમાં 32 કિલો ગાંજા સાથે 5 લોકો ઝડપાયા હતા. 2025માં આ સંખ્યા નોંધપાત્ર રીતે વધી 110 કિલો ગાંજા સાથે 21 લોકો સુધી પહોંચી હતી. વર્ષ 2026ના પ્રથમ બે મહિનામાં જ 7 કેસમાં 26 કિલો ગાંજા સાથે 8 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. વિભાગના સૂત્રોનું કહેવું છે કે મોટા ભાગના કેસોમાં ગાંજાનું વજન 20 કિલોથી ઓછું હોવાથી આરોપીઓને કાયદાકીય રીતે જામીન મળી જાય છે. પરિણામે પેડલરો હવે ઈરાદાપૂર્વક ઓછી માત્રામાં ગાંજાની હેરાફેરી કરીને કાયદાની પકડથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં લાંબા સમય બાદ એરપોર્ટ પર 8.600 કિલો હેરોઇન સાબુના પેકેટોમાં છુપાવી લાવવામાં આવી હોવાનો ગંભીર કેસ પણ સામે આવ્યો છે. આ મામલે ચેન્નાઈના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી ગાંજાની જ દાણચોરી પકડાતી હતી, પરંતુ હેરોઇન મળતા સુરક્ષા એજન્સીઓમાં ચિંતા વધી છે. 20 કિલોથી વધુ ગાંજો હોય તો જ જામીન મુશ્કેલકાયદા મુજબ જો કોઈ વ્યક્તિ 20 કિલો અથવા તેથી વધુ ગાંજાની દાણચોરીમાં પકડાય તો તેને કોર્ટમાં જામીન સહેલાઈથી મળતા નથી. પરંતુ હાલમાં પકડાતા લગભગ તમામ કેસોમાં જથ્થો 20 કિલોથી ઓછો હોય છે. જેથી આરોપીઓ જામીન પર છૂટી જાય છે. સૂત્રોનું કહેવું છે કે દાણચોરો કાયદાની આ જ જોગવાઈનો ફાયદો ઉઠાવી નાની માત્રામાં ગાંજાની હેરાફેરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:54 am

હિટ એન્ડ રનની 2 ઘટના બની:અજાણ્યા વાહને આધેડને ઉડાવ્યા, જ્યારે આઇશરે યુવાનને કચડ્યો

લાંભા-નારોલ રોડ અને એસજી હાઈવે પર હિટ એન્ડ રનના 2 બનાવ બન્યા હતા. ગોતા બ્રિજ નીચેના સર્વિસ રોડ પરથી પગપાળા જઈ રહેલા આધેડનું અજાણ્યા વાહનની ટક્કરથી જ્યારે નારોલ-લાંભા રોડ પર ટુવ્હીલર સ્લીપ થતાં પાછળથી આવતા આઇશર નીચે આવી જતાં યુવકનું મૃત્યુ થયું હતું. ઘટના-1 - ટુવ્હીલર સ્લીપ થઈ જતાં યુવક પટકાયો ને કાળ ભરખી ગયોવટવાના 24 વર્ષીય અનુજ પ્રજાપતિ 14મીએ રાત્રે ટુવ્હીલર પર નારોલ-વટવા રોડ પરથી પસાર થતો હતો. અન્ય ટુવ્હીલર ચાલકે અચાનક બ્રેક મારતાં અનુજે કાબુ ગુમાવતાં સ્લીપ થઈ ગયો હતો. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા આઇશરનું ટાયર અનુજ પરથી ફરી વળતાં ગંભીર રીતે ઘવાયેલા અનુજનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટના-2 | પુત્રને મળવા યુપીથી આવેલા પિતા કચડાતાં મૃત્યુ પામ્યાવૈષ્ણોદેવી પાસેની કંપનીમાં રહેતા પુત્ર સંદિપને મળવા આવેલા યુપીના રાજારામ કશ્યપ 12મીએ રાત્રે એસજી હાઈવે પરના ગોતા બ્રિજના છેડે સર્વિસ રોડ પરથી પગપાળા જતા હતા. આ સમયે પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. હૉસ્પિટલ ખસેડાતાં ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે સંદિપે અજાણ્યા વાહનચાલક સામે એસજી હાઈવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યો છે. એક વર્ષમાં હિટ એન્ડ રનના 171 બનાવમાં 40 આરોપી હજુ પણ પકડાયા નથીશહેરમાં વર્ષ 2025માં હિટ એન્ડ રનની 171 ઘટના બની હતી. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જો કે સીસીટીવીના અભાવ તથા જે જગ્યાએ કૅમેરા લગાવ્યા હોય પરંતુ ચાલુ ન હોવાના કારણે 40 આરોપીને હજુ સુધી ઓળખ થઈ નથી કે પોલીસ પકડી શકી નથી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:50 am

શિક્ષકોની પરીક્ષા:SIR, ઘર ગણતરી અને હવે ચૂંટણીકામ

મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત ચૂંટણી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાઈ હતી પરંતુ આ વર્ષે SIRની પ્રક્રિયાને કારણે ચૂંટણી પાછી ઠેલાઈ છે. અમદાવાદ મનપાની ટર્મ 9 માર્ચે પૂર્ણ થાય છે. જોકે એસઆઇઆરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. સ્કૂલોમાં બાળકોની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ કરવામા આવશે. શાળાના શિક્ષકો છેલ્લા બે મહિનાથી એસઆઇઆરમાં લાગેલ હતા અને હવે તેઓ ચૂંટણી અને ઘર ગણતરીની કામગીરીમાં જોડાશે. ઈવીએમ સહિતનાં સાધનોનું ચેકિંગ કરાયુંકલેક્ટર કચેરી અને રાજ્ય ચૂંટણી પંચની મળેલી બેઠક પ્રમાણે મ્યુનિ.ચૂંટણી અંગે 15-20 માર્ચ વચ્ચે તારીખો જાહેર કરાશે. કલેક્ટર કચેરીના વડપણમાં બૅંગલુરુથી 10 ઇજનેરની ટીમે સાબરમતી સ્થિત વેયરહાઉસમાં 16 હજારથી વધુ ઇવીએમ ચેક કર્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:49 am

જાણીતી ચાર સ્કૂલના એક્સપર્ટ્સ દ્વારા ખાસ ટિપ્સ:બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવાના 15 સોનેરી સૂત્ર

ગુજરાત બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી અને સીબીએસઈની 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. સમગ્ર રાજ્યમાંથી ધોરણ 10માં 9.07 લાખ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.01 લાખ, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 1.19 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરની જાણીતી સ્કૂલોના આચાર્ય પાસેથી પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાના મહત્ત્વના મુદ્દા વિશે જાણ્યું. ધો. 10ના વિદ્યાર્થી પહેલી વાર બોર્ડની પરીક્ષા આપશે, ધો. 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો અનુભવ છે. પેપર લખતા પહેલાં અને લખતાં સમયે ક્યા મુદ્દાને ધ્યાનમાં રાખવા તેને તજ્જ્ઞ શિક્ષકોએ જણાવ્યા હતા. સ્ટુડન્ટ માટે | છેલ્લી ઘડીએ IMP પર ફોક્સ, પૂરતી ઊંઘ નહિ લો તો વાંચેલું ભૂલી જશો એક સમયે અભ્યાસમાં સામાન્ય હતા તેમ છતાં આજે પોતાના ક્ષેત્રમાં ટોચ પર છે વાલીઓ માટે | શું તમે તમારા એક્ઝામ વોરિયરને ખરેખર જાણો છો? આ ટેસ્ટ આપી સમજો નીચે આપેલા 10 સવાલોના જવાબ પ્રામાણિકતાથી આપો. જો તમે 6થી ઓછા જવાબ જાણતા હોવ, તો તમારા બાળકને સલાહની નહીં, તમારી સમજણની જરૂર છે. બોર્ડની પરીક્ષામાં વાલી... આ ચાર પ્રશ્ન પોતાની જાતને પૂછો, કેમ કે તમે પણ ક્યારેક વિદ્યાર્થી હતા એક્સપર્ટ પેનલ:અંજલિ ક્વાત્રા-તુલિપ ઇન્ટરનેશનલ, સબિના સાહની-ડીપીએસ બોપલ, શર્મિષ્ઠા સિંહા-ઉદગમ સ્કૂલ, અંકિતસિંહ-સંકલ્પ ઇન્ટરનેશનલ

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:45 am

RTO એક્શન મોડમાં:940 કોમર્શિયલ વાહનોના બાકી રૂ.10.25 કરોડના ટેક્સ માટે RTOએ નોટિસ ફટકારી

અમદાવાદ આરટીઓ દ્વારા છેલ્લા બે વર્ષથી 940 કોમર્શિયલ વાહનો કે જેમના ટેક્સ ભરવાના બાકી છે તેઓને નોટિસ ફટકારવામાં આવી છે. આરટીઓએ કુલ 10.25 કરોડનો દંડ ઊઘરાવવા માટે નોટિસ ફટકારી છે. નાણાકીય વર્ષનો અંત થવાના કારણે હાલમાં બાકી ટેક્સની ઊઘરાણીની ઝુંબેશના ભાગરુપે વાહનોને નોટિસ ફટકારવાની કામગીરી શરૂ કરાઈ છે. અમદાવાદ આરટીઓ દ્વારા દર વર્ષે બાકી ટેક્સની ઊઘરાણી કરવા માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવે છે. વાહન વ્યવહાર વિભાગના નિયમો પ્રમાણે જે કોમર્શિયલ વાહનોના ટેક્સની રકમ લાંબા સમયથી બાકી હોય તો તેના રિકવરી માટે સંપત્તિ પર પણ બોજો નાખી શકાય છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:39 am

મેરેથોનનું આયોજન કરાયું:કેડી હોસ્પિટલની 32 કિમીની મેરેથોનમાં 10 હજાર દોડવીરે અંગદાનની જાગૃતિ ફેલાવી

અંગદાન વિશે જાગૃતિ લાવવાના હેતુથી કેડી હૉસ્પિટલ દ્વારા અમદાવાદ પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મેરેથોન દોડ યોજાઈ હતી. મહત્ત્વનું છે કે શહેરના 32 કિમીના હેરિટેજ રૂટ પર યોજાયેલી મેરેથોનમાં 10 હજાર દોડવીરે ભાગ લીધો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન કેડી હૉસ્પિટલના મૅનેજિંગ ડાયરેક્ટર ડૉ. અદિત દેસાઈ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. અનુજા દેસાઈ અનેચીફ ઓપરેટિંગ ઑફિસર ડૉ. પાર્થ દેસાઈ દ્વારા કરાયું હતું. ડૉ. અદિત દેસાઈએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે યોજાયેલી દોડનો રિવરફ્રન્ટથી પ્રારંભ કરાયો હતો. આ મેરેથોન સહનશક્તિ અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. અંગદાન પણ એ જ માગે છે, એક સચેત અને સંવેદનશીલ નાગરિક, જે કોઈના જીવનને નવી તક આપી શકે. હૉસ્પિટલે અત્યાર સુધી દેશમાં 211થી વધુ અંગદાન જાગૃતિ કાર્યક્રમો યોજીને 3.5 લાખથી વધુ લોકોને અંગદાનનો સંદેશ પહોંચ્યો છે. 10 લાખે 1 અંગદાતા, હજુ પણ ગંભીર તફાવતવર્ષ 2024 દરમિયાન દેશમાં લગભગ 18,900 અંગદાન નોંધાયાં, જે 2013ની તુલનામાં ચાર ગણો વધારો દર્શાવે છે. આ વધારો દેશને વૈશ્વિક સ્તરે અંગદાનના મહત્ત્વના કેન્દ્ર તરીકે ઊભો કરે છે. તેમ છતાં મૃત્યુ પામેલા દાતાઓ પાસેથી અંગદાનનો દર 10 લાખ લોકોમાં માત્ર 1 દાતા જેટલો જ રહ્યો છે. આ દર્શાવે છે કે અંગદાન દ્વારા પ્રાપ્ત થતાં અંગ અને અંગોની જરૂરિયાત ધરાવતાં દર્દી વચ્ચે હજી પણ ગંભીર તફાવત હોવાથી ઘણા જીવલેણ રોગો ધરાવતા દર્દીઓ અંગદાનની રાહ જોતા રહી જાય છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:38 am

વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો:વિવેકાનંદ કોમર્સ-આર્ટ્સ-લો કોલેજ BU ના હોવાથી સીલ

ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી રાયપુરની વિવેકાનંદ કોમર્સ-આર્ટ્સ-લો કોલેજે મ્યુનિ. બીયુ પરમિશન ના લીધી હોવાથી દોઢ મહિનાથી સીલ મરાયું છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે વિદ્યાર્થીઓના વ્યાપક શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય ફરીથી ચાલુ થાય તે માટે ચોક્કસ કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવે જણાવ્યું હતુ કે, રાયપુરની વિવેકાનંદ કોલેજમાં આશરે 3000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ કોલેજે બીયુ પરમીશન ના લીધી હોવાની નોટિસ આપી છે, તેમ છતાં પણ કોલેજે બીયુ પરમીશન ન લેતા ફરીવાર સીલ મારવામાં આવતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે. પી.ટી. કોલેજમાં સરકારે વહીવટદારની નિમણૂક કરીઅધ્યાપક મહામંડળે રજૂ્આતમાં એમ પણ જણાવ્યું છે કે, ગુજરાત સરકારે તાજેતરમાં પાલડીની પ્રભુદાસ ઠક્કર કોલેજનો વહીવટ પોતાને હસ્તક લઈને વહીટવદારની નિમણૂક કરી છે. ભૂતકાળમાં કોલેજ સંચાલકો દ્વારા કોલેજ બંધ કરવા માટેની માંગણી કરાઈ હતી.ત્યારે ભવિષ્યમાં અન્ય કોલેજોમાં પણ આવી સ્થિતિનુ નિર્માણ થવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:34 am

નોકરી ન્યૂઝ:RRB: 22,195 જગ્યા પર ભરતી, રૂ. 56,900 સુધીનો પગાર મળશે

રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ગ્રુપ-Dની ખાલી પડેલી કુલ 22,195 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી દ્વારા ભારતીય રેલવેના વિવિધ 16 ઝોનમાં ટ્રેક મેન્ટેનર, પોઈન્ટ્સમેન અને આસિસ્ટન્ટ જેવી મહત્વની પોસ્ટ પર નિમણૂક કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને પગાર ₹18,000થી અન્ય ભથ્થાં સાથે આકર્ષક સેલરી પેકેજ મહત્તમ ₹56,900 સુધી મળવાપાત્ર રહેશે. સત્તાવાર વેબસાઇટ www.rrbchennai.gov.in 2 માર્ચ સુધી અરજી કરી શકાશે. લાયકાત અને વયમર્યાદા:આ ભરતીમાં 10મું ધોરણ પાસ અથવા ITI (NCVT માન્ય) અથવા નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ (NAC) ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારની વય 1 જાન્યુઆરી 2026ના રોજ 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. પસંદગી પ્રક્રિયાના ત્રણ તબક્કા:1. સૌ પ્રથમ 100 માર્કસની ઓનલાઇન લેખિત પરીક્ષા લેવાશે. જેમાં ગણિત, વિજ્ઞાન, રીઝનિંગ અને GK ના પ્રશ્નો હશે.2. લેખિતમાં પાસ ઉમેદવારો માટે ફિઝિકલ ટેસ્ટ લેવાશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:33 am

ભાસ્કર એક્સક્લુસિવ:50 સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓનો તણાવ દૂર કરવા અધ્યાપકો સ્વજન મિત્ર બનશે

રાજ્યની 50 સરકારી ડિપ્લોમા-ડીગ્રી ઈજનેરી કોલેજોના અધ્યાપકોને સ્વજન મિત્ર થકી અ સાયકોલોજીકલ વેલનેસ પ્રોગ્રામના માધ્યમથી વિદ્યાર્થીઓના સ્ટ્રેસ મેનેજમેન્ટને અંકુશમાં રાખવાની કવાયત્ હાથ ધરી છે. જેમાં અધ્યાપકોએ વિદ્યાર્થીઓના માનસિક તણાવની સમજૂતી મેળવ્યા પછીથી ઓરિએન્ટેશન, એકટિવ લિસનિંગ, નિદાન પદ્ધતિ, સ્ટ્રેસની નાબૂદીની સઘન માહિતી મેળવી છે. હવે અધ્યાપકો ‘સ્વજન મિત્ર- પોતાની કોલેજમાં જઈને વિદ્યાર્થીઓના સ્ટ્રેસની માહિતી મેળવીને તેને લગતુ માર્ગદર્શન આપશે. ગુજરાત રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગ હસ્તકની ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ કમિશ્નર કચેરી દ્વારા રાજ્યની 50થી વધુ સરકારી ડિપ્લોમા-ડિગ્રી ઈજનેરી કોલેજોના 100થી વધુ અધ્યાપકો પોતાની કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહીને સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે પાંચ દિવસની તાલીમ યોજાઈ હતી. વિશ્વકર્મા ઈજનેરી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વિનય પુરાણીએ જણાવ્યું કે, તાલીમ બાદ હવે અધ્યાપકો કોલેજમાં વિદ્યાર્થીઓના તણાવને મુક્ત કરવા પ્રયાસ કરશે. પાંચ દિવસના કાર્યક્રમમાં આ બાબતોનું માર્ગદર્શન અપાયું

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:32 am

પ્રજાજન પરેશાન:જૂના વાડજથી ઓડનો ટેકરો, ભીમજીપુરા સુધી રસ્તા તૂટેલા, પૂરતા પ્રેસરથી પાણી આવતું નથી, અસામાજિક તત્ત્વોનો ત્રાસ

નવા વાડજ વોર્ડમાં મુખ્ય માર્ગોની સ્થિતિ સુધરી હોવા છતાં અંદરના રોડ પર સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂના વાડજથી ઓડનો ટેકરો થઈ ભીમજીપુરા સુધીના તૂટેલા રસ્તા તંત્રની ઉદાસીનતાની ચાડી ખાય છે. ઔડાનાં મકાનોમાં પાણીની અછત અને ગંદકીથી રોગચાળાનો ભય છે, ત્યાં જ બીજી તરફ અસમાજિક તત્ત્વોના ત્રાસથી લોકો પરેશાન છે. સ્થાનિકોની માગ છે કે વિસ્તારમાં તાકીદે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે. નિર્ણયનગર ગરનાળા પાસેનો કટ બંધ કરી દેવાતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. વિસ્તારમાં બનેલા ઊંચા આરસીસી રોડ સોસાયટીઓ માટે મુસીબત બન્યા છે, જ્યારે અખબારનગર અને વ્યાસવાડીમાં ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગે રાહદારીઓની મુશ્કેલી વધારી છે. સિગ્નલને પગલે થતાં જામથી એમ્બ્યુલન્સને પણ હાલાકી પડી રહી છે. અર્બન સેન્ટર 24 કલાક કાર્યરત કરી ત્યાં સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે પાયાની જરૂરિયાતો માટે જનતા હવે સત્વરે નક્કર કાર્યવાહી ઈચ્છી રહી છે. સરકારી બસો પણ સિગ્નલ તોડીને પસાર થતાં અકસ્માતનો ભય પણ લોકોમાં વધ્યો છે. યોગ્ય કાર્યવાહી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. ‘વિજયનગર ફાટક ઊંચો હોવાથી સામેના વાહનો દેખાતા નથી, ટ્રાફિક પોઈન્ટ હોવા છતાંય કર્મી હાજર રહેતા નથી’ ફુવારા બંધ: પાર્થ ટાવર પાસેના ગૌરવપથ રોડ પરના ફુવારા પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે અને ગાડીઓ માટે પાર્કિંગ સ્ટેન્ડ બની ગયું છે. ટ્રાફિકનો ફાટક: વિજયનગર ફાટકનો રોડ ઊંચો હોવાથી સામેના વાહનો દેખાતાં નથી અકસ્માત થાય છે, ટ્રાફિક નિયમન કરવા કર્મી પણ હાજર ન રહેતાં જામની સ્થિતિ સર્જાય છે. ગંદકી: મહાદેવનગરમાં ઔડાનાં મકાનોમાં ગંદકીની સમસ્યા વકરી છે. સાંકડો રસ્તો: નિર્ણયનગરથી ઉમિયાનગર ચાર રસ્તા બંધ કરી દેવાતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ગરનાળા પરના સાંકડા રસ્તાને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહનચાલકો રોજ હેરાન થાય છે. નવા રોડ ઊંચા બન્યા: નવા આરસીસી રોડ ઊંચા કરી દેવામાં આવતાં ઘણી સોસાયટીઓ નીચે આવી જતાં ચોમાસા પાણી ભરાવાની સમસ્યા રહે તેવો ભય. ‘હેલ્થ સેન્ટરમાં સ્ટાફ વધારી સીટી સ્કેનની સુવિધા શરૂ કરો’ પાયાની સુવિધાઓ સારી છે. અખબારનગર પર એએમટીએસ બસો ઘણીવાર સિગ્નલ તોડીને બસો દોડાવે છે, કાર્યવાહી કરવી જોઈએ. ▪ ઉર્વીશ જૈસર જૂના વાડજ, ભીમજીપુરા તરફના માર્ગ બીસ્માર છે. સોરાબજી કમ્પાઉન્ડના ગાંધીનગરના ટેકરાએ પાણી અને ગટરોની સમસ્યા વધી છે. ▪ પ્રેમલ ત્રિવેદી વ્યાસવાડી પાસે અવારનવાર સ્ટ્રીટલાઇટો બંધ રહેવાની સમસ્યાઓને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ રહે છે, સમારકામ થવું જોઈએ. ▪ પ્રકાશ સોની હેલ્થ સેન્ટરમાં સ્ટાફ વધારીને 24 કલાક ચાલુ રાખવું જોઈએ. સીટી સ્કેન સહિતની સુવિધા કરાય. નવા રોડ ઊંચા બનતા સોસાયટીઓ નીચી થઈ છે. ▪ તુષાર પંચાલ ચંદ્રભાગા હાઉસિંગના કોમનપ્લોટ પર દબાણો થઈ ગયાં છે, જેનો નિકાલ આવતો નથી. ઓડના ટેકરા પર પાણીની વ્યવસ્થા નથી, ગંદકી વધી છે. ▪ રમીલાબેન ડાભી પાયાની સુવિધા સારી છે, ગરનાળા પાસે પાણી ભરાવાની સમસ્યા છે. આ ઉપરાંત ગરનાળા પરના સાંકડા બ્રિજ પર ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવો. ▪ મનીષ શાહ આ પ્રશ્નો કેવી રીતે ઉકેલશો?જ્યાં રસ્તાોથી સોસાયટીઓ નીચે થઈ છે ત્યાં બે ચેમ્બરો પાણીના નિકાલ માટે રખાઈ છેનવું ગરનાળું બની રહ્યુ છે, પ્લાન બની ગયો છે, ટેન્ડર પણ આવી ગયું છે. ઓડના ટેકરાથી ગોરધન પાર્ક સુધી નવી લાઈન નાખવામાં આવી છે. જૂની લાઈનો કાપીને નવા જોડાણ આપી રહ્યા છે. જે બાદ સમસ્યા દૂર થઈ જશે. આરસીસી રોડ જ્યાં ઊંચા થયા છે અને સોસાયટી જ્યાં નીચે થઈ છે ત્યાં બે-બે ચેમ્બર મુકાઈ છે. જો કોઈ સોસાયટી ખાતે ચેમ્બર ન હોય તો મારા ધ્યાનમાં લાવો. પૂરતાં પ્રેસરથી પાણી જ્યાં નથી આવતું તો ફરિયાદ લોકોએ કરવી જોઈએ. જ્યાં સમસ્યા હતી ફરિયાદ આવી તેમની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો છે. 24 કલાક હોસ્પિટલ માટેની લોકોની જે માગ છે તે ઉપર રજૂઆત કરીશું. - યોગેશ પટેલ, કોર્પોરેટર

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:30 am

ટોણાં બન્યા તાકાત:દીકરીઓ બની પરિવારની ઓળખ, હવે માતા-પિતાને દીકરાની ઈચ્છા નથી

‘દીકરો તો હોવો જ જોઈએ’ જેવા ટોણાંથી ઘેરાયેલા પરિવારો આજે એ જ સમાજમાં ગર્વથી કહે છે કે ‘અમારી દીકરીઓ જ અમારો વંશ છે.’ આ પરિવર્તન ગુજરાતના સુરેન્દ્રનગરમાં બનેલા એક અનોખા સમૂહ દ્વારા શક્ય બન્યું છે, જેણે માત્ર દીકરીઓ ધરાવતા પરિવારોને સાથે લાવીને વિચારધારા બદલવાની ઝુંબેશ શરૂ કરી છે. ‘ધ એસોસિયેશન પેરેન્ટ્સ હેવિંગ ગર્લ ચાઈલ્ડ ઓન્લી’ ગ્રૂપની સ્થાપના ભરતભાઈ જોબનપુત્રાએ 2006માં કરી હતી. આજે 81 પરિવાર જોડાઈ ચૂક્યા છે. શરત સ્પષ્ટ છે- જો દીકરાનો જન્મ થાય તો સભ્યપદ આપોઆપ સમાપ્ત થઈ જશે. પરંતુ મહત્વની બાબત આ નિયમ નથી, પણ તેનાથી આવેલા બદલાવની છે. પહેલા જ્યાં બે દીકરીઓ પછી પણ પરિવારો દીકરાની આશામાં ત્રીજા સંતાનને જન્મ આપતા હતા, હવે આ ગ્રૂપ સાથે જોડાયેલા અનેક પરિવારોને બે દીકરીઓ પછી દીકરાની કોઈ ઈચ્છા રહી નથી. તેમને હવે લોકોના મેણાંટોણાંની પણ પરવા નથી અને તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન દીકરીઓના શિક્ષણ, કરિયર અને તેમને આત્મનિર્ભર બનાવવા પર આપી રહ્યા છે. ગ્રૂપના સ્થાપક ભરતભાઈ જોબનપુત્રા જણાવે છે કે 2004માં મારા પિતાનું અવસાન થયું હતું. બેસણામાં બેઠો હતો ત્યારે એક મહિલાએ આવીને મુલાકાત કરી અને વાતચીતમાં કહી ગઈ કે, તમે તો પિતાની અંતિમક્રિયાઓ કરી છે, તમારી કોણ કરશે? એક દીકરો તો જોઈએ જ. મારો જવાબ હતો- મારી દીકરી. આ ઘટના પરથી વિચાર આવ્યો કે એવા પરિવારોને એકઠા કરવા જોઈએ જેમાં માત્ર દીકરીઓ જ હોય. અત્યાર સુધીની યાત્રામાં 81 પરિવારો આ ગ્રુપ સાથે જોડાયા છે અને દીકરીઓથી ઘર શોભી રહ્યા છે. મદદ.. ગ્રૂપ જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓની સ્કૂલ ફી પણ ભરે છેઆ ગ્રુપ જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓની સ્કૂલ ફી પણ સીધી જ ભરે છે. આ ઉપરાંત, તે પરિવારોને રાશન અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવે છે. સૌથી મહત્ત્વનું એ છે કે તે સામાજિક ટેકો પૂરો પાડે છે. એક મહિલા જણાવે છે કે દીકરીઓ પછી ડોક્ટરે ગર્ભધારણ કરવાની મનાઈ કર્યા બાદ તેઓ હતાશામાં સરી પડ્યા હતા, પરંતુ આ સમૂહ સાથે જોડાયા પછી તેમને માનસિક તાકાત મળી છે. તપાસ પછી જ ગ્રૂપ સાથે પરિવારોને જોડે છેગ્રૂપના સભ્ય અને દીકરીના પિતા રશ્મિનભાઈ મહેતાએ જણાવ્યું કે અમે યોગ્ય તપાસ અને સંદર્ભ લીધા પછી જ કોઈ પરિવારને ગ્રૂપમાં જોડીએ છીએ. કોઈ પરિવારમાં ત્રીજું સંતાન દીકરી હોય તો પણ તેનું સહર્ષ સ્વાગત કરવામાં આવે છે. હા, જો દીકરો થાય તો તે પરિવાર સંસ્થામાંથી આપોઆપ બહાર થઈ જાય છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:24 am

નવી સિસ્ટમ વિકસાવાઇ:નવી ટીપીમાં ડ્રેનેજ, પીવાના પાણીની લાઇનો, વાયર માટે ડક લાઇનો નખાશે

નવી ટીપીમાં તૈયાર થયેલા રોડને સીવરેજ પાઇપ, ડ્રેનેજ, પાણીની પાઇપ અથવા ખાનગી કંપનીઓ ડક લાઇન નાખવા રોડ પર વારંવાર ખોદકામ કરે છે. જેથી લોકોને મુશ્કેલી પડે છે. સાથે જ કોર્પોરેશનને આર્થિક નુકસાન થાય છે. હવે નવી સિસ્ટમ વિકસાવાઇ છે. જેમાં ટીપી પ્લાનની જાહેરાત સાથે જ સીવરેજ, પીવાના પાણી, વરસાદી પાણીના નિકાલ, ખાનગી કંપનીના ડક વાયર માટેની પાઇપ સહિતની સુવિધા પહેલા વિકાસાવાશે. જેથી વારંવાર રોડ તોડવાની જરૂર નહીં રહે. અત્યાર સુધી દરેક એજન્સી ટીપી તૈયાર થયા બાદ પોતાના સમયે તેમાં પ્રાથમિક સુવિધા વિકસાવે છે. હાલમાં નવા વિસ્તારોમાં શરૂઆતમાં સીવેજ કે પીવાના પાણીના કનેક્શન મળતા નથી. જેથી તેઓએ પોતાની વ્યવસ્થા ઉભી કરવી પડે છે. બોરમાંથી પાણી લેવાના કારણે પાઇપોમાં ક્ષારની સમસ્યા ઉભી થાય છે. નવી સિસ્ટમથી વારંવાર રોડ તોડવા નહીં પડે ટીપીના વિકાસ સાથે જ તમામ સુવિધા વિકસાવાશેનવી પદ્ધતિથી રોજ પર થતા વારંવાર કામનો અંત આવશે. કારણ કે હવે ટીપીના વિકાસ સાથે જ મુખ્ય રોડની સાથે તમામ સુવિધા વિકસાવાશે. આ નિયમ લાગુ કરી દેવાયો છે. દરેક વિભાગે કોર્ડિનેટ કરીને તમામ વ્યવસ્થા કરવાની રહેશે. - બંછાનિધી પાની, મ્યુનિ. કમિશનર

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:18 am

મ્યુનિ. સ્નાનાગારમાં કોચની ભારે અછત:સ્વિમિંગ પૂલ માટે મ્યુનિ. પાસે પૂરતા કોચ જ નથી

ઉનાળામાં મ્યુનિ. સંચાલિત સ્વિમિંગ પૂલમાં લોકોનો ભારે ધસારો રહે છે. મ્યુનિ. પાસે હજુ પૂરતા કોચ નહીં હોવાની ફરિયાદો છે. કાયમી કહી શકાય તેવા 20થી 25 કોચ છે જ્યારે કોન્ટ્રાક્ટ પર લીધેલા 22 કોચ છે. એજન્સી પાસે પણ કોચની માંગણી કરી છે. જોકે તેમ છતાં હજુ મ્યુનિ. સ્નાનાગારમાં કોચની ભારે અછત છે. મ્યુનિ. પાસે 15 સ્વિમિંગ પૂલ છે. જેમાંથી 5 પીપીપી પધરાવી દેવાયા છે. બાળકો માટેનો સ્વિમિંગ પૂલ હોય ત્યાં ઓછામાં ઓછા 6 કોચ તથા મોટા સ્વિમિંગ પૂલમાં ઓછામાં ઓછા 4 કોચની આવશ્યકતા રહે છે. સામાન્ય રીતે ઉનાળામાં મ્યુનિ.ને સ્વિમિંગ પૂલમાં એડમિશન સ્ટોપ કરી દેવા પડે છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે પૂરતા કોચ નથી. એજન્સીને કોચ દીઠ 29 હજાર ચૂકવાશે કોચને 18 મળશેમ્યુનિ. દ્વારા ખાનગી એજન્સીને પણ 36 પુરુષ અને 38 મહિલા કોચ પુરા પાડવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. એજન્સીને પ્રતિ કોચ રૂ. 29 હજાર કરતાં વધારે રકમ ચૂકવવામાં આવનાર છે તેની સામે એજન્સી કોચને રૂ. 18 હજાર ચૂકવશે તેવો કોન્ટ્રાક્ટમાં ઉલ્લેખ થયો છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:15 am

ભાસ્કર ફોલોઅપ:કોર્પોરેટરોએ ઓડિટોરિયમનો પ્લોટ ન બદલવા CMને રજૂઆત કરી હતી

ન્યુ રાણીપમાં લોકો માટે જે પ્લોટ પર ઓડિટોરિયમ બનવાનું હતું તે પ્લોટ અન્યને ફાળવી દેવાના મામલે ચાલી રહેલા વિવાદમાં રાણીપ અને વાડજના કોર્પોરેટરોએ પણ મુખ્યમંત્રીને મળીને આ પ્લોટ ઓડિટોરીયમ માટે જ રહેવા દેવા લેખિતમાં રજૂઆત કરી હતી. તમામ કોર્પોરેટરોએ પોતાની સહી સાથે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. ન્યુ રાણીપમાં આવેલા પ્લોટ નં. 309-1 અને 309-2 પ્લોટને માત્ર ઓડિટોરિયમ માટે જ અનામત રાખવા માટે સ્થાનિક કોર્પોરેટરોએ ભરપૂર પ્રયાસો કર્યા હતા. રાણીપના કોર્પોરેટરના લેટરપેડ પર જ મુખ્યમંત્રીને આ પત્ર પાઠવાયો હતો. 2024-25ના બજેટમાં આ સ્થળે ઓડિટોરિયમ બનાવવાનો દાવો કરાયો હતો. 24 મીટરથી નાના રસ્તા પર ઓડિટોરિયમ બની શકે તેમ ન હોવાથી આ જગ્યા ઓડિટોરિયમ માટે યોગ્ય છે. રાણીપ ગામની જમીન ચેનપુરની સીમમાં આપી શકાય નહીંકોર્પોરેટરો દ્વારા એવો ટેકનિકલ પોઇન્ટ પણ રજૂ કરાયો હતોકે, આ જગ્યાનો એક ભાગ રાણીપ ગામમાં આવે છે. ત્યારે રાણીપ ગામની સીમનો એફપી ચેનપુર ગામની સીમમાં આપી શકાય નહીં. જે પણ કાયદાકીય રીતે ખોટુ છે. આવી રજૂઆત પણ કોર્પોરેટરોએ તેમના લેટરમાં કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:14 am

વેધર રિપોર્ટ:વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતાં તાપમાન 2.50 ગગડતા ઠંડી વધી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ જતાં ફરીથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો પારો ગગડીને 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અમદાવાદમાં 4 દિવસ પછી ફરીથી રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 15.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું. હજુ 24 કલાક અમદાવાદમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત એ.ટી. દેસાઈએ કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી જતાં વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઘટી જતાં ફરીથી અચાનક ઠંડીનો પારો ગગડ્યો છે. તેમજ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ભેજ વધતાં ફરીથી તાપમાન વધશે. પહેલાં મહિને બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બદલે હાલમાં ગ્લોબલ વોર્મિગને લીધે લા-નીનો સિસ્ટમની અસરથી અઠવાડિયામાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે. જેથી વાતાવરણમાં ઉથલપાથલ નોંધાય છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:12 am

મંડે પોઝિટીવ:ટેક્સેશનની પ્રેક્ટિસ છોડીને 82 વર્ષના વકીલે મિડિયેશન સેન્ટર ખોલ્યું, સમજાવટની ‘કલમ’થી અનેક તૂટતા પરિવારોને જોડી ઊજાસ ફેલાવ્યો

ફેમિલી કોર્ટના પગથિયાં ચડતા દંપતીઓ માટે 82 વર્ષીય ઉમેશ મજમુદાર માત્ર એક વકીલ નહીં, પણ એક આશાનું કિરણ છે. અગાઉ ટેક્સેશન લોની પ્રેક્ટિસ કરતા ઉમેશભાઈ 20 વર્ષ પહેલાં સ્વેચ્છાએ કાઉન્સેલિંગના કાર્યમાં જોડાયા હતા. તેમના મતે, આજના સમયમાં સહનશક્તિના અભાવે દરરોજ 100 થી 150 છૂટાછેડાના કેસ ફાઈલ થાય છે જેમાં મીડિયેશન સેન્ટરમાં અંદાજે 5 કેસ આવે છે જેમાં 4 કેસમાં સમાધાન શક્ય બને છે.તેઓ પક્ષકારોને અલગ-અલગ સાંભળી તેમની વચ્ચેના મતભેદો દૂર કરવા મધ્યસ્થી બને છે. તેમની સ્ટ્રેટેજીના કારણે બંને પક્ષો સંતોષકારક રીતે સમાધાન કરીને પરત ફરે છે. તેમને અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં સમાધાન કરાવ્યા છે ત્યારે તેમને એક કિસ્સો ટાંકતા જણાવ્યું કે, થોડા સમય પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં વિદેશમાં ભણેલો એક ઉચ્ચ શિક્ષિત પુત્ર વૃદ્ધ માતા-પિતાનું ભરણપોષણ ન કરવું પડે તે માટે જવાબદારીમાંથી છટકવા ‘સન્યાસ’ ધારણ કરી લીધો હતો. માતા-પિતાએ જ્યારે કોર્ટમાં ફરિયાદ કરી, ત્યારે ઉમેશભાઈએ જાતે ઘટના સ્થળે જઈને પુત્રની માનસિકતા જાણી હતી. તેમણે ઊંડાણપૂર્વક કરેલા કાઉન્સેલિંગમાં બહાર આવ્યું કે યુવક માત્ર જવાબદારીઓથી ડરીને આ પગલું ભરી રહ્યો હતો. ઉમેશભાઈએ તેને જીવનની વાસ્તવિકતા અને નૈતિક ફરજોનું ભાન કરાવ્યું. પરિણામે, તે પુત્ર સન્યાસ છોડીને પરત ઘરે ફર્યો અને પરિવાર ફરી એક થયો. આવી રીતે, દરેક કેસના મૂળ સુધી પહોંચીને, બંને પક્ષોને સાથે સમય વિતાવવાની તક આપીને ઉમેશ મજમુદાર સાચા અર્થમાં સમાજ સુધારકનું કાર્ય કરી રહ્યા છે. બંને એકબીજાને સમય આપે તો જ સમાધાન શક્ય, સપ્તાહમાં 2 કલાક સમય ફાળવે તેવો આગ્રહ રાખે છેસમાધાન સો ટકા હકારાત્મક રહે તે માટે તેઓ બંને પક્ષોને અલગ-અલગ સાંભળ્યા બાદ સાથે બેસાડી સંવાદ કરાવવાની છે. તેઓ દંપતીને દર અઠવાડિયે બે કલાક ફરજિયાત સાથે વિતાવવાનો આગ્રહ રાખે છે. જરૂર પડે ત્યારે તેઓ જાતે ઘટના સ્થળે જઈ, વ્યક્તિની માનસિકતા સમજી નૈતિક જવાબદારીનું ભાન કરાવી તૂટતા પરિવારોને ફરી જોડે છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:12 am

મંડે મેગા સ્ટોરી:સોલા સિવિલમાં 14 માળની 550 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર, 5 માસમાં શરૂ થશે

એસજી હાઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 14 માળની 550 બેડની સ્પેશિયિલ હોસ્પિટલનું કામ હવે આખરી તબક્કામાં છે. આગામી ચારથી પાંચ મહિનામાં આ હોસ્પિટલ શરૂ થશે. સોલા સિવિલમાં અમદાવાદ તેમજ આસપાસના ગામડાના 2 હજારથી વધુ દર્દી રોજ ઓપીડીમાં સારવાર માટે આવતા હોય છે. 400 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બની રહી છે. સોલા સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. દિપીકા સિંઘલે કહ્યું કે, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, કિડની, યુરોલોજી અને ગેસ્ટ્રોલોજી જેવી સુપર સ્પેશ્યાલિટી સારવારના દર્દીને દાખલ કરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવા પડતાં હતા. પરંતુ, હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ પાસે આવેલાં મેદાનમાં દર્દીને તમામ સુપર સ્પેશ્યાલિટી સારવાર પ્રાપ્ત થશે. પીઆઇયુના એન્જિનિયર નિશીત શાહે કહ્યું કે, મધ્યમ વર્ગના દર્દીને ઉચ્ચ કક્ષાની સારવાર મળશે. આ 14 માળની હોસ્પિટલમાં અધતન સાધનોનો ઉપયોગ કરાયો છે 40 બેડનું ડાયાલિસિસ સેન્ટર, જનરલ વોર્ડમાં 360 બેડ હશે બે બેઝમેન્ટમાં 400થી વધુ વાહનની પાર્કિંગ ક્ષમતા

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:07 am

ભાસ્કર એક્સક્લુસિવ:અમરાઈવાડીના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલે NRI યુવકને પોલીસ પાસે ઉઠાવડાવ્યો, ઓફિસમાં લાવી લાફા માર્યા

ગુરુવારે એનઆરઆઇ સુનિલ પટેલ સીટીએમ પાસેની અમી અખંડાનંદ સોસાયટી પાસેથી પસાર થતો હતો ત્યારે એક મહિલાના વાહન સાથે અથડાયો હતો. આ નાની અમથી વાતમાં અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ ગુંડાગીરી પર ઊતરી આવ્યા. કારણ કે એ મહિલા ધારાસભ્યની પૂર્વ કર્મચારી હતી. ધારાસભ્યના હુકમથી એ જ દિવસે, ગુરુવારે મોડી સાંજે પોલીસ યુવકને ઘરે જઈને પોલીસ સ્ટેશન હાજર થવાનો હુકમ બજાવી આવી હતી. સુનિલ શુક્રવારે પોલીસ સ્ટેશન ગયો અને પૂછપરછ થઈ જતાં પાછો આવ્યો હતો. જોકે પોલીસે ધોલધપાટ કર્યાનું પણ કહેવાય છે. એ પછી ડીસ્ટાફ પોલીસ યુવકના ઘરે ગઈ અને પકડીને ધારાસભ્યની ઑફિસ લઈ ગઈ. ઑફિસમાં પ્રવેશતાં પણ તે લંગડાતો જોવા મળ્યો. આદેશ હતો એટલે પીએસઆઇને ફોન બહાર મૂકવો પડ્યો. ધારાસભ્યે મારવાનું ચાલુ કર્યું. યુવક હાથ જોડીને માફી માગતો રહ્યો પણ ધારાસભ્ય ન પીગળ્યા. આખી ઘટના અમરાઈવાડીના ભાજપના આગેવાન ધર્મેન્દ્ર પટેલની હાજરીમાં બની હોવાનું કહેવાય છે. શનિવારે યુવકની ફ્લાઇટ હતી છતાં ધારાસભ્યે દાટી આપી, ‘કાલે સવારે મારી ઑફિસનું શટર બંધ હોય તોપણ બેગ સાથે આવી, બંધ શટર અને કૅમેરા સામે માફી માગજે અને ફરી ભારત નહીં આવું એવું બોલજે, નહીં તો લંડનની ફ્લાઇટ પકડવા નહીં દઉં.’ યુવકની સોસાયટીના, ધારાસભ્યની ઑફિસના સીસીટીવી કૅમેરા તપાસાય તો વાસ્તવિકતા બહાર આવી શકે. માથાકૂટ થઈ હતી, સમાધાન થયું છેયુવક અને મહિલા વચ્ચે માથાકૂટ થઈ હતી. તેઓ એક જ સમાજના હોવાથી સમાધાન થઈ ગયું હતું. મહિલાએ ફરિયાદ કરવાની ના પાડી હતી. - આર.બી. ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર, અમરાઈવાડી ડો. હસમુખ પટેલ (ધારાસભ્ય) સાથે સીધી વાત સવાલ : તમારા જૂના પીએ જાનકી પટેલની કોઈ યુવક સાથે માથાકૂટ થઈ હતી?જવાબ : ના, કોઈની માથાકૂટ થઈ નથી. આવી કોઈ ઘટના બની નથી. સવાલ : કોઈ યુવક સાથે વાહન અથડાયું હતું, તે બાબતે તમે સમાધાન કરાવ્યું હતું?જવાબ :તમે કયા એક્સિડન્ટની વાત કરો છો, મને તેનો ખ્યાલ નથી. સવાલ :તમારા કહેવાથી પોલીસ છોકરાને પકડી તમારી ઑફિસે લઈ આવી હતી? તમે છોકરાને લાફા માર્યા હતા?જવાબ :ના, હું ડૉક્ટર છું. લાફા મારવાની કોઈ વાત નથી. પોલીસ સ્ટેશનમાં કોઈ ક્રિમિનલ કેસ હોય તો જ ફોન કરતો હોઉં છું. સવાલ :ડીસ્ટાફના પીએસઆઇને ફોન ઑફિસ બહાર મુકાવ્યો હતો?જવાબ: ના, ભાઈ, ના.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:04 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાકિસ્તાનને પછાડી ભારતની સુપર-8માં એન્ટ્રી, મોદી બાંગ્લાદેશ PMના શપથ ગ્રહણમાં હાજરી નહીં આપે; ઈશાન કિશન જયપુરની મોડેલ સાથે લગ્ન કરશે

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર T-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન પર ભારતની સૌથી મોટી જીતના રહ્યા. ભારતે 61 રનથી મેચ જીતી લીધી. બીજા સમાચાર PM મોદીને લઈને રહ્યા, તેઓ બાંગ્લાદેશમાં પીએમના શપથ ગ્રહણ સમારોહમાં નહીં જાય.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુડુચેરી જશે. અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. 2. દિલ્હીમાં India AI Impact Summit 2026 ની શરૂઆત થશે. PM મોદી ઉદ્ઘાટન કરશે. કાલના મોટા સમાચારો 1. ગુજરાતીઓની ગર્જના સામે પાકિસ્તાન નતમસ્તક:ભારતે આઠમીવાર ધૂળ ચટાડી, 61 રને પછાડ્યું; ઈશાનના વિસ્ફોટક 77 રન; સુપર-8 માટે ટીમ ક્વોલિફાય ભારતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. ટુર્નામેન્ટના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ પાકિસ્તાન પર ભારતનો આ સૌથી મોટો વિજય છે. ઉપરાંત આ સાથે જ T20 વર્લ્ડ કપમાં ભારતે આઠમીવાર પાકિસ્તાનને હરાવ્યું છે. આ જીત સાથે, ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ. ટીમ સતત ત્રણ જીત સાથે ગ્રુપ-A પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે. રવિવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે 176 રનના ટાર્ગેટને ચેઝ કરતા, પાકિસ્તાની ટીમ 18 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઉસ્માન ખાને સૌથી વધુ 44 રન બનાવ્યા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ લીધી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બાંગ્લાદેશમાં 17મીએ રહેમાનનો શપથ સમારોહ, મોદીને આમંત્રણ:આ જ દિવસે PMની ફ્રેન્ચ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત, સ્પીકર ઓમ બિરલા ઢાકા જશે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ના ચેરમેન તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓને આ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, આ સમારોહમાં ભારત તરફથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામેલ થશે. તેમની સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ રહેશે. PM મોદી 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે, તેથી તેઓ ઢાકા જઈ રહ્યા નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પુતિને પોતાના વિરોધીને એપિબેટિડિન ઝેર આપીને માર્યા હોવાનો આરોપ:આનાથી પહેલાં લકવો અને પછી દર્દનાક મૃત્યુ થાય છે, દક્ષિણ અમેરિકી દેડકામાં મળે છે યુરોપના પાંચ દેશોએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર તેમના વિરોધી એલેક્સી નવલનીને 'એપિબેટિડિન ઝેર' આપીને મારવાનો આરોપ લગાવ્યો છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સ્વીડન અને નેધરલેન્ડે કહ્યું છે કે યુરોપની લેબમાં નવલનીના શરીરના નમૂનાઓની તપાસમાં એપિબેટિડિન મળી આવ્યું છે. આ ઝેર રશિયામાં કુદરતી રીતે મળતું નથી. આ દેશોએ કહ્યું કે રશિયા પાસે આ ઝેર આપવાના સાધન, હેતુ અને તક ત્રણેય હતા. તેમણે રશિયા વિરુદ્ધ કેમિકલ વેપન્સ કન્વેન્શનના ઉલ્લંઘનની ફરિયાદ કરવાની વાત કહી છે. નેશનલ જિયોગ્રાફિક અનુસાર, આ ઝેર દક્ષિણ અમેરિકામાં જોવા મળતા ઝેરી ડાર્ટ દેડકાની ચામડીમાં મળે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 'મિસ્ટ્રી ફેનગર્લ' હવે બનશે ઈશાન કિશનની જીવનસાથી:T20 વર્લ્ડકપ પછી જયપુરની મોડેલ સાથે લગ્ન કરશે ક્રિકેટર, જાણો કોણ છે અદિતિ હુંડિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે T20 નો મુકાબલો છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ઓપનર અને બિહારના રહેવાસી ઈશાન કિશનના લગ્નની ચર્ચા સામે આવી છે. ઈશાનના દાદા અનુરાગ પાંડેએ તેની ગર્લફ્રેન્ડનું નામ જણાવ્યું છે. જેના પછી ઈશાનના જયપુરની મોડેલ અદિતિ હુંડિયા સાથેના અફેરની પુષ્ટિ થઈ ગઈ છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ઈશાન જેની સાથે પણ લગ્ન કરશે તે મને સ્વીકાર્ય છે. તેના મોટા ભાઈએ કહ્યું હતું કે પલ્લવી સાથે લગ્ન કરશે તો અમે કરાવી દીધા હતા. હવે આના પણ કરાવી દઈશું. અદિતિ તેની ગર્લફ્રેન્ડ છે. તે જયપુરમાં રહે છે. મોડેલ છે, મિસ ઈન્ડિયા સ્પર્ધામાં બીજા નંબરે આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રાહુલ ગાંધી બોલ્યા-ટ્રેડ ડીલમાં ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે:PM મોદીને 5 સવાલ કર્યા, અમિત શાહે કહ્યું- રાહુલ જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને પીએમ નરેન્દ્ર મોદીને પાંચ સવાલ કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે આ ડીલના નામે ભારતીય ખેડૂતો સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. ગાંધીએ કહ્યું કે આ મુદ્દો દેશની કૃષિના ભવિષ્ય સાથે જોડાયેલો છે. તેમણે પીએમ મોદીને સવાલ કરતા લખ્યું કે ખેડૂતોને જવાબ તો મળવા જ જોઈએ. આ માત્ર આજની વાત નથી. આ ભવિષ્યની પણ વાત છે. શું આપણે કોઈ બીજા દેશને ભારતના કૃષિ ઉદ્યોગ પર લાંબા સમય સુધી પકડ જમાવવા દઈ રહ્યા છીએ? તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 5 સવાલ પોસ્ટ કર્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'રાહુલ ગાંધી ખોટું બોલે છે, ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે':ગૃહમંત્રી અમિત શાહનો પડકાર, ખોટી વાતો ના ફેલાવો, ભાજપ કોઈપણ મંચ પર ચર્ચા કરવા તૈયાર ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અમિત શાહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ટ્રેડ ડિલ મુદ્દે ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વ ખોટું બોલીને ગેરમાર્ગે દોરે છે. પાર્લામેન્ટમાં કોંગ્રેસના શહેજાદા રાહુલ ગાંધી ખેડૂતોની વાત કરે છે. હું તેમને કહેવા માગું છું કે, તમે ખેડૂતોનું કેટલું અનાજ ખરીદ્યું હતું. 10 વર્ષ યુપીએ સરકારના અને 10 વર્ષ નરેન્દ્ર મોદી સરકારના. અમે તમારા કરતા 15 ગણું વધુ અનાજ ટેકાના ભાવે વધુ ખરીદ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. જેતલસર રેલવે ઓવરબ્રિજ પર કારના બે ફાડિયા, 3નાં મોત:જૂનાગઢ મહાશિવરાત્રિ મેળો માણી પરત ફરતા જેતપુરના 4નો ભયાનક અકસ્માત, કારના કુરચેકુરચા, એક ગંભીર રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસર જંકશન રેલવે ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જતી કાર ડિવાઈડર સાથે અથડાતા તેના બે ટુકડા થઈ ગયા હતા. આ ગમખ્વાર દુર્ઘટનામાં જૂનાગઢનો મહાશિવરાત્રિ મેળો માણી પરત ફરતા જેતપુરના એક યુવતી સહિત 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 1 યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢથી જેતપુર તરફ આવી રહેલી સફેદ સ્કોડા (GJ-03-ER-9351) કારમાં 3 યુવકો અને 1 યુવતી સવાર હતા. વહેલી સવારે જેતલસર રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી પ્રચંડ ગતિએ ડિવાઈડર સાથે અથડાઈ હતી કે તેના બે ભાગ થઈ ગયા હતા અને કારના સ્પેરપાર્ટ્સ રોડ પર દૂર સુધી વિખેરાઈ ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : 38 દેશો સાથે પોતાની શરતો પર ડીલ કરી રહ્યા છીએ:PM મોદીએ કહ્યું- કોંગ્રેસના સમયમાં ફક્ત વાત શરૂ થતી હતી, રાજકીય સ્થિરતાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 7 દિવસમાં કેદીઓ છોડો નહીંતર...:BLAએ પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવી ઘુંટણીયે બેસાડ્યા, વીડિયો વાઇરલ થતા મુનીર-શાહબાઝની આબરૂના ધજાગરા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખે ટીપુ સુલતાનની તુલના શિવાજી મહારાજ સાથે કરી:CM ફડણવીસે નિવેદનને શરમજનક ગણાવ્યું, ભાજપે કહ્યું- સપકાલ પાગલ થઈ ગયા છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : જર્મનીમાં પાકિસ્તાની આર્મી ચીફની ભારે ફજેતી:સિક્યોરિટી ગાર્ડે ગેટ પર રોક્યા, કહ્યું- 'પહેલા ID કાર્ડ બતાવો'; VIDEO થયો વાઇરલ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સિનિયર સિટીઝન્સ સ્કીમમાં દર મહિને ₹20,500 સુધીની કમાણી:આમાં મળી રહ્યું છે વાર્ષિક 8.2% વ્યાજ, સમજો આનાથી આવકનું પૂરું ગણિત વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 8 વિકેટે કચડ્યું:ભારતીય ઓપનરની તોફાની ઇનિંગ, વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં 61 બોલમાં જ મેચ જીતી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : નસીબના તાળા ખૂલશે:મંગળવાર, અમાસ અને શતભિષા નક્ષત્રનો સંયોગ શા માટે છે ખાસ?, ગ્લોબલ એસ્ટ્રોગુરૂ ડૉ. પંકજ નાગર પાસેથી જાણો વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ બદલો લેવા માટે પોલીસના ઘરે ચોરી મધ્યપ્રદેશનો એક ચોર છેલ્લા 15 વર્ષથી પોલીસવાળાઓના ઘરમાં ચોરી કરી રહ્યો હતો. મધ્યપ્રદેશ પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી દીપેશે જણાવ્યું કે એક પોલીસકર્મીએ તેને જોરદાર માર માર્યો હતો. ત્યારથી જ તેણે કસમ ખાધી હતી કે તે માત્ર પોલીસવાળાઓના પરિવારોને જ લૂંટશે. અત્યાર સુધી તે 16 ઘરોમાં ચોરી કરી ચૂક્યો છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: તારિક રહેમાનના શપથ ગ્રહણમાં હાજરી નહીં આપે મોદી; તેની અસર અને ભારત-બાંગ્લાદેશ સંબંધો વિશે 5 સવાલના જવાબ 2. સન્ડે બિગ સ્ટોરી : ગૂગલ કરતાં ય આગળ નીકળી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ: હોટલવાળા માંગે તો પણ આધારની ઝેરોક્ષ આપવી નહીં; મોબાઈલમાં ચહેરો બતાવશો ને રૂમ મળી જશે 3. ખાખી કવર : માથાભારે નેતાએ દીકરીના પ્રેમીને સળગાવી નાખ્યો: અવાવરૂ જગ્યાએથી લાશ મળી, એકમાત્ર સાક્ષીને ગોળી મારી-ઝેર આપ્યું છતાં જુબાની આપીને સજા કરાવી 4. સંડે જઝબાત: 92 વર્ષે લાવારીસ લાશોના અંતિમ સંસ્કાર કરું છું: 23 હજાર લાશના અંતિમ સંસ્કર કર્યા, કમનસીબી એ કે મારા દીકરાની લાશના અંતિમ સંસ્કાર ન કરી શક્યો 5. દિલ્હી ટ્રિપલ મર્ડર- કમરુદ્દીન ઈલાજ માટે ઈંડા અને માંસ મંગાવતો: ઘર પર ગાડીઓ આવતી હતી, પાડોશીઓ બોલ્યા- કહેતો હતો કે કેન્સર પણ મટાડી દઈશ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મકર રાશિ માટે ભાગ્યના દ્વાર ખુલશે, મીન રાશિના જાતકો માટે લાભદાયી દિવસ; વૃષભ રાશિએ સાવધ રહેવું વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:00 am

મુલુંડમાં મેટ્રો દુર્ઘટનાકાંડ:જેક્ટ ડાયરેક્ટર સહિત પાંચની ધરપકડ

મલુંડમાં મેટ્રોનો સ્લેબ તૂટી પડીને સર્જાયેલી દુર્ઘટના પ્રકરણે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રકરણે પોલીસે રિલાયન્સ અલ્તાલદી જેવીની સબકોન્ટ્રાક્ટર મિલન રોડ બિલ્ડટેક અને ડીબી હિલ એલબીજી સુપરવાઈઝરી કંપનીના મેનેજરો, એન્જિનિયરો, સુપરવાઈઝર અને શ્રમિકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ પછી પાંચ જણની ધરપકડ કરી છે. આમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર હરીશ ચૌહાણ, પ્રોજેક્ટ મેનેજર કુલદીપ સપકાળ, ડેપ્યુટી મેનેજર સૌરભ સિંહ, સુપરવાઈઝર પ્રશાંત ભોઈર અને પ્રોજેક્ટ મેનેજર અવધૂત ઈનામદારનો સમાવેશ થાય છે. આમાંથી 1થી 4 આરોપી મિલન રોડ બિલ્ડટેકના છે, જ્યારે પાંચમો ડીબી હિલ એલબીજીનો છે. આ પાંચેય વિરુદ્ધ બેદરકારી દાખવીને એકનું મોત અને ત્રણ જણને ઘાયલ સ્થિતિમાં મૂકી દેવા માટે ગુનો દાખલ કરવામાં પછી ધરપકડ કરવામાં આવી છે. મુલુંડ ખાતે એલબીએસ રોડ પર વડાલાથી કાસારવડવલી મેટ્રો માર્ગનું કામ ચાલી રહ્યું છે. શનિવારે મુલુંડ પશ્ચિમમાં જોન્સન એન્ડ જોન્સન કંપની નજીક સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં ઉત્તર પ્રદેશના પર્યટક રામધન યાદવનું મોત થયું છે. અન્ય ત્રણ જણ ઘાયલ થયા છે. એમએમઆરડીએ મારફત ચાલી રહેલા આ પ્રકલ્પના કાટમાળ હેઠળ ત્રણ વાહન દબાઈ ગયાં હતાં. આ ઘટનાને કારણે થાણેથી મુંબઈ આવજા કરતાં વાહનો માટે રસ્તો સાત કલાક સુધી બંધ રાખવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાની ગંભીર દખલ લેતાં ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સસ્પેન્ડ કરી દીધો છે. મુલુંડ પોલીસ દ્વારા આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન એમએમઆરડીએ દ્વારા આ દુર્ઘટના માટે જવાબદારી નિશ્ચિત કરીને કોન્ટ્રાક્ટર મિલન ઈન્ફ્રા કંપનીને રૂ. 5 કરોડનો અને કન્સલ્ટન્ટ લુઈ બર્ગર કંપનીને રૂ. 1 કરોડનો દંડ ફટકાર્યો છે. આ જ રીતે મૃતકના સંબંધીને એમએમઆરડીએ તરફથી રૂ. 15 લાખની મદદ જાહેર કરાઈ છે. ઉપરાંત ઘાયલ સર્વનો ખર્ચ એમએમઆરડીએએ ઉઠાવવાની ખાતરી આપી છે. દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિથી આખા મેટ્રો બ્રિજ માર્ગનું તુરંત સેફ્ટી અને સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર સસ્પેન્ડમેટ્રો લાઈન-4 (વડાલા- કાસારવડવલી) માર્ગ પર મુલુંડ ખાતે થયેલી દુર્ઘટના પ્રકરણે ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સત્યજિત સાળવેને તુરંત સસ્પેન્ડ કર્યા છે. મૃતકના કુટુંબીઓને સાંત્વના આપવા સાથે ઘાયલોનો ખર્ચ એમએમઆરડીએ કરશે એવી ખાતરી આપી છે. જાહેર સુરક્ષા સાથે બાંધછોડ કરનારા અધિકારીઓને ખેર નહીં એવો ઈશારો પણ શિંદેએ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 4:29 am

મહિલા કેદીઓ માટે વિશેષ આયોજન:ભાયખલા જેલમાં મહિલા કેદીઓને કૂકિંગનું પ્રશિક્ષણ

જાણેઅજાણે ગુનો કરવાથી જેલમાં જવાનો સમય આવ્યો પણ જેલની ચાર દિવાલથી બહાર નીકળ્યા પછી સન્માનપૂર્વક જીવન જીવી શકાય એ માટે ભાયખલા જેલની મહિલા કેદીઓને અત્યારે કૂકિંગનું ખાસ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમને ફ્રૂટ કસ્ટર્ડ, ગ્રેવી તૈયાર કરતા શીખવાડવામાં આવી રહ્યું છે. જેલમાં ગયા પછી કેદીઓને સજા તરીકે વિવિધ કામ કરવાનું જણાવવામાં આવે છે એવી અત્યાર સુધીની સમજ હતી. પણ જેલની બહાર નીકળ્યા પછી તેઓ આત્મનિર્ભર જીવન જીવી શકે એ માટે તેમને વિવિધ પ્રકારના પ્રશિક્ષણ આપવામાં આવે છે. ભાયખલા જિલ્લા મહિલા જેલમાં અત્યારે કેદી મહિલાઓને વિવિધ પ્રકારના ખાદ્યપદાર્થો બનાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. જેલમાં ઘણાં અને અત્યાધુનિક સાધનોવાળા મેસ એટલે કે રસોડામાં કેદી મહિલાઓને એક સામાજિક સંસ્થાના માધ્યમથી ખાદ્યપદાર્થો તૈયાર કરવાનું શીખવાડવામાં આવે છે. એના માટે બે મહિલા શેફ નિયુક્ત કરવામાં આવી છે. ખાદ્યપદાર્થો બનાવવાના પ્રશિક્ષણને ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. જેલથી બહાર નીકળ્યા બાદ આ પ્રશિક્ષણનો ઉપયોગ ગુજરાન ચલાવવા ચોક્કસ ફાયદાકારક બનશે. 40 મહિલાઓનું જૂથ બનાવીને તેમને પ્રશિક્ષિત શેફ દ્વારા રાંધવાનું શીખવાડવામાં આવે છે. પ્રશિક્ષણ થયા પછી પ્રેકટિસ કરવાની તક પણ ઉપલબ્ધ કરી આપશું એમ મુંબઈ જિલ્લા મહિલા જેલના અધિક્ષક વિકાસ રજનલવારે જણાવ્યું હતું. જેલમાં ચાલી રહેલા આ પ્રશિક્ષણને કેદી મહિલાઓનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 4:25 am

મહાપાલિકાનો નિર્ણય:વર્સોવા - દહિસર કોસ્ટલ રોડ પર મોનોપાઈલ ટેકનોલોજીથી નવો પુલ

વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રોડ પર નવા પુલના કામમાં અડચણ બનતા ગોરેગાવના વીર સાવરકર ફ્લાયઓવર (એમટીએનએલ) તોડવાનું નિયોજન મુંબઈ મહાપાલિકાએ કર્યું હતું. જો કે એનો સ્થાનિક સ્તરે વિરોધ થયો હતો. તેથી સાવરકર ફ્લાયઓવર તોડ્યા વિના કોસ્ટલ રોડનો નવો પુલ મોનોપાઈલ ટેકનોલોજી (એકલ સ્તંભ) વાપરીને ઊભો કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો. એ પહેલાં આઈઆઈટી પાસેથી ટેકનિકલ સલાહ પણ લેવામાં આવી. આઈઆઈટીના અહેવાલ અનુસાર મોનોપાઈલ પુલ ઊભો કરવા મંજૂરીનો સિક્કો મારવામાં આવ્યો છે. જો કે પુલ તૈયાર થયા પછી એના થાંભલાના લીધે બંને તરફ ટ્રાફિકજામ થવાની શક્યતા છે. તેથી પુલની બંને તરફનો રસ્તો પહોળો કરવાની સૂચના આઈઆઈટીએ મુંબઈ મહાપાલિકાને આપી છે. ગોરેગાવનો વીર સાવરકર ફ્લાયઓવર એમટીએનએલ ફ્લાયઓવર નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફ્લાયઓવર રેડિસન હોટેલથી રુસ્તમજી ઓઝોન પરિસર સુધી ફેલાયેલો છે. આ પુલનું ઉદઘાટન 2018માં કરવામાં આવ્યું હતું. પુલના બાંધકામ માટે એ સમયે 27 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. અત્યારે વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડ માર્ગ છ તબક્કામાં થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 4:24 am

મનપાની ચૂંટણીનું સમીકરણ:મુંબઈના 227 વોર્ડમાં નવા ચૂંટાયેલા નગરસેવકોમાં 55 ટકા સભ્ય નવા

મુંબઈ મહાપાલિકાની તાજેતરમાં થયેલી ચૂંટણીમાં કુલ 227 વોર્ડમાં 55 ટકાથી વધુ નગરસેવકો પ્રથમ વખત ચૂંટાયા છે. તેથી આગામી સભાગૃહમાં અડધા કરતા વધુ નવા ચહેરા જોવા મળશે. સભાગૃહના અનુભવી નગરસેવકોના માર્ગદર્શન હેઠળ યુવાન અને સુશિક્ષિત નગરસેવકો મુંબઈની નાગરી સમસ્યા કેવી રીતે ઉકેલે છે એના પર બધાનું ધ્યાન હશે. આ વખતની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ અનેક નવા ઉમેદવારોને તક આપી. ભાજપના ચૂંટાઈ આવેલા 89 નગરસેવકમાંથી 43 નગરસેવક (48 ટકા) નવા છે. ઉદ્ધવસેનાના 65 નગરસેવકોમાંથી 38 (58 ટકા) પહેલી વખત ચૂંટાઈ આવ્યા છે. કેટલાક નવા ચૂંટાયેલા સભ્ય ભૂતપૂર્વ નગરસેવકોના સગાસંબંધી છે. નવા નગરસેવકો તરફથી નાગરિકોને ઘણી અપેક્ષા છે. સ્વચ્છતા, ગંદા પાણીનું વ્યવસ્થાપન અને સાર્વજનિક શૌચાલયની સમસ્યા વહેલાસર ઉકેલાવાનો પડકાર તેમની સમક્ષ છે. યુવાન નગરસેવકો પોતાની કલ્પનાશક્તિ વાપરીને પ્રશાસનને જવાબદાર બનાવી શકશે. તેમની પાસે તળિયાના સ્તરે કામ કરતી એક સક્ષમ ટીમ તૈયાર છે એમ કેટલાક વરિષ્ઠ નગરસેવકોએ જણાવ્યું હતું. છેલ્લા થોડા વર્ષ મહાપાલિકામાં પ્રશાસકનું રાજ હતું. હવે લોકપ્રતિનિધિઓ ચૂંટાઈ આવવાથી વિવિધ સુવિધાઓ, ટ્રાફિકજામ અને સ્વચ્છતા જેવા પ્રશ્ન, સમસ્યા ઉકેલવામાં પારદર્શકતા આવશે એવી અપેક્ષા છે. નવા નગરસેવકો વોર્ડના કામ સંદર્ભે અધિકારીઓ સાથે સમન્વય સાધીને સમસ્યા ઉકેલવા પર ભાર આપશે. તેથી પ્રશાસન પણ સ્થાનિક સમસ્યા સમજી શકશે. નગરસેવકોના અભાવે વચ્ચેના સમયમાં વોર્ડ અધિકારીઓને પોતાના વોર્ડની નાનીમોટી સમસ્યા સમજવામાં અડચણ થતી હતી. તેથી સંબંધિતો તરફથી પ્રસ્તાવ આવ્યા બાદ જ કામ હાથમાં લેવામાં આવતા હતા.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 4:23 am