ગુજરાતમાં કોંગ્રેસે દારુ અને ડ્રગ્સની બદીના વિરુદ્ધમાં જંગ છેડ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદમાં બાઈક રેલી યોજી 'SAY NO TO DRUGS'અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીથી રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન સુધી યોજાઈ રહેલી આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા છે. દારુ અને ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસછેલ્લા કેટલાક દિવસોથી દારૂ, ડ્રગ્સ અને જુગારના દૂષણ સામે કોંગ્રેસ સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા રેલી અને વિરોધ પ્રદર્શન કરી દારૂ, ડ્રગ્સ અને જુગારનું દૂષણ બંધ કરવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી છે. જેને લઈને NSUI દ્વારા પણ બાઇક રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. બાઈક રેલી ગુજરાત યુનિવર્સિટી કેન્ટીનથી સેપ્ટ યુનિવર્સિટીથી એચ.એલ.કોલેજ થઈ GLS યુનિવર્સિટીથી ગુજરાત કૉલેજથી રાજીવ ગાંધી ભવન જશે.
સુરેન્દ્રનગર પોલીસે ચોટીલાના નાવા ગામે થયેલી મંદિર ચોરી અને રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં થયેલી મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ₹85,800ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના નિર્દેશ હેઠળ કરવામાં આવી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, તેમજ શરીર અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે પોલીસ અધિક્ષકશ્રીએ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓને ઝડપથી પકડવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ-અલગ ટીમો બનાવી હતી. આ ટીમો ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સક્રિય હતી. દરમિયાન, પોલીસ હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે, એક ઇસમને ચોરી કરેલા દાગીના અને એક સ્કૂટર સાથે પકડી પાડવામાં આવ્યો. પોલીસે કુલ ₹85,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં ચાંદીના નાના-મોટા 25 છત્તર (આશરે ₹9,000), ધાતુનું માતાજીનું ત્રિશૂળ (₹500), નંગવાળું ધાતુનું છત્તર (₹300), ધાતુના હાથી (₹1,000) અને એક વાદળી કલરનું એક્સેસ સ્કૂટર (₹75,000)નો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીનું નામ જયંતિભાઈ ઉર્ફે જેઠો ઈશ્વરભાઈ પારઘી છે, જે થાનગઢના આંબેડકરનગર, જવાહર સોસાયટીનો રહેવાસી છે. આ ગુનામાં અશોકભાઈ ઉર્ફ બીછુ હમીરભાઈ ખાવડુ (રહે. થાનગઢ, મફતિયા પરા) હજુ ફરાર છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા, પો.હેડ કોન્સ. મુન્નાભાઈ રાઠોડ, દેવરાજભાઈ જોગરાજીયા, પો.કોન્સ. શક્તિસિંહ ચૌહાણ, કપિલભાઈ સુમેરા, કુલદીપભાઈ બોરીચા અને ડ્રા.પો.હેડ કોન્સ. વિક્રમભાઈ બાવળીયા સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.
સિદ્ધપુરમાંથી લાખો રૂપિયાની બનાવટી ચલણી નોટો ઝડપાવાના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. રેડ દરમિયાન મુદ્દામાલનું પંચનામું કરતી વખતે આરોપી મહમદ યાસીનની પૂછપરછ કરવામાં આવી હતી. આ નોટોની તપાસ માટે બેંક અધિકારીઓ અને ફોરેન્સિક ઓફિસરની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસને આરોપી મહમદ યાસીનના કબજામાંથી ભારતીય ચલણી નોટો અને તેને છાપવાની સામગ્રી મળી આવી હતી. પોલીસે નોટો ક્યાંથી લાવવામાં આવી, ક્યાં છાપકામ થતું હતું, કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી, કોણ-કોણ સંડોવાયેલું છે અને છાપેલી નોટો ક્યાં ચલણમાં મૂકવામાં આવી છે તે અંગે પૂછપરછ કરી હતી. શરૂઆતમાં આરોપીએ વારંવાર નિવેદનો બદલી સચોટ જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, બાદમાં આરોપીએ પોલીસને જણાવ્યું કે, તે સિદ્ધપુરના છુવારાફળીમાં રહેતા મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલેકને છેલ્લા દસ વર્ષથી ઓળખે છે. આરોપી યાસીને પોતાના પર અગાઉ પણ ઘણા ગુના દાખલ થયેલા હોવાનું સ્વીકાર્યું હતું. બનાવટી નોટોનું વેચાણ મુસ્તકીમ મલેક કરતોઆરોપીના જણાવ્યા મુજબ, એકાદ મહિના પહેલા તેણે અને મુસ્તકીમ મલેકે ભેગા મળી ભારતીય દરની બનાવટી ચલણી નોટો બનાવી તેને ચલણમાં મૂકવાનું નક્કી કર્યું હતું. તેઓએ ₹500, ₹200 અને ₹20ના દરની બનાવટી નોટો છાપી હતી. આ નોટોનું વેચાણ મુસ્તકીમ મલેક કરતો હતો. યાસીનના ઘરે દરોડો પાડી ચલણી નોટો જપ્ત કરીગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે તેઓ ETIOS ક્રોસ કંપનીની GJ.24.AU.7917 નંબરની ગાડીનો ઉપયોગ કરતા હતા. પોલીસે ગત રાત્રિ દરમિયાન આરોપી યાસીનના ઘરે દરોડો પાડી ચલણી નોટો અને અન્ય સામાન જપ્ત કર્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે બજારમાં કોને બનાવટી નોટો આપવામાં આવી છે તેની જાણ મુસ્તકીમ મલેકને છે. ETIOS ક્રોસ કંપનીની ગાડી GJ.24.AU.7917 નો ઉપયોગ ગુનામાં થયો હોવાથી પોલીસે તેને સિદ્ધપુર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં તપાસ માટે મંગાવી હતી. તપાસમાં આ ગાડી આરોપી મહમંદ યાસીન સૈયદના નામે હોવાનું જણાયું હતું, જેની કિંમત ₹4,00,000 હતી. પોલીસે ગાડી પણ કબજે કરી છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર માછીમારી કરવી ગેરકાયદેસર છે, છતાં રોજ વહેલી સવારથી અનેક માછીમારો ગેરકાયદેસર માછલી પકડે જ છે. આજે સવારે પણ કેટલાક માછીમારો માછલીઓ તરફડિયા મારતી હાલતમાં બહાર કાઢી રહ્યા હતાં, ત્યારે પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે માછીમારો પાસેથી તરફડિયા મારતી માછલીઓને છોડાવી ફરીથી નદીમાં છોડી જીવ બચાવ્યો હતો. માછલી પકડનાર લોકોની પોલીસે અટકાયત પણ કરી હતી. આ સમગ્ર બનાવમાં રિવરફ્રન્ટની સિક્યુરિટી ગાર્ડ મૂકપ્રેક્ષક જ બની રહ્યા હતા. વોલ્ક-વે પર વાહન લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં મારીમારો માછલી લેવા વાહન લઈને પ્રવેશ્યા હતાં. નદીમાં ઉતરી શખસોએ બન્ને છેડે જાળ પાથરીસાબરમતી રિવરફ્રન્ટ પર લોકો સવારથી ચાલવા આવે છે, ત્યારે વોલ્ક વે પર પૂજાના સ્થળે કેટલાક માછીમારોએ એક છેડેથી બીજા છેડે ઝાળ પાથરી હતી, જેમાં અનેક માછલીઓ ફસાઈ હતી. જે બાદ માછીમારી નદીમાં ટ્યુબ લઈને ઉતર્યા હતા. માછીમારોએ નદીમાં લગાવેલી ઝાળ પાછી ખેંચીને બહાર કાઢી ત્યારે સેકડો માછલીઓ તરફડિયા મારતી હતી. પોલીસે જીવતી માછલીઓને નદીમાં મુક્ત કરીમાછીમારો ગેરકાયદેસર માછીમારી કરીને સેકડો માછલીઓ પોટલા બાંધીને એક્ટિવા પર લઈ જઈ રહ્યા હતા, ત્યારે પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોચી હતી. પોલીસે માછીમારોની અટકાયત કરી અને પોટલા ખોલ્યા તો અંદરથી જીવતી માછલીઓ ઝાળીમાં ફસાઈને તરફડિયા મારી રહી હતી. પોલીસે તાત્કાલિક જીવતી માછલીઓને છોડાવી નદીમાં ફેલાવી દીધી હતી. ગાર્ડની હાજરીમાં નદીમાં ઉતરી માછીમારી કરીબંને માછીમારોને પોલીસ સ્ટેશન લઈને જઈને અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. આ દરમિયાન એક શખસ પોલીસ સ્ટેશન આવ્યો, જેને પોતાનું નામ મહેબૂબ જણાવી માછલી પકડતા લોકોને છોડી દેવા જણાવ્યું હતું. જોકે, પોલીસે તેને પણ તગેડી મૂક્યો હતો. આ સમગ્ર મામલે રિવરફ્રન્ટ સિક્યુરિટી ગાર્ડની ગંભીર બેદરકારી સામે આવી હતી. ગાર્ડની હાજરીમાં માછીમારો નદીમાં ઉતરતા અને માછલી પકડતા હતા. વાહન લઈને વોલ્ક વે પર પણ આવતા હતા, જ્યાં સામાન્ય લોકોના વાહન લઈને આવવા પર પ્રતિબંધ છે.
સુરત શહેરમાં હવે બિનજરૂરી અને સતત હોર્ન વગાડીને અન્ય વાહનચાલકો તથા રાહદારીઓને માનસિક ત્રાસ આપનારા લોકો સાવધાન. સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં પ્રથમ વખત બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા લોકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ કાયદેસરના પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. ટ્રાફિકના અન્ય નિયમ ભંગની જેમ જ, હવે બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને 500થી લઈને 1,000 સુધીનો દંડ થઈ શકે છે. સિગ્નલ બંધ હોવા છતાં વાહનચાલકો સતત હોર્ન વગાડે છેટ્રાફિક પોલીસ હાલમાં જાગૃતિ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સમગ્ર મામલે ટ્રાફિક શાખાના એસીપી એસ.આર.ટંડેલએ જણાવ્યું હતું કે, સુરતમાં લોકો જાણતા-અજાણતા બિનજરૂરી હોર્ન વગાડે છે, જેના કારણે સિગ્નલ પર ઊભેલા અન્ય વાહનચાલકો પરેશાન થાય છે. ખાસ કરીને જ્યારે ગાડીઓ સ્ટોપ લાઇન પર ઊભી હોય અને સિગ્નલ ચાલુ થવામાં સમય હોય, તેમ છતાં પાછળના વાહનચાલકો સતત હોર્ન વગાડતા હોય છે. ટ્રાફિક પોલીસે 7 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કર્યું એસ.આર.ટંડેલના જણાવ્યા અનુસાર, લોકોમાં ધૈર્યનો અભાવ જોવા મળે છે, જેના કારણે સતત હોર્ન વગાડવાથી શહેરીજનોમાં માનસિક અસ્થિરતા અને તણાવની સ્થિતિ ઊભી થાય છે. આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક પોલીસે 7 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ ડ્રાઇવ દરમિયાન પોલીસ લોકોને સમજાવશે કે વાહન ચલાવતી વખતે અને ટ્રાફિક સિગ્નલ પર બિનજરૂરી હોર્નનો ઉપયોગ ન કરવો. નિયમ ભંગ કરનારને 500થી 1,000 સુધીનો દંડજાગૃતિ અભિયાન બાદ ટ્રાફિક પોલીસ બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને આઇડેન્ટિફાય કરીને દંડની કાર્યવાહી શરૂ કરશે. જોકે, એસીપી ટંડેલએ સ્પષ્ટ કર્યું કે, પોલીસનો મુખ્ય પ્રયાસ દંડ કરવાનો નહીં, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. કાયદાકીય કાર્યવાહીની વિગતો ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારાઓ પર પણ નજરટ્રાફિક પોલીસ હવે માત્ર રોંગ સાઇડ ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ કે હેલ્મેટ ન પહેરવા જેવા નિયમોના ભંગ કરનારાઓ પર જ નહીં, પરંતુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારાઓ પર પણ નજર રાખશે. આ પગલાંથી લોકોને રાહત મળે અને શહેરીજનોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવો પોલીસનો ઉદ્દેશ્ય છે. સતત કર્કશ અવાજ વાહનચાલકોની એકાગ્રતા ભંગ કરે છેસુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને ટ્રાફિક સતત વધી રહ્યો છે. આવા સંજોગોમાં, બિનજરૂરી હોર્ન વગાડવાની આદત માત્ર અવાજનું પ્રદૂષણ નથી ફેલાવતી, પરંતુ તે અકસ્માતનું કારણ પણ બની શકે છે, કારણ કે સતત કર્કશ અવાજ વાહનચાલકોની એકાગ્રતા ભંગ કરે છે.ટ્રાફિક પોલીસનું આ નવું અભિયાન સુરત શહેરને ટ્રાફિકની શિસ્ત અને ધ્વનિ પ્રદૂષણ મુક્ત બનાવવા તરફનું એક મહત્વનું પગલું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાલ પોલીસ લોકોને હોર્નથી થતા ધ્વનિ પ્રદૂષણ વિશે જાગૃત કરી રહી છે, જેથી આગામી દિવસોમાં દંડની કાર્યવાહી થાય તે પહેલાં લોકો પોતાની આદતો સુધારી લે.
મહીસાગર SOG પોલીસે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ધોળકા તાલુકાના બાદરખા ગામેથી પકડાયો હતો. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા મિલકત સંબંધિત ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે મહીસાગર SOG પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. SOG પીઆઈ વી.ડી. ધોરડાએ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે માહિતી મેળવી હતી. તેમને બાતમી મળી હતી કે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ચોરીના ગુના (એ પાર્ટ બી.એન.એસ.-2023, કલમ 303(2) મુજબ) માં નાસતો ફરતો આરોપી હાલ ધોળકા તાલુકાના બાદરખા ગામે રહી ડ્રાઈવિંગનું કામ કરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG સ્ટાફ, જેમાં પીએસઆઈ એચ.બી. સિસોદિયા, એએસઆઈ કિર્તિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ અક્ષયભાઈ, હેમંતકુમાર અને કોન્સ્ટેબલ નથુભાઈનો સમાવેશ થાય છે, તેમને ધોળકા મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી આરોપી સાહુલ ઉર્ફે સાહિલ વાલુભાઈ કટારા (રહે. જાજરવાકલા, તા. ગાંગડતલાઈ, જિ. બાંસવાડા, રાજસ્થાન) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. SOG પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ કાયદેસરની કાર્યવાહી માટે લુણાવાડા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો:જાસૂસી કરતા મહિલા અને પુરુષની અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ
ગુજરાત ATS જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ATS એ જાસૂસી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે.એક મહિલા એક પુરુષની ATS એ અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ કરી છે.બંને આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતા હતા.હાલ ATS એ બંને ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ગુજરાત ATS એ દેશ વિરોધી પ્રવૃતિ કરતા 2 શખ્સની ધરપકડ કરી છે.ATS એ ગોવા અને દમણ ખાતેથી જાસૂસી કરતા બે આરોપીની ધરપકડ કરી છે.ATS AS ગોવાથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલાની ધરપકડ કરી છે જ્યારે દમણમાંથી એ.કે સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.બંને આરોપીઓ જાસૂસી કરતા હતા.આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને માહિતી ભેગી કરતા હતા.હાલ બંને ધરપકડ કરીને ATS ખાતે લાવવામાં આવ્યા છે.ATS દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દહેજ મારામારી કેસનો વોન્ટેડ આરોપી પકડાયો:સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો ઇન્દોરથી ઝડપાયો
દહેજ પોલીસ સ્ટેશનના વર્ષ 2022ના મારામારીના ગુનામાં સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી અખીલેશ ગંગારામ દિવાકર (ઉ.વ. 38) ને ભરૂચ એલ.સી.બી.એ ઇન્દોર (મધ્યપ્રદેશ)માંથી ઝડપી પાડ્યો છે. તેને દહેજ પોલીસને સોંપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના એસપી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, એલ.સી.બી. પીઆઈ એમ.પી. વાળાની દિશા હેઠળ પીએસઆઈ ડી.એ. તુવરની ટીમે કાર્યવાહી કરી હતી. ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આરોપી ઇન્દોરમાં હોવાની માહિતી મેળવી હતી. ત્યારબાદ, ટીમે ન્યુ શિયાગંજ વિસ્તારમાં વોચ ગોઠવીને આરોપી અખીલેશ દિવાકરને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. તેના વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને તેને દહેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
લખપત તાલુકાની કલરાવાંઢ પ્રાથમિક શાળાએ વાંઢાય ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી 'પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવાની' કૃતિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કૃતિ વિજ્ઞાન મેળાના વિભાગ-૨ (પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થાપન અને તેના પ્રકલ્પો) અંતર્ગત રજૂ કરવામાં આવી હતી. આ સિદ્ધિ મેળવનારી કૃતિ વિદ્યાર્થીઓ જત મુમલ કાસમ અને જત સાહેબખાતું સાહેબના દ્વારા માર્ગદર્શક શિક્ષક ગોવિંદભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી. નોંધનીય છે કે, પર્યાવરણ જાગૃતિ અંતર્ગત વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર આ જ શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓએ અગાઉ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્ય શિક્ષક ગોવિંદભાઈએ મુખ્યમંત્રી સમક્ષ પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવાની આ પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી, જેનાથી મુખ્યમંત્રી ખૂબ પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રીએ આ પ્રયોગ માટે સીએમઓ કાર્યાલય દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવશે તેમ જણાવીને, જરૂરી સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી.
વલસાડ SOG ટીમે વાપી ટાઉન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક વ્યક્તિને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG PI એ.યુ. રોઝની ટીમ વાપીના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હ્યુમન સોર્સ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે વાપીના ઇમરાનગર, સહારા માર્કેટ સામે સેલવાસ રોડ નજીક છાપો મારવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં વિજયકુમાર ઉર્ફે મુખીયા નગેન્દ્ર શાહ (ઉંમર 26, રહે. વાપી, નામધા રોડ, ખડકલા વિસ્તાર) નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી 45,000 રૂપિયાની કિંમતની એક દેશી હાથ બનાવટની લોખંડની પિસ્તોલ અને 300 રૂપિયાની કિંમતના ત્રણ જીવતા કારતૂસ મળી કુલ 45,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી પાસે હથિયાર રાખવાનો કોઈ પરવાનો ન હોવાથી તેને સ્થળ પરથી જ પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)(એ), 29, જી.પી. એક્ટ 135(1) તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીનું મૂળ નિવાસસ્થાન બિહારના વૈશાલી જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું છે. SOG વલસાડની આ કામગીરીથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોના પ્રસાર પર અંકુશ મેળવવામાં મદદ મળી છે.
કરમસદથી કેવડિયા તરફ આગળ વધતી રાષ્ટ્રીય યુનિટી માર્ચનું પોઈચા ખાતે આગમન થતાં ચહેરા પર સ્મિત અને હાથમા તિરંગો લઈને સાંસદ મનસુખભાઇ વસાવા અને જશુભાઈ રાઠવાએ રાષ્ટ્રીય પદયાત્રાની આગેવાની લીધી હતી. દેશભરના પદયાત્રિકો તથા પ્રચંડ જનમેદની સાથે જનપ્રતિનિધિઓ નીલકંઠ ધામ પોઇચા પરિસર સુધી પહોંચ્યા હતા. જ્યાં જય સરદાર-વંદેમાતરમના નારાથી નીલકંઠ ધામ પોઇચાનું પરિસર ગુંજ્યું હતું. અખંડ ભારતના નિર્માણમાં સિંહફાળો આપનાર લોહપુરુષ સરદાર સાહેબની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નીલકંઠ ધામ પોઇચા પરિસર ખાતે અમદાવાદના એકત્વ ગૃપ દ્વારા સરદારને સમર્પિત લાઈવ પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા, સમરસતા અને સામાજિક સુમેળના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવા માટે પ્રખ્યાત લોકગાયક અને યુવા કલાકારોએ ગુજરાતની વૈવિધ્યસભર, સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં કબીર દુહા, લોકગીતો, ગરબા, ભજન, સરદાર સાહેબની સાથે મહાપુરુષોના દેશ માટેના બહુમૂલ્ય યોગદાનને બિરદાવતા દેશભક્તિના ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. પોઈચાનું સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. એકતાનો સંદેશો આપતાં અમદાવાદનાં એકત્વ ગૃપના લાઈવ પરફોર્મન્સથી વાતાવરણમાં ઉર્જા ઉમટી હતી. કબીર ભજન, ગઝલ ડાયરો, ગરબાના ગીતોની પ્રસ્તુતિની પ્રસ્તુતિમાં કબીર વાણી યુવાનોને પ્રેરિત કરી રહી હતી. કબીર અને મીરાંબાઈનાં સમર્પણ તત્વની પ્રસ્તુતિએ વાતાવરણમાં એક ઉર્જાનું સંચાર કર્યું હતું. રવિ મારૂના નેરેટીવમાં ગાયિકા માનસી મેરિયા, ગીતકાર રાજન પંચાલ અને અર્પિત ચુડાસમા દ્વારા સરદારને સમર્પિત કબીરના દુહા તથા કાઠિયાવાડી ભજનોની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. રાજ દુબે છેલ્લા 20 વર્ષથી પોતાના કીબોર્ડના મધુર સ્વરમાં સૌને ભાવવિભોર કરતા રહ્યા, જ્યારે ભાવિક ગોહિલના તબલા, વાસુદેવ આસરાના ફ્લૂટ અને શુભમ ઠાકરના પર્કશન્સે સંગીતમાં વિશેષ ઊર્જા ભરી હતી. એકત્મ ગ્રુપના કલાકારોએ સમરસતા અને સંગીતરસથી છલકાતી આ કૃતિને યાદગાર બનાવી હતી. જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, પોઇચા ધામનાં વિદ્યાર્થીઓ અને દેશભરના પદયાત્રિકો મંચ સમક્ષ આનંદ-ઉલ્લાસ સાથે ગરબા રમીને યુનિટી માર્ચના ઐતિહાસિક ક્ષણને ખુબ જ ઉષ્માપૂર્વક વધાવી રહ્યાં હતા. પ્રેક્ષકોએ ગરબાપ્રેમીઓને તાળીઓના ગડગડાટથી ઉત્સાહ વર્ધન કર્યું હતું. ખાસ કરીને લોકડાયરામાં રજૂ થયેલા ‘એકતા-અખંડ ભારત’ વિષયક ગીતોએ દેશભરના પદયાત્રીઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં દેશભક્તિની નવી ઉર્જા જગાવી હતી. રાષ્ટ્રીય યુનિટી માર્ચ માત્ર પદયાત્રા નહીં, પરંતુ દેશની વિવિધતાઓને જોડતી, સામૂહિક એકતા અને રાષ્ટ્રીય ગૌરવને મજબૂત બનાવતી સકારાત્મક સામાજિક ચળવળ છે. પોઇચા નીલકંઠ ધામમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત શ્લોકોના પાઠાંતર અને નૃત્યની પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, જિલ્લા વિકાસ અધિકારી આર. વી. વાળા, મદદનીશ કલેકટર પરસનજીત કૌર, નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડ, નાયબ કલેકટર વિધુબેન ખેતાન સહિતના ઉચ્ચ અધિકારી, જિલ્લા-તાલુકાના અધિકરીઓ, યુવાનો, દેશભરમાંથી પધારેલા પદયાત્રિકો, સ્થાનિક રહીશોએ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને મંત્રમુગ્ધ થયા હતા.
સુરત શહેરની કુખ્યાત અને વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેની વિરુદ્ધ નોંધાયેલો 10મો ગુનો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે, લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી-કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ પર ખંડણીખોર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવાના અગાઉથી જ અનેક આરોપો છે. આ નવી ફરિયાદમાં પણ ધમકી અને બદનામ કરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો?વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદ મુજબ, સમગ્ર ઘટના ગત નવેમ્બર મહિનામાં બની હતી. અલ્પેશ ડોંડા એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં જોડાયા હતા, જ્યાં અન્ય બે વ્યક્તિ કીર્તિ પટેલ વિશે એલફેલ બોલી રહ્યા હતા. લાઇવ દરમિયાન અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ કંઈ પણ બોલ્યું નહોતું અને તે માત્ર સાંભળી રહ્યા હતા. આ બાબતની જાણ થતા, કીર્તિ પટેલે તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અલ્પેશ ડોંડાની આઈડી પર કોલ કર્યો હતો. કોલમાં, કીર્તિ પટેલે ડોંડાને અભદ્ર ભાષામાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોસ્ટ વાઈરલ કરીકીર્તિ પટેલે ડોંડાને સવાલ કર્યો હતો કે, તેણે લાઇવ દરમિયાન મારી વિશે એલફેલ કેમ સાંભળી લીધું, કેમ કંઈ બોલ્યો નહીં એટલું જ નહીં, કીર્તિ પટેલે અલ્પેશ ડોંડાની પત્ની વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ધમકીઓ આપી હતી. ધમકી આપવાની સાથે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર અલ્પેશ ડોંડા અને તેની પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોસ્ટ વાઈરલ કરી હતી અને મેસેજ પણ કર્યા હતા, જેથી તેમને બદનામ કરી શકાય. કીર્તિ પટેલ સામે મારામારી, ખંડણી સહિતના 10 ગુના અપશબ્દો બોલી ધમકી આપવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની પોસ્ટ વાઇરલ કરવા બાબતે લસકાણા પોલીસે કીર્તિ પટેલ સામે ધમકી આપવા અને બદનામ કરવાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ પર અગાઉ મારામારી, ખંડણી, અને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરવા જેવી અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ નવો ગુનો તેના વિવાદાસ્પદ કૃત્યોની યાદીમાં વધારો કરે છે, જેથી કીર્તિ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં આ 10મો ગુનો નોંધાયો છે.
વડોદરા જિલ્લાના ડેસરના વિદ્યાર્થી સચીનકુમાર રમેશભાઈ ઉર્ફે બાબુભાઈ ભેદીને ઓનલાઈન પાર્ટ-ટાઈમ જોબની લાલચમાં રૂ. 45 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે. આ સ્કીમમાં અજાણ્યા વ્યક્તિઓએ વ્હોટ્સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને છેતર્યો હતો. તેઓને નાના રોકાણ પર નફો આપીને વિશ્વાસ જીતી લીધો અને પછી મોટી રકમ વસૂલી લીધી હતી. આ મામલે વિદ્યાર્થીએ ડેસર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઠગોએ વિદ્યાર્થીને પાર્ટ-ટાઈમ જોબની ઓફર કરી હતીશરૂઆતમાં વિદ્યાર્થીના વ્હોટ્સએપથી અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં સામે વાળી વ્યક્તિએ પોતાને 'ડેમ્કો ગ્રુપ ડિજિટલ માર્કેટિંગ કંપની'ના કર્મચારી તરીકે ઓળખ આપી અને પાર્ટ-ટાઈમ જોબની ઓફર કરી હતી. વિદ્યાર્થીને જોબમાં રોકાણ કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને ટાસ્ક પૂર્ણ કરવાના હતા. તેણે આ લિંક પર ક્લિક કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હતા. ચેનલમાં વિવિધ રકમના ટાસ્ક અને કોડ આપવામાં આવતા હતા. નફો કે રિફંડ ન મળતા વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવીમેમ્બર્સ પોતાના કોડ આપીને ગ્રુપમાં જોડાતા અને ટાસ્ક પૂર્ણ કરતા હતા. પેમેન્ટ માટે એક લિંક આપવામાં આવી હતી, જે 'લીલા નેન્સી' તરીકે ખુલતી હતી. આ લિંક દ્વારા UPI ID પર પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું અને બેંક વિગતો માંગવામાં આવી હતી. શરૂઆતમાં 1000ના 1300 અને બાદમાં 1800 નફો બતાવી વધુ લાલચ આપતા વિદ્યાર્થીએ એક બાદ એક ટ્રાન્જેક્શન થકી 45000 હજાર આપી દીધા અને બાદમાં કોઈ નફો કે રિફંડ ન મળતા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફોન કર્યો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુદત લંબાવવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચે હજારો મતદારોની નોંધણી બાકી હોવાથી આ નિર્ણય લીધો છે. હવે નાગરિકો 11 ડિસેમ્બર સુધી પોતાના BLOને વિગતો સબમિટ કરી શકશે. જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી દ્વારા અપાયેલી માહિતી મુજબ, વલસાડ જિલ્લામાં કુલ 13,50,507 મતદારો નોંધાયેલા છે. તેમાંથી અત્યાર સુધીમાં 80.72% એટલે કે 11,18,456 મતદારોએ પોતાના એન્યુમરેશન ફોર્મ જમા કરાવી દીધા છે. તપાસ દરમિયાન 1,30,704 (9.43% જેટલા મતદારો મૃત્યુ પામેલા, સ્થળાંતર થયેલા અથવા સરનામે મળી ન આવેલા જણાયા છે. હાલ લગભગ 10% જેટલી કામગીરી બાકી છે. મતદાર યાદી સુધારણામાં દરેક વિધાનસભાની કામગીરી અલગ-અલગ ગતિએ આગળ વધી રહી છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ મતદારો ઉમરગામ (2,97,829) બેઠકમાં છે, જ્યારે સૌથી ઓછા ધરમપુર (2,58,006) વિધાનસભામાં છે. ડિજિટલ નોંધણી (SIR)ના દ્રષ્ટિકોણે કપરાડા વિસ્તારમાં સૌથી વધુ 2,43,967 મતદારોની ઓનલાઇન એન્ટ્રી પૂર્ણ થઈ છે. જોકે, પારડી વિધાનસભામાં સૌથી ઓછી 1,87,599 નોંધણી થઈ છે અને ત્યાં હાલ સૌથી વધુ 67,907 મતદારોની ડિજિટલ નોંધણી બાકી છે. વલસાડ વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછી 2,039 નોંધણી બાકી છે. મતદારોને કોઈપણ મુશ્કેલી પડે તો તેઓ પોતાના વિસ્તારના BLO અથવા મામલતદારનો સંપર્ક કરી શકે છે. જિલ્લા કક્ષાએ ટોલ-ફ્રી નંબર 1950 પણ શરૂ કરવામાં આવ્યો છે, જે સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. તંત્ર દ્વારા બાકી રહેલા તમામ નાગરિકોને સમયસર ફોર્મ જમા કરાવવાની અપીલ કરવામાં આવી છે. જો મતદારો 11 ડિસેમ્બર સુધી SIRના ફોર્મ જમા નહીં કરાવે, તો તેમને મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. મતદાર યાદી સુધારણામાં દરેક વિધાનસભાની કામગીરી અલગ-અલગ ગતિએ આગળ વધી રહી છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ મતદારો ઉમરગામ (2,97,829) બેઠકમાં છે, જ્યારે સૌથી ઓછા ધરમપુર (2,58,006) વિધાનસભામાં છે. ડીઝિટલ નોંધણી (SIR)ના દ્રષ્ટિકોણે કપરાડા વિસ્તારમાં સૌથી વધુ 2,43,967 મતદારોની ઓનલાઇન એન્ટ્રી પૂર્ણ થઈ છે, જ્યારે પારડી વિધાનસભામાં સૌથી ઓછી 1,87,599 નોંધણી થઈ છે. પારડીમાં હાલ સૌથી વધુ 67,907 મતદારોની ડીઝીટલ નોંધણી બાકી છે. જ્યારે સૌથી ઓછી બાકી નોંધણી વલસાડ વિધાનસભા વિસ્તારમાં છે, જ્યાં માત્ર 2,039 મતદારોનો જ ડેટા દાખલ થવાનો બાકી છે.
જામનગરમાં એક મહિલાનો સોનાના દાગીના અને કપડાં ભરેલો થેલો રિક્ષામાં ભૂલાઈ ગયો હતો. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા ત્રણ દિવસના સતત સીસીટીવી મોનિટરિંગ બાદ આ થેલો શોધી કાઢી મહિલાને પરત કરવામાં આવ્યો છે. થેલામાં આશરે ₹2.50 લાખની કિંમતના સોનાના દાગીના હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના રામેશ્વરનગરના રહેવાસી કાજલબેન પરિક્ષિતભાઈ પાઠક ગત તા. 30 નવેમ્બર, 2025ના રોજ સવારે 10:30 વાગ્યે પંચેશ્વર ટાવરથી રામેશ્વરનગર જવા માટે એક રિક્ષા ભાડે કરી હતી. તેઓ પોતાના સસરાના ઘરેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા અને તેમની સાથે ત્રણ બેગ હતી. રામેશ્વર પટેલ વાડી પાસે પોતાના ઘરે પહોંચીને કાજલબેને રિક્ષામાંથી બે બેગ ઉતારી હતી, પરંતુ રિક્ષાની પાછળની સીટ પર રાખેલો એક થેલો તેઓ ભૂલી ગયા હતા. આ થેલામાં બે તોલા સોનાના દાગીના, જેમાં એક સોનાનો ચેન, એક સોનાની બુટ્ટી, એક સોનાની વીંટી, એક સોનાની ચૂક તથા કપડાં સહિતનો સામાન હતો, જેની અંદાજિત કિંમત ₹2.50 લાખ હતી. થેલો ગુમ થયા બાદ કાજલબેને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાની સૂચના મુજબ, પીએસઆઈ બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પરેશભાઈ ખાણધર, પો.કોન્સ સંજયભાઈ જોડ, રેખાબેન દાફડા, મિતલબેન સાવલિયા, વર્ષાબા જાડેજા તેમજ એન્જિનિયર પ્રિતેશ વરણ, અનિલ પરમાર અને ધવલ ગોસ્વામી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. ટીમે પંચેશ્વર ટાવર વિસ્તારના વિવિધ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી કેમેરામાં અરજદાર જે રિક્ષામાં બેઠા હતા, તે રિક્ષા નંબર GJ-09-AX-5080 હોવાનું જણાઈ આવ્યું હતું. રિક્ષાના આરટીઓ ડેટા તપાસતા માલિક સાબરકાંઠા જિલ્લાનો રહેવાસી હોવાનું અને ટેલિફોન નંબર અપડેટ ન હોવાનું સામે આવ્યું હતું. જેથી આ રિક્ષાને સીસીટીવી એલર્ટ વોચમાં રાખી સતત ત્રણ દિવસ સુધી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આખરે, તા. 03 ડિસેમ્બર, 2025ના રોજ લાલ બંગલા સર્કલ પાસેથી રિક્ષાચાલકને શોધી કાઢવામાં આવ્યો હતો. રિક્ષાચાલક પાસેથી થેલો મેળવી ગણતરીની કલાકોમાં અરજદારને પરત સોંપવામાં આવ્યો હતો.
વલસાડ SOGએ રૂ. 5.34 લાખના એક્સપ્લોઝીવ ઝડપ્યા:ભીલાડમાંથી એક ઈસમ ગેરકાયદેસર મુદ્દામાલ સાથે પકડાયો
વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે SP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એક્સપ્લોઝીવના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, વલસાડ SOGની ટીમે PI એ.યુ. રોઝના નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ભીલાડ પોલીસ મથક વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. SOGની ટીમે ઉમરગામ તાલુકાના તલવાડાથી મલાવ રોડ ચોકડી પાસેથી ગણપત ધવજી રબારી (ઉંમર 37) નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. તે તલાશરી, જી. પાલઘર, મહારાષ્ટ્રનો રહેવાસી છે અને મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના લાલરી ગામનો છે. આરોપી સોનાલીકા કંપનીના ટ્રેક્ટર-કોમ્પ્રેશર સાથે હતો. ટ્રેક્ટરના ટૂલબોક્સમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો કુલ રૂ. 5,34,970નો એક્સપ્લોઝીવ સામાન મળી આવ્યો હતો. આ મુદ્દામાલમાં 75 ઇલેક્ટ્રિક ડિટોનેટર, 269 જિલેટીન સ્ટિક, 157 ફૂટ ઇલેક્ટ્રિક વાયર, બે ખાલી પ્લાસ્ટિક કોથળા અને એક મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. આ મામલે ભીલાડ પોલીસ સ્ટેશનમાં BNS એક્ટ 2023, એક્સપ્લોઝીવ એક્ટ 1884 અને એક્સપ્લોઝીવ સબસ્ટન્સીસ એક્ટ 1908 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભીલાડ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
VIDEO| ટ્રેનિંગ વચ્ચે અમેરિકાનું F-16 ફાઈટર જેટ ક્રેશ, જમીન પર પટકાતા અગનગોળો બન્યું
USA F 16 Plane Crash News : અમેરિકાનું એક F-16 ફાઇટર જેટ બુધવારે ટ્રેનિંગ મિશન દરમિયાન કેલિફોર્નિયામાં ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટનાગ્રસ્ત થતાની સાથે જ ફાઇટર જેટ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ
- દિલ્હીમાં 335 એક્યુઆઇ સાથે પ્રદૂષણ હજુ પણ ખરાબ કેટેગરીમાં - રાજસ્થાનમાં અનેક વિસ્તારોમાં દસ ડિગ્રીથી ઓછું તાપમાન : ફતેહપુર અને બિકાનેર 3.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું - તમિલનાડુમાં ડિપ્રેશન નબળું પડતા ભારે વરસાદ કેટલાક જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર Kashmir and All India Weather News : કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કાશ્મીર ખીણનાં મોટા ભાગનાં વિસ્તારોમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે.
સિટી એન્કર:કેઈએસના 90 વરસની ઉજવણીના ભાગરૂપે આનંદ મેળો
કેઈએસના પ્રાંગણમાં તાજેતરમાં આનંદ મેળાનું સફળ આયોજન થયું હતું, જેમાં આશરે બે હજારથી વધુ લોકોએ ભાગ લઈ મેળાનો આનંદ માણ્યો હતો. કેઈએસ સંસ્થાની તમામ કોલેજો, સ્કુલોના પ્રિન્સિપાલ અને સ્ટાફ સહિતના સૌની મહેનતે રંગ રાખ્યો હતોં. આ મેળો પણ મસ્ત મજાનું સંભારણું બની ગયો હતો. આ પ્રસંગે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડયુસર આસિત મોદી, પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે વિશેષ મહેમાન તરીકે હાજર રહી રસપ્રદ વાતો કરી મેળામાં હાજર વિધાર્થીઓ સહિત સૌના દિલ જીતી લીધા હતા. નોંધનીય વાત એ હતી કે આસિત મોદી પણ કેઈએસની સ્કુલ સરદાર વલ્લભભાઇ પટેલ વિવિધલક્ષી વિધાલયના વિધાર્થી રહી ચુકયા છે. જેથી તેમણે પણ પોતાની યાદો તાજી કરી હતી. આસિત મોદીએ કહયુ હતુ કે જે સંસ્થાના પાયામાં સંસ્કાર અને સંસ્કૃતિ હોય તે સંસ્થા સરસ્વતી ધામ જ હોય તે પ્રતિપાદિત થયું છે. આ આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ તેને સફળતા અપાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. આ મેળામાં કુલ ૨૦૦ સ્ટોલ્સ હતા, જેમાં મહા અન્નપૂર્ણા ઉત્સવમાં વિદ્યાર્થીઓ ખાણી-પીણીની વસ્તુ વેચતા હતા, જેના 77 સ્ટોલ હતા અને બીજી તરફ બિઝનેસ વિભાગમાં જવેલરી, કપડાં જેવી વસ્તુઓ વેચાતી હતી. વ્યવસ્થિત ગોઠવાયેલા સ્ટોલ સહુને આકર્ષી રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓના સાયન્સ પ્રોજેકટે અનોખું આકર્ષણ ઊભું કર્યું હતું. આ સાથે મેળાના મુખ્ય અંગ ગણાય એવા ચકડોળ, કેંડીવાળો, મહેંદીવાળા, રમત ગમત, કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન મનમોહક હતું. 100 વિદ્યાર્થીઓએ ગાયું ગીતઆ મેળાનો સૌથી રસપ્રદ અને રોમાંચક પ્રસંગ સંસ્થાની ૧ થી ૧૦ ધોરણના વિધાર્થીઓએ સાથે મળી કેઈએસને સમર્પિત તૈયાર કરાયેલું વિશેષ ગીતનો હતો. ૧૦૦ જેટલાં વિધાર્થીઓ આ ગીત ગાવા મંચ પર એકઠાં થયા હતા. વિદ્યા વિનયેન શોભતે, વો જ્ઞાન કી મશાલ...' નો નાદ ચોમેર ગુંજી ઉઠ્યો હતો. સંસ્થાની શાળાના બાળકોએ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવતા મંચ પર ગુજરાતની સંસ્કૃતિ સજીવન થઈ હતી.
આયોજન:દેશમાં પ્રથમ વાર રાજા ઋષભના જીવન કવનને દર્શાવતું કોન્કલેવ ઋષભાયન
રાજા ઋષભના પુત્ર ભરત ચક્રવર્તી જેમના નામથી આ દિવ્ય ભારત વર્ષનું ભવ્ય નામકરણ થયું તે રાજા ઋષભના જીવન કવનનું વર્ણન કરતું એક અદભુત કોન્કલેવનું આયોજન તા. 19-20-21 ડિસેમ્બર 2025, શુક્ર - શનિ - રવિવારના બોરીવલી (વેસ્ટ), કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ નં.4માં નિર્ધારિત કરવામાં આવેલ છે. 22 દેશોના લગભગ 300 જેટલા સ્કોલરો આ વિદ્વંદ સભાને સંબોધશે અને જે ઋષભ દેવ રાજાએ જીવન ઘડતરનું નવનીત આપ્યું છે તેની જગતના ચોક સમક્ષ વિશ્વ ફલક પર અનેક વિશિષ્ટ રીતે પ્રદર્શિત કરવામાં આવશે. આ કાર્યક્રમના ઉદઘાટનમાં સર્વ ધર્મના વંદનીય સંતો, ધર્મગુરુઓ, રાજકીય નેતાઓ, વરિષ્ઠ વિચારકો અને સન્માનિય પ્રતિમાની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ ઉદઘોષણા કરવામાં આવશે. શ્રી જૈનાચાર્યો, શ્રી શંકરાચાર્યજી તેમ જ વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અનેક વિદ્વાન નેતાઓ આ પ્રસંગે હાજરી આપીને પોતાના વિચારો રજૂ કરશે.આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીમાં સમગ્ર વિશ્વના સંતો, ઈતિહાસકારો, વિદ્વાનો, સ્કોલરો, નીતિ નિર્માતા, શિક્ષકો અને યુવાધન પોતાના વિચારોને રજૂ કરશે.72 કૌશલ કળાઓ, 64 લલિત કળાઓ તેમ જ પ્રાચીન ભારતીય કળાઓ પર ઈન્ટએક્ટિવ પ્રદર્શની રજૂ થશે. ડિજિટલ મોડલ અને અનુપમ અનુભવનો ઉપયોગ કરવામાં આવશે. 200થી વધારે શિલ્પ કળાના સાંસ્કૃતિક સ્ટોલ્સ રજૂ કરવામાં આવશે જેમાં મહિલા નેતૃત્ત્વ, પાક કળા, વિકસિત સ્ટાર્ટઅપ અને કૌશલ્યનું પ્રદર્શન થશે. બહેનો માટે ખાદ્ય સામગ્રીની ભક્ષ્ય સંયોજનોનો કોમ્પિટિટવ સ્ટોલ્સ રજૂ કરાશે.તજજ્ઞો (સ્કોલરો) અને યુવાઓની પ્રશ્નોત્તરીના અલૌકિક સેશનો રહેશે તેમ જ યુવા શક્તિ દ્વારા પ્રાચીન વિષયોની અતિ આધુનિક પ્રસ્તુતિ થશે. રાષ્ટ્રીય સેવક સંઘના શતાબ્દિ વર્ષના ઉપલક્ષ્યમાં રાજા ઋષભ દ્વારા આરંભિત કરવામાં આવેલ સ્વદેશ કૌશલને પ્રોત્સાહન આપવાની કળાઓનો વિશેષ સંવાદ થશે. તેમ જ રાજા ઋષભ પર સંશોધિત અવિસ્મિરણીય ઋષભાયન ગ્રંથ -2નું વિમોચન થશે અને રાજા ઋષભના અસ્તિત્વને ઉજાગર કરતા જ્યાં જયાં જે જે લખાયું છે તેનું એકીકરણ કરીને 1111 ગ્રંથોનું સામુહિક લોકાર્પણ થશે. જે સાહિત્ય જગતમાં પ્રથમવાર ઈતિહાસનું સર્જન કરશે. આ પ્રસંગે લગભગ એક લાખથી વધુ લોકોની ઉપસ્થિત હશે. તા. 19મી શુક્રવારના રોજ સવારે ઓપનિંગ સેરેમની થશે અને ધાર્મિક પ્રબુદ્ધો દ્વારા આર્ય ધર્મ પર વિચારણાઓ થશે તેમ જ સ્કોલરો પોતાના વિચારોની રજૂઆત કરશે અને સંધ્યા સમયે સાંસ્કૃતિ કાર્યક્રમો થશે જેમાં સૂર અને સંગીતનો સથવારો જોવા મળશે. શ્રી મુંબઈ જૈન સંઘનો સહયોગસમગ્ર પ્રસંગના મેનેજિંગ ટ્રસ્ટી કિરીટભાઈ દોશી, પ્રવીણભાઈ જૈન અને ક્રિષ્ણા રાણા, મલ્ટીગ્રાફિક્સના મુકેશભાઈ તથા અભિષેકભાઈ સમગ્ર આયોજનને ઓપ આપશે. આયોજનને ઓપ આપશે અને કુમારપાળ દેસાઈ, ડો. સરયુબેન દોશી અને શ્રી અરવિંદ જામખેડકર અને ડો. સેજલ શાહ માર્ગદર્શન આપશે. શ્રી લબ્ધિવિક્રમ જનસેવા ટ્રસ્ટના નેજા હેઠળ આયોજિત આ પ્રસંગમાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને મુંબઈ તથા ભારતભરના અનેક સંઘો આ પ્રસંગમાં સહયોગ આપશે.
વ્યવસ્થા:વીજ ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવા ન્યાયી વીજ માટે સ્માર્ટ વિજિલન્સ
અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા તેના વિતરણ નેટવર્કમાં મશીન લર્નિંગ (એમએલ) અને મીટર ડેટા ટેકનોલોજીઝને આધારે આધુનિક થેફ્ટ પ્રેડિકશન અને મહેસૂલ રક્ષણ મોડ્યુલ કામે લગાવીને ન્યાયી અને વિશ્વસનીય વીજ પ્રદાન કરવાની તેની કટિબદ્ધતાને મજબૂત બનાવી છે. આ પહેલ વીજ ચોરી નાથવા, જેન્યુઈન ગ્રાહકોનું રક્ષણ કરવા અને પારદર્શક તથા કાર્યક્ષમ પાવર ઈકોસિસ્ટમ માટે શાસન બહેતર બનાવવા માટે તૈયાર કરાઈ છે.જાન્યુઆરી 2025માં મશીન લર્નિંગ આધારિત થેફ્ટ પ્રેડિકશન મોડ્યુલ રજૂ કરાયું ત્યારથી અદાણી ઈલેક્ટ્રિસિટીએ રૂ. 8.59 કરોડ મૂલ્યના કુલ 5.0 મિલિયન યુનિટ્સ(એમયુ)ની વીજ ચોરી શોધી કાઢી છે. તાજેતરના ઉચ્ચ મૂલ્યના કેસમાં ટેકનોલોજીએ રૂ. 87 લાખ મૂલ્યના 0.4 એમયુનો સમાવેશ ધરાવતા મલાડ (પ)માં ઈલેક્ટ્રોપ્લેટિંગ યુનિટ ખાતે સીધા પુરવઠામાં ચોરી પકડી પાડી છે. આ આધુનિક સાધનોથી કૃતિ ઝડપી, ડેટા પ્રેરિત બની હોઈ ન્યાયીપણાની ખાતરી રાખે છે અને અનધિકૃત ઉપયોગના બોજ સામે ઈમાનદાર ગ્રાહકોને રક્ષણ આપે છે. વિજિલન્સના પ્રયાસો સર્વેલન્સ અને વિશ્વસનીય ઈન્ટેલિજન્સથી માર્ગદર્શિત ઉચ્ચ જોખમના વિસ્તારો પર વ્યૂહાત્મક રીતે કેન્દ્રિત છે, જ્યારે મશીન લર્નિંગ મોડ્યુલ ઈન્ટીગ્રેશને વ્યાપક ચોરીના વિશ્લેષણ થકી શાસન પર ભાર આપે છે. મશીન લર્નિંગ મોડ્યુલ ટેકનોલોજી ગોઠવવા પર બોલતાં અદાણી ઈલેક્ટ્રિસિટીના પ્રવક્તાએ જણાવ્યં હતું કે, “અમે વિશ્વસનીય અને સંરક્ષિત વીજ પુરવઠાની ખાતરી રાખવા માટે આધુનિક ટેકનોલોજીનો લાભ લેવા માટે કટિબદ્ધ છે. મશીન લર્નિંગનું ઈન્ટીગ્રેશન ચોરી પકડી પાડવાનું બહેતર બનાવે છે, શાસન મજબૂત બનાવે છે અને અસલી ગ્રાહકોનું અનધિકૃત ઉપયોગની અસરથી રક્ષણ કરે છે, જે વધુ સ્માર્ટ, સક્ષમ ઊર્જા ભવિષ્ય માટે અમારો ધ્યેય પ્રદર્શિત કરે છે.” મશીન લર્નિંગ મોડ્યુલ પાવર્ડ સિસ્ટમ ડેટા એનાલિસિસને સ્વયંચાલિત કરે છે, શૈલી આધારિત નનામીઓને શોધે છે અને ચોરીની ઓળખને તેજ બનાવે છે. ગ્રાહકોની રૂપરેખા અને ઉપભોગ શૈલીનું વિશ્લેષણ કરીને તે અચૂક રીતે સંભાવ્ય કિસ્સાઓ તરફ ધ્યાન દોરે છે, જેથી પ્રતિસાદ સમય, લક્ષ્યનાં નિરીક્ષણો અને માહિતગાર નિર્ણય લેવાનું ઝડપી બને છે. આ ડેટા પ્રેરિત અભિગમ અમલબજાવણીને મજબૂત બનાવવા સાથે સંચાલન ખર્ચ ઓછો કરીને ગ્રાહકો માટે ન્યાયીપણું અને વિશ્વસનીયતાની ખાતરી રાખે છે.
પ્રવાસીઓને મર્યાદિત પ્રવેશ:મહાપરિનિર્વાણ દિને દાદર સ્ટેશન પર 400 પોલીસની ફોજ તૈનાત
ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનને ધ્યાનમાં લઈને 5 ડિસેમ્બર રાતના 12 વાગ્યાથી 6 ડિસેમ્બર રાતના 12 વાગ્યા સુધી દાદર રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓને મર્યાદિત પ્રવેશ આપવામાં આવશે. કાયદો અને સુવ્યવસ્થા જાળવવા લગભગ 400 રેલવે પોલીસ અધિકારી અને કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાનું દાદર રેલવે પોલીસ સ્ટેશનના સીનિયર પીઆઈ અનિલ કદમે જણાવ્યું હતું. મધ્ય અને પશ્ચિમ રેલવે સ્ટેશનના પૂર્વ-પશ્ચિમને જોડતો મોટો પુલ, પ્લેટફોર્મ નંબર 12 પરના તમામ પ્રવેશદ્વાર શહેર હદમાંથી રેલવે સ્ટેશનમાં આવવા માટે બંધ રહેશે. એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે પુલ ખુલ્લા રહેશે. પૂર્વ-પશ્ચિમ શહેર હદમાંથી આવતા અનુયાયી અને રોજિંદા રેલવે પ્રવાસીઓ માટે દાદર રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ પર આવવા માટે ખુલ્લા રહેશે. દાદર પશ્ચિમ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરના સ્કાયવોક નજીક ગેટ ક્રમાંક 1, 6, અને 7 છોડીને બાકીના તમામ પ્રવેશદ્વાર રેલવે પ્રવાસી અને અનુયાયીઓને શહેર હદમાંથી પ્લેટફોર્મ પર આવવા બંધ રહેશે. દાદર પશ્ચિમ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં. 1 પરનો રાહદારી પુલ શહેર હદમાંથી આવતા રેલવે પ્રવાસી અને અનુયાયીઓ માટે પૂર્વથી પશ્ચિમ તરફ જવા બંધ રહેશે. દરમિયાન મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અનુયાયીઓ 4 ડિસેમ્બરથી ચૈત્યભૂમિ, દાદર પરિસરમાં આવવાની શરૂઆત થશે. તેથી મોટા પ્રમાણમાં ગિરદી થશે. એની ચૈત્યભૂમિ અને આસપાસના પરિસરના રસ્તાઓ પર વાહનવ્યવહારને અસર થશે. આ બાબત ધ્યાનમાં લેતા 5 થી 7 ડિસેમ્બર સુધી ટ્રાફિકરૂટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. 5 ડિસેમ્બર સવારના 6 વાગ્યાથી 7 ડિસેમ્બર રાતના 12 વાગ્યા સુધી ચૈત્યભૂમિ, શિવાજી પાર્ક, દાદર પરિસરના વાહનવ્યવહાર પર ગિરદીના લીધે અસર થશે. તેથી ટ્રાફિકનું યોગ્ય નિયમન કરવા કેટલાક રસ્તા વનવે તો કેટલાક વાહનો માટે બંધ રાખવામાં આવ્યા છે. કેટલાક રસ્તાઓ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તેમ છતાં ટ્રાફિકજામ થાય તો પરિવહન વિભાગ તરફથી વૈકલ્પિક રસ્તા દેખાડવામાં આવ્યા છે.
રશિયન પ્રમુખ પુતિન આજથી બે દિવસ ભારતની મુલાકાતે, બંને દેશોની ભાગીદારી મજબૂત કરશે
PM Modi and Putin News : રશિયન પ્રમુખ પુતિન ભારતના બે દિવસના પ્રવાસે આજે આવશે. તેઓ ગુરુવારે સ્થાનિક સમય મુજબ સાડા ચાર વાગે ભારત આવશે તેમ મનાય છે અને સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિનર કરશે. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી માટે પુતિનની યાત્રાને અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. અગાઉ મોદી જુલાઈમાં રશિયા ગયા હતા. બંને દેશ વચ્ચેની મંત્રણામાં સંરક્ષણ ક્ષેત્રે સહયોગ અને નાના મોડયુલર રિએક્ટરોના નિર્માણમાં સહયોગ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર રહે તેવી સગવડ છે.
તપાસ:નવી મુંબઈમાં 11 મહિનામાં જ 499 બાળકોનું અપહરણ
આ વર્ષે જાન્યુઆરી અને નવેમ્બર વચ્ચે નવી મુંબઈ વસાહતમાં 499 જેટલા બાળકોનું અપહરણ થયું હતું અથવા ગુમ થઈ ગયા હતા. આમાંથી પોલીસે 458 બાળકોનું પગેરું મેળવ્યું, જ્યારે 41 બાળકો હજુ પણ વાપતા છે, એમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. પોલીસે 458 બાળકોનું પગેરું મેળવ્યું, જેઓ ગુમ થવા પાછળ મોટે ભાગે ભાવનાત્મક તાણ અને અંગત સંજોગો વધુ કારણભૂત છે, જ્યારે તેમાં ગુનાહિત હેતુ ઓછો દેખાયો છે. આમાંથી 128 બાળકો ગુમ થવા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હતું અને 114 બાળકો વાલીઓ દ્વારા ખીજાયા પછી ઘર છોડીને ચાલી ગયા હતા એવું જણાયું છે, એમ પોલીસે જણાવ્યું હતું.ઉપરાંત આમાંથી 103 બાળકો તેમના સંબંધીના ઘરે ચાલ્યા ગયા હતા, જ્યારે 63 બાળક ટ્રિપ પર નીકળી ગયા હતા અને 48 બાળક પ્રેમિકાના ઘરે જતા રહ્યા હતા. એક કેસમાં બાળક માનસિક રીતે વિકલાંગ હતો અને અકસ્માતી મૃત્યુની નોંધ (એડીઆર) કરાઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. એકંદરે 25 કેસ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) ધારા સંબંધી હતા. આ વર્ષે 1 જાન્યુઆરી અને 29 નવેમ્બર વચ્ચે 349 છોકરીઓ સહિત 499 બાળકો નવી મુંબઈથી ગાયબ થઈ ગયાં હતા. આમાંથી પોલીસે 458 જણનું પગેરું મેળવી લીધું હતું, જેમાં 315 છોકરીઓનો સમાવેશ થતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.હજુ સુધી ગુમ 41 બાળકોમાંથી 34 છોકરી અને સાત છોકરાઓનો સમાવેશ થાય છે. પોલીસે આ બાળકોના અપહરણના 483 કેસ નોંધ્યા છે અને તેમાંથી 442નો ઉકેલલાવી દીધો છે, જે 91.78 ટકા ડિટેકશન રેટ દર્શાવે છે, એમ ડેટા જણાવે છે.
આદેશ:સીડી પડવાથી મૃત પામેલા શ્રમિકના વારસોને 23.92 લાખનું વળતર
2019માં રસ્તા પર ઈલેક્ટ્રિક વાયરોનું સમારકામ કરતી વખતે હાઈડ્રોલિક સીડીવાળી વેન પરથી પડી જવાથી મૃત્યુ પામેલા શ્રમિકના વાલીઓને રૂ. 23.92 લાખની ભરપાઈ આપવાનો થાણેની મોટર એક્સિડેન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે આદેશ આપ્યો છે.ટ્રિબ્યુનલના પ્રમુખ અધિકારી રૂપાલી વી મોહિતેએ 27 નવેમ્બરે પસાર કરેલા આદેશમાં વાહનના માલિકને જવાબદાર ઠરાવતાં અવલોકન કર્યું કે સીડીના સાંધો તૂટ્યો તે દર્શાવે છે કે સીડીવાળી વેન બરોબર કામ કરતી નહોતી અને તે બેદરકારીને કારણે જ દુર્ઘટના સર્જાઈ હતી.આ દુર્ઘટના 19 એપ્રિલ, 2019ના રોજ બની હતી. પીડિત સૈયદ સાહિલ અબ્બાસ શહેનશાહ હુસૈન અને સહ- શ્રમિક મેહતાબ શેખ રાબોડી વિસ્તારમાં સીડીવાળી વેન સાથે જાડાયેલી 20થી 22 ફૂટ ઊંચી લિફ્ટિંગ બકેટ પરથી ઈલેક્ટ્રિક વાયરોનું સમારકામ કરતા હતા.આ કામ દરમિયાન સીડીનો સાંધો અચાનક તૂટી પડ્યો, જેને લઈ બંને શ્રમિક નીચે પટકાયા હતા. હુસૈનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને થાણે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જે પછી વાશીની એમજીએમ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં 21 એપ્રિલ, 2019ના રોજ તેનું મૃત્યુ થયું હતું. રાબોડી પોલીસે ઠેકેદાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. વાહનની વીમા કંપનીએ દાવાનો વિરોધ કર્યો હતો. પોલિસીની શરતોનું ઉલ્લંઘન કરાયું છે અને આ કેસ ચલાવવા માટે યોગ્ય મંચ લેબર કોર્ટ છે. વાહનના ડ્રાઈવર પાસે પ્રમાણિત લાઈસન્સ નહોતું અને સુરક્ષાનાં પગલાંનું પાલન કરાયું નહોતું એવી દલીલ પણ કરાઈ હતી.જોકે ટ્રિબ્યુનલે આ બચાવ નકારીને અવલોકન કર્યું કે વીમા કંપનીએ કોઈ સાક્ષીદારની તપાસ કરી નહીં કે પોલિસીનું ઉલ્લંઘન થયું હોવાનું સિદ્ધ કરતા કોઈ દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા નથી.પોલીસે લાઈસન્સ વિના ડ્રાઈવ કરવા માટે ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરી નથી. સેફ્ટી બેલ્ટ લિફ્ટિંગ બકેટમાં હતો, જેથી મૃતક દ્વારા બેદરકારીનો દાવો માની શકાય નહીં.ટ્રિબ્યુનલે જણાવ્યું કે કોઈ બેદરકારી સ્થાપિત થઈ નથી અને મૃતક થર્ડ પાર્ટી છે, જેને વીમા પોલિસી હેઠળ સંપૂર્ણ આવરી લેવાયો છે. વાહનના માલિકે સારી સ્થિતિમાં હોય તેવી લેડર વેન પૂરી પાડી જોઈતી હતી.
અકસ્માત:મીઠાપુર GIDCમાં ટ્રકની ઠોકરે સ્કૂટર સવાર વૃદ્ધનું મોત, ચાલકની શોધખોળ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અકસ્માતોની વણંભી વણઝાર રહી છે જેમાં વધુ એક જીવલેણ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્વે જામનગરમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો.પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.દેવભૂમિમાં નાના મોટા અકસ્માતો લગભગ રોજીંદા બની રહયા છે. મળતી વિગત અનુસાર દેવભૂમિના ઓખામંડળ પંથકના મીઠાપુરના સુરજકરાડી ગામે રહેતા ધીરજલાલ વૃજલાલ તન્ના (ઉ.વ. 72) નામના વેપારી વૃદ્ધ તા. 25 નવેમ્બરના રોજ તેમના જી.જે. ૩૭ એલ. ૯૮૬૫ નંબરના જ્યુપીટર મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૩૭ વી. ૧૦૧૦ નંબરના એક ટ્રકના ચાલકે સ્કૂટર સવાર ધીરજલાલ તન્નાને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.અકસ્માતના આ આ બનાવ અંગે મૃતકના પુત્ર હિતેશભાઈ ધીરજલાલ તન્ના ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. જે.એમ. અગ્રાવત દ્વારા હાથ ધરવામાં આવી છે. દેવભૂમિમાં દોઢેક માસમાં ડઝનેક જીવલેણ અકસ્માતદેવભૂમિ દ્વારકા પંથકના ખંભાળિયા-દ્વારકા સહિતના જુદા જુદા વિસ્તારોમાં ગત દિવાળી બાદ અકસ્માતોની વણઝાર શરૂ થઇ છે.જેમાં લગભગ દોઢ માસ જેટલા સમયગાળા દરમિયાન નાના મોટા ડઝનજેક અકસ્માતોમાં નવથી વધુ માનવ જીંદગી હોમાઇ હોવાનુ જાણવા મળ્યુ છે.ખાસ કરી ઘોરીમાર્ગ સંલગ્ન વિસ્તારોમાં અકસ્માતો વધતા જોવા મળે છે ત્યારે તંત્ર દ્વારા બ્લેકસ્પોટ વગેરે નકકી કરી વિશેષ જનજાગૃતિ સાથે નકકર કાર્યવાહી હાથ ધરવી જોઇએ.જેથી અકસ્માતમાં અકાળે હોમાતી માનવ જીંદગીને બચાવી શકાય.
મેગા ડિમોલિશન:ગોરધનપર ગામ પાસે સરકારી 100 વિઘા જમીન પર ખડકાયેલા દબાણોને હટાવાયા
ગોરધનપર પાસે લગભગ 100 વિધા સરકારી જમીનમાં ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા બુધવારે સવારે મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં 19 કાચા-પાકા બાંધકામ, ઇંટોના છ ભઠ્ઠા ઉપરાંત ખેતી વિષયક સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયુ હતુ. ગોરધનપર ગામ પાસે બુધવારે મહેસુલી વિભાગના અધિકારીઓ સહિત ટીમ દ્વારા સર્વે નં. 103,104,105 નંબરની આશરે 100 વીઘા સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકી દેવાયેલા બાંધકામો દૂર કરવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોરધનપર નજીક મુખ્ય રોડ પાસે કિંમતી મનાતી ૧૦૦ વીઘા સરકારી જમીન કે જેમાં અનેક ગેરકાયદે દબાણો ખડકાઈ ગયા હતાં.જેમાં કાચા-પાકા મકાનો, હોટલ, ઈંટોના ભઠ્ઠા,ખેતી વિષયક દબાણો ખડકાયા હોવાનુ સામે આવ્યુ હતુ. જે તમામને તંત્ર દ્વારા અગાઉથી નોટીસ આપી દેવાઈ હતી. જે બાદ બુધવારે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઇ હતી. ગ્રામ્ય વિભાગના પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયાના સુપરવિઝનમાં ગ્રામ્ય વિભાગના મામલતદાર એમ.જે. ચાવડા અને તેઓની ટીમ દ્વારા કાર્યવાહી કરાઇ હતી. અડધો ડઝન જેસીબી દબાણો પર ફરી વળ્યાજિલ્લાનો રેવન્યુ સ્ટાફ, તાલુકા-સરકારી નિર્માણ કચેરી સહિતના અધિકારીઓ-કર્મચારીઓ સહિત સવાસો જેટલા પોલીસ કર્મીઓ તેમજ એસઆરપી સહિત દોઢસોથી વધુ કર્મચારીઓનો સ્ટાફ ડિમોલિશન કાર્યવાહીમાં જોડાયો હતો.જે દરમિયાન આઠ જેસીબી, છ પોકલેઇન, બે ડમ્પર તદુપરાંત ખાસ ફાયર વિભાગની વાહન સેવા, પોલીસ કંટ્રોલ વાન-મોબાઇલ પેટ્રોલિ઼ગ યુનિટો પણ જોડાયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.
ઠગાઈ:કાળી તલાવડીના શખ્સે ગોલ્ડ લોનના નામે 38.10 લાખનો ચૂનો લગાવ્યો
તાલુકાના કાળી તલાવડી ગામે રહેતા આરોપીએ મુથુટ ફાયનાન્સ માંથી આઈઆઈએફએલમાં ગોલ્ડ લોન ટ્રાન્સફર કરવાના નામે રૂપિયા 38.10 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મુળ અમરેલીના અને હાલ સુરતમાં રહેતા ફરિયાદી વિક્રમભાઈ રમણીકભાઈ પટેલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે કાળી તલાવડી ગામના આરોપી રામજી ભીમજી બરાડીયા વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 12 નવેમ્બરના સાડા બાર વાગ્યાના અરસામાં હોસ્પિટલ રોડ પર બન્યો હતો.આરોપીએ પોતાની ગોલ્ડ લોન મુથુટ ફાયનાન્સમાંથી ટ્રાન્સફર કરાવી હોસ્પિટલ રોડ પર આવેલી આઈઆઈએફએલમાં લોન કરાવા માટે એગ્રીમેન્ટ કર્યો હતો. ફરિયાદીની સારથી મની કંપની સાથે એગ્રીમેન્ટ કર્યા બાદ રૂપિયા મેળવી લીધા હતા.પરંતુ આરોપીએ મુથુટ ફાયનાન્સમાં પોતાની ગોલ્ડ લોન ભરી ન હતી અને આઈઆઈએફએલમાં ટ્રાન્સફર કરાવી ન હતી. ફરિયાદી પાસેથી રૂપિયા 38.10 લાખ મેળવી લઇ ઠગાઈ આચરી હતી.સમગ્ર મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે જ શહેરના વોર્ડનં-12ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જેનબબેન ખફીએ પક્ષ અને પક્ષના તમામ હોદાઓ ઉપરથી રાજીનામું ધરી દેતાં રાજકિય ભુકંપ સર્જાયો છે. તો બીજી તરફ જેનબબેન ખફી સાથે વાતચીત કરતા તેઓએ પક્ષ સાથેનો બળાપો કાઢ્યો હતો કે, જામનગરમાં પક્ષમાં અંદરો અંદરની લડાઈ અને હુસ્સા તુસી તેમજ જી-હુજુરીનું મહત્વ વધતું જાય છે. કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે, કોઈ કાર્યકર્તા નથી તમામ નેતાઓ છે. તો પક્ષની વિચારધારાને અવગણીને વ્યક્તિગત લોકોના વિચારોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. પ્રશ્ન :- કેટલા વર્ષથી પક્ષ સાથે જોડાયેલા છો..? નગર સેવિકા :- છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે વફાદારી પુર્વક જોડાયેલી છું. પ્રશ્ન :- કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડવાનું કારણ છું..? નગર સેવિકા :- કોંગ્રેસ પક્ષમાં હાલમાં અંદરો અંદરની લડાઈઓ, હુસ્સા તુસી અને જી-હુજુરીનું મહત્વ વધતું જાય છે તે મને ગમતું નથી. { પ્રશ્ન :- કોંગ્રેસ પક્ષ દ્વારા કેવી કામગીરી કરી રહી છે ..? નગર સેવિકા :- પક્ષની વિચારધારાને અવગણીને વ્યક્તિગત લોકોના વિચારોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. પ્રશ્ન :- કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરો પક્ષને નિષ્ઠાવાન છે..? નગર સેવિકા :- જામનગર શહેરમાં કોંગ્રેસમાં વ્યક્તિગત સ્વાર્થને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે પ્રશ્ન :- આ અંગે કોઈને રજુઆત કરવામાં આવી હતી..? નગર સેવિકા :- આ મુદે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને અનેક રજુઆત કરવામાં આવી, પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું. પ્રશ્ન :- કોંગ્રેસ પક્ષ સાથે તમને વાંધો છે..? નગરસેવિકા :- કોંગ્રેસ પક્ષ સાથે વાંધો નથી જામનગરમાં કોંગ્રેસ પક્ષ સાથે વાંધો છે. પ્રશ્ન :- તમને કોંગ્રેસમાંથી કોઈના ફોન આવ્યા..? નગરસેવિકા :- બપોરના બે વાગ્યા સુધીમાં 40થી વધુ કોલ આવ્યા છે, પરંતુ રીસીવ નથી કર્યા. પરંતુ શહેર કોંગ્ર઼ેસ પ્રમુખનો ફોન નથી આવ્યો. પ્રશ્ન :- કોંગ્રેસમાંથી રાજીનામું ન આપવા કોઈએ કોલ કર્યો હતો..?નગરસેવિકા :- કોંગ્રેસ સાથે જોડાઈ રહેવા માટે અગાઉ એક વર્ષ માટે વિરોધ પક્ષના નેતા તરીકે ઓફર કરાઈ હતી. પ્રશ્ન :- આગામી મહાનગરપાલિકાની ચુંટલી લડશો..? નગરસેવિકા :- ચોક્કસ ચુંટણી લડીશ, જે માટે કોર્પોરેટરો અસલમભાઈ તેમજ અન્ય એક મહિલા કોર્પોરેટર પણ સાથે છે. પ્રશ્ન :- હવે કોઈ પક્ષમાં જોડાશો..? નગરસેવિકા :- હજુ સુધી કોઈ પક્ષમાં જોડાઈ નથી, લોકો કહેશે તે કરીશ. પ્રશ્ન :- કોંગ્રેસ પક્ષના હારવાના કારણો ક્યાં છે..? નગરસેવિકા :- કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે, તેમાં કોઈ કાર્યકર નથી તમામ નેતાઓ છે.
કરુણાંતિકા સર્જાઈ:રાપરના જાટાવાડામાં ગુમ થયેલી બે કિશોરીનું તળાવમાં ડૂબી જતાં મોત
રાપર તાલુકાના જાટાવાડા જીલાર વાંઢમાં રહેતા કોલી સમાજની બે બાળકીઓ તા.2/12 ના બપોરથી ગુમ થતાં પરિવારે શોધખોળ શરૂ કરવાની સાથે મામલતદાર, ટીડીઓ, ધારાસભ્ય સહિતને જાણ કર્યા બાદ તળાવમાં અકસ્માતે પડી હોવાની શંકાના આધારે રાપર અને ભચાઉની ફાયર ફાઇટર ટીમે કેમેરાની મદદથી બન્ને બાળાઓના મૃતદેહ શોધ્યા હતા. મૃતદેહ મળતાં પરિવારજનોમાં આઘાતમાં સરી ગયા હતા. રાપર તાલુકાના પ્રાંથળ વિસ્તારના જાટાવાડા ગામે સીમમા આવેલા તળાવના પાણી મા ગઈ કાલે જાટાવાડા ગામે રહેતા પારકરા કોળી પરિવારની 14 વર્ષીય દયાબેન નાગાજી કોળી અને 15 વર્ષની આરતી રાણાભાઇ કોળી તા.2/12 ના બપોરથી ગુમ થતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દિકરીઓ તળાવમાં ડૂબી ગઇ હોઇ શકે તેવી શંકા ઉભી થતાં ગામ લોકોએ તલાટીને જાણ કરતાં તલાટીએ રાપર તાલુકા મામલતદાર એચ બી.વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાને પત્ર દ્વારા જાણ કરી હતી. આ અંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા,રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડને કરવામા આવતા રાપર ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને કેમેરા સાથે ઘટના સ્થળે મોકલી હતી. રાપર તાલુકા મામલતદાર દ્વારા સ્થળ પર ટીમ મોકલી સતત પાણીમા શોધખોળ હાથ ધરી બને બાળાઓને કેમેરાની મદદથી બન્ને બાળકીઓના મૃતદેહ શોધી બહાર કઢાયા હતા.આ બનાવ થી ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા પરિવારમાં શોક ફેલાયો હતો સાથો સાથ આવો બનાવ બનતા વાગડ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સન્માન:BLOએ કર્ણાટક સુધી સંપર્ક કરી SIR અંતર્ગત 100 ટકા કામગીરી
જામનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા (એસઆઈઆર)ની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 80-જામજોધપુર વિધાનસભાના ગીંગણીના બીએલઓ અજયભાઈ વરસાંકિયાએ અન્ય બીએલઓને સોંપવામાં આવેલ ચાર્જ પોતે સંભાળી તેમની કામગીરી 100 ટકા પૂર્ણ કરી છે. તેઓએ માત્ર એક મતદારનું મેપિંગ કરવા માટે કર્નાટક રાજ્યમાંથી એક બીએલઓનો સંપર્ક કરી જામનગરમાં રહેતા મતદારની માતાનું નામ વર્ષ 2002ની યાદીમાં શોધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તેમની આ કામગીરીની પ્રસંશા કરી જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠકકર દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરાયું છે. અજયભાઈ વરસાંકિયાએ જણાવ્યું હતું કે, હું બીએલઓ તરીકે ફરજ નિભાવુ છું. મારા ગામના એક શિક્ષિકાને બીએલઓનો ચાર્જ મળ્યો જોય પરંતુ તેમને નાનું બાળક હોવાથી તેમનો ચાર્જ મેં સ્વેચ્છાએ સ્વીકાર્યો હતો. મારે ગણતરી ફોર્મની કામગીરીમાં 1047 મતદારો હતા. જે 100 ટકા ડિજિટાઇઝ થઈ ગયા છે. મેપિંગની કામગીરી દરમિયાન ત્રણ મતદારો મહારાષ્ટ્રના હતા માટે મેં મહારાષ્ટ્રની મતદારયાદી ડાઉનલોડ કરી અને તેમને EPIC નંબર પરથી જરૂરી માહિતી મેળવી લીધી હતી. કર્ણાટકના એક મતદારનું મેપિંગ કરવા માટે મેં કર્ણાટકની મતદાર યાદી ડાઉનલોડ કરી પરંતુ તે કન્નડ ભાષા હોવાથી સમજણ ન પડી. ત્યારબાદ ઈ.સી.આઈ.ની વેબસાઇટ પર જઈ મતદારની માતાના ચૂંટણીકાર્ડની વિગતો મેળવી તેમના બીલઓનો સંપર્ક સાધ્યો. તેઓ કન્નડ ભાષા બોલતા હોય અને હિન્દી સમજતા ન હોવાથી અંગ્રેજીમાં તેમની સાથે સંવાદ કર્યો. જામનગરમાં રહેતા મતદારની માતાનો વર્ષ 2002ની યાદીમાંથી નંબર મેળવી મેપિંગની કામગીરી મેં 100 ટકા પૂર્ણ કરી છે.
કામગીરી:શહેરમાં રૂ.2.50 લાખના દાગીના સાથેનો બેગ શોધી આપતી પોલીસ
જામનગર શહેરમાં સસરાના ઘરેથી માવતરે જતી પરીણિતા રીક્ષામાં રૂ.2.50 લાખના સોનાના દાગીના સાથેનો બેગ ભુલી જતાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર પોલીસે સતત ત્રણ દિવસના સીસીટીવી કેમેરા પર મોનિટરીંગ કરીને દાગીના સાથેનો બેગ શોધી આપીને પરિણિતાને પરત આપ્યો હતો. શહેરમાં રહેતા કાજલબેન પરિક્ષિતભાઈ પાઠક નામની પરિણિતા ગત તા.30 નવેમ્બરના રોજ પંચેશ્વર ટાવર સસરાના ઘરેથી માવતરે રામેશ્વર જવા રીક્ષામાં નિકળ્યા હતા. તેઓ સાથે રહેલા 3 બેગમાંથી બે બેગ ઉતારી લીધા હતા, અને રૂ.2,50,000ની કિંમતના સોનાના દાગીના સાથેનો બેગ ભુલી ગયા હતા. જે અંગેની પરિણિતાએ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. પીએસઆઈ બી.બી.સિંગલના માર્ગદર્શન મુજબ સ્ટાફે અલગ અલગ સીસીટીવી ફુટેજ ચુકાસણી કરી હતી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સીસીટીવી કેમેરાઓનું મોનીટરીંગ કરીને રીક્ષા ચાલકની ઓળખ કરી હતી. વર્ષમાં 28 કેસમાં 29.48 લાખનો મુદામાલ કબજેજામનગર જિલ્લામાં નેત્રમ ખાતે સીસીટીવી કેમેરા યુનીટ કાર્યરત હોય, જે યુનિટ દ્વારા સમગ્ર જિલ્લામાં લાગેલ સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ કરવામાં આવે છે. જે યુનીટ દ્વારા સીસીટીવી કેમેરા મોનીટરીંગ કરી વર્ષ-2025માં 28 કેસો શોધી કાઢી કુલ રૂ.29,48,250નો મુદામાલ રીકરવ કરવામાં આવ્યો છે.
સંચાલન:નવા બનેલા ઓવરબ્રિજ પર એસટીની બસો દોડશે નહી, વિભાગીય નિયામકનો પરિપત્ર
જામનગર શહરેમાં ઇન્દિરા માર્ગ પર નવો ઓવર બ્રિજ બનતા ઇન્દીરા માર્ગ થઇ એસટીનું સંચાલન ફરી જુના રાબેતા મુજબના રૂટ ઉપરથી બસ પસાર થશે તે આદેશ વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે તો શહેરીજનોએ આ મુજબ એસટી બસનો લાભ લેવા ડીટીઆઇ જે.વી. ઇશરાણી દ્વારા જણાવાયું છે. જામનગર શહેરમાં ઇન્દીરા માર્ગ પર ઓવર બ્રીજ બનતા મૂળ રસ્તા પર સંચાલન કરવા જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જણાવાયું છે. એસટી ડેપોથી રાજકોટ તેમજ કાલાવડ તરફ જતા સાત રસ્તા સર્કલ, જુના રેલ્વે સ્ટેશન (અંબર ચોકડી) અને હાલાર હાઉસથી આગળ મળી કુલ ત્રણ જગ્યાએ સ્ટોપ આપવાનું નકકી કરાયું છે. જેમાં મુસાફરોને બસમાં ચડાવવા અને રાજકોટ તેમજ કાલાવડ તરફથી આવતા સુરેશ ફરસાણ માર્ટથી આગળ જુના રેલ્વે સ્ટેશન તેમજ સાત રસ્તા સર્કલ પાસે ત્રણ જગ્યાએ મુસાફરોને ઉતારવા તેમજ ગુદ્વદ્વારા પાસે રોડની પહોળાઇ સાંકડી હોવાથી અને બસ ઉભી ન રાખીએ તો ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન થતો હોવાથી ગુરૂદ્વારા અને વિકટોરીયા પાેઇન્ટનો સ્ટોપ રદ્દ કરવામાં આવ્યેા છે. વિકટોરીયા પોઇન્ટના બદલે રાજપાર્ક પાેઇન્ટ રહેશે. લોકલ, એકસપ્રેસ, ગુર્જર નગરી, સ્લીપર, વોલ્વો, એસી, ઇલેકટ્રીક બસોને આ રૂપ પર સંચાલન કરવામાં આવશે. આમ એસટીની તમામ બસો હવે નીચેના તેમના રૂટ પરથી દોડશે તો મુસાફરોને આ તમામ પોઇન્ટ ઉપરથી બસની સુવિધા ઉપલબ્ધ થઇ શકશે. શહેરમાં આ જગ્યાઓ ઉપર એસટી બસ ઉભી રહેશેજામનગરમાં ઓવર બ્રિજ બનતા એસટી વિભાગ કચેરી દ્વારા રાજકોટથી આવતી તમામ બસના પોઇન્ટ રાજપાર્ક, જુના રેલ્વે સ્ટેશન અને સાત રસ્તા સર્કલ પાસે ત્રણ જગ્યાએ હવે બસના પોઇન્ટ નકકી કરવામાં આવ્યા છે. જેથી આ ત્રણેય પોઇન્ટ ઉપર મુસાફરોને ઉતારવામાં આવશે અને ટ્રાફિકજામની સમસ્યા ન થાય તેની તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી છે તો મુસાફરોને આ ત્રણેય પોઇન્ટ ઉપરથી બસનો લાભ લઇ શકશે.
જવાનોમાં ફફડાટ:જામનગર જિલ્લાના 9 હોમગાર્ડઝ સભ્યોને દળમાંથી બરતરફ કરાયા
જામનગર શહેર અને તાલુકા મથકોએ હોમગાર્ડમાં ફરજ બજાવતા અને સતત અનિયમિત અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા 9 હોમગાર્ડ જવાનોને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટએ બરતરફ કરવાનો હુકમ કરતા સતત અનિયમિત રહેતા હોમગાર્ડ જવાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જામનગર જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં આવેલા યુનિટના સતત અનિયમિત અને ગંભીર ગુન્હામાં સંડોવાયેલા એવાં કાલાવડના ત્રણ દેવજીભાઈ માટીયા, અલીભાઈ કાજી અને કપીલકુમાર સાગઠીયા તેમજ જોડિયાના અજય વ્યાસ અને કુંદન સોલંકી તેમજ સિક્કાના લલીત ડાભી અને ગોપાલ રાઠોડ તેમજ સીટી બી યુનિટના અજય ઢાપા અને લાલપુરના સુભાષ ચાવડાને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ હોમગાર્ડઝ દળ માંથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે. હોમગાર્ડઝ સંસ્થા એક માનદ દળ છે અને આ દળમાં અનેક યુવાનો પોતાની માનદ સેવાઓ આપવા તૈયાર છે ત્યારે આવા અનિયમિત અને ગંભીર ગુન્હામાં સંડોવાયેલા જિલ્લાના કુલ નવ હોમગાર્ડઝ સભ્યો યુનિટના સંખ્યાબળમાં રાખવા જરૂરી ન હોય યુનિટ ઓફિસરના રિપોર્ટના આધારે છુટા કરવામાં આવ્યાં છે. એમ જિલ્લા હોમગાર્ડઝ કચેરીની યાદીમાં જણાવ્યું છે.
ભાસ્કર ખાસ:કુદરતી આફત સામે રેસ્ક્યુ કરવા જિલ્લાના નવા 106 વોલિયેન્ટર સજ્જ બન્યા
યુવા આપદા મિત્ર સ્કીમમાં પોરબંદર જિલ્લાના 106 જેટલા નવા વોલિએન્ટરએ SDRF સેન્ટર ગોંડલ ખાતે કુદરતી અને માનવસર્જિત આફત સામે રેસ્ક્યુ કરવા અંગેની તાલીમ મેળવી સજ્જ બન્યા છે. આ વોલિએન્ટરો રેસ્ક્યુ માટે દરેક વિભાગને મદદરૂપ બનશે. યુવા આપદા મિત્ર સ્કીમ તથા GSDM અંતર્ગત પ્રોજેક્ટમાં રેસ્ક્યુ અંગેની તાલીમ આપવામાં આવે છે. તાજેતરમાં પોરબંદર જિલ્લાના 106 યુવાનો SDRF સેન્ટર ગોંડલ ખાતે તબક્કાવાર તાલીમ મેળવી છે. વાવાઝોડા, ભૂકંપ, સુનામી, પૂર, આગ સહિતના કુદરતી અને માનવ સર્જિત આફતો વખતે ડિઝાસ્ટર કામગીરી રેસ્ક્યુ માટેની આ વોલિએન્ટરોએ તાલીમ મેળવી છે. ડિઝાઝસ્ટરના ડીપીઓ ગૌતમ વાળાએ જણાવ્યું હતુકે, વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ સાથેના સંકલનમાં રહી ડીપીઓની સૂચના મળે તે પ્રમાણે આ વોલીએન્ટરો દરેક વિભાગને રેસ્ક્યુ માટે મદદરૂપ બનશે. તાલીમ મેળવેલ વોલિએન્ટરોને આઇકાર્ડ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. દરિયા કિનારે વસેલા પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમ્યાન વાવાઝોડાનો ખતરો રહે છે. ચોમાસા દરમ્યાન વાવાઝોડાની આગાહી કરવામાં આવે છે. જ્યારે ઘેડ પંથકમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણી આવતા ઘેડ પંથક બેટમાં ફેરવાઈ છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને સ્થળાંતર દરમ્યાન આવા વિસ્તારોમાં રેસ્ક્યુઅરોની જરૂરિયાત ઉભી થતી હોય છે.
તંત્ર નિદ્રાંધિન:પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ગંદકી
પોરબંદર જિલ્લાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લા ભરના દર્દીઓ સારવાર માટે આવે છે. મેડિકલ કોલેજ થતા સર્જન સહિતના નિષ્ણાંત ડોકટરોની નિમણૂક થતા દર્દીની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ સારવાર માટે આવતા દર્દીઓ માથે રોગચાળાનો ભય સેવાય રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે પટાંગણ માંથી દવાબારી તરફ જતા ગેટ પર કોર્નરમાં પાણી ભરાયેલ રહે છે જેને કારણે ગંદકી ફેલાય છે. પાણીમાં મચ્છર અને જીવજંતુનો ઉપદ્રવ વધતો હોય જેથી રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, આ પટાંગણમાં આવેલ શેડ નીચે અનેક દર્દીઓ અને તેની સાથે આવનાર લોકો બેઠા હોય છે. ગંદકીના કારણે બેસનાર તેમજ પસાર થનાર અને ઊભનાર લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે આ ગંદકીની સફાઈ કરવામાં આવે તેવી દર્દીઓ દ્વારા માંગ ઉઠી છે. એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો ડામવા પોતાનાશક કામગીરી કરી રહી છે અને લોકોને પાણીના પાત્રોને નિયમિત સાફ કરવા અપીલ કરે છે. પાણીના પાત્રોની સફાઈ ન થતા તેમાં પોરા બને છે જેનાથી મચ્છરજન્ય રોગ ફેલાય છે. જાન્યુઆરી થી નવેમ્બર માસ દરમ્યાન મેલેરિયાના 48 અને ડેન્ગ્યુના 17 કેસ પોઝિટિવ આવ્યા છે અને શંકાસ્પદ કેસના દર્દીઓની સંખ્યમાં વધારો થયો હતો. ત્યારે ખુદ સિવિલ હોસ્પિટલ માંજ પટાંગણના કોર્નર ખાતે પાણી ભરાયેલ રહે છે અને ગંદકી ફેલાયેલ નજરે ચડે છે.
પોરબંદર જિલ્લામાં હાલ એસ.આઈ.આર.ની કામગીરી ધમધમી રહી છે ત્યારે હાલ ફોર્મ ડીજિટલાઇઝેશન કરવાની કામગીરી ધમધમી રહી છે.પોરબંદર વિધાનસભા વિસ્તારમાં મતદારોના ફોર્મ માટે શહેરી મામલતદાર કચેરી ખાતે 30 જેટલા કર્મીઓ સવારે 8 થી રાત્રીના 2 વાગ્યા સુધી ફોર્મ ડીજિટલાઇઝેશન કરવામાં જોતરાયા છે.હાલ પોરબંદર વિધાનસભામાં 80.94 ટકા એસ.આઈ.આર.ની કામગીરી પૂર્ણ થઈ છે.સમગ્ર રાજ્ય સહિત પોરબંદર જિલ્લામાં 4 નવેમ્બરથી SIRની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લામાં પણ 473 બી.એલ.ઓ.મારફતે ફોર્મ વિતરણ અને એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ બી.એલ.ઓ.મારફતે ફોર્મ એકત્રિત કરવાની કામગીરી મોટાભાગની પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે ફોર્મની વેબસાઈટમાં એન્ટ્રી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.પોરબંદર જિલ્લાના પોરબંદર વિધાનસભા બેઠકના મતદારો માટે પોરબંદર શહેરી મામલતદાર કચેરી ખાતે ફોર્મ ડીજિટલાઇઝેશન કરવાની કામગીરી ધમધમી છે.પોરબંદર વિધાનસભા વિસ્તારમાં મતદારોના ફોર્મ માટે શહેરી મામલતદાર કચેરી ખાતે 30 કર્મીઓ સવારે 8 થી રાત્રીના 2 વાગ્યા સુધી ફોર્મ ડીજિટલાઇઝેશન કરવામાં જોતરાયા છે. પોરબંદર વિધાનસભામાં 80.94 ટકા SIRકામગીરી પૂર્ણ થઈ છે. 2002ની યાદીમાં મેચ ન થયેલા મતદારોને નોટિસ અપાશે પોરબંદરના મામલતદાર દ્વારા જણાવ્યા અનુસાર ડીજિટલાઇઝેશન કરવાની કામગીરી 11 ડિસેમ્બર પૂર્ણ થયા બાદ 2002ની યાદીમાં મેચ ન થયેલ મતદારોને નોટીસ આપી ખુલાસો રજૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.તે કામગીરી બાદ ડ્રાફ્ટરોલ જાહેર કરવામાં આવશે અને તે બાદ આખરી પ્રસિદ્ધિ જાહેર કરાશે.
વાતાવરણ:પોરબંદરમાં ઠંડી વધી : લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું
પોરબંદરમાં બુધવારે મહતમ તાપમાન 31.1 ડીગ્રી અને લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે તેમજ ભેજનું પ્રમાણ 5 ટકા ઘટીને 40 ટકા થયું છે ત્યારે ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. દરિયા કિનારે વસેલા પોરબંદર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગઈકાલે મંગળવારે મહતમ તાપમાન 30 ડિગ્રી રહ્યું હતું જ્યારે બુધવારે મહતમ તાપમાન 1.1 ડિગ્રી વધીને મહતમ તાપમાન 31.1 ડિગ્રી નોંધાયું છે જ્યારે મંગળવારે લઘુતમ તાપમાન 16 ડિગ્રી રહ્યું હતું અને બુધવારે લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે. સાંજ પડતા જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને રાત્રે ઠંડીનું મોજું ફરી વળે છે. વાતાવરણમાં ભેજના પ્રમાણની વાત કરીએ તો મંગળવારે ભેજનું પ્રમાણ 45 ટકા નોંધાયું હતું જ્યારે બુધવારે ભેજનું પ્રમાણ 5 ટકા ઘટીને 40 ટકા નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટે ત્યારે ઠંડીનું પ્રમાણ વધે છે.
આયોજન:પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ 585 લોકોને ક્રેડિટકાર્ડ આપવામાં આવશે
પોરબંદર મહાનગરપાલિકાના સમાજ સંગઠન વિભાગ દ્વારા પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ બેન્ક મારફતે વિવિધ લોન આપવામાં આવે છે.જેમાં 25 હજાર લોન યોજના પુરી કરેલ 585 લોકોને બેન્ક મારફતે ક્રેડિટકાર્ડ આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ફેરિયા અને નાના વેપારીઓને વેપાર ધંધા માટે વર્ષો પૂર્વે પી.એમ.સ્વનિધિ યોજના અમલમાં મુકવામાં આવી હતી.આ યોજના હેઠળ ફેરિયા અને નાના વેપારીઓને અલગ અલગ લોન બેન્ક મારફતે આપવામાં આવે છે.ત્યારે પોરબંદર મહાનગરપાલિકાના સમાજ સંગઠન વિભાગ દ્વારા પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ 15 હજારની લોન પૂર્ણ કરેલ 585 લોકોને વિવિધ બેન્ક મારફતે ક્રેડિટકાર્ડ આપવામાં આવશે.મનપાના સમાજ સંગઠન વિભાગ દ્વારા આપવામાં આવતી લોનમાં 7 ટકા થી વધુ વ્યાજ સરકાર દ્વારા બેંકને ચુકવવામાં આવે છે.આ માટે આગામી દિવસોમાં સેમિનાર પણ યોજવામાં આવશે. મનપાના સમાજ સંગઠન વિભાગે ચાલુ વર્ષે પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ 177 લોકોને રૂ.15 હજારની,366 લોકોને રૂ.25 હજારની,193 લોકોને રૂ.50 હજારની લોન આપવામાં આવી છે.મનપા દ્વારા 646 લોકોને બેન્ક મારફતે કુલ 1.98 કરોડની લોન આપવામાં આવી છે.
સુવિધા:આદરજ મોટીમાં રૂ. 1.5 કરોડના ખર્ચે પીએચસીનું નવીન મકાન બનાવાયું
આદરજ મોટી ગામની આસપાસના સાત ગામની 34104 વસ્તીને ઘર આંગણે આરોગ્ય સેવા મળી રહે તે માટે રૂપિયા 1.5 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન મકાન બનાવ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનમાં છે બેડના પુરૂષ અને મહિલા વોર્ડ, અદ્યતન લેબોરેટરી, મમતા ક્લીનીક, માઇનોર ઓટી સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લાના આદરજ મોટી ગામના જર્જરીત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાનને તોડીને નવીન મકાન બનાવવામાં આવ્યું છે. જોકે ગત 15મી, જાન્યુઆરી-2023ના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહના હસ્તે ખાતમુર્હુત કરાયું હતું. જોકે બે વર્ષથી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગ્રામ પંચાયતના મકાનમાં ચલાવવામાં આવતું હતું. રૂપિયા 1.5 કરોડના ખર્ચે નવીન બનાવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા માતાની તેમજ પ્રસુતિ તથા પ્રસુતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને એક વર્ષથી નાના બાળકના આરોગ્યની સારસંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર-કિશોરીઓને પૂરીત આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓનો લાભ મળશે. સામાન્ય રોગચાળામાં સારવાર તેમજ સામાન્ય બિમારીઓના ઉપચાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો સંચારી અને રોગચાળા સબંધિત પ્રોગ્રામનું અમલીકરણ, ડાયાબિટીસ, હાયપર ટેન્શન, કેન્સર જેવા નોન કોમ્યુનીકેબલ (બિનસંચારી) રોગોનું નિદાન અને સારવાર, આંખ, કાન, નાક તથા ગળાને લગતી બિમારી અને રોગોનું સ્ક્રીનીંગ, નિદાન તેમજ સારવાર કરાશે. આસપાસના સાત ગામની 34104 વસ્તીને લાભ મળશેઆદરજ મોટી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન મકાન બની જવાથી આસપાસના સાત ગામોની 34104 વસ્તીને તેનો લાભ મળશે. તેમાં આદરજ મોટી-1 અને આદરજ મોટી-2, ભોંયણ રાઠોડ, દંતાલી, પુંધરાસણ, શેરથા અને ટીંટોડા ગામના લોકોને આરોગ્ય સેવાનો લાભ મળશે. જોકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબામાં સાત આરોગ્ય સબ સેન્ટર આવેલા છે. બે વર્ષથી ડિલિવરી કરાતી ન હતી બે વર્ષ સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગ્રામ પંચાયતના મકાનમાં ચલાવવામાં આવતું હતું. આથી ડિલેવરી માટે ઓપરેશન થીએટર નહી હોવાથી ડિલેવરી કરાવવામાં આવતી નહી. પરંતું હવે નવીન મકાનમાં માઇનોર ઓટીની સુવિધા હોવાથી હવે એક મહિનામાં દસેક જેટલી ડિલેવરીના કેસ આવવાની શક્યતા રહેલી છે.
મનપાએ કમર કસી:બેંકિંગ સર્કલની 60 લાખના ખર્ચે કાયાપલટ કરાશે
ગાંધીધામમાં ચોતરફ બેંકોથી ઘેરાયેલા હોવાના કારણે બેંકિંગ સર્કલથીજ ઓળખાતા થઈ ગયેલા સ્વામી વિવેકાનંદ સર્કલની ગતરોજ મહાનગરપાલિકા કમિશનર મનિષ ગુરવાની અને એંજિનીયર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
કામગીરી:ટેન્ડર કૌભાંડમાં પોલીસ નિરવ દવેના પિતાની તપાસ કરશે
ગાંધીનગરના ઇન્ફોસિટીમાં ઓફિસ ખોલી લોકોને સરકારી કામના ટેન્ડર મળ્યા હોવાનુ કહીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ઠગ નિરવ દવેના રીમાંડ પુરા થતા જેલ હવાલે કરાયો છે. પરંતુ આ રીમાંડ દરમિયાન પોલીસ આરોપી પાસે કોઇ માહિતી કઢાવી શકી નથી. જેથી હવે પોલીસ વધુ તપાસ માટે આરોપીના પિતા અને પુત્રને બોલાવશે અને તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશે. રાજ્યમાં ટુરીઝમના ટેન્ડર મળ્યા હોવાનુ કહીને લોકો પાસેથી રૂપિયા લઇ રોકાણ કરી કરોડો રૂપિયાનો નફો બતાવી લોકોને છેતરનાર નિરવ મહેન્દ્ર દવે અને તેની પત્ની મીરા દવે (રહે. પ્રાણકુંજ સેક્ટર 23, પ્લોટ નંબર 689-2) સામે ફરિયાદ થયા બાદ એક મહિને પતિ નિરવ પોલીસ સામે હાજર થયો હતો. જ્યારે તેની પત્ની હજુ પણ ફરાર છે. આ બનાવમાં ઇન્ફોસિટી પોલીસ આરોપી પાસેથી કાઇ જાણી શકી નથી. જેથી હવે આ કેસમાં આરોપીના પિતા નિવૃત સરકારી અધિકારી હોવાના કારણે બોગસ ટેન્ડર બનાવવામાં તેમની ભૂમિકા અંગે પોલીસ તપાસ કરશે. તે ઉપરાંત આરોપીનો પુત્ર નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને તે કોમ્પ્યુટરનો જાણકાર હોવાથી તેના દ્વારા તેના પિતાને કોઇ મદદ કરવામાં આવી નથી ને તે બાબતે પૂછપરછ કરવા માટે તેને બોલાવશે. આરોપીએ જાતે અન્ય ઓર્ડર ઉપરથી નકલ બનાવતો હતો આરોપી દ્વારા અલગ અલગ કચેરીનુ ટેન્ડર મળ્યુ હોવાનુ કહીને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં આરોપીના રીમાંડ દરમિયાન સરકારી કચેરીના ઓર્ડર બાબતે પૂછપરછ કરતા સામે આવ્યુ હતુ કે, તેની પાસે ઓરીજનલ ઓર્ડર આવ્યો હતો અને તેમાં તેને તેની કંપનીનુ નામ ઉમેરીને તેને ઓર્ડર મળ્યો છે, તેમ લોકોને જણાવ્યુ હતુ. આ લેટર તેને તેના કોમ્પ્યુટરમાં બનાવ્યો હતો.
અકસ્માત:ગિફ્ટસિટીમાં નોકરી કરતા ડેપ્યુટી મેનેજરનું કારની ટક્કરે મોત
ગાંધીનગર પાસે ગીફ્ટસીટીમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતો યુવક રાતના સમયે તેની નોકરી પુરી કરી બાઇક લઇને ધોળાકુવા તરફ જતો હતો. તે સમયે વિધાતા ફાર્મ આગળ પહોંચતા એક કાર ચાલકે રાતના આશરે અઢી વાગે બાઇકને ટક્કર મારી હતી. જેમાં ચાલકનુ મોત થયુ હતુ, આ બનાવની ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગત મોડી રાતે ગીફ્ટસીટીમાં આવેલી એનએસઇ આઇસીસીમાં અભી ભગવાનભાઇ બલર (રહે, સુરત) ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતો હતો. જ્યારે ગત રોજ તેની શિફ્ટ પુરી કરીને રાતના આશરે અઢી વાગે તેનુ બાઇક લઇને ઘર તરફ જવા નિકળ્યો હતો. તે સમયે ધોળાકુવા તરફ જતો હતો, ત્યારે વિધાતા ફાર્મ પાસે કારે બાઇકને ટક્કર મારી હતી.
આયોજન:જિલ્લાની વધુ 20માંથી 16 ગ્રામ પંચાયતોના મકાન રૂપિયા 4.58 કરોડના ખર્ચે નવા બનાવાશે
જિલ્લાની વધુ 20માંથી 16 ગ્રામ પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી મકાનોને રૂપિયા 4.58 કરોડના ખર્ચે નવા બનાવવા ટેન્ડરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના ચારેય તાલુકામાંથી સૌથી વધુ માણસા તાલુકાના 3 ગ્રામ પંચાયતોની સામે દહેગામ અને ગાંધીનગર તાલુકાની 5-5 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જ્યારે કલોલ તાલુકાની 3 ગ્રામ પંચાયતોના મકાનો નવીન બનાવવામાં આવશે. ગામડાઓના વિકાસના કામોથી લઇને તમામ બાબતોની દેખરેખની કામગીરી ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવે છે. પરંતું ગ્રામ પંચાયતોના મકાનો છેલ્લા ચાર દાયકાથી વધુ સમયના હોવાથી હાલમાં તેની હાલત જર્જરીત થઇ જવા પામી છે. ત્યારે જર્જરીત હાલતમાં રહેલી ગ્રામ પંચાયતોના મકાનોને નવા બનાવવા માટે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જિલ્લાના 20 ગામોની ગ્રામ પંચાયતોના મકાનોને નવા બનાવવા માટે રૂપિયા 5.73 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જોકે તેમાં ગામની વસ્તીના આધારે ગ્રામ પંચાયતના મકાનના નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવણી કરી છે. ગ્રામ પંચાયતોના નવીન મકાનોના નિર્માણ માટેના ટેન્ડરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમાં જિલ્લાના ચારેય તાલુકામાં દહેગામ તાલુકાના 5 ગ્રામ પંચાયતોના નવા મકાનો માટે રૂપિયા 134.83 લાખ, ગાંધીનગરના 5 ગ્રામ પંચાયતોના નવા મકાનો માટે રૂપિયા 144.66, માણસા તાલુકાના 3 ગ્રામ પંચાયતોના નવા મકાનો માટે 84.83 લાખ અને કલોલ તાલુકાના 3 ગ્રામ પંચાયતોના મકાનો માટે 94.66 લાખનો ખર્ચ કરવામાં આવશે. ગ્રામ પંચાયતોના નિર્માણની કામગીરી આગામી ત્રણેક વર્ષમાં પૂર્ણ થાય તેવી શક્યતા રહેલી છે. માણસાના ચાર ગ્રામ પંચાયતોના મકાન માટે નકસાની કામગીરીજિલ્લાના માણસા તાલુકાના ચાર ગ્રામ પંચાયતોના મકાનોનું નિર્માણ માટે રૂપિયા 115 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે. જોકે હાલમાં ચાર ગ્રામ પંચાયતોના મકાનોના નિર્માણ માટે નકશાની કામગીરી કરવામાં આવી છે. ત્યારબાદ ચાર ગ્રામ પંચાયતની ગ્રાન્ટની વહિવટી મંજુરી આપવામાં આવશે. નકસા અને વહિવટી મંજુરી બાદ ટેન્ડરીંગની કામગીરી શરૂ કરવામાં આવશે.
કાર્યવાહી:વરસોડામાં તેં અમારું ટ્રેક્ટર કેમ રોક્યું કહી મારામારી કરનાર જેલ ભગા થયા
માણસાના વરસોડા ગામમાં રહેતો યુવક તેના ઘર આગળ ઉભો હતો, તે સમયે એક ટ્રેક્ટર ચાલકને તેનુ વાહન ધીમુ ચલાવવા માટે ટકોર કરી હતી. ત્યારબાદ ડ્રાઇવરે તેના માલિકને જાણ કરતા બે લોકો બાઇક ઉપર આવ્યા હતા અને બાદમાં કહ્યુ હતુ કે, તુ અમારુ ટ્રેક્ટર કેમ રોકે છે ? તેમ કહી જાતિ વિષયક ગાળો બોલી મારામારી કરી હતી. આ બનાવમાં આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા આ કેસ ગાંધીનગર કોર્ટમાં ચાલતા 3 આરોપીઓને અલગ અલગ સજા ફટકારવામાં આવી હતી. માણસા તાલુકાના વરસોડા ગામમાં રહેતો યુવક સુનિલ ગીરીશભાઇ શાહ વર્ષ 2020 જાન્યુઆરી મહિનામાં તેના ઘર આગળ ઉભો હતો. તે સમયે એક રેતી ભરીને આવી રહેલા ટ્રેક્ટરને રોક્યુ હતુ અને તેનુ વાહન ધીમુ ચલાવવા બાબતે ટકરો કરી હતી. જેથી ચાલકે તેના માલિકને જાણ કરતા બે લોકો બાઇક ઉપર આવ્યા હતા. ગામનો જયદીપ કરમણભાઇ રબારી અને જગદીશ કરમણભાઇ રબારી આવ્યા હતા અને ઉશ્કેરાઇ જઇ કહેવા સીધા જ લાકડીથી માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ મેહુલ રઘુભાઇ રબારી અને વિરાટ કનુભાઇ રબારીએ પણ મારામારી કરી હતી. જેથી માણસા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. આ બનાવના ત્રણ વર્ષ બાદ કેસ ગાંધીનગરમાં સાતમાં એડીશનલ ડીસ્ટ્રીક જજની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ પ્રિતેશ વ્યાસ દ્વારા દલીલો કરવામાં આવી હતી. સામાન્ય બાબતમાં યુવકને જાતિ વિષયક ગાળો બોલી વાહન ધીમુ ચલાવવા જેવી બાબતે મારામારી કરી હતી. જેથી આ પ્રકારના લુખ્ખા તત્વો સામાન્ય બાબતમાં મારામારી કરતા અટકે અને તેમને કાયદાનો ડર રહે જેથી તેમને કડકમાં કડક સજા કરવી જોઇએ. જેથી જજે આરોપીઓ જયદીપ રબારીને 9 મહિનાની જેલ અને 3 હજારનો દંડ, જગદીશ રબારીને 6 મહિનાની જેલ અને 2 હજારનો દંડ તથા મેહુલ રબારીને 2 વર્ષની જેલ અને 10 હજારના દંડની સજા ફટકારવામાં આવી હતી. જેથી લાકડીઓ ઉગામનાર આરોપીઓ હવે જેલની હવા ખાસે. કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે 3 આરોપીને અલગ અલગ સજા ફટકારી હતી. જેના અનુસંધાને તમામ આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
હજારો શિષ્યોની હાજરીમાં ભવ્ય નગર યાત્રા:ત્રિકમ સાહેબની જગ્યાએ નવા મહંત બિરાજમાન
કબીર પરંપરાના સંત ત્રિકમ સાહેબની તપોભૂમિ તેમજ ગુજરાતનું ઐતિહાસિક યાત્રા ધામ સંત ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડના 9મા મંહત તરીકે આત્મહંસ સાહેબ ગુરુ સત્યહંસે સંતો, મહંતો તેમજ હજારો શિષ્યોની હાજરીમાં પદભાર સંભાળ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી ચાલતા વિવાદના કારણે જગ્યાનું સંચાલન પરંપરાગત રીતે વ્યવસ્થિત ન થતું હોવાથી સમસ્ત મેઘવાળ સમાજના લોકો તેમજ જગ્યાના શિષ્યો દ્વારા થોડા સમય અગાઉ સમાજના યુવાનોને જગ્યાનું સંચાલન સોંપ્યા બાદ સામાજિક આગેવાન અશોક રાઠોડની આગેવાની હેઠળ સમિતિની રચના કરી જગ્યાનું સંચાલન સંભાળ્યા બાદ ગત તા.29ના ચિત્રોડ ગ્રામજનો, ગુજરાત પ્રદેશ મેઘવાળ સમાજના લોકો સહિત શિષ્યોની હાજરીમાં મહંત આત્મહંસ સાહેબને ધામધૂમથી હાથીની અંબાડી ઉપર સંત ત્રિકમ સાહેબ અને જય ભીમના નારા સાથે પુષ્પવર્ષા સાથે નગર યાત્રા નીકળી હતી. જે ચિત્રોડ ગામના વિવિધ માર્ગે ફરીને સંત ત્રિકમ સાહેબ જગ્યા ખાતે પહોંચતા ગામની દીકરીઓ દ્વારા સામૈયા કર્યા બાદ મહંત આત્મહંસ સાહેબને વિધિવત રીતે ગુરૂગાદીનો પદભાર સોંપ્યો હતો. આ અવસરે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને અનિરૂદ્ધભાઈ દવે, કુલદિપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, ચિત્રોડ સરપંચ કુલદિપસિંહ જાડેજા, ગુજરાત મહેશ્વરી મેઘવાળ સમાજ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી, યુવા ભીમ સેના પ્રમુખ ડી.ડી. સોલંકી સહિત રાજકીય-સામાજિક આગેવાનોએ હાજરી આપી સંત ત્રિકમ સાહેબના મંદિરે દર્શન કરી આત્મહંસ સાહેબના આશિર્વાદ મેળવ્યા હતા. રાત્રે સમૂહ ભોજન સન્માન સમારોહ, સંતવાણી તેમજ પ્રબોધનનું આયોજન કરાયું હતું. સંત ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડ સંચાલન સમિતિના અધ્યક્ષ અશોક રાઠોડે જણાવ્યું હતું કે યુવાઓને જે જવાબદારી સમાજે આપી હતી એ આજે અમે પૂર્ણ કરી છે અને ભવિષ્યમાં પણ સમાજની પરંપરા અને સંતો મહાપુરુષોની વિચારધારાનું જતન કરવા અમારી યુવા ટીમ સંકલ્પબદ્ધ છે. આ વેળા સંતશ્રી ત્રિકમ સાહેબ સંપ્રદાયની વિવિધ જગ્યાના મહંતો, સાધુ, સંતો સાથે જયંતી જાદવ, ભરત મકવાણા, શિવજી ગોહિલ, મંગાભાઈ ગોહિલ, સુંદર ચૌહાણ, દિલીપ ગોહિલ, કાંતિલાલ રાઠોડ, માલસી પરમાર, હસમુખ ગોહિલ, ભાણજી ડુંગરીયા, સુરેશ ચૌહાણ વગેરે કચ્છ- ગુજરાત મેઘવાળ સમાજના લોકો તેમજ જગ્યાના શિષ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા. ચિત્રોડ ખાતે સંતની ગુરુગાદી પર મહંતના બિરાજમાન થવા અવસરે કચ્છ-ગુજરાત મેઘવાળ સમાજ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા
રોડ તૈયાર કરાયું:માંડવી અને નખત્રાણા તાલુકાને જોડતો 2થી 32 કિલોમીટરનો ડામર રોડ તૈયાર કરાયો
કચ્છમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ રસ્તાઓના મજબુતીકરણ અને નવિનીકરણના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં માંડવી તાલુકાને નખત્રાણા તાલુકા સાથે જોડતો 2 થી 32 કિ.મીનો માંડવી, ગઢશીશા, મંગવાણા, યક્ષ રોડના મજબુતીકરણની કામગીરી રૂ.24 કરોડના ખર્ચે પુર્ણ કરાઈ અને ગુણવત્તાસભર ડામર રોડ તૈયાર કરવામાં આવ્યો છે. આ રસ્તો સુવ્યવસ્થિત બનવાથી અકસ્માતોનું જોખમ પણ ઘટશે તથા સ્થાનિક લોકોને વધુ સારી સુવિધા પણ મળી રહેશે.
આજના બદલાતા અને સ્પર્ધાત્મક કોર્પોરેટ વિશ્વમાં યુવા પેઢી પોતાની વિચારસરણી, કાર્ય ક્ષમતા અને વ્યાવસાયિકતાને યોગ્ય સમયે અને યોગ્ય દિશામાં વિકસાવવી જરૂરી બની રહી છે. આ અંતર્ગત સી ઝેડ પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાં ઇનોવેશન કાઉન્સિલ દ્વારા સફળ ઉદ્યોગસાહસિકો સાથેની ચર્ચામાં ઔદ્યોગિક વિકાસની વ્યૂહરચના વિશે એક્સપર્ટ ટોકનું આયોજન કરાયું હતું. જેમાં સત્યાગ્રહ ડેવલપર્સના સીઇઓ વિપુલ મહેશ્વરીએ વર્તમાન પેઢી ઝેડનો કોર્પોરેટ જગત અને વ્યાવસાયિક જીવન પ્રત્યેનો અભિગમ કેવો હોવો જોઇએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, અત્યારની વિચારધારા પ્રમાણે નવો સાહસ કરવા રૂપિયા હોવા જરૂરી છે. પરંતુ ધંધો કરવા માટે પૈસા જરૂરી નથી. કારણ કે આર્થિક સહાય માટે તમારી પાસે ઘણા વિકલ્પ હોય છે પરંતુ વ્યક્તિમાં ભૂખ, કૌશલ્ય, પ્રામાણિકતા અને આત્મવિશ્વાસ જેવા 4 સ્તંભ નહી હોય તો તે ક્યારેય બિઝનેસ બનાવવામાં સફળતા નથી મેળવી શકતો. જ્યાં સુધી પોતાના કામ પ્રત્યે અંદરથી ઊઠતી ભૂખ જે સફળ થવાની તલપ ન જગાડે ત્યાં સુધી બહારથી કરેલા પ્રયત્નો વ્યર્થ છે. વિચારશક્તિનો મહત્વની છે પણ માત્ર નવા વિચારોથી કામ નથી ચાલતું, યોગ્ય કુશળતાથી જ સફળતાની સીડી ચઢી શકાય છે. લાંબા ગાળાની સફળતા માટે વ્યવસાયનો પાયો પ્રામાણિકતા છે. તમારી સત્યનિષ્ઠા ગમે તે સ્ટાર્ટઅપનું જીવન લાંબા સમય સુધી ટકાવી રાખે છે. સૌથી મહત્વનું પોતાની કાર્ય ક્ષમતા પર વિશ્વાસ રાખો. યાદ રાખો કે આત્મવિશ્વાસ વગર સપનું હકીકતમાં બદલતું નથી. તમારી ખામીઓ, સારી અને ખરાબ બાબતોનું વિશ્લેષણ કરી તેના પર કામ કરો. તેમણે કાર્ય માટે એકાગ્રતા વિકસાવવા, મજબૂત અને શિસ્ત જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.
રેકોર્ડબ્રેક આવક:સણોસરા અને સરવા રેલ ટર્મિનલથી રેલવેને મહિનામાં 20 કરોડની આવક
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નવેમ્બરમાં રેકોર્ડબ્રેક 800 કરોડથી વધુની આવક પ્રાપ્ત કરી છે જેમાં મોટાભાગનો હિસ્સો કચ્છનો હોય છે ખાસ કરીને કચ્છમાં બે બંદર તેમજ નમક, ખનીજની નિકાસ સહિતના કારણે રેલવેને આવક થાય છે. અમદાવાદ મંડળે નવેમ્બરમાં 806.68 કરોડની આવક પ્રાપ્ત કરી જેમાં 628.68 કરોડની આવક માલવહન થકી થઈ છે. 34.90 લાખ મુસાફરોએ મુસાફરી કરી જેના પરિણામે 152.59 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના અવિરત પ્રયાસોના પરિણામરૂપ પાંચ માલ વહન ટર્મિનલોએ અત્યારસુધીનો શ્રેષ્ઠ માસિક માલ વહન આવકનો આંક નોંધાવ્યો છે. જેમાં અબડાસાના સણોસરા માલ ટર્મિનલથી 9.62 કરોડ, કંડલા નજીક આવેલ સરવા માલ ટર્મિનલથી 11.37 કરોડનો સમાવેશ થાય છે. ગાંધીધામથી આજરા સુધી રેલવે માટે મિશ્રત માલનો નવો રેક લોડ કરવામાં આવ્યો, જેનાથી 85.75 લાખની આવક,સણોસરાથી નાગદા અને ગઢવા રોડ ખાનગી સાઇડિંગ માટે ઔદ્યોગિક મીઠાની ચાર રેક લોડ કરાઈ જેના દ્વારા 2.34 કરોડની આવક, તેમજ કંડલા પોર્ટથી એનપીકે ખાતરના 12 રેકમાંથી છ-છ રેક લોડ થતા 5.30 કરોડની આવક, સણોસરાથી બે બેન્ટોનાઇટના રેક BOST વૈગનમાં રંગાળી (પૂર્વ તટીય રેલવે) તેમજ કરિગનુરુ (દક્ષિણ પશ્ચિમ રેલવે)ની પ્રાઇવેટ સાઇડિંગ માટે લોડ કરાયા જેના પરથી 1.30 કરોડની આવક પ્રાપ્ત થઈ હતી.
રોગચાળાની દહેશત સેવાઈ:કોમ્પ્લેક્ષના ગેરકાયદે ગટર જોડાણ, દબાણને લીધે માધવનગરમાં રોગચાળાની દહેશત
એરપોર્ટ રીંગરોડ પર ભાડા દ્વારા બનાવવામાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષના રેસ્ટોરન્ટ દ્વારા બિનઅધિકૃત દબાણ, ગંદકી અને જોખમી પ્રવૃત્તિઓ સામે રહેવાસીઓ બુધવારે બપોર બાદ આકરી રજૂઆત કરી હતી અને એક તબક્કે એ ડિવિઝન પોલીસને જાણ કરીને કાયમી નિર્ણય આવે તે માટે મધ્યસ્થી થવા માટે રજૂઆત કરી હતી. સાંજે પતાવટ પણ થઈ પરંતુ મોડેથી ફરી તે જ ગંદકી અને પાણીના ટેન્કરને કારણે રહેવાસીઓમાં કચવાટ ફેલાયો હતો. ભુજ શહેરના માધવનગર–કારીતાસ સોસાયટીના રહેવાસીઓએ હોટલ વ્હાઇટ ડેઝર્ટ આવેલા કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં ચાલતા બિનઅધિકૃત દબાણ, ગેરકાયદે ગટર જોડાણ, ગંદકી, તેમજ જોખમી ગેસ બાટલાંના સંગ્રહ જેવી ગંભીર સમસ્યાઓ અંગે કલેક્ટર સહિત અનેક વિભાગોને સામૂહિક લેખિત રજૂઆત કરી છે. રહેવાસીઓએ જણાવ્યા મુજબ, કોમ્પ્લેક્ષમાં આવેલ અનેક રેસ્ટોરન્ટોએ પાછળની બાજુ વધારાનું ગેરકાયદે બાંધકામ કરી રસોડા અને વાસણ ધોવાની વ્યવસ્થા ઉભી કરી છે, જેમાંથી સતત ગંદકી ફેલાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ રેસ્ટોરન્ટોએ સોસાયટીની હદમાં ગેરકાયદે રીતે ગટર લાઇન જોડીને ઉભરાવાની સમસ્યા સર્જી દીધી છે. જેના કારણે આખી શેરીમાં દુર્ગંધવાળા ગંદા પાણી ભરાઈ જતા રહે છે અને રોગચાળાનો ભય ઊભો થયો છે. રહેવાસીઓએ વધુમાં જણાવ્યું છે, કે રેસ્ટોરન્ટ દ્વારા ગેસના મોટા બાટલા પાછળની બાજુ ખુલ્લા મુકવામાં આવે છે, જે નજીકમાં આવેલા PGVCLના D.P.ને કારણે ક્યારેક પણ મોટો અકસ્માત સર્જી શકે છે. આ પરિસ્થિતિ અગ્નિશમન વિભાગના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાય છે. તદુપરાંત તેઓ પાણીના ટેન્કર પાછળથી બોલાવીને ભરી લેતા હોવાથી રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ જાય છે અને રહેવાસીઓને પોતાના ઘરે જવામાં પણ મુશ્કેલી પડે છે. સમગ્ર સમસ્યાઓનો કાયમી નિકાલ થાય તે માટે રહેવાસીઓએ કલેક્ટર, મુખ્ય અધિકારી, ભુજ નગરપાલિકા, ફૂડ વિભાગ, ભાડા કચેરી, તેમજ એસ.પી. કચેરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. રહેવાસીઓએ આશા વ્યક્ત કરી છે કે યોગ્ય પગલાં લેવાઈ વિસ્તારમાં ફરી વ્યવસ્થા, સ્વચ્છતા અને સલામતી જળવાઈ રહે. રહેવાસીઓ માટે બહારના વાહન પાર્કિંગ સમસ્યા સર્જે છેરહેવાસીઓએ કરેલા આક્ષેપ મુજબ પાર્કિંગની સમસ્યા પણ ગંભીર બની છે. હોટલ–રેસ્ટોરન્ટના ભાડૂતો અને માલિકો સોસાયટીની ગલીઓમાં વાહનો ઉભા રાખતા હોવાથી ટ્રાફિક જામ અને તકલીફો વધતી જાય છે. અગાઉ કરવામાં આવેલી રજૂઆતો દરમિયાન કેટલાક લોકોએ રહેવાસીઓ સાથે અભદ્ર વર્તન, ધમકીઓ તથા મારકૂટ જેવી ઘટનાઓ પણ સર્જી છે, જેનાથી સોસાયટીમાં અસુરક્ષા ફેલાઈ છે.
ટેકાના ભાવે ખરીદી:જિલ્લાના 8 ખરીદ કેન્દ્ર ખાતે 467 મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરાઈ
ખરીફ માર્કેટીંગ સીઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. આણંદ જીલ્લા ખાતે આવેલા કુલ8 ખરીદ કેંદ્ર ખાતે ડાંગર ખરીદી પ્રકીયા સુચારુરૂપે ચાલુ છે. આણંદ જિલ્લામાં કુલ 5263 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી અત્યાર સુધીમાં કુલ886 ખેડુતોને ખરીદી માટે મેસેજ મોકલવામાં આવ્યા હતા તે પૈકી 169 ખેડુત ડાંગર આપવા માટે આણંદ જીલ્લાના ખરીદ કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા તથા અત્યાર સુધી કુલ 467 મે.ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે અને 45 ખેડુતોને ડાંગર ખરીદીની કુલ રકમ રૂ.41,70,624/- નું ચુકવણું ઓનલાઇન ખેડૂતોના ખાતામાં સીધા નિગમ દ્વારા જમા કરાવવામાં આવ્યા છે. આણંદ જીલ્લામાં ડાંગર ખરીદીની સંપુર્ણ પ્રકીયા જિલ્લા કલેકટર ના માર્ગદર્શન હેઠળ સુચારુરૂપે ચાલી રહેલ છે, તેમ નાયબ જિલ્લા મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આદેશ કર્યો હોવાથી સરકાર માન્ય ગોડાઉનમાં ખરીદી શરૂ કરી દેવાઈ છે.
માઠો અનુભવ:તારો બાપ ભિખારી છે, તને કરીયાવરમાં કંઈ આપ્યું નથી કહી પરિણીતા પર ત્રાસ ગુજાર્યો
આણંદ શહેર પાસેના વલાસણ ગામે રહેતી 39 વર્ષીય પરિણીતાને લગ્નના 19 વર્ષ બાદ પ્રેમલગ્નનો માઠો અનુભવ થયો છે. પતિના પરસ્ત્રી સાથે સંબંધ હોવા છતાં પત્નીને અન્ય પુરૂષ સાથે આડો સંબંધ હોવાનો વ્હેમ રાખી તેમજ તારો બાપ ભિખારી છે, તેણે તને કરીયાવરમાં કંઈ આપ્યું નથી તેમ કહી ત્રાસ ગુજાર્યો હતો. દંપતી વચ્ચેના ખટરાગમાં સસરાએ કોઈ જ પ્રકારનું સમાધાન વલણ અપનાવ્યું હતું. વલાસણ સ્થિત મહાદેવ પોળમાં રહેતી પરિણીતાએ જવનીકાએ વર્ષ 2006માં માતા-પિતાની વિરૂદ્ધ જઈને નીલકંઠ પટેલ નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. શરૂમાં બંનેના માતા-પિતા વિરૂદ્ધ હતા, પરંતુ સમય જતાં બંનેના પરિવારજનોએ તેમને અપનાવતા દંપતી વલાસણ પતિના મકાનમાં રહેવા આવ્યા હતા. શરૂનું લગ્નજીવન તેમનું સુખમય નીવડ્યું હતું. દંપતીને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. બાળકોના જન્મના થોડા વર્ષો બાદ અચાનક પતિનું પરિણીતા સાથેનું વર્તન બદલાયું હતું. તેણી કંઈ કામ હોય અને પતિને ફોન કરે તો તે તેની સાથે સરખી વાત પણ કરતો નહોતો. તે નશાના રવાડે પણ ચઢ્યો હતો. પરપુરૂષ સાથે સંબંધ હોવાનો વ્હેમ રાખી તેને મારઝૂડ કરતો હતો. વધુમાં તેના પોલીસી સહિતના ડોક્યુમેન્ટસ, દાગીના પણ તેણે રાખી લીધા હતા. તે ઝઘડતી વેળાએ તારો બાપ ભિખારી છે, તેણે તેને કરીયાવરમાં કંઈ આપ્યું નથી તેમ કહી ગમે તેમ બોલતો હતો. જોકે, બદલાયેલા વર્તનને પગલે પરિણીતાએ તપાસ કરતાં નીલકંઠના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થઈ હતી. આ અંગે તેમની વચ્ચે અવાર-નવાર ઝઘડા હતા, પરંતુ યુવકના પિતા દ્વારા પુત્રને કંઈ જ કહ્યું નહોતું અને પરિણીતા વિરૂદ્ધ ઉશ્કેરણી કરી હતી. આખરે, કંટાળેલી પરિણીતા તેના પિયરમાં આવી ગઈ હતી. શરૂમાં સમાધાન માટે પ્રયાસ કરી જોયા હતા. પરંતુ કંઈ ઉકેલ ન દેખાતા આખરે તેણીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ-સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ખેલ મહાકુંભ:માધાપરની એમએસવી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન
માધાપર એમ.એસ.વી. હાઈસ્કૂલના મેદાન ખાતે ‘ખેલ મહાકુંભ 2025’ અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જેમાં અંડર-9, અંડર-11, અને અંડર-14 વયજૂથના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં 30 મીટર, 50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 મીટર, અને 600 મીટર દોડ જેવી દોડની રમતો, તેમજ લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળાફેંક અને ચક્રફેંક જેવી વિવિધ એથ્લેટિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દસે દસ તાલુકાના એવા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમણે તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ હતા. આ ખેલાડીઓએ જિલ્લા કક્ષાએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ખેલ મહાકુંભના કન્વીનર ડો. ડી.એલ. રાઠીએ જણાવ્યું હતું કે આ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ખાસ કરીને અંડર-9 અને અંડર-11 વયજૂથના બાળકોને તેમણે કચ્છના સ્પોર્ટ્સનું ભવિષ્ય ગણાવ્યા હતા. તેમણે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા જેમણે પોતાનું કૌવત બતાવીને આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ આયોજન કચ્છમાં રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
સહાય અર્પણ:જિલ્લાના 13194 ખેડૂતોને રૂ. 27.12 કરોડની ઓનલાઈન ચુકવણી કરાઈ
આણંદ જિલ્લામાં વધુ 1000 ખેડૂતોએ સહાય મેળવવા અરજી કરી છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 69,000 ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરી છે, તે પૈકી અરજીની જરૂરી ચકાસણી કરી આજ દિન સુધીમાં સુધી 35,000 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મંજુર કરવામાં આવેલ અરજીઓ પૈકી 19194 ખેડૂતોને રૂ 27.12 કરોડની ઓનલાઈન ચુકવણૂં પણ પૂર્ણ કરવામાં આવેલ છે. બાકી રહેલ અરજીઓની ચકાસણી કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે. જે ખેડૂતોને સહાય મળવાપાત્ર છે તેમને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવામાં આવનાર છે.
વાતાવરણ:ચરોતરમાં 5 દિવસ સુધી સામાન્ય ઠંડીનું જોર રહેશે
આણંદ ખેડા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેતા બેવડીઋતુનો અનુભવ વર્તાઇ રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં કોઇ ફેરફાર થવાની સંભાવના નથી.જેને લઇને શાકભાજી સહિત પાકોમાં પિયત જરૂરીયાત વધુ રહેશે. તેમજ બટાકાની રોપણી કરી હોય તો હાલમાં ખાતર પાણી આપવા જણાવ્યું કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર વાતાવરણ સુકુ અને આકાશ સ્વચ્છ રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 60 ટકા આસપાસ રહેવાની સંભાવના છે. પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15 ડિગ્રી ની આસપાસ રહેશે. પવનની દિશા દક્ષિણ પૂર્વ રહેતા ઠંડીનું જોર ઘટયું છે. હાલના વાતાવરણને પગલે તુવેર પાકમાં કોરી ખાનારી ઇયળનો ઉપદ્વવ વધવાની સંભાવના છે. જેથી જરૂરી દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું છે. જેમાં તુવેરમાં ભેજનું પ્રમાણ ઘટે તો ચાર દિવસે પિયત આપવા કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
હાલાકી:પેટ્રોલપંપની શરૂઆત માટે વેટ રજિસ્ટ્રેશન મેળવવા મહિનાઓ સુધી રાહ જોવાનો વારો
ચરોતર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં પેટ્રોલપંપની શરૂઆત માટે જરૂરી વેટ રજિસ્ટ્રેશન મેળવવાનું હોય છે. જીએસટી રજિસ્ટ્રેશન કલાકોમાં મળતું હોવા છતાં, પેટ્રોલપંપ માટેની વેટ રજિસ્ટ્રેશન પ્રક્રિયા છેલ્લાં કેટલાંય સમયથી અત્યંત ધીમી અને કાગળકામ આધારિત બની રહી છે. વેટ કાયદા હેઠળ રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન અરજીઓ સમયસર પ્રક્રિયામાં આવતી નથી. એકથી બે મહિના સુધી ફાઈલ પેન્ડિંગ રહેતી હોવાના બનાવો બની રહ્યા હોવાનો કચવાટ વેપારીઓમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદની આશ્રમ રોડ સ્થિત કચેરીમાંથી સમગ્ર રાજ્યમાંથી આવતી અરજીઓનું નિકાલ કરાતો હોય છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્મીઓ જેની અરજીઓ ફિઝિકલ આવે તેમની જ અરજીઓ ધ્યાને લે છે. સરકાર ડિજીટલના બળગાં ફૂંકે છે, પરંતુ કચેરી દ્વારા ડિજીટલ સિસ્ટમ અપનાવવામાં હજુ વાંધો જોવા મળી રહ્યો છે. ઓનલાઈન અરજીઓ પર સામાન્ય સ્ટીરિયોટાઇપ ડેફિસિયન્સી નોટિસો આપવી અને અરજીઓને લંબાવી રાખવાની ફરિયાદો વધી રહી છે. સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં જ માત્ર કચેરી આવેલી હોય અને ત્યાંથી જ વેટ નંબર ફાળવવામાં આવતો હોય વેટ નંબર મેળવવામાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. બીજી તરફ વેટ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ઘણીવાર યોગ્ય રીતે કામ કરતી નથી જેના કારણે વેપારીઓને ફોર્મ સબમિટ કરવામાં, રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં તેમજ રિટર્ન ફાઈલિંગમાં ભારે મુશ્કેલીઓ આવી રહી છે. વધુમાં, જો વેપારી દ્વારા ભૂલથી ખોટી કોમોડિટી સિલેક્ટ થઈ જાય, તો સિસ્ટમમાં સુધારણીય વિકલ્પ ન હોઈ વેપારીઓ રિટર્ન પણ ફાઈલ કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં વેટ વિભાગની તકનીકી ખામીઓ દૂર કરી વેપારીઓને રાહત મળે તે માટે તાત્કાલિક પગલા લેવાં હિતાવહ છે.
ફરિયાદ:આણંદમાં ચોકલેટ ચોરીનો આરોપ મુકીને સિક્યોરીટી ગાર્ડ અને તેની પત્નીને માર માર્યો
આણંદ શહેરમાં આવેલી ગણેશ ચોકડી પાસેની સિક્યોરીટી ઓફિસમાં ચોકલેટ ચોરીના આરોપમાં મોગર બાલ અમૂલથી સિક્યોરીટી મેનને લાવીને મહિલા સહિત ત્રણ શખસોએ પ્લાસ્ટીકના દંડા તેમજ લાતોથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો. છોડાવવા પડેલી યુવકની પત્નીને પણ તેમણે થપ્પડો મારી દીધી હતી. નાપા તળપદ ખાતે પ્રવિણસિંહ સાહેબસિંહ જાદવ રહે છે. તેઓ આણંદની કુમાર લેબર એન્ડ મેઈન પાવર સપ્લાય નામની સિક્યોરીટી એજન્સીમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત 30મી નવેમ્બરના રોજ તેઓ મોગર સ્થિત બાલઅમૂલ ખાતેના મેઈન ગેટ પર ફરજ પર હાજર હતા. દરમિયાન, રાત્રિના દસેક વાગ્યાની આસપાસ ફિલ્ડ ઓફિસર ભાવેશ કાનજી રોહિત અને સુપરવાઈઝર મનોજ ધારીયા સાથે બાઈક પર આવ્યા હતા. તેમણે તેને બાઈક પર બેસાડીને આણંદ ગણેશ ચોકડી પાસે આવેલી ઓફિસે લાવ્યા હતા. જ્યાં તેને પાછળની રૂમમાં લઈ જઈને ચોકલેટ ચોરીનો આરોપ મુકીને પ્લાસ્ટીકના દંડાથી માર માર્યો હતો. રજની ઉર્ફે પમ્પપમ્પે લાતોથી માર માર્યો હતો. એ પછી પુન: તેને બાલઅમૂલ પ્લાન્ટ પર મુકી ગયા હતા. સવારે સાત વાગ્યે તેઓ ગણેશ ચોકડી સ્થિત ઓફિસે રજૂઆત કરવા ગયા હતા. એ સમયે યુવકની પત્ની પણ હતી. બંને રજૂઆત કરવા ગયા ત્યારે ત્યાં હાજર એક્તા મેડમ નામની યુવતીએ પણ યુવકની પત્નીને માર માર્યો હતો. આ સમગ્ર મામલે તેમણે આણંદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી સિક્યોરીટી કંપનીઓ કર્મીઓના એટીએમ રાખી શોષણ કરતા હોય છે આણંદ શહેરમાં મોટી-મોટી સંસ્થાઓમાં જાણીતી સિક્યોરીટી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપેલા હોય છે. આ સિક્યોરીટી કંપનીમાં અનેક કર્મીઓ નોકરી કરતા હોય છે. જોકે, સિક્યોરીટી કંપનીઓમાં કામ કરતા આ કર્મીઓનું ભવિષ્ય જ સિક્યોર નથી હોતું. તેમને 12થી 15 હજારના પગાર પર રાખવામાં આવે છે, પરંતુ તેમને 8થી 10 હજાર પગાર ચૂકવાય છે. કેટલીક એજન્સીઓના સંચાલકો તમામ કર્મીઓના પગાર બેંકમાં કરે છે, પરંતુ તે બેન્કના એટીએમ પોતાની પાસે રાખીને ઉપરનો પગાર જાતે જ ઉપાડી લેતા હોય છે. ક્યારેક ડબલ શિફ્ટમાં પણ નોકરી કરાવીને તેમની આર્થિક અને શારીરિક એમ બંને પ્રકારે શોષણ કરતા હોય છે. આમ, આવી એજન્સીઓ સામે કડક કાર્યવાહી જરૂરી હોવાની માંગ ઉઠી છે.
તાલુકાના ઝુરા ગામમાં દેશી દારૂના વેપલા પર મહિલાએ રેઇડ કરી હતી જે મામલે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી. આ મુદ્દે પશ્ચિમ કચ્છ એસપીને રેઇડ કરનાર મહિલાને પોલીસ રક્ષણ આપવા સહિતની રજુઆત કરવામાં આવી છે. ગત 1 ડીસેમ્બરના ઝુરા ગામે સંગીતાબેન મહેશ્વરી દ્વારા આંગણવાડીની બાજુમાં વેચાતા દારૂ પર રેઇડ કરવામાં આવી હતી.દારૂના કારણે આંગણવાડી પણ ઘણા સમયથી બંધ રહેલી હતી.રેઇડ કર્યા બાદ મહિલા કપડાં ધોવા માટે જતા હતા ત્યારે તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઢસડી એક રૂમમાં પૂરી દેવામાં આવ્યા હતા.તેમજ બે વર્ષનો બાળક જૂંટી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે પણ મહિલાને અપમાનિતકર્યા હતા.આ મામલે પશ્ચિમ કચ્છ એસપીને સંગીતા મહેશ્વરી દ્વારા વિગતવાર રજુઆત કરવામાં આવી હતી, અને હિતેશ મહેશ્વરી દ્વારા મહિલાને પોલીસ રક્ષણ આપવામાં આવે અને ગામમાં બેફામ દારૂના વેપલા ચાલુ છે તેને વહેલી તકે બંધ કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.જેમાં મહિલાના પતિ રાજેશ મહેશ્વરી અને હંસાબેન ચાવડા, કિરણબેન પોકાર, મયુર બળિયા, યોગેશ પોકાર, રમેશ ગરવા સહીતનાઓ હાજર રહ્યા હતા. ગેરવર્તણુકના આક્ષેપ બાદ પીઆઈની મહિલા સેલમાં બદલીદેશી દારૂ પ્રકરણ મામલે પોલીસને રજુઆત કરવા માટે ગયેલા મહિલા સાથે ગેરવર્તન મામલે ઉગ્ર વિરોધ થયો હતો. જેના પગલે માધાપર પોલીસ મથકના પીઆઈ ડી.એમ.ઝાલાની બદલી મહિલા સેલમાં કરી દેવામાં આવી છે અને તેમના સ્થાને મહિલા પીઆઈ એ.કે.જાડેજાને જવાબદારી સોપવામાં આવી છે.
ભાસ્કર એક્સક્લૂસિવ:ચોખાની નિકાસ બંધ કરતાં ડાંગરના ભાવમાં રૂપિયા 120નો ઘટાડો થતાં ખેડૂતોને નુકશાન
આણંદ ખેડા જિલ્લાના ભાલ વિસ્તારમાં કૃષ્ણ કમોદ સહિત જુદી જુદી ડાંગરનું ઉત્પાદન મોટા પ્રમાણ થાય છે.છેલ્લા કેટલાંક વર્ષોથી ચોખાની નિકાસ ઇન્ડોનેશિયા સહિત દેશોમાં 10 હજાર મેટ્રીક ટન થી વધુ નિકાસ થતી હતી. છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે ચોખાનો સ્ટોક વધી ગયો છે. ચાલવર્ષે ગુજરાતમાં માવઠા પગલે ડાંગર ઉત્પાદન ઓછુ થયું હોવા છતાં ગતવર્ષના ચોખાના સ્ટોકને કારણે માર્કેટમાં ડાંગરના ભાવ નીચા ભાવ રહેતા ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે. ડાંગરના ભાવમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જેને લઇને ખેડૂતોને ચાર માસની મહેનત કરવા છતાં વળતરના મળતાં આર્થિક રીતે માર પડી રહ્યો છે. જેને લઇને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ચોખાની નિકાસ વિદેશમાં થતી હતી ત્યારે ગતવર્ષે ચોમાસું સામાન્ય ડાંગરનો ભાવ 450 થી 470 હતો. જ્યારે નિકાસ બંધ કરતાં છેલ્લી બે સિઝનથી સામાન્ય ડાંગરનો ભાવ 320 થી 340 બોલાય છે. તેમાંય માવઠામાં પલડી ગયેલી ડાંગર તો 300થી નીચેના ભાવે વેપારીઓ લેવા તૈયાર નથી. હાલમાં સામાન્ય ડાંગર ગુજરાત 13, 17 ,જયા, વગેેરે મણનો ભાવ રૂ 350થી નીચો રહેતા ખેડૂતોને કાળી મંજૂર કરવા છતાં કાંઇ હાથમાં લાગુ નથી. એક કુદરતી માવઠાના કારણે ડાંગરનો ઉતારો વીઘે માંડ 30 મણનો માળ મળે છે. જના કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વખત આવ્યો છે. ઇન્ડોનેશિયા સહિત ગલ્ફ દેશોમાં દરવર્ષે 10 લાખ મેટ્રીક ટન વધુ ચોખાની નિકાસ થતી રાજ્યમાં ડાંગર પાક તૈયાર થયા બાદ તેમાંથી ચોખા તૈયાર કરીને ઇન્ડોનેસિયા ,આફ્રિકા સહિત ગલ્ફ ના દેશોમાં દરવર્ષે 10 લાખ ટનથી વધુ ચોખાની નિકાસ થતી હતી.જેના કારણે ખેડૂતોને એક મણ ડાંગરનો ભાવ 450થી વધુ મળતો હતો. પરંતુ સરકારે છેલ્લા એક વર્ષથી ચોખાની નિકાસ બંધ કરી દીધી છે. જેથી સરકારી ગોડાઉનમાં લાખો ટન ચોખા પડી રહ્યાં છે. ચાલુવર્ષે માવઠાના કારણે ઉત્પાદન ઓછું હોવા છતાં ખેડૂતોને ગત વર્ષે કરતાં રૂ 100 ઘટ પડી રહી છે. જેને લઇને ખેડૂતો આર્થિક નુકશાન વેઠવાનો વખત આવ્યો છે. > હિતેશ પટેલ, પ્રમુખ, બોરસદ તાલુકા કિશાન સંઘ ગતવર્ષના ચોખાનો સ્ટોક માર્કેટમાં વધુ હોવાથી ભાવ ગગડયાઆણંદ ખેડા જિલ્લામાં ચાલુવર્ષે ડાંગરનું ઉત્પાદનમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. તેમજ મોટાભાગની ડાંગર પલડી ગઇ છે. જેના કારણે કાળી પડી ગઇ છે. પરંતુ સરકારે ચોખાની નિકાસ બંધ કરતાં દેશના બજારમાં લાખો ટન ચોખા ઉપલબ્ધ છે. હાલમાં જરૂરીયાત કરતાં ત્રણ ગણા ચોખા માર્કેટમાં છે. જેના કારણે ચાલુવર્ષે ચોખાના ભાવમાં 100 થી 120નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આવું રહ્યું તો આવતા વર્ષે ડાંગરના ભાવ ઓછા રહેશે. જેથી સરકારે તાત્કાલિક નિકાસ ચાલુ કરવામાં આવે ડાંગરના ભાવ જળવાઇ રહે તેમ છે. કાંતિભાઇ પટેલ, વેપારી,આસોદર
શિક્ષણ સમિતિ દ્વારા કાર્યવાહી:જિલ્લાના 10માંથી 4 TPEOએ ફેર બદલીની અરજીઓ DPEOને મોકલી
કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુદ્દત થયે જિલ્લાફેર બદલી મંજૂરી મેળવી શકે એવા 1200 શિક્ષકો છે, જેમાંથી 900 જેટલા છૂટા થવાની મુદ્દતે પહોંચી ગયા છે, જેથી જિલ્લા શિક્ષણ સમિતિએ 10મી તારીખ પહેલા છૂટા કરવા તૈયારીઓરંભી દીધી છે. જેના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ પાસેથી જિલ્લાફેર બદલી અરજી મંજૂર કરાવી લેનારામાંથી કેટલાને છૂટા કરી શકાય એની વિગતો મંગાવી હતી. કચ્છમાં જિલ્લા બહારના શિક્ષકો સમયાંતરે બદલી કરાવી જાય છે, જેથી કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન માથાના દુખાવા રૂપ બની ગયો છે. છેલ્લે જિલ્લા પંચાયતની જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ જિલ્લાફેર બદલી મંજૂરી મેળવનારાને છૂટા કરવાનો નનૈયો ભણી દીધો હતો. જે પ્રકરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે પહોંચ્યો હતો અને તેમણે ગંભીરતા સમજીને ખાસ કચ્છ માટે નિમણૂક ત્યાં જ નિવૃત્તિની શરતે ખાસ ભરતી કરી હતી. પરંતુ, પૂરતા શિક્ષકો મળ્યા નથી, જેથી જ્ઞાન સહાયકથી ઘટ પૂરવા પ્રયાસ થયો છે. જે વચ્ચે 1200 જેટલા શિક્ષકો જિલ્લાફેર બદલી અરજી કરવાની જોગવાઈવાળા છે, જેમાંથી 900 શિક્ષકો મુદ્દતે પહોંચી ગયા છે અને 600 શિક્ષકોએ અરજી મંજૂર પણ કરાવી લીધી છે, જેમાંથી 450ને છૂટા કરવાના છે. પરંતુ, શિક્ષક સંગઠને જિલ્લાફેર બદલી મંજૂરીવાળાને વેળાસર છૂટા કરવાની તારીખ નક્કી કરવા દબાણ કર્યું છે. જે માટે 5મી ડિસેમ્બરની મુદ્દત આપી છે અને ત્યારબાદ 6ઠ્ઠી ડિસેમ્બરથી ધરણા યોજવાની ચિમકી આપી છે. જેના પગલે જિલ્લા શિક્ષણ સમિતિએ 10મી ડિસેમ્બરે છૂટા કરવા બિનસત્તાવાર નિર્ણય લઈ લીધો છે. જે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે આંકડાકીય માહિતી મંગાવી છે, જેમાંથી 4 તાલુકામાંથી વિગતો આવી ગઈ છે. જે મુદ્દે ઈનચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, વિગતો મંગાવી છે. એ જિલ્લા કક્ષાએ ચકાસવામાં આવશે. એટલે કઈ તારીખે છૂટા કરી શકાશે એ હજી નક્કી નથી. પરંતુ, ડિસેમ્બરના અંત સુધીમાં છૂટા કરવા સમિતિએ નિર્ણય લીધો છે.
પ્રક્રિયા સામે પડકાર:સરળ GST નોંધણી બાદ સરકારને કરચોરીની ચિંતા
દેશમાં નાના અને મધ્યમ વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ સુધારા અમલમાં મૂક્યા છે. હવે નાના વેપારીઓ અને વ્યાવસાયિકો માટે GST રજિસ્ટ્રેશનને ઝડપી અને સરળ બનાવી દેવામાં આવ્યું છે. તેની સાથે જ પુન: કરચોરીનું દુષણ વકરી ન જાય તેના અંગે જીએસટી વિભાગને શંકાસ્પદ આર્થિક વ્યવહારો પર ડીજીટલી નજર રાખવા તાકીદ કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં સાથે જ સરકારે એક મહત્વપૂર્ણ ચેતવણી પણ આપી છે. અગાઉ, એવો અનુભવ થયો હતો કે ઝડપી મંજૂરીનો ફાયદો લઈને કેટલીક નકલી કંપનીઓ ખોટા દસ્તાવેજો આધારિત GST રજિસ્ટ્રેશન મેળવી લેતી હતી. ત્યારબાદ આવી કંપનીઓ બોગસ બિલિંગમાં સંકળાઈ જતી હતી, જેના કારણે મોટાપાયે ટેક્સ ચોરીનાં કેસો સામે આવ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા તો ઝડપી રાખવી, પરંતુ દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ સાવચેતી સાથે કરવી. અધિકારીઓને ટેકનોલોજીના વધતા ઉપયોગ દ્વારા વેરિફિકેશન વધુ મજબૂત કરવા સૂચવાયું છે, જેથી કોઈપણ પ્રકારની નકલી એન્ટિટી સિસ્ટમમાં પ્રવેશ ન મેળવે. સરકારના આ નિર્ણયને વેપારી વર્ગ અને વ્યાવસાયિકો બંનેએ સ્વાગત કર્યો હતો, કારણ કે લાંબી અને જટિલ પ્રક્રિયા નાના ઉદ્યોગોને મોટા ભાગે વ્યવસાય શરૂ કરતી વેળા મુશ્કેલીરૂપ બનતી હતી. ઝડપી મંજૂરીથી ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ, સ્વરોજગારી ધરાવનારાઓ તથા નાના ઉત્પાદન એકમો માટે આ ફેરફાર ખૂબ જ લાભકારી બને એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ બાદમાં સરકારને આવા ઝડપી રજીસ્ટ્રેશનથી બોગસ બિલિંગની સમસ્યા વિકસે નહીં તેના અંગે ચિંતા જાગી છે, અને ઝડપી રજીસ્ટ્રેશનની વ્યાખ્યામાં આવતા નાના વ્યવસાયોની આર્થિક લિમીટ તેના નિશ્ચિત સમયગાળા સુધી સામાન્ય રહે અને ત્યારબાદ તેમાં અસામાન્ય આર્થિક વ્યવહારો થવા ન લાગે તેના માટે ડીજીટલી વોચ રાખવાનું કહેવામાં આવ્યું છે. શંકાસ્પદ અરજદારો માટે સાઇટ વેરિફિકેશન કરવાની સત્તા અધિકારીઓને અપાઈ છે, ઉપરાંત શંકાસ્પદ ડોક્યુમેન્ટની પણ જીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. સરકારનો સંતુલિત અભિગમ....સરકારનો આ સંતુલિત અભિગમ, એક તરફ વ્યવસાયને સરળ બનાવવું અને બીજી તરફ ટેક્સ ચોરી અટકાવવી, નાના ઉદ્યોગની વૃદ્ધિ તથા અર્થતંત્રની પારદર્શકતા બન્ને માટે અત્યંત જરૂરી છે. સરકાર બેલેન્સ કરીને આગળ ધપી રહી છે. - ભરતભાઈ શેઠ, વરિષ્ઠ ટેક્સ કન્સલટન્ટ, એક્સપર્ટ કરચોરી વકરે નહીં તે અંગે ચિંતાનાના વેપારીઓ માટે જીએસટી રજીસ્ટ્રેશન 3 દિવસમાં મંજૂર કરવાના આદેશ અપાયા, પ્રક્રિયા સરળ અને ઝડપી પણ બનાવી છે. બાદમાં સરકારને પુન: કરચોરીનું દુષણ વધે નહીં તેના માટે બોગસ પેઢીઓને રોકવા માટે ટેકનોલોજી આધાર લઇ અને સ્કેનિંગના આદેશ અપાયા છે.
ભાસ્કર ઇનસાઇડ:ઈ.સ. 2019થી ભાવનગર માટે 62 મીટર ઊંચાઈની ટર્નટેબલ લેડરની રજૂઆત સરકારમાં ટલ્લે ચડી છે
ભાવનગર કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં ખરેખર આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી જ પરિસ્થિતિ છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરમાં હાઇરાઇઝ બિલ્ડીંગોને મંજૂરી આપવામાં આવે છે પરંતુ તે હાઈરાઇઝ બિલ્ડીંગોમાં આગ લાગે ત્યારે આગને ઓલવવા કે રેસ્ક્યુ માટે પૂરતા સાધનો નથી. 62 મીટર ઊંચાઈની ટર્નટેબલ લેડર માટે સરકારમાં 2019 થી રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ સરકાર તે બાબતે જરાય ગંભીર નથી. ભાવનગર કોર્પોરેશન દ્વારા વધતા જતા વિસ્તાર અને વસ્તી પ્રમાણે પાંચ ફાયર સ્ટેશન બનાવવા માટે આયોજન કરી રહ્યા છે અને તે મુજબ સ્ટાફનું પણ સેટઅપ મંજુર કરવામાં આવ્યું છે. પરંતુ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પૂરતા સાધનો નથી. જેમાં ખાસ કરીને વધુ ઊંચાઈ વાળા બિલ્ડીંગોમાં જ્યારે આગ લાગે અથવા તો અકસ્માત સર્જાય તે પરિસ્થિતિમાં બચાવ કાર્ય માટે વામણા પુરવાર થાય તેવી પરિસ્થિતિ છે. ભાવનગર કોર્પોરેશનના ફાયર બ્રિગેડને 62 મીટર હાઈટની અત્યાધુનિક સુવિધા સાથેની ટર્ન ટેબલ લેડર માટે વર્ષ 2019 માં સરકારમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ સમયાંતરે કમિશનર દ્વારા પણ સરકારમાં આ સંદર્ભે ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. હાલમાં જર્મનીમાં 25 કરોડની એવી બે ટર્ન ટેબલ લેડર બનાવવામાં આવી રહી છે. તેમાં ભાવનગરને મૌખિક બાહેધરી આપવામાં આવે છે પરંતુ ભાવનગરને આ ટર્ન ટેબલ લેડર ફાળવવાની કોઈ લેખિતમાં મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે કોઈ મોટી આગની દુર્ઘટના બને ત્યારે જવાબદાર કોણ?તેઓ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. ફાયર સિસ્ટમ ચાલુ હતી, એનઓસી છેકાળુભા રોડ પર આવેલ સમીપ કોમ્પ્લેક્સના બિલ્ડિંગમાં ગત 10 નવેમ્બરના રોજ ફાયર સિસ્ટમ ચેક કરવામાં આવી હતી. તત્કાલીન સમયે પણ કાર્યરત હતી અને હાલમાં પણ કાર્યરત જણાયેલ છે. તેમજ ફાયર સેફટી સર્ટિફિકેટ પણ રીન્યુ કરવામાં આવેલું છે. પ્રદ્યુમનસિંહ જાડેજા, ચીફ ફાયર ઓફિસર બે વર્ષ પૂર્વે સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગેલીશહેરના કાળુભા રોડ પર આવેલ સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આજે આગ લાગી હતી તે જ સ્થળ પર બેઝમેન્ટમાં બે વર્ષ પૂર્વે કોઈએ કચરો સળગાવતા આગ લાગી હતી. તત્કાલીન સમયે સામાન્ય આગને કારણે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કાબુમાં લીધી હતી અને કોઈ નુકસાન થયું ન હતું. મકાનના ભાડુઆતની વિગતો આપવી ફરજિયાતભાવનગર જિલ્લામાં આવેલ તમામ શહેરી, ઔદ્યોગિક તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મકાન ભાડે આપવાની નોંધણી અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ પ્રસિદ્ધ કર્યું છે જે મુજબ મકાન માલિકે પોતાના હસ્તકના મકાનો ભાડે આપતા પહેલા આવા મકાન તથા ભાડુઆતોના નામ/સરનામાની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યાં સિવાય કોઈ પણ વ્યક્તિને તેઓ હસ્તકના મકાન ભાડેથી નહીં આપવા ફરમાવ્યું છે. જેમાં નં.મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત/ક્યાં વિસ્તારમાં/ ચો.મી.બાંધકામ,મકાન ભાડે આપવા સત્તા ધરાવતાં વ્યક્તિનું નામ,મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું?, જે વ્યક્તિઓને ભાડે આપેલ છે તેમનાં પાકા નામ/સરનામાં/ફોટા/પાસપોર્ટ/ડ્રાઈવીગ લાયસન્સ/પાનકાર્ડ પુરાવારૂપે સાથે આપવા,મકાન માલિકોને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ/ સરનામા/ફોટા/પાસપોર્ટ/ડ્રાઇવીંગ લાયસન્સ/પાનકાર્ડ પુરાવારૂપે સાથે આપવાના રહેશે.આ જાહેરનામું 60 દિવસ સુધી અમલમાં રહેશે. બિલ્ડિંગમાં એક જ દાદર, કોર્પો. દ્વારા 2008માં બી.યુ. પરમિશનભાવનગર શહેરમાં અનેક બિલ્ડીંગોમાં બિલ્ડીંગ યુઝ પરમિશનનો વિવાદ છે. કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા પ્લોટ નંબર 98 તખ્તેશ્વર પ્લોટ કાળુભા રોડની બાંધકામ મંજૂરી 16 મી જાન્યુઆરી 2007 ના રોજ અપાય હતી. અને બાંધકામ પૂર્ણ થયા બાદ બીયુ પરમિશન 29 મી માર્ચ 2008 ના રોજ અપાયું હતું. આટલા મોટા બિલ્ડિંગમાં અને તેમાં પણ જે બિલ્ડિંગમાં હોસ્પિટલો સહિતના યુનિટ છે તેમાં માત્ર એક જ દાદર છે. જેના કારણે આજે આગની ઘટનામાં બીજા દાદરનો વિકલ્પ નહીં હોવાને કારણે હોસ્પિટલના બારીના કાચ તોડી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગને કાયદેસરની બાંધકામની મંજૂરી અને બીયુ પરમિશન આપવામાં આવ્યું છે ત્યારે મંજૂરી પર પણ પ્રશ્ન ઉભો થાય છે.
અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડો અપનાવવામાં આવ્યા છે અને તેની સીધી અસર વિશ્વની નામાંકિત શિપિંગ લાઇન્સ પોતાના જહાજો માટે અલંગ તરફ નજર દોડાવવા લાગી છે. આંતરરાષ્ટ્રીય સ્તરેથી જહાજ રીસાયકલિંગની માન્યતા માટેના માપદંડને અનુકુળ થવા માટે બાંગ્લાદેશ પણ અલંગની નકલ કરવા લાગ્યુ છે, અને અલંગમાં કેવી રીતે, ક્યાં અને કેવા સુધારા કરવામાં આવ્યા છે, તેના અંગે નિષ્ણાંતો દ્વારા કામ કરાવવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશી શિપ રિસાયક્લિંગ કંપનીઓએ અલંગની શિપ રિસાયક્લિંગ સુવિધાઓનો અભ્યાસ અને પદ્ધતિઓ અપનાવવાની યોજના જાહેર કરી છે, જેમાં સલામતી, પર્યાવરણીય વ્યવસ્થાપન અને કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો થયો છે. અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડના ઉદ્યોગકારોએ કેવી રીતે સુધારા લાગુ કર્યા, સરકારી પ્રક્રિયાઓ કેવી રીતે સરળ બનાવવામાં આવી, અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કેવી અસર પહોંચી રહી છે તેના અંગે બાંગ્લાદેશ દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો અને હવે અલંગ મોડેલને જ અનુસરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશના ઉદ્યોગ પ્રતિનિધિઓ યાર્ડની પ્રસિદ્ધિને ટેકો આપતી માળખાકીય સુવિધાઓના અપગ્રેડ, કાર્યકર તાલીમ કાર્યક્રમો અને કચરો વ્યવસ્થાપન પ્રણાલીઓનું મૂલ્યાંકન કરવા માટે અલંગની મુલાકાત લેશે. બાંગ્લાદેશના શિપિંગ અગ્રણી શફીઉલ હસનના મતે, અલંગ મોટાભાગે સ્કેલ અને સંચિત સંસ્થાકીય જ્ઞાનને કારણે રોલ મોડેલ તરીકે કાર્ય કરે છે. આ યાર્ડમાં વિશિષ્ટ કોન્ટ્રાક્ટરો, આનુષંગિક સેવાઓ અને પુનઃપ્રાપ્ત સ્ટીલ અને ઘટકો માટે ખરીદદારોનો સમાવેશ થાય છે, જે વિકસતા નિયમોનું પાલન કરવા માટે પુરવઠા શૃંખલાઓ બનાવે છે.આવી સાંદ્રતા સ્કેલની અર્થવ્યવસ્થા, જોખમ નિયંત્રણોનું સંકલન અને સામાન્ય કચરાના ઉપચાર સુવિધાઓમાં એકત્રિત રોકાણો માટે તકોને સક્ષમ બનાવે છે. હવે બાંગ્લાદેશમાં પણ તેવી રીતે કાર્ય આગળ વધારવામાં આવે તે અમારી નેમ છે. શિપ રીસાયકલિંગ માટે અલંગ પ્રેરણાસ્ત્રોત....અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડનો મોડેલ હવે બાંગ્લાદેશ માટે પ્રેરણાસ્રોત બની રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ધોરણો, સલામતી, પર્યાવરણીય સંભાળ અને કાર્યક્ષમતા સુધારેલા મોડેલને અપનાવી, બાંગ્લાદેશી કંપનીઓ ઉચ્ચ મૂલ્યના રિસાયક્લિંગ કરારો આકર્ષવા અને પ્રાદેશિક સહકાર મજબૂત બનાવવા માટે આગળ વધશે.
આયોજન:19 ડિસેમ્બરે ભાવનગરના બંને બાર એસો.ની ચૂંટણી
ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી આગામી તારીખ 19 ડિસેમ્બરને શુક્રવાર યોજવામાં આવશે. ભાવનગર બાર એસોસિએશન અને ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી, કારોબારીના સભ્યોની ચૂંટણી તારીખ 19 ડિસેમ્બરને શુક્રવારે યોજાશે. ચૂંટણીમાં ઉમેદવારી માટે ફોર્મ તારીખ 5 ડિસેમ્બરને શુક્રવાર સુધી ભરી શકાશે. ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ આઠ ડિસેમ્બરે કરવામાં આવશે ઉમેદવારી ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ 9 ડિસેમ્બર રાખવામાં આવી છે અને નવમી ડિસેમ્બરે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારબાદ 19 ડિસેમ્બરને શુક્રવારે સવારના 10 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી મતદાન ઉજવવામાં આવશે અને સાંજે 4:00 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવશે તેમ જ મોડી સાંજે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.
કાર્યવાહી:રાત્રે ખડકાતા ખાણીપીણીના દબાણો પર તવાઈ, 51 હટાવ્યા
કોર્પોરેશનની દબાણ હટાવ ટીમ દ્વારા રાત્રીના સમયે રસ્તા અને તેની ફૂટપાથ પર ખાણીપીણી સહિતના અસ્થાયી દબાણો ખડકાઈ જાય છે. વારંવાર હટાવવા અને મનાઈ કરવા છતાં પણ દબાણો થઈ જતા બે દિવસમાં 51 જેટલા દબાણો હટાવી સામાન જપ્ત કરાયો હતો. તા.2ને મંગળવાર રાત્રી દરમિયાન રૂપાણી સર્કલ, દિવડી ચોક, મુનિડેરી, હિમાલિયા મોલ રોડ , ઘોઘાસર્કલ પરથી અસ્થાયી દબાણો દૂર કરી સામાન જપ્ત કરેલ છે. જેમાં 3 લારી, લોખંડનું ટેબલ, ઓવન, 10 ટેબલ, 2 ગેસ સિલેન્ડર, 3 પાણીપુરીના થેલા, 3 પાણીના જગ, કાચની બરણી, બેટરી જપ્ત કરી હતી. તેમજ તા 3ને બુધવારના રોજ વાઘાવાડી રોડ , હિમાલિયા મોલ રોડ, કાળુભા રોડ , વેલેન્ટાઇન સર્કલ, આતાભાઈ ચોક પાણીની ટાંકી, મુનિ ડેરી, ઘોઘાસર્કલ પરથી અસ્થાહી દબાણો દૂર કરી માલ-સામાન જપ્ત કરેલ છે. અને ચાવડી ગેટ પાસે એક ગાડીને લોક મારી રૂ. 1 હજારનો દંડ વસુલ કરેલ છે. કામગીરીમાં 2 લારી, છત્રી, તવી મોટી, 4 કેરેટ, લોખંડની જાળી, વજન કાટો, 2 કેબિન અને છૂટક સમાન જપ્ત કર્યો હતો. રોડ રસ્તાના દબાણો દૂર કરેલ હતા ત્યાં મનાઈ કરવા છતાં પણ પાછા દબાણ થઈ ગયેલા હોવાથી રાત્રિ ડ્રાઇવ ગોઠવી સામાન જપ્ત કરેલ હતો.
સાયકલ યાત્રા:ભાવનગરના 20થી વધુ સાયકલિસ્ટો ગિરનાર ફરતે 73 કિ.મી.ની પરિક્રમા કરશે
ભાવનગર સાયકલ ક્લબના 20થી વધુ સાયકલિસ્ટો ગિરનાર ફરતે 73 કિલોમીટરની પરિક્રમા સાયકલ દ્વારા કરશે. ગુજરાતના સર્વોચ્ચ શિખર જુનાગઢના ગિરનારની ફરતે ઓન રોડ 73 કિમી સાયકલ દ્વારા પરિક્રમા યોજાશે. આ આધ્યાત્મિક અને પ્રકૃતિમય રાઈડનું આયોજન તા. 11 જાન્યુઆરી 2026ને રવિવારે અમદાવાદના ગ્રીન રાઈડર્સ ગ્રુપ દ્વારા વિવિધ સાયકલિંગ ક્લબોના સહયોગથી યોજાશે, આ યાત્રાનો પ્રારંભ જૂનાગઢના સરદાર પટેલ દરવાજાથી સવારે 6 વાગ્યે થશે અને અંદાજે બપોરે 12 કલાકે પૂર્ણ થશે. આ રાઈડ દરમ્યાન સપોર્ટ વ્હિકલ, ટેક્નિશિયન, હાયડ્રેશન અને રિફ્રેશમેન્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે તેમજ યાત્રા પૂર્ણ કરનાર તમામ સાયકલિસ્ટોને ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે. આ યાત્રામાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી 300થી વધુ સાયકલિસ્ટો જોડાવાની શક્યતા છે. આ યાત્રામાં ભાગ લેવા માટેનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે. વધુ માહિતી માટે ગ્રીન રાઈડર્સ ગ્રુપ અમદાવાદ તેમજ ભાવનગરવાસીઓ ભાવનગર સાયકલ ક્લબનો મો. 7485931717 પર સંપર્ક કરી જોડાઈ શકે છે..
છેતરપિંડી:વૃદ્ધાને ભોળવી પચાસ તોલા સોનું, દસ લાખ રૂપિયા ઉછીના લઇ ઠગાઇ આચરી
શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા ધનાઢ્ય વૃદ્ધ દંપતિને ત્યાં દસ વર્ષથી ઘરકામ કરવા આવતી મહિલાએ વૃદ્ધાને પોતાની વાતોમાં ભોળવી લઇ કટકે કટકે પચાસ તોલા સોનું તેમજ દસ લાખ રૂપિયાની રોકડ સેરવી લીધા હતા અને બાદમાં વૃદ્ધાના મોત બાદ ઘરમાંથી ઘરકામ કરતી મહિલાને આપેલ રોકડ અને સોનાનું લખાણ લખેલ ચિઠ્ઠી વૃદ્ધાની પુત્રીને મળતા, મહિલા પાસેથી ઉછીના આપેલા રૂપિયા અને સોનાની પરત માંગણી કરી હતી પરંતુ આજદિન સુધી ન આપી, ઠગાઇ આચરતા વૃદ્ધાની પુત્રીએ મહિલા વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને રિઝર્વે બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારી ચંદ્રકાંતભાઇ શાહ નિવૃત થઇ પત્નિ મીનાક્ષીબેન સાથે રહેતા હતા. અને તેમના પુત્ર અને પુત્રી ભાવનગરની બહાર રહેતા હતા. આ ઘનાઢ્ય દંપતિના ઘરે ઘરકામ કરતા આવતી ગીતાબેન હસમુખભાઇ પરમારે દંપતિ પાસે અઢળક રૂપિયા હોવાની જાણ થતાં વૃદ્ધ મિનાક્ષીબેનને પોતાની વાતોમાં ભોળવી લઇ, વિશ્વાસ કેળવી લીધો હતો અને દસ વર્ષ દરમિયાન વૃદ્ધા મિનાક્ષીબેન પાસેથી કટકે કટકે રૂા. દસ લાખની રોકડ અને પચાસ તોલા સોનું પડાવી લિધું હતું અને બાદમાં મિનાક્ષીબેનનું બે માસ અગાઉ અવસાન થઇ ગયું હતું. પરંતુ મિનાક્ષીબેને આપેલ રોકડ અને સોનાનું લખાણ એક ચિટ્ઠીમાં લખ્યું હતું જે લખાણ મિનાક્ષીબેનની પુત્રી ટ્વીંકલબેનના હાથમાં આવતા ઘરકામે આવતી ગીતાબેનન પાસેથી સોનું અને રોકડની પરત માંગણી કરી હતી. જે આજદિન સુધી ન આપતા, ટ્વીંકલબેનના માતા સાથે ઠગાઇ આચરતા ટ્વીંકલ બેનએ ઘોઘારોડ પોલીસ મથકમાં ગીતાબેન હસમુખભાઇ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
તપાસ:ભાવનગર તાલુકામાં કરાતા કામોમાં ગેરરીતિની ફરિયાદ
ભાવનગર તાલુકામાં તાલુકા વિકાસ અધીકારી છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવે છે.આ દરમિયાન તેઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે.બુધેલ ગામમાં ચાલતા કામોમાં ટકાવારી નકિક કરીને તે પ્રમાણે ગુણવતા મુજબ કામો થતા હોવાનો આક્ષેપ રજુઆતમાં કરવામાં આવ્યો છે. પાંચ વર્ષના કાર્યકાળમાં તાલુકાના ગામોમાં કરવામાં આવેલા કામો તદન ગુણવતા વગરના થયા છે.આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી રાજકીય વગ ધરાવતા હોય અને કોન્ટ્રાકટરો સાથેની સાંઠગાંઠથી તાલુકામાં લાંબા સમયથી ફરજ બજાવી રહયાં છે. બુધેલ ગામમાં જ થોડા સમય પહેલા ચાલી રહેલા આરસીસીના કામમાં ગુણવતા ચકાસતા જેમાં ટેસ્ટીંગમાં રોડનુ કામ સંપૂર્ણ ફેઇલ થયેલું. આવો જ પ્રશ્ન તાલુકાના ગામોમાં પણ છે.આ અંગે તપાસ કરી TDO સામે કાયદેસર કાર્યવાહી કરવા બુધેલ ગામના ભવાનીસિંહ ભુપતસિંહ મોરીએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી છે.
કચ્છ જિલ્લામાં પરિવહન સેવાઓને આધુનિક બનાવવાના પ્રયાસ તરીકે ભુજ આરટીઓ ખાતે એઆઈ આધારીત ટેસ્ટ ટ્રેકનું કામ પૂર્ણ થયું છે. આગામી દિવસોમાં આ અદ્યતન ટ્રેક પર ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થશે. નવા ટેસ્ટ ટ્રેકમાં એઆઈ આધારિત સેન્સર્સ અને 20થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.જે ઉમેદવારની ડ્રાઇવિંગ ક્ષમતાનું મૂલ્યાંકન કરશે. રિયલટાઇમ ટ્રેકિંગ સિસ્ટમ, વાહનના દરેક વળાંક, ઝડપ, બ્રેકિંગ અને સ્ટિયરિંગ મૂવમેન્ટનું રેકોર્ડિંગ થશે. સમય અને માનવશક્તિની બચત થશે.આ ઉપરાંત ટ્રેકની ફરતે દિવાલ બનાવાઈ છે અને અરજદારો માટે વેઈટિંગ એરિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.કંપની દ્વારા એઆઈ ફિટિંગ કેમેરાનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે તાલીમ બાદ વડી કચેરીના આદેશથી ભુજ આરટીઓમાં એઆઈ આધારીત ડ્રાઈવિંગ પરીક્ષા લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સંભવત ચાલુ મહિનાના અંત સુધીમાં નવા ટ્રેક પર અરજદારોની ડ્રાઇવિંગ પરીક્ષા લેવામાં આવશે.ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ફીટ કરવામાં આવેલા નવા કેમેરા ટેસ્ટ આપનાર અરજદારની દરેક મૂવમેન્ટ ૫૨ નજર રાખશે અને રેકોર્ડ પણ કરશે. પરિણામે 100 ટકા સચોટ રિઝલ્ટ મળવાથી વાહન ચાલકોની ડ્રાઇવિંગ સ્કીલમાં સુધારો થશે.નવી ટેકનોલોજી લાગુ કરવાનો આશય લોકોમાં ટ્રાફિક અવરનેસ અને નિયમ મુજબ વાહન ચલાવતા થશે તો માર્ગ અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો થશે તેમ હોવાનું જાણવા મળ્યું છે. નવી ટેકનોલોજીમાં વ્હિકલની દરેક મૂવમેન્ટ્સ ડિટેક્ટ થશેડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર વ્યક્તિ સાચી દિશામાં આવી રહ્યો છે કે દિશાની બહાર જઈ રહ્યો છે? તે કેટલી વાર રિવર્સ અને ફોરવર્ડ કરે છે? કેટલી વાર ઉભો રહે છે? સ્ટાન્ડર્ડ ડાયરેક્શનને ફોલો કરે છે કે નહીં તે તમામ વિગતની ચકાસણી એઆઈ કરશે. ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ઉમેદવાર ટેસ્ટ ડ્રાઈવમાં પાસ થયો કે નાપાસ થયો તે જાણી શકાશે.નવી ટેકનોલોજીમાં વ્હિકલની દરેક મૂવમેન્ટ્સ ડિટેક્ટ થશે.
ફરિયાદ:ચિત્રા રોડ પર પકડેલી ગાયોને છોડાવી પશુપાલકોએ મારવાની આપી ધમકી
એક તરફ કોર્ટ અને સરકાર રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે તંત્ર પર કડકાઈ દાખવતી હોય છે. બીજી તરફ તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવામાં આવે છે ત્યારે પશુપાલકો દાદાગીરી કરી ઢોર છોડાવી જવાના પણ અનેક કિસ્સા બની રહ્યા છે. આજે ચિત્રા ફુલસર રોડ પર રસ્તા પર રખડતા ઢોર પકડતા ઢોર પકડવાની ટ્રેક્ટરની ટ્રોલીની જાળી સાથે મોટરસાયકલ ભટકાડી, ધમકી આપી ઢોર છોડાવી ગયા હતા. કોર્પોરેશનની પશુ ત્રાસ નિયંત્રણ વિભાગની ટીમ આજે સવારે 11 કલાક આસપાસ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના કલ્યાણનગર, મસ્તરામ સોસાયટી ચિત્રા ફુલસર વિસ્તારમાં 8 થી 10 ગાય રોડ પર રખડતી હતી જેને પકડી પ્લોટ નંબર 22 અ વાળી શેરીમાં રાખી તેને કોર્પોરેશનની ટ્રેક્ટર ટ્રોલીમાં ભરવાની કામગીરી શરૂ હતી તે દરમિયાન ભરતભાઈ નામના વ્યક્તિની માલિકીની ગાય હોવાનું કહી વિપુલભાઈ માસાભાઈ ડાંગર અને માસાભાઇ વશરામભાઈ ડાંગર બંનેએ જે શેરીમાં ગાયોને રાખી હતી તે શેરીના પ્લોટ નો દરવાજો ખોલી ગાયોને હાંકી કાઢી હતી. જેથી ભાવનગરની કોર્પોરેશનની ટીમ અને પોલીસ દ્વારા તેને રોકતા માસાભાઈએ ભરતભાઈને ફોન કરી બોલાવ્યા હતા અને તેની સાથે અન્ય લોકો પણ સ્થળ પર આવી ચડ્યા હતા. માલધારી લોકોના ટોળા એકઠા થઈ જઈ ગાયોને કેમ પકડી છે તેમ કહી ઉછેરાઈ જઈ, કોર્પોરેશનની ટીમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પકડેલી ગાયોને ભગાડી ગયા હતા. જેથી કોર્પોરેશન દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો બન્યા છે. પોલીસની હાજરીમાં જ પકડેલા ઢોર છોડાવી જાય છે અને એજન્સીના માણસો તેમજ કોર્પોરેશનના કર્મચારીઓને ધમકીઓ આપી ગેરવર્તન કરી રહ્યા છે. તેમ છતાં કોઈપણ જાતના ડર વગર આવા કૃત્યો હજુ પણ આચરવામાં આવી રહ્યા છે.ભુતકાળમાં અનેકવાર આવા બનાવો બનવા પામ્યા છે.
દિવ્ય ભાસ્કર, વાચકમિત્રો માટે દર ગુરુવારે એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. નવા ડીસીપી આવ્યા બાદ દબદબો ન રહેતા ACP અકળાયાએક એસીપી અગાઉ જ્યારે પ્રવક્તા હતા તેઓ હવે સાઇડ લાઇન થઈ ગયા છે. અગાઉ એસીપીનો દબદબો રહેતો હતો, પરંતુ નવા ડીસીપી આવ્યા બાદ એસીપીનો વારો જ આવતો નથી. જેની અકળામણમાં તે હવે પૂરતી માહિતી પણ આપતા નથી. તાજેતરમાં એક ગંભીર બનાવના દિવસે પોતે હાજર છે તે બતાવવા રાતે સાદા કપડામાં પોલીસ સ્ટેશન તો પહોચી ગયા, પરંતુ રજા બગડી હોવાથી મોઢું બગાડીને પુરતી માહિતી આપ્યા વિના જ રવાના થઈ ગયા હતા. જ્યારે હવે તેમણે કોઈ માહિતી વિશે પૂછવામાં આવે ત્યારે ઉપરી અધિકારી પર ઢોળી નાખે છે. અધિકારીનો રોફ જમાવતા એક પોલીસકર્મીએ PI અને DCP બંનેને સાચવી લીધાએક ટ્રાફિકના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી અધિકારી જેવો રોફ જમાવે છે. પીઆઇના તમામ કામકાજ સંભાળતા હોવાથી પોલીસકર્મીને વર્ધી પહેરવાથી છૂટી મળી છે. એટલું જ નહીં પોલીસકર્મીને કોઈ ફિક્સ પોઇન્ટ પણ આપવામાં આવ્યો નથી જેથી નોકરી પણ કરતા નથી. પોતાની હદમાં દિવસ દરમિયાન રિંગરોડ, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આંટા ફેરા કરે છે. આ પોલીસકર્મી માત્ર પીઆઇનું જ કામ નથી કરતા, પરંતુ એક વિવાદમાં આવેલા ડીસીપીનું પણ કામકાજ સંભાળે છે. જેના કારણે તેમને નોકરીમાં વધુ રાહત મળી છે. જોકે, આ પોલીસકર્મીના કારણે TRB જવાનથી લઈને PSI સુધીના વ્યક્તિઓ કંટાળી ચૂક્યા છે. અમદાવાદના પોશ વિસ્તારમાં શરાબ-કબાબથી ધમધમતુ સ્પા પોલીસ નજરથી દૂરતાજેતરમાં શી ટીમ અને મહિલા ક્રાઈમ દ્વારા અલગ અલગ સ્પામાં રેડ કરવામાં આવી છે, પરંતુ અમદાવાદના પોશ વિસ્તારમાં ચાલી રહેલા મોટા સ્પામાં હજુ સુધી ચેકિંગ કરવામાં આવ્યું નથી. પોશ વિસ્તારના જાણીતા સ્પામાં શરાબ, કબાબ એટલે કે દારૂ, ડ્રગ્સ, નોન વેજ જેવી વસ્તુઓ પણ મળી રહે છે ત્યાં હજુ સુધી પોલીસ પહોચી શકી નથી. સ્પા સંચાલકની એટલી ઓળખાણ છે કે તેને વડોદરા, સુરત, ગાંધીનગર સહિતના અન્ય જિલ્લામાં પણ ફ્રેન્ચાઇઝી ચાલુ કરી છે. આવનાર દિવસમાં અમદાવાદમાં શહેરમાં પણ મહત્વની જગ્યાએ ચાલુ થવાની શક્યતા છે, ત્યારે આ સ્પા પોલીસની નજરથી બચી ગયું છે. એક પીઆઇએ પોતાના પો. સ્ટેશનમાં મલાઈ ન મળતા પાડોશી સ્ટેશનનો પણ ચાર્જ લઈ લીધોએક પીઆઇ પોતે નાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, પરંતુ તેમની પડોશનું પોલીસ સ્ટેશન ખાલી હોવાથી તેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ચાર્જ લેવા માટે પણ પીઆઇએ પોતાના સમાજના અધિકારીની ભલામણ કરાવી હતી જે બાદ તેમને પડોશી પોલીસ સ્ટેશનની ચાર્જ સોંપવામાં આવ્યો છે. જોકે ચાર્જ અગાઉ બીજા પીઆઇને સોંપવામાં આવ્યો હતો, પરંતુ પીઆઇની ભલામણના કારણે ચાર્જ તેમને મળ્યો હતો. પોતાના પોલીસ સ્ટેશનમાં કોઈ આવક ન હોવાથી પાડોશના મલાઈદાર પોલીસ સ્ટેશનમાં ચાર્જ મેળવી જેટલો સમય મળ્યો તે સમય ભોગવી રહ્યા છે. શહેરના 4 મહત્વના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મેળવવા પીઆઇનું લોબિંગ શરૂઅમદાવાદ શહેરના 5 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પીઆઇની જગ્યા ખાલી છે. તે જગ્યાઓ પૈકી મહત્વના 4 પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મેળવવા અલગ અલગ પીઆઇએ લોબિંગ શરૂ કર્યું છે, પરંતુ હજુ સુધી ઓર્ડર થયા નથી. અનેક પીઆઇએ ખાલી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મેળવવા એડી ચોટીનું જોર લગાવ્યું છે, પરંતુ કોઈનો મેડ પડતો નથી. કેટલાક પીઆઇને તો 3-4 મહિના અગાઉ જ બદલી આવી હોવા છતાં તે પણ ખાલી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. જોકે આવનાર દિવસમાં પોલીસે કમિશનર દ્વારા જ ઓર્ડર કરવામાં આવશે, ત્યારે લોબિંગ કરી રહેલા પીઆઇને નિરાશા જ મળશે. જિગ્નેશ મેવાણીના નિવદેન બાદ પોલીસ વિભાગમાં ડર, 10 લીટર દેશી દારૂના કેસ કરવા લાગ્યાપોલીસ વિભાગમાં હવે જિગ્નેશ મેવાણી ચર્ચાનો વિષય બન્યા છે. જિગ્નેશ મેવાણીના પટ્ટા ઉતારી દેવાના નિવેદનને લઈને પોલીસ વિભાગમાં રોષ તો જોવા મળ્યો હતો. સાથે હવે ડર પણ દેખાઈ રહ્યો છે. અગાઉ જે દારૂ, જુગાર બેફામ ચાલી રહ્યા હતા ત્યાં જિગ્નેશ મેવાણીની જનતા રેડની બીક પોલીસમાં આવી છે. જેના કારણે સમગ્ર શહેરમાં દારૂબંધીનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. જિગ્નેશ મેવાણીની ચીમકી બાદ એજન્સી પણ હવે 5-10 લીટર દેશી દારૂના કેસ કરવા લાગી છે. એટલું જ નહીં તમામ પોલીસ સ્ટેશનને પણ સૂચના મળતા બદલી અને બદનામી ન થાય તે માટે કડક પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કર્યું છે.
રાજ્યના મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલા રૂપે ગુજરાત સરકારે 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂકપત્રો આપવા માટે વિશાળ રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ આજે ગુરુવારે, 4 ડિસેમ્બર 2025ના રોજ સવારે 10:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ વિશેષ ઉપસ્થિત રહેશે અને નવી નિમણૂક મેળવનાર બહેનોને નિમણૂકપત્રો એનાયત કરશે. રાજ્ય સરકારે બાળ પોષણ, પ્રાથમિક શિક્ષણ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે વધુ મજબૂતી લાવવા માટે આંગણવાડી નેટવર્કને બળવાન બનાવવા સંકલ્પ કર્યો છે. 9 હજારથી વધારે બહેનોને નવી તક મળશે તેનાથી સમગ્ર રાજ્યમાં આંગણવાડી સેવાઓમાં ગુણવત્તાયુક્ત સુધારો થશે, એમ સરકારનું માનવું છે.
માવઠુ પશુપાલકોને નડ્યું:ઘાસચારાના વધતા ભાવથી પશુ નિભાવ બન્યો કપરો
આ વરસે દિવાળી પછી કમોસમી વરસાદ પડ્યો તેની સૌથી વધારે માઠી અસર ધરતીપુત્રોને પડી એ પછી પશુપાલકો પણ આમાંથી બાકાત ન રહ્યા છે. શિયાળામાં તો પશુઓને ઉત્તમ પ્રકારનો ચારો મળી રહેતો હોય છે પરંતુ આ વરસે ભરશિયાળે નીરણના ભાવ આસમાને પહોંચી જતા પશુપાલકો માટે આ વરસ કેમ કરીને પસાર કરવું એ ચિંતા કોરી ખાય છે. સિહોર તાલુકાના લગભગ તમામ ગામોના મોટાભાગના લોકો ખેતી પર આધારિત છે. ધરતીપુત્રો પૂરક વ્યવસાય તરીકે પશુપાલન પણ કરતાં હોય છે. તો કેટલાક લોકો માત્ર પશુપાલન જ નભતા હોય છે.પરંતુ પશુઓ માટે નીરણના ભાવ સાતમા આસમાને પહોંચી જતાં આ વરસે પશુપાલકો અત્યારથી ચિંતામાં મુકાયા છે.લીલી જુવારનો ભાવ અત્યારે એક મણના 120થી 130 રૂપિયા થઇ ગયા છે. વરસાદે મગફળી,કપાસ,ડુંગળી અને બાજરાની સાથે-સાથે જુવાર(જાર)નો સોથ બોલાવી દીધો. હવે ખેડૂતો નવી જુવાર આવે અને પશુઓએ ખાય એવડી જુવાર થાય ત્યાં સુધીમાં તો ખાસ્સો સમય પસાર થઇ જશે પરંતુ અત્યારે પોતાના આંગણે બાંધેલા પશુઓનો નિભાવ કેમ કરીને કરવો એ બાતે પશુપાલકો ઊંડી ચિંતામાં ડૂબી ગયા છે. નીરણના ભાવ સામે દૂધના ભાવ એટલા મળતા નથીદિવાળી પછી પડેલા કમોસમી વરસાદે ઘાસચારાના પાકોનું પણ નિકંદન કાઢી કાઢ્યું છે.અત્યારે પશુઓ વેચવા એવી પરિસ્થિતિ પેદા થઇ છે. નીરણના ભાવ સામે દૂધના ભાવ એટલા મળતા નથી.આવી કપરી પરિસ્થિતિમાં પશુઓનો નિભાવ શક્ય નથી.સિહોર> વિપુલભાઇ રબારી, પશુપાલક ઘાસચારાના ભાવ પહેલા હતા હવે અત્યારે છેલીલી જુવારનો જૂનો ભાવ : 70થી 80 રૂપિયા, નવો ભાવ :140થી 150 રૂપિયા મણ સૂકી કડબનો જૂનો ભાવ : 200 રૂપિયા નવો ભાવ : 250 રૂપિયા મણ આગળા જૂનો ભાવ : 60 રૂપિયા, નવો ભાવ : 70 રૂપિયા મણ
દુર્ઘટના:અકવાડા નજીક બાઇક-રીક્ષાનો અકસ્માત, એકનું મોત, બેને ઇજા
હાથબ ગામે રહેતા ત્રણ યુવકો પોતાનું મોટર સાયકલ લઇ ભાવનગરથી હાથબ ગામે જઇ રહ્યા હતા તે દરમિયાન અકવાડા ગામથી આગળ તેમની બાઇકનો રિક્ષા સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇકમાં સવાર ત્રણેય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં બાઇક ચાલક યુવકનું સારવાર દરમ્યાન મોત થતાં પરિવારમાં ગમગીની ફેલાઇ જવા પામી હતી. જ્યારે બે યુવકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવને લઇને ઘોઘા પોલીસે રિક્ષા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાથબ ગામે રહેતા શૈલેષભાઇ ઘુસાભાઇ બારૈયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની સાઇન મોટર સાયકલમાં તેમના કુટુંબીભાઇ વૈભવભાઇ તેમજ તેમના મિત્ર કિરીટભાઇ એમ ત્રણેય લોકો મોટર સાયકલ લઇ ભાવનગરથી હાથબ ગામ તરફ જઇ રહ્યા હતા. જે વૈભવભાઇ તેમનું મોટર સાયકલ ચલાવતા હતા અને અકવાડા ગામથી આગળ ગાયત્રી રેસ્ટોરન્ટ પાસે પહોંચતા તેમની બાઇકનો રિક્ષા સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં ત્રણેય લોકોને ગંભીર હાલતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં બાઇક ચાલક વૈભવભાઇનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જ્યારે શૈલેષભાઇ અને કિરીટભાઇની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું. આ અકસ્માત મામલે શૈલેષભાઇએ અજાણ્યા રિક્ષા ચાલક વિરૂદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રજુઆત:ધંધુકાથી ફેદરાનો હાઇવે પૂર્વવત થતા બસો વાયા વલભીપુર થઇને ચલાવો
ધંધુકાથી ફેદરા તરફના હાઇવે પર હાઇવેનુ રીકાર્પેટીંગ અને બ્રિજના નિર્માણનું કામ શરૂ કરવામાં આવતા ભાવનગરથી અમદાવાદ તરફ જતી એસ.ટી.બસોના રૂટમાં છેલ્લાં ચાર પાંચ મહિનાથી ફેરફાર કરવામાં આવ્યો હતો. ધંધુકાથી ફેદરા તરફનો હાઇવે પુન: રાબેતા મુજબ ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે ભાવનગર ડીવીઝન અને ડેપો દ્વારા સંચાલતી બસોને વાયા ધોલેરા પરથી ડાયવર્ટ કરવામાં આવી હતી તે તમામ બસોના રૂટોને પણ થયાવત રીતે ચાલુ કરવા જોઇએ. વાયા વલભીપુર થઇને ચાલતી અને અમદાવાદ તરફ જતી એસ.ટી.બસો જેમાં મુખ્યત્વે ભાવનગર-કૃષ્ણનગર, મહુવા-અમદાવાદ, બગદાણા-બાપુનગર અને મહુવા-કૃષ્ણનગર તેમજ અન્ય નવા રૂટો વાયા વલભીપુર થઇને શરૂ કરવા માટે ભા.જ.પ.અગ્રણી ભરતભાઇ કાંમ્બડ અને ધમેન્દ્રસિંહ વાળાએ એસ.ટી.તંત્રને રજુઆત કરી છે. ધંધુકાથી ફેદરા વાળો હાઇવે બંધ કર્યા પછી આમ પણ વલભીપુર એસ.ટી.સ્ટેન્ડમાં માત્ર પાલીતાણા અને અમરેલી ડેપો દ્વારા -અમદાવાદ-કૃષ્ણનગરની મર્યાદીત સંખ્યામાં રૂટ ઉપર આધાર રાખવો પડે છે ત્યારે ભાવનગર ડીવીઝન અને ડેપો દ્વારા સંચાલીત રૂટો પણ પુન: રાબેતા મુજબ શરૂ થાય તેવી તાલુકાની મુસાફર જનતાની લાગણી અને માંગણી એસ.ટી.તંત્ર પાસે રાખી રહ્યાં છે.
ભયનો માહોલ:ગુંદરણા ગામે દીપડાએ પાડીનું મારણ કરતા ફફડાટ
મહુવા તાલુકાના ગુંદરણા ગામે ગઈ રાત્રીના દીપડાએ પાડીનું મારણ કરતા લોકોમાં ભય ફેલાયો છે. છેલ્લા ઘણા દિવસોથી ગુંદરણા પંથકમાં દિપડાના આટાફેરા વધી રહ્યાં છે. બગદાણા રોડ ઉપર આવેલ કાનાભાઈ કામળિયાની વાડીએ દીપડાએ પાડી નું મારણ કર્યું છે આ વિસ્તારમાં ઘણા સમયથી દીપડો દેખાય છે પરંતુ દીપડા પાંજરે પુરાતા નથી આ વિસ્તારમાં તમામ મોટાભાગના વાડી વિસ્તારમાં જ રહેણાકી મકાનો છે. ખેડૂત પરિવાર પોતાનો ઘર પરિવાર લઈને વાડીમાં જ રહે છે પોતાના માલઢોરોને પણ વાડીએ જ રાખે છે આથી દીપડા દ્વારા વારંવાર આવવાના નાના મોટા માળનો કરવામાં આવે છે અને ખેડૂતોને ભયના ઓથાર નીચે આખી રાત જાગવું પડે છે અને ઉજાગરા કરવા પડે છે આથી દીપડા પાંજરે પુરાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જે ગઈ રાત્રીના મરણ કર્યું તેમાં ફોરેસ્ટ વિભાગ આવીને મારણ જગ્યાએ પંચરોજ કામ કર્યું છે.ખેડૂતોની માંગ છે કે આ દીપડાને પાંજરે પૂરો.
હુકમ:ગારિયાધાર પાલિકાના પૂર્વ પ્રમુખ સામે રેવન્યુ રિકવરીનો આદેશ
ગારીયાધાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે રેવન્યુ રિકવરીથી વસુલાત કરવાનો આદેશ પ્રાદેશિક કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે જેમાં ગારીયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્રારા પૂર્વ પ્રમુખની રિકવરી બાબતે નિયમ અનુસાર કાર્યવાહી કરી વસુલાત કરવા બાબતે પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પ્રાદેશિક કમિશનરના અધિક કલેકટર દ્વારા ગારીયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસરને આદેશ કરાયો છે. ગારીયાધાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન શાંતિલાલ વાઘેલા સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 70 (2)તળે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તા.15.1.20ના કરવામાં આવેલ.જે વિગતેની તા.8.8.25 ની રજુઆત અન્વયે તા.14.8.25ના પત્ર બાબતે નિયમાનુસાર કાર્યવાહી કરી વસુલાત કરવા ચીફ ઓફિસર ગારીયાધાર નગર પાલિકાને જણાવવામાં આવેલ હતું જે બાદ ચીફ ઓફિસર ગારીયાધાર નગરપાલિકા દ્વારા તા.16.10.25 ના ત્રીજી નોટિસ આપવામાં આવેલ. આખરી નોટીસ આપવા છતાં પણ પૂર્વ પ્રમુખે રિકવરી ન ભરીગારીયાધાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન શાંતિલાલ વાઘેલા વિરોધ રકમની રેવન્યુ વસુલાત કરી વહેલી તકે નગરપાલિકા ભંડોળમાં જમા થાય તે અંગેની નિયમ અનુસાર કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવા ચીફ ઓફિસર ગારીયાધાર નગરપાલિકાને જણાવવામાં આવેલ છે. ગારીયાધારનગરપાલિકા દ્વારા પૂર્વ પ્રમુખને રિકવરીની સ્ટ્રીટ લાઈટ ખરીદીમાં ગેરરીતી બાબતે રૂ. 80160 તેમજ 12%વ્યાજ સાથે છેલ્લી અને આખરી નોટીસ આપવામાં આવી હતી. છતાં પણ પૂર્વ પ્રમુખ દ્વારા રિકવરી નહીં ભરતા અધિક કલેકટર પ્રાદેશિક કમિશનર દ્વારા રેવન્યુ રિકવરી રાહે વસુલાત કરવા આદેશ કરવામાં આવ્યો છે. રેવન્યુ રિકવરીમાં મિલકતની હરાજી કરવાની હોય છેપૂર્વ પ્રમુખની રિકવરીની નોટિસનો પીડિયર પૂરો થઈ ગયો છે. અમારા દ્વારા રેવન્યુ રિકવરીની દરખાસ્ત કરવામાં આવશે ત્યારબાદ સરકારમાંથી હુકમ કરવામાં આવશે. રેવન્યુ રિકવરી એટલે રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ હોય છે. જેમાં મિલકતની હરાજી કરવાની હોય છે.> સંદીપ પટેલ, ચીફ ઓફિસર, ગારીયાધાર નગરપાલિકા
મહુવા શહેરને હાઇવે સાથે જોડતા મહત્વના રસ્તાઓ મોટા જાદરા રોડ, પ્રમુખ સ્વામી માર્ગ, કતપર બંદર અને ભવાની માતાજી મંદિર રોડ મહુવા શહેર અને એન.એચ. -51 સાથે જોડાણ આપતા જીલ્લા પંચાયતની હદના રોડ તદ્દન બિસ્માર હાલતમાં હોય ગ્રામ્યજનો, દર્દીઓ, અપડાઉન કરનારાઓ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. હાઇવે સાથે મહુવા શહેરને જોડતો મુખ્ય રસ્તો મોટા જાદરા રોડ હાલ તદ્દન બિસ્માર હાલતમાં છે. મોટા મોટા ખાડા વાળા રોડ ઉપર હનુમંત હોસ્પિટલ જતાં દર્દીઓના વાહનો અને સોસાયટીના રહીશો સતત અવર – જવર કરે છે. જાનહાનિ થાય તે પહેલા જીલ્લા પંચાયતની હદના શહેરને જોડતા તમામ રોડ બિસ્માર હાલતમાં છે. જે રોડના કામ તાકિદના ધોરણે શરૂ કરવામાં નહી આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની માંગ મુસાફરોમાં ઉભી થવા પામી છે. મહુવા શહેરથી નેશનલ હાઇવેને જોડતા તમામ રસ્તાની હાલત દયાજનક બની છે. ઠેર ઠેર પડી ગયેલ ગાબડાથી વાહન ચાલકોનો કકળાટ પણ કાયમી બન્યો છે તેમજ વાહનોમાં નુકશાની થઇ રહી હોય ત્યારે આ રસ્તાના કામને પ્રાથમિકતા મળે તે જરૂરી બન્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકો હટાણુ મહુવા શહેર સાથે જ સંકળાયેલું રહે છે. વળી આ તમામ ગામોના લોકો વેપારીઓ રોજબરોજ ખરીદી અર્થે મહુવા શહેરમાં આવતા હોય છે તો અન્ય મુસાફરો પણ જોવાલાયક સ્થળો અને ધાર્મિક સ્થળોની મુલાકાત અર્થે આવતા હોય છે ત્યારે શહેરમાં પ્રવેશ કરતા જ રોડ-રસ્તાના ખાડા અને તુટી ગયેલા રોડથી લોકોમાં ખરાબ છાપ ઉભી થતી હોય છે.
CBSE:1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ કરવા આદેશ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પ્રાયોગિક પરીક્ષાઓ, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન માટે નવી માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (SOP) જાહેર કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી વચ્ચે ધોરણ-10 અને 12ની મુખ્ય જાહેર પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ કરવા CBSEનો કડક આદેશ કરાયો છે. સેન્ટ્રલ બોર્ડના પરીક્ષા નિયમો અને અભ્યાસ યોજના અનુસાર દર વર્ષે પ્રાયોગિક અને આંતરિક મૂલ્યાંકન કરવામાં આવે છે, પરંતુ સૂચનાઓ અને પ્રક્રિયામાં એકરૂપતા જાળવવા માટે આ વર્ષે કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. માર્ક્સ અપલોડ થયા પછી સુધારો કરવામાં આવશે નહીં. જો ભૂલ થાય તો તેની જવાબદારી સ્કૂલ કે સંબંધિત પરીક્ષકોની ગણાશે. જો માર્ક્સમાં ભૂલ જણાશે, તો પરીક્ષકોનું મહેનતાણું પણ કાપી શકાય છે. CBSEએ શાળાઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ તમામ નવા SOPનું ચૂસ્તપણે પાલન કરે અને નિર્ધારિત સમયમર્યાદામાં મૂલ્યાંકન પૂર્ણ કરે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, આ વર્ષે ચાર પરીક્ષાઓ યોજાશે, તેથી સમયનું સંચાલન ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. આ સાથે, શાળાઓએ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે વેબ-પોર્ટલ પર અપલોડ થતા ગુણ (માર્ક્સ) સંપૂર્ણપણે સાચા હોય, કારણ કે પછીથી કોઈપણ પ્રકારનો સુધારો સ્વીકારવામાં આવશે નહીં. જે દિવસે મૂલ્યાંકન, તે જ દિવસે માર્ક અપલોડ થશેનવા ફીચરમાં પ્રેક્ટિકલ માર્ક્સ પોર્ટલ પર અપલોડ થાય તે પહેલાં જ ઇન્ટર્નલ અને એક્સટર્નલ એમ બંને પરીક્ષકોએ લેખિતમાં ‘અંડરટેકિંગ’ આપીને માર્ક્સની સંપૂર્ણ ચોકસાઈની ખાતરી આપવી પડશે. આ ઉપરાંત, માર્ક્સ જે દિવસે મૂલ્યાંકન કરવામાં આવે તે જ દિવસે પોર્ટલ પર અપલોડ કરવા ફરજિયાત છે. ધો.10માં મૂલ્યાંકન સ્કૂલના શિક્ષકો જ કરશેધોરણ 10માં આંતરિક મૂલ્યાંકન માટે કોઈ બાહ્ય પરીક્ષક (External Examiner) ની નિમણૂક કરવામાં આવશે નહીં. તમામ મૂલ્યાંકન શાળાના આંતરિક પરીક્ષકો દ્વારા જ થશે.જ્યારે ધોરણ 12માં બોર્ડ દ્વારા નિયુક્ત બાહ્ય પરીક્ષક ફરજિયાત રહેશે. બાહ્ય પરીક્ષક માટે પરીક્ષાના એક દિવસ પહેલા લેબનું નિરીક્ષણ કરીને તૈયારી ચકાસવી ફરજિયાત છે. પારદર્શિતા જાળવવા માટે બોર્ડ નિરીક્ષકોની પણ નિમણૂંક કરી શકે છે.
ભાસ્કર એક્સક્લુસિવ:વડોદરાના પિતા-પુત્રનો અમેરિકામાં ઝઘડો, પુત્રએ પિતાના માથે હથોડી મારી હત્યા કરી
અમેરિકાના શિકાગોમાં વડોદરાના વૃદ્ધની તેના જ પુત્રે હત્યા કરતા ગુજરાતી સમાજમાં આઘાતની લાગણી ફેલાઈ છે. શિકાગોના સ્કામબર્ગ વિસ્તારમાં ગત શુકવારે આ હિચકારી ઘટના બની હતી. જેમાં સાઉથ સલેમ ડ્રાઈવ ખાતે રહેતા 67 વર્ષિય નિવૃત અનુપમભાઈ પટેલની હત્યા તેમના જ પુત્રે માથામાં હથોડી મારી કરી હોવાનું બહાર આવ્યું છે. લાંબા સમયથી પિતાને પુત્ર અભિજિત પટેલ સાથે વિવાદ ચાલતો હતો. જેમાં અનુપમભાઈ પટેલની સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ પુત્રના વર્તન અંગે ફરિયાદ કરી હતી. સ્થાનિક પોલીસ અને મીડિયાના જણાવ્યા અનુસાર અભિજિત પટેલે ઘરમાં પ્રવેશી પિતાને માથામાં હથોડીના ઉપરા છાપરી વાર કર્યાં હતા જેના કારણે અનુપમભાઈ સોફા ઉપર જ ફસડાઈ પડ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમનું મોત થયું હતું. ખુદ હત્યારા અભિજિતે પોલીસને ફોન કરી આ અંગે જાણકારી આપી હતી. જેના પગલે દોડી આવેલી પોલીસ અને પેરા મેડિકલની ટીમે એમને મૃત જાહેર કર્યાં હતા અને હત્યારા અભિજિતને ઝડપી પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં અનુપમ ભાઈની પુત્રીઓ ન્યૂજર્સીથી શિકાગો આવી પહોંચી હતી. બાદમાં રવિવારે એમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ઘટનાને પગલે શિકાગોના ગુજરાતી પરિવારોમાં આઘાતની લાગણી ફેલાઈ છે. જ્યારે મૃતક અનુપમભાઈ અમેરિકા જતાં અગાઉ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા હોવાથી એમના મિત્રો અને સગા સંબંધીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. સ્કામબર્ગ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હોવાથી ફસ્ટ ડિગ્રી મર્ડર તરીકે નોંધવામાં આવ્યું છે. આવા મામલામાં 20થી લઈ 60 વર્ષ સુધીની આરોપીને સજા થઈ શકે છે. અનુપમભાઈ ગુજરાતી સમાજના કાર્યક્રમોમાં હાજરી આપતા હતાશિકાગોમાં રહેતા અને અનુપમભાઈ જ્યારે અમેરિકા ગયા ત્યારે જેમની ત્યાં રહ્યા હતા એવા પુરુષોત્તમભાઈએ જણાવ્યું છે કે અનુપમભાઈ સ્કામબર્ગ વિસ્તારમાં વર્ષોથી રહેતા હતા.ગુજરાતી સમાજના કાર્યક્રમોમાં હાજરી આપતા હતા.અને સૌ સાથે હળીમળી રહેતા હતા.એમના પુત્રએ જ એમની હત્યા કરી હોવાના બનાવને લઈ ગુજરાતી સમાજને આઘાત લાગ્યો છે.અને શોકાતુર છે. પિતાથી દૂર રહેવા અદાલતે આદેશ આપ્યો હતોસ્કામબર્ગમાં રહેતા અનુપમભાઈને પુત્રના વર્તન અંગે ભારે અણગમો હતો. સ્થાનિક યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન અભિજિતે આપત્તિજનક મેસેજ અન્યના મોબાઇલ ઉપર મોકલ્યા હતા, જેના કારણે વિવાદ વધ્યો હતો. ખુદ પુત્રથી ખતરો લાગતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી.જેના પગલે પોલીસે અભિજિતની અટકાયત કરી સ્થાનિક અદાલતમાં રજૂ કરતાં 27 જાન્યુઆરી સુધી પિતા અનુપમથી દૂર રહેવા કોર્ટે જણાવી અભિજિતને છોડ્યો હતો.
નધણિયાતી બેગ જોઈને બોમ્બ હોવાની અફવા ઉડી:વડોદરા નિવાસી બોરીવલીમાં બેગ ભૂલ્યા અને બોમ્બની અફવા ફેલાઈ
મુંબઈના રેલવે સ્ટેશન પર એક વરિષ્ઠ નાગરિક પોતાની કીમતી મતા ભરેલી બેગ ભૂલી ગયા હતા, જે નધણિયાતી બેગ જોઈને બોમ્બ હોવાનો ભય ઊભો થયો હતો. પોલીસે આવીને તે બેગ કબજામાં લીધી ત્યારે તેમાંથી રૂ. 7.5 લાખની માલમતા મળી આવી હતી, જે પછી વરિષ્ઠ નાગરિકને પરત કરી હતી. 70 વર્ષીય પ્રદીપ નાનુભાઈ દોશીની આ બેગ હતી, જેઓ વડોદરાના રહેવાસી છે. તેઓ કાંદિવલી વિસ્તારમાં સંબંધીનાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. સોમવારે સવારે તેઓ બોરીવલી રેલવે સ્ટેશન પર આવ્યા હતા. એક દુકાન નજીક બેગ મૂકી હતી, પરંતુ ત્યાંથી નીકળતી વખતે બેગ લેવાનું ભૂલી ગયા હતા. વ્યસ્ત સ્ટેશન પર તરછોડાયેલી બેગને કારણે તેમાં બોમ્બ છે કે કેમ એવો ભય ફેલાયો હતો. એક સતર્ક પ્રવાસીએ પોલીસને જાણ કરી હતી, જે પછી કસ્તુરબા માર્ગ પોલીસ, એન્ટી ટેરરીઝમ સ્ક્વોડ અને બોમ્બ શોધક અને નાશક ટુકડીના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બેગની બારીકાઈથી તપાસ કરતાં તેમાં બોમ્બ નહીં હોવાનું જણાયું હતું. બેગમાં તપાસ કરતાં માલમતા યથાવત હોવાનું જણાયું હતું. ખાઈ કર્યા પછી પોલીસે બેગ તેમને સોંપી દીધી હતી. તેમણે પોલીસનો આભાર માન્યો હતો.
મ.સ.યુનિવર્સિટી દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અનોખી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના દ્વારા આ કાર્યક્રમમાં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓએ પ્રથમ વખત સ્પર્શ, અનુભૂતિ અને માર્ગદર્શન થકી યુનિવર્સિટીના સમૃદ્ધ વારસા સાથે જીવંત જોડાણનો અનુભવ મેળવ્યો હતો. હેરિટેજ વોક યુનિવર્સિટીના વિઝનને પ્રતિબિંબિત કરે છે કે, શારીરિક ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના દરેક વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક, શૈક્ષણિક અને અનુભવ આધારિત શિક્ષણ સ્થળોએ સમાન પ્રવેશ મળે અને શિક્ષણ મેળવી શકે છે. વારસો, શિક્ષણ અને તક દરેક માટે, સમાન છે તે હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, સંસ્કૃતિ અને અનુભૂતિના દરવાજા દરેક વિદ્યાર્થી માટે સમાન રીતે ખુલ્લા હોવા જોઈએ. કાર્યક્રમનું સંકલન ડૉ. અનિતા શુક્લાએ ઇએમઇટી પ્રોગ્રામ હેલ્પ ધ બ્લાઇન્ડ ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને કલાકૃતિઓ સ્પર્શવાની મંજૂરી આપવામાં આવી હતીહેરિટેજ વોકના ભાગરૂપે વિદ્યાર્થીઓએ હિસ્ટોરિક ફેકલ્ટી ઓફ આર્ટ્સ હેરિટેજ બિલ્ડિંગ તેમજ આર્કિયોલોજી મ્યુઝિયમની મુલાકાત લીધી. અહીં તેમને અનોખી તક મળી હતી. કલાકૃતિઓ અને સ્થાપત્ય માળખાંને સ્પર્શીને સમજી, અનુભવી માર્ગદર્શન મેળવ્યું હતું. સામાન્ય રીતે મ્યુઝિયમમાં ‘હાથ ન લગાડશો’ જેવો નિયમ હોય છે, પરંતુ આ વિશેષ કાર્યક્રમને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને કલાકૃતિઓ સ્પર્શવાની મંજૂરી આપવામાં આવી હતી. જે તેઓ માટે નવો અનુભવ રહ્યો હતો.
ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન:ટેબલ ટેનિસમાં વિવિધ વર્ગોમાં ગુજરાતની મહિલાઓનો દબદબો
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યુટીટી બીજી રાષ્ટ્રીય પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. આ ચેમ્પિયનશિપમાં કુલ 18 ઇવેન્ટ માં પુરુષો અને મહિલાઓના વર્ગ 1 થી 10 ડબલ અને સિંગલ્સનો સમાવેશ કરાયો છે. વર્ગ 1 થી 5 વ્હીલચેર ખેલાડીઓ અને વર્ગ 6 થી 10 સ્ટેન્ડિંગ ખેલાડીઓ છે. દેશભરમાં 18 રાજ્યોમાંથી કુલ 225 ખેલાડીઓએ ભાગ લીધો છે. આમ મેચમાં ટેબલ ટેનિસમાં વિવિધ વર્ગોમાં ગુજરાતની મહિલાઓને દબદબો રહ્યો હતો. દેશભરના 18 રાજ્યમાંથી 225 પેરા ખેલાડીએ ભાગ લીધોમહિલા વર્ગ 1માં હરિયાણાના એકતા ભયાન જૂથ વિજેતા, વર્ગ 2 અને 3માં ગુજરાતના સોનલ પટેલ પ્રથમ ક્રમે, વર્ગ 4 અને 5માં ગુજરાતના કાજલ મકવાણા , શીતલ દરજી , ભારતીબેન પડધરિયા , ઉષા રાઠોડ, મનીષા સોનાગરા વિજેતા રહ્યા હતા. જ્યારે વર્ગ 6માં ગુજરાતના જમાની નુરજહાં અને ભાવિકા કુકડિયા, વર્ગ 7માં ધ્વની શાહ સહિત વિજેતા રહ્યા હતા.
નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા લિફ્ટમાં બાળકીનું જાતીય શોષણ
10 વર્ષ પહેલાં પીઆઈ તરીકે નિવૃત્ત થયા હતા 3જાં ધોરણમાં ભણતી બાળકીને લિફ્ટમાં ખેંચી જઈ દુષ્કૃત્ય આચર્યાનો આરોપ મુંબઈ - મુંબઈમાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાની એક ઘટના બનતા ચકચાર જાગી છે. બોરીવલીમાં કસ્તુરબા માર્ગ પોલીસે નવ વર્ષની બાળકી પર જાતીય હુમલો કરવાના આરોપમાં નિવૃત્ત વૃધ્ધ પોલીસ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.
વડોદરાના તરાપો ફાઉન્ડેશન દ્વારા દાહોદ અને પંચમહાલ જિલ્લાની અંતરિયાળ આદિવાસી વિસ્તારની 15 સ્કુલોમાં શિયાળાની ઋતુમાં 2100થી વધુ બાળકોને સ્વેટર્સ આપીને સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા અવાર-નવાર અંતરિયાળ સ્કૂલોમાં પહોચીને બાળકોને રાખડી સહિતના ક્રાફટ સાથે જોડી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડતા 100થી વધારે બાળકોસ્કૂલે પરત ફરતા ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો છે. ટ્રસ્ટી પરિતા શુક્લએ જણાવ્યું હતું કે, તરાપો ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે . આ ફાઉન્ડેશન મુખ્યત્વે આદિવાસી અંતરિયાળ વિસ્તારોની શાળામાં ભણતા બાળકો અક્ષરજ્ઞાનથી વંચિતના રહે તે માટેની જરૂરી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે. તરાપો ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી પરિતા શુક્લ, સુધા ગોસ્વામી, ભાવના ધોળકિયા અને પ્રજ્ઞા પીપળીયા દ્વારા ત્રણ દિવસ માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.દાહોદ અને પંચમહાલ જીલ્લાની 15 શાળાના બાળકોને શિયાળાની ઠંડીમાં હૂંફ મળે તે માટે 2100 સ્વેટર્સ આપવામાં આવ્યા હતા. આદિવાસી વિસ્તારોમાં ભણતા વિધ્યાર્થી શાળાએ આવીને અક્ષર જ્ઞાન મેળવે એ છે. જેના ભાગરૂપે તરાપો ફાઉન્ડેશન આદિવાસી અંતરિયાળ વિસ્તારો ખૂંદીને વિધ્યાર્થીઓ સુધી પહોંચીને અનુકરણીય કાર્ય કરી રહી છે. તરાપો ફાઉન્ડેશન દ્વારા વિસ્તારની શાળામાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓને દફતર, સ્વેટર, પગરખાં થી માંડીને વિવિધ પ્રકારની સહાય પહોંચાડવામાં આવી રહી છે જે અત્યંત અસરકારક પુરવાર થઈ છે . અંતરિયાળ ગામોમાં કાર ન ગઈ તો ચાલતા સ્કૂલોમાં પહોચ્યાંફાઉન્ડેશનની મહિલા સભ્યો દ્વારા પઢિયાર , ખટકપૂર , વક્તા ખાંટ , ગઢ , જાબુ ખજુરી , રાછવા, ખેડા ફળિયા , કોટંબી , નાની ખજુરી, મોટી ખજુરી , દુખડી , ઉચ્છવાણ સહિત આશ્રમશાળા તેમજ દિવ્યાંગો માટેની શાળામાં અભ્યાસ કરતાં બાળકોને સ્વેટર્સ આપવામાં આવ્યા હતા . નોંધનીય છે કે વાહનો પણ ના જઈ શકે એવા દુર્ગમ વિસ્તારમાં ચાલતા જઈને સેવાકીય કાર્યો કરાયા હતાં. ભાસ્કર ઇનસાઇડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કર્મચારીઓએ કહ્યું કે, તમે આવો છો તો બાળકો હોંશે હોંશે સ્કૂલે આવે છેતરાપો ફાઉન્ડેશન ચાર વર્ષ પહેલા અંતરિયાળ આદિવાસી વિસ્તારની સ્કૂલોમાં પ્રથમ વખત પહોચ્યું હતું. પ્રોજેક્ટ લઈને સ્કૂલોમાં જાય ત્યારે બાળકોને શૈક્ષણિક સહિત અન્ય ગિફ્ટ પણ આપવામાં આવે, જેથી બાળકો દર વર્ષે ફાઉન્ડેશનના સભ્યોની રાહ જોવે છે. ગત વર્ષે સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે રાખડી બનાવવાની કામગીરી સ્કૂલમાં રાખી હતી, તે સમયે પણ મોટી સંખ્યામાં બાળકો સ્કૂલે પહોચ્યાં હતાં. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કર્મચારીઓએ પણ કબૂલ્યું હતું કે, તમે આવો છો તે બાળકો હોંશે હોંશે સ્કૂલે આવે છે. જેથી આ સ્કૂલોમાં ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓના કારણે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે.
ભાયલીના રાયપુર રોડ પર નવીન બનેલા આર્ષ વિદ્યા મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત જલાધિવાસ પુજાથી કરવામાં આવી હતી. જેમાં તમામ દેવતાઓને પાલખીમાં લઈ જઈને પાણીના મોટા કુંડોમાં પધરાવવામાં આવ્યા હતા. કળશ અને જળયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામી શ્રીપરમાત્માનંદજીએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ એ નથી કે આપણે ભગવાનને જીવન આપી રહ્યા છીએ, પરંતુ તેનો અર્થ એ છે કે, આપણે ભગવાનને આપણા નિવાસસ્થાનમાં આમંત્રિત કરી રહ્યા છીએ. આ વિધિમાં યજમાન તરીકે જોડાવાથી અનેક જન્મો સુધી વિસ્તરેલો અનંત પુણ્ય, શ્રી હરિહરની કૃપા, ધન, ધાન્ય, સુખ, પરિવારમાં સમૃદ્ધિ, પૂર્વજો માટે મુક્તિ અને જ્ઞાનના દ્વાર ખુલે છે. વિવિધ ફળોનું વર્ણન શ્રીમદ ભાગવત પુરાણ જેવા શાસ્ત્રોમાં જોવા મળે છે. ભાસ્કર નોલેજપ્રથમ સંત જગદગુરુ ડૉ. સ્વામી શ્રી નિર્મલાનંદનાથજી હતાઆર્ષ વિદ્યામંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આશીર્વાદ આપનાર પ્રથમ સંત જગદગુરુ ડૉ. સ્વામી શ્રી નિર્મલાનંદનાથજી હતા.સ્વામીજી 1800 વર્ષ જૂના નાથ સંપ્રદાયના 72મા વડા છે. આ સંસ્થાઓમાં 1.75 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને 35 હજારથી વધુ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે.સંસ્થા વૃદ્ધ નાગરિકો, દિવ્યાંગો, સામાજિક રીતે પીડિત મહિલાઓને સહાય કરે છે.
નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે ઇન્ટર્નશિપ માટે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સમાં બેઠક મળી હતી. કોમર્સ ફેકલ્ટીના 4 હજાર વિદ્યાર્થીઓ પ્રથમવાર ઇન્ટર્નશિપ કરાવાશે. બુધવારે કોમર્સના શિક્ષકોને વિદ્યાર્થીઓ કેવી રીતે ઇઇન્ટર્નશિપ કરશે તેની માહિતી આપવામાં આવી હતી. એમ.એસ.યુનિવર્સિટીમાં 3 વર્ષ પહેલા નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને છેલ્લા સેમિસ્ટરમાં ઇન્ટર્નશિપ કરાવવામાં આવનાર છે. અધ્યાપકોને ઓરીએન્ટેશન દરમિયાન માહિતી અપાઈ હતી કે વિભાગો પ્રમાણે ટીમ બનાવાશે જેના આધારે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટે મોકલાશે. વિદ્યાર્થીઓને એનઇપીના નિયમ પ્રમાણે 120 કલાકની ઇન્ટર્નશિપ આપવાની છે. રોજના 6 કલાક પ્રમાણે ઇન્ટર્નશિપ મળે તો તેવા સંજોગોમાં 30 દિવસમાં ઇન્ટર્નશિપ પૂરી થાય તેમ છે. જો રોજના 4 કલાકની ઇન્ટર્નશિપ કરે તો 30 દિવસમાં ઇન્ટર્નશિપ પૂરી થાય તેમ છે. છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ ફરજિયાત છે. વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરશે તેના આધારે જ તેમને માર્ક અપાશે. કોમર્સ ફેકલ્ટીમાં 4 હજાર વિદ્યાર્થીને ઇન્ટર્નશિપ માટે જાન્યુઆરીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે . ભાસ્કર નોલેજ કોર્પોરેશન, અન્ય સરકારી કચેરીમાં ઇન્ટર્નશિપ મળે તે માટે પ્રયાસ કરાશેસરકારી કચેરીઓ,એનજીઓમાં વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરે તે માટે નવી એજ્યુકેશન પોલિસીમાં ઉલ્લેખ કરાયો છે. કોમર્સ ફેકલ્ટીના દ્વારા વિદ્યાર્થીઓને કોર્પોરેશન,અન્ય સરકારી કચેરીમાં ઇન્ટર્નશિપની તક મળે તે માટે સરકારી કચેરીઓના વડા સાથે બેઠક કરી પ્રયાસ કરાશે. > નંદીની કાનન, ફેકલ્ટી નોડલ ઓફિસર, કોમર્સ ફેકલ્ટી) મકરપુરા જીઆઇડીસી, એફજીઆઇ, સીએ ફર્મ, બેન્કીંગ સાથે જોડાણ કરાશેકોમર્સ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટે મકરપુરા જીઆઇડીસી, એફજીઆઇ, સીએ ફર્મ, બેન્કીંગ સાથે જોડાણ કરાશે. એકાઉન્ટનાં વિદ્યાર્થીઓ સીએ ફર્મ સહિત કંપનીના એકાઉન્ટ વિભાગમાં ઇન્ટર્નશિપની તક મળશે. બેન્કિંગના વિદ્યાર્થીઓને બેન્કો, ઇન્સ્યોરન્સ કંપનીમાં તક મળશે. > જે.કે.પંડયા-ડીન,કોમર્સ ફેકલ્ટી
એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પરીક્ષાની તારીખ ફેરફાર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. પ્રથમ સત્રની પરીક્ષાની સાથે જ બીજા સત્રની એટીકેટીની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ અટવાયા છે. એનએસયુઆઇ દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે જે રીતે હાલ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાં પરીક્ષા ચાલી રહી છે. તેવી જ રીતે સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષ બીએસસી ઓનર્સના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાનો સમય માનસિક તણાવ રૂપ બન્યો છે. કારણ કે પ્રથમ સત્રની પરીક્ષા અને દ્વિતિય સત્રની પૂરક પરીક્ષા એક જ દિવસે થઈ રહી છે. એક વિષયની પરીક્ષા પૂર્ણ કરી અને બીજા વિષયની પરીક્ષા આપવાની માટેની તૈયારીથી વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધી ગયો છે. સાયન્સ ફેકલ્ટીના પ્રમુખ વાસુ પટેલે જણાવ્યું હતું કે સાયન્સ ફેકલ્ટીના ડીનને જ્યારે રજૂઆત કરવા માટે આવીએ ત્યારે તે હોતા નથી. જેના પગલે વિદ્યાર્થીઓની કોઇ રજૂઆતોને ધ્યાન અપાઈ રહ્યું નથી. પોર્ટલની ખામીના પગલે હોલટિકિટ જનરેટ થઇ રહી નથીયુનિવર્સિટીની જે એપ છે તથા જે ઓનલાઇન પોર્ટલ છે તેમાં પણ ખામી આવી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ નથી જનરેટ થઈ રહી છે. જેના પગલે પણ વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે. સાયન્સ ફેકલ્ટીમાં કોઇ પણ વિદ્યાર્થીઓને રજૂઆતો સાંભળવામાં આવી રહી નથી. પોર્ટલની ખામી અંગે અનેક રજૂઆતો છતાં કોઇ કાર્યવાહી કરાઇ રહી નથી.
આગાહી:રાજસ્થાનમાં કોલ્ડવેવની વકી, 3 દિવસ પારો 1 ડિગ્રી ઘટી શકે
ડિસેમ્બર શરૂ થતાં જ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. 2 દિવસથી શહેરમાં ઠંડીનો પારો 15 ડિગ્રી નોંધાઈ રહ્યો છે. વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. દિવસ દરમિયાન પણ ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. તેવામાં આગામી દિવસોમાં પ્રબળ પશ્ચિમી વિક્ષોભ આવવાની સંભાવનાના કારણે ઠંડીની તીવ્રતામાં વધારો જોવા મળી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, બુધવારે મહત્તમ પારો 30 ડિગ્રી અને લઘુત્તમ 15.8 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને સાંજે 38 ટકા નોંધાયું હતું. કડકડતી ઠંડી માટે હજુ 2 અઠવાડિયા રાહ જોવી પડશેરાજસ્થાનમાં આવનારા ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી છે. વડોદરામાં ઉત્તર-પૂર્વ અને પૂર્વના પવનો ફુંકાઈ રહ્યાં છે. ત્યારે આવનારા 3 દિવસમાં વડોદરામાં ઠંડીનો પારો 1 ડિગ્રી ઘટી શકે છે. 5 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પરંતું તેનાથી ઉંચાઈવાળા પર્વતો પર બરફ વર્ષા થશે. તેના કારણે પણ 1 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. જ્યારે કડકડતી ઠંડી માટે બે અઠવાડિયા સુધી રાહ જોવી પડશે. જોકે હવે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. જેમાં કોઈ પ્રબળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે ત્યારે ઠંડી વધી થશે. > મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી
મુસાફરો થયા પરેશાન:સતત ત્રીજા દિવસે મુંબઇ-વડોદરા-મુંબઇ ફ્લાઇટ રદ
મુંબઇથી વડોદરા એરપોર્ટ પર આવતી ફ્લાઇટ આજે સતત ત્રીજા દિવસે કેન્સલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઇન્ડિગોની આ ફ્લાઇટ મુંબઇ એરપોર્ટથી સવારે 6.20 કલાકે ટેકઓફ કરીને સવારે 7.20એ વડોદરા એરપોર્ટ ખાતે લેન્ડિંગ હતું. જોકે સવારે જ ઇન્ડિગોની ફ્લાઇટમાં મુંબઇ જવાની રાહ જોતા મુસાફરોને આ બાબતની જાણ કરવામાં આવી હતી. તેમણે અન્ય ફ્લાઇટ માટે રાહ જોવી પડી હતી. આ ફ્લાઇટ રદ થવાના પગલે વડોદરા-મુંબઇની ફ્લાઇટ પણ કેન્સલ થઇ હતી. જેના લીધે વડોદરાથી મુંબઇની ફ્લાઇટમાં જતાં લોકો પણ કેટલાક સમય માટે અટવાયા હતા. તેમને વૈકલ્પિ ફ્લાઇટ આપવામાં આવી હતી. જોકે રિફંડનો વિકલ્પ પણ મુસાફરોને નિયત નિયમ મુજબ આપવામાં આવ્યો હતો. આ મહિને ગોવા અને હૈદ્રાબાદની ફ્લાઇટો પણ મોડી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ટેક્નિકલ કારણોસર છેલ્લા કેટલાક દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટ લેટ થવાના અને રદ થવાના બનાવો વધી રહ્યાં છે. જેના પગલે અન્ય શહેરો માટેની કનેકટિંગ ફ્લાઇટ લેવાની હોય તેવા મુસાફરો અટવાઇ જાય છે. ઉપરાંત જે તે સ્થળે પહોંચવાનું હોય તેમના પણ શિડ્યુલ ખોરવાઇ જાય છે.

28 C