ગુજરાતમાં હવામાન વિભાગે એપ્રિલના અંત અને મે મહિનાની શરૂઆતમાં 40થી 44 ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી કરી છે, ત્યારે આજે રાજકોટ, અમદાવાદ અને ભુજમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. જોકે, 27 એપ્રિલ બાદ હાલમાં જે તાપમાન નોંધાઈ રહ્યું છે તેમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દરિયાકાંઠા વિસ્તારમાં તાપમાન ઓછું રહેશે પરંતુ, ગરમ પવનના કારણે અસહજ સ્થિતિ બની રહેવાની આગાહી છે. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં હાલ ઉનાળાની ઋતુ દરમિયાન અસહ્ય ગરમીને કારણે મનરેગા શ્રમિકોની આરોગ્ય ચકાસણી સાથે ORS અને છાશ વિતરણ કરાયું હતું. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી આગામી 7 દિવસ તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતારાજ્યમાં હાલ કોઈ હીટવેવની આગાહી નથી. આજે અને આવતીકાલે મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. પરંતુ 28 એપ્રિલથી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રચ-કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ હવાને કારણે અસહજ સ્થિતિ બની રહેશેસૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો થતા સામાન્યથી ઉપર રહ્યું હતું. બાકીના ભાગોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આ ઉપરાંત 27 એપ્રિલથી 1 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ હવાને કારણે અસહજ સ્થિતિ રહેવાની સંભવાના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. નવસારી-વલસાડના અનેક ગામોમાં વરસાદી ઝાપટાનવસારી-વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડતાં કાળઝાળ ગરમીમાં તો લોકોને ઠંડક મળી છે, પરંતુ આંબા-ચીકુ જેવા પાકને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... 25 એપ્રિલના વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન મનરેગા શ્રમિકોની આરોગ્ય ચકાસણી સાથે ORS અને છાશ વિતરણ કરાયું રાજકોટ શહેર તેમજ જિલ્લામાં હાલ ઉનાળાની ઋતુ દરમિયાન અસહ્ય ગરમીને કારણે શ્રમિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ત્યારે મનરેગા યોજના હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ કામગીરી કરતા શ્રમિકોની તબિયતનો ખ્યાલ પણ રાખવામાં આવી રહ્યો છે. મનરેગા શ્રમિકોની આરોગ્ય ચકાસણી સાથે ORS અને છાશ વિતરણ કરાયું છે. રાજકોટ જિલ્લામાં 204 ગ્રામ પંચાયતમાં 453 કામો ચાલુ, 4,105 શ્રમિકોને રોજગારી આપવામા આવી રહી છે.
સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર:500 કિલો કેરીનો અન્નકૂટ અને 1 કિલો સોનાના મુગટથી દાદાનો શણગાર
સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 26 એપ્રિલ, 2025ના રોજ વિશેષ શણગાર અને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દાદાને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા ફૂલોની ડિઝાઇનના વાઘા પહેરાવવામાં આવ્યા. આ વાઘા વૃંદાવનમાં 15 દિવસની મહેનતથી તૈયાર કરવામાં આવ્યા હતા. સિંહાસન પર વડોદરાથી મંગાવેલા ગુલાબ-સેવંતિના મિક્સ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. અમદાવાદથી લાવવામાં આવેલો 500 કિલો કેરીનો અન્નકૂટ દાદાને ધરાવવામાં આવ્યો હતો. એક કિલો શુદ્ધ સોનામાંથી બનાવેલો રજવાડી મુગટ અને કુંડળથી દાદાનો શણગાર કરાયો હતો. મુગટ સવા ફૂટ ઊંચો અને દોઢ ફૂટ પહોળો છે. તેમાં બે પોપટની આકૃતિ, ફૂલ, ઝાડ અને બે મોટા કમળની ડિઝાઈન બનાવવામાં આવી છે. મુગટમાં હેન્ડ પેઇન્ટેડ મીણા કારીગરી કરવામાં આવી છે. 350 કેરેટ લેબ્રોન ડાયમંડથી જડતર કરાયેલા આ મુગટને બનાવવામાં 18 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી અને 7:00 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લીધો.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે, તો ઘણાનો બચાવ થયો છે. બચાવ થયેલા લોકોમાં એક અમરેલીનો પરિવાર પણ સામેલ છે. એમનો જીવ એમની પાંચ વર્ષની બાળકીના કારણે બચ્યો હોવાનું પરિવાર જણાવી રહ્યો છે. 'મેશ્વાએ ઘોડા પર બેસવાની ના પાડતા પરિવાર જમવા ગયો'સાવરકુંડલા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સંદીપ પાઠક પોતાની પત્ની ક્રિષ્નાબેન અને પાંચ વર્ષી પુત્રી મેશ્વા સાથે 17થી 24 તારીખના પેકેજ ટુર પર કાશ્મીર ગયા હતા. એમને 22 તારીખે બપોરે સાડા બાર વાગ્યે બૈસરન વિસ્તારમાં જવાનું હતું. જોકે, આ પરિવાર છેલ્લા ચાર દિવસથી ઘોડા પર ફરતો હોવાથી એ દિવસે પાંચ વર્ષીય મેશ્વાએ ઘોડા પર બેસવાની ના પાડતા પરિવાર જમવા માટે અન્ય સ્થળે ગયો હતો. ઘોડાવાળાએ આવીને ફયરિંગની ઘટના જણાવીનાયબ મામલતદાર સંદીપ પાઠકનો પરિવાર જમવાનું પૂરું કરીને બહાર આવ્યો ત્યારે જાણવા મળ્યું કે બૈસરન વિસ્તારમાં ફાયરિંગ થયું છે. થોડી વાર પછી આર્મીની એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરની અવરજવર શરૂ થઈ હતી. આ દરમિયાન ઘોડાવાળાએ સંદીપ પાઠકને આવીને જણાવ્યું કે, તમે ત્યાં જવાનું કહ્યું હતું પણ દીકરીએ જવાની ના પડતા તમે ન ગયા તો જીવ બચી ગયો. આ બાદ ઘોડાવાળાએ મેશ્વાને સાક્ષાત ભગવાન માનીને લાગીને આશીર્વાદ લીધા હચા. 'સાહેબ તમારી ઢીંગલીના કારણે જીવ બચી ગયો'હાલ નાયબ મામલતદાર સંદીપ પાઠક પરિવાર સાથે સુરક્ષિત અમરેલી પહોંચી ગયા છે. પીજીવીસીએલમાં ક્લાર્ક તરીકે કાર્યરત તેમની પત્ની સહિત આખો પરિવાર આ ઘટનાથી બચી જવા બદલ ઈશ્વરનો આભાર માની રહ્યો છે. આ અંગે સંદીપ પાઠકે જણાવ્યું કે, મારી બેબીએ ઘોડા પર જવાની ના પાડી એટલે અમે જમી પરવારી અને મહાદેવના દર્શન કરીને બેઠા હતા ત્યારે ઘોડાવાળાએ આવીને અમને ઘટના જણાવી હતી. ઘોડાવાળાએ મને કહ્યું કે, સાહેબ તમારી ઢીંગલીએ ના પાડતાં આપણે ન ગયા. આમ કહીને ઘોડાવાળાએ મેશ્વાને પગે લાગીને આશિવાર લીધા હતા. ત્રણ ગુજરાતી સહિત 26 લોકોએ જીવ ગુમાવ્યોજમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં અમરેલીના યુવક સહિત મુળ પાલિતાણાના અને ભાવનગરમાં રહેતા પિતા-પુત્રએ જીવ ગુમાવ્યો છે. ભાવનગરના 45 વર્ષીય મૃતક યતીશભાઇ પરમાર કાળિયાબીડ વિસ્તારમાં હેર સલૂન ચલાવતા હતા, જ્યારે તેમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આ હુમલામાં ભાવનગરના ભરતનગરમાં રહેતા વિનુભાઇ ડાભીને હાથમાં ગોળી વાગતાં ઇજાગ્રસ્ત થયા હતા, જેમને શ્રીનગરમાં સારવાર બાદ ગઇકાલે (શુક્રવારે) ભાવનગર લવાયા છે. આ પણ વાંચો: પત્નીને શોધતો હતો ને અચાનક ગોળી વાગી, એ દૃશ્યો હજી ધ્રુજાવે છે આ પણ વાંચો: આતંકીએ ગોળી મારી'ને મારા પતિ મારા ખોળામાં પડ્યા આ પણ વાંચો: સાહેબ, સાવ નજીક આવીને સ્મિતને ગોળી મારી દીધી
નર્મદાના એકતાનગર ટેન્ટસિટી-2 ખાતે આજથી બે દિવસીય વેસ્ટર્ન રિજનલ કોન્ફરન્સ અને મેગા લીગલ કેમ્પનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નાલસાના ત્રણ દાયકાની ઉજવણીની શરૂઆત થશે. કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ રામક્રિષ્ના ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંન્ત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવ પણ કાર્યક્રમમાં જોડાશે. કાર્યક્રમની શરૂઆત નાલસા સોંગ અને વૃક્ષારોપણથી થશે. નાલસાના સભ્ય સચિવ સ્વાગત પ્રવચન કરશે. જસ્ટિસ બિરેન વૈષ્ણવ કાર્યક્રમની રૂપરેખા અને સેમિનાર અંગે માહિતી આપશે. સેમિનારમાં નાલસાની ત્રણ દાયકાની સફર દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી રજૂ કરાશે. આદિવાસીઓના સંરક્ષણ અને અમલીકરણ સાથે જોડાયેલી કેન્દ્ર-રાજ્યની યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે. બીજા સત્રમાં કાયદાકીય સેવાઓનો રોડમેપ અને તેનું મહત્વ સમજાવવામાં આવશે. કાર્યક્રમમાં વેસ્ટર્ન રિજનના હાઈકોર્ટના ન્યાયાધીશો અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસના સંલગ્ન કોર્ટના જસ્ટિસ પણ હાજરી આપશે. તેઓ સેમિનારમાં પ્રેરક માર્ગદર્શન અને ચાવીરૂપ વક્તવ્ય આપશે.
નવસારી-વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડતાં કાળઝાળ ગરમીમાં તો લોકોને ઠંડક મળી છે, પરંતુ આંબા-ચીકુ જેવા પાકને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારીનવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ખેરગામ તાલુકાના રૂમલા ગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ આંબા પર હજી કેરી બરાબર બેડવાની બાકી હોય તેવા સમયે પડેલા કમોસમી વરસાદે પાકની સ્થિતિ બગાડી છે. ખેડૂતોને ભય છે કે આ કમોસમી વરસાદથી ચીકુ અને આંબા પર ફળો ખરી પડવાનો અને તેમાં જીવાત લાગવાનો ભય છે. ઉકળાટના માહોલમાંથી લોકોને થોડી રાહત મળીવલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો હતો. આકાશ વાદળછાયું બન્યું હતું અને કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર આવેલા ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. આ વરસાદી ઝાપટાને કારણે રસ્તાઓ ભીના થયા હતા અને ગરમી તથા ઉકળાટના માહોલમાંથી લોકોને થોડી રાહત મળી હતી. જોકે, આ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. છોટા ઉદેપુરમાં પણ વરસાદી ઝાપટાબીજી તરફ છોટા ઉદેપુરમાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારે છ વાગ્યાના સુમારે દસ મિનિટ સુધી વરસાદી છાંટા પડ્યા હતા. ભરઉનાળામાં આવેલા આ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જોકે, આ વરસાદી છાંટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો...
છોટા ઉદેપુરમાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સવારે છ વાગ્યાના સુમારે દસ મિનિટ સુધી વરસાદી છાંટા પડ્યા હતા. ભર ઉનાળામાં આવેલા આ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે ગરમીની વચ્ચે આવેલા આ વરસાદી છાંટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની શક્યતા રહેલી છે. આ સમયે ખેડૂતોએ પોતાના પાકની સુરક્ષા માટે સાવચેત રહેવાની જરૂર છે.
ભરૂચ જિલ્લાના પેરોલ-ફર્લો સ્કોડે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પીઆઈ એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે વાલીયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સથી માહિતી મળી હતી કે આરોપીઓ તેમના ઘરે હાજર છે. આ માહિતીના આધારે સ્કોડના જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાંથી જોરસંગ વરસિંગભાઈ ખરાડ અને મહેમુદમિયા ઉર્ફે ભુરાભાઈ ગુલામ નબી શેખને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપી જોરસંગ ખરાડ દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકમાં પણ વોન્ટેડ તરીકે નોંધાયેલો છે. પોલીસે બંને આરોપીઓને કાયદેસર કાર્યવાહી માટે વાલીયા પોલીસ મથકને સોંપ્યા છે.
લુણાવાડા શહેરમાં કાશ્મીર પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં નાગરિકો એકત્રિત થયા હતા. 25 એપ્રિલની સાંજે નગરપાલિકાથી શરૂ થયેલી મૌન રેલી અને કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. રેલી નગરપાલિકાથી મુખ્ય હાઈવે થઈને ચાર રસ્તા પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી પહોંચી. નગરજનોએ હાથમાં બેનર સાથે કેન્ડલ માર્ચ, મૌન રેલી યોજી હતી. મહીસાગર જિલ્લામાં કાશ્મીર હુમલાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ રોષને વ્યક્ત કરવા ચાર રસ્તા ખાતે આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું. અને પાકિસ્તાન વિરોધમાં ભારે સુત્રોચાર કરવામાં આવ્યા હતા. લુણાવાડા શહેરમાં આગાઉ પણ VHP અને બજરંગદળ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જ્યારે 25 એપ્રિલે જિલ્લાનું વીરપુર શહેર સંપૂર્ણ બંધ રહ્યું હતું.
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. પોલીસે ગાંધીનગરની તમામ યુનિવર્સિટીઓને પત્ર મોકલ્યો છે. આ પત્રમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓની વિગતવાર માહિતી માંગવામાં આવી છે. ગાંધીનગર રાજ્યનું મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર છે. અહીં રાષ્ટ્રીય કક્ષાની અનેક યુનિવર્સિટીઓ આવેલી છે. ઉચ્ચ શિક્ષણ માટે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. પોલીસે યુનિવર્સિટીઓ પાસેથી કાશ્મીરી વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર અને સરનામાની વિગતો માંગી છે. વિદ્યાર્થીઓ કેટલા સમયથી અહીં રહે છે તે માહિતી પણ માંગવામાં આવી છે. તેમના પરિવારની પૃષ્ઠભૂમિની વિગતો પણ એકત્રિત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માહિતી બે હેતુ માટે એકત્રિત કરવામાં આવી રહી છે. પ્રથમ, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે. બીજું, જરૂર પડે તો આ વિદ્યાર્થીઓની મદદથી કાશ્મીરમાં સ્થિતિ સુધારવા માટે.
જમ્મુ-કાશ્મીર હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ:હિંમતનગર-પ્રાંતિજમાં કેન્ડલ માર્ચ, આતંકવાદીનું પૂતળાદહન
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં હિંમતનગર અને પ્રાંતિજમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હિંમતનગરના ટાવર ચોક ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, વિહિપના ધર્મેન્દ્ર ભાવાણી, નલિનભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગરના બેરણા રોડ પર વિવિધ સાકાર બંગ્લોઝથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચ રિલાયન્સ મોલ સુધી પહોંચ્યો હતો. જ્યાં તે શોકસભામાં ફેરવાયો હતો. માર્ચમાં વિવિધ સોસાયટીના રહીશો અને વિહિપના કાર્યકરો જોડાયા હતા. પ્રાંતિજના ભાખરિયા બસ સ્ટેશન વિસ્તારમાં પણ કેન્ડલ માર્ચનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
વેરાવળમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા હિન્દુ સમુદાય દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાવર ચોકથી શરૂ થયેલી આ મૌન રેલીમાં અંદાજે 2000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. રેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. આ પ્રસંગે ભૂદેવો દ્વારા શાંતિ માટે પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. રેલીમાં વિવિધ સામાજિક, રાજકીય અને સેવાકીય સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા. સમગ્ર હિન્દુ સમુદાયે આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ઘેરો આક્રોશ જોવા મળ્યો હતો.
અલ કાયદા, IS પછી હમાસઃ ભારત પર હજુય મોટા હુમલાનો ખતરો
- ભારતની આતંકવાદી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાન સિવાયના દેશોના આતંકીઓ રસ લેતા હોય કે મદદ કરતા હોય એ નવી વાત નથી પણ પહેલી વાર એવું બન્યું છે કે, કોઈ વિદેશી આતંકવાદી સંગઠન પીઓકેમાં કેમ્પ નાંખીને ભારતમાં આતંકવાદ ફેલાવવામાં સીધી મદદ કરી રહ્યું છે. હમાસ પીઓકે સુધી પહોંચી ગયું તેની આપણને ખબર હોવા છતાં આપણે હુમલાને રોકી ના શક્યા એ મોટી નિષ્ફળતા કહેવાય. હમાસે રાતોરાત તો તાલીમ કેમ્પ ઉભો નહીં જ કર્યો હોય એ જોતાં હમાસ કેટલા સમયથી પીઓકેમાં સક્રિય છે એ અટકળનો વિષય છે પણ છેલ્લા ત્રણ મહિનાથી હમાસની હાજરીના તો પુરાવા છે જ. ઈઝરાયલના આક્રમણથી ફફડેલા હમાસના નેતા દુનિયામાં સલામતી લાગે એવા દેશોમાં છૂપાઈ ગયા છે.
એકસાથે 7 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની દેશમાં પ્રથમ ઘટના દેશમાં પ્રથમ વખત એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોથી એક જ હોસ્પિટલમાં એકસાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાયા. સુરતમાં 52 વર્ષના મહિલા બ્રેઇનડેડ જાહેર થતાં પરિવારજનોએ કરેલા અંગોના દાનથી 7 લોકોને નવજીવન મળ્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આતંકી હુમલા બાદ રાજ્યમાં દરિયાઈ સુરક્ષા વધુ કડક કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા વધુ કડક કરાઈ છે. દરિયાઈ સુરક્ષા એજન્સીએ પોરબંદર સહિત રાજ્યભરના માછીમારોને વધુ સતર્ક રહેવા અને શંકાસ્પદ હલચલની માહિતી આપવા સૂચના આપી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 3 મહિના સુધી 24 કલાક કાર્યરત રહેશે. અહીં દુબઈ, ઓમાન સહિતની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ થઈ શકશે. પાકિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરતા આ વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરાઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આતંકી હુમલાના મૃતકોને VHP-બજરંગદળની પુષ્પાંજલિ અમદાવાદમાં ઠેર-ઠેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સાથે જ રાજકોટ અને સુરતમાં શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ સહિત કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 27 એપ્રિલથી ગાંધીનગર સચિવાલય સુધી દોડશે મેટ્રો ટ્રેન આવતીકાલથી મેટ્રો ટ્રેન ગાંધીનગર સચિવાલય સુધી દોડશે. કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10એ અને સચિવાલય સાથેના 7 સ્ટેશનો પર 27 એપ્રિલથી મેટ્રો સેવા શરૂ થશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 3 વર્ષમાં વ્યાજખોરોના ત્રાસથી 355 આત્મહત્યા સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 1,866 આત્મહત્યાના કેસ સામે આવ્યા. જેમા 355 લોકોએ આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ત્રાસથી જીવ ગુમાવ્યો. જેથી સુરત પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંક સામે જંગી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો PGVCLએ રૂ. 271 કરોડની વીજ ચોરી ઝડપી PGVCLએ 1 વર્ષમાં રૂ. 271 કરોડની વીજચોરી ઝડપી. સૌરાષ્ટ્ર-કચ્છમાં 4.74 લાખ વીજ યુનિટની ચકાસણીમાં 63,198 વીજ યુનિટોમાં ચોરી પકડાઈ. સૌથી વધુ વીજચોરીમાં રાજકોટ પ્રથમ ને ભાવનગર બીજા નંબરે આવ્યું. મેગ્નેટના ઉપયોગથી ને વીજ મીટર ધીમું પાડી વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
સુરત પોલીસનું મોટું ઓપરેશન:શહેરના અલગ અલગ વિસ્તારમાં રેડ કરી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી
સુરત પોલીસે દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાંથી 100 થી વધુ બાંગ્લાદેશી પુરુષ અને મહિલાઓની અટકાયત કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ કરી અટકાયતની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસી દ્વાર 6 ટીમો બનાવીને તમામની અટકાયત કરવામાં આવી છે. આ તમામ લોકોની ડોક્યુમેન્ટ વેરફિકેશન કરવામાં આવશે. અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ......
મ્યુનિ. તંત્ર માત્ર કાગળ પર કામગીરી કરે છે:રખિયાલ-જમાલપુરમાં જાહેર માર્ગો પર કચરો નાખનાર બેફામ
શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા મ્યુનિ તંત્ર દ્વારા જાહેરમાં ગંદકી કરનાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જોકે આ કાર્યવાહી કેટલીક જગ્યાઓ પર મ્યુનિ. દ્વારા કરવામાં આવતી ન હોવાને પગલે જાહેર માર્ગો પર કચરો નાખીને ગંદકી ફેલાવતા હોવાની સમસ્યા જોવા મળી રહી છે. રખિયાલ, સોનીની ચાલી, દરિયાપુર, જમાલપુર, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં જાહેરમાં જ કચરાના ઢગલાં કરી નાખતાં રાહદારીઓને અસહ્ય દુર્ગંધમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે. અજિત મીલથી રખિયાલ ચાર રસ્તાના માર્ગ પર સાંજના સમય બાદ જાહેર માર્ગ પર જ કચરાના ઢગલાં કરી દેવાતા વાહનચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. આ જગ્યા પરથી તંત્રના અધિકારીઓ પણ પસાર થતાં હોવા છતાંય કોઈ કાર્યવાહી કરાતી ન હોવાની ચર્ચાએ પણ જોર પક્ડયુ છે. આ વચ્ચે ઘણી જગ્યાઓ પર મુકેલા સૂકા-ભીનાના કચરાના ડબ્બાઓ પણ સમયસર ભરવામાં ન આવતાં લોકો ડબ્બાઓની બહાર પણ કચરો નાખતાં હોવાની ફરિયાદો જાગૃત નાગરિકો કરે છે.
શાહીબાગમાં પતિ સાથે મનમેળ ન હોવાથી છુટાછેડા લીધા બાદ એક વર્ષથી મહિલા ચાંદખેડાના યુવક સાથે મિત્રતા થઈ હતી. પરંતુ કેટલાક સમયથી મહિલાએ યુવક સાથે સબંધ ઓછો કરી નાંખ્યો હતો. જેથી રોષે ભરાયેલા યુવકે મહિલાના ઘરે જઈને મને મળવા કેમ આવતી નથી કહીને ઝઘડો કરીને માર માર્યો હતો. ઉપરાંત મહિલાનો ફોન તોડી નાંખીને ધમકી આપીને જતો રહ્યો હતો. ત્યારબાદ મહિલાને ફોન કરીને વારંવાર હેરાન પરેસાન કરતો હતો. એટલે કંટાળીને મહિલાએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે મહિલાએ યુવક સામે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શાહીબાગમાં 35 વર્ષીય મહિલા તેની પુત્રી સાથે રહે છે. પતિ સાથે મનમેળ નહી આવતા નવ વર્ષ અગાઉ છુટાછેડા લીધા હતા. ત્યારબાદ એક વર્ષ પહેલા મહિલા ચાંદખેડામાં રહેતા ભાવેશ પંચાલ સાથે પરિચયમાં આવ્યા હતા. અને બંને મિત્રતા થઇ અને ફોન પર વાતચીત કરતા અને રૂબરૂ મળવા પણ જતા હતા. થોડા દિવસથી મહિલાએ ભાવેશ પંચાલ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતુ. તેથી ગત 4 એપ્રિલે સવારના સમયે મહિલા તેના ઘરે હતા. ત્યારે ભાવેશ પંચાલ મહિલાના ઘરે આવ્યો અને કેમ મને મળવા આવતી નથી, મારી સાથે બોલવાનું કેમ બંધ કરી દીધું છે કહીને બોલાચાલી કરીને ઝઘડો કરવા લાગ્યો હતો. આટલું જ નહિ ભાવેશે ગાળો બોલીને મહિલાને ફટકારીને તેનો મોબાઇલ ફોન જમીન પર પછાડીને તોડી નાખ્યો હતો. અને ધમકી આપીને જતો રહ્યો હતો. બાદમાં વારંવાર ભાવેશ ફોન કરીને હેરાન કરતો હતો. કંટાળીને મહિલાને મનમાં લાગી આવતા ગત 24 એપ્રિલે મહિલાએ બપોરના સમયે દુકાને ગઈ અને ફિનાઇલની નાની બોટલ લઇને ઘરે આવી અને ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફિનાઈલ પીવાના લીધે મહિલાને ચક્કર અને ઉલ્ટી થતા પરિવારજનો હોસ્પિટલ લઇ ગયા હતા. મહિલાએ તેના મિત્ર ભાવેશ સામે શાહિબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ અને ટાવર લાઈટો બંધ રહેવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. થોડા સમયથી પૂર્વના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો પર અંધારપટ જેવી સ્થિતિને પગલે અકસ્માતો થવાની સમસ્યાઓ વકરી હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. આ વચ્ચે સોનીની ચાલી બ્રિજથી અજિત મીલ જવાના માર્ગ પર પણ જાહેરમાર્ગની લાઈટ બંધ હોવાને પગલે અકસ્માતના કિસ્સા વધ્યા હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. તંત્ર દ્વારા તાકિદે જાહેરમાર્ગો પરની સ્ટ્રીટલાઈટો અને ટાવર પરની બંધ પડેલી લાઈટોનું સમારકામ કરી શરૂ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ખોખરાથી સીટીએમ, હાટકેશ્વરથી બાપુનગર, અજીત મિલથી ઓઢવ રીંગ રોડ, નિકોલથી નરોડા માર્ગ, રામોલ સહિત લાંભાના માર્ગો પર સ્ટ્રીટલાઈટો બંધ રહેવાની ફરિયાદો ઉભી થતી હોય છે. સમારકામ કર્યા બાદ પણ સ્ટ્રીટલાઈટો વારંવાર બંધ રહેવાની સમસ્યાને પગલે સમારકામ યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાની પણ ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. ઘણીવાર રાત્રિના સમયે સ્ટ્રીટલાઈટો અને ટાવર લાઈટો બંધ રહેવાની સમસ્યાને પગલે સ્થાનિકોમાં ચોરી અને છેડતી જેવા બનાવોનો ભય પણ જોવા મળતો હોય છે. તંત્ર દ્વારા તાકિદે જાહેર માર્ગોની સ્ટ્રીટલાઈટો અને ટાવરો લાઈટોની યોગ્ય ચકાસણી કરી બંધ પડેલી લાઈટો શરૂ કરવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.
નકલી પોલીસ, પીએમઓ અધિકારી,જજ બાદ હવે નકલી હોસ્પિટલ પકડાઈ છે. શહેરના દાણીલીમડામાં બેરલ માર્કેટ પિતા-પુત્રએ ભેગા થઈને તબીબી ડીગ્રી વિના જ નકલી હોસ્પિટલ શરૂ કરી હતી. જેની જાણ થતાં ઝોન-6 એલસીબીની ટીમે દરોડા પાડીને બનાવટી નકલી હોસ્પિટલ ચલાવનારા પિતાની ધરપકડ કરી લીધી છે. પિતાને પોલીસે પકડી લીધા હોવાથી પુત્ર હોસ્પિટલ આવવાની જગ્યાએ ભૂર્ગભમાં ઉતરી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ કરીને નકલી હોસ્પિટલમાંથી કુલ રૂ.19.50 લાખની મત્તાનો મેડીકલનો સામાન જપ્ત કરીને નકલી હોસ્પિટલને સીલ મારી દીધુ છે. જ્યારે ભૂર્ગભમાં ઉતરી ગયેલા યુવકને પકડવા પોલીસની ટીમો રવાના કરાઈ છે. શહેરના દાણીલીમડામાં આવેલ બેરલ માર્કેટની અંદર સાહીસ્તાનગર રાહીમનગર વિભાગ-1 માં છેલ્લા ઘણા વર્ષોથી બાપ દીકરાએ ભેગા થઈને તબીબી ડીગ્રી વગર હોસ્પિટલ શરુ કરી હોવાની પોલીસને બાતમી મળી હતી. એટલે શુક્રવારે ઝોન-6 એલસીબીના પીએસઆઈ એન.કે.જાડેજા સહિતની પોલીસની ટીમે દરોડા પાડીને બનાવટી ડોક્ટર બનીને હોસ્પિટલ ચલાવનાર અબ્દુલરશીદ ઈસ્માઈલ શેખની ધરપકડ કરી છે. જ્યારે પિતાની ધરપકડ કરાઈ હોવાની જાણ થતાં દીકરો સમીર શેખના હોસ્પિટલ આવવાની જગ્યાએ ફરાર થઈ ગયો હતો. અંતે એલસીબી સ્કવોડે બોગસ હોસ્પિટલમાંથી મેડીકલની દવાના જથ્થા સહીત કુલ રૂ.19.50 લાખનો મેડીકલનો સમાન જપ્ત કરીને હોસ્પિટલને સીલ મારી માર્યું છે. નોંધનીય બાબત છે કે બનાવટી ડોક્ટર બનીને ફરતા બાપ દીકરાએ એલોપેથીક દવાઓનો જથ્થો પણ હોસ્પિટલમાં સંગ્રહ કરીને રાખ્યો હતો. સિરીંજ, ઇન્જેક્શન તથા અન્ય મેડીકલ સાધનો પણ હોસ્પિટલમાં વસાવીને રાખ્યા હોવાનો ઘટસ્ફોટ પોલીસે દરોડા પાડ્યા બાદ જાણવા મળ્યું છે. ફરાર દીકરાની શોધખોળ માટે પોલીસે તપાસ શરુ કરી છે. આરોપી અબ્દુલ રશીદ ઈસ્માઈલ શેખને અંગ્રેજી આવડતું હોવાથી હોસ્પિટલમાં આવનારા દર્દીના રોગને જાણીને તેના મુજબની એલોપેથીક દવા તુકકા લગાવીને આપતો હોવાની કેફિયત આરોપીએ પોલીસ સમક્ષ વર્ણવી છે.
શહેરના પૂર્વના ઘણાં વિસ્તારમાં વિકાસની વાતો તો દૂર પણ છેલ્લા કેટલાય સમયથી પાણી, ડ્રેનેજ, પેવર બ્લોક અને રોડની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે વારંવાર ફરિયાદ કરવા છતાં સમસ્યાના ઉકેલ કરાતો ન હોવાની લોક ફરિયાદો ઊઠી છે.ત્યારે મ્યુનિ.એ દરિયાપુર, શાહપુર અને શાહીબાગ વિસ્તારમાં પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, નિભાડા પેવીંગ, પેવર બ્લોક નાંખવા સહિતના કામ માટે મ્યુનિ દ્વારા રૂ.7.41 કરોડનો ખર્ચ કરાશે. જેના પગલે ત્રણેય વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને પડતી હાલાકીથી લોકોને છૂટકારો મળશે. શહેરના દરિયાપુર, શાહપુર અને શાહીબાગ વોર્ડમાં છેલ્લા કેટલાય સમયથી સતત ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળે છે. શાહપુર અને દરિયાપુર વિસ્તારની કેટલીક પોળમાં અવારનવાર ડ્રેનેજ ઉભરાતા તેના ગંદા પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે. જ્યારે ગટર ઉભરાવાના લીધે પીવાના પાણીની લાઈનમાં મિક્સ થવા લાગ્યા છે. એટલે અવારનવાર આ વિસ્તારોમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. જેના પગલે છાશવારે આ વિસ્તારોમાં ટેન્કરથી પાણી આપવાની ફરજ પડે છે. તો ઘણી જગ્યાએ સમસ્યા ઉકેલાતી ન હોવાના લીધે લોકોને બહારથી પાણીના કેરબા ખરીદવાની નોબત આવે છે. લોકોની વારંવાર ફરિયાદોને પગલે આખરે આ વિસ્તારોમાં કામ કરવાનું મ્યુનિ.એ નક્કી કર્યું છે. જેમાં દરિયાપુર વોર્ડમાં એમપી,એમએલએ અને કાઉન્સિલરના બજેટમાંથી નવી પાણીની લાઈન,ડ્રેનેજ લાઈન,નિંભાડા પેવિંગ, પેવર બ્લોકની કામગીરી માટે રૂ.2.33 કરોડનો ખર્ચ કરવાનું મ્યુનિ.એ નક્કી કર્યું છે. તેવી જ રીતે બજેટમાંથી શાહપુર વોર્ડમાં નવી પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, સ્ટોન પેવીંગ, પેવર બ્લોકની કામગીરી માટે રૂ.2.33 કરોડનો ખર્ચ કરાશે. જ્યારે શાહીબાગ વોર્ડમાં નવી પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, નિભાડા પેવીંગ, પેવર બ્લોકની કામગીરી માટે રૂ.2.33 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત શાહીબાગ વોર્ડમાં નિંભાડા પથ્થર પેવિંગની કામગીરી કરાવવા માટે રૂ.41.99 લાખના ખર્ચે કામ થશે. વિરાટનગરમાં રૂ.8.31 કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવાશે વિરાટનગર વોર્ડમાં નારાયણનગર રોડ અને વિરાટનગર ફુવારા સર્કલથી વિરાટનગર વોર્ડ ઓફિસ થઈ સોમા બેચરની ચાલી સુધીના રોડને વ્હાઈટ ટોપીંગ પદ્ધતિથી આરસીસી રોડ તરીકે ડેવલપ કરવાનું મ્યુનિ.એ આયોજન કર્યું છે. આ રોડનું કામ કરવા માટે મ્યુનિ.એ ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં અંદાજીત ભાવથી 22.89 ટકા વધુ ભાવ સાથે રૂ.8.31 કરોડના ખર્ચે કામગીરી કરવાનું નક્કી કરાયું છે.
ટ્રાફિકજામની સમસ્યા:હાટકેશ્વર સર્કલ નજીક જ ખોદકામથી રસ્તો સાંકડો થતાં ટ્રાફિકજામની સમસ્યા
શહેરના હાટકેશ્વર સર્કલ પાસે ચાર દિવસ પહેલા ગટર લાઈનનું સમારકામ કરવા માટે મોટો ખાડો કરવામાં આવ્યો હતો. પરંતુ તેનુ યોગ્ય સમારકામ કરવાના બદલે માત્ર બેરીકેડ મુકીને જ સંતોષ માની લેવાયો છે.જેના કારણે લોકોને તંત્રની વેઠ ઉતારતી કામગીરી અને રસ્તો સાંકડો થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ભાઈપુરા વોર્ડમાં આવેલા હાટકેશ્વર સર્કલ અને બ્રિજ નીચે ગટર લાઈન માટે ખોદકામ કરાયું હતું. જેનું સમારકામ કરવા માટે છેલ્લા ચાર દિવસથી મોટો ખાડો ખોદી દેવાયો હતો. જેના લીધે રસ્તો સાંકડો થતાં વાહનચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી. આટલુ ઓછું હોય તેમ હવે સમારકામ પુરુ કરાયું છે પરંતુ તેમાં પણ રોડ રિસરફેસ કરવાના બદલે ખાડો પુરીને બેરીકેડ મુકી દીધા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. જો કે સમારકામ બાદ પણ રસ્તો સાંકડો થઈ ગયો છે. એટલે પીકઅવર્સમાં ત્યાંથી હજારો વાહનો પસાર થતાં હોવાના લીધે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. નોંધનયી છે કે, ભ્રષ્ટાચારના લીધે જર્જરિત બનેલા હાટકેશ્વર બ્રિજને અઢી વર્ષથી બંધ કરી દેવાયો છે. જેના લીધે ખોખરા,કાંકરિયા તરફથી બરોડા એક્સપ્રેસ હાઈવે, રામોલ તરફ જતા વાહનો હવે હાટકેશ્વર સર્કલ થઈને જતાં હોય છે. જેના લીધે મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે.ત્યારે અવારનવાર સર્કલની નીચે જ ગટર લાઈનની સમસ્યા માટે ખોદકામ કરાતા હોય છે. એટલે લોકોને હેરાન થવાનો વારો આવે છે.
જૂનાગઢની યુનિવર્સિટીમાં દલા તરવાડીની નીતિ:ઇન્ચાર્જ રજિસ્ટ્રારે 5,19,120નું એલાઉન્સ જાતે જ લઇ લીધું
જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર મયંક સોનીએ 36 માસમાં 5,19,120 ચાર્જ એલાઉન્સના નામે પોતાના પગારમાં લઈ લીધાનો ઘટસ્ફોટ થયો છે. પોતાના હોદ્દાનો ગેર ઉપયોગ કરી આટલી મોટી રકમ પોતાના પગારમાં મેળવી લેતા મોટો હોબાળો થયો છે.રાજ્ય સરકારના નાણાં વિભાગના 3-10 -2012 ના ઠરાવ મુજબ કોઈપણ ખાલી પડેલ જગ્યા ઉપર ફરજના અધિકારીને ચાર્જ સોંપવામાં આવે તો તેના પગારના પાંચ ટકા તથા નીચેની કક્ષાના અધિકારીને ચાર્જ સોંપવામાં આવે તો અધિકારીનો જે તે સમયનો પગાર ધ્યાનમાં લઈ ચાર્જ સંભાળનાર અધિકારીને જો તે જગ્યા ઉપર પ્રમોશન મળ્યું હોય તો તેનો પ્રમોશનનો સંભવિત પગાર નક્કી થયો હોય તેના ઉપર 10 ટકા ચાર્જ એલાઉન્સ પેટે દર માસે આપવામાં આવે.. પરંતુ સરકાર દ્વારા 19 -8 -2016 ના નાણા વિભાગના ઠરાવ મુજબ સાતમું પગાર પંચ 1-1 -2016થી અમલમાં આવતા તે ઠરાવ માં જોગવાઈ કરવામાં આવેલ હતી કે સરકારી કર્મચારીઓનો નવો પગાર નક્કી થાય તેના ઉપર નવું મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે. ચાર્જ એલાઉન્સ ચૂકવવા માટે સરકારી વિભાગના કોઈ કર્મચારી કે અધિકારીની બદલી કે નિવૃત્તિ સબ જગ્યા ખાલી પડે તો 36 માસ માટે ચાર્જ એલાઉન્સ ચૂકવી શકાય, છતાં મયંક સોનીએ 1-6-2018 થી 36 માર્ચ સુધી દર માસે પગારમાં 14,420નો વધારો મેળવ્યો છે. આ બાબતે કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટીએ પણ એવો રિપોર્ટ કર્યો હતો કે આ રકમ પરત વસૂલ કરવા પાત્ર છે. પરંતુ કમિટીની બેઠકમાં ફેરવિચારણા કરવા ફરીથી ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. જોકે, છે આ સભ્યોની બેઠક હજુ સુધી મળી નથી. રજિસ્ટ્રાર કહી રહ્યા છે કે, 36 માસ બાદ મે આ રકમ લેવાનું બંધ કરી દીધું છે.. પરંતુ નિયમ એવો છે કે 36 માસ સુધી જ વધારાનું એલાઉન્સ મળે છે, ત્યારબાદ આ એલાઉન્સ ઓટોમેટીક સરકાર બંધ કરી જ દે છે.
તળાજા તાલુકાના દિહોર ગામ નજીક વરલ રોડ ઉપર મામસી ગામના સીમાડે સિંગલ પટ્ટી રોડ ઉપર સિહોર બાજુથી આવતા અને અલંગ તરફ જતા મેટાડોર જેવા પીકઅપ વાહનને અકસ્માત નડતા પલટી મારી ગયું હતું. ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત થાય એ પહેલા આ રોડને નવો બનાવવાની ખાસ જરૂર છે. રોડ ઉપર આવેલી કડને કારણે આ અકસ્માત સર્જાયો છે. સામેથી આવતા વાહનને સાઈડ આપવા માટે મેટાડોરના ડ્રાઇવરે વાહનને રોડથી નીચે ઉતારતા રોડની બાજુમાં આવેલ ઊંડી કડને કારણે મેટાડોર પલટી ખાઈ ગયો હતો. દિહોરથી વરલ સુધીનો રોડ વર્ષોથી સિંગલ પટ્ટી છે આ રોડ ઉપર પુષ્કળ ટ્રાફિક હોવા છતા રોડને ડબલપટ્ટી કરવામાં તંત્રની આળસ ઊડીને આંખે વળગે છે. ડબલપટ્ટી તો ઠીક આ રસ્તો હવે સિંગલપટ્ટી જેવો પણ રહ્યો નથી એમાં પણ રોડની બંને સાઈડ ઊંડી કડ અને ખાઈને કારણે ઘણી વખત અકસ્માત સર્જાય છે.આ રીતે મેટાડોરને અકસ્માત નડતા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ભવિષ્યમાં કોઈ મોટો જીવલેણ અકસ્માત થાય એ પહેલા આ રોડને નવો બનાવવાની ખાસ જરૂર છે.
આક્રોશ:આતંકવાદ સામે જિલ્લાભરમાં લોકોનો આક્રોશ
જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકોને ધર્મ પુછી હત્યા કર્યાની ઘટનામાં ભાવનગરના બે વ્યકતિના મોત થયા છે.આ ક્રુર ઘટના બાદ સમગ્ર જિલ્લામાં આતંકવાદ સામે આક્રોશ જોવા મળે છે.લોકોમાં ભારે રોષ છે કે કાયર આતંકવાદીઓ સામે કઠોર કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.આ ઘટનાને લઇને સર્વત્ર પૂતળાદહન, આવેદનપત્ર, શ્રધ્ધાંજલી,બંધ સહીતના કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. તળાજામાં ખાતે વાળંદ સમાજ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયુ હતુ જેમાં મૌન પાળીને તથા હનુમાન ચાલીસાના પાઠ કરી મૃતકો માટે પ્રાર્થના કરવાના આવી હતી. ગઢડામાં બંધ પાળી રોષ વ્યક્ત કરી શ્રધ્ધાંજલિ અપાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને વેપારી એસોસિયેશન દ્વારા બોટાદના ઝાંપે મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.વેપારીઓએ 10-30 વાગ્યા સુધી સ્વયંભૂ દુકાનો બંધ રાખી રોષની લાગણી વ્યક્ત કર્યો હતો. સિહોર નગરપાલિકામાં પણ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જેમાં અધિકારી, પદાધિકારી, નગરસેવકો, કર્મચારીઓ સહિત તમામ લોકોએ મૃતકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના દરબાર ગઢમાં પહેલગામ આતંકી હુમલાના નિર્દોષ હૂતાત્માઓને શ્રધ્ધાંજલિ અપાઈ હતી. આ શ્રધ્ધાંજલી સભામાં આતંકીઓના કાયરતાપૂર્ણ હુમલાની સખત ઝાટકણી કાઢવામાં આવી હતી. પાલિતાણામાં આચાર્ય ભગવંતોની ઉપસ્થિતિમાં આતંકવાદી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ હિન્દુ શક્તિ દ્વારા આયોજિત સમસ્ત પાલિતાણાના ભાવુકો દ્વારા જમ્મુ કાશ્મીર પહેલગામમાં નિર્દોષ હિંદુઓ પર થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા હિન્દુઓને નવકાર જાપ દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પાલિતાણામાં બિરાજમાન તમામ જૈન આચાર્ય ભગવંતો, મુની ભગવંતો, સાધુ સાધ્વીજી મ.સા., અને સંતોની ઉપસ્થિતિમાં જંબુદ્વીપ સંકુલ આરએમડી ધર્મશાળા પાલીતાણા ખાતે યોજયો હતો. આ કાર્યક્રમમાં શેઠ આ.ક.પેઢી, પાલિતાણા જૈન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનો દ્વારા યોજાયેલ હતો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સાગર સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર સૂરીશ્વરજી મ.સા., આચાર્ય અશોક સાગર સૂરીશ્વરજી મ.સા., આચાર્ય પૂર્ણચંદ્ર સુરીશ્વરજી મ.સા., વિમલ ગચ્છાધિપતિ આચાર્ય ભાઈ મહારાજ મ.સા. સહિત મોટી સંખ્યામાં આચાર્ય ભગવંતો, સાધુ સાધ્વીજી મ.સા., યાત્રિકો ઉપસ્થિત રહ્યા હતા.
સભા સંપન્ન થઇ:લીલીવાવ-મ દૂધ મંડળીની સાધારણ સભા સંપન્ન થઇ
તાજેતરમાં તળાજા તાલુકાના લીલીવાવ-મ દૂધ સહકારી મંડળીની સાધારણ સભા મળી હતી. લીલીવાવ-મ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.(તા.તળાજા)ની વાર્ષિક સાધારણ સભા અને બોનસ વિતરણ કાર્યક્રમ સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીના અધ્યક્ષસ્થાને તાજેતરમાં સહકાર મેનેજર અને મંડળીના પ્રમુખ અને બહોળી સંખ્યામાં સભાસદો સાથે મળી જેમાં એજન્ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. વાર્ષિક સાધારણ સભામાં લીલીવાવ-મ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ના દૂધ ભરતા તમામ સભાસદોને 4.55 લાખ બોનસના રૂપમાં માતબર નફો વહેચવામાં આવ્યો. જેમાંથી વધારે દૂધ આપનાર 1 થી 10 નંબરને બોનસના ચેકનું સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર તથા મંડળીના પ્રમુખના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતુ સાથે તમામ દૂધ ઉત્પાદકને દૂધના પ્રમાણમાં માતબર રકમ ચુકવવામાં આવી હતી જેથી સભાસદોમાં હર્ષની લાગણી પ્રસરી હતી.
કિસાનો અરજીની સ્થિત જોઇ શકશે:આઇ-ખેડૂત પોર્ટલ પર હવે વલભીપુર તાલુકા સહિત કિસાનો અરજીની સ્થિત જોઇ શકશે
વલભીપુર શહેર અને તાલુકાના ખેડુતો હવે અદ્દતન ટેકનોલોજી સાથેનું આઇ-ખેડુત પોર્ટલ શરૂ કરવામાં આવતા હવે ખેડુતો જાતે પોતે અરજી અન્યવયેનું સ્ટેટસ તપાસી શકશે. રાજય સરકારના કૃષિ મંત્રાલય દ્વારા તાજેતરમાં આઇ-ખેડુત પોર્ટલ 2.0 ની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલની શરૂઆતથી અત્યાર સુધીમાં વલભીપુર, જિલ્લા અને રાજયભરના લાખો ખેડુતોએ કરોડો રૂપીયાની યોજનાઓનો લાભ લીધો છે અને આ યોજનાઓનો સરળતાથી લાભ લઇ શકાય તેવી ખેડુતોની વારંવારની રજુઆતોને ધ્યાને લઇને નવી ટેકનોલોજી આધારીત આ આઇ-ખેડુત પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ખેડુતો વિવિધ યોજનાઓનો લાભા લઇ શકે તે માટે આ નવી ટેકનોલોજી આધારીત પોર્ટલ તા.24 એપ્રીલથી આગામી તા.15 મે સુધી એટલેકે 22 દિવસ સુધી આ પોર્ટલ ખેડુતો માટે ખુલ્લુ રહેશે. અને હાલમાં ખેતી અંગેના 45 ઘટક અને બાગાયત વિભાગ માટે 50 ઘટક માટે અરજીઓ મેળવવામાં આવશે અને જે ખેડુત એ આ પોર્ટલના માધ્યમથી અરજી કરી હશે તે ખેડૂતો પોતાની અરજીનું સ્ટેટસ જાતે ટ્રેસ કરી શકશે. આ ટેકનોલોજી ગામડાના ખેડુત કેટલા અંશે સમજી શકશે અને ઉપયોગ કરી શકશે તે આવનાર સમય કહેશે. અરજી કરેલ ખેડૂતોને SMSથી માહિતીગાર કરાશે જે ખેડૂતોએ અરજી કરી હશે તેવા ખેડુતોને આ નવા અપડેટ પોર્ટલ દ્વારા ખેડૂતોને એસ.એમ.એસ.થી અરજીના તમામ તબક્કાઓની માહિતીગાર કરવામાં આવશે. અત્યાર સુધી અરજીઓને મેન્યુઅલ રીતે ફોલોઅપસ નહીં કરે પરંતુ સીસ્ટમ આપ મેળે અધિકારીઓને મંજુરી માટે સૂચનાઓનું ટ્રીગર કરશે.અને ખરીદી,બાંધકામ વિગેરેના બીલો ખેડુતો જાતે જ અપલોડ કરી શકશે અને એક મોબાઇલ એપ્લીકેશન વડે ખેડૂતોએ ખરીદ કરેલ વસ્તુઓનું વેરીફીકેશન માટે થશે.
ટોળકી ઝડપાઈ:જંગલી ભૂંડને ગેરકાયદેસર રીતે પકડીને લઈ જતી ટોળકી ઝડપાઈ
તા.24 એપ્રિલે કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરના મદદનીશ વન સંરક્ષક એન. એન. જોષીને મળેલ પૂર્વ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ. જી. બાંભણીયાની ટીમને મળેલ માહિતી મુજબ જૂનાગઢ, ઉના, અલંગથી નીકળેલ અને અજમેર તરફ જતી કેસરી કલરની આયસર ટ્રક વાહન નં.RJ-1GC-3683ને શંકાના આધારે મોબાઇલ સ્કવોર્ડ રેન્જ સ્ટાફ દ્વારા સનેસ રાઉન્ડના નારી બીટમાં આવતા વરતેજ- કમળેજ ગામ રોડ પર આ વાહનને અટકાવી તપાસ કરતા એમાં વન્યપ્રાણી જંગલી ભૂંડને ગેરકાયદેસર રીતે પકડી બંધક અવસ્થામાં રાખી ટ્રકમાં વાહતુક કરી વેપાર અર્થે અજમેર તરફ લઇ જતા ડ્રાઇવર સહિતના અન્ય ઇસમોને પકડી પાડી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી રેન્જ સ્ટાફે કાયદેસરની કાર્યવાહી કરી છે. જંગલી ભૂંડની વેટરર્નરી ડૉક્ટર વેળાવદર પાસે સ્વાસ્થ્ય ચકાસણી કરાવી સ્વસ્થ હાલતમાં વન્યજીવ ભૂંડને જંગલના કુદરતી નિવાસ સ્થાનમાં મુક્ત કરવામાં આવ્યું છે. અને આ ગુના અન્વયે આરોપીઓ પાસેથી ગુનાના દંડની રકમ પેટે રૂા.બે લાખની વસુલાત કરવામાં આવી છે. આ ઇસમો દ્વારા નગરપાલિકા તથા ગ્રામ પંચાયતના વિસ્તારો અને સીમ વિસ્તારોમાંથી સાદા ભૂંડ તથા જંગલી ભૂંડ અલગ અલગ જગ્યાએથી પકડી એક જગ્યાએ વાડામાં એકત્ર કરી વાહન દ્વારા રાજય બહાર અજમેર ખાતે વેપાર અર્થે મોકલવામાં આવતા હતા. પકડાયેલા ત્રણ આરોપી ચાંદખાન મહમદખાન (ઉ.વ.50) રહે.અજમેર, રાજસ્થાન મુનશીભાઇ સનુલાલ (ઉ.વ.70) રહે.વડોદરા, ગુજરાત મદન સેજા (ઉ.વ.39) (રહે.અજમેર) રાજસ્થાન
તપાસ:ભાણવડિયામાં વાડી રાખ્યાની દાઝે પિતા-પુત્ર પર હુમલો
ભાવનગર | જેસર તાલુકાના ભાણવડિયા ગામમાં રહેતા વૃદ્ધ કરશનભાઈ વીસાભાઈ ચૌહાણ ગામમાં રહેતા ખોડાભાઈ દામજીભાઈ કુંભારની વાડી વાવવા માટે રાખેલ હોય, આ વાડી ગામમાં રહેતા શંભુભાઈ રવજીભાઈ ભાલીયા વર્ષોથી ફાર્મે રાખતા હોવાથી તેમને આ બાબત ગમતી વાત ન હોય, શંભુભાઈ રવજીભાઈ ભાલીયા, તેનો દીકરો અને કાળુભાઈ કનુભાઈ ભાલીયા એ 'ખોડાભાઈ દામજીભાઈ કુંભાર ની વાડી શા માટે ફાર્મે રાખી ?' તેમ કહી કરશનભાઈ વીસાભાઈ ચૌહાણ અને તેના દીકરા ગોપાલભાઈ ઉપર લોખંડનો પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે કરશનભાઈ વીસાભાઈ ચૌહાણએ શંભુ રવજીભાઈ ભાલીયા, તેનો દીકરો અને કાળુ કનુભાઈ ભાલીયા વિરુદ્ધ જેસર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આપઘાત:બુટલેગર ધંધો કરવા માંગતો ન હતો એટલે પોલીસે ધમકાવતા દવા પી આપઘાત કર્યો
ભાવનગરમાં દારૂના એક બુટલેગરે ધંધો બંધ કરી દેતા પોલીસને વાંધો પડી ગયો હતો અને દારૂનો ધંધો ફરી શરૂ કર નહી તો પાસામાં ધકેલી દઇશું એવી ધમકી આપી એક કોન્સ્ટેબલે રૂ. 3 લાખની માંગણી કરતા પોલીસ મથકમાં જ તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મામલો જાજો બહાર આવે નહી તે માટે સર.ટી હોસ્પિટલ બાદ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં આ યુવાનને દાખલ કરાયો હતો અને ત્યાથી અમદાવાદ ખસેડાયો હતો જયાં આજે તેનું મોત નિપજતા તેના પરિવારજનોમાં ભારે આક્રોશ વ્યાપેલ છે. પરિવારજનોએ મૃતક દારૂનો ધંધો નહીં કરવા માંગતા હોવા છતા પોલીસ દબાણ કરતી હતી તેવો આક્ષેપ કરે છે. ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં ફાતિમાકોન્વેન્ટ પાસે રહેતા અને દારૂના સાત ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર ખુશાલભાઈ ભરતભાઈ માળી (ઉંમર વર્ષ 25) એ ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના માતા હર્ષાબેન તથા ભાઈ આકાશ સહિતના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ગત તારીખ 21 એપ્રિલના એલસીબી પોલીસવાળા પોતાના ઘરે આવ્યા હતા અને ખુશાલ ને હાજર કરી દો અને તેને મારવો ન હોય તો પૈસાની માગણી કરી હતી. તેમજ અનિલભાઈ સોલંકી નામના પોલીસ કર્મચારી છેલ્લા એકાદ વર્ષથી તેને પાસામાં ધકેલી દઇસ તેવી ધમકી આપી ત્રાસ આપતા હોવાથી આ ત્રાસથી કંટાળી જઈ ખુશાલભાઈ એલસીબી પોલીસ કચેરીમાં પહોંચ્યા હતા અને પોલીસ સામે જ ઝેરી દવા પીધી હોવાનુ પરિવારજનો એ જણાવ્યું હતું. જેથી જ્યાં સુધી તેઓને ન્યાય નહીં મળે અને જવાબદાર પોલીસ કર્મી.ઓ સામે પગલા નહીં ભરાય ત્યાં સુધી પરિવારજનોએ ખુશાલભાઈનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર દીધો હતો. આ બનાવને લઈને ભારે ચકચાર સાથે પોલીસ બેડામાં હલચલ મચી જવા પામી હતી. જોકે પોલીસ કાફલો સર્ટી હોસ્પિટલ દોડી ગયો હતો અને મોડી સાંજ સુધી પરિવારજનોને સમજાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. છતાં મોડે સુધી આ અંગે કોઈ નિર્ણય થયો ન હતો.
વિરાંજલી:આતંકવાદીઓમાં હિંમત હોય તો સેનાના જવાનોને ધર્મ પૂછે
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ નિર્મમ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે કારગિલ યુદ્ધમાં ભાગ લઇ ચૂકેલા હાલ અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ અને માજી સૈનિક સેવા સંગઠન ભાવનગરના સક્રિય સભ્ય માલદેવસિંહ ગોહિલે આતંકવાદીએ કાયરતાપૂર્ણ નિહથ્થા લોકોને ધર્મ પૂછીને વાર કર્યો છે. જે દુઃખદ બાબત છે. ત્યારે ત્રેવડ હોય તો ઈન્ડિયન આર્મીને ધર્મ પૂછો. સમગ્ર શહેરમાં આજે બીજે દિવસે પણ હુમલાના આ બનાવના કારણે ભારે આક્રોશયુક્ત માહોલ જોવા મળ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સાંજે કાળીયાબીડ ખાતે વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો મહંતોનાં કાર્યક્રમમાં રાજકીય આગેવાનોએ પણ મંચાસ્થિત રહી પ્રવચન કરતા પ્રજામાં તેની ભારે ચર્ચા થઈ હતી. પહેલગામમાં થયેલા અમાનવીય આતંકવાદી હુમલામાં ભાવનગર શહેરના યતિશભાઈ પરમાર અને સ્મિત પરમારનું મૃત્યુ થયું હતું જ્યારે વિનુભાઈ ડાભીને ઈજા થઈ છે. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આજે શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંતો માટેનો વિરાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં હિન્દુ ધર્મના જુદા જુદા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. અને આતંકવાદ હુમલામાં મૃત્યુ પામનાર પિતા પુત્રના પરિવારજનો તેમજ ઘાયલ થયેલા વિનુભાઈ સહિત તેના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંતો મહંતોએ શબ્દાંજલી પાઠવી હતી તેમજ મૃત્યુ પામનાર યતિશભાઈ પરમારના પત્ની કાજલબેને પણ હુમલાની પરિસ્થિતિ વર્ણવી મૃતકોને અંજલી અર્પણ કરી હતી. પરંતુ કાર્યક્રમમાં મંચાસ્થિત રહેલા મંત્રી અને ધારાસભ્યએ પણ પ્રવચન આપતા અને સંતો મહંતોનું વિરાંજલી કાર્યક્રમ થોડા ઘણા અંશે રાજકીય પ્લેટફોર્મ બની જતા ઉપસ્થિત લોકોમાં પણ ભારે ચર્ચા થઈ હતી. રાજપૂત કરણી સેના કરશે અનોખો વિરોધ : પ્રદિપસિંહ ઝાલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાનો ભાવનગરના પિતા-પુત્ર સહિત 26 નિર્દોષ લોકો ભોગ બન્યા છે ત્યારે રાજપૂત કરણી સેના દ્વારા કાળિયાબીડ ભગવતી સર્કલ ફરતે રોડ પર પાકિસ્તાનના ઝંડા ચોંટાડવામાં આવશે. અહીંથી પસાર થતા લોકો તેના પર ચાલે અને થુક્તાં જાય તેવા આશય સાથે રોડ પર પાકિસ્તાનના ઝંડા ચોંટાડવામાં આવશે તેમ રાજપૂત કરણી સેના ભાવનગરના પ્રમુખ પ્રદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું. અમિત શાહે કહ્યુ છે હું આ લોકોને મુકીશ નહીં ‘અચાનક ધડાકા થાય એકધારા, હું મારી પત્નીને ગોતુ પણ મળે નહીં દરવાજાની બહાર નીકળતા હતા ત્યારે આતંકવાદીઓએ મને પાછળથી બે ગોળી મારી. એક મારા ખંભાને ઘસરકો કરી ગઈ, બીજી મારા હાથમાં વાગી’ તેમ પહેલગામમાં આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા વિનુભાઈ ડાભીએ ’ આજે ભાવનગર પહોંચી જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘મને અમિતશાહે ખાત્રી આપી છે કે હું આ લોકોને મુકીશ નહીં. મારા પતિ અને પુત્ર હુમલામાં શહિદ થયા પાકિસ્તાનનું નામ નિશાન મિટાવી દયો ભાવનગર | ‘‘મારા ઘરે દુ:ખ પડયુ છે તેવું હિન્દુસ્તાનના કોઈના ઘરે દુ:ખ ન પડે એવા મોદીસાહેબ પગલા લે અને પાકિસ્તાનનું નામનિશાન મીટાવી દે. મારો પતિ, પુત્ર દેશ માટે શહિદ થઈ ગયા છે. મોદીસાહેબ અમારા માટે ભગવાન છે એ મને મારી બે હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ લોકોનું બલિદાન એળે ન જવુ જોઈએ. એ લોકોને એવો પાઠ ભણાવો કે ફરી આવો કોઈ ચાળો ન કરે’’ ભાવનગરના કાળિયાબીડમાં રહેતા યતીશભાઈ અને તેના પુત્ર સ્મિતના કાશ્મીરના આતંકવાદીઓના હુમલામાં મોત નિપજતા આજે પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમના નિવાસસ્થાને સાંત્વના આપવા ગયા હતા. ત્યારે યતીશભાઈના પત્ની કાજલબેન પરમારે રડતી આંખે ઉપર મુજબ જણાવ્યું હતું. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, ‘આ બહેને એમના શબ્દોમાં જે વેદના અને લાગણી વ્યક્ત કરી એ સાંભળી ત્યાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ હતી.’ આ સમયે પૂર્વમંત્રી સાથે ભરતસિંહ ગોહિલ, સ્થાનિક વોર્ડના આગેવાનો હાજર હ્યા હતા.
આક્રોશ:ભાવનગરમાં 51% GSTના નવા નોંધણી નંબરની અરજી રદ
ગુજરાત રાજ્યમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં સૌથી વધુ બોગસ રજીસ્ટ્રેશન અને બોગસ બિલિંગની સમસ્યા ભાવનગરમાં હતી, અને તેના કારણે જીએસટી વિભાગ દ્વારા બાયોમેટ્રિક પધ્ધતિથી રજીસ્ટ્રેશનનો પાયલોટ પ્રોજેક્ટ ભાવનગરથી અમલી બનાવવામાં આવ્યો હતો. છેલ્લા 18 માસ દરમિયાન તંત્ર સમક્ષ આવેલી નવા રજીસ્ટ્રેશનની અરજીઓ પૈકી 51% નંબરો માટેની અરજીઓ રદ્દ કરવામાં આવી છે. જીએસટીની શરૂઆતથી તંત્રના કર્મીઓના મેળાપીપણાથી બોગસ નંબરો મેળવવાનું રાજ્યવ્યાપી કારખાનુ ભાવનગરમાં હતુ. બોગસ નંબરો મેળવી અને તેના વડે બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ મેળવવી સહિતની બાબતોની સહાયતાથી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવતુ હતુ, પરંતુ નવેમ્બર-2023માં રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જીએસટી તંત્રમાં બાયોમેટ્રિક જીએસટી રજીસ્ટ્રેશન પધ્ધતિ અમલમાં લાવવામાં આવી હતી, જેના કારણે બોગસ નંબરોની સમસ્યા હળવી બની હતી. છેલ્લા 18 માસ દરમિયાન ભાવનગરના જીએસટી સેવા કેન્દ્ર ખાતે 6595 અરજદારોએ નવા જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ બાયોમેટ્રિક જીએસટી રજીસ્ટ્રેશનના માપદંડમાં ફિટ નહીં બેઠતી 3365 અરજીઓ રદ્દ કરવામાં આવી છે, અને માત્ર 3230 વ્યવસાય માટે નવા નંબરોની ફાળવણી કરવામાં આવી હતી. તાજેતરમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા તાજેતરમાં જ નવા જીએસટી રજીસ્ટ્રેશન બાબતે નોંધણી પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવા માટે સૂચક ટકોર કરી હતી અને જોખમી શ્રેણીમાં આવતી ન હોય તેવી અરજીઓ 7 દિવસમાં ક્લીયર કરવાનો આદેશ આપ્યો હતો. નિર્ધારીત દસ્તાવેજો ઉપરાંત કોઇપણ દસ્તાવેજોની માંગણી માટે હવે ડેપ્યુટી અથવા આસિસ્ટન્ટ કમિશનરની પૂર્વ મંજૂરીની જરૂર પડશે. રજીસ્ટ્રેશન રદ્દ થવાના મુખ્ય કારણો અધિકારી દ્વારા નિયમ મુજબ વ્યવસાયના દર્શાવાયેલા સ્થળની મુલાકાત લેવાય છે, જો તેમાં નકારાત્મક અભિપ્રાય હોય તો, જીએસટી દ્વારા ક્વેરી મુજબના માગવામાં આવેલા ડોક્યુમેન્ટ પુરા પાડવામાં આવ્યા ન હોય, રજીસ્ટ્રેશન અરજી નિયત મુદ્દા મુજબ ન હોય, વિભાગ તરફથી અપાયેલી કારણ દર્શક નોટિસનો જવાબ આપવા અરજદાર નિષ્ફળ નીવડ્યા હોય તેવા કિસ્સામાં જીએસટી રજીસ્ટ્રેશન રદ્દ કરાય છે. GST રજીસ્ટ્રેશન વર્ષ મંજુર રદ કુલ 2023-24 786 987 1773 2024-25 2383 2334 4717 2025-26 61 44 105 કુલ 3230 3365 6595 *ડેટા 07.11.2023થી 22.04.2025નો છે. જોખમી શ્રેણીમાં આવતી ન હોય તેવી અરજી 7 દિવસમાં ક્લીયર કરવા આદેશ
લોકોમાં કચવાટ:નોટિસમાં સતનામ ચોકથી રેલવે હોસ્પિટલ અને ડિમોલીશન અધૂરું કર્યાથી લોકોમાં કચવાટ
કોર્પોરેશન દ્વારા તાજેતરમાં સતનામ ચોકથી ઝવેરભાઈની વાડી સુધી 140 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કર્યું હતું પરંતુ ડિમોલિશન પૂર્વે દબાણ હટાવવા આપેલી નોટિસમાં સતનામ ચોક થી રેલવે હોસ્પિટલ પાસે ભાવનગર રાજકોટ રોડની જોડતા રોડનાં દબાણો હટાવવા આદેશ કર્યો હતો. જેને લઇ કોર્પોરેશન દ્વારા રાજકીય દબાણવશ અધુરુ ડિમોલિશન કર્યું હોવાનો લોકોમાં કચવાટ ફેલાયો છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી મોટા મોટા ડીમોલિશન ઓપરેશન નિર્વિઘ્ને પાર પાડ્યા છે. થોડા સમય પહેલા ચિત્રા ટીપી સ્કીમ નંબર 24 બી માં સતનામ ચોકથી ઝવેરભાઈની વાડી સુધી 45 મીટર રોડ પૈકી 18 મીટર પહોળાઈના રોડ બનાવવા તેમાં અડચણરૂપ 140 ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે નોટિસ આપી હતી અને ત્યારબાદ બુલડોઝર ફેરવ્યુ હતું. જોકે, આ ચિત્રા ટીપી સ્કીમ નંબર 24 બી વિકસિત થઈ ગયો હોવાથી તેને રદ કરવા માટે સરકારમાં દરખાસ્ત કરાઈ છે. પરંતુ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા 140 ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે અપાયેલી નોટિસમાં સતનામ ચોક થી માધવાનંદ સોસાયટી પાણીની ટાંકી થઈ નારેશ્વર સોસાયટી થઈ નિર્ભય સોસાયટી, કલેકટર પટ્ટો થઈ પટેલ નગર મીલેટરી સોસાયટી હરિઓમ નગર થઈ વિદ્યાવિહાર સ્કૂલની પાછળના ભાગમાંથી નાગરિક સોસાયટી થઈ રેલવે હોસ્પિટલ પાસે ભાવનગર રાજકોટ રોડ ને જોડતા રોડમાં દબાણો હોવાથી માલિકી તથા બાંધકામ મંજૂરીના આધારે સાત દિવસમાં રજૂ કરવા હુકમ કર્યો હતો. નોટિસ પરથી એવું પ્રતિપાદિત થાય છે કે, હાલમાં જે ડિમોલિશન સતનામ ચોક થી ઝવેરભાઈની વાડી સુધી કર્યું છે તે ખરેખર રેલવે હોસ્પિટલ પાસે ભાવનગર રાજકોટ રોડને જોડતા રોડ સુધી થવું જોઈતું હતું.24 મીટર ટીપી રોડ છેક રેલવે હોસ્પિટલ પાસે પસાર થાય છે. જેમાં રાજકીય દબાણોને કારણે ઝવેરભાઈની વાડી સુધી જ ડિમોલિશન કરી ત્યારબાદ અટકાવી દેવામાં આવ્યું હોવાની લોકોમાં અટકળો બંધાઈ છે. જોકે, તંત્ર દ્વારા ચિત્રા ટીપી સ્કીમ નંબર 24 બી સરકારમાં રદ થવા માટે મોકલી હોવાથી 24 મીટર ટીપી રોડ પર નહિ રહે તેવું જણાવ્યું હતું. જેથી હાલમાં કરેલી કામગીરી યથાયોગ્ય હોવાનું પણ જણાવ્યું છે. પરંતુ પ્રજામાં કામગીરીમાં વ્હાલા દવાલા કર્યા હોવાની નારાજગી ફેલાયેલી છે.
ગરમીમાં થોડો ઘટાડો:ત્રીજા દિવસે 27 ડિગ્રીએ રાજ્યમાં ભાવનગરમાં રાત્રે સૌથી વધુ ગરમી
ભાવનગર શહેરમાં છેલ્લાં ત્રણ દિવસથી બપોરે ગરમીમાં થોડો ઘટાડો નોંધાયો છે જ્યારે રાતના તાપમાનમાં આજે સતત ત્રીજી રાતે સમગ્ર રાજ્યમાં 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સાથે ભાવનગર શહેર સૌથી ગરમ શહેર રહ્યું હતુ. શહેરમાં ગુરુવારે દરિયાઇ પવન ફૂંકાતાં બે જ દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી ગયો છે. મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી પહોંચી જતાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા શહેરીજનોને ગરમીમાંથી નજીવી રાહત મળી છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. બે દિવસ પહેલા મહત્તમ તાપમાનનો પારો 40.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો તે બે દિવસમાં 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી ગયો છે. જો કે આજે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ સાથે સતત ત્રીજી દિવસે સમગ્ર ગુજરાતમાં ભાવનગર શહેર રાત્રે સૌથી ગરમ શહેર રહ્યું હતુ. શહેરમાં રાત્રે સામાન્ય કરતા 1.6 ડિગ્રી વધુ ઉષ્ણતામાન નોંધાયું હતુ. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 43 ટકા નોંધાયું હતુ તે આજે સાંજે ઘટીને 33 ટકા થઇ ગયુ હતુ. જ્યારે આજે સવારે શહેરમાં પવનની ઝડપ 12 કિલોમીટર હતી તે સાંજે બમણી વધીને 24 કિ.મી. થઇ ગઇ હતી. રાજ્યમાં રાત્રે ગરમી શહેર રાત્રે તાપમાન ભાવનગર 27.0 ડિગ્રી સેન્ટીગ્રેડ વડોદરા 26.8 ડિગ્રી સેન્ટીગ્રેડ અમદાવાદ 26.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓખા 26.6 ડિગ્રી સેન્ટીગ્રેડ દ્વારકા 26.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુરત 26.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ગાંધીનગર 26.0 ડિગ્રી સેન્ટીગ્રેડ
એપ્રિલમાં જ એપ્રેઝલ કેમ આવે? આ વર્ષે તમારો કેટલો પગાર વધી શકે? ચાલો જાણીએ આજના ભાસ્કર એક્સપ્લેનરમાં... એપ્રિલમાં પગાર વધારો આવે તેનું કારણ છે પહેલી એપ્રિલથી શરૂ થતું નવું નાણાકીય વર્ષ. આ પ્રથા બ્રિટિશ શાસનકાળથી ચાલી આવે છે. કંપનીઓ માર્ચ મહિનામાં આખા વર્ષનો હિસાબ-કિતાબ કરે છે, નફો-નુકસાન જુએ છે અને તે પ્રમાણે કર્મચારીઓના પગારમાં વધારો કરે છે. આ ઉપરાંત, ફેબ્રુઆરી-માર્ચમાં ખેડૂતો પાક વેચીને નાણા મેળવે છે, તેમજ ટેક્સ અને બજેટરી પ્લાનિંગ પણ આ જ સમયગાળામાં થાય છે. આ સિવાય, ભારતમાં વર્ષના અંતે તહેવારોની રજાઓ વધુ હોય છે, તેથી એપ્રિલ પગાર વધારા માટે યોગ્ય સમય ગણાય છે. 1991ના LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઈઝેશન, ગ્લોબલાઈઝેશન) પછી, કંપનીઓએ નફાના આધારે પગાર વધારવાનું શરૂ કર્યું, જ્યારે 1991 પહેલા સરકારી યોજનાઓ મુજબ વધારો થતો હતો. મોટા શહેરો કરતા નાના શહેરોનો પગાર વધારે વધ્યોડેટા પર નજર કરીએ તો, 2023-24માં મોટા શહેરો (ટીયર 1)માં સરેરાશ પગારમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો. એટલે કે જો કોઈનો પગાર 50 હજાર હોય, તો તે વધીને 57,500 રૂપિયા થયો. જ્યારે નાના અને મધ્યમ શહેરો (ટીયર 2 અને 3)માં તો 22 ટકાનો વધારો થયો, એટલે કે 50 હજારનો પગાર વધીને 61 હજાર થયો. 2023-24માં મેટ્રો સિટીઝ કરતાં ટીયર 2-3 શહેરોમાં પગાર વધારાની ટકાવારી વધુ રહી. IT અને હેલ્થ સેક્ટરમાં સૌથી વધુ પગાર વધેકંપનીઓ KRA એટલે કે Key Responsibility Area, સ્કિલ્સ, રિમોટ વર્ક, સતત મળતો ફીડબેક, પર્ફોર્મન્સ અને વેરીએબલ પે જોઈને ઇન્ક્રીમેન્ટ આપે છે. આઇટી અને હેલ્થકેર જેવા સેક્ટરમાં પગાર વધુ વધે છે, જ્યારે મેન્યુફેક્ચરિંગ જેવા સેક્ટરમાં અલગ ટ્રેન્ડ જોવા મળે છે. કંપની ફરજિયાત પગાર વધારે એવો નિયમ નથીઘણા લોકોને લાગે છે કે કંપનીએ આટલો પગાર વધારવો જ પડે, પણ કાયદા મુજબ આવા કોઈ નિયમો નથી. ગુજરાતની વાત કરીએ તો, તાજેતરમાં જ રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું (DA) 2 ટકા વધાર્યું, જેનો ફાયદો 4.37 લાખ ગુજરાતી સરકારી કર્મચારીઓ અને 2.81 લાખ પેન્શનરોને મળ્યો. વર્ષ 2023-24માં રાષ્ટ્રીય સ્તરના ટીયર 1 શહેરોમાં 15 ટકા, ટીયર 2 (અમદાવાદ) અને ટીયર 3 (વડોદરા) શહેરોમાં 22 ટકા પગાર વધ્યો હતો. જે તે શહેરના ખર્ચ (Cost of Living) અને ઇન્ડસ્ટ્રી પર પગાર વધારો આધાર રાખે છે. વિશ્વભરમાં લગભગ 385 કરોડ લોકો નોકરી કરીને ગુજરાન ચલાવે છે, જેમાં 340 કરોડ પ્રાઇવેટ અને 45 કરોડ સરકારી નોકરી કરે છે. આ બધાને પગાર વધારાની ઘણી આશા હોય છે. વર્ષ 2025ની વાત કરીએ તો WTWના સર્વે મુજબ, ભારતમાં સરેરાશ પગાર વધારો 9.5 ટકા રહી શકે છે. એટલે કે ૫૦ હજારના પગારમાં 4,750 રૂપિયાનો વધારો સંભવ છે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરો
મહારાષ્ટ્રનું પહેલું એરફોર્સ મ્યુઝિયમ નાગપુરમાં ખુલ્લું મુકાયું
ફાઈટર પ્લેનના અનુભવ માટે સિમ્યુલેટર ફાઇટર પ્લેન, હેલિકોપ્ટર, મિસાઇલ ગોઠવાયા, પહેલીવાર નજીકથી યુદ્ધ વિમાનો જોઈ શકાશે મુંબઈ - દેશની હવાઈ સીમાની હિફાઝત કરતા એરફોર્સના ઉજ્જવળ ઇતિહાસની ઝાંખી કરાવતું મહારાષ્ટ્રનું પહેલવહેલું એરફોર્સ મ્યુઝિયમ આજે નાગપુરમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ાયુસેના નગરમાં એર માર્શલ વિજય ગર્ગના હસ્તે આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મ્યુઝિયમના પ્રવેશદ્વાર પાસે જ મિગ-૨૧ ફાઇટર એરક્રાફ્ટ, એમઆઇ-૮ હેલિકોપ્ટર તેમ જ પિચોરા મિસાઇલ ગોઠવવામાં આવ્યા છે.
પહેલા નશો, પછી બંધાણી ને અંતે પેડલર...આ સ્ટોરી હવે લગભગ દરેક ડ્રગ્સ એડિક્ટ અને પેડલરની બની ગઈ છે. SOGએ છેલ્લા 3 વર્ષમાં 107 નાર્કોટિક્સના કેસ નોંધ્યા છે જેમાં 28 મહિલાઓની ધરપકડ કરાઈ છે. SOGની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે પહેલાં મહિલાઓ નશો કરે છે બાદમાં ધીમે-ધીમે બંધાણી બની જાય છે અને અંતે ડ્રગ્સ લેવા માટે કોઈ પણ હદે અથવા તો પેડલર બનતા પણ અટકાતી નથી. કોઈ કેસમાં MBA યુવતી ડ્રગ્સ પેડલર બની ગઈ છે તો કોઇક કેસમાં એક શિક્ષક દંપતી ડ્રગ્સ લેવા મધ્ય ગુજરાતથી છેક અમદાવાદ સુધી લાંબા થયા હોવાનું જાણવા મળ્યુ છે. ડ્રગ્સના વેપારમાં મહિલાઓ વધુ પડતી સક્રિયસામાન્ય રીતે ડ્રગ્સનું નામ આવે એટલે કોઈ લુખ્ખા, ટપોરી આ ડ્રગ્સ વેચતા હોય તેવું લોકો માનતા હોય છે, પરંતુ એવું નથી. આ વેપારમાં મહિલાઓ વધુ પડતી સક્રિય છે અને પોલીસને શંકા ન જાય તે માટે તેઓ આ પ્રકારના વેપારમાં વધુ જોડાઈ રહી છે અને લાખો રૂપિયા કમાઈ રહી છે. ડ્રગ્સના ખર્ચને પહોંચી વળવા ગેંગમાં ફસાઈ જાયએવું પણ નથી કે ખાલી રૂપિયા કમાવવા માટે આ વેપાર ચાલતો હોય. પણ મોટા ઘરના લોકો એક વખત આ ડ્રગ્સના રવાડે ચડે તો એનો ખર્ચ પહોંચી વળવા માટે પણ આ ગેંગમાં ફસાઈ જાય છે. અને તેઓ ગમે તેમ કરીને ડ્રગ્સ મેળવવા માટે પેડલર બનવા સુધી તૈયાર થઈ જાય છે. કોડવર્ડના માધ્યમથી ડ્રગ્સની લે-વેચવોટ્સએપ ગ્રુપ કે સિક્રેટ ચેટ માટે જાણીતા પ્લેટફોર્મ પર કોડવર્ડના માધ્યમથી આ ડ્રગ્સની લે-વેચ થાય છે. જેના માટે માલ, મન્ચુરિયન, મહેગા નશા સહિતના કોડવર્ડનો ઉપયોગ થાય છે. SOGની તપાસમાં ડ્રગ્સ સપ્લાય અને પેડલરની કડી મળીSOGના DCP જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે 3 વર્ષમાં SOGએ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં 107 નાર્કોટિક્સના કેસ કર્યા છે. આ સમગ્ર કેસમાં અલગ અલગ રીતે ડ્રગ્સ સપ્લાય અને પેડલર બંનેની કડી મળી છે. ઘણી વખત તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જે પેડલર હોય છે તે એક વખત બંધાણી બને છે અને તે પોતાના નશાનો ખર્ચ ઉપાડવા માટે ગમે તેમ કરીને કોઈનો હાથો બની ડ્રગ્સ સપ્લાય કરતો થઈ જાય છે. ડ્રગ્સમાંથી બહાર આવવા મદદ કરીશું: DCPઅલગ અલગ કોડવર્ડથી ડ્રગ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી સપ્લાય થતું હોય છે. અમારી પાસે આવતા અનેક લોકોને અમે આ ચક્કરમાંથી બહાર લાવવા માટે કાઉન્સિલિંગ કરવાનો પ્રયાસ કરતા હોઇએ છીએ. ઘણી વખત જરૂરી ડોક્ટરની પણ અમે વ્યવસ્થા કરી આપીએ છીએ. જો કોઇને આમાંથી બહાર આવવું હોય તો તે અમારો સંપર્ક કરશે તો અમે તેમને ચોક્કસ મદદ કરીશું. ડ્રગ્સ કેસમાં મહિલા આરોપીઓના કિસ્સા MBA ભણેલી યુવતી પેડલર બનીઅમદાવાદના પોશ વિસ્તારમાં જ્યારે ડ્રગ્સ સપ્લાયની વાત આવે ત્યારે અમદાવાદની એક MBA ભણેલી યુવતી ચોક્કસ લોકોને નજરે ચડે છે. આ યુવતી મિત્ર-વર્તુળના કારણે ડ્રગ્સના ચક્કરમાં ફસાઈ ગઈ હતી. તેના પરિવારમાં પણ ખૂબ જ ભણેલા-ગણેલા લોકો છે પરંતુ ડ્રગ્સના કારણે તેણે તેના પરિવારથી અલગ થવું પડ્યું. એટલું જ નહીં તે પોશ વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરતી થઈ અને એક નહીં અનેક વખત તે પોલીસની પકડમાં આવી ચૂકી છે. પહેલાં લત લાગી પછી પેડલર બનીપહેલા સામાન્ય નશાની લત લાગી હતી. ત્યારબાદ તેને આ નશાની જરૂરિયાત માટે રૂપિયાની જરૂર હતી, પરંતુ નહીં મળતા તે પેડલરની ભૂમિકામાં આવી ગઈ હતી. પોલીસ વારંવાર તેની ધરપકડ કરીને જેલના હવાલે કરે છે, પરંતુ આ ડ્રગ્સનું ચક્ર તેને સુધરવા દેતું નથી. અડધી રાતે પણ ડ્રગ્સ લેવા અમદાવાદ આવતામધ્ય ગુજરાતનું એક શિક્ષક દંપતી સતત ડ્રગ્સના કારણે ગમે ત્યારે અમદાવાદ આવતું થઈ ગયું હતું. પહેલા સર્કલમાં કોઈ નશાનો બંધાણી આવ્યો અને ત્યારથી તેમણે એમડી ડ્રગ્સનો નશો કરવાનો શરૂ કર્યું હતું. આ દંપતીને ધીમેધીમે નશો એટલો વધી ગયો કે તેઓ અડધી રાતે પણ ડ્રગ્સ લેવા માટે અમદાવાદ આવતા હતા. પોલીસે ડ્રગ્સ એડિક્ટ દંપતીનું કાઉન્સિલિંગ કરાવ્યુંએક કેસની તપાસમાં જ્યારે પોલીસને ખબર પડી કે શિક્ષક દંપતી ડ્રગ્સનું બંધાણી છે ત્યારે પોલીસે તેમની પૂછપરછ કરી ત્યારે તેમણે સ્વીકાર્યું કે અમને ખબર જ નથી પડી કે અમે ક્યારે ડ્રગ્સ એડિક્ટ બની ગયા. હવે પોલીસ તેમનું કાઉન્સિલિંગ કરાવી ટ્રીટમેન્ટ અપાવીને તેમને બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. શહેરના 35 વિસ્તારમાં ડ્રગ્સ મળે છેપોલીસ ચોપડે નોંધાયેલા કેસ મુજબ દાણીલીમડા, વેજલપુર, વટવા, રામોલ, શાહપુર, દરિયાપુર સહિત 35 વિસ્તારમાં ડ્રગ્સના કેસ નોંધાયા છે. યુનિ. નજીક એક હોસ્પિટલ 365 દિવસ દર્દીઓથી ભરેલી હોય છેઅમદાવાદમાં યુનિવર્સિટી નજીક આવેલી એક હોસ્પિટલ 365 દિવસ દર્દીઓથી ભરેલી હોય છે. આ દર્દીઓમાં સૌથી વધુ યુવાનો-ટીનેજર હોય છે અને તેઓ કોઈ બીજા બીમાર નહીં પરંતુ ડ્રગ્સ એડિક્ટ હોય છે. દસ-પંદર દિવસની મોટાભાગની ટ્રીટમેન્ટ અહીં ચાલતી હોય છે. શેરદલાલનો પુત્ર સારવાર લેવા હોસ્પિટલમાં દાખલ થયોથોડા સમય પહેલા એક અમદાવાદના મોટા શેર દલાલના પુત્રને અહીંયા દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ખાસ કરીને આ મોટા ગજાના વ્યક્તિની ખબર કાઢવા માટે હાઈ પ્રોફાઈલ લોકો આ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. જેમાં રાજકીય પક્ષના નેતાઓ પણ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે આવા અનેક કિસ્સા આસપાસની હોસ્પિટલોમાં માનસિક રોગીના ઓથા હેઠળ ડ્રગ્સ એડિક્ટની સારવાર લેતા હોય તેવા જોવા મળે છે. ડ્રગ્સના વેપારમાં મહિલાઓ વધી રહી છેઅમદાવાદ SOGએ ત્રણ વર્ષમાં ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સના કેસ ઉકેલ્યા છે. આ અંગે SOGનો સ્ટાફ પણ કહે છે કે મોટાભાગે મહિલાઓ આ વેપારમાં વધી રહી છે. પોલીસને શંકા ન જાય તે રીતે ગમે તે જગ્યાએથી નશો લાવીને અમદાવાદમાં સપ્લાય કરવાનું શરૂ કર્યું હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ડ્રગ્સના મોટા કેસમાં પણ મહિલાઓનો રોલ ક્યાંક ને ક્યાંક સામે આવે છે. પેડલર તરીકે પણ મહિલાઓ હોય છે બીજી તરફ લેનારમાં પણ યુવા હોય છે જેમાં પણ યુવતીઓ ટીનેજર મોટાભાગે હોવાનું સામે આવ્યું છે.
એ મને એ હદે મારતો કે, મારે હોસ્પિટલાઇઝ થવું પડ્યું હતું. તેના મમ્મી અને પપ્પા મને ધમકી આપી કહેતા હતા કે, તું મરી જા છક્કા, એવા શબ્દો મારા માટે વાપરતા હતા. તેમ છતાં હું હાર્દિકના ભરોસે જીવતી હતી. મેં 10 લાખની લોન લઇને સર્જરી કરાવી હતી. હાર્દિક બધી સર્જરીમાં મારી સાથે હતો. એના કહેવાથી જ મેં સર્જરી કરાવી હતી. અમુક સર્જરી મેં મારા મિત્રો પાસેથી મદદ લઇને કરાવી હતી. અમુક મારી સેવિંગથી કરાવી હતી અને કેટલીક સર્જરી લોનથી કરાવી હતી. બધાને પૈસા આપવા માટે મારી પાસે હવે કંઇ બચ્યું નથી. આ શબ્દો છે એક એવી ટ્રાન્સ વુમનના જે પ્રેમજાળમાં ફસાઈને સેક્સ ચેન્જ કરાવી યુવકમાંથી યુવતી બની. માત્ર એટલું જ નહીં, પ્રેમીએ શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેને તરછોડી દીધી. દિવ્ય ભાસ્કરે આ ટ્રાન્સ વુમન સાથે વાતચીત કરી તેમની પીડા જાણવાની કોશિષ કરી હતી. જેમાં તેણીએ રડતા રડતા આપવીતી વર્ણવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ કરી હતી. તાજેતરમાં વડોદરા શહેરમાં લિવ ઇન પાર્ટનરના આગ્રહથી યુવક લિંગ પરિવર્તન કરાવીને યુવતી બન્યો હતો. જોકે તે પછી લગ્નનું વચન આપનાર લિવ ઇન પાર્ટનર તેને છોડીને ભાગી ગયો હતો. આ અંગે ટ્રાન્સ વુમને આ અંગે યુવક અને તેના માતા પિતા સામે રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 'તું છોકરી બનીશ તો હું તને એક્સેપ્ટ કરી શકીશ'મૂળ જેતપુરની અને વડોદરામાં રહેતી ટ્રાન્સ વુમન પ્રીતિ (નામ બદલ્યું છે)એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી 6 વર્ષ પહેલા હાર્દિકની ફેસબુકમાં મને રિકવેસ્ટ આવી હતી, ત્યારથી તે મારા સંપર્કમાં આવ્યો હતો અને મિત્ર બન્યા હતા. પછી અમે ફ્રેન્ડશીપ આગળ વધારી હતી. ત્યારબાદ મને કહ્યું હતું કે, તું લિંગ પરિવર્તનની સર્જરી કરાવી લે, તું છોકરી બનીશ તો હું તને એક્સેપ્ટ કરી શકીશ, તારી સાથે લગ્ન કરી શકીશ. તને સમાજ અને પરિવારમાં સ્વીકાર કરાવી શકીશ અને તને ઇજ્જતની જિંદગી અપાવીશ. જેથી મને તેની ઉપર વિશ્વાસ આવી ગયો અને તેનો ભરોસો કરી મેં બધી સર્જરી કરાવી મૈત્રી કરાર કર્યો અને દોઢ વર્ષ તેની સાથે રહી. પરંતુ એક દિવસ તે અચાનક જ મને છોડીને જતો રહ્યો. મારી સાથે દગો કરીને ગયો છે. એનું અને પરિવારનું પ્રિ પ્લાનિંગ હશે. તે મારી સાથે મારઝૂડ પણ કરતો હતો. ટ્રાન્સવમુન પીડિતા આગળ કહે છે કે, મારી સેલેરી 12 હજાર રૂપિયા છે અને સેક્સ ચેન્જ કરાવવા લીધેલી 10 લાખની લોનનો 17 હજાર રૂપિયાનો હપ્તો ભરુ છું. મારો એક હપ્તો બાઉન્સ પણ થયો છે. મારી બહેને મને મદદ કરી છે. આવું ક્યાં સુધી ચાલશે. હું કોઇની પાસે ક્યાં સુધી હાથ ફેલાવીશ. મારી આશા તો હાર્દિક જ હતો. તેણે મને લગ્નના સપના બતાવી મારી સાથે વિશ્વાસઘાત કર્યો અને મને તરછોડી જતો રહ્યો છે. મને મોટા મોટા સપનાં બતાવ્યા હતા. મારા સપના હતા કે, એ મારી સાથે લગ્નના ફેરા ફરશે અને તેના ઘરે લઇ જશે અને તેની પત્ની તરીકે રાખશે, પરંતુ એ મને છોડીને જતો રહ્યો, હવે મારી પાસે કોઇ ઓપ્શન બચ્યો નથી. મને ખૂબ આઘાત લાગ્યો છે. 'હવે મારી લાઇફ બગાડી નાખી છે'હું ઘર બહાર પણ નીકળી શકતી નથી. મને લાગે છે કે, ઘરની બહાર નીકળીશ તો મને કંઇ પૂછી લેશે તો, કારણ કે અમે સોશિયલ મીડિયામાં અમારા સંબંધો જાહેર કરી દીધા હતા. તેણે મને આખી જિંદગી સાથે રહેવાના સપના બતાવ્યા હતા અને હવે મારી લાઇફ બગાડી નાખી છે. મેં ખૂબ દર્દનાક સર્જરી કરાવી છે કે, જે કોઇ વિચારી પણ ન શકે. હું મોતના મુખમાં જઇને બહાર આવી છું. 'આજે મારું કોઇ રહ્યું નથી'મારા જીવનું પણ જોખમ હતું. ડોક્ટર પણ ફોર્મ લખાવી લે છે કે, આ ક્રિટીકલ સર્જરી છે, તેની જવાબદારી તમારી રહેશે. મેં એની ઉપર આંધળો વિશ્વાસ કરીને મારી આખી લાઇફ ચેન્જ કરી દીધી હતી. પરંતુ આજે મારું કોઇ રહ્યું નથી. મેં હાર્દિક અને તેના માતા-પિતા સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હું નોકરી પર હોવ તો પોલીસ મને ઘડી ઘડી પૂછપરછ માટે બોલાવે છે. મારા મિત્રોને પણ બોલાવે છે અને હેરાન કરે છે. પરંતુ આરોપીઓને તો પૂછપરછ કરીને જવા દીધા છે.એમને કશું કર્યું નથી. 'મને અત્યારે મદદની ખૂબ જ જરૂર છે'હું પૂછવા માંગુ છું કે, હું ટ્રાન્સ વુમન છું એટલા માટે મારી સાથે આવું થાય છું કે, હું આર્થિક રીતે નબળી પડી ગઇ છું, એટલે મને કોઇ સાથ આપતું નથી. હું કહેવા માંગું છું કે, મને અત્યારે મદદની ખૂબ જ જરૂર છે. લોકો મને મદદ કરે, મને સપોર્ટ કરે. મારો પરિવાર માટે એક્સેપ્ટ કરતો નથી, કારણ કે, મેં મારા પરિવારની વિરોધમાં જઇને મારી સર્જરી કરાવી હતી. રડતા રડતા તે કહે છે કે, હાર્દિક પણ બદલાઇ ગયો છે. મારી પાસે હવે કોઇ ઓપ્શન બચ્યો નથી. લડું તો કઇ રીતે લડું. મને કોઇ આશા દેખાતી નથી. એના મમ્મી પપ્પા અને એનો મિત્ર મને માનસિક ટોર્ચર કરતા હોવાથી મેં 25 દિવસ પહેલા ફિનાઇલ પીધુ હતું. ત્યારે એના મમ્મી પપ્પા આવ્યા હતા અને મને હાથ પગ જોડીને મીઠી મીઠી વાતો હતો અને કહ્યું હતું કે, અમે તમારી વચ્ચે નહીં પડીએ, તમને શાંતિથી જીવવા દઇશું અને હાર્દિકે પણ કહ્યું હતું કે, આપણે લગ્ન કરીશું. તું અમારા નામ ન લખાવ. પણ પાછળથી તે ફરી ગયો હતો અને મને માર મારવા લાગ્યા હતા. મારે તેની સાથે રહેવુ હોવાથી હું બધુ સહન કરતી હતી. ઊંઘની ગોળીએ લઉં છું તો જ મને ઊંઘ આવે છેહું ન્યાયતંત્ર પાસે આશા રાખીશ કે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, હાલ કોઇ એક્ટિવલી કાર્યવાહી થઈ રહી નથી. તેમની અટકાયત કરવામાં આવે તે જરૂરી છે. તેઓ બિન્દાસ જીવે છે. હું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને વિનંતી કરું છું કે, પ્લીઝ આ કેસમાં ધ્યાન રાખજો અને મને ન્યાય અપાવજો. હું માનસિક રીતે એટલી ભાંગી ગઇ છું કે, સાઇકિયાટ્રિસ્ટ પાસે સારવાર માટે જાઉ છું અને ઊંઘની ગોળીએ લઉં તો જ મને ઊંઘ આવે છે. રાત્રે મને એંગ્ઝાઇટીના એટેક આવે છે. હું આર્થિક રીતે પણ ભાંગી પડી છું. મારી પાસે કંઇ બચ્યું નથી. હું મરવા સુધી આવી ગઇ છું. તેવી મારી પરિસ્થિતિ આવી ગઇ છે. ઉત્તરપ્રદેશમાં પણ પ્રેમ માટે યુવક બની પણ દગો મળ્યોતાજેતરમાં ઉત્તરપ્રદેશના બેગુસરાયમાં એક યુવતીએ યુવક પર લગ્ન પછી તેની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીનું કહેવું છે કે લગ્ન પહેલા બોયફ્રેન્ડે તેનું સેક્સ ચેન્જ કરાવીને છોકરી બનાવી દીધી હતી. લગ્ન પછી થોડા વર્ષો સુધી સંબંધ સામાન્ય રહ્યો. આ પછી, તે એક વ્યંઢળના સંપર્કમાં આવ્યો અને હવે તે તેની સાથે લગ્ન કરવા માગી રહ્યો છે. પીડિતાએ તેના પતિ પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વહીવટીતંત્ર પાસેથી પોતાનો સામાન પણ પાછો માંગ્યો છે. હવે મારા પતિના કોલાકાતાના કિન્નર સાથે પ્રેમ સંબંધો છે.તેમજ તેણે મને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી છે.
ડીપીએસ લેકની જેમ પામબીચના કિનારે પણ ફલેમિંગો ઉમટયાં
નવી મુંબઈ ખરા અર્થમાં ફલેમિંગો સિટી બન્યું નેરુળ પામબીચ રોડ પર બનાવાયેલાં જ્વેલ ઓફ નવી મુંબઈનું સ્થળ ફલેમિંગોને ફાવી ગયું ઃ પક્ષી પ્રેમીઓમાં આનંદ ર્ં મુંબઈ - પર્યાવરણપ્રેમીઓની લડતને લીધે રાજ્ય સરકારે ડી.પી.એસ. તળાવને સંરક્ષિત ક્ષેત્ર જાહેર કર્યું છે ત્યાં ફલેમિંગો (સુરખાબ) પક્ષી આવતા જ રહે છે, પણ હવે પામબીચના કિનારે પણ ફલેમિંગોનું આગમન થવા માંડયું છે.
સુવિધા:30 એપ્રિલે ભાવનગર ટર્મિનસથી બાંદ્રા ટર્મિનસ સ્પે. ટ્રેન દોડશે
યાત્રિઓની સુવિધા માટે અને વધારાના ધસારાને સમાયોજિત કરવા માટે, અક્ષય તૃતિયાના શુભ અવસરે પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર ટર્મિનસ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે.ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, આ ટ્રેન નંબર 09013/09014 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નંબર 09013 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ મંગળવાર, 29 એપ્રિલ, 2025 ના રોજ 19:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 ભાવનગર ટર્મિનસ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ બુધવાર, 30 એપ્રિલ, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસથી 17:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 07:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાઢ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને એસી ચેયરકાર કોચ હશે.
કૃષિ:ઝાલાવાડમાં 32,672 જેટલા ખેડૂતો 43122 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
દરેક નાગરિકનું સ્વસ્થ સ્વાસ્થ્ય પાયાની જરૂરિયાતોમાં એક છે. ત્યારે પોષણયુક્ત ખોરાક લોકોને મળી રહે તે માટે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે હેતુ વડાપ્રધાનના દિશા-નિર્દેશ હેઠળ મહાઅભિયાન હાથ ધરાયુ છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી રાજ્યના ખેડૂતોને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ તરફ નવી દિશા મળી છે. ત્યારે ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારતા સુરેન્દ્રનગર જિલ્લામાં 235 જેટલા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ બનાવાયા છે. ખેડૂતો માટે ભજવી રહ્યા છે શિક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ 32,672 જેટલા ખેડૂતો અંદાજીત 43122 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમજ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના 235જેટલા મોડલ ફાર્મ ખેડૂતો માટે શિક્ષક સમાન ભૂમિકા ભજવી પ્રાકૃતિક કૃષિના પાઠ શીખવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભોને અનુસરીને બનેલા આ મોડલ ફાર્મ એક રીતે પ્રાકૃતિક કૃષિના પ્રેરણાધામ પણ બન્યા છે. જેમાં પ્રાકૃતિક ખેતીના આદર્શોને કેન્દ્રમાં રાખી પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે.આ અંગે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ વિકસાવવા માટે ખેડૂતોને રૂ.18,500 આર્થિક સહાય અપાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 235મોડલ ફાર્મ બન્યા છે. આ વર્ષે 100 જેટલા મોડલ ફાર્મ તૈયાર કરાયા છે. પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ તૈયાર કરવા માટે વર્ષ 2024-25માં રૂ.16.75 લાખની સહાય ચૂકવવામાં આવી છે.જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પ્રત્યક્ષ લાભોની જાણકારી મળી રહે અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા મળે તે માટે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ મોડલ ફાર્મની વિઝીટ કરાવવામાં આવે છે.
રાજકોટના સાધુવાસવાણી રોડ પરના નંદ એમ્પાયરમાં દોઢ વર્ષની પુત્રી સ્વરા અને માતા-પિતા સાથે રહેતા ભાવિનીબેન ડરાણિયા (ઉ.વ.38)એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મવડીના તુલસીપાર્કમાં રહેતા પતિ સાગર ડરાણિયા, સસરા કાંતિલાલ શામજી ડરાણિયા, સાસુ ચંપા, જેઠ કલ્પેશ, જેઠાણી ફોરમના નામ આપ્યા હતા. ભાવિનીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન વર્ષ 2021માં સાગર સાથે થયા હતા, પોતે વીંછિયાના રેવાણિયા ગામે સરકારી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. પતિ સરકારી પ્રેસમાં નોકરી કરે છે. લગ્નના થોડા દિવસો બાદ પતિ સહિતના સાસરિયાનો ત્રાસ શરૂ થઇ ગયો હતો. જેઠ કલ્પેશને જમીન લેવાની હતી ત્યારે પતિ સાગરે કરિયાવરમાં ભાવિનીબેન રૂ.15 લાખ લાવ્યા હતા તે આપી દેવાનું કહ્યું હતું. ભાવિનીબેને જરૂર પડશે ત્યારે તે રકમ પરત મળી જશે? તેમ પૂછી તે પૈસા આપવાની ના કહેતા પતિ સાગરે મારકૂટ કરી હતી અને ત્યારબાદ સાસુ, સસરા, જેઠ જેઠાણી તે વાતનો ખાર રાખી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. ભાવિનીબેન સગર્ભા હતા ત્યારે પણ પતિ સહિતના સાસરિયાં કહેતા ફર્નિચરનું કામ કરવું છે તારા પિયરથી પૈસા લઇ આવ, ભાવિનીબેને પોતાના પગારમાંથી પૈસા આપવાનું કહ્યું તો એ નહી પરંતુ તારા પિયરથી ત્રીજો ભાગ લઇ આવ તેમ કહી ત્રાસ આપ્યો હતો, પુત્રી સ્વરાનો જન્મ થયો ત્યારે પણ સાસરિયાને પુત્ર જોઇતો હોય પુત્રીના જન્મથી તે નારાજ થયા હતા અને મેણાંટોણાં મારતા હતા. પુત્રી સ્વરાને સાસરિયાઓએ ક્યારેય પ્રેમથી નહી બોલાવ્યાનો પણ ભાવિનીબેને આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ તા.17 ફેબ્રુઆરી 2024ના ભાવિનીબેન અને તેની પુત્રીને સાસરિયાએ ઘરમાંથી કાઢી મુક્યા હતા અને તે વખતે પતિ સાગરે કહ્યું હતું કે તારા પિતાને બોલ કે તને દસ તોલા સોનું અને ગાડી ભરીને સામાન આપે અને બીજા દિવસે સાગરે પાડોશીને કહ્યું હતું કે, પૈસાનો વહીવટ થયો નથી એટલે મારે આ સંબંધ આગળ વધારવા નથી, ભાવિનીબેનને ઘરમાંથી કાઢ્યા ત્યારે એમ પણ કહ્યું હતું કે, ‘હવે તું કે તારી દીકરીએ આ ઘરમાં પગ મુક્યો તો બેય જીવથી જશો અને જો અમારે સમાજના ડરથી કે કોર્ટના પ્રેસરથી તને પાછી લાવવી પડશે તો તારું મર્ડર કરીને આપઘાતમાં ખપાવી તારો કાંટો કાઢી નાખશું’. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્યવાહી:દુકાન બહાર ફરી બેરલો રાખી રસ્તો બ્લોક કરનાર વેપારી સામે કાર્યવાહી
પોરબંદરના મહારાજ બાગ પાસેના બંધ ફાટક પાસે ઓઈલના વેપારીએ અગાઉ ઓઈલના બેરલો દુકાન બહાર રસ્તા પર રાખી બંને સાઇડ પર દબાણ કર્યું હતું, જેથી મનપા ટીમે બેરલો જપ્ત કરી દંડ ફટકાર્યા બાદ ફરી રસ્તા પર બેરલો રાખી દેતા મનપા ટીમે સ્થળ પર જઈ ફરી બેરલો કબ્જે કર્યા છે. પોરબંદરના મહારાજ બાગ પાસેના બંધ ફાટક પાસે ઓઈલના વેપારીએ ઓઈલના બેરલો દુકાન બહાર રસ્તા પર રાખી બંને સાઇડ પર દબાણ કર્યું હતું જેથી મનપાના કમિશનર પ્રજાપતિની સૂચના મુજબ માર્કેટ વિભાગના પ્રતાપ શિયાળ,નીરજ કોટીયા, વિનુભાઇ અગ્રાવત, આશિષ સોલંકી સહિતની ટીમે સ્થળ પર પહોંચી વાહનો મારફત વેપારીના 9 ખાલી બેરલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. અને બેરલો છોડાવવા માટે વેપારી પાસેથી રૂ. 2 હજારનો દંડ વસૂલ્યો હતો. બાદ ફરીથી આ વેપારીએ દુકાન બહાર રોડ પર બેરલો મૂકી રસ્તા પર દબાણ કર્યું હોવાની જાણ થતાં મનપા ટીમ ફરી આ વેપારીની દુકાને પહોંચી હતી અને બેરલો જપ્ત કરી કાર્યવાહી કરી, રોડ પર વસ્તુઓ રાખી દબાણ ન કરવા સૂચના આપી છે.
પોરબંદરની શ્રમ આયુક્ત કચેરી ખાતે ગ્રેચ્યુઇટી માટેના કેસો નોંધાતા હોય છે ત્યારે છેલ્લા 1 વર્ષમાં આ કચેરી ખાતે આવેલ 48 કેસ માંથી મદદનીશ શ્રમ આયુક્ત અધિકારી દ્વારા 44 કેસનો નિકાલ કરી અરજદારોને કુલ રૂ. 1.98 કરોડનું ચૂકવણું કરાવવામાં આવ્યું છે. ગ્રેચ્યુઇટીની રકમ સરકારી અને ખાનગી કંપની દ્વારા તેના કર્મીઓને આપવામાં આવતી હોય છે. 10 અથવા 10 થી વધુ કર્મી કામ કરતા હોય અને 5 વર્ષથી વધુની સર્વિસ કરી હોય તેવા કર્મીઓને ગ્રેચ્યુઇટીની રકમ મળે છે, આ રકમ કર્મીઓના છેલ્લા પગાર તથા કેટલા વર્ષ કામ કર્યું તેના પર ગ્રેચ્યુઇટીની રકમની ગણતરી થાય છે. કેટલાક કિસ્સાઓમાં કંપની કે પાલિકા કે કોઈ વિભાગ કર્મીઓને ગ્રેચ્યુઇટી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હોય છે અને ગ્રેચ્યુઇટી અટકાવે છે, તેવા સંજોગોમાં કર્મીઓ શ્રમ આયુક્ત કચેરીનું બારણું ખખડાવતા હોય છે. આ શ્રમ આયુક્ત કચેરી ખાતે કર્મી એટલેકે અરજદારને માર્ગદર્શન પૂરું પાડે છે. મદદનીશ શ્રમ આયુક્ત ખાતેના અધિકારી એસ.આર. ભડાણીયા કેસ ચલાવી વર્ષ 2024 -25માં અગાઉના પડતર 6 કેસ અને નવા મળેલ 42 કેસ મળી કુલ 48 કેસ ચલાવવામાં આવ્યા હતા જેમાંથી 44 કેસનો નિકાલ કરી આવા અરજદારોને કુલ રૂ.1,98,20,777 ચૂકવણું કરાવવામાં આવ્યું છે. હાલ 4 કેસ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, આવા કેસમાં માત્ર 3 થી 4 માસમાં જ ચુકાદો આપવામાં આવે છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:માછીમારોને સમુદ્રમાં કોઇપણ શંકાસ્પદ બાબત જણાય તો કોસ્ટગાર્ડને જાણ કરો
કશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાના પગલે પોરબંદરના માછીમારોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે. માછીમારોને સમુદ્રમાં કોઇપણ શંકાસ્પદ બાબત જણાય તો કોસ્ટગાર્ડ અને મરીન પોલીસને જાણ કરવા જણાવી દેવાયું છે. અગાઉ કસાબ અને તેના સાથીદારોએ મુંબઇ પર હુમલો કરવા પોરબંદરના જ માછીમારની બોટ ઝુંટવીને તેનો દુરુપયોગ ઉપયોગ કર્યો હતો. કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓએ કરેલા હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને પોરબંદર માછીમાર બોટ એસોસીએશન દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી છે તેમજ દરિયામાં માછીમારી કરતા પોરબંદરના માછીમારોને સાવચેત રહેવાનું જણાવાયું છે. ખાસ કરીને ગુજરાતના સમુદ્રની બોર્ડર જે પાકિસ્તાન સાથે જોડાયેલી છે તે IMBL વિસ્તારમાં ન જવાનું પણ જણાવવામાં આવ્યું છે તેમજ માછીમારોએ પોતાની બોટના અને પોતાની ખુદની ઓળખના દસ્તાવેજો સાથે રાખી સુરક્ષા એજન્સીઓને સહકાર આપવા સૂચિત કરાયા છે. તે ઉપરાંત દરિયામાં કોઇપણ શંકાસ્પદ બાબત જણાઇ આવે તો માછીમારોએ તુરંત કોસ્ટગાર્ડ, ગુજરાત મરીન પોલીસ અગર તો પપોરબંદર માછીમાર બોટ એસોસી એશનને જાણ કરવી તેવું પણ દરેક બોટ માલીક અને માછીમારોને જણાવી દેવામાં આવ્યું હોવાનું પોરબંદર માછીમાર બોટ એસોસી એશનના પ્રમુખ મુકેશ પાંજરીએ જણાવ્યું હતું. તાજેતરમાં પહેલગામમાં આંતકી હુમલા બાદ સરકાર એલર્ટ બની છે અને એની રાજ્યમાં પણ સરકાર એલર્ટ બની છે ત્યારે સંવેદનશીલ ગણાતા પોરબંદરમાં એસટી બસ સ્ટેશન બાદ રેલ્વે સ્ટેશનમાં 5 વર્ષથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે અને ભારત ભરમાં એકમાત્ર પોરબંદરમાં આવેલ સુદામા મંદિર ખાતે તો સીસીટીવી કેમેરા જ નથી. ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લામાં RDX લેન્ડિંગ અને ISKP સાથે જોડાયેલા શખ્સો ભૂતકાળમાં પોરબંદર માંથી ઝડપાયા હતા. આવી ઘટનાઓ બની હોવા છતાં તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ ખાતે તાજેતરમાં આતંકવાદી હુમલામાં પ્રવાસીઓની ક્રૂર હત્યાની ઘટનાને લઈને સરકાર એલર્ટ બની છે. અન્ય રાજ્યોમાં પણ સરકાર એલર્ટ બની છે ત્યારે પોરબંદરની વાત કરીએ તો મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં દરરોજ અનેક પ્રવાસીઓ મુલાકાતે આવે છે. પોરબંદરને સંવેદનશીલ ગણવામાં આવે છે. ભૂતકાળમાં RDX લેન્ડિંગ અને 2 વર્ષ પૂર્વે ISKP સાથે સંકળાયેલ 3 શખ્સને પોરબંદરના રેલ્વે સ્ટેશન નજીકથી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લીધા હતા, સમુદ્ર માંથી ડ્રગ્સના જથ્થા મળી આવે છે ત્યારે સંવેદનશીલ ગણાતા પોરબંદરમાં સુરક્ષા અને સલામતી અંગે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પોરબંદરના એસટી બસ સ્ટેશન ખાતે 2 વર્ષથી સીસીટીવી કેમેરા બંધ છે ત્યારે પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે તો 5 વર્ષથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. રેલ્વે સ્ટેશન ખાતે અનેક મુસાફરો ટ્રેન મારફતે આવક જાવક કરે છે ત્યારે સુરક્ષા અને સલામતી માટે મહત્વની ભૂમિકા ભજવનાર સીસીટીવી કેમેરા જ બંધ હાલતમાં છે. આ ઉપરાંત ભારતભરમાં એક માત્ર સુદામાજી નું મંદિર પોરબંદર ખાતે આવેલ છે, તે સુદામા મંદિર ખાતે તો સીસીટીવી કેમેરા જ મૂકવામાં આવ્યા નથી. અહીં સરેરાશ રોજના 1 હજારથી વધુ યાત્રાળુઓ દર્શન કરવા આવે છે અને વેકેશન તેમજ તહેવારોમાં તો યાત્રાળુઓની સંખ્યા વધે છે, આમછતાં સુદામા મંદિર ખાતે સીસીટીવી કેમેરા જ લગાવાયા નથી. મુસાફરો અને યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં રેલ્વે સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરા ચાલુ કરવા જોઈએ તેમજ સુદામા મંદિર ખાતે સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ તે અનિવાર્ય બન્યું છે. અગાઉ પણ આતંકવાદના તાર પોરબંદર સાથે જોડાયા હતા વર્ષ 1993 માં મુંબઇમાં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટ વખતે વપરાયેલ આર.ડી.એકસ. પોરબંદરના ગોસાબારાના દરિયાકિનારે લેન્ડ થયું હોવાનું તપાસમાં ખુલ્યું હતું તેમજ પાકિસ્તાની કસાબ અને તેના સાથીદારોએ 26-11 ના રોજ મુંબઇ પર કરેલા હુમલામાં મુંબઇ સુધી પહોંચવા માટે પોરબંદરના જ માછીમારોની હત્યા કરી તેની કુબેર નામની બોટ ઝુંટવી લઇ આ બોટનો મુંબઇ સુધી પહોંચવા માટે દુરુપયોગ કરેલ હોવાનું સામે આવ્યું હતું. રેલ્વે સ્ટેશનમાં ચાલુ માસે કેમેરા ચાલુ થશે તેવી મેનેજરે ખાતરી આપી પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે છેલ્લા 5 વર્ષથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે, 2020માં બોર્ડ દ્વારા દરખાસ્ત કરી હતી. હવે ચાલુ માસે સીસીટીવી કેમેરા વધુ ફિટ કરવામાં આવશે અને ચાલુ કરી દેવામાં આવશે. > મુકેશ કુમાર સહાય, મેનેજર, રેલ્વે સ્ટેશન, પોરબંદર સીસીટીવી કેમેરાનું આયોજન સુદામા મંદિરનો વિકાસ કરવામાં આવશે. તાજેતરમાં પ્રવાસન કેન્દ્રીય મંત્રી આવ્યા હતા, સુદામા મંદિરનો વિકાસ કરવાનો મોટો પ્લાન છે. મંદિરમાં વિવિધ ભાગોને આવરી લેવામાં આવશે. મોટા ફેરફાર થશે જે માટે દરખાસ્ત પણ મૂકી છે. સીસીટીવી કેમેરા મૂકવા માટેનું આયોજન છે. > બી.વી. સંચાણીયા, મામલતદાર, પોરબંદર
આગ લાગી:ભોડદર ગામે ગેસની પાઇપમાં આગ લાગતા માતા-પુત્ર દાઝી ગયા
પોરબંદરના ભોડદર ગામે એક મકાનમાં ગેસના ચૂલામાંથી પાઇપ નીકળી જતા આગ લાગી હતી.આ ઘટનામાં મકાનમાં હાજર માતા પુત્ર દાઝતા તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની મળતી વિગતો અનુસાર પોરબંદર ઘેડ પંથકના ભોડદર ગામે એક રહેણાંક મકાન એક મહિલા ચૂલામાં રસોઈ બનાવી રહી હતી તે દરમ્યાન રૂમમાં રહેલ ગેસના ચૂલાનો પાઈપ નીકળી જતા આગ લાગી હતી.આ ઘટનામાં મકાનમાં રસોઈ બનાવતા ડાકી જયાબેન જગમલભાઈ(ઉ.40) અને ડાકી મયુરભાઈ જગમલભાઈ (ઉ.23) નામના માતા પુત્ર આગની ઝપેટમાં આવી જતા દાઝ્યા હતા.આ ઘટના બાદ બંને માતા પુત્રને સારવાર અર્થે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ મહિલા હોસ્પિટલના આઈ.સી.યુ.વિભાગમાં સારવાર હેઠળ હોવાની જાણવા મળ્યું છે.
પોલીસે રૂ. 16650નો મુદામાલ કબજે કર્યો:લોટરીની ટિકીટોનું વેચાણ કરનાર શખ્સ ઝડપાયો
પોરબંદર શહેરમાં બંદર રોડ પર સ્મશાનના ગેઇટ પાસેથી પોલીસે ગઇકાલે સાંજના સમયે એક શખ્સને જુદા જુદા રાજયની લોટરીની ટીકીટોનું વેંચાણ કરીને ઓનલાઇન હારજીતનો ડ્રો રમાડતો રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સ પાસેથી લોટરીની ટીકીટો તથા રૂ. 16650 નો મુદામાલ કબજે કર્યો છે. શહેરમાં બંદર રોડ પર સ્મશાનના ગેઇટ પાસેથી પોલીસે ગઇકાલે સાંજના સમયે પ્રભુદાસ ગોવિંદજી મોનાણી નામના શખ્સને જુદા જુદા રાજય તથા જુદા જુદા કંપનીની અલગ અલગ કિંમતની લોટરીની ટીકીટોનું વેંચાણ આવતા જતા લોકોને કરીને લોટરીના આંકડાનો ઓનલાઇન ડ્રો મારફતે હારજીતનો જુગાર રમાડતો રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સ પાસેથી લોટરીની ટીકીટો, રોકડ રૂ. 11650 તથા મોબાઇલ ફોન નં. 1 કિંમત રૂ. 5000 નો મુદામાલ કબજે કર્યો છે.
અરેરાટી:પોરબંદર મનપાએ નરસન ટેકરી વિસ્તારમાં મકાન તોડી પાડવા સૂચના આપતા યુવાને આપઘાત કર્યાનો આક્ષેપ
પોરબંદરના નરસન ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનના મકાન ખાલી કરી પડી નાખવા માટે મહાનગરપાલિકાના અધિકારી મૌખિક સૂચના આપતા આ યુવાને તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના પરિવારજનોએ આક્ષેપો કરવામાં આવ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકા કચેરી દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નરસન ટેકરી વિસ્તારમાં એક યુવાનના મકાન દૂર કરવાની સૂચના આપ્યા બાદ યુવાને આપઘાત કરી લીધો હોવાના આક્ષેપો થયા છે.નરસન ટેકરી આંબેડકર નગર વિસ્તારમાં રહેતા શિંગરખિયા હરીશભાઈ દેવાભાઈ(ઉ.38) નામના યુવાનના મકાન દૂર કરવાની મહાનગરપાલિકાના અધિકારી દ્વારા મૌખિક સૂચના 3 દિવસ પૂર્વે આપી હતી.જે સૂચના બાદ યુવાન ગુમસુમ રહેતો હતો અને આ યુવાને શુકવારે તેમના ઘરે રૂમ અંદર ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લીધો હોવાના પરિવારજનોએ આક્ષેપો કરવામાં આવ્યા હતા.આ ઘટના બાદ મૃતક યુવકના મૃતદેહ પી.એમ.માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ ઘટનાને લઇને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. મારો ભાઈ ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લીધો એનું કારણ 3 દિવસ પૂર્વે નગરપાલિકા વાડા આવ્યા હતા અને મારા ભાઈને કીધું હતું કે તમારું મકાન ગેરકાયદેસર છે,પાડવામાં આવશે જે ટેન્શનમાં ફાંસી ખાઈ ગયો. > રવિભાઈ દેવાભાઈ શિંગરખિયા, મૃતક ભાઈ
પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું મળી હતી. જેમાં જિલ્લાના વિકાસ અને કામગીરી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાણીયાએ જિલ્લાના ખેડૂતોની જમીનની પુનઃ માપણી અને પ્રમોલગેશનની અરજીઓના ઝડપી નિકાલ,પોરબંદર છાંયામાં આવેલી કર્લી અને છાંયા રણને જોડતી કેનાલનું ડીસીલ્ટીંગ કરવા અને ગેટને રીપ્લેસ કરવા,મોઢવાડા અને ઓડદર ગામમાં રેવન્યુ રેકર્ડ બાબત,કન્ઝવેશન કમિટીની રચના સહિતનાં કામો માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લામાં વિકાસ કાર્યો અને વિવિધ ગામોના તળાવ ઊંડા કરવાની કામગીરી ઝડપી હાથ ધરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું.જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીએ પ્રિમોન્સૂનનીકામગીરી ના આયોજન અને રોડ રસ્તા ઉપરના સહિતના દબાણો વહેલી તકે દૂર કરવા સબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.તેમજ જન પ્રતિનિધિઓની રજૂઆતોનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે સબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં સ્પોર્ટ્સ સંકુલ તથા લાઇબ્રેરી નિર્માણ માટે જમીનની ફાળવણી,પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાની લાઇબ્રેરી માટે જમીનની ફાળવણી, નેશનલ હાઈવે તથા નવા એક્સપ્રેસ હાઈવેની કામગીરીની પ્રગતિ સહિતના પ્રોજેક્ટ્સને લગતાં પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં હેલ્થ અને વેલનેસ સેન્ટરના નિર્માણ, સ્કલ્પ્ચરલ ગાર્ડન અને સાંસ્કૃતિક વન જેવી નવી પ્રવૃત્તિઓ શરૂ કરવા અંગેના સૂચનો અને માર્ગદર્શક મંતવ્યો પણ આપવામા આવ્યા હતા.
પ્રતિબંધ:ખારવાવાડ ગણેશ મંદિર પાસે ગેલેરીમાં કચરો નાંખવા પર પ્રતિબંધ
પોરબંદરના ખારવાવાડ ગણેશ મંદિર આસપાસ અને ગેલેરીમાં કચરાના ઢગલા ખડકાયા હતા. અહીં કચરો નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, જેથી મનપા ટીમે સફાઇ કરાવી કચરો ન ફેંકવા સૂચના આપી છે. મહાનગર પાલિકાના સેનીટેશન વિભાગન ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશ આર. ઢાંકીની સુચના અનુસાર ખારવાવાડમાં આવેલા ગણેશ મંદિર પાસે અને તેની આજુબાજુની ગેલેરીમાં કચરો નાંખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વોર્ડ - 7ના સેનિટરી સબ ઈન્સ્પેક્ટર દ્વારા રહેવાસીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, તેઓ ડોર ટુ ડોર કચરાની ગાડીમાં કચરો નાખે. તેમછતાં, કેટલાક રહેવાસીઓ આ સૂચનાની અવગણના કરી રહ્યા છે અને ગેલેરીમાં જ કચરો નાખી રહ્યા છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા કચરાનું યોગ્ય નિકાલ કરવા અને ગંદકી ફેલાવતી સ્થિતિને ટાળી રોગચારોને રોકવા માટે સપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી, તેમજ રહેવાસીઓને ફરીથી કચરો ગેલેરીમાં ન નાખવાની સૂચના આપવામાં આવી છે.
કાર્યવાહી:મજેવડી ગેટ પાસેથી કારમાં પીધેલી હાલતમાં અમદાવાદના 3 શખ્સની અટક
જૂનાગઢમાં ગુરુવારની રાત્રે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન શહેરના મજેવડી ગેટ સર્કલ પાસેથી જીજે ડબલ્યુએમ 5978 નંબરની કાર નીકળતા રોકી ચેક કરવામાં આવી હતી. કાર્યવાહીમાં કારમાં સવાર અમદાવાદના નરોડા વિસ્તારનાં બાલાજી એવન્યુ ન્યુ હાસપુરામાં રહેતો 49 વર્ષીય દિવ્યાંગ મગન ખદલપુરીયા, અમદાવાદનાં ચાંદખેડા જનતાનગરનો 39 વર્ષીય રોશનકુમાર નવીનચંદ્ર કટારા તથા અમદાવાદના ચાંદખેડામાં આવેલ અવસર બંગલોમાં રહેતો 43 વર્ષીય સંદીપ દિનેશ પાટીલ નશાની હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે પ્રાઇવેટ નોકરી કરતા ત્રણેય શખ્સની અટક કરી રૂપિયા 1.50 લાખની કાર કબજે લીધી હતી. જયારે અન્ય કિસ્સામાં જોષીપરામાં પટેલ સમાજ પાછળ જિલ્લા પંચાયત પાસે રહેતો 44 વર્ષીય રત્ન કલાકાર ધર્મેશ ઉર્ફે પતંગ વિઠ્ઠલ વઘાસિયા વિદેશી દારૂની એક બોટલ સાથે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા અટક કરી હતી. આ ઉપરાંત પોલીસે ભુતનાથ ફાટક પાસેથી સિંધી સોસાયટીનો વિક્કી અશોક ગંગવાણી, ભીમરાવનગરનો કિરણ કાનજી સોલંકીને નશાની હાલતમાં ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.
હનીટ્રેપ:રાજકોટના વેપારીને દ્વારકા બોલાવી 1.20 કરોડ પડાવ્યા
રાજકોટના વેપારીને હની ટ્રેપમાં ફસાવી દશ કરોડની માંગણી કરી રૂા. 1.20 કરોડ પડાવી લીઘા હોવાની ફરીયાદ એક યુવતિ તથા પોલીસની ઓળખ આપનારા યુનિફોર્મ પહેરેલા બે શખસો સહિત ત્રણ સામે દ્વારકા પોલીસ મથકમાં નોંધાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. યુવતિએ વેપારીનો સંપર્ક સાધ્યા બાદ દ્વારકા દર્શને બોલાવ્યા બાદ ઓખાઢી ટોલનાકા પાસે પોલીસની ઓળખ આપી રેસ પહેરેલા બે શખસે કાર રોકી તપાસણી કરતી પર્સમાંથી મળેલી સફેદ પડીકી ડ્રગ્સ હોવાનુ કહી કેસમાં ફસાવવાની ધમકી આપી માતબર રકમ પડાવી લીઘુ હોવાનુ સામે આવ્યુ છે. હનીટ્રેપમાં સંડોવાયેલા તમામને દબોચી લેવા માટે કવાયત શરૂ કરી છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર રાજકોટમાં રહેતા એક વેપારી સાથે સોશિયલ મિડીયા મારફતે આરશુ સિંધ ઉર્ફે નિકિતા નામધારી યુવતિએ સંપર્ક સાધ્યો હતો. જે બાદ સંબંધ આગળ ધપાવવાનુ કહીને વેપારીને દ્વારકા દર્શને બોલાવ્યા હતા.જે દરમિયાન તેઓ કારમાં ઓખામઢી ટોલનાકા પાસે રોડ પર પસાર થઇ રહયા હતા જે વેળાએ સુનિયોજીત પ્લાનના ભાગરૂપે કારને બે શખસે અટકાવી હતી.જે પોલીસ ડ્રેસમાં આવ્યા હતા જેના યુનિફોર્મમાં સંજય કરંગીયા અને એસ. કે. સોલંકી લખ્યુ હોવાનુ સામે આવ્યુ છે.જે બંનેએ કારની તલાશી લીઘી હતી. આ તલાશી દરમિયાન યુવતિના પર્સમાં સફેદ પાઉડરની પડીકી નિકળતા ડ્રગ્સ હોવાનુ જણાવી કેસ કરવાનુ કહ્યુ હોવાનુ ખુલ્યુ છે. જે દરમિયાન યુવતિએ કથિત રીતે સેટીંગ કરી પોલીસવાળાને દશ કરોડ આપવા પડશે એમ કહ્યુ હતુ. બીજી બાજુ આ બનાવના પગલે હતપ્રત બની ગભરાયેલા વેપારીએ બીકના પગલે રાજકોટથી આંગડીયા મારફતે રૂા. 1.20 કરોડ મંગાવી આપ્યા હતા.જે આરોપીઓ વેપારીને બીક બતાવી બ્લેક મેઇલ કરવાનુ સતત ચાલુ રાખ્યુ હતુ જે દરમિયાન યુવતિએ પણ બાકી રૂા. 7.80 કરોડની રકમ ચુકવવાનુ જણાવી જો પૈસા નહી અપાય તો દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની પણ ધમકી ઉચ્ચારી હોવાનુ સામે આવ્યુ છે. આખરે આ સમગ્ર મામલો દ્વારકા પોલીસ મથકમાં પહોચ્યો હતો જેના પગલે પોલીસે ભોગગ્રસ્ત વેપારીની ફરીયાદ પરથી ત્રણેય સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. હનીટ્રેપમાં ફસાવી રાજકોટના વેપારી પાસેથી માતબર રકમ ખંખેરી લેવાના આ બનાવના પગલે દેવભૂમિ પંથમાં પણ ભારે ચકચાર જગાવી છે. પોલીસે મહિલા સહિત બેને દબોચી લીઘા હોવાનુ પણ જાણવા મળી રહયુ છે. જે દરમિયાન એક પોલીસ કર્મીની પણ કથિત સંડોવણીના પગલે સમગ્ર પ્રકરણ દેવભૂમિ સહિત હાલારભરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યુ છે. બોકસ-1 યુવતિએ ભાઇના નામે પણ કોલ કરાવ્યાનુ ખુલ્યુ... આંગડીયા પેઢીમાં રોકડા રૂપિયા મેળવ્યા બાદ કારમાં સવાર વેપારી સહિત ચાર લોકો પૈકી બે પોલીસડ્રેસ પહરેલા શખસો થોડે દુર ઉતરી ગયા હતા જે બાદ યુવતિ પણ ઝપાઝપી કરી પોતાના ભાઇ ગણાવાયેલા વધુ એક શખસ પર્વતભાઇ સાથે ફોનમાં વાત કરી તેણે પણ ધમકી ઉચ્ચારી હતી. જે દરમિયાન યુવતિ પણ ઘીમી પડેલી ચાલુ કારમાંથી નીચે ઉતરી પોબાર ભણી ગયાનુ જાણવા મળ્યુ છે. ડ્રગ્સ કેસમાં ફસાવવાની બીક બતાવી દસ કરોડની માંગ કરી તી, ત્રિપુટીનું કૃત્ય, યુવતી તથા પોલીસની ઓળખ આપનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો, તપાસ
વ:સતત બીજા દિવસે 38.6ડિગ્રી ગરમી યથાવત રહી
જામનગરમાં શુક્રવારે સતત બીજા દિવસે 38.6 ડિગ્રી ગરમીથી લોકો તોબા પોકારી ગયા હતાં. ભેજ વધીને 83 ટકાએ પહોંચતા તીવ્ર બફારાનો અનુભવ લોકોએ કર્યો હતો. શહેરમાં શુક્રવારે કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 6 ટકા વધીને 83 ટકા રહ્યું હતું. બપોરે આકરો તાપ અને ભેજના કારણે લોકો તોબા પોકારી ગયા હતાં. તાપ અને બફારાની માઠી અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ થઈ રહી છે. ખાનગી તથા સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં પેટ તથા માથામાં દુઃખાવો, તાવ સહિતના કેસ વધારે નોંધાઈ રહ્યા છે. કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો 23.5 ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 30 થી 35 કીમી રહી હતી. આથી વાતાવરણમાં સાંજે ઠંડક પ્રસરતા લોકોએ ખુશનુમા વાતાવરણનો અનુભવ કર્યો હતો. અત્રે નોંધનીય છેકે, તાપમાનમાં ભર ઉનાળે વધધટનો દોર ચાલી રહ્યો છે. અમુક દિવસે તાપમાન વધે છે તો અમુક દિવસે તાપમાન ઘટે છે, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. આથી તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.
મનપાની ફીમાં વધારો:જન્મ-મરણ પ્રમાણપત્રનીનકલના રૂ.50 ચૂકવવા પડશે
રાજય સરકારના જાહેરનામાં અનુૃસાર 1 મે થી જામ્યુકોના જન્મ-મરણ પ્રમાણપત્રની નકલના રૂ.50 ચૂકવવા પડશે. નોંધ અને લેઇટ ફીમાં પણ વધારો ઝીંકાયો છે. આમ લોકોને મોંઘવારીમાં વધુ એક ડામ સહન કરવો પડશે. જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હસ્તકના જન્મ-મરણ વિભાગમાં રાજય સરકારની મંજૂરીથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સુધારા નિયમોનું તા.27-2-2025ના જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં સુધારણા મુજબ જામ્યુકોના જન્મ-મરણ વિભાગ દ્વારા પ્રમાણપત્રની ફીમાં સુધારો કર્યો છે. આથી આગામી 1 મેથી લોકોએ નવી ફી ચૂકવવી પડશે. જેમાં નોંધ શોધાઇ ફી રૂ.10ના બદલે રૂ.20, જન્મ-મરણના પ્રમાણપત્રની ફી નકલ-1ના રૂ.5 ના બદલે રૂ.50, 21 દિવસથી ઉપર પરંતુ 30 દિવસની અંદર નોંધણી માટે લેઇટ ફી રૂ.20, 30 દિવસ ઉપર પરંતુ 1 વર્ષની અંદર નોંધણી માટે લેઇટ ફી રૂ.30ના બદલે રૂ.50, 1 વર્ષથી ઉપરના નોંધણી બનાવો માટે જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ પ્રથમ વર્ગ અથવા સીટી મેજીસ્ટ્રેટના હુકમથી થતી નોંધણીમાં લેઇટ ફી રૂ.100 ચૂકવવી પડશે. જન્મ-મરણના જુદા-જુદા દરોનો વધારાનો 1 મે ગુરૂવારથી અમલ થશે. આથી લોકોએ મોંઘવારીના સમયમાં વધુ ફી ચૂકવવી પડશે. રાજય સરકારના જાહેરનામા અનુસાર મહાનગરપાલિકા દ્વારા પ્રમાણ પત્રની ફીમાં વધારો કરાયો છે.
સૂત્રોચ્ચાર:તંત્રની નીતિ સામે વેપારીઓએ બંધ પાડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો
જામનગરમાં તંત્રની ભેદભાવની નીતિના વિરોધમાં શુક્રવારે બર્ધનચોક વેપારી એસોસીએશને બંધ પાડી સૂત્રોચ્ચાર અને ધરણાં કર્યા હતાં. ફરિયાદ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહ્યાનો આક્ષેપ પણ કર્યો છે. સાથે-સાથે નો હોર્કિગ ઝોનની અમલવારી કરવા અને ગેરકાયદે દબાણ દુર કરવાના સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતાં. જામનગરમાં શુક્રવારે બપોર બાદ બર્ધનચોક વેપારી એસોસીએશન દ્રારા બંધ પાડવામાં આવ્યો હતો. વેપારીઓએ બર્ધનચોકમાં એકઠા થઇ ધરણાં કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં. વેપારીઓએ હાઇકોર્ટના આદેશની ગરીમા જાળવો, નો-હોકીંગ ઝોનની અમલવારી કરવા, પાર્કિંગની જગ્યામાંથી ગેરકાયદે દબાણ દૂર કરોના સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો હતો. આટલું જ નહીં તંત્ર દ્વારા ડ્રાઇવ કરી રેકડી, પથારા, પૂતળા રાખનારને બદલે ફરિયાદ કરનાર વેપારીઓ સામે તંત્ર કાર્યવાહી કરી વ્હાલાદવલાની નીતિ રાખવાનો આક્ષેપ કરી સ્વેચ્છાએ બંધ પાળ્યો હતો. જેમાં આ વિસ્તારના વેપારીઓ જોડાયા હતાં.
કાર્યવાહી:માંસ-મટનની અનઅધિકૃત સાત પેઢીઓને બંધ કરાવાઈ
જામનગરમાં અનઅધિકૃત રીતે નોનવેજ વેંચતી 7 પેઢી બંધ કરાવામાં આવી છે. પાણાખાણ અને ગોકુલનગરમાં મનપાની ફુડશાખાએ કાર્યવાહી હાથ ધરતા આ પેઢીઓમાં સાફ-સફાઇના અભાવ સહીતની ગંભીર ક્ષતિઓ ખૂલી હતી. આ તમામ પેઢીઓને ફૂડ લાયસન્સ ન મેળવે ત્યાં સુધી બંધ કરી વેચાણ સ્થગિતનો આદેશ કરાયો છે. જામનગરમાં મહાપાલિકાની ફુડ શાખા દ્વારા શુક્રવારના પાણાખાણ અને ગોકુલનગરમાં નોનવેજનું વેંચાણ અને સંગ્રહ કરતી પેઢીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 7 પેઢીમાં તપાસ દરમ્યાન એકપણ પેઢી પાસે ફુડ લાયસન્સ ન હોવાનું ખૂલ્યું હતું. આટલું જ નહીં તમામ પેઢીમાં અનહાઇજેનીક પ્રેકટીસ, ગ્લેસ ટાઇલ્સ, વાઇટ વોશ, યોગ્ય સાફ-સફાઇનો અભાવ સહીતની ગંભીર ક્ષતિઓ ખૂલી હતી. આથી તમામ પેઢીને હાઇજેનીક કંડીશન સુધારા માટે નોટીસ ફટકારાઇ છે. આટલું જ નહીં તમામ પેઢીને હાઇકોર્ટમાં થયેલી પીઆઇએલના આદેશ અનુસાર જયાં સુધી ફુડ લાયસન્સ ન મેળવે અને જરૂરી સુધારા ન થાય ત્યાં સુધી પેઢીઓ બંધ કરાવામાં આવી છે. શહેરમાં આ પેઢીને તાળાં લાગ્યારઝવી ચીકન-ફીશ શોપ,કિસ્મત ચીકન સેન્ટર, શબ્બીર ચીકન શોપ , હની ચીકન શોપ, કિસ્મત ચીકન શોપ, એસકેકે ચીકન શોપ, ન્યુ બોમ્બે બિરયાની
આત્મહત્યા:પતિની શંકાથી કંટાળી મહિલાએ કર્યો આપઘાત
શહેરના હર્ષદ મીલની ચાલીમાં રહેતી પરિણીતાનો પતિ અવારનવાર ચારિત્રય પર શંકા કરતો હોય કંટાળીને મહિલાએ પંખામાં લટકીને આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે. જામનગરમાં જુની હર્ષદમીલની ચાલી, પટેલનગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા લાખાભાઈ ભાણાભાઈ ગોહિલ નામના 55 વર્ષ ના રીક્ષા ચાલકની પૂજાબેન (ઉ.વ.27)ના લગ્ન મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબીમાં રહેતા ભાવેશ ખોડાભાઈ ચાવડા સાથે આજથી બે મહિના પહેલા થયા હતા. પરંતુ 15 દિવસ બાદ પૂજાબેન પોતાના માવતરે રહેવા આવી ગઈ હતી. તે દરમિયાન પૂજાબેનનો પતિ અવારનવાર મોબાઇલ ફોન કરીને ચારિત્ર્ય અંગે શંકા કુશંકા કરી વિડીયો કોલ કરીને જુદા જુદા આક્ષેપો કરતો હતો. જેના ત્રાસથી કંટાળીને પૂજાબેને મોબાઈલ ફોન ઉપાડવાનો બંધ કર્યું હતું, જેથી ઉશ્કેરાયેલા પતિએ વધુ શંકા કરીને પૂજાબેનને હેરાન પરેશાન કરી આત્મહત્યા કરવા માટે મજબુર કરી હતી. જેના કારણે પૂજાબેને પંખામાં લટકી જઇ આપઘાત કરી લીધો હતો. પૂજાબેનના પિતા લાખાભાઈએ પોતાની પુત્રી પર ચારિત્ર્ય અંગેના ત્રાસ ગુજારી મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે પુત્રી પૂજાના પતિ ભાવેશ ખોડાભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ભાવેશ સામે બીએનએસની કલમ 108 હેઠળ પતિ સામે ગુનો નોંધ્યો છે.
અરેરાટી:જામજોધપુરમાં બાઈક આડે ખૂંટીયો ઉતરતા ચાલક યુવકનું મોત
જામજોધપુરના ધ્રાફા રોડ પર અચાનક ખુટીયો આડો ઉતરતા બાઇક સાથે અથડાતા પટકાયેલા ચાલક યુવાનનુ માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયુ હતુ.શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વકર્યો છે.જેના પગલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની ફરીયાદ ઉઠી છે. ત્યારે તંત્ર પણ જાગૃત બની કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગણી પ્રર્વતી રહી છે. જામજોધપુરમાં ચિત્રકુટ સોસાયટીમાં રહેતા આનંદભાઇ મનસુભાઇ સંતોકી (ઉ.વ. 37) નામનો યુવાન સાંજના સમયે ધ્રાફા રોડ પરથી બાઇક પર જામજોધપુર આવી રહયો હતો. ત્યારે ઇગલ કારખાનાથી આગળની ગોળાઇ પર બાઇડ આડે એકાએક ખુંટીયો આડો ઉતર્યો હતો. જે બાઇક સાથે અથડાતા ચાલક યુવાન પટકાયો હતો જેને માથાના ભાગે હેમરેજ સહિતની ઇજા થતા સારવાર અર્થે તુરંત સ્થાનિક હોસ્પીટલમાં લઇ જવાયો હતો જયાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છેકે, જામજોધપુર શહેર અને આજુબાજુમાં રખડતા ઢોરનો ભારે ત્રાસ રહે છે જેમાં ગત તા. 21ના રોજ બાલમંદિર પાસે આખલા યુદ્વ ખેલાયુ હતુ જેના પગલે લગભગ અડધો કલાક સુધી રોડ બ્લોક થઇ ગયો હતો. રખડતા ઢોરનો ત્રાસ વધુ જીવલેણ બને એ પુર્વે જવાબદાર તંત્રએ તાકીદે આવા ઢોરને પકડી ડબ્બે પુરવા જોઇએ એવી પ્રબળ લોકમાંગણી પ્રર્વતી રહી છે.
દુર્ઘટના:ત્રીજા માળે કામ કરતો યુવાન પટકાયો, મૃત્યુ
જામનગર શહેરમાં નુરી ચોકડી વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં સેફ્ટીની જાળી લગાવવાનું કામ કરતી વેળાએ યુવાન નીચે પટકાતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે મોત અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. શહેરની નુરી ચોકડી નજીક આવેલ સિલ્વર સ્કાય એપાર્ટમેન્ટરમાં રહતો રીકલાભાઇ સુરજાભાઇ મોરી (ઉ.વ.30) નામનો યુવાન એપાર્ટમેન્ટમાં સેફ્ટીની જાળી લગાવવાનું કામ કરતો હોય દરમિયાન અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. જેથી તેને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તેમણે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે.
માંગણી:વડીયામાં વોર્ડ નં. 6માં રસ્તો અતિ બિસ્માર બનતા હાલાકી
વડીયા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 6માં રસ્તાઓ બિસ્માર બન્યા છે. જેના કારણે લોકોને પરેશાન થઈ રહ્યા છે. અહીં ચોમાસામાં વરસાદી અને ગટરના પાણી ભરાય રહ્યા છે. ત્યારે સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગ્રામ પંચાયતના સદસ્યે ધારાસભ્યને રજૂઆત કરી હતી. વડીયા ગ્રામ પંચાયતના સદસ્ય જુનેદ ડોડીયાએ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 6માં હવેલી શેરી, ભરવાડ શેરી અને ઢુઢીયા પીપળીયા નાકા પાસેનો રસ્તો અતિ બિસ્માર છે. અહીં માર્ગ તુટી ગયો છે. હવેલી શેરીમાં ચોમાસામાં વરસાદ અને ગટરનું પાણી ભરાવાના કારણે રસ્તા પર ખાબોચિયાં સર્જાય છે. જેના કારણે લોકોને રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડે છે. અહીં ગટરના કારણે મચ્છરજન્ય રોગ ફેલાવાની ભીતી સેવાઈ રહી છે. આંગણવાડી પાસે તો ગટરનું પાણી 24 કલાક ભરાયેલું રહે છે. અહીં નાના બાળકો ગંદકીમાં અભ્યાસ કરે છે. બાળકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી ગ્રાન્ટ ન હોવાના કારણે કામગીરી થતી નથી. ત્યારે અહીં રસ્તાની કામગીરી કરવા માટે તેમણે માંગણી કરી હતી.
તાપમાનનો પારો 41.1 ડિગ્રી:અમરેલી પંથકભરમાં કાળઝાળ ગરમી યથાવત
અમરેલી પંથકમા પાછલા ઘણા સમયથી ગરમીનો પારો સતત 40 ડિગ્રીને પાર જ રહે છે જેના કારણે આકરો તાપ પડતા લોકો અકળાઇ ઉઠયાં છે. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયુ હતુ. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમા વાતાવરણ સુષ્ક રહેવાની અને દરિયાકાંઠાના વિસ્તારોમા ગરમ અને ભેજવાળા પવન ફુંકાવાની આગાહી કરાઇ છે તેની વચ્ચે અમરેલીમા પણ સતત આકરો તાપ પડી રહ્યો છે. આજે શહેરનુ મહતમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 23.6 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 69 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 9.2 કિમીની રહી હતી. આકરા તાપના કારણે બપોરના સુમારે જાણે બજારમા કુદરતી કર્ફયુ લાદવામા આવ્યો હોય તેમ લોકોની ચહલપહલ ઓછી જોવા મળી રહી છે. તાપથી બચવા લોકો અનેકવિધ નુસખાઓ અપનાવી રહ્યાં છે. બપોરના સુમારે ઠંડાપીણાના વેપારીઓને ત્યાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. જયારે જૂનાગઢ જિલ્લા તેમજ સોરઠ પંથકની વાત કરીએ તો એપ્રિલ મહિનાના અંત સુધી હીટવેવની શક્યતા વચ્ચે શુક્રવારે જૂનાગઢ સહિત સોરઠમાં લઘુતમ તાપમાન 1 ડિગ્રી વધ્યું હતું. બપોરે પારો 40 ડિગ્રીથી નીચે સ્થિર રહ્યો હતો. બુધવારની રાત્રે તાપમાન 26 ડિગ્રી રહ્યા પછી ગુરુવારે રાત્રિના 26.6 ડીગ્રી નોંધાયું હતું. 24 કલાકમાં લઘુતમ તાપમાન 22.9 ડિગ્રીથી વધીને શુક્રવારની સવારે 24.1 ડિગ્રી થઈ ગયું હતું. જેની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા રહેતા પરોઢિયે થોડીવાર ઝાકળનું પણ આક્રમણ થયું હતું. સવારથી 5.3 કિલોમીટરની ઝડપે પવન રહ્યો હતો. જ્યારે બપોરના વાતાવરણમાં 27 ટકા ભેજ વચ્ચે મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતરીને 39.8 ડિગ્રીએ આવી ગયો હતો. તાપમાનમાં આંશિક ઘટાડો થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.
મુસાફરો ત્રાહિમામ:બગસરામાં બસ સ્ટેન્ડમાં શૌચાલયમાં ગંદકીનાં ગંજથી મુસાફરો ત્રાહિમામ
બગસરા એસટી ડેપોમાં છેલ્લા ચાર દિવસોથી શૌચાલયમાં પાણી જ આવતું નથી. જેના કારણે ગંદકી સર્જાય રહી છે. મુસાફરો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જાગૃત નાગરીકે અનેક વખત ડેપો મેનેજરને રજૂઆત કરી છે. પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી. બગસરામાં એસટી ડેપોનો વહીવટ કથળી રહ્યો છે. ઠેર ઠેર ગંદકી સર્જાય રહી છે. શૌચાલયમાં સફાઈનો અભાવ જોવા મળે છે. અહીં શૌચાલયમાં પાણી જ આવતું નથી. છેલ્લા ચાર દિવસથી ગંદકીથી મુસાફરો પરેશાન છે. દરમિયાન જ્યારે અહીંયા આવતા મુસાફરોને સફાઈના અભાવે દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જાગૃત નાગરિક દ્વારા ડેપો મેનેજરને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે બગસરા એસટી ડેપોમાં શૌચાલયમાં યોગ્ય સફાઈ કરી નિયમીત પાણી આવે તેવી વ્યવસ્થા કરવા માટે મુસાફરોમાં માંગણી ઉઠી હતી. .તસ્વીર: હાર્દિક બામટા
માંગણી:અમરેલીથી મુંબઈની એસટી બસને શરૂ કરવા માંગણી
અમરેલીથી મુંબઈ સુધીનો એસટી બસ શરૂ કરવા અને અંબાજી રૂટ પર સ્લીબર બસ મુકવા માટે વિકાસ સમિતિએ એસટીના વિભાગીય નિયામકને રજૂઆત કરી હતી. અમરેલી વિકાસ સમિતિએ રજૂઆતમાં જણાવ્યું હતું કે અમરેલીથી અંબાજી બસ શરૂ કરવામાં આવી છે. પણ તેમાં સ્લીપર બસ ન હોવાના કારણે મુસાફરો તેનો પુરતો લાભ લઈ શકતા નથી. અમરેલીથી અંબાજી યાત્રાધામ 11 કલાકનો રસ્તો છે. ત્યાં સુધી રાત્રિના સમયે બેસીને જવું મુશ્કેલ છે. ત્યારે આ રૂટ પર સ્લીપર બસ મુકવા માંગણી કરી હતી. તેમજ અંબાજીથી આ રૂટને ઉપડવાનો સમય રાત્રીના 7 વાગ્યા બાદ રાખવામાં આવે તેવી માંગ પણ કરી હતી. અમરેલીથી મુંબઈ બસ ચાલતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. આ બસ ફરી ચાલુ કરવામાં આવે અને તેમાં સ્લીપર બસ મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ અમરેલીથી શ્રીનાથજી સ્લીપીંગ બસ, વહેલી સવારે અમરેલીથી સોમનાથની એસટી બસ શરૂ કરવા માટે માંગણી કરી હતી.
સાવરકુંડલા નાવલી નદી કાંઠે આવેલા મહાપ્રભુજીની બેઠકજી ખાતે મહાપ્રભુજી ટ્રસ્ટ દ્વારા વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 548મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે સવારે પ્રભાત ફેરી, મહાપ્રભુજી બેઠકજી ખાતે મંગળા દર્શન વૈષ્ણવોએ કર્યા હતા. તેમજ દર એકાદશી નિમિતે ગિરિરાજજીને દુગ્ધાભિષેક કરાવવામાં આવ્યો હતો. ગિરિરાજજીને તીલક, આરતી કરવામાં આવી હતી. મહાપ્રભુજીને પલનામાં ઝુલાવવામાં આવ્યા હતા નંદ મહોત્સવ યોજાયો હતો. જેમાં અમરાપુર તથા સાવરકુંડલા તાલુકાનાં વૈષ્ણવો દ્વારા કિર્તન કરવામાં આવ્યા હતા. મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે મહાપ્રભુજીના ચિત્રજીને તીલક, માલાજી, કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાઠશાળાના બાળકો દ્વારા શ્રી નાથજી પ્રથમ મિલન નાટક રજુ કરવામાં આવ્યું હતું. હજારો વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઉત્સવને સફળ બનાવવા માટે કમિટીએ જહેમત ઉઠાવી હતી.
દુષ્કર્મ ગુજાર્યુ:અમરેલીમાં યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યુ
અમરેલીમા રહેતી એક 27 વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ યુવકે તેને લગ્ન કરવાની લાલચ આપી અમદાવાદ, વડોદરા, અમરેલીની હોટેલમા લઇ જઇ તેના પર દુષ્કર્મ ગુજારતા આ બારામા તેની સામે અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે. અહી રહેતી 27 વર્ષીય યુવતીએ અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ત્રણેક વર્ષ પહેલા તેને યોગીરાજ ઉર્ફે લાલો દેહાભાઇ ધાખડા નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. આ યુવક તેને અમરેલીમા ચિતલ રોડ પર આવેલ એક હોટેલમા લઇ ગયો હતો અને બળજબરીપુર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમા આ યુવક તેને તારીખ 18/12/22ના રોજ અમદાવાદ કારમા લઇ ગયો હતો અને અહીની એક હોટેલમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ યુવકે કટકે કટકે જરૂર હોવાનુ કહી રૂપિયા 20 લાખ લઇ ગયો હતો અને યુવતીને મેન્ટલી ટોર્ચર કરતો હતો. આ યુવક તેને વડોદરા તેના મિત્રના ઘરે લઇ ગયો હતો અને અહી પણ તેણે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જેથી યુવતીને દોઢ માસનો ગર્ભ રહી ગયો હતો. બાદમા યુવકે યુવતી સાથે ઝઘડો કરી તેની સાથે સંબંધ નહી રાખવા કહ્યું હતુ. બનાવની વધુ તપાસ પીએસઆઇ પી.જી.ચોચા ચલાવી રહ્યાં છે. હોસ્પિટલમાં ખોટુ બોલીને ગર્ભપાત કરાવ્યો યોગીરાજ ધાખડા યુવતીને અમદાવાદની એક હોસ્પિટલમા લઇ ગયો હતો અને ડોકટરને જણાવ્યુ હતુ કે આ મારી ફીયાન્સ છે અને ટુંક સમયમા અમે લગ્ન કરવાના છીએ પરંતુ અમારે ઘરે ઇશ્યુ થાય એમ છે કહી ગર્ભપાત કરાવી નાખ્યો હતો. યુવતીએ એસીડ પી લેતા સારવારમાં ખસેડાઇ યુવકે યુવતી સાથે સંબંધ કાપી નાખતા અને આપેલા પૈસા પણ પરત ન આપતા યુવતીએ તારીખ 22ના રોજ લાઠી રોડ પર આવેલ કારના શોરૂમના શૌચાલયમા એસીડ પી લીધુ હતુ. જેને પગલે યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમા ખસેડવામા આવી હતી.
ફરિયાદ:આંબલીધાર નજીક યુવક ઉપર કાર ચડાવી દઇ ઇજા
આટકોટમા રહેતા એક યુવકને અગાઉ થયેલ માથાકુટ મુદે બાબરાના આંબલીધાર નજીક બે શખ્સોએ તેના પર કાર ચડાવી દઇ ગંભીર ઇજા પહોંચાડતા તેણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રમેશભાઇ બાલાભાઇ દાફડા (ઉ.વ.30) નામના યુવકે બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અગાઉ આટકોટ ખાતે માથાકુટ થઇ હોય તેઓ ચરખા ગામે માતાજીના માંડવામા આવેલ ત્યારે કિશન ગોવિંદ પરમાર અને મનુ વાલજી દાફડા પણ ત્યાં આવ્યા હતા. કિશને ફોન કરીને આંબલીધારે મળવા બોલાવેલ જેથી તેઓ મનોજભાઇ અને હરેશભાઇ સાથે મોટર સાયકલ લઇને ત્યાં ગયા હતા. તેઓ બાઇક લઇને જઇ રહ્યાં હતા ત્યારે આ બંને શખ્સોએ કાર બાઇક આડે ઉભી રાખી દીધી હતી અને ગાળો આપી હતી. બાદમા મારી નાખવાની ધમકી આપી હતી. તેઓ બાઇક લઇને જતા હતા ત્યારે બાઇક પરથી નીચે પછાડી દઇ કાર ચડાવી દઇ ઇજા પહોંચાડી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઇ આર.વી.રાઠોડ ચલાવી રહ્યાં છે.
ત્રણેય ટ્રેનોને વેરાવળ રવાના કરવામાં આવી:કેટલીક મીટરગેજ ટ્રેનોના સંચાલનમાં થશે ફેરફાર
અમરેલીમા બ્રોડગેજ રેલ લાઇન માટે વર્ષોથી લડત ચલાવાયા બાદ સરકાર દ્વારા બ્રોડગેજ લાઇન મંજુર કરાઇ છે. ત્યારે હવે કામગીરીનો ધમધમાટ શરૂ થઇ ચુકયો છે. અહીના રેલવે સ્ટેશન પર મીટરગેજ અને બ્રોડગેજના અલગથી પ્લેટફોર્મ બનાવવાના હોય આવતીકાલથી અમરેલીથી વેરાવળ અને જુનાગઢ વચ્ચે દોડતી ટ્રેનો છ માસ માટે બંધ કરવાનો રેલ તંત્રએ નિર્ણય લીધો છે. જેને પગલે ત્રણેય ટ્રેનોને વેરાવળ રવાના કરાઇ છે. થોડા દિવસ પહેલા ખીજડીયા લાઇન તરફના મીટર ગેજના રેલ ટ્રેકને કાઢવાની કામગીરી શરૂ કરાઇ હતી. તેમજ લાઠી રોડ પર રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાનો હોવાથી અહી પણ કામગીરી હાથ ધરવામા આવી હતી. અગાઉ અમરેલીના જુના રેલવે સ્ટેશનને પાડી નાખવાનો નિર્ણય લેવાયો હતો. જો કે બાદમા આ નિર્ણય રદ કરાયો હતો. અને આ જુના રેલવે સ્ટેશનને સાચવી રાખવાનુ નક્કી કરાયુ હતુ. અહી રેલવે સ્ટેશન પર ત્રણ નવા પ્લેટફોર્મ બનશે. અહી પાર્કિંગ તેમજ ફુટ બ્રિજ પણ બનાવવામા આવશે. આ રેલવે સ્ટેશનની બાજુમા જ આધુનિક રેલવે સ્ટેશન પણ બનાવવામા આવશે. અહી નવા પ્લેટફોર્મ બનાવવાની કામગીરી શરૂ કરવાની હોય અમરેલીથી વેરાવળ-જુનાગઢ દોડતી ટ્રેનોને ચલાલા અથવા ધારીથી ચલાવવા માંગ કરાઇ હતી. પરંતુ રેલવે તંત્ર દ્વારા ટેકનીકલી આ શકય ન હોય આવતીકાલ તારીખ 26મીથી ત્રણેય ટ્રેનો છ માસ સુધી બંધ રહેશે. રેલવે વહિવટી તંત્ર દ્વારા અમરેલીથી વિસાવદર વચ્ચેની રેલ સેવા હંગામી ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આજે બપોરે વેરાવળથી આવેલી ટ્રેનને ફરી રવાના કરી દેવામા આવી હતી. જયારે આવતીકાલે સવારે સાડા છ વાગ્યે બંને ટ્રેનોને વેરાવળ રવાના કરી દેવામા આવશે. હાલ અમરેલી જુનાગઢ વચ્ચે ટ્રેન ચાલે છે તેને વેરાવળ અને જુનાગઢ વચ્ચે ચલાવવાનો રેલવે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારના તમામ લોકોને આ ટ્રેનોનો લાભ મળી શકશે. વેરાવળ-દેલવાડા વચ્ચે દોડતી ટ્રેનનાં સમયમાં નજીવો ફેરફાર આ ઉપરાંત ટ્રેન નંબર 52949/52950 વેરાવળ અને દેલવાડા વચ્ચે ચાલે છે તેના સમયમા નજીવો ફેરફાર કરાયો છે. આ ટ્રેન તારીખ 26મીથી દેલવાડાથી 8 કલાકના બદલે 7:50 કલાકે ઉપડશે અને વેરાવળ 11:15 કલાકે પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 52949 વેરાવળથી દેલવાડા જાય છે તે ટ્રેન તારીખ 26મીથી વેરાવળથી 14:00 કલાકે ઉપડશે અને 17:50 કલાકે દેલવાડા પહોંચશે. ટ્રેન નંબર 52952/52951 જુનાગઢથી સવારે 8:00 કલાકે ઉપડી 14:40 કલાકે દેલવાડા પહોંચશે. ટ્રેનોના સમયમાં થશે થોડા ફેરફાર ટ્રેન નંબર 52955/52956 જે હાલમા અમરેલીથી જુનાગઢ વચ્ચે દોડે છે તે હવે વેરાવળ જુનાગઢ દોડશે. આ ટ્રેન તારીખ 26મીથી સવારે 6:15 કલાકે વેરાવળથી ઉપડી 10:15 કલાકે જુનાગઢ પહોંચશે. અને 10:45 કલાકે જુનાગઢથી ઉપડી 15:00 કલાકે વેરાવળ પહોંચશે. આવી જ રીતે ટ્રેન નંબર 52929/52930 વેરાવળથી 9:15 કલાકે ઉપડી 13:00 કલાકે જુનાગઢ પહોંચશે અને ત્યાંથી 13:25 કલાકે ઉપડી 17:20 કલાકે વેરાવળ પહોંચશે. ટ્રેન નંબર 52933/52946 વેરાવળથી 13:00 કલાકે ઉપડી 16:50 કલાકે જુનાગઢ પહોંચશે. જયારે 52946 તારીખ 27મીથી જુનાગઢથી સવારે 6:30 કલાકે ઉપડી 10:55 કલાકે વેરાવળ પહોંચશે.
તપાસ:જાફરાબાદ ખાતે બોટમાથી ચાઇનીઝ કંપનીનું AIS મળ્યું
જાફરાબાદમા સામાકાંઠા પુલ પાસેથી એક બોટમા તપાસ હાથ ધરાઇ હતી. બોટમાથી ચાઇનીઝ કંપનીનુ એઆઇએસ મળી આવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. બોટમાથી ચાઇનીઝ કંપનીનુ એઆઇએસ મળી આવ્યાની આ ઘટના જાફરાબાદમા બની હતી. મળતી માહિતી મુજબ, કોસ્ટગાર્ડ સ્ટેશન પીપાવાવ દ્વારા અપાયેલા માહિતીના આધારે પોલીસે બોટ રજી.નંબર આઇએનડી જીજે એમએમ 49 વિજયદેવ કૃપા નામની બોટની તપાસ કરી હતી. આ બોટમાથી એક ચાઇનીઝ કંપનીનુ એઆઇએસ (ઓટોમેટીક આઇડેન્ટીફિકેશન સિસ્ટમ) મળી આવ્યુ હતુ. આ એઆઇએસમા કોઇ વાંધાજનક સંદેશા વ્યવહારની આપ-લે કરવામા આવી છે કે કેમ ? તેમજ આ બોટમા કેવા હેતુથી લગાવાયુ હતુ તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ તપાસ એસઓજી પીઆઇ આર.ડી.ચૌધરી ચલાવી રહ્યાં છે.
ફરિયાદ:કુંડલાનાં દોલતી ગામમાં આધેડને જાનથી મારી નાખવાની ધમકી આપી
સાવરકુંડલા તાલુકાના દોલતીમા રહેતા એક આધેડના પ્લોટમાથી માટી કાઢવામા આવી રહી હોય તેઓ કહેવા જતા બે શખ્સોએ બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મેપાભાઇ બાવભાઇ બલદાણીયા (ઉ.વ.59) નામના આધેડે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓના પ્લોટમાથી મોહન બાલાભાઇ પરડવા અને બાલા વિરાભાઇ પરડવા જેસીબી વડે માઢી કાઢી રહ્યાં હતા. જેથી આધેડ તેઓને કહેવા ગયા હતા. જો કે આ બંને શખ્સોએ માટી તો નીકળશે જ કહી અને તુ ખોવાઇ જઇશ કહી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જી.પી.રાઠોડ ચલાવી રહ્યાં છે.
ભાસ્કર ફોલોઅપ:પુત્રીની હત્યા કરનાર પિતાની ધરપકડ
ખાંભા તાલુકાના ડેડાણ ગામે મુસ્લિમ સમાજની યુવતીને કોળી સમાજના યુવક સાથે પ્રેમસંબંધ હોવા મુદે યુવતીની તેના પિતાએ જ ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીની કલાકોમા જ હત્યા નિપજાવનાર શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ડેડાણમા રાત્રીના અઢી વાગ્યાના સમયે ઇશીકા મજીદભાઇ ખોખર નામની યુવતીની તેના પિતાએ જ ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. ઇશીકાને ગામના જ કાના નામના યુવક સાથે પ્રેમસંબંધ હોય જેથી સમાજમા આબરૂ જવાની બીકે મજીદભાઇ ગુલાબભાઇ ખેાખરે રાત્રીના સમયે તેની પુત્રી ઇશીકાનુ ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. ઘટનાને પગલે પીઆઇ એ.એમ.દેસાઇ, ઇન્ચાર્જ પીઆઇ આર.જી.ચૌહાણની રાહબરી હેઠળ એએસઆઇ ભરતભાઇ વાળા, એએસઆઇ ઋત્વિકભાઇ પરમાર, કુમેશભાઇ શિયાળ, મનીષસિંહ ઝાલા, રાજુભાઇ બોદર, ભાવેશભાઇ બુધેલા, કિશોરભાઇ ખાચર, શિવરાજભાઇ લુણસર અને ઇકબાલભાઇ મહીડાએ જુદીજુદી દિશામા તપાસ હાથ ધરી હતી અને હત્યારા મજીદભાઇની ગણતરીની કલાકોમા ધરપકડ કરી લીધી હતી.
ઝઘડા મુદ્દે મનદુ:ખ રાખી ધમકી પણ આપી:દાતરડી ગામમાં વૃદ્ધ પર લાકડી વડે હુમલો
રાજુલા તાલુકાના દાતરડીમા રહેતા એક વૃધ્ધને અગાઉ થયેલા ઝઘડા મુદે અહી જ રહેતા એક શખ્સે બોલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ડુંગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. મળતી વિગત મુજબ, મનુભાઇ કુરજીભાઇ ધડુક (ઉ.વ.69) નામના વૃધ્ધે ડુંગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે હમીરભાઇ રામભાઇ લાખણોત્રાએ બે વર્ષ પહેલા દાતરડી ગામમા કોઇ વ્યકિત સાથે ઝઘડો કર્યો હોય તેને એવુ લાગેલ કે તે વ્યકિતને તેના વિરૂધ્ધમા ફરિયાદ કરાવવા વૃધ્ધના દીકરાએ પૈસા વાપરી ચડામણી કરેલ છે. જેથી તેણે બોલાચાલી કરી હતી. આ શખ્સે ગાળો આપી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ જયેશભાઇને પણ લાકડી વડે મારમાર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.
હુમલો:પવનચક્કી પ્રોજેકટ જમીન શોધવા મુદ્દે યુવક પર હુમલો
બાબરા તાલુકાના દરેડમા રહેતો એક યુવક પવનચક્કીના પ્રોજેકટ માટે જમીન શોધવાનુ કામ કરતો હતો તે મુદે ત્રણ શખ્સોએ બોલાચાલી કરી પાઇપ અને લાકડી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાને પગલે વધુ આગળની તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસારમાણસુરભાઇ ભીખુભાઇ ગરૈયા (ઉ.વ.30) નામના યુવકે બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ હરેશભાઇ ડાંગર સાથે વડીયા તાલુકાના દેવગામ ગામે પવનચક્કીના પ્રોજેકટ માટે જમીન શોધવાનુ કામ કરતા હતા ત્યારે અહી રહેતા હેમતભાઇ નાગદાનભાઇ ખાટરીયાને આ વાત ન ગમતા તેણે કારમા બે અજાણ્યા શખ્સો સાથે ધસી આવી બોલાચાલી કરી હતી. આ ત્રણેય શખ્સોએ લાકડી અને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી તેમજ બીજી વખત દેવગામમા આવીશ તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ આર.વી.સિંધવ ચલાવી રહ્યાં છે.
દુર્ઘટના:સાગબારાના ઉમરાણની આંગણવાડીમાં વૃક્ષ ધરાશાયી, એક છાત્ર સહિત 2ને ઇજા
સાગબારાના ઉમરાણ ઉપલા ફળીયાની આંગણવાડી કમ્પાઉન્ડમાં વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધરાશાયી થઇ કંપાઉન્ડમાં રહેલાં 8 બાળકો પર પડયું હતું. આંગણવાડી કાર્યકર બહેનની સમયસુચકતાથી 7 વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો જયારે બેને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ઉમરાણ ગામના ઉપલા ફળીયામાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં 8 જેટલા બાળકોને કાર્યકર રીટાબેન વસાવા કમ્પાઉન્ડમાં લાવી વિવિધ રમતો રમાડતા હતા અને તે દરમ્યાન કમ્પાઉન્ડ બહાર એક વર્ષો જૂનું ગુલમહોરનું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. રીટાબેને સમય સુચકતા વાપરીને વૃક્ષને પકડી લેતાં તેઓ વૃક્ષ નીચે દબાઇ ગયા હતાં પણ રમતો રમી રહેલાં બાળકોને બચાવી લીધાં હતાં. આ ઘટનામાં રીટાબેન તથા એક છાત્ર મળી કુલ 2 જણને ઇજા પહોંચી હતી. બૂમરાણ થતા આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા અને રીટાબેનને બહાર કાઢ્યા અને રીટાબેન સાથે 5 વર્ષના વીર નિતેશ વળવીને પણ માથામાં ઝાડની ડાળખી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ને ડેડીયાપાડા સારવાર માટે લઇ જવાયા જ્યાંથી રાજપીપલા સિવિલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં.
ચાણસ્મા આજે બંધ રહેશે:કાશ્મીર હુમલાના વિરોધમાં ચાણસ્મા આજે બંધ રહેશે
જમ્મુ કાશ્મીરમાં પહેલ ગામમાં બનેલા આતંકી ઘટનાના વિરોધમાં ચાણસ્મા વેપારી સંગઠન સમિતિએ શનિવારે ઘંધા રોજગાર બંધ રાખી સમસ્ત ચાણસ્મા શહેરમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારથી સાંજ સુધી ધંધો રોજગાર બંધ રાખી મૃતકોના શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. વેપારી સંગઠન સમિતિએ જણાવ્યું કે આ બંધ સ્વયંભૂ રહેશે. ભારત સરકારના સમર્થનમાં આ પગલું લેવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં આ ઘટનાની નિંદા થઈ રહી છે. લોકો આતંકવાદનો અંત આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના પણ વ્યક્ત કરl છે.
સમગ્ર દેશ નિર્દોષ ભારતીયોના મોત ને લઈ શોકમાં છે ત્યારે રાજકોટમાં ભાજપ નો મહિલા મોરચો બર્થ ડે સેલિબ્રેશનમાં કરવામાં વ્યસ્ત બન્યા છે. ભાજપે કિસાનપરા ચોકમાં પહેલા મૃતકોને શ્રદ્ધાંજલી આપી અને બાદમાં મહિલા મોરચો કેક લઈને અંજલિ રૂપાણીને ત્યાં પહોંચ્યો હતો. ભાજપ અગ્રણી અંજલિ રૂપાણીના જન્મદિવસ નિમિતે મહિલા મોરચાએ કેક કાપીને ભવ્ય ઉજવણી કરી હતી.ધારાસભ્ય ડો.દર્શીતા શાહ,પૂર્વ મહિલા કોર્પોરેટરો સહિતના સેલિબ્રેશનમાં હાજર રહ્યા હતા. રાજકોટમાં ભાજપનો મહિલા મોરચો બર્થ ડે સેલિબ્રેશનમાં કરવામાં વ્યસ્તઆંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને પહેલા શ્રદ્ધાંજલી અને બાદમાં ઉજવણી કરતા મહિલા મોરચાના ભાજપના નેતાઓ જોવા મળ્યા હતા. કરુણ ઘટના બાદ અંજલિ રૂપાણી રૂપાણીએ પણ મહિલા મોરચાને ના ન પાડી અને હસતા મોઢે કેક કાપીને સેલિબ્રેશન કરી ફોટો વિડીયો કરાવ્યા હતા.સોશિયલ મીડિયામાં મહિલા મોરચા દ્વારા બર્થ ડે સેલિબ્રેશનના ફોટો વિડીયો વાયરલ થયા છે. જેમ મહિલા મોરચાના કાર્યકરોએ પણ જાણે બહાદુરીનું કામ કર્યું હોય તેમ પોતાના સ્ટેટસમાં ઉજવણીના ફોટો પણ મુક્યા છે.
અમદાવાદના કારંજ પોલીસ મથકે મેટ્રો કોર્ટના એક વકીલે 06 માર્ચ, 2025ના રોજ મેટ્રો કોર્ટ સંકુલમાંથી પોતાનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં પોલીસે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ત્રણ આરોપીઓ મખદુમ અલી શેખ, મઝહર અલી શેખ તથા મોઈનખાન પઠાણને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરીના 04 ટુ વ્હીલર પણ મળી આવેલ હતા. આરોપીઓ પૈકી મકદુમ અલી અને મઝહર અલીએ અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેનો વિરોધ કરતા સરકારી વકીલ અને ફરિયાદ પક્ષના વકીલો દલીલ કરી હતી કે આરોપીઓ રીઢા ગુનેગાર છે. તેમની સામે પ્રથમ દર્શિક કેસ છે. આરોપીઓ સામે અગાઉ કારંજ, સાબરમતી રેલવે અને ધોળકા પોલીસ મથકોએ આવા જ ગુન્હા નોધાઇ ચૂક્યા છે. આરોપીઓએ કોર્ટ સંકુલમાંથી વકીલની મોટરસાયકલની ચોરી કરી છે. જે દર્શાવે છે કે આરોપીઓમાં કાયદાનો ડર નથી. ચોરીના CCTV અને ચોરીનો મુદામાલ પોલીસે મેળવેલ છે. ત્યારે આરોપીઓને જામીન આપવા જોઈએ નહીં. કોર્ટે સરકાર તથા ફરિયાદીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીઓની જામીન અરજી નકારી નાખી હતી.
કોરોના પછી હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે તેમાં પણ ખાસ કરી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વધુ એક યુવાનને આવેલા હાર્ટ એટેકથી પરપ્રાંતીય પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રાજકોટના ગોંડલ ચોકડી પાસે રમકડાના કારખાનામાં કામ કરતો 19 વર્ષીય યુવક 24 એપ્રિલના રાત્રિના 10 વાગ્યા આસપાસ કામ કરતા કરતા ઢળી પડ્યો હતો અને માત્ર 27 સેકન્ડમાં તે મોતને ભેટ્યો હતો. કારખાનામાં કામ કરતા સમયે એકાએક ઢળી પડતા તેને સારવારમાં ખસેડાયો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે મોતનું સાચું કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન મૂળ ઉત્તરપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતોઅતુલકુમાર કેશવકુમાર કોલ (ઉં.વ.19)ને બેભાન હાલતમાં 24 એપ્રિલની રાત્રે 11 વાગ્યા આસપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર રહેલા ડો.અશ્વિન રામાણીએ અતુલકુમારને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી આજીડેમ પોલીસ સ્ટાફ હોસ્પિટલ આવી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. 10 દિવસ પહેલાં જ કંપનીમાં ફરી કામે લાગ્યો હતોમૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, અતુલકુમાર ગોંડલ ચોકડી પાસે આવેલી રમકડા બનાવતી ફ્લેક્ષ ઝોન નામની કંપનીમાં કામ કરતો હતો. તે આશરે 10 મહિનાથી આ કંપનીમાં કામે લાગ્યો હતો જેમાં વચ્ચે થોડો સમય પોતાના વતન ઉત્તર પ્રદેશ ગયો હતો. ત્યાંથી પરત આવી 10 દિવસ પહેલાં જ કંપનીમાં ફરી કામે લાગ્યો હતો. ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યે અતુલકુમાર કારખાનામાં કાસ્ટિંગ પ્લાસ્ટિક લાઈન મોલ્ડિંગ મશીન ઉપર કામ કરી રહ્યો હતો અને અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જમીન પર પટકાતા તેને કપાળના ભાગે આંખ ઉપર સામાન્ય ઇજા પણ થઈ હતી. તુરંત જ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. રાત્રે 11:30 વાગ્યા આસપાસ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તારણ હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યુંઅતુલકુમાર બે ભાઈ બે બહેનમાં ત્રીજા નંબરનો હતો. તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે. મૃતદેહને વતનમાં લઈ જવા તજવીજ કરાઈ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, અતુલકુમાર જ્યાં કામ કરતો હતો તે સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પ્રાથમિક તારણ હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.
પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થતાં ભારત પર કેવી અસર થશે? 2019માં થયું હતું 700 કરોડનું નુકસાન
Pakistani Air Space Block : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા હતા. ભારત સરકારે સિંધુ જળ સંધિ પર રોક લગાવી છે. અટારી બોર્ડર બંધ કરી દેવામાં આવી અને ભારતમાં રહેતા નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ પાકિસ્તાન સાથે તણાવ વધી ગયો છે. ઉતાવળમાં ભારતનું અનુકરણ કરીને પાકિસ્તાને વાઘા બોર્ડર બંધ કરી દીધી અને શિમલા સંધિ રદ કરી છે. તેવામાં ભારતીય ફ્લાઇટ્સ માટે પાકિસ્તાને એર સ્પેસ પણ બંધ કરી દીધું છે.
વર્ષ 2018માં આરોપી ભાનુભાઈ પટેલ સામે નિકોલ પોલીસ મથકે બે મહિલાઓને માર મારીને ધમકી આપવાનો ગુનો નોંધાયો હતો. જેની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ ટી.એલ.બારોટની દલીલો, 9 સાક્ષીઓ અને 10 પુરાવાને આધારે આરોપીને 3 વર્ષની સાદી કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેસને વિગતે જોતા આરોપીએ પોતાના ઘરની સામેથી પસાર થઈ રહેલી 2 મહિલાઓને વાંઢીઓ ચાલી તેમ કહીને લાકડીથી ઇજા પહોંચાડી હતી, માર માર્યો હતો. તેમ જ મકાન ખાલી કરવા અપશબ્દો બોલીને ધમકી આપી હતી. આ હુમલામાં મહિલાઓને કાંડામાં ફેક્ચર થયું હતું. આરોપીએ મહિલાને તમાચો પણ માર્યો હતો. તેમ જ તેના પગની પિંડીએ પણ લાકડી વાગી હતી. કોર્ટમાં પ્રોસિકયુશન પક્ષે મહિલાઓની સારવારનો રિપોર્ટ, એક્સરે રિપોર્ટ વગેરે પુરાવા મૂકવામાં આવ્યા હતા. ફરિયાદીએ આરોપીને કોર્ટમાં ઓળખી બતાવેલ હતા. આરોપીના વકીલે આરોપીને પ્રોબેશનનો લાભ આપવા વિનંતી કરી હતી. જો કે કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ મહિલાઓને માર મારીને ગંભીર ઈજા કરી હતી. જેથી તેને પ્રોબેશનનો લાભ આપી શકાય નહીં. વળી આરોપી જે દંડ ભરશે તે ફરિયાદીને વળતર તરીકે આપવાનો હુકમ કરાયો હતો.
બાલાસિનોરમાં રેશનિંગ દુકાનોની તપાસ:24 ટીમો દ્વારા ફિઝિકલ સ્ટોક અને રેશનકાર્ડ ધારકોની ફરિયાદોની તપાસ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે વિભાગે 24 અલગ-અલગ ટીમોની રચના કરી છે. બાલાસિનોરના નાયબ મામલતદાર પ્રદીપ દેસાઈએ માહિતી આપી કે જિલ્લા પુરવઠા અધિકારીના હુકમ અનુસાર આ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમને ડુંગરીપુરા અને પાંડવા વિસ્તારની દુકાનોની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન દુકાનોમાં ફિઝિકલ સ્ટોકની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે જ રેશનકાર્ડ ધારકોને બોલાવીને તેમને પૂરતું અનાજ મળે છે કે નહીં અને અન્ય કોઈ સમસ્યા છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. વિભાગ દ્વારા તપાસના અંતે એક રિપોર્ટ જાહેર કરવામાં આવશે. આ રિપોર્ટમાં કોઈ દુકાન પર ગેરરીતિ થઈ છે કે નહીં તેની વિગતો સામેલ કરવામાં આવશે.
રાણીપ પોલીસ સ્ટેશન મથકે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત આરોપી અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ જયરામભાઈ વિરૂધ્ધમાં ગુનો રજીસ્ટર થયેલ હતો. જેમાં આરોપીએ 1 જાન્યુઆરી, 2006 થી 31 ડિસેમ્બર,2024 સુધીના સમયગાળા દરમ્યાન પોતાની રાજયસેવક તરીકેની ફરજ દરમ્યાન હોદ્દાનો દુરઉપયોગ કરી, ભ્રષ્ટાચાર આચરી, પોતાના કાયદેસરના જાણીતા આવકના તમામ સ્ત્રોતોમાંથી મેળવેલ આવક સાથે સુસંગત ના હોઇ તેવી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે અપ્રમાણસર મિલકત ભેગી કરી હતી. જેની રકમ રકમ 31.62 લાખ થવા જાય છે. જે 23.50 ટકા જેટલી વધુ છે. જે ગુનાની તપાસ કરતાં સદર ગુનાના કામે આરોપીના ઘરે ઝડતી તપાસ પંચનામુ કરવામાં આવેલ તેમજ આરોપીની 24 એપ્રિલ, 2025ના રોજ ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ. આ ગુનાની ઉંડાણપૂર્વક અને મૂળ સુધી તપાસ કરવા માટે કોર્ટમાં આજરોજ મુદ્દત સમય અંદર રજુ કરી પોલીસ કસ્ટડી રીમાન્ડની માંગણી કરતાં કોર્ટ તરફથી આરોપીના 30 એપ્રિલ, 2025 સુધીના કુલ 5 દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજુર કરેલ છે. આમ આ ગુન્હાને તપાસ હાલ ચાલુ છે.
રાજકોટ શહેર LCB ઝોન-2 અને ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ સંયુક્ત પેટ્રોલિંગમાં હતો, ત્યારે મોરબી બાયપાસથી એઇમ્સ હોસ્પીટલ તરફ રોડ પર એઇમ્સ હોસ્પિટલ ચોક પાસે આઇસર ટ્રક બંધ બોડીનો ઉભેલ હોય જેમા વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તેવી મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ટ્રક ચાલકની અટક કરી તેનું નામ પૂછતાં સાજીદઅલી હાકમઅલી (ઉ.વ.30) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 7560 બોટલ મળી આવતાં ટ્રક ચાલકની ધરપકડ કરી 45 લાખનો દારૂ તથા ટ્રક મળી કુલ રૂ.55.44 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. પકડાયેલ શખ્સ ગોવાથી દારૂનો જથ્થો ભરી આવતો હતો અને રાજકોટ પહોંચ્યા બાદ તેમણે દારૂ ભરી આપનાર મોબાઈલ નંબર પર વોટ્સએપ કોલમાં વાત કરતો શખ્સ જામનગર પંથકમાં ક્યાં દારૂ સપ્લાય કરવાનો છે તે અંગે માહિતી આપવાનો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી ગોદરેજ કંપનીના માલસામાનની બિલ્ટી સાથે રાખી દારૂ રાજકોટ સુધી પહોંચડાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. NSG કમાન્ડો લેવલની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુંજમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના બનાવથી દેશભરમાં આક્રોશ વચ્ચે ભયનો માહોલ પણ ઉભો થયો છે. ત્યારે મવડી પોલીસ હેડ કવાર્ટરમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 25 જેટલા પોલીસ ઈન્સ્પેકટર માટે NSG કમાન્ડો લેવલની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આતંકવાદી હુમલા સામે કઈ રીતે ડિફેન્સ કરી શકાય તે અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. આજે સવારથી જ હેડ કવાર્ટરના તાલીમ ભવનમાં રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ ઈન્સ્પેકટર તાલીમ અર્થે આવ્યા હતા. જેમાં રાષ્ટ્ર કે રાજય પર અથવા જે તે જિલ્લામાં આતંકવાદી હુમલો થાય તો તુરંત ગ્રાઉન્ડ લેવલ પર કઈ રીતે જવાબદારી સંભાળી અને ડિફેન્સ કેમ કરવો તે અંગે સઘન તાલીમ સાથે અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ તાલીમ પૂર્વ નિયોજીત હતી અને થોડા સમય પહેલા જ તારીખ નકકી કરવામાં આવી હતી. આઘેડનો ઘરમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યોરાજકોટ શહેરની સોની બજાર પાસે ગઢની રાંગ નજીક ગુર્જરી બજારમાં રહેતા શબ્બીરભાઈ અશગર અલી માંકડા (ઉં.વ.55)નો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ તેના ઘરમાંથી જ મળ્યો હતો. આજે બપોરે શબ્બીરભાઈના ઘરમાંથી દુર્ગંધ આવવા લાગતા આસપાસના લોકોએ તપાસ કરતા શબ્બીરભાઈ અંદર જ હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી જર બાદ દરવાજો તોડી અંદર જોતા શબ્બીરભાઈનો કહોવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ બનાવ અંગે તેના સગા સંબંધીઓને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, શબ્બીરભાઈ એકલવાયું જીવન જીવતા હતા. તેઓ ત્રણ ભાઈ બે બહેનમાં નાના હતા. અપરણીત હતા તથા ચપ્પલની દુકાનમાં કામ કરતા હતા. ઘરમાં જ તેને હાર્ટ એટેક આવી ગયો હોય તેવું હાલ અનુમાન છે જોકે પોલીસે મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ઓનલાઈન IPL મેચ પર સટ્ટો રમતા શખસની ધરપકડરાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે એક શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં રહેલ આઇડીમાં ઓનલાઇન ક્રીકેટ મેચમાં જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી તે શખ્સને નામ પુછતા પોતાનું નામ રાહીલ કિશોર સામાણી (ઉ.વ.19) હોવાનું જણાવ્યું હતું. પોલીસે રાહીલ પાસે રહેલ મોબાઈલ તપાસતા તેમાં ગુગલ ક્રોમ ખોલતા તેમાં Rupees777.com વાળી આઇડીમાં IPLની મુંબઇ ઇન્ડીયન્સ વિરૂધ્ધ કલકતાની ક્રીકેટ મેચમાં જુગારમાં ઓનલાઇન સોદાઓ કરી જુગાર રમી પૈસાની હારજીત કરેલ હોવાનું સામે આવ્યું હતું. તેમજ આઈ.ડી. આપનાર બાબતે પુછતા તેને ગૌતમ પરસોતમ બારસીયાએ આપ્યાની કબુલાત આપતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા રોડ ઉપર સદગુરુ તીર્થધામ, શોપ નં.50માં આવેલ મુંબઈ ઝાયકા પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી- વાસી બેકરી પ્રોડક્ટસ તથા વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ વગેરે મળીને અંદાજીત કુલ 12 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, કિચનમાં હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલા. જ્યારે શોપ નં.42માં P-GRILL પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી- વાસી બેકરી પ્રોડક્ટસ તથા વાસી અખાદ્ય સોસ-ચટણી વગેરે મળીને અંદાજીત કુલ 10 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલો. તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ સાથે જ કાલાવડ રોડ પર આવેલ HOT SPICY પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી- વાસી બેકરી પ્રોડક્ટસ તથા વાસી અખાદ્ય સોસ - ચટણી વગેરે મળીને અંદાજીત કુલ 06 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ઉપયોગમાં લેવાતા તેલનો પ્રકાર, બટર/ ફેટ સ્પ્રેડ દર્શાવતું બોર્ડ લગાવવા તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ કુલ 08 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં રાષ્ટ્રીય શાળા સામે આવેલા અદાણી બ્રધર્સમાંથી AADANI SPICES BRAND CHILLI POWDER (500G PKD), AADANI SPICES BRAND AACHAR MASALA (500G PKD), AADANI SPICES BRAND MUSTARD SPLIT (500G PKD)ના નમૂના લેવાયા છે. 1.20 કરોડની બાકી લોનનો હપ્તો ન ભરાતા વહિવટી તંત્રે કબ્જો લીધોરાજકોટ શહેર (પૂર્વ) મામલતદારે બાકી બેન્ક લોનનાં કિસ્સામાં એક મકાનનો કબ્જો લઈ નાગરિક બેંકને સોંપી દિધો હતો. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ કલેક્ટર, રાજકોટ ના ધી સિક્યુરાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ-2002 હેઠળ સિક્યોર્ડ એસેટનો કબજો લેવા બાબતનો હુકમ કરવામાં આવ્યો હતો. તેના માટેની નોટિસ તારીખ 11/04/2025 બજવી હતી. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા રાજેશભાઈ નરશીભાઈ ઢોલરીયા અને મહેશભાઈ નરશીભાઈ ઢોલરીયાને રાજકોટ શહેરના આવેલા કુવાડવા રોડ આવેલ શ્રીનાથ પાર્ક શેરી નં-2માં આવેલા વ્રજ કુટિર મકાન રેવન્યુ સર્વે નં.110 પૈકીનાં બિનખેતીનાં રહેણાંક પ્લોટ્સ પૈકી સબ પ્લોટ જેની જમીન ચો.મી.61-23 ઉપર રહેણાંક મકાનનો કબજો રાજકોટ શહેર પૂર્વ મામલતદાર એસ. જે. ચાવડા અને સર્કલ ઑફિસર સત્યમ શેરસીયા દ્વારા લેવામાં આવ્યો હતો. મિલકત ઉપર તા. 30/06/2012 સુધીની બાકી પડતી લહેણી રકમ રૂ. 1,20,49,709.23 અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યો. ITI માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ રોજગારી અને સ્વરોજગારીની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવતી આઈ.ટી.આઈ.-રાજકોટ ખાતે પ્રવેશસત્ર-2025 અંતર્ગત એડમિશન લેવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે. પ્રવેશ માટે ઈચ્છુક ઉમેદવારે ઓનલાઈન એડમિશન પ્રક્રિયાની સમજણ તેમજ ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઈ.ટી.આઈ.-રાજકોટ, આજીડેમ પાસે, ભાવનગર રોડ પર સવારે 9:30 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા દરમિયાન મુલાકાત લઈ શકે છે. તેમજ વધુ વિગત માટે www.itiadmission.gujarat.gov.in વેબસાઈટની મુલાકાત લેવી. મેદસ્વિતાની સમસ્યાને લઈ મહત્ત્વની પહેલરાજકોટમાં વધતા જતા મોટાપાની તીવ્ર આરોગ્યસંબંધી સમસ્યાને પહોંચી વળવા માટે મહત્ત્વપૂર્ણ પહેલ હેઠળ, ઓબેસિટી એન્ડ મેટાબોલિક સર્જન્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા(OSSI )એ CIGIS હોસ્પિટલ અને IMA રાજકોટ સાથે મળી રાજકોટ શહેર સ્તરે CME કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમજ ત્રણ પ્રકારની બેરિયાટ્રિક સર્જરીનાં લાઈવ ડેમો પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજકોટભરના 100થી વધુ ડોકટરો જેમાં ફિઝિશિયન્સ, ગાયનેકોલોજિસ્ટ્સ, સર્જન્સ ઉપરાંત એન્ડોક્રાયનોલોજિસ્ટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મોટાપાને ગંભીર વૈજ્ઞાનિક બીમારી તરીકે માન્યતા આપવી અને આધુનિક સારવાર વિકલ્પો વિશે મેડિકલ ફ્રેટરનિટી વચ્ચે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમમાં સ્લીવ ગાસ્ટ્રેક્ટોમી, રૂ-એન-વાય ગેસ્ટ્રિક બાયપાસ, અને સ્લીવ પ્લસ જેવી સર્જરીઝનું લાઈવ પ્રદર્શન કરાયું હતું. જે ઉપસ્થિત ડોકટરો માટે લાઈવ ટ્રાન્સમિશન સાથે વિગતવાર ટિપ્પણીઓ અને ચર્ચાઓ સાથે રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની માહિતી આપવા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં OSSIના પ્રમુખ અને બેરિયાટ્રિક સર્જન ડો. રનદીપ વાધવાન, બેરિયાટ્રિક મુખ્ય સર્જન ડો. મહેન્દ્ર નારવરિયા તેમજ CIGIS હોસ્પિટલના બેરિયાટ્રિક સર્જન ડો. મેહુલ વિકાણી હાજર રહ્યા હતા. અને વિગતો આપી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ 1લી જુલાઈ 2025ના રોજથી બાબા અમરનાથની પવિત્ર યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે બાબા અમરનાથની યાત્રાએ જનાર યાત્રીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. તો બીજી તરફ સરકારે પણ યાત્રીઓના તૈયારીઓના ભાગરૂપે સરકારી હોસ્પિટલોમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સહિત રજીસ્ટ્રેશન શરૂ કરી દીધા છે. અત્યાર સુધીમાં મધ્ય ગુજરાતમાંથી 2500થી વધુ યાત્રીઓના રજીસ્ટ્રેશન થયા હોવાનું જાણવા મળ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ આગામી એક જુલાઈના રોજ થઈ રહ્યો છે. ત્યારે વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંથી બાબા અમરનાથ જનાર યાત્રીઓએ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તથા રજીસ્ટ્રેશન કરાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે વડોદરા શહેર શહેરની સયાજી, જમનાબાઈ, તથા ગોત્રી સરકારી હોસ્પિટલોમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી જમનાભાઈ હોસ્પિટલમાં 1150, સયાજી હોસ્પિટલમાં 1000 તથા ગોત્રી હોસ્પિટલમાં 200 જેટલા વ્યક્તિઓને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનું હોસ્પિટલ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
રાજ્ય સરકારના “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત હવે સુરતની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને અપાતા નાસ્તા અને બપોરના ભોજનની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની સૂચનાના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક આ ઓડિટ શરૂ કરાવ્યું છે. તમામ શાળાઓએ બ્રેકફાસ્ટ અને લંચની સંપૂર્ણ માહિતી આગામી 28 એપ્રિલ સુધીમાં ડીઇઓ ઓફિસમાં મોકલવાની રહેશે. તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ 28 એપ્રિલ 2025 સુધીમાં શાળામાં આપવામાં આવતા નાસ્તા અને ભોજનની વિગતવાર માહિતી ડીઇઓના કચેરીએ મોકલે. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વધતી જઈ રહેલી મેદસ્વિતાની સમસ્યાને ધ્યાનમાં રાખી આરોગ્યપ્રદ ખોરાક પ્રદાન કરવાનો છે. સ્કૂલોમાં આવી તપાસના આધારે ભવિષ્યમાં વધુ પોષણયુક્ત ખોરાક ઉપલબ્ધ કરાવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલી વિકસાવવા માટે જાગૃતિ કાર્યક્રમો યોજાશે. મેદસ્વિતા વધવા પાછળના કારણોમાં ખાસ કરીને બાળકોમાં વધતો સ્ક્રીન ટાઈમ, ખોરાક અને ઊંઘના સમયે બદલાવ, તેમજ શારીરિક કસરતનો અભાવ મહત્વના ગણાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના આંકડાઓ મુજબ દર આઠમાંથી એક વ્યક્તિ વધારે વજન ધરાવે છે અને 18 વર્ષથી ઉપરના 43% લોકોનું વજન સતત વધતું જાય છે. તદુપરાંત, 16% લોકો સામાન્ય કરતાં વધુ વજન ધરાવે છે. આ વધતી વજનવાળી સ્થિતિના પરિણામે ડાયાબિટીસ, હૃદયરોગ, પાચનતંત્રની તકલીફો જેવી બીમારીઓમાં પણ વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સરકારનો લક્ષ્યાંક છે કે 2025 સુધીમાં ઓબેસિટી અને સંબંધિત બીમારીઓ પર નિયંત્રણ લાવવામાં આવે. ડીઇઓ ડો. ભગિરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના આરોગ્ય અને તંદુરસ્ત જીવનશૈલી માટે અમારું મુખ્ય લક્ષ્ય પોષણયુક્ત અને આરોગ્યપ્રદ ખોરાક આપવાનો છે. આ અભિયાનના ભાગરૂપે તમામ શાળાઓએ બ્રેકફાસ્ટ અને લંચની વિગતો 28 એપ્રિલ સુધીમાં મોકલવી ફરજિયાત છે. આ માહિતીના આધારે ભવિષ્યમાં વધુ સારું આયોજન કરી શકાશે.
હીરામાં મંદીના માહોલ વચ્ચે મુંબઈમાં લેબગ્રોન ડાયમંડનો એક ટ્રેડર 12 કરોડ રૂપિયામાં ઊઠી જતા સુરતના વેપારીઓની ઊંઘ ઉડી ગઈ છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મુંબઈમાં વેપાર શરૂ કરનારા આ ટ્રેડર પાસે મોટાભાગના નાણાં સુરતના વેપારીઓના ફસાયા છે. આ ટ્રેડરે માર્કેટમાંથી માલ લઈ ઇરાદાપૂર્વક ઉઠામણું કર્યું હોવાનું ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા જણાવી રહ્યા છે. જેથી આ ટ્રેડર પાસે ફસાયેલા નાણાં પરત મળવાની કોઈ શક્યતા નહીં જણાતા વેપારીઓને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ગત શુક્રવારથી બજારમાં દેખાતા બંધ થયા બાદ ટ્રેડરે ઉઠામણું કર્યું હોવાની વાત સામે આવી છે. સૌરાષ્ટ્રનો વતની અને મુંબઈમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ફક્ત લેબગ્રોન ડાયમંડનું ટ્રેડિંગ કરતો આ વેપારી બજારમાં ચિરાગ પટેલ નામથી ઓળખાય છે. 12 કરોડમાં ઊઠી ગયેલા ચિરાગ પાસે જે વેપારીઓના નાણાં ફસાયા છે. મળતી માહિતી પ્રમાણે પાંચેક વર્ષ અગાઉ તેના પિતા પણ બજારમાંથી ઊઠી ગયા હતા, પરંતુ તેમણે પોતાની મિલકત વેચીને બજારના નિયમ મુજબ લેણદાર વેપારીઓને નાણાં પરત કર્યા હોય આજે પણ હીરાબજારમાં તેમનું સારું નામ છે. તેમણે સતત 30 વર્ષથી હીરાબજારમાં વેપાર કર્યો હતો. જ્યારે વેપારીઓના નાણાં પરત કરી શકે તે પ્રકારની ચિરાગની પરિસ્થિતિ જણાતી નથી, કારણ કે તેની પાસે પોતાની ઓફિસ કે ઘર સુધ્ધાં નથી. જેથી ચિરાગે ઉઠામણું કરવાના ઇરાદે જ ધંધો શરૂ કર્યો હોવાનું વેપારીઓનું કહેવું છે. વધુમાં મળતી વિગતો મુજબ ચિરાગ જાડા કરતાં પતલી સાઈઝના લેબગોન ડાયમંડનું વધુ ટ્રેડિંગ કરતો હતો. લેબગ્રોન ડાયમંડનું મોટાભાગનું કામ સુરતમાં થતું હોય તેની પાસે 90 ટકા જેટલી રકમ અહીંના વેપારીઓની ફસાઈ છે. જેમાં ઈન્ડસ્ટ્રીના એક આગેવાનની પણ 10 લાખ જેટલી રકમ ફસાઈ છે. ચિરાગે ઉઠામણું કર્યાની વાત મુંબઈ બાદ ધીરે-ધીરે સુરતના બજારમાં પણ પ્રસરતા અહીંના વેપારીઓમાં બેઠકનો દોર શરૂ થયો છે. બાબુભાઈ વાઘાણી (પ્રમુખ, લેબગ્રોન ડાયમંડ એસોસિએશન)એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રવાસી એવા ચિરાગ પટેલે 10થી 12 કરોડ રૂપિયામાં ઉઠામણું કર્યું છે. જેમાં 90 ટકા જેટલી રકમ ફસાઈ છે. 15 દિવસથી લેણદારો ઉઘરાણી કરતા હોવાથી તે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે. જેથી તેને પિતા પાસે ઉઘરાણી કરતા તેમણે તેમની પાસે કઈ ન હોવાનું જાહેર કર્યું છે. ચિરાગે પણ તેની પાસે કઈ ન હોવાનું જાહેર કર્યું છે.
સુરત શહેર માટે અત્યંત મહત્ત્વના એવા આઉટર રીંગરોડ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વરાછા ખાતે આ પ્રોજેક્ટના વિવિધ કામોની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટના માધ્યમથી ગઢપુર રોડ, સુરત કામરેજ રોડને મોટા વરાછા, ભરથાણા અને કોસાડ જેવા વિસ્તારો સાથે નવી અને અસરકારક કનેક્ટિવિટી મળશે. આઉટર રીંગરોડ હેઠળના રસ્તાઓમાં ગઢપુર રોડથી સુરત કામરેજ રોડ, વાલકથી અબ્રામા તાપી નદી બ્રિજ સુધીનો માર્ગ તથા ભરથાણા-કોસાડને જોડતો રેલવે ઓવર બ્રિજ સહિતના કુલ રૂ. 85.14 કરોડના કામોની પ્રગતિ ઝડપથી થાય તે માટે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સાથે મંત્રીએ સ્થળ વિઝિટ કરી હતી. પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, અગાઉ કામમાં વિલંબ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેને બ્લેકલિસ્ટ કરેલા છે. નાગરિકોને વધુ મુશ્કેલી ન પડે અને કામગીરી અટકે નહીં તે હેતુથી રાજ્ય સરકારે નવી એજન્સીને ઝડપી ટેન્ડરની પ્રક્રિયા દ્વારા કામ સોંપ્યું છે. નવી એજન્સીએ છેલ્લા એક અઠવાડિયામાં ખૂબ જ ઝડપથી આઉટર રીંગરોડના કામ શરૂ કર્યા છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં કુલ 17.31 કિલોમીટરનો રૂટ સમાવેશ થાય છે, જેને ડેવલપ કરવા માટે રૂ. 486 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. રોડવર્ક, વ્હીકલ અંડરપાસ, ડીસ્ટ્રક્ચર અને ફ્લાયઓવર બ્રિજ જેવી કામગીરી અગાઉના વર્ષોમાં પૂર્ણ થવાની હતી, પણ હજુ સ્થળ પર કામગીરી ચાલુ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી માર્ગોમાં લગભગ 10 કિલોમીટરની દૂરિમાં ઘટાડો થશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે. સાથે જ મનપા દ્વારા આ કાર્યમાં ચોમાસા દરમિયાન આવનારી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી આગામી ચોમાસા માટે ચોક્કસ આયોજન પણ હાથ ધરાયું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોટર સપ્લાય કમિટીમાં મધ્ય ઝોનનાં એડિશનલ સીટી ઇજનેર દ્વારા પીઆઈયુ અંતર્ગત અસારવા સહિતના વિસ્તારોમાં રોડ, પાણી અને ડ્રેનેજના કામો કેટલા થયા છે અને કેટલા બાકી છે. તે અંગેની માહિતી માગવામાં આવતી હતી, પરંતુ તેઓ દ્વારા બે કમિટીથી જવાબ આપવામાં ન આવતા આજે વોટર સપ્લાય કમિટીના ચેરમેન દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ મામલે ફરિયાદ કરી જો પગલાં નહીં લેવાય તો ઠપકા દરખાસ્ત લાવવાની વાત કરી હતી. જેથી એડિશનલ સીટી ઇજનેર તરીકે ફરજ બજાવતા અમિત પટેલને શો-કોઝ નોટિસ આપવા અંગે જણાવવામાં આવ્યું છે. વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી અસારવા વિસ્તારમાં પાણીનો પોલ્યુશન આવતું હોવા મામલે પ્રશ્ન પુછવામાં આવતો હતો. જોકે આ કામગીરી પીઆઇયુ દ્વારા કરવામાં આવે કે પછી ઝોનમાં કરવામાં આવે છે. આ સમગ્ર મામલે વોર્ડ અને ઝોનના અધિકારીઓ એકબીજા ઉપર ઢોળી રહ્યા હતા. જેથી આ મામલે કોઇ જવાબ નહીં મળતાં આખરે કમિટીએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ભલામણ કરી હતી કે, તમે આ બાબતે યોગ્ય પગલાં લો નહીં તો અમારે ઠપકા દરખાસ્ત લાવવી પડશે. જે બાદ અધિકારીને નોટિસ આપવાની સૂચના આપવામાં આવી હતી. સૂત્રો મુજબ કોઈપણ કમિટીમાં પ્રજાકીય પ્રશ્નોના સમયસર અને યોગ્ય જવાબ જે કોઇ અધિકારી નહિ આપે તો તેમની સામે આ પ્રકારે કડક પગલાં લેવામાં આવશે. શહેરના પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે. ત્યારે લાંભા, વટવા સહિતના આસપાસના વિસ્તારોમાં પીવાનાં પાણીની માંગ વધી રહી છે તેને ધ્યાને લઇ રાસ્કા વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં 100 એમએલડી નો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. જેના વિસ્તરણ માટે જમીન સંપાદન કરવામાં આવી છે અને 1.80 કરોડ રૂપિયા ચૂકવી દેવાયા છે. તેમ છતાં જમીન માલિકે બીજા બે લાખ રૂપિયા માંગ્યા હતા તે પણ આપી દેવાયા છે. જાસપૂરમાં પણ સરકારી જમીન સંપાદનની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે અને જમીનનો કબજો મળ્યા બાદ નવો 400 એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ બનાવવામાં આવશે. જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધતાં ઉત્તર અને દક્ષિણ, પશ્ચિમ ઝોન તેમજ નવા રીંગરોડની આસપાસનાં વિસ્તારોમાં પીવાનાં પાણીની સમસ્યા રહેશે નહિ.
રાજકોટ TRP ગેમ ઝોન અને ફાયર સેફ્ટીના મુદ્દે ચાલી રહેલા કેસની સુનવણી હાઇકોર્ટમાં હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે એવી સૂચક ટકોર કરી હતી કે, ફાયર સેફ્ટી ઓફિસર્સની ભરતીમાં નોંધપાત્ર પ્રગતિ દેખાતી નથી. કોર્ટે ટકોર કરી હતી કે, અમે એવું નથી કહેતાં કે સરકાર પગલાં લઇ શકતી નથી, પરંતુ અમને હકારાત્મક પ્રગતિ અને નોંધપાત્ર પગલાં સરકાર દ્વારા લેવામાં આવે એવું જોઇએ. આઉટસોર્સિંગથી કર્મચારી મેળવો: HCહવે ગરમીની સીઝન વધુ ભયંકર થશે અને તેમાં ફાયરની ઘટનાઓ વધવાની શક્યતાઓ પણ વધશે. તેથી પુરતાં કર્મચારીઓની જરૂર ઊભી થશે. સરકાર દ્વારા ભરતીની જાહેરાત બાદ પણ યોગ્ય ઉમેદવારો મળતાં ન હોવાની બાબત પણ અમારા ધ્યાને છે, પરંતુ કોઇ વિકલ્પ તો નીકાળવો જ પડશે. જો તમને કાયમી કર્મચારી ન મળતાં હોય તો કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સિંગથી કર્મચારી મેળવવા જોઇએ. આ કેસની વધુ સુનાવણી 02 મેના રોજ મુકરર કરવામાં આવી છે. NOC આપવા માટેની પ્રક્રિયામાં પણ નિયમોનો અમલ થતો નથી: અમિત પંચાલશુક્રવાર આ કેસની સુનાવણી દરમિયાન એડવોકેટ અમિત પંચાલ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ફાયર સેફ્ટીના મામલે અમુક અંશે પ્રગતિ જોવા મળી છે, પરંતુ ફેક્ટરીઓને ફાયરના નિયમોમાંથી બાકાત રાખવામાં આવી છે. તે સિવાય ફાયર NOC આપવા માટેની પ્રક્રિયામાં પણ નિયમોનો અમલ થતો નથી. શાળાઓએ ફાયર સેફ્ટીના નિયમોની અમલવારીની ખાતરી આપી હતી, પરંતુ તેની ચકાસણી થવી અત્યંત જરૂરી છે. તેથી સ્કૂલોના સ્ટેટ્સ અને એનઓસીની ફાળવણી મુદ્દે યોગ્ય કાર્યવાહી થવી જોઇએ. વધુ સુનાવણી બીજી મેએહાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી બીજી મેના રોજ મુકરર કરી છે. સાથે જ એવી ટકોર કરી હતી કે, ફાયર વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છે અને અમને એ બાબતની ચિંતા છે. કર્મચારીઓની ભરતી મામલે સરકાર શું કરવા માંગી રહી છે અને એમાં કોઇ નોંધપાત્ર પ્રગતિ થઇ રહી હોય એવું અમને જણાતું નથી. અગાઉ હાઇકોર્ટે રાજ્યના મનપા સહિતના વિસ્તારોમાં ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ભરતીનો પ્લાન રજૂ કરવાના આદેશ કર્યા હતા. ભરતી અંગેનો પ્રગતિ અહેવાલ રજૂ કરવાનું પણ કહ્યું હતું.
સુરતમાં છેલ્લા 24 કલાકમાં બે માર્ગ અકસ્માતમાં બેના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. સરથાણામાં કચરાની ગાડીએ રમી રહેલી બાળકીને અડફેટે લેતા મોતને ભેટી હતી. જ્યારે સારોલી રોડ પર દોડતા ટેમ્પામાંથી પડી જતા ઈજા પામેલો તરૂણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, મૂળ નેપાળ અને સરથાણામાં શ્યામધામ મંદિર પાસે ભોજલધામ સોસાયટીમાં દોઢ વર્ષીય કાજલ જનક સોની પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં એકને એક પુત્રી હતી. તે માતા લક્ષ્મી સહિત પરિવાર સાથે સુરતમાં રહે છે. તેના પિતા વતનમાં અભ્યાસની સાથે વોચમેનનું કામ કરે છે. ગત સાંજે ઘર નજીક રમતી હતી. ત્યારે પાલિકાની કચરાની ગાડીએ બાળકી અડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી. જેથી તેનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં, મૂળ મહારાષ્ટ્ર અને ગોડાદરામાં પેટલનગરમાં રહેતો 15 વર્ષીય સોનુ પવન તિવારી ગત તા.18મી રાતે સંબંધીના ટેમ્પામાં બેસીને માર્કેટથી ઘરે જવા નીકળ્યો હતો. તે સમયે સારોલી રોડ પર મહાવીર માર્કેટ પાસે દોડતા ટેમ્પામાંથી સોનું નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો.
પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીને મળેલી ફરિયાદના આધારે રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે ગેરકાયદે માટી ખનનનો પર્દાફાશ થયો છે. ભૂસ્તરશાસ્ત્રી કચેરી પોરબંદરની તપાસ ટીમે આકસ્મિક તપાસ દરમિયાન કાર્યવાહી કરી હતી. રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાજ પરમાર અને માઇન્સ સુપરવાઈઝર જે.એન. કરમુરની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસમાં હ્યુંડાઇ કંપનીનું એક એક્ષેવેટર મશીન અને ચાર ડમ્પર મળી આવ્યા હતા. આ ગેરકાયદે ખનન કરનાર ઓડેદરા પરબત દુદાભાઇ હોવાનું સામે આવ્યું છે. તપાસ ટીમે તમામ મશીનરી સીઝ કરી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે મૂકી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા 110 લાખ થવા જાય છે. આ અગાઉ પણ રાતડી અને ઓડદર વિસ્તારમાંથી ગેરકાયદે ખનન ઝડપી લેવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા સતત થઈ રહેલા દરોડાથી ખનીજ ચોરોમાં નારાજગી જોવા મળી રહી છે. આગામી સમયમાં નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલાના વિરોધમાં સોનગઢમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી આંબેડકર ચોકથી બસ સ્ટેન્ડ સુધી યોજાઈ હતી.રેલીમાં વિવિધ હિંદુ સંગઠનોના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓ અને પુરુષોએ આતંકવાદ વિરોધી બેનરો સાથે રેલીમાં ભાગ લીધો હતો. હિંદુ સંગઠનો દ્વારા પહેલગામ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અલગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાંજલિ સભામાં મોટી સંખ્યામાં શહેરીજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં શહીદોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.