અમદાવાદમાં સૌથી મોંઘો અને અલગ-અલગ રાજ્યોના ફૂલોવાળો કમળ આકાર ધરાવતો ગાર્ડન બનાવવામાં આવશે. શહેરના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન નજીક ધાતલા તલાવડીની જગ્યામાં 128 કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા માટેની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે. જેમાં ફ્લાવર મ્યુઝિયમ અને ગ્લો ગાર્ડન પણ બનાવાશે. ચાલુ વર્ષે બજેટમાં તેના માટે 20 કરોડની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. દેશના તમામ રાજ્યોના ફૂલો આ પાર્કમાં જોવા મળશે. એમ્યુઝમેન્ટ પાર્કની સાથેનો સૌથી અલગ ગાર્ડન શહેરમાં બનવા જઈ રહ્યો છે. બગીચાની અંદર ફ્લાવર મ્યુઝિયમથી લઈને બેસવા માટે ખુલ્લી જગ્યાઓ હશેસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં કમળના આકારના બનવા જઈ રહેલા લોટસ પાર્કમાં ભારતના દરેક રાજ્યના રાજ્ય ફૂલોને પ્રદર્શિત કરવામાં આવશે. શેલામાં ધાતલા તલાવડી પાસે 37,033 ચોરસ મીટર જમીન પર બનશે. 30 મીટરનો પ્રવેશદ્વાર હશે. પ્લોટના 40 ટકા ભાગમાં એસેમ્બલી જેવું માળખું હશે, જેની મહત્તમ ઊંચાઈ 45 મીટર હશે. બગીચાની અંદર ફ્લાવર મ્યુઝિયમ, સ્પા, સોવેનિયર શોપ, મલ્ટીમીડિયા થિયેટર અને બેસવા માટે ખુલ્લી જગ્યાઓ હશે. બાજુના પ્લોટમાં 'ગ્લો ગાર્ડન' બનાવવાનું પણ આયોજન છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોટસ પાર્ક બન્યા બાદ તેમાં એન્ટ્રી ફી પણ રાખી શકે છે. ફલોરલ મ્યુઝિયમમાં વિદેશનાં ફુલોનું પ્રદર્શન કરવામાં આવશેવધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભારત દેશનાં તમામ રાજ્યોનાં ફુલો એક જ સ્થળે પ્રસ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત ફલોરલ મ્યુઝિયમમાં વિદેશનાં ફુલોનું પ્રદર્શન કરવામાં આવશે. આ પાર્ક ડેવલોપ થવાથી તમામ રાજ્યોનાં ફુલોનું એક જ સ્થળે પ્રદર્શન, વન એમ્યુઝમેન્ટ પાર્ક, હેરીટેજ વિસ્તારનું બ્યુટીફીકેશન વગેરે સુવિધાના કામો થશે. જેથી, શહેરની શોભામાં વધારો થશે તથા સદર લોટસ પાર્કનો લાભ સમગ્ર શહેરીજનોને થશે. લોટસ પાર્કને મંજૂરી આપવા માટે અધિકારીઓએ અમુક નિયમોનું ઉલ્લંઘન કર્યાનો આક્ષેપ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ પ્રોજેક્ટ માટે પેનલની બહારના એક કન્સલ્ટન્ટની નિમણૂક કોઈપણ સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા વિના કરવામાં આવી હતી. વધુમાં, પેનલમાં સામેલ આર્કિટેક્ટ્સ ઓછા દરે ઉપલબ્ધ હોવા છતાં આ કન્સલ્ટન્ટને તુલનાત્મક રીતે વધુ ફી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ પૂરી થાય તે પહેલાં છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં ઝડપથી લોટસ પાર્ક પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે ઉતાવળમાં ટેન્ડર પ્રક્રિયા અને કોન્ટ્રાક્ટરને કામ સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન અધિકારીઓએ કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરીને દરખાસ્ત મૂકી અને પ્રોજેક્ટને મંજૂર કરાવી લીધો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
સુરત શહેરના વિકાસ અને ડ્રેનેજ નેટવર્કની વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના હેતુથી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શહેરમાં જે મિલકતદારોએ અત્યાર સુધી ગેરકાયદેસર રીતે ડ્રેનેજ કનેક્શનો લીધા છે અથવા જેમણે સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં ડ્રેનેજનું જોડાણ કરી દીધું છે, તેમને હવે દંડ વગર કાયદેસર થવાની એક તક આપવામાં આવી છે. આ યોજના હેઠળ મિલકતદારો આગામી 31 ડિસેમ્બર 2026 સુધીમાં પોતાના કનેક્શનો નિયમિત કરાવી શકશે. ત્રણ ગણા દંડમાંથી મુક્તિસામાન્ય રીતે સુરત મહાનગરપાલિકાની પ્રવર્તમાન નીતિ મુજબ, જો કોઈ મિલકતનું ડ્રેનેજ કનેક્શન ગેરકાયદેસર માલૂમ પડે, તો મિલકતદાર પાસેથી નિર્ધારિત ચાર્જ કરતા ત્રણ ગણો ચાર્જ વસૂલવાની જોગવાઈ છે. જોકે, નવી દરખાસ્તમાં નાગરિકોને આ આર્થિક બોજમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. જે મિલકતદારો 31 ડિસેમ્બર 2025 સુધીમાં પાલિકાના આકારણી દફતરે નોંધાયેલા છે, તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં સ્વયંભૂ જાહેરાત કરીને માત્ર બેઝિક રાહત દરે કનેક્શન મેળવી શકશે. આ માટે મિલકતદારોએ પાલિકાના જે-તે ઝોન વિભાગમાં સાદી અરજી કરવાની રહેશે. વિવિધ મિલકતો માટે નક્કી કરાયેલા નવા ચાર્જપાલિકાએ આ યોજના હેઠળ અલગ-અલગ કેટેગરીની મિલકતો માટે ખાસ રાહત દરો નક્કી કર્યા છે. વ્યાપારિક મિલકતો જેવી કે ટેક્સટાઈલ ફેક્ટરીઓ, લૂમ્સ, એમ્બ્રોઈડરી યુનિટ્સ અને નર્સરી માટે યુનિટ દીઠ 1948 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ઔદ્યોગિક એકમોમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગ યુનિટ્સ તેમજ મટીરીયલ ટેસ્ટિંગ લેબોરેટરીઓ માટે તેમના કાર્પેટ એરિયા મુજબ 2435 રૂપિયાથી લઈને 9744 રૂપિયા સુધીનો ચાર્જ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, પેટ્રોલ પંપ, ગેસ સ્ટેશનો અને મ્યુઝિયમ જેવી મિલકતો માટે 1000 ચોરસ મીટર સુધીના એરિયા માટે 5846 રૂપિયા નક્કી કરાયા છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે ધર્મશાળા, ચેરિટેબલ ટ્રસ્ટ, હોસ્પિટલ અને શાળાઓ જેવી બિન-નફાકારક સંસ્થાઓ માટે 4872 રૂપિયાનો રાહત દર રખાયો છે, જ્યારે મંદિરો, મસ્જિદો અને પૂજાના અન્ય સ્થળો માટે સૌથી ઓછો એટલે કે માત્ર 974 રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો છે. ખોદાણ ચાર્જમાં માફી અને પાલિકાના ખર્ચે કામગીરીનાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે પાલિકાએ આ દરખાસ્તમાં વધુ એક મોટી રાહત આપી છે. આ યોજના હેઠળ કનેક્શન લેનાર અરજદારો પાસેથી રસ્તા ખોદાણ કે રી-ઈન્સ્ટેટમેન્ટના કોઈપણ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. એટલું જ નહીં, અગાઉ જે-તે સમયે ગેરકાયદે જોડાણ કરતી વખતે જો રસ્તા ખોદાણના ચાર્જ વસૂલવાના બાકી હોય તો તે પણ પાછળની અસરથી માફ કરવામાં આવશે. ડ્રેનેજ લાઈન સાથે જોડાણ માટે જરૂર જણાયે સિમ્પલ ચેમ્બર કે મશીનહોલ બનાવવાની અને લાઈન નાખવાની કામગીરી પણ સુરત મહાનગરપાલિકા પોતાના ખર્ચે કરી આપશે. જોકે, સોસાયટીના આંતરિક માર્જિનમાંથી મુખ્ય રસ્તા સુધી કનેક્શન લાવવાની જવાબદારી અને ખર્ચ મિલકતદારે પોતે ભોગવવાનો રહેશે. ભવિષ્યમાં જ્યારે લાઈન નંખાશે ત્યારે આ નીતિ મુજબ કનેક્શન આપવામાં આવશેશહેરના રહેણાંક એકમો માટે પણ આ દરખાસ્તમાં મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. પાલિકાના રેકોર્ડ મુજબ જે રહેણાંક મિલકતો પાસે કાયદેસર પાણીનું જોડાણ છે, તેમનું ડ્રેનેજ કનેક્શન તાંત્રિક રીતે કાયદેસર જ ગણાશે તેમછતાં, જો આવા રહેણાંક એકમોનું જોડાણ સ્ટોર્મ વોટર લાઈનમાં હોવાનું જણાશે, તો આ યોજના હેઠળ પાલિકા દ્વારા તેને ડ્રેનેજ લાઈનમાં જોડીને કાયદેસર કરી આપવામાં આવશે. જ્યાં હાલ મુખ્ય ડ્રેનેજ નેટવર્ક ઉપલબ્ધ નથી, ત્યાં પણ અરજીઓ સ્વીકારવામાં આવશે અને ભવિષ્યમાં જ્યારે લાઈન નંખાશે ત્યારે આ નીતિ મુજબ કનેક્શન આપવામાં આવશે. વિશેષ રાહત યોજના 31 ડિસેમ્બર 2026 સુધી જ અમલમાં રહેશેપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ડ્રેનેજ કનેક્શન નિયમિત થવાથી મિલકતનું અનધિકૃત બાંધકામ કે વસવાટ કાયદેસર ગણાશે નહીં, કે તેનાથી મિલકતના ટાઈટલ કે માલિકી હક્કમાં કોઈ ફેરફાર થશે નહીં. આ વિશેષ રાહત યોજના 31 ડિસેમ્બર 2026 સુધી જ અમલમાં રહેશે. ત્યારબાદ જો કોઈ ગેરકાયદે કનેક્શન ઝડપાશે, તો વર્ષ 2018 અને 2023 ના મૂળ ઠરાવો મુજબ 10% ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ત્રણ ગણો ચાર્જ વસૂલવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં આવેલી પારસ ડાઈંગ મિલમાં હોળીની રજા દરમિયાન ટાંકી સફાઈની કામગીરી શ્રમિકો માટે કાળ સાબિત થઈ છે. પારસ મિલના પાણીની ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો પૈકી ત્રણના ગૂંગળામણના કારણે કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક શ્રમિકની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હોળીની રજામાં સફાઈ કામગીરી બની જીવલેણમળતી માહિતી મુજબ, ધુળેટી પર્વ નિમિત્તે ફેક્ટરીમાં બે દિવસની રજા હોવાથી તંત્ર દ્વારા ડાઈંગના પાણીની ટાંકી સાફ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે સાંજે 6 થી 8 વાગ્યાના અરસામાં જ્યારે આખી દુનિયા પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતી, ત્યારે આ શ્રમિકો મિલના ઊંડા ટાંકામાં ઉતરી રહ્યા હતા. રજાના દિવસે જોખમી રીતે કરાવવામાં આવેલી આ કામગીરી અંતે મોટી દુર્ઘટનામાં પરિણમી હતી. એકને બચાવવા જતાં અન્ય ત્રણ પણ ફસાયાઘટનાક્રમ મુજબ, સૌથી પહેલા સોનુ કુમાર નામનો શ્રમિક ટાંકીમાં ઉતર્યો હતો. ટાંકીના તળિયે કાદવ વાળું ઝેરી પાણી હોવાથી તે અચાનક નીચે દબાઈ ગયો હતો અને ગૂંગળામણના કારણે બેભાન થઈ ગયો હતો. તેને બચાવવા માટે અન્ય ત્રણ શ્રમિકો એકપછી એક ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ ટાંકીમાં ફેલાયેલા ઝેરી ગેસના કારણે તેઓ પણ હોશ ગુમાવી બેઠા હતા અને અંદર જ પટકાઈ પડ્યા હતા. બિહારના વતની એવા આશાસ્પદ યુવાનોના મોતઆ દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ શ્રમિકો મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં અંકિત કુમાર (19 વર્ષ), સોનુ કુમાર પાસવાન અને સંદીપ કુમાર પાસવાન (22 વર્ષ) નો સમાવેશ થાય છે. માત્ર 19-22 વર્ષની નાની ઉંમરે કમાવવા આવેલા આ યુવાનોના મોતથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જ્યારે અમરેન્દ્ર કુમાર (23 વર્ષ) હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. ગૂંગળામણના કારણે પ્રાથમિક મોતનું કારણઘટના બાદ તરત જ ચારેય શ્રમિકોને બહાર કાઢી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ ત્રણ શ્રમિકોએ દમ તોડી દીધો હતો. તબીબોના પ્રાથમિક અનુમાન મુજબ, ટાંકીની અંદર ઓક્સિજનની કમી અને કેમિકલના કાદવમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે શ્રમિકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા, જે તેમના મોતનું મુખ્ય કારણ બન્યું છે. પોલીસ તપાસ અને સુરક્ષાના સાધનો પર સવાલઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે ટાંકી સફાઈ દરમિયાન શ્રમિકોને જરૂરી સેફ્ટી કિટ, માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા હતા કે નહીં. રજાના દિવસે કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા વગર શ્રમિકોને ટાંકીમાં ઉતારવા બદલ મિલ માલિક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.
સુરત શહેરના પુણા રોડ વિસ્તારમાં એક અજબ ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારે પૂજા-સામગ્રી સાથે ભૂલથી 2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધી હતી. જોકે, ઘટનાની જાણ થતા જ ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ પાણીમાં ડુબકી મારી રકમ શોધી કાઢી અને પરિવારને સલામત રીતે પરત કરી હતી. આ પૈસાની શોધખોળમાં ફાયરબ્રિગેડના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. પરિવારે પૂજાની સામગ્રી સાથે 2 લાખ પણ પાણીમાં પધરાવી દીધા હતામળતી માહિતી અનુસાર પુણાગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લિંબા પરિવાર દ્વારા થોડા દિવસ પહેલા ઘરમાં ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ તેની સામગ્રી અને ફૂલોને તેમણે કબાટની અંદર તિજોરી પાસે જ રાખી દીધા હતા. આજે પરિવારના સભ્યોએ પૂજા પછીની સામગ્રીને એકત્ર કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને પુણા રોડ પર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં પધરાવી દીધી હતી. ઘરે પહોંચ્યા બાદ તિજોરી જોતા ખબર પડીઘરે પરત આવ્યા બાદ જ્યારે તેમણે તિજોરી તપાસી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે, તિજોરીમાં રાખેલી રોકડ 2 લાખ રૂપિયાની રકમ પણ ભૂલથી ફૂલો સાથે જ થેલીમાં ચાલી ગઈ હતી અને કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી. આ બાબતની જાણ થતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તરત જ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જાણ થતાં જ ડુંભાલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પૈસાની શોધખોળમાં ફાયર બ્રિગેડના બે જવાન ઈજાગ્રસ્તફાયર સબ ઓફિસર સુનિલ ચૌઘરીએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડના માર્શલોએ કેનાલમાં ઉતરીને પાણીમાં ડુબકી મારી શોધખોળ શરૂ કરી હતી. પાણીના પ્રવાહ વચ્ચે પણ ટીમે ધીરજ રાખીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. થોડા સમયની મહેનત બાદ તેમને 500 રૂપિયાની નોટના ચાર બંડલ મળી આવ્યા હતા, જે કુલ મળીને 2 લાખ રૂપિયા હતા. શોધી કાઢેલી આ રોકડ રકમ ફાયર બ્રિગેડની ટીમે લિંબા પરિવારને સલામત રીતે પરત આપી હતી.જોકે, આ શોધખોળ દરમિયાન ફાયરબ્રિગેડના બે જવાનોને કાચ લાગતા ઈજાગ્રસ્ત થયા હતા. પરિવારના સભ્યોએ આ મુશ્કેલ સમયમાં મદદ માટે ડુંભાલ ફાયર બ્રિગેડના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી.
સુરત શહેરને વધુ સ્માર્ટ, સુવિધાજનક અને પર્યાવરણલક્ષી બનાવવાની દિશામાં સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ આજે બે મહત્વપૂર્ણ અને જનહિતલક્ષી નિર્ણયો લીધા છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન બી. પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલી બે અલગ-અલગ દરખાસ્તોને સમિતિની બેઠકમાં 'વધારાના કામ' તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સુરતની હજારો ખાનગી સોસાયટીઓમાં રહેતા લાખો નાગરિકોને સીધો ફાયદો થશે. ડ્રેનેજ, પાણી અને રસ્તાની નવી સુવિધાઓજો કોઈ ખાનગી સોસાયટીના મંજૂર લે-આઉટ પ્લાનમાં રસ્તો દર્શાવેલ ન હોય, પરંતુ તે ભાગનો વર્ષોથી એપ્રોચ રોડ તરીકે વપરાશ થતો હોય, તો તેને હવે 'આંતરિક રસ્તો' ગણી લેવામાં આવશે. આવા રસ્તાઓ પર જનભાગીદારી યોજના હેઠળ ડ્રેનેજ, પાણી અને રસ્તાની નવી સુવિધાઓ પાલિકા દ્વારા પૂરી પાડવામાં આવશે. પેવર બ્લોકની સુવિધા માળખાકીય સુવિધાસોસાયટીમાંથી પસાર થતા ટી.પી. રોડ જે અગાઉ જોગવાઈમાં નહોતા, તેને હવે આંતરિક રસ્તા ગણીને ત્યાં સી.સી. રોડની સુવિધા આપવામાં આવશે. સોસાયટીના કોમન પ્લોટમાં પણ હવે પેવર બ્લોકની સુવિધા માળખાકીય સુવિધા તરીકે પાલિકા દ્વારા આપી શકાશે. ચોમાસામાં વૃક્ષો ધરાશાયી થવાની અને અકસ્માતની ભીતિબીજી એક મહત્વની દરખાસ્તમાં પર્યાવરણના રક્ષણ સાથે નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે ખાનગી સોસાયટીઓમાં મોટા વૃક્ષોનું કટીંગ કરવુ એ રહેવાસીઓ માટે મોંઘો અને મુશ્કેલ પ્રશ્ન હોય છે. સાધનોના અભાવે કે ઊંચા મજૂરી દરને કારણે વૃક્ષોનું યોગ્ય કટીંગ થતુ નથી, જેના પરિણામે વાવાઝોડા કે ચોમાસામાં વૃક્ષો ધરાશાયી થવાની અને અકસ્માતની ભીતિ રહે છે. પાલિકા દ્વારા વિનામૂલ્યે વૃક્ષોનું ટ્રીમિંગહવેથી જે ખાનગી સોસાયટીઓ લોકફાળો ભરે છે અથવા અનુદાન મેળવતી હોય, તેવી સોસાયટીઓમાં પાલિકા દ્વારા વિનામૂલ્યે વૃક્ષોનું ટ્રીમિંગ કરી આપવામાં આવશે. આ કામગીરી માટે પોલપ્રુનર અને ચેઈન-સો જેવા આધુનિક સાધનો સાથે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી એજન્સીની નિમણૂક કરવામાં આવશે. ટ્રીમિંગ બાદ નીકળતા ગાર્ડન વેસ્ટના નિકાલ માટે પાલિકા દ્વારા અલગથી વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી સોસાયટીમાં ગંદકી ન થાય.
વડોદરામાં મહિલાઓ માટે રોજગાર મેળો:8 માર્ચે 45 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ, સ્નાતક મહિલાઓ પાત્ર
વડોદરામાં 8 માર્ચે મહિલાઓ માટે વિશેષ એપ્રેન્ટિસ અને રોજગાર મેળાનું આયોજન કરાયું છે. આ મેળો મોડેલ કરિયર સેન્ટર, મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા અને ઇન્ડસઇન્ડ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ, ફેસ ટુ ફેસ ચેનલ વડોદરા 2 શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાશે. આ ભરતીમેળો 8 માર્ચ, રવિવારના રોજ સવારે 10 કલાકે 302-એટલાન્ટિસ હાઇટ્સ, સારાભાઈ કંપાઉન્ડ, ગેંડા સર્કલ, વડોદરા ખાતે યોજાશે.વીમા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતી 18 વર્ષથી વધુ વયની મહિલા ઉમેદવારો આ મેળામાં ભાગ લઈ શકશે. ઇન્ડસઇન્ડ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા ફક્ત મહિલાઓ માટે જ તકો પૂરી પાડવામાં આવશે. 21 થી 30 વર્ષની સ્નાતક મહિલાઓને ભારત સરકારની એપ્રેન્ટિસ યોજના હેઠળ એપ્રેન્ટિસ તરીકે જોડાવાની તક મળશે. જ્યારે 30 થી 45 વર્ષની સ્નાતક મહિલાઓને વીમા ક્ષેત્રમાં સીધી રોજગારી માટે તક અપાશે. આ ઉપરાંત, 18 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે 'વુમન ઇન્સ્યોરન્સ મેનેજર' તરીકે પણ તકો ઉપલબ્ધ છે. આ ભરતી મેળામાં 'લાઇફ પ્લાનિંગ ઓફિસર સેલ્સ અને માર્કેટિંગ'ની કુલ 45 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવાશે. રસ ધરાવતી અને પાત્રતા ધરાવતી ગ્રેજ્યુએટ મહિલા ઉમેદવારોને તેમના બાયોડેટા સાથે સ્વખર્ચે નિર્ધારિત સ્થળે હાજર રહેવા જણાવાયું છે.
ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મેટ્રો અને રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરીને કારણે શહેરના પૂર્વ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને વરાછા, કાપોદ્રા, લંબે હનુમાન રોડ અને કામરેજ તરફથી આવતા લાખો લોકો માટે 'લાઈફલાઈન' સમાન સબરસ ગરનાળું છેલ્લા બે વર્ષથી બંધ હોવાને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જોકે, હવે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનની સ્થળ મુલાકાત બાદ આ સમસ્યાનો સુખદ અંત આવવાની તૈયારી છે. સબરસ ગરનાળું બંધ થવાથી વરાછા મેઈન રોડ પર ટ્રાફિકસુરતના સ્ટેશન વિસ્તારને વરાછા અને લંબે હનુમાન રોડ સાથે જોડતા બે મુખ્ય માર્ગો છે. એક ખાંડ બજાર ગરનાળું અને બીજું સબરસ હોટલ પાસેનું ગરનાળું, જ્યારે પણ રેલવે સ્ટેશનની પૂર્વ દિશાએથી પશ્ચિમ દિશામાં સ્ટેશન તરફ આવવું હોય, ત્યારે આ બે ગરનાળા જ એકમાત્ર વિકલ્પ છે. સબરસ ગરનાળું બંધ થવાને કારણે વરાછા મેઈન રોડ પર વાહનોનું ટ્રાફિક અસહ્ય વધી ગયું હતું, જેના કારણે પોદ્દાર આર્કેટ અને સહારા દરવાજા વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. કમિશનરની અધ્યક્ષતામાં બેઠક અને વિઝિટઆજે સુરત મનપા કમિશનર એમ. નાગરાજન, સિટી એન્જિનિયર ધર્મેશ ભગવાકર, મેટ્રો રેલના અધિકારીઓ, સીટકો, રેલવે પોલીસ અને સુરત શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી સહિતના કાફલાએ સ્ટેશન વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય મેટ્રોની કામગીરીમાં ઝડપ લાવવા અને જનતાને પડતી તકલીફો ઓછી કરવાનો હતો. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે સબરસ ગરનાળા પર મોટાભાગનું સ્લેબ ફિલિંગ અને સિવિલ વર્ક પૂર્ણ થઈ ગયું છે. આ પરિસ્થિતિને જોતા કમિશનર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો છે કે, આગામી 15 દિવસમાં 20 ફૂટની પહોળાઈ સાથે હંગામી ધોરણે આ ગરનાળું વાહનચાલકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવે. ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેના માસ્ટર પ્લાનમાત્ર સબરસ ગરનાળું જ નહીં, પણ સમગ્ર સ્ટેશન વિસ્તારને ટ્રાફિકમુક્ત કરવા માટે કમિશનર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં રેલવે સ્ટેશનની બરાબર સામે રિક્ષા ચાલકોના આડેધડ પાર્કિંગ અને સ્ટેન્ડને કારણે મુસાફરોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. આ સમસ્યાના ઉકેલ માટે કમિશનરે આદેશ આપ્યો છે કે, દિલ્હી ગેટ પાસે જે જૂનું પેટ્રોલ પંપ તોડી પાડવામાં આવ્યું છે, તે ખાલી જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ ખસેડવામાં આવે. આનાથી સ્ટેશનનો મુખ્ય માર્ગ મોકળો થશે. આ સાથે સરદાર પટેલની પ્રતિમા પાસે સીટકોની કામગીરી ચાલી રહી છે, જેને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. કમિશનરે સૂચના આપી છે કે જે જે ભાગમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યાંથી તાત્કાલિક ધોરણે બેરીકેટ્સ હટાવી લેવામાં આવે જેથી વાહનચાલકોને થોડી વધુ જગ્યા મળી શકે. રસ્તાને ખુલ્લો કરવા સિટી એન્જિનિયરને તાકીદલાલ દરવાજાથી આયુર્વેદિક કોલેજ સુધીના રસ્તાને પહોળો કરવા માટે અગાઉ લાઈન દોરી નાખવામાં આવી હતી. આ લાઈન દોરીનો ઝડપથી અમલ કરી રસ્તાને ખુલ્લો કરવા માટે પણ સિટી એન્જિનિયરને તાકીદ કરવામાં આવી છે. આ રસ્તો પહોળો થવાથી સ્ટેશનથી કતારગામ અને ચોકબજાર તરફ જતો ટ્રાફિક હળવો થશે. પોલીસ કર્મચારીઓને આ માર્ગ ખુલવાથી મોટી રાહતવરાછા અને કામરેજના લોકોને હવે સ્ટેશન પહોંચવા માટે પોદ્દાર આર્કેટનો લાંબો ફેરો નહીં લેવો પડે. તેથી ટ્રાફિકમાં ઊભા રહેવાથી થતો પેટ્રોલ-ડીઝલનો વ્યય ઘટશે. અને સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક નિયમન કરતા પોલીસ કર્મચારીઓને આ માર્ગ ખુલવાથી મોટી રાહત મળશે.
શહેરના વસ્ત્રાપુર તળાવ, બોડકદેવ અને ગુરુકુળ રોડ ઉપર કેટલાક ખાણીપીણીની દુકાનો ધરાવતા તેમજ કોમ્પલેક્ષના ફૂટપાથ અને માર્જિનની જગ્યાના આગળના ભાગે ટેબલ ખુરશીઓ નાખીને ખાણીપીણીના સ્ટોલ ઊભી કરનાર દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાપુર તળાવ અને ગુરુકુળ રોડ ઉપર સાત જેટલી દુકાનોને સીલ કરી દીધી છે. રોડ ઉપર ટ્રાફિક ન થાય તેના માટે કોમ્પ્લેક્સ ના ફૂટપાથ અને માર્જિનની જગ્યામાં પાર્કિંગ કરાવવામાં આવે છે, પરંતુ આ જગ્યામાં પાણીપુરીની દુકાનો ઊભી કરી દેવામાં આવતી હોવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેથી એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. AMC દ્વારા 7 દુકાનોને સીલ કરવાની કાર્યવાહીશહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલા કોમ્પ્લેક્સો અને બિલ્ડિંગોમાં પાર્કિંગની જગ્યામાં વાહનો પાર્કિંગ કરાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે લોકો જગ્યામાં પાર્કિંગ ન કરાવતા હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગુરુકુળ રોડ, વસ્ત્રાપુર તળાવ, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં કેટલાક દુકાનદારો દ્વારા પોતાની દુકાનની આગળ માર્જિનની જગ્યા અને ફૂટપાથ ઉપર વાહન પાર્કિંગ કરાવવામાં આવતું હોય છે. જેને લઇને ગુરુકુળ રોડ પર નીલમ સેન્ડવીચ, આંટી દે પરાઠે, શિવમ સ્નેક અને વસ્ત્રાપુર તળાવ રોડ પર રાજા રાણી ફ્રુટ્સ, મૈસુર ઢોંસા, લીલા સેન્ડવીચ, વિવેક ચાઇના ટાઉન સહિત કુલ 7 જેટલી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. દરેકને વહીવટી ચાર્જ પેટે રૂ.50 હજારની નોટિસ ફટકારીબાંધકામ સાઈટોમાં ગ્રીન નેટ લગાવવાની વ્યવસ્થા ન કરેલ હોવાથી/ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસને અમલમાં નહીં મૂકી શહેરના વાતાવરણને નુકશાન કરવા બદલ ચાંદલોડીયા વોર્ડમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે આદિતી સેફયાર તથા શ્લોક એમાલ્ટ્સ, ગોતા વોર્ડમાં સત્યમ મંગોલિયા, આર્કેડિયા-57, સાંકેથમ લેક વ્યૂ, આર્કેડિયા-111, ધ સેવન, આત્મન ગેન્ડયોર તથા થલતેજ વોર્ડમાં સ્ટેટ્સ અલ્ટેઝા સરકયુલરનો ભંગ કરવા બદલ બાંધકામ સાઈટને સીલ કરવામાં આવી છે. તેમજ દરેકને વહીવટી ચાર્જ પેટે રૂ.50000/-ની નોટિસ આપવામાં આવી છે. ટીપી રોડ ઉપરના 120 કોમર્શિયલ બાંધકામો દૂર કરાયાશહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી રોડ ખોલવાની કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે ઉત્તર ઝોનમાં નેશનલ હાઈવે 8 પર નરોડાના ટોયેટા સર્કલથી નાનાચિલોડા બ્રિજ સુધીના 60 મીટર અને નાના ચિલોડા ગામ તરફના 30 મીટર પહોળા રોડ ઉપર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. ટીપી રોડ ઉપર આવતા 120 જેટલા કોમર્શિયલ બાંધકામોને પણ દૂર કરવામાં આવ્યા છે. આ રોડ ખુલ્લો થવાના કારણે નરોડા પાટિયા તરફથી નાનાચિલોડા સુધી ટ્રાફિકને રાહત મળશે.
સુરત મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન વરાછા વિસ્તારમાં આવેલા મગોબ-ડુંભાલમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે એમ્યુઝમેન્ટ પાર્ક ડેવલપ કરવાના પ્રોજેક્ટમાં મોટા પાયે ગેરરીતિ અને વહીવટી નિષ્ફળતાના આક્ષેપો સાથે રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ શાસક ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ઇજારદારોને આર્થિક ફાયદો કરાવવા માટે પાલિકાના હિતોને નેવે મૂકી દેવામાં આવ્યા છે. તેમણે આ મામલે સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખીને કસૂરવાર ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની અને કરોડોની વસૂલાત કરવાની ઉગ્ર માંગ કરી છે. વર્ષ 2012થી પ્રોજેક્ટ લટકેલો રહ્યોવર્ષ 2012માં સ્થાયી સમિતિના ઠરાવ નંબર 1123/2012 થી ટી.પી. સ્કીમ નંબર 53 મગોબ-ડુંભાલમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે 'રાજગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ' (સુરત) અને 'કેશવ હોલીડે રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડ' (મહેસાણા) ના કોન્સોર્ટીયમને કામગીરી સોંપવામાં આવી હતી. પાયલ સાકરિયાએ આક્ષેપ કર્યો છે કે, 2012થી આજદિન સુધી આ ઇજારદાર દ્વારા ઠરાવની શરતો અને જોગવાઈઓનું સતત ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. નિયત સમયમર્યાદામાં પ્રોજેક્ટ ડેવલપ કરવામાં ઇજારદાર નિષ્ફળ રહ્યો છે અને પાલિકાને કરવાની થતી કરોડો રૂપિયાની ચૂકવણીઓ પણ હજુ સુધી કરવામાં આવી નથી. 'મીડિયેટર'ના નામે કરોડોની છૂટછાટનો ખેલસૌથી ગંભીર આક્ષેપ મીડિયેટરની ભૂમિકા અંગે કરવામાં આવ્યો છે. વિપક્ષી નેતાના જણાવ્યા અનુસાર, જ્યારે ઇજારદાર બાકી નીકળતી રકમ અને પેનલ્ટી ચૂકવવામાં અસમર્થ સાબિત થયા, ત્યારે તેમણે ચુકવણીઓમાં રાહત મેળવવા માટે મધ્યસ્થી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આશ્ચર્યજનક રીતે, સુરત મનપાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. પાયલ સાકરિયાએ જણાવ્યું કે, મીડિયેટર દ્વારા ઇજારદારની ફેવરમાં જે અભિપ્રાયો આપવામાં આવ્યા છે, તેનાથી સુરત મનપાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ભાજપના શાસકો પોતાની વહીવટી નિષ્ફળતા છુપાવવા અને ઇજારદાર સાથે મેળાપીપણું કરીને મનપાની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. અબજો રૂપિયાની કિંમતી જમીન ઇજારદારના ચરણોમાં ધરી દેવામાં આવી છે. 'સામાન્ય જનતાને ખોળ અને બિલ્ડરોને ગોળ'વિપક્ષી નેતાએ શાસકોની નીતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, મનપા અત્યારે સામાન્ય પ્રજા માટે ખોળ અને માનીતા બિલ્ડરો માટે ગોળ જેવી નીતિ અપનાવી રહી છે. સામાન્ય નાગરિકો પાસેથી વેરાની કડક વસૂલાત કરવામાં આવે છે, જ્યારે મોટા બિલ્ડરો અને ઇજારદારોને કરોડોની રાહતો આપવામાં આવે છે. પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, સુરતની અંદર મગોબ વિસ્તારમાં આવેલી ટીપી-53ની અંદર જે આપણી સુરત મહાનગરપાલિકાની જગ્યા હતી, એ જગ્યાની અંદર એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટેનું અગાઉ આયોજન કરવામાં આવ્યું હતું અને આ કામ એટલે કહેવાયને કે વોટર પાર્ક બનાવવાનું કામ હતું. આ વોટર પાર્ક બનાવવા માટે જે-તે કોન્ટ્રાક્ટરને જે-તે સમયે આ જગ્યા આપેલી, કરારો થયેલા અને એ કરાર પ્રમાણે જે-તે કોન્ટ્રાક્ટરે સમય મર્યાદાની અંદર આખું ડેવલપ કરવાનું હતું. સુરત મહાનગરપાલિકામાં પૈસા ભર્યા નથીડેવલોપ કર્યા બાદ એમને જે જગ્યાનું જે ભાડું છે, એ મહાનગરપાલિકાને ચૂકવવાનું હતું. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ જે કોન્ટ્રાક્ટર છે રાજગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ એમણે દર વખતે નાના-મોટા બહાનાઓ બતાવીને કે 'ભાઈ અમારી પાસે આવી રીતના પૈસા ભરવાના નથી, અમે ભરીશું નહીં, અમારા માટે નુકસાનકારક છે' આ તે બધા અલગ-અલગ પ્રકારના બહાના બતાવીને એમણે સુરત મહાનગરપાલિકાને પૈસા ભર્યા નથી. પૈસા કઢાવવા ભાજપના શાસકોએ વચ્ચે મિડિએટર રાખ્યાછેલ્લે મહાનગરપાલિકા પણ કહેવાયને કે એકદમ બિચારી થઈ ગઈ હોય એવી રીતના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વચ્ચે મિડિએટર રાખ્યા કે તમે આ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા કઈ રીતના વસૂલી શકાય એના માટેનું આયોજન કહો. ત્યારે મિડિએટરે પણ કોન્ટ્રાક્ટરની તરફદારી કરી હોય એવી રીતના કે 'ભાઈ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ નથી થઈ તો તમે હજી સમય લંબાવી આપો અને જે પૈસા જે છે કે વસૂલવાના છે, ખરેખર કોન્ટ્રાક્ટરની વાત સાચી છે, પૈસા આપી શકે એવી પરિસ્થિતિ નથી, ઘણા સમયથી પાર્ક બંધ હતો' આ તેવા બધા બહાનાઓ બતાવ્યા હતા. જગ્યા એમની પાસેથી પાછી લઈ લેવી જોઈએજેમનું કામ આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવ્યું હતું. અમારી સ્પષ્ટ માંગ એ છે કે જ્યારે કરોડો રૂપિયાની જમીન આપણે કોઈને ડેવલપ કરવા માટે આપી હોય અને સમય મર્યાદાની અંદર ડેવલપ ના કરી શકે, તો એ જગ્યા એમની પાસેથી પાછી લઈ લેવી જોઈએ. અને વેરો શા માટે ના ભરે? આજે સામાન્ય માણસ વેરો નથી ભરતો તો તમે 18 ટકાના ટેક્સ સાથે તમે પૈસા વસૂલો છો, તો એમની પાસે પણ તમે વ્યાજ સાથેના પૈસા વસૂલો. એ જે જગ્યા છે, ડેવલપ નથી કરી શકતા તો એમની પાસેથી લઈ લો. જે આટલા વર્ષોથી આપણને વેરો પણ નહોતા આપતા, આપણને જે પૈસા લેવાના નીકળતા હતા એ પૈસા આપતા નહોતા, સમય મર્યાદા ચૂકી ગયા છે તો એમને બ્લેકલિસ્ટ કરવા માટેની અમે સ્પષ્ટ માંગણી કરી છે. હાઈકોર્ટમાં અમેઝિયા દ્વારા અરજી કરાઈ હતીસ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, અમેઝિયાને કોર્પોરેશન દ્વારા જે જગ્યાની ફાળવણી કરવામાં આવેલી હતી, તેમાં કાયદાકીય ગૂંચ ઉભી થતા હાઈકોર્ટમાં અમેઝિયા દ્વારા અરજી કરવામાં આવેલી હતી અને હાઈકોર્ટ દ્વારા મીડિએશનની રજૂઆત કરવામાં આવેલી હતી. જેને આધારે જે મીડિએટર હતા તેમણે અભિપ્રાય આપ્યો છે અને તેના આધારે આપણે 22 કરોડ રૂપિયા આ આઠમા મહિના સુધીની ગણતરી છે અને ત્યાર પછીના આટલા દિવસ સુધીના જે ઠરાવની રકમ હશે, તે પ્રમાણે તેમણે ચુકવણું કરવાનું રહેશે. મનપાને કોઈપણ નફો મેળવવાનો આશય નહોતોસૌ પ્રથમ એક મહિનામાં 10 કરોડ રૂપિયા કોર્પોરેશનને આપવાના રહેશે અને બાકીની જે રકમ રહે છે તે ત્રિમાસિક ધોરણે અમેઝિયાએ ચુકવવાની રહેશે. વધુમાં આપણે મીડિએશનમાં હતા તેમનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે આપણે આજે જગ્યા છે તે ફક્ત અને ફક્ત લોકોના મનોરંજન માટે આપીએ છીએ. આમાં સુરત મહાનગરપાલિકાનો કોઈ પણ નફો મેળવવાનો આશય નહોતો. પણ, લોકોને આપણે મનોરંજનનું સાધન પૂરું પાડી શકીએ તે માટે આ જગ્યા આપી છે અને તેના માટે જ આપણે આજે આ મંજૂર કરીએ છીએ.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે બે મહત્વના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક તરફ કોર્ટે પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારનાર 40 વર્ષીય આરોપીને સખત આજીવન કેદની સજા ફટકારીને સમાજમાં દાખલો બેસાડ્યો છે. કોર્ટે સ્ત્રી સન્માન પર ચાણક્યના નીતિવચનો ટાંકીને પીડિતાને રૂ. 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. તો બીજી તરફ, કરોડોના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં DRI ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં આરોપીની ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવતા કોર્ટે આરોપીની કસ્ટડીને ગેરકાયદે ઠેરવી છે. ચોકલેટની લાલચ આપી આરોપીએ માસૂમને પીંખી હતીઘટનાની વિગતો મુજબ, 17 એપ્રિલ 2022ના રોજ પાંડેસરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. માત્ર ચાર વર્ષની માસૂમ બાળકી જ્યારે ઘર પાસે રમી રહી હતી, ત્યારે 40 વર્ષીય આરોપી રમેશ ઉર્ફે અજય પરમારની નજર તેના પર પડી હતી. આરોપીએ માસૂમને ચોકલેટ આપવાની લાલચ આપી ફોસલાવી હતી અને તેને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં આરોપીએ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. લોહીલુહાણ હાલતમાં રડતી રડતી બાળકી ઘરે પહોંચી અને માતાને પોતાની સાથે થયેલી આપવીતી જણાવી, જેના આધારે તુરંત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટનું અવલોકન 'જ્યાં નારીની પૂજા ત્યાં ભગવાનની કૃપા'આ કેસમાં સ્પેશિયલ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. સરકારી વકીલ વિશાલ ફળદુની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખતા કોર્ટે મનુસ્મૃતિ અને ચાણક્યના શ્લોકો ટાંક્યા હતા. કોર્ટે નોંધ્યું કે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે ચાણક્યના મતે સ્ત્રી અમૂલ્ય રત્ન છે, કોઈ વસ્તુ કે અલંકાર નથી. આ ચુકાદા દ્વારા કોર્ટે સ્ત્રીઓની સુરક્ષા અને ગરિમા જાળવવા પર ભાર મૂક્યો છે. પીડિતાને વળતર અને કડક સજાનો આદેશબાળકીના શારીરિક અને માનસિક આઘાતને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને માત્ર જેલની સજા જ નહીં, પરંતુ પીડિતાને આર્થિક રીતે મદદરૂપ થવા માટે રૂ. 6 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. આરોપી રમેશ પરમારે કરેલું કૃત્ય જઘન્ય હોવાથી તેને કોઈ પણ પ્રકારની રહેમ ન બતાવતા આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદાથી સુરતના કાયદાકીય વર્તુળમાં અને સમાજમાં એક સકારાત્મક સંદેશ ગયો છે કે બાળકો પર થતા અત્યાચારોને ક્યારેય સાંખી લેવામાં આવશે નહીં. DRIએ ધરપકડ વગર જ ચાર્જશીટ ફાઈલ કરી દીધીક્રાઈમના બીજા એક કિસ્સામાં, DRI દ્વારા ગોલ્ડ સ્મગલિંગના કેસમાં તપાસમાં મોટી ખામી સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા રૂ. 7 કરોડના સોનાના કેસમાં મુખ્ય આરોપી સરફરાજ બાપુ રાજની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ચોંકાવનારી બાબત એ હતી કે DRI એ આરોપીની ધરપકડ કર્યાના મહિનાઓ પહેલા જ કોર્ટમાં તેની સામે ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. કાયદાકીય પ્રક્રિયા મુજબ ધરપકડ પહેલા ચાર્જશીટ રજૂ કરવી એ નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. DRIની ધરપકડ ગેરકાયદે ઠરીઆરોપી સરફરાજ તરફથી એડવોકેટ વિરલ ચલિયાવાલાએ કોર્ટમાં જંગ છેડ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે DRI એ પ્રોસીક્યુશન ફાઈલ કર્યું ત્યારે આરોપી હાજર પણ નહોતો અને તેની નકલ પણ અપાઈ નહોતી. ધરપકડ પહેલા લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી, છતાં પ્રક્રિયામાં લોચો માર્યો હતો. કાયદા મુજબ, ચાર્જશીટ ત્યારે જ ફાઈલ થાય જ્યારે આરોપી કસ્ટડીમાં હોય અથવા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થઈ હોય. કોર્ટે આ દલીલોને માન્ય રાખીને આરોપીની કસ્ટડીને ગેરકાયદેસર જાહેર કરી છે.
આચાર્ય સંઘની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ:કે.પી. બોયઝ હાઈસ્કૂલમાં મહત્વના નિર્ણયો લેવાયા
સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘની પ્રથમ કારોબારી બેઠક કે.પી. બોયઝ હાઈસ્કૂલમાં યોજાઈ હતી. આ બેઠકમાં મહામંત્રી યુવરાજસિંહે શાબ્દિક સ્વાગત કરી એજન્ડા મુજબ કાર્યવાહી આગળ વધારી હતી. સૌપ્રથમ, જિલ્લા આચાર્ય સંઘના અધિવેશનના સ્થળ અને કાર્યક્રમ અંગે ચર્ચા કરી તેને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ, સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજ્યના બે પ્રતિનિધિઓની નિયુક્તિ કરવાના એજન્ડા મુજબ, પ્રમુખ સુનિલભાઈએ મનુભાઈ જોગરાણા અને મુકેશભાઈ ઉપાધ્યાયના નામની દરખાસ્ત કરી, જેને સર્વસંમતિથી મંજૂરી મળી હતી. અધ્યક્ષ આર. કે. ગોહિલ સાહેબે ઓપીએસ ફાઈલ અને સેવા જોડાણ અંગે ઓફિસ દ્વારા થયેલી કાર્યવાહીની માહિતી આપી હતી. તેમણે આ અંગે થયેલી રજૂઆતોની પણ વિસ્તૃત જાણકારી આપી. અધિવેશનના ક્નવીનર તરીકે સંદીપભાઈ પટેલ અને સહ-ક્નવીનર તરીકે ગજેન્દ્રસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત, સંઘની અત્યાર સુધીની કાર્યવાહી, ઓફિસમાં ઉદ્ભવેલા પ્રશ્નોની રજૂઆત અને રાજ્ય કક્ષાના પ્રશ્નોની પણ આ કારોબારીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.પ્રથમ કારોબારી બેઠકમાં તમામ સદસ્યો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. આ બદલ અધ્યક્ષ, પ્રમુખ અને મહામંત્રી દ્વારા સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લીઝ પર જગ્યા આપવામાં આવી હતી. લીઝ કરારની શરતોનો ભંગ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ ફટકારી અને ખુલાસો માંગવામાં આવ્યો હતો. આમ અમને ગુજરાત હાઇકોર્ટમાં સ્કૂલ તરફથી પિટિશન કરવામાં આવી હતી એ પરંતુ છેવટે સ્કૂલ દ્વારા પિટિશન પરત કરી લેવામાં આવી છે. હવે સ્કૂલને પોતાના તરફથી રજૂઆત કરવા માટેની તક આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સ્કૂલના સત્તાધીશોને બોલાવી જવા માંગવામાં આવશે જુઓ તેઓ દ્વારા આ બાબતે શરતોનો ભંગ થયો હશે તો કોર્પોરેશનની જગ્યાનો કબજો પરત લેવામાં આવશે. સ્કૂલ સંચાલકોને યોગ્ય રજૂઆત કરવા આપવામાં આવશેલીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, ખોખરા વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલની જગ્યા મ્યુનિ.ની શરતોનો ભંગ કર્યો હશે તો તે જગ્યા હસ્તગત કરશે. લીગલ કમિટિમાં કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી જમીનની શરતોનો ભંગ કર્યો હોવાથી તેને પરત લઇ લેવા માટે કરાયેલી કામગીરી માટે સ્કૂલ સંચાલકો દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી પિટિશન પરત ખેંચી લીધી હતી. સ્કૂલ સંચાલકોને યોગ્ય રજૂઆત માટે તક આપવામાં આવશે. શરતોનો ભંગ થયો હોવાનું જણાશે તો જગ્યા પરત લવાશેસ્કૂલ સંચાલકોએ લેખીતમાં પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે. જે પણ મુદતમાં સ્કૂલ તરફથી રજૂઆત કરવામાં આવે તેની મીનીટ્સ પણ લખવામાં આવશે. જો યોગ્ય રજૂઆત બાદ જો શાળાને જે શરતોને આધીન જગ્યા આપવામાં આવી હતી તે શરતોનો ભંગ થયેલો જણાશે તો તેવી સ્થિતિમાં મ્યુનિ. આ જગ્યા પરત લઇ લેશે. નોંધનીય છેકે, મ્યુનિ.નો સીધો આક્ષેપ હતો કે, જે સંસ્થાને મ્યુનિ. દ્વારા શાળા ચલાવવા જમીન અપાઇ હતી તેણે અન્યને આ જગ્યા સોંપી હતી. જેથી તેને અપાયેલી જગ્યાની શરતોનો ભંગ થયો છે.
મવડી વિસ્તારમાં 80 ફુટ રોડ પર લક્ષમણ ટાઉનશીપમાં એક અજાણ્યો યુવાન ચોથા માળેથી પડી જતાં ગંભીર ઇજા થયાની જાણ થતાં 108ને બોલાવતા 108ના EMTએ આવી તપાસી યુવકને મૃત જાહેર કરી બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક પાસેથી મળેલા ફોન તથા બીજા કાગળોને આધારે તપાસ કરતાં તેના વાલીવારસ મળી આવ્યા હતાં. મૃત્યુ પામનાર યુવાન મુળ કાલાવડનો અને હાલ મેટોડાની આસ્થા સોસાયટીમાં રહેતો મનિષ રમણિકભાઇ ધોળકીયા (ઉ.વ.34) હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક મનિષ ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતો હતો. મેટોડા આસ્થા સોસાયટીમાં પત્ની અને દીકરા-દીકરી સાથે રહેતો હતો. લક્ષમણ ટાઉનશીપમાં તે મોડી રાતે શું કરવા આવ્યો હતો? ચોથા માળે કોઇ પરિચીતને મળવા આવ્યો હતો કે પછી બીજા કોઇ કામે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આર્થિક ભીંસમાં સોની વેપારીએ એસિડ પી જતા સારવારમાં મોતજામનગર રોડ પર વ્હોરા સોસાયટીમાં રહેતાં હિરેનભાઇ ધકાણે ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે પડધરી નજીક ન્યારા ગામના પાટીયા પાસે જઇ એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેમનું મોત થતા પડધરી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનાર હિરેનભાઇ સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતાં હતાં. છેલ્લા બે મહિનાથી કામધંધો ચાલતો ન હોઇ તેના કારણે આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હિરેનભાઈને સંતાનમાં એક દીકરી હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ભેદી રીતે ગુમ 14 વર્ષની સગીરા પશ્ચિમ બંગાળમાંથી મળીગઇ તા. 11 ડિસેમ્બર 2025ના રોજ રૂખડીયાપરાની 14 વર્ષીય સગીરા પોતાની બેહેનના ઘરે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થઇ જતાં સગીરાની માતાએ પ્રદ્યુમનનગર પોલીસમાં અજાણ્યા શખસ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેક્નિકલ સોર્સીસ મદદથી માહિતી મેળવી પશ્ચિમ બંગાળના પૂર્બ બર્ધમાન જિલ્લાના બોરા ગામ ખાતેથી અપહરણ કરનાર આરોપી રાજેશ સંતરાની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી પરિવારને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજેશ સંતરાએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યાની ખરાઈ થતાં પોલીસે અપહરણના ગુનામાં દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમોનો ઉમેરો કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સગીરા એક કારખાનામાં મજૂરી કરવા જતી હતી, ત્યારે તેનો પરિચય રાજેશ સંતરા સાથે થતાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જે બાદ રાજેશ સગીરાને લગ્નની લાલચ આપી પશ્ચિમ બંગાળ ખાતે ભગાડી ગયો હતો. કારચાલકે બાઈકને અડફેટે લેતા મોટાવડાના ખેડુતનું મોતરાજકોટ નજીક મોટાવડા ગામે રહેતાં અરવિંદભાઇ વાઘજીભાઇ પાંભર (ઉ.વ.65) અને તેના કુટુંબી ભાઇ જીવનભાઇ નરસીભાઇ પાંભર (ઉ.વ.70) બંને હોન્ડા પર બેસી ખીરસરા નજીક સાત હનુમાન મંદિર પાસે લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. ત્યાંથી પરત ફરતી વખતે સાંજે 8.30 વાગ્યે ખીરસરા-મોટાવડા વચ્ચેના રસ્તા પર એક કારના ચાલકે બાઇકને ઠોકરે લેતાં બંને ભાઇઓ ફંગોળાઇ ગયા હતાં અને કારમાં પણ ભારે નુકસા થયું હતું. અકસ્માતમાં જીવનભાઇ પાંભરનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો, જ્યારે અરવિંદભાઇ પાંભરને ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં, પરંતુ અહી તેમનું મોત થતા મેટોડા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર મુકી ભાગી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે. અરવિંદભાઇ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. 4.10 લાખના 8 કિલો ગાંજા સાથે એકને ઝડપી પાડ્યોરાજકોટ શહેર SOG દ્વારા ગ્રીનલેન્ડ ચોક પાસે શિવનગર તરફ જતા રસ્તામાં ફ્રુટનો વેપાર કરતા જંગલેશ્વરના સાગર ચોક આવાસ યોજનાના ક્વાર્ટર બ્લોક નંબર 4 ક્વાર્ટર નંબર 206માં રહેતા મૂળ જૂનાગઢના ઇબ્રાહિમ ઉર્ફે શાહબાઝ ઉર્ફે ટીકડો રજાકભાઇ શેખ (ઉ.વ.23)ને રૂપિયા 4.10 લાખના 8 કિલો અને 200 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ પુછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો રાજસ્થાનના શખ્સ પાસેથી લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તાવ અને ઉલ્ટીની બીમારીથી 7 માસની બાળકીનું મોતજામનગર રોડ પર કલ્યાણ પાર્ક શેરી નંબર 2માં રહેતાં કલ્પેશભાઇ નકુમની 7 મહિનાની દિકરી હિતાંશીને બે દિવસથી તાવ-ઉલ્ટી થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારમાં શોક છવાઇ જવા પામ્યો હતો. બનાવ અંગેની જાણ યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં નવી કોર્ટ બિલ્ડીંગ ક્યાં બનશે તે અંગે ચાલી રહેલી લાંબા સમયની અટકળોનો લગભગ અંત આવ્યો છે. આજે સુરત કલેકટર કચેરી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કલેક્ટર સૌરભ પારઘી વચ્ચે યોજાયેલી મહત્વની બેઠકમાં નવી કોર્ટના સ્થળ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં નવી કોર્ટ બિલ્ડીંગ માટે મગદલ્લા ગામની જગ્યા પર ચર્ચા હાથ ધરાઇ હતી, જે વકીલો અને અસીલો બંને માટે સુવિધાજનક સાબિત થશે. કલેકટર કચેરીમાં બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી કોર્ટ પહોંચ્યાજ્યારે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે જ હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત લઈને આ પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા કવાયત તેજ કરી છે. કલેક્ટર સાથેની મિટિંગમાં વહીવટી પ્રક્રિયાઓ અને જમીનની ફાળવણી અંગે વિગતવાર ચર્ચા કરી તેઓ સીધા જ સુરત જિલ્લા કોર્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે વકીલ આલમ સાથે મુલાકાત કરી નવી બિલ્ડીંગના આયોજન અંગે માહિતી આપી હતી. 'પોક્સો'ના કેસોમાં ઝડપી ટ્રાયલ માટે વકીલોને અપીલકોર્ટ સંકુલની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીનો મુખ્ય ભાર માસૂમ દીકરીઓ પર થતા અત્યાચારો અને પોક્સો (POCSO) એક્ટ હેઠળના કેસો પર રહ્યો હતો. તેમણે વકીલોને સંબોધતા ભાવુક અપીલ કરી હતી કે, પોક્સો સંબંધિત કોઈપણ કેસમાં બને તેટલી ઝડપથી ટ્રાયલ ચલાવવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકારનો અભિગમ ગુનેગારોને વહેલી તકે સજા અપાવી પીડિત દીકરીઓને ત્વરિત ન્યાય અપાવવાનો છે. તારીખ ન પાડો, દીકરીઓને ન્યાય અપાવો: હર્ષ સંઘવીહર્ષ સંઘવીએ વકીલો સમક્ષ હૃદયસ્પર્શી વાત મૂકતા જણાવ્યું હતું કે, હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ન રાખી શકું કે તમે કોઈનો કેસ ન લડો, પરંતુ આપ સૌના ઘરમાં પણ દીકરીઓ છે. આ જ ધરતીએ આપણને મોટા કર્યા છે. મારી વિનંતી છે કે પોક્સોના કેસોમાં ઓછામાં ઓછી તારીખો પડે અને ઝડપથી ગુનેગારને સજા થાય તેવો પ્રયાસ કરો. આ અપેક્ષા માત્ર મારી નથી, પરંતુ આખા રાજ્યની દીકરીઓની સુરક્ષા અને ન્યાય માટે છે. ઐતિહાસિક ચુકાદાઓ અને ઝડપી ન્યાય પર ભારહર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોક્સોના કેસોમાં હિસ્ટોરિકલ અને ઝડપમાં ઝડપથી કઈ રીતે આરોપીને સજા અપાવી. હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ના રાખી શકું કે તમે કોઈનો કેસ ન લડો પરંતુ આપ સૌના ઘરમાં પણ દીકરીઓ છે. આપ સૌ લોકોને પણ આ જ ધરતીએ મોટા કર્યા છે તો મારી માત્ર આપની પાસે એટલી જ વિનંતી છે કે, આપ સૌ લોકો આ પ્રયાસમાં સાથે કઈ રીતે જોડાઈ શકો ઓછામાં ઓછી તારીખો પાડવામાં અને ઝડપથી ઝડપ જે ગુનેગાર હોય એને સજા અપાવવામાં તમારા લોકોના સહયોગની અપેક્ષા પણ જરૂરથી અમને સૌને છે અને અપેક્ષા માત્ર અને માત્ર આપણા શહેરની રાજ્યની દીકરીઓને ન્યાય અપાવવા માટે છે.
ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર રાજેશ જાની સહિત કુલ 6 અરજદારોએ એડવોકેટ એચ.કે. ઠાકોર અને ઉમેશ.ટી. મિશ્રાના સહયોગથી હોમગાર્ડના દૈનિક ભથ્થાને લઈને અરજી દાખલ કરી હતી. જે જસ્ટિસ મૌલિક શેલતની કોર્ટમાં રજૂ થઈ હતી. જેમાં હોમગાર્ડસને પણ રેગ્યુલર પગાર અને સરકારી નોકરી જેવા જ લાભો આપવાની માગ કરવામાં આવી હતી. હાઇકોર્ટે અરજદારોની અરજી અંશત: માન્ય રાખતા હુકમ કર્યો છે કે, હોમગાર્ડસને મળતું દૈનિક ભથ્થું 450 રૂપિયાથી વધારીને પોલીસ કર્મચારીઓને મળતા મિનિમમ પગાર અનુસાર કરવું જોઈએ. રાજ્ય સરકારને આ માટે નિર્ણય લેવા એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 53 હજાર જેટલા હોમગાર્ડ્સ છે. હોમગાર્ડનું દૈનિક ભથ્થુ પોલીસકર્મીના લઘુત્તમ પગાર કરતા ઓછુંઆ કેસમાં અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, અત્યારે હોમગાર્ડને દૈનિક ભથ્થું 450 રૂપિયા મળે છે. જે પોલીસ કર્મચારીના મળતા લઘુત્તમ પગાર કરતા ઓછું છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હોમગાર્ડસના દૈનિક ભથ્થામાં બેઝિક સેલરી, ગ્રેડ-પે, મોંઘવારી ભથ્થું અને વોશિંગ એલાઉન્સનો સમાવેશ કરવો જોઈએ. વર્ષ 2021માં હોમગાર્ડસનું દૈનિક ભથ્થું વધારીને 300 થી 450 રૂપિયા કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રના આદેશને અવગણી શકે નહીં. 'તેમને દૈનિક 650 રૂપિયા દૈનિક ભથ્થું મળે છે'રાજ્ય સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે, હોમગાર્ડસને પહેલા 200 રૂપિયા દૈનિક ભથ્થું મળતું હતું. તેને વધારીને 300 રૂપિયા કરવામાં આવ્યું છે. ત્યારબાદ વર્ષ 2021માં 450 રૂપિયા તે સમયના લઘુત્તમ વેતન મુજબ નક્કી કરવામાં આવ્યું હતું. તેમને મેડિકલ ફેસિલિટી મળે છે, આ ઉપરાંત એક ફંડ પણ ઊભું કરવામાં આવ્યું છે. તેમનું મેસ એલાઉન્સ પણ 100થી વધારીને 200 રૂપિયા કરવામાં આવ્યું છે. આમ તેમને દૈનિક 650 રૂપિયા જેટલું દૈનિક ભથ્થું મળે છે. કેન્દ્ર સરકારની રીવ્યુ પિટિશન પર ચુકાદો આવવાનો બાકીસુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેની સામે કેન્દ્ર સરકારે રીવ્યુ પિટિશન દાખલ કરી હતી. તેની ઉપર ચુકાદો આવવાનો બાકી છે. વળી હોમગાર્ડની સેવા તે સ્વૈચ્છિક સેવા છે. જ્યારે પોલીસની ડ્યુટી અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક માટે હોય છે. હોમગાર્ડની જરૂર હોય ત્યારે જ ડ્યુટી ઉપર બોલાવવામાં આવે છે. 'રાજ્ય સરકાર કેન્દ્ર અને સુપ્રીમના આદેશોને નકારી શકે નહીં'જો કે, હાઇકોર્ટે નોધ્યું હતું કે, સુપ્રીમના ચુકાદાનું પાલન કરવા દરેક રાજ્ય બંધાયેલું છે. વર્ષ 2018માં પોલીસને મળતું મિનિમમ દૈનિક વેતન 631 રૂપિયા હતું. જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડના જવાનોને દૈનિક મેસના ભથ્થા તરીકે 200 રૂપિયા આપવાની વાત છે, પરંતુ સરકારી વકીલ તેમને આ ભથ્થું મળી રહ્યું છે કે નહીં તે સાબિત કરી શક્યા નથી. રાજ્ય સરકાર કેન્દ્ર અને સુપ્રીમના આદેશોને નકારી શકે નહીં. 'રાજ્ય સરકાર કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં'આથી હોમગાર્ડનું દૈનિક ભથ્થું 450 રૂપિયાથી વધારીને પોલીસ કર્મચારીઓને જે મિનિમમ પગાર મળે છે તે જ દૈનિક ધોરણે મુજબ આપવું જોઈએ. પોલીસ કોન્સ્ટેબલનેને હાલમાં લઘુતમ 21,000 થી લઈને 25000 રૂપિયા સુધીનો પગાર મળે છે. રાજ્ય એક આદર્શ નોકરી દાતા છે. તે કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં. વળી સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલ રીવ્યૂ પિટિશન ફગાવી કાઢી છે. 'એક મહિનાની અંદર રાજ્ય સરકાર નિર્ણય લે'રાજ્ય લોકો ઉપર જુલમ કરી શકે નહીં. આ વાત બંધારણના સમાનતાના અધિકારોનો ભંગ કરનારી છે. રાજ્યની રજૂઆતોથી કોર્ટ સંતુષ્ટ નથી. જેથી એક મહિનાની અંદર રાજ્ય સરકાર નિર્ણય લે કે હોમગાર્ડ્સના 450 રૂપિયાના દૈનિક ભથ્થાને વધારીને પોલીસ કોન્સ્ટેબલને મળતા દૈનિક મિનિમમ વેજ જેટલું કરવામાં આવે.
માળીયાના બગસરા ગામે નીલગાયનો શિકાર:તળાવ પાસે મૃત હાલતમાં મળી, ફાયરિંગના નિશાન
માળીયા (મી) તાલુકાના બગસરા ગામે તળાવ નજીક એક નીલગાયનો શિકાર કરવામાં આવ્યો છે. રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. નીલગાય મૃત હાલતમાં મળી આવી હતી. મૃત નીલગાયના શરીર પર ફાયરિંગના નિશાન જોવા મળ્યા હતા. ઉપરાંત, તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા પણ મારવામાં આવ્યા હોવાનું જણાયું હતું. આ નિશાનો શિકારની પુષ્ટિ કરે છે. ગામના જાગૃત વ્યક્તિને આ અંગેની જાણ થતાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નીલગાયને મૃત હાલતમાં જોઈને તેમણે તાત્કાલિક સંબંધિત વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માળીયા (મી) તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર નીલગાયના શિકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ગ્રામજનોએ શિકાર કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઈઝરાયલ-ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે ઘણા દેશોએ એર સ્પેસ બંધ કરી દીધા છે, જેના કારણે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલમાં ખૂબ જ ઓછી ફ્લાઈટો ચાલી રહી છે. આવી જ પરિસ્થિતિમાં આજે બેંગકોક જતી ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા બે વલસાડના મુસાફરો (એક પુરુષ અને એક મહિલા) પાસેથી કસ્ટમ્સ વિભાગે 60 લાખથી વધુની વિદેશી ચલણી નોટો જપ્ત કરી છે, જેનાથી એરપોર્ટ પર ચકચાર મચી ગઈ છે. 60 લાખથી વધુની વિદેશી ચલણી નોટો જપ્તચોક્કસ બાતમીના આધારે કસ્ટમ્સ વિભાગના એર યુનિટ-અમદાવાદના અધિકારીઓએ આજે ફ્લાઈટ નંબર FD145 (બેંગકોક જતી)માં મુસાફરી કરી રહેલા બંને યાત્રીઓને અટકાવ્યા હતા. તેમના સામાન અને વ્યક્તિગત તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી અનુક્રમે USD 35,300 અને USD 35,040 (કુલ USD 70,340) મળી આવ્યા હતા, જેની ભારતીય ચલણમાં કિંમત અંદાજે ₹63 લાખ થાય છે. તપાસમાં બંને મુસાફરો વલસાડના હોવાનું જાણવા મળ્યું કસ્ટમ્સ એક્ટ 1962, FEMA 1999 અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (ચલણની નિકાસ અને આયાત) રેગ્યુલેશન્સની જોગવાઈઓ હેઠળ આ સંપૂર્ણ રકમ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બંને મુસાફરો વલસાડના હોવાનું જાણવા મળ્યું છે. કસ્ટમ્સ અધિકારીઓ હાલમાં આ વિદેશી ચલણ ક્યાંથી મેળવ્યું, કોના માટે લઈ જતા હતા, તેનું સ્ત્રોત શું છે અને આ રકમ કેવી રીતે ભારતમાંથી બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. યુદ્ધના તણાવ વચ્ચે ઓછી ફ્લાઈટોમાંથી પણ આવી મોટી રકમ જપ્તઆ ઘટના એરપોર્ટ પર ચાલી રહેલી સઘન તપાસ અને સુરક્ષા વ્યવસ્થાનું પરિણામ ગણી શકાય છે કારણ કે, યુદ્ધના તણાવ વચ્ચે ઓછી ફ્લાઈટોમાંથી પણ આવી મોટી રકમ જપ્ત થવી એક મોટો ખુલાસો ગણાય છે. કસ્ટમ્સ વિભાગે આ મામલે વધુ તપાસ ચાલુ રાખી છે અને આગામી કલાકોમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ, જે સમાજ ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહ્યું છે, તેના દ્વારા તાજેતરમાં એક અત્યંત સફળ અને ગૌરવશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળની યશકલગી સમાન પ્રવૃત્તિ એવી '૩૩મો જીવનસાથી પસંદગી ઉત્સવ' ગત રવિવાર, 1લી માર્ચ 2026ના રોજ અમદાવાદના વસ્ત્રાલ સ્થિત માધવ ફાર્મ ખાતે દબદબાભેર યોજાયો. જેમાં ગુજરાત ભરમાંથી પ્રજાપતિ સમાજના 1108 જેટલા યુવક યુવતીઓએ ભાગ લઈ સ્ટેજ ઉપર આવી પોત- પોતાનો બાયોડેટા સાથે પરિચય આપી ને આ ઉત્સવને સફળ બનાવ્યો છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સોવેનિયર વિમોચન સાથે કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે અધ્યક્ષ ડૉ. મૃણાલ કે.પ્રજાપતિ તેમજ ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ (ગુજરાત) રસિકભાઈ પ્રજાપતિ તેમજ ભાજપના બક્ષીપંચ મોરચો કર્ણાવતી મહાનગરના પ્રમુખ ગૌરંગભાઇ પ્રજાપતિ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. સમારંભનું ઉદ્ઘાટન કાંતિભાઈ ડી.પ્રજાપતિ, ગાંધીનગર એ કરેલું જ્યારે ભોજનદાતા તરીકે રાહુલભાઈ ડી.પ્રજાપતિ હતા. દીપ પ્રાગટ્ય બાદ પ્રમુખ યતીનભાઈ કે. પ્રજાપતિએ સૌનું ભાવપૂર્વક સ્વાગત કરી સમારંભની સફળતા માટે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. મંચસ્થ મહાનુભાવો નું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું . જ્યારે મંડળની પ્રવૃત્તિ વિશેનો સવિસ્તાર અહેવાલ મહામંત્રી ડૉ.જગદીશચંદ્ર જી. પ્રજાપતિએ આપ્યો હતો. આ કાર્યક્મ માં કન્વીનર દિપકભાઈ જી. દલવાડી તથા સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ ની ટીમની સક્રિય અને સફળ કામગીરીની નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રસ્ટીઓ,હોદ્દેદારો, મહિલા સમિતિ વગેરેનો સાથ સહકાર માંડ્યો હતો. આમ, આ પ્રસંગ સર્વાંગી સફળતા સાથે સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત 7000 જેટલા જ્ઞાતિજનોએ સમૂહમાં સ્વાદિષ્ટ ભોજનનો રસાસ્વાદ માણી સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની એડિશનલ સેશન્સ કોર્ટે પોલીસ તંત્રની છબી ખરડાવતી એક ગંભીર ઘટનામાં મહત્વનો આદેશ આપ્યો છે. બાંટવા પોલીસ સ્ટેશનના તત્કાલીન PSI જે. એ. કછોટ અને અન્ય એક પોલીસકર્મી દ્વારા એક અનુસૂચિત જાતિના યુવક પર કરવામાં આવેલા કથિત શારીરિક અને માનસિક અત્યાચાર મામલે કોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. આ મામલે કોર્ટે પ્રથમ દૃષ્ટિએ ગુનો બનતો હોવાનો જણાવી આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધવા હુકમ કર્યો છે જારી કર્યા છે. માણાવદરના ગૌતમ નગરમાં રહેતા ફરિયાદી મિયાત્રા ગુણવંત હીરાભાઈ (ઉ.વ. 56) એ કોર્ટમાં રજૂ કરેલી વ્યથા મુજબ આ સમગ્ર વિવાદ એક જૂની ઈન્ક્વાયરીના સમન્સ બજવણીના કામથી શરૂ થયો હતો. ફરિયાદી જ્યારે બાંટવા પોલીસ સ્ટેશનમાં સમન્સ બાબતે પૂછપરછ કરવા ગયા, ત્યારે ત્યાંના મહિલા PSO દ્વારા તેમને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓના દબાણ હેઠળ પોલીસ કામગીરી કરવામાં વિલંબ કરી રહી હતી. આ બાબતે ફરિયાદીએ જુનાગઢ એસપીને રજૂઆત કરતા, તેનો રોષ રાખી પોલીસકર્મીઓએ તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. કસ્ટડીમાં અત્યાચાર અને જાતિસૂચક અપમાન: ફરિયાદીના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ તા. 14/08/2023 ના રોજ પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે PSI જે. એ. કછોટ અને પૃથ્વીરાજસિંહ વાળાએ તેમને રોકીને અત્યંત બીભત્સ ગાળો આપી હતી. આરોપીઓએ ફરિયાદીને ભૂંડી ગાળો આપી કહ્યું હતું કે તું અમારી વિરુદ્ધ SP ને રજૂઆત કરે છે ? તેમ કહી જાતિસૂચક અપમાન કર્યું હતું. ત્યારબાદ ફરિયાદીને ડોકીના ભાગેથી પકડી 50 થી 70 મીટર સુધી ઢસડીને PSI ની ચેમ્બરમાં લઈ જવામાં આવ્યા હતા. ચેમ્બરમાં PSI જે. એ. કછોટ અને પૃથ્વીરાજસિંહ દ્વારા ફરિયાદીને ઢીકાપાટુ તેમજ પ્લાસ્ટિકના પાઈપ અને લાકડી વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમના પગમાં ગંભીર ઈજા હોવા છતાં, PSI એ પહેરેલા એડીવાળા બૂટ વડે તેમના પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, ફરિયાદીને જમવાનું અને પાણી આપવાની મનાઈ કરી, લોકઅપમાં સતત ચાલવા માટે મજબૂર કરી માનસિક ત્રાસ પણ આપવામાં આવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ તેમને ભીમ આર્મીના પ્રમુખ હોવા બાબતે મેણાં મારી અત્યંત અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. કોર્ટની તપાસ અને ન્યાયિક કાર્યવાહી: ફરિયાદીએ આ મામલે વંથલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સલીમ બી. મનસુરીએ આ મામલે તપાસ હાથ ધરી હતી. કોર્ટે ફરિયાદીનું BNSS ની કલમ 243 મુજબનું નિવેદન સાક્ષીઓના નિવેદનો અને મેડિકલ ઓફિસરના પુરાવાઓ તપાસ્યા હતા. કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે આરોપીઓએ ફરિયાદીને જાહેર સ્થળે અપમાનિત કરવાના ઈરાદાથી જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કર્યો હોય અને સ્વેચ્છાએ ઈજા પહોંચાડી હોય તેવું પ્રથમ દૃષ્ટિએ જણાય છે. કોર્ટનો અંતિમ હુકમ: ન્યાયના હિતમાં કોર્ટે આદેશ આપ્યો છે કે આ કેસને એટ્રોસિટી કેસ તરીકે રજિસ્ટરે લેવો. આરોપી પીએસઆઇ જે. એ. કછોટ અને પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ વાળા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(r) તથા IPC ની કલમ 323, 114 મુજબના ગુના અન્વયે સમન્સ કાઢવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓને આગામી તારીખ 04/04/2026 ના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. જોકે મહિલા PSO શાંતિબેન વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોવાથી તેમને હાલ પૂરતી રાહત મળી છે.આ ચુકાદાથી પોલીસ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સામાન્ય નાગરિકોમાં કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે.
વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે આશરે ₹100 કરોડના ખર્ચે તૈયાર થયેલા 90 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ) પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટ અને 2 કરોડ લિટરની ક્ષમતા ધરાવતા સંપની વઢવાણના ધારાસભ્ય તથા સરકારના મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રોજેક્ટની કામગીરીની અધિકારીઓ સાથે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 225 ગામોમાં પાણી વિતરણની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. આધુનિક ટેકનોલોજી અને વિશાળ સંગ્રહ ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ જિલ્લાના અનેક ગામોની પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ધોળી ધજા ડેમથી ફિલ્ટર પ્લાન્ટ સુધી પાઇપલાઇન દ્વારા પાણી લાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવાનું શક્ય બનશે, જે જનહિતમાં એક અગત્યનું પગલું છે.
પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને ગોધરા કલેક્ટર કચેરી ખાતે વર્ષ 2026-27 માટેની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકની કાર્યવાહી જિલ્લા આયોજન મંડળના સભ્ય સચિવ અને જિલ્લા આયોજન અધિકારી દ્વારા એજન્ડા મુજબ શરૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં 15% વિવેકાધીન (તાલુકા અને નગરપાલિકા કક્ષા) તથા બક્ષીપંચ જોગવાઈ હેઠળના તાલુકાવાર અને નગરપાલિકાવાર રજૂ થયેલા વિકાસ કામોને સરકારી માર્ગદર્શિકા મુજબ મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ, ATVT જોગવાઈના વર્ષ 2022-23 થી 2025-26 સુધીના કામો અને MPLADs અંતર્ગત વર્ષ 2019-20 થી 2023-24 સુધીના શરૂ ન થયેલા કે પ્રગતિ હેઠળના કામોની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. સંબંધિત અમલીકરણ અધિકારીઓને ગત વર્ષના બાકી કામો તાત્કાલિક પૂર્ણ કરવા અને નિયત સમયમર્યાદામાં ખર્ચ ચૂકવવા સૂચના અપાઈ હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર અજય દહિયાએ પ્રભારી મંત્રી રમેશ કટારાનું સ્વાગત કર્યું હતું. તેમણે જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને આવકાર્યા હતા. આ બેઠકમાં સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્યો સી.કે. રાઉલજી, નિમિષાબેન સુથાર, ફતેસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ, પ્રાંત અધિકારીઓ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા ચીફ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને જિલ્લા આયોજન મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટના જામનગર રોડ પરના નવા કોર્ટ બિલ્ડિંગમાં આજે સાંજના સમયે આગની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના કોર્ટ બિલ્ડિંગના 5માં માળે એમ. ડી. જાદવની કોર્ટ ચેમ્બરમાં બની હતી. પ્રાથમિક વિગતો મુજબ, ચેમ્બરમાં લાગેલા એસીમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ કોર્ટ રૂમમાં હાજર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તાત્કાલિક અસરથી કોર્ટ રૂમ ખાલી કરવામાં આવ્યો હતો. આગની ઘટનાની જાણ થતા કોર્ટના સ્ટાફ દ્વારા ફાયર એક્સટિંગ્યુશરની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવી આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા મિનિટોમાં તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રેસકોર્સ રિંગરોડ પર વિશાળ હોર્ડિંગ ધરાશાયી, વાહન અથડાયાની આશંકાએ તપાસ શરૂ રાજકોટના રાજમાર્ગ ગણાતા રેસકોર્સ રિંગ રોડ ઉપર આજે વહેલી સવારે 4:30 વાગ્યે એક વિશાળ હોર્ડિંગ બોર્ડ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.સદનસીબે, આ દુર્ઘટના વહેલી સવારે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા એસ્ટેટ શાખાના મેનેજર મેહુલ ગાંધીએ સ્થળ મુલાકાત લીધી હતી અને તપાસના આદેશ આપ્યા હતા. તંત્ર દ્વારા જીએસટી ભવન પાસેના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે મેઈલ કરવામાં આવ્યો છે જેથી ચોક્કસ કારણ જાણી શકાય. એસ્ટેટ મેનેજર મેહુલ ગાંધીએ આ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અજ્ઞાત વાહન અથડાવાથી આ હોર્ડિંગ પડ્યું હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા હવે માર્ચ એન્ડિંગ પહેલા શહેરના તમામ હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઘટનામાં અંદાજે રૂ. 50,000 કરતા વધુનું નુકસાન થયું હોવાની શક્યતા છે. જોકે, લોકોમાં તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો, પરંતુ અધિકારીઓએ ખાતરી આપી છે કે સુરક્ષાના તમામ માપદંડો ચકાસવામાં આવશે. હોળીમાં રાજકોટ એસટી વિભાગને એક્સ્ટ્રા 144 ટ્રિપ થકી રૂ.18.06 લાખની આવક.. હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગ દ્વારા 23 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન 144 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી. જેમાં 5853 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના થકી એસટી વિભાગને રૂ.18,06,548 ની આવક થઈ છે. રાજકોટ એસટી વિભાગમાં જસદણ ડેપો દ્વારા સૌથી વધુ 46 ટ્રિપ દોડાવવામાં આવી હતી. જ્યારે રાજકોટ ડેપો દ્વારા 34, ગોંડલમાં 32, વાંકાનેરમાં 12, ધાંગધ્રામાં 10, મોરબીમાં 6 અને ચોટીલા ડેપો દ્વારા 4 એક્સ્ટ્રા ટ્રિપ દોડાવવામાં આવી હતી. ઉમેદવારોના હિતમાં સૌ. યુનિ.નો મોટો નિર્ણય, ગુજરાત યુનિવર્સિટી સાથેની પરીક્ષાની તારીખ ટકરાતા શિડ્યુલ બદલાયું રાજ્યની બે પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા નોન-ટીચિંગ સ્ટાફની ભરતી માટે લેવાનારી પરીક્ષાની તારીખો એક જ દિવસે એટલે કે 15 માર્ચ 2026 ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ અણધાર્યા સંજોગોને કારણે હજારો ઉમેદવારો ભારે ધર્મસંકટમાં મુકાયા હતા. સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી વર્ગ-3 ની વિવિધ જગ્યાઓ માટે બંને યુનિવર્સિટીમાં ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓ માટે એક જ દિવસે રાજકોટ અને અમદાવાદ પહોંચીને પરીક્ષા આપવી અશક્ય હતી. આના કારણે ઉમેદવારોની લાંબા સમયની મહેનત નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી. વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રિક્રૂટમેન્ટ સેલ દ્વારા પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા હવે પરીક્ષા-A ની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 15-03-2026 ના રોજ આયોજિત આ પરીક્ષા હવે 16-03-2026 (સોમવાર) ના રોજ બપોરે 11.00 થી 12.30 કલાક દરમિયાન યોજવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણયથી હજારો ઉમેદવારોને મોટી રાહત મળી છે અને તેઓ હવે બંને પ્રતિષ્ઠિત સંસ્થાની પરીક્ષામાં કોઈ પણ અડચણ વગર ભાગ લઈ શકશે. 11 માર્ચે રાજકોટ મનપાની વર્તમાન બોડીની અંતિમ ખાસ સામાન્ય સભા, 12 દરખાસ્તો પર થશે નિર્ણય રાજકોટ: રાજકોટ મહાપાલિકાની વર્તમાન ચૂંટાયેલી પાંખની મુદ્દત આગામી તા. 11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. આ ટર્મ પૂરી થવાના એક દિવસ અગાઉ, એટલે કે તા. 10ના મંગળવારે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને એક ખાસ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. આ અંતિમ બોર્ડ માટે 12 દરખાસ્તોનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અગાઉ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલી દરખાસ્તોને બહાલી આપવામાં આવશે. આ ખાસ સભામાં જમીન વેચાણ, નવા પગારધોરણ, કોમ્યુનિટી હોલ બુકિંગની નવી નીતિ, વેરામાં વ્યાજમાફી અને વોર્ડ નં. 11ની 11 દુકાનોની હરાજી જેવી મહત્વની બાબતો સામેલ છે. આ ઉપરાંત, રેલનગર વિસ્તારના વિવિધ ચોકોનું નામકરણ કરવાની દરખાસ્તો પણ મંજૂર કરવામાં આવશે. માનવ અધિકાર આયોગની સૂચના મુજબ ઠક્કરબાપા, તોપખાના અને કસ્તુરબા હરીજનવાસ જેવા વિસ્તારોના નામ બદલવા નિર્ણય પણ લેવાશે. નોંધનીય છે કે આ ખાસ સભા હોવાથી તેમાં પ્રશ્નોત્તરીકાળ રાખવામાં આવ્યો નથી. રાજકોટનાં કોઠારીયા રોડ પરના નવનિર્મિત વિનોદભાઇ શેઠ હોલના ભાડાના નવા દર મંજૂર રાજકોટ મહાપાલિકા દ્વારા કોઠારીયા રોડ પર આવેલા વર્ષો જૂના શ્રી વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું સંપૂર્ણ આધુનિકરણ કર્યા બાદ, ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તેના નવા ભાડા અને ડિપોઝીટના દર મંજૂર કરવામાં આવ્યા છે. આ હોલ હવે સેન્ટ્રલી એ.સી. સુવિધા સાથે સજ્જ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ, આ હોલનો વિસ્તાર અભય ભારદ્વાજ હોલ કરતા નાનો હોવાથી તેનું ભાડું પ્રમાણમાં ઓછું રાખવામાં આવ્યું છે. નવા માળખા મુજબ, પ્રથમ માળે આવેલા નોન એ.સી. યુનિટમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગો માટે રૂ. 5000 તથા બેસણા માટે રૂ. 1000 ભાડું નક્કી કરાયું છે. જ્યારે બીજા માળે આવેલા એ.સી. હોલ માટે લગ્ન પ્રસંગે રૂ. 10,000 અને બેસણા માટે રૂ. 2000 ભાડું રહેશે. કોમર્શિયલ હેતુ માટે નોન એ.સી.ના રૂ. 8000 અને એ.સી. હોલના રૂ. 15,000 નિયત કરવામાં આવ્યા છે. આ હોલમાં પ્રથમ વખત ત્રીજા માળે 2 એ.સી. અને 4 નોન એ.સી. રૂમની સુવિધા પણ આપવામાં આવી છે, જે રાખનારને યુનિટ દીઠ 3 રૂમ વિનામૂલ્યે મળશે. આ સુવિધાથી વોર્ડ નં. 14, 16, 17 અને 18ના રહીશોને મોટો લાભ થશે. નવાગામ-આણંદપરમાં કલેકટર તંત્રની લાલ આંખ, 50 દબાણકારોને નોટીસ, 3000 ચોરસ વાર જમીન ખુલ્લી થશે રાજકોટ જિલ્લામાં સરકારી અને ગૌચરની જમીનો પરના અનઅધિકૃત દબાણો હટાવવા માટે કલેકટર તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. નવાગામ આણંદપર ખાતે વર્ષોથી સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા 50 જેટલા દબાણકારોને વહીવટી તંત્ર દ્વારા આખરી નોટીસ ફટકારવામાં આવી છે. અહીં અંદાજે 2500 થી 3000 ચોરસવાર જમીન પર ગેરકાયદેસર મકાનો - વસાહતો ખડકાઈ ગઈ છે, જેને દૂર કરવા માટે હવે ડીમોલીશનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે. મામલતદાર તંત્ર દ્વારા અગાઉ જરૂરી હિયરીંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી, ત્યારબાદ હવે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા માટેનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે. સંભવતઃ આવતીકાલે જ આ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. કલેકટર તંત્રની કડક કાર્યવાહીને પગલે દબાણકારોમાં ફફડાટ ફેંક્યો છે. સરકારી જમીન ખાલસા કરાવીને જાહેર હિતમાં તેનો ઉપયોગ કરવાની દિશામાં આ એક મહત્વનું પગલું માનવામાં આવે છે. રાજકોટ મનપા ચૂંટણીમાં નવા 1 લાખ મતદારો, 300 બૂથનો વધારો થવાની શક્યતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન બોડીની મુદત આગામી તા. 11ના રોજ પૂર્ણ થઈ રહી છે, ત્યારે ચૂંટણીલક્ષી તૈયારીઓ કરવામાં આવી રહી છે. મનપાના વિસ્તારોમાં થયેલા વધારા અને 18 વર્ષની વય પૂર્ણ કરનાર યુવાનોને કારણે આ વખતે શહેરના અંદાજે 12 લાખ મતદારોમાં નવા 1 લાખ મતદારોનો ઉમેરો થવાની સંભાવના છે. આ જનસંખ્યા વધારાને પહોંચી વળવા માટે ગત ચૂંટણીના 850 બૂથની સંખ્યામાં પણ 300 જેટલા નવા બૂથ વધારીને કુલ 1150થી વધુ બૂથ બનાવવાનું આયોજન છે. કલેક્ટર તંત્ર દ્વારા તા. 11ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવે તેવી શક્યતા છે. મનપા દ્વારા હાલ વોર્ડ કક્ષાએ સીમારેખા પર આવતી સોસાયટીઓ અને વિસ્તારોની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. નવા ભળેલા ગ્રામ પંચાયતના વિસ્તારોને કારણે વોર્ડની જનસંખ્યામાં મોટો ફેરફાર નોંધાયો છે. તંત્ર દ્વારા હાલ મતદાન મથકો માટે શાળાઓ અને સરકારી ઇમારતોની યાદી તૈયાર કરી ચૂંટણીનો ફાઇનલ પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. રાજકોટમાં સોમવારે બે સ્થળે સેવાસેતુ કેમ્પ યોજાશે, લોકોને સરકારી યોજનાઓનાં સ્થળ પર લાભ મળશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના 11માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ હેઠળ આગામી તા.9ના રોજ સવારે 9 કલાકે બે સ્થળોએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ (1) વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, કોઠારીયા રોડ અને (2) પ્રાણનાથજી પ્રાથમિક શાળા નં.85, ઉદયનગર, મવડી ખાતે યોજાશે. નગરજનોને ઘરઆંગણે સરકારી યોજનાઓના લાભ મળી રહે તે માટે પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.આ કેમ્પમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે આધાર નોંધણી, મોબાઈલ નંબર સુધારા અને બાળકોના આધાર કાર્ડની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત મિલ્કત વેરા, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી, આવાસ યોજના, રેશન કાર્ડ, ગંગા સ્વરૂપા વિધવા સહાય, પેન્શન અને વીમા યોજના જેવી વિવિધ સરકારી સેવાઓનો લાભ સ્થળ પર જ મેળવી શકાશે. વધુમાં, નવા વીજ જોડાણની અરજી અને બસ કન્સેશન પાસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
રાણપુર ડબલ મર્ડર કેસ:આરોપીને આજીવન કેદની સજા, સચોટ તપાસ બદલ PI જે.વી. ચૌધરીને પ્રશંસાપત્ર એનાયત
બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2021માં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં તટસ્થ અને મજબૂત તપાસ કરનાર તત્કાલીન પી.આઈ. જે.વી. ચૌધરીને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે. રાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર ગુનામાં આરોપીએ બે વ્યક્તિઓની નિર્મમ હત્યા કરી હતી. તે સમયે રાણપુર ખાતે ફરજ બજાવતા પી.આઈ. જે.વી. ચૌધરીએ કેસની તપાસ સંભાળી હતી. તેમણે પુરાવાઓનું બારીકાઈથી એકત્રીકરણ કરી, કાયદાકીય પાસાઓને મજબૂત બનાવતી તટસ્થ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા સચોટ પુરાવા અને ચાર્જશીટના આધારે કોર્ટે આ ડબલ મર્ડર કેસના આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા 1,00,000 (એક લાખ) નો દંડ ફટકાર્યો છે. હાલ જામનગર પોલીસમાં પી.આઈ. તરીકે કાર્યરત જે.વી. ચૌધરીની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા તેમને ખાસ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું. એસ.પી.એ જણાવ્યું કે, પી.આઈ. ચૌધરીની નિષ્ઠા અને સખત પરિશ્રમને કારણે જ ભોગ બનનાર પરિવારને ન્યાય મળ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિધાનસભા વિસ્તારમાં માળખાગત સુવિધાઓને સુદ્રઢ કરવાના ભાગરૂપે વિકાસ કાર્યોને વેગ અપાઈ રહ્યો છે. નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે વેળાવદર અને બાળા ગામ ખાતે કુલ રૂ. 5.50 કરોડના ખર્ચે માર્ગોના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોમાં વેળાવદર-સરલા અને બાળા-કોઠારીયા રોડનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વઢવાણ વિધાનસભા વિસ્તારમાં માળખાગત સુવિધાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ માર્ગોના નવીનીકરણથી પંથકના પરિવહન પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવશે. તેમણે બાળા-અણિન્દ્રા રોડના નવીનીકરણ માટે રૂ. 2.50 કરોડની વહીવટી મંજૂરી મળ્યાની પણ જાહેરાત કરી હતી, જેનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. પાણી પુરવઠાની સુવિધાઓ અંગે વિગતો આપતા મકવાણાએ જણાવ્યું હતું કે, વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે 2 કરોડ લીટરની ક્ષમતાનો વિશાળ પાણીનો સંપ અને 90 એમ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરાયો છે. અંદાજે રૂ. 100 કરોડના ખર્ચે ધોળીજા ડેમથી ફૂલગ્રામ સુધી પાઈપલાઈન દ્વારા પાણી લાવીને 225 જેટલા ગામડાઓને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, વર્તમાન સરકાર ખેડૂતો, ગરીબો અને વંચિતોના ઉત્થાન માટે કાર્યરત છે. આયુષ્માન કાર્ડ હેઠળ હવે રૂ. 10 લાખ સુધીની મફત સારવાર ઉપલબ્ધ છે. ખેડૂતોને ટ્રેક્ટર, તાળપત્રી અને વિવિધ કૃષિ સાધનો પર સબસિડી તેમજ સિંચાઈ માટે નર્મદાના નીરની વ્યવસ્થા કરીને સરકાર કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે. મકવાણાએ વિકાસના કામોમાં જનતાના સાથ-સહકારને પાયાનો ગણાવ્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે ગામના બજાર અને શેરીઓના નાના-મોટા પ્રશ્નોને પણ પ્રાથમિકતા આપીને તબક્કાવાર રીતે ઉકેલવામાં આવશે.
મહેસાણા જિલ્લાના વડનગરની તુલસીપાર્ક સોસાયટીમાં રહેતી એક 21 વર્ષીય પરિણીતાએ સાસરી પક્ષના ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મૃતક પરિણીતાના પિતાએ વડનગર પોલીસ મથકમાં પોતાના જમાઈ અને જેઠ વિરુદ્ધ માનસિક-શારીરિક ત્રાસ અને દહેજની માંગણી કરી મરવા મજબૂર કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. 'તારા બાપે દહેજમાં કંઈ આપ્યું નથી' તેમ કહી માનસિક ત્રાસ આપતાંમૂળ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના રહેવાસી ચંદ્રપાલસિંગ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની દીકરી ખુશીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ રાઘવ બંટી દાઉજી સાથે થયા હતાં. લગ્ન બાદ ખુશી તેના પતિ, જેઠ અજય ઉર્ફે હોન્ડા અને સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. શરૂઆતમાં બધું ઠીક ચાલ્યા બાદ પતિ અને જેઠ દ્વારા અવારનવાર ઘરકામ બાબતે મેણા-ટોણા મારી 'તારા બાપે દહેજમાં કંઈ આપ્યું નથી' તેમ કહી માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પતિ અને જેઠે જાનથી મારી નાખવાની ધમકી આપી વધુમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી પતિ બંટી નવી ગાડી લેવા માટે પિયરથી 5 લાખ રૂપિયા લઈ આવવા દબાણ કરતો હતો. આ દરમિયાન રોજગારી અર્થે આ પરિવાર વડનગરની તુલસીપાર્ક સોસાયટીમાં સ્થાયી થયો હતો. જ્યાં પણ ખુશી પરનો ત્રાસ યથાવત રહ્યો હતો. ગત રક્ષાબંધન અને દિવાળી સમયે જ્યારે ખુશી પિયર ગઈ ત્યારે તેણે પિતાને પોતાની આપવીતી જણાવી હતી કે પતિ અને જેઠ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક ઈજાઓ પહોંચાડે છે. જોકે એક વર્ષના માસૂમ દીકરા વંશનું ભવિષ્ય ન બગડે તે હેતુથી પિતા તેને સમજાવીને સાસરીમાં પરત મોકલતા હતા. પરણિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યોગત 3 જાન્યુઆરી 2026ના રોજ ખુશીએ વડનગર સ્થિત મકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તે સમયે પિતા રાજકોટ મજૂરી કામ અર્થે ગયા હતા. જ્યાં જમાઈએ ફોન કરી દીકરીના મોતની જાણ કરી હતી. અંતિમ વિધિ અને શોકનો માહોલ હોવાથી તે સમયે પોલીસ ફરિયાદ થઈ શકી નહોતી. પતિ અને જેઠ વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલપરંતુ દીકરીને મરવા માટે મજબૂર કરનાર પતિ રાઘવ બંટી દાઉજી અને જેઠ રાઘવ અજય ઉર્ફે હોન્ડા વિરુદ્ધ કડક તપાસ થાય તે માટે પિતાએ અંતે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. વડનગર પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વિશ્વમાં સૌથી વધુ મુસ્લીમ બહુમતિવાળો વિસ્તાર છે મીડલ ઈસ્ટ જેને આપણે પર્શિયન દેશો પણ કહીએ છીએ. હાલ ત્યાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આરબ દેશોનું માનવું છે કે તેમનું દુશ્મન પશ્ચિમ એટલે કે અમેરિકા અને યુરોપ વગેરેની સંસ્કૃતિ છે. પણ શું તમને ખબર છે કે ઈસ્લામિક દેશોનો અસલી દુશ્મન બહાર નહીં પણ અંદર જ છે? મુસ્લીમભાઈઓના લોહીના સૌથી વધુ ડાઘ તેમના દુશ્મન પશ્ચિમના કપડા પર નહીં પણ પોતાના જ ભાઈઓના લૂગડેં લાગેલા છે. ઈરાન-ઈરાક યુદ્ધના 10 લાખ શબ હોય કે સિરિયા, યમન અને સુદાનમાં યુદ્ધની રાખ... આ બહારના આક્રમણો નહીં પણ અંદરની જ સત્તા લાલસા, આતંકવાદ અને સાંપ્રદાયિક ઝેરનું પરિણામ છે. ઈતિહાસ સાક્ષી છે કે મિડલ ઈસ્ટમાં પશ્ચિમી દુશ્મનના હથિયારો કરતા પોતાના જ અવિશ્વાસે કત્લેઆમ મચાવ્યો છે… ત્યારે ઈઝરાયેલ એમાનાં જ એક ઈસ્લામિક દેશ ઈરાન પર હુમલો કર્યો છે. ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ છે અને ઈરાન પાસે તેમના ધાર્મિક રિવોલ્યુશનરી ગાર્ડની આર્મી છે. કોણ કેટલું બળવાન છે? આજે આપણે તેની પણ વાત કરીશું. અને સમજીશું કે હવે ઈરાનની ધુરા કોણ સંભાળી શકે? નમસ્કાર... આપણે 20મી અને 21મી સદીનો ઈતિહાસ જોઈએ તો ખબર પડે છે કે મિડલ ઈસ્ટ અને ઈસ્લામિક રાષ્ટ્રોનો ઈતિહાસ હંમેશા જીઓગ્રાફિકલ અને પોલિટિકલ ઉથલપાથલનો સાક્ષી રહ્યો છે. પશ્ચિમને દોષ, પણ હકીકત જુદી આ જ વાતને વધુ સારી રીતે સમજીએ તો વર્લ્ડ લેવલે અવારનવાર અમેરિકા અને યુરોપ જેવા પશ્ચિમી દેશોને ઈસ્લામિક દેશોમાં તેમના અંદરના ડખામાં ડબકા ડોળનાર તરીકે જોવામાં આવ્યો છે. પણ જાનહાનીના આંકડાઓ જોઈએ તો ચિત્ર કંઈક અલગ જ નજરે પડી રહ્યું છે. પશ્ચિમે આરબ દેશોમાં લાખોના જીવ લીધા પણ તેમના પોતાના જ ઈસ્લામિક ભાઈઓએ કરોડ મુસ્લીમ ભાઈઓના જીવ લઈ લીધા છે. આંતર-મુસ્લિમ યુદ્ધોના ભયાનક ભણકારા ઈરાન-ઈરાક અને બાંગ્લાદેશ-પાકિસ્તાનના આંતર મુસ્લીમ યુદ્ધોમાં અંદાજે 33 લાખથી વધુ મુસ્લીમ ભાઈઓના જીવ ગયા. સુદાન, સીરિયા, યમન અને સોમાલિયા જેવા ઉદાહરણોમાં આંતરિક નાગરિક યુદ્ધોમાં અંદાજે 30 લાખથી વધુના જીવ ગયા. બોકો હરામ, તાલિબાન અને ISIS જેવા આંતવાદના કારણે મીડલ ઈસ્ટમાં અઢી લાખથી વધુના જીવ ગયા અને 2003ના ઈરાક યુદ્ધ અને 2001ના અફઘાનિસ્તાન યુદ્ધમાં પશ્ચિમના કારણે 10 લાખ જેટલા મુસ્લીમ ભાઈઓના જીવ ગયા છે. 1971 બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં લાખો મુસ્લીમોના મૃત્યુ થયા હતા અને લાખો બાંગ્લાદેશી બહેનો પર ગેંગ રેપ થયા હતા. બાંગ્લાદેશ એશિયામાં છે પણ વાત અહીં ધાર્મિક દેશોની છે માટે આ ગંભીર માહિતીની પણ વાત કરવી પડે. સામેની બાજુ અફઘાનિસ્તાન વોરમાં પણ મુજાહિદ્દીન જૂથો વચ્ચે સત્તાની લડાઈમાં 4 લાખથી વધુ મોત થયા છે. પશ્ચિમ કરતા અંદરના યુદ્ધોમાં વધુ મોત આ આંકડા કહે છે કે પશ્ચિમી હસ્તક્ષેપના કારણે જેટલા મોત થયા છે તેના કરતા અનેકગણા વધુ મૃત્યુ ઈસ્લામિક કન્ટ્રીઝના અંદરોઅંદરના ઝઘડાના કારણે થયા છે. 1980-88ના એકલા ઈરાન-ઈરાક યુદ્ધમાં જ SIPRI અને UCDP મુજબ 10-12 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. આતંકવાદના સૌથી વધુ પીડિત મુસ્લિમો જ NCTC અને ગ્લોબલ ટેરેરિઝમ ડેટાના આંકડાઓ કહે છે કે આતંકવાદ અને કટ્ટરવાદના સૌથી વધુ પીડિતો પશ્ચિમ દેશો નહીં પણ મુસ્લીમો જ વધુ બન્યા છે. નેશનલ કાઉન્ટર ટેરિરિઝમ સેન્ટર મુજબ 2004થી 2011 વચ્ચે દુનિયાભરમાં આતંકવાદના 82-90 ટકા પીડિતો મુસ્લીમો જ હોય છે. કટ્ટરપંથીઓનો નિર્દોષ નાગરિકો પર કહેર ISIS, તાલિબાન અને બોકો હરામ આતંકવાદી જૂથોએ સીરિયા, ઈરાક, અફઘાનિસ્તાન અને નાઈજીરિયામાં લાખો મુસ્લીમોની હત્યા કરી છે. 1979થી 2024 વચ્ચે થયેલા આતંકવાદી હુમલાઓમાં 91 ટકા મોત મુસ્લીમ બહુમતીવાળા દેશોમાં જ થયા છે. ગ્લોબલ ટેરેરિઝમ ડેટા બેઝ મુજબ મુજબ તાલિબાને 71,965 અને ISIS એ 69,641 થી વધુ લોકોની હત્યા કરી છે, જેમાંથી મોટાભાગના નિર્દોષ મુસ્લિમ નાગરિકો હતા. આપણે ભારત છીએ અને આપણી સંસ્કૃતિમાં માણસાઈનો ગુણ પહેલા શીખવવામાં આવ્યો છે. એ મુજબ પશ્ચિમ હોય કે ઈસ્લામિક નેશન્સ... માણસોના જીવ જઈ રહ્યા છે, જે ન જ થવું જોઈએ. મિડલ ઈસ્ટની માથાકૂટ શિયા-સુન્ની વિવાદ જાણીને નવાઈ લાગશે પણ મીડલ ઈસ્ટની અસ્થિરતાના મૂળમાં શિયા અને સુન્ની મુસ્લીમ સમુદાયોના મતભેદો અને અંદરોઅંદરની જમીનો માટેની લડાઈ જવાબદાર છે. ખાસ કરીને ઈરાનની 1979ની ઈરાની ઈસ્લામિક ક્રાંતિ પછી ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે જે કોલ્ડવોર ચાલી રહ્યું છે... પૂરી દુનિયા તેની સાક્ષી છે. સીરિયન સિવિલ વોરનું વિનાશક પરિણામ UN અને SOHRના આંકડાઓ મુજબ 2011થી 2024 વચ્ચે થયેલી સીરિયન સિવિલ વોરમાં 5-6 લાખથી વધુ લોકોના મોત થયા છે. આ યુદ્ધ અંદરોઅંદરનું હતું પણ ઈરાન અને ગલ્ફ દેશોએ પોતાના સ્વાર્થ માટે તેને પ્રોક્સી ગ્રાઉન્ડ બનાવી દીધું. યમનમાં પ્રોક્સી યુદ્ધ અને માનવ સંકટ યમનની ધરતી પર 2014થી આજની તારીખે સંઘર્ષો ચાલી રહ્યા છે. કંઈ લેવા દેવા ન હોવા છતાં સાઉદી અને ઈરાનના સત્તા યુદ્ધના કારણે UNDPના ડેટા મુજ યમનમાં પોણા ચાર લાખ લોકોનો જીવ ગયો છે. સાઉદી-ઈરાન સત્તા યુદ્ધના કારણે યમનમાં ભૂખમરો અને બીમારીમાં જેટલા લોકો મર્યા તે હથિયારોની ગોળીથી મરનારથી વધુ છે. સુદાનના વિખવાદે લાખોએ દેશ છોડ્યો યમનની જેમ જ સુદાનમાં પણ 2023થી આજની તારીખ સુધી સિવિલ વૉર જેવો માહોલ છે. SAF અને RSF સંગઠનોની સત્તાની લાલચના કારણે લાખો લોકોએ સુદાનમાંથી બીજા દેશમાં વસી જવું પસંદ કર્યું છે. UCDP અને UN મુજબ સુદાનના ઇતિહાસમાં આંતરિક વિખવાદોએ અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે. આ બંને પણ મુસ્લીમ લડવૈયાઓ જ છે. ઈરાની સેનાની મોસાદ સામે કોઈ વિસાત નહીં પણ ઈઝરાયલ અને પશ્ચિમે પણ આરબ જગતમાં તરખાટ મચાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. આજે ઈરાન સામે ચાલી રહેલા ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધને જ ગણી લો. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC અને ઈઝરાયલની મોસાદ વચ્ચે ખુલ્લેઆમ લડાઈ ચાલુ છે. ધ્યાનથી સમજીએ તો અહીં ટેક્નોલોજીકલ ગેપ મોટો નજરે પડે છે. ઈઝરાયલની હબસોરા અને લેવેન્ડર સિસ્ટમ ઈઝરાયલના જાસૂસી સંગઠન મોસાદે માથું કાપવાની જગ્યાએ AI અને ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. હબસોરા અને લેવેન્ડર જેવી AI સિસ્ટમથી ઈઝરાયલે હજારો ટાર્ગેટ્સ સુધી ઝીણવટથી હુમલો કર્યો છે. મોસાદના AIથી બોમ્બ ધડાકા 2024માં હમાસ નેતા ઈસ્લમાઈલ હનીયેહની હત્યા તહેરાનના અતિ સુરક્ષિત ગેસ્ટ હાઉસમાં થઈ હતી. જાણીને નવાઈ લાગશે કે તેના માટે મોસાદે બે મહિના પહેલા જ ત્યાં AI વાળો બોમ્બ ગોઠવ્યો હતો અને ઈરાનના ન્યુક્લિયર સાઈન્ટિસ્ટ મોહસેન ફખરીઝાદેહને પતાવી દીધો હતો. જેના માટે એક એવી એઆઈવાળી મશીનગન બનાવાઈ હતી કે મોહસેનને ફેસથી ઓળખી લેવાય અને તેને જ ગોળી વાગે. આનાથી સાબિત થાય છે કે ઈરાનની સિક્યોરિટી સિસ્ટમમાં મોસાદની ઘૂસણખોરી કેટલી ઉંડી છે. હિઝબુલ્લાહની વોકીટોકીમાં ભડાકા સપ્ટેમ્બર 2024માં લેબનોનમાં જે હિઝબુલ્લાહના પેજર અને વોકી ટોકી બ્લાસ્ટ થયા હતા તેણે તો ડિજિટલ વોરની તસવીર જ બદલી નાખી. મોસાદે ફીટ કરેલા વોકીટોકી અને પેજરમાં બ્લાસ્ટ થવાના કારણે 3 હજારથી વધુ હિઝબુલ્લાહ કમાન્ડોને જાનહાની થઈ હતી અને ડઝનેક મર્યા હતા. સપ્લાય ચેઈનમાં ઘૂસીને હજારો ડિવાઈસમાં વિસ્ફોટકો ગોઠવાયા જે સાબિત કરે છે કે ઈરાન અને તેના આતંકી સંગઠન હિઝબુલ્લા હવે ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ કરતા પણ ડરે છે. મોસાદે ઈરાનના ન્યુક્લિયર સિક્રેટ ચોર્યા 2018માં 20થી વધુ મોસાદ એજન્ટ્સે તેહરાનના એક વેરહાઉસમાં ઘૂસણખોરી કરી હતી અને ઈરાનના 0.5 ટનના ન્યુક્લિયર દસ્તાવેજો ચોરવા 6 કલાક તિજોરીમાં વિતાવ્યા હતા. મોસાદે ઈરાનનું ઈન્ટરનેટ ઠપ્પ કરી દીધું જ્યારે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આખા ઈરાનની ઈન્ટરનેટ કનેક્ટિવિટી 4 ટકા જેટલી ડાઉન કરી દેવામાં આવી હતી. જેના કારણે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સનું કમાન્ડ એન્ટ કન્ટ્રોલ પૂરી રીતે ડાઉન થઈ ગયું હતું. મોસાદની તાકાત AI અને સાયબર ટેક. 28 ફેબ્રુઆરી 2026એ જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા કર્યા અને ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામૈનીની અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના ટોચ કમાન્ડોઝની હત્યા કરી એ અમેરિકાના જાસૂસી સંગઠન CIA અને ઈઝરાયલના જાસૂસી સંગઠન મોસાદની કોર સ્ટ્રેન્થ છે. ઈઝરાયલે ઈરાનનું આર્થિક ગળું દબાવ્યું ઈરાન પરના પ્રતિબંધો અને સાયબર હુમલાઓએ પ્રોક્સી જૂથોને મળતું ફંડ ઘટાડી દીધું છે. જો કે હમાસ અને હિઝબુલ્લાહ હજુ પણ ક્રિપ્ટો કરન્સી અને સ્મગલિંગથી રૂપિયા ભેગા કરી રહ્યા છે તેવી માહિતીઓ સમાચારોમાં આવી રહી છે. પણ ઈરાનને મળતા રૂપિયા ખૂબ જ ઓછા થયા છે તે આંકડાઓ પરથી ખબર પડે છે. ઈઝરાયલનું મોસાદ ઈરાનને ધૂળ ચટાવશે? ઈરાનની સિસ્ટમમાં રહેલી નબળાઈઓ અંગે ખુદ ઈરાનના પૂર્વ કમાન્ડર હુસૈન અલાઈએ પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે ઈરાનની ઈન્ટેલિજન્સ એજન્સીઓ મોસાદ સામે લડવા માટે પૂરતી નથી. હવે ઈરાનનો ધણી કોણ? તો ખામૈનીના ખાત્મા બાદ 1 માર્ચે પર્મેનેન્ટ લીડર સિલેક્ટ ન થાય ત્યાં સુધીમાં એસેમ્બ્લી ઓફ એક્સપર્ટ્સ બનાવવામાં આવી છે.હાલ ઈરાનના રાષ્ટ્રપતિ પદે મસૂદ પેઝેશ્કિયન, ચીફ જસ્ટિસ્ટ પદે ગુલામ-હુસેન મોહસેની-એજે'ઈ ફરજ બજાવી રહ્યા છે. સવાલ ઉઠે કે ધણી વગરના ઈરાનની ધુરા હવે કોણ સંભાળશે? ઈરાની સત્તા માટે ખેંચતાણ ખામૈની બાદ નવી સત્તા સામેના પડકારો આ બધા વચ્ચેના ડખા વચ્ચે ઈઝરાયલ તેનો ભરમાર ફાયદો ઉઠાવી રહ્યું છે. આ નેતાઓ પર પરમાણુ કાર્યક્રમ ચલાવી રાખવાનો, પ્રોક્સી વોરને ગાયડન્સ આપવાનું અને ઈકોનોમીને સ્ટેબલ કરવાની જવાબદારી છે. બીજું કે અલી ખામૈનીના નિધન અને IRGCના મેઈન કમાન્ડરોની હત્યા બાદ, હિઝબુલ્લાહ અને હમાસના નેતાઓ વેઈટિંગ મોડમાં છે. તેઓ નક્કી કરી શકતા નથી કે ઈરાનમાં નવી સત્તા કોણ સંભાળશે અને તેમને કેવી સૂચનાઓ મળશે. ઈસ્લામિક દેશોનો ડખો ઈઝરાયલને ફળ્યો હવે ત્રીજા સૌથી મહત્વના મુદ્દાની વાત કરીએ. ઈઝરાયલને કયા આરબ દેશો છૂપી રીતે મદદ કરી રહ્યા છે. જવાબ છે, સાઉદી અરેબિયા, યુનાઈટેડ અરબ અમિરાત, બહેરીન અને જોર્ડન જેવા દેશે. પણ આ બધા ઈરાનનો અસલી ખરતો નથી. સૌથી મોટો ખતરો તો તેમની વિસ્તારવાદી નીતિ છે. આરબ દેશોની ઈઝરાયલને છૂપી મદદ? મુસ્લિમ દેશો યહુદી ઈઝરાયલને બચાવ્યું હમણા જ થોડા દિવસો પહેલા ઈરાને ઈઝરાયલ પર ડ્રોન્સ અને મિસાઈલ્સનો મારો ચલાવ્યો હતો. ત્યારે જોર્ડને 49 ઈરાની ડ્રોન અને 13 મિસાઈલ્સ તોડી પાડી હતી જે ઈઝરાયલ બાજુ જઈ રહી હતી. એક મુસ્લીમ દેશ બીજા મુસ્લીમ દેશથી યહૂદી દેશને બચાવે આ કોઈ અલગ જ જીઓકલ્ચરલ ઘટના છે. ઈરાન સામે લડવા સાઉદી-UAEની મદદ સાઉદી અને UAE હવે ઈઝરાયલ સાથે ખાલી ડિપ્લોમેટિક જ નહીં પણ ઈન્ટેલિજન્સ શેરિંગ કરીને પણ ઈઝરાયલની મદદ કરી રહ્યા છે. ક્રિસ્ટલ બોલ નામનું એક પ્લેટફોર્મ છે જેના માધ્યમે રિયલટાઈમ ડેટા ઈઝરાયલને શેર કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી છે. આરબમાં આર્થિક અને સામાજિક ક્રાંતિ આરબમાં હવે આતંકવાદથી આગળ વધીને એક મૌન ક્રાંતિ આવી રહી છે. સાઉદી અરેબિયાનું વિઝન 2030. બીજી બાજું UAE પહેલા ધાર્મિક એકતાના સૂત્રો પર આગળ વધતું હતું પણ હવે તેમના સૂત્રોમાં ઈકોનોમી, ટેક્નોલોજી, ડેવલોપમેન્ટ નામના શબ્દો સંભળાય છે. આરબ નેતાઓ સમજી ગયા છે કે ઈરાનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓ સામે રક્ષણ મેળવવા ઈઝરાયલી આયર્ન ડોમ અને એરો સિસ્ટમ ખૂબ જરૂરી છે. જેના માટે વિજ્ઞાનમાં ધ્યાન દેવું પડશે. અરબ બેરોમીટરના સર્વે મુજબ 84 ટકા આરબ જનતા માને છે કે તેમના દેશોમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો પ્રોબ્લમ છે. 60 ટકા લોકો આર્થિક પ્રશ્નોને બહારના ખતરા કરતા વધુ મહત્વ આપે છે. માટે જ આરબ દેશો હવે પશ્ચિમની ઉદારવાદી વિચારધારા બાજુ વળી રહ્યા છે. અને છેલ્લે... અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને ધમકી આપી છે કે ઈરાન મારા વગર સુપ્રીમ લીડર પસંદ ન કરે. તેમણે ચેતવણી આપી હતી કે જો નવા નેતા જૂના નેતૃત્વની નીતિઓ ચાલુ રાખશે, તો આગામી વર્ષોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બીજો સંઘર્ષ થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા એવો નેતા ઇચ્છે છે જે ઈરાનમાં શાંતિ અને સ્થિરતા લાવી શકે. તો શું દુનિયાને ફરી નવા યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. 2082 ફાગણવદ આઠમ તા. 11-03-2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગરુપે નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05-03-2026 થી તા.11-03-2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે આયોજિત ભવ્ય કાર્યક્રમ “અવસર”ના બીજા દિવસે વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરનારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પદ્મશ્રી ભીખુદાન ગઠવી, શાહબુદ્દીન રાઠોડ, પરેશભાઇ રાઠવા, નીલેશ માંડલેવાલા, રતન પરિમો, ડો. વિષ્ણુ કુમાર પંડ્યા, રઘુવીર ચૌધરી, ચંદ્રકાંત શેઠ, ભાનુભાઇ ચિતારા અને રતિલાલ બોરિસાગર સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. બીજા દિવસના કાર્યક્રમમાં ભગવાન ભોળાનાથ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના પૂજ્ય પૂજારી તિર્થરાજ ત્રિપાઠીજીએ મોટા મહારાજનું સન્માન કર્યું હતું. ખેડા મતવિસ્તારના છેલ્લાં ત્રણ ટર્મથી સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્વાગત મોટા મહારાજએ કર્યું હતું. તેમની સાથે વીએચપીના જયદીપ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
સોશિયલ મીડિયાથી મિત્રતા કેળવી બાદમાં પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવામાં આવતી હોવાની અનેક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ ચુકી છે. આવી વધુ જ એક ઘટના રાજકોટ શહેરમાં સામે આવી છે જેમાં 8 મહિના પહેલા ફેસબુક પર મિત્રતા કેળવી શખસે પોલીસ તરીકે ઓળખ આપી બાદમાં અવારનવાર યુવતીના ઘરે શરીર સબંધ બાંધી લગ્નની લાલચ આપી હતી. જોકે, યુવતીએ લગ્ન કરવાનું કહેતા શખસે સબંધ તોડી દઈ સંપર્ક તોડી દેતા આખરે યુવતીએ પ્રધ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમિતસિંગે ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા યુવતીએ એક્સેપટ કરીરાજકોટ શહેરમાં રહી નોકરી કરતી ભોગ બનનાર પરપ્રાંતિય 34 વર્ષની યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે બીજા રાજ્યની વતની છે અને હાલ રાજકોટમાં રહી નોકરી કરે છે. પોતે સોશિયલ મીડિયા ફેસબૂકનો ઉપયોગ કરે છે અને 8 મહિના પહેલા ફેસબૂક સર્ચ કરી રહી હતી, ત્યારે એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જે અમિતસિંગ પ્રભાતસિંગ ચૌહાણના નામની હતી. યુવતીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપટ કરી હતી. આરોપીએ પોલીસકર્મી અને અપરિણીત હોવાનું યુવતીને કહ્યું હતુંઅમિતસિંગે પોતે પોલીસ કર્મચારી છે તેવી ઓળખ આપી હતી. આ પછી બંને વચ્ચે મેસેજથી વાતચીત શરૂ થઇ હતી. અમિતસિંગે પોતે અપરિણીત છે અને તેણીને ખુબ પસંદ કરે છે, પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે તેવી વાતો કરી ભોગ બનનાર યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પછી અમિતસિંગે લગ્નનું વચન આપી યુવતિના ઘરે આવ જા ચાલુ કરી હતી અને તેણી સાથે શરીર સંબંધ બંધવનું ચાલુ કર્યું હતું. યુવતીએ શરૂઆતમાં ઇન્કાર કરતાં આપણે લગ્ન કરી જ લેવાના છે એવી વાત કરી હતી આથી તેના પર તેણીએ વિશ્વાસ કર્યો હતો. યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવકે સંપર્ક તોડી નાખ્યો હતોઆમ મે મહિનાથી શરૂ કરી ફેબ્રુઆરી સુધી અવાર નવાર શરીર સંબંધ બાંધી લીધા હતાં. પરંતુ હવે યુવતીએ લગ્ન કરી લેવાનું કહેતાં તેણે ના પાડી દીધી હતી. જેથી આ યુવકનો સંપર્ક કરતા કોઈ સંપર્ક ન થતા યુવતીએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર યુવતીને આ શખસે પોતે રાજકોટનો વતની છે હોવાનું અને રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતો હોવાનું કહેતા ખરેખર આ શખસ પોલીસ છે કે કેમ અને રાજકોટનો રહેવાસી છે કે કેમ સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ આવતી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાચા ગામે કાર્યરત શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજમાં શિક્ષણ જગતને લાંછન લગાડતું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ કોલેજે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ના નકલી દસ્તાવેજો અને ખોટા સહી-સિક્કા ઊભા કરીને વર્ષો સુધી વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સાથે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું. આ ગંભીર મામલો સામે આવતા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ન્યાયની માંગ સાથે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીઓએ કુલપતિને આવેદનપત્ર પાઠવીને પોતાની ડિગ્રી અને ભવિષ્ય બચાવવા માટે આક્રમક રજૂઆતો કરી હતી. આ સમગ્ર કૌભાંડની વિગતો મુજબ, શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજના સંચાલકો અને તત્કાલીન પ્રિન્સિપાલે સાથે મળીને વર્ષ 2023માં એક સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું. NCTE, દિલ્હી દ્વારા આ કોલેજને બી.એડ.નો અભ્યાસક્રમ ચલાવવા માટે કોઈ જ કાયદેસરની મંજૂરી આપવામાં આવી નહોતી. તેમ છતાં, આરોપીઓએ NCTEના રીજીયોનલ ડાયરેક્ટર ડૉ. મિતુ ભારતીની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરી એક બનાવટી માન્યતા પત્ર તૈયાર કર્યો હતો. આ બોગસ પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કોલેજને 100 વિદ્યાર્થીઓની પ્રવેશ ક્ષમતા સાથે મંજૂરી મળી છે. આ નકલી દસ્તાવેજોને સાચા તરીકે ખપાવીને યુનિવર્સિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે યુનિવર્સિટીની સેન્ટ્રલ એડમિશન કમિટીએ નિર્દોષ વિદ્યાર્થીઓને આ કોલેજમાં પ્રવેશ ફાળવી દીધો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થી જયેશ ગોહિલે આ અંગે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેણે વર્ષ 2024-2025માં શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી હતી, પરંતુ હવે જાણવા મળ્યું છે કે આ કોલેજનું પ્રમાણપત્ર જ અમાન્ય છે. જો NCTEની માન્યતા જ ન હોય તો આ ડિગ્રી સરકારી નોકરી કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં કામ લાગશે નહીં. આશરે 300 જેટલા વિદ્યાર્થીઓએ આ બોગસ માન્યતા હેઠળ અહીં અભ્યાસ કર્યો છે, જે તમામનું ભવિષ્ય અત્યારે અંધકારમય જણાઈ રહ્યું છે. અન્ય એક વિદ્યાર્થીની રાધિકા સીમડીયાએ પણ આક્ષેપ કર્યો હતો કે કોલેજે રજૂ કરેલા દસ્તાવેજો તદ્દન બોગસ છે અને યુનિવર્સિટી દ્વારા અમને એડમિશન અપાયું હોવાથી આમાં વિદ્યાર્થીઓનો કોઈ જ વાંક નથી. આથી યુનિવર્સિટીએ વહેલી તકે આ મામલે યોગ્ય નિરાકરણ લાવીને અમારી ડિગ્રીને માન્યતા અપાવવી જોઈએ. આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે માહિતી અધિકાર (RTI) હેઠળ આ કોલેજની માન્યતાની વિગતો માંગવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે જે પત્રના આધારે શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજ ધમધમતી હતી, તેવો કોઈ પત્ર NCTE દ્વારા ક્યારેય ઇશ્યૂ જ થયો ન હતો. એટલું જ નહીં, જ્યારે યુનિવર્સિટીએ આ બાબતે વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરી ત્યારે આરોપીઓએ અન્ય અજાણ્યા શખ્સોની મદદ લઈને NCTEના નામે વેરિફિકેશનનો પણ ખોટો વળતો જવાબ મોકલીને સત્તાધીશોને ગેરમાર્ગે દોર્યા હતા. આ રીતે સતત બે વર્ષ સુધી છેતરપિંડી આચરીને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષો સાથે ગંભીર ચેડાં કરવામાં આવ્યા હતા. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે આ બાબતે કડક વલણ અખત્યાર કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જૂન 2025માં તેમની નિયુક્તિ બાદ જ્યારે આ ગેરરીતિઓ ધ્યાન પર આવી, ત્યારે તેમણે તુરંત તપાસના આદેશ આપ્યા હતા. શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજ સહિતની ત્રણ કોલેજો પાસે કાયદેસરની માન્યતા ન હોવાનું સાબિત થતા આ વર્ષથી તેમની એડમિશન પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશચંદ્ર પરમાર દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં કોલેજના સંચાલકો અને પ્રિન્સિપાલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિધિવત ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ હવે આ કૌભાંડમાં સામેલ અન્ય વચેટિયાઓ અને મદદગારોની શોધખોળ કરી રહી છે. વિદ્યાર્થીઓના હિત અંગે વાત કરતા કુલપતિએ જણાવ્યું હતું કે વર્ષ 2023-24 અને 2024-25ના જે વિદ્યાર્થીઓ હાલ શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજના ચોથા સેમેસ્ટરમાં છે, તેમને અન્ય માન્યતા પ્રાપ્ત કોલેજોમાં ખાલી જગ્યાઓ પર ટ્રાન્સફર કરી દેવામાં આવશે જેથી તેમનો અભ્યાસ અધૂરો ન રહે. જોકે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈ ચૂક્યા છે તેમની ડિગ્રીના પ્રશ્ન માટે યુનિવર્સિટી અત્યારે સરકાર અને NCTE સાથે સતત સંપર્કમાં છે. યુનિવર્સિટી દ્વારા જૂના વિદ્યાર્થીઓનો સંપૂર્ણ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે, જેથી NCTEના ચેરમેન સાથે વિચાર-વિમર્શ કરીને મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય અપાવી શકાય. હાલમાં તો આ મસમોટા કૌભાંડને કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસ દસ્તાવેજી પુરાવાઓના આધારે કાયદાકીય ગાળિયો કસી રહી છે.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જી.આઈ.ડી.સી.થી સરસ્વતી સર્કલ તરફ જતા રેલવે ઓવરબ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે જઈ રહેલી રિક્ષા પલટી જતાં તેમાં સવાર એક યુવકનું ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. બહેનના ઘરે બે પિતરાઈ ભાઈ આવ્યા હતામળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ કતારગામની ગીતાનગરમાં રહેતા અને વ્યવસાયે રિક્ષા ચાલક શાંતિલાલ તેરસુ બિંદ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આ ઘટના ધુળેટીના દિવસે બની હતી. બપોરના સમયે લસકાણા ડાયમંડ નગર ખાતે રહેતા શાંતિલાલના સાળા શંભુકુમાર રાધેશ્યામ બિંદ અને વિશાલકુમાર મનોજકુમાર બિંદ તેમના ઘરે જમવા આવ્યા હતા. સાંજના આશરે છ વાગ્યાની આસપાસ તેઓ શાંતિલાલની રિક્ષા (GJ-05-CZ-4061) લઈને નીકળ્યા હતા. રિક્ષા વિશાલકુમાર ચલાવી રહ્યો હતો, જ્યારે શાંતિલાલ અને શંભુકુમાર પાછળની સીટ પર બેઠા હતા. ગફલતભરી રીતે હંકારતા રિક્ષા પરનું નિયંત્રણ ગુમાવ્યુંકતારગામ જી.આઈ.ડી.સી.થી સરસ્વતી સર્કલ તરફ જતા રેલવે ઓવરબ્રિજ ઉતરતી વખતે રિક્ષા ચાલક વિશાલકુમારે રિક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા રિક્ષા પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં શંભુકુમાર રાધેશ્યામ બિંદને માથાના અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. રિક્ષા ચલાવનાર પિતરાઈ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈફરિયાદ કરનાર શાંતિલાલને બંને હાથની કોણી અને પગના ઘૂંટણના ભાગે સામાન્ય ઈજાઓ થઈ છે. આ મામલે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક વિશાલકુમાર મનોજકુમાર બિંદ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 6 માર્ચ, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર લાડલી ગિફ્ટ યોજના અંતર્ગત દસ શ્રેષ્ઠ દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી. દરેક દીકરીને રૂ. 25,000ની પ્રોત્સાહક ફિક્સ ડિપોઝિટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આવો, દીકરી જન્મના વધામણા કરીએ સંદેશ સાથે મહિલા સશક્તિકરણ અને દીકરીઓના સન્માનના મહત્વ અંગે માર્ગદર્શન અપાયું હતું. કલેક્ટરના હસ્તે યાના પટેલ, રાધિકા પટેલ, નિક્ષા બારોટ, પિન્ટુબેન અને સંજના ઐઠોરાને તેમની સિદ્ધિઓ બદલ તેજસ્વી સન્માન એનાયત કરાયું હતું. આ ઉપક્રમ મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાણોદર પ્રેરિત હતો. પાલનપુર ખાતે દર વર્ષે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ યોજના હેઠળ પાંચ કે તેથી વધુ દીકરીઓને રૂ. 25,000ની ફિક્સ ડિપોઝિટ આપવામાં આવે છે. વર્ષ 2012થી શરૂ કરાયેલી આ યોજનાને મુંબઈ સ્થિત ડૉ. વિકમભાઈ એમ. મહેતા મિત્રવર્તુળ-પરિવાર તરફથી છેલ્લા 15 વર્ષથી સતત સહયોગ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 86 જરૂરિયાતમંદ દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. પાલનપુર લાડલી ગિફ્ટ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની એકથી પાંચ વર્ષની એવી દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેઓ ત્યજી દેવાયેલી હોય, દત્તક લેવાયેલી હોય, અથવા જેના માતા-પિતા ગંભીર બીમારીથી પીડાતા હોય, અશક્ત કે દિવ્યાંગ હોય, અથવા જેમનું આકસ્મિક અવસાન થયું હોય. મુંબઈ સ્થિત પાલનપુરના જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાણોદર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે. દીકરીઓના નામે મુકવામાં આવતી રૂ. 25,000ની ફિક્સ ડિપોઝિટ રકમ 18 વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાં સુધી સુરક્ષિત રાખવામાં આવે છે. આ રકમનો ઉપયોગ માત્ર ઉચ્ચ શિક્ષણ, લગ્ન પ્રસંગ અથવા આરોગ્ય સંબંધિત જરૂરિયાતો માટે જ કરવાની શરત સાથે યોજનાનો લાભ અપાય છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોના કલ્યાણ માટે વિવિધ વિકાસકાર્યો અમલમાં મૂકે છે, ત્યારે સરકાર સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવી સંસ્થાઓને પ્રોત્સાહન અને સહયોગ આપવામાં આવે છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ષોથી મહિલા કલા-નિધિ ટ્રસ્ટ દ્વારા અહીં કાર્યક્રમો યોજાતા રહ્યા છે, જે સંસ્થાની વિશ્વસનીયતા અને સમાજમાં કરેલી સાર્થક કામગીરીનું પ્રતિબિંબ છે. સંસ્થા બાળાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે અને દીકરીઓના નામે મુકાયેલી ડિપોઝિટ પર મળતા વ્યાજથી રકમ વધતી જાય છે, જેના કારણે અનેક દીકરીઓને ભણતર અને જીવનમાં આગળ વધવાની તક મળી છે. આજે એવી જ એક બહેન મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરીને નર્સિંગ ક્ષેત્રે સેવા આપી રહી છે, જે સંસ્થાના પ્રયત્નોની સફળતા દર્શાવે છે. કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે સંસ્થાનું લક્ષ્ય 101 બાળાઓ માટે ડિપોઝિટ કરવાની યોજના પૂર્ણ કરવાનો છે, જેમાં પાંચ બાળાઓ માટે દાતાઓની જરૂર છે અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ કાર્ય પૂર્ણ કરવા પૂરતો સહયોગ આપવામાં આવશે. આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમણે બનાસકાંઠા જિલ્લાના તમામ મહિલાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને બનાસકાંઠાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાર્યરત બહેનોને શુભેચ્છાઓ આપી. તેમણે જણાવ્યું કે મહિલા દિવસના આ અવસરે પુણેમાંથી પધારેલા એક પ્રોફેસરશ્રીએ માત્ર 3.5 મહિનાની દીકરીને દત્તક લઈને તેના ભવિષ્યને નવી દિશા આપવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. અંતમાં તેમણે તમામ બહેનોને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં મોખરે રહેતું સુરત અત્યારે એક મોટા નાણાકીય અને વહીવટી કૌભાંડના આક્ષેપોથી ઘેરાયું છે. સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ખજોદ ડમ્પિંગ સાઇટ પર કચરાના નિકાલ માટે નિષ્ફળ ગયેલા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાના બદલે વધુ 10 મહિનાનો સમય વધારો આપવાની દરખાસ્ત લાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સામાજિક કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરીયાએ આ મામલે ગંભીર સવાલો ઉઠાવતા તેને '213 કરોડનું કચરા કૌભાંડ' ગણાવ્યું છે. તંત્ર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાને બદલે છાવરી રહ્યું હોવાના આક્ષેપસુરત શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર જમા થયેલા વર્ષો જૂના કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે અંદાજે 213 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કરાર મુજબ ઇજારદારે 3 વર્ષના સમયગાળામાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો સાયન્ટિફિક રીતે નિકાલ કરવાનો હતો. જોકે, આક્ષેપ છે કે નિર્ધારિત સમય પૂરો થવા આવ્યો હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ કરવામાં આવ્યો છે એટલે કે હજુ પણ 50%થી વધુ કચરો સાઇટ પર જમા છે છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાને બદલે તેમને છાવરવામાં આવી રહ્યા છે. એવોર્ડ મેળવવા માટે પાલિકા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ખોટા આંકડા રજૂ કરવામાં આવે છે?વિજય પાનશેરીયાએ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “જો ખજોદ સાઇટ પર 50% કચરો હજુ પણ નિકાલ થયા વગરનો પડ્યો હોય તો સુરતને છેલ્લા ત્રણ વર્ષથી સતત સ્વચ્છતા એવોર્ડ કેવી રીતે મળી રહ્યા છે? આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, એવોર્ડ મેળવવા માટે પાલિકા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ખોટા આંકડા રજૂ કરવામાં આવે છે. આ શહેરના નાગરિકો સાથે છેતરપિંડી છે.” નિયમ મુજબ એજન્સી કામમાં નિષ્ફળ જાય તો બ્લેકલિસ્ટ કરવી જોઈએસૌથી વધુ વિવાદ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી રહેલા 10 મહિનાના એક્સટેન્શનને લઈને છે. નિયમ મુજબ જો કોઈ એજન્સી કામમાં નિષ્ફળ જાય તો તેને બ્લેકલિસ્ટ કરી તેની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને નવી એજન્સીને કામ સોંપવું જોઈએ પરંતુ, સ્ટેન્ડિંગ કમિટીમાં જૂની એજન્સીને જ ચાલુ રાખવાની દરખાસ્ત આવતા એવી શંકા સેવાઈ રહી છે કે, ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધારી પક્ષના નેતાઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે. કાગળ પર કચરો 'પ્રોસેસ' થઈ ગયો હોવાનું બતાવી શકાયતાજેતરમાં જ ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જે 21 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહી હતી. આ આગને લઈને પણ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિજય પાનસેરિયાના આક્ષેપ છે કે, કચરાનો નિકાલ કર્યા વગર જ પૈસા ઓળવી લેવાયા છે અને હવે જથ્થામાં થયેલી ગેરરીતિ છુપાવવા માટે જાણીજોઈને આગ લગાવવામાં આવી છે, જેથી કાગળ પર કચરો 'પ્રોસેસ' થઈ ગયો હોવાનું બતાવી શકાય. ઈજારદાર દ્વારા ફક્ત 50% જ કચરાનો નિકાલ કરવામાં આવ્યો પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરીયાએ જણાવ્યું હતું કે, આજ રોજ સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી છે. ખજોદ ખાતે જે કચરાનો નિકાલ કરવાનો છે એ માટેની જે 10 મહિના માટે કોન્ટ્રાક્ટ વધારવાની દરખાસ્ત છે. હવે જે કોન્ટ્રાક્ટર છે એમને સુરત શહેરનું આખા ભારતમાં જો નામ ખરાબ કર્યું હોય તો એ આ કોન્ટ્રાક્ટરે કર્યું છે એને જ્યારે કોન્ટ્રાક્ટ 2022માં આપવામાં આવ્યો ત્યારથી લઈને ત્રણ વર્ષમાં એને 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો પરંતુ, તમે આજની દરખાસ્તમાં જોશો તો સુરત મહાનગરપાલિકા સ્વીકારે છે કે આ ઈજારદાર દ્વારા ફક્ત 50% જ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે, બાકીનો કચરો એઝ ઈટ ઈઝ ત્યાં જ ડમ્પિંગ સાઈટ પર છે. સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં એવોર્ડ કઈ રીતે મળ્યો?તો છેલ્લા આ મુખ્ય પ્રશ્નના આધારે એ સવાલ પેદા થાય છે કે, તો છેલ્લા ત્રણ વર્ષથી સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં એવોર્ડ કઈ રીતે મળ્યો? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો 100 એ 100 ટકા સાયન્ટિફિક વે નિકાલ કરવો ફરજિયાત છે. તો આપ જોશો કે 50% જ કચરાનો નિકાલ કર્યો હોય તો આ બાકીનો કચરો એઝ ઈટ ઈઝ છે, તો આ ખોટા માહિતી ખોટા આંકડા કોણે મોકલ્યા? કોની જવાબદારી છે? કોન્ટ્રાક્ટરની કે અધિકારીની? આ રીતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકારને ખોટા આંકડા મોકલનાર કોણ? આ તમામ પ્રશ્નો ઉદભવે છે. જેને લીધે એ માંગ કરી હતી કે, આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે, તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથે-સાથે આમાં જે પણ અધિકારીઓ જવાબદાર છે એમની સામે પગલાં લેવામાં આવે. અત્યારે એવું દેખાય છે કે ભાજપ શાસકો અને અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરને બચાવતા હોય એવું લાગે છે. પાંચમા પ્રયાસે પણ કોઈ ટેન્ડરર રસ બતાવતા નથીસ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, હાલ ખજોદમાં જે ડિસ્પોઝલ સાઈટની કામગીરી ચાલી રહેલી છે, તેમાં પાંચમા પ્રયાસે પણ કોઈ ટેન્ડરર રસ બતાવતા નથી. જેને કારણે હાલના ટેન્ડરરને જ્યાં સુધી નવું ટેન્ડર નહીં મળે ત્યાં સુધી એક્સ્ટેન્શન કરવાનું મંજૂર કરીએ છીએ. વધુમાં, જો બે મહિના સુધીમાં આ કોન્ટ્રાક્ટરની કામગીરી યોગ્ય નહીં લાગે, તો ટેક્નો-લીગલ અભિપ્રાય લઈને કોન્ટ્રાક્ટર પર ફોજદારી સુધીની કાર્યવાહી કરવાની સૂચના અપાઈ ગઈ છે. એક્સ્ટેન્શન હમણાં 11 મહિના માટે છે પણ બે મહિનામાં તેમણે કામગીરી બતાવવાની રહેશે. જો બે મહિનામાં તેમની કામગીરી યોગ્ય નહીં જણાય, તો કાયદેસરની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ દ્વારા તબક્કાવાર જેમ તેમણે કામગીરી કરી છે તે રીતના પેમેન્ટની દરખાસ્ત કરી છે, પણ તેમને જે પણ પેનલ્ટી કરી છે તેનું પહેલા ચુકવણું કોર્પોરેશનને કર્યા બાદ જ બાકીની કામગીરી તબક્કાવાર ચુકવવામાં આવશે.
ભાવનગર નજીક ઉખરલા-નાનાખોખરા રોડ પર આવેલા ડુંગર વિસ્તારમાં ધગતી ભઠ્ઠીમાં વરતેજ પોલીસે દરોડા પાડી દેશી દારૂ બનાવવાનો આથો, દેશી દારૂ સહિત કુલ રૂ.1.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે દરોડો પાડતા પહેલા જ બે શખસો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, જ્યારે પોલીસે આ અંગે બન્ને શખશો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. 2800 લીટર આથો અને 240 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યોઆ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વરતેજ પોલીસ સ્ટાફ પ્રોહિબિશન અનુસંધાને પેટ્રોલિંગમાં હતો, ત્યારે મળેલી બાતમીના આધારે ભાવનગર નજીક ઉખરલાથી નાનાખોખરા રોડ ઉપર આવેલા અવેડાની પાછળના ડુંગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પર તપાસ દરમિયાન પોલીસને દેશી દારૂ બનાવવાનો 2800 લીટર ગરમ તથા ઠંડો આથો કિ.રૂ.70,000, 240 લીટર દેશી દારૂ કિ.રૂ.48,000, 12 પ્લાસ્ટિકના ટીપણા કિ.રૂ.1,200 અને ‘Punjab Fresh Bakers Yeast’ લખેલા 500 ગ્રામના 20 પેકેટ કિ.રૂ.1,480 સહિત કુલ કિ.રૂ.1,20,680 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બંને શખસો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યોઆ મુદ્દામાલ નાનાખોખરા ગામના રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા નાનભા ગોહિલ અને સિદ્ધરાજસિંહ મેઘુભા ગોહિલની કબજાવાળી ડુંગરાળ જગ્યામાંથી મળ્યો હતો, જોકે બંને શખસો પોલીસ પહોંચતા પહેલા નાસી છૂટ્યા હતા. વરતેજ પોલીસે બંને શખસો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલા 'ઘર હોતો ઐસા' નજીકના ખુલ્લા પ્લોટમાં બાવળની કાંટમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ બનાવમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ખુલ્લા પ્લોટમાં રહેલા કચરામાં ધીમે ધીમે આગ પ્રસરવા લાગી હતી, જેણે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. આગની જાણ થતાં ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે મિની ફાયર ટેન્ડર અને ફાયર ફાઈટરની મદદથી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સિવિલ સર્વિસીસ પરીક્ષા-2025નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સુરતની સબ રજિસ્ટ્રાર કચેરી-ઉધનામાં સબ રજિસ્ટ્રાર (ગ્રેડ-1) તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય મિહિર પટેલે સમગ્ર દેશમાં 709મો રેન્ક (AIR 709) મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. મિહિરની આ સિદ્ધિથી માત્ર સુરત જ નહીં, પરંતુ તેમના વતન નવસારી જિલ્લામાં પણ આનંદની લહેર દોડી ગઈ છે. સરકારી નોકરીની જવાબદારીઓ સંભાળવાની સાથે દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષા પાસ કરીને મિહિરે અન્ય યુવાનો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. સતત 5 વર્ષનો સંઘર્ષ, હાર ન માની અને મેળવી સફળતામૂળ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના વતની મિહિર રાજેન્દ્રભાઈ પટેલની આ સફર આસાન નહોતી. 2020માં IT એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ તેમણે સિવિલ સર્વિસીસમાં જવાનું નક્કી કર્યું હતું. છેલ્લા છ વર્ષથી તેઓ આ પરીક્ષા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક વખત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો અને ત્રણ વખત પ્રિલિમ્સ પાસ કરી હતી, પરંતુ અંતિમ સફળતા હાથ લાગતી નહોતી. જોકે, મિહિરે હિંમત હાર્યા વગર તૈયારી ચાલુ રાખી અને આખરે પાંચમા પ્રયાસે પોતાનું નામ વિજેતાઓની યાદીમાં અંકિત કરાવ્યું છે. સ્વર્ગસ્થ પિતાનું સ્વપ્ન અને માતાનું માર્ગદર્શનમિહિરના આ વિજય પાછળ તેમના પરિવારનો મોટો ફાળો રહ્યો છે. તેમના માતા સરકારી શાળામાં શિક્ષિકા છે, જ્યારે તેમના પિતા સ્વ. રાજેન્દ્રભાઈ પટેલનું સપનું હતું કે તેમનો પુત્ર મોટો સરકારી અધિકારી બને. મિહિરે જણાવ્યું કે, મારા પિતાના આગ્રહથી હું નાનપણથી જ ન્યૂઝ પેપર વાંચતો હતો. છાપામાં આવતા કલેક્ટર અને કમિશનરના લેખો વાંચીને મને પ્રેરણા મળતી હતી. પિતાના નિધન બાદ પણ મિહિરે તેમના સંકલ્પને વળગી રહીને આ કઠિન લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. હાલ તેમના પરિવારમાં માતા અને મોટી બહેન છે, જેઓ મિહિરની આ સફળતાથી અત્યંત ગર્વ અનુભવી રહ્યા છે. SPIPA માંથી ઘડાયું કરિયર અને શિસ્તબદ્ધ તૈયારીગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મિહિરે અમદાવાદ સ્થિત 'સ્પીપા' (SPIPA)માં પ્રવેશ મેળવ્યો હતો. અહીંથી તેમને સિવિલ સર્વિસીસની તૈયારી માટે સાચું વાતાવરણ અને માર્ગદર્શન મળ્યું. મિહિરના જણાવ્યા મુજબ, UPSCમાં સફળ થવા માટે માત્ર વાંચન પૂરતું નથી, પરંતુ શિસ્તબદ્ધ અને નિયમિત તૈયારી અત્યંત આવશ્યક છે. તેમણે પોતાની તૈયારીને સાપ્તાહિક, માસિક અને દૈનિક ટાર્ગેટમાં વહેંચી દીધી હતી. નોકરીની વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને તેમણે સકારાત્મક અભિગમ સાથે પોતાનું વાંચન ચાલુ રાખ્યું હતું. સફળતાનો મંત્ર: સકારાત્મક એપ્રોચ અને સારું મિત્ર વર્તુળપોતાની સફળતાનો શ્રેય આપતા મિહિર પટેલે જણાવ્યું કે, UPSC જેવી લાંબી પ્રક્રિયા ધરાવતી પરીક્ષામાં માનસિક મજબૂતી ખૂબ જરૂરી છે. તેમના મતે, શિસ્તબદ્ધ તૈયારી તમને અપડેટેડ રાખે છે, જ્યારે સકારાત્મક એપ્રોચ તમને નિરાશાના સમયમાં ટકાવી રાખે છે. આ ઉપરાંત, તેમણે સારા મિત્ર વર્તુળના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, જો તમારી આસપાસ પ્રોત્સાહન આપનારા મિત્રો હોય, તો અઘરામાં અઘરું લક્ષ્ય પણ હાંસલ કરી શકાય છે. મિહિર માટે તેમના મિત્રો અને સહકર્મીઓ હંમેશા પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. નવા ઉમેદવારોને શીખ: ‘પ્રયત્નલક્ષી પરિશ્રમ કરો’ભવિષ્યમાં UPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માંગતા ઉમેદવારો માટે મિહિરે ખાસ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે યુવાનોએ 'પરિણામલક્ષી' નહીં પણ 'પ્રયત્નલક્ષી' પરિશ્રમ કરવો જોઈએ. સતત સ્વનિરીક્ષણ અને પોતાની ભૂલો સુધારીને અપગ્રેડ થવું એ જ સફળતાની ચાવી છે. પરીક્ષાના પરિણામની ચિંતા કરવાને બદલે જો યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે, તો મોડું તો મોડું પણ પરિણામ ચોક્કસપણે મળે છે. મિહિરની આ વાત આજે હજારો વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બની છે. સુરત નોંધણી વિભાગ દ્વારા મિહિર પટેલનું સન્માનમિહિર પટેલની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સુરત બહુમાળી ભવન ખાતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મદદનીશ નોંધણી સર નિરીક્ષક ડૉ. દિવ્યેશ પટેલ, હેડ ક્વાર્ટર સબ રજિસ્ટ્રાર અજિતસિંહ રાઠોડ અને સબ રજિસ્ટ્રાર અંજનાબેન મોંગલપરા સહિત સમગ્ર નોંધણી પરિવારના અધિકારીઓ અને કર્મચારીઓએ મિહિરને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા. એક સહકર્મી જ્યારે દેશના સર્વોચ્ચ પદ માટે પસંદગી પામે ત્યારે સમગ્ર વિભાગ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ યોજાઈ હતી. ધોરણ 10ના બેઝિક ગણિત વિષયમાં કુલ 20,996 વિદ્યાર્થીઓમાંથી 20,197 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 799 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં 19,487 ગુજરાતી માધ્યમના, 710 અંગ્રેજી માધ્યમના અને 154 દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધોરણ 10 સંસ્કૃત પ્રથમા વિજ્ઞાન વિષયમાં 20 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહના સમાજશાસ્ત્ર વિષયમાં કુલ 10,140 વિદ્યાર્થીઓમાંથી 9,980 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે 160 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. આ ઉપરાંત, ધોરણ 12ના અંગ્રેજી વિષયમાં 11 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અંગ્રેજી (દ્વિતીય ભાષા) વિષયમાં કુલ 2,430 વિદ્યાર્થીઓ પૈકી 2,418 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જ્યારે 12 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં 8 માર્ચના રોજ અસ્મિતા લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના યુવાકાર્ય અને રમત-ગમત મંત્રાલયના નિર્દેશથી આ સ્પર્ધાઓ હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે યોજાશે. ભારતીય ખેલ સત્તામંડળ (SAI) અને મેરા યુવા ભારત - ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાઓ 8 માર્ચના રોજ સવારે સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે શરૂ થશે. આ લીગ મેચો ત્રણ વયજૂથમાં વિભાજિત કરવામાં આવી છે: અન્ડર-13, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી ઉપરની યુવતીઓ. દરેક વર્ગમાં 100, 200 અને 400 મીટરની દોડ સ્પર્ધાઓ યોજાશે. મહિલા ખેલાડીઓમાં ઉત્સાહ વધારવા માટે રસ્સાખેંચ જેવી મનોરંજક હરીફાઈઓ પણ યોજવામાં આવશે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતી બહેનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. આ કાર્યક્રમમાં 500 થી વધુ મહિલાઓ ભાગ લે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સ્પર્ધાના દિવસે સવારે 7 કલાકે સ્થળ પર રૂબરૂ નોંધણી કરાવી શકાશે. ઇનામ વિતરણ હિંમતનગરના ધારાસભ્યની ઉપસ્થિતિમાં થશે.
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, સુપ્રીમકોર્ટ અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના વડપણ હેઠળ અમદાવાદ જિલ્લાની અને સમગ્ર ગુજરાત રાજ્યની તમામ અદાલતોમાં 14 માર્ચ, 2026 રોજ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થનાર છે. પક્ષકારો તેમની તકરારોનું નિવારણ કાયમી લાવી શકે છેઆ લોક અદાલતમાં પક્ષકારો વચ્ચે રહેલી અલગ અલગ સ્વરુપની તકરારો જેવી કે વાહન અકસ્માત, વળતરના કેસો, દિવાની તકરારો, ચેક રીટર્ન અંગેની ફરીયાદો, જેમાં માત્ર દંડની જ શિક્ષા થાય છે તે પ્રકારના કેસો, લેન્ડ એકવીઝીશનને લગતી તકરારો, બેંકના લેણાના કેસો, કૌટુબિંક અને પારીવારીક તકરારના કેસો, લગ્ન વિષયક કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, ઇલેક્ટ્રીક સિટી બીલના કેસો વગેરે કે જે તકરારો લોક-અદાલતમાં સમાધાન પાત્ર છે. તેવા તમામ કેસોનું લોક-અદાલતમાં તકરાર નિવારણના વૈકલ્પીક માધ્યમ તરીકે ઉપયોગ કરી, પક્ષકારો તેમની તકરારોનું નિવારણ કાયમી સ્વરુપે લાવી શકે છે. ઇ ચલણના કેસોમાં દંડ ભરવા માટેની વ્યવસ્થાવધુમાં ટ્રાફીક ઇ ચલણના કેસોમાં પણ દંડની રકમ ભરવા માટેની વ્યવસ્થા પણ જિલ્લા અદાલત ખાતે દર લોક અદાલતની જેમ કરવામાં આવેલ છે. જેથી ટ્રાફીક ઇ ચલણના કેસોનો પણ ઝડપી નિકાલ થાય અને લોકોને સરળ સુવિધાનો લાભ મળે. વધુમાં જાહેર જનતાને ખાસ અપીલ કરવાની કે ઘણા બધા સોશીયલ મીડિયામાં અથવા તો બીજા પ્રચારના માધ્યમ દ્રારા આ ટ્રાફિક ઇ ચલણના કેસોમાં લોક અદાલતમાં ડીસ્કાઉન્ટ કે કન્શેશન કરી આપવામાં આવે છે, તે તદ્દન ખોટી હકીકત છે. ડીસ્કાઉન્ટ કે કન્શેસન કે દંડ માફી આપવામાં આવતી નથીકોઇ પણ સક્ષમ કાનુની સત્તા મંડળ દ્રારા આવું કોઇ ડીસ્કાઉન્ટ કે કન્શેસન કે દંડ માફી આપવામાં આવતી નથી.પરંતુ લોક અદાલત દ્રારા આવા ઇ ચલણ ભરવામાં આવે તો કોર્ટમા કેસ જતા પહેલા તેનો નિકાલ થાય છે અને પક્ષકારોને કોર્ટ કાર્યવાહીમાંથી રાહત મળે છે. લોક અદાલત દ્રારા આવા ટ્રાફિક ઇ ચલણના કેસોનો નિકાલ થાય છે. ઈ ચલણનો દંડ ભરી પોતાની જવાબદારીમાંથી મુકિત મેળવી શકેઅમદાવાદ જિલ્લાની જાહેર જનતાને આવનારી લોક અદાલતમાં ટ્રાફિક ઈ ચલણના કેસોમાં દંડ ભરી પોતાની જવાબદારીમાંથી મુકિત મેળવી શકે છે. લોક અદાલત દ્વારા લાંબા સમયથી ચાલતા કેસોનો ઝડપથી નિકાલ થઈ શકે છે, જેના કારણે કોર્ટમાં કેસોની સંખ્યા ઘટે છે અને લોકોને વહેલી તકે ન્યાય મળે છે. આ માટે જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીનો સંપર્ક કરવાનો રહે છે.
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની અંતિમ બેઠક મળી હતી. આ બેઠકમાં એજન્ડા ઉપર મુકાયેલા 55 અને બે વધારાના મળી કુલ 57 કામો ઉપર ચર્ચા કરવાં આવી હતી. જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. અંતિમ સ્થાયી સમિતિની બેઠકમાં 60 કરોડના કામો મુકાયામહાનગરપાલિકાની અંતિમ સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 60 કરોડના કામો મૂકવાં આવ્યા હતા. જેમાં વરસાદી ગટરના 9.43 કરોડ, રોડના 9.03 કરોડના કામો સહિતના વિવિધ વિભાગના કામો મંજૂર કરવામાં આવ્યા છે. ફ્યુચરિસ્ટિક સેલના 6.34 કરોડના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં જ સ્થાયી સમિતિની બેઠકમાં 150 કરોડના કામો મૂકવામાં આવ્યા હતા જેને મંજૂરી આપવામાં આવી છે. અઢી વર્ષમાં 6500 કરોડના કામોને મંજૂરીસ્થાયી સમિતિની વર્તમાન બોડીની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે. વર્તમાન ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ અધ્યક્ષ સ્થાને સ્થાયી સમિતિની પ્રથમ બેઠક 11 સપ્ટેમ્બર, 2023માં મળી હતી. ત્યારબાદ અંતિમ બેઠક આજરોજ મળી હતી. અઢી વર્ષના આ સમયગાળામાં 6500 કરોડથી વઘુના કામોને મંજૂરી આપવામાં આવી છે. 9 માર્ચ વર્તમાન બોર્ડનો અંતિમ દિવસમહાનગરપાલિકાના વર્તમના બોર્ડની અવધિ પૂર્ણ થવા જઈ રહી છે. 10 માર્ચ 2021 ના રોજ પ્રથમ બોર્ડની બેઠક યોજાઈ હતી. જેના પાંચ વર્ષ 9 માર્ચે પૂર્ણ થશે. 9 માર્ચ 2026 ના રોજ અંતિમ દિવસ બાદ કોર્પોરેશનમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવશે.
ભાવનગર મહાનગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ ત્રણ દિવસમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે આગામી તા.9 માર્ચના રોજ છેલ્લી સાધારણ સભા યોજાશે ત્યારબાદ મેયર સહિત 51 નગરસેવકો હવે ત્રણ દિવસ સત્તામાં રહેશે ત્યારબાદ વહીવટદાર તમામ નિર્ણયો કરશે, મહાનગરપાલિકામાં વહીવટદાર મુકાશે અને તે ચૂંટણી સુધી વહીવટદાર તરીકે કામગીરી કરશે, ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પાંચ વર્ષ પૂર્વે યોજાઇ હતી અને આગામી તા.9 માર્ચ 2026 ને સોમવારના રોજ પાંચ વર્ષની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે છેલ્લી સાધારણ સભા મેયર ભરત બારડ ના અધ્યક્ષસ્થાને સભા હોલ ખાતે યોજાશે અને આગામી તા.10 માર્ચ 2026 મંગળવારના રોજ રાજ્ય સરકાર દ્વારા વહીવટદાર મૂકવામાં આવશે, ભાવનગર મહાનગરપાલિકાના 13 વોલ્ટ છે અને જેમાં 52 નગર સેવકો છે જેમાં ભાજપના 44 નગરસેવક અને કોંગ્રેસના 8 નગરસેવક છે ભાજપના એક મહિલા નગર સેવક નું નિધન થયું છે તેથી હાલ 51 નગરસેવકો છે અને મેયર સહિત 51 નગરસેવકો હવે ત્રણ દિવસ સત્તામાં રહેશે, અને ત્યારબાદ મહાનગરપાલિકા નો વહીવટ વહીવટદાર સંભાળશે, સરકાર દ્વારા વહીવટદાર તરીકે કમિશનરને મૂકવામાં આવે છે કે અન્ય અધિકારીને મૂકવામાં આવશે તેને લઈ ચર્ચા જામી છે, ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના 1982 માં થઈ હતી અને મહાનગરપાલિકાની સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં જુદા જુદા સમયે 10 વખત વહીવટદાર મૂકવામાં આવ્યા છે અને હવે 11 મી વખત વહીવટદાર મૂકવામાં આવશે અને વહીવટદાર તરીકે સરકાર કોની નિમણૂક કરે છે તેની રાહ જોવી રહી...?
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા શહેરના વિકાસને વેગ આપવા માટે આગામી સમયમાં કરોડોના ખર્ચે ઘણા નવા પ્રકલ્પો સાકાર થવા જઈ રહ્યા છે. ત્યારે રાજકોટના પ્રભારી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કુલ રૂ. 362.60 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને થનારા અલગ-અલગ જનહિતલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આવતીકાલે શનિવારે બપોરે 3 કલાકે જ્યુબેલી ગાર્ડન ખાતે આવેલ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રથમ નાગરિક અને મેયર નયનાબેન પેઢડીયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. તેમજ સાંસદ રૂપાલા અને મોકરિયા સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. જેમાં આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ, નવા રીંગ રોડ પરનાં નવા રસ્તાઓ, પેડક રોડનું ભૂમિપૂજન કરશે. અને વિનોદભાઇ શેઠ હોલનું ઉદઘાટન સહિતના લોકાર્પણ કરવામાં આવશે. આગામી 11 માર્ચના રોજ મનપાનાં શાસકોનો કાર્યકાળ પૂરો થનાર છે. તે પૂર્વે વધુમાં વધુ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. જેથી આગામી ચૂંટણીમાં તેનો લાભ મેળવી શકાય. હાલ આવતીકાલે રૂ. 362.60 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમની પૂર્વતૈયારીઓના ભાગરૂપે આજે મેયર નયના પેઢડીયા સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિવિધ એજન્સીઓના પ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. રાજકોટ મહાપાલિકાનાં મુખ્ય પ્રકલ્પોની વાત કરીએ તો, સૌથી મોટો પ્રોજેક્ટ આજી ડેમ ખાતે 75 એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો છે, જેની પાછળ અંદાજે રૂ. 6048 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી 5 વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે તૈયાર કરાશે, જેનાથી શહેરની પાણીની સમસ્યામાં મોટો ઘટાડો થશે. આ ઉપરાંત વોટર વર્કસ વિભાગ દ્વારા કટારીયા બ્રિજ પાસે નડતરરૂપ એમ.એસ. લાઈન શિફ્ટ કરી નવી 711 mmની લાઈન નાખવાની કામગીરી પણ હાથ ધરાશે, જેનો ખર્ચ રૂ. 297.88 લાખ છે. ઉપરાંત આરોગ્ય અને પર્યાવરણના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જેમાં રેલનગર વિસ્તારમાં રૂ. 314 લાખના ખર્ચે નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર અને રૂ. 148 લાખના ખર્ચે તૈયાર થયેલ બગીચાનું લોકાર્પણ કરવામાં આવશે. રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે રેસકોર્ષ સંકુલમાં ફૂટબોલ અને હોકી ગ્રાઉન્ડ વચ્ચે રૂ. 374 લાખના ખર્ચે વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે. ડ્રેનેજ વિભાગ માટે રૂ. 229.92 લાખના ખર્ચે 3 નંગ વ્હીકલ માઉન્ટેડ રોબોટીક ક્લીનીગ મશીન વસાવવામાં આવ્યા છે, જેનાથી સફાઈ કામગીરી વધુ આધુનિક બનશે. વોર્ડ નં.17 માં રૂ. 556.00 લાખના ખર્ચે બનેલા વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવશે. વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં પણ અનેક કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં જામનગર રોડ જંકશન પાસે રૂ. 371.09 લાખના ખર્ચે ભવ્ય એન્ટ્રી ગેઇટ બનાવવાનું આયોજન છે. વોર્ડ નં.5 માં પેડક રોડને રૂ. 4383.69 લાખના ખર્ચે ગૌરવપથ તરીકે વિકસાવામાં આવશે. ઉપરાંત વોર્ડ નં.6 માં કનકનગર શાક માર્કેટને રૂ. 490 લાખના ખર્ચે અદ્યતન બનાવવાની અને મહારાણા કોમ્યુનીટી હોલને રૂ. 1184 લાખના ખર્ચે રીડેવલપ કરવાની યોજના છે. વોર્ડ નં.18માં વિરાણી અઘાટ થી બોલબાલા રોડ સુધી પાઈપલાઈન અને અન્ય ડ્રેનેજ કામો માટે પણ કરોડોની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) દ્વારા પણ મોટા પાયે રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ રિંગ રોડ-2, ફેઝ-5 (મોરબી રોડ થી અમદાવાદ રોડ) છે. જે બનાવવા માટે રૂ. 10581.46 લાખ અને તેમાં બ્રિજ તથા અંડરપાસ બનાવવા માટે રૂ. 3191.75 લાખનો ખર્ચ થશે. તેમજ રોણકી વિસ્તારમાં રૂ. 2482.00 લાખના ખર્ચે વોટર સપ્લાય સ્કીમ અને કુવાડવાથી સરધાર રોડ સુધી રૂ. 1314.51 લાખના ખર્ચે 30 મીટરના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તરઘડી અને કાંગશિયાળી વિસ્તારમાં તૈયાર થયેલા નવા રોડનું લોકાર્પણ પણ આ તકે કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકામાં ભાજપના શાસકોનો કાર્યકાળ 11 માર્ચના રોજ પૂર્ણ થનાર છે. જેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જુદી-જુદી બે સ્ટેન્ડિંગની બેઠકો પણ યોજવામાં આવી હતી. જેમાં કરોડો રૂપિયાના વિકાસકામ મંજુર કરવામાં આવ્યા છે. આ પૈકી જેટલા બને તેટલા વધુ કામોનાં ખાતમુહૂર્ત અને અગાઉના પૂર્ણ થયેલા કામોનાં લોકાર્પણ 11 માર્ચ પહેલા પૂર્ણ કરવાની દોડધામ હાલ શાસકો દ્વારા કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં લાખો લોકોની ટ્રાફિક સમસ્યાને હલ કરનારા નવા ફોરલેન સાંઢીયા બ્રીજનું કામ પણ પૂર્ણ થનાર છે. ત્યારે આ બ્રીજનું લોકાર્પણ પણ ચૂંટણીઓની જાહેરાત થાય તે પહેલા કરવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કુદરતી આપત્તિઓના વધતા જોખમ વચ્ચે રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ કેટલી અસરકારક છે તે મુદ્દે ફરી ચર્ચા ઉઠી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર, વાવાઝોડા અને અનિયમિત વરસાદ જેવી ઘટનાઓ વધતી જતાં રાજ્યને વધુ સજ્જ બનાવવાની જરૂરિયાત સામે આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ સામેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવીમહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાજ્યમાં સંભવિત કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ સામેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. શહેરીકરણ, કેમિકલ ઉદ્યોગો અને પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે નવા જોખમો ઊભા થાય છેચર્ચા દરમિયાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપન માત્ર ઘટના પછી રાહત અને પુનઃવસન પૂરતું મર્યાદિત રહેવું જોઈએ નહીં, પરંતુ અગાઉથી જોખમોને ઓળખી તેને ઘટાડવા માટે વધુ અસરકારક આયોજન જરૂરી છે. ખાસ કરીને શહેરોમાં વધતા શહેરીકરણ, કેમિકલ ઉદ્યોગો અને પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે નવા પ્રકારના જોખમો ઉભા થઈ રહ્યા છે. સામાન્ય નાગરિકોને પ્રાથમિક સારવાર અંગે તાલીમ આપવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવીબેઠકમાં એ મુદ્દા પર પણ ભાર મૂકાયો હતો કે, આપત્તિ સમયે સૌથી પહેલો પ્રતિસાદ સ્થાનિક નાગરિકો તરફથી જ મળે છે. તેથી સામાન્ય નાગરિકોને પ્રાથમિક સારવાર, સીપીઆર અને સુરક્ષા અંગે તાલીમ આપવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી હતી. ઉપરાંત, પૂર અથવા ભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં શહેરોની ડ્રેનેજ વ્યવસ્થા, વીજ પુરવઠો અને પરિવહન જેવી સેવાઓ અસરગ્રસ્ત ન થાય તે માટે સંકલિત આયોજન કરવાની જરૂરિયાત પણ સામે આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી આધારિત રિસ્ક મેપિંગ, અર્લી વોર્નિંગ સિસ્ટમ અને મોકડ્રીલ દ્વારા રાજ્યની તૈયારીઓને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમછતાં વધતા કુદરતી જોખમોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ અસરકારક આયોજન અને વિવિધ વિભાગો વચ્ચે સક્રિય સંકલન જરૂરી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ભાવનગર એસ.પી. કચેરી ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારના અધ્યક્ષ સ્થાને વર્ષ 2025 નું વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું જેમા જિલ્લા પોલિસ વડા , ASP, DYSP, PI, PSI સહિતના પોલિસ અધિકરીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. તમામ ભાગ લેનાર કર્મચારીઓને રોકડ ઇનામ અને પ્રશંસા પત્રોથી તેમને સન્માનિત પણ કરવામાં આવશેઆ અંગે રેન્જ આઈજી ગૌતમ પરમાર એ જણાવ્યું હતું કે, વર્ષ 2025નું વાર્ષિક ઇન્સ્પેક્શનની વાર્ષિક પરેડ લેવામાં આવી હતી. ગત મહિને કેટલાક સુધારની જરૂર જણાતા સૂચના કરવામાં આવી હતી ભાવનગર જીલ્લા પોલીસને, કે હજી સારું પરફોર્મન્સ થઇ શકે તેમ છે અને ભાવનગર જીલ્લા પોલીસે ખૂબ મહેનત કરીને આજે ફરીથી 2025ની વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કર્યું હતું અને પરેડ જોતા ખૂબ જ સંતોષકારક રીતે અને બહુ સારી રીતે પરેડ કરવામાં આવી છે. તમામ ભાગ લેનાર કર્મચારીઓને રોકડ ઇનામ અને પ્રશંસા પત્રોથી તેમને સન્માનિત પણ કરવામાં આવશે અને સાથે-સાથે જે અધિકારીઓએ સારામાં સારી પરેડ કરી છે તમામ ને પણ પ્રશંસા પત્ર અલગ રીતે આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા ચકાસવા માટે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ભાવિક ટ્રેડિંગ, શક્તિ સેન્ડવિચ, પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ, અંજલિ ચાઇનીઝ, પસાતા રેસ્ટોરન્ટ, શ્રીરામ ડેરીફાર્મ, શ્રી પટેલ સ્વીટ્સ, બંસી ડેરી, જય શ્રીખોડિયાર દુગ્ધાલય, આરવ એન્ટરપ્રાઇઝ, ઇસ્કોન ફૂડ, આર.વી. ફૂડ અને શ્રી ચાઇનીઝ પંજાબી જેવી 13 પેઢીઓમાંથી પનીર, રિફાઈન્ડ કપાસિયા તેલ તથા પનીરની તૈયાર સબ્જીના કુલ 14 નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ સાથે જ કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પર સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અક્ષર પાઉભાજીમાંથી 05 કિલોગ્રામ વાસી ખોરાકનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને લાયસન્સ વગર વ્યવસાય કરતી પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. વાસી ખોરાક અને લાયસન્સ બાબતે કડક કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન 'અક્ષર પાઉભાજી ચાઇનીઝ પંજાબી' (યશરાજ કોમ્પ્લેક્સ) ખાતેથી 05 કિલોગ્રામ જેટલો વાસી પ્રિપેડ ફૂડનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તુરંત નાશ કરાયો હતો. આ ઉપરાંત, આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા અને ફૂડ લાયસન્સ મેળવવા બાબતે આ પેઢીને નોટિસ અપાઈ હતી. તપાસ દરમિયાન અન્ય 06 પેઢીઓ પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું, જેમાં ફિલ ઈન ક્વોલિટી આઈસ્ક્રીમ, DISTINCTO FOODS LLP, કિરણ લાઈવ પફ, કટક મટક ફાસ્ટ ફૂડ, જય પાન હાઉસ અને ICY SPICY કોલ્ડ્રિંક્સનો સમાવેશ થાય છે. આ તમામ પેઢીઓને વહેલી તકે લાયસન્સ મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. તે સિવાય પટેલ પાન, ખોડીયાર હોટલ, અમર પાન અને છાશ વાલા જેવી પેઢીઓમાં પણ ગુણવત્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પનીર અને તેલ સહિતના 14 નમૂનાની વિગત * ખાદ્ય તેલ: ભાવિક ટ્રેડિંગ (કોઠારીયા રોડ) માંથી 'નિરાલી રિફાઈન્ડ કોટનસીડ ઓઈલ' (15 કિલો પેકિંગ). * બ્રાન્ડેડ પનીર: શક્તિ સેન્ડવિચ (રૈયા ચોકડી) માંથી 'અમુલ મલાઈ પનીર', શ્રી પટેલ સ્વીટ્સ (મવડી પ્લોટ) માંથી 'રબ મલાઈ પનીર', બંસી ડેરી (ગોંડલ રોડ) માંથી 'દૂધ મસ્તી મલાઈ પનીર', આરવ એન્ટરપ્રાઇઝ (જાગનાથ) માંથી 'મિલ્કી મિસ્ટ પનીર' અને અમૃતસરી હવેલી (ઇસ્કોન ફૂડ) માંથી 'ડેલારા મલાઈ પનીર'. * ખુલ્લું (લૂઝ) પનીર: પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ (રામાપીર ચોક), અંજલિ ચાઇનીઝ (ઇન્દિરા સર્કલ), પસાતા રેસ્ટોરન્ટ (રૈયા રોડ), શ્રીરામ ડેરીફાર્મ (સોમનાથ શેરી) અને જય શ્રીખોડિયાર દુગ્ધાલય (મીલપરા) ખાતેથી પનીરના નમૂના લેવાયા હતા. * તૈયાર પનીર સબ્જી: ભાખરીવાલા (રૈયા ચોકડી) માંથી 'પનીર અંગારા સબ્જી', શ્રી ચાઇનીઝ પંજાબી (યાજ્ઞિક રોડ) માંથી 'પનીર બટર મસાલા' અને પસાતા રેસ્ટોરન્ટમાંથી 'પનીર લબાબદાર સબ્જી' ના નમૂના લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકાના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જો રિપોર્ટમાં કોઈ ક્ષતિ જણાશે અથવા નમૂના ફેઈલ જશે, તો સંબંધિત પેઢીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે. મહાનગરપાલિકાની આ કામગીરીથી અખાદ્ય વસ્તુઓ વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવતા નમૂનાઓનો રિપોર્ટ આવવામાં બે-ત્રણ મહિના જેટલો સમય લાગે છે. ત્યારે આ રિપોર્ટ ઝડપથી આવે તે માટે પગલાં લેવા જરૂરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની ગેરરીતિ પકડવા માટે અમદાવાદ શહેરમાં સીસીટીવીની ચકાસણી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેર બે સેન્ટર પર કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે. જ્યાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની દેખરેખ હેઠળ વર્ગખંડમાં લાગેલા સીસીટીવી ચેકિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. સીસીટીવી ચેકિંગ દરમિયાન કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરીતિ કરતો ઝડપાય છે તો તેનું વીડિયો રેકોર્ડિંગની અલગ સીડી બનાવવામાં આવે છે. જે બાદ ખંડ નિરીક્ષકને હિયરિંગ માટે બોલાવીને તેની સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. 50 લોકોની નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓના વર્તન પર નજરઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની દેખરેખ હેઠળ આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે. શહેરમાં કુલ 347 બિલ્ડિંગોમાં બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે. આ તમામ કેન્દ્રોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ એકત્રિત કરીને શહેરમાં બનાવવામાં આવેલા બે કોમ્પ્યુટર સેન્ટર પર લાવવામાં આવે છે. ત્યારબાદ અહીં ખાસ ટીમ દ્વારા તે રેકોર્ડિંગની વિગતવાર તપાસ કરવામાં આવે છે. બંને સેન્ટર પર 25-25 કર્મચારીઓ એટલે કે કુલ 50 લોકો સીસીટીવી ફૂટેજનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓના વર્તન પર નજર રાખી રહ્યા છે. ખંડ નિરીક્ષક અને વિદ્યાર્થીને હિયરિંગ માટે બોલાવાશેતેમજ સીસીટીવી ચેકિંગ દરમિયાન જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરતો જોવા મળે તો તેની વીડિયો ક્લિપ અલગથી સેવ કરવામાં આવે છે. ત્યારબાદ તે વીડિયો રેકોર્ડિંગની અલગ સીડી તૈયાર કરવામાં આવે છે. જે બાદ પુરાવાના આધારે સંબંધિત ખંડ નિરીક્ષક અને ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને હિયરિંગ માટે બોલાવવામાં આવે છે. તેમજ ગેરરીતિ સાબિત થાય તો અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેની વિગતો ગુજરાત બોર્ડમાં મોકલવામાં આવા છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સીસીટીવીથી મોનિટરિંગપરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ગેરરીતિ કરીને પાસ ન થાય તે માટે સીસીટીવી આધારિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ વખતે પરિણામ વહેલું જાહેર થાય તે માટે વધારાના સ્ટાફની નિમણૂક કરીને ચેકિંગની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી રહી છે. ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓની નોંધ લઈ અલગ સીડી બનાવાશેસીસીટીવી ચકાસણી સેન્ટરના નોડલ અધિકારી જુહીબેન ભ્રમભટ્ટે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક સેન્ટર પરથી સીડી લાવવામાં આવી છે. તેમજ તેનું મોનિટરિંગ અને વ્યુવિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમે ચેકિંગ દરમિયાન એ ખાસ ધ્યાન રાખીએ છીએ કે જો કોઈ વિદ્યાર્થી આજુબાજુ નજર કરતો હોય, કે પછી આગળ પાછળ પેપરની આપલે કરતો હોય, તેમજ જો તેમાં પાસે ગેરરીતિ કરવા માટેની કોઈ સામગ્રી હોય તો તેવા વિદ્યાર્થીઓની નોંધ લઈને અલગ સીડી તારવવામાં આવે છે.
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્કોડને બે મહત્વની સફળતા મળી છે. પોલીસે નંદાસણ પોલીસ સ્ટેશનના દુષ્પ્રેરણના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને દાહોદથી અને પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ એક આરોપીને મહેસાણાના ફતેપુરા બાયપાસ પાસેથી ઝડપી પાડ્યો છે. હોળીના તહેવારે વતનમાં આવેલા ત્રણ આરોપી ફિલ્મી ઢબે ઝડપાયાનંદાસણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108 અને 54 મુજબ નોંધાયેલા ‘દુષ્પ્રેરણ’ના ગુનામાં છેલ્લા છ મહિનાથી પોલીસને થાપ આપી રહેલા ત્રણ આરોપીને પકડવા માટે પેરોલ ફર્લો સ્કોડ સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન એ.એસ.આઈ. ચેતનકુમાર, જયદીપસિંહ અને હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમારને સચોટ બાતમી મળી હતી કે, આરોપીઓ હોળીનો તહેવાર મનાવવા વતન દાહોદના ખંગેલા ગામે આવ્યા છે. પોલીસે આરોપીઓને ઊંઘમાં જ ઝડપી પાડ્યાંબાતમીના આધારે પોલીસની ટીમ ખાનગી વાહનમાં તાત્કાલિક દાહોદ પહોંચી હતી. રાત્રિના સમયે ઘેરો ઘાલીને ત્રણેય આરોપી દરૂ કાંતીભાઈ મેડા, બાબુ વસનાભાઈ મેડા અને દિનેશ વસનાભાઈ મેડાને ઊંઘતા જ ઝડપી લીધા હતા. આરોપીઓની અટકાયત કરી કતવારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી તેમને નંદાસણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજા કેસમાં પ્રોહિબિશનના ગુનાનો આરોપી ફતેપુરા બાયપાસથી હસ્તગતબીજી એક કાર્યવાહીમાં મહેસાણા શહેર 'બી' ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી મયુરજી ઉર્ફે ટેણી બાબુજી ઠાકોર (રહે. રામોસણા) ફતેપુરા બાયપાસ સર્કલ પાસે હોવાની બાતમી એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ હિતેશકુમારને મળી હતી. પોલીસે લોકેશન પર પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. જરૂરી પૂછપરછ બાદ આરોપીના સગા-સંબંધીઓને જાણ કરવામાં આવી હતી અને તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પેરોલ ફર્લો સ્કોડની આ કામગીરીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જામ કલ્યાણપુર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ ખાતે આવેલા કોયલા ડુંગર પર બિરાજમાન માઁ હરસિદ્ધિના પ્રાગટ્ય દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરે ધ્વજારોહણ, દાંડિયારાસ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરીને મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.
આજે 6 માર્ચે અમદાવાદ શહેરી વિકાસ મંડળ સત્તા મંડળ (ઔડા)નું વર્ષ 2026- 27નું રૂ. 3101.73 કરોડનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સેટેલાઈટ ટાઉનશિપ અંતર્ગત સાણંદ ખાતે પીપીપી ધોરણે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. સાણંદ શહેરનો વિકાસ કરવા માટે ટી. પી સ્કીમ અંતર્ગત રોડ, સંપૂર્ણ સ્ટ્રીટ ડેવલોપમેન્ટ, ગાર્ડન, તળાવોના ડેવલોપમેન્ટ, લાયબ્રેરી અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. ઔડા દ્વારા મણિપુર અને ગોધાવી ટીપી 42 વિસ્તારમાં મોડલ ટીપી સ્કીમ બનાવવામાં આવશે. મણિપુર અને ગોધાવીમાં મોડલ ટીપી સ્કીમ અંતર્ગત સાયકલ ટ્રેક, ફૂટપાથ, સ્ટ્રીટ લાઈટ, જંકશન ડેવલોપમેન્ટ, યુટીલીટી ડક, કર્બિગ, તળાવ ડેવલોપમેન્ટ વગેરે કરવામાં આવશે. ‘50થી વધુ પ્લોટ વેંચીને 1300 કરોડની આવક ઊભી કરાશે’ઔડાના CEO દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2026-27 આજે છ માર્ચના રોજ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 3101.73 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે. આગામી વર્ષમાં 3119.83 કરોડની આવક થવાનો અંદાજ છે. ઔડા હસ્તગત આવેલા 50થી વધુ પ્લોટોનું ચાલુ વર્ષે વેચાણ કરીને 1300 કરોડ રૂપિયાની આવક ઊભી કરવામાં આવશે. દુકાનની વેચાણ કરીને પાંચ કરોડ રૂપિયા જ્યારે એપોલડેબલ હાઉસિંગના લાભાર્થીઓના હપ્તાની આવક 15.36 કરોડ મળી કુલ 1320.36 કરોડની આવક ઔડાને થાય તેવી શક્યતા છે. તેને વધુમાં કહ્યું કે, જોકે ગત વર્ષે 800 કરોડ રૂપિયાની આવક પ્લોટના વેચાણથી થાય એવો અંદાજ કરવામાં આવ્યો હતો, પરંતુ માત્ર 450 કરોડ રૂપિયાની જ આવક થઈ હતી. જેથી પ્લોટોના વેચાણથી કરોડોની આવક ઉભી કરવાની વાત છે પરંતુ 50 ટકા જેટલી જ આવક પ્લોટના વેચાણથી થાય છે. આ 5 શહેરમાં 600 કરોડ ખર્ચે નવા ટીપી રોડ બનશેસેટેલાઈટ ટાઉન તરીકે સાણંદ શહેરને વિકસાવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે બજેટમાં સાણંદની તમામ ટીપી સ્કીમોને ડેવલોપમેન્ટ કરવામાં આવશે. અલગ અલગ પ્રકારની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ઔડાના ગ્રોથ સેન્ટર એવા કલોલ, સાણંદ, મહેમદાવાદ, દહેગામ, બારેજામાં નવા ટીપી રોડ બનાવવા માટે ચાલુ વર્ષે બજેટમાં 600 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ હયાત રોડની જાળવણી અને નિભાવણી માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ડ્રેનેજ લાઇન, વરસાદી પાણીની લાઈન અને STP નાખવા સહિતની જોગવાઈઔડા વિસ્તારમાં ગટરની લાઇન, વરસાદી પાણીની લાઈન અને STP નાખવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ખોડીયાર લીલાપુર જાસપુર મણીનગર સાણંદ કાણેટી નિદરાડ રણાસણ કરાઈ અસલાલી જેતલપુર વડોદરા નાંદેજ બારેજડી કેરતનગર વગેરેમાં ડ્રેનેજ નેટવર્ક અને એસટીપી નાખવા માટે 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કેનાલ પર માઇનોર બ્રિજ બનશેકલોલ વિસ્તારની ટીપી સ્કીમમાં વરસાદી પાણીનું નેટવર્ક નાખવા માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સાણંદ અને કલાણા વિસ્તારના ડેવલોપમેન્ટ માટે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ડ્રેનેજ નેટવર્ક વરસાદી પાણીનું નેટવર્ક અને કેનાલ પર માઇનોર બ્રિજ બનાવવામાં આવશે. મણીપુર અને ગોધાવી વિસ્તારમાં રોડ ડ્રેનેજ વોટર સપ્લાય અને વરસાદી પાણીના નિકાલ સહિતની સુવિધાઓ માટે પણ 275 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. LIG 2 આવાસ યોજનાના 278 મકાનો બનશેઔડા દ્વારા ખોડીયાર ખાતે LIG 2 પ્રકારના નવા આવાસ યોજનાના 278 મકાનો બનાવવામાં આવશે. તેમજ સાણંદ ખાતે EWS પ્રકારના આવાસોની કામગીરી પૂર્ણ કરવા 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હાઉસિંગ રીડ ડેવલોપમેન્ટ અને એપોડેબલ હાઉસિંગના કામો માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખોડીયાર લપકામણ બોરીસા તાજપુર અને લીલાપુરના ગામોમાં આવેલા હયાત તળાવના રિડેવલોપમેન્ટ અને બ્યુટીફિકેશન કરવામાં આવશે. ગઢીયા અને જેતલપુર તળાવની ચાલુ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. બારેજા નગરપાલિકાને જમીન ફાળવવાનો નિર્ણયઔડા દ્વારા વિવિધ પ્લોટ અને બ્રિજ નીચે જાહેર જનતાની સગવડ માટે વાહન પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પે એન્ડ પાર્ક મોડલ વાહન પાર્કિંગના દરો નક્કી કરવામાં આવ્યા છે. બારેજા વોટર સપ્લાય પ્રોજેક્ટ અંતર્ગત બારેજા નગરપાલિકાને જમીન ફાળવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજે 6 માર્ચે છેલ્લી બેઠક મળી હતી. જે પહેલા કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પાલિકા કચેરીએ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને સત્તાધીશો પોતાના માનીતાઓને ફાયદો કરાવવાનો કારસો કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. 'બેઠકમાં મિટિંગ, ઇટીંગ અને ચિટિંગ'કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ આક્ષેપ કર્યા હતા કે, સ્થાયી સમિતિની બેઠકમાં માત્ર મિટિંગ, ઇટીંગ અને ચિટિંગ જ ચાલે છે. સ્થાયી સમિતિના સભ્યો પોતાના માનીતા ઇજારદારોને ફાયદો કરાવવા માટે ઇજારાની સમય મર્યાદામાં તેમજ નાણાની મર્યાદામાં વધારો કરવામાં આવે છે. 'સાયકલ લઈને ફરતા હતા, તે હવે મોંઘી ગાડીઓમાં ફરે છે'કોંગ્રેસ શહેર પ્રમુખે ગંભીર આક્ષેપ કર્યા હતા કે, જે સત્તાધીશો ચૂંટાયા પહેલા સાયકલ લઈને ફરતા હતા તેઓ હવે મોંઘી ગાડીઓમાં ફરે છે અને કરોડો રૂપિયાના બંગલામાં રહેવા માંડ્યા છે. પાલિકામાં સત્તાધીશો દ્વારા માત્ર ભ્રષ્ટાચાર જ કરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં. કોંગ્રેસે કામો અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. કસ્ટોડિયન તરીકે કામો અટકાવવા કોંગ્રેસની રજૂઆતકોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, જે કામોની સમય મર્યાદા વધારવામાં આવી છે અને જે કામોમાં નાણાની મર્યાદા વધારવામાં આવી છે તે ગેરકાયદેસર ગણી શકાય. જેથી કસ્ટોડિયન તરીકે મ્યુનિસિપલ કમિશનરે આ તમામ કામો અટકાવી દેવા જોઈએ.
રાજ્યમાં 37 IPS અધિકારીઓની સામુહિક બદલી રાજ્યમાં 37 આઈપીએસ અધિકારીઓની સામુહિક બદલીના આદેશ . અનેક હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરાયા.. (SMC)ના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ IG તરીકે નવી જવાબદારી સોંપાઈ છે, CBIનો બહોળો અનુભવ ધરાવતા રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ IG અને ગગનદીપ ગંભીરને SMCનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો UPSC 2025માં ગુજરાતનું ઐતિહાસિક રિઝલ્ટ યુપીએસસી 2025 નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. ગુજરાત માટે રિઝલ્ટ ઐતિહાસિક રહ્યું. પહેલીવાર સ્પીપાના 34 વિદ્યાર્થીઓ સફળ થયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રોપેન ગેસ સપ્લાય બંધ થતા 100 એકમો બંધ ઈઝરાયેલ અમેરિકા અને ઈરાન યુદ્ધની અસર મોરબીમાં વરતાવાની શરુ. પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાતા છેલ્લા બે જ દિવસમાં મોરબીના 100 જેટલા સિરામિક એકમ બંધ થઈ ગયા છે.બીજા 450 કારખાનાં બંધ થવાના આરે છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફાઈનલ માટે અમદાવાદ આવી ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડકપ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી.. ટીમ તાજ હોટલમાં રોકાશે.. 8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર જામશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માર્ચની શરુઆતમાં જ ગરમીનું ટોર્ચર શરુ આજથી પાંચ દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી.... ટી-20 વર્લ્ડકપની ફાઈનલના દિવસે એટલે કે 8 માર્ચે અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદ પોલીસની હદમાં થશે ફેરફાર અમદાવાદ પોલીસની હદમાં ફેરફાર થશે હવે ઝોન 8 બનશે.વધતી જતી વસતી અને ગુનાને લઈને પૂર્વમાં ઝોન 8ના ડીસીપીની નિમણૂક કરવામાં આવી છે જે અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પણ રજૂ કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ આજે ગુજરાતમાં બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ..ચૂંટણીથી આગામી 5 વર્ષ માટે BCGની નવી કમિટીની રચના કરાશે. 99 ઉમેદવાર મેદાનમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નસકોરા બોલાવતા આરોપીઓને ઝડપી પાડ્યા સુરત સાયબર ક્રાઈમે એમપીમાં રેડ કરી 19 કરોડથી વધુનું ડિજટલ ફ્રોડ કરનાર ગેંગને ઉંઘતી ઝડપી પાડી... 10-12 પાસ ગેંગના આ ગઠિયાઓએ સુરતના એક નિવૃત્ત રેલવે અધિકારીના 8 લાખ રુ. પણ સેરવી લીધા હતા ..ભાડાની રૂમમાં નીચે ગાદલા નાખી ફ્રોડ માટેનું આખું સેટઅપ કર્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડોક્ટરે લાઈનસર વાહનોને ઉડાવ્યા, પાંચને ઈજા સુરતના પાલ -ઉમરા બ્રિજ પર એક ડોક્ટરે લાઈનસર વાહનોને ઉડાડ્યા . પાંચ જેટલા લોકો રસ્તા પર ઈજાગ્રસ્ત થઈને પડેલા દેખાયા. ડોક્ટર લાંબી સર્જરી કરીને ઘરે જતા હતા અને ઝોકું આવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધોળા દિવસે બાળકીના અપહરણનો પ્રયાસ રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર માતાની નજર સામે જ પાંચ વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કરાયો.. જો કે આસપાસના લોકોએ મહિલાને ઝડપી પોલીસને સોંપી દીધી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
દસાડા તાલુકાની આંગણવાડી કાર્યકરોએ 6 માર્ચથી ઓનલાઈન કામગીરી ન કરવાની જાહેરાત કરી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સમર્થનમાં પાટડીમાં લેખિત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કાર્યકરોનો આક્ષેપ છે કે 2022થી વચન આપવા છતાં તેમને ઓનલાઈન કામગીરી માટે નવા મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી. 2019માં અપાયેલા મોબાઈલ ફોન હવે બિનઉપયોગી બની ગયા છે. 2022 પછી પોષણ ટ્રેકર ઉપરાંત, પોષણસંગમ અને એવીટી જેવી નવી એપ્લિકેશનો પર કામ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. આંગણવાડી કાર્યકરો જણાવે છે કે ફેસ કેપ્ચર એપ્લિકેશન નિયમિત ચાલતી નથી અને એવીટી એપ્લિકેશન પણ યોગ્ય રીતે કામ કરતી નથી. આ એપ્લિકેશનો બાળકોની વાસ્તવિક હાજરી કરતાં ઘણી ઓછી સંખ્યા દર્શાવે છે. સક્ષમ મોબાઈલના અભાવે ખોટી હાજરી ગણાય છે, જેના કારણે બાળકો માટે આહાર અને નાસ્તાના બિલ પણ ઓછી સંખ્યા પ્રમાણે મળે છે. કાર્યકરોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે બાકીના બાળકોના ભોજનની જવાબદારી કોની રહેશે. આ પરિસ્થિતિને કારણે ICDSનો મુખ્ય હેતુ સિદ્ધ થતો નથી. બાળકોના પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાનો સમય મળતો નથી. મોટાભાગનો સમય નવી એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી કરવામાં જ પસાર થાય છે, જેનાથી કામગીરી પર નકારાત્મક અસર થાય છે અને કાર્યકરોની માનસિક સ્થિતિ પર પણ ગંભીર અસર પડે છે. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો લાંબા સમયથી ઓછા પગાર અને અન્ય બાર જેટલા મુદ્દાઓ પર માંગણીઓ કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. કાર્યકરોની ધીરજ હવે ખૂટી ગઈ છે, અને ઓછા પગારમાં છ કલાકમાં આટલી બધી કામગીરી કરવી મુશ્કેલ બની છે. આ તમામ રજૂઆતો છતાં કોઈ પરિણામ ન મળતા, આંગણવાડી કાર્યકરોએ 5 માર્ચ કે તે પછીની કોઈપણ તારીખથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી ન કરવાનો નિર્ણય લીધો છે. દસાડા તાલુકા આંગણવાડી હેલ્પર/વર્કર સંગઠન દ્વારા પાટડી તાલુકા પંચાયત કચેરી ખાતે સીડીપીઓને લેખિત આવેદનપત્ર સુપરત કરીને સ્પષ્ટ કરાયું છે કે જ્યાં સુધી આ પ્રશ્નોનો ઉકેલ ન આવે અને નવા મોબાઈલ ફોન આપવામાં ન આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી કરવામાં આવશે નહીં.
સુરત શહેરમાં પારિવારિક કંકાસના કારણે આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના અડાજણ અને ચોકબજારને જોડતા જિલાની બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે યુવકનો આબાદ બચાવ થયો છે. બ્રિજ પરથી યુવકને કૂદતો જોઈ રાહદારીઓમાં ફાળ પડીપ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોર પછીના સમયે એક યુવક જિલાની બ્રિજ પર પહોંચ્યો હતો અને કોઈપણ વિચાર કર્યા વગર અચાનક તાપી નદીના વહેણમાં કૂદકો મારી દીધો હતો. બ્રિજ પરથી યુવકને કૂદતો જોઈ રાહદારીઓમાં ફાળ પડી હતી અને તુરંત જ આ અંગે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. કૂદકો મારનાર યુવક હિંમત હાર્યા વગર જાતે જ તરીને બહાર આવી ગયોઆ ઘટનાની જાણ થતા જ મુગલીસરા ફાયર સ્ટેશનનો કાફલો લાઈફ જેકેટ અને રેસ્ક્યુ બોટ સાથે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, ફાયરની ટીમ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરે તે પહેલા જ એક ચમત્કાર સર્જાયો હતો. કૂદકો મારનાર યુવક હિંમત હાર્યા વગર જાતે જ તરીને નદીના કિનારે સુરક્ષિત રીતે બહાર આવી ગયો હતો. યુવકનો જીવ બચી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધોફાયર વિભાગે તુરંત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી યુવકને પ્રાથમિક સારવાર આપી વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવક સુરતના પંડોળ વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ આ મામલે યુવકનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે. સદનસીબે યુવકનો જીવ બચી જતા તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. ‘હું મારો જીવ આપવા જઈ રહ્યો હતો, મારે હવે કઈ નથી જોઈતું’આપઘાતનો પ્રયાસ કરનાર યુવકે જણાવ્યું હતું કે, હું મારી પત્નીથી પરેશાન થઈને નદીમાં કૂદ્યો હતો. અહીં હું એમ્બ્રોઈડરીનું કામ કરું છું. મારી પત્નીની સાથે મારો ઝઘડો થતો હતો, તે ખોટા કામ કરે છે. આ બાબતે મારે તેની સાથે રોજ ઝઘડો થાય છે. મેં મારા ગામવાળા, મારા મામા-કાકા બધાને આ વાત કરી પણ તે બધાને અપમાનિત કરે છે. પત્ની સાથે મારે જરાય બનતું નથી. તે ઝઘડો કરે છે. મેં એક મહિનામાં 16,500 રૂપિયા કમાઈને આપ્યા તો પણ તે ખુશ નથી. એક મહિનામાં 16,500 આપ્યા તે શું ઓછા છે? મારો એક છોકરો છે, પત્ની છે અને મારી માતા અલગ રહે છે. એટલે જ હું મારો જીવ આપવા જઈ રહ્યો હતો, મારે હવે કઈ નથી જોઈતું. યુવક પોતે જ સહી-સલામત બહાર આવી ગયો: સબફાયર ઓફિસરસબ ફાયર ઓફિસર બલવંત સિંહે જણાવ્યું હતું કે, ફાયર કંટ્રોલ દ્વારા મુગલીસરા ફાયર સ્ટેશનને કોલ આવ્યો કે જીલાની બ્રિજ ઉપરથી એક વ્યક્તિએ કૂદકો મારેલો છે. જેવો કોલ આવ્યો એટલે તરત જ આપણે ટીમ લઈને અડાજણ જીલાની બ્રિજ ઉપર આવી ગયા. અહીં તપાસ કરતા એમ જણાયું કે, આ જગ્યાએથી કૂદકો મારેલો છે એટલે નીચે તપાસ કરતા હતા જે વ્યક્તિએ કૂદકો મારેલો છે તે પોતે જ સહી-સલામત બહાર આવી ગયેલો છે. અત્યારે તેને બ્રિજ ઉપર લાવ્યા છીએ અને 108 બોલાવી તેને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. તે પંડોળ વિસ્તારનો છે અને ઘરના કંકાસથી કંટાળીને તેને કૂદકો માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
અમરેલીમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:જિલ્લા પુરવઠા અધિકારીએ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી
અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓ ફેલાઈ રહી છે. આ અફવાઓના કારણે લોકો પેટ્રોલ પંપ પર ઇંધણ ભરાવવા માટે દોડધામ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિક કુંભાણીએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરતો એક વીડિયો સંદેશ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. આ વીડિયો સંદેશમાં કુંભાણીએ સ્પષ્ટતા કરી છે કે અમરેલી જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જિલ્લામાં ક્યાંય પણ ઇંધણની કોઈ અછત નથી અને તમામ પેટ્રોલ પંપ પર રાબેતા મુજબ વિતરણ ચાલુ છે. અધિકારીએ નાગરિકોને અફવાઓના આધારે ગભરાટમાં આવીને પેટ્રોલ-ડીઝલનો વધુ પડતો સંગ્રહ ન કરવા વિનંતી કરી છે. તેમણે શાંતિ અને સંયમ જાળવીને નિયમિત જરૂરિયાત મુજબ જ ઇંધણ ભરાવવાની અપીલ કરી છે.
ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી:તાજ હોટલમાં જશે, 8 માર્ચે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ
ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ભારતની ટીમ ફાઈનલ માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. ભારતે ચોથી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે ગુરુવારે (5 માર્ચ)રમાયેલી બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું. ભારતીય ટીમ અગાઉ 2007, 2014 અને 2024માં પણ ફાઇનલ સુધી પહોંચી ચૂકી છે. ભારતીય ટીમના દરેક પ્લેયર અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી ટીમ શહેરની તાજ હોટલમાં જશે. આગામી 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થશે. 8 માર્ચે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ8 માર્ચે(રવિવાર) વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. 5 માર્ચે ન્યૂઝીલેન્ડની ટીમ પહોંચી હતીસેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પહોંચેલી કીવી ટીમ 5 માર્ચ, 2026એ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. એરપોર્ટ પરથી સીધી ટીમ હોટલ ITC નર્મદા ખાતે પહોંચી, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમના આગમન બાદ હોટલ ITC નર્મદા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પણ વાંચો - T-20 વર્લ્ડ કપની પહેલી ફાઈનલિસ્ટ ટીમ અમદાવાદ પહોંચી:કીવી ટીમનું ITC નર્મદામાં પાઘડી પહેરાવીને સ્વાગત, રુમમાં ક્રિકેટરોના ફોટા સાથે સ્પેશિયલ મીઠાઈ મૂકાઈ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
બોટાદ: નવસર્જન ટ્રસ્ટ અને રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ તાલુકા વિકાસ અધિકારી (TDO) ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં દલિત સમાજના સભ્યોને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદ ન મળવા અને તેમની જમીન પરના ગેરકાયદેસર કબજા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.રજૂઆત મુજબ, વર્ષોથી દલિત સમાજના ચૂંટાયેલા સભ્યોને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનો દરજ્જો આપવામાં આવતો નથી. આ ઉપરાંત, વર્ષો પહેલાં દલિત સમાજને ફાળવવામાં આવેલી જમીન પર માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો છે.આવેદનપત્રમાં તાલુકા વિકાસ અધિકારીને આ મામલે દખલગીરી કરીને દલિત સમાજને ન્યાય અપાવવા વિનંતી કરવામાં આવી હતી. તેમણે દલિત સભ્યો માટે ઓફિસમાં ખુરશીની વ્યવસ્થા કરાવવા, સ્મશાન માટે જમીન ફાળવવા અને દલિત સમાજની કબજા હેઠળની જમીન ખાલી કરાવી પરત અપાવવા માંગ કરી હતી. આ આવેદનપત્ર સુપરત કરનારાઓમાં બળદેવભાઈ મકવાણા, મનજીભાઈ સોલંકી, દાનાભાઈ સોલંકી, વિઠલભાઈ સાપરીયા, રામજીભાઈ બથવાર, કિશોરભાઈ મકવાણા, દેવજીભાઈ બાવળવા, સોમાભાઈ રાઠોડ, દાનજીભાઈ સોલંકી, કેશવભાઈ મકવાણા, મનુભાઈ ચૌહાણ, રમેશભાઈ પરમાર, કાન્તીભાઈ ચૌહાણ, વિપુલભાઈ વાઘેલા, ઈમ્તિયાઝભાઈ કુરેશી, સિકંન્દરભાઈ જોખીયા, જાકિરભાઈ સંધી અને નરેન્દ્રભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
'ડાયમંડ સિટી' અને 'સ્માર્ટ સિટી' તરીકે ઓળખાતા સુરત શહેરમાં રસ્તાઓની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. આશ્ચર્યજનક ઘટનામાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અને ચીફ ફાયર ઓફિસર (CFO)ની ઓફિસની બિલકુલ બહાર રસ્તા પર એક વિશાળ ભૂવો પડ્યો છે. અંદાજે 6 થી 7 ફૂટ ઊંડા આ ભૂવાને કારણે વહીવટી તંત્રની કામગીરીની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિન્હો લાગ્યા છે. મુખ્ય કચેરીના ઉંબરે જ ભ્રષ્ટાચાર કે બેદરકારી?સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે જમીન ધોવાણ થવાથી ભૂવા પડવાની ઘટનાઓ સામાન્ય ગણાય છે. પરંતુ, સુરતના હાર્દ સમાન મુગલીસરા વિસ્તારમાં, જ્યાં પાલિકાની મુખ્ય કચેરી આવેલી છે, ત્યાં ભર ઉનાળે રસ્તો બેસી જવો એ ચર્ચાનો વિષય બન્યો છે. જે રસ્તા પરથી રોજના સેંકડો અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થાય છે, તે જ રસ્તાની આ હાલત જોઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભૂવો પડતાં તંત્રમાં દોડધામમળતી માહિતી અનુસાર, ફાયર ચીફ ઓફિસની બહાર અચાનક રસ્તો બેસી ગયો હતો અને જોતજોતામાં 7 ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો હતો. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાંથી કોઈ વાહન પસાર થઈ રહ્યું નહોતું, અન્યથા મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. ઘટનાની જાણ થતા જ પાલિકાના ડ્રેનેજ અને રોડ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે ભૂવાને ચારેબાજુથી બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે. શું પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ?ભર ઉનાળે ભૂવો પડવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક અનુમાન મુજબ રસ્તાની નીચેથી પસાર થતી વર્ષો જૂની ડ્રેનેજ લાઇન અથવા પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાને કારણે અંદરખાને માટીનું ધોવાણ થયું હોઈ શકે છે. પરંતુ સવાલ એ છે કે જો આટલી મહત્વની જગ્યાએ લાંબા સમયથી લીકેજ હતું, તો તંત્રને તેની જાણ કેમ ન થઈ? શું પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત છે? બેરિકેટિંગને કારણે ટ્રાફિકના દૃશ્યો સર્જાયાઆ વિસ્તાર અત્યંત વ્યસ્ત છે અને પાલિકાની કચેરી હોવાથી અહીં લોકોની સતત અવરજવર રહે છે. રસ્તાની વચ્ચે પડેલા ભૂવા અને ત્યારબાદ કરાયેલા બેરિકેટિંગને કારણે ટ્રાફિકના દૃશ્યો સર્જાયા હતા. સાંકડા રસ્તા પર વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નેપાળની ચૂંટણીમાં યુવા નેતા બાલેન્દ્ર શાહનો દબદબો! ચીનના માનીતા નેતાના સૂપડાં સાફ
Nepal Parliamentary Election 2026 : નેપાળમાં પાંચમી માર્ચે સંસદીય ચૂંટણી યોજાયા બાદ હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં માનીતા નેતાના સૂપડાં સાફ થતા ચીનને મોટો ઝટકો લાગ્યો છે. નેપાળી મીડિયાના અહેવાલો મુજબ, શરૂઆતના વલણોમાં 43 બેઠકો પરની મતગણતરીમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) 35 બેઠકો પર આગળ ચાલી રહી છે. આરએસપીના વડાપ્રધાન પદના ઉમેદવાર બાલેન શાહ પૂર્વ નેપાળના ઝાપા-5માં પૂર્વ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે દેશની ચૂંટણીમાં આરએસપી ઓલીની પાર્ટીથી ખૂબ આગળ નીકળી ગઈ છે.
સુરતના એક વિઝા કન્સલ્ટન્ટને ન્યુઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે છેતરપિંડી અને ચેક રિટર્નના કેસમાં ખંભાતની અદાલતે એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આરોપી અમરીશકુમાર કાળુભાઈ વઘાસીયાને રૂ. 16.60 લાખના બે ચેક રિટર્ન થવા બદલ તકસીરવાર ઠેરવવામાં આવ્યા છે. ખંભાત શહેરના પોપટપુરાના રહેવાસી અંકિત શશિકાંતભાઈ પટેલે ન્યુઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા માટે સુરતના વેડ રોડ પર આવેલા 'એ એન્ડ ટી વિઝા કન્સલ્ટન્ટ'ના સંચાલક અમરીશકુમાર વઘાસીયાનો સંપર્ક કર્યો હતો. અમરીશકુમારે ન્યુઝીલેન્ડમાં રહેવા, નોકરી અને ઇમિગ્રેશન સહિત કુલ રૂ. 18 લાખ નક્કી કર્યા હતા. અંકિતભાઈએ રોકડ, ચેક, યુપીઆઈ અને આરટીજીએસ દ્વારા કુલ રૂ. 17.60 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ અમરીશકુમારે અંકિતભાઈને ન્યુઝીલેન્ડની ટિકિટ અને વિઝા આપ્યા હતા. જોકે, મુંબઈ એરપોર્ટ પર પહોંચતા જ જાણવા મળ્યું કે વિઝા નકલી હતા અને સિસ્ટમમાં દર્શાવવામાં આવતા ન હતા. અંકિતભાઈએ અમરીશકુમારનો સંપર્ક કરતા, તેમને મલેશિયાની ટિકિટ આપીને ત્યાંથી ન્યુઝીલેન્ડના વિઝા અને ટિકિટ મળી જશે તેમ જણાવ્યું હતું. અંકિતભાઈ મલેશિયા ગયા, પરંતુ ત્યાં પણ વિઝા ન મળતા તેઓ ભારત પરત ફર્યા હતા. ભારત પરત ફર્યા બાદ અંકિતભાઈએ અમરીશકુમારને રૂબરૂ મળીને ખર્ચ સહિતના ચૂકવેલા પૈસા પરત માંગ્યા હતા. જેના જવાબમાં અમરીશકુમારે રૂ. 8.30 લાખના બે ચેક, જેની તારીખ અનુક્રમે 20 ઓગસ્ટ, 2024 અને 5 સપ્ટેમ્બર, 2024 હતી, તે લખી આપ્યા હતા. નિયત તારીખે આ બંને ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળને કારણે રિટર્ન થયા હતા. આથી, અંકિતભાઈએ તેમના વકીલ એ.એસ. પટેલ મારફતે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને ખંભાતની અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એચ. ઓડેદરા સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જજે બંને પક્ષોના વકીલોની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લીધા હતા. વકીલ એ.એસ. પટેલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને, અદાલતે અમરીશકુમાર વઘાસીયાને ચેક રિટર્નના ગુનામાં તકસીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો હતો. વધુમાં, અદાલતે ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો, અને જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો પણ હુકમ કર્યો હતો.
નાબાર્ડ દ્વારા સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂર્વે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના આર્થિક વિકાસ અને સશક્તિકરણનો હતો. આ આયોજનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 'વોકલ ફોર લોકલ' પહેલને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી મહિલાઓને ગૃહ ઉદ્યોગો સ્થાપવા અને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આયોજકો દ્વારા મહિલાઓને સ્વરોજગારી માટે પ્રેરિત કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.
અમદાવાદ સ્થિત સરદારધામ સિવિલ સર્વિસ સેન્ટર દ્વારા આપવામાં આવતી ગુણવત્તાસભર તાલીમનું ફરી એકવાર ગૌરવપૂર્ણ પરિણામ પ્રાપ્ત થયું છે. UPSC દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસ (IAS–IPS) પરીક્ષામાં સરદારધામના વધુ 4 વિદ્યાર્થીઓએ ઉત્તમ સફળતા મેળવી છે. પસંદગી પામેલ વિદ્યાર્થીઓ નીચે મુજબ છે:1.તુષાર એચ. મેંદપરા – All India Rank 1952.અનિકેત કે. પટેલ – All India Rank 2663.સાવન પી. સરાવડિયા – All India Rank 2924.સ્નેહ આર. પટેલ – All India Rank 813 મિશન 2026 અંતર્ગત સરદારધામ દ્વારા સંચાલિત સુધા જસવંત અંબાલાલ પટેલ સિવિલ સર્વિસ સેન્ટરમાંથી અત્યાર સુધી UPSC દ્વારા લેવાયેલ સિવિલ સર્વિસ પરીક્ષામાં કુલ 39 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી. આજે જાહેર થયેલ પરિણામમાં વધુ 4 વિદ્યાર્થીઓની સફળતા સાથે કુલ સંખ્યા હવે 43 પર પહોંચી છે. આ નોંધપાત્ર સિદ્ધિ સરદારધામ દ્વારા યુવાનોને આપવામાં આવતી દિશા, પ્રેરણા અને ઉચ્ચ સ્તરની તાલીમનું પ્રતિબિંબ છે, જે સમાજના યુવાઓને રાષ્ટ્રસેવામાં આગળ વધવા પ્રોત્સાહિત કરે છે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે, જેના કારણે દુબઈ, અબુધાબી સહીત અનેક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સ્થગિત કરવાની ફરજ પડી છે. દુબઈ ફરવા ગયેલા અનેક ગુજરાતી પરિવારો આજે પણ ડરના માહોલ વચ્ચે માંડ માંડ દિવસો પસાર કરી રહ્યા છે અને પરત ભારત આવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. આ સમયે આજે જ દુબઈથી પરત આવેલ રાજકોટના યુવાને જણાવ્યું હતું કે, ત્યાં સ્થિતિ હજુ પણ ખરાબ છે ગઈકાલે રાત્રે પણ ત્યાં ડ્રોન હુમલા ચાલુ હતાં, લોકો ભયના માહોલમાં દિવસો પસાર કરી રહ્યા છે સરકાર સપોર્ટ કરે છે. પરંતુ પૂરતી ફ્લાઇટ ઉડાન ભરી શક્તિ નથી, જે ચાર્ટર ફ્લાઇટ ચાલુ છે તેના ભાડા ત્રણ ગણા વધી ગયા છે જે દરેકને પરવડે તે જરૂરી નથી. 'બોર્ડર પર યુદ્ધ હોય તેવી હાલત આબુધાબી એરપોર્ટ પર અમે જોઈ હતી'કૌશલ બાટવીયાએ જણાવ્યું હતું કે, હું એક ટ્રાવેલ એજન્ટ છું. હું અને મારી સાથે મારા પરિવારના 10 લોકો 27 ફેબ્રુઆરીના રોજ દુબઇ ફરવા માટે ગયાં હતાં અને આજે 6 માર્ચના રોજ અમે પરત રાજકોટ આવી ગયાં છીએ. ગઈકાલે અમે જે પરિસ્થિતિ જોઈ છે એ ખુબ જ ભયાનક હતી. જમ્મુ કાશ્મીર બોર્ડર પર યુદ્ધ સમય હોય તેવી હાલત આબુધાબી એરપોર્ટ અમે જોઈ હતી. એરપોર્ટ પર ડ્રોનથી સતત હુમલા ને ડરામણો માહોલતેને વધુમાં કહ્યું કે, આબુધાબી એરપોર્ટ પર ડ્રોનથી સતત હુમલા થતા હોવાથી એરપોર્ટ સ્ટાફ અને તમામ મુસાફરોને એક સુરક્ષિત જગ્યાએ પેક કરી દેવામાં આવ્યા હતા. 10 મિનિટ પછી ડ્રોન હુમલો શાંત થતા આગળ બોર્ડિંગ તરફ અમે વધ્યા હતા અને પછી પાછા તુરંત એક જગ્યાએ સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. ત્યાંની સરકારનો પૂરતો સપોર્ટ મળ્યો હતો મેસેજ મારફત તમામ માહિતી અમારા સુધી પહોંચાડી દેતા હતાં. ‘ડ્રોન પડે એટલે ભેદી ધડાકા જેવા મોટા અવાજ અમે સાંભળેલો’કૌશલે વધુમાં કહ્યું કે, રાત્રે 1 વાગ્યે અમારી ફ્લાઇટ ઉડાન ભરી હતી અને અમે વજેકી સવારે 6 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. દુબઈમાં પણ સ્થિતિ ખરાબ છે દરરોજ રાત્રે ત્યાં ડ્રોન મારફત હુમલા કરવામાં આવે છે. ડ્રોન પડે એટલે ભેદી ધડાકા જેવા મોટા અવાજ પણ અમે સાંભળેલા છે. ‘ત્યાં ફસાયેલા લોકોની સંખ્યા વધુ છે’તેને વધુમાં જણાવ્યું હતું કે, અમે 27 તારીખે ત્યાં ગયા ત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ ન હતી અમે હરીફરી શકતા હતા, પછી સ્થિતિ બગડી હતી. આજે સ્થિતિ ખરાબ છે ઘણા બધા લોકો ત્યાં ફસાયેલા છે. હું પોતે ત્યાં ઇન્ડિયન એમ્બસીમાં ગયો હતો. પરંતુ ત્યાં ફસાયેલા લોકોની સંખ્યા વધુ છે માટે ધીમે ધીમે ત્યાંથી સરકાર લોકોને પરત મોકલી રહી છે. નોર્મલ ભાડા કરતા ત્રણ ગણું વધારે ભાડુંતેમને વધુમાં જણાવ્યું હતું કે, ઘણા બધા ગુજરાતી પરિવાર ત્યાં દુબઈમાં ફસાયેલા છે. હાલમાં કોઈ ફ્લાઇટ ઓપરેટ નથી થઇ રહી જે ચાલે છે એ ચાર્ટર ફ્લાઇટ ચાલે છે. જેનું અંદાજિત ભાડું પણ લગભગ 70,000 છે એટલે નોર્મલ ભાડા કરતા ત્રણ ગણું વધારે કહી શકાય. અમે જ્યાં રોકાયા હતા તે હોટલથી 100 મીટરના અંતરમાં જ અમે ડ્રોન હુમલા થતા જોયા છે. ‘રહેવા જમવાનું પણ મોંઘુ મળે છે’તેને વધુમાં કહ્યું કે, ઘણા બધા લોકો લગભગ છેલ્લા 6 દિવસથી પરત ભારત આવવા માટે રાહ જોઈ રહ્યા છે. દુબઈમાં જે લોકો ફસાયા છે તેમને રહેવા જમવાનું પણ મોંઘુ મળે છે માટે અનેક લોકો દુબઈમાં ખુબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા વર્ષ 2020માં બહાર પડાયેલા પરિપત્રને જાહેર હિતની અરજી દ્વારા ચેલેન્જ કરવામાં આવ્યો છે. જે સંદર્ભે પહેલા જ કોર્ટે પૂછ્યું હતું કે, શા માટે 6 વર્ષ પછી પરિપત્રને ચેલેન્જ કરાયો છે? અરજદારે જણાવ્યું હતું કે, આ જાહેર હિતનો વિષય હોવાથી પરિપત્રને ચેલેન્જ કરવામાં આવે છે. 20 લાખથી વધુના ફ્રોડમાં પોલીસ CP ઓફિસની સૂચના મળે તો જ ફરિયાદ નોધાયઆ પરિપત્ર મુજબ 20 લાખ રૂપિયાથી વધુની મિલકતનો ફ્રોડ કે ચીટીંગનો કેસ હોય તો પોલીસ સ્ટેશન દ્વારા તેને હાયર ઓફિસરને મોકલવાનું રહે છે. ત્યારબાદ તે પોલીસ કમિશનરની ઓફિસમાં મોકલી આપવામાં આવે છે. પોલીસ કમિશનરની ઓફિસ દ્વારા ફરિયાદ નોંધવા માટે સૂચના મળે તો જ ફરિયાદ નોંધવામાં આવે છે. આગળની કાર્યવાહી બે અઠવાડિયા બાદ રાખીઅરજદાર પોતે પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે. આ સર્ક્યુલર સંદર્ભે તેને ઓથોરિટી સમક્ષ રજૂઆત પણ કરી છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે તેમને જાહેર હિતની અરજીમાં પોતાની વિશ્વાસનીયતા પુરવાર કરવી પડશે. આ અરજીમાં તેમનું કોઈ અંગત હિત સંકળાયેલું નથી અને વર્ષ 2020માં બહાર પડાયેલ સર્ક્યુલર હાલમાં અમલમાં છે. તે બાબત સોગંદનામાં ઉપર આપવાની રહેશે. આ સાથે જ આ મુદ્દે આગળની કાર્યવાહી બે અઠવાડિયા બાદ રાખી છે.
પાટણમાં 24 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે છે:28 હજાર એકરથી વધુ વિસ્તારમાં સફળ અમલીકરણ
રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાન અંતર્ગત પાટણ જિલ્લો નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યો છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા કચેરી, પાટણના સક્રિય માર્ગદર્શનથી જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આના પરિણામે પાટણ ટકાઉ અને પર્યાવરણમૈત્રી ખેતી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બન્યું છે. હાલમાં પાટણ જિલ્લામાં 24,260 ખેડૂતો દ્વારા અંદાજે 28,814 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રસાર અને પ્રદર્શન માટે જિલ્લામાં કુલ 218 મોડલ ફાર્મ કાર્યરત છે. ખેડૂતોને માર્ગદર્શન, તાલીમ અને જરૂરી સામગ્રી પૂરી પાડવા માટે 21 બાયો રિસોર્સ સેન્ટર (BRC) પણ કાર્યરત છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતી હેઠળ મુખ્યત્વે દિવેલા, કપાસ, અડદ, મગ, ગવાર, ચણા, ઘઉં, રાઈ, જીરું, ઘાસચારો તેમજ બાગાયતી અને મસાલા પાકોનું વાવેતર થાય છે. આ પાકો ખેડૂતોને સારી આવક પૂરી પાડી રહ્યા છે. ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધારવા માટે ક્લસ્ટર આધારિત તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, દેશી ગાયના ઉપયોગ, જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત જેવી પદ્ધતિઓ અંગે ખેડૂતોને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવે છે. આનાથી વધુ ખેડૂતો આ પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિ અપનાવવા પ્રેરિત થઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું વિશેષ મહત્વ હોવાથી, દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત ખેડૂતોને ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. પ્રાકૃતિક રીતે ઉત્પાદિત કૃષિ પેદાશોને બજારમાં યોગ્ય સ્થાન મળે તે માટે પણ જિલ્લા સ્તરે પ્રયાસો થયા છે. દર ગુરુવારે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી ખેડૂતો પોતાની પેદાશો સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકે. ઉપરાંત, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO) મારફતે માર્કેટિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે, જે ખેડૂતોને વધુ સારા ભાવ મેળવવામાં મદદરૂપ બની રહી છે. આ તમામ પ્રયાસોના પરિણામે પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માત્ર એક નવી પદ્ધતિ નથી, પરંતુ તે ખેડૂતોની આવક વધારતી, જમીનની ઉપજ ક્ષમતા જાળવતી અને પર્યાવરણનું સંરક્ષણ કરતી ટકાઉ વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની રહી છે.
રાજકોટમાં PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા વીજ ગ્રાહકોને બિલિંગમાં છેતરવામાં આવી રહ્યા હોવાના કોંગ્રેસ નેતા પાલ આંબલીયાના આક્ષેપો બાદ સમગ્ર વિવાદ ગરમાયો છે. જોકે આ મુદ્દે PGVCLના MD કેતન જોષીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડિયો સત્યથી વેગળો અને ભ્રામક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગ્રાહકોને વીજ બિલમાં સ્લેબનો લાભ પૂરેપૂરો મળે છે, એટલે કે વીજળીનું બિલ બે મહિને આવે તો વધુ રૂપિયા લાગે તેવી માન્યતા ખોટી છે. PGVCLની બિલિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે. કેતન જોષીએ સમજાવ્યું હતું કે PGVCLમાં બિલિંગની પ્રક્રિયા GERC (ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન) દ્વારા નક્કી કરેલા નિયમો અને સપ્લાય કોડ મુજબ જ કરવામાં આવે છે. જે ગ્રાહકો 6 કિલોવોટથી વધુનો વીજ લોડ ધરાવે છે અથવા થ્રી-ફેસ કનેક્શન ધરાવે છે, તેમને દર મહિને બિલ આપવામાં આવે છે. જ્યારે સામાન્ય ઘરેલું ગ્રાહકોને 'બાય-મંથલી' એટલે કે દર બે મહિને એકવાર જ બિલ આપવામાં આવે છે. કોઈ ગ્રાહકોને વારંવાર પેમેન્ટ કરવા માટે કચેરીના ધક્કા ખાવા ન પડે તે માટે આ વ્યવસ્થા રાખવામાં આવી છે. સ્લેબ સિસ્ટમ અને ગણતરીની સ્પષ્ટતાવધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઘણીવાર ગ્રાહકોમાં એવી ગેરસમજ હોય છે કે બે મહિનાનું બિલ સાથે આવવાથી તેઓ ઊંચા સ્લેબમાં આવી જાય છે અને તેને વધુ નાણાં ચૂકવવા પડે છે. પરંતુ આ વાત તદ્દન ખોટી છે. જ્યારે બે મહિના (60 દિવસનું) બિલ આવે છે, ત્યારે સોફ્ટવેરમાં સ્લેબ આપોઆપ ડબલ થઈ જાય છે. અને જો બિલ 60 દિવસના બદલે સંજોગોવશાત 70 દિવસે આવે, તો પણ ગ્રાહકને પ્રોપોશનેટ (ક્રમિક) રીતે 1.33 ના ગુણાંકમાં સ્લેબનો લાભ મળે છે. આમ બિલ એક મહિને આવે કે બે મહિને, ગ્રાહકે ચૂકવવાની થતી રકમમાં કોઈ તફાવત પડતો નથી. તેમણે 502 યુનિટના બિલનું ઉદાહરણ આપીને આખી ગણતરી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે PGVCLનો ઉદ્દેશ્ય નફો કમાવવાનો નહીં, ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજળી પૂરી પાડવાનો છે. સ્લેબ વાઈઝ ગણતરીની વિસ્તૃત જાણકારી જો કોઈ ગ્રહકનું બે મહિનાનું બિલ 502 યુનિટ હોય, તો તેની ગણતરી માસિક 251 યુનિટના આધારે જુદા-જુદા સ્લેબમાં કરવામાં આવે છે. જેમાં પ્રથમ 50 યુનિટ માટે રૂ. 3.05, બીજા 50 યુનિટ માટે રૂ. 3.50, ત્યારપછીના 150 યુનિટ માટે રૂ. 4.15 અને બાકીના 1 યુનિટ માટે રૂ. 5.20 લેખે કુલ રૂ. 955.20 નું બિલ બને છે. દ્વિમાસિક બીલમાં પણ પ્રથમ 50 યુનિટ માટે રૂ. 3.05 લેખે રૂ. 152.50 વસૂલવામાં આવે છે. બીજા 50 યુનિટ માટે રૂ. 3.50 લેખે રૂ. 175 લેવામાં આવે છે. ત્યારપછીના 150 યુનિટ માટે રૂ. 4.15 લેખે 300 યુનિટની ગણતરી કરતા રૂ. 1245 થાય છે. બાકીના 2 યુનિટ માટે રૂ. 5.20 લેખે રૂ. 10.40 ઉમેરવામાં આવે છે. આ તમામ રકમનો કુલ સરવાળો રૂ. 1910.40 થાય છે, જેને બે વડે ભાગતા રૂ. 955.20 જ આવે છે. આમ, દ્વિમાસિક સાયકલમાં પણ ગ્રાહકોને સ્લેબનો પૂરતો લાભ મળી રહે છે. કેતન જોષીએ અંતમાં જણાવ્યું હતું કે જો કોઈ ગ્રાહકને પોતાના બિલિંગ અંગે કોઈ પણ પ્રકારની મુંઝવણ કે શંકા હોય, તો તેઓ પોતાના બિલ સાથે નજીકની PGVCL કચેરીએ જઈ શકે છે. ત્યાંના અધિકારીઓ ગ્રાહકની ગેરસમજ દૂર કરવા અને ગણતરી સમજાવવા માટે હંમેશા તત્પર છે. સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહીને ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે સિસ્ટમમાં સ્લેબનો લાભ ઓટોમેટિક રીતે મળી જ જાય છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે રૂ. 203 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું. શહેરના સર સયાજીરાવ નગરગૃહ ખાતે કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ, દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડૉ. હેમાંગ જોષી, મેયર પિંકી સોની, શહેરના ધારાસભ્યો, જિલ્લાના ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, શહેર ભાજપ અધ્યક્ષ, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટીકા ટિપ્પણીથી શહેર કે રાજ્ય નથી ચાલતુંઃ સંઘવીનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નાના પરિવારને ચલાવવા પણ સમસ્યા આવે છે, ત્યારે આટલા મોટા શહેરને ચલાવવામાં પણ મુશ્કેલી ઉભી થઈ શકે છે. કેટલાક લોકો સવારે ઊઠીને કોઈક ને કોઈક મુદ્દો શોધે છે, જેનાથી સત્તાપક્ષની ટીકા કરી શકાય. તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે, માટે ટીકા ટિપ્પણીથી કોઈ શહેર કે રાજ્ય નથી ચાલતું. શહેરના વિકાસ અને શહેરને સ્વચ્છ રાખવા માટે સહભાગી થવું જોઈએ. ‘સુરસાગર તળાવ ખાતે થ્રીડી મેપિંગ શો, ફાઉન્ટન શો યોજાશે’નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે, રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ ખાતે મહાઆરતી યોજાશે. આ ઉપરાંત રોજ થ્રીડી મેપિંગ શો, ફાઉન્ટન શો, તથા મ્યુઝિક એન્ડ લાઇટ શો યોજવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કુલ રૂ. 40 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેથી વડોદરાની સાંજ લોકો માટે યાદગાર બની રહે. વડોદરાના ટુરિઝમને વિકસાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. ન્યાયમંદિર પાસે હેરિટેજ સ્ક્વેર બનાવાશેહર્ષ સંઘવીએ એવી પણ જાહેરાત કરી હતી કે, આગામી દિવસમાં ન્યાયમંદિર પાસે હેરિટેજ સ્ક્વેર બનાવવામાં આવશે. વડોદરા પાસે અનેક હેરિટેજ બિલ્ડિંગો છે જે વિરાસતને સાચવવાના પણ પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓમાં પણ તેનું આકર્ષણ વધશે. વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ વડોદરામાં થશેનાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરાના યુવાનોને નવી તક મળે તે માટેના પ્રયાસો કરવાં આવી રહ્યા છે. દેશની જાણીતી યુનિવર્સિટીઓ વડોદરામાં આવેલી છે. ત્યારે હાલમાં સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ પણ સ્થપાયો છે. વિવિધ યુનિવર્સિટીમાં તેના કોર્સ શરૂ કરવામાં આવશે. ત્યારે આગામી દિવસમાં વડોદરા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ યોજવામાં આવશે જેમાં વડોદરાના યુવાનો માટે ઉત્તમ તકો ઉભી થશે. ‘હું જ્યાં જન્મ્યો છું તેના કરતાં આ શહેરને સ્વચ્છ બનાવો’હર્ષ સંઘવીએ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, વડોદરા શહેર આજીવન સ્વચ્છતામાં નંબર 1 બની રહે તેવા પ્રયાસો કરવામાં આવે. તેઓએ કહ્યું હતું કે હું ચેલેન્જ આપવા આવ્યો છું કે, વડોદરા સુરત અને અમદાવાદ કરતા સ્વચ્છ બને અને આજીવન સ્વચ્છ રહે તેવા પ્રયાસો કરવામાં આવે.
વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વર્ષ 2022માં કરેલી જાહેરાતને પુનઃ યાદ અપાવતા રાજકારણ વધુ એક વખત ગરમાયું છે. કેતન ઇનામદારે જાહેરાત કરી છે કે, હું આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી નહીં લડું. પણ સાવલીના પ્રજાના દિલમાં હંમેશા રહીશ. વર્ષ 2022માં ચૂંટણી ટાણે જાહેરાત કરી હતીકેતન ઇનામદારે વર્ષ 2022ની ચૂંટણી સમયે પણ જાહેરાત કરી હતી કે, હું આગામી ચૂંટણી નહીં લડું. જો કે હાલમાં બરોડા ડેરીની ચૂંટણી નજીક છે અને સાવલીના ઉમેદવાર સાથે તેઓની બેઠક હતી તેમ તેઓએ આ મુદ્દાને પુનઃ યાદ કરાવ્યો હતો અને પુનઃ જાહેરાત કરી હતી કે, હું વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી નહીં લડું. તેઓએ એમ પણ કહ્યું હતું કે, હું મારી સાવલીના પ્રજાની પડખે હંમેશા ઊભો રહીશ. હું એમના દિલમાં છું અને રહીશ. બરોડા ડેરીના સાવલીના ઉમેદવાર બિનહરીફબરોડા ડેરીની ચૂંટણી સામે છે અને આવતીકાલ તા. 7 માર્ચે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે, ત્યારે સાવલી બેઠકના ડેરીના ઉમેદવાર રામસિંહ વાઘેલા કે જેઓ કેતન ઇનામદારના સમર્થક કહેવાય છે તેઓની સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું હતું જેથી તેઓ પણ હવે બિનહરીફ જાહેર થશે. તેઓ દ્વારા આજરોજ કેતન ઇનામદાર સાથે મુલાકાત કરવામાં આવી હતી તે સમયે આ જાહેરાત કરાઈ હતી. જાહેર જીવનમાં છું, જીવીશ ત્યાં સુધી પ્રજા વચ્ચે રહીશકેતન ઇનામદારને પૂછવામાં આવ્યું કે, શું તેઓ હવે લોકસભામાં જવા માગે છે જેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી નહીં લડું. પરંતુ જાહેર જીવનમાં છું અને જીવીશ ત્યાં સુધી પ્રજાની વચ્ચે રહીશ. ત્યારે હવે તેઓ આગામી સમયમાં શું રણનીતિ કરે છે તેના ઉપર વિરોધીઓની પણ નજર રહેશે.
મોરબી શહેર અને તાલુકામાં જુદા જુદા ત્રણ સ્થળોએ આપઘાતના બનાવો નોંધાયા છે. આ ઘટનાઓમાં એક વૃદ્ધા, એક આધેડ અને એક યુવાને ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યો છે. સ્થાનિક પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રથમ ઘટના મોરબીના ડિવાઇન પાર્ક, સત્ય-બી એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૩૦૧માં બની હતી. અહીં ૭૫ વર્ષીય સવિતાબેન છગનભાઈ પાંચોટિયાએ એપાર્ટમેન્ટના ધાબા પરની ઓરડીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટના મોરબીના સોઓરડી પાસે આવેલા ચામુંડાનગર એકમાં બની હતી. અહીં ૫૫ વર્ષીય ગૌતમભાઈ અમરશીભાઈ સોલંકીએ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેમનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ગૌતમભાઈના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. મોરબી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી. ત્રીજી ઘટના મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે નોંધાઈ હતી. અહીં ૩૦ વર્ષીય મહેશભાઈ રમેશભાઈ પરમાર નામના યુવાને પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મહેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મૃતક યુવાનના પરિવારજન બિપીનભાઈ પરમાર (ઉંમર ૩૨, રહે. લક્ષ્મીનગર) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડમાં ગુજરાત બાર કાઉન્સિલની 23 બેઠકો માટે મતદાન:પ્રથમવાર CCTV અને લાઈવ રેકોર્ડિંગ હેઠળ પ્રક્રિયા
ગુજરાત બાર કાઉન્સિલની 23 બેઠકો માટે આજે રાજ્યભરમાં મતદાન શરૂ થયું છે. સવારે 10:30 વાગ્યાથી વિવિધ મતદાન મથકો પર વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં પારદર્શિતા જાળવવા માટે પ્રથમવાર સમગ્ર પ્રક્રિયા લાઈવ રેકોર્ડિંગ અને CCTV કેમેરાની કડક દેખરેખ હેઠળ યોજાઈ રહી છે. બાર કાઉન્સિલની કારોબારીના કુલ 23 સભ્યોને ચૂંટવા માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર, આ વખતે 30 મહિલા અનામત લાગુ કરવામાં આવી છે, જેના કારણે 5 બેઠકો મહિલા વકીલો માટે અનામત રાખવામાં આવી છે. કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 79 પુરુષ અને 20 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. રાજ્યભરના 77,000થી વધુ રજિસ્ટર્ડ વકીલો આ ચૂંટણીમાં મતદાન કરશે. આ માટે રાજ્યભરમાં 150થી વધુ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે અને 450થી વધુ પોલિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સમર્થિત ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. મતદાન પ્રેફરેન્શિયલ વોટિંગ પદ્ધતિ (પસંદગીના ક્રમ મુજબ મતદાન) દ્વારા થઈ રહ્યું છે. જામનગરના વકીલ મંડળ ખાતે સવારથી જ વકીલોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યાં કુલ 1,834 મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય પોલિંગ ઓફિસર કિશોરભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ, મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને સાંજ સુધીમાં તમામ મતપેટીઓ સીલ કરી અમદાવાદ મોકલવામાં આવશે. આજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતપેટીઓ ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમ ખાતે ખસેડવામાં આવશે. મતગણતરીની પ્રક્રિયા 9મી માર્ચથી શરૂ થશે. પ્રેફરેન્શિયલ વોટિંગ હોવાથી પરિણામ જાહેર થતા થોડો સમય લાગશે, અને અંદાજ મુજબ 14મી માર્ચ સુધીમાં બાર કાઉન્સિલના નવા સભ્યોના નામ જાહેર થઈ શકે છે.છેલ્લા 27 વર્ષથી બાર કાઉન્સિલમાં ‘સમરસ પેનલ’નું વર્ચસ્વ રહ્યું છે. આ વખતે જુનિયર વકીલો માટે સ્ટાઈપેન્ડ અને વકીલ વેલ્ફેર ફંડ જેવા મુદ્દાઓ ચૂંટણીમાં કેન્દ્રસ્થાને રહ્યા છે.
નવસારી APMC માર્કેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડવા ગયેલી નવસારી વિજલપોર મહાનગરપાલિકાની ટીમ પર હુમલો થયો છે. ભાજપના પૂર્વ કારોબારી ચેરમેન પિયુષ ગજેરાએ પાલિકાના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી ધમકીઓ આપી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ગતરોજ નવસારી મહાનગરપાલિકાની ટીમ APMC માર્કેટ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ તપાસ કરી રહી હતી. આ દરમિયાન એક ઈકો કારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પાલિકાની ટીમે કાર્યવાહી શરૂ કરતા ઈકો ચાલકે માથાકૂટ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ચાલકે પાલિકાના કર્મચારીઓ પર કાર ચઢાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાના પણ આક્ષેપ થયા છે. ઘટનાની જાણ થતા જ નવસારી પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પિયુષ ગજેરા ઈકો ચાલકના સમર્થનમાં સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે પાલિકાના કર્મચારીઓને ખખડાવ્યા હતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે કાર ચાલકને છોડી દેવા કહ્યું હતું. આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પિયુષ ગજેરા કર્મચારીઓને ધમકાવતા જોવા મળે છે તેમજ કહ્યું હતું કે, હું કોણ છું એ જાણી લેજો, બે મહિના પછી બતાવું. આ દરમિયાન તેમણે અપશબ્દો પણ બોલ્યા હતા. મામલો વધુ બિચકતા ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પૂર્વ નગરસેવકે ફરજ પરના પોલીસકર્મીઓ સાથે પણ ઝપાઝપી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપના પૂર્વ હોદ્દેદારની આ દાદાગીરીને પગલે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી ફરજમાં રૂકાવટ અને કર્મચારીઓને ધમકાવવા બદલ નવસારી મહાનગરપાલિકાના એન્ફોર્સમેન્ટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પિયુષ ગજેરા અને ઈકો ચાલક વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ વાયરલ વીડિયો અને ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અનેક પરિવારો માટે આર્થિક સહાયરૂપ બની રહી છે. આ યોજના હેઠળ વાર્ષિક નજીવા પ્રીમિયમ સામે અચાનક મૃત્યુના કિસ્સામાં પરિવારને ₹2 લાખની સહાય મળે છે. પાટણના એક પરિવાર માટે આ યોજના સંકટ સમયે મોટો આધાર બની છે. પાટણના રોહિતકુમાર કનુભાઈ મોચી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારક હતા. તેઓ દર વર્ષે માત્ર ₹436 પ્રીમિયમ ભરીને PMJJBYમાં જોડાયેલા હતા. તાજેતરમાં હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. યોજનાના નિયમ મુજબ, તેમના અવસાન બાદ પત્ની ગીતાબેનને ₹2 લાખની વીમા સહાય મળી છે. મૃતકના ભાઈ શૈલેષકુમાર કનુભાઈએ જણાવ્યું કે આ સહાય તેમના પરિવાર માટે મોટી આર્થિક મદદરૂપ બની છે. ખાસ કરીને રોહિતભાઈના બે બાળકોના અભ્યાસ માટે આ રકમ મહત્વપૂર્ણ આધાર બની રહેશે. પરિવારજનોએ સરકાર અને બેંક સ્ટાફનો આ મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પાટણ બ્રાંચના મેનેજર મઘાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, મૃતક રોહિતભાઈના પત્નીને PMJJBY હેઠળ ₹2 લાખની વીમા સહાય ચૂકવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, બેંક સ્ટાફ ગ્રાહકોને આ યોજના વિશે માહિતી આપે છે. માત્ર ₹436 વાર્ષિક પ્રીમિયમમાં ₹2 લાખનો વીમો મળતો હોવાથી દરેક ખાતાધારકે આ યોજનાનો લાભ લેવો જોઈએ, જેથી પરિવારને આર્થિક સુરક્ષા મળી શકે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા દરમિયાન એક કોપી કેસ નોંધાયો છે. આજે યોજાયેલા બેઝિક મેથેમેટિક્સ (ગણિત) ના પેપરમાં લાલપુર સ્થિત એલ.એલ. મહેતા કન્યા વિદ્યાલય કેન્દ્ર પરથી એક વિદ્યાર્થિની દુપટ્ટામાંથી કાપલી સાથે ઝડપાઈ હતી. આ ઘટના એલ.એલ. મહેતા પરીક્ષા સ્થળ પર બની હતી. પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર અને સ્થળ સંચાલકના ધ્યાને આવ્યું કે એક વિદ્યાર્થીની ચોરી કરી રહી છે. તપાસ કરતા તેના દુપટ્ટામાંથી કાપલીઓ મળી આવી હતી. જામનગર જિલ્લામાં કુલ 14,634 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે, લાલપુર કેન્દ્રની એલ.એલ. મહેતા શાળામાં પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી કાપલી સાથે જોવા મળ્યો હતો. આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે કોપી કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને પણ કરી દેવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં ચોરી જેવી પ્રવૃત્તિઓ રોકવા માટે તંત્ર દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમ છતાં આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિયમ મુજબ, ઝડપાયેલી વિદ્યાર્થીની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
નવસારી જિલ્લાના વણગામમાં દીપડાએ મોડી રાત્રે ભારે આતંક મચાવ્યો હતો. રહેણાંક વિસ્તારમાં આવેલા એક પશુવાડામાં ત્રાટકીને દીપડાએ એકસાથે ૧૦ બકરા-બકરીઓનું મારણ કર્યું હતું. આ ઘટનાથી પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, વણગામના પશુપાલક સુરેશભાઈ જોગી આહીરના વાડામાં દીપડો ઘૂસી ગયો હતો. રાત્રિના અંધકારનો લાભ લઈ દીપડાએ વાડામાં બાંધેલા પશુઓ પર હુમલો કર્યો હતો. સવારે સુરેશભાઈએ વાડામાં જઈને જોયું ત્યારે 10 બકરા-બકરીઓના મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા, જેને જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગામમાં ચકચાર મચી ગઈ હતી અને સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગને જાણ કરાતા ફોરેસ્ટર ભાવિનભાઈ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મૃત પશુઓનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એકસાથે 10 પશુઓના મારણથી પશુપાલક સુરેશભાઈને મોટું આર્થિક નુકસાન થયું છે. રહેણાંક વિસ્તારની નજીક દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને તેને વહેલી તકે પાંજરે પૂરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.
મોડાસા પોલીસે ગેરકાયદેસર કતલ અટકાવી, 7 ગૌવંશ બચાવ્યા:કસ્બા વિસ્તારમાં રેડ, બે આરોપી ઝડપાયા
મોડાસા ટાઉન પોલીસે કસ્બા વિસ્તારમાં ગેરકાયદેસર કતલના ઇરાદે બાંધી રાખવામાં આવેલા 7 ગૌવંશને બચાવ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. PSI એસ.એસ. મલેકને મળેલી બાતમીના આધારે પોલીસે કસ્બા વિસ્તારમાં જમાલ વાવ દરગાહ પાછળ ઝાડી-ઝાખરામાં ગૌવંશ બાંધી રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે PI ડી.બી. વાળા અને PSI એસ.એસ. મલેક સહિતની પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસે કતલના ઇરાદે બાંધેલા 7 ગૌવંશને ગંભીર હાલતમાં શોધી કાઢ્યા હતા. પોલીસે તાત્કાલિક તેમને મુક્ત કરાવી જીવ બચાવ્યો હતો. આ સાથે સ્થળ પરથી બે આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મોડાસા કસ્બાના મોઘલવાડા વિસ્તારના 54 વર્ષીય નઝીરમોહમ્મદ બેલીમ અને રાણા સૈયદ વિસ્તારના 28 વર્ષીય અકિલ મુલતાનીનો સમાવેશ થાય છે. બંને વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગૌવંશ કતલ અને પશુઓની ગેરકાયદેસર હેરફેર રોકવા માટે સતત પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વૈશ્વિક ટેક્સટાઇલ હબ બનાવવા માટે કમર કસી છે. તાજેતરમાં પીએમ મોદીએ દેશના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ સાથે લાંબી વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. આ બેઠકમાં કોમર્સ અને ઇન્ડસ્ટ્રીયલ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ ઉદ્યોગપતિઓના પ્રશ્નો સાંભળ્યા અને તેમના સૂચનો મંગાવ્યા હતા, જેથી ભારતીય કાપડ વિશ્વના ખૂણે-ખૂણે પહોંચી શકે અને નિકાસમાં ધરખમ વધારો થઈ શકે. 60થી 65 અગ્રણીઓને PMએ વ્યક્તિગત અભિપ્રાય આપવા કહ્યુંબેઠકની શરૂઆતમાં પીએમ મોદીએ 10 મિનિટના પ્રભાવશાળી સંબોધન સાથે કાપડ ઉદ્યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત પાસે કૌશલ્ય છે, હવે માત્ર તેને વૈશ્વિક માપદંડો સાથે જોડવાની જરૂર છે. મીટિંગમાં હાજર 60થી 65 અગ્રણીઓને પીએમએ વ્યક્તિગત અભિપ્રાય આપવા પ્રોત્સાહિત કર્યા હતા. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગકારોની મુશ્કેલીઓ જાણીને નીતિગત ફેરફારો કરવાનો છે, જેથી ટેક્સટાઇલ સેક્ટરમાં ચીન જેવા દેશો સામે ભારત મજબૂતીથી ટકી શકે અને વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ બને. સુરતના અગ્રણીની રજૂઆત, વ્યાજદરમાં ઘટાડો અને સ્થિરતાની માગદક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ એસોસિયેશનના ચેરમેન અને મિલ પ્રોસેસિંગ યુનિટના પ્રમુખ જીતુ વખારીયાએ આ બેઠકમાં સુરત વતી મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે મુખ્યત્વે ત્રણ માંગણીઓ પર ભાર મૂક્યો હતો, જેમાં (1) બેંકના વ્યાજદરમાં ઘટાડો, (2) કાચા માલ (રો-મટીરીયલ)ના ભાવમાં સ્થિરતા અને (3) અવિરત પાવર સપ્લાય. જીતુભાઈએ વધુમાં જણાવ્યું કે, જો કાચા માલના ભાવ વારંવાર બદલાય તો લાંબા ગાળાના એક્સપોર્ટ ઓર્ડર પૂરા કરવામાં મોટી આર્થિક નુકસાની વેઠવી પડે છે, જે ઉદ્યોગના વિકાસ માટે મોટો અવરોધક સાબિત થાય છે. નિકાસ વધારવા માટે આર્થિક ટેકો અને સીસી લિમિટની જરૂરિયાતનિકાસ (એક્સપોર્ટ) વધારવા માટે જીતુભાઈએ પીએમ સમક્ષ રજૂઆત કરી કે ઉદ્યોગકારોને ઓછા વ્યાજે લોન અને સીસી લિમિટની સુવિધા મળવી જોઈએ. વર્કિંગ કેપિટલની ખેંચને કારણે અનેક નાના એકમો વિશ્વ બજારમાં સ્પર્ધા કરી શકતા નથી. જો સરકાર નાણાકીય સહાય અને વ્યાજમાં રાહત આપે, તો સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી દુનિયાના કોઈપણ ખૂણા સાથે કોમ્પિટિશન કરવા સક્ષમ છે. આ આર્થિક સધ્ધરતા જ ભારતીય ટેક્સટાઇલને આંતરરાષ્ટ્રીય બજારોમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે અને નિકાસના પ્રશ્નો હલ કરશે. સુરતનું મોર્ડનાઈઝેશન, રેપિઅર લૂમ્સ અને ડિજિટલ પ્રિન્ટિંગનો દબદબોછેલ્લા 5-7 વર્ષમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. જીતુ વખારીયાએ મીટિંગમાં ગર્વ સાથે જણાવ્યું કે, સુરતમાં હવે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી જેવી કે રેપિઅર જેકાર્ડ અને હાઈ-સ્પીડ લૂમ્સ કાર્યરત છે. પ્રોસેસિંગ ક્ષેત્રે પણ 200થી 300 મિલોમાં અત્યાધુનિક ડિજિટલ પ્રિન્ટિંગ મશીનો લાગી ગયા છે. આપણે ટેકનિકલ રીતે સક્ષમ છીએ, હવે માત્ર યોગ્ય ટર્મ્સ અને કન્ડિશન તથા વ્યાજબી ભાવની નીતિ મળે તો ભારત વિશ્વમાં ડંકો વગાડી શકે તેમ છે, તેની પીએમએ પણ નોંધ લીધી હતી. પીએમએ લેખિત રજૂઆતની પણ વેપારીઓને છૂટ આપીઆ મહત્વપૂર્ણ મેરેથોન બેઠક સવા અગિયાર વાગ્યાથી શરૂ થઈને અઢી વાગ્યા સુધી સતત ચાલી હતી. પીએમ મોદીએ દરેક વિસ્તારના પ્રતિનિધિઓને સાંભળવા પૂરતો સમય આપ્યો હતો. મીટિંગના અંતે પીએમએ એક ઉદાર જાહેરાત કરતા કહ્યું કે, જો કોઈના મહત્વના મુદ્દાઓ રજૂ કરવાના રહી ગયા હોય તો તેઓ આગામી એક સપ્તાહમાં લેખિતમાં પત્ર મોકલી શકે છે. આ અભિગમ દર્શાવે છે કે સરકાર ઉદ્યોગકારોની સમસ્યા ઉકેલવા અને ટેક્સટાઇલ ક્ષેત્રે ભારતનું સ્ટેન્ડ વિશ્વમાં મજબૂત કરવા કેટલી ગંભીર છે. જીતુ વખારીયાનો 'વન ટુ વન' સુરતની સમસ્યાઓ પર પ્રકાશજીતુ વખારીયાએ ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે 4-5 મહિના પછી ડિલિવરી આપવાની હોય ત્યારે જો રો-મટિરિયલના ભાવમાં મોટો તફાવત આવે તો એક્સપોર્ટર્સ માટે મુસીબત ઊભી થાય છે. ટ્રેડિંગ અને પ્રોક્યોરમેન્ટ માટે નાણાંની જરૂરિયાત પૂરી કરવા સસ્તી લોન જ એકમાત્ર ઉપાય છે. તેમણે પીએમ સમક્ષ આશા વ્યક્ત કરી કે જો એક્સપોર્ટ પર વિશેષ રાહત મળે તો સુરતની ક્ષમતા બેવડાઈ શકે છે. ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે પાવર સપ્લાયની સાતત્યતા જ ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. વૈશ્વિક બજાર જીતવાનો વિશ્વાસપીએમ મોદી સાથેની આ સીધી વાતચીતથી ટેક્સટાઇલ ઉદ્યોગના આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીતુ વખારીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પીએમ મોદીના સકારાત્મક અભિગમ અને સૂચવેલા ફેરફારોથી ભવિષ્યમાં મોટા પરિવર્તનો આવશે. ઉદ્યોગકારો હવે માત્ર ભારતીય બજાર નહીં, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટને સર્વ કરવા માટે સજ્જ છે. આ મીટિંગથી સાબિત થાય છે કે, પીએમ પોતે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ચિંતિત છે અને ભારત ચોક્કસપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાનું સ્થાન જમાવવામાં સફળ થશે તેવી અમને પૂરી આશા છે.
વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. દાદાએ જ પોતાની 7 વર્ષની પૌત્રી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ દીકરીની માતાએ કપુરાઈ પોલીસ મથકમાં નોંધાવી છે. દાદાએ પોતાની જ માસૂમ પૌત્રી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદસંસ્કારી નગરીને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવે છે. જેમ સંસ્કારી નગરીમાં માનવતાને લાંછન લગાડતી એક શરમજનક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સોમા તળાવ વિસ્તારમાં એક દાદાએ પોતાની જ 7 વર્ષની માસૂમ પૌત્રી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી છે. બાળકીની એકલતાનો લાભ ઉઠાવી વૃદ્ધે તેની સાથે અયોગ્ય વર્તન કર્યુંફરિયાદ અનુસાર ગત રાત્રિના સમયે આરોપી દાદા પોતાની પૌત્રીને કોઈ બહાને પોતાના રૂમમાં લઈ ગયા હતા. ત્યાં માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી વૃદ્ધે તેની સાથે અયોગ્ય રીતે સ્પર્શ કરી શારીરિક અડપલા શરૂ કર્યા હતા. દાદાની આ હરકતથી ગભરાયેલી બાળકીએ તુરંત જ રૂમની બહાર આવીને પોતાની માતાને આપવીતી જણાવી હતી. બાળકીના શબ્દો સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીની માતાએ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવીદીકરી સાથે થયેલા આ દુષ્કૃત્ય મામલે બાળકીની માતાએ કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વહૂએ પોતાના જ સસરા વિરુદ્ધ આ મામલે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચાલુ વર્ષે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેસર કેરીના પાક પર કુદરતી પરિબળોની માઠી અસર જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના કારણે આંબામાં ક્લાવરિંગ (મોર) આવવાની પ્રક્રિયા અત્યંત વિલંબિત થઈ છે. સામાન્ય રીતે નવેમ્બરમાં શરૂ થતું ફ્લાવરિંગ આ વખતે જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી ખેંચાયું છે. તો બીજી તરફ વધતી જતી ગરમી અને દિવસ-રાતના તાપમાનમાં મોટા તફાવતને કારણે ફળ ધારણ (ફ્રૂટ સેટિંગ) પ્રક્રિયા ખોરવાઈ છે. આ સાથે જ મધ્યો અને થ્રિપ્સ જેવી ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધતા ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ છે. જેથી આ વર્ષે કેસર કેરીની સીઝન માત્ર મોડી જ નહીં પરંતુ ઓછી આવાક વાળી પણ રહેશે. કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ આ સ્થિતિમાં પાકને બચાવવા માટે પિયત અને ખાતર વ્યવસ્થાપન અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કેસર કેરીની સીઝન માત્ર મોડી જ નહીં, પરંતુ ઓછી આવક વાળી પણ રહેશે. જેને કારણે સ્વાદપ્રિય લોકો માટે આ વર્ષે કેસરનો સ્વાદ મોંઘો અને મોડો મળવાની પૂરી શક્યતા છે. 'બગીચા રાખવા કે કાઢી નાખવા?': ખેડૂતજૂનાગઢ જિલ્લાના ધંધુસર ગામના ખેડૂત ધીરૂભાઈ દીવરાણીયા પોતાની વેદના ઠાલવતા જણાવે છે કે, તેમની પાસે 8 વીઘા જમીનમાં 120 આંબાના ઝાડનો બગીચો છે. દર વર્ષે આ સમયે આંબા કેરીઓથી લથબથ હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અત્યંત દયનીય છે. ગરમીના કારણે મોરમાં કોઈ બંધારણ જ થયું નથી. મોર તો આવ્યો પણ તે ખરી રહ્યો છે અથવા જીવાત તેને નુકાસન કરી રહી છે. ક્લાઇમેટ ચેન્જની સીધી અસર: કૃષિ નિષ્ણાતજૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયતી વિભાગના ડીન ડો. ડી.કે. વરૂએ આ પરિસ્થિતિ પાછળ 'જળવાયુ પરિવર્તન'ને મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, આંબો એક અત્યંત સંવેદનશીલ પાક છે. આ વર્ષે નવેમ્બરમાં જે ઠંડી પડવી જોઈએ તે ન પડતા ફ્લાવરિંગ પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ અપેક્ષિત મોર જોવા મળ્યો નથી. હવે જ્યારે ફેબ્રુઆરીમાં મોર દેખાઈ રહ્યો છે, ત્યારે અચાનક તાપમાન ઊંચું જવાથી નવી સમસ્યા ઊભી થઈ છે. આંબામાં 'મધ્યો' અને 'થ્રિપ્સ'નો ઉપદ્રવ વધ્યોતાપમાન વધતા જ આંબામાં 'મધ્યો' અને 'થ્રિપ્સ' (રાખોડી જીવાત)નો ઉપદ્રવ વધ્યો છે, જે મોરનો રસ ચૂસીને તેને સૂકવી નાખે છે. જ્યારે આંબામાં અલગ-અલગ તબક્કે ફ્લાવરિંગ આવે છે, ત્યારે ફળ બેસવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. હાલમાં દિવસનું તાપમાન વધુ અને રાતનું તાપમાન ઓછું હોવાથી કુદરતી પરાગનયન (Pollination) પર અસર પડે છે. કેરીના રસિકો માટે મોંઘી સાબિત થશે સીઝનઆ તમામ પરિબળોને જોતા એટલું તો સ્પષ્ટ છે કે, આ વર્ષે કેસર કેરીની સીઝન માત્ર મોડી જ નહીં, પરંતુ ઓછી આવક વાળી પણ રહેશે. ખેડૂતો જો વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરશે તો બાકી બચેલા પાકને બચાવી શકશે. પરંતુ ગ્રાહકો માટે આ વર્ષે કેસરનો સ્વાદ મોંઘો અને મોડો મળવાની પૂરી શક્યતા છે. ડો. વરૂએ ખેડૂતોને હાલની પરિસ્થિતિમાં જે કેરીઓ વટાણા કે લખોટી જેવડી થઈ ગઈ છે તેને બચાવવા માટે નીચે મુજબના પગલાં લેવા સૂચન કર્યું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના એમ.પી. શાહ ટાઉન હોલ ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આ વિશેષ પ્રકલ્પને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ટાઉન હોલ ખાતે તૈયાર કરવામાં આવેલા વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય તપાસ, આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા અને સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓના સ્ટોલ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ સ્થળ પર જ ઉપસ્થિત અરજદારો સાથે વાતચીત કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમ એ વહીવટી તંત્રને લોકોના ઘર સુધી લઈ જવાનો એક સબળ પ્રયાસ છે. સામાન્ય નાગરિકને પોતાના નાના-મોટા કામો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને એક જ સ્થળે તમામ પાયાની સેવાઓ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે પારદર્શક વહીવટ અને ઝડપી નિકાલને વર્તમાન સરકારની કાર્યશૈલીની ઓળખ ગણાવી હતી. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સેવા સેતુના માધ્યમથી હજારો લોકોએ સ્થળ પર જ પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું છે, જે લોકશાહીની સફળતા દર્શાવે છે. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી, કલેકટર કેતન ઠક્કર, ડે.કમિશનર ઝાલા સહિતના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
ધોરણ 10 ગણિતનું પેપર અપેક્ષા મુજબ સરળ:વિદ્યાર્થીઓએ રાહત અનુભવી, મોટાભાગના પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત
ગુજરાતમાં ચાલી રહેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓમાં આજે ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભય ધરાવતા આ વિષયનું પેપર અપેક્ષા મુજબ સરળ રહેતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી. આજે લેવાયેલું ધોરણ 10 ગણિતનું પેપર સરેરાશ વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહ્યું હતું. ગોધરાના પરીક્ષા કેન્દ્ર પરથી બહાર આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, પેપર અઘરું નહોતું. મોટાભાગના પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત હતા અને અગાઉ કરેલી તૈયારી મુજબના જ પૂછાયા હતા.
ભરૂચ શહેરમાં આવેલી રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદને લઈને વિવાદ વધુ વકર્યો છે. બે દિવસ અગાઉ કેટલીક મહિલાઓ દ્વારા મસ્જિદ પરિસરમાં પૂજા કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના બાદ મુસ્લિમ સમાજના આગેવાનોએ તેનો વિરોધ નોંધાવી પોલીસ ફરિયાદ કરવાની માગ કરી હતી. આ પરિસ્થિતિ વચ્ચે, રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના પ્રતિનિધિઓ, ભરૂચના સ્વામી મુક્તાનંદ, સુદર્શન નાગરાજ બાબા અને ચક્રઘર સ્વામી સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદ નર્મદા એપાર્ટમેન્ટ નજીક આવેલા સંકટમોચન હનુમાન મંદિર ખાતે યોજાઈ હતી, જેમાં આગામી કાર્યક્રમોની માહિતી આપવામાં આવી. પત્રકાર પરિષદને સંબોધતા સ્વામી મુક્તાનંદે જણાવ્યું હતું કે, બે મહિના પહેલા તેમના દ્વારા કરવામાં આવેલા અનશન બાદ પ્રશાસનને આપવામાં આવેલી સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. સમય પૂર્ણ થતા સમિતિના સભ્યો દ્વારા ફરી એકવાર પ્રશાસન સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, પુરાતત્ત્વ વિભાગ દ્વારા નિયમો મુજબ કાર્યવાહી ન થતી હોવાથી, આ રાષ્ટ્રીય ધરોહર અંગે લોકોને સાચી માહિતી પહોંચાડવા માટે આગામી સમયમાં સત્યાગ્રહ સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમોના ભાગરૂપે શહેરના વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજીને લોકોને આ વિષય અંગે માહિતી આપવામાં આવશે. આગામી 5મી એપ્રિલ, સોમવારથી શરૂ કરીને, દર મહિનાના સોમવારે સાંજે 4 થી 5 વાગ્યા સુધી કલેક્ટર કચેરીની બહાર હનુમાન ચાલીસા પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગોધરામાં ભાજપ યુવા નેતાના ઘરેથી સ્કોર્પિયો ચોરાઈ:20 લાખની કારની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
ગોધરા શહેરની શાંતિનિવાસ સોસાયટીમાં મોડી રાત્રે એક લક્ઝુરિયસ કારની ચોરી થઈ છે. પંચમહાલ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી વિવેક શાહના ઘર આંગણેથી આશરે 20 લાખ રૂપિયાની કિંમતની સ્કોર્પિયો S11 કાર ચોરાઈ હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના ગોધરાના પોલીસ ચોકી નંબર 8 નજીક આવેલી શાંતિનિવાસ સોસાયટીમાં બની હતી. તસ્કરોએ વિવેક શાહની કાળા રંગની સ્કોર્પિયો S11 કારને નિશાન બનાવી હતી. રાત્રિના આશરે 2 વાગ્યાના સુમારે, સફેદ રંગની ક્રેટા કારમાં આવેલા અજાણ્યા શખ્સો સોસાયટીમાં પ્રવેશ્યા હતા. તેમણે ખૂબ જ ચાલાકીપૂર્વક પાર્ક કરેલી સ્કોર્પિયો કારનું લોક તોડ્યું હતું. ગણતરીની મિનિટોમાં જ તસ્કરો સ્કોર્પિયો કાર લઈને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઘટનાની જાણ થતાં, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે સોસાયટી અને આસપાસના રૂટના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે IPS બદલીની આતુરતાનો અંત આવી ગયો છે. સરકાર દ્વારા એક સાથે 37 IPSની બદલી કરવામાં આવી છે જેમાં સૌથી ચર્ચાસ્પદ હોય તો એ છે રાજકોટ અને સૌરાષ્ટ્ર. કારણ કે આખા સૌરાષ્ટ્રમાં આવતા તમામ જિલ્લાની રેન્જના વડાને બદલી દેવામાં આવ્યા છે જેમાં રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર રેન્જનો સમાવેશ થાય છે. તેમાં પણ એક નામ એવું કે જેના નામથી માત્ર ગુનેગારો જ નહિ પોલીસ પણ ફફડે છે તેવા બાહોશ અધિકારી નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે જે આગામી વિધાનસભા ચૂંટણી સમયે પણ રાજકોટ રેન્જના વડા તરીકે જ જવાબદારી નિભાવશે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લો વિવાદમાં રહે છે, તેમાં પણ ખાસ કરીને ગોંડલ અને રીબડાનો વિવાદ તો આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બને છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ ચર્ચા ચાલી રહી છે કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહના ગઢમાં હવે નિર્લિપ્ત ‘રાજ’ ચાલશે. ત્યારે નિર્લિપ્ત રાયની બદલીને લઇને પાટીદાર દબંગ નેતા નિખીલ દોંગાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં પણ જાંબાઝ પોલીસ અધિકારીની રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી રોકી શક્યા નહીં. તો નિર્લિપ્ત રાયની બદલીથી બૂટલેગરો અને ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. સરકારને નુકસાન કરતા લોકો પર અંકુશ લાવવા નિલિપ્ત રાયની નિમણૂકરાજકોટ રેન્જના વડા તરીકે નિર્લિપ્ત રાયને મુકવા પાછળનું કારણ જોઈએ તો સૌરાષ્ટ્રમાં બેખૌફ બનેલા ગુનેગારો પર અંકુશ લાવવા તેમજ રાજકીય કે બિનરાજકીય રીતે સરકારને નુકસાન કરતા તમામ પર અંકુશ લાવવા ખાસ તેમની નિમણૂક કરવામાં આવી હોવાનું ચર્ચાય છે. સૌરાષ્ટ્રમાં ખનીજ માફિયાઓ તેમજ દારૂ-જુગારના અડ્ડાઓ સદંતર બંધ કરાવવા માટે તેમને ખાસ જવાબદારી સોંપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ રેન્જ અંતર્ગત સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. નિર્લિપ્ત રાયને રાજકોટ લાવવાનો તખ્તો 4 મહિના પહેલાથી જ ઘડાઈ ગયો હતોનિર્લિપ્ત રાય પોતે ગુજરાતમાં બાહોશ અને સ્વચ્છ છબી ધરાવતા અધિકારી તરીકે છાપ ધરાવે છે તેઓ કાયદાથી વિરુદ્ધ કામ કરનારા કોઈને પણ છોડતા નથી. માટે ખાસ રાજકોટ રેન્જમાં તેમની નિમણૂક કરવામાં આવી છે અને આ માટેનો તખ્તો ચાર મહિના પહેલાથી જ ઘડાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકીય લોકોની પણ ખોટી ભલામણોને મહત્વ ન આપતા હોય તેવા IPS કદાચ ગુજરાતમાં ગણ્યા ગાઠ્યા છે અને તે પૈકી એક નામ નિર્લિપ્ત રાયનું છે માટે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં તેમની રેન્જના વડા તરીકેની જવાબદારી સરકાર માટે ઉપયોગી બને તેવી ચર્ચાઓ સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે. જયરાજસિંહ-અનિરુદ્ધસિંહના વિવાદો વચ્ચે નિર્લિપ્ત રાયની એન્ટ્રીરાજકોટ જિલ્લાના ગોંડલ અને રીબડાના બે બાહુબલી વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે રાજકોટ રેન્જ IG તરીકે મજબૂત અધિકારીને મુકવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. ગોંડલ રીબડાના આંતરિક વિવાદો અને ગોંડલમાં વિપક્ષ દ્વારા કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઇ સવાલો ઉભા કરાયા છે ત્યારે હવે નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ આગામી સમયમાં યોજાનાર ચૂંટણી દરમિયાન તેની કેવી અને કેટલી અસર જોવા મળશે તે જોવું મહત્વનું રહેશે? નિખિલ દોંગાની સોશિયલ મીડિયા પોસ્ટ એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં પણ જાંબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબની રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી રોકી શક્યા નહીં. આ બનાવ દર્શાવે છે કે વ્યક્તિગત પ્રભાવ હોવા છતાં અંતિમ નિર્ણય વ્યવસ્થાની નીતિઓ અને વહીવટી પ્રક્રિયાઓ મુજબ જ લેવામાં આવે છે. નિર્લિપ્ત રાય સાહેબ ને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા કે રાજકોટ ગોંડલમાંથી ગુંડારાજ ખતમ કરે શહેર પોલીસ કમિશનરની જગ્યાએ એડિ. પોલીસ કમિશનરનું નામ લિસ્ટમાંરાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા પોતાની બદલી ઈચ્છી રહ્યા હોવાની ચર્ચાઓ શહેર પોલીસ બેડામાં ચાલી રહી હતી. જો કે આ વખતે પણ તેમની બદલી થઈ નથી, પરંતુ તેમના બદલે એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયાનું નામ બદલીના લિસ્ટમાં આવી ગયું છે અને તેમના સ્થાને ચૈતન્ય માંડલિકની રાજકોટના નવા એડિશનલ પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આવતા તમામ જિલ્લાની રેન્જના વડાને બદલી દેવાયારાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવના બદલે નિર્લિપ્ત રાયને મુકવામાં આવ્યા છે. જૂનાગઢ રેન્જ IG નિલેશ જાજડીયાના બદલે રાજેન્દ્રસિંહ ચુડાસમાને મુકવામાં આવ્યા છે. ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારના બદલે આર.વી.અસારીને મુકવામાં આવ્યા છે. રાજકોટ શહેરના એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયાના બદલે ચૈતન્ય માંડલિકને મુકવામાં આવ્યા છે.
સરકારના ગૃહ વિભાગ દ્વારા 5 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું બહાર પાડીને રાજ્યના 37 ઉચ્ચ પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી તથા નવી નિમણૂકો કરવામાં આવી છે. આ ફેરબદલમાં અનેક રેન્જ આઈજી તેમજ મોટા શહેરોના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારની બદલી કરીને તેમને CID ક્રાઇમના આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભાવનગર રેન્જના નવા આઈજી તરીકે રાજેન્દ્ર અંસારીને નિમણૂક કરવામાં આવી છે. ગૌતમ પરમારનો ભાવનગર રેન્જ આઈજીનો કાર્યકાળ 3.5 વર્ષ રહ્યોભાવનગર-બોટાદ-અમરેલી રેન્જના આઈજી ગૌતમ પરમાર, જે 2004 બેચના આઈપીએસ અધિકારી છે, તેમણે 26 ઓક્ટોબર, 2022ના રોજ ભાવનગર રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને અંદાજે 3.5 વર્ષ સુધી આ પદ પર રહી ફરજ બજાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન અનેક ગુનાહિત પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાઇપ્રોફાઇલ બગદાણા કેસમાં કાર્યવાહીખાસ કરીને GST કાંડ, ડમીકાંડ-તોડકાંડ, લેન્ડ ગ્રેબિંગ અને ગુંજીસીટોક જેવા કેસોમાં ગેરકાયદેસર રીતે ગરીબોની જમીન પચાવી પાડનાર તત્વો સામે કડક પગલાં લેવાયા હતાં. ઉપરાંત સાઇબર ફ્રોડના કેસોમાં પણ અનેક કાર્યવાહી કરવામાં આવી હતી. તાજેતરમાં બનેલા હાઇપ્રોફાઇલ બગદાણા મારામારી પ્રકરણમાં પણ તેમના માર્ગદર્શન હેઠળ SIT ટીમ રચી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ વિભાગમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવા માટે શરદ પૂર્ણિમા નિમિત્તે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની મહિલા પોલીસ કર્મીઓ માટે પ્રથમ વખત રાસ-ગરબા અને ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી. ગૌતમ પરમાર દ્વારા ઘણીવાર રાત્રિના સમયે સરપ્રાઈઝ ચેકિંગ વધુમાં, રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા ઘણીવાર રાત્રિના સમયે સામાન્ય નાગરિક તરીકે મુસાફરી કરીને ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યા હતા.ત્યારે ભાવનગર ના 3.5 વર્ષના કાર્યકાળ બાદ ગૌતમ પરમારની ગાંધીનગર CID ક્રાઇમના વડા તરીકે નિમણુક થવા પામી છે. 17 વર્ષ બાદ રાજેન્દ્ર અંસારી ફરી ભાવનગરમાંભાવનગર-અમરેલી-બોટાદ રેન્જના નવા આઈજી તરીકે રાજેન્દ્ર અંસારીની નિમણૂક કરવામાં આવી છે. રાજેન્દ્ર અંસારી 2006 બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓ અગાઉ વર્ષ 2009-10 દરમિયાન ભાવનગર જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. લાંબા સમય બાદ ફરીથી તેમને ભાવનગર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. લગભગ 17 વર્ષ બાદ તેઓ ભાવનગર-બોટાદ-અમરેલી રેન્જના આઈજી તરીકે નિમણૂક પામ્યા હોવાથી પોલીસ તંત્રમાં આ બદલીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
AI Image
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 23 બેઠકો માટે રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે, તેમાંથી 2 ઉમેદવારો ભાવનગર માંથી ઉમેદવારી નોંધવી હતી, ભાવનગર શહેરમાં અંદાજે 1480 મતદારો નોંધાયેલા છે અહીંના બાર રૂમ ખાતે સવારના 10:30 થી સાંજના 5:00 કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલશે, ભાવનગર જિલ્લામાંથી બે અગ્રણી વકીલો મેદાનમાં છે જેમાં હિરેન તનસુખરાય જાની પ્રમુખ ભાવનગર બાર એસોસિએશન તથા અનિરુદ્ધસિંહ ઝાલા પૂર્વ ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બંને ઉમદેવારોએ ઉમેદવારી નોંધાવી છે, ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ યોજાઈ રહી છે, જેમાં પારદર્શિતા માટે દરેક પોલિંગ બૂથ પર સીસીટીવી કેમેરા અને સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, આજરોજ સમગ્ર ગુજરાત માંથી 99 ઉમેદવારોનો ભાવિનો નિર્ણય રાજ્યના અંદાજિત 78,000 વકીલ મતદારો કરશે, આ ચૂંટણીમાં કુલ 23 બેઠકોમાંથી 5 બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે 18 બેઠકો સામાન્ય (પુરૂષ) ઉમેદવારો માટે છે. મતદાન માટે 'પ્રેફરેન્શિયલ વોટિંગ સિસ્ટમ' (પસંદગીનો ક્રમ 1-2-3) અપનાવવામાં આવી છે મહત્વની વાત એ છે કે મહિલા અને પુરૂષ ઉમેદવારો માટે એક જ બેલેટ પેપર રાખવામાં આવ્યું છે, ત્રીજી વખત ઉમેદવારી નોંધાવનાર પૂર્વ ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ એ વકીલોની માતૃસંસ્થા છે જે સનદ આપવા ઉપરાંત વકીલોના વેલ્ફેર, મૃત્યુ સહાય અને માંદગી સહાય જેવા મહત્વના કાર્યો કરે છે, વકીલોના હિતમાં વધુ સારા કાર્યો કરવાના સંકલ્પ સાથે અમે મેદાનમાં છીએ, રાજ્યભરના વકીલોમાં આ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ચૂંટાયેલા 23 સભ્યો આગામી 5 વર્ષ સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું સંચાલન સંભાળશે.
વાપી GIDCમાં ધુળેટી પર બે ભાઈ પર હુમલો:સ્પીકર વગાડવા બાબતે ઝઘડો, ચપ્પુ-પથ્થરથી ગંભીર ઇજા
વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં ધુળેટી પર્વની ઉજવણી દરમિયાન નજીવી બાબતે થયેલી બોલાચાલી હિંસક હુમલામાં પરિણમી હતી. ત્રણ શખ્સોએ બે સગા ભાઈ પર ચપ્પુ અને પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય હુમલાખોર ફરાર છે. પ્રાથમિક માહિતી અનુસાર, વાપી GIDCની એક કંપનીમાં કામ કરતા શ્રમિકો ધુળેટીની ઉજવણી કરી રહ્યા હતા. ફરિયાદી ચંદનસીંગ અને તેમના ભાઈઓ કંપનીમાં સ્પીકર વગાડી ગુલાલ ઉડાડી રહ્યા હતા. આ દરમિયાન આરોપી સત્યમગીરી પ્રમોદગીરી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવત રાખીને સત્યમગીરીએ તે જ રાત્રે આશરે 9 વાગ્યે પોતાના બનેવી રૂપકગીરી અને ભાઈ રોશનગીરીને સ્થળ પર બોલાવી લીધા હતા. ત્રણેય આરોપીઓ કંપનીના દરવાજા પાસે આવી ગાળાગાળી કરવા લાગ્યા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેવો દરવાજો ખુલ્યો કે તરત જ રૂપકગીરીએ ચંદનસીંગના પેટના ડાબા ભાગે તીક્ષ્ણ ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો. ત્યારબાદ સત્યમગીરીએ ચંદનસીંગને આંખ ઉપર પથ્થર મારી ઇજા પહોંચાડી હતી. બંને ભાઈઓને બચાવવા વચ્ચે પડેલા નાના ભાઈ ગુડુસીંગને પણ રૂપકગીરીએ પીઠના ભાગે ચપ્પુ મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ GIDC પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી સત્યમગીરી અને રોશનગીરીની ધરપકડ કરી લીધી છે. જોકે, મુખ્ય હુમલાખોર રૂપકગીરી હજુ ફરાર છે અને તેને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ભાઈઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની કોલોનીમાં કૂતરાને શૌચ કરાવી ગંદકી કરાવવાની ના પાડતાં માથાભારે શખ્સ દ્વારા બેટથી મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી મહિલાને ગંભીર ઇજાઓ થતાં લોહી લુહાણ હાલતમાં સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. માંજલપુર પોલીસ દ્વારા હુમલો કરનાર કુતરાના માલિકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમ ગંદકી કરાવો છો તેમ કહેતાં જ મહિલા સાથે ઝઘડોવડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મારુતિ ધામ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં વિકાસ ભાઈના ઘરે મહેમાન આવ્યા હતાં. તેમની સોસાયટીમાં રહેતા દીપરાજ સિંહ ચૌહાણ નામનો શખ્સ તેમના પાડેલા કુતરાને સોસાયટીમાં જ ગંદકી કરાવે છે. દરમિયાન પાંચ માર્ચના રોજ બીરજુભાઈના ઘરે મહેમાન આવ્યા હોવાથી તેઓ તેમને લઈને જમવા બેઠા હતાં. ત્યારે આ શખ્સ પોતાના કૂતરાને વિકાસ ભાઈના ઘર પાસે ગંદકી કરાવતો નજરે પડે છે. વિકાસ ભાઈની પત્ની તેને અહીંયા કેમ ગંદકી કરાવો છો તેમ કહેતાં યુવક દ્વારા મહિલા સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. મહિલાને બેટ વડે ઢોર મારમાર્યોકુતરાની બાબતને લઈને થયેલા વિવાદમાં વાત વધુ વણસી હતી, અને બાદમાં દીપરાજસિંહ ચૌહાણ વધુ ઉશ્કેરાયો હતો અને પોતાના ઘરેથી ક્રિકેટ રમવાનું બેટ લઈ આવ્યો હતો. બાદમાં મહિલાને બેટ વડે ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પેટડોગ માલિક આરોપીની અટકાયતહુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ઇમરજન્સી 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેનાં કારણે વિકાસ ભાઈનો પરિવાર પોલીસને જાણ કરી હતી, ઘટનાની માંજલપુર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસે આરોપી દિપરાજસિંહ ચૌહાણની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે. જાનથી મારી નાખવાની ધમકી અત્રે ઉલ્લેખનીય છે, કૂતરાના માલિક દિપ રાજસિંહ ચૌહાણ દ્વારા મહિલાને જાનથી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલમાં આ મામલે માંજલપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 'નાના બાળકો રમતા હોવાથી તેમને ખતરો'આ મામલે ભોગ બનનાર મહિલાના પતિ વિકાસ વીરે જણાવ્યું કે, પાડોશી દીપરાજસિંહ ચૌહાણ રોજ પોતાના હડકાયેલા કૂતરાને તેમના ઘરના આંગણે ટોઈલેટ કરાવે છે, જેનાથી ગંદવાડો થાય છે અને નાના બાળકો રમતા હોવાથી તેમને ખતરો છે; આજે લગભગ સવા નવ-પોણા દસ વાગ્યે જ્યારે ઘરે મહેમાનો આવ્યા હતા અને બધા જમવા બેઠા હતાં.
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર ગતરાત્રિના સુમારે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં શ્રીપાલનગર સોસાયટી પાસે રસ્તો ઓળંગી રહેલા એક યુવકને પુરઝડપે આવતા અજાણ્યા એક્ટિવા ચાલકે અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી એક્ટિવા ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જમીને પાન ખાવા નીકળેલા યુવકને અડફેટે લઈ મોત નિપજાવ્યુંમહેસાણાના કલાપીનગર પાછળ છાપરામાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા જીતુભાઈ અમૃતભાઈ વાલ્મીકીના નાના ભાઈ મહેન્દ્રભાઈ ગત રાત્રે નવેક વાગ્યાના સુમારે જમીને ઘરેથી મસાલો ખાવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે રાધનપુર રોડ પર આવેલી શ્રીપાલનગર સોસાયટી સામેથી રસ્તો પસાર કરી રહ્યા હતા, ત્યારે પાંચોટ તરફથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા એક અજાણ્યા એક્ટિવા ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહેન્દ્રભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણાની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.જોકે સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના મોટા ભાઈ જીતુભાઈએ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. મૃતકની લાશનું મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વાલીવારસોને સોંપવામાં આવી હતી.
જામનગરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દરમિયાન વકીલો વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. એક નોન-પ્રેક્ટિસનર વકીલ મતદાન કરવા આવતા સિનિયર વકીલે તેમનું આઈડી કાર્ડ માંગ્યું હતું, જેના કારણે વિવાદ વકર્યો હતો. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી આજે સમગ્ર રાજ્યમાં નિયત નિયમો મુજબ યોજાઈ રહી છે. અંદાજે 70,000 વકીલો આ ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે. જામનગરમાં આ વખતે પાંચ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મીનાબેન ભાયાણી અને ચાંદનીબેન પોપટ નામની બે મહિલા ઉમેદવારો અનામત બેઠક પરથી લડી રહી છે. મતદાન ચાલુ હતું તે દરમિયાન એક નોન-પ્રેક્ટિસનર વકીલ મત આપવા આવ્યા હતા. સિનિયર વકીલે તેમની ઓળખ અને આઈડી કાર્ડ માંગતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા સિનિયર વકીલે કથિત નોન-પ્રેક્ટિસનર વકીલ પર હાથ ઉપાડ્યો હતો. વકીલોની ચૂંટણીમાં નોન-પ્રેક્ટિસનર વકીલોના મતદાનનો મુદ્દો લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યો છે. જે વકીલોએ સનદ મેળવ્યા બાદ અન્ય વ્યવસાયો અપનાવ્યા છે અને પોતાની સનદ જમા કરાવી નથી, તેઓ ચૂંટણીમાં મતદાન કરે છે. આનાથી નિયમિત પ્રેક્ટિસ કરતા વકીલોમાં અસંતોષ છે, કારણ કે નોન-પ્રેક્ટિસનર વકીલો હોદ્દેદારો નક્કી કરવામાં ભૂમિકા ભજવે છે. વર્ષોથી જામનગરમાં એક જ ઉમેદવાર ચૂંટણી લડતા હતા, પરંતુ આ વખતે વર્તમાન ઉમેદવારના વિરોધમાં અનેક વકીલો હોવાથી કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે સ્પર્ધા વધુ કસોકસભરી બની છે. હાલ વકીલ મંડળ અને કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.

28 C