CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની આજ(17 ફેબ્રુઆરી)થી પરીક્ષા શરૂ થઈ છે. ધોરણ 10માં ગણિતનું અને ધોરણ 12માં આંત્રપ્રિન્યોરશિપનું પેપર છે. વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા આપવા તો આવ્યા છે, પરંતુ કેટલાક વિદ્યાર્થી અને વાલીઓમાં બોમ્બની ધમકીને લઈને ચિંતા પણ છે, જેથી કેટલાક વાલીઓ પરીક્ષા દરમિયાન સ્કૂલની બહાર જ રહેશે. 85 સ્કૂલના 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છેCBSE બોર્ડમાં દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જ્યારે અમદાવાદમાં 85 સ્કૂલના 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. સવારે 10 વાગ્યા સુધીમાં પ્રવેશ આપી દેવામાં આવશે. પ્રથમ દિવસ હોવાથી આજે 9 વાગ્યાથી પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પારદર્શક પાટિયું, પાઉચ, પાણીની બોટલ સિવાય કોઈ વસ્તુ સાથે લઈ જવામાં દેવામાં આવી રહી નથી. ગેટ પર બે વખત વિદ્યાર્થીઓનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. બોમ્બની ધમકીને પગલે ચિંતાનો માહોલછેલ્લા 3 મહિનામાં સ્કૂલમાં બોમ્બની 3 વખત ધમકી મળી હતી. ધમકી મળતા જ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી બહાર સલામત રીતે કાઢીને તપાસ કરવામાં આવતી હતી. ત્યારે આજથી પરીક્ષા શરૂ થઈ છે જેમાં ધમકી મળે તો અફરાતફરીનો માહોલ સર્જાઈ શકે છે. કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓમાં બોમ્બની ધમકીને લઈને ચિંતા છે તો કેટલાક હવે ધમકીને સામાન્ય માની રહ્યા છે. ચિંતાના કારણે વાલીઓ સ્કૂલની બહાર બેઠાવંશ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાને લઈને સારી તૈયારી છે. એક મહિનાથી તૈયારી ચાલુ છે. પેપર અઘરું આવે તો પણ અમે સારી રીતે લખીશું. 3 વખત બોમ્બની ધમકી મળી છે, ટેરર ઓછો થયો છે, પરંતુ ચિંતાને કારણે કેટલાક વાલી સ્કૂલની બહાર જ રહેશે. કોઈ ડર નથી, તૈયારી કરી છે: વિદ્યાર્થિનીધ્રુવી નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે આમ કોઈ ડર નથી કારણકે તૈયારી સારી કરી છે.આજનું પેપર સહેલું આવશે તેવી આશા છે. સારું પરિણામ આવે તો સાયન્સ લઈને એન્જીન્યરીંગ કરવું છે. બોમ્બની ધમકીને પગલે બાળકોના ભણતર-માનસિક સ્થિતિ પર અસર: વાલીરાજેશ સોલંકી નામના વાલીએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકીઓ સતત મળે છે. ગઈકાલે મેલ આવ્યો તેમાં અમારા કેન્દ્રનું પણ નામ છે. વાલી તરીકે અમારી ચિંતા વધી ગઈ છે.અમારા બાળકોના ભણતર અને માનસિક સ્થિતિ પર અસર પડે છે. ‘ઘરે બોમ્બની ધમકી વિશે ચર્ચા ના કરો’હર્ષદ બુચ નામના વાલીએ જણાવ્યું હતું કે સ્કૂલને ધમકી મળી છે જેને લઈને તંત્ર કામ કરી રહ્યું છે જેથી વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી.ખાલી ધમકી જ મળે છે,પરીક્ષા કેન્દ્ર સારી વ્યવસ્થા રાખવામાં આવી છે.માં બાપની જવાબદારી છે કે ઘરમાં બોમ્બની ધમકી વિશે ચર્ચા ન કરે.
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સાવજો ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસીને પશુઓના મારણ કરતા હોવાની ઘટનાઓ દિન-પ્રતિદિન સામે આવે છે. ત્યારે વધુ એક કંઇક આવી જ ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનામાં સિંહે મારણ કરતાં નહીં પણ સિંહના ડરના લીધે એક બળદનું મોત થયું છે. બંને બળદ જીવ બચાવવા ભાગ્યાને કૂવામાં ખાબક્યાઆ દુર્ઘટના અંગે મળતી માહિતી મુજબ ખાંભાના ઉમરીયા ગામના ખેડૂત વાસુરભાઇ કામળિયા ગઇકાલે સાંજના સમયે પોતાની વાડીથી ગાડુ જોડીને ઘર તરફ આવી રહ્યા હતા, ત્યારે અચાનક સિંહનો ભેટો થઇ ગયો હતો. સિંહે બળદોનો શિકાર કરવા દોડ મૂકતા બંને બળદો જીવ બચાવવા ગાડા સાથે જ 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યા હતા. જોકે, વાસુરભાઇએ છલાંગ લગાવતા તેઓ કૂવા પડતા પડતા રહી ગયા હતા. આ દરમિયાન સિંહ પણ ત્યાંથી જતો રહ્યો હતો. ગામ લોકોએ પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળીબંને બળદ ગાડા સાથે કૂવામાં ખાબકતા વાસુરભાઇએ તુરંત આજુબાજુના વાડીઓના ખેડૂતો અને ગામ લોકોને જાણ કરતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને બળદોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, કૂવો 60 ફૂટ ઊંડો હોવાથી ગામ લોકોના તમામ પ્રયત્નો નાકામ રહેતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને બળદોને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. ફાયર વિભાગે એક બળદને જીવીત બહાર કાઢ્યોએક તરફ રાતનું અંધારૂ અને કૂવો ઊંડો હોવાથી પરિસ્થિતિ ગંભીર બનતા ફાયર વિભાગે ક્રેનને બોલાવી હતી અને બંને બળદોને કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર વિભાગે અત્યંત સાવચેતીપૂર્વક લગભગ પાંચ કલાક સુધી સતત કામગીરી કરી ભારે મહેનત બાદ એક બળદને જીવીત હાલતમાં સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. જોકે, બીજા બળદનું કૂવામાં જ દુર્ભાગ્યવશ મોત નીપજ્યું હતું. જે બાદ બળદ ગાડુ પણ ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યાઘટનાની જાણ થતાં ખાંભાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ મોડી રાત્રે સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી. રાતના અંધકાર અને કપરા સંજોગો છતાં ફાયર વિભાગ અને સ્થાનિકોના સંયુક્ત પ્રયાસોથી બચાવ કામગીરી પૂર્ણ થઈ હતી. આ બનાવથી ગ્રામજનોએ જંગલી પ્રાણીઓની વધતી અવરજવર અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વાડી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી હતી. અમરેલી જિલ્લામાં સિંહ-દીપડા જેવા વન્યપ્રાણીઓનો આતંક દિવસે-દિવસે વધી રહ્યો છે. હજી ગઇકાલે જ ધારી અને લીલીયા પંથકમાં બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી હતી. ધારીના ગોવિંદપુર ગામે સિંહણે એક મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી, જ્યારે લીલીયાના પીઠવાજાળ ગામે દીપડાએ 5 વર્ષની બાળકીને નિશાન બનાવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી. કપડાં ધોતી મહિલા પર સિંહણનો જીવલેણ હુમલોધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળની દલખાણીયા રેન્જમાં આવેલા ગોવિંદપુર ગામમાં હૃદયદ્રાવક ઘટના બની હતી. ગામ નજીક આવેલી નદીના પટમાં 45 વર્ષીય મંજુબેન સોલંકી કપડાં ધોઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક સિંહણ ત્યાં ધસી આવી હતી. સિંહણે મહિલા પર હુમલો કરી તેને શિકાર બનાવવા માટે દૂર ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. નજીકમાં રહેલા એક શખસે સિંહણને ભગાડીઘટના સમયે નજીકમાં કામ કરી રહેલા મનુભાઈ વાઘેલા નામના શખ્સે જોયું કે સિંહણ મહિલાને પછાડીને પકડી રહી છે. તેમણે તુરંત પાવડાના હાથા જમીન પર પછાડી અને બૂમાબૂમ કરી સિંહણને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય ગ્રામજનો પણ દોડી આવતા સિંહણ મહિલાને છોડીને ભાગી ગઈ હતી. જોકે, ગંભીર ઈજાઓ થવાને કારણે મંજુબેનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. વન વિભાગનું ઓપરેશન: 4 કલાકમાં સિંહણ પાંજરે પુરાઈઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ હરકતમાં આવી હતી. RFO, ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકર્સની ટીમોએ વિસ્તારમાં કોર્ડન કરી અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગે માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં હુમલાખોર સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. વાડીમાં રમતી બાળકી પર દીપડાનો હુમલોબીજી ઘટનામાં લીલીયા તાલુકાના પીઠવાજાળ ગામની સીમમાં દીપડાએ આતંક મચાવ્યો હતો. અહીં ખેત મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે નજીકમાં રમી રહેલી 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકોએ બૂમાબૂમ કરતા વાલીઓ અને શ્રમિકો દોડી આવ્યા હતા, જેથી દીપડો નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પીઠવાજાળના સરપંચે જણાવ્યું હતું કે, વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો ભય સતત વધી રહ્યો છે. આ પણ વાંચો: વેરાવળમાં ગૌશાળા પાસે જ સિંહ પરિવારે 2 પશુનું મારણ કર્યુ આ પણ વાંચો: દીવના દરિયા કિનારેથી સિંહનો મૃતદેહ મળ્યો
મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નવી કચેરી માટે હજુ સુધી જગ્યાની ફાળવણી થઈ શકી નથી. આ પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા હાલની વર્ષ 1982માં નિર્મિત અંદાજે 44 વર્ષ જૂની જર્જરિત ઇમારતને જ નવો ઓપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 3 કરોડ રૂપિયાના ખર્ચે મુખ્ય કચેરી અને ઝોન ઓફિસને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની કામગીરી વેગવંત બનાવી દેવામાં આવી છે. આંતરિક માળખામાં પણ ધરખમ ફેરફારો કરાશેઆ મરામત કાર્ય અંતર્ગત જૂની ઇમારતને ACP શીટ લગાવી એલિવેટેડ અને આકર્ષક લુક આપવામાં આવશે. ટેકનિકલ અંદાજ મુજબ આ ફેરફારોને કારણે વર્તમાન બિલ્ડિંગનું આયુષ્ય અંદાજે 7 વર્ષ જેટલું વધી જશે. ઇમારતના બાહ્ય દેખાવની સાથે આંતરિક માળખામાં પણ ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેમાં મેયર વિવિધ સમિતિના ચેરમેનો માટે અલગ ચેમ્બર્સ અને વિવિધ વહીવટી શાખાઓ માટે સુવ્યવસ્થિત કેબિન તૈયાર કરવામાં આવશે. લાંબા સમયથી સતાવતી પાર્કિંગની અવ્યવસ્થાને દૂર કરાશેનાગરિકો અને કર્મચારીઓની સુવિધા માટે મુખ્ય કચેરી અને ઝોન કચેરીમાં બે નવા અત્યાધુનિક કોન્ફરન્સ હોલ, આધુનિક ટોયલેટ બ્લોક્સ, વેઇટિંગ એરિયા અને પીવાના શુદ્ધ પાણી માટે RO પ્લાન્ટ જેવી સવલતો ઊભી કરાશે. લાંબા સમયથી સતાવતી પાર્કિંગની અવ્યવસ્થાને દૂર કરવા માટે પણ આયોજનબદ્ધ સુધારા હાથ ધરાયા છે. કચેરીની મુખ્ય ઓળખ સમાન 'મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન' લખેલું ભવ્ય ડેકોરેટિવ બોર્ડ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. મનપા તંત્રના જણાવ્યા અનુસાર આ કામગીરી પૂર્ણ થતા જ શહેરના નાગરિકોને વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત કચેરીનો અનુભવ મળશે.
CBSEની ધો.10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થઈ છે. આજે સવારે 9.30 વાગ્યાથી પરીક્ષા સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સમયે વિધાર્થી અને વાલીઓમાં બોમ્બથી નહીં પણ પહેલા પેપરથી ડર લાગ્યો હતો. ગઈકાલે શહેર અને જિલ્લાની 25 સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી, જોકે વાલીઓએ કહ્યું હતું કે, અમને પોલીસ અને સરકાર પર ભરોસો છે, મારા બાળકો સુરક્ષિત છે. ધો.10-12ના 11 સેન્ટર પર 16 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. શહેરમાં સીબીએસઇની 45થી વધારે સ્કૂલો આવેલી છે.સીબીએસઇનાં પેપરો 11 સેન્ટરો પ્રમાણે બેંકના સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. બોર્ડ પરીક્ષાના સેન્ટરની નજીક જ આવેલી રાષ્ટ્રીયકૃત બેંકના લોકરમાં પેપર મૂકવામાં આવ્યાં હતાં. જે સીધાં પરીક્ષાના સેન્ટર સુધી બંદોબસ્ત સાથે પહોંચાડવામાં આવ્યા હતા. પેપર પહોંચાડવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષાર્થી પલ પંડ્યાએ જણાવ્યું હતું કે, હું 10મા ધોરણમાં ભણું છું. આજે મારું ગણિતનું પેપર છે. આમ તો શરૂઆતમાં આટલી બધી તૈયારી નહોતી, પણ છેલ્લા 15 દિવસથી ઘણો ગંભીરતાથી અભ્યાસ કર્યો છે. એટલે અત્યારે એમ કહી શકાય કે બહુ સારી તૈયારી થઈ ગઈ છે. ઘણીવાર મેથ્સની તૈયારી સતત ન થઈ શકે, એટલે કંટાળો આવે ત્યારે થોડો આરામ કરીને પછી ફરી પાછું વાંચવાનું શરૂ કરતા હતા.પહેલું પેપર છે, એટલે થોડો ઘણો ડર તો લાગે છે, પણ વિશ્વાસ છે કે બધું સારું જશે અને પેપર સારું લખીશ. મારા માટે તો મેથ્સ જ સૌથી અઘરો વિષય છે. પરીક્ષાર્થી મૈથિલીએ જણાવ્યું હતું કે, આજે ગણિતનું પેપર છે. બહુ જ સરસ તૈયારી છે. મેં પૂરો સમય વાંચન અને તૈયારી પાછળ જ આપ્યો છે. પેપર ખૂબ જ સારું જશે. ગણિત વિષય સહેલો છે એટલે વાંધો નહીં આવે, બધું સરસ રીતે થઈ જશે.પરીક્ષાર્થી નિશા સથલાનીએ જણાવ્યું હતું કે, હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. આજે મારે 'એન્ટરપ્રેન્યોરશીપ' વિષયનું પેપર છે. તૈયારી તો સારી છે, પણ મનમાં થોડો ડર પણ લાગે છે. કારણ કે આ વિષય મેં પહેલીવાર જ રાખ્યો છે, એટલે જોઈએ હવે કેવું પેપર આવે છે. હું તો 'બેકબેન્ચર' છું, એટલે તમે સમજી શકો છો કે હું કેટલો અભ્યાસ કરતી હોઈશ, પણ ફેમિલી સપોર્ટ તો ખૂબ જ સરસ છે. મને ઘરમાંથી હંમેશા પ્રોત્સાહન મળ્યું છે કે, તું ગમે તેમ કરીને પાસ થઈ જા, અમે તારી સાથે જ છીએ. આવો સપોર્ટ હોવાથી ઘણો આત્મવિશ્વાસ વધે છે વાલી ઉમેશભાઈએ જણાવ્યું હતું કે, મારી દીકરી ધોરણ 10ની પરીક્ષા આપી રહી છે. બોમ્બની ધમકીની આ ઘટના કંઈ પહેલીવાર નથી બની, આ પહેલા પણ આવું થઈ ચૂક્યું છે. સરકારને મારી એટલી જ વિનંતી છે કે આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. કારણ કે, તેનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને પરેશાન થાય છે.જ્યારે આવી ધમકી મળે ત્યારે બાળકોને વહેલા ઘરે મોકલી દેવા પડે છે, જેના કારણે વાલીઓના મનમાં સતત ડર અને ચિંતા રહે છે. તેમ છતાં, અમને સરકાર પર પૂરો વિશ્વાસ છે. ગુજરાત પોલીસ પર પણ અમને ઘણો ભરોસો છે. પોલીસે જે રીતે સ્થિતિને સંભાળી છે અને તાત્કાલિક એક્શન લીધા છે, તેનાથી હવે અમને કોઈ ડર નથી લાગતો. અત્યારે બધું સામાન્ય છે અને કોઈ સમસ્યા નથી. દરેક સેન્ટર પર પણ હવે કોઈ ભય જેવું વાતાવરણ નથી અને બાળકો આરામથી પરીક્ષા આપી શકે છે. વાલી તુષારભાઈએ કહ્યું હતું કે, મારો દીકરાની આજે પરીક્ષા છે. તૈયારી એકદમ વ્યવસ્થિત છે, બધું જ સારું છે. અને કોઈપણ જાતના ડર વગર તે પરીક્ષા આપવા ગયો છે. બોમ્બની ધમકીઓ (Threats) તો પહેલા પણ આવતી હતી અને અત્યારે પણ છે, પણ એમાં કઈ ખાસ લેવા જેવું નથી. બધી વ્યવસ્થાઓ અને પોલીસ બંદોબસ્ત પણ ઘણો સારો અને વ્યવસ્થિત છે, એટલે ડરવાની કોઈ જરૂર નથી. વડોદરા શહેરમાં 12 સેન્ટર પર પરીક્ષા લેવાશે ભવન્સ સ્કૂલ અંબે વિદ્યાલય,માંજલપુર કેન્દ્રીય વિદ્યાલય, એરફોર્સ કેન્દ્રીય વિદ્યાલય, ઓનજીસી કેન્દ્રીય વિદ્યાલય, હરણી કેન્દ્રીય વિદ્યાલય,ઇએમઇ નવરચના ઇન્ટરનેશનલ નવરચના, સમા ન્યૂ ઇરા બ્રાઇટ ગદા સર્કલ,હરણી સિગ્નસ, હરણી
દેશભરમાં આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે રાજકોટ જિલ્લામાં 8000 થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આ વખતે પ્રથમ વખત CBSE બોર્ડ દ્વારા 35 દિવસમાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે જ્યારે ધોરણ 12ની ઉત્તરવહી ડીજીટલી તપાસવામાં આવશે અને બોર્ડના વિદ્યાર્થીઓની બે વખત પરીક્ષા લેવામાં આવશે જેમાં વિદ્યાર્થી પોતાની ઈચ્છા અનુસાર પેપરો આપી શકશે. આજે બોર્ડની પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓનું કડક ચેકિંગ કરી એન્ટ્રી અપાઈ હતી. જેઓને હોલ ટિકિટની સાથે ટ્રાન્સપરન્ટ બોટલ અને પાઉચ લઈ જવાની છૂટ આપવામાં આવી હતી. આ સિવાયની કોઈપણ વસ્તુઓ લઈ જવાની મનાઈ હતી. રાજકોટની RKC સ્કૂલ ખાતે આજે 17 ફેબ્રુઆરીએ બોર્ડની પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થિની રુદ્રા વાંકે જણાવ્યું હતું કે, હું ધોરણ 12 કોમર્સ ની પરીક્ષા આપી રહી છું અને અગાઉ ધોરણ 10 ની પરીક્ષા આપેલી છે જેથી બોર્ડની પરીક્ષા આપવા માટેનો કોન્ફિડન્સ ખૂબ જ સારો છે. મેન્યુઅલીના બદલે કમ્પ્યુટર થી પેપર ચેકીંગ થવાનું હોવાથી પરિણામ વહેલું આવશે તે ખૂબ જ સારી બાબત છે. જ્યારે અન્ય વિદ્યાર્થિની નિયાએ જણાવ્યુ હતુ કે, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ દ્વારા ખૂબ જ સારી તૈયારી કરાવવામાં આવેલી છે. જેથી ખૂબ જ કોન્ફિડન્સ સાથે ધોરણ 12 કોમર્સ ની પરીક્ષા આપવા આવી છું. CBSE દ્વારા આજે 17 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં ધોરણ 10 ની પરીક્ષા 11 માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 ની પરીક્ષા 10 એપ્રિલ સુધી ચાલશે. જે બાદ 35 દિવસમાં પરિણામ જાહેર થશે અને 15 મેથી વિદ્યાર્થીઓને ફરી વખત બોર્ડની પરીક્ષા આપવાનો મોકો મળશે. આ વખતે પ્રથમ વખત ધોરણ 12 ના પેપરો કોમ્પ્યુટર પર ચકાસવામાં આવશે જેથી કરીને કોઈ પણ પ્રકારની ગરબડ થવાની શક્યતાઓ નહીં રહે.
રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાંથી નિવૃત્ત થયેલા અધિકારી સાથે રૂ. 17 લાખની છેતરપિંડી થઈ હોવા અંગેની ફરિયાદ ફાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. નિવૃત્ત કર્મચારીને પેન્શન મળતું હોય છે, ત્યારે દર વર્ષે હયાતીનું સર્ટિફિકેટ આપવાનું રહે છે. જે સર્ટીફીકેટ આપવાના નામે ફેસબુક પરથી બેંકના નામની બોગસ લિંક અને પેજના મારફતે હયાતી આપવાનું માની ગઠિયાઓનો શિકાર બની ગયા હતા. આ મામલે સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફેસબુક પર બેંક ઓફ ઇન્ડિયાના લોગો સાથેનું પેજ ખોલ્યુંમળતી માહિતી મુજબ, પાલડી વિસ્તારમાં જેઠાભાઈ પાર્ક સોસાયટીમાં મયુરભાઈ જાની રહે છે, તેઓ રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. તેમના બે દીકરા વિદેશમાં સ્થાયી થયેલા છે. પાલડીમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયામાં તેમનું બેંક એકાઉન્ટ આવેલું છે, જેમાં પેન્શનની રકમ જમા થાય છે. નવેમ્બર, 2025માં મયુરભાઈ તેમના સોશિયલ મીડિયા ફેસબુકમાં જુદી-જુદી પોસ્ટ જોતા હતા. આ સમયે બેંક ઓફ ઇન્ડિયાના લોગો સાથેનું એક પેજ જોવા મળ્યું હતું, જેથી તેમણે તે પેજ જોયું હતું. જેમાં હવે હયાતીનું પ્રમાણપત્ર લેવા બેંકમાં જવાની જરૂર નથી, ઓનલાઇન ઘરે બેઠા મેળવી શકાય છે. બેંક ઓફ ઈન્ડિયાની નવી કોઈ આ સ્કીમ અને ઘરે બેઠા હોવાનું માની તેમણે પેજ ઉપર ક્લિક કર્યું હતું. બેંકની કર્મી હોવાનું જણાવી હયાતીના ફોર્મ માટે ઇન્કવાયરી કરીજે પેજ ખોલતાની સાથે તેમાં મોબાઈલ નંબર નાખવાનો હતો, જેથી મયુરભાઈએ પોતાનો મોબાઈલ નંબર નાખ્યો હતો. ત્યારબાદ તેમના પર થોડી વાર રહીને અજાણ્યા વ્યક્તિના નંબર પરથી ફોન આવ્યો હતો. હિન્દીમાં તેણે બેંક ઓફ ઇન્ડિયામાંથી વાત કરે છે અને હયાતીના ફોર્મ માટે ઇન્કવાયરી કરી હોવાનું કહ્યું હતું. તેમની સાથે વાતચીત કરી અને ડેબિટ કાર્ડનો નંબર અને તેની પાછળ રહેલા બીજા નંબરો મેળવી લીધા હતા. ત્યારબાદ સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે, પ્રમાણપત્ર માટે બીજા નંબરથી ફોન આવશે. થોડીવાર બાદ અન્ય નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિનું મોઢું દેખાતું નહોતુ, પરંતુ બેંક ઓફ ઇન્ડિયાનો લોગો પાછળ જોવા મળ્યો હતો, જેથી બેંકમાંથી જ ફોન આવ્યો હોવાનું તેમણે માની લીધું હતું. સામે વાળી વ્યક્તિએ પણ પાસેથી પણ ડેબિટ કાર્ડની તમામ વિગતો મેળવી લીધી હતી. બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયાનો મેસેજ મળ્યોમાહિતી આપવામાં બેથી ત્રણ વખત ભૂલ થઈ હોવાથી ફરીથી ફોનો કરવામાં આવ્યા હતા. આ બાદ તેમણે 24થી 48 કલાકમાં તમારું હયાતીનું પ્રમાણપત્ર આવી જશે, એમ કહી દીધું હતું. સાંજના સમયે તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા હોવા અંગેના મેસેજ આવ્યા હતા. જેથી તેમણે આ મામલે તાત્કાલિક બેંક ઓફ ઇન્ડિયાના કસ્ટમર કેરમાં વાત કરી હતી, પરંતુ તેમણે બેંકમાં જવું પડશે એવું કહ્યું હતું. બીજા દિવસે મયુરભાઈ પાલડી ખાતે બ્રાન્ચમાં ગયા હતા અને તેમ આ બાબતે વાત કરી હતી. ત્યારબાદ સાયબર હેલ્પલાઇનમાં તેમણે પોતાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના વટવામાં વહેલી સવારે કાર અકસ્માતની ઘટના સામે આવી છે. જોગણી માતાના મંદિર પાસે નશામાં કારચાલકે ગાયને અડફેટે લેતાં ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. શખસે ગાયને ઠોકર માર્યા બાદ અન્ય કારને પણ અડફેટે લીધી હતી. અકસ્માતને પગલે લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું. લોકોએ કારચાલક યુવકને પકડી પાડ્યો હતો અને નશામાં હોવાની ચર્ચા થઈ રહી હતી. કારની તપાસ કરતા સીટ પરથી ખાલી દારૂની બોટલ મળી આવી છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…
પાટણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન દીપક ડી. પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતનું નવા વર્ષનું બજેટ અવલોકનમાં લઈ સામાન્ય સભામાં મંજૂરી અર્થે મોકલવાનો ઠરાવ કરાયો હતો. જિલ્લા પંચાયતની ચાલુ વર્ષની અને ચૂંટાયેલી પાંખની આ છેલ્લી કારોબારી બેઠક હતી. જેમાં એજન્ડા પરના વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી. અધ્યક્ષસ્થાનેથી એક મહત્વના નિર્ણયરૂપે પાટણ જિલ્લામાં બાળકોને ડાયાબિટીસની બીમારીથી બચાવવા જુવેનાઈલ ડાયાબિટીસમાં જરૂરી દવાઓ, તપાસ અને સારવાર માટે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા 20 લાખના બજેટની જોગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં પહોંચાડવામાં આવતા સાધના પત્રનું વાર્ષિક લવાજમ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ચૂકવવા માટે બે લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી હતી. બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી અપાઈ હતી. જાન્યુઆરીથી ઓગસ્ટ 2025 સુધીના માસિક હિસાબો તથા વાર્ષિક હિસાબો પણ મંજૂર કરાયા હતા. સને 2025-26નું સુધારેલું અને સને 2026-27નું સૂચિત અંદાજપત્ર અવલોકનમાં લઈ સામાન્ય સભામાં મોકલવા ઠરાવાયું હતું. વહીવટી નિર્ણયોમાં, જિલ્લા પંચાયત પાટણની ઝેરોક્ષની કામગીરી માટે આવેલ ટેન્ડરો પૈકી એલ વન એજન્સીને ઓગસ્ટ 2026 સુધીના સમય માટે ઝેરોક્ષની કામગીરી સોંપવા બહાલી અપાઈ હતી. બિનખેતી અન્વયે અનામત તરીકે જમા લેવામાં આવેલ વૃક્ષારોપણની ડિપોઝિટની રકમ પરત કરવા પણ કારોબારીએ મંજૂરી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, કારોબારી અધ્યક્ષ દીપક પટેલ, સમિતિના સભ્યો ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી, દીપમાલાબેન પટેલ અને બાબુભાઈ ઠાકોર સહિત વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોના રહીશો પીએમ આવાસ યોજનાના અટકેલા હપ્તા, જંગલ જમીનના રેકોર્ડમાં છબરડા અને આધાર કાર્ડમાં પિનકોડની વિસંગતતા જેવી અનેક પાયાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે 'નવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ટ્રસ્ટના અગ્રણી ભાવલ્યાભાઈ પવારે તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી છે. ભાવલ્યાભાઈ પવારના જણાવ્યા અનુસાર, પીએમ આવાસ યોજના હેઠળ અનેક લાભાર્થીઓના હપ્તા લાંબા સમયથી અટકેલા છે. હોળી પછી કપરાડામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. જો સરકાર વહેલી તકે આ હપ્તાની ચુકવણી કરે તો લોકો પોતાના મકાનનું કામ પૂરું કરી શકે અને પાણીની અછત પહેલા સ્થાયી થઈ શકે. હાલમાં લોકોને દૂરથી મોંઘા ભાવનું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. જંગલ જમીનના અધિકારો બાબતે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતો પાસે સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રો (કાગળ પર) છે, પરંતુ જ્યારે તેઓ ઓનલાઇન સાત-બારાની નકલ કઢાવવા જાય છે, ત્યારે તેમાં અન્ય વ્યક્તિઓના નામ દર્શાવવામાં આવે છે. આ ટેકનિકલ છબરડાને કારણે ખેડૂતો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી જાય છે અને તેમના ફોર્મ રદ થાય છે. કપરાડા તાલુકાનો જૂનો પિનકોડ 396065 હતો, જે બદલાઈને હવે 396067 થયો છે. તમામ સરકારી દસ્તાવેજોમાં નવો પિનકોડ અપડેટ થઈ ગયો છે, પરંતુ આધાર કાર્ડના સોફ્ટવેરમાં હજુ પણ જૂનો પિનકોડ જ બતાવે છે. આ ભૂલને કારણે 18 વર્ષથી ઉપરના યુવાનોને નવા આધાર કાર્ડ બનાવવા કે સુધારા કરવા માટે વલસાડ સુધી ધક્કા ખાવા પડે છે. નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવીપીએમ આવાસ યોજનાના બાકી હપ્તા વહેલી તકે રિલીઝ કરવામાં આવે. જમીન રેકોર્ડની ઓનલાઇન વિસંગતતાઓ દૂર કરી ખેડૂતોને તેમના હક અપાવવામાં આવે. UIDAI (આધાર) સોફ્ટવેરમાં કપરાડાનો નવો પિનકોડ 396067 તાત્કાલિક અપડેટ કરવામાં આવે.
મોરબી જિલ્લા ભાજપના સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિર્મલભાઈ જારીયાની મોરબી જિલ્લા મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. આ નિર્ણયને તેમના નિવાસસ્થાને ઢોલ-નગારા અને આતિશબાજી સાથે આવકારવામાં આવ્યો હતો. ગઈકાલે મોડી સાંજે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા જિલ્લા સંગઠનનું માળખું જાહેર કરાયું હતું. આ જાહેરાત બાદ મોરબીના જેલ રોડ પર આવેલા નિર્મલભાઈ જારીયાના નિવાસસ્થાને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો અને સ્થાનિક લોકોએ ઢોલ-નગારા વગાડી અને આતિશબાજી કરીને નિર્મલભાઈની વરણીને વધાવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, નિર્મલભાઈ જારીયા અગાઉ જિલ્લા ભાજપની ટીમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. હવે તેમને મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રીનું પદ સોંપવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે યુવા નેતા હાર્દિક ટમાલિયાની વરણી કરવામાં આવી છે. અગાઉ તેઓ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમની નિમણૂક બાદ કમલમ ખાતે પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફૂલહાર અને ફટાકડા ફોડી કાર્યકરોએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. નવી ટીમ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાની અને પક્ષને તળિયાના સ્તર સુધી સક્રિય બનાવવાની દિશામાં કામ કરવાની વાત કરવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પક્ષના કાર્યકરો દ્વારા તમામ બેઠકો પર જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. પક્ષના કાર્યકરો ચૂંટણી સિવાય સરકારની વિવિધ યોજનાઓ ઘરેઘરે પહોંચાડવાની કામગીરી પણ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ સામે કોઈ મજબૂત પડકાર ન હોવાનો દાવો કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ રિદ્ધિબેન ત્રિવેદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે બદલી પામેલા હેમાલીબેન ભટ્ટને વિદાયમાન અપાયું હતું. આ સમારોહ બોટાદ જિલ્લા સહાયક માહિતી નિયામક સપના ભટ્ટીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સહાયક માહિતી નિયામક સપના ભટ્ટીએ નવનિયુક્ત માહિતી મદદનીશ રિદ્ધિબેન ત્રિવેદીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રિદ્ધિબેન પાસેથી જવાબદારીપૂર્વક અને કાર્યક્ષમતાથી કામગીરી કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે, ૨૫ મે, ૨૦૨૨થી બોટાદમાં સેવા આપતા હેમાલીબેન ભટ્ટની સેવાઓને બિરદાવવામાં આવી હતી. તેમને રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતેની નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સમારંભના અંતે, કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ બંનેને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
વલસાડમાં માતૃભાષા મહોત્સવ-2026ની ઉજવણી:ગુજરાતી ભાષાના જતન અને પ્રસાર માટે સંકલ્પ લેવાયો
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે વલસાડ શહેરના કચેરી રોડ સ્થિત ડૉ. આંબેડકર ભવન ખાતે ‘માતૃભાષા મહોત્સવ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી, પત્રકાર વેલ્ફેર એસોસિએશન અને પુસ્તક પરબ, વલસાડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ ભાષાપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે હનીફ મહેરીએ પ્રેરક ઉદબોધન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “માતૃભાષા માત્ર અભિવ્યક્તિનું સાધન નથી, પરંતુ આપણા સંસ્કાર અને સંસ્કૃતિનો આધારસ્તંભ છે. ભાષા મરે તો સંસ્કૃતિ મરે.” તેમણે નવી પેઢીમાં ગુજરાતી ભાષાનો પ્રચાર-પ્રસાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જ્વલંત નાયકે પત્રકારત્વ અને ભાષાના અવિભાજ્ય સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતમાં પત્રકારત્વનો પાયો જેમ્સ ઓગસ્ટસ હિકીએ નાખ્યો હતો. આજના સમયમાં પત્રકારો માટે ભાષાની શુદ્ધતા અને પ્રામાણિકતા જાળવવી એ મોટી જવાબદારી છે. અન્ય વક્તા વિનીત શુક્લએ ભાષાના વૈવિધ્ય અને તેના વિકાસના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. અતિથિ વિશેષ તરીકે વરિષ્ઠ પત્રકાર હનિફ મેહરી અને વિકાસ ઉપાધ્યાયે ગુજરાતી પત્રકારત્વના ગૌરવશાળી ઇતિહાસ અને વર્તમાન પડકારો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન એડવોકેટ હાર્દિક પટેલે કર્યું હતું. આ પ્રસંગે પત્રકાર વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ હર્ષદ આહીર, ડૉ. આશા ગોહિલ અને ડૉ. જયેન્દ્રસિંહ જાદવ સહિત મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ ગુજરાતી માતૃભાષાના જતન અને પ્રસાર માટે સંકલ્પ લીધો હતો.
રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું:મોરબી મનપાના આશ્રયગૃહમાં આશ્રિતો માટે રોગ નિદાન કેમ્પ યોજાયો
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી ઘરવિહોણા નાગરિકોને આશ્રય સાથે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર આશ્રયગૃહ ખાતે નિયમિત આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહમાં રહેલા આશ્રિતો માટે જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકો માટે આશ્રયસ્થાન ઘટક હેઠળ મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ કાર્યરત છે. આ આશ્રયગૃહનું સંચાલન સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગથી કરવામાં આવે છે. આરોગ્ય વિભાગ તથા મહાનગરપાલિકાની UCD શાખાના સંયુક્ત સહયોગથી યોજાયેલા કેમ્પ દરમિયાન આરોગ્ય ટીમ દ્વારા આશ્રિતોની તબીબી તપાસ કરી જરૂરી દવાઓ આપવામાં આવી અને આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરાઇ હતી. મનપા કમિશ્નર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન, વિભાગીય સૂચનાઓ અનુસાર દર 15 દિવસે આશ્રયગૃહના આશ્રિતો માટે આરોગ્ય ચકાસણી, નિદાન કેમ્પનું આયોજન કરાય છે. કેમ્પમાં કુલ 51 જેટલા આશ્રિતએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા આરોગ્ય વિભાગની ટીમ તથા સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓએ જહેમત ઉઠાવી હતી.
તબીબો બન્યા તારણહાર:મોરબીમાં એસિડ પી ગયેલી યુવતીને સઘન સારવાર - જટિલ સર્જરી બાદ મળ્યું નવું જીવન
મોરબીની સરકારી હોસ્પિટલમાં વર્ષોથી સેવા કથળી ગયાની અને ડોકટરો તેમજ સ્ટાફની ઘટ, સ્ટાફના દર્દીઓ સાથે ગેરવર્તન સહિતના અનેક કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડતું હોવાથી વારંવાર ઉઠતી બુમરાણ વચ્ચે હવે આ સરકારી હોસ્પિટલના તબીબો ખરા અર્થમાં દર્દી નારાયણ માટે તારણહાર ઍટલે ઈશ્વરનું જ બીજું રૂપ હોવાનું સિદ્ધ કરતી સકારાત્મક ઘટના સામે આવી છે. જેમાં મોરબીમાં રહેતી એક 20 વર્ષીય યુવતી જલદ પ્રવાહી એસિડ પી ગઈ હતી. આથી તેણીને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે એસિડ પી જવાથી પેટના માર્ગમાં ગંભીર સંકોચન થઈ ગયું હતું. આથી સ્વાસ્થ્ય પર અસર પડતા જીવ ઉપર પણ જોખમ ઉભું થયું હતું. આથી આ યુવતીની નાજુક સ્થિતિમાં તેણીને બચાવવા સરકારી હોસ્પિટલના સર્જન ડો. વિમલ દેત્રોજા, ડો. ચિરાગ પનારા અને ડો. મિલન વિરશોડીયા, ડો. કરણ સોરિયા અને ડો. ઉષ્મા શાહ તથા સ્ટાફે બે મહિના કરતા પણ વધુ સમયગાળા સુધી સતત સારવાર અને જટિલ સર્જરી કરી હતી. વાઢકાપને બદલે જટિલ લેપરોસ્કોપિક સર્જરી કરાઇ સરકારી હોસ્પિટલના સર્જનો તથા સ્ટાફે યુવતી ખોરાક લેતી થાય એ માટે પ્રથમ દુરબીન પદ્ધતિ દ્વારા ફીડિંગ જેજુનોસ્ટોમી કરી તેને પોષણ આપવાની વ્યવસ્થા કરાઇ હતી. બાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગેસ્ટ્રોજેજુનોસ્ટોમી ઓપરેશન કરાયું હતું. સામાન્ય રીતે આવા ઓપરેશનમાં વાઢકાપ એટલે ચીરો મૂકવો પડતો હોય છે, પરંતુ અહીં તબીબોએ આધુનિક લેપરોસ્કોપિક (દુરબીન) પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. હાલ આ યુવતી સંપૂર્ણ સ્વસ્થ અને ભયમુક્ત છે.
જન્મદિવસની અનોખી ઉજવણી:મોરબીમાં 11,111 રોટલા બનાવી, ગૌમાતાને ખવડાવી પુત્રીના જન્મદિવસ ઉજવણી કરી
આજના સુધારાવાદી સમાજમાં પણ ક્યાંકને ક્યાંક હજુ દીકરો જ કુળને તારે તેવી જૂની જરી પુરાણી રૂઢિવાદી માનસિકતા જોવા મળી રહી છે અને દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવના પૂર્વગ્રહને કારણે દીકરાના જન્મના હર્ષભેર વધામણાં કરાતા હોવાની વચ્ચે મોરબીના સુખી સંપન્ન શિક્ષિત પરિવારે ખરા અર્થમાં દીકરીને વ્હાલનો દરિયો ગણી દીકરી જ ઉચ્ચ સંસ્કાર અને સમર્પણથી એક નહિ બે કુળને તારે તેવો સમાજને મેસેજ આપ્યો છે. જેમાં મોરબીના રવાપર ગામે રહેતા જયકુમાર વાસુદેવભાઈ આદ્રોજા અને તેમના પત્ની સહિતનો પરિવાર ખાધેપીધે સુખી સમૃદ્ધ અને શિક્ષિત હોવાથી જૂની રૂઢીવાદી માનસિકતાને અંતર મનમાંથી કાઢી નાખી એક વર્ષ પહેલાં જન્મેલી વ્હાલસોયી પુત્રી પ્રિજાના જન્મને અંતરના ઉમળકાથી વધામણા કર્યા હતા. જય કહે છે કે, અમે પ્રથમ સંતાન રૂપે પુત્રી રત્નનો જન્મ થાય તેવી અંતઃકરણપૂર્વક પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અને આ દુઆ કબૂલ થઈ ગઈ . આથી ત્યારે જ 51 હજારથી વધુ બાજરાના રોટલા બનાવી ગૌમાતાને ખવડાવી પ્રેમાળ પુત્રીના જન્મના હૈયાના હેતથી વધામણાં કરી દિકરા કરતા દીકરી સવાઈ હોવાનો સમાજમાં દાખલો બેસાડ્યો હતો. ત્યારે આ કાળજાના કટકા સમાન પુત્રી એક વર્ષની થઈ જતા જન્મદિવસે ફરી એ જ રીતે ગૌસેવા કરીને જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું અને ગામના પાદરે ચૂલા પેટાવી 11,111 રોટલા બનાવીને મોરબીની આજુબાજુમાં આવેલ જુદીજુદી ગૌશાળામાં રૂબરૂ મારી પુત્રી સહિત આખા પરિવારે જઈને ગૌમાતાને પ્રેમથી ખવડાવીને પુત્રીના ગૌસેવા થકી જન્મદિવસ ઉજવ્યો હતો. ઇશ્વરની પ્રસાદીરૂપ દીકરી એક વર્ષની થતાં જન્મતિથિએ દંપતીએ ગૌસેવાની પ્રેરણા આપી તસવીર-રવિ બરાસરા.
મોરબીમાં શાળાઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નથી આપતી પરંતુ સમાજને નવો રાહ ચીંધવાનું પણ કામ કરે છે. મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી પીએમ માધાપરવાડી કન્યા શાળાએ ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મકરસંક્રાંતિ બાદ રસ્તા પર રઝળતા જોખમી દોરાઓ એકત્ર કરી વિદ્યાર્થીનીઓએ અસંખ્ય પક્ષીઓ અને વાહનચાલકોના જીવ બચાવવાનું પુણ્યનું કામ કર્યું છે. મકરસંક્રાંતિ પર્વ પૂર્ણ થયા બાદ પણ ક્યાંક લબડતા તો ક્યાંક રસ્તા પર રઝળતા પતંગના દોરા વાહનચાલકો ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થતા હોય છે. અનેક લોકો ગળામાં દોરા ફસાવાને કારણે ગંભીર રીતે ઘવાતા હોય છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની 400 જેટલી વિદ્યાર્થિનીઓએ એક ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું. બાળાઓએ શાળાએ આવતા-જતા અને પોતાના રહેઠાણ વિસ્તારમાંથી આવા નકામા ઘાતક દોરાઓ વીણવાનું શરૂ કર્યું અને જોતજોતામાં કુલ ૬૪.૩૨૭ કિલો જેટલો જંગી જથ્થો એકત્ર કરી લીધો હતો. શાળાની નાની-નાની બાળાઓ દ્વારા એકત્ર કરાયેલા આ દોરાના જથ્થાને યોગ્ય નિકાલ માટે ''મા જીવદયા ગ્રુપ''ને અર્પણ કરવામાં આવ્યો હતો. બાળાઓમાં સેવા અને સંસ્કારનું સિંચન થાય તે હેતુથી મા જીવદયા ગ્રુપ દ્વારા આ કાર્યની ભારોભાર પ્રશંસા કરવામાં આવી હતી. પ્રોત્સાહન રૂપે, ૧ કિલોથી વધુ દોરા એકત્ર કરનાર શાળાની ૮૮ બાળાઓને ખાસ સન્માનિત કરવામાં આવી હતી.
અરજદારોને હાલાકી:મોરબીની સબ રજિ. કચેરીમાં આધાર ખરાઇની સિસ્ટમ ઠપ થતાં કામ અટક્યું
મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આધાર ઓથેન્ટિફિકેશનની સિસ્ટમ ઠપ્પ થઈ જતાં દસ્તાવેજ નોંધણી માટે આવેલા લોકોને અરજદારોને પારાવાર મુશ્કેલી પડી હતી. સવારના 10:30 વાગ્યાથી સર્વર અને આધાર ઓથેન્ટિફિકેશનની કામગીરી બંધ થઈ જતા દસ્તાવેજમાં ફોટા પાડવા સહિતની પ્રક્રિયા અટકી જતાં કચેરીઓમાં ભારે ભીડ જામી હતી અને કામગીરી આગળ વધતી જ ન હતી. જેમાં મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં અંદાજે 100 થી 150 જેટલા અરજદારો સવારથી જ પોતાની કામગીરી કરવા આખો દિવસ બેઠા રહ્યા હતા. મોરબીના ભાવિનભાઈ પટેલે આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સમસ્યા માત્ર મોરબી પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ અને આઈટી સેલના પ્રમુખ સવાણીભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી, અરજદારો સવારના 10 વાગ્યાથી કચેરીએ આવી ગયા હોવા છતાં, કોઈ ઉકેલ ન આવતા લોકોનો સમય અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે. જો કે આ અંગે સબ રજિસ્ટ્રાર કચેરીના ઇન્ચાર્જ અજયભાઇ ચરેલએ ખુલાસો કર્યો હતો કે આ સમસ્યા આખા રાજ્યમાં પ્રવર્તી રહી છે. જો કે અહીંની કચેરીમાં વધુ સમય નહીં, એકાદ કલાક જ સર્વર ઠપ્પ રહ્યું હતું,
મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સિરામિક તેમજ અન્ય સંલગ્ન ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો માટે જીએસટી વિષયક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં Directorate General of Taxpayer Services (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ સુમિતકુમાર તેમજ પંકજકુમાર સહિતના જીએસટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઉદ્યોગકારોના પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ માટે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં સિરામિક મેન્યુફેક્ચરિંગ એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, અજયભાઈ મારવાણીયા, સંદીપભાઈ કુંડારીયા તેમજ પૂર્વ પ્રમુખ નિલેષ જેતપરીયા, મુકેશભાઈ કુંડારીયા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ આજે રાજ્યભરમાં ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યમાં નવમી વખત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જ્યારે છેલ્લી વખત આ પ્રક્રિયા વર્ષ 2004માં યોજાઈ હતી. રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયાતા. 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખને આધારે હાથ ધરાયેલી આ વિશેષ પુનઃપરીક્ષણ પ્રક્રિયામાં 30 જાન્યુઆરી સુધી દાવો-વાંધાની મુદત આપવામાં આવી હતી અને 10 ફેબ્રુઆરી સુધી અરજીઓના નિકાલ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયા હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે. નવા મતદાર તરીકે નામ નોંધાવવા 7 લાખ અરજી મળીઆમાં ફોર્મ નં. 6 હેઠળ નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે 7,25,920 અરજીઓ મળી છે, જ્યારે ફોર્મ નં. 7 હેઠળ નામ કમી કરવા માટે 1,83,235 અરજીઓ પ્રાપ્ત થઈ છે. ફોર્મ નં. 8 હેઠળ વિગતોમાં સુધારા માટે 5,60,970 અરજીઓ નોંધાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની સંભાવનાચૂંટણી તંત્ર દ્વારા તમામ અરજીઓની ચકાસણી પૂર્ણ કરી અંતિમ યાદી તૈયાર કરવામાં આવી છે. ફાઈનલ મતદાર યાદી જાહેર થતા જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની સંભાવના છે. રાજકીય પક્ષો પણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સક્રિય બન્યા છે, ત્યારે હવે મતદાર યાદી પ્રકાશિત થવાથી ચૂંટણી પ્રક્રિયા સત્તાવાર રીતે ગતિ પકડશે. અમદાવાદમાં મતદાર યાદીઓની પ્રિન્ટ પાછળ 60 લાખનો ખર્ચઆજે નવી ફાઈનલ મતદારયાદી જાહેર કરવામાં આવશે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026માં યોજાનાર ચૂંટણી માટેની પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તમામ 48 વોર્ડ માટે મતદાર યાદીઓની પ્રિન્ટ તૈયાર કરાવવામાં આવશે. જેના માટે રૂ. 60 લાખનો ખર્ચ કરવામાં આવશે. 23 ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર ભરવાનું રહેશે અને 25 ફેબ્રુઆરીના રોજ ટેન્ડર ખોલવામાં આવશે. 10 માર્ચથી કોર્પોરેશનમાં વહીવટદારોનું શાસન અમલી બનશેમ્યુનિસિપલ કોર્પોરેશનના હોદેદારોની ટર્મ 9 માર્ચના રોજ પૂરી થશે અને 10 માર્ચથી કોર્પોરેશનમાં વહીવટદારોનું શાસન અમલી બનશે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026-27ના વર્ષ માટે યોજાનારી ચૂંટણી માટે શહેરના મતદારોના ફોટા, નામ, સરનામું, સહિતની તમામ માહિતી ધરાવતી મતદારયાદી પ્રસિદ્ધ કરાવવા માટે હિલચાલ હાથ ધરવામાં આવી રહી છે. આખરી મતદાર યાદી તૈયાર કરાયા પછી ચેકિંગ કરાશેરાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની સૂચનાને અનુસરીને SIR અંતર્ગત અમદાવાદના તમામ મતદારો માટે સુધારેલી મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે અને તે અંગે વાંધા- સૂચનોને ધ્યાનમાં લઈને આખરી મતદાર યાદી તૈયાર કરાયા પછી તેનું ચેકિંગ કરાવવામાં આવશે અને ત્યારપછી અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. એક મહિનામાં ફાઈનલ મતદાર યાદી સુપરત કરવાની રહેશેચૂંટણી આયોગની સૂચનાને અનુસરીને AMC દ્વારા નિયત તારીખ કે સમયમર્યાદામાં મતદાર યાદી છાપકામ- પ્રિન્ટ કરાવીને કાચી યાદી સુપરત કરશે અને તે મતદાર યાદી ફાઈનલ કરાવા પછી ચૂંટણી પંચની સૂચના બાદ પ્રસિદ્ધ કરવામાં આવશે. AMC દ્વારા એક મહિનામાં મતદાર યાદી ચેકિંગ કરીને ફાઈનલ મતદાર યાદી તૈયાર કરીને સુપરત કરવાની રહેશે. AMCની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી. શિડ્યુલ મુજબ AMCના ઈલેક્શન વિભાગે કામગીરી કરવાની રહેશે. દરેક વોર્ડની મતદારયાદીઓની અંદાજે 50 નકલોની જરૂરીયાતસૂત્રોના જણાવ્યાનુસાર અમદાવાદ મહાનગરપાલિકાના તમામ વોર્ડની વોર્ડ વાર વિભાગ વાર ફોટાવાળી મતદારયાદીઓ તૈયાર કરવા અંગે રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરની કચેરી દ્વારા નિયત કરેલ કંપનીને કંપનીને કામગીરી ફાળવવામાં આવેલી છે. આ કંપની પાસેથી અમદાવાદ મહાનગરપાલિકાના તમામ વોર્ડોની મતદારયાદીઓની એક હાર્ડ કોપી, એક સોફ્ટ કોપી (PDF FORMAT) તથા નિયત કરવામાં આવેલ પત્રક નમુનો ક, નમુનો ખ, નમુનો 2 અને વોર્ડવાર ઈન્ડેક્ષ અને હદ વર્ણન આવશે. અમદાવાદ મહાનગરપાલિકાને સામાન્ય ચૂંટણી-2026ની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટણી આનુસાંગીક કામગીરીઓ અર્થે દરેક વોર્ડની મતદારયાદીઓની અંદાજે 50 નકલોની જરૂરીયાત ઉપસ્થિત થશે.
ગુજરાતનું પાટનગર ગાંધીનગર આજે એક ગૌરવશાળી અને ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. શહેરના સેક્ટર-21 ખાતે મહારાષ્ટ્ર સમાજ દ્વારા નિર્મિત હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ગુજરાતની સૌથી મોટી અને ભવ્ય 20 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ પુર્વ પ્રમુખ સી.આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. 11 ઓક્ટોબર 1979 ના રોજ 'મહારાષ્ટ્ર સમાજ ગાંધીનગર'ની સ્થાપનાગાંધીનગરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોને એકત્રિત કરવા અને તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે 'મહારાષ્ટ્ર સમાજ ગાંધીનગર'ની 11 ઓક્ટોબર 1979 ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ મહારાષ્ટ્ર સમાજની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે વાસ્તવિક અથવા કાલ્પનિક સામાજિક માળખું વિકસાવવાના પ્રયાસો શરૂ થયા અને 1994 માં સામાજિક નિર્માણનું સ્થાપત્ય સ્વપ્ન સાકાર થયું. આમ મહારાષ્ટ્ર સમાજ ગાંધીનગર પોતે એક સાંસ્કૃતિક, સામાજિક અને સ્વૈચ્છિક સંગઠન છે. આ સંગઠન ગાંધીનગર શહેરના મરાઠી ભાષી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આજે આ સંગઠનમાં લગભગ 850 સભ્યો છે. સમાજની વસ્તીની વાત કરીએ ગાંધીનગરમાં મહારાષ્ટ્રીયન સમાજના આઠેક હજાર લોકો વસવાટ કરે છે. આ સંસ્થા ગાંધીનગરમાં વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. ગુજરાતના વિકાસમાં મહારાષ્ટ્રીયન સમુદાયનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે, ત્યારે શિવાજી મહારાજની આ પ્રતિમા બંને રાજ્યોના હૃદયપૂર્વક સમન્વયનું પ્રતીક બની રહેશે. કલાત્મક પ્રતિમાની તકનીકી વિશેષતાઓમહારાષ્ટ્ર સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ અશ્વરુઢ પ્રતિમા તેની કલાત્મકતા અને ભવ્યતા માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ અશ્વરુઢ પ્રતિમા તેની કદ અને કલાત્મક કોતરણીને કારણે ગુજરાતની મહત્વની પ્રતિમાઓમાં સ્થાન મેળવશે. પ્રતિમાની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો બેઝ, ઘોડો અને મૂર્તિ સાથે કુલ 20 ફૂટ ઊંચી પ્રતિમા છે. જેમાં 8 ફૂટ ઊંચાઈનો મજબૂત બેઝ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે ઘોડાની ઊંચાઈ 7 ફૂટ રાખવામાં આવી છે. શિવાજી મહારાજની મુખ્ય પ્રતિમા 5 ફૂટની છે. ઉપરાંત અંદાજે 850 કિલોગ્રામ વજન ધરાવતી આ પ્રતિમા બ્રોન્ઝ ફાઈબર કલર અને G.I. મટીરીયલમાંથી બનાવવામાં આવી છે. આ પ્રતિમાનું અનાવરણ માત્ર મહારાષ્ટ્ર સમાજ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગાંધીનગર અને ગુજરાત માટે ગર્વની ક્ષણ છે જે શિવાજી મહારાજના શૌર્ય અને આદર્શોની સતત પ્રેરણા આપતી રહેશે. યોજાનાર આ અનાવરણ વિધિને પગલે ગાંધીનગરના મહારાષ્ટ્ર સમાજના સભ્યો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રતિમા આવનારા સમયમાં ગાંધીનગરના મુખ્ય આકર્ષણોમાંનું એક બની રહેશે. આ અશ્વરુઢ પ્રતિમા તેની કદ અને કલાત્મક કોતરણીને કારણે ગુજરાતની મહત્વની પ્રતિમાઓમાં સ્થાન મેળવશે. પ્રતિમાની વિગતો આ મુજબ છે.
ગુજરાત વિધાનસભાના પંદરમાં વિધાનસભા બજેટ સત્રનો બીજો દિવસ 17 ફેબ્રુઆરી, મંગળવારે બપોરે 12 વાગ્યે શરૂ થશે. આજના દિવસની કામગીરી મુજબ પ્રથમ પ્રશ્નોત્તરી હાથ ધરાશે, જેમાં વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોના જવાબ મંત્રીઓ દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ બિન-સરકારી સભ્યોના કામકાજ માટે સમિતિની રચનાની પ્રક્રિયા હાથ ધરાશે અને સમિતિ માટે સભ્યોના પ્રસ્તાવો પણ રજૂ કરાશે. બે મહત્વના સુધારા વિધેયકો રજૂ કરાશેકાર્યસૂચિ મુજબ સરકાર તરફથી બે મહત્વના સુધારા વિધેયકો રજૂ થવાના છે. જેમાં વર્ષ 2026નું ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવા શરતો) (સુધારા) વિધેયક તથા સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન (ગુજરાત સુધારા) વિધેયકનો સમાવેશ થાય છે. બંને વિધેયકો રજૂ થયા બાદ ગૃહમાં પ્રથમ વાચન કરવામાં આવશે. વિરોધ પક્ષ દ્વારા જાહેર હિતના પ્રશ્નો પર સરકારને ઘેરવાનો પ્રયાસસત્રના બીજા દિવસે પ્રશ્નોત્તરી દરમિયાન નગર વિકાસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, મહિલા અને બાળ કલ્યાણ સહિતના વિભાગોને લગતા મુદ્દાઓ ઉઠે તેવી શક્યતા છે. વિરોધ પક્ષ દ્વારા વિવિધ જાહેર હિતના પ્રશ્નો પર સરકારને ઘેરવાનો પ્રયાસ થશે, જ્યારે શાસક પક્ષ સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યોને પ્રસ્થાપિત કરવા તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. સત્રના પ્રારંભ સાથે ગૃહનો માહોલ ગરમાવાની શક્યતાવિધાનસભા ગૃહમાં બિન-સરકારી સભ્યો દ્વારા કામકાજ માટેની સમિતિના અહેવાલની રજૂઆત થશે. બજેટ સત્ર દરમિયાન નાણાકીય પ્રસ્તાવો, વિકાસલક્ષી યોજનાઓ અને વિવિધ વિભાગોના કામકાજ પર વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે. સત્રના પ્રારંભ સાથે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે અને ગૃહનો માહોલ ગરમાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બજેટ સત્રના પ્રથમ દિવસે જયેશ રાદડિયા અને ગોપાલ ઈટાલિયાની મુલાકાત ચર્ચાનું કેન્દ્રગુજરાત વિધાનસભામાં 16 ફેબ્રુઆરી બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. બજેટ સત્રના પ્રથમ દિવસે જ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વચ્ચેની મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની હતી. બંને નેતાઓ એકબીજા વચ્ચે ગુફતગૂ કરતા અને છુટા પડતી સમયે એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, વિસાવદરની પેટાચૂંટણી સમયે ભાજપ તરફથી જયેશ રાદડિયાને ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે ગોપાલ ઈટાલિયાની જીત થઈ હતી. રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્રનો પ્રારંભગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આશરે 21 મિનિટ સુધી ગૃહને સંબોધન કર્યું હતું. પોતાના પ્રવચનમાં રાજ્યપાલે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કૃષિ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબ કલ્યાણ માટેના પ્રયાસોનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ખેડૂતોનું દેવું માફ કરો’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના મુદ્દે સરકાર પર દબાણ બનાવવા માટે કોંગ્રેસે ગૃહમાં અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે ભાજપના ધારાસભ્યોએ પાટલીઓ ખખડાવી વિરોધનો જવાબ આપ્યો હતો. ગૃહમાં થોડો સમય તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. રાજ્યપાલનું સંબોધન પૂર્ણ થતાં તેમણે ગૃહના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિરોધ વચ્ચે પણ કોંગ્રેસના સભ્યોનો બે વખત આભાર માની સંસદીય પરંપરા જાળવવાનો સંદેશ આપ્યો હતો. વિધાનસભામાં ઉપાધ્યક્ષની તરીકે પૂર્ણેશ મોદી બહુમતીથી ચૂંટાયાગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં રાજકીય ચહલપહલ વચ્ચે અંતે પૂર્ણેશ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં. દિનેશ ઠાકોરે શૈલેષ પરમારના નામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જ્યારે જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. મતવિચારણા દરમિયાન શૈલેષ પરમારના પ્રસ્તાવને બહુમતી ધારાસભ્યોએ અસ્વીકાર કર્યો હતો અને પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળી હતી. AAPએ ‘NOTA’નો રસ્તો પસંદ કર્યોબીજી તરફ, આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં કોઈ ઉમેદવારને ટેકો આપ્યો નહીં અને ‘NOTA’નો વિકલ્પ પસંદ કર્યો હતો. ત્યારબાદ વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ઉપાધ્યક્ષ બન્યા બાદ તેમણે વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરીની બાજુમાં સ્થાન લીધું, જ્યારે સંસદીય મંત્રી ઋષિકેષ પટેલ તેમને તેમના સ્થાન સુધી દોરી ગયા હતા, જે સત્રની નોંધપાત્ર ક્ષણ બની રહી હતી. દિવંગત સભ્યોના આત્માની શાશ્વત શાંતિ માટે સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યુંવિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક દર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સદસ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભાના પૂર્વ દિવંગત સદસ્યો પૂર્વ મંત્રી સ્વ. મનસુખભાઈ છગનલાલ જોષી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. મોહંમદભાઈ ગુલામમોહયુદીન સુરતી તથા પૂર્વ સભ્યો સ્વ. ધીરજલાલ ફુલાભાઇ રીબડીયા, સ્વ. અમરસિંહ રામસિંહ વસાવા, સ્વ. વજુભાઇ પરમાભાઇ ડોડિયા અને સ્વ. બાવનજીભાઈ હંસરાજભાઈ મેતલિયાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો ગૃહમાં રજૂ થયા હતા. મુખ્યમંત્રીએ આ સૌ દિવંગત પૂર્વ જનપ્રતિનિધિઓની કર્તવ્યપરાયણતા અને પ્રજાકીય પ્રશ્નો-રજૂઆતોને વાચા આપી તેના નિવારણ માટેની સક્રિયતાની સરાહના કરી હતી. તેમણે દિવંગત પૂર્વ સભ્યોના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરીને તેમના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યમંત્રી મંડળના મંત્રી અર્જુન મોઢવાડિયા અને વિપક્ષના ધારાસભ્યો તુષાર ચૌધરી, ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયાએ પણ આ શોક દર્શક ઉલ્લેખોમાં પોતાનો સૂર પુરાવીને દિવંગત પૂર્વ સદસ્યોને ભાવાંજલિ આપી હતી. આ સૌ સ્વર્ગસ્થ પૂર્વ સભ્યોના પરિવારજનોને વિધાન સભા અધ્યક્ષ મારફતે સમગ્ર ગૃહ વતી દિલસોજી સંદેશ પાઠવવામાં આવ્યા હતા. આ સૌ દિવંગત સભ્યોના સન્માનમાં સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું હતું. પહેલાં દિવસે જ ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળીગાંધીનગર ખાતે વિધાનસભા સત્રના પ્રારંભ પૂર્વે પ્રથમ જ દિવસે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સત્ર દરમિયાન પાર્ટીની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠકમાં સરકારના કાર્યકાળ અને આવનારી કામગીરી અંગે ધારાસભ્યોને ઓપચારિક સૂચનાઓ આપવામાં આવશે. તેમજ વિપક્ષ તરીકે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસોને કેવી રીતે તર્કસંગત જવાબ આપવો અને તેમની રણનીતિને નિષ્ફળ બનાવવી તેની પણ ચર્ચા થવાની છે. ખાસ કરીને ઉપાધ્યક્ષની વોટિંગ જેવી મહત્વની પ્રક્રિયામાં પક્ષના તમામ ધારાસભ્યો અનિવાર્ય રીતે હાજર રહે તે અંગે સૂચના આપવામાં આવશે, જેથી સત્ર દરમિયાન સંગઠિત અને સંયમિત રીતે પક્ષની ભૂમિકા મજબૂત રીતે રજૂ કરી શકાય. સ્કૂલે મળેલી બોમ્બની ધમકીને લઈ હર્ષ સંઘવીનું નિવેદનરાજ્યમાં સ્કૂલમાં બોમ્બ મળવાની ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીર નોંધ લેતા ડીજીપીને તાત્કાલિક સૂચનાઓ આપ્યાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓમાં સઘન તપાસ હાથ ધરાઈ ચૂકી છે અને દોષિતોને કડક સજા થાય તે માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ આજથી શરૂ થનારા Gujarat Legislative Assembly Session અંગે તેમણે તમામ ધારાસભ્યોને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે, દરેક ધારાસભ્યે પોતાના વિસ્તારના પ્રશ્નો અસરકારક રીતે ઉઠાવી જનહિતના મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી સરકારની અપેક્ષા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં બે કરતા વધુ વીજબીલ બાકી રાખનાર 1204 ગ્રાહકોના વીજ જોડાણો કાપી દેતાં બાકીદારોમાં દોડધામ મચી છે. કુલ રૂ. 2.67 કરોડની બાકી રકમ સામે આ પગલું ભરાયું છે. તંત્રે તાકીદ કરી છે કે બાકી રકમ ભરાશે નહીં તો આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે. સુરેન્દ્રનગર વર્તુળ કચેરીએથી પ્રાપ્ત માહિતી મુજબ જોડાણોમાં રહેણાંકના 1015, ખેતીના 50 અને કોર્મશિયલના 139 જોડાણોનો સમાવેશ થાય છે. જાન્યુઆરી માસ દરમિયાન જ જિલ્લામાં 2841 ટીમોએ બાકી વસૂલાત અને તપાસ કામગીરી હાથ ધરી હતી. દરેક ટીમમાં લાઇન સ્ટાફ અને ક્લેરિકલ એમ બે કર્મચારી સામેલ હતા. તંત્રના સંકલિત અભિયાનને કારણે જૂના બાકી વીજબીલ પેટે જાન્યુઆરીમાં રૂ. 14.43 કરોડની વસૂલાત કરવામાં સફળતા મળી છે. 86,000 ગ્રાહકો પાસે રૂ. 59 કરોડ જેટલુ વીજબીલ બાકીહાલ જિલ્લામાં અંદાજે 86,000 ગ્રાહકો પાસે મળી કુલ રૂ. 59 કરોડ જેટલું વીજબીલ બાકી છે. તંત્રે જણાવ્યું છે કે વારંવાર નોટિસ આપ્યા બાદ પણ રકમ ન ભરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આથી જ પૂરતી રકમ ભરો, નહીં તો કનેક્શન કટ કરીશું, એવી તાકીદ પણ કરાઇ છે. અત્યારે પૈસા નથી, વીજલાઈનમાં ફોલ્ટ, તંગી સહિતના બહાના બતાવ્યાવસૂલાત દરમિયાન ઘણા ગ્રાહકો વિવિધ બહાના પણ રજૂ કરતા હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે પૈસા નથી, વીજલાઈનમાં ફોલ્ટ, કેટલાક ગ્રાહકો આર્થિક તંગી બતાવે છે, તો કેટલાક બિલ વધુ આવ્યું હોવાનું, કેટલાક ગ્રાહકો સરકારી સહાય કે સબસિડીની રાહ જોવાનો બહાનો આપે છે. કોર્મશિયલ વર્ગમાં કેટલાક વેપારીઓ ધંધામાં મંદીનું કારણ દર્શાવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાની આર્થિક જીવાદોરી ગણાતો ક્વોરી ઉદ્યોગ છેલ્લા 14 દિવસથી સજ્જડ બંધ છે. નવી લીઝ, ATR અને EC સર્ટી જેવા પડતર પ્રશ્નો ઉકેલાતા ન હોવાથી ઉદ્યોગપતિઓએ આદરેલી હડતાળ હવે શ્રમિકો અને ડ્રાઈવરો માટે મુસીબત બની ગઈ છે. જેમાં 4000થી વધુ અસરગ્રસ્તોએ સાયલા મામલતદાર કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. સુરેન્દ્રનગરના જીવાદોરી સમાન ક્વોરી ઉદ્યોગના છેલ્લા 12 વર્ષથી નવી લીજ, એટીઆર, ઈસી સર્ટી સહિતની પ્રશ્નોનો ઉકેલ ન આવતા સ્વયંભૂ કવોરી માલિકોએ હડતાળ આદરી છે. જેના 14 દિવસના સજ્જડ બંધને કારણે દૈનિક 50થી 60 હજાર ટન કપચી બંધ થતા સરકારને રોયલ્ટી, જીએસટી સહિત દૈનિક બે કરોડની આવક બંધ થઈ છે. પરંતુ સૌથી વધુ વસમી પરિસ્થિતિ ક્રસર, ડમ્પર સહિત 3000 જેટલા વાહનોના પૈડા બંધ થતાં ડ્રાઇવર અને ક્લિનરની હાલત કફોડી બની છે. જિલ્લામાં રોજગારી આપતો કોઈ બીજો મોટો ઉદ્યોગ નથી ત્યારે ક્વોરી ઉદ્યોગના 2000 શ્રમિક સહિત કર્મચારીઓને હડતાળની અસર રોજીરોટી ઉપર પડી છે. આ બાબતે ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકો, ડમ્પર, ટ્રક અને ટ્રેક્ટરના ચાલકો, નાના રોજગાર ઉદ્યોગ ધરાવતા લોકો અને વેપારીઓને ધંધામાં મોટી અસર જોવા મળે છે. ક્વોરી ઉદ્યોગની 13 દિવસથી આ હડતાળથી માનસિક પરેશાન બનેલા શ્રમિકો, ડમ્પર ચાલક, વેપારીઓ એકત્ર થયા અને સરકારને હડતાળને કારણે ઉભો થયેલ રોજીરોટીના પ્રશ્નો બાબતે રોષ જોવા મળતો હતો. ઉદ્યોગ સાથે જોડાયેલા 4,000થી વધુ લોકોએ સૂત્રચાર કરીને રેલી સાથે સાયલા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ઇન્ચાર્જ મામલતદાર વિરલભાઈ શુકલને પોતાના રોજેરોટી પ્રશ્ન અને પરિવારને મુશ્કેલી બતાવી હતી. આ બાબતે ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો બાબતે જલ્દી ઉકેલ લાવે અને સરકાર આ બાબતે નિષ્ફળ જશે તો આગામી દિવસમાં પોતાના પરિવાર સાથે સરકારી કચેરી સામે ધારણા કરવાની ચીમકી આપી હતી. બીજો કોઈ મોટો ઉદ્યોગ નથી, કામ ધંધે ક્યાં જઈએ13 દિવસની હડતાળને કારણે વાહનના પૈડા થંભી ગયા છે. પગાર, ઉપાડ બંધ થયો અને તેની અસર ઘરના ચૂલા ઉપર પડી છે. અહીં કોઈ મોટો ઉદ્યોગ નથી કે નથી હાલમાં ખેતીના કામ. અમારે મજૂરી ક્યાં કરવી, ક્યાં કામ ધંધો કરવો તે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. - વિજયભાઈ ઝિંઝુવાડીયા, ધાંધલપુર
યુવકે કર્યો આપઘાત:હળવદમાં ઘેરથી બાઈક લઈને નીકળેલા યુવાનનો કેનાલમાં ઝંપલાવીને આપઘાત
મૂળ રણજીતગઢ ગામના રહેવાસી અને હાલમાં હળવદમાં શ્રીજી નગર સોસાયટીમાં રહેતા મનસુખભાઈ સોનાગ્રાનો 18 વર્ષનો દીકરો સુજલ 14-2એ બાઈક લઈને નીકળી ગયો હતો. માનસર પાસે કેનાલના સાઇફન નજીક તેણે બાઈક, મોબાઈલ મૂક્યો હતો. પાણીમાં તેને ઝંપલાવ્યું હતું. પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નિપજ્યું હતું. ફાયરની ટીમે નર્મદાની કેનાલમાંથી યુવાનના મૃતદેહને રવિવારે મોડી રાત્રે સવા આઠેક વાગ્યાના અરસામાં પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. મૃતક યુવાનના પિતા મનસુખભાઈ સોનાગ્રાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી.
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:31 દિવસમાં NAનું શોટર્કટ : હાઇવે ટચ 5 એકર જમીન બચાવવા MLAએ હેતુફેર કરાવી દીધો
વઢવાણથી વટામણ વચ્ચે 765 કેવીની 90 કિમી લાંબી પાવરગ્રીડની હેવી વીજલાઇન નાંખવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. 20 ખેડૂતોના ખેતરમાં થાંભલા, 100 ખેડૂતોના ખેતરમાંથી વીજલાઇન પસાર થવાની છે. ત્યારે કોઠરીયા રોડ ઉપર આવેલી 23,067 ચો.મીટર જમીન બચાવવા ધારાસભ્યે માત્ર 31 દિવસમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પાસે એન.એ કરાવી દીધી હતી. આ જમીનનો હેતુફેર કરાવ્યા બાદ કંપની દ્વારા ચૂકવાતા વળતરમાં પ્રતિ મીટરે રૂ.1188નો ફાયદો થાય છે. બીજુ કે પ્લોટ પાડ્યા બાદ વીજથાંભલો જમીનમાં નડતરૂપ પણ ન બને. વઢવાણ તાલુકાના કોઠારીયા રોડ ઉપર ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરાની સર્વે નં 2602ની 5 એકર (23,067 ચો.મી) જમીન આવેલી છે. તા.31 જાન્યુઆરી, 2025ના રોજ ભારત સરકારે ગેજેટ બહાર પાડયા બાદ આ લાઇનનું કામ આગળ વધ્યુ હતું. આ દરમિયાન ધારાસભ્યની જમીન એનએ કરવાની ફાઇલ કલેક્ટર કચેરીમાં પહોંચતા માત્ર 35 દિવસમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા તા.3 એપ્રિલ 2025ના રોજ વઢવામાં સર્વે નં. 2602ની જમીન બિનખેતી કરવાનો હુકમ કરાય છે. આ જમીન હેતુફેર કરવા પાછળનો મુખ્ય હેતુ વળતરમાં જંત્રીનો ભાવ વધારો મેળવવાનો પણ હતો. વીજથાંભલા નાંખવા પાવરગ્રીડે 1 મે 2025માં નોટિસ આપી હતીપાવરગ્રીડ કંપની દ્વારા તા.1 મે 2025 એટલે કે, જમીન NA થઇ ગયા બાદ ધારાસભ્યના નામે સર્વે નં.2602માં વીજથાંભલા ઉભા કરવા મામલે નોટિસ આપવામાં આવી હતી. જેમાં ફાઉન્ડેશન વર્કનો પણ ઉલ્લેખ કરાયો છે. જ્યારે વઢવાણના અન્ય ખેડૂતોને 5 જૂન અને તા.11 જૂન 2025ના રોજ કલેક્ટર કચેરી તરફથી જે નોટિસ મોકલવામાં આવી તે 20 ખેડૂતોમાં ધારાસભ્યનું નામ ગાયબ કરી દેવામાં આવ્યું હતું. ગેઝેટ બહાર પડી ગયા બાદ પ્રોજેક્ટ પડતો મૂકાય તો જ જમીન NA થાયઆ અંગે એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, એક વખત પ્રોજેક્ટનું ગેઝેટ બહાર પડી ગયા બાદ જમીન NA થઇ શકે નહીં. જો કોઇ કારણોસર સરકાર પ્રોજેક્ટ પડતો મૂકે તો સરકારની પરમીશન લઇ જમીન NA કરી શકાય. તો પ્રોજેક્ટ ચાલતો હોય ત્યારે જમીન NA કરાવવા સક્ષમ અધિકારીની NOC જરૂરી છે. આ કેસમાં કલેક્ટર દ્વારા NOC આપવામાં આવી હશે. એટલે જ 17 જૂનની યાદીમાં ધારાસભ્યનું નામ નીકળી ગયું હોઇ શકે.
ગમખ્વાર અકસ્માત:કચ્છમાં વધુ ત્રણ જીવલેણ અકસ્માત
છેલ્લા કેટલાક સમયથી કચ્છના માર્ગો પર અકસ્માતના બનાવો વધ્યા છે તેવામાં હવે નલિયાથી કોઠારા જતા હાઈવે પર ભાનાડા એરફોર્સ નજીક બંધ પડેલા ટ્રેઇલરની પાછળ ખાનગી બસ ભટકાતા અકરી ગામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું જ્યારે મોટી સુડધ્રોના યુવાનને ઈજાઓ પહોચી હતી. કોઠારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે નલિયા હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં અકરી ગામના 63 વર્ષીય અનિરુદ્ધસિંહ ભુપતસિંહ જાડેજાનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. બનાવ સવારે આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં ભાનાડા એરફોર્સ નજીક બંધ પડેલા ટ્રેઇલરની પાછળ પેસેન્જર લઇને જતી ખાનગી બસ અથડાઈ હતી. અકસ્માતની ટક્કર એટલી ગંભીર હતી કે, બસની આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો.ગંભીર અકસ્માતમાં મોટી સુડધ્રો ગામના 29 વર્ષીય દેવેન્દ્રસિંહ નિતુભા જાડેજાને આંખ અને માથાના ભાગે ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર તળે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા કોઠારા પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ઘટના સબંધિત ગુનો દાખલ કરવા સહીતની તજવીજ હાથ ધરી છે. ભીરંડીયારા નજીક બોલેરોની ટક્કરથી બાઈક ચાલકનો જીવ ગયોતાલુકાના ભીરંડીયારા ગામે બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 23 વર્ષીય યુવાન બાઈક લઈને ગામમાં દૂધ લેવા જઈ રહ્યો હતો એ દરમિયાન પાછળથી આવતી બોલેરોએ ટક્કર મારતા ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ખીમજીભાઈ શંકરભાઈ મારવાડાએ ધોરડો પોલીસ મથકે આરોપી બોલેરો ગાડી નંબર જીજે 12 સીટી 9434 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 15 ફ્રેબ્રુઆરીના સાંજે સવા છ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદીનો 23 વર્ષીય ભત્રીજો રમેશ ભારમલ મારવાડા પોતાની બાઈક નંબર જીજે 12 એચડી 9841 વાળી લઈને દૂધ લેવા માટે ભીરંડીયારા ગામમાં જઈ રહ્યો હતો.એ દરમિયાન બન્ની માલધારી હોટલ સામે આરોપી બોલેરો ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવાર માટે પ્રાઈવેટ વાહનથી ખાવડાની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવને પગલે ધોરડો પોલીસે આરોપી બોલેરો ગાડીના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અકસ્માતના બનાવો વધી ગયા છે. જે એક ચિંતાજનક બાબત છે. ધ્રોબાણા-દિનારા રોડ પર રોંગ સાઈડ બોલેરોએ કિશોરનો જીવ લીધોતાલુકાના ધ્રોબાણાથી દિનારા જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો જેમાં રોંગ સાઈડમાં આવતી બોલેરો ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારતા પિતા સાથે ખાવડા વાળ કપાવવા જઈ રહેલા 14 વર્ષીય બાળકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ધ્રોબાણાના હુશેનીવાંઢના મામદ ઈસ્માઈલ સમાએ ખાવડા પોલીસ મથકે આરોપી બોલેરો ગાડી નંબર જીજે 20 એક્ષ 6150 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 15 ફ્રેબ્રુઆરીના સવારે સવા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો.ફરિયાદી પોતાની બાઈક નંબર જીજે 12 એચએચ 6250 લઈને તેમના 14 વર્ષીય દીકરા ઈરફાન ઉર્ફે અમજદ ના વાળ કપાવવા માટે ખાવડા જઈ રહ્યા હતા. એ દરમિયાન ધ્રોબાણાથી દિનારા જતા માર્ગ પર આરોપી ચાલકે રોંગ સાઈડમાં આવી ફરિયાદીની બાઈકને ટક્કર મારી હતી. જેથી ફરિયાદી અને તેમનો દીકરો રોડ પર ફંગોળાયા હતા.જેમાં ગંભીર ઈજાઓ પહોચતા ફરિયાદીના દીકરાને પ્રથમ ખાવડા સીએચસી ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાંથી વધુ સારવાર માટે ભુજ લઇ જતા સમયે વેકરીયાના રણમાં જ ફરિયાદીના દીકરાએ દમ તોડી દીધો હતો. ધ્રંગ નજીક અકસ્માત મામલે ગુનો નોધાયોભુજ તાલુકાના ધ્રંગ અને લોડાઈની વચ્ચે રવિવારે રાત્રે બે બાઈક સામસામે ભટકાયા હતા જેમાં મુળ પંચમહાલ અને હાલ નાડાપાની વાડીમાં રહેતા 25 વર્ષીય ગોવિંદ કાળુ ડામોર,ખેંગારપરના હરેશ કરશન કોલી અને તેના 2 વર્ષીય દીકરા ઈશ્વરનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું.જે મામલે ફરિયાદી ગોરજીભાઈ મોહનભાઈ ઝાલૈયાએ માધાપર પોલીસ મથકે મૃતક હરેશ કરશન કોલી સામે ગુનો નોધાવ્યો છે.
ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું:એક બાજુ રોડનું કામ ચાલુ, બીજી તરફ ગંદું પાણી, જાવું ક્યાંથી?
ગાંધીધામની જનતા કોલોની રોડ પર આવેલી સરસ્વતી સ્કૂલ પાસે હાલમાં એક તરફ તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે અડધો રસ્તો બંધ છે, તો બીજી તરફ રસ્તાની બીજી બાજુએ ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા હોવાથી તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં સ્કૂલે જતા નાના બાળકો અને સ્થાનિક રહીશોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લોકો કહી રહ્યા છે અમારે જાવું ક્યાંથી ? શાળાએ જતા બાળકો માટે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી તેઓએ આ ગંદા અને દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું પડે છે. વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે, “એક બાજુ રોડ ખોદી નાખ્યો છે અને બીજી બાજુ પાણી ભરાયેલું છે, તો અમારે ચાલવું ક્યાં? શું બાળકો માંદા પડે તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે? તંત્ર આ સમસ્યામાંથી જલદી મુક્તિ અપાવે તેવી માંગ કરી રહ્યા છે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ:હલરા ખાતે પંચમુખી હનુમાન દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ભચાઉ તાલુકાના હલરા વાડી વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. ત્રિદિવસીય આયોજનમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પંડિત રાજેન્દ્ર ડી. ગોર દ્વારા હોમ હવન, પૂજન-અર્ચન વગેરેના આયોજન કરાયા હતા. હલરા ભચુ ભાઈ સંઘાર (સેવક)ની વાડીમાં ત્રણ દિવસ આયોજન કરાયું હતું. જેમાં છેલ્લા દિવસે સંતવાણીનું પણ આયોજન કરાયું હતું. જેમાં ભાવિક ભક્તોએ લ્હાવો માણ્યો હતો. ભક્તોએ બહોળી સંખ્યામાં દાદાના દર્શન કર્યા અને ધાર્મિક ઉજવણીમાં સહભાગી થયા હતા.
જુગારીઓ ઝડપાયા:માધાપરમાં જુગાર રમતાં 7 જબ્બે, સંચાલક સહિત 2 ફરાર
માધાપરના નવાવાસમાં મકાનમાં જુગાર રમતા સાત ખેલી પકડાયા હતા. એલસીબીના પીઆઈ એ. એમ. મકવાણાની સુચનાથી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, સાત જોટા બજારની પાછળ, નવાવાસ ખાતે રહેતા ચંદ્રસિંહ બાલુભા જાડેજા પોતાના મકાનના ઉપરના માળે રૂમમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. દરોડો પાડતા માધાપરના દિલીપસિંહ મેરામણજી જાડેજા, કુકમાના પંકજભાઇ બાબુભાઇ આહીર, માધાપરના કાંતીલાલ વેલજી ઠક્કર, અશ્વિન ઉર્ફે પપ્પુ અનીલભાઇ ઠક્કર, તેજસ શાંતીલાલ રાઠોડ, નવલસિંહ હઠુભા વાઘેલા, મમુઆરાના નરસિંહ ગોપાલ જાટીયાને ઝડપી રોકડ 1,42,600 તેમજ 25 હજારના 5 મોબાઈલ, બલેનો કાર જીજે 12 એફસી 7721, કિયા સેલ્ટોસ જીજે 12 એફએફ 5826 સહીત કુલ 16.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સંચાલક ચંદ્રસિંહ બાલુભા જાડેજા અને ઉદયરાજ સોલંકી પોલીસને હાથ લાગ્યા ન હતા.
રણમાં 100થી વધુ બાઈકર્સે કરતબો કર્યા:કચ્છમાં હવે મોટર સાયકલિંગ પ્રવાસનનો નવો અધ્યાય શરૂ
કચ્છનું સફેદ રણ સાંસ્કૃતિક નહીં, પરંતુ સાહસિક પ્રવાસન અને મોટરસ્પોર્ટ્સનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. ટીવીએસ મોટર કંપની દ્વારા રણ ઉત્સવ ખાતે સતત બીજા વર્ષે આયોજિત મોટર સાયકલિંગ કાર્યક્રમ દ્વારા ભારતના પ્રવાસનને એક નવી ઊંચાઈ આપવામાં આવી છે. કચ્છની કલા અને ભૂદ્રશ્યોથી પ્રેરિત 5 કસ્ટમ મોટરસાયકલોએ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવ્યું હતું.નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આયોજનની સરાહના કરતા જણાવ્યું હતું કે કચ્છનું રણ હવે પરંપરાગત પ્રવાસનથી આગળ વધીને પ્રકૃતિ અને નવીનતાનો સંગમ બની રહ્યું છે. ટીવીએસ મોટર કંપનીના ચેરમેન સુદર્શન વેણુએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ભારતના પ્રવાસન સ્થળોને વૈશ્વિક નકશા પર મૂકવાની નેમ વ્યક્ત કરી હતી. આયોજનના ભાગરૂપે પ્રથમ વખત વેસ્ટ ચેપ્ટર રાઈડનું આયોજન કરાયું હતું, જેમાં મુંબઈ, પુણે, અમદાવાદ અને જયપુર જેવા શહેરો ઉપરાંત મેક્સિકો અને ઇટાલી જેવા દેશોના 100થી વધુ રાઈડર્સ જોડાયા હતા. મોટરસ્પોર્ટ્સ પ્રદર્શન તેમજ અપાચે પ્રો પરફોર્મન્સ સ્ટંટ શો, ફ્લેટ ટ્રેક તાલીમ અને ખાસ મહિલાઓ માટેની ડ્રિફ્ટ-આર ચેમ્પિયનશિપ જેવા કાર્યક્રમો યોજાયા હતા.
ભાસ્કર એનાલિસિસ:કચ્છમાં માત્ર 120 કલાકમાં 16 માનવજિંદગીનો કરૂણ અંત
કચ્છમાં માત્ર 120 કલાક (પાંચ દિવસ)ના ટૂંકા ગાળામાં 13 જેટલા ગંભીર અકસ્માતોમાં 16 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તમામ ઘટનાઓનું એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે કેટલાક ચોંકાવનારા ‘કોમન પોઈન્ટ્સ’ અને પેટર્ન સામે આવી છે, જે તંત્ર અને જનતા બંને માટે લાલબત્તી સમાન છે. ખાસ કરીને હાઈવે રક્તરંજિત બન્યા છે. જેમાં સામખિયાળી-મોરબી હાઈવે પર કટારિયા પાસે અજન્તા કંપની નજીક રોડના કામને કારણે ધીમા પડેલા બાઈકને પાછળથી આવેલા અજાણ્યા વાહને ઉડાવતા પાટણના 45 વર્ષીય ચાલકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક ઘટનામાં ઉત્તરાખંડના યુવકે પણ જીવ ગુમાવ્યો હતો. કચ્છના માર્ગો પર સાંજના 6થી રાતના 11નો સમય બન્યો ‘ડેથ અવર્સ’ આ આંકડા સૂચવે છે કે સાંજના સમયે વિઝિબિલિટી ઓછી હોવી, વાહનચાલકોમાં ઘરે પહોંચવાની ઉતાવળ અને હાઈવે પર હેવી ટ્રાફિકનું દબાણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. ટુ-વ્હીલર ચાલકો સૌથી વધુ અસુરક્ષિત:મૃત્યુ પામનારાઓમાં મોટાભાગના લોકો ટુ-વ્હીલર (બાઈક કે એક્ટિવા) ચાલકો છે. ભુજ હોય, મુન્દ્રા હોય કે સામખિયાળી હાઈવે, ટુ-વ્હીલર ચાલકો તોતિંગ વાહનો સામે લાચાર બની રહ્યા છે. મુન્દ્રામાં 13 વર્ષીય માસૂમ ટ્રેલર નીચે કચડાઈ ગયો, તો ભુજમાં બે જીવલેણ અકસ્માતો ભારે વાહનોનો ભોય ટુ-વ્હીલર સવારો જ બન્યા હતાં. આ દર્શાવે છે કે કચ્છના હાઈવે પર ટુ-વ્હીલર લઈને નીકળવું કેટલું જોખમી છે. જીવલેણ અકસ્માતો પાછળ ખરાબ રસ્તા અને નબળી કામગીરી પણ જવાબદાર: અકસ્માત માટે તંત્રની બેદરકારી પણ એટલી જ જવાબદાર છે. સામખિયાળી પાસે અજન્તા કંપની નજીક બનેલો બનાવ તેનું ઉદાહરણ છે. ત્યાં હાઈવેનું કામ ચાલુ હોવાથી બાઈક ચાલકે ગતિ ધીમી કરી, પણ પાછળથી આવતા યમદૂત સમાન વાહને તેને કચડી નાખ્યો. એ જ રીતે કુનરિયા-કોટાય રોડ પર બાઈક સ્લીપ થવાથી યુવાનનું મોત થયું, જે રોડની ગુણવત્તા સામે સવાલો ઉભા કરે છે. ભાનાડા પાસે રોડ પર બંધ પડેલા ટ્રેલર સાથે બસ અથડાઈ, જે હાઈવે પેટ્રોલીંગના અભાવની ચાડી ખાય છે. ભુજમાં પણ રોડના કામ અને શહેરમાં ભારે વાહનોના લીધે અકસ્માત થયા છે. માનવતા મરી પરવારી: ‘હિટ એન્ડ રન’:આ પાંચ દિવસમાં બનેલી ઘટનાઓમાં એક અત્યંત શરમજનક બાબત ‘હિટ એન્ડ રન’ છે. ભુજોડી પાસે વૃદ્ધને ટક્કર મારી બલેનો ચાલક ફરાર થઈ ગયો, મુન્દ્રામાં કિશોરને કચડી ટ્રેલર ચાલક નાસી ગયો, કટારિયા અને સામખિયાળીમાં પણ અજાણ્યા વાહનો અકસ્માત સર્જીને પલાયન થઈ ગયા. અકસ્માત સર્જ્યા બાદ ભોગ બનનારને મદદ કરવાને બદલે ભાગી છૂટવાની આ માનસિકતા સમાજ માટે ચિંતાજનક છે. કોણ જાણી શકે કાળ ને રે... ધ્રંગ પાસે મેળાનો આનંદ માતમમાં ફેરવાયો મહાશિવરાત્રીના મેળામાં પરત-જતી વખતે હાઈવે પર બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક માસૂમ બાળક સહિત ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતાં. આ બનાવથી અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ભુજમાં તંત્રની હવે કસોટીભુજ એરપોર્ટ રિંગ રોડ પર 24 કલાકમાં બે જીવલેણ અકસ્માતો સર્જાયા છે. શહેરની ફરતે આવેલા આ રોડ પર ભારે વાહનોની બેફામ ગતિ પર કાબુ મેળવવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે. યુવાઓના અકાળે મોત: પરિવારો નોંધારા આ અકસ્માતોમાં ભોગ બનનારાઓમાં મોટાભાગના 13 થી 45 વર્ષની વયના છે. ભુજ, મુન્દ્રા, આસંબિયા, ધ્રંગ, સામખિયાળી હાઇવે આ તમામ બનાવોમાં 13થી 45 વર્ષની વયના લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા અનેક પરિવારોનો આધારસ્તંભ તૂટી પડ્યાની સાબિતી છે. આ રહ્યા અકસ્માતના બનાવો મોટા આસંબીયા પાસે કાર ચાલકે બાઈકને અડફેટે લેતા બે આશાસ્પદ યુવાનોના સ્થળ પર જ મોત થયા હતા. ભુજોડી પાસે પણ હિટ એન્ડ રનની ઘટનામાં 63 વર્ષીય વૃદ્ધનું અજાણી બલેનો કારની ટક્કરે મોત થયું હતું. કુનરિયા-કોટાય રોડ પર બાઈક સ્લીપ થતા 20 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હતો. ભચાઉમાં ફાટક પસાર કરતી વખતે ટ્રેન અડફેટે એક પુરુષનું, ખાવડામાં બોલેરો-બાઈક અકસ્માતમાં બાઈક ચાલક અને ભાનાડા એરફોર્સ પાસે બંધ ટ્રેલરમાં બસ અથડાઈને 62 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. તો ગુરૂવારે વાંઢમાં નીચે કચડાઇ જવાથી દોઢ વર્ષના બાળકનું મોત થયું હતું. ભારે વાહનો બન્યા ‘યમદૂત’ મુન્દ્રા અને ભુજમાં કિશોરો કચડાયા મુન્દ્રાના રાશાપીર સર્કલ પાસે 13 વર્ષીય માસૂમ કિશોરનું ટ્રેલરના તોતિંગ પૈડા નીચે આવી જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ભુજમાં છત્રીસ કવાર્ટર ચોકડી પાસે 19 વર્ષીય યુવાનને ટ્રકે હડફેટે લેતા તેનું મોત થયું હતું. જ્યારે તેના આગલા દિવસે રાત્રે ત્રિમંદિર પાસે ટ્રકની ટક્કરે 25 વર્ષીય બાઇક ચાલક યુવાને જીવ ગુમાવ્યો હતો.
આગામી 18મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું બજેટ વિધાનસભામાં રજૂ થશે. એક અનુમાન મુજબ બજેટનો આકાર 3.70 લાખ કરોડથી વધીને 4 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને 1,37,667 કરોડ કરોડ હતું, જે 2025-26 સુધીમાં 166% વધીને 3.70 લાખ કરોડ થયું હતું. આમ 10 વર્ષમાં બજેટમાં અંદાજે ત્રણ ગણો વધારો થયો છે. આ બજેટ ખરેખર કેવું હોવું જોઇએ અને કઈ કઈ બાબતો પર ફોક્સ કરવાની જરૂર છે? આ તમામ બાબતોને લઈ દિવ્ય ભાસ્કરે બે પૂર્વ મુખ્યમંત્રીથી લઈ પૂર્વ આરોગ્ય મંત્રી સહિતના જાણકારો સાથે વાતચીત કરી હતી. જેમાં શંકરસિંહ વાઘેલાએ કોમનવેલ્થ ગેમ્સને લઈ ચેતવણી આપી કે બિનઉત્પાદક ખર્ચથી પ્રજાના ખિસ્સા પર ભાર પડશે. આગામી બજેટને લઈ આર્થિક બાબતોના જાણકાર અને પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પરિવારો માટે કેટલી રોજગારી ઊભી થશે તેનો અંદાજ પણ એ પરથી આવશે. કૃષિ ક્ષેત્ર અંગે તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે દેશનો ખેડૂત 45 કરોડ ટન અનાજ પેદા કરે છે, અને જો ખેડૂત નબળો પડશે તો દેશની સ્થિરતા જોખમમાં મૂકાશે. ગુજરાતમાં આરોગ્ય પર ખર્ચ સૌથી ઓછો છે. “જો કોઈને બીમારી આવે તો સરકાર 40 પૈસા પણ આપતી નથી અને 60 પૈસા નાગરિકને પોતાના ખિસ્સામાંથી ચૂકવવા પડે છે. એ 60 પૈસામાંથી ઓછામાં ઓછા 20 પૈસા ઘટાડવા સરકાર શું કરશે?” 'રાજ્યના GDPના 80 ટકા જેટલુ દેવું છે, જે ચિંતાજનક' પાણી મુદ્દે ‘નળ સે જળ’ યોજનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે અનેક ગામોમાં નળ તો આવ્યા, પૈસા ખર્ચાયા, પરંતુ પાણી પહોંચ્યું નથી. રાજ્યના દેવા અંગે તેમણે જણાવ્યું કે રાજ્યના GDPના 80 ટકા જેટલુ દેવું છે, જે ચિંતાજનક છે. કેન્દ્રના બજેટમાં 1 રૂપિયામાંથી 25 પૈસા વ્યાજમાં જાય છે, એટલે 53.5 લાખ કરોડના બજેટમાંથી અંદાજે 13.5 લાખ કરોડ રૂપિયા વ્યાજ ચુકવવામાં જાય છે, જે સ્પષ્ટ રીતે દેખાતું નથી. આવી અર્થવ્યવસ્થા લાંબા ગાળે ટકી શકશે નહીં. 'માઇક્રો ઇન્ડસ્ટ્રી માટે પેકેજની જરૂર'શહેરોમાં માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતની તાકાત રહી છે, તે લગભગ બંધ થવાની સ્થિતિએ છે. તેને જીવતી રાખવા માટે વિશેષ પ્રોત્સાહન પેકેજ કે સરકારી ખરીદીમાં અગ્રતા જેવી નીતિ લાવવા જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. ગુજરાતની 55 ટકા વસ્તી ગામડાંમાં રહે છે, તો 55 ટકા બજેટ પણ ગ્રામલક્ષી હોવું જોઈએ. ‘સરકારે રાજ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કર્યા છે’રાજ્યના ચોથા નાણા પંચના અધ્યક્ષ યમલ વ્યાસે કહ્યું કે છેલ્લા 25 વર્ષમાં ગુજરાત સરકારે રાજ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કર્યા છે અને બજેટનું કદ સતત વધતું ગયું છે. સામાન્ય નાગરિક, ઉદ્યોગો અને ખેડૂતો માટે જોગવાઈઓ થઈ રહી છે અને આ વખતે પણ તે પરિબળો મહત્વના રહેશે.તેમણે મધ્યમ વર્ગ માટે રોજિંદા જીવનને સરળ બનાવતી યોજનાઓ તથા ઘર-ઘર સુધી સરકારી લાભ પહોંચાડવા માટેની જોગવાઈઓ પર ભાર મૂક્યો. પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું કે રાજ્ય આવક અને જાવકના સંતુલન પર આધારિત છે. જીએસટી પછી આવકની ખાસ ચિંતા નથી, પરંતુ ખર્ચની નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ મુજબ એક્સપેન્ડિચર પોલિસી બનાવવી જરૂરી છે, પરંતુ તે દિશામાં પૂરતું ધ્યાન અપાયું નથી. ‘ગયા વર્ષે અંદાજ કરતાં 10 હજાર કરોડ વધુ થયેલો ખર્ચ ચિંતાજનક’કોમનવેલ્થ ગેમ્સ અંગે કહ્યું કે રમત-ગમતનો વિરોધ નથી, પરંતુ પ્રાથમિકતા સામાજિક માળખાને હોવી જોઈએ. ગયા વર્ષે અંદાજ કરતાં 10 હજાર કરોડ વધારે ખર્ચ થયો હોવાનું સ્વીકારાયું છે, જે ચિંતાજનક છે. ‘અર્થતંત્ર માટે ડેફિસિટ ફાઈનાન્સ જરૂરી’પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બજેટને અંગ્રેજોની દેન ગણાવી કહ્યું કે વિકસતા અર્થતંત્ર માટે ડેફિસિટ ફાઈનાન્સ જરૂરી છે. બજેટ પ્રજાલક્ષી હોવું જોઈએ, માત્ર પ્રચાર માટે નહીં. સર્વિસ સેક્ટર માટે 60 થી 70 ટકા ખર્ચ થવો જોઈએ. ‘બિનઉત્પાદક ખર્ચથી પ્રજાના ખિસ્સા પર ભાર પડશે’ડિજિટલ ફ્રોડ અંગે તેમણે રાજ્ય સરકાર સમક્ષ વિશેષ સેલ બનાવવાની માંગ કરી. AI ક્ષેત્રે પહેલ સાથે ડિજિટલ એરેસ્ટ અને ઓનલાઈન ઠગાઈ અટકાવવા ગુજરાત દેશને માર્ગદર્શક બને તેવી અપેક્ષા વ્યક્ત કરી. કોમનવેલ્થ ગેમ્સ અંગે ચેતવણી આપી કે બિનઉત્પાદક ખર્ચથી પ્રજાના ખિસ્સા પર ભાર પડશે. દિલ્હીની સ્થિતિનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે માત્ર વાહ-વાહ માટે સ્ટેડિયમ બનાવવા યોગ્ય નથી. આ રીતે આવનાર ગુજરાત બજેટ અંગે વિવિધ મતભેદો વચ્ચે એક વાત સ્પષ્ટ છે, બજેટ પ્રજાલક્ષી, રોજગારમુખી અને સામાજિક પ્રાથમિકતાઓને અનુરૂપ હોવું જોઈએ, સાથે સાથે ખર્ચની સ્પષ્ટ અને સંતુલિત નીતિ અનિવાર્ય ગણાઈ રહી છે. સરકારનો સૌથી વધુ ખર્ચ ક્યાં થાય છે? રાજ્ય સરકાર પોતાની આવકમાંથી સૌથી વધુ ખર્ચ 64.43% વિકાસલક્ષી ખર્ચ પાછળ કરે છે. ત્યાર બાદ બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ 25.10% ખર્ચ કરે છે. બાદમાં જાહેર દેવાની ચુકવણી 8.83%, લોન અને પેશગી 1.17% કુલ ચોખ્ખી લેવડ-દેવડ 0.27% અને સહાયક અનુદાન અને ફાળા પાછળ 0.20% ખર્ચ કરે છે. રૂપિયો આ રીતે આવે છે અને પછી ખર્ચે છેરૂપિયો ક્યાંથી આવશે, એટલે કે આવકના સ્ત્રોત કયા કયા છે? જાહેર દેવું(બેંકો અને વિદેશમાંથી મળતી લોન), બિન કર આવક એટલે કે ડિવિડન્ડ અને સરકારી કંપની દ્વારા થતા નફા સહિતની આવકનો સમાવેશ થાય છે. સરકાર 1 રૂપિયાને અલગ અલગ ખર્ચમાં વહેંચતી હોય છે, એટલે કે રૂપિયો ક્યાં જશે?. જેમાં જાહેર દેવાની ચુકવણી, કુલ ચોખ્ખી લેવડદેવડ એટલે કે ટ્રાન્ઝેક્શન, લોન અને એડવાન્સ એટલે કે સરકારે લીધેલી લોનની તથા એડવાન્સ કરવામાં આવતી ચુકવણી. વિકાસલક્ષી ખર્ચ અને બિનવિકાસલક્ષી ખર્ચ. આમ, પાંચ ભાગમાં રૂપિયાને વહેંચવામાં આવે છે. વિકાસલક્ષી ખર્ચ એટલે શું? સામાજિક સેવાઓ, જેવી કે શિક્ષણ, રમતગમત, આરોગ્ય, પાણીપુરવઠો, શહેરી વિકાસ, એસસી, એસટી, પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ-રોજગાર, સમાજ કલ્યાણ જેવી બાબતો માટેનો ખર્ચ વિકાસલક્ષી ખર્ચ ગણાય છે. બિનવિકાસલક્ષી ખર્ચ એટલે શું? કૃષિ, ઊર્જા, ગ્રામીણ વિકાસ, સિંચાઈ, પરિવહન સહિતની બાબતો પાછળ થતો ખર્ચ વિકાસલક્ષી ખર્ચ ગણાય છે. ગુજરાત સરકાર લોકો પાસેથી 17થી વધુ પ્રકારના ટેક્સ વસૂલે છે જેમાં વ્યવસાયવેરો, જમીન મહેસૂલ, સ્ટેમ્પ ફી, રજિસ્ટ્રેશન ફી, સરચાર્જ, સ્ટેટ એક્સાઇઝ, વાહનવેરો, વીજળીવેરો, મનોરંજનવેરો વગેરે સામેલ છે. સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન ફી જમીન-મકાનની લે-વેચ પર લગાવવામાં આવતી સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી વીજળી વેરો-ડ્યૂટી કોમર્શિયલ અને ઘરગથ્થું વીજવપરાશ માટે લેવામાં આવતો વીજળીવેરો. વાહનવેરોતમામ પ્રકારનાં વાહનો પર લેવામાં આવતો રોડ ટેક્સ. જમીન મહેસૂલજંત્રી તથા બિનખેતી કરવા પર લેવામાં આવતું પ્રીમિયમ. સ્ટેટ GST આ ટેક્સ રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવે છે અને એ માલ અને સેવાઓ પર લાગુ પડે છે. તમે કોઈ વસ્ત ખરીદો અથવા વેચો તો એના પર આ ટેક્સ લાગુ પડે છે. વ્યવસાયવેરો મહાપાલિકા વિસ્તારમાં કોઇપણ ધંધારોજગાર કરતા અને પગાર, વેતન મેળવતા તમામ પાસેથી ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ 1976ની જોગવાઇ અનુસાર વેરાને પાત્ર થતાં વ્યક્તિ, વેપારી, સંસ્થા અને પગારદારોએ ચૂકવવો પડતો ટેક્સ. રાજ્ય આબકારી(એક્સાઇઝ ડ્યૂટી)પરમિટધારકો માટેના વિદેશી દારૂની હેરફેર ફી અને સ્પેશિયલ ફી તરીકે થતી આવક. એન્ટરટેઇનમેન્ટ ટેક્સ થિયેટરો, મેળા કે ફનફેર જેવા મનોરંજક કાર્યક્રમો માટે લેવામાં આવતો ટેક્સ. સરકાર માથે વધતું દેવું ચિંતાજનક ગુજરાત સરકારનું જાહેર દેવું સતત વધી રહ્યું છે. માર્ચ 2024ના અંતે ગુજરાત સરકારનું કુલ જાહેર દેવું 3,77,962 કરોડ રૂપિયા હતું, રાજ્યની કુલ જીડીપીના 15.34 ટકા છે. માર્ચ 2024ના અંતે ગુજરાતનો વર્તમાન GSDP રૂ. 24 લાખ કરોડ આસપાસ હતો. વર્ષ 2023માં ગુજરાત સરકારનું જાહેર દેવું 3,38 476 કરોડ રૂપિયા હતું. 2025-26માં દેવું વધીને 3 લાખ 99 હજાર કરોડ થઈ ગયું છે. ગુજરાત સરકારના દેવામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જે સરકાર માટે સૌથી મોટો પડકાર છે. વજુભાઈ વાળા બાદ નીતિન પટેલે વધુ વખત બજેટ રજૂ કર્યુંગુજરાત વિધાનસભામાં અત્યારસુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે છે. જ્યારે બીજા ક્રમે 9 વખત બજેટ રજૂ કરનારા નીતિનભાઈ પટેલ છે. બજેટ શું છે?બજેટ એ સરકારની આવક અને ખર્ચનો હિસાબ-કિતાબ છે. જેમ આપણે આપણા ઘરમાં કરીએ છીએ, એટલે કે પૈસા ક્યાંથી આવશે અને ક્યાં જશે? નાનો તફાવત એ છે કે સામાન્ય રીતે પરિવારો માસિક ખાતા રાખે છે, પરંતુ સરકાર આખા વર્ષ માટે લેખાંજોખાં તૈયાર કરે છે. તેમના ભાષણ દ્વારા નાણામંત્રી સરકારની આર્થિક નીતિ તેમજ તેના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાનાં લક્ષ્યો પણ સમજાવે છે. મજાની વાત એ છે કે આપણા બંધારણમાં બજેટ નામનો કોઈ શબ્દ નથી. બંધારણ અને સરકારી ભાષામાં એને વાર્ષિક નાણાકીય નિવેદન કહેવામાં આવે છે. સરકારે સંસદમાં એની વાર્ષિક આવક અને ખર્ચનો હિસાબ આપવો જરૂરી છે, તેથી દર વર્ષે બજેટ રજૂ કરવામાં આવે છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
કહેવાય છે કે પ્રેમ બલિદાન માંગે છે પણ આ પ્રેમ જ્યારે લગ્નના પવિત્ર બંધનની મર્યાદાઓ ભૂલીને આગળ વધે છે ત્યારે તેનો એવો અંત આવે છે જેની કોઇએ કલ્પના પણ ન કરી હોય. સંસ્કારી નગરી, સયાજી નગરી, શિક્ષણ નગરી જેવી કેટલીય ઓળખ ધરાવતું વડોદરા શહેર 9 વર્ષ પહેલાં આવી જ એક ઘટનાનું સાક્ષી બન્યું હતું. પતિ, પત્ની અને પ્રેમી વચ્ચે સર્જાયેલા લવ ટ્રાયેંગલમાં કોઇ એકનું મરવાનું નક્કી હતું તો પછી આ લવ ટ્રાયેંગલમાં કોનો ભોગ લેવાયો તે જાણો ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં. વાતની શરૂઆત 2012થી થાય છે. આકાશ (બદલેલું નામ) વડોદરા નજીકના એક ગામે રહેતો હતો અને લેબમાં ટેક્નિશિયન તરીકે નોકરી કરતો હતો. વડોદરાથી તેના ગામનું અંતર 14-15 કિલોમીટર જેટલું થાય એટલે તે દરરોજ બાઇક લઇને નોકરી પર જતો અને સાંજ પડે ઘરે પાછો આવી જતો. ઘરની જવાબદારી સંભાળતા આકાશની ઉંમર હવે લગ્ન કરવા જેવડી થઇ ગઇ હતી. પરિવારે આકાશ માટે છોકરી જોવાનું શરૂ કરી દીધું હતું. એક યુવતી પરિવારને પસંદ આવી ગઇ, નામ તેનું ધરતી. (બદલેલું નામ) ધરતી દેખાવમાં સુંદર હતી. ભલભલાને આંજી દે તેવી વાકછટા હતી. બન્નેએ એક બીજાને જોયા અને પસંદ કરી લીધા. ધામધૂમથી તેમની સગાઇ થઇ. સગાઇ બાદ બન્ને દરરોજ એકબીજા સાથે વાતો કરતા. એકપણ દિવસ એવો નહોતો કે તેમની વચ્ચે વાત ન થઇ હોય. એકબીજાને જિંદગીભર સાથ આપવાથી માંડીને ભવિષ્યના સોનેરી સપના.... વાતો કરવામાં સમય ઓછો પડતો. અંતે એ દિવસ આવી ગયો જ્યારે આકાશ અને ધરતી અગ્નિની સાક્ષીએ લગ્નના 7 ફેરા ફરીને પતિ-પત્ની તરીકેના બંધનમાં બંધાયા. લગ્ન બાદ બન્ને ખુશ હતા. ક્યારેક મીઠો ઝઘડો, ક્યારેક રિસામણાં તો ક્યારેક મનામણાં.... જેમ કોઇ નવપરિણીત યુગલનું જીવન હોય તેવી જ રીતે આ બન્નેનું લગ્નજીવન પણ આવું જ હતું. ધરતી, હું જોબ પર જઉં છું. દરરોજ સવાર પડે ને આકાશ આ શબ્દો બોલીને ઘરનો ઉંબરો છોડે. સામેથી પણ ધરતીનો વળતો જવાબ આવે, ધ્યાન રાખીને જજો, સાંજે વહેલા આવતા રહેજો. મોઢા પર આછું સ્મિત લાવીને આકાશ કહેતો, હા. આમને આમ બન્ને એક બીજા સાથે હસીખુશીથી જીવન વિતાવી રહ્યાં હતા. ધીરે ધીરે દિવસો વિતતા ગયા. હવે તેમના સુખી દામ્પત્ય જીવનમાં સંતાનનું આગમન થવાનું હતું. લગ્નજીવનથી તેમને ફૂલ જેવી માસૂમ દીકરીનો જન્મ થયો હતો. દીકરી જન્મતાની સાથે જ બન્નેનું જીવન વધારે ખુશીઓથી ભરાઇ ગયું હતું પણ આ ખુશીઓ વધુ સમય ટકવાની નહોતી કેમ કે ભવિષ્યમાં એક એવી ઘટના બનવાની હતી જે તેમના ખુશી ભરેલા જીવનમાં ઝંઝાવાત સર્જવાની હતી. દીકરીના જન્મ બાદ ઘરના ખર્ચા અને પરિવારની જરૂરિયાત વધ્યા હતા. એકલા આકાશની કમાણીમાં આ બધા ખર્ચને પહોંચી વળવું અઘરું હતું. જેથી ધરતીએ પણ નોકરી કરવાનો વિચાર કર્યો. તેણે આકાશને કહ્યું, હું પણ નોકરી કરું તો? આપણે દીકરીનું ભવિષ્ય વધુ સારું બનાવી શકીશું. પતિએ મંજૂરી આપી. જેના પછી ધરતીએ વડોદરામાં એક કોલ સેન્ટરમાં નોકરી શરૂ કરી. સવારે નોકરી પર જવું અને સાંજ પડતાં ઘરે પાછું આવી જવું આ ધરતીનો નિત્યક્રમ બની ગયો હતો. થોડા જ સમયમાં તે નોકરીમાં સેટ થઇ ગઇ હતી. તેણે ઘર અને નોકરી એમ બન્નેને સારી રીતે સંભાળી લીધા. હવે ઘરની આવક પણ વધી હતી. એક દિવસ આકાશને ધરતી વિશે કંઇક એવી ખબર પડી કે તે સમસમી ઉઠ્યો. ધરતી જે કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી તે જ કોલ સેન્ટરમાં 20 વર્ષનો ધ્રુવ (બદલેલું નામ) નામનો એક યુવાન પણ કામ કરતો હતો. ધ્રુવ ધો.12 સુધી ભણ્યો હતો. ધ્રુવના મમ્મીએ બીજા લગ્ન કર્યા હતા. ધ્રુવ તેના પ્રથમ લગ્નથી થયેલો દીકરો હતો. સાથે નોકરી કરવા દરમિયાન ધરતી અને ધ્રુવ વચ્ચે મિત્રતા થઇ ગઇ. આ મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઇ ગઇ તેની આ બન્નેમાંથી કોઇને ખબર જ ન રહી. તેમની વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો. બન્ને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. ધરતી મૂળ કડીની રહેવાસી હતી. તેનો પરિવાર ત્યાં રહેતો હતો. જેથી ધ્રુવ ઘણીવાર ધરતીના પરિવારને ત્યાં (કડી) જતો આવતો રહેતો. આમ બન્નેનો સંબંધ વધુ ગાઢ બન્યો હતો. ધ્રુવનો પરિવાર પણ જાણતો હતો કે તેનો દીકરો એક પરણેલી સ્ત્રીના પ્રેમમાં છે છતાં કોઇએ તેને રોક્યો નહીં. કહેવત છે ને કે પાપનો ઘડો ક્યારેક તો ફૂટે જ છે. આકાશને ધરતીના વર્તનમાં ફેરફાર લાગવા માંડ્યો એટલે તેના પર શંકા થવા લાગી. ધરતી અને ધ્રુવના અફેરની હકીકત એક દિવસ પતિ સામે આવી ગઇ હતી. જે પોતાની સાથે પ્રેમ, ઇર્ષ્યા અને દગાને લઇને આવી હતી. પત્નીના પ્રેમસંબંધ વિશે જાણી ગયેલા આકાશના મનમાં ગુસ્સો હતો. તેણે ધરતીને આ અંગે પૂછ્યું તો ધરતીએ હકીકતનો સ્વીકાર કરી લીધો. તેણે પતિને ચોખ્ખું કહી દીધું કે હા, મારે અને ધ્રુવને પ્રેમ છે. આ શબ્દો આકાશ માટે કાળજા પર ઘા સમાન હતા. પત્નીના આવા જવાબને કોઇ પતિ કેવી રીતે સ્વીકારી શકે? આકાશ અને ધરતી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. હવે વાત આગળ વધીને છૂટાછેડા આપવા સુધી પહોંચી ગઇ હતી. તારીખઃ 30 મે, 2017સમયઃ રાત્રે અંદાજે 10 ધ્રુવના સાવકા પિતાનો મોબાઇલ રણકી ઉઠ્યો. સ્ક્રીન પર ધ્રુવનું નામ હતું. તેના પિતાએ તરત જ ફોન રિસિવ કરી લીધો. સામે છેડેથી ધ્રુવ બોલતો હતો. ધ્રુવઃ પપ્પા, ધરતીના પિતાને એટેક આવ્યો છે એટલે હું કડી ગયો હતો. હવે હું ત્યાંથી વડોદરા પાછો આવું છું. આ સંવાદ પછી ધ્રુવના પિતાએ વાંધો નહીં, ધ્યાન રાખીને આવજે એટલું કહીને કોલ કટ કર્યો અને ધ્રુવના મમ્મીને આ વાતની જાણ કરી. હવે 31મી મેની સવાર પડી ચૂકી હતી. વડોદરાનું જનજીવન રાબેતા મુજબ દોડવા લાગ્યું હતું. રસ્તા પર દૂધવાળા, છાપાવાળા અને નોકરીએ જવાવાળા લોકો જોવા મળતા હતા પણ ધ્રુવનો પરિવાર ચિંતામાં હતો કેમ કે કડીથી વડોદરાનું અંતર 160 કિલોમીટર થાય, જેને કાપતા સામાન્ય રીતે સવા ત્રણ કલાક કે સાડા ત્રણ કલાક જેટલો સમય લાગે. જે ધ્રુવે આગલા દિવસે રાત્રે 10 વાગ્યે ફોન કરીને કહ્યું હતું કે હું કડીથી વડોદરા આવું છું તે મોડી રાત્રે કે પરોઢિયે તો ઘરે પહોંચી જવો જોઇતો હતો પણ તે હજુ સુધી ઘરે નહોતો પહોંચ્યો. પરિવારમાં કોઇને ચેન નહોતું પડતું. વારંવાર ધ્રુવના મોબાઇલ પર કોલ કર્યા પણ સામે છેડેથી કોઇ જવાબ નહોતો મળી રહ્યો. જેથી પરિવાર હાંફળો ફાંફળો બની ગયો હતો. આંખોમાં આંસુ અને મનમાં એક અજીબ પ્રકારના ડર સાથે ધ્રુવના મમ્મીએ ફરી એકવાર ફોન લગાવ્યો. આ વખતે જાણે કે નસીબ જોર કરતું હોય તેમ ફોન ઉપડી ગયો પણ સામેથી ધ્રુવ નહીં કોઇ યુવતીનો અવાજ આવ્યો પણ તેણે જે શબ્દો કહ્યાં તે સાંભળી ધ્રુવના મમ્મીના પગ નીચેથી જમીન સરકી ગઇ. તમારો દીકરો ધ્રુવ હવે રહ્યો નથી..... આ શબ્દો સાંભળતા જ ધ્રુવના મમ્મીને ફાળ પડી. સામા છેડે કોણ હતું તેની પણ તેમને ખબર નહોતી. તે કંઇ આગળ બોલવા જાય તે પહેલાં તો ફોન કટ થઇ ગયો. તેના મમ્મીએ રડતાં-રડતાં ઘરમાં બધાને આ શબ્દો વિશે જાણ કરી એટલામાં તો ધ્રુવના મોબાઇલ પરથી ફરીથી ફોન આવ્યો. તમે જ્યાં હો ત્યાંથી બદામડી બાગ આવી જાઓ. આટલું કહીને ફરીથી ફોન કટ થઇ ગયો. આ વખતે પણ અવાજ ધ્રુવનો નહોતો. હવે પરિવારના સભ્યો પાસે બદામડી બાગ જવા સિવાય કોઇ રસ્તો નહોતો. રડમસ અને ચિંતાગ્રસ્ત ચહેરા સાથે બધા બદામડી બાગ જવા રવાના થઇ ગયા પણ કોઇને ખબર નહોતી કે ત્યાં પહોંચતા જ તેમના પર આભ તૂટી પડવાનું હતું. બદામડી બાગની એ સવાર રોજની જેમ સામાન્ય નહોતી. જ્યારે ધ્રુવનો પરિવાર દોડતો-દોડતો અહીં નવા બંધાતા મકાન પાસે પહોંચ્યો ત્યારે ત્યાંનું દૃશ્ય કોઇ હોરર ફિલ્મથી ઓછું નહોતું. સિમેન્ટની થેલીઓ અને ચણાઇ રહેલી દીવાલોની વચ્ચે લોહીના ખાબોચિયામાં એક લાશ પડી હતી. આ લાશ બીજા કોઇની નહીં પણ ધ્રુવની હતી. તેના ગળામાં, ખભા પર, પીઠ પર અને ડોક પર તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા. ગળા પર પડેલા ઘાથી શ્વાસનળી કપાઇ ગઇ હતી. ધ્રુવે બ્લ્યુ જીન, લાંબી બાયનું ટી-શર્ટ અને બ્લ્યુ કલરના કેનવાસ શૂઝ પહેરેલા હતા. તેના ડાબા હાથેથી ટી-શર્ટ નીકળી ગઇ હતી અને હાથમાં ફસાઇ હતી. મકાનની બહારની તરફ લોકોનું ટોળું ઊભું હતું. અવાજ તો સ્પષ્ટ નહોતો આવતો પણ એટલું લાગતું હતું કે સૌ કંઇક ગણગણાટ કરી રહ્યાં હતા. આ બધા દૃશ્યો ધ્રુવની હત્યા થયાની ચાડી ખાતા હતા પણ એક સવાલ અનુત્તર હતો કે તેની હત્યા કોણે કરી? આ સવાલનો જવાબ મેળવવા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જે રીતે ક્રૂરતાપૂર્વક હત્યા કરાઇ હતી તે જોતાં FSLના અધિકારીઓને પણ તપાસ કરવા માટે બોલાવી લેવાયા હતા. પોલીસને ઘટના સ્થળેથી જ એક એવી કડી મળી ગઇ જેનાથી આખું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું. આ કડી શું હતી? ધ્રુવની હત્યા કોણે કરી હતી?હત્યા પાછળનું કારણ શું હતું?પોલીસની તપાસમાં શું-શું ખુલાસા થવાના હતા? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ.
ઝડપથી ઘર ખાલી કરાવવા સિનિયર સિટિઝન કાયદો વાપરી શકાય નહીંઃ હાઈકોર્ટ
પુત્રને ઘર ખાલી કરવા જણાવતો ટ્રિબ્યુનલનો આદેશ રદબાતલ પુત્રને ઘર ખાલી કરાવવાનો આદેશ મેળવવા દિવાની ઉપાયના વિકલ્પ તરીકે કાયદો વપારી શકાય નહીં મુંબઈ - માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણનો કાયદો ઘર ખાલી કરવાની સામાન્ય દિવાની કાર્યવાહીના વિકલ્પ તરીકે વાપરી શકાય નહીં અને કાયદા હેઠળ ઘર ખાલી કરવાવાની કાર્યવાહી ત્યારે જ માન્ય છે જ્યારે કાયદા હેઠળની શરતો પૂર્ણ થતી હોય. ટ્રિબ્યુનલ પોતાની સત્તા વાપરી શકે તે પહેલાં એ દર્શાવવું જરૃરી છે કે વરિષ્ઠ નાગરિક પોતાનું ભરણપોષણ કરવા અક્ષમ છે કેમ કે આ બાબત કાયદાની મૂળભૂત જરૃરિયાત છે.સામાન્ય પારિવારિક મિલકત વિવાદને ઉકેલવા કાયદાનો ઉપયોગ થઈ શકે નહીં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
આરોગ્ય કર્મીઓના પ્રશ્નોનો અંત આવ્યો:આજની માસ સીએલ અને ધરણાનો કાર્યક્રમ મોકૂફ
કચ્છ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગમાં વહીવટી બદલીઓના કારણે સર્જાયેલા અસંતોષ અને કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો મામલે ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની મંજૂરી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી સાથેની સફળ રજૂઆતના પરિણામે કર્મચારી મંડળ દ્વારા આજે 17 ફેબ્રુઆરીના જાહેર કરાયેલા માસ સીએલ અને ધરણાનો વિરોધ કાર્યક્રમ મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. તાજેતરમાં થયેલી અરસપરસ બદલીઓ બાદ સર્જાયેલી સ્થિતિ અંગે કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળના હોદ્દેદારોએ સોમવારે તંત્ર પાસે રજૂઆત કરતા હકારાત્મક પ્રતિસાદ રૂપે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી 62 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની માંગણી મુજબના બદલીના ઓર્ડર કરી આપ્યા છે. અગાઉ 48 મહિલા આરોગ્ય કર્મચારીની બદલી મંજૂર કરાઈ હતી આમ કુલ 110 પાયાના આરોગ્ય કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ આવતા કર્મચારી આલમમાં હર્ષની લાગણી છવાઈ છે. કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરીયા, મહામંત્રી નિલેશભાઈ મકવાણા અને મુખ્ય કન્વીનર ભરતભાઈ ડોડીયાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, તંત્ર દ્વારા બાકીના પ્રશ્નો અંગે પણ ટૂંક સમયમાં સાનુકૂળ ઉકેલ લાવવાની ખાતરી અપાઈ હોવાથી મંગળવારનો આંદોલનાત્મક કાર્યક્રમ હાલ પૂરતો રદ કરાયો છે. આથી હવે કોઈપણ કર્મચારીએ રજા રાખવાની જરૂર રહેશે નહીં. જોકે મંડળે એમ પણ ઉમેર્યું હતું કે, જો નિયત સમયમર્યાદામાં અન્ય પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ફરી એકજૂથ થઈ લડત આપવામાં આવશે. આ અંગે મીડિયા સેલના કન્વીનર પ્રકાશ ઠક્કરે વિગતો આપતા જણાવ્યું હતું કે,વહીવટી તંત્રના આ હકારાત્મક અભિગમથી આરોગ્ય સેવાઓ ખોરવાતા બચી છે અને આ જટિલ પ્રશ્નના સુખદ નિરાકરણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર આરોગ્ય તંત્રના તમામ અધિકારી/કર્મચારીઓનો મંડળ દ્વારા આભાર વ્યક્ત કરાયો છે.
શેખપીર પાસે ઝુંબેશ:બ્લેક ફિલ્મ ઉતારાઈ, 9 વાહનો ડિટેઈન
શહેરના પ્રવેશદ્વાર શેખપીર નજીક પદ્ધર પોલીસ દ્વારા નિયમનું ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પીઆઈ એ.જી.પરમારની સુચનાથી ટીમ દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન સહીત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ 238 વાહનો તપાસવામાં આવ્યા હતા.વિવિધ નિયમોના ભંગ બદલ 134 આરટીઓ એનસી કેસ નોંધવામાં આવ્યા હતા.તેમજ હેલ્મેટ વગર વાહન ચલાવતા 94 ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી હતી, જ્યારે સીટ બેલ્ટ ન બાંધનાર 14 અને બ્લેક ફિલ્મ લગાવનાર 15 વાહન ચાલકો દંડાયા હતા. ગંભીર બેદરકારી બદલ 09 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નશાની હાલતમાં વાહન ચલાવતા એક શખ્સ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
ગુજરાત બોર્ડ પરીક્ષા:બોર્ડની પરીક્ષા દિવ્યાંગ અને ઘાયલોને મળશે 1 કલાક વધુ સમય
આગામી 26 ફ્રેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે દિવ્યાંગ અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય અનુસાર, હવે પરીક્ષામાં તેમને કુલ 1 કલાકનો વધારાનો સમય મળશે. અગાઉ ત્રણ કલાકના પેપરમાં પ્રતિ કલાક 10 મિનિટના હિસાબે માત્ર 30 મિનિટનો વધારાનો સમય અપાતો હતો, જે હવે વધારીને પ્રતિ કલાક 20 મિનિટ લેખે કુલ એક કલાક કરાયો છે. આ નિર્ણયનો સીધો લાભ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉપરાંત અકસ્માત કે અન્ય કારણોસર લેખન કાર્યમાં અસમર્થ બનેલા વિદ્યાર્થીઓને પણ મળશે. ખાસ કરીને પરીક્ષા દરમિયાન લહિયાની મદદ લેતા ઉમેદવારો માટે આ નિર્ણય ઉપયોગી સાબિત થશે. શિક્ષણ બોર્ડનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે, શારીરિક અસમર્થતા કોઈપણ વિદ્યાર્થીની શિક્ષણયાત્રામાં અડચણ ન બને. નવા નિયમથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે. તેઓ પણ સામાન્ય વિદ્યાર્થીની જેમ પોતાની પ્રતિભા સાબિત કરી શકશે.આ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગ બ્લોકની વ્યવસ્થા,ગ્રાઉન્ડ ફલોર પર બેઠક વ્યવસ્થા, લહિયાની મંજુરી, શક્ય હોય ત્યાં રેમ્પની વ્યવસ્થા કરવા બોર્ડ દ્વારા જણાવાયું છે.
શહેરમાં નગરપાલિકા દ્વારા સફાઈ, પાણી અને સ્ટ્રીટલાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ માટે પ્રયત્નો કરવામાં આવતાં હોવા છતાં વોર્ડ નંબર 1 થી 4 વિસ્તારમાં રહેવાસીઓમાં અસંતોષ વધતો જાય છે. ખાસ કરીને વોર્ડ નંબર 4ની ઇન્દિરા નગરી વિસ્તારમાં સફાઈનો અભાવ, રસ્તાઓમાં મોટા ખાડા અને ગટરના તૂટેલા ઢાંકણાં જેવી સમસ્યાઓને લઈને વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનો કાયમી ઉકેલ આવતો નથી. સોમવારે ઇન્દિરા નગરીની મહિલાઓએ પોતાની વ્યથા નગરપાલિકાના અધિકારીઓ સુધી પહોંચાડવા અનોખો વિરોધ પ્રયોગ કર્યો. મહિલાઓએ નગરપાલિકા સંકુલ ખાતે ફટાકડા ફોડીને પ્રતિકાત્મક રીતે ‘અવાજ’ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તેમનો આક્રોશ હતો કે વારંવાર રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી. મહિલાઓએ જણાવ્યું કે માર્ગોમાં થયેલી ખુદાઈ બાદ મરામત કામ પૂર્ણ કરવામાં આવતું નથી, ગટરના તૂટેલા ઢાંકણાંને કારણે ગંદુ પાણી ઉભરાય છે અને આસપાસ દુર્ગંધ ફેલાતી હોવાથી આરોગ્ય પર પણ ખરાબ અસર પડી રહી છે. ફટાકડાના ધડાકાથી જવાબદાર અધિકારીઓ બહાર આવે તેવી મહિલાઓને આશા હતી, પરંતુ તે સમયે નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન કે અન્ય પદાધિકારીઓ હાજર નહોતા. ચીફ ઓફિસર પણ બહાર આવ્યા નહોતાં. અંતે મહિલાઓએ સંબંધિત શાખાના ઇજનેરને રજૂઆત કરી અને તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરી. મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું કે, સમસ્યાઓનો વહેલો ઉકેલ નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. હાલ તેઓને નગરપાલિકા તરફથી ઝડપી કાર્યવાહી થાય તેવી આશા છે.
સ્ટેટ ટ્રાફિક બ્રાંચનું રીસર્ચ:ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરતો યુવાન પણ વૃદ્ધ : રિસર્ચ
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી જીવલેણ અકસ્માતો,લોકો દ્વારા ચક્કાજામ અને કલેકટર દ્વારા જાહેરનામાંમાં ફેરફાર વચ્ચે હવે પોલીસે પણ ગંભીર અકસ્માતો અટકાવવા અને ટ્રાફિક નિયમનનું સુચારુ પાલન કરવા કમર કસી છે. જેમાં ટ્રાફિકથી ધમધમતા જ્યુબિલી સર્કલ સહીત નળ સર્કલથી લઇને પ્રિન્સ ત્રણ રસ્તા સુધી વિશેષ મુહિમ હાથ ધરી કડક કાર્યવાહી કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સ્ટેટ ટ્રાફિક બ્રાંચના રીસર્ચ દરમિયાન એ પણ ચોંકાવનારી વિગત સામે આવી છે કે,ચાલુ વાહનમાં ફોન પર વાત કરતા યુવાનનું પ્રતિભાવ 85 વર્ષીય વૃદ્ધ જેટલો થઇ જાય છે અને પરિણામે અકસ્માત સર્જાય છે. શહેરના એરપોર્ટ રોડ પર 12 કલાકમાં બે જીવલેણ અકસ્માતના બનાવ બનતા સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને પરિણામે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ એરપોર્ટ રીંગરોડથી પસાર થતા ભારે વાહનો હવે નળ સર્કલ થઇને જિલ્લા ઉદ્યોગ સર્કલથી પ્રિન્સ ત્રણ રસ્તા તરફ દોડતા થયા છે. ત્યારે હવે પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની સુચનાથી ગંભીર અકસ્માતના બનાવો અટકાવવા એક મુહિમ હાથ ધરવામાં આવી છે. જેમાં ટ્રાફિકથી ધમધમતા જ્યુબિલી સર્કલ સહીત નળ સર્કલ, ઝાંસીની રાણી સર્કલ, એરોપ્લેન સર્કલ અને પ્રિન્સ ત્રણ રસ્તે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે જેમાં ચાલુ વાહને ફોન પર વાત કરવી, ઓવરસ્પીડ, હેલ્મેટ, સીટબેલ્ટ સહીતના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય પગલા લેવામાં આવશે. આ બાબતે ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચને વિગતો આપતા જણાવ્યું કે, સ્ટેટ ટ્રાફિક બ્રાંચમાં ફરજ દરમિયાન એક રીસર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં એવું જાણવા મળ્યું હતું કે,ચાલુ વાહન પર ફોનમાં વાત કરતા યુવાનનું પ્રતિભાવ 85 વર્ષના વૃદ્ધ જેટલો હોય છે.પરિણામે વાહન પર કાબુ રહેતો નથી અને ગંભીર અકસ્માતનો બનાવ બને છે. જેને અટકાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્કુલ રીક્ષાને ટ્રકે ટક્કર મારી નવા જાહેરનામા, સતત અકસ્મતો અને વિવિધ ભરચક અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં પોલીસની હાજરી વચ્ચે સોમવારે ફરી એક મોટો અકસ્માત સહેજમાં રહી થયો હતો. એરોપ્લેન સર્કલ પર આગળ જતી સ્કુલ રીક્ષા પાછળ ટક્કર મારી હતી. જોકે આ ટક્કર સામાન્ય હોવાથી મોટી દુર્ઘના ટળી ગઇ હતી. જોકે થોડી વાર માટે અફરાતફરીનો માહલ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ,જિલ્લા-સિટી ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરીમાર્ગ અકસ્માતના બનાવ અટકાવવા માટે પોલીસે રીસર્ચ કરી પ્રેસર પોઈન્ટ નક્કી કર્યા છે. જ્યાંથી પસાર થતા વાહનના ચાલકો નિયમનું પાલન કરે તેની તકેદારી રાખવા પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. જેમાં સ્થાનિક પોલીસ સહીત જિલ્લા અને સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે નિયમના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
CBSE બોર્ડની પરીક્ષા:કચ્છમાં CBSE બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, 47 શાળામાં 5 હજાર છાત્રો નોંધાયા
કચ્છ જિલ્લામાં આજથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો ઉત્સાહભેર પ્રારંભ થઈ રહ્યો છે. જિલ્લા મથક ભુજ અને આર્થિક પાટનગર ગાંધીધામ સહિતના કેન્દ્રો પર આવેલી કુલ 47 સીબીએસઇ શાળામાં અંદાજે 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે પોતાની શૈક્ષણિક કારકિર્દીની મહત્વની પરીક્ષા આપશે.પરીક્ષાના સુચારુ અને પારદર્શક સંચાલન માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ છે. સમગ્ર જિલ્લાના સીટી કો-ઓર્ડિનેટર તરીકે દુન પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ ડો. સારીકા શર્મા જવાબદારી સંભાળી રહ્યા છે. આ વર્ષે પરીક્ષા પદ્ધતિમાં કેટલાક મહત્વના ફેરફારો અને કડક નિયમો અમલી બનાવાયા છે, જેનું પાલન કરવું વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય છે. ખાસ કરીને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) પદ્ધતિ દાખલ કરાઈ હોવાથી ઉત્તરવહીનું ડિજિટલ સ્કેનિંગ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી પેજની બોર્ડર કે માર્જિનની બહાર લખાણ લખશે, તો તે સ્કેનિંગમાં કટ થઈ જવાની શક્યતા છે, જેના કારણે ગુણ કપાઈ શકે છે. આથી વિદ્યાર્થીઓને ખાસ સૂચના અપાઈ છે કે, તેઓ નિર્ધારિત હદમાં સચોટ લખાણ લખે. આ ઉપરાંત, પરીક્ષામાં આ વખતે QR કોડ આધારિત પ્રશ્નપત્રો અને ડિજિટલ હાજરી જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. સવારે 10 કલાક સુધીમા પ્રવેશ મેળવી લેવોપરીક્ષા ખંડમાં પ્રવેશ માટે સમયનું પાલન અત્યંત કડક રહેશે, જેમાં સવારે 10:00 વાગ્યે શાળાઓના ગેટ બંધ કરી દેવામાં આવશે અને ત્યારબાદ કોઈ પણ સંજોગોમાં પ્રવેશ મળશે નહીં. વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે સ્કૂલ યુનિફોર્મમાં હાજર રહેવું પડશે અને સાથે પ્રિન્સિપાલ તથા વાલીની સહી કરેલું ઓરિજિનલ એડમિટ કાર્ડ રાખવું જરૂરી છે. પારદર્શક પાઉચ અને પાણીની બોટલ સિવાય કોઈ પણ પ્રકારના ગેજેટ્સ, ઘડિયાળ કે મોબાઈલ પરીક્ષા ખંડમાં પ્રતિબંધિત છે. તેમજ પ્રશ્નપત્રના સીલ ખોલતી વખતે વીડિયો રેકોર્ડિંગ પણ ફરજિયાત કરાયું છે.
દરજીપુરા સ્થિત આદિજાતિ સમાજની સરકારી કન્યા છાત્રાલયમાંથી 13 ફેબ્રુઆરીના રોજ 21 વિદ્યાર્થિનીઓ પ્રિન્સિપાલની હેરાનગતિથી કંટાળીને છાત્રાલયની દીવાલ કૂદીને ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ સગીર વિદ્યાર્થિનીઓ છાત્રાલયની પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં જ સંતાયેલી હતી. પોલીસે તમામ વિદ્યાર્થિનીઓને શોધીને તેમને સમજાવીને પરત છાત્રાલયમાં મોકલી હતી. જ્યારે વિદ્યાર્થિનીઓની ફરિયાદના આધારે તપાસ કમિટી બેસાડવામાં આવી હતી, કમિટીએ તાત્કાલિક પ્રિન્સિપાલની બદલી કરી દીધી હતી. આદિજાતિ સમાજની સરકારી કન્યા છાત્રાલયમાં સમાજની વિદ્યાર્થિનીઓ અભ્યાસ અર્થે રહે છે. છેલ્લા ઘણા સમયથી સગીર વિદ્યાર્થિનીઓને છાત્રાલયના પ્રિન્સિપાલ કેયુર સાગર હેરાન કરતા હોવાની ફરિયાદ હતી. જેમાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થિનીઓને એસેમ્બલીમાં લાંબો સમય બેસાડી રાખતા, મોડી સુધી વાંચવા ન દેતા તેમનો અભ્યાસ બગડતો હોવા ઉપરાંત વિદ્યાર્થિનીઓને ધમકાવતો હોવા સહિત વિવિધ હેરાનગતિ કરવામાં આવતી હતી. લાંબા સમયથી પ્રિન્સિપાલ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા, વિદ્યાર્થિનીઓએ આ પ્રિન્સિપાલની બદલી તાત્કાલિક કરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી. જોકે પ્રિન્સિપાલની બદલી કરવામાં ન આવતા આખરે કંટાળી ગયેલી 21 સગીર વિદ્યાર્થિનીઓ 13 ફેબ્રુઆરીના રોજ રાતે 10 થી 10:30 વાગ્યાની આસપાસ છાત્રાલયની દીવાલ કૂદીને ભાગી ગઈ હતી. જ્યારે આ સમગ્ર ઘટના અંગેની જાણ છાત્રાલયના સિક્યુરિટી ગાર્ડને થતા તેને તુરંત શિક્ષિકાને જાણ કરી દિધી હતી. છાત્રાલયમાંથી 21 સગીરાઓ દીવાલ કૂદીને ભાગી ગઈ હોવાની વાત જાણતા જ શિક્ષિકા ગભરાઈ ગઈ હતી. તેને તાત્કાલિક વોર્ડનને જાણ કરી હતી. વોર્ડને હરણી પોલીસનો સંપર્ક કરી તમામ માહિતી આપી હતી. આ અંગે જાણ થતા જ હરણી પોલીસ સ્થળ પર આવીને તપાસ કરતા વિદ્યાર્થિનીઓ છાત્રાલયની પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાંથી મળી આવતા રાહત થઈ હતી. આદિજાતિ સમાજના સરકારી છાત્રાલયમાં પ્રિન્સિપાલની હેરાનગતિ હોવાની ફરિયાદ સામે પગલાં કેમ ન લેવાયાં?સરકારી છાત્રાલયમાંથી 21 વિદ્યાર્થિનીઓ ભાગી છૂટવાની ઘટનામાં તપાસ કમિટી દ્વારા પ્રિન્સિપાલ સામે તપાસ કરવામાં આવી રહી છે. જોકે સવાલ એ ઉભો થાય છે કે, જ્યારે વિદ્યાર્થિનીઓએ અવાર-નવાર પ્રિન્સિપાલ તેમને હેરાન કરતો હોવાની ફરિયાદ કરી હતી, તેમજ પ્રિન્સિપાલની બદલી કરાય તેવી માંગ પણ કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થિનીઓની ફરિયાદ સામે પગલા કેમ ન લેવાયા? તે મોટો પ્રશ્ન છે.આ ઉપરાંત વિદ્યાર્થિનીઓ દીવાલ કૂદીને ભાગી જાય ત્યારે છાત્રાલયની સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે, હાલ તો કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓને સમજાવાઇ છે. જ્યારે આગામી સમયમાં પણ વિદ્યાર્થિનીઓને કોઈ પણ સમસ્યા ન થાય તેની જવાબદારી પણ તંત્રના માથે છે. વોર્ડનને તાત્કાલિક ચાર્જ સોંપવામાં આવ્યોપોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, છાત્રાલયના પ્રિન્સિપાલ કેયુર સાગરની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે કન્યા છાત્રાલયનો પ્રિન્સિપાલ તરીકેનો વધારાનો ચાર્જ વોર્ડન મૃણાલી મહેરાને સોંપવામાં આવ્યો છે. હાલમાં પ્રિન્સિપલ કેયુર સાગર સામે કમિટી બેસાડી ઇન્ક્વાયરી ચાલું છે. પ્રિન્સિપાલ સામે વિદ્યાર્થિનીઓને હેરાન કરાતી હોવાની અનેક ફરિયાદ હતીછાત્રાલયમાંથી 21 સગીર વિદ્યાર્થિનીઓ ભાગી ગઈ છે, તેવો મેસેજ આવતા હું અને મારી ટીમ તાત્કાલીક છાત્રાલય પહોચ્યાં હતાં. વિદ્યાર્થિનીઓ જે દીવાલ કૂદીને ભાગી હતી તેની આસપાસ તપાસ કરતાં ત્યાં ઝૂંપડપટ્ટીઓ જોવા મળી હતી. જેમાંથી જ તેઓ મળી આવી હતી. તેમને સમજાવીને પરત છાત્રાલયમાં મોકલી હતી. જ્યારે પ્રિન્સિપાલને તાત્કાલીક હટાવાયા હતાં. પ્રિન્સિપાલ હેરાનગતિ કરતા હોવાની તેમની ફરિયાદ હતી. જેથી તેઓ છાત્રાલયમાંથી ભાગી ગઇ હોવાનું જણાવ્યું હતું. > એસ.વી.વસાવા,પીઆઈ,હરણી પોલીસ મથક
નિમણૂક:જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે ડો.બી.જે.બ્રહ્મભટ્ટની નિમણૂક કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ પહેલા પ્રદેશ મંડળ દ્વારા પાર્ટી માટે તટસ્થ ડો.બી.જે.બ્રહ્મભટ્ટને જિલ્લા ભાજપના નવા પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. જિલ્લા ભાજપના પ્રમુખ રસિક પ્રજાપતીને પ્રદેશ ભાજપની સમિતિમાં ઉપાધ્યક્ષનો હોદ્દો આપવામાં આવ્યો હતો. પાર્ટીના નિયમ મુજબ એક વ્યક્તિ એક હોદ્દો મુજબ જિલ્લાના પ્રમુખ તરીકે પ્રદેશના નેતાઓ દ્વારા સેન્સ લેવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં કલેક્ટર, પોલીસ અધિક્ષક તેમજ ડીડીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાનો પત્ર લખી સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કરનારા ધારાસભ્યોએ સેન્સ પ્રક્રિયામાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું નામ મુક્યું હતું. ત્યારે પાર્ટીના નેતાઓએ ચૈતન્ય સિંહ ઝાલાનું નામ ફગાવીને જિલ્લા ભાજપમાં પાર્ટી માટે વફાદાર એવા ડો.બી.જે.બ્રહ્મભટ્ટનું નામ જાહેર કરતા તકવાદીઓના સમીકરણો ઊંધા પડી ગયા છે. વડોદરા જિલ્લા ભાજપની ઓફિસ વંદે કમલમ ખાતે સોમવારે સાંજે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રસીક પ્રજાપતિ, ભાજપના નેતાઓ સતીશ નિશાળીયા સહિતની ઉપસ્થિતિમાં નવા ભાજપ પ્રમુખનું મોઢું મીઠુ કરાવી, ગુલદસ્તો આપી તેમને ખુરશીમાં બેસાડ્યાં હતાં. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપ આવે તે લક્ષ્યહું સાલ 1995થી ભાજપમાં સક્રિય કાર્યકર રહ્યો છું. જેમાં મે અનેક જવાબદારીઓ સંભાળી છે. હવે મને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે. તેના માટે હું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશની ટીમનો આભાર માનું છું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના દરેક ઉમેદવારોનો વિજય થાય તે જ મારું લક્ષ્ય રહેશે. > ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, પ્રમુખ, જિલ્લા ભાજપ પાર્ટીને વફાદાર, કોઈના દબાણમાં નહીં આવેજિલ્લા ભાજપના નવા પ્રમુખ ડો. બી.જે.બ્રહ્મભટ્ટ પાર્ટીને વફાદાર અને તટસ્થ છે. રાજકીય સૂત્રો મુજબ, તેઓ જિલ્લાના કોઈ પણ મોટા નેતાઓના દબાણમાં આવીને કામ કરશે નહી. સામાજિક પ્રવૃત્તિઓને લીધેે તે સમાજના દરેક વર્ગ સાથે જોડાયેલા છે. ડભોઈ નગરપાલિકા પ્રમુખ હતા ત્યારે પણ તેમની કામગીરીના વખાણ થતા હતાં. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા દરેક વર્ગ જોડાશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના એક ધારાસભ્યે ડો. બ્રહ્મભટ્ટને જિલ્લા ભાજપમાં પ્રમુખ પદ ન મળે તે માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યાં હતાં.
ગંદા પાણીની સમસ્યાથી રહીશો થયા ત્રસ્ત:તાંદલજામાં ગંદા પાણીની બોટલો સાથે મહિલાઓનું વિરોધ પ્રદર્શન
શહેરના તાંદલજા વિસ્તારમાં ગંદા પાણીથી ત્રાસેલા રહીશોએ હાથમાં પાણીની બોટલો સાથે વિરોધ દર્શાવ્યો હતો. તાંદલજા ગામ સહિતના વિસ્તારમાં વર્ષો જૂની લાઈનોને બદલી નવી લાઇનનું નેટવર્ક નાખવા માગણી રહીશો દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ સ્થાનિક લોકોએ ગંદા પાણીને કારણે રોગચાળો વકરે તેવી પરિસ્થિતિ માટે તંત્ર જવાબદાર રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા વણકરવાસ, રાયની ફળિયું, આસોપાલવ ફળિયું, લીમડી ફળિયું, સોદાગર પાર્ક, કરિશ્મા પાર્ક, તાંદલજા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં ગંદા પાણીને કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. આ અંગે તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી રહી નથી. જેથી ત્રસ્ત સ્થાનિક રહીશો દ્વારા ગંદા પાણીની બોટલો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો સાથે તાંદલજા એકતા મંચના સામાજિક કાર્યકર વસીમ શેખ અને વકાર પટેલ જોડાયા હતા. રોષે ભરાયેલા સ્થાનિક રહીશોનું કહેવું હતું કે, ગંદા પાણીને કારણે રોગચાળો વકરવાની ભીતિ ઊભી થઈ છે. બાળકો અને વૃદ્ધો પાણીજન્ય રોગચાળાનો ભોગ બને તેવી શક્યતાઓ છે. બીજી તરફ વસીમ શેખે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા જૂની લાઈન બદલીને નવી લાઇન નાખવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે કાઉન્ટ-ડાઉન ચાલુ થઈ ગયું છે. પરીક્ષાના પરિણામનો મૂળ આધાર તો આખું વર્ષ કરેલા મહેનત પર જ છે, પરંતુ સ્પર્ધાના પ્રેશરમાં મનની સ્થિરતા ગુમાવીને ઘણીવાર બાળકો નિરાશામાં ગરકાવ થઈ જતાં હોય છે. આવું ન બને તે માટે સાઇકોલોજિકલ હેલ્પ લાઈન માટે કાઉન્સેલિંગ ઉપલબ્ધ કરાતી હોય છે, સાથે ઈશ્વરીય મદદ મળી રહે, નસીબનો સાથ મળી રહે તે માટે શ્રદ્ધાથી કરાતા જ્યોતિષ શાસ્ત્રીય નુસખા પણ મદદરૂપ બની શકે છે. જ્યોતિષાચાર્ય જીજ્ઞેશ શુકલના જણાવ્યા મુજબ પરીક્ષા દરમિયાન સ્મરણ શક્તિ માટે મા સરસ્વતી અને લખવાની ઝડપ માટે ગણેશજીની ઉપાસના ફળદાયી નીવડે છે. આકસ્મિક બીમારી ન આવે તે માટે કૂળદેવીની ઉપાસના ફાયદાકારક બની શકે. કઇ રાશિના જાતકોએ કોની પૂજા કરવી? ક્યા વારે કેવાં વસ્ત્રો પહેરવાં
રાષ્ટ્રીય સંમેલન યોજાયું:ભારત જીતે તો કોઈ પરાજિત થતું નથી, પરંતુ વિશ્વ ઉન્નત બને છે : ઇંદુમતીબેન
વિચાર મંચ દ્વારા ભારતની વૈશ્વિક ભૂમિકા કાલ, આજ અને આવતીકાલ વિષય પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન આજે અટલ–કલામ રિસર્ચ પાર્ક, ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિવિધ ક્ષેત્રોના વિદ્વાનો, સંશોધકો અને પ્રબુદ્ધજનોએ ઉપસ્થિત રહી ભારતના વૈશ્વિક દૃષ્ટિકોણ પર વિચાર મંથન કર્યું હતું. સમગ્ર રાજ્યનાં તમામ કેન્દ્રોને બોલાવવામાં આવ્યાં હતાં. જેમાં વડોદરાથી 30 લોકોએ ભાગ લીધો હતો. સંગોષ્ઠિની શરૂઆતમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.નીરજા ગુપ્તા દ્વારા પ્રસ્તાવના રજૂ કરાઈ હતી. તેમણે જણાવ્યું કે, ભારતનો મૂળભૂત વિચાર રાષ્ટ્રને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવી વિશ્વના કલ્યાણ તરફ આગળ વધવાનો છે. જ્યારે સુનિલ મહેતાએ જણાવ્યું કે, ભારત વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને સમાજ વ્યવસ્થા, ધર્મની અવધારણા, જ્ઞાન-પરંપરા તથા પરિવાર પ્રણાલી જેવાં ક્ષેત્રોમાં ભારત અદ્વિતીય છે. ધર્મ અને રિલિજન સમાન નથી અને ભારતનો મૂળ સ્વભાવ માનવતાવાદી છે, જેને કારણે ભારત વિશ્વગુરુ બનશે તો દુનિયાને તેમાં વાંધો નહીં આવે. પુનરુત્થાન વિદ્યાપીઠનાં કુલાધિપતિ ઈંદુમતીબેન કાટદરેએ બીજરૂપ વક્તવ્યમાં ભારતીય અધ્યાત્મ–વૈશ્વિક શાંતિ અને માનવ કલ્યાણનો આધાર વિષય પર વિચાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ભારત જીતે તો કોઈ પરાજિત થતું નથી, પરંતુ વિશ્વ ઉન્નત બને છે. પશ્ચિમીકરણને આધુનિકતા માનવાની માનસિકતા ખોટી છે અને સાચો વિકાસ ત્યારે કહેવાય જ્યારે સુખ, સમૃદ્ધિ, જ્ઞાન, સંસ્કાર–સંસ્કૃતિ અને શાંતિ પાંચેય તત્ત્વો સર્વસામાન્ય માટે ઉપલબ્ધ હોય.
ઝળહળતી સિદ્ધિ:આંતરરાષ્ટ્રીય કિક બોક્સિંગમાં શહેરની વિદ્યાર્થિનીએ ગોલ્ડ જીત્યો
શહેરની એમબીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઇશીતા ગાંધીએ 5મી ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ કિક બોક્સિંગ કપ-2026માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વિદ્યાર્થિનીને યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. દિલ્હી ખાતે 4થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી આ કોમ્પિટિશનમાં માઇનસ 70 કેજીમાં ગોલ્ડ મેડલ અને પ્લસ 70 કેજીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઇશીતાએ જણાવ્યું હતું કે, 10 દેશમાંથી અંદાજે 1 હજાર સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેઓ નવરચના યુનિ.માં અભ્યાસ કરે છે અને વડસર ખાતે રહે છે. 2024માં ઉઝબેકિસ્તાન ખાતે વર્લ્ડકપમાં પણ તેમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો. હવે તે ઓલ ઇન્ડિયા લેવલ પર ખેલો ઇન્ડિયામાં ભાગ લેવા જઈ રહી છે.
JEE મેઈન:જેઇઇ મેઇનના પ્રથમ ફેઝનું પરિણામ જાહેર હવે બીજા ફેઝની પરીક્ષા એપ્રિલમાં લેવાશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એન્જિનિયરિંગ માટે લેવામાં આવતી જેઇઇ મેઇનની પરીક્ષાના પ્રથમ ફેઝનું પરિણામ જાહેર કરાયું હતું. હજુ બીજા ફેઝની પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવામાં આવશે. ત્યારબાદ જેઇઇ એડવાન્સની પરીક્ષા લેવામાં આવશે. જાન્યુઆરી મહિનામાં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેઇઇના રેન્કર વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટને મહત્ત્વ આપ્યું હતું અને મોક ટેસ્ટ આપવાથી મન કેટલું શાંત છે તે નક્કી થાય છે. મેઇન પરીક્ષામાં પણ તે સફળતા અપાવે છે તેવું કહ્યું હતું. જાન્યુઆરીમાં જેઇઇ મેઇનની પરીક્ષામાં ભારતભરના 326 શહેરોમાં લેવાઇ હતી, જેમાં 13,04,653 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 658 સેન્ટર પર જેઇઇ સીબીટી મોડ પર લેવામાં આવતી હોય છે. એઆઇ આધારિત વીડિયો એનાલિટિક્સ કરાયું હતુંજેઇઇ પરીક્ષામાં પધ્ધતિમાં પારદર્શિતા લાવવનાં પ્રયાસોના ભાગરૂપે એનટીએ દ્વારા સીસીટીવી સર્વેલન્સ તથા એઆઇ આધારિત વિડિયો એનાલિટિકસ કરાયું હતું. આધુનિક 5-જી જામર પણ લગાવવામાં આવ્યા હતા. મોક ટેસ્ટથી મન શાંત રહે છે, જે મેઇન પરીક્ષામાં પણ સફળતા અપાવે છે રૂબિક ક્યૂબથી મહેનત અને ધીરજ રાખવવાનો સ્વભાવ કેળવાયો હતો : દેવ પ્રજાપતિ, 99.9670 PR, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ હું રોજ 8 કલાકનું વાંચન કરતો હતો. મારે આઇઆઇટીમાં મશીન લર્નીંગ કે મેથ્સ એન્ડ કોમ્યુટીંગ કરવું છે. મારા પિતા સેલ્સ મેનેજર છે જયારે માતા જનરલ ફીઝીયશયન છે. મને ગણિતમાં રસ હોવાથી જેઇઇ કર્યું. અભ્યાસના ફ્રી સમયાં સુધા મૂર્તિની બુક વાંચતો હતો. મને રૂબીક કયુબ રમવાનો શોખ છે. ધોરણ 12માં ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી દીધું, રોજ 4થી 5 કલાક વાંચન કર્યું : ખુશી તેવર, 99.9413 PR, આઇઆઇટી આશ્રમ રોજ 4 થી 5 કલાકનું વાંચન કરતી હતી. જે પણ એસાઇમેન્ટ હોય તે પ્રમાણે આગળ અભ્યાસ કરતી હતી. ફ્રી સમયમાં બેડમીન્ટ રમતી હતી અને સ્કૂલમાં બાસ્કેટબોલ રમતી હતી. આગળ શું કરવું છે તે નક્કી કર્યું નથી. ધો.11માં સોશિયલ મિડિયામાં એકટીવ હતી. સમય બગડતો હોવાથી તેનાથી દુર થઈ ગઈ. વધારે આવડતું હોય છતાં પણ મગજ શાંત ન રહેતું હોય તો માર્ક ઘટી શકે છે : વાત્સલ્ય સોની, 99.9378 PR, એલન હું રોજનું ટાર્ગેટ સેટ કરીને વાંચતો હતો. મગજ શાંત રહે તેવો પ્રયાસ કરતો હતો કારણ કે વધારે આવડતું હોય તો પણ મગજ શાંત ના હોય તો માર્ક ઘટી શકે છે. વાંચનથી રીલેકસ થવા માટે કોમેડી શો જોતો હતો. માતા-પિતા બંને તબીબ છે પંરતુ આઇઆઇટી મને ચેલેન્જીગ લાગતું હતું જેથી જેઇઇ કર્યું. 6થી 8 કલાક વાંચતો, રોજ જે ભણતો હતો તેનું સતત પુનરાવર્તન પણ કરતો : માનવ ગજ્જર, 99.9321 PR, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ રોજ 6 થી 8 કલાકનું વાંચન કરતો હતો. રોજ જે ભણતો હતો તેનું રીવીઝન કરતો હતો. મારા પિતા ફાર્મા કંપનીમાં છે અને મમ્મી હાઉસ વાઇફ છે. સોસિયલ મિડિયાથી દૂર રહેતો હતો કારણ કે તેનાથી ધ્યાન ભટકી શકે છે. માત્ર ફ્રી સમયમાં યુ-ટયુબના શોર્ટસ જોતો હતો. નિયમિત રીતે હોમવર્ક કરતો, સમય મળે ત્યારે ન્યૂઝમાં ડિફેન્સ અને કારના આર્ટિકલ વાંચતો હતો : હર્ષ સકસેના, 99.9321 PR, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ મને ક્લાસમાંથી જે હોમવર્ક મળતું હતું તે રોજ ઘરે આવીને કરતો હતો. તે ઉપરાંત નોટ્સ રીવાઇઝડ કરતો હતો. જેઇઇ એડવાન્સમાં સ્કોર કરીને આઇઆઇટીની કોર બ્રાન્ચમાં જવું છે. જયારે સમય મળતો હતો ત્યારે ન્યુઝમાં ડિફેન્સ અને કારના આર્ટીકલ વાંચતો હતો.
બોર્ડના વિદ્યાર્થીઓનું રિહર્સલ:વિદ્યાર્થીઓએ ગૂગલ મેપથી પરીક્ષા કેન્દ્રમાં પહોંચી સમયનો તાગ મેળવ્યો
સીબીએસઇની ધો.10 અને 12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાના આગલા દિવસે વિદ્યાર્થીઓને અપાયેલી સૂચના પ્રમાણે ઘરેથી ગૂગલ મેપથી સેન્ટર સુધી પહોંચ્યા હતા. પાલિકાની કામગીરીને પગલે જ્યાં અડધો કલાકે પહોંચાતું હતું ત્યાં 1 કલાક વહેલાં નીકળવા સૂચના અપાઈ છે. સવારે 10 વાગ્યે શરૂ થનારી પરીક્ષામાં 8.30 વાગ્યાથી પ્રવેશ અપાશે. સીબીએસઇની ધો.10ની પરીક્ષા 11 માર્ચ સુધી ચાલશે, જ્યારે ધો. 12ની પરીક્ષા 10 એપ્રિલ સુધી ચાલશે. પાલિકાએ મોટાભાગના તમામ વિસ્તારમાં ખોદકામ કરવા સાથે રસ્તાઓ બંધ કર્યા છે. જેને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ સહિત ડાયવર્ઝનને કારણે સ્થળ સુધી પહોંચવામાં વિલંબ થઇ રહ્યો છે. તેવા સમયે સીબીએસઇની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને સ્કૂલના કો-ઓર્ડિનેટરો દ્વારા સૂચના અપાઈ હતી કે, પરીક્ષાના અગલા દિવસે વિદ્યાર્થીઓ તેમના ઘરેથી જે સ્કૂલ પર તેમનો નંબર હોય ત્યાં સુધી ગૂગલ મેપ કે સેન્ટર ખબર હોય તો જાતે પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઇ આવે. જેથી તેમને ખબર પડે કે સ્કૂલે પહોંચવામાં કેટલો સમય લાગી રહ્યો છે. વિદ્યાર્થીને સેન્ટર પર પહોંચવા માટે અડધો કલાકનો સમય જતો હોય તો તેવા સંજોગોમાં 1 કલાક પહેલાં નીકળવા કહેવાયું છે, જેથી વિદ્યાર્થીઓ સમયસર સેન્ટર પર પહોંચી શકે. ધો.10-12ના 11 સેન્ટર પર 16 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. શહેરમાં સીબીએસઇની 45થી વધારે સ્કૂલો આવેલી છે. CBSEનાં પેપરો સેન્ટ્રલ બેંકના સ્ટ્રોંગ રૂમમાં મૂકાયાં સીબીએસઇનાં પેપરો 11 સેન્ટરો પ્રમાણે બેંકના સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. બોર્ડ પરીક્ષાના સેન્ટરની નજીક જ આવેલી રાષ્ટ્રીયકૃત બેંકના લોકરમાં પેપર મૂકવામાં આવ્યાં છે. જે સીધાં પરીક્ષાના સેન્ટર સુધી બંદોબસ્ત સાથે પહોંચાડવામાં આવશે. પેપર પહોંચાડવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં 12 સેન્ટર પર પરીક્ષા લેવાશે ભાસ્કર ઇનસાઇડપ્રથમવાર સીબીએસઇમાં બે વાર પરીક્ષા લેવાશે, વિદ્યાર્થીને ગુણ સુધારવા તક મળશેનવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે સીબીએસઇમાં વિદ્યાર્થીઓને તેમના માર્ક સુધારવા માટે બે તક આપવામાં આવશે. 17 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ તેનું પરિણામ જાહેર થયા પછી બીજી વખત પરીક્ષા લેવામાં આવશે. બેમાંથી જે પરીક્ષામાં વિદ્યાર્થીના વધારે માર્ક હશે તે માર્ક ગણાશે. જોકે વિદ્યાર્થીઓએ પ્રથમ પરીક્ષા આપવી ફરજિયાત છે. જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા ત્રણ વિષયમાં હાજર નહીં રહે તો તેને ફરજિયાત રિપિટેશન કેટેગરીમાં રાખવામાં આવશે. આમ, વિદ્યાર્થીને પોતાના ગુણ સુધારવા માટે 2 તક મળશે. બોર્ડની ઉત્તરવહીઓની ડિજિટલ ચકાસણી કરશેસીબીએસઇ બોર્ડ દ્વારા ધોરણ 12ની ઉત્તરવહીની ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમથી ચકાસણી કરવામાં આવશે. વિદ્યાર્થીઓની તમામ ઉત્તવહીઓના પાનાને પરીક્ષા કેન્દ્ર પર જ સ્કેન કરીને કમ્પ્યૂટર સિસ્ટમમાં અપલોડ કરવામાં આવશે. દરેક પેજની ડિજિટલ ઇમેજ બનશે. દરેક કોપીને યુનિક કોડ મળશે. વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણી કરતી વખતે વિદ્યાર્થીનું નામ કે રોલ નંબર દેખાશે નહિ. પાલિકાની કામગીરીને પગલે અડધો કલાકે પહોંચાતું ત્યાં 1 કલાક વહેલા નીકળવા સૂચના
SIR:એસઆઈઆર અંતર્ગત આજે ફાઇનલ મતદાર યાદી જાહેર થશે
એસઆઈઆર અંતર્ગત 17 ફેબ્રુઆરીએ અંતિમ મતદારયાદી જાહેર કરાશે. 27 ઑક્ટોબરથી રાજ્યભરમાં શરૂ કરાયેલી SIR ઝુંબેશ સતત દોઢ મહિના સુધી ચાલી હતી. 19 ડિસેમ્બરે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાઈ હતી. જેમાં 4.34 કરોડ મતદારો નોંધાયા હતા અને 73.73 લાખ મતદારોનાં નામ કપાયાં હતાં. ત્યારે અંતિમ મતદારયાદી જાહેર થતાં તેમાં કેટલા મતદારોનાં નામ નોંધાયાં છે અને કેટલા કપાયા છે તેની જાણ થશે. ઉલ્લેખનિય છેકે, ઘણા મતદારોને ચિંતા છે કે તેમનું નામ ફાઈનલ યાદીમાં આવશે કે કેમ.
સફળ પરીક્ષણ કરાયું:રેલવે દ્વારા ઓવરહેડ વાયરનું પ્રથમવાર ડ્રોન દ્વારા પરીક્ષણ,ઝડપથી ખામીઓ શોધી શકાશે
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા તાજેતરમાં પ્રતાપનગર યાર્ડ ખાતે ડ્રોન આધારિત લાઇવ-લાઇન ઓવરહેડ ઇક્વિપ્મેન્ટ-ઓએચઈ મોનિટરિંગ અને નિરીક્ષણનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરા ડીઆરએમ રાજુ ભડકેના નેતૃત્વ હેઠળ ટ્રેક્શન વિતરણ વિભાગની આ પહેલ રેલવે સુરક્ષા અને સંરચનાની વિશ્વસનીયતાને મજબૂત બનાવશે. વડોદરાના પીઆરઓ અનુભવ સક્સેનાએ કહ્યું કે, આ અદ્યતન ડ્રોન પ્રણાલી દ્વારા રેલ ટ્રાફિકને અસર કર્યા વગર ઓએચઈનું નિરીક્ષણ કરી શકાય છે. ડ્રોનમાં ઉચ્ચ ગુણવત્તાવાળો થર્મલ કેમેરો છે, જે ઢીલા સંપર્ક, ઓવરહીટિંગ સહિત ટેક્નિકલ ખામીનું ચોક્કસપણે નિદાન કરવામાં સક્ષમ છે. મેડ ઇન ઇન્ડિયા ડ્રોનમાં થર્મલ કેમેરા સાથે લાઇવ-લાઇન મોનિટરિંગથી ખામી શોધી શકાશેમેડ ઇન ઇન્ડિયા ડ્રોનની માઇક્રો ઓપરેશનલ રેન્જ 5 કિમી છે. તેનું બેટરી બેકઅપ 40 મિનિટ છે. તેમાં થર્મલ કેમેરા સાથે લાઇવ-લાઇન મોનિટરિંગ થર્મલ ઇમેજિંગ ટેક્નોલોજીથી એવા દોષોની સમયસર ઓળખ કરી શકાય છે, જે સામાન્ય નિરીક્ષણમાં નજરે પડતા નથી. આથી ઓએચઈ પેટ્રોલિંગની ચોકસાઇમાં નોંધપાત્ર વધારો થશે. વાયરની નજીક જઇ ડ્રોન ચકાસણી કરશે. થર્ડ પાર્ટી દ્વારા આ કામગીરી કરાશે. કોઇ કર્મચારીની નોકરી નહીં જાય.
ગોડાઉનમાં ફાટી નીકળી આગ:દશાલાડ ભવન પાસે ગોડાઉનમાં આગ,ફર્નિચર-ગાદલાં બળી ગયાં
આજવા-વાઘોડિયા રોડ પર દશાલાડ ભવન સામે વિનસ સોસાયટીમાં ગેરકાયદે બનાવેલા ગોડાઉનમાં સોમવારે સવારે 7-53 કલાકે આગ લાગી હતી.મકાન ભાડે રાખી ફર્નિચરવાળાએ ગોડાઉન તરીકે ઉપયોગ શરૂ કર્યો હતો સાથે એક વ્યક્તિ ઘરમાં રહેતો હતો. મકાનના પહેલા રૂમમાં ફોમનાં ગાદલાં અને બીજા રૂમમાં રખાયેલું ફર્નિચર ઝપટમાં આવતાં ધુમાડાના ગોટા નીકળ્યા હતા. પાણીગેટ ફાયરબ્રિગેડે 1 કલાકની જહેમતે આગ બૂઝાવી હતો. ફાયરબ્રિગેડના ઓફિસર વિનોદ મોહિતે જણાવ્યા મુજબ પદ્માબેન પટેલનું મકાન મારુતિ ફર્નિચરના વેપારીએ ભાડે રાખ્યું હતું. ઘરમાં સતીષ વડવાણા રહેતા હતા. આ અંગે બાપોદ પોલીસે કાર્યવાહી કરી હતી. જ્યારે ફાયરબ્રિગેડ નોટિસ ફટકારી ચાર્જ વસૂલશે. રહેણાકનો કોમર્શિયલ તરીકે ઉપયોગ જોખમીફાયરબ્રિગેડે જણાવ્યા મુજબ આવાં લોકો સામે તપાસ થતી નથી. રહેણાક વિસ્તારમાં કોઇ કોમર્શિયલ વપરાશ કરે ત્યારે જોખમી બને છે. પોલીસે આવાં લોકોને શોધવાં જોઇએ. આગ લાગે ત્યારે જાણ થાય છે. સ્થાનિકોએ જાણ કરવી જોઇએ.
આજે સભામાં બજેટ રજૂ થશે:વિપક્ષને કાઉન્ટર કરવા શહેર પ્રમુખની સૂચના, સભાસદોને જવાબદારી સોંપી
પાલિકાની સભામાં સ્થાયી ચેરમેન મંગળવારે સુધારા સાથેનું 7672 કરોડનું બજેટ રજૂ કરશે. જેમાં બજેટમાં કરેલા સુધારા, વિકાસનાં કામો અને ખર્ચનું સરવૈયું મૂકી વિરાસતથી વિકાસનો રોડ મેપ બતાવશે. બીજી તરફ કોંગ્રેસ અને અપક્ષે મૂકેલી 442 સુધારા દરખાસ્ત પર ચર્ચા થશે. 3 દિવસ ચર્ચા બાદ 19મીએ બજેટને મંજૂરી અપાશે. બીજી તરફ ભાજપ કાર્યાલય પર સંકલનની બેઠક મળી હતી, જેમાં શહેર ભાજપ પ્રમુખે વિપક્ષને કાઉન્ટર કરવા સભાસદોને જવાબદારી સોંપી હતી. મ્યુ. કમિશનરે 3 ફેબ્રુઆરીએ સ્થાયીમાં કર-દર વિનાનું 7609 કરોડ બજેટ રજૂ કર્યું હતું. જેના પર સ્થાયીએ 3 દિવસ ચર્ચા કરી હતી. જેમાં લાગતોમાં મ્યુ. કમિશનરે સૂચવેલા વધારા કાઢી નાખી આવક વધારવાના સુધારા સાથે બજેટના કદમાં 63 કરોડનો વધારો કર્યો હતો. હવે મંગળવારે સભામાં સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી સુધારા સાથેનું બજેટ મૂકશે. સભામાં 3 દિવસ સુધી બજેટ પર ચર્ચા કર્યા બાદ આખરે 19મીએ મંજૂરી અપાશે. નોંધનીય છે કે, વિપક્ષ અને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલર આશિષ જોષી કુલ 442 સુધારા દરખાસ્ત મૂકી છે, જેના પર પણ ચર્ચા કરાશે. બીજી તરફ ભાજપ કાર્યાલય ખાતે સોમવારે સવારે કાઉન્સિલરોની બેઠક મળી હતી. સૂત્રો મુજબ શહેર ભાજપ પ્રમુખ અને પદાધિકારીઓની હાજરીમાં બજેટ પર કોણે અને કેવી રીતે બોલવું તે અંગેનું માર્ગદર્શન અપાયું હતું. આશિષ જોષીએ બોટકાંડના વળતરની દરખાસ્ત મૂકી, ભાજપના જ બે કાઉન્સિલરોએ ટેકો આપ્યોભાજપમાંથી સસ્પેન્ડેડ કાઉન્સિલર આશિષ જોષીએ બોટકાંડના પીડિતોને 62-62 લાખ વળતર મળે તેવી દરખાસ્ત મૂકી છે. તેઓએ કોંગ્રેસની 1-1 કરોડના વળતરની દરખાસ્ત પર સહી કરી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમની દરખાસ્તને ભાજપના બે કાઉન્સિલરોએ સહી કરી ટેકો આપ્યો છે.
ખોડિયારનગરમાં રહેતી યુવતીના લગ્ન 2 મહિનામાં તૂટી જતાં તે પિયર આવી ગઈ હતી. જે બાદ તેના પિતા અને ભાઈએ તેને જાણ કર્યા વિના અમદાવાદ ખાતે બીજા લગ્ન નક્કી કરી દીધા હતા. જોકે યુવતીએ લગ્નની ના પાડતાં ભાઈએ મારપીટ કરી હતી, જે બાદ તે તાણમાં આવી ગઈ હતી અને આત્મહત્યા કરવા નીકળી ગઈ હતી. જેથી તેની પાછળ તેના પિતા રોકવા જતાં તેણે તેમના પર પથ્થરથી હુમલો કર્યો હતો. આખરે પિતાએ અભયમની મદદ લઈ યુવતીને ઘરે પરત લાવી મામલો થાળે પાડ્યો હતો. ખોડિયારનગરની યુવતીના 1 વર્ષ પહેલાં પ્રતાપનગરના યુવક સાથે લગ્ન થયા હતા. જોકે સાસુ-સસરા ત્રાસ આપતાં હોવાથી 2 માસમાં તે છૂટાછેડા લઈ પિયર આવી ગઈ હતી. 8 મહિનાથી તે ભાઈ-ભાભી સાથે રહેતી હતી. જોકે ત્યાં પણ તેનાં ભાઈ-ભાભી ત્રાસ આપતાં હતાં અને ઘરમાંથી નીકળી જવાનું કહેતાં હતાં. દરમિયાન તેના ભાઈ અને પિતાએ અમદાવાદના યુવક સાથે કોઈ પ્રકારની તપાસ કર્યા વિના જ તેના લગ્ન નક્કી કરી દીધા હતા. યુવતીના અગાઉ લગ્ન તૂટી ગયા હોવાથી તેણે ભાઈ અને પિતાને તપાસ કર્યા બાદ લગ્ન નક્કી કરવા જણાવ્યું હતું. જેથી તેના ભાઈએ મારપીટ કરતાં યુવતી આત્મહત્યા કરવા ઘરેથી નીકળી ગઈ હતી. દીકરીને બચાવવા પિતા તેની પાછળ દોડ્યા હતા. જોકે દીકરીએ પિતા પર પથ્થરથી હુમલો કર્યો હતો. આખરે પિતાએ અભયમને કૉલ કરી મદદ માગતાં ટીમ પહોંચી હતી. ટીમે પિતાનું કાઉન્સેલિંગ કર્યું કે, દીકરીના લગ્નની જવાબદારી તમારી છે, પણ યોગ્ય તપાસ કરવી જરૂરી છે. તેની સાથે મારપીટ કરવી તે ગુનો બને છે. જેથી પિતાએ માફી માગતાં મામલો થાળે પડ્યો હતો. યુવતીએ પોતાના ઘરે જવાનો ઇનકાર કર્યોઅભયમની ટીમે પિતાનું કાઉન્સેલિંગ કરતાં તેઓએ માફી માગી લીધી હતી. જોકે તે બાદ પણ યુવતીએ જીદ પકડી રાખી હતી કે, તે ઘરે નહીં જાય અને આત્મહત્યા જ કરશે. જેથી ટીમે યુવતીને સમજાવ્યું કે, પિતાએ ખાત્રી આપી છે કે, તેના લગ્ન તેની મરજી મુજબ થશે અને તેની સાથે દુર્વ્યવહાર કરાશે નહીં. અભયમને પણ પિતા પાસેથી લેખિતમાં લેતાં યુવતી ઘરે પરત ફરી હતી.
નમસ્તે, મોટી ઘટનામાં રાજસ્થાનના ભીવાડીમાં કેમિકલ અને ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થતાં 8 મજૂરોનાં કમકમાટીભર્યાં મોત થયાં હતા. મજૂરોના હાડપિંજર જ મળ્યા હતા. કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે કોંગ્રેસ પર જ પ્રહાર કરતાં રાજકારણ ગરમાયું છે. ભારતની એક યુવતીને અમેરિકાના સેક્સ કૌભાંડી જેફરી એપસ્ટીને શિકાર બનાવી હોવાનો ઘટસ્ફોટ ફાઈલમાં થયો છે. હરદીપ પુરી પછી મોદી સરકારમાં મંત્રી રહેલા પૂર્વ સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનનું નામ સામે આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો રાજકોટની ઘટનામાં થાર ચાલકે દંપતીને હડફેટે લીધું હતું. થાર ચાલક દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. 17 ફેબ્રુઆરીથી રમઝાન મહિનાની શરૂઆત થઈ રહી છે 2. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુંબઈમાં મુલાકાત 3. બાંગ્લાદેશમાં તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં, ભારત તરફથી લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજરી આપશે. 4. નિસાનની સબ-4 મીટર MPV 'ગ્રેવાઇટ' કાર લોન્ચ કરવામાં આવશે. 5. દિલ્હી હાઇકોર્ટ પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની અરજી ઉપર ચુકાદો આપશે કાલના મોટા સમાચારો 1. રાજસ્થાનમાં કેમિકલ-ફટાકડા ફેક્ટરીમાં આગ, 8નાં મોત:ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતા હતા, પ્લાસ્ટિકની બેગમાં ભેગા કર્યા બોડી પાર્ટ્સ; ત્રણ મૃતકોની ઓળખ થઈ રાજસ્થાનના ભીવાડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક એક શક્તિશાળી વિસ્ફોટ થયો. આઠ કામદારો જીવતા બળી ગયા, જ્યારે ચાર અન્ય ગંભીર રીતે દાઝી ગયા. તેમને દિલ્હીના AIIMSમાં રિફર કરવામાં આવ્યા છે. મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા, જેમાં ઘણા લોકોના હાડપિંજર બાકી રહ્યા હતા. શરીરના ભાગોના ટુકડા વેરવિખેર મળી આવ્યા હતા. બચાવ ટીમોએ આ ટુકડાઓ પોલીથીન બેગમાં એકત્રિત કર્યા હતા. સોમવારે સવારે 9:30 વાગ્યે ખુશખેડા કરૌલી ઔદ્યોગિક વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. પોલીસે ફેક્ટરી મેનેજર અભિનંદનની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'પવન ખેડા તો જયરામ રમેશના 'પોપટ' છે':કોંગ્રેસનેતા મણિશંકર અય્યરે કહ્યું- થરૂરને વિદેશમંત્રી બનવું છે, સ્ટાલિન INDIA બ્લોક સંભાળી શકે છે કોંગ્રેસ નેતા મણિશંકર અય્યર સોમવારે કહ્યું કે INDIA બ્લોકને મજબૂત કરવા માટે એમકે સ્ટાલિન સૌથી યોગ્ય નેતા છે, જ્યારે રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે છે. અય્યર એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસ સાંસદ શશિ થરૂર એન્ટી-પાકિસ્તાન છે. તેઓ આગામી વિદેશ મંત્રી બનવા માંગે છે. અય્યર પવન ખેડાને પ્રવક્તાની જગ્યાએ 'પોપટ' ગણાવ્યા. તેમણે કહ્યું- પવન ખેડા તે જ પુનરાવર્તન કરે છે, જે જયરામ રમેશ તેમને કહે છે. આ પછી પવન ખેડાએ X પર લખ્યું- મણિશંકર અય્યરનો છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી. તેઓ પોતાની વ્યક્તિગત ક્ષમતાથી બોલે છે અને લખે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સુપ્રીમે કહ્યું- લગ્ન પહેલાં ફિઝિકલ રિલેશન કેવી રીતે શક્ય?:કદાચ અમે જૂના વિચારોના હોઈશું પણ છોકરો-છોકરી અજાણ્યા હોય, એકબીજા પર ભરોસો ન કરવો જોઈએ સુપ્રીમ કોર્ટે સોમવારે બળાત્કારના આરોપો સાથે સંકળાયેલા એક કેસમાં લગ્ન પહેલાં શારીરિક સંબંધોને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું. જસ્ટિસ બી.વી. નાગરત્નાએ કહ્યું કે અમે એ સમજી શકતા નથી કે એક છોકરો અને છોકરી લગ્ન પહેલાં શારીરિક સંબંધો કેવી રીતે બાંધી શકે છે. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું- કદાચ અમે જૂના વિચારોના હોઈશું, પરંતુ લગ્ન પહેલાં છોકરો અને છોકરી અજાણ્યા હોય છે. તમારે ખૂબ સાવચેત રહેવું જોઈએ. લગ્ન પહેલાં કોઈના પર પણ ભરોસો ન કરવો જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ભારતની દીકરી પણ એપસ્ટીનનો શિકાર બની, ચોંકાવનારા ઘટસ્ફોટ; પીડિતાને વળતર આપવા અમેરિકન અધિકારીઓએ શોધખોળ કરી; પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનનો પણ ઉલ્લેખ યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે સંબંધિત નવી ફાઇલોમાં ખુલાસો થયો છે કે એક ભારતીય છોકરી પણ તેનો શિકાર બની હતી. દસ્તાવેજો અનુસાર, અમેરિકી અધિકારીઓએ તેને પીડિત વળતર ફંડમાંથી ચુકવણી અપાવવા માટે ભારતમાં શોધખોળ શરૂ કરી હતી. 13 જાન્યુઆરી 2020ના એક ઇમેઇલમાં અમેરિકી અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત સામે આવી છે. જેમાં ભારતમાં હાજર પીડિતાનું સરનામું અને માહિતી એકત્રિત કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી ભારત સ્થિત અમેરિકી દૂતાવાસ દ્વારા તેનો સંપર્ક કરી શકાય. આ ઇમેઇલ એપસ્ટીનના ઓગસ્ટ 2019માં જેલમાં થયેલા મૃત્યુ પછીનો છે. રિલીઝ કરાયેલા દસ્તાવેજોમાં આ મેઇલનું ટાઇટલ ‘એપસ્ટીન વિક્ટિમ્સ’ છે, જોકે, અધિકારીઓના નામ અને કેટલીક માહિતી છુપાવી દેવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા:SIRમાં બેદરકારી- સત્તાના દુરુપયોગના આરોપ; ECએ કહ્યું- મતદાર યાદીનું કામ સંવેદનશીલ ચૂંટણી પંચ (ECI) એ પશ્ચિમ બંગાળમાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. તમામ પર SIR (Special Intensive Revision) માં ગંભીર બેદરકારી, જવાબદારીની અવગણના અને સત્તાઓના દુરુપયોગનો આરોપ છે. પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપ્યા છે. પંચે કહ્યું છે કે મતદાર યાદી સંબંધિત કામ ખૂબ જ સંવેદનશીલ છે. તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે અધિકારોનો દુરુપયોગ ચલાવી લેવામાં આવશે નહીં. ભવિષ્યમાં પણ આવી બેદરકારી પર કડક કાર્યવાહી ચાલુ રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજકોટમાં પીધેલા થારચાલકે એક્ટિવા સવાર દંપતીને ઉડાવ્યું, CCTV:રિવર્સમાં લઈ ભાગતી સમયે અન્ય એક યુવકને પણ ફંગોળ્યો, પોલીસે નબીરાને દબોચ્યો રાજકોટમાં શહેરમાં નબીરાએ નશો કરેલી હાલતમાં બેફામ સ્પીડે થાર ચલાવી એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું.અકસ્માત સર્જયા બાદ ત્યાં ઉભા રહેવાના બદલે રિવર્સમાં પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો. આ સમયે અન્ય લોકોએ તેને રોકવાનો પ્રયાસ કરતા એકને ફંગોળ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે 27 વર્ષીય યુવક મિલન માલાને ઝડપી પાડ્યો છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શનિવારે 7.35 વાગ્યા આસપાસ ઉમિયા ચોક નજીક એક કાળા કલરની મહિન્દ્રા થાર ગાડી પુરપાટ ઝડપે આવી રહી હતી. જેને અચાનક જ ડાબી તરફ વળાંક લેતા સામેથી એક્ટિવામાં સવાર દંપતીને અડફેટે લીધું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. પરંતુ તેઓને સામાન્ય ઇજા પહોંચી હતી. દરમિયાન કાર ચાલક અકસ્માત સર્જી તરત કાર 150 ફૂટ રિંગ રોડ તરફ જ આગળ ચલાવી નાસી છૂટ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ચિરાગ પર ચપ્પલ ફેંકાયા, ફાટેલા કપડાં ને સુરતીઓનો ટપલી દાવ:'નરાધમને ફાંસી આપો'ના બેનર, રિકન્સ્ટ્રક્શનમાં પોલીસે ગોટીને માંડ બચાવ્યો; ઢોલ વગાડી ફટાકડા ફૂટ્યાં સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનું ષડયંત્ર અને 'તાલિબાની' સજા આપી નિર્દોષોને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ ગઈ હતી. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો હતો તેમજ ધક્કા-મુક્કી વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દિલ્હી બ્લાસ્ટનું ‘ડોક્ટર કનેક્શન’:5 ડોક્ટરએ બનાવ્યું 'અંસાર અંતરિમ' આતંકી સંગઠન, 2016માં કટ્ટરપંથી વિચારધારા અપનાવી, વ્હાઇટ કોલર મોડ્યુલનો હેતુ હુમલો કરવાનો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રહેમાન સરકાર બાંગ્લાદેશમાં યુનુસ વિરુદ્ધ તપાસ પંચ બેસાડી શકે છે:18 મંત્રીઓની સંપત્તિમાં વધારો; યુનુસની પ્રોપર્ટી ₹12 કરોડ થઈ, પેરિસ જવાની તૈયારીમાં વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પીએમ મોદીએ AI ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું:300થી વધુ કંપનીઓના અદ્યતન ગેજેટ્સનું પ્રદર્શન; કૃષિ, શિક્ષણ અને આરોગ્ય પર ફોકસ રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : કિમ-જોંગની બહેન કે દીકરી દેશની આગામી તાનાશાહ કોણ?:નિષ્ણાતોએ કહ્યું- ભાઈ જેટલી જ ખુંખાર; રાષ્ટ્રપતિ સિવાય બધાને ફાંસી આપી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી આજે ₹1,486 સસ્તી થઈ, ₹2.41 લાખ ભાવ પહોંચ્યો:18 દિવસમાં ₹1.45 લાખ ઘટી; સોનું ₹1,333 વધીને ₹1.54 થયું વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ઈશાન કિશનની લવ સ્ટોરી અંગે દાદાએ સસ્પેન્સ ખોલ્યું:લગ્ન માટે રાખી એક શરત, ઇન્ટરકાસ્ટ મેરેજને 'હા' પાડી, 6 વર્ષ ડેટિંગ બાદ હવે ગુંજશે લગ્નની શરણાઈ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે સૂર્યગ્રહણ:ભારતમાં ગ્રહણ ન દેખાતા સૂતક નહીં લાગે, જાણો મહા અમાસ પર દિવસભર કયા કયા શુભ કાર્યો કરવા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ લગ્નમાં નોટોનો વરસાદ ગુજરાતના મહેસાણામાં ભાજપ મહિલા પક્ષના સભ્યના ભત્રીજાના લગ્નમાં લાખો રૂપિયાની ચલણી નોટો હવામાં ઉછાળવામાં આવી હતી. આનાથી હંગામો મચી ગયો હતો, લોકો ઉડતી નોટોને પકડવા માટે દોડાદોડી કરી હતી અને ઊંચી ઇમારતો પરથી કૂદી પડ્યા હતા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:સોનાનો ભાવ ફરી 90 હજારથી 1 લાખ થવાની સંભાવના, રશિયાએ અમેરિકાને એવી ઓફર આપી કે ભારતમાં સોનું સસ્તું થઈ જશે 2. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ગોઠવણ થઈ અને ભાજપ MLAની જમીનના ભાવ ઊંચકાયા:કલેક્ટરે 29 દિવસમાં ફાઇલ પાસ કરી, જમીન ગુમાવનારના લિસ્ટમાંથી વરમોરાનું નામ ગુમ, જુઓ પુરાવા 3. મંડે મેગા સ્ટોરી : 114 રાફેલની ડીલ કેમ જરૂરી:એરફોર્સ પાસે 13 સ્ક્વોડ્રન ઓછી, ભવિષ્યમાં હજુ ઘટશે; પાકિસ્તાન-ચીનનો એર પાવર કેટલો મજબૂત 4. 'ભારતને બાંગ્લાદેશી હિન્દુઓની ચિંતા નથી':BNPના હિન્દુ સાંસદ બોલ્યા- હસીનાના શાસનમાં ત્રાસ મળ્યો, ત્યારે ઈન્ડિયાએ કંઈ ન કહ્યું 5. પારકી પંચાત ‘લાગશે વાર પણ આવશે મજા’:સ્ટાઇલમાં ડાયલોગ મારી નેતાજી જવાબદારીમાંથી છટક્યા, રીવાબાની કડકાઇ જુઓ, કોન્ટ્રાક્ટરને રોડ પર જ ઝાલી લીધા 6. પાકિસ્તાની સ્ટારની ધોળા દિવસે હત્યા!:'તું મળવા કેમ ન આવી?' કહી પ્રેમીએ 17 વર્ષની સના યુસુફને ગોળીએ વીંધી નાખી, રૂમની એ છેલ્લી મિનિટો હચમચાવી દેશે 7. Editor's View: પાકિસ્તાનને 11-KVનો ઝટકો:સાઉદીના ખોળે બેસવા જતાં UAEએ ટેન્શન વધાર્યું, એક મહિનાની ડેડલાઇનથી શાહબાઝ-મુનીરને રેલો, ખાડી દેશો ભારત તરફ વળ્યા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ:સિંહ રાશિની મહિલાઓ માટે આજનો દિવસ વિશેષ લાભદાયી, મીન રાશિના લોકોને અપેક્ષા કરતા વધુ નફો થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
બોર્ડની પરીક્ષા:સાબરકાંઠામાં ગત વર્ષ કરતાં 2447 વધારે છાત્રાઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપશે
સાબરકાંઠામાં આ વર્ષે બોર્ડની પરીક્ષામાં ગત વર્ષની સરખામણી કરતાં 2447 વિદ્યાર્થિનીઓ વધારે પરીક્ષા આપશે. સૌથી વધારે વધારો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જોવા મળ્યો છે. 2025માં જ્યાં 7610 વિદ્યાર્થિનીઓ નોંધાઈ હતી. ત્યાં 2026માં આ સંખ્યા વધીને 9146 પર પહોંચી ગઈ છે. એટલે કે માત્ર એક જ વર્ષમાં 1536 વધુ છોકરીઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરવા જઈ રહી છે, જે આશરે 20.1% નો વધારો દર્શાવે છે. માત્ર સામાન્ય પ્રવાહ જ નહીં, પરંતુ વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થિનીઓએ રુચિ બતાવી છે. વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે 1029 વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપશે.જે ગત વર્ષની સરખામણીમાં 113 વિદ્યાર્થિનીઓ વધારે છે. જ્યારે ધોરણ 10 માં કુલ 11540 વિદ્યાર્થીનીઓ નોંધાઈ છે, જે ગયા વર્ષ કરતાં 798 વધુ છે. જિલ્લામાં આ વર્ષે કુલ 21715 વિદ્યાર્થિનીઓ બોર્ડની પરીક્ષામાં બેસશે. જે ગત વર્ષ 2025ની સરખામણીમાં 2447 વિદ્યાર્થિનીઓ વધારે છે. ગત વર્ષે 19268 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા 333 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10માં 221 વિદ્યાર્થીઓ, ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં 112 વિદ્યાર્થીઓ તથા ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)માં 11 વિદ્યાર્થીઓ નોંધાયા છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં હલન-ચલનની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે, જ્યારે અંધ, અલ્પ દ્રષ્ટિ અને બહેરા-મૂંગા વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે.
પ્રાંતિજના દલપુરની સીમમાં એશિયન ગ્રેનીટોમાં શનિ- રવિની રાત્રિ દરમિયાન સફેદ માટીનો વેસ્ટ ભરવા આવેલ ટ્રકમાં લોખંડના 1 હજાર કિલો ભંગારની ચોરી કરી લઈ જવા દરમિયાન ઝડપી પાડતાં અગાઉ પણ 2 હજાર કિલો ભંગાર ચોરી કરી લઈ ગયાની કબૂલાત કરતાં બંને શખ્સોને પ્રાંતિજ પોલીસને સોંપી 4 સામે ફરિયાદ નોંધાવી હતી. દલપુર સ્થિત એશિયન ગ્રેનીટોના વોલ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી લોખંડની ચોરી થતી હોવાનું ધ્યાને આવતાં સિક્યુરિટી વધારી વોચ રાખવામાં આવી રહી હતી. તા.15-2-26 ના રોજ રાત્રે એક વાગ્યાની આસપાસ દીવારામ હાપુરામે વોલ વિભાગ બાજુ આંટો મારતાં માર્બલ ટાઈલ્સનો સફેદ માટીનો વેસ્ટ ભરવા આવતી ટ્રકમાં લોખંડના પેલેટ ટાઇલ્સ ભરવાના સ્ટેન્ડ તથા લોખંડની પ્લેટો ભરાતાં પકડી લેતાં ટ્રકના ચાલકે મેન ગેટ બાજુ ટ્રક દોડાવી મૂકતાં ગેટ ઉપર જ ટ્રક ઉભી રખાવી દઈ ચાલક યોગેશગીરી કોદરગીરી ગોસ્વામી (રહે. રાયગઢ તા. હિંમતનગર) ને નીચે ઉતારી પૂછપરછ કરતાં ઈટીપી વિભાગના સુપરવાઇઝર અનિલકુમાર અશ્વિની પાંડે (રહે. પ્રાંતિજ) ના કહેવાથી આ ભંગાર ભર્યો હતો. ભંગાર ભરવામાં નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ પરમાર (રહે. ઝીંઝવા તા. પ્રાંતિજ) મદદ કરતાં હોવાની કબૂલાત કરી હતી અંદાજે 1 હજાર કિલો ભંગાર ભર્યો હતો અને અગાઉ 2 હજાર કિલો ભંગાર લઈ ગયા હતા અને તમામ ભંગાર હિંમતનગર વેચ્યાનું જણાવ્યું હતું આ ચાર સામે ફરિયાદસિક્યુરિટી ઈન્ચાર્જ ચુનીલાલ બારોટે ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે યોગેશગીરી કોદરગીરી ગોસ્વામી રહે. રાયગઢ તા.હિંમતનગર) અશોકસિંહ સુખસિંહ મકવાણા (રહે. કેવન તા. હિંમતનગર) અનિલ અશ્વિની પાંડે (રહે. કામધેનુ ગૌશાળા લીમડા રોડ પ્રાંતિજ) અને નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ પરમાર (રહે. ઝીંઝવા તા.પ્રાંતિજ સામે 90 હજારના ભંગારની ચોરી અંતર્ગત ગુનો નોંધાયો છે.
અભયમ દ્વારા કાઉન્સેલિંગ:પતિએ પત્નીને તગેડી બાળકને લઇ લેતાં અભયમે સમાધાન કરાવ્યું
અમદાવાદ ખાતે રહેતા અને પ્રાંતિજ તાલુકાના વતની પતિએ નાના બાળકના કારણે થતાં ઝઘડાને લઈ પત્નીને કાઢી મૂકી બાળકને લઈ વતનમાં આવી ગયા બાદ સાસરીમાં પહોંચેલ પત્નીએ અભયમને બોલાવતા અભયમની ટીમે બાળકની કસ્ટડીનો મામલો ઉઠાવી રહેલ પતિ- પત્નીને બાળકના ભવિષ્ય વિશે સમજ આપી બંનેને સમજાવતા 4 માસના બાળકે એક જ દિવસમાં વિખૂટા પડી જુદા રહેવા મન બનાવી લીધેલ પતિ-પત્નીનું સમાધાન કરાવી પુન:મિલન કરાવ્યુ હતુ. આ અંગે વિગત આપતાં કાઉન્સેલર રિમ્પલબેને જણાવ્યું કે એક પીડિત મહિલાએ 181માં કોલ કરી જણાવેલ કે મારા પતિએ ચાર મહિનાનું બાળક લઈ લીધેલ છે તથા મને ઘરમાંથી કાઢી મૂકેલ છે માટે આપની મદદની જરૂર છે. કોલ મળતાં તરત જ 181ની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ પીડિત મહિલાની વાત સાંભળતા જાણવા મળેલ કે પીડિતાના લગ્નને ચાર વર્ષ થયેલ હતા તથા પતિ પત્ની બંને અમદાવાદ રહેતા હતા અને ચાર મહિનાનું બાળક હતું. પ્રસૂતિ બાદ પતિ પાસે રહેવા આવતા દસ જ દિવસમાં બાળકના કામકાજ તથા બાળકની દવાના ખર્ચ માટે પતિ વારંવાર ઝઘડો કરતા હતા. પતિએ પીડીતાબેનને તારી જરૂર નથી એમ કહી ઘરમાંથી કાઢી મૂક્યા હતા. સાંજ સુધી ઘરની બહાર રહ્યા બાદ સાંજે ઘેર આવતા ઘરને તાળું જોતાં પાડોશીઓથી ખબર પડી હતી કે બાળક લઈને પતિ ગામડે જતા રહ્યા છે જેને પગલે બીજા દિવસે પીડિતા સાસરીમાં પહોંચી હતી અને 181ને જાણ કરી હતી. પરિણીતાની વાત સાંભળ્યા બાદ 181 અભયમ ટીમે પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરવા દરમ્યાન બાળકની કસ્ટડી માટે જીદ કરી હતી. મહિલા પતિ સાથે રહેવા માંગતા ન હોય તેમનું કાઉન્સેલિંગ કરી પતિને પણ સમજાવેલ છે કાયદાકીય માહિતી આપવાની સાથે બાળકના ભવિષ્ય બાબતે પણ બંનેને સમજાવ્યા હતા. પતિ પીડિત મહિલાની તથા બાળકની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લે અને વારંવાર ઝઘડો કરી માનસિક ત્રાસ ના આપે તે બાબતે સમજાવતા સુખદ સમાધાન થયું હતું .
ભાસ્કર એનાલિસિસ:4.28 લાખ હેક્ટરના અંદાજ સામે બે સપ્તાહમાં માત્ર 1300 હેક્ટરમાં વાવણી
ઉનાળુ સિઝનમાં ઉત્તર ગુજરાતની અંદાજે 4.28 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ હોવા છતાં વાવણી શરૂ થયાને બે સપ્તાહ વીતી ગયા બાદ પણ માત્ર 1300 હેક્ટર જમીનમાં જ વાવેતર થયું છે. પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં મર્યાદિત વાવણી થઈ છે, જ્યારે મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હજુ સુધી ઉનાળુ વાવેતર સિઝનની શરૂઆત થઈ નથી. ચોમાસાના પાછોત્તરા વરસાદ અને મોડી શરૂ થયેલી તેમજ નબળી ઠંડીને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. આ બંને પરિબળોના કારણે ઉત્તર ગુજરાતમાં શિયાળુ વાવેતર સમય કરતાં મોડું શરૂ થયું હતું. વધુમાં, ફેબ્રુઆરીની શરૂઆતથી ઠંડીનું જોર ઘટતાં પાકનો વિકાસ અપેક્ષા મુજબ થયો નથી અને ઘણી જગ્યાએ પાક હજુ કાપણીલાયક બન્યો નથી. પરિણામે ખેતરો ખાલી ન થતાં નવું વાવેતર શરૂ કરી શકાયું નથી. બે સપ્તાહના અંતે કુલ 1300 હેક્ટરમાં થયેલા વાવેતરમાં 500 હેક્ટરમાં ઘાસચારો અને 400 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે. ઉપરાંત 200-200 હેક્ટરમાં મગફળી અને શાકભાજી તથા 100 હેક્ટરમાં મકાઈનું વાવેતર નોંધાયું છે. પાટણ જિલ્લામાં 400 હેક્ટરમાં ઘાસચારો, 300 હેક્ટરમાં બાજરી અને 100 હેક્ટરમાં શાકભાજી સાથે કુલ 800 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 200 હેક્ટરમાં મગફળી અને બાજરી તેમજ મકાઈ અને શાકભાજીનું 100-100 હેક્ટરમાં મળી કુલ 500 હેક્ટરમાં વાવેતર થયું છે. હાલની પરિસ્થિતિ જોતા આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થતાં અને શિયાળુ પાકની કાપણી પૂર્ણ થયા બાદ જ ઉત્તર ગુજરાતમાં ઉનાળુ વાવેતર ગતિ પકડશે.
ખેડૂતોમાં ચિંતા:અરવલ્લીમાં બટાકાના ભાવમાં પ્રતિ મણે 50- 55 ઘટતાં ખેડૂતોમાં નુકસાનીનો ભય
અરવલ્લીમાં બટાકાનું ઉત્પાદન કરતાં ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા હોવા જેવો ઘાટ સર્જાયો છે. મોટાભાગના ખેડૂતોના બટાકા પાકીને તૈયાર થયા છે. ત્યારે એલઆર પ્રોસેસિંગ વેરાયટી બટાકાનો ભાવ પ્રતિ એક મણે 220ની આસપાસ બોલાઈ રહ્યો છે. ગત વર્ષે આ વેરાયટીનો ભાવ ખેડૂતોને 275 મળ્યો હતો. ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વર્ષે રાસાયણિક ખાતર પોટાશના ભાવમાં પણ રૂ.300નો વધારો ઝીંકાયો છે. પરિણામે ખેડૂતોએ ખર્ચ કરેલ બટાકાના પાકમાં નફો તો દૂરની વાત રહી પરંતુ નુકસાની ભોગવવાની નોબત આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ખેડૂતોએ પ્રતિ એક વીઘા દીઠ બટાકાના પાકમાં રૂ. 40 થી 45હજારનો ખર્ચ કર્યો છે. અરવલ્લીમાં આ વર્ષે તા. 11 ડિસેમ્બર સુધીમાં 229992 હેક્ટરમાં બટાકાની વાવણી થઈ છે. આ વર્ષે જમીનમાંથી ખેડૂતોએ બટાકા બહાર કાઢવાની શરૂઆત કરી છે ત્યારે ભાવમાં રૂ. 55 થી 60 સુધીનો ધરખમ ઘટાડો જોવા મળતાં ખેડૂતો લાચાર જણાઈ રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે બટાકાની ખેતી 120 દિવસની હોય છે જે 120 દિવસ હવે પૂરા થઈ ગયા છે જમીનમાં રહેલા બટાકાનો પાક વધુ સમય અંદર રહેવાથી તાપમાનની અસરના કારણે તેમાં બ્લેક સ્પોટ આવવાની શક્યતા હોવાથી ખેડૂતો જમીનમાંથી બટાકાને બહાર કાઢવામાં પણ પાછી પાની કરી રહ્યા છે. જિલ્લામાં 6437760 બોરીનું ઉત્પાદન થવાની શક્યતાજિલ્લામાં આ વર્ષે 22992 હેક્ટર કરતાં વધુ જમીનમાં બટાકાના પાકની વાવણી થઈ હોવાનું નોંધાયું છે. ખેડૂતો આ વર્ષે વાતાવરણની વિપરીત અસરના કારણે પ્રતિ એક હેક્ટરે બટાકાનું ઉત્પાદન 700 થી 800 મણ જેટલું થવાનું આંકી રહ્યા છે. પરિણામે જિલ્લામાં 6437760 બોરી બટાકાનું ઉત્પાદન થવાની ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે.
SIRની કામગીરી:આજે સાબરકાંઠાની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થશે, નવા 16083 મતદાર ઉમેરાયા
સાબરકાંઠા જિલ્લાની આજે પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં 1 લાખ મતદારોના નામ જૂની મતદાર યાદીની સાપેક્ષમાં કમી થયેલા જોવા મળશે. જ્યારે 16,083 નવા મતદારોએ ફોર્મ ભર્યા હોવાથી તેમનો પણ આખરી મતદારી યાદીમાં સમાવેશ થતાં જિલ્લાની હિંમતનગર ઇડર ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા બેઠકમાં નવી યાદી મુજબ કુલ મતદારોની સંખ્યા 10,77,31 ની આસપાસ રહેનાર છે. નોંધનીય છે કે નવા નોંધાયેલ મતદારોમાં સ્ત્રી મતદારોની સંખ્યા 56 ટકા અને પુરુષ મતદારોની સંખ્યા 44 ટકા છે. જિલ્લાની 4 વિધાનસભા બેઠકના જૂની યાદીના 11,61,128 મતદારો પૈકી 10,61,218 મતદારોનું ડિજિટાઇઝેશન થઈ શક્યું હતું. 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ એસાઈઆર યાદી જાહેર થઈ હતી. જેમાં મૃત્યુ,ગેરહાજર કે મળી ન આવવા,કાયમી સ્થળાંતરિત અને બબ્બે જગ્યાએ મતદાર યાદીમાં નામ ધરાવતા હોય તેવા કુલ 99910 મતદારોના નામ કમી કરાયા હતા અને 28218 મતદારોનું મેપિંગ ન થતાં તેમને આધાર પુરાવા રજૂ કરવા તક અપાઇ હતી. નો મેપિંગ અને લોજીકલ એરરવાળા 1,76,289 મતદારો પૈકી 1,75,310 મતદારોના ફોર્મ ભરાઈને પરત આવ્યા બાદ જરૂરી પુરાવા રજૂ થતાં હિયરીંગ કરી આખરી નિર્ણય લઈ ફાયનલ મતદાર યાદીમાં સમાવેશ કરાયો હતો. નવા નોંધાયેલ મતદારોમાં 7191 પુરુષ મતદાર, 8893 સ્ત્રી મતદાર મળી કુલ 16083 મતદારોનો વધારો થયો છે. પુરુષ મતદારની સાપેક્ષમાં સ્ત્રી મતદારોમાં 25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. દરેક વિધાનસભામાં પુરુષ સ્ત્રી મતદાર વચ્ચે 7 થી 10 હજારનો તફાવત રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં 72738 મતદારો કમી થયાઅરવલ્લી જિલ્લામાં આજે 17 ફેબ્રુઆરીના રોજ અંતિમ મતદારયાદી પ્રસિદ્ધ થવાની છે. મોડાસા, ભિલોડા અને બાયડ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 797407 મતદારોનો સમાવેશ થયો છે. જિલ્લામાં SIRની કામગીરી અગાઉ કુલ 858753 મતદારો નોંધાયા હતા. પરંતુ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મરણ સ્થળાંતર અને ડુપ્લીકેટ સહિત કુલ 72738 મતદારોના નામ કમી થયા છે. મતદારો પોતાનું નામ અહીં ચકાસી શકશેઆ માટે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ electoralsearch.eci. gov.in અથવા https://voters.eci.g ov.in પર જવું પડશે. જ્યાં તમે તમારો EPIC નંબર, મોબાઈલ OTP, નામ, પિતાનું નામ, જન્મ તારીખ જિલ્લો અને વિધાનસભા વિસ્તાર સર્ચ કરીને તમારું નામ મતદાર યાદીમાં શોધી શકો છો. આ સિવાય ceo.gujarat.gov.in વેબસાઈટ પર જવું પડશે. જ્યાં તમારો જિલ્લો અને વિધાનસભા વિસ્તાર સિલેક્ટ કરો. જે બાદ નામ અથવા EPIC નંબરનો ઉપયોગ કરીને સર્ચ કરી શકશો.
પાલનપુરપંથકની પરિણીતાના પતિનું નિધન થયા પછી તેની સાસરીપક્ષના લોકોએ પતિનો મરણનો દાખલો તેમજ પુત્રના જન્મનો દાખલો આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આથી પુત્રનું આધારકાર્ડની પ્રક્રિયા અટવાઇ ગઇ હતી. દરમિયાન પાલનપુર મહિલા સહાયતા કેન્દ્રની ટીમની મદદથી બંને દાખલા મેળવતાં આખરે આધારકાર્ડ નીકળ્યું હતુ. પાલનપુરપંથકની પરિણીતાએ યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન પુત્રનો જન્મ થયો હતો. ચાર વર્ષના લગ્નજીવન પછી 2024માં બીમારીને કારણે પતિનું અવસાન થતાં બેન છેલ્લા નવ મહિનાથી એક નાનકડા બાળક સાથે પિયરમાં રહેતા હતા. પરંતુ દુઃખ અહીં અટક્યું નહીં. પતિના મરણનો દાખલો અને પુત્રના જન્મનો દાખલો સાસરી પક્ષે આપવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે બાળકનું આધાર કાર્ડ પણ બની શકતું નહોતું. આ દસ્તાવેજો વગર પેઢીનામું શક્ય ન હતું અને પેઢીનામા વગર સરકારી સહાયના દરવાજા બંધ થઇ ગયા હતા. વિધવા સહાય યોજના સહિતની જરૂરી યોજનાઓ માત્ર કાગળોના અભાવે હાથમાંથી સરકી રહી હતી. આથી મહિલાએ પાલનપુર પોલીસ સ્ટેશન બેઇઝડ સ્પોર્ટ સેન્ટરની મદદ લીધી હતી. આ અંગે કાઉન્સેલર જીગીશાબેન તરાલે જણાવ્યું હતુ કે, બંને પક્ષોને બોલાવી અવારનવાર ગ્રુપ મીટિંગ અને કાઉન્સેલિંગ કર્યું હતુ. વાતચીત, સમજણ અને મધ્યસ્થતાના પ્રયાસો બાદ અંતે સાસરી પક્ષે જરૂરી દસ્તાવેજો આપવા સંમતિ આપી હતી. પરિણામે દીકરાનું ઓનલાઈન આધાર કાર્ડ બનાવવા પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આજે આધાર કાર્ડ તેમજ પેઢીનામું બંને બની ચૂક્યા છે.અને વિધવા સહાય યોજનાનું ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. લાંબા સમયથી ખેંચાતો વિવાદ અંતે સુખદ સમાધાનમાં ફેરવાયો છે.
પુરવઠા તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના:રેશનકાર્ડધારકોએ e-KYC નહીં કરાવ્યું હોય તો અનાજ નહીં મળે:
બનાસકાંઠા જિલ્લામાં સરકારી અનાજ યોજનાનો લાભ મળતો રહે તે માટે રેશનકાર્ડમાં નોંધાયેલા તમામ સભ્યોનું e-KYC ફરજિયાત બનાવાયું છે.જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા નાગરિકોને e-KYC પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી છે. આ પગલાનો મુખ્ય હેતુ લાભાર્થીઓની ઓળખને સચોટ બનાવવો, નકલી લાભાર્થીઓને યાદીમાંથી દૂર કરવો અને વાસ્તવિક હકદાર સુધી અનાજનો લાભ પારદર્શક રીતે પહોંચાડવા e-KYCની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે નાગરિકો રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું e-KYC નજીકની ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે, પોસ્ટ ઓફિસમાં અથવા સંબંધિત મામલતદાર કચેરીએ જઈ સરળતાથી કરાવી શકે છે. ઉપરાંત, નજીકની વ્યાજબી ભાવની દુકાન પર પણ આ સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. સરકારે ઘરે બેઠા e-KYC કરવાની સુવિધા પણ શરૂ કરી છે. લાભાર્થીઓ મોબાઇલમાં “My Ration App” ડાઉનલોડ કરી આધાર આધારિત પ્રમાણિકરણ દ્વારા સ્વયં e-KYC પૂર્ણ કરી શકે છે. બાયોમેટ્રિક આધારિત પ્રક્રિયા માટે સંબંધિત વ્યક્તિની હાજરી આવશ્યક રહેશે. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે જ્યાં e-KYC પૂર્ણ થઈ ગયું છે ત્યાં નિયમિત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમનું e-KYC બાકી છે તેઓ તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરે.
ગંદા પાણી રોડ ઉપર આવ્યા:પાલનપુર જુના માર્કેટયાર્ડના માર્ગે ગટર ઉભરાતાં ગંદા પાણી રેલાયાં
પાલનપુર જુના માર્કેટયાર્ડની પાછળના ભાગે અંબિકાનગરને સાંકળતા માર્ગ ઉપર નાળા નીચે ગટર ઉભરાતાં ગંદા પાણી રોડ ઉપર વહી રહ્યા છે. જેના કારણે આજુબાજુની સોસાયટીના રહિશો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. ગટરની સત્વરે સફાઇ કરવામાં આવે તેવી માંગણી છે. પાલનપુર જુના માર્કેટયાર્ડમાં વર્તમાન સમયે હોલસેલ કરિયાણા, દુકાનની ચિજવસ્તુઓ, ખાતર, બિયારણની દુકાનો આવેલી છે. જેની પાછળ નાળા નીચે ગટર ઉભરાઇ રહી છે. જેના પાણી અંબિકાનગરના અડધા માર્ગ સુધી રેલાઇ રહ્યા છે. રાહદારીઓ તેમજ સોસાયટીના રહિશોને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. રહિશોએ જણાવ્યું હતુ કે, નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કામગીરી થતી નથી.
ગંભીર અકસ્માત સર્જાયો:દેલવાડા નજીક બે વિદ્યાર્થીને બાઈકે ટક્કર મારતાં ગંભીર
સરસ્વતી તાલુકાના દેલવાડા ગામમાં સોમવારે સવારે એક માર્ગ અકસ્માતની ઘટનામાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા હતા.આ અંગ ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. દેલવાડા ગામના દિક્ષિતકુમાર નટવરજી ઠાકોર (ધો. 8) અને સંજયજી રામજીજી ઠાકોર (ધો. 7) સાઈકલ પર સવાર થઈને શાળાએ જઈ રહ્યા હતા, ત્યારે ગામના કાચા નેળિયામાં એક બાઈક ચાલકે સાઈકલને જોરદાર ટક્કર મારી હતી.આ ટક્કરને કારણે બંને છાત્રો રોડ પર પટકાયા હતા અને તેમને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરતા પરિવારજનો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બંને બાળકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે નટવરજી ઠાકોરે બાઈક ચાલક વિરુદ્ધ પોલીસમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર માર્કેટયાર્ડ રાજગરાના વેપારનું મુખ્ય કેન્દ્ર બની ઉભરી આવ્યું છે.રાજ્યભરમાં થતી કુલ રાજગરાની આવકમાંથી અંદાજે 50 ટકા જેટલો હિસ્સો અહીંથી ખરીદી-વેચાણ થાય છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજગરાના ભાવોમાં આશરે 150 ટકા સુધીનો નોંધપાત્ર વધારો થયો છે.હાલમાં રાજગરાના 20 કિલોના રૂ.1700 સુધીના ભાવ પડી રહ્યા છે. રાજ્યના કુલ ઉત્પાદનમાંથી અંદાજે 50 ટકા હિસ્સો પાલનપુર કેન્દ્ર પરથી વેચાય છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાવ રૂ.1000 થી વધીને રૂ.2500 સુધી પહોંચ્યા હતા. વર્ષ 2025 ની શરૂઆતમાં 20 કિલોના ભાવ રૂ.1100 થી 1300 રહ્યા હતા, જ્યારે હાલ જૂના જથ્થા અને નવા માલને રૂ. 1500 થી 1700 સુધી ભાવ મળી રહ્યા છે.. વેચાણ માટે બજાર વિસ્તાર અને અન્ય તાલુકાના ખેડૂત-વેપારીઓ મોટી સંખ્યામાં પાલનપુર માર્કેટયાર્ડ ખાતે આવે છે. અન્ય સેન્ટરોનો માલ પણ અહીં આવતાં, માર્કેટયાર્ડ રાજગરા વેપારનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજગરાના ભાવબનાસકાંઠામાં રાજગરાના ભાવ વર્ષ 2021 માં 1000, 2022 માં 1200, 2023 માં વરસાદના કારણે અને માંગ વધતા 2500 સુધી ભાવ ગયા હતા.2024 માં 1030 અને 2025 માં 1100 થી 1700 સુધીનો ભાવ મળે છે.
હોળી અને ફાગણ સુદ પૂનમ નિમિત્તે અંબાજી મંદિર ખાતે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ 02/03/2026, સોમવારે (ફાગણ સુદ 14) હોળી પર્વે સવારે 7:30 થી 8:00 સુધી આરતી યોજાશે.ત્યારબાદ 8:00 થી 11:30 સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12:00 વાગ્યે રાજભોગ ધરાવાશે.સાંજે 18:30 વાગ્યે હોળી પ્રગટાવાશે અને 19:30 થી 20:00 સુધી સાંજની આરતી થશે. રાત્રે 21:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 03/03/2026, મંગળવારે (ફાગણ સુદ પૂનમ) ચંદ્રગ્રહણ હોવાથી વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. સવારે 6:00 થી 6:30 સુધી આરતી અને 6:30 થી 7:30 સુધી દર્શન રહેશે. 7:30 થી 8:00 દરમિયાન રાજભોગ બાદ સવારે 8:00 થી રાત્રે 21:30 સુધી મુખ્ય ગર્ભગૃહમાં દર્શન બંધ રહેશે. જોકે, ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી સવારે 9:45 થી બપોરે 14:00 સુધી દર્શનની વ્યવસ્થા રાખવામાં આવી છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ રાત્રે આશરે 21:30 વાગ્યે શયન આરતી યોજાશે. મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે કે 04/03/2026, બુધવાર (ફાગણ વદ એકમ)થી દર્શન અને આરતી રાબેતા મુજબના સમયમાં શરૂ થશે. ભક્તોને સૂચિત સમયમાં દર્શન માટે આવવા અપીલ કરવામાં આવી છે.
પાલનપુરના પેડાગડા ગામે તંત્ર દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશથી પોલીસ બંદોબસ્ત વચ્ચે 50 વર્ષ જૂની ગૌચરની જમીન પરના 7 પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા, જેમાં 4 હેક્ટર જમીન પર આવેલ મકાનો અને ઝૂંપડાઓ પણ જેસીબીથી તોડી પાડ્યા હતા. ગૌચર બચાવ માટે તંત્રની કાર્યવાહીથઈ અડધી સદીથી કરેલ દબાણો પર જેસીબી ફરી વળ્યું હતું. પાલનપુર તાલુકાના પેડાગડા ગામમાં તંત્ર દ્વારા સોમવારે 50 વર્ષથી દબાણમાં આવેલી ગૌચર જમીન પર ગુજરાત હાઇકોર્ટના આદેશના આધારે સોમવારે 4 હેક્ટર જમીન પર બનાવેલા 7 પાકા મકાન અને ઝૂંપડાઓ જેસીબીથી તોડી દેવામાં આવ્યા હતા. તંત્ર દબાણ તોડવા ગયું ત્યારે વર્ષોથી રહેતા લોકોએ દબાણ તોડવા દેતા ના હતા. જેથી પોલીસે સમજાવીને મહિલાઓને જેસીબી મશીનથી દૂર કરી હતી. છતાં મહિલાઓ વારંવાર દબાણ ન તોડવા માટે આજી જી કરતી રહી હતી. અને તંત્રે વર્ષોથી રહેતા લોકોના ઘરો પાડી દીધા હતા. સ્થાનિક લોકો લાંબા સમયથી આ જમીનમાં મકાન અને ઝૂંપડા બનાવી રહેતા હતા. આ જમીનમાં અગાઉ ઘઉં અને પશુઓ માટે ઘાસચારો ઉગાડવામાં આવતો હતો. દબાણ દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પોલીસની સાથે તંત્ર હાજર હાજર રહ્યું હતું.
વાહનચાલકોને રાહત સાંપડશે:છાપી અને કાણોદર ચોકડી પરના ઓવરબ્રિજ શરૂ કરાતાં રાહત
પાલનપુર મહેસાણા સીક્સ લેન્ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેટ હાઇવે પ્રોજેક્ટ દ્વારા છાપી થી પાલનપુર વચ્ચેના તમામ ચાર રસ્તા પર ઓવરબબ્રિજ બનાવવાની કામગીરી સંપન્ન થતા પરિવહન વ્યવસ્થા પણ ઝડપી બની છે. સમયમાં ખાસો એવો બચાવ થઈ રહ્યો છે.પાલનપુર માર્ગ અને મકાન વિભાગ દ્વારા છાપી કાણોદર જગાણા અને ગઠામણ ચાર રસ્તા પર દોઢ વર્ષ અગાઉ કામગીરી શરૂ કરાઇ હતી. હવે છાપી અને કાણોદર પણ શરૂ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ કામગીરી છાપી અને કાણોદર બ્રિજ પર ચાલી હતી.
ભાસ્કર એક્સક્લૂસિવ:આ વર્ષે બટાકાનું 3.8 લાખ ટન વધુ ઉત્પાદન થતાં ભાવ ગગડ્યા
આ વર્ષે બટાકાનું 3.08 લાખ ટન વધુ ઉત્પાદન થતાં ભાવ ગગડ્યા છે. ગત વર્ષે 15.62 લાખ ટન કરતાં આ વર્ષે 18.70 લાખ ઉત્પાદન વધુ મળ્યું હતુ. બનાસકાંઠા જિલ્લામાં ખેતરમાંથી બટાકા બજારમાં આવી ગયા છે. જોકે ખેડૂતોને ગતવર્ષ કરતાં ભાવમાં 50 ટકા જેટલું નુકશાન થઇ રહ્યું છે. તેના કારણો અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતુ કે, ચાલુ વર્ષે જિલ્લામાં કુલ 64,948 હેકટરમાં વાવેતર થયું હતુ. જે ગત વર્ષે 52089 હેકટર હતુ. ગત વર્ષ કરતાં 12,859 હેકટરમાં વાવેતર વધ્યું છે. જેથી ગત વર્ષના 15.62 લાખ ટન ઉત્પાદન કરતાં વધુ 18. 70 લાખ ટન બટાકા બજારમાં આવ્યા છે. ખેડૂતોને ગતવર્ષે 20 કિલોના રૂપિયા 150 થી 400 કરતાં વર્તમાન સમયે 50 ટકા ઓછો ભાવ 90 થી 150 એટલા માટે મળી રહ્યો છે કે, બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠા, પાટણ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી બટાકાની આવક વધી છે. સામે બજારમાં બટાકાની ખપત ઓછી થઇ છે. પાડોશી દેશોમાં નિકાસ ઓછી થઇ રહી છે. સરકારની ટેકાના ભાવની યોજનામાં બટાકાનો સમાવેશ કરાયો નથી. વેપારીઓ ખેતરમાંથી સીધી ખરીદી કરી રહ્યા છે. કોન્ટ્રાકટ ફાર્મિંગથી ખરીદી વધી છે. જેમાં ભાવ સરખા હોતા નથી. આ બધા પરિબળોના કારણે બટાકાના ભાવ ગગડી રહ્યા છે. જેથી કેટલાક ખેડૂતો ભાવ વધવાની આશાએ હવે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મુકશે. ચાલુ વર્ષે જિલ્લામાં કુલ 64,948 હેકટરમાં વાવેતર થયું હતુ. ગયા વર્ષના સારા ભાવ, અવિરત વરસાદ પછી બટાકાન જ એકમાત્ર વિકલ્પ હોવાથી વાવેતર વધ્યું ભારતીય કિસાન સંઘ પાલનપુરના પ્રમુખ માવજીભાઇ લોહે જણાવ્યું કે, ચોમાસામાં ભારે વરસાદ બાદ મુખ્યત્વે બટાકાના વાવેતરનો જ વિકલ્પ બચ્યો હતો. તેમજ ગત વર્ષે બટાકાના ભાવ સારા હોવાથી મોટાભાગના ખેડૂતોએ બટાકા વાવ્યા હતા.
હારિજ પંથકમાં તુવેરના ભાવ સારા મળતા ખેડૂતો ફરી તુવેરનું વાવેતર કરતા માર્કેટ યાર્ડમાં વર્તમાન સમયે તુવેરની આવકે પાછલા વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા એક માસ દરમિયાન યાર્ડમાં 50 હજારથી વધુ બોરી તુવેરની આવક નોંધાઈ છે. ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન અને ગત વર્ષની સરખામણીએ મણ દીઠ 300 જેટલો ઊંચો ભાવ મળતા હારીજ પંથકના ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. ખેતીના બદલાતા પ્રવાહ વચ્ચે એક મોટું પરિવર્તન જોવા મળ્યું છે. એક સમયે આ વિસ્તારમાં તુવેરનું વાવેતર બિનપીયત તરીકે મોટા પાયે થતું હતું, પરંતુ ટ્યુબવેલની સગવડ વધતા ખેડૂતો જીરું, રાયડો અને દિવેલા જેવા રવિ પાકો તરફ વળ્યા હતા. જોકે હવે તુવેરના ભાવો સારા મળતા ચાલુ વર્ષે સ્થિતિ બદલાઈ છે. દિવેલા અને રાયડાના પાકમાં ઉત્પાદન ઘટતા અને ખર્ચ વધતા ખેડૂતોએ ફરીથી તુવેર પર પસંદગી ઉતારી છે. પંથકમાં સારા પ્રમાણમાં વાવેતર થતા હાલમાં યાર્ડમાં રોજિંદી 2500 થી 3000 બોરીની આવક થઈ રહી છે, જેના કારણે યાર્ડમાં તુવેરના વિશાળ ઢગલા જોવા મળી રહ્યા છે. આ રેકોર્ડબ્રેક આવકને કારણે રાયડાની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. યાર્ડના ચેરમેન વાઘજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે,યાર્ડમાં અત્યાર સુધીની આ સૌથી વધુ આવક છે. સેક્રેટરી વિનોદભાઈ ચૌધરીના મતે, એક માસમાં 50 હજાર બોરીની આવક એ ઐતિહાસિક છે. દિવેલા રાયડામાં ઉત્પાદન ઘટ્યું, સામે તુવેરમાં વધુ અને ભાવ પણ સારા મળ્યાજશોમાવના ખેડૂત કલાજી ઠાકોરે જણાવ્યું હતું કે દિવેલા કે રાયડામાં પહેલા જેવું વીઘા દીઠ 40 થી 50 મણનું ઉત્પાદન મળતું નથી, જે ઘટીને હવે સરેરાશ 20 થી 25 મણ થઈ ગયું છે. તેની સામે તુવેરની ખેતીમાં માત્ર એક-બે પાણી પિયત આપવાથી વીઘા દીઠ 35 થી 40 મણનું ઉત્પાદન મળી રહે છે. ઓછા ખર્ચ અને 7 માસની મહેનત બાદ ખેડૂતોને મણ દીઠ રૂ. 1400 થી 1600 સુધીના ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે પણ 1100 થી 1200 રૂપિયા જેવો ભાવ મળ્યો હતો.
ભારત સરકારના બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં સામાજિક જાગૃતિ લાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને એસપી વી.કે. નાયીએ બાળ લગ્ન મુક્ત જાગૃતિ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ જિલ્લાના વિવિધ ગામોમાં ફરીને બાળ લગ્નથી થતા સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સંબંધિત ગંભીર નુકસાન વિશે ગ્રામજનોને માહિતગાર કરશે. કલેક્ટરે આ પ્રસંગે જણાવ્યું હતું કે બાળ લગ્ન અટકાવવા એ માત્ર સરકારી તંત્રની જ નહીં, પરંતુ સમગ્ર સમાજની નૈતિક અને સામૂહિક જવાબદારી છે. આ અભિયાનમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગાયત્રી સેવા સંસ્થા અને ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 જેવી સંસ્થાઓ જોડાઈ છે, જે કાયદાકીય સમજ આપી દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કાર્ય કરશે.
ભૂગર્ભ ગટરની સમસ્યાથી લોકો પીડિત:સિદ્ધરાજનગરમાં 20 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાય છે
પાટણ શહેરના કોલેજ રોડ પર આવેલી સિદ્ધરાજનગર સોસાયટીના રહીશો છેલ્લા 20 દિવસથી ભૂગર્ભ ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જેમાં સોસાયટીના બ્લોક નંબર 50થી 56 વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન બ્લોક થતાં ગંદા પાણી રસ્તા પર અને લોકોના ઘરના ચોક સુધી ફરી વળ્યા છે. અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને કારણે સ્થાનિકોમાં ડેન્ગ્યુ-મેલેરિયાનો ભય પેઠો છે. પાટણ શહેરમાં સિદ્ધરાજનગર સોસાયટીના સ્થાનિકોએ 7થી 8 વખત લેખિત-મૌખિક રજૂઆતો કરી પણ પ્રશ્નો હલ થયો નથી ત્યારે સિદ્ધરાજનગર ઉત્કર્ષ મંડળે ચીમકી આપી છે કે જો 2 દિવસમાં કાયમી નિકાલ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન છેડાશે ત્યારે રજૂઆતોના અંતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે આવતીકાલે સવારે ગટર લાઇનરિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.
સગીરાની મળી ભાળ:ધોરણ-12ની ગુમ વિદ્યાર્થિની પાલનપુર રેલવે સ્ટેશનથી મળી
રાધનપુરમાં ધોરણ-12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની વેલેન્ટાઈન ડે (14 ફેબ્રુઆરી)ના દિવસે જે ગુમ થઈ હતી. સગીરાને વાલીપણામાંથી ભગાડી જવાના આરોપસર રાધનપુરના યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે બાદમાં સગીરા તેના સંબંધીઓને પાલનપુર રેલ્વે સ્ટેશન પરથી મળી આવતાં તેને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ ઘટના 14 ફેબ્રુઆરી, 2026ના રોજ બની હતી. વિદ્યાર્થિની સવારે 8:00 શાળામાં કાર્યક્રમ હોવાનું કહીને ઘરેથી નીકળી હતી. પરિવારજનો સવારે 11:00 શાળાએ કાર્યક્રમ જોવા પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે તે દિવસે સવારે કોઈ કાર્યક્રમ નહોતો. પરંતુ કાર્યક્રમ રાત્રે રાખવામાં આવ્યો હતો. પૌત્રીની શોધખોળ દરમિયાન પરિવારને જાણવા મળ્યું કે તે ઘરેથી સોના-ચાંદીના દાગીના પણ પહેરીને ગઈ હતી. તેણે તેની બહેનપણીને પહેરવા આપવાના છે તેમ કહીને અન્ય દાગીના પણ સાથે લીધા હતા. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે રાધનપુરના એક યુવક પર શંકા છે. જેના આધારે તપાસ કરતા તે યુવક પણ ઘરે હાજર નથી અને તેનો ફોન બંધ આવે છે. પરિવારને શંકા છે કે આ યુવક સગીરાને લલચાવી-ફોસલાવીને વાલીપણામાંથી ભગાડી ગયો છે. રાધનપુર પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 137(2) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યાં સગીરા પાલનપુર રેલવે સ્ટેશન પરથી તેનાં સંબંધીઓ ને મળી આવતા તેમણે રાધનપુર પોલીસ સમક્ષ રજૂ કરી હતી. તેવું પી.આઈ આર કે પટેલે જણાવ્યું હતું.
ભાસ્કર એક્સક્લુસિવ:પાલિકાના 8.25 કરોડના 85 મંજૂર કામ 2026 નહીં પણ 2027માં પૂરા થઈ શકશે
પાટણ નગરપાલિકામાં વર્ષ 2022માં ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણતાના આરે છે. ત્યારે હવે આગામી ચૂંટણીમાં સત્તાધીશોએ મતદારોને રિઝવવા લાંબા સમયથી પેન્ડિંગ પડેલા 8.25 કરોડના 85 વિકાસકામોને હવે એકસાથે મંજૂરીની મહોર મારી દીધી છે. જોકે મંજૂર કરેલા કામો વહીવટી સુસ્તી અને ટેન્ડર પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે આ તમામ કામો સપ્ટેમ્બર સુધી અપાયેલ સમય મર્યાદામાં પૂર્ણ થવા અશક્ય છે. જેથી લોકોને હજુ એક વર્ષ સુધી વિવિધ વિસ્તારોમાં રોડ સહિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. પાટણ શહેરમાં સી.સી. રોડ, વરસાદી લાઈન અને બ્લોક પેવિંગ જેવા પાયાના કામો 15 ડિસેમ્બર 2025ના રોજ મંજૂરી મળી ગઈ હતી. તેમ છતાં લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) આપવામાં તંત્રએ છેક માસ પહેલા12 ફેબ્રુઆરી 2026 સુધીનો સમય બગાડ્યો છે. હવે સત્તાધિશોએ પોતાની ટર્મ પૂરી થાય તે પહેલાં તમામ જૂના પેન્ડિંગ કામોને એકસાથે મંજૂર તો કરી દીધા છે.આ કામો સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાના છે. ટેકનિકલી જોતા, જૂન મહિનાથી જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય છે.3 થી 4 માસ કામ બંધ રહશે. કામની આટલી મોટી સંખ્યા અને સામે ટૂંકો સમય જોતાં આ પ્રોજેક્ટ્સ વર્ષ 2026ના બદલે છેક 2027માં પૂર્ણ થાય તેવી પ્રબળ શક્યતા છે. ડામર કામ અને સી.સી. રોડના કામોમાં વરસાદી વિઘ્ન નડતા કામની ગુણવત્તા પર પણ સવાલો ઉઠશે. આમ, ચૂંટણી જીતવાની ઉતાવળમાં પાલિકાએ શહેરને કાગળ ઉપર વિકાસ બતાવવા પ્રયાસ કર્યો હોય તેવો લોકોમાં પ્રશ્નાર્થ સર્જાયો છે. ડિસેમ્બરમાં ટેન્ડરો મંજૂર છતાં ફેબ્રુઆરીમાં વર્ક ઓર્ડર વિકાસકામોમાં વિલંબ થવા પાછળનું મુખ્ય કારણ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છે. ટેન્ડર પ્રક્રિયા ડિસેમ્બરમાં પૂર્ણ થઈ હોવા છતાં 50 દિવસ સુધી લેટર ઓફ ઇન્ટર્ન ઇસ્યુ ન કરાયા, જેનાથી કિંમતી સમય વેડફાયો. હવે જ્યારે કામ શરૂ થવાની તૈયારી છે. માત્ર ઉનાળાના સમયને બાદ કરતા આગામી ચોમાસું માથે છે. વરસાદી લાઈન નાખવા માટે થતું ખોદકામ ચોમાસામાં રોકવું પડશે.પરિણામે કામની સમયમર્યાદા આપોઆપ 2027 સુધી લંબાશે. આ વિલંબ પાછળ વહીવટી નિદ્રા જવાબદાર છે. તેવું પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. બાંધકામ એન્જિનિયર નરેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે 85 કામોના વર્ક ઓર્ડર આપી દેવાયા છે અને ડામર કામનું રીટેન્ડિંગ થયું હોવાથી 21 ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર ખોલી ઓર્ડર આપી દેવા છે. અમારો પ્રયાસ છે કે ચોમાસા પહેલા મહત્તમ કામ પૂર્ણ થાય. જો વરસાદ ઓછો નડશે તો કામ ઝડપથી પતશે, બાકી નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં તમામ કામો આટોપી લેવાનું આયોજન છે.
પાટણ અને સિદ્ધપુર વિસ્તારના ધોરણ 10 અને 12ના 240 વિદ્યાર્થીઓ પર કરાયેલા મનોવૈજ્ઞાનિક સર્વેમાં પરીક્ષા પૂર્વેની વાસ્તવિકતા સામે આવી છે. જેમાં પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપક ડૉ. ડિમ્પલ રામાણી સહિતના અધ્યાપકોના માર્ગદર્શન એમ. એ સેમ-4ના વિદ્યાર્થીઓ લાલજી પંચાલ અને હમેદાફાતેમા કડીવાલા દ્વારા મનોવિજ્ઞાન વિભાગના છાત્રોના રિસર્ચ કર્યા છે. જેમાં મોટાભાગના છાત્રો અત્યારે ભણવા બેસે ત્યારે પુસ્તક કરતાં મોબાઈલને વધુ યાદ કરે છે, જે તેમની એકાગ્રતા અને યાદશક્તિ માટે મોટો અવરોધ બન્યો છે. ચિંતાજનક વાત એ છે કે, વાલીઓ દ્વારા પરીક્ષામાં પાસ થવા સાથે ડોક્ટર-એન્જિનિયર બનવા અને ઊંચી ટકાવારી લાવવા માટે અપાતું માનસિક દબાણ વિદ્યાર્થીઓની ભૂખ અને ઊંઘ ઉડાડી રહ્યું છે. સર્વેના તારણો મુજબ, માતા-પિતાની અતિ-મહત્વાકાંક્ષા બાળકો માટે આશીર્વાદને બદલે માનસિક બોજ સાબિત થઈ રહી છે. આ ગંભીર સ્થિતિને જોતા મનોવિજ્ઞાન વિભાગના છાત્રો એ શાળાઓમાં કાઉન્સેલિંગ કર્યું હતું. સાથે અધ્યાપકે આચાર્યોને માર્ગદર્શન આપ્યું હતું જોકે, વાલીઓ પોતાના બાળક પરથી ટકાવારીનું દબાણ હટાવી લે, તો વિદ્યાર્થીઓ વધુ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકશે. માથું દુખવું, યાદ ન રહેવું, બેચેની થવી, ગભરામણ થવી, ઊલટી ઊબકા થવા, ચક્કર આવવા, જમવાનું ભાવતું નથી, પાચન સંબંધિત સમસ્યાઓ, ઊંઘ આવતી નથી, નાપાસ થવાનો ભય, માતા-પિતાનું દબાણ, નિરાશા અને તણાવ, નકારાત્મક વિચાર, નિર્ણયશક્તિમાં ખામી વગેરે સમસ્યાઓ જોવા મળી રહી છે. સર્વેમાં આ બાબતો બહાર નીકળી આવી પરીક્ષાની ચિંતા ઘટાડવાના ઉપાયો પરીક્ષા સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
સંશોધન:ફળ અને શાકભાજીની છાલ-ઠળીયાનો પુન: ઉપયોગ દવા બનાવટમાં કારગત નિવડ્યો
ફળ અને શાકભાજીના છાલ અને ઠળીયાનો વૈજ્ઞાનિક પુન: ઉપયોગ કરીને દવા બનાવતું મહેસાણા ગણપત યુનિ.ના પ્રો.ર્ડા.સાવન દોંગાનું સંશોધન વેસ્ટમાંથી બેસ્ટ સિદ્ધાંત પર આધારિત છે. જેમાં કિચન વેસ્ટ તરીકે ફળ અને શાકભાજીના છાલ તથા ઠળીયા (બીજ) નો વૈજ્ઞાનિક પુનઃઉપયોગ કરાયો છે. સંશોધન મુજબ આ જૈવિક અવશેષોમાં શક્તિશાળી એન્ટી–માઇક્રોબિયલ અને એન્ટી–ઓક્સિડન્ટ ગુણધર્મો જોવા મળ્યા છે. જે ભવિષ્યમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. તાજેતરમાં તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, આદિપુર–કચ્છ ખાતે દેશ–વિદેશના સંશોધકોની ઉપસ્થિતિમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં 650 થી વધુ એ ભાગ લીધો અને સંશોધકોએ પોતાના સંશોધન કાર્યો રજૂ કર્યા હતા. જેમાં આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ” થીમ હેઠળ ગણપત યુનિના પ્રોફેસર ર્ડા. સાવન દોંગાના ‘બેસ્ટ રિસર્ચ પોસ્ટર પ્રેઝન્ટેશન’ ની પ્રથમ ક્રમે પસંદગી થતાં એવોર્ડથી સન્માનિત કરાયા હતા. તેમણે કહ્યું કે આ સંશોધનના બે મુખ્ય હેતુ એ છે કે, ઘરગથ્થુ કિચન વેસ્ટનું પ્રમાણ ઘટાડવું અને આ જ કચરાને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે કાચા માલ તરીકે ઉપયોગમાં લઈ વેસ્ટને મૂલ્યવર્ધક બનાવવું.
ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ:બીકે રોડ ચોકડી ઉપર ખાડો પડતાં દોઢ કલાક ટ્રાફિકજામ
શહેરના ભમરીયા નાળાથી બીકે રોડ તરફ જતાં ચોકડી પર સોમવારે સવારે 11 વાગ્યાના અરસામાં અચાનક ખાડો પડ્યો હતો. જેથી પસાર થતી ગાડીઓમાં એક ગાડીનું ટાયર આ ખાડામાં ફસાઈ પડ્યું હતું, જેથી પાછળ ટ્રાફિકજામ થયો હતો. માંડ આ ગાડીને ધક્કા મારીને બહાર કાઢી ત્યાં ફરી બીજી ગાડીનું ટાયર ફસાઈ પડ્યું હતું. જેને લઇ અહીં ફરજ પરની ટ્રાફિક પોલીસને વાહનોનો ટ્રાફિક હળવો કરવામાં નાકે દમ આવ્યો હતો. બપોરે 12-30 વાગે બીકેથી માલ ગોડાઉન તરફ જતાં વાહનોને અટકાવીને ભમરીયા નાળા તરફ કામચલાઉ ડાયવર્ટ કરાયા બાદ બીકેથી ભમરીયા નાળા રોડનો ટ્રાફિક હળવો થયો હતો.
આજે જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર થશે:મતદારનું નામ electoral s earch. eci. gov.in પરથી ચકાસી શકાશે
મહેસાણા જિલ્લાના સાત વિધાનસભા ક્ષેત્રની મંગળવારે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. મતદારો ચૂંટણી પંચની વેબસાઇટ તેમજ ઇસીઆઇની વોટર વેબસાઇટ પરથી ઓનલાઇન મતદાર યાદીમાં તેમનું નામ ચકાસી શકશે. જ્યારે બુથ લેવલે પણ ચૂંટણી તંત્ર વિસ્તારની મતદાર યાદી બીએલઓ મારફતે પહોંચાડશે એટલે બુથ અને બીએલઓ પાસે પણ યાદીમાં વિસ્તારના મતદારોના નામ છે કે નહીં તેની ચકાસણી કરી શકશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું. એસઆઇઆરમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમમાં ડ્રાફ્ટ યાદીમાં સમાવિષ્ટ મતદારો પૈકી નો મેપિંગ અને તાર્કિક ખામીમાં ડોક્યુમેન્ટ ચકાસણીમાં મતદારોની સુનાવણીના અંતે ચૂંટણી તંત્ર દ્વારા આખરી મતદાર યાદી તૈયાર કરી દેવામાં આવી છે. સોમવારે મોડે સુધી તંત્ર કામગીરીમાં વ્યસ્ત રહ્યું હતું. ડ્રાફ્ટ યાદી પછી પ્રક્રિયાના અંતે જિલ્લામાં 15.96 લાખથી વધુ મતદારોનો આખરી યાદીમાં સમાવેશ હશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. આ પહેલાં, ડ્રાફ્ટ યાદી વખતે જ કાયમી સ્થળાંતર, મૃતક અને પત્તો ન હોય તેવા મતદારોની યાદીમાંથી બાદબાકી કરાઇ હતી. મતદાર યાદીને લઇ ભારે ઉત્સુકતા જોવાઇ રહી છે. આખરી યાદી આધારે મહેસાણા મહા- નગરપાલિકાની મતદાર યાદી તૈયાર થશે જિલ્લાની આખરી મતદાર યાદી મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં મહેસાણા- બહુચરાજી વિધાનસભા ક્ષેત્રમાં આવતાં મહેસાણા મહાનગરપાલિકા હદ વિસ્તારની વોર્ડવાઈઝ મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ થશે. જેમાં મનપા વોર્ડવાઈઝ મતદાર યાદી બનાવશે અને બુથ પ્રમાણે મતદારો નક્કી થશે અને મનપાની અલગથી મતદાર યાદી તૈયાર થશે. તે ચકાસણી પ્રક્રિયાના અંતે જાહેર થયા પછી તે મુજબ મનપાની પ્રથમ ચૂંટણી યોજાશે. આવી રીતે યાદીમાં નામ ચકાસી શકાશેઆ માટે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ electoralsearch.eci.gov.in અથવા https://voters.eci.g ov.in પર જવું પડશે. જ્યાં તમેતમારો EPIC નંબર, મોબાઈલ OTP, નામ, પિતાનું નામ, જન્મ તારીખજિલ્લો અને વિધાનસભા વિસ્તાર સર્ચ કરીને તમારું નામ મતદારયાદીમાં શોધી શકો છો. આ સિવાય ceo.gujarat.gov.in વેબસાઈટપર જવું પડશે. જ્યાં જિલ્લો અને વિધાનસભા વિસ્તાર સિલેક્ટ કરો. જેબાદ નામ અથવા EPIC નંબરનો ઉપયોગ કરીને સર્ચ કરી શકશો.
ઉત્તર ગુજરાતમાં સોમવારથી બદલાયેલી પવનની દિશાથી દિવસ અને રાતના તાપમાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. ઠંડીમાં દોઢ ડિગ્રી સુધી ઘટાડો, જ્યારે ગરમીમાં પણ બે ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થયો હતો. તેમ છતાં ભેજનું પ્રમાણ વધુ રહેતાં ઉકળાટ સાથે ગરમીનો અનુભવ યથાવત રહ્યો હતો. એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી વાતાવરણ સામાન્ય વાદળછાયું બની શકે છે. સપ્તાહના અંત સુધીમાં બે તબક્કામાં દિવસ અને રાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જેને કારણે આગામી સપ્તાહની શરૂઆત સાથે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થવાની સંભાવના છે. સોમવારે લઘુત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો પારો 15.8 થી 18.6 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. 15 ડિગ્રીથી વધુ તાપમાનને કારણે ઠંડી નબળી પડી હતી. જો કે આ દરમિયાન ભેજનું પ્રમાણ 65 ટકાની આસપાસ રહેતાં વહેલી સવારે હળવી ઝાકળ વરસી હતી. બીજી તરફ 2 ડિગ્રીના ઘટાડા સાથે દિવસનું તાપમાન 32.2 થી 33.7 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. જો કે બપોરે ભેજનું પ્રમાણ 25 ટકાની આસપાસ રહેતાં વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે તાપમાન ઘટવા છતાં ગરમીમાંથી ખાસ રાહત મળી નહોતી. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં બનેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાતમાં અરબી સમુદ્ર તરફથી પવનો ફૂંકાઈ શકે છે. આ પવનોના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધવાની સાથે વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે. આ દરમિયાન 19મી ફેબ્રુઆરીથી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એટલે કે રાત્રિનું તાપમાન 20 ડિગ્રી કેતેથી વધુ થતાં ઠંડી નબળી પડીશકે છે. તેમજ 22મી ફેબ્રુઆરીથીમહત્તમ તાપમાનમાં 2 થી 3ડિગ્રીનો વધારો થવાની શક્યતાછે. એટલે કે દિવસનું તાપમાન35 થી 37 ડિગ્રી સુધી પહોંચતાંગરમીનું પ્રમાણ વધી શકે છે.એટલે કે આગામી સપ્તાહથીઉત્તર ગુજરાતમાં ઉનાળાનીશરૂઆત થવાની સંભાવના છે.
પીવાનું પાણી દૂષિત થયું:શહેરની ચામુંડાનગર સોસાયટીમાં 144 ઘરોમાં તપાસ, ઝાડાના ચાર કેસ મળ્યા
મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર નજીક ચામુંડાનગરમાં પીવાનું પાણી દૂષિત આવતાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. આ અંગે રજૂઆત મળતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ઘરે ઘરે ક્લોરીનેશન સહિતની કામગીરી શરૂ કરાઇ છે. આ વિસ્તારમાંથી ઝાડાના ચાર દર્દી મળી આવ્યા હતા અને હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ વોટર વર્કસ વિભાગની ટીમ અંડરગ્રાઉન્ડ લીકેજ શોધવા બે દિવસથી કામે લાગી છે. ચામુંડાનગરમાં 40થી વધુ પરિવાર રહે છે. અહીં પાણીજન્ય રોગચાળા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ચામુંડાનગર અને આજુબાજુના વિસ્તારમાં કુલ 144 ઘર અને 673 વસ્તીમાં સર્વેલન્સ કરાયું હતું. જેમાં 9 ક્લોરીન ટેસ્ટ, 4 બેક્ટેરિયા લોજિકલ ટેસ્ટ (પાણીના સેમ્પલ) અને 760 કલોરીન ટેબલેટનું વિતરણ કરાયું હતું. ઝાડાના ચારેય દર્દીની તબિયત સારી છે. વિસ્તારમાં એક સપ્તાહ સુધી સર્વેલન્સ ચાલુ રહેશે તેમ મનપાના ઇ.આરોગ્ય અધિકારી ર્ડા. સુહાગ શ્રીમાળીએ જણાવ્યું હતું. વોટરવર્કસ ઇજનેરે કહ્યું કે, ચામુંડાનગરમાં લીકેજ શોધવા માટે બે દિવસમાં ત્રણ ખાડા કર્યા છે. ત્યાં સુધી પાણી ચોખ્ખું મળી રહ્યું હોઇ હવે આગળ ખોદકામ કરીને સર્ચ કરાઇ રહ્યું છે. સોસાયટીઓમાં પડતી ગલીના કોઇ જોડાણમાં પણ લીકેજ હોઇ શકે કે ઇન્ટરલિંકિંગ જોડાણમાં રિટર્નમાં લીકેજ હોઇ શકે એટલે એ દિશામાં પણ સર્ચ કરીએ છીએ. દરેક ઘરે પીવાના પાણીના માટલામાં ક્લોરીનનાં બે થી ત્રણ ટીપાં નાખીને પીવા જણાવ્યું છે.
ફરિયાદ:સાવરકુંડલાના જેસર રોડ પર યુવકને જૂનું મનદુ:ખ રાખી માર્યો
સાવરકુંડલાના જેસર રોડ પર યુવકને અગાઉનું મનદુ:ખ રાખી ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સાવરકુંડલાના જેસર રોડ જલારામ સોસાયટીમાં રહેતા હિતેષભાઇ અરવિંદભાઇ પંડયા (ઉ.વ.47)એ અંકુર કારેલીયા અને માહિર કાસમાણી તેમજ બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેના મોટા બાપુજીના દિકરાના પરીક્ષીતના ફોનમાં તેના મિત્રએ ફોન કરી જેસર રોડ બાયપાસે બેસવા બોલાવ્યો હતો. અહીં અગાઉનું મનદુઃખ રાખી અંકુર કારેલીયા અને માહિર કાસમાણી સહિત બે અજાણ્યા શખ્સોએ પરીક્ષીતને અપશબ્દો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ ગંગલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ફરિયાદ:જાફરાબાદમાં યુવતીએ સોનાના ચોઈન, મોબાઈલની ચોરી કરી
જાફરાબાદમાં યુવતિએ ઘરમાંથી સોનાના ચેઈન અને મોબાઈલની ચોરી કરી હતી. આ અંગે જાફકરાબાદ પોલીસ મથકમાં યુવતિ સામે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જાફરાબાદના સામાંકાઠે પીપળીકાંઠા લોકી વિરડાની બાજુમાં રહેતા અરવિંદભાઇ પોલાભાઇ સોલંકી (ઉ.વ.35)એ ખુશીબેન રમેશભાઇ બારૈયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની ભાણેજ ખુશીબેન તેના ઘરે તેમની સાથે રહેતા હતા. 7 નવેમ્બરના રોજ અરવિંદભાઈના ઘરમાં સુટકેશમાં રાખેલા રૂપિયા 1,21,942ની કિંમતનો સોનાનો ચેઇન અને રૂપિયા 11,000ની કિંમતનો ઘર વપરાશના મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,32,942 ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ એચ.પી.ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
આયોજન:લાઠીમાં સ્વામિનારાયણ મંદિરના સાંનિધ્યમાં હિન્દુ સંમેલન અને સાધારણ સભા યોજાઇ
લાઠી ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે હિન્દુ સંમેલન અને સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં હિન્દુ સમાજને મજબૂત બનાવવા અને આગામી કાર્યોની રૂપરેખા તૈયાર કરવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સભામાં નવી નિમણૂકો અને સંગઠન માળખું બનાવવું તથા આ સાધારણ સભામાં સર્વાનુમતે જયેશભાઈ ઠાકરની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. અધ્યક્ષની નિમણૂક સાથે જ હિન્દુ સંમેલનને વેગ આપવા માટે નવી કારોબારી સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સ્થાનિક અગ્રણીઓ અને ઉત્સાહી કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હિન્દુ સમાજની એકતા, સાંસ્કૃતિક મૂલ્યોનું જતન અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું જેવા મુદ્દા પર ચર્ચા કરાઈ હતી. આ સભામાં લાઠી શહેર અને આજુબાજુના વિસ્તાર ગામનાના હિન્દુ સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત અધ્યક્ષ જયેશભાઈ ઠાકરે જણાવ્યું હતું કે તેઓ સંગઠનના માધ્યમથી સમાજ સેવા અને ધાર્મિક જાગૃતિના કાર્યોને પ્રાથમિકતા આપશે. આ નિમણૂકથી લાઠી મંડળના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિન્દુ સંમેલન મોટી સંખ્યમાં લોકો જોડાયા. તસવીર- વિશાલ ડોડિયા
આયોજન:અમરેલી ખાતે બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે 1000 શિવલિંગ, 12 જ્યોતિર્લિંગ દર્શન
અમરેલી સીનીયર સીટીઝન પાર્ક ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે બ્રહ્માકુમારીઝ ધ્વારા સહસ્ત્ર શિવલિંગ એટલે કે એક સાથે 1000 શિવલીંગના દર્શન એક સાથે થઈ શકે તેવું મંદિર ગોઠવવામાં આવેલ જેનાથી સર્વ ભકતોને હજારવાર દર્શનનું ફળ પ્રાપ્ત થાય. આ પ્રસંગે ભકતોએ શિવ પરમાત્મા સમક્ષ પોતાના અવગુણો અને વ્યસનો અર્પણ કરી શુભસંકલ્પરૂપી બીલીપત્ર ચડાવ્યા હતા. પરમાત્મા સત્ય પરીચય સાથે મનની શાંતી માટે રાજયોગ મેડીટેશન માઈન્ડ સ્પા પણ કરાવવામાં આવેલ. કાર્યક્રમનું ઉદઘાટન અગ્રણી ઉદ્યોગપતી કાળુભાઈ ભંડેરી, લાયન્સ કલબ સીટી અમરેલીના પ્રમુખ રુજુલભાઈ ગોંડલીયાએ દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકેલ હતો. કાર્યક્રમમાં લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી દ્વારા અંગદાન જનજાગૃતિ અભિયાનનું આયોજન કરેલ. શંકર પાર્વતીની લાઈવ ઝાંખી કાર્યક્રમનું મુખ્ય આર્કષણ રહેલા હજારો ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ભવ્ય આયોજનમાં ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ઉર્જા અને પેટ્રોકેમિકલ ન્યાય કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ અમરેલી ભરતભાઈ સુતરીયા, સાંસદ રાજકોટ પરશોતમભાઈ રૂપાલા તથા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારીઝ અમરેલીના મુખ્ય સંચાલિકા બ્ર.કુ. ગીતાબહેન અને બ્ર.કુ. કિંજલબહેન, બ્ર.કુના બહેનો તથા બ્રહ્માકુમારીઝના તમામ ભાઈએ સુંદર આયોજન કરેલ તેમ ફિલ્ડ રિપોટર બ.કુ, આઈ.પી. બારડે જણાવ્યું હતું.
ભાસ્કર વિશેષ:લાઠી તાલુકાના જરખીયામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજણ આપવા તાલીમ અપાઈ
લાઠી તાલુકાના જરખીયા ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા તથા રાસાયણિક મુક્ત ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે માસ્ટર ટ્રેનર વૈશાલીબેન ચાવડાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અને તેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ઉપજાઉ શક્તિમાં વધારો થાય છે. ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને ખેડૂતોને વધુ શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રાપ્ત થાય છે. પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે વિશેષ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બીજામૃત દ્વારા બીજની શુદ્ધતા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેના કારણે પાકની સારી વૃદ્ધિ થાય છે. જીવામૃત જમીનમાં સુક્ષ્મજીવોની સંખ્યા વધારીને જમીનની ઉર્વરતા સુધારે છે અને પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. ઉપરાંત આચ્છાદન (મલ્ચિંગ) દ્વારા જમીનમાં ભેજ જળવાઈ રહે છે. નિંદામણમાં ઘટાડો થાય છે અને જમીનની ગુણવત્તા જાળવવામાં મદદ મળે છે. વાપસા પદ્ધતિ દ્વારા જમીનમાં હવા અને ભેજનું સંતુલન જાળવી રાખીને પાકની સારી વૃદ્ધિ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે. તેમજ પ્રાકૃતિક જીવ નિયંત્રણ પદ્ધતિઓ દ્વારા રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર દેશી ગાયના ગોમૂત્ર અને અન્ય કુદરતી ઘટકોમાંથી તૈયાર કરાયેલા દ્રાવણોનો ઉપયોગ કરીને જીવાત અને રોગનું નિયંત્રણ કરી શકાય છે.
ફરિયાદ:પ્રેમ લગ્ન કરવા મુદ્દે ફુલેકામાં પથ્થરમારો
રાજુલાના મોટા મોભીયાણામાં રહેતા માવજીભાઈ હરીભાઈ ભીલ (ઉ.વ.49)એ ગામના જ પાંચા બીજલભાઇ શીયાળ, મગન બીજલભાઇ શીયાળ અને ભુપત ભગવાનભાઇ જોળીયા સામે ફરિયાદ નોંધાવી હતી. માવજીભાઈ ભીલના દિકરા સંજયભાઇએ પાંચા શીયાળની દિકરી મનિષાબેન સાથે દસેક મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ સાંજના સાતેક વાગ્યે તેના લગ્નનુ ફુલેકુ લઇ માવજીભાઈ ભીલ સહિતના લોકો મોભીયાણા ગામે દુર્ગા માતાજીના મંદિરે પગે લાગી ઘરે જતા હતા. તે દરમિયાન ત્રણેય લોકો મંદિરના ચોકમાં આવ્યા હતા અને પ્રેમ લગ્ન કરી ફુલેકુ કાઢવા મુદ્દે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ભાવેશભાઈ માવજીભાઈ ભીલ અને દયાબેનને ઈજા પહોંચી હતી. આ અંગે ડુંગર પોલીસ મથકમાં ગુનો નોંધાતા હેડ કોન્સ્ટેબલ વિ.જે.ધાખડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
રેલવે કર્મચારીઓની સતર્કતા:વેરાવળથી ભાગીને નીકળેલી યુવતી ચિત્તલ રેલવે સ્ટેશન પર સુરક્ષિત મળી
ભાવનગર મંડળના ચીત્તલ રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની સતર્કતાથી વેરાવળની યુવતી સુરક્ષિત મળી આવી હતી. તારીખ 13ના રોજ ગાડી નં. 19204 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ રાત્રે 22:55 વાગ્યે ચિત્તલ રેલવે સ્ટેશન પરથી રવાના થઈ હતી. ત્યારબાદ ફરજ પર રહેલા સ્ટેશન માસ્ટર રાકેશ રોશન દ્વારા પ્લેટફોર્મનું નિરીક્ષણ કરતી વખતે એક યુવતી એકલી પ્લેટફોર્મ પર હાજર હોવાનું જણાયું હતું. પૂછતાછ કરતા યુવતીએ તે વેરાવળની હોવાનું જણાવ્યું હતું અને તે ઘરેથી ભાગીને આવી છે તેમ કહ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખી ફરજ પર રહેલા સ્ટેશન માસ્ટરે તરત જ રેલવે સુરક્ષા બળ (RPF) કંટ્રોલ સહિત તમામ સંબંધિત અધિકારીઓને જાણ કરી તેમજ મહિલા હેલ્પલાઇન નંબર 181 પર ફોન કરીને માહિતી આપી હતી. ત્યારબાદ મહિલા હેલ્પલાઇન 181 મારફતે અમરેલી સિટી પોલીસને જાણ કરવામાં આવી. અમરેલીમાંથી મહિલા પોલીસ સ્થળ પર પહોંચી અને મામલાનો સંજ્ઞાન લઈ જરૂરી પૂછપરછ કરી યુવતીના પરિવારજનોનો સંપર્ક કરીને તેમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. પરિવારજનોએ વેરાવળથી આવવાની ખાતરી આપી હતી અને તેમની વાતચીત અમરેલી મહિલા પોલીસ સાથે કરાવવામાં આવી હતી. તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ મહિલા પોલીસ યુવતીને પોતાના સાથે અમરેલી લઈ ગઈ હતી.
ધરપકડ:18 મંદિરમાં ચોરી કરતી ગેંગના 6 શખ્સો રૂપિયા 2.25 લાખની મત્તા સાથે ઝડપાયા
અમરેલી જિલ્લા સહિત જુદા જુદા વિસ્તારમાં 18 મંદિરમાં ચોરી કરતી ગેંગના 6 શખ્સોને એલસીબીએ 2.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂપિયા રોકડ રકમ, મોબાઈલ અને બે બાઈક કબ્જે લેવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં મંદિરોમાં ચોરીની ઘટનામાં વધારો થયો હતો. અંતે મંદિરોને નીચાન બનાવતી ગેંગના 6 શખ્સોને એલસીબી ટીમે ઝડપી લીધા હતા. અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતની સૂચનાથી એલસીબી પીઆઈ એ.ડી.ચાવડાની રાહબરી હેઠળ ટીમે અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. એલસીબીએ હાલ જસદણના ડોડીયાળા ગામે રહેતા અને મધ્યપ્રદેશના જોબટના બહેડીયાના કમલેશ ઉર્ફે કમીશ ચંદસીંગ બામનીયા (ઉ.વ.22), સાંણથલીમાં રહેતા ગોપાલ ઉર્ફે ગુડીયો સરદાસભાઈ બામનીયા (ઉ.વ.21), લાઠીના માલવીયા પીપરીયામાં રહેતા નરપતસિંહ સુભાન ઉર્ફે સોબાનભાઈ ગાવડ (ઉ.વ.32), વડીયાના બાંભણીયામાં રહેતા બાયસીંગ પારૂભાઈ અજનાર (ઉ.વ.28), વડીયાના બાંભણીયામાં રહેતા સીરદાર ઉર્ફે સરદાર કેલસીંગ મહેડા (ઉ.વ.30) અને લાઠીના માલવીયા પીપરીયામાં રહેતા સુરેશ કાળીયાભાઈ ઉર્ફે કાળુભાઈ બામનીયા (ઉ.વ.20)ને ઝડપી લીધા હતા. એલસીબી ટીમે આ ગેંગ પાસેથી રૂપિયા 70,000ની રોકડ રકમ, 45 હજારના મોબાઈલ અને બે બાઈક મળી કુલ 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અહીં અમરેલી જિલ્લા સહિત જુદા જુદા વિસ્તારમાં 18 મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ગુગલ મેપમાં ગામ બહાર આવેલા મંદિરોનું લોકેશન સર્ચ કરતા પડકાયેલા શખ્સો ગુગલ મેપમાં ગામ બહાર આવેલા જુદા જુદા મંદિરોના લેકેશનો સર્ચ કરતા અને તેના લોકેશનો મેળવ્યા બાદમાં ગુગલ મેપમાં સર્ચ કરી મંદિરોની રૈકી કરતા હતા. ગુગલ મેપના લોકેશન પર સાગરીતોને મોકલતા હતા. બાદમાં બાઈક લઈને જતા અને મંદિરે ચોરી કરવાનું નક્કી કરતા હતા. જગ્યાએ લોકેશનના આધારે ભેગા થઇ રેકી કરેલી મંદિરોમાં ચોરી કરતા હતા.

29 C