રાજકોટમાં રહેતી શિક્ષિકા પર ધો.10ના વિદ્યાર્થીએ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી હતી. બે દિવસ પહેલાં આરોપીએ પણ વારાણસીમાં જઈ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા પહેલાં વીડિયો ફરતો કરીને શિક્ષિકાના તમામ મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને અંગત પળોના ફોટા ફરતા કરી દેતા શિક્ષિકા માટે હવે જીવવું દુષ્કર થઈ ગયું છે. દિવ્ય ભાસ્કરની ઓફિસે આવીને શિક્ષિકાએ પોતાની કથની વર્ણવી હતી અને જણાવ્યું હતું કે, આરોપી ધ્રુવલ દેસાઈના કારણે પોતાનું જીવવું દુષ્કર થઈ ગયું છે. જ્યારથી ફોન નંબર ફરતા થયા છે ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 100થી વધુ અજાણ્યા નંબર પરથી ફોન કોલ્સ આવ્યા છે અને જે ફોન રિસીવ કરવામાં આવે તેમાં સામે છેડેથી અભદ્ર માંગ અને મિત્ર બનવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત વોટ્સએપ પર હજારોની સંખ્યામાં અભદ્ર મેસેજ પણ કરવામાં આવી રહ્યા છે. મોટાભાગના તત્ત્વો પોતાને રમકડું સમજતા હોય તે રીતે ન કહેવાની વાતો કરીને પજવણી કરી રહ્યા છે. એફબી અને ઈન્સ્ટાગ્રામ પર ગણતરીની મિનિટોમાં જ 100થી વધુ ફ્રેન્ડ રિકવેસ્ટ આવી ગઈ છે અને મોટાભાગના તત્ત્વો ફ્રેન્ડ રિકવેસ્ટ કરવાની માંગ કરી રહ્યા છે. શિક્ષિકાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આરોપી ધ્રુવલ દેસાઈએ વારાણસીમાં ફિનાઈલ પી લીધું છે ત્યારે તે જે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હોય ત્યાંથી તેની તાકીદે ધરપકડ કરીને કાનૂની રાહે કાર્યવાહી કરવી જોઈએ. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકનો સંપર્ક કરતા તપાસ ચાલુ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષિકાને ફોન પર ઓટીપીના અનેક મેસેજ મળ્યાપીડિત શિક્ષિકાએ જણાવ્યું હતું કે, ટેક્સટ મેસેજ આવી રહ્યા છે અને તેમાં ઓટીપી નંબર આવી રહ્યા છે અને આ નંબરની સાથે આવેલી લિંક પર ક્લિક કરવાના પણ મેસેજ આવી રહ્યા છે. ઓટીપી શા માટે આવી રહ્યા છે તેની પણ કોઇ જાણ નથી. બે ફોન નંબર જાહેર કરી દેવાતા ઉપરોક્ત તમામ બાબતો થઈ રહી છે. ગુનો નોંધવાના બદલે પોલીસે ફરી એક વખત માત્ર અરજી જ લીધીગાંધીગ્રામ પોલીસ મથક જે ઝોન હેઠળ આવે છે તે ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈએ થોડા દિવસો પહેલાં જ કહ્યું હતું કે, દુષ્કર્મ સહિતની ગંભીર ઘટના બને અને પીડિતા જ્યારે ફરિયાદ નોંધાવવા આવે ત્યારે એક પળનો પણ વિલંબ કર્યા વિના ફરિયાદ લઈ લેવી જોઇએ અને આરોપીની તાકીદે ધરપકડ કરવી જોઈએ. દુષ્કર્મ પીડિત શિક્ષિકાએ કહ્યું હતું કે, 28 માર્ચ શનિવારે ફરી એક વખત ગાંધીગ્રામ પોલીસ મથકે ગઈ હતી અને જે લોકોએ પોતાને મેસેજ અને ફોન કોલ્સ કર્યા છે તે ઉપરાંત જે મીડિયામાં પોતાની ઓળખ છતી કરી દેવામાં આવી છે અને અંગત પળોના ફોટા ફરતા કરાયા છે તેઓની સામે ગુનો નોંધવા રજૂઆત કરી હતી, પરંતુ પોતાની માત્ર અરજી જ લેવામાં આવી છે. આથી પીડિત શિક્ષિકાએ પોતાના અંગત પળોના ફોટા મીડિયામાં પ્રસિદ્ધ કરનાર રાજકોટ ન્યૂઝ અપડેટ્સ, ગોંડલ ન્યૂઝ અપડેટ્સ, ક્રિશુલ ન્યૂઝ અપડેટ્સ, અવર રાજકોટ, રાજકોટ મિરર, મચ્છુ ન્યૂઝ મોરબી, સિટી ન્યૂઝ, વાહ ગુજરાત અને પરફેક્ટ સૌરાષ્ટ્રના સંબંધિત લોકો સામે કાનૂની રાહે કાર્યવાહી કરી તેઓની તાકીદે ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌ પ્રથમ વીડિયો ફરતો કરનાર આરોપી ધ્રુવલ સામે પણ અલગથી ગુનો નોંધવો જોઈએ.
1લી એપ્રિલથી ઓનલાઈન કામગીરી બહિષ્કાર:આંગણવાડી બહેનોની અચોક્કસ મુદતની ઓનલાઇન હડતાળ
સરકારના ઉદાસીન વલણ સામે વિરોધ નોંધાવવા માટે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા મહત્ત્વનો નિર્ણય લઇ આગામી તા.1લી એપ્રિલથી રાજ્યની તમામ આંગણવાડી કાર્યકર બહેનો પોષણ ટ્રેકર એપ્લિકેશન પર ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવાની કામગીરીથી અચોક્કસ મુદત સુધી દૂર રહી ઓનલાઇન હડતાળ પર જશે. ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે પોતાની પડતર માગણીઓને લઈ આગામી તા.1 એપ્રિલથી પોષણ ટ્રેકર એપની ઓનલાઇન કામગીરી જેવી કે વજન-ઊંચાઈ, FRS, AVT અને CBE ની એન્ટ્રીઓ બિલકુલ બંધ કરશે. મહાસંઘના મહામંત્રી ભાવિકા ચાઉંએ સ્પષ્ટતા કરી હતી કે,અચોક્કસ મુદતની હડતાળ દરમિયાન આંગણવાડીઓ બંધ કરવામાં આવશે નહીં. બાળકો અને લાભાર્થીઓને મળતી પાયાની સેવાઓ અને નિયમિત ઓફલાઇન કામગીરી ચાલુ રહેશે, જેથી કોઈ પણ લાભાર્થીને નુકસાન નહીં થાય.
શહેરમાં પાર્સલ સર્વિસનો દુરુપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરવાના મોટા કૌભાંડાનો પીસીબીની ઝડપી કામગીરીથી પર્દાફાશ થયો છે. સોખડા ચોકડી નજીક બોમ્બે સુપર કોમર્સિયલ ઝોન વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસના ગોડાઉનમાં દરોડો પાડી પોલીસે રૂ. 6.22 લાખની કિંમતનો મોંઘોદાટ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. માહિતી મુજબ, પીસીબીને ખાનગી બાતમી મળી હતી કે, બેડી ચોકડી તરફ જતાં રોડ પર બોમ્બે સુપર કોમર્સિયલ ઝોન- 18ની સામે એસીપીએલ ટ્રાન્સપોર્ટ મેઈન ડેપો સૌભાગ્ય વેરહાઉસ નામના ગોડાઉનમાં લોખંડના બ્લૂ કલરના બેરલમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ માહિતીના આધારે પીએસઆઈ પી.બી. ત્રાજિયાની ટીમે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 28 બેરલમાંથી કુલ 174 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.6,22,680 આંકવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ પાર્સલ રાજસ્થાનના નિમરાણા ખાતેથી મોકલવામાં આવ્યું હતું અને તેનો અંતિમ ડિલિવરી પોઈન્ટ મોરબી હતો. પાર્સલ બૂટલેગર સુધી પહોંચે તે પહેલાં જ પોલીસે છાપો મારીને સમગ્ર જથ્થો જપ્ત કરી લીધો હતો. હાલ સપ્લાયર અને મગાવનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે પોલીસે મોબાઈલ નંબરના આધારે તપાસનો દોર વેગવંતો બનાવ્યો છે.
પરિણીતાને ધમકી:રાજકોટમાં જેઠે છેડતી કરી પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી
શહેરના જામનગર રોડ મનહરપુર વિસ્તારમાં પરિણીતાને કૌટુંબિક જેઠે પ્રેમસંબંધ રાખવા મજબૂર કરી તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મનહરપુર વિસ્તારમાં એફ.સી.આઈ. ગોડાઉન પાસે રહેતી એક મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી વિગતો મુજબ, તેના પતિ અને જેઠ ખાનગી નોકરી કરે છે. આજથી આશરે એક માસ પહેલાં જ્યારે પરિણીતા ઘરે એકલી હતી ત્યારે તેના મોટા સસરાનો પુત્ર સુભાષ કલાભાઈ મકવાણા ઘરે આવ્યો હતો. તેણે પરિણીતાનો હાથ પકડી તેની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કર્યું હતું. બાદમાં ગત તા.14મીના સવારે 12 વાગ્યાની આસપાસ જ્યારે ખુશીબેન દૂધ લેવા જઈ રહી હતી, ત્યારે આરોપી સુભાષે પોતાનું મોટરસાઇકલ આડું રાખી તેને રસ્તામાં અટકાવી હતી. આરોપીએ પરિણીતાને ધમકાવતા કહ્યું હતું કે,”તું મારી સાથે અફેર રાખ, નહીંતર તારા પતિને બદનામ કરી દઈશ. આરોપીએ પરિણીતાના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વારંવારની પજવણી અને માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે હિંમત ભેગી કરી તેના પતિને સમગ્ર હકીકત જણાવ્યા બાદ આ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર સામે આવેલું ખાટુ શ્યામ મંદિર શહેરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું ખૂબ જ મોટું કેન્દ્ર છે. અહીં ભગવાન ખાટુ શ્યામજી એટલે કે બર્બરિકની અત્યંત સુંદર અને મનમોહક મૂર્તિ બિરાજમાન છે. જેના દર્શન માત્રથી ભક્તોને અપાર શાંતિનો અનુભવ થાય છે. મંદિરના બાંધકામનું કામ ચાલી રહ્યું છે. ખાસ કરીને દર મહિનાની શુક્લ પક્ષની અગિયારસના દિવસે અહીં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે અને આ દિવસે વિશેષ ભજન સંધ્યા, જ્યોત, મહાપ્રસાદ, વિશેષ શૃંગાર તથા બાબાને ખાસ વાઘા પહેરાવવામાં આવે છે. આજે તા.29 માર્ચના રોજ કામદા એકાદશી પણ છે. જેમાં અહીં સવારે 4 વાગ્યે ખાટુ શ્યામ બાબાને સ્નાન કરાવી વિશેષ અત્તરનો મહાઅભિષેક કરવામાં આવશે. શ્યામ બાબા પર થયેલા અત્તરના અભિષેકનું ભક્તોમાં પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ આજે સાંજે 7 વાગ્યાથી કીર્તન અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાની શુક્લ પક્ષની અગિયારસને વિશેષરૂપે ઉત્સાહ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં સવારથી રાત્રિ સુધી અને આરતી સમયે 4થી 5 હજાર ભાવિકોની ભીડ ઊમટી પડે છે. દર મહિનાની શુક્લપક્ષની અગિયારસના દિવસે અહીં વિશેષ ધાર્મિક આયોજનો યોજાય છે. આ ઉપરાંત આ દિવસે તમામ ભક્તોને ખીચડીનું પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવે છે. મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ટુંક સમયમાં તે પૂર્ણ થતાં અહીં મુખ્ય મંદિર ખાટુ શ્યામ બાબા, અન્ય બે મંદિરમાં રાણીસતીદાદી તથા હનુમાનજી મહારાજનું રહેશે. જેમાં ત્રણેયની જ્યોત રાજસ્થાનથી લાવવામાં આવશે. 15 લાખની કિંમતના અત્તરનો અભિષેકરાજકોટમાં આવેલી પરફ્યુમની કંપનીના ઓનર સંદીપભાઇએ જણાવ્યું હતું કે, ખાટુ શ્યામ બાબાને આજે 10 લિટર રાતરાણીના અત્તરથી અભિષેક કરાવવામાં આવશે. આ ખાસ અત્તર કનોજથી તૈયાર કરાવવામાં આવ્યું છે. જેમાં 1 ટનથી વધારે રાતરાણીના પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કુલ અત્તરની કિંમત 15 લાખ જેટલી થશે. આ અત્તરની શીશીનું ભક્તોમાં પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવશે.
આજે કામદા એકાદશી:કૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરી લવિંગ ધરાવવા
પંચાંગ પ્રમાણે આજે તા.29 માર્ચ ચૈત્ર સુદ અગિયારસને રવિવારે કામદા એકાદશી છે. આ દિવસે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મ કરી અને ત્યારબાદ સૌ પ્રથમ સૂર્યને અર્ધ્ય આપવું. શ્રીકૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરવું. ભગવાનને વસ્ત્ર, જનોઈ, ચાંદલો, ચોખા, ફૂલ, અબીલ, ગુલાલ, કંકુ, અર્પણ કરી ધૂપ-દીપ, નૈવેદ્ય, શ્રીફળ અર્પણ કરવું સાથે લવિંગ ખાસ ધરાવવું. આરતી કરી પ્રાર્થના કરવી અને ત્યારબાદ પીપળે પાણી રેડી અને કામદા એકાદશીની કથા વાંચવી અથવા સાંભળવી. આખો દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવું. બપોરે સૂવું નહીં અને રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું. સાંજના સમયે ભગવાનના જપ કીર્તન કરવા. આ પ્રમાણે કામદા એકાદશીનું વિધિવત વ્રત કરવાથી શ્રાપમાંથી મુક્તિ મળે છે. જીવનમાં કોઈપણ જાતનું બંધન હોય તો તેમાંથી મુક્તિ મળે છે. જો જન્મકુંડળીમાં શ્રાપિત દોષ હોય તો તે શાંત થાય છે. આ તકે શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ કામદા એકાદશીનો બોધ અંગે જણાવ્યું હતું કે, જ્યારે વ્યાપાર-ધંધો કે નોકરી કરતા હોય તે સમયે તેમાં જ પૂરતું ધ્યાન આપવું અને ત્યારે ઘરની ખોટી બાબતોનો વિચાર કરવો જોઈએ નહીં, બહેનોએ પણ ઘરકામ કરતી વખતે કોઈપણ બીજી બાબતોનો વિચાર કરવો જોઈએ નહીં. ફકત કામમાં જ ધ્યાન આપવું યોગ્ય રહે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા એપ્રિલ 2026 સેશન માટે ધોરણ 10 (સેકન્ડરી કોર્સ)ની પરીક્ષાનું પ્રાથમિક સમયપત્રક જાહેર થતાં વિદ્યાર્થીઓમાં તૈયારીને લઈને ચેતનતા વધી છે. પરીક્ષાઓ 10 એપ્રિલથી શરૂ થઈ 6 મે સુધી ચાલશે, જેમાં એકેડેમિક સાથે સાથે સ્કિલ આધારિત વિષયોનો પણ વ્યાપક સમાવેશ કરવામાં આવ્યો છે. NIOS બોર્ડ ખાસ કરીને તે વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ છે, જેઓ પરંપરાગત શાળા પદ્ધતિથી અલગ રીતે અભ્યાસ કરે છે અથવા વિવિધ કારણોસર ઓપન સ્કૂલિંગ પસંદ કરે છે. આથી સમયપત્રક જાહેર થતાં જ હજારો વિદ્યાર્થીઓ માટે તૈયારીનું અંતિમ ચરણ શરૂ થઈ ગયું છે. શિક્ષણવિદોનું માનવું છે કે, અંતિમ 10-15 દિવસ સૌથી મહત્ત્વના હોય છે. ખાસ કરીને ગણિત અને સાયન્સ જેવા વિષયો માટે સતત પ્રેક્ટિસ અને રિવિઝન જરૂરી છે. સાથે સાથે, સ્કિલ વિષયોમાં થિયરી સાથે પ્રેક્ટિકલ સમજ પણ જરૂરી બને છે. NIOS દ્વારા જાહેર કરાયેલું આ સમયપત્રક હાલ પ્રાથમિક છે, જેથી અંતિમ સમયપત્રકમાં થોડા ફેરફારો થવાની શક્યતા રહેલી છે. વિદ્યાર્થીઓએ નિયમિત રીતે સત્તાવાર વેબસાઇટ અને સંબંધિત સૂચનાઓ પર નજર રાખવી અનિવાર્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સ્પોર્ટ્સ અને ઈત્તર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ NIOS ના માધ્યમથી પોતાની શૈક્ષણિક કારકિર્દી આગળ વધારતા હોય છે. પરીક્ષાના પેપરોની મહત્ત્વપૂર્ણ તારીખો પરીક્ષાનો સમય અને પદ્ધતિમોટાભાગની પરીક્ષાઓ બપોરે 2:30થી 5:30 દરમિયાન લેવામાં આવશે. આ શિફ્ટને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસનો સમય અને રિવિઝન પ્લાન ગોઠવવો જરૂરી છે.
રાજકોટ શહેરના મોટામવા વિસ્તારમાં આવેલી સીતારામ પાર્ક સોસાયટીની જમીન સંબંધિત લાંબા સમયથી ચાલતા વિવાદમાં ન્યાયાલયે મહત્ત્વનો અને કડક ચુકાદો આપ્યો છે. અરજદારે વર્ષો સુધી કબજો હોવાનો દાવો કરીને માલિકીહક્ક માટે દાખલ કરેલો દાવો અદાલતે નામંજૂર કર્યો છે. કોર્ટના નિરીક્ષણ મુજબ અરજદારે પોતાના દાવામાં મૂળ માલિક કોણ છે, ક્યારે અને કેવી રીતે કબજો મેળવ્યો તે અંગે સ્પષ્ટ વિગતો રજૂ કરી નહોતી. માત્ર લાંબા સમયથી કબજો હોવો એ ‘એડવર્સ પઝેશન’ સાબિત કરવા પૂરતું નથી, તેવું અદાલતે નોંધ્યું. સાથે જ, કેસમાં જરૂરી ‘કોઝ ઓફ એક્શન’ દર્શાવવામાં નિષ્ફળતા અને લિમિટેશન કાયદાના ભંગને પણ ગંભીર ખામી ગણાવી છે. અદાલતે વધુમાં કહ્યું કે, અરજદારે ચતુરાઈપૂર્વક ડ્રાફ્ટિંગ કરીને કોર્ટને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આવા દાવાઓ કાયદાની કસોટી પર ટકી શકતા નથી. આથી, પ્રતિવાદી નંબર 13 દ્વારા દાખલ કરાયેલ અરજી સ્વીકારીને ઓર્ડર-7 રૂલ-11 હેઠળ plaint ફગાવી દેવામાં આવી. ચુકાદામાં મહત્ત્વની નોંધ તરીકે કોર્ટે જણાવ્યું કે, સંબંધિત જમીન ખેતીલાયક હોવા છતાં બિનઅધિકૃત રીતે ઉપયોગ અને બાંધકામ કરવામાં આવ્યું છે. આ બાબતે રેવન્યુ સત્તાધિકારીઓને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, અરજદારે કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હોવાને કારણે સમગ્ર કેસનો ખર્ચ પણ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ ચુકાદો જમીન વિવાદોમાં ‘એડવર્સ પઝેશન’ના દાવા માટે કડક માપદંડ નક્કી કરે છે અને ખોટા કે અધૂરા દાવાઓ સામે કોર્ટની સખ્ત વૃત્તિ દર્શાવે છે. ટીઆરપી અગ્નિકાંડથી અત્યાર સુધીમાં મનપા પણ ગેરકાયદે બાંધકામ મામલે ચાર વખત કેસ જીતી ચૂકી છેસિતારામ પાર્કમાં હોટેલ, રેસ્ટોરેન્ટ, ગેરેજ, હોસ્ટેલ, ગોડાઉન સહિતના એકમો ધમધમે છે. સૌથી ગંભીર બાબત એ છે કે કોઇની પાસે પણ ફાયર એનઓસી કે બાંધકામ પરવાનગી નથી. ટીઆરપી અગ્નિકાંડ બાદ મનપાએ ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ આપી હતી. જેની સામે કબજેદાર હાઇકોર્ટ અને ગ્રુડા સુધી ગયા હતા. પણ ચાર વખત કેસમાં પછડાટ મળી હતી. છેલ્લે હાઇકોર્ટમાં ગયા ત્યારે એટલી જ રાહત મળી કે મનપા ફરીથી સાંભળે. ચુકાદાથી ગેરકાયદે બાંધકામ દૂર કરવાનો રસ્તો ખુલ્લોઆ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, મોટામવા વિસ્તારમાં આવેલી વિવાદિત જમીન પર જે ગેરકાયદેસર ઉપયોગ અને બાંધકામ ચાલી રહ્યું છે તેની તાત્કાલિક જાણ મહેસૂલ તંત્રને કરવામાં આવે. આ ચુકાદાથી મહાનગરપાલિકા હવે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરી શકશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બોગસ ખેડૂત ખાતેદાર બનવા હોડ જામી છે. ખાસ કરીને વગદાર અને આર્થિક સદ્ધર લોકો ફાર્મહાઉસના શોખ માટે તેમજ કાળું નાણું છુપાવવા વારસાઈ કે ભળતા નામે બોગસ ખાતેદાર બની રહ્યા છે. ત્યારે રાજકોટના જસદણ તાલુકામાં 28 વર્ષ પૂર્વે ખેડૂત ન હોવા છતાં સાંથણીમાં ફાળવવામાં આવેલી ખેતીની જમીન ખરીદનાર આસામી વિરુદ્ધ પ્રાંત અધિકારીએ સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ કાયદાની કલમ 54ના ભંગ સબબ કલમ 75 મુજબ પગલાં લઈ જસદણના ચિતલિયા ગામની 7.20 એકર જમીન ખાલસા કરી સરકાર હસ્તક લેવા હુકમ કરવાની સાથે જમીન ખરીદનાર બોગસ ખેડૂતના ચાર વારસદારોને રૂ.54.63 લાખનો દંડ ફટકારી રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને આ આસામીઓએ તેમના જિલ્લામાં જમીન ખરીદી હોય તો ચકાસણી કરી પગલાં લેવા જાણ કરવામાં આવી છે. બોગસ ખેડૂત ખાતેદારના ચોંકાવનાર કિસ્સાની વિગત જોઈએ તો વર્ષ 1968માં જસદણ તાલુકાના ચિતલિયા ગામના રેવન્યુ સરવે નંબર 148 પૈકીની 10 એકર જમીન ભીમાભાઇ ગોવિંદભાઈને ડેપ્યુટી કલેક્ટર રાજકોટ દ્વારા નવી અને અવિભાજ્ય શરતે ફાળવ્યા બાદ ભીમાભાઈનું અવસાન થતા તેમના વારસદાર રામાભાઇ તેમજ ડાઈબેન ભીમાભાઇ બારૈયાના નામે વારસાઈ નોંધ પડી હતી. બાદમાં વર્ષ 1997માં આ જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફર્યા બાદ રામાભાઇ તેમજ ડાઈબેન ભીમાભાઇ બારૈયાએ 7.20 એકર જમીન ખોડાભાઈ મુળાભાઈ પરમારને વેચાણ આપતા જમીન ખરીદનારના નામે વેચાણ નોંધ પડી ગઈ હતી. જોકે, વર્ષ 2022માં રામાભાઇ ભીમાભાઇ બારૈયાના વારસદાર હીરાભાઈ રામાભાઈ બારૈયાએ વેચાણ સામે વાંધો લેતા નોંધ તકરારી બની હતી અને મૂળ ખાતેદારોને નામે નોંધ પડી હતી. દરમિયાન જમીન વેચાણથી રાખનાર ખોડાભાઈ મુળાભાઈ પરમારનું અવસાન થતા તેમના પુત્રો રામજીભાઈ, મેરામભાઇ, રમેશભાઈ અને હીરાભાઈ ખોડાભાઈ પરમાર દ્વારા કાનૂની લડત આપવામાં આવી હતી. જોકે, વર્ષ 2025માં તત્કાલીન જિલ્લા કલેક્ટર દ્વારા આ કેસમાં ડેપ્યુટી કલેક્ટર જસદણને જમીન વેચાણ રાખનાર ગુજરનાર ખોડાભાઈ મુળાભાઈ પરમાર જમીન ખરીદતી વખતે ખાતેદાર હતા કે, કેમ તેની ચકાસણી કરવા સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમની કલમ 54 અન્વયે કાર્યવાહી કરવા આદેશ કરતા પ્રાંત અધિકારી જસદણની તપાસમાં ગુજરનાર ખોડાભાઈ મુળાભાઈ પરમારે વર્ષ 1997માં ખેતમજૂર હોવાના નાતે જમીન ખરીદી કરી હોવાનું અને ખેતમજૂર હોવાનું પ્રમાણપત્ર તાલુકા વિકાસ અધિકારી જસદણે આપ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે, સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદા મુજબ ખેતમજૂરનું પ્રમાણપત્ર આપવાના અધિકાર તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યા ન હોય ગુજરનારે ખેતમજૂર હોવાના નાતે જમીન ખરીદવાની દલીલ ફગાવી દઈ ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન ખરીદી કરવા મામલે રામજીભાઈ, મેરામભાઇ, રમેશભાઈ અને હીરાભાઈ ખોડાભાઈ પરમારને બિન ખેડૂત જાહેર કરી 7.20 એકર જમીન ખાલસા કરી સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. ઉપરાંત પ્રવર્તમાન જંત્રીના ત્રણ ગણા લેખે રૂ.54,63,360 (ચોપન લાખ, ત્રેસઠ હજાર, ત્રણસો સાઈઠ) દંડ ફટકારવામાં આવ્યો છે. મૂળ ખેડૂતના વારસદારોએ વારસાઈ નોંધ માટે કાર્યવાહી કરતાં કૌભાંડ છતું થયુંજસદણના ચિતલિયા ગામે ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન ખરીદી કરવાના કિસ્સામાં સાંથણીની જમીનના મૂળ લાભાર્થીના પુત્રના 12 વારસદારોએ જમીન પોતાની હોવાનો દાવો કરી 25 વર્ષ બાદ વારસાઈ નોંધ પડાવી લેતા જમીન ખરીદી કરનારના વારસદારે કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરતા તત્કાલીન કલેક્ટરે 2025માં જમીન ખરીદી કરનાર ખોડાભાઈ મુળાભાઈ પરમાર ખાતેદાર હતા કે કેમ ? તેની ચકાસણી કરવા હુકમ કરતા જ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. સિવિલ કોર્ટ અને હાઇકોર્ટમાં પણ રાહત ન મળીખેડૂત ખાતેદાર ન હોવા છતાં ખેતીની જમીન ખરીદી પ્રકરણમાં ગુજરનાર ખોડાભાઈ મુળાભાઈ પરમારના વારસદારોએ સિવિલ કોર્ટમાં પણ દાવો કર્યો હતો જેમાં કોઈ સ્ટે આપવામાં આવ્યો નથી તેમજ હાઇકોર્ટે પણ રિવિઝન અરજી એડમિશન સ્ટેજે જ ડિસ્પોઝ કરી હોય જસદણ પ્રાંત અધિકારીએ બોગસ ખેડૂતો માટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.
વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા વડોદરા ફરતે 66 કિમીનો લાંબો અને 75 મીટર પહોળો રિંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેનો અંદાજે 1500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ રિંગ રોડનું પાંચ ફેઝમાં કામ કરવામાં આવશે, ત્યારે 316 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં 27 કિમીના રોડનું કામ પૂર્ણ કરી દેવાયું છે, જ્યારે આ રિંગ રોડ તૈયાર થવાથી વડોદરાને દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે સાથે સીધું જોડાણ મળશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ વડોદરાના આગામી દાયકાઓના વિકાસની કરોડરજ્જુ સમાન સાબિત થશે. વડોદરા શહેરની ફરતે હાલમાં નવા એક્સપ્રેસ-વે આવી ચૂક્યા છે, ત્યારે તેને જોડવા માટે શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવામાં આ રિંગ રોડ મહત્વપૂર્ણ કડી સાબિત થશે. શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ અને આંતરમાળખાકીય સુવિધાઓમાં ફેરફાર લાવવા માટે વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA) અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા એક મહત્વકાંક્ષી રિંગ રોડ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. 66 કિમી લાંબો રિંગ રોડની પાંચ ફેઝમાં કામગીરીવર્ષ 2012માં રાજ્ય સરકારે અંદાજે 66.08 કિમી લાંબો અને 75 મીટર પહોળો રિંગ રોડ બનાવવાનું નક્કી કર્યું હતું. શહેરની ફરતે એક મજબૂત સુરક્ષા કવચ અને પરિવહન માર્ગ તૈયાર કરવાના આશય સાથે સરકાર દ્વારા પ્રાથમિક તબક્કે બજેટની ફાળવણી પણ કરવામાં આવી હતી. કુલ 5 ફેઝમાં આ રિંગ રોડ બનાવવાનું કામ ચાલવાનું છે. પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજા ફેઝની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના આયોજન માટે પ્રતિષ્ઠિત સેપ્ટ (CEPT) યુનિવર્સિટીની સલાહ અને નિષ્ણાતોનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે. પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં રિંગ રોડ વહેંચાયેલોપ્રથમ ફેઝમાં આ રિંગ રોડ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં 16.84 કિમી (જેમાં 13.89 કિમી રિંગ રોડની લંબાઇ અને 2.95 કિમી સંલંગ્ન લંબાઈ) રોડ બનશે. રિંગ રોડ 3 સ્ટેટ હાઇવેને જોડશે. જેમાં વડોદરા-પાદરા, વડોદરા-સેવાસી-સિંધરોટ અને વડોદરા-ઉંડેરા-કોયલી રોડને જોડી ચાપડ, ચાણસદ, ઈંટોલા થઈ નેશનલ હાઇવે 48 સાથે જોડાશે. વુડા વિસ્તારની લંબાઈ 10.1 કિમી અને VMC વિસ્તારની લંબાઈ 6.47 કિમી છે. પૂર્વ વિસ્તારમાં 10.74 કિમીનો 75 મીટરના રિંગ રોડ બનશે. પૂર્વ વિસ્તારના વડોદરા-આજવા, વડોદરા-વાઘોડિયા અને વડોદરા-ડભોઇ તરફના 3 સ્ટેટ હાઇવે સાથે જોડાશે. જેમાં 10.24 કિમી વુડા વિસ્તાર અને 0.5 કિમી VMC વિસ્તારમાં લાગશે. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે સાથે સીધું જોડાણઆ રિંગ રોડ તૈયાર થવાથી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે સાથે સીધું જોડાણ મળશે, જેના પરિણામે લાંબા અંતરથી આવતા વાહનો શહેરના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ્યા વગર જ બહારથી પસાર થઈ શકશે. રાજ્ય સરકાર તરફથી ઓગસ્ટ 2024માં રૂપિયા 316.78 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂપિયા 1,500 કરોડથી વધુ થવાનો અંદાજ છે. જે વડોદરાના ઇતિહાસના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનો એક છે. રિંગ રોડ સાથે ડ્રેનેજ, સ્ટોર્મ વોટર અને સ્ટ્રીટ લાઈટિંગની કામગીરીવડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી આ પ્રોજેક્ટને રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાનના આધારે બનાવી રહી છે. આમાં પાંચ ફેઝ છે. જેમાં પહેલા ફેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ફેઝ 2નું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. ચાર કોરિડોરમાં આ પ્રોજેક્ટ તૈયાર થશે. રિંગ રોડની સાથે સાથે ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, સ્ટ્રીટ લાઈટિંગ અને મલ્ટી એક્ટિવિટી પણ કરવામાં આવી રહી છે. ફેઝ 1ના 27 કિમીનો રોડ બનાવવાનું કામ પૂર્ણસૌથી પહેલા જે વેસ્ટર્ન પાર્ટ છે ત્યાં બુલેટ ટ્રેન કોરિડોર આવી રહ્યો છે અને નેશનલ એક્સપ્રેસ-વે પણ જોડાઈ રહ્યો છે. અમદાવાદ અને સુરતથી આવતા એક્સપ્રેસ વેની આ રિંગ રોડ સાથે જોડાણની કામગીરી ચાલી રહી છે. ફેઝ 1ના 27.580 કિમીનો રોડ બનાવવાનું કામ પૂર્ણ કરી દેવાયું છે. જ્યારે ફેઝ 2 માટે રાજ્ય સરકાર સપોર્ટ કરી રહી છે. ફેઝ 1નો રોડ ખુલ્લો મૂકવા માટે મહેનત કરી રહ્યા છીએ. જેથી કરીને હાલોલ અને અમદાવાદથી આવતા ટ્રાફિકને પણ રિંગ રોડમાં જોડી શકાય. નોર્ધન અને સર્ધન કોરિડોર ઇન્ડસ્ટ્રિઝ માટે ખોલવા માંગીએ છીએવડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, નોર્ધન અને સર્ધન કોરિડોર ઇન્ડસ્ટ્રિઝ માટે અમે ખોલવા માંગીએ છીએ. સાથે સાથે નોર્થ અને સાઉથમાં લોજિસ્ટિક પાર્ક્સ પણ કરવા માંગીએ છીએ. જેથી કરીને અમદાવાદ અને નોર્ધન ઇન્ડિયા તેમજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી આવતા બધા જ લોજિસ્ટિક ટ્રક ત્યાં જ ઉભા રાખી શકીએ અને અનલોડિંગ કરી શકીએ, પ્રોસેસિંગ થઈ શકે અને ફૂડ પાર્ક્સ પણ ત્યાં આવી શકે. રિંગ રોડમાં જ મોટો ટ્રાફિક દૂર થાય અને સિટીમાં માત્ર નાનો ટ્રાફિક જ આવે. આ દિશામાં લોજિસ્ટિક પાર્ક્સ, ફૂડ પાર્ક્સ, સિટી મોબિલિટી પ્લાન, ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ, આઇટી કોરિડોર, નોલેજ સિટી, ઇન્ડસ્ટ્રિયલ રિઝન (GIDC એક્સપાન) આ બધાનો સમાવેશ કરીને અમે આ પ્લાન કરી રહ્યા છીએ. પ્રાથમિકતામાં ફેઝ 1 અને ફેઝ 2 ખુલ્લો મુકવા માંગીએ છીએ. ફેઝ 3, 4, 5 આવનારા 5 અને 10 વર્ષ માટે ફ્યૂચરમાં પ્લાનિંગ કરીશું. રિંગ રોડ ગુજરાતની આર્થિક ગતિને વેગ આપશેઆગામી 10 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની ધરાણા છે. જે દરમિયાન શહેરમાં સીમાવર્તી વિસ્તારોમાં જમીનોના ભાવ અને વિકાસની નવી તકો ઊભી થશે. રિંગ રોડની આસપાસના વિસ્તારોમાં નવા ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અને કોમર્શિયલ હબ વિકસાવવાની પૂરેપૂરી શક્યતા છે. ટૂંકમાં આ રિંગ રોડ વડોદરાને એક મેટ્રો સિટી જેવી સુવિધા પૂરી પાડશે અને વાહનચાલકોના સમય તથા ઈંધણની બચત કરશે. જ્યારે આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત થશે, ત્યારે તે વડોદરા શહેરી વિકાસના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ તરીકે અંકિત થશે અને સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપશે.
આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં પણ ઉમેદવારોની ચર્ચા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટરોની ચર્ચા ખૂબ જોરશોરથી ચાલી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 15 જેટલા સિનિયર કોર્પોરેટરો ત્રણ ટર્મ પૂર્ણ થઈ ચૂકી હોવાથી ચૂંટણી લડી શકશે નહીં જ્યારે કેટલાક ઉમેદવારોની નિષ્ક્રિય કામગીરીના કારણે ફરીથી તેમને ટિકિટ મળવાની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. કેટલાક કોર્પોરેટરો અનામત રોટેશનના કારણે ફરીથી ચૂંટણી લડી શકશે નહીં. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અનામત રોટેશન અને ભાજપના નિયમો મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં 160માંથી 40 ટકા જેટલા ઉમેદવારોની ટિકિટ કપાશે જેના કારણે થઈને નવોદિતોને ચાન્સ મળશે. ભાજપમાં 3 ટર્મ પૂર્ણ થઈ હોય તેઓના સ્થાને નવા ચહેરા આવી શકેભાજપમાં ત્રણ ટર્મ થઈ ચૂકી હોય અને 60 વર્ષ ઉપર થઈ ચૂકેલા મોટાભાગના ઉમેદવારોને ફરીથી ટિકિટ મળતી નથી હોતી. ત્યારે હોદ્દેદારો રહી ચૂકેલા એવા કોર્પોરેટરોની વાત કરીએ તો શાહીબાગ વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ મેયર પ્રતિભા જૈન, ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર જતીન પટેલ, મણીનગર વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ દંડક શીતલ ડાગાની ત્રણ ટર્મ થઈ ચૂકી હોવાના કારણે તેઓ ફરીથી ચૂંટણી લડી શકે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. રોડ બિલ્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન અને નારણપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર જયેશ પટેલને ત્રણ ટર્મ થઈ ચૂકી હોવાના કારણે ફરીથી ચૂંટણી લડી શકશે નહીં. ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ દંડક અરુણસિંહ રાજપૂત પણ ત્રણ ટર્મ થઈ ચૂકી હોવાના કારણે તેઓને ફરીથી ટિકિટ મળે તેવી શક્યતા ઓછી છે. સૈજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર અને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન મહાદેવ દેસાઈ પણ ત્રણ ટર્મ પૂરી થઈ ચૂકી હોવાના કારણે ફરીથી ચૂંટણી લડી શકશે નહીં. જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયર અને નારણપુરા વોર્ડના કોર્પોરેટર ગીતાબેન પટેલ પણ ત્રણ ટર્મ થઈ ચૂકી હોવાના કારણે ચૂંટણી લડી શકશે નહીં. અનામત રોટેશનના કારણે પણ ઘણા બધા કોર્પોરેટરો ચૂંટણી નહીં લડી શકે અથવા તો પાર્ટી અન્ય વોર્ડમાંથી ચૂંટણી લડાવી શકે.ઘાટલોડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર પ્રવીણ પટેલને શહેર ભાજપમાં ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે જેના કારણે તેઓને ફરીથી ચૂંટણી લડવા મળે એવી શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. વર્તમાન બોડીમાંથી ભાજપના અનેક કોર્પોરેટરો રિપિટ થઈ શકેભાજપમાં ઘણા બધા પાસાઓ ઉપર ફરીથી ટિકિટ આપવામાં આવી શકે છે ત્યારે તેમાંના કારણોની વાત કરીએ તો રાજકીય લોબિંગ અને તેમની સારી કામગીરીની નોંધ લેવાય, સિનિયર કોર્પોરેટરો જેમની હવે આગામી ટર્મમાં ખૂબ જ જરૂરિયાત પડી શકે એવા નેતાઓ, ભાજપમાં સક્રિય અને મૂળ વિચારધારા ધરાવનારા એવા ભાજપના નેતાઓને ફરીથી ટિકિટ મળી શકે છે.ભાજપમાં ફરીથી રિપીટ થવાની શક્યતાની વાત કરીએ તો પાલડી વોર્ડના પ્રીતિશ મહેતા, સરખેજ વોર્ડના જયેશ ત્રિવેદી, રાણીપ વોર્ડના વિરલ વ્યાસ, બોડકદેવ વોર્ડના દેવાંગ દાણી, બાપુનગર વોર્ડના પ્રકાશ ગુર્જર, ખાડિયા વોર્ડના પંકજ ભટ્ટ, વાસણા વોર્ડના મેહુલ શાહ, ખોખરા વોર્ડના કમલેશ પટેલ સહિતના નેતાઓ તેમની કામગીરી અને ભાજપના ક્રાઇટ એરિયામાં યોગ્ય હોવાને લઈને ફરીથી રીપિટ થઈ શકે છે. અનામતના નવા રોટેશનના કારણે અનેક કોર્પોરેટરોના આપોઆપ પત્તા કપાઈ જશે27 ટકા OBC અનામતના નવા રોટેશનના કારણે 20થી વધારે કોર્પોરેટરો પોતાની સીટ ગુમાવી શકે છે ત્યારે અનામત રોટેશન અને નિષ્ક્રિય કામગીરીના કારણે પણ ઘણા બધા કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. જેમાં પહેલી જ ટર્મ હોય એવા કોર્પોરેટરોની ટિકિટ પણ કપાઈ શકે છે. ખોખરા વોર્ડના કોર્પોરેટર ચેતન પરમાર, રામોલ-હાથીજણ વોર્ડના સિદ્ધાર્થ પરમાર બંને ખૂબ વિવાદમાં આવ્યા હતા જેને લઈને હવે તેમને ફરીથી રિપીટ કરવામાં આવે તેવી શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. ચાંદખેડા વોર્ડમાં ભાજપના ત્રણ કોર્પોરેટર છે, જેઓને પાર્ટી રિપિટ કરે તેવી શક્યતા ઓછી છે. સરસપુર-રખીયાલ વોર્ડમાં બે કોર્પોરેટરોમાં ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા દિનેશ કુશવાહ અને ભાસ્કર ભટ્ટ ઉપ-પ્રમુખ બની ગયા હોવાના કારણે તેમને ફરીથી રિપિટ કરાશે નહીં. બે મહિલા કોર્પોરેટરોને પણ ફરીથી ટિકિટ મળવાની શક્યતા નથી જેના કારણે સરસપુરમાં પણ આખી પેનલ ઉતારવામાં આવે તેવી શક્યતા છે. શાહીબાગ વોર્ડમાં બંને મહિલા ઉમેદવારો બદલાશેશાહીબાગ વોર્ડમાં મહિલા ઉમેદવારોમાં એક અનુસૂચિત જાતિ અને એક સામાન્ય બેઠક જાહેર કરવામાં આવી છે. જ્યારે પુરુષ ઉમેદવારમાં પછાત વર્ગ અને સામાન્ય માટે બેઠક જાહેર કરવામાં આવી હોવાના કારણે શાહીબાગ વોર્ડમાં નવા અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર આવશે. જોકે મેયર પ્રતિભા જૈનનની 3 ટર્મ થઈ ગઈ હોવાના કારણે તેઓ પણ ચૂંટણી નહિ લડે જેથી બંને નવા મહિલા ઉમેદવાર આવશે.જ્યારે જશુભાઈ ચૌહાણને મહામંત્રી બનાવાયા હોય તેઓ પણ રિપિટ નહીં થાય.જ્યારે ભરત પટેલ પણ સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડ્યા હોવાથી તેમને પણ રિપિટ કરવામાં આવી શકે છે. અહીં ત્રણ ઉમેદવારો બદલાઈ શકે છે. પાલડીમાં જૈનિક વકીલના સ્થાને નવો ચહેરો આવશેજૈન સમાજ (વણિક)નું પ્રભુત્વ ધરાવતી પાલડી બેઠકમાં પણ બે મહિલા ઉમેદવાર સામાન્ય અને એક પછાત વર્ગ તેમજ એક સામાન્ય પુરુષ ઉમેદવાર હોવાના કારણે જૈનિક વકીલ અને પ્રીતિશ મહેતા બંનેમાંથી એક ઉમેદવારે પોતાના સીટ ગુમાવી પડે તેવી સ્થિતિ છે. કારણ કે નવા ઓબીસી ઉમેદવાર આવવાના કારણે બેમાંથી એક ઉમેદવારે પોતાની સીટ છોડવી પડશે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટને રિપિટ કરવા હોય તો વોર્ડ બદલવો પડશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા હિતેશ બારોટના થલતેજ વોર્ડમાં મહિલા બેઠક પર પછાત વર્ગ અને પુરુષ ઉમેદવારમાં અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક ફાળવી હોવાના કારણે તેમને પણ બેઠક ખાલી કરવી પડશે અને. પછાત વર્ગના ઉમેદવાર તરીકે હિતેશ બારોટને બોડકદેવ અથવા જોધપુર વોર્ડમાં પુરુષમાં સામાન્ય બેઠક પરથી લડાવવામાં આવી શકે છે. બંને મહિલા ઉમેદવારમાં પણ બદલાવવામાં આવી શકે છે. નવા વાડજ વોર્ડનવા વાડજ વોર્ડમાં મહિલા અનુસૂચિત જાતિના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા લલીતાબેન મકવાણાની ટિકિટ કપાશે હવે સામાન્ય મહિલા અને પછાત વર્ગ મહિલા અનામત આવી હોવાના કારણે બંને નવા મહિલા ઉમેદવાર મૂકવા પડશે. બંને પુરુષ ઉમેદવાર પણ સામાન્ય બેઠક ફાળવી હોવાના કારણે ભાજપના ચાલુ કોર્પોરેટર વિજય પંચાલને પણ બેઠક છોડવી પડે તેવી સ્થિતિ છે. વિજય પંચાલને સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં પછાત વર્ગ અનામત હોવાથી ત્યાંથી લડાવવામાં આવી શકે છે. સાબરમતી વોર્ડભાજપના ગઢ ગણાતા એવા સાબરમતી વોર્ડમાં ગત ટર્મમાં અનુસૂચિત આદિજાતિ (ST) પુરુષ ઉમેદવાર બેઠક અનામત હતી જે હવે દૂર થઈ ગઈ છે અને પછાત વર્ગ અનામત બેઠક હોવાના કારણે રમેશભાઈ રાણા ફરી સાબરમતી બેઠક પરથી ચૂંટણી લડી શકશે નહીં. અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર તરીકે બેઠક અનામત હોવાના કારણે પછાત વર્ગના હિરલબેન ભાવસાર જેઓ સામાન્ય બેઠક પરથી લડ્યા હતા જેથી તેઓને હવે બેઠક છોડવી પડે તેવી સ્થિતિ છે. જોકે સામાન્ય બેઠક પરથી તેઓ ફરીથી ચૂંટણી લડી શકે છે. જોકે સામાન્ય સ્ત્રી તરીકે એક બેઠક ફાળવી હોવાના કારણે ત્યાં ફરીથી ચૂંટણી લડાવી શકાશે નહીં અને અનુસૂચિત જાતિના નવા ઉમેદવાર આવશે. ભાઈપુરા-હાટકેશ્વરઅમદાવાદના શાસક પક્ષ ભાજપના નેતા અને ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિની બેઠક પર સીધી અસર થઈ છે. નવા અનામત ફાળવણી મુજબ અનુસુચિત જાતિના પુરુષ ઉમેદવાર અને સામાન્ય પુરુષ ઉમેદવાર હોવાના કારણે હવે ગૌરાંગ પ્રજાપતિને તેમની સીટ બદલવી પડશે.જો કે, તેઓને OBC મોરચાના પ્રમુખ બનાવાયા હોય ફરી ટિકિટ મળે તેવી શક્યતા ઓછી છે. ખોખરા વોર્ડમાંથી અનુસૂચિત જાતિની અનામત દૂર થઈ હોવાના કારણે ચેતન પરમાર હવે ત્યાંથી લડી શકશે નહીં. સરદારનગર વોર્ડએકમાત્ર સિંધી સમાજની સૌથી વધારે સંખ્યા ધરાવનારા સરદારનગર વોર્ડમાં અનુસૂચિત મહિલા બેઠક અનામત દૂર થઈ ગઈ હોવાના કારણે ભાજપના ચાલુ કોર્પોરેટર મિત્તલ મકવાણા ફરીથી રિપીટ થશે નહીં. બાકીની ત્રણ સામાન્ય હોવાના કારણે સિંધી સમાજના જ ત્રણેય ઉમેદવાર ફરીથી લડાવવામાં આવી શકે છે. જેમાં ત્રણેય કોર્પોરેટરમાંથી ભાજપ માત્ર એક જ યુવા કોર્પોરેટર સન્નીખાન ખાનચંદાણીને રીપીટ કરે તેવી શક્યતા છે. નરોડા વોર્ડમાં અનુસુચિત જાતિ પુરુષ ઉમેદવારની બેઠક દૂર થઈ ગઈ હોવાથી કોર્પોરેટર રાજેન્દ્ર સોલંકીને ફરી ટિકિટ મળશે નહીં. નવા પછાત વર્ગના પુરુષ ઉમેદવાર લડાવવામાં આવશે. જ્યારે બે મહિલા ઉમેદવાર સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કુબેરનગર વોર્ડકોંગ્રેસ અને એનસીપીના ગઠબંધન ઉપર લડવામાં આવતી કુબેરનગર વોર્ડની ચારે બેઠકમાં મહિલા અનુસૂચિત જાતિની બેઠક દૂર થઈ ગઈ હોવાના કારણે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર ફરીથી ચૂંટણી લડી શકશે નહીં. બે પછાત વર્ગ મહિલા અને બે સામાન્ય પુરુષ માટે બેઠક ફાળવી હોવાના પગલે ભાજપને ઓબીસીના નવા ઉમેદવાર મુકવા પડશે જ્યારે ગીતાબા ચાવડાને ફરીથી રીપીટ કરવામાં આવી શકે છે. નિકુલસિંહ તોમર આ બેઠક પરથી એનસીપીમાંથી ફરીથી સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. અસારવા વોર્ડરાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મતવિસ્તારમાં આવતા અસારવા બેઠકમાં બે મહિલા ઉમેદવાર સામાન્ય વર્ગને ફાળવવામાં આવી છે જેથી આ બેઠક ઉપર પટણી સમાજનું પણ પ્રભુત્વ હોવાના કારણે એક પટણી સમાજના મહિલા ઉમેદવારને સામાન્ય બેઠક પરથી અથવા પછાત વર્ગ પુરુષ ઉમેદવાર લડાવવામાં આવી શકે છે. શાહપુર વોર્ડમુસ્લિમ સમાજનું પ્રભુત્વ ધરાવતી એવી શાહપુર વોર્ડની બેઠકમાં અનુસૂચિત જાતિ પુરુષની અનામત બેઠક દૂર થઈ ગઈ હોવાથી ગત ટર્મમાં અનુસૂચિત જાતિની બેઠક પરથી જીતેલા પ્રતાપ આગજા ફરી લડી શકશે નહીં. એક પુરુષ અને એક મહિલામાં OBC અનામત આવી હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસ આ બેઠક ઉપર નવા જ ઉમેદવાર મૂકી શકે છે. બેમાંથી એક મહિલા ઉમેદવાર રીપીટ થઈ શકે છે અથવા બંનેમાં નવા ઉમેદવાર મુકાઈ શકે છે. આવી જ દરીયાપુર વોર્ડમાં મહિલા અનુસૂચિત જાતિ બેઠક દૂર થઈ ગઈ હોવાના કારણે કોંગ્રેસના કોર્પોરેટર માધુરી કલાપી અનુસૂચિત જાતિની બેઠક પરથી લડી શકશે નહીં જોકે સામાન્ય બેઠક પરથી તેઓને જો ટિકિટ આપવામાં આવે તો ફરીથી લડી શકે છે. બે સામાન્ય પુરુષ ઉમેદવાર હોવાના કારણે પણ ભાજપ વોર્ડમાં પેનલ જીતવા મજબૂત ઉમેદવાર ઉતારી શકે છે. અમરાઈવાડી વોર્ડઅમરાઈવાડી વોર્ડમાં પુરુષ ઉમેદવારમાં અનુસૂચિત જાતિ બેઠક અનામત આવી હોવાના કારણે કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર જગદીશ રાઠોડ માટે બેઠક ફાઇનલ થઈ ગઈ છે. અનુસૂચિત જાતિની બેઠક હોવાના કારણે હવે તેઓ ફરીથી આ જ બેઠક પર ચૂંટણી લડશે. જોકે ભાજપના સીટીંગ કોર્પોરેટર ઓમ પ્રકાશ બાગડી ફરીથી ભાજપની બેઠક પરથી લડી નહીં શકે. કારણ કે અમરાઈવાડીમાં એક પાટીદાર કોર્પોરેટર મૂકવામાં આવી શકે છે જેના કારણે સામાન્ય બેઠક પરથી તેઓ લડી શકશે નહીં. જ્યારે વસ્ત્રાલ વોર્ડમાં અનુસૂચિત જાતિ મહિલા બેઠક અનામત આવી છે અને પુરુષ ઓબીસી બેઠક અનામત આવી હોવાના કારણે ભાજપના હાલના બંને સીટિંગ કોર્પોરેટર જે સામાન્ય બેઠક પરથી જીત્યા છે તેઓ માંથી અનિરુદ્ધસિંહ ઝાલા ફરીથી રિપીટ કરાશે નહીં કારણકે વસ્ત્રાલ પાટીદાર ગઢ ગણાતો હોવાના કારણે એક પાટીદાર ઉમેદવાર ભાજપ સામાન્ય બેઠક પર લડાવશે. ચાંદખેડા વોર્ડભાજપ અને કોંગ્રેસ બંને માટે સૌથી ચર્ચાસ્પદ અને ઉમેદવારોની એવી ચાંદખેડા વોર્ડની 4 બેઠક છે. વર્ષ 2021ના અનામત મુજબ ચાંદખેડા વોર્ડ નંબર ત્રણમાં બે સામાન્ય સ્ત્રી અને એક સામાન્ય પુરુષ તેમજ પછાત વર્ગને સીટ ફાળવવામાં આવી હતી. જે ચૂંટણીમાં પછાત વર્ગના ઉમેદવાર તરીકે ભાજપમાંથી રાકેશ બ્રહ્મભટ્ટ અને સામાન્યમાં અરુણસિંહ રાજપૂત ચૂંટાઈને આવ્યા છે જ્યારે મહિલામાં ભાજપમાંથી સામાન્ય વર્ગમાં રીટાબેન પટેલ અને અનુસૂચિત જાતિના રાજશ્રીબેન કેસરી પણ સામાન્ય બેઠક પરથી જ લડ્યા અને વિજેતા બન્યા હતા. જોકે વર્ષ 2025ની ચુંટણીમાં અનામત બેઠક ફાળવણી મુજબ હવે ચાંદખેડા વોર્ડમાં અનુસુચિત આદિજાતિ (ST) મહિલા અનામત ફાળવવામાં આવી છે જેથી હવે ST મહિલા ઉમેદવાર નવા મૂકવામાં આવશે જ્યારે પુરુષમાં અનુસૂચિત જાતિ માટે પણ અનામત રાખી હોવાના કારણે ત્યાં નવા ઉમેદવાર મૂકવામાં આવશે. ચાંદખેડા વોર્ડમાં સૌથી વધારે અનુસૂચિત જાતિ, હિન્દી ભાષી, પટેલ અને અલગ અલગ જાતિના લોકો રહેતા હોવાના કારણે આ સીટ ઉપર ST અને SC બંને હવે ઉમેદવાર મૂકવામાં આવ્યા છે. માત્ર બે વોર્ડની બેઠકોમાં જ કોઈ ફેરફાર ન થયોરાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે જેમાં માત્ર બે બેઠક એવી છે જેમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. સાબરમતી વિધાનસભામાં આવતા રાણીપ વોર્ડમાં અને બાપુનગર વિધાનસભામાં આવતા બાપુનગર વોર્ડમાં વર્ષ 2021માં જે અનામત બેઠકો હતી તે મુજબ અનામત બેઠકો રાખવામાં આવી છે તેમાં કોઈપણ ફેરફાર થયો નથી. એક પછાત વર્ગ અને સામાન્ય મહિલા અને બે સામાન્ય પુરુષની બેઠક હતી જે યથાવત રાખવામાં આવી છે. કોંગ્રેસ-AIMIMમાં પણ ફેરફાર થઈ શકેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને AIMIM પાર્ટીના નેતાઓના કોર્પોરેટરો પણ છે ત્યારે વિપક્ષ કોંગ્રેસમાં 24 કોર્પોરેટરો છે. વિપક્ષ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ખૂબ જ છે. જોકે વિપક્ષ કોંગ્રેસના નેતા શહેજાદ ખાન પઠાણ ફરીથી રિપિટ કરવામાં આવી શકે છે. શહેજાદખાન પઠાણ દ્વારા અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ફરીથી પોતે રિપીટ હશે એવા આશાવાદ સાથે હમ સબ કા યહી હે નારા શહેઝાદ ખાન આયે દોબારા સ્લોગનથી ચૂંટણી પ્રચાર ચૂંટણીની શરૂઆત પણ કરી દીધી છે. દાણીલીમડા વોર્ડમાં શહેજાદ ખાન પઠાણની સાથે સલીમ સાબુવાલા અને રમીલાબેન ફરીથી રીપીટ થઈ શકે છે. શહેજાદ ખાન પઠાણ સાથે વિવાદમાં આવેલા સાથી કોર્પોરેટર જમનાબેન વેગડા ફરીથી રિપીટ થશે નહીં અને કોંગ્રેસમાંથી પણ ચૂંટણી લડશે નહીં. ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને મજબૂત મહિલાનેતા એવા રાજશ્રી કેસરી પણ ફરીથી ચાંદખેડા વોર્ડમાં પોતાના દમ પર ટિકિટ લાવીને ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસના કોર્પોરેટરોમાં બહેરામપુરા વોર્ડમાં કમળાબેન પરમાર છેલ્લા પાંચ વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર તેમને ટિકિટ મળવાની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાંથી એકમાત્ર ચૂંટાઈને આવેલા પદ્માબેન બારોટ પણ ફરીથી રિપીટ થાય તેવી શક્યતા નથી. દરિયાપુર વોર્ડમાં ચારેય કોર્પોરેટર કોંગ્રેસના છે જેમાં ઉપનેતા નીરવ બક્ષી જેઓ કોંગ્રેસના સિનિયર નેતા સુરેન્દ્રનગર બક્ષીના પુત્ર છે તેઓ પોતાની ફરીથી ટિકિટ મેળવવા માટે કોંગ્રેસમાં લોબિંગ કરી શકે છે. દરિયાપુર વોર્ડના માધુરી કલાપી અને સમીરા શેખ માંથી એકમાત્ર સમીરા શેખ ફરીથી રિપીટ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ઈમ્તિયાઝ શેખની પણ આ વખતે ટિકિટ કપાવાની શક્યતા છે.. અનામત રોટેશનના કારણે પણ કોંગ્રેસ અને AIMIM પાર્ટીના નેતાઓની પણ ટિકિટ કપાઈ શકે છે અને નવા ચહેરાઓ ફરીથી જોવા મળી શકે છે જમાલપુર વોર્ડમાં AIMIM પાર્ટીના ચારેય કોર્પોરેટરની નિષ્ક્રિય કામગીરીના કારણે કોંગ્રેસના જો મજબૂત ઉમેદવાર ઉભા રાખવામાં આવે તો ફરીથી કોંગ્રેસ જમાલપુરમાં પેનલ જીતી શકે છે.
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ હોય કે છેલ્લા 4 વર્ષથી ચાલતું રશિયા-યુક્રેનનું યુદ્ધ હોય જ્યારે પણ વિશ્વમાં અસ્થિરતા ફેલાય છે ત્યારે તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને તેના શેરબજારના પોર્ટફોલિયો પર પડે છે. હાલમાં વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે ક્રૂડ ઓઇલના ભાવ 72 ડોલરથી સીધા 120 ડોલરે પહોંચી ગયા છે. આ બળતા ભાવે ભારતીય શેરબજારમાં ભૂકંપ સર્જ્યો છે. માર્કેટ 15થી 20% સુધી ગગડ્યું છે. અનેક દિગ્ગજ બ્લૂ-ચિપ કંપનીઓ પોતાના ઓલ-ટાઇમ હાઇથી 20થી 60% જેટલી નીચે આવી ગઇ છે. જો અભ્યાસ કર્યા વગર શેર બજારમાં રોકાણ કરવામાં આવે તો સ્ટોકનું વેચાણ કર્યા વગર બીજો કોઇ વિકલ્પ રહેતો નથી. તેમાં પણ 2020 પછી જેટલા લોકોએ શેરબજારમાં રોકાણ કર્યું તેમાં ઘણા યંગસ્ટર્સ સટ્ટાકીય પ્રવૃત્તિ તરફ આકર્ષાયા છે. તેઓ કોલ અને પુટ કરી રહ્યાં છે. તેમાં વધારે એક્ટિવ રહેવાના કારણે સમય જતાં રૂપિયા ખોવાનો વારો આવે છે. આવી ડર અને અસમંજસભરી સ્થિતિમાં શું અત્યારે શેર વેચીને નીકળી જવું જોઇએ કે પછી યુદ્ધનો સમયગાળો ખરીદી કરવાનો શ્રેષ્ઠ સમય છે? શું હજી પણ સોનુ સેફ હેવન માની શકાય? રોકાણકારોના મનમાં ચાલી રહેલાં આવા જ સવાલોના જવાબ મેળવવા માટે દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટર પોઇન્ટના ફાઉન્ડર અને માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચૂડાસમા અને આપકા ઇન્વેસ્ટમેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર હિતેશ સોમાણી સાથે વાતચીત કરી હતી. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે તેઓ શું કહી રહ્યાં છે. સોના ચાંદીની ચાલ 100 વર્ષમાં પહેલીવાર નિરાશાજનકયુદ્ધની પરિસ્થિતિમાં પણ છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં સેફ હેવન તરીકે રોકાણકારો અત્યાર સુધી સોના અને ચાંદી તરફ પ્રેરાતા હતા પણ ઘણાં વર્ષો પછી એવું બન્યું છે કે યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યાં છે. હવે સોના ચાંદીને પણ સેફ હેવન તરીકે ન ગણી શકાય તેવી સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીની જે ચાલ છે તે રોકાણકારો માટે ખૂબ જ નિરાશ કરનારી છે. આવી પરિસ્થિતિ ભારતના 100 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર જોવા મળી છે. 'ભારતને યુદ્ધની પરિસ્થિતિમાં મોટી અસર થઇ છે'જયદેવસિંહ ચૂડાસમા આ યુદ્ધની પરિસ્થિતિને વિશ્વભરના તમામ દેશ માટે ખૂબ જ કટોકટીભરી ગણાવે છે. તેઓ કહે છે કે, આ સ્થિતિમાં સૌથી વધારે ઇફેક્ટ એશિયન દેશો અને સાઉથ એશિયન દેશોને થઇ છે. જો ભારતની વાત કરીએ તો ભારતને આ યુદ્ધની પરિસ્થિતિમાં ખૂબ જ મોટી અસર થતી જોવા મળી રહી છે કેમ કે ભારતના 80% ઊર્જા સ્ત્રોતો ખાડી દેશો પર ડિપેન્ડન્ટ છે. ભારતીય અર્થવ્યવસ્થા માટે આ ખૂબ જ ચેલેન્જિંગ સમય ગણી શકાય. 'ઇકોનોમી પર પણ ખૂબ જ પ્રભાવ પડ્યો છે'હિતેશ સોમાણીના કહેવા જ્યારે પણ કોઇ ગ્લોબલ વોરની પરિસ્થતિ સર્જાય છે ત્યારે માત્ર ભારત જ નહીં પણ ગ્લોબલ માર્કેટ નબળા પડતાં હોય છે. ભારતના માર્કેટની સાથે સાથે ગ્લોબલ માર્કેટ પણ એટલું જ ડાઉન જઇ રહ્યું છે. હાલમાં યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાઇ છે તે આટલી બધી એક્સપેક્ટેડ નહોતી. આ યુદ્ધ ઘણું લાંબુ ચાલી રહ્યું છે. આ વોરથી ઘણાં દેશોને મોટું નુકસાન પણ થયું છે. મિડલ ઇસ્ટની ઘણી રિફાઇનરીઓ પર હુમલો થયો છે. આવા સંજોગોમાં ઇકોનોમી ઉપર પણ ખૂબ જ પ્રભાવ પડ્યો છે. જેના કારણે GDPના ગ્રોથ રેટમાં પણ અસર દેખાય છે. 'આ ભાવ પણ ઝડપથી નીચે આવી જશે'તેઓ આગળ કહે છે કે, હાલમાં બધી જગ્યાએ ક્રૂડ ઓઇલની ચર્ચા ચાલી રહી છે અને તે ખૂબ ડિમાન્ડમાં છે પણ તેમાં ઇન્વેસ્ટ કરવું હિતાવહ નથી. કેમ કે તેના ભાવમાં અત્યારે જે ઉછાળો આવ્યો છે તે ફક્ત યુદ્ધના કારણે જ છે. જો યુદ્ધ પૂર્ણ થશે અને પરિસ્થિતિ ફરી પહેલાં જેવી થઇ જશે ત્યારે આ ભાવ પણ એટલી જ ઝડપથી નીચે આવી જશે. સિઝ ફાયરના સમાચાર આવવાથી અચાનક જ ક્રૂડ ઓઇલના ભાવ નીચે આવ્યાં હતા. ભારતીય શેર બજાર અંગે જયદેવસિંહ ચૂડાસમાએ કહ્યું, યુદ્ધની શરૂઆત થઇ ત્યાં સુધી ભારતીય શેર બજાર પ્રમાણમાં અટકેલું હતું પણ યુદ્ધ પછી ભારતીય શેર બજાર વધુ 15થી 20% ડાઉન થયું હતું. જ્યારે સ્ટોક સ્પેસિફિક ડેમેજ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. BSC500ની 75% કંપનીઓના જે ભાવ છે તે તેના લાઇફટાઇમ ઉત્તમ સ્તર કરતાં લગભગ 20થી 60% સુધી ઘટી ચૂક્યાં છે. રોકાણકારોના પોર્ટફોલિયો પણ વધારે ડેમેજ થયા હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય શેર બજાર સેન્સેક્સ અને નિફ્ટીની દ્રષ્ટ્રીએ તેના સ્તર કરતાં 15થી 20% નીચે ચાલી રહ્યાં છે. જો હજી અહીંથી બજાર 5થી 10% ઘટે તો તેની અસર આવી શકે છે. ‘યુદ્ધ ચાલતું હોવા છતાં ભારતીય શેર બજાર ખૂબ જ સ્ટ્રોંગ રીતે ઊભું છે'તેમના કહેવા મુજબ હાલમાં નિફ્ટી અને સેન્સેક્સ પોતાના ઓલટાઇમ લો કરતાં પણ નીચે ગગડી ગયા છે. યુદ્ધની પરિસ્થિતિમાં ઘણીવાર માર્કેટમાં 40થી 50%નો ફોલ જોવા મળતો હોય છે. જો ભારતીય સ્ટોક માર્કેટની વાત કરવામાં આવે તો હાલમાં દરેક ખરાબ ન્યૂઝ ભારતીય શેર માર્કેટ માટે પોઝિટિવ બની રહ્યાં છે. ઇરાન યુદ્ધ ચાલતું હોવા છતાં ભારતીય શેર બજાર ખૂબ જ સ્ટ્રોંગ રીતે ઊભું છે. જે ભારતીય ઇકોનોમી માટે લોંગ ટર્મ સ્ટોરી બનશે. સોમાણીએ વધુમાં કહ્યું કે, પોર્ટફોલિયોનો અર્થ એ પણ છે કે ગ્રુપ ઓફ સ્ટોક જ નહીં પણ ગ્રુપ ઓફ અસેસ્ટ પણ હોવું જોઇએ. જ્યારે પોર્ટફોલિયો બનાવીએ છીએ ત્યારે તેમાં ઇક્વિટીનો પણ હિસ્સો હોય છે. ગોલ્ડ, સિલ્વરના બોન્ડ્સનો પણ હિસ્સો હોય છે એટલે જ્યારે એક અસેટ ક્લાસ પર્ફોમન્સ ન આપી શકે ત્યારે બીજું ઓવરકમ કરે છે. પાછલા વર્ષોની હિસ્ટ્રી જોઇએ તો કંઇ ખાસ રિટર્ન નથી મળ્યું પણ જો તમારી પાસે કોમોડિટીના એટીએફ્સ એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ હોય કે પછી ગોલ્ડ એટીએફ્સ હોય અને તે સારું પ્રદર્શન કરે તો તમારો પોર્ટફોલિયો ગેઇન કરે છે. આવી સ્થિતિ વચ્ચે એક્સપર્ટસ રોકાણકારોને કેટલીક સલાહ આપે છે. જયદેવસિંહ ચુડાસમા કહે છે કે તમે જ્યારે પણ રોકાણ કરો તો તેની વહેલી શરૂઆત કરી દો. જેમાં પણ રોકાણ કરો તેમાં નિયમિતતા જાળવો. રોકાણોની યોગ્ય વિકલ્પોમાં સારી રીતે વહેંચણી કરો. જો રોકાણકારો આ 3 નિયમોનું કડક પાલન કરે તો તેમને સારું પરિણામ મળશે જ. હંમેશા ભૂતકાળમાં મળેલા સારા પરિણામોને જોઇને એક જ સેગ્મેન્ટમાં પૂરેપૂરી મૂડી રોકો તે યોગ્ય નથી. 'તમારું રોકાણ એક બંચમાં અને એક પોર્ટફોલિયોમાં થવું જોઇએ'હિતેશ સોમાણી ઇન્વેસ્ટર્સને સલાહ આપતા કહે છે કે, હાલમાં હાય ઓન ટિપ્સનો સમય છે. જેટલું માર્કેટ તૂટે એટલું જ તમે માર્કેટમાં ઇન્વેસ્ટ કરતાં રહો. સ્ટોક સ્પેસિફિક રહેવાની જગ્યાએ તમે માર્કેટમાં પૈસા લગાવો કેમ કે જ્યારે ઇકોનોમી ગ્રો થવાનું શરૂ થશે ત્યારે તેની સેન્સેક્સ ઉપર ખૂબ જ પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. તમારું રોકાણ એક બંચમાં અને એક પોર્ટફોલિયોમાં થવું જોઇએ જેથી આવનારા દિવસોમાં તેની પોઝિટિવ ઇફેક્ટ જોવા મળશે. બીજીતરફ રોકાણકારે પોતાનો બાય ઓન ડિપનો એક્શન પ્લાન પણ બનાવવો જોઇએ. જેથી તે નિફ્ટીના બીઝ, ગોલ્ડ બીઝ ખરીદી શકે. નિફ્ટીમાં દર હજારના કડાકે ઇન્વેસ્ટ કરો અને તેને એવરેજ આઉટ કરો જેથી જ્યારે તે ગ્રો કરશે ત્યારે તમને સારો પ્રોફિટ મળશે. જયદેવસિંહ ચૂડાસમા માને છે કે માર્કેટમાં દરેક ઘટાડો ફક્ત કામચલાઉ જ હોય છે.તેમના મતે, આવી પરિસ્થિતિમાં રોકાણકારોએ માઇન્ડસેટ સાથે જ રોકાણ કરવું જોઇએ. જેથી જો કોઇ કરેક્શન આવે તો વધારે દુઃખી ન થવાય. જો કોઇ પાસે 100 રૂપિયા હોય તો તેણે ટૂકડે ટૂકડે ખરીદવાની યોજના બનાવવી જોઇએ. છેલ્લા 3થી 4 દાયકાની વાત કરીએ તો આ વખતે એવું પ્રથમ વખત નથી કે ટોપ લેવલથી સારો એવો ઘટાડો આવ્યો હોય. થોડા સમય પહેલાં પણ વૈશ્વિક અસ્થિરતાની અસર થઇ હતી પણ દરેક ઘટાડો સમય જતાં એવું સાબિત કરે છે કે તે ફક્ત કામચલાઉ જ હતો. 'હાલમાં ન્યૂઝ બેઝ્ડ માર્કેટ ચાલી રહ્યું છે'હિતેશ સોમાણીએ ભારતીય શેર બજાર ગ્લોબલ લેવલે કેટલું મહત્વ ધરાવે છે તેનો કિસ્સો કહ્યો.તેમણે જણાવ્યું કે, હું મારા અનુભવ, રિસર્ચ અને મારા ચાર્ટસના અભ્યાસના આધારે કહું તો 2026માં જ મને માર્કેટમાં સ્ટ્રોંગ બુલિશ રિટર્ન જોવા મળી રહ્યું છે પણ આ વોરનો સમય છે. જેથી કોઇના હાથમાં કોઇ પરિસ્થિતિ નથી હોતી. બીજીતરફ ટ્રમ્પ શું નિર્ણય લેશે તે પણ નક્કી નથી. હાલમાં ન્યૂઝ બેઝ્ડ માર્કેટ ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલાંની વાત કરીએ તો બપોરે 3:30 વાગ્યે ભારતીય સ્ટોક માર્કેટ બંધ થયું ત્યારે નિફ્ટી માઇનસ 600 પોઇન્ટ પર બંધ થઇ હતી. આ સમયે અચાનક એક નેતાની પોસ્ટ આવે છે. જેમાં તે કહે છે કે હવે સિઝફાયર છે. ભારતીય સ્ટોક માર્કેટ બંધ થયા પછી આ ન્યૂઝનું ડિક્લેર થવું અને બીજા જ દિવસે 700 થી 800 પોઇન્ટનો ગેપઅપ થવો એ ક્યાંકને ક્યાંક બતાવે છે કે ભારતીય માર્કેટ કેટલી વેલ્યુ ધરાવે છે. (નોંધ-શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. ઉપર જણાવેલા મંતવ્યો એક્સપર્ટના અંગત વિચારો છે. રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જોઇએ.)
સાસણમાં મુક્ત ફરતા સિંહ ઉપરાંત આંબરડી અને દેવળિયા સફારી પાર્કમાં પણ વિહરતા સિંહ જોનારા મુલાકાતીઓની સંખ્યા લાખોમાં હોય છે. આ બધા સફારી પાર્ક શહેરી વિસ્તારથી દૂર હોય છે, પણ રાજકોટમાં શહેરી વિસ્તારમાં અને મહાનગરપાલિકા દ્વારા લાયન સફારી પાર્ક બનાવી રહી છે જેનું કામ હવે પૂર્ણતાને આરે છે. રાજકોટ મનપા ગુજરાતની એવી પ્રથમ કોર્પોરેશન છે જે પોતાનો લાયન સફારી પાર્ક ચાલુ કરશે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આ સફારી પાર્ક લાલપરી અને રાંદરડા તળાવની વચ્ચે અને પ્રદ્યુમ્ન પાર્ક ઝૂની નજીક બની રહ્યું છે. લાલપરી તળાવને રિ-ડેવલપ કરવા માટે પણ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેથી રાજકોટમાં પણ કાંકરિયા તળાવ જેવી સુવિધા મળશે. ઝૂ, બે તળાવના ત્રિવેણી સંગમમાં સફારી પાર્ક ભળશે એટલે રાજકોટને અટલ સરોવર બાદ નવું નજરાણું મળશે જ્યાં લોકો પોતાનો આખો દિવસ ગાળી શકશે. સવારે સફારી, બપોરે ઝૂ અને સાંજે તળાવની પાળે મોજ2026માં લાયન સફારી પાર્ક બની જશે આ સાથે જ લાલપરીમાં પણ રિ-ડેવલપમેન્ટને કારણે વિકાસ થશે. ઝૂ તો હાલ સૌથી લોકપ્રિય છે જ. આ કારણે એક જ સ્થળે લોકોને હરવા ફરવામાં આખો દિવસ નીકળી જશે. સવારના સમયે સફારી પાર્કમાં મુક્ત વિહરતા સિંહ જોશે. બપોરે ઝૂમાં અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓ જોઈ શકાશે. લાયન સફારી પાર્કમાં આ સુવિધાઓ મળશે
વકીલોને ડ્રેસ કોડમાં રાહત:રાજકોટમાં કોટ વગર પણ કોર્ટમાં હાજર રહી શકાશે
રાજકોટ સહિત રાજ્યભરના વકીલો માટે ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. પરંપરાગત રીતે કોર્ટમાં કાળો કોટ પહેરવો ફરજિયાત માનવામાં આવે છે, પરંતુ હવે ઉનાળાની ઋતુમાં આ નિયમમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વકીલોના આરોગ્યનું રક્ષણ કરવાનું તેમજ તાપમાનના વધારા વચ્ચે ન્યાયિક કાર્યને સરળ બનાવવાનું છે. સામાન્ય રીતે એડવોકેટ્સ માટે કોર્ટમાં હાજર થતી વખતે કાળો કોટ, સફેદ શર્ટ અને બેન્ડ પહેરવો ફરજિયાત હોય છે, પરંતુ ઉનાળામાં વધતા તાપમાનને કારણે ઘણા વકીલોને તકલીફનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને બપોરના સમયમાં કોર્ટમાં કામ કરતી વખતે ગરમીને કારણે થાક, ડિહાઇડ્રેશન અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હતી. આથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એક ખાસ કમિટી બનાવી રાજ્યના ચીફ જસ્ટિસ સમક્ષ ડ્રેસ કોડ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઇ તા.18-3-2009ના રોજ ગુજરાત હાઇકોર્ટ તરફથી ભારતીય બંધારણ અનુચ્છેદ 235 તથા ક્રિમિનલ મેન્યુઅલ 197 અનુસાર એક ખાસ નોટિફિકેશન બાહર પાડવામાં આવ્યું હતું જેમાં ઉનાળા દરમિયાન 1-4થી 31-7 સુધી ઉનાળાની ઋતુ દરમિયાન કોટ વગર પણ ધારાશાસ્ત્રીઓને કોર્ટમાં હાજરી આપવા મંજૂરી આપવામાં આવી છે.
શહેરના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી રાષ્ટ્રીય શાળાના પરિસરમાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. બે નેપાળી સગીર સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સંદીપ ઉર્ફે લાલાભાઇ પટેલ અને જયેશ મજેઠિયા નામના બે આરોપીઓને સકંજામાં લીધા છે. ફરિયાદ મુજબ, બન્ને સગીર છેલ્લા એક વર્ષથી રાષ્ટ્રીય શાળાના પરિસરમાં આવેલા પાણીના પ્લાન્ટમાં કામ કરતા હતા. આ દરમિયાન તેઓ આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓએ ખાવા-પીવાની લાલચ આપી સગીરોને રૂમમાં લઈ જઈ અવારનવાર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. વિરોધ કરતાં સગીરોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાથી તેઓ લાંબા સમય સુધી ડરના છાયામાં શોષણ સહન કરતા રહ્યા હતા. પોલીસે બન્ને સગીરનો મેડિકલ અને ઓસિફિકેશન ટેસ્ટ કરાવતા તેમની ઉંમર 14થી 17 વર્ષની વચ્ચે હોવાનું બહાર આવ્યું છે. પોક્સો એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરાશે. સ્ટોનકિલરના હુમલામાં બચેલો જયેશ એક સમયે ‘સાક્ષી’, હવે આરોપીજયેશ મજેઠિયાનું નામ 2016ના સ્ટોન કિલર કેસમાં મહત્ત્વના સાક્ષી તરીકે સામે આવ્યું હતું. તે સમયે સ્ટોન કિલરના ખૂની હુમલામાં બચી ગયેલા જયેશે પોલીસને મહત્ત્વની માહિતી આપી હતી, જેના આધારે આરોપી સુધી પહોંચવામાં મદદ મળી હતી, પરંતુ હાલ એ જ વ્યક્તિ બે સગીર સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવા જેવા ગંભીર ગુનામાં સંડોવાયો હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની ઓળખ ભાસ્કર ઈન્સાઈડધમકીઓથી ડરાવી ચુપ કરાયા: સગીરોસગીરોએ પોલીસને જણાવ્યું કે, આરોપીઓ વારંવાર “કોઈને કહેશે તો જાનથી મારી નાખીશું” તેવી ધમકીઓ આપતા હતા. આ કારણે તેઓ લાંબા સમય સુધી શોષણ સહન કરતા રહ્યા અને કોઈને જાણ કરી શક્યા નહોતા. વીડિયો પુરાવાથી તપાસમાં મોટો વળાંકઆરોપીઓએ શોષણના કૃત્યોના વીડિયો બનાવ્યા હતા, જે હાલ પોલીસને મળી આવ્યા છે. આ વીડિયો તપાસમાં મહત્ત્વનો પુરાવો સાબિત થઈ રહ્યો છે. પોલીસે વીડિયો કબજે કરી ટેક્નિકલ તપાસ શરૂ કરી છે.
વરાછા જયભવાની સોસાયટીમાં રહેતા હિંમતભાઇ ગોયાણીને વર્ષ 2020માં તેમને રૂપિયાની જરૂર પડી હતી. ત્યારે તેમણે વરાછા યોગીચોકમાં આવેલી આર.બી.વી ફાઇનાન્સના ધીરુ ખોડા ભીમાણી અને તેના દીકરા રાકેશ અને તુષાર( નીલકંઠ હાઇટ્સ, સરથાણા જકાતનાકા) પાસે 147.07 ગ્રામ સોનાના દાગીના ગીરવે મૂકી 4 લાખ વ્યાજે લીધા હતા. ત્યાર બાદ તેમણે વર્ષ 2021 અને 2022માં બીજા ઘરેણા સહિત કુલ 684.12 ગ્રામ સોનાના ઘરેણાં ગીરવે મૂકી 16.30 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું તેઓ નિયમિત વ્યાજ ચૂકવતા હતા. એકાદ વર્ષ પૂર્વે પિતા-પુત્રો ઓફિસ બંધ કરી ફરાર થઇ ગયા હતા. હિંમતભાઇએ ફોન પર સંપર્ક કરી તેઓ રૂપિયા આપવા તૈયાર હોઇ દાગીના પરત કરવાનું કહ્યું હતું. વાયદા આપી પિતા-પુત્ર ફોન બંધ કરી દીધો હતો. જેથી હિંમતભાઇએ પિતા-પુત્રો વિરુદ્ધ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભીમાણી પિતા-પુત્રોએ આ સોનું અન્ય બેંકમાં ગીરવે મૂકી વધુ રકમ લેતા હતા.
વેપારી સાથે ઠગાઈ:ઝિમ્બાબ્વેથી 7 કરોડના કોપર સ્ક્રેપના બદલે ટોળકીએ વેપારીને ધૂળ-પથ્થર મોકલી આપ્યા
સુરતના વેપારી સાથે 4 ગઠિયાએ ઝિમ્બાબ્વેથી કોપર સ્ક્રેપ અપાવવાના બહાને 7.09 કરોડની છેતરપિંડી કર્યાના બનાવ વરાછા પોલીસમાં નોંધાયો છે. ઝિમ્બાબેમાં કોપર સ્ક્રેપ બતાવીને કન્ટેનરનું સિલ ખોલીને કોપરની જગ્યાએ પથ્થર અને ધૂળ ભરીને ભારત મોકલી આપ્યું હતું. સરથાણા રહેતા મધુર કોર્પોરેશનના નામે પેઢી ધરાવતા પ્રકાશભાઇ કથિરીયા ઝિમ્બાબ્વે માં પણ કંપની ધરાવે છે. ગાંધીધામ રહેતો સ્ક્રેપ દલાલ રોહિત યાદવ જુન 2025માં તેની ઓફિસે આવ્યો હતો અને ઝિમ્બાબ્વેમાં કોપર સ્ક્રેપનો જથ્થો વેચવાનો હોવાનું કહેતા તેઓ ઝિમ્બાબ્વે ગયા હતા. જ્યાં રોહિતે દિપક મોડ તેના ભાગીદાર દિકરા કૃણાલ મોડ (રહે, ઝિમ્બાબ્વે, મુળ જામનગર) અને ફરઝાન મિર્ઝા (મુરાદાબાદ યુપી)સાથે પરિચય કરાવ્યો હતો. સ્ક્રેપ પસંદ આવતા પ્રકાશભાઇએ 100 ટનનો ઓર્ડર આપ્યો હતો. ટોળકીએ એડવાન્સ માંગતા પ્રકાશભાઇએ તેમને.7,09 કરોડ દુબઇ ખાતે તેમના ભાઇની ઓફિસથી ટ્રાન્સફર કરાવ્યા હતા. . પ્રકાશભાઇ સુરત આવી ગયા હતા. થોડા દિવસો મુંદ્રા આવેલું કન્ટેનર ખોલતા તેમાંથી પથ્થર અને ધૂળ નીકળી હતી. અન્ય કન્ટેનરમાં પણ ધૂળ અને પથ્થર નીકળ્યા હતા. જેથી પ્રકાશભાઇ ઝિમ્બાબ્વે ગયા હતા. પ્રકાશભાઇની પત્ની ગીતાબેને ચારેય ગઠિયા સામે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ટોળકીએ પ્રકાશભાઇને ઝિમ્બાબ્વેમાં ફસાવી દીધાઉઘરાણી માટે ઝિમ્બાબ્વે આવેલા પ્રકાશભાઇને ઠગ દિપકે રુપિયા આવાનું કહ્યું હતું. દરમિયાનમાં તેમના ઘરે 200 કિલો કોપર મૂકી દીધું હતું. ઝિમ્બાબ્વેમાં કોપરના નિકાસ માટે કડક નિયમ છે. દિપકે બિલ કે પુરાવા વિના કોપર તેમના ઘરે મૂકી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે પ્રકાશભાઇની ધરપકડ કરી હતી. હાલ તે જેલ મુક્ત થયા છે પણ પાસપોર્ટ ઝિમ્બાબ્વેની પોલીસમાં જમા હોવાથી તેઓ ત્યાં જ ફસાઇ ગયા છે.
સિદ્ધિ:સુરત પોલીસના ‘ટ્રાફિક રિવોલ્યુશન’ પ્રોજેક્ટને ‘સ્કોચ પ્લેટિનમ એવોર્ડ’
ટ્રાફિક રિવોલ્યુશન એન્ડ રી-ઈવેલ્યુએશનના પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત કરવા સ્કોચ ગૃપ દ્વારા દેશના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને દિલ્હી ખાતે ‘સ્કોચ પ્લેટિનમ એવોર્ડ’ આપવામાં આવ્યો છે. સુરત ટ્રાફિક પોલીસ સંપૂર્ણપણે ડેટા-આધારિત છે. વધુમાં ટ્રાફિક પોલીસે હેલમેટનો કડક પણે અમલ માટે વાહનચાલકોને રસ્તા પર ઊભા રાખી પહેલા શાંતિથી સમજાવવાનો અભિગમ અપનાવ્યા પછી દંડ લેવાની તજવીજ શરૂ કરી હતી. હેલમેટની ડ્રાઇવમાં 25 હજાર હેલમેટનું મફત વિતરણ કરાયું હતું. હેલમેટના ફરજીયાત અમલને કારણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થવા સાથે શહેરમાં 91 ટકા લોકો હેલ્મેટ પહેરતા થયા છે. ‘ સાયલન્ટ સુરત’ અભિયાનથી બિનજરૂરી ધ્વનિ પ્રદૂષણ પર અંકુશ મેળવ્યો છે. ઉપરાંત સુરત પોલીસે ડ્રગ્સ અને સાયબર ક્રાઈમ સામે કડક કાર્યવાહી તથા સ્માર્ટ પોર્ટલ દ્વારા જનસેવા ક્ષેત્રે પણ સિદ્ધિ હાંસલ કરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીજી એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ માટે મેં ખાસ વ્યવસ્થા કરી છે. મેં તમામ અધ્યાપકોને સૂચના આપી છે કે જો વિદ્યાર્થીઓના જવાબમાં પ્રશ્નનો મૂળ હાર્દ આવી જતો હોય તો વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવે. મારો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષો જૂની ગોખણપ ટ્ટીનો અંત લાવી વિદ્યાર્થીઓની મૌલિક સમજશક્તિને પ્રોત્સાહન આપવાનો છે, જેથી વિદ્યાર્થીઓ પુસ્તકિયું જ્ઞાન બેઠું ઉતારવાને બદલે વિષયની સમજ ણ પર ધ્યાન આપી શકે. વિદ્યાર્થીઓના લખાણને સુવ્યવસ્થિત કરવા અમે નવી ઉત્તરવહી તૈયાર કરી છે, જેમાં પેજની ચારેતરફ ખાસ માર્જિન બોર્ડર રાખવામાં આવી છે. આ ફેરફારથી વિદ્યાર્થીઓનું લખાણ પેજની મર્યાદાની બહાર નહીં જાય અને પેપર ચેકિંગમાં પણ કોઈ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે માટે મેં 120 સભ્યોની ટીમ નિમી છે અને તમામ કોલેજોમાં સીસીટીવી કેમેરા ચાલુ રાખવા આદેશ આપ્યા છે. અગાઉની પેપર લીકની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પેપર બંડલ ખોલવા બાબતે ચુસ્ત નિયમો બનાવ્યા છે. અમે આ વખતે હોલ ટિકિટમાં જ ગેરરીતિ અને તેની સામે થતી સજાની કડક જોગવાઈઓ છાપી દીધી છે, જેથી હવે કોઈ પણ વિદ્યાર્થી નિયમોથી અજાણ હોવાનું બહાનું કાઢી શકશે નહીં. (મિલન માંજરાવાલા સાથે થયેલી વાતચીતના આધારે) આ બાબતોનું પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું1. પેપર આવતા જ પાંચ મિનિટ શાંતિથી વાંચીને કયો પ્રશ્નો આવડે છે, તે નક્કી કરી લેવું.2. દરેક પ્રશ્નના ગુણ મુજબ સમય ફાળવો. વધુ માર્ક્સના પ્રશ્નો માટે પૂરતો સમય રાખવો.3. નવી ઉત્તરવહીમાં બોર્ડરની અંદર જ લખવું, જેથી પેપર સુવ્યવસ્થિત અને સ્પષ્ટ દેખાશે.4. જવાબો પોઈન્ટ્સમાં જ લખવા, તપાસનારા પ્રોફેસરોને જવાબનો હાર્દ સમજાય તે માટે પેન્સિલથી અંડરલાઈન કરવી તેમજ દરેક નવો વિભાગને નવા જ પાનેથી શરૂ કરવો.5. હોલ ટિકિટની ગેરરીતિની સજાની જોગવાઈઓ પહેલેથી વાંચી લેવી, જેથી અજાણતા કોઈ ભૂલ ન થાય તથા પોતાની ઓળખ થાય તેવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તી કરવી નહીં. આ છે પરીક્ષાનું ચેકલિસ્ટવિદ્યાર્થીઓએ આટલું જ સાથે રાખવું આ રીતે પરીક્ષાની તૈયારી કરવી1. કોઈ પણ પ્રશ્નને બેઠો ગોખવાને બદલે તેના મૂળ કોન્સેપ્ટને સમજો, જેથી પરીક્ષામાં મૌલિક ભાષામાં જવાબ સરળતાથી લખાશે.2. લાંબા ફકરા વાંચવાને બદલે દરેક પ્રકરણના મુખ્ય મુદ્દાઓની યાદી બનાવો, જે છેલ્લી ઘડીએ રિવિઝનમાં ઉપયોગી થશે.3. અઘરા વિષયોને સવારના સમયે વાંચો અને સહેલા વિષયોને સાંજના સમયે વાંચવાનું આયોજન બનાવી તૈયારી કરવી.4. રોજે રોજ વાંચવા સાથે ઓછામાં ઓછું એક કલાક લખવાની પ્રેક્ટિસ કરો, જેથી પરીક્ષામાં લખવાની ઝડપ-અક્ષરો જળવાશે.5. પરીક્ષાના દિવસોમાં હળવો ખોરાક લેવો અને 7થી 8 કલાકની ઊંઘ લેવી, જેથી યાદશક્તિ અને એકાગ્રતા જળવાઈ રહેશે.6. અઘરા સૂત્રો કે તારીખો કે વ્યાખ્યા યાદ રાખવા નાના કાર્ડ્સ અથવા ચાર્ટ્સ બનાવો.
નોકરી ન્યુઝ:કેન્દ્ર સરકાર એન્થ્રોપોલોજિસ્ટની જગ્યા ભરશે, રૂ. 2 લાખ સુધીનો પગાર આપશે
UPSC દ્વારા એન્થ્રોપોલોજિસ્ટની 2 કાયમી જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે. એન્થ્રોપોલોજીમાં માસ્ટર થયેલા ઉમેદવારો 17 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. પસંદગી પામનારને રૂ. 1.77 લાખ સુધીનો પગાર મળશે. આ ગ્રુપ-A ગેઝેટેડ પોસ્ટ માટેની સુવર્ણ તક છે. ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુથી થશે. અરજીઓની સંખ્યા વધારે હશે તો જ લાયકાત કે અનુભવથી ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરાશે અથવા સ્ક્રીનિંગ ટેસ્ટ યોજાશે. ઇન્ટરવ્યુ 100 માર્ક્સનું છે. આ લાયકાત ઉમેદવારો પાસે હોવી ફરજિયાત કરાઈ આ રીતે ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે
સુરત ડાયમંડ બુર્સ અને ડાયમંડ મેન્યુફેક્ચરર્સ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેન્યુફેક્ચરર્સને વહેલી તકે પોતાની ઓફિસ બુર્સમાં શરૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીના વિકાસ, ભવિષ્યની યોજના અને ટ્રેડિંગ સિસ્ટમને વધુ સુવ્યવસ્થિત બનાવવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વરાછા, મીની બજાર, મહિધરપુરા અને કતારગામથી આવતા દલાલ અને બ્રોકરોને ડાયમંડનું જોખમ પોતાની સાથે રાખવું પડતું હોય છે, જેથી હવે સુરત ડાયમંડ બુર્સના સેફ વોલ્ટમાં રાખવામાં આવશે. બેઠક દરમિયાન સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પોતાની ઓફિસ સુરત ડાયમંડ બુર્સમાં જ શરૂ કરશે અને પોતાનો સ્ટોક પણ બુર્સમાં જ રાખશે. આ સાથે બ્રોકર્સ દ્વારા ડાયમંડની ખરીદી-વેચાણની સમગ્ર પ્રક્રિયા પણ સુરત ડાયમંડ બુર્સમાંથી જ સંચાલિત કરવામાં આવશે. બુર્સ ખાતે ઉપલબ્ધ અદ્યતન સેફ ડિપોઝિટ વોલ્ટ સુવિધાનો ઉપયોગ કરીને મેન્યુફેક્ચરર્સ માલને અહીં જ સુરક્ષિત રીતે સંગ્રહિત રાખશે, જેથી દલાલોને માલની હેરફેર કરવી ન પડે અને જોખમ ઘટશે. મેન્યુફેક્ચરિંગ-ટ્રેડિંગ એક જ છત નીચે થશેસુરત ડાયમંડ બુર્સના વાઈસ ચેરમેન લાલજી પટેલે કહ્યું હતું કે, ‘મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગની તમામ પ્રવૃત્તિઓને એક જ સ્થળે કેન્દ્રિત કરવાથી ઇન્ડસ્ટ્રીને મોટી સુવિધા મળશે અને સેફ વોલ્ટ જેવી સુવિધાઓને કારણે સુરક્ષા વધુ મજબૂત બનશે.’ ઇન્ડસ્ટ્રીને શું ફાયદો? શું બદલાશે?
વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ:શાલિની અગ્રવાલને સુરતના પ્રભારી સચિવની જવાબદારી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત પૂર્વે રાજ્ય સરકારે વહીવટી મોરચે મોટો નિર્ણય લીધો છે. અધિકારીઓની બઢતી, બદલી અને વહીવટી સુગમતાને ધ્યાને રાખીને રાજ્યના તમામ જિલ્લાઓના પ્રભારી સચિવોની નવી નિમણૂક કરવામાં આવી છે. જેમાં સૌથી નોંધપાત્ર ફેરફાર સુરત અને અમદાવાદ જેવા મહત્વના મહાનગરોમાં જોવા મળ્યો છે. સુરત મહાનગરપાલિકામાં સવા ત્રણ વર્ષ સુધી કમિશનર તરીકે નોંધનીય કામગીરી કરનાર શાલિની અગ્રવાલને ફરી એકવાર સુરતની જવાબદારી સોંપવામાં આવી છે. વહીવટી સેતુ બનશે પ્રભારી સચિવોશહેર વિકાસ વિભાગના અગ્રસચિવ એમ. થેન્નારસનને અમદાવાદ શહેર અને જિલ્લાના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે સુરતના પૂર્વ કમિશનર અને હાલના વહીવટદાર મિલિંદ તોરવણેને તાપી જિલ્લાનો પ્રભાર સોંપાયો છે.
લોક અદાલતનો હેતુ માત્ર કેસનો ઝડપી નિકાલ નથી, પરંતુ પક્ષકારોને ન્યાય અપાવવાનો પણ છે અને છેલ્લી પાંચ લોક અદાલતમાં તે ફળિભૂત થયું હોય એમ લાગી રહ્યુ છે. ખાસ કરીને એવા પરિવાર જેમના પરિજનો અકસ્માત મોતને ભેટે છે તેઓના પરિવાર માટે તો લોક અદાલત સંજીવની પુરવાર થઈ છે. મુખ્ય કમાનાર જ્યારે ન હોય ત્યારે ઘર ચલાવવું અઘરુ બની જાય છે અને આ સ્થિતિમાં અકસ્તામ ધારા હેઠળના કેસનો ઝડપી નિકાલ થતા બાળકોની શિક્ષણ ફી, ભરણપોષણ, માતા-પિતાની દેખરેખ સહિત અનેક ખર્ચાઓમાં આસાની રહેતી હોય છે. વર્ષ 2025-26માં 86 કરોડની ચૂકવણી પરિજનોને કરવામાં આવી છે. લોક અદાલતમાં અકસ્તાત વળતરના 875 કેસનો નિકાલ પાંચ લોક અદાલતમાં કરાયો છે. એડવોકેટ રહીમ શેખ કહે છે કે ઘણીવાર કેસ ચાલવામાં કોઇક કારણોસર મોડું થાય તેવા કેસમાં મરનારના પરિજનોને આર્થિક રીતે ઘણું જ સહન કરવુ પડે છે પરંતુ ઝડપી નિકાલ થવાથી સમગ્ર પરિવારની મદદ થાય છે. લોક અદાલત થકી ઝડપથી ન્યાય મેળવવામાં અને કેસના નિકાલમાં ઘણો ફાયદો થઈ રહ્યો છે. ચેક બાઉન્સના 17 હજાર કેસનો નિકાલ કરાયોચેક બાઉન્સના કેસોની વાત કરીએ તો કુલ 17,102 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં 383.67 કરોડની વસુલાત પણ કરવામા આવી છે. એડવોકેટ નરેશ ગોહિલ કહે છે સુરત રાજયની આર્થિક રાજધાની છે અને ચેક બાઉન્સ થતા અનેકોના રૂપિયા ફસાતા હોય છે. ઝડપી નિકાલ એક રીતે રાહત આપે છે. ઘરેલું વિવાદમાં 577 કેસનો નિકાલ કરવામાં આવ્યોએક વર્ષની પાંચ લોક અદાલતમાં વૈવાહિક વિવાદના કુલ 577 કેસનો નિકાલ કરવામા આવ્યો છે, જેમાં 89.48 કરોડની વસુલાત કરવામાં આવી છે. એડવોકેટ સ્વાતી મહેતા કહે છે કે ઘણીવાર સ્ત્રી સાથે અન્યાય થાય તેણે પતિનું ઘર છોડવું પડે ત્યારે જો તેને ભરણપોષણની રકમ સમયસર મળી જાય તો તે માતા-પિતા પર બોજ બનતી નથી. ઉપરાંત જો બાળક હોય તો તેને આ રકમ વધુ ઉપયોગી સાબિત થાય છે. અડધો ન્યાય ત્યારે જ મળી જાય છે.
સુરત જિલ્લામાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે નેશનલ હાઈવે-48ના કામરેજ–ચલથાણ સેકશનને આખરે 17 વર્ષ બાદ 6 લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી મળી ગઈ છે. લગભગ 13.875 કિમી લાંબા આ મહત્વપૂર્ણ કોરિડોરના વિસ્તરણ અને સર્વિસ રોડના નિર્માણ માટે 686.15 કરોડ રૂપિયાનું ખર્ચ થશે. હાલ આ સેકશન માત્ર 4 લેનનું છે, જેને 2009માં જ 6 લેન બનવાનું હતું. આ કોરિડોર દેશના સૌથી વ્યસ્ત હાઈવેમાંનો એક છે, જ્યાં ભારે પ્રમાણમાં કોમર્શિયલ ટ્રાફિક પસાર થાય છે. હાઈવે આસપાસ અનેક મોટા ઔદ્યોગિક વિસ્તારો હોવાને કારણે અહીં રોજ વાહનોનો દબાણ ખૂબ વધુ રહે છે. આંકડા મુજબ આ સેકશન પરથી દરરોજ અંદાજે 1.30 લાખ વાહનો પસાર થાય છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. પ્રોજેક્ટ હેઠળ હાલના 4 લેન કેરેજવેને 6 લેનમાં ફેરવવામાં આવશે અને બંને બાજુ સર્વિસ રોડ બનાવાશે. રોડનું નિર્માણકાર્ય પૂર્ણ થવામાં 1થી 1.5 વર્ષ લાગશેકેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ NH-48ના કામરેજ–ચલથાણના 13.875 કિમી સેકશનને 4થી 6 લેન તથા સર્વિસ રોડમાં બદલવાની જાહેરાત કરી છે, જેના કારણે રાહતની આશા જાગી છે. લાંબા સમયથી વાહનચાલકો આ માર્ગ પર જામ અને અકસ્માતોથી પરેશાન હતા. હવે ટ્રાફિકને અલગ કરવામાં મદદ મળશે. પરંતુ આ નિર્ણય 17 વર્ષની મોડાશીથી આવ્યો છે. 2009માં 90 હજાર વાહનોની ક્ષમતા માટે બનાવાયેલો હાઈવે હવે 1.5 લાખ પેસેન્જર કાર યુનિટ ટ્રાફિક સહન કરી રહ્યો છે. NHAIએ પણ વધતા ટ્રાફિકને અકસ્માતોનું કારણ ગણાવ્યું છે. હાઇવે 6 લેન થતાં બોટલનેક દૂર થશે, ચાલકોનો ડર ઓછો થશેટ્રાફિકના સંદર્ભમાં ‘બોટલનેક’ તે ભાગને કહેવાય છે જ્યાં રસ્તો અચાનક સંકુચિત થઈ જાય અને વાહનોની અવરજવર અટકાય છે. જેમ સુરતમાં NH-48ના કામરેજ–ચલથાણ સેકશન પર છે. આગળ-પાછળ રસ્તો 6 લેનનો છે, પરંતુ વચ્ચેનો 13 કિમીનો ભાગ માત્ર 4 લેનનો છે. આ કારણે ઝડપી ગતિએ આવતો ભારે ટ્રાફિક આ સંકુચિત ભાગમાં અટવાઈ જાય છે, જેના કારણે લાંબા જામ સર્જાય છે. ખાસ કરીને કડોદરા અને કામરેજ જેવા એન્ટ્રી-એગ્ઝિટ પોઇન્ટ્સ પર દબાણ વધુ વધી જાય છે. રસ્તાની આ સ્થિતિને ‘બોટલનેક’ કહેવાય છે, જે ટ્રાફિક જામનું મુખ્ય કારણ બને છે. ખાસ કરીને મોન્સૂનમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની જાય છે, જ્યારે જામ 2થી 3 કલાક સુધી યથાવત રહેતો હતો. વરસાદની સીઝનમાં થતા ટ્રાફિકજામથી રાહત મળશેNH-48 પર ચલથાણથી કામરેજ વચ્ચેના 13 કિમી માર્ગને હવે 6 લેનમાં ફેરવવામાં આવશે. આથી ખાસ કરીને મોન્સૂન દરમિયાન થતા ભારે ટ્રાફિક જામથી રાહત મળશે અને અકસ્માતોમાં ઘટાડો થશે. ઉપરાંત આ સેકશનમાં 2 વ્હીકલ અંડરપાસ પણ બનાવાઈ રહ્યા છે, જેના કારણે NH-48 પરથી સુરત શહેરમાં એન્ટ્રી-એગ્ઝિટ વધુ સરળ બનશે. > સંજય યાદવ, પ્રોજેક્ટ ડિરેક્ટર, NHAI, સુરત યુનિટ
હજીરા ખાતે આવેલી AM/NS Indiaનો પ્લાન્ટ સંપૂર્ણ ઈન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ તરીકે કાર્યરત છે. અહીં દેશનો સૌથી લાંબો 27 કિલોમીટરનો કન્વેયર બેલ્ટ બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા જેટી પર જહાજમાંથી ઉતારવામાં આવતું આયર્ન અને અન્ય કાચામાલ સીધું પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. આ સિસ્ટમના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ અને સમય બંનેમાં ઘટાડો થયો છે અને ઉત્પાદન પ્રક્રિયા વધુ ઝડપી બની છે. હાલ હજીરા ખાતે 60 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટનું વિસ્તરણ ચાલી રહ્યું છે. આ વિસ્તરણમાં 45 હજારથી વધારે લોકો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત વિસ્તરણ કામગીરીમાં 1 હજાર ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઉત્પાદન ક્ષમતા 9 મિલિયન ટન પ્રતિ વર્ષથી વધીને 15 મિલિયન ટન થશે અને અંદાજે 60 હજારથી વધુ રોજગારીની તકો ઉભી થશે. આ પ્રોજેક્ટથી ઓટોમોટિવ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સ્ટીલ આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. ગ્રીન સ્ટીલ એટલે શું? AM/NS India તેન આવી રીતે બનાવે છે AM/NS આંતરરાષ્ટ્રીય સ્તરનું ઉચ્ચ ગુણવત્તાનું સ્ટીલ બનાવે છે
નમસ્તે, કાલના મોટા સમાચારોમાં જોઈએ તો ઈરાન યુદ્ધ વચ્ચે સાઉદીના ક્રાઉન પ્રિન્સે મોદી સાથે વાત કરી છે. તો ઈરાન યુદ્ધ પર વાત કરવા માટે ત્રણ દેશો પાકિસ્તાન જશે. ઉત્તરપ્રદેશના જેવરમાં વડાપ્રધાન મોદીએ દેશના સૌથી મોટા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું. કોલકત્તા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી પર પ્રહારો કર્યા હતા. નેપાળમાં નવી સરકાર એક્શનમાં આવી છે. પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ કરવામાં આવી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત સંબોધન કરશે. આ કાર્યક્રમનો 132મો એપિસોડ હશે. 2. ગૃહમંત્રી અમિત શાહ આસામમાં બે ચૂંટણી રેલીઓ કરશે. 3. IPLમાં મુંબઈ Vs કોલકત્તા વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે મેચ. કાલના મોટા સમાચારો 1. PM મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી:હોર્મુઝ સ્ટ્રેટ અને વેપાર પર ચર્ચા કરી; ઈરાન યુદ્ધ પર વાત કરવા પાકિસ્તાન જશે 3 દેશ અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 29મો દિવસ છે. ઇરાનને લઈને વધતા તણાવ વચ્ચે તુર્કી, ઇજિપ્ત અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓ 30 માર્ચે પાકિસ્તાન પહોંચશે. અહીં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ મુલાકાત કરશે. ઇસ્લામાબાદમાં યોજાનારી આ બેઠકમાં મિડલ ઇસ્ટની પરિસ્થિતિ પર ચર્ચા થશે. યુદ્ધ શરૂ થયા પછી આ પહેલી મોટી બેઠક માનવામાં આવી રહી છે, જેમાં ઘણા દેશોના વિદેશ મંત્રીઓ એકસાથે સામેલ થશે. બીજી તરફ UAE પણ અમેરિકા અને ઇઝરાયેલ સાથે મળીને ઇરાન વિરુદ્ધ યુદ્ધમાં સામેલ થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મોદીએ દેશના સૌથી મોટા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું: જેવરમાં PMએ કહ્યું- યુદ્ધના સંકટ સામે દેશે એક થઈને લડવું પડશે વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ શનિવારે બપોરે 12:30 વાગ્યે ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં, તે એશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું એરપોર્ટ છે. ચોથા તબક્કાના કાર્યકાળ પૂર્ણ થયા પછી, તે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે. પીએમ મોદીએ લોકોને ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધથી ઉદ્ભવતા સંકટ સામે એક થવા અને લડવા માટે અપીલ કરી. તેમણે કહ્યું કે તેમણે ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ બાબતે ચર્ચા કરી હતી. દેશવાસીઓને કહેવા માંગું છું કે આપણે આ સંકટનો શાંતિ, ધીરજ અને એકતાથી સામનો કરવો જોઈએ. આ એક એવું સંકટ છે જે સમગ્ર વિશ્વને પરેશાન કરી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. અમિત શાહ બોલ્યા- મમતા ચૂંટણીમાં વિક્ટિમ કાર્ડ રમે છે: ક્યારેક પગ તોડાવે છે, ક્યારેક માથા પર પટ્ટી બંધાવે છે; કોંગ્રેસ તમિલનાડુમાં 28, DMK 164 બેઠકો પર લડશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કોલકાતામાં મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ ચાર્જશીટ બહાર પાડી. તેમણે કહ્યું, તેમાં ટીએમસી સરકારના 15 વર્ષના કાળા કામોનો ઉલ્લેખ છે. તે જનતાની ચાર્જશીટ છે. બંગાળ અરાજકતા અને દુઃખમાં છે. અહીંની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. બંગાળમાં જુઠ્ઠાણાની રાજનીતિ ચાલી રહી છે; ભય અને ભ્રષ્ટાચાર ટીએમસીના શસ્ત્રો છે. આ ચૂંટણી દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. મમતા બેનર્જી સરકાર ઘુસણખોરોને રક્ષણ આપે છે. જનતાએ ભાજપને ચૂંટવાનું મન બનાવી લીધું છે. તેમણે કહ્યું- મમતા દીદી હંમેશા વિક્ટિમ કાર્ડનું રાજકારણ રમે છે. ક્યારેક તેમનો પગ ભંગાવી લે છે, ક્યારેક માથા પર પાટો બંધાવી લે છે, ક્યારેક બીમાર પડી જાય છે, અને ક્યારેક તેઓ ચૂંટણી પંચને અપશબ્દો કહે છે. પરંતુ બંગાળના લોકો હવે મમતા દીદીના વિક્ટિમ કાર્ડના રાજકારણને સંપૂર્ણપણે સમજી ગયા છે.વાંચો સંપૂર્ણ સમાચાર 4. નેપાળના પૂર્વ પીએમ કેપી ઓલીની ધરપકડ:Gen-Z પ્રોટેસ્ટ દરમિયાન બેદરકારી દાખવવાનો આરોપ; જેમાં 77 લોકોનાં મોત થયા હતા નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકને પોલીસે શનિવારે સવારે ધરપકડ કરી લીધી. આ ધરપકડ ગયા વર્ષે થયેલા GEN-Z વિરોધ પ્રદર્શનના મામલામાં થઈ છે. આ કાર્યવાહી તે સમયે થઈ, જ્યારે ગઈકાલે જ બાલેન શાહે નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. પોલીસ અનુસાર, ઓલીને શનિવારે સવારે ભક્તપુરના ગુંડુ સ્થિત તેમના ઘરેથી પકડવામાં આવ્યા. જ્યારે, રમેશ લેખકને સવારે લગભગ 5 વાગ્યે સૂર્યવિનાયકથી ધરપકડ કરવામાં આવી. આ કાર્યવાહી ગૃહ મંત્રાલયની ફરિયાદ બાદ શરૂ થયેલી તપાસના આધારે કરવામાં આવી છે. એક તપાસ પંચે સૂચન કર્યું હતું કે આ નેતાઓ પર બેદરકારીનો કેસ ચલાવવામાં આવે. આ મામલામાં 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.વાંચો સંપૂર્ણ સમાચાર 5. બાંગ્લાદેશે IPL ટેલિકાસ્ટ પરનો પ્રતિબંધ હટાવ્યો:મંત્રીએ કહ્યું- રમતને રાજકારણથી અલગ રાખો; મુસ્તાફિઝુરને લીગમાંથી બહાર કરવા પર રોક લગાવી હતી બાંગ્લાદેશ સરકારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ટેલિકાસ્ટ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રી ઝહીર ઉદ્દીન સ્વાપને શનિવારે એક ખાનગી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રમતગમતને રાજકારણથી અલગ રાખવું જોઈએ. બાંગ્લાદેશમાં IPLના પ્રસારણ પર કોઈ પ્રતિબંધ નથી. સ્વાપને કહ્યું - IPLનું પ્રસારણ કરવા માટે કોઈ પણ ચેનલે અમારો સંપર્ક કર્યો નથી. અમે IPLને વ્યાવસાયિક દૃષ્ટિકોણથી જોઈશું અને જો કોઈ ચેનલ IPLના પ્રસારણ માટે અરજી કરશે, તો અમે તેના પર સકારાત્મક રીતે વિચારણા કરીશું. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 66 વર્ષ જૂની સંસ્થાનું સંચાલન રાદડિયાને સોંપાયુ:લેઉવા પટેલ બોર્ડિંગના લોકાર્પણ સાથે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ; RTO ઓફિસ-AI ટ્રેક ખુલ્લો મુકાયો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 28 માર્ચને શનિવારે રાજકોટની મુલાકાતે છે. અહીં સૌપ્રથમ તેમણે અટલબિહારી વાજપેઈ ઓડિટોરિયમ ખાતે આયોજિત દાદાનો હેતનો હોંકારો કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં હાઉસિંગ બોર્ડનાં રહેવાસીઓ દ્વારા મુખ્યમંત્રીનું સાફો અને 12 ફૂટનો હાર પહેરાવી સ્વાગત કરાયું હતું. આ તકે મુખ્યમંત્રીએ દેશનું શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધ સહિતની ચિંતા નહીં હોવાનું જણાવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. માતાના હાથમાંથી દીકરી છટકીને પાણીની ટાંકીમાં પડી:બચાવી ના શકતા આરોપ ન આવે તે માટે ઢાંકણું બંધ કરી ઉપર તગારુ મૂક્યું, પતિએ ફરિયાદ કરતા પત્નીની ધરપકડ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માવતરને લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ પણ માતાએ તેને બચાવી નહી અને પોતાની ભૂલ ઢાંકવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારૂ મુકી દીધુ હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરી છે. અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સિધ્ધેશ્વરી નગર બાગે ફિરદોસ પોલીસ લાઈનની સામે રહેતા દિપક મકવાણાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પત્ની મોનીકા મકવાણા વિરૂદ્ધ બદઈરાદે હત્યાની ફરિયાદ કરી છે. દિપક મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના અખિયાણા ગામના રહેવાસી છે અને માતા-પતિ અને પત્ની મોનીકા સાથે રહે છે. દિપક લેથ મશીનના કારખાનામાં ઓપરેટર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. દિપક અને મોનીકાને બે દીકરીઓ છે. જેમાં એક સાત વર્ષની છે જ્યારે બીજી દીકરી અઢી મહિનાની છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : હવામાં વાઇબ્રેશન પછી એક એન્જિન બંધ થયું, ફાયર બ્રિગેડ-એમ્બ્યુલન્સ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગોનું જોખમી લેન્ડિંગ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રશિયાએ 4 મહિના માટે પેટ્રોલ નિકાસ અટકાવી:1 એપ્રિલથી લાગુ; ભારતને ઓછી ને ચીન-તુર્કી અને બ્રાઝિલને થશે વધારે અસર વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : VVIP ફ્લાઇટ્સ- નેતાઓ પાઇલટ પર દબાણ કરી શકશે નહીં:જો પરિસ્થિતિ યોગ્ય ન હોય તો ના પાડી શકાય છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : FBI ડાયરેક્ટર કાશ પટેલનું એકાઉન્ટ હેક:પર્સનલ ફોટા અને ડોક્યુમેન્ટ્સ ઇરાની હેકર્સે લીક કર્યા; ગુજરાતમાં રહેલાં બેંક અકાઉન્ટને લઈને પ્રશ્નાર્થ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું આ અઠવાડિયે ₹4,276 સસ્તું, ₹1.43 લાખ પર આવ્યું:ચાંદી ₹10,717 ઘટીને ₹2.21 લાખ પર પહોંચી, ડોલરની માગ વધવાથી ભાવ ઘટ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયા:પાંચ દિવસથી BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં હતા, KKR સામે પ્રથમ મેચ રમી શકે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : શેરબજાર: તમારા માટે 'લેરબજાર' કે 'ઝેરબજાર'?:કુંડળીનું પાંચમું સ્થાન 'રંક'માંથી 'રાજા' બનવાનું રહસ્ચ; ગુરુ-રાહુનો 'ચાંડાળ યોગ' રોકાણનું ગણિત વીખી નાખશે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ વરરાજાએ એક જ લગ્ન મંડપમાં બે દુલ્હનો સાથે લગ્ન કર્યા છત્તીસગઢના કોંડાગાંવમાં એક યુવકે એક જ મંડપમાં બે મહિલાઓ સાથે લગ્ન કર્યા. હિતેશ યાદવે ફુલબતી અને યામિની સાથે સાત ફેરા લીધા. આ લગ્ન પરિવારની સંમતિથી અને આદિવાસી પરંપરાઓ અનુસાર કરવામાં આવ્યા હતા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: ભારત પાસે 6 દિવસનું ઓઇલ બાકી કે 74 દિવસનું; પેટ્રોલ પંપ પર લાઇન લગાવતા પહેલા જાણો સંપૂર્ણ સત્ય 2. ભાસ્કર સિરીઝ: ‘મોં બંધ રાખવા આસારામે ₹20 લાખ ઑફર કર્યા’: તો માસૂમોના જીવ અને છોકરીઓની આબરૂની શું કિંમત લગાવી હશે? જુઓ ‘આસારામ’ સિરીઝનો 19મો એપિસોડ 3. MATCH મસાલા : આ IPLમાં સુંદર ચહેરા સ્ટેડિયમની રોનક વધારશે:ઈશાનની ગર્લફ્રેન્ડ, માહિકા, પ્રિતી અને કાવ્યા ચિયર કરતી દેખાશે; રોહિત શર્માની ફિટનેસ જોઈ નીતા અંબાણી ચોંક્યાં! 4. પારકી પંચાત : દીકરીઓના ભાગી જવા મુદ્દે આનંદીબેન બગડ્યાં:પાટીદારોને કડકાઇથી બે હિન્ટ આપી, વિદ્યાર્થીઓએ 5. શું મુખ્તાર અંસારીના મોત પાછળ 5 કરોડ:2 વર્ષ પછી પણ બેરેક નંબર-16 સીલ; વકીલે કહ્યું- અમારી પાસે ઝેર આપવાના પુરાવા છે 6. બાળપણથી જ મોડલ બનવાનું બીજ રોપાયું:સંબંધીઓનો સપોર્ટ નહીં, માત્ર કોન્ગ્રેચ્યુલેશન કહેવા આવે છે; 'મિસ ગુજરાત 2026' મૈત્રી ચાવડાએ કહ્યું- ફેશન ઇન્ડસ્ટ્રી અંદરથી ગંદી છે 7. બોલિવૂડના 'રહેમાન ડકૈત'ની ‘ધુરંધર’ કહાની:યુવાનીમાં ટાલ પડી, આમિરે ફિલ્મ છીનવી; ‘બોર્ડર’ની સફળતાથી લઈને ફિલ્મોના દુષ્કાળ સુધીની અક્ષય ખન્નાની સ્ટોરી ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: સિંહ-ધન રાશિના જાતકો માટે રોકાણ કરવું ફળદાયી રહેશે, કન્યા રાશિના લોકોના અટકેલા પૈસા પરત મળશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
દેશના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટના છેલ્લા છ વર્ષના આંકડાઓ દર્શાવે છે કે તૈયાર જ્વેલરી સેગમેન્ટ દેશના એક્સપોર્ટમાં નવું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. વર્ષ 2020-21માં ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ 35,483 કરોડ હતો, જે વધીને વર્ષ 2024-25માં 94,938 કરોડ સુધી પહોંચ્યો છે, જ્યારે 2025-26ના એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન જ 40,670 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ નોંધાયું છે. ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટ વર્ષ 2020-21માં 20,438 કરોડ હતો, જે વધીને વર્ષ 2024-25માં 51,685 કરોડ થયો છે અને 2025-26માં પણ 53,502 કરોડ સુધી પહોંચ્યો છે. એટલે ડાયમંડ જ્વેલરી વેલ્યુ એડેડ સેગમેન્ટ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે. સિલ્વર જ્વેલરી માસ માર્કેટ તરીકે સ્થિર માંગ ધરાવે છે, જ્યારે પ્લેટિનમ જ્વેલરી સૌથી ઝડપી વધતો સેગમેન્ટ બની રહ્યો છે. વર્ષ 2020-21માં માત્ર 133 કરોડનો પ્લેટિનમ જ્વેલરી એક્સપોર્ટ વર્ષ 2025-26માં 2,000 કરોડને પાર કરી ગયો છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં હવે માત્ર હીરા કટિંગ-પોલિશિંગ નહીં પરંતુ તૈયાર જ્વેલરી સેગમેન્ટ વેલ્યુ એડિશન અને એક્સપોર્ટ વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં તૈયાર જ્વેલરીની વધતી માંગને કારણે ભારતમાંથી તૈયાર જ્વેલરીના એક્સપોર્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. છ વર્ષના ગોલ્ડ, ડાયમંડ,સિલ્વર અને પ્લેટિનમ જ્વેલરી એક્સપોર્ટના આંકડા 6 વર્ષમાં 664 લાખ કેરેટ લેબગ્રોન હીરાનું એક્સપોર્ટ થયું, Gen-Z સૌથી મોટું બજારદેશના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડ સેગમેન્ટ સૌથી ઝડપથી વધતો સેગમેન્ટ બની રહ્યો છે. છેલ્લા 6 વર્ષના આંકડા મુજબ વર્ષ 2020-21થી વર્ષ 2025-26 દરમિયાન દેશમાંથી કુલ 664 લાખ કેરેટ લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટ થયા છે. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક બજારમાં લેબગ્રોન ડાયમંડની માંગ સતત વધી રહી છે અને ભારત આ બજારમાં મહત્વપૂર્ણ સપ્લાયર તરીકે ઉભરી રહ્યું છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપના બજારમાં યુવા ગ્રાહકો, ખાસ કરીને Gen-Z, લેબગ્રોન ડાયમંડ જ્વેલરી તરફ ઝડપથી વળી રહ્યા છે. લેબગ્રોન ડાયમંડની માંગમાં કેમ થઈ રહ્યો છે વધારો? વિદેશમાં જ નહીં ભારતમાં પણ ડિમાંડ વધી રહી છેઆઈગીરી જ્વેલર્સના ઓનર સ્મીત પટેલે કહ્યું હતું કે, ‘વિદેશમાં જ નહીં ભારતમાં પણ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની માંગ વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને અમે દેશમાં દિલ્હી, હૈદ્રાબાદ, જયપુર સહિતના 10 શહેરોમાં સ્પેશિયલ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના શોરૂમ ખોલ્યા છે, લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની સતત માંગમાં વધારો થઈ રહ્યો છે’ લેબગ્રોન હીરાના એક્સપોર્ટમાં6 વર્ષમાં 3.5 ગણો વધારો સુરત જ્વેલરી ઉદ્યોગ
આરટીઇના ફોર્મ ભરતા સમયે જે સ્કૂલોમાં બે પાળી પદ્ધતિ ચાલતી હશે ત્યાં વાલી સ્કૂલની સાથે પાળી પણ પસંદ કરી શકાશે. આ માટે બેઠકોની ગણતરી પણ એ મુજબ જ કરાશે. વાલીઓને ઓનલાઇન પ્રવેશ ફોર્મની સાથે પાળીનો વિકલ્પ પણ અપાશે. જેથી હવે સ્કૂલ સંચાલકોની મનમાની નહીં ચાલે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વાલીઓની ફરિયાદ બાદ આ વર્ષથી આરટીઇની પ્રક્રિયામાં ફેરફાર કરાયો છે. શહેરની ઘણી મોટી અને જાણીતી બે પાળીની સ્કૂલ સંચાલકો આરટીઇના બાળકોને બપોરની પાળીમાં જ પ્રવેશ આપતા હતા. હવે આરટીઇના નવા નિયમથી વાલીઓને ફાયદો થશે. આ રીતે બેઠકની ગણતરી થશેજો કોઇ સ્કૂલમાં સવારની પાળીમાં 2 વર્ગો અને બપોરનીમાં 2 વર્ગો હશે તો તેમાં 25 ટકાના આધારે વિદ્યાર્થીઓ ફાળવાશે. કોઇ સ્કૂલ પોતાના ધોરણના કુલ વિદ્યાર્થીઓના 25 ટકાના આધારે આરટીઇના વિદ્યાર્થીઓની સંખ્યાની ગણતરી કરી શકશે નહીં. પાળી પ્રમાણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આધારે જ આરટીઇના વિદ્યાર્થીની ફાળવણી કરાશે.
શહેરના નવાપુરા સ્થિત જૂના બહુચરાજી મંદિરેથી 125થી વધુ ભક્તોનો ઐતિહાસિક પદયાત્રા સંઘ પ્રસ્થાન પામ્યો છે. ભક્ત વલ્લભ ભટ્ટ દ્વારા 350 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ અકબંધ છે. આ સંઘની વિશેષતા એ છે કે તે માતાજીના એક નિજ મંદિરેથી નીકળી સીધો શક્તિપીઠ બહુચરાજી પહોંચે છે. મહંત અલ્કેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, ભક્તો પાંચ રાત ઘરની બહાર રહી કઠિન ઉપાસના કરે છે. વિશેષ કરીને, ધજાજી ધારણ કરનારા ભક્તો ચૈત્ર માસના આકરા તાપમાં પણ ચંપલ પહેર્યા વિના ઉઘાડા પગે યાત્રા પૂર્ણ કરે છે. માર્ગમાં અને મંદિરે ધજાજીની હાજરીમાં ભક્તો ક્યારેય માતાજીને પીઠ બતાવતા નથી અને ઊંધા પગે ચાલી મર્યાદા જાળવે છે. ચૈત્ર પૂનમે શંખલપુર અને બહુચરાજીના આદ્યસ્થાને પરંપરાગત પૂજા, આરતી અને લાડુનો ગોખ ભરીને આ યાત્રા પૂર્ણ કરવામાં આવશે.
RTOના વાહનો વર્ષથી ગેરેજમાં:અમદાવાદ RTO એન્ફોર્સમેન્ટનાં બે વાહનો એક વર્ષથી ધૂળ ખાય છે
અમદાવાદ આરટીઓ પાસે એન્ફોર્સમેન્ટ માટે રહેલા ત્રણ વાહનો પૈકી બે વાહનો છેલ્લા એક વર્ષથી કંપનીના ગેરેજમાં પડ્યા છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા રિપેરિંગનું બજેટ ફાળવવામાં ન આવતા આ સ્થિતિ સર્જાઈ છે. ગેરેજ સંચાલકોએ હવે આરટીઓને અલ્ટીમેટમ આપ્યું છે કે જો વાહન રિપેર ન કરાવવા હોય તો તેને અહીંથી લઈ જાઓ, કારણ કે ગેરેજમાં પાર્કિંગની જગ્યા રોકાઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના ઇન્સ્પેક્ટરો દ્વારા રિપેરીંગ માટે જે ક્વોટેશન અપાયા છે તેના પર વિભાગના ઉચ્ચ અધિકારીઓને વિશ્વાસ નથી. અધિકારીઓને આશંકા છે કે ઇન્સ્પેક્ટરો રિપેરીંગના બહાને ‘કટકી’ કરી રહ્યા છે, તેથી વારંવાર ક્વેરી કાઢી ફાઈલ પાછી મોકલવામાં આવે છે. નિયમ મુજબ સત્તાવાર શો-રૂમમાં વાહનો મોકલાયા હોવા છતાં મડાગાંઠ ઉકેલાઈ નથી. આ અંગે ટ્રાન્સપોર્ટ કમિશનર ડો. રાજેન્દ્ર પટેલ અને ફાઈલ હેન્ડલ કરતા ઓએસડી વિજય પટણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. વાહનો બંધ હોવાથી કામગીરી પર અસર
શહેરમાં 322.77 કરોડનાં 19 કામોનું લોકાર્પણ અને 673.37 કરોડનાં 49 કામોનું ખાતમુહૂર્ત રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. મુખ્યમંત્રી કુલ 1099 કરોડનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સતાધાર વિસ્તારમાં આખરે ત્રણ વર્ષ બાદ તૈયાર થયેલા સતાધાર ફ્લાયઓવરને ખુલ્લો મૂકવામાં આવતાં ત્યાંથી રોજ પસાર થતાં 1.5 લાખથી વધુ નાગરિકોને તેનો લાભ મળશે. નોંધનીય છે કે, હાઉસિંગ પ્રોજેક્ટના 2 આવાસોના ડ્રો કરવામાં આવતાં ત્યાં પણ 2184 નાગરિકોને તેનો લાભ મળશે. આ સિવાય ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરાની 51 સ્કૂલોને રોબોટિક્સ લેબ, નવરંગપુરામાં સ્વિમિંગ પૂલની સુવિધા મળશે. મુખ્યમંત્રી સવારે 9 વાગ્યે લોકાર્પણ-ખાતમુહૂર્ત બાદ સાંજે 4 વાગે ગુજ. યુનિ. ઓડિટોરિયમ ખાતે જાહેર સભાને સંબોધશે. જમાલપુર, મેમ્કો, શ્રેયસ ફ્લાયઓવર નીચે શાકમાર્કેટ પણ ખુલ્લું મુકાશે
સોલા સિવિલમાં 58 વર્ષની એક મહિલા દર્દી પેટમાં દુખાવો, કમળો, ભૂખ ન લાગવી અને ઊલટી જેવી સમસ્યાઓ સાથે આવી હતી. તપાસ કરતાં પેન્ક્રિયાસમાં ગાંઠ જોવા મળી અને એ કેન્સર હોવાનું નિદાન થયું હતું. સામાન્ય રીતે આ પ્રકારનું કેન્સર 60 વર્ષ પછી વધુ જોવા મળે છે અને ખાસ કરીને સ્મોકર કે આલ્કોહોલિક દર્દીઓમાં જોવા મળે છે, પરંતુ આ કેસમાં ચોક્કસ કારણ કહી શકાય તેમ નહોતું. દર્દીને ડાયાબિટીસ પણ હતું, જેને પહેલા કંટ્રોલમાં લાવીને અમે સર્જરી માટે તૈયાર કર્યા. આ ‘વિપલ પ્રોસિજર’ પેટની સૌથી કોમ્પ્લિકેટેડ અને રિસ્કી સર્જરીમાંથી એક છે. આ સર્જરી લગભગ સાડા છથી સાત કલાક ચાલી હતી. સર્જરી પહેલાં સીટી સ્કેન દ્વારા ખાતરી કરવામાં આવી કે, કેન્સર મુખ્ય લોહીની નસોમાં ફેલાયેલું નથીને. તે જાણ્યા બાદ ઓપરેશન શક્ય બન્યું. ઓપરેશન દરમિયાન પેન્ક્રિયાસનો હેડ, ડ્યુઓડેનમ અને પિત્ત નળીનો ભાગ દૂર કરીને જરૂરી જોડાણ સફળતાપૂર્વક બનાવવામાં આવ્યા હતા. ખાસ વાત એ રહી કે સર્જરી પછી કોઈ જટિલતા આવી નહીં. દર્દીનો રિકવરી પિરિયડ પણ ખૂબ સારો રહ્યો અને 10થી 11 દિવસમાં દર્દીને સંપૂર્ણ રીતે સ્વસ્થ હાલતમાં ડિસ્ચાર્જ આપી શક્યા. જ્યારે સામાન્ય રીતે આવા કેસમાં વધુ સમય લાગે છે. આ સમગ્ર પ્રક્રિયા ટીમવર્ક અને યોગ્ય આયોજનના કારણે સફળ બની. આ સર્જરીમાં દર ચારે એક દર્દીનું મૃત્યુ થાય છેઆવા કેસમાં પેન્ક્રિયાસ હેડ, નાના આંતરડાનો ભાગ અને પિત્ત નળીનો ભાગ કાઢવો પડે છે. ત્યાર બાદ શરીરમાં ફરીથી ત્રણ અલગ અલગ જોડાણ બનાવવાના હોય છે. આમાં કોઈ એક પણ જોડાણ લીક થાય તો દર્દીનું જીવન જોખમાઈ શકે. સામાન્ય રીતે આવી સર્જરીમાં 4માંથી 1 દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે, એટલે ઓપરેશન જટિલ હોય છે.
વેલ્ફેર ફંડમાં ભ્રષ્ટાચારની ગંધ:મ્યુનિ.ને કર્મચારીઓ પાસેથી જ લોન પેટે આપેલા 3.5 કરોડ લેણાં નીકળે છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓના હિત માટે ચલાવવામાં આવતી વેલ્ફેર લોન યોજનામાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે આવ્યા છે. હાલમાં તંત્રને પોતાના કર્મચારીઓ પાસેથી રૂ. 3.50 કરોડથી વધુ રકમ લેણી નીકળે છે. આ જે મ્યુનિ. તંત્ર સામાન્ય નાગરિકનો 1 લાખનો ટેક્સ બાકી હોય તો મિલકત સીલ કરી દે છે, પરંતુ પોતાના કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયા વસૂલવામાં નિષ્ફળ નીવડ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, માત્ર 93 કર્મચારી પાસે રૂ. 24 લાખથી વધુની લોન બાકી છે. નિયમ મુજબ, કર્મચારી નિવૃત્ત થાય, મૃત્યુ પામે કે અનફિટ જાહેર થાય ત્યારે લોનની વસૂલાત અટકી જાય છે. સફાઈ કર્મચારીઓના કિસ્સામાં, તેમના વારસદારોને રહેમરાહે નોકરી તો આપી દેવાય છે, પરંતુ પૂર્વજોના લેણાં વસૂલવા બાબતે ઉદાસીન રહે છે. સ્ટેન્ડિંગ કમિટીના સ્પષ્ટ ઠરાવ મુજબ, કર્મચારીને તેના પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેચ્યુઈટી જેવી લેણી રકમ કરતાં વધુ લોન આપી શકાય નહીં. છતાં, અધિકારીઓએ આ નિયમને નેવે મૂકી લાયકાતથી વધુ રકમની લોન મંજૂર કરી દીધી છે. ઘણા કિસ્સામાં નિવૃત્તિના કાગળો બાકી લેણાંનો હિસાબ કર્યા વગર પૂર્ણ કરી દેવામાં આવે છે, જે સીધેસીધો ભ્રષ્ટાચાર સૂચવે છે. સ્ટેન્ડિંગના ઠરાવનું ઉલ્લંઘન કરી મર્યાદા બહાર લોન અપાઈસ્ટેન્ડિંગ કમિટીમાં સ્પષ્ટ ઠરાવ કરાયો હતોકે, મ્યુનિ. પાસેથી નોકરી દરમ્યાન જેટલી રકમ લેણી નીકળતી હોય તેટલી રકમની જ લોન મ્યુનિ. આપી શકે છે. જોકે આ નિર્ણયને તંત્ર ઘોળીને પી ગયું છે. અનેક કર્મચારીઓની લેણી રકમ તેને મ્યુનિ. પાસેથી મળતી રકમ કરતાં પણ વધારે છે.
કપિરાજનો આતંક:ચાણક્યપુરીમાં વાંદરાનો આતંક 10થી વધુ લોકો પર હુમલો કર્યો
ચાણક્યપુરીના શાયોના વિસ્તારમાં આવેલી આર.સી. ટેકનિકલથી કારગિલ પેટ્રોલ પંપ સુધીના પટ્ટામાં છેલ્લા 15 દિવસથી વાંદરાનો આતંક જોવા મળી રહ્યો છે. આ ભયને કારણે સ્થાનિક 20થી વધુ સોસાયટીઓના રહીશોમાં ફફડાટ વ્યાપેલો છે અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વનવિભાગને આ અંગે ફરિયાદ કરાતા તેમણે કેટલાક વાંદરાઓને પાંજરે પૂર્યા છે, પરંતુ હુમલો કરનાર ‘પૂંછડી વગરનો’ વાંદરો હજુ પણ પકડાયો ન હોવાથી લોકોમાં ગભરાટ યથાવત્ છે. ગત શુક્રવારે એક માસૂમ બાળકીના પગ પર હુમલો કરતા તેને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આ વાંદરાએ 10થી 15 લોકો પર હુમલો કર્યો છે. એટલું જ નહીં, રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને પણ નિશાન બનાવવામાં આવતા હોવાથી હાલ આ માર્ગો સુમસામ બની ગયા છે. ત્યારે આ હિંસક વાંદરાને તાકીદે પાંજરે પૂરવામાં આવે તેવી માગણી પ્રબળ બની છે.
ભાસ્કરનો 181 સેન્ટરનો આંખે દેખ્યો અહેવાલ:સંકટમાં છેલ્લી આશ: રોજ 1 હજાર મહિલાનાં આંસુ લૂછે છે અભયમ્
રાત્રે 1.17 વાગ્યા છે, શહેર સૂતું છે, પણ 181 હેલ્પલાઇન સેન્ટર જાગી રહ્યું છે.સ્ક્રીન સામે કાઉન્સિલરો કૉલ એટેન્ડ કરવા બેઠા છે. એટલામાં એક કૉલ આવે છે, જેમાં રડતી મહિલાનો અવાજ સંભળાય છે- ‘હવે મારી પાસે કોઈ રસ્તો નથી. મારો પતિ અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા જબરદસ્તી કરે છે. મારી પાસે મરવા સિવાય કોઈ વિકલ્પ નથી.’ કાઉન્સિલર તેને શાંતિથી સમજાવે છે, વિશ્વાસ અપાવે છે અને બીજી તરફ આખી ટીમ એક્શનમાં આવે છે... લોકેશન ટ્રેસ થાય છે, રેસ્ક્યુ ટીમ એલર્ટ થાય છે અને મિનિટોમાં મહિલા સુધી પહોંચે છે. ‘દિવ્ય ભાસ્કર’એ 181ના સેન્ટરમાં 4 કલાક બેસી રહી જોયું કે કેવી ગંભીરતા દાખવી રાજ્યના ખૂણે ખૂણે મહિલાઓને મદદ પહોંચાડાઈ રહી છે. દરેક કાઉન્સિલર ખૂબ જ ગંભીરતા અને સંવેદનશીલતાથી જાણે પોતાનું સ્વજન હોય એ રીતે મદદ માટે દોડે છે. રાજ્યભરનાં સેન્ટરોનો કન્ટ્રોલ રૂમ નવા નરોડામાં છે, જેમાં 34થી વધુ કાઉન્સિલર 24 કલાક ખડેપગે રહે છે. રોજ સરેરાશ 1 હજાર કૉલ્સ આવે છે, જેમાં સૌથી વધુ ઘરેલુ હિંસાના હોય છે. પોણા કલાકમાં 3 મહિલા, સગીરાને મદદ પહોંચાડીકિસ્સો 1 • બચાવો, મારું ઘર નરક બની ગયુંરાતે 12:45 — હેલ્પલાઈન પર રડતી મહિલાનો કોલ આવ્યો, 'મારું ઘર નરક બની ગયું છે, જલદી બચાવો.' પતિ મંદિરનો પૂજારી છે, 21 વર્ષની સફાઈકામ કરતી યુવતીના મોહમાં છે. રોજ તેને ઘરે લાવે છે, વિરોધ કરું તો મારે છે. તુરંત અભયમે પહોંચી જઈ યુવતીના પરિવારને બોલાવ્યો અને બંનેને કાયદાનું ભાન કરાવ્યું. કિસ્સો 2 • સગીરાને માનવ તસ્કરીથી ઉગારી રાતે 1:12 — કોલમાં ગભરાયેલો અવાજ સંભળાય છે, 'મેડમ, હ્યુમન ટ્રાફિકિંગ છે, સગીરાને બચાવો.' મિનિટોમાં અભયમની વાન સાયરન વગાડતી રવાના. બાંગ્લાદેશી સગીરાને નશીલો પદાર્થ પીવડાવી બેભાન કરી અમદાવાદ લવાઈ હતી. દલાલો તેને દેહવ્યાપારના નરકમાં ધકેલે એ પહેલાં જ ટીમ પહોંચી ગઈ અને ઉગારી. કિસ્સો 3 • છેડતી કરનારા પાસે માફી મગાવી રાતે 1:23 — સુરતથી એક માતાનો ફોન આવ્યો- 'મારી 16 વર્ષની દીકરી ટ્યૂશન જતા ડરે છે, પેલાં છોકરાં જીવવા નથી દેતા. ક્લાસીસે હાથ ઊંચા કરી લીધા છે. પણ અભયમ મેદાને આવ્યું. ટીમે તુરંત પહોંચી જઈ રસ્તા વચ્ચે આંતરી છેડતી કરતા બેને ઝડપી પાડ્યા. પોલીસમથકે લેખિત બાંયધરી, જાહેરમાં માફી મગાવી.' ટીમ આટલું ન કરે તો ખુલાસો આપવો પડે... રિસ્પોન્સ કોલની 30 સેકેન્ડમાં રેસ્ક્યુ ટીમે નીકળી જવું જરૂરી કૉલ કરનારનું લોકેશન મેળવીને જરૂર હોય એવા કિસ્સામાં ગણતરીની સેકન્ડમાં રેસ્ક્યુ ટીમે રવાના થવાનું હોય છે, પણ જો તેમાં મોડું થાય તો કન્ટ્રોલ રૂમમાં કારણ આપવું પડે છે. રિયલ ટાઇમ લોકેશન મેપના રૂટ સિવાય રસ્તો બદલે તો ભૂલ ગણાય કોલરના લોકેશન પર પહોંચવામાં કયા રસ્તા પર ટ્રાફિક ઓછો હશે તે મેપમાં જોવાનું હોય છે. લોકેશન સિવાય ડ્રાઇવર બીજા કોઈ રસ્તા પરથી જાય તો તે તેની ભૂલ ગણાય છે, તેનો ખુલાસો કરવો પડે છે. મોનિટરિંગ સ્ક્રીન પર એક પણ કોલ વેઇટિંગમાં રાખી શકાતો નથી181 સેન્ટરમાં વિશાળ ડિસ્પ્લેમાં આવતા કૉલ્સની વિગતો હોય છે. કોઈ કૉલ વેઇટિંગમાં ન રહે એ માટે સુપરવાઇઝર મોનિટરિંગ કરે છે. અહીં સ્ક્રીન પર એક પણ કોલ વેઇટિંગમાં રાખી શકાતો નથી.
ગુજરાતના ક્લાસરૂમ્સમાં હવે ‘નમસ્તે’ને બદલે ‘અન્યોન્ગ-હાસેયો’ (કોરિયન અભિવાદન) સંભળાઈ રહ્યું છે. 2500 વિદ્યાર્થીઓ પર કરાયેલું 4 માસનું ગહન સંશોધન ચેતવણી આપે છે કે કોરિયન સંસ્કૃતિની આ ઘેલછા માત્ર મનોરંજન નથી, પરંતુ બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ભારતીય સંસ્કારો માટે ‘સ્લો પોઈઝન’ સાબિત થઈ રહી છે. સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ બાળકોને કે-ડ્રામા અને કે-પોપના એવા લૂપમાં ફસાવે છે જ્યાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. વિદ્યાર્થીઓ રાત-રાતભર જાગીને સીરીઝ જુએ છે, જેનાથી તેમની ઊંઘ અને એકાગ્રતા પર ગંભીર અસર પડી છે. સૌથી ચિંતાજનક બાબત ‘બ્યુટી સ્ટાન્ડર્ડ્સ’ છે. કોરિયન કલાકારો જેવા દેખાવા માટે બાળકો જોખમી ડાયેટિંગ કરે છે. અંદાજે 35% વિદ્યાર્થીઓ માટે આ આઈડલ્સ હવે ભગવાન સમાન છે, જે તેમને વાસ્તવિક દુનિયાથી કાપીને ‘પેરાસોશિયલ રિલેશનશિપ’ (કાલ્પનિક સંબંધો)માં ધકેલી રહ્યા છે. કોરિયન કન્ટેન્ટ એટલે શું? કોરિયન કન્ટેન્ટ, જેને “હાલ્યું ” તરીકે ઓળખવામાં આવે છે, દક્ષિણ કોરિયાની લોકપ્રિય મનોરંજન લહેર છે, જે આજે વિશ્વભરના યુવાનોને આકર્ષી રહી છે. તેમાં K-popનું ઝૂમતું સંગીત,ભાવનાત્મક K-ડ્રામા, આકર્ષક વેબ સિરીઝ, રંગીન વેબટૂન્સ અને સમકાલીન કાલ્પનિકતા, હીલિંગ રોમાન્સ તથા થ્રિલર જેવી શૈલીઓમાં પુસ્તકો, નોવેલનો સમાવેશ થાય છે. તેની સ્ટાઈલ, ભાવના અને ગ્લેમર યુવાનોના મન અને જીવનશૈલી પર ઝડપથી પ્રભાવ પાડી રહ્યા છે.(તેજસ રાવળ સાથેની વાતચીત પર આધારિત) આ રીતે થયું સંશોધન■ નિરીક્ષણ: શાળાઓમાં વિદ્યાર્થીઓની વર્તણૂક, બોલચાલ અને ડ્રેસિંગ સ્ટાઈલમાં અચાનક આવેલા બદલાવથી રિસર્ચની શરૂઆત થઈ.■ ડેટા કલેક્શન: પાટણ અને આસપાસના વિસ્તારોના 2500 વિદ્યાર્થીઓનો સર્વે અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા.■ તારણ વિશ્લેષણ: મનોવૈજ્ઞાનિક સ્કેલ પર વિદ્યાર્થીઓના તણાવ અને એકાગ્રતાનું ચોકસાઈપૂર્વક માપન કરાયું.■ પરિણામ: ડિજિટલ વ્યસન અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે સીધો અને નકારાત્મક સંબંધ પ્રસ્થાપિત થયો. બાળકો ભારતીય પરંપરા ભૂલી વિદેશી જીવનશૈલીને ઉત્તમ માને છે■ સંશોધનના તારણમાં ચોંકાવનારા સામે આવેલ આંકડા સ્ટ્રેસ લેવલ■ કોરિયન કન્ટેન્ટના અતિરેકથી તણાવનો આંક 2.1 થી વધીને 3.6 થયો■ શૈક્ષણિક ગ્રાફ: એકાગ્રતાનો સ્કોર 3.8 થી ઘટીને 2.9 પર આવી ગયો.■ ઓળખનું સંકટ: બાળકો ભારતીય સાહિત્ય અને પરંપરાઓ ભૂલીને વિદેશી જીવનશૈલીને શ્રેષ્ઠ માની રહ્યા છે.■ સામાજિક દુરી: સ્ક્રીન ટાઈમ વધતા પરિવાર સાથેના સંવાદમાં 40% નો ઘટાડો નોંધાયો. સમસ્યાનો ઉકેલ: સ્ક્રીન ટાઇમ શૂન્ય કરવો એ ઉપાય નથી■ ડિજિટલ ડાયેટ: બાળકોના સ્ક્રીન ટાઈમ પર પ્રતિબંધ નહીં, પણ ગુણવત્તાયુક્ત નિયંત્રણ રાખો.■ સંવાદ વધારો: વાલીઓ બાળકો સાથે બેસીને કન્ટેન્ટ જુએ અને તેના સારા-નરસા પાસાંની ચર્ચા કરે.■ મીડિયા લિટરસી: પડદા પરની ચમક-ધમક અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સમજાવવો જરૂરી છે.■ કાઉન્સેલિંગ: શાળાઓમાં માનસિક સ્વાસ્થ્ય માટે નિયમિત સત્રો આયોજિત કરવા જોઈએ.
ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:5 લાખ હેક્ટર જમીન NA થતા શેરડીના વાવેતરમાં 40% ઘટાડો
એક સમયે જે સુગર ફેક્ટરીઓ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિનું પ્રતીક હતી, તે આજે પોતે આર્થિક કટોકટીમાં સપડાઈ છે. ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં શેરડીના વાવેતર અને ઉત્પાદનમાં 15% થી 25% સુધીનો ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો ભૂતકાળમાં જેમ કપાસ મંડળીઓ બંધ થઈ ગઈ, તેમ રાજ્યની કાર્યરત 13 સહકારી સુગર મિલો પણ ઇતિહાસ બની જશે. બીજી તરફ વધતા શહેરીકરણને કારણે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં જ 5 લાખ હેક્ટરથી વધુ જમીનો બિનખેતી થઈ ગઈ છે. સુગર મિલો શરૂ થઈ ત્યારે એકરે સરેરાશ 34 ટન ઉત્પાદન ક્ષમતા હતી, જે હવે ઘટીને માત્ર 15 ટન પર આવી ગઈ છે. વર્ષ 2020-21માં સુગર ફેક્ટરીઓએ 97.99 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કર્યું હતું, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર 72.40 લાખ મેટ્રિક ટન (અંદાજિત) રહી ગયું છે. તેવી જ રીતે, ખાંડનું ઉત્પાદન પણ 1 કરોડ ક્વિન્ટલથી ઘટીને 75.49 લાખ ક્વિન્ટલ પર આવી ગયું છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ઉદ્યોગની ક્ષમતામાં સરેરાશ 25% નો ઘટાડો થયો છે. વર્ષ 2016-17માં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન સરેરાશ 4000 રૂપિયા મળતા હતા, જે આજે વર્ષ 2024-25માં ઘટીને 3500 રૂપિયાની આસપાસ પહોંચ્યા છે. બીજી તરફ, મજૂરી, ખાતર અને ડીઝલના ભાવ બમણા થઈ ગયા છે. ખેડૂતો માટે હવે શેરડીની ખેતી ‘ખોટનો ધંધો’ સાબિત થઈ રહી છે. કેમ ડગમગી રહ્યો છે સુગર ઉદ્યોગ? આ છે 3 મુખ્ય કારણો1. સરકારની MSP નીતિ અને આર્થિક વિસંગતતા:કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની MSP (લઘુત્તમ ટેકાના ભાવ) માત્ર 3100 રૂપિયા રાખવામાં આવી છે, જે ઉત્પાદન ખર્ચ સામે અત્યંત ઓછી છે. બજારમાં ચોખા જેવી જણસી 50 રૂપિયે કિલો મળે છે, જ્યારે જટિલ પ્રોસેસ બાદ તૈયાર થતી ખાંડ માત્ર 38 રૂપિયે કિલો વેચાય છે. 2. શહેરીકરણ અને બિનખેતી થતી જમીન: દક્ષિણ ગુજરાતમાં વધતા ઉદ્યોગો અને હાઈવે પ્રોજેક્ટ્સને કારણે છેલ્લા 5 વર્ષમાં અંદાજે 5 લાખ હેક્ટર જમીન બિનખેતી (NA) થઈ ગઈ છે. ખેતીલાયક જમીન ઘટતા સીધી અસર શેરડીના વાવેતર પર પડી છે. 3. સંચાલકોની નિષ્ક્રિયતા અને રાજકીય દબાણ: સુગર ફેક્ટરીઓના મોટાભાગના સંચાલકો સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં, તેઓ કેન્દ્ર કે રાજ્ય સરકાર સમક્ષ ખાંડ ઉદ્યોગની વાસ્તવિક સ્થિતિ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે. પીલાણના દિવસો 180 થી ઘટીને 120 થઈ ગયા હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આંકડાની નજરે ખાંડ ઉદ્યોગની દશા દક્ષિણ ગુજરાતનું અર્થતંત્ર ખાંડ ઉદ્યોગ પર ટકેલુંગુજરાતમાં 141 લાખ હેક્ટર શેરડીનું વાવેતર થાય છે, જે અંદાજે 22,500 કામદારોને સીધી અને 5 લાખ લોકોને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. ઉદ્યોગનું વાર્ષિક 4 હજાર કરોડ ટર્નઓવર છે, જેમાં 95% હિસ્સો માત્ર દક્ષિણ ગુજરાતનો છે.
ભાસ્કર બ્રેકિંગ:‘પોપટ છાપ ભણતર’ બંધ થશે! ગોખણપટ્ટી નહીં પણ ‘સમજો અને જાતે કરો’ ભણાવાશે
ગુજરાતમાં સ્કૂલ શિક્ષણને સંપૂર્ણ બદલવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 2 થી 11માં 24 વિષયોના પાઠ્યપુસ્તકો બદલાશે. સરકારનું ફોકસ હવે ‘ગોખવાના અભ્યાસક્રમ’થી હટીને ‘સમજીને અને જાતે કરી શકાય’ તેના પર છે. નવી શિક્ષણ નીતિ મુજબ 2030 સુધીમાં ધોરણ 2થી 12 સુધીના તમામ પાઠ્યપુસ્તકો બદલી દેવાશે. ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયો એનસીઈઆરટીના પુસ્તકોના આધારે તૈયાર રહેશે, જ્યારે કે અન્ય વિષયો ગુજરાતમાં જ તૈયાર થશે. સૌથી મોટો બદલાવ રહેશે કે હવે બાળકોને ગોખણ પટ્ટી કરવાની જરૂર રહેશે નહીં, પરંતુ પ્રવૃત્તિ દ્વારા શિખવાડાશે. ઉદાહરણ તરીકે, વિજ્ઞાન અને ગણીત જેવા અઘરા વિષયોના મુદ્દાઓને હવે રમત, પ્રયોગ અને રોજિંદા જીવનના ઉદાહરણોથી સમજાવાશે. ધોરણ 9 અને 11ના કમ્પ્યુટરના વિષયમાં પણ મોટો બદલાવ કરાયો છે. હવે એઆઇ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ જેવા વિષયોને જોડવામાં આવ્યા છે. વિદ્યાર્થી હવે વાસ્તવીક જીવનની સમસ્યાઓ સોફ્ટવેરના માધ્યમથી હલ કરવાનું શિખશે. સરકારનો દાવો છે કે, નવા પાઠ્યપુસ્તકો બાદ વિદ્યાર્થીઓએ ગાઇડ કે અન્ય ઇત્તર સાહિત્યની જરૂર રહેશે નહીં. સાથે જ શિક્ષકોને પણ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા ટ્રેનિંગ અપાશે, જેથી શિક્ષકો પણ નવી ટેકનોલોજીને યોગ્ય રીતે શીખી શખે. અકંદરે આ તમામ બદલાવ ગુજરાતની શિક્ષણ પદ્ધતિને આધુનિક, પ્રેક્ટિકલ અને ભવિષ્ય માટે તૈયાર કરવાની દીશામાં મોટુ પગલું માનવામાં આવી રહ્યું છે. નવી ઢબે ભણતર: એ બધું જે તમે જાણવા માગો છો હવે સ્કિલ આધારીત શિક્ષણનવી શિક્ષણ નીતિ પછી સરકાર પર દબાણ હતું કે શિક્ષણને સ્કિલ બેઇઝ્ડ બનાવવામાં આવે. ઉદ્યોગોની પણ એ જ માંગ હતી. કારણ એ પણ હતું કે કોચિંગ અને ગાઈડના પ્રભાવ પર અંકુશ આવે. કારણ કે તેનાથી શિક્ષણના મૂળ આશયને અસર થઈ રહી હતી. જુનિ શિક્ષણ વ્યવસ્થા નવી વ્યવસ્થામાં શું બદલાવ? | વિદ્યાર્થી પર અસર શિક્ષકો પર અસર સિસ્ટમ પર અસર ભવિષ્ય પર અસર નવા પાઠ્યપુસ્તકોમાં શું બદલાશે : પ્રવૃત્તિ, સમૂહકાર્ય તથા બાળકોમાં જિજ્ઞાસા સર્જાય એવા પ્રયાસો પર ભાર 1. ગોખણ પટ્ટીના સ્થાને પ્રવૃત્તિલક્ષી અભ્યાસ઼ હવે અભ્યાસ યાદ કરવા સુધી સિમિત નહીં રહે. બાળકો પ્રવૃત્તિ, પ્રોજેક્ટ અને સમુહ કાર્ય દ્વારા પોતે જ મુદ્દાની સમજ વિકસીત કરશે. જેનાથી કોન્સેપ્ટ લાંબા સમય સુધી યાદ રહેશે અને તેનાથી વ્યાવહારીક જ્ઞાનમાં પણ વધારો થશે. 2. વિજ્ઞાનમાં પ્રયોગ આધારીત શિક્ષણ વિજ્ઞાન માત્ર પાઠ્યપુસ્તકો સુધી સિમિત નહીં રહે. વિદ્યાર્થી જ નાના પ્રયોગ કરીને શીખશે, જેમ કે ખોરાકમાં પોષક તત્વોની ઓળખ કરવી. જેનાથી બાળકોની જિજ્ઞાસા પણ વધશે અને વિષય વધારે રોચક અને સમજવા માટે યોગ્ય રહેશે. 3. ગણિતને સરળ બનાવાયું ગણિતને રોજિંદાના ઉદાહરણો સાથે જોડવામાં આવ્યા છે. મોલના ફ્લોર જેવા ઉદાહરણથી પ્લસ- માઇનસ સમજાવાશે, જેથી બાળકોને ગણિતની વ્યાખ્યા અને મુદ્દાઓ પણ સરળ અને વ્યાવહારીક લાગશે.
ભાસ્કર એક્સક્લુસિવ:બિલ નહીં ભરો તો કનેક્શન કપાશે,પછી સ્માર્ટ મીટર જ લાગશે
માર્ચ મહિનો પૂરો થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ બાકી લેણાં વસૂલવા માટે પાટણમાં કુલ 2,472 ગ્રાહકો પાસે ₹3.95 કરોડનું બાકી હોવાથી ટાર્ગેટ પૂર્ણ કરવા 8 ટીમો મેદાનમાં ઉતારી છે. જો ગ્રાહક બાકી બિલ ન ભરે તો તેનું જૂનું કનેક્શન કાપી નાખે છે અને એ નવી અરજી કરે એટલે ફરજિયાત ‘સ્માર્ટ મીટર’ લગાવી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં 400 કનેક્શન કાપી 350 સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે. 50 અરજી અંગે મીટર લગાવવાની કામગીરી પ્રક્રિયામાં છે. વીજ બિલ બાકી વિગતો 85 ટકા લક્ષ્યાંક અધુરોહાલમાં પાટણમાં કુલ 77,000 વીજ ગ્રાહકોમાંથી અત્યાર સુધીમાં માત્ર 10,200 ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યા છે. હાલમાં 85 ટકાનો લક્ષ્યાંક અધુરો હોય શહેરના તમામ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાનો તેમનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો છે. લોકો સ્વેચ્છાએ સ્માર્ટ મીટર લગાવવા આગળ આવી રહ્યા ના હોય UGVCL દ્વારા હવે જે જૂના વીજ કનેક્શન કપાય છે અથવા કોઈ ફોલ્ટ સર્જાય તો ત્યાં નવા સ્માર્ટ મીટર લગાવીને લક્ષ્યાંક પૂર્ણ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જેને લઇ માર્ચ એન્ડિંગમાં જેમના પણ બિલો બાકી છે તેમના ઝડપથી વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે જેને લઇને ત્યાં નવા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી શકાય છે. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. યુજીવીએલ સાથે સંવાદસવાલ: લોકો જૂના મીટર માંગે છે, તો સ્માર્ટ મીટર જ કેમ લગાવો છો?જવાબ: કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હવે જૂના મીટરની ખરીદી બંધ છે. રીડિંગમાં કોઈ ફરક નથી, માત્ર ટેકનોલોજી બદલાઈ છે. કનેક્શન કપાયા બાદ મીટર માટે અરજી કરતા નવા જ સ્માર્ટ મીટર લાગશે. સવાલ: ઘરે કોઈ ના હોય તો જાણ કર્યા વગર લાઈટ કેમ કાપો છો?જવાબ: અમે પાડોશીનો સંપર્ક કરીએ છીએ, મોબાઈલ પર મેસેજ પણ આપીએ છીએ. તમામ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે જ કાર્યવાહી થાય છે. સવાલ: સ્માર્ટ મીટર પ્રત્યે લોકોમાં વિશ્વાસ ઊભો કરવા શું કરવામાં આવી રહ્યું છે?જવાબ: ગ્રાહકને સમજાવવામાં આવે છે કે માત્ર ટેકનોલોજી બદલાઈ છે. મીટર રીડિંગમાં કોઈ જ ફરક આવતો નથી છતાં પણ જો વિશ્વાસમાં ના આવે તો અંતે તેમના ભ્રમ દૂર કરવા માટે એક મહિના માટે સ્માર્ટ મીટર સાથે જૂનો મીટર પણ ત્યાં લગાવવામાં આવે છે અને તેમને રીડિંગ ચેક કરવા માટે કહેવાય છે. જેથી લોકો ઇન્સ્ટોલ કરાવે છે. એકવાર બંનેના રીડિંગ સરખા આવ્યા બાદ જૂનું મીટર હટાવી દેવામાં આવે છે. ગ્રાહકોએ કહ્યું, વીજબિલ ન ભરતાં કનેક્શન કાપી નાખ્યું, ફરી ચાલુ કરવા માટે અરજી કરી તો કહ્યું સ્માર્ટ મીટર લાગશે કિસ્સો: 1 –ચેતનભાઈના ઘરે છેલ્લા બે મહિનાનું વીજ બિલ બાકી હતું. માર્ચ એન્ડિંગ હોવાથી UGVCLની ટીમ વસુલાત માટે ઘરે પહોંચી બિલ ભરપાઈ ન થતા કનેક્શન કાપી નાખ્યું હતું. જ્યારે બાકી રકમ ભરીને કનેક્શન ફરી ચાલુ કરાવવા અરજી કરી, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હવે જૂનું મીટર પાછું નહીં લાગે. ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવું પડશે. એટલે અંધારામાં રહેવા કરતાં મેં સ્માર્ટ મીટર સ્વીકારી લીધું છે. કિસ્સો: 2 –શૈલેષભાઈની દુકાનનું બિલ બાકી હોવાથી તંત્રએ કનેક્શન કાપ્યું હતું. જ્યારે તેઓ નવું કનેક્શન લેવા ગયા ત્યારે તેમને સ્માર્ટ મીટર માટે દબાણ કરાયું. શૈલેષભાઈએ દલીલ કરી કે સ્માર્ટ મીટર રીડિંગમાં ભૂલ બતાવે છે. આખરે તંત્રએ વચગાળાનો રસ્તો કાઢ્યો અને નવુ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવાની સાથે તેમનો ભ્રમ દૂર કરવા બાજુમાં થોડા સમય માટે જ તેમનું જૂનું મીટર પેરેલલ (સમાંતર) તરીકે રાખ્યું છે. જેથી એક માસના લાઈટ બિલ બાદ બંનેના રીડિંગ ચકાસી શકશે.
ચોરે કરી હાથ સફાઈ:સાબરમતી- જેસલમેર ટ્રેનમાં કોલેજીયન યુવતીનું પર્સ ચોરાયું
સાબરમતી- જેસલમેર ટ્રેનમાં કોલેજીયન યુવતીની બેગમાંથી અજાણ્યો શખ્સ રોકડ અને સોનાની ચુની સહિત રૂ.26,137ની મત્તા ભરેલું પર્સ ચોરી ગયો હતો.. ધાનેરાના થાવર ગામની અને મહેસાણાની નવદીપ સોસાયટીમાં રહી પાટણ ખાતે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી ગોમતીબેન ભેમાભાઇ ચૌધરી પરીક્ષા આપવા માટે પાટણ જઈ રહી હતી. ત્યારે સાબરમતી-જેસલમેર ટ્રેનમાં ભીડનો લાભ લઈ અજાણ્યા શખ્સે તેની કોલેજ બેગમાં રાખેલું પર્સ સેરવી લીધું હતું. ટ્રેન ઉપડ્યા બાદ તપાસ કરતાં ખબર પડી કે બેગની ચેન ખોલી અંદરથી નાનું પર્સ કોઇ ચોરી ગયું છે. જેમાં રોકડ, સોનાની ચુની અને 2 પેનડ્રાઈવ મળી રૂ.26,137ની મત્તા હતી. તપાસ બાદ પર્સ ન મળી આવતાં આખરે મહેસાણા રેલવે પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીછે.
બેંક મેનેજર ઉપર હુમલો:ગોરીસણાના બેંક મેનેજરને દેલવાડાના સરપંચ અને તેમના પુત્રએ લાફા ઝીંક્યા
ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામે યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં પૂરતી રોકડ ન હોવાનું કહેતાં ઉશ્કેરાયેલા દેલવાડાના સરપંચ અને તેમના પુત્રએ બ્રાંચ મેનેજરને ગડદાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકે નોંધાતાં અટકાયત કરવામાં આવી હતી . ગોરીસણા યુનિયન બેંકમાં બપોરે સમીરખાન તાજમહંમદ મકરાણી નામનો ગ્રાહક રૂ.50 હજારનો ચેક લઈને નાણાં ઉપાડવા આવ્યો હતો. કેશિયર હર્ષિતાબેને બેંકમાં પૂરતી રોકડ ન હોવાથી થોડીવાર રાહ જોવા અથવા પછી આવવા જણાવ્યું હતું. આ સાંભળી તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેના પિતા તાજમહંમદ મહેરાબખાન મકરાણી (દેલવાડા ગામના સરપંચ)ને ફોન કરીને બોલાવ્યા હતા. સરપંચ તાજમહંમદે બેંકમાં આવી મેનેજર સુનિલકુમાર સરીયાને ગાળો આપી, લાફો મારી દીધો હતો અને છાતીના ભાગે ગડદા માર્યા હતા અને શર્ટ ફાડી નાખ્યું હતું. તેમજ હું દેલવાડાનો સરપંચ છું, તું બહાર નીકળ તને જાનથી મારી નાખીશ અને બેંક બંધ કરાવી દઈશની ધમકી આપી હતી. ઘટનાની જાણ પોલીસ હેલ્પલાઇન 112ને કરતાં ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પિતા-પુત્રની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
હુમલો:વસાઇમાં અર્ધનગ્ન હાલતમાં ફરતા શખ્સને ઠપકો આપતાં પડોશી પર હુમલો, 5ને ઇજા
વિજાપુર તાલુકાના વસાઈ ગામે ઘર આગળ અર્ધનગ્ન હાલતમાં ઊભા રહી ગંદા ગીતો વગાડતા શખ્સને ઠપકો આપતાં 9 શખ્સોએ લોખંડની પાઇપ અને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં 5 જણાને ઇજા પહોંચી હતી. હુમલાની ઘટના ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેના આધારે ઈજાગ્રસ્ત યુવતીએ 9 શખ્સો વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ શખ્સોએ અગાઉ પણ વર્ષ 2012માં પણ હુમલો કર્યો હતો નિકિતાબેન પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 18 માર્ચે રાત્રે વિજય કાંતિભાઈ પરમાર નામનો શખ્સ તેમના ઘર પાસે અર્ધનગ્ન હાલતમાં આંટા મારતો હતો અને મોબાઇલમાં ખરાબ વીડિયો જોઈ બિભત્સ ગીતો વગાડી લલકારતો હતો કે, હવે હું નવરો થઈ ગયો છું, જેણે સામે આવવું હોય તે આવી જાવ, ટાંગા ભાંગી નાખીશ. યુવતીએ ડરના માર્યા તેના કાકાને બોલાવતાં વિજય, રમેશ અને કાંતિ પરમારે લોખંડની જાળી તોડી ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પરિવાર બચાવ માટે બહાર આવતાં ટોળાએ પાઇપ યુવતીના માથામાં મારી હતી. અન્ય મહિલાઓ છોડાવવા વચ્ચે પડતાં તેમની સાથે પણ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં નિકિતાબેન સંજયભાઈ પરમાર, તેમના બહેન મોનિકાબેન, કાકા રાજુભાઇ વરૂભાઇ, કાકાનો દીકરો દક્ષ અને કાકીને ઇજા થઇ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ 9 સામે ફરિયાદ 1. વિજય કાંતિભાઈ પરમાર 2. કાંતિભાઈ શિવાભાઈ પરમાર 3. રમેશ કાંતિભાઈ પરમાર 4. લકુભાઈ કાળાભાઈ પરમાર 5. સુજલ દિનેશભાઈ પરમાર6. આરતી ઉર્ફે ગગલી કાંતિભાઈ 7. સોનલબેન મનોજભાઈ 8. ઉર્મિલાબેન દિનેશભાઈ પરમાર 9. કાજલબેન વિજયભાઈ પરમાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રવિવારે ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) લેવામાં આવશે. જિલ્લામાં ચાર વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું જ ભૂલી ગયા હતા. જ્યારે અન્ય ચાર વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં એના બદલે બી ગ્રુપ લખાયેલું હતું. આ તમામ આઠ વિદ્યાર્થીએ શાળા મારફતે શિક્ષણ બોર્ડમાં રજૂઆત કરતાં, બોર્ડે રૂ.1000 લેટ ફી સાથે પરીક્ષાની સંમતી આપી હતી. આથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ આઠે વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં બેઠક વ્યવસ્થા કરાઇ છે. જિલ્લામાં એ ગ્રુપના 1680, બી ગ્રુપના 2383 અને એ-બી ગ્રુપના 7 મળી કુલ 4070 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જેમાં 2117 વિદ્યાર્થી અને 1953 વિદ્યાર્થિનીઓ છે. જેમાં ગુજરાતી માધ્યમના 3206 અને અંગ્રેજી માધ્યમના 864 પરીક્ષાર્થીઓ છે. આ પરીક્ષા માટે મહેસાણા શહેરના 19 કેન્દ્રોના 205 બ્લોકમાં વ્યવસ્થા કરાઇ છે. એ ગ્રુપમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત મળી ત્રણ પેપરના કુલ 120 ગુણના MCQ (બહુવિકલ્પ) પ્રશ્નો આપવાના રહેશે. આ જ રીતે બી ગ્રુપમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન મળી ત્રણ પેપરના 120 ગુણના પ્રશ્નો આપવાના રહેશે. જ્યારે એ-બી સંયુક્ત ગ્રુપના વિદ્યાર્થીઓએ 160 ગુણના પ્રશ્નો આપવાના થશે.
શહેરમાં મકાનોની કિંમત-ભાવ વધશે:હવે પછી દરેક બાંધકામમાં વિકાસચાર્જ' ભરવો પડશે
મહેસાણા મહાનગરપાલિકાએ ભૌતિક અને માળખાગત સુવિધાઓ ડેવલપ કરવાના આયોજન સાથે વિકાસ નકશાનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કરી વાંધા સૂચનો માટે મૂક્યો છે. એ જ રીતે બાંધકામોમાં હવે સૂચિત વિકાસ ચાર્જ પણ દર્શાવી દેવામાં આવ્યા છે અને આગામી ત્રણ મહિના વાંધા -સૂચનો પછી રાજ્ય સરકારને દરખાસ્ત કરીને ઘટાડા કે વધારા સાથે નવા વિકાસ ચાર્જ લેવાનું શરૂ કરવામાં આવશે. બાંધકામ પરવાનગી વખતે અત્યારે પ્રતિ ચોરસ મીટર રહેણાંકમાં 350 એમીનિટી ચાર્જ લેવાય છે. ટાઉન પ્લાનિંગ વિસ્તારમાં બાંધકામ વખતે બેટરમેન્ટ ચાર્જ પણ લેવાય છે. હવે આ ઉપરાંત દરેક બાંધકામમાં વિકાસ ચાર્જ મહાનગરપાલિકાએ સૂચિત કર્યા છે, જે વાંધા સૂચનોના નિકાલ પછી આખરી થઈ અમલમાં આવશે. નવા વિકાસ ચાર્જના પગલે બાંધકામ કિંમત ઉચકાશે અને મકાનોની કિંમતો, ભાવો પણ વધશે તે નક્કી છે.
ઉત્તર ગુજરાતમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ:આજે મહેસાણા જિ.માં થંડરસ્ટ્રોમ સાથે હળવા વરસાદની શક્યતા
પશ્ચિમી પવનના પ્રભાવથી શનિવારે હવામાં ભેજનું પ્રમાણ વધતાં આકાશ દિવસભર સામાન્ય વાદળછાયું રહ્યું હતું, જેના કારણે તાપમાનમાં પોણા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને પારો 36 ડિગ્રીથી નીચે રહ્યો હતો. જોકે વધેલી ભેજને કારણે ઉકળાટ સાથેની ગરમીથી લોકો પરેશાન રહ્યા હતા. હવામાન વિભાગે રવિવારે વધુ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સાથે આગામી 5 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ, તેજ પવન અને છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં રવિવારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં થંડરસ્ટ્રોમ સાથે હળવા વરસાદની વકી છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે સરેરાશ 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. પશ્ચિમી પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતાં વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું હતું. જેને લઇ દિવસના તાપમાનમાં પોણા 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તાપમાન 36 ડિગ્રીથી નીચે રહ્યું હતું, પરંતુ વધુ પડતાં ભેજના કારણે ઉકળાટ સાથેની ગરમીનો અનુભવ યથાવત રહ્યો હતો. આજે રવિવારે ગરમીમાં વધુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના ટુંકાગાળાના અનુમાન મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 એપ્રિલ સુધી વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે. આ દરમિયાન પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન અને હળવી મેઘગર્જના સાથે છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. જો કે, પ્રિ-મોનસૂન વરસાદના આ રાઉન્ડમાં વરસાદની તિવ્રતા અને વિસ્તાર મર્યાદિત રહી શકે છે. એટલે કે, વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે.
કલેક્ટરની કડક સૂચના:ગ્રામ્ય કક્ષાએ પ્રજાના કામો ઝડપી પૂર્ણ કરી નિરાકરણ લાવો
બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા સંકલન બેઠકમાં વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને કડક સૂચના અપાઈ હતી. બેઠકમાં પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ, વિવિધ વિભાગોના કામોની સમીક્ષા તેમજ સંકલન વધારવા પર ભાર મૂકાયો હતો. પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીના મિટિંગ હોલમાં શુક્રવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછાયેલા પ્રશ્નો અંગે અધિકારીઓએ આપેલા જવાબોની સમીક્ષા સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે વિવિધ રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી પ્રગતિ અહેવાલ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંકલન વધારી પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, ધારાસભ્યોના પ્રશ્નોને સમયમર્યાદામાં હકારાત્મક ઉકેલ આપવો તેમજ વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવું અત્યંત જરૂરી છે. આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, નેશનલ હાઈવે અને ખાણ-ખનીજ વિભાગ સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
માર્ચ એન્ડિંગને લઈને નિર્ણય:જિલ્લાના 14 માર્કેટયાર્ડ આજથી ત્રણ દિવસ બંદ
માર્ચ એન્ડિંગને પગલે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં આજથી ત્રણ દિવસ માટે ખરીદી-વેચાણ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતો અને વેપારીઓની રોજિંદી લેવડદેવડ પર અસર પડશે અને પાક વેચાણ માટે ખેડૂતોને થોડા દિવસ રાહ જોવી પડશે. આ નિર્ણય નાણાકીય વર્ષના અંતિમ હિસાબ, ઓડિટ અને વહીવટી પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે. જેના કારણે ખેડૂતો અને વેપારીઓની રોજિંદી પ્રવૃત્તિ પર સીધી અસર પડશે અને પાક વેચાણ માટે ખેડૂતોને થોડા દિવસ રાહ જોવી પડશે. ખાસ કરીને ડીસા અને લાખાણી વિસ્તારમાં બટાકાના વેપાર માટે સબ યાર્ડ મહત્વ ધરાવે છે, જ્યારે થરાદ અને વાવ વિસ્તારમાં જીરું, રાયડો અને એરંડાની આવક વધુ રહે છે. પાલનપુરના ગઢ અને ચડોતર સબ યાર્ડ શાકભાજી અને અનાજ માટે જાણીતા છે. ત્રણ દિવસના બંધને કારણે કોઈપણ પ્રકારની ખરીદી-વેચાણ, હરાજી કે લેવડદેવડ નહીં થાય. તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ પોતાનો પાક વેચાણ માટે માર્કેટયાર્ડ ખુલ્યા બાદ જ લાવે. વેપારીઓ માટે પણ આ સમયગાળો હિસાબી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે મહત્વનો રહેશે.
મુસાફરી વધુ સુલભ બનશે:પાલનપુર એસટી ડિવિઝનને 22 નવીન બસો ફાળવાઈ
પાલનપુર એસટી ડિવિઝનને કુલ 22 નવી બસો ફાળવાતા ડિવિઝન હેઠળના વિવિધ ડેપોમાં વહેંચણી કરવામાં આવી છે. નવી બસો શરૂ થતાં ગ્રામ્ય અને શહેર વિસ્તારો વચ્ચે અવર-જવર વધુ સરળ બનવાની સાથે મુસાફરી વધુ સુલભ બનશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના અલગ અલગ ડિવિજનને 182 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં પાલનપુર એસટી ડિવિઝનને 22 નવી બસો ફાળવવામાં આવી હતી. આ નવી બસો ડિવિઝન હેઠળના વિવિધ ડેપોમાં વહેંચવામાં આવી છે, જેના કારણે મુસાફરોને વધુ સુવિધા મળશે. પાલનપુર એસટીના પરિવહન અધિકારી વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, અંબાજી અને ડીસા ડેપોને 2-2 બસો, સિદ્ધપુરને 1 બસ, દિયોદરને 4 બસો, રાધનપુર અને પાલનપુરને 5-5 બસો તેમજ થરાદને 3 બસો ફાળવવામાં આવી છે. આ વહેંચણીના કારણે તમામ વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થા મજબૂત બનશે.
શાંતિબેન હત્યા કેસની માસ્ટરમાઇન્ડ રેખાના ડિટેલ ગુનાનો ભેદ ઉકેલશે પણ હત્યારા જાહેર કરવામાં પોલીસ વિલંબ કરી રહી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ ડૉ.સુનિલ જોશીએ જણાવ્યું કે ડિપ્રેશનથી આઘાત લાગ્યો હોય તેવી દર્દીએ ફરિયાદ કરતા મહિલા દર્દીને પોલીસ જાપ્તા સાથે દાખલ કરવામાં આવી હતી. શુક્રવારે તેની તબિયત સારી થયા બાદ અહીંથી રજા આપવામાં આવી છે. હાલ આ હિચકારી ઘટનાની સમગ્ર તપાસ પાલનપુર પશ્ચિમ પોલીસ કરી રહી છે. તેવામાં આ તપાસ ન્યાયિક દિશામાં થાય અને દોષિતોને કડકમાં કડક સજા મળે તેવી માંગ સમાજના આગેવાનો દ્વારા થઈ રહી છે. જોકે ઘટનાના ત્રીજા દિવસે પણ પોલીસે આરોપીઓ જાહેર કર્યા નથી. પોલીસ દ્વારા આરોપીઓ જાહેર કરવામાં કેમ વિલંબ સર્જાઇ રહ્યો છે તેને લઈ ભાસ્કરે સવાલ ઉઠાવતા પશ્ચિમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે કેટલાક પુરાવાઓ રેકર્ડ પર લેવાના બાકી છે. ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. પાલનપુર શહેરના અત્યંત વ્યસ્ત અને પોશ ગણાતા હનુમાન ટેકરી વિસ્તારમાં બનેલી શાંતિબેન આકેડીવાલાની બર્બરતાપૂર્વક હત્યાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. આ ચકચારી હત્યાકાંડની મુખ્ય સૂત્રધાર ગણાતી રેખા અને તેના પતિએ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ઉભા કરેલા ફર્નિચરના વ્યવસાયના ઓથ હેઠળ આ ગંભીર ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષોથી ચાલતા આ દબાણ સામે તંત્રની નિષ્ક્રિયતા અને પોલીસ દ્વારા આરોપીઓના નામ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબને કારણે સ્થાનિકો અને સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધર્મની બહેન તરીકે ઓળખાતી રેખાએ કેવી રીતે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો અને આ હત્યા પાછળ અન્ય કોઈ મોટા માથાઓનો હાથ છે કે કેમ, તે દિશામાં અત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસ તપાસ ચલાવી રહી છે. શાંતિની બહેનોએ કહ્યું, પૈસાની ઉઘરાણી મુદ્દે ટેન્શનમાં હતી બીજી તરફ મૃતક શાંતિબેનના પાર્થિવ શરીરનો શુક્રવારે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવતા નેપાળથી તેમનો પરિવાર પણ આકેડી પહોંચી ગયો હતો. તેમના મોટી બહેન કલ્પનાએ જણાવ્યું કે ગત સપ્તાહે શુક્રવારે મોડી રાત્રે શાંતિબેનનો ફોન આવ્યો હતો. એક કલાક સુધી વાતો થઈ હતી. તે રેખાને આપેલા દાગીનાને લઈને ચિંતિત હતી. ઈદ પછી એ ડબલ પૈસા આપી દેશે એવું પણ એ કહેતી હતી. તેવામાં હવે પોલીસ દ્વારા રેખા રાઠોડની કોલ ડિટેલ ખંગાળવામાં આવશે તેવી પોલીસ સૂત્રો દ્વારા વિગતો પ્રાપ્ત થઈ છે. કરોડો રૂપિયાની સરકારી મોકાની જગ્યા વર્ષોથી પચાવી પાડી હતી. નેપાળથી આવેલી બંને બહેનોએ કહ્યું શુક્રવારે રાત્રે એક કલાક સુધી વાત થઈ હતી.
રજૂઆત:અગરિયાઓને પણ PM કિસાન સન્માન નિધિ, 3 લાખ સુધીની વ્યાજમુક્ત લોનનો લાભ આપો
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી મીઠું પકવતા અગરિયા પરિવારોને થયેલા નુકસાન અંગે સુરેન્દ્રનગરના સાંસદે લોકસભામાં રજૂઆત કરી હતી. સાથે કચ્છના નાના રણમાં સદીઓથી અગરિયાઓને પણ ખેડૂતોની જેમ PM કિસાન સન્માન નિધિ અને રૂ. 3 લાખ સુધીની વ્યાજમુક્ત લોનનો લાભ મળે તેવી કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ લોકસભામાં બોલતા જણાવ્યું હતું કે, રણમાં મીઠું પકવતા અગરીયા સમુદાયને પવન અને વાવાઝોડાથી થયેલા નુકશાન બાદ સરકારને ધ્યાન દોર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા તાકીદે અગરિયાઓને થયેલી નુકશાનીનો સર્વે કરાવવા બદલ સાંસદ ચંદુભાઈ શિહોરાએ ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં ગાંધીનગર ખાતે અગરિયા મહાસંઘના પ્રતિનિધિઓએ દસાડાના ધારાસભ્ય અને જિલ્લા પ્રભારી મંત્રી સાથે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તાજેતરમાં આવેલા વિનાશક વાવાઝોડાને કારણે કચ્છના નાના રણ વિસ્તારમાં અગરિયા પરિવારોને થયેલા ભારે નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને દસાડા લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર સાથે અગરીયા પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સોલાર પેનલો, મીઠાના ઉત્પાદન, રહેણાંકના છાપરા અને ઘરવખરીમાં થયેલા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે અસરગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર ચૂકવવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પ્રાથમિક સર્વે કરાવવાની અને સર્વે રિપોર્ટના આધારે નુકસાનગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી. આ રજૂઆત સમયે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા અને પ્રહલાદભાઈ સહિતના અગરિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 19મી માર્ચે કચ્છના નાના રણમાં આવેલા વાવાઝોડામાં મીઠું પકવતા અગરિયા સમુદાયની સોલાર પેનલોને ભારે નુકસાન થયું હતું અને મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. આ ઘટના બાદ મીઠું પકવતા અગરિયા સમુદાયને થયેલી નુકસાનીનો પ્રથમ વખત સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શનિવારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીના સ્ટાફે રણમાં ઝૂંપડે ઝૂંપડે જઈને નુકસાનનો સર્વે શરૂ કર્યો હતો, જેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે.
સમસ્યા:મોટીમાલવણ ગામમાં સોલાર પ્લાન્ટ સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી સામે વિલંબ
ધ્રાંગધ્રાના મોટી માલવણ સોલાર કંપની સામે લેન્ડ ગ્રેબિંગ માટેની ડેપ્યુટી કલેક્ટર દ્વારા અરજી કર્યા બાદ વિલંબ થતા ભારે ચર્ચા જોવા મળી. ત્યારે કંપની દ્વારા સરકારી જમીન પર મંજૂરી વગર 41 વીજ પોલ નાખવામાં આવ્યા હતા. તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામ ખાતે આવેલી અને સતત વિવાદિત સોલર કંપની સામે તંત્ર પણ ઢીંચણીયે પાડી ગયું હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. જેમાં મોટી માલવણ ગામે સોલર કંપની દ્વારા જુદા જુદા સરકારી જમીનો પર તંત્રની પૂર્વ મંજૂરી વગર 41 વીજ પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. અને આ વીજ પોલ વીજ પૂરવઠો પણ શરૂ કરી દેવાયો છે. તેવામાં આગાઉ ધ્રાંગધ્રાના તત્કાલિન પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યને આ અંગે રજૂઆતો થતા ખાનગી સોલર કંપની લેન્ડ ગ્રેબિંગ કરવા માટે જિલ્લા કલેકટરને અહેવાલ કરવામાં આવ્યો હતો. પરંતુ અહેવાલને 2 મહિના જેટલો સમય વીતી ગયા છતા પણ હજુ સુધી ખાનગી કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ તરફ સામાન્ય વ્યક્તિ પર જમીન દબાણ મામલે અરજીની તત્કાલ કાર્યવાહી કરીને લેન્ડ ગ્રેબિંગનો હુકમ કરી ગુનો દાખલ કરવામાં આવે છે. પરંતુ ખાનગી કંપની સામે બે મહિના જેટલો સમય વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા તંત્ર પણ ખાનગી કંપની સામે ઘૂંટણિયે થઈ ચૂક્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
ગ્રામજનો પરેશાન:6000ની વસતી માટે ગટર, રોડ, લાઈટ, સરકારી દવાખાનું જેવી સુવિધા જ નથી
જૈનાબાદ ગામમાં રસ્તા, લાઇટ, ગટર સહિતની સુવિધાના અભાવે ગ્રામજનો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ ગામમાં ગામ લોકોને પ્રાથમિક સુવિધાઓ કરાય તેવી માંગ ઉઠી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના અંતિરયાળ ગામડાઓમાં હજુ પણ લોકોને જીવન જરૂરીયાત પૂરતી સુવિધા ન મળતી હોવાથી હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે પાટડી-દસાડા તાલુકાના જૈનાબાદ ગામની અંદાજે 6000ની વસ્તી છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને ખેતમજૂરી છે. શિક્ષણ માટે અહીં ધોરણ 1થી 12 સુધીની સુવિધા ઉપલબ્ધ છે, જે આસપાસના વિસ્તાર માટે આશીર્વાદરૂપ છે. ગામમાં પાકા રસ્તાનો સદંતર અભાવ છે. રસ્તાઓ અત્યંત બિસ્માર અને ઉંચાણ-નિચાણવાળા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો સતત ભય રહે છે. આ ઉપરાંત, ગટર લાઇનના અભાવે ગંદા પાણી રસ્તા પર જ ફરી વળે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ગામમાં સરકારી દવાખાનું ન હોવાથી ગંભીર બીમારી કે ઈમરજન્સીના સમયે લોકોએ દૂર સુધી લાંબા થવું પડે છે. પીવાના પાણીની વ્યવસ્થા પણ અનિયમિત છે, જેના કારણે મહિલાઓને ઘરકામમાં અને પાણી ભરવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. પ્રાથમિક સારવાર માટે પણ અન્ય ગામો પર નિર્ભર રહેવું પડે છે. સ્ટ્રીટ લાઈટના અભાવે રાત્રિના સમયે ગામમાં અંધારપટ છવાયેલો રહે છે. રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની જરૂરિયાતો પૂરી ન થતા ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે અસંતોષ જોવા મળી રહ્યો છે.
તંત્ર નિષ્ફળ:કરોડોના ખર્ચે બનેલા બહુમાળી ભવનમાંહાલ કાળઝાળ ગરમીમાં વોટર રૂમને તાળાં
સુરેન્દ્રનગર શહેરના ખેરાળી રોડ પર નવનિર્મિત બહુમાળી ભવનમાં સરકારી કચેરીઓ આવેલી છે. પરંતુ પાયાની સુવિધા એવી પીવાના પાણીની વ્યવસ્થામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અહીં કરોડોના ખર્ચે બિલ્ડિંગો તૈયાર થઈ, નળ અને પરબો પણ ફીટ કરી દેવાયા, પરંતુ તેમાં પાણીનું એક ટીપું પણ આવતું નથી. હાલત એવી છે કે તરસ્યા અરજદારોએ નળ જોઈને જ પાછા વળવું પડે છે. બહુમાળી ભવનના બીજા માળે આવેલા વોટર રૂમ પર હાલ તાળા લટકી રહ્યા છે. આ સંકુલમાં અનેક મહત્વની સરકારી કચેરીઓ બીજા અને ત્રીજા માળે આવેલી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મોટી સંખ્યામાં અરજદારો અને ખાસ કરીને વૃદ્ધો જ્યારે પોતાના કામ માટે અહીં પહોંચે છે, ત્યારે કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે તેઓએ એક ઓફિસથી બીજી ઓફિસ ભટકવું પડે છે. બહુમાળી ભવનમાં પાણીની પરબો સજ્જ કરવામાં આવી છે, આથી લોકોની માંગ છે કે જો આટલી મોટી બિલ્ડિંગ બનાવી હોય તો અરજદારો માટે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા તાકીદે શરૂ કરવી જોઈએ. પાણીની બોટલ વેચાતી લાવવી પડે છે આ કચેરીઓમાં શહેરી તેમજ ગામડાના છેવાડાના વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે. અમે દૂર ગામડેથી કામ માટે આવ્યા છીએ. અહીં નળ તો દેખાય છે પણ પાણી આવતું નથી. વોટર રૂમ બંધ છે, એટલે છેક નીચે ઉતરીને બહારથી પાણીની બોટલ વેચાતી લેવી પડે છે.- મહેશભાઈ પરમાર, અરજદાર
કામગીરી:22.15 લાખના બાકી વીજ બિલના સ્થળ પર જ વીજકનેક્શન કટ કર્યા
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવાની સાથે સાથે બાકી લેણાંની વસૂલાત માટે કાર્યવાહી કરાઇ છે. પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર વર્તુળની તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા બાકી વીજબીલ વસૂલાતની કામગીરી હાથ ધરાઈ હતી. સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળ તા.28-3-2026ને શનિવારે કુલ 245 ટીમો દ્વારા ડીસ કનેક્શન તેમજ વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વીજ બિલ ન ભરનારા કુલ 188 ગ્રાહકોના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. જેમની કુલ બાકી રકમ રૂ. 22.15 લાખ જેટલી થવા જાય છે. તેમજ જાગૃત ગ્રાહકોના સહકારથી કુલ 3870 ગ્રાહકો પાસેથી રૂ.110.31 લાખની વસૂલાત કરવામાં આવી છે. પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એન.એન. અમીને જણાવ્યું કે, જે ગ્રાહકો બિલ ભરપાઈ નહીં કરે તેમના વીજ જોડાણો કાપી નંખાશે.
વસૂલાત:ગ્રામ પંચાયતના રૂપિયા 23 કરોડના માંગણા સામે અત્યાર સુધી માત્ર 10 કરોડની વસૂલાત
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા તાલુકા પંચાયતો પાસેથી વિવિધ પ્રકારના વેરા વસૂલાત કરવામાં આવતા હોય છે. અધિકારીઓ સાથે બેઠકોમાં વેરા વસૂલાત કરવાની સૂચના આપવામાં આવતી હોય છે. પરંતુ જિલ્લા પંચાયતની 23 કરોડ માંગણા સામે હજુ સુધીમાં 9.63 કરોડ વેરો વસૂલાત થઈ છે. તેની સામે હજુ 13.36 કરોડ વેરાની વસૂલાત કરવાની બાકી છે. આમ જિલ્લા પંચાતયની 58.11 ટકા વેરાની વસૂલાત બાકી છે. જિલ્લા પંચાયત દ્વારા તાલુકાની પંચાયતો પાસેથી પાણી, મકાન વેરો સહિત અન્ય વિવિધ પ્રકારના વેરા વસૂલાત કરવાની હોય છે. જિલ્લા સંકલન સમિતિની બેઠકોમાં કલેક્ટર જિલ્લામાં બાકી રહેતા વેરાની વસૂલાત કરવા માટે સૂચનાઓ આપવામાં આવતી હોય છે. જિલ્લાની પંચાયતોના કુલ માંગણા સામે 58.11 ટકા જેટલા વેરાની વસૂલાત બાકી હોવાની વિગતો સામે આવી છે. જિલ્લામાં 10 તાલુકા પંચાયતો પાસેથી માંણણામાં 13.36 કરોડ વેરાની વસૂલાત બાકી છે. જેની વસૂલાત કાર્યવાહી બાકી હોવાથી 2026માં ઉધરાણી કાર્યવાહી કરાઈ છે. હજુ સુધીમાં 23 કરોડના માંગણા સામે 9.63 કરોડની વસૂલાત થઇ છે. તેની સામે 13.36 કરોડ વેરાની વસૂલાત કરવાની બાકી જોવા મળી રહી છે.
માધવપુર મેળામાં હસ્તકલા હાર્ટ પ્રદર્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.આ જગ્યા પર અસમ, મણીપુર, મેઘાલય, મીઝોરમ, નાગાલેન્ડ, ગુજરાત રાજયની હસ્તકલા, હાથશાળ, ભરતકામ, મોતીકામ, માટીકામની કૃતિઓનું વેચાણ થાય છે પરંતુ આ હસ્તકલા હાર્ટ 9 વાગ્યામાં જ બંધ થઈ જતું હોવાથી અહીં ખરીદી કરવા આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માધવપુરના રાષ્ટ્રીયકક્ષાના મેળાનો શુકવારે પ્રારંભ થયો હતો.આ રાષ્ટ્રીય મેળામાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી પણ ખાસ કલાકરો ઉપસ્થિત થયા છે અને આ કલાકારો માટે ખાસ હસ્તકલા હાર્ટ પ્રદર્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જેમાં અસમ, અરૂણાપલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મીઝોરમ, નાગાલેન્ડ, સીકકીમ, ત્રિપુરા તથા ગુજરાત રાજયની હસ્તકલા, હાથશાળ, ભરતકામ, મોતીકામ, માટીકામ, ચર્મ કામ, જવેલરી, વાંસકામની ગૃહસજાવટની બેનમૂન કૃતિઓનું વેચાણ કરવામાં આવે છે. આ મેળામાં હસ્તકલા હાર્ટ સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવે છે.જે બાદ હસ્તકલા હાર્ટ બંધ કરી દેવામાં આવે છે જેથી અહીં ખરીદી કરવા આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
વેધર રિપોર્ટ:પોરબંદરમાં મહતમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું
પોરબંદરમાં સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અનુભવ થયો હતો. મહતમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47 ટકા રહ્યું છે. પોરબંદરમાં સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂપછાવ વાતાવરણ જોવા મળ્યું હતું અને બાદ ગરમીનો અહેસાસ થયો હતો. પોરબંદરમાં ગઈકાલે શુક્રવારે મહતમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા નોંધાયું હતું જેની સામે શનિવારે મહતમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 2 ટકા વધીને 47 ટકા નોંધાયું છે. સવાર થી રાત સુધી ગરમી અને મોડી રાત્રે હળવી ઠંડક પ્રસરે છે.
પદ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું:રાણાવાવ લોહાણા મહાજન દ્વારા પદ ગ્રહણ સમારોહ યોજાયો
રાણાવાવ ખાતે રામજન્મોત્સવના દિવસે સમસ્ત લોહાણા મહાજન દ્વારા પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં હોદ્દેદારોનું સન્માન કરાયું હતું. જેમાં સમસ્ત લોહાણા મહાજન રાણાવાવની નવી કારોબારીના પ્રમુખ બ્રિજેશભાઈ મહેન્દ્રભાઈ માખેચા, ઉપપ્રમુખ દેવેનભાઈ ભરતભાઈ તન્ના, મંત્રી હિરેનભાઈ રસિકભાઈ રાયચુરા, સહમંત્રી મહેશભાઈ કાંતિભાઈ રૂપારેલિયા, ખજાનચી જીતેશભાઈ કિશોરભાઈ કોટેચા તથા કારોબારી સભ્યો અશોકભાઈ તુલસીભાઈ અમલાણી, સંજયભાઈ રમણીકભાઇ બારાઈ, ભાવેશભાઈ કાંતિભાઈ રાયચુરા, કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ રાયચુરા, અમિતભાઇ કાંતિભાઈ કારીયા, વૈભવભાઈ વશરામભાઇ કારીયા સહિતના તમામ હોદ્દેદારોનું સમસ્ત લોહાણા પરિવારોની હાજરીમા સન્માન કર્યું હતું. ત્યારબાદ સમૂહ જ્ઞાતિ ફરાળ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ. આ તકે પૂર્વપ્રમુખશ્રી ભરતભાઈ રાજાણી સહિત પોરબંદર લોહાણા મહાજન મંત્રી રાજેશભાઈ લાખાણી ઉપરાંત ભાવિનભાઈ કારીયા, પરિમલભાઈ ઠકરાર સહિતનાઓ તેમજ જલારામ સેવા મંડળ ટ્રસ્ટ રાણાવાવ અને અન્ય જ્ઞાતિઆગેવાનોએ ખાસ ઉપસ્થિત રહીને નવનિયુક્ત ટીમને શુભેચ્છા પાઠવી હતી.
પોરબંદર નજીક કુછડી ગામમાં આવેલ પાંડવકાલીન ખીમેશ્વર મહાદેવ મંદિર સામે સ્થિત નવદુર્ગા માતાજીનું પ્રાચીન દ્વિમુખી એટલેકે બે દરવાજાવાળું મંદિર ધાર્મિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પુરાતત્વ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આ મંદિર વલ્લભી શિખર શૈલી ધરાવતું રાજ્યમાં અદ્વિતીય અને એકમાત્ર હોવાનું માનવામાં આવે છે. મંદિરની અંદર બંને બાજુ અત્યંત પ્રાચીન નકશીકામ જોવા મળે છે, જે પુરાતત્વ આધાર મુજબ 9મી સદીમાં નિર્મિત હોવાનું અનુમાન છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં પરંતુ પ્રાચીન શિલ્પકળાનો ઉત્તમ નમૂનો પણ છે. પૂજારી વિજયપુરી ગોસ્વામીએ જણાવ્યું છેકે, નવરાત્રિના પવિત્ર અવસરે અહીં નવ દિવસ સુધી વિશેષ સ્તોત્રોચ્ચાર, દેવી ભાગવત મુજબ પૂજા-અર્ચના, આરતી અને ભોગનો કાર્યક્રમ યોજાય છે. માતાજીના ઘટ સ્થાપન, ગણપતિ સ્થાપન, અખંડ દીપ તેમજ વિવિધ શૃંગાર સાથે દરરોજ અલગ-અલગ ફળ, ફૂલ અને ભોગના દર્શન કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ આવે છે, જેમાં ચૈત્ર અને આશ્વિન માસની નવરાત્રિ વિશેષ ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. આ દરમિયાન ભક્તો માટે નવદુર્ગાના અલગ-અલગ સ્વરૂપોના દર્શન પણ યોજાય છે. મંદિર ખાતે ભક્તોમાં ભારે આસ્થા જોવા મળે છે અને નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. માતાજીના નવ સ્વરૂપો અહીં માતાજીના નવ સ્વરૂપો નવદુર્ગા જેમાંશૈલપુત્રી,બ્રહ્ મચારિણી,ચંદ્રઘંટા,કુ ષ્માંડા,સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી,સિદ્ધિદાત્રી માતાનો સમાવેશ થાય છે. આ પ્રાચીન મંદિર ધાર્મિક પરંપરા, ઐતિહાસિક વારસો અને ભક્તિનો અનોખો સંગમ રજૂ કરે છે, જે પોરબંદર જિલ્લામાં વિશેષ ઓળખ ધરાવે છે.
પોરબંદરમાં આર્ય સમાજના 152મા સ્થાપના દિવસ નિમિત્તે બે દિવસીય ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે અમાવસ્ય ઇષ્ટિ યજ્ઞ, સંવત્સર ઇષ્ટિ યજ્ઞ, સંતોના પ્રવચનો તેમજ વિશેષ સન્માન સમારોહ જેવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ દિવસે નારી જગત : શિક્ષણ, સમસ્યા અને સમાધાન વિષય પર પ્રવચન આપતા અજમેરના ડો. મોક્ષરાજજીએ યુવા પેઢીને પશ્ચિમ સંસ્કૃતિનું આંધળું અનુસરણ છોડીને વૈદિક સંસ્કૃતિ તરફ વળવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજે યુવાનો પોતાની પરંપરા અને ગુજરાતી મહિનાઓ ભૂલી રહ્યા છે, જ્યારે ઋષિ-મુનિઓએ આપેલી સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા અવિનાશી છે. બીજા દિવસે કુરુક્ષેત્રના સ્વામી વિદેહ યોગીજીએ જણાવ્યું હતું કે કોઈપણ સમાજનું પુનરુત્થાન સાંસ્કૃતિક અને ધાર્મિક સુધારણા વિના શક્ય નથી. વૈદિક સંસ્કૃતિ પ્રકૃતિને ભોગ્ય નહીં પરંતુ પૂજ્ય માને છે અને દરેક સમસ્યાનો ઉકેલ વેદોમાં સમાયેલો છે. તેમણે ગૃહસ્થ આશ્રમના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો. આ પ્રસંગે આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યએ મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત આર્ય સમાજના 151 વર્ષના કાર્યનો ઉલ્લેખ કરી સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે તેના યોગદાનની માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ યજ્ઞોમાં યજમાનોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી હતી. સાથે જ સમાજના આગેવાનો, તબીબો, શિક્ષણવિદો અને સામાજિક કાર્યકરોનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે યોજાતા માધવપુર ઘેડ લોકમેળાના ભાગરૂપે આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે માધવપુર બીચ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે માધવરાય મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માધવપુર ઘેડના મેળામાં યોજાયેલા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ ફેસ્ટિવલનું આયોજન તા.27-03-2026 થી તા.30-03-2026 સુધી માધવપુર બીચ ખાતે કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલ દરમિયાન બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળીયેલ ફેંક અને પરંપરાગત અખાડા કુસ્તી જેવી સ્પર્ધાઓ યોજાશે. આ પ્રસંગે માંગરોળ-માળિયા વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરબતભાઈ પરમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી,જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, ગ્રામ્ય મામલતદાર ખીમાભાઈ મારૂ, ગ્રામ પંચાયત સરપંચ ભાનુભાઈ ભુવા સહિતના અગ્રણીઓ અને એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતેથી રોજ ઉપડતી પોરબંદર–દાદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેઈનના કોચનું વિસ્તરણ કરાયું છે જેમાં સેકન્ડ એસી કમ થર્ડ એસી કોચના બદલે હવે એક સેકન્ડ એસી અને એક થર્ડ એસી કોચ 10 જુનથી લગાવવામાં આવશે. પોરબંદરના રેલ્વે સ્ટેશનથી રોજ ઉપડતી પોરબંદર–દાદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેઈનમાં રેલ્વે વિભાગ દ્વારા યાત્રિયોની વધતી માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 19016/19015 પોરબંદર– દાદર– પોરબંદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસની કોચ સંરચનામાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેઈનમાં સેકન્ડ એસી કમ થર્ડ એસી (2AC cum 3AC) કોચના બદલે હવે અલગ-અલગ એક સેકન્ડ એસી (2AC) અને એક થર્ડ એસી (3AC) કોચ લગાવવામાં આવશે. ટ્રેન નંબર 19016 પોરબંદર–દાદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં 10 જૂન, 2026 થી તેમજ ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં 13 જૂન, 2026 થી કોચનું વિસ્તરણ કરવામાં આવશે. અનેકવાર રજુઆત કરી હતીપોરબંદરના રેલ્વે સ્ટેશન રોજ મુંબઇ જતા માટે પોરબંદર–દાદર–પોરબંદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેઈન ઉપડે છે ત્યારે આ ટ્રેઈન લગાવેલ કોચનું વિસ્તરણ કરવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનેકવાર રજુઆત કરવામાં આવી હતી.
સન્ડે ફોટો સ્ટોરી:માધવપુરમાં પૌરાણિક માધવરાયજીની નવી હવેલી તેમજ બળદેવજીનો માંડવો જીવંત
માધવપુરમાં માધવરાયજીની નવી હવેલીનું પોરબંદરના રાજમાતા રૂપાળીબાએ સં 1896 માં જુના મંદિરની પૂર્વ બાજુ આવેલા મુ. 1799 ના આ મંદિરને સ્થાને પોરબંદરના રાણી રૂપાળીબાએ આ હવેલી બંધાવેલી છે. આ મંદિરમાં શ્રી માધવરાય અને શ્રી ત્રીકમરાયની જુગલજોડી બિરાજે છે. કહેવાય છે કે આ મુર્તિઓના કદ જેવી મૂર્તિઓની જુગલજોડી ભારત ભરમાં નથી. આ મંદિરેથી જ માધવરાયજીની જાનનુ લગ્નોત્સવ વખતે પ્રસ્થાન થાય છે. તેમજ શ્રી બળદેવજીનો માંડવાનું સ્કંદપુરાણમાં બળદેવજીના માંડવાનો ઉલ્લેખ છે. ત્રેતાયુગમાં રેવત નામનો રાજા હતો તે રાજા બ્રહ્માજીના ઉપદેશથી પોતાની પુત્રી રેવતી બલદેવજીને આપી ગિરનાર ઉપર તપશ્ચર્યા કરવા ગયા હતા. તીર્થધામ માધવપુરમાં રેવતીકુંડ તથા બલદેવજીનો માંડવો અત્યારે પણ ગામની પૂર્વ બાજુએ સમુદ્રકિનારે પ્રત્યક્ષ છે. આ સ્થાન ચોબારી” તરીકે પ્રખ્યાત છે. રેવતી કુંડમાં સ્નાન કરવાથી દસ યજ્ઞો જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. બહારનાં યાત્રિક રેવતી કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે.
પોરબંદરના માધવપુર ખાતે રાષ્ટ્રીય મેળાનો પ્રારંભ થયો છે. આ રાષ્ટ્રિય મેળામાં જવા માટે ગ્રામ્ય પંથકમાં એસ.ટી.બસની વ્યવસ્થા કરવામાં આવી છે.ત્યારે પોરબંદરના એસ.ટી.ડેપો દ્વારા પણ માધવપુર ખાતે એસ.ટી.બસની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે ડેપોમાંથી અમુક બસોની ફાળવણી કરવામાં આવતા ગ્રામ્ય પંથકના અનેક રૂટ બંધ થયા હતા જેથી અનેક મુસાફરો રઝળી પડ્યા હતા અને ખાનગી વાહનો સહારો લેવો પડ્યો હતો.જેથી મુસાફરોને રોષ જોવા મળ્યો હતો. માધવપુરમાં રાષ્ટ્રીય મેળાનો કેબિનેટમંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.ત્યારે આ રાષ્ટ્રીય મેળામાં જવા અને આવવા માટે એસ.ટી.બસની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. પોરબંદરના એસ.ટી.ડેપો તેમજ અન્ય ડેપોની 30 થી વધુ બસો માધવપુરના મેળામાં ફાળવવામાં આવી હતી ત્યારે પોરબંદરના ડેપોમાંથી બસોની ફાળવણી કરવામાં આવતા પોરબંદરના ડેપોથી ઉપડતા રોજ ગ્રામ્ય પંથકમાં જતા અનેક રૂટ બંધ કરવામાં આવ્યા હતા. જેથી ગ્રામ્ય પંથકના મુસાફરોને ફરજિયાત ખાનગી વાહનોનો સહારો લેવાની ફરજ પડી હતી.જેથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ભાસ્કર ફોલોઅપ:કર્લી જળાશયમાંથી જળકુંભી દૂર કરવા આખરે રૂ.59.20 લાખ મંજૂર
પોરબંદર શહેરના કર્લી જળાશયમાં ફેલાયેલી જળકુંભી દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા રૂ. 59.20 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ, રાજકોટના અધિક્ષક ઇજનેર દ્વારા અપાઈ છે. રતનપર અને છાંયા વિસ્તારમાં જળકુંભીનું પ્રમાણ વધતા પાણીની સપાટી સુધી સૂર્યપ્રકાશ પહોંચતો ન હોવાથી જળચર જીવન પર અસર થઈ રહી છે. અસ્માવતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં આવતો આ ભાગ દ્રશ્યરૂપે પણ અસરગ્રસ્ત બન્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી ડિપોઝિટ વર્ક તરીકે હાથ ધરાશે. જળકુંભીને મેન્યુઅલી દૂર કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે અને ગુણવત્તા નિયંત્રણના નિયમોનું પાલન કરાશે. કામગીરી પૂર્ણ થયા બાદ જળપ્રવાહમાં સુધારો અને વિસ્તારની સ્વચ્છતા જળવાશે તેવું મનપાએ જણાવ્યું છે. ભાસ્કરે વખતોવખત અહેવાલ પ્રસિધ્ધ કરી મોહિમ ચલાવી હતી ઉલ્લેખનીય છેકે, કર્લી જળાશય સહિતના વિસ્તારમાં ગાંડીવેલ (જળકુંભી) ઊગી નીકળી છે અને આ ગાંડીવેલ દિવસે ને દિવસે વધતી હતી. હાલ જળાશયનું પાણી દેખાતું બંધ થયું છે. તંત્રની બેદરકારીના કારણે મીઠાપાણીની યોજના ફેઈલ થઈ છે. ગાંડી વેલના કારણે પાણીમાં રહેલ માછલી સહિતના જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે. આવા જળચર પ્રાણીઓ સામે ખતરો સર્જાયો છે. આ અંગે વખતો વખત અહેવાલ પ્રસિધ્ધ કરી ભાસ્કરે મોહિમ ચલાવી હતી.
રિનોવેશન:વંથલી પંથકના ઝાંપોદડ શાળાનું 25 લાખના ખર્ચે રિનોવેશન કરાયું
વંથલી તાલુકાના ઝાંપોદડ ગામની શેઠ બી. કે. મહેતા હાઈસ્કૂલ ખાતે રીનોવેશનનું કાર્ય પૂર્ણ થતા વિદ્યાર્થીઓને પોતાની મૂળ શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ રીનોવેશન કાર્યની ખાસ વિશેષતા એ રહી કે, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ સ્ટાફ મિત્રો, ગામના અગ્રણીઓ તેમજ હાલના સ્ટાફના ઉદાર આર્થિક સહયોગ અને અથાગ મહેનતથી શાળાનું નવું ભવન આધુનિક સુવિધાઓ સાથે સજ્જ થયું છે. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'વક્રતુંડ મહાકાય' ગણેશ સ્તુતિ અને મા શારદાની 'સરસ્વતી વંદના' દ્વારા કરવામાં આવી હતી. આ મંગલ પ્રસંગે ઝાંપોદડ ગામના સરપંચના પ્રતિનિધિ વસંતભાઈ પરમાર, ગોરધનભાઈ ઝાંઝરૂકિયા, મેહુલભાઈ જાની, વડારીયા તેમજ હાલના આચાર્ય ડૉ. સંજયભાઈ કોરિયા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ડૉ. સંજયભાઈ કોરિયાએ આ તકે જણાવ્યું હતું કે,આ નવું ભવન એ આપણા સૌના સહિયારા પુરુષાર્થનું પરિણામ છે. ભૂતપૂર્વ છાત્રો અને સ્ટાફનો પોતાની માતૃસંસ્થા પ્રત્યેનો આ લગાવ ખરેખર પ્રશંસનીય છે.
જૂનાગઢ ઓપન જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા હત્યા કેસના આરોપી અશોક સાંકરીયાને સારી વર્તુણકને લીધે 14 વર્ષે જ જેલમાંથી મુક્તિ મળી છે. 14 વર્ષ પહેલા તેઓ જેલમાં ગયા ત્યારે તેમની દીકરી વૈશાલીની ઉંમર શાળાએ મોકલવાની હતી અને હવે જ્યારે 28 માર્ચ 2026ના રોજ તેમને સારી વર્તણુંકના લીધે જેલમાંથી મુક્તિ મળી છે ત્યારે દીકરી સાસરે વળાવવા જેવડી મોટી થઇ ગઇ છે. પિતા જેલમાંથી મુક્ત થયા ત્યારે શનિવારે દિકરી પિતાને મળીને ભાવુક બની હતી. જિલ્લા જેલ અધિક્ષક નાસીરુદ્દીન લોહારે જણાવ્યું કે, જેલ તંત્રનો હેતુ કેદીને સુધારીને સમાજમાં જવાબદાર નાગરિક તરીકે પુનઃસ્થાપિત કરવાનો છે. 21ને સજા માફી જેલવડા ડો.કેએલએન રાવનાં પ્રયાસોથી દર વર્ષે સરકાર દ્વારા પાકા કામના કેદીની સારી વર્તુણકને કારણે સજા માફ કરી વહેલી જેલમાંથી મુક્તિ અપાવવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતભરમાંથી કુલ 650થી વધુ કેદી અને જૂનાગઢ જિલ્લા જેલમાંથી 21 કેદીઓને સજા માફી મળી છે એમ જેલરે જણાવ્યુ હતુ.
હુમલો:ધાર્મિક વિધિના પૈસાના હિસાબ મુદે વૃદ્ધ પર પૌત્રનો હુમલો
વંથલી તાલુકાના ઝાંપોદડ ગામે રહેતા 65 વર્ષીય વલ્લભભાઈ પ્રેમજીભાઈ મેઘનાથીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 13 દિવસ પહેલા તેમના માતાનું અવસાન થયું હતું. જેની ધાર્મિક વિધિ માટે વૃદ્ધના પિતાએ પુત્ર શૈલેષ અને તેના નાના ભાઈના દીકરા (પૌત્ર) ભાવેશ વિનોદગર મેઘનાથીને રૂપિયા 50-50 હજાર આપ્યા હતા. શૈલેષે પૂરેપૂરો હિસાબ આપી દીધો હતો, પરંતુ ભાવેશે 41,000નો હિસાબ આપ્યો હતો અને બાકીના 9,000 ક્યાં વાપર્યા તે બાબતે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. શુક્રવારે સાંજે જ્યારે હિસાબ માંગવામાં આવ્યો, ત્યારે ભાવેશે ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરી લાકડી વડે વલ્લભભાઈ પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ડાબા ગાલ અને આંખ પાસે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા સુરેશભાઈને પણ ઈજા થઈ હતી. હુમલો કર્યા બાદ શખ્સે 'આજે તો બચી ગયો છે, ફરી મળીશ તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત વલ્લભભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વંથલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે વૃધ્ધની ફરિયાદ લઈ તેના પૌત્ર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
ગુજકેટની પરીક્ષાને લઈને તંત્ર સજ્જ:આજે ગુજરાતી-અંગ્રેજી માધ્યમના કુલ 3085 છાત્રો ગુજકેટ આપશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 29 માર્ચને રવિવારના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં જૂનાગઢ જિલ્લામાંથી ગુજરાતી-અંગ્રેજી માધ્યમના મળી કુલ 3085 વિદ્યાર્થીઓ નોંધાયા છે. શિક્ષણાધિકારીએ જણાવ્યુ કે, તાજેતરમાં જ ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ છે. હવે તારીખ 28 માર્ચને રવિવારના રોજ જિલ્લામાં 156 બ્લોક, 13 બિલ્ડીંગમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છેે. પરીક્ષાને લઇ તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ બ્લોક સીસીટીવીથી સજ્જ કર્યા છે. ગરમીને કારણે કોઇપણ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે પીવાના પાણીની વ્યવસ્થા સાથે ઓરઆરએસ, ગ્લુકોઝની તૈયારી સાથે આરોગ્યની ટીમ પણ તૈનાત રહેશે. પરીક્ષાની વિશેષ તકેદારીના ભાગરૂપે ઝોનલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓ પ્રશ્નપત્રો અને ઓએમઆર શીટના ગોપનીય પરિવહનથી લઇ પરીક્ષા પુર્ણ થયા સુધીની સંપૂર્ણ દેખરેખ રાખશે. આમ, જિલ્લામાં રવિવારના રોજ મેડિકલ, એગ્રીકલ્ચર, ઇજનેર સહિતનામાં એડમીશન લેવા માટે 3085 છાત્રો ગુજકેટની પરીક્ષા આપનાર છે.
જૂનાગઢના પ્રોફેસરનું રિસર્ચ:ભારતીય શેરબજારમાં સ્થિરતા માટે વિદેશી નહીં, સ્થાનિક રોકાણકારો મહત્વના
જૂનાગઢ સ્થિત નોબલ યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ સંશોધનમાં ખુલાસો થયો છે કે, ભારતીય શેરબજારમાં અસ્થિરતા દરમિયાન સ્થાનિક સંસ્થાગત રોકાણકારો બજારને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જ્યારે વિદેશી સંસ્થાગત રોકાણકારો મુખ્યત્વે બજારના ટ્રેન્ડને અનુસરે છે. ડૉ. જય તલાટી અને ડૉ. રિદ્ધિ સંઘવી દ્વારા તૈયાર કરાયેલું સંશોધન પેપર સંવાદ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે આયોજિત 2026 આંતરરાષ્ટ્રીય પરિષદમાં બેસ્ટ પેપર એવોર્ડથી સન્માનિત થયું છે. આ સંશોધન 2020થી 2025 દરમિયાનના 1,488 દૈનિક આંકડાના વિશ્લેષણ પર આધારિત છે. અભ્યાસ મુજબ, ગ્લોબલ વોલેટિલિટી ઈન્ડેક્સ બજાર પર નકારાત્મક અસર કરે છે, જ્યારે ભારતીય બજાર હવે વધુ સ્થાનિક રોકાણ પર આધારિત બનતું જઈ રહ્યું છે. ખાસ નોંધનીય છે કે, 2020ના માર્કેટ ક્રેશ દરમિયાન વિદેશી રોકાણકારોએ મોટા પાયે મૂડી બહાર ખેંચી હતી, ત્યારે સ્થાનિક સંસ્થાઓએ ખરીદી વધારીને બજારને સંતુલિત રાખ્યું હતું. આ અભ્યાસ પોલિસી નિર્માતાઓ અને રોકાણકારો માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે. આ રહ્યા સંશોધનના મુખ્ય નિષ્કર્ષ
પ્રમુખ પદના અનામતોનું રોટેશન જાહેર:જામનગર જિ. પંચાયતના પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય વર્ગ મહિલા અનામત
જામનગર સહિત રાજ્યની તમામ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં આગામી સામાન્ય ચુંટણીમાં અગાઉ તમામ બેઠકોના અનામત રોટેશન જાહેર થયા હતા. જે બાદ હવે પ્રમુખ પદના બાકી રહેતા અનામત રોટેશન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય વર્ગ મહિલા અનામત જાહેર કરવામાં આવ્યું છે. આ જ રીતે તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખ પદના અનામતોનું રોટેશન જાહેર કરાયું છે. જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં પ્રમુખો માટેના જાહેર થયેલા અનામત રોટેશન મુજબ જામનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઓબીસી-પુરુષ જાહેર થયા છે. જ્યારે જામનગર તાલુકાની કુલ 26 બેઠકોમાં 3 અનુ, 1 અનુ.જનજાતિ, 7 ઓબીસી, 15 બેઠકો સામાન્ય મળીને કુલ 26 બેઠકો છે. જોડીયા તાલુકા પંચાયતમાં સામાન્ય મહિલા પ્રમુખ જાહેર થયા છે, તાલુકાની કુલ 16માંથી અનુ.જાતિ અને અનુ.જનજાતિની 1-1, ઓબીસી-4 અને જનરલ 10 બેઠકો છે. લાલપુર તાલુકા પંચાયતમાં સામાન્ય પુરુષ પ્રમુખ જાહેર કરાયા છે, લાલપુર તાલુકાની 18 બેઠકોમાં અનુ.જાતિની 2, અનુ.જનજાતિની 1, ઓબીસી-5, સામાન્ય 10 બેઠકો છે, અને પ્રમુખ પદ માટે સામાન્ય પુરૂષ જાહેર કરાયા છે. કાલાવડ તાલુકાની કુલ 18 બેઠકોમાં 2 અ.જા., અનુ.જનજાતિની 1, ઓબીસીની 5 અને સામાન્ય 10 બેઠકો છે. જેમાં પ્રમુખ તરીકે મહિલા અનુસુચિત જાતિ તરીકે જાહેર કરાયા છે. જામજોધપુર તાલુકાની કુલ 18 બેઠકોમાં અનુ.જાતિની 2, અનુ. જનજાતિની 1, ઓબીસીની 5 અને સામાન્ય 10 બેઠકો જાહેર કરાઈ છે, અને પ્રમુખ પદ માટે ઓબીસી મહિલા જાહેર કરાઈ છે. ધ્રોલ તાલુકાની કુલ 16 બેઠકોમાં અનુ.જાતિની 1, અનુ.જનજાતિની 1 તેમજ ઓબીસીની 4 અને સામાનય 10 બેઠકો જાહેર કરાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે સામાન્ય પુરૂષ જાહેર કરવામાં આવ્યા છે.
ડિજિટલ કરન્સીના નામે રિયલ લૂંટ:યુવાન પાસેથી ડોલર આપવાના બહાને રૂા. 44.50 લાખનું ચીટીંગ
જામનગર શહેરમાં ખાનગી બેંકના ડે.મેનેજર સસ્તામાં ક્રિપ્ટો કરન્સીની ખરીદી કરવા જતાં વેપારીનું નાટક કરતો શખસ રૂ.44.50 લાખ રોકડ કારમાં લઈને નાશી છુટતા ચકચાર મચી જવા પામી છે. ફોનમાં યુ.એસ.ડી.ટી.થી ક્રીપ્ટો કરન્સી ટ્રાન્સફર કરવાનું કહીને મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. તપાસમાં તેને નામ પણ ખોટુ ધારણ કર્યુ હોવાનું અને વેપારી પણ ન હોવાનું સામે આવતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. જામનગર શહેરના પટેલ કોલોની શેરીનં-9માં રહેતા અને ખાનગી બેંકમાં ડે.મેનેજર તરીકે ફરજ બજાવતા તેજસભાઈ પ્રવીણભાઈ પટેલ (ઉ.વ.40) નામના સોની યુવક બેંકમાં ગોલ્ડ લોન કરાવતા હતા. જેથી અવાર-નવાર નવાજ સુમરીયા નામનો યુવક અવાર-નવાર ગોલ્ડ લોન કરાવવા આવતો હોવાથી મિત્રતા થઈ ગઈ હતી. તેમના પિતા દુબઈ હોવાથી તેમની સાથે મેનેજર તેજશભાઈએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા સહિતની વાતો કરી હતી. જેથી વસીમ ગત તા.2 ફેબ્રુઆરીના રોજ બેંકે આવ્યો હતો અને તેમનો એક ઓળખીતો વસીમ મકવાણાના એક ઓળખીતા એક ભાઈ યુ.એસ.ડી.ટી.(ક્રીપ્ટ ો કરંન્સી) માર્કેટ રેટ કરતા સસ્તામાં આપે છે. તમારે તેમાં રોકાણ કરવું હોય તો હુ આગળ વાત કરૂ. જેથી બેંક મેનેજરે તપાસ કરવાની વાત કરી હતી અને તેમના શેઠ તુષારભાઈ શાહ (વાણીયા) કે, તેઓ બ્રાસના કન્ટેનર એક્સપોર્ટ કરે છે જે અંગેની ઓળખ આપી હતી. તેમને રૂપિયાની જરૂરિયાત હોવાથી રૂ.95ના ક્રીપ્ટો માત્ર રૂ.89માં આપવાની લાલચ આપી હતી. રૂ.89નો ભાવ ગણી 50 હજાર યુએસડીટીના રૂ।.44 લાખ 50 હજાર થતા હતા. તે લેવાનું નક્કી થયા બાદ ગઈ તા.8 ફેબ્રુઆરીની બપોરે તેજસભાઈએ ખંભાળિયા બાયપાસ નજીક મળવા માટે નક્કી થયેલા સ્થળે તુષાર શાહ (ખોટુ નામ) બે-ત્રણ વખત ભેગા થયા. તેમ છતાં ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર થયા ન હતા. જે બાદ ફરી લાલપુર બાયપાસ નજીક ભેગા થયા હતા. જ્યાં બેંકના ડે.મેનેજર તેજસભાઈ તેમના મિત્રો સાથે ગયા હતા અને તુષાર શાહ (ખોટુ નામ)એ આવ્યા હતા અને કારમાં બેઠા પછી મિત્રને રૂપિયા વિડીયો કોલમાં બતાવ્યા હતા. જે બાદ મારી કારમાં જ તેમને બતાવવા જોશે, ત્યારે જ વિશ્વાસ આવશે તેમ કહીને રૂ.44.50 લાખનો બેગ પોતાની કારમાં લઈ ગયો હતો અને તે કાર લઈને નાશી છુટ્યો હતો. તેનો પીછો કરતા તે મળી આવ્યો ન હતો. તેમને ફોન કરતા જણાવ્યું હતું કે, તમે પોલીસને સાથે લઈને આવ્યા હતા. જેથી હું નિકળી ગયો અને હું તમને ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરું છું તેમ કહીને મોબાઈલ બંધ કરી દીધો હતો.
વ્યવસ્થા:જામનગર એરપોર્ટ પર આજથી ફલાયબ્રેરી-અવસરનો સુવિધા
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટેની બે નવી સુવિધાઓ કે જેમાં ફલાયબ્રેરી અને અવસર( એરપોર્ટ એઝ વેન્યુ ફોર સ્કીલ્ડ આર્ટીસન્સ ઓફ ધી રીઝન)નો આજે રવિવારે 29મી માર્ચના રોજ પ્રારંભ કરવામાં આવશે. જામનગર અરપોર્ટ પર નવીનત્તમ બંને સુવિધાઓનું ઉદ્ઘાટન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુજી દ્વારા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ દેશભરના વિવિધ એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફે, મુસાફરો માટેની સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા કાર્યોના રાષ્ટ્રીય સ્તરના ઉદ્ઘાટન કાર્યક્રમના ભાગરૂપે યોજાશે. ફલાયબ્રેરી પહેલ અંતર્ગત મુસાફરો ફ્લાઇટની રાહ જોતા સમયે પુસ્તકો વાંચી શકે છે, પ્રવાસ દરમિયાન વાંચવા માટે પુસ્તક લઈ જઈ શકે છે અથવા અન્ય મુસાફરો માટે પોતાનું પુસ્તક અહીં મૂકીને જઈ શકે છે. આ પહેલ મુસાફરોમાં વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. જયારે અવસર કાઉન્ટર પર જામનગરના સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનો જેમ કે બાંધણી કાપડ અને અન્ય હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ પહેલ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપતી અને તેમને બજાર ઉપલબ્ધ કરાવતી છે.
વરણી:જામનગર જિ. પ્રભારી સચિવ તરીકે આરતી કંવરની નિમણૂંક
જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે નિમણુંક કરવામાં આવેલી આરતી કંવરને હવે જિલ્લાના પ્રભારી સિચવ તરીકે પણ જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે જુદા જુદા આદેશો કરીને વિકાસકાર્યો, સરકારી યોજનાઓ મોનીટરીંગ માટે 21 આઈએએસ અધિકારીઓને જુદા જુદા જિલ્લાના પ્રભારી સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફારોમાં હાલારના બન્ને જિલ્લાઓ માટે પણ પ્રભારી સચિવ નિમાયા છે, જેમાં જામનગર જિલ્લા માટે આરતી કંવર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે ધવલ કુમાર પટેલને મુકવામાં આવ્યા છે. હવે આ પ્રભારી સચિવો જિલ્લાના સરકારી તંત્રો તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને વિવિધ સરકારી યોજનાઓ તથા વિકાસકાર્યો માટે કામ કરશે. તેઓ સમયાંતરે સમીક્ષા બેઠકો યોજશે અને સતત મોનીટરીંગ પણ કરશે. જ્યારે જામનગરમાં પ્રભારી સચિવ તરીકે મુકાયેલા વિજયકુમાર ખરાડીને દાહોદ જિલ્લામાં મુકવામાં આવ્યા છે. તો અન્ય જિલ્લાઓમાં પણ 21 આઈએએસ અધિકારીઓની પ્રભારી સચિવ તરીકે નિમણુંક કરાઈ છે.
હિંમતનગર પાલિકા ચૂંટણીની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરી ચૂંટણી તંત્ર દ્વારા વાંધા સૂચનો મંગાવાયા બાદ ભાજપ કોંગ્રેસના કાર્યકરોએ રજૂ કરેલ 7 વાંધાની સુનાવણીને અંતે 4 વાંધા મંજૂર રાખી 3 વાંધા રદ કરાયા હતા. ચૂંટણી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દરેક વોર્ડમાં મતદારોની સંખ્યા મામલે સમાનતા જાળવી રાખવા રજૂ થયેલા વાંધા મામલે તંત્ર ગોટે ચડી ગયું હતું અને શુક્રવારે નિર્ણય ન લેવાયા બાદ કાયદા નિષ્ણાંતોના અભિપ્રાય બાદ શનિવારે બંને વાંધા રદ કરાયા હતા. આ ઉપરાંત વોર્ડ નં-4 માં આવતાં જૂની માય ઓન હાઈસ્કૂલ વિસ્તારના 600 ઉપરાંત મતદારોને વોર્ડ નં-3 માં ઉમેરવા ભૌગોલિક સ્થિતિનું કારણ દર્શાવી થયેલ સૂચન બાદ વોર્ડ નં-3 માં મતદાર સંખ્યા અસંતુલિત થઈ જતી હોવાથી આ વાંધો પણ રદ કરાયો હતો. પન્નાપાર્ક અંદર ગલીમાં આવેલ જલારામ જ્યોત સોસાયટીના 64 મતદારોને વોર્ડ નંબર-8 માં પણ બતાવ્યા હતા તેમને તેમના મૂળ વોર્ડ નં-9 માં જાળવી રાખવાનું ગ્રાહ્ય રખાયું હતું. તેવી જ રીતે કૈલાપાર્ક વિસ્તારના 160 મતદારો વોર્ડ નં-2 અને વોર્ડ નં-9 બંનેમાં બતાવ્યા હતા. તેમને વોર્ડ નં-9 માં મૂળ જગ્યાએ રાખવાનું માન્ય રખાયું હતું. આ ઉપરાંત બળેલી મિલ વિસ્તારના 216 મતદારોને આખરી સીમાંકનના હુકમ મુજબ વોર્ડ નં-6 થી દૂર કરી વોર્ડ નં-4 માં યથાવત રાખવાનું અને રોનક સ્ટ્રીટના 100 જેટલા મતદારો જે પહેલાથી જ વોર્ડ નં-3 માં સમાવિષ્ટ છે તેમને વોર્ડ નં-2 માં દર્શાવતા રજૂ થયેલ વાંધો માન્ય રાખી રોનક સ્ટ્રીટને પણ વોર્ડ નં-3 માં મૂકવામાં આવી હતી.
જૂનાગઢ શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા ગણાતી પટેલ કેળવણી મંડળમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. સંસ્થાના ટ્રસ્ટી કાંતિ ફળદુ સામે આંદોલન કરી રહેલા વાલીઓ અને સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડિયા વિરુદ્ધ કાંતિ ફળદુના પુત્ર ચેતન ફળદુનો એક અત્યંત અભદ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં ચેતન ફળદુએ ન માત્ર ધારાસભ્યને ગાળો આપી છે, પરંતુ ઉપવાસ પર બેઠેલા વાલીઓને ખુલ્લેઆમ ધમકી આપીને જ્ઞાતિ વિષયક અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા સમગ્ર પાટીદાર સમાજ અને વાલી આલમમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વિવાદ સમાધાનકારી રસ્તે પૂર્ણ કરવાની સલાહ આપતા ચેતન ઉશ્કેરાયોદિવ્ય ભાસ્કર પાસે ઉપલબ્ધ આ વાઇરલ વીડિયોની વિગતો મુજબ, ચેતન ફળદુ અન્ય એક વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરી રહ્યા છે. સામેવાળી વ્યક્તિ જ્યારે જૂનાગઢ પટેલ કેળવણી મંડળના આ વિવાદને વડીલો અને આગેવાનો સાથે મળીને સમાધાનકારી રસ્તે પૂર્ણ કરવાની સલાહ આપે છે, ત્યારે ચેતન ફળદુ એકાએક ઉશ્કેરાઈ જાય છે અને ગાળોનો વરસાદ શરૂ કરી દે છે. આ વાતચીત દરમિયાન ચેતન ફળદુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ મામલે કોઈ સમાધાન કરવાનું થતું નથી. તેમણે ધારાસભ્ય સંજય કોરડિયા અને નિલેશભાઈ પર આક્ષેપ કર્યો કે, આ લોકો પૈસા આપીને આ બધું કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્યને પણ બિભસ્ત શબ્દો કહ્યાંજ્યારે સામેવાળી વ્યક્તિએ ધારાસભ્ય સંજય કોરડિયાનું નામ લીધું, ત્યારે ચેતન ફળદુએ અત્યંત હલકી કક્ષાની ભાષા વાપરતા કહ્યું કે, સંજયને ખબર નથી કે હું કોણ છું. એ ધારાસભ્ય થઈ ગયો એટલે નાના માણસો તેને સાલ ઓઢાડે છે અને ભાઈ-ભાઈ કરે છે. પણ તેને ખબર નથી કે, મારો જન્મ થયો ત્યારે જ મારા દાદા જામજોધપુરના ધારાસભ્ય હતા. એટલું જ નહીં, તેમણે ચારિત્ર્યની શંકાના આધારે મોલા બાપાએ આ લોકોને કારોબારીમાંથી કાઢી મૂક્યા હોવાનો અને તેનો લેટર પોતાની પાસે હોવાનો પણ દાવો કર્યો હતો. ઉપવાસ પર બેઠેલા લોકો વિરુદ્ધમાં પણ ગેરબંધારણીય શબ્દો કહ્યાંવીડિયોમાં ચેતન ફળદુએ ઉપવાસ પર બેઠેલા વાલીઓ વિશે પણ અત્યંત ગેરબંધારણીય અને વાંધાજનક શબ્દો વાપર્યા છે. તેમણે થાણાપીપળી ગામના વાલીઓ વિશે બોલતા કહ્યું કે, આ લોકો પટેલ જ્ઞાતિના નથી અને અન્ય જ્ઞાતિના છે. તેમણે મંડળની સંસ્થામાં ભણતી દીકરીઓનો ઉલ્લેખ કરી અહેસાન જતાવતા કહ્યું કે, મફતમાં આપણી સંસ્થામાં એક દીકરી છ વર્ષથી ભણતી હોય અને એક રૂપિયો ફી નથી વધારી. પપ્પાની એક જ વાત છે કે, આપણે રૂપિયા બનાવવા માટે આ સંસ્થા નથી ચલાવતા. તેણે આક્ષેપ કર્યો કે, ઉપવાસ પર બેઠેલા 14માંથી 11 લોકો થાણાપીપળીના છે અને તેઓ આમ આદમી પાર્ટીની ટીમ છે. તેમણે ચેતવણી આપી કે, જો જરૂર પડશે તો તેઓ મંડળના નામે નહીં પણ પોતાની બીજી શૈલીમાં જવાબ આપશે અને નગ્ન વીડિયો વાઇરલ કરવાની પણ ઉદ્ધત વાત કરી હતી. મહેરબાની કરીને સમાજમાં ફાંટા પાડવાનું બંધ કરોઃ ચંદ્રેશ જારસાણીયાઆ વીડિયો વાઇરલ થતા જ જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓના વિરોધમાં ઉપવાસ પર બેઠેલા વાલીઓએ આકરી પ્રતિક્રિયા આપી છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રેશ જારસાણીયાએ જણાવ્યું હતું કે, અમે કાંતિ ફળદુના અગાઉના ગેરવર્તન સામે અને ટ્રસ્ટીઓના રાજીનામાની માગ સાથે અહીં ઉપવાસ પર બેઠા છીએ. આજે વાઇરલ થયેલા વીડિયોમાં ચેતન ફળદુએ અમને બીજી જ્ઞાતિના દીકરા કહ્યા છે, પણ અમે તેમને કહેવા માંગીએ છીએ કે, અમે એ જ જ્ઞાતિના છીએ, જે જ્ઞાતિના તમે છો. મહેરબાની કરીને સમાજમાં ફાંટા પાડવાનું બંધ કરો. આ પણ વાંચો... 'કાંતિ ફળદુ ગુંડાઓની ગેંગ બનાવો, ટ્રસ્ટીમાં ન ચાલો', પટેલ કેળવણી મંડળમાં ટ્રસ્ટીના અભદ્ર વર્તન વિરુદ્ધ વાલીઓનો મોરચોસંસ્થાની ગરિમા જાળવવા ટ્રસ્ટીઓના રાજીનામાની માગ પર વાલીઓ અડગ જૂનાગઢમાં આ કિસ્સાને લઈ હાલ ભારે ચર્ચાઓ જાગી છે. એક તરફ ટ્રસ્ટીના પુત્રનો સત્તા અને વારસાનો અહંકાર વીડિયોમાં છલકાઈ રહ્યો છે, તો બીજી તરફ વાલીઓ સંસ્થાની ગરિમા જાળવવા ટ્રસ્ટીઓના રાજીનામાની માગ પર અડગ છે. ધારાસભ્ય સંજય કોરડિયા સામે કરાયેલી અભદ્ર ટિપ્પણીને પગલે રાજકીય વર્તુળોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સંસ્થાના અન્ય જવાબદાર ટ્રસ્ટીઓ અને જૂનાગઢનું વહીવટી તંત્ર આ ગંભીર મામલે શું કાર્યવાહી કરે છે.
ગાંધીનગર સુઘડના યુવાન બિલ્ડર ઋષભ પટેલના ચકચારી આત્મહત્યા કેસમાં છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા મુખ્ય આરોપીઓ પૈકીના એક એવા કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલને ઇન્ફોસિટી પોલીસે ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી ફરાર આ આરોપી પોલીસ સમક્ષ હાજર થતા હવે આ સમગ્ર પ્રકરણના મૂળ સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જાન્યુઆરીમાં ઋષભ પટેલે આપઘાત કર્યો હતોઉલ્લેખનીય છે કે, ગાંધીનગર નજીક સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલે ગત જાન્યુઆરીમાં માનસિક ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું. આ મામલે મરનારના પરિવારે કરેલી ફરિયાદના આધારે પોલીસે કોબાની નેસ્ટ રેસીડેન્સીના કલ્પેશ તલાટી, નાના ચિલોડાના મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર, ક્રિષાલ ઉર્ફે વિક્રમ પટેલ અને પાન પાર્લર ચલાવતા મહિપાલસિંહ વિરુદ્ધ મરવા માટે મજબૂર કરવાના ગુના હેઠળ તપાસ શરૂ કરી હતી. કલ્પેશ તલાટી ઇન્ફોસિટી પોલીસ સમક્ષ હાજર થયોઆ અગાઉ પોલીસે મહિપાલસિંહની ધરપકડ કરી લીધી હતી, પરંતુ અન્ય ત્રણ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તપાસ દરમિયાન એવી વિગતો પણ સામે આવી હતી કે, ધરપકડથી બચવા માટે કલ્પેશ તલાટી સહિતના આરોપીઓ નેપાળમાં છુપાયા હોવાની પ્રબળ શંકા હતી. પોલીસની સતત વધતી જતી ભીંસ અને સર્વેલન્સને કારણે આખરે કલ્પેશ તલાટી ઇન્ફોસિટી પોલીસ સમક્ષ હાજર થયો હતો. આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરીહાલ પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે કલ્પેશની પૂછપરછમાં ઋષભ પટેલને આત્મહત્યા સુધી દોરી જનારા ચોક્કસ કારણો અને અન્ય ફરાર આરોપીઓ મનીષ અને ક્રિષાલના ઠેકાણા વિશે મહત્વની કડીઓ મળી શકે તેમ છે.
જામનગર તાલુકાના કોમી એકતાના પ્રતીક સમા મસીતીયા ગામે હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબાના ઉર્ષ નિમિત્તે શનિવારે પરંપરાગત ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેસમાં સૌરાષ્ટ્રભરના 30થી વધુ જાતવંત ઘોડા અને ઘોડાસવારોએ ભાગ લીધો હતો. આ વર્ષની ઘોડા રેસમાં હાજી અયુબભાઈ ખફીનો 'જલાલી 1616' નામનો ઘોડો પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો. ઊંટ ગાડીની રેસમાં અશરફ અલ્તાફ ખફીનો ઊંટ પ્રથમ ક્રમે આવ્યો હતો. મસીતીયા ગામની આ પરંપરાગત ઘોડા રેસમાં વિજેતા થનાર ઘોડાસવારને રોકડ રકમ કે અન્ય કોઈ પુરસ્કારને બદલે પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવે છે. આ મોભાદાર પાઘડી મેળવવા દર વર્ષે મોટી સંખ્યામાં જાતવંત ઘોડા સાથે ઘોડાસવારો ઉત્સાહભેર જોડાય છે. રેસ બાદ મસીતીયા ગામના સરપંચ કારાભાઈ ખફી દ્વારા વિજેતાઓને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પંચકોષી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે. રાઠોડ સહિત સમગ્ર સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બે દિવસીય ઉર્ષ નિમિત્તે રાત્રે કવ્વાલીનો ભવ્ય કાર્યક્રમ અને આમનિયાઝનું પણ આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને હિન્દુ સમાજના લોકો આ ઉર્ષ પ્રસંગે મસીતીયા ગામની મુલાકાત લઈને કોમી એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબા ઉર્ષ કમિટીના યુવાનોએ આયોજનમાં જહેમત ઉઠાવી હતી. મસીતીયા ગામના સરપંચ કારાભાઈ ખફી, હાજી કાસમભાઈ ખફી, પૂર્વ સરપંચ ગફારભાઈ ખફી, અલતાફભાઈ ખફી, જાવિદ કાસમભાઈ ખફી અને આરીફ પઠાણી સહિતના આગેવાનોએ આ પરંપરાગત ઘોડા રેસને સફળ બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
અમદાવાદ શહેરમાં બે અલગ અલગ રોડ અકસ્માતમાં બે યુવકના મોત થયા છે. દાણીલીમડાના વેપારી ટુવ્હીલર લઈને પીરાણા ડમ્પ સાઈટ પર જતા હતા, ત્યારે ડમ્પરે તેમને ટક્કર મારી હતી, જેમાં તેમનું મોત થયું છે. જ્યારે વિકટોરીયા ગાર્ડન પાસેથી રોડ ક્રોસ કરતા યુવકનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત નિપજ્યું હતું. બન્ને અકસ્માત અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડમ્પરની ટક્કરથી ટુવ્હીલર ચાલકનું મોતદાણીલીમડાના ઠાકોરવાસમાં 45 વર્ષીય માજીદભાઈ રંગરેજ પરીવાર સાથે રહે છે. 27 તારીખે સવારના સમયે તેઓ પોતાનું ટુવ્હીલર લઈને અજમેરી ફાર્મની સામે આવેલી પીરાણા ડમ્પ સાઈટની અંદર જઈ રહ્યા હતા. તે સમયે ઓવરસ્પીડમાં આવેલા એક ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેથી હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાઈ પડેલા માજીદભાઈને માથા, મોઢા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. અજાણ્યા વાહને અડફેટે લેતા યુવકે જીવ ગુમાવ્યોઅન્ય બનાવમાં ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને સિવિલ હોસ્પિટલ તરફથી વર્ધી મળી હતી કે, વિકટોરીયા ગાર્ડન પાસે એક અકસ્માત થયો છે. જેથી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, 40 વર્ષીય કલ્પેશ પવાર (રહે.વિકટોરીયા ગાર્ડન) 24 તારીખે રાત્રિના સમયે વિકટોરીયા ગાર્ડ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે સમયે ઓવરસ્પીડમાં આવેલા અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા કલ્પેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વલસાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા તેમના મત વિસ્તારના લોકોના પ્રશ્નો અને રજૂઆતોના ઝડપી નિરાકરણ માટે નવનિર્મિત જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને લોકસભાના દંડક ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યાલય કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું સેવા કેન્દ્ર બનશે. લોકાર્પણ વિધિ બાદ મીડિયા સાથે વાતચીત કરતા નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર જ લોકોની સેવા કરવાના છે. દરેક ધારાસભ્ય માટે જન સંપર્ક કાર્યાલય હોવું અનિવાર્ય છે, જેથી લોકો પોતાની સમસ્યાઓ સીધી રીતે રજૂ કરી શકે. લોકસભાના દંડક ધવલ પટેલે આ કાર્યાલયને કાર્યકરો માટે 'મંદિર' ગણાવ્યું હતું, જ્યાંથી જનતાના હિતની નીતિઓ અને સરકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર થશે. ધારાસભ્ય ભરત પટેલે કાર્યાલયની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કાર્યાલય અગાઉ પણ કાર્યરત હતું, પરંતુ હવે તેને વધુ આધુનિક બનાવવામાં આવ્યું છે. અહીં બે ઓપરેટરોની નિમણૂક કરવામાં આવી છે અને કોમ્પ્યુટર તથા ટેકનોલોજીની મદદથી સરકારી યોજનાઓનું માર્ગદર્શન અપાશે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પણ આ કાર્યાલય કેન્દ્રસ્થાન બનશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અરવિંદ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ ધારાસભ્ય ભરત પટેલને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.
યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ અને માતા રુક્મણીજીના વિવાહ પ્રસંગે રાજ સવારી યોજાઈ હતી. આ પરંપરાગત વરઘોડો દ્વારકાધીશ જગત મંદિરથી વિધિવત રીતે નીકળ્યો હતો. આ વરઘોડામાં રુક્મણી માતાજી મંદિરના પૂજારી પરિવાર અને દ્વારકાના સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હજારો કૃષ્ણ ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર દ્વારકા શહેર ભગવાનના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. વર્ષો જૂની પરંપરા અનુસાર, આ વિવાહ ઉત્સવ દર વર્ષે રુક્મણી મંદિરના પૂજારી પરિવાર દ્વારા ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દ્વારકાની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખે છે.
બોટાદમાં ભગવાન સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય ઉત્સવ:લોયાધામ દ્વારા ધામધૂમથી ઉજવણી, હરિભક્તો ઉમટ્યા
બોટાદ ખાતે ભગવાન સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ભવ્ય ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પટેલ સમાજની વાડી, ગોવિંદ પાર્ક સોસાયટી, પાળીયાદ રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી આ ઉત્સવ યોજાયો હતો.આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ, ચોકલેટ અન્નકૂટ, ધૂન-ભજન-કીર્તન અને રાસોત્સવ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરજુવલ્લભ સ્વામી દ્વારા સુંદર શૈલીમાં કથા વાર્તાનું આયોજન થયું હતું, જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ સત્સંગ સભામાં લાભ લીધો હતો.લોયાધામથી પધારેલા સંતોએ આ કાર્યક્રમ બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી. અંતે, બોટાદના હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
જામનગરમાં 28 ગામોમાં જળ સંચય કાર્ય શરૂ:ઠેબા ગામમાં તળાવ ઊંડા ઉતારવાનું કામ 28 માર્ચે શરૂ થયું
જામનગર જિલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવો ઊંડા ઉતારી જળ સંચય કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલના ભાગરૂપે, 28 માર્ચના રોજ ઠેબા ગામમાં કામનો પ્રારંભ થયો હતો. જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના સંયોજકો શરદ શેઠ, નવીન કોઠારી, રક્ષિત શેઠ, કેતન મહેતા, જયેશ મહેતા તેમજ રોટરી ક્લબ જામનગરના પ્રમુખ હિતેશ ચાંદરિયા, સેક્રેટરી નિહાર માલદે અને સભ્યો મિલન શાહ, ડો. રૂપેન દોઢીયા, જીતેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. ઠેબાના સરપંચ હાર્દિક મુંગરા અને ગ્રામજનોની હાજરીમાં નવકાર મંત્રના પઠન બાદ માટી-કાંપ દૂર કરવાના કાર્યનો શુભારંભ કરાયો હતો. ઠેબાના તળાવમાં સવા કરોડ લિટરથી વધુ વરસાદી જળનો સંગ્રહ થશે. આનાથી ગામના અનેક ખેડૂતો, પશુ-પક્ષીઓ અને ઢોર-ઢાંખરને લાભ મળશે. જામનગર જિલ્લામાં જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ જામનગરના સંયુક્ત ઉપક્રમે સ્વ-ભંડોળથી ડબાસંગ, આરીખાણા, બાલાચડી, નેસડા, મચ્છુ-બેરાજા, સડોદરમાં ફૂલનાથ મહાદેવ મંદિર અને રાવલસર જેવા અનેક ગામોમાં જળ સંચયના કાર્યો હાલ ચાલી રહ્યા છે. બંને સંસ્થાઓ દ્વારા આ ભગીરથ કાર્યમાં તન, મન અને ધનથી જોડાવા માટે જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે. વરસાદી પાણીને વહી જતું અટકાવવું અત્યંત જરૂરી છે. લોકો પોતાના ઘર કે ફેક્ટરીની છત પર પડતા વરસાદી પાણીનો સંગ્રહ કરે તો જળસ્તર ઊંચું આવે અને પાણીની ગુણવત્તા પણ સુધરે. જળ સંચયના કાર્યમાં માર્ગદર્શન માટે સંસ્થાનો સંપર્ક કરી શકાય છે.
અમરેલી જિલ્લા પોલીસને “મિશન સ્માઈલ-સ્પર્શની સમજ” પહેલ માટે પ્રતિષ્ઠિત સ્કોચ સ્ટેટ ગવર્નન્સ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં યોજાયેલા એક સમારંભમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને DySP નયના ગોરડિયાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ સિદ્ધિથી સમગ્ર ગુજરાત પોલીસ ગૌરવ અનુભવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ સુરક્ષાને પ્રાથમિકતા આપતી આ પહેલ સૌપ્રથમ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષથી સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે. જિલ્લામાં વધતા બાળ લૈંગિક ગુનાઓને અટકાવવાના ઉદ્દેશ્યથી આ “મિશન સ્માઈલ (Safe Moments in Loving Environment)” શરૂ કરવામાં આવ્યું હતું. DySP નયના ગોરડિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 20 ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોને યુએન કમિટી ઓન ચાઈલ્ડ સેફ્ટી અંતર્ગત વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ આ ટીમોએ જિલ્લાની શાળાઓમાં જઈ બાળકો, વાલીઓ અને શિક્ષકોને બાળ લૈંગિક સુરક્ષા અને અધિકારો અંગે જાગૃત કર્યા હતા. દેશભરમાંથી 300થી વધુ સંસ્થાઓ અને સરકારી વિભાગોમાંથી થયેલા નામાંકનમાંથી અમરેલી જિલ્લા પોલીસની પસંદગી થવી એ ગૌરવની બાબત છે. આ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ બાળકો સુધી પહોંચીને પોલીસે બાળ સુરક્ષા, ગુનાઓની અટકાયત અને બનાવ બાદ યોગ્ય કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ જાગૃતિ ફેલાવવામાં સફળતા મેળવી છે. આ સાથે સમાજ અને પરિવારને પણ આ વિષય પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
વલસાડ જિલ્લાના પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ખાતે નવનિર્મિત પેડેસ્ટ્રીયન બ્રિજ (વોક-વે) ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સ્થિત અટલ બ્રિજ જેવી જ અનુભૂતિ કરાવતો હોવાથી પ્રવાસીઓમાં તે 'મિની અટલ બ્રિજ' તરીકે લોકપ્રિય બન્યો છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓલંબાઈ અને પહોળાઈ: આ પેડેસ્ટ્રીયન બ્રિજ 126 મીટર લાંબો અને 5.50 મીટર પહોળો છે. કનેક્ટિવિટી: ઉમરસાડી દેસાઈવાડથી દરિયા કિનારા સુધી પહોંચવા માટે વચ્ચે આવતી ખાડી ઓળંગવા આ વોક-વે આશીર્વાદરૂપ સાબિત થશે. ખર્ચ: બ્રિજ અને રસ્તાના વાઈડનિંગ પાછળ કુલ 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રવાસન સર્કિટનો વિકાસ લોકાર્પણ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર વલસાડ જિલ્લામાં એક મજબૂત પ્રવાસન સર્કિટ વિકસાવવા માટે કટિબદ્ધ છે. આ સર્કિટમાં વિલ્સન હિલ, કપરાડા, પારનેરા અને નારગોલ બીચ જેવા પ્રવાસન સ્થળોને સાંકળવામાં આવશે. ઉમરસાડી પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ પૂર્ણ થયો છે અને આગામી સમયમાં ફેઝ-2 અંતર્ગત અહીં પાર્કિંગ, ફૂડ સ્ટોલ્સ અને બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. રોજગારીની નવી તકોપ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા સ્થાનિક સ્તરે ખાણી-પીણી અને અન્ય વ્યવસાયો દ્વારા રોજગારીની નવી તકો ઊભી થશે. ઉલ્લેખનીય છે કે, લોકાર્પણ પહેલા જ આ વોક-વે સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ઉમટી પડ્યા હતા. આધુનિક સુવિધાઓથી સજ્જ બીચપ્રવાસીઓની સુવિધા માટે સ્થાનિક સાંસદના ફંડમાંથી 25 બાંકડા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાત્રિના સમયે પણ સહેલાણીઓ દરિયા કિનારાની મુલાકાત લઈ શકે તે માટે હાઈમાસ્ટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. કલેક્ટર ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ ઉમરસાડી બીચને તીથલ બીચની જેમ આધુનિક રીતે ડેવલપ કરવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
રાધનપુરમાં શ્રી વઢીયાર આહીર કેળવણી મંડળ દ્વારા આશરે 4 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરચાવડા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વઢીયાર, ચોરાડ અને વાગડ આહીર સમાજ દ્વારા શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવાના ઉદ્દેશ્યથી આ સંકુલનું નિર્માણ દાતાઓના સહયોગથી કરાયું છે. આ સંકુલ સમાજના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણના નવા દ્વાર ખોલશે. લોકાર્પણ સમારોહમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ 51 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પણ 31 લાખ રૂપિયાનું દાન આપી સંસ્થાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે. આ સંકુલ દ્વારા અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની નવી તકો પ્રાપ્ત થશે. તેમણે મંડળના આ પ્રયાસને સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમ છાંગાએ કહ્યું કે શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસ માટેનું શક્તિશાળી સાધન છે. આ સંકુલ વિદ્યાર્થીઓને નવી દિશા અને પ્રેરણા આપશે, જે સમાજને પ્રગતિના માર્ગે દોરી જશે. સમારોહમાં સંસ્થા માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભગા બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ સહિત સમાજના આગેવાનો, યુવાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરના સેક્ટર-25 જીઆઈડીસીમાં આવેલી HBC લાઈફ સાયન્સ કંપનીના ઓડિટમાં કૌભાંડ પકડાતા મહિલા એકાઉન્ટન્ટના અપહરણ અને મારપીટના ગુનામાં ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ કરતા રાજકીય ચકચાર મચી ગઈ છે. ઓડિટમાં 85 લાખના શંકાસ્પદ વ્યવહારો મળ્યાઅમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા મહિલા HBC લાઈફ સાયન્સમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. કંપનીના માલિક હિમાંશુભાઈ પટેલે પોતાની બીજી કંપની મેક્સિમસ હોલીડે પ્રા.લિ. ના ઓડિટની જવાબદારી સોંપી હતી. આ ઓડિટ દરમિયાન મહિલાએ અંદાજે 80 થી 85 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો અને બિલો વગરની ચૂકવણીઓ પકડી પાડી હતી. આ કૌભાંડ બહાર આવતા કંપનીના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. મહિલાનું બળજબરીપૂર્વક હેરિયર ગાડીમાં અપહરણફરિયાદ મુજબ, 26 માર્ચના રોજ બપોરે કંપનીના પાર્કિંગમાંથી મહિલાનું બળજબરીપૂર્વક ગ્રીન કલરની હેરિયર ગાડીમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું. ચાલુ ગાડીમાં આરોપી સપના ડુમરે અને રિષા દેસાઈએ મહિલાના વાળ ખેંચી, લાફા અને મુક્કા મારી ગંભીર માર માર્યો હતો અને ધમકી આપી હતી કે જો આ હિસાબોની વાત કોઈને કરી તો તને જાનથી મારી નાખી ક્યાંય દાટી દઈશું. AAPના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડઆ ઘટના બાદ ભયભીત થયેલી મહિલાએ જ્યારે કંપનીના માલિક હસમુખભાઈ પટેલને ફોન કરીને હકીકત જણાવી હતી, ત્યારે તેઓએ પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાએ હિંમત દાખવી સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ મામલે પોલીસે કડક વલણ અપનાવી આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ કરી લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સેકટર 21 પોલીસ મથકે નોંધાયેલા BNS કલમ 137(2), 351(3), 352, 115(2), 61(1)એ, 54 મુજબ આમ આદમી પાર્ટીમા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ હસમુખ શકરભાઇ પટેલ ઉ.વ. (રહે. સિધ્ધીવિનાયક બંગલોઝ, નાયરા પેટ્રોલપંપની પાછળ, સરગાસણ, મૂળ પાટણ) ની ધરપકડ કરી લેવાઈ છે. હસમુખ પટેલે વર્ષ 2020-21માં AAPના પ્રદેશ સંગઠન મંત્રી તરીકે કામ કર્યું હતુંહસમુખભાઇ પટેલે વર્ષ 2020-21માં આમ આદમી પાર્ટીમા ગુજરાત રાજય, પ્રદેશ સંગઠન મંત્રી તરીકે કામકાજ કર્યું હતું. હસમુખ પટેલ તથા તેના ભાઇ હિમાંશુ પટેલની માલિકીની HBC લાઇફ સાયન્સ પ્રા.લિ. કંપની તથા મેક્સિમસ હોલીડે પ્રા. લિ.,માં કામ કરતા ફરિયાદી મહિલાને આરોપી હિમાંશુભાઇ તથા સપના ડુમરેએ તેમની કંપનીના બેનામી હિસાબો તેમજ કંપનીના ખોટા ટ્રાન્જેક્શનો સંબધી માહિતી ક્યાંય લીક થશે અથવા કંપનીને તેમનાથી કોઇ નુકશાન થશે તેવા ભયથી હસમુખભાઇના કહેવાથી હિમાંશુ પટેલ તથા સપના ડુમરે તથા રિષા દેસાઇ દ્વારા ભેગા મળી પુર્વ આયોજીત પ્લાન બનાવી હિમાંશુ પટેલની ગાડીમાં ફરિયાદીનું અપહરણ કરી ધાક-ધમકી આપી મુઢ માર મારી ઇજાઓ કરાઈ હતી.
પાટડીની વિદ્યાર્થીની રુમીનબાનુ સોયબમહંમદ જુણેજાને તેમની અનોખી શોધ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. આ શોધ વરસાદ દરમિયાન કપડાંને આપોઆપ શેડની અંદર લઈ લેતી ટેકનોલોજી પર આધારિત છે. આ ટેકનોલોજી એવી રીતે વિકસાવવામાં આવી છે કે જ્યારે વરસાદ આવે અને કપડાં બહાર સુકાતા હોય, ત્યારે જો ઘરમાં કોઈ હાજર ન હોય તો પણ કપડાં આપમેળે શેડની અંદર આવી જાય છે. આનાથી કપડાંને વરસાદથી બચાવી શકાય છે. ગાંધીનગર ખાતે યોજાયેલા 'સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી નમો લક્ષ્મી યોજના સરસ્વતી વિજ્ઞાન સાધના કાર્યક્રમ' અંતર્ગત રુમીનબાનુને આ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્નભાઇ વાંઝા અને રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. રુમીનબાનુ અમદાવાદની શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય (SNGV) માં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. તેઓ પાટડીના ભૂતપૂર્વ જાણીતા શિક્ષક અબ્દુલભાઈ જુણેજા (ચાચા સાહેબ)ના પૌત્રી છે, જેમણે પાટડી પંથકમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રુમીનબાનુની આ શોધ સુરેન્દ્રનગર જિલ્લા, પાટડી-દસાડા પંથક અને સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયક બની રહી છે. અગાઉ પણ તેમણે સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાત સ્તરે સ્પર્ધાત્મક કાર્યક્રમોમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
મોરબીમાં ₹106 કરોડના 14 વિકાસ કામોનું ખાતમહુર્ત:બ્રિજ સહિતના પ્રોજેક્ટ્સથી શહેરના વિકાસને વેગ મળશે
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ. 106 કરોડથી વધુના 14 વિકાસ કામોનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તથા કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વિકાસ કામોમાં એક નવા બ્રિજના નિર્માણનો પણ સમાવેશ થાય છે, જે મોરબીમાં છઠ્ઠો બ્રિજ બનશે. અગાઉ શહેરમાં પાંચ બ્રિજ કાર્યરત હતા. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય મોરબીના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. ખાતમહુર્તનો કાર્યક્રમ મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અગાઉની સરખામણીમાં હવે વિકાસ કાર્યો અનેક ગણી વધુ ગતિથી થશે. તેમણે ખાતરી આપી હતી કે લોકોની જરૂરિયાત મુજબના તમામ વિકાસ કામો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે, જેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થાય. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે તેનું વાર્ષિક બજેટ રૂ. 100 કરોડ હતું. મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ વર્ષે રૂ. 700 કરોડથી વધુ અને બીજા વર્ષે રૂ. 1100 કરોડથી વધુનું બજેટ બનાવવામાં આવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં ઔદ્યોગિક નગરી મોરબી એક નમૂનેદાર શહેર તરીકે ઓળખાશે. આ કાર્યક્રમમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ રીસીપ કૈલા, મહામંત્રી ભાવેશ કંજારીયા અને ભુપત જારીયા, તેમજ ભાજપના આગેવાનો જયંતી પટેલ, જેઠાભાઇ મિયાત્રા, જયરાજસિંહ જાડેજા, કેતનભાઇ વીલપરા, ચંદુ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટના આજીડેમ વિસ્તારમાં રહેતા અને યુની. પોલીસ મથકમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય યુવાન દિપક દિનેશ દાણીધારિયાએ પત્નીના મોતના વિયોગમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. કાલાવડના મોકાજી મેઘપર ગામના વતની દિપકે ગઈ રાત્રિના 11 વાગ્યાના અરસામાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ પછી તે મવડી વિસ્તારમાં રહેતા કાકા મનોજભાઈના ઘરે ગયો હતો, જ્યાં અચાનક તબિયત લથડતા અને બેભાન થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નિપજ્યું હતું. મૃતક દિપક યુની. પોલીસમાં ફરજ બજાવવાની સાથે મેટોડામાં ઘડિયાળની કંપનીની બસ ચલાવી ગુજરાન ચલાવતો હતો અને તે પરિવારમાં સૌથી મોટો પુત્ર હતો. 4 વર્ષ પહેલાં તેના લગ્ન રિદ્ધિબેન સાથે થયા હતા, પરંતુ માત્ર 3 મહિના પહેલા જ તેની પત્નીનું ફેફસામાં ઇન્ફેક્શન અને ટીબીની બીમારીને કારણે અવસાન થયું હતું. પત્નીના અકાળે અવસાન બાદ દિપક સતત માનસિક આઘાતમાં રહેતો હતો, જે અંતે તેના આપઘાતનું કારણ બન્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટનાં મહિકા પાસે હિટ એન્ડ રન, જૂનાગઢના 19 વર્ષીય યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાના પાટિયા પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં જૂનાગઢના વતની અને ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા 19 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. આ યુવાન જ્યારે હોટલથી જમવાનું લઈને પોતાના બાઈક પર પરત ફરી રહ્યો હતો, ત્યારે કોઈ અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અકસ્માત સર્જીને વાહનચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતા જ આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને 108ની ટીમને જાણ કરી હતી, પરંતુ તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવાન પોતાના પરિવારમાં બે ભાઈ અને બે બહેનોમાં વચેટ હતો અને મહિકા પાટિયા પાસે ભાડાના મકાનમાં રહી મજૂરી કરતો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં ગાય આડે ઉતરવાથી બાઇક સ્લીપ થતા પ્રૌઢનું કરૂણ મોત, પરિવારમાં શોકનો માહોલ રાજકોટના સંતકબીર રોડ પર રહેતા 55 વર્ષીય પ્રૌઢનું માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા થવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. મળતી વિગત મુજબ, સંતકબીર રોડ પર આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા વિનોદભાઇ માધવજીભાઇ ભરાડ ગઇ તા. 22 ના રોજ પોતાના વતન પાટખીલોરી ગામ તરફ બાઇક પર જઇ રહ્યા હતા. આ દરમિયાન પાટખીલોરી ગામ નજીક અચાનક ગાય આડે ઉતરતા વિનોદભાઇએ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તેમનું બાઇક સ્લીપ થઇ ગયું હતું. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત પ્રૌઢને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ લથડતા અંતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. મૃતક દોશી હોસ્પિટલમાં કેન્ટીન ચલાવતા હતા. તેને સંતાનમાં 1 પુત્ર અને 2 પુત્રી છે. હાલ આ મામલે પોલીસે જરૂરી કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપ, બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી એક શાળાના પરિસરમાં નેપાળી સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાના આક્ષેપથી ચકચાર મચી ગઈ છે. જામનગર રોડ વિસ્તારમાં રહેતા 15 વર્ષીય સગીરે એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે. આ અરજીમાં તેણે આક્ષેપ કર્યો છે કે, પાણીના પ્લાન્ટમાં કામ કરતી વખતે સંચાલક જયેશ મજેઠીયા અને લાલો પટેલ તેને લલચાવી-ફોસલાવી અવારનવાર હવસનો શિકાર બનાવતા હતા. આરોપીઓએ આ બાબતે કોઈને જાણ ન કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ સગીરે ઉલ્લેખ કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પીએસઆઈ એસ એમ રાણાની ટીમે સગીરનો મેડિકલ રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં તે સગીર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસને આ મામલે વિડિયો આધારિત પુરાવા પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર આક્ષેપો અને પ્રાથમિક પુરાવાઓના આધારે એ ડિવિઝન પોલીસે બંને શખ્સો વિરુદ્ધ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. સગીરે પોતાની અરજીમાં અન્ય બાળકોના પણ શારીરિક શોષણ થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.

27 C