SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

ગોધરા મરઘા કેન્દ્ર દ્વારા 244 લાભાર્થીઓને સહાય:વિવિધ યોજનાઓ હેઠળ અત્યાર સુધીમાં લાભ અપાયો

ગોધરા: જિલ્લા પશુપાલન વિભાગ હેઠળના મરઘા સેવા કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં 244 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ કુલ 477 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. કેન્દ્ર દ્વારા તાલીમ, 100 બ્રોયલર પક્ષી ફાર્મ અને 1000 બ્રોયલર પક્ષી ફાર્મ જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે. પ્રાપ્ત થયેલી 477 અરજીઓમાંથી 244 લાભાર્થીઓને સીધો લાભ મળ્યો છે. મરઘા ઉછેર અંગેની તાલીમ માટે આશરે ₹10.95 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, લાભાર્થીઓને R.I.R. અને કડકનાથ જેવી જાતના 25 મરઘા પણ પૂરા પાડવામાં આવ્યા છે. તમામ યોજનાઓ મળીને કુલ ₹65.44 લાખની રકમ કેટલાક લાભાર્થીઓને ચૂકવી દેવામાં આવી છે. અન્ય લાભાર્થીઓ માટે ચૂકવણીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:53 pm

ખાખસર શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:‘રંગોત્સવ’માં 22 કલાકૃતિઓ પ્રદર્શિત, તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માનિત; 400 બાળકોને શૈક્ષણિક કીટ

આણંદના તારાપુર તાલુકાની પીએમ શ્રી ખાખસર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પ્રાંગણમાં 'રંગોત્સવ-2026' સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં 400 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. આચાર્ય રાકેશકુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ 15 દિવસની મહેનત બાદ 22 જેટલી વિવિધ કલાકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. આ કૃતિઓ મહોત્સવમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના સદસ્ય ગજરાબેન મકવાણા, સહકારી મંડળીના ચેરમેન બળદેવભાઈ ભરવાડ અને ઇન્ચાર્જ સરપંચ રમીલાબેન મકવાણા સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 44 તેજસ્વી વિદ્યાર્થીઓને નિવૃત આચાર્ય વિઠ્ઠલભાઈ પરમાર તરફથી ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, ગામના દાતા ગણેશભાઈ પરમાર દ્વારા શાળાના 400 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં એન.એસ. પટેલ કોલેજના પ્રાધ્યાપક કૃપેશભાઈ ચૌહાણ અને કોરિયોગ્રાફર અભિષેકભાઈ સોનીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સાગર ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક યોગેશભાઈ ઠક્કર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં શાળાના વિકાસમાં યોગદાન આપનાર કર્મવીરોનું સન્માન કરાયું હતું. લક્ષ્મીબેન મકવાણા તરફથી શાળાના શિક્ષક સ્ટાફ, મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રિસોર્સ પર્સન જયંતીભાઈ, જયેશભાઈ અને જગદીશભાઈ ગોહેલે સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:42 pm

કાર અકસ્માતમાં 3 શિક્ષકો ભડથું, ડ્રાઈવર સામે FIR:ગોંડલ - આટકોટ હાઈવે પર ગોઝારા એક્સિડન્ટમાં કારની સ્પીડ કેટલી, આગ કેમ લાગી તેની તપાસ થશે

30 જાન્યુઆરીના શુક્રવારના રોજ વહેલી સવારે ગોંડલ - આટકોટ હાઈવે પર જસદણના દડવા નજીક ફોર વ્હીલર કાર પુલ નીચે ખાબકતા તેમાં આગ લાગતા કારમાં સવાર ત્રણ શિક્ષકોના સ્થળ પર જ મૃત્યુ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે આજે 31 જાન્યુઆરીએ રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે મૃતક કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવાની સાથે કારની સ્પીડ સહિતની એફ. એસ. એલ. ની મદદથી તપાસ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. અકસ્માતમાં 45 વર્ષીય આશા ચૌધરી, 29 વર્ષીય નીતા પટેલ તેમજ 35 વર્ષીય પ્રયાગ બારીયા નામના શિક્ષકોનું મૃત્યુ થયુ હતુ. શુક્રવારના રોજ ત્રણેય શિક્ષકો કારમાં આટકોટથી ગોંડલ તરફ જઈ રહ્યા હતા તે સમયે કાર પુલ નીચે ખાબકતા જોત જોતામાં કારમાં આગ લાગી હતી. ત્રણેય શિક્ષકો કારની બહાર નીકળે તે પૂર્વે જ કાર આગની લપેટમાં આવી જતા ત્રણેય શિક્ષકો કારમાં જ બળીને ભડથું થઈ ગયા હતા. રસ્તા પરથી પસાર થનાર રાહદારી દ્વારા સમગ્ર મામલે 112 પર ફોન કરતા તાત્કાલિક અસરથી 108 ની ટીમ, ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તેમજ આટકોટ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ઘટના સ્થળ પર દોડી ગયેલી ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ કારના દરવાજાઓ તોડીને કારમાંથી ભડથું થઈ ગયેલા શિક્ષકોની લાશને સૌપ્રથમ જસદણ પોસ્ટમોર્ટમ તેમજ ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર છોટા ઉદેપુરના ત્રણેય શિક્ષકો પૈકી આશા ચૌધરીનો પુત્ર ગોંડલ સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે. પુત્રની તબિયત સારી ન હોવાથી તેને લેવા માટે પોતાના સાથી શિક્ષકો સાથે ગોંડલ આવી રહ્યા હતા. જે દરમિયાન શુક્રવારના રોજ વહેલી સવારે દુર્ઘટના ઘટી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા. જે અંતર્ગત કાર આટકોટથી ગોંડલ તરફ જઈ રહી હોવાનું સામે આવ્યું હતું. બનાવ સંદર્ભે આટકોટ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સંભવતઃ કાર ચાલક દ્વારા સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા સમગ્ર ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે. સવારના સમયે ધુમ્મસ ભર્યું વાતાવરણ તેમજ કાર ચાલકની બેદરકારીના કારણે અકસ્માતની ઘટના ઘટિત થઈ હોવાનું જણાઈ રહ્યું છે. આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતું કે, આટકોટ પોલીસ સ્ટેશન ખાતે મૃતક આશા ચૌધરીના મોટા દીકરા કશ્યપ ચૌધરી દ્વારા બીએનએસની કલમ 106 (1), 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત મૃતક કાર ચાલક પ્રયાગ બારીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા એફએસએલ તેમજ આરટીઓ મારફતે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી? તેમજ અકસ્માત કઈ રીતે સર્જાયો તેમજ ત્યારબાદ કઈ રીતે આગ લાગી તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા એફએસએલની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:36 pm

ફેક IDનો ઉપયોગ કરી મહિલાની પજવણી:આણંદ સાયબર ક્રાઈમ પોલીસે મહિલાઓને બદનામ કરનાર આરોપીની કરી ધરપકડ

આણંદ સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓને બદનામ કરવાના હેતુથી ફેક આઈડી બનાવી પજવણી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસ મહાનિરીક્ષક અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે તપાસના અંતે ખંભાતના રહેવાસી આરોપી જયવીર જયરાજભાઈ જોષીની ધરપકડ કરી છે. આ કેસની વિગત મુજબ, '108 ખંભાત વિધાનસભા' નામના વોટ્સએપ ગ્રુપમાં કેટલાક શખ્સોએ આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને ફરિયાદીના પરિવાર વિશે અત્યંત વાંધાજનક પોસ્ટ મૂકી હતી. આ ઉપરાંત, આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર પણ ફેક આઈડી બનાવી મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી તેમને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે દક્ષિણ આફ્રિકા (+27) અને યુકે (+44) જેવા દેશોના આંતરરાષ્ટ્રીય નંબરોનો ઉપયોગ કરતા હતા. જોકે, આણંદ સાયબર ક્રાઈમની ટેકનિકલ ટીમે અત્યાધુનિક સર્વેલન્સ, આઈપી એડ્રેસનું વિશ્લેષણ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે આરોપીને શોધી કાઢ્યો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. એક્ટ 2023ની કલમ 352, 296(બી) તથા આઈટી એક્ટની કલમ 67 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળતા બાદ સાયબર પોલીસે જનતાને અપીલ કરી છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ હંમેશા જવાબદારીપૂર્વક કરવો જોઈએ અને કોઈપણ પ્રકારની સાયબર પજવણીના કિસ્સામાં તુરંત પોલીસનો સંપર્ક કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:33 pm

હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિકાસ કાર્યોને મંજૂરી:ભેળવાયેલા પંચાયત વિસ્તારોમાં ટેન્ડર પ્રક્રિયા માટે લીલી ઝંડી

હિંમતનગર પાલિકાની સામાન્ય સભા શનિવારે ડૉ. નલિનકાંત ગાંધી ટાઉન હોલમાં યોજાઈ હતી. આ સભામાં પાલિકા વિસ્તારમાં ભળી ગયેલા પંચાયત વિસ્તારોમાં વિકાસ કાર્યો કરવા માટે ટેન્ડર પ્રક્રિયા અને કન્સલટન્સી ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ખડબચીયા અને બગીચા હેડક્વાર્ટસ ખાતે નવા ક્લોરીનેશન પ્લાન્ટને પણ મંજૂરી મળી હતી. પાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને મળેલી આ સભામાં, પંચાયતમાંથી પાલિકામાં સમાવિષ્ટ થયેલા સોસાયટી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યો માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા અને કન્સલટન્સી સેવાઓનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. સભામાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન ગ્રાન્ટ વર્ષ ૨૦૨૬-૨૭ હેઠળ ફાળવેલા રૂપિયા ૨૫ લાખમાંથી નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કામો નક્કી કરવાનો નિર્ણય લેવાયો હતો. વધુમાં, બિનઅધિકૃત બાંધકામમાંથી મળેલી ઇમ્પેક્ટ ફીની આવકમાંથી મોતીપુરા વિસ્તારમાં નવી સિવિલ હોસ્પિટલ સામે ૧૮ મીટર ટીપી રોડના મેટલીંગ કામગીરી માટે જીયા કન્સલટન્સી પાસેથી એસ્ટીમેન્ટ અને ટેન્ડર સંબંધિત કાર્યવાહી કરવા પણ નિર્ણય કરાયો હતો. પાલિકાના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓના રિસર્ફેસીંગની કામગીરી માટે નવી ગ્રાન્ટમાંથી તેમજ વધારાનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવા અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, નગરપાલિકા અને ભળી ગયેલા પંચાયત વિસ્તારમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી માટે કન્સલટન્ટ ડીસા સિવિલ એન્જીનીયરીંગ ડિઝાઇન, ગાંધીનગર દ્વારા રજૂ કરાયેલા ડીપીઆર મુજબ, પ્રાથમિકતાના ધોરણે બોરવેલ માટે રૂ. ૯.૧૨ લાખના ખર્ચનું ટેન્ડર ઉપલબ્ધ ગ્રાન્ટમાંથી કરવા મંજૂરી અપાઈ હતી. પાલિકા વિસ્તારના ખડબચીયા અને બગીચા હેડક્વાર્ટસ ખાતેના ક્લોરીનેશન પ્લાન્ટ ૨૦ વર્ષથી વધુ જૂના હોવાથી, નવા ક્લોરીનેશન પ્લાન્ટની કામગીરી કરવા માટે નવા એસ્ટીમેન્ટ બનાવી, થનાર ખર્ચ ઉપલબ્ધ ગ્રાન્ટ અને સ્વભંડોળમાંથી કરવા માટેની મંજૂરી લેવામાં આવી હતી. અશ્વમેઘ સોસાયટીના બાકી રહેલા વિસ્તારમાં પીવાના પાણીની લાઇન નાખવા તેમજ વોર્ડ નં. ૧ માં મહેતાપુરા વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી માટે વધુ ત્રણ માસની સમયમર્યાદા વધારવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:32 pm

MSUની બોય્ઝ હોસ્ટેલમાંથી 30 દારૂની બોટલ ને સિગારેટોના બોક્સ મળ્યા:સયાજીગંજ પોલીસે રાત્રે રેડ પાડી થેલો ભરીને બોટલો લઈ ગઈ, શિક્ષણધામમાં દારૂની મહેફિલની શંકા

વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બોય્ઝ હોસ્ટેલમાંથી દારૂની જથ્થાબંધ ખાલી બોટલો મળી આવતા કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે. સયાજીગંજ પોલીસે મોડી રાત્રે કરેલી રેડ દરમિયાન એમ.એમ. હોલના એક રૂમમાંથી 25થી 30 ખાલી દારૂની બોટલો તથા એક બોટલમાં દારૂ ભરેલો હોવાનું જાણવા મળ્યું છે. 30 દારૂની બોટલ ને સિગારેટોના બોક્સપોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી 25થી 30 ખાલી દારૂની બોટલ અને સિગારેટોના બોક્સ મળ્યા પણ મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલને પોલીસે એક થેલો ભરીને કબજે કરી લીધો છે અને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ મામલે યુનિવર્સિટી સતાધીશો દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં આ મામલે અરજી આપવામાં આવી છે સાથે યુનિવર્સિટી તંત્ર દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. શિક્ષણધામમાં દારૂની મહેફિલની શંકાઆ ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રશાસને આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, એમ.એમ. હોલમાં લાંબા સમયથી દારૂની પાર્ટીઓ યોજાતી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. આટલી મોટી માત્રામાં નશીલા પદાર્થો હોસ્ટેલમાં કેવી રીતે પહોંચ્યા તે અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ યુનિવર્સિટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. મોટી માત્રામાં બોટલો ક્યાંથી આવી?સયાજીગંજ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે તેમજ આરોપી કોણ છે અને આટલી મોટી માત્રામાં બોટલો ક્યાંથી આવી, કોણ કોણ યુનિવર્સિટી તંત્રનો સ્ટાફ સામેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. 'બોટલો થેલામાં ક્યાંથી આવી તે બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ'આ અંગે એમ એમ હોલાના વોર્ડન વિજય સોલંકીએ જણાવ્યું હતું કે, આ બોટલો ક્યાંથી આવી તે તપાસનો વિષય છે. વિદ્યાર્થીઓ કે અન્ય કોઈ લાવ્યું તે બાબતે અમે અજાણ છીએ પરંતુ આટલી બોટલો થેલામાં ક્યાંથી આવી તે બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. અહીંયાથી સિગારેટના બોક્સ પણ મળી આવ્યા છે. આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીયે. 'વિધાર્થીઓનું કહેવું છે કે પ્લાન્ટેશન માટે આ બોટલો લાવ્યા હતા'આ મામલે સયાજીગંજ પોલીસ મથકના પીએસઆઇ ડી વી પાટીલે જણાવ્યું હતું કે, આ બાબતે યુનિવર્સિટી દ્વારા કમિટી બેસાડવામાં આવી છે. વિધાર્થીઓનું કહેવું છે કે તેઓ પ્લાન્ટેશન માટે આ બોટલો લાવ્યા હતા. અમે આ બાબતે તપાસ કરી રહ્યા છીયે કે તથ્ય શું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:31 pm

ગોધરા યુનિવર્સિટીમાં ડૉ. વિજય પંડ્યાનું વિશેષ વ્યાખ્યાન:રામાયણની સમીક્ષિત આવૃત્તિના ગુજરાતી અનુવાદ પર ચર્ચા કરાઈ

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વિજય પંડ્યાનું વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું. આ વ્યાખ્યાન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ યોજાયું હતું. ડૉ. વિજય પંડ્યાનું જીવન રામાયણના અભ્યાસ અને સંશોધનને સમર્પિત રહ્યું છે. તેમણે વ્યાખ્યાનના પ્રારંભમાં ગોધરા સાથેના પોતાના સંસ્મરણો યાદ કર્યા હતા. વ્યાખ્યાનમાં ડૉ. વિજય પંડ્યાએ રામાયણની સમીક્ષિત આવૃત્તિના ગુજરાતી અનુવાદ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, 'ભારત દેશમાં રામાયણની સમીક્ષિત આવૃત્તિનો 100 વર્ષ પછી મારા દ્વારા ગુજરાતી અનુવાદ થયો તેનું મને ગર્વ છે.' આ પ્રસંગે પ્રોફે. ડૉ. કાલિન્દીબેન શાસ્ત્રી, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવપ્રકાશ ગાંધી, બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન ડૉ. રાજેશ વ્યાસ, રજિસ્ટ્રાર અનિલ સોલંકી, વિવિધ કોલેજોના પીએચ.ડી. માર્ગદર્શક પ્રાધ્યાપકો, પીએચ.ડી.ના શોધાર્થીઓ અને અનુસ્નાતક સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:27 pm

વેરાવળ ST ડેપોમાં રાત્રી ફરજ કર્મચારીઓ માટે કેમ્પ:નેત્ર નિદાન, BP-શુગર તપાસથી માર્ગ સલામતી સુનિશ્ચિત

વેરાવળ GSRTC એસ.ટી. ડેપો ખાતે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ નેશનલ રોડ સેફ્ટી મંથ–૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે નિઃશુલ્ક નેત્ર નિદાન અને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિ. યુનિટ – ઇન્ડિયન રેયોન વેરાવળના જનસેવા ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો. એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર, કન્ડક્ટર અને મિકેનિક સ્ટાફ, ખાસ કરીને રાત્રી શિફ્ટ દરમિયાન, લાંબા સમય સુધી વાહન ચલાવવાની અને તણાવભરી કામગીરીને કારણે આંખ તથા આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરતા હોય છે. આવા કર્મચારીઓના આરોગ્યની ચિંતા અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપો મેનેજર દિલીપ શામળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાત્રી ફરજ બજાવતા કર્મચારીઓ માટે આ પ્રકારની આરોગ્ય તપાસ અત્યંત જરૂરી છે. આ કેમ્પમાં કર્મચારીઓની આંખની તપાસ સાથે બ્લડ પ્રેશર (BP) અને શુગરની પણ મફત ચકાસણી કરવામાં આવી હતી. આ આરોગ્ય તપાસ કેમ્પ આ શ્રેણીનો બીજો કેમ્પ હતો, જેને કર્મચારીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કેમ્પ દરમિયાન આદિત્ય બિરલા હોસ્પિટલ, વેરાવળના અનુભવી તજજ્ઞો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં ડૉ. અસ્કા પટેલ (MD Ophtho.) – મેડિકલ ઓફિસર અને તેમની નિષ્ણાત ટીમે કર્મચારીઓની આંખોની તપાસ કરી હતી. તેમણે બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લેવલની ચકાસણી કરીને આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટના ચેરમેન શશાંક પારેખના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ડેપો મેનેજર દિલીપ શામળા અને વેરાવળ એસ.ટી. ડેપોના સ્ટાફના સહકારથી આયોજન સુવ્યવસ્થિત અને સફળ રીતે પૂર્ણ થયું હતું. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા ઉપરાંત માર્ગ સલામતી માટે પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે. ડેપો ખાતે યોજાયેલા આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પથી કર્મચારીઓમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:27 pm

મહીસાગરના ભાદરોડ પાસે કાર ઝાડ સાથે ટકરાઈ:મોડાસાથી સંતરામપુર જઈ રહેલા બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ ગામ પાસે લીંબડીયા-ખાનપુર હાઇવે પર એક કાર ઝાડ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ પરિવાર મોડાસાથી સંતરામપુર તરફ લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે ભાદરોડ ગામ નજીક આ ઘટના બની હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે હજુ જાણી શકાયું નથી. જોકે, સ્થાનિકોના મતે આ સ્થળ અવારનવાર અકસ્માતોનો ભોગ બનતું હોવાથી તેને 'અકસ્માત ઝોન' તરીકે ઓળખવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:26 pm

સુરત: 108ની ટીમે પરત કર્યા લાખોના દાગીના:બરબોધન અકસ્માતના ઇજાગ્રસ્તના 5 લાખના દાગીના અને રોકડ પરિવારને સોંપાયાં

સુરતના રાંદેર વિસ્તારમાં 108ઇમરજન્સી સેવાની ટીમે માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અકસ્માતનો ભોગ બનેલા એક ગંભીર યુવાનના લાખો રૂપિયાના દાગીના અને રોકડ પરત કરી 108ના કર્મચારીઓએ સમાજમાં એક નવી મિસાલ કાયમ કરી છે. ઘટનાની વિગત અને તાત્કાલિક સારવાર ગઈકાલે મોડી રાત્રે રાંદેર પાસેના બરબોધન ગામે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યાં 36 વર્ષીય શશાંકભાઈ ઠાકોરભાઈ પટેલ ગંભીર હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારની ગેરહાજરીમાં EMT શબ્બીર બેલીમ અને પાયલોટ સુનિલ ભાભોરે સમયસૂચકતા વાપરી ઇજાગ્રસ્તના ફોનથી તેમના પરિવારનો સંપર્ક કર્યો અને તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 5લાખના દાગીના અને રોકડ પરત કર્યા સારવાર દરમિયાન કર્મચારીઓને ઇજાગ્રસ્ત પાસેથી સોનાની ચેઈન અને વીંટી મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 5,00,000 રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત 4,200 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. સોનાના વધતા ભાવ વચ્ચે પણ આ ટીમે સહેજ પણ લાલચ રાખ્યા વગર તમામ ચીજવસ્તુઓ ઇજાગ્રસ્તના બહેન કંચનબેનને સહીસલામત સોંપી દીધી હતી. 108ની આ નિષ્ઠા જોઈ પરિવારજનોએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:20 pm

ગણપત વસાવાનો શામળાજીમાં સત્કાર સમારંભ યોજાયો:આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક બાદ ત્રણ મંત્રીઓ ઉપસ્થિત

ગુજરાત પ્રદેશ ભાજપના આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે ગણપત વસાવાની નિમણૂક થયા બાદ અરવલ્લીના શામળાજી ખાતે તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ત્રણ મંત્રીઓ હાજર રહ્યા હતા. યાત્રાધામ શામળાજીમાં યોજાયેલા આ સત્કાર સમારંભમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, મંત્રી પી.સી. બરંડા, મંત્રી રમેશ કટારા અને સાંસદ શોભનાબેન બારૈયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ શરૂ થતા પહેલા પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાએ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. ત્યારબાદ જિલ્લાના કાર્યકરો દ્વારા બાઈક રેલી યોજી તેમને કાર્યક્રમ સ્થળ સુધી લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:20 pm

નવસારીમાં ગટર કામગીરી દરમિયાન ગેસ લાઈન તૂટી:500થી વધુ ઘરોનો પુરવઠો ખોરવાયો, દુર્ગંધથી સમગ્ર વિસ્તારમાં ભય

નવસારી શહેરના ટેકનિકલ સ્કૂલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન મુખ્ય ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે મોટા પાયે ગેસ લીકેજ થયું અને સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી, જેનાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે, ફાયર ફાઈટરો દ્વારા વિસ્તારમાં પાણીનો મારો ચલાવી ગેસનું દબાણ ઘટાડવાનો પ્રયાસ કરાયો હતો. ગેસ કંપનીના અધિકારીઓને જાણ કરીને મુખ્ય લાઈનનો પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. ગેસ લાઈનમાં ભંગાણને કારણે ટેકનિકલ સ્કૂલ અને આસપાસના વિસ્તારના અંદાજિત 500થી વધુ રહેણાંક મકાનોમાં ગેસ કનેક્શન બંધ થઈ ગયા છે. બપોરના સમયે ગેસ પુરવઠો ઠપ્પ થતાં અનેક ઘરોમાં રસોઈ બનાવવામાં મુશ્કેલી પડી હતી. તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર અસરગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલ ગેસ કંપની અને પાલિકાના એન્જિનિયરો દ્વારા ગેસ લાઈનના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મોડી સાંજ સુધીમાં ગેસ પુરવઠો પુનઃ કાર્યરત થાય તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:18 pm

ભરૂચમાં મતદાર યાદી સુધારણામાં ગેરરીતિના આક્ષેપ:મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચના કંથારીયા, ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR)માં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરીના હેતુસર મોટા પાયે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર-7 ઓનલાઈન અને ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાની શંકા છે. સમાજ દ્વારા આ પ્રવૃત્તિને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો વિરુદ્ધનું ગંભીર ષડયંત્ર ગણાવવામાં આવ્યું છે. ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત દ્વારા આ મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, જો બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે, તો સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થવાની શક્યતા છે. આથી, મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે BLO અને સુપરવાઈઝરને ગ્રામ પંચાયતની હાજરી અને જાણ સાથે જ તપાસ કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે. વધુમાં, જો પંચાયતની જાણ બહાર કોઈ સાચા મતદારનું નામ કમી કરવામાં આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:17 pm

સુરક્ષા રામ ભરોસે!:મહીસાગર જિલ્લા જળ ભવનની નવીન ઇમારતમાં નિયમોનું ઉલ્લંઘન: ફાયર NOC , BUC વગર જ ધમધમતી ઓફિસો

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે નવનિર્મિત 'જિલ્લા જળ ભવન' વિવાદમાં છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલી આ બહુમાળી ઇમારતમાં વિવિધ સરકારી કચેરીઓ કાર્યરત છે, પરંતુ તેની પાસે હજુ સુધી ફાયર એન.ઓ.સી. (NOC) કે બિલ્ડિંગ યુઝ સર્ટીફીકેટ (BUC) નથી. નિયમ મુજબ, કોઈપણ બહુમાળી ઇમારતનો ઉપયોગ શરૂ કરતા પહેલા ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી અને ફાયર એન.ઓ.સી. મેળવવી ફરજિયાત છે. આ ઉપરાંત, બિલ્ડિંગ યુઝ સર્ટીફીકેટ પણ અનિવાર્ય છે. સરકારી વિભાગ દ્વારા જ આ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું જણાય છે. આ ઇમારતમાં રોજ મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ બજાવે છે અને અનેક અરજદારો પોતાના કામ માટે આવે છે. ફાયર સેફ્ટીના અભાવે કોઈ આકસ્મિક આગની ઘટના બને તો લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી ફાયર સેફ્ટીના તમામ ધોરણો પૂર્ણ ન થાય અને જરૂરી પરવાનગીઓ ન મળે, ત્યાં સુધી આ ઇમારતમાં કામગીરી ચલાવવી જોખમી છે. આ સમગ્ર મામલે મીડિયા દ્વારા GWSSB મહીસાગરના કાર્યપાલક ઇજનેર પી.એમ. બામણનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફાયર NOC અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, તેની પ્રક્રિયા નગરપાલિકામાં ચાલુ છે. બિલ્ડિંગ યુઝ સર્ટીફીકેટ (BUC) અંગે પણ તેમણે જણાવ્યું કે તેની પ્રક્રિયા પણ ચાલુ છે. લિફ્ટ NOC માટે પૂછતાં તેમણે કહ્યું કે તેઓ કાર્યપાલક ઇજનેરને કહીને તેની પ્રક્રિયા પણ કરાવશે. કચેરીના ઉદ્ઘાટન અંગે બામણે સ્પષ્ટતા કરી હતી કે, હાલ માત્ર પૂજા કરવામાં આવી છે. તેનું વિધિવત ઉદ્ઘાટન મહીસાગર કલેક્ટર કચેરી દ્વારા ટૂંક સમયમાં થનાર છે. રીબીન કાપીને કરાયેલા ઉદ્ઘાટન અંગે તેમણે જણાવ્યું કે તે માત્ર ઔપચારિકતા હતી અને સાહેબો ફરીથી રીબીન કાપવા આવશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:14 pm

ગોધરામાં મેસરી નદીનો કોઝવે જોખમી બન્યો:ચોમાસામાં રેલિંગ તૂટ્યા બાદ તંત્રની બેદરકારી

ગોધરા શહેરને જોડતા મેસરી નદી પરનો કોઝવે છેલ્લા ચોમાસામાં ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન પામ્યો છે. નદીના ધસમસતા પ્રવાહને લીધે કોઝવેની બંને તરફની સુરક્ષા રેલિંગ અને બેરિકેડ તૂટી ગયા છે, જેના કારણે હાલમાં અહીંથી પસાર થવું વાહનચાલકો માટે અત્યંત જોખમી બન્યું છે. આ કોઝવે ગોધરા શહેરને સરકારી ઇજનેરી કોલેજ અને અનેક સોસાયટીઓ સાથે જોડે છે. દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. બેરિકેડના અભાવે રાત્રિના સમયે અકસ્માત થવાનો ભય રહેલો છે, અને વાહનચાલકો નદીમાં ખાબકવાનો સતત ડર અનુભવી રહ્યા છે. ચોમાસું પૂરું થયાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી રેલિંગ કે બેરિકેડનું સમારકામ કરવામાં આવ્યું નથી. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં તંત્ર જાગૃત થાય અને આ કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:09 pm

50 વર્ષ પૂર્ણ કરી ઇન્ડિયન કોસ્ટગાર્ડનો સ્વર્ણિમ વર્ષમાં પ્રવેશ:180 જહાજો અને 90 વિમાનો સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું તટરક્ષક દળ, 11,098 કિમી દરિયાઈ સરહદનું અભેદ્ય કવચ

ભારતીય કોસ્ટગાર્ડ (ICG) આજે તેની સ્થાપનાના 50 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સુવર્ણ જયંતિ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. 1 ફેબ્રુઆરી 1977ના રોજ માત્ર 7 જહાજોના નાના કાફલા સાથે શરૂ થયેલું આ દળ આજે ભારતની 11,098 કિમી લાંબી દરિયાઈ સરહદનું અભેદ્ય કવચ બની ગયું છે. 'વયમ રક્ષામસ્' (અમે રક્ષણ કરીએ છીએ)ના ધ્યેયમંત્ર સાથે કાર્યરત આ દળ આજે 180થી વધુ જહાજો અને 90થી વધુ વિમાનો સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું તટરક્ષક દળ છે. સુરક્ષા અને બચાવ કામગીરીના અભૂતપૂર્વ આંકડા પાંચ દાયકાની આ સફરમાં કોસ્ટગાર્ડે અનેક સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે: ઓપરેશન્સ: અત્યાર સુધીમાં 8,700થી વધુ દરિયાઈ અને વાયુ અભિયાનો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. જીવન રક્ષા: દરિયામાં ફસાયેલા 12,500થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. આંકડાકીય રીતે જોઈએ તો, કોસ્ટગાર્ડ સરેરાશ દર બીજા દિવસે એક વ્યક્તિનો જીવ બચાવે છે. આપત્તિ વ્યવસ્થાપન: વાવાઝોડાં અને સુનામી જેવી કુદરતી આફતો દરમિયાન 14,000થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દાણચોરી અને આતંકવાદ સામે લાલ આંખદેશની આંતરિક સુરક્ષા મજબૂત કરવામાં કોસ્ટગાર્ડની ભૂમિકા નિર્ણાયક રહી છે. નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે કરવામાં આવેલી કડક કાર્યવાહીમાં અત્યાર સુધીમાં અંદાજે 55,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતી 1,600થી વધુ વિદેશી ફિશિંગ બોટ અને ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાતનો દરિયાકાંઠો અને વ્યૂહાત્મક મહત્વભારતનો પશ્ચિમ કિનારો, ખાસ કરીને ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન સરહદની નિકટતાને કારણે અત્યંત સંવેદનશીલ છે. અહીં દરિયાઈ ઘૂસણખોરી અને દાણચોરી રોકવા માટે કોસ્ટગાર્ડ 24x7 સઘન મોનિટરિંગ કરે છે. અંડમાન-નિકોબાર અને લક્ષદ્વીપ જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં પણ આ દળ સતત સજાગ રહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવકોસ્ટગાર્ડે માત્ર દેશની સુરક્ષા જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. શ્રીલંકાના કિનારે 3 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ ભરેલા 'ન્યૂ ડાયમંડ' જહાજની આગ બુઝાવીને કોસ્ટગાર્ડે મોટી પર્યાવરણીય હોનારત ટાળી હતી, જે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર ઘટના બની હતી. ભવિષ્યની ટેકનોલોજી અને આધુનિકીકરણસુવર્ણ જયંતિ વર્ષમાં પ્રવેશતાની સાથે જ ભારતીય કોસ્ટગાર્ડ હવે વધુ આધુનિક બની રહ્યું છે. આગામી સમયમાં AI આધારિત મોનિટરિંગ સિસ્ટમનો અમલ. આધુનિક ડ્રોન અને સેટેલાઈટ સર્વેલન્સ. અદ્યતન રડાર નેટવર્ક દ્વારા દરિયાઈ સીમાઓનું રક્ષણ. સેવા, સુરક્ષા અને સમર્પણના 50 વર્ષ પૂર્ણ થતા આજે સમગ્ર દેશ આ સાહસી જવાનોના ત્યાગ અને શૌર્યને સલામ કરી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:07 pm

અરવલ્લીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું સમાપન:મોડાસામાં પ્રાંત અધિકારી અને RTOની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા માટે, અરવલ્લી RTO દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો સમાપન કાર્યક્રમ મોડાસામાં યોજાયો. આ કાર્યક્રમ તત્વ ફાઉન્ડેશનના હોલમાં મોડાસાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. સમાપન સમારોહમાં RTO જે. કે. પ્રજાપતિ, RTO કચેરીના તમામ ઇન્સ્પેક્ટરો, તત્વ ફાઉન્ડેશનના ચેરમેન જયદત્તસિંહ પુવાર તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ, જેમાં ઇન્સ્પેક્ટર કેવી હાડાએ ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે RTO જે. કે. પ્રજાપતિએ નગરજનોને માર્ગ સલામતી વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે આખા મહિના દરમિયાન RTO કચેરી અને પોલીસ દ્વારા માર્ગ સલામતી માટે કરાયેલા વિવિધ કાર્યક્રમોની જાણકારી આપી. જેમાં વિવિધ સંસ્થાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન અને વાહન ચાલકોને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગેની માહિતીનો સમાવેશ થાય છે. જરૂર પડ્યે વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન, એસ.ટી. વિભાગના એવા ડ્રાઇવરોનું સન્માન કરવામાં આવ્યું જેમણે પોતાની ફરજ દરમિયાન એક પણ અકસ્માત કર્યો ન હતો. આ ઉપરાંત, 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:06 pm

વિઝા ફ્રોડ કરી દુબઈ ભાગેલો ઠગ ઝડપાયો:મુંબઈ એરપોર્ટ પરથી પકડાયો, LOC જાહેર કરાયો હતો

આણંદ: વિઝા ફ્રોડ આચરી દુબઈ ભાગી ગયેલા વિદ્યાનગરના ધ્રુવેશ સંજયભાઈ દરજીને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની સામે લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરાયો હતો, જેના આધારે તે દુબઈથી પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો. ધ્રુવેશ દરજી વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારનો રહેવાસી છે. તેણે વિદેશ જવાના સપના જોતા અનેક નાગરિકો સાથે વિઝા ફ્રોડ દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી કર્યા બાદ તે વિદેશ પલાયન થઈ ગયો હતો. આણંદ પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ધ્રુવેશ દરજી વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ તેની ધરપકડ માટે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. આ સર્ક્યુલરને કારણે, તે દુબઈથી ભારત પરત ફરતાની સાથે જ મુંબઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યો અને પોલીસને સોંપવામાં આવ્યો. વિદ્યાનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જિલ્લાના અન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે જો તેઓ આ ઠગાઈનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, જેથી અન્ય ભોગ બનેલા લોકોને પણ ન્યાય મળી શકે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:02 pm

યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન:અમદાવાદની પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીએ વકતૃત્વ સ્પર્ધામાં તૃતિય સ્થાન મેળવ્યું

યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા 30 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધી નિર્વાણ દિને આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં આશ્રમ રોડ પર આવેલ નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થી હર્ષરાજ રાઠોડએ તૃતીય પુરસ્કાર મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું. આ સ્પર્ધામાં અમદાવાદની વિવિધ કોલેજોમાંથી કુલ 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાનો વિષય હતો 'સત્યાગ્રહથી સોશિયલ મીડિયા સુધી: અન્યાય સામે પ્રતિરોધના બદલાતા સ્વરૂપ'. જે ગાંધીજીના વિચારોને આધુનિક સંદર્ભ સાથે જોડતો વિચારપ્રેરક વિષય હતો. હર્ષરાજ રાઠોડે પોતાના વક્તવ્યમાં સત્યાગ્રહના મૂલ્યો અને આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાની ભૂમિકા વચ્ચે સુંદર તુલના રજૂ કરી, જેના કારણે જજીસ તથા શ્રોતાઓ પર ઊંડો પ્રભાવ પડ્યો. હર્ષરાજ સોલંકીને પ્રમાણપત્ર તથા રોકડ ઇનામ આપવામાં આવી સન્માનિત કરવામાં આવ્યો. આ સિદ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ હર્ષરાજને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:58 pm

પોરબંદરમાં બે દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ:4 રાજ્યોના પક્ષીવિદોની 25 ટીમો જોડાઈ, ઈકો-ટુરિઝમ પર ભાર

પોરબંદરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત (BCSG) દ્વારા બે દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ થયો છે. 'પક્ષીનગર' તરીકે ઓળખાતું પોરબંદર તેની કુદરતી સંપદા માટે જાણીતું છે. શિયાળાની ઠંડીમાં હજારો વિદેશી યાયાવર પક્ષીઓ પોરબંદરના મહેમાન બન્યા છે, ત્યારે આ ગણતરી પર્યાવરણ અને પ્રવાસન માટે મહત્વપૂર્ણ છે. 'પોરબંદર વિઝન 2047' અંતર્ગત ઈકો-ટુરિઝમને વિશેષ પ્રાધાન્ય અપાયું છે, જે પ્રવાસન ક્ષેત્રે નવા દ્વાર ખોલશે. આ પર્યાવરણ શિક્ષણ માટે પણ ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ગણતરીમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાનના નામાંકિત પક્ષીવિદો જોડાયા છે. કુલ 25 ટીમો દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ સવાર અને સાંજ એમ બંને સમયે સચોટ ગણતરી કરવામાં આવશે. પોરબંદરમાં દરિયા કિનારો અને મીઠા પાણીના સરોવરો (જેમ કે મોકરસાગર, કુછડી, છાયા રણ, બરડા સાગર) નજીક હોવાથી અહીં પક્ષીઓની અનેક દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:56 pm

વધુ એક એક્ટિવા ચાલક બ્રિજ પરથી પટકાયો:12 વર્ષની દીકરીની છેડતી કરતા માતા બની રણચંડી, કેશોદમાં કૂવામાંથી માનવ કંકાલ સાથે 15 તોલા સોના મળ્યું, પિતાએ લજવ્યા સંબંધો

PSI ભરતીમાં 8679 ઉમેદવાર ક્વોલિફાઇડ થયા PSI ભરતીમાં 8679 ઉમેદવાર ક્વોલિફાઇડ થયા..1023 ઉમેદવારને 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે તો 2 તારીખથી કોલલેટર ડાઉનલોડ થશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક્ટિવાને ટક્કર મારતા યુવક બ્રીજ પરથી નીચે પડ્યો અમદાવાદના બલોલનગર બ્રિજ પર શુક્રવારે મોડી રાત્રે એક્ટિવા પર જતા પતિપત્નીને કારચાલકે ટક્કર મારી. જેમાં એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પડતા તેનું મોત થયું છે,જ્યારે પત્ની ઈજાગ્રસ્ત છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ત્રણ મહિના પહેલા કૂતરું કરડતા યુવકને હડકવા પાલનપુરમાં યુવક કુતરાની જેમ લોકોને કરડવા દોડે છે અને તેની જેમ જ ભસે છે. યુવકને ત્રણ મહિના પહેલા કૂતરું કરડ્યું હતું, જે બાદ તેને હડકવા ઉપડ્યો છે. હોસ્પિટલમાં પણ યુવક તોફાન કરતા તેને બેડ સાથે બાંધી દેવાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઘર છીનવાઈ જવાના ડરથી સ્થાનિકોનો આક્રોશ રાજકોટના જંગલેશ્વરમાં મોટા પાયે થનારા ડિમોલીશનને લઈને સ્થાનિકો રડી પડ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો છારી-ઢંઢ અભ્યારણ્ય પણ રામસર સાઈટ્સમાં સામેલ કચ્છનું છારી-ઢંઢ અભ્યારણ્ય રામસર સાઈટ્સ જાહેર કરાયું. સ્વિટ્ઝર્લેન્ડથી આ અંગે જાહેરાત કરાઈ.. નળ સરોવર સહિત હવે રાજ્યના પાંચ અભયારણ્યો રામસર સાઈટ્સમાં સામેલ થયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતની ભ્રષ્ટ 'જયંતી સુપર' બનાવી રહી છે બે ટાંકીઓ સુરતમાં ટેસ્ટિંગ દરમિયાન જ ધરાશાયી થયેલી પાણીની ટાંકી બનાવનાર કંપની જયંતિ સુપર મહેસાણામાં પણ બનાવી રહી છે પાણીની ટાંકીઓ. આ ટાંકીઓમાં અત્યારથી જ લીકેજની ફરિયાદો ઉઠી છે. જો કે અધિકારીઓ આને ક્ષારનું નામ આપી રહ્યા છે. તો જયંતિ સુપરને કઈ રીતે આ કોન્ટ્રાક્ટ મળ્યો તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતાએ દીકરીની છેડતી કરનાર યુવકની રોમિયોગીરી ઉતારી સુરતના ઉધના વિસ્તારમાં મહિલાએ 12 વર્ષની દીકરીની છેડતી કરનાર યુવકની રોમિયોગીરી ઉતારી.કોલર પકડી ઉપરાછાપરી તમાચા ઝીંક્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કળિયુગના કપાતરે પૈસા માટે માતાની હત્યા કરી અમદાવાદના મકરબામાં મોડીરાત્રે એક દીકરાએ તેની માતાની હત્યા કરી.. દીકરાએ ઘરના બદલામાં પૈસા માગ્યા હતા, જેની ના પાડતા દીકરાએ માતાના માથામાં દંડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાર વર્ષથી દીકરી પર પિતા ગુજારતા હતા દુષ્કર્મ રાજકોટના ઉપલેટામાં દિવ્યાંગ પિતાએ તેની સગી દીકરી પર સતત 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું.. પત્ની કેન્સરગ્રસ્ત થતા દીકરી પર દાનત બગાડી.. પોલીસે નરાધમ પિતાની અટકાયત કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કૂવામાંથી માનવ કંકાલ અને 15 તોલાના દાગીના મળતા ચકચાર જૂનાગઢના કેશોદના ખમીદાણા ગામના કૂવામાંથી મળ્યુ માનવ કંકાલ અને 15 તોલા સોનાના દાગીના. .આ કંકાલ અને દાગીના 6 મહિના પહેલા ગુમ થયેલા વૃદ્ધાનું હોવાનુ માનીને પોલીસે તપાસ હાથ ધરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:56 pm

હાઈકોર્ટમાં સરકારી નોકરી અપાવવાના બહાને ઠગે 12 લાખ ખંખેર્યા:ગાંધીનગરના યુવાનને પડોશમા જ રહેતાં સુરેન્દ્રનગરના શખ્સે છેતર્યો, આરોપી રાતોરાત સહપરિવાર છૂમંતર થયો

ગાંધીનગરના સેક્ટર-3માં રહેતા ટેક્ષી ડ્રાઈવરને હાઈકોર્ટમાં ડ્રાઈવરની સરકારી નોકરી અપાવવાના બહાને પડોશમાં ભાડે રહેતા સુરેન્દ્રનગરનો શખ્સ 12 લાખ ખંખેરી લઈ રાતોરાત સહપરિવાર છૂમંતર થઈ જતા સેકટર 7 પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાડોશીએ જ યુવાનને સરકારી નોકરી અપાવાના બહાને ઠગ્યોસરકારી નોકરીની લાલચ આપી ભોળવાતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો ગાંધીનગરમા પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર સેકટર 3/બી પ્લોટ નંબર 357/2માં રહેતો કમલેશ અમરતભાઈ પરમાર ટેક્ષી ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે. ગત 9 એપ્રિલ 2025ના રોજ બ્રોકર મારફતે પાર્થિવ આર. કપુર (રહે-બ્લોક નં.-133/સી સરકારી વસાહત કલેક્ટર રેસીડેન્સી નજીક સુરેન્દ્રનગર) પરીવાર સાથે કમલેશના મકાનના ઉપરના માળે ભાડાથી રહેવા આવ્યો હતો. 'હું તને ડ્રાઇવરની ભરતીમાં પાસ કરાવી, નોકરી અપાવી દઈશ'આથી બંને વચ્ચે મિત્રતા થતાં પારીવારીક સંબંધો બંધાયા હતા. દરમ્યાન 2025 ગુજરાત હાઇકોર્ટમાં ડ્રાઇવરની જાહેરાત આવતા કમલેશે ડ્રાઇવરની ભરતી માટેનું ફોર્મ ભર્યું હતું. જે વાત તેણે પાર્થિવને કરતા તેણે કહેલ કે હું રાજકીય વગ ધરાવતો હોવાથી હાઇકોર્ટમાં મારે સારી ઓળખાણ છે. હું તને ડ્રાઇવરની ભરતીમાં પાસ કરાવી દઈ નોકરી અપાવી દઈશ. 50 હજાર એડવાસ પાર્થિવને ટ્રાન્સફર કરી દીધાપરંતુ તેના માટે 12 લાખ આપવા પડશે. જેથી સરકારી નોકરી મેળવવા માટે કમલેશ તેની વાતોમાં આવી ગયો હતો. અને પાર્થિવના કહેવા પ્રમાણે ગુગલ પે થકી ત્રીજી ઓગસ્ટના રોજ 50 હજાર એડવાસ પાર્થિવને ટ્રાન્સફર કરી દીધા હતા. જેના થોડાક દીવસ પછી પાર્થિવે જણાવેલ કે હું હાઇકોર્ટમાં સાહેબને મળી આવ્યો છું તેમણે બીજા બાકીના પૈસા મંગાવેલ છે. જે તાત્કાલિક આપી દેવા પડશે. બહાના કરીને 12 લાખ ખંખેર્યા જેના પગલે કમલેશે સરકારી નોકરીની લાલચમાં આવીને 7 ઓગસ્ટના રોજ બીજા 8.65 લાખ ચૂકવી દીધા હતા. એ વખતે પાર્થિવે આ વાત કોઈને નહિ કરવાનું કહ્યું હતું. જોકે સમયસર નોકરીનો મેળ નહીં પડતા પાર્થિવે કહેલું કે, હજી દસ લાખ જ આપ્યા છે. નોકરી માટે 12 લાખની વાત નક્કી થઈ હતી. બીજા બે લાખ હાઇકોર્ટના સાહેબને આપી દઈએ પછી જોબ લેટર આપશે. મકાન ખાલી કરીને છૂમંતર થઈ ગયોઆમ કમલેશે બીજા બે લાખ પણ પાર્થિવને આપી દીધા હતા. કમલેશને છતાં નોકરી મળી નહીં. ત્યારબાદ પાર્થિવ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. બાદમાં પાર્થિવ પ્રથમ તેના પરીવારને ઘરેથી ક્યાંક મુકી આવી થોડા દિવસો પછી મકાન ખાલી કરીને છૂમંતર થઈ ગયો હતો. અને કમલેશ સાથે સંપર્કો તોડી નાખ્યા હતા. આ અંગે સેકટર 7 પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:55 pm

શોરૂમ જેવા પોલીસે 48 કલાકમાં ડિટેઈન કરેલા 75 બુલેટના થપ્પા:પોરબંદરમાં મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બુલેટધારકો સામે કડક ઝુંબેશ, હજુ અઠવાડિયું ટ્રાફિક પોલીસ ડ્રાઈવ ચલાવશે

પોરબંદર શહેરમાં શાંતિ ભંગ કરતા અને કર્કશ અવાજ કરતા મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બુલેટ ચાલકો વિરુદ્ધ પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા 48 કલાકમાં ટ્રાફિક પોલીસે કુલ 75 બુલેટ બાઈક ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સ્પેશિયલ ડ્રાઈવ આગામી એક સપ્તાહ સુધી સતત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસમાં પોલીસની સપાટોજિલ્લા પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચનાથી ટ્રાફિક શાખા દ્વારા આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીમાં પ્રથમ દિવસે 37 બુલેટ બાઈક જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે બીજો દિવસે 38 બુલેટ બાઈક જપ્ત કરવામાં આવ્યા છે.આમાં માત્ર બે દિવસમાં જ 75 વાહનો સામે કડક પગલાં લેવાયા છે. એમ.વી. એક્ટ હેઠળ કાર્યવાહીટ્રાફિક પી.આઈ. એમ.એલ. આહિરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે.બી. ચૌહાણ, કે.એન. અઘેરા અને ટ્રાફિક ટીમે શહેરના મુખ્ય માર્ગો અને પોઈન્ટ્સ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. મોડિફાઈડ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ચાલકો સામે એમ.વી. એક્ટની કલમ-207 હેઠળ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. પોલીસની કડક ચેતવણીપોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં પણ જો કોઈ બાઈકમાં નિયમ વિરુદ્ધના સાયલેન્સર મળી આવશે, તો તે સ્થળ પર જ કાઢીને કબજે કરવામાં આવશે. પોલીસે વાહન ચાલકોને સ્વૈચ્છિક રીતે મોડિફાઈડ સાયલેન્સર હટાવી લેવા અનુરોધ કર્યો છે. આગામી 5થી 7 દિવસ સુધી આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:49 pm

મોરબીની કરશન ઘાવરી એકેડમીએ શ્રેણી જીતી:આણંદમાં યોજાયેલી અંડર-19 વન ડે શ્રેણીમાં 2-1થી વિજય

આણંદ શહેર સ્થિત એલિકોન ક્રિકેટ એકેડેમીમાં યોજાયેલી ત્રણ મેચની અંડર-19 વન ડે શ્રેણીમાં મોરબીની કરશન ઘાવરી ક્રિકેટ એકેડેમીએ 2-1થી વિજય મેળવ્યો છે. આ શ્રેણી એલિકોન ક્રિકેટ એકેડેમી અને કરશન ઘાવરી ક્રિકેટ એકેડેમી, મોરબીની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ હતી. 30મી ડિસેમ્બરના રોજ રમાયેલી ફાઇનલ મેચના અંતે, મોરબીની ટીમે બે મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી હતી. શ્રેણી દરમિયાન બંને ટીમોના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં તેમના ખાસ પ્રદર્શન બદલ કેટલાક ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અર્જુનસિંહ જેતવાને 'બોલર ઓફ ધ મેચ', સૌર્યરાજ સોલંકીને 'બેટર ઓફ ધ મેચ' અને સર્વાંગી રમત બદલ રાધે ભીમાણીને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:42 pm

આણંદ SPએ નિવૃત્ત ASIને પોતાની ખુરશી પર બેસાડ્યા:33 વર્ષની નિષ્ઠાવાન સેવા બદલ મહંમદ યુસુફને અનોખું સન્માન

આણંદ જિલ્લા એલઆઈબીમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. મહંમદયુસુફ શેખને તેમની વયમર્યાદાને કારણે નિવૃત્તિ સમયે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી દ્વારા અનોખું સન્માન આપવામાં આવ્યું હતું. એસ.પી. જસાણીએ મહંમદયુસુફ શેખને પોતાની ખુરશી પર બેસાડીને આ સન્માન કર્યું હતું. મૂળ કપડવંજના મહંમદયુસુફ શેખે આણંદ જિલ્લા એલઆઈબીમાં 33 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. તેમની વિદાય નિમિત્તે એલઆઈબી કચેરી ખાતે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ તેમને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ, એસ.પી. જસાણી તેમને પોતાની ચેમ્બરમાં લઈ ગયા અને પોતાની ખુરશી પર બેસાડીને વિશેષ સન્માન આપ્યું. આણંદ એસ.પી. કચેરીના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હતી, જ્યાં એક પોલીસ અધિક્ષકે નાના કર્મચારીની નિષ્ઠાને બિરદાવવા માટે તેમને પોતાની ખુરશી પર બેસાડી સન્માનિત કર્યા. આ પહેલને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ બિરદાવી હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ જણાવ્યું હતું કે, મહંમદ યુસુફ શેખે પરિવાર કરતાં પણ ફરજ પ્રત્યે વધુ નિષ્ઠા દાખવીને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની ખોટ કચેરીને વર્તાશે. તેમણે ઉમેર્યું હતું કે જો દરેક કર્મચારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે તો તંત્ર વધુ ઝડપી અને સરળ બનશે. તેમણે અન્ય કર્મચારીઓને મહંમદયુસુફ જેવા નિવૃત્ત થતા કર્મચારીઓ પાસેથી પ્રેરણા લેવા પણ અનુરોધ કર્યો હતો. આ વિદાય સમારોહમાં નિવૃત્ત ડીવાયએસપી દિલીપ ત્રિવેદી, પી.આઈ. આર.એસ. સેંધવ સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ મહંમદયુસુફ શેખ સાથેના તેમના સંસ્મરણો રજૂ કર્યા હતા. આણંદ ડિવિઝનના ડીવાયએસપી જે.એન. પંચાલ, પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી એચ.બી. વાઘેલા, એલસીબી પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટ અને સીઆઈડી ક્રાઈમના પી.આઈ. આર.ડી. ડાભી સહિતના અધિકારીઓએ પણ નિવૃત્ત થતા એ.એસ.આઈ. મહંમદયુસુફનું સન્માન કર્યું હતું. નિવૃત્ત થતા એ.એસ.આઈ. મહંમદયુસુફ શેખે જણાવ્યું હતું કે ઉપરી અધિકારીઓએ તેમનામાં વિશ્વાસ મૂક્યો હતો, જેના કારણે તેઓ એલઆઈબીમાં 33 વર્ષ સુધી એક જ ટેબલ પર ફરજ બજાવી શક્યા. તેમણે તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાની ફરજને પરિવાર કરતાં પણ વધુ પ્રાધાન્ય આપ્યું હોવાનું જણાવ્યું હતું. મહંમદયુસુફ શેખે કહ્યું કે તેઓ ક્યારેય તેમના સંતાનોની શાળા કે કોલેજમાં ગયા નથી, અને ઘણીવાર પરિવારને રસ્તામાં છોડીને કચેરીમાં દોડવું પડતું હતું. તેમણે પોતાની પત્નીનો આભાર માન્યો હતો, જેમણે બાળકોનો ઉછેર કર્યો અને તેમને ફરજ બજાવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ કારણે જ તેઓ આજે સંતોષકારક રીતે નિવૃત્ત થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:39 pm

GPSC દ્વારા 23 સંવર્ગની 279 ખાલી જગ્યા પર ભરતી:આજથી 16 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશો, 26 એપ્રિલે પ્રિલીમ પરીક્ષા

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 23 સંવર્ગની 279 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંગે GPSCના સેક્રેટરી સુધીર પટેલે માહિતી આપી હતી. 16 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશોGPSC દ્વારા પાંચ વિભાગો, સ્પોર્ટ્સ ઓથોરિટી, 9 મહાનગરપાલિકાઓ, તેમજ પાણી પુરવઠા, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગની જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવી છે. ઉમેદવારો આજ બપોરથી ઓનલાઇન અરજી કરી શકશે, અને અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી રાત્રે 11:59 વાગ્યા સુધી રહેશે. પ્રિલીમ પરીક્ષામાં 2 પેપર ને 300 માર્કતમામ જગ્યાઓ માટે પ્રિલીમ પરીક્ષા યોજાશે, જે 26 એપ્રિલ 2026ના રોજ લેવામાં આવશે. પ્રિલીમ પરીક્ષામાં કુલ 2 પેપર રહેશે. જેમાં પેપર-1: સામાન્ય જ્ઞાન અને પેપર-2: સંબંધિત સંવર્ગ મુજબ વિષય આધારિત (200 માર્ક્સ) એમ કુલ મળીને 300 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે. આ જગ્યાઓ માટે કાઉન્સિલિંગ પ્રક્રિયા આ ભરતીમાં કાઉન્સિલિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ બાદ લાયક ઉમેદવારોની યાદી અને કાઉન્સિલિંગની તારીખ આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે. ખાસ કરીને 9 મહાનગરપાલિકાની 13 પોસ્ટ સહિત કુલ 202 જગ્યાઓ માટે કાઉન્સિલિંગ પ્રક્રિયા અમલમાં આવશે. મેરીટના આધારે લોકેશન પ્રેફરન્સ મળશેમેરીટના આધારે ઉમેદવારોને તેમની પસંદગી (પ્રેફરન્સ) મુજબ જગ્યાઓ ફાળવવામાં આવશે. મેરીટમાં પ્રથમ ક્રમે આવનાર ઉમેદવારને 9 મહાનગરપાલિકામાંથી પોતાની પસંદગી કરવાની તક મળશે, જ્યારે અંતિમ ક્રમના ઉમેદવારને મેરીટના આધારે બાકી રહેલી જગ્યાઓ ફાળવાશે. વન ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) ફરજિયાતઆ ભરતીમાં વન ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) ફરજિયાત કરવામાં આવ્યું છે. OTR મોબાઇલ નંબરના માધ્યમથી રહેશે. અગાઉ આવી વ્યવસ્થા ન હતી, પરંતુ હવે ભવિષ્યની તમામ ભરતીમાં ઉમેદવાર એક જ OTR દ્વારા પોતાની વિગતો અને દસ્તાવેજો ઉપયોગમાં લઈ શકશે. અગાઉ OTR મારફતે દસ્તાવેજ અપલોડ કરેલા ઉમેદવારોને ફરીથી દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર રહેશે નહીં.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:38 pm

અમદાવાદમાં એચસીએલ સ્ક્વોશ પીએસએ ચેલેન્જર ઇન્ડિયન ટૂર:ઇજિપ્તના ખેલાડીઓ ફરીદા વાલિદ અને સેફ રિફાઈ એ ટાઇટલ જીત્યા, 9 દેશોના 48 ખેલાડીઓએ ભાગ લીધો

પાંચ દિવસીય ટોપ ટીયર ઈન્ટરનેશનલ કોમ્પિટિશન બાદ, અમદાવાદ ખાતે આયોજિત ' એચસીએલ સ્ક્વોશ પીએસએ ચેલેન્જર ટૂર'નો આજે બેલવેડિયર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં સમાપન થયું. 27 એચસીએલ થી 31 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ ટુર્નામેન્ટમાં 9 દેશોના 48 શ્રેષ્ઠ સ્ક્વોશ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં રમતવીરોએ પીએસએ વર્લ્ડ રેન્કિંગ પોઈન્ટ્સ મેળવવા માટે અત્યંત રોમાંચક અને તીવ્ર સ્પર્ધા કરી હતી. ચેન્નાઈ, જયપુર, મુંબઈ અને બેંગલુરુના સફળ તબક્કાઓ બાદ, આ ઈવેન્ટ દ્વારા ' એચસીએલ સ્ક્વોશ ઇન્ડિયન ટૂર' સર્કિટમાં અમદાવાદનું પ્રથમ વખત આગમન થયું છે, જેણે પ્રોફેશનલ સ્પોર્ટ્સ માટેના ડેસ્ટિનેશન તરીકે શહેરની વધતી જતી પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે. ઇજિપ્ત, મલેશિયા, હોંગકોંગ, શ્રીલંકા, બ્રુનેઈ, માલ્ટા, ઈરાન અને ભારતના ખેલાડીઓએ પુરૂષ અને મહિલા બંને વર્ગમાં અનોખી ખેલદિલી, વ્યૂહાત્મક કૌશલ્ય અને કોમ્પિટિટિવ સ્પિરિટ પ્રદર્શિત કર્યું. એચસીએલ ગ્રુપના બ્રાન્ડ એન્ડ સ્ટ્રેટેજીના એવીપી અને હેડ, રજત ચાંદોલિયાએ જણાવ્યું હતું કે, “એચસીએલ સ્ક્વોશ ઇન્ડિયન ટૂરમાં અમદાવાદનો તબક્કો એક શક્તિશાળી ઉમેરો રહ્યો છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ હું તમામ વિજેતાઓને અભિનંદન પાઠવું છું. સ્પર્ધાની ગુણવત્તા અને ખેલાડીઓ તરફથી મળેલો પ્રતિસાદ એ વાતની પુષ્ટિ કરે છે કે આ ટૂરનો નવા શહેરોમાં વિસ્તાર કરવો શા માટે મહત્વપૂર્ણ છે. એચસીએલમાં, અમારું ધ્યાન સતત ઉચ્ચ પ્રદર્શનની તકો પૂરી પાડવા પર છે, જે ભારતીય ખેલાડીઓને વૈશ્વિક મંચ પર સફળતા મેળવવા અને 2028 ઓલિમ્પિક સુધીના માર્ગ માટે તૈયાર કરે.” ઓલ ગુજરાત રેકેટ એસોસિએશનના જનરલ સેક્રેટરી, ભાનુ પ્રતાપ સિંહએ ઉમેર્યું હતું કે, “અમદાવાદમાં પીએસએ ઈવેન્ટનું આયોજન એ ભારતના સ્થાનિક સ્ક્વોશ ઈકોસિસ્ટમના સતત થઈ રહેલા વિકાસને પ્રતિબિંબિત કરે છે. એચસીએલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) અને મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ સ્પોર્ટ્સના સતત સહયોગથી, આ ટૂર ભારતીય રમતવીરોને લાંબા ગાળાની સફળતા માટે જરૂરી કોમ્પિટિટિવ ડેપ્થ અને ઈન્ટરનેશનલ એક્સપોઝર પૂરું પાડી રહી છે.” મહિલા સિંગલ્સની ફાઈનલમાં, ઇજિપ્તની ફરીદા વાલિદે ભારતની તન્વી ખન્નાને 9-11, 13-15, 11-8, 12-10, 11-5 ના સ્કોરથી હરાવી ટાઇટલ જીત્યું હતું. બીજી તરફ, પુરુષોની ફાઈનલમાં ઇજિપ્તના સેફ રિફાઈએ પોતાના જ દેશના હાઝેમ હોસમને 11-4, 11-7, 11-4 ના સ્કોરથી પરાજય આપ્યો હતો. નોંધનીય છે કે, સેફ રિફાઈ તાજેતરમાં યોજાયેલી બ્રિટિશ ઓપન (U-19) નો પણ વિજેતા રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ ઘરઆંગણે પોતાનો મજબૂત પ્રભાવ પાડવાનું ચાલુ રાખ્યું હતું, અને આ ટુર્નામેન્ટનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધીઓ સામે પોતાની ક્ષમતા ચકાસવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કર્યો હતો. લોસ એન્જેલસ 2028 માં સ્ક્વોશ રમત ઓલિમ્પિક ડેબ્યૂ કરવા જઈ રહી છે, ત્યારે ભારતની તૈયારીઓમાં અમદાવાદના આ તબક્કાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સ્પર્ધાએ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર અને રેન્કિંગ સુધારવાની અમૂલ્ય તકો પૂરી પાડી છે. પીએસએ-રજિસ્ટર્ડ આ ટુર્નામેન્ટમાં પુરુષો અને મહિલાઓ બંને શ્રેણીમાં USD 6,000 નું સમાન ઈનામ રાખવામાં આવ્યું હતું. આ બાબત જેન્ડર પેરિટી અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા પ્રત્યે એચસીએલની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. 2016 થી, એચસીએલ અને એસઆરએફઆઈ વચ્ચેની ભાગીદારીએ 40 થી વધુ પ્રોફેશનલ ટુર્નામેન્ટ્સનું આયોજન કર્યું છે, જેનાથી 1,000 થી વધુ ભારતીય ખેલાડીઓને લાભ થયો છે અને વૈશ્વિક સ્ક્વોશ સર્કિટ પર ભારતની હાજરી મજબૂત બની છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:35 pm

સામાન્ય અકસ્માતમાં હાઉસિંગ બોર્ડના નિવૃત્ત ક્લાર્કની હત્યા:CNCDમાં કામ કરતા બે કર્મચારીઓએ માર મારી ગાડીના કાચ તોડ્યા, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

અમદાવાદ શહેરના સોલામાં આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે સામાન્ય અકસ્માત થતા બે યુવકોએ એક વૃદ્ધની હત્યા કરી દીધી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના નિવૃત્ત ક્લાર્કની સામાન્ય અકસ્માતમાં બાઈક પર રહેલા અને CNCD વિભાગમાં કામ કરતા બે યુવકોએ માર મારીને ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થતા સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. વૃદ્ધની કારનો બાઈક સાથે અકસ્માત થયો હતોચાંદલોડિયામાં 60 વર્ષીય અલ્પેશભાઈ મહેતા પત્ની સાથે રહેતા હતા. અલ્પેશભાઈ પ્રગતિનગર ખાતે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસમાંથી ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા હતા. 29 જાન્યુઆરીએ રાતના સમયે તેઓ ગોતા પ્રસંગ પાર્ટી પ્લોટ પાસેથી ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક સાથે સામાન્ય અકસ્માત થતા બે બાઈકચાલકોએ બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. પોલીસે ઈજાગ્રસ્ત વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા હતાબાદમાં આ બંને લોકોએ અલ્પેશભાઈની ગાડીના દરવાજાના કાચ તોડી નાખ્યા હતા. બંનેએ અલ્પેશભાઈને ચહેરા, માથા અને છાતીના ભાગે મુક્કા માર્યા હતા. અલ્પેશભાઈને લોહી નીકળતા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ પહોંચી હતી. બાદમાં માર મારનાર અમિત વાઘેલા અને કેવલ વાઘેલા તથા અલ્પેશભાઈને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યોઅલ્પેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી પોલીસે તેમને સારવાર માટે ખસેડ્યા હતા. સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ CNDCમાં મૃત પશુઓના નિકાલનું કામ કરે છે અને અકસ્માત દરમિયાન ઉશ્કેરાઈને વૃદ્ધની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:33 pm

અમદાવાદના 5 પરિવારને નવા મકાન મળ્યા:માણેકચોકમાં આવેલી કાકાબળીયાની પોળમાં જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા મકાનોનું નિર્માણ

હેરિટેજ શહેર અમદાવાદના હેરિટેજ કોટ વિસ્તારમાં જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ના પોળ વિસ્તારના જિનાલયોની આસપાસમાં પરિવારોને વસાવવા માટે આવાસ યોજનાનું કાર્ય હાથ ધરાયેલ છે તેના ભાગ રૂપે આજે માણેકચોક વિસ્તારની કાકાબળીયાની પોળ ખાતે 400 વર્ષથી વધુ પ્રાચીન સુવિધિનાથ જિનાલયની બાજુમાં પાંચ પરિવારોને નવા આવાસ લોકાપર્ણનો કાર્યક્રમ આજરોજ યોજાઈ ગયો. પ. પૂ. સા. મૈત્રીરત્નાજી મ.સા.ના આમંત્રણથી આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સદ્દભાગ્ય સાંપડ્યું હતું. વારસો ગામે તેટલો વૈભવશાળી હોય તે સાચવવો ખુબજ જરૂરી હોય છે. સહજ આજ ભૂમિ પર 600 વર્ષ આબાદ વસ્તીની વિપુલતા હતી અને તે પહેલાં પણ આ શહેર વસ્તીથી ભરચક હતું. આજે છેલ્લા કેટલાય વર્ષોથી સતત વસ્તીનું સ્થળાંતરણ તે પોળોનો વર્તમાનમાં સળગતો પ્રશ્ન છે. જિનાલયો, મંદિરો ધાર્મિક સ્થાપત્યોનો વારસો તેની આસપાસ રહેતા લોકો દ્વારા હાલ સચવાય છે. પોળ વિસ્તારની નાની-નાની ગલીઓમાં કોમર્શિયલ અને વળી પાર્કિંગના અભાવે ભયકંર ટ્રાફિક સમસ્યા તે પણ એક સળગતો પ્રશ્ન છે. ઘણી પોળો ઉજ્જડ બની ચૂકી છે. જેનો વર્તમાન અતિ સંઘર્ષમય છે તેનો ભવિષ્યમાં સંઘર્ષ વધશે તેવું સ્પષ્ટ ભાસી રહ્યું છે. ઘણી પોળો નો વારસો આજેય પોતાની કલાને- વૈભવને યથાવત સાચવીને અડીખમ ઉભો છે. જેના પરિણામે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મળ્યો છે. આ દરજ્જો મળી જવા માત્રથી કે ટુરિસ્ટ બહારથી જોવા આવવાથી આ વારસો નહીં જળવાય. અહીંના રહેવાસીઓ સાથે આ વારસાનો અવિનાભાવી સંબંધ છે. જો વસ્તીનું સ્થળાંતરણ હજુ પણ લાંબો સમય ચાલુ રહેશે તો ઘણો વારસો નષ્ટ થતાં વાર નહીં લાગે.અમદાવાદની પોળ વિસ્તારના પ્રાચીન જીનાલયો આદિ સ્થાપત્યની બાજુમાં જિનાજ્ઞા આવાસ યોજના હાલ કાર્યરત છે. આ ટ્રસ્ટ દ્વારા 40 મકાનો લઈને સમારકામ કરીને પરિવારોને વસાવવાનું કાર્ય 2018થી શરૂ કરેલ છે. આ આવાસ યોજનાના યજ્ઞથી જીનાલય-સ્થાપત્યો સંબંધી તેમજ પરિવારોના અભ્યુદય સંબંધી ઘણા બધા પ્રશ્નનું નિવારણ શક્ય બન્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:31 pm

રાપરમાં નિરાશ્રિત ઠાકોર અને વાગડ કોલી સમાજનું મહાસંમેલન:સામાજિક કુરિવાજો દૂર કરવા બંને સમાજના અગ્રણીઓ એકમંચ પર આવ્યા, કાના ગોહિલની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી

પાટણ અને કચ્છ જિલ્લાના સરહદી પંથકમાં વસતા નિરાશ્રિત ઠાકોર અને વાગડ કોલી સમાજનું રાપર ખાતે ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સામાજિક સુધારા, શિક્ષણ અને સંગઠન પર ભાર મૂકી સર્વાનુમતે કાનાભાઈ ગોહિલને ગુજરાતના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભવિષ્યના વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાઇપાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ તેમજ ગાંધીનગર પંથકમાં વસવાટ કરતા નિરાશ્રિત ઠાકોર સમાજ અને વાગડના કોલી સમાજના અગ્રણીઓ આજે કચ્છના રાપર ખાતે એક મંચ પર એકત્ર થયા હતા. આ અવસરે સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું, જેમાં બંને સમાજની એકતા અને ભવિષ્યના વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. મહાસંમેલનમાં કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લેવાયામહાસંમેલનમાં સમાજના હિતમાં કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને લગ્ન તેમજ મરણ પ્રસંગે થતા બિનજરૂરી અને ખોટા ખર્ચાઓ પર લગામ લગાવવા અને સામાજિક કુરિવાજો ઘટાડવા અંગે તમામ અગ્રણીઓએ સહમતિ વ્યક્ત કરી હતી. સમાજના સર્વાંગી વિકાસ માટે જૂથવાદ છોડી એકસાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા આ તકે દર્શાવવામાં આવી હતી. શૈક્ષણિક સંસ્થાના નિર્માણ માટે ફંડ એકત્ર કરનો નિર્ણય આ પ્રસંગે સમાજના શૈક્ષણિક વિકાસના મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. વક્તાઓએ યુવાપેઢી શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે તે માટે આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જેના ભાગરૂપે રાધનપુર ખાતે સમાજની શૈક્ષણિક સંસ્થાના નિર્માણ માટે ફંડ એકત્ર કરવા અને સંકુલ ઊભું કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. કાનાભાઈ ગોહિલની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણીઆ મહાસંમેલનમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાઓ તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમગ્ર ગુજરાત સ્તરે સમાજના સંગઠનને મજબૂત કરવા માટે અધ્યક્ષ તરીકે કાનાભાઈ ગોહિલની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત જનમેદનીએ હર્ષનાદ સાથે વધાવી લીધી હતી. આ સંમેલન સમાજમાં એકતા અને વિકાસની નવી દિશા આપનાર સાબિત થશે તેવો આશાવાદ અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:20 pm

કુખ્યાત ‘સિકલીગર ગેંગ’ના 4 સાગરીત આણંદથી ઝડપાયા:છાપા-કચરાના ઢગલા જોઈ રેકી કર્યા બાદ ઘરને નિશાન બનાવતા; 12 ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો

સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુના આચરી તરખાટ મચાવનાર કુખ્યાત “સિકલીગર ગેંગ” નો સુરત ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે આ ગેંગના સભ્યો આણંદના ચીખોદરા ચોકડી પાસે હાજર છે, જેના આધારે DCB પોલીસની ટીમે દરોડો પાડી આઝાદસીંગ ઉર્ફે ધનરીસીંગ ટાંક, મલીન્દરસીંગ બાવરી, અજયસીંગ ઉર્ફે મામુ અને જીતેન્દરસીંગ ઉર્ફે દીલજીતસીંગને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ પાસેથી ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેઓ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યા હતા. છાપા અને કચરાના ઢગલા જોઈ કરતા હતા રેકી: ચોરીની અનોખી પદ્ધતિઆ ગેંગની સૌથી ચોંકાવનારી પદ્ધતિ તેમની રેકી કરવાની રીત હતી. તેઓ સોસાયટીઓમાં ફરીને એવા મકાનો શોધતા હતા જે લાંબા સમયથી બંધ હોય. આ માટે તેઓ મકાનના દરવાજા પાસે પડેલા છાપા અને જમા થયેલા કચરાને નિશાન બનાવતા હતા. જો દરવાજા પાસે છાપાનો થપ્પો પડ્યો હોય, તો તેઓ ખાતરી કરી લેતા કે પરિવાર બહારગામ છે. ત્યારબાદ મોડી રાત્રે લોખંડના પાના અને પેચીયા વડે મકાનના નકુચા તોડી તેઓ મકાનમાં પ્રવેશ કરી તિજોરી સાફ કરી નાખતા હતા. 'યુઝ એન્ડ થ્રો' બાઈક પોલિસીધરપકડ કરાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ અત્યંત આયોજનબદ્ધ રીતે ગુનાને અંજામ આપતા હતા. ચોરી કરવા માટે તેઓ સૌ પ્રથમ હાઈવે અથવા અન્ય સોસાયટીઓમાંથી 2 મોટરસાયકલની ચોરી કરતા હતા. આ ચોરેલા વાહનોનો ઉપયોગ કરીને તેઓ ઘરફોડ ચોરી કરવા જતા હતા અને કામ પૂરું થયા પછી જે તે વાહનોને તેમની મૂળ જગ્યાએ અથવા નજીકમાં પરત મૂકી દેતા હતા. આ પદ્ધતિ પાછળનો હેતુ પોલીસ તપાસમાં પોતાના વાહનો ટ્રેક ન થાય અને સીસીટીવી ફૂટેજમાં ગેરમાર્ગે દોરવાનો હતો. 12 ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો: લાખોની મત્તાની ચોરીની કબૂલાતપૂછપરછ દરમિયાન આ ગેંગે સુરત શહેરના ઉત્રાણ અને અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલી મોટી ચોરીઓની કબૂલાત કરી છે. જેમાં અમરોલીમાં Rs. 5,66,688 અને ઉત્રાણમાં Rs. 1,97,000 ની મત્તાની ઘરફોડ ચોરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન પાલોદ, પીપોદરા, કડોદરા, અંકલેશ્વર, કીમ અને સાયણ વિસ્તારમાંથી 8 જેટલી મોટરસાયકલની ચોરી તેમજ અનેક મકાનોમાં તાળા તોડ્યા હોવાનું સામે આવ્યું છે. કુલ 12 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. મુખ્ય સૂત્રધારનો ગુનાહિત ઈતિહાસ અને નાગરિકો માટે ચેતવણીગેંગનો મુખ્ય સાગરીત આઝાદસીંગ ઉર્ફે ધનરીસીંગ ટાંક રીઢો ગુનેગાર છે, જેની સામે અગાઉ નવસારી, કાપોદ્રા, વરાછા અને સચિન GIDC સહિતના પોલીસ સ્ટેશનોમાં 12 જેટલા ગુના નોંધાયેલા છે. તેની સામે હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ પણ અગાઉ કાર્યવાહી થઈ ચૂકી છે. આ કિસ્સા બાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે બહારગામ જતી વખતે મકાન બહાર છાપા જમા ન થવા દેવા અને શક્ય હોય તો સીસીટીવી કેમેરા લગાવવા, જેથી આવા ગુનેગારોની નજરમાંથી બચી શકાય.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:15 pm

ભરૂચમાં દિવ્યાંગો માટે લીપન આર્ટ તાલીમ શરૂ:સ્વરોજગારને વેગ આપવા 12 દિવસીય કાર્યક્રમનું આયોજન

ભરૂચમાં દિવ્યાંગોના સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે 12 દિવસીય લીપન આર્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને અપંગ માનવ મંડળના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ઇન્ટરપ્રેનર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આ તાલીમ ભરૂચના સોનેરી મહેલ 7 એક્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ તાલીમાર્થીઓએ લીપન આર્ટની વિવિધ આકર્ષક અને સર્જનાત્મક કલાકૃતિઓ તૈયાર કરી હતી. તેમને આધુનિક, વ્યવસાયલક્ષી અને સર્જનાત્મક લીપન આર્ટની તકનીકો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ અને આસપાસના વિસ્તારોના દિવ્યાંગોને સ્વરોજગાર તરફ વાળી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાતભરમાં સામાજિક કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને શૈક્ષણિક ઉત્થાન માટે કાર્યરત છે. કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વૈશાલી આહિર, જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જીગ્નશા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પીએસઆઇ વૈશાલી આહિરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આવા તાલીમ કાર્યક્રમો દિવ્યાંગોને આવકનું સાધન પૂરું પાડવાની સાથે તેમનો આત્મવિશ્વાસ વધારી સમાજની મુખ્ય ધારા સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રયાસોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે, તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા સ્વરોજગારલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:13 pm

રાજકોટ ગ્રામ્ય SPને 8 અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ:શિવાનંદ આંખની હોસ્પિ.માં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓએ દૃષ્ટિ ગુમાવ્યાનો આક્ષેપ, હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો

રાજકોટ જિલ્લા અંતર્ગત વિરનગર ખાતે આવેલી શિવાનંદ આંખની હોસ્પિટલમાં વર્ષ 2024 દરમિયાન યોજાયેલા આંખના નિદાન કેમ્પને લઈને વિવાદ ઊભો થયો હતો. આ કેમ્પ દરમિયાન કરાયેલી સારવાર અને ત્યારબાદ થયેલી સર્જરીમાં અમુક દર્દીઓએ પોતાની દૃષ્ટિ ગુમાવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ સમગ્ર મામલે હોસ્પિટલ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ સાથે 7 પીડિતોએ એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે રાજકોટ ગ્રામ્ય SPને અરજદારોની રજૂઆત ઉપર 8 સપ્તાહમાં નિર્ણય લેવા માટે હુકમ કરી અરજીનો નિકાલ કર્યો છે. દર્દીઓએ આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હોવાનો દાવોવર્ષ 2024માં વિરનગર ખાતે શિવાનંદ આંખની હોસ્પિટલ દ્વારા એક આંખનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો હેતુ ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની તપાસ અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવાનો હતો. મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પમાં હાજરી આપી હતી અને આંખના વિવિધ રોગોની તપાસ કરાવી હતી. કેમ્પ દરમિયાન કેટલાક દર્દીઓને આંખની સર્જરી કરવાની સલાહ આપવામાં આવી હતી. સર્જરી બાદ અમુક દર્દીઓની સ્થિતિ ખરાબ બની હતી અને કેટલાકે તો કાયમી રીતે આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હોવાનો દાવો કર્યો છે. ફરિયાદ કરવા છતાં કોઈ કડક કાર્યવાહી કરાઈ નહીસર્જરી પછી દર્દીઓની આંખોમાં દુખાવો, ચેપ, દૃષ્ટિમાં અચાનક ઘટાડો અને સંપૂર્ણ અંધત્વ જેવી સમસ્યાઓ જોવા મળવા લાગી. પીડિતો અને તેમના પરિવારજનોએ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોનો સંપર્ક કર્યો હતો. પરંતુ સંતોષકારક જવાબો મળ્યા નહીં. કેટલાક દર્દીઓને બીજી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઘટનાની ફરિયાદ સ્થાનિક સ્તરે કરવામાં આવી હોવા છતાં લાંબા સમય સુધી કોઈ અસરકારક તપાસ અથવા કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. રાજકોટ ગ્રામ્ય SPને 8 અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ કર્યાએડવોકેટ પ્રશાંત ચાવડાએ હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી કે આ મામલો યોગ્ય મેડિકલ પ્રોટોકોલનું પાલન ન કરવું, દર્દીઓની સુરક્ષા પ્રત્યે ઉદાસીનતા રાખવી અને સર્જરી પૂર્વે જરૂરી તપાસ ન કરવી એ તમામ મુદ્દાઓ કાયદેસર ગુનો બને છે. આ દલીલ સાંભળીને હાઈકોર્ટે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઈ મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજકોટ ગ્રામ્ય SP ને આ કેસની 8 અઠવાડિયામાં અરજદારોની અરજી ઉપર નિર્ણય લેવા આદેશ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:11 pm

18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા:541 સ્પર્ધકો દોટ મૂકશે; ભાઈઓ અંબાજી અને બહેનો માળી પરબ સુધીના પગથિયાં સર કરશે

ગિરનારની પવિત્ર ગોદમાં સાહસ અને શૌર્યનો સંગમ થવા જઈ રહ્યો છે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જૂનાગઢ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 1 ફેબ્રુઆરીના રોજ 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-2026 યોજાશે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભારતભરના 12 રાજ્યોમાંથી કુલ 541 ખેલાડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. સ્પર્ધાના પૂર્વતૈયારી રૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ સ્પર્ધકોનું મેડિકલ ચેકઅપ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટેગરી મુજબ સ્પર્ધકોનું વિભાજન આ વર્ષે સ્પર્ધામાં કુલ 4 કેટેગરી રાખવામાં આવી છે. જેમાં સિનિયર ભાઈઓ 196, જુનિયર ભાઈઓ 134, સિનિયર બહેનો 120 અને જુનિયર બહેનો 91 મળીને કુલ 541 રમતવીરો જોમ અને જુસ્સા સાથે પહાડ સર કરશે. સ્પર્ધામાં ભાગ લેનારા ભાઈઓએ ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધીના 5500 પગથિયાં અને બહેનોએ માળી પરબ સુધીના 2200 પગથિયાં ચઢવાના અને ઉતરવાના રહેશે. પ્રથમવાર સી.પી.આર. ટ્રેનીંગનું આયોજન વર્તમાન સમયમાં વધતા જતા હૃદયરોગના હુમલાના બનાવોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. 31 જાન્યુઆરીના રોજ સાંજે 5:00 કલાકે મંગલનાથ આશ્રમ ખાતે તમામ સ્પર્ધકો, વ્યાયામ શિક્ષકો અને ઇન્સ્ટ્રકટરોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા CPR (કાર્ડિયો પલ્મોનરી રિસસીટેશન) ની તાલીમ આપવામાં આવશે. આ તાલીમનો ઉદ્દેશ્ય સ્પર્ધા દરમિયાન કોઈ કટોકટી સર્જાય તો ત્વરિત પ્રાથમિક સારવાર પૂરી પાડવાનો છે. રાજ્યની અન્ય પર્વત સ્પર્ધાઓના વિજેતાઓનો સમાવેશ આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતના ઓસમ, ચોટીલા, ઇડર, પાવાગઢ અને પારનેરા પર્વત ખાતે યોજાયેલી સ્પર્ધાઓના પ્રથમ 10 વિજેતાઓ તેમજ રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધાના પ્રથમ 25 વિજેતાઓને સીધો પ્રવેશ આપવામાં આવ્યો છે. સ્પર્ધકો માટે નિવાસ, ભોજન, ટી-શર્ટ અને મેડિકલ સુવિધાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વિજેતાઓને ટ્રોફી, મેડલ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા સજ્જ તૈયારીઓ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ, વન વિભાગ, આરોગ્ય અને મહાનગરપાલિકા સહિતની કુલ 8 સમિતિઓ કાર્યરત છે. તમામ સ્પર્ધકોએ 30 જાન્યુઆરીએ સનાતન ધર્મશાળા ખાતે રિપોર્ટિંગ પૂર્ણ કર્યું છે. માર્ગમાં રોપ-વે અને પીજીવીસીએલ જેવી સંસ્થાઓ પણ સેવાઓ પૂરી પાડશે જેથી સ્પર્ધા કોઈ પણ અવરોધ વિના સંપન્ન થઈ શકે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:06 pm

સાંસદ હેમાંગ જોષીના જન્મદિવસની ગોધરામાં ઉજવણી:માનસિક દિવ્યાંગ બાળકોની શાળામાં યુવા મોરચાએ કેક કાપી, ભોજન કરાવ્યું

ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ હેમાંગ જોષીના જન્મદિવસની ગોધરામાં ઉજવણી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા માનસિક ક્ષતિ ધરાવતા બાળકો માટેની શિક્ષણ અને તાલીમ નિવાસી શાળામાં સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારોએ શાળાની મુલાકાત લીધી હતી. તેમણે બાળકો સાથે કેક કાપીને સાંસદ હેમાંગ જોષીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. બાળકોના ચહેરા પર ખુશી લાવવા માટે વિવિધ શૈક્ષણિક અને મનોરંજક રમકડાંનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:06 pm

પોરબંદરમાં 8મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર યોજાશે:કચ્છના છારી ઢાંઢને રામસર સાઈટનો દરજ્જો મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આનંદ

મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર હવે કુદરતી વારસાના સંરક્ષણનું સાક્ષી બનશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આગામી 1 અને 2 ફેબ્રુઆરીના રોજ 8મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રવિણ માળી વિશેષ ઉપસ્થિત રહેશે. ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિશ્વ વેટલેન્ડ્સ દિવસ-2026 ની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત જ્ઞાનની થીમ આ વર્ષના સેમિનારની વૈશ્વિક થીમ “જળપ્લાવિત વિસ્તાર અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ” રાખવામાં આવી છે. આ બે દિવસીય કાર્યક્રમનો મુખ્ય હેતુ જળપ્લાવિત વિસ્તારો અને તેની સાથે જોડાયેલા સ્થાનિક લોકોના પરંપરાગત જ્ઞાન વચ્ચેના અતૂટ સંબંધને મજબૂત કરવાનો છે. આ મંચ દ્વારા વન વિભાગના અધિકારીઓ, સંશોધકો અને યુનિવર્સિટીઓ માટે ક્ષમતાવર્ધનની નવી તકો ઊભી થશે. દેશ-વિદેશના નામાંકિત વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ અહીં પોતાના અનુભવો અને સંશોધનો રજૂ કરશે. ગુજરાતનો 21.9 ટકા હિસ્સો વેટલેન્ડ હેઠળ નેશનલ વેટલેન્ડ એટલાસ (2021 SAC–ISRO) ના આંકડા મુજબ, ગુજરાત વેટલેન્ડના મામલે દેશનું અગ્રણી રાજ્ય છે. રાજ્યનો અંદાજે 3.49 લાખ હેક્ટર વિસ્તાર જળપ્લાવિત છે. આ વિસ્તાર ભારતભરના કુલ વેટલેન્ડ્સના 21.9 ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે, જે ગુજરાતના ભૌગોલિક વિસ્તારના 17.8 ટકા થાય છે. આ જળપ્લાવિત વિસ્તારો પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નવી રામસર સાઈટ્સ માટેનો મહત્વનો પ્રસ્તાવ ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત સ્ટેટ વેટલેન્ડ અથોરિટી (GSWA)ની ત્રીજી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. રાજ્ય સરકારે પોરબંદરના ગોસાબારા-મોકર સાગર અને કચ્છના ફ્લેમિંગો સિટીને નવી રામસર સાઈટ જાહેર કરવા કેન્દ્ર સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના ‘છારી ઢાંઢ’ ને તાજેતરમાં જ 31 જાન્યુઆરી 2026ના રોજ રામસર સાઈટનો દરજ્જો પ્રાપ્ત થયો છે, જે ગુજરાત માટે મોટી સિદ્ધિ છે. આ ઉપરાંત, હવે શહેરી આયોજનમાં પણ વેટલેન્ડ્સની ઓળખ અને તેના સંરક્ષણને પ્રાધાન્ય આપવામાં આવશે. પોરબંદર: યાયાવર પક્ષીઓનું સ્વર્ગ પોરબંદર જિલ્લો માત્ર ઐતિહાસિક જ નહીં પણ કુદરતી દ્રષ્ટિએ પણ સમૃદ્ધ છે. ગોસાબારા-મોકર સાગર વેટલેન્ડ કોમ્પ્લેક્સ અને પોરબંદર પક્ષી અભયારણ્ય હજારો યાયાવર પક્ષીઓનું આશ્રયસ્થાન છે. અહીંના દરિયાકાંઠાના વિસ્તારો, ખાડીઓ અને ભરતી-ઓટના મેદાનોમાં સમુદ્રી કાચબા અને વિવિધ સ્તનધારી જીવોની મોટી વસ્તી વસે છે. GEER ફાઉન્ડેશન વર્ષ 2016-17 થી વેટલેન્ડની નોડલ એજન્સી તરીકે કાર્યરત રહી અત્યાર સુધીમાં 7 સફળ સેમિનાર યોજી ચૂક્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:53 pm

વલસાડ પાલિકાની સભામાં હોબાળો:ભાજપના સભ્યોએ જ પક્ષ સામે વિરોધ કર્યો

વલસાડ નગરપાલિકાની જાન્યુઆરી માસની ખાસ સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલના અધ્યક્ષ સ્થાને મળેલી આ સભામાં ભાજપના કાઉન્સિલરો અને ભાજપ સમર્થિત અપક્ષ સભ્યોએ જ તેમના વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆતોને કારણે ભાજપના કાઉન્સિલરો સામસામે આવી ગયા હતા. આ ઉપરાંત, પ્રમુખ માલતીબેન ટંડેલનો પાલિકાના કર્મચારીઓ પર અંકુશ ન હોવાના પ્રશ્નો પણ સભામાં ઉઠ્યા હતા. સભા તોફાની બનતા વિપક્ષી સભ્યોએ વિકાસના કામોમાં વિલંબ અને ચીફ ઓફિસર (CO) ના વલણ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાઉન્સિલર જ્યોત્સનાબેન રાઠોડ અને અન્ય સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ સભ્યોની રજૂઆત સાંભળતા નથી અને દરેક વાતમાં 'RTI કરો' એવો ઉદ્ધત જવાબ આપે છે. મુખ્ય આક્ષેપોમાં વોર્ડ નં. 1 ના મોગરાવાડી વિસ્તારમાં આવેલી શાળામાં લાંબા સમયથી ગંદા પાણીનો ભરાવો થવાનો પ્રશ્ન હતો, જેનાથી નાના બાળકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. લેખિત રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા સભ્યોએ CO ની બદલી કરવાની માંગ કરી હતી. વિપક્ષી સભ્યોએ 'આ તાનાશાહી નહીં ચાલે' ના નારા લગાવી સભા ગજવી મૂકી હતી. આ મામલે નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલે જણાવ્યું હતું કે, તમામ સભ્યોની રજૂઆતોને ધ્યાને લેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે ડ્રેનેજ, રસ્તા અને ડોર-ટુ-ડોર કલેક્શન જેવા વિકાસના મોટા કામો કારોબારીમાં મંજૂર થઈ ગયા છે અને આગામી બે માસમાં તે પૂર્ણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:46 pm

નવસારીમાં કૂતરા ભગાડવા મુદ્દે પાડોશીઓ બાખડ્યા:યુવતીને 'કાપી નાખવાની' ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

નવસારી શહેરની શાંતિવન સોસાયટી-2 માં કૂતરા ભગાડવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનામાં એક પાડોશીએ મહિલા અને તેની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. 22 વર્ષીય અવનીબેન હસમુખભાઇ ખુમાણે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત રાત્રિના આશરે 8:30 વાગ્યે અવનીબેનના માતા ઘર પાસેના કૂતરાને ભગાડી રહ્યા હતા. આ દરમિયાન પાડોશમાં રહેતા રાહુલભાઇ અરવિંદભાઇ દેસાઇ ઉશ્કેરાઈ ગયા હતા અને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. આરોપી રાહુલ દેસાઇએ મહિલાને ધમકી આપતા કહ્યું હતું કે, તું બહાર આવ, તારો ફેસલો કરી નાખું, તું માર ખાશે. તું મને મળ તને કાપી નાખીશ. આ જાહેરમાં અપાયેલી ધમકીથી સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો હતો. અવનીબેનની ફરિયાદના આધારે, નવસારી ટાઉન પોલીસે આરોપી રાહુલભાઇ દેસાઇ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 351(3) અને 352 હેઠળ ગુનો દાખલ કર્યો છે. હેડ કોન્સ્ટેબલ રમેશકુમાર દત્તુભાઇ આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:45 pm

છોટા ઉદેપુરમાં ખોટા ચલણ સાથે બે ડોલોમાઇટ ટ્રક ઝડપાઈ:ખાણ ખનિજ વિભાગે ચાર સામે ગુનો નોંધાવ્યો, તપાસ શરૂ

છોટા ઉદેપુર જીલ્લા ખાણ ખનીજ વિભાગે ગોલા ગામડી ચેકપોસ્ટ પર ડોલોમાઇટની ખોટા ડિલિવરી ચલણ લઈને જતી બે ટ્રક ઝડપી પાડીને બે ડ્રાઈવર તેમજ બે અન્ય સામે સંખેડા પોલીસે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જીલ્લો ખનીજ માટે સ્વર્ગ સમાન છે,જેમાં ડોલોમાઇટ ઉધ્યોગ અને રેતી ઉધ્યોગ ખૂબ મોટો ચાલી રહ્યો છે ત્યારે કંઈજ માફીયાઓ રાતોરાત અબજોપતિ થવા માટે ખોટા રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે.અને ખોટા ડિલિવરી ચલણ બનાવીને ખનિજનું વેચાણ કરી રહ્યા છે.ત્યારે આવો જ એક ખોટા ડિલિવરી ચલણનો ઉપયોગ કરીને બે ટ્રક ડોલોમાઇટ ભરીને જતી ગોલા ગામડી ખાણ ખનીજ ચેકપોસ્ટ પર ઝડપાઈ છે. છોટા ઉદેપુર ખાતેથી ડોલોમાઇટ પાવડર ભરીને નીકળેલી ટ્રક નં.GJ 09 Y 7940 અને GJ 34 T 5551 ને ગોલા ગામડી ચેકપોસ્ટ પર ચેકીંગ માટે ઊભી રખાવતા બન્ને ડ્રાઈવરે ડિલિવરી ચલણ બતાવ્યું હતું.જેમાં એક પાસેથી પૂજા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડિલિવરી ચલણ ઇસ્યુ કરેલ હતું,જયારે બીજી ટ્રકના ડ્રાઈવરે આપેલ ડિલિવરી ચલણ લકુલેશ ગ્રાઇન્ડીંગ ઈન્ડસ્ટ્રીઝ,છોટા ઉદેપુર નું હતું.જેને ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા GEOMINE એપ્લીકેશનમાં ચેક કરતા તે ડિલિવરી ચલણ ખોટા હોવાનું જણાઈ આવ્યું હતું.જેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા આ બન્ને ટ્રેકને જપ્ત કરીને બંને ટ્રક ડ્રાઈવર ઈનોશભાઈ અરવિનભાઈ રાઠવા રહે. જામલા,તા.જી.છોટા ઉદેપુર અને નરેશભાઈ કાગડાભાઈ રાઠવા રહે.છોટા ઉદેપુરની પૂછપરછ હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા બંને ટ્રક ડ્રાઇવની પૂછપરછ કરતા ઈનોશભાઈ રાઠવાએ ભાનુ મિનરલ્સ,જે માનવ અજમેરા નામના વ્યક્તિને ત્યાંથી ભરીને લાવ્યા હોવાનું જણાવ્યું હતું.જ્યારે બીજી ટ્રકના ડ્રાઈવર નરેશ રાઠવાએ એપેક્સ ઓવરસિઝ જે અશોક અજમેરા તથા માનવ અજમેરા નામના વ્યક્તિને ત્યાંથી ભર્યું હોવાનું જણાવ્યું હતું. જેને લઈને ખાણ ખનીજ વિભાગ બંને ટ્રક ડ્રાઈવર ઈનોશભાઈ અરવીનભાઈ રાઠવા,નરેશભાઈ કાગડાભાઈ રાઠવા, અશોક અજમેરા અને માનવ અજમેરા વિરુદ્ધ લકુલેશ ગ્રાઇન્ડીંગ ઈન્ડસ્ટ્રીઝ અને પૂજા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇસ્યૂ કરેલ ડિલિવરી ચલણનો ખોટા બનાવટી ડિલિવરી ચલણ તરીકે ઉપયોગ કરીને ખોટા ડિલિવરી ચલણને સાચા ડિલિવરી ચલણ તરીકે રજૂ કરવાને લઈને સંખેડા પોલીસ મથકે ફરિયાદ કરતા સંખેડા પોલીસે ચારે જણા વિરોધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક ડ્રાઈવર ઈનોશભાઈ રાઠવા દ્વારા રજૂ કરવામાં આવેલ ડિલિવરી ચલણની વિગત- ટ્રક નં GJ-09-Y-7940- STML29010049130029002587- ઇસ્યૂ તા.16 જાન્યુઆરી 2026 11.40. AM- સ્ટોક હોલ્ડરનું નામ : STML લકુલેશ ગ્રાઇન્ડીંગ ઈન્ડસ્ટ્રીઝ- પરચેઝરનું નામ: એપેક્સ ઓવરસીઝ,વસઈ, થાણે,મહારાષ્ટ્ર- વજન : 12.400 ટન ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરતા અસલ ડિલિવરી ચલણની વિગત- STML 29010049130029002587- ઇસ્યૂ તા.18/12/2025, 5:06:02 PM- સ્ટોક હોલ્ડરનું નામ: લકુલેશ ગ્રાઇન્ડીંગ ઈન્ડસ્ટ્રીઝ,છોટા ઉદેપુર- પરચેઝરનું નામ : ગાયત્રી મિનરલ્સ,ખંભાત,આણંદ- વજન: 32.500 ટન ટ્રક ડ્રાઈવર નરેશ રાઠવા દ્વારા રજૂ કરવામાં આવેલ ડિલિવરી ચલણની વિગત- STML 29010004130062000222- ઇસ્યૂ તા.16 જાન્યુઆરી 2026, 04: 22 PM- સ્ટોક હોલ્ડરનું નામ: પૂજા ઇન્ડસ્ટ્રીઝ,પીપલેજ,છોટા ઉદેપુર- પરચેઝરનું નામ: એપેક્સઓવરસીઝ,જંબુસર,ભરૂચ- વજન : 29.600 ટન ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરતા અસલ ડિલિવરી ચલણની વિગત- STML 29010004130062000222- ઇસ્યૂ તા.13/12/2025, 20:30 PM- હોલ્ડરનું નામ : પૂજા ઇન્ડસ્ટ્રીઝ,પીપલેજ,છોટા ઉદેપુર- પરચેઝરનું નામ : પી.કે.મિનરલ, કર્ણાટક- વજન29.600 ટન

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:28 pm

નવસારી ફ્લાવર શોમાં 1200થી વધુ બાળકોને વિનામૂલ્યે નાસ્તો અપાયો:લુન્સીકુઈ લારી એસોસિએશન દ્વારા આયોજન કરાયું

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શો હાલ શહેરનું મુખ્ય આકર્ષણ બન્યો છે. આ શોમાં ફૂલોની સુંદરતાની સાથે માનવતાની મહેક પણ પ્રસરી રહી છે, જ્યાં લુન્સીકુઈ લારી એસોસિએશન દ્વારા બાળકો માટે વિનામૂલ્યે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. લુન્સીકુઈ લારી એસોસિએશનના અગ્રણી ભગુભાઈ પેથાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના આયોજનમાં સહભાગી થવા અને બાળકોનો ઉત્સાહ વધારવા આ સેવા શરૂ કરાઈ છે. નાસ્તામાં ઇડલી, ચટણી, ખમણ, ઠંડી છાશ અને લસ્સી જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. આ સેવા કાર્ય હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 1000 થી 1200 જેટલા બાળકોએ આ નાસ્તાનો લાભ લીધો છે. હજુ પણ મોટી સંખ્યામાં બાળકો ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે અને આ સેવાનો આનંદ માણી રહ્યા છે. નવસારીમાં યોજાયેલા આ ફ્લાવર શોથી મુલાકાતીઓમાં ખુશીનો માહોલ છે. ભગુભાઈએ ઉમેર્યું હતું કે, આ આયોજન ખૂબ જ સુંદર છે અને બાળકો ઉત્સાહથી ફૂલોની કલાકૃતિઓ નિહાળી રહ્યા છે. ભવિષ્યમાં પણ નવસારી મહાનગરપાલિકા દ્વારા આવા પ્રોત્સાહક કાર્યક્રમો થતા રહે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:20 pm

પાટણમાં પાઈપલાઈન કામગીરીને કારણે પાણી કાપ:ખાલી કેનાલમાં ગંદકી જામતા સફાઈની માંગ ઉઠી

પાટણના પદ્મનાભ ચાર રસ્તા પાસે ભૂગર્ભ ગટર અને પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે શહેરમાં 28 જાન્યુઆરી 2026 થી 3 ફેબ્રુઆરી 2026 સુધી એક સમય પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પદ્મનાભથી સિદ્ધિ સરોવર સુધીની ખાલી કેનાલમાં જામી ગયેલી ગંદકી સાફ કરવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને નવી પાણીની પાઈપલાઈન પસાર કરવાની વહીવટી કામગીરી ગતિમાં છે. આ ટેકનિકલ કામગીરીના કારણે પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં 28 જાન્યુઆરી 2026 થી 3 ફેબ્રુઆરી 2026 સુધી પાણી પુરવઠામાં ફેરફાર કરાયો છે, જેમાં નાગરિકોને હાલ માત્ર એક ટાઈમ જ પાણી આપવામાં આવી રહ્યું છે. આ કામગીરીને પગલે પદ્મનાભ ચાર રસ્તાથી સિદ્ધિ સરોવર સુધી જતી ખુલ્લી કેનાલમાં પાણીની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. કેનાલ લાંબા સમયથી ખાલી હોવાના કારણે તેમાં મોટા પ્રમાણમાં ગંદકી અને કચરો જમા થયો છે. પાણી વગર ખાલી પડેલી આ કેનાલ અત્યારે કચરાપેટી સમાન બની ગઈ છે. આ સ્થિતિને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાને ધ્યાને રાખીને, ખાલી કેનાલની તાત્કાલિક સફાઈ માટે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કેનાલ અત્યારે પાણી વગરની હોવાથી સફાઈ કામગીરી સરળતાથી થઈ શકે તેમ છે. પાઈપલાઈનનું કામ પૂર્ણ થાય અને કેનાલમાં ફરી પાણી છોડવામાં આવે તે પહેલાં આ ગંદકી દૂર કરવા માટે યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:19 pm

જામનગરમાં બસ સળગાવતો યુવક CCTVમાં કેદ:રાત્રે સાડા અગિયાર વાગ્યે બસને દિવાસળી ચાંપીને આરોપી ફરાર, પોલીસે શોધખોળ શરૂ કરી

જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર 24 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે એક ખાનગી બસને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસ સળગાવનાર શખ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. લક્ઝરી બસમાં રાત્રે 11:30 વાગ્યે આગ લાગી હતીપ્રાથમિક માહિતી અનુસાર, હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી ડેકોર બ્રાસ ઇન્ડિયાની એક લક્ઝરી બસમાં રાત્રે 11:30 વાગ્યે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે બે ટેન્કર પાણીનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી. બસ કામદારોને લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતીબસના માલિક કારખાનેદાર નિશાંતભાઈ દોમડીયાએ જણાવ્યું હતું કે આ બસ તેમની ફેક્ટરીના કામદારોને લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી હતી. તેમણે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા બસને આગ લગાડવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી અને પોલીસને જાણ કરી હતી. આરોપી સીસીટીવીમાં કેદશરૂઆતમાં આગનું કારણ અકસ્માત માનવામાં આવતું હતું, પરંતુ બાદમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ બસને આગ ચાંપતો સ્પષ્ટ દેખાય છે. સિટી સી. ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સીસીટીવીના આધારે આરોપીને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. જોકે, સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતો હોવા છતાં આરોપી હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. આ અંગે સ્થાનિક લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:15 pm

ગુજરાત અંડર-19 ભાઈઓની હેન્ડબોલ સ્પર્ધામાં ચેમ્પિયન:સોમનાથમાં રાજસ્થાનને હરાવી ખિતાબ જીત્યો, અગાઉ વુમન્સ ટીમ પણ જીતી હતી

સોમનાથના સદભાવના મેદાન ખાતે આયોજિત 69મી અંડર-19 રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમે ચેમ્પિયનશીપ જીતી છે. અંતિમ મુકાબલામાં ગુજરાતે રાજસ્થાનને 31-24ના સ્કોરથી પરાજય આપ્યો હતો. આ સ્પર્ધા 27 થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન રાજ્ય સરકાર અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા યોજાઈ હતી. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રથમ વખત યોજાયેલી આ રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધાની ફાઇનલ મેચમાં ગુજરાતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આક્રમક એટેક અને મજબૂત ડિફેન્સના સમન્વયથી ગુજરાતે મેચની શરૂઆતથી જ લય પકડી રાખી હતી. ઝડપી પાસિંગ અને સચોટ શોટ્સ દ્વારા રાજસ્થાનની ટીમને દબાણમાં લાવી દીધી હતી. સમગ્ર મેચ દરમિયાન ગુજરાતની ટીમે ઉત્સાહ, શિસ્ત અને ટીમવર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રદર્શનના પરિણામે ગુજરાતે 31-24ના સ્કોરથી વિજય મેળવી ખિતાબ પોતાના નામે કર્યો. સ્પર્ધાના અંતિમ પરિણામો અનુસાર, અંડર-19 ભાઈઓની રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું. રાજસ્થાન રનર્સઅપ બન્યું જ્યારે દિલ્હીએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. વિજેતા અને રનર્સઅપ ટીમોના ખેલાડીઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્તમ રમતગમત ભાવના અને પ્રતિભા દર્શાવી હતી. મેડલ સેરેમની દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય ભગવાન બારડે વિજેતા ટીમ ગુજરાતને રૂ. 10,000 અને રનર્સઅપ રાજસ્થાન તથા સેકન્ડ રનર્સઅપ દિલ્હી ટીમને રૂ. 5,000ના રોકડ પુરસ્કાર આપી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. ટૂર્નામેન્ટની શરૂઆતથી જ ગુજરાતની ટીમે પ્રભાવી પ્રદર્શન કર્યું હતું. લીગ મેચમાં ડી.એ.વી. કોલેજ મેનેજિંગ સામે 40-07ના મોટા માર્જિનથી વિજય મેળવી ગુજરાતે ધમાકેદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ લીગ અને નોકઆઉટ તબક્કામાં પણ શ્રેષ્ઠ ફોર્મ જાળવી રાખી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાઈઓની સ્પર્ધા પહેલાં યોજાયેલી અંડર-17 ગર્લ્સ હેન્ડબોલ સ્પર્ધામાં પણ ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પંજાબને 21-9થી હરાવી ગુજરાતની અંડર-17 ગર્લ્સ ટીમ વિજેતા બની હતી. આમ, ભાઈઓ અને બહેનો બંને કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવી ગુજરાતે પોતાની રમતગમત ક્ષમતાનો પરિચય આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:15 pm

રાજકોટ ભાજપના ચાણક્ય રૂપાપરાએ ધમકી આપ્યાના CCTV:સદભાવના મેડિકલ સ્ટોરમા ડુપ્લીકેટ દવાના વેચાણની પોલીસમાં અરજીનો મામલો ગરમાયો, કેમિસ્ટ એસો.એ કહ્યું - કોઈના દબાવમાં આવ્યા વિના નકલી મેડિસિનનું વેચાણ અટકાવીશું

રાજકોટના રાહતદરે દવાઓનું વેચાણ કરતા સદભાવના મેડિકલ સ્ટોરમા ડુપ્લીકેટ દવાનું વેચાણ થતું હોવાની ફરિયાદના મામલામાં હવે રાજકીય રંગ લાગ્યો છે. સદભાવના મેડિકલ સાથે જોડાયેલા રાજકોટ ભાજપના ચાણક્ય ગણાતા રમેશભાઈ રૂપાપરા દ્વારા કેમિસ્ટ એસોસિયેશનના મંત્રીને ધમકી આપ્યાના આક્ષેપોએ ચકચાર જગાવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ પોતે ભાજપમાં હોવા છતાં સામે પડ્યા છે અને ડુપ્લીકેટ દવાનું વેચાણ કરનારાઓ સામે ગુનો દાખલ થાય તેવી માંગ કરી છે. જ્યારે આ બાબતે રૂપાપરાએ કહ્યું કે અમે સસ્તા ભાવે દવાઓનું વેચાણ કરી રહ્યા હોવાથી કેમિસ્ટ એસોસિએશન મેડિકલ સ્ટોર બંધ કરાવવા માંગે છે. જેથી કેમિસ્ટ એસોસિએશન દ્વારા જ ફરિયાદીને સાથે રાખી માલવિયાનગર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. રાજકોટ કેમિસ્ટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસીએશનના વાઈસ પ્રેસિડેન્ટ મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, અમને પેશન્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સદભાવના મેડિકલ સ્ટોર માંથી લીધેલી દવા ડુપ્લીકેટ હોવાની સંભાવના છે. એક જાગૃત નાગરિક તરીકે તેના દ્વારા એસોસિયેશનને જાણ કરવામાં આવી હતી. જે દવાનું સેમ્પલ લઈ કંપનીમાં મોકલી આપ્યુ હતુ. કંપની દ્વારા એવો રિપોર્ટ આપવામાં આવ્યો કે આ દવા ડુપ્લીકેટ છે અને તેથી સદભાવના મેડિકલ સ્ટોર સામે એક્શન લેવાના થાય છે. જેથી મુંબઈની મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા માલવિયા નગર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જે દરમિયાન ભાજપના રમેશભાઈ રૂપાપરા કે જેઓ સદભાવના મેડિકલ સ્ટોર સાથે જોડાયેલા છે તેમને એવું લાગ્યું કે કેમિસ્ટ એસોસિએશન દ્વારા આ બધું કરવામાં આવી રહ્યું છે. જેથી 28 જાન્યુઆરીના સાંજે 5:30 વાગ્યા આસપાસ બે વ્યક્તિઓ અમારા એસોસિયેશનના મંત્રી અનિલભાઈ દેસાઈના આદિનાથ ડીસ્ટ્રીબ્યુશનની બહાર રેકી કરવા માટે આવ્યા હતા અને ફોટા પાડી રહ્યા હતા જેથી પૂછવામાં આવ્યું કે શા માટે ફોટા પાડો છો ? જે બાદ તે યુવાનોએ કોઈને ફોન કર્યા બાદ રમેશભાઈ રૂપાપરા ત્યાં કારમાં આવ્યા હતા અને બંને યુવાનોને કારમાં બેસાડી લઈ ગયા હતા. જે બાદ અનિમેષભાઈને કહ્યું હતું કે, આ તમે ખોટું કરી રહ્યા છો જોવા જેવી થશે. જે વાતની મને જાણ થતા મેં રમેશભાઈને ફોન કર્યો અને કહ્યું કે આપણે બંને એક જ ભાજપ પક્ષના સૈનિક છીએ. રાજકોટમાં ડુપ્લીકેટ દવાઓ વેચાતી હોય તો તેને રોકવી અને આ વેચાણ કરનારાઓ સામે ગુનો દાખલ થાય તે પ્રકારની અમારી ફરજ હોય છે અને તેથી તેમાં તમારે સહકાર આપવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સદભાવના મેડિકલ સ્ટોર દ્વારા જેમની પાસેથી દવા લેવામાં આવે તે શાયોના મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી થવી જોઈએ આ ઉપરાંત તે મેડિકલ સ્ટોર દ્વારા સુરતની બીલીવ ઇન્ટરનેશનલ કંપની પાસેથી તે દવા લેવામાં આવી છે અને સુરતની કંપનીએ અમદાવાદની ચંદન એજન્સી પાસેથી દવા લીધી છે તો આ તમામ સામે FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. કોઈના દબાણમાં અમે આવશું નહીં અને રાજકોટમાં ડુપ્લીકેટ દવાનું વેચાણ અટકાવીને જ રહેશો અને જરૂર પડશે તો કલેક્ટર તંત્રને પણ અમે આ બાબતે રજૂઆત કરશું. જ્યારે આ બાબતે રમેશભાઈ રૂપાપરાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, સદભાવના મેડિકલ સ્ટોર રાહત દરે દર્દીઓને દવા આપે છે. જે મેડિકલ સ્ટોરને નફો કમાવો હોય તે ડુપ્લીકેટ દવાનું વેચાણ કરે પરંતુ સદભાવના મેડિકલ સ્ટોરમાં કોઈપણ પ્રકારના નફા વિના દવાઓનું વેચાણ કરે છે. જે મેડિકલ સ્ટોર કેમિસ્ટ એસોસિયેશન બંધ કરાવવા માંગે છે. કેમિસ્ટ એસોસિએશનના અનિમેષભાઈ જ ફરિયાદીને લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યું હતુ. ચાર મહિના પહેલા મોટી ટાંકી ચોક પાસેથી જ ડુપ્લીકેટ દવા પકડાઈ હતી તે અંગે કેમિસ્ટ એસોસિએશન ચૂપ છે. જ્યારે સસ્તા ભાવે વેચાણ કરતા અમારા સદભાવના મેડિકલ સ્ટોર સામે વાંધો છે. જેથી બે યુવાનોને ત્યાં જોવા મોકલ્યા હતા તો તેમને બેસાડી દીધા હોવાથી હું તેમને લેવા ગયો હતો. જોકે મેં કોઈ ધમકી આપી નથી.તેમણે જણાવ્યું હતું કે, કેમિસ્ટ એસોસિયેશનના કહેવાથી જ અમને કોઈ દવાઓ આપતું નથી શાયોના મેડિકલ સ્ટોર જ અમને દવાઓ સપ્લાય કરે છે. જોકે હાલ અન્ય મેડિકલ સ્ટોર દવા આપે છે પરંતુ તે રોકડા પૈસાથી આપવાનું કહેવામાં આવ્યું છે. જેથી દર મહિને રૂ.5 કરોડની દવા રોકડા પૈસા આપી લઈએ છીએ. જોકે ડુપ્લીકેટ દવાના વેચાણ સાથે અમે નથી. જેથી તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. શાયોના મેડિકલ સ્ટોરના હિરેન ભુવાએ જણાવ્યુ હતુ કે, અમે નાનામવા રોડ પર આવેલા સદભાવના મેડિકલ સ્ટોરને દવાનું વેચાણ કરીએ છીએ. જ્યાંથી મિત વેકરીયા નામના વ્યક્તિ 6 મહિના પહેલા મલ્ટી વિટામિન માટેની બાયો ડી3 મેક્સ દવા લઈ ગયા હતા. જે રૂ.429 ની 15 ગોળી આવે છે. જોકે બાદમાં તે દવાથી કોઈ ફેર પડતો નથી અને તે દવા ડુપ્લીકેટ હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસ મથકમાં કરી હતી. જે બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું હતુ. આ દવા અમે સુરતની બિલિવ ઇન્ટરનેશનલ કંપની પાસેથી લીધી હતી. જોકે પ્રથમ વખત આ કંપનીની દવામાં ફરિયાદ થઈ છે બાકી અત્યાર સુધીમાં એક પણ વખત ફરિયાદ થઈ નથી અને બીજી મહત્વની વાત એ કે દવા લીધાના છ મહિના બાદ અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવેલી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:14 pm

ભાસ્કર એક્સક્લૂસિવ:ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રા. માટે ₹100 કરોડથી વધુ ફાળવાશે; ઇન્ટર યુનિ. ટૂર્નામેન્ટ, વિજ્ઞાન પ્રવાહના કોલેજિયનો માટે સ્કોલરશિપની બજેટમાં થશે જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા હવે રમતગમત ક્ષેત્રને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેની અસર આવનારા બજેટ પર પણ જોવા મળશે. જેમાં સરકાર સ્પોર્ટ્સ ક્ષેત્રે કેટલાક મોટા નિર્ણય લેવા જઈ રહી છે. અગાઉ ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ સહિતની અનેક આંતરરાષ્ટ્રીય અને મહત્વની ટૂર્નામેન્ટોની યજમાની મળ્યા બાદ હવે સરકારી તંત્રએ વર્ષ 2036ના ઓલિમ્પિક્સ પણ ગુજરાતમાં યોજાય તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. આવી વૈશ્વિક રમતોમાં ગુજરાતના યુવા ખેલાડીઓ ઉભરી આવે તે દિશામાં સરકાર પહેલ કરવા જઈ રહી છે. ગુજરાતના બજેટમાં કેટલીક મહત્વની જાહેરાતો કરાશેસરકારના ધ્યાને આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ વચ્ચે રમાતી રમતગમતની સ્પર્ધાઓ બંધ કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટો શા માટે બંધ કરાઈ છે તેની સ્પષ્ટતા નથી, પરંતુ તેને કારણે આશાસ્પદ ખેલાડીઓ યોગ્ય મંચ મેળવી શકતા નથી. આવા ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા માટે સરકાર દ્વારા આગામી ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી શકે છે. યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા ઈન્ટર યુનિવર્સિટી સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ યોજાશેછેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે કોલેજ કક્ષાએ વિવિધ રમતો રમાય છે અને અન્ય યુનિવર્સિટીઓમાં મેચ રમવા માટે ખેલાડીઓની પસંદગી પણ થાય છે, પરંતુ યુનિવર્સિટીઓ વચ્ચે પરસ્પર કોઈ ટૂર્નામેન્ટ યોજાતી નથી. અગાઉ આવી સ્પર્ધાઓ યોજાતી હતી, જેમાં યુવા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવી શકતા હતા. હવે ફરીથી તેઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની અને દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરવાની તક આપવામાં આવશે. આ હેતુસર આગામી સમયમાં ઈન્ટર યુનિવર્સિટી ટૂર્નામેન્ટોનું આયોજન કરવામાં આવશે. ખેલાડીઓને ટી-શર્ટ, બૂટ વગેરેના ખર્ચ માટે કરોડોની જોગવાઈ થશેઈન્ટર યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે તેમને વિવિધ પ્રકારે પ્રોત્સાહિત કરવામાં આવશે. રોકડ ઇનામ ઉપરાંત મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરાશે. સાથોસાથ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને ટી-શર્ટ, બૂટ અને અન્ય જરૂરિયાતની કીટ યુનિવર્સિટીઓ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે, જેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. આ માટે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹100 કરોડથી વધુની ફાળવણીઈન્ટર યુનિવર્સિટી ટૂર્નામેન્ટના આયોજન માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત રહેશે. હાલમાં તમામ યુનિવર્સિટીઓ પાસે પૂરતી સુવિધાઓ નથી. બેડમિન્ટન હોલ, ટેનિસ કોર્ટ, કબડ્ડીનું મેદાન, ટેબલ ટેનિસની વ્યવસ્થા, સ્વિમિંગ પૂલ તેમજ હોકી, ક્રિકેટ અને ફૂટબોલના સ્ટેડિયમો જેવી સુવિધાઓ ઊભી કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થશે. આ સુવિધાઓ વિકસાવવામાં યુનિવર્સિટીઓને સહાય કરવા માટે સરકાર ₹100 કરોડથી વધુની જોગવાઈ કરે તેવી સંભાવના છે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જરૂર પડ્યે સરકાર દ્વારા ટોકન દરે જમીન પણ ફાળવવામાં આવશે. કોલેજમાં પ્રવેશ મેળવતા સાયન્સના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપધોરણ-12 પાસ કરીને સાયન્સ કોલેજમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની જોગવાઈ કરવાની વિચારણા ચાલી રહી છે. હાલમાં શાળાના વિદ્યાર્થીઓને 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના' હેઠળ સ્કોલરશિપ આપવામાં આવે છે. કોલેજમાં પ્રવેશ લેતા કોમર્સના વિદ્યાર્થીઓ માટે કેટલીક યોજનાઓ ઉપલબ્ધ છે, પરંતુ સાયન્સ કોલેજમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને કોઈ ખાસ સહાય મળતી નથી. આથી સરકારે આવા વિદ્યાર્થીઓને પણ આર્થિક મદદ આપવાનું નક્કી કર્યું છે. શાળાની યોજનાને અપડેટ કરીને કોલેજમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને વાર્ષિક ₹20 થી 30 હજાર આપવામાં આવે તેવી વિચારણા છે. જો આ નિર્ણય લેવાશે, તો વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા અંદાજે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:13 pm

સાબરમતીની મેટીસ હોસ્પિટલના ICUમાં મહિલા દર્દીની છેડતીના CCTV:મેલ નર્સ વારંવાર અર્ધબેભાન યુવતીના સેન્સીટીવ બોડી પાર્ટને ટચ કરતો, પોલીસે આરોપીની ધરપકડ કરી

27 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટીસ હોસ્પિટલના કર્મચારી દ્વારા મહિલા દર્દીની છેડતી કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. વહેલી પરોઢે જ્યારે યુવતી હોસ્પિટલમાં અર્ધબેભાન હાલતમાં હતી ત્યારે કર્મચારી તેની પાસે ગયો હતો અને અડપલા કર્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. સાબરમતી પોલીસે CCTVના આધારે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે. શું છે સમગ્ર મામલો?સાબરમતી વિસ્તારમાં રહેતી યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે છેલ્લા ઘણા સમયથી માતા-પિતા સાથે પિયરમાં રહે છે અને તેના લગ્ન અનિલ (નામ બદલાવ્યું છે) નામના યુવક સાથે થયા હતા. અનિલ સાથે મનમેળ નહી આવતા તે પોતાના માતા-પિતા પાસે રહે છે. છેલ્લા ઘણા સમયથી અનિલ સાથેની બબાલને લઈને યુવતીને લાગી આવ્યુ હતું અને તેણે ઉંઘની દવા લઈને આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ICUમાં યુવતીની શરીર પર હાથ ફેરવી છેડતી કરી હતીયુવતીની તબીયત ખરાબ થતા તેને સાબરમતી મેટીસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવતીની હાલત વધુ ખરાબ હોવાથી તેને આઈસીયુ વોર્ડમાં દાખલ કરાઈ હતી. યુવતી આઈસીયુમાં અર્ધબેભાન હાલતમાં હતી. સૂઈ રહી હતી ત્યારે કોઈ વ્યકિતએ તેના શરીર પર હાથ ફેરવીને છેડતી કરી હતી. યુવતીએ જોરથી બુમ પાડતા છેડતી કરનાર શખસ ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે આરોપી ઇન્દ્રજીત રાઠોડની ધરપકડ કરીપોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ત્યારે છેડતી કરનાર શખસનું નામ ઇન્દ્રજીત રાઠોડ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી મૂળ અસારવા ખાતે આવેલા ચમનપુરામાં રહે છે. આરોપી વિરૂદ્ધ અન્ય કોઈ ગુનો છે કે કેમ તેની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલના મેલ નર્સે તેની સાથે શારીરિક અડપલા કર્યા હતાઆ સમગ્ર મામલે પીઆઇ વાય.આર. વાઘેલાએ જણાવ્યું હતું કે, સાબરમતી મેટીસ હોસ્પિટલના કર્મચારી ઇન્દ્રજીત રાઠડ સામે એક મહિલા દર્દી દ્વારા છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી યુવતીના જણાવ્યા અનુસાર હોસ્પિટલના મેલ નર્સે તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ યુવતીને મેટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવતી અર્ધબેભાન અવસ્થામાં હતી. તે વખતે આરોપી વારંવાર તેની પાસે જઈને તેની બોડીના સેન્સેટીવ પાર્ટને ટચ કરી રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:13 pm

સુરતમાં 10 દિવસની બાળકીને વેચવાનો પ્રયાસ કરતી 2 મહિલા ઝડપાઈ:મહારાષ્ટ્રથી માસૂમને લાવી હતી, બેથી અઢી લાખમાં વેચવાનો પ્લાન હતો

અમદાવાદમાંથી બાળ તસ્કરીનો પર્દાફાશ થયા બાદ હવે સુરતમાં પણ 10 દિવસની બાળકીની તસ્કરીનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સંભાજીનગરથી માત્ર 10 દિવસની બાળકીને સુરત લાવી વેચવાનો પ્રયાસ કરી રહેલી 2 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. બેથી અઢી લાખ રૂપિયામાં માસૂમ બાળકીનો સોદો કરવાનો પ્લાન હતો. મહિલાઓ દ્વારા અલગ અલગ વ્યકિતઓને મોબાઈલ પર બાળકીના ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા હતા. બંને મહિલાઓ મહારાષ્ટ્રથી કોની પાસેથી બાળકી લાવ્યા તેની તપાસ હાલ ચાલી રહી છે. આ પહેલા પણ આ રીતે કોઈ બાળકનો સોદો કરાયો છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બાતમીના આધારે ફ્લેટમાં દરોડો પાડતા માસૂમ બાળકી મળી આવીક્રાઈમ બ્રાંચના ઇન્સ્પેક્ટર જાડેજા, પીએસઆઈ પઢિયાર અને તેમની ટીમને એક ચોક્કસ હકીકત મળી હતી કે, સુરતના વેડરોડ વિસ્તારમાં 2 મહિલાઓ એક નવજાત બાળકીને ક્યાંકથી લાવી છે અને તેને સુરત શહેરમાં કોઈ ગ્રાહકને વેચવા માટે પ્રયત્નો કરી રહી છે. આ ગંભીર ગુનાની જાણ થતા જ પોલીસે 30/01/2026 ના રોજ વેડરોડ સ્થિત વિશ્રામનગર સોસાયટીના રાંદલ પાર્ક એપાર્ટમેન્ટમાં પ્લોટ નંબર 196, 197 માં આવેલ ફ્લેટ નંબર G/2 માં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી પોલીસને 10 દિવસની નાનકડી બાળકી મળી આવી હતી, જેની સાથે 2 મહિલાઓ હાજર હતી. બંને મહિલાઓ લાંબા સમયથી એકબીજાના સંપર્કમાંપોલીસે આ કેસમાં જે બે મહિલાઓની અટકાયત કરી છે જેમાં અંજલીબેન નિર્મલભાઈ મિશ્રા (ઉ.વ. 39): જે મૂળ રાયબરેલી, ઉત્તર પ્રદેશની વતની છે અને હાલ સુરતના ચોકબજાર વિસ્તારમાં રહે છે. અંજલી પરચૂરણ મજૂરી કામ કરે છે અને તેને 22 તથા 16 વર્ષના 2 પુત્રો છે અને લક્ષ્મીબેન બાલાજી સોનવણે (ઉ.વ. 44): જે મૂળ મહારાષ્ટ્રના સંભાજીનગર (શીલ્લોડ) ની વતની છે અને હાલ જહાંગીરપુરાના સુમન વંદન આવાસમાં રહે છે. લક્ષ્મી સાડી કટિંગનું કામ કરે છે અને તેને 24 વર્ષનો પુત્ર અને એક પુત્રી છે. આ બંને મહિલાઓ અગાઉ પાડોશમાં રહેતી હોવાથી મિત્રતા ધરાવતી હતી અને લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં રહીને ઓનલાઇન ટ્રેડિંગના વ્યવસાય સાથે પણ સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રના સંભાજીનગરથી બાળકીને લાવ્યાનું ખૂલ્યુંતપાસમાં બહાર આવ્યું છે કે આ બંને મહિલાઓ સાથે મળીને મહારાષ્ટ્રના ઔરંગાબાદ (સંભાજીનગર) ગઈ હતી અને ત્યાંથી લક્ષ્મીના સંપર્ક દ્વારા આ બાળકીને લાવી હતી. આ મહિલાઓ આ નવજાત બાળકીને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે સુરતના અલગ-અલગ 2 થી 3 લોકોનો સંપર્ક કરી રહી હતી. તેમના મોબાઈલ ફોન ચેક કરતા જાણવા મળ્યું કે તેઓએ બાળકીના ફોટા પાડીને સંભવિત ગ્રાહકોને મોકલ્યા હતા. શરૂઆતમાં અંજલીએ બાળકી પોતાની હોવાનું કહી પોલીસને છેતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હોસ્પિટલના કોઈ કાગળો ન હોવાથી તેનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે પૂછપરછ કરી તો અંજલિએ પોતાની બાળકી ગણાવીડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેમણે આ બાળકી પોતાનું હોવાનું કીધું, પણ તેમના પોતાના 22 વર્ષ અને 16 વર્ષના બાળક હતા એટલે એ ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શક્યા. વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા તેમણે એક લક્ષ્મીબેન સોનવણેનું પણ નામ આપવામાં આવ્યું. જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને અહીં જહાંગીરપુરા રહે છે.આ બંનેને બાળકી સાથે અહીં લાવી અને આ લોકોની પૂછપરછ કરતા તેમણે આ બાળકી મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવી છે અને આ બાળકીને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એમને પકડી પાડવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બાળકી પહેલા પણ ભૂતકાળમાં આ લોકો લાવ્યા હતા, બાળકી વેચવાનું કંઈ કરે છે, ક્યાં ક્યાં પ્રયત્ન કર્યા વગેરે બાબતની તપાસ ચાલી રહી છે આ લોકોની.અંજલી મિશ્રા લેબર જેવું પરચૂરણ કામ કરે છે, એમના હસબન્ડ પણ અહીં ટેક્સટાઈલ અને હીરામાં કામ કરતા હતા, એમના બાળક પણ હીરામાં કામ કરે છે. 22 વર્ષનો મોટો બાળક છે અને 16 વર્ષનો બીજો બાળક છે એટલે બે છોકરાઓ છે, ઓનલાઇન ટ્રેડિંગનું પણ કામ કરે છે. સાથે જે લક્ષ્મી છે એના હસબન્ડની ડેથ થઈ ગઈ છે, એમનો 24 વર્ષનો એક બાળક છે અને એક દીકરી છે. એ પણ ઓનલાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. આ બંને પહેલા આજુબાજુમાં રહેતા હશે એટલે મિત્રતા થયેલી અને ઘણા ટાઈમથી બંને એકસાથે પરિચિતમાં છે. બાળક લાવવાનું કામ લક્ષ્મીના કોન્ટેક્ટથી અંજલી લાવી છે, બંને સાથે લેવા ગયા હતા ઔરંગાબાદ અને ત્યાંથી લાવ્યા છે. બાળકીને ક્યાંથી લાવવામાં આવી?, પોલીસ તપાસ શરૂડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે,તેઓ ઔરંગાબાદથી ક્યાંથી લાવ્યા એ વેરિફાઈ કરી રહ્યા છીએ. હાલમાં એ પૈસાની ના પાડે છે કે પૈસા આપીને નથી લાવ્યા. જ્યાંથી લાવ્યા છે એની ડિટેલ અમને થોડી મળી છે, અમે વેરિફાઈ કરાવી રહ્યા છીએ, ત્યાંનું ઇન્વેસ્ટિગેશન આગળનું ચાલુ છે એટલે હમણાં એ જાહેર નથી કરતા. એમણે વેચવા માટે અલગ અલગ 2 થી 3 લોકોનો સંપર્ક કર્યો છે, મોબાઈલમાં પણ એમણે બાળકના ફોટા મોકલેલા છે તો એ પણ વેરિફાઈ કરી રહ્યા છીએ કે કોને લેવા માટે અને એ માણસોએ પોલીસને કોઈને ઇન્ફોર્મ કેમ ન કર્યું એ બાબતમાં પણ તપાસ કરી રહ્યા છીએ. મહિલા કોન્સ્ટેબલે માતાની જેમ બાળકીને સાચવીમાત્ર 10 દિવસની બાળકીને કોઈ પુરાવા વગર મહારાષ્ટ્રથી સુરત લાવી દેવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાંચે તાત્કાલિક બાળકીની તબીબી તપાસ કરાવી હતી. ગત સાંજથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આ માસૂમની માતાની જેમ સંભાળ અને સારવાર રાખવામાં આવી રહી છે. હાલમાં બાળકીને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC)ને સોંપવાની અને હોસ્પિટલમાં તેના મેડિકલ ચેકઅપની તજવીજ ચાલુ છે. ભૂતકાળમાં અન્ય કોઈ બાળક લાવ્યા કે નહીં?, પોલીસ તપાસ શરૂસુરત પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મહિલાઓએ ભૂતકાળમાં પણ આ પ્રકારે કોઈ બાળકોની તસ્કરી કરી છે કે કેમ. મહારાષ્ટ્રમાં તેઓ આ બાળકી કોની પાસેથી લાવ્યા અને ત્યાં કોઈ સંગઠિત ગેંગ કાર્યરત છે કે કેમ, તે વેરિફાઈ કરવામાં આવી રહ્યું છે. જે ગ્રાહકોએ મોબાઈલમાં બાળકીના ફોટા મેળવ્યા છતાં પોલીસને જાણ નહોતી કરી, તેમની સામે પણ તપાસ હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:08 pm

પડધરી રેલવે સ્ટેશનનો ₹ 7.59 કરોડના ખર્ચે કાયાકલ્પ:અમૃત ભારત યોજના હેઠળ આધુનિકીકરણ: મુસાફરોને મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ

પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પૂર્ણતાના આરે પહોંચાડવામાં આવ્યો છે. 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ 7.59 કરોડના ખર્ચે પડધરી સ્ટેશનનો વ્યાપક પુનઃવિકાસ કરવામાં આવ્યો છે. હવે આ સ્ટેશન માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ નથી, પરંતુ તેની નવી ભવ્ય સ્થાપત્ય કલા સૌરાષ્ટ્રની રેલ કનેક્ટિવિટીને એક નવી ઓળખ આપી રહી છે. નવી ઇમારત અને આધુનિક કોન્કોર્સ સ્ટેશન પર મુસાફરો માટે 3600 ચોરસ ફૂટમાં ફેલાયેલી ભવ્ય અને આધુનિક સ્થાપત્ય શૈલીની નવી ઇમારત બનાવવામાં આવી છે. આ સાથે જ 1060 ચોરસ ફૂટનો વિશાળ કોન્કોર્સ વિસ્તાર તૈયાર કરાયો છે, જેથી ભીડના સમયે પણ મુસાફરો સરળતાથી અવરજવર કરી શકે. પ્રતીક્ષા માટે 218 ચોરસ ફૂટનો ડીલક્સ વેટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં ઉત્તમ વેન્ટિલેશન અને બેસવાની શ્રેષ્ઠ વ્યવસ્થા છે. પ્લેટફોર્મ કનેક્ટિવિટી અને સુરક્ષા મુસાફરોની સુરક્ષા માટે પ્લેટફોર્મ 1 અને 2 ને જોડતો 12 ફૂટ પહોળો નવો ફૂટ ઓવર બ્રિજ (FOB) કાર્યરત કરવામાં આવ્યો છે. મુસાફરોને તડકા અને વરસાદથી બચાવવા માટે પ્લેટફોર્મ પર 5370 ચોરસ ફૂટનો વિશાળ કવર શેડ નાખવામાં આવ્યો છે. રાત્રિના સમયે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર પરિસરમાં હાઈ-માસ્ટ લાઈટિંગ અને નવા ઇલેક્ટ્રિક પોલ સ્થાપિત કરવામાં આવ્યા છે. દિવ્યાંગજન અને વડીલો માટે વિશેષ સુવિધા આ સ્ટેશનને સંપૂર્ણપણે 'યુનિવર્સલ ડિઝાઇન' હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. દિવ્યાંગો અને વડીલો માટે ટેક્ટાઈલ ટાઈલ્સ, વિશેષ સાઈન બોર્ડ, હેન્ડરેલ્સ અને સમર્પિત પાર્કિંગ સ્લોટની સુવિધા ઊભી કરવામાં આવી છે. વાહનોના પાર્કિંગ માટે 1550 ચોરસ ફૂટનો અલગ વિસ્તાર અને મુસાફરોની સુવિધા માટે 1140 ચોરસ ફૂટનું આધુનિક શૌચાલય સંકુલ પણ બનાવવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, પડધરી સ્ટેશનનો આ પુનઃવિકાસ મુસાફરો માટે ગૌરવપૂર્ણ મુસાફરીના નવા માપદંડ સ્થાપિત કરશે. બહેતર પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છ પરિસર અને સુવ્યવસ્થિત એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સથી મુસાફરીનો અનુભવ વધુ સુખદ બનશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:00 pm

લ્યો બોલો! હવે SOG કર્મચારીની જ ધરપકડ:સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ASIની SMCએ ધરપકડ કરી, હેરોઇન ડ્રગ્સ કેસમાં સંડોવણી આવતા કાર્યવાહી

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા રેલ્વે સ્ટેશન પરથી જપ્ત કરાયેલા હેરોઈન ડ્રગ્સ કેસમાં મોટો વળાંક આવ્યો છે. તપાસ દરમિયાન વડોદરા શહેરની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક પોલીસ કર્ણચારીની સીધી સંડોવણી સામે આવી છે, જેના પગલે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ NDPS એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. 48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યોગત 9 જાન્યુઆરીના રોજ SMC પોલીસ સ્ટેશનમાં વડોદરા રેલ્વે સ્ટેશન પરથી 239 ગ્રામ 940 મિલિગ્રામ હેરોઈન અને અન્ય વસ્તુઓ સાથે કુલ 48,07,090નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં મુખ્ય આરોપી અમરીકસિંહ ઉર્ફે સોનુ સરવણસિંહ દિલીપસિંહ મલ્હી (ઉંમર 37, રહેવાસી: એ-3, ગુરુનાનકનગર, છાણી જકાતનાકા, વડોદરા)ને પકડવામાં આવ્યો હતો, જ્યારે હેરોઈન સપ્લાય કરનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે. આરોપી અધિકારી પાસેથી તપાસ માટે ત્રણ મોબાઈલ જપ્ત કરાયાતપાસ દરમિયાન SMCની ટીમને જાણવા મળ્યું કે, SOG બ્રાન્ચના અનઆર્મ્ડ એસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ (ઉંમર 57, રહેવાસી: સનમિલન સોસાયટી, શુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા)ની આરોપી અમરીકસિંહ સાથે સીધી ગુનાહિત કડી છે. પુરાવા આધારે આજે તેમની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અધિકારી પાસેથી તપાસ માટે ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.એ. તુવર દ્વારા LLM ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આરોપી અધિકારીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. જો તપાસમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ વડોદરા શહેરની DCBમાં ફરજ બજાવતા હતાઆરોપી ASI લક્ષ્મીકાંત દેસાઈ અગાઉ વડોદરા શહેરની DCBમાં ફરજ બજાવતા હતા. તે સમયે તેઓ ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના પુરાવા મળ્યા હતા, જેના કારણે તેમને કચ્છ-ગાંધીધામમાં ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:59 pm

રાજકોટ મનપા કચેરીમાં પોલીસનું હેલ્મેટ ચેકીંગ:સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું- કચેરીના પ્રાંગણમાં આ રીતે ચેકિંગ યોગ્ય નથી, પોલીસ કમિશનરને ફોન કરતા તરત જ કામગીરી સ્થગિત

રાજકોટ શહેરની મધ્યમાં આવેલ મહાનગરપાલિકાની કચેરી આજે અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવી હતી. સામાન્ય રીતે કચેરીમાં વહીવટી કામકાજ ચાલતું હોય છે પરંતુ, આજે સવારના સમયે અચાનક અહીં ટ્રાફિક પોલીસની ટુકડીઓ કચેરીના પ્રાંગણમાં ધસી આવતા અને વાહન ચાલકોનું હેલ્મેટ ચેકિંગ શરૂ કરતા વાતાવરણ ગરમાયું હતું. આ કામગીરીને પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક પોલીસ કમિશનરને ફોન કરીને આ ચેકીંગ ડ્રાઈવ કચેરીનાં પ્રાંગણ બહાર રાખવા વિનંતી કરી હતી. જેને પગલે તરત જ પોલીસ કમિશનરનાં આદેશથી પોલીસ કર્મચારીઓ ત્યાંથી નીકળી ગયા હતા. હેલ્મેટ વગરના વાહન ચાલકોને અટકાવી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવીપ્રાપ્ત વિગત મુજબ મનપા કચેરીમાં દરરોજ સેંકડો નાગરિકો પોતાના વિવિધ કામો માટે આવતા હોય છે. આજે સવારે જ્યારે લોકો ટેક્સ ભરવા, જન્મ-મરણના દાખલા લેવા કે અન્ય વહીવટી કામો માટે કચેરીએ પહોંચ્યા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વગરના વાહન ચાલકોને અટકાવી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. કચેરીના કમ્પાઉન્ડમાં જ પોલીસની આ કામગીરી જોઈને મુલાકાતીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. એકાદ કલાક ચાલેલી ચેકીંગ ડ્રાઈવમાં અનેક નાગરિકો તેમજ મનપાનાં કર્મચારીઓ પણ દંડાયાસ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર કચેરીએ પહોંચ્યા ત્યારે તેમણે આ દૃશ્ય જોયું અને તાત્કાલિક પોલીસ કમિશનર સાથે વાતચીત કરી હતી. જેને લઈને પોલીસ કમિશનરનો આદેશ મળતા કચેરીના પ્રાંગણમાં ચાલતી હેલ્મેટ ચેકીંગ ડ્રાઈવ તરત જ બંધ કરવામાં આવી હતી. જોકે, સવારે એકાદ કલાક ચાલેલી ચેકીંગ ડ્રાઈવમાં અનેક નાગરિકો તેમજ મનપાનાં કર્મચારીઓ પણ દંડાયા હતા. પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આ ચેકીંગ ડ્રાઈવ રોકી દેવામાં આવતા અનેક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કચેરીની અંદર લોકો માનસિક રીતે કામ માટે આવ્યા હોય સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે આ અંગે જણાવ્યું કે, પોલીસ દ્વારા હેલ્મેટની ડ્રાઈવ ચલાવવી એ કાયદાકીય બાબત છે અને સુરક્ષા માટે જરૂરી છે, પરંતુ કચેરીના પ્રાંગણમાં આવી રીતે ચેકિંગ કરવું તે યોગ્ય નથી. મનપા કચેરીમાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના કામ માટે આવતા હોય છે, તેમને આ રીતે હેરાન કરવા તે વ્યાજબી નથી. કોઈપણ સરકારી કચેરીના પરિસરમાં આવી કાર્યવાહી કરવાને બદલે જો પોલીસને ડ્રાઈવ કરવી જ હોય તો શહેરના સર્કલ કે મુખ્ય રસ્તાઓ પર કરી શકે છે. કચેરીની અંદર લોકો માનસિક રીતે કામ માટે આવ્યા હોય ત્યારે આ પ્રકારનું ચેકિંગ તેમને પરેશાનીમાં મૂકે છે. જયમીન ઠાકરે પોલીસ કમિશનરનો આભાર માન્યો આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને મેં તુરંત રાજકોટ પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો હતો અને તેમને વિનંતી કરી હતી કે, મનપા કચેરીના પ્રાંગણમાંથી આ ચેકિંગ ડ્રાઈવ હટાવી લેવામાં આવે તેમજ આ દંડની કાર્યવાહી કચેરીના ગેટની બહાર અથવા અન્ય જાહેર માર્ગો પર કરવામાં આવે. પોલીસ કમિશનરે પણ પરિસ્થિતિને સમજીને તાત્કાલિક સૂચના આપી હતી, જેના પગલે કચેરીમાં ચાલતું ચેકિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે આપેલા આ સહકાર બદલ જયમીન ઠાકરે પોલીસ કમિશનરનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:58 pm

ક્ષત્રિય સમાજના દીર્ઘકાલીન આંદોલનને સફળતા:'પદ્માવત' મૂવીના વિરોધના કેસો પરત ખેંચાયા, ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો

2017-18માં ફિલ્મ 'પદ્માવત' વિરુદ્ધ થયેલા ઉગ્ર આંદોલન દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો પર નોંધાયેલા પોલીસ કેસો પરત ખેંચવાની મોટી સફળતા મળી છે. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ ચાલેલા લાંબા સમયના પ્રયાસો અને ગુજરાત સરકારના સહયોગથી મહેસાણા જિલ્લાના 11 જેટલા સેશન્સ કેસો પરત ખેંચાઈ ગયા છે. આ કેસોમાં મહેસાણા સેશન્સ કોર્ટમાં નંબર 54/2018, 36/2019, 02/2020, 06/2020, 204/2021, 156/2018, 157/2018, 96/2019, 48/2019, 49/2020 અને 136/2023 જેવા મુખ્ય કેસોનો સમાવેશ થાય છે. આ બધા કેસોમાં સરકાર તરફથી કોર્ટમાં અરજી રજૂ કરવામાં આવી હતી, જેને કોર્ટે માન્ય રાખીને કેસો પરત ખેંચવાની મંજૂરી આપી છે. અમદાવાદ ખાતેના કેટલાક કેસો હજુ પેન્ડિંગ છે અને તેની કાર્યવાહી ચાલુ છે. આંદોલન કોઈ વ્યક્તિ કે સરકાર વિરુદ્ધ નહોતું સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' (પછી 'પદ્માવત')માં ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ, સંસ્કારો અને રાજપૂત નારીના ચિત્રણને લઈને સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉગ્ર આંદોલન કર્યું હતું. આ આંદોલન કોઈ વ્યક્તિ કે સરકાર વિરુદ્ધ નહોતું પરંતુ, ફિલ્મ દ્વારા ક્ષત્રિય સમાજને બદનામ કરવાના પ્રયાસ વિરુદ્ધ હતું. આ દરમિયાન દેખાવો અને ઉશ્કેરાટમાં યુવાનો પર અનેક પોલીસ કેસ નોંધાયા હતા. ક્ષત્રિય આગેવાનોની મહેનત રંગ લાવીઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાનીમાં શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા, રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા સહિત 50થી વધુ સામાજિક સંસ્થાઓ અને 1000થી વધુ આગેવાનોએ આ મુદ્દે સતત રજૂઆતો કરી હતી. તા. 15 જુલાઈ, 2025ના રોજ સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલમાં તત્કાલીન કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી. તા. 7 ઓક્ટોબર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતિમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કેસો પરત ખેંચવાની ખાતરી આપી હતી. કાનૂની લડતમાં મહત્વનો ભાગઆ સમગ્ર કેસોમાં ક્ષત્રિય સમાજના નિઃશુલ્ક વકીલ જયદેવસિંહ ચાવડા (મહેસાણા) અને મહેન્દ્રસિંહ જાડેજા (અમદાવાદ)એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે કોર્ટમાં રજૂઆતો અને કાનૂની પ્રક્રિયા સંભાળી હતી. સમાજનો આભાર વ્યક્ત કર્યોઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને ઉર્જા તથા પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલનો જાહેર આભાર વ્યક્ત કર્યો છે. તેઓએ તમામ ક્ષત્રિય આગેવાનો, સંસ્થાઓ અને નિઃશુલ્ક વકીલોનો પણ આભાર માન્યો છે. આ સફળતા ક્ષત્રિય સમાજની એકજૂટતા અને સરકારના સહયોગનું પરિણામ ગણાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:55 pm

કર્ણાવતીમાં માતૃશક્તિ-દુર્ગાવાહિનીની અખિલ ભારતીય બેઠક:દેશભરની 350થી વધુ મહિલા શક્તિઓ એકત્ર: રાષ્ટ્ર નિર્માણ અને સશક્તિકરણનો હુંકાર

કર્ણાવતીના દસ્કોઈ સ્થિત નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ, પીરાણા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત 'માતૃશક્તિ દુર્ગાવાહિની'ની બે દિવસીય અખિલ ભારતીય બેઠકનો ભવ્ય પ્રારંભ થયો છે. દેશભરના વિવિધ પ્રાંતોમાંથી આવેલી 350થી વધુ બહેનો અને સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શરૂ થયો હતો. કાર્યક્રમની શરૂઆત મા દુર્ગાની સ્તુતિ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. શક્તિ વિના જગતની કલ્પના અશક્ય ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત સંતગણ સ્વામી પરપ્રજ્ઞાનંદા સરસ્વતીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, શક્તિ દ્વારા જ જગતની ઉત્પત્તિ અને પાલન થાય છે. તેમણે જાગૃત સ્ત્રીશક્તિની વિશાળ ઉપસ્થિતિ જોઈને આનંદ વ્યક્ત કર્યો અને દરેક મહિલા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમની પ્રસ્તાવના મુખ્ય વ્યવસ્થા પ્રમુખ અને કેન્દ્રીય માતૃશક્તિ સહ સંયોજિકા સરોજ સોનીએ રજૂ કરી હતી. સામાજિક મૂલ્યો અને મહિલા સશક્તિકરણ મુખ્ય વક્તા અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે 'ભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન' વિષય પર સંબોધન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ અનિવાર્ય છે. મહિલાઓએ પરિવારની જવાબદારીની સાથે રાષ્ટ્ર નિર્માણમાં પણ સક્રિય થવું જોઈએ. વર્તમાન સમયમાં આધ્યાત્મિક જાગૃતિ અને સશક્તિકરણ અત્યંત આવશ્યક છે. દુર્ગાવાહિની દ્વારા બહેનોમાં સાહસ અને સંસ્કારનું સિંચન કરવામાં આવી રહ્યું છે, જે ઉજ્જવળ ભવિષ્યનો પાયો બનશે. વિવિધ સ્તરના અધિકારીઓની ઉપસ્થિતિ આ બેઠકમાં વિનાયક રાવ દેશપાંડે, ગોવિંદ શિંદે, મીનાક્ષી તાઈ પિશ્વે, મીનાબેન ભટ્ટ, પ્રજ્ઞા મહાલા, અશ્વિન પટેલ અને હર્ષદભાઈ ગિલેટવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિંકી પવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે કલ્પનાબેન વ્યાસ, જવાનિકા બહેન ભટ્ટ, નુપુરબેન પટેલ અને હિતેશ ઠક્કર સહિતની સ્થાનિક સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:53 pm

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ:કચ્છનું છારી-ઢંઢ હવે રામસર સાઇટ; રાજ્યમાં હવે 5 આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ્સ

કચ્છના રણની મધ્યમાં આવેલું અને પક્ષીઓના સ્વર્ગ તરીકે જાણીતું ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવ્યું છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉજવાનારા ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ પૂર્વે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ મહત્વની જાહેરાત કરી છે. છારી-ઢંઢની સાથે ઉત્તરપ્રદેશના પટના પક્ષી અભયારણ્યને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ સિદ્ધિ સાથે જ ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે, જ્યારે ભારતનું રામસર નેટવર્ક 2014માં 26 સ્થળોથી વધીને હવે 98 સ્થળોએ પહોંચ્યું છે. કચ્છનું પ્રથમ અને ગુજરાતનું પાંચમું રતન ગુજરાત અગાઉથી જ નળસરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રામસર સાઇટ્સ ધરાવે છે. હવે છારી-ઢંઢ આ યાદીમાં જોડાનાર ગુજરાતનું પાંચમું અને કચ્છ જિલ્લાનું પ્રથમ વેટલેન્ડ બન્યું છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ-વિવિધતા અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વેટલેન્ડ સંવર્ધન માટે સતત કાર્યરત છે. વેટલેન્ડ સંરક્ષણમાં ગુજરાત દેશમાં મોખરે ભારતના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે, જે દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. રાજ્યમાં અંદાજે 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં વેટલેન્ડ્સ ફેલાયેલા છે, જે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 17.8 ટકા જેટલો ભાગ રોકે છે. રાજ્યમાં 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ અને 19 એવા વિસ્તારો છે જે પક્ષીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન આ નિવસનતંત્રોના સંશોધન અને દસ્તાવેજીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. છારી-ઢંઢ: પક્ષીઓ અને વન્યજીવોનું કુદરતી ઘર કચ્છી ભાષામાં ‘છારી’ એટલે ક્ષારવાળી અને ‘ઢંઢ’ એટલે છીછરું સરોવર. અંદાજે 227 ચોરસ કિલોમીટર (22,700 હેક્ટર) વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ બન્નીના ઘાસના મેદાનો અને રણની વચ્ચે આવેલું છે. વર્ષ 2008માં તેને ગુજરાતનું પ્રથમ ‘કન્ઝર્વેશન રિઝર્વ’ જાહેર કરાયું હતું. અહીં પક્ષીઓની 250થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપથી 25,000થી 40,000 જેટલા કોમન ક્રેન (કુંજ), મળતાવડી ટીટોડી અને ચોટીલી પેણ અહીં મુકામ કરે છે. આ ઉપરાંત લુપ્તપ્રાય ડાલમેશિયન પેલિકન, ફ્લેમિંગો (હંજ), સારસ અને શિકારી પક્ષીઓ માટે પણ આ આદર્શ આશ્રયસ્થાન છે. માત્ર પક્ષીઓ જ નહીં, પણ ચિંકારા, ડેઝર્ટ ફોક્સ, હેણોતરો અને વરુ જેવા વન્યજીવો પણ અહીં વસે છે. વૈશ્વિક ઓળખથી સ્થાનિક વિકાસના દ્વાર ખુલશે રામસર સાઇટનો દરજ્જો મળવાથી છારી-ઢંઢને હવે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ ભંડોળ અને ટેકનિકલ સહાય મળશે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું કે, આનાથી કચ્છમાં ઈકો-ટુરિઝમને મોટું પ્રોત્સાહન મળશે, જેના કારણે સ્થાનિક સમુદાય માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આ સિદ્ધિ મેળવવામાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન જયપાલ સિંઘ અને તેમની ટીમનું યોગદાન નિર્ણાયક રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:47 pm

વધુ બે ટાંકી બની જીવતો બોમ્બ? પાણી બહાર નીકળ્યું:સુરતમાં જેની ટાંકી ધરાશાયી થઈ હતી તે જ કંપની બનાવી રહી છે આ ટાંકીઓ, અધિકારીનો બચાવ- લીકેજ નહીં ક્ષાર છે

સુરતના સચિન વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો હતો. ત્યારે આ ઘટનાના તાર હવે મહેસાણા સાથે જોડાયા છે. સુરતમાં જે 'જયંતી સુપર' કંપની દ્વારા નિર્મિત ટાંકી તૂટી પડી હતી, તે જ કંપની હાલ મહેસાણામાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી હોવાની વિગતો બહાર આવતા શહેરીજનોમાં ફાળ પડી છે. અમૃત 2.0 યોજના હેઠળ ₹120 કરોડનો પ્રોજેક્ટ મહેસાણા શહેરમાં 'અમૃત 2.0' યોજના અંતર્ગત અંદાજે રૂ 120 કરોડના ખર્ચે પાણી પુરવઠાના કામો ચાલી રહ્યા છે. આ કામગીરીનો કોન્ટ્રાક્ટ વિવાદિત 'જયંતી સુપર' કંપનીને સોંપવામાં આવ્યો છે. હાલમાં શહેરના નીચેના વિસ્તારોમાં ટાંકીઓનું નિર્માણ થઈ રહ્યું છે. સુરત જેવી હોનારત મહેસાણામાં ન સર્જાય તેની તાપસ કરવા માગઆ મામલે પૂર્વ કોર્પોરેટર જનક બ્રહ્મભટ્ટે તંત્ર અને કંપની પર આક્ષેપ કરતા જણાવ્યું કે, મહેસાણામાં જે નવી ટાંકીઓ બની રહી છે, તેમાં અત્યારથી જ તિરાડો અને ભેજ-ભીનાશ દેખાવા લાગ્યા છે. સુરત જેવી હોનારત મહેસાણામાં ન સર્જાય તે માટે આ કામગીરીની તાત્કાલિક તપાસ થવી જોઈએ. ટાંકીની કામગીરી ચાર મહિનાથી બંધમળતી માહિતી મુજબ, ચવેલી નગરમાં બની રહેલી પાણીની ટાંકીમાં ગુણવત્તાના ગંભીર પ્રશ્નો ઉભા થતા છેલ્લા ચાર મહિનાથી કામગીરી બંધ કરી દેવામાં આવી છે. હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ થતો હોવાની શંકાને પગલે સ્થાનિક સ્તરે પણ વિરોધ જોવા મળી રહ્યો છે. વિવાદિત કંપનીને કોન્ટ્રાક્ટ આપવા પાછળ કોના આશીર્વાદ?સુરતની ઘટના બાદ મહેસાણા પાલિકા અને વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. જોકે વિવાદિત કંપનીને આટલો મોટો કોન્ટ્રાક્ટ આપવા પાછળ કોના આશીર્વાદ છે તે તપાસનો વિષય છે. શું તંત્ર આ ટાંકીઓનું સેફ્ટી ઓડિટ કરાવશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશ? આ બાબતે જીયુડીસીના હર્ષ રાવલે જણાવ્યું કે, આ લિંકેજ નથી પણ ક્ષાર જમ્યા એના ધબ્બા દેખાય છે, એમ કહીને વાત પૂર્ણ કરી હતી. શહેરના અનેક પ્રોજેક્ટ 'જયંતી સુપર' કંપની પાસેઅંબાજીમાતા, રામોસણા, ઋતુરાજ સોમનાથ, કસબા અને ચવેલી નગર વિસ્તારમાં 4થી માંડીને 6 લાખ લીટરની ઓવરહેડ પાણીની ટાંકીઓ અને નાગલપુર ખાતે 50 એમએલડીનો એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ આજ વિસ્તારમાં ટાંકીની બાજુમાં સંપ પણ બનાવવાના છે. સાથે શિવમ સોસાયટી અમરપુરા વિસ્તાર, ગાંધીનગર લિંક રોડ, જનતાનગર શોભાસણ અને વાઈડ એંગલ આ વિસ્તારમાં પાંચ ગટરના પંપિંગ સ્ટેશન પણ આ જ કંપની બનાવવાની છે. 'જયંતી સુપર' કંપનીને 120 કરોડના આ કામ સોંપાયા

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:47 pm

આણંદ મનપાએ આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી કરી:મુખ્ય માર્ગો પરથી 30 વાહનો લોક કરાયા, દંડ વસૂલાશે

આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના બાદ મુખ્ય સ્ટેશન રોડ પર આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિક સમસ્યા ઊભી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર મનપા વિસ્તારમાં નો-પાર્કિંગ ઝોનમાં વાહનો મૂકનારાઓના વાહનો લોક કરીને દંડ વસૂલવામાં આવશે. કમિશનરની સૂચનાને પગલે, મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમે આજે સ્ટેશન રોડ વિસ્તારમાં કાર્યવાહી કરી. નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોને લોક કરવામાં આવ્યા હતા. દરેક વાહન માલિક પાસેથી ₹200નો દંડ વસૂલવામાં આવશે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે નગરજનોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનો નો-પાર્કિંગ ઝોનમાં ન મૂકે. ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય અને અન્ય લોકોને અગવડ ન પડે તે રીતે આડેધડ પાર્કિંગ કરવાનું ટાળવા પણ જણાવાયું છે. મહાનગરપાલિકા દ્વારા હવે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ નિયમિત ચેકિંગ કરવામાં આવશે. નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનોને લોક કરીને તેમના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. કમિશનરના માર્ગદર્શન હેઠળ, મનપા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા દૂર થાય અને મુખ્ય રસ્તાઓ પરથી અવરજવર કરતા નગરજનોને આડેધડ પાર્કિંગને કારણે થતી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે. નગરજનોને તેમના વાહનો નિયમ અનુસાર વ્યવસ્થિત રીતે માત્ર પાર્કિંગ ઝોનમાં જ મૂકવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:42 pm

હિંમતનગરમાં આયુષ મેળો યોજાયો, 550થી વધુ લોકોએ લાભ લીધો:ધારાસભ્યએ નિદાન કેમ્પ ખુલ્લો મૂક્યો, નિઃશુલ્ક તપાસ અને દવા અપાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય અંતર્ગત નિયામક આયુષ કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, હિંમતનગર દ્વારા આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાના હસ્તે આ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ આયુષ મેળો અને નિદાન સારવાર કેમ્પ અંતર્ગત સામાન્ય જનતાને નિઃશુલ્ક આરોગ્ય તપાસ, રોગ નિદાન, તબીબી સલાહ તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સ્વસ્થ જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિ વધારવા તથા આયુષ પદ્ધતિઓ અંગે આરોગ્ય જાગૃતિ માટે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આયુષ પદ્ધતિઓ જેવી કે આયુર્વેદ, યોગ અને હોમિયોપેથીના પ્રચાર-પ્રસાર અને જનસ્વાસ્થ્ય સંવર્ધનમાં તેના યોગદાન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાગરિકોને આયુષ આધારિત આરોગ્ય સેવાઓનો વ્યાપક લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 550થી વધુ લોકોએ લાભ લીધો હતો. ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સેજલબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, ડૉ. પ્રકાશ પંચાલ, હિંમતનગર ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓ શાંતુ પટેલ, રામ પટેલ અને પરેશ પટેલ, ડૉ. અવનીબેન ચૌધરી, સરકારી આયુર્વેદ હોસ્પિટલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:40 pm

SIRમાં રાજ્યભરમાં 14.70 લાખ ફોર્મ, અમદાવાદ ટોપ પર:30 જાન્યુઆરીએ દાવો-વાંધાની મુદત પૂર્ણ, 10 ફેબ્રુઆરી સુધી નિકાલ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયા છે. તા. 01.01.2026ની લાયકાત તારીખના આધારે હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં ફોર્મ નં. 6 – 7,25,920, ફોર્મ નં. 7 – 1,83,235 અને ફોર્મ નં. 8 – 5,60,970 અરજીઓ મળી છે. તમામ ફોર્મની ચકાસણી કરી 10 ફેબ્રુઆરી સુધીમાં નિકાલ કરાશેરાજ્યમાં 27 ઓક્ટોબર, 2025થી શરૂ થયેલી SIR ઝુંબેશ બાદ 19 ડિસેમ્બર, 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. નાગરિકોને દાવો-વાંધા રજૂ કરવાની મુદત અગાઉ 18 જાન્યુઆરી, 2026 સુધી હતી, જેને બાદમાં વધારીને 30 જાન્યુઆરી, 2026 સુધી કરવામાં આવી હતી. હવે મળેલા તમામ ફોર્મની ચકાસણી કરી 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં નિકાલ કરાશે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 2.16 લાખ ફોર્મ મળ્યાજિલ્લાવાર આંકડાઓ મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 2.16 લાખ ફોર્મ મળ્યા છે. ત્યારબાદ સુરત (1.31 લાખ), આણંદ (78,790), રાજકોટ (72,149) અને ભાવનગર (63,116) જિલ્લાઓમાં નોંધપાત્ર અરજીઓ આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ફોર્મ મળી આવતા મતદાર યાદીની શુદ્ધતા અને ચોકસાઈ તરફ વહીવટીતંત્રની સક્રિય કામગીરી સ્પષ્ટ થાય છે. સહાયક અધિકારીઓ ફોર્મની તપાસ કરી સમયમર્યાદામાં નિર્ણય લેશેચૂંટણી પંચના હેતુ “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર સામેલ ન થાય” ને સિદ્ધ કરવા માટે રાજ્યભરના મતદાર નોંધણી અધિકારીઓ અને સહાયક અધિકારીઓ ફોર્મની તપાસ કરી સમયમર્યાદામાં નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે, જે નાગરિકો કોઈ કારણસર આ પ્રક્રિયામાં જોડાઈ ન શક્યા હોય, તેઓ આગામી સમયમાં સતત સુધારણા અંતર્ગત ફોર્મ ભરીને નામ ઉમેરવા, રદ્દ કરવા અથવા સ્થળાંતર સહિતના ફેરફારો કરાવી શકશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:35 pm

શહેરાના ડૉ. દીપક પરમારનું જૂનાગઢમાં સન્માન:સમાજશાસ્ત્ર ક્ષેત્રે યોગદાન બદલ ગૌરવપૂર્ણ સન્માન કરાયું

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના વતની ડૉ. દીપક પરમારનું જૂનાગઢ ખાતે સન્માન કરવામાં આવ્યું છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આયોજિત ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદના 31મા અધિવેશનમાં તેમને સમાજશાસ્ત્ર ક્ષેત્રે નોંધપાત્ર શૈક્ષણિક પ્રદાન અને સંશોધન કાર્ય બદલ ગૌરવપૂર્ણ સન્માન એનાયત કરાયું હતું. ડૉ. દીપક પરમારે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રખર સમાજશાસ્ત્રી પ્રો. રમેશ એચ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પોતાનું પીએચ.ડી.નું સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તેમનો સંશોધન વિષય સ્થળાંતરિત આદિવાસી મહિલા મજૂરોની સ્થિતિ અને સમસ્યાઓ: એક સમાજશાસ્ત્રીય અભ્યાસ હતો. આ સંશોધનને ધ્યાનમાં રાખીને તેમને આ સન્માન અપાયું હતું. આ સન્માન સમારોહમાં અધિવેશનના પ્રમુખ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. હેમીક્ષા રાવ, ડૉ. રાજેન્દ્ર જાની, ડૉ. જયસિંહ ઝાલા, તેમજ ડૉ. એચ. એલ. ચાવડા સહિત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના નામી વિદ્વાનો અને અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ડૉ. પરમારના શૈક્ષણિક કાર્ય અને સામાજિક સંશોધનોની પ્રશંસા કરી હતી. ખેડૂત પરિવારમાંથી આવતા ડૉ. દીપક પરમાર હાલમાં થરાદની શ્રી રાજેશ્વર આર્ટસ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. એક ગ્રામીણ વિસ્તારના યુવાને શિક્ષણ ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિથી સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:34 pm

તંત્ર દ્વારા જૂનાગઢ મહાશિવરાત્રી મેળો-2026 ની તૈયારી:11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો ભવ્ય મેળો: રવેડીનો રૂટ વધારાયો, 3000 પોલીસ જવાનો તૈનાત અને સાધુ-સંતોનો યોજાશે ભવ્ય 'નગર પ્રવેશ'.

આગામી 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવવા જઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મેળો જગવિખ્યાત બની રહે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા મહાશિવરાત્રીનો મેળો લોકોની સુખ સુવિધા અને સલામાતી ભર્યો યોજાઈ જેને લઇ જુનાગઢ તંત્રને ખાસ સુચના આપવામાં આવી છે. જૂનાગઢના જીલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાની અધ્યક્ષતામાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને વહીવટી તંત્રની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ, ધારાસભ્ય સહિતના ભાજપના પદાધિકારીઓ, ઉતારા મંડળ તેમજ અન્નક્ષેત્રના સંચાલકો સાથે પણ વિગતવાર બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન ભવનાથ ક્ષેત્રમાં યોજાશે. આ મેળાનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર છેલ્લા 1 મહિનાથી સાધુ-સંતોના આશીર્વાદ અને પરામર્શ સાથે આ ભવ્ય તૈયારીઓ કરી રહી છે. ​મેળાની ભવ્યતા અને રવેડીનો રૂટ મેળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળે તે હેતુથી આ વખતે મેળાના વિસ્તારમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ભવનાથ વિસ્તાર પૂરતો મર્યાદિત રહેતો આ મેળો હવે ગિરનાર દરવાજા અને મજેવડી દરવાજા (ભરડાવાવ દરવાજા) થી જ શરૂ થશે. સમગ્ર રૂટ પર વિશેષ સુશોભન, લાઈટિંગ અને સેલ્ફી પોઈન્ટ્સ મૂકવામાં આવશે. ખાસ કરીને, દર વર્ષે રવેડી (સરઘસ) જોવા માટે ઉમટતી જનમેદનીને ધ્યાનમાં રાખીને રવેડીના રૂટમાં 500 મીટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે રવેડીનો કુલ રૂટ 2 કિલોમીટર જેટલો લાંબો થશે, જે મેર સમાજની વાડીથી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર સુધી રહેશે, જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકશે. ​સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવા માટે પોલીસ સ્ટાફમાં ધરખમ વધારો કરાયો છે. દર વર્ષના 1500 પોલીસ જવાનોના બદલે આ વર્ષે 2900 થી 3000 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. ટ્રાફિક નિયંત્રણ માટે 25 અલગ-અલગ પાર્કિંગ સ્થળો નક્કી કરાયા છે, જ્યાં 18,000 વાહનો પાર્ક થઈ શકશે. ભરડાવાવથી જ વાહનો માટે પ્રવેશબંધી રહેશે, જેથી યાત્રાળુઓ ચાલીને મેળાનો આનંદ માણી શકે. ઉતારા મંડળ અને અન્નક્ષેત્રોને જરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી અને ગેસના બોટલ લાવવા માટે રાત્રીનો સમય ફાળવવામાં આવ્યો છે જેથી દિવસ દરમિયાન ભીડ ન થાય. ​પાર્કિંગ સ્થળોની સંખ્યા અને કુલ ક્ષમતા જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 24 જેટલા પાર્કિંગ સ્થળો ફાળવવામાં આવ્યા છે. આ તમામ પાર્કિંગ પ્લોટની કુલ ક્ષમતા 17,290 વાહનોની છે, જેથી મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય.મેળામાં સૌથી વધુ સંખ્યામાં આવતા ટુ-વ્હિલર માટે કુલ 8 પાર્કિંગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 8,850 બાઈક કે સ્કૂટર પાર્ક કરી શકાશે. તેવી જ રીતે, ફોર-વ્હિલર (કાર) માટે 9 અલગ પાર્કિંગ સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની કુલ ક્ષમતા 6,700 વાહનોની રાખવામાં આવી છે. ​ઓટો રિક્ષા અને ભારે વાહનો માટેનું આયોજન મુસાફરોની અવરજવર કરતી ઓટો રિક્ષા માટે 2 પાર્કિંગ સ્થળો ફાળવાયા છે, જેમાં 300 રિક્ષા રહી શકશે. આ ઉપરાંત, બસ જેવા ભારે વાહનો માટે 5 પાર્કિંગ સ્થળો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જ્યાં કુલ 1,440 ભારે વાહનો પાર્ક કરવાની ક્ષમતા ઉપલબ્ધ છે. ​નવી પહેલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આ વર્ષે 11 તારીખની સાંજે (નોમના દિવસે) સાધુ-સંતોના 'નગર પ્રવેશ'નો એક નવો અને વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં નગરજનો સાધુ-સંતોનું ભવ્ય સ્વાગત કરશે, આરતી ઉતારશે અને આશીર્વાદ મેળવશે. ત્યારબાદ ભવનાથ મંદિરમાં આરતી અને ધર્મસભા યોજાશે. મનોરંજન માટે જિલ્લા પંચાયત સામેના પાર્કિંગ ગ્રાઉન્ડમાં વિશાળ મંડપમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં 5 થી 6 હજાર લોકો એકસાથે બેસી શકશે. આરોગ્ય અને અન્ય સુવિધાઓ: મેળા દરમિયાન સ્વચ્છતા માટે 3 ગણી વધુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પ્લાસ્ટિક મુક્ત મેળા માટે વિશેષ સમિતિ નિયમિત ચેકિંગ કરશે. આરોગ્ય સુવિધા માટે 250 થી વધુ કર્મચારીઓ, ICU વ્યવસ્થા અને 108 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. પરિવહન માટે 300 ST બસો અને 70 મિની બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત, વૃદ્ધો અને બાળકો માટે ઈ-રિક્ષાની પણ વિશેષ સુવિધા કરવામાં આવી છે. સમગ્ર વહીવટી તંત્ર મેળાને સફળ અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાજનક બનાવવા માટે કટિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:33 pm

ચોટીલામાં દેહવ્યાપાર ચલાવતી બે હોટલોને નોટિસ:નાયબ કલેક્ટરે હોટલો સીલ કરવા ક્લોઝર નોટિસ ફટકારી, કાર્યવાહી શરૂ

ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાને ચોટીલા યાત્રાધામની આસપાસની હોટલોમાં દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાની વિશ્વસનીય માહિતી મળી હતી. આ પ્રવૃત્તિ યાત્રિકો અને નાગરિકોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચાડી રહી હતી. આ માહિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેની ખરાઈ કરવા માટે અધિકૃત ટીમ અને ગ્રાહકોને વિવિધ હોટલોમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, બે હોટલોમાં દેહવ્યાપાર જેવી ગંભીર, ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલતી હોવાનું માલુમ પડ્યું હતું. આ પ્રવૃત્તિ હેઠળ એક વ્યક્તિ દીઠ રૂ. 1000 વસૂલ કરવામાં આવતા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોટલો અને તેમના માલિકોના નામ જોઈઓ તો સીટી પેલેસ હોટલ, ચોટીલા, જેના માલિક દેવાભાઈ ભીખાભાઈ આલ (રબારી) છે. બાલાજી હોટલ, ચોટીલા, જેના માલિક ગભરુભાઈ ભોજભાઈ કાઠી દરબાર છે. ખાનગી રાહે મોકલેલી અધિકૃત ટીમ અને ગ્રાહકો દ્વારા કરાયેલી અચાનક તપાસમાં આ બંને હોટલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. તેથી, Immoral Traffic (Prevention) Act, 1956 (અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ 1956) ની કલમ 18 (1) હેઠળ મળેલી સત્તાની રૂએ બંને હોટલના માલિકોને દેહવ્યાપારની પ્રવૃતિઓ બંધ કરવા અને હોટલો સીલ કરવા માટે ક્લોઝર નોટિસ ફટકારીને નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો ચોટીલા ડિવિઝનમાં આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ હોય અથવા તેમના ધ્યાનમાં આવે, તો તેઓ ખાનગી રાહે માહિતી આપી શકે છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:31 pm

હોસ્પિટલના ત્રીજા માળે ચા બનાવતા'તા ને સિલિન્ડરમાં આગ ભભૂકી:ગેસ લીકેજે સ્ટાફનો જીવ અધ્ધર ચડાવ્યો, ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી 15 યુવતીઓને બચાવી

વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગની ઘટનામાં એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. જેમાં એક રૂમમાં રહેતી 15 યુવતીનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ થયો હતો. ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગીશહેરના રેસકોર્સ પાસે આવેલા પરેશ ગોસ્વામી વાણિજ્ય ભવન પાસે આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 15 યુવતીઓ રૂમમાં હાજર હતી, તે દરમિયાન ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ વિકરાળ બને તે પહેલા જ વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી પહેલા અંદર રહેલ યુવતીઓને રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. આ આગના કારણે દોડધામ મચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની સમય સૂચકતાને લઈ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રૂમમાં ધુમાડા છવાઈ ગયા હતાવડીવાડી ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યારે રૂમમાં ધુમાડા છવાઈ ગયા હતા અને ગેસ લીકેજ ચાલુ હતો. જેથી, આ સિલિન્ડર ટેરેસ પર મૂકી દેવામાં આવ્યો હતો. આ સાથે યુવતીઓની હિંમતને કારણે તેમનો બચાવ થયો હતો. આ મામલે તાત્કાલિક ફાયર વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:30 pm

ભાજપ લઘુ.મોરચાના મહામંત્રી સહિત 4 સામે લૂંટ-અપહરણનો ગુનો:પૈસાની લેતીદેતી મામલે ઓફિસમાં વકીલનું માથું દીવાલમાં પછાડ્યું; ધમકી આપી ₹10,000 લૂંટ્યા; નવનિયુક્ત મંત્રીના કહેવાથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ

જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેર ભાજપ લઘુમતી મોરચાના નવનિયુક્ત મહામંત્રી સહિત ચાર શખ્સોએ એક એડવોકેટની ઓફિસમાં ઘૂસી, હુમલો કરી, અપહરણ અને લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાતા વકીલ આલમ અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે. શું છે સમગ્ર ઘટના?હવાઈ ચોક વિસ્તારમાં ઓફિસ ધરાવતા એડવોકેટ પંકજભાઈ અરવિંદભાઈ લહેરુએ જામનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત 28મી તારીખે બપોરે 3 વાગ્યાના અરસામાં મુન્નાભાઈ આંબલીયા અને ગટુભાઈ આશિફભાઈ નામના બે શખસ તેમની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. જૂની પૈસાની લેતીદેતીના મામલે ઉગ્ર બોલાચાલી કરી આરોપીઓએ વકીલનું માથું દીવાલમાં પછાડી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અપહરણ અને લૂંટનો આરોપહુમલો કર્યા બાદ આરોપીઓ વકીલ પંકજભાઈનું અપહરણ કરી લાલ બંગલા સર્કલ પાસે લઈ ગયા હતા. ત્યાં ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી હારુન સુલેમાનભાઈ આંબલીયા (ઉર્ફે હલુ પટેલ)ના કહેવાથી સમીર રફિકભાઈ નામના શખસે વકીલ સાથે ફરી મારકૂટ કરી હતી. આ દરમિયાન વકીલના ખિસ્સામાં રહેલા ₹10,000ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. રાજકીય કનેક્શન અને કારણનોંધનીય છે કે, મુખ્ય આરોપી હારુન આંબલીયાની તાજેતરમાં જ શહેર ભાજપ દ્વારા લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે: સિટી એ-ડિવિઝન પી.આઈ. એન.એ. ચાવડા અને તેમની ટીમે એડવોકેટની ફરિયાદના આધારે નીચે મુજબના આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે: પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 309-9 (લૂંટ), 115-2, 351-3, 352, 54 અને જીપી એક્ટની કલમ 135-1 મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:30 pm

પાટણમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી:42 વર્ષથી ચાંદીના રથમાં નીકળી શોભાયાત્રા, સરકારી રજાની માંગ

સમગ્ર ભારતમાં ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ શહેરમાં પંચાલ પરિવાર દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું હતું. પાટણના મનુપંચાલ ભુવનમાંથી છેલ્લા 42 વર્ષથી ચાંદીના રથમાં ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રા સમગ્ર ગુજરાતમાં એકમાત્ર એવી હોવાનું મનાય છે. આ શોભાયાત્રામાં સમગ્ર વિશ્વકર્મા સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પવિત્ર દિવસે હવન-પૂજન કરીને સમગ્ર વિશ્વકર્મા પરિવારે ઉત્સવ ઉજવ્યો હતો. આ સાથે, સમગ્ર વિશ્વકર્મા પરિવારે ભારત સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ માંગણી કરી છે. તેમણે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિને સરકારી રજાનો દરજ્જો આપવા વિનંતી કરી છે. છેલ્લા ઘણા સમયથી આ માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી તે સ્વીકારવામાં આવી નથી. સમગ્ર ભારતમાં કરોડોની સંખ્યામાં વસતા વિશ્વકર્મા પરિવારની ભાવના છે કે સરકારે તેમની આ માંગણી પર વિચાર કરીને આ દિવસે સરકારી રજા જાહેર કરવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:28 pm

પત્નીને જીવતી સળગાવાના કેસમાં પતિને આજીવન કેદ:વાપી કોર્ટે ઉમરગામ કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા સંભળાવી

વાપી કોર્ટે ઉમરગામમાં પત્નીને જીવતી સળગાવનાર પતિને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. વાપીની થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પુષ્પા સૈનીએ આરોપી જિગ્નેશ રાજપૂતને આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં ડાઇંગ ડિક્લેરેશન અને FSL રિપોર્ટ મહત્ત્વના પુરાવા સાબિત થયા હતા. આ ઘટના 2021માં બની હતી, જ્યારે આરોપી જિગ્નેશ રાજપૂતે તેની પત્ની કામિનીબેન પર પેટ્રોલ છાંટી સળગાવી દીધા હતા. ગંભીર રીતે દાઝી ગયેલી કામિનીબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ દંપતીએ 12 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા અને તેમને બે દીકરીઓ પણ હતી. જોકે, લગ્નજીવન દરમિયાન જિગ્નેશ તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો અને અવારનવાર પૈસાની માંગણી કરતો હતો. પતિના ત્રાસથી કંટાળીને કામિનીબેન પિયર જતી રહી હતી. તેમ છતાં, જિગ્નેશ વારંવાર તેને સાસરે પાછા આવવા માટે દબાણ કરતો હતો. આ અદાવતમાં, 2021માં જ્યારે કામિનીબેન નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે જિગ્નેશે તેમના પર પેટ્રોલ છાંટી માથાથી છાતી સુધીના ભાગે સળગાવી દીધા હતા. વાપીની હોસ્પિટલમાં અઢી મહિનાની લાંબી સારવાર બાદ કામિનીબેનનું નિધન થયું હતું. ન્યાયાધીશ પુષ્પા સૈનીની કોર્ટે આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ અને ₹5000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત, આરોપીને કલમ 498-A (ઘરેલુ હિંસા) હેઠળ 3 વર્ષની સખત કેદ અને ₹2000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ 4 માસની સાદી કેદની જોગવાઈ છે. સરકારી વકીલ રાકેશ ચાપાનેરીયાના જણાવ્યા મુજબ, ઉમરગામ પોલીસ દ્વારા નોંધાયેલ મૃતકનું ડાઇંગ ડિક્લેરેશન (મૃત્યુ પૂર્વેનું નિવેદન) આ કેસમાં સૌથી મોટો પુરાવો બન્યો હતો. ઘટના સમયે હાજર રહેલા નજરે જોનારા સાક્ષીઓ, FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) નો રિપોર્ટ અને તબીબી પુરાવાઓ પણ આરોપીને સજા અપાવવામાં નિર્ણાયક સાબિત થયા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:14 pm

ઇડરના વડીયાવીરમાં અંબાજી માતાનો 14મો પાટોત્સવ ઉજવાયો:સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સનાતન ધર્મસભાનું આયોજન

સાબરકાંઠાના ઇડર તાલુકાના વડીયાવીર બિલેશ્વર ધામમાં અંબાજી માતાજીનો ૧૪મો પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સનાતન ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવની ઉજવણી અંતર્ગત ગામમાં સંતો-મહંતો અને ધર્મપ્રેમી જનતા સાથે વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગ્રામજનોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. વડીયાવીર મંદિરના મહંત શાંતિગીરી મહારાજની વિનંતીથી અનેક સંતો-મહંતો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જનસેવા પ્રતિષ્ઠાન દ્વારા મહંત બુદ્ધિગીરીજી અને શીતલગીરીજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત સનાતન ધર્મસભાનું પણ આયોજન થયું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય ધર્માચાર્ય અશોક તિવારીજી, હિંમતનગરના નલિનભાઈ પટેલ, પ્રદીપભાઈ ખરાદી, પ્રકાશભાઈ પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ સહિત વડીયાવીરના ગ્રામજનો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. સંતો-મહંતોએ ધર્મસભામાં હિન્દુ સમાજની વર્તમાન સમસ્યાઓ, સંસ્કાર, એકતા અને સમાજ સુધારા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ સમાજોને સંતોના માર્ગદર્શન હેઠળ આ સમસ્યાઓના નિવારણ માટે ચિંતન કરવા આહ્વાન કર્યું હતું. આ વિરાટ મહાસંમેલનને કારણે સમગ્ર વડીયાવીર ગામમાં ધાર્મિક વાતાવરણ છવાયું હતું.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:12 pm

રેસિડેન્સીયલ સ્કૂલોમાં એડમિશન માટે CET પરીક્ષા યોજાઈ:26 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અપાશે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટેની કોમન એન્ટરન્સ ટેસ્ટ યોજવામાં આવી હતી. તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના મેળવવા માટે પણ સરકારી શાળા, સ્કૂલ બોર્ડની શાળા અને જિલ્લા પંચાયતની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કુલ 125 સેન્ટર પર 26 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓનું ફુલ આપી એન્ટ્રી આપવામાં આવી હતી. સ્કોલરશીપ યોજના માટે CET ની પરીક્ષા યોજાઈવર્ષ 2023- 24થી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે CET ની પરીક્ષા લેવામાં આવતી હોય છે. જેમાં મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે. આ વર્ષે CET પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપવામાં આવી છે. ધોરણ 5ના વિદ્યાર્થીઓ પહેલી વખત કોઈ સરકારી યોજના પરીક્ષા આપતા હોવાથી તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અને સ્કોલરશીપ મળશે તેમજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે તેમણે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ ફુલ આપીને સેન્ટર પર પ્રવેશ આપ્યો હતો. બપોરે 1થી 3 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અને સ્કોલરશીપ આપવામાં આવશે. પાસ થનાર વિદ્યાર્થીઓ આ ત્રણે શાળાઓમાં એડમિશન મેળવી શકશેઅમદાવાદ શહેર DEOએ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રસ ટેસ્ટ યોજાઇ રહી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની કહી શકાય તેવી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપનો લાભ લઇ શકે અને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ અને રક્ષા શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ આ ત્રણેય શાળાઓમાં પ્રવેશ મેળવી શકે તે માટેની પરીક્ષા યોજાઈ રહી છે. પાસ થનાર વિદ્યાર્થીઓ આ ત્રણે શાળાઓમાં પોતાની પસંદગીની શાળામાં પ્રવેશ મેળવવા માટે લાયક બનશે. એ સિવાયના જે વિદ્યાર્થીઓ છે તે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના લાયક બનશે. મોટેભાગે સરકારી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. 'સરકારી શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભા પણ બહાર આવશે'વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારી શાળા, સ્કૂલ બોર્ડમાં ભણતા ધોરણ 5 ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ લેવા માટે પરીક્ષા આપતા હોય છે. વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ અપાવો અને રેસીડેન્સીયલ સ્કૂલનો લાભ અપાવવો તે માટે ઉત્સાહ જોવા મળ્યું છે. તેમજ વિદ્યાર્થીઓની સ્વાગત પણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષા દ્વારા આગામી સમયમાં વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થવાનો છે. આ પરીક્ષાના કારણે સરકારી શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભા પણ બહાર આવશે. અમદાવાદમાં 125 સેન્ટર પર 25 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા વધુમાં રોહિત ચૌધરી જણાવે છે કે, અમદાવાદમાં કુલ 125 સેન્ટર પર પરીક્ષા લેવાઈ રહી છે જેમાં 25 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે રાજ્યભરમાં 7 લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સરકારની શાળાઓમાં 6થી 12 સુધી ઉત્તમ સગવડો આપીને શિક્ષણ મળી રહી તે માટે શાળાઓને મંજૂરી આપવામાં આવતી હોય છે. જો વિદ્યાર્થી તે શાળામાં પ્રવેશ નથી મેળવી શકતા તો તેમને મેરીટના આધારે સ્કોલરશીપ પણ આપવામાં આવતી હોય છે. સરકારી કે ખાનગી શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરે તો પણ તેને સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. ધોરણ 12 સુધી વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવા આ સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:08 pm

સંયુક્ત માલિકીની જમીન ભાડે આપી કાકાએ જ ઠગાઈ આચરી:માલિકોની મંજૂરી વગર મહિના દીઠ 75 હજારમાં જમીન ભાડે ચઢાવી'તી, ભત્રીજાએ ફરિયાદ નોંધાવી

જોધપુર અને સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સંયુક્ત માલિકીની જમીન મામલે પરિવારજનો વચ્ચે વિવાદ ઊભો થયો છે. 52 વર્ષીય નંદલાલ પટેલે આરોપ મૂક્યો છે કે તેમની જાણ બહાર અને મંજૂરી વગર કાકા નટવર પટેલ અને મનહર પટેલે સંયુક્ત મિલકત ભાડે આપી આર્થિક લાભ લીધો છે. ડિસેમ્બર 2024થી જમીન ભાડે આપી ત્યાં ઓફિસ બાંધકામ કરાયું હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા સંયુક્ત વારસદારોની સહમતિ વિના ભાડા કરાર કરાયો હોવાનું સામે આવ્યું હતું. નંદલાલ પટેલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કાકા નટવર પટેલ અને મનહર પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સંયુક્ત માલિકીની મિલકતને કાકાએ ભાડે ચડાવી દીધી52 વર્ષીય નંદલાલ પટેલના પરિવારની વણ વહેંચાયેલી સંયુક્ત માલિકીની મિલકત અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી છે. આ મિલકતમાં કુલ 11,200 ચોરસ મીટર જમીન છે, જેમાં નંદલાલ પટેલ, તેમની પત્ની મમતાબેન તેમજ પરિવારના અન્ય સભ્યોના સંયુક્ત નામ ખાતેદાર તરીકે નોંધાયેલા છે. તેમજ સેટેલાઈટ વિસ્તારમાં કાદંબરી સોસાયટીની સામે આવેલી 2529 ચોરસ મીટરની બીજી મિલકત પણ સંયુક્ત માલિકીની છે. જમીનની સંયુક્ત વારસદારોએ બાંધકામ કરવાની એકબીજાની સહમતિ ન હોવાથી મંજૂર મળેલ નહીં. ભત્રીજાની જાણ અને મંજૂરી વગર કાકાએ ભાડા કરાર કર્યાપરંતુ તે જ મિલકત નંદલાલ પટેલના કાકા નટવરભાઈ પટેલે અને મનહર પટેલે આર્થિક લાભ માટે જાણ અને મંજૂરી વગર ભાડા કરાર કરી જમીન ભાડેથી આપી દીધી હતી. 15 નંદલાલ પટેલને 15 મેના રોજ જાણ થઈ હતી કે સંયુક્ત માલિકીની જમીન પર “Trinay Buildspace LLP” નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને ત્યાં બાંધકામની ઓફિસ કાર્યરત છે. જમીન ભાડા કરાર પર આપી દીધી હતીઆ બાબતે તપાસ કરવા તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે ઓફિસની અંદર જયંતીભાઈ પટેલ હાજર જોવા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડિસેમ્બર 2024થી નટવરભાઈ પટેલ અને મનહર પટેલે આ જમીન ભાડા કરાર પર આપી દીધી હતી. નટવરભાઈ પટેલ અને મનહર પટેલે સંયુક્ત માલિકીની જમીન ડિસેમ્બર 2024થી ભાડા કરાર કરી આપી દીધી હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું હતું. મહિના દીઠ 75 હજાર રૂપિયા નક્કી ર્ક્યાવધુ પૂછપરછ કરતા ભાડા કરાર કરી મહિના દીઠ 75 હજાર રૂપિયા નક્કી ર્ક્યા બાદ જમીન પર પાકું બાંધકામ કરી ઓફિસ બનાવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ફરીયાદીએ જમીનના માલિક હોવાની ઓળખ આપી અને રજીસ્ટરમાં નામ હોવાનું જણાવી ગેરકાયદેસર બાંધકામ ખાલી કરવા કહ્યું હતું. જે દરમિયાન ફરિયાદીને જાણવા મળ્યું હતું કે નરવર પટેલ અને મનહર પટેલે કાયદેસર રીતે ભાડા કરાર કરી જમીન ભાડે આપી હતી. ભત્રીજાએ કાકા સામે ફરિયાદ નોંધાવીનટવર પટેલ અને મનહર પટેલે આર્થિક લાભ માટે જમીન માલિક ની મંજૂરી વગર મિલકત અલગ અલગ માણસોને જુદી જુદી રકમથી ભાડે આપી છેતરપિંડી આચરી છે. આર્થિક નુકસાન થયું હોવાથી ફરિયાદીએ તેના કાકા નટવર પટેલ અને મનહર પટેલ સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:01 pm

મહેફિલમાં પોલીસનો ભંગ:વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બિલ્ડિંગના છત પર ચાલતી દારૂની પાર્ટી પર પોલીસની રેડ, 8 નબીરા ઝડપાયા

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી બિલ્ડીંગના છત પર ચાલી રહેલી દારૂની પાર્ટી પર અકોટા પોલીસે રેડ કરી હતી. પોલીસને જોઈને નબીરાઓનો દારૂનો નશો પણ ઉતરી ગયો હતો. પોલીસે સ્થળ પરથી 8 નબીરાઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હારી. પોલીસે દારૂની બોટલ અને ચાખનાનો સામાન પણ કબ્જે કર્યો છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં અકોટા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં ફરી હતી. તે દરમ્યાન કંટ્રોલ રૂમ ખાતે 11.51 વાગે વર્ધી મળી હતી કે અલકાપુરી વિશ્વાસ કોલોની ખાતે આવેલ ગોલ્ડ ક્રાફટ કોમ્પલેક્ષના ધાબા પર આઠ શખ્સો ભેગા થયા છે અને તમામ ભેગા મળી દારૂ પાર્ટી કરી રહ્યા છે. જેના આધારે અકોટા પોલીસની ટીમને બાતમી મળી હતી કે જયરામભાઈએ ગોલ્ડ ક્રાફટ બીલ્ડીંગના ધાબા પર રેડ કરી હતી. ત્યારે છત પર આઠ શખ્સો ગોળ કુંડાળુ વળી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસને જોઈને તેમનો નશો પણ ઉતરી ગયો હતો. જેથી પોલીસે સ્થળ પરથી 8 નબીરાની ધરપકડ કરી તેમની પાસેથી દારૂની બોટલ, ચાખનાનો સામાન તેમજ દારૂ ભરેલા પ્લાસ્ટીકના આઠ ગ્લાસ કબ્જે કર્યા છે. ઝડપાયેલા નબીરાના નામ સરનામા (1) ભાવીક પ્રીતેશભાઈ ઉપાધ્યાય (રહે. ઈલોરા પાર્ક સોસાયટી દીવાળીપુરા વડોદરા વડોદરા શહેર) (2) મનોજ વાસુદેવ સાધુ (રહે. પરશોતમનગર ફ્લેટ રાણીપ અમદાવાદ, અમદાવાદ શહેર) (3) હરી વસંતભાઈ બારોટ ( રહે. હરીઓમનગર સોસાયટી ભાયલી રોડ વડોદરા શહેર, વડોદરા શહેર) (4) યામીન સલીમભાઈ શેખ (રહે. અલસફા તાંદળજા વડોદરા શહેર, વડોદરા શહેર) (5) અર્પીત રાજેશભાઈ ચીત્રે (રહે. શરદનગર સાંઈબાબા મંદીર પાસે તરસાલી વડોદરા ) (6) અભિલાપ ઓમનારાયણ દિવેદી ( રહે. અક્ષર રેસિડેન્સી વડસર વડોદરા શહેર ) (7) આસીશ વિજયભાઈ ભોસલે ( રહે. ઝંડા ચોક કિશનવાડી આજવા રોડ વડોદસ શહેર) (8) ચિરાગ સુજાનર્સિંગ રાઠવા ( રહે.અક્ષરયુગ સોસાયટી ખંટબા ગામ વાઘોડીયા જી.વડોદરા )

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:54 pm

વડોદરા (નિઝામપુરા)થી થરાદ માટે બસ સેવાની શરૂઆત:સ્થાનિક લોકોએ ચૂંટણી પહેલાંનો સ્ટન્ટ ગણાવીને વિરોધ કર્યો, ધારાસભ્ય કેયૂર રોકડિયા અને સ્થાનિક કોર્પોરેટરને ઘેર્યા

વડોદરા શહેરના નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાતના થરાદ માટે નવી બસ સેવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. આ બસને ધારાસભ્ય કેયુર રોકડિયાએ લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી. જોકે, આ એક બસની શરૂઆતને સ્થાનિક લોકોએ આગામી ચૂંટણી પહેલાંનો માત્ર એક 'સ્ટન્ટ' ગણાવીને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. બસો બંધ કરીને સેન્ટ્રલ બસ ડેપો તરફ ખસેડી દેવામાં આવતા વિરોધસ્થાનિકોના જણાવ્યા અનુસાર, નિઝામપુરા વિસ્તારમાં ઉત્તર ગુજરાતના આશરે 1.25 લાખ જેટલા લોકો રહે છે, જેમને થરાદ, ઉત્તર ગુજરાતના વિવિધ શહેરો સાથે સીધી બસ સેવાની ખૂબ જરૂર છે. કોવિડ પહેલાં આ વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર તરફ 40થી વધુ બસો દોડતી હતી, જેને પાછળથી બંધ કરીને સેન્ટ્રલ બસ ડેપો તરફ ખસેડી દેવામાં આવી હતી. ઓછામાં ઓછી 40 બસોની સેવા તાત્કાલિક ફરી શરૂ કરવા માગસ્થાનિક નાગરિકોએ આ એક બસની શરૂઆતને અપૂરતી ગણાવી છે અને માંગ કરી છે કે પહેલાની જેમ ઓછામાં ઓછી 40 બસોની સેવા તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે. જો આ માંગ પૂરી ન કરવામાં આવે તો આવતી ચૂંટણીમાં જવાબ આપવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે. ધારાસભ્ય કેયુર રોકડિયા સામે પણ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, જોકે તેમણે વધુ બસો દોડાવવાની લોકોની માંગ સ્વીકારી આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો. ધારાસભ્ય કેયૂર રોકડિયા અને સ્થાનિક કોર્પોરેટરને ઘેર્યાવોર્ડ નંબર 2ના કાઉન્સિલર ભાણજી પટેલે પણ આ બસ સેવા શરૂ કરાવવા માટે ધારાસભ્યને રજૂઆત કરી હતી. ઉત્તર ગુજરાતના મોટા ભાગના લોકો આ વિસ્તારમાં રહે છે. આ બાબતે મેં છ મહિના અગાઉ રજૂઆત કરી હતી. કોરોના પહેલા જે પ્રમાણે બસોનો રૂટ છે તે પ્રમાણે જતી હતી તે પ્રમાણે રૂટ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. અગાઉ અમે જે અહીંયાથી જતા હતા તે બસો ચાલુ જ છે પરંતુ રૂટ બદલી નાખવામાં આવ્યો છે જે ફરી શરૂ કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:53 pm

ભરૂચ નગર સેવા સદનમાં 33 વિકાસકામ મંજૂર:કોંગ્રેસે સફાઈ, ગટર યોજના મુદ્દે વિરોધ નોંધાવ્યો

ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં કુલ 33 વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, બેઠક દરમિયાન વિપક્ષ કોંગ્રેસે શહેરની સફાઈ વ્યવસ્થા અને ભૂગર્ભ ગટર યોજનાને લઈને તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. એજન્ડા પરના 28 કામો ઉપરાંત પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા 5 કામો મળીને કુલ 33 વિકાસકામોને સર્વસંમતિથી મંજૂરી અપાઈ હતી. બેઠક દરમિયાન વિપક્ષ કોંગ્રેસે શહેરમાં વધતી ગંદકી અને સફાઈ વ્યવસ્થાની ખામીઓ અંગે સત્તાધીશો પર પ્રહારો કર્યા હતા. વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન સેવા સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં શહેરમાં વાસ્તવિક સફાઈનો અભાવ છે અને ભરૂચ રાજ્યકક્ષાના સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ ગયું છે. આ જ સમયે, કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ ભૂગર્ભ ગટર યોજનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ યોજનાને દસ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં નગરપાલિકા દ્વારા જનતાને આપેલા વાયદાઓ હજુ સુધી પૂર્ણ થયા નથી, જેના કારણે નાગરિકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વિપક્ષના આ આરોપોના જવાબમાં નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે ભરૂચ શહેરનો સર્વાંગી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે શહેરમાં ચાલતા વિકાસકાર્યો જોઈને કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે અને તેથી સામાન્ય સભામાં બિનજરૂરી હોબાળો મચાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:49 pm

સુરતની હવે દિલ્હી બનવા તરફ આગેકૂચ, AQI 350ને પાર:બપોરે 12 વાગ્યા સુધી વિઝિબિલિટી ડાઉન, ધુમ્મસની ચાદરમાં લપેટાયું ડાયમંડ સિટી

સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પરિવર્તન જોવા મળ્યું છે. સવાર થી બપોરે 12 વાગવા છતાં હવામાં ઝેરી ધુમ્મસ (Smog) છવાયેલું રહ્યું હતું, જેના કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને તાપી નદીના તટ અને શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકોને ધોળે દિવસે હેડલાઇટ ચાલુ રાખવાની નોબત આવી હતી. સામાન્ય રીતે ચોખ્ખી દેખાતી સૂર્યપુત્રી તાપીનો પટ આજે પ્રદૂષણની સફેદ ચાદર નીચે ઢંકાયેલો જોવા મળ્યો હતો, જે શહેરની બગડતી હવાની ગુણવત્તાનો પુરાવો છે. AQI 350ને પાર: સુરત હવે દિલ્હી બનવા તરફ અગ્રેસર?સુરત શહેરની હવાની શુદ્ધતા માપતો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) આજે ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો છે. સામાન્ય દિવસોમાં જે આંકડો 93ની આસપાસ રહેતો હોય છે, તે આજે ઉછળીને 350ને પાર કરી ગયો હતો અને અમુક વિસ્તારોમાં તો 360ની નજીક પહોંચી રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે સુરતની હવા હવે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં આવી ગઈ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે પ્રદૂષણના મામલે સુરત હવે દેશની રાજધાની દિલ્હીને ટક્કર આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જે સુરતીઓ માટે મોટી ખતરાની ઘંટડી છે. ઔદ્યોગિક એકમોના ઝેરી ધુમાડાનો કહેરસુરતમાં પ્રદૂષણના આ આકસ્મિક વધારા પાછળ શહેરની આસપાસ આવેલા અનેક ઔદ્યોગિક એકમોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. જીઆઈડીસી વિસ્તારોમાંથી છોડવામાં આવતો કેમિકલયુક્ત ઝેરી ધુમાડો અને પવનની ગતિ ઓછી હોવાને કારણે પ્રદૂષણના કણો હવામાં જ જમા થઈ રહ્યા છે. પ્રતિદિન વધી રહેલા આ પ્રદૂષણ પાછળ તંત્રની નબળી કામગીરી અને ઉદ્યોગો દ્વારા પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન મુખ્ય કારણ હોવાનું મનાય છે. આ ઝેરી હવા સીધી રીતે લોકોના શ્વાસમાં જઈ રહી છે, જે લાંબે ગાળે ફેફસાની ગંભીર બીમારીઓ નોતરી શકે છે. લોકોના સ્વાસ્થ્ય સામે ઊભા થયેલા જોખમોવાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા સુરતના નાગરિકો હવે પોતાના પરિવારના સ્વાસ્થ્યને લઈને ભારે ચિંતાતુર બન્યા છે. શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ગળામાં ઇન્ફેક્શન જેવી ફરિયાદોમાં વધારો થયો છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ પ્રદૂષિત હવા અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જો આગામી દિવસોમાં પ્રદૂષણના સ્ત્રોત પર નિયંત્રણ મેળવવામાં નહીં આવે, તો સુરતની 'સ્માર્ટ સિટી'ની ઓળખ જોખમાશે અને શહેર 'પ્રદૂષિત નગરી' તરીકે ઓળખવા લાગશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:47 pm

CBI કોર્ટે 3 આરોપીઓને 3 વર્ષની સજા ફટકારી:એક્સાઈઝ ડ્યુટીના રિબેટમાં રૂ. 1.18 કરોડની છેતરપિંડી મામલે વર્ષ 2009માં ગુનો નોંધાયો હતો

અમદાવાદની સીબીઆઈ કોર્ટે એક્સાઈઝ ડ્યૂટીના રિબેટમાં છેતરપિંડી કરીને લાભ મેળવવાના કેસમાં ત્રણ ખાનગી વ્યક્તિઓને દોષિત ઠેરવીને ત્રણ વર્ષની કેદ તથા દરેકને 50 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. દોષિત ઠેરવાયેલા આરોપીઓમાં સમીર ફતેહ મહમ્મદ ઇમામુદ્દીન, તેજસ અરવિંદ દેસાઈ અને અમિત મુરારીલાલ ગુપ્તાનો સમાવેશ થાય છે. વર્ષ 2009માં CBIએ કેસ નોંધ્યો હતોCBI એ આ કેસ ફેબ્રુઆરી, 2009 માં રોજ મેસર્સ સાઈ ઈમ્પેક્સ, રફાળિયા ઘનશ્યામ ગોરધનભાઈ, તેજસ દેસાઈ, સુરત તથા અન્ય અજ્ઞાત વ્યક્તિઓ સામે નોંધ્યો હતો. તેઓની સામે આરોપ હતો કે, આરોપીઓએ પરસ્પર ગુનાહિત સાંઠગાંઠ રચી મેસર્સ સાઈ ઈમ્પેક્સના નામે નકલી દસ્તાવેજોને વાસ્તવિક નિકાસ દસ્તાવેજ તરીકે રજૂ કરીને 51 રિબેટ ક્લેમ અરજીઓ મારફતે કુલ 1.18 કરોડની રિબેટ છેતરપિંડીથી મેળવી હતી. જેના કારણે સેન્ટ્રલ એક્સાઈઝ સુરતને નુકસાન થયું હતું. આરોપીઓને 3 વર્ષની સજા અને 50 હજારનો દંડતપાસ પૂર્ણ થયા બાદ CBI એ 30 નવેમ્બર, 2009ના રોજ સમીર ફતેહ મહમ્મદ ઇમામુદ્દીન, ઘનશ્યામ ગોરધન રફાળિયા, તેજસ અરવિંદભાઈ દેસાઈ અને અમિત મુરારીલાલ ગુપ્તા સામે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે ટ્રાયલ બાદ સમીર ફતેહ મહમ્મદ ઇમામુદ્દીન, તેજસ અરવિંદભાઈ દેસાઈ અને અમિત મુરારીલાલ ગુપ્તાને દોષિત ઠેરવીને ઉપરોક્ત સજા ફટકારી છે. આરોપી ઘનશ્યામ ગોરધન રફાળિયાનું ટ્રાયલ દરમિયાન અવસાન થતાં કોર્ટે તેના વિરુદ્ધનો કેસ અબેટેડ જાહેર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:44 pm

નાયબ કલેક્ટરે ચોટીલા, મુળી ગામોની મુલાકાત લીધી:તલાટીના દફતર તપાસ્યા, લોકોના પ્રશ્નો સાંભળી રિપોર્ટ કરવા સૂચના આપી

નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા તાલુકાના સુરૈઇ અને મુળી તાલુકાના વિરપર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તલાટી ક્રમ મંત્રીના દફતરની તપાસણી કરી હતી અને એપેન્ડીક્ષ-એ ફોર્મ ભરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નાયબ કલેક્ટરે ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમણે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને આ પ્રશ્નોની તપાસ કરી અહેવાલ સુપરત કરવા સૂચના આપી હતી. ગામની દફતર તપાસણી દરમિયાન મુખ્યત્વે નીચે મુજબના રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી:1. ગામ નમુના નંબર 1: ખેતીવાડી પત્રક2. ગામ નમુના નંબર 8 (ક): શિક્ષણ ઉપકર 3. ગામ નમુના નંબર 9: રોજમેળ તથા પહોંચનું પત્રક 4. ગામ નમુના નંબર 10: ચલણ5. ગામ નમુના નંબર 14: જન્મ – મરણ રજીસ્ટર 6. ગામ નમુના નંબર 14 (ડ): ઢોરોનું રજીસ્ટર7. ગામ નમુના નંબર 17: આવક – જાવક રજીસ્ટર8. ગામ નમુના નંબર 18: સરક્યુલર ફાઇલઆ તપાસમાં ગામની જમીન, વસ્તી, ઢોર, પિયતના પાણીના સાધનો અને સમયાંતરે થતા રોગચાળા અંગેની માહિતી રાખવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. તલાટી ક્રમ મંત્રી નિયમિતપણે ગામની મુલાકાત લે છે, ડાયરી લખે છે અને પંચાયતની તમામ મિલકતની દેખરેખ રાખે છે કે કેમ તે મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:38 pm

સાઉદી અરબની 'ડબલ ગેમ': ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?

Saudi arab and Iran News : મિડલ ઈસ્ટના રાજકારણમાં અત્યારે 'બે મોઢાની રમત' રમાઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એક તરફ સાઉદી અરબ ઈરાન સાથે મિત્રતા અને શાંતિની વાતો કરી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકામાં જઈને કંઈક અલગ જ રાગ આલાપી રહ્યું છે. સાઉદીના આ 'ડબલ ગેમ'થી તેહરાન અને રિયાધ વચ્ચેના સંબંધોમાં ફરી શંકાના વાદળો છવાયા છે. એક ભાઈ શાંતિદૂત, બીજો યુદ્ધની તરફેણમાં? સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) જાહેર મંચ પરથી સતત ઈરાનની સંપ્રભુતા અને શાંતિની વાતો કરી રહ્યા છે.

ગુજરાત સમાચાર 31 Jan 2026 2:36 pm

ગાંધીનગરના નિવૃત્ત વૃદ્ધને 45 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા:કરોડોના ફ્રોડમાં ફસાવવાની ધમકી આપી 49 લાખની ઠગાઈ આચરી

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામે રહેતા એક નિવૃત્ત વૃદ્ધ ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ દિલ્હી પોલીસના નામે ખોટી ઓળખ આપી વૃદ્ધને દોઢ મહિના સુધી માનસિક ભયમાં રાખ્યા હતા અને તપાસના બહાને કુલ 49 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે. 66 કરોડના ફ્રોડમાં તમારું નામ આવ્યું છે કહીને ડરાવ્યા કલોલના પાનસરના મોરારજી નગરમાં રહેતા અને પુસ્તકાલય ચલાવી નિવૃત્ત જીવન જીવતા 73 વર્ષીય અમરતજી ડાહ્યાભાઈ પ્રજાપતિને ગત 10 ઓક્ટોબર 2025ના રોજ બપોરના સમયે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ટેલિકોમ વિભાગમાંથી બોલતા હોવાનું કહી અભિમન્યુ નામના શખ્સે જણાવ્યું હતું કે, તમારા પર કેસ થયેલ છે અને થોડીવારમાં દિલ્હી પોલીસના અધિકારી નિરજ ઠાકુરનો ફોન આવશે. ત્યારબાદ નિરજ ઠાકુર નામના શખ્સે વીડિયો કોલ મારફતે વૃદ્ધનો સંપર્ક કરી ભય બતાવ્યો હતો કે તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે અને ICICI બેંકમાં 66 કરોડના ફ્રોડમાં તમારું નામ આવ્યું છે. SIPના રોકાણો દોઢ મહિનામાં વિડ્રો કરાવી લીધાઠગોએ વૃદ્ધને માનસિક રીતે તોડી નાખવા માટે 'ડિજિટલ અરેસ્ટ'ની પદ્ધતિ અપનાવી હતી. તેમને સતત કેમેરા સામે રહેવા અને દર કલાકે I am Safe તેવો મેસેજ વોટ્સએપ પર મોકલવા મજબૂર કર્યા હતા. 10 ઓક્ટોબરથી 24 નવેમ્બર 2025 સુધીના લાંબા સમયગાળા દરમિયાન આ ઠગોએ વૃદ્ધના શેર બજાર અને SIPના રોકાણો વિડ્રો કરાવી લીધા હતા. 49 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતાતપાસના બહાને આ રકમ RBIમાં જમા કરાવવી પડશે અને નિર્દોષ જાહેર થશો તો વ્યાજ સાથે પરત મળશે તેવી લાલચ આપી ઠગોએ અલગ-અલગ બેંક ખાતામાં કુલ 49 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. વૃદ્ધને બનાવટી રિસિપ્ટો મોકલી ને ઠગોએ સંપર્ક કાપ્યોઆ સમગ્ર ખેલમાં ઠગોએ વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ખોટા લેટરપેડ પર પેમેન્ટ મળ્યાની બનાવટી રિસિપ્ટો પણ મોકલી આપી હતી. 24 નવેમ્બરના રોજ કેસ બંધ થઈ ગયો હોવાનું કહી ઠગોએ સંપર્ક કાપી નાખ્યો હતો. ગુનો નોંધાયોસાત દિવસ બાદ પણ નાણાં પરત ન આવતા વૃદ્ધને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. અંતે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:25 pm

શ્રીગોવિંદ ગુરુ યુનિ.ને સંશોધક સામેની ફરિયાદ પર નિર્ણય લેવા નિર્દેશ:Phd ગાઇડ સામે લાંચના આક્ષેપ સાથે ડોક્ટરલ વિદ્યાર્થિનીએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો

એક ડોક્ટરલ સંશોધક વિદ્યાર્થિનીએ પોતાના Phd ગાઇડ દ્વારા iPad અને પ્રિન્ટર લાંચ રૂપે માંગવામાં આવ્યા હોવાનો અને આ માગ પૂરી ન થતાં પોતાના સંશોધન કાર્યમાં અડચણો ઉભી કરાઈ હોવાનો આક્ષેપ કરીને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. વિદ્યાર્થિનીએ રજૂઆત કરી હતી કે, તેણે ગાઇડની ગેરકાયદેસર માગ અને અભ્યાસમાં સર્જાયેલી અડચણોની ફરિયાદ યુનિવર્સિટીને કરી હતી, પરંતુ 4 વર્ષથી વધુ સમય સુધી યુનિવર્સિટી સત્તાધીશોએ આ ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી નહોતી. તેના બદલે રિકવરી કાર્યવાહી અને Phd નોંધણી રદ કરવાની નોટિસ આપીને તેને સજા કરવામાં આવી હોવાનું તેણીનું કહેવું છે. આ પરિસ્થિતિને કારણે તેણે પોતાની Phd અભ્યાસ પુનઃસ્થાપિત કરવા અને ગાઇડ બદલવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ કેસ વડોદરા જિલ્લાના ડભોઈ શહેરની એક વિધાર્થીની સાથે સંકળાયેલો છે. તેણે ફેબ્રુઆરી 2020માં શ્રીગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરામાં ‘બાયોડિગ્રેડેબલ અને નોન-બાયોડિગ્રેડેબલ ઘટકો પર તુલનાત્મક અભ્યાસ’ વિષય પર પીએચડી માટે નોંધણી કરાવી હતી. તેણે ડભોઈ સ્થિત શ્રીCNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજના કેમિસ્ટ્રી વિભાગની ફેકલ્ટી સભ્યના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ કર્યું હતું. 31 ડિસેમ્બર, 2021ના રોજ વિદ્યાર્થિનીએ યુનિવર્સિટી સત્તાધીશોને ફરિયાદ કરી હતી કે, તેના Phd ગાઇડે પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની માગ કરી હતી. તે ખરીદી શકતી ન હોવાથી, ગાઈડ 4 લાખની SHODH ફેલોશિપ હેઠળ મળવાપાત્ર વિવિધ ખર્ચના બિલો પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. ગાઈડે ઘણા મહિના સુધી હાજરી અને મૂલ્યાંકન અહેવાલો પર પણ સહી ન કરી હોવાનો આક્ષેપ છે. વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો કે, તેણી અનુસૂચિત જનજાતિની સભ્ય હોવાને કારણે તેને અપમાનિત કરવામાં આવી હતી. એડવોકેટ બ્રિજેશ રાજ મારફતે દાખલ કરાયેલી અરજીમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, યુનિવર્સિટીએ તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી નહોતી અને ગાઇડની માગ પૂરી ન થતાં તેનું ડોક્ટરલ સંશોધન બગડ્યું હતું. તેના બદલે 10 મે, 2023ના રોજ યુનિવર્સિટીએ તેને નોટિસ આપી હતી કે SHODH ફેલોશિપ હેઠળ મળેલી રકમ અથવા પાર્ટ-ટાઇમ લેક્ટરર તરીકે મળેલ વેતન પરત કરે. બીજી નોટિસમાં યુનિવર્સિટીએ તેની Phd નોંધણી કેમ રદ ન કરવી તે અંગે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. નવેમ્બર, 2024માં તેણીએ યુનિવર્સિટીના કુલપતિ અને તેના ગાઇડને કાનૂની નોટિસ પાઠવી હતી. જેમાં જણાવાયું હતું કે, ફરિયાદ ઉઠાવવાના બદલામાં ન્યાય આપવાને બદલે યુનિવર્સિટીએ અરજદારને સજા કરી છે. વિદ્યાર્થિનીએ હાઇકોર્ટને વિનંતી કરી હતી કે, યુનિવર્સિટીને આક્ષેપોની તપાસ શરૂ કરવા અને અરજદારના Phd અભ્યાસ પૂર્ણ કરવા માટે નવા પ્રોફેસર-ગાઇડની નિમણૂક કરવા આદેશ આપવામાં આવે. અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને તેમજ હકીકતને જોતા કે અરજદાર દ્વારા યુનિવર્સિટી સમક્ષ 31 ડિસેમ્બર, 2021ની રજૂઆત પર 5 વર્ષથી વધુ સમય સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, આથી પપક્ષકારોને આદેશ આપવામાં આવે છે કે તેઓ કાયદા મુજબ શક્ય તેટલી વહેલી તકે આ રજૂઆત પર નિર્ણય લઈ યોગ્ય કારણ સાથે આદેશ પસાર કરે અને તે આદેશની સ્પીડ પોસ્ટ દ્વારા અરજદારને જાણ કરે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:20 pm

મોરબીમાં 'સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન' શરૂ:ગાંધીજીની પુણ્યતિથિએ ભેદભાવ સમાપ્ત કરવાની પ્રતિજ્ઞા લેવાઈ

મોરબી જિલ્લામાં 'સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન'નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો પ્રારંભ જિલ્લા ક્ષય કેન્દ્ર/રક્તપિત્ત કેન્દ્ર ખાતે દીપ પ્રાગટ્ય કરીને થયો હતો. 'પ્રતિષ્ઠા સુનિશ્ચિત કરીને ભેદભાવનો અંત' (Ending Discrimination, Ensuring Dignity) થીમ હેઠળ આ કેમ્પેઈન શરૂ કરાયું છે. દર વર્ષે 30મી જાન્યુઆરીને રક્તપિત્ત વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે. ગાંધીજીના નિર્વાણ દિને, 30મી જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી દરમિયાન એન્ટી લેપ્રસી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજીના રક્તપિત્ત મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તપિત્ત રોગ વિશે જાગૃતિ વધારવાનો છે. લોકોને શંકાસ્પદ લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવા અને દર્દીઓ પ્રત્યે ભેદભાવ ન રાખવા અપીલ કરવામાં આવી હતી. સંયુક્ત પ્રયાસોથી ગામને રક્તપિત્ત મુક્ત બનાવવાની જવાબદારી સૌની છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમમાં જોડાવા માટે સમાજના તમામ જાગૃત લોકોને અપીલ પણ કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્ષય/રક્તપિત્ત અધિકારી ડો. ધનસુખ અજાણાના સતત માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. કાર્યક્રમ દરમિયાન, પિયુષભાઈ જોષીએ રક્તપિત્ત રોગ વિશેની માન્યતાઓ અને ગેરમાન્યતાઓ, તેના લક્ષણોને વહેલા કેવી રીતે ઓળખવા અને કાળજી કેવી રીતે રાખવી તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:18 pm

સાવરકુંડલાનો 100 વર્ષ જૂનો 'વજન કાંટા' ઉદ્યોગ મંદીમાં:400 માંથી 50-100 યુનિટ જ કાર્યરત, અસ્તિત્વ ટકાવવા વેપારીઓનો સંઘર્ષ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં 100 વર્ષથી વધુ સમયથી વજન કાંટા બનાવવાનો પરંપરાગત ઉદ્યોગ વિકસ્યો હતો. એક સમયે આ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ગણાતું સાવરકુંડલા આજે મંદીના ભરડામાં છે. 400 જેટલા કારખાનાઓમાંથી હવે માત્ર 50 થી 100 યુનિટ જ કાર્યરત રહ્યા છે. હજારો પરિવારોને રોજગારી મળતી હતીભૂતકાળમાં, સાવરકુંડલામાં આશરે 400 નાના-મોટા કારખાનાઓમાં વજન કાંટા બનાવવાનું કાર્ય થતું હતું. દરેક કારખાનામાં 20 થી 25 કારીગરો કામ કરતા હતા, જેનાથી હજારો પરિવારોને રોજગારી મળતી હતી. સમય જતાં ટેક્નોલોજીમાં આવેલા બદલાવ, બજારમાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક વજન કાંટાનો વધતો પ્રચાર, કોરોના મહામારી અને નોટબંધી જેવા પરિબળોએ આ પરંપરાગત ઉદ્યોગને ભારે ફટકો પહોંચાડ્યો છે. પરંપરાગત મેન્યુઅલ વજન કાંટા બનાવવાનું કામ બંધઆજે પરંપરાગત મેન્યુઅલ વજન કાંટા બનાવવાનું કામ લગભગ બંધ થઈ ગયું છે. તેના સ્થાને ઇલેક્ટ્રિક તથા ડિજિટલ વજન કાંટા બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં પણ પૂરતું કામ ઉપલબ્ધ નથી. અગાઉ જ્યાં 20-25 કારીગરો કામ કરતા હતા, ત્યાં હવે માત્ર 4 થી 5 કારીગરો જ કાર્યરત છે. પરિણામે અનેક કામદારોએ રોજગારી ગુમાવી છે અને તેઓ અન્ય વ્યવસાયો તરફ વળવા મજબૂર બન્યા છે. દેશ-વિદેશમાં સાવરકુંડલાના વજન કાંટા વખણાતાએક સમયે દેશ-વિદેશમાં સાવરકુંડલાના વજન કાંટા વખણાતા હતા, તે ઉદ્યોગ આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે. સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ પરંપરાગત ઉદ્યોગને બચાવવા માટે ખાસ સહાય, ટેક્સમાં રાહત અને નવી ટેક્નોલોજી સાથે તાલમેલ બેસાડવા માટે પ્રોત્સાહન આપવામાં આવે. જેથી આ સદી જૂનો ઉદ્યોગ ફરી જીવંત બની શકે અને સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે. 'બજારમાં વધતી સ્પર્ધા ઉદ્યોગની મંદી માટે જવાબદાર' નાસિરભાઈ ચૌહાણના જણાવ્યા અનુસાર, વધતો ઉત્પાદન ખર્ચ, જીએસટી સહિતના વિવિધ કરનો ભાર અને બજારમાં વધતી સ્પર્ધા પણ ઉદ્યોગની મંદી માટે જવાબદાર છે. સાવરકુંડલાથી સાત કિલોમીટર દૂર સરકાર દ્વારા GIDC મંજૂર કરવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ છે કે મંદીના માહોલમાં સંઘર્ષ કરી રહેલા કાંટા ઉદ્યોગના યુનિટો આ GIDC માં સ્થાનાંતરિત થશે કે કેમ. 'ધંધાને ફરી બેઠા કરવા ટેક્સ માફ કરવો જોઈએ'સાવરકુંડલા વેપારી વિપુલભાઈ ડોડીયાએ જણાવ્યું કે, અમારે બાપ દાદાનો આ ધંધો છે. 100 વર્ષ કરતા વધુ સમય વીત્યો છે. પહેલા મેન્યુલ કાંટાનું કરતા હતા અમે એક સમય દુનિયાભરમા કાંટા અહીંથી જતા હતા. પહેલા ગૃહ ઉદ્યોગ કહેવાતો સમય બદલાતા ઇલેક્ટ્રિક કાટા આવતા હવે બધે બનતા હોય છે. હવે નવો યુગ આવ્યો છે, જેના કારણે કાંટા ઉદ્યોગ મૃતપાય બન્યો છે. પહેલા 400 જેટલા યુનિટ ચાલુ હતા. અત્યારે 100 જેટલા યુનિટ છે રો મટીરીયો મળે નહીં કોરોના મહામારી બહારના ધંધા અટવાય ગયા જેથી હવે ધીરે ધીરે બીજામાં ડ્રાયવટ થવા લાગ્યા છે. આ ધંધાને ફરી બેઠા કરવા હોય તો પહેલા ટેક્સ માફ કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:13 pm

ઝાલોદ તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશનું હાર્ટ એટેકથી નિધન:દુધીયા ગામે ઘર આગળ ગત રાત્રે તાપણું કરતા સમયે અચાનક હાર્ટ એટેક આવતા તબીબોએ મૃત જાહેર કર્યા

ઝાલોદ તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ સલાણીયાનું હાર્ટ એટેકના કારણે અચાનક નિધન થતાં સમગ્ર ઝાલોદ તાલુકા પંચાયત વર્તુળમાં તેમજ દુધિયા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ દુઃખદ ઘટના ગઈ રાત્રે દુધિયા ગામે તેમના નિવાસસ્થાને બની હતી. પ્રાપ્ત વિગતો મુજબ મહેન્દ્રભાઈ રાત્રીના સમયે પોતાના ઘર બહાર તાપણી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમને હાર્ટ એટેક આવતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તરત જ દોડી આવ્યા હતા અને કોઈ વિલંબ કર્યા વિના તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના ડોક્ટરે તપાસ કરીને મહેન્દ્રભાઈને મૃત જાહેર કર્યા હતા. આ અચાનક બનેલી ઘટનાથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને સમગ્ર ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મહેન્દ્રભાઈ સલાણીયા ઝાલોદ તાલુકા પંચાયતમાં નાયબ હિસાબનીશ તરીકે જવાબદાર પદ પર લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હતા. તેઓ પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન, કાર્યકુશળ અને શાંત સ્વભાવના અધિકારી તરીકે ઓળખાતા હતા. તાલુકા પંચાયતના કર્મચારીઓમાં તેઓ સારા સંકલનકાર અને સહાયક સ્વભાવના કર્મચારી તરીકે લોકપ્રિય હતા. તેમની અચાનક વિદાયથી તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મહેન્દ્રભાઈના હાર્ટ એટેકથી થયેલા અચાનક અવસાનના સમાચાર મળતા જ સહકર્મચારીઓ, મિત્રો તેમજ પરિચિતોએ તેમના નિવાસસ્થાને પહોંચીને શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તાલુકા પંચાયત વર્તુળમાં પણ શોકસભા યોજવાની ચર્ચા ચાલી રહી છે. એક જવાબદાર સરકારી કર્મચારી તરીકે મહેન્દ્રભાઈ સલાણીયાએ પોતાની ફરજ દરમિયાન કરેલી સેવાઓ હંમેશા યાદગાર રહેશે. તેમના અવસાનથી થયેલી ખોટ પરિવારજનો માટે તો અપૂરણીય છે જ, પરંતુ તાલુકા પંચાયત માટે પણ મોટી ખોટ તરીકે જોવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:07 pm

સૌરાષ્ટ્ર-કચ્છનાં દર્દીઓને રાહત:રાજકોટ સિવિલમાં પ્રથમ એન્જિયોપ્લાસ્ટી થઈ, થોડા સમયમાં હૃદયરોગને લગતી સર્જરી સહિતની તમામ સારવાર શરૂ કરાશે, ખાનગી હોસ્પિટલોમાં લાખોનાં ખર્ચે થતી સારવાર નિઃશુલ્ક મળશે

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. એટલું જ નહીં ટૂંક સમયમાં અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલનાં સહયોગથી થોડા સમયમાં જ હૃદયરોગને લગતી સર્જરી સહિતની તમામ સારવાર શરૂ કરવામાં આવનાર છે. જેને લઈને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં અનેક દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનાં ખર્ચે થતી સારવાર નિઃશુલ્ક મળશે. અત્યાર સુધી દર્દીઓને હૃદયરોગને લગતી સારવાર માટે અમદાવાદ સિવિલમાં જવું પડતું હતું. અથવા ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ કરવો પડતો હતો. પરંતુ હવે ટૂંક સમયમાં દર્દીઓને હૃદયરોગને લગતી તમામ સારવાર સિવિલ હોસ્પિટલમાં મળતી થશે. પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી કરોડોના ખર્ચે બનેલા નવા બિલ્ડીંગોની સવલતો હતી. પરંતુ હૃદયરોગને લગતી સારવારનો અભાવ હતો. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટનાં સહયોગથી માત્ર ઓપીડી કાર્યરત હતી. આ બાબતે દિવ્યભાસ્કર દ્વારા રોગી કલ્યાણ સમિતિનાં 108 તરીકે ઓળખાતા રાજાભાઈ ચાવડાનું ધ્યાન દોરવામાં આવતા તેમણે સાંસદ રૂપાલાને રજુઆત કરી હતી. અને સાંસદે આ બાબતની ગંભીરતા સમજી રાજ્ય સરકારમાં રજુઆત કરતા હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદનાં પ્રખ્યાત યુ.એન. મહેતા ઈન્સ્ટટ્યૂટનાં સહયોગથી પ્રથમ ફેઇઝમાં સર્જરી એન્જિયોપ્લાસ્ટી (સ્ટેન્ટ) બેસાડવાનો પ્રારંભ થયો છે. ગુરૂવારે પ્રથમ સફળ એન્જિયોપ્લાસ્ટી થઇ છે અને બીજા દિવસે શુક્રવારે પણ અન્ય દર્દીની એન્જિયો પ્લાસ્ટી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધી રાજકોટ કે સૌરાષ્ટ્રનાં હૃદયરોગનાં દર્દીને ખાનગી હોસ્પિટલમાં ના છુટકે લાખો રૂપિયા ખર્ચીને સારવારથી લઈ સર્જરી કરાવવી પડતી હતી. અથવા તો અમદાવાદ જવુ પડતું હતું. રાજકોટની પંડિત દિન દયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષથી યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કાર્ડિયોલોજી વિભાગ શરૂ કરાયો હતો. જોકે અત્યાર સુધી જરૂરી સવલતોના અભાવે માત્ર નિદાન કે પ્રાથમિક સારવાર થતી હતી. રાજકોટ સ્થિત સેન્ટર પર જ હાર્ટ સર્જરી સહિતની તમામ સારવાર થઇ શકે તે માટે સેટ અપ ગોઠવાયું છે. પ્રારંભિક તબક્કે હવે એન્જિયોપ્લાસ્ટી શરૂ કરાઈ છે. ત્યારે હવે હૃદય સબંધી રોગો માટે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવામાંથી દર્દીઓને મુક્તિ મળશે. રોગી કલ્યાણ સમિતિનાં સભ્ય રાજાભાઈ ચાવડાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આપના માધ્યમથી આ કાર્ડિયોલોજી વિભાગ (કૅથલેબ) બંધ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેને લઈને મેં રાજકોટનાં સાંસદ પરસોતમ રૂપાલાને રજુઆત કરી હતી. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાંસદ દ્વારા આ મુદ્દે ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે તાજેતરમાં એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલમાં યુ.એન.મહેતા ઇન્સ્ટિટયૂટ સેટેલાઈટ યુનિટમાં ત્રણ નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ, રેસિ. ડૉકટર્સ, નર્સિંગ સ્ટાફ મળીને અત્યારે 20 જેટલો સ્ટાફ કાર્યરત છે. આવનારા સમયમાં બાયપાસ સહિત સર્જરી પણ અહીં શરૂ કરાશે. તેમજ કાર્ડિયોલોજી વિભાગ ફૂલ ફ્લેજમાં શરૂ થશે ત્યારે ડૉક્ટર્સ સહિતનો સ્ટાફ વધારી દેવામાં આવશે. જેને લઈ લોકોને ખાનગી હોસ્પિટલમાં થતા લાખોનાં ખર્ચ અને અમદાવાદ સુધીના ધક્કામાંથી મુક્તિ મળશે. રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી વિભાગ શરુ કરવા માટે ગત વર્ષે જ ડૉ. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટને મંજુરી આપી દેવામાં આવી હતી. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલનાં સત્તાધીશો દ્વારા ઇન્સ્ટિટ્યુટને યૂનિટ માટે પુરતી જગ્યા ફાળવાતી ન હતી. એક માત્ર ઓપીડી માટે પ્રથમ માળે જગ્યા અપાઈ હતી. જ્યાં ગત જુલાઈ માસથી OPD શરૂ થઇ હતી. જેમાં ઈ.સી.જી., હાર્ટ સબંધી રોગનું પ્રાથમિક ચેકઅપ અને દવા સુધીની સારવાર થતી હતી. મહેતા ઇન્સ્ટિટયૂટ તો કાર્ડિયોલોજી વિભાગ સંપૂર્ણપણે ઝડપી કારરત બને તે માટે પ્રયાસમાં હતી પણ જગ્યાના અભાવે થઈ શકતું નહોતું. જોકે સમગ્ર બાબતે સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ ઉચ્ચસ્તરીય લેખિત રજુઆત સાથે ઝડપી જગ્યા ફાળવણી અને જરૂરી સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રયાસો કરતા સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું હતું. અને ઇન્સ્ટિટયૂટને ફટાફટ ઇમરજન્સી, ઇન્ડોર પેશન્ટ તેમજ ઓપરેશન થિયેટર માટે ચોથા, પાંચમા ફલોર પર જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે હાલમાં ઇન્સ્ટિટ્યૂટની ટીમ દ્વારા એન્જિયોપ્લાસ્ટી શરૂ થઇ છે. અને આગામી માસ સુધીમાં સંપૂર્ણપણે કાર્ડિયોલોજી વિભાગ, સર્જરી પણ શરૂ થાય તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:04 pm

યુવકને હડકવા ઉપડતાં શ્વાનની જેમ ભસવા લાગ્યો, VIDEO:ચાર પગે ચાલી લોકોને કરડવા દોડ્યો, ઝાડ સાથે બાંધી માંડ કાબૂમાં કર્યો, હોસ્પિટલ ખસેડતા ત્યા પણ ધમાલ મચાવી

બનાસકાંઠા જિલ્લામાં કૂતરૂ કરડ્યા બાદ એક યુવકને હડકવા ઉપડ્યો હતો. પાલનપુર તાલુકાના નરાસળ ગામના એક યુવકમાં હડકવાના લક્ષણો દેખાયા હતા. આ યુવક શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો. તેમજ લોકોને કરડવા દોડ્યો હતો. જેથી અંતે દોરડાથી બાંધી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યા પણ યુવકે ધમાલ મચાવી હતી. આ યુવકને ત્રણ બાળકો છે. ઘરમાં પરિવારજનો પર હુમલો કરવા દોડ્યોપ્રાથમિક માહિતી મુજબ, ત્રણ મહિના પહેલા આ યુવકને એક કૂતરાએ બચકા ભર્યા હતા. ભાગીયા તરીકે કામ કરતા આ યુવકમાં ત્રણ મહિના બાદ હડકવાના ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. યુવક શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો અને ચાર પગે ચાલીને લોકોને કરડવા દોડતો હતો. તે અચાનક ઘરમાં હિંસક બનીને પોતાની પત્ની પર પણ હુમલો કરવા દોડ્યો હતો. દોરડાની મદદથી યુવકને ઝાડ સાથે બાંધી દીધોપરિસ્થિતિની ગંભીરતા જોતા પરિવારજનો, ગામલોકો અને પોલીસે દોરડાની મદદથી યુવકને કાબૂમાં લીધો હતો અને એક ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં દોરડા તોડી નાખતા રૂમમં બંધ કરવો પડ્યોપાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ યુવક અત્યંત આક્રમક બન્યો હતો. તેણે દોરડા તોડી નાખતા હોસ્પિટલ સ્ટાફને તેને એક રૂમમાં બંધ કરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ વણસતા હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. ઇન્જેક્શન આપી બેભાન કરવામાં આવ્યોભારે જહેમત બાદ યુવકને જાળી અને તાર વડે બાંધીને ઇન્જેક્શન આપી બેભાન કરવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે, પરંતુ તબીબોના મતે હડકવાના આ તબક્કે દર્દીના બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં હડકવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા મહિનાઓ અગાઉ વડગામ તાલુકાના ઘોડીયાલ ગામે પણ એક યુવકને હડકવાની અસર થઈ હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ અંગે બનાસ મેડિકલ હોસ્પિટલના ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, હડકવાના લક્ષણો ધરાવતા એક દર્દીને જનરલ હોસ્પિટલ પાલનપુરના ટ્રોમા સેન્ટરમાં ગઈકાલે રાત્રે 3:00 વાગ્યાની આસપાસ લાવવામાં આવ્યો હતો. એ હાલ નળાસર ગામમાં રહે છે તેમજ મુળ સાબરકાંઠાના વિજયનગરના ભગોરી ગામનો વતની છે. યુવકને હોસ્પિટલમાં પલંગ પર બાંધી રખાયોગઈકાલે સાંજે 10:00 વાગ્યા પછી ખબર પડી કે એને હડકવાની અસર થઇ છે. જેથી તે એની પત્ની સહિત બધા ઉપર એટેક કરી રહ્યો હતો. જેથી ગામ લોકોએ એને કન્ટ્રોલ કરી બાંધીને અહિં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જ્યાં તેની ટ્રીટમેન્ટ હાલ ચાલુ છે. યુવકને હોસ્પિટલમાં પલંગ પર બાંધીને રાખ્યો હતો. જોકે, એને જોર કરીને ગમે તેમ કરી દોરડા તોડી નાખ્યા હતા અને હોસ્પિટલમાં એકદમ ધમાલ મચાવી દીધી હતી. યુવકને ઇન્જેક્શન આપીને કન્ટ્રોલ કર્યોયુવકે હોસ્પિટલમાં ધમાલ મચાવતા અમે રૂમ બંધ કરીને થોડી વાર માટે એને કન્ટ્રોલ કરવા પ્રયત્ન કર્યો હતો. જે બાદ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસને પણ આ અંગે જાણ કરી છે. આ યુવકને અમે જંગલી પ્રાણીઓને કન્ટ્રોલ કરવા માટેનું ડાર્ટ ઇન્જેક્શન આપવાનો પણ વિચાર કર્યો હતો, પરંતુ એ ડાર્ટ ઇન્જેક્શનથી ક્યારેક માણસનું મોત પણ થઈ શકે છે. જેથી એનો જરા થોડો વિચાર કરીને એના સગા એ બારીના સળિયા સાથે બાંધી દીધો પછી અમે એને ઇન્જેક્શન આપીને કન્ટ્રોલ કર્યો હતો. હાલ એની ટ્રીટમેન્ટ ફરી ચાલુ કરી નાખી છે. હડકવા એકવાર લાગી ગયા પછી માણસનું બચવું મુશ્કેલ છે આજ સુધી કોઈ એવા કિસ્સા જોયા નથી કે હડકવા લાગ્યા પછી માણસ જીવી ગયો હોય. અત્યાર સુધીમાં અમને જાણ થયા મુજબ તે બધા પર એટેક કરે છે પણ કોઈને કરડ્યો નથી. કૂતરા જેવું જ ભસતો હતો અને કૂતરા જેવી જ એક્શનો કરતો હતો એ બધા વીડિયો અમે જોયા છે. હવે આપણે જોઈએ હડકવાનાં લક્ષણો વિશે તેમજ હડકવાથી કેવી રીતે બચી શકાય?

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:04 pm

સાધુ પ્રેમવત્સલદાસજીનો 'શિક્ષાપત્રી મંથન ગ્રંથ' પ્રકાશિત:સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રીને યુવાપેઢી સરળતાથી સમજી શકે તે હેતુથી તૈયાર કરાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત શિક્ષાપત્રી મંથન ગ્રંથ નું પ્રકાશન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીને યુવાપેઢી સરળતાથી સમજી શકે તે હેતુથી તૈયાર કરાયો છે. આ ગ્રંથને ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધીના રાજકીય મહાનુભાવોએ વધાવ્યો છે. બી.એ.પી.એસ. સંસ્થાના વડા પૂ. મહંતસ્વામી મહારાજ, અનેક મહામંડલેશ્વરો, સાહિત્યકારો તેમજ કાશી અને જગન્નાથપુરીના વિદ્વાનોએ પણ તેની પ્રશંસા કરી છે. ગ્રંથ અંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શિક્ષાપત્રીમાંથી 25 અલગ-અલગ વિષયોના વિભાગો પાડવામાં આવ્યા છે. દરેક વિભાગમાં ચિત્રો, હિન્દુ ધર્મના ગ્રંથોના આધારભૂત અંશો અને મહાપુરુષો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-ભક્તોના પ્રેરણાદાયી પ્રસંગો આલેખાયેલા છે. આનાથી વાચકને ગૂઢ જ્ઞાન સરળતાથી યાદ રહે અને સમજી શકાય. શિક્ષાપત્રી મંથન ગ્રંથ માં નૈતિક સદાચાર, ધર્મ-આચરણ, સત્સંગીના નિત્ય કરવાના કર્મ, વ્યવહારિક નીતિ, સામાજિક-વ્યવસાયિક નીતિ, ગૃહસ્થોએ રાખવાની મર્યાદા, વ્યસન મુક્તિ, આહાર શુદ્ધિ, અહિંસા ધર્મ, જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ, જીવ-માયા-ઈશ્વર, સત્સંગી-સાધુ-સ્ત્રીઓ અને બ્રહ્મચારી આદિના ધર્મો જેવા ૨૫ પ્રકરણોનો સમાવેશ થાય છે. આ ગ્રંથ પર ૧૯થી વધુ દરેક ક્ષેત્રના મહાનુભાવોએ પોતાના મંતવ્યો આપ્યા છે, જે ગ્રંથમાં અંકિત કરવામાં આવ્યા છે. કુમકુમ સંસ્થા દ્વારા આ ગ્રંથ સૌને ઉપલબ્ધ થાય તે માટે તેની પડતર કિંમત પર ૭૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:02 pm

બોટાદ જિલ્લામાં CET પરીક્ષાનો પ્રારંભ:46 કેન્દ્રો પર 11,648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે

બોટાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોટાદ જિલ્લાના ગઢડા, બોટાદ, બરવાળા અને રાણપુર તાલુકામાં કુલ 46 પરીક્ષા કેન્દ્રો પર 11,648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લાના કુલ 401 બ્લોકમાં આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે CET પરીક્ષા ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે યોજાય છે. આ પરીક્ષામાં સફળ થનારા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિનો લાભ મળે છે. આ કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઢડા નૂતન વિદ્યાલયના શિક્ષક પ્રવિણભાઈ ડોડીયાએ આ અંગે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 1:57 pm

મહિલા સુરક્ષા માટે 24 કલાક કાર્યરત 181 અભયમ હેલ્પલાઇ:181 અભયમ ટીમની સતર્કતાથી એક મહિલાનો જીવ બચ્યો, આત્મહત્યાનો વિચાર ત્યાગી નવું જીવન સ્વીકાર્યું

'181 મહિલા હેલ્પલાઇન' મહિલાઓની સુરક્ષા અને ન્યાય માટે 24 કલાક કાર્યરત છે, ત્યારે તાજેતરમાં ભાવનગર જિલ્લાના પાલિતણા તાલુકામાં અભયમ ટીમે એક મહિલાને આત્મહત્યા કરવા જતી અટકાવી નવજીવન આપ્યું હતું, આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર જ્યારે '112 જનરક્ષક હેલ્પલાઇન' પરથી 181 ટીમને કોલ ટ્રાન્સફર કરવામાં આવ્યો કે, એક મહિલા માનસિક તણાવમાં આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છે. સ્થિતિની ગંભીરતાને સમજી પાલિતણા અભયમ ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી, ​અભયમ કાઉન્સેલરે પીડિતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, ​મહિલા લાંબા સમયથી માનસિક રીતે ભાંગી પડ્યા ​તેમને એવું લાગતું હતું કે, પરિવારમાં તેમના નિર્ણયોનું કોઈ મૂલ્ય નથી, ​પોતાનું જીવન નકામું હોવાની નિરાશા સાથે તેઓ ઘરેથી આત્મહત્યા કરવાના ઈરાદે નીકળી ગયા હતા, ​ટીમે અત્યંત ધીરજપૂર્વક પીડિતાનું કુશળ કાઉન્સેલિંગ કર્યું, તેમને સમજાવ્યું કે માનવ જીવન અમૂલ્ય છે અને મુશ્કેલીઓનો અંત આત્મહત્યા નથી, કાઉન્સેલિંગના અંતે મહિલામાં નવું જીવન જીવવાની ચેતના જાગી અને તેમણે પોતાનો વિચાર માંડી વાળ્યો હતો, ​કાઉન્સેલિંગ દરમિયાન પીડિતાએ પોતાના પરિવાર વિશે માહિતી આપી હતી, તપાસ કરતા માલૂમ પડ્યું કે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેમની દવાઓ પણ ચાલી રહી હતી અને અગાઉ પણ તેઓ ઘરેથી નીકળી ગયા હતા, અભયમ ટીમે પીડિતાના પતિ અને પરિવારજનોને બોલાવીને ​પીડિતાની લાગણીઓનું ધ્યાન રાખવા સૂચન કર્યું, ​માનસિક સ્વાસ્થ્ય બાબતે વધુ કાળજી લેવા સમજાવ્યા, ​સુખદ સમાધાન બાદ મહિલાને હેમખેમ પરિવારને સોંપ્યા, ​આમ, 181 અભયમ ટીમની સમયસૂચકતા અને અસરકારક કાઉન્સેલિંગને કારણે એક હસતું-રમતું પરિવાર વિખેરાતા બચી ગયું હતું.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 1:55 pm

આચાર્યએ 2 વીઘા બાળકોની મોબાઈલથી દુર કરવા ફાળવી દીધી:મહેસાણામાં નિવૃત શિક્ષકોએ ખેતરમાં જ ઉભું કર્યું સ્પોર્ટ સંકુલ, બાળકોને ફ્રીમાં ટ્રેનિંગ, ઓલિમ્પિક્સનું સપનું

આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોનું બાળપણ મોબાઈલની સ્ક્રીનમાં કેદ થઈ રહ્યું છે, ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના એક નાના એવા સરણા ગામમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. ગામના નિવૃત શિક્ષકોએ એક અનોખી પહેલ કરીને ખેતરની વચ્ચે જ રમતગમતનું સંકુલ કાર્યરત કર્યું છે, જ્યાં આજે 130થી વધુ બાળકો વિનામૂલ્યે ખેલકૂદની તાલીમ લઈ રહ્યા છે. આ ભગીરથ કાર્યની શરૂઆત 2018માં થઈ હતી. નિવૃત આચાર્ય છનાજી હેમતાજી ઠાકોર અને નિવૃત શિક્ષક પ્રવિણસિંહ રાણાએ જ્યારે ગામના બાળકોને સતત મોબાઈલમાં વ્યસ્ત જોયા ત્યારે તેમને બાળકોના ભવિષ્ય અને ફિઝિકલ ફિટનેસની ચિંતા થઈ. બાળકોને ડિજિટલ વ્યસનમાંથી મુક્ત કરવાના હેતુથી છનાજી ઠાકોરે ઉદારતા દાખવી પોતાની 4 વીઘા જમીનમાંથી 2 વીઘા અને જરૂરિયાત મુજબ વધુ જમીન રમતગમત માટે ફાળવી દીધી. શરૂઆતમાં માત્ર 25 બાળકોથી શરૂ થયેલું આ અભિયાન આજે વટવૃક્ષ બન્યું છે. એકસાથે 28 બાળકોની જિલ્લા કક્ષાએ પસંદગીગામડાના બાળકોને પણ શહેર જેવી સુવિધાઓ અને માહોલ મળે તે માટે નિવૃત વ્યાયામ શિક્ષક રસિકસિંહ ઠાકોર અને અન્ય સાથીઓ નિઃસ્વાર્થ ભાવે જોડાઈ ગયા. અહીં બાળકોને દોડ, વોલીબોલ, ખો-ખો, લાંબીકૂદ, સાયક્લિંગ અને યોગની તાલીમ આપવામાં આવે છે. ખાસ કરીને 'ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ'ની પરીક્ષા માટે જરૂરી 11 આઈટમો જેવી કે પુલ-અપ્સ, મેડિસિન બોલ અને બ્રોડ જમ્પની સઘન પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આ મહેનતનું જ પરિણામ છે કે, ગયા વર્ષે એકસાથે 28 બાળકો જિલ્લા કક્ષાની રમતગમત શાળા (DLSS)માં પસંદગી પામ્યા છે. માત્ર રમત નહીં, સંસ્કારોનું પણ સિંચનઆ સંકુલનું કોઈ સત્તાવાર નામ નથી કે અહીં કોઈ ફી લેવામાં આવતી નથી. નિવૃત શિક્ષકો પોતાની પાસે રહેલું ટેકનિકલ જ્ઞાન પીરસી રહ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ, તેમનું લક્ષ્ય માત્ર ખેલાડીઓ તૈયાર કરવાનું જ નથી, પરંતુ બાળકોમાં શિસ્ત, નિર્ભયતા અને દેશભક્તિના ગુણો વિકસે તે પણ છે. રમતગમતની સાથે બાળકોના અભ્યાસ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે, જેના કારણે બાળકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. અહીં તાલીમ લેતા બાળકો હવે અભ્યાસમાં પણ તેજસ્વી બની રહ્યા છે. ગ્રાસરૂટથી ઓલિમ્પિક્સ સુધીનિવૃત શિક્ષકોની આ ટોળી હવે એક જ સપનું સેવી રહી છે કે, આ જમીન પરથી તૈયાર થયેલા બાળકો ભવિષ્યમાં ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ઠાકોર જેવા યુવાનો પણ આ કાર્યમાં સહયોગી બની રહ્યા છે. ખેતરમાં લહેરાતા પાકની વચ્ચે પરસેવો પાડતા આ બાળકો આજે મોબાઈલની દુનિયા ભૂલીને મેદાનના અસલી ખેલાડી બની રહ્યા છે. અહીં આવ્યાં બાદથી મારો પહેલો નંબર આવે છેઃ હાર્દિકકુમારઅહીં પ્રેક્ટિસ કરતા હાર્દિકકુમાર સુખડિયાએ જણાવ્યું કે, મને અહીંયા આવીને સારું લાગે છે. હું સ્કૂલમાં આમ તો ત્રીજા ધોરણમાં ભણતો હતો, ત્યારે હું છેલ્લો આવતો હતો પણ હવે અહીંયા આવું છું ત્યારે મને મારો પહેલો નંબર આવે છે. આ વખતે હું ખેલ મહાકુંભમાં જવાનો જ હતો પણ બીજા બે બાળકો આવી ગયા એટલે હું ન જઈ શક્યો, પણ અહીંયા આવીને મને બહુ જ સારું લાગે છે. અહીંયા પુલ-અપ, મેડિસિન બોલ, બ્રોડ જમ્પ, 50 મીટર, પછી આવી રીતે 300 મીટરના રાઉન્ડ્સ-એવું બધું કરાવવામાં આવે છે. બાળકોને ઓલિમ્પિક્સ સુધી પહોંચાડવાનું આમારૂ લક્ષ્યઃ પ્રવિણસિંહનિવૃત શિક્ષક પ્રવિણસિંહ રાણાએ જણાવ્યું કે, અહીંયા બાળકોને મોબાઈલથી દૂર રાખવા અને તેમની ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે તે માટેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. અમારો મુખ્ય લક્ષ્ય એ છે કે, બાળકો ઓલિમ્પિક્સ સુધી પહોંચી શકે. અહીં વોલીબોલ, ખો-ખો, એથ્લેટિક્સ અને DLSSની ટેસ્ટ માટેની 11 આઈટમોની નિયમિત પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. અત્યારે અમારી પાસે 130થી વધુ બાળકો આવે છે. ગયા વર્ષે અમારા 28 બાળકો એકસાથે DLSSમાં સિલેક્ટ થયા છે. ‘બાળકોને અમારા વગર અને અમને બાળકો વગર ફાવતું નથી’અમે આ પ્રવૃત્તિ 2018થી શરૂ કરી છે અને ધીમે-ધીમે અમને સફળતા મળી રહી છે. મને મારા મિત્ર અને આચાર્ય સનાજીની પ્રેરણાથી આ વિચાર આવ્યો. બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે અમે આ કામ શરૂ કર્યું છે. શરૂઆતમાં 20-30 બાળકો હતા, પણ હવે 130થી પણ વધારે બાળકો જોડાયેલા છે. બાળકોને આમાં બહુ રસ પડી ગયો છે. હવે તો એવું થયું છે કે બાળકોને અમારા વગર અને અમને બાળકો વગર ફાવતું નથી. સનાજી સાહેબે અમને આ લગભગ 6 એકર જમીન રમતગમત માટે ખાસ આપી છે. જ્યારે પણ અમારે બાળકોને રમાડવા હોય, ત્યારે તેઓ તમામ વ્યવસ્થા પૂરી પાડે છે. DLSS એટલે શું?DLSS એટલે કે District Level Sports School (જિલ્લા કક્ષાની રમતગમત શાળા). આ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વકાંક્ષી યોજના છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં છુપાયેલી રમતગમતની પ્રતિભાઓને શોધીને તેમને વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ આપવાનો છે. DLSS યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓશિક્ષણ અને રમતગમતનો સમન્વય: આ યોજના હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને એવી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે જ્યાં અભ્યાસની સાથે-સાથે રમતગમત માટે ઉત્તમ મેદાન અને સુવિધાઓ ઉપલબ્ધ હોય. નિષ્ણાત કોચિંગ: દરેક રમત માટે સરકાર દ્વારા નિષ્ણાત અને લાયક કોચની નિમણૂક કરવામાં આવે છે, જેઓ બાળકોને વ્યાવસાયિક તાલીમ આપે છે. રહેવા-જમવાની સુવિધા: પસંદ થયેલા ખેલાડીઓને રહેવા માટે હોસ્ટેલ અને તેમના શરીરની જરૂરિયાત મુજબ પૌષ્ટિક આહાર (Nutrition) સરકાર દ્વારા નિઃશુલ્ક પૂરો પાડવામાં આવે છે. સ્પોર્ટ્સ કીટ અને સહાય: ખેલાડીઓને રમતગમતના સાધનો, ટ્રેકશૂટ અને સ્પોર્ટ્સ કિટની સાથે-સાથે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેનો ખર્ચ પણ સરકાર ભોગવે છે. પસંદગી પ્રક્રિયા અને લાયકાતવય મર્યાદા: સામાન્ય રીતે ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે. બેટરી ટેસ્ટ: પસંદગી માટે રાજ્યભરમાં 'બેટરી ટેસ્ટ' લેવામાં આવે છે, જેમાં બાળકની શારીરિક ક્ષમતા (જેમ કે ઝડપ, તાકાત, લવચીકતા વગેરે) માપવામાં આવે છે. ટ્રાયલ્સ: શારીરિક ટેસ્ટ પાસ કર્યા પછી, જે-તે રમતની કૌશલ્ય કસોટી (Skill Test) લેવામાં આવે છે. કઈ રમતોનો સમાવેશ થાય છે?DLSS માં એથ્લેટિક્સ, આર્ચરી (તીરંદાજી), ફૂટબોલ, હોકી, કુસ્તી, જુડો, વોલીબોલ, હેન્ડબોલ અને બાસ્કેટબોલ જેવી વિવિધ ઓલિમ્પિક રમતોનો સમાવેશ થાય છે. ફાયદો શું થાય?આ યોજનામાં તૈયાર થયેલા ખેલાડીઓ રાજ્ય કક્ષા (Khel Mahakumbh), રાષ્ટ્રીય કક્ષા અને આગળ જતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને દેશનું નામ રોશન કરે છે. ઘણા ખેલાડીઓ આ માધ્યમથી રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવી સરકારી નોકરીઓ પણ મેળવે છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 1:54 pm

ગોધરામાં રોગચાળા વચ્ચે અર્બન હેલ્થ સેન્ટર પાસે ગંદકી:ઉભરાતી ગટરો મુદ્દે કલેક્ટરને રહીશોની રજૂઆત

ગોધરા શહેરમાં હાલ ઓરીની બીમારીએ માથું ઊંચક્યું છે, જેના કારણે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. જોકે, જ્યાં લોકોની સારવાર થાય છે તે જ અર્બન હેલ્થ સેન્ટર પાસે ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. આજે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે સ્થાનિક આગેવાનોએ તેમને ઊભરાતી ખુલ્લી ગટરો અને ગંદકી અંગે વાકેફ કર્યા હતા. ગોધરાના સાતપુલ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરની બિલકુલ બહાર ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે રોગચાળો વધુ ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લા કલેક્ટર અજય દહિયા આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થાઓની સમીક્ષા કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશોએ તેમને અટકાવી રજૂઆત કરી હતી. રહીશોનો આક્ષેપ છે કે એક તરફ બીમારી ફેલાઈ રહી છે અને બીજી તરફ હેલ્થ સેન્ટર પાસે જ ગંદકીનું સામ્રાજ્ય છે, જેનાથી અન્ય રોગો ફેલાવવાનો ભય છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 1:53 pm

આસિસ્ટન્ટ પ્રોફેસર રેગિંગ કરતા હોવાનો જુનિયર રેસિ. ડોક્ટરોનો આક્ષેપ:દારૂ, સિગારેટની વ્યવસ્થા કરવા દબાણ કરતાનો આરોપ, એમ. કે. શાહ મેડિકલ કોલેજમાં ત્રણ સભ્યોની તપાસ કમિટી બનાવાઈ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એમ. કે. શાહ મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે. મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ સામે રેગિંગના ગંભીર આક્ષેપ લાગ્યા છે. તીર્થ પટેલ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ લગાવ્યા છે. જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ ફેડરેશન ઓફ રેસીડેન્ટ ડોક્ટર એસોસિએશનને મેઈલ કરીને રેગિંગ થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ દર્દી સામે માર મારવાની ધમકી આપતા હોવાનો અને દારૂ, સિગારેટની વ્યવસ્થા કરવા દબાણ કરતા હોવાનો પણ મેઇલ કરીને આક્ષેપ કરવામાં આવ્યો છે. રેગિંગના ગંભીર આક્ષેપ થતા જ ત્રણ સભ્યોની તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે. ડોક્ટર એસોસિએશનને મેઈલ કરી પોતાની વ્યથા જણાવીઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી છે. એમ. કે. શાહ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટરોની હાલત શું હોય છે તે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનને મેઈલ કરી પોતાની વ્યથા જણાવી છે. જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ આક્ષેપ કર્યોમૂળભૂત જરૂરિયાતોથી વંચિત રખાતા હોવાનો પણ જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે. દારૂ, સિગારેટની જેવી વ્યવસ્થા કરવા માટે દબાણ કરાતું હોવાનો પણ મેઇલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંજૂરી ન આપે ત્યાં સુધી શ્વાસ ન લેવા પણ દબાણ કરાતું જ્યાં સુધી મંજૂરી ન આપે ત્યાં સુધી શ્વાસ ન લેવા પણ દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતા અનેક પ્રકારની ફરિયાદો સાથેનો મેઇલ કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ જે મેઇલ કર્યો તે પણ વાયરલ થયો છે. તેમજ જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ તપાસ કરી કાર્યવાહી કરવા પણ માંગ કરી છે. '10 વિદ્યાર્થીઓ 5 દિવસથી કોઈને જાણ કર્યા વગર ડ્યુટી પર આવ્યા નથી'એમ.કે.શાહ મેડિકલ કોલેજના ડીન એ. ટી. લેઉઆએ જણાવ્યું હતું કે, અત્યારે બે બેંચના ઓર્થોપેડિક વિભાગના 10 જેટલા વિદ્યાર્થીઓ 5 દિવસથી કોઈપણ જાણ કર્યા વગર ડ્યુટી પર આવ્યા નથી. આ વિદ્યાર્થીઓનો અમે ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો ફોન પણ બંધ આવી રહ્યા છે. જેથી તેમના વાલીઓને જાણ કરી છે. તપાસ માટે કમિટીની નિમણૂંક કરાઈતેને વધુમાં કહ્યું કે, અમને આ સમગ્ર બાબતે ઇમેલ દ્વારા ફરિયાદ મળી છે. જેથી તપાસ માટે કમિટીની નિમણૂંક કરવામાં આવી છે. તપાસ કમિટીની નિમણૂક કર્યા બાદ પ્રેસિડેન્ટ ડોક્ટરો આ કમિટી સમક્ષ પણ હાજર થતા નથી. જેથી તપાસ કમિટી યોગ્ય તારણ સમજવા માટે તેમના વાલીઓ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. યોગ્ય તપાસ માટે અમે તૈયારી દર્શાવી છે. વધુમાં ડીન એ. ટી. લેઉઆએ જણાવ્યું હતું કે, વિભાગના વડા નીરવ ત્રિવેદીનો સંપર્ક કરી ફરિયાદ મુજબ આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ છે તેના પણ કમિટી સમક્ષ નિવેદનો લેવામાં આવ્યા છે. કમિટીનો રિપોર્ટ હજી સુધી અમને મળ્યો નથી. કમિટી બંને પક્ષના તમામ મુદ્દાઓને લઈને જવાબ લેખિતમાં લેતી હોય છે. 'તીર્થ પટેલને અમે રજા પર ઉતારી દીધા છે'લેઉઆએ વધુમાં કહ્યું હતું કે, જો વિદ્યાર્થીઓ હાજર થશે તો કમિટી સંપૂર્ણ રીતે તેમને સહયોગ કરશે. સિનિયર લેવલની મીટીંગ પણ કરવામાં આવી છે. તેમાં અમે નિર્ણય લીધો છે કે જેના સામે પ્રેસિડન્ટ ડોક્ટર હોય ફરિયાદ કરી છે તેવા તીર્થ પટેલને અમે રજા પર ઉતારી દીધા છે. જેથી ન્યાયિક રીતે તપાસ થઈ શકે. તેને વધુમાં કહ્યું કે, વિદ્યાર્થીઓનો સંપર્ક કરવા અન્ય ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થીઓને પણ જણાવ્યું છે. પરંતુ આ તમામ વિદ્યાર્થીઓનો ફોન બંધ આવી રહ્યો છે. જેથી સરનામાના આધારે વિદ્યાર્થીઓના વાલીને પણ જાણ કરવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર હકીકત સામે આવશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 1:49 pm

કચ્છનું છારી-ઢંઢ પક્ષી અભ્યારણ્ય રામસર સાઈટ તરીકે જાહેર:રાજ્યમાં પાંચમા અભ્યારણ્યને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા વેટલેન્ડ્સની યાદીમાં સ્થાન

કચ્છ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ છારી-ઢંઢ બર્ડ સૅન્ક્ચ્યુરી આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા વેટલેન્ડ્સની પ્રતિષ્ઠિત યાદી રામસર સાઇટમાં સામેલ થયું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે પાંચ પર પહોંચી છે, જે રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. છારી-ઢંઢ ગુજરાતની પાંચમી રામસર સાઈટહાલ ગુજરાતમાં સમાવિષ્ટ રામસર સાઇટ્સમાં નળસરોવર બર્ડ સેન્ચુરી, થોળ પક્ષી અભ્યારણ્ય, ખીજડીયા પક્ષી અભ્યારણ્ય , વઢવાણ પક્ષી અભ્યારણ્યઅને હવે છારી-ઢંઢ પક્ષી અભ્યારણ્યનો સમાવેશ થાય છે.છારી-ઢંઢ બર્ડ સૅન્ક્ચ્યુરી પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મનપસંદ આશ્રયસ્થાન છે. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી આવનારા પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. ગુજરાત દેશના કુલ વેટલેન્ડ વિસ્તારના 21 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જે રાજ્યને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે અગ્રણી બનાવે છે. छारी-ढांढ पक्षी अभयारण्य को रामसर साइट की अंतरराष्ट्रीय पहचान गर्व का क्षण है। इसके साथ गुजरात में रामसर साइटों की संख्या 5 हो गई है। यह पहचान से पर्यावरण संरक्षण, जैव विविधता, स्थानीय विकास, वैश्विक पहचान सभी क्षेत्रों में सकारात्मक परिवर्तन आएगा।- श्री @arjunmodhwadia pic.twitter.com/J0mycjTVbW— Office Of Arjun Modhwadia (@OfficeOfAM_) January 31, 2026 ભુજથી 80 કિમીના અંતરે આવેલું છે છારી-ઢંઢ‘છારી’ એટલે ખારું અને ‘ઢંઢ’ એટલે છીછરા તળાવો. છારીઢંઢ રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર વર્ષ 2008માં વનવિભાગ દ્વારા જાહેર કરાયું હતું. ભુજથી 80 કિલોમીટર દૂર આ વેટલેન્ડ 227 ચો.કી મી ના વિસ્તારમાં સંરક્ષિત છે. વર્ષ 1992માં 22,700 હેક્ટર વિસ્તારને ‘રણ પક્ષી અભયારણ્ય’ જાહેર કરવા પ્રસ્તાવ મુકાયો હતો. 270 પક્ષી પ્રજાતિનું પ્રવાસસ્થાન, કુંજનું બીજું ઘર ! છારીઢંઢ પક્ષીઓ અને પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે, અહીં પક્ષીઓની આશરે 270 જેટલી પક્ષીઓની પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન અહીં સ્થળાંતર કરનારા હજારો પક્ષીઓ ઠંડીની ઋતુ ગાળવા આવે છે. આ ઉપરાંત અહીં વરુ, રણ બિલાડી, શિયાળ, લોમડી, હેણોતરો સહીત દુર્લભ પ્રાણીઓ જોવા મળે છે. શિયાળામાં હજારો કુંજ પક્ષી સાયબેરિયાથી અહીં પ્રવાસ ખેડે છે. 40 પ્રકારના વિવિધ ઘાસ અહીં વન્યપ્રાણીઓને ખોરાક અને જીવન પૂરું પાડે છે. શું છે રામસર સાઈટ ? રામસર સાઈટએ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી જળપ્લાવિત ભૂમિ (વેટલેન્ડ) છે. જે 1971માં ઈરાનના રામસર શહેરમાં યુનેસ્કો દ્વારા હસ્તાક્ષર કરાયેલા ‘કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ’ જે રામસર સંધિથી ઓળખાય છે તેના અંતર્ગત સંરક્ષણ મળે છે. આ સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. નવી સાઈટ જાહેર કરતા પહેલા, આંતરરાષ્ટ્રીય માપદંડોની ચકાસણી, દરખાસ્ત તૈયાર કરવી, કેન્દ્રીય મંજૂરી બાદમાં કેન્દ્ર સરકાર આ અંતિમ દરખાસ્ત સ્વિટ્ઝર્લેન્ડના ગ્લેન્ડ ખાતે આવેલા રામસર સચિવાલયને મોકલે છે અને અંતમાં વૈશ્વિક જાહેરાત થાય છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 1:32 pm

ખેમાણા ટોલ પ્લાઝા પર 100થી વધુ હેલ્મેટ વિતરણ:PI ધાંધલિયાએ કહ્યું- કાયદાનું પાલન દંડ વસૂલવા માટે નહીં પણ પરિવાર અને સમાજ માટે સુરક્ષા જરૂરી

ખેમાણા ટોલ પ્લાઝા ખાતે નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટ (NHIT) દ્વારા “સડક સુરક્ષા – જીવન રક્ષા” અભિયાન અંતર્ગત હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રોડ સલામતી મહિના (1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી) અંતર્ગત યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓની પૂર્ણાહુતિ રૂપે આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રોડ પર ચાલતા 100થી વધુ ટૂ-વ્હીલર વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ હેલ્મેટ વિતરણ કરી માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે પાલનપુર તાલુકા પીઆઈ એચ.બી. ધાંધલિયા, જિલ્લા આરટીઓ વી.પી. પટેલ, આરટીઓ નિર્મલસિંહ પરમાર, NHIT પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂત, ટોલ પ્લાઝા મેનેજર સુનિલ શુક્લા, કોરિડોર મેનેજર બિપિન મેવાડા અને મેન્ટેનન્સ મેનેજર શ્રીજીત નાયર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી. ધાંધલિયાએ જણાવ્યું હતું કે, કાયદાનું પાલન દંડ વસૂલવા માટે નહીં, પરંતુ તમારી, તમારા પરિવારની અને સમાજની સુરક્ષા માટે જરૂરી છે. તેમણે લોકોને કાયદાનું પાલન કરવા અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ વધે અને અકસ્માતોમાં ઘટાડો થાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ NHIT દ્વારા પાલનપુરથી સ્વરૂપગંજ માર્ગ પર કરવામાં આવી રહેલી કામગીરીની પણ પ્રશંસા કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 1:28 pm

અમરેલીના જાળીયામાં રૂ. 2 કરોડથી વધુના વિકાસકાર્યો:ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે સી.સી. રોડ, પંચાયત ભવનનું ભૂમિપૂજન

અમરેલી તાલુકાના જાળીયા અને રાંઢીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યોમાં જાળીયામાં અંદાજે રૂ. 2 કરોડથી વધુના ખર્ચે સુવિધાપથ (સી.સી. રોડ) અને રૂ. 25 લાખના ખર્ચે ગ્રામ પંચાયતનું નવું ભવન સામેલ છે. જાળીયા મુકામે રૂ. 2 કરોડથી વધુના ખર્ચે સી.સી. રોડ બનશે, જે નાગરિકોની સુવિધામાં વધારો કરશે. આ ઉપરાંત, રૂ. 25 લાખના ખર્ચે નવું ગ્રામ પંચાયત ભવન પણ આકાર પામશે. અંદાજિત રૂ. 6.5 કરોડના ખર્ચે જાળીયા-કેરાળા-હડાલા રોડ પર સ્ટ્રક્ચર નિર્માણ કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાંઢીયા મુકામે પણ રૂ. 25 લાખના ખર્ચે નવું પંચાયત ભવન બનશે, જેનાથી ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થશે. રાજ્યમંત્રીએ આ નવા પંચાયત ભવનની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં વિકાસકાર્યો તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. રાજ્ય સરકાર પ્રજાના હિત માટે કટિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને રૂ. 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ આપીને મોટું મન દાખવ્યું છે. રાજ્યમંત્રીએ અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસકામોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પાથર, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યઓ, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 1:27 pm