રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
ઉંડેરા ગામમાં પાન-પડીકીનો ગલ્લો ચલાવતી મહિલા પાસે 2 ગઠિયાએ જઈને તેને વાતોમાં ભેળવી દીધી હતી. તે પછી એકે મહિલાના મોં પર સિગારેટનો ધુમાડો ફૂંકી તેમની સોનાની બે બુટ્ટીઓ રૂમાલમાં મુકાવી ગાંઠ બાંધી દીધી હતી. જોકે મહિલાએ રૂમાલ ખોલતાં તેમાંથી બે કાંકરા નીકળ્યા હતા અને ગઠિયા ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. ઉંડેરા ગામ નવી વસાહતમાં રહેતાં 65 વર્ષીય જશોદાબેન સોલંકી ઘર નજીક મહાકાળી માતાના મંદિર પાસે પાન-પડીકીનો ગલ્લો ચલાવે છે. 29 જાન્યુઆરીએ ગલ્લા પર બપોરે 3 વાગે એક શખ્સ આવ્યો હતો. તેણે સિગારેટ અને પડીકી માગી હતી. થોડીવારમાં અન્ય એક શખ્સ પણ પહોંચ્યો હતો. તેણે સેવ-મમરાનું પેકેટ અને પાણીની બોટલ લીધી હતી. પહેલાં આવેલો શખ્સ બંધ શાકભાજીની લારીએ જઈને પરત આવ્યો હતો અને જશોદાબેનને વાતોમાં ભેળવી દીધાં હતાં. તેણે જશોદાબેનને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ સફેદ રૂમાલમાં મૂકવા જણાવ્યું હતું. વાતોમાં આવી જશોદાબેને અઢી ગ્રામની રૂા.30 હજારની કિંમતની બુટ્ટીઓ રૂમાલમાં મૂકી દીધી હતી. જ્યારે બીજા શખ્સે ત્યાં આવી રૂમાલને ગાંઠ મારી જશોદાબેનને પરત કરી દીધી હતી. બંને ગઠિયા ત્યાંથી નીકળી ગયા હતા. મહિલાએ રૂમાલ ખોલી જોતાં તેમાં બે નાના પથ્થરના ટુકડા મળ્યા હતા. તેમણે સમગ્ર મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને યુવકને પકડી પાડ્યા હતા અને સોનું કબ્જે કર્યું હતું. ગઠિયાઓએ વાતોમાં ભેળવી દીધા બાદ મને કંઈ ખબર ન પડી,બુટ્ટી રૂમાલમાં મૂકાવતાં મને ભાન ન રહ્યુંહું ગલ્લે બેઠી હતી ત્યારે છોકરો આવ્યો હતો. તેણે સિગારેટ અને પડીકી લીધી હતી. આ દરમિયાન બીજો છોકરો આવ્યો અને ગલ્લા પાસે બેસી ગયો હતો. પહેલાં આવેલો છોકરાએ મારી પાસે આવીને મોં પર સિગારેટનો ધુમાડો ફૂંક્યો હતો. તેણે મને વાતોમાં ભેળવી દીધી હતી. મને કંઈ ખબર પડી નહોતી. તેને મારી બુટ્ટીઓ રૂમાલમાં મુકાવી અને મને ભાન રહ્યું નહોતું. બંને છોકરા ત્યાંથી જતા રહ્યા હતા. રૂમાલમાંથી બે કાંકરા નીકળ્યા હતા. (જશોદાબેન સોલંકી સાથે થયેલી વાતચીત મુજબ) પકડાયેલા આરોપી
સફળ સર્જરી:અમદાવાદમાં ની-રિપ્લેસમેન્ટની સર્જરી નિષ્ફળ જતાં ગોત્રી હોસ્ટિલમાં ફરી કરાઈ
તાંદલજાના 62 વર્ષીય વૃદ્ધની ની-રિપ્લેસમેન્ટ સર્જરી અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં કરાઇ હતી. જોકે સર્જરી બાદ સંક્રમણ થતાં તેઓ ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જ્યાં તેઓની રિવિઝન ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાઇ હતી. સામાન્ય રીતે આ પ્રકારની સર્જરીનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 5 લાખ થતો હોય છે, પણ જીએમઈઆરએસ હોસ્પિટલમાં આ સર્જરી આયુષ્યમાન કાર્ડ હેઠળ તદ્દન નિ:શુલ્ક કરાઈ હતી. 62 વર્ષીય વૃદ્ધને ઘૂંટણમાં તકલીફ હોવાને કારણે તેઓએ અમદાવાદ જઈને ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી. સર્જરી બાદ તેઓને સારું થવાને બદલે તકલીફમાં વધારો થવા લાગ્યો હતો. જેથી તેઓ ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જ્યાં જાણવા મળ્યું હતું કે, તેઓને ઘૂંટણમાં સંક્રમણ થઈ ગયું છે. જેથી તેઓની પુખ્ત સાંધાના પુનર્નિર્માણ (એડલ્ટ જોઇન્ટ રિકન્સ્ટ્રક્શન) સર્જરી કરવાની નક્કી કરાયું હતું. હૉસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉ.ચિરાગ ઠક્કર દ્વારા 2 કલાકની સફળ સર્જરી કરાઈ હતી. સર્જરી બાદ હવે વૃદ્ધ કોઈ પણ ટેકા વગર ચાલી ચાલી શકે છે. આ બાબતે ડૉ.ચિરાગે જણાવ્યું હતું કે, આ પ્રકારની સર્જરી ખૂબ જ જટીલ કહેવાય છે. તેઓની 1 વર્ષ પહેલાં ની-રિપ્લેસમેન્ટ સર્જરી થઈ હતી. પહેલી સર્જરી ફેઈલ થઈ ગઈ હતી, હાલમાં દર્દીને ફરી ચાલતા કર્યા છે. સર્જરી બાદ હું એક ઓરડાની અંદર કેદ થઈ ગયો હતોવૃદ્ધે જણાવ્યું કે, સર્જરી બાદ મારી તકલીફ વધી રહી હતી. હું વધારે ચાલી-ફરી શકતો નહોતો. હું ઓરડીમાં જ ફરી શકતો હતો. જોકે જીએમઈઆરએસ હોસ્પિટલમાં મારી સર્જરી બાદ મને દુ:ખાવો નથી થઈ રહ્યો અને હું ઘૂંટણ વાળી શકું છું અને દૈનિક કાર્યમાં પણ કંઈ તકલીફ પડતી નથી.
યુજીસી બિલના સમર્થનમાં સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થાનું માનવું છે કે, બિલમાં કરાયેલા સુધારાઓ દ્વારા દરેક વર્ગના વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દેખાડવાની નવી તક મળશે. અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકશે. સ્વયં સૈનિક દળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે યુજીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે. તેના સમર્થનમાં અમે કલેક્ટર કચેરીમાં એકત્રિત થયા છે. આ બિલ આમ તો 1956થી અમલમાં હતું. હાલની સરકારે તેમાં સુધારા કર્યાં છે તે આવકારદાયક છે. આ સુધારાઓ દ્વારા ઓબીસી, માઈનોરિટી, મહિલાઓ, વિકલાંગો અને દરેક વર્ગના વિદ્યાર્થીઓને વધુ સુરક્ષા પ્રાપ્ત થશે. કેટલાક લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમનો હેતુ એવો છે કે આ બિલ પાસ ન થાય. અમે યુજીસી બિલને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને તે જ હેતુથી આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. 29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી-કોલેજમાં ભેદભાવ રોકવા માટેના યુજીસીના નવા નિયમ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે નિયમોની જોગવાઈઓ સ્પષ્ટ નથી. આનો ખોટો ઉપયોગ થઈ શકે છે.
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના આર્કિયોલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિ શ્રીલંકા લઇ જવામાં આવશે. આર્ટસ ફેકલ્ટીમાં ભગવાન બુદ્ધના અસ્થિ શ્રીલંકા જવાની પ્રક્રિયા મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આર્ટસ ફેકલ્ટીથી બુલેટ પ્રુફ ગાડીમાં અસ્થિઓ એરપોર્ટ સુધી લઇ જવાશે. વડોદરાથી દિલ્હી આ અસ્થિઓ લઇ જવાશે, જ્યાંથી આર્કિયોલોજી વિભાગના આધ્યાપકો, ડે.સીએમ, ગર્વનર શ્રીલંકા જશે. મંગળવારે આર્ટસ ફેકલ્ટીમાં લેકચર કેન્સલ કરવામાં આવ્યા છે. શ્રીલંકાના કોલંબો ખાતે યોજાનારા પ્રદર્શનમાં યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં રાખવામાં આવેલા ભગવાન બુદ્ધના અસ્થિ લઇ જવામાં આવશે. જ્યાં ભાવિકોના દર્શનાર્થે મૂકવામાં આવશે. આ પ્રદર્શનનું આયોજન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા શ્રીલંકાની સરકારના સહયોગથી થઈ રહ્યું છે. શ્રીલંકામાં બહુમતી લોકો બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. ત્યારે ભારતની પ્રાચીન અને ભવ્ય બૌદ્ધ પરંપરાની ઝલક ત્યાંના લોકોને મળે તે માટે ભારત સરકાર પ્રયાસો કરી રહી છે. 3 ફેબ્રુઆરીએ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. તે સમયે બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ કરવામાં આવશે. ભગવાન બુદ્ધના અવશેષોના મુખ્યમંત્રી દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરશે. બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી શોભાયાત્રા કાઢવામાં આવશે. બાદમાં પ્લેન મારફત વાયા દિલ્હી થઇ કોલંબો મોકલવામાં આવશે. દિલ્હી ખાતે શ્રીલંકાનું ડેલિગેશન સાથે એમ.એસ.યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગના વડા સહિતના 3 અધ્યાપકો તથા ડે.સીએમ હર્ષ સંઘવી, રાજ્યપાલ ભગવાન બુદ્ધના અસ્થિ શ્રીલંકા રવાના થશે. શ્રીલંકાના કોલંબો ખાતે 4થી 11 ફેબ્રુઆરી સુધી પ્રદર્શનમાં આ અસ્થિને મૂકવામાં આવશે. યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત એવું બનશે કે ભગવાન બુદ્ધના અસ્થિ આર્કિયોલોજી વિભાગના મ્યુઝિયમની બહાર જશે. આ અસ્થિ જ્યારથી મળ્યા છે ત્યારથી તેને આર્કિયોલોજી વિભાગમાં જ સાચવીને રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી આર્કિયોલોજી વિભાગમાં આવેલા મ્યુઝિયમની મુલાકાત લેશેમુખ્યમંત્રી ભગવાન બુદ્ધના અવશેષોને શ્રીલંકા મોકલવાની પ્રક્રિયામાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે આર્ટસ ફેકલ્ટીના આર્કિયોલોજી વિભાગના મ્યુઝિયમની વિઝિટ કરશે. ઉપરાંત જો મુખ્યમંત્રી ઇચ્છા વ્યકત કરશે તો તેમને આર્ટસના ઐતિહાસિક ડોમની પણ મુલાકાત કરવામાં આવશે. કોન્વોયના માધ્યમથી ભગવાન બુદ્ધનાં અસ્થિ એરપોર્ટ લઇ જવાશેઆર્ટસ ફેકલ્ટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન બુદ્ધના અવશેષોને મુખ્યમંત્રી દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરશે. બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી તેને વડોદરા એરપોર્ટ ખાતે રવાના કરાશે. જે કોન્વોયના માધ્યમથી લઇ જવાશે.
પુસ્તક વિમોચન કરાયું:ડીઈઓ કચેરીમાં પરિણામ સુધારણા પુસ્તકનું વિમોચન
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં પરિણામ સુધારણા પુસ્તકનું કરાયું વિમોચન કરાયું હતું. પરિણામમાં ગુણાત્મક સુધારો લાવવા તથા અધ્યયન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા પુસ્તક તૈયાર કરાયું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે એસ.એસ.સી. બોર્ડની માર્ચ–2025ની પરીક્ષામાં 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા પરિણામ સુધારણા પુસ્તકનું વિમોચન તથા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામમાં સુધારો લાવવા આ પુસ્તક તૈયાર કરાયું છે. આ કાર્યક્રમ અંતર્ગત સાવલી તથા ડેસરની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ તેમજ વડોદરા જિલ્લાની અન્ય શાળાને કુલ 5000 કરતાં વધુ પુસ્તકોનું વિતરણ કરાશેય આ પ્રસંગે કેજેઆઇટી સાવલીના ટ્રસ્ટી સમીર પંડયા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
દેહદાન:પૌત્રીના એનાટોમીના અભ્યાસથી પ્રેરણા લેનાર શિક્ષકના નિધન બાદ દેહદાન કરાયું
કારેલીબાગ ખાતે રહેતા 89 વર્ષીય શિક્ષકે પૌત્રીના મેડિકલ અભ્યાસથી પ્રેરિત થઈ 2022માં દેહદાનનો સંકલ્પ લઈ ફોર્મ ભર્યું હતું. 27મીએ તેઓનું મૃત્યુ થતાં પરિવારે તેમની ઈચ્છા મુજબ મેડિકલ કોલેજમાં તેમના દેહનું દાન કર્યું હતું. કારેલીબાગના માધવલાલ ઠક્કર શિક્ષક હતા. તેમની પૌત્રીએ મેડિકલનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે અભ્યાસક્રમમાં આવતા એનાટોમી વિષયમાં તેઓને ખાસ રસ પડ્યો હતો. દેહદાન કેવી રીતે થઈ શકે તે માટે પૌત્રી પાસેથી માહિતી મેળવી 2022માં તેઓએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. તેમણે જે તે સમયે પત્નીને દેહદાનનો આગ્રહ કર્યો હતો, પણ તેમનાં પત્ની લૌકિક ક્રિયામાં માનતાં હતાં. જોકે તેઓએ પતિને દેહદાન કરવા સહમતી આપી હતી. તેમની પૌત્રી ડૉ.નુપુરે કહ્યું કે, તેઓ ઘરમાં સતત કહ્યા કરતા હતા કે, મારું ફોર્મ સાચવી રાખ્યું છે ને. ડિસેમ્બરમાં પણ મને ફોર્મ વિશે ફોન કરી પૂછ્યું હતું. સ્વજનોએ પણ માધવલાલથી પ્રેરણા મેળવીમાધવલાલના મૃત્યુ બાદ દેહદાનની પ્રક્રિયા ઝડપથી કરવાની હોવાથી પરિવારે સ્વજનોને પણ દર્શન માટે જલ્દી બોલાવી દીધા હતા. સ્વજનોને દેહદાનની જાણ થતાં તેમણે નિર્ણયને આવકાર્યો હતો અને દેહદાન કરવાની પ્રેરણા પણ મેળવી હતી.
વેધર રિપોર્ટ:શહેરમાં વાદળો છવાતાં ઠંડી ઘટી, પારો 20.40 થયો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અઠવાડિયા સુધી ઠંડીનો પારો 17 થી 19 ડિગ્રી વચ્ચે રહેશે. જેથી ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ઠંડીની અસર નહીં વર્તાય. હવામાન નિષ્ણાત મુકેશ પાઠકના મતે 7 ફેબ્રુઆરી સુધીમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યાં છે, જેથી ઠંડી નહીં પડે. જ્યારે પખવાડિયા બાદ ઠંડીની તીવ્રતા ઘટશે. જ્યારે મંગળવારે પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. શહેરમાં સોમવારે મહત્તમ પારો 31.4 ડિગ્રી અને લઘુતમ પારો 20.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજટસવારે 84 ટકા અને સાંજે 56 ટકા નોંધાયો હતો. જ્યારે નોર્થ અને નોર્થ-વેસ્ટની દિશાથી 5 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.
રાવપુરા એફોર્ડેબલ હાઉસિંગ કચેરીમાં બેસી ધરણાં કર્યાં:આવાસ ન મળતાં લોકોનો પૂઠાના મકાનો સાથે વિરોધ
શહેરના ગોરવા દશામા મંદિર નજીક ગુજરાત હાઉસિંગ વોર્ડની જગ્યા પરથી કાચાં-પાકાં 300 મકાનો દૂર કરાયાં હતાં. જોકે આવાસ યોજનામાં મકાન પરત નહીં મળતાં ત્યાં રહેતા રહીશોએ રાવપુરાની આવાસ યોજનાની કચેરી ખાતે ધરણાં કરીને વિરોધ દર્શાવ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોરવા દશામા મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીનમાં વર્ષોથી 300 જેટલાં કાચાં-પાકાં મકાનો બનાવવામાં આવ્યાં હતાં. ગુજરાત હાઉસિંગ બોર્ડની ટીમે પાલિકાની દબાણ શાખાની ટીમને સાથે રાખીને મકાનો તોડી જગ્યા ખાલી કરાઈ હતી. જોકે મકાનો તોડ્યા બાદ આવાસ યોજનામાં મકાન નહીં મળતાં તેઓ પાલિકાની રાવપુરા એફોર્ડેબલ હાઉસિંગ વિભાગની કચેરીમાં બેસી વિરોધ કર્યો હતો. બાળકો સાથે ધરણાં પર બેઠેલા પરિવારોએ હાથમાં સોગંદનામું રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરી રહેલા લોકો સાથે આપ પાર્ટીના કાર્યકરો પણ જોડાયા હતા. તેઓએ પૂઠાંનાં મકાનો બનાવી તંત્રનો વિરોધ કર્યો હતો.
ઓનલાઈન ફરિયાદોમાં ચિંતાજનક વધારો:પાલિકાને 1.38 લાખ ઓનલાઇન ફરિયાદ મળી, ડ્રેનેજ-પાણીની સૌથી વધુ 52,999
પાલિકામાં દર વર્ષે લોકો દ્વારા કરાતી ઓનલાઈન ફરિયાદોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. પાણી, ડ્રેનેજ, સફાઇ અને રોડ સહિત 30થી વધુ વિભાગોમાં 1.38 લાખ ફરિયાદ ઓનલાઇન મળી છે. જેમાં આ વર્ષે સૌથી વધુ 52,999 ફરિયાદ પશ્ચિમ ઝોનમાંથી મળી છે. 1 વર્ષમાં વિવિધ વિસ્તારમાંથી ઓનલાઈન મળેલી ફરિયાદોમાં સૌથી વધુ ડ્રેનેજ-વરસાદી પાણીની છે. શહેરમાં ઈન્દોર અને સુરત જેવી સફાઇ થાય તે માટે અઢળક ખર્ચ કરતા તંત્રને બીજા નંબરે સૌથી વધુ ફરિયાદ સફાઇ-કચરાની 17,289 મળી છે. શહેરભરમાંથી પાણીની 14,914 અને સ્ટ્રીટ લાઇટની 14,273 ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, ડ્રેનેજ અને વરસાદી ગટર, કચરો અને સફાઈ તેમજ પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો સૌથી વધુ છે. ઝોન વાઇઝ ઓનલાઈન ફરિયાદો વોર્ડ 2 માં સૌથી ઓછી 3341 ફરિયાદ સૌથી વધુ ફરિયાદો ધરાવતા ટોચના 10 વિભાગ
આજે પાલિકાનું બજેટ:સયાજીગંજમાં ઇ-બસ ટર્મિનલ,અનગઢ ડબ્લ્યુટીપીનું કામ રિપીટ થશે
પાલિકાના મ્યુનિ. કમિશનર મંગળવારે સવારે સ્થાયીમાં 2025-26નું રિવાઇડ્ઝ અને 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. આ બજેટમાં પાલિકામાં સમાવિષ્ટ કરાયેલા ઓજી વિસ્તારમાં સ્પેશિયલ પેકેજ તરીકે 450 કરોડના ખર્ચે 82 રોડ બનાવવાનું આયોજન છે. જોકે ગત વર્ષના અનગઢ WTP અને સયાજીગંજમાં ઈ-બસ ટર્મિનલ ઊભું કરવાના કામને રિપીટ કરાશે. પાલિકાનું તંત્ર વરસાદી પાણીના નિકાલ માટે વાઘોડિયા ચોકડીથી જાંબુઆ નદી સુધી વરસાદી ચેનલ બનાવશે. પૂર નિયંત્રણના પગલા હેઠળ આ વર્ષે પણ આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડું કરાશે. સાથે જ રખડતાં પશુઓ માટે ખટંબાની જેમ મકરપુરા સહિત અલગ-અલગ ઝોનમાં શેલ્ટર હોમ બનાવશે. તળાવોની સફાઈ સાથે તેની ફરતે ચાલવા માટેનો ચાર્જ લઈ પાલિકા નવી આવક ઊભી કરશે. ચૂંટણીનું વર્ષ હોવાથી વેરામાં વધારો કરવામાં નહીં આવે તેવી શક્યતાઓ છે. જોકે લાગતો વધારી આડકતરી રીતે પ્રજાના ખિસ્સા ખંખેરશે. ગત વર્ષે મૂકેલા અનગઢ ખાતે 200 MLDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ઈ-બસ માટેનું ટર્મિનલ સયાજીગંજ ખાતે બનાવવાનું કામ પણ ફરીથી બજેટની ચોપડીમાં જોવા મળશે. નોંધનીય છે કે, ગત વર્ષે 50 કરોડનો સફાઈ વેરો મૂકી 6200 કરોડનું બજેટ મુકાયું હતું. જેમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી 50 કરોડનો વેરો પાછો લેવાયો હતો. પાલિકાના માથે સફાઈ અને સ્માર્ટ સિટીનું 150 કરોડનું ભારણ આવશેપાલિકા દ્વારા દર વર્ષે શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા સાથે સફાઈ પાછળ 50 કરોડનો ખર્ચ કરાતો હતો, પરંતુ આ ખર્ચ વધીને હવે 150 કરોડ થશે. તદુપરાંત સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટનો અંદાજિત 20 કરોડનો ખર્ચ પણ પાલિકાના માથે આવશે. જે માટે આવકની કોઈ વ્યવસ્થા ઊભી નહીં થાય તો પાલિકાના માથે 150 કરોડનું ભારણ આવશે. બે વર્ષ પહેલાંના આ કામો બજેટમાં ફરી જોવા મળશે1. નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જીએસએફસી, જીઆઇપીસીએલ અને જીએસીએલ કંપનીને ટ્રિટેડ વેસ્ટ વોટર વેચવાનું કામ 2. 4 ઝોનમાં લાઇબ્રેરી, યોગ સ્ટુડિયો, ત્રણ સ્થળોએ સ્વિમિંગ પુલ 3. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પબ્લિક ટોયલેટ બનાવવા 4. વેમાલી, હરણી, ઉંડેરામાં નવા ફાયર સ્ટેશન 5. પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો બનાવવા 6. સુશેન સર્કલ, વુડા સર્કલ, અટલાદરા સ્વામિનારાયણ મંદિર તરફથી કલાલી બ્રિજ તરફ, બાજવા-છાયાપુરી બાયપાસ લાઇન બ્રિજ બનશે 7. બ્રિજ નીચે ગેમ ઝોન અને સામાજિક પ્રવૃત્તિ ઝોન ઊભું કરાશે 8. પોઇચા અને ફાજલપુર ખાતે ઇન્ટેકવેલ અને 100 MLD ક્ષમતાનો WTP બનશે 9. 100 પ્લોટ પર જિઓ ફેન્સિંગ કરી પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા કરાશે 10. રૂા.200 કરોડના બોન્ડ બહાર પાડીને આવક મેળવવામાં આવશે 11. મકરપુરા અને બાકીનાં 3 સ્થળો પર શેલ્ટર હોમ બનાવવામાં આવશે
ભાસ્કર એક્સક્લુસિવ:ચાંદીના ચળકાટથી શહેરના બજારમાં અંધારાં, 6 કારખાનાં બંધ થઈ જતાં 300 કારીગર બેકાર
ચાંદીના વધેલા ભાવની અસર વડોદરાના વેપારીઓ પર પણ થઈ છે. શહેરમાં ચાંદીનાં નાનાં-મોટાં 6થી વધુ કારખાનાં બંધ થયાં છે, જેથી તેમાં કામ કરતાં 300થી વધુ કારીગરો બેકાર થયા છે. વડોદરામાં ખાસ થાળી, વાટકી, ગ્લાસ, લગડી બને છે અને તેની માગ હાલ બંધ થઈ ગઈ છે. એમજી રોડના પુરુષોત્તમદાસ એન્ડ સન્સના સંચાલક અને વડોદરા જ્વેલર્સ એસો.ના સભ્ય સંજય સોનીએ કહ્યું કે, ચાંદીની માગ 95 ટકા ઓછી થઈ છે. મહિને 53 લાખની 20 કિલો ચાંદીમાંથી વિવિધ વસ્તુનું ઉત્પાદન થતું હતું, જે ઠપ થયું છે. ચાંદીનો ભાવમાં દર વર્ષે 10-15 ટકા જેટલો વધારો થતો હતો, પરંતુ હાલ એક સાથે ભાવમાં વધારો થતાં માર્કેટ તૂટ્યું છે. ચાંદીનું મેન્યુફેક્ચરિંગ ફક્ત 3 ટકા જ બચ્યું છે. સારા ગણદેવીકર જ્વેલર્સના સુનીલ ગણદેવીકરે કહ્યું કે, ગ્રાહકોએ ગભરાઈને સોદા ન કરવા જોઈએ. પાયલ, કંદોરા, કડા, લક્કી, ચેન સહિતના દાગીના બહારથી આવે છેશહેરમાં પાયલ, કંદોરા, કડા, લક્કી, ચેન, બ્રેસલેટ, રાખડી, પેન્ડલ સેલ, ઝૂડો વગેરે બનતાં નથી. જે ખાસ રાજકોટ, અમદાવાદ, આગ્રા અને કોલ્હાપુરથી મગાવાય છે. આ ચાંદીની વસ્તુઓ હવે ફક્ત 10 ટકા જ મગાવાઈ રહી છે. પહેલાં 70થી 75 ટકા વસ્તુ મગાવાતી હતી, તેની માગ હવે ખૂબ ઓછી થઈ છે. 1 મહિનામાં જ ભાવ બમણા થઈ ગયા, 1 દિવસમાં 30 ટકાનો ઉછાળોચાંદીના ભાવમાં એક જ દિવસમાં 30 ટકા ભાવનો ઉછાળો આવી ગયો હતો. જ્યારે એક મહિનામાં ભાવ ડબલ થઈ ગયો હતો. અત્યારે ચાંદીના ધંધા બંધ જેવા પડ્યા છે, મોટાભાગના લોકો પાસે કામ નથી. બજેટ બાદ મંગળવારે ફોરેન બુલિયન માર્કેટ ખૂલે તે પછી ચાંદીના ભાવની અસર જણાશે. શહેરમાં ચાંદીની લગડી, સિક્કા, ગિફ્ટ અને વાસણો બનાવાય છે
શહેરના ગોરવામાં રહેતા 22 વર્ષીય યુવકને 6 મહિનાથી લકવાની બીમારી હોવાથી તે આત્મહત્યા કરવા માટે ઘરેથી નીકળી ગયો હતો. જેથી માતાએ અભયમને કોલ કરીને મદદ માગતાં ટીમ યુવક પાસે પહોંચી હતી. યુવકે અભયમને જણાવ્યું હતું કે, બીમારીથી કંટાળી ગયો છું અને જીવવું નથી. જેથી ટીમે યુવકનું કાઉન્સેલિંગ કરીને તેને ઘરે પરત વાળ્યો હતો. ગોરવા વિસ્તારમાં રહેતા યુવકને છેલ્લા 6 મહિનાથી જીબીએસની બીમારી હતી, જેમાં દર્દીને લકવો થઈ શકે છે અને ચાલવામાં તકલીફ પડી શકે છે. દરમિયાન રવિવારે રાત્રે 12 વાગે તે કોઈને કહ્યા વગર મોપેડ લઈને નીકળી ગયો હતો. ઘરમાં તે જણાઈ ન આવતાં તેના ભાઈએ ફોન કરીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, હું હાઈવે તરફ નીકળી ગયો છું. જેથી તેનો ભાઈ તેની પાછળ-પાછળ ગયો હતો. જ્યાં યુવકે ભાઈને ધમકી આપી કે, હું આત્મહત્યા કરી લઈશ. જેથી તેના ભાઈએ માતાને ફોન કરીને જાણ કરી હતી. માતાએ તાત્કાલિક અભયમને જાણ કરી હતી. યુવક ઘરેથી અંદાજિત 7 કિલોમીટર દૂર હતો, જેથી મોબાઈલના લાઈવ લોકેશનને આધારે અભયમ યુવક પાસે હાઈવે પર પહોંચ્યું હતું. અભયમની ટીમને યુવકે જણાવ્યું હતું કે, હું આ બીમારીથી કંટાળી ગયો છું, મારે આવું જીવન જીવવું નથી. આવા જીવનનો કોઈ મતલબ નથી. મારું કોઈ ભવિષ્ય નથી, મારે ઘરે જવુ નથી અને મારે મરી જવું છે. અભયમની ટીમે કાઉન્સેલિંગ કરીને તેને સમજાવ્યો હતો કે, આત્મહત્યા કરવી એ કોઈ વિકલ્પ નથી. બીમારીમાં તમારે દવા લેવી જોઈએ. ઘરના લોકો સાથે ઝઘડા ન કરવા જોઈએ. ટીમ યુવકને સમજાવીને ઘરે પરત લઈ આવી હતી, જેથી માતાને પણ હાશકારો થયો હતો. તબીબની સલાહ માનતો નહોતો અને દવા ખાતો નહોતોયુવકની માતાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, દીકરાને જીબીએસનો રોગ છે, જેને કારણે હાથ-પગમાં પેરાલિસીસ છે. જેથી તબીબે વાહન ચલાવવાની ના પાડી છે, છતાં મોપેડ લઈને ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. 6 મહિનાથી સારવાર ચાલુ છે, પણ તે દવા લેવાની ના પાડે છે. ઉપરાંત મને ગમે તેમ બોલે છે અને ઘરે આવવાની ના જ પાડે છે.
સરપંચ અને અગ્રણીઓ દ્વારા ખાતમુહૂર્ત કરાયું:મેઢાસણ પં.ને પોતાનું તલાટી આવાસ સહિતનું મકાન મળશે
મોડાસાના મેઢાસણ ગ્રામ પંચાયતનું મકાન લાખોના ખર્ચે અદ્યતન બનશે. એમાં તલાટી આવાસનો પણ સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કર્યા હતા. જેમાં મેઢાસણ ગામનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જેના ભાગરૂપ મેઢાસણ ગ્રામ પંચાયતનું બાંધકામનું ખાતમૂહર્ત અને કથાનું આયોજન કરાયું હતું. ખાતમુહર્તના અગાઉ દિવસે નેત્ર નિદાન કેમ્પ યોજાતાં 192 દર્દીઓએ લાભ લીધો હતો. ખાતમુહૂર્ત સરપંચ મુકેશભાઈ રાઠોડ અને તેમના પત્ની હીનાબેન રાઠોડના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ સરપંચ જગદીશભાઈ.ડી.પટેલ,ઇજુ બેન.એલ પટેલ,જગદીશભાઈ દયાળજી ભાઈ પટેલ, મેઢાસણ કેળવણી મંડળના કારોબારી સદસ્યો હીરાભાઈ. એસ. પટેલ,રાજે ન્દ્રસિંહ જોધ્ધા, ઉપસરપંચ રાકેશભાઈ. પટેલ,ગ્ર સદસ્ય પ્રકાશભાઈ ભોઈ , કૈલાશબેન વાળંદ,રમેશજી મગાજી રાઠોડ,જુજારજી દાનાજી તરાર તલાટી નાગેન્દ્રસિંહ.એલ.બિહોલા સહિત હાજર હતા.
અરવલ્લીમાં ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે તા.1 ફેબ્રુઆરીથી પંચાયતમાં વીસીઈ મારફતે નોંધણી શરૂ કરાઇ છે. આ વર્ષે સરકારે ઘઉંના પ્રતિ એક ક્વિન્ટલના ટેકાના ભાવ રૂ.2585 જાહેર કર્યા છે એટલે ઘઉંના પ્રતિ મણે ટેકાના ભાવ 517 થાય છે. ગત વર્ષે સરકારે ઘઉંના ટેકાના ભાવ રૂ.485 જાહેર કર્યા હતા. જે આ વર્ષે રૂ.32 વધુ જાહેર કર્યા છે. ખેડૂતોને નોંધણી બાબતે મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. જિલ્લામાં તા.1 માર્ચ 2026 સુધી નોંધણી કરી શકાશે. તેમજ જિલ્લાના તાલુકા મથકોમાં ફાળવવા આવનાર કેન્દ્રો ખાતે ઘઉંની ખરીદી તા. 4 માર્ચથી તા.15 મે 2026 સુધી કરાશે. ખેડૂતોને ગ્રામ પંચાયત કક્ષાએ વીસીઇ મારફતે નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન દ્વારા નોંધણી કરાશે. જિલ્લાના ખેડૂતોને રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ્સ નોંધણી માટે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. ખેડૂતોને તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સબંધિત પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરાયો છે. આ માટે સરકારે ખેડૂતોને નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 અને 8511171719 પર સંપર્ક કરવા જણાવ્યું છે. ખરીદી વખતે ખેડૂતે આધારકાર્ડ સાથે રાખવાનું રહેશેટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરાશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરાશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહીં કરાય.
ઘઉંના ભાવમાં નોંધાયો ઘટાડો:મોડાસા યાર્ડમાં નવા ઘઉંના હરાજીમાં પ્રતિ મણનો 685 ભાવ બોલાયો
મોડાસા યાર્ડમાં શિયાળુ સિઝનના નવા ઘઉંની આવક શરૂ થઈ છે. શરૂઆતના દિવસે જાહેર હરાજીમાં ઘઉંના પાકનો રૂ.516 થી 685 ભાવ બોલાયો હતો. ઘઉંનો પાક લઈને આવેલા મોડાસાના સાકરીયા અને માલપુરના ગોવિંદપુરના ખેડૂતનું માર્કેટયાર્ડ સત્તાવાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી વેપારીઓ અને ખેડૂતોને મોં મીઠું કરાવી સિઝનની ખરીદીની શરૂઆત કરી હતી. સોમવારે મોડાસા માર્કેટયાર્ડમાં જાહેર હરાજીમાં ઘઉંના રૂ.505 થી 550 ભાવ બોલાયો હતો. એક દિવસમાં ઘઉંમાં રૂ.100 થી 130નો ઘટાડો નોંધાયો હતો. અરવલ્લીમાં આ વર્ષે શિયાળુ સિઝનમાં 85 હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે. આ વર્ષે મબલખ ઉત્પાદન થવાની ખેડૂતોને આશા બંધાઈ છે. શનિવારે મોડાસાના સાકરીયા અને માલપુરના ગોવિંદપુરના બે ખેડૂતો રવિ પાકની સિઝનનો ઘઉં લઈ મોડાસા યાર્ડમાં પહોંચતા બંને ખેડૂતોનું માર્કેટ યાર્ડના કર્મચારી કૌશિકભાઈ જોશી, રાકેશભાઈ પટેલ, લાલાભાઇ દેસાઈ અને સ્ટાફ દ્વારા કુમકુમ તિલક કરી નવા આવેલા અન્ન ઘઉંનું પણ પૂજન કરાયું હતું. વેપારીઓએ શનિવારથી જ સિઝનના નવા ઘઉંની ખરીદીની શરૂઆત કરી હતી. જેમાં ઘઉંના પ્રતિ મણના રૂ.516 થી રૂ.685 ભાવ બોલાયા હતા. પ્રથમ દિવસે 76 બોરી ઘઉંની આવક નોંધાઈ હતી. સોમવારે પણ રાબેતા મુજબ યાર્ડમાં ખરીદી શરૂ થતા ઘઉંના પાકના 505 થી રૂ.550 ભાવ બોલાવ્યો હતો. જો કે બીજા દિવસે પણ 68 બોરી આવક થઈ હોવાનું નોંધાયું હતું.
માલપુર ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજમાં અભ્યાસ પ્રત્યે રૂચી જાગે અને સમાજમાં કુરિવાજો નાબૂદી વ્યસન મુક્તિ સહિતનું અભિયાન સમાજના અગ્રણીઓ દ્વારા હાથ ધરાયું છે. જેના ભાગરૂપે માલપુર તાલુકાના પૂજારાની મુવાડી ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની બંધારણીય બેઠક યોજાઈ હતી જેમાં લગ્નમાં થતાં ખોટા ખર્ચામાંથી બહાર નીકળવા અને અન્ય સુધારા બંધારણ અંગે સૌએ સંકલ્પ કર્યો હતો. ક્ષત્રિય ઠાકોર સમાજમાં શુભ અવસર તથા અશુભ પ્રસંગોમાં સમાજમાં ટકી રહેવા અને સમાજના બાળકોમાં અભ્યાસ અંગે રૂચી જાગે તે માટે સમાજની ચિંતા કરીને સમાજના આગેવાનોની પૂજારાની મુવાડી ખાતે બંધારણીય બેઠક મળી હતી. જેમાં પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ઠાકોર, ડાયાભાઈ પૂજારા, ચંદ્રપાલસિંહ ખાંટ ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ જય ઠાકોર અને પૂજારાની મુવાડીના સરપંચ ભલાભાઇ તથા હેલોદરના પૂર્વ સરપંચ રમેશભાઈ ઓકલિયા, સરપંચ પ્રતાપભાઈ રંભોડા સરપંચ હીરાભાઈ તથા કાટકુવા સરપંચ દોલાભાઈ અને સિનિયર આગેવાનો હાજર હતા.
દારૂ ઝડપાયો:મોડાસાના નાંદીસણ પાસે ગાડીમાંથી 2.77 લાખના દારૂ સાથે ચાલક ઝબ્બે
મોડાસાના નાંદીસણ પાસેથી શામળાજી હિંમતનગર હાઇવે ઉપર ગાડીમાં 2.77 લાખનો વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલા રાજસ્થાનના આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો હતો.ત્રણ વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. એલસીબીને માહિતી મળી હતી કે ગાડી નં.જીજે 18 બીપી 73 27 નો ચાલક દીપકકુમાર ભગવતીલાલ હીરાજી કલાલ રહે. ચાટપુર સરાડા જિ.સલુમ્બરનો આરોપી વિદેશી દારૂ ભરી શામળાજી હિંમતનગર થઈ અમદાવાદ તરફ જવાનો હોવાની માહિતીના આધારે એલસીબીએ નાદીસણ પાસેથી ગાડી સાથે ઝડપી ગાડીમાંથી 2,77,280નો વિદેશી દારૂ, મોબાઈલ તેમજ ગાડી સહિત કુલ રૂ.7,87,280 નો મુદ્દામાલ વોન્ટેડ આરોપી લોકેશ હીરાલાલ મીણા રહે. ખલ્લા જિ.સલુમ્બર રાજસ્થાન, પ્રેમારામ ભેરાજી મીણા રહે. ટોપલી મગરી જાંબુડી જિ.સલુમ્બર અને ગાંધીનગર મોટા ચિલોડા ખાતે વિદેશી દારૂ લેવા આવનાર લોકેશના માણસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સંસદમાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીના ભાષણને લઈને રહ્યા. તેમણે કહ્યું કે જ્યારે ચીની ટેન્ક ભારતની સીમામાં પહોંચી ગયા હતા, ત્યારે 56 ઈંચની છાતીને શું થયું હતું. બીજા મોટા સમાચાર અમેરિકા દ્વારા ટેરિફ ઘટાડવાને લઈને રહ્યા, જેના પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કેન્દ્રીય બજેટને લઈને PM મોદી NDA સંસદીય દળની બેઠકને સંબોધિત કરશે. 2. પશ્ચિમ બંગાળમાં SIR અભિયાન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 3. જ્ઞાનવાપી મસ્જિદના વજૂખાનાનો ASI સર્વે કરાવવાની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. રાહુલ બોલ્યા- ચીની ટેન્ક લદ્દાખ પહોંચી, શાહ-રાજનાથે ટોક્યા:સ્પીકરે માઈક બંધ કરાવ્યું, જનરલ નરવણેની પુસ્તકના 9 પોઈન્ટ્સ, જેના પર હંગામો થયો લોકસભામાં સોમવારે રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન જોરદાર હોબાળો થયો. રાહુલે પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના અનપબ્લિશ્ડ પુસ્તકનો હવાલો આપતા કહ્યું- ડોકલામમાં 4 ચીની ટેન્ક ભારતની સીમામાં પહોંચી ગયા હતા. રાહુલના આવું કહેતા જ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પછી ગૃહમંત્રી શાહે તેમને ટોક્યા. ત્યારબાદ સ્પીકરે નિયમોનો હવાલો આપતા તેમને રોક્યા. રાહુલ આશરે 46 મિનિટ સુધી પોતાની વાત કહેવાની કોશિશ કરતા રહ્યા. ત્યારબાદ સ્પીકરે લોકસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. બપોરે 3 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ રાહુલે બોલવાનું શરૂ કર્યું. પરંતુ હોબાળાને કારણે માત્ર 9 મિનિટ બાદ જ કાર્યવાહી સાંજે 4 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. અમેરિકાએ ભારત પર ટેરિફ 50%થી ઘટાડીને 18% કર્યો:ટ્રમ્પે કહ્યું- ટ્રેડ ડીલ પર પણ સહમતિ બની, મોદી રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે અમેરિકાએ ભારત પર લગાવવામાં આવેલી 25% રેસિપ્રોકલ (જેવા સાથે તેવા) ટેરિફને 7% ઘટાડીને 18% કરી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે પીએમ મોદી રશિયન તેલ ખરીદવાનું બંધ કરીને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે. સાથે જ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ બની ગઈ છે. આ પછી પીએમ મોદીએ પોસ્ટ કરીને કહ્યું- એ જાણીને ખુશી થઈ કે હવે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટીને 18% થઈ જશે. જોકે, તેમની પોસ્ટમાં ટ્રેડ ડીલ અંગે કોઈ જાણકારી નથી. ભારત પર ટેરિફ હવે 50% ને બદલે 18% લાગશે અમેરિકાએ ઓગસ્ટ 2025માં ભારત પર બે વાર ટેરિફ લગાવ્યો હતો. પહેલી વાર 1 ઓગસ્ટે વેપાર ખાધને લઈને 25% ટેરિફ લગાવવામાં આવ્યો. ત્યારબાદ 27 ઓગસ્ટે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. કેન્દ્ર સરકાર: વાંગચુક લદ્દાખને નેપાળ-બાંગ્લાદેશ બનાવવા માંગતા હતા:સુપ્રીમ કોર્ટમાં કહ્યું- તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો, ઝેર ઓકવાની પરવાનગી આપી શકાય નહીં કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે સોનમ વાંગચુક લદ્દાખને નેપાળ કે બાંગ્લાદેશ જેવું બનાવવા માંગે છે. આવા વ્યક્તિને વધુ ઝેર ઓકવાની પરવાનગી આપી શકાય નહીં. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની બેન્ચ લદ્દાખ હિંસા કેસમાં એક્ટિવિસ્ટ વાંગચુકની ધરપકડ વિરુદ્ધની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, વાંગચુકના ભાષણમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સીધો ખતરો દેખાય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) એ પરિસ્થિતિને જોતા ધરપકડનો યોગ્ય નિર્ણય લીધો. મહેતાએ કહ્યું કે નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા ઉદાહરણો આપવા, યુવાનોને ભડકાવવા અને દેશની એકતા વિરુદ્ધ માહોલ બનાવવા બરાબર છે. આ રાષ્ટ્રીય સુરક્ષા માટે પૂરતો આધાર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મમતા બેનર્જી કાળી શાલ ઓઢીને મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા:તેમણે કહ્યું- ચૂંટણી પંચ ભાજપનો IT સેલ છે, આવા જૂઠા ચૂંટણી કમિશનર ક્યારેય જોયા નથી પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ સોમવારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધ કાળી શાલ ઓઢીને દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સાથે મુલાકાત કરી. તેઓ પોતાની સાથે SIR પ્રભાવિત 13 પરિવારો અને TMCના નેતાઓને પણ લાવ્યા હતા. મુલાકાત પછી મમતાએ કહ્યું, હું ખૂબ દુઃખી છું. હું દિલ્હીની રાજનીતિમાં લાંબા સમયથી સક્રિય છું. હું ચાર વખત મંત્રી અને સાત વખત સાંસદ રહી ચૂકી છું. મેં આજ સુધી આવા અહંકારી અને જૂઠા ચૂંટણી કમિશનર જોયા નથી. મેં તેમને કહ્યું, 'હું તમારી ખુરશીનું સન્માન કરું છું કારણ કે કોઈ પણ ખુરશી હંમેશા માટે રહેતી નથી. એક દિવસ તમારે જવું જ પડશે. બંગાળને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે? વાંચો સંપૂર્ણ સમાચાર 5. બ્રિટિશ-પ્રિન્સે એપસ્ટીનને પોતાની દીકરીઓની તસવીરો મોકલી હતી:દીકરીએ પિતા સાથે સંબંધ તોડ્યો; સર્વાઈવરે કહ્યું- શાહી મહેલમાં સેક્સ માટે મજબૂર કરવામાં આવી હતી બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુએ 2008માં યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનને પોતાની દીકરીઓની તસવીરો મોકલી હતી. આ ખુલાસો 2010 અને 2011ના ઈમેઈલ્સથી થયો છે, જેને જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 30 જાન્યુઆરીએ જાહેર કર્યા હતા. આ ઈમેઈલ્સમાં પ્રિન્સેસ બીટ્રિસ અને પ્રિન્સેસ યુજેનીની તસવીરો શામેલ છે. ત્યારબાદ 20 ડિસેમ્બર 2012ના રોજ બીજું કાર્ડ મોકલવામાં આવ્યું. તેમાં કુલ 4 તસવીરો હતી. બે તસવીરોમાં પ્રિન્સેસ બીટ્રિસને ફેબ્રુઆરી 2012માં મોન્ટ બ્લેન્ક પર ચઢતા દર્શાવવામાં આવી છે, જ્યારે પ્રિન્સેસ યુજેની જૂન 2012માં 'નાઈટ રાઈડર' ચેરિટી સાયકલ ઈવેન્ટમાં જોવા મળે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સેલ્ફી લેતા 3 યુવકને વંદે ભારત ટ્રેને ઉડાવ્યા, 2નાં મોત:રેલ્વે ટ્રેક પાસે એક યુવાન ઉછળતા ગંભીર, રાજકોટની ગોંડલ ચોકડી પાસેનો બનાવ રાજકોટમાં આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની હડફેટે ત્રણ વ્યક્તિઓ આવી ગયા હતાં. ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલધારી ફાટક નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજયું છે એન એકને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયાં હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ચાલુ ટ્રેને સગીરાને વોશરૂમમાં ખેંચી:વિધર્મીએ મોઢા પર સિગારેટ ફૂંકી, મહિલાઓ-બાળકોને લાત-મુક્કાથી માર્યા; દાહોદનો પરિવાર અસ્થિવિસર્જન કરવા ઉજ્જૈન જતો'તો ગુજરાતના દાહોદથી અસ્થિ વિસર્જન માટે ઉજ્જૈન જઈ રહેલા પરિવાર સાથે મેમુ (મેઈનલાઈન ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) ટ્રેનમાં મારપીટનો મામલો સામે આવ્યો છે. રતલામ સ્ટેશનથી કેટલાક યુવકો ટ્રેનમાં સવાર થયા હતા, જેઓ નાગદા જવાના હોવાનું કહેવાય છે. આરોપ છે કે રતલામથી ખાચરોદ વચ્ચેની યાત્રા દરમિયાન આમાંથી એક મુસ્લિમ યુવકે પરિવારની એક છોકરી સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પરિવારે તેનો વિરોધ કર્યો, ત્યારે વિવાદ શરૂ થયો. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, વિવાદ વધતા ખાચરોદ સ્ટેશનથી મુસ્લિમ સમાજના વધુ લોકોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 50થી 60 લોકોએ ટ્રેનમાં ચડીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત આખા પરિવાર સાથે નિર્દયતાથી મારપીટ કરી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : લંડનમાં એર ઈન્ડિયા ડ્રીમલાઈનરની ફ્યુઅલ સ્વીચમાં ખામી:પાયલટે કહ્યું- બે વખત સ્વીચ બંધ થઈ, દાવો- અમદાવાદ પ્લેન ક્રેશમાં પણ આવું જ થયું હતું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બે મહિલાથી ફફડે છે પાકિસ્તાનની સેના:બલૂચ મહિલાઓએ ISI હેડક્વાર્ટર ફૂંકી માર્યું, 40 કલાકમાં જ પાકિસ્તાનના 200 જવાનને ગોળી મારી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાજસ્થાન, યુપી-MPમાં વરસાદ સાથે કરા પડ્યા:ઊભા પાકને નુકસાન; જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ફરીથી હિમવર્ષા શરૂ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : મોદીના માસ્ટર સ્ટ્રોકથી પાકિસ્તાનની કમર ભાંગી ગઈ:પાકિસ્તાન યુરોપના દેશો પાસેથી ડ્યૂટી ફ્રી માલ મગાવતું હતું, એ બંધ થઈ ગયું; શાહબાઝને પરસેવો વળી ગયો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું-ચાંદી ફરી ક્રેશ:ચાંદી ત્રણ દિવસમાં ₹1.60 લાખ ઘટી, સોનું ગબડીને ₹1.40 લાખ પર આવ્યું; રોકાણ કરતાં પહેલાં આટલું વાંચો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વર્લ્ડ કપ છોડવો પાકિસ્તાનને ભારે પડશે:ICC લગાવશે કરોડોનો દંડ-પ્રતિબંધ, ક્રિકેટજગતમાં એકલું અટૂલું પડી જશે પાકિસ્તાન; BCCIએ આ મુદ્દે બોલવાનું ટાળ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સંતની દુઃખી વ્યક્તિને શીખ:દરેક પ્રયાસ તરત પરિણામ આપતો નથી, સફળતા માટે મહેનતની સાથે જ ધીરજ પણ જરૂરી છે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ દારૂની સાથે ચખના ન મળતા ચોર નારાજ થયો રાજસ્થાનના જેસલમેરમાં એક સરકારી એન્જિનિયરના ક્વાર્ટરમાં ચોર ઘૂસ્યા હતા. ચોરી દરમિયાન તેમને મોંઘી દારૂની બોટલ મળી, તો તેઓ ઘરમાં જ બેસીને પીવા લાગ્યા. ચખના ન મળતા નારાજ થઈને ચોર કાગળ પર નોટ છોડી ગયો કે, દારૂ રાખો છો તો બટેટાની ચિપ્સ પણ રાખો. ચોર લેપટોપ, કપડાં, ટીવી અને પરફ્યુમ લઈને ફરાર થઈ ગયો. જતી વખતે દીવાલ પર લિપસ્ટિકથી 'સોરી' પણ લખ્યું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: બલૂચ આતંકીઓનો પાકિસ્તાનમાં સૌથી મોટો હુમલો, મહિલાઓને સુસાઈડ બોમ્બર કેમ બનાવી રહ્યા છે, ચીન-અમેરિકા પર પણ તેની અસર 2. એક્સક્લૂસિવ : મતદારયાદીમાંથી નામ કાઢવાનું જબરું તૂત: જે વ્યક્તિના નામે ઢગલો અરજીઓ થઈ, એ વ્યકિત જ અજાણ; BLOને સાઇડ લાઇન કરીને કોણ ખેલ કરી ગયું? 3. સેન્ટ્રલ વિસ્ટા જેવી બનશે ઓડિશા વિધાનસભા, બજેટ 3600 કરોડ: 100 વર્ષની તૈયારી, 300 ધારાસભ્ય માટે જગ્યા, પણ વિવાદ કેમ? 4. મંડે મેગા સ્ટોરી : ડોલરના દિવસો ભરાઈ ગયા: શું આ જ કારણ છે કે દેશો આડેધડ સોનું ખરીદી રહ્યા છે, ટ્રમ્પે દુનિયામાં ઊથલપાથલ કરાવી દીધી 5. Editor's View: ભીખનો કટોરો ને બલૂચોનો વિદ્રોહ: ક્રિકેટથી કૂટનીતિ સુધી પાંચ-પાંચ મોરચે પાકિસ્તાન ઘેરાયું, ભારતની એક ડીલથી દેવાળિયા દેશમાં એક કરોડ નોકરી જોખમમાં કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મેષ, સિંહ અને કુંભ રાશિનો દિવસ 'મંગળમય' રહેશે, મકર-કન્યા રાશિના જાતકોએ સાવચેત રહેવું વાંચો સંપૂર્ણ રાશિફળ
હિંમતનગરના રૂપાલકંપાની સ્થાપના 70 વર્ષ અગાઉ મહા સુદ પૂનમના દિવસે થઈ હતી. ત્યારથી એક વર્ષ પૂરું થતાં ગામના તમામ પરિવારો સ્થાપના દિને ઢોર ઢાંખર લઈને ગામની બહાર નીકળી જાય છે અને ગામ બહાર જ રસોઈ બનાવી ભોજન લીધા બાદ ગામ ફરતે બાંધેલ સુતરનો દોરો તલવાર અથવા ધારિયાથી કાપી દૂધ પાણીના છંટકાવ સાથે ગ્રામજનો અને ઢોર ઢાંખરનો ગામમાં પ્રવેશ કરાય છે. આ પરંપરા પાછળ ઢોર ઢાંખર, મનુષ્યને રોગચાળાથી બચાવવા અને સુખ સમૃદ્ધિમાં વધારો થતો હોવાનું મનાઇ રહ્યું છે. રૂપાલકંપામાં સ્થાપના દિન નિમિત્તે ગામના 50 પરિવારોએ એક દિવસ માટે ઘરના રસોડાના ચૂલા બંધ રાખી, ગામના ઝાંપાથી બહાર દરેક પરિવાર દ્વારા બપોરના ભોજનનું આયોજન કરાયું હતું. ગામના અગ્રણી કાંતિભાઈ કેશરાભાઈ પટેલે જણાવ્યું કે સ્થાપના દિને ગામના તમામ પરિવાર ઢોર ઢાંખર લઈને ગામના ઝાંપા બહાર નીકળે છે અને ભાઈઓના પરિવાર ગ્રુપમાં ગામ બહાર જ ભોજન બનાવી જમે છે. ગામની સ્થાપના સમયના પુરાણા હનુમાન મંદિરે વિધિવત પૂજન કરાય છે. વડીલોની પરંપરા મુજબ બપોરે ગામની ચારે બાજુ સુતરની આંટી (દોરો) બાંધી, માતાજીનો ધૂપ ફેરવી દૂધની ધારા સાથે ઘઉંના ઠોઠા ઉડાડી માતાજીના જયઘોષ સાથે ગ્રામજનોના આરોગ્ય, સુખાકારી અને પ્રગતિ માટે સમૂહ પ્રાર્થના કરાય છે. બાદમાં ગામના ઝાંપા આગળ આવી હનુમાન મંદિરથી ગામ ફરતે બાંધેલ સૂતરની દોરી ધારિયા અથવા તલવારથી દોરી કાપી દૂધ-પાણીના છાંટણા કરી ગામમાં પ્રવેશ કરાય છે.
હિંમતનગર સર્વોદય નાગરિક સહકારી બેંકના બોર્ડના ડિરેક્ટર્સની 1 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાયા બાદ પરિણામ જાહેર થતાં 6 નવા ચહેરાનો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ થયો હતો. તેની પાછળ સતત દસ વર્ષ પૂરા કરનાર ડિરેક્ટરોએ કાયદાની કોઈપણ છટકબારીનો ઉપયોગ કર્યા વગર ચૂંટણી લડવાનું યોગ્ય ન માન્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. બે મહિલા ડિરેક્ટર બિનહરીફ થઈ છે. જ્યારે અનુસૂચિત જાતિ જનજાતિ અનામત વિભાગમાં ત્રણ ઉમેદવારો વચ્ચે એક બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. હિંમતનગરની સર્વોદય નાગરિક સહકારી બેંકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મુદત પૂરી થતાં 14 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી 9 સામાન્ય બેઠક 2 મહિલા અનામત અને 1 અનુસૂચિત જાતિ જનજાતિ અનામત મળી કુલ 12 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 8697 મતદાર પૈકી 3642 મતદારોએ એટલે કે 41.88 ટકા મતદાન થયું હતું. જેમાં 6 નવા ચહેરાને બોર્ડમાં સ્થાન મળ્યું હતું. ગત ટર્મના ચેરમેન ઇમરાનભાઈ જણાવ્યું કે કાદરભાઈ હરસોલિયા, મકબુલભાઈ ડોઈ, કાંતિભાઈ ગામેતી અને બે મહિલા ડિરેક્ટર મળી અમે કુલ છ જણા એ સતત દસ વર્ષ પૂરા થઈ ગયા હોવાથી સંસ્થાનું હિત નજરમાં રાખી આરબીઆઈએ કાયદામાં કરેલ સુધારાનું પાલન કરવા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે 6 નવા ચહેરાને તક મળી છે. બે મહિલા ઉમેદવાર બિનહરીફ થઈ હતી બેંકના મેનેજર અને ચૂંટણી અધિકારી અલ્તાફભાઈ સાબુગરે જણાવ્યું કે આગામી 4થી ફેબ્રુઆરીએ બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
ખેલ મહાકુંભ:કબડ્ડીની સ્પર્ધા અંડર-14માં મહેસાણા, અંડર-17માં ગાંધીનગર ગ્રામ્યની ટીમ ચેમ્પિયન બની
દાંતીવાડામાં ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડીની રાજ્ય કક્ષાની અંડર-14 અને અંડર-17 સ્પર્ધામાં રાજ્યની 16 ટીમોના 192 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અંડર-14 કેટેગરીમાં મહેસાણા, અંડર-17 કેટેગરીમાં ગાંધીનગર ગ્રામ્યએ પ્રથમ જ્યારે ગીર સોમનાથ અંડર-14 માં ત્રીજા સ્થાને જ્યારે અંડર-17 માં બીજા ક્રમે રહ્યું હતું. બનાસકાંઠા જિલ્લા રમત ગમત અધિકારી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,ખેલ મહાકુંભ 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા ખાતે કબડ્ડીની રાજ્ય કક્ષાની અંડર-14 અને અંડર-17 ભાઈઓની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યની 16 ટીમોના 192 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અંડર-14 કેટેગરીમાં 8 ટીમોના 96 ખેલાડીઓ અને અંડર-17 કેટેગરીમાં પણ 8 ટીમોના 96 ખેલાડીઓએ પોતાની રમત રજૂ કરી હતી. મહા મુકાબલાઓ બાદ અંડર-14 કેટેગરીમાં મહેસાણા જિલ્લો ચેમ્પિયન બન્યો, જ્યારે ડાંગ જિલ્લાએ દ્વિતીય અને ગીર સોમનાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. અને અંડર-17 કેટેગરીમાં ગાંધીનગર ગ્રામ્ય ટીમે પ્રથમ, ગીર સોમનાથે દ્વિતીય અને પંચમહાલે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ખેલાડીઓના ઉત્સાહ અને શિસ્તબદ્ધ રમતની દર્શકોએ પ્રશંસા કરી હતી.
મહિલા કોન્સ્ટેબલે કર્યો આત્મહત્યાનો પ્રયાસ:ઘર કંકાસને લઈ ઇડરની મહિલા કોન્સ્ટેબલે ઝેર પીધું
રવિવારે સવારે ઘરેલુ કંકાસને લઈ ઇડરની મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો જો કે પતિને કંઈક અજુગતું થવાનો અણસાર મળી જતાં તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવતાં સમયસર સારવાર મળી જવાને પગલે હાલ સ્વસ્થ છે અને કોઈ પણ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરવા મહિલાએ ઇનકાર કર્યો છે. વિશ્વસ્ત સૂત્રોના જણાવ્યાનુસાર ઘરેલુ કંકાસને પગલે મહિલા કોન્સ્ટેબલ તણાવમાં હતી અને પતિ સાથે વાતચીત પણ ચાલુ હતી. તેણે છેલ્લે સોરી નો મેસેજ કરતાં કંઈક અજુગતું થવાનો અણસાર આવી જતાં ક્વાટર્સમાં સાથે જ રહેતો પતિ પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો અને પત્નીએ દવા પી લીધી હોવાનું જણાતા હાજર પોલીસ કર્મીઓની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી. ખાનગી હોસ્પિટલના ડો.કેવલ પટેલે જણાવ્યું હતું કે દર્દીની હાલત સ્થિર છે અને એકંદરે સ્વસ્થ છે દર્દીની પ્રાયવસી જાળવવા એનાથી વિશેષ કોઈ માહિતી આપી ન શકાય.
પાટણ જિલ્લામાં રેવન્યુ તલાટીઓ ગ્રામ્ય સ્તરે હાજર રહેતા ન હોવાના મુદ્દે પાટણ જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન પટેલે કલેક્ટરને પત્ર લખી રેવન્યુ તલાટીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. રાજ્ય સરકારે ગ્રામ પંચાયતના મહેસૂલી કામો ઝડપી બને તે માટે તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી એમ બે અલગ જગ્યાઓ ઊભી કરી છે. જોકે, પાટણ જિલ્લામાં રેવન્યુ તલાટીઓ ગ્રામ્ય કક્ષાએ પોતાની કામગીરીમાં નિષ્ક્રિય રહેતા હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કમ મંત્રી ઉપલબ્ધ હોય છે, પરંતુ રેવન્યુ તલાટીઓ ક્યારે હાજર રહેશે તેની કોઈ વિગતો ઉપલબ્ધ હોતી નથી. આ તલાટીઓ ગ્રામ પંચાયતના બદલે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં બેસીને જ કામ કરતા હોવાથી ગ્રામજનોને પેઢીનામા કે અન્ય મહેસૂલી કામો માટે વારંવાર તાલુકાના ધક્કા ખાવા પડે છે. આના કારણે લોકોનો સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે.આ સમસ્યાના ઉકેલ માટે અશ્વિન પટેલે સૂચન કર્યું છે કે, રેવન્યુ તલાટીઓ કયા દિવસે કયા ગામે હાજર રહેશે તેનું બોર્ડ નક્કી કરવામાં આવે. તેમજ દરેક સેજાના ગામમાં તેમનું હાજરી પત્રક નિભાવી સરપંચના રેકોર્ડમાં રાખવામાં આવે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારની જમીનોના ફેરફાર અંગે યોગ્ય રેકોર્ડ નિભાવવા અને ગ્રામસભા જેવા મહત્વના કાર્યક્રમોમાં રેવન્યુ તલાટીની હાજરી ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી છે.
પાટણ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સોમવારે વિકાસના દાવા અને તંત્રની લાલીયાવાડીના આક્ષેપો વચ્ચે વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું. પ્રમુખ લલીબેન દેસાઈએ 17.88 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. પરંતુ વિપક્ષી સભ્ય સોહન પટેલે શાસક પક્ષ અને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કરી સભા ગજવી મૂકી હતી. વિપક્ષના સખત વિરોધ છતાં બહુમતીના જોરે બજેટ પસાર કરી દેવામાં આવ્યું હતું. વિપક્ષી નેતા સોહન પટેલે જણાવ્યું હતું કે, સભાના આગલા દિવસ સુધી સભ્યોને બજેટ કે મનરેગાની નકલો ન આપી નથી.તાલુકા પંચાયતમાં પારદર્શિતાના નામે મીંડું છે. RTI હેઠળ માંગેલી વિગતોમાં તંત્ર દ્વારા જાણી જોઈને ગોળ-ગોળ જવાબો આપી માહિતી છુપાવવામાં આવે છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, શંખારી ગામની શાળાના 14 ઓરડા 100% જર્જરિત હોવા છતાં તેને તોડવાનું ડેમેજ સર્ટિફિકેટ અપાતું નથી, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?. આ સભા માત્ર પ્રક્રિયા પૂરી કરવા ખાતર યોજાઈ છે.સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે મફતગાળા માટે આવક મર્યાદા વધારવા માંગ કરી હતી.
પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે:રાધનપુર- સાંતલપુરના 121 ગામોમાં 5 અને 6 ફ્રેબુઆરીએ પાણીનો કાપ રહેશે
રાધનપુર અને સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારો માટે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન સાતુન જળ શુદ્ધિકરણ પ્લાન્ટ (WTP)માં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આગામી 5 અને 6 ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી 121 ગામો અને રાધનપુર શહેરમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. નર્મદાની કચ્છ શાખાની મુખ્ય નહેર પર આધારિત આ યોજનામાં લાંબા સમય બાદ મોટા પાયે મેઇન્ટેનન્સ લેવાનું હોવાથી વોટરબોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. શુદ્ધિકરણ પ્લાન્ટની ટેકનિકલ કામગીરીને પગલે રાધનપુર તાલુકાના 55 ગામો અને શહેર વિસ્તાર તેમજ સાંતલપુર તાલુકાના 65 જેટલા ગામોમાં પીવાના પાણીની અછત સર્જાઈ શકે છે. સામાન્ય રીતે આ પ્લાન્ટ દ્વારા દરરોજ લાખો લિટર પાણી શુદ્ધ કરીને પાઈપલાઈન મારફતે છેવાડાના ગામો સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ આગામી ગુરુવાર અને શુક્રવારે પ્લાન્ટની મશીનરીના સર્વિસિંગ અને પાઈપલાઈન ચેકિંગને કારણે પમ્પિંગ બંધ રાખવામાં આવશે, જેની સીધી અસર લાખો લોકો પર પડશે. વોટરબોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆત પૂર્વે પ્લાન્ટની ક્ષમતા વધારવા અને ભવિષ્યમાં અચાનક આવતા બ્રેકડાઉનને અટકાવવા માટે આ આગોતરું આયોજન જરૂરી છે. તંત્ર દ્વારા ગ્રામ પંચાયતો અને સ્થાનિક વહીવટી તંત્રને અગાઉથી જાણ કરી દેવામાં આવી છે, જેથી લોકો પાણીનો જરૂરી સંગ્રહ કરી શકે. બે દિવસની જહેમત બાદ શનિવારથી પાણી વિતરણ ફરી શરૂ થશે.
ભવ્ય સ્વાગત કરાયું:સરસ્વતીના ખારેડાનો યુવાન બીએસએફમાં ટ્રેનિંગ પુરી કરીને વતન આવતા સ્વાગત કર્યું
સરસ્વતીના ખારેડાના ઠાકોર સમાજનો યુવાન બીએસએફ મહારાષ્ટ્રમાં ટ્રેનીંગ પૂરી કરી વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા સ્વાગત કર્યુ હતું. ખારેડાના રમેશજી વરસુંગજી ઠાકોરનો દિકરો પ્રકાશજી ઠાકોર બીએસએફની મહારાષ્ટ્રમાં તાલીમ કેન્દ્ર પર 9 માસની તાલીમ પૂરી કરી સોમવારે વતન ખારેડા ખાતે પરત ફર્યા હતા. ગ્રામજનો અને ઠાકોર સમાજ દ્વારા બીએસએફ પ્રકાશ ઠાકોરનું ઢોલના તાલે વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભવ્ય સ્વાગત કરાયું:પાટણમાં CISFની તાલીમ પૂર્ણ કરનાર દીકરીનું સ્વાગત કરાયું
શહેરમાં રહેતા કાંતિભાઈ પ્રજાપતિની પુત્રી સોનલબેન CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) માં પસંદ થયા બાદ બાર માસની તાલીમ પૂર્ણ કરી વતન આવતા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સેનામાં જોડાઈ દેશસેવાનું સપનું સાકાર કરનાર સોનલબેન ચેન્નાઈ ખાતે તાલીમ લીધા બાદ હાલ દિલ્હી ખાતે ફરજ બજાવી રહ્યા છે. આ પ્રસંગે સ્નેહીઓ અને પરિવાર ઉપસ્થિત રહી સોનલબેનનું ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
શહેરના શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં મને જાણો કાર્યક્રમ અંતર્ગત ગઝલ અને સાહિત્યની મહેફિલ જામી હતી. સ્વ. કીર્તિકુમાર જયસુખરામ પારઘીની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગઝલકાર મુસાફિર પાલનપુરીએ શ્રોતાઓને ગઝલના છંદ અને લયમાં ડોલાવ્યા હતા. મુસાફિર પાલનપુરીએ પોતાની 60 વર્ષની દીર્ઘ ગઝલ સાધનાનો નિષ્કર્ષ રજૂ કરતા શ્રદ્ધા, ઈશ્વર, પ્રેમ અને માનવ સહજ ચેષ્ટાઓને કેન્દ્રમાં રાખી ગઝલો પીરસી હતી. તેમની લોકપ્રિય રચનાઓ જેવી કે ''પીછાનો અમને'', ''ઘેન ચઢે છે'' અને ''તું કઈ વાડીની મૂળી'' રજૂ કરી સાહિત્ય રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને પાલનપુરી બોલીમાં રજૂ કરેલો ''ડખો'' સામાજિક કટાક્ષ અને રાજકારણ પરના તીખા પ્રહારોને કારણે શ્રોતાઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેમણે પોતાના જીવનના પ્રેરણાદાયી કિસ્સાઓ વહેંચતા જણાવ્યું હતું કે, સાહિત્ય સાધના માત્ર કલા નથી, પરંતુ તે જીવનની અનુભૂતિ છે. એક શિક્ષક તરીકેના ઇન્ટરવ્યૂથી લઈને ટ્રેનની મુસાફરીમાં શાયરી પ્રેમીઓ તરફથી મળેલા આદરના સ્વાનુભવો દ્વારા તેમણે શબ્દ દેવતાની શક્તિનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમના અંતમાં મુસાફિર સાહેબનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવ અશોકભાઈ વ્યાસ અને સંયોજક નગીનચંદ્ર ડોડીયાએ વક્તાનો કાવ્યાત્મક પરિચય આપ્યો હતો, જ્યારે રાજેશભાઈ પરીખે આભારવિધિ કરી હતી
રક્તદાન કેમ્પ યોજાયો:પાટણમાં આચાર્યએ જન્મદિને કેમ્પ યોજીને 31 બોટલ રક્ત એકત્ર કર્યું
પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે પોતાના 54મા જન્મદિવસને રક્તદાન કેમ્પ યોજી 46મી વખત રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ચિત્રકૂટ સોસાયટી અને રોટરી ક્લબના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં કુલ 31 બોટલ રક્ત એકત્ર થયું હતું. આ પ્રસંગે ડૉ. ઠક્કરે રક્તદાતાઓનું સન્માન પક્ષીઓના માળા અને કુંડા આપીને કર્યું હતું, .ડૉ. ધનરાજભાઈના પુત્ર ડૉ. શિવમે પિતાના ચીલે ચાલી રક્તદાન કર્યું. એક પેરાલિસિસ અસરગ્રસ્ત યુવાને પણ રક્તદાન કરી સૌને પ્રેરિત કર્યા. ગુરુદક્ષિણા રૂપે મહેસાણાથી આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રક્તદાન કરી ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કર્યો.
ઐતિહાસિક વિરાસતની જાળવણી કરાઈ:અમીરગઢના ડાભેલામાં રખડુ ટોળી દ્વારા વાવની સફાઈ કરાઈ
અમીરગઢ તાલુકાના ડાભેલા ગામની ઐતિહાસિક ઓળખ સમાન રાણીઓની વાવના સંરક્ષણ અને સાફસફાઈ માટે રખડુ ટોળી ગ્રુપ દ્વારા વિસરાતી વિરાસત વાવ શીર્ષક હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય પ્રેરક રાહુલ તુરીના જન્મદિવસને અનોખી રીતે ઉજવવા ટીમના સભ્યો દ્વારા વાવની સફાઈ હાથ ધરાઈ હતી. શ્રમદાન કરી વાવમાં ભરાયેલો કચરો અને પથ્થરો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આર.બી. રાઠોડ, ઇસ્માઇલ અજીબ, કમલ પાલનપુરી, રોશન પાલનપુરી, રોનક દરજી, ઇમરાનખાન પઠાણ સહિત ડાભેલા ગામના યુવાનો અને ગ્રામજનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમથી ગ્રામજનોમાં ઐતિહાસિક વિરાસતની જાળવણી અંગે નવી જાગૃતિ જોવા મળી હતી.
પાંથાવાડા ખાતે રવિવારની રાત્રિ દરમિયાન તસ્કરોએ અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ત્રણ ઘરોમાં તાળા તોડી ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. તસ્કરો સોનાં-ચાંદીના દાગીના, રોકડ તેમજ દસ્તાવેજો સહિતનો માલ લઈ ફરાર થતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.આ ત્રણેય ઘટનાઓ મામલે પાંથાવાડા પોલીસે તપાસ હાથ ધરી હતી. પાંથાવાડાની વૃંદાવન સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ ચૌધરી રવિવારે રાત્રિના સમયે ઘરેથી બહાર હોવાથી ચોરોએ ઘરના તાળાં તોડી તિજોરીમાંથી આઠ આની સોનાની કાનની બુટ્ટી, ચાંદીની તોડી તેમજ ઘરમાં પડેલા રૂ. 18,000 રોકડ, મહત્વના દસ્તાવેજો અને ક્રેડિટ કાર્ડની ચોરી કરી હતી. જ્યારે શ્રદ્ધા સોસાયટીમાં રહેતા ગેનાભાઈ ચતરાજી પંચાલના ઘરના બંધ દરવાજાના તાળાં તોડી ચોરોએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી. આ ઉપરાંત પાંથાવાડામાં પોતાનું ઘર બંધ રાખી અંજારમાં રહેતા મોતીલાલ દરજીના ઘરમાં ઘૂસી તસ્કરોએ પાંચ તિજોરીના તાળાં તોડી લગ્નના કપડા-સાડીઓ તેમજ ત્રણ જૂના મોબાઈલ સહિત અંદાજે રૂ. 70,000થી વધુ કિંમતનો સામાનની ચોરી કરી હતી. પાંથાવાડા પોલીસે ત્રણેય ઘટનાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને ચોરોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
દારૂનો નાશ કરાયો:ભીલડી પંથકમાં દારૂના અડ્ડા પર પોલીસે રેડ કરી દારૂનો નાશ કર્યો
ભીલડી પંથકમાં દારૂના દુષણને ડામવા ગ્રામજનોએ દારૂના વેચાણ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ સંદર્ભે ગ્રામજનોએ ભીલડી પોલીસને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવેદનને પગલે ભીલડી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ભીલડી પંથક અને આસપાસના ગામડાઓમાં વિવિધ સ્થળોએ રેડ કરી દેશી દારૂ ઝડપી પાડ્યો હતો તેમજ દારૂના અડ્ડાઓ બંધ કરાવ્યા હતા. પોલીસ અધિકારીઓએ દારૂના દુષણ સામે સત્તત અને કડક કાર્યવાહી ચાલુ રાખવાની બાહેંધરી આપી હતી.
અકસ્માતોની વણઝાર:ભાગળ (પીં) નજીક ધાણધાનો યુવક બાઇક પરથી 20 ફૂટ ઘસડાયો,પૂરઝડપે આવતી કાર ફંગોળાઈ
પાલનપુર તાલુકાના ભાગળ (પીં) શાળા નજીક બનાવવામાં આવેલો બમ્પ વાહનચાલકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહ્યો છે. આ બમ્પ પર સફેદ પટ્ટા મારવામાં ન આવતા રાત્રિના સમયે તો ઠીક દિવસે પણ તે નજરે પડતો નથી. જેને કારણે અહીં અકસ્માતોની હારમાળ સર્જાઈ છે.ધાણધાનો યુવક બાઇક પરથી 20 ફૂટ ઘસડાયો હતો તેમજ પૂરઝડપે આવતી કાર હવામાં ફંગોળાઈને પછડાઈ હતી. પાલનપુર ધનિયાણા ચોકડીથી વાયા ધાણધા થઇ જલોત્રા વચ્ચે નવો રોડ બનાવવામાં આવ્યો છે. જ્યાં જુદાજુદા ગામના બસ સ્ટેન્ડ નજીક બમ્પ બનાવાયા છે. પરંતુ સફેદ પટ્ટા મારવામાં આવ્યા નથી. દરમિયાન ભાગળ (પીં) સ્કુલ નજીક બનાવેલો બમ્પ દેખાતો નથી જ્યાં ધાણધા ગામનો એક યુવક પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક બમ્પ પર તેનું વાહન પછડાતા તે હવામાં ફંગોળાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર,યુવક રોડ પર અંદાજે 20 ફૂટ સુધી ઘસડાયો હતો, જેના કારણે તેને શરીરે ગંભીર ઇજા પહોંચી છે. સ્થાનિકોએ તાત્કાલિક તેને સારવાર માટે ખસેડ્યો હતો. આ માર્ગ પરથી પસાર થતી પૂરઝડપે કારોને જ્યારે બમ્પ દેખાતો નથી, ત્યારે તે એક-એક ફૂટ ઊંચી કૂદીને નીચે પછડાય છે. આનાથી વાહનોને તો નુકસાન થાય જ છે, પણ પાછળ આવતા અન્ય વાહનો સાથે પણ અથડાવાનો ભય રહે છે. વાહન ચાલકોએ જણાવ્યું હતુ કે, શાળા નજીક બમ્પ બનાવ્યો તે સારી વાત છે. સ્થાનિક લોકોએ સફેદ પટ્ટા દોરવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં તંત્ર દ્વારા પટ્ટા મારવામાં આવે તે ઇચ્છનિય છે. બમ્પ પર સફેદ પટ્ટાના અભાવે વાહન ચાલકોને દેખાતો નથી.
ડીસામાં જમીન વિવાદમાં વેપારીના પરિવાર પર લોખંડની પાઈપ અને ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઝઘડામાં પતિ-પત્ની સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમાં મહિલાને માથામાં હેરલાઈન ફ્રેક્ચર થયું છે. ઘટના બાદ ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડીસા શહેરમાં જમીન વિવાદને લઈને ગંભીર હિંસાની ઘટના સામે આવી છે. આશીષ ટ્રાન્સપોર્ટના સંચાલક આશીષકુમાર ઠક્કરની ફરીયાદ મુજબ, તેમના ઘરની પાછળ આવેલી આશરે 10 હજાર ચોરસ ફૂટ વાડાની જમીન બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જે મામલો હાલમાં ડીસા કોર્ટમાં વિચારાધીન છે. રવિવારના રોજ સવારે આશરે 10.30 વાગ્યે વાડામાં ફોટા પાડવાના મુદ્દે પંકજભાઈ મંડોરા સાથે ઝઘડો થયો હતો. ઝઘડો વધતા પંકજભાઈ મંડોરા, તેમના પુત્ર મિહિર, પત્ની જ્યોત્સનાબેન અને ભત્રીજા નિગમ લોખંડની પાઈપો અને લાકડાના ધોકા લઈને વાડામાં ઘુસ્યા હતા. આરોપીઓએ આશીષકુમાર, તેમના પિતા, માતા અને પત્ની પર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.ઘટનામાં આશીષકુમાર અને તેમના પિતાને માથામાં ઈજા થઈ હતી, જ્યારે પત્ની પાયલબેનને માથામાં હેરલાઈન ફ્રેક્ચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું છે. તમામ ઘાયલોને પ્રથમ ડીસા સિવિલ અને બાદમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાર આરોપીઓ પંકજભાઈ મફતલાલ મંડોરા, મિહિર પંકજભાઈ મંડોરા, જયોત્સનાબેન પંકજભાઈ મંડોરા અને નિગમ મંડોરા(તમામ રહે.મંડોરા પાર્ક ડીસા)સામે ફરિયાદ નોંધાઈ છે અને તપાસ હાથ ધરાઈ છે.
બમ્પ બનાવવાની કરાઈ માંગ:પાલનપુરની મમતા મંદિર શાળા આગળ બમ્પ ન હોવાને કારણે અકસ્માતનો ભય
પાલનપુરમાં દિવ્યાંગ બાળકોની મમતા મંદિર શાળા આગળ સ્પીડ બમ્પ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. નગરસેવકના પતિએ બમ્પ બનાવવાની આપેલી બાંહેધરી સમયમર્યાદામાં પૂર્ણ ન થતાં હવે સ્થાનિકોએ આંદોલનની ચેતવણી આપી છે. પાંચ દિવસમાં કામ ન થાય તો પાલિકાનો ઘેરાવ કરવાની સાથે રવિવારે જાતે બમ્પ બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક રહીશ રવિ સોનીએ જણાવ્યું હતું કે,પાલનપુર શહેરમાં ડેરી રોડ પર સરકારી હાઈસ્કૂલ, મમતા મંદિર તેમજ સરસ્વતી માતા સર્કલ આસપાસ સ્પીડ બ્રેકર ન હોવાથી અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકરોએ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે. પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે. રવિવાર સુધી બમ્પ બનાવવા વિનંતી કરી હતી, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ મુદ્દે આ વિસ્તારના નગરસેવકોએ 5 દિવસમાં કામ થઈ જશે તેવી બાંહેધરી આપી છે. જો નક્કી સમયમાં કામગીરી નહીં થાય તો આવતા શનિવારે શાળા બાળકો સહિત નગરપાલિકા કચેરીએ ધરણા અને રવિવારે જાતે બમ્પ બનાવીશું. સ્થાનિક રહીશ દીપકભાઈએ જણાવ્યું કે ડેરી રોડ પરના SBI પાસેના ત્રણ રસ્તા પાસે બમ્પ જરૂરી છે. શાળા વિસ્તારોમાં પ્રતિ શાળા બે સ્પીડ બ્રેકર અને જ્યાં નથી ત્યાં સફેદ પટ્ટા દોરવાની પણ તેઓએ માગ ઉઠાવી છે.
પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી આનંદપ્રકાશ ગુરુ મહારાજની ગાદી એવા એટા ગામે માઁ પીઠેશ્વરી તથા ગુરુ ગાદીના પાવન સાનિધ્યમાં વાવેચી, નાની વાવેચી અને થરાદરી આ ત્રણ પરગણા ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજના બંધારણમાં વ્યાપક સુધારા કરી સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં પરમ પૂજ્ય શ્યામસ્વરૂપજી બાપુએ સમાજને આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, સુધારેલ બંધારણ માત્ર કાગળ પર નહીં પરંતુ જીવનમાં ઉતારવું જરૂરી છે. સમાજના લોકો વ્યસન, ફાજલ ખર્ચ અને દેખાડાથી દૂર રહી સંસ્કાર સાદગી અને શિક્ષણને પ્રાધાન્ય આપે તે માટે તેમણે આહ્વાન કર્યું હતું.બેઠકમાં લગ્ન, મામેરા તથા મરણ પ્રસંગને લઈને ચાલતા ખર્ચાળ અને સમય સાથે બદલાઈ ગયેલા રિવાજોમાં સુધારા કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. લગ્ન પ્રસંગે ડીજે, લાઈવ પ્રોગ્રામ, ભવ્ય એન્ટ્રી, ફાજલ ડેકોરેશન તેમજ સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ જાનમાં માણસો અને વાહનોની સંખ્યા મર્યાદિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ભોજન વ્યવસ્થામાં પણ સાદગી અપનાવવાની સાથે સમાજના રસોઈયાથી જ રસોઈ બનાવવાની જોગવાઈ રાખવામાં આવી છે. સોનાના દાગીના, કરિયાવર અને ઓઢામણી પર નિયંત્રણ મૂકી બિનજરુરી ખર્ચ અટકાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. લગ્ન બાદ સમાજહિતમાં શૈક્ષણિક સંસ્થામાં ફરજિયાત દાન કરવાની જોગવાઈ પણ બંધારણમાં સામેલ કરવામાં આવી છે. મામેરા પ્રસંગે ખર્ચની મર્યાદા નક્કી કરી રોકડ વ્યવહારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જ્યારે મરણ પ્રસંગે પણ બે ધાન, પોણો માસ, નાત સહિતના ખર્ચાળ રિવાજો બંધ કરી સાદગી જાળવવાનો નિર્ણય લેવાયો છે.
મંદિરમાં થઈ ચોરી:ગઠામણ ગામે જોગણી માતાના મંદિરમાં છત્રની ચોરી
પાલનપુર તાલુકાના ગઠામણ ગામે આવેલા વાલ્મિકીવાસમાં જોગણી માતાજીના મંદિરમાં રવિવારે ચાંદીના છત્રની ચોરી થઈ હતી. જોકે, ગામની વચ્ચે લગાવેલા સીસીટીવી કેમેરામાં ત્રણ શંકાસ્પદ શખ્સો નજરે પડતાં ગ્રામજનોએ આ મામલે તાલુકા પોલીસને જાણ કરી હતી. ગઠામણ ગામના વાલ્મિકીવાસમાં આવેલ જોગણી માતાજીના મંદિરમાં રવિવારે રાત્રે ચોરીની ઘટના બની હતી.ચોર મંદિરમાં લગાવેલ 500 ગ્રામથી વધુ વજનના ચાંદીના છત્રની ચોરી કરી હતી. બીજા દિવસે સવારે ગામની વચ્ચે મૂકેલા ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં તપાસ કરાતા તેમાં રાત્રે દોઢ વાગ્યાના આરસામાં ત્રણ શખ્સો ગામમાં ફરતા નજરે પડ્યા હતા. આથી આ અંગે પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરાયું:પાલનપુરના લક્ષ્મીપુરામાં આરસીસી રોડની વચ્ચોવચ વીજથાંભલો
પાલનપુરના લક્ષ્મીપુરામાં આરસીસી રોડની વચ્ચોવચ વીજથાંભલો તંત્રની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યો છે. પાલનપુર તાલુકાનું લક્ષ્મીપુરા ગામ એવું છે જે જુદી જુદી શેરીઓમાં વસેલું છે. ગામમાં 30થી વધુ શેરીઓ આવેલી છે. આખું ગામ શેરી નંબરના આધારે ઓળખાય છે તેવામાં લક્ષ્મીપુરા રેલવે ફાટકથી શેરીઓના છેડે ટાવર તરફ જવાના માર્ગ પર આરસીસી રોડની વચ્ચોવચ વીજ પોલ આવેલો છે. સ્થાનિકો જણાવ્યું કે વીજપોલ વર્ષોથી છે. પંચાયત દ્વારા થાંભલાની આસપાસ રોડ બનાવવામાં આવ્યો છે. પંચાયતનો આશય માત્ર એટલો છે કે કોઈ જગ્યા માટી વાળી ન રહે એટલા માટે અહીં સીસી રોડ અંદર સુધી લીધો છે એટલે થાંભલો રોડની વચ્ચે આવી ગયો છે.
17 વર્ષની સગીરાને રેલવેમાં બેસાડી ઉદેપુર લઈ જઈને અવારનવાર દુષ્કર્મ આચરનારા કડી તાલુકાના (આદુન્દ્રા) લક્ષ્મીપુરા ગામના 19 વર્ષના યુવકને મહેસાણાની પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદ ની સજા ફટકારી હતી સાથે ભોગ બનનાર સગીરાને 50000 રૂપિયા નું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. કડી પંથકમાં પોતાના પરિવાર સાથે રહેતી 17 વર્ષની સગીરાને તાલુકાના લક્ષ્મીપુરા ગામે રહેતો 19 વર્ષનો વિશાલ ભરતભાઈ બજાણીયા લગ્નની લાલચ આપીને 3 જાન્યુઆરી 2024ના રોજ અપહરણ કરીને અમદાવાદના આસારવા રેલવે સ્ટેશનથી રેલવેમાં બેસાડીને ઉદેપુર લઈ ગયો હતો. જ્યાં તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. કડી પોલીસ મથકે નોંધાયેલી પોકસોની ફરિયાદમાં પોલીસે ચાર્જશીટ કર્યા બાદ સોમવારના રોજ મહેસાણાની પોક્સો કોર્ટમાં સમગ્ર કેસ ચાલી જતાં સરકારી વકીલ રેખાબેન જોશીની દલીલોને આધારે જજ એસ એસ કાળેએ આરોપી વિશાલ બજાણીયાને પોક્સોની કલમ અંતર્ગત દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાથે કોર્ટે ભોગ બનનાર સગીરાને 50000 રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. કેસ ચાલવા દરમિયાન સરકારી વકીલ દ્વારા 18 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા જે આરોપીને સજા આપવા માટે મહત્વના સાબિત થયા હતા.
બાગાયત વિભાગની ખેડૂતોને તકેદારી લેવા અપીલ:કમોસમી વરસાદની આગાહીથી ઉ.ગુ.માં બાગાયતી પાકોને જોખમ
મહેસાણા બાગાયત વિભાગે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે તાત્કાલિક ચેતવણી જાહેર કરી છે, જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ તા. 3 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે જિલ્લામાં ક્યાંક હળવા કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મહેસાણા નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આ સંજોગોમાં હાલ આંબાના અત્યંત સંવેદનશીલ મોર આવવાના તબક્કે તેમજ ઉભા શાકભાજીના પાકોને નુક્સાન થવાની સંભાવના હોવાથી બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને સમયસર તકેદારીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. બાગાયત વિભાગના જણાવ્યા મુજબ, મોરનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે, અને આ દરમિયાન વધુ ભેજ તથા કમોસમી વરસાદ થવાથી ફળ બંધાણ ઘટી શકે છે તેમજ ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે. કમોસમી વરસાદના કારણે મોર લાંબા સમય સુધી ભીનો રહેતા ફૂલ અને નાની કણીઓ ઝડી જવી, પરાગનયન પ્રક્રિયામાં અડચણ આવવી, પાઉડરી મિલ્ડ્યુ (ભૂકી છારો) અને એન્થ્રાક્નોઝ (કાળવણ) જેવા રોગો ફેલાવાની શક્યતા વધી જાય છે.
મહિલાએ કર્યો આપઘાત:દિગડીમાં મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત
દિગડી ગામે રહેતી 27 વર્ષીય પરણિત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેનું મોત થયું હોવાનું બનાવ સામે આવ્યો છે. મૂળ ઉદયપુર જિલ્લાના બોડાદર ગામની વતની શાંતાબેન પ્રવીણભાઈ પરમાર લગ્ન બાદ પતિ સાથે દિગડી ગામે તબેલામાં મજૂરી કામ કરતી હતી. તેમના લગ્નને માત્ર ત્રણ વર્ષ જ થયા હતા.શનિવારે સાંજના સમયે શાંતાબેને ઉંદર મારવાની ઝેરી દવા પી લેતાં મોત થયું હતું.
પશ્ચિમ રેલવે દ્વારા જાહેરાત કરાઈ:મહેસાણામાંથી પસાર થતી 6 ટ્રેન ટ્રેકના કામને લઈ રદ
ગાંધીધામ–ભુજ રેલવે સેક્શનમાં ગાંધીધામ અને આદીપુર વચ્ચે ચાલી રહેલા ટ્રેકના કામકાજને કારણે 4 થી 13 ફેબ્રુઆરી દરમિયાન કુલ 34 ટ્રેનો પ્રભાવિત થવાની જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી છે. આમાંથી ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી કુલ 15 ટ્રેનોને અસર થશે. જેમાં 6 ટ્રેનો સંપૂર્ણ રીતે રદ, 8 ટ્રેનો આંશિક રીતે રદ અને 1 ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 6 ટ્રેનો રદ રહેશે
હવામાન વિભાગ દ્વારા આગાહી:ઉ.ગુ.માં 9 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે
ઉત્તર ગુજરાતમાં સોમવારે પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું. દિવસ અને રાતના તાપમાનમાં અડધા ડિગ્રી જેટલો નજીવો ઘટાડો નોંધાયો હોવા છતાં ઠંડીનું ખાસ કોઈ જોર જોવા મળ્યું નહોતું. રાત્રીનું તાપમાન 17 ડિગ્રી પાર અને દિવસનું તાપમાન સરેરાશ 30.5 ડિગ્રી આસપાસ રહેતાં ઠંડી લગભગ ગાયબ રહી હતી. હવામાન વિભાગે આ સ્થિતિ આગામી 9 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનથીઉત્તર ગુજરાતમાં સોમવારે મોટા ભાગે પશ્ચિમી પવનો ફૂંકાયા હતા. જેના પરિણામે દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. વાદળોની હાજરીને કારણે દિવસ-રાતના તાપમાનમાં અડધા ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 17 થી 19.2 ડિગ્રી વચ્ચે રહ્યું હતું, મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.
યુવાને જીવાદોરી કાપી:દાહોદમાં ગોધરા રોડ પર ચંદનચાલ પાસે યુવાનનો રહસ્યમય આપઘાત
દાહોદ શહેરના ધમધમતા ગોધરા રોડ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. ચંદન ચાલમાં રહેતા અને વ્યવસાયે વેપારી 35 વર્ષીય આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. મળતી માહિતી મુજબ, મૂળ ભોપાલના વતની અને છેલ્લા લાંબા સમયથી દાહોદમાં સ્થાયી થયેલા રાહુલ મટાણી (ઉં.વ. 35) શહેરના ગોધરા રોડ પર આવેલી ચંદન ચાલ પાસે રહેતા હતા. તેઓ વિસ્તારમાં જ જય અંબે કંગન સ્ટોર નામે વ્યવસાય ચલાવતા હતા. આજે કોઈ અગમ્ય કારણોસર રાહુલે પોતાના નિવાસસ્થાને કપડાની ઓઢણી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે આ ઘટનાની જાણ આસપાસના રહીશોને થઈ ત્યારે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. તુરંત જ તેમના મિત્રો અને પરિવારજનોને જાણ કરવામાં આવતા સ્થળ પર કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની ગંભીરતા જોતા દાહોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે હાલ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. આપઘાત પાછળના કારણો અંકબંધ હોવાનું પોલીસે જણાવ્યું છે અને તમામ દિશામાં તપાસ ચાલુ રાખી છે.
હુમલો:દીકરીના અસ્થિ વિસર્જન કરવા જઈ રહેલા પિતા પર ટ્રેનમાં લઘુમતિ યુવકોનો હુમલો
સ્વર્ગસ્થ દીકરીના અસ્થિ વિસર્જન કરવાના પવિત્ર હેતુથી ઉજ્જૈન જઈ રહેલા પંચમહાલ જિલ્લાના ટીંબા ગામના પરિવારની દિકરીની રતલામ અને ખાચરોદ વચ્ચે ચાલતી ટ્રેનમાં લઘુમતી સમાજના કેટલાક અસામાજિક તત્વોએ છેડતી કરી હતી. આ બાબતનો ત્યારબાદ વિરોધ કરવા ગયેલા પરિવાર પર હિંસક હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે.આ ઘટના અંગે રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગત મુજબ પંચમહાલ જિલ્લાના ટીંબા ગામના રહેવાસી નરેશભાઈ પોતાની સ્વર્ગસ્થ પુત્રી શ્યામાના અસ્થિ વિસર્જન માટે પરિવાર સાથે ટ્રેન નંબર 69183 માં ઉજ્જૈન જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમની નાની દીકરી બાથરૂમ ગઈ હતી. આ સમયે ટ્રેનના દરવાજે ઉભેલા લઘુમતિ સમુદાયના કેટલાક અસામાજિક તત્વોએ બાળકીને એકલી જોઈ તેની છેડતી કરી હતી. આ નરાધમોએ બાળકીનો હાથ પકડી તેને ખેંચીને ફરી બાથરૂમમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ ગભરાઈને બૂમો પાડતા પિતા નરેશભાઈ અને પરિવારના અન્ય સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. પરિવારે જ્યારે આ કૃત્યનો વિરોધ કર્યો ત્યારે ટ્રેનમાં હાજર લઘુમતિ યુવકો ઉશ્કેરાઈ ગયા હતા. આ દરમિયાન ટ્રેન ખાચરોદ પહોંચતા ત્યાંથી અન્ય શખ્સો પણ ટ્રેનમાં ચઢી ગયા હતા અને આખા ટોળાએ ભેગા મળીને નરેશભાઈ અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો. દીકરી ગુમાવવાનું દુઃખ વેઠી રહેલા પિતા પર ટ્રેનમાં થયેલા આ હુમલાને પગલે મુસાફરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટના અંગે ભોગ બનનાર નરેશભાઈએ રતલામ રેલવે પોલીસમાં આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી છે. ઘટના રતલામ અને ખાચરોદ વચ્ચે બની હોવાથી કાર્યવાહી માટે આ કેસ શામગઢ જીઆરપી પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરાયો છે. ખાચરોદથી વધુ લોકો ટ્રેનમાં ચઢ્યા અને પરિવારને બેરહેમીથી માર માર્યો : દરવાજે ઉભેલા યુવકોએ બાળકીનો હાથ પકડી ખેંચી હતી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા ગિરનાર ખાતે યોજાયેલી 18મી ઓલ ઈન્ડિયા આરોહ–અવરોહણ (માઉન્ટેન ક્લાઈમ્બિંગ) સ્પર્ધામાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પટવાણ ગામના સુનિલભાઈ મોહનીયાએ શાનદાર પ્રદર્શન કરી સમગ્ર ગુજરાત રાજ્ય તથા દાહોદ જિલ્લાનું નામ દેશભરમાં ઉજાગર કર્યું છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 541 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યના પાંચ સ્થળોએ યોજાયેલી પ્રાથમિક સ્પર્ધામાં પ્રથમથી દસમો ક્રમાંક મેળવનાર સ્પર્ધકોને ગિરનાર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સીધો પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ અગાઉ પાવાગઢ ખાતે યોજાયેલી આરોહ–અવરોહણ સ્પર્ધામાં સુનિલભાઈ મોહનીયાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરી ગિરનાર સ્પર્ધામાં સીધો પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ ગિરનાર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં તેમણે ગિરનારના 5,500 જેટલા પગથિયા માત્ર 1 કલાક અને 19 મિનિટમાં પાર કરી સમગ્ર ભારત દેશમાં 9મો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. સુનિલભાઈની આ સિદ્ધિથી દાહોદ જિલ્લો, લીમખેડા તાલુકો તથા પટવાણ ગામ ગૌરવ અનુભવી રહ્યું છે. તેમની આ અસાધારણ સફળતા બદલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા તેમને રોકડ રકમ, ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિની ખુશીમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અભિનંદનની વર્ષા સાથે આનંદનો માહોલ છવાયો છે. સુનિલભાઈ મોહનીયાને તેમની ભવિષ્યની સ્પર્ધાઓ માટે અભિનંદન તથા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
બાળકો માટે વિશેષ સેમિનાર યોજાયો:દાહોદની સ્કૂલમાં ગુડ ટચ–બેડ ટચ અને પોક્સો પર જાગૃતિ કાર્યક્રમ
દાહોદની જાણીતી સેન્ટ સ્ટીફન સ્કૂલમાં બાળકોમાં સુરક્ષા અંગે જાગૃતિ અને કાયદાકીય સમજ વિકસે તેવા હેતુથી ‘બેગલેસ ડે’ અંતર્ગત એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદની સેન્ટ સ્ટીફન સ્કૂલમાં બાળકોમાં સુરક્ષા અને કાયદાકીય જાગૃતિ આવે તે હેતુથી વિશેષ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. શાળામાં દર શનિવારે ઉજવાતા ‘બેગલેસ ડે’ને માહિતીસભર અને ઉપયોગી બનાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે એ.જી.કુરેશી (લીગલ કમ પ્રોબેશન ઓફિસર) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સરળ અને સમજણભરી ભાષામાં ‘ગુડ ટચ–બેડ ટચ’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. જેથી બાળકો પોતાની સુરક્ષા પ્રત્યે સજાગ બને અને અયોગ્ય સ્પર્શને ઓળખી શકે. ઉપરાંત બાળકોને જાતીય સતામણી સામે રક્ષણ આપતા પોક્સો એક્ટ અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો પુછ્યા હતા અને કુરેશીએ યોગ્ય તથા સંતોષકારક જવાબો આપી વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષી હતી. કાર્યક્રમના અંતે સામાજિક બદી એવા બાળ લગ્ન નાબૂદી માટે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા.
સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો:દેવગઢ બારિયામાં સાઇબર સિક્યુરિટી અવેરનેસ કાર્યક્રમ
દેવગઢ બારિયાની વાય.એસ. આર્ટસ અને કે.એસ. શાહ કોમર્સ કોલેજમાં 2 ફેબ્રુઆરીના રોજ Cyber Cell, દેવગઢ બારિયા તથા ગુજરાત સરકારના CAWACH કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના 150થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આઈ. સોલંકી તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ દાહોદ સાયબર સેલ પોલીસ સ્ટેશનની ટીમ પણ હાજર રહી હતી. અતિથિઓ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારો, ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો તેમજ ડિજિટલ સુરક્ષાના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત એમ.એસ. યુનિવર્સિટીના કોમર્સ વિભાગની ઉર્વશી પ્રજાપતિ મેડમ દ્વારા પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો સુરક્ષિત અને જવાબદાર ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અતિથિઓનું સ્વાગત કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એમએનગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. સુરેશ પટેલ અને ડૉ. દિગ્નેશ પંચાસરા દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.
ગરબાડા પોલીસે બે સ્થળેથી મુદ્દામાલ જપ્ત કર્યો:પોલીસને જોઇ દારૂ લાવતા ખેપિયા છકડો,બાઇક મૂકી ફરાર
ગરબાડા પોલીસ મથક સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મીનાક્યાર વડઘાટી ફળિયામાં એમ.પી.ના રીંગોલ તરફથી લોડીંગ છકડો આવતાં તેનો ચાલક દૂરથી પોલીસની ગાડી જોઇને પોતાનો છકડો મુકી ભાગી જતા છકડામાંથી ટીન બીયરની 8 પેટીઓ 36,480 રૂપિયા તથા હેરાફેરીમાં લેવાયેલ છકડો જેની કિંમત 75 હજાર મળી કુલ 1,11,480 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેવીજ રીતે પેટ્રોલીંગમાં નિમચ ગામ તરફ જતાં મોટર સાયકલ ઉપર ઇંગ્લિશ દારૂ લઇ નીચમ સરપંચ પળઇયા તરફ આવનાર હોવાની બાતમીથી બાઇક આવતાં પોલીસને જોઇ ચાલક બાઇક મુકી ખેતરોમાં થઇ નાસી ગયો હતો. બાઇક ઉપર વિમલના થેલામાંથી ઇંગ્લિશ દારૂની 114 બોટલ 15420 રૂ.ની મળી જથ્થો અને બાઇક મળી 30420 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાયો હતો.
આયોજન:27 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડના પહેલા પેપર સુધી રોજ પ્રેક્ટિસ કરશે
આણંદ જિલ્લામાં આગામી માર્ચ 2026 માં યોજાનાર ધો-10 અને ધો-12 ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પેપર લખવામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી દ્વારા જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે પ્રેક્ટિસ પેપરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો 10 અને 12ના 27 હજારથી વધુ વિદ્યાર્થી બોર્ડના પેપરના પહેલા દિવસ સુધી પરીક્ષા આપશે. જેનું મોનિટરિંગ જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ નિરીક્ષક, આચાર્ય , મદદનીશ શિક્ષણ નિરીક્ષકો દ્વારા કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી એ જણાવ્યું કે શાળાકીય દ્વિતીય અને પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડના વિદ્યાર્થીઓને રજા ન આપતા શાળામાં જ પ્રેક્ટિસ પેપરનું આયોજન કરીને વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેમને પરીક્ષા ખંડનો ભય દૂર થાય, કઈ કઈ વસ્તુઓ પરીક્ષા ખંડમાં ન લઈ જઈ શકાય, તેમ જ પેપર લખવાનો મહાવરો થવાથી બોર્ડની પરીક્ષા વખતે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકશે
આણંદ-સોજીત્રા રોડ પર નિર્માણાધીન નવા મહેસૂલી ભવનની મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ એસ. રવિએ મુલાકાત લીધી હતી. તેમણે ભવનમાં ઉપલબ્ધ થનારી વિવિધ સુવિધાઓ, ખાસ કરીને દિવ્યાંગજનો માટેની વિશેષ વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, નવા મહેસૂલી ભવનના બ્લોક A અને Bમાં કુલ 174થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ માટે બેઠક વ્યવસ્થા હશે. આ કામ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ ભવનમાં પ્રાંત અધિકારી, શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, સિટી સર્વે કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીનો સમાવેશ થશે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર હિતેશ ગઢવીએ ડો. જયંતિ રવિને ભવનમાં ઉપલબ્ધ થનારી મુખ્ય સુવિધાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, 8718 ચોરસ મીટર જમીન પર બે નવા મહેસૂલી ભવન તૈયાર થઈ રહ્યા છે. બ્લોક A અને બ્લોક B પ્રત્યેક 2487.90 ચોરસ મીટરના બાંધકામ સાથે કુલ 4975.80 ચોરસ મીટરનું નિર્માણ થશે. આ ભવનમાં 100થી વધુ વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા ધરાવતું અધ્યતન જનસેવા કેન્દ્ર અને 25થી વધુ બેઠક વ્યવસ્થા ધરાવતું ઈ-ધરા કેન્દ્ર હશે. દિવ્યાંગજનો માટે સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશેગઢવીએ દિવ્યાંગજનો માટેની વિશેષ સુવિધાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાનું આ એકમાત્ર કેમ્પસ છે જે દિવ્યાંગજનો માટે સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે. તેમાં દિવ્યાંગજનો માટે રેમ્પ, ટેકટાઈલ ફ્લોરિંગ, અલાયદી પાર્કિંગ વ્યવસ્થા, બ્રેઇલ સાઈનેજીસ, વ્હીલચેર અને અલાયદા શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. વધુમાં, બંને ભવનના દરેક ફ્લોર પર પુરુષો, સ્ત્રીઓ, દિવ્યાંગજનો અને સ્ટાફ માટે અલગ-અલગ શૌચાલય બ્લોકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
હુમલો:દહેડામાં મારી પત્ની સામે જોઈ કેમ કાતરીયું ખાય છે કહી માર માર્યો
ખંભાતના દહેડા ચોકડી પાસે પત્ની સામે જોઈને કેમ કાતરીયું ખાય છે તેમ કહી બે શખસોએ માર મારતા સમગ્ર મામલો ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ મામલે પોલીસે બે વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતના દહેડા સ્થિત શાંતિ ફળીયામાં લાલજીભાઈ ઉર્ફે લાલો ભાઈલાલભાઈ રાઠોડ રહે છે. તેમણે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગામમાં રહેતો નરેશ ઝાલા ચૌહાણે તેની સાથે મારી પત્ની સામે જોઈને કેમ કાતરીયાં ખાઈ છે તેમ કહી ઝઘડો કર્યો હતો. જોકે, એ સમયે નરેશના લાલજીભાઈ ઉર્ફે લાલોએ તેને તેની વહુ થાય તેમ કહ્યું હતું. જોકે, આમ છતાં પણ શખસ તેને ગમે તેમ અપશબ્દ કહ્યા હતા અને તેને મળવા માટે દહેડા ચોકડીથી વડગામ તરફ જવાના માર્ગે બોલાવ્યા હતા. જોકે, એ સમયે યુવક તેની સાસરીમાં હોય ગયો નહોતો પરંતુ ગત 30મીના રોજ તે દહેડા ચોકડી પાસે ગયો હતો. જ્યાં અગાઉથી નરેશ તેમજ તેની સાથે દહેડા શાંતિ ફળીયામાં રહેતો કિરણ બાબુ ચૌહાણ હાજર હતો. બંને જણાએ અગાઉ થયેલા ઝઘડા બાબતની અદાવત રાખી લાકડી વડે યુવકને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવકને માર મારતા તેને ફ્રેક્ચર થઈ ગયું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માત:કઠાણા રામપુરા નહેર પાસે કારે બે બાઈકને અડફેટે લીધી, યુવકનું મોત : બે ઈજાગ્રસ્ત
બોરસદના ડાલી-બોરસદ રોડ સ્થિત કઠાણા રામપુરા નહેર પાસે પુરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા કારના ચાલકે રવિવારે સાંજે બે બાઈકોને અડફેટે લીધા હતા. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાઈક પર સવાર કાકા-ભત્રીજાને ઈજા પહોંચી હતી. આ બનાવ બાદ કારનો ચાલક ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવાને બદલે તેની કાર લઈને બોરસદ તરફ ફરાર થઈ ગયો હતો. આ મામલે વિરસદ પોલીસે અજાણ્યા કારના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કઠાણા સ્ટેશન સ્થિત બોઈલાઈ તલાવડી પાસે મુકેશ ગણપતભાઈ પરમાર રહે છે. રવિવારે તે રાત્રે સાડા આઠ વાગ્યે બાઈક લઈને કલમસર ફોઈના ઘરે રસોડું હોય ત્યાં જવા માટે નીકળ્યો હતો. દરમિયાન, તે બોરસદના ડાલી-બોરસદ રોડ સ્થિત કઠાણા રામપુરા નહેર પાસેથી પસાર થતો હતો ત્યારે કોઈ અજાણ્યા કારના ચાલકે તેની બાઈકને ટક્કર મારી હતી. જેને કારણે ગંભીર ઈજા પહોંચતા તે રોડની સાઈડમાં બાઈક સાથે પટકાયો હતો. ગંભીર ઈજા થવાના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જોકે, આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતાં જ તેમણે તુરંત જ મૃતકના ભાઈ શૈલેષ પરમારને કરતા તે તેમજ તેના કુંટુંબીજનો સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં જઈને જોતાં જ અજાણ્યા કારના ચાલકે તેના ભાઈના બાઈક ઉપરાંત બીજા બાઈક પર સવાર એક આધેડ અને યુવકને પણ ટક્કર મારી હતી અને કારનો ચાલક બોરસદ તરફ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં આધેડ અને યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તમાં અર્જુન ભીમાભાઈ ચુનારા અને તેના કાકા દિનેશભાઈ રયજીભાઈ ચુનારા હતા. જેઓ બદલપુરના રહેવાસી હોવાનું ખૂલ્યું હતું. આ ઘટના સંદર્ભે વિરસદ પોલીસે અજાણ્યા કારના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
નબળી કામગીરી:કાસોરમાં એક જ રાતમાં બે ઘરના તાળા તોડીને રૂા.3.44 લાખની મતાની ચોરી
આણંદ પાસેના કાસોરમાં બે દિવસ અગાઉ રાત્રિના સમયે તસ્કરોએ બે બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૂપિયા 3.44 લાખની મતાની ચોરી કરી હતી. નોંધનીય છે કે, ભાલેજમાં દરગાહમાં થયેલી ચોરીના આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં વળી વધુ એક ચોરી થતાં જ ભાલેજ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કાસોર ગામે શ્રીકાંતકુમાર ઉર્ફે સીકો હર્ષદભાઈ પટેલ રહે છે. તે તેમજ તેમના પરિવારજનો, મિત્રો અને પડોશમાં રહેતા કલ્પનાબેન ઉર્ફે મીના દિપકભાઈ પટેલ સહિતના લોકો ગત 29મી જાન્યુઆરીના રોજ અંબાજી દર્શન માટે નીકળ્યા હતા. દરમિયાન, ગત 31મીના રોજ સવારે તેમના મિત્ર મનોજભાઈ ઉર્ફે શંભુભાઈએ તેમને ફોન કરીને તેમના ઘરમાં ચોરી થયાની જાણ કરી હતી. જેને પગલે તેઓ એ દિવસે જ અંબાજીથી કાસોર ઘરે આવવા માટે નીકળી ગયા હતા. તેઓએ ઘરે આવી તપાસ કરતા તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી નાંખી ઘરમાં પ્રવેશી ઘરમાંનો તમામ માલ-સામાન અસ્તવ્યસ્ત કરી નાંખી ચોરી કરી હતી. જોકે, તસ્કરોએ શ્રીકાંતકુમાર ઉપરાંત પડોશમાં રહેતા કલ્પનાબેન દિપકભાઈ પટેલના મકાનને પણ નિશાન બનાવ્યું હતું. બંને મકાનમાં મળી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 3.44 લાખની મતાની ચોરી કરી હતી. નોંધનીય છે કે, ભાલેજ દરગાહમાં થયેલી ચોરીમાં પણ આ જ ગેંગની સંડોવણીની શક્યતાઓ જોવાઈ રહી છે. હાલમાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓને પગલે ભાલેજ પંથકમાં લોકો પોતાની માલ-મતાને લઈને ચિંતાતુર બન્યા છે. બેદરકારી . પડી ગયેલો થાંભલો નવો નંખાયો, પણ બંધ કેમેરો ચાલુ ન કરાયો સમગ્ર ઘટનામાં પોલીસે સ્થળ પર જઈને તપાસ શરૂ કરી હતી. મહત્વની વાત એ છે કે, સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા ગામમાં લગાવેલા કેમેરાના સીસીટીવી ફૂટેજ એકઠાં કરવાની કવાયત હાથ ધરી હતી. જેમાં જે સ્થળે ચોરી થઈ તેની સામે જ કેમેરો લગાવ્યો હોવાનું ખૂલ્યું હતું. પરંતુ જ્યાં કેમેરો લગાવ્યો હતો તે થાંભલો પડી ગયો હતો. થાંભલો પડી જતાં નવો થાંભલો પુન: બેસાડવામાં આવ્યો હતો, જે વાતને પણ દોઢેક મહિનાનો સમય થઈ ગયો હતો. પરંતુ પંચાયતે થાંભલા પરના બંધ કેમેરાને ચાલુ કરવાની તસ્દી ન લીધી. જેને કારણે તસ્કરોને ચોરી માટે બિન્દાસપણે મોકળું મેદાન મળી ગયું હતું. આમ, આ ઘટના બાદ કેમેરા લગાવવા પાછળ કરાયેલો લાખોનો ખર્ચો એળે ગયો હોય એવી ચર્ચાએ ગામમાં જોર પકડ્યું છે.
કરૂણ અંજામ:માતાને અડપલાં કરતા મસિયાઈ ભાઈને પુત્રએ ચપ્પાથી રહેંસી નાંખ્યો, ગુપ્તાંગ કાપી નાંખ્યું
પેટલાદ તાલુકાના ખડાણા ગામે હત્યાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં માસીના ઘરે રહેતો દિવ્યાંગ યુવક તેની વિધવા માસી સાથે બિભત્સ હરકત-અડપલાં કરતો હોઈ ઉશ્કેરાયેલા યુવકે મસિયાઈ ભાઈની ગળાના ભાગે ચપ્પાના ઘા મારી તથા ગુપ્તાંગ કાપી નાંખી હત્યા કરી નાંખી હતી. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. મોડી સાંજે પેટલાદ ગ્રામ્ય પોલીસે યુવકની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. સમગ્ર બનાવની હકીકત એવી છે કે, મૂળ ખંભાતના કાણીસા ગામનો દિવ્યાંગ બાબુ આશા પરમારના માતા-પિતા નાનપણમાં જ મરી ગયા હોય તે છેલ્લાં કેટલાંય વર્ષોથી ખડાણા ગામ સ્થિત રામદેવપીરવાળા ફળીયામાં રહેતા તેની માસીના ઘરે રહેતો હતો. તે રખડતું જીવન જીવતો હતો. ક્યારેક જ તે તેના માસીના ઘરે અવર-જવર કરતો હતો. ગામના બસ સ્ટેન્ડ તેમજ સ્મશાન જેવી જગ્યાઓએ તે રહેતો અને મજૂરીકામ કરી જીવન જીવતો હતો. છેલ્લાં કેટલાંય સમયથી તે તેની માસી સાથે બિભત્સ હરકત-અડપલાં કરતો હતો જે પુત્ર રામાભાઈ મયજીભાઈ પરમારના ધ્યાને આવ્યું હતું. જે બાબતે રામાભાઈએ બાબુ પરમારને ટોક્યો પણ હતો. પરંતુ તે માનતો નહોતો. દરમિયાન, રવિવારે રાત્રિના સમયે રામા પરમારની માતા રયબેન પરમાર ખાટલામાં સુઈ રહ્યા હતા ત્યારે બાબુ પરમારે બિભત્સ હરકત કરવાનું શરૂ કર્યું હતું. જે રામા પરમાર જોઈ ગયો હતો. તે ગુસ્સામાં આવી ગયો હતો અને ઘરમાં પડેલું ચપ્પુ લઈ આવ્યો હતો અને બાબુ પરમારના ગળા પર જ ઘા મારી દીધા હતા. જેને પગલે તે ઘર પાસે જ ઢળી પડ્યો હતો. રામાએ તેનું ગુપ્તાંગ પણ કાપી નાંખ્યું હતું. હાલમાં પોલીસે આરોપી રામા મયજી પરમારની અટકાયત કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. મસિયાઈ ભાઈએ સરપંચને ઘટના કહી ત્યાં જ પોલીસને શંકા ગઈ બનાવની ફરિયાદ સરપંચ ભરતકુમાર પરમારે પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે, ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગામમાં રહેતા રામા મયજી પરમાર સવારે સવા છ વાગ્યાની આસપાસ તેમના ઘરે ગયા હતા. જ્યાં તેમણે ભરતકુમારને તેમના મસિયાઈ ભાઈ બાબુ પરમારની કોઈએ હત્યા કરી નાંખી હોવાનું અને લાશ તેમના ઘરના દરવાજા પાસે પડી હોવાનું જણાવ્યું હતું. જેથી સરપંચ ભરતકુમાર અને રામાભાઈ બંને જણાં તેમના ઘરે ગયા હતા. જ્યાં સ્થળ પર લોહીલુહાણ હાલતમાં બાબુ પરમાર પડ્યો હતો અને તેની પેન્ટની ચેન ખુલ્લી હાલતમાં હતી. દરવાજાથી થોડે દૂર યુવકનું ગુપ્તાંગ કપાયેલી હાલતમાં પડ્યું હતું. સરપંચે સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસને યુવકે કહેલી વાત અંગે શંકા ગઈ હતી. જેને પગલે તેમણે રામાભાઈ પરમારની સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર ગુનાની કબુલાત કરી હતી. બિભત્સ હરકત ન કરવા બાબતે બેથી ત્રણ વાર ઠપકો આપ્યો હતોખડાણાના રામદેવપીરવાળા ફળીયામાં રયબેન મયજીભાઈ પરમાર બે પુત્ર સાથે રહે છે. તેમના મોટા પુત્ર અલ્પેશના લગ્ન થયેલા છે અને તેની પત્ની સાથે તેમની સાથે જ રહે છે. જ્યારે નાનો પુત્ર રામા પરમાર અપરણિત છે. રામા પરમાર તેની માતા સાથે મસિયાઈ ભાઈ દ્વારા કેટલાંય વખતથી જે હરકત કરવામાં આવતી હતી તેનાથી વાકેફ હતો. અગાઉ રામા પરમારે તેને બેથી ત્રણ વાર ઠપકો આપ્યો હતો અને આ પ્રકારનું કૃત્ય ન કરવા સમજાવ્યો હતો. પરંતુ તે શખસ માનતો જ નહોતો.
રહીશો પરેશાન:આણંદમાં મોટર બળી જતાં 100થી વધુ સોસાયટીમાં 3 દિથી અઘોષિત પાણીકાપ
કરમસદ આણંદ મનપા વિસ્તારમાં આવેલા પોલસન ડેરી રોડ થી જૂના દાદર વિસ્તારમાં આવેલી 100થી વધુ સોસાયટી વિસ્તારમાં ત્રણ દિવસ પાણી મળતું ન હોવાથી 12 હજાર થી વધુ સ્થાનિકોને પીવાનું પાણી મેળવવા માટે વલખા મારવા પડે છે. જો કે મનપા વોટર વર્કસની મોટર બળી ગઇ હતી. જે તાત્કાલિક બદલીને નવી મુકવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરના ખાટકીવાડ પાસે મનપા સંચાલિત વોટર વર્કસ મોટર શનિવારે બળી ગઇ હતી. જેના કારણે અન્ય વોટર વર્કસમાંથી પાણી આપવામાં આવતું હતું. પરંતુ પીવાનું પાણી પુરતા ફોર્સમાં મળતું ન હતું. જેના કારણે સ્થાનિક રહીશોને પીવાનું પાણી મેળવવા માટે વાહનો લઇને દૂરના વિસ્તારમાં પાણી ભરવા જવું પડતું હતું. તો વળી કેટલાંક લોકો વેચાતા જંગ મગાવતા હતા. મોટર બળી જતાં શનિવારે મનપામાં રજૂઆત કરી હતી. પરંતુ રવિવારની રજા હોવાથી કામગીરી હાથ ધરાઇ ન હતી. સોમવારે મનપાની ટીમો દોડી આવીને મોટર બદલવાની કામગીરી હાથ ધરી છે. વોટર વર્કસ વિભાગના જણાવ્યાં અનુસાર ખાડકી વાડ વોટર વર્કસની મોટર બળી જતાં તેની જગ્યાએ નવી મોટર બેસાડવાની કામગીરી સોમવાર બપોરે પૂર્ણ કરવામાં આવી છે. સાંજના સમયે ટેસ્ટીંગ માટે ધીમા ફોર્સથી પાણી આપવામાં આવ્યું છે. મંગળવારથી પુરાત ફોર્સથી પાણી આપવામાં આવશે. મોટાભાગના વિસ્તારમાં પાણીની પાઇપો નાની હોવાથી પ્રેશરની સમસ્યા આણંદ નગરપાલિકાના શાસન દરમિયાન જે તે વખતે તે વિસ્તારની વસ્તીને ધ્યાને લઇને વોટર વર્કસની પાઇપ લાઇનો નાંખવામાં આવી હતી. આજથી 20 વર્ષ અગાઉ મોટાભાગના વિસ્તારમાં 15 હજારની વસ્તીને ધ્યાને લઇને પાઇપ લાઇનો નાંખવામાં આવી હતી. હાલમાં આ તમામ વિસ્તારમાં બે ગણી વસ્તી વધી ગઇ છે.જેથી પાણીની માંગ વધુ રહેતા આગળના વિસ્તારમાં પુરતા પ્રમાણ પાણીનો ફોર્સ મળતો નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આજથી પુરતા ફોર્સથી પાણી મળશે કરમસદ આણંદ મનપા વોટર વર્કસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આણંદ પોલસન ડેરી રોડ ખાટકીવાડ પાસે આવેલા વોટર વર્કસની મોટર બળી જતાં ત્રણ દિવસ પાણી સપ્લાય બંધ કરાયો હતો. અન્ય વિસ્તારમાં પાણી આપવામાં આવતું હતું. જો કે નવી મોટર બદલી મુકવામાં આવી છે. સોમવાર સાંજે પાણી અપાયું હતું. પણ છેવાડા વિસ્તારમાં પહોંચ્યુ ન હતું. જો કે મંગળવાર સવારથી પુરતા ફોર્સથી પાણી મળશે.
કામગીરી:આણંદમાં રોડના બ્યુટિફિકેશનની આડમાં 100થી વધુ ઝાડનો સોંથ વાળી દેવાયો
પર્યાવરણ બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માં કે નામ ઉછેરવા માટે આહવાન કરાઈ રહ્યું છે, બીજી તરફ આણંદ શહેરમાં કરમસદ આણંદ મનપા દ્વારા બ્યુટીફિકેશનનાં નામે ઉછેરવામાં આવી રહેલા વૃક્ષોનો સોંથ વાળવામાં આવી રહ્યો છે,જેને લઈને આજે ગાયત્રી પરિવાર દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ હતી. કરમસદ આણંદ મનપા દ્વારા બ્યુટીફિકેશનનાં નામે આણંદ શહેરમાં સરદાર પટેલ રાજમાર્ગ, 80 ફુટ રોડ, 100 ફુટ રોડ આણંદ વિદ્યાનગર રોડ સહીત વિવિધ વિસ્તારોમાં ડીવાઇડર પર તેમજ રોડની સાઈડમાં ઉછેરવામાં આવેલા વૃક્ષોનાં ટ્રી ગાર્ડ કાઢી નાખી વૃક્ષોને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે,તેમજ કેટલીક જગ્યાએ આડેધડ રીતે ઉછરી રહેલા વૃક્ષો કાપી નંખાતા 100થી વધુ ઝાડનો સોંથ વળી ગયો છે. આણંદ જિલ્લા ગાયત્રી પરિવાર ધ્વારા છેલ્લા સાતેક વર્ષથી વૃક્ષારોપણ તથા તેની જાળવણીની કામગીરી 422 રવિવારથી સતત ચાલી રહી છે. અત્યાર સુધીમાં ચરોતર માં અંદાજીત 25 હજાર જેટલા વૃક્ષો રોપીને નહિં પરંતુ તેને ઉછેરવામાં આવી રહયા છે. ડિવાઇડર પરથી વૃક્ષો દૂર કરાતાં ઉનાળામાં ચાલકો સેકાશે કરસમદ આણંદ મનપા હરિયાળી છવાયેલી હોવાથી ઉનાળા ગરમીનું પ્રમાણ જળવાઇ રહે છે. 42 ડિગ્રી વધુ તાપમાન છેલ્લા પાંચ વર્ષ માત્ર એકાદ દિવસ જોવા મળે છે. ત્યારે મનપાએ ડિવાઇડરની શોભા વધારવા માટે કુદરતી વૃક્ષો હટાવીને આર્ટીફિસિયલ ફૂલો અને લાઇટો સજાવવામાં આવી રહ્યાં છે. ત્યારે વૃક્ષો ઘટવાને કારણે ઉનાળા તાપમાન ઉંચુ જવાની સંભાવના છે. રાહદારીઓને બેસવા માટે વ્યવસ્થા છીનવાઇ જવાની સંભાવના રહેલી છે.
આંદોલનની અસર:તમાકુ વેચાણ પર એકસાઇઝ ડયુટી નહીં લાગે, જીએસટી 40ના બદલે માત્ર 5 ટકા
કેન્દ્ર સરકાર દ્વારાતમાકુ પત્તી સહિત વેચાણ માલ પર એચએસએન કોડ 2401 ગત 31મી ડિસેમ્બરના રોજ લાગુ કરીને જીએસટી 28 ટકાને બદલે 40 ટકા અને એક્સાઇઝ ડ્યુટી 18% કરાતાં નાના મોટો વેપારીઓને વેપારધંધા બંધ કરી દેવાનો વખત આવે તેમ હતો. આખરે વેપારીઓ તમાકુની ખરીદી નહીં કરવાનો નિર્ણય લઇને 2 દિવસથી આંદોલન છેડાયું હતું. જેને લઇને સરકારે રવિવારે તમાકુ વેચાણ કે પત્તી પરથી એક્સાઇઝ ડ્યુટી પરત ખેંચી લીધી છે. તેમજ જીએસટીમાં માત્ર 5 ટકા લાગુ કરતાં વેપારીઓ સહિત ખેડૂતોમાં આનંદ છવાયો છે. ચરોતરના તમાકુના વેપારી એસોસિએશનની જનરલ મિટીંગ પટેલ વાડી પાડગોલ ખાતે મળી હતી. સરકારે તમાકુ વેચાણ કે પત્તી પરથી એક્સાઇઝ ડ્યુટી પરત ખેંચી લીધી છે. તેમજ જીએસટી જે 40 ટકા લાગુ કરી હતી તે ઘટાડીને માત્ર 5 ટકા કરી છે. જેને લઇને હવે વેપારીઓ સહિત ખેડૂતોને ફાયદો થશે. જીએસટીના કારણે વેપારીઓને માલ ખરીદતા ખંચકાતા હતા. હવે જીએસટી ઘટી જતાં વેપારીઓ તમાકુ ખરીદી શકશે. તેમજ ખેડૂતોને ખરીદનાર મળી રહેશે. હવે માત્ર તમાકુ પ્રોડકટ પર જીએસટી અને એકસાઇઝ ડયુટી લાગુ કરાશે. જેથી હવે કંપનીનો લોગ ધરાવતી તમાકુની બનાવટો પર લાગુ કરાયો છે. જેથી વેપારીઓ આંદોલન પરત ખેંચી લીધું છે. ચરોતર એસોશિએશન દ્વારા સરકારના નિર્ણય વધાવી લીધો છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના અર્થશાસ્ર વિભાગ દ્વારા સરદાર પટેલની રાષ્ટ્ર નિર્માણ અને શાસનમાં ભૂમિકા વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સરદારના જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં અતુલ્ય યોગદાન વિશે વિસ્તારથી ચર્ચા કરી હતી. સેમિનારમાં વક્તા તરીકે ગાંધીનગર ઇન્ડેક્ષ્ટ-સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટના પૂર્વ મુખ્ય વ્યવસ્થાપક આઇએએસ ડો. સંજય જોષી ઉપસ્થિત રહી સરદારના જીવનના વિવિધ તબક્કાઓને તાર્કિક અને ભાવનાત્મક રીતે રજૂ કર્યા હતાં. તેઓએ સરદાર વિશે જણાવતા કહ્યું કે રાષ્ટ્ર નિર્માણના ચાર સ્તંભ છે. વક્તાએ સરદારના રાષ્ટ્ર નિર્માણના કાર્યને ચાર તબક્કામાં વહેંચ્યું હતું. જેમાં ખેડા અને બારડોલી સત્યાગ્રહ દ્વારા જનજાગૃતિ, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં વહીવટી સુધારા, આઝાદી પૂર્વે કોંગ્રેસનું સંગઠન અને આઝાદી પછી રજવાડાઓનું વિલીનીકરણનો સમાવેશ કર્યો હતો. સરદારની વહીવટી કુશળતા વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે સરદારે 11 વર્ષ સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં રહીને શિક્ષણ, સ્વચ્છતા અને જાહેર સુવિધાઓમાં જે ક્રાંતિ કરી હતી. તે આજના વહીવટકર્તાઓ માટે એક ઉદાહરણ સમાન છે. તેમણે બ્રિટિશ કમિશનરો સામે પણ નીડરતાથી કામ લીધું હતું. આજે સિવિલ સર્વિસીસના જનક તરીકે સરદારને જોઇ રહ્યા છીએ. કારણે કે, આઝાદી પછી દેશના વહીવટી માળખાને જાળવી રાખવા માટે સરદારે સિવિલ સર્વિસીસનું સમર્થન કરી અધિકારીઓને જે રીતે દેશભક્તિના રંગમાં રંગ્યા હતાં અને તેના જ કારણે આજે ભારતનું વહીવટી તંત્ર મજબૂત છે. સરદાર પટેલની મક્કમતા રજવાડાઓનું વિલીનીકરણ અને સોમનાથનો સંકલ્પ સહિત હૈદરાબાદમાં પોલીસ એક્શન તેમજ જૂનાગઢનું વિલીનીકરણ અને કાશ્મીર મુદ્દે જોવા મળી હતી. ખાસ કરીને સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સંકલ્પને તેમણે ભારતીય સાંસ્કૃતિક ચેતનાના પુનરુત્થાનનું પ્રતિક ગણાવ્યું હતું. સરદારની કઠોરતા પાછળની મૃદુતા એટલે કે લોખંડી પુરુષની છબી પાછળ છુપાયેલી તેમની નૈતિકતા અને રાષ્ટ્ર પ્રત્યેની સંવેદનશીલતાના અનેક કિસ્સાઓ નજરે પડે છે.
તંત્ર હરકતમાં:શાપુરની શેરીઓમાં સફાઈ શરૂ થઈ
જૂનાગઢ નજીકના શાપુર ગામની ગિરિરાજ સોસિયટીની શેરીઓ તેમજ આંગળવાડી પાસે ગટરનું ગંદુ પાણી ઘણા સમય થી વહેતું હતું. તેમજ ગામમાં સફાઈનો અભાવ હતો. ગ્રામજનો પણ સફાઈન થવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે આ વિસ્તારની મુલાકાત લેતા ગંદકી જોવા મળી હતી. અને ગામના સરપંચ સફાઈમાં કોય ધ્યાન આપતા નથી અને માત્ર રાજકારણમાં જ રસ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યા હતા. આ સમગ્ર બાબતને લય ભાસ્કરે સચિત્ર અહેવાલ પ્રશિદ્ધ કર્યો હતો. અહેવાલ બાદ ગ્રામપંચાયત હરકતમાં આવીને ગામમાં ગટરની તેમજ શેરિઓની સફાય શરૂ થય હતી. આમ ભાસ્કરના અહેવાલ પછી સરપંચે આડશ મરડીને ગામની સફાઈ શરૂ કરી હતી. દિવ્ય ભાસ્કરમાં આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ સફાઈ શરૂ થઇ હતી.
પોરબંદર જિલ્લાના કાંઠીય તથા આંતરિક ક્ષારિય નિવસનતંત્ર પર કરાયેલ વૈજ્ઞાનિક સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. સંરક્ષણ નીતિ માટે મહત્વપૂર્ણ સંશોધનનું માર્ગદર્શન મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું છે, જ્યારે સંશોધન કાર્ય કુણાલ એન. ઓડેદરા અને કવન શુક્લા દ્વારા કરવામાં આવ્યું છે. મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ, પોરબંદરના સંશોધકો દ્વારા કરાયેલ આ અભ્યાસ પ્રતિષ્ઠિત જર્નલ ‘ડિસ્કવર પ્લાન્ટ્સ’ (સ્પ્રીન્જર નેચર)માં પ્રકાશિત થયો છે. પોરબંદર દરિયાઈ કાંઠાના ક્ષાર વાળા વિસ્તારો માંથી જમીન લઈ તેનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. દરિયાઈ વિસ્તારમાં ઊગતી વનસ્પતિઓ જેમાં ચોમાસા પહેલા અને ચોમાસા બાદ ઊગતી વનસ્પતિઓને જમીન સાથે સબંધ નથી પરંતુ ચોમાસા સાથે સબંધ છે તે અંગે સંશોધનનું પરિણામ સામે આવ્યું હતું અને કોસ્ટલ ઝોનનું આ સંશોધન ગ્લોબલ થીમ પર વિશ્વને લાગુ પડ્યું છે. અભ્યાસ મુજબ ક્ષારિય પરિતંત્રોમાં જૈવવિવિધતા પર માટીના રાસાયણિક ગુણધર્મો કરતાં ઋતુગત પાણી, ચોમાસાનો પ્રવાહ અને ભૂગોળ વધુ અસર કરે છે. આ વૈજ્ઞાનિક સિદ્ધિ બદલ મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ વી. ટી. થાનકી તેમજ BAAGના પ્રમુખ એન. કે. પટેલ દ્વારા સંશોધન ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પાંચ પ્રકારના ક્ષારિય પરિતંત્રોનું તુલનાત્મક અધ્યયન થયુંશુષ્ક દરિયાકાંઠા વિસ્તારોમાં મોસમી ગતિશીલતા દ્વારા પુરાવા મળતા હેલોફાઇટિક પરિસ્થિતિક તંત્રમાં જૈવવિવિધતા અને માટી પ્રતિભાવ શીર્ષક હેઠળ પ્રકાશિત આ સંશોધનમાં જિલ્લાના કાંઠીય પટ્ટો, એસ્ટ્યુરિન વેટલેન્ડ, ઋતુઆધારિત મોન્સૂન વેટલેન્ડ, કાયમી વેટલેન્ડ કોમ્પ્લેક્સ અને ક્ષારિય ઘાસમેદાન એમ પાંચ પ્રકારના પરિતંત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ગુજરાત માટે સંશોધનનું વિશેષ મહત્વ જલવાયુ પરિવર્તન અને સમુદ્રસ્તર વધારાને કારણે ખારી જમીનનો વિસ્તાર વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાતની લાંબી તટરેખા માટે આ અભ્યાસ કાંઠીય અને ક્ષારિય પરિતંત્રોના સંરક્ષણ માટે માર્ગદર્શક સાબિત થશે તેવું ડો. ભુપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ચોમાસું બને છે કુદરતી ગેમ ચેન્જરસંશોધનમાં ખુલાસો થયો છે કે ચોમાસું ખારી જમીનની અતિશય ક્ષારતા ઘટાડે છે, જેના કારણે છોડોની જાતિવૈવિધ્યતા વધે છે. ખાસ કરીને ચોમાસાના અંતે જૈવવિવિધતામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અભ્યાસ મુજબ અલગ-અલગ નિવસનતંત્રોમાં જોવા મળતી જાતિવૈવિધ્યતા માત્ર કેટલીક જાતિઓના ઉમેરા કે લુપ્ત થવાથી નહીં, પરંતુ જાતિ બદલાવ ના કારણે થાય છે. એક પરિતંત્રમાંથી કેટલીક જાતિઓ અદૃશ્ય થઈ નવી જાતિઓ પ્રવેશે છે, જેના કારણે આખો છોડ સમુદાય બદલાઈ જાય છે.
વાહનચાલકોને ભારે મુશ્કેલી:ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ રસ્તા બિસ્માર બન્યા
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના ખાપટ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ કામગીરી દરમ્યાન ખોદકામ બાદ રસ્તાને યોગ્ય રીતે સમથળ ન કરવામાં આવતા હાલ રસ્તાઓ બિસ્માર બન્યા છે જેથી સ્થાનિકોને વાહનો સાથે પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે તો સ્કૂલ રીક્ષા બિસ્માર રસ્તાને લઈને ન આવતા આ વિસ્તારના વિદ્યાર્થીઓ સ્કૂલે જવામાં અડચણ ઉભી થઇ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પાયાની સુવિધાનો અભાવ રહેલ વિસ્તારોમાં પાયાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. મહા નગરપાલિકા દ્વારા શહેરના ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ વિસ્તારમાં રહેલ સોસાયટીમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવા ખોદકામ કર્યા બાદ રસ્તાનું યોગ્ય રીતે સમથળ ન કરવામાં આવતા હાલ ખાપટ વિસ્તારમાં આવેલ સોસાયટીના માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જેથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને વાહનો સાથે પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. સ્કૂલ રિક્ષા ન આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રસ્તા બિસ્માર હોવાથી સ્કૂલ રીક્ષા સોસાયટીમાં આવતા નથી જેથી આ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને સ્કૂલે જવા અડચણ ઉભી થઇ છે.
ભાસ્કર ન્યૂઝ | પોરબંદર પોરબંદર જિલ્લામાં 2 દિવસ સુધી પક્ષીઓની ગણતરી કાર્યક્રમ યોજાયો હતો જેમાં 2 દિવસમાં 232 પ્રજાતિના સ્થાનિક અને વિદેશી પક્ષીઓ નોંધાયા છે, જેમાં ખાસ કરીને 6 જેટલા પ્રજાતિના દુર્લભ પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોરબંદર જિલ્લામાં વેટલેન્ડનું મહત્વ પક્ષીઓની વસ્તી ગણતરીથી પુરવાર થાય છે. જિલ્લામાં નાનામોટા 250થી વધુ વેટલેન્ડ આવેલા છે. જિલ્લામાં જળપ્લાવીત વિસ્તારોમાં જોવા મળતા પક્ષીઓના અંદાઝ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,જેમાં વનવિભાગ, બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત અને ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. ભારતભર માંથી 117 પક્ષીવિદો પોરબંદરમાં આવ્યા હતા અને આ પક્ષીવિદોની 25 ટીમ 25 વેટલેન્ડ ઝોન ખાતે એકસાથે પક્ષીઓની ગણતરી કરી હતી. જેમાં પક્ષીઓની સંખ્યા, વિસ્તાર, ફોટોગ્રાફી, પક્ષીઓની પ્રજાતિઓનો સર્વે કરાયો હતો. 2 દિવસની પક્ષી ગણતરી પૂર્ણ થઈ છે ત્યારે જિલ્લામાં વિવિધ વેટલેન્ડ ખાતે 232 પ્રજાતિના સ્થાનિક અને વિદેશી પક્ષીઓની નોંધ થઈ છે.જેમાં 6 જેટલા દુર્લભ પ્રજાતિના પક્ષી પણ જોવા મળ્યા છે. આ પક્ષીઓની ગણતરી થોડા દિવસો બાદ ઈ બર્ડ એપ પર નોંધ કરવામાં આવશે. જિલ્લામાં જોવા મળેલ દુર્લભ પક્ષીના નામ અને વિશેષતા પોરબંદર જિલ્લામાં 5 પ્રકારના દુર્લભ પક્ષી જોવા મળ્યા જેમાં જલમાંજર પક્ષી જેઓ વેટલેન્ડ ખાતેના કમળ સહિતની વનસ્પતિઓ પર ચાલવા માટે એટલે તે પક્ષીઓની પગની આંગળીઓ મોટી અને જોડાયેલી હોય છે. આ ઉપરાંત દુર્લભ પક્ષીમાં ગડેરો પક્ષી કેજે દરિયાઈ વિસ્તારનું પક્ષી છે અને નોન સ્ટોપ 10 થી 12 હજાર કિમીનો પ્રવાસ કરી શકે છે, આ ઉપરાંત કરકરીયો પક્ષી જે વેટલેન્ડના ઘાસમાં રહે છે અને ચકલી કરતા નાનું પક્ષી છે, આ ઉપરાંત રાખોડી અબાબીલ પક્ષી જે નાના પક્ષી છે અને દિવસે ઊડતા રહે છે આ ઉપરાંત રેડ બુનિયા પક્ષી જે ચકલીથી નાનું અને વેટલેન્ડના ઘાંસ પર માળો બનાવે છે. ગુજરાતમાં સંભવિત પ્રથમ સામાન્ય ધોમડો પક્ષી જે પોરબંદરમાં જોવા મળ્યું પોરબંદર જિલ્લાના વેટલેન્ડ ખાતે પક્ષીઓની ગણતરી દરમ્યાન સામાન્ય ધોમડો પક્ષી જોવા મળ્યું છે જે અતિ દુર્લભ પક્ષી છે. આ પક્ષી દરિયાઈ વિસ્તારનું પક્ષી છે અને યુરોપમાં આ પક્ષીઓની વસ્તી છે. ગત વર્ષે આ પક્ષી મુંબઈમાં જોવા મળ્યું હતું. પોરબંદરમાં પણ આ દુર્લભ પક્ષી જોવા મળ્યું છે જે ગુજરાતમાં પહેલી સાઈટિંગ હોય તેવું લાગી રહ્યું છે. કન્ફર્મેશન થાય તો ગુજરાતમાં પ્રથમ પોરબંદરમાં આ પક્ષી નોંધાયેલું ગણાશે. >ડો. ધવલ વારગીયા, પ્રમુખ, મોકરસાગર કમિટી પગમાં ટેગ હોય તેવા પક્ષી જોવા મળ્યાપક્ષીવિદ ડો. ધવલ વારગીયાએ જણાવ્યું હતુકે, પક્ષી ગણતરી દરમ્યાન કર્કરો કુંજ પક્ષીના પગમાં ટેગ જોવા મળી હતી. આ પક્ષી મંગોલિયા સાઇડથી પોરબંદર જિલ્લાના બરડાસાગર વેટલેન્ડમાં મહેમાન બન્યા છે. પક્ષીના પગ પર ટેગ મારવામાં આવે છે જેથી આવા પક્ષીની પ્રક્રિયા, ઉંમર, તેનો રુટ જાણી શકાય છે.
પોરબંદરમાં સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ સરેરાસ દરરોજના 25 વ્યક્તિ શ્વાનના બચકાંનો ભોગ બને છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે, સરકારી અને ખાનગી હૉસ્પિટલો, શૈક્ષણિક સંસ્થા અને રેલ્વે સ્ટેશન જેવાં જાહેર સ્થળોએથી રખડતાં કૂતરાંને હટાવવામાં આવે, પરંતુ પોરબંદર મનપા પાસે શ્વાનોને પકડીને રાખવા માટે જગ્યા નથી તેવું બહાનું કરી દેવામાં આવ્યું છે. એકપણ શ્વાનને પકડવામાં આવ્યા નથી. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓએ કહ્યું છે કે સરકારી અને ખાનગી હૉસ્પિટલો, શૈક્ષણિક સંસ્થા અને રેલ્વે સ્ટેશન જેવાં જાહેર સ્થળોએથી રખડતાં કૂતરાંને હટાવવામાં આવે અને ત્યારબાદ તેની નસબંધી અને રસીકરણ કરાવીને તેને શેલ્ટર હોમમાં રાખવામાં આવે. પરંતુ પોરબંદરની મનપા પાસે શ્વાન પકડીને રાખવા માટે શેલ્ટર હોમ નથી. શ્વાન પકડવા માટે મનપા પાસે 2 વેન છે અને સ્ટાફ પણ છે પરંતુ જગ્યા નથી તેવું જણાવી દીધું છે. મહત્વની વાત એ છે કે, સરકારી હોસ્પિટલના આંકડા મુજબ ગત જાન્યુઆરી માસમાં 759 વ્યક્તિને શ્વાને બચકા ભર્યા હોવાથી દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા. એટલે કે સરેરાસ દરરોજના 25 વ્યક્તિ શ્વાનના બચકાંનો ભોગ બને છે. શહેરની દરેક શેરીઓ અને માર્ગો પર શ્વાનની વસતી વધી રહી છે ત્યારે કોર્ટના આદેશ બાદ પણ મનપા દ્વારા એકપણ શ્વાનને પકડવામાં આવ્યા નથી જેને કારણે નિર્દોષ લોકો શ્વાનના બચકાંનો ભોગ બની રહ્યા છે. ખસીકરણ માટેનું ટેન્ડર પાંચમી વખત કરાશે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા શ્વાનોની વસ્તી નિયંત્રિત કરવા શ્વાનોને પકડીને ખસીકરણ કરવા અંગે 4 વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ ચારેય ટેન્ડર નિષ્ફળ નીવડ્યા છે અને એકપણ એજન્સી આવી નથી ત્યારે હવે મનપા દ્વારા 5મી વખત શ્વાનના ખસીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે તેવું મનપાએ જણાવ્યું હતું.
બેદરકાર તંત્ર:ઇન્સ્ટોલેશનની કામગીરીના અભાવે એસ.ટી. ડેપોમાં કુલર અને આર.ઓ.પ્લાન્ટ ધૂળ ખાય છે
પોરબંદરના એસ.ટી.ડેપોમાં આવેલ પાણીના પરબમાં છેલ્લા 15 દિવસથી આર.ઓ.પ્લાન અને કુલર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.પરંતુ આ બંનેનું ઇન્સ્ટોલેશનની કામગીરીના અભાવે કુલર અને આર.ઓ.પ્લાન ધૂળ ખાઈ છે. પોરબંદરના એસ.ટી.ડેપોમાં આવેલ પીવાના પાણીના પરબ ખાતે અગાઉ દાતાઓના સહયોગથી આર.ઓ.પ્લાન અને કુલર ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.પરંતુ આ બંનેની જાળવણીના અભાવે આર.ઓ.પ્લાન બંધ થઈ ગયો હતો તો કુલર પણ યોગ્ય કામગીરી ન કરતું હોવાની ફરિયાદો ઉઠી હતી જેથી પોરબંદરના ડેપોને એસ.ટી.વિભાગ દ્વારા નવું આર.ઓ.પ્લાન અને કુલર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. પરંતુ પીવાના પાણીના પરબ ખાતે ઉપલબ્ધ થયેલ નવા આર.ઓ.પ્લાન અને કુલર ઇન્સ્ટોલેશનની કામગીરીના અભાવે કુલર અને આર.ઓ.પ્લાન ધૂળ ખાઈ રહ્યું છે.આ પાણીના પરબમાં નવો આર.ઓ.પ્લાન અને કુલર 15 દિવસથી પડ્યા છે. વર્ષોથી આર.ઓ.પ્લાન્ટનો અભાવ હતો પોરબંદરના એસ.ટી.ડેપોમાં આવેલ પાણીના પરબ ખાતે વર્ષોથી આર.ઓ.પ્લાનનો અભાવ જોવા મળી રહ્યો હતો જેથી અહીં આવતા મુસાફરોને ફિલ્ટર પાણી મળતું ન હતું.
ભાવમાં વધારો:કાશ્મીરમાં હિમવર્ષા થતાં પોરબંદરમાં સફરજનની બજાર સળગી ઉઠી
કાશ્મીર પંથકમાં હિમવર્ષા પડતાની સાથે જ પોરબંદરમાં સફરજન બજાર સળગી ગઈ છે.કાશ્મીરના શ્રીનગર વિસ્તારમાંથી પોરબંદરના યાર્ડમાં પ્રતિદિન 1500 પેટી સફરજન આવક બંધ થતાં હાલ ગોંડલથી રોજ આવતી 150 પેટી સફરજનનો વેપાર થાય છે.હિમવર્ષા થતા જ મોટાભાગના માર્ગો બંધ થઈ જતા સફરજનની આવક બંધ થઇ છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં આવેલ વીવિધ વિભાગોમાં સિઝન મૂજબ આવક થતી હોય છે. પોરબંદરના યાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગમાં પણ સિઝન મુજબ ફ્રૂટની આવક થતી હોય છે.પરંતુ યાર્ડના ફ્રૂટ વિભાગમાં કાયમી માટે સફરજન આવક થઈ રહી છે.યાર્ડમાં રોજ કાશ્મીર પંથકના શ્રીનગર સહિતના વિસ્તારોમાંથી સફરજન આવક નોંધાઈ છે. પરંતુ તાજેતરમાં કાશ્મીરમાં હિમવર્ષા પડતાની સાથે મોટાભાગના માર્ગો બંધ થઈ ગયા છે જેથી આ પંથકમાંથી આવતા સફરજન આવક બંધ થઇ છે.પોરબંદરના યાર્ડમાં કાશ્મીરના શ્રીનગર પંથકમાંથી આવતા રોજના 1500 પેટી સફરજન આવક બંધ થઈ છે જેથી હાલ ગોંડલ પંથકમાંથી આવતી રોજની 150 પેટી સફરજન વેપાર કરવામાં આવી રહ્યો છે.હાલ યાર્ડમાં જરૂરિયાત કરતા માત્ર 10 ટકા જ સફરજન આવક હોવાથી ભાવમાં પણ વધારો નોંધાયો છે. પોરબંદરના યાર્ડમાં રોજ 1500થી 2000 બોક્સ સફરજન ખપતપોરબંદરના યાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગમાં રોજ પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાંથી ફ્રુટના વેપારીઓ ફ્રૂટની ખરીદી કરવા આવે છે.ત્યારે યાર્ડમાં રોજ 1500 થી 2000 બોક્સ સફરજન ખપત છે.
કામગીરી:45 વર્ષ જૂનું બ્લોક ડિસ્પેન્સરી સેન્ટરનું રૂ.5 લાખના ખર્ચે રિનોવેશન કામ પૂર્ણ
પોરબંદર શહેરમાં ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકની બ્લોક ઓફિસ નજીક આવેલ બ્લોક ડિસ્પેન્સરી સેન્ટરનું 45 વર્ષ જૂનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું હતું તેમજ આ બિલ્ડિંગમાં આવેલ સોચાલય પણ પાણીના અભાવે બંધ હતું ત્યારે હવે આ જર્જરીત બિલ્ડિંગનું રૂ.5 લાખના ખર્ચે રિનિવેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ રિનોવેશન પૂર્ણ થઈ જતા આધુનિક બિલ્ડીંગ ઉપલબ્ધ થયું છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકના શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે.પરંતુ હાલ શહેરમા ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકનું બે જ આરોગ્ય કેન્દ્ર આવેલ છે.ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકની બ્લોક ડિસ્પેન્સરી સેન્ટર આવેલ છે.આ સેન્ટરનું બિલ્ડિંગ 45 વર્ષ જૂનું હોવાથી જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું હતું.આ બિલ્ડિંગ જર્જરીત હાલતમાં તેમજ સોચાલય પણ જર્જરીત હાલતમાં હોવાથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું હતું.ત્યારે 45 વર્ષ જૂનું આ જર્જરીત બિલ્ડીંગનું રૂ.5 લાખના ખર્ચે રિનોવેશન શરૂ કરવામાં આવ્યું હતું.ત્યારે આ કામગીરી પૂર્ણ થતાં અધુનિક બિલ્ડીંગ ઉપલબ્ધ થયું છે. બ્લોડ ડિસ્પેન્સરી સેન્ટરમાં બિલ્ડિંગનું રિનિવેશન, કલરકામ, ટાઇલ્સ, સ્ટોર રૂમ, બાથરૂમ રીનોવેશન અને કમ્પાઉન્ડમાં પી.સી.સી.સહિતની કામગીરી કરવામાં આવશે.આ સેન્ટરનું રિનિવેશન કામ પૂર્ણ થયે અહીં ફરજ બજાવતા સ્ટાફ અને દર્દીઓને વધારાની સુવિધા ઉપલબ્ધ થયું છે.
આયોજન:નાગેશ્વર મહાદેવ મંદિરે 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર્વની ધર્મમય ઉજવણી
દ્વારકાથી 16 કિમી દૂર આવેલાં દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે આગામી મહા વદ 14, તા.15.02.2026 ને રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ભકિતભાવ સાથે ધર્મમય ઉજવણી કરવામાં આવશે. નાગેશ્વર જયોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રિ પર્વે આરતી તથા રાત્રિના ચાર પ્રહરની પૂજા સહિતના ધાર્મિક આયોજનો હાથ ધરાયા છે. મહાશિવરાત્રિ પર્વે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પ્રાતઃ આરતી સવારે 5.00 કલાકે, શૃંગાર દર્શન સવારે 5.00 થી 8.00 વાગ્યા સુધી તેમજ નીરાજન મહા આરતી રાત્રિના 8.00 કલાકે યોજાશે જેમાં બહોળી સંખ્યામાં શિવભકતો જોડાશે. નાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સેવાભાવી ભાવિકો તથા તંત્રની મદદથી યાત્રિકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવનાર છે. રાત્રિના 4 પ્રહરની પૂજા, રાત્રે 12 કલાકે વિશેષ આરતી શાસ્ત્રો અનુસાર ચાર પ્રહરની પૂજા કરવાથી ભકતોને શિવકૃપા, કલ્યાણ, આરોગ્ય અને મનોઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મહાશિવરાત્રિએ પ્રથમ પ્રહર રાત્રિના 9.00 થી 11.00 સુધી, દ્વિતીય પ્રહર રાત્રે 11.00 થી 1.00 સુધી, તૃતીય પ્રહર રાત્રે 1.00 થી 3.00 સુધી તેમજ ચતુર્થ પ્રહર વહેલી સવારે 3.00 થી 5.00 વાગ્યા સુધી એમ રાત્રિના ચારેય પ્રહર દરમ્યાન વિશેષ શિવપૂજા કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રિના 12.00 કલાકે શિવજીની વિશેષ આરતી પણ કરવામાં આવશે. મંદિરમાં ભાવિકોની ભીડ રહેતી હોય આરતી તથા ચાર પ્રહરની પૂજા માટે મહાશિવરાત્રિ પૂર્વે નાગેશ્વર મહાદેવ મંદિર કાર્યાલયે પૂર્વ નોંધણી ફરજીયાત રાખવામાં આવી છે.
નિર્ણય:કોસ્ટલ રોડ પર સ્પિડના નિયમ તોડનાર પર ગુનો દાખલ થશે
કોસ્ટલ રોડ પર પુરપાટ કાર ચલાવીને પોતાના સહિત બીજા લોકોનો જીવ જોખમમાં મૂકનાર પર હવે સીધા ગુનો દાખલ કરવાનો ઈશારો પરિવહન પોલીસે આપ્યો છે. છેલ્લા થોડા દિવસમાં ફૂલસ્પીડમાં દોડતા વાહનોના કારણે વારંવાર અકસ્માતની ઘટના બની છે. કોસ્ટલ રોડના બોગદામાં પણ કેટલાક વાહનોએ 140ની સ્પીડથી કાર ચલાવ્યાનું પ્રકાશમાં આવ્યું છે. એ ધ્યાનમાં લેતા સ્પીડ નિયંત્રણ માટે પરિવહન પોલીસે કઠોર પગલાં ભર્યા છે. મુખ્ય કોસ્ટલ રોડ પર કલાકે 80 કિલોમીટર, ઈંટરચેન્જ પર 40 કિમી અને બોગદામાં 60 કિમીની સ્પીડલિમિટ નક્કી કરવામાં આવી છે. રાતના મોડેથી અથવા વહેલી સવારે રસ્તો ખાલી હોય ત્યારે સ્પીડલિમિટનું સૌથી વધુ ઉલ્લંઘન થાય છે. અનેક વખત ચાલકોનું આ રોડ પર સ્પીડ પરથી નિયંત્રણ છૂટી જાય છે. ઓવરટેક કરવાની લાયમાં એકબીજા સાથે વાહન ટકરાય છે. બીજી તરફ અનેક જણ બસ લેન તેમ જ આપત્કાલીન લાઈન પરથી વાહનો લઈ જતા હોવાથી અકસ્માતને નિમંત્રણ આપે છે. એએનપીઆર (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નાઈઝેશન) કેમેરા જુલાઈના અંતમાં શરૂ કરવામાં આવ્યા. ઈ-ચલાન સિસ્ટમ 4 સપ્ટેમ્બરના બોગદા માટે અને 27 સપ્ટેમ્બરના સંપૂર્ણ કોસ્ટલ રોડ માટે શરૂ કરવામાં આવ્યા છે. એ અનુસાર ઈ-ચલાન દ્વારા કાર્યવાહીની ઝડપ વધી છે.
કામગીરી:વિધાનસભ્યોને અજિત પવાર દ્વારા મૃત્યુ પહેલાં 1354 કરોડનું ભંડોળ વિતરણ
ઉપમુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવારે મંગળવાર 27 જાન્યુઆરીના વિધાનસભ્ય ભંડોળ વિતરિત કરવાની ફાઈલ પર છેલ્લી સહી કરી હતી. એમાંથી 321 વિધાનસભ્યોના ભંડોળ માટે 1354 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા. વિધાનસભ્ય ભંડોળની ફાઈલ પર છેલ્લી સહી કરતા તેમણે આ ભંડોળ માટેની ઈ-સાઈન સિસ્ટમ પ્રમાણે ઈ-સમર્થ સિસ્ટમ સંકલ્પના રજૂ કરીને એ પૂરી કરી. એની શરૂઆત આગામી મહિનામાં પુણેથી થળે. આ સિસ્ટમના લીધે વિધાનસભ્ય વિકાસ ભંડોળના કામના બિલના રૂપિયા સીધા કોન્ટ્રેક્ટરના ખાતામાં જમા કરવામાં આવશે. વિધાનસભ્ય સ્થાનિક વિકાસ કાર્યક્રમ અંતર્ગત 2025-26ના આર્થિક વર્ષ માટે 2200 કરોડ રૂપિયાની જોગવાઈઆ કરવામાં આવી હતી. આ ભંડોળ માટે 660 કરોડ રૂપિયાનું ભંડોળ બિમ્સ સિસ્ટમના માધ્યમથી પહેલાં જ વિતરિત કરવામાં આવ્યું. એમાંથી 250.62 કરોડ રૂપિયા જેટલું ભંડોળ સંદર્ભાધીન ક્રમાંક 3 ખાતે જીઆર અન્વયે તમામ જિલ્લાઓને વિતરિત કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિમાં નાણા વિભાગ તરફથી 944.62 કરોડ રૂપિયા જેટલું ભંડોળ વિતરણ માટે ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું છે. એ અનુસાર બિમ્સ સિસ્ટમ પર આ પહેલાં બાકીના 409.38 કરોડ અને નાણા વિભાગ તરફથી મળેલા 944.62 કરોડ રૂપિયા એમ કુલ 1354 કરોડ રૂપિયાનું ભંડોળ વિતરણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. વિધાનસભ્ય સ્થાનિક વિકાસ કાર્યક્રમ અંતર્ગત 267 વિધાનસભા સભ્ય અને 54 વિધાન પરિષદ સભ્યોને આ ભંડોળનું વિતરણ કરવામાં આવ્યું છે. જે તે જિલ્લાના જિલ્લાધિકારીને સોંપવામાં આવ્યું છે. પુણેમાં ઈ-સમર્થ સિસ્ટમની શરૂઆતસંસદસભ્ય વિકાસ ભંડોળનું વિતરણ પૂર્ણપણે ઓનલાઈન પદ્ધતિથી ઈ-સહી સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. એ જ પ્રમાણે વિધાનસભ્યો માટે પણ ઈ સમર્થ સિસ્ટમ હોવી જોઈએ એવી સંકલ્પના અજિત પવારે રજૂ કરી. એ અનુસાર સંપૂર્ણ તૈયારી કરી. આગામી મહિનામાં આ સિસ્ટમનું ઉદઘાટન પુણેમાં કરવામાં આવનાર હતું. આ સિસ્ટમ દ્વારા જ પુણેના 24 વિધાનસભ્યોને વિકાસ ભંડોળનું વિતરણ ઈ-સમર્થ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. એમાં વિધાનસભ્યના 21 અને વિધાન પરિષદના 3 વિધાનસભ્યોનો સમાવેશ છે. પુણેથી શરૂઆત થયા બાદ આ સિસ્ટમ સંપૂર્ણ રાજ્યમાં લાગુ કરવામાં આવશે. હવેથી તમામ વિધાનસભ્યોને ભંડોળ વિતરણ આ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. એના માટે વિધાનસભ્યોને લોગઈન આઈડી આપવામાં આવશે. એના પર લોગઈન કરીને પોતાના વિભાગના કામની ભલામણ કરી શકાશે. એ જ પ્રમાણે કોન્ટ્રેક્ટરને પણ થયેલા કામના રૂપિયા આ જ સિસ્ટમ મારફત તેના ખાતામાં જમા કરવામાં આવશે.
કામગીરી:મલાડ સ્ટેશને થયેલી હત્યા પ્રકરણમાં સાક્ષીદારોને શોધવા AIનો ઉપયોગ
મલાડ રેલવે સ્ટેશનમાં ચર્ચગેટ-બોરીવલી ધીમી લોકલમાં જનરલ ડબ્બામાં પ્રવાસ કરનારા મુંબઈના રહેવાસી અને ગણિતના પ્રોફેસર આલોકકુમાર સિંહની ગયા અઠવાડિયે નજીવા વિવાદમાં હત્યા થઈ. એના માટે વાપરવામાં આવેલો સાડા સોળ સેન્ટિમીટરનો ચીપિયો રેલવે પોલીસે હસ્તગત કર્યો છે. હવે આ પ્રકરણમાં સાક્ષીદારોને શોધવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. આરોપી ઓમકાર શિંદેની પોલીસે પહેલાં જ ધરપકડ કરી છે.મલાડ દુર્ઘટના પછી આરોપીને શોધવા રેલવે સ્ટેશનના સીસીટીવીની તપાસ કરવામાં આવી. એ પછી રેલવે સ્ટેશન પરિસરમાંથી જ આરોપીને તાબામાં લેવામાં આવ્યો. લોકલમાં ઘણી ગિરદી હોવાથી અને અનેક પ્રવાસીઓ ઉતરી ગયા હોવાથી સાક્ષીદારોને શોધવા પોલીસ સમક્ષ મોટો પડકાર છે. રેલવે સ્ટેશનના સીસીટીવીમાં એઆઈ આધારિત ચહેરો ઓળખવાની ટેકનોલોજી છે. એની મદદથી સાક્ષીદારોને શોધીને તેમની સાક્ષી નોંધવાનો પ્રયત્ન ચાલુ છે. દરમિયાન આરોપીએ વાર કર્યા પછી પુલ પરથી નાસી જતા ચીપિયો મલાડ પૂર્વના સ્ટેશનના પતરા પર ફેંકી દીધો હતો. શું થયું હતું?શનિવાર 24 જાન્યુઆરીના ચર્ચગેટથી સાંજે 4.46 કલાકે છૂટેલી બોરીવલી સ્લો લોકલના જનરલ ડબ્બામાં નજીવા કારણોસર મૃતક આલોકકુમાર સિંહ અને આરોપી ઓમકાર શિંદે વચ્ચે ઝઘડો થયો હતો. મહિલા પ્રવાસીઓ સામે થયેલા અપમાનના કારણે ઓમકારને ગુસ્સો આવ્યો એમ જણાવવામાં આવ્યું છે. તેથી આ ઝઘડો ગણતરીનો પળોમાં હિંસક બન્યો અને પછી આરોપી ઓમકારે પોતાની બેગમાંથી ચીપિયો કાઢીને આલોકકુમારના પેટમાં હુલાવી દીધો અને નાસી ગયો. મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ થવાથી આલોકકુમારનું મૃત્યુ થયું હતું.
સમસ્યા:સીસીટીવી કેમેરા લગાડવા ભંડોળની માગણી, અન્યથા પરીક્ષા કેન્દ્ર રદ કરો
દસમા, બારમા ધોરણની પરીક્ષામાં થતી ગેરરીતિ રોકવા તમામ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા લગાડવાનો આદેશ સ્કૂલ શિક્ષણ વિભાગે બધી સ્કૂલોને આપ્યો છે. જો કે સીસીટીવી કેમેરા લગાડવા જરૂરી ભંડોળ બાબતે કોઈ સ્પષ્ટતા ન આપતા વિભાગે બધી જવાબદારી સીધા સ્કૂલ મેનેજમેંટ પર નાખી છે. આ યંત્રણા લગાડવી ખર્ચાળ હોવાથી સરકારે એના માટે ભંડોળ ઉપલબ્ધ કરી આપવું અન્યથા સ્કૂલનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે એવી આક્રમક ભૂમિકા લીધી છે. રાજ્ય મંડળ તરફથી ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાનારી દસમા અને બારમા ધોરણની પરીક્ષા સરળતાથી પાર પડે એ માટે તમામ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા લગાડવાનું સ્કૂલ શિક્ષણ વિભાગે ફરજિયાત કર્યું છે. આ નિર્ણય વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ સંસ્થા મહામંડળે સ્કૂલ શિક્ષણમંત્રી દાદા ભુસેને નિવેદન આપીને તીવ્ર વાંધો નોંધાવ્યો છે. સીસીટીવી કેમેરા લગાડવા, એની દેખભાળ, સ્ટોરેજ, અને ટેકનિકલ વ્યવસ્થા અત્યંત ખર્ચાળ બાબત છે. જો કે એના માટે કોઈ પણ વિશેષ ભંડોળ, અનુદાન અથવા આર્થિક મદદ જાહેર કરવામાં આવી નથી. આ યંત્રણા અનિવાર્ય હશે તો એના માટે ભંડોળ ઉપલબ્ધ કરી આપવું એ સરકારની જવાબદારી છે. તેમ જ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ ન હોય તો સંબંધિત સ્કૂલનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે એમ પણ આ નિવેદનમાં મહામંડળે જણાવ્યું છે. સીસીટીવી કેમેરા ન હોય એવી સ્કૂલોને શરૂઆતથી જ પરીક્ષા કેન્દ્ર તરીકે માન્યતા ન આપવાની કાર્યવાહી શિક્ષણ વિભાગ કરી શકે છે. નિર્ણય પર ફરીથી વિચાર કરવોશિક્ષણ વિભાગે અચાનક લીધેલા આ નિર્ણયથી સ્કૂલો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મોટા પ્રમાણમાં દ્વિધા નિર્માણ થવાની શક્યતા છે. સરકારી સ્કૂલો અને કાર્યાલયોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ઓછી પડે છે ત્યારે ખાનગી અને અનુદાનિત સ્કૂલો પર અચાનક આ જવાબદારી નાખવામાં આવવા વિશે તેમણે વસવસો વ્યક્ત કર્યો. શિક્ષણ સંસ્થાને ભંડોળ મળતું ન હોવાથી પહેલાં જ આર્થિક અડચણનો સામનો કરતી સ્કૂલો પર નવા આદેશના લીધે અતિરિક્ત ભાર નાખવામાં આવે છે. તેથી સરકારે તરત ભૂમિકા સ્પષ્ટ કરવી, ભંડોળની જોગવાઈ જાહેર કરવી અથવા નિર્ણયનો ફરીથી વિચાર કરવો એવી માગણી શિક્ષણ સંસ્થાઓ તરફથી કરવામાં આવે છે.
સિટી એન્કર:વડાલા-થાણે-કાસારવડવલી મેટ્રો-4 રૂટનો એક મહત્ત્વનો તબક્કો પૂરો
વડાલા-થાણે-કાસારવડવલી મેટ્રો-4 રૂટના કામનો એક મહત્વનો તબક્કો મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે પૂરો કર્યો છે. આ રૂટના કામ અંતર્ગત ભાંડુપ પશ્ચિમ ખાતે કુલ 325 મેટ્રીક ટનના ત્રણ સ્ટીલ સ્પેન સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ કામના કારણે મેટ્રો-4 રૂટનું કામ ઝડપી થશે. એમએમઆરડીએ તરફથી 33.32 કિલોમીટર લાંબા મેટ્રો-4 અને 2.7 કિમી લાંબા મેટ્રો-4એ (કાસારવડવલી-ગાયમુખ) રૂટનું કામ અત્યારે ચાલુ છે. તબક્કાવાર રૂટનું કામ ચાલુ છે. ગાયમુખથી કેડબરી જંકશન 10.5 કિલોમીટરનો અને 10 મેટ્રો સ્ટેશનના સમાવેશવાળા પહેલા તબક્કાનું કામ પૂરું થવાના આરે છે. આ રૂટ પર અત્યારે ટ્રેન અને બીજી યંત્રણાની ટેસ્ટ ચાલુ છે. ટૂંક સમયમાં સુરક્ષા પ્રમાણપત્રની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે. તેથી થોડા સમયમાં આ પહેલો તબક્કો પ્રવાસીઓ માટે શરૂ થાય એવી શક્યતા છે. હવે આ રૂટના આગળના તબક્કાના કામ ઝડપી કરવામાં આવ્યા છે. એ અનુસાર તાજેતરમાં મેટ્રો-4 રૂટના કામનો મહત્વનો તબક્કો પાર કરવામાં આવ્યો છે. ભાંડુપ પશ્ચિમ ખાતે 325 મેટ્રીક ટન વજનના ત્રણ સ્ટીલ સ્પેન તાજેતરમાં સફળતાપૂર્વક સ્થાપવામાં આવ્યા હતા. અત્યંત મુશ્કેલ અને પડકારજનક આ કામ આઠ હેવીડ્યુટી ક્રેન્સ અને 12 મલ્ટિએક્સલ વાહનોની મદદથી પાર પાડવામાં આવ્યું હતું. આ કામ માટે ચાર રાતની જરૂર હતી. જો કે એમએમઆરડીએના એન્જિનિયરો, અધિકારીઓ અને કામદારોની ટીમે આ કામ ફક્ત બે રાતમાં પૂરું કર્યું. આ કામ માટે એમએમઆરડીએને મુંબઈ મહાપાલિકા, બેસ્ટ ઉપક્રમ, ભાંડુપ આરટીઓ અને ભાંડુપ પોલીસની મદદ મળી. સ્થાનિકોના યોગ્ય સહકાર્યના લીધે આ કામ બે રાતમાં સફળતાપૂર્વક પૂરું કરી શક્યા એવી માહિતી એમએમઆરડીએએ આપી હતી. કુશળ ટીમ, યોગ્ય નિયોજનઆ કામ માટે 35 એન્જિનિયર, 100થી વધુ કુશળ કામદાર, 70 પરિવહન વોર્ડન અને 25થી વધુ પોલીસ કર્મચારી તૈનાત હતા. યોગ્ય નિયોજનના લીધે ત્રણ સ્ટીલ સ્પેન સફળતાપૂર્વક સ્થાપવાનો પડકાર આ ટીમના લીધે ઝીલી શકાયો. આ કામના લીધે હવે મેટ્રો-4નું કામ ઝડપી થશે. ગાયમુખથી કેડબરી જંકશનના પહેલા તબક્કા બાદ આગળના તબક્કા ઝડપથી પૂરા કરવાનું નિયોજન એમએમઆરડીએનું છે.
તપાસ:વસઈમાં પાણીની બંધ ટાંકીમાં માનવી શરીરના અવશેષ મળતા ખળભળાટ
વસઈના માણિકપુર પોલીસ સ્ટેશનની હદમાં નૌપાડા પરિસરમાં એક આઘાતજનક ઘટના બની છે. પાણીની બંધ ટાંકીમાંથી માનવી શરીરના અવશેષ મળતા પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. નૌપાડાની બારકુલ્યા ચાલમાં આ ઘટના શનિવારે સાંજે પ્રકાશમાં આવી હતી. આ ચાલી લગભગ ત્રીસ વર્ષ જૂની છે. અહીં દસથી પંદર કુટુંબ રહે છે. આ ચાલીની પાણીની ટાંકી અનેક વર્ષોથી વપરાતી નહોતી. અત્યારે ઈમારતનું રિપેરીંગ કામ ચાલુ હોવાથી પાણીની બંધ ટાંકીને તોડી પાડવાનું કામ ચાલુ હતું. એ સમયે ટાંકી તોડતા એમાં માનવ ખોપરી અને હાથના હાડકાંના ભાગ મળ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ તરત માણિકપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ફોરેન્સિક ટીમને બોલાવીને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને જરૂરી નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસે તરફથી ટાંકી પરિસરમાં હજી માનવી અવશેષ છે કે નહીં એની શોધ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ અવશેષ કેટલા જૂના છે, મૃત વ્યક્તિની ઓળખ અને મૃત્યુનું કારણ આ બાબતે હજી સ્પષ્ટતા થઈ નથી. દરમિયાન કેટલાક નાગરિકો તરફથી અંધશ્રદ્ધાના કારણે આ ઘટના બની હશે એવો શક વ્યક્ત કરવામાં આવ્યો છે. બીજી તરફ કોઈએ હત્યા કરીને મૃતદેહ અહીં ફેંક્યો હોવાની શક્યતા પોલીસ દ્વારા તપાસવામાં આવી રહી છે. આ સંપૂર્ણ પ્રકરણની તપાસ માણિકપુર પોલીસ કરે છે. ફોરેન્સિક અહેવાલ મળ્યા પછી વધુ માહિતી મળશે એવી શક્યતા છે. જો કે આ ઘટનાથી પરિસરમાં ઘણો ખળભળાટ મચી ગયો છે.
સિટી એન્કર:પ. રેલવેના લાંબા અંતરની મેલ-એક્સપ્રેસના ટોઈલેટ દુર્ગંધમુક્ત
પશ્ચિમ રેલવેની લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનના બાયો-ટોઈલેટ સિસ્ટમની કાર્યક્ષમતા વધારવામાં આવશે. એના માટે લોઅર પરેલ વર્કશોપ પરિસરમાં 3 લાખ લીટરનો એનારોબિક માઈક્રોબિયલ ઈનોક્યુલમ (બેકટેરિયા) પ્રકલ્પ ઊભો કરવામાં આવશે. એના લીધે મેલ-એક્સપ્રેસના બાયો-ટોઈલેટની દુર્ગંધ ઓછી થશે એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું. મેલ-એક્સપ્રેસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓની સુવિધા માટે ટોઈલેટની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. બાયો-ટોઈલેટમાંથી ઉત્સર્જિત થતા મળમૂત્ર રેલવે પાટા પર ન પડે એ માટે ટ્રેનના શૌચાલયમાં અંદાજે 120 લીટર ક્ષમતાની બાયો-ડાયજેસ્ટર ટાંકીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાએ (ડીઆરડીઓ) એનારોબિક માઈક્રોબિયલ બેકટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિશેષ બેકટેરિયા છથી આઠ કલાકમાં માનવી મળમૂત્રનું પાણી અને વાયુમાં વિઘટન કરે છે. આ વાયુ અને પાણી પાટા નજીક છોડવામાં આવે છે. દરમિયાન દુર્ગંધ ઓછી કરવા બેકટેરિયાની ગુણવત્તા ઉત્તમ હોવી જરૂરી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યારે આ બેકટેરિયા બહારથી મગાવવામાં આવે છે. પરિવહન દરમિયાન તેમની ગુણવત્તા સારી રાખવી અનેક વખત મુશ્કેલ થાય છે. પરિણામે બેકટેરિયાની જીવન ઓછું થતું હોવાથી અનેક વખત ટ્રેન ગયા પછી આસપાસના પરિસરમાં દુર્ગંધ ફેલાય છે. એના માટે લોઅર પરેલ વર્કશોપમાં હવે આ બેકટેરિયા તૈયાર કરવામાં આવે છે જેથી એની ઉપલબ્ધતા ગુણવત્તાવાળી અને સમયસર કરવી શક્ય થશે. તેમ જ રૂપિયાની બચત પણ થશે. પ્રવાસીઓનો પ્રવાસ દરજ્જાવાળો કરવા પર હંમેશા ભાર મૂકવામાં આવે છે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી અમારી ટ્રેનની બાયો-ટોઈલેટની ગુણવત્તા અને કાર્યક્ષમતા હજી સુધરશે. તેમ જ સ્વચ્છ ભારત મિશનનો ઉદ્દેશ સાધ્ય કરવા એના લીધે ઘણી મદદ થશે એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું. બેકટેરિયાનું મહત્વએક ટ્રેનની બાયો-ડાયજેસ્ટ ટાંકીમાં 60 લીટર બેકરેટરિયાની જરૂર પડે છે. એનું અત્યારનું આયખુ 18 મહિના છે અને પછી એ પૂર્ણ રીતે બદલવી પડે છે. અનેક વખત એ પાણી સાથે વહી જતા હોવાથી એનું રીફિલ કરવું જરૂરી છે. પશ્ચિમ રેલવેના કાફલાના મેલ-એક્સપ્રેસમાં 1250 કરતા વધુ ડબ્બા છે. જુલાઈ મહિનાથી આ પ્રકલ્પ ઊભો કરવાની શરૂઆત કરવામાં આવશે અને એ પછીના છ મહિનામાં આ પ્રકલ્પ પૂરો થવો અપેક્ષિત છે.
કાર્યવાહી:પોક્સો કેસ, સાત વર્ષની સજાનો આરોપી મુબારક બાગમાંથી ઝબ્બે
પોક્સો કેસમાં 7 વર્ષની સજા પામેલો આરોપીને પોલીસે સે શહેરના મુબારકબાગમાંથી પકડી લઈ આગળની કાર્યવાહી કરી હતી. જૂનાગઢ તાલુકાના ઇવનગર ગામે રહેતા ભરત મુંજાભાઈ ચાવડા વિરુધ્ધ જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવા સબબ પોક્સો એક્ટ સહિતની કલમ મુજબ સને 2013માં આ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસમાં કોર્ટ દ્વારા સને 2021માં 7 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ નાસતો ફરતો હતો. દરમ્યાન આરોપી જૂનાગઢમાં મુબારક બાગ બાજુ હોવાની બાતમી મળતા બી ડિવિઝન પીઆઈ જે. જે. પટેલની ટીમે તપાસ હાથ ધરી ભરત મુંજા ચાવડાને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ યસ બેન્ક ખાતે સોમવારે રાત્રિના 11.35 વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના સામે આવી હતી જેની જાણ ફાયર વિભાગને કરવામાં અવત તાત્કાલિ સ્થળ પર 3 ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે અને મોટા પ્રમાણમાં નુકશાન થયાનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે બિલ્ડિંગના પહેલા માળે આવેલ યસ બેંકમાં સોમવારે રાત્રીના 11.35 વાગ્યા આસપાસ આગ લાગી હતી જે બાદ ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધર્મ કરી લીધું હતું અને આગ લાગવાના કારણે વધુ ગરમ થવાથી બેન્કની બારીના કાચ ફૂટી નીચે રોડ પર ફૂટી રહ્યા હતા. આગ લાગવાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવતા ત્રણ જેટલા ફાયર ફાઈટરની મદદથી આગ પર પાણીં મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. પ્રથમ બેન્કના આગળના ભાગમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જો કે થોડી મિનિટો બાદ ફરી આગ શરૂ થતા બાદમાં કટરની મદદથી બેન્કનું શટર લોક તોડી બેંકમાં અંદર પ્રવેશ કરી અંદરની બાજુથી પણ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાના કારણે બેંકમાં મોટા પ્રમાણમાં નુકશાન થયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આગ લાગવાની જાણ બેન્કના અધિકારીઓને પણ કરવામાં આવતા રાત્ર દરમિયાન અધિકારીઓ પણ બેનો ખાતે દોડી આવ્યા હતા અને હેડ ઓફિસ ખાતે અકસ્માતની જાણ કરવામાં આવી હતી. બનાવના પગલે પોલીસના પીઆઇ તેમજ એસીપી કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા લગભગ 12.35 વાગ્યા આસપાસ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
વડોદરા રેલવે સ્ટેશન પરથી 47.98 લાખનું હેરોઇન ડ્રગ્સ ઝડપાયું હતું. જેમા પેડલરના મોબાઇલમાંથી ASI લક્ષ્મીકાંતની સંડોવણી ખુલતા SMCએ ગુનો નોંધી ધરપકડ કરી હતી. SOGના સસ્પેન્ડેડ ASI લક્ષ્મીકાંત દેસાઇના રિમાન્ડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપીનું ઇન્ટ્રોગેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીની બેન્ક, પ્રોપર્ટી સહિતની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે ગેરકાયદે પ્રવૃતિ કરીને કેટલી મિલકત વસાવી છે. આ ઉપરાંત બેન્કોમાં એફડી અને બચત કેટલા રૂપિયા કરી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ્સ કેસમાં સંડોવણી ખુલતા ASIની ધરપકડવડોદરા રેલવે સ્ટેશન પરથી 47.98 લાખનું હેરોઇન ડ્રગ્સ ઝડપાયું હતું. જેમા પેડલરના મોબાઇલમાંથી ASI લક્ષ્મીકાંતની સંડોવણી હોવાની વિગતો મળી હતી. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વાર ઘણા સમયથી તેના પર નજર હતી. આ દરમિયાન એએસઆઇની એસએમસીની ટીમ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેની સાથે અન્ય કોઇની સંડોવણી છે, ડ્રગ્સ કોની પાસેથી મંગાવી આપવામાં મદદ કરતો હતો તેવી અન્ય વિગતોની ઘનિષ્ઠ પુછપરછ કરવા માટે 4 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. આરોપી ASIની મિલકતને લઈ તપાસ શરૂરિમાન્ડના પ્રથમ દિવસે એસએમસી દ્વારા તેનું ઇન્ટ્રોગેશન શરૂ કરાયું હતું. જેમાં પોલીસની ફરજ દરમિયાન આ રીતો ગેરકાયદે કામ કરીને કેટ કેટલી મિલકત વસાવી છે. આ ઉપરાંત તેની પાસે કેટલા વાહનો હાલમાં છે. તેમજ બેન્કમાં કેટલા ખાતા છે અને તેમાં કેટલી એફડી, બચત સહિતના અસ્કયામતનો છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં એસએમસીની દ્વારા રૂબરૂ જઇને મિલકતની ચકાસણી કરાશે. ત્રણ ત્રણ મોબાઈલ રાખવાનું કારણ શું?એસએમસી દ્વારા ધરપકડ કરાઇ હતી ત્યારે આરોપી એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઇ પાસેથી ત્રણ મોબાઇલ મળી આવ્યા છે. જેમાં એક મોબાઇલમાં તેનું રેગ્યુલર સિમકાર્ડ હતું. બીજામાં મોબાઇલમાંથી વડોદરાના કોઇ શખ્સના નામુ સિમકાર્ડ મળી આવ્યું છે, જેથી આગામી દિવસોમાં કંપનીમાંથી આ કોનું સિમકાર્ડ છે તેનું વિગત મંગાવાશે ત્યારબાદ આ વ્યક્તિને બોલાવી તેની પૂછપરછ કરાશે. આ ઉપરાંત અન્ય એક કિપેડ મોબાઇલ પણ કારમાંથી મળી આવ્યો છે. આરોપી આ મોબાઇલ તેનો નથી તેવું રટણ કરી રહ્યું છે. જેથી એસએમસી દ્વારા મોબાઇલને એફએસએલમાં આપવા સાથે કંપની પાસેથી તેની ડિટેલ મંગાવાઇ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા રેલ્વે સ્ટેશન પરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા 9 જાન્યુઆરીના રોજ 47.98 લાખના હેરોઈન ડ્રગ્સ સહિત રૂપિયા 48.07 લાખના મુદ્દામાલ સાથે પેડલર અમરીકસીંઘ ઉર્ફે સોનુ સુવર્ણસિંઘ દિલીપસીંઘ મલ્હી (રહે. ગુરુનાનક નગર, છાણી જકાતનાકા, વડોદરા શહેર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે હેરોઈન ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ ગુનામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને પેડલરના કબજે કરવામાં આવેલા મોબાઇલની ડિટેલ કઢાવી હતી. ડ્રગ્સ પેડલર સાથે ASIની સંડોવણીવડોદરા શહેર એસઓજી બ્રાન્ચમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ (ઉવ. 57 રહે.સનમિલન સોસાયટી, સુભાનપુરા ફાઈટેન્શન રોડ, વડોદરા)ની આરોપી પેડલર અમરીકસિંધ ઉદ્દે સોનુ મલ્હી સાથે સંડોવણી બહાર આવતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઇ છે. જેને લઈ એસએમસી દ્વારા ધી નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ કલમ-8(સી),22૨(બી),29 મુજબના ગુના હેઠળ લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ASI લક્ષ્મીકાંત દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. એસએમસીની ટીમ દ્વારા આરોપી ASI લક્ષ્મીકાંત દેસાઈની વધુ પૂછપરછ કરવા માટે 1 ફેબ્રુઆરીના રોજ કોર્ટ્માં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના 5 ફેબ્રુઆરી સુધીના એટલે ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની મંજૂર કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન PSI એન.એન. ઝવેરીનો કથિત લાંચની માગણી કરતો અને સ્વીકારતો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી હતી. આ મામલે વડોદરા ટ્રાફિક પોલીસના PSI એન. એન. ઝવેરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ મામલાની તપાસ ACP એ ડિવિઝનને સોંપવામાં આવી છે. આ વીડિયો એક વર્ષ પહેલાનો હોવાનું સામે આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનરે વીડિયોને લઈને ગઈકાલે તપાસનો આદેશ આપ્યા હતા. 14 જાન્યુઆરી- 2025ના રોજ મુસ્તફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમભાઈ ખાટકી અને અકબર સહિતના લોકો વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તે સમયે PSIએ પૈસા માગ્યા હોવાનો કથિત વીડિયો હવે એક વર્ષ બાદ વાયરલ થયો છે. ઓક્ટોબર - 2025માં The Prevention of Cruelty to Animals Actનો ગુનો તેની સામે દાખલ થયો હતો. ત્યારબાદ એક મહિના પહેલા જ તેની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ ઇનાયતે આ વીડિયો વાયરલ કરી પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પૈસાની માગણી કરતા વીડિયોના મુખ્ય અંશઇનાયત: મારી જુબાન પર ભરોસો રાખો, અમારી મજબૂરી છે. PSI: અકબરીના છોકરાને કહું તો હમણાં 50 હજાર રૂપિયા આપી દેશે, તમારી ગાડી બરાબર ચાલે છે, તું કરોડપતિ હોય તો પણ મને શું?. હું 50 બોલું છું, પછી મેં 40 કરી આપ એમ કહ્યું હતું. 25 અત્યારે આપજે, 15 પછી આપી દેજે. ઇનાયત: સાહેબ મારી પોઝીશન નથી PSI: સારું ચલ, અત્યારે 20 આપી દે, પછી 20 આપી દેજે. ઇનાયત: મંજુર છે સાહેબ. પૈસા સ્વીકારતા વીડિયોના મુખ્ય અંશ પૈસા આપતી વ્યક્તિ: પૈસા ગણી લેજો. PSI: તું મારો માણસ છે મને તારા પર ભરોસો છે, પણ મારી ડિમાન્ડ બદલાશે નહીં. પૈસા આપતી વ્યક્તિ: ઓરતો લઈને આવીશ, 20 હજાર આપી દઈશ. ગુલામ મુસ્તફા ઉર્ફે ઈનાયતના પોલીસ પર ગંભીર આક્ષેપગુલામ મુસ્તફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમભાઈ ખાટકીએ જણાવ્યું હતું કે, ગત 14 જાન્યુઆરીએ પોલીસવાળાઓએ મારી સામે ખોટી રીતે કેસ કરીને મને ફસાવ્યો હતો. જે લોકો દારૂ અને પેટ્રોલના ગેરકાયદેસર ધંધા કરે છે, તેમની સાથે પોલીસની મિલીભગત છે. એ સમયે પોલીસે મને ધમકી આપી હતી કે, તને અહીં રહેવા નહીં દઈએ અને તને ખોટા કેસમાં ફસાવીશું. આ ઉપરાંત 19 ઓક્ટોબરે મારા પર ખોટો કેસ કરવામાં આવ્યો. તેઓ ક્યાંકથી ગાયનું લોહી લઈ આવ્યા અને મારા કપડાં પર લગાવી મને ફસાવ્યો હતો. મારી આસપાસ રહેતા તમામ હિન્દુ ભાઈઓને તમે પૂછી શકો છો કે, હું કેવો માણસ છું. હું તો એક નાની દુકાન ચલાવીને મારું ગુજરાન ચલાવું છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ મારા એ દિવસના કપડાં છે, જ્યારે પોલીસે રેડ પાડી હતી. મારી સ્પષ્ટ માગ છે કે, આ કપડાંનો FSL રિપોર્ટ કરાવવામાં આવે. જો તેમાં ગાયનું લોહી સાબિત થાય તો મને ભલે ફાંસીએ ચડાવી દેવામાં આવે. હકીકતમાં, એ મારા પાડા કાપતી વખતે ઉડેલું લોહી છે. મને જાણીજોઈને ગુંડા તરીકે ચીતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, આ 4થી 5 પોલીસવાળા મને હેરાન કરી રહ્યા છે અને અહીંથી કાઢી મૂકવા માંગે છે. તેઓ કોઈના ઈશારે મને સતત ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી રહ્યા છે. મેં અત્યાર સુધીમાં લગભગ 20થી 25 અરજીઓ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. મારી પાસે પેનડ્રાઈવમાં પોલીસના વહીવટના અને અન્ય તમામ પુરાવાઓ છે. હું ગમે ત્યારે આ પુરાવા રજૂ કરવા તૈયાર છું.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં 3 મિત્રો દ્વારા દારૂની મહેફિલ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને પગલે આ વીડિયો લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. જેને પગલે ગોત્રી પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન વીડિયોમાં દેખાતા 3 શખસની ઓળખ થઈ હતી અને ત્રણેયની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે અને પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ માફી માગી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. દારૂની મહેફિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલવડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોમાં 3 લોકો વિદેશી દારૂની બોટલો સાથે ખુલ્લેઆમ પાર્ટી કરતા હતા અને બોલિવૂડ સોંગ પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. ગુજરાતમાં કડક દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં આવી બેફામ નશાખોરીના દૃશ્યો જોવા મળ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીની ઓળખ થતાં ધરપકડ કરીએક શખસ તો માથે બોટલ મૂકીને નાચતો જોવા મળ્યો હતો અને તે હાથમાં દારૂ લઈને પી રહ્યો હતો. વાઇરલ વીડિયોની જાણ થતાં જ ગોત્રી પોલીસે વીડિયોમાં દેખાયેલા વ્યક્તિઓની ઓળખ કરી હતી અને ગણતરીના કલાકોમાં 3 આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્રણેય સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ કાન પકડી માફી માગીઆરોપીઓ પોલીસ સ્ટેશનમાં કાન પકડીને કહે છે કે, દારૂની મહેફિલનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એ માટે અમે માફી માગીએ છીએ. હવે આવું ક્યારેય નહીં કરીએ. પકડાયેલા આરોપીઓના નામ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને પોલીસને ચેલેન્જઉલ્લેખનીય છે, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં આ પ્રકારે દારૂની મહેફીલ યોજાય રહી છે અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને પોલીસને જાણે ચેલેન્જ ફેંકતા હોય એવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માગ ઉઠી રહી છે.
અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં જાહેરમાં આધેડ દ્વારા જ્વલનશીલ પ્રવાહી છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. અસારવા ચકલા પાસે જાહેરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી અને બીડી સળગાવી દીધી હતી. જેથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તરત જ આધેડ ઉપર પાણી છાંટી દીધું હતું. દાઝી જતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અંગે શાહીબાગ પોલીસને જાણ થતા તેઓ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કેન્સરની બીમારીથી કંટાળી પગલું ભર્યાનું સામે આવ્યુંશાહીબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એન. ડી.નકુમે જણાવ્યું હતું કે કેન્સર નો દર્દી હતો અને બીમારીથી કંટાળી અને તેણે જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. લોકોએ તાત્કાલીક પાણીનો મારો ચલાવી આગ બુઝાવીમળતી માહિતી મુજબ 2 ફેબ્રુઆરીના રોજ રાતના સમયે શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આવેલા આધેડ અસારવા ચકલા ખાતે જાહેરમાં આવીને અચાનક જ પોતાની પાસે રહેલી બીડી સળગાવી દીધી હતી અને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગેલી હાલતમાં જોતા તાત્કાલિક સ્થાનિક લોકો દોડી ગયા હતા અને તેનો જીવ બચાવવા માટે તેના ઉપર પાણી છાંટી દીધું હતું. પાણી નાખી અને આગ બુજાવી દીધી હતી પરંતુ તે દાજી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી સ્થાનિક સુત્રો મુજબ જે આધેડ દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે અગાઉ અસારવા વિસ્તારમાં રહેતો હતો અને તેના પરિવારજનો પણ આ જ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ વ્યક્તિને કેન્સરની બીમારી હોવાનું સામે આવ્યું છે. તેણે પોતાનું ઘણું બધું ગુમાવી દીધું છે ત્યારે અચાનક જ તેણે કોઈ જગ્યાએથી જ્વલનશીલ પ્રવાહી છાંટી અને બીમારીથી કંટાળી અસારવા ચકલામાં જાહેરમાં આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને હાલ શાહીબાગ પોલીસને જાણ થતા પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
દિન પ્રતિદિન હવા પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે શહેરમાં હવા પ્રદુષણ ખૂબ વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર અમદાવાદ આવ્યા ત્યારે પણ અમદાવાદમાં હવા પ્રદુષણની સ્થિતિ ગંભીર બની હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રદૂષણના સ્થાનિક સ્ત્રોતોને ઓળખી સૌથી વધારે હવા પ્રદુષણ ફેલાતાં કુલ 9 હોટસ્પોટ વિસ્તારો ઓળખી કાઢવામાં આવ્યા છે. પિરાણા, રખિયાલ, રાયખડ, બોપલ, વટવા, એસ.પી.સ્ટેડિયમ, ચાંદખેડા, મણિનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 16 CD વેસ્ટ કલેક્શન સેન્ટરો પણ છે. આ વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ સાથે ટાર્ગેટેડ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ તમામ જગ્યા ઉપર એર ક્વોલિટી સુધારવા માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સાઇટ્સ પર ડસ્ટ સેન્સર, એર ક્વોલિટી ડિસ્પ્લે અને CCTV ફરજિયાતકન્સ્ટ્રક્શન સાઈટો પરથી ઉત્પન્ન થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા “Good Construction Practices Policy” અમલમાં મૂકાઈ છે. જેમાં 20,000 ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતી સાઇટ્સ પર ડસ્ટ સેન્સર, એર ક્વોલિટી ડિસ્પ્લે અને CCTV ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મિસ્ટ મશીનનો ઉપયોગ કરવો તથા ખોદકામ દરમિયાન નીકળતી માટીને અથવા રેતી સંપૂર્ણ રીતે હાંકવી, સાઇટની આજુબાજુ બેરીકેટ અને ગ્રીટનેટની વ્યવસ્થા કરવી, સાઇટની અંદર આવવા જતા માર્ગોને યોગ્ય રીતે પેવ કરવા અને એન્ટ્રી એક્ઝિટ પર ટાયર વોશર સિસ્ટમ લગાવવાની રહેશે. 2025-26માં આજદિન સુધી 1.16 કરોડની પેનલ્ટી વસૂલીઆ પોલિસી અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 140 કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ડસ્ટ સેન્સર લગાવવામાં આવ્યા છે અને નિયમિત મોનિટરિંગ કરીને આવવામાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું કરવામાં આવે છે. એટલું જ નહીં વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન નેટ લગાવવાનું પ્રમાણ પણ વધ્યું છે જેથી પેનલ્ટી કલેક્શન લઘુતમ થયું છે. આ પોલીસી અંતર્ગત 2024-25 દરમિયાન વિવિધ કન્સ્ટ્રકશન સાઇટ પરથી રૂ. 1.71 કરોડ અને 2025-26માં આજદિન સુધી રૂ. 1.16 કરોડની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. શહેરમાં 16 ટ્રક-માઉન્ટેડ મીસ્ટ મશીનો કાર્યરતCD વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે 25 CD કલેક્શન સેન્ટરો વિકસાવવામાં આવ્યા છે અને ગ્યાસપુર ખાતે 1000 TPD ક્ષમતાવાળો પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે. ડિસેમ્બર 2026 સુધીમાં વધુ 1000 TPD ક્ષમતાવાળો બીજો પ્લાન્ટ કાર્યરત થશે. આથી બાંધકામ કચરાના વૈજ્ઞાનિક નિકાલથી હવામાં ઉડતા ધૂળકણોમાં વધુ ઘટાડો થશે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) અને 15મા નાણાપંચ હેઠળ મળેલી ગ્રાન્ટના સદુપયોગથી શહેરમાં 16 ટ્રક-માઉન્ટેડ મીસ્ટ મશીનો કાર્યરત છે. તેમાંથી 6 મીસ્ટ મશીનો પિરાણા ડમ્પસાઇટ અને આસપાસના વિસ્તારોમાં સતત કાર્યરત છે, જ્યારે 10 મીસ્ટ મશીનો પ્રદૂષિત માર્ગોના રૂટ નિશ્ચિત કરી નિયમિત રીતે મિસ્ટિંગ કામગીરી કરે છે. આ ઉપરાંત પીએમ મીટિંગેશન માટે કુલ 62 મિકેનિકલ રોડ સ્વીપર મશીનો કાર્યરત છે. શહેરમાં 128 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો કાર્યરતઅમદાવાદમાં જાહેર પરિવહન ક્ષેત્રે શહેરે ગ્રીન મોડલ અપનાવ્યો છે. AMTS અને BRTS મળી કુલ 1250 બસો ક્લીન ફ્યુઅલ પર કાર્યરત છે. જેમાં 1052 CNG અને 207 ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થાય છે. શહેરમાં 128 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત છે અને સોલાર પાવર્ડ ચાર્જિંગ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ પહેલો વાહન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. શહેરનું ગ્રીન કવર આશરે 12.5 ટકા સુધી પહોંચ્યુંપર્યાવરણ સંતુલન માટે શહેરમાં 303 ગાર્ડન્સ અને 118 અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવ્યા છે. શહેરનું ગ્રીન કવર આશરે 12.5 ટકા સુધી પહોંચ્યું છે. “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ 2024-25માં 40 લાખથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. NCAP હેઠળ મળેલી રૂ. 652.22 કરોડની ગ્રાન્ટમાંથી 95.69 ટકા એટલે કે રૂ. 624.14 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે,જે દર્શાવે છે કે આયોજન અને અમલ વચ્ચે સુમેળ છે અને પ્રદૂષણ નિયંત્રણ માટેના પ્રયાસો જમીન પર અસરકારક રીતે સાબિત થઈ રહ્યા છે. શહેરમાં સ્વચ્છ હવા અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે વ્યાપક તૈયારીઓવર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ અમદાવાદ શહેરે સ્વચ્છ હવા અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે વ્યાપક તૈયારીઓ પણ શરૂ કરી છે. અમદાવાદમાં આગામી સમયમાં મિસ્ટિંગ ક્ષમતા વધારવા, ગ્રીન ટ્રાન્સપોર્ટનો વિસ્તાર, CD પ્રોસેસિંગ સુવિધાઓમાં વધારો અને ગ્રીન કવર વધારવાના પગલાંઓ દ્વારા શહેર “સ્વચ્છ હવા, સ્વસ્થ નાગરિક અને સસ્ટેનેબલ શહેરીકરણ”ના લક્ષ્ય તરફ આગળ વધશે.
ગાંધીનગરના સુઘડમાં રહેતા સાનિધ્ય બિલ્ડરના 25 વર્ષીય ઋષભ પટેલના આપઘાત કેસમાં ચાર આરોપીઓ પૈકીના પકડાયેલા મહિપાલસિંહ રાઠોડના આજે રિમાન્ડ પુરા થતાં તેને સેન્ટ્રલ જેલ ભેગો કરી દેવાયો છે. જોકે રિમાન્ડ દરમ્યાન તેણે વટાણા વેરી દેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર મનીષ સ્પ્લેન્ડરના આઇડીથી સટ્ટો રમાતો હોવાનો ખુલાસો કર્યો હતો. આ ઉપરાંત કલ્પેશ સાણંદનો તલાટી હોવાનું પમ સામે આવ્યું છે. ગાંધીનગરના જાણીતા બિલ્ડરના 25 વર્ષીય પુત્ર ઋષભ પટેલના આપઘાત પ્રકરણમાં દરરોજ નવા અને ચોંકાવનારા ફણગા ફૂટી રહ્યા છે. આ કેસમાં પકડાયેલા મહિપાલસિંહ રાઠોડે રિમાન્ડ દરમિયાન વટાણા વેરી દેતા ઇન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, આ આત્મહત્યા પાછળ સટ્ટાબજારના લાખો રૂપિયાની ઉઘરાણી અને માનસિક ત્રાસ જવાબદાર હોવી જોઈએ. ઋષભ અને મહિપાલસિંહ આ રીતે આવ્યા સંપર્કમાંછેલ્લા દોઢ વર્ષથી ઋષભ પટેલ કોઈ કારણોસર તેના નાની સાથે રહેતો હતો. ઋષભની નાની એ જ સોસાયટીમાં રહે છે જ્યાં મહિપાલસિંહ રાઠોડ રહે છે. મહિપાલસિંહના ફ્લેટની ઉપર ઋષભના નાની રહે છે. જેના લીધે મહિપાલ અને ઋષભ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આમ ઋષભ મહિપાલના પાર્લર ઉપર બેસવા જતો હતો. આ દરમિયાન મનીષ સ્પ્લેન્ડર સહિતના આરોપીઓ સાથે તેની ઓળખાણ થઈ હતી. અઢી વર્ષ પહેલાં હેલી સાથે સગાઈ થઈબાદમાં બધા મિત્રો બની ગયા હતા. બીજી તરફ અઢી વર્ષ પહેલાં ઋષભની સગાઈ કુબેરનગર ખાતે રહેતી હેલી નામની યુવતી સાથે થઈ હતી. તેના પિતા કોર્પોરેશનમાં પાણીના મીટર રીપેરીંગ કરવાની કામગીરી કરી રહ્યા છે. જે પહેલા સબમર્સીબલનું કામ કરતા હતા. પરંતુ હૃદયની બીમારીના લીધે ડોક્ટરોએ હેવી કામ કરવાની ના પાડી હોવાથી તેઓ હાલમાં મીટર રીપેરીંગનું કામકાજ કરે છે. તલાટી મંત્રી અને હેલી એક જ સોસાયટીમાં રહેતાઆ સમગ્ર મામલે નવો વળાંક એવો આવ્યો છે કે, કલ્પેશ ઉર્ફે તલાટી પણ કુબેરનગરમાં આવેલી હેલીની ભાર્ગવ સોસાયટીમાં રહેતો હતો. એ રીતે હેલી આધેડ વયના કલ્પેશ ઉર્ફે તલાટીને મામા તરીકે સંબોધીને બોલાવે છે. આજે ઇન્ફોસિટી પીઆઈએ વોન્ટેડ આરોપીઓના ઘરે રેડ કરી ત્યારે કલ્પેશ ઉર્ફે તલાટીના ઘરે માત્ર તેની પેરેલિસિસગ્રસ્ત માતા જ મળી આવી હતી. તેની પત્ની પણ ગાયબ થઈ ચૂકી છે. જ્યારે મનીષ સ્પ્લેન્ડરના પરિવારજનો સટ્ટાના વ્યવહારો વિશે કશું જાણતા નહીં હોવાનું રટણ કરી રહ્યા છે. ત્યારે હવે પોલીસ સમગ્ર ગૂંથી ઉકેલવા માટે એડી ચોટીનું જોર લગાવીને આગામી દિવસમાં નવો ઘટસ્ફોટ કરે તો નવાઈ નહીં. ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રના આઈડી પરથી સટ્ટો રમાતોતો મહિપાલે એવો પણ ઘટસ્ફોટ કર્યો છેકે, ભાજપના પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલના પુત્ર મનીષ સ્પ્લેન્ડર આઇડી પરથી સટ્ટો રમાતો હતો. જે પૈસાની લેતદેતી તેના પાર્લર ખાતે થતી હતી. હારજીતના પૈસાની લેતીદેતી માટે મહિપાલ મીડિયેટર તરીકેની ભૂમિકા ભજવતો હતો. મનીષ સ્પ્લેન્ડરના કહેવાથી મહિપાલ ઋષભ પાસે ઉઘરાણી કરતોમનીષ સ્પ્લેન્ડરના કહેવાથી મહિપાલ ઋષભ પાસે ઉઘરાણી કરતો હતો. અગાઉ સટ્ટાના હિસાબ પેટે મનીષને 50 હજાર લેવાના નીકળતા હતા. જે સંદેશો મહિપાલે ઋષભ સુધી પહોચતો કર્યો હતો. અને ઋષભ પાર્લરે જઈને પૈસા આપી આવ્યો હતો. આજ રીતે ચારેય જણની ગેંગ વચ્ચે સટ્ટા બેટિંગની હારજીતના આર્થિક વ્યવહારો ચાલતા હતા. જેમાં મહત્વની બાબત બહાર આવી છેકે મનીષ સ્પ્લેન્ડર દ્વારા જ સટ્ટા માટેનું આઇડી પાસવર્ડ આપવામાં આવ્યા હતા. અડધા કરોડનો ખેલ હોવાની પોલીસને શંકાજે હિસાબના પૈસાની ઉઘરાણી મનીષ, કલ્પેશ અને ક્રિશાલ દ્વારા ઋષભ પાસે કરવામાં આવતી હતી. આ રકમ પાંચ દસ લાખ પુરતી સિમિત નહોતી પણ અડધા કરોડની આસપાસની હોવાની પોલીસને શંકા છે. પરંતુ ઋષભે પાર્લર પર જવાનું બંધ કરી દીધું હતું. જેના લીધે બધા ભેગા મળીને ઋષભને ટોર્ચર કરવામાં આવતો હતો. મનીષ સ્પ્લેન્ડર પૈસા કઢાવવા માટે ઋષભને ફોન કરતો હતો. પરંતુ ઋષભ તેનો ફોન રીસીવ કરતો ન હતો. પૈસા મેળવવા માટે ઋષભને નાના ચિલોડાના મામા દેવ પાર્લર બોલાવ્યોજેથી મનીષે મહિપાલ થકી પૈસા આપી દેવાની વાત ઋષભ સુધી પહોંચાડી હતી. આખરે પૈસા મેળવવા માટે ઋષભને નાના ચિલોડાના મામા દેવ પાર્લર બોલાવ્યો હતો. પરંતુ ક્રિશાલ અને મહિપાલ ત્યાં ગયા ન્હોતા. અને મનીષ અને કલ્પેશ તલાટીએ ઋષભને જાહેરમાં આબરૂ જાય એ રીતે માર માર્યો હતો. આ વાતે લાગી આવતા ઋષભે કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવી લીધું હતું. બીજી તરફ પોલીસ તપાસમાં સામે આવ્યું છેકે ઋષભ મિત્રો વર્તુળમાં પૈસાની લેતીદેતીમાં હવાલા પણ પાડી આપતો હતો. હેલી પણ ઉક્ત આરોપીઓથી પરિચિત હોવાથી જ ઋષભે સ્યુસાઇડ નોટમાં પત્ની પાસે ન્યાય અપાવવાની આશા વ્યક્ત કરી હતી. હેલીના પિતાની ભૂમિકાની પણ તપાસ થશેજેના પગલે પોલીસ દ્વારા હેલીની પૂછતાછ કરવામાં આવી છે. પરંતુ હેલીએ પણ કોઈ સંતોષકારક જવાબો આપ્યા નથી. જેથી હેલીના પિતાની શંકાસ્પદ ભૂમિકાની પણ પોલીસ તપાસ કરવાની છે. આ અંગે ઇન્ફોસિટી પીઆઇ વી. આર. ખેરે કહ્યું કે, હેલીના પિતાને પણ પૂછતાછ માટે બોલાવીશું. મનીષ સ્પ્લેન્ડર અને કલ્પેશ તલાટી મુખ્ય સૂત્રધાર છે. મનીષ દ્વારા આઇડી પાસવર્ડ આપવામાં આવ્યા હતા. જ્યારે કલ્પેશ પટેલ વાસ્તવમાં સાણંદના કોઈ ગામમાં તલાટી તરીકે નોકરી કરે છે. જેની કુંડળી કાઢવા તાલુકા વિકાસ અધિકારી પાસે વિગતો મેળવવામાં આવશે. હાલમાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે કુલ 8 ટીમો એક્ટિવ છે. જેમાં લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમો પણ જોડાઈ છે. એક આરોપી પૂર્વ ભાજપ કોર્પોરેટરનો દીકરોપૈસાની લેવડ દેવડમાં બે ત્રણ મહિનાથી માનસિક અને શારીરિક હેરાનગતિ કરતા ઋષભે અંતિમ પગલું ભર્યું હતું. ચાર આરોપીઓમાંથી એક મનિષ ઉર્ફે સ્પ્લેન્ડર પૂર્વ ભાજપ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે મહિપાલસિંહ રાઠોડની ધરપકડ કરીઆ અંગે ગુનો દાખલ થતા જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. ખેર સહિતની ટીમે ઘનિષ્ઠ તપાસનો દોશ શરૂ કરી તાબુંલ પાન પાર્લરના સંચાલક મહિપાલસિંહ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. મહિપાલસિંહની પ્રાથમિક પૂછપરછમાં ક્રિશાલ પટેલ અને ઋષભ બંને મિત્રો છે. ક્રિશાલને ઋષભ પાસે 4 લાખ લેવાના હતાજ્યારે મનિષ ઉર્ફે સ્પ્લેન્ડર અને કલ્પેશ ઉર્ફે તલાટી ક્રિશાલના મિત્રો છે. આ ચારેય એકબીજાને ઓળખતા હોવાથી પાર્લર ઉપર બેસવા જતા હતા. ક્રિશાલને ઋષભ પાસે સાડા ત્રણથી ચાર લાખ લેવાના હતા. એજ રીતે મનિષ અને કલ્પેશ પણ ઋષભ પાસે પૈસા માગતા હતા. સમગ્ર મામલે સટ્ટા બેટિંગના પૈસાની લેતીદેતીની શંકાબીજી તરફ સુસાઇડ નોટમાં પણ માનસિક ટોર્ચરના ચોક્કસ કારણનો ઉલ્લેખ નથી અને પરિવારજનો પણ કશું જાણતા નહીં હોવાનો દાવો કરી આ ચારેય શખસો 007થી ગેંગ ચલાવી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા હતા. જેના પગલે પોલીસે મહિપાલસિંહને સાથે રાખી ગુનાવાળી જગ્યા સહિતના સ્થળે લઈ જઈ તપાસ આગળ વધારી હતી. તો પોલીસને સમગ્ર ઘટના સટ્ટા બેટિંગના પૈસાની લેતીદેતીમાં ઘટી હોવાની શંકા છે. પોલીસ આગામી દિવસોમાં હેલીની પણ પૂછપરછ કરશેકહેવાઈ રહ્યું છે કે, સટ્ટા બેટિંગના હારજીતના લાખો પૈસા એક ચોક્કસ આઇડીમાં જમા થયા હતા. જોકે, અન્ય ત્રણ આરોપીઓ પકડાયા પછી જ આપઘાતનું સાચુ કારણ બહાર આવી શકે છે. ઉપરાંત ઋષભની પત્ની હેલી મૂળ જૂનાગઢની હોવાથી અને આરોપીઓ પણ તેના પારિવારિક પરિચિત હોવાથી પોલીસ આગામી દિવસોમાં હેલીની પણ પૂછપરછ કરશે અને ઋષભના મોબાઈલની પણ વિગતો મેળવવામાં આવશે. શું છે સમગ્ર ઘટના?સુઘડ ખાતે અપોલો હોસ્પિટલ નજીક આવેલા શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવિણભાઈ પટેલના લગ્ન તા. 12 જાન્યુઆરીના રોજ થયા હતા. લગ્નના 13 દિવસ બાદ એટલે કે, 25 જાન્યુઆરીના રોજ તે સાઈટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે તે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ઋષભનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. આ દરમિયાન 26 જાન્યુઆરીના રોજ ઋષભની કાર રાયપુર નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની અંદર તપાસ કરતા પરિવારને દાગીના, મોબાઈલ અને રોકડ રકમની સાથે બે પેજની અંતિમ ચિઠ્ઠી પણ મળી હતી. 28 જાન્યુઆરીના રોજ ઋષભનો મૃતદેહ ઘરથી 39 કિમી દૂર કડી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. લગ્નજીવનનના 13 જ દિવસમાં જુવાનજોધ યુવકના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ સમાચાર પણ વાંચો 'હેલી... મને તારા માણસોએ મરવા મજબૂર કર્યો, તેમને સજા અપાવજે'ગાંધીનગરના સુઘડ ખાતે રહેતા 25 વર્ષીય ઋષભ પટેલે લગ્નજીવનના 13 દિવસમાં જ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની બિનવારસી મળી આવેલી કારની ડેકીમાં પ્લાસ્ટિકની થેલીમાંથી બે પાનાંની સુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખસના માનસિક ત્રાસથી કંટાળીને આ પગલું ભરી રહ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ ઋષભે લખેલી સુસાઈડ નોટમાં પોતાની પત્નીને સંબોધીને લખ્યું છે કે હેલી બેટા (પત્ની)… ખુશ રહેજે, મને તારા જ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે, તેમને સજા અપાવજે. (વાંચો સંપૂર્ણ સમાચાર) ઋષભ પટેલની લાશ કડીમાંથી મળી, સુસાઈડ નોટમાં 50 લાખની લેતીદેતીમાં માર માર્યોનો ઉલ્લેખગત 25 જાન્યુઆરીના રોજ રહસ્યમય રીતે ગુમ થયેલા 25 વર્ષીય યુવકની લાશ કડી પોલીસ મથકની હદમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને પગલે પટેલ પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઋષભ પટેલના 12 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર)
‘ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે’ ટેરિફ ઘટાડવાની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પનો દાવો
US President Donald Trump On PM Modi And Tariff : અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ ભારત પરનો ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો છે. આ સાથે ટ્રમ્પે દાવો કર્યો છે કે, ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવા સંમત થયું છે. ટ્રમ્પનો આ દાવો ભારતની ઊર્જા નીતિ અને ભારત-રશિયા વચ્ચેના મજબૂત સંબંધો મામલે ગંભીર માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ભારત-રશિયા વચ્ચે તેલ અને ઊર્જા સેક્ટરમાં સહયોગ ચાલી રહ્યો છે, જે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનો ભાગ છે. જોકે ટ્રમ્પે પોતાના દાવા પાછળ કોઈ ચોક્કસ કારણ કે સમયમર્યાદા સ્પષ્ટ જણાવી નથી. ટ્રમ્પના દાવા પર એ સવાલ થવો સ્વાભાવિક છે કે, શું ભારત પોતાની ઉર્જા નીતિમાં કોઈ મોટો ફેરફાર કરશે? ભારત સરકારે રશિયા પાસેથી તેલ ખરીદી મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન મંગળવારે સાયન્સ સેન્ટર ખાતે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. આ વર્ષે બજેટનું કદ 11,000 થી ₹12,000 કરોડની આસપાસ રહેવાની શક્યતા છે. ખાસ વાત એ છે કે, અત્યાર સુધી રજૂ થતા 250 થી 300 પાનાના લાંબા પ્રેઝન્ટેશનને બદલે આ વખતે માત્ર 50 પાનાનું સચોટ અને ટૂંકું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે, જેમાં બિનજરૂરી સ્લાઈડો પર કાપ મૂકી વાસ્તવિકતા પર ભાર મૂકાશે. ચૂંટણીલક્ષી આયોજન અને મધ્યમ વર્ગને ફાયદોવર્ષ 2026-27 એ ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટમાં લોકપ્રિય જાહેરાતોની ભરમાર જોવા મળી શકે છે. મધ્યમ અને નાના વર્ગના પરિવારોને સીધો ફાયદો થાય તે હેતુથી શિક્ષણ, આરોગ્ય અને જાહેર પરિવહન જેવી પાયાની સેવાઓમાં મોટી રાહતો મળવાની શક્યતા છે. યુવાનો અને મહિલાઓને કેન્દ્રમાં રાખીને મનપા દ્વારા વિવિધ સેવાકીય છૂટછાટો જાહેર કરવામાં આવશે, જે આગામી ચૂંટણીમાં મતોના સમીકરણોને પ્રભાવિત કરી શકે છે. રાજકીય ગણિત: વરાછા અને સરથાણા પર ફોકસશહેરમાં આમ આદમી પાર્ટીના પ્રભુત્વવાળા વિસ્તારોમાં ગાબડું પાડવા માટે શાસકો આ વખતે વરાછા, સરથાણા અને કતારગામ વિસ્તાર માટે બજેટની મોટી ફાળવણી કરી શકે છે. આ વિસ્તારોની વોટબેંકને રિઝવવા માટે રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓની સાથે નવા બગીચાઓ અને સામુદાયિક કેન્દ્રોના નિર્માણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેથી સ્થાનિક રહીશોમાં સકારાત્મક સંદેશ જાય. ફ્લોપ પ્રોજેક્ટોની વિદાય અને નવા ઇનોવેશનનવનિયુક્ત કમિશનર એમ. નાગરાજન દ્વારા ગત વર્ષોના કાગળ પર ચાલતા પ્રોજેક્ટો જેવા કે લંડન આઈ, ડિઝની થીમ પાર્ક અને વોટર મેટ્રોને પડતા મૂકવામાં આવે તેવી પૂરી શક્યતા છે. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ, કમિશનર હવે ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપશે. જેમાં સુરતને 'મેગા સ્કીલ ડેવલપમેન્ટ હબ' તરીકે સ્થાપિત કરવા અને સ્માર્ટ સિટી અંતર્ગત 'આઈ-લેબ' પ્રોજેક્ટને વધુ વેગ આપવાનું આયોજન મુખ્ય રહેશે. રિવાઇઝ્ડ બજેટમાં ઘટાડો અને વાસ્તવિક લક્ષ્યાંકોગત વર્ષના બજેટમાં 4,700 કરોડના વિકાસકામોની જોગવાઈ કરવામાં આવી હતી, જેની સામે અત્યાર સુધી માત્ર 2,200 કરોડના જ કામો પૂર્ણ થઈ શક્યા છે. આ લક્ષ્યાંક પૂરો ન થતા ચાલુ વર્ષના રિવાઇઝ્ડ બજેટમાં 1,000 થી 1,500 કરોડનો મોટો કાપ મૂકવામાં આવી શકે છે. મનપા હવે 'સુરત ઇકોનોમિક રિઝન 2047' ના વિઝન સાથે લાંબા ગાળાના પ્રોજેક્ટોને પ્રાધાન્ય આપશે. પાયાની સુવિધાઓ અને જાયન્ટ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતાબજેટમાં શોભાના ગાંઠિયા સમાન પ્રોજેક્ટોને બદલે જનતાને સ્પર્શતા પ્રકલ્પોને આગળ ધપાવાશે. જેમાં તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, કન્વેન્શનલ બરાજ, નવું વહીવટી ભવન અને તમામ વોર્ડમાં 50 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલોના નિર્માણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ અને સીસી રોડના નેટવર્કને મજબૂત કરવા માટે પણ મોટી રકમ ફાળવવામાં આવશે.
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા બોટાદ ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ સોમવારે બપોરે 4 વાગ્યાથી સ્વામિનારાયણ મંદિર, આર્ય પ્લાઝા પાસે, બોટાદ ખાતે યોજાયો હતો. આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી અને સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, બોટાદ દ્વારા તેનું આયોજન કરાયું હતું. આ દિવ્ય શાકોત્સવ કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત સામૈયું, શાકોત્સવ અને અન્નકૂટોત્સવનાં દર્શનનો સમાવેશ થતો હતો. પૂજનીય આચાર્ય સ્વામીજી મહારાજનાં દર્શન અને આશીર્વાદ પણ હરિભક્તોને પ્રાપ્ત થયા હતા.આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળાના 700થી વધુ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, એક ધાર્મિક સાંસ્કૃતિક રાસનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય પરમાનંદ સ્વામી, પરમ પૂજ્ય શ્રી પ્રશાંત સ્વામી અને અન્ય સંતોએ પણ હાજરી આપી હતી. બોટાદના સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના હરિભક્તોએ આ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
રાજ્ય સરકારે કલાકાર કલ્યાણ નિધિ અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કલાકારોના હિત અને કલ્યાણ માટે રચાયેલ આ નિધિમાં બિનસરકારી (રાજકીય) સભ્યો તરીકે પાંચ જાણીતા કલાકારોની નિમણૂક કરવામાં આવી છે. તેમાં અરવિંદ વેગડા, મનુ રબારી, શર્મિષ્ઠા સરકાર, દીપક જોશી અને અભેસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. કલાકાર કલ્યાણ નિધિ યોજના ખાસ કરીને વૃદ્ધ, બિમાર અથવા આર્થિક રીતે નબળા કલાકારોને આર્થિક સહાય અને સંરક્ષણ પૂરું પાડવા માટે બનાવવામાં આવી છે. રાજ્યના લોકસંસ્કૃતિ અને કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારોને મુશ્કેલ સમયમાં સહારો મળે એ ઉદ્દેશથી આ યોજના અમલમાં છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી માસમાં નિધિના સભ્યોની પુનર્રચના માટે કવાયત હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત હવે નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. નવી ટીમથી કલાકારોના પ્રશ્નો વધુ અસરકારક રીતે રજૂ થશે અને કલ્યાણ યોજનાઓને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં માતાજીના મંદિરમાં ચરણ પાદુકાની ચોરી મામલે પોલીસ દ્વારા એક સગીરને પોલીસ સ્ટેશન બોલાવીને માર મારવામાં આવ્યો હોવાના સગીર અને તેના પિતાના આક્ષેપ બાદ વિસ્તારમાં ભારે ચર્ચા થઈ રહી છે. ઘટનાની જાણ થતાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે બાળકના ઘરે જઈ પરિવારને મળીને ન્યાય માટે પોલીસ અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. આ મામલે પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકે સરકાર અને પોલીસ તપાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તપાસના અંતે દોષિત સામે ચોક્કસ કાર્યવાહી થશે, સાથે જ બહારના લોકો દ્વારા રાજકીય લાભ લેવા પ્રયાસ ન કરવા અપીલ કરી હતી. બીજી તરફ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા આ મુદ્દો રાજકીય નહીં પરંતુ પીડિત પરિવારને ન્યાય અપાવવાનો હોવાનું જણાવ્યું હતું. બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકે જણાવ્યું હતું કે, બાલાસિનોર ખાતે જે સગીરનો માર મારવાનો પ્રશ્ન થયો હતો. એ સંદર્ભમાં આજે અમે જનોડ ગામના દીકરાની મુલાકાત લીધી બધું તપાસના અંતે અમને એવું લાગે છે કે ગુજરાત સરકારના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી. આ સરકારે તપાસના અંતે એમણે જિલ્લા વડા સાથે વાત પણ કરી છે. જિલ્લા નાયબ પોલીસ વડાને તપાસ પણ સોંપી છે મને સરકારમાં વિશ્વાસ છે કે જે કાઈ દોષિત હશે અધિકારી હશે કે અન્ય કોઈ લોકો હશે જે દોષિત ઠરશે તપાસના અંતે એની સામે સંપૂર્ણ પણે આ સરકાર પગલા લેવાની છે પણ માત્ર આ એક બનાવનો ઉપયોગ કરીને રાજકીય રોટલા શેકવા ઘણા લોકો અન્ય આગેવાનો આ કિસ્સામાં રસ લઈને આખા કિસ્સાને જુદી રીતે મૂલવી રહ્યા છે મારી સૌ પ્રજાજનોને વિનંતી છે કે, આ બાલાસિનોરનો પ્રશ્ન છે બાલાસિનોર નો પ્રશ્ન ઉકેલવા માટે અમારી ટીમ, બાલાસિનોરના આગેવાનો સક્ષમ છે. બાકીના લોકો આવીને આ બાલાસિનોરનું વાતાવરણ ન ડહોળે એ મારી સૌને વિનંતી છે અને સરકાર સરકારનું કામ કરશે. પોલીસમાં અમને વિશ્વાસ છે અને તપાસના અંતે જે કાંઈ અધિકારી હશે કે પદાધિકારી હશે જે કઈ હશે તેની સામે પગલાં સરકાર ચોક્કસ પણે લેશે. એવો અમને વિશ્વાસ છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તેમના સોશિયલ મીડિયા ઉપર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે, બાલાસિનોરના ઘણા બધા આગેવાનો જાગૃત ન હતા એટલે મારે બહારથી જવું પડ્યું. પાંચ દિવસે પણ મારા આવવાથી એ આગેવાન જાગૃત થયા અને મદદે આવ્યા એ બદલ અભિનંદન અને ખાસ કરીને તમામ લોકોને વાત કરવાની કે, આ વાત કોઈ રાજકીય મુદ્દો નથી આ એક પીડિત પરિવારને મદદ કરવાની વાત છે, એટલે કોઈએ આને રાજકીય મુદ્દો બનાવવો નહીં સાથે જ તમામને વિનંતી કરું છું કે, પીડિત પરિવારની મદદે આવીએ. સરકાર મદદ કરી રહી છે સરકારે સૂચનાઓ પણ આપી દીધી છે પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે એસપી કામ કરી રહ્યા છે અને મને વિશ્વાસ છે જે પણ આ છોકરાને મારવામાં દોષિત હશે પોલીસ કર્મી હોય કે કોઈ પણ હોય એના પર સખત કાર્યવાહી પોલીસ તંત્રના અધિકારી કરવાના છે અને સરકાર કરવાની છે એટલે આને રાજકીય મુદ્દો ન બનાવીને પીડિત પરિવારને મદદે આવીએ.
બોટાદના વતની અને પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણભાઈ રોજાસરાએ ચેન્નઈમાં યોજાયેલી પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેઓ આ સિદ્ધિ મેળવનાર ગુજરાતના પ્રથમ દિવ્યાંગ અને બોટાદ જિલ્લાના પ્રથમ યુવાન બન્યા છે. પ્રવિણભાઈ પોતાના વતન બોટાદ પરત ફરતા, 1 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે 9 વાગ્યે તેમના નિવાસસ્થાને ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રોજાસરા પરિવાર, સગાં-સ્નેહીજનો અને મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોટાદ ખાતે નિર્માણાધીન સમતા બુદ્ધ વિહારના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ (પરેશભાઈ રાઠોડ) અને પ્રતિભા બૌદ્ધ (પ્રભાબેન રાઠોડ) દ્વારા પ્રવિણભાઈ રોજાસરાને ભગવાન બુદ્ધનું પંચશીલ ખેસ અને સમતા બુદ્ધ વિહારનો ફાઈબર લોગો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકીય અને સામાજિક આગેવાનો, જેમાં રવજીભાઈ વાટુકીયા, ભીખાભાઈ સોલંકી, પોલીસ અધિકારી અરવિંદભાઈ સુવેરા, અને ઘનશ્યામભાઈ ભટ્ટીનો સમાવેશ થાય છે, તેઓ પણ ઉપસ્થિત રહી પ્રવિણભાઈનું સ્વાગત કર્યું હતું.

25 C