પાણી કાપ:અડાજણ-રાંદેરના અનેક વિસ્તારોમાં 20 એપ્રિલે સાંજ પાણી નહીં મળશે
શહેરના પશ્ચિમ ઝોન (રાંદેર)માં રહેતા નાગરિકો માટે મહ મહત્વના સમાચાર છે. જોગાણીનગર જળવિતરણ મથક ખાતે પાણીના પ્રેશરમાં સુધારો કરવા માટે પાઇપલાઇન પર વાલ્વ ફિટિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આગામી 20 એપ્રિલ, 2026 (સોમવાર) ના રોજ સાંજના સમયે અડાજણ અને રાંદેરના અનેક વિસ્તારોમાં પાણી નહીં મળે. હાઈડ્રોલિક વિભાગના જણાવ્યા અનુસાર, જોગાણીનગર ઓવરહેડ ટાંકી હેઠળ આવતા આ વિસ્તારોમાં સાંજે 5:30 થી 8:50 સુધી પાણી મળશે નહીં. નાગરિકોને અગાઉથ પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલમહાનગરપાલિકાએ આ કામગીરી અંગે દિલગીરી વ્યક્ત કરી છે અને નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જોગાણીનગર ઓવરહેડ ટાંકી હેઠળ આવતા વિસ્તારોને અસર
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સૌરાષ્ટ્રના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ડાયમંડ, ટેક્સટાઈલ, રિયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ, જ્વેલરી અને સોલાર ઉદ્યોગના 200થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગકાર રાકેશ દુધાતએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર બાદ દેશની સાંસ્કૃતિક વિરાસતોના જીર્ણોદ્વાર તરફ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.’ તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં હુલ્લડ અને અસામાજિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. સાથે જ તેમણે 24 કલાક વીજ પુરવઠો, ઉદ્યોગોને પ્રોત્સાહન અને વાઈબ્રન્ટ ગુજરાત સમીટ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યના વિકાસને ગતિ મળી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વિશ્વકર્માએ અંતમાં કહ્યું કે, હું મત માંગવા આવ્યો નથી, પરંતુ રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરજો. ‘દિલ્હીવાળાના શીશમહેલ ખુલ્લા પડ્યા, હવે સુરત ‘ઝાડુ’ સાફ કરશે’મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપના પ્રદેશ મહામંત્રી જગદીશ વિશ્વકર્માએ ચૂંટણી સભા ગજવતા વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે લોકો અગાઉ સરકારી બંગલા કે ગાડી નહીં લેવાની મોટી મોટી વાતો કરતા હતા, તેઓ આજે ‘શીશમહેલ’માં રહીને પ્રજાના પૈસાનો ધુમાડો કરી રહ્યા છે. દિલ્હીની જનતાએ જેમને પાઠ ભણાવ્યો છે તેમને સુરતની જનતા પણ આ ચૂંટણીમાં ઝાડુ મારીને સાફ કરી નાખશે. કોંગ્રેસને આડેહાથ લેતા તેમણે ઉમેર્યું કે, સંસદમાં જ્યારે મહિલા આરક્ષણ બિલ લાવવામાં આવ્યું ત્યારે વિપક્ષે તેનો વિરોધ કરીને દેશની નારી શક્તિનું અપમાન કર્યું છે. તેમણે નારી શક્તિ સાથે અન્યાય કેમ કર્યો? નર્મદા યોજનાથી લઈને આજદિન સુધી કોંગ્રેસે વારંવાર ગુજરાતીઓનું અપમાન કર્યું છે, જેનો જડબાતોડ જવાબ ચૂંટણીમાં સુરતની જનતા આપશે.
આપના ઉમેદવારનો પ્રોટેક્શન સાથે પ્રચાર:બાઉન્સરો સાથે ‘આમ આદમી’
શહેરમાં રાજકીય હુંસાતુંસી હવે માત્ર આરોપ-પ્રત્યારોપ સુધી મર્યાદિત રહી નથી પરંતુ વાત હવે ધાક-ધમકી અને બાઉન્સરોના રક્ષણ સુધી પહોંચી છે. શહેરમાં જે રીતે પીઢ નેતાઓએ શંકાસ્પદ સ્થિતિમાં ફોર્મ પરત ખેંચ્યા છે અને અપહરણના પ્રયાસોના આક્ષેપો થયા છે તેના કારણે ઉમેદવારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વૉર્ડ નં-1 જહાંગીરપુરા, વરિયાવ અને છાપરાભાઠાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ બારોટ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. સામાન્ય રીતે જનતાની વચ્ચે રહેતા નેતા અત્યારે કડક સુરક્ષા ઘેરામાં ફરી રહ્યા છે. તેમણે હુમલાની ભીતિએ પ્રચાર દરમિયાન બાઉન્સરોની ફોજ ઉતારી દીધી છે. બારોટે કહ્યું કે, ‘ જે રીતે વોર્ડ-18 માં અમારા ઉમેદવાર ગૌતમ પટેલને ઘેરી લઇ કારમાં બેસાડીને લઇ જવાનો પ્રયાસ થયો હતો. આ સિવાય વૉર્ડ નં-1ના કોંગી ઉમેદવાર ઉપર પણ દબાણ કરાયું ત્યારે મારે જીવના જોખમે પ્રચાર કરવો પડી રહ્યો છે, એટલે સુરક્ષા માટે બાઉન્સર રાખવા પડ્યા છે.’
સન્ડે ફોટો સ્ટોરી:400 કરોડના ખર્ચે બનતા આભવા-ઉભરાટ કેબલ સ્ટ્રેઇડ બ્રિજનું 30% કામ પૂર્ણ
ઉભરાટથી સુરતના આભવા વચ્ચે 13 કિમી લાંબો ફોરલેન માર્ગ બની રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 400 કરોડથી વધુનો ખર્ચ કરાઈ રહ્યો છે. પ્રોજેક્ટનો સૌથી મહત્વનો ભાગ મીંઢોળા ખાડી ઉપર 740 મીટરનો બ્રિજ બનાવવાનો છે. આ બ્રિજ કેબલ સ્ટેડ બ્રિજ પ્રકારનો છે,જેનું 30% કામ થઈ ગયું છે. જુલાઈ 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન છે. આ બ્રિજના કારણે સુરતથી ઉભરાટ પહોંચવામાં જે હાલ 43 કિમી થાય છે તે ખૂબ ઘટી જશે. દક્ષિણ ગુજરાતનો જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વાસીના ટેકસટાઇલ પાર્કનો છે તે પણ ઉભરાટ નજીક છે અને આ બ્રિજ બનતા સુરતથી ત્યાં પહોંચવાના સરળતા રહેશે. તસવીર : રિતેશ પટેલ, ભદ્રેશ નાયક
રાજકોટ શહેર ભાજપમાં એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ છે. આ દરમિયાન એક ગુપ્ત રિપોર્ટ પ્રદેશમાં કરાયો છે. જેમાં શહેરનું સંગઠન નબળું પડી ગયું છે અને જૂના અને નારાજ કાર્યકરો કામ કરતા નથી. તે પક્ષ માટે જોખમ સાબિત કરી છે તેવો રિપોર્ટ બન્યો છે અને પ્રદેશમાં પહોંચ્યો છે. રિપોર્ટ મુજબ રાજકોટ શહેરના જૂના એટલે કે સિનિયર કાર્યકરો, પૂર્વ કોર્પોરેટર, જેમની ટિકિટ કપાઈ તે પૂર્વ કોર્પોરેટર, ટિકિટના દાવેદારો હતા અને ન મળી તે કાર્યકર આ સહિત એટલે કે મહત્તમ મહત્ત્વના કાર્યકર નારાજ છે. તેઓ દેખાવ પૂરતા જ આવે છે અને ફોટા પડાવીને નીકળી જાય છે. જે ઝનૂનથી કામ કરવું જોઈએ તે રીતે કામ થઈ રહ્યું નથી. આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપનું સંગઠન પણ નબળું પડી ગયું છે જે પક્ષ માટે નુકસાનકારક છે. રાજકોટ શહેર ભાજપમાં પહેલી વખત ટિકિટ કપાતા દાવેદારો અને તેમના સમર્થકોએ રીતસર ભાજપ કાર્યાલયમાં હલ્લો મચાવ્યાની ઘટના બની હતી. કાર્યાલયની બહાર જમીન પર બેસીને રીતસર ધરણાં કર્યા હતા. આ ઉપરાંત ટિકિટ બીજાને અપાઈ અને મેન્ડેટ બીજુ કોઇ લઈ આવ્યું તેવું બન્યું. આ બધી બાબતો તેમજ પ્રચારમાં થઈ રહેલી કામગીરીને ધ્યાને રાખીને રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશમાં મોકલાયો છે. શહેર મૂકીને પંચાયતમાં કામે લાગ્યા, કોઇએ અટકાવ્યા પણ ખરારાજકોટ શહેરના એવા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને આગેવાનો છે જેઓ પોતાના વોર્ડમાં પ્રચાર કરી રહ્યા નથી. તેને બદલે તેઓએ તાલુકા અને જિલ્લા પંચાયતમાં પોતાના મિત્રો, માનીતાઓના પ્રચારમાં લાગી ગયા છે. તો બીજી તરફ એવા પણ ઘણા મોટા કાર્યકરો છે જે પોતાના વોર્ડમાં બીજાને પણ કામ કરવા દેતા નથી. આ રિપોર્ટ પણ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવ્યો છે કે આ બધી પક્ષ વિરોધી પ્રવૃત્તિ હોવા છતાં શહેર સંગઠન આંખ આડા કાન કરી રહ્યું છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યૌગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા વિકસિત રિજિયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને જિજ્ઞાસા કેળવવા માટે એક અનોખો પ્રયોગાત્મક કેમ્પ યોજાશે. આગામી મે માસ દરમિયાન ધો.6થી 10ના વિદ્યાર્થીઓ માટે ‘રેસિડેન્સિયલ સમર સાયન્સ કેમ્પ’નું આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટર, ઇશ્વરિયા પાર્ક પાસે, માધાપર, રાજકોટ ખાતે કરાયું છે. દરેક કેમ્પ 3 દિવસ અને 2 રાત્રિનો રહેશે. આ કેમ્પનો મુખ્ય હેતુ “લર્નિંગ બાય ડુઈંગ’ એટલે કે અનુભવ દ્વારા શિક્ષણ આપવાનો છે. વિદ્યાર્થીઓને અહીં નિષ્ણાતોનું માર્ગદર્શન, પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ, હેન્ડ્સ-ઓન લર્નિંગ અને ફિલ્ડ વિઝિટ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપવામાં આવશે. દરેક બેચમાં માત્ર 50 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે, જેથી દરેક પર વ્યક્તિગત ધ્યાન આપી શકાય. વિદ્યાર્થીઓના રહેવાની વ્યવસ્થા તેમજ સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રીભોજનનો સમાવેશ થાય છે. આ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓ નવી શોધ અને વિજ્ઞાનની રોમાંચક દુનિયામાં ડગ માંડી શકશે. આ આયોજનનો મુખ્ય ઉદેશ્ય વેકેશનના સમયમાં બાળકોમાં સર્જનાત્મકતા વધારવી અને તેમને ભવિષ્યના સંશોધન માટે તૈયાર કરવાનો છે. આ ઉપરાંત શિક્ષણની સાથે મનોરંજન અને ગ્રૂપ એક્ટિવિટિઝનું પણ આયોજન કરાયું છે. વેકેશનના આ સમયમાં મોબાઇલ કે ગેમ્સમાં સમય બગાડવાને બદલે અર્થપૂર્ણ અને બૌદ્ધિક આયોજન વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં મહત્વનો પાયો સાબીત થઇ શકે તેમ છે. જેથી વાલીઓને તક ઝડપી લેવા જણાવ્યું છે. પસંદગીના વિષય મુજબ એક અથવા એકથી વધુ કેમ્પમાં જોડાઇ શકાશેવિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષય મુજબ એક અથવા એકથી વધુ કેમ્પમાં જોડાઈ શકે છે, પરંતુ દરેક કેમ્પ માટે અલગથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન “વહેલા તે પહેલા’ના ધોરણે કરવામાં આવશે. જે [https://tinyurl.com/RSCSSC](https://tinyurl.com/RSCSSC) લિંક પર કરાવી શકાશે. પાંચ અલગ-અલગ આધુનિક વિષયો પર કેમ્પ યોજાશે
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય ગતિવિધિઓને કારણે માહોલ ચરમસીમા પર છે, ત્યારે 18 એપ્રિલના રોજ રખિયાલ-સરસપુર વોર્ડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલનો વાળ ખેંચતો વીડિયો સામે આવ્યો હતો. એક લાખ રૂપિયા પાર્ટી ફંડ લીધા બાદ પણ ટિકિટ ન આપી હોવાનો આક્ષેપ કરનાર રખિયાલ-સરસપુર વોર્ડના મહિલા પ્રમુખ ભાવનાબેન ગુપ્તાએ વાળ ખેંચી લાફો ઝીંકયો હોવાનો દાવો કર્યો હતો. જ્યારે રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર વશરામ સાગઠીયા અને ભાજપના ઉમેદવાર વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં બંને પક્ષના નેતા પહેલા તો એકબીજાને ગળે મળ્યા હતા. બાદમાં મામલો બિચક્યો હતો અને બંને ઉમેદવારોએ એકબીજા પ્રત્યે તોછડી ભાષાનો પ્રયોગ કર્યો અને બંનેએ એકબીજાને થાય તે કરી લેજે તેવી ખુલ્લી ચીમકીઓ પણ આપી હતી. આભા દેસાઈએ રાજીનામા મુદ્દે સ્પષ્ટતા કરીઆ ઉપરાંત રાજકોટ વોર્ડ 10ના કોંગ્રેસ ઉમેદવાર આભા દેસાઈએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર વાયુ વેગે સોશિયલ મીડિયામાં ફેલાયા હતા, ત્યારે આ બાબતે સ્પષ્ટતા કરતા ખુદ આભા દેસાઈએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ પક્ષ સાથે જ છું અને હાલ માર વિસ્તારમાં પ્રચાર કરી રહી છું. મેં રાજીનામું આપ્યું આ માત્ર અફવા છે. ‘અમે પાટીદારોએ દંડા ખાધા, ભાગો છો કેમ?’સુરતમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા જ્યારે પોતાની ટીમ સાથે સોસાયટીમાં પ્રચાર અર્થે પહોંચ્યા ત્યારે તેમને જનતાના રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પાટીદાર મતદારોએ નેતાઓને રોકડું પરખાવતા કહ્યું હતું કે, અમે આંદોલન વખતે પાટીદારોએ દંડા ખાધા છે, તો અત્યારે સવાલ પૂછીએ છીએ તો તમે ભાગી કેમ જાઓ છો? સુરતમાં હવે AI વોટ અપાવશેહવે AI વોટ અપાવશે. કઈ જ્ઞાતિને કયો મેસેજ જોઈએ તે નક્કી કરશે. આજના ટેકનોલોજીના યુગમાં ચૂંટણી પ્રચાર હવે માત્ર સભાઓ અને પત્રિકાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચારમાં આધુનિક ટેકનોલોજીનો મજબૂત ઉપયોગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરાયેલી PSI કેડરની 858 જગ્યા માટે આજે રાજ્યના ચાર શહેરોમાં લેખિત પરીક્ષા યોજાશે. શારીરિક કસોટીમાં પાસ થયેલા 1,10,680 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. લેખિત પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. PSI કેડરની 858 જગ્યા માટે લેખિત પરીક્ષાગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (બિન હથિયારી પો.સ.ઇ, હથિયારી પો.સ.ઇ.(પ્લાટુન કમાન્ડર) તથા જેલર ગૃપ-ર) ની કુલ-858 જગ્યાઓ માટેની શારીરિક કસોટી તા.21 જાન્યુઆરી, 2026 થી તા.9 ફેબ્રુઆરી, 2026દરમિયાન યોજવામાં આવેલ હતી. શારીરિક કસોટીમાં 2.47 લાખ જેટલા ઉમેદવારોએ ભાગ લીધેલ, જે પૈકી ઉત્તીર્ણ થયેલ કુલ-1,10,680 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજેઅમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેની કૂલ 371 શાળાઓમાં યોજાશે. ગેરરીતિ અટકાવવા લોખંડી બંદોબસ્ત ગોઠવાયોઆ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટે 4000 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા 8000 જેટલા શિક્ષણ વિભાગના અધિકારી/ કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવેલ છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર PI/PSI કક્ષાના એક અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણુંક આપવામાં આવેલ છે. લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવેલ છે. શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક/ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા બે વખત વેરીફીકેશન કરવામાં આવનાર છે તથા Facial recognition technologyનો ઉપયોગ કરવામાં આવનાર છે.પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે ટ્રેક કરી, પોલીસ ભરતી બોર્ડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, કરાઈ ખાતેથી મોનીટરીંગ કરવામાં આવનાર છે અને સમગ્ર પરીક્ષા CCTV મોનીટરીંગ હેઠળ યોજવામાં આવનાર છે. પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિરૂધ્ધ કાયદેસર યોગ્ય પગલાં ભરવામાં આવશે. ઉમેદવારો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાઅમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટ ખાતેની આ લેખિત પરીક્ષા સબંધિત પોલીસ કમિશનરના સુપરવિઝન હેઠળ IGP/DIGP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજવામાં આવનાર છે.આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્રારા પુર્ણ કરવામાં આવેલ છે. ઉમેદવારોને કોઇ મદદની જરૂરીયાત હોય તો હેલ્પ નંબર 8160880331, 8160853877, 8160809253 ઉપર સંપર્ક કરવાનો રહેશે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં ડંકો વગાડતા સુરત શહેરમાં ફરી એકવાર ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ, શું વાસ્તવિકતામાં જમીની સ્તર પર સ્થિતિ બદલાઈ છે? આ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ વોર્ડ નં. 20 (ખટોદરા, મજુરા, સગરામપુરા)નો ગ્રાઉન્ડ રિઆલિટી જાણવા પહોંચી હતી. જેમાં વોર્ડ નં. 20માં મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય વોર્ડ ઓફિસના ગ્રાઉન્ડમાં જ ચારેતરફ કચરાના ઢગલા ખડકાયેલા છે. જે કચેરીએ લોકોના રોગચાળા સામે રક્ષણ આપવાનું હોય, ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. માનદરવાજા વિસ્તારના લોકો ખુલ્લી ગટરો, ગંદકી અને મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. 'ચારેય કોર્પોરેટરમાંથી એક પણ જોવા આવતા નથી'સ્થાનિક ચંદુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, સમસ્યા અહીંયા આગળ એ છે કે આ વગર ફાલતુની બધી લાઈન ખોદેલી છે અને તેના લીધે અમને પરેશાની થવું પડતું છે કે આ બધા મોહલ્લામાં મચ્છરોનો ખૂબ જ ત્રાસ છે. વોટ માંગવા માટે આવે છે પણ અહીંયા આગળ કોઈની કોઈ જાહેરાત થતી નથી અને કોઈ આવતું નથી, કોઈ કોર્પોરેશનનું આવતું નથી. ચાર-ચાર કોર્પોરેટર છે પણ ચારેયમાંથી એક પણ જોવા નથી આવતા. પે એન્ડ યુઝ શૌચાલય બન્યું કચરા પેટીઆ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે જાહેર જનતાની સુવિધા માટે પે એન્ડ યુઝ શૌચાલય બનાવવામાં આવ્યું હતું. પરંતુ જાળવણીના અભાવે આ શૌચાલય લાંબા સમયથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. શૌચાલય બંધ હોવાથી લોકો હવે તેનો ઉપયોગ કચરો નાખવા માટે કરી રહ્યા છે. શૌચાલયની આસપાસ પણ એટલી હદે ગંદકી ફેલાઈ છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. મચ્છરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે સ્થાનિકોમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાવાનો ભય રહે છે. ખુલ્લી ગટરમાં થોડા સમય પહેલા બે બાળકો પડ્યા હતાસ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીં આસપાસના લોકો કચરો ફેંકી જાય છે અને અધિકારી પણ કંઈ બોલતા નથી જો અધિકારી કંઈ બોલવા જાય તો લોકો અધિકારી સાથે પણ ઝઘડો કરે છે અને આ કારણે અધિકારીઓ પણ મૌન જેવી રહ્યા છે. અહીં આસપાસ ગટરો પણ ખુલ્લી નજરે પડી રહી છે અને તેમાં અસહ્ય ગંદકી અને મચ્છરોનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે લોકોનું કહેવું છે કે આ ખુલ્લી ગટરમાં થોડા સમય પહેલા બે બાળકો પણ પડ્યા હતા તેમને અમે જ બહાર કાઢ્યા હતા. 'ખુલ્લી ગટરોથી ગંદકી ને મચ્છરોનો ત્રાસ છે'સ્થાનિક ગુલાબભાઈ સૈયદે જણાવ્યું હતું કે, અહીં આ ખુલ્લી ગટરોમાં ખૂબ જ ગંદકી છે મચ્છરોનો પણ એટલો ત્રાસ છે સામેવાળા લોકોએ અરજી કરી તો ગટરના ઢાંકણા નાખી દીધા છે. પરંતુ આ બાજુ હજુ કોઈ ઢાંકણા નાખવામાં આવ્યા નથી. આ અમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તો અમે મત પણ આપશું. પરંતુ કોર્પોરેટર કોણ છે તે તો મને ખબર નથી. 'દુનિયાભરની ગંદકી થઈ રહી છે'સ્થાનિક રઈસ શેખ ગુલામે જણાવ્યું હતું કે, સમસ્યા એ છે કે અહીં દુનિયાભરની ગંદકી થઈ રહી છે અને અહીં ખાલી ચૂંટણીના સમયે વોટ માંગવા આવે છે, પણ ગંદકી પર ધ્યાન નથી આપતા. આ અહીં આટલો બધો કચરો પડ્યો છે અહીં કોઈ ધ્યાન નથી આપતું. અને આ શું શૌચાલય બનાવીને રાખ્યું છે? ના આને ચાલુ કર્યું, ના બંધ કર્યું. બનાવીને કંઈ મતલબ નથી. 'વોટ લઈને ચાલ્યા જાય છે, આ ગંદકી પર કોઈ ધ્યાન આપતું નથી'તેને વધુમાં કહ્યું કે, આ શૌચાલય બનાવીને મૂકી દીધું છે. એની અંદર કોઈ સુવિધા જ નથી. આખી ગંદકી કરીને રાખી દીધી છે. અહીંથી બધું ગંદુ પાણી વહે છે, તેના પર એમનું કોઈ ધ્યાન નથી. ખાલી વોટિંગ કરવા માટે કહેવા આવે છે કે વોટિંગ કરી દો, અમને વોટ આપો, અને ખાલી વોટ લઈને ચાલ્યા જાય છે. આ ગંદકી પર કોઈ ધ્યાન નથી આપતું.
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી વહીવટી અને ટેકનિકલ ગૂંચવણોનો આખરે સુખદ અંત આવ્યો છે. કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) પોર્ટલ પર વર્ષ 2020 પહેલાનો ડેટા ટ્રાન્સફર કરવાની જટિલ પ્રક્રિયા 90 ટકા જેટલી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ નિર્ણયથી હવે નવા ક્યૂઆર કોડવાળા ડિજિટલ ફોર્મેટમાં જન્મના દાખલા ઉપલબ્ધ બનશે, જે બધા સરકારી કામકાજ માટે માન્ય ગણાશે. આ દાખલાઓ મળતા થવાથી રાજકોટનાં હજારો વાલીઓને રાહત મળશે. 'ઇન-હાઉસ' સોફ્ટવેર વિરુદ્ધ કેન્દ્રીય પોર્ટલકેન્દ્ર સરકાર દ્વારા તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે CRS પોર્ટલ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રાજકોટ મનપા પાસે વર્ષ 1950થી જન્મનો ડેટા પોતાના 'ઇન-હાઉસ' સોફ્ટવેરમાં હતો. નવા નિયમ મુજબ માત્ર CRS પોર્ટલ દ્વારા ઇસ્યુ થયેલા ડિજિટલ પ્રમાણપત્રો જ માન્ય રહેતા હોવાથી, 2020 પહેલાનો ડેટા નવા પોર્ટલ પર ઉપલબ્ધ ન હોવાને કારણે કામગીરી અટકી પડી હતી. નાગરિકો પર થયેલી અસરોઆ ટેકનિકલ ખામીને કારણે હજારો વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. UIDAIના સખત નિયમોને કારણે જૂના ફોર્મેટના દાખલા માન્ય ન રહેતા નવા આધાર કાર્ડ કે સુધારાની પ્રક્રિયા અટકી હતી. આયુષ્માન કાર્ડ ન બનવાને કારણે અનેક બાળકો સારવારથી વંચિત રહ્યા હતા, તેમજ બોર્ડની પરીક્ષાના ફોર્મ અને પરદેશ જવા માટે પાસપોર્ટની પ્રક્રિયા પણ અવરોધાઈ હતી. તંત્રની કામગીરી અને ભવિષ્યનું આયોજનજન્મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિત જોશીએ જણાવ્યું હતું કે, 1992થી ઉપલબ્ધ વિશાળ ડેટાબેઝને કેન્દ્રીય સર્વર સાથે સુસંગત બનાવવો એ મોટો પડકાર હતો. 90 ટકા ડેટા સફળતાપૂર્વક માઈગ્રેટ થઈ ગયો છે. આરોગ્ય અધિકારીના યુઝર આઈડીના ટેકનિકલ અવરોધો દૂર કરાયા છે, જેથી મુખ્ય કચેરીએ લાગતી લાંબી લાઈનો ઘટશે. બાકી રહેલો 10 ટકા ડેટા વહેલી તકે પૂર્ણ કરી નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન ડિજિટલ પ્રમાણપત્ર મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આ વર્ષે ચોમાસું ચિંતા કરાવે તો નવાઇ ન પામતા. ભારતીય હવામાન વિભાગનો અંદાજ છે કે ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે. દેશમાં લગભગ સરેરાશ 80 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે. છેલ્લા 8 વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે હવામાન વિભાગે સામાન્ય કરતાં ઓછા વરસાદનો અંદાજ લગાવ્યો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસશે કે પછી અલનીનોનો પ્રકોપ રાજ્યને કોરું ધાકોર રાખશે? આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે દર વર્ષની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ચોમાસાનાં 4 મહિના કેવા રહેશે? શું ચોમાસું સમયસર ગુજરાતમાં આવશે કે કેમ? જો ચોમાસાની સિસ્ટમ પર એક્સ્ટ્રીમ અલનીનોની અસર થશે તો દુષ્કાળ જેવી સ્થિતિનું સર્જન થશે? આવા તમામ સવાલોના જવાબ મેળવવા માટે દિવ્ય ભાસ્કરે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના 5 ઝોનમાં પડેલા વરસાદના ડેટાનું એનાલિસિસિ કર્યું છે. સાથે જ આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ એસોસિએટ ડૉ. મેહુલ વાસાણી સાથે વાતચીત કરી છે. સામાન્યથી વધુ વરસાદછેલ્લા 5 વર્ષોની વાત કરીએ તો 2021ને બાદ કરતાં રાજ્યમાં સરેરાશ સામાન્યથી વધુ વરસાદ પડ્યો છે. 2024માં સરેરાશ 137% વરસાદ પડ્યો હતો. ઝોનવાઇઝ જોઇએ તો આખા રાજ્યમાં છેલ્લા 4 વર્ષથી કચ્છ ઝોનમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાત માટે ખતરાની ઘંટડીઆ વખતે ગુજરાતમાં કયા ઝોનમાં કેટલો વરસાદ પડશે તે પૂછતાં ડૉ. મેહુલ વાસાણીએ કહ્યું, કોઇ ચોક્કસ વિસ્તાર પ્રમાણે વરસાદની આગાહી કરવી મુશ્કેલ છે. છતાં અલનીનોની અસરના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષોમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો 880 મિલિમીટર જેટલો વરસાદ પડી શકે છે. જે સામાન્ય વરસાદ ગણાય. દક્ષિણ ગુજરાતમાં વરસાદ સામાન્ય થવાની સંભાવના છે. જ્યારે કે ઉત્તર ગુજરાત જેવા ભાગમાં કદાચ અલનીનોની અસરના કારણે સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ થાય તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે, ગુજરાતના છેલ્લા 5 વર્ષમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો મોટાભાગે તેના સરેરાશ કરતાં પણ વધારે જ વરસાદ નોંધાયો છે. દરિયાકાંઠાના જિલ્લાઓની શું સ્થિતિ?સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડ્યો છે. ડૉ.વાસાણીના મતે, ગુજરાતને સામાન્ય રીતે કચ્છ ઝોન, ઉત્તર ગુજરાત ઝોન, મધ્ય ગુજરાત ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન એમ 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. એમાં પણ કોસ્ટલ બેલ્ટના કચ્છ અને પશ્ચિમના પોરબંદર, દ્વારકા જેવા જિલ્લાઓમાં છેલ્લા 5 વર્ષોમાં જેટલો વરસાદ પડવો જોઇતો હતો તેના કરતાં પણ લગભગ 25% જેટલો વધુ વરસાદ પડ્યો છે. આવી જ પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ જોવા મળી છે. દર વર્ષે વરસાદમાં વધારોવરસાદમાં ઘટાડો નથી થતો પણ સતત દર વર્ષે વધારો નોંધાઇ રહ્યો છે. આ અંગે તેઓ કહે છે કે, ગુજરાતમાં સૌથી વધારે વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નોંધાય છે. જેને હેવી રેઇનફોલ ઝોન તરીકે પણ ઓળખાય છે. અહીં સામાન્ય રીતે વધારે જ વરસાદ પડે છે પણ છેલ્લા 5 વર્ષમાં એવો એક પણ જિલ્લો નથી કે જ્યાં વરસાદમાં મોટો ઘટાડો નોંધાયો હોય. એવું ચોક્કસ જોવા મળ્યું છે કે વરસાદના પ્રમાણમાં વધારો નોંધાયો હોય. આમ ચોમાસાને લઇને જે મુખ્ય બાબત સામે આવી છે તે એ છે કે વરસાદમાં ઘટાડો નથી નોંધાતો પણ સતત દર વર્ષે વધારો નોંધાઇ રહ્યો છે. પાછોતરો વરસાદ ચિંતા કરાવશેપાછોતરા ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. આનું કારણ જણાવતા તેમણે કહ્યું, દર વર્ષની સરખામણીએ આ વખતે સામુદ્રીક અને અન્ય પરિસ્થિતિને જોતા ન્યૂટ્રલ કન્ડિશન ચાલી રહી છે. જેથી એવું કહી શકાય કે હાલના તબક્કે ચોમાસા પર કોઇ ખાસ અસર થશે નહીં. ચોમાસું એકંદરે સામાન્ય રહેશે. મધ્ય પેસિફિક સમુદ્રમાં ઓગસ્ટ કે જુલાઇ પછી ઇવોલ્વિંગ અલનીનો થવાની શક્યતાઓ છે. જેથી પાછોતરા ચોમાસામાં કદાચ સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે. ગુજરાતમાં ચોમાસામાં સામાન્ય ફેરફારની શક્યતાતેમના મતે, આ વખતે ચોમાસામાં સામાન્ય ફેરફાર આવી શકે છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 થી 20 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાત તરફથી પ્રવેશ કરતું હોય છે. હાલની દ્રષ્ટિએ આ વખતના ચોમાસામાં સામાન્ય ફેરફાર આવી શકે છે બાકી કોઇ ચિંતા જેવો વિષય નથી પણ જો પ્રિ મોન્સૂન સિઝન દરમિયાન ચક્રવાત જેવી સ્થિતિનું સર્જન થાય તો તેમાં ફેરફાર થવાની શક્યતાઓ પ્રબળ છે. આગામી સમયમાં તાપમાનમાં વધારો થશેકેટલાક નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે આ વખતે ચોમાસામાં ગરમીનો પણ અનુભવ થઇ શકે છે. બીજી તરફ ચોમાસાના દિવસોમાં પણ ઘટાડો થઇ શકે છે આ બાબતે તમારું શું માનવું છે એ અંગે પૂછતાં ડૉ. વાસાણીએ કહ્યું,એ હકીકત છે કે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કેમ કે આ વખતે માર્ચથી જ ગરમીએ પ્રકોપ દેખાડવાની શરૂઆત કરી દીધી હતી. જે રીતે વચ્ચે વચ્ચે માવઠાઓ આવ્યાં તેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. એપ્રિલની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. હાલમાં તાપમાનમાં વધારો દેખાતો નથી પણ આવનારા સમયમાં વધારો જોવા મળી શકે છે. ચોમાસાના દિવસો ઘટ્યા, વરસાદનું પ્રમાણ વધ્યુંજો કે ચોમાસા દરમિયાન ઊડીને આંખે વળગે તેવી એક વાત એ પણ છે કે ચોમાસાના દિવસો ભલે ઘટી રહ્યાં હોય પણ તેની સામે વરસાદનું પ્રમાણ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યું છે. હાલમાં જોઇએ તો એવું થાય છે કે કોઇક જગ્યાએ એક ધારો દસેક ઇંચ વરસાદ પડી જાય. જેના પછી થોડો સમય ડ્રાય સ્પેલ આવે એવી પરિસ્થિતિ ફ્રિકવન્ટલી જોવા મળે છે. તેઓ કહે છે કે, આ પાછળ અન્ય કારણો પણ જવાબદાર છે પણ મુખ્ય કારણ તો ગ્લોબલ વોર્મિંગ જ છે. આ સાથે જ લો પ્રેશર, ચક્રવાતો અને એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ પણ વધી રહ્યાં છે. શરૂઆતના તબક્કામાં અલનીનોની ઓછી અસરકયા કારણોસર ચોમાસું નબળું પડે છે તેની વાત કરતા તેઓ કહે છે કે, પ્રશાંત મહાસાગરમાં નીનો 3.4 વિસ્તાર છે ત્યાંની દરિયાઇ સપાટીનું તાપમાન સરેરાશ 0.5 ડિગ્રી કરતાં વધારે હોય ત્યારે અલનીનો પરિસ્થિતિ કહેવાય છે. પ્રશાંત મહાસાગરથી ભેજનું જે પ્રમાણ મળતું હોય છે તે ઘટે છે. આવી પરિસ્થિતિમાં વરસાદ લાવવા માટે જે પૂરતો ભેજ હોય તે ઓછો હોવાના કારણે ચોમાસું નબળું જોવા મળે છે. પણ અલનીનોની પરિસ્થિતિ શરૂઆતના ચોમાસાને અસર નથી કરતી. જેથી જે વરસાદ છે તે સામાન્ય થતો જોવા મળે છે પણ અમુક પરિબળો તેને નેગેટિવ અસર કરે તો તે ચોમાસાને નબળું પાડતાં હોય છે. એટલે હાલની દ્રષ્ટિએ અલનીનોની અસર શરૂઆતના તબક્કે ઓછી દેખાઇ રહી છે. '0.5 ડિગ્રી તાપમાન કરતાં વધુ તાપમાન પ્રશાંત મહાસાગરમાં નોંધાય છે ત્યારે અલનીનોની પરિસ્થિતિ સર્જાય છે પણ આ તાપમાન સામાન્ય કરતાં દોઢ થી બે ડિગ્રી વધી જાય છે ત્યારે તેને એક્સ્ટ્રીમ અલનીનો કહેવાય છે. આવી પરિસ્થિતિમાં ભારત અને ઓસ્ટ્રેલિયામાં વરસાદનું પ્રમાણ ઘટી જાય છે પણ મારી દ્રષ્ટિએ આવું ચાલુ ચોમાસા દરમિયાન થાય તેની શક્યતાઓ નહીંવત છે.' સુપર અલનીનોમાં તાપમાન 2 ડિગ્રી વધે છેથોડા દિવસો પહેલાં વિશ્વના હવામાનશાસ્ત્રીઓએ આ વખતે સુપર અલ નીનો (એક્સ્ટ્રીમ અલ નીનો)ની આશંકા વ્યક્ત કરી હતી. સુપર અલનીનો દુર્લભ છે. તે ત્યારે બને છે જ્યારે સમુદ્ર સપાટીનું તાપમાન ઓછામાં ઓછું 2 ડિગ્રી સેલ્સિયસ વધે છે. 1950 પછી આવું ભાગ્યે જ બન્યું છે. ફક્ત એક જ વાર તાપમાનમાં 2.5 ડિગ્રી સેલ્સિયસથી વધુનો વધારો થયો છે. અગાઉ 2015 માં, સુપર અલ નીનોએ વૈશ્વિક સ્તરે ગંભીર અસરો કરી હતી. આ ઘટનાએ ઇથોપિયામાં ગંભીર દુષ્કાળ અને પ્યુઅર્ટો રિકોમાં પાણીની કટોકટી ઊભી કરી હતી. મધ્ય ઉત્તર પેસિફિકમાં અત્યંત સક્રિય વાવાઝોડાની મોસમે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. ગુજરાતના ચોમાસા પર સુપર અલનીનોની કોઇ અસર નહીં થાયડૉ. વાસાણી જણાવે છે કે,એક્સ્ટ્રીમ અલ નીનોની સંભાવના પાછોતરા ચોમાસામાં થઇ શકે છે. એક્સ્ટ્રીમ અલ નીનો એકી સાથે જ નિર્માણ નથી પામતું. જ્યારે તે શરૂઆતના તબક્કામાં હોય તો તેને ઇવોલ્વિંગ અલનીનો કહેવાય છે. આની અસર ચોમાસામાં ઓછી જોવા મળે છે. જ્યારે 2026ના અંતમાં એક્સ્ટ્રીમ અલનીનો જોવા મળશે એટલે ચોમાસા પર તેની અસર થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. સામાન્ય રીતે અલ નીનો ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અને મધ્ય આફ્રિકા, ભારત અને દક્ષિણ અમેરિકાના ભાગોમાં દુષ્કાળ અને ભારે ગરમીનું કારણ બને છે. બીજી બાજુ દક્ષિણ યુનાઇટેડ સ્ટેટ્સ, મધ્ય પૂર્વના ભાગો અને દક્ષિણ-મધ્ય એશિયામાં પૂરનું કારણ પણ બની શકે છે. સુપર અલનીનોથી દુષ્કાળ પડી શકેતેમણે કહ્યું, સુપર અલનીનોની પરિસ્થિતિમાં વર્ષ દરમિયાન તાપમાન ખૂબ ઊંચું નોંધાય છે. ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાય તો દુષ્કાળ કે સામાન્ય કરતાં ઓછો વરસાદ આવે છે. આ ઉપરાંત ચક્રવાત અને વાવાઝોડા પણ અનસ્ટેબલ જોવા મળતા હોય છે. તાપમાન જેટલું વધશે અલનીનોની અસર એટલી જ તીવ્ર બનશે. યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) ના વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ વર્ષે પાનખર અથવા શિયાળા સુધીમાં આવી સુપર અલ નીનો ઘટના બનવાની 25% શક્યતા છે. જો કે તેઓ ચેતવણી આપે છે કે વસંત ઋતુ દરમિયાન કરવામાં આવતી આગાહીઓ ઘણીવાર અસ્પષ્ટ હોય છે. આમ, શરૂઆતના તબક્કે ગુજરાતમાં બહુ મોટી ચિંતાની જરૂર નથી પરંતુ પાછોતરા ચોમાસામાં એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર બાદ વરસાદ ખેંચાઇ શકે છે.
સવારે અને બપોરે એમ બેવાર જાગતું રાજકોટ, ઈતિહાસથી લઈને ઇન્ડસ્ટ્રી સુધી આગળ વધ્યું છે. હવે 26 એપ્રિલે મતદારો માટે મોકો છે, ભવિષ્યનું શહેર કેવી દિશામાં જશે તે નક્કી કરવાનો. ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયોમાં જુઓ માસૂમાબાદથી એઈમ્સ સુધીની સફર અને અગ્નિકાંડ બાદ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ માટે જાગૃત જનતાની અપેક્ષાઓ.
ફોટો ઈન્વેસ્ટિગેશન:કોટેચા ચોકથી BAPS સુધીનો મોતનો માર્ગ
કાલાવડ રોડ પર કોટેચા ચોકથી બીએપીએસ મંદિર સુધી ડામરકામ કર્યું છે. જોકે ડામરકામને કારણે રસ્તો ઊંચો થતા ફૂટપાથ પાસેના ભાગમાં જ કડ પડી ગઈ છે. વાહનચાલકો ખાસ કરીને ટૂ વ્હિલર ચાલકોને આ કડ દેખાતી નથી. જેને કારણે બાઈક સ્લિપ થઈ જતા અકસ્માત સર્જાય છે. એક બે નહિ રોજ ચારથી પાંચ અકસ્માતની ઘટના બની રહી છે. જેનાથી કંટાળી વેપારીઓએ પણ અવારનવાર પોલીસ અને મનપાને લેખિત અને મૌખિક ફરિયાદ કરી છે. બ્યુટીફિકેશન કરવાનું હોવાથી કામ બાકી છે. આ કામ બાકીમાં અનેકના જીવ જોખમમાં મુકાયા છે. મનપાને અવારનવાર કીધું, પોલીસને ફક્ત પાર્કિંગના દંડમાં રસમનપા અને પોલીસને અવારનવાર કહ્યું છે કે, અહીં અકસ્માત થઈ રહ્યા છે પણ કોઇ ધ્યાન આપતું નથી. પોલીસને નો-પાર્કિંગમાં પડેલા વાહનોને દંડવામાં રસ છે. જેથી અમારા વેપાર ધંધાને અસર પડે છે. કારણ કે પાર્કિંગ નહીં રખાતા કોઇ આવતું જ નથી. > દીપક જોશી, વેપારી કાલાવડ રોડ અપકૃત્યના કાયદા હેઠળ વળતરનો કેસ થઇ શકેજો કોઇ વ્યક્તિ આવા રોડને કારણે અકસ્માતગ્રસ્ત બને તો તે વળતરનો દાવો કરી શકે છે. સામાન્ય ઈજાથી ગંભીર ઈજા તેમજ મોતના કિસ્સામાં વળતર મળવા હક્કદાર બને છે. ખાસ કરીને આવા કેસ લો ઓફ ટોર્ટ એટલે કે અપકૃત્ય કરવાથી થયેલા ડેમેજ હેઠળ વળતર મળે છે. - અજય જોશી, એડવોકેટ
રામામંડળમાં સગુણાનું પાત્ર ભજવી ઓળખ મેળવનારા યુવક પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવ્યાનો બનાવ સામે આવ્યો છે. બુલેટ પર આવેલા બે શખ્સે યુવકને મારમારી પથ્થરથી ઘા કરી લોહીલુહાણ હાલતમાં મૂકી તેની પાસેથી રોકડ અને મોબાઇલ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં નાગલપર ગામે રહેતા ભાવેશભાઈ રાજાભાઈ ધરજિયાએ કુવાડવા પોલીસ મથકમાં નોંધાવેલી માહિતી મુજબ આરોપી તરીકે બે અજાણ્યા શખ્સના નામ આપ્યા છે. યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ રામામંડળના કાર્યક્રમમાં સગુણાનું પાત્ર ભજવે છે અને ઘટનાના દિવસે રાત્રે નવેક વાગ્યે ગામના પાટિયા પાસે ઊભા હતા. તે દરમિયાન બુલેટ મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા શખ્સ તેમને જોતા હતા. શંકા જતા તેઓ ઘર તરફ ચાલવા લાગ્યા હતા, પરંતુ બંને શખ્સે પાછળ આવી તેમને અટકાવી ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં રસ્તામાં પડેલા પથ્થર વડે માથામાં ઘા કરતાં તેઓ લોહીલુહાણ થઈ જમીન પર પડી ગયા હતા. હુમલાખોરોએ ત્યારબાદ તેમની પાસે રહેલી અંદાજે ત્રણ હજાર રૂપિયાની રોકડ અને આશરે 30 હજાર રૂપિયાનો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. બનાવ દરમિયાન પસાર થતા લોકો અને ગામલોકો ભેગા થતાં કોઈએ 108ને જાણ કરતા ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. હુમલો કરનાર શખ્સોને ઓળખતો ન હોવાનું યુવકે જણાવ્યું છે. પોલીસે ગુનો નોંધી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. બુલેટ પર આવેલા અજાણ્યા શખ્સોની દાદાગીરી
ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ માર્ગની અસ્થિરતાની સીધી અસર સ્થાનિક બજાર પર પડી રહી છે. દેશમાં ગેસની અછતનું બહાનું ધરીને ખાનગી ગેસ એજન્સીઓએ ઉઘાડી લૂંટ ચલાવવાના દરવાજા ખોલી નાખ્યા છે. માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ બમણાથી ત્રણ ગણા કરી દેવામાં આવતા હોટલ, રેસ્ટોરન્ટ અને નાની રેંકડી ચલાવતા ધંધાર્થીઓમાં ભારે હડકંપ મચી ગયો છે. ગેસના આ તોતિંગ ભાવવધારા અને ખાદ્યતેલોમાં આવેલા ભડકાને કારણે હવે ખાણીપીણીનો વ્યવસાય ચલાવવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે સરકારના નિયંત્રણ હેઠળની PSU (જાહેર ક્ષેત્રની) ગેસ કંપનીઓ અને ખાનગી એજન્સીઓના ભાવમાં જમીન-આસમાનનો ફેર છે. ડિસેમ્બર-2025માં ભારત ગેસ અને IOC જેવી સરકારી કંપનીઓના કોમર્શિયલ સિલિન્ડર રૂ. 1580થી 1600ની આસપાસ હતા. એપ્રિલમાં બે વખત વધારો ઝીંકીને આ ભાવ રૂ. 2068 સુધી પહોંચાડાયા છે. પરંતુ, તેની સામેખાનગી એજન્સીઓએ તો ખુલ્લેઆમ લૂંટ જ મચાવી છે.માર્ચ મહિનામાં રાધિકા ગેસ એજન્સીનો 21 કિલોનો સિલિન્ડર રૂ. 2200માં મળતો હતો, જેનો ભાવ એપ્રિલમાં સીધો ડબલ થઈને રૂ. 4400ને પાર થઈ ગયો છે. મેટોડાની એપેક્સ કંપનીનો સિલિન્ડર રૂ. 1900-2000થી વધારીને રૂ. 4000 કરી દેવાયો છે. જ્યારે એજીસ (Aegis) ગેસ પ્રા.લિ.ના 21 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ તો સાંભળીને જ આંખો પહોળી થઈ જાય તેમ રૂ. 6192.77ની ઐતિહાસિક સપાટીને આંબી ગયો છે! ‘ખાનગી કંપનીઓ ભાવ નક્કી કરવા સ્વતંત્ર, અમારું કોઈ નિયંત્રણ નથી’ - DSOરાજકોટ DSOના જણાવ્યા મુજબ, ‘ભારત સરકાર માત્ર ભારત ગેસ જેવી PSU કંપનીઓના ભાવ જ નક્કી કરે છે અને તેના પર જ નિયંત્રણ છે. જ્યારે ખાનગી કંપનીઓ પોતાના ઉત્પાદિત ગેસના સિલિન્ડર કયા ભાવે વેચવા તે નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. જો ખાનગી કંપનીએ નક્કી કરેલા MRP કરતાં કોઈ વ્યક્તિ વધુ ભાવ લેતો હોય તો તેની સામે કાર્યવાહી થઈ શકે. બાકી ખાનગી કંપનીઓના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ નિયંત્રિત કરવાની સરકારે અમને કોઈ સત્તા આપી નથી.’ ‘નાછૂટકે તમામ આઈટમના ભાવ 10થી 20 ટકા વધારવા પડ્યા’આકાશદીપ રેસ્ટોરન્ટના ધર્મેશ ઠાકોરના જણાવ્યા અનુસાર, ‘કોમર્શિયલ ગેસના આસમાને પહોંચેલા ભાવને કારણે અમારે નાછૂટકે તમામ ચીજવસ્તુઓના ભાવ વધારવા પડ્યા છે. અગાઉ 50 રૂપિયામાં મળતી શાકની ડિશ 60 રૂપિયા, 15 રૂપિયાનું પરોઠું 17 રૂપિયા અને 50 રૂપિયાવાળી દાળ-ભાતની ડિશના 60 રૂપિયા કરવા પડ્યા છે. જો હજુ ગેસના ભાવ વધશે તો અમારે ગ્રાહકો પર જ આ ભારણ નાખવું પડશે.’ ‘એનર્જી કોસ્ટ બમણી થઈ ગઈ, મોંઘા ભાવે પણ સમયસર ગેસ મળતો નથી’ટી સ્ટ્રીટના મેઘાવત રાઠોડે આ અંગે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ‘અગાઉ ખાણીપીણીના ધંધામાં રૂ. 100ના વેચાણ પર 4થી 5 ટકા એનર્જી કોસ્ટ આવતી હતી, જે હવે ખાનગી કંપનીઓની લૂંટના કારણે 10 ટકા સુધી પહોંચી ગઈ છે. આટલા ઉંચા ભાવ આપવા છતાં સમયસર ગેસ મળતો નથી. માર્ચમાં સિલિન્ડર આપ્યા બાદ છેક સવા મહિને અમને સિલિન્ડર અપાયા હતા. આ પરિસ્થિતિ હોટલ ઉદ્યોગ માટે માઠા દિવસો લાવી રહી છે.’
હુમલો:વોટ્સએપ મેસેજના મનદુઃખથી 2 ભાઈ પર પાઇપ, લાકડી વડે હુમલો
ભેંસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામના 30 વર્ષીય અલ્તાફભાઈ ઈકબાલભાઈ સમાની ફરિયાદ મુજબ, ગામની પ્રાથમિક શાળાના આચાર્યે મેદાનમાં છોકરાઓને રમવા પર પ્રતિબંધ મૂકતો મેસેજ કર્યો હતો. આ મેસેજ અલ્તાફના ભાઈ આવેશએ ગ્રામ પંચાયતના વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખી સાહીદ ગફારભાઈ સમાએ ફોન પર ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ શુક્રવારે સાંજના સાહીદ ગફાર, નુરમહમદ હસનભાઈ, મુસા ઈબ્રાહીમભાઈ વિશળ અને સમીર ગફારભાઈ સમા લાકડી તથા પ્લાસ્ટિકના પાઇપ સાથે યુવકના ઘરે ધસી આવ્યા હતા. શખ્સોએ અલ્તાફ અને આવેશ પર હુમલો કરી માથાના ભાગે પાઇપના ફટકા માર્યા હતા તેમજ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી ધમકી આપી નાસી ગયા હતા. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બંને ભાઈઓને સારવાર અર્થે ભેંસાણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદ આધારે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આરોપીના રિમાન્ડ કરાયા મંજૂર:ડુંગરપુરના યુવકની હત્યા કરનાર આરોપીઓ આજે સાંજ સુધી રિમાન્ડ
ડુંગરપુર ગામે રહેતા રફીકશા કરીમશા રફાઈ નામના યુવકની હત્યા સબબ મૃતકના પત્ની નજમાબેને ખડીયાના મિલન સોલંકી અને તોરણીયાના અનિલ ગુજરાતી સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ અનુસાર તેના ઘરે બંને શખ્સ ગુરુવારે રાત્રે આવ્યા હતા અને પતિને ચલમનો માલ હોય તો આપવાનું કહ્યું હતું. પરંતુ માલ નથી તેમ કહેતા માલ લેવા જવા સાથે લઈ ગયા હતા. ત્યારબાદ જંગલ વિસ્તારમાં રફીકશા પર માથા અને હાથ પગના ભાગે ઇજાઓ કરી મૃત્યુ નીપજાવ્યું હતું. ફરિયાદ આધારે આરોપીઓ સાગર પૂર્વે મિલન સોલંકી, અનિલ ઉર્ફે પ્રિન્સ ગુજરાતીની ધરપકડ કરી હતી અને બંને પાસેથી હત્યા માટે ઉપયોગમાં લીધેલ લોખંડનો સળીયો કબજે કર્યો હતો. શુક્રવારે આરોપીઓને 7 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શહેરમાં વિવિધ એકમો પનીરના નામે એનાલોગ નાગરિકોને ખવડાવતા હોવાની ફરિયાદો બાદ મ્યુનિ. આરોગ્ય વિભાગે શરૂ કરેલી તપાસમાં 11 એકમ પકડાયા છે. જેમાંથી મોટા ભાગના મણિનગર, બાપુનગર, રિલીફ રોડ રામોલ સહિતના પૂર્વ વિસ્તારોના તથા એક ગોતા વિસ્તારની હોટેલ છે. આ તમામની સામે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે. ફૂડ વિભાગ દ્વારા નિયમોનું પાલન ન કરનારા એકમોને રૂ. 3.26 લાખનો દંડ ફટકારાયો છે. આ તમામ એકમોને નોટિસ અપાઈ છે. જે 11 એકમ સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં પનીરના નામે એનાલોગ એટલે કે બનાવટી પનીરની ડિશ રૂ.350થી વધુ કિંમતમાં મળતી હતી. ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતા પોર્ટલ પર ગોતાની હોટેલ ગામઠીમાં પનીર મલાઈ ટિક્કાના છ નંગના રૂ.390 બતાવાયા છે. એ જ રીતે બાપુનગરના શ્રીનાથજી ભોજનાલયમાં રૂ.150માં પનીર ભુરજી વેચાતી હોવાનું જણાયું હતું. આ એકમોને દંડ થયો ભાસ્કર નોલેજ | પનીર-એનાલોગમાં તફાવત?બનાવટ: પનીર શુદ્ધ દૂધમાંથી બને છે, જ્યારે એનાલોગ બનાવવા દૂધને બદલે સ્કિમ્ડ મિલ્ક પાઉડર, પામ ઓઇલ અને સ્ટાર્ચનો ઉપયોગ થાય છે. તે દેખાવમાં પનીર જેવું જ હોય છે. કેવી રીતે ઓળખી શકાય? એક અઠવાડિયામાં 250 સેમ્પલ લઈ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયાંછેલ્લા એક સપ્તાહમાં મ્યુનિ. દ્વારા વિવિધ વસ્તુઓના 250 નમૂના લઈને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જોકે તેના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી આગળ વધારાશે. રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઈફૂડ સિક્યોરિટી એક્સપર્ટ અને એડવોકેટ મનોજ ખંધારના જણાવ્યાનુસાર, જો એનાલોગ હોવાનું સાબિત થાય તો સબસ્ટાર્ન્ડડ એક્ટ હેઠળ 5 લાખ સુધી દંડની જોગવાઈ છે. કેસની સુનાવણી પછી સેક્શન 51 હેઠળ સજા થાય છે.
19 એપ્રિલે ‘વર્લ્ડ લિવર ડે’ નિમિત્તે લિવરના રોગો અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. સામાન્ય રીતે કમળો, આલ્કોહોલ અને જંકફૂડને જ લિવર માટે જોખમી માનવામાં આવે છે, પરંતુ કૂતરા સહિતના પાલતુ પ્રાણીઓના મળના સંપર્કથી થતો ‘લિવર હાઇડેટિડ સીસ્ટ’ રોગ પણ લિવરને ગંભીર નુકસાન કરી શકે છે. સ્વચ્છતાના અભાવે પાલતુ પશુઓના સંપર્કમાં રહેતા દર 1 લાખમાંથી 1થી 200 લોકોને આ ચેપ લાગે છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 70 ટકા અને શહેરોમાં 30 ટકા અસર જોવા મળે છે. સિનિયર ગેસ્ટ્રો સર્જન ડો. અવિનાશ ટાંક જણાવે છે કે, અવેરનેસના અભાવે આ રોગનું નિદાન છેલ્લા સ્ટેજમાં થાય છે. જ્યારે લિવરમાં સિસ્ટ મોટી થઈ જાય કે પિત્ત નળીમાં કાણું પડે ત્યારે 1થી 4 કલાકની જટિલ સર્જરી કરીને લિવરનો અસરગ્રસ્ત ભાગ કાઢવો પડે છે. લિવરની સર્જરી હાઈરિસ્ક હોવાથી નિષ્ણાત સર્જન અનિવાર્ય છે, કારણ કે સર્જરી દરમિયાન જો સિસ્ટ પેટમાં પ્રસરે તો ફરીથી ચેપ લાગવાનું જોખમ રહે છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર વર્ષે આવા અનેક કેસ નોંધાય છે. આ રીતે પ્રાણીથી માનવીના લિવર સુધી ચેપ ફેલાય છેકૂતરા કે પશુઓના મળમાં રહેલા ટેપવોર્મના ઇંડાં જમીન, પાણી કે શાકભાજી પર ચોંટે છે. પશુઓને સ્પર્શ કર્યા બાદ હાથ ધોયા વગર ખોરાક લેવાથી કે પ્રદૂષિત પાણી પીવાથી આ ઇંડા શરીરમાં પ્રવેશે છે. આંતરડામાંથી બહાર આવી આ ઇંડા ‘લાર્વા’ બની લોહી દ્વારા લિવરમાં પહોંચે છે અને ગાંઠ બનાવે છે. જમતાં પહેલાં સાબુથી હાથ ધોવાકૂતરાઓને નિયમિત ડીવોર્મિંગ કરાવવું, હાથ ધોઈને જ ખાવું, શાકભાજી-ફળ સારી રીતે ધોઈને ખાવું, કાચું કે અડધુ પાકેલું માંસ ખાવાનું ટાળવું, પશુઓ સાથે કામ કરતી વખતે હાઇજીન જાળવવું. આ રીતે નુકસાન કરે છે
ચૂંટણી પ્રચારનું ચિત્ર હવે સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે ઉમેદવારો માટે લાઉડસ્પીકર, પોસ્ટર, બેનર અને પત્રિકાઓ જ મુખ્ય હથિયાર હતા. પરંતુ હવે મતદારો સુધી પહોંચવાનો રસ્તો મોબાઇલ સ્ક્રીનમાંથી પસાર થાય છે. સોશ્યલ મીડિયામાં રીલ, પોસ્ટ અને વિડિયો હવે ચૂંટણી પ્રચારનું નવું મેદાન બની ચૂક્યું છે. ત્યારે ચૂંટણી પંચે ઉમેદવારનું ખર્ચનું બજેટ દોઢું કરી આપ્યું છે. લાઉડસ્પીકર અને પત્રિકાઓમાં થતા ખર્ચ કરતા રીલ વધુ મોંઘી હોવાથી ગત ટર્મમાં ઉમેદવારનો ખર્ચનું બજેટ રૂ.6 લાખ હતું તે હવે મનપા ચૂંટણીના ઉમેદવારના બજેટમાં રૂ.3 લાખનો વધારો કરી 9 લાખ રૂપિયા કર્યો છે. હવે મનપાનો ઉમેદવાર રૂ.9 લાખ ખર્ચ કરી શકશે. આધુનિક ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે ચૂંટણી પ્રચારની રીતોમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉ જ્યાં ઉમેદવારોનો મુખ્ય પ્રચાર રસ્તાઓ પર લાઉડસ્પીકર, પોસ્ટર, બેનર અને પત્રિકાઓ દ્વારા થતો હતો, જે હવે નહીવત થયો છે અને હવે સોશિયલ મીડિયા અને મોબાઇલ આધારિત પ્રચારનું પ્રભુત્વ વધી ગયું છે. સોશ્યલ મીડિયાના વિવિધ પ્રકારના પ્લેટફોર્મ્સ પર રીલ, પોસ્ટ અને વિડિયો કન્ટેન્ટ દ્વારા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ વધી રહ્યો છે. આ બદલાવને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મનપા ચૂંટણીના ઉમેદવારોના ખર્ચ મર્યાદામાં વધારો કર્યો છે. અગાઉ ઉમેદવાર માટે નિર્ધારિત ખર્ચ મર્યાદા રૂ.6 લાખ હતી, જે હવે વધારીને રૂ.9 લાખ કરવામાં આવી છે. એટલે કે કુલ રૂ.3 લાખનો વધારો કરવામાં આવ્યો છે. પોરબંદર મનપાની ચૂંટણીમાં 41 બેઠક પર 106 ઉમેદવાર મેદાને ઉતર્યા છે. આજના સમયમાં ડિજિટલ પ્રચાર પર ખર્ચ સતત વધી રહ્યો છે. પ્રોફેશનલ વિડિયો શૂટિંગ, એડિટિંગ, સોશિયલ મીડિયા પ્રમોશન, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ અને રીલ્સના પ્રમોશન માટે નોંધપાત્ર બજેટ જરૂરી બને છે. પરિણામે પરંપરાગત પ્રચાર સાધનો કરતા ડિજિટલ પ્રચાર વધુ ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે. કેટલો ખર્ચ કરી શકાશે તેની અગાઉ અને હાલની વિગતચૂંટણીમાં ઉમેદવારો કેટલો ખર્ચ કરી શકે તે માટે ખર્ચ મર્યાદામાં મનપાના દરેક વોર્ડના ઉમેદવાર માટે ગત ટર્મમાં રૂ.6 લાખ હતા જે હવે રૂ. 9 લાખ કર્યા છે. એકથી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકા વોર્ડના ઉમેદવાર માટે અગાઉ રૂ.1 લાખ હતા જે હવે રૂ.2.25 લાખ કર્યા છે. 9 થી વધુ વર્ડ ધરાવતી પાલિકાના ઉમેદવાર માટે અગાઉ રૂ.1.50 લાખ હતા જે હવે રૂ.3.50 લાખ તેમજ જિલ્લા પંચાયતના દરેક ઉમેદવાર માટે અગાઉ રૂ.4 લાખ હતા જે હવે રૂ.6 લાખ તેમજ તાલુકા પંચાયતના દરેક ઉમેદવાર માટે અગાઉ રૂ.2 લાખ જેમાં હાલ રૂ. 3 લાખ કર્યા છે. આ ઉમેદવારો આ રીતેની મર્યાદામાં ચૂંટણી પ્રચાર માટે ખર્ચ કરી શકશે. નાના અને અપક્ષ ઉમેદવારને હરીફના વધુ ખર્ચ સામે ટકવું મુશ્કેલ બનશેસોશિયલ મીડિયામાં ચૂંટણી પ્રચાર ખર્ચાળ સાબિત થાય છે. આધુનિક ચૂંટણી પ્રચાર માટે સક્ષમ ઉમેદવાર તેના ખર્ચની મર્યાદામાં ખર્ચ કરશે પરંતુ નાનો એટલેકે ખર્ચ ન કરી શકનાર અને અપક્ષ ઉમેદવારને હરીફ ઉમેદવારના વધુ ખર્ચ સામે ટકવું મુશ્કેલ બનશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પ્રચાર પર કડક વોચસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમવાર સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્રચાર પર નજર રાખવા માટે વિશેષ કમિટી બનાવવામાં આવી છે. જેમાં કલેક્ટર અધ્યક્ષ, પોલીસ અધીક્ષક, જિલ્લા માહિતી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર સભ્ય સચિવ રહેશે. આ કમિટી ટીવી, કેબલ નેટવર્ક, રેડિયો, એફએમ, સોશિયલ મીડિયા અને બલ્ક એસએમએસ મારફતે થતા પ્રચાર માટે મંજૂરીની ચકાસણી કરશે. ઉમેદવારોને સક્ષમ અધિકારીનું લાયસન્સ લેવું ફરજિયાત રહેશે અને તમામ ખર્ચ હિસાબમાં નોંધાશે. ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવો કે ઉશ્કેરણીજનક પ્રચાર રોકાશે. મતદાન પહેલા 48 કલાક પ્રચાર બંધ રહેશે અને નાયબ મામલતદાર તથા હેડ કોન્સ્ટેબલ દ્વારા દેખરેખ રાખવામાં આવશે.
તંત્રની ઉદાસીનતા સામે વાહનચાલકોમાં રોષ:પોરબંદર-અડવાણા હાઈવે પર બાવળોનો આંતક
પોરબંદરથી અડવાણા નેશનલ હાઈવે પર ગાંડા બાવળોનો વધતો આતંક હવે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે, છતાં જવાબદાર તંત્ર કાનમાં તેલ નાખી બેઠું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. બાબડા અને ભારવાડા વચ્ચે આવેલા સાંકડા પુલિયા પર બાવળોની ડાળીઓ સીધી રોડ પર આવી જતા દરરોજ વાહન અકસ્માતનો ખતરો મંડરાઈ રહ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ રાજાશાહી સમયના આ પુલિયા આજના ભારે ટ્રાફિક માટે સંપૂર્ણપણે અયોગ્ય બની ગયા છે. એક તરફ પુલિયા સાંકડા અને બીજી તરફ બાવળોની ઘૂસણખોરી આ ડબલ જોખમ વચ્ચે વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. ખાસ કરીને બાઈક ચાલકો માટે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, જ્યાં પાછળ બેઠેલા મુસાફરોના કપડાંમાં બાવળની ડાળીઓ ફસાઈ જતાં અકસ્માતોની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. બગવદર બસ સ્ટેન્ડ નજીકના ડિવાઈડરમાં પણ બાવળો ઊગી નીકળ્યા છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છેકે, વર્ષો પહેલા વાવવામાં આવેલા ગાંડા બાવળો આજે અભિશાપ બની ગયા છે, છતાં છેલ્લા ઘણા વર્ષોથી સરકાર અને સંબંધિત વિભાગો માત્ર મૌન દર્શક બની રહ્યા છે. ત્યારે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક અસરથી બાવળોની કાપણી, પુલિયાની વિસ્તરણ કામગીરી અને માર્ગ સુરક્ષા માટે કડક પગલાં ભરવાની માંગ ઉગ્ર બની છે. રાજકીય આગેવાનો પણ આ માર્ગે પસાર થાય છેસ્થાનિકોએ જણાવ્યું હતુકે, અનેક રાજકીય આગેવાનો અને અધિકારીઓ આ માર્ગ પરથી પસાર થાય છે, છતાં સમસ્યા સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના થાય પછી જ રાજકીય આગેવાનો અને તંત્ર જાગશે તેવા સવાલો ઉઠ્યા છે.
મતદાનની તૈયારી:મનપામાં 165 અને જિલ્લા પંચાયતમાં 286 બુથ પર મતદાન થશે
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આગામી દિવસો યોજાનાર મતદાનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 165 બુથ પર 825 સ્ટાફ અને જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતની ચૂંટણી માટે 286 બુથ પર 1716 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે જેમાં મતદાન મથક પર પ્રિસાઇડિંગઓફિસર,ફર્ સ્ટપોલિંગ ઓફિસર,ફિમેલ પોલિંગ ઓફિસરની નિમણૂક કરાઈ છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત તેમજ પોરબંદર મહાનગરપાલિકા અને રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હાલ આ ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ભરવાની, ચકાસણી કરવાની તેમજ પરત ખેંચવાની પ્રકિયા પૂર્ણ થતાં હાલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે જેથી હાલ જિલ્લા વહીવટી વિભાગ અને ચૂંટણી શાખા દ્વારા 26 એપ્રિલે યોજાનાર મતદાન અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં યોજનાર મતદાન મથકો નક્કી કરી મતદાન અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં 165 મતદાન મથક પર મતદાન યોજાશે જે માટે 825 સ્ટાફની નિમનુક કરવામાં આવી છે તો જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 મતદાન મથક પર મતદાન યોજાશે જેના માટે 1716 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. મનપા વિસ્તારમાં મતદાન મથકો ઘટ્યાપોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની અમુક બેઠકો બિનહરીફ થઈ છે ત્યારે બિનહરિફ થતા જ મહાનગરપાલિકા વિસ્તારમાં મતદાન મથકો ઘટયા છે પરંતુ જિલ્લા અને તાલુકા પંચાયત વિસ્તારમાં મતદાન મથકો ઘટયા નથી.મનપા વિસ્તારમાં 26 મતદાન મથકો ઘટયા છે.
પોરબંદરના રેલ્વે સ્ટેશનના પાર્કિગમાં વર્ષો પૂર્વે સુલભ સોચાલય બનાવવામાં આવ્યું હતું ત્યારે આ સોચાલયને છેલ્લા 3 માસથી તાળા લગાવી દેવામાં આવ્યા છે જેને લઈને રેલ્વે સ્ટેશન ખાતે આવતા મુસાફરો અને અહીં વેપાર કરતા વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરના રેલ્વે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે આધુનિકરણ કરવામાં આવ્યું હતું.ત્યારે રેલ્વે સ્ટેશનના આધુનિકરણ પૂર્વે જ મુસાફરોની સુવિધા માટે રેલ્વે વિભાગે સ્ટેશનમાં આવેલ પાર્કિગમાં સુલભ સોચાલય બનાવવામાં આવ્યું હતું પરંતુ આ સોચાલયને કોઈ કારણોસર છેલ્લા 3 માસથી તાળા લગાવી દેવામાં આવ્યા છે જેને લઈને રેલ્વે સ્ટેશન આવતા મુસાફરોને સોચાલયના ઉપયોગ માટે ફરજિયાત રેલ્વે સ્ટેશન અંદર જવાની ફરજ પડે છે તો આ રેલ્વે સ્ટેશન નજીક વેપાર કરતા વેપારીઓને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ સોચાલય મુસાફરો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવા નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ સોચાલય તાળા લગાવી દેવામાં આવતા હાલાકી વેઠવી પડે છે. રેલ્વે સ્ટેશન ખાતે રોજના 1000 મુસાફરોની અવર જવરપોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે સવારથી સાંજ સુધીમાં અનેક રૂટની લોકલ તેમજ એક્સપ્રેસ અને વિકલી ટ્રેઈનની અવાર જવર થતી હોય છે જેમાં દિવસ દરમ્યાન 1 હજારથી વધુ મુસાફરો અવાર જવર કરે છે.
RTE પ્રવેશ પ્રક્રિયા:RTE અંતર્ગત હવે તારીખ 23 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે
RTE અંતર્ગત વાલીઓ દ્વારા તા. 23 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. પોરબંદર જિલ્લામાં RTE એટલેકે રાઇટ ટૂ એજ્યુકેશન અંતર્ગત પ્રાથમિક ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1મા પ્રવેશ આપવામાં આવે છે. આ વખતે પોરબંદર જિલ્લામાં 91 જેટલી પ્રાથમિક ખાનગી શાળા ખાતે અંદાજિત 516 બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. આ RTE હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે . સરકારે તારીખ 23 એપ્રિલ 2026 સુધીની તારીખમાં વધારો કર્યો છે. અત્યાર સુધીમાં જે ફોર્મ એપ્રુવડ થયા છે તેવા વાલીઓએ ફોર્મ ભરવાની જરૂર નથી પરંતુ જે ફોર્મ રદ થયા છે તેવા વાલીઓ નવા ફોર્મ ભરી શકશે. જે માટે વાલીઓ https://rte.orpgujar at.com સાઇટ પર જઈને જાણકારી અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવી શકશે. પોરબંદર જિલ્લામાં 8799382274 હેલ્પ લાઈન નંબર પર વાલીઓ જરૂરી માર્ગદર્શન મેળવી શકશે. કેટલા ફોર્મ ભરાયા અને કેટલા રદ થયા ?પોરબંદર જિલ્લામાં RTE અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 2261 અરજી આવી છે, જેમાંથી 158 ફોર્મ રિજેક્ટ થયા છે. 1416 ફોર્મ એપ્રુવડ થયા છે. 183 ફોર્મ ચકાસણી હેઠળ છે અને 504 ફોર્મ ડુપ્લીકેટ હતા જે કેન્સલ થયા છે.
ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી:ખાનગી શાળાઓને કડક ચેતવણી, ડોનેશન અને દબાણ નહીં ચાલે
પોરબંદર જિલ્લામાં જૂન 2026થી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં નવા પ્રવેશ માટે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે કે, ઉનાળુ વેકેશન અથવા જાહેર રજાઓ દરમિયાન અભ્યાસ ચાલુ રાખવા અથવા ફી નિયમન સમિતિ દ્વારા મંજૂર કરેલી ફી કરતાં વધુ રકમ શાળા વિકાસના નામે ડોનેશન તરીકે વસૂલવામાં આવશે તો તે સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને નિશ્ચિત દુકાનોમાંથી જ સ્કૂલ ડ્રેસ અથવા પાઠ્યપુસ્તકો ખરીદવા માટે દબાણ કરવું આવા તમામ કિસ્સાઓમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE)ના ઉલ્લંઘન બદલ સંબંધિત શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ડોનેશન, બળજબરીપૂર્વક ડ્રેસ-પુસ્તક ખરીદી અને ગેરકાયદેસર એન્ટ્રન્સ ટેસ્ટ જેવી પ્રથાઓ પર હવે સીધી કાર્યવાહી થશે તેવી ચેતવણી આપવામાં આવી છે. શું કાર્યવાહી થઈ શકે ?કાયદાનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે પ્રથમ વખત રૂ.25,000નો દંડ ફટકારવામાં આવશે અને ત્યારબાદ દરેક ઉલ્લંઘન માટે રૂ. 50,000નો દંડ વસૂલવામાં આવશે. વારંવાર નિયમોનો ભંગ કરતી શાળાઓની માન્યતા કાયમી રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે. ફરિયાદ કરો નામ ગુપ્ત રખાશે વાલીઓની સુવિધા માટે શિક્ષણ વિભાગ દ્વારા ફરિયાદ નિવારણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કોઈ શાળાની ગેરરીતિ અંગે માહિતી મળે તો આધાર પુરાવા સાથે dpeoporbandar@gmail. com અથવા deoporbandar@gmail.c om પર ઇમેઇલ દ્વારા જાણ કરવા અથવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવસિંહજી સરકારી હાઈસ્કૂલની બાજુમાં, પોરબંદર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પંચાયત ભવન ખાતે રૂબરૂ રજૂઆત કરી શકાશે. ફરિયાદ કરનાર વાલી અથવા બાળકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે તેવું જણાવાયું છે.
પોરબંદર જિલ્લામાં અખાત્રીજના દિવસે અનેક વિસ્તારોમાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ લગ્ન પ્રસંગમાં બાળલગ્ન અટકાવવા સમાજ સુરક્ષા વિભાગે તૈયારીઓ શરૂ કરી છે.સમાજ સુરક્ષા વિભાગે જિલ્લાના ત્રણેય તાલુકા સ્તરે બાળલગ્ન રોકવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે પોરબંદર જિલ્લામાં અખાત્રીજના શુભ પ્રસંગે યોજાનારા લગ્નોમાં બાળલગ્ન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે તંત્ર દ્વારા આગોતરા તૈયારી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં બાળકોના સુરક્ષા અને અધિકારોના સંરક્ષણ માટે બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષા વિભાગ સક્રિય રીતે કાર્યરત છે.જિલ્લામાં બાળલગ્ન વિરોધી જાગૃતિ ફેલાવવા માટે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. છતાં પણ ક્યાંય બાળલગ્નની ઘટના સામે આવે તો સંબંધિત કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.પોરબંદર જિલ્લામાં ત્રણેય તાલુકા સ્તરે બાળલગ્ન રોકવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. દરેક તાલુકા મથકે બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષા વિભાગનો સ્ટાફ તહેનાત રહેશે. આ ટીમોમાં લીગલ ઓફિસર, બાળ સુરક્ષા અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, ચિલ્ડ્રન હોમના અધિક્ષક તેમજ ચાઇલ્ડલાઇનના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સંકલિત રીતે કામગીરી કરશે.
ગર્વની વાત:પોરબંદરની સરકારી શાળાની વિદ્યાર્થિની ISRO ની મુલાકાતે જવા પસંદગી પામી
પોરબંદરની સરકારી એમ.કે.ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા, મહેનત અને સંસ્કારોથી શાળાનું નામ રોશન કર્યું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ એટલેકે ઇસ્કોન દ્વારા યોજાયેલ વેલ્યુ એજ્યુકેશન કોન્ટેસ્ટમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 8ની અંકિતા બાપી ભૂયાન, યક્ષ અશોક ભદ્રેચા અને યુક્તિ સ્નેહલ પાંધી જેવા વિદ્યાર્થીઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વેલ્યુ એજ્યુકેશન જેવી સ્પર્ધા વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, શિસ્ત, સંસ્કાર અને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહત્વની વાત એ છે કે, આ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાની વિદ્યાર્થિની અંકિતા બાપી ભૂયાનએ ISROની મુલાકાતનું સૌભાગ્ય પ્રાપ્ત કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સિધ્ધિ બદલ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી વિનોદ પરમાર, શાળાના આચાર્ય ચાણક્ય ભારદ્વાજ તેમજ શાળા પરિવાર દ્વારા અંકિતાને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
વિદાય સમારંભનું આયોજન કરાયું:નવયુગ એજ્યુકેશન સોસાયટીમાં નિવૃત્ત અધ્યાપકોનો ભાવુક વિદાય સમારંભ યોજાયો
પોરબંદરની નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના અધ્યાપકોના નિવૃત્તિ નિમિત્તે શહેરની હોટેલ ખાતે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. કોલેજ પરિવારના પાયા સમાન ડો. વી.ટી. થાનકી, ડો. એ. જે. રોજીવાડિયા અને એ. એમ. હિરાણીના સેવાકાળ પૂર્ણ થતા તેમને ભાવભીનાં વિદાય અપાઈ હતી. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી સંસ્થાના પ્રમુખ સામતભાઈ ઓડેદરા, ટ્રસ્ટી રમાબેન તથા પ્રિન્સિપાલ ડો. બી. એ. જાડેજાનું આગવી રીતે સન્માન કરાયું હતું. ત્યારબાદ નિવૃત્ત થતા અધ્યાપકોને શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ વિભાગોના સહકર્મીઓએ નિવૃત્ત સભ્યોને સ્મૃતિ ભેટ આપી તેમના પ્રત્યેનો લાગણીસભર સ્નેહ વ્યક્ત કર્યો હતો. નિવૃત્ત અધ્યાપકોએ પોતાના સંસ્મરણો વહેંચતા કોલેજ સાથેના વર્ષો જૂના અનુભવો યાદ કરી આભાર વ્યક્ત કર્યો હતો. પ્રિન્સિપાલ ડો. બી. એ. જાડેજાએ નિવૃત્ત અધ્યાપકોની શૈક્ષણિક સેવાઓને બિરદાવી હતી, જ્યારે સંસ્થાના આગેવાનો દ્વારા ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવાઈ હતી.
યાર્ડમાં રવિપાકની આવક:સૌથી વધુ ધાણાની 7000 કિલો આવક થઈ,પ્રતિમણે રૂ.1530 થી 2445 ભાવ બોલાયા
પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાકની આવક જોવા મળી રહી છે.યાર્ડમાં ધાણા, જીરું,મગફળી, ઘઉં અને ચણાની આવક જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ ધાણાની 7000 કિલો આવક થઈ હતી જેનો પ્રતિમણે રૂ.1530 થી 2445 ભાવ ખેડૂતોને મળ્યા હતા પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં ઘટાડો નોંધાયો છે. યાર્ડમાં શનિવારે મગફળીની 2500 કિલો,મેથીની 1500 કિલો,ચણાની 5500 કિલો અને જીરુની 2000 કિલો,ઘાણાની 7000 કિલો,ઘઉંની 5900 કિલો,જુવારની 1000 કિલોની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1170 થી 1305 ભાવ,મેથી રૂ.1300 ભાવ,જીરુના રૂ.3600 થી 4025 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1530 થી 2445 ભાવ અને ચણાના રૂ.1000 થી 1355 ભાવ બોલાયા હતા.યાર્ડમાં શનિવારે ધાણાની આવકમાં વધારો થયો હતો. સિઝન પુરી થતા તમામ જણસીની આવક ઘટી પોરબંદરના યાર્ડમાં શિયાળું પાક તૈયાર થતા યાર્ડમાં ઘાણા, જીરું,ઘઉં સહિતના પાકની મબલક આવક નોંધાઈ રહી હતી ત્યારે હાલ શિયાળું પાકની સિઝન પુરી થતા યાર્ડમાં ઘાણા, જીરું,ઘઉં સહિતના શિયાળું પાકની જણસીની આવક ઘટી છે.
TCS મામલે દેશવ્યાપી વિરોધ:ધાર્મિક રૂપાંતરણમાં જવાબદાર સામે કાર્યવાહી કરો
TCS કંપની સાથે જોડાયેલા ધાર્મિક રૂપાંતરણ અંગેના આક્ષેપોને લઈને આ ઘટનામાં સચોટ તપાસ હાથ ધરી જવાબદાર લોકો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોરબંદરમાં VHP-બજરંગદળ દ્વારા પ્રદર્શન યોજી રાષ્ટ્રપતિને આવેદન પાઠવાયું છે. દેશભરમાં TCS કંપની સાથે જોડાયેલા ધાર્મિક રૂપાંતરણ અંગેના આક્ષેપોને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. તેને અનુસંધાને પોરબંદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પોરબંદર દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ કલેક્ટર મારફતે ભારતના માનનીય રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યો હતો. આવેદનમાં જણાવાયું હતું કે જો આ પ્રકારની ઘટનાઓમાં બળજબરી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાબિત થાય, તો જવાબદાર લોકો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ આવી ઘટનાઓને રોકવા માટે સરકાર દ્વારા વધુ કડક કાયદાકીય વ્યવસ્થા લાવવા માટે પણ માંગ કરવામાં આવી હતી. આ વિરોધ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પોરબંદરના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વેધર રિપોર્ટ:પોરબંદર જિલ્લામાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું
પોરબંદરમાં વાતાવરણમાં ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. મહતમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 21.7 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 49 ટકા પહોંચ્યું છે. પોરબંદરમાં સવારથી રાત સુધી ગરમીનો અનુભવ થાય છે અને બપોરે તો ઉકળાટ અનુભવાઈ છે. જ્યારે મોડી રાત્રે ભેજવાળું વાતાવરણ સર્જાઈ છે. પોરબંદરમાં ગઈકાલે શુક્રવારે મહતમ તાપમાન 34.3 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 22.2 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 44 ટકા નોંધાયું હતું જેની સામે શનિવારે મહતમ તાપમાન 1.4 ડિગ્રી વધીને 35.7 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 21.7 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 5 ટકા વધીને 49 ટકા નોંધ્યુ છે. સૂકો ઉકળાટ ને બદલે ભેજભર્યો ઉકળાટ !પોરબંદરમાં ઉનાળે ભેજનું પ્રમાણ 40 ટકા નોંધાયું છે ત્યારે વધુ ભેજના કારણે થાક, ચામડી સંબંધિત સમસ્યાઓ અને ડિહાઈડ્રેશન જેવા લક્ષણો જોવા મળી શકે છે. તબીબો દ્વારા લોકોને પૂરતું પાણી પીવા, હલકા કપડા પહેરવા અને બપોરના તાપમાં બહાર જવાનું ટાળવા સલાહ આપવામાં આવી રહી છે.
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય,પેટા ચુંટણીઓ એપ્રિલ-2026 દરમિયાન મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્તારોમાં તા.26/04/2026 ના રોજ અડચણ થતી અટકાવવા તથા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જાહેરનામાં અનુસાર ચૂંટણીમાં મતાધિકાર ઉપયોગ કરનાર તમામ મતદારોએ જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્થાન પાસે એક લાઇનમાં ઉભા રહેવું અને જો સ્ત્રીઓ માટે જુદી લાઇન હોય તો તેમાં તેણીએ ઉભા રહેવું. મતદારે મતદાન મથકમાં લાઇન મુજબ પોતાના વારા પ્રમાણે એક પછી એક દાખલ થવું અને મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તારમાંથી ચાલ્યા જવું.આ હુકમ તા.26/04/2026 ના રોજ મતદાન પુર્ણ થતાં સુધી તથા જો પુન: મતદાનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા કિસ્સામાં તા.27/04/2026 ના રોજ મતદાન પુર્ણ થતાં સુધી અમલમાં રહેશે.
જિલ્લા કમાન્ડન્ટે આપી ચેતવણી:ચુંટણી દરમિયાન હોમગાર્ડઝને ફરજ પર હાજર રહેવા સૂચના
આગામી તા. 26-04-2026ના રોજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકાની ચુંટણીઓ યોજાનાર હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા હોમગાર્ડઝને તૈનાત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે જિલ્લા કમાન્ડન્ટ જે.એન. જોષી દ્વારા તમામ હોમગાર્ડઝ સભ્યોને ફરજ પર અનિવાર્ય રીતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ચુંટણી દરમિયાન શાંતિપૂર્ણ અને પારદર્શક માહોલ જળવાઈ રહે તે માટે હોમગાર્ડઝની મહત્વપૂર્ણ ભૂમિકા રહેતી હોય છે. તેથી તમામ સભ્યોને પોતાની ફરજ પ્રત્યે સજાગ રહી નિયત સ્થળે સમયસર હાજર રહેવા જણાવ્યું છે. જિલ્લા કમાન્ડન્ટે વધુમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો કોઈ સભ્ય ફરજમાં બેદરકારી દાખવશે અથવા ગેરહાજર રહેશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેથી તમામ હોમગાર્ડઝ સભ્યોએ આ સૂચનાની ગંભીરતાથી નોંધ લેવા જણાવ્યું છે.
આપઘાતનો મામલો:રાણા રોજીવાડા ગામે વૃધ્ધે ગળે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
પોરબંદરના રાણા રોજીવાડા ગામે પ્રાથમિક શાળાની પાસે રહેતા એક વૃધ્ધે મોટી ઉમર અને માનસિક સ્થિતિ સારી ન રહેતી હોવાથી ગળે ફાંસો ખાઈ લેતા વૃધ્ધનું મોત નીપજ્યું છે. પોરબંદરના રાણા રોજીવાડા ગામે પ્રાથમિક શાળાની પાસે રહેતા દેવશીભાઇ અરશીભાઇ સોલંકી નામના 82 વર્ષીય વૃધ્ધે ગત તા.17/4ના રોજ પોતાના મકાનમાં ગળે ફાંસો લાઇ આપઘાત કરી લીધો હતો. આ વૃધ્ધની મોટી ઉંમર હોય અને માનસિક સ્થિતિ સારી ન હોય જેથી વૃધ્ધે ગળે ફાંસો ખાઈ લેતા તેમનું મોત થયું હોવાનું મનસુખ દેવશીભાઇ સોલંકીએ પોલીસ ચોપડે જાહેર કરતા, પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની કાર્યવાહી બગવદર પોલીસ ચલાવી રહી છે.
પેન્શનધારકોને અપીલ:પેન્શનરો માટે હયાતીની ખરાઈ મે થી જુલાઈ માસ દરમ્યાન કરી લેવી
પોરબંદરની જિલ્લા તિજોરી શાખા દ્વારા જિલ્લામાં પેન્શનરો માટે હયાતીની ખરાઈ મે થી જુલાઈ માસ દરમ્યાન કરવા સૂચના આપવામાં આવી છે. પેન્શન ધારકોને દર વર્ષે હયાતીની ખરાઈ કરવી ફરજીયાત છે. પોરબંદર જિલ્લા તિજોરી કચેરી દ્વારા IRLA યોજના હેઠળ પેન્શન મેળવનાર રાજ્ય સરકારના પેન્શનરોને દર નાણાંકીય વર્ષ મુજબ પોતાની હયાતીની ખરાઈ કરવા સૂચના આપવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2026-27 માટે પેન્શનરોએ તેઓ પેન્શન મેળવે છે તે સંબંધિત બેંકમાં મે, જૂન અને જુલાઈ મહિના દરમ્યાન હયાતી ખરાઈ કરાવવાની રહેશે. આ ઉપરાંત, રાજ્ય સરકારની સૂચના મુજબ પેન્શનરો પોસ્ટ મારફતે વિનામૂલ્યે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) જનરેટ કરીને પણ પોતાની હયાતી ખરાઈ કરાવી શકશે.ત્યારે પેન્શન યોજના હેઠળ લાભ લેવા આ કામગીરી ફરજિયાત કરવા સૂચના આપવામાં આવી છે.
મોડાસા પાલિકા દ્વારા બાયપાસ પાસે લાખોના ખર્ચે બનાવેલો મેરેજ હોલ શોભાના ગાંઠીયા સમાન બન્યો છે. આ ભવન નજીક નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈટનો કચરો ઠાલવતાં આ સ્થળની આસપાસ વાતાવરણ દુર્ગંધ મારી રહ્યું હોવાથી એક પણ દિવસ મેરેજ હોલનો કોઈએ ઉપયોગ ન કર્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. મોડાસાના સ્થાનિક જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે લાખોના ખર્ચે બનેલો આ આલીશાન હોલ તૈયાર થયો ત્યારે આ મેરેજ હોલ પ્રજા માટે આશીર્વાદ સમાન બનશે તેથી લોકોમાં ખુશી જોવા મળી હતી. ઉદ્ઘાટન બાદ એક પણ દિવસ કોઈ નાગરિક દ્વારા ભાડે કે અન્ય સામાજિક પ્રસંગ માટે આ હોલ ઉપયોગમાં લેવાયો નથી. આ મામલે પ્રજાના હિતમાં મોડાસા શહેર પ્રમુખ રાહુલભાઈ પટેલ અને પ્રમુખ અરૂણભાઇ પટેલે નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા ડમ્પિંગ સાઇટનો યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
કામગીરી:ભીમરાણાના બુટલેગરો સામે પાસાની કાર્યવાહી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા દેવભૂમિ દ્વારકા એલ.સી.બી. દ્વારા અસામાજિક તત્વો અને બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષી અને પો.સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી દ્વારા ટોચના ગુનેગારોના ગુનાહિત ઇતિહાસનું વિશ્લેષણ કરી ભીમરાણા ગામના મયુરસિંહ ઉર્ફે પાકલ મનુભા જાડેજા અને દિલીપસિંહ વિરાજી જાડેજા વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી. આ દરખાસ્તના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર રાજેશ એમ. તન્નાએ કેસનો વિગતવાર અભ્યાસ કરીને બંને ઇસમો વિરુદ્ધ પાસા હેઠળ અટકાયત વોરંટ જાહેર કર્યા હતા.એલ.સી.બી. ટીમે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પકડાયેલા મયુરસિંહ જાડેજાને સાબરમતી સેન્ટ્રલ જેલ, અમદાવાદ અને દિલીપસિંહ જાડેજાને જિલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલવામાં આવ્યા છે. જિલ્લામાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પ્રશાસન દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
પાણીની સમસ્યા બની વિકટ:મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડો ખેડૂત એકતા મંચની કલેક્ટરને રજૂઆત
શામળાજીની મેશ્વો નદીમાં પાણી સૂકાઈ જતાં મોડાસા તાલુકાના મેશ્વો નદી કાંઠાના 14 કરતાં વધુ ગામડાઓ અને ભિલોડા તેમજ શામળાજી તાલુકાના નદી કાંઠાના 15 કરતાં વધુ ગામડાના લોકોને અને પશુ પંખીઓને પીવાના પાણી માટે વિકટ સમસ્યા ઉભી થઈ છે. ભિલોડા તાલુકા ખેડૂત એકતા મંચના પ્રમુખ રાહુલકુમાર સુરજીભાઈ ગામેતીએ જણાવ્યું હતું કે નદીમાં પાણી સૂકાઈ જવાના કારણે આસપાસના ગામડાઓમાં પાણીના તળ નીચા જતાં પાણીની વિકટ સમસ્યાનું નિર્માણ થયું છે. સિંચાઈ વિભાગ દ્વારા સત્વરે પાણી છોડવામાં આવે તે માટે કલેકટરને લેખિતમાં રજૂઆત કરાઇ છે. ખેડૂત એકતા મંચના પ્રમુખ રાહુલભાઈ ગામેતીએ જણાવ્યું હતું કે શામળાજીના મેશ્વો જળાશયમાં 60 ટકા કરતાં વધુ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે. બીજી બાજુ હાલ ચાલી રહેલી ઉનાળાની ઋતુમાં મેશ્વો નદીમાં પાણી સૂકાઈ જતાં નદી કાંઠાના બેચરપુરા રૂદરડી ભવાનપુર શામળપુર ખારી મેરાવાળા નાપડા નાપડા (ખા) ખેરંચા સોડપુર અસાલ વાદીયોલ ખીલોડા અને બ્રહ્મપુરી અને મોડાસા તાલુકાના 14 કરતાં વધુ ગામડાઓના લોકો માટે પાણીની વિકટ સમસ્યાનું નિર્માણ થયું છે. નદીમાં પાણી સૂકાઈ જવાના કારણે આસપાસના ગામડાઓમાં બોર કૂવામાં પાણીના તળ નીચા જતાં માનવ સહિત પશુ પંખીઓ માટે પાણીની સમસ્યાનું નિર્માણ થયું છે. બીજી બાજુ બોરકૂવામાં પાણીના તળ નીચા જતાં પશુપાલકોને લીલા ઘાસચારા માટે પણ મોટી સમસ્યાનું નિર્માણ થયું છે.
ઉનાવાની સમરાથલ હોટલમાંથી 4 મહિના પૂર્વે જપ્ત કરેલ ફટકડી જેવો શંકાસ્પદ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલતાં હોટલ સંચાલક બે ભાઈઓ સામે ગુનો નોંધી, એકની ધરપકડ કરી છે. મહેસાણા એસઓજીની ટીમે 18 ડિસેમ્બર 2025ના રોજ ઉનાવા હાઇવે પરની સમરાથલ હોટલમાં રેડ કરી, બે પ્લાસ્ટિકની થેલીમાંથી સફેદ કલરનો શંકાસ્પદ પાવડર પકડ્યો હતો. તે સમયે એફએસએલએ પ્રાથમિક તપાસ બાદ સેમ્પલ લઈ ગાંધીનગર એફએસએલમાં પરીક્ષણ અર્થે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતાં આ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખૂલ્યું હતું. જેને પગલે ઉનાવા પોલીસે હોટલ ચલાવનાર ચૌધરી (ગોદારા) ગમડારામ ખેતારામ (રહે. સોડિયાર ગોદારા કી ઢાણી, જિ.બાડમેર)ની ધરપકડ કરી હતી. જ્યારે ડ્રગ્સનો જથ્થો લાવનાર તેના ભાઈ સતારામ ખેતારામ ચૌધરીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સવા 2 ડિગ્રી ઉછાળા સાથે પારો 41 પાર:મહેસાણા 41.9 ડિગ્રીએ તપ્યું, ગરમ પવનોથી જનજીવન અકળાયું
ઉત્તર ગુજરાતમાં શનિવારે ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બન્યો હતો. સવા બે ડિગ્રીના વધારા સાથે મુખ્ય પાંચ શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર પહોંચી ગયું હતું. હિંમતનગર, પાટણ અને મોડાસામાં પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે મહેસાણામાં 40.9 ડિગ્રી નોંધાયું હતું. દિવસભર ફૂંકાયેલા ગરમ પવનોથી લોકો અકળાયા હતા. કાળઝાળ ગરમી અને સરેરાશ 9 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ગરમ લાહ્ય પવનના કારણે બપોર દરમિયાન રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી ગઈ હતી. બજારોમાં પણ સામાન્ય દિવસોની સરખામણીએ ભીડ ઓછી જોવા મળી હતી. લોકો ગરમીથી બચવા ઠંડા પીણા, કૂલર અને એસીનો સહારો લેતા નજરે પડ્યા હતા. હજુ બે દિવસ ગરમી રહેશેહવામાન વિભાગ મુજબ રવિવારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે મહેસાણામાં અંશત: વાદળાં રહી શકે છે. જોકે વરસાદની કોઈ શક્યતા નથી, એટલે ગરમીમાંથી તાત્કાલિક રાહત મળવાની શક્યતા ઓછી છે.બે દિવસ પછી ઘટી શકે છે.
ઉત્સવ:નવા સૂરજદેવળ ખાતે કાઠી ક્ષત્રિય સમાજના સાડા ત્રણ દિ''ના ઉપવાસ
ઐતિહાસિક પાંચાળ પંથકની પવિત્ર ધરતી પર આવેલા ‘શ્રી નવા સૂરજદેવળ ધામ-દેવસર’ ખાતે સમગ્ર કાઠી દરબાર સમાજ પોતાના પૂર્વજોના અભૂતપૂર્વ શોર્ય,તેજ,ત્યાગ અને બલીદાનની યાદમાં દર વર્ષે સાડા ત્રણ દિવસનાં ઉપવાસ કરે છે ત્યારે ચાલું વર્ષે ભવ્ય દિવ્ય રીતે આ ઉપવાસ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના ને લઈ બોટાદ જિલ્લા કાઠી દરબાર સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત રાખવામાં આવી છે. આ સૂર્ય ઉપવાસનું પર્વ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ કાઠી ક્ષત્રિય સમાજના શૌર્ય, બલીદાન અને સમર્પણનું પ્રતીક છે. ઈતિહાસ મુજબ,વર્ષ 1690-91માં મુઘલ સામ્રાજય દરમિયાન ઔરંગઝેબ અને તેના સેનાપતિ સુજાત ખાંએ જૂના સૂરજદેવળ પર હુમલો કર્યો હતો. સૂરજ દેવળ મંદિરની રક્ષા કાજે કાઠી વીરોએ સાડા ત્રણ દિવસ સુધી ભયંકર યુદ્ધ કરી દેહના બલિદાન આપી દાદાની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કર્યાં હતાં આ વીરોની સ્મૃતિમાં આજે પણ કાઠી સમાજ ના યુવાનો વૈશાખ સુદ એકમથી ચોથ સુધી કઠિન ઉપ વાસ કરી પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધા પ્રગટ કરે છે. છેલ્લા 300 કરતા વધુ વર્ષથી આ પરંપરા આજ દિન સુધી અવિરત જળવાયેલી છે. આ વર્ષે આ પર્વ વધું ઐતિહાસિક બની રહેશે કેમ કે, સૂર્યદેવના પરમ ઉપાસક અને નવા સૂરજદેવળ મંદિરને 1800 વીઘા જમીન અર્પણ કરનાર દિલેર દાતા એવા ચોટીલા તાલુકદાર દરબાર રાણીંગબાપુ ખાચરની ભવ્ય પ્રતિમાનું અના વરણ કરવામાં આવશે. જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ચોટીલાના તાલુકદાર દરબાર રાણીંગ બાપુ ખાચરે મંદિરના ઉત્કર્ષ માટે 1800 વીઘા જમીન દાનમાં આપી હતી. તેમની આ ઉદારતા અને ભક્તિને યાદ કરી, દરબાર વિકુભાઈ દાદાબાપુ ખાચર દ્વારા તેમની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. દુધરેજ ધામના મહંત કનીરામદાસજી મહારાજના હસ્તે રાણીંગ બાપુની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
પાલિકાની ચૂંટણી:પાલનપુર પાલિકાના 11 વોર્ડમાં 13 અપક્ષ મેદાને, વોર્ડ-2 અને 6માં ત્રિપાંખિયા જંગ
પાલનપુર પાલિકાના 11 વોર્ડના 40 સભ્યોની ચૂંટણીમાં કેટલાક વોર્ડમાં ચૂંટણી જંગ જામવા લાગ્યો છે જેમાં લઘુમતી વિસ્તાર ધરાવતા વોર્ડ નંબર 4માં સૌથી વધુ 16 ઉમેદવારો વચ્ચે અને વોર્ડ નંબર 1 અને 10માં સોથી ઓછા માત્ર 4-4 ઉમેદવારો વચ્ચે મુકાબલો યોજાય રહ્યો છે જ્યારે વોર્ડ નંબર 6માં ભાજપથી નારાજ માતા પુત્ર પણ આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. શહેરના 11 વોર્ડમાં 13 અપક્ષ ચૂંટણી લડી સાથી ઉમેદવારોની ચિંતામાં વધારો કરી દીધો છે.વોર્ડ 10માં ભાજપથી નારાજ અપક્ષે કોંગ્રેસી ઉમેદવાર સાથે ગઠબંધન કરી દીધું છે. પાલનપુર નગરપાલિકાની ચૂંટણીના ભાજપના નો રિપીટ થીયરીને લઇ ટિકિટ કપાઈ જવાના કારણે ભાજપના કેટલાક પૂર્વ નગરસેવકો નારાજ છે જ્યારે કોંગ્રેસના ફોર્મ ભરાવ્યા બાદ મેન્ડેટ ન મળવાને લઇ કેટલાક દાવેદારોમાં અસંતોષ છે. જ્યારે વોર્ડ 10માં કોંગ્રેસને બે ઉમેદવારો ન મળતા ભાજપના બે ઉમેદવાર બિનહરીફ, વોર્ડ નંબર 3માં કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ થતા અહીં ભાજપના એક મહિલા ઉમેદવાર અને વોર્ડ નંબર 1માં કોંગ્રેસ ત્રણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા એક ઉમેદવાર બિનહરીફ થતા ચૂંટણી પૂર્વ ભાજપના ફાળે 4 બેઠક આવી છે. જોકે, વોર્ડ નંબર 4માં ભાજપ,કોંગ્રેસ આપ અને અપક્ષ મળી એક સાથે 16 ઉમેદવારો વચ્ચે જંગ છે. જ્યારે વોર્ડ નંબર 10માં ભાજપના બે ઉમેદવારનો એક ભાજપના નારાજ દાવેદારના સમર્થક અપક્ષ અને કોંગ્રેસના એક ઉમેદવાર વચ્ચે મુકાબલો યોજાય રહ્યો છે. અહીં મહિલા અપક્ષ ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારે ગઠબંધન કરી દીધું છે. જ્યારે વોર્ડ નંબર 6માં ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ અશોક ઠાકોરના પત્ની અને પુત્ર અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. 11 વોર્ડના ડેટા મુજબ, આ વખતે કુલ 13 અપક્ષ ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ રસાકસી વોર્ડ 2 અને વોર્ડ 6માં જોવા મળી રહી છે, જ્યાં 3-3 અપક્ષો મેદાને હોવાથી મુખ્ય પક્ષોના મતોના સમીકરણો ખોરવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. બીજી તરફ, વોર્ડ 1, 7 અને 8માં એક પણ અપક્ષ ઉમેદવાર ન હોવાથી ત્યાં રાજકીય પક્ષો વચ્ચે સીધો જંગ જામશે. વોર્ડ 5માં 2 અપક્ષો છે, જ્યારે બાકીના 5 વોર્ડમાં 1-1 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ખાસ કરીને જ્યાં ત્રિપાંખિયો જંગ છે ત્યાં અપક્ષો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. મતોના વિભાજનને રોકવા માટે હવે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવવું પડશે.
સેમિનાર:ગાયનેકોલોજિસ્ટે મહિલાઓને HPVની રસીનું મહત્વ સમજાવ્યુંઃ 90 થી વધુ બહેને લીધો લાભ
સુરેન્દ્રનગરના ઈસ્માઈલી ખોજા સમાજ દ્વારા મહિલાઓના આરોગ્ય પ્રત્યે ગંભીરતા દાખવી એક પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 90 થી વધુ મહિલાઓ અને કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ખાસ કરીને સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) પ્રત્યે જાગૃતિ અને તેના નિવારણ માટેની HPV વેક્સિન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આજના સમયમાં જ્યારે કેન્સર જેવી બીમારીઓ વધી રહી છે, ત્યારે સામાજિક સ્તરે આવા જાગૃતિ કાર્યક્રમો આશીર્વાદરૂપ સાબિત થાય છે. આવા જાગૃતિ કાર્યક્રમોથી સરકારના સ્વાસ્થ્ય અભિયાનોને સીધો વેગ મળે છે. સરકારના HPV વેક્સિનેશન મિશન પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધે છે. સમાજની લાયક બાળકીઓ રસીકરણનો લાભ લે તે માટે વાલીઓ જાગૃત થયા. જાગૃતિ અને રસીકરણના સમન્વયથી કેન્સર મુક્તનું લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે. ઈસ્માઈલી ખોજા સમાજની આ પહેલ અન્ય તમામ સમાજો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સામાજિક સ્તરે જ્યારે આવા આયોજનો થાય છે, ત્યારે લોકોમાં રહેલો સંકોચ દૂર થાય છે. આ સેમિનારમાં લોકોએ ભાગ લીધો હતો અને પ્રશ્નોત્તરી દ્વારા શંકાઓનું સમાધાન કર્યું હતું. કાર્યક્રમના અંતે સમાજના આગેવાનોએ ડૉ. આર્વી સોનીનો આભાર વ્યક્ત કર્યો હતો. વેક્સિન દ્વારા કેન્સર અટકાવી શકાય છે સર્વાઇકલ કેન્સરના લક્ષણો, તેના કારણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે ઊંડાણપૂર્વક આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિક માહિતી આપી હતી. સર્વાઇકલ કેન્સર એ એકમાત્ર એવું કેન્સર છે જેને વેક્સિન દ્વારા અટકાવી શકાય છે. વહેલા નિદાન અને રસીકરણ દ્વારા આપણે આપણી દીકરીઓને ભવિષ્યના જોખમો સામે સુરક્ષિત કરી શકીએ છીએ. - ડૉ. આર્વી સોની, ગાયનેકોલોજિસ્ટ, સવા હોસ્પિટલ
તસ્કરી:સાયલામાં 10 તોલા સોનુ અને 500 ગ્રામ ચાંદીની ચોરી
સાયલાના આંબેડકર નગરમાં રહેતા શ્રમજીવી વિનુભાઈ હમીરભાઈ અઘારા પોતાના પરિવાર સાથે શુક્રવારની રાત્રીએ પોતાના ઘેર ગરમીના દિવસોને કારણે બહાર ઓસરીમાં સુતા હતા. આ દરમિયાન મોડી રાત્રે પોતાના ઘરના રૂમની બારી તોડીને ચોરી કરવાના ઇરાદે રૂમમાં શખસોએ પ્રવેશ કર્યો હતો. ચોરી કરનાર શખસોએ રૂમની અંદર રહેલા અનાજ ફરવાના પીપળામાં રહેલા કિંમતી સોનાના બુટ્ટી બુટીયા ચેન લોકેટ સહિત 10 તોલા સોનુ અને 500 ગ્રામ જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બાબતે પરિવારજનોને જાણ થતા પરિવારજનો હેબતાઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે વિનુભાઈના ઘેર દોડી જઈને ચોરી કરનારનું પગેરું શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ બાબતે કોઈ નક્કર સગડ ન મળતા સાયલા પીઆઇ વાય.જી.ઉપાધ્યાય અને પોલીસ કર્મીઓએ આજુબાજુના સીસીટીવી કેમેરા જોવાની અને ડોગ્સ કોડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ શ્રમજીવી પરિવારના બે દીકરાઓની પરણીતાના ઘરેણા અને દીકરી માટે બનાવેલા દાગીના તસ્કરો ચોરી કરીને લઈ જતા પરિવાર માટે આભ તૂટી પડ્યાની ઘટના બની છે.
દેશમાં હેરિટેજ વારસાની સાચવણી વધારાઇ રહી છે ત્યારે વઢવાણમાં ઐતિહાસિક વિરાસતો વેરાન બની છે. વઢવાણની ફરતે 2614 મીટર લાંબો અને 3 મીટર પહોળો કિલ્લો ઠેર ઠેર તુટી રહયો છે. જયારે ઐતિહાસિક કિલ્લાના અમર વારસાની યાદ અપાવતા રાણકદેવી મંદિર, વાવો અને હવામહેલની જાળવણી ન થતાં વારસો પોતે જ ઇતિહાસ બની જાય તેમ છે. વઢવાણ શહેરનો કિલ્લો (ગઢ) રાજધાનીના કિલ્લા તરીકે ઇ.સ.1084માં ચણાયો હતો. વઢવાણ શહેર વિષમ લંબચોરસ આકારમાં પથરાયેલું હોઇ અહીં સાત દરવાજા અને એક બારી આવેલી છે. વઢવાણના કિલ્લાની કુલ લંબાઇ આશરે 2614 મીટર છે. આ કિલ્લાની દીવાલનો પાયો આશરે 7થી8 મીટર ઉંડો છે.આ કિલ્લાની દિવાલની જાડાઇ 3 મીટર છે. આ કિલ્લા ઉપર રણગાડી, તોપગાડી અને માલસામાન ની હેરફેર થઇ શકે તેવો રસ્તો છે. વઢવાણના ઐતિહાસિક કિલ્લા ઉપર કુલ 7 કોઠા બનાવવામાં આવ્યા છે. દરેક કોઠો 11 મીટરની પહોળાઇ ધરાવે છે. દરેક કોઠા ઉપર તોપો રાખવામાં આવતી હતી.જે અનેક આક્રમણો અને બંદુકોની સામે પણ અડીખમ છે. આ અંગે વઢવાણ અસ્મિતા મંચના આગેવાનોએ જણાવ્યુ કે જાજરમાન એૈતિહાસિક ગઢ વઢવાણ વાસીઓ માટે માતાની ગોદ જેટલો વ્હાલો છે. આ ગઢ હાલ ઠેર ઠેર તુટી ગયો છે. ધોળીપોળ, બારી રોડ, ખાંડીપોળ વિસ્તારમાં ગઢના કાંગરા ખર્યા છે. વઢવાણના કિલ્લાની કોઇ સારસંભાળ કે જાળવણી ન થતાં હવે ગઢ મૃત:પાય હાલતમાં છે. રાણક દેવી સહિતના પુરાતન સ્થાપત્યોને નુકશાનહેરિટેજની ઉજવણી થઇ રહી છે ત્યારે વઢવાણ નગરના પુરાતન સ્થાપત્યો વિસરાઇ રહ્યા છે. સતી રાણકદેવીના મંદિરને નુકશાન થયુ છે.પાયરો હવા કે પવનના કારણે ખાવાઇ ગયો છે.જ્યારે માધાવાવ, ગંગાવાવ, લાખુવાવને પણ સ્વચ્છતા અભિયાન માંગી રહ્યું છે. હવા મહેલનું કોઇ ધણીધોરી ન હોય તેમ લાગી રહ્યું છે.ત્યારે તંત્ર તેની મરામત કરવી જોઇએ તેવી સ્થાનિકોની માગ છે. ગઢ ફરતે 7 દરવાજા અને એક બારી વઢવાણ નગરની ફરતે ઐતિહાસિક ગઢ જેમાં પૂર્વ તરફ પ્રવેશદ્વારે દરવાજો શિયાણીની પોળમાં છે. દક્ષિણ તરફ ખારવાની પોળનો ત્રણ કમાન વાળો દરવાજો છે. પશ્ચિમ તરફ લાખુ પોળનો ચાર ત્રણ કમાનવાળો દરવાજો છે. પશ્ચિમે ખાંડી પોળ, ઉતર દિશાએ ધોળીપોળનો દરવાજો છે. પુર્વાભિમુખ તરફ નવો દરવાજો છે આ તમામ દરવાજાની અંદર અને બાજુએ રક્ષકીની રહી શહેર તેવી દોઢી (ખાંચા)છે. આ દરવાજો પણ ધીમે ધીમ તુટવાનો પ્રારંભ થઇ રહ્યો છે.
વાતાવરણ:આજે 42 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર
ગુજરાતમાં ગરમી ચરમ સીમાએ આવી ગઈ છે. ત્યારે શનિવારે સુરેન્દ્રનગરમાં ગરમીનું તાપમાન 42 ડિગ્રીએ પહોંચતા સુરેન્દ્રનગર શહેર ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ત્યારે સમી સાંજે પણ સૂર્ય દેવતાં જાણે અગન જ્વાળા પાથરતા હોય એવુ રિવરફ્રન્ટના બ્રિજ પર જોવા મળ્યું હતું. આમ શહેરીજનો બપોરના અસહ્ય તડકાં બાદ સાંજે પોતાના કામકાજે જવા ભીડ જામી હતી.
પાર્કિંગના નિયમોનો ખુલ્લેઆમ ભંગ:પાલનપુર બસપોર્ટની બહાર વાહનોના જમાવડાથી બસોને નીકળવામાં મુશ્કેલી
પાલનપુર બસ પોર્ટની અંદરથી અંબાજી તરફ જતી બસોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. બસપોર્ટની આસપાસના 200 મીટર વિસ્તારમાં ખાનગી વાહનોનો જમાવડો થતાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. નો-પાર્કિંગ ઝોન હોવા છતાં બોર્ડ આગળ જ વાહનો પાર્ક થતાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. પાલનપુરનું બસપોર્ટની અંદરથી નીકળીને અંબાજી તરફ જતી બસોને બહાર નીકળતી વખતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બસપોર્ટના એક્ઝિટ ગેટ પાસે જ ખાનગી વાહનો અને રીક્ષાઓનો અડિંગો હોવાથી એસ.ટી. ડ્રાઈવરો માટે બસ વળાંક લેવી પણ મુશ્કેલ બની ગઈ છે. અહીં જે જગ્યાએ વહીવટી તંત્ર દ્વારા નો-પાર્કિંગ ઝોન હોવાના બોર્ડ લગાવ્યા છે, એ જ બોર્ડની નીચે ખાનગી ટુ-વ્હીલર પાર્ક કરાય છે. નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. બસપોર્ટની આસપાસના 200 મીટરના વિસ્તારમાં વાહનોનો જમાવડો હોવાથી અવારનવાર અકસ્માતનો ભય રહે છે. અને બસોને બહાર નીકળવામાં જ 1 થી 15 મિનિટનો સમય વેડફાય છે, જેના કારણે મુસાફરો નિર્ધારિત સમયે પહોંચી શકતા નથી. સ્થાનિક રહીશો અને એસ.ટી.કર્મીઓની માંગ છે કે,બસપોર્ટની આસપાસના 200 મીટરના વિસ્તારને સત્વરે ક્લીયર ઝોન જાહેર કરી, નિયમ તોડનારા વાહનચાલકો સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે.
ફરિયાદ:ડેમમાંથી મોરમ કાઢી રહેલા યુવાનને ચાર શખ્સની ધમકી
ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ પ્રકાશભાઈ ઘાવડા નામના યુવાન સાથે બનેલી ધમકી અને ગેરકાયદેસર દખલની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેન્દ્રભાઈ ને ખંભાળિયા ખાતેના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા નાના માંઢા ગામ નજીક આવેલા ડેમમાંથી કાંપ-મોરમ ઉપાડવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરીના આધારે તેઓ સ્થળ પર કાયદેસર રીતે કામગીરી કરી રહ્યા હતા. પરંતુ કામ દરમિયાન અચાનક જુમ્મા અલારખા ખફી, ખાલીદ અયુબ સંઘાર, ઈબ્રાહીમ ઈસ્માઈલ સંઘાર અને મામદ કાસમ સંઘાર નામના ચાર શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ મળીને મહેન્દ્રભાઈને કામ બંધ કરવા મજબૂર કર્યા હતા અને સ્થળ પર જ બિભત્સ ગાળો આપી અશાંતિનું વાતાવરણ ઊભું કર્યું હતું. ફરિયાદ મુજબ, આરોપીઓએ મહેન્દ્રભાઈને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી હતી. એટલું જ નહીં, તેઓને પોલીસ ફરિયાદ કરવા જતાં રોકવાનો પ્રયાસ કરી દબાણ પણ કર્યું હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર બનાવને લઈને મહેન્દ્રભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે બનાવની તમામ દિશામાં પણ તપાસ શરૂ થઈ છે.
બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની આજે 19 એપ્રિલના રોજ યોજાનારી વાર્ષિક સાધારણ સભા પૂર્વે જ મોટો વિવાદ સર્જાયો છે. મંડળીના જાગૃત સભાસદોએ ચેરમેન અને મેનેજર સામે વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો સાથે લેખિત રજૂઆતોનો મારો ચલાવ્યો છે. સભાસદ અભેરાજભાઈ ચૌધરીએ લેખિત આક્ષેપ કર્યો છે કે નિયમ મુજબ મંડળીએ તેની કુલ મૂડીના 40% એટલે કે રૂ.15 કરોડ જેટલી રકમ બાંધી મુદતની થાપણમાં રોકવાની હોય છે. તેના બદલે મંડળી પાસે લિક્વિડ એસેટ તરીકે માત્ર રૂ.12.40 લાખ જ છે. થાપણ વ્યાજ પેટે રૂ.2.21 કરોડ ચૂકવવાના છે તેની સામે બેંક સિલક પણ પૂરતી નથી, જે મંડળીની નબળી આર્થિક સ્થિતિ અને ગેરવહીવટ દર્શાવે છે. સભાસદ ગણેશભાઈ પટેલે ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે કે જ્યારે સભાસદો પાસેથી વર્ષે રૂ.34 કરોડથી વધુની વસૂલાત નિયમિત આવતી હોય, ત્યારે રૂ.20.51 કરોડનો સી.સી. ઉપાડ કરવાની જરૂર શું હતી? આ ઉપાડના કારણે મંડળીએ રૂ.13.78 લાખથી વધુનું વ્યાજ ચૂકવવું પડ્યું છે. વધુમાં, સહકારી કાયદા હેઠળ નોંધાયેલી બેંકને બદલે અન્ય બેંકમાંથી લોન લેવા માટે મંડળીની મિલકતો ગીરે મૂકવામાં આવી છે, જે સભાસદોના હિતને નુકસાન પહોંચાડે છે. મંડળીના ઉપાડના કારણે મંડળીએ રૂ.13.78 લાખથી વધુનું વ્યાજ ચૂકવવું પડ્યું છે. વધુમાં, સહકારી કાયદા હેઠળ નોંધાયેલી બેંકને બદલે અન્ય બેંકમાંથી લોન લેવા માટે મંડળીની મિલકતો ગીરે મૂકવામાં આવી છે, જે હિતને નુકસાન પહોંચાડે છે. ગત વર્ષે બોનસ વિતરણ ખર્ચ રૂ.35,700 હતો, જે આ વર્ષે વધીને રૂ.1,21,250 થઈ ગયો છે. તેવી જ રીતે પ્રિન્ટિંગ ખર્ચ રૂ.1.79 લાખ અને જાહેરાત ખર્ચ રૂ.70,590 બતાવાયો છે. સભાસદ મહેશકુમાર પ્રજાપતિએ પ્રશ્ન કર્યો છે કે જ્યારે ધિરાણ સુરક્ષિત છે, ત્યારે ''''ધિરાણ રિકવરી ખર્ચ SAS'''' પેટે રૂ.3.75 લાખ શા માટે ખર્ચવામાં આવ્યા?. હિસાબો મુજબ કર્મચારીઓના પગાર પેટે રૂ.3,00,960 ખર્ચાયા છે, પરંતુ તે સિવાય કર્મચારી મહેનતાણાના નામે રૂ.12,48,000 ઉધારાય છે.
પાલનપુર પાલિકા ચૂંટણી:સૌથી મોટો વોર્ડ નં 8માં લડબી નદીનું પ્રદૂષણ
પાલનપુર નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડ નં.8માં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. પાણી, રસ્તા, સફાઈ અને લડબી નદીના પ્રદૂષણ જેવા પ્રશ્નો હજી યથાવત્ છે. સૌથી વધુ કફોડી સ્થિતિ લડબી નદીના વહેણની છે. તમામ વિસ્તારોના ગંદા પાણી અહીં નિકાલ કરવામાં આવે છે. અત્યંત પ્રદૂષિત માહોલથી કંટાળેલા મતદારોમાં નારાજગી છે. પાલનપુર પાલિકાની ચૂંટણીને પગલે વોર્ડ નં. 8 રાજકીય રીતે મહત્વપૂર્ણ છે, લગભગ 11,082 મતદારો ધરાવતા શહેરના સૌથી મોટા વોર્ડમાં દેવપુરા, જોડનાપુરા અને ડીસા હાઈવે સુધીના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. આ વોર્ડ લંબાઈની દ્રષ્ટિએ પણ બહુ લાંબો છે. વિકાસના દાવાઓ છતાં અહીં સફાઈ, રસ્તાઓ અને પ્રદૂષિત નાળા જેવી સમસ્યાઓ યથાવત્ છે. ખાસ કરીને ધરોઈ ડેમનું પાણી સમયસર ન મળતા અનેક વિસ્તારોમાં દર બીજા દિવસે એકવાર પાણી મળવાની ફરિયાદો છે. બિસ્માર રસ્તાઓ, ગંદકી અને નબળી સફાઈ વ્યવસ્થાને કારણે લોકો ત્રસ્ત છે. ચોમાસામાં ગંદુ પાણી ઘરોમાં ઘૂસી જવાથી આરોગ્ય જોખમ ઊભું થાય છે. મત લીધા પછી નેતાઓ મોઢું બતાવતા નથી. સમસ્યાઓ ઠેરની ઠેર સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી પછી નગરસેવકો પ્રજાથી દૂર થઈ જાય છે અને સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. કેટલાક રહીશો વિકાસના કામો થયા હોવાની વાત કરે છે, પરંતુ મોટાભાગે લોકો સંતોષમાં નથી. નદી માટે પાકું નાળું, નિયમિત પાણી પુરવઠો અને સારા રસ્તાઓ જેવી માંગો ઉઠી રહી છે.
પરિણામ પત્રકની પદ્ધતિમાં મોટો ફેરફાર:ધો-3થી 8નું પરિણામ હવે રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયાર થશે
પ્રાથમિક શિક્ષણ વિભાગે પરિણામ પત્રકની પદ્ધતિમાં મોટો ફેરફાર કરતા, બાલવાટિકા, ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને હવે પરંપરાગત માર્કશીટની જગ્યાએ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ આપવામાં આવશે. ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓનું પરિણામ રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયાર થશે અને શાળાઓ તે ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપશે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે બાલવાટિકા,ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને પરિણામ પત્રક આપવાની પદ્ધતિમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને હવે પરંપરાગત પરિણામ પત્રકને બદલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ અપાશે. આ કાર્ડમાં માત્ર ગુણ નહીં પરંતુ વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ, વર્તન, કુશળતા અને સર્વાંગી વિકાસનો સમાવેશ થશે. જ્યારે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ હવે શાળા કક્ષાએ તૈયાર નહીં થાય. શિક્ષણ વિભાગ સમગ્ર રાજ્ય કક્ષાએ ઓનલાઇન પરિણામ તૈયાર કરશે. શાળાઓએ વિષયવાર પરીક્ષા પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઇન અપલોડ કરવા પડશે. ત્યારબાદ રાજ્ય કક્ષાએ તૈયાર થયેલા પરિણામ પત્રકો શાળાઓ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને વિતરણ કરશે.આ નવી પદ્ધતિનો અમલ સમગ્ર ગુજરાતમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી કરાશે.
તપાસ:ડૉ બાબાસાહેબ આંબેડકર અંગે અભદ્ર ટિપ્પણી થતા લોકોમાં રોષ
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર ડૉ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અંગે અભદ્ર ટિપ્પણી થતા લોકોમાં રોષ ફેલાયો હતો. શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ત્વરિત અસર થી ટિપ્પણી કરનાર ની ધરપકડ કરી હતી. અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર અભિષેક પંડિત નામના ઇન્સ્ટા આઈડી પર થી ડૉ. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ને લઇ લોકો ની લાગણી દુભાય એવી ટિપ્પણી કરાઈ હતી. જે ટિપ્પણી રોહિત સમાજ તેમજ અન્ય સમાજ ના ધ્યાને આવતા આ અંગે ત્વરિત અસર થી સમાજ ના અગ્રણીઓ ને જાણ કરવામાં આવી હતી. તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે જરૂરી પુરાવા એકત્ર કરી લેખિતમાં ફરિયાદ આપી આ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. જે અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા પણ ત્વરિત અસર થી સોશિયલ મીડિયા આઈ.ડી. આધારે ત્વરિત અસર થી અભિષેક પંડિત ની ધરપકડ કરી હતી. અને પોલીસ મથકે લઇ આવી હતી. લાગણી દુભાતા સમાજ માં પણ ભારે રોષ ફેલાયો હતો.
નમસ્તે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓની માફી માંગી છે. તેમણે જણાવ્યું કે મહિલા અનામત સુધારા બિલ પસાર થઈ શક્યું નથી. બીજી તરફ, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર ફાયરિંગની ઘટના બની છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં અમે તમને કેન્દ્રીય કર્મચારીઓના વધેલા મોંઘવારી ભથ્થા વિશે વિગતે જણાવીશું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલી કરશે. 2. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવશે. કાલના મોટા સમાચારો 1. PM બોલ્યા-મહિલા અનામત બિલ પાસ ન થયું, માફી માગું છું:જે લોકોએ અડધી વસતીનો અધિકાર છીનવી લીધો, જનતા તેમને સજા જરૂર આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહિલા અનામત પર દેશને 30 મિનિટ સંબોધિત કર્યો. તેમણે કહ્યું, 'આ બિલમાં સુધારો થઈ શક્યો નથી. હું તમામ માતાઓ-બહેનોની માફી માંગુ છું.' તેમણે કહ્યું, 'મારા માટે દેશહિત સર્વોપરી છે, જ્યારે કેટલાક લોકો માટે પક્ષનું હિત સર્વસ્વ બની જાય છે, પક્ષનું હિત દેશના હિત કરતાં મોટું થઈ જાય છે. ત્યારે નારી શક્તિને જ તેનો ભોગ બનવું પડે છે.' PMએ કહ્યું કે કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે જેવા વિરોધ પક્ષો આ ભ્રૂણહત્યાના ગુનેગાર છે. તેઓ દેશના બંધારણના અપરાધી છે. નારી શક્તિના અપરાધી છે. જે લોકોએ અડધી વસતીનો અધિકાર છીનવી લીધો, તેમને આ પાપની સજા મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો:58%થી વધી 60% થયું, 1.19 લાખ કેન્દ્રીય કર્મચારી-પેન્શનરોને ફાયદો; જાણો કોને મળશે અને કોને નહીં મળે લાભ સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 2%ના વધારાને મંજૂરી આપી દીધી છે. સરકારે DA 58%થી વધારીને 60% કર્યો છે. આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ પડશે. આ પહેલા ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થાને 55%થી વધારીને 58% કરવામાં આવ્યું હતું. છેલ્લું રિવિઝન 1 જુલાઈ 2025થી પ્રભાવી માનવામાં આવ્યું હતું, જેની ચુકવણી એરિયર સાથે કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે (18 એપ્રિલ) દિલ્હીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. આનાથી લગભગ 50.5 લાખ કર્મચારીઓ અને 68.3 લાખ પેન્શનરોને ફાયદો થશે. કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર, જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં ફેરફાર કરે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. હોર્મુઝમાંથી પસાર થતા ભારતીય જહાજો પર ફાયરિંગ:ઈરાની ગનબોટ્સે ચેતવણી પણ ન આપી, જહાજોએ સ્ટ્રેટ પાર કર્યા વિના યુ-ટર્ન લીધો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે જહાજો પર શનિવારે બપોરે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ભારતીય ધ્વજ ધરાવતું એક ઓઈલ ટેન્કર પણ સામેલ હતું. અનેક દરિયાઈ અને સુરક્ષા સૂત્રોએ આ માહિતી આપી છે, જેને શિપિંગ મોનિટર 'ટેન્કર ટ્રેકર્સ' દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યું છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ભારતીય જહાજ અંદાજે 20 લાખ બેરલ ઈરાકી ઓઈલ લઈને જઈ રહ્યું હતું. બ્રિટનના દરિયાઈ દેખરેખ કેન્દ્ર 'મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન સેન્ટર' અનુસાર, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડની બે ગનબોટ્સ ટેન્કરોની નજીક આવી હતી અને કોઈપણ ચેતવણી આપ્યા વિના સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. બેવડી નાગરિકતા મુદ્દે રાહુલ ગાંધી સામે FIR નહીં નોંધાય:હાઈકોર્ટે એક જ દિવસમાં પોતાનો આદેશ પલટ્યો, કહ્યું- નોટિસ વિના કેસ દાખલ કરવો યોગ્ય નથી અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો પોતાનો જ આદેશ બદલી નાખ્યો છે. આ મામલો બેવડી નાગરિકતા સાથે સંબંધિત છે. કોર્ટે શનિવારે પોતાની વેબસાઇટ પર નવો આદેશ જાહેર કર્યો. કોર્ટે જણાવ્યું કે શુક્રવારે (17 એપ્રિલ) સુનાવણી થઈ હતી. જેમાં અરજદાર સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વકીલોને પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધીને નોટિસ જારી કરવાની જરૂર છે? વકીલોએ નોટિસ જારી કરવાની કોઈ જરૂર નથી જણાવી હતી. ત્યારબાદ FIR નોંધવાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો. જોકે, આદેશ ટાઈપ થાય તે પહેલાં ન્યાયમૂર્તિ સુભાષ વિદ્યાર્થીએ ફરીથી નિર્ણયની તપાસ કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. યુપીનું બાંદા એશિયામાં સૌથી ગરમ શહેર, પારો 45.4C પહોંચ્યો:ઓડિશા-છત્તીસગઢમાં ઘણી શાળાઓ બંધ; MP-છત્તીસગઢ સહિત 10 રાજ્યોમાં 4 દિવસ હીટવેવનું એલર્ટ દેશના લગભગ તમામ રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. ઉત્તર પ્રદેશના બાંદામાં શુક્રવારે તાપમાન 45.4C નોંધાયું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધી એશિયામાં સૌથી વધુ તાપમાન છે. રસપ્રદ વાત એ છે કે એક અઠવાડિયા પહેલા, એટલે કે 9-10 એપ્રિલે, દેશના મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું 12C તાપમાન પણ બાંદામાં જ નોંધાયું હતું. આજે, આગામી 4 દિવસ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં લૂ લાગવાની શક્યતા છે. યુપીના 16 જિલ્લાઓમાં તાપમાન 40C થી વધુ રહ્યું, જેના કારણે હીટવેવ એટલે કે લૂ ચાલી. પ્રયાગરાજ, વારાણસી સહિત 50 શહેરોમાં ભીષણ ગરમી પડી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર:6 શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર, આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી ગુજરાતમાં હવે ધીમે ધીમે આકરી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. આજે 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. આ સિવાય અન્ય પાંચ શહેરોમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. હવામાન વિભાગ દ્વા્રા આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને પગલે વિવિધ શહેરોમાં તાપમાન 2થી 4 ડિગ્રી ઘટી શકે છે. આજે અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. સુરતમાં 18 એપ્રિલ વહેલી સવારે કુદરતનું અનોખું રૂપ જોવા મળ્યું હતું. શહેર ગાઢ ધૂમમ્સના આઘોશમાં જોવા મળ્યું હતું. વહેલી સવારે વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કોંગ્રેસ નેતા સોનલ પટેલના વાળ ખેંચ્યા, વીડિયો સામે આવ્યો:ઉમેદવારના ઘરેથી ઝંડા ઉતારતા કોંગ્રેસ લાલઘૂમ, કહ્યું- લુખ્ખી દાદાગીરીમાં ક્યાં સુધી જીવશો, હવે તો રાજકોટવાસીઓ જાગો રખિયાલ-સરસપુર વોર્ડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલનો વાળ ખેંચતો વીડિયો સામે આવ્યો છે. એક લાખ રૂપિયા પાર્ટી ફંડ લીધા બાદ પણ ટિકિટ ન આપી હોવાનો આક્ષેપ કરનાર રખિયાલ-સરસપુર વોર્ડના મહિલા પ્રમુખ ભાવનાબેન ગુપ્તાએ વાળ ખેંચી લાફો ઝીંકયો હોવાનો દાવો કર્યો હતો. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે તમામ કાર્યકર્તાઓની સામે ભાવનાબેન ગુપ્તા શહેર પ્રમુખ સોનલબેન પટેલના વાળ ખેંચતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે. રાજકોટમાં વોર્ડ નં. 2માં કલેક્ટર કચેરી પાછળ આવેલા શ્રોફ રોડ પર કોંગ્રેસના ઉમેદવારના નિવાસસ્થાનેથી પાર્ટીના ઝંડા ઉતારવાની ઘટનાને પગલે ભારે હોબાળો મચ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ભાજપે રાહુલ ગાંધીના ઘર સામે તેમનું પૂતળું બાળ્યું:દિલ્હી CMએ મહિલા સાંસદો સાથે વિપક્ષ નેતાના ઘર સુધી કૂચ કરી, બે સાંસદ અને એક કેન્દ્રીય મંત્રીની અટકાયત વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : આફ્રિકાનો ચક્કર લગાવીને મિડલ ઈસ્ટ જઈ રહ્યું અમેરિકી યુદ્ધ જહાજ:હુતી બળવાખોરોના હુમલાના ડરથી રસ્તો બદલ્યો, 6000 નાવિક અને 3 ડિસ્ટ્રોયર પણ સાથે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મહારાષ્ટ્ર, ઓડિશા અને બિહારમાંથી 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ:રમકડામાં બોમ્બ લગાવીને હુમલાની તૈયારી કરી રહ્યા હતા; રામ મંદિર અને સંસદ નિશાન પર હતા વાંચો સંપૂર્ણ સમાચાર 4.નેશનલ : આજથી ચારધામ યાત્રા શરૂ, 18.25 લાખ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું:19 એપ્રિલે યમુનોત્રી-ગંગોત્રીના કપાટ ખુલશે; ઓફલાઇન રજિસ્ટ્રેશન કાઉન્ટર પણ શરૂ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આ અઠવાડિયે સોના-ચાંદીમાં વધારો રહ્યો:સોનું ₹1,328 વધીને ₹1.52 લાખ પ્રતિ 10 ગ્રામ થયું, ચાંદી ₹10 હજાર મોંઘી થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : DCએ હારના મુખમાંથી જીત છીનવી, 6 વિકેટે જીત્યા:છેલ્લી ઓવરમાં કિલર મિલરે મેચ પતાવી, RCBના નસીબ મોરા પડ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : અક્ષય પુણ્યનું ભાથું બાંધવાનો અવસર:જાણો વૈશાખ માસમાં અક્ષય તૃતીયાથી પૂર્ણિમા સુધીના મોટા વ્રતોની તિથિ અને મહત્ત્વ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ઝારખંડના એક ગામમાં ચોકનું નામ 'યુટ્યુબ' ઝારખંડના ગઢવા જિલ્લામાં એક ચોકનું નામ ‘યુટ્યુબ ચોક’ રાખવામાં આવ્યું છે. અહીં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ મળે છે, જેના દ્વારા ગ્રામીણ લોકો ખેતી અને રોજિંદા કામ શીખે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે તેમના માટે યુટ્યુબ હવે માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ શીખવાનું માધ્યમ બની ગયું છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : ગુરુ માટે છોકરીઓ શોધતી શિલ્પીના પિતા આસારામ હતા?: પૈસાદાર ઘરની દીકરીએ પરિવાર સાથે સંબંધ કાપી નાખ્યો, બ્રેઇનવૉશ યુવતીએ કેવાં કાળાં કામ કર્યાં? જુઓ એપિસોડ-40 2. આજનું એક્સપ્લેનર: શું 8મા પગાર પંચમાં બેઝિક સેલરી 69,000 અને મોંઘવારી ભથ્થું 2% વધશે; પગાર-પેન્શનમાં વધારો ક્યારે મળશે? 7 જરૂરી સવાલોના જવાબ 3. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : નિવૃત્તિ પછી 4 પાવરફુલ પોસ્ટ મેળવનાર જે.એ.ગાંધી કોણ?: સચિવ બાયપાસ, 9 જિલ્લાના રોડની જવાબદારી એકના હાથમાં, CM હેઠળના વિભાગની પાવરગેમ 4. એક્સક્લૂસિવ : UK સરકાર માનવતા ચૂકી: પ્લેન દુર્ઘટના પીડિત ગુજરાતીને તાત્કાલીક દેશ છોડવાનો આદેશ, યુવાને ગળગળા થઇ ભાસ્કરને જણાવી આપવીતી 5. MATCH મસાલા : કોલકાતાના પ્લેયરની આંખ ફૂટતા માંડ બચી!: પાકિસ્તાની લીગમાં ક્રિકેટરની ભારે ફજેતી થઈ; લલિત મોદીએ સંજીવ ગોએન્કાને 'જોકર' કહ્યા; જુઓ VIDEO 6. પારકી પંચાત : 'તમે જ પથારી ફેરવો છો': 'એય સીધી વાત કર', ચૂંટણી ટાણે બે નેતાઓ વચ્ચે બાકાઝીકી, સુરતમાં મોઢામાં મસાલો ભરેલા ટેકેદારોનો વીડિયો વાઇરલ 7. મમતાએ ₹1500 આપ્યા, 3.15 કરોડ વસતી ટાર્ગેટ પર: છોકરીઓને પૈસા નહીં નોકરીની જરૂર, મહિલાઓએ કહ્યું- અમે ઋણ ચૂકવીશું 8. ઈલેક્શન એક્સપ્લેનર : જીતવા પર દરેક દુલ્હનને 8 ગ્રામ સોનું આપશે વિજય: તમિલનાડુના ઘરોમાં અમેરિકી ખજાના જેટલું સોનું, આ ગાંડપણ પાછળનું કારણ શું છે? 9. ભાસ્કર એક્સપ્લેનર : મહિલા અનામત- સીમાંકન બિલ લોકસભામાં કેમ નામંજૂર થયા: પીએમ મોદીની અપીલ પણ કામ ન આવી; શું સરકારે જાણીજોઈને આમ કર્યું, જાણો આખી કહાની ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: સિંહ રાશિના સંપત્તિ સંબંધિત વિવાદોનો અંત આવશે, મિથુન રાશિને મુશ્કેલીમાં ચમત્કારિક મદદ મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આડે હવે એક અઠવાડિયું જ બાકી છે ત્યારે રઘુવંશી સમાજના અઢી લાખ લોકો ટિકિટ ફાળવણીમાં અન્યાયને લઇને ભાજપના વિરોધમાં મેદાને આવ્યા છે. આજે 18 એપ્રિલના રઘુવંશી યુવા શક્તિ સંઘના નેજા હેઠળ એક સભા યોજાઈ હતી. જેમાં વોર્ડ નંબર 1,2 અને 3 માં ભાજપના પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે રઘુવંશી સમાજની ટિકિટ કાપવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ દરમિયાન ડૉ. દર્શિતાહેબ શાહ હાય હાય, જ્યાં રઘુવંશી સમાજ નથી ત્યાં અમારો વોટ NOTA ને, ટિકિટ અમારી કાપી ભૂલ તમે મોટી કરી જેવા પ્લે કાર્ડ બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ એવા પણ પોસ્ટર દેખાયા હતા જેમાં લખ્યું હતું કે 'મોદીજી સાથે વેર નથી, અન્યાયની હવે ખેર નથી.' જો આ અન્યાય ચાલુ રહેશે તો આગામી 2027 ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 40 લાખ રઘુવંશીઓ ભાજપ વિરુધ્ધ મતદાન કરી ગુજરાતનો ઇતિહાસ બદલાવી નાખશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. અંતમાં રઘુવંશી સમાજની શપથ પત્રિકા વાંચી લોકોએ ભાજપને મત ન આપવાના શપથ લીધા હતા. રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કે. ડી. રઘુવંશીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં રઘુવંશી સમાજને કરવામાં આવેલો છે તેના વિરુદ્ધમાં આજે રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં સમગ્ર રઘુવંશી સમાજની તમામ સંસ્થાઓ અને તેના વડીલો ઉપસ્થિત છે. સૌ કોઈએ નિર્ણય લીધો છે કે આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીને મતદાન કરવાના નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભા 69 ના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે રઘુવંશી સમાજનો ગઢ ગણાતા વોર્ડ નંબર 1,2 અને 3 માંથી રઘુવંશી સમાજ ની ટિકિટ કાપવામાં આવી છે. રાજકોટ શહેરમાં રઘુવંશી સમાજની વસ્તી અઢીથી ત્રણ લાખ જેટલી છે. અમારી માગણી હતી કે રઘુવંશી સમાજમાંથી છ વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવે પરંતુ ત્રણ વ્યક્તિઓને જ ટિકિટ આપવામાં આવી છે આ રીતે રઘુવંશી સમાજની ઉપેક્ષા કરવામાં આવેલી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે સો ટકા મતદાન કરવાના નથી. વિધાનસભાની ચૂંટણી સુધી અમારો નિર્ણય નિશ્ચિત છે. આ સભા દરમિયાન કે.ડી.રઘુવંશીએ ભાજપના વિધાનસભા 69 ના ધારાસભ્ય દર્શિતાબેન શાહ સામે રોજ પ્રગટ કરતા જણાવ્યું હતું કે, તમારા અહંકારના કિલ્લાને ધુળમાં મેળવી દઈશું. એ ગઢ અમારો છે અમે ગમે ત્યારે જીતી લઇશું. આજે રઘુવંશી સમાજ જાગ્યો છે. પક્ષને પાછા વળવાનો સમય નહીં મળે. જ્યારે ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશીએ જણાવ્યુ હતુ કે, ભાગવત ગીતામાં લખ્યું છે કે હક્ક તો માંગવો જ પડે. અહીં રાજકોટમાં રઘુવંશીઓની બે થી અઢી લાખની સંખ્યા હોય તો એ લોકોને પ્રતિનિધિત્વ કોણ આપશે ? માત્ર ત્રણ મહિલા ઉમેદવારો અઢી લાખની વસ્તીને પ્રતિનિધિત્વ આપી શકે ? તો સામેથી જવાબ ના માં મળ્યો હતો. જે બાદ જાગૃતિપૂર્ણ રીતે મતદાન કરી અન્યાય સામે લડત આપવાની હાંકલ કરવામાં આવી હતી. રઘુવંશી સમાજની શપથ પત્રિકા આ સભા દરમિયાન રઘુવંશી સમાજ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. જે આ મૂજબ છે. હું રઘુકુળનો વંશજ, આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અને સંત શિરોમણી જલારામબાપા અને વીરપુરુષ લોહરગઢના અંતિમ રઘુવંશી રાજવી વીર રાણા જશરાજજીને સાક્ષી માનીને પ્રતિજ્ઞા લઉં છું કે...1. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં, મારા વોર્ડમાં જે પણ પક્ષનો રઘુવંશી ઉમેદવાર હશે, મારો અમૂલ્ય મત માત્ર તેને જ મળશે.2. જે વોર્ડમાં રઘુવંશી સમાજની અવગણના કરીને આપણા ઉમેદવારને ટિકિટ આપવામાં નથી આવી ત્યાં હું કોઈ પણ પક્ષના લોભ-લાલચમાં આવ્યા વગર 'નોટા' (NOTA) માં મતદાન કરીશ અને ભાજપની અન્યાયી નીતિનો વિરોધ કરીશ.3. સમાજ સાથે દગો કરનારા અને અંગત સ્વાર્થ ખાતર રઘુવંશીઓની ટિકિટ કાપનારા દર્શિતાબહેન શાહ જેવા નેતાઓનું અભિમાન હું મારા મતાધિકારથી ચકનાચૂર કરીશ.4.આ લડાઈ મારા સ્વાભિમાનની છે, મારા સમાજની છે અને હું મારા છેલ્લા શ્વાસ સુધી સમાજની એકતા સાથે ઊભો રહીશ.5.આજે અહીં જે પણ રઘુવંશી પરિવાર કે વ્યક્તિ ઉપસ્થિત નથી, તેમને પણ હું સમાજની સાથે ઊભા રહેવા આહવાન કરું છું અને તેમને જાગૃત કરી આ લડાઈમાં જોડવાની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે ધીમે ધીમે શરૂ થયો છે. કુબેરનગર વોર્ડમાં પોલિંગ બૂથની 200 મીટરની જગ્યામાં કાર્યાલય અને ઝંડા લગાવવાની બાબતને લઈને કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર ચૂંટણી પંચના અધિકારીઓને લઈને ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવતના ઘરે પહોંચી ગયા હતા અને અધિકારીઓને બતાવ્યું હતું કે પોલિંગ બૂથની અડીને ઘરની દીવાલ આવેલી છે અને ત્યાં ઝંડા લગાવેલા છે તેને જોઈ લો. ચૂંટણી પંચના અધિકારીઓને ઉમેદવારની સામે કહ્યું હતું કે જો હવે કોઈપણ એક પાર્ટીનો પક્ષ લઈને કામ કરશો તો સારું નહીં રહે. મારી ખાનગી જગ્યામાં મારી પરવાનગી વિના આવશો તો છોડીશ નહીં તેવી વાત કરી હતી. આ સમગ્ર ઘટના અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પોલિંગ બુથની બાજુમાં જ ઓફિસ ચાલતી હોવાની ફરિયાદ બાદ તપાસ અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસમાં સૌથી વધારે જો રાજકીય જંગ હોય તો કુબેરનગર વોર્ડમાં જોવા મળી રહ્યો છે. કુબેરનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ ઉંમરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પોલિંગ બુથના 200 મીટરમાં નિકુલસિંહ તોમરે એક જમણવાર રાખવામાં આવ્યો છે અને ઝંડા લગાવેલા તે અંગેની ચૂંટણી પંચના અધિકારીઓને ફરિયાદ મળી હતી. જેને લઈને તપાસ કરવા માટે પહોંચ્યા હતા અને નિકુલસિંહ તોમર અને તેમના કાર્યકર્તાઓએ તેમને જગ્યા બતાવી દીધી હતી જ્યાં જમણવારની જગ્યામાં કોઈ પણ પ્રકારના ઝંડા લાગેલા નથી અને ધાર્મિક કાર્યક્રમ ચાલે છે અને ક્યાંય પણ રાજકીય પાર્ટીનો ઝંડો નથી તેવું બતાવ્યું હતું. ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું હતું કે અમને ફરિયાદ મળી હતી જેના કારણે થઈ અને અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા હતા. ત્યારબાદ નિકુલસિંહ તોમરે કહ્યું હતું કે જો તમે ફરિયાદ મળી હતી અને અહીંયા આવ્યા છો તો ભગવતી સ્કૂલ પાસે 200 મીટરની જગ્યામાં ભાજપના ઉમેદવારનું ઘર આવેલું છે અને ત્યાં પણ પાર્ટીના ઝંડા લગાવેલા છે તો આવા ઝંડા તમે દૂર કરશો. નિકુલસિંહ તોમર તેમના કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પંચના અધિકારીઓને લઈને ભગવતી સ્કૂલ પાસે આવેલા ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવતના ઘરે ગયા હતા. જ્યાં તેમણે બતાવ્યું હતું કે એમના ઘરની દીવાલ પોલિંગ બુથને અડીને આવેલી છે અને અહીંયા પણ ઝંડા લાગેલા છે. ચૂંટણી અધિકારીઓને કહ્યું હતું કે હવે તમે જો મારી પરવાનગી વિના મારી ખાનગી મિલકતમાં પ્રવેશ કરશો અને કોઈ એક રાજકીય પાર્ટી માટે કામ કરશો તો સારું નહીં થાય. પોલિંગ બુથને અડીને જ આવેલા ભાજપના ઉમેદવારના ઘર પર ઝંડા- નિકુલસિંહ તોમરકુબેરનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના વોર્ડ પ્રમુખ ચૂંટણી પંચના અધિકારીઓને લઈને ફરિયાદ કરવા માટે આવ્યો હતો અને તેમની સાથે પણ આવ્યો હતો. પરંતુ હું આવ્યો એ પહેલા જતો રહ્યો હતો. ચૂંટણી પંચના અધિકારીઓ આવ્યા હતા અને મને કહ્યું હતું કે અહીંયા કાર્યાલય ખોલવામાં આવ્યું છે પોલિંગ બુથના 200 મીટરમાં રાજકીય પાર્ટીના ઝંડા હોવા જોઈએ નહીં. જે અમે કોઈપણ રાજકીય પાર્ટીના ઝંડા લગાવ્યા વિના ત્યાં જમણવાર ધાર્મિક કાર્યક્રમ માટે કરેલો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે જો આવી ફરિયાદ માટે તપાસ કરવા આવ્યા છો તો ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવતનું ઘર પણ પોલિંગ બુથની અડીને જ આવેલું છે અને ત્યાં પણ ઝંડા લાગેલા છે જેથી અમે ચૂંટણી પંચના અધિકારીઓને લઈને તેમના ઘરે ગયા હતા અને બતાવ્યું હતું. જો મારી પરવાનગી વિના ખાનગી મિલકતમાં પ્રવેશ કર્યો તો સારું નહીં થાય એવું સ્પષ્ટ કહ્યું હતું. ગિરિવરસિંહ શેખાવતને પણ આ બાબતે ધ્યાન દોર્યું હતું. ભાજપના વોર્ડ પ્રમુખને લઈને આવ્યા હતા તો તમે તેમના નોકર નથી. જો ફરિયાદ મળ્યો તો તમારે એકલાએ આવવાનું હોય એને સાથે લઈને શા માટે આવ્યા હતા. તમારે કોઈપણ પક્ષપાત વિના કામ કરવાનું હોય છે એવું પણ સ્પષ્ટ કહી દીધું હતું. સંમતિ સાથે મારી ખાનગી જગ્યામાં ઓફિસ બનાવી શકું છું- ભાજપના ઉમેદવારકુબેરનગર વોર્ડના ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચના અધિકારીઓને ફરિયાદ મળી હતી કે પોલિંગ બૂથ પાસે નિકુલસિંહ તોમરે કાર્યાલય બનાવ્યું છે જેથી તેઓ ત્યાં ગયા હતા. પોલિંગ બૂથ નજીક 200 મીટરમાં ક્યાંય પણ રાજકીય પાર્ટીની કોઈ પ્રવૃત્તિ ન થતી હોવી જોઈએ પરંતુ તેને કાર્યાલય ખોલ્યું હતું અને અમારા ત્યાં આવ્યા હતા અને ચૂંટણી પંચના અધિકારીઓ અને તેઓ બોલતા હતા પણ શું બોલ્યા એ મારું વધારે ધ્યાન નહોતું પણ વીડિયોમાં બધું જોવા મળી રહ્યું છે. મારી ત્યાં ઓફિસ આવેલી છે એવું બતાવવા માટે નિકુલસિંહ તોમર આવેલો છે પરંતુ મારુ ઘર ત્યાં આવેલું છે અને હું તો સંમતિ પત્ર સાથે ત્યાં મારી ખાનગી જગ્યાએ ઓફિસ બનાવી શકું છું પરંતુ પોલિંગ બુથ પાસે ત્યાં ઓફિસ ના બનાવી શકાય.
વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે. મહાનગરપાલિકામાં છેલ્લી 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. વર્ષ 2021 ચૂંટણીમાં વડોદરાવાસીઓએ ભાજપને 78માંથી 69 બેઠક જીતાડી હતી. પાંચ વર્ષ બાદ ફરી એકવાર કોર્પોરેશનની ચૂંટણી આવી છે ત્યારે શહેરના વોર્ડ નંબર 3ના મતદારોની શું સમસ્યા છે અને તેઓની માગણીઓ શું છે. તે જાણવા માટે ભાસ્કર પહોંચ્યું હતું. અહીંના મતદારો સાથે વાતચીત કરી વોર્ડ-3ની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. મહાનગરપાલિકામાં 7 ગામનો સમાવેશ વર્ષ 2020માં કરવામાં આવ્યો હતો. જો કે હજુ પણ આ ગામ યોગ્ય વિકાસ માટેની રાહ જોઈ રહ્યા છે. વોર્ડ 3માં વેમાલી ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે આ ગામના રહીશો છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે આ સમસ્યા મુદ્દે મહિલાઓએ તો કોર્પોરેશનના છાજિયા પણ લીધા હતા. ‘પેચવર્ક એવું કરે છે કે અઠવાડિયામાં રોડ તૂટી જાય’વેમાલી ગામના રહીશ ગાયત્રી પારેખે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યા છે. રોડનું ખોદકામ કર્યાં બાદ થીગડા મારી જાય છે. પરંતુ જોઈએ તેવું પેચવર્ક થતું નથી. જેના કારણે અઠવાડિયામાં જ રોડ તૂટી જાય છે. તેમનું કહેવું છે કે, ગત ટર્મમાં અમારા વિસ્તારના કોઈ કોર્પોરેટર આવ્યા જ નથી. 'બસની સારી સુવિધા મળે તો સારું'સ્થાનિક મંજુબહેને જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે છે, પરંતુ અમારે તે સુવિધા મેળવવા માટે ખુબ દૂર સુધી ચાલતા જવું પડે છે. ક્યારેક બસ સમય પર આવે તો ક્યારેક આવતી પણ નથી. અમારા વિસ્તારમાં આ સુવિધા મળે તો સારું. 'બધા રાજીનામું આપી દો, અમે કામ કરાવી લઈશું'સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારે અહીં પાણી આવે છે તો અડધો કલાક જ આવે છે. એમાં અમારે બધું કામ કરવાનું હોય છે તે કેવી રીતે શક્ય બની શકે? એક મહિલાએ તો કહ્યું હતું કે, બધા રાજીનામુ આપી દો અમે અમારી રીતે કરાવી દઈશું. 'ઉંદરોનો ત્રાસ છે, જે ગાડીઓ કોતરી ખાય છે'આ જ વિસ્તારના પારુલ રાજપૂતે જણાવ્યું હતું કે, વેરા લેવામાં આવે છતાં અમારા વિસ્તારમાં કોઈ સમસ્યા નથી. ઉનાળાના સમયમાં પાણીના ટેન્કર મંગાવવા પડે છે. તો ડ્રેનેજની સુવિધા પણ નથી. સફાઈ પણ સારી રીતે થતી નથી જેના કારણે ઉંદરનો વ્યાપ વધ્યો. એટલે ઉંદરો ગાડી પણ કોતરી ખાય છે. અમે કોર્પોરેટરોને જોયા નથી. કોણ છે એ પણ ખ્યાલ નથી અને અમે ઓળખતા જ નથી. 'રોડનું ખોદકામ કરીને તંત્ર ભૂલી જાય'આ વિસ્તારમાં વ્યવસાય કરતા ઓમપ્રકાશે કહ્યું હતું કે, મૂખ્ય સમસ્યા પાણી અને રોડની છે. જ્યાંને ત્યાં રોડ ખોદી નાખવામાં આવે છે. ખોદીને બસ તંત્ર કામ ભૂલી જાય છે. બે વર્ષથી આ સમસ્યા છે. પહેલા ડ્રેનેજ લાઈન માટે રોડ ખોદી નાખ્યો, બાદમાં પાણીની લાઈન આવી અને પછી બીજી કોઈ લાઈન, બસ ખોદકામ જ ચાલી રહ્યું છે. 'પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તો જ મત આપીશું'સ્થાનિક મધુ પરમારનું કહેવું છે કે, અમારે મહીસાગરનું જ પાણી જોઈએ. ટ્યુબવેલના પાણીના કારણે અનેક લોકો બીમાર પડી ગયા છે. તો અન્ય એક મહિલા ભાવનાએ જણાવ્યું હતું કે, ચાર દિવસ થયા છે પાણી નથી આવતું. હવે વોટ લેવા આવશે તો આપવાના જ નથી. પાણીની સમસ્યા સરખી કરો તો જ વોટ મળશે. 'આ કોર્પોરેશન વાળા કંઈ કરતા નથી'ગામના યુવા જાનવી પ્રજાપતિએ કહ્યું હતું કે, પાણી ન આવતા પાંચ દિવસથી અમારા કામ અટક્યા છે. અમે શું એના માટે વોટ આપીએ છે? ગયા વખતે પણ કોઈ કોર્પોરેટર આવ્યા નથી. હવે ચૂંટણી આવશે તો અમે કોઈને વોટ જ નથી આપવાના. અમે નોટાને વોટ આપીશું. અમારે તો ગ્રામ પંચાયત જ સારી હતી. સરપંચ જ સારું કામ કરતા હતા. કોર્પોરેશન જરાયે સારું નથી. ગામમાં જ્યાં ને ત્યાં ખોદકામ કરી નાખ્યું છે. જ્યાં ખોદી નાખ્યું છે ત્યાં પાછા પેવરબ્લોક પણ નથી નાખ્યા તો શું એ એમની જવાબદારી નથી? હાલમાં તળાવ પણ સુકુ જોવા મળ્યું હતું. ગામમાં બોર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિકો તો પાણી માટે જે મુશ્કેલી વેઠી રહ્યા છે તે જોતા આ વખતે ચૂંટણીમાં સ્થાનિકોનો રોષ કદાચ વોટ રૂપે ન ફાટી નીકળે તેની બીક તમામ રાજકીય આગેવાનને હશે.
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ વોર્ડ નંબર 14માં સ્થિતિ જાણી ત્યારે વિકાસના દાવાઓ વચ્ચે જનતાનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગાયત્રીનગર, ગોપાલનગર, મિલપરા, લક્ષ્મીવાડી, ગુંદાવાડી અને જયરાજ પ્લોટ સહિતના વિસ્તારો જૂનું રાજકોટ ગણાતા વિસ્તારમાં છે. અહીંની 50 વર્ષ જૂની ગુંદાવાડી માર્કેટ વેપારનું હબ છે, પરંતુ સ્થાનિકો અને વેપારીઓ પાયાની સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે. સાંકળા રોડ અને દબાણોના કારણે ટ્રાફિક જામની સમસ્યા કાયમી છે. લલુડી વોંકળી વિસ્તારમાં તો મકાનો દર ચોમાસે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય છે. જ્યારે આનંદનગર કોલોનીના જર્જરિત ક્વાટરમાં 150થી વધુ પરિવાર જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. તો ગાંડીવેલ અને વોકળાઓના લીધે આસપાસ રહેતા સ્થાનિકો મચ્છરોના ત્રાસથી ગંભીર બીમારીમાં સપડાય રહ્યા છે. 'ગંદકીને કારણે મચ્છરોનો ત્રાસ છે'સ્થાનિક શારદા દેવીએ જણાવ્યું હતું કે, ગટરની સફાઈ કરવા કે પાણી ભરાઈ જાય તો કોઈ જોવા આવતું નથી. ગંદકીને કારણે મચ્છરોનો ત્રાસ છે અને તેથી બાળકો સહિતના તમામ લોકો વારંવાર બિમાર પડી જાય છે. ચોમાસામાં તો વરસાદી પાણી ભરાઈ જતા લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. છોકરાઓને નળિયા ઉપર ચડાવી દેવા પડે છે કોઈ અહીંથી બહાર કાઢવા વાળું આવતું નથી. અહીં ભાજપમાંથી કોણ કોર્પોરેટર છે એ પણ ખબર નથી. 'ગાંડી વેલનો પ્રશ્ન વર્ષોથી છે'નવયુગપરા વિસ્તારમાં રહેતા વિજય ચૌહાણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ગાંડી વેલનો પ્રશ્ન વર્ષોથી છે. અહીં મચ્છરનો એટલો ત્રાસ છે કે દિવસે પણ અહીંથી કોઈ નીકળી શકતું નથી. લોકોની સમસ્યા બાબતે કોઈ ધ્યાન દેતું નથી અને તેને કારણે લોકો હેરાન થાય છે. 'ખૂલ્લી કુંડીમાં પડવાનું બાળકો પર જોખમ'આ જ વિસ્તારમાં રહેતા બી.સી. સોલંકીએ જણાવ્યું હતું કે, અહીં રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા છે. શાળા નંબર 16, મધર ટેરેસા સ્કૂલ, બાલ કેન્દ્ર અને આંગણવાડી આવેલી છે. જ્યાં અભ્યાસ કરતા બાળકો અહીંથી નીકળે તો ખૂલ્લી કુંડીમાં પડી જવાનું ગંભીર જોખમ રહેલું છે. આ જવાબદારી મહાનગરપાલિકાના ભાજપના ચાર કોર્પોરેટરની છે. મત માંગવા વખતે એવું કહેવામાં આવે છે કે કાળી રાત્રે મદદરૂપ થશું પરંતુ એવું કઈ થતું નથી. અમારા માટે તો ભાજપ કરતા કોંગ્રેસ સારું છે. કારણ કે તે નાના અને ગરીબ માણસોનું ધ્યાન રાખે છે અને તેમના કામો પણ કરે છે. જર્જરિત આવાસના રિ-ડેવલપમેન્ટની માગઆનંદનગર કોલોનીમાં રહેતા મનિષાબેન વાછાણીએ જણાવ્યું હતું કે, અમારા બ્લોકમાં 24 આવાસ છે અને આ કોલોનીમાં 144 આવાસ છે. જો કે આ બધા આવાસ ખૂબ જ જર્જરીત થઈ ગયા છે. વરસાદ સમયે ખૂબ તકલીફ અને છતમાંથી પોપડા પડે છે. ત્યારે રિ ડેવલપમેન્ટની અમારી માંગણી છે. 'વૈકલ્પિક જગ્યાની કોઈ વાતચીત કરતા નથી'આ જ કોલોનીમાં રહેતા રશ્મિબેન જોશીએ જણાવ્યું હતું કે, હાલ આ ક્વાટરની પરિસ્થિતિ ખૂબ જ જર્જરીત છે. રી ડેવલપમેન્ટ મુદ્દે ભાજપના કોર્પોરેટરો એક બે વખત આવેલા હતા અને મીટિંગ પણ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. અમને આ આવાસ ખાલી કરવા માટેની નોટિસ આપી જાય છે પરંતુ સામે વૈકલ્પિક જગ્યા બાબતે કોઈ વાતચીત કરતા નથી. 'ધારાસભ્ય કે મુખ્યમંત્રી આવવાના હોય તો સરસ સફાઈ થઈ જાય'લક્ષ્મીવાડી શેરી નંબર 15માં રહેતા નિખિલભાઇ શાસ્ત્રીએ જણાવ્યુ હતુ કે, અહીં ત્રણથી ચાર વર્ષ પહેલા શેરીમાં બ્લોક નાખવામાં આવેલા છે પરંતું હાલ મોટાભાગના બ્લોક ઉખડી ગયા છે. જેને લીધે બાળકો અને વડીલો ચાલતા ચાલતા પડી જાય છે. ચોમાસામાં અહીંથી વાહન લઈને જવું મુશ્કેલ બની જાય છે. ભાજપના કોર્પોરેટરો અહીં બેસતા વર્ષ કે દિવાળીના દિવસે આવ્યા હોય તો મને ખબર નથી. પાંચ વર્ષમાં અમે તેમને કોઈ દિવસ જોયા નથી. જો અહીં ધારાસભ્ય કે મુખ્યમંત્રી આવવાના હોય તો સફાઈ થઈ જાય પરંતુ આપણા માટે એવી કોઈ વ્યવસ્થા હોતી નથી. 'ચૂંટણી આવે ત્યારે જ કોર્પોરેટર દેખાય છે'લક્ષ્મીવાડીના સ્થાનિક રક્ષાબેન ભટ્ટે જણાવ્યુ હતુ કે, પાંચ વર્ષમાં ચૂંટણી આવે ત્યારે જ કોર્પોરેટરો દેખાય છે બાકી કોઈ આવતું નથી. અમારી શેરીમાં બ્લોક નાખ્યા હતા પરંતુ ખાડા પડી ગયા છે. પીવાનું પાણી પણ અપૂરતું આવે છે. ‘ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા’વોર્ડ નંબર-14ના કોંગ્રેસના ઉમેદવાર પ્રિતેશ ચાવડીયાએ જણાવ્યું હતું કે, અહીં 36થી વધુ સોસાયટીઓ આવેલી છે. અહીં સફાઈનો સૌથી મોટો પ્રશ્ન છે. અમે જ્યારે પ્રચાર માટે નીકળીએ છીએ ત્યારે લોકો કહે છે કે સાફ સફાઈ થતી નથી. ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા બાબતે શાસક પક્ષ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત વિસ્તારમાં ગંદકીના લીધે ભયંકર રોગચાળો ફેલાય છે. 'મત આપવા જાય ત્યારે ખબર પડે કે આ સરકારી સ્કૂલ છે'જ્યારે વોર્ડ નંબર 14ના AAPના ઉમેદવાર નૈમિષ પાટડિયાએ જણાવ્યું હતું કે, ગુંદાવાડી અને લક્ષ્મીવાડીમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યા છે. અહીં વેપારી વર્ગ આવેલો છે જે ટેક્સ ચૂકવે છે તેમ છતાં પણ પ્રાથમિક સુવિધાઓ છે જ નહીં. ચોમાસામાં તો સ્કૂટરો અને કાર તણાય જાય છે આમ છતાં પણ આ સમસ્યાનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું જ નથી. વોર્ડ નંબર 14માં ખૂબ જ ઓછી સરકારી સ્કૂલ છે. જ્યારે મતદારો વોટિંગ કરવા જાય ત્યારે ખબર પડે કે આ સરકારી શાળા છે. અહીંના ભાજપના ચારેય કોર્પોરેટરોએ કોઈ કામો કર્યાં જ નથી. 'જ્યાં AAP જીતશે ત્યાં જનતાનું રાજ આવશે'તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી કોઈ પણ વોર્ડમાં ચૂંટાઈને આવશે તો ત્યાં જનતાનું રાજ આવશે. AAP જ્યાં ચૂંટાઈને આવશે ત્યાં સોસાયટીઓના પ્રમુખ અથવા તો મુખ્ય વ્યક્તિઓની કમિટી બનાવવામાં આવશે અને તે વ્યક્તિઓ કહેશે તે પ્રમાણે કોર્પોરેટર દ્વારા વિકાસકામો માટે ગ્રાન્ટ વાપરવામાં આવશે. જેથી અહીં પ્રજા પોતે જ કોર્પોરેટર હશે. જ્યારે વોર્ડ નંબર 14 માં ગત વર્ષે વિજેતા બનેલા ભાજપના કોર્પોરેટરોનો સંપર્ક કરવામાં આવ્યો તો અમૂક પોતાના વ્યક્તિગત કામોમાં વ્યસ્ત હતા જ્યારે કોર્પોરેટર કેતન ઠુંમરે કહ્યું કે આ જૂના રાજકોટનો વિસ્તાર છે તો અહીં મોટા વિકાસ કામો ગણાવી શકાય તેવા નથી.
ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને હુકમનો અમલ નહિં કરનાર 'ઈન્ડિયા ગ્રીન રીયલ્ટી લી.'ના ડિરેક્ટર વિનોદ એમ. ઠાકર વિરૂદ્ધ બિન જામીન લાયક વોરંટ ઈશ્યુ કાઢવાનો હુક્મ કર્યો છે. આ જામીન લાયક વોરંટ બોપલ પોલીસને બજાવવા હુકમ કર્યો છે. બિલ્ડરે 27 લાખ પરત ચૂકવવાની જવાબદારી સ્વીકારીગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે સ્ટેટ કમિશનમાં સિનિયર સિટીઝન વયોવૃદ્ધ મહિલા ભાવનાબેન મધુસુદન ખંડેરીયાએ બાયબેક કરાર મુજબ પ્લોટની સ્કીમમાં રોકાણ કર્યું. બિલ્ડરે બાયબેક એગ્રીમેન્ટની શરતોનો ભંગ કરીને ફરિયાદી મહિલાને રૂ. 27,30,000/- પરત ચૂકવવાની કાયદેસરની જવાબદારી સ્વીકારી હોવા છતાં અમલ નહિં કર્યો. સ્ટેટ કમિશને વર્ષ 2022 માં ફરિયાદના કામે 9% ના વ્યાજ અને ખર્ચા સાથે રકમ ચુકવી આપવા બિલ્ડરને હુકમ કરેલ પરંતુ હુકમનો અમલ નહિં થતા સ્ટેટ કમિશનમાં એક્ઝિક્યુશન પીટીશન (દરખાસ્ત અરજી) દાખલ કરી વસુલાતનો દાવો કર્યો. બિલ્ડર વિરૂદ્ધ બોપલ પોલીસ વોરંટ બજાવી શકતી નથીસ્ટેટ કમિશને બિલ્ડર વિરૂદ્ધ અગાઉ રૂ. 5,00,000/- ના જામીનલાયક વોરંટો અનેકવાર ઈશ્યુ કર્યા, પરંતુ બોપલ પોલીસ વોરંટ બજાવી શકતી નથી. ત્યારબાદ સ્ટેટ કમિશને બિલ્ડર હાજર નહિં થતા બિન જામીનલાયક વોરંટ કાઢી તા.29 એપ્રિલ 2026 ના રોજ સ્ટેટ કમિશન સમક્ષ 11 કલાકે હાજર કરવા અને વોરંટ બજવણી થયાનો રીપોર્ટ સક્ષમ પોલીસ અધિકારીએ અત્રેના કમિશન સમક્ષ રૂબરૂ હાજર રહીને રજુ કરવાનો રહેશે તેવો હુકમ કર્યો છે. પોલીસને બિન જામીનલાયક વોરંટ બજાવવા તાકીદઆ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ વધુમાં જણાવે છે કે, બિલ્ડરની મથરાવટી મેલી છે અને ભાગતા ફરે છે. બોપલ પોલીસ સામે અનેક સવાલો થયા છે. કસુરવાર બિલ્ડર સામે વોરંટો બજતા નહિં હોવાથી અમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટને પત્રો પાઠવીને લેખિત તાકીદ કરવાની ફરજ પડી છે. બોપલ પોલીસ સ્ટેશનના પી.આઈ. ચૌધરીને પણ બિન જામીનલાયક વોરંટ બજાવવા તાકીદ કરવામાં આવી છે. અત્યારે સંજોગો એવા સર્જાયા છે કે, બિલ્ડર સરકાર, કાયદો, પોલીસ અને પ્રશાસનની પક્કડની એટલે કે કાયદાની પહોંચ બહાર છે. બોપલ પોલીસ હુકમનો અમલ નહિં કરનાર વિનોદ ઠાકરને પકડી શકતી નહિં હોવાથી સિનિયર સિટીઝન મહિલા ગ્રાહક ભાવનાબેન મધુસુદન ખંડેરીયા (ઉ.વ.73) છેલ્લા 10 વર્ષથી કાનુની લડત આપી રહ્યા છે અને પોતાની જીંદગીભરની જીવનની બચતની મુડી ગુમાવી બેઠા છે અને ન્યાયથી વંચિત રહ્યા છે.
વલસાડ ભાજપના 8 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ:પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કડક કાર્યવાહી કરાઈ
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગ બદલ આકરા પગલાં લીધા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને અધિકૃત ઉમેદવારો સામે અપક્ષ તરીકે ચૂંટણી લડવા બદલ 8 કાર્યકરોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 પૂર્વે કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ, ઉમરગામ નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો પર પક્ષના મેન્ડેટ સામે ઉમેદવારી નોંધાવનારા સભ્યોનું પ્રાથમિક સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. પક્ષે આ પ્રકારની બગાવતને બંધારણ અને શિસ્તના નિયમોનો ભંગ ગણાવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોમાં રમણ મોતીલાલ સુરતી (વોર્ડ-4, ઉમરગામ નગરપાલિકા), ઉદીત મહેશભાઈ સુકાની (વોર્ડ-1, ઉમરગામ નગરપાલિકા), સુનીલભાઈ પારવે (વોર્ડ-6, ઉમરગામ નગરપાલિકા), દિલશેર ચૌહાણ (વોર્ડ-6, ઉમરગામ નગરપાલિકા) અને દિપકભાઈ કામળી (વોર્ડ-7, ઉમરગામ નગરપાલિકા)નો સમાવેશ થાય છે. આ તમામે પક્ષના ઉમેદવાર વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત, નિલમબેન એમ. પટેલ (નાના વાઘછીપા, પારડી તા. પં. બેઠક પર કિન્નરીબેન પટેલ વિરુદ્ધ), સંતોષ રમણભાઈ કામળી (સોલસુંબા, ઉમરગામ તા. પં. બેઠક પર તેજારામભાઈ ચૌધરી વિરુદ્ધ) અને ઉષાબેન મહેશભાઈ મસીયા (ખતલવાડા, ઉમરગામ તા. પં. બેઠક પર કલ્પનાબેન હાડલ વિરુદ્ધ) ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે પક્ષ વિરુદ્ધ કામ કરનારા કોઈપણ સભ્યને સાંખી લેવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે ચૂંટણી સમયે શિસ્ત જાળવવી એ દરેક કાર્યકરની પ્રાથમિકતા હોવી જોઈએ અને શિસ્તના નિયમો તોડનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ તેજ બની છે. શહેરની કુલ 2,48,095 વસ્તીમાંથી 1,13,095 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 123 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી માટે જાહેર કરાયેલા આંકડા મુજબ, શહેરના 13 વોર્ડમાં કુલ 60,492 પુરુષ અને 52,600 મહિલા મતદારો નોંધાયા છે. આ ઉપરાંત, 3 ટ્રાન્સજેન્ડર મતદારો પણ સામેલ છે, જેથી કુલ મતદારોની સંખ્યા 1,13,095 પર પહોંચી છે. વોર્ડ નંબર 2માં સૌથી વધુ 12,707 મતદારો નોંધાયા છે, જ્યારે વોર્ડ નંબર 11માં સૌથી ઓછી 5,475 મતદારોની સંખ્યા છે. મતદારોની સંખ્યામાં આવેલા આ ફેરફારને કારણે કેટલાક વોર્ડમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવશે. આ વખતે મતદાર યાદીમાં સુધારણા, નામ કાપવા અને નવા નામ ઉમેરવાના કારણે મતદારોની સંખ્યામાં બદલાવ નોંધાયો છે. આ બદલાવને કારણે ઉમેદવારોને તેમની પ્રચાર રણનીતિમાં પણ ફેરફાર કરવો પડ્યો છે. વાપી મહાનગરપાલિકાના તમામ મતદાન મથકો પર પ્રાથમિક સુવિધાઓ અને બિલ્ડીંગની ચકાસણીઓ પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણીની તારીખ નજીક આવતાં, રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કર્યો છે અને મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે અંતિમ પ્રયાસો શરૂ કરી દીધા છે. હવે મતદાનના દિવસે શહેરના મતદારો કેટલો ઉત્સાહ દર્શાવે છે તેના પર સૌની નજર રહેશે.
હિંમતનગરમાં લવ જેહાદ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન:કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી કડક કાર્યવાહીની માંગ
હિંમતનગર શહેરમાં લવ જેહાદના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મોટી સંખ્યામાં હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી સામે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. તેમાં લવ જેહાદના વધતા જતા બનાવો અંગે ચિંતા વ્યક્ત કરીને આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે, મહેતાપુરા ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે લવ જેહાદના પ્રતીકરૂપે એક પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સમયે પણ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ અને દોષિતો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી અનિવાર્ય છે.
તાલાલા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. બોરવાવ ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાએ જનસભા સંબોધી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 1995 પહેલા ગુજરાતમાં કોંગ્રેસના શાસનથી પ્રજા પરેશાન હતી. જ્યારે ભાજપ છેલ્લા 30 વર્ષથી વિકાસ કાર્યોને કારણે સત્તામાં છે. ઝડફિયાએ સભામાં જણાવ્યું કે, 1995 પહેલા ગુજરાતની સ્થિતિ લોકોએ જોઈ છે. તે સમયે ગુંડાગીરી અને ભ્રષ્ટાચાર કોંગ્રેસની ઓળખ હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે પ્રજા કોંગ્રેસના શાસનથી ત્રસ્ત હતી. તેમણે ઉમેર્યું કે, 1995માં ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ છેલ્લા 30 વર્ષથી ગુજરાતના છેવાડાના લોકો સુધી વિકાસની યોજનાઓ પહોંચાડવામાં આવી છે. આ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી સતત સત્તા પર રહી છે. પૂર્વ મંત્રીએ ઉમેદવારોને સંબોધતા કહ્યું કે, જ્યારે પ્રજા મોટી સત્તા સોંપે છે, ત્યારે જવાબદારી પણ વિશેષ બને છે. આવનારા દિવસોમાં પદના માધ્યમથી લોકોના હિતમાં કામ થાય તે સૌની જવાબદારી રહેશે. તેમણે ઉપસ્થિત લોકોને ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. આ સભામાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે પણ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, લોકસભામાં 33% મહિલા અનામત કાયદાનો વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસની આગેવાનીમાં થયો અને વિરુદ્ધમાં મતદાન થયું. તેમણે કહ્યું કે, આ કાયદો પસાર ન થઈ શક્યો, જે મહિલાઓને તેમના હકથી વંચિત રાખવાનું કામ કોંગ્રેસ અને તેમના સાથી વિરોધ પક્ષોએ કર્યું છે.બારડે વધુમાં કહ્યું કે, પ્રજા તેમને માફ નહીં કરે અને વિશેષ કરીને મહિલાઓનો રોષ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ ભોગવવો પડશે.ગીર પંથકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર વેગવંતો બનાવવામાં આવ્યો છે.
રાજકોટ શહેરના પ્રિયદર્શન વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારને છરી વડે હુમલાના જૂના કેસમાં સમાધાન કરવા માટે આરોપી અને તેના માતા-પિતા દ્વારા સતત ધમકીઓ આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. આરોપીના માતા-પિતાએ મારો દીકરો તમારા પુત્રને ક્યારે મારી નાખશે તેની ખબર પણ નહીં પડે જેવી ધમકીઓ આપતા પીડિત પિતાએ અંતે પોલીસના શરણ લીધા છે. હુમલાની જૂની અદાવતરાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જગદીશભાઈ ટીંબલીયાના 17 વર્ષીય પુત્ર પર ગત 24 માર્ચના રોજ તેના મિત્ર જામ્બો ઉર્ફે આનંદે જૂની અદાવતમાં છરી વડે હુમલો કર્યો હતો. આ અંગે અગાઉથી જ પોલીસ ફરિયાદ નોંધાયેલી હતી, જેનો બદલો લેવા અને કેસ પાછો ખેંચાવવા આરોપીનો પરિવાર દબાણ કરી રહ્યો છે. સતત અપાતી ધમકીઓફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપીના માતા-પિતાએ અલગ-અલગ તારીખે ઘરે આવીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. 1 એપ્રિલના રોજ આરોપીના પિતાએ ધમકી આપી હતી કે જો સમાધાન નહીં કરો તો તમારા પુત્રને જ્યાં મળશે ત્યાં જાનથી મારી નાખીશું. 4-5 દિવસ બાદ ફરી ઘરે આવીને અમારા દીકરા સામે ફરિયાદ કરીને ભૂલ કરી છે, તમે લાંબું જીવવાનું વિચારતા નથી લાગતા તેમ કહી ડરાવ્યા હતા. 14 એપ્રિલે અંતિમ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આ છેલ્લી તક છે, નહીં તો તમારો દીકરો ખોઈ બેસશો. પોલીસ કાર્યવાહીવારંવાર મળતી ધમકીઓથી કંટાળીને જગદીશભાઈએ આરોપી જામ્બો તથા તેના માતા-પિતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં બે અલગ-અલગ ઘટનાઓમાં એક યુવાન અને એક નવજાત બાળકીનું મૃત્યુ થયું છે. નવા સાદુળકા ગામમાંથી ગુમ થયેલા યુવાનનો મૃતદેહ મચ્છુ નદીમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે અધૂરા મહિને જન્મેલી બાળકીનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. પોલીસે બંને બનાવોની નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી તાલુકાના નવા સાદુળકા ગામના ૨૦ વર્ષીય ચતુરભાઈ કેશુભાઈ પરમાર ગત ૧૫ એપ્રિલના રોજ બપોરે ૨ વાગ્યાની આસપાસ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા. તેમના પરિવારજનો અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. આ શોધખોળ દરમિયાન, મોરબી નજીક મચ્છુ-૩ ડેમ પાસે મચ્છુ નદીમાંથી ચતુરભાઈ પરમારનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવાનના મોટાભાઈ રમેશભાઈ કેશુભાઈ પરમાર (ઉંમર ૪૦) એ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે ગુમ થયાની અને ત્યારબાદ મૃતદેહ મળ્યાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટનામાં, મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીમાં લાલબાગના પાણીના ટાંકા પાસે રહેતા રાહુલભાઈ માનસંગભાઈ પારઘી (ઉંમર ૨૧) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા તેમની પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીનો જન્મ અધૂરા મહિને થયો હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન બાળકીનું અવસાન થયું હતું. બાળકીના પિતાએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભુજ તાલુકાના લોડાઇ ગામે પાણીપુરી ખાધા બાદ 70થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. બે દિવસ પહેલા બજારમાં પાણીપુરી ખાધા પછી લોકોને પેટમાં દુખાવો અને ઉલટી થવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં 36 જેટલા લોકોની તબિયત લથડી હતી. જોકે, ત્યારબાદ અન્ય લોકોને પણ અસર થતાં દર્દીઓનો આંકડો 70ને પાર પહોંચી ગયો છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ગામમાં સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 2671 લોકોનો ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો ગામમાં ફરી રહી છે અને લોકોની આરોગ્ય ચકાસણી કરી રહી છે. ફૂડ પોઈઝનિંગના કેસો વધતા સમસ્ત લોડાઇ ગામ દ્વારા હાલ પૂરતું પાણીપુરી વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મોડાસા નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આ દરમિયાન ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અવનવા પ્રચાર કરી રહ્યા છે. મોડાસા પાલિકાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર દીપેન પટેલે ઘોડા પર સવાર થઈને મતદારો પાસે મત માંગ્યા હતા. દીપેન પટેલ તેમના મતવિસ્તાર ખાખીકપુર ગામમાં આવેલા મંદિરે દર્શન કર્યા બાદ ઘોડા પર સવાર થયા હતા. તેઓ દેશી શરણાઈ અને ઢોલના તાલે જાણે લગ્નમાં નીકળ્યા હોય તે રીતે મતવિસ્તારમાં ફર્યા હતા. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ઉમેદવારનો આ અનોખો પ્રચાર લોકોમાં ભારે કુતૂહલ જગાવી રહ્યો છે. મતદારો પણ ઉમેદવારના આ અનોખા અંદાજને જોઈને આશ્ચર્યચકિત થયા હતા.
સુરત જિલ્લામાં આવતીકાલે, 20 એપ્રિલ 2026ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ પરીક્ષામાં કુલ 20,700 ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જાળવવા માટે સુરત શહેર પ્રશાસન અને પોલીસ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પરીક્ષા કેન્દ્રો અને બેઠક વ્યવસ્થાવહીવટી સરળતા માટે સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે. શહેરની 69 પ્રતિષ્ઠિત શૈક્ષણિક બિલ્ડીંગોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. કુલ 690 બ્લોકમાં બેઠક વ્યવસ્થા છે, જેમાં શિસ્ત જાળવવા માટે દરેક વર્ગખંડમાં માત્ર 30 ઉમેદવારો જ બેસશે. સમગ્ર જિલ્લાને 2 મુખ્ય ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. (ઝોન-1: ગુરુકુલ કુમાર અને ઝોન-2: ગુરુકુલ કુમાર કાસાનગર વિદ્યાલય, કતારગામ). પરીક્ષા બે સત્રમાં લેવાશે પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવા માટે 31 ખાસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. બંને સત્રો માટે આ જ રૂટ મારફતે કડક સુરક્ષા વચ્ચે પ્રશ્નપત્રોનું વિતરણ કરવામાં આવશે. દરેક રૂટ પર જવાબદાર અધિકારીઓની હાજરી અનિવાર્ય રાખવામાં આવી છે. તમામ 69 કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જપરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તંત્ર દ્વારા અત્યાધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ 69 કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જ છે અને તેનું લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવશે. દરેક કેન્દ્ર પર કેન્દ્ર નિયામકો ઉપરાંત ઓબ્ઝર્વર તરીકે PI (Police Inspector) કક્ષાના અનુભવી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કેન્દ્રોની આસપાસ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ભીડને નિયંત્રિત કરવા માટે સુરત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત ગોધરાની ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ ખાતે 528 EVM મશીનોને સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ રીતે સંપન્ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. EVM મશીનોની સીલિંગની કામગીરી ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ મહત્વપૂર્ણ કામગીરીમાં 50 થી વધુ પ્રિસાઈડિંગ ઓફિસરો અને અન્ય કર્મચારીઓનો સ્ટાફ ખડેપગે જોડાયો છે, જેઓ EVM મશીનોને સુરક્ષિત રીતે સીલ કરી રહ્યા છે. માહિતી મુજબ, ગોધરા વિભાગમાં જિલ્લા પંચાયતની 7 અને તાલુકા પંચાયતની 29 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. આ માટે તાલુકા પંચાયત માટે 305 બૂથ અને જિલ્લા પંચાયત માટે 264 બૂથ મળી કુલ 569 બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કુલ 569 બૂથ માટે જરૂરી 528 EVM મશીનોને અત્યંત સુરક્ષિત રીતે સીલ કરવાની કામગીરી પૂર્ણતાના આરે છે. જિલ્લા તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી આગામી સમયમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ શકે.
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આદિવાસી મજૂરોના બાકી વેતન અને શોષણનો મુદ્દો ગરમાયો છે. 'ભારત આદિવાસી સંવિધાન સેના' અને 'મજૂર અધિકાર મંચ' દ્વારા મહુવા અને વ્યારા સુગર ફેક્ટરીના મેનેજમેન્ટ સામે કડક વલણ અપનાવી આખરી એલ્ટીમેટમ જાહેર કરવામાં આવ્યું છે. મજૂર સંગઠનોએ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં વેતનની ચુકવણી નહીં થાય, તો સમગ્ર જિલ્લામાં ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે. મુખ્ય વિગતો અને આક્ષેપોસંગઠનોના જણાવ્યા અનુસાર, જિલ્લાના હજારો આદિવાસી મજૂરોએ વર્ષભર સખત પરિશ્રમ કર્યો હોવા છતાં, સીઝન પૂર્ણ થયા પછી પણ તેમને હકનું વેતન મળ્યું નથી. મજૂરોએ આક્ષેપ કર્યો છે કે ફેક્ટરી સંચાલકો દ્વારા સતત ખોટા આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે. એક તરફ સરકાર વિકાસના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ શ્રમિકોને પાયાના હક માટે રસ્તા પર ઉતરવાની નોબત આવી છે. સંગઠનોની મુખ્ય માંગણીઓ:મહુવા અને વ્યારા સુગર ફેક્ટરીના તમામ મજૂરોને બાકી વેતન વ્યાજ સહિત તાત્કાલિક ચૂકવવામાં આવે. મજૂરોનું આર્થિક શોષણ કરનાર જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવે. ચૂંટણી બહિષ્કારની ચીમકીઆંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો 24 કલાકમાં સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો ડાંગમાં “પેમેન્ટ નહીં તો વોટ નહીં”ના સૂત્ર સાથે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ અંતર્ગત ગામડાઓમાં કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પણ તૈયારી દર્શાવી છે. રાજ્યના ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ડાંગ મુલાકાત પૂર્વે જ મજૂર સંગઠનોએ તેમને સીધો પડકાર ફેંક્યો છે. સંગઠનોએ માંગ કરી છે કે ગૃહમંત્રી આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી શ્રમિકોને ન્યાય અપાવે. જો વહીવટી તંત્ર કે સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે, તો જિલ્લામાં ઉભી થનારી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુરતના રાજકારણમાં રસાકસીની સાથે આક્ષેપ-પ્રતિઆક્ષેપની ચરમસીમા જોવા મળી રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 8 (કતારગામ) બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર વંદનાબેન ઘોઘારીના સંતાનોની સંખ્યાને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાગર સવાણીએ ગંભીર આક્ષેપો કરતા રાજકીય ગલિયારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોગંદનામામાં વિસંગતતા હોવાનો દાવોઆમ આદમી પાર્ટીના ઉમેદવાર સાગર સવાણીએ ચૂંટણી પંચમાં કરેલી ફરિયાદ મુજબ, ભાજપના ઉમેદવાર વંદના ઘોઘારીએ તેમના ઉમેદવારી ફોર્મ સાથેના સોગંદનામામાં બાળકોની સંખ્યા બાબતે ગેરમાર્ગે દોર્યા છે. આક્ષેપ છે કે પ્રથમ એફિડેવિટમાં તેમણે 'ઝીરો' સંતાન દર્શાવ્યા હતા, જ્યારે હકીકતમાં તેમને ત્રણ સંતાનો છે. વિવાદ વધતા બીજી વખત રજૂ કરેલા સોગંદનામામાં પણ બે સંતાનોની વિગત આપી હોવાનું સામે આવ્યું છે, જે વાસ્તવિકતાથી અલગ હોવાનો દાવો 'આપ' દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતના 3 સંતાનોના નિયમનો ભંગ?ગુજરાત સ્થાનિક સત્તામંડળના કાયદા મુજબ, જે વ્યક્તિને બેથી વધુ (ત્રણ કે તેથી વધુ) સંતાનો હોય, તે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. સાગર સવાણીએ પુરાવાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, વંદનાબેનને ત્રણ સંતાનો હોવા છતાં ખોટી વિગતો રજૂ કરીને ચૂંટણી પંચ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેમણે આ બાબતે ચૂંટણી અધિકારી સમક્ષ કડક વાંધા અરજી દાખલ કરીને ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. ચૂંટણી અધિકારીઓ ભાજપના ઉમેદવાર પર કેમ મહેરબાન?સાગર સવાણીએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, આ જ વોર્ડમાં એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ ત્રણ બાળકોના કારણે રદ કરવામાં આવ્યું છે. તો પછી ભાજપના ઉમેદવાર સામે પુરાવા હોવા છતાં ચૂંટણી અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે? શું કાયદો બધા માટે સમાન નથી? તેમણે વધુમાં ઉમેર્યું કે જો ચૂંટણી પંચ દ્વારા ન્યાયિક તપાસ કરીને ફોર્મ રદ કરવામાં નહીં આવે, તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. જનતા જડબાતોડ જવાબ આપશેચૂંટણી પ્રચાર દરમિયાન સાગર સવાણીએ કતારગામની જનતાને હાકલ કરતા કહ્યું કે, જે ઉમેદવાર સત્તા મેળવવા માટે ચૂંટણી પંચને છેતરી શકે, તે જનતાનું ભલું કેવી રીતે કરશે? જનતાએ ઉમેદવારની વિશ્વસનીયતા તપાસીને જ મતદાન કરવું જોઈએ. કતારગામની જનતા આ છેતરપિંડી અને અન્યાયનો જડબાતોડ જવાબ આપશે. ભાજપના ઉમેદવાર દ્વારા છડેચોક નિયમોનું ઉલ્લંઘનસાગર સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે પુરાવા સાથે વાંધો રજૂ કર્યો છે. લોકશાહીમાં પારદર્શકતા હોવી જોઈએ. ભાજપના ઉમેદવાર છડેચોક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને તંત્ર તેમને છાવરી રહ્યું હોય તેવું લાગે છે. અમે ન્યાય માટે છેક સુધી લડીશું.
હળવદમાં સગીરાનો આપઘાત:ભાઈએ મોબાઈલ મોડી રાત સુધી જોવાનો ઠપકો આપતા લીધું પગલું
હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ ફોન જોતી સગીરાએ ભાઈના ઠપકા બાદ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના 5 એપ્રિલના રોજ બની હતી. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામે પંકજભાઈ પટેલની વાડીએ મજૂરી કામ કરતા પ્રતાપસિંગ નવલસિંહ ચૌહાણ (44)ની 17 વર્ષીય પુત્રી સીમાબેન પ્રતાપસિંહ ચૌહાણે વાડીએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા તેને તાત્કાલિક ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું. મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સગીરા મોડી રાત સુધી મોબાઈલ જોતી હોવાથી તેના ભાઈ પવને ઠપકો આપ્યો હતો, જે બાબત તેને લાગી આવતા તેણે આ પગલું ભર્યું હતું. બીજી એક ઘટનામાં, હળવદના માનસર ગામે આવેલા જેટકોના સબસ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઇન ઇન્સ્પેક્ટરે થપ્પડ મારી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબીના ઉમટાઉનશીપના રહેવાસી અને હાલ હળવદના સરા રોડ પર હરીનગર સોસાયટીમાં રહેતા જેટકોના કાર્યપાલક ઇજનેર નીતિનભાઈ જયસુખભાઈ લોરીયા (33)એ હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી હસમુખભાઈ ધાંગધ્રાના વડવાળી શેરી, સોની તલાવડીના રહેવાસી છે અને માનસર ગામે 400 KV જેટકોના લાઇન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ મુજબ, આરોપી અગાઉ નોકરીમાં ગેરહાજર રહ્યા હતા, ત્યારે ફરિયાદીએ હાજરી માસ્ટરમાં તેમની હાજરી સામે લીટો માર્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ બોલાચાલી કરી, ઝપાઝપી કરી, અભદ્ર ગાળો આપી ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગાલ પર થપ્પડ મારી હતી. તેણે અર્થીંગ ફાઇબર રોડનો દંડો લઈને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
બોટાદમાં માથાભારે ગેંગ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી:ફિરોઝ કાઝી સહિત 6 શખ્સો સામે ગુનો દાખલ, 3ની ધરપકડ
બોટાદ પોલીસે શહેરમાં સક્રિય માથાભારે ગેંગ વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે. આ ગેંગના છ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગેંગના મુખ્ય સૂત્રધાર ફિરોઝ ઉર્ફે મોટો કાઝી, સુફિયાન ઉર્ફે સિરો ડોન, શબ્બીર કુરેશી, તૌસીફ જાંગડ, નવાઝ ઉર્ફે નાના કાઝી અને રમઝાન ઉર્ફે રીયાઝ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. આ ગેંગ મારામારી, ખંડણી, હત્યાનો પ્રયાસ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હતી. તેમના સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. બોટાદ પોલીસે છ આરોપીઓ પૈકી ત્રણ, શબ્બીર કુરેશી, નવાઝ કાઝી અને રમઝાન ઉર્ફે રીયાઝની ધરપકડ કરી છે. તૌસીફ અને ફિરોઝ અન્ય ગુનામાં જેલમાં છે, જ્યારે સુફિયાનને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ અંગેની માહિતી બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ આપી હતી.
જૂનાગઢ શહેરના મધુરમથી ઝાંઝરડા રોડ તરફ જતો ચોબારી ફાટકનો માર્ગ હાલ વાહનચાલકો માટે જોખમી બની ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના નિંભર તંત્ર દ્વારા આડેધડ રીતે રસ્તા પર એક મસમોટું સ્પીડબ્રેકર બનાવી દેવામાં આવ્યું છે, જે વાહનચાલકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહ્યું છે. આ સ્પીડબ્રેકર એટલું ભયાનક છે કે દૂરથી આવતા વાહનચાલકોને ત્યાં સ્પીડબ્રેકર હોવાનો કોઈ ખ્યાલ આવતો નથી. જેના કારણે પૂરપાટ ઝડપે આવતા વાહનો હવામાં ફંગોળાય છે અને જીવલેણ અકસ્માતો સર્જાય છે.આ રોડ પરથી રોજ હજારો વાહનો અને સ્કૂલના બાળકો ભરેલા વાહનો પસાર થાય છે, જે તમામનો જીવ હાલ જોખમમાં મૂકાયો છે. તાજેતરમાં જ આ સ્થળ પરથી એક હચમચાવી નાખનારો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે એક ટ્રેક્ટર આ સ્પીડબ્રેકર પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક આવેલા જમ્પના કારણે ટ્રેક્ટરમાં બેઠેલો એક મજૂર રોડ પર નીચે પછડાયો હતો. આ મજૂર ટ્રેક્ટરના તોતિંગ ટાયરની બિલકુલ નીચે આવી ગયો હતો, પરંતુ નસીબજોગે તે આંખના પલકારે ટાયરથી બચી ગયો અને તુરંત ઉભો થઈને રોડની બાજુમાં ખસી ગયો હતો. આ દ્રશ્યો જોઈને કોઈપણ વ્યક્તિના રુવાડા ઉભા થઈ જાય તેમ છે. જો મજૂર થોડો પણ મોડો પડ્યો હોત તો ત્યાં જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોત. સ્થાનિક દુકાનદાર મુકેશભાઈ પંડિતે જણાવ્યું હતું કે અહીં રોજ ચારથી પાંચ અકસ્માતો સર્જાય છે. આ સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા કે કોઈપણ પ્રકારની સાવચેતીની નિશાની મારવામાં આવી નથી, જેના કારણે રાત્રિના સમયે કે દિવસે પૂર ઝડપે આવતા વાહનો અહીં ઉછળે છે. અગાઉ પણ અહીં એક વૃદ્ધ દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે પાછળ બેઠેલા વૃદ્ધા નીચે પછડાતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. બે યુવકોએ તો ચાર મહિના પહેલા જ અહીં અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોવાની પણ વિગતો સામે આવી રહી છે. છતાં પણ તંત્ર આ મામલે મૌન સેવીને બેઠું છે, જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક વાહનચાલકો અને રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જ્યારે કોઈ અકસ્માત થાય છે ત્યારે નેતાઓ અને અધિકારીઓ માત્ર હોસ્પિટલે ફોટા પડાવવા પહોંચી જાય છે, પરંતુ અકસ્માત ન થાય તે માટેની આગોતરી કામગીરી કરવામાં આવતી નથી. વાહનચાલક જગદીશભાઈ જણાવે છે કે અધિકારીઓ પોતે પણ આ જ રસ્તા પરથી પસાર થાય છે, છતાં તેમને આ જોખમી સ્પીડબ્રેકર દેખાતું નથી તે આશ્ચર્યની વાત છે. સ્પીડબ્રેકર પર પટ્ટા ન હોવાથી વાહનચાલકો સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસે છે અને ફિલ્મમાં સ્ટન્ટ થતા હોય તેવા દ્રશ્યો રોજ સર્જાય છે. જૂનાગઢ મહાનગરપાલિકાની આ અણઆવડત હવે લોકોના જીવ પર બની છે. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી નીતિ ધરાવતું તંત્ર હવે જાગશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. સ્થાનિકોની એક જ માંગ છે કે કાં તો આ સ્પીડબ્રેકરને સદંતર દૂર કરવામાં આવે અથવા તો તેના પર તાત્કાલિક રીફ્લેક્ટર અને સફેદ પટ્ટા લગાવવામાં આવે જેથી વાહનચાલકોને અગાઉથી ખબર પડે. જો વહેલી તકે આ મામલે નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અહીં કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે, જેની સંપૂર્ણ જવાબદારી મનપા તંત્રની રહેશે.
ગાંધીનગરના અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી એક યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓએ એક સિનિયર વિધાર્થી પર રેગિંગ અને મારપીટના આક્ષેપો કરી અડાલજ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતા શૈક્ષણિક આલમમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે સિનિયર અને જુનિયર વિધાર્થીઓને બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સિનિયરે રેગિંગ કર્યાની 4 વિદ્યાર્થીઓએ અરજી કરીપ્રાપ્ત વિગતો અનુસાર,ગાંધીનગર અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારની જાણીતી યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓએ પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, ગત 4 એપ્રિલના રોજ યુનિવર્સિટીના જ એક સિનિયર વિદ્યાર્થી દ્વારા તેમની સાથે રેગિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સિનિયર વિધાર્થીએ ચારેય વિદ્યાર્થીઓ સાથે મારપીટ પણ કરી હતી. જોકે, ભોગ બનનાર વિદ્યાર્થીઓ અન્ય શહેરોમાંથી આવતા હોવાથી અને પોલીસ પ્રક્રિયાથી અજાણ હોવાને કારણે શરૂઆતમાં ભારે ડર અનુભવતા હતા. એ વખતે સિનિયર્સ દ્વારા સતત આપવામાં આવતી ધમકીઓને કારણે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને ફરિયાદ કરવાની હિંમત કરી શક્યા નહોતા. આક્ષેપો સાચા સાબિત થશે તો સિનિયર વિદ્યાર્થીની અટકાયત કરાશેઆખરે હિંમત એકઠી કરીને વિદ્યાર્થીઓએ 12 એપ્રિલના રોજ અડાલજ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલ તેઓ પોતાની સુરક્ષાને લઈને ભારે ખતરો અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે સિનિયર વિદ્યાર્થી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે. કેમ્પસમાં રેગિંગ જેવી ગંભીર ઘટના બની હોવા છતાં યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલ કે તંત્રને આ અંગે જાણ કેમ ન થઈ તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. હાલમાં પોલીસે આ લેખિત અરજીના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જો આ આક્ષેપો સાચા સાબિત થશે તો સિનિયર વિદ્યાર્થી સામે ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી શકે છે. બીજી તરફ પોલીસ આ મામલે યુનિવર્સિટી સત્તાધીશો પાસે પણ વિગતો માંગી શકે છે.
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા રવિવારે બપોરે 3 કલાકે સેગવા ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મતદારોને સંબોધિત કરશે. આ સભા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોના પ્રચારાર્થે યોજાઈ રહી છે. જાહેરસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મતદારોને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરશે. ચૂંટણી પૂર્વે આ સભાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તે મતદારોને સીધો સંદેશ આપશે. સભાની તૈયારીઓના ભાગરૂપે ગુંદલાવ હેલિપેડથી સેગવા જાહેરસભા સ્થળ સુધી રિહર્સલ યોજવામાં આવી હતી. આ રિહર્સલ દરમિયાન વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા, DySP HQ ભાર્ગવ પંડિયા, DySP SDPO એ.કે. વર્મા સહિત પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને DGVCLના અધિકારીઓએ પણ આયોજનની સમીક્ષા કરી હતી. નાયબ મુખ્યમંત્રીના કાફલા દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અને રૂરલ પોલીસને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. રિહર્સલ દરમિયાન સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને અન્ય તમામ નાની બાબતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.
દમણમાં બોમ્બે ડોક બ્લાસ્ટ શહીદોની યાદમાં પરેડ:ફાયર સેફ્ટી વીક અંતર્ગત જાગૃતિનો સંદેશ ફેલાવાયો
સંઘપ્રદેશ દમણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા નાની દમણ ખાતે 'ફાયર સેફ્ટી અવેરનેસ પરેડ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડનો મુખ્ય હેતુ નાગરિકોમાં આગની દુર્ઘટનાઓ સામે રક્ષણ મેળવવા અંગે જાગૃતિ લાવવાનો હતો. ભારત સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર, 20મી એપ્રિલ સુધી દેશભરમાં ઉજવાઈ રહેલા 'ફાયર સર્વિસ વીક'ના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. આ જાગૃતિ પરેડ નાની દમણના સર્કિટ હાઉસથી શરૂ થઈને દિલીપ નગર ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી. તેમાં પોલીસ બેન્ડ, NCC કેડેટ્સ, ઉદ્યોગપતિઓ, DIA અને હોટલ એસોસિએશનના સભ્યો, સરકારી કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ ઇન્ડસ્ટ્રીઝના સિક્યુરિટી જવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, 'ફાયર સર્વિસ વીક' 14 એપ્રિલ 1944ના રોજ થયેલા બોમ્બે ડોક બ્લાસ્ટમાં શહીદ થયેલા જવાનોની યાદમાં ઉજવવામાં આવે છે. તેમની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે આ સપ્તાહની ઉજવણી થાય છે. આ વર્ષે 'સેફ સ્કૂલ, સેફ હોસ્પિટલ એન્ડ ફાયર સેફ્ટી અવેર સોસાયટી - ટુગેધર ફોર ફાયર પ્રિવેન્શન'ના સૂત્ર સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. 18 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યે નાની દમણના સરકારી સર્કિટ હાઉસથી આ પરેડનો પ્રારંભ થયો હતો. પરેડમાં જોડાયેલા લોકોએ હાથમાં 'ફાયર ડિસ્ટ્રોયસ, પ્રિવેન્ટ ડિસ્ટ્રક્શન' જેવા પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને સાવચેત કર્યા હતા. આ કૂચ દિલીપ નગર ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી.એક અધિકારીએ આ કાર્યક્રમ અંગે જણાવ્યું કે, આગ કેટલી ખતરનાક બની શકે છે અને તેના પર કેવી રીતે કાબૂ મેળવવો તે સમજાવવા માટે માત્ર પરેડ જ નહીં, પરંતુ સેમિનાર અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે. લોકોમાં સુરક્ષાના પગલાં અંગે સભાનતા વધે તે જ પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે હેતુથી શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસને વ્યૂહાત્મક આયોજન કર્યું છે. આ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 15 માં આવેલા શંકર ટેકરી અને રજા નગર સહિતના વિસ્તારોમાં પોલીસ કાફલાએ નિરીક્ષણ કર્યું હતું. આ વિસ્તારો ભૌગોલિક અને વસ્તીની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાય છે. આ ફૂટ પેટ્રોલિંગમાં DYSP જયવીરસિંહ ઝાલા, સીટી-સી ડિવિઝન PI નિખિલ ડાભી અને LCB PI ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. તેમની સાથે LCB, સીટી-સી ડિવિઝન અને સ્થાનિક પોલીસ સ્ટાફના જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસ અધિકારીઓએ વિસ્તારના મુખ્ય માર્ગો અને સાંકડી ગલીઓમાં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જાળવવી, આચારસંહિતાનું પાલન કરાવવું અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના પ્રબળ કરવાનો છે. પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ચૂંટણીમાં ખલેલ પહોંચાડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ બે હોટલ સામે કડક કાર્યવાહી કરી છે. સિટી પેલેસ હોટલ અને બાલાજી હોટલમાં દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાનું સાબિત થતાં બંને હોટલને એક વર્ષ માટે સીલ કરવાનો અને તેનો કબજો સરકાર હસ્તક લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. નાયબ કલેક્ટર મકવાણાને આ અંગે વિશ્વસનીય માહિતી મળી હતી. જેના આધારે ખાનગી રાહે અધિકૃત ટીમ અને ગ્રાહકો મોકલી અચાનક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે ચોટીલા શહેરમાં નેશનલ હાઇવે 47 પર આવેલી આ બંને હોટલમાં ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી હતી. દેવા ભીખા આલની માલિકીની/સંચાલિત સિટી પેલેસ હોટલ અને સંજય અમુ ડાભીની માલિકીની/સંચાલિત બાલાજી હોટલમાં દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હતી. આ પ્રવૃત્તિ હેઠળ એક વ્યક્તિ દીઠ રૂ. 1,000 વસૂલવામાં આવતા હતા. હોટલના માલિકો/મેનેજરો આ પ્રવૃત્તિથી વાકેફ હોવા છતાં મૌન સહમતિ આપી હતી અથવા પૂરતી દેખરેખ રાખી ન હતી, જેના કારણે આ હોટલો અનૈતિક વેપારનું કેન્દ્ર બની હતી. આ મામલે, ગત તારીખ 30 જાન્યુઆરી, 2026ના રોજ સિટી પેલેસ હોટલના માલિક દેવા આલ અને બાલાજી હોટલના માલિક સંજય ડાભીને અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ, 1956ની કલમ 18(1) હેઠળ વેશ્યાલય બંધ કરવા અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ નાયબ કલેક્ટર મકવાણાની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન, બંને હોટલના માલિકોએ દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાનું કબૂલ્યું હતું. જે સાબિત થતાં, તારીખ 30 માર્ચ, 2026ના રોજ અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ, 1956ની કલમ 18 હેઠળ બંને હોટલને એક વર્ષની મુદત માટે ક્લોઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો. વધુમાં, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલાને આ બંને હોટલો તાત્કાલિક ક્લોઝ કરાવી તેનો કબજો સરકાર હસ્તક સંભાળી લઈ રિપોર્ટ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે.
કચ્છના નાના રણ વિસ્તારમાં મીઠા ઉત્પાદનનો ઉદ્યોગ રાજ્ય અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. હાલમાં, ખારાઘોડા રણમાં આશરે 15 લાખ મેટ્રિક ટન તૈયાર મીઠું પડ્યું છે, પરંતુ ડીઝલની ગંભીર અછતને કારણે તેના પરિવહન અને સંગ્રહમાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે. આ પરિસ્થિતિને કારણે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો અગરિયાઓ, મજૂરો અને વેપારીઓ ચિંતિત છે. મીઠાના ઉત્પાદન પછી એપ્રિલ-મે મહિનામાં તેનું પરિવહન અને સંગ્રહ અત્યંત સંવેદનશીલ તબક્કો હોય છે. રણમાં તૈયાર થયેલા મીઠાને સમયસર ખારાઘોડા ખાતે સંગ્રહિત કરવું અનિવાર્ય છે. આ કામગીરી માટે દરરોજ અંદાજે 300 ટ્રકો અને 50 જેટલી હિટાચી મશીનો સતત કાર્યરત હોય છે, જે સંપૂર્ણપણે ડીઝલ પર નિર્ભર છે. પાટડી-ખારાઘોડા વિસ્તારમાં ડીઝલ સપ્લાય કરતી પેટ્રોલિયમ કંપનીઓના ડીલરોને છેલ્લા કેટલાક સમયથી ડીઝલનો પૂરતો અને સમયસર પુરવઠો મળી રહ્યો નથી. આના પરિણામે ડીઝલની તીવ્ર અછત સર્જાઈ છે, જેની સીધી અને નકારાત્મક અસર મીઠા ઉદ્યોગની કામગીરી પર પડી રહી છે. ખારાઘોડા સોલ્ટ એસોસિએશનના પ્રમુખ હિંગોર રબારીએ જણાવ્યું હતું કે, ડીઝલની અછતને કારણે તૈયાર મીઠું સમયસર ખેંચી શકાતું નથી. જો વરસાદ આવે તો રણમાં રહેલું મીઠું સંપૂર્ણપણે બગડી જવાનો ભય છે. આનાથી અગરિયાઓની આખા વર્ષની મહેનત અને આવક પર પાણી ફરી વળશે. આ પરિસ્થિતિને કારણે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો મજૂરો અને તેમના પરિવારોના રોજગાર પર સીધી અસર પડી રહી છે, જેનાથી સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાતા વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયિકોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ખારાઘોડા ખાતે મીઠાના સંગ્રહ અને વિતરણમાં વિલંબ થવાથી રાજ્ય અને દેશવ્યાપી સપ્લાય ચેઇન પર પણ પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. મીઠું એક આવશ્યક ખાદ્ય પદાર્થ હોવાથી તેની ઉપલબ્ધતા પર લાંબા ગાળે અસર થઈ શકે છે, જે જાહેર હિત માટે યોગ્ય નથી. આથી, સંબંધિત પેટ્રોલિયમ કંપનીઓ અને ડીલરોને તાત્કાલિક સૂચનાઓ આપીને ડીઝલનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા અને મીઠા ઉદ્યોગને પ્રાથમિકતા આપવા વિનંતી કરવામાં આવી છે. જરૂર પડ્યે વિશેષ ક્વોટા ફાળવવા પણ વિચારણા કરવી જોઈએ.
વિશ્વ વારસા દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં રુંગટા વિદ્યાભવન દ્વારા હેરિટેજ વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સ્થાનિક ઐતિહાસિક વારસાની ઓળખ કરાવવાનો અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. હેરિટેજ વૉક દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં જામા મસ્જિદ, સરદાર મંઝિલ, રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, આર.એસ. દલાલ હાઈસ્કૂલ અને ભરૂચ ફોર્ટ વોલ જેવા મહત્વપૂર્ણ સ્થળોનો સમાવેશ થાય છે. દરેક સ્થળે વિદ્યાર્થીઓને તેના ઇતિહાસ, સ્થાપત્ય શૈલી અને સામાજિક મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ નોંધપોથીમાં માહિતી નોંધવાની પ્રવૃત્તિ પણ કરી હતી. આ પ્રયાસ દ્વારા અભ્યાસને પ્રાયોગિક અનુભવ સાથે જોડવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓ વધુ સારી રીતે શીખી શકે. શાળા પરિસરથી શરૂ થયેલી આ પદયાત્રા દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને નવી માહિતી મેળવવાની જિજ્ઞાસા સ્પષ્ટપણે જોવા મળી હતી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાના શહેરના ઐતિહાસિક વારસાને ઓળખવાની અને તેના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો.
પશ્ચિમ એશિયામાં પ્રવર્તતી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સરહદે સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ પગલું લેવાયું છે. સુરક્ષા દ્રષ્ટિએ, કોઈપણ આતંકવાદી ઘટના પછીના હાઈ-એલર્ટ સમયગાળા કરતાં 'સામાન્ય' ગણાતો સમય વધુ મહત્ત્વનો હોય છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે. આ ઓપરેશન એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષાના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત કરાયું હતું. 17 એપ્રિલ, 2026ના રોજ જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. યાદવ અને પી.એસ.આઈ. જી.એમ. બોપલિયા સહિતના તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત રોઝી બંદર, નવા બંદર, બેડી બંદર, ખારા બેરાજા અને માધાપર ભૂંગા દરિયાઈ વિસ્તાર જેવા મહત્ત્વના સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન, મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો બનાવીને દરિયાઈ માર્ગે બોટ પેટ્રોલિંગ અને જમીન માર્ગે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. શંકાસ્પદ વ્યક્તિઓ અને બોટોનું ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. આ ઉપરાંત, ફિશ લેન્ડિંગ પોઈન્ટ્સ, ફિશિંગ સેન્ટરો, મહત્ત્વના વિસ્તારો (વાઈટલ એરિયા) અને અવાવરુ જગ્યાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. આ સરાહનીય કામગીરીનો મુખ્ય હેતુ દેશદ્રોહી અને આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા તેમજ દરિયાઈ સીમાઓ પરથી થતી ઘૂસણખોરી અટકાવવાનો છે, જેથી કોઈપણ કટોકટીપૂર્ણ પરિસ્થિતિને ટાળી શકાય.
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 2 માં આવેલા કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયને મહાનગરપાલિકાના દબાણ વિભાગે સીલ કરી બંધ કરાવ્યું છે. મામલતદાર કચેરીના આદેશ બાદ પાલિકા તંત્રએ આ કાર્યવાહી કરી હતી. જલાલપોરના વોર્ડ નંબર 2 માં ગૌરીશંકર મહોલ્લામાં રામદેવપીર મંદિર પાસે કોંગ્રેસનું આ કાર્યાલય કાર્યરત હતું. સૂત્રો અનુસાર, આ કાર્યાલય કોઈપણ પૂર્વ મંજૂરી વગર શરૂ કરાયું હોવાની ફરિયાદ મામલતદાર કચેરીએ થઈ હતી. આ ફરિયાદના આધારે મામલતદારે મહાનગરપાલિકાના દબાણ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ કાર્યાલય વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર વિપુલસિંહ બી. મકવાણાની માલિકીનું હોવાનું બહાર આવ્યું છે. વિપુલ મકવાણાએ આ મામલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ મારી ખાનગી માલિકીની ઓફિસ છે. પોતાની માલિકીની જગ્યામાં ઓફિસ ખોલવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. ભાજપ સત્તાનો દુરુપયોગ કરીને ગંદી રાજનીતિ રમી રહ્યું છે અને અમને પ્રચાર કરતા રોકવા માટે જાણીજોઈને કનડગત કરવામાં આવે છે. આ સમગ્ર મામલે નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોરે નિયમોની સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, કોઈપણ મતદાન મથકની 200 મીટરની અંદર કાર્યાલય ન હોવું જોઈએ અને 100 મીટરની ત્રિજ્યામાં પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ હોય છે. વોર્ડ નં. 2 ના કિસ્સામાં વહીવટી તંત્ર પાસેથી કોઈ પરવાનગી લેવાઈ ન હતી અને NMC એન્ફોર્સમેન્ટ ટીમ પહોંચી ત્યારે ત્યાં પરવાનગી વગર બેનરો લાગેલા હતા. મુખ્ય મુદ્દો એ હતો કે જાહેર રોડ પર દુકાનની આગળ મંડપ નાખીને આયોજન કરાયું હતું, જેની પરવાનગી આપી શકાય નહીં. ઉમેદવાર ખાનગી મિલકતમાં કાર્યાલય ખોલી શકે છે, પરંતુ તેના માટે 'સિંગલ વિન્ડો સિસ્ટમ' દ્વારા મંજૂરી લેવી અનિવાર્ય છે. નવસારીમાં ભાજપ અત્યાર સુધી 52 બેઠકો પૈકી 2 બેઠકો પર બિનહરીફ વિજેતા બની ચૂક્યું છે. બીજી તરફ કોંગ્રેસ પોતાનું કાર્યાલય પણ બચાવી શકી નથી તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પાલિકાની આ કાર્યવાહી બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને કોંગ્રેસ આગામી દિવસોમાં આક્રમક વલણ અપનાવે તેવા સંકેતો મળી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના મોટા કાજલીયાળી ગામમાં ગૌચરની જમીન પર ચાલી રહેલા ગેરકાયદે ખનન મામલે વહીવટી તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. જાગૃત સરપંચ પ્રતિનિધિ સંજયભાઈ બોરીચાએ જ્યારે ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી, ત્યારે ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્રએ સહકાર આપવાને બદલે ઉલટું સરપંચને જ એક્શન લેવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ કરતો વીડિયો વાઇરલ થયો છે. તંત્રની ઉદાસીનતા અને સરપંચ પર દબાણગામના ગૌચરમાં કોઈપણ મંજૂરી વિના મોટા પાયે થઈ રહેલા માટી અને રેતીના ખનનની જાણ થતા સરપંચ સંજય બોરીચાએ સતત ચાર-પાંચ દિવસ સુધી ખાણ-ખનીજ વિભાગ અને પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. અંતે જ્યારે તેમણે પ્રાંત અધિકારી સાથે વાત કરી, ત્યારે અધિકારીએ સ્થળ પર આવવાને બદલે સરપંચને જ જીવના જોખમે વાહનો પકડી રાખવાની સૂચના આપી હતી. ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તાલુકા વિકાસ અધિકારી (TDO) ઓડેદરાએ સરપંચને ફોન કરી ધમકાવ્યા હતા કે, જો ખનન કરતા વાહનો ત્યાંથી ભાગી જશે, તો તમારી સામે એક્શન લેવામાં આવશે. સરપંચે વારંવાર પોલીસ પ્રોટેક્શન માંગવા છતાં તંત્રએ પોતાની જવાબદારી જનપ્રતિનિધિ પર ઢોળી દીધી હતી. સરપંચના ગંભીર આક્ષેપોસરપંચ સંજય બોરીચાએ તંત્ર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, વહીવટી તંત્ર કાં તો ભૂમાફિયાઓથી ડરે છે અથવા તેમની સાથે આર્થિક સાંઠગાંઠ ધરાવે છે. ખનીજ ચોરોને ભાગી છૂટવા માટે અધિકારીઓ દ્વારા પૂરતો સમય આપવામાં આવે છે. પંચાયત પાસે માફિયાઓ સામે લડવા માટે કોઈ સત્તા કે સાધન નથી, છતાં અધિકારીઓ તેમને બલિનો બકરો બનાવી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારીનો બચાવબીજી તરફ, તાલુકા વિકાસ અધિકારીએ પંચાયત ધારાની જોગવાઈઓનો હવાલો આપી બચાવ કર્યો હતો કે ગામની મિલકતની જાળવણી કરવાની પ્રાથમિક જવાબદારી પંચાયતની છે, તેથી સરપંચને વાહનોનું ધ્યાન રાખવા કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી જમીનની લૂંટ રોકવા માટે અધિકારીઓ અને પોલીસ તંત્રના નિષ્ક્રિય અભિગમને કારણે લોકશાહીમાં પ્રામાણિક જનપ્રતિનિધિઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. હવે આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.
રાજકોટના સંતકબીર રોડ પર હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં અશોક રમેશભાઈ પલાણ (ઉ.વ.38) નામના યુવાને આજે વહેલી સવારે ગોકુલધામ આવાસ કવાર્ટરમાં રહેતી તેની પ્રેમિકા રેશ્માબેનના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક અશોક બે બહેનનો એકનો એક મોટો ભાઈ હતો. તેના અગાઉ લગ્ન થયા બાદ 10 વર્ષ પહેલા છુટાછેડા થઈ ગયા હતાં. તેને સંતાનમાં એક પુત્રી હોવાનું અને મૃતક છુટક મજુરી કરતો હોવાનું સામે આવ્યું છે. મૃતક અશોકને 6 વર્ષથી રેશ્મા સાથે પ્રેમ સંબંધ હતો. રેશ્માના પણ અગાઉ છુટાછેડા થઈ ગયા હતાં. અશોક અવારનવાર પ્રેમિકા રેશ્માના ઘરે આવતો જતો હતો. દરમિયાન રેશ્માને અન્ય યુવકો સાથે પણ સંબંધ હોવાનું જણાઈ આવતાં અશોકને રેશ્મા ફસાવી દેશે તેવી શંકા ઉપજતાં તેણે પ્રેમિકાના ઘરે જ જીવન ટૂંકાવી લીધાનું સામે આવતા માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફ્રુટના ધંધાર્થીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો મહેશ્ર્વર સોસાયટીમાં આવેલા ભવાની ચોકમાં ઈમરાનભાઈ આરીફભાઈ સોલંકી (ઉ.વ.49) 11 વાગ્યા આસપાસ જયુબેલી બગીચામાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં ઈમરાનભાઈ સોલંકી ફ્રુટનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. 6 વર્ષ પહેલા ધંધા માટે લીધેલા રૂપિયા 2 લાખના 20 લાખ ચુકવી દીધા હોવા છતાં અફઝલ, નવાઝ, મોહસીન અને શહબાઝ નામના શખ્સો વધુ રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપતાં હોવાથી ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પારેવડી ચોકમાં રોડ ક્રોસ કરતાં વૃધ્ધાનું એસ.ટી.બસ અડફેટે મોત રાજકોટના જંગલેશ્ર્વરમાં આવેલા હુસેની ચોકમાં રહેતાં હલુબેન અબ્દુલભાઈ ચાવડા (ઉ.વ.70) બપોરના 1 વાગ્યા આસપાસ મોચી બજારમાં રહેતાં તેમના બહેન રોશનબેનના ઘરે જતાં હતાં ત્યારે પારેવડી ચોક પાસે રોડ ક્રોસ કરતી વખતે એસ.ટી.બસના ચાલકે ઠોકરે ચડાવ્યા હતાં જેમાં એસ.ટી.બસનું વ્હીલ માથે ફરી વળતાં વૃધ્ધાને તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે બી-ડીવીઝન પોલીસે એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કેસમાં આરોપીની માનવતા ધોરણની જામીન અરજી નામંજુર ફરીયાદી તથા તેના ભાઈ હાર્મીશ બંને કોઠારીયા મેનઈ રોડ ઉપર આવેલ ખોડીયાર હોટલે બેઠક ધરાવતા હતા આ ખોડીયાર હોટલ ઉપર આવેલ કોમ્પલેક્ષમાં આ કામના આરોપીની ફાઈનાન્સની ઓફીસ હોય કોમ્પલેક્ષના પાર્કીંગમાં આરોપીએ ડેલો બનાવ્યો ત્યાં ફરીયાદી તથા તેનો ભાઈ ચાર-પાંચ દિવસ પહેલા ઉભા હતા જેથી આરોપીએ ત્યાં નહી ઉભા રહેવાનું કહી ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તથા તેના ભાઈ સાથે આજ બાબતે ઝઘડો કરી છરીથી ફરીયાદીના ભાઈ હાર્મીશ હંસરાજભાઈ ગજેરા (ઉ.વ.28) ઉપર હુમલો કરતા હાર્મીશનું મોત થયું હતું. આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને બાદમાં આરોપીએ પિતાની મેડીકલ સારવાર માટે તેમજ નાણાકીય વ્યવસ્થા કરવા માટે મેડીકલ કાગળો રજૂ કરી 30 દિવસના માનવતાના ધોરણે જામીન ઉપર મુકત કરવા કરેલ રજુઆતો સામે સ્પેશ્યલ પી.પી. તથા મુળ ફરીયાદ પક્ષે રજુઆત કરવામાં આવી કે અરજદારની હાજરી વગર જો ખરેખર તેના પિતાને બીમારી હોય તો તેના બીજા પુત્ર અને પરીવારજનો સારવાર કરાવી શકે છે. ઉપરાંત જેની બીમારીનું કારણ આગળ ધરી માનવતાના જામીન માગવામાં આવેલ છે તે પોતાના ધંધાના સ્થળે કામ કરી રહેલ હોવાનો વીડિયો છે. ફોટોગ્રાફસ છે. તમામ દલીલો ધ્યાને લઈ કોર્ટે માનવતાના ધોરણે 30 દિવસ જામીન ઉપર મુક્ત થવાની આરોપીની અરજી નામંજુર કરતો હુકમ ફરમાવામાં આવ્યો છે.
ધ્રાંગધ્રા શહેરમાં એક પરિવારને પુત્ર ન થતાં તાંત્રિક મહિલાનો સંપર્ક કર્યો હતો. જે બાદ પરિવારને ત્યા પુત્રની પાપ્તિ થઈ હતી. ત્યારે ગત 4 એપ્રિલના રોજ તાંત્રિક મહિલાના ઘરેથી આ પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ હાલ કબ્રસ્તાનમાં દફનાવાયેલા ચાર વર્ષના બાળકનો મૃતદેહ હત્યાની આશંકાને પગલે બહાર કાઢવામાં આવ્યો છે. મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ મોકલવામાં આવ્યો છે. આ ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, ધ્રાંગધ્રાના પુનિતનગર વિસ્તારમાં રહેતા એક પરિવારે પુત્ર પ્રાપ્તિ માટે એક તાંત્રિક મહિલાનો સંપર્ક કર્યો હતો. આ મહિલા પોતાને માતાજીના ભુવા ગણાવતી હતી અને તેણે પુત્ર પ્રાપ્તિ માટે એક બાધા આપી હતી. આ પછી પરિવારમાં આશરે 4 વર્ષ પહેલા પુત્રનો જન્મ થયો હતો. આ દરમિયાન ગત 4 એપ્રિલના રોજ કથિત તાંત્રિક મહિલાએ બાધા પૂર્ણ કરવા માટે પશુબલિની માંગણી કરી હતી. આ મુદ્દે તાંત્રિક મહિલા અને બાળકની માતા વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ ચાર વર્ષનો બાળક પોતાના ઘર નજીક રમતો હતો ત્યારે અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી અને અંતે બાળક કથિત તાંત્રિક મહિલાના ઘરમાં આવેલા પાણીના ટાંકામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. બાળકના મૃતદેહને ધ્રાંગધ્રા સ્થિત કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનાના આશરે બાર દિવસ બાદ સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના PI ડી.એ.ક્રિશ્ચિયનના જણાવ્યા અનુસાર, ઘટના ગત 4 એપ્રિલના રોજ બની હતી. મૃતક બાળકના પરિવારે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગેની કોઈ કાર્યવાહી ન કરી હોવાથી પોલીસને ઘટનાની જાણ થઈ ન હતી. જોકે, બાર દિવસ બાદ જાણ થતાં પોલીસે એ.ડી. (એક્સિડેન્ટલ ડેથ) દાખલ કરી, દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી એફ.એસ.એલ. માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
જોરાવરનગર પોલીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું છે. આ કાર્યવાહી જોરાવરનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ASP કરણકુમાર પન્નાની સૂચનાથી કરવામાં આવી હતી. ચેકિંગ ડ્રાઇવ જોરાવરનગરના તારામણી કોમ્પ્લેક્સ અને મેક્સન સર્કલ જેવા વિવિધ વિસ્તારોમાં યોજાઈ હતી. પોલીસ કાફલા દ્વારા શંકાસ્પદ વાહનો, બ્લેક ફિલ્મવાળા વાહનો, નંબર પ્લેટ વગરની કાર અને સ્કૂટર જેવા વાહનોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગેરકાયદેસર હથિયારો અંગે પણ વિશેષ ધ્યાન રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાના હેતુથી પોલીસે આ પગલું ભર્યું છે.
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાયપુર ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાઇડ્રો પ્રોજેક્ટ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસીઓ પાસે રહેલા ધારીયા, પાળિયા અને તીર કામઠા માત્ર શણગાર માટે નથી, જરૂર પડ્યે રોડ પર ઉતરતા અને ગાંધીનગર જતા પણ આવડે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન ચૈતર વસાવાએ આ જનસભાને સંબોધી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ ત્રીજો મોરચો નહીં ચાલે તેમ કહેતા હતા, પરંતુ આજે આમ આદમી પાર્ટીના ૬૫૦૦ ઉમેદવારો સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. આ અમારી સેમી ફાઇનલ છે અને ૨૦૨૭માં ફાઇનલ પણ સારી રીતે લડીશું. વસાવાએ હાઇડ્રો પ્રોજેક્ટ અંગે વધુમાં જણાવ્યું કે, પ્રોજેક્ટ માટે જમીનો લેવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે. જો સરકાર આ જ પ્રકારે આદિવાસીઓની જમીનો હાઇડ્રો પ્રોજેક્ટના નામે લેવાનો પ્રયાસ કરશે, તો અમે લડતા રહીશું. તેમણે ચેતવણી આપી કે, અમારા ઘરોમાં રાખેલા ધારીયા, પાળિયા અને તીર કામઠા શણગાર માટે નથી. જમીનો બચાવવા માટે ગાંધીનગર જઈને પણ આંદોલન કરીશું. ચૈતર વસાવાએ ભાજપ પર લોકશાહીનું હનન કરવાનો અને લોકોના અધિકારો છીનવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ભાજપના લોકો ઉમેદવારોને ડરાવી, ધમકાવી, અપહરણ કરી અને લોભ-લાલચ આપીને ફોર્મ ખેંચાવી બિનહરીફ ચૂંટણીઓ કરાવી રહ્યા છે. તેમણે પોલીસ અધિકારીઓને પણ સંદેશ આપ્યો કે, જો તેમને રાજકારણનો બહુ શોખ હોય, તો વર્દી ઉતારી, રાજીનામું આપી, ખેસ પહેરીને મેદાનમાં આવે. ત્યારે તેમને ખબર પડશે કે કેટલા વિશે સો થાય છે.
સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં પાણીના પ્રેશરની સમસ્યાના કાયમી ઉકેલ માટે હાઈડ્રોલિક વિભાગ દ્વારા આગામી 20 એપ્રિલ 2026, સોમવારના રોજ મેન્ટેનન્સની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવશે. જોગાણીનગર જળવિતરણ મથક ખાતે નવી લાઈન જોડવા અને વાલ્વ ફિટિંગના કાર્યને લીધે રાંદેર અને અડાજણ વિસ્તારના હજારો પરિવારોને સોમવારની સાંજે પાણીના પુરવઠા વગર રહેવું પડશે. કામગીરીની ટેકનિકલ વિગતોઅડાજણ-રાંદેર વિસ્તારમાં પાણીના વિતરણને વધુ સુદ્રઢ બનાવવા માટે 1500 મી.મી. વ્યાસની મુખ્ય લાઈન પર નવા વાલ્વ ફિટ કરવામાં આવશે. આ સાથે જ ESR-3 અને ESR-4 ઓવરહેડ ટાંકીઓની રાઈઝિંગ મેઈન લાઈનને મુખ્ય કોમનહેડર સાથે જોડવામાં આવશે. આ સુધારા બાદ ભવિષ્યમાં પાંચ જેટલા DMA વિસ્તારોમાં પાણીના પ્રેશરની સમસ્યા હલ થશે. અસરગ્રસ્ત વિસ્તારોની યાદીસોમવારે સાંજે 5:30 થી 8:50 સુધી નીચે મુજબના વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, રાંદેર ગામતળ અને જૂની સોસાયટીઓમાં પણ પાણીનું પ્રેશર ખૂબ જ ઓછું રહેવાની શક્યતા છે. પાણીનો બિનજરૂરી વપરાશ ટાળવા તંત્રની અપીલહાઈડ્રોલિક વિભાગના જણાવ્યા મુજબ, સોમવાર રાત સુધીમાં કામગીરી પૂર્ણ કરી મંગળવાર સવારથી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરાશે. નાગરિકોએ સોમવારે સવારે આવતા પાણીનો પૂરતો સંગ્રહ કરી લેવો. પાણીનો બિનજરૂરી વપરાશ ટાળી તંત્રને સહકાર આપવો.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા આવતીકાલે યોજાનાર છે, જેમાં કુલ 1,10,680 ઉમેદવારો ભાગ લેશે. રાજ્યભરમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી સતત મોનિટરિંગપરીક્ષા સુચારૂ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. હજારોની સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને શિક્ષણ વિભાગના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે, સાથે જ GPS ટ્રેકિંગ અને Facial Recognition ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગેરરીતિ રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક કાર્યવાહીપરીક્ષા દરમિયાન ઉમેદવારોની બાયોમેટ્રિક ચકાસણી પણ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝનમાં યોજાઈ રહી છે. ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા અને જરૂરી દસ્તાવેજો સાથે લાવવા સૂચના આપવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે શરૂ કરાયેલી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સેક્ટર-7 પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સેક્ટર-15ના ફતેપુરા વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે દરોડા પાડી લાઈવ ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો અને છ મહિલા બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે દરોડાસેક્ટર-7 પોલીસ મથકની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, ફતેપુરામાં કેટલાક રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાનો વ્યવસાય ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વિસ્તારને ઘેરી લઈને ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં છ મહિલા બુટલેગરો દારૂ ગાળતા રંગેહાથ ઝડપાઈ હતી. મુદ્દામાલની જપ્તી અને સ્થળ પર નાશપોલીસના આ ઓપરેશન દરમિયાન દારૂ બનાવવાના સાધનો અને નશાકારક પદાર્થો મળી આવ્યા હતા. અંદાજે 171 લિટર વોશ (કાચો માલ), જેનો પોલીસે સ્થળ પર જ નાશ કર્યો હતો. 20 લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. દારૂ ગાળવાના સાધનો સહિત કુલ રૂ. 7,675નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. કાયદેસરની કાર્યવાહીપોલીસે આ મામલે તમામ છ મહિલાઓ વિરુદ્ધ અલગ-અલગ છ ગુના નોંધી પ્રોહિબિશન એક્ટ મુજબ ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.

30 C