• SP સહિતના અધિકરીઓ ઘટના સ્થળે દોડી ગયા રાજકોટમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં મેટોડા GIDC વિસ્તારમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રીક્ષા ચાલક યુવાન તેમજ બે સગા ભાઈઓ અને એક શ્રમિક મુસાફર મળી કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ પોલીસે ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામીની ધરપકડ કરી ફરિયાદ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને FSL તેમજ RTOની મદદ લઇ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર આવેલ મેટોડા GIDC ગેઇટ નંબર 3માં આવેલ યુનિવર્સલ ટેક્નોકાસ્ટ નામના કારખાના નજીક રાત્રીના 10 વાગ્યા આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં જીજે.03.બીવાય.8889 નંબરના ટ્રકે રીક્ષાને અડફેટે લેતા જીજે.03.બીએક્સ.5656 નંબરની રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. ઓટો રિક્ષામાં બે સગા ભાઈઓ અને એક શ્રમિક મળી કુલ 3 મુસાફરો બેઠા હતા જે તમામ અને રીક્ષા ચાલક મળી કુલ ચાર લોકોના આ અકસ્માતમાં મોત નિપજ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓટો રીક્ષા શ્રી રામ હોસ્પિટલ પાસેથી પસાર થઇ ગેઇટ નંબર 3માં જતી હતી દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સુનિલ અશ્વિનભાઈ વરાણીયા (ઉ.વ.28) જે પોતે મેટોડા GIDC વિસ્તારમાં આવેલ મચ્છોનગર વિસ્તારમાં જ રહેતો હોવાનું અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. મૃતક રીક્ષા ચાલક એક બેન ત્રણ ભાઇમાં મોટો હતો અને તેને સંતાનમાં બે દીકરી હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. જયારે આ અકસ્માતમાં બે સગા ભાઈઓ અને એક શ્રમિક કે જેઓ રિક્ષામાં મુસાફર તરીકે બેઠા હતા તેમના પણ મોત નિપજ્યા છે જેમાં વિશાલ સવસીભાઈ ગાંગડિયા અને વિજયસવસીભાઇ ગાંગડિયાનો સમાવેશ થાય છે જેઓ પણ મેટોડા GIDC વિસ્તારમાં જ આવેલ રોટરી ક્લ્બ નજીક રહેતા હોવાનું સામે આવ્યું છે મૂળ તેઓ સુરેન્દ્રનગરના વતની હતા અને અહીંયા પેઈન્ટર તરીકે મેટોડા અને આસપાસમાં પેઇન્ટિંગ કામ કરતા હતા. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલ અન્ય એક શ્રમિકની ઓળખ મેળવવા માટે પોલીસ તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની જાણ થતા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, DYSP કે જી ઝાલા સહીત મેટોડા પોલીસ તેમજ LCB ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ મેટોડા પોલીસે ચારેય મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધવા તેમજ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર નજીકના અધેવાડા ગામે 5 દિવસ પૂર્વે અવાવરું જગ્યામાં આવેલ બાવળની કાંટમાંથી શંકાસ્પદ હાલતે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં મૃતકના શરીરના ભાગે અને માથાના ભાગે ઈજા જોવા મળતા હત્યાની આશંકા જાગી હતી. ત્યારબાદ યુવાનના પીએમ રીપોર્ટમાં હત્યા થયાનું સામે આવતા હત્યાની ક્લમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે મામલે એલસીબીએ તપાસ હાથ ધરી આજરોજ ચિત્રા વિસ્તારમાં રહેતા શખસને ઝડપી પાડ્યો હતો. બાવળની કાંટમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતોઆ બનાવ અંગેની ભરતનગર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ભાવનગરના અધેવાડા ગામ નજીક અને શહેરના શિવમ અમ્રુત સોસાયટી, ડી-માર્ટ વાળા જવાના રસ્તા વિસ્તારની અવાવરુ જગ્યામાં બાવળની કાંટમાં આવેલ સિમેન્ટની વંડી પાસેથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતા ડીવાયએસપી સહિતો પોલીસ સ્ટાફ ડોગ સ્કોવડ, એફએસએલ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. મૃતક યુવાનનો કબજો લઈ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં યુવાનને માથાના ભાગે થયેલી ઈજાઓ જોવા મળતા યુવાનની હત્યા થયાની આશંકા ઉભી થવા પામી હતી. LCB બાઈકના આધારે હત્યારા સુધી પહોંચીપોલીસની તપાસ દરમિયાન મૃતક યુવાન અધેવાડા ગામના દેવિપુજક વાસમાં રહેતા મથુરભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.40) હોવાનું ખુલવા પામ્યુ હતું. જ્યારે બનાવ સ્થળથી થોડે દુર એક શંકાસ્પદ બાઈક મળી આવતા પોલીસે કબજે લીધું હતું. જે દરમિયાન મૃતક યુવકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા મૃતકની પત્નીએ ભરતનગર પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે પુછપરછ કરતાં હત્યાની કબુલાત કરીઆ બનાવને લઈ એલસીબી પીઆઈ વાળા સહિતના સ્ટાફ વણશોધાયેલ હત્યાનો ગુન્હો શોધી કાઢવા માટે ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસ મારફતે ફળદાયક માહિતી મેળવવા માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસમાં જોડાય ગયેલ હતાં. જે દરમિયાન આ હત્યામાં હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર- GJ. 04.EB - 9045 ના ધારક શંકાસ્પદ હોવાની માહિતી મળી આવી હતી. જે મોટરસાયકલ ચાલક રાજેન્દ્ર ગોબરભાઈ સોલંકી ઉ.વ.40 રહે.પટેલનગર, ચિત્રા, ભાવનગરને એલસીબી ઓફિસે બોલાવી પુછપરછ કરતાં તેણે મથુરભાઈની હત્યા કરેલ હોવાની કબુલાત આપી હતી. જેથી આ અંગે આગળની વધુ તપાસ થવા માટે શખ્સને ભરતનગર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવ્યો હતો. કોઈ કપલ સ્કૂટર લઈ અહીંથી પસાર થયુંની બાતમી ને શખ્સ દબોચાયોસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે આ બનાવમાં અલગ-અલગ બે ટીમો બનાવી તપાસમાં કામે લાગી હતી. જેમાં પોલીસે 26થી 2 માર્ચ સુધી બનાવ સ્થળની આજુબાજુના તમામ ખેતરોની તપાસ કરવામા આવી હતી. જેમાં પોલીસને બનાવ સ્થળ નજીક દુકાન ધારકની પૂછપરછ કરવામાં આવતા ત્યાંથી પોલીસને કળી મળી હતી કે કોઈ કપલ સ્કૂટર લઈ અહીંથી પસાર થયું હતું. જે પોલીસે ટેક્નિકલ ટીમ બનાવી સ્કુટરના નંબરથી ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતો રાજેન્દ્ર સોલંકીને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. મહિલા સાથે આડાસબંધ ને અડપલા કર્યા ને પતાવી દીધોરાજેન્દ્ર સોલંકીની પોલીસ પૂછપરછ દરમિયાન તેને કોઈ મહિલા સાથે આડાસબંધ હોઈ તે બન્ને અધેવાડાની અવાવરું જગ્યાના બાવળની કાંટમાં બેઠા હતાં, તે દરમિયાન મૃતક યુવક આવી રાજન્દ્રે સાથે રહેલ મહિલા સાથે મૃતક યુવક મથુરભાઈએ અડપલા કર્યા હતાં. જેમાં રાજેન્દ્ર અને મહિલા સાથે મૃતક યુવકે અગાવ પણ 4થી 5 વખત હેરાન પરેશાન કર્યા હતાં. જેને લઈ રાજન્દ્રે સોલંકી ઉશ્કેરાઈને પ્રથમ મથુરભાઈનું ગળું દબાવ્યું હતું અને ત્યારબાદ તેને માથાના ભાગે પથ્થર મારી હત્યા કરી હતી. મૃતક યુવક અવાવરુ જગ્યામાં બેસવા આવતોપોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક યુવક મથુરભાઈ અધેવાડાની અવાવરુ જગ્યામાં બેસવા આવતા અંદાજિત 25થી વધુ લોકો પાસેથી પૈસાની માંગણી કરી હેરાન પરેશાન કરતો હતો. જ્યારે પોલીસે રાજેન્દ્ર સોલંકીની સાથે આ બનાવમાં અન્ય જે મહિલા કોણ છે એનો શુ રોલ હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ હિલચાલ જણાતા તપાસ આદરીને ભાંડો ફૂટ્યોભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના અધેવાડા ખાતે બાવળની કાટમાંથી મળી આવેલી મથુરભાઈ પરમારની લાશ અંગે ભેદ ઉકેલતા સીટી ડીવાયએસપી આર.આર. સિંઘાલે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી મૃતકની કોઈ પણ ચીજવસ્તુઓ ન મળતા અને ડોગ સ્ક્વોડની તપાસમાં શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
સુરત મહાનગરપાલિકાની આગામી 11 માર્ચે ટર્મ પૂર્ણ થઈ રહી છે, ત્યારે સૌની નજર ટર્મ પૂરી થવાના આગલા દિવસે મળનાર સાધારણ સભા પર છે. આ સભા 10 માર્ચ, 2026ના રોજ સાંજે 4 કલાકે પાલિકા કચેરીના સરદાર વલ્લભભાઈ પટેલ સભાગૃહ ખાતે મળવાની છે. આ સભામાં સ્થાયી સમિતિ અને બીજી 5 સમિતિના વિવિધ મહત્વના કામો પર ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. સ્થાયી સમિતિના કામોસભામાં લિંબાયત વિસ્તારમાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ માટે જમીનની પરસ્પર ફેરબદલી અને ફાળવણી અંગે મહત્વનો નિર્ણય લેવાશે. આ ઉપરાંત, ગોડાદરા-ડિંડોલીની નગર રચના યોજના હેઠળના કામો પણ એજન્ડા પર છે. અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમના ભાડા અને અન્ય સેવાઓના દરોને બહાલી આપવા અંગે પણ ચર્ચા થશે. શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણોને નિયમબદ્ધ કરવા માટેના સુધારા અંગે ચર્ચા થશે સાથે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ ગટર લાઈન નિયમબદ્ધ કરવા વિચારણા કરાશે જેને ₹500 ભરી કાયદેસર કરાશે. જાહેર પરિવહન પ્રવૃત્તિ સમિતિના કામોસુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં જાહેર પરિવહન પ્રવૃત્તિ સમિતિ અંતર્ગત ટ્રાફિક વ્યવસ્થાપન માટે એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવશે. શહેરના વિવિધ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે નવી જગ્યાએ કુલ 45 નવા ટ્રાફિક સિગ્નલ લગાવવાની યોજના છે. આ પ્રોજેક્ટમાં સિગ્નલ ઇન્સ્ટોલેશન અને તેના લાંબા ગાળાના મેઈન્ટેનન્સ માટે અંદાજે 16,11,00,000ના ગ્રોસ અંદાજને મંજૂર કરવા બાબતે નિર્ણય લેવામાં આવશે. જાહેર બાંધકામ સમિતિના કામોશહેરના વિવિધ વિસ્તારો જેવા કે પુણા, કરંજ, ઉધના, લિંબાયત અને અડાજણ વગેરેમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે જેમાં મુખ્યત્વે સોસાયટીઓના આંતરિક રસ્તાઓને સિમેન્ટ કોંક્રિટ બનાવવા, ડામર રસ્તાઓનું રિ-કાર્પેટિંગ કરવું, નવા વેજીટેબલ માર્કેટના શેડનું સમારકામ અને વહીવટી ભવનો કે ઓડિટોરિયમ પાછળ થનારા ખર્ચના અંદાજોને મંજૂરી આપવામાં આવશે. પાણી સમિતિના કામોશહેરના વિવિધ વિસ્તારો જેવા કે કપોદ્રા, મગોબ, ડિંડોલી, અને ભેસ્તાન ખાતે આવેલા જળ વિતરણ મથકો અને વરાછા વોટર વર્ક્સના પંપ સેટ્સ તેમજ ઇલેક્ટ્રિકલ-મિકેનિકલ મશીનરીના સમારકામ અને નિભાવણી માટેના લાખો રૂપિયાના અંદાજોને મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, નવા ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ બનાવવા, પાઇપલાઇન નેટવર્કની જાળવણી અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના આધુનિકીકરણ જેવા મહત્વના કામોનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. 11 માર્ચે આ ટર્મની પૂરી થવા જઈ રહી છે, ત્યારે 10 માર્ચે છેલ્લી સામાન્ય સભામાં અનેક વિકાસલક્ષી કામોની ચર્ચા કરવામાં આવશે અને વિકાસના કામોને વેગ કાપવામાં આવશે.
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલો 28 વર્ષીય યુવક વિનેશ વિક્રમભાઈ પટેલ પોતાની પ્રેમિકા સાથે ડિંડોલીના જી-નાઈન કોમ્પ્લેક્સમાં આવેલી વેલેન્ટાઈન હોટલમાં ગયો હતો. બપોરે અંદાજે 3:30 વાગ્યાના અરસામાં હોટલના રૂમમાં જ અચાનક વિનેશની તબિયત લથડી હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં યુવક ઢળી પડતા પ્રેમિકા ગભરાઈ ગઈ હતી અને તાત્કાલિક મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. ભાઈ અને 108 ઘટનાસ્થળે પહોંચ્યા, ડોક્ટરે મૃત જાહેર કર્યોઘટનાની ગંભીરતા જોઈ વિનેશની પ્રેમિકાએ તુરંત તેના ભાઈ સમીરને ફોન કરીને જાણ કરી હતી. ભાઈ સમીર અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક હોટલ પર પહોંચી હતી. જોકે, એમ્બ્યુલન્સના પેરામેડિકલ સ્ટાફે તપાસ કરતા વિનેશના શરીરમાં કોઈ હલચલ જણાતી નહોતી. પ્રાથમિક તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે અને હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ત્રણ વર્ષથી પ્રેમસંબંધ પણ લગ્ન માટે પરિવાર રાજી નહોતોડિંડોલી પોલીસની પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી છે. મૃતક વિનેશ અને તેની સાથે હોટલમાં હાજર યુવતી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ જાણવા મળતી વિગત મુજબ પરિવારના સભ્યો આ લગ્ન માટે તૈયાર નહોતા. મોતનું કારણ 'ખેંચ' કે કંઈક બીજું?વિનેશના મોતના કારણ અંગે અત્યારે રહસ્ય ઘેરાયું છે. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકને 'ખેંચ' આવી હોવાનું અને તેના કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. જોકે, હોટલના રૂમમાં અચાનક તબિયત કેવી રીતે બગડી અને મોઢામાંથી ફીણ કેમ નીકળ્યા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પ્રેમિકા અને ભાઈના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરીસમગ્ર મામલે ડિંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળ એટલે કે હોટલના રૂમની તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. આ ઉપરાંત, વિનેશની પ્રેમિકા અને તેના ભાઈ સમીર સહિત પરિવારના અન્ય સભ્યોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં હોટલના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સૌથી વ્યસ્ત ગણાતાં એવા નરોડા-નારોલ હાઇવેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવશે. 13.70 કિલોમીટર લાંબા રોડ પર રાહદારીઓ માટે ફૂટપાથ, અન્ડર પાસ, ટ્રાફિક સાઈનેજીસ સહિત વગેરેની સુવિધાઓ સાથે રૂ. 250 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે મુખ્ય કેરેજ વે પણ બનાવવામાં આવશે. નરોડા પાટિયાથી નારોલ સર્કલ સુધીના રોડ ડેવલોપ કરાશેસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ બ્યુટિફિકેશન અને રોડને ડેવલપમેન્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. એરપોર્ટ સર્કલથી લઈને ડફનાળા સુધીનો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા પાટિયાથી નારોલ સર્કલ સુધીના રોડને ડેવલોપ કરવામાં આવશે. 250 કરોડના ખર્ચે 13.70 કિમીનો રોડ વિકસાવાશેરોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા નારોલ સર્કલથી નરોડા પાટિયા સુધીનો કુલ 13.70 કિલોમીટર લંબાઈનો માર્ગ રૂ. 250 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આ માર્ગની કુલ પહોળાઈ 60 મીટર રહેશે. જેના કારણે વાહનવ્યવહાર વધુ સુગમ અને સુરક્ષિત બનશે. મુખ્ય કેરેજ વે હાલની 10.50 મીટર પહોળાઈ મુજબ બંને બાજુ વિકસાવવામાં આવશે. ઉપરાંત, 10.50 મીટર પહોળાઈનો સર્વિસ રોડ પણ બનાવાશે, જેથી સ્થાનિક ટ્રાફિકને અલગ સુવિધા મળી રહેશે. પદયાત્રીઓને સુરક્ષિત રીતે ચાલવાની સગવડનાગરિકોની સુવિધા માટે માર્ગની બંને બાજુ 2 મીટર પહોળા ફૂટપાથ બનાવાશે, જેથી પદયાત્રીઓને સુરક્ષિત રીતે ચાલવાની સગવડ મળશે. સાથે સાથે નાગરિકોને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મુખ્ય કેરેજ વે અને સર્વિસ રોડ વચ્ચે 1 મીટર પહોળાઈનું નવું મીડિયન તૈયાર કરવામાં આવશે. પ્રોજેક્ટમાં મલ્ટી યુટિલિટી ઝોનમાં પ્લાન્ટેશન, સાઇનેજ સુવિધા, વૃક્ષારોપણ અને લેન્ડસ્કેપિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માર્ગ શહેરના મુખ્ય કનેક્ટિવિટી કોરિડોર તરીકે ઉભરશેપેડેસ્ટ્રિયન ક્રોસિંગ પર રેફ્યુજ આઇલેન્ડ્સ બનાવાશે, જેથી રસ્તો પાર કરવો વધુ સુરક્ષિત બનશે. યુટિલિટી માટે અંડરગ્રાઉન્ડ રોડ ક્રોસિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. નારોલથી નરોડા પાટિયા સુધીનો માર્ગ શહેરના મુખ્ય કનેક્ટિવિટી કોરિડોર તરીકે ઉભરાશે અને પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે. આ પ્રોજેક્ટ પૂર્વ વિસ્તારના નાગરિકો માટે મહત્વનો બની રહેશે. એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધી આઇકોનિક રોડ જેમ ડેવલપ કરવામાં આવશે.
અમદાવાદમાં ચાલતા ક્રિકેટ સટ્ટાબેટિંગ અને શેરબજારના ગેરકાયદે ખેલનો મોટો પર્દાફાશ થયો છે. EDની ટીમે 550 કરોડના હવાલા અને બોગસ બેંક ટ્રાન્ઝેક્શનના રેકેટનો ભાંડો ફોડતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિને માત્ર 10થી 12 હજાર રૂપિયા કમાતા રેપિડો ચાલક પ્રદીપ ઓડના બેંક ખાતામાં 300 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા હતાં. ખાતા ભાડે લઈ ક્રિકેટ સટ્ટાબેટિંગ કેસના અને શેરબજારના રૂપિયાના મલ્ટી ટ્રાન્ઝેક્શન કરાયા હતાં. ચેક પર સહી કરવા બદલ રૂ.400 લેતોપૂછપરછ દરમિયાન પ્રદીપે કબૂલ્યું કે, તેણે પોતાનું બેંક એકાઉન્ટ 25 હજાર રૂપિયામાં કિરણ પરમાર ઉર્ફે લાલાને ભાડે આપ્યું હતું. ચેક પર સહી કરવા બદલ તેને 400 રૂપિયા આપવામાં આવતા હતાં. ત્રણ પેઢી ને 550 કરોડના ટ્રાન્જેકશનપ્રદીપના પાનકાર્ડ અને આધાર કાર્ડના આધારે પ્રદીપ એન્ટરપ્રાઇઝ નામે પેઢી ઉભી કરવામાં આવી હતી. તેમજ કમલેશ ટ્રેડિંગ અને રોનક ટ્રેડર્સ નામની બે અન્ય કંપનીઓ પણ કાગળ પર જ શરૂ કરાઈ હતી. 2024માં ખોલાયેલા આ ખાતાઓમાં કુલ 550 કરોડ રૂપિયાની એન્ટ્રીઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે હકીકતમાં કંપનીઓ કોઈ વેપાર કરતી નહોતી. આવી રીતે ભાડે લીધેલા એકાઉન્ટના આધારે બોગસ કંપનીઓ બનાવી કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હતા. ક્રિકેટ સટ્ટાબેટિંગથી આવક ખાતાઓ મારફતે ફેરવવામાં આવતીEDની ટીમે બોગસ કંપનીઓની તપાસ કરી 550 કરોડના હવાલાની વિગતો શોધી કાઢી છે. મહિને 10થી 12 હજાર રૂપિયા કમાતા વ્યક્તિના ખાતામાં 300 કરોડના ટ્રાન્ઝેક્શન થતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. કંપનીઓના રજીસ્ટ્રેશન માટે જે બેંક એકાઉન્ટની વિગતો આપવામાં આવી હતી, તે ખરેખર શેખ મોઇન મોહમ્મદ શફીનું હતું. ત્રણેય કંપનીઓ એક રૂપિયાનો પણ વેપાર કરતી નહોતીવર્ષ 2024માં ઓપન કરાયેલા આ ત્રણેય ખાતામાં કુલ 550 કરોડ રૂપિયાની એન્ટ્રીઓ થઈ ગઈ હતી. જો કે ત્રણેય કંપનીઓ એક રૂપિયાનો પણ વેપાર કરતી નહોતી. છતાં આટલા ટ્રાન્ઝેક્શન કેવી રીતે થયા હતા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. EDની તપાસમાં ખુલ્યું કે ઓનલાઇન ક્રિકેટ સટ્ટાબેટિંગથી આવક ખાતાઓ મારફતે ફેરવવામાં આવતી હતી. બિઝનેસમેન આદિત્ય ઝુલાના ખર્ચાઓનો પણ સમાવેશશેરબજારમાં સર્ક્યુલર ટ્રેડિંગ દ્વારા ખોટું વોલ્યુમ ઉભું કરી ભાવમાં અસામાન્ય વધારો કરાતો હતો. તપાસમાં ગાંધીધામના બિઝનેસમેન આદિત્ય ઝુલાના લગ્ન ખર્ચ સહિત વ્યક્તિગત ખર્ચાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ ઈમ્પેક્ટ ગુરુને ડોનેશન અને પેની સ્ટોક્સમાં હેરાફેરી કરવામાં આવી હતી. EDની ટીમે ઝીણવટભરી તપાસ કરતાં જુદી જુદી ત્રણ કંપનીમાં 80.50 કરોડ, 52.11 કરોડ તથા 22.86 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયાનું બહાર આવ્યું હતું. ટર્નઓવરનો વધારો કરીને શેરના ભાવમાં ઉછાળો લાવતાતેમજ શેરબજારમાં સિન્ડિકેટ બનાવી ભાવનો ખેલ કરતી હોવાનું પણ તપાસના સામે આવ્યું છે. જેમાં અચાનક ટર્નઓવરનો વધારો કરવામાં આવતો હતો જેથી શેરના ભાવમાં ઉછાળો લાવવામાં આવતો હતો. શેરમાં એક વર્ષમાં 10 હજાર ટકાનો વધારો કર્યોતપાસમાં બહાર આવ્યું કે, એક કંપનીના શેરમાં માત્ર 12 મહિનામાં 10 હજાર ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જેથી SEBIએ ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દીધું છે અને સર્વેલન્સ તપાસ પણ શરૂ કરી છે. ED દ્વારા કિરણ પરમાર ઉર્ફે લાલા, મહાદેવ, જુગલ, રવિ, જીવરાજ સામે ગુનો નોંધવાની ભલામણ પણ કરવામાં આવી છે.
વલાદર નજીક દુર્લભ શેઢાળી દેખાઈ:ગીર બોર્ડર પર રાત્રે રસ્તો ક્રોસ કરતી કેમેરામાં કેદ
ગીર જંગલ બોર્ડર પર આવેલા સુત્રાપાડા તાલુકાના વલાદર ગામ નજીક એક દુર્લભ શેઢાળી (શાહુળી) જોવા મળી હતી. રાત્રિના સમયે વાડી વિસ્તારના માર્ગ પરથી પસાર થતી આ શેઢાળીને એક કારચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. વલાદર ગામની સીમમાં આવેલા સીદ્ધાશ્રમ આશ્રમ નજીક શેઢાળી રસ્તો ક્રોસ કરતી નજરે પડતાં સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સામાન્ય રીતે ગાઢ જંગલ વિસ્તારોમાં જોવા મળતું આ પ્રાણી માનવ વસાહત નજીક દેખાતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. શેઢાળી એક રાત્રિચર અને અત્યંત સાવચેત વન્યજીવ છે. તેના શરીર પર કઠોર અને કાંટાળું કવચ હોય છે, જે તેને શિકારીઓથી રક્ષણ આપે છે. જોખમની સ્થિતિમાં તે પોતાના કાંટા ઊભા કરી પ્રતિકાર કરે છે. પર્યાવરણ માટે શેઢાળી અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. તે જમીનમાં રહેલી જીવાતો, દીંડકીઓ અને કેટલીક વનસ્પતિઓનું ભક્ષણ કરીને પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. પર્યાવરણવિદોના મતે, ગીર અને આસપાસના વિસ્તારોમાં શેઢાળીની હાજરી જૈવવિવિધતા માટે સકારાત્મક સંકેત છે. ગીર વિસ્તાર, જે એશિયાટિક સિંહો માટે વિશ્વપ્રસિદ્ધ છે, ત્યાં આવી દુર્લભ પ્રજાતિઓનું દર્શન સૂચવે છે કે કુદરતી આવાસ હજુ પણ સમૃદ્ધ છે. વલાદર ગામે દેખાયેલી આ શેઢાળી દર્શાવે છે કે ગીર માત્ર સિંહોનું જ નહીં, પરંતુ અનેક દુર્લભ પ્રાણીઓનું પણ આશ્રયસ્થાન છે. આવા વન્યજીવોની સુરક્ષા માટે જાગૃતિ અને સંવેદનશીલતા જાળવવી જરૂરી છે.
ઈરાનમાં ભયાનક સ્થિતિ, નવા સંરક્ષણ મંત્રીનું પણ મોત, ઈઝરાયલે કર્યો દાવો
US-Iran War : અમેરિકા અને ઈઝરાયલે ડ્રોન અને મિસાઈલોથી સતત હુમલાઓ કરીને ઈરાનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, ત્યારે હાલ ઈરાનમાં વધુ એક મોટા મંત્રીનું મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે, હુમલામાં ઈરાનમાં એક દિવસ પહેલા નવા સંરક્ષણ મંત્રી બનેલા સૈયદ માજિદ અબ અલ-રેજાનું મોત થયું છે. રેજાના મોત પહેલા રવિવારે એક એર સ્ટ્રાઈકમાં જૂના સંરક્ષણ મંત્રી અજીજ નાસિરજાદેહનું પણ મોત થયું હતું. રવિવારે જૂના સંરક્ષણ મંત્રીનું મોત થયું હતું.
સુરત શહેરના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ગેંગ સામે સુરત પોલીસની લાલ આંખ યથાવત છે. છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા ગેંગના રીઢા સાગરીત ઈમરાન ગડ્ડીને સુરત શહેર ક્રાઈમ બ્રાંચની નાસતા ફરતા સ્કોડે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રાવેર ખાતેથી દબોચી લીધો છે. પકડાયેલ આરોપી ડ્રગ્સ હેરાફેરી, લૂંટ અને હથિયાર રાખવા જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. શિવા ઝાલા માટે ડ્રગ્સ મંગાવવામાં આરોપીની મુખ્ય ભૂમિકાસલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ મુજબના ગુનામાં ઈમરાન ઉર્ફે ઈમરાન ગડ્ડી મુખ્ય આરોપી તરીકે વોન્ટેડ હતો. ઓગસ્ટ 2025માં જ્યારે સુરત એસ.ઓ.જી.એ ડ્રગ્સ માફિયા શિવરાજ સિંહ ઝાલા ઉર્ફે શિવા ઝાલાને 12 લાખના એમ.ડી. ડ્રગ્સ અને પિસ્તોલ સાથે પકડ્યો હતો, ત્યારે તપાસમાં ખુલાસો થયો હતો કે આ ડ્રગ્સનો જથ્થો ઈમરાન ગડ્ડીએ જ મંગાવ્યો હતો. શિવા ઝાલાની ધરપકડ બાદ ઈમરાન ધરપકડ ટાળવા માટે સુરત છોડીને ભાગી ગયો હતો અને મહારાષ્ટ્રમાં છુપાઈને રહેતો હતો. અપહરણ અને લૂંટના ગુનામાં પણ સંડોવણીમાત્ર ડ્રગ્સ જ નહીં, પરંતુ ઈમરાન ગડ્ડી હિંસક ગુનાઓમાં પણ સક્રિય હતો. મે 2025માં ઉમરા પોલીસ મથકની હદમાં ગેંગ લીડર શિવા ઝાલા અને ઈમરાન સહિતના 10 સાગરીતોએ મળીને એક વ્યક્તિનું અપહરણ કર્યું હતું. આ ગેંગે ફરિયાદીને ઢીક મુક્કીનો માર મારી તેની પાસેથી સોનાની ચેન, વીંટી અને રોકડ મળી કુલ 13,000ની લૂંટ ચલાવી હતી. આ લૂંટ બાદ આરોપી સુરત પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો અને સતત લોકેશન બદલી રહ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે ફિલ્મી ઢબે જલગાંવમાં કરી વોચનાસતા ફરતા સ્કોડને ખાનગી બાતમી મળી હતી કે ઈમરાન ગડ્ડી હાલ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રાવેર ગામમાં પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા. સતત વોચ રાખ્યા બાદ ઈમરાન ઉર્ફે ઈમરાન ગડ્ડી અમીરૂદ્દીન શેખ (ઉ.વ. 35) ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આરોપી પાસેથી ડ્રગ્સ કેસમાં ઉપયોગમાં લેવાયેલા વોકી-ટોકી અને હથિયારો અંગે પણ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. 14થી વધુ ગંભીર ગુનાઓનો ઈતિહાસઈમરાન ગડ્ડીનો ગુનાહિત ઈતિહાસ અત્યંત ચોંકાવનારો છે. તેના વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 14 જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં ખટોદરા હત્યા (302) અને હત્યાની કોશિશ (307), સલાબતપુરા માં ડ્રગ્સ (NDPS), આર્મ્સ એક્ટ અને હુમલો, સચીન GIDC માં હત્યા અને રાયોટિંગ, લીંબાયત તથા ઉધના માં મારામારી અને ધાક-ધમકી સહિતનો ગુના નોંધાયો છે.
30 લાખથી વધુ વેરા બાકી, મિલકતો સીલ:સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાએ બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગે શહેરના બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મિલકત વેરાની વસૂલાત માટે ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત, નોટિસ છતાં વેરો ન ભરનારાઓની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં ગૌરાંગભાઈની રૂ. 4,13,800ના બાકી વેરાવાળી મિલકત સીલ કરાઈ છે. અનિલભાઈ ડાયાભાઈ પરમારની રૂ. 2,33,717ના બાકી વેરાવાળી મિલકત પર પણ સીલ લગાવવામાં આવ્યું છે. સૌથી મોટી કાર્યવાહી ભારત જીનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી સામે થઈ છે, જ્યાં રૂ. 30 લાખથી વધુના બાકી વેરાને કારણે મિલકત સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં બાકીદારો સામે આ પ્રકારની કાર્યવાહી નિયમિતપણે ચાલુ રહેશે. આ પગલાંનો ઉદ્દેશ્ય શહેરના વિકાસ કાર્યો અને નાગરિક સેવાઓ માટે જરૂરી ભંડોળ એકત્ર કરવાનો છે. મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને તેમનો બાકી મિલકત વેરો તાત્કાલિક ભરી દેવા અને કાયદેસરની કાર્યવાહીથી બચવા અપીલ કરી છે. વેરો ભરવા માટે વેરા વિભાગની કચેરીનો સંપર્ક કરી શકાય છે અથવા ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.
સુરતમાં રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ તેમજ કાપડ ઉધોગના જાણીતા વેપારી વિક્રમસિંહ શેખાવતનું આજે હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. વિક્રમસિંહે ગોડાદરા ખાતે ત્રણ દિવસ માટે ફાગોત્સવનું આયોજન કર્યું હતું. દરમિયાન તેમની તબિયત નાજુક લાગતી હતી, પરંતુ કાર્યકર્તાઓનો મનોબળ નહીં તૂટે તે માટે તેઓએ કોઈને કહ્યું ન હતું અને સારવાર પણ લીધી ન હતી. તેઓના મોત બાદ રાજસ્થાની સમાજ સહિતના લોકોમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ સાથે જ વિક્રમસિંહના અવસાનની જાણ થતા સીઆર પાટીલ સહિતના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના આપી હતી. વિક્રમસિંહની તબિયત લથડતા બેભાન થઈ ઢળી પડ્યામળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાન અને વેસુ VIP રોડ પર આવેલ પુણ્યભૂમિ સોસાયટીમાં 42 વર્ષીય વિક્રમસિંહ રાજપાલસિંહ શેખાવત પત્ની તેમજ એક પુત્ર સહિતના પરિવાર સાથે રહેતા હતા. વિક્રમસિંહ ખટોદરા વિસ્તારમાં કાપડનું હાઉસ ધરાવતા હતા અને સોલાર અને સિક્યુરિટી ગાર્ડની એજન્સીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. આજે વિક્રમસિંહ ઘરે હતા. ત્યારે તેઓની તબિયત લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી પરિવારજનો દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાંથી તબીબની ટીમને પણ ઘરે બોલાવી દીધા હતા. તબીબોએ વિક્રમસિંહને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકબેભાન વિક્રમસિંહને CPR સહિતની સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેઓ બચી શક્યા ન હતા. તબીબની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. જેને પગલે પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવની જાણ થતા અલથાણ પોલીસ સ્થળ પર પહોંચીને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રાજસ્થાની પરંપરા મુજબની ફાગોત્સવનું આયોજન કર્યું હતુંવિક્રમસિંહે ગોડાદરા વિસ્તારમાં આવેલા તુલસી પાર્ટી પ્લોટ ખાતે ત્રણ દિવસ માટેના રાજસ્થાની પરંપરા મુજબની ફાગોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો જોડાયા હતા. તેઓ દર વર્ષે આવા પ્રોગ્રામ કરતા હતા. તેમજ વિક્રમસિંહ VHPના પૂર્વ ઉપાધ્યક્ષ, લઘુ ઉધોગ ભારતીના ઉપપ્રમુખ તરીકે પણ સેવાપ્રવૃત્તિ કરી છે. આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓમાં સેવા કાર્ય કરતા હતા. તેમના પિતા આર્મીમાં હતા અને હાલમાં તેઓ નિવૃત છે. સી.આર.પાટીલ સહિતના નેતાઓએ પરિવારને સાંત્વના આપીવિક્રમસિંહે ગોડાદરા ખાતે ત્રણ દિવસ માટે ફાગોત્સવનું આયોજન કર્યું હતું. દરમિયાન તેમની તબિયત નાજુક લાગતી હતી. પરંતુ કાર્યકર્તાઓનો મનોબળ નહી તૂટે તે માટે તેઓએ કોઈને કહ્યું ન હતું અને સારવાર પણ લીધી ન હતી. દરમિયાન આજે તેમની તબિયત લથડી હતી અને બેભાન થયા બાદ મોત નિપજ્યું હતું. વિક્રમસિંહના અવસાનની જાણ થતા ભાજપના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સી.આર.પાટીલ સહિતના નેતાઓએ પરિવારને સાંત્વના આપી હતી.
પાટડીમાં ખેતરના ખોટા બાનાખતથી છેતરપિંડી:એક મહિલા સહિત ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ
પાટડીમાં ખેતરના ખોટા બાનાખત બનાવી કરોડો રૂપિયાની જમીન હડપવાના પ્રયાસ બદલ એક મહિલા સહિત ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ પોતાની અને પરિવારની જાણ બહાર બનાવટી દસ્તાવેજો તૈયાર કરી જમીન પચાવી પાડવાનું કાવતરું રચાયાનો આરોપ લગાવ્યો છે. આ અંગે પાટડીના રાજેશભાઈ રમેશચંદ્ર પરીખે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે ગોરીયાવાડ ગામના હેતુભા પ્રભાતસંગ ઝાલા, નોટરી અને એડવોકેટ વંદના તિવારી અને રજનીભાઈ જયંતીભાઈ વાણંદ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર ગેરકાયદેસર રીતે ખોટું બાનાખત તૈયાર કર્યું હતું. આ બાનાખતમાં ફરિયાદી રાજેશભાઈ કે તેમના પરિવારના સહ-હિસ્સેદારો હાજર ન હોવા છતાં તેમની ખોટી સહીઓ અને અંગૂઠાના નિશાન કરવામાં આવ્યા હતા, જેને નોટરી દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મૃતક વ્યક્તિના નામે પણ સહીઓ કરીને રેવન્યુ સર્વે નંબર-358 પૈકીની જમીન પર પોતાનો હક જમાવવા માટે જાહેર નોટિસ બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું હતું. ફરિયાદીના મોટા ભાઈ કશ્યપભાઈનું 1/2/2025ના રોજ અવસાન થયું હોવા છતાં, 17/4/2025ના રોજ બનેલા બાનાખતમાં તેમની સહી દર્શાવવામાં આવી હતી. રાજેશભાઈ રમેશચંદ્ર પરીખ કાયમ અંગ્રેજીમાં સહી કરે છે, જ્યારે બાનાખતમાં ગુજરાતીમાં સહી હતી. પરિવારના અન્ય સભ્યો પાટડીમાં હાજર ન હોવા છતાં તેમના નામની ખોટી સહીઓ પણ બાનાખતમાં કરાઈ હતી. આ છેતરપિંડી બહાર આવતા ફરિયાદીએ બાનાખતની નકલ અને મૃત્યુના દાખલા સહિતના પુરાવાઓ રજૂ કર્યા છે. પાટડી પોલીસ મથકના પીઆઇ બી.સી.છત્રાલીયા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
સ્માર્ટ સિટી સુરતના વહીવટી તંત્રમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે વરાછા ઝોન-એ માંથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીતાનગર બ્રિજ નીચે કાર્યરત 'પે એન્ડ પાર્ક'ના ઈજારદારે છેલ્લા 4 મહિનાથી પાલિકાની તિજોરીમાં એક પણ રૂપિયો જમા કરાવ્યો નથી, છતાં અધિકારીઓએ ભેદી મૌન સેવી રાખતા અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જવાબદાર અધિકારીઓ સામે તપાસની માંગ કરી છે. ‘વરાછાના સીતાનગર બ્રિજ નીચે પે એન્ડ પાર્કના ઈજારદાર પર અધિકારીઓની મહેરબાની?’મળતી માહિતી અનુસાર, વરાછા ઝોન-એ અંતર્ગત આવતા સીતાનગર બ્રિજ નીચે પે એન્ડ પાર્ક ચલાવવાનો ઈજારો 17 ઓક્ટોબર 2025ના રોજ એક ખાનગી ઈજારદારને ફાળવવામાં આવ્યો હતો. ટેન્ડરની શરતો મુજબ, વર્ક ઓર્ડર મળ્યાના 15 દિવસની અંદર ઈજારદારે સિક્યોરીટી ડિપોઝીટ અને લાયસન્સ ફી પેટે કુલ રુ. 3,95,620 સુરત મહાનગરપાલિકામાં જમા કરાવવાના હતા. પરંતુ, નવાઈની વાત એ છે કે કોન્ટ્રાક્ટ મળ્યાને 4 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં અને 2 માર્ચ સુધીમાં ઈજારદારે પાલિકાના ખાતામાં એક પણ રૂપિયો જમા કરાવ્યો નથી. આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ઈજારદાર બેરોકટોક પાર્કિંગ ચલાવી રહ્યો છે અને જનતા પાસેથી ઉઘરાણું કરી રહ્યો છે. ‘વરાછા ઝોનના અધિકારીઓની કાર્યશૈલી પર શંકા’સામાન્ય રીતે જો કોઈ નાનો વેપારી કે નાગરિક પાલિકાનો વેરો ભરવામાં વિલંબ કરે તો તંત્ર તાત્કાલિક સીલિંગ કે દંડની કાર્યવાહી કરે છે. પરંતુ, આ કિસ્સામાં વરાછા ઝોનના અધિકારીઓની કાર્યશૈલી શંકા ઉપજાવે તેવી છે. ‘શું અધિકારીઓ જાણીજોઈને ઈજારદારને છાવરી રહ્યા છે?’કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે ઈજારદારે નવેમ્બર મહિનામાં જ રકમ જમા કરાવી દેવાની હતી, ત્યારે તંત્રએ છેક સાડા ત્રણ મહિના પછી એટલે કે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રથમ નોટિસ આપી હતી. આટલો લાંબો સમય કેમ રાહ જોવામાં આવી? શું અધિકારીઓ જાણીજોઈને ઈજારદારને છાવરી રહ્યા છે? અધિકારીઓની આ છત્રછાયાને કારણે પાલિકાની તિજોરીને સીધું આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે. ‘જે ભાડું બાકી નીકળે છે, તે વ્યાજ દર સાથે તાત્કાલિક વસૂલવામાં આવે’આ મામલે આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ કમિશનરને લખેલા પત્રમાં ત્રણ મુખ્ય માંગણીઓ પર ભાર મૂક્યો છે જેમાં ઈજારદાર પાસેથી ઓક્ટોબર-2025થી આજ દિન સુધીનું જે પણ ભાડું બાકી નીકળે છે, તે પ્રવર્તમાન વ્યાજ દર સાથે તાત્કાલિક વસૂલવામાં આવે. જે અધિકારીઓએ સમયસર નોટિસ ન આપીને ઈજારદારને ફાયદો કરાવવાનો પ્રયાસ કર્યો છે, તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરી કડક પગલાં લેવામાં આવે.અને જો ઈજારદાર નિર્ધારિત સમયમાં રકમ જમા ન કરાવે, તો તેનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા તત્વો પાલિકાના કામો ન મેળવી શકે.
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ નવલનગરમાં રહેતા ચાંદનીબેન મુન્નાભાઇ શર્મા (ઉ.વ.25) નામની પરિણીતાએ ગત તા.26 ફેબ્રુઆરીના રોજ વંદા મારવાનો સ્પ્રે પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. બનાવ અંગેની જાણ માલવીયાનગર પોલીસને કરવામાં આવતા પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, ચાંદનીબેન અને તેમના પતિ મુકબધરી છે તેઓને સંતાન પ્રાપ્તિ ન થતા વંદા મારવાનો સ્પ્રે પી લેતા તેમને સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાઇવે પર સાઈડમાં ઉભેલા ટેન્કર પાછળ વાહન અથડાતા પ્રૌઢનું મોત સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ દિનેશભાઈ શિંગાળા (ઉ.વ.55) નામના પ્રૌઢ એકટીવા લઈને 12.45 વાગ્યા આસપાસ પટેલ વિહાર તરફથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવાના રસ્તે જતા હતા. ત્યારે ઓડીના શોરૂમ પાસે પહોંચતા ટેન્કર નંબર જીજે.12.એડબલ્યુ.1599 રોડની સાઇડમાં પાર્ક કરેલું પડયું હોય તેમાં એકટીવા ઘૂસી જતા પ્રૌઢ રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા જેમાં કોઈએ 108માં જાણ કરતા 108ના EMTએ જોઈ તપાસી પ્રૌઢને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી પ્રૌઢના પરિવારને જાણ કરી હતી. અકસ્માતમાં મોતને ભેટનાર દિલીપભાઈ શિંગાળાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું અને દિલીપભાઈ ચાંદીકામનું મજૂરી કામ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પરસ્ત્રીને મળવા પહોંચેલા યુવકને મહિલાના પુત્ર-પરિજનોએ બેફામ માર માર્યો રાજકોટના પોપટપરામાં અડધી રાતે પરસ્ત્રીને મળવા પહોંચેલા યુવકને મહિલાના પુત્ર સહીત પરિજનોએ બેફામ ફટકારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જામનગર નજીક ફલ્લા ગામમાં રહેતો યુવક ઢોલ વગાડવા માટે રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં આવ્યો હતો. અગાઉ તેને એક મહિલા સાથે પરિચય થતાં તેણીએ યુવકને મળવા બોલાવ્યો હતો. જેને મળવા જતા બંનેને મહિલાનો પુત્ર જોઈ જતાં ઝડપી લીધા હતા અને પરિવારજનો સાથે મળી માર માર્યો હતો જેથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકે પોલીસને જણાવ્યું હતું કે આશરે પાંચેક મહિના પહેલા એક મરણ પ્રસંગે ઉત્તર ક્રિયાની વિધિ દરમિયાન તેનો પરિચય આ મહિલા સાથે થયો હતો પછી મોબાઈલ નંબરની આપ લે થઈ હતી અને બંને ફોન ઉપર વાતચીત કરતા હતા દરમિયાન તે મહિલાને મળવા આવ્યો ત્યારે જોઈ જતા પરિવારજનોએ માર માર્યો છે હાલ પોલીસે આ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાનો ભાઈ અને તેની પત્ની મકાન બાબતે અવારનવાર ઝઘડો કરે છે મેપાભાઇ ગોવાભાઇ મેવાડા (ઉં.વ.55) ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ રામવન પાસે હતા ત્યારે હાર્પિક લીકવીડ પી ગયા હતા જેથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે, આરટીઓ પાછળ તેમનું વારસાઈ મકાન છે. જે તેમના માતાએ, તેમના નામે કરી આપ્યું હતું પરંતુ નાનો ભાઈ જીજ્ઞેશ અને જીજ્ઞેશના પત્ની જ્યોતિબેન મકાન બાબતે અવારનવાર ઝઘડો કરે છે જેથી કંટાળી આ પગલું ભર્યું છે. મેપાભાઇને સંતાનમાં 2 દીકરા છે. પોતે 2 ભાઈ અને 1 બહેનમાં મોટા છે. પોતે ખેતી અને મજૂરી કામ કરે છે. મેપાભાઇ હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે જેનું નિવેદન નોંધી પોલીસ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઝેરી જીવજંતુ કરડી જતા આરએમસીની ટીપરવાનમાં કામ કરતા યુવકનું મોત સૂરજ રામજીભાઈ સોલંકી (ઉં.વ.29) ગઈ તા.28.02.2026ના રોજ સાંજે 7.30 વાગ્યાં આસપાસ ઘર પાસે હતો ત્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા તા.1ના રોજ તબિયત બગડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અહીં સારવાર દરમ્યાન આજે તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમા સૂરજ રાજકોટ મહાનગરપાલિકાની ટીપરવાનમાં નોકરી કરતો હોવાનું અને એક ભાઈ અને એક બહેનમાં નાનો તેમજ અપરણિત હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસ પહેલા તે ઘર પાસે બેઠો હતો ત્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું હતું અને પછી તબિયત બગડી હતી. યુવકના આકસ્મિક મોતથી પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો છે. શ્વાન બચકું ભર્યા બાદ થોરાળાના વૃદ્ધને હડકવા ઉપડ્યો, હાલત ગંભીર થોરાળાના રામનગર વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ આશરે 15 દિવસ પહેલા શહેરના ઢેબર રોડ ઉપર હતા ત્યારે ત્યાં રખડતા શ્વાનએ પગમાં બચકું ભરી લીધું હતું જે પછી આ વૃદ્ધએ સારવાર લીધી હતી. જોકે તેમ છતાં તેમની તબિયત બગડતી જતી હતી જેથી અંતે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તબીબી નિદાનમાં વૃદ્ધને શ્વાન કરડતા હડકવાની અસર થઈ હોવાના લક્ષણો જોવા મળ્યા હતા જેથી ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરીને એમએલસી નોંધ કરાવી હતી. હાલ આ વૃદ્ધ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વર્ષ 2020માં સચિન GIDC વિસ્તારમાં થયેલા ચકચારી મર્ડર કેસનો આરોપી જે લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો, તેને મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે. આ આરોપી છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પકડાયેલો આરોપી સોયેબ ઉર્ફે સોનુ રીયાજુદ્દીન શેખે ધરપકડથી બચવા માટે અનોખો કીમિયો અપનાવ્યો હતો. પોલીસ માણસો તેને ઓળખી ન શકે તે માટે તેણે પોતાનો ચહેરો અને દેખાવ સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. તેણે લાંબી દાઢી અને મૂછો વધારી દીધી હતી જેથી જૂના રેકોર્ડ મુજબના ફોટા સાથે તેનો ચહેરો મેચ ન થાય. જોકે, ક્રાઈમ બ્રાન્ચની બાતમીદારોની જાળમાં તેનો આ પ્લાન નિષ્ફળ રહ્યો હતો. જામીન પર છૂટ્યા બાદ જેલમાં હાજર ન થયોઘટનાની વિગત એવી છે કે, આરોપી સોયેબ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કલમ 302 (હત્યા) ના ગુનામાં લાજપોર જેલમાં બંધ હતો. એપ્રિલ 2024માં પરિવારને આર્થિક મદદ કરવાના બહાને તેણે 10 દિવસની વચગાળાની રજા મેળવી હતી. 29 એપ્રિલ 2024ના રોજ તેણે જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થવાને બદલે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પોલીસ તેને શોધી રહી હતી. મહારાષ્ટ્રના ધુલિયામાં છુપાયો હતો આરોપીક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના દેવપુર વિસ્તારમાં ખાટકીવાડ સાઈબાબા મંદિર પાસે છુપાયેલો છે. આ માહિતીના આધારે સુરત પોલીસની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડીને હવે ફરી લાજપોર મધ્યસ્થ જેલ સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. શું હતો વર્ષ 2020નો હત્યાનો મામલો?આ કેસની ફ્લેશબેક તપાસતા જાણવા મળે છે કે, 7 ઓક્ટોબર 2020ના રોજ ઉન સનામીલ પાસે જૂની અદાવત રાખીને સોયેબ અને તેના સાગરીતોએ ફિરોજ ઉર્ફે બબ્બા નામના વ્યક્તિને આંતર્યો હતો. આરોપીઓએ ફિરોજ પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકીને જાહેરમાં તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ગંભીર ગુનામાં પકડાયા બાદ તે જેલમાં હતો, જ્યાંથી તે રજા પર આવીને ફરાર થયો હતો.
માળીયા (મી) તાલુકાના ચિખલી ગામની સીમમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 200 લિટર દેશી દારૂ, 2800 લિટર આથો અને એક બોલેરો ગાડી સહિત કુલ 4.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, આરોપી સ્થળ પર હાજર ન હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ચીખલી ગામના સીમમાં આવેલા કરાડિયા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, સ્થળ પરથી 200 લિટર તૈયાર દેશી દારૂ અને દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 2800 લિટર આથો મળી આવ્યો હતો. આ ઉપરાંત, GJ 11 VV 5695 નંબરની એક બોલેરો ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે કાસમભાઇ અબ્દુલભાઈ સામતાણી (રહે. ચીખલી, તાલુકો માળીયા મીયાણા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાપાલિકાની વર્તમાન બોડીની પાંચ વર્ષની ટર્મ 11 માર્ચે પૂર્ણ થાય તે પહેલા જ 5 માર્ચે સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠક ચેરમેન જયમીન ઠાકર દ્વારા બોલાવવામાં આવી છે. જેમાં હાઇએસ્ટ 115 દરખાસ્તો મુકવામાં આવી છે. જેમાં કરોડો રૂપિયાના વિકાસ કામોની મંજૂરી આપવામાં આવશે. જેમાં વાવડીમાં શહેરનું પ્રથમ સ્પોન્ઝ ગાર્ડન અને લાયબ્રેરી,રૈયા ગામથી સ્માર્ટ સીટી સુધી 18.58 કરોડના નવા રોડ, કોસ્મોપ્લેક્સથી રીંગરોડ તરફ નો નવો રોડ, વોર્ડ નંબર 1 અને 3 માં નવું આરોગ્ય કેન્દ્ર, વોર્ડ નંબર 4 માં સ્પોર્ટ કોમ્પ્લેક્સ, વોર્ડ નંબર 15 માં નવું ફાયર સ્ટેશન, શાળા નંબર 69 માં બાસ્કેટ બોલ કોર્ટ, ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલમાં વોકિંગ ટ્રેક સહિતના કામો પર મંજૂરીની મહોર લગાવવામાં આવશે. રૈયા ગામથી સ્માર્ટ સીટી સુધી 18.58 કરોડના નવા રોડ, બ્રીજના ઇન્સ્પેકશન માટે સલાહકાર નિમવા, વોર્ડ નં.12 માં વાવડીમાં લાયબ્રેરી અને શહેરનો પ્રથમ સ્પોન્ઝ ગાર્ડન, વોર્ડ નં.7માં કનક રોડ ફાયર બ્રિગેડના નવા બિલ્ડીંગ, સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં ડામર રોડના ખર્ચમાં વધારો, મનહરપુરમાં દવાખાનુ, વોર્ડ નં.4 માં 50 ફુટના રોડ પર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, વોર્ડ નં.9 માં કોસ્મોપ્લેકસથી 18 મીટરનો નવો રોડ, વેસ્ટ ઝોનમાં નવા ડામર કામ સહિતના કામોનો સમાવેશ થાય છે. તા.11 માર્ચના રોજ પાંચ વર્ષ માટે ચૂંટાયેલા 72 કોર્પોરેટરોની બોડીની મુદ્દત પૂરી થઇ રહી છે ત્યારે આજે સવારે ચેરમેને આ મીટીંગનો એજન્ડા બહાર પાડયો હતો. જેમાં વિક્રમી સંખ્યામાં દરખાસ્ત અને ખર્ચની રકમ સામેલ છે. જે અંગે ગુરૂવારે સવારે ભાજપ સંકલન અને તે બાદ સ્ટે.કમીટીમાં નિર્ણય લેવામાં આવશે. વોર્ડ નં.12 ના વાવડી વિસ્તારમાં તપન હાઇટસ સામે સ્પોન્ઝ ગાર્ડન બનાવવા 26.98 કરોડનું એસ્ટીમેટ બનાવી ટેન્ડર બહાર પડાયુ હતું. 34800 ચો.મી.માં બનનારા ગાર્ડનમાં વોટર રીટેન્શન પોન્ડ, યોગા સ્પેસ, સોલાર એનર્જી, મલ્ટી સ્પોર્ટ ગેમ કોર્ટ, રેઇન ગાર્ડન, કોમ્યુનિટી ફાર્મીંગ, ફેસ્ટીવલ ગેધરીંગ, પબ્લીક પરફોર્મન્સ એરીયા, ઘાટ, મેડીકલ પ્લાનટેશન, આઉટડોર જીમ, સેલ્ફી પોઇન્ટ, વોટર મ્યુઝીયમ, ફલાવર ગાર્ડન, વોક-વે, ટોયલેટ બ્લોક જેવી સુવિધા છે. આ કામ માટે શ્રીજી કૃપા પ્રોજેકટ લી.ના 11 ટકા ઓછા ભાવ આવતા 24 કરોડની રકમ અને જીએસટી સહિત 28.33 કરોડનો ખર્ચ કરવાની કાર્યવાહી થઇ છે જે અંગે સ્થાયી સમિતિમાં નિર્ણય લેવામાં આવશે. આ જ વોર્ડમાં વાવડી વિસ્તારમાં વ્રજ વિલા એપાર્ટમેન્ટ પાસે 18.97 કરોડના ખર્ચે લાયબ્રેરી બનાવવાની દરખાસ્ત આવી છે. 2591 ચો.મી.માં દુકાનો ઉપર આ લાયબ્રેરી બનાવવામાં આવશે. વોર્ડ નં.1માં રૈયા ગામથી રૈયા સ્માર્ટ સીટી સુધીનો 1.2 કિ.મી.નો રોડ, 2400 મીટરની ડીઆઇ પાઇપલાઇન, 7200 મીટર, 500 મીટરની અન્ય લાઇન, ફલાવર બેડ ડિવાઇડર, ફુટપાથ સહિતના કામ માટે 15.29 કરોડનું ટેન્ડર બહાર પડાતા ભવાની કંપનીએ 3 ટકા વધુ ઓનથી આ કામ કરવા તૈયારી દર્શાવી છે. જેમાં 18 ટકા જીએસટી સહિત 18.58 કરોડનો ખર્ચ થશે. વોર્ડ નં.9માં કોસ્મોપ્લેકસથી 150 ફુટ રીંગ રોડને જોડતા 18 મીટરના રોડનું કામ રાજ ચામુંડા કંપનીને 6.39 ટકા ઓછા ભાવે 3.15 કરોડમાં આપવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.11માં મોટા મવા એનીમલ હોસ્ટેલ પાસે એનીમલ હોસ્પિટલ બનાવવા ટેન્ડર બહાર પડાયું હતું જેમાં સનરાઇઝ એન્ટરપ્રાઇઝ 1.73 કરોડમાં પશુઓ માટેની હોસ્પિટલ બનાવવી આપવા તૈયારી દર્શાવી છે. વોર્ડ નં.7 કોર્પો. કચેરી પાછળ કનક રોડ પર દાયકાઓ જુના ફાયર સ્ટેશનને તોડીને નવું ફાયર સ્ટેશન બનાવવા રી-ટેન્ડર કરાયા બાદ રૂ.12.23 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવશે. આ સિવાય સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.2, 3, 7, 13, 14, 17માં ડિઝાઇન રોડ સોસાયટીના રોડ સહિતના રસ્તાના કામ માટે 44 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ગત એપ્રિલમાં 31.31 કરોડનો ખર્ચ મંજૂર થયો હોય, 12.67 કરોડના વધારાના ખર્ચ સહિતનું આ બજેટ મંજૂર કરવા દરખાસ્ત આવી છે. વેસ્ટ ઝોનના છ વોર્ડમાં 1.36 કરોડના ખર્ચે રસ્તાના કામો મંજૂર કરવા દરખાસ્ત મુકવામાં આવી છે. જ્યારે વોર્ડ નં.4 માં 50 ફુટ રોડ પર ડી માર્ટ પાછળ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવા ટેન્ડર પ્રક્રિયામાં સાત પાર્ટી કવોલીફાય થઇ હતી. જેમાં ચિત્રા કંપની દ્વારા અઢી ટકા ઓછા ભાવમાં કામ ઓફર આવતા 29.38 કરોડના ખર્ચે કામ આપવા દરખાસ્ત આવી છે. વોર્ડ નં.3ના મનહરપુરમાં બે કરોડના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા દરખાસ્ત આવી છે. તો વોર્ડ નં. 15 માં આજી ડેમ ટ્રાફિક પોલીસ સ્ટેશન પાછળના ખુલ્લા પ્લોટમાં નવું ફાયર સ્ટેશન બનાવવા 35.16 કરોડનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત આવી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કોર્પો.ને કુલ રૂ.515 કરોડની ગ્રાંટ મંજુર કરવામાં આવેલ છે. જેમાં આંતરમાળખાકીય વિકાસનાં કામો માટે રૂ.367 કરોડ, શહેરી સડક યોજના માટે રૂ. 68 કરોડ તથા આઉટગ્રોથ વિસ્તાર વિકાસ માટે રૂ. 80 કરોડ એમ કુલ મળીને રૂ. 515 કરોડની ગ્રાંટ ફાળવવામાં આવેલ છે. જે સામે સરકારની સુચના મુજબ બે ગણું આયોજન કરી મોકલવા જણાવેલ હતું, જે મુજબ ડબલ રકમની દરખાસ્ત મોકલાતા રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.515 કરોડ મંજુર કરી ફાળવી આપેલ છે. વર્ષ 2025-26ને રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ વર્ષ તરીકે જાહેર કરાયેલુ હોય કોર્પો. દ્વારા ઉપરોક્ત વિકાસ કામો હાથ ધરવા જરૂરી હતા. જે કામો હાથ પર લેતા મંજુર થયેલ રૂ.515 કરોડથી વધુ ખર્ચ થશે. જેને પહોચી વળવા રૂ.256.44 કરોડની વધારાની ગ્રાંટની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવેલ છે વેસ્ટ ઝોનના 150 ફુટ રીંગ રોડ-2 પર કાલાવડ રોડ અને જામનગર રોડ તરફના 150 ફુટ રીંગ રોડને જોડતા રસ્તા ફોર ટ્રેક બની રહ્યા છે. આ માટે ઓગષ્ટ માસમાં 120 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જામનગર રોડથી કટારીયા, કણકોટ રોડ સુધી સીવીલ વર્ક અને ગાર્ડનીંગ વર્ક તેમાં કરવાનું છે. હવે સ્ટેટ ટેકનીકલ કમીટી દ્વારા કરાયેલી સ્ક્રુટીનીનો રીપોર્ટ મળ્યો છે. જેમાં 45 મીટરનું કામ સુચવાયું હોય 220 કરોડનો ખર્ચ થાય તેમ છે. જેથી આ માટે વધારાની ગ્રાન્ટ માંગવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની મુખ્ય દરખાસ્તો ♦ અમીન માર્ગ કોર્નરની જમીનની હરાજી અંગે નિર્ણય♦ વોર્ડ નં.4 ભગવતીપરા-5 પાસે બેઠુ નાલુ બનાવાશે♦ પૂર્વ ઝોન સહિતના વિસ્તારોમાં નવી આંગણવાડીના કામ♦ વોર્ડ નં.12 પુનિતનગરમાં સ્લેબ કલ્વર્ટ વાઇડનીંગ♦ વોર્ડ નં.16 જંગલેશ્ર્વરમાં શાળા નં.70 પાસે વોંકળા પર સ્લેબ કલ્વર્ટ♦ વોર્ડ નં.12 વાવડીમાં તપન હાઇટસ સામે સ્પોન્ઝ ગાર્ડન♦ વોર્ડ નં.12 માં નવી વોર્ડ ઓફિસ અને વોર્ડ નં.1 નાણાવટી ચોકમાં નવી વોર્ડ ઓફિસ♦ વોર્ડ નં.12 વાવડીમાં વ્રજ વિલા એપાર્ટમેન્ટ પાસે લાયબ્રેરી♦ વોર્ડ નં.13 અંબાજી કડવા પ્લોટ શાળા નં.69માં બાસ્કેટ બોલ કોર્ટ♦ વોર્ડ નં.1 રૈયા ગામથી સ્માર્ટ સીટી સુધી નવો ડીપી રોડ♦ વોર્ડ નં.14 શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં વોકિંગ ટ્રેક♦ જુદા જુદા બ્રીજના ઇન્સ્પેકશન તથા રીપોર્ટીંગ માટે સલાહકાર♦ 2025-26ના વર્ષ માટે રસ્તા, ડ્રેનેજ, મેશનરી, વોટર વર્કસના ઝોનલ કોન્ટ્રાકટ♦ વોર્ડ નં.11 મોટા મવા એનીમલ હોસ્ટેલ પાસે એનીમલ હોસ્પિટલ બનાવાશે♦ સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત અને ગ્રીન રોડ યોજના માટે સરકાર પાસે વધારાની ગ્રાન્ટ મંગાશે♦ વોર્ડ નં.15 ના સંસ્કાર અને આજી જીઆઇડીસીમાં ડામર કાર્પેટ♦ વોર્ડ નં.4 રાજલક્ષ્મી મેઇન રોડ પર અને ઓમ પાર્ક મેઇન રોડ પર બ્રીજનું કામ♦ વોર્ડ નં.7 સેન્ટ્રલ ઝોન કચેરી પાછળ કનક રોડના ભાગે નવા ફાયર સ્ટેશનનું કામ♦ સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનના મુખ્ય રોડ ડિઝાઇન રોડ, ડામર અને રી-કાર્પેટ કામ♦ રામવન ખાતે ફૂડ કોર્ટનું સંચાલન આપવા દરખાસ્ત♦ વોર્ડ નં.3ના મનહરપુરમાં નવું આરોગ્ય કેન્દ્ર♦ વોર્ડ નં.1 એસઆરપી કેમ્પસની સ્કુલ માટે છ રૂમ અને મધ્યાહન ભોજન ઇમારત♦ વોર્ડ નં.4 ડી માર્ટ રોડ પર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવાશે♦ વોર્ડ નં.9 કોસ્મોપ્લેકસથી 150 ફુટ રીંગ રોડ તરફ 18 મીટરનો નવો રોડ♦ વોર્ડ નં.1ના દ્વારકેશ પાર્ક પાસે નવું આરોગ્ય કેન્દ્ર♦ અલગ અલગ વોર્ડમાં સફાઇ અને કચરા એકત્રીકરણ કામગીરી♦ કોઠારીયા રોડના વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલના નવા ભાડા♦ કર્મચારીઓ, અધિકારીઓના તબીબી સહાયની નીતિમાં સુધારો♦ મિલ્કત વેરા-વોટર ચાર્જ પર ચડત વ્યાજ માફીની દરખાસ્ત♦ સેન્ટ્રલ-ઇસ્ટ ઝોનમાં ગાર્ડન જાળવણી, ટ્રી અને ગ્રીન સ્પેસ મોનીટરીંગનું કામ♦ જુદા જુદા વિસ્તારમાં પે એન્ડ પાર્કની જગ્યા ફાળવવા♦ જયુબીલી શાક માર્કેટ નવીનીકરણનું કામ♦ વોર્ડ નં.8 લક્ષ્મીનગર વીજ ઓફિસ સામે વેજીટેબલ માર્કેટ♦ વોર્ડ નં.15 આજી ડેમ પાસેના પ્લોટમાં ફાયર સ્ટેશનનું કામ♦ વોર્ડ નં.8 કાલાવડ રોડ-નાના મવા રોડ વચ્ચે, નિર્મલા રૈયા રોડ પર ડીઆઇ પાઇપલાઇન
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ કર્ણ દિવસ 2026ના અવસરે વિશેષ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ OPD તમામ 18 AAM UHSC અને AAM UHC કેન્દ્રો પર યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ OEEE (Open Ear and Ear Infection and Others) અભિયાનનો એક ભાગ હતો. આ અભિયાન દરમિયાન જાહેર જનતાને કાનની સંભાળ, બહેરાશની રોકથામ, વહેલી ઓળખ, સમયસર સારવાર, તેમજ અતિશય અવાજ અને ચેપ જેવા કારણો વિશે વિસ્તૃત જાગૃતિ અને શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પહેલથી કુલ 1001 લાભાર્થીઓને સીધો ફાયદો થયો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને આવા કાર્યક્રમો દ્વારા વધુને વધુ લોકો સુધી જાગૃતિ ફેલાવવાના પ્રયાસો ચાલુ રાખશે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા દર વર્ષે 3 માર્ચે વિશ્વ કર્ણ દિવસ (World Hearing Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ વૈશ્વિક અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બહેરાશ અને કાનની સમસ્યાઓની રોકથામ તેમજ કાન અને સાંભળવાની સંભાળને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2026 માટે વિશ્વ કર્ણ દિવસની થીમ From communities to classrooms: hearing care for all children (સમુદાયથી શાળા સુધી: બધા બાળકો માટે સાંભળવાની સંભાળ) છે. આ થીમ હેઠળ બાળકોમાં ટાળી શકાય તેવી બહેરાશની રોકથામ અને કાન/સાંભળવાની સમસ્યાઓની વહેલી ઓળખ તથા સારવાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સમુદાય અને શાળાઓને બાળકો, માતા-પિતા અને શિક્ષકો સુધી પહોંચવાના કુદરતી માધ્યમ તરીકે ઓળખીને, શાળા આરોગ્ય અને બાળ આરોગ્ય કાર્યક્રમોમાં સાંભળવાની સંભાળને સમાવેશ કરવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં 5 થી 19 વર્ષની વયના આશરે 90 મિલિયન બાળકો બહેરાશ સાથે જીવે છે, જેમાંથી 60% થી વધુ બાળકોની બહેરાશ સરળ અને ખર્ચ-અસરકારક જાહેર આરોગ્ય પગલાંઓ દ્વારા રોકી શકાય છે.
પહેલાં આપણે જોતાં હતા કે ગુજરાતના ગામડાંઓમાં તો ઠીક પરંતુ શહેરોમાં પણ વારંવાર વીજળી ડૂલ થઇ જવાના કિસ્સાંઓ બનતા હતા. તેનું કારણ એ હતું કે ગુજરાતની પ્રજાને જરૂરિયાત પ્રમાણેનો વીજ પુરવઠો ઉપલબ્ધ થતો ન હતો. પરંતુ તાજેતરમાં જ લોકસભામાં પાવર મંત્રી શ્રીપાદ નાઇકે રજૂ કરેલાં આકડાં જોઇએ તો ગુજરાતમાં એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 2025ના વર્ષમાં જરૂરિયાત મુજબનો 1,18,066 MU વીજ પુરવઠો પૂરો પાડવામાં ગુજરાત 100% સફળ રાજ્ય બન્યું છે. જેના કારણે પ્રજાનો વીજળી ડૂલ થવાની સમસ્યાથી છૂટકારો થયો હતો. લોકોને વીજળી ડૂલ થવાની સમસ્યાથી છૂટકારો આમ તો દેશમાં આવા ઘણાં રાજ્યો હશે જ્યાં આ ઝંઝટમાંથી પ્રજાને મુક્તિ મળી છે પરંતુ પશ્ચિમના રાજ્યોમાં વસ્તીની દૃષ્ટિએ વાત કરીએ તો તેમાં ગુજરાત અને રાજસ્થાને પણ 100% વીજ પુરવઠો પૂરો પાડ્યો હોવાથી ત્યાં પણ પ્રજાને વીજળી ડૂલ થવાની સમસ્યાથી છૂટકારો થયો હતો. 2025ના વર્ષમાં ગુજરાતે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો જનરેટ કર્યો આમ તો 2024નું વર્ષ તો ઠીક પરંતુ માર્ચ-2025 સુધી જરૂરિયાત પ્રમાણેનો વીજ પુરવઠો ઉપલબ્ધ નહીં થવાથી ગુજરાતમાં ક્યાંક ક્યાંક પાવર કટ થવાની સમસ્યા હતી. 2025ના વર્ષમાં ગુજરાતે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો જનરેટ કર્યો હોવાથી સમસ્યાનો નિકાલ થયો હતો.ગુજરાત ભારતમાં વીજ ઉત્પાદન અને વપરાશમાં અગ્રેસર છે અને હવે ઝીરો પાવર ડેફિસિટ રાજ્ય તરીકે ઊભર્યું છે એટલે કે રાજ્યમાં વીજળીની અછત લગભગ શૂન્ય થઇ ગઇ છે. નવીનીકરણીય ઊર્જા હોય કે પરંપરાગત વીજ ઉત્પાદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વીજ ઉત્પાદન ક્ષમતામાં સતત વધારો કર્યો છે. ટેક્નોલોજી અને સચોટ આયોજનથી વીજળીનું કાર્યક્ષમ સંચાલન રાજ્ય સરકારે સૌર અને આધુનિક ટેક્નોલોજી અને સચોટ આયોજન દ્વારા વીજળીનું કાર્યક્ષમ સંચાલનપવન ઊર્જા જેવા પ્રોજેક્ટ્સને વિશેષ પ્રોત્સાહન આપવાની સાથે નવા પાવર પ્લાન્ટ્સની સ્થાપના કરી છે અને ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને વધુ સુદ્રઢ બનાવ્યું છે. કરવામાં આવ્યું છે, જેના પરિણામે નાગરિકો, ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રને અવિરત તથા વિશ્વસનીય વીજ પુરવઠો મળી રહ્યો છે. તાજેતરના આંકડા વીજ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું સુદ્રઢ આયોજન અને અસરકારક અમલીકરણ દર્શાવે છે. એપ્રિલ 2022થી માર્ચ 2023 દરમિયાન ગુજરાતની વીજ માંગ 1,39,043 મિલિયન યુનિટ (MU) હતી, જેની સામે 1,38,999 મિલિયન યુનિટ (MU) સપ્લાય પૂરો પાડવામાં આવ્યો હતો, જેમાં માત્ર 44 મિલિયન યુનિટનો નજીવો તફાવત હતો. ત્યારબાદ એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન વીજ માંગ વધીને 1,45,768 મિલિયન યુનિટ (MU) થઈ હતી, જેની સામે 1,45,740 મિલિયન યુનિટ (MU) સપ્લાય પૂરો પાડીને તફાવત ઘટાડી માત્ર 28 મિલિયન યુનિટ સુધી મર્યાદિત રાખવામાં આવ્યો હતો. આમ, વધતા જતાં વીજ વપરાશ સામે ગુજરાતે માંગ અને પુરવઠા વચ્ચે આદર્શ સંતુલન જાળવી રાખ્યું છે. એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન 1,51,878 મિલિયન યુનિટ (MU) વીજ માંગ સામે રાજ્યમાં 1,51,875 મિલિયન યુનિટ (MU) વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવાયો હતો. વધુમાં, એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025ના ગાળામાં ગુજરાતે 1,18,066 મિલિયન યુનિટની વીજ માંગ સામે સંપૂર્ણ પુરવઠો પૂરો પાડીને 'શૂન્ય વીજ અછત'ની સ્થિતિ પ્રાપ્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં અગ્રેસર છે, ત્યારે ગુજરાત પણ મજબૂત માળખાગત સુવિધાઓ, સુચારુ આયોજન અને વીજ માંગ-પુરવઠાના સચોટ સંતુલન દ્વારા આ સિદ્ધિમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટમાં આવેલ KGN ચિકન શોપના માલિક અંસારી ભાઈઓ પર છરી-ધોકાથી થયેલ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે. ચિકન શોપ પર બાઈક મોડું આપવા બાબતે મિત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં શખ્સોને સમજાવતાં બેફામ બન્યાં હતાં અને હથિયાર સાથે ઘસી આવી યુવકને માથાના ભાગે ધોકાના ઘા ઝીંકી ખોપડી ફાડી નાંખી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવાં તજવીજ હાથ ધરી છે. આશીફને છરી મારવાની ધમકી આપવા લાગ્યો હતો. રાજકોટમાં બરકતીનગર શેરી નં.11માં બાલાજી એપાર્ટમેન્ટ વાળી શેરીમાં રહેતાં ફૈજાન ઇસ્માઇલભાઇ અંસારી (ઉ.વ.19)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાહુલ, ઇમરાન, મહેશ અને હરેશ નામના શખ્સોનું નામ આપતાં આજીડેમ પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફૈજાનએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અને તેનો મોટો ભાઈ હૈદર બંને ગુલાબનગર શેરી નં.2 કોઠારીયા સોલવન્ટ ખાતે KGN ચિકન શોપ નામે નોનવેજની દુકાન ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાત્રીના 8 વાગ્યાના આસપાસ યુવક અને તેનો ભાઈ હૈદર, મિત્ર આશીફ ત્રણેય ગત તા.26 ફેબ્રુઆરીના રોજ રાતે દુકાને હતા ત્યારે રાહુલ તથા ઇમરાન બંને આવી અને આશીફને કહેવા લાગ્યા કે, પરમ દીવસે બાઈક કેમ મોડુ પરત કર્યું હતું તેમ કહી આશીફને ગાળો આપી હતી જેથી ફરિયાદી અને તેના ભાઈએ ગાળો ન બોલવા સમજાવ્યા હતા. દરમ્યાન ઇમરાન ઉશ્કેરાઈને ચાલ્યો ગયો હતો બાદમાં છરી લઇને પરત આવી આશીફને છરી મારવાની ધમકી આપવા લાગ્યો હતો. દરમિયાન ફરીયાદી અને તેના ભાઈએ આરોપી ઈમરાનને પકડી સમજાવતા હતા એટલામાં ત્યા રાહુલના બીજા બે ભાઇ મહેશ તથા હરેશ હાથમા લાકડાનો ધોકો લઈને આવી બંને ભાઈઓને પણ ગાળો આપવા લાગ્યા હતાં. દરમ્યાન યુવકના પિતા પણ ત્યા આવી અને આ લોકોને ઝધડો ન કરવા બાબતે સમજાવતા હતા ત્યારે હરેશએ યુવકની પાસે આવી માથાના પાછળના ભાગે એક ફડાકો માર્યો હતો જયારે મહેશ અને રાહુલે ફરિયાદીના મોટાભાઇ હૈદરને ઘોકા વડે માર મારવા લાગ્યા હતાં જેથી યુવકના પિતા બંનેને મારવાની ના પાડતા હતા. દરમ્યાન હરેશ પણ ઉશ્કેરાઈ હૈદરને ધોકા વડે મારી નાખવાના ઇરાદે જોરથી મારતો હતો જેથી તે ચકકર ખાઈને પડી ગયો હતો. માણસો ભેગા થઇ જતા આરોપી ત્યાંથી ભાગી ગયા હતાં અને ઇજાગ્રસ્ત હૈદરને કાન તેમજ નાકના ભાગેથી લોહી નીકળતુ હોય જેથી તુરંત રીક્ષામા બેસાડી સારવાર અર્થે ખાનગી હોસ્પીટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ માથામા ખોપરીમાં મલ્ટીપલ ફેકચરની ગંભીર ઇજા થયેલ હોવાનું જણાવ્યું હતું. યુવકે બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, ગઈ તા.24.02.2026ના સાંજના 5 વાગ્યે મિત્ર આસીફ રાહુલનુ બાઈક લઇને ગોંડલ ગયો હતો અને બાદ રાજકોટ પરત આવી રાહુલને તેનુ બાઈક બે કલાક મોડુ પરત કર્યું તે બાબતનો ખાર રાખી આરોપી છરી તેમજ ધોકા લઈને દુકાને આવી છરી બતાવી જાનથી મારી નાખવાની ઘમકી આપી જીવલેણ હુમલો કર્યો હતો. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતાં જ્યારે રાહુલ નામનો શખ્સ હજું પોલીસ પકડથી દૂર છે. હાલ સારવાર દરમિયાન હૈદરનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે જેથી પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હત્યાની કલમનો ઉમેરો કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક હૈદરને સંતાનમાં એક દોઢ વર્ષની દીકરી અને બે મહિનાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
હોળીની 'ગોઠ' ન આપતા બે યુવકો પર હુમલો:શહેરાના તાડવા પાટીયા પાસે પથ્થર-લાકડી વડે ઘાયલ કર્યા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા પાટીયા પાસે હોળીની 'ગોઠ' ન આપવા બદલ બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 8 થી 10 અજાણ્યા શખ્સોના ટોળાએ પથ્થર અને લાકડી વડે હુમલો કરી યુવકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અક્ષય કુમાર વણઝારા નામના યુવક તેમના મિત્ર સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે માર્ગ પર ઉભેલા 8 થી 10 લોકોના ટોળાએ તેમનું બાઇક રોક્યું હતું અને હોળીની 'ગોઠ'ની માંગણી કરી હતી. યુવકોએ પોતાની પાસે છૂટા પૈસા ન હોવાનું જણાવતા મામલો બિચક્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ બળજબરીપૂર્વક બાઇકની ચાવી છીનવી લીધી હતી. ચાવી છીનવી લીધા બાદ ટોળાએ બંને યુવકો પર પથ્થર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને યુવકોને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા બંને યુવકોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
બોટાદ LCB પોલીસે બરવાળા નજીકથી રાજસ્થાનના એક યુવકને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 3.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB PI એમ. જી. જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે, બરવાળાના ધંધુકા-ભાવનગર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમીદાર શખ્સ પ્રમોદસિંહ નાથુસિંહ ઇન્દા (ઉંમર 23, રહે. દિવાંદી ગામ, તા. રોહિત, જિ. પાલી, રાજસ્થાન)ને અટકાવીને તેની તલાશી લેવામાં આવી હતી. પોલીસે પ્રમોદસિંહ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ 97 ગ્રામ 97 મિલીગ્રામ MD (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની કિંમત રૂ. 2,93,910 આંકવામાં આવી છે. આ ઉપરાંત, 0.730 મિલીગ્રામ મેથાએમ્ફેટામાઇન પણ મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. 7,300 છે. ડ્રગ્સ ઉપરાંત, પોલીસે 5 ખાલી પ્લાસ્ટિકની કોથળીઓ અને એક મોબાઇલ ફોન પણ કબજે લીધો હતો. આમ, કુલ રૂ. 3,36,210નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પ્રમોદસિંહ ઇન્દા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગર રાજપુર પાટિયા પાસે યુવાનનો મૃતદેહ:જાદરના રમેશ સોલંકી તરીકે ઓળખ થઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજપુર પાટિયા નજીક એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે સાંજે આ ઘટનાની જાણ હિંમતનગર ગ્રામ્ય પોલીસને થતા, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર રાજપુર પાટિયાથી રાજપુર ગામ તરફ જતા માર્ગ પર ગરનાળા પાસે ભરાયેલા પાણીમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ઈડર તાલુકાના જાદર ગામના રમેશભાઈ સોમાભાઈ સોલંકી (ઉંમર આશરે 35થી 40 વર્ષ) તરીકે થઈ છે. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહીસાગર નદીમાં બે યુવાનો ડૂબ્યા, એકનું મોત:લુણાવાડા નજીક હાડોડ ગામે બની દુર્ઘટના
લુણાવાડા નજીક હાડોડ ગામેથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા પડેલા બે યુવાનોમાંથી એકનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે બીજા યુવાનને બચાવી લેવાયો હતો. આ ઘટના જૂના બ્રિજ પાસે બની હતી. માહિતી અનુસાર, બંને યુવકો બપોરના સમયે નદીમાં સ્નાન કરવા ઉતર્યા હતા. અચાનક પાણીના વહેણ અને ઊંડાણને કારણે તેઓ પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તાત્કાલિક પ્રયત્નો બાદ એક યુવકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ અન્ય યુવક નદીના પાણીમાં લાપતા થયો હતો. લુણાવાડા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની શોધખોળ બાદ લાપતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. લુણાવાડા મામલતદાર પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ સુરેશભાઈ સબૂર ચામઠા છે, જ્યારે બચાવી લેવાયેલા યુવકનું નામ અજયભાઈ મોંઘીભાઈ ચામઠા છે. બંને લીંબડીયા, તાલુકો ખાનપુર, મહીસાગરના રહેવાસી હતા અને તેમની ઉંમર આશરે 27 થી 28 વર્ષ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક પ્રશાસને નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને જોખમી સ્થળોએ ન જવા માટે લોકોને અપીલ કરી છે.
CA દીપિકા ગુટગુટિયા વાપી ICAIના ચેરપર્સન બન્યા:સમારોહમાં શપથ ગ્રહણ, વ્યાવસાયિક ઉત્કૃષ્ટતાનો પ્રારંભ
વલસાડ જિલ્લાના વાપીમાં ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ની વાપી શાખાના નેતૃત્વમાં પરિવર્તન આવ્યું છે. તાજેતરમાં વાપીના ભારતી બા વિલા એન્ડ રિસોર્ટ ખાતે યોજાયેલા એક સમારોહમાં CA દીપિકા ગુટગુટિયાએ નવા ચેરપર્સન તરીકે વિધિવત શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રોફેશનલ જગતના નામાંકિત નેતાઓએ હાજરી આપી હતી. જેમાં વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ના ચેરમેન સૌરભ અજમેરા, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર જય છૈરા અને રિજનલ કાઉન્સિલ મેમ્બર શ્વેતા જૈન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વાપી શાખાના પૂર્વ ચેરપર્સન જીજ્ઞેશ વસાણી, ગગન ચતુર્વેદી, વિમલ દેસાઈ અને હરેન્દ્ર કુમારે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સમારોહમાં 75 થી વધુ સભ્યોની હાજરીમાં નવી ટીમે વાપી રીજનમાં વ્યાવસાયિક કૌશલ્ય વધારવા, સભ્યો વચ્ચે નેટવર્કિંગ મજબૂત કરવા અને ખાસ કરીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમનું વિઝન 'અમારું વિઝન, સૌની પ્રગતિ' છે. વાપી શાખાએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ મહાનુભાવો અને સભ્યોનો આભાર માન્યો હતો. આ નવી નિયુક્તિ આગામી સમયમાં સંસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
ટંકારા પોલીસે વીજ કંપનીના ચોરાઉ એલ્યુમિનિયમ વાયરની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 1390 કિલો એલ્યુમિનિયમનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી કુલ 9.29 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એલ્યુમિનિયમના વાયરની ચોરીના બનાવો વધી રહ્યા હતા. ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક અરણેશ્વર ફીડરમાંથી 1800 મીટર વીજ વાયરની ચોરી થઈ હતી. આ ઉપરાંત, મીતાણા, હીરાપર અને સરાયા ગામની સીમમાંથી પણ કુલ 7240 મીટર એલ્યુમિનિયમના વાયરની ચોરી થઈ હતી, જેના કારણે વીજ વાયરોને નુકસાન થયું હતું. આ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી. ફરિયાદોના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી હતી. ટંકારા પોલીસે ભંગારના ડેલાઓ પર નજર રાખી હતી. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન, છત્તર અને વાછકપર રોડ પરથી પસાર થઈ રહેલી બોલેરો ગાડી (નંબર GJ 3 BW 3157) ને રોકવામાં આવી હતી. ગાડીમાંથી એલ્યુમિનિયમના વાયર મળી આવતા, પોલીસે ચાલક પાસેથી આધાર પુરાવા માંગ્યા હતા, જે તેની પાસે ન હતા. વધુ પૂછપરછ કરતા બોલેરોના ચાલક કિશન મોહનલાલ ગુર્જર (ઉં.વ. 26, રહે. ડિડવાના, તા. આમેટ, રાજસ્થાન) એ સાવડી વિસ્તારમાંથી વાયર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં મીતાણા, હીરાપર અને સરાયા ગામમાંથી થયેલી ચોરીનો પણ ભેદ ઉકેલાયો હતો. આરોપીએ કબૂલ્યું હતું કે ચોરાઉ વાયરોને ભઠ્ઠીમાં બાળીને તેના ઢાળિયા બનાવવામાં આવ્યા હતા અને છત્તર-રાજકોટ હાઇવે રોડ પર આવેલા એક ભંગારના ડેલામાં સંતાડવામાં આવ્યા હતા. પોલીસે હાલમાં પકડાયેલા આરોપી પાસેથી કુલ 1390 કિલો એલ્યુમિનિયમનો જથ્થો, જેમાં વાયર અને ઢાળિયા બંનેનો સમાવેશ થાય છે, તે કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લીમાં હોળી-ધૂળેટી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત:4 DYSP, 1067 જવાનો તૈનાત; સરહદો પર પેટ્રોલિંગ
અરવલ્લી જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 1067 સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. આ બંદોબસ્તમાં 4 નાયબ પોલીસ અધિક્ષક (DYSP), 14 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 435 પોલીસ કર્મીઓ, 300 હોમગાર્ડ અને 290 ગ્રામ રક્ષક દળ (GRD)ના જવાનોનો સમાવેશ થાય છે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. હોળી રમતી વખતે ગ્રામ્ય વિસ્તારોમાં અદાવત કે અન્ય કારણોસર થતી બબાલ રોકવા પોલીસ સતર્ક છે. આ ઉપરાંત, ચેકપોસ્ટ પર નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પણ વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. આંતરરાજ્ય સરહદો પર પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં ચંદ્રગ્રહણની વ્યાપક અસર જોવા મળી હતી. આકાશી નજારાની સાથે ધાર્મિક આસ્થાનું પર્વ પણ શ્રદ્ધાપૂર્વક ઉજવાયું હતું. ગ્રહણ દરમિયાન આકાશમાં ચંદ્ર લાલાશ પડતો એટલે કે 'રેડ મૂન' તરીકે દેખાતા નાગરિકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. એક તરફ ખગોળ પ્રેમીઓ માટે આ વિજ્ઞાનનો વિષય હતો, તો બીજી તરફ શ્રદ્ધાળુઓએ ગ્રહણની અશુભ અસરોમાંથી મુક્તિ મેળવવા મંત્રોચ્ચાર અને પ્રાર્થનાનો સહારો લીધો હતો. ચંદ્ર પૃથ્વીના પડછાયામાં છુપાયો, દરિયાકિનારે ભીડ જામીખગોળીય ઘટના મુજબ, ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવતા તે ઘટ્ટ લાલ રંગનો ભાસતો હતો. વલસાડના દરિયાકિનારે અને ઘરના ટેરેસ પરથી લોકોએ આ મનમોહક નજારાને નિહાળ્યો હતો. ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે આ એક અનોખો અને યાદગાર અનુભવ રહ્યો હતો. મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચનાથી વાતાવરણ ભક્તિમય બન્યુંચંદ્રના ઉદય સાથે જ વલસાડના શ્રદ્ધાળુઓએ પોતપોતાના નિવાસસ્થાને અને પવિત્ર સ્થળોએ પૂજા-અર્ચના શરૂ કરી દીધી હતી. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગ્રહણના સમયને સાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે, વિશેષ પ્રાર્થના: ચંદ્ર ગ્રહણના પ્રભાવમાંથી જલ્દી મુક્ત થાય તે માટે ભક્તોએ વિશેષ પ્રાર્થના કરી હતી. મંત્ર જાપ: શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓએ 'ૐ નમઃ શિવાય' અને ચંદ્રના બીજ મંત્રોના જાપ કર્યા હતા. સૂતક પાલન: સૂતક કાળને કારણે અનેક મંદિરોમાં પટ બંધ રહ્યા હતા, જોકે ભક્તોએ માનસિક જાપ અને સ્મરણ ચાલુ રાખ્યા હતા. દાન અને જપનું મહત્વસ્થાનિક શ્રદ્ધાળુઓના જણાવ્યા અનુસાર, ગ્રહણ સમયે કરેલા દાન અને જપનું અનેરું આધ્યાત્મિક મહત્વ હોય છે. ચંદ્ર જલ્દી ગ્રહણ મુક્ત બને અને સૃષ્ટિ પર શાંતિ જળવાય તે હેતુથી સમૂહમાં પ્રાર્થના કરવામાં આવી હતી. ગ્રહણ પૂર્ણ થયા બાદ લોકોએ પરંપરાગત વિધિઓ કરી શુદ્ધિકરણ કર્યું હતું.
મહેતા માર્કેટમાંથી 14,570 રોકડ જપ્ત:સુરેન્દ્રનગર પોલીસે 4 જુગારીઓને ઝડપી પાડ્યા
સુરેન્દ્રનગર સીટી પોલીસે મહેતા માર્કેટમાં દરોડો પાડી જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹14,570 રોકડા જપ્ત કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં રતનપરના હરજીભાઈ ગોકળભાઈ ગોલતર અને ચેલાભાઈ તેજાભાઈ બતાડા, સુરેન્દ્રનગરના જુના જંકશન રોડ પર રહેતા સલમાન મુસ્તાકભાઈ બેલીન અને ઘાંચીવાડના રમજાન ઉર્ફે મૂકો નૂર મહંમદભાઈ કટિયાનો સમાવેશ થાય છે.આ ચારેય ઈસમો વિરુદ્ધ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વીજ કંપનીના ફ્યુઝ ચોરતો રિક્ષા ચાલક ઝડપાયો:પાટણમાં ₹1.09 લાખનો મુદ્દામાલ જપ્ત, ચોરીનો ભેદ ઉકેલાયો
પાટણ શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) ના FSP બોક્સમાંથી HRC ફ્યુઝની ચોરી કરનાર એક રિક્ષા ચાલકને પાટણ સીટી 'બી' ડિવિઝન પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1.09લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરીની ઘટનાઓ પાટણ શહેરની દેવકૃપા સોસાયટી, ગાંધીબાગ, સ્ટર્લિંગપાર્ક સોસાયટી (કેનાલ રોડ) અને અવધૂતપાર્ક સોસાયટી (રેલવે નાળા પાસે) જેવા વિસ્તારોમાં 21 ફેબ્રુઆરી 2026 થી 27 ફેબ્રુઆરી 2026 દરમિયાન રાત્રીના સમયે બની હતી. આ અંગે પાટણ સીટી 'બી' ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ ૩૦૩(૨), ૩૨૪(૩), ૩૨૪(૪) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. માનવ સ્રોત દ્વારા મળેલી બાતમીના આધારે, પોલીસે પાટણ સુદામા ચોકડી પાસે આવેલી લેન્ડમાર્ક હોટલ નજીકથી ઈર્શાદ ઉર્ફે મલેક ઉર્ફે સમીર બડામીયા મહમદહુસેન શેખ (રહે. સૂર્યનગર પ્રાથમિક શાળા સામે, પાટણ) ને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછમાં તેણે શહેરની વિવિધ સોસાયટીઓમાંથી ફ્યુઝની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેણે છેલ્લા છ મહિનામાં બળિયાપાડા, એકતાપાર્ક સોસાયટી, બગવાડા પ્રસુતિ ગૃહ, ફાટીપાળ દરવાજા, અંધારા દરવાજા, વેછુખાંટ, તપસ્વી કોમ્પ્લેક્સ, માખણીયા, ટાયરનગર, સુજનીપુર સબ જેલ અને મોહનનગર સોસાયટી જેવા વિસ્તારોમાં પણ વીજ કંપનીના બોક્સમાંથી ચોરીઓ કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી અર્થિંગ માટેની ૯.૭૦૦ કિલોગ્રામ તાંબાની વાયર પ્લેટો (કિંમત રૂ. 10583), 22.550કિલોગ્રામ HRC ફ્યુઝનું તાંબુ (કિંમત રૂ.24579), 8.400 કિલોગ્રામ તાંબાની પ્લેટો (કિંમત રૂ. 9,156), આશરે 20 કિલો ચીનાઈ માટીના ફરમાં, ચોરી કરવા માટે વપરાતા સાધનો અને એક બજાજ કંપનીની રિક્ષા (નંબર GJ-૦૧-TF-૪૨૮૩) સહિત કુલ રૂ. 1,09,508નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. મકવાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.જી. મોરી અને બી. ડિવિઝન પોલીસ સ્ટાફ જોડાયા હતા.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એટીએમ મશીન જ્યાં મૂકવામાં આવ્યું હતું તે દુકાનમાં અચાનક આગ લાગતા સ્થાનિક રહીશોમાં નાસભાગ મચી જવા પામી હતી. સમી સાંજે મુખ્ય માર્ગ ઉપર જ આગની ઘટના બનતા લોકોના ટોળેટોળાં પણ ઉમટી ગયા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાનસ્થાનિકોના જણાવ્યા અનુસાર આ એટીએમ સેન્ટરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વીજ કનેકશનમાં કંઈક ક્ષતિ હતી. જે અંગેની જાણ વીજ કંપનીને કરવામાં આવી હતી. આજે વીજ કંપનીના કર્મચારીઓ રિપેરિંગ કામ કરી ગયા હતાં. કર્મચારીઓ જેવા ગયા તેના થોડા જ સમયમાં ભડકો થયો અને આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બે ફાયર ટેન્ડરે પાણીનો મારો ચલાવ્યોઆગની બનાવ અંગેની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગની બે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દાંડિયાબજાર અને મકરપુરા જીઆઇડીસીના ફાયર ટેન્ડર સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. લોકોના ટોળા ઉમટ્યામાંજલપુર ગામ વિસ્તારમાં અચાનક આગની ઘટનાના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. મુખ્યમાર્ગ ઉપરની ઘટનાના કારણે લોકોના જીવ તાળવે ચોંટયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા પહોંચી નથી.
28 ફેબ્રુઆરી, 2026ની એ કાળી સવારે ઇતિહાસે ભયાનક કરવટ બદલી! અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરી અને ઈઝરાયલે ઓપરેશન રોરિંગ લાયન ચલાવી ઇઝરાયલની મિસાઈલ સાઈટ્સ અને ઈરાની ઈસ્લામિક શાસનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈનો રક્તરંજિત અંત આણી દીધો. આ માત્ર સૈન્ય કાર્યવાહી નહોતી, પણ ત્રીજા વિશ્વયુદ્ધની ગંભીર દસ્ક્ત સમાન કહી શકાય. જ્યાંથી દુનિયાનું 20 ટકા તેલ પસાર થાય છે તે હોર્મુઝની ખાડીનો તેલ પુરવઠો રૂંધાતા જ દુનિયાની આર્થિક નસ દબાઈ છે. 1 બેરલ કાચા તેલનો ભાવ 60 ડોલરથી આગળ વધીને 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવા આવ્યો છે. માત્ર આટલું જ નહીં એક તોલું સોનું પોણા બે લાખ આસપાસ અને એક કિલો ચાંદી 3 લાખ આસપાસ પહોંચીને રોકાણકારોને ધ્રુજાવી શકે છે. હોર્મુઝ બ્લોકેજથી આર્થિક નસ દબાઈઆટલું ઠીક ન હતું ત્યાં તો પાકિસ્તાન અને કાશ્મીર સહિત દુનિયાભરમાં ઈરાનના સમર્થનમાં વિરોધ અને હિંસાની જ્વાળાઓ ભભૂકી ઉઠી. ઈરાનના સમર્થનમાં વિરોધ થવા ભારત માટે રેડ અલર્ટ છે? શેર બજારમાં કેવો હાહાકાર છે? હજુ આ યુદ્ધ કેટલા દિવસ ચાલી શકે? સવાલો ઘણા છે. પણ આ બધા વચ્ચે તમારા અને મારા જેવા સામાન્ય માણસના ખિસ્સા કેટલા ખાલી થશે? પેટ્રોલ-ડીઝલથી લઈને દૂધ-શાકભાજી સુધીની મોંઘવારી ઘરનો હિસાબ કેવી રીતે બગાડશે? શું ભારત ફરીથી રશિયાનું ઓઈલ ખરીદવાનું ચાલી કરી દેશે કે બીજો કોઈ આઈડિયા લગાવશે? જીઓ પોલિટિક્સ અને જીઓ ઈકોનોમિક્સના ખતરનાક પાસાથી આપણી બચત પર થનાર અસર વિશે આજે વિસ્તારથી વાત કરીએ.... વૈશ્વિક વિરોધ અને શેરબજાર ડામાડોળઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા બાદ દુનિયાભરમાં ઉથલપાથલ મચી છે. શેરબજાર ડામાડોળ છે અને અનેક દેશોમાં અમેરિકા અને ઈઝરાયલના હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, સોનું-ચાંદી વગેરે પર વાત કરીએ તેના પહેલા દુનિયાના કયા દેશમાં ઈરાનના સમર્થનમાં વિરોધ થઈ રહ્યા છે તે સમજીએ. ત્રિકોણીય વિવાદ વિશ્વભરમાં ભભૂક્યોઈરાક, લેબનોન, યમન, સિરિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કાશ્મીર, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, નાઈજીરિયા, સાઉથ આફ્રિકામાં વિરોધ પ્રદર્શનો થયા છે. રશિયા અને ચીન બેવફા થયું!આનાથી સમજી શકાય છે કે વિવાદ માત્ર ત્રણ દેશો પૂરતો સિમિત નથી. તેની જ્વાળા દુનિયાને દજાડી રહી છે. પશ્ચિમી દેશો ઈરાનમાં સરકાર બદલવા ઈચ્છે છે જ્યારે ચીન અને રશિયા જેવી મહાસત્તાઓ કોઈના ઘરની આંતરિક બાબતોમાં ડોકિયું ન કરવા સલાહ આપે છે. આપણે જે દેશોની વાત કરી તેની સરકારો નહીં પણ લોકો વિરોધ કરી રહ્યા છે. વૈશ્વિક તેલ પુરવઠાની નાજુક નસ એટલે હોર્મુઝહવે વાત આપણા ખિસ્સાની કરીએ. દુનિયાનું 20થી 25 ટકા તેલ જે દરિયાઈ સાંકડી ગલીમાંથી પસાર થાય છે તેને કહેવામાં આવે છે હોમુર્ઝની ખાડી, જે મિડલ ઈસ્ટમાં ઈરાનની બાજુથી પસાર થાય છે. ઈરાને આ દરિયાઈ સાંકડી ગલીને બ્લોક કરી દેવાની ધમકી આપી છે. માત્ર આટલું જ નહીં તેમણે થોડો પોર્શન તો બ્લોક પણ કરી દીધો છે તેવું સત્તાવાર નિવેદન આપ્યું છે. જો આવું થઈ જાય તો વૈશ્વિક વેપારની નસ ફાટી જાય, અને પેટ્રોલ ડિઝલના ભાવ ભડકે બળી જાય. ઈસ્લામિક દેશોમાં ઉગ્ર વિરોધહવે વિસ્તારથી વાત કરીએ કે ક્યાં ઈરાનના સમર્થનમાં કેટલા મોટા આંદોલનો થઈ રહ્યા છે. મોટા ભાગે ઈસ્લામિક દેશોમાં વધુ વિરોધ જોવા મળી રહ્યા છે. જેમના લોકોનું માનવું છે કે પશ્ચિમના કારણે અમારી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. દૂતાવાસ પર હુમલો અને ખુવારીપાકિસ્તાનના કરાચીમાં ઈરાનના સમર્થનમાં વિરોધ થયો. પ્રદર્શનકારીઓએ અમેરિકન દૂતાવાસ પર હુમલો કર્યો. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના ગિલગિટ અને બાલ્ટિસ્થાનના સ્કર્દુમાં યુનાઈટેડ નેશન્સની ઓફિસને આગ લગાડી દેવામાં આવી. ટોળા અને સિક્યોરિટી ગાર્ડ્સના સામસામે આવવાથી 25થી વધુ લોકોના મોત થયાના સમાચારો આવી રહ્યા છે. ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક અને વિરોધ પ્રદર્શનઈરાકઃ બગદાદમાં ગ્રીન ઝોન પાસે હજારો લોકો વિરોધ કરવા ભેગા થયા હતા. બસરામાં પણ વિરોધ જોવા મળ્યો. ઈરાનના સમર્થનમાં ઈરાકે 3 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો છે. બાંગ્લાદેશ-તુર્કીમાં ઉગ્ર નારાબાજી બાંગ્લાદેશ અને તુર્કીમાં પણ ઈસ્લામિક સંગઠનોએ અમેરિકા અને ઈઝરાયલ સામે નારા લગાવ્યા હતા. એન્ટી-વોર જૂથોની વિશાળ રેલીઓયુરોપ સહિત અન્ય દેશ જેમ કે લંડન, ગ્રીસ અને નાઈજીરિયામાં પણ એન્ટીવોર જૂથોએ મોટાપાયે રેલીઓ કાઢી હતી. કેનેડા અને જર્મનીમાં પણ ઈરાની પ્રવાસીઓએ નાના વિરોધ કર્યા હતા. કાશ્મીરમાં ખામૈનીના સપોર્ટમાં પ્રદર્શનોવાત ભારતની પણ કરીએ કારણ કે ઈસ્લામ બહુમતી ધરાવતા જમ્મુ કાશ્મીરમાં પણ વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે. કાશ્મીર અને લદ્દાખમાં શિયા મુસ્લીમોએ ધાર્મિક આસ્થાના કારણે ખામેનીના સમર્થનમાં વિરોધ નોંધાવ્યા હતા. શ્રીનગર, બડગામ અને કારગિલમાં માઈનસ ડિગ્રી તાપમાનમાં લોકો વિરોધ કરવા પહોંચ્યા હતા. કટ્ટર માનસિકતાવાળા લોકોએ સોશિયલ મીડિયામાં પણ પ્રચાર કર્યો હતો. માત્ર આટલું જ નહીં કેટલાક સ્થાનિક નેતાઓએ પોતાના ફાયદા માટે કાશ્મીરમાં ફરી પરિસ્થિતિ તંગ બને તેવા પણ પ્રયત્નો કર્યા હતા. યુદ્ધ બાદ બ્રેન્ટ ક્રૂડમાં જોરદાર ઉછાળોઅને હવે વાત કરીએ તેની જે આપણા સૌના ખિસ્સાને અસર કરે છે. 28 ફેબ્રુઆરીના રોજ યુદ્ધની જાહેરાત બાદ બ્રેન્ટ ક્રુડના ભાવમાં પણ 7થી 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકા અને ઈઝરાયલનું કહેવું છે કે થોડા અઠવાડિયા યુદ્ધ ચાલી શકે છે જેના કારણે શેર માર્કેટમાં પણ ઉથલપાથલ જોવા મળી છે. કઈ સંસ્થાઓએ યુદ્ધ વિશે શું કહ્યું તેની વાત પણ કરીએ. એક્સપર્ટ્સ મુજબ તેલ ભડકે બળી શકે… ભારતનું વધતું ઈમ્પોર્ટ બિલ માથાનો દુઃખાવોજાણીને ઝટકો લાગશે પણ ભારત ક્રુડ એક્સપોર્ટર નહીં પણ ઈમ્પોર્ટર દેશ છે. આપણે બીજા દેશો પાસેથી ડોલરમાં કે બીજી કરન્સીમાં 85 ટકા જેટલું કાચુ તેલ ખરીદીએ છીએ. જો ક્રુડ ઓઈલના ભાવમાં 1 ડોલરનો પણ વધારો થાય તો નિષ્ણાતો મુજબ ભારતના વાર્ષિક ઈમ્પોર્ટ બિલમાં અંદાજે 1થી 2 અબજ ડોલરનો એટલે કે ભારતીય રૂપિયામાં 10થી 20 હજાર કરોડ રૂપિયાનો વધારો થઈ શકે એવી પરિસ્થિતિઓ છે. સોનાચાંદી રેકોર્ડ સ્તરે પહોંચ્યાજો આવું થાય તો તેની અસર શેરબજાર પર પણ જોવા મળે જ. ઈતિહાસ ગવાહ છે કે શેર બજાર અને કરન્સી માર્કેટમાં ઉથલપાલ જોવા મળી છે ત્યારે લોકો અને ઈન્વેસ્ટર્સ સોનું ચાંદી જેવા સેફ ઓપશન્સ પર વળે છે. હુમલા બાદ ભારતીય બજારમાં સોના ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ગઈકાલે 10 ગ્રામ સોનાનો ભાવ પોણા બે લાખ રૂપિયા આસપાસ રહ્યો હતો. ગઈકાલે 1 કિલો ચાંદીનો ભાવ પણ 3 લાખ પહોંચવા આવ્યો હતો. યુદ્ધમાં સોનું કેમ સેફ હેવન?પણ આવું થાય ત્યારે લોકો સોના-ચાંદી બાજુ કેમ વળે છે એવો એક સવાલ થાય. તો તેનો જવાબ છે સોનું ચાંદી ફુગાવા સામે રક્ષણ આપે છે. યુદ્ધ સમયે ડોલર મજબૂત થાય અને રૂપિયો નબળો પડે તો સોનું તેની નુકસાનીની ભરપાઈ કરી શકે છે. દલાલ સ્ટ્રીટમાં પેનિક સેલિંગઆપણે જો વાત કરવાના છીએ તો રોકાણકારો માટે ઝટકા સમાન છે કારણ કે યુદ્ધના સમાચાર આવતાની સાથે જ દલાલ સ્ટ્રીટમાં રોકાણકારોએ પેનિક સેલિંગ એટલે કે ગભરાહટમાં વેચાણ શરૂ કરી દીધું હતું. પણ શેરબજારનો નિયમ છે દરેક કટોકટી કોઈ માટે ફાયદો છે તો કોઈ માટે નુકસાન પણ છે. કહેવાનો મતલબ એવો છે કે યુદ્ધના સમયે અમુક સેક્ટર્સ તેજીમાં રહે છે અને અમુક મંદીમાં રહે છે. જો કે હાલની પરિસ્થિતિ મુજબ બેંકિંગ જેવા સેક્ટર્સમાં ન્યુટ્રલ સ્ટેટસ નજરે પડ્યું હતું. યુદ્ધમાં શું તેજીમાં અને મંદીમાં? વિદેશી રોકાણકારોએ શું કર્યું?વિદેશી રોકાણકારો એટલે કે FIIs અત્યારે જોખમી બજારોમાંથી રૂપિયા કાઢીને US ટ્રેઝરી બોન્ડ્સ જેવા સેફ ઓપ્શન્સમાં રૂપિયા નાખી રહ્યા છે. જેના કારણે ટૂંકા ગાળામાં નિફ્ટીમાં 5% થી 8% સુધીનો કડાકો જોવા મળી શકે છે. રસોડે પહોંચી શકે યુદ્ધની ગરમીહવે સૌને લાગે વળગે તેવા વિષયની પણ વાત કરીએ. મધ્ય પૂર્વની આગની ગરમી આપણા રસોડાને પણ અસર કરે તેવી અસરો ટૂંક સમયમાં જોવા મળી શકે છે. ભારત તેની જરૂરિયાત પૂરી કરવા માટે 60 ટકાથી વધુ LPG ગેસ બીજા દેશોથી ખરીદે છે. જે ખાડી દેશોમાંથી કે દરિયાઈ માર્ગોથી આવે છે. તો તેના કારણેપેટ્રોલ-ડીઝલ 5-10 રૂપિયા મોંઘું?ક્રુડના વધતા ભાવના કારણે પેટ્રોલ ડિઝલના ભાવમાં લીટર દીઠ વધારો થઈ શકે છે. કેટલો વધારો થઈ શકે તે કહેવું હાલ મુશ્કેલ છે પણ એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે 5-10 રૂપિયા જેટલો પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થઈ શકે એવી શરૂઆતની આગાહી છે. સરકાર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરે તો વાંધો નહીં આવે પણ જો નહીં કરે તો મહિને પેટ્રોલ ડીઝલ આટલી અસર તો કરી શકે. ટ્રાન્સપોર્ટ મોંઘું, ખાદ્યવસ્તુઓ પર અસરસામેની બાજુ જો પેટ્રોલ-ડીઝલ મોંઘું થાય તો ટ્રક સહિતના ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં પણ વધારો થઈ શકે. જો આવું થાય તો દૂધ, શાકભાજી અને અનાજ જેવી જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં પણ યુદ્ધ વધુ સમય ચાલુ રહે તો વધારો જોવા મળી શકે એમ છે. LPG અને સપ્લાય ચેઈન ખોરવાશે?જો યુદ્ધના કારણે ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ જાય તો LPG સિલિન્ડરના ભાવ વધવાની સાથે તેના ડિસ્ટ્રિબ્યુશનમાં પણ મોડું થઈ શકે એવો અંદાજો છે. દવા અને પ્લાસ્ટિક પર મોંઘવારીનો ખતરો ઘણી જીવન જરૂરી વસ્તુઓમાં પ્લાસ્ટિક અને દવાઓ પણ છે. દવા બનાવવા માટેનો કાચો માલ જેને APIs કહેવામાં આવે છે તે ચીન જેવા દેશોથી આવે છે. APIs અને પ્લાસ્ટિકની વસ્તુઓ પેટ્રોકેમિકલ્સમાંથી બને છે. જો યુદ્ધ અઠવાડિયામાં પૂરું થઈ જાય તો વાંધો નહીં આવે પણ જો મહિનાઓ સુધી ચાલુ રહે તો આ વસ્તુઓ મોંઘી થઈ શકે એવી પરિસ્થિતિ છે. ફુગાવો વધે તો EMIનો બોજોઅને છેલ્લી વાત રૂપિયાની પણ કરી લઈએ. યુદ્ધથી વિશ્વમાં ફુગાવો વધે. જો આવું થશે તો તેની અસર ભારતમાં પણ પડી શકે છે. ફુગાવો વધવાના કારણે RBI વ્યાજદરોમાં ઘટાડો નહીં કરી શકે. જો આવું થાય તો હોમ કે કાર લોનના EMIમાં પણ વધારો થઈ શકે છે. જે તમામ લોકો માટે ફટકા જેવી પરિસ્થિતિ હશે. આપણે હજુ પણ ખેતી આધારિત દેશ છીએ. ગામડાનું જીવન ખેતી, ડીઝલ અને ગેસ પર નભે છે. યુદ્ધ લાંબો સમય ચાલે તો ખેડૂતોને શું અસર થઈ શકે? દેશના લાખો ખેડૂતો હજુ પણ ડીઝલ પંપ સેટનો ઉપયોગ કરે છે. ડીઝલના ભાવમાં વધારો થાય તો એક એકરમાં પાકને પાણી પાવાના ખર્ચામાં વધારો પણ જોવા મળી શકે. યુરિયા-ડીઝલ મોંઘું થશે?યુરિયા બનાવવા માટે નેચરલ ગેસ વાપરવામાં આવે છે. માટે જો ઈન્ટરનેશનલ બજારોમાં ગેસના ભાવ વધતા રહેશે તો ખાતરના ખર્ચામાં પણ વધારો થઈ શકે છે. જો આવું થાય તો ખેડૂતોને ખાતર મોંઘું ખરીદવું પડી શકે અથવા જો સરકાર આવું ન થવા દે અને સબસિડી વધારી દે તો સરકારની તીજોરી પર ભાર વધશે. જે સરકાર આજે નહીં તો કાલે લોકોના ટેક્સના રૂપિયાથી જ ભરપાઈ કરશે. યુદ્ધ ટૂંકું કે લાંબું? કહેવું મુશ્કેલપણ આપણે ગભરાવાની જરૂર નથી. આપણે જે વાત કરી રહ્યા છીએ તે 'જો અને તો'ની છે. આવું જ થશે તે જરૂરી નથી. યુદ્ધ ટૂંક સમય સુધી ચાલશે તેવી સંભાવનાઓ છે કારણ કે ઈરાન સરકારની હાલત કંગાળ છે. તે લાંબો સમય ટકી શકે તેમ નથી. રશિયા અને ચીન તેના મિત્રો છે પણ બંને દેશો પોતાના દેશ માટે ઈરાનને મદદ કરીને નુકસાન નહીં વહોરે. ભારતનો રશિયન ઓઈલ વિકલ્પવાત ભારતની કરીએ તો પેટ્રોલ ડિઝલના ભાવ ન વધે તેના માટે ભારત મજબૂત પ્લાન તૈયાર કરી શકે છે તેવી સંભાવનાઓ છે. અમેરિકા અને ખાડી દેશો પર નિર્ભર ન રહીને ભારત ફરી રશિયાથી તેલ અને ગેસ ખરીદી શકે છે. સામાન્ય રીતે ભારત 1 મહિનો ચાલી શકે તેટલું પેટ્રોલ ડીઝલ સ્ટોર રાખતું હોય છે. જો ખાડી દેશોમાંથી પેટ્રોલ ડિઝલની સપ્લાય બંધ પણ થઈ જાય તો આ સ્ટોકનો પણ ઉપયોગ કરી શકાય છે અને રશિયા પાસે પણ જઈ શકાય એમ છે. આપણે સૌ જાણીએ છીએ કે હમણાની ગાડીઓ બીએસ સિક્સ મોડલની આવે છે. જેમાં પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવીએ તો પણ ગાડીઓ ચાલી શકે છે. સરકાર આવી સ્થિતિમાં ઈથેનોલ બ્લેન્ડિંગ વાળું ઈ-20 પેટ્રોલ આપવાનું ફરજિયાત કરી દે તો તેમાં પણ સરકાર અને દેશને મોટો ફાયદો થઈ શકે એમ છે. ભારતની માસ્ટર સ્ટ્રોક વિદેશ નીતિજો કે ભારત ચીન અને પાકિસ્તાન છોડીને મોટા ભાગના દેશો સાથે સારા સંબંધો રાખે છે. ભારતના અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન સાથે પણ સારા સંબંધો છે. આગળ શું થશે તે હવે જોવાનું રહેશે. અને છેલ્લે… જાણીને નવાઈ લાગશે પણ એકબાજુ વિશ્વ સહિત POK અને કાશ્મીરમાં ખામૈનીના ખાત્માનો માતમ મનાવાઈ રહ્યો છે અને બીજી બાજુ તે જ ઈરાનના લોકોની આંખોમાં ખુશીના આંસુ છે અને ખામૈનીની હત્યાની ઉજવણી કરી રહ્યા છે. સરકાર કાયદા મુજબ 370 હટાવી શકે છે પણ માનસિકતાનું શું? સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે આપ જોતા રહો એડિટર્સ વ્યૂ…સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
મોડાસાના રાજેન્દ્રનગર નજીક હિંમતનગર-શામળાજી હાઈવે પર બાઇક ભરેલા એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં ટ્રકમાં રહેલા બાઇકો બળીને ખાખ થઈ ગયા હતા, જેના કારણે મોટું નુકસાન થયું હતું. મોડાસા નગરપાલિકાની ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આજે સાંજના સુમારે આયશર ટ્રક હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પાછળના ભાગે ટ્રેલરમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. ધુમાડા જોઈને ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ટ્રકને બાજુમાં ઊભી રાખી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયો હતો. ધીમે ધીમે આગ વધુ વિકરાળ બની હતી. ઘટનાની જાણ થતાં જ મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જોકે, આગના કારણે ટ્રકમાં ભરેલા મોટાભાગના બાઇકો બળીને નષ્ટ થઈ ગયા હતા.
રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ઈન્ડિગોની 29 મી માર્ચથી નવી મુંબઈની વધુ એક ફ્લાઇટ શરૂ કરવાનું આજે 3 માર્ચે જાહેર થયુ છે. આ સાથે જ ઉનાળામાં વેકેશનના સમયગાળાથી ઇન્ડિગો અને એર ઈન્ડિયાની રાજકોટ થી મુંબઈ જવા માટે 7 ફ્લાઈટ ઉડાન ભરશે. જેનો ફાયદો સામાન્ય લોકોની સાથે બિઝનેસ ક્લાસને પણ થશે. ઈન્ડિગો દ્વારા 29 માર્ચથી રાજકોટથી નવી મુંબઈ માટેની સાંજની ફ્લાઈટ શરૂ કરવાનું એલાન થયુ છે. જે ફ્લાઈટ 18.05 વાગ્યે નવી મુંબઈથી ઉપડી 19.05 વાગ્યે પહોંચશે. જ્યારે રાજકોટથી આ ફ્લાઇટ 19.35 વાગ્યે ઉપડી 20.50 વાગ્યે નવી મુંબઈ પહોંચશે. ઈન્ડિગો દ્વારા અગાઉ રાજકોટ થી નવી મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ હવે સાંજની ફ્લાઈટ શરૂ કરવાનું જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટથી 29 માર્ચથી સવારની નવી મુંબઈની ફ્લાઇટ શરૂ થવાની છે. જેની અગાઉ જ જાહેરાત થઈ ચૂકી છે જે ફ્લાઈટ દરરોજ સવારે 7 વાગ્યે નવી મુંબઈથી ઉડાન ભરી 8.15 વાગ્યે રાજકોટ એરપોર્ટ ઉપર પહોંચશે. જે બાદ આ ફ્લાઇટ 8.35 વાગ્યે રાજકોટથી પ્રસ્થાન કરી 9.50 વાગ્યે નવી મુંબઈ પહોંચશે. રાજકોટ એરપોર્ટ પરથી હાલ ઉડાન ભરતી 13 ફ્લાઇટ ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાનIGO 6557/6558 - દિલ્હી - 8.05 - દૈનિકAIC 2785/2786 - મુંબઈ - 8.35 - દૈનિકIGO 6133/49FY - મુંબઈ - 9.00 - દૈનિક IGO 6241/6245 - પુણે 10.25 - મંગળ, ગુરૂ, રવિવારAIC 885/886 - દિલ્હી - 10.10 - બુધવાર સિવાયના દિવસોમાંIGO 6372/155 - ગોવા - 12.00 - દૈનિકIGO 154/6371 હૈદરાબાદ - 15.55 - દૈનિકIGO 6507/312J- બેંગલોર - 16.15 - દૈનિકIGO 936/937 - મુંબઈ - 16.55 - દૈનિકAIC 2730/2731 - મુંબઈ - 18.05 - દૈનિકIGO 5025/527J - દિલ્હી- 17.55 - દૈનિકAIC 2537/2538 - દિલ્હી - 20.05 - દૈનિકIGO 317F/274 - મુંબઈ - 19.55 - દૈનિક
યુરોપના રોમાનિયા દેશના મિલૌટી ટાઉનના મેયર વેસાઇલ કેરારે અને તેમના પત્ની હાલમાં બે દિવસની ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા આયોજિત આ પ્રવાસનો મુખ્ય હેતુ ભારત અને રોમાનિયા વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન મજબૂત કરવાનો અને ગુજરાતના પ્રગતિશીલ શહેરી વિકાસના મોડલને સમજવાનો છે. અમદાવાદમાં વિકાસ પરિયોજનાઓનો સંવાદપોતાની મુલાકાત દરમિયાન વેસાઇલ કેરારેએ અમદાવાદ મહાનગરપાલિકાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે ટેકનિકલ ચર્ચા કરી હતી. આ બેઠકમાં ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને નાગરિક કેન્દ્રિત ઇ-ગવર્નન્સ સેવાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે અમદાવાદના 'ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર'ની મુલાકાત લઈ રિયલ-ટાઇમ સિટી મોનિટરિંગ સિસ્ટમની પ્રશંસા કરી હતી. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક અને વિઝન શેરિંગઅમદાવાદ બાદ તેમણે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ એમ.થેન્નારસન તથા મ્યુનિસિપાલિટીઝ કમિશનર રેમ્યા મોહન સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમને ગુજરાતની આઇકોનિક પરિયોજનાઓ જેવી કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ધોલેરા હાઈવે, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને સુરતના ડ્રીમ સિટી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મેયરે મિલૌટી ટાઉનમાં રિવરફ્રન્ટ વિકસાવવા માટે ગુજરાતના નિષ્ણાતોના યોગદાન અંગે પણ ઉત્સુકતા દર્શાવી હતી. ગિફ્ટ સિટી અને ટેકનોલોજી આધારિત વિકાસરોમાનિયન પ્રતિનિધિ મંડળે ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાઈનાન્શિયલ ટેક-સિટી 'ગિફ્ટ સિટી'ની રૂબરૂ મુલાકાત લીધી હતી. અહીંના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ પ્રણાલીઓને જોઈને તેમણે રાજ્ય સરકારના વિઝન પર હર્ષ વ્યક્ત કર્યો હતો. ચર્ચા દરમિયાન સ્માર્ટ સિટીના નિર્માણમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ડિજિટલ ઇકોસિસ્ટમના ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. રોકાણ અને સાંસ્કૃતિક જોડાણની નવી તકોઆ મુલાકાત માત્ર વહીવટી સ્તર પૂરતી સીમિત ન રહેતા, બન્ને દેશો વચ્ચે રોકાણની નવી તકો ખોલનારી સાબિત થશે. મેયર વેસાઇલ કેરારેએ સ્વીકાર્યું હતું કે ગુજરાતનું અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ વૈશ્વિક સ્તરના છે. તેમણે ગુજરાતની અર્બન ઇકોસિસ્ટમ અને રોજગારીની તકોના સર્જનમાં સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ મુલાકાતથી ભવિષ્યમાં રોમાનિયા અને ગુજરાત વચ્ચે ટાઉન પ્લાનિંગ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સમાં સહયોગ વધવાની શક્યતાઓ પ્રબળ બની છે.
વલસાડ જિલ્લાના ઉમરગામમાં ગૌવંશ કતલના ચકચારી ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપી ઇસ્માઇલ અબ્દુલકાદીર પટેલની આગોતરા જામીન અરજી વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે આ મહત્વનો હુકમ કર્યો હતો. આ સમગ્ર મામલો ઓગસ્ટ ૨૦૨૫નો છે, જ્યારે ઉમરગામના સંજાણ બંદર વિસ્તારમાં માંજરા ફળિયા પાસે ગૌવંશની કતલ થતી હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી મોટા પ્રમાણમાં ગૌમાંસ, કતલ કરવાના હથિયારો, વજનકાંટા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય ત્રણ શખ્સો પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા. આ નાસી છૂટેલા આરોપીઓમાં ઇસ્માઇલ પટેલનો પણ સમાવેશ થાય છે. ધરપકડથી બચવા માટે ઇસ્માઇલ પટેલે વાપી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે આરોપી ગૌવંશ જેવા ગંભીર અને સંવેદનશીલ ગુનામાં સંડોવાયેલો છે. સ્થળ પરથી ગૌવંશના અવશેષો અને કતલના સાધનો મળ્યા છે, જે ગુનાની ગંભીરતા દર્શાવે છે. જો આરોપીને જામીન આપવામાં આવે તો તપાસમાં અવરોધ ઊભો થઈ શકે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અવલોકન કર્યું હતું કે ગૌવંશ કતલ એ સામાજિક રીતે ગંભીર ગુનો છે અને આવા કિસ્સાઓમાં કડક વલણ અપનાવવું જરૂરી છે. પરિણામે, કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. હવે પોલીસ આ મામલે આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરશે.
હોળીના પર્વ નિમિત્તે સમાજમાં સેવાનો રંગ ઘૂંટાય તેવા ઉમદા હેતુ સાથે સુરતમાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. યુનિક ડેન્ટલ કેરના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં રક્તદાનનો સંકલ્પ અનેક જીવનોમાં આશાનો પ્રકાશ ફેલાવનારો બની રહ્યો હતો. સમગ્ર શિબિર દરમિયાન કુલ 45 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે. સંતો અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિઆ સેવાયજ્ઞનો શુભ પ્રારંભ અક્ષરધામ મંદિર, સુરતના પૂજ્ય સરળનિધિદાસ સ્વામીજીના હસ્તે દીપ પ્રાગટ્ય અને શાંતિ પાઠ દ્વારા કરવામાં આવ્યો હતો. સ્વામીજીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, રક્તદાન એ પરમ સેવા છે અને આવા માનવીય મૂલ્યોને જીવનમાં ઉતારવા જોઈએ. આ પ્રસંગે રેડ ક્રોસ બ્લડ સેન્ટરના ચેરમેન ડો પ્રફુલ શિરોયા અને સુરતના પૂર્વ મેયર અશ્મીતાબેન શિરોયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આયોજકોનું સન્માન કરી યુવાનોને રક્તદાનની સાથે નેત્રદાન, દેહદાન અને અંગદાન માટે જાગૃત થવા અપીલ કરી હતી. સંગઠિત શક્તિ દ્વારા સેવાનું ઉત્તમ ઉદાહરણગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ પરમાર અને મહામંત્રી અજીતસિંહ ઉમટના માર્ગદર્શન હેઠળ સંગઠન મંત્રી જયપાલસિંહ તથા જિલ્લા અધ્યક્ષ ડો. ઉર્વીશભાઈ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે સામાજિક કાર્યકર મુકેશ દેસાઈ, સૌરાષ્ટ્ર કોળી સમાજના નરેશભાઈ ગોહિલ અને વર્યાવ રામદેવ મંદિરના ભરતજી બાપુએ પણ હાજરી આપી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સંગઠનમાં સંપ અને સમર્પણની ભાવના સાથે હિન્દુત્વના કાર્યો ગતિશીલ રહે તેવી પ્રાર્થના સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાની આંગણવાડી બહેનોએ પોતાની વિવિધ માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. 50થી વધુ બહેનોએ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમની મુખ્ય રજૂઆત ઓનલાઈન કામગીરી અને મોબાઈલ ફોન સંબંધિત હતી. આંગણવાડી વર્કરોને વર્ષ 2022થી ઓનલાઈન કામગીરી માટે નવા મોબાઈલ આપવાનું વચન અપાયું હતું, જે હજુ સુધી પૂર્ણ થયું નથી. અગાઉ 2019માં અપાયેલા મોબાઈલ પણ હવે તદ્દન બિનઉપયોગી બની ગયા છે. બહેનોએ જણાવ્યું કે પોષણ ટ્રેકર ઉપરાંત, પોષણ સંગમ અને એવીટી (AVT) જેવી એપ્લિકેશનો પર કામ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પોષણ ટ્રેકરમાં અનેક પ્રકારની માહિતી આપવી પડે છે, જ્યારે ફેસકેપ્ચર એપ્લિકેશન નિયમિત ચાલતી નથી. એવીટી એપ્લિકેશન તો કામ જ કરતી નથી અને બાળકોની હાજરી ખોટી રીતે ઓછી દર્શાવે છે. આના પરિણામે, બાળકો માટે મળતા આહાર અને નાસ્તા બિલની ગણતરી પણ ખોટી રીતે થાય છે, જેનાથી બાકીના બાળકોના ભોજનની જવાબદારીનો પ્રશ્ન ઊભો થાય છે. સક્ષમ મોબાઈલના અભાવે આંગણવાડી વર્કરોને 100 ટકા કામગીરી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે, જે શક્ય નથી. આ પરિસ્થિતિને કારણે ICDSનો મુખ્ય હેતુ માર્યો જાય છે. બાળકોના પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને ઇતર પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાનો સમય મળતો નથી, કારણ કે મોટાભાગનો સમય નવા એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી કરવામાં જ પસાર થાય છે. આનાથી કામગીરી પર નકારાત્મક અસર થાય છે અને આંગણવાડી વર્કરોની માનસિક સ્થિતિ પર પણ ગંભીર અસર પડે છે. આંગણવાડી વર્કર અને હેલ્પરો લાંબા સમયથી ઓછા પગાર અને અન્ય 12 જેટલા મુદ્દાઓ પર માંગણીઓ કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે તેમની ધીરજનો અંત આવ્યો છે અને ઓછા પગારમાં વધુ કામગીરી કરવી અસહ્ય બની ગઈ છે. આ બાબતોની અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા, આંગણવાડી કર્મચારીઓએ 5 માર્ચ કે તે પછીની કોઈપણ તારીખથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી નહીં કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ ન આવે અને નવા મોબાઈલ આપવામાં ન આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી કરવામાં આવશે નહીં, તેમ તેમણે સ્પષ્ટ જણાવ્યું છે.
પાટડી વર્ણીન્દ્રધામમાં ફૂલ હોલોત્સવની ઉજવણી:સંતો-ભક્તોએ 500 કિલો ફૂલ, મધથી ભગવાનનો અભિષેક કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સ્થિત વર્ણીન્દ્રધામમાં ભવ્ય 'ફૂલ હોલોત્સવ'ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં વહેલી સવારે 5:30 કલાકે મંગળ ચોઘડિયામાં પ્રભાતી રાગ અને ઢોલ-ત્રાંસાના નાદ સાથે મંગળા આરતી કરવામાં આવી હતી. વરિષ્ઠ સંતો અને યજમાનો દ્વારા કળશ પૂજન કર્યા બાદ મુખ્ય મંદિરમાં વર્ણીપ્રભુનો વિશેષ અભિષેક વિધિ પ્રારંભ થયો હતો. દૂધ, ફળોના રસ અને પુષ્પોનો મહાઅભિષેકઉત્સવના પ્રારંભે ભગવાન પર 500 લિટર દૂધ, દહીં, મધ, ચંદન, વિવિધ ઔષધિઓ અને ફળોના રસથી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. સંતોના લાઈવ મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું હતું. ત્યારબાદ 'ફૂલ હોલોત્સવ' અંતર્ગત 500 કિલો ફૂલોની પાંદડીઓથી ભગવાન સ્વામિનારાયણનો અભિષેક કરાયો હતો. ફૂલોથી ઢંકાયેલી ભગવાનની મૂર્તિના દર્શન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અન્નકૂટ, નૃત્ય અને કાવડ યાત્રાશ્રુંગાર આરતી સમયે ભગવાન સમક્ષ મેવા, મીઠાઈ, ડ્રાયફ્રૂટ, ધાણી અને ખજૂર સહિતનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અવસરે સંતોએ હોળીના પદોનું ગાન કર્યું હતું અને ભક્તોએ દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી. વડોદરા ગુરુકુળના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સવારે 10:30 કલાકે 32 પકવાન સાથેની 'અન્નકૂટ કાવડ યાત્રા' બેન્ડવાજા સાથે સંત આશ્રમથી મુખ્ય મંદિર સુધી નીકળી હતી. ડ્રાયફ્રૂટ અને 500 કિલો મધનો અભિષેકબપોરે રાજભોગ આરતી બાદ પ્રભુને 100 કિલો બદામ, કાજુ, દ્રાક્ષ અને પિસ્તા જેવા ડ્રાયફ્રૂટથી અભિષેક કરવામાં આવ્યો હતો. સફેદ વસ્ત્રો અને પાઘડીમાં સજ્જ ભગવાનની મૂર્તિના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. મહોત્સવના અંતિમ ચરણમાં બપોરે 3:30 કલાકે 500 કિલો શુદ્ધ મધથી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસીય આ 'મંગલ મહોત્સવ'ની પૂર્ણાહુતિ પ્રસંગે સર્વમંગલ સ્વામીએ ઉત્સવના દાતાઓનું સન્માન કર્યું હતું અને દેશ-વિદેશથી આવેલા ભક્તોને આગામી વર્ષે ફરી પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું.
રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક જ દિવસે અંદાજે ₹28.68 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને વહીવટી અને નાણાકીય મંજૂરી આપી છે. આ પગલાથી રાજ્યના ઐતિહાસિક વારસાસ્થળો અને ધાર્મિક કેન્દ્રોમાં આધુનિક સુવિધાઓનો ઉમેરો થશે. જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો સુવિધાસભર બનશેજૂનાગઢના ઉપરકોટ કિલ્લા ખાતે પ્રવાસીઓની સુવિધા વધારવા મજવેડી ગેટ તરફ કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ અને ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર માટે ₹1.07 કરોડની મંજૂરી આપવામાં આવી છે. ભવિષ્યમાં અહીં બે અત્યાધુનિક લિફ્ટ પણ મૂકવાની યોજના છે, જેથી વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને સરળતા રહે. હર્ષદ માતાના મંદિરને સૌથી મોટી ફાળવણીસુપ્રસિદ્ધ હર્ષદ માતા મંદિરના સર્વગ્રાહી વિકાસ માટે ₹20.09 કરોડના કામોને વર્ક ઓર્ડર આપવાનો નિર્ણય લેવાયો છે. મંદિર પરિસરમાં સુવિધાઓ, પરિસરની સુંદરતા અને યાત્રાળુઓ માટે આધુનિક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. બહુચરાજી, ખોડિયાર અને ઘાટકેશ્વર મહાદેવમાં સુવિધાઓનો વધારોમહેસાણાના શંખલપુર સ્થિત ટોડા બહુચરાજી મંદિર ખાતે પેવર બ્લોક અને સોલાર સિસ્ટમ માટે ₹60.64 લાખ ફાળવાયા છે.અમરેલીના સુડાવડ ગામે આવેલ આઇશ્રી ખોડિયાર મંદિર ખાતે સત્સંગ હોલ, પાર્કિંગ શેડ અને વોટર વર્ક્સ માટે ₹49.80 લાખ મંજૂર કરાયા છે. વલસાડના ઘડોઈ ખાતે આવેલ ઘાટકેશ્વર મહાદેવ મંદિરને પ્રવાસન હોટસ્પોટ બનાવવા ₹1.80 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ઘાટ, લેન્ડસ્કેપિંગ અને ચિલ્ડ્રન પ્લે એરિયા વિકસાવવામાં આવશે. ગાંધી આશ્રમનું રિનોવેશન અને ડાંગ દરબારને પ્રોત્સાહનપંચમહાલ જિલ્લાના ગોધરામાં મહાત્મા ગાંધી દ્વારા 1917માં સ્થાપિત ઐતિહાસિક ગાંધી આશ્રમના નવીનીકરણ માટે ₹3.36 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. આ ઉપરાંત, આદિવાસી સંસ્કૃતિના પ્રતિક સમાન ડાંગ દરબાર-2026ના ભવ્ય આયોજન માટે ₹1.25 કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્ય સરકારના આ નિર્ણયો ગુજરાતના પ્રવાસન નકશાને વધુ મજબૂત બનાવશે. યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ સાથે વારસાના જતનનો સમન્વય થવાથી ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો નવી ઓળખ સાથે વિકસશે.
ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આગામી 7 માર્ચે તાપી-કરજણ લિન્ક યોજનાનું લોકાર્પણ કરશે. આ લોકાર્પણ કાર્યક્રમ પૂર્વે જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વર પટેલ અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ સાદડપાણી સ્થિત પમ્પિંગ સ્ટેશન નં-4 અને કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે એન્જિનિયરિંગ કામગીરી અને કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીએ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સાતકાશી ખાતે આશરે રૂ. 711 કરોડના ખર્ચે શરૂ કરાયેલી આ ઉદ્ધવહન સિંચાઈ યોજના હેઠળ 266 મીટર ઊંચાઈએ પાણી પહોંચાડવામાં આવશે. આનાથી સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કુલ 73 ગામોના અંદાજિત 63 હજાર એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. ઉમરપાડા અને ડેડિયાપાડાનો વિસ્તાર ડુંગરાળ હોવાથી નહેર દ્વારા પાણી પહોંચાડવું અશક્ય હતું. આ યોજના ઉકાઈ જળાશયમાંથી લિફ્ટ ઇરિગેશન (ઉદ્દવહન) દ્વારા ઊંચાઈવાળા વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડશે. પાઇપલાઇનના પથરેખામાં આવતા 100થી વધુ હયાત ચેકડેમો અને 35-40 કોતરોને પણ આ યોજના દ્વારા ભરવાનું આયોજન છે, જેનાથી બોર રિચાર્જ થશે અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે. આ યોજનાનો વ્યાપ વધારીને વધુ 50 ગામોના આશરે 31 હજાર એકર વિસ્તારને પણ આવરી લેવામાં આવ્યો છે. આમ, કુલ 123 ગામોના 94 હજાર એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. સાથે જ, રૂ. 266 લાખના ખર્ચે 3 મોટા ચેકડેમોનું નિર્માણ કરી ખેડૂતોને શિયાળા અને ઉનાળામાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. મંત્રીએ માહિતી આપી હતી કે યોજનાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. સાતકાશી પમ્પિંગ સ્ટેશન દ્વારા પાણી સુરત જિલ્લાના કેવડી સુધી પહોંચાડવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આગામી 7 માર્ચે આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન, ફરજ પરના કાર્યપાલક ઇજનેરએ મંત્રીને તાપી-કરજણ ઉદ્ધવહન સિંચાઈ યોજનાની સંપૂર્ણ વિગતો રજૂ કરી હતી. આ યોજનાથી આદિવાસી ખેડૂતો વર્ષની ત્રણેય સિઝનમાં પાક લઈ શકશે. તેનાથી સ્થળાંતર ઘટશે અને સ્થાનિક સ્તરે રોજગારી તેમજ આર્થિક સદ્ધરતા વધશે.
જમશેદજી તાતાની 187મી જન્મજયંતિ:આધુનિક ભારતના પાયા નાખનાર ઉદ્યોગપતિને શ્રદ્ધાંજલિ
ભારતીય ઉદ્યોગ જગતના પ્રણેતા અને તાતા સમૂહના સ્થાપક જમશેદજી તાતાની આજે 187મી જન્મજયંતિ છે. 3 માર્ચ, 1839ના રોજ નવસારીમાં જન્મેલા આ સ્વપ્નદ્રષ્ટાએ માત્ર ઉદ્યોગોની સ્થાપના જ નથી કરી, પરંતુ આધુનિક ભારતનો મજબૂત પાયો પણ નાખ્યો છે. આજે દેશભરમાં આ મહાન વિભૂતિને યાદ કરીને ભાવવંદના કરવામાં આવી રહી છે. જન્મસ્થળ નવસારી ખાતે 'જશન' વિધિનું આયોજનજમશેદજી તાતાનો જન્મ નવસારીના એક પ્રતિષ્ઠિત પારસી પરિવારમાં થયો હતો. તેમનું પૂર્વજોનું ઘર આજે પણ એક સ્મારક તરીકે જાળવી રાખવામાં આવ્યું છે. 187મી જન્મજયંતિ નિમિત્તે પરંપરા મુજબ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને પવિત્ર 'જશન' વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ દ્વારા નવસારીના આ પનોતા પુત્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. આધુનિક ભારતના નિર્માણના 4 મુખ્ય સ્તંભોભારતને આત્મનિર્ભર બનાવવા માટે તેમણે ચાર મુખ્ય લક્ષ્યો નક્કી કર્યા હતા, જે આજે દેશની વૈશ્વિક ઓળખ બની ગયા છે: તાતા સ્ટીલ (જમશેદપુર): એશિયાના પ્રથમ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરી ભારતમાં ભારે ઉદ્યોગોનો પાયો નાખ્યો. IISc, બેંગલુરુ: શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ભારતની પ્રતિષ્ઠા વધારવા માટે 'ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ'ની સ્થાપનામાં મુખ્ય ફાળો આપ્યો. તાજમહાલ પેલેસ હોટેલ: મુંબઈમાં આ આલીશાન હોટેલ બનાવી ભારતીય આતિથ્ય સત્કારને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન અપાવ્યું. હાઈડ્રો-ઈલેક્ટ્રિક પાવર: કુદરતી સ્ત્રોતો દ્વારા સ્વચ્છ અને સસ્તી વીજળી પૂરી પાડવાનું તેમનું વિઝન દેશના ઔદ્યોગિક વિકાસમાં પાયારૂપ સાબિત થયું. સામાજિક જવાબદારી તાતા ગ્રુપની સફળતાના મૂળમાં 'સમાજ પ્રત્યેના ઋણ'નો સિદ્ધાંત રહેલો છે. જમશેદજી માનતા હતા કે સમાજ પાસેથી મેળવેલી સંપત્તિનો મોટો હિસ્સો સમાજને જ પરત મળવો જોઈએ. આ જ કારણ છે કે આજે પણ તાતા સન્સનો મોટો હિસ્સો ચેરિટેબલ ટ્રસ્ટો દ્વારા સંચાલિત થાય છે. કર્મચારી કલ્યાણના જનકશ્રમિકોના અધિકારો માટે તેઓ અત્યંત સજાગ હતા. તેમણે ભારતમાં સૌપ્રથમવાર કર્મચારીઓ માટે નીચે મુજબની ક્રાંતિકારી સુવિધાઓ અમલી બનાવી હતી: પર્યાવરણ અને ટાઉન પ્લાનિંગમાં દૂરંદેશીજ્યારે જમશેદપુર (ટાટાનગર) શહેર વસાવવાનું આયોજન થયું, ત્યારે તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે શહેરમાં રસ્તાઓ પહોળા હોવા જોઈએ, રમતગમતના મેદાનો માટે પૂરતી જગ્યા હોવી જોઈએ અને વિપુલ પ્રમાણમાં વૃક્ષો વાવવા જોઈએ. તેમની આ દીર્ઘદ્રષ્ટિને કારણે જ આજે જમશેદપુર ભારતનું સૌથી સુંદર અને સુનિયોજિત શહેર ગણાય છે.
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા અને ‘ગોલ્ડન મેન’ તરીકે ઓળખાતા પ્રભુ સોલંકીની પત્નીએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં 49 લાખ રૂપિયાની રકમ સામે અત્યાર સુધી રૂ.90 લાખ જેટલી રકમ વ્યાજખોરો વસૂલી લીધી હોવા છતાં હજુ વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સહી કરેલો ચેક બેન્કમાં બાઉન્સ કરાવી ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. જેથી મહિલાએ બે લોકો સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના આજવા રોડ પર મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલી કલ્યાણ નગર સોસાયટીમાં રહેતા પાર્વતીબેન પ્રભુભાઈ સોલંકીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ વ્યાજખોરોએ આશરે ચારથી પાંચ કિલો જેટલા સોનાના દાગીના ગીરવે રાખ્યા બાદ પણ પચાવી પાડ્યા છે. આ ઉપરાંત બાપોદ ગામની જમીનનો દસ્તાવેજ પણ બળજબરીપૂર્વક કરાવી લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 4 ચેકોમાંથી 2 ચેકમાં મોટી રકમ રૂ.59.08 લાખ લખી બેન્કમાં જમા કરાવી બાઉન્સ કરાવ્યા હતા અને કોર્ટ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત મૂળ રકમ કરતા બમણા નાણાં વસૂલ્યા છતાં હજુ પણ વધુ રકમની માંગણી કરવામાં આવે છે. બાપોદની જમીન તથા ફતેપુરા વિસ્તારમાં આવેલી દુકાનના દસ્તાવેજ અને પાંચકિલો ઉપરાંતના સોનાના દાગી મળી રૂ.2.05 કરોડ જેટલી રકમ બાકી નીકળે છે. આ ઉપરાંત તેમનું સોનું પણ પચાવી પાડવામાં આવ્યું પરંતુ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી નથી. બંને વ્યાજખોરોએ મારા પતિને આપેલા રૂપિયા 49 લાખ સામે 90 લાખ વસૂલી લીધા હોવા છતાં હજુ પણરૂપિયાની વ્યાજખોરો ઉઘરાણી કરી રહ્યા છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે સમીર અરવિંદ પટેલ (રહે.ન્યૂ વી.આઈ.પી. રોડ) અને અરવિંદ શનાભાઈ પટેલ (રહે.ગોરવા) સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડિજિટલ ઈન્ડિયાના મિશનને વેગ આપતા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં વડનગરની જી.એમ.ઈ.આર.એસ. (GMERS) મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુવિધા માટે લેબોરેટરી રિપોર્ટ સોફ્ટવેરના માધ્યમથી સીધા મોબાઈલ પર મોકલવાની સેવા શરૂ કરવામાં આવી છે. રિપોર્ટ વૉટ્સએપ અને એસ.એમ.એસ. મારફતે મળશેઆ સુવિધા અંગે વધુ માહિતી આપતા ડો.સુનિલ ઓઝાએ જણાવ્યું હતું કે હોસ્પિટલના પેથોલોજી, માઈક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી વિભાગમાં થતા વિવિધ ટેસ્ટના રિપોર્ટ અત્યાર સુધી માત્ર હાર્ડ કોપીમાં જ આપવામાં આવતા હતા. પરંતુ હવે એલ.આઈ.એસ. LIS - લેબોરેટરી ઇન્ફોર્મેશન સિસ્ટમ સોફ્ટવેરના માધ્યમથી દર્દીઓને તેમના રિપોર્ટ વૉટ્સએપ અને એસ.એમ.એસ. મારફતે મોકલવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં રિપોર્ટ મેળવવા માટે થતી ભીડ નહીં જોવા મળેઆ નવી ડિજિટલ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને ઝડપથી રિપોર્ટ પૂરા પાડવાનો અને હોસ્પિટલમાં રિપોર્ટ મેળવવા માટે થતી ભીડ તેમજ વેઈટિંગ ઘટાડવાનો છે. ઘણીવાર દર્દીઓ પાસેથી લેબોરેટરી રિપોર્ટ ખોવાઈ જવાની સમસ્યા રહેતી હોય છે. પરંતુ હવે મોબાઈલમાં રિપોર્ટ સુરક્ષિત રહેશે.જેથી ભવિષ્યમાં અન્ય કોઈ જગ્યાએ સારવાર માટે જતી વખતે દર્દીઓ સરળતાથી જૂના રિપોર્ટ બતાવી શકશે. દર્દીઓએ લેબોરેટરીમાં પોતાનો વૉટ્સએપ નંબર લખાવવો પડશેહોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સેવાનો લાભ લેવા માટે દર્દીઓએ લેબોરેટરીમાં પોતાનો વૉટ્સએપ નંબર અથવા એસ.એમ.એસ. મળી શકે તેવો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવો ફરજિયાત રહેશે.
અમેરિકા-ઈઝરાયલ-ઈરન યુદ્ધમાં હિઝબુલ્લાહને પડવું ભારે પડ્યું, લેબેનોને કરી મોટી કાર્યવાહી
Lebanon Bans Hezbollah Military Operations Amid Israel-Iran War : અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન પર સતત હુમલાઓ ચાલી રહ્યા છે. શનિવારથી શરૂ થયેલા આ યુદ્ધમાં ઈરાન વેરવિખેર થઈ ગયું છે. અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ એવું માનવામાં આવતું હતું કે ઈરાન નબળું પડી જશે, પરંતુ હવે ઈરાનના સૌથી શક્તિશાળી સાથી ‘હિઝબુલ્લાહ’એ યુદ્ધમાં એન્ટ્રી કરીને ખળભળાટ મચાવી દીધો છે. આ કારણે લેબેનોન સરકારની ચિંતા વધી ગઈ છે અને સરકારે તાત્કાલીક હિઝબુલ્લાહ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. હિઝબુલ્લાહ પર પ્રતિબંધ
Israel attacks presidential office in Tehran: ઈઝરાયલે ઈરાન સામે કરેલું યુદ્ધ ભીષણ તબક્કામાં પહોંચી ચૂક્યું છે. ઈઝરાયલના સુરક્ષા દળોએ (IDF) 3 માર્ચે કબૂલ્યું હતું કે, ‘અમે ઈરાનના રાષ્ટ્રપતિ ભવન સહિતના મુખ્ય મથકો પર એર સ્ટ્રાઈક કરી છે.’ ઈઝરાયલે આ સ્થળને ઈરાની શાસનનું 'સૌથી મહત્ત્વનું અને કેન્દ્રીય મુખ્યાલય' ગણાવ્યું હતું. બીજી તરફ ઈરાનની સરકારી મીડિયાના દાવા મુજબ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા 131થી વધુ શહેરોમાં થયેલા હુમલામાં અત્યાર સુધી 787 લોકોના મોત થયા છે. ઈરાને 'ઝાયોનિસ્ટ-અમેરિકન આતંકવાદી હુમલો' ગણાવ્યો છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી-સોમનાથ હાઈવે પર આવેલી ઓઝત નદીના પટમાંથી આજે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નદીના પાણીમાં યુવકની લાશ તરતી હોવાની જાણ થતા જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળેટોળા પુલ પર ઉમટી પડ્યા હતાં. તરતી લાશને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢી હતીઓઝત નદીના પુલ નીચે પાણીમાં એક યુવકનો મૃતદેહ ગરકાવ થયેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ અંગેની જાણ વંથલી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની સૂચના મુજબ સ્થાનિક તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતાં, જેમણે ભારે જહેમત બાદ મૃતદેહને નદીના ઊંડા પાણીમાંથી બહાર કાઢી કાંઠે લાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. પુલ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયાઓઝત નદીના પુલ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જવાથી સોમનાથ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વંથલી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે તાત્કાલિક ટ્રાફિક ક્લિયરન્સની કામગીરી હાથ ધરી હતી. પોલીસે લોકોને પુલ પર ભીડ ન કરવા અપીલ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોમૃતક યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વંથલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેના રિપોર્ટ બાદ જ મોતના સાચા કારણની વાસ્તવિકતા સામે આવશે. વંથલી પોલીસ અત્યારે આસપાસના ગામોમાં કોઈ યુવક ગુમ થયો છે કે કેમ તેની વિગતો મેળવી રહી છે જેથી મૃતકની ઓળખ થઈ શકે.
ગીર સોમનાથ જિલ્લામાં નાગરિકોના પડતર પ્રશ્નોના સમયસર અને પારદર્શક નિરાકરણ માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ 'સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ 24 માર્ચ, 2026ના રોજ અને જિલ્લા કક્ષાએ 25 માર્ચ, 2026ના રોજ યોજાશે. સૌપ્રથમ, મંગળવાર, 24 માર્ચના રોજ સવારે 11:00 કલાકે જિલ્લાના તમામ તાલુકા મથકો પરની મામલતદાર કચેરીઓમાં 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાશે. તાલુકા કક્ષાએ ઉકેલી શકાય તેવા પ્રશ્નો માટે નાગરિકો દર મહિનાની 1 થી 10 તારીખ દરમિયાન ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકશે. આ કાર્યક્રમમાં લાયઝન અધિકારી અને મામલતદાર સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે મળીને અરજદારોને સાંભળશે અને યોગ્ય નિરાકરણ લાવશે. તાલુકા સ્તરે જે પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, તેમને આગળની કાર્યવાહી માટે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે. ત્યારબાદ, બુધવાર, 25 માર્ચના રોજ સવારે 11:00 કલાકે ઈણાજ સ્થિત જિલ્લા સેવા સદન, વેરાવળ-તાલાલા રોડ ખાતે જિલ્લાકક્ષાનો 'સ્વાગત' કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને સંબંધિત ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહી અરજદારોના પ્રશ્નો સાંભળશે. જિલ્લા કક્ષાએ ઉકેલી શકાય તેવા અને તાલુકા કક્ષાએ બાકી રહેલા પ્રશ્નોને આ કાર્યક્રમમાં પ્રાથમિકતા આપવામાં આવશે. નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે અરજી સ્પષ્ટ, પુરાવા સહિત અને જરૂરી વિગતો સાથે જ કરવી. અરજીમાં નામ-સરનામું, સહી અને મોબાઈલ નંબર ફરજિયાત હોવા જોઈએ. નામ-સરનામા, સહી અને મોબાઈલ નંબર વગરની અરજીઓ, કોર્ટમાં ચાલતા કેસ સંબંધિત અરજીઓ, નીતિ વિષયક મુદ્દાઓ, વ્યક્તિગત આક્ષેપો અથવા એકથી વધુ વિભાગોને લગતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. સંબંધિત કચેરીનો પ્રાથમિક સંપર્ક કર્યા વિના સીધી રજૂઆત પણ માન્ય ગણાશે નહીં. આ બંને કાર્યક્રમો દ્વારા શાસન અને પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરીને પ્રશ્નોનો ત્વરિત અને ન્યાયિક ઉકેલ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા પ્રશાસને નાગરિકોને સમયમર્યાદામાં અરજી કરીને આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.
પંચમહાલમાં 25 માર્ચે જિલ્લા SWAGAT કાર્યક્રમ:અરજદારો 10 માર્ચ સુધીમાં પ્રશ્નો મોકલી શકશે
પંચમહાલ જિલ્લામાં 25 માર્ચ, 2026, બુધવારે સવારે 11 વાગ્યે કલેક્ટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લાકક્ષાનો SWAGAT ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જિલ્લાના નાગરિકો, અરજદારો અને પ્રજાજનો પોતાના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી કે પેન્શન સિવાયના પ્રશ્નો રજૂ કરી શકશે. અરજીઓ આગામી 10 માર્ચ, 2026 સુધીમાં સંબંધિત કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાની રહેશે. અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ અથવા પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજીના કવર તેમજ અરજી પર જિલ્લા SWAGAT ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્પષ્ટપણે લખવું ફરજિયાત છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું અને પોતાનો ટેલિફોન કે મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો. જિલ્લા SWAGATમાં અરજી કરતા પહેલા, અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના SWAGAT કાર્યક્રમમાં રજૂઆત કરેલી હોવી જોઈએ. ત્યારબાદ, જે કચેરીનો પ્રશ્ન હોય ત્યાં પણ અરજી કરેલી હોવી જોઈએ. જિલ્લાકક્ષાના પ્રશ્ન માટે જિલ્લાના જવાબદાર અધિકારીને કરેલી રજૂઆતની નકલ અરજી સાથે જોડવી પડશે. 10 માર્ચ, 2026 સુધીમાં મળેલી અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. આ SWAGAT કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્નો જિલ્લાકક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા અને કોર્ટ મેટર ન હોય તેવા જ હોવા જોઈએ. અરજદારે જાતે રૂબરૂ હાજર રહીને પોતાના પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકાશે નહીં, તેમ કલેક્ટર કચેરી, પંચમહાલની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ શહેરના રૈયા રોડ પર કનૈયા ચોક પાસે રહેતી વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી મહારાષ્ટ્રનો શખ્સ રૂ.5.72 લાખના દાગીના લઈ જઈ પરત ન કરી છેતરપીંડી આચરતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મહિલા સાથે ફેસબુક મારફત સંપર્કમાં આવેલ મહારાષ્ટ્રના શખ્સે ઘરે રોકાવા આવી દાગીના આમ ઘરમાં ન રખાઈ કહીં સાથે લઈ ગયો હતો અને બાદમાં દાગીના બેંકમાં રાખી દીધા છે હું આવીશ ત્યારે આપી દઈશ કહી વાયદા કર્યા હતા જો કે પરત ન આપતા અંતે ફરિયાદ નોંધાવી હતી. રાજકોટના રૈયા રોડ પર કનૈયા ચોક પાસે જીવનનગર શેરી નંબર 3માં રહેતાં કલ્પનાબેન હેમંતભાઈ ખાંડેખા (ઉ.વ.42)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અતુલ ભીમરાયજી ખંડારેનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી રાજકોટમાં રહી ઘરકામ કરે છે. તેઓને સંતાનમાં એક પુત્ર છે જે મનો દિવ્યાંગ છે. તેના પતિનું વર્ષ 2019માં અવસાન થયું છે. વર્ષ 2020માં ફેસબુક મારફતે અતુલ ખંડારે નામના વ્યકિત સાથે સંપર્ક થયો હતો અને ફેસબુકમાં વાતચીત કરતા મોબાઇલ નંબર આપ લે થઇ હતી. અતુલે કહ્યું હતુ કે, તે એમ્બ્યુલન્સમા ડ્રાઇવીંગનુ કામ કરે છે. એમ્બ્યુલન્સ લઈને જયારે રાજકોટ આવે ત્યારે મળવા માટે ધરે આવતો જેથી બંને એકબીજાની વધારે નજીક આવ્યા હતાં. બાદમાં અતુલે કહ્યું કે, આપણે બંને લગ્ન કરી લઈએ જેથી તેને થોડા સમય બાદ લગ્ન કરવાનું કહેતાં તે માની ગયો હતો તેની ઉપર બહુ જ વિશ્વાસ આવી ગયો હતો. 2024માં તે માતાના ઘરે મહારાષ્ટ્રમા અમરાવતીના મહોલી પાંન્ડે ગામ ખાતે ગઈ હતી. રાજકોટના ધરની ચાવી પાડોશમા રહેતી નાનપણની ફ્રેન્ડને આપી હતી અવાર નવાર જયારે પણ બહાર ગામ જાય ત્યારે ધરની ચાવી તેને આપીને જતી હતી. પોતે મહારાષ્ટ્ર હતી તે વખતે અતુલનો ફોન આવ્યો હતો કે, હુ રાજકોટ એમ્બયુલન્સ લઈને આવ્યો છુ અને બહુ થાક્યો છુ, માટે આરામ કરવો છે તેમ કહેતા તેને કહ્યું કે, કાંઈ વાંધો નહી મારા ધરે આરામ કરો હુ મારા ઘરની ચાવી પાડોશી ફ્રેન્ડ સ્નેહાને આપીને આવી છુ, હુ તેને ફોન કરી દઉં છુ, તમે તેની પાસેથી ચાવી લઇ લેજો તેમ વાત કરી હતી. બાદ અતુલનો ફોન આવ્યો કે, હા મે ચાવી લઈ લીધી છે, હુ ધરમાં આરામ કરૂ છુ. ત્રણ દિવસ અતુલ ધરે રોકાયો હતો અને ત્રણ દીવસ બાદ જ્યારે તેને મહારાષ્ટ્ર જવાનુ થયુ ત્યારે તેણે ફોન કરીને કહ્યું હતુ કે, હું મહારાષ્ટ્ર જાવ છુ ધરની ચાવી સ્નેહાબેનને આપુ છુ. 15 દિવસ બાદ મહારાષ્ટ્રથી રાજકોટ ઘરે આવી અને ઘરમાં જઈને જોયું તો કબાટમાં રાખેલ સોનાની વસ્તુઓ જેમા એક સોનાનો સેટ, એક સોનાની વીંટી, સોનાની એક જોડી કાનની બુટી, એક સોનાનુ મંગળસુત્ર, સોનાની કાનની બુટી, સોનાની બંગળી ચાર નંગ, એક સોનાનો ચેઇન, એક સોનાનુ મંગળસૂત્ર તથા એક જોડી બુટી મળી રૂ.5.72 લાખના સોનાના દાગીનાઓ જોવા મળ્યા ન હતા. અતુલને ફોન કરી વાત કરી કે, મારા ઘરે મે રાખેલ સોનાની વસ્તુઓ ઘરમાં નથી તને ખબર છે જેથી અતુલએ કહ્યું કે, હા તારી સોનાની બધી વસ્તુ હુ મારી સાથે મહારાષ્ટ્ર લઇને આવ્યો છુ, સોનાની વસ્તુઓ આમ ઘરમાં રખાય નહી અને તુ મહારાષ્ટ્રમા રોકાવાની હતી એટલે હું તારા સોનાના બધા દાગીના મારી સાથે લઇને મહારાષ્ટ્ર આવ્યો છુ, તારા બધા સોનાના દાગીના બેંકમા રાખી દીધા છે અને ત્યા સહી સલામત રહેશે જયારે રાજકોટ પાછો આવીશ ત્યારે તારા સોનાના બધા દાગીના સાથે લઈ આવીશ અને તને આપી દઇશ તેમ વચન અને વિશ્વાસ આપ્યો હતો. લાંબો સમય થવા છતા આ અતુલ ફક્ત વાયદાઓ કરતો હતો પરંતુ સોનાના દાગીના પરત આપતો ન હતો. બાદમા તેને ફોન કરતા કહ્યું હતુ કે, હું હમણા થોડા દેણામા આવી ગયો છુ મને થોડો સમય આપ હુ તને તારા બધા દાગીના પરત આપી જાઇશ. છેલ્લા બે ત્રણ મહીનાથી આ અતુલ તેના મોબાઈલ નંબર બંધ કરી અને સંપર્ક પણ તોડી નાંખી છેતરપીંડી આચરી હતી. હાલ બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી 500 અને 1000ના દરની રૂ. 89 લાખની કિંમતની નોટો સાથે અમદાવાદના નરોડા પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ અન્ય વ્યક્તિ પાસેથી આ નોટ લેતા હતા અને તેની હેરાફેરી પેટે કમિશન મેળવતાં હતાં. બેથી ત્રણ મહિના પહેલા પણ કુલ 40 લાખની નોટોની હેરફેર પણ કરી હતી. ઉત્તર ગુજરાતથી આ નોટોની હેરફેર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે, પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જૂની 500 અને હજારની 9100 નોટો ઝડપાઈડીસીપી ઝોન 4 અતુલ બંસલે જણાવ્યું હતું કે, નરોડા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની ટીમને બાતમી મળી હતી કે એક વેગનઆર ગાડીમાં જૂની નોટો લઈને કેટલાક લોકો પસાર થવાના છે. જેના આધારે પોલીસે ગાડીને રોકી અને તપાસ કરતા સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી જૂની 500 અને 1000ના દરની 9100 નોટો એટલે કે 89 લાખ રૂપિયાની કિંમતની નોટો મળી આવી હતી. જૂની નોટોના એક ફેરાના 25થી 30 હજાર કમિશન લેતાંડીસીપીએ વધુમાં કહ્યું હતું કે, જે નોટો જપ્ત કરીને અનિલ રબારી અને કૃષ્ણપાલ સિંહ સોઢાની અટકાયત કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને આરોપીઓ જૂની 500 અને 1000ની નોટોની હેરફેર કરે છે અને તેના પેટે 25થી 30 હજાર રૂપિયાનું કમિશન મેળવે છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રહેવાસી મુકેશભાઈ રબારી નામના વ્યક્તિએ તેમને આ નોટો હેરફેર કરવા માટે આપી હતી. મહેસાણાના શખ્સ પાસેથી 500 એન હજારની જૂની નોટો લાવ્યો હતોઅતુલ બંસલે જણાવ્યું હતું કે, વધુ પૂછપરછ કરતા મુકેશ રબારી નામનો વ્યક્તિ મૂળ મહેસાણાના રહેવાસી જીતેન્દ્રસિંહ રાઠોડ નામના વ્યક્તિ પાસેથી આ જૂની નોટો લાવ્યો હતો. લક્ષ્મણ દેસાઈ નામનો વ્યક્તિ જૂની નોટોની હેરાફેરી કરે છે અને આ નોટોની હેરાફેરી કરવા માટે લક્ષ્મણને 89 લાખ રૂપિયાની નોટો આપવાની હતી. અગાઉ પણ 40 લાખની હેરાફેરી કરી હતીબંસલે વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, કમિશન પેટે તેઓ પૈસા લેતા હતા. ભૂતકાળમાં 30 લાખ અને 10 લાખ એમ બે વખત પણ નોટોની હેરાફેરી કરી ચૂક્યા છે. નોટો આપનાર મુકેશ અને લક્ષ્મણ એ બંને આરોપીઓની હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ તેની વધુ પૂછપરછ કરવામાં આવશે અને મુખ્ય સૂત્રધારની ધરપકડ પણ કરવામાં આવશે.
હોળીના પવિત્ર તહેવાર પર પોતાના વતન જનારા મુસાફરોની સુખદ અને સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રેલવેના તમામ વિભાગો વચ્ચેના સચોટ સંકલનને કારણે લાખો મુસાફરો કોઈ પણ અવરોધ વિના પોતાના ઘરે પહોંચી શક્યા છે. રેલવે તંત્ર દ્વારા લેવામાં આવેલા અપગ્રેડેડ ભીડ નિયંત્રણના પગલાં આ વખતે ખૂબ જ અસરકારક સાબિત થયા છે. 308 વિશેષ ટ્રેનોના ફેરાનું આયોજનમુસાફરોની વધારાની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ અને માર્ચ 2026 દરમિયાન કુલ 308 વિશેષ ટ્રેનોના ફેરા ચલાવવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત 21 ફેબ્રુઆરી થી 02 માર્ચ, 2026 દરમિયાન ગોરખપુર, બનારસ, દાનાપુર, સમસ્તીપુર, દરભંગા, ભગત કી કોઠી (જોધપુર), હરિદ્વાર, રક્સૌલ, હજરત નિજામુદ્દીન અને દિલ્હી જેવા મહત્વના સ્ટેશનો માટે 266 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ ટ્રેનોએ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોને સાંકળી લીધા હતા. માત્ર 27 ફેબ્રુઆરી થી 02 માર્ચ, 2026 ના ટૂંકા ગાળામાં પશ્ચિમ રેલવેએ 27 લાખથી વધુ મુસાફરોને સેવા આપી છે. તેમાં પણ અમદાવાદ મંડળના સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અમદાવાદ, સાબરમતી, અસારવા, ગાંધીધામ અને ભુજ સ્ટેશનો પરથી 27 ફેબ્રુઆરી થી 01 માર્ચ દરમિયાન 3 લાખથી વધુ મુસાફરોએ યાત્રા કરી હતી. સ્ટેશન મુજબ વિગત નીચે મુજબ છે: અમદાવાદ: 1.55 લાખ મુસાફરો સાબરમતી: 70,000 મુસાફરો અસારવા: 30,000 મુસાફરો ગાંધીધામ: 30,000 મુસાફરો ભુજ: 15,500 મુસાફરો ભીડને કાબૂમાં લેવા હાઈટેક કવાયતસ્ટેશનો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેલવેએ અનેક સુરક્ષાત્મક અને સુવિધાજનક પગલાં ભર્યા હતા. મુસાફરોને સતત જાહેરાતો (Announcements) અને ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ દ્વારા ટ્રેનોની અપડેટ માહિતી આપવામાં આવી રહી હતી. ટિકિટ બારી પર ભીડ ઘટાડવા માટે ATVM મશીનો, રેલવન એપ અને મોબાઈલ UTS સુવિધાનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. રેલવે સ્ટાફ પોતે લાઈનમાં ઉભા રહીને હેન્ડહેલ્ડ ટર્મિનલ દ્વારા મુસાફરોને ટિકિટ આપી રહ્યો હતો. સ્ટેશનો પર ‘હોલ્ડિંગ એરિયા’ ની સુવિધાભીડને પ્લેટફોર્મ પર એકત્ર થતા રોકવા માટે મુખ્ય સ્ટેશનો પર ખાસ ‘હોલ્ડિંગ એરિયા’ બનાવવામાં આવ્યા હતા. અહીં મુસાફરો માટે પીવાનું પાણી, બેસવાની વ્યવસ્થા અને અન્ય પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. સુરક્ષા માટે RPF અને ટિકિટ ચેકિંગ સ્ટાફની વધારાની ફૌજ ઉતારવામાં આવી હતી. સીસીટીવી કેમેરા દ્વારા સંવેદનશીલ સ્થળો પર ‘રીયલ ટાઈમ’ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું, જેથી ફૂટ ઓવર બ્રિજ અને એક્ઝિટ ગેટ પર ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય. પશ્ચિમ રેલવે આગામી દિવસોમાં પણ મુસાફરોની સંખ્યા પર નજર રાખી રહી છે અને જરૂરિયાત મુજબ વધુ વિશેષ ટ્રેનો ચલાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
જૂનાગઢમાં લોકશાહી શાસન વ્યવસ્થા અને રાષ્ટ્ર નિર્માણના ઉમદા આશય સાથે ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે ‘યુથ એસેમ્બલી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા અને મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમ ડૉ. સુભાષ યુનિવર્સિટી અને નોબેલ યુનિવર્સિટી ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વર્ગમાં મતદાનનું મહત્વ વધે અને તેઓ ચૂંટણી વ્યવસ્થાની ટેકનિકલ માહિતીથી માહિતગાર થાય તેવો રહ્યો હતો. વર્તમાન પડકારો પર યુવાનોની તાર્કિક પ્રસ્તુતિઆ એસેમ્બલીમાં સહભાગી થયેલા યુવાનોએ માત્ર ભાષણો જ નહીં, પરંતુ પૃથ્વી અને દેશ સામેના ગંભીર પડકારો પર પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. યુવા વક્તાઓએ 'ક્લાઇમેટ ચેન્જ' જેવા પર્યાવરણીય જોખમો, 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)' ના લાભાલાભ, 'ફિટ ભારત હિટ ભારત' અને 'આત્મનિર્ભર ભારત' હેઠળ 'મેક ઇન ઇન્ડિયા' જેવા વિષયો પર તાર્કિક દલીલો કરી નિર્ણાયકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિજેતા સ્પર્ધકો હવે રાજ્યકક્ષાએ ચમકશેસ્પર્ધાના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાએ પુષ્ટી એન. રૂપારેલીયા પ્રથમ સ્થાને રહ્યા હતા, જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં નેહલ ચોરવાડીયાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ બંને પ્રતિભાશાળી વિજેતાઓ હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરી પોતાની વકતૃત્વ કળાના કામણ પાથરશે.
દ્વારકા, શામળાજીમાં રંગો અને ફૂલોની છોળો ઉડી યાત્રાધામ દ્વારકામાં આજે ફૂલડોલોત્સવ કાર્યક્રમ યોજાયો.. દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશ સાથે ફૂલોની હોળી રમ્યા. તો શામળાજીમાં પણ અબીલ-ગુલાલની છોળો ઉડી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધૂળેટી પાર્ટી માટે ‘રંગરસિયા’ 50 હજાર ખર્ચશે રાજ્યમાં આવતીકાલે ધૂળેટીને લઈને અલગ અલગ ક્લબ્સ અને પાર્ટી પ્લોટમાં યોજાશે હોળી પાર્ટી.. બેલી ડાન્સ, ઓર્ગેનિક કલર્સ, રેઈન ડાન્સ, પુલ પાર્ટી વગેરે આયોજનોમાં ગુજ્જુઓ 50 હજાર સુધીનો ખર્ચ કરશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કુંભાણી અને પાટિલ હાથમાં હાથ નાખી ફરતા દેખાયા 2024 વિધાનસભામાં ભાજપને પહેલી બિનહરીફ સીટ અપાવનાર નિલેશ કુંભાણી અને સી.આર . પાટિલ હાથમાં હાથ નાખીને ફરતા દેખાયા. એટલું જ નહીં પાટિલ કુંભાણીની ફેક્ટરીમાં ચા-પાણી માટે પણ પહોંચ્યા. જેને લઈને કુંભાણી સત્તાવાર રીતે ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ તેજ થઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હિન્દુ યુવતી -મુસ્લિક યુવકના લગ્નને લઈને હોબાળો અમદાવાદની મેટ્રો કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને લઈને હોબાળો મચ્યો. સંભવિત વિરોધને પગલે બંને વકીલનો કોટ પહેરી કોર્ટ પહોંચ્યા હતા.બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ કોર્ટમાં હોબાળો કર્યો, પોલીસ સાથે પણ ઘર્ષણ થયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાઈકર્સના આતંકનો LIVE વીડિયો સામે આવ્યો વડોદરાના કલાલીમાં સ્પોર્ટ્સ બાઈકરે 100થી વધુની સ્પીડે બાઈક ચલાવી એક્ટિવા ચાલકને ટક્કર મારી ભયંકર અકસ્માત સર્જ્યો. અકસ્માત બાદ લોકોએ બાઈકરને ઘેરી લીધો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કર્યો જામનગરમાં ધ્રોળમાં લાંબા સમયથી બીમાર વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી લીધી . દંપતીના પુત્ર અને પુત્રવધુ પણ મૂકબધિર છે.દંપતી અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યું હતું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાના જામીન નામંજૂર સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાના જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા.. પૂનમે મિત્રતાનો ગેરલાભ લઈ તુષાર પાસેથી પ્રોપર્ટીસ, બે દુકાનો અને સ્કૂલમાં ભાગીદારી સહિત 11 લાખ રુ. પડાવ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કમિ.ઓફિસથી 600 મીટરમાં ચાલતું હતું ટ્રેડિંગ રાજકોટમાં એસએમસીએ રેડ કરી ડબ્બા ટ્રેડિંગ ઝડપ્યું.. પોલીસ કમિ. ઓફિસથી માત્ર 600 મીટરમાં જ આ ચાલતું હતું...એસએમસીએ રેડ કરી કુખ્યાત રાકેશ પોપટ સહિત 3 ની ધરપકડ કરી 19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 6 કરોડની કાર માટે 13.81 લાખની નંબર પ્લેટ સુરતના ઉદ્યોગપતિએ નંબર પ્લેટ માટે ખર્ચ્યા 13.81 લાખ રુ.. પરેશ ખંડેલવાલે 6 કરોડની લેમ્બોર્ગિનીમાં 0001 નંબરની પ્લેટ માટે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આણંદ અને ખંભાતમાં બે સગીરાઓનો આપઘાત આણંદ અને ખંભાતમાં બે સગીરાઓા આપઘાતની ઘટના સામે આવી. આણંદમાં ધોરણ-11ની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો જ્યારે ખંભાતમાં 10માં ધોરણની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી.. પ્રેમપ્રકરણ સામે આવતા સગીરાના પિતાએ પ્રેમી યુવક સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
અમદાવાદમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જે દરમિયાન ગત 28 ફેબ્રુઆરીના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનના પેપરમાં એક વિદ્યાર્થિની મોબાઈલ સાથે પકડાઈ હતી. જેમાં સુપરવાઈઝરની બેદરકારી હોવાનું સામે આવતા હિયરિંગ માટે બોલાવી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સુપરવાઈઝરને બેદરકારી દાખવવા બદલ પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ ફરી કોઈ સુપરવાઈઝર બેદરકારી ન દાખવે તે માટે કડક સૂચના અપાઈ છે. કેન્દ્ર સંચાલક અને ખંડ સંચાલકોને બે વખત ફ્રિસ્કિંગ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જો ફરી કોઈ સુપરવાઈઝર બેદરકારી દાખવશે તો કડક કાર્યવાહી કરવાની DEOએ તૈયારી દર્શાવી છે. વિદ્યાર્થિની પાસેથી પેપર પૂર્ણ થવાના 15 મિનિટ પહેલા મોબાઈલ મળ્યોપાલડીની દામુભાઈ શુક્લ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો પાલડીની અંકુર શાળામાં નંબર આવ્યો હતો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનની પરીક્ષા આપતી વિદ્યાર્થિની પાસેથી પેપર પૂર્ણ થવાના 15 મિનિટ પહેલા મોબાઈલ મળી આવ્યો હતો. જે બાદ કોપી કેસ કરી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સેન્ટર પર પ્રવેશ કરે તે પહેલા ચેકિંગ કરવાનું હોય છે, પરંતુ વિદ્યાર્થિની મોબાઈલ લઈને વર્ડખંડમાં ગઈ હોવાની સામે સુપરવાઈઝરની બેદરકારી સામે આવી હતી. જેથી સુપરવાઈઝરને પરીક્ષાની જવાબદારીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુપરવાઈઝર બેદરકારી દાખવતા DEOની કડક સૂચનાફરી કોઈ વિદ્યાર્થી હિંમત કરીને પરીક્ષામાં મોબાઈલ લઈને અથવા અન્ય કોઈને સામગ્રી લઈને પ્રવેશ ન કરે તે માટે તકેદારી રાખવા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સૂચના આવી છે. વિદ્યાર્થીઓ સેન્ટર પર પ્રવેશ કરે ત્યારે અને વર્ગખંડમાં બેસે ત્યારે ચેકિંગ કરવાની સૂચના છે. પરંતુ કેટલાક સુપરવાઈઝર બેદરકારી દાખવતા હોવાથી DEOએ કડક સૂચના આપી છે. જેથી ગેટ પર અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અડધો કલાક વહેલા બેસાડીને ફ્રિસ્કિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. અન્ય કોઈ સુપરવાઈઝર વિદ્યાર્થીનું ચેકિંગ કરવામાં બેદરકારી દાખવશે તો અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. રિપિટર વિદ્યાર્થીઓ છે, ત્યાં વધુ ધ્યાન અપાશેઃ DEOઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સંચાલક અને ખંડ નિરીક્ષકે ગેટ પર અને વર્ગખંડમાં ચેકિંગ કરવું પડશે. જો કોઈ વિદ્યાર્થી પર શંકા જણાય તો અલગ લઈ જઈને વધુ ચેકિંગ કરવાની સૂચના અપાઈ છે. વિદ્યાર્થિની હોય તો અલગ સ્ટાફ રાખીને ચેકિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. જો કોઈની બેદરકારી સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અડધો કલાક વિદ્યાર્થીને વર્ડખંડમાં બેસાડીને વિદ્યાર્થીઓનું બીજી તરફ ચેકિંગ કરવું પડશે. રિપિટર વિદ્યાર્થીઓ છે, ત્યાં વધુ ધ્યાન આપવામાં આવશે. જ્યાં ચેકિંગ નથી થતું, ત્યાં વિદ્યાર્થીઓ ગેરરીતિ કરવા માટે સાહિત્ય લઈને આવે છે, જેથી વધુ સ્ટાફ રાખીને બે-બે વખત ફ્રિસ્કિંગ કરવામાં આવશે, જેથી પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ગેરરીતિ ન કરે અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય.
ગુજરાત હાઇકોર્ટમાં હત્યાના કેસમાં દોષિત ઠરેલા મહેસાણાના છગન પરમાર અને દશરથ રાવળ દ્વારા મેહસાણા કોર્ટે ફટકારેલ આજીવન કારાવાસની સજા સામે અપીલ દાખલ કરી હતી. તો નિર્દોષ છૂટેલ પરમાર ગંગાબેનને સજા અપાવવા સરકારે અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટે તમામ અપીલો નકારી દેતા મહેસાણા સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો. સામાન્ય બોલાચાલીએ બાદમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું હતુંકેસને વિગતે જોતા કડી પોલીસ મથકે વર્ષ 2011માં હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદીનો નાનો દીકરો ઘર આગળ રમી રહ્યો હતો. ત્યારે ઘર આગળ ફરાયેલા ખાબોચિયામાં તેને પથ્થર ફેંકતા ઘરની સામે ઊંઘતા ગંગાબેન પરમાર ઉપર પાણી ઉડ્યું હતું. તે સમયે સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો પતી ગયો હતો. પરંતુ ત્યારબાદ સાંજના સમયે ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. ફરિયાદી મહિલાના ઘરમાં ઘૂસી તલવારથી તૂટી પડ્યાવારંવાર થતાં આવા ઝઘડાઓને લઈને ફરિયાદી મહિલાએ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. તે બાબતની જાણ દોષિતોને થતા બંને પુરુષ દોષિતો ફરિયાદી મહિલાના ઘરમાં ઘૂસીને તેની ઉપર તલવાર લઈને તૂટી પડ્યા હતા. આખરે લોહી લુહાણ હાલતમાં ફરિયાદીના પતિને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. મહેસાણા સેશન્સ કોર્ટે આજીવન કરાવવાની સજા ફટકારી હતીમહેસાણા સેશન્સ કોર્ટે સોળ સાહેબ અને 16 સાહેદ અને 35 પુરાવા ચકાસીને આરોપી છગન પરમાર અને દશરથ રાવળને આજીવન કરાવવાની સજા ફટકારી હતી. જ્યારે મહિલા આરોપી ગંગા બહેનને હત્યાના આરોપમાં નિર્દોષ છોડ્યા હતા. હાઇકોર્ટે નોધ્યું હતું કે FSL પુરાવા અને મેડિકલ પુરાવા તેમજ સાહેદોની જુબાની પ્રોસિક્યુશનની તરફેણમાં છે. હાઇકોર્ટે મહેસાણા સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યોદોષિતોના કપડા પર મૃતકનું લોહી મળી આવ્યું છે. આરોપીઓ ફરિયાદીના પતિની હત્યા કરીને ભાગી ગયા હતા. ગુનામાં વપરાયેલ હથિયાર પણ રિકવર થયેલ છે. આથી હાઇકોર્ટે મહેસાણા સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.
ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પૂર્વ સાંસદ અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણય બદલ ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમનું આયોજન કરવાનો હતો. ઐતિહાસિક નિર્ણય: આવક મર્યાદામાં માતબર વધારો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 ના બજેટમાં એસ.સી. અને એસ.ટી. સમાજના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખથી વધારીને સીધી 6 લાખ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે આ યોજનામાં નાણાકીય જોગવાઈઓ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ ગુજરાત સરકારે પોતાના જનરલ બજેટમાં આ આર્થિક ભાર વહન કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સરળતા રહેશે અને ભાવી પેઢીને મોટો આર્થિક ટેકો મળશે. ગાંધીનગર ખાતે યોજાશે ભવ્ય અભિવાદન ડૉ. કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિનો કાર્યકર્તા પક્ષની ‘રીડ કી હડ્ડી’ સમાન છે. સમાજ હંમેશા ઉપકાર માનનારો રહ્યો છે, તેથી આ ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જાહેર લોક અભિવાદન કરવા માટે ગાંધીનગર ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બેઠકમાં વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિ આ બેઠકની શરૂઆતમાં રાજ્યના દરેક જિલ્લામાં નવા નિમાયેલ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગૌતમ ગેડિયા, પૂર્વ મંત્રી અને ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર, પૂર્વ મંત્રી પ્રદીપભાઈ પરમાર, ગિરીશભાઈ પરમાર તેમજ મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ અને દેવેન વર્મા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
વલસાડ શહેરમાં ચંદ્ર ગ્રહણના કારણે ધાર્મિક આસ્થા અને સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રહણના સૂતક કાળને ધ્યાનમાં રાખીને, વલસાડના સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર સહિત જિલ્લાના તમામ નાના-મોટા મંદિરોના કપાટ ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, ગ્રહણના સૂતક કાળમાં પૂજા-અર્ચના વર્જિત હોવાથી વલસાડના મંદિરોમાં સવારથી જ દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ભીડભંજન મહાદેવ મંદિરના સંચાલક શિવજી મહારાજે જણાવ્યું કે ગ્રહણ એ ખગોળીય ઘટનાની સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનું છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે શાસ્ત્રોના નિયમ અનુસાર, ગ્રહણના સૂતકને કારણે ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો કે પૂજા કરવી નિષેધ છે, જેથી મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા હતા. શિવજી મહારાજે ઉમેર્યું કે ગ્રહણ પૂર્ણ થયા બાદ સમગ્ર મંદિર પરિસરને ગંગાજળથી સાફ કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનનું વિશેષ અભિષેક અને શુદ્ધિકરણ પૂજા કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ભક્તો માટે ફરીથી દર્શનની વ્યવસ્થા ખુલ્લી મુકાશે. વલસાડના તિથલ રોડ સ્થિત સાઈબાબા મંદિર, સ્વામિનારાયણ મંદિર અને અન્ય દેવસ્થાનોમાં પણ ગ્રહણના કારણે દર્શનના સમયમાં ફેરફાર કરાયો હતો. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોને ગ્રહણના સમયગાળા દરમિયાન ઘરે બેસીને જ જાપ અને ભજન-કીર્તન કરવા અપીલ કરવામાં આવી હતી.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાળંગપરડા ગામની પ્રાથમિક શાળામાં હોળી-ધુળેટી પર્વ નિમિત્તે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓને ખજૂર અને ધાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ હોળીના પૌરાણિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિક્ષકોએ 'અસત્ય પર સત્યના વિજય'નો સંદેશ પણ આપ્યો હતો. બાળકોએ અબીલ-ગુલાલ અને કેસૂડાના પ્રાકૃતિક રંગોથી સંગીતના તાલે ધુળેટીની ઉજવણી કરી હતી. શાળા પરિવારે ભાઈચારા અને એકતાની ભાવના સાથે આ રંગોત્સવનું આયોજન કર્યું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોમ્બની ધમકીભર્યા ઇમેલ કરનાર એક આરોપીની ધરપકડ કરી છે.બોમ્બની ધમકીના મેસેજ કરનાર આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી છે.બોમ્બની ધમકીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પ્રથમ વખત આરોપીની ધરપકડ કરી છે.આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.અમદાવાદ સહિત રાજ્યભરની સ્કૂલો અને નીચલી અદાલતને ખાલિસ્તાનના નામે ઇમેલ કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 17 ડિસેમ્બરના રોજ ખાલિસ્તાનના નામે અમિત શાહના લોકસભા મત વિસ્તારની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે 16 ફેબ્રુઆરીએ મેઈલ કરી લખ્યું હતું કે મોદી-શાહ ટાર્ગેટ છે. હિન્દુસ્તાનનાં ટુકડા થશે, ગુજરાત ખાલિસ્તાન બનશે. આટલું લખીને અમદાવાદ-વડોદરાની 40 સ્કૂલને બોમ્બની ધમકી આપી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. ઇ-મેલ કરનાર કોઈ એક આરોપી નથી,હાલ એક આરોપી ઝડપાયો છે,બાકીના આરોપીઓની તપાસ ચાલી રહી છે.ક્રાઈમ દ્વારા હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.પકડાયેલા આરોપી હાઈકોર્ટને મળેલા ઇ-મેલ કર્યા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. અગાઉ એક મહિલા(રેની જોશીલ્ડા) આરોપીની ધરપકડ કરી હતી. સાઉથના લખાણ લખેલા ઇ-મેલ આવતા હતા તે પણ આ જ આરોપી કરતા હતા કે કેમ તે વેરીફાઈ કરવામાં આવી રહ્યું છે. સ્કૂલ, એરપોર્ટ અને સરકારી કચેરીઓને જ કેમ નિશાન બનાવે છે?આવી બોમ્બ ધમકીઓ મોટેભાગે શાળાઓ, એરપોર્ટ, હોસ્પિટલ, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને જ લક્ષ્ય બનાવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ જગ્યાઓ પર ધમકી આપવાથી સૌથી વધુ અસર થાય છે .આ જગ્યાઓ પર ધમકી મળે તો તરત જ એવેક્યુએશન , તપાસ, બોમ્બ સ્ક્વોડ, પોલીસ અને ડોગ સ્ક્વોડ આવે છે. શાળામાં બાળકોને ઘરે મોકલવા પડે છે, વાલીઓ ચિંતિત થાય છે, શિક્ષણ અટકી જાય છે. એરપોર્ટ પર ફ્લાઇટ્સ ડિલે થાય છે, ડાયવર્ટ થાય છે કે કેન્સલ થાય છે. સરકારી કચેરીઓમાં કામકાજ બંધ થઈ જાય છે, ટૂંકમાં બધી પ્રવૃત્તિઓ પાછળનું મુખ્ય હેતુ દેશને નુકસાન પહોંચાડવાનો છે. સાયબર અપરાધીઓ આવા ઈમેઈલ કેવી રીતે મોકલે છે?સાયબર અપરાધીઓ આવા ધમકીભર્યા ઈમેઈલ મોકલવા માટે અનેક તરકીબો અપનાવે છે. તેઓ સામાન્ય રીતે ગુપ્ત ઈમેઈલ સેવાઓનો ઉપયોગ કરે છે, જેમ કે પ્રોટોનમેઈલ અથવા ટેમ્પરરી ઈમેઈલ સર્વિસ. આ સેવાઓમાં તેઓ ખોટા નામ અને વિગતો વાપરીને એકાઉન્ટ બનાવે છે, જેથી તેમની ઓળખ છુપાઈ રહે. તેઓ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અથવા ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરીને તેમના આઈપી એડ્રેસને છુપાવે છે. આઈપી એડ્રેસ એ ડિવાઇસ નું ઓનલાઇન સરનામું છે, જે સ્થાન અને ઓળખ વિશે જણાવે છે. સાયબર ગુનેગારો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક નો ઉપયોગ મુખ્યત્વે તેમની ઓળખ તેમજ આઈપી એડ્રેસ છુપાવવા, ઓનલાઇન પ્રવૃત્તિઓને અજ્ઞાત રાખવા અને કાયદાકીય સંસ્થાઓથી બચવા માટે કરે છે. કેટલાક અપરાધીઓ ઈમેઈલ સ્પૂફિંગનો ઉપયોગ કરે છે. મેઇલ મોકલનારને કેવી રીતે શોધી કાઢવામાં આવે છે?સાયબર અપરાધીઓને ટ્રેસ કરવા માટે પોલીસની સાયબર ક્રાઇમ યુનિટ કામ કરે છે. પહેલા, તેઓ ઈમેઈલના હેડર્સનું વિશ્લેષણ કરે છે. ઈમેઈલ હેડર્સમાં મોકલનારના આઈપી એડ્રેસ, તારીખ અને અન્ય વિગતો હોય છે. જો વીપીએન વપરાયું હોય તો પણ, વીપીએન પ્રોવાઇડર પાસેથી માહિતી મેળવી શકાય છે. પોલીસ ઈમેઈલ પ્રોવાઇડર (જેમ કે ગૂગલ અથવા પ્રોટોન)ને કાનૂની રીતે માહિતી માંગે છે. તેઓ એકાઉન્ટની વિગતો, લોગઇન આઈપી અને અન્ય ડેટા મેળવે છે. જો અપરાધી વિદેશમાં હોય તો, આંતરરાષ્ટ્રીય સહયોગ જેમ કે ઇન્ટરપોલની મદદ લેવામાં આવે છે. ડિજિટલ ફોરેન્સિક્સમાં કમ્પ્યુટર અને મોબાઇલનું વિશ્લેષણ કરીને પુરાવા શોધવામાં આવે છે. કેટલાક કેસમાં, અપરાધીઓની ભૂલો જેમ કે એક જ આઈપીનો વારંવાર ઉપયોગ, તેમને પકડાવી દે છે. મારા મતે આ ભૌતિક હુમલો નથી, પરંતુ માનસિક હુમલો છે, જે સાયબર વોરફેરનો એક ભાગ છે,તેની પાછળનો મુખ્ય હેતુ — ડર ઉભો કરવો અને વ્યવસ્થા ખોરવવી અને તમામ વહીવટી તંત્રની એસ ઓ પી જાણવી. 23 જાન્યુઆરીએ અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારાં બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું’. 17 ડિસેમ્બર, 2025એ અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના 36 દિવસ બાદ 23 જાન્યુઆરી, 2026એ ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા હતા. ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) 17 ડિસે.એ શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી17 ડિસેમ્બર, 2025એ અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તપાસના અંતે એક પણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ મળી નહોતી. ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. સ્કૂલોને મોકલવામાં આવેલા ઈ-મેલમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ઈ-મેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું હતું. સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
દ્વારકા જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાયો:ભગવાન દ્વારકાધીશ ભક્તો સાથે રંગે રમ્યા, પોલીસ પણ જોડાઈ
યાત્રાધામ દ્વારકામાં જગતપ્રસિદ્ધ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ફૂલડોલ ઉત્સવની અત્યંત ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. હોળી-ધૂળેટીના પર્વે કાળિયા ઠાકોર સંગ રંગે રમવા માટે સમગ્ર દેશમાંથી અંદાજે 5 લાખથી વધુ પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓનું મનવ મહેરામણ દ્વારકામાં ઉમટી પડ્યું હતું. આ અવસરે ભક્તોની સાથે વહીવટી તંત્રના અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ પણ ભક્તિના રંગમાં રંગાયા હતા. કેસૂડાના રંગ અને ગુલાલની છોળોપરંપરા મુજબ, હોળીની ઝાળ બેસતાની સાથે જ જગતમંદિરમાં ઉત્સવનો પ્રારંભ થઈ ગયો હતો. ફૂલડોલના દિવસે બપોરે 2:00 થી 3:00 વાગ્યા દરમિયાન મુખ્ય ઉત્સવ યોજાયો હતો. છેલ્લા સાત દિવસથી સફેદ વાઘામાં બિરાજતા ભગવાન દ્વારકાધીશને આ દિવસે વિશેષ શૃંગાર ધરાવવામાં આવ્યો હતો. પૂજારીઓએ ચાંદીની પિચકારીથી કેસૂડાના જળ અને અબીલ-ગુલાલની છોળો ઉડાવી ભક્તોને રંગબેરંગી કરી દીધા હતા. મંદિર પરિસરમાં દ્વારકામાં ઉડે રે ગુલાલ ના નાદ સાથે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. પોલીસ તંત્રનો એક્શન પ્લાન અને માનવીય અભિગમઆટલી વિશાળ જનમેદનીને નિયંત્રિત કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા કાફલો: 2000 જેટલા પોલીસ જવાનો ખડેપગે તૈનાત રહ્યા હતા. વ્યવસ્થા: ટ્રાફિક નિયંત્રણ માટે અનેક રસ્તાઓ 'વન-વે' જાહેર કરાયા હતા, તેમજ CCTV કેમેરા અને બેરિકેટિંગ દ્વારા ભીડનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. સેવાકીય કાર્ય: મેળા દરમિયાન ખોવાયેલા બાળકો અને વૃદ્ધોને શોધીને તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. દિવ્યાંગો અને અશક્ત શ્રદ્ધાળુઓ માટે વ્હીલચેરની સુવિધા સાથે પોલીસકર્મીઓએ દર્શન કરાવવામાં મદદ કરી હતી. ફરજ સાથે ભક્તિનો સંગમઉત્સવની સફળ પૂર્ણાહુતિ બાદ પોલીસ સ્ટાફ માટે પણ ધૂળેટી પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. SP જયરાજસિંહ વાળા, DYSP સાગર રાઠોડ, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ મંદિર નજીક મ્યુઝિક સિસ્ટમ સાથે સ્ટાફ અને ભક્તો સંગે રંગે રમ્યા હતા. SP એ સતત ખડેપગે રહી ફરજ બજાવનાર પોલીસ જવાનો, દેવસ્થાન સમિતિના કર્મચારીઓ, પૂજારીઓ અને સ્વયંસેવકોની કામગીરીને બિરદાવી હતી.
વઢીયાર પરગણા લોહાણા મહાજનની બેઠક:નારી શક્તિના સશક્તિકરણ માટે વિશેષ સંમેલન અને ફિટનેસ એપ લોન્ચ કરાશે
વઢીયાર પરગણા લોહાણા મહાજનની વર્ષ 2026–2028ની નવી ટર્મની પ્રથમ મિટિંગ 1 માર્ચ 2026ના રોજ અત્યંત ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. વ્યવસાયિક અને પારિવારિક વ્યસ્તતા છતાં મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપી સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મિટિંગની શરૂઆત પરંપરાગત રીતે ગણેશ સ્તુતિ અને ગોળધાણા વહેંચીને પવિત્ર વાતાવરણમાં કરવામાં આવી હતી. સર્વાનુમતે નિર્ણયો અને નવી નિમણૂકો મિટિંગ દરમિયાન એજન્ડા મુજબના તમામ મુદ્દાઓ કોઈ પણ વિરોધ વગર, ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાએ મહાજનના લોકશાહી મૂલ્યો અને પરસ્પર વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે. કાર્યકારી મંડળના નવા હોદ્દેદારોની નિમણૂક અને તેમને આપવામાં આવેલી બહાલી સમાજમાં પ્રવર્તતા અરસપરસના ભરોસાનું જીવંત પ્રતિબિંબ પૂરું પાડે છે. મહિલા સશક્તિકરણ અને ટેકનોલોજી પર ભાર પ્રમુખ ચંદુભાઈએ સમાજમાં નારી શક્તિના મહત્વને સ્વીકારતા એક ઐતિહાસિક જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે મહિલાઓ સ્વતંત્ર રીતે વિચારી શકે અને સામાજિક સુધારા માટે સૂચનો આપી તેનો અમલ કરી શકે તે માટે અલગ 'મહિલા સંમેલન' યોજવામાં આવશે. આ ઉપરાંત, 'ફિટ એન્ડ ફાઈન લોહાણા સમાજ' અભિયાન હેઠળ તૈયાર કરાયેલી નવી મોબાઈલ એપ રજૂ કરવાના પ્રયાસો બદલ મહાસચિવ અરવિંદ ઠક્કરની પ્રશંસા કરવામાં આવી હતી. આ એપ માટે ડૉ. સંજયભાઈએ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આગામી મિટિંગોનું આયોજન વઢીયાર વિસ્તારમાં જ આગામી બે મિટિંગો યોજવાની સભ્યોની લાગણીને તુરંત સ્વીકારી લેવામાં આવી છે. બીજી મિટિંગ નીલકંઠ મહાદેવ ધામ ખાતે યોજાશે, જેના યજમાન વિઠલભાઈ અંબારામ પરિવાર (મહેશભાઈ, દાસ કાકા, નવીનભાઈ) રહેશે. જ્યારે ત્રીજી મિટિંગ શંખેશ્વર જૈન તીર્થ ખાતે યોજાશે, જેના યજમાન રમેશભાઈ હાલાણી અને સહભાગીઓ રહેશે. આ કાર્યક્રમોની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અંતમાં, જે સભ્યો હાજર રહી શક્યા નહોતા અને જેઓએ ખેદ વ્યક્ત કર્યો હતો, તેમનો પણ આભાર માનવામાં આવ્યો હતો. મહાજનની આ મિટિંગ હકારાત્મક અભિગમ સાથે સમાજને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા સાથે પૂર્ણ થઈ હતી.
સમગ્ર દેશ અને રાજ્યમાં જ્યારે ધૂળેટીના પર્વ પર રંગોની છોળો ઉડતી હોય છે અને ડીજેના તાલે યુવાધન થિરકતું હોય છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું ધંધુસર ગામ બિલકુલ અલગ અંદાજમાં રંગોનો તહેવાર ઉજવે છે. અહીં રંગોની હોળી નહીં, પણ શ્રદ્ધા અને ભક્તિની હોળી રમાય છે. પાછલી એક સદી એટલે કે 100 વર્ષ કરતા પણ વધુ સમયથી અહીં ધૂળેટીના દિવસે ગધેડા પર 'રા'ની સવારી કાઢવાની અનોખી લોકપરંપરા અકબંધ છે. આ પરંપરા પાછળ ધાર્મિક આસ્થા, સામાજિક એકતા અને વ્યક્તિગત અહંકારનો ત્યાગ કરવાની ઉમદા ભાવના છુપાયેલી છે. ગધેડા પર 'રા'ની સવારી કાઢી ધૂળેટીની અનોખી ઉજવણીગામના વતની કાળાભાઈ સિંધવ અને માધાભાઈ દેવરાણિયાના જણાવ્યા અનુસાર, આ પરંપરા મુખ્યત્વે મનોકામના પૂર્ણ થવા સાથે જોડાયેલી છે. જ્યારે કોઈ પરિવારમાં સંતાન પ્રાપ્તિ (પુત્ર જન્મ)ની ઈચ્છા હોય, પરિવારનો કોઈ સભ્ય ગંભીર બીમારીમાંથી સાજો થાય અથવા અન્ય કોઈ આફત ટળે, ત્યારે પરિવારના મોભી 'રા' બનવાની બાધા રાખે છે. ઝાંઝસર ગામના માધાભાઈ જણાવે છે કે, તેમણે તેમના પૌત્રના જન્મ માટે માનતા રાખી હતી અને તે પૂર્ણ થતા તેઓ અત્યંત શ્રદ્ધા સાથે 'રા' બનીને આ પરંપરામાં જોડાયા છે. ગધેડા પર બેસનાર વિદૂષક (જોકર) જેવો વેશ ધારણ કરે આ પરંપરાનું સૌથી મહત્વનું પાસું 'અહંકાર મુક્તિ' છે. જે વ્યક્તિ 'રા' બને છે તે એક વિદૂષક (જોકર) જેવો વેશ ધારણ કરે છે. સમાજમાં પોતાનું જે કાંઈ માન-સન્માન કે દેહાભિમાન હોય તેને ત્યાગીને ઈશ્વર સામે અત્યંત નમ્ર બનવા માટે તે વ્યક્તિ ગધેડા પર સવારી કરે છે. ક્યારેક તો આકરી માનતામાં વ્યક્તિ 'જોડાનો હાર' (પગરખાંનો હાર) પહેરતા પણ અચકાતી નથી. આ પ્રક્રિયા ભક્તની વિનમ્રતાની પરાકાષ્ઠા દર્શાવે છે કે ઈશ્વરની કૃપા આગળ લોકલાજ કે સન્માન ગૌણ છે. આસુરી શક્તિથી રક્ષણ અને સામાજિક વધામણાની માન્યતાધંધુસર ગામની માન્યતા મુજબ, ગધેડા પર રા'ની સવારી કાઢવાથી ગામમાં વસતા નવજાત શિશુઓ અને સમગ્ર ગ્રામજનો પર કોઈ આસુરી શક્તિ કે નજર લાગતી નથી. જ્યારે આ સવારી ગામના ચોકેથી નીકળે છે ત્યારે મહિલાઓ દ્વારા રા' બનેલી વ્યક્તિના પરંપરાગત પોખણા અને વધામણા કરવામાં આવે છે. જે ઘરમાં પારણું બંધાયું હોય તે પરિવારના સભ્યો હર્ષોલ્લાસ સાથે રા'ને દાન-દક્ષિણા આપે છે. આ દ્રશ્ય એક રાજકુમારની સવારી જેવું ભવ્ય છતાં શ્રદ્ધાથી ભરપૂર હોય છે. ગામના પ્રત્યેક ઘરેથી રા'ને યથાશક્તિ રોકડ રકમ ભેટમાંઆ પરંપરા માત્ર ધાર્મિક જ નહીં, પણ સામાજિક ઉત્તરદાયિત્વનું પણ ઉત્તમ ઉદાહરણ છે. સવારી દરમિયાન ગામના પ્રત્યેક ઘરેથી રા'ને યથાશક્તિ રોકડ રકમ ભેટમાં આપવામાં આવે છે. આ રીતે એકઠી થયેલી તમામ રકમનો ઉપયોગ કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પણ ગામના વિકાસના કાર્યો માટે કરવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા આ રકમનો ઉપયોગ લોક સુવિધાઓ ઊભી કરવામાં અથવા ધર્મદાના કાર્યોમાં થાય છે. આમ, એક ભક્તની માનતા સમગ્ર ગામના કલ્યાણનું માધ્યમ બને છે. પેઢી દર પેઢી જળવાયેલો વારસોધંધુસર ગામના લોકો માને છે કે સાચી શ્રદ્ધાથી રાખેલી આ માનતા ક્યારેય ખાલી જતી નથી. આધુનિક યુગમાં પણ ગામના યુવાનો અને વડીલો પોતાની સંસ્કૃતિના આ અમૂલ્ય વારસાને ગર્વભેર આગળ ધપાવી રહ્યા છે. ધૂળેટીના દિવસે નીકળતી આ 'રા'ની સવારી એ સાબિત કરે છે કે ભારતની ગ્રામીણ સંસ્કૃતિમાં ભક્તિ અને લોકશાહીના મૂલ્યો કેટલા ઊંડા ઉતરેલા છે.
NGES દ્વારા સ્પેસ દર્શન કાર્યક્રમ યોજાયો:1000થી વધુ વિદ્યાર્થીઓએ ખગોળવિજ્ઞાનનો અનુભવ કર્યો
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) દ્વારા ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, અરવિંદ જીવાભાઈ વિદ્યામંદિર અને PPG એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે સ્પેસ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને જિજ્ઞાસા વિકસાવવાનો હતો. 1000થી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અમદાવાદથી આવેલ ખગોળવિજ્ઞાનના નિષ્ણાતોની એક અનુભવી ટીમે આ કાર્યક્રમનું સંચાલન કર્યું. તેમણે વ્યાવસાયિક અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા ટેલિસ્કોપ તથા આધુનિક સાધનોનો ઉપયોગ કરીને લગભગ ત્રણ કલાકનો સઘન અને જ્ઞાનવર્ધક સત્ર યોજ્યો. કાર્યક્રમની શરૂઆત દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિથી થઈ. આ સત્રમાં સૌરમંડળની રચના, ગ્રહોની પરિક્રમા અને પરિભ્રમણ, તારામંડળોની ઓળખ, રાશિચક્રનું વૈજ્ઞાનિક મહત્વ અને વિવિધ આકાશીય ઘટનાઓ વિશે સરળ ભાષામાં વિસ્તૃત સમજૂતી આપવામાં આવી. વિદ્યાર્થીઓને ખુલ્લી આંખે રાત્રિ આકાશમાં ગ્રહો અને તારાઓને કેવી રીતે ઓળખવા, દિશા અને સમય અનુસાર તારામંડળોમાં થતા ફેરફારોનું અવલોકન કેવી રીતે કરવું અને આકાશનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કેવી રીતે કરવું તે વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. નિષ્ણાતોએ પ્રાચીન ભારતના ખગોળવિજ્ઞાન, ઋષિ-મુનિઓ દ્વારા કરાયેલા તારાઓના અભ્યાસ, સમયગણના પદ્ધતિ, રાશિચક્ર અને પંચાંગની વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ વિશે માહિતીસભર માર્ગદર્શન આપ્યું. આનાથી વિદ્યાર્થીઓને આધુનિક વિજ્ઞાન અને ભારતીય પરંપરાગત જ્ઞાન વચ્ચેનો સંબંધ સમજવામાં મદદ મળી. કાર્યક્રમનો સૌથી આકર્ષક ભાગ ટેલિસ્કોપ દ્વારા નિરીક્ષણનો રહ્યો. વિદ્યાર્થીઓએ ચંદ્રના ખાડાઓ, ગુરુ ગ્રહ અને તેના મુખ્ય ઉપગ્રહોનું સ્પષ્ટ અવલોકન કર્યું. ઘણા વિદ્યાર્થીઓ માટે આ પ્રથમ અવસર હતો કે તેઓએ ટેલિસ્કોપ દ્વારા આકાશીય પિંડોને નજીકથી જોયા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને નિષ્ણાતો પાસેથી સંતોષકારક વૈજ્ઞાનિક સમજ મેળવી. આ કાર્યક્રમ NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવની પ્રેરણા અને પહેલ હેઠળ આયોજિત કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન સંબંધિત શાળાઓના પ્રિન્સિપાલ ડૉ. ચિરાગ પટેલ, ડૉ. ઝેડ. એન. સોઢા અને વંદના બહેન દવે તેમના શિક્ષકવર્ગ સાથે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પ્રાયોગિક, અનુભૂતિમય અને મૂલ્યઆધારિત શિક્ષણ માટે પ્રતિબદ્ધ છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને તેમને ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા માટે પ્રેરિત કરે છે.
આણંદ જિલ્લામાં બે સગીરાએ આપઘાત કર્યાની ઘટના ઘટી છે. પ્રથમ ઘટના આણંદ શહેરમાં બની છે, જેમાં મૂળ તારાપુર તાલુકાના એક ગામની ધોરણ-11માં અભ્યાસ કરતી સગીરાએ હોસ્ટેલમાં આપઘાત કર્યો છે. બીજી ઘટના ખંભાત તાલુકાના એક ગામમાં બની છે, જેમાં ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાએ આપઘાત કર્યો છે. આ ઘટનામાં મૃતક સગીરાના પિતાએ તેના સગીર પ્રેમી સામે આત્મહત્યા દુષ્પ્રેરણાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખંભાતમાં ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાનો આપઘાતખંભાત તાલુકાના એક ગામમાં ગત 23 ફેબ્રુઆરીએ ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાએ પોતાના ઘરે સાડી વડે ગાળાફાંસો ખાઈને આપઘાત કર્યો કરી લીધો હતો. શરૂઆતમાં પરિવારને આપઘાત પાછળના કારણની કોઈ જાણ ન હતી. પરંતુ મૃતક સગીરાના પિતાને શંકા જતાં તેનો ફોન ચેક કરતાં ફોનમાંથી એક સગીર સાથે પ્રેમપ્રકરણના પુરાવા મળ્યા હતા. પ્રેમીએ જાહેરમાં લાફા મારતા સગીરાએ આપઘાત કર્યોસગીરાબના ફોનમાંથી મળેલી ચેટ પરથી તેના પિતાને જાણ થઈ હતી એક બનાવના આગલા દિવસે સગીર પ્રેમી અને સગીરા બંને એક મંદિરે મળ્યા હતા, જ્યાં સગીર પ્રેમીએ સગીરાને જાહેરમાં લાફા માર્યા હતા. આ વાતનું લાગી આવતા બીજા દિવસે સગીરાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સગીર પ્રેમી ભૂવા સાથે મળીને છોકરીઓને ફસવાતો હોવાના આરોપખંભાતની ઘટનામાં મૃતક સગીરાના પિતાએ આરોપ લગાવ્યા છે કે તેની પુત્રીના સગીર પ્રેમીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આ સગીર એક ભૂવા સાથે મળીને છોકરીઓને ફસવાતો હોવાના આરોપ પણ તેમણે લગાવ્યાં હતા અને તેને કડક સજા થાય તેવી માંગ કરી છે. સગીરાના પિતાએ ગઇકાલે 2જી માર્ચે પ્રેમી સગીર સામે આત્મહત્યા દુષ્પ્રેરણાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આણંદમાં ધોરણ-11ની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યોઆણંદ શહેરની એક શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી લીધી છે. તારાપુર તાલુકાના એક ગામની વતની આ સગીરાના આત્મઘાતી પગલાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. મૃતક વિદ્યાર્થિનીએ ઉચ્ચ અભ્યાસ માટે આણંદ શહેરની એક શાળામાં ગત વર્ષે જ પ્રવેશ લીધો હતો. અગમ્ય કારણોસર વિદ્યાર્થિનીએ હોસ્ટેલના પોતાના રૂમમાં જ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી હોસ્ટેલ સંચાલકો અને અન્ય વિદ્યાર્થિનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આણંદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. બીજી તરફ, દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારજનો આણંદ દોડી આવ્યા હતા અને શોકમાં ગરકાવ થઈ ગયા હતા. વિદ્યાર્થિનીએ કયા કારણોસર આત્મઘાતી પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ આત્મહત્યાનું કારણ અકબંધ છે.
વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને આગામી દિવસોમાં શહેરમાં સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. શહેરમાં દરેક વોર્ડમાં સ્વચ્છતા રહે તે માટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં ડિવાઈડર તેમજ બ્રિજની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત એસટીપીના વેસ્ટેજ પાણીથી ડિવાઈડર તેમજ બ્રિજની દીવાલો ઉપર પાન-પડીકીની મારેલી પિચકારીના ડાઘ હટાવવા માટે દીવાલો ધોવામાં આવી રહી છે. ડ્રેનેજ-પાણીની લાઈન નાખવાનું કામ ઝડપી પૂર્ણ કરવા સૂચનામ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, શહેરમાં હાલમાં વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન નાખવાની તેમજ પાણીની લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે અનેક માર્ગો બંધ છે, ત્યારે ડ્રેનેજ વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને ઝડપથી બંધ માર્ગ ખુલ્લા કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. વિશ્વામિત્રી ડાઇવર્ઝનની કામગીરીમ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રીમાં હાલ સુધીમાં વાઈડનિંગ અને ડીસિલ્ટિંગની કામગીરી થઈ છે, હવે વોટર ડાયવર્ઝન ઉપર જે નવલાવાલા કમિટીના સુચન છે એના આધારે ડાયવર્ઝન ખાસ કરીને ડ્રેજિંગ કરવાનું કામ પણ શરૂ કરીશું. અમુક જગ્યામાં આર.ઓ.ડબલ્યુથી પાઇપલાઇન્સ નાખવાનું પણ કામગીરીનું પ્લાનિંગ શરૂ કર્યું છે. ચોમાસા પહેલા આ કામગીરી શરૂ થવાની શક્યતાઓ છે. નદી કિનારે ક્રોકોડાઇલ પાર્ક, ચિલ્ડ્રન પાર્ક બનાવશેકમિશનરે જણાવ્યું હતું કે, ટી.ઓ.ડી મોડલમાં અને ટી.ડી.આર રિમુવલ મોડલમાં આવનારા દિવસોમાં વિશ્વામિત્રીની મિક્સ યુઝ ડેવલપમેન્ટમાં પણ અમુક એરિયા આઈડેન્ટીફાઈ કરી દેવામાં આવ્યા છે. ક્રોકોડાઈલ ઝોન્સ ક્યાં હોવું જોઈએ, ચિલ્ડ્રન્સ પાર્ક ક્યાં હોવું જોઈએ, સિટીઝન પાર્ક ક્યાં હોવું જોઈએ આ બધાની અત્યારે કામગીરી પણ આઈડેન્ટીફાઈ કરવામાં શરૂ કરી છે. નદી કિનારે વિવિધ સ્થળોએ સુવિધાઓ વધારવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. હોળીના તહેવારના પગલે ફૂડ વિભાગને સૂચનામ્યુનિસિપલ કમિશનર દ્વારા તહેવારો નિમિત્તે ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે, જે હાલમાં તહેવારોમાં લોકો બહાર જમવા જાય છે, અને મીઠાઈનું પણ વેચાણ થાય છે. એટલે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્સ્પેક્શન માટે પણ એમને સૂચના આપી છે. વોટર કન્ટેમિનેશનની 47 ફરિયાદોઅરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં વોટર કન્ટેમિનેશન ઇશ્યુઝ ના થાય તેવું આયોજન કરવા માટેની સૂચના અપાઈ છે. અત્યારે વોટર કન્ટેમિનેશન ઇશ્યુઝ બહુ ઓછું થઈ ગયા છે તો પણ આખા મહિનાની ટોટલ 47 કમ્પ્લેઇન્સ રજીસ્ટર થઈ છે એનો પણ નિકાલ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા કરાડા ખાતે હોળીની ઉજવણી માટે મામાના ઘરે ગયેલા 19 વર્ષીય યુવક હર્ષિલભાઈ મહેશભાઈ વસાવાનો મૃતદેહ 48 કલાક બાદ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો છે. બે દિવસ સુધી ફાયરબ્રિગેડની ટીમે યુવકની શોધખોળ કરી હતી. જોકે યુવકનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આજે ત્રીજા દિવસે યુવક જ્યાં ડૂબ્યો હતો ત્યાંથી માત્ર 300 મીટર દૂર મૃતદેહ પાણીમાં ઉપર આવી ગયો હતો. જેથી સ્થાનિક લોકોએ મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોટા ફોફળિયા સામૂહિક કેન્દ્રમાં મોકલી આપ્યો હતો. મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના વાઘોડિયા રોડ પર વાલ્મિકીનગરમાં રહેતા હર્ષિલભાઈ મહેશભાઈ વસાવા (ઉંમર વર્ષ 19) વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના મોટા કરાડા ખાતે રહેતા તેમના મામાના ઘરે થોડા દિવસ રહેવા માટે ગયો હતો. હોળી પર્વ નજીક હોવાથી મામાના ઘરે હોળી કરવા માટે યુવક ગયો હતો. ભાણો આવ્યો હોવાથી મામાનો પરિવાર પણ ખુશ હતો આ દરમિયાન ગઈકાલે 1 માર્ચના રોજ હર્ષિલ વસાવા તેના મિત્રો સાથે સેગવા ગામ નજીક આવેલી કેનાલ પર ન્હાવા માટે ગયો હતો પરંતુ, ઘરે પરત ન આવતા પરિવારના સભ્યો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. આ સમયે કેનાલ નજીકથી તેના કપડા ચંપલ મોબાઇલ મળી આવ્યા હતા. કરજણ અને વડોદરાના મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમે યુવકની શોધખોળ કરી હતી. નર્મદા કેનાલના 9 કિમી વિસ્તારમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી, જોકે તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ દરમિયાન આજે સેગવા ગામ નજીક નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોટા ફોફળીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ શહેરના તમામ 18 વોર્ડમાં કોંગ્રેસ આપને દ્વાર કેમપેઇન પૂર્ણ થતા ભાજપના ભ્રસ્ટાચારી શાસનને દૂર કરી કમિશન યુક્ત કોર્પોરેશનને કમિશન મુક્ત કોર્પોરેશન બનાવવા કોંગ્રેસે સંકલ્પ કરી જનતા પાસ એક તક આપવા માંગ કરી છે માટે આગામી ગુરુવારના રોજ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને સાંભળવા માટે નિરીક્ષકો રાજકોટમાં આવશે અને બાદમાં પ્રદેશ મવડી મંડળ દ્વારા નિર્ણય કરી સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને આગામી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને મજબૂત રણનીતિ સાથે કોંગ્રેસ પક્ષ ચૂંટણી મેદાનમાં ઉતરવાની છે. તાજેતરમાં કોંગ્રેસ આપને દ્વાર કેમપેઇન અંતર્ગત અનેક પ્રશ્નોની રજુઆત કોંગ્રેસને જનતા થકી મળી છે ત્યારે આગામી મનપાની ચૂંટણી લડવા ઇચ્છુક દરેક ઉમેદવારને ઉમેદવારી ફોર્મ સાથે સંગઠન દ્વારા વ્યક્તિગત રીતે સાંભળવામાં આવશે. આ માટે આગામી તારીખ 5 અને 6 માર્ચના રોજ પ્રદેશના આગેવાનો તથા રાજકોટના પ્રભારી જેનિબેન ઠુંમર અને માનસિંગભાઈ ડોડીયાની ઉપસ્થિતિમાં ચૂંટણી લડવા ઇચ્છુક તમામ ઉમેદવારોને સાંભળવામાં આવશે. ગુરુ અને શુક્રવારના રોજ પ્રદેશના આગેવાનો દ્વારા રાજકોટના ઉમેદવારોના સૂચનો અને અભિપ્રાયો મેળવ્યા બાદ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા વિચારણા કરી તે યાદી પ્રદેશ સમિતિને મોકલવામાં આવશે અને ત્યારબાદ અંતિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આગામી તારીખ 5 અને 6 માર્ચના રોજ સર્કિટ હાઉસ ખાતે ઉમેદવારોને સાંભળવામાં આવશે જેમાં 5 માર્ચના રોજ સવારે 9.30થી 1.30 વાગ્યા સુધી વોર્ડ નં.1 થી 4 ત્યારબાદ બપોરે 3થી રાત્રે 8 વાગ્યા સુધી વોર્ડ નં.5 થી 9ના ઇચ્છુક ઉમેદવારને સાંભળવામાં આવશે. આ પછી બીજા દિવસે સવારે 9.30થી બપોરે 1.30 વાગ્યા સુધી વોર્ડ નં.10 થી 14 અને બપોરે 3.30થી રાત્રે 8 વાગ્યા સુધી વોર્ડ નં.15 થી 18ના ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવશે. વધુમાં ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ લોકોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડશે અને શહેરના પાણી, સફાઈ, રસ્તા, ટ્રાફિક અને પાર્કિંગ જેવા મૂળભૂત પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધ છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા “કોંગ્રેસ આપકે દ્વાર – જનતાની વેદના” કાર્યક્રમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ લોકો સાથે સીધો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓને નજીકથી સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ પોતાની વેદના કોંગ્રેસ સમક્ષ રજૂ કરી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં આજે સામાન્ય નાગરિકોના નાના નાના કામ પણ સમયસર થતા નથી અને પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં પણ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોમાં સત્તાધારી પક્ષ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. લાંબા સમયથી ચાલતા ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર હદ વટાવી ચૂક્યો છે અને વિકાસના દાવાઓ વચ્ચે સામાન્ય નાગરિકોની સમસ્યાઓ યથાવત રહી છે. મહાનગરપાલિકા કમિશન યુક્ત બની ગઈ છે જેને કમિશન મુક્ત બનાવવા કોંગ્રેસ પક્ષને પ્રજાનો આશીર્વાદ મળશે અને મહાનગરપાલિકામાં કુશાસનની જગ્યાએ કોંગ્રેસ પક્ષ દ્વારા સુશાસન સ્થાપવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં રહેતા અને ગ્લોબલ માર્કેટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને તેના શેઠ દ્વારા જ ઉપાડના બાકી નીકળતા પૈસા માટે ગળું દબાવીને હત્યા કર્યાનો ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. વરાછા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સ્મીમેર હોસ્પિટમ ખસેડવામા આવ્યો, ત્યારે પોસ્ટમાર્ટમ રૂમ પર હાજર પરિવારજનોએ ફોરેન્સિક પોસ્ટમાર્ટમની માગ કરી હતી. આ સાથે જ શેઠે અગાઉ પણ ધમકી આપી હોવાની મૃતકની પત્નીએ આક્ષેપ કરી ન્યાયની માગ કરી છે. મૃતક બેભાન હાલતમાં દુકાનમાં મળી આવ્યો હતોમળતી માહિતી મુજબ, લીંબાયત ખાતે આવેલ મહાપ્રભુનગરમાં રહેતા એનુલ કુરબાનમિયાં અંસારી (ઉં.વ.30 ) 2 માર્ચની સાંજે 4.30એ ગ્લોબલ માર્કટના પહેલા માળે આવેલી દુકાન નંબર 2586 ખાતે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવતા ફરજ પરના તબીબોએ તપાસીને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ વરાછા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. સ્થળે આત્મહત્યા કરી શકાય તેવી પૂરતી ઊંચાઈ નથીઃ મહોમદ રમજાન અંસારીઆજે 3 માર્ચે સવારે મૃતક એનૂલના પિતરાઈ ભાઈ મહોમદ રમજાન અંસારી સહિત પરિવારજનો પોસ્ટમાર્ટમ રૂમ પર ભેગા થયા હતા. અહીં મહોમદ રમજાન અંસારીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, દુકાનના શેઠ અંકિતભાઈએ જ એનૂલનું ગળું દબાવીને તેની હત્યા કરી છે. ગઈકાલે અમારા ગામના એક ભાઈ સાથે એક અકસ્માત થયો છે. તેઓ કામ પર હતા અને અમને સાંજ પછી સમાચાર મળ્યા કે, તેમની સાથે કોઈ અકસ્માત થયો છે. અમને શંકા છે કે, શેઠે તેને માર્યો છે. શેઠ કહે છે કે, તેણે આત્મહત્યા કરી છે, પરંતુ અમને એવું નથી લાગતું, કારણ કે ત્યાં આત્મહત્યા કરી શકાય તેવી પૂરતી ઊંચાઈ નથી. ત્યાં આત્મહત્યાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. આ હત્યા પાછળનું કારણ એ છે કે, એનૂલે શેઠ અંકિતભાઈ પાસેથી રૂ.1.30 લાખ ઉપાડ લીધો હતો. જોકે કામ કરીને પૈસા ચૂકવી દીધા હતા, જે પૈકી ફક્ત રૂ.60 હજાર બાકી નીકળતા હતા. ‘ગઈકાલે તેની પત્નીને ફોન કરી ધમકી આપી હતી’વધુમાં ઉમેર્યું કે, 60 હજાર માટે માંગણી કરી શેઠે ગઈકાલે તેની પત્નીને ફોન કરીને ધમકાવતા કહ્યું હતું કે, પૈસે નહીં દીયે તો તુમ્હારે આદમી કો માર દેંગે. પત્ની શકીલા ખાતુનએ શેઠને આજજી કરી હતી કે, હમણાં રમજાન માસનો તહેવાર ચાલી રહ્યો છે, તેઓ તેમના બાકીના પૈસા ચૂકવી દેશે, પરંતુ શેઠે તેમની આજીજી સાંભળી નહીં અને બાદમાં કપડાથી એનૂલનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. વધુમાં કુદરત્ત અંસારી સહિત પરિવારજનોએ પોલીસ તંત્રને વિનંતી કરી છે કે, આ કેસમાં દોષીને સજા થાય અને પરિવારને ન્યાય મળે, તેવી સચોટ કાર્યવાહી કરવામાં આવે. મારા પતિને ફાંસી આપીને માર્યો, તેને પણ ફાંસી આપોઃ પત્ની મૃતક યુવકની પત્ની શકીલાએ જણાવ્યું હતું કે, મારો પતિ 'ગ્લોબલ સુરત'માં કામ કરતો હતો. તેનો શેઠ અંકિતે તેને જાનથી મારી નાખ્યો છે. તે વારંવાર ધમકી આપતો હતો કે, જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશ. આખરે તેણે ગઈકાલે જાનથી મારી જ નાખ્યો અને હવે તે એવું કહી રહ્યો છે કે તેણે જાતે જ ફાંસી લગાવી લીધી છે. તેણે મને ફોન કરીને કહ્યું હતું કે, હોસ્પિટલ એમ્બ્યુલન્સ લઈને જઈ રહ્યા છીએ, પણ તે તો ત્યાં જ હતો. મારા પતિને જે રીતે ફાંસી આપીને માર્યો છે, મને તેના બદલામાં તેને પણ ફાંસીની સજા જ જોઈએ. ‘મારું નાનું બાળક છે, અમે ક્યાં જઈશું?’વધુમાં ઉમેર્યું કે, અમે અહીંથી 1 લાખ રૂપિયા મોકલાવ્યા હતા, તે આપી દીધા હોવા છતાં તેણે મારા પતિને મારી નાખ્યો. મને ન્યાય જોઈએ. મારું નાનું બાળક છે, અમે ક્યાં જઈશું? તમે લોકો જ આનો કોઈ નિર્ણય કરો. જેવી રીતે તેણે મારા પતિને ફાંસી આપી, તેવી જ રીતે તેને પણ ફાંસીની સજા મળવી જોઈએ. હું આપ સૌને વિનંતી કરું છું કે તેને ફાંસીની સજા અપાવો. ગુજરાતના તમામ ભાઈઓને મારી વિનંતી છે કે આનો કોઈ ઉકેલ લાવો અને તેને સજા અપાવવામાં મદદ કરો. તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી કોઈપણ ચમરબંધીને છોડવામાં ન આવેઃ અસલમ સાયકલવાલાસમાજના અગ્રણી અસલમ સાયકલવાલાએ જણાવ્યું કે, એનુલ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા 5 વર્ષથી પંકજભાઈ નામના શેઠ પાસે નોકરી કરે છે. છૂટક મજૂરી કામ જે કંઈ કરતા હોય એમને ત્યાં અને ગઈકાલે એમનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. શેઠનું એવું કહેવું છે કે, આણે ફાંસી ખાઈ આત્મહત્યા કરી છે, પરંતુ જ્યારે એમના સગા-વહાલાઓ સ્થળ પર ગયા ત્યારે એમને જોયું કે અહીંયા ફાંસી લાગે એવી કોઈ શક્યતા છે નહીં. સગાસંબંધીઓનું કહેવું છે કે એનું શંકાસ્પદ મૃત્યુ એ પંકજભાઈએ હત્યા કરી હોઈ શકે છે. પીઆઈ આર.બી. ગોજિયા, વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે પણ રજૂઆત થઈ છે કે, આપ આમાં પેનલ પીએમ અને ફોરેન્સિક પીએમ કરાવો. બિલકુલ આની તટસ્થ અને નિષ્પક્ષ રીતે તપાસ કરીને જો ચોક્કસ એનું મૃત્યુ શંકાસ્પદ હોય અને હત્યા કરવામાં આવી હોય તો એવા કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ ગરીબ શ્રમિક યુવાનના પરિવારને ન્યાય મળે. એનૂલના મોત બાદ ગર્ભવતી પત્ની અને એક સંતાન નિરાધારપરિવાર અને સગાઓએ જણાવ્યું હતું કે, એનુલ પરિવારમા ગર્ભવતી પત્ની શકીલા ખાતૂન અને એક સંતાન સાથે રહેતો હતો. ગ્લોબલ માર્કેટમાં સાડી ફોલ્ડિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે પરિવારનો એકમાત્ર આર્થિક સહારો હતો. તેના મોત બાદ તેની પત્ની અને સંતાન નિરાધાર બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં તેની પત્ની ગર્ભવતી છે અને પતિના મોતને પગલે ભારે માતમ છવાઈ ગયો છે. વરાછા પોલીસ દ્વારા આ મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. મૃતકના શેઠની પણ સઘન પૂછપરછ કરવામાં આવી છે. મૃતક સતત ફોન ઉપર વાત કરતો હતો, તેનો ફોન કબ્જે કરવામાં આવ્યો છે, જેનું એનાલિસિસ કરવામાં આવશે અને વરાછા પોલીસ દ્વારા આગળની તપાસ ચાલી રહી છે.
બનાસકાંઠામાં 34 હજારથી વધુ દીકરીઓને HPV રસી:સર્વાઇકલ કેન્સર સામે મફત રસીકરણ અભિયાન શરૂ
બનાસકાંઠા જિલ્લામાં સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાલનપુરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના હસ્તે આ અભિયાનનો શુભારંભ થયો હતો. આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની અંદાજે 34,000થી વધુ કિશોરીઓને આગામી ત્રણ મહિના સુધી મફત HPV રસી આપવામાં આવશે. આ રસી 14 વર્ષની તમામ પાત્ર કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે આર.સી.એચ.ઓ. ડો. બ્રિજેશ વ્યાસે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરથી દીકરીઓને સુરક્ષિત કરવા આ વિશેષ પહેલ હાથ ધરાઈ છે. તેમણે રસીની સુરક્ષા અને અસરકારકતા પર ભાર મૂક્યો હતો અને નવી રસીઓને લઈને ફેલાતી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. ડો. વ્યાસે સ્પષ્ટતા કરી હતી કે, જેમણે અગાઉ રસી લીધી હોય તેમને ફરી લેવાની જરૂર નથી. જો કોઈ કિશોરી ગંભીર બીમારી ધરાવતી હોય, તો નિષ્ણાત બાળરોગ તજજ્ઞની સલાહ મુજબ આગળ વધવામાં આવશે. આ રસી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ રહેશે. આ અભિયાનના પ્રારંભ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય સોલંકી, આર.સી.એચ.ઓ ડો. બ્રિજેશ વ્યાસ અને પાલનપુરના તાલુકા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વભરમાં પ્રખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગ પર ફરી એકવાર વૈશ્વિક સંકટના વાદળો છવાયા છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સાઉદી અરેબિયાની મોટી રિફાઇનરી પર થયેલા મિસાઈલ હુમલાએ મોરબીના ઉદ્યોગકારોની ઊંઘ હરામ કરી દીધી છે. પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાતાં આગામી બે-ત્રણ દિવસમાં જ અનેક એકમો બંધ થાય તેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે. સાઉદીની 'અરામકો' રિફાઇનરી પર હુમલાની સીધી અસર ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ દરમિયાન સાઉદી અરેબિયા ખાતે આવેલી વિશ્વની સૌથી મોટી 'અરામકો' (Aramco) રિફાઇનરી પર મિસાઈલ અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ બ્લાસ્ટને કારણે રિફાઇનરી હાલ કાર્યરત નથી. મોરબીમાં વપરાતો મોટાભાગનો પ્રોપેન ગેસ આ રિફાઇનરીથી વેસલ મારફતે કંડલા બંદર આવે છે અને ત્યાંથી ટેન્કરો દ્વારા મોરબી પહોંચે છે. સપ્લાય ચેઈન તૂટવાને કારણે હવે ગેસની ભારે અછત સર્જાય તેવી શક્યતા છે. મોરબીનો 70% ઉદ્યોગ પ્રોપેન ગેસ પર નિર્ભર મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાના જણાવ્યા અનુસાર: જો આગામી 48 કલાકમાં સપ્લાય પુનઃસ્થાપિત નહીં થાય, તો પ્રોપેન ગેસ વાપરતા સેંકડો કારખાનાઓમાં ઉત્પાદન ઠપ્પ થઈ જશે. આર્થિક નુકસાનના સંકેત: કરોડોનું ધોવાણ થશે સિરામિક ઉદ્યોગપતિ રાજન પટેલના જણાવ્યા મુજબ, જો ગેસની અછતને કારણે કારખાના બંધ રાખવાની નોબત આવશે, તો ઉદ્યોગકારોને આર્થિક ફટકો પડશે. અંદાજ મુજબ: વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ જો લાંબી ખેંચાશે તો પ્રોપેન ગેસના ભાવમાં વધારો અથવા લાંબાગાળાની અછત સર્જાઈ શકે છે. હાલમાં મોરબીના ઉદ્યોગકારો વૈકલ્પિક વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
‘શું તમે રાષ્ટ્રાધ્યક્ષની હત્યાના સમર્થનમાં છો?’ રાહુલ ગાંધીનો PM મોદીને સવાલ
Rahul Gandhi's Reaction On US-Israel War With Iran : અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલા મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારતની વિદેશ નીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુપકીદી પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ આ યુદ્ધને અસ્થિર ક્ષેત્રને મોટાપાયે સંઘર્ષ તરફ ધકેલનારું ગણાવ્યું છે. તેમણે મોદી સરકાર સમક્ષ નૈતિક સ્પષ્ટતા આપવા માંગ કરી છે. યુદ્ધના કારણે કરોડો લોકો સંકટમાં : રાહુલ ગાંધી
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર ગુજરાતના હીરા ઉદ્યોગ પર વર્તાઈ રહી છે. આ ભૌગોલિક-રાજકીય તણાવને કારણે દુબઈ પોર્ટ અને એરપોર્ટની કામગીરી ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે નવસારી અને સુરતનો હીરા ઉદ્યોગ ફરી મંદીનો સામનો કરી શકે છે. હીરા ઉદ્યોગ માટે દુબઈ એક મુખ્ય કેન્દ્ર છે, જ્યાં ટેક્સનું ભારણ ઓછું હોવાથી મોટાભાગના વેપારીઓની ઓફિસો આવેલી છે. જોકે, વર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે દુબઈ એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. દુબઈ એરપોર્ટ બંધ થવાને કારણે વિદેશથી આવતો રફ હીરાનો માલ ભારત પહોંચી રહ્યો નથી. તેવી જ રીતે, અહીંથી તૈયાર થયેલો પોલિશ્ડ માલ પણ નિકાસ થઈ શકતો નથી. વેપારીઓના કરોડો રૂપિયાના પાર્સલો હાલમાં ટ્રાન્ઝિટમાં અટવાયેલા છે. જો લાંબા સમય સુધી રફ હીરાનો પુરવઠો નહીં મળે, તો કારખાના માલિકો માટે રત્નકલાકારોને કામ આપવું મુશ્કેલ બનશે. જે હીરા ઉદ્યોગ થોડી ગતિ પકડી રહ્યો હતો, તે ફરી ધીમો પડી ગયો છે. જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉદ્યોગ સંપૂર્ણપણે પડી ભાંગવાની શક્યતા છે. વેપાર ઉપરાંત, માનવીય સંકટ પણ ઊભું થયું છે. કામકાજ અર્થે દુબઈ ગયેલા સુરત અને નવસારીના અનેક વેપારીઓ ફ્લાઈટ્સ બંધ હોવાને કારણે ત્યાં ફસાયા છે. દુબઈના સ્થાનિક બજારો પણ હાલમાં બંધ જેવી સ્થિતિમાં છે. દુબઈથી માલ ઈન્ડિયા આવવાનો બંધ થઈ ગયો: કમલેશ માલાણીનવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કમલેશ માલાણીએ જણાવ્યું છે કે, અત્યારે જે ઈરાન અને ઈઝરાયેલનું જે વોર ચાલી રહ્યું છે. એના કારણે હીરા ઉદ્યોગ પર મોટી અસર થવા પામી છે. એનું કારણ એ છે કે એના હિસાબે દુબઈ પોર્ટ પર અત્યારે એરપોર્ટ ટોટલ બંધ કરી દેવામાં આવ્યું છે. જે અત્યારે દુબઈ એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ થાય છે, એ બધો જ માલ ઈન્ડિયા આવવાનો બંધ થઈ ગયો છે અને ઈન્ડિયાથી જે પોલિશનો માલ જે એક્સપોર્ટ થાય છે એ પણ બંધ છે. જેથી કરીને હીરા ઉદ્યોગ અત્યારે થોડો ઘણો મુવમેન્ટમાં હતો એ પણ અત્યારે હીરા ઉદ્યોગ મંદ ગતિએ ચાલી રહ્યો છે. આનું નિરાકરણ જલ્દી નહીં આવે તો હીરા ઉદ્યોગ પડી ભાંગશેવધુમાં તેઓએ જણાવ્યું કે, લોકોના પાર્સલો અત્યારે બધાના અટવાયેલા છે, જ્યાં સુધી એરપોર્ટ ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ શક્યતાઓ લાગતી નથી કે ત્યાંથી લોકોનો રફ માલ ઈન્ડિયા આવી શકે. જેથી કરીને કારખાનાવાળાઓ પણ એ માલ ન આવે ત્યાં સુધી કારીગરોને કઈ રીતે નિભાવશે એ મોટો પ્રશ્ન છે. અને બને તે રીતે જલ્દીથી આનું નિરાકરણ આવશે તો હીરા ઉદ્યોગમાં થોડીક ઘણી મુવમેન્ટ આવશે નહીં તો પાછો હીરા ઉદ્યોગ પડી ભાંગશે એવું અત્યારે લાગી રહ્યું છે. ડાયમંડવાળા બધાની ઓફિસો દુબઈમાંવધુમાં તેઓએ જણાવ્યું કે, દુબઈ એક એવું પોર્ટ છે કે એ ફ્રી પોર્ટ છે, ત્યાં ટેક્સિસ બીજા દેશો કરતા ઓછા લાગે છે એટલે લોકો દુબઈને અત્યારે મેઈન પોર્ટ તરીકે ડાયમંડવાળાએ ગણેલું છે અને બધાની ઓફિસો લગભગ દુબઈમાં છે. ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટલી બધાને જ અસર થશે કારણ કે મોટા પર નાના નભતા હોય, એટલે જો મોટાને જ પ્રોબ્લેમ હોય તો બધાને અસર થવાની જ છે એમાં કોઈ શક્યતા નથી. સુરત, નવસારીના વેપારીઓ પણ ફસાયાવધુમાં તેઓએ જણાવ્યું કે, તૈયાર માલની સ્થિતિ કે અહીંથી ધારો કે એક્સપોર્ટ કરવો હોય તો એ લોકો અત્યારે કરી શકે એવી કોઈ શક્યતા નથી. કારણ કે ટોટલ એરપોર્ટ બંધ છે એટલે એ વસ્તુ થવાની શક્યતા નથી, દુબઈમાં પણ માર્કેટ બંધ કરાવી દીધેલું છે અત્યારે દુબઈનું માર્કેટ પણ ટોટલ બંધ છે. અને બીજું કે જે વેપારીઓ અત્યારે ઘણા બધા સુરત, નવસારીના વેપારીઓ ત્યાં ગયેલા છે અત્યારે એ લોકો પણ ત્યાં ફસાઈને બેઠા છે એ લોકો પણ અહીં આવી નથી શકતા. તો ખરેખર સરકારે પણ એના માટે કંઈક જોગવાઈઓ તાત્કાલિક ધોરણે કરવી જોઈએ કે જેથી ત્યાં બેઠેલા વેપારીઓ અહીં ઈન્ડિયા પાછા પરત ફરી શકે.
વલસાડ શહેરના પોશ વિસ્તાર ગણાતા તિથલ રોડ પર આવેલી 'સરદાર હાઇટ્સ'ના સાબરમતી બિલ્ડિંગમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના ટળી હતી. બિલ્ડિંગની લિફ્ટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે ઉપરથી નીચે પટકાઈ હતી. આ ઘટના સમયે લિફ્ટમાં સવાર એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો, જોકે આ અકસ્માતને પગલે રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આખો બનાવ શું છે?પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરમતી બિલ્ડિંગમાં રહીશો લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર અવાજ સાથે લિફ્ટ બેકાબૂ બની સીધી નીચે ખાબકી હતી. ધડાકાભેર લિફ્ટ પટકાવાનો અવાજ સાંભળી આસપાસના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લિફ્ટમાં ફસાયેલી વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી હતી. મેઈન્ટેનન્સ અંગે ગંભીર આક્ષેપોબિલ્ડિંગના રહીશોએ લિફ્ટ મેઈન્ટેનન્સ કરતી એજન્સી સામે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે, લિફ્ટના નિયમિત જાળવણી માટે દર મહિને ચાર્જ વસૂલવામાં આવે છે, તેમ છતાં સુરક્ષા વ્યવસ્થામાં ઘોર બેદરકારી રાખવામાં આવે છે. અગાઉ પણ લિફ્ટમાં નાની-મોટી ખામીઓ સર્જાઈ હતી અને તે અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. લિફ્ટના મેઈન્ટેનન્સની જવાબદારી ઓમેગા એલેવેટર્સ (Omega Elevators) નામની કંપની પાસે છે. રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે લિફ્ટ નીચે પટકાઈ ત્યારે તેની સેફ્ટી સેન્સર અને ઈમરજન્સી બ્રેક સિસ્ટમ કેમ કાર્યરત થઈ નહીં? સત્તાવાળાઓની કાર્યવાહીઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને લિફ્ટને સીલ કરી ટેક્નિકલ તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ, ઓમેગા એલિવેટર્સની ટીમે પ્રાથમિક મુલાકાત લીધી હતી, પરંતુ ધુળેટીના પર્વને કારણે આગામી દિવસે વિગતવાર તપાસ કરવામાં આવશે તેમ બિલ્ડિંગના પ્રમુખને જાણ કરવામાં આવી છે. બેદરકારીનો ગુનો નોંધવાની તજવીજપોલીસ દ્વારા આ મામલે બેદરકારીનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ વલસાડની બહુમાળી ઈમારતોમાં લિફ્ટની સુરક્ષા અને મેઈન્ટેનન્સના ધોરણો સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે.
ગોધરા રેલ્વે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલા એક મુસાફરનો રેલ્વે પોલીસે જીવ બચાવ્યો છે. પોલીસે ઇજાગ્રસ્ત મુસાફરને અડધો કિલોમીટર સુધી ઝોળીમાં ઊંચકીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો. આ ઘટના ઉધનાથી અયોધ્યા કેન્ટ જતી સ્પેશિયલ ટ્રેનમાં બની હતી. બિહારના મધુબની જિલ્લાના 26 વર્ષીય મુસાફર ગોવિંદ કુમાર દુબે જનરલ કોચના દરવાજા પાસે ઊભા હતા ત્યારે અચાનક ચાલુ ટ્રેનમાંથી પડી ગયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ રેલ્વે પોલીસ (RPF અને GRP)ના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. અકસ્માત સ્થળ એવું હતું જ્યાં એમ્બ્યુલન્સ સીધી પહોંચી શકે તેમ નહોતી. મુસાફરની નાજુક હાલત જોતા, જવાનોએ સમય ગુમાવ્યા વિના કાપડની ઝોળી બનાવી. આ ઝોળીમાં ઇજાગ્રસ્ત મુસાફરને સુવડાવીને આશરે અડધો કિલોમીટર સુધી રેલ્વેના પાટા અને દુર્ગમ રસ્તો વટાવી સુરક્ષિત રીતે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત મુસાફરને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
પંચમહાલ SOGએ ફરાર વોન્ટેડ આરોપીને ઝડપ્યો:પશુ સંરક્ષણ ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો હતો
પંચમહાલ SOGએ પશુ સંરક્ષણ ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી આરીફ અબ્દુલ રહીમને ઝડપી પાડ્યો છે. આરોપીને ઘોઘંબા તાલુકાના ખીલોડી ખાતેથી પકડવામાં આવ્યો હતો. આરોપી મોરવા (હ) પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો અને છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી ફરાર હતો. SOG પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે, નાટાપુર, તા. મોરવા-હનો રહેવાસી આરોપી આરીફ અબ્દુલ રહીમ ઝડપાયો હતો. આરોપી વિરુદ્ધ પશુ સંરક્ષણ ધારાની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ-325 હેઠળ ગુનો નોંધાયેલો છે. SOG ટીમે આરોપીને દામાવાવ પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ગોડાદરા વિસ્તારમાં વર્ષ 2015માં થયેલી ચકચારી હત્યાના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કુખ્યાત ગણાતા સંજય ઉર્ફે સંજય ગોલ્ડન અભિમાન્યુ સીરસાટેની હત્યાના આરોપમાં પકડાયેલા બે શખસને કોર્ટે પુરાવાના અભાવે છોડી મૂક્યા છે. ફરિયાદ પક્ષ આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું. લારી-મકાન ખાલી કરવા બાબતે થયો હતો વિવાદઆ કેસની વિગત મુજબ, મૃતક સંજય ગોલ્ડન ગોડાદરા વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતો હતો. તેણે ગોડાદરા મહાદેવનગરમાં રહેતા કનુ ગોબર રબારીની માસીની જગ્યા પર બળજબરીથી ચાઈનીઝની લારી મુકાવી હતી. આ લારીનું ભાડું પણ સંજય પોતે જ વસૂલતો હતો. આટલું જ નહીં, સંજયે કનુની માસીનું મકાન પણ એક યુવકને ભાડે અપાવ્યું હતું અને મકાન ખાલી ન કરવા માટે ભાડુઆતને ચઢામણી કરતો હતો. સંજયના સતત ત્રાસથી કંટાળીને કનુની માસીએ પોતાનું મકાન સસ્તામાં વેચી દેવું પડ્યું હતું. ‘તમારા સગા ભાગી ગયા, હવે તમને પણ ભગાડી દઈશ’મકાન વેચાયા બાદ પણ સંજયની દાદાગીરી શાંત પડી નહોતી. તેણે કનુ રબારીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. સંજયે કનુને રસ્તામાં રોકી ગાળાગાળી કરી ધમકાવ્યો હતો કે, તારા સગાઓ મિલકત વેચીને ભાગી ગયા છે, હવે હું તમને પણ અહીંથી ભગાડી દઈશ. આ સતત મળતી ધમકીઓ અને સંજયના આતંકથી કંટાળીને કનુ રબારી અને તેના સાથી મુકેશ અમરત રબારીએ સંજયથી કંટાળી ગયા હતા. 2015માં તલવારના ઘા ઝીંકી સંજય ગોલ્ડનની કરી હતી હત્યાઆ આંતરિક અદાવતનું પરિણામ 28 નવેમ્બર, 2015ના રોજ લોહીયાળ જંગમાં આવ્યું હતું. ગોડાદરાની મહર્ષિ આસ્તીક સ્કૂલ સામે સંજય ગોલ્ડન પર તલવાર વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે સંજયનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે લીંબાયત પોલીસે કનુ રબારી અને મુકેશ રબારી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટમાં ફરિયાદ પક્ષ મજબૂત પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યોઆ કેસ સુરતની કોર્ટમાં ચાલવા ઉપર આવતા બચાવ પક્ષના વકીલો કેતન રેશમવાલા, કલ્પેશ દેસાઈ અને નીરજ દેસાઈએ દલીલો કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે આરોપીઓ સામેના પુરાવાઓ અપૂરતા છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું કે ફરિયાદ પક્ષ આરોપીઓ પરનો ગુનો નિઃશંકપણે પુરવાર કરી શક્યો નથી. પરિણામે, શંકાનો લાભ આપીને કોર્ટે કનુ અને મુકેશ રબારીને હત્યાના આરોપમાંથી નિર્દોષ મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
મંત્રી મનીષાબેન વકીલે સંખેડા ફર્નિચર કેન્દ્રની મુલાકાત લીધી:સખી મંડળની મહિલાઓ સાથે રંગકામમાં જોડાયા
મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલે આજે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સખી મંડળ દ્વારા સંચાલિત સંખેડા ફર્નિચર કેન્દ્રની મુલાકાત લીધી અને જૂના ભાજપ કાર્યકરો સાથે પણ મુલાકાત કરી હતી. સંખેડાના ભાટપુર ખાતે જૂના કાર્યકરોના નિવાસસ્થાને મુલાકાત લીધા બાદ, મંત્રી વકીલ પ્રખ્યાત સંખેડા ફર્નિચર કેન્દ્ર પહોંચ્યા હતા. અહીં તેમણે સખી મંડળની મહિલાઓ દ્વારા કરવામાં આવતા રંગકામનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે જાતે લાખમાંથી બનતા રંગકામમાં ભાગ લીધો અને ફર્નિચરને કલર કર્યો હતો. આ મુલાકાત દરમિયાન, મંત્રી મનીષાબેન વકીલે સંખેડા વિધાનસભા વિસ્તારમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને સંગઠનના હોદ્દેદારો સાથે પણ ચર્ચા-વિચારણા કરી હતી.
ભાવનગરના શિશુવિહાર પ્રાંગણમાં છેલ્લા 87 વર્ષથી અવિરત ચાલતી હોળી પર્વની પરંપરા આ વર્ષે પણ ફાગણ સુદ પૂર્ણિમા, 2 માર્ચના રોજ ઉત્સાહભેર ઉજવાઈ હતી. આ અવસરે સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ભૂતકાળની યાદો અને સાંસ્કૃતિક વારસાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. પરંપરાગત વ્યાયામનું શૌર્યપૂર્ણ પ્રદર્શન હરેશભાઈ ભટ્ટ અને કમલેશભાઈ વેગડના માર્ગદર્શન હેઠળ ક્રીંડાંગણના તાલીમાર્થીઓએ ભારતીય પરંપરાગત વ્યાયામના અદભૂત નિદર્શનો રજૂ કર્યા હતા. યુવા તાલીમાર્થીઓએ ડંબેલ્સ, લેઝિમ અને લાઠીના દાવપેચ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શિશુવિહારની શિસ્ત અને શારીરિક શિક્ષણની ઝલક આ પ્રદર્શનમાં સ્પષ્ટ દેખાતી હતી. પ્રતિભાઓનું વિશિષ્ટ અભિવાદન આ કાર્યક્રમમાં શિશુવિહારની પ્રથમ ટુકડીના વિદ્યાર્થી સ્વ. મહાશ્વેતાબેન ત્રિપાઠી અને સાગરભાઇ મહેતાની સ્મૃતિમાં વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ભાષાવિદ પ્રા. ડો. રક્ષાબેન દવે, નિષ્ઠાવાન શિક્ષક કવિતાબેન શાહ અને એરબેજ રક્ષક અનિલભાઈ મકવાણાનું વિશિષ્ટ અભિવાદન કરવામાં આવ્યું હતું. યુવા તાલીમાર્થીઓનું પ્રોત્સાહન કોકીલાબેન જાની અને સંસ્થાના પ્રથમ પ્રેસિડેન્ટ સ્કાઉટ મનોજભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં નિયમિત તાલીમ લેતા યુવાનોને બિરદાવવામાં આવ્યા હતા. જેમાં ગોહેલ સુભમ, બારૈયા ગૌતમ, રાઠોડ ઉદય, મકવાણા યસ, પરમાર શુભમ, ગોહેલ કાર્તિક, મકવાણા કુલદીપ, ગોહેલ નિતીન, વાજા ભવ્ય અને વાઘેલા ધ્રુવનું મહેમાનોના હસ્તે સન્માન કરાયું હતું. અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા મહાનુભાવોએ જણાવ્યું કે શિશુવિહાર માત્ર એક સંસ્થા નથી, પરંતુ જીવન શિક્ષણનું કાર્યક્ષેત્ર છે જે નવી પેઢીનું ભવિષ્ય ઘડે છે. 250 થી વધુ દર્શનાર્થીઓની ઉપસ્થિતિમાં પૂર્વ વિદ્યાર્થીઓ પોતાની તાલીમના દિવસો યાદ કરી ભાવવિભોર બન્યા હતા. કાર્યક્રમના અંતે હોળી પ્રાગટ્ય અને ધાણી-ખજૂરના પ્રસાદ સાથે સૌએ ઉત્સવ મનાવ્યો હતો. 6 દાયકા વટાવી ચૂકેલા વડીલ વિદ્યાર્થીઓએ ફાગણના ગીતો ગાઈને વાતાવરણને જીવંત બનાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રક્ષાબેન ભટ્ટે કર્યું હતું.
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેની પ્રગતિ અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનોના તારણો રજૂ કરવામાં આવ્યા હતા. સંશોધનો દ્વારા સાબિત: ઉત્પાદનમાં ઘટાડો નહીં બેઠકને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક સંશોધનોએ એ સાબિત કરી દીધું છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પાક ઉત્પાદનમાં કોઈ ઘટાડો થતો નથી. રાસાયણિક ખેતીના દુષ્પરિણામો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, આજે જમીન, પાણી અને હવા પ્રદૂષિત થઈ રહ્યા છે, જેના કારણે માનવ સ્વાસ્થ્ય પર ગંભીર જોખમો ઊભા થયા છે. પ્રાકૃતિક ખેતી જ આ તમામ પર્યાવરણીય અને સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓનું કાયમી સમાધાન છે. ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને પર્યાવરણ સુરક્ષા રાજ્યપાલના મતે, આ પદ્ધતિ માત્ર ધરતીના આરોગ્યને જ નથી સાચવતી, પરંતુ ખેડૂતોના ખર્ચમાં મોટો ઘટાડો કરીને તેમની આર્થિક સ્થિતિ પણ મજબૂત બનાવે છે. તેમણે હરિત ક્રાંતિના પ્રણેતા ડૉ. સ્વામીનાથનને યાદ કરતા કહ્યું કે, જેમ દેશ તેમને યાદ કરે છે, તેમ પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં યોગદાન આપનારાઓને પણ ભવિષ્યમાં યાદ રાખવામાં આવશે. ગુજરાતમાં આ દિશામાં એક નવી સકારાત્મક ક્રાંતિનો પાયો નંખાઈ રહ્યો છે. ગુજરાત બનશે પ્રાકૃતિક ખેતીનું 'મોડલ સ્ટેટ' કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો મુખ્ય લક્ષ્યાંક ગુજરાતમાં યુરિયા ખાતરનો ઉપયોગ ન્યૂનતમ સ્તરે લઈ જઈને રાજ્યને દેશભરમાં પ્રાકૃતિક ખેતી માટેનું મોડલ સ્ટેટ બનાવવાનો છે. તેમણે રાજ્યપાલના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, તેમના સતત માર્ગદર્શન અને તાલુકા સ્તરે ખેડૂતો સાથેના સીધા સંવાદને કારણે આજે લાખો ખેડૂતો આ અભિયાનમાં જોડાયા છે. વહીવટી સમીક્ષા અને ભવિષ્યનું આયોજન બેઠક દરમિયાન જીતુભાઈ વાઘાણીએ ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનો આપી કામગીરી વેગીલી બનાવવા તાકીદ કરી હતી. આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, સંયુક્ત સચિવ નીતિન સંગવાન સહિત વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, પશુપાલન વિભાગ અને 'આત્મા' પ્રોજેક્ટના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી નિર્દોષ ભારતીય યુવાનોને બંધક બનાવી તેઓની પાસે સાયબર ફ્રોડ કરાવતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા આ મામલે સુરતના બે શખ્સો સહિત અન્ય એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર ગુલામ બનાવવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડવિદેશમાં ડેટા એન્ટ્રીની નોકરીના બહાને ભારતીય યુવાનોને મ્યાનમાર, લાઓસ અને કંબોડિયા જેવા દેશોમાં લઈ જઈ સાયબર સ્લેવ એટલે કે સાયબર ગુલામ બનાવવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા આ મામલે સુરતના બે મુખ્ય શખ્સો સહિત અન્ય એજન્ટો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડેટા એન્ટ્રીના કામ માટે 75 હજાર માસિક પગારની લાલચ આપતાપ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓ સોશિયલ મીડિયા અને એજન્ટો મારફતે યુવાનોને બેંગકોક, થાઈલેન્ડ, મ્યાનમાર અને કંબોડિયા જેવા દેશોમાં ડેટા એન્ટ્રીના કામ માટે 75 હજાર માસિક પગારની લાલચ સાથે મોકલી આપતા હતા. જોકે ભોગ બનનાર જેવા વિદેશ પહોંચે એટલે ચીની ગેંગના એજન્ટો તેઓના પાસપોર્ટ અને મોબાઈલ જપ્ત કરી લેતા અને તેઓને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરાવી મ્યાનમારના ચાઈનીઝ હબમાં બંધક બનાવી દેતા હતા. સોશિયલ મીડિયા પર યુવતીઓના નામે નકલી પ્રોફાઈલ બનાવડાવતાબાદમાં બંધક બનાવવામાં આવેલા યુવાનો પાસે આરોપીઓ સોશિયલ મીડિયા પર યુવતીઓના નામે નકલી પ્રોફાઈલ બનાવડાવતા હતા. આ નકલી પ્રોફાઈલ દ્વારા અમેરિકન અને ભારતીય નાગરિકો સાથે મિત્રતા કેળવી તેઓને વિશ્વાસમાં લઈને ક્રિપ્ટો સ્કેમ અને ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હતી. જો કોઈ યુવાન આ કામ કરવાની ના પાડે તો તેને શારીરિક અને માનસિક ત્રાસ આપી મજબૂર કરવામાં આવતો હતો. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયોઆ નેટવર્કમાં સુરતના મોટા વરાછા વિસ્તારનો કૌશિક અશ્વિનભાઈ પેથાણી અને કામરેજનો ધ્રુવ કનુભાઈ ડોબરીયા મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા છે. ધ્રુવ ડોબરીયા પોતે લાઓસમાં ટીમ મેનેજર તરીકે કામ કરતો હતો અને તેની નીચે 20 માણસો આ પ્રકારના સાયબર ગુનાઓ કરતા હતા. જેમાં સહ આરોપીઓ ચેતમન પ્રકાશભાઈ સોની અને મનીષ નારણભાઈ ભાનુશાળી પણ સામેલ છે. આ સમગ્ર કૌંભાંડ ટેક્નિકલ એનાલિસિસમાં બહાર આવતા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ઉક્ત ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
પાટડીના વર્ણીન્દ્રધામ ખાતે મંગલ મહોત્સવ અંતર્ગત રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હોળીના દિવસે સાંજે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. હોલિકા દહન પૂર્વે શાસ્ત્રોક્ત વેદ મંત્રોના મંગલ ધ્વનિ સાથે પૂજન વિધિ કરવામાં આવી હતી. આ પૂજન સંતો અને દૈનિક યજમાનો દ્વારા કરાયું હતું. આમંત્રિત મહેમાનો અને સંતોએ પોતાની રાશિ મુજબના જુદા જુદા ધાન્ય અને શ્રીફળ દ્વારા હોલિકામાં આહુતિ આપી હતી. હોલિકા દહન બાદ અષ્ટમ મંગલ મહોત્સવ વાર્ષિકોત્સવનો આરંભ થયો હતો. ધર્મવલ્લભ સ્વામી દ્વારા પૂજન વિધિ કરીને આ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે બરોડા ગુરુકુળના વિદ્યાર્થીઓએ હોળી ગીતો અને સ્વાગત નૃત્ય રજૂ કર્યા હતા. આતિશબાજી, હોળી ગીતો અને સંતોના આશીર્વચનથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનો અને સંતો દ્વારા કેક કાપીને વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હજારો દીવડાઓના પ્રકાશમાં વર્ણીપ્રભુની આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ સ્વામિનારાયણ ભગવાનને તિલક હોળીથી રંગે રમાડવામાં આવ્યા હતા. સંતો અને હરિભક્તો ડીજેના તાલે હોળી ગીતોના સુમધુર સ્વરમાં રંગોત્સવમાં જોડાયા હતા. આકાશમાં આતિશબાજી અને રંગોના છંટકાવથી વાતાવરણ રંગીન બન્યું હતું.
સુરતના હજીરા પટ્ટામાં કાર્યરત અગ્રણી કંપનીઓ AM/NS અને LTમાં ફરજ બજાવતા હજારો કોન્ટ્રાક્ટ કામદારોના શોષણ અને તેમના પર થયેલી કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો હવે વહીવટી તંત્ર સુધી પહોંચ્યો છે. 'શ્રમજીવી મહામંડળ સંઘ' અને 'ધી સુરત ડિસ્ટ્રિક્ટ એન્જી. એન્ડ જનરલ વર્ક્સ યુનિયન' દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખી 6000 જેટલા કામદારોના હિતમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઘટનાને લોકશાહી ઢબે થતા આંદોલન પરના પ્રહાર સમાન ગણાવીમળતી માહિતી અનુસાર, 26 ફેબ્રુઆરી 2026ના રોજ હજીરા ખાતે AM/NS કંપનીઓના પરિસરમાં કામદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કામદારો પર હિંસા થઈ હોવાના આક્ષેપો યુનિયન દ્વારા કરવામાં આવ્યા છે. યુનિયનના નેતાઓએ આ ઘટનાને લોકશાહી ઢબે થતા આંદોલન પરના પ્રહાર સમાન ગણાવી છે. 'કંપનીઓ ગેરકાયદેસર રીતે 'કોન્ટ્રાક્ટ લેબર પ્રથા' ચલાવી રહી છે'યુનિયન દ્વારા કલેક્ટરને સોંપવામાં આવેલા પત્રમાં કામદારોના શોષણના ગંભીર મુદ્દાઓ ટાંકવામા આવ્યા છે. જેમાં વર્ષોથી ફરજ બજાવતા કામદારોને કાયમી કરવાને બદલે કંપનીઓ ગેરકાયદેસર રીતે 'કોન્ટ્રાક્ટ લેબર પ્રથા' ચલાવી રહી છે. દરેક કામદારને કાયમી કર્મચારી જાહેર કરવાની માંગ કરાઈ છે. કામદારો જોખમી અને કુશળ કામગીરી કરે છે, છતાં તેમને તે મુજબનું વેતન મળતું નથી. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના ધોરણો મુજબ પગાર ચૂકવવા રજૂઆત કરવામાં આવી છે. 'વધારાના 4 કલાકનો ઓવરટાઈમ ચૂકવવામાં આવતો નથી'આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, ફેક્ટરી એક્ટ મુજબ 8 કલાકની ફરજ હોવા છતાં કામદારો પાસે 12 કલાક કામ લેવામાં આવે છે. વધારાના 4 કલાકનો કોઈ પણ પ્રકારનો ઓવરટાઈમ ચૂકવવામાં આવતો નથી, જે કાયદાનું સીધું ઉલ્લંઘન છે. કંપનીઓમાં 'મિનિમમ વેજ એક્ટ' અને 'પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ'નું પાલન થતું નથી. '6000 કામદારોને ESI અને PFના લાભોથી વંચિત રખાયા'લેબર કમિશનર દ્વારા આ બાબતે તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. 6000 જેટલા કામદારોને ESI અને PFના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. કામદારોને તેમના ઇ.એસ.આઈ. કાર્ડ અને પી.એફ.ની રસીદો તાકીદે પૂરી પાડવા માંગણી કરાઈ છે. નિષ્પક્ષ ન્યાયી તપાસ યોજી તેનો અહેવાલ જાહેર કરવા માંગશ્રમજીવી મહામંડળ સંઘના પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, કામદારોને હંમેશા ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક સત્યાગ્રહ કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે, પોલીસ તંત્ર દ્વારા કામદારો પર જે સીધી હિંસક કાર્યવાહી કરવામાં આવી છે, તેની નિષ્પક્ષ ન્યાયી તપાસ યોજી તેનો અહેવાલ જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી સામે અમે ઇન્ક્વાયરી કમિશનની માંગણી કરી છેશ્રમજીવી મહામંડળ સંઘના પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, LT અને NS મિટ્તલ કંપનીમાં જે તારીખ 26ના રોજ બનાવ બન્યો અને જેમાં પોલીસ તંત્રની કાર્યવાહી થઈ, એ પોલીસની કાર્યવાહી સામે અમે ઇન્ક્વાયરી કમિશનની માંગણી કરી છે. અને જે કામદાર કાયદાઓનું અનાદર થાય છે, વાયોલેશન થાય છે, તો એ કામદાર કાયદાના વાયોલેશન માટે એની ઇન્ક્વાયરી કરીને માનનીય લેબર કમિશનર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને PF-ESIC કમિશનર એનો રિપોર્ટ જાહેર કરે એ અમારી અગત્યની અમે માંગણી મૂકી છે કલેક્ટર સમક્ષ બી અને અધિકારીઓ સમક્ષ પણ માગણી મૂકી છે. હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીશુંતેને વધુમાં કહ્યું કે, એ અમારી રજૂઆત છે અને અમે ILO અને હ્યુમન રાઇટ્સ કમિશન સમક્ષ પણ આ રજૂઆત કરીને રિપ્રેઝન્ટેશન રજૂ કર્યું છે. આ બાબતમાં કોઈ સરકાર તરફથી તાકીદે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે તો અમે આ રજાઓ પછી ટૂંક સમયમાં અમે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીશું માનનીય રાજ્ય સરકાર સામે અને આ બે કંપની સામે - LT અને NS મિટ્તલ કંપની સામે. 'કંપનીના પ્રિમાઈસીસમાં બનાવ બન્યો છે. જે 10 હજાર કામદારો છે'કારણ કે આ બંને કંપની આંતરરાષ્ટ્રીય કક્ષાની બહુ સારામાં સારી વેલ-નોન કંપની છે, એમાં આવો અઘટિત બનાવ બન્યો છે અને કંપનીના પ્રિમાઈસીસમાં બનાવ બન્યો છે. અને કંપનીના જે કામદારો છે, 10 હજાર કામદારો છે એમાં, એટલે સુરત શહેરના 20 લાખ 30 લાખ જેટલા કામદારોની સલામતી, શાંતિ, ઔદ્યોગિક વિકાસ અને ઔદ્યોગિક શાંતિ અને પરસ્પર એકબીજાના સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે એ માટે અમને આ કાર્યવાહી કરવાની ફરજ પડે છે. 'પોલીસની કામગીરી નિષ્પક્ષ નથી રહી'નૈષધ દેસાઈએ આગળ જણાવ્યું હતું કે, પોલીસની કામગીરી નિષ્પક્ષ નથી રહી. પોલીસની કામગીરી પર થોડીક શંકા ઉપસ્થિત થાય છે કે કદાચ કંપનીના આગ્રહથી અથવા તો કોઈ બીજા કારણથી પોલીસે એક રૂપિયાના ચોરને ફાંસીની સજા આપવાનો પ્રયાસ કર્યો છે.
યાત્રાધામ દ્વારકામાં આજે હોળી-ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે ‘ફૂલડોલ ઉત્સવ’ અત્યંત ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’ અને ‘દ્વારકાધીશ કી જય’ના ગગનભેદી નાદ સાથે સમગ્ર નગરી કૃષ્ણમય બની હતી. જગતમંદિરમાં બિરાજતા ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આજે શામળાજીના શામળાજી મંદિરમાં અને ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ હોળી પર્વની ઉજવણી કરાઈ હતી. બંને મંદિરો ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને અબીલ-ગુલાલની છોળો ઊડી હતી. ભક્તિ અને રંગોનું મહાસંગમભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ છે. વસંત ઋતુના આગમન સાથે પ્રકૃતિ ખીલી ઉઠે છે, ત્યારે પરંપરા મુજબ ભગવાનને પુષ્પોથી શણગારેલા હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે ભગવાનને વિશેષ શણગાર કરી ભક્તો પર અબિલ-ગુલાલ અને કેસૂડાના રંગોની વર્ષા કરવામાં આવી હતી.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી 6 માર્ચ, 2026ના રોજ યોજાનારી ચૂંટણીને લઈને મહેસાણા કોર્ટ સંકુલમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં મહેસાણાથી પૂર્વ ચેરમેન અને વર્તમાન સભ્ય કિશોર આર. ત્રિવેદીએ પોતાની ઉમેદવારી નોંધાવતા સ્થાનિક વકીલ મંડળમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આજે મહેસાણાના વકીલો મોટી સંખ્યામાં કિશોર ત્રિવેદીના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. કિશોર ત્રિવેદીને બહુમતીથી વિજયી બનાવવા અપીલમહેસાણા વકીલ મંડળ દ્વારા કિશોર ત્રિવેદીના સમર્થનમાં કોર્ટ સંકુલમાં જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વકીલ મિત્રો દ્વારા તમામ મતદાર સભ્યોને અપીલ કરવામાં આવી છે કે, કિશોર ત્રિવેદીને પ્રથમ ક્રમની પસંદગીનો મત આપી પ્રચંડ બહુમતીથી વિજયી બનાવે. કિશોર ત્રિવેદી ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છેઃ આર.એન. બારોટઆ અંગે વિગતો આપતા મહેસાણાના વકીલ આર.એન. બારોટે જણાવ્યું હતું કે, આગામી 6 માર્ચના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાનાર છે, જેમાં અનુભવી નેતા કિશોર આર. ત્રિવેદીએ ઉમેદવારી કરી છે. તેઓ અગાઉ ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલમાં પણ સભ્ય છે. અમે તમામ વકીલો તેમના પ્રચાર માટે એકઠા થયા છીએ. કિશોર ત્રિવેદીનો સિરિયલ નંબર 89 છે, જેની સામે પ્રથમ પસંદગીનો ક્રમ (નંબર 1) આપી તેમને વિજેતા બનાવવા માટે અમે સૌ વકીલોને વિનંતી કરી રહ્યા છીએ. કિશોર ત્રિવેદીની જીતના તમામને આશાસમગ્ર મહેસાણા કોર્ટ સંકુલમાં હાલ આ ચૂંટણીલક્ષી માહોલ જામ્યો છે અને કિશોર ત્રિવેદીના વર્ષોના અનુભવને જોતા વકીલોમાં તેમને ફરીથી કાઉન્સિલમાં મોકલવા માટે ભારે આશાવાદ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના બોરાળા ગામે એક કૂવામાં મગર ફસાઈ ગયો હતો. વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે નદીકાંઠે મુક્ત કર્યો હતો. આ ઘટના ધીરુભાઈ વાઘાણીની વાડીમાં આવેલા ખાલી કૂવામાં બની હતી. ખાંભા રેન્જ વન વિભાગની ટીમને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વિસ્તારને કોર્ડન કરીને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. વન વિભાગના RFOના સીધા સુપરવિઝન હેઠળ સ્ટાફે જરૂરી સાવચેતી સાથે મગરને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. મગરનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં તે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાયું હતું. તાજેતરમાં ખાંભા અને ધારી ગીર જંગલ નજીક હોવાથી રેવન્યુ વિસ્તારોમાં મગરોની અવરજવર વધી રહી છે. આથી વન વિભાગ દ્વારા ગ્રામજનોને સતર્ક રહેવા અને મગર દેખાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
ધૂળેટી પર ત્વચા-વાળની સંભાળ જરૂરી:કેમિકલ રંગોથી બચવા નિષ્ણાત તબીબની સલાહ
રંગોના પર્વ ધૂળેટીની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. જોકે, બજારમાં મળતા રાસાયણિક રંગો ત્વચા અને વાળને નુકસાન પહોંચાડી શકે છે. આથી, ધૂળેટી રમતા પહેલા અને પછી યોગ્ય કાળજી લેવી જરૂરી છે. ભરૂચની ડો. કીરણ.સી.પટેલ મેડિકલ કોલેજ ઍન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ત્વચા નિષ્ણાત ડૉ. અભિષેક પારેખે આ અંગે કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છે. ડૉ. પારેખના જણાવ્યા અનુસાર, ધૂળેટી રમતા પહેલા ચહેરા, હાથ-પગ અને વાળ પર નાળિયેર તેલ અથવા મોઈશ્ચરાઇઝર લગાવવું જોઈએ. આનાથી ત્વચા પર એક રક્ષણાત્મક સ્તર બને છે, જે રંગોને સીધા ત્વચામાં શોષાતા અટકાવે છે. શક્ય હોય ત્યાં સુધી પૂરા કપડાં પહેરવા અને આંખોના રક્ષણ માટે ચશ્માનો ઉપયોગ કરવો હિતાવહ છે. તેમણે ખાસ કરીને કેમિકલયુક્ત, ગાઢ અને ચમકદાર રંગોથી દૂર રહેવાની સલાહ આપી છે. બાળકોની ત્વચા નાજુક હોવાથી તેમના માટે વિશેષ કાળજી રાખવી જોઈએ, જેથી તેમને કોઈ નુકસાન ન થાય. ધૂળેટી રમ્યા પછી ગરમ પાણીના બદલે સાદા પાણીથી સ્નાન કરવું જોઈએ. ચહેરા પર વધુ ઘસારો ટાળવો, કારણ કે તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. સ્નાન કર્યા બાદ મોઈશ્ચરાઇઝર લગાવવાથી ત્વચાની નમી જાળવી શકાય છે. નિષ્ણાત તબીબે જણાવ્યું કે, જો થોડી તકેદારી રાખવામાં આવે તો ધૂળેટીના પર્વનો આનંદ સુરક્ષિત રીતે માણી શકાય છે અને ત્વચા તથા વાળને થતા નુકસાનથી બચી શકાય છે.
સુરત પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના પત્ની સંધ્યા સિંહ ગેહલોતે અડાજન સ્થિત 'જીવન વિકાસ ટ્રસ્ટ' ખાતે દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી કરી હતી. સામાન્ય રીતે કડક છબી ધરાવતી પોલીસનો આજે એક અત્યંત સંવેદનશીલ અને માનવીય ચહેરો જોવા મળ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બાળકો સાથે ગુલાલ ઉડાડીને તેમની ખુશીઓમાં સહભાગી થયા હતા. પિચકારી અને ભેટ મળતા બાળકોના ચહેરા ખીલી ઉઠ્યાપોલીસ કમિશનર અને તેમના પરિવાર દ્વારા આ ખાસ અવસરે દિવ્યાંગ બાળકોને પિચકારી, રંગો અને વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી. વરદીના શિસ્ત વચ્ચે પણ બાળકો સાથે બાળક બનીને રમનારા પોલીસ અધિકારીઓને જોઈ આસપાસના લોકો પણ પ્રભાવિત થયા હતા. બાળકોને જ્યારે નવી પિચકારીઓ અને મીઠાઈઓ મળી, ત્યારે તેમના નિર્દોષ ચહેરા પરની મુસ્કાન આખા વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું. કમિશનર ગેહલોતે જણાવ્યું હતું કે, આ બાળકો સાથે સમય વિતાવવો એ તેમના માટે આજના દિવસની સૌથી મોટી ભેટ છે. દિવ્યાંગ બાળકોનો પ્રેમ જોઈ સંધ્યા સિંહની આંખો ભીની થઈઆ કાર્યક્રમ દરમિયાન એક અત્યંત ભાવુક દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. દિવ્યાંગ બાળકોનો નિર્દોષ પ્રેમ અને તેમની પરિસ્થિતિ જોઈને પોલીસ કમિશનરના પત્ની સંધ્યા સિંહ ગેહલોત પોતાના આંસુ રોકી શક્યા નહોતા. બાળકો જ્યારે તેમની સાથે રંગે રમવા લાગ્યા ત્યારે તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાં અશ્રુ જોવા મળ્યા હતા. તેમણે બાળકોને વહાલ કરી હૈયા સરસા ચાંપ્યા હતા. આ ક્ષણ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકો માટે હૃદયસ્પર્શી બની રહી હતી, જે દર્શાવે છે કે માનવતાના સંબંધો વરદી કે હોદ્દાથી ઘણા ઉપર હોય છે. જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે ઉત્સવ જેવો માહોલઅડાજન ખાતે આવેલા જીવન વિકાસ ટ્રસ્ટમાં આયોજિત આ કાર્યક્રમમાં સુરત પોલીસના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. ટ્રસ્ટના સંચાલકોએ પોલીસના આ પ્રયાસની પ્રશંસા કરતા કહ્યું હતું કે, સમાજના આ વિશિષ્ટ બાળકોને જ્યારે આવા ઉચ્ચ અધિકારીઓનો સથવારો મળે છે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે છે. પોલીસે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે તહેવારોની સાચી વ્યાખ્યા સાર્થક કરી બતાવી છે. આ ઉજવણી સુરત પોલીસના ઈતિહાસમાં એક યાદગાર સંભારણું બની રહેશે.

27 C