SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

ગઢડા નગરપાલિકા પ્રમુખે રાજીનામું આપ્યું:ભાજપમાં વિખવાદ અને ભ્રષ્ટાચારના કોંગ્રેસે આક્ષેપો કર્યા

ગઢડા નગરપાલિકાના પ્રમુખે અચાનક રાજીનામું આપતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીએ આ રાજીનામા પાછળ ભાજપનો આંતરિક વિખવાદ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ભાજપમાં વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે, જેના કારણે પ્રમુખે માત્ર છ મહિનામાં જ પદ છોડવું પડ્યું છે. વેલાણીએ વધુમાં આક્ષેપ કર્યો કે શહેરમાં કોઈ વિકાસના કામો થતા નથી. નગરપાલિકાના સભ્યો પોતે જ કોન્ટ્રાક્ટર બનીને કામો કરે છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીના મતે, પ્રમુખનું રાજીનામું એ જ દર્શાવે છે કે ભાજપમાં કેટલો આંતરિક વિખવાદ પ્રવર્તી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:55 pm

પોરબંદર જિલ્લામાં ખેલ મહાકુંભ 2025નો પ્રારંભ:તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓ ઉત્સાહભેર યોજાઈ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ખેલ મહાકુંભ - ૨૦૨૫ અંતર્ગત પોરબંદર જિલ્લામાં વિવિધ રમતોત્સવ સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે. આ સ્પર્ધાઓ તાલુકાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ (ઉત્તર-દક્ષિણ ઝોન) ઉત્સાહભેર યોજાઈ રહી છે. પોરબંદર તાલુકા, કુતિયાણા અને રાણાવાવ તાલુકાકક્ષાએ પણ વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના સર્વાંગી રમત વિકાસને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર – પોરબંદર દ્વારા સંકલન સાધવામાં આવ્યું છે.આ ખેલ મહાકુંભ અંતર્ગત રાણાવાવ તાલુકાકક્ષાએ ઓ અને બહેનો માટેની વોલીબોલ સ્પર્ધાનું આયોજન એમ.એમ.કે. હાઈસ્કૂલ, રાણા કંડોરણા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી અંદાજિત ૧૪૪ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સ્પર્ધાની શુભારંભ વિધિ જિલ્લા રમત અધિકારી ડૉ. પ્રવિણાબેન પાંડાવદરાના પ્રેરક સંબોધનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્પર્ધામાં યોગદાન બદલ સિગ્મા સ્કૂલ, વનાણના વ્યાયામ શિક્ષક મહેન્દ્ર ડોડીયા અને પી.એમ.શ્રી કન્યા શાળા, રાણાવાવના આ.સી. શિક્ષક મલેક્ જાદવનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન વિધિનું આયોજન રમત કન્વીનર ઘેલુ કાંબલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.વોલીબોલ કોર્ટ પાસે મોટી સંખ્યામાં ઉત્સાહિત રમતપ્રેમીઓ, વાલીઓ તેમજ જિલ્લાની વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો અને કોચ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓમાં ઉત્તેજના અને રમતભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. આ સ્પર્ધાઓમાં અંડર–14, અંડર–17 અને ઓપન એજ કેટેગરીનો સમાવેશ થાય છે, જેમાં ઓ અને બહેનો બંને ભાગ લઈ શકે છે. આ ખેલ મહાકુંભ ખેલાડીઓને તેમની રમત પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે અને સુવ્યવસ્થિત આયોજન સાથે રમતક્ષેત્રે પ્રોત્સાહક માહોલ ઊભો કરે છે.ખેલ મહાકુંભ - ૨૦૨૫નું આયોજન જિલ્લાના હજારો ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટેની એક અનોખી અને મહત્વપૂર્ણ પહેલ છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:51 pm

કરગટમાં તળાવ ખોદકામ સામે ઓડ સમાજનો વિરોધ:મૃતકોના અસ્થિ લઈ જવાના આક્ષેપ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર

ભરૂચ તાલુકાના કરગટ ગામે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે સ્થાનિક ઓડ સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સમાજના સભ્યોએ આ કાર્યવાહી અટકાવી જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની પગલાં લેવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ઓડ સમાજના લોકો પેઢીઓથી કરગટ ગામમાં વસે છે. તેમની પરંપરા મુજબ, સ્વર્ગસ્થ સ્વજનોને ગામના તળાવની જમીનમાં દફનાવવામાં આવે છે. હાલમાં, પંચાયત કમિટીએ તળાવના બ્યુટિફિકેશનના બહાને નાણાકીય લાભ માટે માટી ખોદકામનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો આક્ષેપ છે. આ ખોદકામ દરમિયાન જેસીબી મશીનો દ્વારા સમાજના સ્મશાન વિસ્તારમાં માટી ઉપાડવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં મૃતકોના હાડપિંજરો બહાર આવી રહ્યા છે અને ટ્રકોમાં ભરીને અન્યત્ર લઈ જવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમાજના આગેવાનોએ આ ઘટનાને અમાનવીય ગણાવી તાત્કાલિક ખોદકામ બંધ કરાવવાની માંગ કરી છે. ઉપરાંત, સ્મશાન માટેની આ જમીન ઓડ સમાજના નામે જાહેર કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:48 pm

ગોધરામાં 27 શ્રમિકોને ST બસે રઝળાવ્યાં:ઓનલાઈન ટિકિટ બુકીંગ હોવા છતાં જામનગર જતી બસ શ્રમિકોને લીધા વગર ઉપડી ગઈ હોવાના આક્ષેપ

પંચમહાલ જિલ્લાના ગોધરા બસ સ્ટેશન ખાતે જામનગર જતી એસટી બસ ૨૭ જેટલા શ્રમિક મુસાફરોને લીધા વગર જતી રહેતા તેઓને કલાકો સુધી રઝળવું પડ્યું હતું. આ શ્રમિકો દિવાળી પૂરી થયા બાદ જામનગર ખાતે ખેતમજૂરીના કામકાજ માટે જઈ રહ્યા હતા અને તેઓએ ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ કરાવ્યું હતું. દિવાળીના તહેવારના સમાપન બાદ પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના મજૂરો સૌરાષ્ટ્ર વિસ્તારમાં મજૂરી કામ અર્થે જતા હોય છે. આવા જ 27 શ્રમિકો, જેમાં શહેરા તાલુકાના નાડા ગામના રહેવાસીઓ પોતાના પરિવાર સાથે જામનગર જવા માટે ગોધરા બસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓએ દાહોદથી જામનગર જતી બસ માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી, જેથી તેમને સીટ મળી શકે. જોકે, બસ તેમને લીધા વગર જ આગળ નીકળી ગઈ હતી. આ ઘટનાને કારણે નાના બાળકો અને મહિલાઓ સહિતના શ્રમિકોને કલાકો સુધી બસ સ્ટેશન પર બેસી રહેવાનો વારો આવ્યો હતો. આ બસ ડાકોર ડેપોની હતી. 27 શ્રમિકોએ ડાકોર એસટી વિભાગને આ બાબતે જાણ કરી હતી, પરંતુ એસટી વિભાગ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે, તેમણે પોતાની રીતે સગવડ કરી લેવી પડશે અને રિફંડ પણ મળશે નહીં. ગોધરા એસટી ડેપો પર હાજર શહેરા તાલુકાના નાડા ગામના પ્રવીણસિંહ ગણપતિ પગી નામના શ્રમિકે ગોધરા એસટી વિભાગને પણ આ બાબતે જાણ કરી હતી, પરંતુ બસ નીકળી જવાના કારણે કોઈ મદદ મળી શકી ન હતી. આ મામલે ડાકોર ડેપોના સિનિયર મેનેજરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમણે તાત્કાલિક ડ્રાઈવર અને કંડક્ટરને બોલાવીને તપાસ કરી હતી. મેનેજરના જણાવ્યા અનુસાર, આ મુસાફરોને દાહોદથી બસમાં બેસવાનું હતું. કંટ્રોલરે એનાઉન્સમેન્ટ પણ કરાવ્યું હતું અને ત્યાં ડેપો પર પણ તપાસ કરાવી હતી, પરંતુ કોઈ મુસાફરો હાજર નહોતા. બસ ભરેલી હતી અને સમયસર હોવાથી કોઈ રિફંડ મળી શકે તેમ નથી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:46 pm

એસ.એસ.અગ્રવાલ કોલેજમાં સમય બદલાતા વિદ્યાર્થીઓનો વિરોધ:ફિઝીયોથેરાપી બાદ નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓ પણ મેદાનમાં, ટ્રસ્ટીએ સોમવાર સુધીમાં નિરાકરણની ખાતરી આપી

એસ.એસ. અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી અને નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓએ સંસ્થાના સમયપત્રકમાં અચાનક કરેલા ફેરફાર સામે સખત વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, નવા બદલાયેલા સમયને કારણે તેમની દૈનિક દિનચર્યા, પરીક્ષાની તૈયારી અને ખાસ કરીને જાહેર પરિવહન પર નિર્ભર વિદ્યાર્થીઓની સુરક્ષાને ગંભીર અસર પડી રહી છે. 'દૂર-દૂરથી આવતા વિદ્યાર્થીઓને મોડું થાય'ફિઝીયોથેરાપી વિભાગના વિદ્યાર્થી પ્રતિનિધિ મિતાલી પટેલે જણાવ્યું કે, તેમનો જૂનો સમય સવારે 9:00 થી સાંજે 4:00 વાગ્યાનો હતો, જે બદલીને હવે સવારે 8:45 થી સાંજે 4:30 કરી દેવામાં આવ્યો છે. ભલે આ ફેરફાર માત્ર 30 મિનિટનો હોય, પરંતુ સાંજે 4:30 વાગ્યે છૂટવાથી દૂર-દૂરથી આવતા વિદ્યાર્થીઓને મોડું થાય છે. 'છોકરીઓ માટે સુરક્ષાની ગંભીર ચિંતા'મિતાલી પટેલે વધુમાં જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ સવારે વહેલા નીકળીને સાંજે 6:00થી 8:00 વાગ્યે ઘરે પહોંચતા હતા, તેમને હવે વધુ મોડું થશે. આના કારણે તેમની પરીક્ષાની તૈયારી, ભોજન અને દૈનિક દિનચર્યા ગંભીર રીતે ખોરવાઈ જશે. તેમણે ખાસ ચિંતા વ્યક્ત કરી કે, છોકરીઓ માટે રાત્રે મોડેથી ઘરે પહોંચવું એ સુરક્ષાની ગંભીર ચિંતા ઊભી કરે છે. વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટને આ મુદ્દે ત્રણ વખત લેખિત અરજી આપી હતી, પરંતુ મેનેજમેન્ટે કાં તો અરજી મળી ન હોવાનું જણાવ્યું અથવા તો મામલો ટાળી દેતા કહ્યું કે અડધો કલાકમાં શું જ ફરક પડી જશે? 'અમને અમારો જૂનો સમય જોઈએ'આ વિરોધમાં હવે નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. નર્સિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી ટીશાએ માહિતી આપી કે, અન્ય વિભાગોનો નવો સમય 8:45 થી 4:30 છે, પરંતુ તેમના ખાલી નર્સિંગ ડિપાર્ટમેન્ટ માટે જ સમય સવારે 8:30 થી સાંજે 4:30 કરવામાં આવ્યો છે. ટીશાએ કહ્યું કે, અમને અમારો જૂનો સમય જોઈએ, કેમકે બધા વિદ્યાર્થીઓ ધરમપુર, ચીખલી, ઉમરાટ જેવા દૂર-દૂરના વિસ્તારોમાંથી આવે છે. હવે વિન્ટરનો ટાઈમ છે, બધા લેટ પહોંચે, અંધારું થઈ જાય તો અમારી સેફ્ટી માટે શું છે? તેમણે મેનેજમેન્ટને જૂનો સમય તાત્કાલિક લાગુ કરવા વિનંતી કરી છે. ટ્રસ્ટી મુકેશ અગ્રવાલની ખાતરીઆ મામલે એસએસ અગ્રવાલ કોલેજના ટ્રસ્ટી મુકેશ અગ્રવાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ વચ્ચે મીટીંગ થઈ હતી. તેમણે વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે, આ મામલે સોમવાર સુધીમાં સુખદ નિરાકરણ લાવવામાં આવશે અને વિદ્યાર્થીઓની માંગ મુજબ જુનો સમય લાગુ પડે તે દિશામાં વિચારણા હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ પર યોગ્ય નિર્ણય લેવા દબાણ કરવા માટે જાહેરમાં વિરોધ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:42 pm

રાજ્ય સરકાર ખેડૂતો માટે આજે મોટો નિર્ણય લઈ શકે છે:CM ભૂપેન્દ્ર પટેલે સાંજે સમીક્ષા બેઠક બોલાવી, પાક સહાય પેકેજની જોગવાઈઓને અંતિમ રૂપ અપાશે

રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થઈ શકે છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપવા માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણાંમંત્રી પણ ઉપસ્થિત રહેશે. સાંજે કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા બેઠકઆ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા કરવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર પેકેજના માપદંડો, સહાયની રકમ અને નાણાકીય જોગવાઈઓને અંતિમ રૂપ આપશે, જેથી ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે. રાજ્ય સરકાર ખેડૂતોને ઐતિહાસિક રાહત આપવા માટે તૈયાર હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જરૂરી હોય તો નિયમોમાં ફેરફાર કરીને પણ સહાય આપવાનો નિર્ણય લેવાઈ શકે છે. માવઠાંથી 16 હજાર ગામ અને 42 લાખ હેક્ટરના વાવેતરને નુકસાનજીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સર્વેનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે. એસડીઆરએફના ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવવા માટે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે અને રાજ્ય સરકારના ભંડોળમાંથી પણ સહાય ચૂકવવાની વિચારણા ચાલી રહી છે. લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. આ પણ વાંચો:ખેડૂતો માટે 7,000 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર થઇ શકે કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે જીતુ વાઘાણીની બેઠકઆજે 7 નવેમ્બરે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કૃષિવિભાગ દ્વારા જે પંચકામ કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે જાણી શકાય તે માટે આ બેઠક કરવામાં આવી હતી. હવે આ બેઠક બાદ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આ પેકેજ આર્થિક હૂંફરૂપ બનશે એવી આશા વ્યક્ત થઈ રહી છે. ખેડૂતોની નજર આજની બેઠક પરગાંધીનગરમાં હાલ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓનો ધમધમાટ છે. જો આ પેકેજ જાહેર થાય છે તો લાખો ખેડૂતોને તેનો સીધો લાભ મળશે અને તેઓ ફરીથી પાક વાવણી માટે પ્રેરણા મેળવી શકશે. આજની બેઠક બાદ જો તમામ વિભાગોમાં સહમતી બને, તો રાજ્ય સરકાર આવનારા દિવસોમાં રાહત પેકેજ જાહેર કરી શકે છે. એટલે ખેડૂતોની નજર આજની બેઠક પર ટકેલી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ફટકોઆ વખતે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંય ગામડાંમાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. એને કારણે નુકસાન વધ્યું છે. જાણકારોનું માનવું છે કે આ વર્ષે 22 લાખ હેક્ટરથી વધુની જમીનમાં માત્ર મગફળીનું જ વાવેતર થયું હતું. એમાં પણ માત્ર સૌરાષ્ટ્રમાં જ 16 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું. એનું કારણ એવું છે કે ગત વર્ષે કપાસના ભાવો ઊપજ્યા નહોતા, આથી ખેડૂતોએ કપાસને બદલે મગફળી વધુ વાવી હતી. આ વધુ વાવેતર જ ખેડૂતોની આંખોમાં વધુ પાણી લાવી રહ્યું છે. આ પણ વાંચો:માવઠાંથી 16 હજાર ગામ અને 42 લાખ હેક્ટરના વાવેતરને નુકસાન,સરકાર પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદશે 2020 અને 2024 કરતાં આ વખતે સ્થિતિ વધારે ખરાબ2020માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન પેટે એ સમયે સરકારે 3795 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદને કારણે પણ પાકને નુકસાન થતાં સરકારે ખેડૂતો માટે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું, જોકે એ વખતે પંચમહાલ, કચ્છ, વાવ-થરાદ, પાટણ અને જૂનાગઢ એમ માત્ર 5 જ જિલ્લાના માત્ર 18 તાલુકાનો જ સમાવેશ કર્યો હતો. એ અગાઉ પણ ગત વર્ષે ઓક્ટોબર-2024માં કમોસમી વરસાદથી 20 જિલ્લાના 136 તાલુકાનાં 6112 ગામમાં પાકને નુકસાન થયું હતું, જેને કારણે સરકારે 1462 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જ્યારે આ વખતની સ્થિતિ વધુ ખતરનાક હોવાથી પેકેજની રકમ વધારવી પડે એમ છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રાહત પેકેજ વખતે કઈ રીતે ગણતરી થઈ હતી?ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકારે પાક નુકસાનીની ટકાવારી અને પાકના પ્રકારને આધારે સહાયની રકમ નક્કી કરી હતી. એમાં બિનપિયત ખેતી પાક માટે 33% કે તેથી વધુ નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર 12 હજાર રૂપિયાની સહાય નક્કી કરાઇ હતી. જ્યારે પિયત પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 22 હજાર રૂપિયાની તેમજ બાગાયતી પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 27500 રૂપિયાની સહાય જાહેર કરાઇ હતી. ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને જમીની સુધારણા કામગીરી માટે પણ વિશેષ સહાય આપવાનું જાહેર કરાયું હતું. જે પ્રતિ હેક્ટર 20 હજાર રૂપિયા નક્કી કરાઇ હતી. રાહત પેકજ જાહેર કરવામાં સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખશેવ્યાપક નુકસાન અને ખેડૂતોના રોષ વચ્ચે રાહત પેકેજ તૈયાર કરવાનું કામ સરકાર માટે અઘરું છે, કેમ કે જો રકમ ઓછી હશે તો ખેડૂતોમાં સરકાર સામેનો રોષ વધશે, જે સરકારને પોષાય એમ નથી, આથી જ સરકારે ટોચના અધિકારીઓને સૂચના આપી છે કે વાસ્તવમાં જે નુકસાન થયું હોય એની મહત્તમ ભરપાઈ થઇ શકે એ રીતનું વળતર ખેડૂતોને મળે એવું પેકેજ તૈયાર કરવું. આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સરકારને ચિંતા છે, કેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કદાચ આ રાહત પેકેજની કોઇ સકારાત્મક કે નકારાત્મક અસર નહીં થાય, પણ ગામડાંમાં એની વિશેષ અસર થઇ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસનું તેમજ આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ છે, જેથી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેકેજ તૈયાર કરાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:39 pm

ભત્રીજાએ કાકી પર લૂંટના ઇરાદે હુમલો કર્યો:ગઢડાના સીતાપર ગામે દેવું ચૂકવવા દાગીના લૂંટવાનો પ્રયાસ, પોલીસે ધરપકડ કરી

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપર ગામે વૃદ્ધ મહિલા પર થયેલા જીવલેણ હુમલાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં વૃદ્ધ મહિલાનો સગો ભત્રીજો જ આરોપી નીકળ્યો છે, જેણે દેવું ચૂકવવાના ઇરાદે લૂંટનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી કાનજી ઉર્ફે કાન્તિ રામજી સતાણીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત ૩ નવેમ્બરના રોજ કાનજી સતાણીએ પોતાના સગા કાકીને નિશાન બનાવીને લૂંટના ઇરાદે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી કાનજી સતાણીને મોટું દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે શોર્ટકટ અપનાવવાનું નક્કી કર્યું અને પોતાના જ કાકીના કાનમાં પહેરેલા સોનાના દાગીના લૂંટવાનો ઘાતકી પ્લાન બનાવ્યો હતો. આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા માટે બોટાદ પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. પોલીસની ટીમ સાથે આવેલો 'જેની' નામનો ડોગ આરોપીના ઘર પાસે જઈને ઊભો રહેતા પોલીસને કાનજી પર શંકા ગઈ હતી. ડોગ સ્ક્વોડના આ સંકેતને પગલે પોલીસે કાનજી ઉર્ફે કાન્તિની સઘન પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપી કાનજી સતાણીએ દેવું ચૂકવવાના બદઈરાદાથી કાકી પર હુમલો કર્યાની કબૂલાત કરી હતી. બોટાદ ડિવાયએસપી મહર્ષિ રાવલે આ અંગે માહિતી આપી હતી અને પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:36 pm

'પાટણ જિલ્લાને કમોસમી વરસાદ સહાયમાંથી બાકાત રખાયો':કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નેતૃત્વમાં આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાયમાંથી પાટણ જિલ્લાને બાકાત રાખવાના રાજ્ય સરકારના નિર્ણય સામે સિદ્ધપુર કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ઉત્તર ગુજરાતમાં વારંવાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા બાદ ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયેલા છે. પાક નિષ્ફળ જતાં તેમની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે. મગફળીનો પાક નાશ પામતા પશુપાલકોને ઘાસચારાની પણ તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે કે, રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના નુકસાન માટે સર્વેની કામગીરી ચાલી રહી છે, પરંતુ તેમાંથી પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે. કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો કે જો આસપાસના તમામ જિલ્લાઓમાં સર્વે ચાલુ હોય તો પાટણને શા માટે બાકાત રખાયો છે. આ પ્રકારની ભેદભાવપૂર્ણ નીતિ ખેડૂતો માટે અયોગ્ય છે. કોંગ્રેસે ગુજરાત સરકાર પાસે તાત્કાલિક સિદ્ધપુર તાલુકા અને પાટણ જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરાવી સહાય આપવાની માગણી કરી. આ ઉપરાંત, ખેડૂતોના પાક ધિરાણ માફ કરવાની પણ રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પાટણના ખેડૂતોને ન્યાય નહીં મળે અને સહાયની જાહેરાત નહીં થાય, તો પક્ષ ખેડૂતોના હિતમાં ઉગ્ર આંદોલન શરૂ કરશે. આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હમીદભાઈ માંકણોજીયા, સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ હર્ષદભાઈ પાધ્યા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:36 pm

બાઇકને ફંગોળી ક્રૂઝર કાર વીજ DP સાથે અથડાઈ, CCTV:નોકરીથી ઘરે જઈ રહેલા બાઇકચાલકનું મોત, ગાડીચાલક વાહન મૂકી ફરાર, સારસા-ખંભોળજ રોડ પર અકસ્માત

આણંદ તાલુકાના સારસા-ખંભોળજ રોડ પર ગત રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્રૂઝર ગાડીએ બાઈકને ટક્કર માર્યા બાદ બેકાબૂ બની વીજ DP સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈકચાલકનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે ગાડી ચાલક વાહન મુકીને ફરાર થઈ ગયો છે. જેને પગલે ખંભોળજ પોલીસે ક્રુઝર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક નોકરી પરથી છુટીને ઘરે જતો હતોઉમરેઠના ધોળી ગામમાં રહેતો તુષાર પરમાર સારસા સ્થિત સત્યેન્દ્ર પેકેઝીંગ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં નોકરી કરતો હતો. આ તુષાર નિત્યક્રમ મુજબ ગતરોજ સાંજના છ વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને નોકરીએ ગયો હતો. રાત્રીના એક વાગ્યે નોકરી પરથી છુટી બાઈક લઈને પરત ઘરે જઈ રહ્યો હતો. ક્રૂઝર ગાડીએ ટક્કર મારીરાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તે સારસા-ખંભોળજ રોડ પરથી પસાર થતો હતો. તે વખતે માર્ગ પર પુરપાટ ઝડપે પસાર થતી ક્રૂઝર ગાડીના ચાલકે તુષારૉના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેથી તુષાર બાઈક પરથી નીચે પટકાયો હતો અને ઢસડાઈને રોડની સાઈડમાં આવેલા પેટ્રોલપંપના ડિવાઇડર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં તુષારને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસ્યાં બાદ તુષાર પરમારને મૃત જાહેર કર્યાં છે. ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયોઆ બનાવ અંગે મૃતક તુષારના પિતા હસમુખ પરમારે ક્રૂઝર ગાડીના અજાણ્યા ચાલક વિરુદ્ધ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગાડીની ટક્કરથી વીજ થાંભલો તુટી ગયો, DPમાં ધડાકો થયોબાઇકને ટક્કર માર્યા બાદ બેકાબૂ બનેલી ક્રૂઝર ગાડી થોડે આગળ જઈને રોડની સાઈડમાં વીજ ડી.પી.ના થાંભલા સાથે અથડાઈ હતી. ગાડી અથડાવાથી વીજ થાંભલો તુટી ગયો હતો, તેમજ વીજ ડી.પી માં ધડાકો થયો હતો. જે બાદ ચાલક પોતાની ગાડી સ્થળ પર મુકી ભાગી ગયો હતો. તુષાર સવાર સુધી ઘરે ન આવતાં, અમે તપાસ કરી ને અકસ્માતની જાણ થઈઆ અંગે મૃતકના પિતા હસમુખભાઈ જણાવે છે કે, મારો દિકરો તુષાર રાત્રે એક વાગ્યે નોકરી પરથી છુટી, દોઢ-બે વાગ્યા સુધીમાં ઘરે આવી જતો હોય છે. પરંતુ આજરોજ સવારના સાડા છ વાગે હું પથારીમાંથી ઉઠ્યો, તે વખતે મારો દિકરો તુષાર નોકરી પરથી ઘરે આવ્યો ન હતો અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી મને ચિંતા થતા મેં મારા મોટા દિકરા રાજવીરને કંપનીમાં તપાસ કરવા મોકલ્યો હતો. તે વખતે તુષારનું બાઇક ખંભોળજ-સારસા રોડ ઉપર આવેલી ઇન્ડીયન પેટ્રોલપંપ પાસે રોડ ઉપર અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. આ અંગે રાજવીરે પેટ્રોલપંપ ઉપર નોકરી કરતા માણસોની પુછપરછ કરતાં, ક્રૂઝર ગાડીના ચાલકે આ બાઇકને ટક્કર મારી, અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:36 pm

કરમસદમાં વંદે માતરમ્ રાષ્ટ્રગીતના 150 વર્ષની ઉજવણી:મૂળ સ્વરૂપમાં સમૂહગાન સાથે સ્વદેશી અપનાવવા શપથ લેવાયા

ભારતના રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ની રચનાને 7 નવેમ્બરના રોજ 150 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે કરમસદના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ 'વંદે માતરમ્' રાષ્ટ્રગીતનું તેના મૂળ સ્વરૂપમાં સમૂહગાન કર્યું હતું. ત્યારબાદ સ્વદેશી અપનાવવા માટેના શપથ પણ લેવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વંદે માતરમ્ માત્ર એક શબ્દ કે સામાન્ય નારો નથી, પરંતુ તે એક ક્રાંતિકારી મંત્ર છે. વંદે માતરમ્ સાંભળતા જ દેશના ૧૪૦ કરોડ લોકોના મનમાં ચેતના જાગે છે. આ ગીત ભારતની આત્માનો નાદ છે અને ભારતના આત્મામાં અનંત ઊર્જા તથા એકતાનો સંકલ્પ જગાવે છે. પટેલે વધુમાં ઉમેર્યું કે, આ રાષ્ટ્રગીતની રચના ૧૮૭૫માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. વંદે માતરમ્ રાષ્ટ્રગીત માં ભારતીના વાત્સલ્યનો અનુભવ કરાવે છે. તેમણે વિકસિત રાષ્ટ્ર અને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા તથા ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે સૌને સંકલ્પબદ્ધ થઈને સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, નગરજનો અને પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:35 pm

સેલ્સમેને ડિસ્ટ્રીબ્યુટર સાથે રૂ. 7.26 લાખની છેતરપિંડી કરી:હેપ્પી મોબાઈલના નામે નકલી બિલ બનાવી 56 ફોનની ઉચાપત કરી

નવસારીના જાણીતા મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટર રામચંદ્ર દાસભાઈ બુધાણીએ તેમના વિશ્વાસુ સેલ્સમેન જેકી લક્ષ્મણભાઈ ધનવાણી સામે રૂ. 7.26 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સેલ્સમેને 'હેપ્પી મોબાઈલ' નામની દુકાનના નામે નકલી બિલ બનાવી કુલ 56 મોબાઈલ ફોનની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. નવસારીના છાપરા રોડ પર તુલસીવન સોસાયટીમાં રહેતા 54 વર્ષીય રામચંદ્ર દાસભાઈ બુધાણી વર્ષ 2008થી 'શ્યામ સેલ્યુલર'ના નામે રિયલમી કંપનીના મોબાઈલના નવસારી અને ડાંગ-આહવા જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર તરીકેનો વ્યવસાય ચલાવે છે. તેમની સાથે ચાર કર્મચારીઓ કામ કરે છે, જેમાં જેકી લક્ષ્મણભાઈ ધનવાણી છેલ્લા દોઢ વર્ષથી સેલ્સમેન તરીકે ફરજ બજાવતા હતા. જેકી ધનવાણીને માસિક રૂ. 25,000નો પગાર મળતો હતો. તેમનું કામ રીટેલ દુકાનોમાંથી ઓર્ડર મેળવી, બિલિંગ સિસ્ટમમાં એન્ટ્રી કરી અને મોબાઈલની ડિલિવરી કરવાનું હતું. આ છેતરપિંડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 'હેપ્પી મોબાઈલ' (માલિક જયમીન બુધાભાઈ પટેલ) દ્વારા રિયલમી 15T 5G મોડેલના મોબાઈલની ખરીદી અંગે પૂછપરછ કરવામાં આવી. જયમીન પટેલે જણાવ્યું કે તેમણે 28 ઓક્ટોબરના રોજ તે મોડેલનો કોઈ ઓર્ડર આપ્યો ન હતો અને તેમને કોઈ ડિલિવરી પણ મળી ન હતી. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે જેકી ધનવાણીએ 'હેપ્પી મોબાઈલ'ના નામે કુલ 56 મોબાઈલ ફોનના નકલી બિલ બનાવ્યા હતા. આ ફોન તેણે પોતાની પાસે રાખી લીધા હતા અને આશરે રૂ. 7,26,664/- ની છેતરપિંડી આચરી હતી. બુધાણીના જણાવ્યા મુજબ, જેકી ધનવાણીએ 7 થી 8 મોબાઈલ ફોન સુરત ખાતે વેચી નાખ્યા હોવાની કબૂલાત કરી છે, પરંતુ બાકીના મોબાઈલ અંગે સંતોષકારક જવાબ આપ્યો નથી કે માલ પરત કર્યો નથી. આ મામલે રામચંદ્ર બુધાણીએ નવસારી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આર્થિક છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:33 pm

કાળકા પમ્પિંગ સ્ટેશનનું પાણી શંકાસ્પદ:આરોગ્ય વિભાગે વધુ સેમ્પલ લીધા, પાણીની ગુણવત્તા પર લાંબા સમયથી પ્રશ્નો

પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કાળકા પમ્પિંગ સ્ટેશનનું પાણી શંકાસ્પદ જણાતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટના પાણીની ગુણવત્તા પર લાંબા સમયથી પ્રશ્નો ઉઠી રહ્યા હતા, અને તાજેતરમાં સરોવરમાં મૃત કૂતરા અને માછલીઓ મળી આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. અલ્કેશ સોહલ અને તેમની ટીમે સ્થળની મુલાકાત લીધી હતી. ટીમે પાણીના સેમ્પલ એકત્ર કરીને પરીક્ષણ માટે મોકલ્યા હતા. પાટણ નગરપાલિકા દ્વારા નર્મદાનું પાણી સિદ્ધિ સરોવરમાં ઠાલવી, ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરીને વિતરણ કરાય છે. આરોગ્ય ટીમે સિદ્ધિ સરોવર પમ્પિંગ સ્ટેશન, મોતીસા દરવાજા પમ્પિંગ સ્ટેશન, ઝીણી પોળ અને કાળકા વિસ્તાર સહિત ચાર અલગ-અલગ પમ્પિંગ સ્ટેશન પરથી પાણીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ પાણી પુરવઠા બોર્ડની કચેરી, જળભવન ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ચાર સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ડો. અલ્કેશ સોહલે જણાવ્યું હતું કે, ત્રણ સ્થળોના પાણી પીવાલાયક જણાયા છે, પરંતુ કાળકા પમ્પિંગ સ્ટેશનનું સેમ્પલ શંકાસ્પદ આવ્યું છે. આ શંકાસ્પદ રિપોર્ટને પગલે આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક કાળકા વિસ્તારના કાળકા સંપ, નીલ કમલ સોસાયટી અને જીમખાના પાસેની ક્રિષ્ણા રેસિડન્સી એમ ત્રણ અન્ય વિસ્તારોમાંથી ફરીથી પાણીના સેમ્પલ લીધા છે. આ સેમ્પલ પણ જળ વિભાગમાં રિપોર્ટ માટે મોકલી અપાયા છે. ડો. સોહેલે નગરપાલિકાને તમામ પમ્પિંગ સ્ટેશનો પર સમયસર ક્લોરીનેશન કરીને જ શહેરીજનોને પાણી આપવા સૂચના આપી છે. વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા નગરજનોને શંકાસ્પદ પાણીનો મામલો થાળે ન પડે ત્યાં સુધી પીવાનું પાણી ઉકાળીને પીવા વિનંતી કરાઈ છે, જેથી પેટ સંબંધિત તકલીફો ટાળી શકાય. સિદ્ધિ સરોવરમાં બનેલી ઘટના અને કાળકા વિસ્તારના સેમ્પલ શંકાસ્પદ આવતા શહેરભરમાં પાણીની ગુણવત્તા અંગે ચિંતા વ્યાપી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:32 pm

અમરેલીમાં 'વંદે માતરમ્'ના 150 વર્ષની ઉજવણી:રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ સ્વદેશી વસ્તું અપનાવવા લોકોને અપીલ કરી

અમરેલી જિલ્લામાં 'વંદે માતરમ્' રાષ્ટ્રગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ રાજ્ય કક્ષાના કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા પંચાયતના પ્રાંગણમાં યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ ભરત સુતરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધ સમિતિના અધ્યક્ષો, જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.જે.જાડેજા સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં 'વંદે માતરમ્'-૧૫૦ની ઉજવણી થઈ રહી છે. તેમણે 'વંદે માતરમ્'ને ક્રાંતિ મંત્ર ગણાવ્યો હતો, જે દેશના 140 કરોડ નાગરિકોના હૃદયમાં દેશપ્રેમની ભાવના જગાડે છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, 'વંદે માતરમ્' એટલે ભારત માતાને અને આ દેશની માટીને નમન કરવાનો ભાવ. આ માત્ર એક ગીત નથી, પરંતુ ભારતની આત્માનો નાદ, અનંત ઊર્જાનો સંકલ્પ અને પવિત્ર ધ્વનિ છે. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીતનું સમૂહ પઠન કર્યું હતું અને 'સ્વદેશી અભિયાન' અંતર્ગત શપથ ગ્રહણ કર્યા હતા. મંત્રીએ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:30 pm

સુરેન્દ્રનગરમાં મહિલાનું ₹83,000નું પાકીટ પરત મળ્યું:નેત્રમ CCTVની મદદથી પોલીસે રિક્ષાચાલક શોધી કાઢ્યો

સુરેન્દ્રનગરમાં નેત્રમ પ્રોજેક્ટની મદદથી એક મહિલાનું ₹83,000ની કિંમતનું પાકીટ પરત કરવામાં આવ્યું છે. વઢવાણ તાલુકાના ખારવા ગામના અરુણાબેન જોષી ખરીદી કરવા સુરેન્દ્રનગર આવ્યા હતા ત્યારે તેમનું પાકીટ રિક્ષામાં ભૂલી ગયા હતા. આ પાકીટમાં આશરે દોઢ તોલાની ₹80,000ની કિંમતની સોનાની બુટ્ટીઓ અને ₹3,000 રોકડા મળી કુલ ₹83,000નો કીમતી સામાન હતો. અરુણાબેન જવાહર ચોકથી રિક્ષામાં બેસી એસ.ટી. બસ સ્ટેન્ડ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ અંગે નેત્રમ કંટ્રોલ રૂમને જાણ થતાં, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત નેત્રમ સુરેન્દ્રનગરના સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી. સીસીટીવી ફૂટેજની મદદથી અરુણાબેન જે રિક્ષામાં બેઠા હતા તેનો રજિસ્ટ્રેશન નંબર GJ-23-AV-0012 શોધી કાઢવામાં આવ્યો. પોલીસે વાહન માલિકનો સંપર્ક કરીને મૂળ માલિક વિજયભાઈ સોમનાથભાઈ જોષી (અરુણાબેનના પતિ)ને તેમનો કીમતી સામાન પરત કર્યો હતો. પોલીસે આ કામગીરી બદલ પ્રશંસનીય કાર્ય કર્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:28 pm

વેરાવળના આદરી બીચ પર મોટી દુર્ઘટના:પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન દરિયમાં 5 લોકો તણાયા, 1 યુવતી લાપતા; શોધખોળ ચાલું

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા પાંચ લોકો દરિયાની તેજ લહેરોમાં તણાઈ ગયા હતા. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીના કારણે ચાર યુવકોને બચાવી લેવામાં સફળતા મળી છે, પરંતુ એક યુવતી હજુ પણ લાપતા છે, જેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ફોટોશૂટ દરમિયાન અચાનક ઊંચી લહેરો આવીપ્રાથમિક માહિતી મુજબ, વેરાવળ નજીકના વિસ્તારમાંથી આ યુવક-યુવતીઓનો સમૂહ ફોટોશૂટ માટે બીચ પર આવ્યો હતો. ફોટોશૂટ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક સમુદ્રમાં ઊંચી લહેરો ઉછળી અને પાંચેય લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી. આ અણધારી ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ચાર યુવકોનો આબાદ બચાવ, યુવતીની શોધખોળ ચાલું ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સંયુક્ત બચાવ કામગીરીના પરિણામે પાંચ પૈકી ચાર યુવકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. જોકે, આ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર, રહે: નવાપરા ગામ, હજુ પણ લાપતા છે. દરિયામાં લાપતા બનેલ યુવતી જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણાં ગામની વતની છે અને હાલ ઘણા સમયથી વેરાવળ તાલુકાના નવાપરા ગામે રહે છે. લાપતા યુવતી જ્યોતિની માસીની દીકરીના લગ્ન હતા અને વર પક્ષ અને વધુ પક્ષના લોકો પ્રિવેડિંગ શૂટિંગ માટે આદરી બીચ પર આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દરિયામાં લાપતા યુવતીની શોધખોળ કામગીરી ઝડપી ગતિએ ચાલુ છે. અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે વધુ વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીચ પર સુરક્ષા વ્યવસ્થાની માંગઆદરી બીચ પર આ ઘટનાથી સ્થાનિકોમાં ઊંડી ચિંતા વ્યાપી છે. લોકો દ્વારા તંત્ર સમક્ષ દરિયા કિનારે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, ચેતવણી બોર્ડ લગાવવા અને ગાર્ડ્સની નિમણૂક કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:22 pm

દારૂનો જથ્થો સાથે એક ઝડપાયો:કુંભારવાડાના રહેણાંકી મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બોરતળાવ પોલીસે એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે હાર્દિક નાગજીભાઈ બાવળીયા નામના એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન અક્ષરપાર્ક સરકારી નિશાળ સામેથી તેમને ખાનગી બાતમી મળી હતી કે, અક્ષરપાર્ક શેરી નં. 9માં રહેતો હાર્દિક નાગજીભાઈ બાવળીયા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે રાખેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મકાનની અંદર ડાબી બાજુના રૂમમાં એક પૂઠાના બોક્સમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. સ્થળ પર હાજર ઈસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ હાર્દિકભાઈ નાગજીભાઈ બાવળીયા ઉં.વ. 25, અક્ષરપાર્ક શેરી નં. 9, ભાવનગરમાં ભાડેથી રહે છે અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના સમઢીયાળા ગામનો વતની છે. પોલીસે હાર્દિક પાસેથી દારૂ રાખવા અંગેનો પાસ-પરમિટ માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હિસ્કીની 750 MLની સીલપેક 12 બોટલો કુલ કિંમત રૂ.15,600નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:20 pm

પોરબંદરમાં ચોરાયેલી મોટરસાઇકલનો ગુનો ઉકેલાયો:આરોપી આકાશ સોલંકી ઝડપાયો, સ્કૂટર કબજે કરાયું

પોરબંદરમાં વિમાર્ટ શોરૂમ પાસેથી ચોરાયેલી મોટરસાઇકલ ચોરીનો ગુનો ઉકેલાઈ ગયો છે. કમલાબાગ પોલીસે આકાશ ઉર્ફે ચોટીયારો મુકેશ સોલંકી નામના આરોપીને ઝડપી પાડી ચોરાયેલું સ્કૂટર કબજે કર્યું છે. આ ઘટના વિમાર્ટ શોરૂમ પાસેથી બની હતી, જ્યાં એક અજાણ્યા ચોરે મોટરસાઇકલની ચોરી કરી હતી. આ અંગે કમલાબાગ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ, પોલીસે સર્વેલન્સ સ્ટાફની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરી કરનાર ઇસમ ઇન્દિરાનગર રાજવી પ્લોટ વિસ્તારમાં જોવા મળ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી આકાશ ઉર્ફે ચોટીયારો મુકેશ સોલંકી પાસેથી ચોરાયેલું સ્કૂટર કબજે કર્યું છે. આ કાર્યવાહીથી સ્કૂટર ચોરીનો અનડિટેક્ટેડ કેસ ડિટેક્ટ થયો છે. આ ગુનાને ઉકેલવામાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. કાનમિયા, સર્વેલન્સ PSI એ.એ. ડોડીયા, અને સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. એસ.એ. બકોત્રા, પો.હેડ કોન્સ. એન.ટી. ભટ્ટ, બી.પી. માળીયા, સી.જી. મોઢવાડીયા, એસ.એમ. જાંબુચા, પો.કોન્સ. સાજન રામશી, વિજય ખીમા, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, સુરેશ કીશા, વુ.પો.કોન્સ. દક્ષાબેન ગીજુ તથા નેત્રમ (કમાન્ડ કંટ્રોલ) પોલીસ સ્ટાફ સહિતના પોલીસકર્મીઓ કાર્યરત હતા. સ્થાનિક લોકો દ્વારા કમલાબાગ પોલીસ અને સર્વેલન્સ સ્ટાફની સતર્કતા અને ઝડપી કાર્યવાહી બદલ પ્રશંસા કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:15 pm

અભયમે વધુ એક ઘર તૂટતું બચાવ્યું:પતિ નશો કરીને મિત્રો સાથે ઘરે આવતો પત્ની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો, પોલીસને જોઈ માફી માંગી

સુરત અમરોલી વિસ્તારમાંથી એક પીડિતાબેને 181 અભયમમા ફોન કરી જણાવ્યું કે, તેમના પતિ વ્યસન કરીને આવી હેરાન કરે છે ઝઘડો કરે છે. મદદની જરૂર છે. જેથી સુરત અભયમ ટીમ તાત્કાલિક ધોરણે પીડિત બેનની મદદે પહોંચી તેમની આપવીતી સાંભળી હતી. સ્થળ પર હાજર પીડિતાબેન પાસેથી જાણવા મળ્યું કે, તેમના પતિ શારીરિક અને માનસિક રીતે હેરાન કરે છે. તેમના લગ્ન જીવનને 25 વર્ષ થયા છે. પતિ ડાઈંગ- પેન્ટિંગ મિલમાં કામ કરે છે અને નશો કરીને ઘરે આવી ઝઘડો કરી પીડિતાબેનને ગમે એવા અપશબ્દો બોલી ગાળો આપતા તેમજ ક્યારેક ક્યારેક હાથ પણ ઉપાડી લેતા હતા. 15 દિવસથી પીડિતાના પતિ નશો કરી ઘરે આવતાપીડિતાબેનના પતિ તેમના મિત્રોને પણ દારૂનું વ્યસન કરાવીને તેમના ઘરે લઈને આવતા જે પીડિતાબેનને ગમતું નહોતું. જેથી, તેઓ તેમના પતિને મિત્રોને નશો કરાવીને તેમના ઘરે ન લાવવા માટે કહેતા હતા તેમજ નશો કરવાનું છોડી દેવા માટે સમજાવતા હતા પરંતુ, પીડિતાબેનના પતિ તેમની કોઈ વાત માનતા નહીં અને તેની સાથે ઝઘડો કરી ગાળો આપતા. તારાથી થાય તે કરી લે તેમ કહી ધમકી આપતા રહેતા હતા. છેલ્લા 15 દિવસથી પીડિતાબેનના પતિ ખૂબ જ નશો કરે છે અને ઘરે પણ મોડા આવતા. પતિ સમજતા ન હોવાથી પીડિતાએ અભયમનો સંપર્ક કર્યોગઈકાલે પણ પીડિતાબેનના પતિ ખૂબ જ વ્યસન કરીને અને તેમના મિત્રને પણ વ્યસન કરાવીને ઘરે લઈને આવેલ અને પીડિતાબેન સાથે ઝઘડો કરી અને હાથ ઉપાડ્યો હતો. પતિ સમજતા ન હોવાથી પીડિતાબેને તેમને સમજાવવા અભયમ ટીમમાં ફોન કરી મદદ માંગી હતી. જેથી સુરત અભયમ ટીમે ઘટના સ્થળે પીડીતાબેનના પતિનું કાઉન્સેલિંગ કરી તેમને નશો કરવાનો છોડી દેવા તેમજ મિત્રોને પણ વ્યસન કરાવીને ઘરે ન લાવવા માટે સમજાવ્યા હતા. પત્ની પર હાથ ન ઉપાડવા, તેમજ શારીરિક માનસિક ત્રાસ ન આપવા માટે સમજાવ્યા હતા. પતિને ભૂલ સમજાતા પત્ની પાસે માફી માગી સુધરી જવાની ખાતરી આપી પીડિતાબેનના પતિને તેમની ભૂલ સમજાતા તેણે પત્ની પાસે માફી માગી સુધરી જવાની ખાતરી આપી છે. તેણે જણાવ્યું કે, તે નશો કરવાનું છોડી દેશે તેમજ મિત્રોને પણ નશો કરાવી ઘરે લાવશે નહી અને પત્ની પર હાથ ઉપાડશે નહીં. ઘરમાં ઝઘડો કર્યા વગર સારી રીતે અને શાંતિથી રહેશે. ત્યારબાદ પીડિતાબેન અને તેમના પતિને કાયદાકીય માહિતી આપી જરૂરી સલાહ, સુચન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતો. પીડિતાબેનના પતિ સમજી જતા તેમણે અભયમ ટીમનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:12 pm

દાહોદ કલેક્ટર કચેરીમાં વંદે માતરમનું સમૂહગાન:અધિકારીઓ-કર્મચારીઓએ સ્વદેશી ઉપયોગના શપથ લીધા

દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો અને અન્યોને પણ તે માટે પ્રોત્સાહિત કરવાનો શપથ લીધો હતો. આ કાર્યક્રમ રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા “વંદે માતરમ @150” ઉજવણી અંતર્ગત યોજાયો હતો. રાષ્ટ્રગીત વંદે માતરમ લખાયાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા આ ઉજવણી સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. આ અંતર્ગત દાહોદ જિલ્લામાં જિલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને પોલીસ અધિક્ષક કચેરી સહિતની સરકારી કચેરીઓમાં પણ રાષ્ટ્રગીતના સમૂહગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયા અને જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામા સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દેશપ્રેમની ભાવના સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:10 pm

કલોલના સઈજ ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું:ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે 1.24 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી, ચાર ફરાર

કલોલ તાલુકા પોલીસની ગાઢ નિંદ્રામાં સઈજ ગામની સીમમાં ધમધમતા જુગાર ધામ ઉપર ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાચે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી બે ઈસમોની રોકડ, મોબાઈલ અને વાહનો સહિત કુલ 1,24,650 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જ્યારે અન્ય ચાર ઇસમો નાસી જવામાં સફળ રહ્યા છે. કલોલના સઈજ ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયુંગાંધીનગર જીલ્લાના કલોલ શહેર અને તાલુકા વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિઓએ માઝા મૂકી દીધી હોવાની સ્થાનિકોમાં વ્યાપક બુમરાણ ઉઠતા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ લોકલ ક્રાઈમ બ્રાન્ચને કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવા સૂચના આપેલી છે. જે અન્વયે એલસીબી પીઆઇ ડી બી વાળાની ટીમ અલગ અલગ ટીમો કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. સ્થાનિક પોલીસ ગાઢ નિંદ્રામાંદરિમયાન બાતમી મળી હતી કે, સ્થાનિક પોલીસની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી સઇજ ગામની સીમમાં જોઈતાભાઇ સોમાભાઇ દંતાણીના ઘરની સામે ખરાબા ની જગ્યામાં મોટાપાયે જુગારધામ ધમધમી રહ્યું છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમ સઇજ ગામની સીમમાં વાહનો દૂર ઊભા રાખીને ચાલતા ચાલતા જુગારધામ સુધી પહોંચી હતી. જોકે રોજિંદી જગ્યાથી વાફેક હોવાના કારણે જુગારીઓ ખાનગી વેશમાં પોલીસ ત્રાટકી હોવાનું જાણીને અંધારાનો લાભ લઈ નાસવા માંડ્યા હતાં. બે જુગારીઓ ઝડપાયા 4 ફરારજેના લીધે પોલીસ અને જુગારીઓ વચ્ચે દોડધામ મચતા બે જુગારીઓ હાથમાં આવી ગયા હતા. જ્યારે ચાર જુગારી નાસી જવામાં સફળ રહ્યા હતા. બાદમાં બંને જુગારીઓની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ વિષ્ણુજી કાળાજી ઠાકોર,રમેશજી સતુજી રાઠોડ (બંને રહે. ભોયણ રાઠોડ ગામ) હોવાનું જણાવ્યું હતું. જ્યારે નાસી છૂટેલા જુગારીઓ કરણસિંહ મગનજી રાઠોડ (રહે.ભોયણ રાઠોડ ગામ),જસવંતસિંહ પ્રતાપસિંહ વાઘેલા (રહે.કલોલ શહેર, સ્નેહકુંજ સોસા. ઈન્દીરાનગરના છાપરા), સુરેશજી ભગાજી ઠાકોર અને દિપકસિંહ મોહબતસિંહ ચૌહાણ (બને રહે. ગામ ભોયણ રાઠોડ) હોવાની પણ કેફિયત વર્ણવી દીધી હતી. 1.24 લાખના મુદ્દામાલ જપ્તબાદમાં એલસીબીએ જુગારધામ ખાતે વધુ તપાસ કરતા ત્રણ ટુ વ્હીલર ઉપરાંત બને જુગારીઓ ની અંગ ઝડતી અને દાવ પરથી રૂ.29,650 રોકડા અને મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. જેના પગલે એલસીબીએ બંને જુગારીઓની કુલ રૂ.1,24,650 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કલોલ તાલુકા પોલીસ મથકમાં વોન્ટેડ ચાર ઇસમો વિરુધ પણ ગુનો દાખલ કરાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:10 pm

ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સે દબાણ હટાવ્યું:પોલીસની કાર્યવાહી બાદ ગાંધીધામના કિડાણા ગામમાં શખ્સે સ્વેચ્છાએ અતિક્રમણ દૂર કર્યું

ગાંધીધામના કિડાણા ગામમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લીયાજત કાસમ ચાવડા નામના શખ્સે જાહેર માર્ગ પર કરેલું ગેરકાયદેસર અતિક્રમણ સ્વેચ્છાએ દૂર કર્યું છે. આ કાર્યવાહી પૂર્વ કચ્છ પોલીસની સૂચના હેઠળ ગાંધીધામ બી ડિવિઝન દ્વારા કરવામાં આવી હતી. ચાવડાએ કિડાણા મુસ્લિમ સમાજના સ્મશાન સામે, પોતાના ઘર પાસે જાહેર રોડની સાઈડમાં આ દબાણ કર્યું હતું. તેણે આશરે 180 ચોરસ ફૂટ (20 વાર) વિસ્તારમાં દીવાલ બનાવી વરંડો વાળી ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો. આ દબાણની બજાર કિંમત આશરે 2 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. લીયાજત કાસમ ચાવડાનો ગુનાહિત ઇતિહાસ નોંધપાત્ર છે. તેના વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર કામગીરી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોંજીયા અને તેમના સ્ટાફે આ કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:08 pm

પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે લાભાર્થીના ઘરે ભોજન લીધું:છોટા ઉદેપુરના ધંધોડામાં સરકારી યોજનાઓની માહિતી મેળવી

છોટા ઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે આજે ધંધોડા ગામની મુલાકાત લીધી હતી. તેમણે અનુસૂચિત જાતિના એક લાભાર્થીના ઘરે ભોજન લીધું અને પરિવાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મેળવેલા લાભો વિશે માહિતી મેળવી.દરમિયાન ત્યાં પ્રભારી મંત્રીએ જાતે રોટલા ઘડીને મહેમાનગતિ માણી હતી. પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ ગઈકાલથી જિલ્લાની મુલાકાતે છે. આજે તેમણે સેવા સદન ખાતે રાષ્ટ્રગીતના 150 વર્ષની ઉજવણી પૂર્ણ કર્યા બાદ ધંધોડા જવા રવાના થયા હતા. ધંધોડા પહોંચીને, તેઓ ડૉ. આંબેડકર આવાસ યોજનાના એક લાભાર્થીના ઘરે ગયા. ત્યાં તેમણે લાભાર્થીઓ સાથે સરકારી યોજનાઓથી મળેલા ફાયદાઓ અંગે વિગતવાર ચર્ચા કરી અને તેમના ઘરે પોતે રોટલા બનાવ્યા હતા અને ભોજન ગ્રહણ કર્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશ રાઠવા પણ પ્રભારી મંત્રી સાથે ભોજનમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રભારી મંત્રી બન્યા બાદ મનીષાબેન વકીલની જિલ્લામાં આ પ્રથમ મુલાકાત હતી. તેમણે સીધા લાભાર્થીના ઘરે જઈને તેમની સાથે ચર્ચા કરતા સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:57 pm

ગુજરાતમાં સૌપ્રથમ અનોખો કાર્યક્રમ:રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવનાર 200 શ્રેષ્ઠ આચાર્યોનું રાજકોટ ખાતે ભવ્ય સન્માન કરાશે, 16000 કરતા વધુ શાળામાંથી કરાઈ છે પસંદગી

ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એસો. દિલ્હી, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત અને રાજકોટ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ એક અનોખા કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. શિક્ષણના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનાર ગુજરાતની 16000થી વધુ ખાનગી શાળાઓમાંથી પસંદગી પામેલા આશરે 200 જેટલા શ્રેષ્ઠ આચાર્યોને સન્માનિત કરવા માટેનો એક ભવ્ય સમારોહ આગામી 29 નવેમ્બર 2025ના રોજ રાજકોટના કાલાવડ રોડ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠ ખાતે યોજાશે. આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ પુરષોત્તમ રુપાલાને આમંત્રિત કરવામાં આવશે. એવોર્ડ સમારોહનો મુખ્ય ઉદ્દેશ આ અંગે ગુજરાત મહામંડળના પ્રમુખ જતિનભાઇ ભરાડએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ આચાર્યોને એવોર્ડથી સન્માનિત કરવાનો મુખ્ય ઉદ્દેશ તેઓના ઉત્કૃષ્ટ કાર્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના અપાર યોગદાનની સરાહના કરવાનો છે. આ એવોર્ડ માત્ર એક સન્માન નથી, પરંતુ તે સમગ્ર શિક્ષણ ક્ષેત્રે પ્રેરણા અને ઉત્સાહ લાવવાનું કાર્ય કરશે. આચાર્યોનું કાર્ય માત્ર શિક્ષણ આપવાનું જ નથી, પરંતુ શાળાનું સુચારુ સંચાલન કરી શિક્ષકો-વિદ્યાર્થીઓ અને વાલીઓના દ્રષ્ટીકોણને સમજી સચોટ નિર્ણયો લઈને શિક્ષણ જગતના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જવાબદારીનું નિર્વાહન કરવાનું હોય છે. ટૂંકમાં, આચાર્ય શાળા અને સમાજ વચ્ચેનો એક મહત્વપૂર્ણ સેતુ છે, અને તેમના આ યોગદાનને બિરદાવવું અત્યંત આવશ્યક છે. શ્રેષ્ઠ આચાર્યની પસંદગીના માપદંડો સેવા અને નેતૃત્વ: આચાર્ય તરીકેની સેવા અને તેમના નેતૃત્વ હેઠળ શાળાના વિકાસની સફર. વિદ્યાર્થી પ્રદર્શન: નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં સુધારો અને છેલ્લા 3 વર્ષના બોર્ડના પરિણામો. શિક્ષક સશક્તિકરણ: શિક્ષકોને સક્ષમ બનાવવા માટે તાલીમ, માર્ગદર્શન, મૂલ્યાંકન અથવા પ્રોત્સાહન જેવા પગલાં. સર્વાંગી વિકાસ: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, કલ્યાણ અને સુરક્ષાને લગતી યોજનાઓ. ટેક્નોલોજી અને નવીનતા: શિક્ષણ અથવા વહીવટમાં ટેક્નોલોજીનો ઉપયોગ, નવી પદ્ધતિઓ કે નવીન પ્રયોગો. સામાજિક જોડાણ: વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સમાજ સાથેના જોડાણ અથવા સામાજિક જવાબદારીની પહેલ. સકારાત્મક વાતાવરણ: શાળામાં સકારાત્મક, મૂલ્યઆધારિત અને સર્વસમાવેશી વાતાવરણ જાળવવા માટે લીધેલી પહેલ. સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સિદ્ધિઓ: તેમના નેતૃત્વ હેઠળ રમતગમત, કલા અથવા અન્ય સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં હાંસલ થયેલ સિદ્ધિઓ. શાળાની સિદ્ધિઓ: શાળાએ મેળવેલા પુરસ્કારો, માન્યતાઓ અથવા વિશિષ્ટ સિદ્ધિઓ. એજ્યુકેશન એક્સલન્સ કોન્કલેવ અને વિચારમંથન શ્રેષ્ઠ આચાર્ય પુરસ્કાર સમારોહની સાથે જ એજ્યુકેશન એક્સલન્સ કોન્કલેવનું પણ આયોજન કરવામાં આવશે. આ કોન્કલેવ અંતર્ગત શૈક્ષણિક જગતના માંધાતાઓની ઉપસ્થિતિમાં વિચારોનું આદાન-પ્રદાન તેમજ શિક્ષણ જગતના પ્રશ્નો પર વિચારમંથન સત્રોના પણ આયોજન કરવામાં આવશે. આ સત્રોમાં શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો અને શૈક્ષણિક નીતિ નિર્માતાઓ એકત્ર થઈને વિચારોની આપલે કરશે. આનાથી શિક્ષણ ક્ષેત્રની નવી દિશાઓ શોધવા પોતાનો દ્રષ્ટિકોણ રજુ કરવાની તક મળશે. આ એકેડમિક કોન્કલેવનો હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વર્તમાન પડકારોનો ઉકેલ લાવવા માટે એક મંચ પૂરો પાડવાનો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:57 pm

ભરુચની કાશીમા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ:અનેક ગેરરીતિઓ સામે આવતાં PMJAY હેઠળનું એમ્પેનલમેન્ટ સસ્પેન્ડ કરાયું

ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓમાં વધી રહેલી ગેરરીતિઓ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ લાભ લઈ રહેલી કેટલીક ખાનગી હોસ્પિટલો ગેરરીતિઓમાં સંકળાયેલી હોવાની ચોક્કસ માહિતી મળતાં વિભાગે અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન ભરૂચ શહેરની કાશીમા હોસ્પિટલમાં આરોગ્ય સંબંધિત અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી.હોસ્પિટલમાં ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ હાજર ન હોવાનું, દર્દીઓને સારવાર આપતા કર્મચારીઓ પાસે જરૂરી ટેક્નિકલ લાયકાત ન હોવાનું જાણવા મળ્યું હતું.વધુમાં હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ, બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન સહિતની ફરજિયાત મંજૂરીઓ પણ ઉપલબ્ધ ન હતી. આ ઉપરાંત,હોસ્પિટલ એક રહેણાંક બંગલામાંથી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનું બહાર આવ્યું હતું.આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈને કાશીમા હોસ્પિટલનું PMJAY હેઠળનું એમ્પેનલમેન્ટ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. માહિતી મુજબ,સ્ટેશન રોડ પર ઠાકોર રેસ્ટોરન્ટની ગલીમાં આવેલી આ હોસ્પિટલ લાંબા સમયથી ચાલતી હોવા છતાં નિયમિત તપાસ હાથ ધરવામાં આવી ન હતી,જેના કારણે ગેરરીતિઓ ચાલુ રહી હતી.આ કાર્યવાહી બાદ જિલ્લામાં ની અન્ય ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં ચકચાર મચી ગઈ છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગેરરીતિ કરતી અન્ય સંસ્થાઓ સામે પણ તબક્કાવાર કડક પગલા લેવામાં આવશે. વધુમાં આજે ભરૂચ નગર પાલિકાની ફાયર વિભાગના અધિકારીઓએ પણ સ્થળ મુલાકાત લઈને ફાયર સેફટી સાધનોની પણ ચકાસણી કરી હતી.આ અંગે હેડ ફાયર ઓફિસર શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું કે, આજ રોજ અમારા દ્વારા ઇન્સ્પેશન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં હોસ્પિટલમની બિલ્ડિંગની ઊંચાઈ 9 મીટર કરતાં ઓછી અને 500 સ્ક્વેર મીટરનો એરિયા ધરાવતી ન હોય તેને એનઓસી લેવાની જરુર નથી.પરતુ ફાયર સિસ્ટમ તેના અનુરૂમ ન હોય તેમને નોટિસ આપી સેલ્ફ ડિકલેરેશન આપવાનું જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:55 pm

પાટડીની ખારાઘોડા કેનાલમાં ગાબડાં, બાવળનો અડીંગો:પાણી છોડાય તે પહેલાં જીરાના પાકને નુકસાનની ભીતિ

પાટડીની ખારાઘોડા માઇનોર 6 નંબર કેનાલમાં પાણી છોડાય તે પહેલાં જ ગાબડાં અને બાવળનો અડીંગો જોવા મળ્યો છે. જીરાના પાક માટે પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં, કેનાલની આ સ્થિતિને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. તંત્ર ઝાલાવાડ પંથક અને ખાસ કરીને રણકાંઠાના 89 માંથી 87 ગામોને નર્મદાના પાણીનો લાભ મળ્યાનો દાવો કરે છે. જોકે, રણકાંઠામાં બનેલી કેનાલોના નબળી ગુણવત્તાના કામને કારણે પાણી છોડાય તે પહેલાં જ 25 થી વધુ કેનાલો તૂટી ગઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં રણકાંઠા વિસ્તારની કેનાલોમાં 13 જેટલા ગાબડાં પડ્યાના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આ ગાબડાંને કારણે ખેડૂતોના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા પાકને નુકસાન થયું હતું અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતી નર્મદા કેનાલ રણકાંઠાના ખેડૂતો માટે અભિશાપ સમાન બની રહી છે. પાટડીની ખારાઘોડા કેનાલની વર્તમાન સ્થિતિ જોતા, નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ કરાવવા, બાવળ કાપવા અને સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા વ્યાપક માંગ કરવામાં આવી છે. આ અંગે ખેડૂત આગેવાન નવઘણભાઈ ઠાકોર, નારણભાઇ પટેલ અને મનીષભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, ખેડૂતોને એકબાજુ કમોસમી માવઠાનો માર પડ્યો છે, એવામાં હાલ જીરાને પાણીની જરૂર છે. ત્યારે આ કેનાલના ગાબડાં રિપેરિંગ કરી, બાવળ કટીંગ અને કેનાલની સઘન સફાઈ કરવામાં આવે તેવી અમે નર્મદા વિભાગ પાસે માંગ કરી છે. જ્યારે આ અંગે નર્મદા વિભાગના અધિકારી સંજયભાઈનો સંપર્ક કરતા, તેમણે ફોન ઉપાડીને જણાવ્યું કે તેઓ હાલ એક મીટીંગમાં છે અને થોડીવારમાં કોલ કરશે, એમ કહી ફોન કટ કરી દીધો હતો.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:51 pm

સુરત પોલીસ કમિશનરે ભુજના સરહદી ગામોની મુલાકાત લીધી:ગ્રામજનો સાથે સંવાદ કરી સ્થાનિક પ્રશ્નોથી અવગત થયા

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના આહવાનથી ભુજ નજીકના રણકાંઠે આવેલા સરહદી ગામો હાજીપીર, ભીટારા અને આસાસની મુલાકાત લીધી હતી. તેમણે આ ગામોના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોની પ્રાથમિક જરૂરિયાતો અને સુખાકારી અંગે જાણવાનો હતો. કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ગ્રામજનોને ખાતરી આપી હતી કે, રાજ્ય સરકાર સરહદી વિસ્તારોના દરેક ઘર સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા પ્રતિબદ્ધ છે અને તેમના વિચારો સરકાર સુધી પહોંચાડવામાં આવશે. તેમણે વાલીઓને બાળકોના શિક્ષણ પર ભાર મૂકવા વિનંતી કરી, જણાવ્યું કે શિક્ષણથી આ વિસ્તારમાં આવેલી કંપનીઓમાં તેમના બાળકોનું ભવિષ્ય સુધરશે. આ મુલાકાત દરમિયાન, કમિશનર અનુપમ સિંહ ગેહલોતે હાજીપીર દરગાહ પર માથું ટેકવી સૌના કલ્યાણ માટે દુઆ માંગી હતી. હાજીપીર અને ભીટારા ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ફૂલહાર અને બન્નીની ગોદડી અર્પણ કરીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે ભુજ બી ડિવિઝનના પીઆઇ રાણા સાહેબ, બીએસએફ કમાન્ડર પ્રવેશ કુમાર, આઈબીના કુમારી રાઠોડ, ભીટારા સરપંચ ખુશી મામદ જત, અલા જોડીયા લોંગ અમીનભાઈ જત, ભગાડીયા મામદજત, ઉધમા હારુન માખી, અમીન ભાઈ અબ્રદેમાન જીયેજા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાણી પુરવઠા વિભાગના હર્ષલ બોરા, પીએચસીના પિન્કીબેન પટેલ, ચિરાગભાઈ પરમાર, હરેશભાઈ, હાજીપીર પોલીસ સ્ટેશનના દિનેશભાઈ ચૌધરી, કિરણભાઈ નાઈ અને ઋતરાજ સિંહ સોઢાએ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન ઉમેશ આચાર્યએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:46 pm

પેસેન્જર બેસાડવાની બાબતે રિક્ષા ચાલકને માર માર્યો:રેઈનબો હોટલ પાસે બોલાવીને લાકડીઓ ફટકારી, ચાર શખ્સ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

અડાલજના ત્રિમંદિર પાસે પેસેન્જર બેસાડવા જેવી બાબતમાં અદાવત રાખી રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાની સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પેસેન્જર બેસાડવા જેવી નજીવી બાબતમાં કિરણ પરમાર નામના રીક્ષા ચાલકને રેઈનબો હોટલની પાસે લઈ જઈ અવાવરું જગ્યામાં લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. ચાર લોકોએ રીક્ષા ચાલકને ઢોર માર મારતા ફરિયાદી કિરણ પરમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ફરિયાદી કિરણ પરમારે પુના પરમાર, મંગો પરમાર સહિત બે અજાણ્યા શખ્સ વિરોધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પેસેન્જરને રિક્ષામાં બેસાડવા બાબતે બબાલ2 નવેમ્બરના બપોરના સમયે અડાલજ ત્રિમંદિર બસ સ્ટેશન પાસે ફરિયાદી કિરણ પરમારની પુના પરમાર સાથે બોલાચાલી થઈ હતી. બે જેટલા પેસેન્જરને ફરિયાદીએ તેના બનેવીની રિક્ષામાં બેસાડ્યા હતા. જેને લઇને પુના પરમારે રિક્ષામાં પેસેન્જર કેમ બેસાડ્યા તેમ કહી ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી. જોકે બોલાચાલી બાદ ફરિયાદીને ગોતા જવાનું હોવાથી પુના પરમારની જ રિક્ષામાં બેસી ગયો હતો. રિક્ષામાં એક મહિલા પણ સવારી કરી રહી હતી તેને વૈષ્ણોદેવી સર્કલ પાસે અન્ય રિક્ષામાં બેસાડી દેવામાં આવી હતી. જે બાદ કિરણ પરમારને રિક્ષા ચાલક પુના પરમાર રીંગરોડની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર લઈ ગયો હતો. અવાવરું જગ્યામાં રીક્ષા પાર્ક કરી ને લાકડાથી ઢોર માર માર્યોજ્યાં બે અજાણ્યા શખ્સો પણ તેની રિક્ષામાં આવીને બેસી ગયા હતા. તેમજ મંગા પર મારે બોલાચાલી કરી ફરિયાદી સાથે ઝઘડો પણ કર્યો હતો. ત્યાંથી ફરિયાદીને રિક્ષામાં બેસાડી અવાવરું જગ્યામાં રીક્ષા પાર્ક કરી ઢોર મારવામાં આવ્યો હતો. તેમજ ફરિયાદીના પાસે ખિસ્સામાં રહેલા 10 હજાર રૂપિયા પણ મારામારી દરમિયાન પડી ગયા હતા. લાકડીઓ વડે માર મારવાના કારણે ફરિયાદીને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈસામાન્ય બાબતે લાકડીઓ વડે ઢોર મારવામાં આવતા ફરિયાદી કિરણ પરમારે પુના પરમાર, મંગો પરમાર સહિત બે અજાણ્યા શખ્સ વિરોધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાબરમતી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:35 pm

મહીસાગરમાં વંદે માતરમની 150 વર્ષની ઉજવણી કરાઈ:સેવા સદન ખાતે અધિકારીઓ-કર્મચારીઓએ સ્વદેશીના શપથ લીધા

મહીસાગર જિલ્લાના સેવા સદન ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ સામૂહિક રીતે રાષ્ટ્રગીત વંદે માતરમનું ગાન કર્યું હતું. ગાન બાદ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટેના શપથ લેવામાં આવ્યા હતા. આ ઉજવણીનો મુખ્ય હેતુ વંદે માતરમ રાષ્ટ્રગીતનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનો અને સ્વદેશી વસ્તુઓ અપનાવીને દેશભક્તિની ભાવના જગાડવાનો હતો. જિલ્લામાં સ્વદેશી અપનાવવા માટે જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. મહીસાગર જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી અપનાવવાના શપથ લીધા, જે રાષ્ટ્રભાવના પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:34 pm

સીટી સેશન્સ કોર્ટે NDPS કેસમાં આરોપીને 07 વર્ષની કેદ ફટકારી:વર્ષ 2023માં આરોપી 33.870 જેટલા MD ડ્રગ્સ સાથે ઝડપાયો હતો

અમદાવાદના DCB પોલીસ મથકે વર્ષ 2023 માં બે આરોપીઓ ઇલિયાસ શેખ અને રઉફ સામે NDPS એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જે સંદર્ભે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે કેસની ટ્રાયલ ચાલી જતા જજ વી.બી. રાજપૂતે સાહેદ, પુરાવા ચકાસીને અને સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલોને આધારે આરોપી ઇલિયાસ શેખને 07 વર્ષની કેદ અને કુલ 01 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપી ડ્રગ્સના છૂટક વેચાણ કરતોકેસને વિગતે જોતા આરોપી ઇલિયાસ શેખ અમદાવાદના ઈસનપુર અને આરોપી રાઉફ શાહઆલમનો રહેવાસી છે. પોલીસને બાતમી મળી હતી તે મુજબ પોલીસે નારોલ સર્કલથી દાણીલીમડા તરફ જતા ડ્રગ્સના છૂટક વેચાણકર્તાઓને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી. NDPS કેસમાં આરોપીને 07 વર્ષની કેદ ફટકારીજ્યાં બાતમી મુજબ તુલસી હોટેલની બહાર આરોપી ઇલિયાસ શેખ ટુ વ્હીલર ઉપર બેઠેલો મળી આવ્યો હતો. જેની તલાશી લેતા તેના ખિસ્સામાંથી સફેદ પાવડર મળ્યો હતો. જેનું વજન 33.870 ગ્રામ અને બજાર કિંમત 3.38 લાખની હતી. તે અમદાવાદમાં છૂટક વેચાણ કરવા શાહઆલમન રાઉફ પાસેથી MD ડ્રગ્સ લાવ્યો હતો. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે ટ્રાયલના અંતે ઇલિયાસને 07 વર્ષની કેદ અને 01 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:23 pm

અડાજણની હોસ્પિટલમાં દર્દીના ગળામાંથી સોનાની ચેઈનની ચોરી:1.2 લાખની ચેઈન તસ્કર લઈને ફરાર, યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો'તો

શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા એક દર્દીના ગળામાંથી સોનાની ચેઈનની ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલમાં દર્દીના ગળામાંથી 1.12 લાખના સોનાની ચેઈનની ચોરીજહાંગીરપુરા, સાંઈ પૂજન રેસિડેન્સીમાં રહેતા હિરલ નિલેશભાઈ પાઠલના ફુવા કૌશિકભાઈને સારવાર અર્થે અડાજણની યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, કોઈ અજાણ્યા ઈસમે તકનો લાભ લઈને તેમના ગળામાંથી રૂપિયા 1,12,000ની કિંમતની સોનાની ચેઈન ચોરી કરી લીધી હતી.ચોરીની જાણ થતાં જ હોબાળો મચી ગયો હતો. હિરલ પાઠલે તાત્કાલિક આ બનાવ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલપોલીસે હિરલ પાઠકની ફરિયાદના આધારે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.પોલીસે હિરલ પાઠકની ફરિયાદના આધારે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:20 pm

પોરબંદરના 11 ખેલાડીઓએ 22 મેડલ જીત્યા:10મી રાજ્યકક્ષાની માસ્ટર ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે યોજાયેલી 10મી રાજ્યકક્ષાની માસ્ટર ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2025માં પોરબંદર જિલ્લાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ અને ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત આયોજિત આ સ્પર્ધામાં પોરબંદરના કુલ 11 ખેલાડીઓએ 8 ગોલ્ડ, 5 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 22 મેડલ જીતીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશિપમાં પોરબંદર જિલ્લામાંથી 2 મહિલા અને 9 પુરુષ ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમની મહેનત અને કૌશલ્યના પરિણામે ટીમે નોંધપાત્ર સફળતા હાંસલ કરી. વ્યક્તિગત પ્રદર્શનમાં, 65+ વય જૂથમાં વિનોદભાઈ પી. માકડિયા અને 65+ વય જૂથમાં લાભુબેન બી. વડાલિયાએ 3-3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ ઉપરાંત, 70+ વય જૂથમાં મેરુભાઈ જે. ભૂતીયાએ 1 ગોલ્ડ અને 1 સિલ્વર, જ્યારે રામદે વી. ઓડેદરાએ 1 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. અન્ય ખેલાડીઓમાં ભુરાભાઈ ભીખુભાઈ કારાવદરા (2 સિલ્વર), ડો. નરેશકુમાર ભાલીયા (1 સિલ્વર, 2 બ્રોન્ઝ), પુંજાભાઈ ઓડેદરા (1 બ્રોન્ઝ), કેશવભાઈ ખુટી (1 બ્રોન્ઝ), કેશવ એલ. વાઘ (1 સિલ્વર, 2 બ્રોન્ઝ) અને ખ્યાતિબેન ડી. ઠકરાર (1 બ્રોન્ઝ)નો સમાવેશ થાય છે. આ તમામ સફળ ખેલાડીઓની હવે અજમેર, રાજસ્થાન ખાતે યોજાનાર નેશનલ માસ્ટર ઍથ્લેટિક્સ કોમ્પિટિશન માટે પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓ સ્વખર્ચે રાષ્ટ્રીય કક્ષાએ પોરબંદરનું પ્રતિનિધિત્વ કરશે. આ માસ્ટર ઍથ્લેટ્સ યુવા પેઢી માટે પ્રેરણાસ્રોત બન્યા છે અને તેમણે ખેલ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પોરબંદરનું નામ રોશન કર્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:09 pm

જાફરાબાદ-સાવરકુંડલામાં પાક બગડી જતાં ખેડૂતોએ પાથરા સળગાવ્યા:ધરતીપુત્રોએ કહ્યું, 'સરકાર દેવું માફ કરે, નહિતર અમારી પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય'

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીની સ્થિતિ અત્યંત કફોડી બની છે. સર્વે રિપોર્ટ સોંપાયા બાદ પણ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી સહાય પેકેજ જાહેર ન થતાં ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. આ આક્રોશના કારણે ધરતીપુત્રો પોતાના પાકને સળગાવી રહ્યા છે. જાફરાબાદ તેમજ સાવરકુંડલામાં ખેડૂતોએ મગફળીનો પાક બગડી જતાં પાથરા સળગાવ્યાં હતા. બગડેલી મગફળીના પાથરા સળગાવવા મજબૂર જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ ખેતીપાકને નુકસાન થયું છે. અહીંના મોટા માણસા ગામના ખેડૂતો બગડેલી મગફળીના પાથરા સળગાવવા મજબૂર બન્યા છે. કેટલાક ખેડૂતોએ ડુંગળીના ખેતરોમાં પશુઓ છૂટા મૂકી દીધા છે. કપાસ, મગફળી અને ડુંગળીના પાક બરબાદ થવાથી ખેડૂતો પાયમાલ થયા છે અને પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે. 16 વીઘાનો મગફળીનો પાક નિષ્ફળ ગયોમોટા માણસા ગામના ખેડૂત શૈલેષ જોગરાણીએ જણાવ્યું કે, તેમણે 16 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે, સંપૂર્ણ પાક નિષ્ફળ જતાં તેમણે પાથરા સળગાવ્યાં હતા, પરંતુ તે પણ બરાબર સળગતા નથી અને તેને કાઢવાનો ખર્ચ પણ તેમને ભોગવવો પડશે. તેમણે પશુઓ માટે ઘાસચારાની સમસ્યા અને સરકારની સહાયની રાહ જોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અમારે 10થી 12 ઈંચ વરસાદ પડ્યો હતોઃ સરપંચમોટા માણસા ગામના સરપંચ ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, અમારે 10થી 12 ઈંચ વરસાદ પડ્યો હતો. જેનાથી આ ખેડૂતની 16 વિઘાની મગફળીનો પાક બગડી ગયો હતો. ગઈકાલે ખેડૂતે પોતાના ખેતરમાં પશુઓને છૂટ્ટા મુકી દીધા હતા, જોકે, પુશઓ પણ કઈ ચારો ખાઈ શકે તેવો પણ આ પાક રહ્યો નથી. પશુ માટે ઘાસચારાની પણ વ્યવસ્થા નથીવધુમાં જણાવ્યું કે, ખેડૂને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. પશુ માટે ઘાસચારાની પણ વ્યવસ્થા નથી. સરકારે સંપૂર્ણ દેવામાફી કરવી જોઈએ. નહીંતર ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો જ નથી. ખેડૂને બીજો પાક વાવવા માટે પણ બિયારણ અને ખાતર લેવુ પડે તે માટે રૂપિયા ક્યાથી લાવવા. આંબરડીના ખેડૂતે 20 વિઘાની મગફળીમાં દીવાસળી ચાંપીઅમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ખેડૂતોના આવા જ હાલ છે. સાવરકુંડલાના આંબરડી ગામના ખેડૂત સુરેશ માલાણીએ 20 વિઘાની મગફળીનું વાવેતર બગડી જતાં દીવાસળી ચાંપી પાથળા સળગાવી દીધા હતા. કમોસમી વરસાદથી મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતોના હાલ બેહાલ થયા છે. મરચાની ખેતીમાં પશુઓ છૂટા મૂક્યાઅમરેલી તાલુકાના કેરીયા નાગસ ગામના મુના ઠાકોરે પાંચ વીઘા મરચાની ખેતીમાં પશુઓ છૂટા મૂક્યા હતા અને તેમની 20 વીઘા મગફળી પણ બગડી ગઈ હતી. આ ઉપરાંત, ખેડૂતો દ્વારા આવા વીડિયો વાયરલ કરીને પોતાની નારાજગી દર્શાવવામાં આવી રહી છે. 7 વિઘાનો પાક બગડી જતાં ખેડૂતે પાથરા સળગાવ્યાસાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં 7 વિઘાનો મગફળીનો પાક બગડી જતાં ખેડૂતે પાથરા સળગાવ્યા હતા. કમોસમી વરસાદમાં થયેલા નુકસાનીની વાત સરકાર સુધી પહોંચાડવાનો ખેડૂતે પ્રયાસ કર્યો છે. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:02 pm

'મંત્રીમંડળમાં ઠાકોર સમાજ સાથે અન્યાય થયો':ગેનીબેને કહ્યું-'શાસક પક્ષના MLA બોલી નથી શકતા', 12 દિવસ બાદ ફરી ગેનીબેન-અલ્પેશ ઠાકોર એક મંચ પર પણ સ્વરુપજીની ગેરહાજરી

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજનું આજે પાલનપુરના ચડોતર ગામમાં સ્નેહમિલન યોજાયું છે. 12 દિવસના ગાળામાં જ યોજાયેલા ઠાકોર સમાજના બીજા કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફરીથી એક મંચ પર જોવા મળ્યા છે. 12 દિવસ અગાઉ દિયોદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વાવના ધારાસભ્ય-રાજ્ય સરકારના મંત્રી સ્વરુપજી ઠાકોર અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર એક જ મંચ પર જોવા મળ્યા હતા. ત્યારે આજે ફરીથી ચડોતરમાં યોજાયેલા કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર આજુબાજુમાં એક જ મંચ પર છે. જોકે, આજે સ્વરુપજી ઠાકોર હાજર નથી જોવા મળી રહ્યા. 'સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે'બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, વર્તમાન સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે. દરેક યોજના હોય કે કોઇ પદ પર સ્થાન આપવાનું હોય એ તમામ બાબતોમાં સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે. હમણાં મંત્રી મડળના વિસ્તણમાં પણ ઠાકોર સમાજને જે પ્રભુત્વ મળવું જોઇએ એ નથી મળ્યું. ઠાકોર સમાજના 38 જેટલા ધારાસભ્ય હોવા છતાં સમાજના ધારાસભ્યો સાથે અન્યાય થયો છે. શાસક પક્ષ તરીકે એ ધારાસભ્યો ન બોલી શકે પણ વિપક્ષ તરીકે હું કહું છું કે ઠાકોર સમાજની મશ્કરી થઇ છે. અમારા જ સંગઠનના સ્વરુપજીને મંત્રી બનાવ્યા: અલ્પેશ ઠાકોરગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, તમામ આગેવાનોએ ભેગા થઇને સમાજ આગળ વધે અને બીજા સમાજો સાથે કદમથી કદમ મિલાવે એ માટે આજનું આયોજન હતું. જેમાં કુરિવાજો દુર થાય અને ખોટા ખર્ચાઓ દુર થાય એ માટેની ચર્ચાઓ કરવામાં આવી છે. અમે સમાજને કહીએ છીએ કે તમામ સમાજો આગળ વધી ગયા તમે ક્યા સુધી ઊંઘી રહેશો. મંત્રી મંડળના વિસ્તણ અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, અમારા જ સંગઠનના સ્વરુપજી ઠાકોરની સરકારે પસંદગી કરી છે જે બાબતે અમે પક્ષનો આભાર માનીએ છીએ. ગેનીબેન-અલ્પેશ ઠાકોર ફરી એક મંચ પર પણ સ્વરુપજી ગેરહાજર12 દિવસ અગાઉ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજનું મહાસ્નેહમિલન દિયોદર ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, ગેનીબેન, સ્વરૂપજી અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજમાં સુધારા વધારા, સામાજિક બંધારણ અને કુરિવાજો તેમજ બદીઓ દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આજે ચડોતરમાં યોજાયેલા નૂતન વર્ષ મિલન કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય-રાજ્ય સરકારના મંત્રી સ્વરુપજી ઠાકોર હાજર નથી. સ્થાનિકોમાં ગણગણાટ છે કે, સ્વરુપજી અંબાજી ખાતે યોજાયેલા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હોવાથી અહીં હાજર નથી રહ્યા. દારુ છોડાવવાને લઈ મહિલાઓ કહે છે અલ્પેશભાઈનું સાતેય ભવ સારૂ થાય: ગેનીબેન તારીખ 26 ઓક્ટોમ્બરના રોજ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજનું એક મહા સ્નેહમિલન દિયોદર ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, ગેનીબેન, સ્વરૂપજી અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજમાં સુધારા વધારા, સામાજિક બંધારણ અને કુરિવાજો તેમજ બદીઓ દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. 'મૈત્રી કરારનો કાયદો સૌથી ખરાબ છે'સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, લવ મેરેજ કરતા પણ ખતરનાક અત્યારે મૈત્રી કરાર છે. બે છોકરાઓની મા હોય, સામે છોકરો લગ્ન કરેલો હોય, ઘરે છોકરા નાના-નાના હોય, બાપ કરગરતો હોય, છોકરા પોલીસ સ્ટેશનમાં જઈને કરગરતા હોય છતાં, છોકરા પાસે નથી રહેવું. મૈત્રી કરારનો આ સૌથી ખરાબ કાયદો છે. પહેલા સમાજને એ નક્કી કરવું પડશે કે આપણા સમાજમાં જે દીકરા લગ્ન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે. ત્યારે 500 લોકોએ સાથે જઈ તેના ઘરે જઈને બેસી જવું જોઈએ, આની સામે તમે આકરા નહીં થાવ તો સમાજ આખો વેર વિખેર થઈ જવાનો છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો..

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:00 pm

SPIPAથી માનસી સર્કલ તરફનો 400 મીટરનો રોડ પહોળો કરાયો:84 જેટલા રહેણાંક સહિત 96 બાંધકામો દૂર, ટ્રાફિકની સમસ્યા દૂર થશે

શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સ્પીપા ઇન્સ્ટિટયૂટથી માનસી સર્કલ તરફ જવાના 18 મીટર રોડને દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ખોલવામાં આવ્યો છે. આ રોડ પર રણુજાનગર તરીકે ઓળખાતી વસાહત આવેલી હતી. જે વસાહત ના રહીશોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપી અને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સરખેજ કૃષ્ણધામ આવાસ યોજના ખાતે મકાનો ફાળવવામાં આવ્યા છે. રહેણાંક અને કોમર્શિયલ સહિતના 96 જેટલા બાંધકામો દૂર કરાયાઆજે 7 નવેમ્બરના રોજ દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સેટેલાઈટ પોલીસના બંદોબસ્ત સાથે રહેણાંક અને કોમર્શિયલ સહિતના 96 જેટલા બાંધકામો દૂર કરીને રોડ પહોળો કરવામાં આવ્યો છે જેના કારણે થઈને હવે સ્પીપા ઇન્સ્ટિટ્યૂટ પાસેથી સીધા માનસી સર્કલ તરફ જઈ શકાશે. 72 અસરગ્રસ્તોને આવાસ યોજનાથી વૈકલ્પિક મકાનો ફાળવાયાશહેરના સેટેલાઈટ વિસ્તારમાં બી.આર.ટી.એસ. રોડ સુંદરવન સામેથી સ્પીપાને સમાંતર માનસી સર્કલ તરફ જતા ટી.પી.સ્કીમ નં. 6(વેજલપુર)માં સમાવિષ્ટ 18 મીટર તથા 9 મીટર પહોળાઇના ટી.પી. રસ્તો આવેલો છે. આ રસ્તો સીધો સ્પીપાથી માનસી સર્કલ તરફ જાય છે. આ રોડ પર રણુજાનગર તરીકે ઓળખાતી વસાહત આવેલી છે. ટી.પી. રસ્તા પરના અસરગ્રસ્ત કબ્જેદારોને રસ્તો ખુલ્લો કરવા માટે નોટીસો આપી અસરગ્રસ્ત કબ્જેદારો પૈકી વૈકલ્પિક વ્યવસ્થાને પાત્ર થતા 72 અસરગ્રસ્તોને સરખેજ કૃષ્ણધામ આવાસ યોજના ખાતે ડ્રો-પધ્ધતિથી વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા હતા. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહીત્યારબાદ અસરગ્રસ્ત કબ્જેદારો દ્વારા અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવા બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી હતી જોકે હાઇકોર્ટ દ્વારા સ્ટેટ્સ ક્વો આપવામાં આવેલો હતો. 25 સપ્ટેમ્બર 2025ના રોજ સ્ટેટ્સ ક્વો દૂર થતા દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી અન્ય 6 કબ્જેદારોને સરખેજ કૃષ્ણધામ આવાસ યોજનામાં ડ્રો-પધ્ધતિથી વૈકલ્પિક વ્યવસ્થા ફાળવી હતી. 400 મીટર જેટલો આ રસ્તો 18 મીટરનો ટી.પી. રસ્તો ખુલ્લો કરવાની કામગીરીઆજે 7 નવેમ્બરના રોજ રોડ પહોળો કરવાની કામગીરી સ્ટેટ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત સાથે તથા 2 દબાણ ગાડી, 1 હીટાચી મશીન, 4 જે.સી.બી મશીન તથા 32 ખાનગી કોન્ટ્રાક્ટરના મજુરોની મદદથી 84 રહેણાંક, 06 કોમર્શિયલ અને 06 સોસાયટી કંપાઉન્ડ વોલ મળી કુલ- 96 બાંધકામના દબાણો દુર કરવામાં આવ્યા છે. અંદાજે 400 મીટર જેટલો આ રસ્તો 18 મીટરનો ટી.પી. રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:59 pm

હિંમતનગર કોંગ્રેસે નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કર્યું:પ્રમુખની ચેમ્બર આગળ રામધુન બોલાવી, આવેદનપત્ર ચોંટાડ્યું

હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરમાં ઊભરાતી ગટરો, રસ્તા પરના ખાડા, વરસાદી પાણીના નિકાલની અયોગ્ય વ્યવસ્થા અને બંધ સ્ટ્રીટ લાઇટ જેવી લાંબા સમયથી પ્રવર્તતી સમસ્યાઓ અંગે રજૂઆત કરાઈ હતી. શુક્રવારે સવારે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રજૂઆત કરવા નગરપાલિકા પહોંચ્યું હતું. જોકે, નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે પ્રમુખની ચેમ્બર આગળ બેસીને રામધુન બોલાવી હતી. કોંગ્રેસે પાલિકાના કર્મચારીને આવેદનપત્ર અને ખરાબ પાણી ભરેલી બોટલો સુપરત કરી હતી. પ્રતીકાત્મક રીતે રામધુન કર્યા બાદ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આવેદનપત્ર પાલિકા પ્રમુખની ચેમ્બરના દરવાજા પર ચોંટાડવામાં આવ્યું હતું. કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો શહેરમાં પાલિકાની ખરાબ કામગીરીથી સર્જાતી સમસ્યાઓ દૂર નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ અશોક પટેલ, સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ, વિપક્ષ નેતા ઇમરાન બાદશાહ, પૂર્વ કોર્પોરેટર જ્યોતિ દવે, કમળા પરમાર, જયેશ દવે, ઈશ્વર દેસાઈ, કુમાર ભાટ, મુકેશ પટેલ, કાંતિ ગામેતી, કોર્પોરેટર રઝાક, આસિફ, જાહીદા, મહિલા પ્રમુખ બિંદુબા, હીરા મકવાણા, રણછોડ પરમાર, ઇશાક શેખ સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:59 pm

સ્પાઇન સેન્ટરમાં નવા આર્ટિફિશિયલ અંગો બનાવવા વર્કશોપ:આરોગ્ય મંત્રીએ કહ્યું, દર મહિને આશરે 5,000 દિવ્યાંગો માટે હાથ-પગ તૈયાર કરાશે, સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે

રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં શહેરના સ્થિત સ્પાઇન સેન્ટરમાં વિશેષ વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી આવતા દિવ્યાંગ લોકોને વિનામૂલ્યે હાથ અને પગ જેવા આર્ટિફિશિયલ અંગો તૈયાર કરી આપવામાં આવશે. દર મહિને 5,000 આર્ટિફિશિયલ હાથ-પગ તૈયાર થશેજેમાં આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્પાઇન સેન્ટરની અંદર દર મહિને આશરે 5,000 દિવ્યાંગ વ્યક્તિઓને તેમના શરીરનાં માપ મુજબ આર્ટિફિશિયલ હાથ-પગ તૈયાર કરી આપવામાં આવશે. આ પ્રક્રિયા માટેની અદ્યતન લેમિનેશન માટેની સક્શન મશીન ONGC દ્વારા સહયોગ રૂપે ઉપલબ્ધ કરવામાં આવી છે, જેને આજથી કાર્યરત કરવામાં આવી છે. સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને તેનો હેતુ દિવ્યાંગ વ્યક્તિઓને ફરીથી પોતાના દૈનિક કાર્યો સ્વતંત્ર રીતે કરી શકે તેવો આત્મવિશ્વાસ આપવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે, ભગવાન કરે કોઈને આ સેવા લેવાની જરૂર ન પડે, પરંતુ જેમને કુદરતી રીતે ખામી છે, તેઓ આ સેવા દ્વારા પોતાનું જીવન ફરીથી સ્વાભિમાનપૂર્વક જીવી શકે. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ સ્પાઇન સેન્ટરની તબીબી ટીમ, વર્કશોપના કર્મચારીઓ અને સમગ્ર સ્ટાફની પ્રશંસા પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:50 pm

પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને આહવાન:સાવલીના વાંકાનેરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલનું નિવેદન, કહ્યું ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે કેન્સર થવાનો ખતરો વધ્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે આજે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીએ માત્ર જમીનને બંજર બનાવતી નથી, પરંતુ માનવ જીવનમાં કેન્સર અને અન્ય ગંભીર રોગોનો ભયંકર વિસ્ફોટ પેદા કર્યો છે. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી (નેચરલ ફાર્મિંગ) અપનાવવાથી ઉત્પાદન ઘટતું નથી, પરંતુ વધે છે, અને તે પર્યાવરણ તેમજ સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે. વડોદરા જિલ્લાના વાંકાનેર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં થઈ રહેલા 9 લાખ જેટલા સફળ પ્રયાસોની નોંધ લીધી હતી અને ખેડૂતોને ડર્યા વગર આ માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો. સાથે ગુજરાતના ખેડૂત સમુદાય સાથે સીધો અને સઘન સંવાદ સ્થાપિત કરવાની નવી પહેલની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે પાંચ વર્ષમાં દરેક જિલ્લાની મુલાકાત લીધા બાદ, હવે બીજો તબક્કો શરૂ થયો છે, જેમાં ગુજરાતના પ્રત્યેક તાલુકા સુધી પહોંચી ખેતરોમાં સીધો સંવાદ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. તેમણે નિયમ બનાવ્યો છે કે જે ગામમાં તેઓ જશે, ત્યાં પંચાયત ભવન અથવા શાળામાં આખી રાત ગુજારશે અને ગામના લોકો સાથે રાત્રિ સભા યોજશે. આ સાથે જ, તેઓ ગામના અનુસૂચિત જાતિના પરિવારો સાથે બેસીને ભોજન લેશે, અને બીજા દિવસે સવારે ગૌ માતાનું દૂધ દોહવાનું કાર્ય પણ પોતે કરશે, જેથી ખેડૂતોને ખાતરી થાય કે તેઓ પોતે પણ એક ખેડૂત છે. પોતાના ઉદ્દબોધનમાં રાજ્યપાલે એ પોતે ખેડૂત હોવાનો દાખલો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુળનું સંચાલન કરે છે, જ્યાં 200 એકર જમીન અને 400 ગૌ માતાઓ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ છેલ્લા નવ વર્ષથી બિલકુલ શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરે છે અને જમીનમાં એક ટીપું પણ યુરિયા, ડીએપી કે જંતુનાશકનો ઉપયોગ કરતા નથી. તેમણે ઉમેર્યું કે જેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે, તેમનું ઉત્પાદન ઓછું થવાને બદલે હવે વધી ગયું છે, જે આ પદ્ધતિની સફળતાનો જીવંત પુરાવો છે. રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે જે ખેડૂતો રાસાયણિક ખેતી કરી રહ્યા છે, તેમની જમીન બંજર બની ચૂકી છે. કૃષિ વૈજ્ઞાનિકો અનુસાર, જે જમીનનો ઓર્ગેનિક કાર્બન (OC) 0.5થી નીચે હોય, તે બંજર ગણાય છે, અને ગુજરાતમાં રાસાયણિક ખેતી કરતા મોટાભાગના લોકોના ખેતરોનો ઓર્ગેનિક કાર્બન 0.5થી નીચે આવી ગયો છે. આ જમીનમાંથી જબરદસ્તી પેદાવાર લેવા માટે ખેડૂતોને દર વર્ષે યુરિયા, ડીએપી અને અન્ય રાસાયણિક ખાતરોની માત્રા વધારવી પડે છે. તેમણે ચેતવણી આપી હતી કે યુરિયા, ડીએપી અને જંતુનાશકોએ ધરતીની ગુણવત્તા વધારનારા અને ખેડૂતના મિત્ર ગણાતા સૂક્ષ્મ જીવાણુઓ, અળસિયા અને મિત્ર કીટકોનો નાશ કર્યો છે. રાસાયણિક દવાઓ એટલી ઝેરી છે કે તે સાપ જેવા જીવને પણ મારી નાખે છે, તો પછી ધરતીને ઉપજાવ બનાવતા સૂક્ષ્મ જીવો કેવી રીતે બચી શકે? રાસાયણિક ખેતીને કારણે યુએનઓ (UNO)ના રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં ધરતી માતાનું ઉત્પાદન 10% જેટલું ઘટી ગયું છે, અને જો આ પદ્ધતિ ચાલુ રહેશે તો ઉત્પાદન વધુ ઘટશે. તેઓએ કહ્યું કે, 7 નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉલ્લેખ કરીને, ગુજરાતમાં કેન્સરના ભયાનક વધારા અંગે આંકડા રજૂ કર્યા છે. ગુજરાત પ્રદેશ કેન્સર સોસાયટીના અધ્યક્ષ તરીકે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દરરોજ 790 નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે. તેમણે માહિતી આપી કે 2020માં ગુજરાતમાં 70હજાર કેન્સરના દર્દીઓ હતા, જે પાંચ વર્ષમાં વધીને પ્રતિ વર્ષ દોઢ લાખ નવા દર્દીઓ થઈ ગયા છે, એટલે કે કેન્સરના દર્દીઓ બમણા થઈ ગયા છે. આરોગ્ય સંકટની ગંભીરતા દર્શાવતા, તેમણે જણાવ્યું કે પીએમ જન આયુષ્માન યોજના હેઠળ જ છેલ્લા એક વર્ષમાં 2.88 લાખ કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. તેમણે ખેડૂતોને વિનંતી કરી કે તેઓ એવી ખેતી ન કરે જે લોકોનું જીવન લે છે, જેમ કે તમાકુની ખેતી, જે કેન્સર જેવા જીવલેણ રોગો પેદા કરે છે. તેમણે ચેતવણી આપી કે યુએનઓનો આંકડો દર્શાવે છે કે જો ભારતમાં રાસાયણિક ખેતી અને વર્તમાન જીવનશૈલી ચાલુ રહેશે, તો આગામી 7- 8 વર્ષમાં કેન્સરનો ભયંકર વિસ્ફોટ થશે. રાજ્યપાલે ખેડૂતોની એ ભ્રાંતિને દૂર કરી કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થાય છે. તેમણે સ્પષ્ટતા કરી કે જો ખેડૂતો જૈવિક ખેતી (ઓર્ગેનિક ખેતી) કરશે તો કદાચ ઉત્પાદન ઓછું થઈ શકે છે, પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઓછું થતું નથી, પરંતુ ઊલટું વધે છે. તેમણે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોના હાથ ઊંચા કરાવીને સભામાં જ સાબિત કર્યું હતું કે તેમના ખેતરોની માટીનું ઓર્ગેનિક કાર્બન (OC) 1 અથવા તેનાથી ઉપર છે અને તેમની જમીન જંગલની ભૂમિ જેવી બની ગઈ છે. તેમણે પ્રાકૃતિક ખેતીનો એક મોટો ફાયદો જણાવતા કહ્યું કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, તેમને બેમોસમી વરસાદને કારણે રાસાયણિક ખેતી કરનારાઓ કરતાં ઘણું ઓછું નુકસાન થાય છે. આનું કારણ એ છે કે પ્રાકૃતિક ખેતીમાં અળસિયાની આખી સેના જમીનમાં છિદ્રો (પોર્સ) બનાવે છે, જેના કારણે ધરતી માતા પાણીને પોતાના પેટમાં સમાવી લેવાની તાકાત વધારી દે છે. જ્યારે રાસાયણિક ખેતીથી બંજર થયેલી જમીન પાણી શોષી શકતી નથી, પરિણામે પાણી ખેતરોમાં ભરાઈ રહે છે અને પાક બરબાદ થઈ જાય છે. રાજ્યપાલે બેમોસમી વરસાદ અને પર્યાવરણના દૂષણ માટે રાસાયણિક ખેતીના મોટા યોગદાન પર ભાર મૂક્યો હતો. તેમણે સમજાવ્યું કે જ્યારે ખેતરોમાં યુરિયા અને ડીએપીનો છંટકાવ કરવામાં આવે છે, ત્યારે તેમાં રહેલું નાઇટ્રોજન વાતાવરણના ઓક્સિજનના સંપર્કમાં આવતા નાઇટ્રસ ઓક્સાઇડ નામનો વાયુ પેદા થાય છે. આ નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ પર્યાવરણ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 312 ગણો વધારે ખતરનાક છે અને તે વાતાવરણને દૂષિત કરીને બેમોસમી વરસાદ જેવી આફતોમાં મોટો ફાળો આપે છે. તેમણે કૃત્રિમ બીજ દાન સહિતની પશુપાલન અને કૃષિ કલ્યાણની યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી. વાંકાનેર પીએમ શ્રી પ્રાથમિક શાળા પટાંગણમાં રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાએ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે થઈ રહેલી કાર્યવાહીની રૂપરેખા આપી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:50 pm

હિંમતનગરમાં વંદે માતરમનું સમૂહગાન અને શપથ:ભાજપ કાર્યાલય અને કલેક્ટર કચેરીમાં સ્વદેશી સંકલ્પ સાથે ઉજવણી

હિંમતનગરમાં વંદે માતરમ ગીતના સર્જનને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ કાર્યાલય અને કલેક્ટર કચેરી ખાતે સમૂહગાન અને સ્વદેશી શપથનું આયોજન કરાયું હતું. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વંદે માતરમ સમૂહગાન અને સ્વદેશી શપથવિધિ યોજાઈ હતી. આ પ્રસંગે કાર્યકર્તાઓએ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લઈને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્ર પટેલ, શહેર સંગઠન પ્રમુખ કુલદીપ પાઠક, મહામંત્રી ભગીરથસિંહ ઝાલા, પરીક્ષિત વખારિયા સહિત શહેર સંગઠનના સભ્યો, મહિલા મોરચાના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત, હિંમતનગરની જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પણ વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે સમૂહગાનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલા અને સાંસદ શોભના બારૈયાએ જિલ્લાના અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે મળીને વંદે માતરમનું સમૂહગાન કર્યું હતું. આ ગીત ભારતની અખંડિતતા, સંસ્કૃતિ અને માતૃભૂમિ પ્રત્યેના અતૂટ પ્રેમનું પ્રતીક છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:49 pm

વંદે માતરમ્ના 150 વર્ષની ઉજવણી:ગોધરા APMC ખાતે સહકારી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ યોજાયો

ગોધરા APMC ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમ્ના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાની સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, આગેવાનો અને પંચમહાલ જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વંદે માતરમ્નું સમૂહગાન કરવામાં આવ્યું અને સ્વદેશી અપનાવવાના શપથ લેવાયા. કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન ચંદ્રસિંહ રાઉલજી, ગોધરા APMCના ચેરમેન પ્રવિણસિંહ રાઉલજી અને વાઇસ ચેરમેન કિરીટસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા ઉપપ્રમુખ કકુલ પાઠક, તાલુકા ભાજપ પ્રમુખ સંજય પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ રંજન રાઠોડ અને જમીન વિકાસ બેંકના જનરલ મેનેજર રાવલ સહિત વિવિધ સહકારી સંસ્થાઓના ચેરમેનો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જિલ્લા સહકારી સંઘના ચીફ એક્ઝિક્યુટિવ પારૂલ સોલંકીએ સ્વાગત પ્રવચન કર્યું અને સ્વદેશી અપનાવવાના શપથ લેવડાવ્યા. કાર્યક્રમનું સંચાલન ભાજપ મધ્ય ઝોનના આઈટી સેલના સહ-ઈન્ચાર્જ ચિરાગ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.ગોધરા બજાર સમિતિના ચેરમેન પ્રવિણસિંહ રાઉલજીએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:44 pm

સારોલીમાં આવેલી ટેકસટાઇલ માર્કેટમાં 10મા માળે આગ:6 ફાયર સ્ટેશનની 12થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, વેપારીઓમાં અફરાતફરીનો માહોલ

સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. માર્કેટના 10મા માળે ભીષણ આગ ફાટી નીકળતાં વેપારીઓમાં અફરાતફરી મચી ગઈ છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6 ફાયર સ્ટેશનોની 12થી વધુ ગાડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યાં છીએ...

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:40 pm

શહીદ જવાનની અંતિમયાત્રામાં આખું જૂનાગઢ જોડાયું:હવલદાર અમિત ધોળકિયાનું લાંબી બીમારી બાદ દુઃખદ નિધન:શહીદની અંતિમયાત્રામાં હજારો લોકોએ ગાર્ડ ઓફ ઓનર સાથે આપી વિદાય

જૂનાગઢ માટે આજે ગૌરવ અને ગમગીનીનો દિવસ રહ્યો, જ્યારે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા વીર હવલદાર અમિત ધોળકિયાની અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. દેશની સેવા કરતાં કારગિલ યુદ્ધ દરમિયાન થયેલી બીમારીના કારણે લાંબા સંઘર્ષ બાદ અમિત ધોળકિયા શહીદ થયા છે, જેના કારણે જૂનાગઢમાં શોકનો માહોલ છવાયો છે.​ જૂનાગઢ જિલ્લાના માજી સૈનિક સેવા દળના પ્રમુખ રમેશભાઈ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે જૂનાગઢના વતની અમિત ધોળકિયા ભારતીય સૈન્યમાં હવલદાર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે 23 વર્ષ સુધી દેશની સેવા કરી, જેમાં તેમની કારકિર્દીનો એક મહત્ત્વનો ભાગ કારગિલ યુદ્ધ દરમિયાનની ફરજ હતી.​કારગિલ યુદ્ધ દરમિયાન જ અમિત ધોળકિયાને ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી અને તેઓ લાંબી બીમારીમાં સપડાયા હતા. આ બીમારીની ગંભીરતાને કારણે તેમને દિલ્હી ખાતે ફરજ પર મૂકવામાં આવ્યા હતા.છેલ્લા ઘણા સમયથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં ગઈકાલે તેમની લાંબી બીમારીના કારણે દુઃખદ નિધન થયું હતું. અમિતભાઈ ધોળકિયાએ દેશની રક્ષા માટે જે બલિદાન આપ્યું છે, તે હર હંમેશ માટે સૌના હૃદયમાં જીવિત રહેશે અને આ વીર શહીદ જવાનને સો સો સલામ છે.​ નિવૃત્તિ પહેલાં જ જીવનદીપ બુઝાયો​ અમિતભાઈ ધોળકિયા ફેબ્રુઆરી 2026માં પોતાની ફરજ પરથી નિવૃત્ત થવાના હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. નિવૃત્તિની નજીક જ બીમારીના કારણે તેમનું મૃત્યુ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ધોળકિયા પરિવાર અને સગા-સંબંધીઓની આંખો રડી રહી હતી, ખાસ કરીને તેમના સંતાનોમાં પિતાને ગુમાવ્યાનો શોક સ્પષ્ટ વર્તાતો હતો. અમિતભાઈ ધોળકિયાના પરિવારમાં તેમની પત્ની, એક દીકરો અને એક દીકરી છે.​ શહીદને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય​ આ વીર શહીદની અંતિમયાત્રામાં આખું જૂનાગઢ જોડાયું હતું. જૂનાગઢના લોકો, માજી સૈનિકો, અધિકારીઓ અને પદાધિકારીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને વીર જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતીય સૈન્યના ગૌરવ સાથે, શહીદ અમિત ધોળકિયાને ગાર્ડ ઓફ ઓનર આપીને શહીદીને સલામ કરવામાં આવી હતી. જૂનાગઢની જનતાએ આ અંતિમયાત્રામાં જોડાઈને ભારતની રક્ષા માટે હર હંમેશ ખડે પગે રહેતા સૈનિકો પ્રત્યે પોતાનું ગૌરવ અને સન્માન વ્યક્ત કર્યું હતું..

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:38 pm

15 વર્ષીય દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી:સગીરાને 25 સપ્તાહનો ગર્ભ'તો, કોર્ટે કહ્યું, મેડિકલ અહેવાલ મુજબ કોઈ ગંભીર લક્ષણો નહીં, ગર્ભપાત શક્ય

રાજકોટની દુષ્કર્મ પીડિતા 15 વર્ષીય સગીરાના 25 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં તેના માતા- પિતા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી, મેડિકલ અહેવાલ મુજબ કોઈ ગંભીર લક્ષણો નહીં, ગર્ભપાત શક્ય છે તેમ જણાવ્યું હતું. આ સંદર્ભે હાઇકોર્ટે રાજકોટની PDU હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતાં. જેથી જાણી શકાય કે સગીરાનો ગર્ભપાત શક્ય છે કે કેમ ? તેમાં કોઈ એબનોર્માલિટી છે કે કેમ ? તેમાં રિસ્ક છે તો કેટલું છે ? માતા પિતાએ ગર્ભપાત માટે અરજી કરીસગીરાના માતા પિતાએ ગર્ભપાત માટે અરજી કરી હતી. કારણ કે સગીર શારીરિક અને માનસિક રીતે ગર્ભ રાખવા, બાળકને જન્મ આપવા જે તેના નિભાવ માટે સક્ષમ નથી. આવા કેસોમાં કાયદા અનુસાર 24 સપ્તાહના ગર્ભના ગર્ભપાત સુધી સામાન્ય સંજોગોમાં મંજૂરી અપાતી હોય છે. સગીરાને 25 સપ્તાહનો ગર્ભ, હાઈકોર્ટની ગર્ભપાત કરવા મંજૂરીમેડિકલ રીપોર્ટ મુજબ સગીરાને 25 સપ્તાહનો ગર્ભ છે. તેમજ તેને કોઈ ગંભીર લક્ષણો નથી અને ગર્ભપાત શક્ય છે. જેથી આગળની કાર્યવાહી કરી શકાય તેમ છે. 24 સપ્તાહ પછીના ગર્ભનો ગર્ભપાત સ્ત્રીના શરીરને અસર કરે છે. હાઇકોર્ટે ડોક્ટરોને સગીરા સાથે વાત કરી, તેની સહમતિ મેળવી ગર્ભપાત કરવા નિર્દેશ આપ્યા હતા. યોગ્ય સારવાર અને કાળજી રાખવા હાઇકોર્ટનો નિર્દેશસગીરાની ગર્ભપાત પહેલા અને પછી યોગ્ય સારવાર અને કાળજી રાખવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે. વધુમાં જો બાળક જીવિત જન્મે તો તેના સારવારની યોગ્ય કાળજી રાખવી, તેમજ કાયદા મુજબ આગળ કાર્યવાહી કરવી અને સગીરાના ગર્ભના પેશીના DNA આરોપી સામે ગુન્હો પુરવાર કરવા FSL માં મોકલી આપવા નિર્દેશ આપ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:31 pm

પંચમહાલ SOG એ વોન્ટેડ આરોપીને ઝડપ્યો:રાજગઢ ઘરફોડ ચોરી કેસમાં ફરાર અનસ સુઠીયા પકડાયો

પંચમહાલ-ગોધરા SOG પોલીસે રાજગઢ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપી અનસ હસન સુઠીયાને ઝડપી પાડ્યો છે. આરોપીને ગોધરાના નવી રોજી સાતપુલ રોડ પરથી પકડવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે SOG ઇન્સ્પેક્ટર આર.એ. પટેલ અને સબ-ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલે સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. SOGના એ.એસ.આઇ. શંકરસિંહ સજ્જનસિંહને મળેલી બાતમીના આધારે, પો.સ.ઈ. બી.કે. ગોહિલ અને SOG સ્ટાફે કાર્યવાહી કરી હતી. અનસ હસન સુઠીયા (રહે. નદીપાર ગોન્દ્રા, ગોધરા) રાજગઢ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 0436/2025 BNS-2023 કલમ 305, 331(3), 331(4) હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. આરોપીને પકડી પાડ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:27 pm

ત્રણ ઘરફોડ ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો:પંચમહાલ-ગોધરા SOG પોલીસે સલમાન સબુરિયાને ગોધરામાંથી દબોચ્યો

પંચમહાલ-ગોધરા SOG પોલીસે ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન અબ્દુલ રઉફ સબુરિયાને ગોધરામાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી પંચમહાલ જિલ્લાના વેજલપુર અને રાજગઢ પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર હતો. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતની સૂચનાના આધારે, SOG ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલ અને SOG સ્ટાફને જરૂરી સૂચનાઓ અપાઈ હતી. SOG ગોધરાના એ.એસ.આઈ. શંકરસિંહ સજ્જનસિંહને મળેલી બાતમીના આધારે, પો.સ.ઇ. બી.કે. ગોહિલ અને SOG સ્ટાફે આરોપી સલમાન અબ્દુલ રઉફ સબુરિયાને ગોધરાના કેપ્સુલ પ્લોટ, વેજલપુર રોડ પરથી પકડી પાડ્યો હતો. આરોપીને વધુ કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપી સલમાન સબુરિયા નીચે મુજબના ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ હતો: * વેજલપુર પો.સ્ટે. ગુ.ર.નં. 0405/2025 BNS-2023 કલમ 305(એ), 331(3), 331(4) * રાજગઢ પો.સ્ટે. ગુ.ર.નં. 0436/2025 BNS-2023 કલમ 305, 331(3), 331(4) * અસલાલી પો.સ્ટે. ગુ.ર.નં. 0553/2025 BNS-2023 કલમ 305, 334(1) આરોપી સલમાન સબુરિયાનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ પણ નોંધપાત્ર છે. તેની વિરુદ્ધ અગાઉ નીચે મુજબના ગુનાઓ નોંધાયેલા છે: * ગોધરા ટાઉન એ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. 0483/2021 IPC કલમ 379 * વેજલપુર પો.સ્ટે. ગુ.ર.નં. 0429/2021 IPC કલમ 380, 457 * હાલોલ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. 0515/2021 IPC કલમ 379 * ગોધરા ટાઉન બી ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. 0612/2023 IPC કલમ 380, 454, 457 * ગોધરા ટાઉન બી ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. 0222/2024 પશુ સંરક્ષણ અધિ. કલમ 5, 6(એ), 8 * ગોધરા ટાઉન બી ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. 0652/2024 પશુ સંરક્ષણ અધિ. કલમ 5, 6(એ), 8

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:22 pm

તાપીમાં અતિવૃષ્ટિથી પાક નુકસાન, ખેડૂતોની સહાય માંગ:સરકાર સમક્ષ વળતર અને MSP મુજબ ખરીદીની રજૂઆત

તાપી જિલ્લાના એસ.ટી., એસ.સી., ઓબીસી અધિકાર મંચ અને તાપી આદિવાસી ખેડૂત સમાજ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદન જિલ્લા કલેક્ટર મારફતે ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે, તાપી જિલ્લામાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિને કારણે ડાંગર, ભીંડા, રીંગણ, તુવેર, મરચાં અને મગફળી જેવા પાકને ભારે નુકસાન થયું છે. આનાથી નાના અને સીમાંત આદિવાસી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ખેડૂત સંગઠનોએ સરકાર સમક્ષ પાંચ મુખ્ય માગણીઓ રજૂ કરી છે.તેમની માગણીઓમાં એક વિંધી દીઠ રૂપિયા 50,000નું નુકસાન વળતર આપવું અને વારસાઈ બાકી રહેલા ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે અલગ સર્વે કરવો મુખ્ય છે. આ ઉપરાંત, રાઈસ મિલો દ્વારા ઓછી કિંમતમાં ડાંગરની ખરીદી પર કાર્યવાહી કરીને MSP (મહત્તમ સપોર્ટ પ્રાઈઝ) મુજબ ખરીદીની વ્યવસ્થા ગોઠવવાની માગ પણ કરવામાં આવી છે. ડાંગર ખરીદી માટે MSP મુજબ તાત્કાલિક જાહેરાત કરવા અને અતિવૃષ્ટિથી થયેલા નુકસાનની સહાય જાહેર કરવા પણ જણાવાયું છે. રોકડિયા અને શાકભાજી પાકોના નુકસાનનું સર્વેક્ષણ કરીને સહાય જાહેર કરવાની પણ અપીલ કરવામાં આવી છે. ખેડૂત સંગઠનોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો તેઓ બંધારણીય હક્ક માટે આંદોલન શરૂ કરવા મજબૂર થશે. તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે. આંદોલનકારી સંગઠનોની મુખ્ય માગ ખેડૂતોને તાત્કાલિક રાહત આપીને તેમની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:18 pm

‘લાગતુ નથી કે આ વખતે ધો-12માં નીકળી શકીએ’:શિક્ષક જ નથી તો ભણાવશે કોણ?, યુ-ટયૂબ પર ભણીએ છીએ; અમદાવાદની સ્કૂલમાં ધો 9થી 12માં ટીચર જ નથી

અમદાવાદ સ્માર્ટ સિટીમાં શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે. નરોડા સૈજપુર વિસ્તારમાં આવેલી શિવમ વિદ્યાલય સ્કૂલ શિક્ષક વગર જ ચાલી રહી છે. એક પણ શિક્ષક ના હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં ઓનલાઈન અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન વીડિયો જોઈને જ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. શાળા સંચાલક દ્વારા અનેક વખત શિક્ષક ફાળવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે. શાળા ટ્રસ્ટી પૂર્વ ધારાસભ્ય હોવા છતાં કાયમી શિક્ષક આપવાની તો દૂરની વાત છે પરંતુ જ્ઞાન સહાયક પણ ફાળવવામાં આવ્યા નથી. જેના કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થઈ શકે તેવી પણ તૈયારી કરી શક્યા નથી. ક્યાંક એક શિક્ષક તો ક્યાંક બે શિક્ષક તમામ વિષયો ભણાવી રહ્યા છેસ્માર્ટ સિટી અમદાવાદમાં વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. રાજ્યમાં પણ કરોડોના ખર્ચે વિકાસના કામ થઈ રહ્યા છે. પરંતુ શિક્ષણ ક્ષેત્રે કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેની વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યની અનેક શાળાઓ શિક્ષકો વગર ચાલી રહી છે. ક્યાંક એક શિક્ષક તો ક્યાંક બે શિક્ષક તમામ વિષયો ભણાવીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. તો ક્યાંક માત્ર જ્ઞાન સહાયકના સહારે જ સરકારી શાળાઓ ચાલી રહી છે. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતનું સ્લોગન માત્ર કાગળ પર રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્રણ વર્ષથી આચાર્ય આપ્યા નથીનરોડાના સૈજપુર વિસ્તારમાં આવેલી શિવમ વિદ્યાલય સ્કૂલના સંચાલકોએ અનેક વખત અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગને શાળામાં શિક્ષકો ફાળવવા પત્ર લખ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં આચાર્ય પણ આપવામાં આવ્યા નથી. જેના કારણે તમામ વહીવટ ઇન્ચાર્જ આચાર્ય દ્વારા થઈ રહ્યા છે. અંગ્રેજી, વિજ્ઞાન સહિતના વિષયમાં એક પણ શિક્ષક આપ્યા નથીતો બીજી તરફ માધ્યમિક વિભાગમાં ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે એક પણ શિક્ષક નથી. વિદ્યાર્થીઓ શાળા હોવા છતાં ઓનલાઇન શિક્ષણથી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. અંગ્રેજી, વિજ્ઞાન સહિતના વિષયમાં એક પણ શિક્ષક આપવામાં આવ્યા નથી. અનેક રજૂઆત છતાં વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરીને જ્ઞાન સહાયક પણ આપવાની તસ્દી શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી નથી. જો સ્માર્ટ સિટી અમદાવાદમાં શિક્ષકોની ફાળવણી ના થતી હોય તો સમજી શકાય છે કે અંતરિયાળ ગામડાઓમાં કેવી સ્થિતિનું નિર્માણ થતું હશે. પૂર્વ ધારાસભ્યની જ રજૂઆત અધિકારીઓ સાંભળતા નથીશિવમ વિદ્યાલય સ્કૂલના ટ્રસ્ટી પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલા છે. પૂર્વ ધારાસભ્યની જ રજૂઆત અધિકારીઓ સાંભળતા ન હોય તો અન્ય શાળાઓની શું સ્થિતિ હશે તે સમજી શકાય છે. શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી હોવાની પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલાએ અનેક વખત રજૂઆત કરી છે. કેટલાય પત્ર જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગને મોકલવામાં આવ્યા છે. પરંતુ એક પણ શિક્ષકની ફાળવણી ન કરવામાં આવતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય હવે જોખમમાં મુકાઈ ગયું છે. બોર્ડની પરીક્ષાની તૈયારી પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન વીડિયો જોઈને જ કરી રહ્યા છે. લેબમાં પડેલા કોમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યાશિવમ વિદ્યાલય સ્કૂલમાં લાખો રૂપિયાના ખર્ચે કોમ્પ્યુટર લેબ પણ બનાવવામાં આવી હતી. બાળકો ડિજિટલ યુગ સાથે તાલ મિલાવી શકે તે માટેનું સપનું જોવામાં આવ્યું હતું. ડિજિટલ યુગમાં બાળકો પણ ડિજિટલ થઈ શકે તેવા વિચાર સાથે લાખો રૂપિયાના ખર્ચે કોમ્પ્યુટર વિકસાવી લેબ બનાવવામાં આવી હતી. પરંતુ હવે આ લેબમાં પડેલા કોમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યા છે. કારણ કે શાળામાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનો અભ્યાસ કરાવી શકે તે શિક્ષક જ નથી. જેથી લેબમાં પડેલા કોમ્પ્યુટરને પણ ઢાંકીને રાખવામાં આવ્યા છે. શાળામાં ધોરણ 9થી 12માં એક પણ શિક્ષક નથી: ટ્રસ્ટીશિવમ વિદ્યાલય સ્કૂલના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમારી શાળામાં ધોરણ 9થી 12માં એક પણ શિક્ષક નથી. જેથી શિક્ષકો આપવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો વહેલી તકે આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. ગ્રાન્ટ ન મળે તો વાંધો નથી, પણ શિક્ષકો ફાળવોઆચાર્ય, ક્લાર્ક અને પટાવાળા પણ આપવામાં આવ્યા નથી. કોમ્પ્યુટર લેબ તો છે પરંતુ કોમ્પ્યુટર શિક્ષક પણ આપવામાં આવ્યા નથી. અમારી માંગણી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શિક્ષકો ફાળવવામાં આવે. અમને ગ્રાન્ટ ન મળે તો પણ કોઈ વાંધો નથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે છે તે ના બગડે તે માટે શિક્ષકો ફાળવવામાં આવે. શાળા કઈ રીતે ચલાવી તે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે. બોર્ડની પરીક્ષામાં પાસ થઇએ તેવું નથી લાગતું: વિદ્યાર્થિનીધોરણ 12ની વિદ્યાર્થિની સોનલ પટણીએ જણાવ્યું હતું કે શિક્ષકો વગર અભ્યાસ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. પરીક્ષા નજીક છે તો અમને શિક્ષકો ફાળવવામાં આવે એવી અમારી માગ છે. બોર્ડની પરીક્ષામાં કઈ લખી શકીએ તેવી પણ અમે તૈયારી કરી શક્યા નથી. બોર્ડની પરીક્ષામાં પાસ થઈ શકીએ તેવું પણ નથી લાગી રહ્યું. 56 કામગીરીમાં વ્યસ્ત શિક્ષક પાસે ભણાવવાનો સમય નથીઅગાઉ કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024નો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેવા પ્રકારનું છે તેની વરવી વાસ્તવિકતા સામે આવી હતી. રિપોર્ટ મુજબ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોપ 10 પર્ફોર્મિંગ રાજ્યમાં ગુજરાત રાજ્યનો સમાવેશ જ થતો નથી. રિપોર્ટ મુજબ ગુજરાત રાજ્યનો સમાવેશ નબળું પ્રદર્શન કરનારા રાજ્યોની યાદીમાં થાય છે. ત્યારે આ રિપોર્ટમાં ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર કેમ કથળી રહ્યું છે તેને લઈને દિવ્ય ભાસ્કરે તપાસ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયાં હતા. શિક્ષકોને શિક્ષણ સિવાયની 56 કામગીરી સોંપાતા 'પરખ' રિપોર્ટમાં ગુજરાત પછડાયુંબાળકોમાં લેખન શક્તિ કેવી છે, બાળક કેવા પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે, શૈક્ષણિક સ્તર કેવા પ્રકારનું છે આ તમામ પાસાઓને લઈને મૂલ્યાંકન કસોટી લેવામાં આવે છે અને તેના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જેથી આ તમામ બાબતોમાં બાળકોને તૈયાર કરવાની જવાબદારી શિક્ષકની બનતી હોય છે. શિક્ષક કે જે બાળકના ઘડતર માટે મહત્વનું પાસું છે. બાળકનો પાયો મજબૂત કરવા માટે શિક્ષક મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ શિક્ષક બાળકોને ભણાવવા માટે સમય જ ના આપી શકતો હોવાનું સામે આવ્યું છે. જેને માત્ર બાળકોના શિક્ષણની ચિંતા કરવાની હોય તે શિક્ષક અત્યારે 56 જેટલી જવાબદારીઓનો ભાર લઈને ફરી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:13 pm

કાલોલ પડોશીએ પિતા-પુત્રને માર માર્યો:સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ

કાલોલ તાલુકાના જંત્રાલ ગામે પડોશીઓ વચ્ચે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એક પડોશીએ બીજા પડોશી અને તેના પુત્ર પર હુમલો કરી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ફરિયાદીને મોઢાના ભાગે ઈજા થતા બે ટાંકા આવ્યા હતા. સમગ્ર મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જંત્રાલ ગામના નરવત સોમાભાઈ પરમાર ગત 6 નવેમ્બર, 2025ના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે ગામની બેંક ઓફ બરોડામાં પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવવા ગયા હતા. તે સમયે તેમના ઘર સામે રહેતા મનોજ હિંમતભાઈ પરમાર પણ ત્યાં હાજર હતા. બેંકમાંથી બહાર નીકળતી વખતે નરવતભાઈએ મનોજભાઈને તેમના ઘર પર ખોટી નજર રાખવા બાબતે પૂછ્યું હતું. આથી મનોજભાઈએ તેમની ફોર વ્હીલ ગાડીમાં બેસી નરવતભાઈને ગાળો ભાંડી ત્યાંથી જતા રહ્યા હતા. આ ઘટના બાદ નરવતભાઈએ તેમના પુત્ર અર્પિતને ફોન કરીને જાણ કરી હતી. અર્પિત કાલોલથી પોતાની ગાડી લઈને ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં વાઘેશ્વરી મંદિર પાસે મનોજભાઈ ઉભા હતા. મનોજભાઈએ અર્પિત સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હતી. આ અંગે અર્પિતે નરવતભાઈને ફોન કરતા તેઓ પણ મોટરસાયકલ લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નરવતભાઈ છોડાવવા વચ્ચે પડતા મનોજભાઈએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો અને ગાળો ભાંડી હતી. ઝપાઝપી દરમિયાન નરવતભાઈ નીચે પડી જતા તેમને મોઢાના ઉપરના હોઠના ભાગે ઈજા થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. મનોજભાઈએ તેમને અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત નરવતભાઈને તેમના પુત્ર અર્પિત કાલોલ રેફરલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને સુપેડા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સુપેડા હોસ્પિટલમાં ડોક્ટરોએ નરવતભાઈના હોઠ પર બે ટાંકા લઈ સારવાર આપી હતી. ત્યારબાદ નરવતભાઈએ તેમના પુત્ર સાથે કાલોલ પોલીસ સ્ટેશન પહોંચી મનોજભાઈ હિંમતભાઈ પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:04 pm

વડોદરામાં આવતીકાલે કિક્રેટર રાધા યાદવનો ભવ્ય રોડ શો:રાત્રે 8 વાગ્યે એરપોર્ટથી શરૂ થઈ ક્રુગારા ક્રિકેટ એકેડમી ખાતે પૂર્ણ થશે, વુમન્સ વર્લ્ડકપ જીત્યા બાદ પ્રથમવાર ઘરે આવશે

વડોદરા શહેરની ગૌરવ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવ વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ આવતીકાલે 8 નવેમ્બરે પ્રથમવાર વડોદરા આવી રહી છે અને તેના સન્માનમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાધા યાદવ રાત્રે 8 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવશે, જ્યાંથી આ રોડ શોનો પ્રારંભ થશે. રોડ શો એરપોર્ટ સર્કલ, મીરા ચાર રસ્તા, ગાંધી પાર્ક, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર અને અમિતનગર જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને કૃગારા ક્રિકેટ એકેડમી ખાતે પૂર્ણ થશે. રાધા યાદવના સ્વાગત માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને સ્થાનિક લોકો ઉમટી પડશે તેવી સંભાવના છે. આ સ્ટોરી અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 2:03 pm

વંદે માતરમ્ના 150 વર્ષ સોમનાથમાં વિશેષ ઉજવણી:સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં ‘અખંડ વંદે માતરમ્’નું સમૂહગાન

રાષ્ટ્રગીત વંદે માતરમ્ આ વર્ષે તેના 150મા વર્ષમાં પ્રવેશ્યું છે, જે ભારતની અખંડ એકતા, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરે છે. આ અવસરે સોમનાથ મહાદેવના પવિત્ર ધામ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ‘અખંડ વંદે માતરમ્’નું સમૂહગાન કરવામાં આવ્યું. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ પરિવાર, પાઠશાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક નાગરિકો અને ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સૌએ એકસાથે ‘અખંડ વંદે માતરમ્’નું સમૂહગાન કરીને દેશભક્તિની ભાવનાને જીવંત કરી. મંદિર પ્રાંગણમાં ગુંજતા વંદે માતરમ્ના સ્વરોએ ઉપસ્થિત સૌને ગૌરવ અને દેશપ્રેમથી ભરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન ધ્વજારોહણ, પ્રાર્થના અને વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા રાષ્ટ્રગીતના સર્જક બંકિમચંદ્ર ચટર્જીને યાદ કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા રજૂ થયેલા દેશભક્તિ ગીતો અને નૃત્યોએ કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ ઉમેર્યો હતો. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે, “વંદે માતરમ્ માત્ર એક ગીત નથી, પરંતુ આપણા રાષ્ટ્રની આત્મા છે — જે દરેક ભારતીયના હૃદયમાં ધબકે છે.” કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની અખંડ એકતા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:59 pm

સિવિલમાં PET CT અને SPECT CT મશીનનું લોકાર્પણ:કેન્સર નિદાનમાં ક્રાંતિ, બોડીનું સ્કેનિંગ કરી ક્યાં કેન્સર છે અને ક્યું ઓર્ગન ડેમેજ છે તેનો સચોટ રિપોર્ટ માત્ર 5 જ મિનિટમાં મળશે

આજે 7 નવેમ્બર નેશનલ કેન્સર એવેરનેસ ડે પર અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે 44 કરોડના PET CT અને SPECT CT મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્સરના પેશન્ટ માટે આ મશીન વરદાનરૂપ બનશે અને જર્મન ટેક્નોલોજીથી દર્દીઓની સારવાર થશે. ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં નવા વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં નવી મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્સર એક્ઝેટ કઈ જગ્યા પર છે તેનો એક્યુરેટ રિપોર્ટ આપશેરાજયકક્ષા આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, કેન્સર હોસ્પિટલની અંદર પેટર્નસમેન્ટ બે મશીન છે. જ્યારે ભારતની અંદર પહેલીવાર કેન્સર હોસ્પિટલની અંદર આ મશીનનું લોકાર્પણ થયું છે. આ મશીનની વિશેષતા એ છે કે બોડીનું આખું સ્ક્રીનિંગ કરીને કેન્સર એક્ઝેટ કઇ જગ્યા પર છે, શરીરના ઓર્ગનને કેટલું ડેમેજ થયું છે, પાછું એ દવાથી આવી શકે છે અથવા તો પૂર્ણ રીતે ફેલ થયું છે, આ રીતના સચોટ રિપોર્ટ આપશે. જે પહેલા 20-25 મિનિટથી વધુ સમય લાગતો હતો તે હવે આ આધુનિક મશીનોની મદદથી 5થી 6 મિનિટની થઈ જશે. ગરીબ અને અન્ય રાજ્યોમાંથી આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશેવધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કેન્સર થાય અને થયા પછી કેટલી દવાનો ડોઝ જરૂર પડશે, કયા સ્પોટ પર છે અને ખાસ કરીને કાર્ડિયાક માટેનું પણ સ્ક્રીનિંગ આ મશીન દ્વારા થાય છે. સ્ટેન્ડ ક્યાં મૂકવો એ એક્ઝેટ લોકેશન પરફેક્ટ પ્લાનિંગ સાથેના રિપોર્ટ આપે છે, જે ગરીબ દર્દીઓ અને અન્ય રાજ્યોમાંથી આવતા દર્દીઓ માટે એક આશીર્વાદરૂપ બનશે. એમાં પણ હું ભગવાનને પ્રાર્થના કરું કે દર્દીઓમાં કોઈને કંઈ થાય જ નહીં પણ કુદરતી રીતે થાય તો પૂર્ણ સ્વસ્થ અહીં જ થાય. રેડિયોલોજિસ્ટ અને અનેક પ્રકારના રિપોર્ટ્સ જે મુંબઈ વગેરે કરાવા જવાના થતાં હતા એ રિપોર્ટ્સ આજે હવેથી આ મશીનો દ્વારા સિવિલની અંદર થઈ શકશે, એમાં ડોક્ટર શશાંકભાઈ અને નીતિવ અને સૃષ્ટિએ ખૂબ સારી મહેનત કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:54 pm

વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ અરવલ્લીમાં ઉજવણી:જિલ્લા સેવાસદન ખાતે સામૂહિક ગાન, સ્વદેશી અપનાવવા શપથ લેવાયા

મોડાસા: રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અરવલ્લી જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોરના અધ્યક્ષસ્થાને સામૂહિક રાષ્ટ્રગીત ગાન કરાયું હતું. આ પ્રસંગે સ્વદેશી અપનાવવાના શપથ પણ લેવામાં આવ્યા હતા. સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં 'વંદે માતરમ 150' અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો હેતુ લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જગાડવાનો તથા તેની વ્યાપક પ્રસિદ્ધિ કરવાનો છે. આ ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં જિલ્લા સેવાસદન, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, વિવિધ સરકારી કચેરીઓ, શાળા-કોલેજો અને સહકારી સંગઠનો દ્વારા રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના મૂળ સ્વરૂપનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. વર્ષ 1875માં રચાયેલું 'વંદે માતરમ' રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી, તેમને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા. 7મી નવેમ્બર, 2025ના રોજ તેને 150 વર્ષ પૂર્ણ થવાના છે, જેની પૂર્વ ઉજવણી રૂપે આ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્વદેશી અપનાવવાના શપથ પણ લેવાયા હતા. 'વંદે માતરમ' માત્ર એક રાષ્ટ્રગીત નથી, પરંતુ ભારત માતાની આરાધના સમાન એક અદ્વિતીય પ્રાર્થના તથા રાષ્ટ્રના હૃદયનો ધબકાર છે. કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાના સાહિત્ય દ્વારા રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર ડી.વી. મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સહિત સર્વે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:53 pm

મોરબી રેલવે સ્ટેશન રોડ પર ચક્કાજામ:અધૂરા કામ અને તંત્રની બેદરકારી સામે લોકોનો રોષ

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આજે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ ચક્કાજામ કર્યો હતો. છેલ્લા ત્રણથી ચાર મહિનાથી રસ્તા અને ગટરના પાણીના નિકાલની કામગીરી અધૂરી હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. આ રોડ પર રસ્તાના નિર્માણ અને ગટર વ્યવસ્થા સુધારવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તેની ગતિ અત્યંત ધીમી છે. પરિણામે, રેલવે સ્ટેશન રોડ અને અયોધ્યાપુરી મેઈન રોડથી રેલવે સ્ટેશન તરફ આવવાનો રસ્તો ઉબડખાબડ બની ગયો છે. વાહનચાલકો તો ઠીક, રાહદારીઓ માટે પણ અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક લોકો અને વેપારીઓએ મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે તંત્ર ફક્ત સનાળા રોડ અને રવાપર રોડ જેવા વિસ્તારોમાં જ કામગીરી કરે છે, જ્યારે રેલવે સ્ટેશન રોડ જેવા વિસ્તારોની અવગણના કરવામાં આવે છે. વેપારીઓએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી અહીં રસ્તા અને ઉભરાતી ગટર સહિતના પ્રશ્નો છે. જો આવા પ્રશ્નો મોરબીના સનાળા રોડ કે રવાપર રોડ જેવા વિસ્તારમાં હોય તો શું ત્યાં ચલાવી લેવામાં આવશે? શું માત્ર રવાપર રોડ અને સનાળા રોડ ઉપરના જ વેપારીઓ અને સ્થાનિક લોકો ટેક્સ ભરે છે? સ્ટેશન રોડના લોકો ટેક્સ ભરતા નથી? તેમણે વધુમાં ઉમેર્યું કે, જો ટેક્સ ભરતા હોય તો તેમને પ્રાથમિક સુવિધાઓ શા માટે મળતી નથી અને તેના માટે આંદોલન શા માટે કરવા પડે છે. આ પ્રશ્નોનો જવાબ તંત્ર ક્યારે અને કઈ રીતે આપે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:53 pm

અમદાવાદની 5 ફ્લાઈટ 1થી 3 કલાક મોડી પડી:દિલ્હી એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામી સર્જાતા આવતી-જતી 300થી વધુ ફ્લાઈટો ડીલે

દિલ્હીના ઇનિ્દરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર ભારે અસર પડી છે. દિલ્હી એરપોર્ટથી આવતી અને જતી 300થી પણ વધુ ફ્લાઈટો અચાનક ડીલે થઈ છે. દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવતી કેટલીક ફ્લાઇટો ડીલે થઈ છે. આજે બપોરના 1 વાગ્યા સુધીમાં 5 જેટલી ફ્લાઇટ મોડી પડી છે. આવીજ રીતે દિલ્હીથી સુરત જતી સવારની એરઈન્ડિયા અને ઈન્ડિગોની બંને ફ્લાઇટ્સ ફ્લાઇટ એકથી દોઢ કલાક મોડી પડી છે. પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે, પરંતુ સવારની ઘણી ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ છે. એકાએક સમયમાં ફેરફાર થતાં મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દિલ્હી એરપોર્ટ પર આવતી-જતી બંને ફ્લાઇટ્સ પર અસરદિલ્હીથી અમદાવાદ સહિત અનેક શહેરોમાં જતી ફ્લાઈટો એક કલાકથી પણ વધારે સમય માટે ડીલે થઈ છે. ફ્લાઈટ મોડી પડતા હજારો પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. ATC સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે 300થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. IGI દિલ્હી એરપોર્ટ પર આવતી અને જતી બંને ફ્લાઇટ્સ પર અસર પડી છે. ત્યારે અમદાવાદ આવતી ફ્લાઇટમાં પણ તેની અસર જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:44 pm

મહિલા પોલીસે દોરડાથી બાંધી આરોપીને બજારમાં ફેરવ્યો:પત્ની સાથે આડાસંબંધની શંકામાં યુવકની હત્યા કરી લાશને 34 કિમી દૂર ફેંકી હતી, ક્રાઇમ સિરીઝને આંટે એવી રાજુલાની મર્ડર મિસ્ટ્રી

અમરેલીના રાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરી લાશને 34 કિ.મી દુર ફેંકનાર આરોપીને 24મા દિવસે ઝડપીને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આજે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનામનું રિકન્સ્ટ્રક્શન કરીને પંચનામુ કર્યુ છે. મહિલા પોલીસે આરોપીને દોરડાથી બાંધીને રાજુલાની બજારમાં ફેરવ્યો હતો અને નીચે બેસાડીને માફી મંગાવી હતી. આરોપીને દોરડાથી બાંધીને બજારમાં ફેરવ્યોરાજુલા પોલીસ સ્ટેશન પી.આઈ. એ.ડી.ચાવડાની ટીમે આરોપી રાજદીપ રાઠોડને સાથે રાખીને જે રસ્તા પરથી બાઇક પર લાશને બાંધીને લઇ ગયો હતો, એ રસ્તા પર દોરડાથી બાંધીને ફેરવ્યો હતો અને માફી મંગાવી હતી. આ દરમિયાન આરોપીને લંગડાતા પગે ચાલતો જોઇ અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. હત્યા કરી લાશને બાઇક પર લઇ જઇ 34 કિ.મી દુર ફેંકી હતીઆ ઘટના કોઇ ક્રાઇમ સિરિઝને આંટે એવી છે. આરોપી રાજદીપ રાઠોડે સુરેશ સભાડિયા નામના યુવકની તેના ઘરે જઇને જ ગળુ દબાવીને હત્યા કરી હતી. જે બાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતાં મૃતકના જ બાઇક પર ધાબળામાં વીંટાળીને 34 કિલોમીટર દૂર ફેંકી દીધી હતી અને બાદમાં ફરાર થઇ ગયો હતો. જોકે, આરોપીએ ઘટનાના 24 દિવસ બાદ મૃતકનો ફોન ચાલુ કરતાં પોલીસના સકંજામાં આવી ગયો હતો. 'મારો ભાઈ બે દિવસથી ગુમ છે,' પોલીસ ગોતી ગોતીને થાકી, પણ...ઘટનાની વિગતે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવાના વતની 42 વર્ષીય સુરેશભાઇ કરશનભાઇ સભાડિયા રાજુલામાં એકલા રહેતા હતા અને હોટલનો વ્યવ્યાય કરતા હતા. જેમના લાલજીભાઇ નામના એક ભાઇ અમદાવાદ ખાતે રહે છે. તારીખ 10 ઓક્ટોમ્બરના રોજ અમદાવાદ ખાતે રહેતા લાલજી સભાડિયાએ રાજુલા પોલીસ મથકમાં અરજી આપી કે તેમના ભાઇ સુરેશ બે દિવસથી ગુમ છે. એ અરજી બાદ પોલીસે સુરેશભાઇની શોધખોળ શરૂ કરી, પરંતુ કંઇ હાથ ન લાગ્યું. સુરેશ સભાડિયા હોટલનો બિઝનેસ ધરાવતા હોવાથી પોલીસે તમામ એંગલથી તપાસ કરી, પણ સુરેશભાઇ જાણે કે હવામાં ઓગળી ગયા હોય એમ કંઇ પત્તો ન લાગ્યો, પણ પોલીસ સતત આ કેસનું મોનટરિંગ કરતી હતી. ગુમ થયાના 24મા દિવસે યુવકનો મોબાઇલ અચાનક ચાલુ થયોઆ દરમિયાન ગત 2 નવેમ્બરના રોજ, એટલે કે ઘટનાના 24 દિવસ બાદ ગુમ થયેલા સુરેશભાઇનો મોબાઇલ અચાનક ચાલુ થયો, જે મોબાઇલનું લોકેશન મેળવીને પોલીસ સ્થળ પર પહોંચી તો આ મોબાઇલ રાજદીપ રાઠોડ નામના યુવક પાસે હતો, જેથી પોલીસની ટીમ રાજદીપને ઉઠાવીને પોલીસ મથકે લઇ આવી. એ બાદ પોલીસે રાજદીપની પૂછપરછ કરી, પરંતુ રાજદીપ કંઇ સરખો જવાબ આપતો નહોતો, જેથી પોલીસે લાલ આંખ કરીને કડકાઇથી પૂછતાં રાજદીપ પોપટની જેમ બોલવા લાગ્યો અને તેની વાત સાંભળીને હાજર સૌકોઈ પોલીસકર્મીઓની આંખો પહોંળી થઇ ગઇ.. 'સાહેબ, સુરેશને ઘણો સમજાવ્યો, પછી ગળું દબાવીને પતાવી દીધો'પોલીસ આગળ કબૂલાત કરતાં રાજદીપ બોલ્યો- સાહેબ, જેનો મોબાઇલ મારી પાસે છે એ સુરેશ અપરિણીત હતો અને મારી પત્ની સાથે તેના આડાસંબંધ હોવાની મને શંકા હતી, જેથી મેં મારી પત્નીને પૂછ્યું તો મારી પત્નીએ મને કીધું કે સુરેશ મને ખૂબ હેરાન કરે છે. એ બાબતે મેં ઘણીવાર સુરેશને સમજાવ્યો, પરંતુ તે સમજવા જ તૈયાર નહોતો, જેથી તારીખ 8 ઓક્ટોબરે હું સુરેશને સમજાવવા માટે તેના ઘરે ગયો હતો. 'લાશ સગળી નહીં એટલે ધાબળામાં વીંટાળીને દૂર ફેંકવા ગયો'પોલીસ આગળ કબૂલાત કરતાં રાજદીપ આગળ બોલ્યો- સાહેબ, સુરેશના ઘરે જઇને મેં મારી પત્નીને હેરાન ન કરવા માટે ઘણો સમજાવ્યો, પણ એ એકનો બે નહોતો થતો, જેથી મને ગુસ્સો આવ્યો ને મેં ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. બાદમાં મેં લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ ન સળગતાં મેં એનો ગોટો વાળીને ધાબળામાં વીંટાળીને ગાંઠડી બાંધી હતી અને તેના બાઇક પર પાછળ મૂકીને હું લાશને રાજુલાથી ખાંભા જતા રસ્તા પર લઇ ગયો હતો અને બાદમાં ચતુરીથી પીપળવા જવાના માર્ગ પર ફેંકી દીધી હતી અને એનો મોબાઇલ મારી પાસે રાખી લીધો હતો. આટલા દિવસ થઇ ગયા, હવે કોઇને જાણ નહીં થાય એમ કરીને મેં આજે તેનો મોબાઇલ ચાલુ કર્યો ને તમે મને પકડી લીધો. આરોપી પોલીસને ઘટનાસ્થળે લઈ ગયો ને લાશ બતાવીરાજદીપની આટલી વાત સાંભળતાં જ પોલીસે તેને કહ્યું કે તું જે જગ્યાએ લાશને ફેંકીને આવ્યો છે એ જગ્યાએ અમને લઇ જા, જેથી આરોપી પોલીસ અને મામલતદારની ટીમને લઇને બનાવ સ્થળથી 34 કિમી દૂર આવેલા ઘટનાસ્થળે લઇ ગયો હતો અને લાશને શોધી આપી હતી. ઘટનાને 24 દિવસ વીતી ગયા હોવાથી લાશ ફોગાઇ ગઇ હતી, જેથી પોલીસની ટીમે પંચનામું કરીને લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે ખસેડી હતી. એ બાદ પોલીસે આરોપી જે રસ્તેથી લાશને લઇને આવ્યો એ રસ્તાના સીસીટીવી કેમરા ચેક કરતાં આરોપી બાઇક પાછળ લાશને બાંધીને લઇ આવતો નજરે પણ પડ્યો હતો. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, આજે આરોપીના રિમાન્ડનો છેલ્લો દિવસ છે. લિવ-ઇનમાં રહેતા પ્રેમીએ હત્યા કરી પ્રેમિકાની લાશને ટ્રોલીબેગમાં ભરી સુરતના કોસંબા ખાતે સોમવારે 2 બાય 1.5 ફૂટની સૂટકેસમાંથી 5.2 ફૂટની મહિલાનો મૃતદેહ મળવા મામલે એલસીબીએ આરોપીની દિલ્હી નજીક ફિરોઝાબાદથી ધરપકડ કરી છે.​ આ દરમિયાન આરોપી બેગ લઈને જતો હોય એવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ​​​​​​આરોપીનું નામ રવિ શર્મા છે, જે મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે. મૃતક મહિલા સાથે તેને પ્રેમસંબંધ હતો અને મહિલા ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી, પરંતુ લગ્ન માટે દબાણ કરતાં, રવિએ તેની હત્યા કરી અને મૃતદેહને સૂટકેસમાં ભરીને ફેંકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ દાટી, દોઢ વર્ષ બાદ કંકાલ મળ્યું અમદાવાદમાં દોઢ વર્ષ પહેલાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશ રસોડામાં દાટી દઈને બીજા દિવસે સિમેન્ટનું ફ્લોરિંગ કરી દીધું હતું. ત્યાર બાદ પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ફતેવાડી વિસ્તારમાં આવેલા અહેમદી રો હાઉસમાંથી એક પુરુષનું કંકાલ મળ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની તપાસ કરતાં સામે આવ્યું કે મૃતક સમીર બિહારીની પત્નીએ જ તેના પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને હત્યા કરી હતી. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો...

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:42 pm

પાણીના કુંડામાં ડૂબી જતા બાળકીનું મોત:કેશોદના શેરગઢ ગામે મજૂરી કરવા આવેલા પરિવારની માસૂમ અઢી વર્ષની બાળકી પાણીના કુંડામાં ડૂબી જતાં કમકમાટીભર્યું મોત,

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે,જેણે આખા વિસ્તારના વાલીઓને ચેતવણી આપી છે. કેશોદના શેરગઢ ગામના વાડી વિસ્તારમાં મધ્યપ્રદેશથી રોજીરોટી કમાવવા આવેલા એક શ્રમિક પરિવારની અઢી વર્ષની માસૂમ દીકરી રમતા રમતા પાણીના કુંડામાં ડૂબી જતાં તેનું કમકમાટીભર્યું મૃત્યુ થયું છે.​ આ ઘટના તારીખ ગઈકાલે બની હતી. શેરગઢ ગામે સુભાષભાઈ ભીમજીભાઈ હીરપરાની વાડીએ ગુમાનભાઈ નાસીરયાભાઈ જમરનો પરિવાર મજૂરી કામ કરતો હતો. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોરવા ગામના વતની આ શ્રમિક પરિવાર માટે જીવન નિર્વાહ કરવો પહેલેથી જ કપરો હતો, ત્યાં આ દુર્ઘટનાએ તેમનું આખું જીવન હચમચાવી દીધું છે.​ વાડી વિસ્તારમાં અઢી વર્ષની માસૂમ બાળકી વાડીના ખુલ્લા વિસ્તારમાં રમી રહી હતી. રમતાં રમતાં વાડીની નજીકમાં આવેલા પાણીના કુંડામાં પડી ગઈ હતી. અઢી વર્ષની નિર્દોષ બાળકીને પાણીમાંથી બહાર નીકળવાનો લેશમાત્ર મોકો ન મળ્યો અને કુંડામાં ડૂબી જવાથી તેનું દયનીય મોત નીપજ્યું હતું.​આ કરુણ સમાચાર મળતા જ સમગ્ર વાડી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જે પરિવાર મહેનત કરીને રોટલો કમાવવા માટે પોતાનું વતન છોડીને આવ્યો હતો, તેની માસૂમ દીકરીનું અચાનક મોત થતાં માતા-પિતાનું કાળજું કંપી ઊઠ્યું હતું. કેશોદ પોલીસે આ મામલે અમોત નોંધ દાખલ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:39 pm

ગાંજાની પડીકી બનાવી વહેંચે તે પહેલા પોલીસે ઝડપી પાડયા:ગેંગરેપ રેપના આરોપીએ જેલમાંથી છૂટ્યા બાદ બે મિત્રો સાથે મળી સુરતથી ગાંજો ખરીદ કર્યો, પડીકી બનાવી 100-200 રૂપિયામાં બંધાણીને વેંચતા

રાજકોટ શહેરમાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પ્રદ્યુમનનગર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. રેલનગર વિસ્તારમાં આવેલ લાલબહાદુર ટાઉનશીપમાંથી ત્રણ મિત્રોને 1.108 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ સુરતથી ગાંજાનો જથ્થો લાવ્યા હોવાનું અને પડીકી બનાવી 100-200 રૂપિયામાં વેંચતા હોવાનું સામે આવ્યું છે જો કે ગઈકાલે આ તમામ જથ્થો વેચવાના હોવાની માહિતી મળતા પોલીસે તાત્કાલિક રેડ કરી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી એક આરોપી ગેંગરેપના ગુનામાંથી થોડા સમય પૂર્વે જેલમાંથી મુક્ત થયો હતો અને બહાર આવ્યા બાદ મિત્રો સાથે મળી છેલ્લા દોઢ બે મહિનાથી ગાંજાનું વહેચાણ કરવાની શરૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પીઆઇ વી.આર.વસાવા ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રેલનગર વિસ્તરમાં આવેલ લાલબહાદુર ટાઉનશીપમાં ત્રણ ઈસમો ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરી રહ્યા છે અને આજે તમામ જથ્થો પડીકી બનાવી બંધાણી સુધી પહોંચાડવાના છે જેથી તાત્કાલિક પોલીસ ટિમ બાતમી વાળી જગ્યા પર પહોંચી તપાસ કરતા જયદિપ સીતાપરા, મિલન જોટંગીયા અને રણજિત ચૌહાણ ગાંજાના જથ્થા સાથે મળી આવ્યા હતા પોલીસે તેને અટકાવી તલાસી લેતા કુલ 1.108 કિલો ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ 62,400નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ છેલ્લા દોઢ બે મહિનાથી ગાંજાની પડીકી બનાવી બંધાણીઓને રૂપિયા 100-200માં વેંચતા હતા. આ તમામ ગાંજાનો જથ્થો તેઓ ત્રણેય સાથે મળી સુરતથી લાવ્યા હતા જો કે ગઈકાલે તમામ જથ્થો વેચાય એ પૂર્વે પોલીસે તેને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી રણજિત ચૌહાણ વિરુદ્ધ બે વર્ષ પૂર્વે ગેંગરેપનો ગુનો નોંધાઈ ચુક્યો છે જેમાં તે દોઢ વર્ષ જેલમાં રહ્યો હતો અને છેલ્લા 6 મહિનાથી જામીન પર છૂટી બહાર આવ્યો છે જયારે અન્ય એક આરોપી મિલન જોટંગીયા વિરુદ્ધ અગાઉ ઘરફોડી ચોરીનો ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી સુરત કોની પાસેથી આ ગાંજાનો જથ્થો લાવ્યા હતા તેમજ અગાઉ કેટલી વખત ગાંજાનો જથ્થો લાવી કઈ કઈ જગ્યાએ વેચાણ કરતા હતા સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:38 pm

'વંદે માતરમ્' ગીતને 150 વર્ષ પૂર્ણ:સુરેન્દ્રનગરમાં 'વંદે માતરમ્'નું સમૂહગાન યોજાયું, જગદીશ મકવાણાએ 'વંદે માતરમ્'ને ભારત ભક્તિનો મૂળ મંત્ર ગણાવ્યો

'વંદે માતરમ્' ગીતને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગરની કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને 'વંદે માતરમ્'નું સમૂહગાન યોજાયું હતું. આ ગીતે રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એકસૂત્રતાના સંદેશ દ્વારા સમગ્ર ચળવળને એકતાંતણે બાંધી હતી. 1875માં રચાયેલ આ ગીતની 150 વર્ષની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી સમગ્ર ભારતમાં સરકારી કચેરીઓ, શાળા-કોલેજો અને સંસ્થાઓમાં થઈ રહી છે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, આ ગીતની રચના બંગાળના સુપ્રસિદ્ધ સાહિત્યકાર, લેખક અને કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળી અને સંસ્કૃત ભાષાના મિશ્રણથી કરી હતી. સૌ પ્રથમવાર ઈ.સ. 1896માં, બંગાળમાં રવીન્દ્રનાથ ટાગોરે આ ગીતનું પઠન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'વંદે માતરમ્' એ કોઈ બે શબ્દોનો નારો નથી, પરંતુ એક ક્રાંતિ મંત્ર છે. તેમણે 'વંદે માતરમ્'નો અર્થ 'માતૃભૂમિને વંદન, ભારત માતાને વંદન અને આ દેશની માટીને વંદન' તરીકે સમજાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે ભારત દેશ માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ તેને સદીઓથી ભારત માતાના સ્વરૂપે જોવામાં આવે છે અને તેનું પૂજન પણ કરવામાં આવે છે. જગદીશ મકવાણાએ 'વંદે માતરમ્'ને ભારત ભક્તિનો મૂળ મંત્ર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં માત્ર ભારત જ એવો દેશ છે જે પોતાના દેશને માતા તરીકે જુએ છે. તેમણે હાજર સૌને અપીલ કરી હતી કે, કોઈપણ વ્યક્તિ પોતાના કાર્ય, વિચાર અને આચરણમાં જો 'વંદે માતરમ્'નો અમલ કરે, તો સાચા અર્થમાં આપણે ભારત ભક્તિના રંગે રંગાઈએ છીએ. અંતમાં, તેમણે આ કાર્યક્રમમાં જોડાવા બદલ કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલ અને સુરેન્દ્રનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યાં હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર યુનિવર્સિટીના ચેરમેન ઇન્દ્રજીતસિંહ ઝાલા, અગ્રણી સિદ્ધરાજસિંહ, નીરવભાઈ દવે, જયેશભાઈ ભરવાડ સહિત સ્કૂલનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:37 pm

કેનેડા મોકલવાના બહાને પિતા-પુત્રીએ 35 લાખ પડાવ્યાં:તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેનેડાના PR કરાવી આપીશું કહી યુવકને ખોટો લેટર મોકલી છેતરપિંડી આચરી

આજકાલ લોકોને વિદેશ જવાની ખૂબ લાલચ જાગી છે, ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા યુવક અને તેની પત્નીને કેનેડા ખાતે મોકલવાની બાહેધરી આપીને પી. આર. કરાવવાના નામે ₹.35 લાખ પડાવી છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ રાણીપ વિસ્તારમાં નોંધાઈ છે. પિતા-પુત્રીએ ભેગા મળીને યુવક પાસેથી ચેક અને રોકડા પૈસા પડાવી લીધા હતા. ત્યારબાદ ખોટા ખોટા વાયદા કરી અને કેનેડા ખાતે ન મોકલી છેતરપિંડી કરતા રાણીપ પોલીસે ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાએ દીકરી-જમાઈને કેનેડા મોકલવાની ફરિયાદીને વાત કરીશહેરના રાણીપ વિસ્તારમાં નવનિર્માણ સ્કૂલ સામે આવેલી વરાહ પ્રભુ સોસાયટીમાં વિષ્ણુભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. રાણીપ વિસ્તારમાં નર્મદાનગર સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ પટેલ સાથે જૂન, 2023માં વિષ્ણુભાઈના સાસુ લતાબેન સાથે ઓળખાણ થઈ હતી. અશ્વિનભાઈએ કહ્યું હતું કે, હું કેનેડામાં સિનિયર સિટીઝન થઈ ગયો છું અને એજન્ટ તરીકે કામ કરું છું. જો કોઈને કેનેડા આવવું હોય તો હું પી.આર. વિઝા કરાવી આપું છું, જેથી વિષ્ણુભાઈના સાસુ લતાબેને તેમની દીકરી અને જમાઈને કેનેડા મોકલવા માટેની વાત કરી હતી અને અશ્વિનભાઈ પટેલ સાથે ઓળખાણ કરાવી હતી. આરોપીએ 70 લાખનો ખર્ચ કહી 35 લાખ એડવાન્સ માગ્યાઅશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, હું તમને પી.આર કરાવી આપીશ જેના માટે 70 લાખનો ખર્ચ થશે. તમારે આઈએનટીએસની પરીક્ષા આપવાની રહેશે, જેનું પણ હું સેટિંગ કરાવી આપીશ. શરૂઆતમાં 35 લાખ એડવાન્સમાં આપવાના રહેશે, જેમાં 25 લાખ ચેકથી અને 10 લાખ રોકડા આપવાના રહેશે. કેનેડા જવાની વાત કરી અને જૂન, 2023માં 10 લાખ રોકડા આપવામાં આવ્યા હતા. અશ્વિનભાઈએ કહ્યું હતું કે, આ કામ હું અને મારી દીકરીએ સુવર્ણા ભેગા મળીને કરીએ છીએ, જેમાં કેનેડાનું કામ હું સંભાળું છું અને ભારતમાં અહીંયા ડોક્યુમેન્ટ પેમેન્ટનું કામ મારી દીકરી સંભાળે છે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારબાદ વિશ્વાસ અને ભરોસો અપાવીને માર્કશીટ પાસપોર્ટ વગેરેનીપીડીએફ ફાઈલ લીધી હતી. એક ખોટો લેટર પણ આરોપીએ કેનેડાથી મોકલ્યો જુલાઈ મહિનામાં અશ્વિનભાઈ કેનેડા જતા રહ્યા હતા, ત્યારબાદ સુવર્ણએ ઘરે આવીને 25 લાખના ચેક લીધા હતા. જેમાં વિષ્ણુભાઈના પરિવારના અલગ-અલગ વ્યક્તિના બેંક એકાઉન્ટના પાંચ ચેક આપ્યા હતા. બે એકાઉન્ટમાં ચેક ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ અશ્વિનભાઈ અને સુવર્ણા દ્વારા ફોનથી જણાવ્યું હતું કે, આરટીએસની પરીક્ષામાં સેટિંગ અમારાથી નહીં થાય, તમારે પરીક્ષા આપવી પડશે. જેથી વિષ્ણુભાઈએ કહ્યું હતું કે, તમે શરૂઆતમાં એવું કહ્યું હતું કે પેમેન્ટ આપો ત્યારબાદ તમારી ફાઈલ પ્રોસેસ થઈ જશે, પરંતુ ત્યારબાદ અશ્વિનભાઈએ કહ્યું હતું કે કામ થોડું મોડું થશે. કેનેડામાં નિયમો બદલાયા છે એવી વાતો કરી હતી. ત્યારબાદ ખોટો એક લેટર પણ કેનેડાથી મોકલવામાં આવ્યો હતો. ગોળગોળ જવાબ આપી છેતરપિંડી આચરતા ફરિયાદવ્હોટ્સએપમાં ખોટો લેટર મોકલ્યો હતો, ત્યારબાદ પ્રોસેસ ચાલુ છે તેવું કહ્યું હતું. આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે, કેનેડામાં આવા ખોટા લેટર તૈયાર કરીને પીડીએફ મોકલી હતી. જેથી અશ્વિનભાઈને ફોન ઉપર સંપર્ક કર્યો અને સુવર્ણાને વાત કરતા તેઓએ પણ ગોળગોળ જવાબ આપ્યા હતા. જેથી બંને દ્વારા રૂ. 35 લાખ લઈને કેનેડા ન મોકલી છેતરપિંડી કરવામાં આવી હોવાથી રાણીપ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:20 pm

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સામે પોલીસ ફરિયાદ:પઠાણી ઉઘરાણી, ભયંકર ગાળો બોલવા અને ધમકી આપવાનો આરોપ, ઓડિયો વાયરલ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમની સામે પઠાણી ઉઘરાણી કરીને ભયંકર ગાળો બોલવા અને ધમકી આપવાનો ગંભીર આરોપ છે. પઠાણી ઉઘરાણી સહિતની AAP પ્રદેશ સંગઠન મંત્રી સામે ફરિયાદ નોંધાઈફરિયાદી નિલેશ વિપુલભાઈ પાનસુરીયાએ રામ ધડુક (આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી)ની વિરુદ્ધ સારોલી પોલીસ સ્ટેશનમાં પઠાણી ઉઘરાણી, ભયંકર ગાળો બોલવી, અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. રામ ધડુક પાસે 10 હજાર રૂપિયા લાઈટના માંગવા બાબતે ફરિયાદી અને રામ ધડુક વચ્ચે રકઝક ચાલી રહી હતી. પૈસાની લેતી-દેતી બાબતે બબાલ, ઓડિયો વાયરલનિલેશ પાનસુરીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, પૈસાની લેતી-દેતી બાબતેની રકઝક બાદ રામ ધડુકે તેમની પાસે પઠાણી ઉઘરાણી કરીને અપશબ્દો કહ્યા હતા અને ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાનો ઓડિયો પણ વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે આ વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. સુરતના રાજકીય વર્તુળોમાં ચર્ચાસારોલી પોલીસે ફરિયાદી નીલેશ પાનસુરીયાની ફરિયાદ નોંધીને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદને પગલે સુરતના રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:16 pm

રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ નિમિત્તે સમી કોલેજમાં વંદે માતરમનું પઠન:કૉલેજના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીતનું પઠન

પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું સમૂહ પઠન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સરકારના પરિપત્રના સંદર્ભમાં યોજાયો હતો. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા 06 નવેમ્બર, 2025ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ, 07 નવેમ્બર, 2025ના રોજ રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થતા હોવાથી તેના સન્માનમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવાનું નિર્ધારિત કરાયું છે. ઉપરોક્ત પરિપત્રના અનુસંધાનમાં, કૉલેજના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીતનું પઠન કરાયું હતું. આ પ્રસંગે રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુઓ અને સ્વદેશી ભાષાનું મહત્વ વધે તે માટે શપથ પણ લેવામાં આવી હતી. કૉલેજના IQAC સેલ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંઘ આનંદના પ્રેરક માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:16 pm

દેશી પિસ્તોલ-તમંચો સાથે 1 ઈસમ ઝડપાયો:જૂનાગઢના શાંતેશ્વર રોડ પરથી રાહુલ ભટ્ટીની ધરપકડ: SOGએ 2 ગેરકાયદેસર હથિયારો સાથે ₹30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો

જુનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે જૂનાગઢ એસ.ઓ.જી.ને મોટી સફળતા મળી છે. જૂનાગઢ શહેર વિસ્તારમાંથી એક ઈસમને દેશી હાથ બનાવટની પિસ્તોલ અને તમંચા સાથે દબોચી લેવામાં આવ્યો છે.​ એસ.ઓ.જી. જૂનાગઢના ઇન્ચાર્જ પીઆઈ કે.એમ. પટેલ અને પોલીસ સ્ટાફના માણસો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢવા સઘન ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. મહેન્દ્રભાઈ કુવાડીયા અને પોલિસ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધભાઈ વાંકને ખાનગી બાતમી મળી હતી કે જોષીપરા રહેતો રાહુલ પરસોતમભાઈ ભટ્ટી ગેરકાયદેસર રીતે હથિયાર પોતાની પાસે રાખીને શાંતેશ્વર તરફ જતાં નવા રોડ ઉપર નાકા પાસે આંટા-ફેરા કરી રહ્યો છે.​આ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. વોચ દરમિયાન બાતમીના આધારે રાહુલ નાનો ઈસમ શાંતેશ્વર તરફ જતાં સિમેન્ટ રોડ પાસે જોવા મળતાં જ એસ.ઓ.જી. ટીમ દ્વારા તેને કોર્ડન કરીને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ ઈસમની અંગઝડતી કરતાં તેના પેન્ટના નેફામાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-1 જેની કિંમત ₹20,000 અને તમંચો નંગ-1 જેની કિંમત ₹10,000) મળી આવ્યા હતા.એસ.ઓ.જી. ટીમે તુરંત જ આરોપી રાહુલ પરસોતમભાઈ ભટ્ટી ને રાઉન્ડઅપ કરીને તેની પાસેથી કુલ ₹30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ દ્વારા આ હથિયાર કોની પાસે લાવ્યો છે અને કોણે આપવાના હતા તે મામલે તપાસ હાથ ધરી છે.​ એસ.ઓ.જી.ના પીઆઈ ઇન્સ્પેક્ટર કે.એમ. પટેલ, એ.એસ.આઈ. મહેન્દ્રભાઈ કુવાડીયા, રમેશભાઈ માલમ, પો.હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધભાઈ વાંક, પ્રતાપભાઈ શેખવા, પરેશભાઈ ચાવડા, બાલુભાઈ બાલસ, પો.કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલ, અને ડ્રા. પો.હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બકોત્રા સહિતના સ્ટાફના માણસો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:15 pm

જીવદયા પ્રેમીઓએ પશુઓને બચાવ્યા:વડોદરા પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ગેરકાયદે પશુની હેરાફેરી, ટેમ્પોમાં ખીચોખીચ ભરેલા 35 પશુઓને બચાવી પાંજરાપોળ મોકલાયા

બોરસદથી બે આઇસરમાં 35 જેટલા પશુઓ ભરીને ગેરકાયદે હેરાફેરી કરી કરજણના વલણ ખાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી લઈ જવાતા હતા. ત્યારે પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા આ પશુઓ કતલખાને લઈ જતા બે આઇસરને સમીયાલા પાસેથી ઝડપી પાડ્યા હતા. સંસ્થાના કાર્યકરોએ કતલખાને લઈ જતા પશુઓને બચાવીને સયાજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. વડોદરા તાલુકા પોલીસે ટ્રક આઇસરના બે ચાલક અને ક્લિનર મળી ત્રણ લોકોની ધરપકડ કરીને પશુઓની ખરીદી અને વેચાણ કરનાર બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વાસદથી સુરત તરફના હાઈવે ઉપરથી બે બંધ બોડીના આઇસરમાં ગેરકાયદે પશુઓ ખીચોખીચ ભરી કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી પ્રાણીન ફાઉડેશનના સભ્યોએ આ બંને ગાડીઓનો વાસદથી પીછો કર્યો હતો. ત્યારે બંને ગાડીના ચાલકે પુરઝડપે દોડાવી ભગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પાદરા સમીયાલા ઉતરવાના કટ પાસે બે બંધ બોડીનો આઈસર ટેમ્પોને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ ઝડપી પાડ્યા હતા. ત્યારે બંને ગાડીમાં તપાસ કરી હતી. આ દરમિયાન આઇસર ટેમ્પોમાં 35 જેટલા પશુઓને દોરડા વડે ખીચોખીચ બાંધેલા હતા. જેથી પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકારો દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. જેમાં ટેમ્પો ચાલક મહંમદ તોસીફ ગુલામભાઈ વ્હોરા (રહે-વલણ, પંજાભનગર, પાણીની ટાંકી પાસે તા.કરજણ જી.વડોદરા મુળ રહે-આણંદ), અન્ય ચાલક એઝાજ સલીમ જાકા (રહે-બાબર કોલોની, બાબરી મસ્જદ પાસે, તા.કરજણ જી.વડોદરા ક્લીનર તથા રફીક ઈસ્માઈલ મળેક (રહે-આંતી ગામ, ખદીરવાળું ફળીયું, તા.પાદરા જી.વડોદરા) ઝડપાઈ ગયા હતા. જેથી તેમની ખીચોખીચ પશુઓ ભરી ક્યાંથી ભરી કયાં થઈ જતા હતા આ બાબતે પુછપરછ કરતા બોરસદ ગામમાં રહેતા સાજીદ આઝીના તબેલાથી પશુઓ ભરી કરજણના વલણ ખાતે રહેતા મીન્હાઝ યાકુબ દરવેસના તબેલા પર લઈ જવાના છે તેમ જણાવ્યુ હતું. જેથી તાલુકો પોલીસે 35 પશુઓ અને બે આઇસર મળી રૂપિયા 17 લાખનો મુદામાલ કબ્જે કરી પશુ ભરી આપના તથા પશુ મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:11 pm

વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ:ઓમ મુરુગા સ્કૂલમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ઉજવી

ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં 'વંદે માતરમ' ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા માટે સમર્પિત હતો. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને 'વંદે માતરમ'ના સામૂહિક ગાનથી થયો હતો. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય પ્રસ્તુતિઓ અને ભાષણો દ્વારા 'વંદે માતરમ'ની ભાવનાને જીવંત બનાવી હતી. શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને 'વંદે માતરમ'ના ઇતિહાસ, તેના લેખક બંકિમચંદ્ર ચટર્જીના યોગદાન અને ગીતના રાષ્ટ્રીય મહત્ત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, એકતા અને ગૌરવની લાગણી વધુ મજબૂત બની હતી. શાળાના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:06 pm

વલ્લભી વિદ્યાવિહારમાં વંદે માતરમનું સમૂહગાન:રાષ્ટ્રગીત તરીકેની સ્વીકૃતિની જાણકારી અપાઈ

નવાવાડજ સ્થિત વલ્લભી વિદ્યાવિહાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે સવારે 9:30 વાગ્યે 'વંદે માતરમ' ગીતની 150 વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. શરૂઆતમાં, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત 'વંદે માતરમ' ગીત વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સાંભળવામાં આવ્યું. ત્યારબાદ શાળાના આચાર્ય નિમેશકુમાર જાનીએ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સાથે 'વંદે માતરમ'નું સમૂહગાન કરાવ્યું. આચાર્યશ્રીએ સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે 1950માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા બંધારણીય સભામાં 'વંદે માતરમ'ને રાષ્ટ્રગીત તરીકે અનુમતિ આપવામાં આવી હતી. આચાર્યશ્રીએ ભારતીય નાગરિકોને રાષ્ટ્રગીતની ગરિમા જાળવવા, તેને કાયમી નાગરિક સન્માન આપવા અને 'નેશન ફર્સ્ટ'ની ભાવનાને ઉત્તરોત્તર વધારવા માટે કટિબદ્ધ બનવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે સમૂહમાં ફોટો પડાવી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:04 pm

હારિજ કોલેજમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરાઈ:સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિશેષ કાર્યક્રમ યોજાયો

હારીજ, 07 નવેમ્બર, 2025: સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, હારીજ ખાતે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભારતના રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ની રચના બંકિમચંદ્ર ચટર્જી દ્વારા 1875માં કરવામાં આવી હતી. આ ગીત ભારતીય એકતા, માતૃભૂમિ પ્રત્યેની ભાવના અને સ્વાભિમાનનું પ્રતીક છે. તેની 150 વર્ષની ગૌરવગાથાને યાદ કરવા અને ઉજવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના સમૂહગાનથી કરવામાં આવી હતી, જેમાં કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ગાન દ્વારા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રીય ગીત સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને દેશભક્તિના મૂલ્યોને જીવનમાં ઉતારવા અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ ભાવ કેળવવા પ્રેરણા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 1:00 pm

મહેશ્વરી સમાજ દ્વારા દિવાળી સ્નેહ મિલન યોજાયું:ડો. અનિલ જૈન અને નરેશ કેલાએ સમાજને સંબોધન કર્યું

અમદાવાદમાં મહેશ્વરી થળી ચેરિટેબલ ટ્રસ્ટ (SMTCT) દ્વારા દિવાળી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શાહીબાગ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે યોજાયો હતો. આ સ્નેહ મિલનમાં એપિક હોસ્પિટલના ડો. અનિલ જૈન અને મહેશ્વરી સમાજના નરેશ કેલાએ ઉપસ્થિત સમાજજનોને સંબોધન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:57 pm

દેશભક્તિના પ્રતીક 'વંદે માતરમ' રાષ્ટ્રીય ગીતના 150 વર્ષ પૂર્ણ:ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરાઈ

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું ઘોષણા સૂત્ર અને રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના નિર્માણને આજે 7નવેમ્બર, 2025ના રોજ 150 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે ઉલ્લાસભેર કરવામાં આવી હતી . આ ઐતિહાસિક અવસરની ઉજવણીમાં રાજ્યના કેબિનેટ મંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. રાષ્ટ્રભક્તિની ભાવના સાથે ‘વંદે માતરમ્’નું સમૂહ ગાન કર્યું ગાંધીનગર જિલ્લા પંચાયત પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી જીતુ વાઘાણીની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી તેમજ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતાં. સૌએ એકસાથે મળીને રાષ્ટ્રભક્તિની ભાવના સાથે ‘વંદે માતરમ્’નું સમૂહ ગાન કર્યું હતું. આ સામૂહિક ગાનથી સમગ્ર પરિસર દેશપ્રેમની ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ‘વંદે માતરમ્’ ગાન સાથે આઝાદીના અમૃતકાળના સંકલ્પોને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે શપથ લેવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ શપથમાં સૌએ તેમના રોજિંદા જીવનમાં વધુને વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરવા અને સ્વદેશી ઉત્પાદનોને અપનાવીને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો. 'આ માત્ર એક ગીત નથી, પરંતુ દેશવાસીઓ માટે એક મંત્ર'આ અવસરે મંત્રી જીતુભાઈ વાઘાણીની જણાવ્યું હતું કે,આજે વંદે માતરમની રચનાના 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ માત્ર એક ગીત નથી, પરંતુ દેશવાસીઓ માટે એક મંત્ર છે. આ ગીત આજે પણ આપણને માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ, એકતા અને બલિદાન માટે પ્રેરણા આપે છે. આ ગીતે આઝાદીના આંદોલનને એક નવી ઊંચાઈ આપી હતી અને સમગ્ર દેશને એક તાંતણે બાંધ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં આ ઐતિહાસિક દિવસની ઉજવણી થઈ રહી છે. ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રમુખ અને ડીડીઓ સહિત સૌ કર્મચારીઓ અને અધિકારીઓએ જે ઉમળકાથી રાષ્ટ્રગીતનું ગાન કર્યું અને સ્વદેશીની શપથ લીધી, તે ખરેખર પ્રેરણાદાયી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:55 pm

ચેતન ભોજાણીનું રાજકોટમાં ગ્રોથ સેશન:વ્યવસ્થાપન કૌશલ્યની 8 આવશ્યક સ્કીલ પર કરુણા ફાઉન્ડેશન દ્વારા આયોજન

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા તા. 8 નવેમ્બર, 2025ના રોજ બપોરે 4 વાગ્યે “વ્યવસ્થાપન કૌશલ્યની 8 આવશ્યક સ્કીલ” વિષય પર એક ગ્રોથ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેશનમાં જાણીતા મેનેજમેન્ટ પ્રોફેશનલ અને કોર્પોરેટ ટ્રેનર ચેતન ભોજાણી વક્તવ્ય આપશે. ચેતન ભોજાણી એડ વેલ્યૂ ગ્રુપ ઑફ કંપનીઝના ડાયરેક્ટર છે. તેઓ એક અનુભવી મેનેજમેન્ટ પ્રોફેશનલ, ઉદ્યોગસાહસિક અને કોર્પોરેટ ટ્રેનર તરીકે જાણીતા છે. તેમને ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટ, સ્ટ્રેટેજિક HR મેનેજમેન્ટ, કલ્ચરલ ચેન્જ મેનેજમેન્ટ, ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ તેમજ નેતૃત્વ વિકાસ ક્ષેત્રમાં 26 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે. તેઓ વિવિધ કંપનીઓના એડવાઇઝર અને એડવાઇઝરી બોર્ડના સભ્ય પણ છે. ચેતન ભોજાણીએ એડ વેલ્યુ કન્સલ્ટન્ટ્સની સ્થાપના કરી છે અને સીઈઓ તરીકેની જવાબદારી સંભાળી છે. આ ઉપરાંત, તેઓ એડ વેલ્યૂ હેલ્થ સોલ્યુશન્સ (imhappy.in) અને એડ વેલ્યૂ ઇન્ફોવેના કો-ફાઉન્ડર અને ડાયરેક્ટર પણ છે. તેમણે કેમિસ્ટ્રી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે, તેમજ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા (PGDHRM) કર્યું છે. તેમણે એમ.આઈ.ટી., યુ.એસ.એ.માં બિહેવિયરલ સાયકોલોજીનો અભ્યાસ પણ કર્યો છે. ચેતન ભોજાણીને POSH (પ્રિવેન્શન ઑફ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એટ વર્કપ્લેસ) માટે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયેલું છે. તેમણે વિવિધ નામાંકિત સંસ્થાઓમાં લીડ મેનેજર તરીકે કાર્ય કર્યું છે, જેમાં છેલ્લે યુ.એસ. આધારિત હેલ્થકેર IT કંપનીમાં ગ્લોબલ હેડ-HR (ભારત અને US) તરીકેનો સમાવેશ થાય છે. અગાઉ તેઓ મહિન્દ્રા ગ્રુપમાં પણ લીડ મેનેજર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે સુપરવાઇઝરી, એક્ઝિક્યુટિવ, મેનેજર અને CXO સ્તરની ભૂમિકાઓ સહિત કર્મચારીઓના તમામ સ્તરો માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેમણે મુંદ્રા પોર્ટ (અદાણી ગ્રુપ), એ.યુ. સ્મોલ બેંક, અતુલ ઓટો લિમિટેડ જેવી અનેક સંસ્થાઓમાં માર્ગદર્શન આપ્યું છે. તેમણે 1000થી વધુ પ્રોફેશનલ પ્રોગ્રામ્સનું આયોજન અને અમલ કરેલો છે. આ પ્રોગ્રામ્સ વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ અને સંસ્થાઓ જેવી કે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ, લોધિકા GIDC ઇન્ડસ્ટ્રી એસોસિએશન, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, ISTD અમદાવાદ, ISTD વડોદરા, ISTD રાજકોટ, ISTD પુણે, સૌરાષ્ટ્ર કચ્છ HR ફોરમ, પરૂલ યુનિવર્સિટી, બીકે સ્કૂલ ઑફ મેનેજમેન્ટ, આઈ.આઈ.પી.એમ., મારવાડી યુનિવર્સિટી, એટ્મીયા યુનિવર્સિટી, DAIICT, ગુજરાત યુનિવર્સિટી વગેરે સાથે આયોજિત થયા છે. ચેતન ભોજાણીના બહોળા કાર્ય અને અનુભવના કારણે તેઓ એન્ટરપ્રાઇઝ લીડરશિપ, HR મેનેજમેન્ટ અને કોર્પોરેટ ટ્રેનિંગમાં એક જાણીતા નેતા તરીકે ઓળખાય છે, જે વ્યવસાયિક ક્ષેત્રમાં વ્યાવસાયિક પ્રગતિ અને કર્મચારી વિકાસને પ્રોત્સાહિત કરે છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:54 pm

વૈશાલીબેન પારેખનો ઓનલાઈન સેમિનાર:કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ પર 'ટીમ સહયોગ દ્વારા સફળતા' વિષય પર પ્રસારણ.

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 8 નવેમ્બર, શનિવારે સવારે 09:30 થી 10:30 દરમિયાન વૈશાલીબેન પારેખનો ઑનલાઇન સેમિનાર યોજાશે. આ સેમિનાર ટીમ સહયોગ દ્વારા સફળતા પ્રાપ્ત કરો અને તમારા વર્કપ્લેસ મેનેજમેન્ટને સરળ બનાવો વિષય પર આધારિત હશે. વૈશાલીબેન પારેખ ઇનોવેટિવ ટ્રેનર એવોર્ડ સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત છે. વૈશાલીબેન પારેખ એક અનુભવી એચ.આર. સ્ટ્રેટેજિસ્ટ, 5S સિસ્ટમના નિષ્ણાત અને બિઝનેસ કોચ છે. છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી, તેમણે અનેક સંસ્થાઓમાં પરિવર્તન અને માર્ગદર્શનના ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યા છે. તેઓ ક્રિશ કન્સલ્ટન્સી અને 5S સેન્ટરના સ્થાપક છે. તેમના માર્ગદર્શન હેઠળ, 1,00,000 થી વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમણે 500 થી વધુ કંપનીઓમાં કાર્યક્ષમતા અને સંકલન વધારવામાં મદદ કરી છે, અને 50 થી વધુ ઉદ્યોગ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સુધારાઓ લાવ્યા છે. તેમની તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્થાઓને તેમના લોકોની શક્તિ ઓળખવામાં, કાર્યસ્થળ પર સુવ્યવસ્થિતતા લાવવામાં અને નેતૃત્વને નવી ઊંચાઈએ પહોંચાડવામાં મદદ કરવાનો છે. વૈશાલીબેન પારેખને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં ઇનોવેટિવ ટ્રેનર એવોર્ડ (ISTD 2013), નારી ગૌરવ એવોર્ડ (ફુલછાબ 2014), ફેમિના દ્વારા ગુજરાતની સૌથી ઉભરતી મહિલા પર્સનાલિટી (2015), નારી રત્ન – સોશિયલ ચેન્જ મેકર (સમર્પણ ટ્રસ્ટ 2016), સર્ટિફાઈડ નેશનલ ટ્રેનર (JCI 2017) અને બેસ્ટ વુમન કોન્ટ્રિબ્યુટર એવોર્ડ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2021) નો સમાવેશ થાય છે. તેઓ લેખન દ્વારા પણ લોકોને પ્રેરણા આપે છે. વૈશાલીબેન પારેખે “Power of 5S” (તૃતીય આવૃત્તિ, 2023) અને “Take a Jump” (2015) જેવા પ્રેરણાદાયક પુસ્તકો લખ્યાં છે. તેઓ ફુલછાબ ગુજરાતી દૈનિક અને બોમ્બે સુપર ટાઈમ્સમાં નિયમિત કોલમનિસ્ટ તરીકે પણ યોગદાન આપે છે. તેમનું મિશન સંસ્થાઓની આંતરિક શક્તિને ઉજાગર કરવી, નેતૃત્વનો વિકાસ કરવો અને 5S પદ્ધતિ દ્વારા સતત પ્રગતિ તરફ લોકોને માર્ગદર્શન આપવાનું છે. આ ઑનલાઇન સેમિનાર 8 નવેમ્બર 2025, શનિવારના રોજ સવારે 9:30 થી 10:30 વાગ્યા સુધી શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઑનલાઇન પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:53 pm

પર્યાવરણ સુરક્ષા માટે સીડબોલ છે કારગર ઉપાય:ઘરે સરળતાથી બનાવો અને હરિયાળી વધારો

સીડબોલ, જેને અર્થબોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિવિધ પ્રકારના બીજને ફળદ્રુપ માટીમાં વીંટીને બનાવવામાં આવતા દડા છે. આ પદ્ધતિની શરૂઆત જાપાની પર્યાવરણપ્રેમી માસનોબુ ફુકોકાએ કરી હતી. ઇજિપ્તમાં નાઇલ નદીમાં પૂરથી થયેલા નુકસાન બાદ વૃક્ષારોપણ માટે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ થયો હતો. હાલ ભારતમાં પણ ઘણા પર્યાવરણ પ્રેમીઓ આ પદ્ધતિ અપનાવી રહ્યા છે. સતત ઘટી રહેલી હરિયાળીને કારણે પૃથ્વી ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહી છે, અને વૃક્ષારોપણ તેનું એકમાત્ર સમાધાન છે. વૃક્ષો હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે અને વાતાવરણમાંથી ગરમી ઘટાડવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. જ્યાં રોપા વાવવા શક્ય નથી બનતું, ત્યાં સીડબોલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સરળતાથી ઊગી નીકળતા દેશી કુળના ઝાડ-છોડના બીજમાંથી સીડબોલ બનાવી ખુલ્લી જગ્યાઓ પર ચોમાસા દરમિયાન નાખવામાં આવે છે. વરસાદ પડતાં તેમાંથી અંકુર ફૂટી નીકળે છે અને ઝાડ-છોડ ઊગી નીકળે છે. ચોમાસા દરમિયાન આ સીડબોલ નાખવાથી નિયમિત પાણી પાવાની જરૂર પડતી નથી, વરસાદના પાણીથી જ તેનો વિકાસ થઈ જાય છે. સીડબોલ બનાવવા માટે સૌપ્રથમ આસોપાલવ, અરીઠા, ઉમરો, ખીજડો, ખાખરો, જાંબુ, ગોરસ આમલી, ગરમાળો, ગુંદી, ગુંદો, ચણીબોર, પુત્રંજીવા, પીલુડી, ફાલસા, બોરસલી, બીલી, બોર, રામબાવળ, રાયણ, વડ, શીણવી, કડવો લીમડો, સીતાફળ, તુલસી વગેરે જેવા દેશી ઝાડ-છોડના બીજ ભેગા કરવા. ત્યારબાદ ખેતરની માટી લાવી તેના પર થોડું પાણી છાંટી ભીની કરવી. જો છાણીયું ખાતર કે કંપોસ્ટ ખાતર ઉપલબ્ધ હોય, તો તેને પણ આ માટીમાં મિક્સ કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:50 pm

ભરૂચ અને ગોધરાની બે હોસ્પિટલને સસ્પેન્ડ:અન્ય બે હોસ્પિટલને કારણદર્શક નોટિસ ફટકારી, ગેરરીતિ સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સુચન મુજબ સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં 4 ખાનગી હોસ્પિટલમાંથી 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવામાં આવી છે. આ હોસ્પિટલ સસ્પેન્ડ 1. દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર, ગોધરા, પંચમહાલ (HOSP24T130518) 2. કાશીમા હોસ્પિટલ, ભરુચ (HOSP24T170981) કારણદર્શક નોટિસ ફટકારી 3. મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ, કાલોલ, પંચમહાલ (HOSP24T132829) 4. મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર, દેવગઢ બારિયા, દાહોદ (HOSP24T148571) આ બાબતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે નિવેદન આપતા જણાવ્યું કે, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે માનવતાને પ્રથમ સ્થાન આપવાનો સંકલ્પ છે. પી.એમ.જે.એ.વાય.માં યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.ભવિષ્યમાં પણ સરકારી યોજનામાં માનવ સેવા વિરુદ્ધ વર્તન કરનાર હોસ્પિટલ સામે રાજ્ય સરકાર કડકથી કડક પગલાં લેતી રહેશે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:47 pm

અમદાવાદની સમય રેસીડેન્સીમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો:સોસાયટીના સભ્યોએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલી સમય રેસીડેન્સીમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીની કારોબારી સમિતિ અને સભ્યો દ્વારા સંયુક્ત રીતે આ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે, સોસાયટીના પ્રમુખ અને મંત્રીશ્રી દ્વારા સોસાયટીમાં ઉજવાયેલા વિવિધ પ્રસંગો અને સભ્યોના સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમારોહ દરમિયાન સોસાયટીમાં સ્વચ્છતા જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સોસાયટીના નાના-મોટા સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં નાસ્તાનું આયોજન સોસાયટીના સભ્ય અને દાતાશ્રી નાગેન્દ્ર ભાઈ ગોસ્વામીના પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું. તેમના યોગદાન બદલ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અંતે, પ્રમુખ અને મંત્રીશ્રી દ્વારા સૌ સભ્યોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:47 pm

જામનગરમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી:કલેકટર કચેરીમાં સામુહિક ગાન સાથે સ્વદેશી અપનાવવાના શપથ લેવાયા

જામનગર કલેકટર કચેરી ખાતે 'વંદે માતરમ'ના 150મા વર્ષની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આહ્વાનથી યોજાયેલા આ કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે 'વંદે માતરમ'નું ગાન કર્યું હતું અને 'સ્વદેશી'ના શપથ લીધા હતા. વર્ષ 1875માં રચાયેલું રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' દેશવાસીઓમાં રાષ્ટ્રચેતના પ્રગટાવવામાં અને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધવામાં મહત્વપૂર્ણ રહ્યું છે. 7મી નવેમ્બર, 2025ના રોજ તેને 150 વર્ષ પૂર્ણ થશે, જેની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઐતિહાસિક ઉજવણીની સાથે, દેશને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને મજબૂત કરવા માટે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને માત્ર ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાના શપથ લીધા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, શહેર પ્રાંત અધિકારી અદિતિ વાર્ષને, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, જિલ્લા પુરવઠા અધિકારી સુધીર બારડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:44 pm

મોરબી: ઓફિસમાંથી 12 જુગારી ઝડપાયા:રૂ. 10.38 લાખનો મુદ્દામાલ જપ્ત, દારૂનો ગુનો પણ નોંધાયો

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં ચાલી રહેલા જુગારધામ પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમતા કુલ 12 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રોકડ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ રૂ. 10.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 2,08,200 રોકડા, રૂ. 1.80 લાખની કિંમતના 11 મોબાઈલ ફોન, એક કાર અને ત્રણ મોટરસાયકલ જપ્ત કર્યા હતા. આ તમામ મુદ્દામાલનો કુલ અંદાજિત ભાવ રૂ. 10,38,200 થાય છે. ઝડપાયેલા 12 શખ્સોમાં ઓફિસના માલિક પ્રિયદર્શન પૂર્ણેશંકરભાઈ ઠાકર (ઉં. 60, રહે. સોમનાથ સોસાયટી, પ્લેટિનિયમ હાઈટ્સ-601, મોરબી) સહિત ભાવેશભાઈ જેરામભાઈ અઘારા (ઉં. 39, સરવડ ઉમિયાનગર), સંજયભાઈ લક્ષ્મીદાસ રોજીવાડીયા (ઉં. 52, એસપી રોડ, ફ્લોરા-ડી બ્લોક નં. 801, મોરબી), દિલીપભાઈ રણછોડભાઈ દેત્રોજા (ઉં. 45, રવાપર રોડ, તળાવની બાજુમાં, મોરબી), ફારુકભાઈ દાઉદભાઈ ચાનીયા (ઉં. 53, લોહાણાપરા શેરી નં-1, મોરબી), બલભદ્રસિંહ ઉપેન્દ્રસિંહ જાડેજા (ઉં. 66, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ, મોરબી), અમિતભાઈ ગુણવંતભાઈ ગોસ્વામી (ઉં. 40, સુપર માર્કેટ પાછળ, ચાણક્યપુરી, ઓમ ટાવર ફ્લેટ નં-601, મોરબી), અકબરભાઈ જુસબભાઈ કટિયા (ઉં. 39, ઈદ મસ્જિદ પાછળ, મોરબી), સુભાનભાઈ ઇકબાલભાઈ જેડા (ઉં. 37, ખ્વાજા પેલેસ, જોન્સનગર, મોરબી), જુસબભાઇ ગુલમામદભાઇ મોવર (ઉં. 40, ઈદ મસ્જિદ પાસે, મોરબી), પ્રાણજીવનભાઈ સવજીભાઈ સંઘાણી (ઉં. 63, રાધા ક્રિષ્ના સોસાયટી, કેનાલ રોડ, મોરબી) અને ભરતભાઈ તળશીભાઇ સાંદેસા (ઉં. 35, મોટી બાંધણી શેરી, રુદ્ર પ્લેટ બ્લોક નં-203, મોરબી) નો સમાવેશ થાય છે. આ જ ઓફિસમાંથી દારૂની બે આખી અને ત્રણ અડધી બોટલ પણ મળી આવી હતી, જેની કિંમત રૂ. 4,600 આંકવામાં આવી છે. પોલીસે દારૂનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે તમામ 12 શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, ઓફિસના માલિક પ્રિયદર્શન પૂર્ણશંકરભાઈ ઠાકર વિરુદ્ધ દારૂબંધી ભંગનો પણ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:44 pm

પ્રભવ મહેતા ફાઉન્ડેશન દ્વારા દૂધ વિતરણ કરાયું:પ્રભાવ મહેતાના જન્મદિવસે કેન્સર સોસાયટીમાં દર્દીઓને લાભ

પ્રભાવ મહેતા ફાઉન્ડેશન દ્વારા સ્વ. પ્રભાવ મહેતાના જન્મદિવસ નિમિત્તે ગુજરાત કેન્સર સોસાયટી ખાતે દૂધનું પોષણક્ષમ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બાળ દર્દીઓ અને મહિલા દર્દીઓને દૂધ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્ય સંસ્થાના વડા ધૃતિ મહેતા અને ટ્રસ્ટી ક્ષિતિજ ઠાકોરના સહયોગથી સંપન્ન થયું.દિનેશભાઈ બક્ષી, નમ્રતા પરીખ અને એજાઝ ખોરાજીયાએ પણ આ વિતરણ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:39 pm

વૈશ્વિક શાંતિ પુરસ્કાર:આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા રવિશંકરજી ને ‘2025 વર્લ્ડ લીડર ફોર પીસ એન્ડ સિક્યોરિટી એવોર્ડ' થી સન્માનિત

આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનના સંસ્થાપક ગુરુદેવ રવિશંકરજીને 'બોસ્ટન ગ્લોબલ ફોરમ' (BGF) અને 'AI વર્લ્ડ સોસાયટી' (AIWS) દ્વારા '2025 વર્લ્ડ લીડર ફોર પીસ એન્ડ સિક્યોરિટી એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ અગાઉ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમિર ઝેલેન્સ્કી, અને યુએનના પૂર્વ સચિવ-જનરલ બાન કી-મૂન જેવા વૈશ્વિક નેતાઓને એનાયત કરવામાં આવ્યો છે. એવોર્ડ પ્રદાન કરતી વખતે BGFના સહ-સ્થાપક અને CEO ન્ગુયેન આન તુઆને જણાવ્યું કે: “ગુરુદેવ પૂર્વના આધ્યાત્મિક જ્ઞાન અને પશ્ચિમની નવીનતાની વચ્ચે સેતુ રચનારા પ્રેરણાત્મક વૈશ્વિક નેતા છે. AIના યુગમાં તેમની માનવતા અને નૈતિક નેતૃત્વ માર્ગદર્શક બની રહ્યું છે.” BGF એ આગળ જણાવ્યું કે ગુરુદેવ દ્વારા કોલંબિયા, ઇરાક, શ્રીલંકા, વેનેઝુએલા અને કાશ્મીર સહિતના સંવેદનશીલ ક્ષેત્રોમાં શાંતિ સ્થાપન માટે મહત્વપૂર્ણ હસ્તક્ષેપ અને મધ્યસ્થતા કરવામાં આવી છે. આ એવોર્ડ વિશ્વના 180થી વધુ દેશોમાં શાંતિ સ્થાપના, સંઘર્ષ નિવારણ અને માનવતાવાદી કાર્યો માટે ગુરુદેવ રવિશંકરજીના લાંબા સમયથી ચાલતા યોગદાન ને માન્યતા આપે છે. એવોર્ડ સ્વીકારતા ગુરુદેવે જણાવ્યું કે, “શાંતિ માત્ર શબ્દો નહીં, પરંતુ કાર્ય દ્વારા સ્થાપિત થવી જોઈએ. સુરક્ષા માટે વિશ્વભરમાં મોટા પ્રમાણમાં પ્રયાસ થાય છે, પરંતુ શાંતિ નિર્માણને પૂરતું મહત્વ મળતું નથી. સમાજમાંથી અવિશ્વાસ અને તણાવ દૂર કરવા માટે નૈતિક અને આધ્યાત્મિક શક્તિ અનિવાર્ય છે. આવો, તણાવમુક્ત અને હિંસામુક્ત વિશ્વનું સ્વપ્ન સાકાર કરીએ.” શાંતિ ક્ષેત્રે યોગદાનની સાથે સાથે, ગુરુદેવ વિજ્ઞાન અને આધ્યાત્મના સંગમને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. લોસ એન્જલસ સ્થિત તેમના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઍબ્સોલ્યુટ ઇન્ટેલિજન્સમાં ન્યુરોસાયન્ટિસ્ટ, ફિલોસોફર અને AI નિષ્ણાતો જોડાઈ ચેતના અને ટેકનોલોજીના સંશોધન પર કાર્ય કરી રહ્યા છે, જેને માનવ મૂલ્યો આધારિત નૈતિક અને જવાબદાર નવીન શોધની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ ગણવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:34 pm

વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી:ગુજરાતના 150 કેન્દ્રો પર સામૂહિક ગાન, પાટણની રાણકી વાવ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો

સમગ્ર ગુજરાતમાં 'વંદે માતરમ' ગીતની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રાજ્યભરમાં 150 વિવિધ કેન્દ્રો પર રાષ્ટ્રગાનનું સામૂહિક આયોજન કરાયું હતું. પાટણના વિશ્વ વિરાસત સ્થળ રાણકી વાવ ખાતે પણ એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ઐતિહાસિક સ્થળે મોટી સંખ્યામાં લોકોએ 'વંદે માતરમ' ગીતનું સામૂહિક ગાન કર્યું હતું. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈને દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રગાન બાદ, ઉપસ્થિત વિદ્યાર્થીઓએ રાણકી વાવની અદ્ભુત કલાકૃતિ અને સ્થાપત્યને નિહાળી હતી. તેમણે તેના ઇતિહાસ વિશે જાણકારી મેળવી, જેનાથી યુવા પેઢીમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બની અને ઐતિહાસિક વારસા પ્રત્યે જાગૃતિ આવી હતી. આ ઉપરાંત, પાટણ જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર વી.સી. બોડાણાની અધ્યક્ષતામાં 'વંદે માતરમ' ગીત નિર્માણની ૧૫૦મી જયંતિની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. જિલ્લાભરની સરકારી કચેરીઓ ખાતે પણ આ ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત 'વંદે માતરમ' ગીતના મૂળ સ્વરૂપના સમૂહગાનથી થઈ હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી શપથ ગ્રહણ કરી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. નિવાસી અધિક કલેક્ટર વી.સી. બોડાણાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે 'વંદે માતરમ' માત્ર ગીત નથી, પરંતુ તે ભારતની રાષ્ટ્રીય ચેતનાનું પ્રતિક છે. તેમણે ઉમેર્યું કે, 'વંદે માતરમ'ના પ્રસાર અને પ્રચાર દ્વારા રાષ્ટ્રીયતા અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને છે. બોડાણાએ વધુમાં ઉલ્લેખ કર્યો કે સ્વદેશી અપનાવવાનો સંકલ્પ દરેક નાગરિકે કરવો જોઈએ. આનાથી ભારત દેશને આત્મનિર્ભર અને મહાસત્તા તરીકે વિકસિત કરવામાં સહયોગ મળી શકે છે. આ કાર્યક્રમમાં જિલ્લા કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:33 pm

રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’નો સમૂહગાન યોજાયો:સ્વદેશી વસ્તુઓ અપનાવવા, સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સહિતના શપથ લેવાયા

ભાવનગર મહાનગરપાલિકા ખાતે આજરોજ રાષ્ટ્રગીત “વંદે માતરમ”@150ની ઉજવણીના અવસર પર મેયર ભરત બારડના અધ્યક્ષ સ્થાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના સમૂહગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વદેશી શપથ લઇ દેશભક્તિ અને સ્વદેશી ભાવનાને મજબૂત બનાવવાનો સંકલ્પ સાથે શપથ લેવામાં આવ્યા. મેયરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયોઆજ રોજ ભાવનગર મહાનગરપાલિકાના પંટાગણમાં મેયર ભરત બારડના અધ્યક્ષ સ્થાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના સમૂહગાન આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે “વંદે માતરમ્@150” તરીકે ગીતના 150 વર્ષ પૂર્ણ થવાને નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 7 નવેમ્બર, 2025ના રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ મેયરના અધ્યક્ષ સ્થાને ભાવનગર મહાનગરપાલિકાના મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીના પટાંગણમાં સવારે વંદે માતરમ સામૂહિક ગાનથી કરવામાં આવ્યો હતો. બાદમાં તમામ અધિકારીઓ તથા કર્મચારીઓએ સ્વદેશી શપથ લઇ દેશભક્તિ અને સ્વદેશી ભાવનાને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર રહ્યાંકાર્યક્રમમાં મેયરએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વંદે માતરમ્ માત્ર ગીત નથી, તે આપણા રાષ્ટ્રીય ગૌરવ અને સ્વતંત્રતાના સંઘર્ષનું પ્રતિક છે. આજે આપણે સ્વદેશી વિચારોને આચરણમાં ઉતારીને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવું જોઈએ. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર ભરત બારડ, સ્ટેન્ડિંગ કિમિટીના ચેરમેન રાજુ રાબડીયા અને તમામ પદાધિકારીઓ, નગરસેવકઓ, તમામ વિભાગોના અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:31 pm

બોરસદના ગ્રામ્ય વિસ્તારોમાં ₹3 કરોડના ખર્ચે RCC રસ્તા બનશે:મંત્રી રમણ સોલંકીએ ખાતમુહૂર્ત કર્યું, કહ્યું- 'રોડની ગુણવત્તાને લઇ કોન્ટ્રાક્ટરને સુચના આપી છે'

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર થયેલા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા 3 કરોડથી વધુની રકમના આરસીસી તથા ડામર રોડનું ખાતમુહૂર્ત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ કર્યું હતું. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનાવવા માટે આર.સી.સીના રોડ બનાવવામાં આવી રહ્યા છે. શહેર જેવી જ સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારમાં પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે આરસીસી રોડ ગુણવત્તા વાળો બને તે માટે કોન્ટ્રાક્ટરને સુચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બોરસદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આર.સી.સી રોડ અંદાજિત રૂપિયા 3 કરોડ જેટલી રકમના ખર્ચે નિર્માણ પામનારા છે .જેમાં વાછીયેલ ગામના આર.સી.સી રોડ, ઝારોલા મહાદેવ મંદિર થી મુખ્ય બજારને જોડતો આર.સી.સી રોડ, કણભા એપ્રોચ આર.સી.સી.રોડ તથા કણભા ઘાડિયાપુરા રોડ ખૂટતી કડી રોડ, કઠાણા વૃંદાવન નગરથી કોતર વિસ્તાર રોડ વગેરે ગ્રામ્ય વિસ્તારમાં નવા આર.સી.સી.રોડ તથા ડામરના રોડ બનાવવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ, માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:28 pm

હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર વંદેમાતરમનું સમૂહગાન:150 અધિકારીઓ-કર્મચારીઓએ સ્વદેશીના શપથ લીધા

હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સવારે 9:30 કલાકે 'વંદે માતરમ 150'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 23 અધિકારીઓ અને 150 કર્મચારીઓએ રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું સમૂહગાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્વર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહગાન બાદ ઉપસ્થિત સૌને સ્વદેશીના શપથ લેવડાવવામાં આવ્યા હતા. મૂળ રાષ્ટ્રગીત 3:10 મિનિટનું હતું.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:25 pm

કવાંટમાં ₹2.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:રિક્ષામાં હેરાફેરી કરતા એકની ધરપકડ

છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ કવાંટ તાલુકાના દેવત ગામ પાસેથી એક રિક્ષામાંથી ₹2,60,802/- ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ મામલે રિક્ષાચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા એલસીબીની ટીમ કવાંટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે પોલીસે કવાંટના દેવત ગામ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની GJ 06 BZ 1186 નંબરની રિક્ષા આવતા તેને રોકવામાં આવી હતી. રિક્ષાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 802 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹2,60,802/- થાય છે. પોલીસે દારૂ ઉપરાંત રિક્ષા અને એક મોબાઈલ ફોન સહિત કુલ ₹3,65,802/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં વડોદરાના પાણીગેટ, કહાર મહોલ્લામાં રહેતા રાહુલ મહેશ કહાર નામના રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં જિલ્લા એલસીબીને સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:18 pm

'હાઈવે-રસ્તાઓ પરથી રખડતા શ્વાન અને પશુઓ હટાવો..' સુપ્રીમ કોર્ટનો સરકારને કડક નિર્દેશ

Supreme Court News: સુપ્રીમ કોર્ટે દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને હાઈવે અને રસ્તાઓ સહિત સંસ્થાકીય સ્થળોએ રખડતા શ્વાન કરડવાના કેસોમાં થઈ રહેલા વધારાની ગંભીર નોંધ લીધી છે. ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે આ અંગે મહત્ત્વના નિર્દેશો જાહેર કર્યા છે. બેન્ચે તમામ સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો છે કે તે સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હોસ્પિટલોના પરિસરમાં રખડતા શ્વાનને પ્રવેશતા અટકાવવા માટે તાત્કાલિક પગલાં લે, જેથી શ્વાનના હુમલા અટકાવી શકાય.

ગુજરાત સમાચાર 7 Nov 2025 12:17 pm

ચોટીલા નાયબ કલેક્ટરની SIRને લઇને બેઠક:બૂથ લેવલ એજન્ટની નિમણૂક અને ફરજો પર ચર્ચા, મતદાર યાદીમાં સુધારા-વધારા માટેના ફોર્મ વિશે વિગતવાર માહિતી અપાઇ

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને SIR (ખાસ સઘન સુધારણા 2025) કાર્યક્રમ અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બૂથ લેવલ એજન્ટ (BLA)ની નિમણૂક અને સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય SIR 2025 કાર્યક્રમ અંગે મતદારોને જાગૃત કરવાનો અને તેમને આ કાર્યક્રમની વિગતવાર સમજ આપવાનો હતો. આ ઉપરાંત, મતદાર યાદીમાં સુધારા-વધારા માટેના ફોર્મ નંબર 6, 7 અને 8 વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજકીય પક્ષો દ્વારા બૂથ લેવલ એજન્ટની નિમણૂક બાબતે પણ ચર્ચા થઈ હતી. નાયબ કલેક્ટરે રાજકીય પક્ષોને તાત્કાલિક બૂથ લેવલ એજન્ટની નિમણૂક કરવા સૂચના આપી હતી. બેઠકમાં બૂથ લેવલ એજન્ટની ફરજો અને જવાબદારીઓ વિશે પણ વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. આ બેઠકમાં 63-ચોટીલા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ચોટીલા, થાનગઢ અને મુળી તાલુકાના મામલતદારો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રમુખો અને મહામંત્રીઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:14 pm

સામુહિક રાષ્ટ્રગીતનું ગાન:રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવા નિમિતે વડોદરાના કિર્તિ મંદિર ખાતે ભાજપ દ્વારા સામૂહિક રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું, 213 સ્થળોએ કાર્યક્રમ થયા

રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવા નિમિતે વડોદરા શહેરના કિર્તિ મંદિર ખાતે ભાજપ દ્વારા સામૂહિક રાષ્ટ્રગીત ગાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ લોકોએ સામૂહિક રાષ્ટ્રગાન કર્યું હતું. વડોદરા શહેરમાં 213 જેટલા સ્થળોએ આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ જયપ્રકાશ સોની અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ ગાનને 150 વર્ષ પૂર્ણ થયા છે. ઈ.સ. 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી રચિત આ વંદે માતરમ ગાન એ બીજું કંઈ નથી પરંતુ ભારત માતાનું વર્ણન છે અને ભારત માતાની આરાધના છે. દેશની આઝાદીના સમયમાં અનેક ક્રાંતિકારીઓ, અનેક શહીદો, અનેક આંદોલનકારીઓએ આ વંદે માતરમ ગાનથી પોતે જુસ્સો બતાવ્યો હતો, એના કારણે એમને ફાંસીના માચડે પણ ચડવું પડ્યું છે, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અનેક લોકોએ લાઠીઓનો માર પણ સહન કરવો પડ્યો છે અને કેટલા પ્રકારના જુલ્મો સહન કર્યા હતા. એ વખતે પણ વંદે માતરમ પર અંગ્રેજોએ બેન મૂક્યો હતો. એનું કારણ એ હતું કે, વંદે માતરમ બોલતા જ એટલો બધો જુસ્સો છવાઈ જતો હતો કે, એને રોકવો બહુ જરૂરી લાગ્યો હતો. પરંતુ આપણા જે પણ શહીદો, આંદોલનકારીઓ, ક્રાંતિકારીઓ થઈ ગયા, એમણે વંદે માતરમ નારાને ગુંજતો કર્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે, વંદે માતરમ ગાનને આજે એના 150 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અમે લક્ષ્યાંક લીધો હતો કે, 150થી વધુ સ્થાનો પર સામૂહિક વંદે માતરમ રાષ્ટ્રગાન થાય. પરંતુ લોકોનો એટલો બધો ઉત્સાહ છે, 213 સ્થળ ઉપર આજે વડોદરા શહેરમાં આ વંદે માતરમનું ગાન થઈ રહ્યું છે. વડોદરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે, આખા દેશને જાગૃત કરવા માટે 7 નવેમ્બર 1875ના રોજ જ્યારે બંકિમચંદ્રજીએ વંદે માતરમની રચના કરી અને રવીન્દ્રનાથ ટાગોરે 1896માં સૌપ્રથમ વખત એનું જાહેરમાં ગાન કર્યું હતું. ત્યારબાદ વંદે માતરમ એ ક્રાંતિકારીઓ માટે તેમજ તમામ રાષ્ટ્રપ્રેમીઓ માટેનો એક મૂળભૂત મંત્ર થયો હતો. તેઓએ કહ્યું હતું કે, આજે જ્યારે એને 150 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ આજથી શરૂ થઈને 26 તારીખ સુધી ચાલશે. વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક ગલીમાં, દરેક વોર્ડમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું વિનંતી કરું કે આપના વિસ્તારમાં જ્યાં પણ વંદે માતરમના સામૂહિક ગાનનો કાર્યક્રમ હોય એમાં આપ બધા જોડાઈએ.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:07 pm

ભરૂચમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી:સરકારી કચેરીઓના સમય બદલાયા, જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રગાન અને સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લામાં 'વંદે માતરમ' ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તમામ સરકારી કચેરીઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે, એક દિવસ માટે સરકારી કચેરીઓના કામકાજનો સમય સવારે 10:30 થી સાંજે 6:10ના બદલે સવારે 9:30 થી સાંજે 5:10 સુધી રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમો અંતર્ગત, તમામ કચેરીઓના કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે 'વંદે માતરમ'નું ગાન કર્યું હતું. આ ઉપરાંત, સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે શપથ પણ લેવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદીયાની અધ્યક્ષતામાં રાષ્ટ્રગાન અને શપથવિધિનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શૈલા પટેલ સહિત પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 'વંદે માતરમ' ગીત વર્ષ 1875માં સ્વતંત્રતા ચળવળ દરમિયાન રચાયું હતું. તે રાષ્ટ્રીય ચેતના અને માતૃભૂમિ પ્રત્યેના ગૌરવનું પ્રતીક બન્યું છે. તેના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ રાષ્ટ્રગીતના સન્માનમાં સમગ્ર જિલ્લામાં આ ઉજવણી ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:05 pm

ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રા:ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે વલસાડ જિલ્લાના ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો શુભારંભ ઉમરગામના સરઈ ગામ ખાતેથી કરવામાં આવ્યો છે. ભાજપના નવા પ્રમુખ અને અમદાવાદના નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલના હસ્તે યાત્રાનો શુભારંભ કરાયો છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્ર નિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો છે. ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણીબિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે 7મી થી 15મી નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અનેક મહાનુભાવો ઉપસ્થિત આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ, અમદાવાદ નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, રાજ્યકક્ષાના મંત્રી અને નિઝર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામિત, લોકસભાના દંડક અને વલસાડ – ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2021માં બિરસા મુંડાના જન્મદિવસ, 15મી નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયના અનુસંધાનમાં ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 12:01 pm

કામ ન થતાં એજન્ટે છરી કાઢી RTO અધિકારીઓને માર માર્યો.:જૂનાગઢ RTO કચેરીમાં ફિલ્મી બઘડાટી,વાહન ટ્રાન્સફરનું કામ ન થતાં ભાવિન કરથીયાએ આસિસ્ટન્ટ RTO પર હુમલો કરી ધમકી આપી, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ

જૂનાગઢની RTO કચેરીમાં ફરજ દરમિયાન અધિકારીની ફરજમાં રૂકાવટ કરી તેમના પર હુમલો કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. વાહન ટ્રાન્સફરની કામગીરી માટે આવેલા એક વ્યક્તિએ નિયમોનું પાલન ન થતાં ઉશ્કેરાઈને આતંક મચાવ્યો હતો. આરોપીએ છરી કાઢી અધિકારીને મારવા દોડ્યો હતો, જેમાં સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચી હતી અને સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું.​​ ફરિયાદી હિતેષકુમાર વિનોદકુમાર પંડિત જે જૂનાગઢ RTO કચેરીમાં 2018થી સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે, તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે છે જેમાં હિતેષકુમાર પંડિત RTO કચેરીના રૂમ નંબર 2માં વાહનના પોસ્ટ ટ્રાન્ઝેક્શનની કામગીરી જેમાં વાહન નામફેર, લોન દાખલ/રદ્દ, ડુપ્લિકેટ RC બુકના એપ્રુવલ આપવા જેવી કામગીરી કરી રહ્યા હતા.ત્યારેઆશરે 12:30 વાગ્યાની આસપાસ આરોપી ભાવિન રમણીકભાઈ કરથીયા RTO કચેરીમાં આવ્યો અને વાહન ટ્રાન્સફરના 3 અલગ-અલગ ફોર્મ હિતેષકુમાર પંડિતને આપ્યા હતા.​ નિયમભંગ થતાં ફોર્મ ચકાસ્યાને ઝઘડો શરૂ થયો​ આરોપી ભાવિને આ વાહનો નામફેર કરવાના છે તેમ કહેતાં ફરિયાદી હિતેષકુમાર પંડિતે ફોર્મ ચકાસ્યા હતા. તેમને જાણવા મળ્યું કે આપેલા એક પણ ફોર્મમાં ભાવિનનું નામ અરજદાર તરીકે નહોતું. નિયમ મુજબ, વાહન ટ્રાન્સફરની અરજી વખતે અરજદારની હાજરી ફરજિયાત હોય છે.ફરિયાદીએ ભાવિનભાઈને નિયમ સમજાવીને અરજદારને બોલાવી લાવવાનું કહેતા જ ભાવિન કરથીયા એકદમ ઉશ્કેરાઈ ગયા અને ઊંચા અવાજે બોલવા લાગ્યાબોલાચાલી શરૂ થતાં ફરિયાદી હિતેષકુમાર ભાવિનને લઈને બાજુની ઓફિસમાં ઇન્ચાર્જ RTO આશિષકુમાર પંચાલ પાસે ગયા. આશિષકુમાર પંચાલે પણ ભાવિનને શાંતિથી નિયમ સમજાવ્યો કે અરજદારને નિયમ અનુસાર હાજર રાખો એટલે તમારું કામ થઈ જશે.​ હુમલો, ધમકી અને સરકારી મિલકતને નુકસાન​ શાંતિથી વાત કરવા છતાં ભાવિન કરથીયા ફરીવાર ઉશ્કેરાઈ ગયા અને ઇન્ચાર્જ RTO આશિષકુમાર પંચાલ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરવા લાગ્યા.ઝપાઝપી દરમિયાન આરોપી ભાવિને પંચાલ સાહેબની ઓફિસમાં ટેબલ ઉપર રહેલું કોમ્પ્યુટરનું કીબોર્ડ ખેંચીને નીચે ફેંકી દીધું અને તેને તોડી નાખ્યું, આમ પબ્લિક પ્રોપર્ટીને ડેમેજ કરી.મામલો ગરમાતા ઇન્ચાર્જ RTO પંચાલે સિક્યુરિટી ગાર્ડ અરવિંદભાઈને બોલાવ્યા. અરવિંદભાઈએ ભાવિનભાઈને બહાર લઈ જવાનો પ્રયત્ન કરતાં ભાવિન વધુ ગુસ્સે ભરાયા અને ગાળો બોલવા લાગ્યા.ભાવિને પોતાની પાસે રહેલી છરી કાઢી અને ધમકી આપી કે, આજે તો તમને જાનથી પતાવી દેવા છે,તેમ કહી મારવા દોડ્યા હતા.સિક્યુરિટી ગાર્ડ અરવિંદભાઈએ ભાવિનને પકડી લેતા ઝપાઝપી થઈ. આ ઝપાઝપીમાં અરવિંદભાઈના ડાબા હાથમાં ઈજા થઈ અને લોહી નીકળ્યું, જ્યારે ફરિયાદી હિતેષકુમાર પંડિતને પણ જમણા અને ડાબા હાથમાં મૂઢ ઈજા થઈ. આરોપીએ ત્રણેય સરકારી કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી.ઝપાઝપી દરમિયાન ફરિયાદી હિતેષકુમાર પંડિતે તુરંત 112 નંબર પર પોલીસને ફોન કર્યો હતો. પોલીસ તાત્કાલિક RTO કચેરીએ પહોંચી અને આરોપી ભાવિન રમણીકભાઈ કરથીયાને પકડી લીધા.​ આ મામલે ફરિયાદી હિતેષકુમાર પંડિત, ઇન્ચાર્જ RTO આશિષકુમાર પંચાલ અને સિક્યુરિટી ગાર્ડ અરવિંદભાઈ ત્રણેય જણાએ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને બાદમાં આરોપી ભાવિન કરથીયા વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપી વિરુદ્ધ કલમ સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ,ફરજ પર રહેલા કર્મચારીને ઇજા પહોંચાડવી,શાંતિભંગ કરવાના ઇરાદાથી અપશબ્દો ઉચ્ચારવા,જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે..

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 11:51 am

CMને રજૂઆત કરવા પહોંચે એ પહેલાં આદિવાસી આગેવાનોની અટકાયત:જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓ અંગે અંબાજીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના હતા

અંબાજીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચે તે પહેલા આદિવાસી સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી છે. આદિવાસી યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓના મુદ્દે તેઓ રજૂઆત કરવાના હતા. રજૂઆત કરવાનું નક્કી કરાયું હતુંઆદિવાસી સમાજના લોકોને જાતિના દાખલામાં પડતી મુશ્કેલીઓને લઈને ગઈકાલે અમીરગઢના ઝાંઝરવા ખાતે વીર મહારાજના મંદિર ખાતે એક બેઠક મળી હતી. આ બેઠકમાં અંબાજી આવી રહેલા મુખ્યમંત્રીને સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું. 17 તારીખે શાળાઓમાં તાળાબંધી કરવાની ચીમકીઆ નિર્ણયના પગલે આજે વહેલી સવારે જ પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી, ખાસ કરીને અમીરગઢ અને દાંતા તાલુકામાંથી, મોટી સંખ્યામાં યુવાનો તેમજ સમાજના આગેવાનોની અટકાયત કરી હતી. આદિવાસી સમાજના આગેવાનોએ આગામી 17 તારીખે ટ્રાયબલ વિસ્તારની શાળાઓમાં તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 11:50 am

મહેસાણાની રૂપેણ નદીમાંથી માણસનો કપાયેલો પગ મળ્યો:યુવક શૌચક્રિયા કરવા જતાં નજર પડી; પોલીસે ફોરેન્સિક પી.એમ. માટે અમદાવાદ ખસેડ્યો

મહેસાણા નજીક આવેલા છઠીયારડા પાટિયા પાસેથી પસાર થતી રૂપેણ નદીના કિનારેથી અજાણ્યા વ્યક્તિનો કપાયેલો પગ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નોકરી પરથી ઘરે જતાં સમયે યુવક શોચક્રિયા માટે નદીના પટ્ટમાં ગયો હતો અને આ પગ પર નજર પડતા પોલીસને જાણ કરી હતી. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે સ્થાનિક લોકોના નિવેદન લઈ ફોરેન્સિક પી.એમ. માટે પગને અમદાવાદ મોકલ્યો છે. પાણીના પ્રવાહમાં પથ્થર વચ્ચે પગ હતોમહેસાણા તાલુકાના છઠીયારડા બસ સ્ટેન્ડ નજીક આવેલા બ્રિજ નીચે રૂપેણ નદીના પટમાં આવેલા પથ્થરો પાસેથી માણસનો કપાયેલો પગ મળી આવ્યો હતો. ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ પગ 6 નવેમ્બરની સાંજે 6 વાગ્યાના અરસામાં મળી આવ્યો હતો, જેની તપાસ પોલીસે શરૂ કરી છે. મેં પગ જોતા પોલીસને જાણ કરીઃ જયપાલસિંહસમગ્ર કેસમાં માનવ પગને જોનાર જયપાલસિંહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું અહી નજીક આવેલી ડેરીમાં જોબ કરું છું અને મારા ગામથી અપડાઉન કરું છું. ગઈકાલે સાંજે હું નદી પટમાં શૌચ માટે ગયો હતો, એ દરમિયાન મેં આ પગ જોયો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી હતી. પી. એમ. બાદ જાણી શકાશે કે પગ કોઈ દર્દીનો છે કે અન્ય વ્યક્તિનો?સમગ્ર કેસમાં તપાસ કરનાર અધિકારી વી. એ. સીસોદીયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ગઈકાલે સાંજે આ માનવ પગ મળી આવ્યો છે, જેને ફોરેન્સિક પી.એમ. માટે અમદાવાદ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો છે. પી. એમ. બાદ જાણી શકાશે કે આ પગ કોઈ દર્દીનો છે કે અન્ય કોઈ વ્યક્તિનો? હાલમાં તપાસ ચાલુ છે. તેમજ મહેસાણાની આસપાસની હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 11:21 am

ઈલોન મસ્કને ટેસ્લાએ રેકોર્ડ 1 ટ્રિલિયન ડૉલરનો સેલેરી પેકેજ આપ્યો, અનેક દેશોના GDPથી વધુ

Tesla CEO Elon Musk Salary Package: વિશ્વની અગ્રણી ઈ-કાર કંપની ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કને અનેક દેશોની જીડીપી કરતાં વધુ વાર્ષિક સેલેરી પેકેજ મળ્યું છે. ગઈકાલે છ નવેમ્બર, 2025ના રોજ યોજાયેલી ટેસ્લાની એજીએમમાં શેરહોલ્ડર્સે કંપનીના સીઈઓ મસ્કને 1 લાખ કરોડ ડોલર (રૂ. 8.36 લાખ કરોડ)નું વાર્ષિક સેલેરી પેકેજ આપવાના પ્રસ્તાવ પર મંજૂરી આપી હતી. કંપનીના ઓસ્ટિન કારખાનામાં આ મામલે થયેલા મતદાનમાં બહુમતી મળી હતી. આ સાથે આ સેલેરી પેકેજ કોઈપણ કોર્પોરેટ લીડરને અત્યારસુધીમાં આપવામાં આવેલાં પેકેજની તુલનાએ સૌથી વધુ છે.

ગુજરાત સમાચાર 7 Nov 2025 11:15 am