ડાંગ જિલ્લાના વઘઇ રેન્જ હેઠળ આવતા બોરીગાંવઠા ગામ નજીક લાકડા તસ્કરી અટકાવવા ગયેલા વનકર્મીની તસ્કરો દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાત્રિના અંધકારમાં ફરજ બજાવી રહેલા વનકર્મી પર 3 જેટલા તસ્કરોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાને પગલે વન વિભાગમાં ભારે રોષ અને શોકની લાગણી વ્યાપી છે. ધારદાર હથિયારો વડે વનકર્મી પર જીવલેણ હુમલોમળતી માહિતી મુજબ, વઘઇ રેન્જમાં ગેરકાયદે લાકડાની કાપણી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળતા વનકર્મી સનત બિરારી રાત્રિના સમયે તપાસ માટે નીકળ્યા હતા. બોરીગાંવઠા ગામની સીમમાં 3 શખ્સો લાકડાની ચોરી કરતા નજરે પડ્યા હતા. સનત બિરારીએ આ તસ્કરોને રોકવાનો અને પકડવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા તસ્કરોએ પોતાની પાસે રહેલા ધારદાર હથિયારો વડે વનકર્મી પર જીવલેણ હુમલો કર્યો હતો. વનકર્મી લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે ઢળી પડ્યો હુમલો એટલો ગંભીર હતો કે સનત બિરારી લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. આસપાસના વિસ્તારમાંથી કોઈ મદદ પહોંચે તે પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓ જંગલના અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસ કાર્યવાહી અને તપાસઘટનાની જાણ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વઘઇ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક વનકર્મીના સાથી કર્મચારી હરેશ ચૌધરીએ આ અંગે વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. શંકાસ્પદ વિસ્તારો અને નજીકના ગામોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સલામતી સામે સવાલજંગલ અને વન્યજીવોના રક્ષણ માટે રાત-દિવસ જીવના જોખમે ફરજ બજાવતા વનકર્મીની હત્યાએ વન વિભાગના સ્ટાફની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે. સ્થાનિકો અને વનકર્મી મંડળો દ્વારા માંગ કરવામાં આવી છે કે આરોપીઓને વહેલી તકે પકડી કડક સજા કરવામાં આવે અને જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે.
એસ.પી. રીંગરોડ નજીક આવેલા વટવા રોપડા ચાર રસ્તા પાસેથી પોલીસે બાતમીના આધારે એક યુવકને 1.70 કરોડની 1.718 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યો છે અને એક આરોપી ફરાર છે.ભાવનગરથી તેના સાગરિત સાથે કારમાં એમ્બરગ્રીસ વેચવા અમદાવાદ આવ્યા અને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે ફરાર આરોપી તેને એમ્બરગ્રીસ વેચવા માટે રૂ. 20 હજાર કમિશન આપવાનો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 1.70 કરોડનો વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો મળી આવ્યો વટવા પોલીસને બાતમી મળી હતી કે રોપડા બ્રિજ પાસે એક યુવક એમ્બરગ્રીસ લઇને ઉભો છે. તેના આધારે પોલીસે ત્યાં પહોચીને યુવકને કોર્ડન કરીને તેની તપાસ કરતા તેની પાસેથી 1.70 કરોડની 1.718 કિલોગ્રામ સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો મળી આવ્યો હતો. ભરત તેને કમિશન પેટે 20 હજાર આપવાનો હતોપોલીસે તેનું નામ પૂછતા ભાવનગરના મહુવાનો ભરત ઘુંઘળવા અને મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યુ હતુ. તે તેના સાગરિત ભાવનગરનો ભરત બાંભણીયા સાથે કારમાં એમ્બરગ્રીસ લઇને આવ્યો હતો. બાદમાં ભરત તેને રોપડા બ્રિજ પાસે ઉતારીને નાસી ગયો હતો.જેમાં ભરતે તેને ડિલિવરીનું કામ સોંપ્યુ હતુ. જેમાં ભરત તેને કમિશન પેટે 20 હજાર આપવાનો હતો. ત્યારે હાલ વટવા પોલીસની એક ટીમ ભાવનગર ખાતે અન્ય આરોપીની શોધખોળ કરવા પહોંચી છે. પોલીસે તપાસ હાથ ધરીપોલીસે હાલ કબ્જે કરેલ વ્હેલ માછલીની ઉલ્ટીને લઈને તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે.કારણકે ભારતીય વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ વ્હેલ માછલીનો વેપાર કરવો અને તેની ઉલ્ટી કે જેને એમ્બરગ્રીસ કહેવાય છે તેનું વેચાણ અને ખરીદી પણ ગુનો સાબિત થતો હોવાના લીધે પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરુ કરી દીધી છે.
મોડાસાના ગાઝણ ખાતે આવેલી કૃષ્ણા નર્સિંગ કોલેજમાં 'કૃષ્ણા ટેલેન્ટ ફેસ્ટા' અંતર્ગત સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના 250થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. કોલેજના તમામ ફેકલ્ટી સભ્યોએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રેસિડેન્ટ અશ્વિન પટેલ, સેક્રેટરી દીપ પટેલ, ડો. વ્રજ પટેલ, ડો. દામિની પટેલ અને ધ્વનિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કોલેજના પ્રિન્સિપાલ વિજય પાટીદાર દ્વારા કરવામાં આવ્યું હતું.
રાજકોટ રૂરલ પોલીસે નશીલા પદાર્થોના વેપલો કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ્ય SOG ની ટીમ દ્વારા રાજકોટથી ગોંડલ તરફ જઈ રહેલી એક બોલેરો કારમાંથી અંદાજે રૂ.14 લાખની કિંમતનો 29 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઓરિસ્સાથી રાજકોટ ટ્રકમાં ગાંજાનો જથ્થો લાવનાર 2 શખ્સ અને જેમને સપ્લાય કરવા આવ્યા તે 2 શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે ઓરિસ્સાનો મુખ્ય સૂત્રધાર વોન્ટેડ છે. જેને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે. જોકે મહત્વની વાત એ છે કે ઓરિસ્સાથી અગાઉ 2 વખત ગાંજો રાજકોટમાં ઘૂસાડી પોલીસની આંખમાં ધૂળ નાખી ચૂક્યા છે. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યારાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતુ કે, ગાંજાના જથ્થા સાથે અશરફ ઉર્ફે અપુ પટ્ટા અને શાહનવાજ પટ્ટા બંને ભાઈઓ છે. જેઓ ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો ટ્રકમાં લઈને આવ્યા હતા. જે બાદ આ જથ્થો પોતાની બોલેરો કારમાં લઈ ભાયાવદરના સમીર પટ્ટા અને ઉપલેટાના અશ્ફાક ખોખરને સપ્લાય કરવા જતા હતા ત્યારે પોલીસે ચારેયને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ ત્રીજી વખત ગાંજાનો જથ્થો ઘૂસાડ્યો પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીઓએ ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લાવ્યા હોવાની કબૂલાત આપી હતી. આ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઓરિસ્સાનો શુશાંત લેનકા હોવાનું સામે આવ્યુ છે. જે હાલ ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ત્રીજી વખત ગાંજાનો જથ્થો ઘૂસાડ્યો છે. જેના પગલે સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
રાહી ફાઉન્ડેશન દ્વારા 212મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત 800થી વધુ શ્રમજીવી પરિવારોના બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શાહપુરના શંકર ભુવનના છાપરા, ચામુંડાની ચાલી પાસે અને નદીના પટમાં યોજાયો હતો. આ વિતરણનો લાભ શ્રમજીવી પરિવારના સભ્યોએ લીધો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, દિનેશભાઇ શાહ, વસંતભાઇ, જ્યોત્સ્નાબેન, સ્વપ્નિલ, રણજીતભાઈ, વિજય દલાલ અને માર્કણ્ડભાઈએ ઉપસ્થિત રહીને કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમના સહયોગી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાખવડ શાળામાં બેગલેસ ડેની ઉજવણી:ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ સલાડ ડેકોરેશન કર્યું
લાખવડ પગાર કેન્દ્ર શાળામાં મહિનાના ચોથા શનિવારે બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિ અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ કલાત્મક રીતે સલાડ ડેકોરેશન કર્યું હતું. વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ગાજર, બીટ, વટાણા, કોબી, મરચું, ટામેટા, મૂળો, કેળા, સફરજન જેવી શાકભાજી અને ફળો લાવ્યા હતા. સાથે જ ચપ્પુ અને સ્ટીલની થાળી પણ લાવ્યા હતા.ગ્રુપમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના આકારોનો ઉપયોગ કરીને સલાડની ડીશને અનોખી રીતે શણગારી હતી. ધોરણ 6, 7 અને 8 ના વર્ગ પ્રમાણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પણ આપવામાં આવ્યા હતા.પ્રવૃત્તિના અંતે, તૈયાર કરેલી સલાડ ડીશમાં સંચળ ઉમેરીને શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ તેનો સ્વાદ માણ્યો હતો.
ગીરગંગા ટ્રસ્ટ દ્વારા નવા ઝાંઝરીયામાં ગ્રામસભા:જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા પર ભાર મૂકાયો
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા ઝાંઝરીયા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી પાણીના સંગ્રહ દ્વારા ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાના હેતુથી આ સભા યોજાઈ હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રનો મુખ્ય આધાર જળસંચય છે. ટ્રસ્ટ લોકભાગીદારીથી ચેકડેમ ઊંડા કરવા, ખેત તલાવડીઓ બનાવવા અને બોર રિચાર્જ જેવા કાર્યો કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો આપણે વરસાદી પાણીને ગામમાં અને સીમમાં રોકી શકીશું, તો જ ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. જળસંગ્રહ માત્ર પાણી બચાવવાનું કાર્ય નથી, પરંતુ આવનારી પેઢીને સુખી અને સમૃદ્ધ બનાવવાનું અભિયાન છે. ગ્રામસભામાં પાણીના દરેક ટીપાનું મહત્વ સમજાવીને તેને જમીનમાં ઉતારવા માટેની વિવિધ પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી જળસંચય અભિયાનમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ કલ્યાણભાઈ, રમેશભાઈ ધાનાણી, દેવચંદભાઈ સવાલીયા, મહેન્દ્રભાઈ પાથર, વિવેકભાઈ કોલડિયા, દિલીપભાઈ કોલડિયા, કાંતિભાઈ કોલડિયા, અરજણભાઈ માસ્તર, નારણભાઈ કોલડિયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર સ્થિત શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનર મંડળ દ્વારા જામનગર ખાતે સૌરાષ્ટ્ર ઝોનના પેન્શનરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લાઓમાંથી નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની અધ્યક્ષતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરાના નિવૃત્ત આચાર્ય ડી.આર. રાવલે કરી હતી. અતિથિ વિશેષ તરીકે જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય સી.કે. વાછાણી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, જામનગરના નિવૃત્ત અધિક્ષક એલ.ડી. બંધીયા હાજર રહ્યા હતા. ઓસવાળ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના વેલજીભાઈ શાહ ખાસ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મંડળના પ્રમુખ આઈ.કે. પટેલ, મહામંત્રી જી.કે. પરમાર, સંગઠન મંત્રી ભગુભાઈ સિંઘલ, કારોબારી સભ્યો ડી.જી. સોલંકી અને કાળુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. મહેમાનો અને મંડળના હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ હતી. મંડળના મહામંત્રી જી.કે. પરમાર અને પ્રમુખ આઈ.કે. પટેલ સહિત અન્ય મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિઠ્ઠલભાઈ ધોળકિયાએ કર્યું હતું, જ્યારે મંડળના સિનિયર સભ્ય એન.જી. દવેએ આભાર વિધિ કરી હતી.
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2026માં મહાત્મા ગાંધી અને બળદેવદાસજીની પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શાંતિ, સહઅસ્તિત્વ અને પરસ્પર સન્માનનો સંદેશ ફેલાવવાનો હતો. ગાંધીજી અહિંસા, સત્ય અને માનવતાના પ્રતીક છે, જ્યારે બળદેવદાસજી સેવા, ત્યાગ અને આધ્યાત્મિક મૂલ્યોના માર્ગદર્શક રહ્યા છે. આ પ્રાર્થના કાર્યક્રમ દ્વારા વર્તમાન સમયમાં વધી રહેલી હિંસા, અસહિષ્ણુતા અને માનસિક તણાવ વચ્ચે શાંતિના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. વિવિધ ધર્મો અને સમુદાયોના લોકો એકત્રિત થઈ પ્રાર્થનામાં જોડાયા, જેણે સર્વધર્મ સમભાવ અને વૈશ્વિક એકતાનો સંદેશ આપ્યો. આ પ્રાર્થના આંતરિક શાંતિ, સંવાદ અને સમજણનું માધ્યમ બની. હેલ્પ્સ ફાઉન્ડેશનનું આ આયોજન સમાજમાં નૈતિક મૂલ્યોને મજબૂત કરવા અને યુવા પેઢીને ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતો તેમજ બળદેવદાસજીના સેવાભાવથી પ્રેરણા આપવા માટે મહત્વપૂર્ણ છે. આવા શાંતિ પ્રાર્થના કાર્યક્રમો દ્વારા માનવતા, કરુણા અને સહયોગની ભાવના વિકસે છે, જે શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વિશ્વના નિર્માણમાં ફાળો આપે છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શનિવાર, ૩૧ જાન્યુઆરીના રોજ દાદાને ભવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ કાર્યક્રમ યોજાયો હતો. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ચાંદીનો મુગટ, જરદોશીવર્ક અને ફૂલની ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઓર્કિડ અને ગુલાબના ફૂલોથી અત્યંત મનોહર શણગાર કરવામાં આવ્યો હતો. સમગ્ર ગર્ભગૃહને આ ફૂલોથી સુશોભિત કરાયું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દાદાને સુખડી અને તાજા ફળોનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. મંદિરમાં વહેલી સવારે 5.30 કલાકે વડતાલના ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી સંપન્ન થઈ હતી. શનિવાર હોવાથી મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના દિવ્ય દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
દીવાન-બલ્લુભાઈ શાળામાં વેશભૂષા હરીફાઈ:ધોરણ 1 અને 2 ના 205 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં કુલ ૨૦૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ વિવિધ પાત્રો, રાષ્ટ્રીય મહાનુભાવો, સામાજિક વિષયો અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ મંચ પર રજૂ થયા હતા. તેમની આત્મવિશ્વાસભરી રજૂઆત અને સર્જનાત્મકતાએ ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા. આ હરીફાઈનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ શક્તિ અને સર્જનાત્મકતા વિકસાવવાનો હતો. કાર્યક્રમને શિક્ષકો અને વાલીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજક શિક્ષિકાઓ શ્રી જીનાલીબહેન ભટ્ટ અને શ્રી શિલ્પાબહેન રબારી તેમજ સહભાગી બનેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સ્વામિનારાયણ ગુરુકુળના સ્પેશિયલ વિભાગના ધોરણ 8 અને 9ના કુલ 300 વિદ્યાર્થીઓએ 30 જાન્યુઆરી, 2026ના રોજ ભાવનગરના નારી ખાતે આવેલા રીજીયોનલ સાયન્સ સેન્ટર (RSC)ની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત સહ-અભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય અને ટેકનોલોજીના વિવિધ પાસાઓનું પ્રાયોગિક જ્ઞાન મળે તે મુખ્ય હેતુ હતો. ગુરુકુળ દ્વારા આયોજિત આ પ્રવાસમાં વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાનને પ્રાયોગિક મોડેલ્સ સાથે સાંકળવાનો અવસર મળ્યો. સાયન્સ સેન્ટરના નિષ્ણાત ગાઈડ દ્વારા વિદ્યાર્થીઓને પાંચ મુખ્ય ગેલેરીઓનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ગેલેરીઓમાં મરીન એક્વેટિક, ઓટોમોબાઈલ, નોબેલ પ્રાઈઝ, બાયો સાયન્સ અને ઈલેક્ટ્રો મિકેનિકલ ગેલેરીનો સમાવેશ થાય છે. મરીન એક્વેટિક ગેલેરીમાં વિદ્યાર્થીઓએ દરિયાઈ જીવસૃષ્ટિ અને જળચર પ્રાણીઓ વિશે જાણ્યું. ઓટોમોબાઈલ ગેલેરીમાં પૈડાની શોધથી લઈને આધુનિક કાર અને વિમાનના એન્જિનની ઉત્ક્રાંતિ તેમજ એન્જિનના કાર્યકારી મોડેલ્સ જોઈને વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. નોબેલ પ્રાઈઝ ગેલેરીમાં વિજ્ઞાન ક્ષેત્રે મહાન યોગદાન આપનાર વૈજ્ઞાનિકો અને તેમના ક્રાંતિકારી સંશોધનો વિશે પ્રેરણાત્મક માહિતી આપવામાં આવી. બાયો સાયન્સ ગેલેરીમાં પૃથ્વી પર સજીવોની ઉત્પત્તિ અને વિકાસના તબક્કાઓ દર્શાવતી વિશેષ ડોક્યુમેન્ટરી નિહાળી, જેણે વિદ્યાર્થીઓના જીવવિજ્ઞાનના જ્ઞાનમાં વધારો કર્યો. ઈલેક્ટ્રો મિકેનિકલ ગેલેરીમાં વિદ્યાર્થીઓએ વીજળી અને યંત્રશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો સમજ્યા. મોટર અને જનરેટર કઈ રીતે કાર્ય કરે છે, તેમજ વીજળીનું યાંત્રિક ઉર્જામાં અને યાંત્રિક ઉર્જાનું વીજળીમાં રૂપાંતર કઈ રીતે થાય છે તેની જીવંત સમજૂતી મેળવી. વર્કિંગ મોડેલ્સ દ્વારા વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતો શીખવાનો અનુભવ વિદ્યાર્થીઓ માટે નવો હતો. સમગ્ર પ્રવાસ દરમિયાન સેન્ટરના સ્ટાફની સમજાવવાની શૈલી અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસા પ્રશંસનીય રહી હતી. આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીને વ્યવહારિક રીતે સમજવામાં અત્યંત સફળ રહી.
સુરતની શાળા ક્રમાંક 105 અને 153માં આજે સુરક્ષા જાગૃતિ માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફને આગ, ભૂકંપ જેવી આપત્તિઓ દરમિયાન સુરક્ષિત રહેવા અંગે માર્ગદર્શન આપવાનો હતો. મોક ડ્રિલ દરમિયાન, વિદ્યાર્થીઓને કટોકટીની પરિસ્થિતિમાં શાંતિ જાળવીને સુરક્ષિત સ્થળે બહાર નીકળવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. એલાર્મ વાગતા જ, તમામ વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શિસ્તબદ્ધ રીતે ખુલ્લા મેદાનમાં એકત્ર થયા હતા. શાળા સ્ટાફ સભ્યોએ બાળકોને બચાવના ઉપાયો અને સાવચેતીના નિયમો વિશે માહિતગાર કર્યા હતા. આ મોક ડ્રિલ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો અને આપત્તિ સમયે યોગ્ય રીતે પ્રતિક્રિયા આપવાની સમજ વિકસી. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, અને શાળા દ્વારા ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો નિયમિતપણે યોજવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સુરતના જાણીતા લક્ષ્મી ગ્રુપ અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા અનિલ બગદાણા પર હાથ ધરવામાં આવેલું સર્ચ ઓપરેશન આજે ચોથા દિવસે પણ સતત ચાલુ રહ્યું છે. તપાસની ગંભીરતાને જોતા અધિકારીઓએ હજુ સુધી એક પણ સ્થળ છોડ્યું નથી અને કુલ 30 જેટલા સ્થળો પર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ એક- બે દિવસ સુધી આ કામગીરી ચાલે એવી શક્યતા છે. અગાઉની રેડમાં પણ આવી મોડસ ઓપરેન્ડી પકડાઈ ચૂકી છેતપાસ દરમિયાન લક્ષ્મી ગ્રુપની ઓફિસોમાંથી મોટા પ્રમાણમાં હીરાનો સ્ટોક મળી આવ્યો છે, જેનું હાલ વેલ્યુએશન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ હીરાના આયાત-નિકાસના ડેટા સાથે સ્ટોકની સરખામણી કરી રહ્યા છે. મુખ્યત્વે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે, શું હીરાનો જથ્થો સત્તાવાર ચોપડે નોંધ્યા વગર જ 'બે નંબરમાં' સપ્લાય કરવામાં આવ્યો છે કે કેમ, કારણ કે અગાઉની રેડમાં પણ આવી મોડસ ઓપરેન્ડી પકડાઈ ચૂકી છે. જમીનના સોદા બાબતે આકરી પૂછપરછ હાથ ધરાઈબીજી તરફ બિલ્ડર અનિલ બગદાણાની જમીનના સોદા બાબતે આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જમીનના 'સતાઘટ' ના અનેક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. અધિકારીઓએ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, મોટા પાયે થયેલા જમીનના સોદાઓમાં કેટલી રોકડની લેવડ-દેવડ થઈ હતી અને તેમાંથી કેટલી રકમ બગદાણાને મળી હતી. બેનામી રોકાણોના પુરાવા એકત્રિત કરવા પર આઈટીની ટીમ જોર આપી રહી છે. 100 કરોડ રૂપિયાના વ્યવહારોના શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યાઅત્યાર સુધીની ચાર દિવસની તપાસમાં આવકવેરા વિભાગને મોટી સફળતા મળી છે, જેમાં અંદાજે 10 કરોડ રૂપિયાની રોકડ અને કરોડોના મૂલ્યની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. આ સિવાય, એક સ્ટોર રૂમમાંથી આશરે 100 કરોડ રૂપિયાના વ્યવહારોના શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ દસ્તાવેજોમાં અનેક કાચા વ્યવહારો અને બિનહિસાબી રોકાણોની વિગતો હોવાનું મનાય છે. ટેક્સ ચોરીનો આંકડો મોટો થવાની સંભાવનાસમગ્ર દરોડાની કાર્યવાહીમાં આવકવેરા વિભાગના 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે. સુરત અને મુંબઈ સ્થિત અન્ય સહયોગીઓના સ્થળો પર પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જ્યારે ડિજિટલ ડેટા અને જપ્ત કરાયેલા દસ્તાવેજોનું સંપૂર્ણ વિશ્લેષણ થશે ત્યારે ટેક્સ ચોરીનો આંકડો મોટો થવાની અને અનેક મોટા માથાંઓની સંડોવણી બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.
એક છોકરીના અપહરણનો આરોપ લાગેલા બે પુરુષોને દોષિત ઠરાવવાનો આદેશ હાઇકોર્ટે રદ કર્યો છે. જેમાં એવું અવલોકન કર્યું છે કે, આરોપીઓએ છોકરીને મદદ કરી હતી પરંતુ, તેમ છતાંય તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આવા ઘણા યુવાનો જેલમાં સબડી રહ્યા છે કારણ કે, કડક કાયદાઓ 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથેના સંબંધોને મંજૂરી આપતા નથી. ભલે તે સંબંધો મૈત્રીપૂર્ણ જ કેમ ન હોય. નોંધનીય છે કે આ બંને આરોપીઓ પીડિતાને આપઘાત કરવાથી બચાવી હતી. બાળકોના રક્ષણ અધિનિયમ 2012 હેઠળ ટ્રાયલનો સામનો કરવો પડી શકે આ કેસમાં અપીલકર્તા પુરુષો વતી હાજર એડવોકેટ અને રાજ્ય સરકારની દલીલોને ધ્યાનમાં લેતા હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે 18 વર્ષથી ઓછી ઉંમરની કિશોરાવસ્થામાં ગર્લફ્રેન્ડને મદદ કરવાથી અથવા મદદ કરવાથી તેમને ભારતીય દંડ સંહિતા અથવા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમ, 2012 હેઠળ ટ્રાયલનો સામનો કરવો પડી શકે છે. એ બાબત પુખ્તવયે પહોંચી રહેલા યુવકોને સમજવા અને શીખવાની જરૂર છે. 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે સંબંધ બાંધવાની મંજૂરી ન આપતા કડક કાયદાઓને કારણે હાલમાં ઘણા યુવાનો જેલમાં સબડી રહ્યા છે. ભલે પછી તે યુવાનોના સંબંધો મૈત્રીપૂર્ણ રીતે બંધાયેલા હોય. બંને પુરુષોને અપહરણના આરોપ હેઠળ સજા ફટકારવામાં આવી હતી2004માં પીડિતાના પિતા દ્વારા નોંધાયેલી FIRનો આ મામલો છે. જેમાં બે પુરુષો પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેઓએ બે આરોપીઓમાંથી એકસાથે લગ્ન માટે લલચાવીને પીડિતાને તેના પિતાના કાયદેસર વાલીપણાથી ભગાડીને લઈ ગયા હતા. આ પુરુષો પર ભારતીય દંડ સંહિતાની કલમ 363 અને 366 હેઠળ અપહરણ અને લગ્ન માટે મજબૂર કરવા તેમજ એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બંને પુરુષોને અપહરણના આરોપ હેઠળ બે વર્ષની સખત કેદ અને 5 હજાર રૂપિયા દંડ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 6 મહિનાની સખત કેદ અને 1 હજાર રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી હતી. બંને પીડિતાનું રક્ષણ કરતા હતાઅપીલકર્તાના વકીલે રજૂઆત કરી હતી કે, આ બે આરોપીઓ ફક્ત પીડિતાનું રક્ષણ કરી રહ્યા હતા. જે દિવસે તે આપઘાતના ઇરાદે નર્મદા કેનાલ પર ગઈ હતી. પોલીસ પીડિતાને તેના માતા-પિતાને સોંપવાને બદલે તેને એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા. જ્યાં બે આરોપીઓ તેનું રક્ષણ કરવા અને આત્મહત્યા ન કરવા માટે સમજાવવા તેની સાથે જ હતા અને જે બાબત પોલીસને પણ ખબર હતી. આરોપીઓ વિરૂદ્ધ કોઈ ગુનો સાબિત થતો ન હોવાથી બંનેને આરોપોમાંથી મુક્ત કરાયાપીડિતાએ તેના પરિવાર સાથેના વિવાદને કારણે પોતાની મરજીથી ઘર છોડી દીધું હતું. પીડિતના ભાઈએ તેને માર માર્યો હતો અને તેથી તે આપઘાતના ઇરાદે નર્મદા કેનાલ ગઈ હતી. હાઇકોર્ટે ઉક્ત રજૂઆતો બાદ નોંધ્યું હતું કે પીડિતા 18 વર્ષથી ઓછી ઉંમરની હોવાનું ફરિયાદી પક્ષી સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. ફરિયાદ પક્ષનો આખો કેસ આરોપી પર દોષારોપણ કરવા માટે જ કરવામાં આવ્યો છે. માતાપિતા તેને સલામત વાતાવરણ અને ઘરમાં યોગ્ય સંભાળ અને પ્રેમ આપવામાં નિષ્ફળ ગયા હતા, જેથી તે આત્મહત્યાના ઇરાદે ઘરની બહાર નીકળી હતી. આવા તબક્કે આરોપીઓ વિરૂદ્ધ કોઈ ગુનો સાબિત થતો ન હોવાથી બંનેને આરોપોમાંથી મુક્ત કરવામાં આવે છે.
વલસાડ જિલ્લાની અતુલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ દર્શલ દેસાઈને સત્તાના દુરુપયોગ અને નાણાકીય ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા આ કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપસરપંચ દર્શલ દેસાઈ પર આરોપ છે કે તેમણે પંચાયતના નાણાકીય વ્યવહારોમાં સરપંચની ફરજિયાત સહીને બદલે પોતાની સહી કરીને બિનઅધિકૃત રીતે નાણાં ઉપાડ્યા હતા. આ મામલે અગાઉ સરપંચ અને ઉપસરપંચ વચ્ચે પરસ્પર ફરિયાદો નોંધાઈ હતી. વલસાડ DDO અને TDOની ટીમે સંયુક્ત રીતે આ મામલે વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. તપાસમાં ફરિયાદના આક્ષેપો સાચા ઠર્યા હતા, જેના આધારે DDO કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 દરમિયાન વિકાસ કમિશનરના 2018ના ઠરાવનું ઉલ્લંઘન કરીને ગ્રામ પંચાયતના સ્વભંડોળના નાણાંનો ગેરરીતિપૂર્વક ઉપયોગ થયો હોવાનું તપાસમાં સામે આવ્યું. પંચાયતના રેકોર્ડ મુજબ, કુલ 588 કામો માટે નાણાં ચૂકવાયા હતા, જેમાંથી માત્ર એક જ કામને વહીવટી મંજૂરી મળી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું કે કામ પૂર્ણતા પ્રમાણપત્ર વિના લાખો રૂપિયા ચૂકવાયા હતા, સામાન્ય સભાના ઠરાવ વિના ખરીદીઓ અને ખર્ચ કરાયા હતા, તેમજ લેખિત મંજૂરીને બદલે મૌખિક આદેશોથી કામો કરાવવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના જણાવ્યા અનુસાર, આ તમામ ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(1) હેઠળ ઉપસરપંચ દર્શલ દેસાઈને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. તેઓ આ નિર્ણય સામે 30 દિવસની અંદર વિકાસ કમિશનર સમક્ષ અપીલ કરી શકશે. આ ઉપરાંત, તે સમયગાળા દરમિયાન ફરજ બજાવતા તત્કાલીન તલાટી-કમ-મંત્રી સામે પણ તપાસ શરૂ કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને આદેશો આપવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
શેરબજારમાં ઝડપથી નફો કમાવવાની લાલચમાં આવીને અમદાવાદના એક 60 વર્ષીય વૃદ્ધને સાયબર ગઠિયાઓએ 64.04 લાખ રૂપિયા પડાવ્યા. ઇસનપુર-વટવા રોડ વિસ્તારમાં રહેતા આ વૃદ્ધ યુટ્યુબ પર શેરબજારમાં રોકાણના વીડિયો જોતા હતા, જ્યાં 'પ્રેમપ્રકાશ' નામના એક શખસ દ્વારા ઓનલાઈન ટ્રેડિંગથી લાખોનો નફો કરાવવાની જાહેરાત જોતાં તેમને પણ રોકાણની લાલચ જાગી હતી. એપમાં રોકાણ સામે મોટુ બેલેન્સ બતાવીને વૃદ્ધને વિશ્વાસમાં લીધાજાહેરાત પર ક્લિક કરતાં જ વૃદ્ધ એક વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ ગયા. ગ્રૂપમાં 'પ્રેમપ્રકાશ' નામનો વ્યક્તિ સવારે ભારતીય શેરબજાર અને સાંજે યુ.એસ. સ્ટોકમાં ટ્રેડિંગની ટિપ્સ આપતો હતો અને મોટો નફો થઈ શકે તેવી લાલચ આપતો હતો. ગઠિયાઓએ વૃદ્ધનો વિશ્વાસ મેળવી તેમની બેંક વિગતો મેળવી લીધી અને એક ફેક ટ્રેડિંગ એપમાં એડ કરી દીધા. એપમાં રોકાણ સામે મોટુ બેલેન્સ બતાવીને વૃદ્ધને વિશ્વાસમાં લેવામાં આવ્યા. પૈસા ઉપાડવાની રિક્વેસ્ટ કરતાં કોઈ રકમ જમા ન થઈગઠિયાઓએ કુલ 13 ટ્રાન્ઝેક્શન કરાવી 56.16 લાખ રૂપિયા રોકાણ કરાવ્યા. ત્યારબાદ વધુ નફાની લાલચ આપીને આઈપીઓમાં રોકાણના બહાને વધુ 7.88 લાખ રૂપિયા ઉઘરાવ્યા, જેથી કુલ 64.04 લાખ રૂપિયાનું નુકસાન થયું. એપમાં 2.55 કરોડનું બેલેન્સ બતાવીને વૃદ્ધને ખુશ કરવામાં આવ્યા હતા, પરંતુ પૈસા ઉપાડવાની રિક્વેસ્ટ કરતાં કોઈ રકમ જમા ન થઈ. અનેક વખત સંપર્ક કરવા છતાં જવાબ ન મળતા વૃદ્ધે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીની ધરપકડના પ્રયાસ ચાલુપોલીસે જણાવ્યું કે, આ પ્રકારની ઓનલાઈન ટ્રેડિંગ છેતરપિંડીમાં ફેક એપ, ફેક બેલેન્સ અને ખંડણી જેવી રીતો અપનાવવામાં આવે છે. વૃદ્ધો અને નવા રોકાણકારોને યુટ્યુબ જાહેરાતો અને વોટ્સએપ ગ્રૂપ્સથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. સાયબર ક્રાઈમ સેલે આ કેસની તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.
સુરેન્દ્રનગર મોક્ષધામ મેનેજરે ગુમ થયેલા ચેક પરત કર્યા:ખાતાધારક રાજેશ વોરાને ઈમાનદારીપૂર્વક પરત કર્યા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સંચાલિત મુખ્ય મોક્ષધામના મેનેજર સુમિતભાઈ ઉમરાણીયાએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમને મોક્ષધામના પટાંગણમાંથી ખાતાધારક રાજેશભાઈ લાલચંદભાઈ વોરાના ગુમ થયેલા બે ચેક મળ્યા હતા. આ ચેક પર સહી કરેલી હતી, પરંતુ રકમ અને તારીખ લખેલા ન હતા. ચેક રાજકોટ નાગરિક બેંકના હોવાથી, સુમિતભાઈએ પાવર ફાઇનાન્સ બોર્ડના ડિરેક્ટર અને રાજકોટ નાગરિક બેંકના ચેરમેન નરેશભાઈ ધનરાજભાઈ કેલાનો સંપર્ક કર્યો હતો. નરેશભાઈ કેલાએ તાત્કાલિક સુરેન્દ્રનગર રાજકોટ નાગરિક બેંકના બ્રાન્ચ મેનેજર મયુરભાઈ ધોળકિયાને જાણ કરી. બ્રાન્ચ મેનેજરે ખાતાધારક રાજેશભાઈ વોરાનો સંપર્ક કરીને તેમને મોક્ષધામ ખાતેથી ચેક મેળવી લેવા જણાવ્યું. ત્યારબાદ, ખાતાધારક રાજેશભાઈ લાલચંદભાઈ વોરા સુરેન્દ્રનગર મોક્ષધામની ઓફિસ ખાતે આવ્યા હતા. સુમિતભાઈ ઉમરાણીયા અને મોક્ષધામના ચોકિયાત મફાભાઈએ સાથે મળીને તેમને બંને ચેક પરત કર્યા હતા. પોતાના ગુમ થયેલા ચેક પાછા મળતા રાજેશભાઈ વોરાએ ખુશી વ્યક્ત કરી હતી અને સુમિતભાઈ તથા મોક્ષધામના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
રાજકોટમાંથી 97 લાખની સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે બે શખ્સોને માલવીયાનગર પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી. જેમાં મેંદરડાના માનપુર ગામનો શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી લઈ આવ્યો અને ગોંડલ રોડ પરની ખોડિયાર હોટલે રાજકોટના પ્રફુલ ટોળીયાને સપ્લાય કરતા જ પોલીસ ત્રાટકી હતી. મુખ્ય સૂત્રધાર મેંદરડાનો એગ્રો સંચાલક કાળુ પાદરિયા ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગે આગળની કાર્યવાહી ફોરેસ્ટ વિભાગે હાથ ધરી છે. 97 લાખના એમ્બરગ્રીસ (વ્હેલની ઉલટી) સાથે બે ઝડપાયારાજકોટ ACP બી. જે. ચૌધરીએ જણાવ્યુ હતુ કે, ગોંડલ રોડ પર આવેલ ખોડીયાર હોટલની પાસે બે શખ્સો શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ઉભા હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે માલવિયા નગર પોલીસની ટીમે કાળુ નાગજી કયાડા (ઉ.વ.-60, રહે.માનપુર ગામ પ્લોટ વિસ્તાર, મેંદરડા) અને પ્રફુલ શૈલેષ ટોળીયા (ઉ.વ.33,(રહે. અંકુરનગર શેરી નં 8, જગદીશ ફ્લોર મીલની સામે, અંકુર મેઇન રોડ) ને પકડી પાડી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) 970 ગ્રામ રૂ.97 લાખ અને બે મોબાઈલ મળી કુલ રૂ.97.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વનવિભાગે વધુ તપાસ હાથ ધરીવધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વ્હેલ માછલીની ઉલ્ટીની કિંમત બહુ ઉંચી હોવાથી તેનું વેચાણ કરવા ગ્રાહકો શોધખોળ કરતા હોવાની આરોપીઓએ કબૂલાત આપી હતી તેમજ આ મળી આવેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) હોવાની એફએસએલ તપાસમાં પ્રાથમિક પુરવાર થતાં આગળની તપાસ વનવિભાગના કાર્યક્ષેત્રને લગતી હોય વધુ તપાસ અર્થે વન વિભાગના અધિકારી રાજકોટને સોંપી છે. હાલ વનવિભાગે માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) ની તપાસ માટે નમૂના દેહરાદૂન લેબમાં મોકલ્યા છે. સપ્લાય બદલ બંને આરોપીને કમિશનર પેટે 5 લાખ મળવાના હતાવધુમાં મળેલ વિગત મુજબ, મેંદરડામાં એગ્રો ચલાવતો કાળુ પાદરીયા નામનો શખ્સ શુક્રવારે રાજકોટ પહોંચી કાળુ કયાડાને માછલીની ઉલ્ટી આપી ગયો હતો. મુખ્ય સૂત્રધાર કાળુ પાદરીયાએ પ્રફુલ ટોળિયાના નંબર અને સરનામું કાળું ક્યાડાને આપ્યું હતુ અને તેને તે સપ્લાય કરવા બદલ રૂ.5 લાખનું કમિશન મળવાનું હતું જોકે તે પહેલા જ કાળુ ક્યાડા અને પ્રફુલ ટોળિયા ઝડપાઈ ગયા હતા.
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ પર કાળમુખા વાહનોનો કહેર યથાવત છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ટોલનાકા પાસે રસ્તો ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણી કારે જોરદાર ટક્કર મારતા સિંહણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પુરપાટ ઝડપે આવતી કારે સિંહણને અડફેટે લીધી મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે સિંહણ હાઇવે ઓળંગી રહી હતી, ત્યારે ઉના તરફ જતી એક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે સિંહણને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે સિંહણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જી કાર ચાલક નાગેશ્રી ટોલનાકું પસાર કરી ઉના તરફ નાસી છૂટ્યો હતો. વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટઘટનાની જાણ થતા જ જાફરાબાદ રેન્જની વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. વન વિભાગે મૃત સિંહણનો કબજો મેળવી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ સર્કલના સીએફ રામ રતન નાલાએ જણાવ્યું હતું કે, અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત થયું છે. અમારી ટીમ દ્વારા આસપાસના વિસ્તારો અને ટોલનાકાના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે જેથી આરોપી વાહન ચાલકની ઓળખ કરી શકાય. તેમણે વાહન ચાલકોને આ વિસ્તારમાં ગતિ મર્યાદા જાળવવા પણ અપીલ કરી છે. એક જ મહિનામાં ત્રણ વન્યપ્રાણીઓના મોતથી રોષનોંધનીય છે કે છેલ્લા માત્ર એક મહિનામાં આ વિસ્તારમાં અકસ્માતને કારણે બે સિંહ અને એક દીપડા સહિત કુલ ત્રણ વન્યપ્રાણીઓ કાળનો કોળિયો બન્યા છે. હાઇવે પર વાહનોની અનિયંત્રિત ગતિ અને વન્યપ્રાણીઓની સુરક્ષા સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. વન્યપ્રેમીઓમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હાઇવે પર સ્પીડ બ્રેકર કે વન્યપ્રાણીઓ માટેના સુરક્ષિત કોરિડોરની માંગ ઉઠી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં TP સ્કીમ નંબર 49, 50 અને 51 હેઠળ સ્થાનિકોના રહેણાંક મકાનો, વાડીઓ અને ખુલ્લા પ્લોટ પર લાદવામાં આવેલા સરકારી રિઝર્વેશન સામે રહીશોએ રણશિંગુ ફૂંક્યું છે. આ અન્યાયી નિર્ણયને રદ કરાવવા માટે આગામી 3 ફેબ્રુઆરી, મંગળવારના રોજ સાંજે 4 કલાકે કતારગામ દરવાજાથી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રિઝર્વેશન હટાવવાની ઉગ્ર માંગ કરવામાં આવશે. ઢોલ-નગારા સાથે શેરીએ શેરીએ જનજાગૃતિ અભિયાનઆગામી રેલીને સફળ બનાવવા માટે કતારગામની વિવિધ સોસાયટીઓમાં ઢોલ વગાડીને અનોખું જનજાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું છે. શ્રીજી વિભાગ 1/2, વૃંદાવન, ચિત્રકૂટ, રૂક્ષ્મણી અને નીલકંઠ જેવી સોસાયટીઓની ગલીઓમાં ઢોલના ગડગડાટ સાથે આયોજકોએ લોકોને ઘરની બહાર લાવી રિઝર્વેશનની ગંભીરતા સમજાવી હતી. ઢોલના નાદ સાથે નીકળેલા આ અભિયાનને સ્થાનિકોએ હર્ષભેર વધાવી લીધું હતું અને મોટી સંખ્યામાં લોકોએ મંગળવારની રેલીમાં જોડાવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો. બેનરો ઉતારી લેવામાં આવતા વિવાદ વકર્યોતારીખમાં થયેલા ફેરફારની જાણકારી આપવા માટે આયોજકોએ પાલિકાની વિધિવત મંજૂરી મેળવીને શહેરના મુખ્ય સર્કલો પર બેનરો લગાવ્યા હતા. જોકે, કતારગામ ઝોનના દબાણ વિભાગ દ્વારા કોઈના ઈશારે આ કાયદેસરના બેનરો ઉતારી લેવામાં આવતા વિવાદ વકર્યો છે. જનજાગૃતિ અભિયાનમાં ખલેલ પહોંચાડવાના આ પ્રયાસ સામે આયોજકોએ સવાલ ઉઠાવ્યા છે કે જ્યારે તમામ ફી ભરીને મંજૂરીની સ્લિપ બેનર પર લગાવી હતી, તો કયા આધારે તેને દૂર કરવામાં આવ્યા? ઉતારી લેવાયેલા બેનરો ફરીથી તે જ સ્થળો પર લગાવવા માગઆ કાર્યવાહીની જાણ થતા જ અસરગ્રસ્તોનું ટોળું તાત્કાલિક કતારગામ ઝોન ઓફિસ પહોંચ્યું હતું અને અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોએ માંગ કરી છે કે ઉતારી લેવાયેલા બેનરો ફરીથી તે જ સ્થળો પર સત્વરે લગાવવામાં આવે. ઢોલના નાદ સાથે શરૂ થયેલું આ આંદોલન હવે વેગ પકડતું જાય છે અને આગામી મંગળવારે કતારગામની જનતા પાલિકા કચેરી ગજવવાની પૂરી તૈયારી કરી ચૂકી છે.
આજે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મળી હતી, આ સભામાં શહેરના વિકાસલક્ષી કુલ 1 થી 18 કામો ચર્ચા માટે લેવામાં આવ્યા હતા, શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે ચાલેલી આ સભામાં મોટાભાગના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. એક એજન્ડાને લઈ વિપક્ષે વિરોધ કરતા મતદાન કરવાની ફરજ પડી હતી. 12 નંબરના એજન્ડાને લઈ વિરોધનો સૂર ઉઠતા મતદાન કરાયુંસભા દરમિયાન એજન્ડા નંબર 12 ના કામ પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે મતભેદ જોવા મળ્યો હતો, વિપક્ષી સભ્યો આ કાર્ય સાથે સહમત ન થતા આખરે મતદાન કરવાની ફરજ પડી હતી. જેમાં ભાજપના 34 અને કોંગ્રેસના 6 મત પડ્યા હતા, જોકે, બહુમતીના આધારે આ કામને પસાર કરવામાં આવ્યું હતું, આ એક કાર્ય સિવાયના અન્ય તમામ 1 થી 11 અને 13 થી 18 કામો સભામાં સર્વાનુમતે પસાર થયા હતા, સભામાં એજન્ડા નંબર 15 થી 18 અંતર્ગત શહેરના વહીવટ અને સુખાકારી માટે નવા નિયમો બનાવવાની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. આ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ તમામ સભ્યોએ તેને આવકારી હતી અને આ નવા નિયમોને સર્વાનુમતે મંજૂરી આપી હતી, મેયરએ જણાવ્યું હતું કે, આ ફેરફારો ભાવનગરના હિતાર્થે અને વિકાસને વેગ આપનારા સાબિત થશે,સભાના અંતે વિપક્ષી નેતા જીતુભાઈ સોલંકી દ્વારા એક વધારાનું કાર્ય રજૂ કરવામાં આવ્યું હતું, આ બાબતે સત્તાપક્ષ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ નિયમ પહેલેથી જ અમલમાં છે અને તેના પર કામગીરી ચાલુ જ છે, આ કારણોસર, વિપક્ષની આ દરખાસ્ત પર મતદાન કરવામાં આવ્યું હતું અને તેને મંજૂરી આપવામાં આવી નહોતી, ઔદ્યોગિક હેતુ માટે અપાયેલી જમીનને લઈ વિપક્ષે આશંકા વ્યકત કરીઆ અંગે વિરોધપક્ષના નેતા જીતુ સોલંકીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક લીઝ પટ્ટા આવે, ભાવનગરની અંદર ઘણા બધા એવા પ્લોટ છે કે ઉદ્યોગ ચલાવવા માટે આપેલા અને ભાવનગરના ઉદ્યોગ માટે પણ સારી બાબત છે, પણ જ્યારે ઘણા વર્ષોથી લીઝ રીન્યુ ન થયા હોય, પેન્ડિંગ પડ્યા હોય, ઘણા બધા વર્ષોથી અરજીઓ પેન્ડિંગ પડી હોય, અચાનક લીઝ પ્લોટ આવે રીન્યુ થવા અને અચાનક બંધ થઈ જાય, આ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ રૂપ છે એના ભાગે ઘણા સમય પછી આ ઔદ્યોગિક પ્લોટ ત્રણ પ્લોટ આવ્યા તો એમાં પણ આ સાધારણ સભામાં હતા અને મેં રજૂઆત કરી એમાં એક પ્લોટ તો સાવ ઇલલીગલ છે કે ત્યાં ખાલી પ્લોટ છે અને બિલ્ડિંગ મટીરીયલ માટે ભાડે આપેલો છે તો આ ફોરફિટ કરવો જોઈએ અને એની માટે અમે વિનંતી કરી અધ્યક્ષને કે આ ફોરફિટ થવો જોઈએ તો એમને એ સમજાણું નહીં અને એમણે મતદાન ઉપર લઈ અને બહુમતીના જોરે એ કાર્ય મંજૂર કરી દીધેલ છે.
ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને સેવિયર હોસ્પિટલમાં એચઆર તરીકે નોકરી કરતા 42 વર્ષીય મનીષભાઈ ઠાકર સાથે યુરોપ અને યુકેના વર્ક પરમિટ વિઝાના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. વર્ષ 2022માં યુરોપના વિઝા માટે સંપર્કમાં આવેલા પ્રિયાંક ત્રિવેદી અને તેના ભાગીદાર ઓનીલ મલાની દ્વારા અલગ–અલગ બહાનાં હેઠળ લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા. વિઝાની કોઈ પ્રક્રિયા ન થતાં બાદમાં યુકેના વિઝાની લાલચ આપી વધુ રકમ વસૂલવામાં આવી. અંતે વિઝા ન મળતા અને આપેલા ચેક બાઉન્સ થતાં 17.25 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. મિત્રની ઓળખાણથી ફરિયાદીનો પ્રિયાંક સાથે સંપર્ક થયો હતોચાંદખેડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય મનીષભાઈ ઠાકર સેવિયર હોસ્પિટલમાં એચઆર તરીકે નોકરી કરે છે. વર્ષ 2022માં યુરોપના વર્ક પરમિટ વિઝા કરાવવાના હોવાથી મનીષભાઈ ઠાકરે તેમના મિત્ર પાર્થ સોલંકી કે જે પોર્ટુગલમાં રહે છે તેનો સંપર્ક કર્યો હતો. જેથી તેના કોન્ટેકથી એપ્રિલ 2022માં પ્રિયાંક ત્રિવેદી સાથે મુલાકાત કરી હતી. ટાઇટેનિયમ સિટી સેન્ટર ખાતે ફરિયાદીની પ્રિયાંક ત્રિવેદી સાથે મુલાકાત થઈ હતી. જે દરમિયાન પ્રિયાંક ત્રિવેદીએ યુરોપના વર્ક પરમિટ વિઝા કરાવવા માટે 6.65 લાખનો ખર્ચ થતો હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું. જેથી પ્રિયાંક પર વિશ્વાસ રાખીને ફરિયાદીએ તેને વિઝા માટેનું કામ સોંપ્યું હતું. ફરિયાદીએ 40 હજાર અને 25 હજાર એમ બે વખત પ્રિયાંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. પૈસાની ચૂકવણી બાદ ફરિયાદી જ્યારે પ્રિયાંકની ઓફિસે ગયા ત્યારે તેને તેના ભાગીદાર ઓનીલ મલાની સાથે ઓળખાણ કરાવી હતી. યુરોપના વિઝા કાઢવાની ઓનીલ કરશે તેવું કહી આગળનું પેમેન્ટ ઓનીલને આપવા કહેવામાં આવ્યું હતું. વિઝાની પ્રોસેસ ન થતા ફરિયાદીએ પૈસા પરત માગ્યા તો હાથ અધ્ધર કર્યાજે બાદ ઓનીલ વિઝાની પ્રોસેસ આગળ વધારવા માટે સ્મોલ જાયન્ટ એન્ટરપ્રાઇઝ ફર્મના એકાઉન્ટમાં ફરિયાદીએ બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જો કે તે બાદ પણ વિઝાની કોઈપણ પ્રોસેસ થઈ નહીં. જેથી ફરિયાદી તેની ઓફિસે મળવા માટે ગયા ત્યારે યુરોપના વિઝા થઈ શકે તેમ ન હોવાનું કહી હાથ અદ્ધર કરી દીધા હતા. યુકેના વિઝા કઢાવવાની સલાહ આપી ફરિયાદી પાસે 26 લાખ ખર્ચ થશે પણ વિઝા થઈ જશે તેવી લાલચ આપી હતી. ફરી એક વખત ફરિયાદીએ ઓનીલ પર વિશ્વાસ રાખીને યુકેના વિઝા કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી ઓનીલે યુકેના વિઝા માટેની પ્રોસેસ પણ ચાલી કરી દીધી હતી. વિઝા માટે ફરિયાદીએ 23.35 લાખ રૂપિયા આપ્યા હતા. 10 લાખ રૂપિયા રોકડા ઓનીલના ઘરે જઈને આપવામાં આવ્યા હતા. તેમજ બે લાખ ઓનીલે તેની પત્ની પ્રિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી. જ્યારે વી.એફ. એક્સની એપોઈમેન્ટ હતી તેના થોડા દિવસ પહેલા એપોઈમેન્ટ કેન્સલ થઈ ગઈ હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું. તેમાં થોડા મહિના બાદ એપ્રિલ 2024માં યુકેના નિયમ બદલાયા હોવાનું કહી વિઝા થઈ શકે તેમ નથી એવું કહી ફરી હાથ અદ્ધર કરી દીધા હતા. ફરિયાદીને આપેલા ચેક બેંકમાં જમા કરાવ્યા તો બાઉન્સ થયાવિઝા કામ માટે આપેલા રૂપિયા ટુકડે ટુકડે આપવાનું વચન કરી થોડા દિવસ બાદ 8.75 લાખ પરત આપ્યા હતા. તેમજ એટલું જ નહીં પૈસા પરત આપવા માટે સોગંદનામું પણ કર્યું હતું. જેમાં કરણસિંહ નામના વ્યક્તિને સાક્ષી તરીકે રાખવામાં આવ્યા હતા, અને ફરિયાદીને ચેક પણ આપવામાં આવ્યા હતા. અનેક વખત રજૂઆત કરવા છતાં રૂપિયા પરત ન કરતા ઓનીલે આપેલા ચેક જ્યારે બેંકમાં જમા કરાવ્યા ત્યારે ચેક બાઉન્સ થયા હતા. જેથી ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ઓનીલ મલાની અને પ્રિયાંક ત્રિવેદી પર 17.25 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
વાપીના ઉદ્યોગકારોને કેન્દ્રીય બજેટ 2026થી આશા:ઉદ્યોગમૈત્રીપૂર્ણ નિર્ણયોની અપેક્ષા રાખી રહ્યા છે
કેન્દ્રીય બજેટ 2026ને લઈને સમગ્ર ઉદ્યોગ જગતમાં ઉત્સુકતા છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ વાપીના ઉદ્યોગકારો આ બજેટથી વિશેષ આશા રાખી રહ્યા છે. તેઓ સરકાર તરફથી ઉદ્યોગોને પ્રોત્સાહન આપતા અને વિકાસને વેગ આપે તેવા નિર્ણયોની અપેક્ષા સેવી રહ્યા છે. આગામી 1લી ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. વાપી, જે દક્ષિણ ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો પૈકી એક છે, ત્યાંના ઉદ્યોગકારો માટે આ બજેટ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ના પ્રમુખ સતીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય બજેટ ઉદ્યોગલક્ષી રહેશે તેવી તેમને પૂરી આશા છે. તેમણે માહિતી આપી હતી કે વાપી અને આસપાસના વિસ્તારમાં અંદાજે 10,000 જેટલા નાના અને મોટા ઉદ્યોગો કાર્યરત છે. આમાં મુખ્યત્વે પેસ્ટિસાઇડ્સ, પેકેજિંગ, કલર ઇન્ટરમીડિયેટ્સ અને એન્જિનિયરિંગ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ મોટાભાગના ઉદ્યોગો MSME અને SME શ્રેણીમાં આવતા હોવાથી, તેઓ સરકારની નીતિઓ અને બજેટમાં થતી જોગવાઈઓ પર વિશેષ નિર્ભરતા ધરાવે છે. સતીષભાઈ પટેલના મતે, ઉદ્યોગકારોને આશા છે કે આ બજેટમાં પણ ઔદ્યોગિક એકમોના વિકાસ માટે નવી તકો અને રાહતો જાહેર કરવામાં આવશે.
મોરબી હત્યા કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદ:પાલિકાના માજી ઉપપ્રમુખ અને પુત્રની હત્યાનો ચુકાદો
મોરબીમાં વર્ષ 2021માં નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને તેમના પુત્રની હત્યાના ગુનામાં એડિશનલ સેશન્સ કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે દરેક આરોપીને ₹30,000નો દંડ પણ કર્યો છે. આ કેસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ ઘટના 16 સપ્ટેમ્બર, 2021ના રોજ મોડી રાત્રે બની હતી. મોરબીના વિસીપરા મદીના સોસાયટીમાં રહેતા નગરપાલિકાના માજી ઉપપ્રમુખ ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ મોટલાણીની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ છરી અને ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ મામલે મૃતક ફારૂકભાઈના પત્ની રઝીયાબેન મોટલાણીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓ ડાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અલતાફઅલી ઉર્ફે અસગઉર્ફે અસો જાકમભાઈ ભટ્ટી, જૂસબ ઉર્ફે જુસો જાકમભાઈ ભટ્ટી અને આસિફ રહીમભાઈ સુમરાએ નગરપાલિકાની ચૂંટણીના મનદુઃખના કારણે આ હત્યા કરી હતી. પોલીસે ઉપરોક્ત ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ મોરબીના એડિશનલ સેશન્સ જજ કે.આર. પંડ્યાની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ વિજયભાઈ જાની અને ફરિયાદીના વકીલ વી.એચ. કનારા દ્વારા રજૂ કરાયેલા આધાર-પુરાવા અને દલીલોને કોર્ટે ધ્યાનમાં લીધી હતી. તમામ પુરાવા અને દલીલોને આધારે, કોર્ટે ચારેય આરોપીઓ – ડાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અલતાફઅલી ઉર્ફે અસગઉર્ફે અસો જાકમભાઈ ભટ્ટી, જૂસબ ઉર્ફે જુસો જાકમભાઈ ભટ્ટી (ત્રણેય રહે. મદીના સોસાયટી, મોરબી) અને આસિફ રહીમભાઈ સુમરા (રહે. સનરાજ પાર્ક, વિસીપરા, મોરબી) ને આજીવન કેદની સજા અને ₹30,000નો દંડ ફટકાર્યો છે.
સુરત શહેરમાં વિકૃત માનસિકતાની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રથમ ઘટનામાં અઠવા વિસ્તારમાં એક 32 વર્ષીય મંદબુદ્ધિ યુવતી પર અજાણ્યા શખસે શારીરિક અત્યાચાર ગુજારી તેને 5 મહિનાની ગર્ભવતી બનાવી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બીજી ઘટનામાં મહિધરપુરામાં એક 7 વર્ષના માસૂમ બાળકને પડોશમાં રહેતા કિશોરે લલચાવી-ફોસલાવીને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. યુવતીને પાંચ મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યોસુરતમાં રહેતી એક 32 વર્ષીય યુવતી જે માનસિક રીતે અક્ષમ છે, તેની લાચારીનો ફાયદો ઉઠાવી કોઈ અજાણ્યા શખસે તેની સાથે અમાનવીય કૃત્ય આચર્યું છે. ગત 30 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે યુવતીએ તેના માતા-પિતાને પેટમાં અને પગમાં દુ:ખાવાની ફરિયાદ કરી, ત્યારે પરિવાર તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ જે ખુલાસો કર્યો તેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે, યુવતી પાંચ મહિનાની ગર્ભવતી છે. યુવતી મંદબુદ્ધિ હોવાથી તે પોતાની સાથે થયેલા અન્યાય વિશે કશું બોલી શકવાની સ્થિતિમાં નહોતી. કોઈ અજાણ્યા શખશે તેની અસહાયતાનો ગેરલાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી કરી દીધી હોવાનું બહાર આવ્યું છે. આ હચમચાવી દેનાર હકીકત સામે આવતા પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે. રમતા બાળકને રૂમમાં પુરી કિશોરે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યશહેરમાં બનેલી બીજી એક ઘટનાએ માનવતાને વધુ એકવાર શર્મસાર કરી છે. જ્યારે એક 7 વર્ષ અને 9 મહિનાનો માસૂમ બાળક પોતાના ફળિયામાં રમી રહ્યો હતો, ત્યારે પડોશમાં જ રહેતા એક કિશોરે તેને લલચાવીને પોતાના ઘરે બોલાવ્યો હતો. કિશોરે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી બાળકને ડરાવી-ધમકાવી તેની સાથે અશોભનીય વર્તન કર્યું હતું. પોતાની વિકૃત માનસિકતા સંતોષવા માટે એક કિશોર દ્વારા માસૂમ બાળક સાથે કરવામાં આવેલા આ સૃષ્ટિ વિરુદ્ધના અકુદરતી કૃત્યએ સૌને હચમચાવી દીધા છે. આ મામલે બાળકના પરિવારે હિંમત દાખવીને મહિધરપુરા પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોરબંદર કોર્પોરેશને પૂર્વ કાઉન્સિલરો સાથે બેઠક યોજી:આગામી 2026-27ના બજેટ માટે સૂચનો મેળવાયા
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના આગામી બજેટની તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, મહાનગરપાલિકાના સભાખંડ ખાતે પૂર્વ કાઉન્સિલરો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી બજેટ માટે અભિપ્રાયો અને સૂચનો મેળવવાનો હતો. બેઠક દરમિયાન, મહાનગરપાલિકાના અધિકારીઓએ પૂર્વ કાઉન્સિલરોને આગામી બજેટમાં સમાવી શકાય તેવા પ્રોજેક્ટો અંગે પોતાના સૂચનો રજૂ કરવા વિનંતી કરી હતી. આ ઉપરાંત, નગરજનો પણ ૩ ફેબ્રુઆરી સુધીમાં એક ખાસ એપ્લિકેશન દ્વારા પોતાના અભિપ્રાયો અને સૂચનો રજૂ કરી શકશે. પૂર્વ કાઉન્સિલરો દ્વારા અનેક મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પક્ષી અભ્યારણ વોકિંગ પ્લાઝા ખાતે રિનોવેશન કરીને ત્યાં લાઈટિંગ, કેમેરા, ટોયલેટ અને જીમના સાધનો વસાવવાનો સમાવેશ થાય છે. અન્ય સૂચનોમાં દરેક વોર્ડમાં પૂરતા સ્ટાફ સાથે હેલ્થ સેન્ટર બનાવવાની વ્યવસ્થા કરવી, તમામ ભૂગર્ભ ચેમ્બરોનું રીપેરીંગ કરવું, ચોપાટી વિસ્તારમાં શૌચાલય અને પીવાના પાણીની સગવડો ઊભી કરવી અને નવી શૈક્ષણિક વ્યવસ્થાનો સમાવેશ થાય છે. વધુમાં, દરેક વિસ્તારોમાં ઉપલબ્ધ સાર્વજનિક પ્લોટનો સ્થાનિકોના અભિપ્રાય લઈને વિકાસ કરવો, તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી વ્યવસ્થા અને પંપિંગ સેન્ટરની સુવિધા ઊભી કરવા જેવા મુદ્દાઓ પણ રજૂ કરાયા હતા. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે આ તમામ સૂચનોને આગામી બજેટમાં યોગ્ય રીતે ધ્યાનમાં લઈને શહેરના સર્વાંગી વિકાસ માટે જરૂરી આયોજન કરવામાં આવશે. ઉપસ્થિત સર્વે પૂર્વ સભાસદોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ખંભાતથી દેશી રિવોલ્વર સાથે એક શખ્સ ઝડપાયો:આણંદ SOGએ નગીના મસ્જિદ પાસે વોચ ગોઠવી પકડ્યો
આણંદ SOGએ ખંભાતમાંથી એક શખ્સને દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે. ગેરકાયદે હથિયારો પકડવાની ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે એક યુવક હથિયાર સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે SOGની ટીમે નગીના મસ્જિદ પાસે વોચ ગોઠવી હતી. મસ્જિદ તરફથી આવી રહેલા ઝેદ અહેસાન અંસારી ને અટકાવવામાં આવ્યો હતો. તલાશી લેતા તેના પેન્ટની કમરના ભાગેથી રૂ. 5 હજારની કિંમતની દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી. પોલીસે રિવોલ્વર ઉપરાંત રૂ. 3 હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. કુલ રૂ. 8 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી ઝેદ અહેસાન અંસારી વિરુદ્ધ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સહકારી અધિકારીએ 26 મંડળીના ઓડિટ કર્યા:અધિકૃત ન હોવા છતાં, ખોટી સહી-સિક્કા કરતાં ફરિયાદ નોંધાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં મદદનીશ સહકારી અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ટેમભા ઝાલા (ઉ.વ. 49) સામે ફરિયાદ નોંધાઈ છે. તેમણે અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં 1 મે 2024 થી 30 જૂન 2024 દરમિયાન 26 સહકારી મંડળીઓના ઓડિટ કર્યા હતા. ઝાલા પર આરોપ છે કે તેમણે અંગત આર્થિક લાભ મેળવવાના હેતુથી આ ઓડિટ કર્યા હતા. તેમણે ઓડિટ ફી પેટે કુલ રૂપિયા 78,000 મેળવ્યા હતા. આ માટે તેમણે બે અલગ-અલગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પેનલ ઓડિટરની ખોટી સહી-સિક્કાનો ઉપયોગ કર્યો હતો. આ રીતે તૈયાર કરાયેલા ખોટા ઓડિટ અહેવાલોને દેવભૂમિ દ્વારકા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં સાચા અહેવાલ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જામનગરના બળવંતરાય ચંદ્રકિશોર જોશી (ઉ.વ. 52) ની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે મહેન્દ્રસિંહ ટેમભા ઝાલા સામે આઈપીસી કલમ 409, 418, 419, 465, 468 અને 471 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ ચલાવી રહ્યા છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આયોજિત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ - 2026 (CET-2026) પરીક્ષા 31 જાન્યુઆરી, 2026ના રોજ શનિવારે બપોરે 1:00 થી 3:30 કલાક દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં લેવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આ પરીક્ષાનું આયોજન થયું હતું. કુલ 219 પરીક્ષા કેન્દ્રો પર 2,194 બ્લોકમાં 63,838 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 50,831 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં હાજરીની ટકાવારી 79.62% નોંધાઈ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સુરત શહેરના વિકાસની સાથે સાથે નાગરિકોની 'સિવિક સેન્સ' (નાગરિક શિસ્ત) ચર્ચાનો વિષય બની હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓને જવાબદાર બનવા ટકોર કરી હતી. તો બીજી તરફ મુખ્યમંત્રીએ સુરતીઓની બદલાયેલી આદતોના વખાણ કરીને સૌનો સાથ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મન ફાવે ત્યાં પિચકારીઓ મારવાનું બંધ કરો: હર્ષ સંઘવીકાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓને તેમના ઘરની જેમ જ શહેરની મિલકતો સાચવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ઓડિટોરિયમ, બ્રિજ, લાયબ્રેરી અને સ્કૂલો તો બનાવે છે, પણ આ પ્રોજેક્ટ્સ આપણી મહેનતનું પરિણામ છે. આપણે આને માત્ર 'સરકારી પ્રોજેક્ટ' માનીને ગમે ત્યાં પિચકારીઓ મારીએ કે વેફર-બિસ્કિટના પડીકા નાખીએ તે યોગ્ય નથી. જેટલું આપણે આપણું ઘર સાચવીએ છીએ, તેટલી જ જવાબદારી આ જાહેર મિલકતો સાચવવાની પણ આપણી જ છે. હવે પિચકારી મારતા પહેલા સુરતીઓ હજાર વાર વિચારે છે: મુખ્યમંત્રીહર્ષ સંઘવીના નિવેદન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ જ હળવી શૈલીમાં સુરતીઓની પ્રશંસા કરતા કહ્યું કે, લોકોમાં મોટો બદલાવ આવ્યો છે. હવે લોકો ગાડીમાંથી પડીકી ફેંકતા કે પિચકારી મારતા પહેલા હજાર વાર વિચારે છે. તેમને ડર હોય છે કે જો કોઈ જોઈ જશે તો સામેવાળી વ્યક્તિ ગુસ્સે થશે અથવા ટોકશે. મુખ્યમંત્રીએ સ્વીકાર્યું કે વર્ષો જૂની આદતો છૂટતા થોડો સમય લાગે છે, પરંતુ સુરત બદલાઈ રહ્યું છે. વડાપ્રધાનના 'સૌનો પ્રયાસ' મંત્રને યાદ કરતા તેમણે કહ્યું કે, 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે નાગરિકોએ પણ પોતાની ફરજ જોરશોરથી નિભાવવી પડશે. બોમ્બેને પાછળ પાડી દીધું છે સ્વચ્છતામાં!એટલું જ નહિ મુખ્યમંત્રીએ સુરતીઓ સાથે સુરતની પણ પ્રશંસા કરી મુંબઈ સાથે સરખામણી કરતા તેઓએ કહ્યું કે, સુરત અને સુરતની વાત જ કંઈક અલગ હોય ને? કારણ કે બોમ્બેથી નજીક આવી ગયું છે ને? એટલે કોઈ પણ ફેસિલિટી, કેવી રીતે રહેણી-કરણી... પણ એક વસ્તુમાં બહુ મોટો ચેન્જ કરી દીધો છે તમે. બોમ્બેને પાછળ પાડી દીધું છે સ્વચ્છતામાં! અને સ્વચ્છતા તો સુરતની ગજબ કરી છે તમે. સ્વચ્છતામાં હવે જે તમારા માટે ચેલેન્જ છે એ માત્ર એને મેઈન્ટેન કરવાની છે કે ભાઈ હવે આ રહેવું જોઈએ સ્વચ્છ. આપણે નથી કહેતા કે આપણે ક્યાંય ફરવા-બરવા ગયા હોઈએ, ગમે તેટલો ધમાલી છોકરો હોય આપણો, પણ એને ફાઈવ સ્ટારમાં લઈ જાવને તો એનેય ડિસિપ્લિન આવી જાય કે હારું કંઈક લોચો પડશે તો અહીં કંઈક થશે એવું લાગે છે. એટલે એવું તમારે દરરોજ રાખવું પડે તો પછી આપણા ત્યાં થોડા ધમાલી તો હોય ને પાછા, એ લોકો પણ વિચારે. મુખ્યમંત્રીના હસ્તે સુરતને કરોડોની ભેટમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાના કુલ રૂ. 342.81 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરીને શહેરની પ્રગતિને નવો વેગ આપ્યો છે. સુરતવાસીઓની સુખાકારીમાં વધારો કરવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની મક્કમતા જોવા મળી હતી. આ ભવ્ય ભેટ દ્વારા શહેરના ખૂણેખૂણે માળખાગત સુવિધાઓ પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે, જે સુરતને ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ છે. અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ કલા અને સંસ્કૃતિનું નવું કેન્દ્રડભોલી વિસ્તારમાં રૂ. 70 કરોડના ખર્ચે નવનિર્મિત 'અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ' આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. મુખ્યમંત્રીએ આ અત્યાધુનિક ઓડિટોરિયમનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, આ સુવિધા સુરતના કલા જગત અને સાંસ્કૃતિક વારસાને એક નવું અને સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઓડિટોરિયમ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાથી સ્થાનિક કલાકારો અને સંસ્થાઓ માટે કાર્યક્રમો યોજવાનું હવે વધુ સરળ બનશે. નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્તઆ કાર્યક્રમમાં કુલ રૂ. 173.78 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 17 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રૂ. 169 કરોડના ખર્ચે સાકાર થનારા 24 નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પર્યાવરણની જાળવણી અને ઊર્જા બચત માટે બનાસકાંઠાના વિઠોદર ખાતે સુરત મનપા દ્વારા સ્થાપિત 10 મેગા વોટના સોલાર પાવર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે સુરતની ગ્રીન એનર્જી તરફની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જનસુખાકારી અને મજબૂત માળખાગત સુવિધાઓઆ વિકાસકાર્યોનો સીધો લાભ સુરતની સામાન્ય જનતાને મળશે, કારણ કે તેમાં લેકગાર્ડન, વાંચનાલય, અર્બન હેલ્થ સેન્ટર અને શેલ્ટર હોમ જેવી પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સથી શહેરની જનસુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે. વધુમાં, હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગના નવા કામોથી શહેરનું આંતરમાળખું વધુ સુદ્રઢ બનશે, જે ચોમાસા દરમિયાન અને દૈનિક નાગરિક સેવાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણના કેસમાં કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત કુલ 7 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. જામીન મેળવનાર અન્ય આરોપીઓમાં રમેશ વાલજી મેર, હંસરાજ વશરામ ભાલાળા, વિપુલ ઉર્ફે કમલેશ હકા હરિયાણી, વિપુલ વિનુ મકવાણા અને જીતેન્દ્ર રસિક ગોવિંદિયાનો સમાવેશ થાય છે. અગાઉ 81 આરોપીઓને જામીન મળ્યા હતાપોલીસે આ મામલે કુલ 88 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી, જેમાં 85 ઉપરાંત 3 અન્યનો સમાવેશ થાય છે. અગાઉ, કોર્ટે આ કેસમાં 81 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા. બાકી રહેલા 7 આરોપીઓએ બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને આજે મંજૂરી મળી છે. કયા સાત નેતાઓ અને ખેડૂત જેલમાં બંધ હતા આખો બનાવ શું છે?બોટાદ APMCમાં કપાસ અને અન્ય જણસમાં 'કડદો' કરી ખેડૂતોને ઓછા ભાવ આપવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 12 ઓક્ટોબરના રોજ પોલીસે મંજૂરી નકારી હોવા છતાં, આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બોટાદના હડદડ ગામે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરાયું હતું. ગેરકાયદેસર મંડળીને વિખેરવા પહોંચેલી પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસ કાફલા પર પથ્થરમારો થયો હતો અને સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.આ પણ વાંચો, AAPની ખેડૂત મહાપંચાયતમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ કોર્ટે દલીલો સાંભળી રિમાન્ડ મંજૂર કર્યાપોલીસે ધરપકડ કરાયેલા 65 આરોપીઓને 14 ઓક્ટોબરે સાંજે રજૂ કર્યા હતા જેમાં કોર્ટમાં મોડી રાત સુધી દલીલો ચાલી હતી. જે પૈકી પોલીસે 18 આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસની દલીલો સાંભળીને 18 આરોપીઓના 20 ઓક્ટોબર સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે બાકીના 47 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્યને પણ જેલહવાલે કરાયા હતા.આ પણ વાંચો, કરપડાના ભાષણથી હિંસા ભડકી! સરપંચના પતિનો દાવો ચારથી વધુ પોલીસકર્મીઓને ઇજા ઘર્ષણની આ ઘટનામાં બોટાદના DySP મહર્ષિ રાવલ (પગે ઇજા), LCB PI એ.જી. સોલંકી (માથાના ભાગે સાત ટાંકા) સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચતા સારવાર અર્થે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદ માર્કેટયાર્ડની મુલાકાત લીધીબોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગઈકાલે(14 ઓક્ટોબરે) બોટાદ માર્કેટિંગ યાર્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન યાર્ડના ચેરમેન મનહર માતરિયા તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ યાર્ડમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. યાર્ડના સંચાલકોએ જણાવ્યું કે ખેડૂતોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 'મેં સરકારમાં રજૂઆત કરી છે કે, આ કેસની તપાસ CIDને સોંપવામાં આવે'ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તાજેતરમાં હડદડ ગામે બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે, આ ઘટના હડદડ ગામ અને બોટાદ યાર્ડને બદનામ કરવાનું એક સુનિયોજિત કાવતરું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આવા કાવતરાખોરોને કોઈપણ સંજોગોમાં છોડવામાં ન આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે મેં સરકારમાં રજૂઆત કરી છે કે, આ કેસની તપાસ CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે માર્કેટયાર્ડની મુલાકાત બાદ, ધારાસભ્ય ઉમેશ મકવાણા સીધા હડદડ ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક લોકો અને પીડિત પરિવારો સાથે મુલાકાત કરી ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવી અને તેમને સાંત્વના પાઠવી હતી. સ્થાનિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યોઆ ઘર્ષણની ઘટના બાદ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ખાતરી કરી હતી કે કોઈ નિર્દોષ વ્યક્તિને અન્યાય ન થાય. નિર્દોષોની મુક્તિ બાદ હડદડ ગામના સરપંચના પતિ સોમાભાઈ જમોડ અને અન્ય સ્થાનિક લોકોએ બોટાદ પોલીસના ન્યાય સંગત વલણ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસના આ પ્રયાસોને કારણે ગામમાં ફરી શાંતિ સ્થપાઈ છે અને જનજીવન સામાન્ય બનવા લાગ્યું છે.
ભાવનગરના દેવુબાગ વિસ્તારમાં આવેલ દેવનાથ મહાદેવ મંદિરને ચોરી માટે અલ્તાફ ઉર્ફે લંબુ અબુભાઈ બેલીમે નિશાન બનાવ્યું હતું. તેમજ આ લંબુએ મંદિરના દરવાજાનો આગળીયો તોડી મૂર્તિઓ પરના હારની ચોરી કરી છે, એટલું જ નહીં, આસપાસના 6 જેટલા રહેણાંક મકાનોમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. આ તમામ ચોરીનો ઘટનાક્રમ Cctv માં કેદ થતા પોલીસે ગણતરીની કલાકો ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે એક શખ્સ ચોરી કરતો હોય એમ નજરે પડ્યો હતોઆ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી જણાવા મળતી વિગતો અનુસાર શહેરના દેવુબાગ સોસાયટીના પ્રમુખ જશપાલસિંહ ખોડુભા ગોહીલે ફરિયાદ નોંધાવી હતી કે, ગત 26 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં એક શખ્સ ચોરી કરતો હોય એમ નજરે પડ્યો હતો. મંદિરના પુજારી દલપતપરી ગૌસ્વામી જ્યારે પૂજા માટે પહોંચ્યા ત્યારે તેમને મંદિરના મુખ્ય દરવાજાની જમણી બાજુનો આગળીયો તૂટેલો જોવા મળ્યો હતો. દાનપેટી તોડવાનો નિષ્ફળ પ્રયાસતપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મંદિરની અંદર બિરાજમાન હનુમાનજી અને ગણપતિ દાદાની મૂર્તિ પર પહેરાવેલા અંદાજે રૂ.10 હજારની કિંમતના 2 મેટલના હાર કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. ચોરે મંદિરની દાનપેટી તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેઓ સફળ થયો નહોતો. મૂર્તિઓ પરથી હાર ચોરતો કેમેરામાં કેદ થયોચોરીની જાણ થતા સોસાયટીના અગ્રણીઓએ એકઠા થઈ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં એક અજાણ્યો શખ્સ મૂર્તિઓ પરથી હાર ચોરતો કેમેરામાં કેદ થયો હતો. અને મંદિરમાં ચોરી કર્યા બાદ તસ્કરોએ સોસાયટીમાં જ રહેતા પીયુષભાઈ રાઠોડ, અબ્બાસભાઈ ભોજાણી, ભાયાભાઈ પટેલ, સબીરઅલી વરતેજી, મેંદીભાઇ વરતેજી અને પરવતસિંહ ગોહીલના મકાનોના આગળીયા તોડી અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે ચોર લંબુને ઝડપ્યો અને રી-કન્સ્ટ્રક્શન કરાયુંજોકે, આ તમામ મકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આથી નીલમબાગ પોલીસે જશપાલસિંહ ગોહીલની ફરિયાદના આધારે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ ઘરતા પોલીસે ગણતરીની કલાકમાં અલ્તાફ ઉર્ફે લંબુ અબુભાઈ બેલીમની ઝડપી લઈ રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
મણિબેન હિરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામ અને અમદાવાદ મેડિકલ એસોશિએશન દ્વારા ' આવો ગાંવ ચલે' પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના અસલાલી ગામના દરબાર નિવાસ ખાતે આવતીકાલે સવારે 9થી 1 વાગ્યા સુધી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નિષ્ણાંત તબીબો દ્વારા તમામ લોકોને ફ્રી બેઝિક બ્લડ ટેસ્ટ, ફ્રી બેઝિડ દવાઓ વિતરણ કરાશે.
ગોધરા મરઘા કેન્દ્ર દ્વારા 244 લાભાર્થીઓને સહાય:વિવિધ યોજનાઓ હેઠળ અત્યાર સુધીમાં લાભ અપાયો
ગોધરા: જિલ્લા પશુપાલન વિભાગ હેઠળના મરઘા સેવા કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં 244 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ કુલ 477 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. કેન્દ્ર દ્વારા તાલીમ, 100 બ્રોયલર પક્ષી ફાર્મ અને 1000 બ્રોયલર પક્ષી ફાર્મ જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે. પ્રાપ્ત થયેલી 477 અરજીઓમાંથી 244 લાભાર્થીઓને સીધો લાભ મળ્યો છે. મરઘા ઉછેર અંગેની તાલીમ માટે આશરે ₹10.95 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, લાભાર્થીઓને R.I.R. અને કડકનાથ જેવી જાતના 25 મરઘા પણ પૂરા પાડવામાં આવ્યા છે. તમામ યોજનાઓ મળીને કુલ ₹65.44 લાખની રકમ કેટલાક લાભાર્થીઓને ચૂકવી દેવામાં આવી છે. અન્ય લાભાર્થીઓ માટે ચૂકવણીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે.
આણંદના તારાપુર તાલુકાની પીએમ શ્રી ખાખસર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પ્રાંગણમાં 'રંગોત્સવ-2026' સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં 400 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. આચાર્ય રાકેશકુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ 15 દિવસની મહેનત બાદ 22 જેટલી વિવિધ કલાકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. આ કૃતિઓ મહોત્સવમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના સદસ્ય ગજરાબેન મકવાણા, સહકારી મંડળીના ચેરમેન બળદેવભાઈ ભરવાડ અને ઇન્ચાર્જ સરપંચ રમીલાબેન મકવાણા સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 44 તેજસ્વી વિદ્યાર્થીઓને નિવૃત આચાર્ય વિઠ્ઠલભાઈ પરમાર તરફથી ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, ગામના દાતા ગણેશભાઈ પરમાર દ્વારા શાળાના 400 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં એન.એસ. પટેલ કોલેજના પ્રાધ્યાપક કૃપેશભાઈ ચૌહાણ અને કોરિયોગ્રાફર અભિષેકભાઈ સોનીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સાગર ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક યોગેશભાઈ ઠક્કર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં શાળાના વિકાસમાં યોગદાન આપનાર કર્મવીરોનું સન્માન કરાયું હતું. લક્ષ્મીબેન મકવાણા તરફથી શાળાના શિક્ષક સ્ટાફ, મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રિસોર્સ પર્સન જયંતીભાઈ, જયેશભાઈ અને જગદીશભાઈ ગોહેલે સહયોગ આપ્યો હતો.
30 જાન્યુઆરીના શુક્રવારના રોજ વહેલી સવારે ગોંડલ - આટકોટ હાઈવે પર જસદણના દડવા નજીક ફોર વ્હીલર કાર પુલ નીચે ખાબકતા તેમાં આગ લાગતા કારમાં સવાર ત્રણ શિક્ષકોના સ્થળ પર જ મૃત્યુ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે આજે 31 જાન્યુઆરીએ રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે મૃતક કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવાની સાથે કારની સ્પીડ સહિતની એફ. એસ. એલ. ની મદદથી તપાસ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. અકસ્માતમાં 45 વર્ષીય આશા ચૌધરી, 29 વર્ષીય નીતા પટેલ તેમજ 35 વર્ષીય પ્રયાગ બારીયા નામના શિક્ષકોનું મૃત્યુ થયુ હતુ. શુક્રવારના રોજ ત્રણેય શિક્ષકો કારમાં આટકોટથી ગોંડલ તરફ જઈ રહ્યા હતા તે સમયે કાર પુલ નીચે ખાબકતા જોત જોતામાં કારમાં આગ લાગી હતી. ત્રણેય શિક્ષકો કારની બહાર નીકળે તે પૂર્વે જ કાર આગની લપેટમાં આવી જતા ત્રણેય શિક્ષકો કારમાં જ બળીને ભડથું થઈ ગયા હતા. રસ્તા પરથી પસાર થનાર રાહદારી દ્વારા સમગ્ર મામલે 112 પર ફોન કરતા તાત્કાલિક અસરથી 108 ની ટીમ, ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તેમજ આટકોટ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ઘટના સ્થળ પર દોડી ગયેલી ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ કારના દરવાજાઓ તોડીને કારમાંથી ભડથું થઈ ગયેલા શિક્ષકોની લાશને સૌપ્રથમ જસદણ પોસ્ટમોર્ટમ તેમજ ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર છોટા ઉદેપુરના ત્રણેય શિક્ષકો પૈકી આશા ચૌધરીનો પુત્ર ગોંડલ સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે. પુત્રની તબિયત સારી ન હોવાથી તેને લેવા માટે પોતાના સાથી શિક્ષકો સાથે ગોંડલ આવી રહ્યા હતા. જે દરમિયાન શુક્રવારના રોજ વહેલી સવારે દુર્ઘટના ઘટી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા. જે અંતર્ગત કાર આટકોટથી ગોંડલ તરફ જઈ રહી હોવાનું સામે આવ્યું હતું. બનાવ સંદર્ભે આટકોટ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સંભવતઃ કાર ચાલક દ્વારા સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા સમગ્ર ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે. સવારના સમયે ધુમ્મસ ભર્યું વાતાવરણ તેમજ કાર ચાલકની બેદરકારીના કારણે અકસ્માતની ઘટના ઘટિત થઈ હોવાનું જણાઈ રહ્યું છે. આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતું કે, આટકોટ પોલીસ સ્ટેશન ખાતે મૃતક આશા ચૌધરીના મોટા દીકરા કશ્યપ ચૌધરી દ્વારા બીએનએસની કલમ 106 (1), 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત મૃતક કાર ચાલક પ્રયાગ બારીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા એફએસએલ તેમજ આરટીઓ મારફતે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી? તેમજ અકસ્માત કઈ રીતે સર્જાયો તેમજ ત્યારબાદ કઈ રીતે આગ લાગી તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા એફએસએલની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.
ફેક IDનો ઉપયોગ કરી મહિલાની પજવણી:આણંદ સાયબર ક્રાઈમ પોલીસે મહિલાઓને બદનામ કરનાર આરોપીની કરી ધરપકડ
આણંદ સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓને બદનામ કરવાના હેતુથી ફેક આઈડી બનાવી પજવણી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસ મહાનિરીક્ષક અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે તપાસના અંતે ખંભાતના રહેવાસી આરોપી જયવીર જયરાજભાઈ જોષીની ધરપકડ કરી છે. આ કેસની વિગત મુજબ, '108 ખંભાત વિધાનસભા' નામના વોટ્સએપ ગ્રુપમાં કેટલાક શખ્સોએ આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને ફરિયાદીના પરિવાર વિશે અત્યંત વાંધાજનક પોસ્ટ મૂકી હતી. આ ઉપરાંત, આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર પણ ફેક આઈડી બનાવી મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી તેમને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે દક્ષિણ આફ્રિકા (+27) અને યુકે (+44) જેવા દેશોના આંતરરાષ્ટ્રીય નંબરોનો ઉપયોગ કરતા હતા. જોકે, આણંદ સાયબર ક્રાઈમની ટેકનિકલ ટીમે અત્યાધુનિક સર્વેલન્સ, આઈપી એડ્રેસનું વિશ્લેષણ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે આરોપીને શોધી કાઢ્યો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. એક્ટ 2023ની કલમ 352, 296(બી) તથા આઈટી એક્ટની કલમ 67 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળતા બાદ સાયબર પોલીસે જનતાને અપીલ કરી છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ હંમેશા જવાબદારીપૂર્વક કરવો જોઈએ અને કોઈપણ પ્રકારની સાયબર પજવણીના કિસ્સામાં તુરંત પોલીસનો સંપર્ક કરવો જોઈએ.
વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બોય્ઝ હોસ્ટેલમાંથી દારૂની જથ્થાબંધ ખાલી બોટલો મળી આવતા કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે. સયાજીગંજ પોલીસે મોડી રાત્રે કરેલી રેડ દરમિયાન એમ.એમ. હોલના એક રૂમમાંથી 25થી 30 ખાલી દારૂની બોટલો તથા એક બોટલમાં દારૂ ભરેલો હોવાનું જાણવા મળ્યું છે. 30 દારૂની બોટલ ને સિગારેટોના બોક્સપોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી 25થી 30 ખાલી દારૂની બોટલ અને સિગારેટોના બોક્સ મળ્યા પણ મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલને પોલીસે એક થેલો ભરીને કબજે કરી લીધો છે અને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ મામલે યુનિવર્સિટી સતાધીશો દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં આ મામલે અરજી આપવામાં આવી છે સાથે યુનિવર્સિટી તંત્ર દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. શિક્ષણધામમાં દારૂની મહેફિલની શંકાઆ ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રશાસને આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, એમ.એમ. હોલમાં લાંબા સમયથી દારૂની પાર્ટીઓ યોજાતી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. આટલી મોટી માત્રામાં નશીલા પદાર્થો હોસ્ટેલમાં કેવી રીતે પહોંચ્યા તે અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ યુનિવર્સિટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. મોટી માત્રામાં બોટલો ક્યાંથી આવી?સયાજીગંજ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે તેમજ આરોપી કોણ છે અને આટલી મોટી માત્રામાં બોટલો ક્યાંથી આવી, કોણ કોણ યુનિવર્સિટી તંત્રનો સ્ટાફ સામેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. 'બોટલો થેલામાં ક્યાંથી આવી તે બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ'આ અંગે એમ એમ હોલાના વોર્ડન વિજય સોલંકીએ જણાવ્યું હતું કે, આ બોટલો ક્યાંથી આવી તે તપાસનો વિષય છે. વિદ્યાર્થીઓ કે અન્ય કોઈ લાવ્યું તે બાબતે અમે અજાણ છીએ પરંતુ આટલી બોટલો થેલામાં ક્યાંથી આવી તે બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. અહીંયાથી સિગારેટના બોક્સ પણ મળી આવ્યા છે. આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીયે. 'વિધાર્થીઓનું કહેવું છે કે પ્લાન્ટેશન માટે આ બોટલો લાવ્યા હતા'આ મામલે સયાજીગંજ પોલીસ મથકના પીએસઆઇ ડી વી પાટીલે જણાવ્યું હતું કે, આ બાબતે યુનિવર્સિટી દ્વારા કમિટી બેસાડવામાં આવી છે. વિધાર્થીઓનું કહેવું છે કે તેઓ પ્લાન્ટેશન માટે આ બોટલો લાવ્યા હતા. અમે આ બાબતે તપાસ કરી રહ્યા છીયે કે તથ્ય શું છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વિજય પંડ્યાનું વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું. આ વ્યાખ્યાન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ યોજાયું હતું. ડૉ. વિજય પંડ્યાનું જીવન રામાયણના અભ્યાસ અને સંશોધનને સમર્પિત રહ્યું છે. તેમણે વ્યાખ્યાનના પ્રારંભમાં ગોધરા સાથેના પોતાના સંસ્મરણો યાદ કર્યા હતા. વ્યાખ્યાનમાં ડૉ. વિજય પંડ્યાએ રામાયણની સમીક્ષિત આવૃત્તિના ગુજરાતી અનુવાદ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, 'ભારત દેશમાં રામાયણની સમીક્ષિત આવૃત્તિનો 100 વર્ષ પછી મારા દ્વારા ગુજરાતી અનુવાદ થયો તેનું મને ગર્વ છે.' આ પ્રસંગે પ્રોફે. ડૉ. કાલિન્દીબેન શાસ્ત્રી, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવપ્રકાશ ગાંધી, બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન ડૉ. રાજેશ વ્યાસ, રજિસ્ટ્રાર અનિલ સોલંકી, વિવિધ કોલેજોના પીએચ.ડી. માર્ગદર્શક પ્રાધ્યાપકો, પીએચ.ડી.ના શોધાર્થીઓ અને અનુસ્નાતક સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળ ST ડેપોમાં રાત્રી ફરજ કર્મચારીઓ માટે કેમ્પ:નેત્ર નિદાન, BP-શુગર તપાસથી માર્ગ સલામતી સુનિશ્ચિત
વેરાવળ GSRTC એસ.ટી. ડેપો ખાતે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ નેશનલ રોડ સેફ્ટી મંથ–૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે નિઃશુલ્ક નેત્ર નિદાન અને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિ. યુનિટ – ઇન્ડિયન રેયોન વેરાવળના જનસેવા ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો. એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર, કન્ડક્ટર અને મિકેનિક સ્ટાફ, ખાસ કરીને રાત્રી શિફ્ટ દરમિયાન, લાંબા સમય સુધી વાહન ચલાવવાની અને તણાવભરી કામગીરીને કારણે આંખ તથા આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરતા હોય છે. આવા કર્મચારીઓના આરોગ્યની ચિંતા અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપો મેનેજર દિલીપ શામળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાત્રી ફરજ બજાવતા કર્મચારીઓ માટે આ પ્રકારની આરોગ્ય તપાસ અત્યંત જરૂરી છે. આ કેમ્પમાં કર્મચારીઓની આંખની તપાસ સાથે બ્લડ પ્રેશર (BP) અને શુગરની પણ મફત ચકાસણી કરવામાં આવી હતી. આ આરોગ્ય તપાસ કેમ્પ આ શ્રેણીનો બીજો કેમ્પ હતો, જેને કર્મચારીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કેમ્પ દરમિયાન આદિત્ય બિરલા હોસ્પિટલ, વેરાવળના અનુભવી તજજ્ઞો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં ડૉ. અસ્કા પટેલ (MD Ophtho.) – મેડિકલ ઓફિસર અને તેમની નિષ્ણાત ટીમે કર્મચારીઓની આંખોની તપાસ કરી હતી. તેમણે બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લેવલની ચકાસણી કરીને આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટના ચેરમેન શશાંક પારેખના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ડેપો મેનેજર દિલીપ શામળા અને વેરાવળ એસ.ટી. ડેપોના સ્ટાફના સહકારથી આયોજન સુવ્યવસ્થિત અને સફળ રીતે પૂર્ણ થયું હતું. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા ઉપરાંત માર્ગ સલામતી માટે પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે. ડેપો ખાતે યોજાયેલા આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પથી કર્મચારીઓમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો.
મહીસાગરના ભાદરોડ પાસે કાર ઝાડ સાથે ટકરાઈ:મોડાસાથી સંતરામપુર જઈ રહેલા બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ ગામ પાસે લીંબડીયા-ખાનપુર હાઇવે પર એક કાર ઝાડ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ પરિવાર મોડાસાથી સંતરામપુર તરફ લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે ભાદરોડ ગામ નજીક આ ઘટના બની હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે હજુ જાણી શકાયું નથી. જોકે, સ્થાનિકોના મતે આ સ્થળ અવારનવાર અકસ્માતોનો ભોગ બનતું હોવાથી તેને 'અકસ્માત ઝોન' તરીકે ઓળખવામાં આવે છે.
સુરતના રાંદેર વિસ્તારમાં 108ઇમરજન્સી સેવાની ટીમે માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અકસ્માતનો ભોગ બનેલા એક ગંભીર યુવાનના લાખો રૂપિયાના દાગીના અને રોકડ પરત કરી 108ના કર્મચારીઓએ સમાજમાં એક નવી મિસાલ કાયમ કરી છે. ઘટનાની વિગત અને તાત્કાલિક સારવાર ગઈકાલે મોડી રાત્રે રાંદેર પાસેના બરબોધન ગામે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યાં 36 વર્ષીય શશાંકભાઈ ઠાકોરભાઈ પટેલ ગંભીર હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારની ગેરહાજરીમાં EMT શબ્બીર બેલીમ અને પાયલોટ સુનિલ ભાભોરે સમયસૂચકતા વાપરી ઇજાગ્રસ્તના ફોનથી તેમના પરિવારનો સંપર્ક કર્યો અને તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 5લાખના દાગીના અને રોકડ પરત કર્યા સારવાર દરમિયાન કર્મચારીઓને ઇજાગ્રસ્ત પાસેથી સોનાની ચેઈન અને વીંટી મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 5,00,000 રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત 4,200 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. સોનાના વધતા ભાવ વચ્ચે પણ આ ટીમે સહેજ પણ લાલચ રાખ્યા વગર તમામ ચીજવસ્તુઓ ઇજાગ્રસ્તના બહેન કંચનબેનને સહીસલામત સોંપી દીધી હતી. 108ની આ નિષ્ઠા જોઈ પરિવારજનોએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
ગુજરાત પ્રદેશ ભાજપના આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે ગણપત વસાવાની નિમણૂક થયા બાદ અરવલ્લીના શામળાજી ખાતે તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ત્રણ મંત્રીઓ હાજર રહ્યા હતા. યાત્રાધામ શામળાજીમાં યોજાયેલા આ સત્કાર સમારંભમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, મંત્રી પી.સી. બરંડા, મંત્રી રમેશ કટારા અને સાંસદ શોભનાબેન બારૈયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ શરૂ થતા પહેલા પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાએ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. ત્યારબાદ જિલ્લાના કાર્યકરો દ્વારા બાઈક રેલી યોજી તેમને કાર્યક્રમ સ્થળ સુધી લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.
નવસારી શહેરના ટેકનિકલ સ્કૂલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન મુખ્ય ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે મોટા પાયે ગેસ લીકેજ થયું અને સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી, જેનાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે, ફાયર ફાઈટરો દ્વારા વિસ્તારમાં પાણીનો મારો ચલાવી ગેસનું દબાણ ઘટાડવાનો પ્રયાસ કરાયો હતો. ગેસ કંપનીના અધિકારીઓને જાણ કરીને મુખ્ય લાઈનનો પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. ગેસ લાઈનમાં ભંગાણને કારણે ટેકનિકલ સ્કૂલ અને આસપાસના વિસ્તારના અંદાજિત 500થી વધુ રહેણાંક મકાનોમાં ગેસ કનેક્શન બંધ થઈ ગયા છે. બપોરના સમયે ગેસ પુરવઠો ઠપ્પ થતાં અનેક ઘરોમાં રસોઈ બનાવવામાં મુશ્કેલી પડી હતી. તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર અસરગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલ ગેસ કંપની અને પાલિકાના એન્જિનિયરો દ્વારા ગેસ લાઈનના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મોડી સાંજ સુધીમાં ગેસ પુરવઠો પુનઃ કાર્યરત થાય તેવી શક્યતા છે.
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે નવનિર્મિત 'જિલ્લા જળ ભવન' વિવાદમાં છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલી આ બહુમાળી ઇમારતમાં વિવિધ સરકારી કચેરીઓ કાર્યરત છે, પરંતુ તેની પાસે હજુ સુધી ફાયર એન.ઓ.સી. (NOC) કે બિલ્ડિંગ યુઝ સર્ટીફીકેટ (BUC) નથી. નિયમ મુજબ, કોઈપણ બહુમાળી ઇમારતનો ઉપયોગ શરૂ કરતા પહેલા ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી અને ફાયર એન.ઓ.સી. મેળવવી ફરજિયાત છે. આ ઉપરાંત, બિલ્ડિંગ યુઝ સર્ટીફીકેટ પણ અનિવાર્ય છે. સરકારી વિભાગ દ્વારા જ આ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું જણાય છે. આ ઇમારતમાં રોજ મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ બજાવે છે અને અનેક અરજદારો પોતાના કામ માટે આવે છે. ફાયર સેફ્ટીના અભાવે કોઈ આકસ્મિક આગની ઘટના બને તો લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી ફાયર સેફ્ટીના તમામ ધોરણો પૂર્ણ ન થાય અને જરૂરી પરવાનગીઓ ન મળે, ત્યાં સુધી આ ઇમારતમાં કામગીરી ચલાવવી જોખમી છે. આ સમગ્ર મામલે મીડિયા દ્વારા GWSSB મહીસાગરના કાર્યપાલક ઇજનેર પી.એમ. બામણનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફાયર NOC અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, તેની પ્રક્રિયા નગરપાલિકામાં ચાલુ છે. બિલ્ડિંગ યુઝ સર્ટીફીકેટ (BUC) અંગે પણ તેમણે જણાવ્યું કે તેની પ્રક્રિયા પણ ચાલુ છે. લિફ્ટ NOC માટે પૂછતાં તેમણે કહ્યું કે તેઓ કાર્યપાલક ઇજનેરને કહીને તેની પ્રક્રિયા પણ કરાવશે. કચેરીના ઉદ્ઘાટન અંગે બામણે સ્પષ્ટતા કરી હતી કે, હાલ માત્ર પૂજા કરવામાં આવી છે. તેનું વિધિવત ઉદ્ઘાટન મહીસાગર કલેક્ટર કચેરી દ્વારા ટૂંક સમયમાં થનાર છે. રીબીન કાપીને કરાયેલા ઉદ્ઘાટન અંગે તેમણે જણાવ્યું કે તે માત્ર ઔપચારિકતા હતી અને સાહેબો ફરીથી રીબીન કાપવા આવશે.
રાજકોટનાં ઘંટેશ્વર વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. નવી કોર્ટની સામે આવેલા પાણીના ટાંકાનો વાલ્વ બગડી જવાથી હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. સ્થાનિકો દ્વારા આ અંગે રાત્રે જ મનપાના અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં, કલાકો વીતી જવા છતાં કોઈ રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી નહોતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે સમગ્ર મામલે મનપાનાં અધિકારીએ સંપ છલકાયો હોવાનો બચાવ કર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક તરફ પાણી બચાવવાના સંદેશા આપવામાં આવે છે, જ્યારે બીજી તરફ તંત્રની આળસને કારણે હજારો લિટર પાણી ગટરોમાં વહી ગયું હતું. શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં નવી કોર્ટની સામે પાણીનો ટાંકો આવેલો છે. આ ટાંકાનો વાલ્વ લાંબા સમયથી ખરાબ હોવાનું જણાઈ રહ્યું છે. ગઈકાલ રાત્રિથી વાલ્વમાં ખામી સર્જાતા ટાંકામાંથી પાણી સતત કલાકો સુધી વહી ગયું હતું. જેને લઈને આસપાસના રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તંત્રની લાપરવાહીને અંફે નજીકમાં આવેલા રેસ્ટોરન્ટના માલિકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, આ સમસ્યા કોઈ નવી નથી. અહીં વારંવાર વાલ્વ બગડવાના કારણે પાણીનો બગાડ થાય છે. રસ્તાઓ પર પાણી ભરાઈ રહેવાથી વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓને રાત્રે જ આ બાબતે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, પરંતુ 'ઠંડી' ના બહાને કે પછી અન્ય કોઈ કારણોસર તંત્રના પેટનું પાણી હલ્યું નથી. સવાર સુધી કોઈ પણ ટેકનિકલ ટીમ સ્થળ પર પહોંચી ન હતી. ઘટના અંગે રાજકોટ મનપાના વોટર વર્ક્સ વિભાગના ઈજનેર કે. પી. દેથરીયાએ દિવ્યભાસ્કર સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્યાં વાલ્વની સમસ્યા નહોતી, સંપ છલકાઈ જવાની ઘટના બની છે. આજે બેડી ફિલ્ટર પ્લાન્ટનું શટડાઉન હતું. સામાન્ય રીતે રૈયાધારથી પાણી મેળવીને ત્યાં ટેન્કર ભરવાની કામગીરી થતી હોય છે. પરંતુ શટડાઉનને લઈ મિસ-કોમ્યુનિકેશન થયું અને સંપ ઓવરફ્લો થયો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જવાબદાર કર્મચારીઓને કડક સૂચના આપી દેવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ભૂલ ન થાય. જોકે, તેમણે આ સમસ્યા કાયમી હોવાની વાતને નકારી કાઢી હતી. પાણીના વેડફાટનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાણી કઈ હદે વેડફાઈ રહ્યું છે. એક બાજુ ઉનાળો નજીક આવી રહ્યો છે અને પાણીના ટીપે ટીપાની કિંમત સમજાવામાં આવે છે, ત્યારે સરકારી મિલકતમાંથી જ આ પ્રકારે બગાડ થવો તે ગંભીર બાબત છે. શું અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસીને જ ઓર્ડર આપશે? રાત્રે જાણ કર્યા પછી પણ સવાર સુધી પાણી વહેતું રહેવું તે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે આટલા મોટા પાયે પાણીનો બગાડ કરનાર જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવશે? જોકે તંત્ર દ્વારા અધિકારીઓને કડક સૂચના જ આપવામાં આવી છે.
ગોધરામાં મેસરી નદીનો કોઝવે જોખમી બન્યો:ચોમાસામાં રેલિંગ તૂટ્યા બાદ તંત્રની બેદરકારી
ગોધરા શહેરને જોડતા મેસરી નદી પરનો કોઝવે છેલ્લા ચોમાસામાં ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન પામ્યો છે. નદીના ધસમસતા પ્રવાહને લીધે કોઝવેની બંને તરફની સુરક્ષા રેલિંગ અને બેરિકેડ તૂટી ગયા છે, જેના કારણે હાલમાં અહીંથી પસાર થવું વાહનચાલકો માટે અત્યંત જોખમી બન્યું છે. આ કોઝવે ગોધરા શહેરને સરકારી ઇજનેરી કોલેજ અને અનેક સોસાયટીઓ સાથે જોડે છે. દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. બેરિકેડના અભાવે રાત્રિના સમયે અકસ્માત થવાનો ભય રહેલો છે, અને વાહનચાલકો નદીમાં ખાબકવાનો સતત ડર અનુભવી રહ્યા છે. ચોમાસું પૂરું થયાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી રેલિંગ કે બેરિકેડનું સમારકામ કરવામાં આવ્યું નથી. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં તંત્ર જાગૃત થાય અને આ કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે.
ભારતીય કોસ્ટગાર્ડ (ICG) આજે તેની સ્થાપનાના 50 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સુવર્ણ જયંતિ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. 1 ફેબ્રુઆરી 1977ના રોજ માત્ર 7 જહાજોના નાના કાફલા સાથે શરૂ થયેલું આ દળ આજે ભારતની 11,098 કિમી લાંબી દરિયાઈ સરહદનું અભેદ્ય કવચ બની ગયું છે. 'વયમ રક્ષામસ્' (અમે રક્ષણ કરીએ છીએ)ના ધ્યેયમંત્ર સાથે કાર્યરત આ દળ આજે 180થી વધુ જહાજો અને 90થી વધુ વિમાનો સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું તટરક્ષક દળ છે. સુરક્ષા અને બચાવ કામગીરીના અભૂતપૂર્વ આંકડા પાંચ દાયકાની આ સફરમાં કોસ્ટગાર્ડે અનેક સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે: ઓપરેશન્સ: અત્યાર સુધીમાં 8,700થી વધુ દરિયાઈ અને વાયુ અભિયાનો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. જીવન રક્ષા: દરિયામાં ફસાયેલા 12,500થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. આંકડાકીય રીતે જોઈએ તો, કોસ્ટગાર્ડ સરેરાશ દર બીજા દિવસે એક વ્યક્તિનો જીવ બચાવે છે. આપત્તિ વ્યવસ્થાપન: વાવાઝોડાં અને સુનામી જેવી કુદરતી આફતો દરમિયાન 14,000થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દાણચોરી અને આતંકવાદ સામે લાલ આંખદેશની આંતરિક સુરક્ષા મજબૂત કરવામાં કોસ્ટગાર્ડની ભૂમિકા નિર્ણાયક રહી છે. નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે કરવામાં આવેલી કડક કાર્યવાહીમાં અત્યાર સુધીમાં અંદાજે 55,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતી 1,600થી વધુ વિદેશી ફિશિંગ બોટ અને ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાતનો દરિયાકાંઠો અને વ્યૂહાત્મક મહત્વભારતનો પશ્ચિમ કિનારો, ખાસ કરીને ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન સરહદની નિકટતાને કારણે અત્યંત સંવેદનશીલ છે. અહીં દરિયાઈ ઘૂસણખોરી અને દાણચોરી રોકવા માટે કોસ્ટગાર્ડ 24x7 સઘન મોનિટરિંગ કરે છે. અંડમાન-નિકોબાર અને લક્ષદ્વીપ જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં પણ આ દળ સતત સજાગ રહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવકોસ્ટગાર્ડે માત્ર દેશની સુરક્ષા જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. શ્રીલંકાના કિનારે 3 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ ભરેલા 'ન્યૂ ડાયમંડ' જહાજની આગ બુઝાવીને કોસ્ટગાર્ડે મોટી પર્યાવરણીય હોનારત ટાળી હતી, જે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર ઘટના બની હતી. ભવિષ્યની ટેકનોલોજી અને આધુનિકીકરણસુવર્ણ જયંતિ વર્ષમાં પ્રવેશતાની સાથે જ ભારતીય કોસ્ટગાર્ડ હવે વધુ આધુનિક બની રહ્યું છે. આગામી સમયમાં AI આધારિત મોનિટરિંગ સિસ્ટમનો અમલ. આધુનિક ડ્રોન અને સેટેલાઈટ સર્વેલન્સ. અદ્યતન રડાર નેટવર્ક દ્વારા દરિયાઈ સીમાઓનું રક્ષણ. સેવા, સુરક્ષા અને સમર્પણના 50 વર્ષ પૂર્ણ થતા આજે સમગ્ર દેશ આ સાહસી જવાનોના ત્યાગ અને શૌર્યને સલામ કરી રહ્યો છે.
વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા માટે, અરવલ્લી RTO દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો સમાપન કાર્યક્રમ મોડાસામાં યોજાયો. આ કાર્યક્રમ તત્વ ફાઉન્ડેશનના હોલમાં મોડાસાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. સમાપન સમારોહમાં RTO જે. કે. પ્રજાપતિ, RTO કચેરીના તમામ ઇન્સ્પેક્ટરો, તત્વ ફાઉન્ડેશનના ચેરમેન જયદત્તસિંહ પુવાર તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ, જેમાં ઇન્સ્પેક્ટર કેવી હાડાએ ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે RTO જે. કે. પ્રજાપતિએ નગરજનોને માર્ગ સલામતી વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે આખા મહિના દરમિયાન RTO કચેરી અને પોલીસ દ્વારા માર્ગ સલામતી માટે કરાયેલા વિવિધ કાર્યક્રમોની જાણકારી આપી. જેમાં વિવિધ સંસ્થાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન અને વાહન ચાલકોને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગેની માહિતીનો સમાવેશ થાય છે. જરૂર પડ્યે વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન, એસ.ટી. વિભાગના એવા ડ્રાઇવરોનું સન્માન કરવામાં આવ્યું જેમણે પોતાની ફરજ દરમિયાન એક પણ અકસ્માત કર્યો ન હતો. આ ઉપરાંત, 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વિઝા ફ્રોડ કરી દુબઈ ભાગેલો ઠગ ઝડપાયો:મુંબઈ એરપોર્ટ પરથી પકડાયો, LOC જાહેર કરાયો હતો
આણંદ: વિઝા ફ્રોડ આચરી દુબઈ ભાગી ગયેલા વિદ્યાનગરના ધ્રુવેશ સંજયભાઈ દરજીને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની સામે લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરાયો હતો, જેના આધારે તે દુબઈથી પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો. ધ્રુવેશ દરજી વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારનો રહેવાસી છે. તેણે વિદેશ જવાના સપના જોતા અનેક નાગરિકો સાથે વિઝા ફ્રોડ દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી કર્યા બાદ તે વિદેશ પલાયન થઈ ગયો હતો. આણંદ પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ધ્રુવેશ દરજી વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ તેની ધરપકડ માટે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. આ સર્ક્યુલરને કારણે, તે દુબઈથી ભારત પરત ફરતાની સાથે જ મુંબઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યો અને પોલીસને સોંપવામાં આવ્યો. વિદ્યાનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જિલ્લાના અન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે જો તેઓ આ ઠગાઈનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, જેથી અન્ય ભોગ બનેલા લોકોને પણ ન્યાય મળી શકે.
યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા 30 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધી નિર્વાણ દિને આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં આશ્રમ રોડ પર આવેલ નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થી હર્ષરાજ રાઠોડએ તૃતીય પુરસ્કાર મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું. આ સ્પર્ધામાં અમદાવાદની વિવિધ કોલેજોમાંથી કુલ 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાનો વિષય હતો 'સત્યાગ્રહથી સોશિયલ મીડિયા સુધી: અન્યાય સામે પ્રતિરોધના બદલાતા સ્વરૂપ'. જે ગાંધીજીના વિચારોને આધુનિક સંદર્ભ સાથે જોડતો વિચારપ્રેરક વિષય હતો. હર્ષરાજ રાઠોડે પોતાના વક્તવ્યમાં સત્યાગ્રહના મૂલ્યો અને આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાની ભૂમિકા વચ્ચે સુંદર તુલના રજૂ કરી, જેના કારણે જજીસ તથા શ્રોતાઓ પર ઊંડો પ્રભાવ પડ્યો. હર્ષરાજ સોલંકીને પ્રમાણપત્ર તથા રોકડ ઇનામ આપવામાં આવી સન્માનિત કરવામાં આવ્યો. આ સિદ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ હર્ષરાજને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી
પોરબંદરમાં બે દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ:4 રાજ્યોના પક્ષીવિદોની 25 ટીમો જોડાઈ, ઈકો-ટુરિઝમ પર ભાર
પોરબંદરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત (BCSG) દ્વારા બે દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ થયો છે. 'પક્ષીનગર' તરીકે ઓળખાતું પોરબંદર તેની કુદરતી સંપદા માટે જાણીતું છે. શિયાળાની ઠંડીમાં હજારો વિદેશી યાયાવર પક્ષીઓ પોરબંદરના મહેમાન બન્યા છે, ત્યારે આ ગણતરી પર્યાવરણ અને પ્રવાસન માટે મહત્વપૂર્ણ છે. 'પોરબંદર વિઝન 2047' અંતર્ગત ઈકો-ટુરિઝમને વિશેષ પ્રાધાન્ય અપાયું છે, જે પ્રવાસન ક્ષેત્રે નવા દ્વાર ખોલશે. આ પર્યાવરણ શિક્ષણ માટે પણ ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ગણતરીમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાનના નામાંકિત પક્ષીવિદો જોડાયા છે. કુલ 25 ટીમો દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ સવાર અને સાંજ એમ બંને સમયે સચોટ ગણતરી કરવામાં આવશે. પોરબંદરમાં દરિયા કિનારો અને મીઠા પાણીના સરોવરો (જેમ કે મોકરસાગર, કુછડી, છાયા રણ, બરડા સાગર) નજીક હોવાથી અહીં પક્ષીઓની અનેક દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે.
ગાંધીનગરના સેક્ટર-3માં રહેતા ટેક્ષી ડ્રાઈવરને હાઈકોર્ટમાં ડ્રાઈવરની સરકારી નોકરી અપાવવાના બહાને પડોશમાં ભાડે રહેતા સુરેન્દ્રનગરનો શખ્સ 12 લાખ ખંખેરી લઈ રાતોરાત સહપરિવાર છૂમંતર થઈ જતા સેકટર 7 પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાડોશીએ જ યુવાનને સરકારી નોકરી અપાવાના બહાને ઠગ્યોસરકારી નોકરીની લાલચ આપી ભોળવાતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો ગાંધીનગરમા પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર સેકટર 3/બી પ્લોટ નંબર 357/2માં રહેતો કમલેશ અમરતભાઈ પરમાર ટેક્ષી ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે. ગત 9 એપ્રિલ 2025ના રોજ બ્રોકર મારફતે પાર્થિવ આર. કપુર (રહે-બ્લોક નં.-133/સી સરકારી વસાહત કલેક્ટર રેસીડેન્સી નજીક સુરેન્દ્રનગર) પરીવાર સાથે કમલેશના મકાનના ઉપરના માળે ભાડાથી રહેવા આવ્યો હતો. 'હું તને ડ્રાઇવરની ભરતીમાં પાસ કરાવી, નોકરી અપાવી દઈશ'આથી બંને વચ્ચે મિત્રતા થતાં પારીવારીક સંબંધો બંધાયા હતા. દરમ્યાન 2025 ગુજરાત હાઇકોર્ટમાં ડ્રાઇવરની જાહેરાત આવતા કમલેશે ડ્રાઇવરની ભરતી માટેનું ફોર્મ ભર્યું હતું. જે વાત તેણે પાર્થિવને કરતા તેણે કહેલ કે હું રાજકીય વગ ધરાવતો હોવાથી હાઇકોર્ટમાં મારે સારી ઓળખાણ છે. હું તને ડ્રાઇવરની ભરતીમાં પાસ કરાવી દઈ નોકરી અપાવી દઈશ. 50 હજાર એડવાસ પાર્થિવને ટ્રાન્સફર કરી દીધાપરંતુ તેના માટે 12 લાખ આપવા પડશે. જેથી સરકારી નોકરી મેળવવા માટે કમલેશ તેની વાતોમાં આવી ગયો હતો. અને પાર્થિવના કહેવા પ્રમાણે ગુગલ પે થકી ત્રીજી ઓગસ્ટના રોજ 50 હજાર એડવાસ પાર્થિવને ટ્રાન્સફર કરી દીધા હતા. જેના થોડાક દીવસ પછી પાર્થિવે જણાવેલ કે હું હાઇકોર્ટમાં સાહેબને મળી આવ્યો છું તેમણે બીજા બાકીના પૈસા મંગાવેલ છે. જે તાત્કાલિક આપી દેવા પડશે. બહાના કરીને 12 લાખ ખંખેર્યા જેના પગલે કમલેશે સરકારી નોકરીની લાલચમાં આવીને 7 ઓગસ્ટના રોજ બીજા 8.65 લાખ ચૂકવી દીધા હતા. એ વખતે પાર્થિવે આ વાત કોઈને નહિ કરવાનું કહ્યું હતું. જોકે સમયસર નોકરીનો મેળ નહીં પડતા પાર્થિવે કહેલું કે, હજી દસ લાખ જ આપ્યા છે. નોકરી માટે 12 લાખની વાત નક્કી થઈ હતી. બીજા બે લાખ હાઇકોર્ટના સાહેબને આપી દઈએ પછી જોબ લેટર આપશે. મકાન ખાલી કરીને છૂમંતર થઈ ગયોઆમ કમલેશે બીજા બે લાખ પણ પાર્થિવને આપી દીધા હતા. કમલેશને છતાં નોકરી મળી નહીં. ત્યારબાદ પાર્થિવ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. બાદમાં પાર્થિવ પ્રથમ તેના પરીવારને ઘરેથી ક્યાંક મુકી આવી થોડા દિવસો પછી મકાન ખાલી કરીને છૂમંતર થઈ ગયો હતો. અને કમલેશ સાથે સંપર્કો તોડી નાખ્યા હતા. આ અંગે સેકટર 7 પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત 'વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન રેલી' જામનગર જિલ્લાના જોડિયા ખાતે આવી પહોંચી હતી. આ રેલીમાં 65 યુવાનો કચ્છના લખપતથી કેરળના કોચીન સુધીની 3500 કિલોમીટરની યાત્રા દ્વારા તટીય સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે. જોડિયા ખાતે આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોડિયા ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમમાં જોડિયા હુન્નર શાળાની બાળાઓ અને CISFના જવાનો દ્વારા લાઠી પ્રદર્શન, યોગ અને માનવ પિરામિડ જેવા શૌર્યપૂર્ણ નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ અંગે માહિતી આપતા CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, આ રેલી માત્ર પ્રવાસ નથી, પરંતુ માર્ગમાં આવતા તટીય ગામોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ સમજવાનો અને સંસ્કૃતિના આદાન-પ્રદાનનો એક સેતુ છે. આ પ્રવાસ દરમિયાન ખાસ કરીને દરિયાઈ સુરક્ષા અંગે સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ સંસ્થાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ પાર્થભાઈ સુખપરિયા, પુનિતભાઈ શેઠ અને અશોકભાઈ વર્માએ પણ હાજર રહી સાયકલિસ્ટોનો ઉત્સાહ વધાર્યો હતો.
પોરબંદર શહેરમાં શાંતિ ભંગ કરતા અને કર્કશ અવાજ કરતા મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બુલેટ ચાલકો વિરુદ્ધ પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા 48 કલાકમાં ટ્રાફિક પોલીસે કુલ 75 બુલેટ બાઈક ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સ્પેશિયલ ડ્રાઈવ આગામી એક સપ્તાહ સુધી સતત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસમાં પોલીસની સપાટોજિલ્લા પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચનાથી ટ્રાફિક શાખા દ્વારા આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીમાં પ્રથમ દિવસે 37 બુલેટ બાઈક જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે બીજો દિવસે 38 બુલેટ બાઈક જપ્ત કરવામાં આવ્યા છે.આમાં માત્ર બે દિવસમાં જ 75 વાહનો સામે કડક પગલાં લેવાયા છે. એમ.વી. એક્ટ હેઠળ કાર્યવાહીટ્રાફિક પી.આઈ. એમ.એલ. આહિરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે.બી. ચૌહાણ, કે.એન. અઘેરા અને ટ્રાફિક ટીમે શહેરના મુખ્ય માર્ગો અને પોઈન્ટ્સ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. મોડિફાઈડ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ચાલકો સામે એમ.વી. એક્ટની કલમ-207 હેઠળ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. પોલીસની કડક ચેતવણીપોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં પણ જો કોઈ બાઈકમાં નિયમ વિરુદ્ધના સાયલેન્સર મળી આવશે, તો તે સ્થળ પર જ કાઢીને કબજે કરવામાં આવશે. પોલીસે વાહન ચાલકોને સ્વૈચ્છિક રીતે મોડિફાઈડ સાયલેન્સર હટાવી લેવા અનુરોધ કર્યો છે. આગામી 5થી 7 દિવસ સુધી આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવશે.
મોરબીની કરશન ઘાવરી એકેડમીએ શ્રેણી જીતી:આણંદમાં યોજાયેલી અંડર-19 વન ડે શ્રેણીમાં 2-1થી વિજય
આણંદ શહેર સ્થિત એલિકોન ક્રિકેટ એકેડેમીમાં યોજાયેલી ત્રણ મેચની અંડર-19 વન ડે શ્રેણીમાં મોરબીની કરશન ઘાવરી ક્રિકેટ એકેડેમીએ 2-1થી વિજય મેળવ્યો છે. આ શ્રેણી એલિકોન ક્રિકેટ એકેડેમી અને કરશન ઘાવરી ક્રિકેટ એકેડેમી, મોરબીની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ હતી. 30મી ડિસેમ્બરના રોજ રમાયેલી ફાઇનલ મેચના અંતે, મોરબીની ટીમે બે મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી હતી. શ્રેણી દરમિયાન બંને ટીમોના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં તેમના ખાસ પ્રદર્શન બદલ કેટલાક ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અર્જુનસિંહ જેતવાને 'બોલર ઓફ ધ મેચ', સૌર્યરાજ સોલંકીને 'બેટર ઓફ ધ મેચ' અને સર્વાંગી રમત બદલ રાધે ભીમાણીને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.
આણંદ જિલ્લા એલઆઈબીમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. મહંમદયુસુફ શેખને તેમની વયમર્યાદાને કારણે નિવૃત્તિ સમયે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી દ્વારા અનોખું સન્માન આપવામાં આવ્યું હતું. એસ.પી. જસાણીએ મહંમદયુસુફ શેખને પોતાની ખુરશી પર બેસાડીને આ સન્માન કર્યું હતું. મૂળ કપડવંજના મહંમદયુસુફ શેખે આણંદ જિલ્લા એલઆઈબીમાં 33 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. તેમની વિદાય નિમિત્તે એલઆઈબી કચેરી ખાતે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ તેમને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ, એસ.પી. જસાણી તેમને પોતાની ચેમ્બરમાં લઈ ગયા અને પોતાની ખુરશી પર બેસાડીને વિશેષ સન્માન આપ્યું. આણંદ એસ.પી. કચેરીના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હતી, જ્યાં એક પોલીસ અધિક્ષકે નાના કર્મચારીની નિષ્ઠાને બિરદાવવા માટે તેમને પોતાની ખુરશી પર બેસાડી સન્માનિત કર્યા. આ પહેલને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ બિરદાવી હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ જણાવ્યું હતું કે, મહંમદ યુસુફ શેખે પરિવાર કરતાં પણ ફરજ પ્રત્યે વધુ નિષ્ઠા દાખવીને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની ખોટ કચેરીને વર્તાશે. તેમણે ઉમેર્યું હતું કે જો દરેક કર્મચારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે તો તંત્ર વધુ ઝડપી અને સરળ બનશે. તેમણે અન્ય કર્મચારીઓને મહંમદયુસુફ જેવા નિવૃત્ત થતા કર્મચારીઓ પાસેથી પ્રેરણા લેવા પણ અનુરોધ કર્યો હતો. આ વિદાય સમારોહમાં નિવૃત્ત ડીવાયએસપી દિલીપ ત્રિવેદી, પી.આઈ. આર.એસ. સેંધવ સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ મહંમદયુસુફ શેખ સાથેના તેમના સંસ્મરણો રજૂ કર્યા હતા. આણંદ ડિવિઝનના ડીવાયએસપી જે.એન. પંચાલ, પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી એચ.બી. વાઘેલા, એલસીબી પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટ અને સીઆઈડી ક્રાઈમના પી.આઈ. આર.ડી. ડાભી સહિતના અધિકારીઓએ પણ નિવૃત્ત થતા એ.એસ.આઈ. મહંમદયુસુફનું સન્માન કર્યું હતું. નિવૃત્ત થતા એ.એસ.આઈ. મહંમદયુસુફ શેખે જણાવ્યું હતું કે ઉપરી અધિકારીઓએ તેમનામાં વિશ્વાસ મૂક્યો હતો, જેના કારણે તેઓ એલઆઈબીમાં 33 વર્ષ સુધી એક જ ટેબલ પર ફરજ બજાવી શક્યા. તેમણે તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાની ફરજને પરિવાર કરતાં પણ વધુ પ્રાધાન્ય આપ્યું હોવાનું જણાવ્યું હતું. મહંમદયુસુફ શેખે કહ્યું કે તેઓ ક્યારેય તેમના સંતાનોની શાળા કે કોલેજમાં ગયા નથી, અને ઘણીવાર પરિવારને રસ્તામાં છોડીને કચેરીમાં દોડવું પડતું હતું. તેમણે પોતાની પત્નીનો આભાર માન્યો હતો, જેમણે બાળકોનો ઉછેર કર્યો અને તેમને ફરજ બજાવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ કારણે જ તેઓ આજે સંતોષકારક રીતે નિવૃત્ત થઈ રહ્યા છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 23 સંવર્ગની 279 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંગે GPSCના સેક્રેટરી સુધીર પટેલે માહિતી આપી હતી. 16 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશોGPSC દ્વારા પાંચ વિભાગો, સ્પોર્ટ્સ ઓથોરિટી, 9 મહાનગરપાલિકાઓ, તેમજ પાણી પુરવઠા, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગની જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવી છે. ઉમેદવારો આજ બપોરથી ઓનલાઇન અરજી કરી શકશે, અને અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી રાત્રે 11:59 વાગ્યા સુધી રહેશે. પ્રિલીમ પરીક્ષામાં 2 પેપર ને 300 માર્કતમામ જગ્યાઓ માટે પ્રિલીમ પરીક્ષા યોજાશે, જે 26 એપ્રિલ 2026ના રોજ લેવામાં આવશે. પ્રિલીમ પરીક્ષામાં કુલ 2 પેપર રહેશે. જેમાં પેપર-1: સામાન્ય જ્ઞાન અને પેપર-2: સંબંધિત સંવર્ગ મુજબ વિષય આધારિત (200 માર્ક્સ) એમ કુલ મળીને 300 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે. આ જગ્યાઓ માટે કાઉન્સિલિંગ પ્રક્રિયા આ ભરતીમાં કાઉન્સિલિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ બાદ લાયક ઉમેદવારોની યાદી અને કાઉન્સિલિંગની તારીખ આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે. ખાસ કરીને 9 મહાનગરપાલિકાની 13 પોસ્ટ સહિત કુલ 202 જગ્યાઓ માટે કાઉન્સિલિંગ પ્રક્રિયા અમલમાં આવશે. મેરીટના આધારે લોકેશન પ્રેફરન્સ મળશેમેરીટના આધારે ઉમેદવારોને તેમની પસંદગી (પ્રેફરન્સ) મુજબ જગ્યાઓ ફાળવવામાં આવશે. મેરીટમાં પ્રથમ ક્રમે આવનાર ઉમેદવારને 9 મહાનગરપાલિકામાંથી પોતાની પસંદગી કરવાની તક મળશે, જ્યારે અંતિમ ક્રમના ઉમેદવારને મેરીટના આધારે બાકી રહેલી જગ્યાઓ ફાળવાશે. વન ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) ફરજિયાતઆ ભરતીમાં વન ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) ફરજિયાત કરવામાં આવ્યું છે. OTR મોબાઇલ નંબરના માધ્યમથી રહેશે. અગાઉ આવી વ્યવસ્થા ન હતી, પરંતુ હવે ભવિષ્યની તમામ ભરતીમાં ઉમેદવાર એક જ OTR દ્વારા પોતાની વિગતો અને દસ્તાવેજો ઉપયોગમાં લઈ શકશે. અગાઉ OTR મારફતે દસ્તાવેજ અપલોડ કરેલા ઉમેદવારોને ફરીથી દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર રહેશે નહીં.
પાંચ દિવસીય ટોપ ટીયર ઈન્ટરનેશનલ કોમ્પિટિશન બાદ, અમદાવાદ ખાતે આયોજિત ' એચસીએલ સ્ક્વોશ પીએસએ ચેલેન્જર ટૂર'નો આજે બેલવેડિયર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં સમાપન થયું. 27 એચસીએલ થી 31 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ ટુર્નામેન્ટમાં 9 દેશોના 48 શ્રેષ્ઠ સ્ક્વોશ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં રમતવીરોએ પીએસએ વર્લ્ડ રેન્કિંગ પોઈન્ટ્સ મેળવવા માટે અત્યંત રોમાંચક અને તીવ્ર સ્પર્ધા કરી હતી. ચેન્નાઈ, જયપુર, મુંબઈ અને બેંગલુરુના સફળ તબક્કાઓ બાદ, આ ઈવેન્ટ દ્વારા ' એચસીએલ સ્ક્વોશ ઇન્ડિયન ટૂર' સર્કિટમાં અમદાવાદનું પ્રથમ વખત આગમન થયું છે, જેણે પ્રોફેશનલ સ્પોર્ટ્સ માટેના ડેસ્ટિનેશન તરીકે શહેરની વધતી જતી પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે. ઇજિપ્ત, મલેશિયા, હોંગકોંગ, શ્રીલંકા, બ્રુનેઈ, માલ્ટા, ઈરાન અને ભારતના ખેલાડીઓએ પુરૂષ અને મહિલા બંને વર્ગમાં અનોખી ખેલદિલી, વ્યૂહાત્મક કૌશલ્ય અને કોમ્પિટિટિવ સ્પિરિટ પ્રદર્શિત કર્યું. એચસીએલ ગ્રુપના બ્રાન્ડ એન્ડ સ્ટ્રેટેજીના એવીપી અને હેડ, રજત ચાંદોલિયાએ જણાવ્યું હતું કે, “એચસીએલ સ્ક્વોશ ઇન્ડિયન ટૂરમાં અમદાવાદનો તબક્કો એક શક્તિશાળી ઉમેરો રહ્યો છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ હું તમામ વિજેતાઓને અભિનંદન પાઠવું છું. સ્પર્ધાની ગુણવત્તા અને ખેલાડીઓ તરફથી મળેલો પ્રતિસાદ એ વાતની પુષ્ટિ કરે છે કે આ ટૂરનો નવા શહેરોમાં વિસ્તાર કરવો શા માટે મહત્વપૂર્ણ છે. એચસીએલમાં, અમારું ધ્યાન સતત ઉચ્ચ પ્રદર્શનની તકો પૂરી પાડવા પર છે, જે ભારતીય ખેલાડીઓને વૈશ્વિક મંચ પર સફળતા મેળવવા અને 2028 ઓલિમ્પિક સુધીના માર્ગ માટે તૈયાર કરે.” ઓલ ગુજરાત રેકેટ એસોસિએશનના જનરલ સેક્રેટરી, ભાનુ પ્રતાપ સિંહએ ઉમેર્યું હતું કે, “અમદાવાદમાં પીએસએ ઈવેન્ટનું આયોજન એ ભારતના સ્થાનિક સ્ક્વોશ ઈકોસિસ્ટમના સતત થઈ રહેલા વિકાસને પ્રતિબિંબિત કરે છે. એચસીએલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) અને મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ સ્પોર્ટ્સના સતત સહયોગથી, આ ટૂર ભારતીય રમતવીરોને લાંબા ગાળાની સફળતા માટે જરૂરી કોમ્પિટિટિવ ડેપ્થ અને ઈન્ટરનેશનલ એક્સપોઝર પૂરું પાડી રહી છે.” મહિલા સિંગલ્સની ફાઈનલમાં, ઇજિપ્તની ફરીદા વાલિદે ભારતની તન્વી ખન્નાને 9-11, 13-15, 11-8, 12-10, 11-5 ના સ્કોરથી હરાવી ટાઇટલ જીત્યું હતું. બીજી તરફ, પુરુષોની ફાઈનલમાં ઇજિપ્તના સેફ રિફાઈએ પોતાના જ દેશના હાઝેમ હોસમને 11-4, 11-7, 11-4 ના સ્કોરથી પરાજય આપ્યો હતો. નોંધનીય છે કે, સેફ રિફાઈ તાજેતરમાં યોજાયેલી બ્રિટિશ ઓપન (U-19) નો પણ વિજેતા રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ ઘરઆંગણે પોતાનો મજબૂત પ્રભાવ પાડવાનું ચાલુ રાખ્યું હતું, અને આ ટુર્નામેન્ટનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધીઓ સામે પોતાની ક્ષમતા ચકાસવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કર્યો હતો. લોસ એન્જેલસ 2028 માં સ્ક્વોશ રમત ઓલિમ્પિક ડેબ્યૂ કરવા જઈ રહી છે, ત્યારે ભારતની તૈયારીઓમાં અમદાવાદના આ તબક્કાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સ્પર્ધાએ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર અને રેન્કિંગ સુધારવાની અમૂલ્ય તકો પૂરી પાડી છે. પીએસએ-રજિસ્ટર્ડ આ ટુર્નામેન્ટમાં પુરુષો અને મહિલાઓ બંને શ્રેણીમાં USD 6,000 નું સમાન ઈનામ રાખવામાં આવ્યું હતું. આ બાબત જેન્ડર પેરિટી અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા પ્રત્યે એચસીએલની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. 2016 થી, એચસીએલ અને એસઆરએફઆઈ વચ્ચેની ભાગીદારીએ 40 થી વધુ પ્રોફેશનલ ટુર્નામેન્ટ્સનું આયોજન કર્યું છે, જેનાથી 1,000 થી વધુ ભારતીય ખેલાડીઓને લાભ થયો છે અને વૈશ્વિક સ્ક્વોશ સર્કિટ પર ભારતની હાજરી મજબૂત બની છે.
અમદાવાદ શહેરના સોલામાં આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે સામાન્ય અકસ્માત થતા બે યુવકોએ એક વૃદ્ધની હત્યા કરી દીધી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના નિવૃત્ત ક્લાર્કની સામાન્ય અકસ્માતમાં બાઈક પર રહેલા અને CNCD વિભાગમાં કામ કરતા બે યુવકોએ માર મારીને ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થતા સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. વૃદ્ધની કારનો બાઈક સાથે અકસ્માત થયો હતોચાંદલોડિયામાં 60 વર્ષીય અલ્પેશભાઈ મહેતા પત્ની સાથે રહેતા હતા. અલ્પેશભાઈ પ્રગતિનગર ખાતે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસમાંથી ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા હતા. 29 જાન્યુઆરીએ રાતના સમયે તેઓ ગોતા પ્રસંગ પાર્ટી પ્લોટ પાસેથી ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક સાથે સામાન્ય અકસ્માત થતા બે બાઈકચાલકોએ બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. પોલીસે ઈજાગ્રસ્ત વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા હતાબાદમાં આ બંને લોકોએ અલ્પેશભાઈની ગાડીના દરવાજાના કાચ તોડી નાખ્યા હતા. બંનેએ અલ્પેશભાઈને ચહેરા, માથા અને છાતીના ભાગે મુક્કા માર્યા હતા. અલ્પેશભાઈને લોહી નીકળતા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ પહોંચી હતી. બાદમાં માર મારનાર અમિત વાઘેલા અને કેવલ વાઘેલા તથા અલ્પેશભાઈને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યોઅલ્પેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી પોલીસે તેમને સારવાર માટે ખસેડ્યા હતા. સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ CNDCમાં મૃત પશુઓના નિકાલનું કામ કરે છે અને અકસ્માત દરમિયાન ઉશ્કેરાઈને વૃદ્ધની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પાટણ અને કચ્છ જિલ્લાના સરહદી પંથકમાં વસતા નિરાશ્રિત ઠાકોર અને વાગડ કોલી સમાજનું રાપર ખાતે ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સામાજિક સુધારા, શિક્ષણ અને સંગઠન પર ભાર મૂકી સર્વાનુમતે કાનાભાઈ ગોહિલને ગુજરાતના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભવિષ્યના વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાઇપાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ તેમજ ગાંધીનગર પંથકમાં વસવાટ કરતા નિરાશ્રિત ઠાકોર સમાજ અને વાગડના કોલી સમાજના અગ્રણીઓ આજે કચ્છના રાપર ખાતે એક મંચ પર એકત્ર થયા હતા. આ અવસરે સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું, જેમાં બંને સમાજની એકતા અને ભવિષ્યના વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. મહાસંમેલનમાં કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લેવાયામહાસંમેલનમાં સમાજના હિતમાં કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને લગ્ન તેમજ મરણ પ્રસંગે થતા બિનજરૂરી અને ખોટા ખર્ચાઓ પર લગામ લગાવવા અને સામાજિક કુરિવાજો ઘટાડવા અંગે તમામ અગ્રણીઓએ સહમતિ વ્યક્ત કરી હતી. સમાજના સર્વાંગી વિકાસ માટે જૂથવાદ છોડી એકસાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા આ તકે દર્શાવવામાં આવી હતી. શૈક્ષણિક સંસ્થાના નિર્માણ માટે ફંડ એકત્ર કરનો નિર્ણય આ પ્રસંગે સમાજના શૈક્ષણિક વિકાસના મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. વક્તાઓએ યુવાપેઢી શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે તે માટે આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જેના ભાગરૂપે રાધનપુર ખાતે સમાજની શૈક્ષણિક સંસ્થાના નિર્માણ માટે ફંડ એકત્ર કરવા અને સંકુલ ઊભું કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. કાનાભાઈ ગોહિલની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણીઆ મહાસંમેલનમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાઓ તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમગ્ર ગુજરાત સ્તરે સમાજના સંગઠનને મજબૂત કરવા માટે અધ્યક્ષ તરીકે કાનાભાઈ ગોહિલની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત જનમેદનીએ હર્ષનાદ સાથે વધાવી લીધી હતી. આ સંમેલન સમાજમાં એકતા અને વિકાસની નવી દિશા આપનાર સાબિત થશે તેવો આશાવાદ અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત નાગરિકોએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો છે. 27 ઓક્ટોબર 2025 થી શરૂ થયેલી આ પ્રક્રિયામાં 19 ડિસેમ્બર 2025 ના રોજ મુસદ્દા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. દાવા અને વાંધા રજૂ કરવાની અંતિમ સમયસીમા 30 જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યભરમાંથી કુલ 1,470,125 ફોર્મ્સ વહીવટી તંત્રને મળ્યા છે. ફોર્મની વિગત અને ચકાસણીની પ્રક્રિયા નાગરિકો તરફથી મળેલા કુલ ફોર્મ્સમાં નવા નામ ઉમેરવા માટેના ફોર્મ નંબર 6 ની સંખ્યા 725,920 છે, જ્યારે નામ રદ કરવા માટેના ફોર્મ નંબર 7 ની સંખ્યા 183,235 છે. આ ઉપરાંત, નામ કે વિગતોમાં સુધારા-વધારા માટે ફોર્મ નંબર 8 હેઠળ 560,970 અરજીઓ મળી છે. ચૂંટણી પંચના ‘કોઈ પાત્ર મતદાર રહી ન જાય’ તેવા હેતુ સાથે હવે આ ફોર્મ્સની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. તમામ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ અરજીઓનો નિકાલ કરવામાં આવશે. જિલ્લાવાર મળેલા ફોર્મની વિગતવાર યાદી ચૂકી ગયેલા નાગરિકો માટે તક જે નાગરિકો આ ખાસ ઝુંબેશમાં જોડાવાનું ચૂકી ગયા છે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં ‘સતત સુધારણા’ પ્રક્રિયા હેઠળ નાગરિકો ગમે ત્યારે ફોર્મ ભરી શકશે. આ પ્રક્રિયા દ્વારા નામ ઉમેરવું, રદ કરવું કે સરનામું બદલવા જેવા ફેરફારો સતત ચાલુ રહેશે.
સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુના આચરી તરખાટ મચાવનાર કુખ્યાત “સિકલીગર ગેંગ” નો સુરત ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે આ ગેંગના સભ્યો આણંદના ચીખોદરા ચોકડી પાસે હાજર છે, જેના આધારે DCB પોલીસની ટીમે દરોડો પાડી આઝાદસીંગ ઉર્ફે ધનરીસીંગ ટાંક, મલીન્દરસીંગ બાવરી, અજયસીંગ ઉર્ફે મામુ અને જીતેન્દરસીંગ ઉર્ફે દીલજીતસીંગને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ પાસેથી ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેઓ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યા હતા. છાપા અને કચરાના ઢગલા જોઈ કરતા હતા રેકી: ચોરીની અનોખી પદ્ધતિઆ ગેંગની સૌથી ચોંકાવનારી પદ્ધતિ તેમની રેકી કરવાની રીત હતી. તેઓ સોસાયટીઓમાં ફરીને એવા મકાનો શોધતા હતા જે લાંબા સમયથી બંધ હોય. આ માટે તેઓ મકાનના દરવાજા પાસે પડેલા છાપા અને જમા થયેલા કચરાને નિશાન બનાવતા હતા. જો દરવાજા પાસે છાપાનો થપ્પો પડ્યો હોય, તો તેઓ ખાતરી કરી લેતા કે પરિવાર બહારગામ છે. ત્યારબાદ મોડી રાત્રે લોખંડના પાના અને પેચીયા વડે મકાનના નકુચા તોડી તેઓ મકાનમાં પ્રવેશ કરી તિજોરી સાફ કરી નાખતા હતા. 'યુઝ એન્ડ થ્રો' બાઈક પોલિસીધરપકડ કરાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ અત્યંત આયોજનબદ્ધ રીતે ગુનાને અંજામ આપતા હતા. ચોરી કરવા માટે તેઓ સૌ પ્રથમ હાઈવે અથવા અન્ય સોસાયટીઓમાંથી 2 મોટરસાયકલની ચોરી કરતા હતા. આ ચોરેલા વાહનોનો ઉપયોગ કરીને તેઓ ઘરફોડ ચોરી કરવા જતા હતા અને કામ પૂરું થયા પછી જે તે વાહનોને તેમની મૂળ જગ્યાએ અથવા નજીકમાં પરત મૂકી દેતા હતા. આ પદ્ધતિ પાછળનો હેતુ પોલીસ તપાસમાં પોતાના વાહનો ટ્રેક ન થાય અને સીસીટીવી ફૂટેજમાં ગેરમાર્ગે દોરવાનો હતો. 12 ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો: લાખોની મત્તાની ચોરીની કબૂલાતપૂછપરછ દરમિયાન આ ગેંગે સુરત શહેરના ઉત્રાણ અને અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલી મોટી ચોરીઓની કબૂલાત કરી છે. જેમાં અમરોલીમાં Rs. 5,66,688 અને ઉત્રાણમાં Rs. 1,97,000 ની મત્તાની ઘરફોડ ચોરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન પાલોદ, પીપોદરા, કડોદરા, અંકલેશ્વર, કીમ અને સાયણ વિસ્તારમાંથી 8 જેટલી મોટરસાયકલની ચોરી તેમજ અનેક મકાનોમાં તાળા તોડ્યા હોવાનું સામે આવ્યું છે. કુલ 12 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. મુખ્ય સૂત્રધારનો ગુનાહિત ઈતિહાસ અને નાગરિકો માટે ચેતવણીગેંગનો મુખ્ય સાગરીત આઝાદસીંગ ઉર્ફે ધનરીસીંગ ટાંક રીઢો ગુનેગાર છે, જેની સામે અગાઉ નવસારી, કાપોદ્રા, વરાછા અને સચિન GIDC સહિતના પોલીસ સ્ટેશનોમાં 12 જેટલા ગુના નોંધાયેલા છે. તેની સામે હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ પણ અગાઉ કાર્યવાહી થઈ ચૂકી છે. આ કિસ્સા બાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે બહારગામ જતી વખતે મકાન બહાર છાપા જમા ન થવા દેવા અને શક્ય હોય તો સીસીટીવી કેમેરા લગાવવા, જેથી આવા ગુનેગારોની નજરમાંથી બચી શકાય.
ભરૂચમાં દિવ્યાંગો માટે લીપન આર્ટ તાલીમ શરૂ:સ્વરોજગારને વેગ આપવા 12 દિવસીય કાર્યક્રમનું આયોજન
ભરૂચમાં દિવ્યાંગોના સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે 12 દિવસીય લીપન આર્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને અપંગ માનવ મંડળના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ઇન્ટરપ્રેનર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આ તાલીમ ભરૂચના સોનેરી મહેલ 7 એક્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ તાલીમાર્થીઓએ લીપન આર્ટની વિવિધ આકર્ષક અને સર્જનાત્મક કલાકૃતિઓ તૈયાર કરી હતી. તેમને આધુનિક, વ્યવસાયલક્ષી અને સર્જનાત્મક લીપન આર્ટની તકનીકો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ અને આસપાસના વિસ્તારોના દિવ્યાંગોને સ્વરોજગાર તરફ વાળી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાતભરમાં સામાજિક કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને શૈક્ષણિક ઉત્થાન માટે કાર્યરત છે. કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વૈશાલી આહિર, જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જીગ્નશા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પીએસઆઇ વૈશાલી આહિરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આવા તાલીમ કાર્યક્રમો દિવ્યાંગોને આવકનું સાધન પૂરું પાડવાની સાથે તેમનો આત્મવિશ્વાસ વધારી સમાજની મુખ્ય ધારા સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રયાસોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે, તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા સ્વરોજગારલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા અંતર્ગત વિરનગર ખાતે આવેલી શિવાનંદ આંખની હોસ્પિટલમાં વર્ષ 2024 દરમિયાન યોજાયેલા આંખના નિદાન કેમ્પને લઈને વિવાદ ઊભો થયો હતો. આ કેમ્પ દરમિયાન કરાયેલી સારવાર અને ત્યારબાદ થયેલી સર્જરીમાં અમુક દર્દીઓએ પોતાની દૃષ્ટિ ગુમાવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ સમગ્ર મામલે હોસ્પિટલ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ સાથે 7 પીડિતોએ એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે રાજકોટ ગ્રામ્ય SPને અરજદારોની રજૂઆત ઉપર 8 સપ્તાહમાં નિર્ણય લેવા માટે હુકમ કરી અરજીનો નિકાલ કર્યો છે. દર્દીઓએ આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હોવાનો દાવોવર્ષ 2024માં વિરનગર ખાતે શિવાનંદ આંખની હોસ્પિટલ દ્વારા એક આંખનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો હેતુ ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની તપાસ અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવાનો હતો. મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પમાં હાજરી આપી હતી અને આંખના વિવિધ રોગોની તપાસ કરાવી હતી. કેમ્પ દરમિયાન કેટલાક દર્દીઓને આંખની સર્જરી કરવાની સલાહ આપવામાં આવી હતી. સર્જરી બાદ અમુક દર્દીઓની સ્થિતિ ખરાબ બની હતી અને કેટલાકે તો કાયમી રીતે આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હોવાનો દાવો કર્યો છે. ફરિયાદ કરવા છતાં કોઈ કડક કાર્યવાહી કરાઈ નહીસર્જરી પછી દર્દીઓની આંખોમાં દુખાવો, ચેપ, દૃષ્ટિમાં અચાનક ઘટાડો અને સંપૂર્ણ અંધત્વ જેવી સમસ્યાઓ જોવા મળવા લાગી. પીડિતો અને તેમના પરિવારજનોએ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોનો સંપર્ક કર્યો હતો. પરંતુ સંતોષકારક જવાબો મળ્યા નહીં. કેટલાક દર્દીઓને બીજી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઘટનાની ફરિયાદ સ્થાનિક સ્તરે કરવામાં આવી હોવા છતાં લાંબા સમય સુધી કોઈ અસરકારક તપાસ અથવા કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. રાજકોટ ગ્રામ્ય SPને 8 અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ કર્યાએડવોકેટ પ્રશાંત ચાવડાએ હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી કે આ મામલો યોગ્ય મેડિકલ પ્રોટોકોલનું પાલન ન કરવું, દર્દીઓની સુરક્ષા પ્રત્યે ઉદાસીનતા રાખવી અને સર્જરી પૂર્વે જરૂરી તપાસ ન કરવી એ તમામ મુદ્દાઓ કાયદેસર ગુનો બને છે. આ દલીલ સાંભળીને હાઈકોર્ટે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઈ મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજકોટ ગ્રામ્ય SP ને આ કેસની 8 અઠવાડિયામાં અરજદારોની અરજી ઉપર નિર્ણય લેવા આદેશ કર્યા છે.
ગિરનારની પવિત્ર ગોદમાં સાહસ અને શૌર્યનો સંગમ થવા જઈ રહ્યો છે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જૂનાગઢ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 1 ફેબ્રુઆરીના રોજ 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-2026 યોજાશે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભારતભરના 12 રાજ્યોમાંથી કુલ 541 ખેલાડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. સ્પર્ધાના પૂર્વતૈયારી રૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ સ્પર્ધકોનું મેડિકલ ચેકઅપ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટેગરી મુજબ સ્પર્ધકોનું વિભાજન આ વર્ષે સ્પર્ધામાં કુલ 4 કેટેગરી રાખવામાં આવી છે. જેમાં સિનિયર ભાઈઓ 196, જુનિયર ભાઈઓ 134, સિનિયર બહેનો 120 અને જુનિયર બહેનો 91 મળીને કુલ 541 રમતવીરો જોમ અને જુસ્સા સાથે પહાડ સર કરશે. સ્પર્ધામાં ભાગ લેનારા ભાઈઓએ ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધીના 5500 પગથિયાં અને બહેનોએ માળી પરબ સુધીના 2200 પગથિયાં ચઢવાના અને ઉતરવાના રહેશે. પ્રથમવાર સી.પી.આર. ટ્રેનીંગનું આયોજન વર્તમાન સમયમાં વધતા જતા હૃદયરોગના હુમલાના બનાવોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. 31 જાન્યુઆરીના રોજ સાંજે 5:00 કલાકે મંગલનાથ આશ્રમ ખાતે તમામ સ્પર્ધકો, વ્યાયામ શિક્ષકો અને ઇન્સ્ટ્રકટરોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા CPR (કાર્ડિયો પલ્મોનરી રિસસીટેશન) ની તાલીમ આપવામાં આવશે. આ તાલીમનો ઉદ્દેશ્ય સ્પર્ધા દરમિયાન કોઈ કટોકટી સર્જાય તો ત્વરિત પ્રાથમિક સારવાર પૂરી પાડવાનો છે. રાજ્યની અન્ય પર્વત સ્પર્ધાઓના વિજેતાઓનો સમાવેશ આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતના ઓસમ, ચોટીલા, ઇડર, પાવાગઢ અને પારનેરા પર્વત ખાતે યોજાયેલી સ્પર્ધાઓના પ્રથમ 10 વિજેતાઓ તેમજ રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધાના પ્રથમ 25 વિજેતાઓને સીધો પ્રવેશ આપવામાં આવ્યો છે. સ્પર્ધકો માટે નિવાસ, ભોજન, ટી-શર્ટ અને મેડિકલ સુવિધાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વિજેતાઓને ટ્રોફી, મેડલ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા સજ્જ તૈયારીઓ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ, વન વિભાગ, આરોગ્ય અને મહાનગરપાલિકા સહિતની કુલ 8 સમિતિઓ કાર્યરત છે. તમામ સ્પર્ધકોએ 30 જાન્યુઆરીએ સનાતન ધર્મશાળા ખાતે રિપોર્ટિંગ પૂર્ણ કર્યું છે. માર્ગમાં રોપ-વે અને પીજીવીસીએલ જેવી સંસ્થાઓ પણ સેવાઓ પૂરી પાડશે જેથી સ્પર્ધા કોઈ પણ અવરોધ વિના સંપન્ન થઈ શકે.
ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ હેમાંગ જોષીના જન્મદિવસની ગોધરામાં ઉજવણી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા માનસિક ક્ષતિ ધરાવતા બાળકો માટેની શિક્ષણ અને તાલીમ નિવાસી શાળામાં સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારોએ શાળાની મુલાકાત લીધી હતી. તેમણે બાળકો સાથે કેક કાપીને સાંસદ હેમાંગ જોષીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. બાળકોના ચહેરા પર ખુશી લાવવા માટે વિવિધ શૈક્ષણિક અને મનોરંજક રમકડાંનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર હવે કુદરતી વારસાના સંરક્ષણનું સાક્ષી બનશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આગામી 1 અને 2 ફેબ્રુઆરીના રોજ 8મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રવિણ માળી વિશેષ ઉપસ્થિત રહેશે. ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિશ્વ વેટલેન્ડ્સ દિવસ-2026 ની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત જ્ઞાનની થીમ આ વર્ષના સેમિનારની વૈશ્વિક થીમ “જળપ્લાવિત વિસ્તાર અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ” રાખવામાં આવી છે. આ બે દિવસીય કાર્યક્રમનો મુખ્ય હેતુ જળપ્લાવિત વિસ્તારો અને તેની સાથે જોડાયેલા સ્થાનિક લોકોના પરંપરાગત જ્ઞાન વચ્ચેના અતૂટ સંબંધને મજબૂત કરવાનો છે. આ મંચ દ્વારા વન વિભાગના અધિકારીઓ, સંશોધકો અને યુનિવર્સિટીઓ માટે ક્ષમતાવર્ધનની નવી તકો ઊભી થશે. દેશ-વિદેશના નામાંકિત વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ અહીં પોતાના અનુભવો અને સંશોધનો રજૂ કરશે. ગુજરાતનો 21.9 ટકા હિસ્સો વેટલેન્ડ હેઠળ નેશનલ વેટલેન્ડ એટલાસ (2021 SAC–ISRO) ના આંકડા મુજબ, ગુજરાત વેટલેન્ડના મામલે દેશનું અગ્રણી રાજ્ય છે. રાજ્યનો અંદાજે 3.49 લાખ હેક્ટર વિસ્તાર જળપ્લાવિત છે. આ વિસ્તાર ભારતભરના કુલ વેટલેન્ડ્સના 21.9 ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે, જે ગુજરાતના ભૌગોલિક વિસ્તારના 17.8 ટકા થાય છે. આ જળપ્લાવિત વિસ્તારો પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નવી રામસર સાઈટ્સ માટેનો મહત્વનો પ્રસ્તાવ ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત સ્ટેટ વેટલેન્ડ અથોરિટી (GSWA)ની ત્રીજી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. રાજ્ય સરકારે પોરબંદરના ગોસાબારા-મોકર સાગર અને કચ્છના ફ્લેમિંગો સિટીને નવી રામસર સાઈટ જાહેર કરવા કેન્દ્ર સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના ‘છારી ઢાંઢ’ ને તાજેતરમાં જ 31 જાન્યુઆરી 2026ના રોજ રામસર સાઈટનો દરજ્જો પ્રાપ્ત થયો છે, જે ગુજરાત માટે મોટી સિદ્ધિ છે. આ ઉપરાંત, હવે શહેરી આયોજનમાં પણ વેટલેન્ડ્સની ઓળખ અને તેના સંરક્ષણને પ્રાધાન્ય આપવામાં આવશે. પોરબંદર: યાયાવર પક્ષીઓનું સ્વર્ગ પોરબંદર જિલ્લો માત્ર ઐતિહાસિક જ નહીં પણ કુદરતી દ્રષ્ટિએ પણ સમૃદ્ધ છે. ગોસાબારા-મોકર સાગર વેટલેન્ડ કોમ્પ્લેક્સ અને પોરબંદર પક્ષી અભયારણ્ય હજારો યાયાવર પક્ષીઓનું આશ્રયસ્થાન છે. અહીંના દરિયાકાંઠાના વિસ્તારો, ખાડીઓ અને ભરતી-ઓટના મેદાનોમાં સમુદ્રી કાચબા અને વિવિધ સ્તનધારી જીવોની મોટી વસ્તી વસે છે. GEER ફાઉન્ડેશન વર્ષ 2016-17 થી વેટલેન્ડની નોડલ એજન્સી તરીકે કાર્યરત રહી અત્યાર સુધીમાં 7 સફળ સેમિનાર યોજી ચૂક્યું છે.
નવસારી શહેરની શાંતિવન સોસાયટી-2 માં કૂતરા ભગાડવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનામાં એક પાડોશીએ મહિલા અને તેની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. 22 વર્ષીય અવનીબેન હસમુખભાઇ ખુમાણે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત રાત્રિના આશરે 8:30 વાગ્યે અવનીબેનના માતા ઘર પાસેના કૂતરાને ભગાડી રહ્યા હતા. આ દરમિયાન પાડોશમાં રહેતા રાહુલભાઇ અરવિંદભાઇ દેસાઇ ઉશ્કેરાઈ ગયા હતા અને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. આરોપી રાહુલ દેસાઇએ મહિલાને ધમકી આપતા કહ્યું હતું કે, તું બહાર આવ, તારો ફેસલો કરી નાખું, તું માર ખાશે. તું મને મળ તને કાપી નાખીશ. આ જાહેરમાં અપાયેલી ધમકીથી સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો હતો. અવનીબેનની ફરિયાદના આધારે, નવસારી ટાઉન પોલીસે આરોપી રાહુલભાઇ દેસાઇ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 351(3) અને 352 હેઠળ ગુનો દાખલ કર્યો છે. હેડ કોન્સ્ટેબલ રમેશકુમાર દત્તુભાઇ આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમે લાંભવેલ રોડ પર આવેલી તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ હોસ્પિટલ ઝાયડસ હોસ્પિટલની પાછળ આવેલી છે. મહાનગરપાલિકાની ટીમે હોસ્પિટલના કબજેદાર પાસેથી બાંધકામ મંજૂરી, મંજૂર થયેલ પ્લાન, BU પરમિશન અને ફાયર NOC અંગેના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તુલિપ હોસ્પિટલના સંચાલકો પાસે સક્ષમ ઓથોરિટી પાસેથી મેળવેલી જરૂરી પરવાનગીઓ નહોતી.પરવાનગીઓના અભાવને કારણે, મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની જોગવાઈઓના ભંગ બદલ તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને વહીવટી ચાર્જ પેટે ₹1,00,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, તુલિપ હોસ્પિટલના સંચાલકોને 10 દિવસમાં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવીને રજૂ કરવા અને ત્યાં સુધી આ બિલ્ડિંગનો ઉપયોગ ન કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જો આ સૂચનાનું પાલન નહીં થાય, તો મહાનગરપાલિકા દ્વારા કાયદાની જોગવાઈઓને આધીન હોસ્પિટલને સીલ કરવામાં આવશે.
છોટા ઉદેપુર જીલ્લા ખાણ ખનીજ વિભાગે ગોલા ગામડી ચેકપોસ્ટ પર ડોલોમાઇટની ખોટા ડિલિવરી ચલણ લઈને જતી બે ટ્રક ઝડપી પાડીને બે ડ્રાઈવર તેમજ બે અન્ય સામે સંખેડા પોલીસે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જીલ્લો ખનીજ માટે સ્વર્ગ સમાન છે,જેમાં ડોલોમાઇટ ઉધ્યોગ અને રેતી ઉધ્યોગ ખૂબ મોટો ચાલી રહ્યો છે ત્યારે કંઈજ માફીયાઓ રાતોરાત અબજોપતિ થવા માટે ખોટા રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે.અને ખોટા ડિલિવરી ચલણ બનાવીને ખનિજનું વેચાણ કરી રહ્યા છે.ત્યારે આવો જ એક ખોટા ડિલિવરી ચલણનો ઉપયોગ કરીને બે ટ્રક ડોલોમાઇટ ભરીને જતી ગોલા ગામડી ખાણ ખનીજ ચેકપોસ્ટ પર ઝડપાઈ છે. છોટા ઉદેપુર ખાતેથી ડોલોમાઇટ પાવડર ભરીને નીકળેલી ટ્રક નં.GJ 09 Y 7940 અને GJ 34 T 5551 ને ગોલા ગામડી ચેકપોસ્ટ પર ચેકીંગ માટે ઊભી રખાવતા બન્ને ડ્રાઈવરે ડિલિવરી ચલણ બતાવ્યું હતું.જેમાં એક પાસેથી પૂજા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડિલિવરી ચલણ ઇસ્યુ કરેલ હતું,જયારે બીજી ટ્રકના ડ્રાઈવરે આપેલ ડિલિવરી ચલણ લકુલેશ ગ્રાઇન્ડીંગ ઈન્ડસ્ટ્રીઝ,છોટા ઉદેપુર નું હતું.જેને ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા GEOMINE એપ્લીકેશનમાં ચેક કરતા તે ડિલિવરી ચલણ ખોટા હોવાનું જણાઈ આવ્યું હતું.જેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા આ બન્ને ટ્રેકને જપ્ત કરીને બંને ટ્રક ડ્રાઈવર ઈનોશભાઈ અરવિનભાઈ રાઠવા રહે. જામલા,તા.જી.છોટા ઉદેપુર અને નરેશભાઈ કાગડાભાઈ રાઠવા રહે.છોટા ઉદેપુરની પૂછપરછ હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા બંને ટ્રક ડ્રાઇવની પૂછપરછ કરતા ઈનોશભાઈ રાઠવાએ ભાનુ મિનરલ્સ,જે માનવ અજમેરા નામના વ્યક્તિને ત્યાંથી ભરીને લાવ્યા હોવાનું જણાવ્યું હતું.જ્યારે બીજી ટ્રકના ડ્રાઈવર નરેશ રાઠવાએ એપેક્સ ઓવરસિઝ જે અશોક અજમેરા તથા માનવ અજમેરા નામના વ્યક્તિને ત્યાંથી ભર્યું હોવાનું જણાવ્યું હતું. જેને લઈને ખાણ ખનીજ વિભાગ બંને ટ્રક ડ્રાઈવર ઈનોશભાઈ અરવીનભાઈ રાઠવા,નરેશભાઈ કાગડાભાઈ રાઠવા, અશોક અજમેરા અને માનવ અજમેરા વિરુદ્ધ લકુલેશ ગ્રાઇન્ડીંગ ઈન્ડસ્ટ્રીઝ અને પૂજા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇસ્યૂ કરેલ ડિલિવરી ચલણનો ખોટા બનાવટી ડિલિવરી ચલણ તરીકે ઉપયોગ કરીને ખોટા ડિલિવરી ચલણને સાચા ડિલિવરી ચલણ તરીકે રજૂ કરવાને લઈને સંખેડા પોલીસ મથકે ફરિયાદ કરતા સંખેડા પોલીસે ચારે જણા વિરોધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક ડ્રાઈવર ઈનોશભાઈ રાઠવા દ્વારા રજૂ કરવામાં આવેલ ડિલિવરી ચલણની વિગત- ટ્રક નં GJ-09-Y-7940- STML29010049130029002587- ઇસ્યૂ તા.16 જાન્યુઆરી 2026 11.40. AM- સ્ટોક હોલ્ડરનું નામ : STML લકુલેશ ગ્રાઇન્ડીંગ ઈન્ડસ્ટ્રીઝ- પરચેઝરનું નામ: એપેક્સ ઓવરસીઝ,વસઈ, થાણે,મહારાષ્ટ્ર- વજન : 12.400 ટન ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરતા અસલ ડિલિવરી ચલણની વિગત- STML 29010049130029002587- ઇસ્યૂ તા.18/12/2025, 5:06:02 PM- સ્ટોક હોલ્ડરનું નામ: લકુલેશ ગ્રાઇન્ડીંગ ઈન્ડસ્ટ્રીઝ,છોટા ઉદેપુર- પરચેઝરનું નામ : ગાયત્રી મિનરલ્સ,ખંભાત,આણંદ- વજન: 32.500 ટન ટ્રક ડ્રાઈવર નરેશ રાઠવા દ્વારા રજૂ કરવામાં આવેલ ડિલિવરી ચલણની વિગત- STML 29010004130062000222- ઇસ્યૂ તા.16 જાન્યુઆરી 2026, 04: 22 PM- સ્ટોક હોલ્ડરનું નામ: પૂજા ઇન્ડસ્ટ્રીઝ,પીપલેજ,છોટા ઉદેપુર- પરચેઝરનું નામ: એપેક્સઓવરસીઝ,જંબુસર,ભરૂચ- વજન : 29.600 ટન ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરતા અસલ ડિલિવરી ચલણની વિગત- STML 29010004130062000222- ઇસ્યૂ તા.13/12/2025, 20:30 PM- હોલ્ડરનું નામ : પૂજા ઇન્ડસ્ટ્રીઝ,પીપલેજ,છોટા ઉદેપુર- પરચેઝરનું નામ : પી.કે.મિનરલ, કર્ણાટક- વજન29.600 ટન
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શો હાલ શહેરનું મુખ્ય આકર્ષણ બન્યો છે. આ શોમાં ફૂલોની સુંદરતાની સાથે માનવતાની મહેક પણ પ્રસરી રહી છે, જ્યાં લુન્સીકુઈ લારી એસોસિએશન દ્વારા બાળકો માટે વિનામૂલ્યે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. લુન્સીકુઈ લારી એસોસિએશનના અગ્રણી ભગુભાઈ પેથાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના આયોજનમાં સહભાગી થવા અને બાળકોનો ઉત્સાહ વધારવા આ સેવા શરૂ કરાઈ છે. નાસ્તામાં ઇડલી, ચટણી, ખમણ, ઠંડી છાશ અને લસ્સી જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. આ સેવા કાર્ય હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 1000 થી 1200 જેટલા બાળકોએ આ નાસ્તાનો લાભ લીધો છે. હજુ પણ મોટી સંખ્યામાં બાળકો ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે અને આ સેવાનો આનંદ માણી રહ્યા છે. નવસારીમાં યોજાયેલા આ ફ્લાવર શોથી મુલાકાતીઓમાં ખુશીનો માહોલ છે. ભગુભાઈએ ઉમેર્યું હતું કે, આ આયોજન ખૂબ જ સુંદર છે અને બાળકો ઉત્સાહથી ફૂલોની કલાકૃતિઓ નિહાળી રહ્યા છે. ભવિષ્યમાં પણ નવસારી મહાનગરપાલિકા દ્વારા આવા પ્રોત્સાહક કાર્યક્રમો થતા રહે તેવી અપેક્ષા છે.
પાટણમાં પાઈપલાઈન કામગીરીને કારણે પાણી કાપ:ખાલી કેનાલમાં ગંદકી જામતા સફાઈની માંગ ઉઠી
પાટણના પદ્મનાભ ચાર રસ્તા પાસે ભૂગર્ભ ગટર અને પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે શહેરમાં 28 જાન્યુઆરી 2026 થી 3 ફેબ્રુઆરી 2026 સુધી એક સમય પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પદ્મનાભથી સિદ્ધિ સરોવર સુધીની ખાલી કેનાલમાં જામી ગયેલી ગંદકી સાફ કરવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને નવી પાણીની પાઈપલાઈન પસાર કરવાની વહીવટી કામગીરી ગતિમાં છે. આ ટેકનિકલ કામગીરીના કારણે પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં 28 જાન્યુઆરી 2026 થી 3 ફેબ્રુઆરી 2026 સુધી પાણી પુરવઠામાં ફેરફાર કરાયો છે, જેમાં નાગરિકોને હાલ માત્ર એક ટાઈમ જ પાણી આપવામાં આવી રહ્યું છે. આ કામગીરીને પગલે પદ્મનાભ ચાર રસ્તાથી સિદ્ધિ સરોવર સુધી જતી ખુલ્લી કેનાલમાં પાણીની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. કેનાલ લાંબા સમયથી ખાલી હોવાના કારણે તેમાં મોટા પ્રમાણમાં ગંદકી અને કચરો જમા થયો છે. પાણી વગર ખાલી પડેલી આ કેનાલ અત્યારે કચરાપેટી સમાન બની ગઈ છે. આ સ્થિતિને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાને ધ્યાને રાખીને, ખાલી કેનાલની તાત્કાલિક સફાઈ માટે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કેનાલ અત્યારે પાણી વગરની હોવાથી સફાઈ કામગીરી સરળતાથી થઈ શકે તેમ છે. પાઈપલાઈનનું કામ પૂર્ણ થાય અને કેનાલમાં ફરી પાણી છોડવામાં આવે તે પહેલાં આ ગંદકી દૂર કરવા માટે યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે.
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર 24 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે એક ખાનગી બસને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસ સળગાવનાર શખ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. લક્ઝરી બસમાં રાત્રે 11:30 વાગ્યે આગ લાગી હતીપ્રાથમિક માહિતી અનુસાર, હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી ડેકોર બ્રાસ ઇન્ડિયાની એક લક્ઝરી બસમાં રાત્રે 11:30 વાગ્યે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે બે ટેન્કર પાણીનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી. બસ કામદારોને લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતીબસના માલિક કારખાનેદાર નિશાંતભાઈ દોમડીયાએ જણાવ્યું હતું કે આ બસ તેમની ફેક્ટરીના કામદારોને લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી હતી. તેમણે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા બસને આગ લગાડવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી અને પોલીસને જાણ કરી હતી. આરોપી સીસીટીવીમાં કેદશરૂઆતમાં આગનું કારણ અકસ્માત માનવામાં આવતું હતું, પરંતુ બાદમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ બસને આગ ચાંપતો સ્પષ્ટ દેખાય છે. સિટી સી. ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સીસીટીવીના આધારે આરોપીને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. જોકે, સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતો હોવા છતાં આરોપી હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. આ અંગે સ્થાનિક લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
સોમનાથના સદભાવના મેદાન ખાતે આયોજિત 69મી અંડર-19 રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમે ચેમ્પિયનશીપ જીતી છે. અંતિમ મુકાબલામાં ગુજરાતે રાજસ્થાનને 31-24ના સ્કોરથી પરાજય આપ્યો હતો. આ સ્પર્ધા 27 થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન રાજ્ય સરકાર અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા યોજાઈ હતી. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રથમ વખત યોજાયેલી આ રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધાની ફાઇનલ મેચમાં ગુજરાતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આક્રમક એટેક અને મજબૂત ડિફેન્સના સમન્વયથી ગુજરાતે મેચની શરૂઆતથી જ લય પકડી રાખી હતી. ઝડપી પાસિંગ અને સચોટ શોટ્સ દ્વારા રાજસ્થાનની ટીમને દબાણમાં લાવી દીધી હતી. સમગ્ર મેચ દરમિયાન ગુજરાતની ટીમે ઉત્સાહ, શિસ્ત અને ટીમવર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રદર્શનના પરિણામે ગુજરાતે 31-24ના સ્કોરથી વિજય મેળવી ખિતાબ પોતાના નામે કર્યો. સ્પર્ધાના અંતિમ પરિણામો અનુસાર, અંડર-19 ભાઈઓની રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું. રાજસ્થાન રનર્સઅપ બન્યું જ્યારે દિલ્હીએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. વિજેતા અને રનર્સઅપ ટીમોના ખેલાડીઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્તમ રમતગમત ભાવના અને પ્રતિભા દર્શાવી હતી. મેડલ સેરેમની દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય ભગવાન બારડે વિજેતા ટીમ ગુજરાતને રૂ. 10,000 અને રનર્સઅપ રાજસ્થાન તથા સેકન્ડ રનર્સઅપ દિલ્હી ટીમને રૂ. 5,000ના રોકડ પુરસ્કાર આપી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. ટૂર્નામેન્ટની શરૂઆતથી જ ગુજરાતની ટીમે પ્રભાવી પ્રદર્શન કર્યું હતું. લીગ મેચમાં ડી.એ.વી. કોલેજ મેનેજિંગ સામે 40-07ના મોટા માર્જિનથી વિજય મેળવી ગુજરાતે ધમાકેદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ લીગ અને નોકઆઉટ તબક્કામાં પણ શ્રેષ્ઠ ફોર્મ જાળવી રાખી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાઈઓની સ્પર્ધા પહેલાં યોજાયેલી અંડર-17 ગર્લ્સ હેન્ડબોલ સ્પર્ધામાં પણ ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પંજાબને 21-9થી હરાવી ગુજરાતની અંડર-17 ગર્લ્સ ટીમ વિજેતા બની હતી. આમ, ભાઈઓ અને બહેનો બંને કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવી ગુજરાતે પોતાની રમતગમત ક્ષમતાનો પરિચય આપ્યો છે.
રાજકોટના રાહતદરે દવાઓનું વેચાણ કરતા સદભાવના મેડિકલ સ્ટોરમા ડુપ્લીકેટ દવાનું વેચાણ થતું હોવાની ફરિયાદના મામલામાં હવે રાજકીય રંગ લાગ્યો છે. સદભાવના મેડિકલ સાથે જોડાયેલા રાજકોટ ભાજપના ચાણક્ય ગણાતા રમેશભાઈ રૂપાપરા દ્વારા કેમિસ્ટ એસોસિયેશનના મંત્રીને ધમકી આપ્યાના આક્ષેપોએ ચકચાર જગાવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ પોતે ભાજપમાં હોવા છતાં સામે પડ્યા છે અને ડુપ્લીકેટ દવાનું વેચાણ કરનારાઓ સામે ગુનો દાખલ થાય તેવી માંગ કરી છે. જ્યારે આ બાબતે રૂપાપરાએ કહ્યું કે અમે સસ્તા ભાવે દવાઓનું વેચાણ કરી રહ્યા હોવાથી કેમિસ્ટ એસોસિએશન મેડિકલ સ્ટોર બંધ કરાવવા માંગે છે. જેથી કેમિસ્ટ એસોસિએશન દ્વારા જ ફરિયાદીને સાથે રાખી માલવિયાનગર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. રાજકોટ કેમિસ્ટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસીએશનના વાઈસ પ્રેસિડેન્ટ મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, અમને પેશન્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સદભાવના મેડિકલ સ્ટોર માંથી લીધેલી દવા ડુપ્લીકેટ હોવાની સંભાવના છે. એક જાગૃત નાગરિક તરીકે તેના દ્વારા એસોસિયેશનને જાણ કરવામાં આવી હતી. જે દવાનું સેમ્પલ લઈ કંપનીમાં મોકલી આપ્યુ હતુ. કંપની દ્વારા એવો રિપોર્ટ આપવામાં આવ્યો કે આ દવા ડુપ્લીકેટ છે અને તેથી સદભાવના મેડિકલ સ્ટોર સામે એક્શન લેવાના થાય છે. જેથી મુંબઈની મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા માલવિયા નગર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જે દરમિયાન ભાજપના રમેશભાઈ રૂપાપરા કે જેઓ સદભાવના મેડિકલ સ્ટોર સાથે જોડાયેલા છે તેમને એવું લાગ્યું કે કેમિસ્ટ એસોસિએશન દ્વારા આ બધું કરવામાં આવી રહ્યું છે. જેથી 28 જાન્યુઆરીના સાંજે 5:30 વાગ્યા આસપાસ બે વ્યક્તિઓ અમારા એસોસિયેશનના મંત્રી અનિલભાઈ દેસાઈના આદિનાથ ડીસ્ટ્રીબ્યુશનની બહાર રેકી કરવા માટે આવ્યા હતા અને ફોટા પાડી રહ્યા હતા જેથી પૂછવામાં આવ્યું કે શા માટે ફોટા પાડો છો ? જે બાદ તે યુવાનોએ કોઈને ફોન કર્યા બાદ રમેશભાઈ રૂપાપરા ત્યાં કારમાં આવ્યા હતા અને બંને યુવાનોને કારમાં બેસાડી લઈ ગયા હતા. જે બાદ અનિમેષભાઈને કહ્યું હતું કે, આ તમે ખોટું કરી રહ્યા છો જોવા જેવી થશે. જે વાતની મને જાણ થતા મેં રમેશભાઈને ફોન કર્યો અને કહ્યું કે આપણે બંને એક જ ભાજપ પક્ષના સૈનિક છીએ. રાજકોટમાં ડુપ્લીકેટ દવાઓ વેચાતી હોય તો તેને રોકવી અને આ વેચાણ કરનારાઓ સામે ગુનો દાખલ થાય તે પ્રકારની અમારી ફરજ હોય છે અને તેથી તેમાં તમારે સહકાર આપવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સદભાવના મેડિકલ સ્ટોર દ્વારા જેમની પાસેથી દવા લેવામાં આવે તે શાયોના મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી થવી જોઈએ આ ઉપરાંત તે મેડિકલ સ્ટોર દ્વારા સુરતની બીલીવ ઇન્ટરનેશનલ કંપની પાસેથી તે દવા લેવામાં આવી છે અને સુરતની કંપનીએ અમદાવાદની ચંદન એજન્સી પાસેથી દવા લીધી છે તો આ તમામ સામે FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. કોઈના દબાણમાં અમે આવશું નહીં અને રાજકોટમાં ડુપ્લીકેટ દવાનું વેચાણ અટકાવીને જ રહેશો અને જરૂર પડશે તો કલેક્ટર તંત્રને પણ અમે આ બાબતે રજૂઆત કરશું. જ્યારે આ બાબતે રમેશભાઈ રૂપાપરાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, સદભાવના મેડિકલ સ્ટોર રાહત દરે દર્દીઓને દવા આપે છે. જે મેડિકલ સ્ટોરને નફો કમાવો હોય તે ડુપ્લીકેટ દવાનું વેચાણ કરે પરંતુ સદભાવના મેડિકલ સ્ટોરમાં કોઈપણ પ્રકારના નફા વિના દવાઓનું વેચાણ કરે છે. જે મેડિકલ સ્ટોર કેમિસ્ટ એસોસિયેશન બંધ કરાવવા માંગે છે. કેમિસ્ટ એસોસિએશનના અનિમેષભાઈ જ ફરિયાદીને લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યું હતુ. ચાર મહિના પહેલા મોટી ટાંકી ચોક પાસેથી જ ડુપ્લીકેટ દવા પકડાઈ હતી તે અંગે કેમિસ્ટ એસોસિએશન ચૂપ છે. જ્યારે સસ્તા ભાવે વેચાણ કરતા અમારા સદભાવના મેડિકલ સ્ટોર સામે વાંધો છે. જેથી બે યુવાનોને ત્યાં જોવા મોકલ્યા હતા તો તેમને બેસાડી દીધા હોવાથી હું તેમને લેવા ગયો હતો. જોકે મેં કોઈ ધમકી આપી નથી.તેમણે જણાવ્યું હતું કે, કેમિસ્ટ એસોસિયેશનના કહેવાથી જ અમને કોઈ દવાઓ આપતું નથી શાયોના મેડિકલ સ્ટોર જ અમને દવાઓ સપ્લાય કરે છે. જોકે હાલ અન્ય મેડિકલ સ્ટોર દવા આપે છે પરંતુ તે રોકડા પૈસાથી આપવાનું કહેવામાં આવ્યું છે. જેથી દર મહિને રૂ.5 કરોડની દવા રોકડા પૈસા આપી લઈએ છીએ. જોકે ડુપ્લીકેટ દવાના વેચાણ સાથે અમે નથી. જેથી તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. શાયોના મેડિકલ સ્ટોરના હિરેન ભુવાએ જણાવ્યુ હતુ કે, અમે નાનામવા રોડ પર આવેલા સદભાવના મેડિકલ સ્ટોરને દવાનું વેચાણ કરીએ છીએ. જ્યાંથી મિત વેકરીયા નામના વ્યક્તિ 6 મહિના પહેલા મલ્ટી વિટામિન માટેની બાયો ડી3 મેક્સ દવા લઈ ગયા હતા. જે રૂ.429 ની 15 ગોળી આવે છે. જોકે બાદમાં તે દવાથી કોઈ ફેર પડતો નથી અને તે દવા ડુપ્લીકેટ હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસ મથકમાં કરી હતી. જે બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું હતુ. આ દવા અમે સુરતની બિલિવ ઇન્ટરનેશનલ કંપની પાસેથી લીધી હતી. જોકે પ્રથમ વખત આ કંપનીની દવામાં ફરિયાદ થઈ છે બાકી અત્યાર સુધીમાં એક પણ વખત ફરિયાદ થઈ નથી અને બીજી મહત્વની વાત એ કે દવા લીધાના છ મહિના બાદ અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવેલી છે.
27 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટીસ હોસ્પિટલના કર્મચારી દ્વારા મહિલા દર્દીની છેડતી કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. વહેલી પરોઢે જ્યારે યુવતી હોસ્પિટલમાં અર્ધબેભાન હાલતમાં હતી ત્યારે કર્મચારી તેની પાસે ગયો હતો અને અડપલા કર્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. સાબરમતી પોલીસે CCTVના આધારે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે. શું છે સમગ્ર મામલો?સાબરમતી વિસ્તારમાં રહેતી યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે છેલ્લા ઘણા સમયથી માતા-પિતા સાથે પિયરમાં રહે છે અને તેના લગ્ન અનિલ (નામ બદલાવ્યું છે) નામના યુવક સાથે થયા હતા. અનિલ સાથે મનમેળ નહી આવતા તે પોતાના માતા-પિતા પાસે રહે છે. છેલ્લા ઘણા સમયથી અનિલ સાથેની બબાલને લઈને યુવતીને લાગી આવ્યુ હતું અને તેણે ઉંઘની દવા લઈને આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ICUમાં યુવતીની શરીર પર હાથ ફેરવી છેડતી કરી હતીયુવતીની તબીયત ખરાબ થતા તેને સાબરમતી મેટીસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવતીની હાલત વધુ ખરાબ હોવાથી તેને આઈસીયુ વોર્ડમાં દાખલ કરાઈ હતી. યુવતી આઈસીયુમાં અર્ધબેભાન હાલતમાં હતી. સૂઈ રહી હતી ત્યારે કોઈ વ્યકિતએ તેના શરીર પર હાથ ફેરવીને છેડતી કરી હતી. યુવતીએ જોરથી બુમ પાડતા છેડતી કરનાર શખસ ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે આરોપી ઇન્દ્રજીત રાઠોડની ધરપકડ કરીપોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ત્યારે છેડતી કરનાર શખસનું નામ ઇન્દ્રજીત રાઠોડ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી મૂળ અસારવા ખાતે આવેલા ચમનપુરામાં રહે છે. આરોપી વિરૂદ્ધ અન્ય કોઈ ગુનો છે કે કેમ તેની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલના મેલ નર્સે તેની સાથે શારીરિક અડપલા કર્યા હતાઆ સમગ્ર મામલે પીઆઇ વાય.આર. વાઘેલાએ જણાવ્યું હતું કે, સાબરમતી મેટીસ હોસ્પિટલના કર્મચારી ઇન્દ્રજીત રાઠડ સામે એક મહિલા દર્દી દ્વારા છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી યુવતીના જણાવ્યા અનુસાર હોસ્પિટલના મેલ નર્સે તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ યુવતીને મેટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવતી અર્ધબેભાન અવસ્થામાં હતી. તે વખતે આરોપી વારંવાર તેની પાસે જઈને તેની બોડીના સેન્સેટીવ પાર્ટને ટચ કરી રહ્યો હતો.
વડોદરાના યુવા સાંસદ અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. હેમાંગ જોષીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ગૌ પ્રેમી એવા હેમાંગ જોષીએ પોતાના જન્મદિન નિમિત્તે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ગૌ સેવા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સેવાકાર્યમાં તેમના પરિવારજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા. ગૌ માતા માટે 75 કિલોની શીરા કેક આ અવસરે ગૌ માતા અને નંદીજી મહારાજ માટે ખાસ 75 કિલો શીરાની ડ્રાયફ્રુટ કેક તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત, પૌષ્ટિક આહાર તરીકે વિવિધ પ્રકારના શાકભાજી, ફળો, ઔષધિય લાડુ અને હુંફાળી રોટલીઓને આકર્ષક રંગોળી સ્વરૂપે સજાવીને અર્પણ કરવામાં આવ્યા હતા. 33 કોટી દેવી-દેવતાઓનો જેમાં વાસ છે તેવી ગૌ માતાની પૂજા કરીને તેમણે રાષ્ટ્રની સેવાનું વ્રત પુનરોચ્ચાર્યું હતું. શ્રવણ સેવા ફાઉન્ડેશને તેમના આ વિઝનરી નેતૃત્વ અને સેવાભાવની સરાહના કરતા ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરી છે.
અમદાવાદમાંથી બાળ તસ્કરીનો પર્દાફાશ થયા બાદ હવે સુરતમાં પણ 10 દિવસની બાળકીની તસ્કરીનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સંભાજીનગરથી માત્ર 10 દિવસની બાળકીને સુરત લાવી વેચવાનો પ્રયાસ કરી રહેલી 2 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. બેથી અઢી લાખ રૂપિયામાં માસૂમ બાળકીનો સોદો કરવાનો પ્લાન હતો. મહિલાઓ દ્વારા અલગ અલગ વ્યકિતઓને મોબાઈલ પર બાળકીના ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા હતા. બંને મહિલાઓ મહારાષ્ટ્રથી કોની પાસેથી બાળકી લાવ્યા તેની તપાસ હાલ ચાલી રહી છે. આ પહેલા પણ આ રીતે કોઈ બાળકનો સોદો કરાયો છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બાતમીના આધારે ફ્લેટમાં દરોડો પાડતા માસૂમ બાળકી મળી આવીક્રાઈમ બ્રાંચના ઇન્સ્પેક્ટર જાડેજા, પીએસઆઈ પઢિયાર અને તેમની ટીમને એક ચોક્કસ હકીકત મળી હતી કે, સુરતના વેડરોડ વિસ્તારમાં 2 મહિલાઓ એક નવજાત બાળકીને ક્યાંકથી લાવી છે અને તેને સુરત શહેરમાં કોઈ ગ્રાહકને વેચવા માટે પ્રયત્નો કરી રહી છે. આ ગંભીર ગુનાની જાણ થતા જ પોલીસે 30/01/2026 ના રોજ વેડરોડ સ્થિત વિશ્રામનગર સોસાયટીના રાંદલ પાર્ક એપાર્ટમેન્ટમાં પ્લોટ નંબર 196, 197 માં આવેલ ફ્લેટ નંબર G/2 માં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી પોલીસને 10 દિવસની નાનકડી બાળકી મળી આવી હતી, જેની સાથે 2 મહિલાઓ હાજર હતી. બંને મહિલાઓ લાંબા સમયથી એકબીજાના સંપર્કમાંપોલીસે આ કેસમાં જે બે મહિલાઓની અટકાયત કરી છે જેમાં અંજલીબેન નિર્મલભાઈ મિશ્રા (ઉ.વ. 39): જે મૂળ રાયબરેલી, ઉત્તર પ્રદેશની વતની છે અને હાલ સુરતના ચોકબજાર વિસ્તારમાં રહે છે. અંજલી પરચૂરણ મજૂરી કામ કરે છે અને તેને 22 તથા 16 વર્ષના 2 પુત્રો છે અને લક્ષ્મીબેન બાલાજી સોનવણે (ઉ.વ. 44): જે મૂળ મહારાષ્ટ્રના સંભાજીનગર (શીલ્લોડ) ની વતની છે અને હાલ જહાંગીરપુરાના સુમન વંદન આવાસમાં રહે છે. લક્ષ્મી સાડી કટિંગનું કામ કરે છે અને તેને 24 વર્ષનો પુત્ર અને એક પુત્રી છે. આ બંને મહિલાઓ અગાઉ પાડોશમાં રહેતી હોવાથી મિત્રતા ધરાવતી હતી અને લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં રહીને ઓનલાઇન ટ્રેડિંગના વ્યવસાય સાથે પણ સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રના સંભાજીનગરથી બાળકીને લાવ્યાનું ખૂલ્યુંતપાસમાં બહાર આવ્યું છે કે આ બંને મહિલાઓ સાથે મળીને મહારાષ્ટ્રના ઔરંગાબાદ (સંભાજીનગર) ગઈ હતી અને ત્યાંથી લક્ષ્મીના સંપર્ક દ્વારા આ બાળકીને લાવી હતી. આ મહિલાઓ આ નવજાત બાળકીને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે સુરતના અલગ-અલગ 2 થી 3 લોકોનો સંપર્ક કરી રહી હતી. તેમના મોબાઈલ ફોન ચેક કરતા જાણવા મળ્યું કે તેઓએ બાળકીના ફોટા પાડીને સંભવિત ગ્રાહકોને મોકલ્યા હતા. શરૂઆતમાં અંજલીએ બાળકી પોતાની હોવાનું કહી પોલીસને છેતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હોસ્પિટલના કોઈ કાગળો ન હોવાથી તેનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે પૂછપરછ કરી તો અંજલિએ પોતાની બાળકી ગણાવીડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેમણે આ બાળકી પોતાનું હોવાનું કીધું, પણ તેમના પોતાના 22 વર્ષ અને 16 વર્ષના બાળક હતા એટલે એ ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શક્યા. વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા તેમણે એક લક્ષ્મીબેન સોનવણેનું પણ નામ આપવામાં આવ્યું. જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને અહીં જહાંગીરપુરા રહે છે.આ બંનેને બાળકી સાથે અહીં લાવી અને આ લોકોની પૂછપરછ કરતા તેમણે આ બાળકી મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવી છે અને આ બાળકીને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એમને પકડી પાડવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બાળકી પહેલા પણ ભૂતકાળમાં આ લોકો લાવ્યા હતા, બાળકી વેચવાનું કંઈ કરે છે, ક્યાં ક્યાં પ્રયત્ન કર્યા વગેરે બાબતની તપાસ ચાલી રહી છે આ લોકોની.અંજલી મિશ્રા લેબર જેવું પરચૂરણ કામ કરે છે, એમના હસબન્ડ પણ અહીં ટેક્સટાઈલ અને હીરામાં કામ કરતા હતા, એમના બાળક પણ હીરામાં કામ કરે છે. 22 વર્ષનો મોટો બાળક છે અને 16 વર્ષનો બીજો બાળક છે એટલે બે છોકરાઓ છે, ઓનલાઇન ટ્રેડિંગનું પણ કામ કરે છે. સાથે જે લક્ષ્મી છે એના હસબન્ડની ડેથ થઈ ગઈ છે, એમનો 24 વર્ષનો એક બાળક છે અને એક દીકરી છે. એ પણ ઓનલાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. આ બંને પહેલા આજુબાજુમાં રહેતા હશે એટલે મિત્રતા થયેલી અને ઘણા ટાઈમથી બંને એકસાથે પરિચિતમાં છે. બાળક લાવવાનું કામ લક્ષ્મીના કોન્ટેક્ટથી અંજલી લાવી છે, બંને સાથે લેવા ગયા હતા ઔરંગાબાદ અને ત્યાંથી લાવ્યા છે. બાળકીને ક્યાંથી લાવવામાં આવી?, પોલીસ તપાસ શરૂડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે,તેઓ ઔરંગાબાદથી ક્યાંથી લાવ્યા એ વેરિફાઈ કરી રહ્યા છીએ. હાલમાં એ પૈસાની ના પાડે છે કે પૈસા આપીને નથી લાવ્યા. જ્યાંથી લાવ્યા છે એની ડિટેલ અમને થોડી મળી છે, અમે વેરિફાઈ કરાવી રહ્યા છીએ, ત્યાંનું ઇન્વેસ્ટિગેશન આગળનું ચાલુ છે એટલે હમણાં એ જાહેર નથી કરતા. એમણે વેચવા માટે અલગ અલગ 2 થી 3 લોકોનો સંપર્ક કર્યો છે, મોબાઈલમાં પણ એમણે બાળકના ફોટા મોકલેલા છે તો એ પણ વેરિફાઈ કરી રહ્યા છીએ કે કોને લેવા માટે અને એ માણસોએ પોલીસને કોઈને ઇન્ફોર્મ કેમ ન કર્યું એ બાબતમાં પણ તપાસ કરી રહ્યા છીએ. મહિલા કોન્સ્ટેબલે માતાની જેમ બાળકીને સાચવીમાત્ર 10 દિવસની બાળકીને કોઈ પુરાવા વગર મહારાષ્ટ્રથી સુરત લાવી દેવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાંચે તાત્કાલિક બાળકીની તબીબી તપાસ કરાવી હતી. ગત સાંજથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આ માસૂમની માતાની જેમ સંભાળ અને સારવાર રાખવામાં આવી રહી છે. હાલમાં બાળકીને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC)ને સોંપવાની અને હોસ્પિટલમાં તેના મેડિકલ ચેકઅપની તજવીજ ચાલુ છે. ભૂતકાળમાં અન્ય કોઈ બાળક લાવ્યા કે નહીં?, પોલીસ તપાસ શરૂસુરત પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મહિલાઓએ ભૂતકાળમાં પણ આ પ્રકારે કોઈ બાળકોની તસ્કરી કરી છે કે કેમ. મહારાષ્ટ્રમાં તેઓ આ બાળકી કોની પાસેથી લાવ્યા અને ત્યાં કોઈ સંગઠિત ગેંગ કાર્યરત છે કે કેમ, તે વેરિફાઈ કરવામાં આવી રહ્યું છે. જે ગ્રાહકોએ મોબાઈલમાં બાળકીના ફોટા મેળવ્યા છતાં પોલીસને જાણ નહોતી કરી, તેમની સામે પણ તપાસ હાથ ધરાશે.
પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પૂર્ણતાના આરે પહોંચાડવામાં આવ્યો છે. 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ 7.59 કરોડના ખર્ચે પડધરી સ્ટેશનનો વ્યાપક પુનઃવિકાસ કરવામાં આવ્યો છે. હવે આ સ્ટેશન માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ નથી, પરંતુ તેની નવી ભવ્ય સ્થાપત્ય કલા સૌરાષ્ટ્રની રેલ કનેક્ટિવિટીને એક નવી ઓળખ આપી રહી છે. નવી ઇમારત અને આધુનિક કોન્કોર્સ સ્ટેશન પર મુસાફરો માટે 3600 ચોરસ ફૂટમાં ફેલાયેલી ભવ્ય અને આધુનિક સ્થાપત્ય શૈલીની નવી ઇમારત બનાવવામાં આવી છે. આ સાથે જ 1060 ચોરસ ફૂટનો વિશાળ કોન્કોર્સ વિસ્તાર તૈયાર કરાયો છે, જેથી ભીડના સમયે પણ મુસાફરો સરળતાથી અવરજવર કરી શકે. પ્રતીક્ષા માટે 218 ચોરસ ફૂટનો ડીલક્સ વેટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં ઉત્તમ વેન્ટિલેશન અને બેસવાની શ્રેષ્ઠ વ્યવસ્થા છે. પ્લેટફોર્મ કનેક્ટિવિટી અને સુરક્ષા મુસાફરોની સુરક્ષા માટે પ્લેટફોર્મ 1 અને 2 ને જોડતો 12 ફૂટ પહોળો નવો ફૂટ ઓવર બ્રિજ (FOB) કાર્યરત કરવામાં આવ્યો છે. મુસાફરોને તડકા અને વરસાદથી બચાવવા માટે પ્લેટફોર્મ પર 5370 ચોરસ ફૂટનો વિશાળ કવર શેડ નાખવામાં આવ્યો છે. રાત્રિના સમયે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર પરિસરમાં હાઈ-માસ્ટ લાઈટિંગ અને નવા ઇલેક્ટ્રિક પોલ સ્થાપિત કરવામાં આવ્યા છે. દિવ્યાંગજન અને વડીલો માટે વિશેષ સુવિધા આ સ્ટેશનને સંપૂર્ણપણે 'યુનિવર્સલ ડિઝાઇન' હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. દિવ્યાંગો અને વડીલો માટે ટેક્ટાઈલ ટાઈલ્સ, વિશેષ સાઈન બોર્ડ, હેન્ડરેલ્સ અને સમર્પિત પાર્કિંગ સ્લોટની સુવિધા ઊભી કરવામાં આવી છે. વાહનોના પાર્કિંગ માટે 1550 ચોરસ ફૂટનો અલગ વિસ્તાર અને મુસાફરોની સુવિધા માટે 1140 ચોરસ ફૂટનું આધુનિક શૌચાલય સંકુલ પણ બનાવવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, પડધરી સ્ટેશનનો આ પુનઃવિકાસ મુસાફરો માટે ગૌરવપૂર્ણ મુસાફરીના નવા માપદંડ સ્થાપિત કરશે. બહેતર પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છ પરિસર અને સુવ્યવસ્થિત એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સથી મુસાફરીનો અનુભવ વધુ સુખદ બનશે.
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા રેલ્વે સ્ટેશન પરથી જપ્ત કરાયેલા હેરોઈન ડ્રગ્સ કેસમાં મોટો વળાંક આવ્યો છે. તપાસ દરમિયાન વડોદરા શહેરની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક પોલીસ કર્ણચારીની સીધી સંડોવણી સામે આવી છે, જેના પગલે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ NDPS એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. 48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યોગત 9 જાન્યુઆરીના રોજ SMC પોલીસ સ્ટેશનમાં વડોદરા રેલ્વે સ્ટેશન પરથી 239 ગ્રામ 940 મિલિગ્રામ હેરોઈન અને અન્ય વસ્તુઓ સાથે કુલ 48,07,090નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં મુખ્ય આરોપી અમરીકસિંહ ઉર્ફે સોનુ સરવણસિંહ દિલીપસિંહ મલ્હી (ઉંમર 37, રહેવાસી: એ-3, ગુરુનાનકનગર, છાણી જકાતનાકા, વડોદરા)ને પકડવામાં આવ્યો હતો, જ્યારે હેરોઈન સપ્લાય કરનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે. આરોપી અધિકારી પાસેથી તપાસ માટે ત્રણ મોબાઈલ જપ્ત કરાયાતપાસ દરમિયાન SMCની ટીમને જાણવા મળ્યું કે, SOG બ્રાન્ચના અનઆર્મ્ડ એસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ (ઉંમર 57, રહેવાસી: સનમિલન સોસાયટી, શુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા)ની આરોપી અમરીકસિંહ સાથે સીધી ગુનાહિત કડી છે. પુરાવા આધારે આજે તેમની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અધિકારી પાસેથી તપાસ માટે ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.એ. તુવર દ્વારા LLM ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આરોપી અધિકારીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. જો તપાસમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ વડોદરા શહેરની DCBમાં ફરજ બજાવતા હતાઆરોપી ASI લક્ષ્મીકાંત દેસાઈ અગાઉ વડોદરા શહેરની DCBમાં ફરજ બજાવતા હતા. તે સમયે તેઓ ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના પુરાવા મળ્યા હતા, જેના કારણે તેમને કચ્છ-ગાંધીધામમાં ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પણ કરવામાં આવી હતી.
રાજકોટ શહેરની મધ્યમાં આવેલ મહાનગરપાલિકાની કચેરી આજે અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવી હતી. સામાન્ય રીતે કચેરીમાં વહીવટી કામકાજ ચાલતું હોય છે પરંતુ, આજે સવારના સમયે અચાનક અહીં ટ્રાફિક પોલીસની ટુકડીઓ કચેરીના પ્રાંગણમાં ધસી આવતા અને વાહન ચાલકોનું હેલ્મેટ ચેકિંગ શરૂ કરતા વાતાવરણ ગરમાયું હતું. આ કામગીરીને પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક પોલીસ કમિશનરને ફોન કરીને આ ચેકીંગ ડ્રાઈવ કચેરીનાં પ્રાંગણ બહાર રાખવા વિનંતી કરી હતી. જેને પગલે તરત જ પોલીસ કમિશનરનાં આદેશથી પોલીસ કર્મચારીઓ ત્યાંથી નીકળી ગયા હતા. હેલ્મેટ વગરના વાહન ચાલકોને અટકાવી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવીપ્રાપ્ત વિગત મુજબ મનપા કચેરીમાં દરરોજ સેંકડો નાગરિકો પોતાના વિવિધ કામો માટે આવતા હોય છે. આજે સવારે જ્યારે લોકો ટેક્સ ભરવા, જન્મ-મરણના દાખલા લેવા કે અન્ય વહીવટી કામો માટે કચેરીએ પહોંચ્યા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વગરના વાહન ચાલકોને અટકાવી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. કચેરીના કમ્પાઉન્ડમાં જ પોલીસની આ કામગીરી જોઈને મુલાકાતીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. એકાદ કલાક ચાલેલી ચેકીંગ ડ્રાઈવમાં અનેક નાગરિકો તેમજ મનપાનાં કર્મચારીઓ પણ દંડાયાસ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર કચેરીએ પહોંચ્યા ત્યારે તેમણે આ દૃશ્ય જોયું અને તાત્કાલિક પોલીસ કમિશનર સાથે વાતચીત કરી હતી. જેને લઈને પોલીસ કમિશનરનો આદેશ મળતા કચેરીના પ્રાંગણમાં ચાલતી હેલ્મેટ ચેકીંગ ડ્રાઈવ તરત જ બંધ કરવામાં આવી હતી. જોકે, સવારે એકાદ કલાક ચાલેલી ચેકીંગ ડ્રાઈવમાં અનેક નાગરિકો તેમજ મનપાનાં કર્મચારીઓ પણ દંડાયા હતા. પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આ ચેકીંગ ડ્રાઈવ રોકી દેવામાં આવતા અનેક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કચેરીની અંદર લોકો માનસિક રીતે કામ માટે આવ્યા હોય સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે આ અંગે જણાવ્યું કે, પોલીસ દ્વારા હેલ્મેટની ડ્રાઈવ ચલાવવી એ કાયદાકીય બાબત છે અને સુરક્ષા માટે જરૂરી છે, પરંતુ કચેરીના પ્રાંગણમાં આવી રીતે ચેકિંગ કરવું તે યોગ્ય નથી. મનપા કચેરીમાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના કામ માટે આવતા હોય છે, તેમને આ રીતે હેરાન કરવા તે વ્યાજબી નથી. કોઈપણ સરકારી કચેરીના પરિસરમાં આવી કાર્યવાહી કરવાને બદલે જો પોલીસને ડ્રાઈવ કરવી જ હોય તો શહેરના સર્કલ કે મુખ્ય રસ્તાઓ પર કરી શકે છે. કચેરીની અંદર લોકો માનસિક રીતે કામ માટે આવ્યા હોય ત્યારે આ પ્રકારનું ચેકિંગ તેમને પરેશાનીમાં મૂકે છે. જયમીન ઠાકરે પોલીસ કમિશનરનો આભાર માન્યો આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને મેં તુરંત રાજકોટ પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો હતો અને તેમને વિનંતી કરી હતી કે, મનપા કચેરીના પ્રાંગણમાંથી આ ચેકિંગ ડ્રાઈવ હટાવી લેવામાં આવે તેમજ આ દંડની કાર્યવાહી કચેરીના ગેટની બહાર અથવા અન્ય જાહેર માર્ગો પર કરવામાં આવે. પોલીસ કમિશનરે પણ પરિસ્થિતિને સમજીને તાત્કાલિક સૂચના આપી હતી, જેના પગલે કચેરીમાં ચાલતું ચેકિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે આપેલા આ સહકાર બદલ જયમીન ઠાકરે પોલીસ કમિશનરનો આભાર માન્યો હતો.
2017-18માં ફિલ્મ 'પદ્માવત' વિરુદ્ધ થયેલા ઉગ્ર આંદોલન દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો પર નોંધાયેલા પોલીસ કેસો પરત ખેંચવાની મોટી સફળતા મળી છે. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ ચાલેલા લાંબા સમયના પ્રયાસો અને ગુજરાત સરકારના સહયોગથી મહેસાણા જિલ્લાના 11 જેટલા સેશન્સ કેસો પરત ખેંચાઈ ગયા છે. આ કેસોમાં મહેસાણા સેશન્સ કોર્ટમાં નંબર 54/2018, 36/2019, 02/2020, 06/2020, 204/2021, 156/2018, 157/2018, 96/2019, 48/2019, 49/2020 અને 136/2023 જેવા મુખ્ય કેસોનો સમાવેશ થાય છે. આ બધા કેસોમાં સરકાર તરફથી કોર્ટમાં અરજી રજૂ કરવામાં આવી હતી, જેને કોર્ટે માન્ય રાખીને કેસો પરત ખેંચવાની મંજૂરી આપી છે. અમદાવાદ ખાતેના કેટલાક કેસો હજુ પેન્ડિંગ છે અને તેની કાર્યવાહી ચાલુ છે. આંદોલન કોઈ વ્યક્તિ કે સરકાર વિરુદ્ધ નહોતું સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' (પછી 'પદ્માવત')માં ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ, સંસ્કારો અને રાજપૂત નારીના ચિત્રણને લઈને સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉગ્ર આંદોલન કર્યું હતું. આ આંદોલન કોઈ વ્યક્તિ કે સરકાર વિરુદ્ધ નહોતું પરંતુ, ફિલ્મ દ્વારા ક્ષત્રિય સમાજને બદનામ કરવાના પ્રયાસ વિરુદ્ધ હતું. આ દરમિયાન દેખાવો અને ઉશ્કેરાટમાં યુવાનો પર અનેક પોલીસ કેસ નોંધાયા હતા. ક્ષત્રિય આગેવાનોની મહેનત રંગ લાવીઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાનીમાં શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા, રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા સહિત 50થી વધુ સામાજિક સંસ્થાઓ અને 1000થી વધુ આગેવાનોએ આ મુદ્દે સતત રજૂઆતો કરી હતી. તા. 15 જુલાઈ, 2025ના રોજ સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલમાં તત્કાલીન કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી. તા. 7 ઓક્ટોબર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતિમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કેસો પરત ખેંચવાની ખાતરી આપી હતી. કાનૂની લડતમાં મહત્વનો ભાગઆ સમગ્ર કેસોમાં ક્ષત્રિય સમાજના નિઃશુલ્ક વકીલ જયદેવસિંહ ચાવડા (મહેસાણા) અને મહેન્દ્રસિંહ જાડેજા (અમદાવાદ)એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે કોર્ટમાં રજૂઆતો અને કાનૂની પ્રક્રિયા સંભાળી હતી. સમાજનો આભાર વ્યક્ત કર્યોઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને ઉર્જા તથા પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલનો જાહેર આભાર વ્યક્ત કર્યો છે. તેઓએ તમામ ક્ષત્રિય આગેવાનો, સંસ્થાઓ અને નિઃશુલ્ક વકીલોનો પણ આભાર માન્યો છે. આ સફળતા ક્ષત્રિય સમાજની એકજૂટતા અને સરકારના સહયોગનું પરિણામ ગણાવવામાં આવી રહી છે.
કર્ણાવતીના દસ્કોઈ સ્થિત નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ, પીરાણા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત 'માતૃશક્તિ દુર્ગાવાહિની'ની બે દિવસીય અખિલ ભારતીય બેઠકનો ભવ્ય પ્રારંભ થયો છે. દેશભરના વિવિધ પ્રાંતોમાંથી આવેલી 350થી વધુ બહેનો અને સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શરૂ થયો હતો. કાર્યક્રમની શરૂઆત મા દુર્ગાની સ્તુતિ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. શક્તિ વિના જગતની કલ્પના અશક્ય ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત સંતગણ સ્વામી પરપ્રજ્ઞાનંદા સરસ્વતીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, શક્તિ દ્વારા જ જગતની ઉત્પત્તિ અને પાલન થાય છે. તેમણે જાગૃત સ્ત્રીશક્તિની વિશાળ ઉપસ્થિતિ જોઈને આનંદ વ્યક્ત કર્યો અને દરેક મહિલા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમની પ્રસ્તાવના મુખ્ય વ્યવસ્થા પ્રમુખ અને કેન્દ્રીય માતૃશક્તિ સહ સંયોજિકા સરોજ સોનીએ રજૂ કરી હતી. સામાજિક મૂલ્યો અને મહિલા સશક્તિકરણ મુખ્ય વક્તા અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે 'ભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન' વિષય પર સંબોધન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ અનિવાર્ય છે. મહિલાઓએ પરિવારની જવાબદારીની સાથે રાષ્ટ્ર નિર્માણમાં પણ સક્રિય થવું જોઈએ. વર્તમાન સમયમાં આધ્યાત્મિક જાગૃતિ અને સશક્તિકરણ અત્યંત આવશ્યક છે. દુર્ગાવાહિની દ્વારા બહેનોમાં સાહસ અને સંસ્કારનું સિંચન કરવામાં આવી રહ્યું છે, જે ઉજ્જવળ ભવિષ્યનો પાયો બનશે. વિવિધ સ્તરના અધિકારીઓની ઉપસ્થિતિ આ બેઠકમાં વિનાયક રાવ દેશપાંડે, ગોવિંદ શિંદે, મીનાક્ષી તાઈ પિશ્વે, મીનાબેન ભટ્ટ, પ્રજ્ઞા મહાલા, અશ્વિન પટેલ અને હર્ષદભાઈ ગિલેટવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિંકી પવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે કલ્પનાબેન વ્યાસ, જવાનિકા બહેન ભટ્ટ, નુપુરબેન પટેલ અને હિતેશ ઠક્કર સહિતની સ્થાનિક સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી.
કચ્છના રણની મધ્યમાં આવેલું અને પક્ષીઓના સ્વર્ગ તરીકે જાણીતું ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવ્યું છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉજવાનારા ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ પૂર્વે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ મહત્વની જાહેરાત કરી છે. છારી-ઢંઢની સાથે ઉત્તરપ્રદેશના પટના પક્ષી અભયારણ્યને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ સિદ્ધિ સાથે જ ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે, જ્યારે ભારતનું રામસર નેટવર્ક 2014માં 26 સ્થળોથી વધીને હવે 98 સ્થળોએ પહોંચ્યું છે. કચ્છનું પ્રથમ અને ગુજરાતનું પાંચમું રતન ગુજરાત અગાઉથી જ નળસરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રામસર સાઇટ્સ ધરાવે છે. હવે છારી-ઢંઢ આ યાદીમાં જોડાનાર ગુજરાતનું પાંચમું અને કચ્છ જિલ્લાનું પ્રથમ વેટલેન્ડ બન્યું છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ-વિવિધતા અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વેટલેન્ડ સંવર્ધન માટે સતત કાર્યરત છે. વેટલેન્ડ સંરક્ષણમાં ગુજરાત દેશમાં મોખરે ભારતના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે, જે દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. રાજ્યમાં અંદાજે 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં વેટલેન્ડ્સ ફેલાયેલા છે, જે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 17.8 ટકા જેટલો ભાગ રોકે છે. રાજ્યમાં 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ અને 19 એવા વિસ્તારો છે જે પક્ષીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન આ નિવસનતંત્રોના સંશોધન અને દસ્તાવેજીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. છારી-ઢંઢ: પક્ષીઓ અને વન્યજીવોનું કુદરતી ઘર કચ્છી ભાષામાં ‘છારી’ એટલે ક્ષારવાળી અને ‘ઢંઢ’ એટલે છીછરું સરોવર. અંદાજે 227 ચોરસ કિલોમીટર (22,700 હેક્ટર) વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ બન્નીના ઘાસના મેદાનો અને રણની વચ્ચે આવેલું છે. વર્ષ 2008માં તેને ગુજરાતનું પ્રથમ ‘કન્ઝર્વેશન રિઝર્વ’ જાહેર કરાયું હતું. અહીં પક્ષીઓની 250થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપથી 25,000થી 40,000 જેટલા કોમન ક્રેન (કુંજ), મળતાવડી ટીટોડી અને ચોટીલી પેણ અહીં મુકામ કરે છે. આ ઉપરાંત લુપ્તપ્રાય ડાલમેશિયન પેલિકન, ફ્લેમિંગો (હંજ), સારસ અને શિકારી પક્ષીઓ માટે પણ આ આદર્શ આશ્રયસ્થાન છે. માત્ર પક્ષીઓ જ નહીં, પણ ચિંકારા, ડેઝર્ટ ફોક્સ, હેણોતરો અને વરુ જેવા વન્યજીવો પણ અહીં વસે છે. વૈશ્વિક ઓળખથી સ્થાનિક વિકાસના દ્વાર ખુલશે રામસર સાઇટનો દરજ્જો મળવાથી છારી-ઢંઢને હવે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ ભંડોળ અને ટેકનિકલ સહાય મળશે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું કે, આનાથી કચ્છમાં ઈકો-ટુરિઝમને મોટું પ્રોત્સાહન મળશે, જેના કારણે સ્થાનિક સમુદાય માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આ સિદ્ધિ મેળવવામાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન જયપાલ સિંઘ અને તેમની ટીમનું યોગદાન નિર્ણાયક રહ્યું છે.
સુરતના સચિન વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો હતો. ત્યારે આ ઘટનાના તાર હવે મહેસાણા સાથે જોડાયા છે. સુરતમાં જે 'જયંતી સુપર' કંપની દ્વારા નિર્મિત ટાંકી તૂટી પડી હતી, તે જ કંપની હાલ મહેસાણામાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી હોવાની વિગતો બહાર આવતા શહેરીજનોમાં ફાળ પડી છે. અમૃત 2.0 યોજના હેઠળ ₹120 કરોડનો પ્રોજેક્ટ મહેસાણા શહેરમાં 'અમૃત 2.0' યોજના અંતર્ગત અંદાજે રૂ 120 કરોડના ખર્ચે પાણી પુરવઠાના કામો ચાલી રહ્યા છે. આ કામગીરીનો કોન્ટ્રાક્ટ વિવાદિત 'જયંતી સુપર' કંપનીને સોંપવામાં આવ્યો છે. હાલમાં શહેરના નીચેના વિસ્તારોમાં ટાંકીઓનું નિર્માણ થઈ રહ્યું છે. સુરત જેવી હોનારત મહેસાણામાં ન સર્જાય તેની તાપસ કરવા માગઆ મામલે પૂર્વ કોર્પોરેટર જનક બ્રહ્મભટ્ટે તંત્ર અને કંપની પર આક્ષેપ કરતા જણાવ્યું કે, મહેસાણામાં જે નવી ટાંકીઓ બની રહી છે, તેમાં અત્યારથી જ તિરાડો અને ભેજ-ભીનાશ દેખાવા લાગ્યા છે. સુરત જેવી હોનારત મહેસાણામાં ન સર્જાય તે માટે આ કામગીરીની તાત્કાલિક તપાસ થવી જોઈએ. ટાંકીની કામગીરી ચાર મહિનાથી બંધમળતી માહિતી મુજબ, ચવેલી નગરમાં બની રહેલી પાણીની ટાંકીમાં ગુણવત્તાના ગંભીર પ્રશ્નો ઉભા થતા છેલ્લા ચાર મહિનાથી કામગીરી બંધ કરી દેવામાં આવી છે. હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ થતો હોવાની શંકાને પગલે સ્થાનિક સ્તરે પણ વિરોધ જોવા મળી રહ્યો છે. વિવાદિત કંપનીને કોન્ટ્રાક્ટ આપવા પાછળ કોના આશીર્વાદ?સુરતની ઘટના બાદ મહેસાણા પાલિકા અને વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. જોકે વિવાદિત કંપનીને આટલો મોટો કોન્ટ્રાક્ટ આપવા પાછળ કોના આશીર્વાદ છે તે તપાસનો વિષય છે. શું તંત્ર આ ટાંકીઓનું સેફ્ટી ઓડિટ કરાવશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશ? આ બાબતે જીયુડીસીના હર્ષ રાવલે જણાવ્યું કે, આ લિંકેજ નથી પણ ક્ષાર જમ્યા એના ધબ્બા દેખાય છે, એમ કહીને વાત પૂર્ણ કરી હતી. શહેરના અનેક પ્રોજેક્ટ 'જયંતી સુપર' કંપની પાસેઅંબાજીમાતા, રામોસણા, ઋતુરાજ સોમનાથ, કસબા અને ચવેલી નગર વિસ્તારમાં 4થી માંડીને 6 લાખ લીટરની ઓવરહેડ પાણીની ટાંકીઓ અને નાગલપુર ખાતે 50 એમએલડીનો એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ આજ વિસ્તારમાં ટાંકીની બાજુમાં સંપ પણ બનાવવાના છે. સાથે શિવમ સોસાયટી અમરપુરા વિસ્તાર, ગાંધીનગર લિંક રોડ, જનતાનગર શોભાસણ અને વાઈડ એંગલ આ વિસ્તારમાં પાંચ ગટરના પંપિંગ સ્ટેશન પણ આ જ કંપની બનાવવાની છે. 'જયંતી સુપર' કંપનીને 120 કરોડના આ કામ સોંપાયા
વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઇવે 48 જાણે મોતનો હાઇવે બની ગયો હોય એમ એક બાદ એક ગમખ્વાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. ગઈકાલે કરજણ-ધાવટબ્રિજ બાદ આજે(31 જાન્યુઆરી) ફરી બામણગામ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત થયું છે અને 20થી વધુ લોકોને નાનીમોટી ઇજાઓ પહોંચી છે, જ્યારે બેથી વધુ લોકો ગંભીર હોવાનું સામે આવ્યું છે. સતત બીજા દિવસે અકસ્માતના કારણે બે દિવસમાં ત્રણનો ભોગ લેવાયો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત એક વરરાજાએ જણાવ્યું કે ડ્રાઇવર ફોન પર વાત કરતો હતો અને કોણીથી બસ ચલાવતો હતો. બાદમાં બધા સૂઈ ગયા અને અચાનક આગળ ચાલતા ટ્રકમાં બસ ઘૂસી ગઈ હતી. અમરેલીથી સુરત જતી લકઝરીનો અકસ્માતલકઝરી અમરેલીથી સુરત તરફ જઈ રહી હતી એે દરમિયાન ડ્રાઇવરની બેદરકારીના કારણે બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. એમાં ડ્રાઈવર ફસાયો હતો, જેથી કરજણ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ વિવિધ સાધનોની મદદથી રેસ્ક્યૂ કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો. લકઝરીનો આગળનો ભાગ કાપી મૃતદેહ બહાર કાઢ્યોલકઝરીનો આગળનો ભાગ ડેમેજ હોવાથી રેમજેક મશીન અને વિવિધ સાધનોની મદદથી આગળનો ભાગ કાપી મૃતદેહ બહાર કાઢ્યો હતો. અકસ્માતને કારણે ટ્રાફિકજામઆ અકસ્માતને લઈ કરજણ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતને કારણે હાઇવે પર રેસ્ક્યૂ અને બચાવ કામગીરીને કારણે ટ્રાફિકને રોકવામાં આવ્યો હતો. ડ્રાઇવર ફોન પર વાત કરતા કરતાં ડ્રાઇવિંગ કરતો હતો: ઈજાગ્રસ્ત પ્રિન્સ સોમણિયાઆ અંગે ઈજાગ્રસ્ત પ્રિન્સ સોમણિયાએ જણાવ્યું હતું કે, અમે અમરેલીથી લગ્ન પતાવીને આવતા હતા. આ બસનો ડ્રાઈવર રફ ડ્રાઇવિંગ કરતો હતો. આ અંગે અમે ડ્રાઇવરને જણાવ્યુ કે શાંતિથી ડ્રાઇવિંગ કરો પરંતુ તે રફ ચલાવતો હતો. આ બાબતે અમે આ બસના સંચાલકને પણ જાણ કરી હતી. બાદમાં બધા સૂઈ ગયા હતા અને અચાનક આગળ ચાલતા ટ્રકમાં બસ ઘૂસી ગઈ હતી. 30 જાન્યુઆરી, 2026એ કરજણ-ધાવટ ચોકડી પાસેના બ્રિજ પર ઊભેલી ટ્રકને લકઝરીએ ટક્કર મારી 30 જાન્યુઆરી, 2026ની વહેલી સવારે વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર ઔરંગાબાદથી અમદાવાદ તરફ આવતી જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ કરજણ ધાવટ ચોકડી પાસેના બ્રિજ પર સાઇડમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બાદમાં ફાયરને જાણ કરતાં તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. આ અકસ્માતમાં બે લોકોનાં મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ લોકો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેસેલા જોવા મળ્યા હતા તથા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર હતી કે ફાયરના જવાનોએ બસમાં જઈ સ્ટ્રેચરની લપસણી બનાવી મૃતદેહ બહાર કાઢ્યા હતા. 29 જાન્યુઆરી, 2026એ વડોદરાના NH-48 પર ટ્રેલર દુકાનમાં ઘૂસ્યુંનંદેસરી પોલીસ મથક હદમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખેડા તરફથી તામિલનાડુ જઈ રહેલું લોખંડની એંગલ્સ ભરેલું ટ્રેલર સાંકરદાબ્રિજ પાસે રોંગ સાઈડમાં આવતું હતું. ચાલકે સ્ટીયરિંગ પરથી એકાએક કાબૂ ગુમાવતાં ટ્રેલર દુર્ગા એસ્ટેટના ગેટ પાસે આવેલી ડ્રાય ફ્રૂટ્સની દુકાન પાસે ધડાકાભેર ટકરાઈ ગયું હતું. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ ટક્કર એટલી ભયાનક હતી કે દુકાનની બાજુના રૂમની દીવાલ તૂટી પડી હતી. રૂમમાં આરામ કરી રહેલા અમિતકુમાર રામ નામની એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રેલરચાલકને પણ ઈજાઓ થતાં તેમને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રૂમમાં સૂતા અન્ય છ લોકો બહાર નીકળી જવાથી આબાદ બચી ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 28 જાન્યુઆરી, 2026એ NH-48 પર સુંદરપુરા ગામ પાસે એક કારે બાઇકને પાછળથી ટક્કર મારી 28 જાન્યુઆરી, 2026એ વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઈવે-48 પર આવેલા સુંદરપુરા ગામ પાસે એક કાર બાઇકને પાછળથી ધડાકાભેર અથડાય છે અને ત્યાર બાદ બાઈક સાથે રોડની બાજુમાં ઊતરી પલટી મારી જાય છે. આ ઘટનામાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
આણંદ મનપાએ આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી કરી:મુખ્ય માર્ગો પરથી 30 વાહનો લોક કરાયા, દંડ વસૂલાશે
આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના બાદ મુખ્ય સ્ટેશન રોડ પર આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિક સમસ્યા ઊભી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર મનપા વિસ્તારમાં નો-પાર્કિંગ ઝોનમાં વાહનો મૂકનારાઓના વાહનો લોક કરીને દંડ વસૂલવામાં આવશે. કમિશનરની સૂચનાને પગલે, મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમે આજે સ્ટેશન રોડ વિસ્તારમાં કાર્યવાહી કરી. નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોને લોક કરવામાં આવ્યા હતા. દરેક વાહન માલિક પાસેથી ₹200નો દંડ વસૂલવામાં આવશે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે નગરજનોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનો નો-પાર્કિંગ ઝોનમાં ન મૂકે. ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય અને અન્ય લોકોને અગવડ ન પડે તે રીતે આડેધડ પાર્કિંગ કરવાનું ટાળવા પણ જણાવાયું છે. મહાનગરપાલિકા દ્વારા હવે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ નિયમિત ચેકિંગ કરવામાં આવશે. નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનોને લોક કરીને તેમના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. કમિશનરના માર્ગદર્શન હેઠળ, મનપા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા દૂર થાય અને મુખ્ય રસ્તાઓ પરથી અવરજવર કરતા નગરજનોને આડેધડ પાર્કિંગને કારણે થતી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે. નગરજનોને તેમના વાહનો નિયમ અનુસાર વ્યવસ્થિત રીતે માત્ર પાર્કિંગ ઝોનમાં જ મૂકવા વિનંતી કરવામાં આવી છે.

25 C