પોરબંદર SOGએ ગેરકાયદેસર બંદૂક સાથે એક ઝડપ્યો:રાતીયાનેસ સીમમાંથી આરોપીની ધરપકડ, વધુ તપાસ ચાલુ
પોરબંદર SOG ટીમે ગેરકાયદેસર બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. રાતીયાનેસ ગામની ખારી સીમમાંથી મળેલી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, સ્મશાન તરફ જતા રસ્તા પાસે એક શંકાસ્પદ વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શંકાસ્પદ વ્યક્તિને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, આરોપી પાસેથી પાસ-પરમિટ વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી. પોલીસે આ બંદૂક કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 1,000 આંકવામાં આવી છે. પકડાયેલ આરોપીની ઓળખ ફિરોઝ ઉર્ફે ગફાર કાળુભાઈ મોરી ડફેર (ઉ.વ. 38), રહે. જામટીબડી, તા. ઉપલેટા, જી. રાજકોટ અને હાલ રાતીયાસીમ, તા. જી. પોરબંદર તરીકે થઈ છે. માધવપુર પોલીસે આરોપી વિરુદ્ધ હથિયાર ધારા કલમ 25(1-બી)એ અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી હાઇવે પર ચાલતી કારમાં આગ:ટીંબડી પાટિયા પાસે સ્વીફ્ટ કાર બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં
મોરબી-માળિયા હાઇવે પર ટીંબડી ગામના પાટિયા નજીક વહેલી સવારે એક સ્વીફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કારમાં સવાર વ્યક્તિ સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના વહેલી સવારે લગભગ ચાર વાગ્યે બની હતી. GJ 36 AJ 2116 નંબરની સ્વીફ્ટ કાર મોરબી-માળિયા હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેમાં આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયર ટીમ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. કારમાં આગ લાગતાની સાથે જ ચાલક નીચે ઉતરી ગયો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
ફેસબુક પર કાર વેચાણના બહાને છેતરપિંડી:ભાવનગરનો આરોપી ઝડપાયો, ફરિયાદીના 81,854 પરત મળ્યા
તાપી જિલ્લા પોલીસે ઓનલાઈન છેતરપિંડી આચરતી ટોળકીઓ સામે કાર્યવાહી કરી છે. ઉચ્છલ પોલીસે ફેસબુક પર સસ્તી કાર વેચવાની લાલચ આપી રૂ. 81,854ની ઠગાઈ કરનાર ભાવનગરના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ફરિયાદીના પૂરેપૂરા નાણાં પરત મેળવવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, આરોપી ધર્મેશ સુરેશભાઈ ચુડાસમા (રહે. વાસીતળાવ, મહુવા, જિ. ભાવનગર) એ પોતાના ફેસબુક આઈડી 'dharmesh chudasama' પર અર્ટિગા કાર વેચાણ અંગેની જાહેરાત મૂકી હતી. ઉચ્છલના એક ફરિયાદીએ આ જાહેરાત જોઈને તેનો સંપર્ક કર્યો હતો. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ગાડીના અવેજ પેટે અલગ-અલગ તબક્કે કુલ રૂ. 81,854/- ભરાવડાવ્યા હતા. નાણાં મેળવ્યા બાદ આરોપીએ ન તો ગાડી આપી કે ન તો રૂપિયા પરત કર્યા, અને છેતરપિંડી આચરી હતી. આ અંગે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 318(4), 3(5) તથા આઈ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સચોટ તપાસના આધારે આરોપી ધર્મેશ ચુડાસમાને ઝડપી પાડ્યો. પોલીસની કડક કાર્યવાહીના પરિણામે ફરિયાદીના છેતરપિંડીમાં ગયેલા તમામ રૂ. 81,854/- કબ્જે કરી પરત મેળવવામાં આવ્યા છે. તાપી પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર આવતી અજાણી જાહેરાતોથી સાવધ રહેવા અને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા તેની ખરાઈ કરવા અપીલ કરી છે.
તાપી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અજય વિનોદભાઈ ગામીતને ઝડપી પાડ્યો છે. વ્યારા અને ઉકાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં તે લાંબા સમયથી ફરાર હતો. પોલીસે તેને વ્યારાના નવા બસ સ્ટેન્ડ પાસેથી બાતમીના આધારે પકડ્યો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડના PSI એન.એસ. વસાવા અને LCB તાપીની ટીમ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ASI આનંદભાઈ, ASI જયેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ભુરીવેલ ગામના (નાનુ ફળીયુ, તા. ઉકાઈ) 29 વર્ષીય અજય વિનોદભાઈ ગામીતને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપી અજય ગામીત નીચે મુજબના પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતો: 1. વ્યારા પોલીસ સ્ટેશન પાર્ટ C: પ્રોહિબિશન એક્ટ કલમ 65E, 81, 98(2) મુજબનો ગુનો. 2. ઉકાઈ પોલીસ સ્ટેશન પાર્ટ C: પ્રોહિબિશન એક્ટ કલમ 65AE, 81, 83, 116(2) મુજબનો ગુનો. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીને વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી LCB PI ડી.એસ. ગોહિલ, PI એન.જી. પાંચાણી અને પેરોલ ફર્લો સ્ક્વોડના PI જે.બી. આહિરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમાં PSI એન.એસ. વસાવા સહિત ASI જગદીશભાઈ, આનંદભાઈ, જયેશભાઈ, હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ, રવિન્દ્રભાઈ અને રાહુલભાઈ જોડાયા હતા.
ગીર સોમનાથ જિલ્લાના આજોઠા ગામની શ્રી આજોઠા કન્યા પે સેન્ટર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. વેરાવળના BRC કોર્ડિનેટર જયેશભાઈ સોલંકીના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ધોરણ 6 થી 8 ના કુલ 105 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાન વિષયની 200 થી વધુ સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી હતી. આ કૃતિઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ, નવીનતા અને પ્રયોગાત્મક અભિગમ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રદર્શનના અંતે, શ્રેષ્ઠ કૃતિઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુરસ્કૃત કરાયા હતા. વિજ્ઞાન વિષયમાં પ્રિયાંશી શૈલેષભાઈ સોલંકી અને અનન્યા મનીષભાઈ ચાંડેગરાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મૃદુલા મેણસીભાઈ સોલંકી દ્વિતીય અને હેત્વી રામભાઈ પંપાણિયા તૃતિય સ્થાને રહ્યા હતા. ગણિત વિષયમાં કાવ્યા જયેશભાઈ સોલંકી પ્રથમ, મહેક વિપુલભાઈ મેસવાણિયા દ્વિતીય અને શ્રદ્ધા મનસુખભાઈ ભજગોતર તૃતિય સ્થાને વિજેતા બન્યા હતા. સમગ્ર શાળા પરિવારે SMC સભ્યો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામ નજીક 11 KVનો વીજ વાયર તૂટી પડતા બે યુવાનોના મોત થયા છે. વહેલી સવારે બાઇક લઇને વાડીએ જતા પિતા-પુત્ર અને એક અન્ય યુવક પર પર વીજ વાયર પડતાં પિતાની નજર સામે જ પુત્ર અને અન્ય યુવકનું મોત થયું છે. બાઇક પર 11 KVનો વીજ વાયર પડ્યોમળતી માહિતી મુજબ, ઘાટવડ ગામના દાનસિંગભાઈ ઝાલા પોતાના પુત્ર લાલાભાઈ દાનસિંગ ઝાલા અને રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમા સાથે બાઈક પર વાડી તરફ જઈ રહ્યા હતા. જામવાળા રોડ પર સવારે આશરે 9:30 વાગ્યે અચાનક 11 KVનો વીજ વાયર તૂટી પડ્યો અને સીધો બાઈક પર જ આવી પડ્યો હતો. વીજ પ્રવાહ લાગતા બંને યુવાનો ગંભીર રીતે દાઝી ગયા જ્યારે દાનસિંગભાઈ ઝાલા પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. ગંભીરરીતે દાઝેલા યુવકોનો જીવ ન બચ્યોસ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કોડીનારની રાનાવાલા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે લાલાભાઈ દાનસિંગ ઝાલા અને રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમાને મૃત જાહેર કર્યા હતા. PGVCLના અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યાઘટનાની જાણ થતાં પોલીસ અને PGVCLના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ગામલોકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને મૃતકોના પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠી રહી છે. PGVCL સામે સ્થાનિકોમાં ભારે રોષઆ દુર્ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે PGVCL દ્વારા વીજ લાઈનોની જાળવણીમાં બેદરકારી રાખવામાં આવે છે. લાંબા સમયથી ઢીલા પડેલા કે જોખમી વાયર અંગે રજૂઆતો છતાં યોગ્ય પગલાં ન લેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 'ઝુલતા વાયરોને હાથ અડાડો તો પણ અડી જાય'આ અંગે મુસ્લિમ અગ્રણી અબ્દુલ ચૌહાણે જણાવ્યું કે, કોઇ બાબતે સેફ્ટી જ નથી, ઘણીવાર વાયરમાં ધકાડા થતા હોય છે. આ ઘટનામાં બે લોકોના મોત થઇ ગયા છે અને એક ભાઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમારા વિસ્તારમાં સિંહ-દીપડા પણ માણસને ખાઇ જાય છે, અધિકારીઓ ઘડી-બે ઘડી આવીને આશ્વાસન આપીને જતા રહે છે. અમારા વિસ્તારમાં એટલા ઝુલતા વાયર છે કે હાથ અડાડો તો પણ અડી જાય.
મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી વેરો ન ભરનારા મિલકતદારો માટે રાહતના સમાચાર આવ્યા છે. પાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને નાગરિકોને આર્થિક બોજમાંથી મુક્તિ આપવા માટે ખાસ વ્યાજ-પેનલ્ટી માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના આગામી 25 દિવસ સુધી એટલે કે 31 માર્ચ સુધી ચાલુ રહેશે. અંદાજે રૂ. 32.35 કરોડનો માતબર વેરો બાકી મહેસાણા શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ મળીને કુલ 16,715 મિલકતદારોનો અંદાજે રૂ. 32.35 કરોડ જેટલો માતબર વેરો બાકી છે. જેમાં 11,872 રહેણાંક મિલકતદારોના રૂ. 15.62 કરોડ અને 4,843 કોમર્શિયલ મિલકતદારોના રૂ. 16.73 કરોડનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે બિલ મળ્યાના 90 દિવસ બાદ વેરો ન ભરનાર મિલકતદારો પર 18 ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલવામાં આવતું હોય છે, જે વર્ષો જતાં એક મોટી રકમ બની જતી હોય છે. 31 માર્ચ સુધી વેરો ભરનારને વ્યાજ- પેનલ્ટી નહિ ભરવી પડેઆ નવી યોજના હેઠળ જો રહેણાંક મિલકતદારો 31 માર્ચ સુધીમાં પોતાનો તમામ બાકી વેરો ભરપાઈ કરે છે તો તેમને વ્યાજ અને પેનલ્ટીમાં 100 ટકા માફી આપવામાં આવશે. જ્યારે કોમર્શિયલ મિલકતદારો અને અંદાજે 10,500 જેટલા વ્યવસાય વેરો પ્રોફેશનલ ટેક્સ બાકી રાખનાર વેપારીઓને વ્યાજ-પેનલ્ટીમાં 50 ટકા સુધીની રાહત મળશે. આ યોજનાથી પાલિકાની આવક વધશેનોંધનીય છે કે, પાલિકા દ્વારા સમયસર વેરો ભરનારાઓને 10 ટકા રિબેટ આપવામાં આવે છે, પરંતુ જે મિલકતદારો મોટી રકમના વ્યાજને કારણે વેરો ભરી શકતા ન હતા તેમના માટે આ 25 દિવસની સુવર્ણ તક સાબિત થશે. મનપાની આ પહેલથી પાલિકાની તિજોરીમાં આવક વધશે અને શહેરીજનોને વ્યાજના ચક્રવૃદ્ધિ બોજમાંથી મુક્તિ મળશે.
અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ક્રેઝનો ગેરફાયદો ઉઠાવીને ટિકિટોનું બ્લેક માર્કેટિંગ જોરશોરથી શરૂ થઈ ગયું છે. જે ટિકિટની મૂળ કિંમત 2 હજાર રૂપિયા છે તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા 15 હજાર રૂપિયા સુધી વેચાઈ રહી છે. જ્યારે લક્ઝુરિયસ પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટના ભાવ તો 1.50 લાખ રૂપિયા જેવી અધધ કિંમતે બોલાઈ રહ્યાં છે. મેચના કલાકો જેમ નજીક આવશે તેમ આ ભાવમાં હજુ પણ તોતિંગ વધારો થવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે, છતાં મેચ જોવાની ઘેલછામાં અનેક લોકો ઊંચા ભાવે પણ ટિકિટ ખરીદવા મજબૂર બન્યા છે. સંગ્રહ કરેલી ટિકિટના વેચાણ માટે કાળા બજારિયાઓ સક્રિયઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ યોજાવવાની છે. અત્યારે ટિકિટ મળી રહી નથી, જેના કારણે કાળા બજારિયાઓ સક્રિય થયા છે. અગાઉથી સંગ્રહ કરીને મેળવેલી ટિકિટ અત્યારે બ્લેકમાં બજારમાં વેચવાની શરૂ થઈ ગઈ છે. એજન્ટનું કહેવું છે કે, જેમ-જેમ સમય નજીક આવશે, તેમ હજુ ભાવ વધશે. સોશિયલ મીડિયામાં બ્લેકમાં ટિકિટ વેચાય છેસ્ટેડિયમમાં જ્યારે-જ્યારે ફાઇનલની મેચ યોજાય છે, ત્યારે ક્રિકેટપ્રેમીઓ મેચ જોવા માટે અનેક પ્રયત્ન કરે છે, પરંતુ ટિકિટ મળતી નથી. કારણકે કાળા બજારિયાઓ પહેલેથી જ ટિકિટનો સંગ્રહ કરીને રાખે છે. રસપ્રદ મેચ હોય તેના 2-3 દિવસ અગાઉથી ટિકિટ વેચવાનું શરૂ કરી દે છે. મોટાભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી જ બ્લેકમાં ટિકિટ વેચાય છે. મૂળ ભાવના 6થી 10 ગણાદિવ્યભાસ્કરે બ્લેકમાં ટિકિટ વેચતા એજન્ટ સાથે વાતચીત કરી હતી, જેમાં ટિકિટના મૂળ ભાવના 6થી 10 ગણા વધારીને એજન્ટ કહ્યાં હતાં. રિપોર્ટર: HI, ટિકિટ મળશેરિપોર્ટર : કાલની મેચની ટિકિટ છે?એજન્ટ: હા છે રિપોર્ટર: કેટલા રૂપિયામાં અને કેટલી છે?એજન્ટ: લોવર - 18 હજારઅપર - 12 હજારસાઉથ પ્રીમિયમ - 36 હજારપ્રેસિડેન્ટ ગેલેરી - 1.50 લાખ રિપોર્ટર: ઓરિજિનલ ભાવ કેટલો અને તમે કેટલામાં આપશો?એજન્ટ: અપરના 12 હજાર અને લોવરના 18 હજાર રિપોર્ટર: ફોટો મોકલો એજન્ટે: 8 ટિકિટનો ફોટો મોકલ્યો રિપોર્ટર : 2 હજારની 12 હજારમાં?એજન્ટ: જે ભાવ છે એ ભાવ કહું છું,હું પણ બીજા પાસેથી લાવ્યો છું અન્ય કિસ્સોરિપોર્ટર: ટિકિટ કેટલામાં મળશે?એજન્ટ: કઈ?રિપોર્ટર: K બ્લોકમાં અપર એજન્ટ: અપરની 15 હજાર વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર ટિકિટનું વેચાણએજન્ટો પોતાના વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર ટિકિટનું ઓનલાઇન વેચાણ કરે છે જેમાં શરૂઆતમાં માત્ર ફોટો મૂકીને 'ટિકિટ મળશે' તેવું લખે છે. જે બાદ લોકો જ્યારે ભાવ પૂછે ત્યારે ભાવ કહે છે. મોટાભાગના કેસમાં એજન્ટ ટિકિટ માટે એડવાન્સ અથવા તો ટોકન લઈ લે છે જે બાદ કોઈ જગ્યાએ મળીને ટિકિટ આપી દે છે. બોક્ષ ઓફિસના જ કેટલાક કર્મચારીઓની સંડોવણી?એક એજન્ટે તો એવું પણ કહ્યું કે, બોક્ષ ઓફિસના જ કેટલાક કર્મચારીઓ ટિકિટ ખૂલ્યા પહેલા પોતાની કાઢીને બહાર એજન્ટને બ્લેકમાં વેચવા આપી દે છે, તો કેટલાક કર્મચારીઓ સ્લોટ ખૂલતા જ પોતે ટિકિટ બુક કરી લઈ લે છે. ક્રિકેટ પ્રેમીઓ ગમે તેટલા ભાવ ચૂકવીને ટિકિટ લેવા મજબૂરટિકિટની કાળા બજારીનું માર્કેટ ખૂબ મોટું છે. અત્યારે દરેક જગ્યાએ એજન્ટ સક્રિય થયા છે. મોટા ભાગના ક્રિકેટ પ્રેમીઓ પણ ટિકિટ ન મળતા બ્લેકમાં ટિકિટ લેવા મજબૂર બન્યા છે. જેનો કાળા બજારિયાઓ ફાયદો ઉઠાવી ટિકિટના 6થી 10 ગણા પૈસા વસૂલે છે. અમુક એજન્ટ તો નકલી ટિકિટ પધરાવતાં હોય છેકેટલાક કિસ્સામાં લોકો એડવાન્સ કે ટોકન પેમેન્ટ આપી પણ છેતરાય છે. કારણ કે ફ્રોડ હોય તે ઑનલાઇન ટિકિટ બતાવી એડવાન્સ પેમેન્ટ મેળવીને આઇડી અને નંબર બ્લોક કરી દે છે તો કેટલાક ફ્રોડ ઓરિજનલ ટિકિટની કલર ઝેરોક્ષ કઢાવી હજારો રૂપિયામાં વેચે જે લોકો ખરીદીને મેચ જોવા જાય છે અને જ્યારે ટિકિટ સ્કેન થાય ત્યારે ટિકિટ નકલી હોવાનું જણાય છે.
ઉમરાળાના જાળીયા પાસે ગમખ્વાર અકસ્માત:બુલેટ ડિવાઈડર સાથે ભટકાતા બે મિત્રોના મોત, એક ગંભીર
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળીયા ગામ પાસે ગત મોડીરાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં પુરઝડપે જતું બુલેટ રોડ પરના ડિવાઈડર સાથે ભટકાતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવ્યો છે, આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર જાળીયા ગામે પાન-માવાની દુકાન ચલાવતા રવિ જીવરાજભાઈ ડાભીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો મોટો ભાઈ કમલેશ ડાભી ઉ.વ. 24 તેના મિત્રો સદામખાન દોલતખાન પઠાણ અને સંજયભાઈ ઉર્ફે હકો સોલંકી સાથે બુલેટ નંબર GJ-01-MV-1775 પર સવાર થઈ લીમડા તરફ ગયા હતા, રાત્રિના આશરે સવા અગિયાર વાગ્યાની આસપાસ, જ્યારે તેઓ લીમડાથી પરત જાળીયા તરફ આવી રહ્યા હતા, ત્યારે શ્રીજી વોટર પાર્ક પાસે બુલેટ ચાલક સદામખાન પઠાણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બુલેટ રોડની વચ્ચે આવેલ ડિવાઈડર સાથે જોરભેર ભટકાતા ત્રણેય મિત્રો ફંગોળાયા હતા, અકસ્માતની જાણ થતા જ પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા,ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઢસા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ કમલેશ જીવરાજભાઈ ડાભી અને સદામખાન દોલતખાન પઠાણને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ત્રીજા મિત્ર સંજય સોલંકીની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં હતા, જેમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે, પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાને પગલે નાના એવા ગામ જાળીયા અને માંડવા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ભરૂચ જી.ઈ.બી. કર્મચારી ક્રેડિટ સોસાયટી દ્વારા તાજેતરમાં અવસાન પામેલા ટેકનિકલ કર્મચારી સ્વ. દીપક પી. મકવાણાના પરિવારને ₹ 5 લાખનો વીમા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સહાય સભાસદોના કલ્યાણ માટે ચલાવવામાં આવતી વીમા યોજના અંતર્ગત આપવામાં આવી હતી. સોસાયટીના પ્રમુખ ચિરાગ શાહ, ઉપપ્રમુખ મુસ્તાક બાપુ અને મંત્રી ભાવેશ આગ્નેજીયાએ દિવંગત સભાસદના નિવાસસ્થાને જઈ પરિવારને ચેક સુપરત કર્યો હતો. આ પ્રસંગે સોસાયટીએ 'જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી' ના સૂત્ર સાથે સભાસદોના પરિવારને આર્થિક સહારો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્વ. દીપક મકવાણાના પરિવારજનોએ આર્થિક સહાય બદલ સોસાયટીના હોદ્દેદારોનો આભાર માન્યો હતો.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે ગઈકાલે (6 માર્ચ) સમગ્ર ગુજરાતમાં મતદાન થયું હતુ. જેમાં રાજકોટ કોર્ટ બિલ્ડિંગ ખાતે પણ 55% મતદારોએ મતદાન કર્યું હતું. જો કે, આ મતદાન દરમિયાન મતદાન મથકથી 100 મીટર અંદર રાજકોટના ઉમેદવાર દિલીપ પટેલે ખોટી રીતે ચૂંટણી પ્રચાર કરી પોતાના ફોટા સાથેની રીસિપ્ટ આપી હોવાના વીડિયો સાથે લેખિત રજૂઆત ચૂંટણી અધિકારી સમક્ષ રાજકોટના વકીલ રક્ષિત કલોલા દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદમાં તેઓએ દિલીપ પટેલ વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરી ઉમેદવારી રદ કરવા માગ કરી છે. ઉમેદવાર દિલીપ પટેલે ફોટા સાથેની રીસિપ્ટ આપતા વિવાદરાજકોટના એડવોકેટ રક્ષિત કલોલાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રાજકોટના ઉમેદવાર દિલીપ પટેલ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી તેમની ઉમેદવારી રદ કરવા માટે લેખિત ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં તેમને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ ચૂંટણી દરમિયાન મતદાન મથકથી 100 મીટર વિસ્તારમાં ચૂંટણીને લગતો કોઈ પ્રચાર કરી શકે નહિ. આમ છતાં રાજકોટના ઉમેદવાર દિલીપ પટેલે પોતાના ફોટા સાથેની રીસિપ્ટ બધાને આપી છે, જે ચૂંટણીના નિયમ મુજબ ગેરવ્યાજબી અને ગેરલાયક કરવા પાત્ર છે. વીડિયો રેકોર્ડિંગ રાજકોટના ચૂંટણી અધિકારીને મોકલાયુંઆ અંગે વીડિયો રેકોર્ડિંગ પણ અમારા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મતદાન મથક એટલે કે જે રૂમમાં મતદાન થતું હતું તે રૂમની બહાર જ ઉમેદવાર દિલીપ પટેલના ફોટા સાથેની અનેક રીસિપ્ટ જોવા મળી છે. આ વીડિયો રેકોર્ડિંગ રાજકોટના ચૂંટણી અધિકારીને પણ મોકલી આપેલ છે, જેથી અમારી માગ છે કે રાજકોટના ઉમેદવાર દિલીપ પટેલ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તેમની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી અમારી માગ છે.
ગાંધીનગર એસ. જી. હાઇવે પર બાર દિવસ અગાઉ બટરફ્લાય સર્કલ પાસે એક્ટિવા ખાડામાં પડતા ગંભીર ઈજાગ્રસ્ત કલોલના યુવકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચી હતીપ્રાપ્ત વિગતો અનુસાર, કલોલના રેલ્વે પૂર્વ વિસ્તારમાં રહેતા શંકરભાઈ ચૌહાણનો નાનો દીકરો ગોવિંદ ગત 23 ફેબ્રુઆરીના રોજ રાત્રે આશરે 8 વાગ્યાના અરસામાં એક્ટિવા લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન એસ.જી. હાઈવેથી બટરફ્લાય ઉતરી મહેસાણા હાઈવે તરફ આવતા સમયે સર્કલ પાસે અચાનક ખાડો આવતા એક્ટિવા સ્લિપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ગોવિંદને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. 12 દિવસ બાદ હોસ્પિટલમાં દમ તોડ્યોઅકસ્માત બાદ અજાણ્યા વ્યક્તિએ ગોવિંદના મોબાઈલ પરથી તેના પિતાને જાણ કરી હતી અને ગંભીર હાલતમાં યુવકને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સીટી સ્કેન કરાવતા ઈજા ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં છેલ્લા 12 દિવસથી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ 6 માર્ચે ગોવિંદનુ મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ શરૂ કરીઆ અંગે મૃતકના પિતા શંકરભાઇએ પોતાના પુત્રએ વાહન ગફલતભરી રીતે ચલાવી ખાડામાં પાડી અકસ્માત સર્જ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હોવાની ફરિયાદ આપતા અડાલજ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાપી-સેલવાસ રોડ પર જોખમી સ્ટંટ:કારના રૂફ પર બાળકોને બેસાડી સવારી, વીડિયો વાયરલ થતા પોલીસ તપાસ
વલસાડ જિલ્લાના વાપી-સેલવાસ મુખ્ય માર્ગ પર કારના રૂફ ટોપ અને બારીઓ પર બાળકોને બેસાડી જોખમી સ્ટંટ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ વાપી પોલીસે વીડિયોમાં દેખાતી કારના ચાલક સામે તપાસ શરૂ કરી છે. વાયરલ થયેલા વીડિયોમાં એક કાર ચાલક પોતાની કારના રૂફ ટોપ પર બેઠેલો અને ચારથી પાંચ નાના બાળકોને કારની વિન્ડો પર બેસાડીને સવારી કરાવતો જોવા મળે છે. આ દૃશ્ય અત્યંત જોખમી હોવાનું જણાઈ રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના વાપી-સેલવાસ રોડ પર આવેલા ગુરુદ્વારા નજીકની છે. પાછળથી આવી રહેલા એક અન્ય કાર ચાલકે આ દૃશ્ય પોતાના મોબાઇલમાં કેદ કર્યું હતું, જે બાદમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ બાળકને ઈજા પહોંચી નથી, પરંતુ આવા સ્ટંટ કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. બાળકોના જીવ સાથે આ પ્રકારની બેદરકારી ગંભીર ગુનો ગણાય છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા દાવા મુજબ, આ ઘટના ધુળેટીના દિવસે બની હોવાનું કહેવાઈ રહ્યું છે. તહેવારની મોજમાં કેટલાક લોકો દ્વારા આવા જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને વાપી પોલીસ સક્રિય થઈ છે. વાયરલ વીડિયોમાં દેખાતી કારના નંબરના આધારે કાર ચાલકની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. કાર ચાલકે બાળકોને આ રીતે સવારી કરાવવાનું કારણ શું હતું તે પણ તપાસવામાં આવશે. આ અંગે વાપી DySP બી.એન. દવેએ જણાવ્યું હતું કે, વાયરલ થયેલા વીડિયોની પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. વીડિયોમાં દેખાતી કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ ચાલી રહી છે. તપાસ બાદ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે જાહેર માર્ગ પર આવી જોખમી હરકતો ન કરે અને બાળકોના જીવને જોખમમાં મુકતા કૃત્યોમાંથી દૂર રહે.
ડાંગમાં ડબલ રૂપિયાની લાલચે 15.40 લાખની છેતરપિંડી:વલસાડથી એજન્ટ ઝડપાયો, વધુ તપાસ ચાલુ
ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણના નામે લોકોને ડબલ રૂપિયા આપવાની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર એક એજન્ટને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વલસાડમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ કુલ 18.40 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું, જેમાંથી 15.40 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, આહવા ખાતે રહેતા કેટલાક લોકોને માર્કેટિંગ કંપનીમાં રોકાણ કરાવવાની વાત કહી આરોપીએ આકર્ષક સ્કીમ બતાવી હતી. તેણે રોકાણ કરનારને જણાવ્યું હતું કે, રોકાણની રકમ છ મહિનામાં મુદ્દલ સાથે પરત મળશે અને વધુ સાત મહિનામાં રકમ બમણી થઈ જશે. આ લાલચમાં આવી લોકોએ કુલ 18,40,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં, આરોપીએ વિશ્વાસ જીતવા માટે છૂટક છૂટક મળી કુલ 3,00,000 રૂપિયા પરત આપ્યા હતા. જોકે, બાદમાં તેણે બાકીના 15,40,000 રૂપિયા પરત કર્યા વિના છેતરપિંડી આચરી હતી અને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે આહવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) ના માર્ગદર્શન હેઠળ તથા ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એચ. સરવૈયાના સૂચનાનુસાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન, લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ અને તેમની ટીમને હ્યુમન તથા ટેકનિકલ સોર્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, આ કેસમાં સંડોવાયેલ એજન્ટ સંજય ધીરુભાઈ રાઠોડ (ઉંમર 42, રહે. હેમંતબાગ, મોગરાવાડી, જી. વલસાડ) બલવાડા ગામે એક લગ્ન પ્રસંગે આવવાનો હતો. આ બાતમીના આધારે, LCB ની ટીમે બલવાડા ગામે વોચ ગોઠવી હતી. આરોપી ત્યાં આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ માટે આહવા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધો હતો. આ સમગ્ર કામગીરીમાં PSI જે.જી. અનડકટ, ASI પ્રમોદભાઈ નીવર, ASI રમેશભાઈ પવાર, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગાંગુડા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ગામીત, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ પટેલ, ચંદુભાઈ ગાવીત, દિનેશભાઈ વાધેરા, હિનયભાઈ ગાઈન અને ASI રામદાસભાઈ પાડવી સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને આ છેતરપિંડીના કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારી છે.
પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતની દરિયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવા માટે જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સરહદ પર સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ પગલું ભવિષ્યના સંકટોને ટાળવા માટે શાંતિ કાળમાં તકેદારી રાખવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે. મરીન ટાસ્ક ફોર્સની વિવિધ ટીમો દ્વારા જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને બોટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. આમાં નવા-જૂના બેડી બંદર, રોજી બંદર, માધાપર-જોડિયા ભૂંગા વિસ્તાર, ખારા બેરાજા, એરફોર્સ ફાયરિંગ રેન્જ દરિયાઈ વિસ્તાર, તેમજ તમામ સંભવિત લેન્ડિંગ પોઈન્ટ્સ અને ફિશિંગ સેન્ટરોનો સમાવેશ થાય છે. આ ઓપરેશન દરમિયાન, મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમોએ દરિયાકાંઠાની અવાવરું જગ્યાઓનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું. ઉપરાંત, દરિયામાં રહેલી શંકાસ્પદ બોટ અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ તથા તપાસ હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. આ સમગ્ર સુરક્ષા કવાયત ATS અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના આઈ.જી. પી. એલ. માલ અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના એસ.પી. એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર. યાદવ અને તમામ મરીન કમાન્ડોએ આ ઓપરેશનને સફળ બનાવ્યું હતું. મરીન ટાસ્ક ફોર્સના જણાવ્યા અનુસાર, કોઈપણ કટોકટીપૂર્ણ સમયગાળામાંથી પસાર ન થવું પડે તે માટે સામાન્ય પરિસ્થિતિ દરમિયાન રાખવામાં આવતી તકેદારી સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. આ નિવેદન શાંતિ કાળમાં સુરક્ષાના મહત્વ પર ભાર મૂકે છે.
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કચોલીયા ગામે એક અત્યંત કરુણ અને ભયાનક દુર્ઘટના ઘટી છે, જેમાં કપડાં ધોઈ રહેલી મહિલા પર ઘાટની દીવાલ ધરાશાયી થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગામના ઘાટ પાસે જ્યારે ત્રણ મહિલા કપડાં ધોઈ રહી હતી, ત્યારે અચાનક દીવાલ ધસી પડતાં એક મહિલા નીચે દટાઈ ગઈ હતી, જ્યારે તેની સાથે રહેલી અન્ય બે મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ ગોઝારી ઘટનાને પગલે ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ સમાચારને સતત અપડેટ કરી રહ્યાં છે….
વડોદરામાં આઇસરની અડફેટે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું છે. આજવા ચોકડી પાસે સસરા બાઇક પર પુત્રવધૂને નોકરી માટે મુકવા જતા હતા તે દરમિયાન ઘટના બની છે. 31 વર્ષીય પ્રિન્સા પરમારનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતદેહ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ખાતે પહોંચતા જ પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
નવસારીમાં શુક્રવારે આત્મહત્યાના ત્રણ બનાવ:વૃદ્ધાએ ફિનાઈલ પીધું, યુવાન સહિત બેએ ફાંસો ખાધો
નવસારી જિલ્લામાં ગત શુક્રવારે આત્મહત્યાના ત્રણ અલગ-અલગ બનાવો નોંધાયા છે. નવસારી ટાઉન અને ચીખલી પોલીસ મથકની હદમાં બનેલી આ ઘટનાઓમાં એક વૃદ્ધા, એક આધેડ અને એક 22 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આ ત્રણેય મામલે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ નવસારી ટાઉન પોલીસ મથકની હદમાં આવેલા મરિયમપુરા વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેતા 77 વર્ષીય સુમતીબેન બચુભાઇ રાણાએ શુક્રવારે સાંજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ રાત્રે 8:00 વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રકાશભાઈ કાનાણીની જાણના આધારે ટાઉન પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી ઘટના ચીખલી તાલુકાના ગોડથલ ગામે સામે આવી છે. ઝાડી ફળિયામાં રહેતા 22 વર્ષીય કાર્તિકભાઈ પ્રવિણભાઇ પટેલે ગામમાં આવેલ શીલાબેન પટેલના ખેતરમાં આંબાના ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃતકના પિતા પ્રવિણભાઇએ પોલીસને જણાવ્યું કે તેમને પુત્રના મોત અંગે કોઈ શંકા નથી. ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રીજા બનાવ મુજબ, ચીખલી કસ્બામાં સાઈબાબા મંદિરની સામે રહેતા 65 વર્ષીય રાજુભાઇ છનાભાઇ રાઠોડે શુક્રવારે બપોરે પોતાના જ ઘરમાં લોખંડની ચેનલ સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમને બેભાન હાલતમાં ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા આલીપોર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પુત્ર જીગ્નેશભાઈ રાઠોડે આ અંગે ચીખલી પોલીસને જાણ કરી હતી. નવસારી ટાઉન અને ચીખલી પોલીસે ત્રણેય કિસ્સામાં BNSS - 2023 ની કલમ 194 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણેય કિસ્સામાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્વચ્છતા ઝુંબેશ ઉપર વધુ ભાર મુકવામાં આવ્યો છે જેના ભાગરૂપે ફેબ્રુઆરી મહિનામાં માત્ર 25 દિવસમાં જ પાલિકાએ 28.43 લાખ જેટલો દંડ વસુલ્યો છે. એટલે કે રોજનો સરેરાશ 1.13 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. તમામ વોર્ડમાં સઘન ચેકિંગ, નાઈટ ડ્રાઈવવડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા તથા વિવિધ નિયમોના ઉલ્લંઘન સામે સઘન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. તારીખ 01 ફેબ્રુઆરી 2026 થી 25 ફેબ્રુઆરી 2026 સુધીના ટૂંકા ગાળામાં શહેરના તમામ વોર્ડમાં સઘન ચેકિંગ, નાઈટ ડ્રાઈવ અને ખાસ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન બાંધકામનો કચરો, જાહેર સ્થળોએ ફેલાવવામાં આવતી ગંદકી, પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને અન્ય મ્યુનિસિપલ નિયમોના ભંગ બદલ કુલ રૂ. 28,43,500 જેટલી માતબર રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે. જાહેરમાં ગંદકી ફેલાવનાર પાસે 14.39 લાખનો દંડમહાનગરપાલિકાએ હાથ ધારેલી ઝુંબેશમાં Construction Demolition Waste સંબંધિત ઉલ્લંઘન બદલ રૂ. 3,02,600નો દંડ વસૂલ ક૨વામાં આવ્યો છે. ઉપરાંત શહે૨ના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલી નાઈટ ડ્રાઈવ દરમિયાન રૂ. 4,22,500નો દંડ ક૨વામાં આવ્યો હતો. જાહે૨ સ્થળે ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરીને રૂ. 14,39,700નો દંડ વસૂલ ક૨વામાં આવ્યો છે. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક સંબંધિત ઉલ્લંઘન બદલ રૂ. 3,34,700નો દંડ લેવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનીટરીંગશહેરમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ સેન્ટર મારફતે સતત મોનીટરીંગ ક૨વામાં આવી રહ્યું છે. આ મોનીટરીંગ દરમિયાન ગંદકી ફેલાવનારાઓ તથા જાહેર સ્થળે કચરો ફેંકનારાઓને ઓળખી કાર્યવાહી હાથ ધ૨વામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કુલ 24 લોકોને ઓળખી તેમની સામે રૂ. 12,200નો દંડ ક૨વામાં આવ્યો હતો. નાગરિકોને સ્વચ્છતામાં સહકાર આપવા અપીલવડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત રીતે નાઈટ ડ્રાઇવ, ચેકિંગ અભિયાન તથા દંડની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. મહાનગ૨પાલિકા દ્વારા નાગરિકોને શહે૨ની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ ક૨વામાં આવી છે તેમજ જાહે૨ સ્થળે ગંદકી ન ફેલાવવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને મહાનગ૨પાલિકાના નિયમોનું પાલન ક૨વા વિનંતી ક૨વામાં આવી છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે વડીલોપાર્જીત જમીન બિનખેતી (NA) કરાવવાના બહાને એક નિવૃત્ત વૃદ્ધ સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. સગા ભત્રીજા અને પિતરાઈ ભાઈએ વૃદ્ધની જાણ બહાર ખોટી સહી અને ફોટાનો ઉપયોગ કરી જમીન NA કરાવી લીધી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમલસાડની રંગસાધના સોસાયટીમાં રહેતા 66 વર્ષીય રમેશભાઈ ભાણાભાઈ પટેલની ફરિયાદ મુજબ, તેમની અમલસાડમાં સર્વે નંબર 597 વાળી સંયુક્ત માલિકીની વડીલોપાર્જીત જમીન આવેલી છે. આ જમીનમાં રમેશભાઈ સહિત અન્ય વારસદારોના નામ પણ ચાલતા આવે છે. ગત 11 ઓગસ્ટ 2024ના રોજ તેમના પિતરાઈ ભાઈ ગોવિંદભાઈ બુધાભાઈ પટેલ અને ભત્રીજો નવીનભાઈ સુમનભાઈ પટેલ તેમના ઘરે આવ્યા હતા. તેઓએ રમેશભાઈને આ જમીન NA કરાવીને વેચવી હોવાનું જણાવી અરજીમાં સહી કરવા દબાણ કર્યું હતું. રમેશભાઈએ તે સમયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમારે અમારા ભાગની જમીન વેચવી નથી, પહેલા અમારો ભાગ અલગ કરી આપો, પછી તમારે જે કરવું હોય તે કરજો. આમ કહી રમેશભાઈએ સંયુક્ત ખાતાની જમીનમાં સહી આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, થોડા સમય બાદ રમેશભાઈને જાણવા મળ્યું કે તેમની જાણ બહાર આ જમીન NA થઈ ગઈ છે. જમીન કેવી રીતે NA થઈ તે જાણવા માટે રમેશભાઈએ કલેક્ટર કચેરીમાં RTI (માહિતી અધિકાર) હેઠળ અરજી કરી કાગળો મંગાવ્યા હતા. દસ્તાવેજો જોતા તેઓ ચોંકી ગયા હતા. જિલ્લા કલેક્ટરને કરાયેલી અરજી (પરિશિષ્ટ 1 અને 2) માં રમેશભાઈના નામે ગુજરાતીમાં ખોટી સહી કરવામાં આવી હતી, જ્યારે તેઓ હંમેશા અંગ્રેજીમાં સહી કરે છે. આ ઉપરાંત, તેમની જાણ બહાર તેમનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ચૂંટણી કાર્ડ પણ અરજી સાથે જોડવામાં આવ્યું હતું. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી, ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરી તારીખ 15/10/2024 ના રોજ કલેક્ટર કચેરીમાંથી NAનો હુકમ (નંબર 1270/024/03/027/2024) મેળવી લીધો હતો. આ છેતરપિંડી બદલ રમેશભાઈએ ગોવિંદભાઈ બુધાભાઈ પટેલ (રહે. ગણદેવી) અને નવીનભાઈ સુમનભાઈ પટેલ (રહે. અમલસાડ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા બ્રેકિંગ વડોદરામાં ખાનગી યુનિવર્સિટીની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે ઘરે કપડા ધોવા બોલાવી રાત્રે ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું વિદ્યાર્થિનીની મરજી વિરુદ્ધ અવાર નવાર રૂમમાં દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યા શરૂઆતમાં શારીરિક અડપલા બાદ વિદ્યાર્થિનીને ગોંધી રાખી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું આકાશસિંઘ નામના યુવકે આચર્યું દુષ્કર્મ બાપોદ પોલીસે આરોપીની અટકાયત કરી
ભરૂચ જેલમાં માર્ગ અકસ્માત નિવારણ કાર્યક્રમ:બંદીવાનોને ટ્રાફિક સલામતી અંગે માર્ગદર્શન અપાયું
ભરૂચ જિલ્લા જેલમાં બંદીવાનો માટે માર્ગ અકસ્માત નિવારણ અને ટ્રાફિક સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ‘પ્રયાસ’ સંસ્થાના સંકલનથી આર.ટી.ઓ. કચેરી, ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આર.ટી.ઓ. ભરૂચના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર એન.જી. સેંજણીયાએ આર.ટી.ઓ.ના નિયમો અને ટ્રાફિક સંબંધિત કાયદાકીય પાસાં વિશે માહિતી આપી હતી. રોડ સેફ્ટી ઇન્સ્ટ્રક્ટર તેજસ પ્રજાપતિએ માર્ગ અકસ્માત ટાળવા માટે રસ્તા પરની શિસ્ત સમજાવી હતી, જ્યારે રોડ સેફ્ટી ટ્રેનર વર્ષા પરમારે સુરક્ષિત ડ્રાઇવિંગ પદ્ધતિઓ અને સલામતી સાધનોના મહત્વ પર ભાર મૂક્યો હતો. બંદીવાનોને ટ્રાફિક નિયમો, માર્ગ અકસ્માત સમયે લેવાના સાવચેતીના પગલાં અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા જેવા મુદ્દાઓ પર વિગતવાર જાણકારી અપાઈ હતી.આ કાર્યક્રમ જેલ અધિક્ષક એન.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પ્રયાસ સંસ્થા, ભરૂચના પ્રતિનિધિઓ આશિષ બારોટ, અનિલ વસાવા અને નીતા ગજ્જર પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં બંદીવાનોએ જેલમુક્ત થયા બાદ જવાબદાર નાગરિક બની ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને પોતાનું તેમજ અન્યનું જીવન સુરક્ષિત રાખવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તમામ બંદીવાનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બજારમાં ઠંડા-પીણાનું ધૂમ વેચાણ થતું હોય છે. જોકે કેટલાકને ભાગુ તત્વો દ્વારા અસલીની જગ્યાએ નકલી વસ્તુઓનો વેચાણ કરતા હોય છે. વટવા વિસ્તારમાંથી લાજવાબ મેંગો પેપ્સીનું નકલી કારખાનું ઝડપાયું છે. લાજવાબ નામે મેંગો પેપ્સીનું ઉત્પાદન કરતી કંપનીના કર્મચારીને બાદમે મળી હતી કે, વટવા વિસ્તારમાં ગોડાઉનમાં એક વ્યક્તિ લાજવાબ કંપનીના નામે જ મેંગો પેપ્સીના પાઉચ બનાવીને વેચાણ કરી રહ્યો છે જેના આધારે તેમણે વટવા પોલીસ સાથે રાખી દરોડો પાડ્યો હતો. બે વર્ષ સુધી કોઈના ધ્યાને ન આવ્યુંવટવા પોલીસને ડુપ્લીકેટ પેપ્સીના કારખાનામાંથી 15,000થી વધુ શરબતના પાઉચ અને મશીનરી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી ગોડાઉનમાં નકલી શરબતના પાઉચ બનાવીને વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. કંપનીના કર્મચારીએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. મુળ માલિકને સાથે રાખી પોલીસે રેડ કરીમળતી માહિતી મુજબ, પાલનપુરમાં રહેતા સીરાજભાઇ અડવાણી 2005થી લાજવાબ નામથી પેપ્સી શરબતના નાના પાઉચમાં કોલ્ડ્રીંગ બનાવવાની કંપની ધરાવે છે. તેમના ધ્યાને આવ્યુ હતુ કે, તેમની કંપનીની કોપીરાઇટ કરીને અમદાવાદના વટવા વિસ્તારમાં એક શખ્સ ડુપ્લીકેટ પેપ્સીનું વેચાણ કરી રહ્યો છે, જેથી તેમને વટવા પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસને સાથે રાખીને તેમને વટવાના નવાપુરા મેદાન પાસે આવેલી ગલીમાં ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે કારખાનું ચલાવનાર મુમતાજ અહેમદ અંસારીને ઝડપી પાડ્યોજ્યારે ગોડાઉનમાં તપાસ કરવામાં આવી તો ડુપ્લીકેટ પેપ્સી શરબત બનાવતું કારખાનું હતુ. પોલીસે કારખાનામાંથી મેંગો પેપ્સીના 15450 પાઉચ, 1.80 લાખના ફિલિંગ મશીનો સહિત કુલ રૂ. 2.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કારખાનું ચલાવનાર મુમતાજ અહેમદ અંસારી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા પોતે છેલ્લા બે વર્ષથી કારખાનું ચલાવતો હતો. લાજવાબ મેંગો પેપ્સીના નામે નાના મોટા પાઉચ બનાવીને લાજવાબના નામે નકલી પેપ્સી શરબત બનાવી બજારમાં વેચાણ કરતો હતો. પેપ્સી શરબતના નમુના તપાસ માટે મોકલાયાએસીપી એન. કે. વ્યાસે જણાવ્યું હતું કે, લાજવાબ કંપનીના સિરાજભાઈને પોતાની કંપનીની ક્વોલિટી બરાબર નથી આવતી એવી ફરિયાદ મળતી હતી, જેના આધારે તપાસ કરતા વટવા વિસ્તારમાં તેમની કંપનીના નામે ઉત્પાદન થતું હોવાનું ધ્યાને આવતા વટવા પોલીસની મદદ લઈ મુમતાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે કોપી રાઇટનો ગુનો નોધીને ધરપકડ કરી છે. કારખાનામાંથી મળી આવેલો પેપ્સી શરબત પીવા લાયક છે કે નહીં? તેના માટે ફૂડ સેફટી વિભાગને અને એફએસએલને પણ જાણ કરવામાં આવી છે. જો તેમાં કોઈ બેદરકારી છતી થશે તો તે મુજબની કડક કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવશે.
મધ્ય પૂર્વમાં વણસેલી યુદ્ધની સ્થિતિ અને હવાઈ માર્ગો બંધ થવાને કારણે દુબઈમાં અટવાયેલા ઉત્તર ગુજરાતના ત્રણ વેપારીઓએ ભારે જહેમત બાદ વતન પરત ફરવામાં સફળતા મેળવી છે. મહેસાણા અને પાટણના આ વેપારીઓએ અનિશ્ચિતતા અને ડરના માહોલ વચ્ચે ઓમાન થઈને ભારત આવવાનો ખર્ચાળ અને લાંબો રસ્તો પસંદ કર્યો હતો. આ સાહસિક સફરમાં તેમણે પોતાની મૂળ ટિકિટના ખર્ચ કરતા પાંચ ગણાથી વધુ નાણાં ખર્ચવા પડ્યા છે. વેપારીઓ UEA મિંટિગ કરવા ગયા હતામહેસાણાના અલ્પેશકુમાર પટેલ અને તેમના સંબંધીઓ યોગેશકુમાર પટેલ, તથા પાર્થકુમાર પટેલ ગત 25 ફેબ્રુઆરીએ વ્યાપાર અર્થે સંયુક્ત આરબ અમિરાત UAE ગયા હતા. તેલ, ગેસ અને સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા આ વેપારીઓ 1થી 10 માર્ચ દરમિયાન શારજાહ અને અબુધાબીમાં મહત્વની બેઠકો કરવાના હતાં. જોકે 28 ફેબ્રુઆરીએ ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે શરૂ થયેલા સંઘર્ષને કારણે સમગ્ર અખાતી દેશોમાં વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. જેના કારણે તેઓ દુબઈની એક હોટલમાં કેદ થઈ ગયા હતાં. મિત્રની સલાહ પર ઓમાનના રસ્તે ભારત આવ્યાયુદ્ધના વધતા જતા તણાવ અને પરિવારની ચિંતાને કારણે તેમણે 10 માર્ચની તેમની મૂળ ટિકિટો રદ કરી વહેલા પરત ફરવાનું નક્કી કર્યું. વિમાની ટિકિટો ન મળતા આખરે તેમણે એક મિત્રની સલાહ પર ઓમાનના રસ્તે ભારત આવવાનું આયોજન કર્યું. ટેક્સી દ્વારા દુબઈ બોર્ડર પાર કરી મસ્કત એરપોર્ટ પહોંચ્યા એજન્ટ મારફતે તાત્કાલિક 10 દિવસના ઓમાન વિઝા મેળવી તેઓ ટેક્સી દ્વારા દુબઈ બોર્ડર પાર કરી મસ્કત એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી એર ઈન્ડિયા એક્સપ્રેસ મારફતે મુંબઈ અને ત્યારબાદ લાંબા સમય બાદ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર સલામત ઉતર્યા હતા. 65,000 રૂપિયાથી વધુનો ખર્ચ થયોઆ મુસાફરી આર્થિક રીતે પણ ખૂબ મોંઘી સાબિત થઈ હતી. સામાન્ય રીતે 28,000 રૂપિયામાં મળતી રાઉન્ડ ટ્રિપ ટિકિટની સરખામણીએ, વતન આવવા માટેની આ એકતરફી સફરમાં વિઝા, ટેક્સી અને નવી ફ્લાઈટ્સ મળીને માથાદીઠ 65,000 રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. ભારતીય ધરતી પર પગ મૂકતા જ હાશકારો અનુભવ્યોઅમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ અલ્પેશકુમારે હાશકારો અનુભવતા જણાવ્યું હતું કે દુબઈમાં યુદ્ધના ભય વચ્ચે સતત ફાળ પડતી હતી, પરંતુ ભારતીય ધરતી પર પગ મૂકતા જ તમામ ચિંતાઓ દૂર થઈ ગઈ છે.
બોડેલી-જબુગામ વચ્ચે મેરિયા નદીના પુલ પાસે ગત મોડી રાત્રે વિદેશી દારૂ ભરેલી એક સ્કોર્પિયો કાર ખાડામાં ખાબકી હતી. અકસ્માત સર્જાતા સ્કોર્પિયો ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. બોડેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. ઘણીવાર પોલીસ ફિલ્મી ઢબે પીછો કરીને આવા તસ્કરોને ઝડપી પાડે છે. આવી જ એક ઘટનામાં, મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂ ભરીને એક સ્કોર્પિયો ગાડી આવતી હોવાની બાતમી જિલ્લા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ગત રાત્રે આ ગાડીનો પીછો કર્યો હતો. પોલીસને જોઈને સ્કોર્પિયો ચાલકે ગાડીને પૂરઝડપે ભગાવી હતી. ઝડપના કારણે સ્કોર્પિયો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે, ગાડી બોડેલી-જબુગામ વચ્ચેના મેરિયા નદીના પુલ પાસે એક ખાડામાં ખાબકી હતી. અકસ્માત બાદ ચાલક ગાડીમાંથી નીકળીને ભાગી ગયો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. બોડેલી પોલીસે ક્રેનની મદદથી સ્કોર્પિયો ગાડીને બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઢસાના ખેડૂત સાથે રોકાણના નામે 19.50 લાખની ઠગાઈ:કંપનીના માલિક-મેનેજર સામે ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં એક ખેડૂત સાથે રોકાણના નામે રૂ. 19.50 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે ઢસા પોલીસે કંપનીના માલિક અને મેનેજર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ઢસા ગામની ડાવરીયા શેરીમાં રહેતા ખેડૂત નરેશભાઈ ભુરાભાઈ ડાવરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે તુલસી આરાધ્યા ઇફ્રા એન્ડ હોલીડે રિસોર્ટ ઇન્ડિયા નામની કંપનીમાં રોકાણ કરવા માટે તેમને લાલચ આપવામાં આવી હતી.કંપની દ્વારા તેમને રૂ. 1,25,000નું રોકાણ કરવાથી દર મહિને રૂ. 10,920ના 24 હપ્તા બેંક ખાતામાં જમા કરવાની ખાતરી અપાઈ હતી.આ લાલચમાં આવીને નરેશભાઈએ જુદી જુદી તારીખોએ કુલ રૂ. 19,50,000 કંપનીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. જોકે, કંપની તરફથી તેમને માત્ર રૂ. 1,96,000 જ પરત મળ્યા હતા. બાકીના રૂ. 17,53,440 હજુ સુધી પરત અપાયા નથી.ફરિયાદ મુજબ, કંપનીના માલિક કિશોરસિંહ રૂપસિંહ રાઠોડ અને મેનેજર વિનોદભાઈ પાટીલ સહિત અન્યોએ વિશ્વાસમાં લઈ રોકાણ કરાવી છેતરપિંડી કરી છે. ઢસા પોલીસે આ બંને સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નવનિર્માણ શાળામાં ધોરણ 7ના એક વિદ્યાર્થીની આંગળીમાં લોખંડનો સળીયો આરપાર નીકળી જવાની ઘટના બની છે. આ ઘટના બાદ શિક્ષકોએ વિદ્યાર્થીને સમયસર સારવાર ન આપી હોવાનો વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કર્યો છે. બીજી તરફ શાળાના શિક્ષકોએ આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. ઘટના અંગે મળતી માહિતી મુજબ ગઇકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ ઘનશ્યામ નામના વિદ્યાર્થીને હાથની આંગળીમાં સળીયો વાગ્યો હતો. સળીયો આંગળીની આરપાર નીકળી જતાં વિદ્યાર્થીને અસહ્ય પીડા થઈ રહી હતી. વિદ્યાર્થી અને પિતાના આક્ષેપ મુજબ ઘટના સમયે હાજર શિક્ષકોએ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા કોઈ પગલાં લીધા ન હતા. શાળામાં વાહનવ્યવહારના સાધનો ઉપલબ્ધ હોવા છતાં, વિદ્યાર્થી અઢી કલાક સુધી પીડાથી કણસતો રહ્યો. બપોરે 2:30 વાગ્યે વિદ્યાર્થીના પિતા જગદીશભાઈને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોતાના પુત્રને લોહીલુહાણ હાલતમાં અને પીડાથી કણસતો જોયો. પિતાએ તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. એમ્બ્યુલન્સ દ્વારા વિદ્યાર્થીને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાધનપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ બાબતે શાળાના આચાર્યએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વૃક્ષોની આસપાસ રાખવામાં આવેલી જાળી નો સળીયો વિદ્યાર્થીની આંગળીમાં ઘૂસી ગયો હતો અને વિદ્યાર્થીનું ઘર શાળાની બાજુમાં જ આવેલું છે તેથી તેના પરિવારજનોને જાણ કરાતા તેના પિતા આવ્યા હતા અને શાળામાં જ પકડથી સળીયો અમે કાપ્યો હતો અને વિદ્યાર્થીને ધનુ ન ઉપડે તે માટે 108 ને પણ જાણ કરાઈ હતી 108 આવે એટલે વિદ્યાર્થીના પરિવારજનોએ કહ્યું હતું કે અમે તેને સારવાર અર્થે લઈ જઈએ છીએ તેથી અમે બાળકને તેના પિતા સાથે 108 માં સારવાર અર્થે મોકલ્યો હતો આ અંગે શાળાના સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે છે વિદ્યાર્થીના પિતાએ કરેલા અક્ષેપો પાયા વિહોણા છે.
હિંમતનગરમાં સવારથી વાતાવરણમાં પલટો:ઉનાળાની શરૂઆતમાં શિયાળા જેવો અનુભવ, ધુમ્મસ છવાયું
હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ઉનાળાની શરૂઆતમાં જ શિયાળા જેવી ઠંડી અને ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. સામાન્ય રીતે મહાશિવરાત્રી અને હોળી બાદ ઠંડીની અસર ઓછી થઈને ગરમીની શરૂઆત થાય છે. હાલમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે વહેલી સવારે ધુમ્મસ છવાઈ જતાં શિયાળાની યાદ તાજી થઈ હતી. ખેતરોમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને હાલમાં ઘઉં કાઢવાની કામગીરી ચાલી રહી છે. આવા સમયે અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોમાં પણ ચર્ચા જોવા મળી હતી.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બંને યુવતીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ આકસ્મિક મોતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છે
ધુતારપર સીમમાં જુગારધામ પર પોલીસનો દરોડો:એક મહિલા સહિત 6 શખ્સો ઝડપાયા, ₹9.88 લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગરના ધુતારપર ગામની સીમમાં ચાલતા એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર પંચકોશી 'એ' ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક મહિલા સહિત કુલ છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, ધુતારપર ગામના નિષ્ઠાનગરીમાં રહેતા કુમનભાઈ વિઠ્ઠલભાઈ ભંડેરી પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવી રહ્યા છે. આ માહિતીના આધારે પંચકોશી 'એ' ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્કોડ દ્વારા વ્યૂહાત્મક રીતે રેઇડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા શખ્સો પાસેથી કુલ રૂ. 9,88,700/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં રૂ. 4,73,200/- રોકડા, ચાર મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,500/-), અને એક મારુતિ અર્ટિગા કાર (કિંમત રૂ. 5,00,000/-) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગંજીપાના અને ઓરડીનું લાઈટબિલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં વાડી માલિક કુમનભાઈ વિઠ્ઠલભાઈ ભંડેરી (ધુતારપર), દીપકભાઈ ઉર્ફે દિલીપ રમણીકભાઈ પાંભર (વેરતીયાગામ), શક્તિસિંહ મહિપતસિંહ જાડેજા (જામનગર), રજનીકાંતભાઈ વિઠ્ઠલભાઈ સાંગાણી (જામનગર), અલ્તાફભાઈ જુસબભાઈ ડેલા (જેતપુર, રાજકોટ) અને એક મહિલા આરોપીનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી પંચકોશી 'એ' ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. નિર્મળસિંહ જાડેજા, કાસમભાઇ બલોચ, હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ ઘાઘરેટીયા, રામદેવસિંહ જાડેજા, રીનાબેન ગોજીયા તથા કોન્સ્ટેબલ કમલેશભાઇ ખીમાણીયા દ્વારા કરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ ઘાઘરેટીયાની ફરિયાદ પરથી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમરેલીના ઐતિહાસિક 124 વર્ષ જૂના ક્લોક ટાવરના રિસ્ટોરેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂ. 3 કરોડના ખર્ચે હાથ ધરાનાર આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે મોડી રાત્રે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભરત સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ક્લોક ટાવર એક સમયે ગૌરવશાળી ગાયકવાડી શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો અને તે અમરેલીની ઐતિહાસિક ધરોહર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિરાસતથી વિકાસ”ના વિઝનને આગળ ધપાવતા, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ રિસ્ટોરેશન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ક્લોક ટાવર અમરેલીનો ‘આત્મા’ છે અને આપણી સંસ્કૃતિ તથા ઐતિહાસિક વારસાનું સંરક્ષણ કરવું એ સૌની સહિયારી જવાબદારી છે. તેમણે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અને તેમની ટીમને ‘નવું અમરેલી-વિકસિત અમરેલી’ના સ્વપ્નને સાકાર કરવા માટેના પ્રયાસો બદલ અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ ક્લોક ટાવરના રિસ્ટોરેશન સાથે યાદગાર ‘સેલ્ફી પોઈન્ટ’ પણ મૂકવાનું સૂચન કર્યું હતું. ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ કહ્યું અમરેલીના દરેક પડતર પ્રશ્નો ધીમે ધીમે ભૂતકાળ બનાવવા માટે અમે ભેખ લીધો છે. આપણા ઐતિહાસિક ક્લોક ટાવરની કાયાપલટનો પ્રોજેક્ટ થકી હવે ક્લોક ટાવરની ઘડિયાળ ટકટક થઈને ટાવરને ધબકતો કરશે. તેમણે ઉમેર્યું કે, નજીકના સમયમાં શહેરની ચારેબાજુ ભવ્ય પ્રવેશદ્વારો નિર્માણ પામશે, અમરેલી માટે જી.આઈ.ડી.સી, બાયપાસ રોડ, શહેરને નિયમિત રીતે પીવાનું શુદ્ધ પાણી મળે તે દિશામાં અમે સતત અગ્રેસર બનીને તેજ ગતિએ આગળ ધપી રહ્યા છીએ. અમરેલી શહેરમાં મોડી રાતે ટાવર ચોકમાં ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, ટાવર મંજુર થયો ત્યારે અમુક મિત્રો સોશ્યલ મીડિયામાં વાતો કરતા હતા જાહેર થશે પણ થશે નહીં, પરંતુ હું વિશ્વાસ સાથે કહી શકું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરતા ખાતર્મુત કરે તે જ લોકાર્પણ કરે છે. વર્ષોથી આપણે અમરેલીમા મેણા સાંભળીએ છીએ અમરેલીની જનતાને 15 થી 20 દિવસે પાણી મળે અમરેલીમાં કોઈ આવવા રાજી ન થાય આ પરિસ્થિતિ ભૂતકાળમાં અમરેલીમાં તમે અને અમે જોય છે જે રીતે પરિસ્થિતિ જોય છે તે પરિસ્થિતિ ભૂતકાળ કરવો તે રીતે અમે પ્લાનિંગ કરી રહ્યા છે આગામી દિવસોમાં અમરેલીમાં દરોજ પાણી મળે તે માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ. મંત્રી કૌશિક વેકરીયા વિરોધી ઉપર નિશાન તાકતા જણાવ્યું કે, થોડા સમય પહેલા ટાવર પાસે શોચાલયનો પ્રશ્નન બન્યો હતો મારે કહી લેવા દેવા નહિ મને કય ખબર નહિ મારાનામે ખતવી દીધું છે આવું આપણે અમરેલીમાં બોવ હાલે જેને કય લેવા દેવા નહિ તેનું નામ ખતવી દે પેટમાં દુખાવો થતો હોય તે કરતા હોય તેમાં મને કય વાંધો નથી મને કય ફેર પડતો નથી. અમે કામ કરવા વાળા છીએ પોઝીટીવ કહી રીતે ચાલવું તે અમારી નેમ છે. નેગેટિવ જેને જે કરવું હોય તે કરે અમે નગનાથદાદા ઉપર વિશ્વાસ છે અમરેલીનું વિકાસ સો ટકા થવાનો છે તેમા કોઈ શંકાને સ્થાન નથી. ઐતિહાસિક ક્લોક ટાવર રિસ્ટોરેશન પ્રોજેક્ટ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત પદાધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ બિપીનભાઈ લીંબાણી અને તેમની સમગ્ર ટીમ, અન્ય હોદ્દેદારઓ, અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારઓ, ટાવર ચોક વેપારી મંડળ અને વેપારી એસોસિએશનના હોદ્દેદારઓ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં હાલ ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદમાં ભારે ગરમીના અનુભવ સાથે મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે, પરંતુ આજે વહેલી સવારે અમદાવાદીઓને કંઈક અલગ જ વાતાવરણનો અનુભવ થયો હતો. સામાન્ય રીતે માર્ચ મહિનામાં ગરમીનો પારો ઊંચકાતો હોય છે, પરંતુ આજે સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં ગાઢ ઝાકળની ચાદર છવાયેલી જોવા મળી હતી. ઉનાળાના આગમન સાથે જ આ પ્રકારનું વાતાવરણ વહેલી સવારે નીકળેલા વાહનચાલકોને ઝાકળને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારના સમયે શહેરના વાતાવરણમાં ગુલાબી ઠંડકનો અહેસાસ થતાં લોકોએ ગરમીમાંથી કામચલાઉ રાહત અનુભવી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે6 માર્ચના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હવામાન વિભાગ (IMD)એ આગામી 2-3 દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે, જ્યાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. ખાસ કરીને ભાવનગર જેવા વિસ્તારોમાં હિટવેવની વધુ અસર જોવા મળી શકે છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે. બપોરના સમયે આકરી ગરમી અનુભવાશેઆગામી 2-3 દિવસમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 37થી 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાઈ શકે છે, જે ઉનાળાની શરૂઆતનો સંકેત છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ સુધી હિટવેવની આગાહી છે. પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશાના ગરમ પવનોને કારણે ગરમીનો પ્રભાવ વધશે. બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું, પાણી પીવું અને વૃદ્ધો-બાળકોનું ખાસ ધ્યાન રાખવા સલાહ આપવામાં આવી છે. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ રહી શકેઆવતીકાલે એટલે કે, 8 માર્ચના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દમણ અને પોરબંદરમાં હીટવેવની અસર વધુ જોવા મળી શકે છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે. આવતીકાલે 8 માર્ચે જ્યારે અમદાવાદમાં T-20 વર્લ્ડકપની ફાઈનલ રમાવાની છે, ત્યારે શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેલાની શક્યતા છે.
ગણદેવીમાં હિટ એન્ડ રન: યુવકનું મોત:ઝડપી કાર ચલાવવાના વિવાદે યુવક પર કાર ચઢાવી હત્યા
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ઝડપી કાર ચલાવવાના વિવાદની અદાવત રાખી એક યુવકે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ઉભેલા 47 વર્ષીય હસમુખ આહીર પર કાર ચઢાવી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા હસમુખ આહીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવા ચાર ટીમો રવાના કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના શુક્રવારે બપોરે શરૂ થયેલા વિવાદનું પરિણામ છે. ખાપરવાડા ગામનો કૃપલ પટેલ તેની કાળા રંગની વર્ના કાર પૂરઝડપે ચલાવી રહ્યો હતો. ગ્રામજનોએ તેને રોકીને ઝડપી કાર ચલાવવા બદલ ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી ઉશ્કેરાયેલા કૃપલે રાત્રે જોઈ લેવાની ધમકી આપી હતી. શુક્રવારે રાત્રે આશરે 8:30 વાગ્યે, હસમુખભાઈ ઝીણાભાઈ આહીર (ઉં.વ. 47) ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે મિત્રો સાથે બેઠા હતા. તે સમયે આરોપી કૃપલ પટેલ તેની કાળા રંગની કાર લઈને ત્યાં આવ્યો હતો. તેણે હસમુખભાઈને ટક્કર મારી અને ત્યારબાદ તેમના પર કાર ચઢાવી દીધી હતી. ઘટના બાદ કૃપલ પટેલ અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા જ ગ્રાઉન્ડ પર હાજર મિત્રો અને ગ્રામજનો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા હસમુખ આહીરને તાત્કાલિક બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે ખાપરવાડા ગામમાં તંગદિલી અને શોકનો માહોલ છવાઈ ગયો છે. બીલીમોરા પોલીસ મથકે કાળા રંગની કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી કૃપલ પટેલ બુટલેગર પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ તે ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેની ધરપકડ કરવા માટે ચાર અલગ-અલગ ટીમો બનાવી છે. આરોપી દમણ તરફ ભાગ્યો હોવાની શંકાના આધારે પોલીસે સર્ચ ઓપરેશન તેજ કર્યું છે.
ભાવનગર-સોમનાથ હાઈવે પર સિંહનો વીડિયો વાઇરલ:જાફરાબાદ નજીક બ્રિજ પર લટાર મારતો જોવા મળ્યો
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક નર સિંહ જોખમી રીતે બ્રિજ પર લટાર મારતો જોવા મળ્યો છે. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી નજીકનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેના કારણે સિંહોની સુરક્ષા અને વાહનચાલકોની સલામતી અંગે ફરી સવાલો ઉભા થયા છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં, સિંહ સૌપ્રથમ નાગેશ્રી બ્રિજ પર દેખાયો હતો અને ત્યારબાદ મીઠાપુર ગામ સુધી લટાર મારતો જોવા મળ્યો હતો. હાઈવે પર સિંહની આ અવરજવર વાહનચાલકો માટે જોખમ ઊભું કરી રહી છે. અગાઉ પણ આ જ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બે સિંહોના મોત થયા હતા. આ ઉપરાંત, ભૂતકાળમાં ત્રણ વન્યપ્રાણીઓના પણ વાહન અડફેટે મોત થયા હોવાના કિસ્સા નોંધાયા છે. ગુજરાત અને દેશની શાન ગણાતા સિંહોની સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં નોંધાઈ છે. જોકે, તેમની સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. વનવિભાગ અને રાજ્ય સરકારે સિંહોની સુરક્ષા વધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. અગાઉ સિંહો માટે પીપાવાવ-રાજુલા રેલવે ટ્રેક સૌથી જોખમી સાબિત થયો હતો, જ્યાં અનેક સિંહોના ટ્રેન અડફેટે મોત થયા હતા. રેલવે અને વનવિભાગના સંયુક્ત પ્રયાસો તથા હાઈકોર્ટની કડક સૂચના બાદ ટ્રેક પર પેટ્રોલિંગ અને મોનિટરિંગ વધારવાથી ઘટનાઓમાં ઘટાડો થયો છે. હવે નેશનલ હાઈવે સિંહો માટે નવું જોખમ બની રહ્યો છે. વારંવાર સિંહો સહિત અન્ય વન્યપ્રાણીઓના મોત થતા હોવાથી, હાઈવે આસપાસ યોગ્ય વ્યવસ્થા અને સતર્કતા વધારવાની જરૂરિયાત ફરી ચર્ચામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય T-20 વર્લ્ડ કપની મેચમાં કરોડો રૂપિયાના સટ્ટા રમવા સટોડિયાઓ એક્ટિવ થઈ જતા હોય છે, ત્યારે અમદાવાદમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા નિકોલ વિસ્તારમાં દરોડો પાડી બે સાઢુભાઈને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે. ઉપરાંત ત્રણ માસ્ટર કાર્ડમાં લાખો રૂપિયાનું બેલેન્સ પણ મળી આવ્યું હતું. જ્યારે તેમની સાથે સંકળાયેલા ગ્રાહકો અને બુકીઓ મળી કુલ 46 લોકોની વિગતો મળતાં તેમને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. સટ્ટાના પૈસા સંબંધીઓ-પાડીશોઓના ખાતામાં નાખતાવેપાર ધંધામાં નુકસાન જતાં છેલ્લા 8 મહિનાથી ક્રિકેટ સટ્ટાના ધંધાની શરૂઆત કરી હતી. જેમાં પોતાના સાઢુભાઈને પણ આર્થિક સંકળામણ પડતી હોવાથી સાથે રાખ્યા હતા. બંને સાઢુભાઈઓએ ભેગા થઈને વર્લ્ડ કપની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડતા હતા. ક્રિકેટ સટ્ટાના હવાલાના પૈસા સગા-સંબંધીઓ અને આડોશ-પાડોશના બેંક એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનું પણ ખુલ્યું છે. અમદાવાદ શહેર પોલીસની પીસીબી, ક્રાઈમ બ્રાન્ચ સહિતની સ્થાનિક એજન્સીઓ અને સ્થાનિક પોલીસની જાણ બહાર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને લાખો રૂપિયાના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે SMCએ રેડ પાડીઅમદાવાદમાં બુકીઓ કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટા રમાડ્યા હોય છે, ત્યારે વર્લ્ડ કપની ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પર ઓનલાઇન સટ્ટો નિકોલમાં રમાડાતો હોવાની માહિતી રાજ્ય પોલીસ વડાની ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણને મળી હતી. નિકોલ વિસ્તારમાં સૃષ્ટિ લિવિસ એપાર્ટમેન્ટમાં રેડ પાડી ઓનલાઇન સટ્ટો રમાડતા બે બુકીઓ વિજયકુમાર વલ્લભભાઈ કારડાણી (રહે. નિકોલ, સૃષ્ટિ એપાર્ટમેન્ટ, અમદાવાદ) અને રમેશ રામજીભાઈ ગોધાસરા (રહે. કામરેજ, સુરત)ને ઝડપી લીધા હતા. બુકીઓનું દિલ્હી કનેક્શન પણ મળી આવતાં તપાસનો ધમધમાટઆરોપી પાસેથી ત્રણ માસ્ટર કાર્ડ મળ્યા હતા, જેમાં અનુક્રમે 22 લાખ, 9 લાખ અને 6 લાખનું બેલેન્સ મળી આવ્યું હતું. આ બુકીઓનું દિલ્હી કનેક્શન પણ મળી આવતાં તપાસનો ધમધમાટ વધારાયો છે. બંને આરોપીની પૂછપરછ કરતા સાઢુભાઈ થતા હોવાનું સામે આવ્યું છે. આરોપી વિજય નરોડા જીઆઇડીસીમાં વેપાર ધંધો કરતો હતો, જેમાં તેમના ભાગીદારે ફ્રોડ કર્યું અને દેવામાં આવી જતા આર્થિક સંકળામણ ઊભી થતા છેલ્લા આઠ મહિનાથી ક્રિકેટ સત્તાનો વ્યાપાર ચાલુ કર્યો હતો. 46 લોકોની તપાસમાં ઘણી વિગતો બહાર આવી શકેત્યારબાદ તેમના સાઢુભાઈની હીરાની ફેક્ટરી હતી, જે બંધ થઈ જતા સાઢુભાઈ સાથે મળી ક્રિકેટ સટ્ટો શરૂ કર્યો હતો. તેના મોબાઇલમાંથી ગ્રાહકો અને અન્ય બુકીઓ મળી કુલ 46 લોકોના નંબરો મળી આવતા તે તમામને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરવામાં આવી છે. 46 લોકોની તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો અને હવાલાની માહિતી સામે આવે તેવી સંભાવના છે.
ગોરેંગાવના વૃદ્ધ સાથે 2.25 કરોડના સાયબર ફ્રોડમાં ગુજરાતથી આરોપી પકડાયો
આતંકીઓ સાથે સાંઠગાંઠની દમદાટી આપી પૈસા પડાવાયા ગુજરાતના કિશન મકવાણાએ સાયબર ઠગો માટે બેન્ક ખાતાં ખોલાવી તેમાં ફ્રોડની રકમ જમા કરાવી હતી મુંબઈ - મુંબઈ પોલીસે ગુજરાતના એક વ્યક્તિની સાયબર છેતરપિંડીના કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી છે.આતંકવાદ સંબંધિત તપાસમાં ધરપકડની ધમકી આપીને ગોરેગાંવના એક વરિ નાગરિક સાથે રૃ.૨.૨૫ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી, એમ એક ઓફિસરે શુક્રવારે જણાવ્યું હતું.
ચોરીનો મામલો આવ્યો સામે:માંડવીના રહેણાંક મકાનમાંથી અઢી કલાકમાં 6.30 લાખના દાગીના ચોરાયા
માંડવીમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરનારના ઘરને તસ્કરે નિશાન બનાવ્યો હતો અને પરિવાર નમાજ પઢવા ગયા બાદ અઢી કલાકમાં લાકડાના કબાટમાં રાખેલ રૂપિયા 6.30 લાખના દાગીના ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોધાઇ છે. માંડવીમાં વોહરા હજીરા પાછળ રહેતા ફરિયાદી હુશેન શૈફુદિન લોખંડવાલાએ માંડવી પોલીસ મથકે અજાણ્યા આરોપી સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 5 માર્ચના સાંજે સાત વાગ્યાથી સાડા નવ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.ફરિયાદી અને તેમનો પરિવાર વોહરા હજીરામાં નમાજ પઢવા માટે ગયા હતા.જે બાદ ફરિયાદી સાડા સાતેક વાગ્યે પરત આવી ઉપર પોતાના રૂમમાં જતા રહ્યા હતા. જે બાદ ફરિયાદીના માતા સાડા નવ વાગ્યાના આસપાસ ઘરે આવ્યા ત્યારે લાકડાનો કબાટ ખોલવા ગયા ત્યારે ચાવી લગાવવાની જગ્યાએ પીન ભરાવેલી હતી. જે બાદ કબાટને ખોલી તેમાં તપાસ કરતા તેમાં રાખેલ રૂપિયા 6.30 લાખની કિંમતની સોનાની ચાર બંગડી,સોનાની 32 વીંટી,સોનાની ચેઈન,4 જોડી સોનાની બુટી,સોનાનો ઢાળ ચડેલ અકીનો પથ્થર,સોનાનો ચેઈન અને પેન્ડલ,ચાંદીની વીંટી,ઘુઘરો અને બે સિક્કા સહીતનો મુદ્દામાલ દેખાયો ન હતો. આરોપીએ માત્ર અઢી કલાકમાં ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલ દાગીના પર હાથફેરો કરી પલાયન થઇ ગયો હતો.સમગ્ર મામલે માંડવી પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. લાકડાના કબાટમાં પીન ભરાવીને તસ્કરો ચોરી કરી ગયા
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશકની સૂચના અને બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડીયા તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ પોલીસે પ્રોહિબિશનના લિસ્ટેડ ગુનેગારો વિરુદ્ધ લાલ આંખ કરી છે. ભચાઉ વિસ્તારમાં સંગઠિત ટોળકી બનાવી દારૂનો કાળો કારોબાર કરતા ત્રણ કુખ્યાત બુટલેગરો વિરુદ્ધ ‘ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ’ (GCTOC) હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ભચાઉના દરબારગઢમાં રહેતો અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, ભચાઉના બાપુનગરમા઼ રહેતો ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા અને ભચાઉના રામવાડીમાં રહેતો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા, આ કુખ્યાત બુટલેગર ત્રિપુટી એકબીજાના મેળાપીપણામાં આર્થિક ફાયદો મેળવવા માટે આખું સિન્ડિકેટ ચલાવતા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીઓ અગાઉ પણ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના વિપુલ જથ્થા સાથે પકડાઈ ચૂક્યા છે. આ ટોળકી એકબીજાના સાગરીત બનીને સંગઠિત ગુનાખોરી કરવી, વિદેશી દારૂનો જથ્થો છુપાવવો, તેની આયાત-નિકાસ અને હેરફેર કરવી,ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ગેરકાયદે મિલકત અને નાણાં એકત્ર કરવાના કાળા કારોબાર કરતી હતી. ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના અંતર્ગત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ હતો. આ ગુનેગારોનો ભૂતકાળ અને સતત ચાલતી પ્રવૃત્તિઓને ધ્યાને લઈ, રેન્જ IGની કચેરી ખાતે ગુજસીટોકની દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતા જ પોલીસે GCTOC-2015 હેઠળ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ સ્ટેશનોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના વિપુલ જથ્થા સાથે પકડાઈ ચૂક્યા છે. આ ટોળકી એકબીજાના સાગરીત બનીને સંગઠિત ગુનાખોરી કરવી, વિદેશી દારૂનો જથ્થો છુપાવવો, તેની આયાત-નિકાસ અને હેરફેર કરવી,ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ગેરકાયદે મિલકત અને નાણાં એકત્ર કરવાના કાળા કારોબાર કરતી હતી. ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના અંતર્ગત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ હતો. આ ગુનેગારોનો ભૂતકાળ અને સતત ચાલતી પ્રવૃત્તિઓને ધ્યાને લઈ, રેન્જ IGની કચેરી ખાતે ગુજસીટોકની દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતા જ પોલીસે GCTOC-2015 હેઠળ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બુટલેગરોનો ગુનાહિત ઇતિહાસઅશોકસીંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા વિરૂધ્ધ જુદા જુદા પોલીસ મથકોમાં 14 જેટલા દારૂના ગુના નોંધનાયેલા છે, ભગીરથસી઼હ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા વિરુધ્ધ જુદા જુદા પોલીસ મથકોમાં 12 ગુના નોંધાયેલા છે, ગુનાહિત ઇતિહાસ ધરાવતી કુખ્યાત બુટલેગર ત્રીપુટી વીરૂધ્ધ ગુજસી ટોકનો કોરડો વીંઝાયો છે. ધર્મેન્દ્રસિંહ
‘શ્રી હનુમંત ચરિત્ર યુવા કથા’નું આયોજન કરાયું:હનુમાનજીનું જીવન સંઘર્ષ સામે લડવાની પાઠશાળા
ભુજમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સમૃદ્ધ પરંપરા વચ્ચે હવે પ્રથમ વખત હનુમાનજીના જીવન પર આધારિત ‘શ્રી હનુમંત ચરિત્ર યુવા કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે સાંજે ટીન સિટી ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અજાણી પરિવાર અને રાબડીયા પરિવારના સભ્યો તેમજ આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સાત દિવસીય કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરથી પધારેલા પ્રસિદ્ધ વક્તા હરિપ્રકાશદાસજી સ્વામીએ પોતાની સુમધુર અને અમૃતમય વાણી દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. કથાના આરંભે તેમણે જણાવ્યું કે, કચ્છીઓને પ્રણામ કરવા પડશે કે વિશ્વભરમાં સ્થળાંતરિત થયા પણ સંસ્કાર ભૂલ્યા નથી. પરસેવાથી પૈસો પેદા કરે છે. ગુજરાતમાં સમૃધ્ધ કચ્છ પ્રદેશ છે. ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનું જીવન માત્ર પૌરાણિક ગાથા નથી, પરંતુ સંઘર્ષ સામે લડવાની અને અશક્યને શક્ય બનાવવાની એક જીવંત પાઠશાળા છે. સ્વામીએ વધુમાં કહ્યું હતું કે કથાના માધ્યમથી યુવાનોમાં સાહસ, સંયમ અને સમર્પણના મૂલ્યો વિકસાવવા એક પ્રયાસ કરવામાં આવ્યો છે. હનુમાનજીના જીવન પ્રસંગો યુવાનોને વિશ્વાસ, સેવા અને અડગ લક્ષ્ય પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. નકારાત્મકતા દૂર કરી આત્મવિશ્વાસ સાથે જીવનના પડકારોનો સામનો કરવાની શક્તિ હનુમાનજીના જીવનમાંથી મળે છે. આધુનિક યુગમાં પરંપરાગત મૂલ્યો અને સશક્ત ચારિત્ર નિર્માણ માટે આ પ્રકારની ધાર્મિક કથાઓ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. આ સાત દિવસીય કથા દરરોજ રાત્રે 8:30 થી 11:30 વાગ્યા સુધી યોજાશે. શુક્રવારે સાંજે 5:30 વાગ્યે સુર મંદિર સિનેમાથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. કાર્યક્રમ અંતર્ગત 8 માર્ચ, રવિવારે હનુમાન જન્મોત્સવ અને 10 માર્ચ, મંગળવારે ફળોત્સવ સાથે અન્નકૂટ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન રાજગોર હરિશંકર દેવજી અજાણી પરિવાર તથા કાનજી મુળજી રાબડીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આયોજન સમિતિના અનિલ હરિશંકર અજાણી અને કાનજી મુળજી રાબડીયા દ્વારા તમામ ધાર્મિક ભાઈઓ-બહેનોને આ પવિત્ર કથામાં હાજર રહી ધર્મલાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
સાંસદના જન્મદિવસની સેવાકાર્યો દ્વારા ઉજવણી:કચ્છમાં સેવાકાર્યો સાથે સાંસદનો જન્મદિવસ ઉજવાયો
કચ્છના સાંસદના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા વિવિધ વિસ્તારોમાં સેવાકીય કાર્યો કરાયા હતા. સાંસદ વિનોદ ચાવડાના જન્મ દિવસ પ્રસંગે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તથા ગ્લોરી ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ, ભુજ શહેર ભાજપ તેમજ શશિ ફાઉન્ડેશન દ્વારા બાળકોને સુપોષિત કીટ વિતરણ, આયુષ હોસ્પિટલ મધ્યે મેડિકલ કેમ્પ, ટી.બી.ના દર્દીઓ ને પોષણ કીટનું વિતરણ કરાયું હતું. , કચ્છી વાલ્મીકિ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, સુમરાસર શેખ દુધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા સુમરાસર મધ્યે ટીબીના દર્દીઓને પોષણ કીટ, ભુજમા શ્રમિકોને રાશન કીટ, દિવ્યાંગોને સાધન સહાય, જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા રામદેવ સેવા ટ્રસ્ટમાં નિરાધાર લોકોને ભોજન, શ્રી હરી શાંતિનિકેતન વૃદ્ધાશ્રમમા વડીલોને મિષ્ટાન સાથે ભોજન, ભીમરત્ન કન્યા છાત્રાલયમા શૈક્ષણિક કીટ વિતરણ, નવ ચેતન અંધજન મંડળ મધ્યે બાળકોને સ્વાસ્થ્ય કીટ વિતરણ કરાયું હતું. , ભાજપ બક્ષીપંચ મોરચા તેમજ માંડવી ગઢશીશા ભાજપ પરિવાર દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ સાથે મીઠાઇ વિતરણ, માંડવી તાલુકા અનુ. જાતિ મોરચા દ્વારા વિધાર્થીઓને અલ્પાહાર, એન્જલ ગ્રુપ ભીમાસર દ્વારા કુપોષિત બાળકો માટે પોષણ કીટ વિતરણ કરાયું હતું. મેઘવંશી ફ્રેન્ડ્સ ગ્રુપ કચ્છ દ્વારા શૈક્ષણિક કીટ, VLC ગ્રુપ ભુજ દ્વારા વડીલોને મિષ્ટ ભોજન, સર્વ સમાજ સેવા મેડીકલ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ભુજ મધ્યે અને યક્ષ મંદિર ટ્રસ્ટ દ્વારા માધાપરમા ગાયોને ચારાનું નિરણ, નખત્રાણા તાલુકા ભા.જ.પ દ્વારા વિકલાંગ બાળકોને કીટ વિતરણ કરાયું હતું. , મમુઆરા ગ્રામ પંચાયત દ્વારા બાલ મંદિરના બાળકોને લંચ બોક્સ, ભચાઉ શહેર/તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ભચાઉ સરકારી દવાખાનામા દર્દીઓને ફ્રુટ વિતરણ તથા પ્રાથમિક શાળા નંબર-4મા બાળકોને અલ્પાહાર, મુન્દ્રા તાલુકા ભા.જ.પ દ્વારા અહિંસાધામ, પ્રાગપર ખાતે ગાયોને ચારો, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજભુજ દ્વારા માધાપર ખાતે રામનગરી પ્રાથમિક શાળા તથા સુખપર ગામે કુમાર શાળા નંબર-૧ ખાતે બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત પીઝાલીયો રેસ્ટોરેન્ટ પરિવાર ગાંધીધામ દ્વારા બાળકોને અલ્પાહાર, મુંદ્રા શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ, લખપત તાલુકા ભાજપ દ્વારા કેશવ છાત્રાલય દયાપર મધ્યે બાળકોને ભોજન, અંજાર શહેર–તાલુકા ભાજપ દ્વારા રામસખી મંદિર ખાતે શ્રમિકોને ભોજન, ડગાળા ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળામા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સેવાકીય સંસ્થાઓ અને સંગઠનો દ્વારા આયોજિત સેવા કાર્યો માટે આભાર વ્યક્ત કરાયો હતો.
ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત:માનકુવા અને સામત્રા વિસ્તારમાં 2.33 કરોડના ખર્ચે માર્ગ બનશે
અત્યારે શહેર હોય કે ગ્રામ્ય માર્ગની કાયા કલ્પ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે ત્યારે ભુજના ધારાસભ્યની રજૂઆતને પગલે 2.33 કરોડના ખર્ચે મંજુર થયેલા જિલ્લા પંચાયત હસ્તકના ભુજ તાલુકાના માનકુવા-સામત્રા વિસ્તારના મહત્વના માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું હતું. મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સામત્રા બસ સ્ટેશનથી ફોટડી 2 કિમી માટે 1.29 કરોડના ખર્ચે માર્ગ બનાવાશે. માનકુવા હાઈવેથી જૂનાવાસ ડેરા રોડ માટે 54.65 લાખના ખર્ચે અને તે જ યોજના તળે 49.78 લાખના ખર્ચે માનકુવા નવા વાસ ભોજાણી વિસ્તારથી નરાવારો રોડ મંજુર થયો છે. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હેઠળ બનનારા આ ત્રણે માર્ગોનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ રાજ્ય સરકારે કચ્છ અને ભુજ તાલુકામાં કરોડોના ખર્ચે વિકાસ કામોનો યજ્ઞ આદર્યો છે. વધુમાં ઉમેર્યું હતું કે આ માર્ગોનું નવિનીકરણ થઈ જતા લોકોની લાંબા સમયની માંગ સંતોષાઈ જશે. આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, સરપંચ રમેશભાઈ ભુડીયા, કચ્છ જીલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી તેમજ આસપાસના ગામના આગેવાનો, હોદેદારો, એજન્સીના ઠેકેદાર હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશ ભાનુશાલી તેમજ આભાર વિધિ રતિલાલ વેલાણીએ કરી હતી.
કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ‘સ્વામિત્વ યોજના’ અંતર્ગત કચ્છ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોની મિલકતોના ડેટા તૈયાર કરી પ્રોપર્ટી કાર્ડ આપવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લાના મિલકતધારકોને માલિકી હક્ક આપવા માટે DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર) વિભાગ દ્વારા આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા આગામી જૂન મહિના સુધીમાં આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે આખરી ઓપ આપી દેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. કચ્છ જિલ્લામાં કુલ 799 ગામોને આ યોજના હેઠળ આવરી લેવાના છે. જે પૈકી અત્યાર સુધીમાં 321 ગામોમાં ડ્રોન સર્વે અને ગ્રાઉન્ડ વેરિફિકેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ગામોના 31,906 મિલકતધારકોને તેમના હક્કના ‘સ્વામિત્વ કાર્ડ’ (પ્રોપર્ટી કાર્ડ) એનાયત કરી દેવામાં આવ્યા છે. આ કાર્ડ મળવાથી હવે બેંક લોન અને મિલકતના વિવાદોમાં પણ ઘટાડો થશે. જિલ્લામાં હજુ 285 ગામો એવા છે જ્યાં સર્વેની કામગીરી બાકી છે. જોકે, આ ગામોના ડિજિટલ નકશાઓ વિભાગને પ્રાપ્ત થઈ ગયા હોવાથી હવે ત્યાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે કચ્છની 40 લોકોની ટીમ કાર્યરત છે, જેની સાથે રાજકોટથી વિશેષ ૮ સર્વેયરની ફાળવણી કરવામાં આવી છે. આમ, કુલ 48 નિષ્ણાતોની ટીમ હાલ મેદાનમાં છે. આ અંગે વિગતો આપતા સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ્સ (DILR) અધિકારી જય ભોરાણીયાએ જણાવ્યું હતું કે, અત્યારે જે ગતિએ કામગીરી ચાલી રહી છે તે જોતા આગામી જૂન માસ સુધીમાં જિલ્લાના તમામ લક્ષિત ગામોને આવરી લેવામાં આવશે. અંદાજિત 90 હજાર જેટલા નાગરિકોને આ યોજનાનો સીધો લાભ મળશે. સાથે જ 102 ગામોમાં પ્રમોલગેશન માટેની નોટિસો પણ ઇસ્યુ કરી દેવામાં આવી છે.
બોર્ડની પરીક્ષા:ધો.10માં બેઝિક ગણિતનું પેપર સરળ રહ્યું છતાં 774 વિદ્યાર્થીએ પરીક્ષા જ ના આપી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી પરીક્ષામાં શુક્રવારે સવારના સત્રમાં ધોરણ 10 બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર પ્રમાણમાં ઘણું સરળ રહેતા પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સત્તાવાર આંકડા મુજબ, બેઝિક ગણિત વિષયમાં નોંધાયેલા કુલ 25214 પરીક્ષાર્થીઓમાંથી 24439 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી, જ્યારે 774 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત સંસ્કૃત પ્રથમામાં વિજ્ઞાન વિષયમાં તમામ 42 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ખાતે આવેલી પટેલ ભીમજી કેસરા વિદ્યાલયમાં ધોરણ 10ની પરીક્ષા આપી રહેલી બે વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક લથડી હતી. જોકે, કેન્દ્ર સંચાલકો અને આરોગ્ય ટીમની તત્પરતાને કારણે બંને વિદ્યાર્થિનીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ અને સ્વાસ્થ્યમાં સુધારો જણાતા આ બંને દીકરીઓએ હિંમતભેર પુનઃ પરીક્ષા ખંડમાં જઈ પોતાનું પેપર પૂર્ણ કર્યું હતું. બપોરના સત્રમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી દ્વિતીય ભાષાની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 738 માંથી 733 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્ર વિષયમાં 8538 માંથી 8329 વિદ્યાર્થીઓએ પોતાની કસોટી આપી હતી. સંસ્કૃત મધ્યમાં અંગ્રેજી વિષયમાં નોંધાયેલા તમામ 45 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં આજે ગુજરાતી અને અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર જ્યારે સાયન્સમાં અંગ્રેજી પ્રથમ ભાષાનું પેપર લેવાશે. ધોરણ 10માં આજે કોઈ પેપર નથી.સોમવારે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર યોજાશે.સમગ્ર જિલ્લામાં ક્યાંય પણ ગેરરીતિનો એક પણ કેસ નોંધાયો નથી. જિલ્લામાં પરીક્ષાની પારદર્શિતા જાળવી રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને તેમની ટીમ દ્વારા ભુજ, માંડવી, નખત્રાણા અને લખપત તાલુકાના કેન્દ્રો પર વિજિલન્સ સ્ક્વોર્ડ અને સ્થાનિક સ્ક્વોર્ડ દ્વારા આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કંટ્રોલ રૂમ ખાતેથી સીસીટીવી ફૂટેજ અને ડીવીડીનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી ફોર્મ્સ ભરવાની કામગીરી પણ પૂરજોશમાં હાથ ધરવામાં આવી હતી.
વાહનોની ડીલીવરી આપવાની કામગીરી ખોરવાઈ:નવા વાહનોના ટેક્સની ચૂકવણી માટે બે દિવસ ટેકનીકલ એરર આવી
કચ્છ સહિત રાજ્યમાં છેલ્લા બે દિવસથી નવા વાહનોના ટેક્સ ભરવા માટે ઓનલાઇન પોર્ટલ પર ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. પૅમેન્ટ ન થતા વાહનોની ડીલીવરી અટકી હતી જોકે, શુક્રવારે સાંજે ઉકેલ આવી જતા સૌએ રાહત અનુભવી હતી. આ બાબતે જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે, નવા વાહનોમાં નંબર પ્લેટ ઇસ્યુ કરવા સુધીની કામગીરી હાલ ડીલરો દ્વારા કરવામાં આવે છે. કોઈપણ નવું વાહન ખરીદવામાં આવે ત્યારે તેની પ્રક્રિયા કુલ ચાર તબક્કામાં પૂર્ણ થાય છે, જેમાં પ્રથમ ઓનલાઇન સોફ્ટવેરમાં એન્ટ્રી અને બીજા તબક્કામાં ડોક્યુમેન્ટ અપલોડની કામગીરી સફળતાપૂર્વક થતી હતી, પરંતુ ત્રીજા તબક્કે એટલે કે ઓનલાઇન ટેક્સ ભરવા માટે જ્યારે ડીલરો ક્લિક કરતા ત્યારે સિસ્ટમમાં સીધી એરર આવી જતી અને પેમેન્ટનો વિકલ્પ ન દેખાતા બુધવારે બપોર પછીથી પ્રક્રિયા ઠપ્પ થઈ હતી. ટેક્સ ન ભરાય ત્યાં સુધી નંબર પ્લેટની પ્રોસેસ આગળ વધતી નથી અને નંબર પ્લેટ વગર વાહનની ડિલિવરી આપી શકાતી નથી, જેને કારણે ડીલરોમાં ભારે ચિંતા પ્રસરી હતી. નિયમ મુજબ વાહનની એન્ટ્રી થયાના સાત દિવસમાં ટેક્સ ભરવો ફરજિયાત હોય છે, અન્યથા પેનલ્ટી ભરવી પડે છે. જોકે, શુક્રવારે સાંજે આ સમસ્યાનું નિવારણ આવી ગયું હતું. આરટીઓ વિભાગના સત્તાવાર સૂત્રોએ આ બાબતે જણાવ્યું હતું કે, આ સમસ્યા નવા વાહનોના ટેક્સ પેમેન્ટ પૂરતી મર્યાદિત હતી અને તેની પાછળ બેંકનું સર્વર ડાઉન હોવાનું કારણ જવાબદાર હતું. આરટીઓની અન્ય કોઈ કામગીરી પર તેની અસર પડી ન હતી. શુક્રવારે સાંજથી ફરી પેમેન્ટ ઓપ્શન શરૂ થઈ જતાં અટકેલી કામગીરી ફરી વેગ પકડશે.
કચ્છમાં ફાગણમાં તાપ વધ્યો:ભુજ 37.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
કચ્છમાં સામાન્ય રીતે માર્ચ મહિનાના મધ્ય બાદ ઉનાળાની આકરી શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે કુદરતી ચક્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. માર્ચના પ્રથમ સપ્તાહથી જ સૂર્યનારાયણે આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે શુક્રવારે જિલ્લા મથક ભુજ સમગ્ર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શુક્રવારે ભુજમાં મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ વર્ષની સીઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન છે. બપોરના સમયે રસ્તાઓ પર લૂ (ગરમ પવનો) ફૂંકાતા લોકોએ રીતસરની ભીષણ ગરમીનો અહેસાસ કર્યો હતો. માત્ર ભુજ જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો ઉંચકાયો છે. કંડલા એરપોર્ટ વિસ્તારમાં 35.6 ડિગ્રી, કંડલા પોર્ટ પર 31.૩ ડિગ્રી અને નલિયામાં 30.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મોસમ વિભાગની આગાહી મુજબ, શનિવાર સુધી કચ્છમાં ભારે ગરમીની રહેવાની શક્યતા દર્શાવી હતી. હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જો આ જ રીતે પારો ઉંચકાતો રહ્યો તો માર્ચના શરૂઆતના દિવસોમાં જ ભુજ સહિતના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી જાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. સવારે ઠંડી અને બપોરે ગરમી બદલાતા મોસમની સ્વાસ્થ્ય પર અસરહાલમાં હવામાનમાં જોવા મળતા તીવ્ર ફેરફારોને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થવાની શક્યતા વધી રહી છે. સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરે ભીષણ ગરમી અનુભવાય છે. આ તાપમાનના તફાવતને કારણે ડિહાઇડ્રેશન, સર્દી-ખાંસી, તાવ, ગળામાં દુખાવો અને એલર્જી જેવી તકલીફો વધી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આવા સમયમાં પૂરતું પાણી પીવું અને તાજું તેમજ પૌષ્ટિક આહાર લેવું જરૂરી છે. બદલાતા હવામાનમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.
PGVCL એક્શન મોડમાં:55 કરોડની બાકી વીજબીલ વસુલાત માટે આજે મેગા ડીસ્કનેક્શન ડ્રાઈવ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા બાકી વીજ બીલની વસુલાત માટે આજે ફરી મેગા ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.પીજીવીસીએલની ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા ગ્રાહકોમાં રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક, ખેતીવાડી સહિતના વીજ જોડાણોમાં 55 કરોડની રકમ ગ્રાહકો દ્વારા ભરપાઈ કરવાની બાકી છે. આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં આવતી તમામ પેટા વિભાગીય કચેરીઓમાં ડ્રાઈવ સમયે બાકી વીજ બિલના લેણા ધરાવતા વીજ ગ્રાહકોના વીજ જોડાણ સ્થળ પર જ ડીસ કનેક્ટ કરવામાં આવશે. વીજબિલના બાકીના નાણાંની વસુલાત માટે ભુજ વર્તુળ કચેરી હેઠળના 20 પેટા વિભાગીય કચેરીઓમાં આ આયોજન કરાયું છે. બાકી વીજબિલની રકમ ધરાવતા ગ્રાહકોને તંત્ર દ્વારા ફરીથી અરજ કરવામાં આવી છે કે આપનો વીજ પુરવઠો બંધ થાય નહીં તે માટે બાકી વીજ બિલના લેણા રકમ તાત્કાલિક સ્થાનિક પેટા વિભાગીય કચેરીમાં અથવા ઓનલાઇન વિવિધ માધ્યમો દ્વારા ભરપાઈ કરી આપશો. આ માટે ગ્રાહકો વિવિધ ઓનલાઇન માધ્યમ જેમકે GOOGLE PAY, પીજીવીસીએલ ની વેબસાઈટ, ક્રેડિટ કાર્ડ, PHONEPE, AMAZONPE, UPI, BHIMUPI, RTGS, વિવિધ બેંકો ની મોબાઇલ એપ્લિકેશન વિગેરેનો ઉપયોગ કરી ને બાકી રહેતા નાણાની ચુકવણી કરી શકે છે. હવે સ્થળ પર નહી સ્વીકારવામાં આવે બીલ, વીજળી થશે ગુલવિજ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપર કોઈપણ નાણાં સ્વીકારવામાં કે વસૂલવામાં આવશે નહીં. વીજ પુરવઠો કપાઈ ગયા પછી ગ્રાહકે સંબંધિત પેટા વિભાગીય કચેરીમાં જઈને 100% લેણા ની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ સાથે ગ્રાહકોએ નિયમ અનુસાર રી-કનેક્શન ચાર્જ ભરી અને જરૂરી ઇ-કેવાયસી ડોક્યુમેન્ટસ રજૂ કરવાના રહેશે. ગ્રાહકોને સૂચિત કરતા જણાવાયું છે કે બાકી લેણાંની રકમમાં અધુરી રકમ સ્વીકારવામાં આવશે નહીં. જ્યાં સુધી બાકી લેણાની પૂરી રકમ ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે નહીં.
ઓપરેશન સિંદૂર બાદ તંત્ર નિષ્ક્રિય:ભુજમાં 10 મહિનાથી મોકડ્રીલ કે સાયરનનું ટેસ્ટીંગ નહીં
‘ઓપરેશન સિંદૂર’ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રીક્ટની કેટેગરી બનાવીને સરહદી કચ્છ સહિત દેશના 244 જિલ્લાનો સમાવેશ કર્યો હતો. આ પ્રકારના જિલ્લામાં દરેક મોટા ચાર રસ્તા પર પબ્લિક એડ્રેસલ સિસ્ટમ, એર રેડ સાયરન અને સ્કૂલ કોલેજમાં મોકડ્રીલની ટ્રેનિંગ, સીપીઆર સહિતની ટ્રેનિંગ આપવાની હતી. ઓપરેશન સિંદુર બાદ જિલ્લામાં 76 સ્થળે સાયરન લગાવામાં આવ્યા છે. પણ તેનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું નથી. આ સાયરન લગાવ માટે સિવિલ ડીફેન્સ અને ડીઝાસ્ટર વિભાગ દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું હતું. જે બજેટમાંથી તંત્ર દ્વારા સાયરનની ખરીદી કરીને ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. કચ્છમાં ભૂતકાળમાં ‘ઓપરેશન સિંદૂર’ જેવી સ્થિતિઓ જોઈ હોવાથી, સાયરન સિસ્ટમનું કાર્યરત હોવું અત્યંત અનિવાર્ય છે. હાલ ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના તણાવની વૈશ્વિક અસરો વચ્ચે કચ્છમાં સાયરન ટેસ્ટિંગ ન થવાને કારણે જો અચાનક સાયરન વાગે તો લોકો અચાનક ચિંતા ફેલાઈ શકે છે. કચ્છ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. જો વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વણસે અને સરહદ પર હલચલ વધે, સાયરનએ નાગરિકોને ચેતવણી આપવાનું પ્રથમ માધ્યમ છે. આ અંગે કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ભુજ સહીત જિલ્લાના સરહદી તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ઓપરેશન સિદુર બાદ 76 સાયરન લગાવવામાં આવ્યા છે. ઉપરાંત 325 જેટલા સાયરન જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી લગાવામાં આવ્યા છે. હાલ બોર્ડની પરીક્ષા ચાલુ હોવાથી ટેસ્ટીંગ કરવામાં આવ્યું નથી. પરીક્ષાના માહોલ સમયે બાળકોમાં ગભરાહટ ન ફેલાય અને શાંત મને પરીક્ષા આપી શકે તે માટે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ જિલ્લામાં સાયરનનું ટેસ્ટીંગ કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા વચ્ચે અમદાવાદમાં આજે વાગશે સાયરનઅમદાવાદમાં લાંબા સમય બાદ ફરી એકવાર સાયરનનો અવાજ ગુંજશે. સામાન્ય રીતે સાયરનનો અવાજ કોઈ હોનારત કે યુદ્ધ જેવી કટોકટીનો સંકેત આપતો હોય છે, પરંતુ આવતીકાલે એટલે કે 7 માર્ચના રોજ વાગનારું સાયરન કોઈ ખતરાની નિશાની નથી. નાગરિક સંરક્ષણ તાલીમશાળા અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા શહેરમાં નવી આધુનિક સાયરન સિસ્ટમની કાર્યક્ષમતા ચકાસવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અંગે તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરીને લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. આજે સવારે 8:00 થી 10:00 કલાક દરમિયાન સાયરન ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પરીક્ષણ લાલ દરવાજા સ્થિત હોમગાર્ડ્ઝ ભવન ખાતે કરવામાં આવનાર છે, જ્યાં નિર્ધારિત બે કલાકના સમયગાળામાં સમયાંતરે અવાર-નવાર સાયરન વગાડવામાં આવશે. કચ્છ ભૌગોલિક રીતે મિડલ ઈસ્ટની સૌથી નજીકનો ભારતીય વિસ્તારકચ્છ (ખાસ કરીને મુંદ્રા કે કંડલા બંદરથી) અરબી સમુદ્ર મારફતે મિડલ ઈસ્ટ સીધું જોડાયેલું છે. કચ્છથી ઈરાન (ચાબહાર બંદર): આશરે 900 થી 1000 કિલોમીટર (લગભગ 500 નોટિકલ માઈલ). કચ્છથી હોર્મુઝની સામુદ્રધુની આશરે 1200 થી 1350 કિલોમીટર છે. આ જળમાર્ગ વિશ્વના ક્રૂડ ઓઈલ સપ્લાય માટે સૌથી મહત્વનો છે. કચ્છથી પર્શિયન ગલ્ફ (અખાત - દુબઈ/બંદર અબ્બાસ): આશરે 1400 થી 1700 કિલોમીટર છે. ભાસ્કર નોલેજસાયરન ટેસ્ટ ન થાય તો , કટોકટીના સમયે ટેકનિકલ ખામી સર્જાવાની ભીતિજો લાંબા સમય સુધી સાયરનનું ટેસ્ટીંગ કરવામાં ન આવે અને જો કટોકટી સમયે જયારે સાયરનમાં ટેકનીકલ ખામી સર્જાય ત્યારે સાયરન ન વાગે તેવું પણ બની શકે. જો સાયરનનું નિયમિત ટેસ્ટિંગ અને તેની જાણકારી જાહેર જનતાને ન હોય, તો અચાનક કોઈ અવાજ કે ટેસ્ટિંગથી લોકોમાં ગભરાટ ફેલાઈ શકે. તંત્ર દ્વારા જો આધુનિક સાધનોનું મેન્ટેનન્સ ન થતું હોય, તો યુદ્ધ જેવી સ્થિતિમાં સામાન્ય જનતા સુરક્ષા વ્યવસ્થા પરથી વિશ્વાસ ગુમાવી શકે છે. યુદ્ધ દરમિયાન સાયરનનો મુખ્ય હેતુ હવાઈ હુમલા વિશે લોકોને સતર્ક કરવાનો હોય છે. જિલ્લામાં 76 સ્થળોએ સાયરન હોવા છતાં તેનું ચેકિંગ ન થવું એ સુરક્ષામાં એક મોટી ખામી સાબિત થઈ શકે છે.ત્યારે તંત્ર દ્વારા સમયાંતરે સાયરન વગાડીને તેની ક્ષમતા તપાસવી જરૂરી બની રહી છે.
T-20 વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની એન્ટ્રી થતા જ અમદાવાદમાં જબરદસ્ત ક્રિકેટ ફિવેર છવાયો છે. ટીમ ઈન્ડિયા અને કિવિઝ ટીમ અમદાવાદ આવી ચૂકી છે. તો બીજી તરફ ફાઈનલ મેચ નિહાળવા માટે ક્રિકેટ પ્રેમીઓએ પણ અમદાવાદ પહોંચવા તૈયારીઓ કરી લીધી છે. T-20 વર્લ્ડકપ ફાઈનલ મેચમાં અંદાજે 40 હજાર પ્રેક્ષકો બહારથી આવી તેવી શક્યતા જોવાઈ રહી છે. જેના કારણે અમદાવાદની હોટલ રૂમના અને ફ્લાઈટના ભાડા આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસોમાં હોટલ રૂમના અને ફ્લાઈટના જે ભાડા હોય છે તેમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે. T-20 વર્લ્ડકપની મેચ નિહાળવા આવનાર ક્રિકેટ પ્રેમીઓ 80 હજાર સુધી રૂમનું ભાડું ચૂકવવા તૈયાર છે. તો બીજી તરફ દિલ્હી, મુંબઈ, બેંગાલુરુથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડા પણ 15 હજારથી 30 હજાર સુધી પહોંચ્યા છે. હોટલ અને એર ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા લોકોના મતે આ ભાડામાં હજી પણ વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે. 8મી માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયા-ન્યૂઝિલેન્ડ વચ્ચે ફાઈનલઅમદાવાદમાં ક્રિકેટનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળવાનો છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એક વખત ઇતિહાસ રચવા તૈયાર છે. જ્યાં 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ રમવાની છે. ફાઈનલ મેચના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં જ નહીં પરંતુ શહેરના હોટલ અને હૉસ્પિટાલિટી સેક્ટરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચ પહેલા જ શહેરની તમામ હોટલો લગભગ હાઉસફુલ થઈ ગઈ છે અને રૂમના ભાવોમાં 300થી 400 ટકા સુધીનો તોફાની વધારો નોંધાયો છે. અન્ય રાજ્ય અને દેશમાંથી 40 હજાર લોકો અમદાવાદ આવે તેવી શક્યતાસામાન્ય દિવસોમાં 5 હજારથી 6 હજાર રૂપિયામાં મળતા હોટલ રૂમ હવે 15 હજારથી શરૂ થઈ 80 હજાર સુધી પહોંચી ગયા છે. ઘણી હોટલોમાં તો રૂમ મળવો મુશ્કેલ બની ગયો છે. હાલની સ્થિતિ એવી છે કે અમદાવાદની ઘણી જાણીતી હોટલોમાં 70થી 80 ટકા સુધીનું બુકિંગ પહેલેથી જ થઈ ગયું છે. જ્યારે અમુક કલાકોમાં તો તમામ હોટલો સોલ્ડ આઉટ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રિકેટ ફાઈનલના કારણે શહેરમાં હજારો ફેન્સ આવવાના છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા 1.20 લાખથી વધુ છે અને અંદાજે 30થી 40 હજાર જેટલા લોકો બહારના શહેરો કે દેશોમાંથી મેચ જોવા અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. આ જ કારણ છે કે હોટલોની માંગ અચાનક વધી ગઈ છે. માંગ વધારે અને રૂમોની સંખ્યા મર્યાદિત હોવાથી હોટલના ભાવ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય દિવસમાં 6000માં મળતા રૂમ 15,000માં મળવા મુશ્કેલ!માર્ચ મહિનો હોટલ ઇન્ડસ્ટ્રી માટે ઘણો ઠંડો રહ્યો હતો. પરંતુ ફાઈનલ મેચના કારણે હોટલ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 50થી 60 ટકા સુધીનો ગ્રોથ જોવા મળી શકે છે. ઘણા ક્રિકેટ ફેન્સે તો મેચની ટિકિટ મળ્યા પહેલા જ હોટલ બુક કરી દીધી છે. એક તરફ ક્રિકેટ પ્રેમીઓ માટે આ મેચ ઉત્સાહ અને ગૌરવનો ક્ષણ બનવાની છે. તો બીજી તરફ અમદાવાદના હોટલ ઇન્ડસ્ટ્રી માટે ફાઈનલ સોનેરી તક સાબિત થઈ રહી છે. શહેરમાં ક્રિકેટનો જાદુ એવો છવાયો છે કે,લોકો મેચની એક ઝલક જોવા માટે ભારે ખર્ચ કરવા તૈયાર થઈ ગયા છે. જેથી ભાવમાં 300થી 400 ટકાનો વધારો થયો છે છતાં 80 ટકા જેટલું તો બુકિંગ પણ થઈ ગયું છે. સામાન્ય દિવસમાં 6 હજારમાં મળતા હોટલના રૂમ 15,000માં પણ મળવા મુશ્કેલ છે. જેથી હજુ પણ જેમ ડિમાન્ડ વધશે તેમ હોટલના ભાવમાં પણ વધારો થવાનો છે. હોટલ રૂમના ભાડામાં હજી પણ વધારો થઈ શકે- નરેન્દ્ર સોમાણીહોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ માટે ગૌરવની વાત છે કે T20 વર્લ્ડ કપની ફાઈનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેના કારણે હોટલ સંચાલકોને ઘણો ફાયદો થવાનો છે. જેમ જેમ લોકોને ટિકિટ મળી રહી છે તેમ તેમ બુકિંગ માટેનો ઘસારો જોવા મળી રહ્યો છે. અત્યારે હોટલના ભાવ 15,000થી 80,000 સુધી ચાલી રહ્યા છે. તેમજ જેમ જેમ લોકોને ટિકિટ મળી રહી છે તેમ થોડા થોડા ભાવ વધી રહ્યા છે અને હોટલ બુકિંગ માટેની ડિમાન્ડ પણ વધી રહી છે. જેથી હજુ પણ ભાવ વધી શકે છે. હોટલ ઇન્ડસ્ટ્રીને કેટલો ફાયદો થશે તેને લઈને નરેન્દ્રભાઈ સોમાણી જણાવે છે કે, તમામ હોટલ ફુલ થઈ જાય તેવી આશા છે. કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કેપેસિટી એક લાખ કરતા વધુની છે. જેથી બહારથી 40,000 જેટલા લોકો મેચ જોવા માટે અમદાવાદ આવતા હોય છે. જેથી 10,000થી 15,000 રૂમની વ્યવસ્થાની જરૂર પડતી હોય છે. પરંતુ ડિમાન્ડની સામે રૂમની વ્યવસ્થા ઓછી હોવાથી ભાવ વધી જતા હોય છે. માર્ચ મહિનો હોટલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ઠંડો મહિનો થયો હતો. પરંતુ મેચના કારણે બે ત્રણ દિવસમાં જ હોટલ સંચાલકોને ઘણો ફાયદો થવાનો છે. ફાઇનલ મેચના કારણે હોટલમાં થયેલા ભાવ વધારાને લઈને નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, બે દિવસમાં જ હોટલ ઇન્ડસ્ટ્રીને 50થી 60 ટકાનો ગ્રોથ થવાનો છે. અત્યાર સુધીમાં 70 થી 80 ટકા જેટલું બુકિંગ થઈ ગયું છે. ફાઇનલ મેચ હોવાથી બહારથી વધુ લોકો આવતા આ વખતે 300થી 400 ટકા ગણો ભાવમાં વધારો થયો છે. જે હોટલમાં રૂમમાં ભાવ 6000 હતા તે લોકો અત્યારે 18થી 20 હજારમાં વહેંચી રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી અમદાવાદમાં મોટી મોટી ઇવેન્ટ અમદાવાદમાં યોજાઇ રહી છે. જેના કારણે હોટલ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તેમજ કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સ આવી રહી છે તેના કારણે 2030 સુધીમાં અત્યારે જેટલી હોટલો છે તેટલી જ વધુ નવી હોટલો નવી તૈયાર થવાની છે. અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં પણ તોતિંગ વધારોચિક્કી ટ્રાવેલ્સના ડાયરેક્ટર અંકિત બજાજના જણાવ્યા અનુસાર T-20 મેચની ફાઈનલના કારણે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ અન્ય રાજ્ય અને દેશમાંથી અમદાવાદ આવવાના છે. રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ જેવા શહેરોમાંથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડા પણ સામાન્ય દિવસની સરખામણીએ ત્રણથી ચાર ગણા વધી ગયા છે. જ્યાં સામાન્ય રીતે 5 થી 7 હજારમાં ટિકિટ મળતી હતી, ત્યાં હવે 20 થી 30 હજાર રૂપિયા બોલાઈ રહ્યા છે. ડોમેસ્ટિકની સાથે સાથે દુબઈ અને લંડનથી આવતા ક્રિકેટ પ્રેમીઓ માટે પણ મુસાફરી મોંઘી બની છે. લંડનથી અમદાવાદની ટિકિટ હવે 1.2 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
બાજવા રહેતા પ્રૌઢ હોળીના દિવસે ઉંડેરા ખાતે રહેતી તેમની બહેનના ઘરેથી ચાલતા બાજવા જઈ રહ્યા હતા. દરમિયાન તેમનું અકસ્માતે મોત થયું હતું. તેમની બહેનને ભાઈના અકસ્માતની જાણ થતાં તેઓ ગોત્રી જીએમઈઆરએસ હૉસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં પ્રૌઢને મૃત જાહેર કર્યા હતા. જે તે સમયમે પરિવારે મોતને કુદરતી મોતમાં ખપાવી દીધું હતું. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, તેમના શરીર પર કેટલાક નીશાન છે, જેના આધારે જાણવા મળ્યું હતું કે, પૌઢને વાહને અડફેટે લેતા તેઓનું મોત થયું હતું. પૌઢના ભાઈએ જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાજવા રહેતા 54 વર્ષીય મહેશભાઈ ગોરધનભાઈ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. હોળીના દિવસે તેઓ ઉંડેરા ખાતે રહેતી તેમના બહેન ભાવના બહેનના ઘરે ગયા હતા. જ્યાંથી સાંજના સમયે તેઓ બાજવા ઘરે જવા માટે ચાલતા નીકળ્યા હતા. ત્યારે સાંજના પોણા આઠ વાગ્યાના અરસામાં ભાવના બહેને ગોત્રી જીએમઈઆરએસ હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે, તેમના ભાઈને બેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં લાવ્યા છે. જેથી પરિવારના સભ્યો હૉસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં તેઓને જાણકારી મળી હતી કે, રીફાઈનરીના મુખ્ય ગેટ નજીક મહેશભાઈ બેભાન હાલતમાં પડ્યા હતા. જેથી રાહદારીએ તેઓને 108 દ્વારા હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માતે મોતને લઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમમાં તબીબે પરીવારને બતાવ્યું હતું કે, મહેશભાઈને પેટના ભાગે, પીઠના ભાગે ઈજા પહોંચી હતી અને તેઓને જમણા ખભામાં ફેક્ચર થયું છે. જેના આધારે પૂરવાર થયું હતું કે, મહેશભાઈને કોઈ વાહને અડફેટે લેતા તેઓનું મોત થયું છે. જેથી મહેશભાઈના ભાઈ ધવલ પટેલે જવાહર નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવીના આધારે ક્રેને અડફેટે લઇ અકસ્માત કર્યો હોવાની પુષ્ટિ થઈ હતીહોળીની રાત્રે જવાહરનગર પોલીસ મથક હદ વિસ્તારમાં અકસ્માતે મોતની 2 ઘટનાઓ બની હતી. જેને પગલે 2 મૃતદેહ ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં આવ્યા હતા. જેને કારણે પોલીસે મહેશભાઈના મૃતદેહની તપાસ કરી ન હતી. જોકે મૃતદેહના ફોટા ઉચ્ચ અધિકારીએ જોતા તેઓને અકસ્માતની શંકા થતા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી તપાસવા આદેશ આપ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે મહેશભાઈને ક્રેને અડફેટમાં લેતા તેઓનું મોત થયું છે. જેથી પોલીસે હાલમાં ક્રેનને કબ્જામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે. ભાસ્કર ઇનસાઇડમહેશભાઈને ક્રેને અડફેટે લેતાં તેઓનું મોતહોળીના દિવસે જવાહર નગર પોલીસ મથકના સ્ટાફે રાત્રે મહેશભાઈનો મૃતદેહ જોયો નહોતો. અધિકારીને ફોટા બતાવતા તેઓને શંકા ગઈ હતી. જેને આધારે ઘટના સ્થળના આસપાસના સીસીટીવીના તપાસતા બહાર આવ્યું હતું કે, ક્રેન ચાલકે મહેશભાઈને અડફેટે લેતા તેઓનું મોત થયું હતું. હાલમાં પોલીસ ક્રેનને કબ્જામાં લઈ લીધી છે.
મકરપુરા જીઆઈડીસીની ક્રિશોન એન્જિનિયરિંગ કંપનીએ ગેસ ટ્રાન્સપોર્ટ કરવાના ટેંકર બનાવવમાં ગેરરિતી કરતા વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. ટેંકરનું સર્ટિ આપનાર કોલકાતાની કંપની સામે પણ ગુનો નોંધાયો છે. વડસર રોયલવિલા ખાતે રહેતા અશોકકુમાર પુરષોત્તમકુમાર જોઇન્ટ ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવની કચેરી વડસર ખાતે કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ તરીકે નોકરી કરે છે. 2024માં પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પેસો)માં એક વ્યક્તિએ ટેંકરની બનાવટમાં ગેરરિતી થયાની જાણ કરતાં ઈન્સ્પેક્શનમાં ધ્યાને આવ્યું હતું કે, પેસો માન્ય ટેંક બનાવવાનું એપ્રુવલ મકરપુરાની ક્રિશોન એન્જિનિયરિંગને અપાયું હતું. ટેન્કરની જાડાઈ 18 એમએમની જગ્યાએ બે ટેંકરની જાડાઈ ઓછી હતી. સર્ટિ તપાસતાં મે.ઈન્ડ્સ્ટ્રીયલ મેનેજમેન્ટ કાઉન્સિલ, કોલકતાનું હોવાનું સામે આવ્યું હતું. બંને સામે માંજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે. સતત બે વર્ષ પ્રક્રિયા ચાલી, બીજા ઈન્સ્પેક્શનમાં ગેરરીતિ પકડાઈ ગઇ2024માં એક વ્યક્તિએ ગેરરિતીની ફરિયાદ કરતાં પેસો દ્વારા ઈન્સ્પેક્શન કરવા જણાવ્યું હતું. શરૂઆતમાં કોલકાતાની મેસર્સ ઈન્ડ્સટ્રિયલ મેનેજમેન્ટ કંપનીએ ઈન્સ્પેક્શન કર્યું હતું. તે રિપોર્ટની તપાસ કરતાં શંકા જતા બીજી કંપની પાસે તે જ રિપોર્ટ કરાવાતા ગેરરિતી સામે આવી હતી. સતત બે વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી હતી. ત્યારબાદ આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો.
શહેરમાં ગુરુવારે વડોદરાની કોર્ટને 16 દિવસમાં બીજીવાર બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતાં ભાગ-દોડ મચી ગઈ હતી. આ પ્રકરણને લઈ સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં ફરીથી અગાઉની જેમ જ ઈ-મેલ કેલિફોર્નિયાના સર્વરથી રૂટ થઇ મોકલાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અગાઉ પણ કેલિફોર્નિયાના સર્વરનો ઉપયોગ થયો હતો. ગુરુવારે કોર્ટમાં 14 સાઇનાઇડ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી અપાઈ હતી. સાથે જ એલટીટીઈ અને આઈએસઆઈનો ઉલ્લેખ કરીને ધમકી મોકલવામાં આવી હતી. વડોદરા સાથે મહેસાણાની કોર્ટને પણ ધમકીનો ઈ-મેલ મોકલાયો હતો. મકરપુરા એરફોર્સના કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષિકને કેનેડાના ફોન નંબરનો ઉપયોગ કરીને બોમ્બ બ્લાસ્ટનો ઈ-મેલ મોકલાયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્ટેટ સાયબર ક્રાઈમ, આઈ-4સી, એટીએસ સહિતની મદદ લીધી છે. હોટમેલ પાસે ઈ-મેલ આઈડીના આઈપી એડ્રેસની માગણી કરી છે. તે મળ્યા બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે. પોલીસ વહેલાં પકડી ન શકે તે માટે વીપીએનનો ઉપયોગ કરે છેભેજાબાજો ડર ઉભો કરવા દેશમાં તમિલનાડુ રાજકારણ અને ખાલિસ્તાનને ટાર્ગેટ કરીને ધમકીભર્યા ઈ-મેલ મોકલે છે. જોકે પોલીસ ભેજાબાજ સુધી વહેલાં પહોંચી ન શકે તેને લઈ વીપીએનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે પ્રોક્સી દ્વારા વિવિધ દેશના આઈપી એડ્રેસ બાઉન્સ કરાવે છે. તેઓ ક્યાં બેસીને ઈ-મેલ મોકલી રહ્યા છે તે જાણવું અઘરૂં બની જાય છે. વડોદરાને કરાચી અને નાગોરને જયપુરના નામથી ઈ-મેલ મળ્યોવડોદાર કોર્ટને કરાચી તેમજ મારન સેલનો ઉલ્લેખ કરી ઈ-મેલ મોકલાયો હતો. રાજસ્થાનની નાગૌર કોર્ટને મારન સેલ સાથે જયપુરનું નામ બદલીને ધમકી મોકલાઈ. વધુ ભય ઉભો કરવા ભેજાબાજ દ્વારા જુદા-જુદા શહેરના નામનો પણ ઉલ્લેખ કરીને ઈ-મેલ મોકલવામાં આવી રહ્યો છે. આ સાથે જ ટોસિસ સેલનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. વડોદરાને ગુજરાતીમાં ઇ-મેલ મળ્યો તેની 10 મિનિટ પહેલાં નાગોરની કોર્ટને શબ્દશઃ હિંદીમાં મોકલાયોવડોદરા કોર્ટને ગુજરાતીમાં ધમકીનો ઈ-મેલ મળ્યો હતો. જેની બરાબર 10 મિનિટ પહેલાં જ રાજસ્થાનની નાગોર કોર્ટને શબ્દસહ હિંદીમાં ધમકીભર્યો ઈ-મેલ મોકલાયો હતો. અજીથમ કુડુમ્બાના હોટમેલ ડોટ કોમના આઈડી પરથી ઈ-મેલ મોકલાયો હતો. વિવિધ રાજ્યની ભાષા જાણીને ઈ-મેલ મોકલાઇ રહ્યા છે. બીજી બાજુ મહારાષ્ટ્રના નાગપુરની કોર્ટને પણ આ જ પ્રકારનો 14 બોમ્બ વિસ્ફોટનો ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. પોલીસ ઈ-મેલ મોકલનાર સુધી વહેલા પહોંચી ન શકે એટલે વીપીએન તેમજ ડાર્કવેબનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વડોદરામાં નવી કોર્ટની ઇમારતને આઠ વર્ષ થયા છે. આ ઇમારત અને પરિસરની સુવિધાઓ માટે વકીલોને નડતા પ્રશ્નોનો ઉકેલ આજ દિન સુધી આવ્યો નથી. આ ઉપરાંત પણ કેટલાક મુદ્દાઓ છે જેનો વકીલો પણ ઉકેલ આવે તેમ ઇચ્છે છે. દિવ્ય ભાસ્કર દ્વારા વકીલોના વિવિધ પ્રશ્નોના મુદ્દે એક ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના અગ્રણી વકીલોએ તેમને નડતી સમસ્યાઓ જણાવી હતી અને કેટલાક સૂચનો પણ કર્યાં હતા. ચર્ચાસત્રમાં તેમણે જણાવ્યું હતું કે, વડોદરાની કોર્ટમાં વકીલો માટે વાહનોના પાર્કિંગ, બેસવાની સ્પેસની પળોજણ, એડવોકેટ હાઉસમાં એસી પણ નથી. આ ઉપરાંત ન્યાયતંત્રમાં અનુભવી અધિકારી-કર્મીઓની ઉપલબ્ધિ અને તેમના માટે હાલમાં અપાતી તાલીમની ગુણવત્તા તથા અનુભવની જરૂરિયાત વિશે પણ ચર્ચા થઇ હતી. સિનિયર વકીલોએ આ ચર્ચાસત્રમાં બદલાતી કાયદાકીય જોગવાઇઓ અને તેની ન્યાયપ્રણાલી અને વકીલોના વ્યવસાય પર થતી અસરની પણ છણાવટ કરી હતી. આ ચર્ચાસત્રમાં વકીલોએ રજૂ કરેલી કેટલીક સમસ્યાઓ અને અવલોકનો અત્રે પ્રસ્તુત છે. હાઇકોર્ટની બેચ વડોદરામાં પણ હોય, વકીલો માટે પ્રોટેક્શન એક્ટની જરૂરિયાત01: કન્ઝ્યુમર કોર્ટમાં ઓનલાઇન ફરિયાદમાં મુશ્કેલીકન્ઝ્યુમર કોર્ટમાં 2023થી ઓનલાઇન ફરિયાદ કરવાનું ફરજિયાત થયું છે. પાદરા-વાઘોડિયા જેવા સેન્ટર પરથી આવતા વકીલોને આ માટે મુશ્કેલી પડે છે. કોઇવાર આ કારણસર ખર્ચ વધે છે. > મોન્ટુ પંડ્યા 02: કેસની સર્ટિફાઇડ કોપીની સત્તા કારકૂનને હોય તો સમય બચેદરેક કોર્ટમાં એક એક ફોટોકોપી મશીન હોવું જોઇએ. આ ઉપરાંત કેસની સર્ટિફાઇડ કોપી આપવાની સત્તા એક કારકૂન પાસે હોવી જોઇએ. જેથી સૌના સમયનો બચાવ થાય, કામગીરી ઝડપી બને. > અવધૂત સુમંત 03: એડવોકેટ હાઉસમાં એસી નથી, ઉનાળામાં તકલીફ પડે છેકોર્ટના એડવોકેટ હાઉસમાં એસીની સુવિધા નથી. જેના લીધે ઉનાળામાં વકીલોને આકરી ગરમી અનુભવવી પડે છે. આ સુવિધા હોવી જોઇએ. જેથી એડવોકેટ આસાનીથી કામ કરી શકે. > હસમુખ ભટ્ટ 04: સુનાવણીઓ લાંબી ચાલે છે, ત્રણની મર્યાદા હોવી જોઇએકોર્ટમાં પાર્કિંગમાં વાહનો આડેધડ થાય છે. જેના કારણે પાછળ રહેતા ચાલકનો બીનજરૂરી સમય વેડફાય છે. કોર્ટમાં સુનાવણીઓ લાંબી ચાલે છે. ત્રણેક સુનાવણીની મર્યાદા હોવી જોઇએ. > મુકુંદ શાહ 05: પાર્કિંગમાં શેડ ન હોવાથી ચોમાસામાં પલળી જવાય છેકોર્ટના પાર્કિંગમાં શેડ નથી આ સુવિધા ન હોવાથી ચોમાસામાં મુખ્ય બિલ્ડિંગ સુધી ચાલીને જવું પડે છે. જેથી તેઓ પલળી પણ શકે છે. વડોદરા સિવાયની બધા જ શહેરોમાં આ સુવિધા છે. > વિજય શિર્કે 06: હાઇકોર્ટની બેન્ચ માટે બાર કાઉન્સિલે પ્રયાસ કરવો જોઈએછોટાઉદેપુર, સાવલી કરજણમાં સેશન્સ કોર્ટ શરૂ થઇ ગઇ છે. જો હાઇકોર્ટની બેન્ચ પણ વડોદરા સહિતના શહેરોમાં આવે તો નાણા-સમય બચે. આ માટે બાર કાઉન્સિલ કેમ પ્રયાસ કરતી નથી. > કૌશિક ભટ્ટ 07: વકીલો માટે અલાયદી એડવોકેટ હાઉસ બિલ્ડિંગ જરૂરીવકીલો માટે અલાયદી એડવોકેટ હાઉસ બિલ્ડિંગ બનવી જોઇએ. વડોદરામાં દર વર્ષે 400થી વધુ વકીલો ઉમેરાય છે, જેમને સમાવવા મુશ્કેલ હશે. હાલનું ઇન્ફ્રાસ્ટ્રકચર આગામી સમય માટે પૂરતું નથી. > રિતેશ ઠક્કર 08:કોર્ટની બધી લિફ્ટ એક સાથે જવલ્લે જ ચાલતી હોવાથી મુશ્કેલીનવી કોર્ટમાં વકીલો માટે બેઠક વ્યવસ્થા વધારવાની જરૂર છે. આ ઉપરાંત કોર્ટની બધી જ લિફ્ટો એક સાથે જવલ્લે જ ચાલતી જોવા મળે છે. જેના લીધે વકીલોને પણ અવરજવરમાં પરેશાની થાય છે. > તુષાર વ્યાસ 09: તબીબોની જેમ વકીલોને હુમલાથી બચાવવા જોગવાઈ નથીતબીબોને કાયદાકીય રક્ષણ માટે સરકારે કાયદાકીય જોગવાઇ કરી છે, પણ વકીલોને હુમલાઓમાંથી બચાવવા કોઇ જોગવાઇ નથી. વકીલો માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હોવો જોઇએ. > નેહલ સુતરિયા 10: કોર્ટમાં મહિલા વકીલો માટે ઘોડિયાઘર હોવાં જોઈએકોર્ટ પરિસરમાં વકીલો ભોંયતળિયે બેસીને જમતા જોવા મળે છે. આવું ન થાય તે માટે વ્યવસ્થા હોવી જોઈએ. સુપ્રિમ કોર્ટમાં મહિલા વકીલો માટે ઘોડિયાઘર હોય છે તેવા અહીં પણ હોવા જોઇએ. > શ્રીલરાજા ઇનામદાર
ભાજપ શાસિત પાલિકામાં કરોડોનો ગેર વહીવટ ચાલતો હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પાલિકામાં મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા. બેનર સાથે આવેલા કાર્યકરોએ સ્થાયી સમિતિમાં ચર્ચા વિના પાસ થતા કામો અંગે સવાલ ઉઠાવ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષી, પાલિકામાંથી પક્ષના નેતા ચંદ્રકાંન્ત શ્રીવાસ્તવ, કાઉન્સિલર તથા કાર્યકરો હાથમાં બેનર અને પ્લે કાર્ડ સાથે પાલિકામાં પહોંચ્યા હતા. ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, સુરત અને અમદાવાદ કરતાં વડોદરામાં માથાદીઠ ખર્ચ વધુ છે છતાં શહેર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ભાજપ સાથે પાલિકામાં નાણાકીય ગેરવહીવટ અને અયોગ્ય નિર્ણયો લેવાઇ રહ્યા છે. પાલિકાની સ્થાયી સમિતિમાં મર્યાદા વધારવાના કારણે ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાતી નથી અને ભ્રષ્ટાચાર વધે છે. મોટા કોન્ટ્રાક્ટરનો ફાયદો થાય તે રીતે પાલિકામાં પ્રક્રિયા ચાલી રહી છે. કરોડો રૂપિયાનું બજેટ છે છતાં શહેરમાં તૂટેલા રસ્તા, ડ્રેનેજ અને પાણીની સમસ્યા, ગંદકી યથાવત જોવા મળી રહી છે.
ભેંસે કર્યો હુમલો:પોર બળિયાદેવ મંદિર નજીક ભેંસે શિંગડે ભેરવતાં મહિલા ઇજાગ્રસ્ત
હોળીના દિવસે ડભોઈની મહિલા 3 વર્ષના દીકરાની બાધા પૂરી કરવા પરિવાર સાથે પોર બળિયાદેવ મંદિરે ગઈ હતી. જ્યાં ભેંસે મહિલા પર હુમલો કરતાં તેમને પેટમાં ઈજા પહોંચી હતી. જે બાદ તે સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ તેઓને રજા આપી દેવામાં આવી હતી. ડભોઈનાં 27 વર્ષીય કાજલબહેન પાટણવાડિયાના દીકરાને થોડા સમય પૂર્વે અછબડા થયા હતા. જેની કાજલબહેને પોર બળિયાદેવની બાધા રાખી હતી. દીકરો સ્વસ્થ થતાં તેઓ હોળીના દિવસે પરિવાર સાથે પોર ઠંડું ખાવા માટે ગયા હતા. આ દરમિયાન જ્યારે તે દીકરા માટે રમકડા જોઈ રહ્યાં હતાં ત્યારે અચાનક ભેંસનું ટોળું આવ્યું હતું. એક ભેંસે કાજલબહેનને શિંગડું માર્યું હતું, જેને કારણે છાતીના ભાગમાં અને પેટના ભાગે ઈજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ કાજલબહેનને વધારે દુ:ખાવો થતાં ગુરુવારે તેઓને સયાજી હૉસ્પિટલમાં સારવાર માટે લવાયાં હતાં, જ્યાં તેઓને ટૂંકી સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. ઢોલના અવાજને કારણે ભેંસનું ટોળું વિફર્યું હતુંઅમે દીકરાની માનતા પૂર્ણ કરવા માટે પોર ગયા હતા. જ્યારે અમે રમકડાની દુકાને ઊભા હતા ત્યારે અચાનક ઢોલનો અવાજ આવ્યો હતો. જેના કારણે ભેંસનું ટોળું વિફર્યું હતું. અમને આસપાસના લોકોએ કહ્યું પણ ખરું કે, બાળકોને બાજુમાં લઈ લો, ભેંસનું ટોળું દોડતું આવી રહ્યું છે. જેના કારણે હું મારા દીકરાને જોવા ગઈ હતી. જોકે તે પણ પડી ગયો હતો અને ભેંસે મને પેટમાં શિંગડું માર્યું હતું. > કાજલબહેન પાટણવાડિયા, ઘાયલ મહિલા
રાજ્ય કક્ષાનો સાહિત્યચિંતનનો બે દિવસીય કાર્યક્રમ પોરબંદર ખાતે યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સમાયોજિત બે દિવસીય સાહિત્ય ચિંતન શિબિરમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન વડોદરાના કવિ સાહિત્યકાર હરીશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના કુલ છ સત્ર હતા જવાનું એક સત્ર કવિ સંમેલન હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારના આયોજન કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતના અને મુંબઈના ગુજરાતી ભાષાના પ્રખર કવિ સાહિત્યકાર વક્તાઓ પોતાની કવિતાઓ રજૂ કરે છે. ગુજરાતના જાણીતા આર જે દેવકી રામ મોરી મણીલાલ પટેલ કનુ પટેલ મુંબઈના મેહુલ બુચ જેવા ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર કલાકારોએ પણ પોતાની પ્રસ્તુતિ કરી હતી. માણવા લાયક પંક્તિઓ
ભવિષ્યના વકીલો અને ન્યાયાધીશો માત્ર પુસ્તકો પૂરતા સીમિત ન રહે અને તેમને કાયદાકીય પ્રક્રિયાઓનો વાસ્તવિક અનુભવ મળે, તેવા હેતુથી નવરચના યુનિવર્સિટીના સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ લૉ દ્વારા વાર્ષિક કાનૂન મહોત્સવ વર્ડિક્ટસની બીજી આવૃત્તિ યોજાઇ હતી. આ મહોત્સવ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના આ સ્પર્ધાત્મક મંચ પર મુખ્ય પાંચ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં મૂટ કોર્ટ, પાર્લામેન્ટરી ડિબેટ, ક્લાયન્ટ કાઉન્સેલિંગ, કોન્ટ્રાક્ટ ડ્રાફ્ટિંગ અને લૉ ક્વિઝનો સમાવેશ થતો હતો. આ સ્પર્ધામાં દેશભરની આશરે 100થી વધુ કાનૂન સંસ્થાઓની 102 ટીમોના 250થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા. શરૂઆત ઓનલાઇન રાઉન્ડથી થઈ હતી. આ 14 ટીમ વચ્ચે ઑફલાઇન મુકાબલો યોજાયો હતો. જેઓએ રીયલ કોર્ટરૂમનો અનુભવ મેળવ્યો હતો.
UPSCમાં જ્વલંત સફળતા:UPSCમાં ભાવેશ જગલાનનો AIR 128કહ્યું, અસફળતાનો સામનો સફળતાની ચાવી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન 2025નું ફાઈનલ રિઝલ્ટ શુક્રવારે જાહેર કરાયું હતું. કૂલ 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. જેમાં સ્પીપાના 34 ઉમેદવારો બાજી મારવામાં સફળ રહ્યા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે ગુજરાતી ઉમેદવારોએ યુપીએસસી ક્વોલિફાય કરી છે. આ વર્ષે અમદાવાદમાં તાલીમ લીધેલા સ્પીપાના 82 ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 34 ઉમેદવારોએ યુપીએસસી ક્વોલિફાય કરી છે. જો કે ગયા વર્ષે સ્પીપાના 27 ઉમેદવારોએ યુપીએસસી ક્વોલિફાય કરી હતી. જેથી ગત વર્ષે કરતા આ વર્ષે ક્વોલિફાય થનાર ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં વડોદરાના ભાવેશ જગલાને 128 અને ઓમ પટેલે 830 ઓલ ઇન્ડિયા રેન્ક પ્રાપ્ત કર્યો છે. ત્રણ અટેમ્પ્ટમાં નિષ્સફળ થયા બાદ ચોથા અટેમ્પ્ટમાં સફળતા મળી, હાર માન્યા વગર તૈયારી કરવી જોઇએમારી યુપીએસસીની યાત્રા વર્ષ 2022માં શરૂ કરી હતી. જોકે ત્યારે મારો પહેલો અટેમ્પ્ટ હતો. જેમાં પ્રીલીમની પરીક્ષામાં હું ફેલ થયો હતો. ત્યાર બાદ ફરી 2023માં પરીક્ષા આપી તેમાં મેઇનમાં હું પાસ ન થઇ શક્યો આ દરેક વખતે મને કઇને કઇ શીખવા મળતું હતું. કે હું ક્યા પાછો પડી રહ્યો છું. જોકે 2024માં ફરી પરીક્ષા આપી હતી પરંતુ ઇન્ટવ્યૂ પછી લિસ્ટમાં નામ ન આવતા મને તેમાંથી પણ શીખવા મળ્યું હતું. કે ગ્રૂપ ડિસકશન કેવી રીતે જરૂરી છે. ત્યાર બાદ ચોથો અટેમ્પ્ટ વર્ષ 2025માં ફરી પરીક્ષા આપી અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 128 આવ્યો. આ દરેક વર્ષે મને શીખવા મળ્યું કે સફળ થવા માટે તમારે પહેલા અસફળતાનો સામનો કરવો પડશે જે તમારી ધીરજની કસોટી લેશે. જો તેમાં હારી જશો તો આગળ નહીં વધી શકો. એટલે ધીરજ રાખી પ્રયત્ન ન છોડવા જોઇએ અને પ્રયાસ કરતા રહેવું જોઇએ.
વડોદરા : હેરિટેજ ટ્રસ્ટ દ્વારા શહેરના ઇતિહાસ અને વૈભવી વારસાને ઉજાગર કરતું ‘વારસાની વાતો’ નામે સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઇતિહાસપ્રેમીઓ અને સંસ્કૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વક્તા ડૉ. શ્રીનિવાસ સોલાપુરકરએ પોતાના રસપ્રદ અને જીવંત અંદાજમાં જૂના વડોદરાની ગાથા રજૂ કરી ઉપસ્થિત સૌકોઇને ઇતિહાસની સફરમાં લઈ ગયા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે, મહારાજા સયાજીરાવ ત્રીજાના શાસનકાળ દરમિયાન વડોદરાએ શિક્ષણ, સંસ્કૃતિ અને સ્થાપત્ય ક્ષેત્રે અદભૂત પ્રગતિ કરી. તેમના આમંત્રણ પર પ્રખ્યાત બ્રિટિશ આર્કિટેક્ટ આર. એફ. ચિશોલ્મ વડોદરામાં આવ્યા અને ઈન્ડો-સારાસેનિક તથા નિયો-ક્લાસિકલ શૈલીના ભવ્ય નિર્માણો દ્વારા શહેરને નવી ઓળખ આપી. આ સમયગાળામાં બનેલી ભવ્ય ઇમારતો આજે પણ વડોદરાના વૈભવી વારસાની સાક્ષી બની ઉભી છે. વડોદરાની એક રસપ્રદ અને અનોખી ઓળખ એ છે કે શહેરના અનેક વિસ્તારો અને માર્ગોના નામ પક્ષીઓ પરથી પડેલા છે. શહેરમાં લીમડા પોળ,પીપળાશેરી, બોરડી ફળિયું, ચિકુવાડી, કોયલી ફળિયા, બાજવાડા,ઊંટખાનાની ગલી, મકરપુરા, ગેંડાસર્કલ, લાયન સર્કલ, ગાય સર્કલ, ચકલી સર્કલ અને ખિસકોલી સર્કલ જેવા નામો શહેરના પ્રકૃતિપ્રેમ અને પરંપરાગત ઓળખને દર્શાવે છે. આ નામો માત્ર વિસ્તારોની ઓળખ નથી પરંતુ વડોદરાના ઐતિહાસિક વારસા અને પ્રકૃતિ સાથેના જોડાણનું પ્રતિક છે. આ અનોખી પરંપરા વડોદરાને અન્ય શહેરોથી અલગ બનાવે છે. આ પરંપરા શહેરની પ્રકૃતિપ્રેમી સંસ્કૃતિને દર્શાવે છે પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો આ અનોખો સંબંધ વડોદરાની વિશેષતા બની રહ્યો છે. મહારાજાની જીવનયાત્રા-દુરદર્શી નેતૃત્વશક્તિ વિશેની વાતો રજૂ કરીસત્ર દરમિયાન વડોદરાના સદીઓ દરમિયાન વિવિધ નામોથી લઈને શહેરના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સુધીના અનેક રસપ્રદ પાસાઓ રજૂ કરવામાં આવ્યા. ખાસ કરીને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જીવનયાત્રા, રાજગાદી સુધી પહોંચવા માટે મળેલી કઠોર તાલીમ અને તેમની દુરદર્શી નેતૃત્વશક્તિ વિશેની વાતો રજુ કરી હતી. સત્રમાં એક અત્યંત રસપ્રદ અને અનોખી માહિતી પણ સામે આવી કે વડોદરાના અનેક વિસ્તારો, માર્ગો અને વિસ્તારોના નામો પક્ષીઓ પરથી પડેલા છે.
ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું પરિણામ:ટીટીએબી સ્મેશર્સનું ફાઇનલમાં ટી સ્ક્વેરને 3-1થી હરાવી ટાર્ગેટ હીટ
ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા યુટીટી કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરીને કોર્પોરેટ વ્યાવસાયિકોમાં સ્પર્ધાત્મક ટેબલ ટેનિસને પ્રોત્સાહન આપ્યું હતું. બે દિવસીય ચેમ્પિયનશિપમાં સિટીની પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને કોર્પોરેટ ઓફિસો તરફ કર્મચારીઓએ ભાગ લીધો હતો. કુલ 11 પુરુષોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં લગભગ 60 ખેલાડીઓ 54 પુરુષો અને 6 મહિલા ટીમ ચેમ્પિયનશિપ, સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટ્સમાં ટેબલ ટેનિસનું ટાર્ગેટ પુરુ કર્યું હતું. પુરુષોની ટીમ ચેમ્પિયનશિપમાં ટીટીએબી સ્મેશર્સે રોમાંચક ફાઇનલમાં ટી સ્ક્વેરને હરાવ્યું હતું. ટીટીએબી સ્મેશર્સને ગોલ્ડ, ટી સ્ક્વેરને સિલ્વપ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ટીમે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. જ્યારે મેન્સ સિંગલ્સમાં દીશા ડાયનેમિક્સના દીપક ડિમરી, મહિલા સિંગલ્સમાં શીતલ શાહને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો.
બોર્ડની પરીક્ષા:ધો.10માં બેઝિક ગણિતમાં સેક્શન-બીમાં શૂન્યના સરવાળા-ગુણાકારનો પ્રશ્ન અઘરો
ધો.10ના બેઝીક ગણિતની પરીક્ષા લેવામાં આવી હતી. ધો.10માં સેક્શન-બીમાં શૂન્યોના સરવાળા અને ગુણાકારવાળો પ્રશ્ન વિદ્યાર્થીઓને અઘરો લાગ્યો હતો. આ વર્ષે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના પેપર જુદા જુદા દિવસે લેવામાં આવનાર છે. જેમાં બેઝીક ગણિતનું પેપર શુક્રવારે લેવામાં આવ્યું હતું. જયારે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા 9 માર્ચ સોમવારે લેવાશે. બેઝીક ગણિતના પેપરમાં કુલ 39954 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 37318 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 636 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્રના પેપરમાં 4327 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 4240 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, 87 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.12 સાયન્સમાં અંગ્રેજીની દ્વિતિય ભાષાની પરીક્ષામાં 2719 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 2706 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 13 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ભાસ્કર એક્સપર્ટપ્રશ્નપત્ર સામાન્ય વિદ્યાર્થીઓને અઘરું લાગે તેવું નીકળ્યું હતુંપેપર સામાન્ય વિદ્યાર્થીઓની કસોટી કરે તેવું હતું. પ્રશ્નો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય તથા ઉદાહરણોમાંથી હતા. સેક્શન-એમાં પ્રશ્ન નંબર 10, 18 અને 23-24 નંબરના જોડકા વિદ્યાર્થીઓને વિચાર કરાવે તેવા હતા. સેક્શન-બીમાં પ્રશ્ન 26માં શુન્યોના સરવાળા અને ગુણાકારવાળો પ્રશ્ન અઘરો લાગી શકે તેવો હતો તથા 35માં પ્રશ્નમાં ત્રિજ્યાને બદલે વ્યાસ આપી પરીક્ષકે કસોટી કરેલી છે. સેક્શન-સીમાં 39 તથા 44મો પ્રશ્ન પણ કસોટી કરે તેવો હતો. પરંતુ કોઈપણ 6 પ્રશ્ન લખવાના હોવાથી તકલીફ પડી નહીં. પ્રમેય દર વર્ષની માફક જ પૂછેલા હતા પરંતુ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની પ્રતિજ્ઞા લખવી જરૂરી હતી.- કૃણાલ શાહ, તજ્જ્ઞ
મ.સ.યુનિ.ના ફીઝીકલ એજયુકેશન વિભાગના રેસલીંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓની ફી માફ ન કરી અપાતાં વિવાદ સર્જાયો છે. ફી ભરવા લેખીતમાં યુનિવર્સિટીમાંથી સરકયુલર આવ્યો છે કે નહિ તે બતાવવા માટે વિદ્યાર્થીએ કહેતા શિક્ષકે કહ્યું કે, મૌખીક સૂચના છે. બીજા વર્ષમાં અભ્યાસ કરતાં 3 વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હોવા છતાં તમને ફી માફી ન અપાતાં વિવાદ થયો છે. રેસલીંગમાં ગોલ્ડ મેડલ જીતનાર વિદ્યાર્થીને 1 મહિના ઉપરાંતથી અરજી લખી આપવા દબાણ કરાતું હોવાનું વિદ્યાર્થીએ જણાવ્યું હતું. ફીઝીકલ એજ્યુકેશનના સત્તાધીશોએ ફી ભરવા પાત્ર છો તેવી અરજી લખવા કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીએ જણાવ્યું કે, પોર્ટલ પર હજુ ફી ભરવા કશું દેખાડી રહ્યું નથી. છતાં ફીઝીકલ એજયુકેશન વિભાગના સત્તાધીશોઓએ જો ફી ભરવામાં નહિ આવે તો પ્રવેશ રદ થશે તેમ કહ્યું છે. બીજી તરફ સત્તાધીશોએ આ મુદ્દે કોઇ ટીપ્પણી કરી ન હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, 3 વિદ્યાર્થીઓને એપ્લીકેશન લખવા માટે કહેવામાં આવી રહ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ થઇ જશે તેવું પણ કહેવામાં આવતા ત્રણમાંથી બે વિદ્યાર્થીઓ એપ્લીકેશન લખીને આપી દીધી છે. ફી અંગે પોર્ટલ ઉપર અપડેશન કરાતું નથીવિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ફી ભર્યા બાદ પોર્ટલ પર કેટલી ફી ભરવાની છે તે એપડેટ થશે, જોકે આવો નિયમ નથી. તેમ છતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ફી ભરવામાં આવે. જેના પગલે વિદ્યાર્થી વિમાસણભરી સ્થિતીમાં મૂકાયો છે. ભાસ્કર ઇનસાઇડહું ફી ભરવા પાત્ર છું, તેવી અરજી લખાવવામાં આવે છેફી લેવા માટે વિદ્યાર્થી પાસે એપ્લીકેશન લખાવામાં આવી રહી છે. વિદ્યાર્થી ફી ભરવા માટે સક્ષમ છે તેવી એપ્લીકેશન બાદ તેની પાસે ફી ભરવામાં આવી રહી છે. જો ફી વેવઓફ જ કરી દેવાઇ છે તો એપ્લીકેશન કેમ લખાવામાં આવી રહી છે. એપ્લીકેશનના માધ્યમથી તેમની વેવઓફ થયેલી ફીની જગ્યાએ ફી ભરવાની થાય તે માટે એપ્લીકેશન લખાવીને પછી પોર્ટલ પર ફી મૂકવામાં આવી રહી છે.
પંચ ખોબલા ગામમાં પ્રાચીન શિવાલયના જીર્ણોદ્વાર માટે પૂરીના જગદગુરુ શંકરાચાર્યજી વડોદરાથી શુક્રવારે પસાર થયા હતા. જેમનું વડોદરા રેલવે સ્ટેશને સર્વે સનાતન ધર્માવલંબી લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શંકરાચાર્યજી તા.6થી8 માર્ચ પંચ ખોબલા મુકામે રહેશે. 9 માર્ચના રોજ શિવાલય ડુપ્લેક્ષ, ગોયાગેટ સોસાયટી, પ્રતાપનગર ખાતે પદાર્પણ કરશે. તા.10 અને 11ના રોજ સવારે 11.30 કલાકે દર્શન, દીક્ષા અને સંગોષ્ઠિના કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સર્વે ધર્મપ્રેમી જનતાને જોડાવા અનુગ્રહ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.10ના રોજ સાંજે 5 કલાકે સર સયાજીરાવ નગરગૃહ ખાતે થનારી ધર્મસભા બંધ રાખવામાં આવી છે.
શહેરના નવાયાર્ડ ડિ-કેબિન પાસે આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શુક્રવારે ભારત માતા મંદિરની સ્થાપના નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ હતી. આ પ્રસંગે તેઓ અખંડ જ્યોત અને ભવ્ય કળશ યાત્રામાં સહભાગી થયા હતા. આ મહોત્સવ અંતર્ગત મંદિરમાં ખાટુશ્યામ અને સાવરિયા શેઠની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા શનિવારે થશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રામેશ્વર મહાદેવ મંદિર વડોદરાની આસ્થાનું પ્રાચીન અને અત્યંત પવિત્ર કેન્દ્ર છે. અહીં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ રેલવેના અસ્તિત્વ પૂર્વેથી પેઢીઓથી નગરજનોને આશીર્વાદ આપી રહ્યું છે. આસપાસની કોલોનીના દરેક પરિવારે દર મહિને દાન થકી રકમ એકત્રિત કરીને આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. આ સહયોગ કોઈ મોટા દાતાના દાન કરતા પણ અનેકગણો વિશેષ છે. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મનીષાબેન વકીલ, મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તથા અરવિંદાચાર્યજી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. શનિવારે સવારે 8 વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શરૂ કરાશે. જેમાં મધ્યપ્રદેશથી ખાસ બોલાવવામાં આવેલ ભજન મંડળી સાંજે સાડા પાંચ વાગ્યાથી ખાટુશ્યામના ભજનોની રમઝટ જમાવશે. વિવિધ સંપ્રદાયના સંતો-મહંતો અગ્રણીઓ પોતાનું વક્તવ્ય આપશે. પૌરાણિક મંદિરમાં શિવલિંગ ખાડામાં હતુંરેલવેના પરિસરમાં આવેલા આ મંદિરમાં 17 પ્રતિમાની સ્થાપના કરાઈ છે. પૂર્વકાળમાં આ જગ્યા પર ખાડામાં સ્વયંભૂ શિવલિંગ હતું. જેના પર વરસાદનું પાણી પણ ભરાઈ જતું હતું. કાળક્રમે મંદિરનો વિકાસ થયો હતો. પરંતુ અસામાજિક તત્વોને પગલે લોકો મંદિરે જવાનું ટાળતા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આહ્વાનરામેશ્વર મહાદેવ મંદિરનો વિકાસ કરવો હશે તો સરકાર 25 લાખ રૂપિયા આપશેરામેશ્વર મહાદેવ મંદિરના ભાવિ વિકાસ માટે સૂચન કરતા નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, જો મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ નવો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરી રજૂ કરાશે. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ. 25 લાખની સહાય પૂરી પડાશે. દીકરીઓની સુરક્ષા માટે માતા અને બહેનો રાણી લક્ષ્મીબાઈ બનેનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માતાઓ અને બહેનોને દીકરીઓના રક્ષણ માટે રાણી લક્ષ્મીબાઈ બનવા આહ્વાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ચેતવણી આપી કે, જે કોઈ ઈસમ ઓળખ છૂપાવી, ખોટું નામ ધારણ કરી દીકરીઓને ફસાવી લગ્ન કરશે તો તેમની સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કડક કાયદાકીય પગલાં ભરશે. આવા ગુનેગારોને જિંદગીભર જેલની સજા થાય તેવી જોગવાઈ સાથે સરકાર મજબૂતાઈથી કામ કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા અને સુરત જેવા જિલ્લાઓમાં પોલીસ તંત્રએ અનેક દીકરીઓને આવા વિષચક્રમાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે પરત લાવવામાં સફળતા મેળવી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
વેપારીને શોધવામાં નિષ્ફળતા મળી:સમા કેનાલમાં લાપતા વેપારીનો ત્રીજા દિવસે પણ પત્તો ન લાગ્યો
ધુળેટીએ સમા કેનાલમાં લાપતા થયેલા શાકના વેપારીનો 3 દિવસે પત્તો નથી. ફાયરબ્રિગેડે બે વાર પ્રયાસ કર્યો પણ નિષ્ફળતા મળી હતી. શુક્રવારે ફરી સર્ચ કર્યું હતું. બટાટાની લારી ચલાવતો અજય શર્મા રામકિશન અને અન્ય મિત્ર સાથે સમા કેનાલે ગયો હતો. અજયના ભાઇ રાહુલે કહ્યું કે,કેનાલમાં હાથ-પગ ધોતાં અજય તણાયો હતો. રામકિશન બચાવવા જતાં તે પણ તણાવા માંડ્યો હતો. ત્રીજા મિત્રે દોરડું ફેંકતાં રામકિશને પકડી લેતાં બચાવ થયો હતો, જ્યારે અજય પાણીમાં ગરક થયો હતો. છાણીમાં કેનાલના ગેટ બંધ, કચરો જામ્યો, છેવટે પરિવારે ખાનગી ગોતાખોરો મગાવ્યાઅજયનો પત્તો ન મળતાં પરિવારે 8 હજાર ચૂકવીને પાદરાથી ખાનગી ગોતાખોરો બોલાવ્યા હતા. જોકે તેઓ અજયને શોધી શક્યા નથી. અજયના પરિવારજનો અને મિત્રો છાણી કેનાલે ગયા હતા. જ્યાં દરવાજા લોક હોવાથી કચરો જમા થયો હતો. સ્થાનિક તરવૈયાએ કહ્યું કે, કચરા નીચે અજય હોઇ શકે છે.
બરોડા ડેરી માટે મેન્ટેડ ન આપ્યો:ઉમેદવારોને ફોન કરીને કહ્યું, તમે ભાજપના ઉમેદવાર છો
બરોડા ડેરી માટે ભાજપે મેન્ટેડ આપ્યો નથી. ઉમેદવારોને ફોન કરીને કહી દીધું કે, તમે ભાજપના ઉમેદવાર છો. ડેસરમાં સુરપાલસિંહને ફોન કરી ભાજપના ઉમેદવાર બનાવાયા છે. વર્તમાન કુલદિપસિંહને બદલે તેમને ભાજપ તરફથી ઉમેદવાર જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ મેન્ડેટ આપે તે પહેલાં વર્તમાન 7 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાતાં પાર્ટીના મેન્ડેટનો અર્થ સરતો નહતો. જેથી ભાજપે હવે બાકી બચેલા ઉમેદવારોને મેન્ડટ આપવાને બદલે ફોન કરીને જાણ કરી છે. જેમાં ડેસરમાં સુરપાલસિંહને ફોન કરીને ભાજપના ઉમેદવાર બનાવાયા છે. તેવી જ રીતે વડોદરામાં શૈલેષ પટેલ, સતીષ પટેલ, દીક્ષિત પટેલ, સાવલીમાં રામસિંહ બિનહરીફ થયા હતા. બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામા અને ઉપપ્રમુખ જી.બી.સોલંકીને ભાજપે ફોન કર્યા ન હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પહેલેથી જ બિનહરીફ હોવાથી ફોન કરવામાં આવ્યા નથી. તમામ બિનહરીફ વિજેતાઓને ભાજપે પોતાના માની લીધા છે. બરોડા ડેરીની ચૂંટણી માટે કુલ 55 ફોર્મ આવ્યાં હતાં, જેમાંથી 24 ફોર્મ અમાન્ય ઠર્યાં છે. સાવલીના ધારાસભ્યની ચૂંટણી નહીં લડવાની ફરી જાહેરાતસાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે 2027માં વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની ફરી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ છેલ્લી ચૂંટણી એવી જાહેરાત કરી હતી. યુવાનોને તક મળે તે માટે હું ચૂંટણી લડવાનો નથી. તેમણે ડેરીની ચૂંટણી સંદર્ભે કહ્યું કે કોઇ પણ સંસ્થા જે લાખો લોકોની આજીવિકા પૂરી પાડે છે તેમાં ગેરરીતિ બહાર આવે તો ભાજપ ચલાવી લેવા માગતો નથી. મંડળીઓમાંથી દૂધ ઓછું આવી રહ્યું છે. મંડળી ઘટી રહી છે.
દિવાળીપુરા કોર્ટ સંકુલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી શુક્રવારે થઈ હતી. જેમાં વડોદરાના 4713 વકીલ મતદાન કરી શકે તે માટે બીસીજીની દેખરેખમાં દિવાળીપુરા કોર્ટમાં મતદાન કેન્દ્રની વ્યવસ્થા કરાઈ હતી, જ્યાં 11 સીસીટીવી લગાડ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં 99 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જેમાં વડોદરાનાં 3 મહિલા ધારાશાસ્ત્રી સહિત 9 વકીલો મેદાનમાં છે. જેમાં એડવોકેટ શિતલ ઉપાધ્યાય, નિમિષા ધોત્રે, અનિષા સૈયદ, રણજિત રાઠોડ, જગત દેસાઇ, રશીદ વોરા, નલીન પટેલ, વિક્રમ પઢિયાર અને યુનુસખાન પઠાણનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા માટે એડવોકેટ અલકાબેન જાદવ, સહાયક ચૂંટણી અધિકારી તરીકે રોહિત શાહ, પ્રદિપ શાહ, હિતેશ પટેલ અને વિરાજ ઠક્કરની નિમણૂક કરાઈ હતી. ચૂંટણી અધિકારીએ કહ્યું કે, સવારે 10થી સાંજે 6 સુધી મતદાન થયું હતું. 4713 વકીલોની મતદાર યાદી બનાવાઈ હતી. જે પૈકી 2723 મતદારે સાંજે 6 સુધી વોટ આપ્યો હતો. હાઈકોર્ટ ઓડિટોરિયમમાં 9મીએ મત ગણતરી કરાશે.
ભાસ્કર એક્સક્લુસિવ:બાકી વેરા મુદ્દે નાગરિકોની મિલકતો સીલ કરતી પાલિકા 20 કરોડ વસૂલવામાં સુસ્ત
7609 કરોડ રૂપિયાનું રૂપેરી બજેટ રજૂ કરીને વડોદરાને 2047ના રોડ મેપના વિકાસનું સપનું શાસકો બતાવી રહ્યા છે, જોકે 19.99 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં તંત્ર ઊણું ઊતર્યું છે. નવાઇની વાત તો એ છે કે, વડોદરા પાલિકાના ઓડિટ વિભાગે વિકાસનાં કામોના તોતિંગ ખર્ચા સામે 34 કિસ્સામાં લાલ આંખ કરીને 20 કરોડ રૂપિયા વસૂલાતને પાત્ર હોવાની સત્તાવાર ટકોર કરી છે. નોંધનીય છે કે, પાલિકાના વર્તમાન શાસકો માટે છેલ્લી બજેટ સભા રહેશે. વડોદરા સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ચાલુ વર્ષે યોજાનાર છે. વડોદરા મહાનગર પાલિકાના ઓડિટ વિભાગે દર વર્ષની જેમ વર્ષ 2024-25માં પણ બિલોની ચકાસણી કરી હતી. જેમાં એફોર્ડેબલ હાઉસિંગ સેલ સહિતના જુદા જુદા વિભાગોના રેકર્ડ અને ફાઇલોની તપાસણીમાં 23.99 કરોડ રૂપિયાની જંગી રકમ વસૂલાત પાત્ર હોવાનો સત્તાવાર ભાંડો ફૂટ્યો હતો. જેમાં એકલા સુએઝ વિભાગના જ ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાયના કરારની ફાઇલની તપાસણીમાં 16.82 કરોડ રૂપિયાની રકમ વસૂલાત પાત્ર હોવાની સત્તાવાર નોંધ મૂકી હતી. જોકે 4 કરોડ રૂપિયાની વસૂલાતનો અંદેશો આપી દેવાયો હતો. પાલિકાના ઓડિટ વિભાગે 34 કિસ્સામાં વસૂલાત પાત્ર હોવાનો ઉલ્લેખ કર્યો છે, પણ 24 કિસ્સામાં તેની ગંભીરતા લેવાઇ નથી. ગેસ-વેરાની વસૂલાત માટે ભૂરાટાં બનતા પાલિકાના સત્તાધીશો પોતાની વસૂલાત સામે આંખ આડા કાન કરે છે તે ઓડિટ રિપોર્ટમાં ખૂલ્યું છે. 19.99 કરોડની વસૂલાત માટે જવાબ મળ્યો નથીદર વર્ષે ખર્ચ સહિતનું ઓડિટ કરીએ છીએ. 2024-25માં જમા તપાસણી વિભાગની માહિતી મુજબ 23.99 કરોડ વસૂલાત પાત્ર હોવાનું જણાયું હતું. 4 કરોડની વસૂલાતનો ખુલાસો કર્યો છે. જ્યારે 19.99 કરોડના નિકાલનો જવાબ મળ્યો નથી. > એચ.એમ. રાવ, ચીફ ઓડિટર, પાલિકા વિવિધ વિભાગે જવાબ રજૂ કરવા તસ્દી લીધી નથીઓડિટ રિપોર્ટ મુજબ હાઉસિંગ વિભાગ, ટાઉન ડેવલપમેન્ટ, વોર્ડ 3ના રેવન્યુ-સેનેટરી વિભાગ, વોર્ડ 2ના રેવન્યુ વિભાગ, વોર્ડ16ના ઇજનેરી-રેવન્યુ વિભાગે વાંધાનો નિકાલ કરવાની પરવાહ કરી નથી. જ્યારે વોર્ડ 17ના રેવન્યુ, વોર્ડ 19ના રેવન્યુ, વોર્ડ 6ના રેવન્યુ, વોર્ડ 10ના એન્જિનિયરિંગ, વોર્ડ 12ના રેવન્યુ વિભાગે પણ વાંધા સામે જવાબ રજૂ કર્યા નથી. ટ્રીટેડ વેસ્ટ વોટરના કરારમાં ‘રિકવરી’નું ઓડિટ
ગોવિંદરાવ મધ્યવર્તી સ્કૂલની 136 વર્ષ જૂની ઇમારતમાં સમિતિ સંચાલિત અત્યાધુનિક પર્ફોર્મન્સ-રેકોર્ડિંગ સ્ટુડિયો શનિવારથી શરૂ થશે. રાજ્યની તમામ શિક્ષણ સમિતિ દ્વારા તૈયાર કરાયેલો આ પહેલો સ્ટુડિયો છે. જ્યાં સમિતિની 121 સ્કૂલોના વિદ્યાર્થી અને શિક્ષકો નૃત્ય, વક્તૃત્વ, ગાયન અને પોડકાસ્ટ સહિતની કલાની પ્રસ્તુતિ કરી શકશે, જેનું રેકોર્ડિંગ કરાશે અને સમિતિની અન્ય સ્કૂલોમાં પ્રસારણ કરાશે. શાસનાધિકારી ડો.વિપુલ ભરતિયાએ કહ્યું કે, સ્ટુડિયો માટે હાઇક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ, કેમેરા, લાઇટિંગ સહિતનાં ગેજેટ્સ ખરીદાયાં છે. અલાયદો રેકોર્ડિંગ સ્ટુડિયો પણ છે. આ તમામ સ્કૂલો સાથે જોડાયેલો હશે. તેથી જે કાર્યક્રમ થશે તે સમિતિની બધી સ્કૂલોમાં પ્રસારિત કરી શકાશે. ઉપરાંત કોઇ વિશેષજ્ઞને કોઇ કાર્યક્રમ કે પિરિયડ લેવો હશે તો પણ તે રેકોર્ડ કરી શકાશે. આ માટેનો ખર્ચ 20 લાખ જેટલો થયો છે. સ્કૂલના મહત્ત્વના સમાચારોનું પ્રસાર થશેસમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલે જણાવ્યું કે, અમે સમિતિની સ્કૂલોના પ્રતિભાવાન વિદ્યાર્થીઓને તક આપવા ઇચ્છીએ છીએ. દરેક સ્કૂલના મહત્ત્વના સમાચારો, બાળકોની સિદ્ધિઓ જેવી બાબતોને આવરીને સમાચાર તૈયાર કરાશે. આ સમાચારોનું દર શનિવારે પ્રસારણ કરવામાં આવશે, જેથી અન્ય વિદ્યાર્થીઓ અને સ્કૂલોને પણ પ્રેરણા મળશે. સમાચાર વાચક તરીકે વિદ્યાર્થીઓને જ તૈયાર કરવામાં આવશે. આ ઇમારતનું નિર્માણ ગાયનશાળા માટે કરાયું હતુંઆ ઇમારતનું નિર્માણ મૂળે ગાયનશાળા માટે કરાયું હતું. અહીં ગાયકી અને સંગીતની તાલીમ અપાતી હતી. વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા ગોવિંદરાવ મધ્યવર્તી સ્કૂલની સ્થાપના 1937માં કરાઇ હતી.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રસોઈ ગેસ સાથે જોડાયેલા છે. ઘરેલું સિલિન્ડર 60 રૂપિયા મોંઘું થઈ ગયું છે. ઈરાન જંગના કારણે સરકારે કંપનીઓને પ્રોડક્શન વધારવાનો નિર્દેશ આપ્યો છે. બીજા સમાચાર કર્ણાટકમાં બાળકોના સોશિયલ મીડિયા વપરાશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી સાથે જોડાયેલા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રપતિ મુર્મૂ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના પ્રવાસે રહેશે. તેઓ 9મા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં સામેલ થશે. કાલના મોટા સમાચારો 1. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો:ઈરાન યુદ્ધથી રાંધણ ગેસની અછતની શક્યતા; સરકારે LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો ઈરાન-ઈઝરાયલ યુદ્ધ જો વધશે તો ભારતમાં રસોઈ ગેસના બાટલાની અછત પણ વધશે. આ સ્થિતિને જોતા સરકારે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને એલપીજીનું ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેઇનમાં અવરોધને કારણે ગેસનો પુરવઠો પ્રભાવિત થવાની પૂરેપૂરી સંભાવના છે. આ જોખમને જોતા સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કર્યો. સંપૂર્ણ સમાચાર વાંચો 2. UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર:રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રી ટોપર, 958 ઉમેદવારો ક્વોલિફાય; ગુજરાતના 34 વિદ્યાર્થીઓ પાસ થયા UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2025નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. રાજસ્થાનના કોટાના અનુજ અગ્નિહોત્રીએ ઓલ ઇન્ડિયા ટોપ કર્યું છે. 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. સંપૂર્ણ પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર ઉપલબ્ધ છે. આ વખતે UPSCનું પરિણામ ગુજરાત માટે સારું રહ્યું છે. ગુજરાતનો નિસાર દિશાંત અમૃતલાલનો 19મો રેન્ક છે. જ્યારે ઓવરઓલ ગુજરાતનું પરિણામમાં 34 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુજરાત રાજ્યમાં UPSC રિઝલ્ટના ઇતિહાસમાં આ સૌથી વધુ પાસઆઉટ વિદ્યાર્થીઓ છે. અગાઉ ગત વર્ષે કુલ 26 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ભારત 30 દિવસ સુધી રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદી શકશે:અમેરિકાએ 3 એપ્રિલ સુધી ખાસ લાઇસન્સ આપ્યું, પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે નહીં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું સંકટ હાલ પૂરતું સમાપ્ત થઈ ગયું છે, કારણ કે ભારતને રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવાની છૂટ મળી ગઈ છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે ભારતીય રિફાઇનરીઓને 30 દિવસનું સ્પેશિયલ લાઇસન્સ આપવાની જાહેરાત કરી છે. આ લાઇસન્સ 3 એપ્રિલ સુધી માન્ય રહેશે. અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે શુક્રવારે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઊર્જા એજન્ડા હેઠળ આ અસ્થાયી પગલું ભરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત અમેરિકાનો એક આવશ્યક ભાગીદાર છે અને વૈશ્વિક બજારમાં ઓઇલના પુરવઠાને સ્થિર રાખવા માટે આ છૂટ આપવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. કર્ણાટકમાં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની તૈયારી:પ્રસ્તાવ- 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ માટે માતાપિતાની પરવાનગી જરૂરી કર્ણાટક સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે 2026-27ના રાજ્ય બજેટ ભાષણ દરમિયાન તેની જાહેરાત કરી. બજેટ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, ‘બાળકોમાં મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, જેનાથી તેમના પર નકારાત્મક અસર પડી રહી છે.’ સંપૂર્ણ સમાચાર વાંચો 5. ટ્રમ્પે કહ્યું- ઈરાન શરત વગર સરેન્ડર કરે, તો જ સમજૂતી:નવી સારી લીડરશિપ પસંદ કરીશું; ઈરાનને બીજીવાર ગ્રેટ બનાવીશું આજે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો સાતમો દિવસ છે. આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથે કોઈપણ સમજૂતી ફક્ત ત્યારે જ શક્ય છે જો ઈરાન કોઈપણ શરત વગર સરેન્ડર કરે. તેમણે કહ્યું કે આ પછી ઈરાનમાં એક નવું અને સારું નેતૃત્વ પસંદ કરવામાં આવશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ઈરાન શરત વગર સરેન્ડર નહીં કરે સ્વીકારે નહીં ત્યાં સુધી તેની સાથે કોઈ સમજૂતી થશે નહીં. તેમણે કહ્યું કે શરણાગતિ સ્વીકાર્યા પછી ઈરાનમાં વધુ સારું નેતૃત્વ પસંદ કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો રેલો ગુજરાત પહોંચ્યો:મોરબીમાં ગેસ સપ્લાય બંધ થતાં 100 કારખાનાને તાળાં લાગ્યા; વધુ 350 બંધ થવાની ભીતિ; શ્રમિકોનું પલાયન અટકાવવાના પ્રયત્નો શરુ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની આંચ હવે મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ સુધી પહોંચી છે. પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાતા છેલ્લા બે જ દિવસમાં મોરબીના 100 જેટલા સિરામિક એકમ બંધ થઈ ગયા છે. આ કપરા કાળમાં ઉદ્યોગપતિઓએ આર્થિક નુકસાનની ચિંતા છોડીને માનવીય અભિગમ અપનાવ્યો છે, જેથી અહીં રોજીરોટી માટે આવેલા લાખો કામદારોને કોઈ તકલીફ ન પડે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. દેશના સૌથી સુરક્ષિત શહેરના ધજાગરા ઉડાવતા CCTV:ફોર્ચ્યુનરમાંથી ઉતરી પિતા-પુત્રને ચપ્પુનાં ઘા ઝીંક્યા, પૈસાની લેતીદેતીમાં યુવકને અધમૂઓ કર્યો; એક દિવસમાં મારામારીની બે ઘટના અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન મારામારીના બનાવો વધી રહ્યા છે. સામાન્ય બાબતોમાં છરી લાકડી જેવા હથિયારો વડે મારામારી કરવામાં આવી રહી છે. પૂર્વ વિસ્તારના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠક્કરબાપાનગર અને ઇસનપુર પોલીસ સ્ટેશનના શાહઆલમમાં મારામારીના બનાવ સામે આવ્યા છે. શાહઆલમમાં પાણી ઉડવા જેવી સામાન્ય બાબતમાં પિતા-પુત્ર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે ઠક્કરબાપાનગરના માધવ મોલમાં પૈસાની લેતી દેતીમાં યુવકને માર મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બંને ઘટના 3 માર્ચના રોજ બની હતી. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ચારધામ યાત્રા 2026: ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ:ઘરે બેઠા અરજી કરી શકો છો, 9 સ્ટેપમાં જાણો સંપૂર્ણ પ્રક્રિયા; 19 એપ્રિલથી યાત્રા શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પના ટેરિફ પર ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટનો નિર્ણય:કંપનીઓને ટેરિફના 14.5 લાખ કરોડ રૂપિયા પાછા આપવા પડશે, સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાવી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : અનિલ-અંબાણીની રિલાયન્સ પાવરના ઠેકાણાઓ પર EDના દરોડા:સવાર થતા પહેલાં જ 14 ટીમો પહોંચી હતી; બેંક લોન અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલો છે મામલો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : હોર્મુઝમાંથી 24 કલાકમાં માત્ર 2 જહાજ પસાર થયા:વિશ્વનો 20% તેલ સપ્લાય અટક્યો; રક્ષા મંત્રીએ કહ્યું- ભારતના તેલ-ગેસ પુરવઠા પર સીધી અસર વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું 3 દિવસમાં 8,000 સસ્તું, ₹1.59 લાખ પર આવ્યું:ચાંદી ₹26,000 ઘટીને ₹2.63 લાખ પર આવી, 36 દિવસમાં ₹1.23 લાખ સસ્તી થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ગુજ્જુ ત્રિપુટીના દમ પર ઈન્ડિયા ફાઈનલમાં પહોંચ્યું:બુમરાહ-હાર્દિકની બોલિંગ ને અક્ષરની ફિલ્ડિંગથી સેમિ ફાઈનલ સુધી જીત મળી; સેમસને પણ તક ઝડપી લીધી વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ મલેશિયામાં રહેતા વ્યક્તિના 42 દાંત, બે હજી નીકળવાના બાકી મલેશિયાના પ્રથાબ મુનિયાંડી નામના વ્યક્તિએ સૌથી વધુ દાંત હોવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પ્રથાબના મોઢામાં 32ને બદલે 42 દાંત છે. આ રેકોર્ડને 2023માં સત્તાવાર રીતે માન્યતા મળી હતી. જોકે, હવે તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના હજી બે વધુ દાંત નીકળવાના બાકી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : પૂનમબેન માડમનું નારિયેળ બરાબર ઠેકાણે પડ્યું!:પારંપરિક રમતોમાં પાવરધા સાબિત થયા સાંસદ મહોદયા; જોઈ લો, નેતાઓનું ગેરનૃત્ય 2. ફિલ્મી ફેમિલી : પિતાને જીવનભર નફરત ને સાહિર-અમૃતાનો અધૂરો પ્રેમ:મોત બાદ ઘરમાંથી 500 મરેલાં કબૂતરો નીકળ્યાં, લતા મંગેશકર સાથેના ઝઘડાએ સંગીતકારને ફૂટપાથ પર લાવી દીધો 3. ઇઝરાયલી વિપક્ષી નેતાએ કહ્યું, ઈરાનીઓ અમારા ભાઈ-બહેન:'ખામેનીનું મૃત્યુ ઈરાન માટે સારું છે, ત્યાંની સરકાર આતંકવાદી' 4. ઉનાળાંની શરૂઆત થતાં જ રેશીઝ કે ફોલ્લીઓ થઈ ગઈ છે?:ડર્મેટોલોજિસ્ટ પાસેથી જાણો 10 ઘરેલું ઉપચાર, જો 6 સંકેતો દેખાય તો તરત જ ડોક્ટરને બતાવો 5. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : અંડરવર્લ્ડ ડોનના પ્રેમમાં મોનિકા બેદીએ કરિયર ગુમાવી:બિઝનેસમેન માનીને દિલ આપ્યું, રિયલમાં 'ડી ગેંગ'નો અબુ સાલેમ નીકળ્યો; સંજય દત્તની હીરોઈને જેલવાસના કિસ્સા કહ્યા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:મકર-મીન રાશિ માટે ભાગ્યોદયના સંકેત, ધન જાતકોએ રોકાણ કરવું ફાયદાકારક; મેષ-સિંહ રાશિએ થોડી સાવધાની રાખવી જરૂરી (સંપૂર્ણ સમાચાર વાંચો)
જમીનના કબ્જા માટે બબાલ થઈ:પ્રાંતિજના અમરાપુરમાં જમીનના કબ્જા બાબતે મારામારીમાં 6 જણા ઘાયલ થયા
પ્રાંતિજના અમરાપુરમાં કેનાલ પાસે આવેલ જમીનના કબ્જા માટે બે પરિવારો બાખડતાં લાકડીઓ, ધોકાથી માર મારી પથ્થરમારો કરવા દરમિયાન 6 જણાને ઇજાઓ થઈ હતી. પ્રાંતિજ પોલીસે 8 જણા વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી. અમરાપુર(નવાઘર) ગામના નવલસિંહ તખતસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી કે તા.4-3-26ના રોજ તેમના ભત્રીજાએ જાણ કરી હતી કે કેનાલ પાસે આવેલ દેસાઈવાળા નામના વાવેતર વાળા ખેતરમાં વિનુસિંહ પુંજસિંહ ઝાલાએ ટ્રેક્ટર લઈ જઈ મકાઈ પાડી દીધી છે. ભીખુસિંહ પુંજસિંહ ઝાલા, સુરપાલસિંહ વિનુસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ બાલુસિંહ ઝાલા સુરજસિંહ ગિરવંતસિંહ ઝાલા હાથમાં લાકડાના ધોકા લઈને ઘેર આવી ગયા હતા અને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. આની વિરુદ્ધમાં ચોરાવાળા વાસમાં રહેતા ભીખુસિંહ બાલુસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી કે તા.4-3-26ના રોજ કુટુંબીએ જાણ કરી હતી કે તમારા કાકા વિનુસિંહ ટ્રેક્ટર લઈને ઘેર આવતા હતા ત્યારે યુવરાજસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, નવલસિંહ તખતસિંહ ઝાલા અને કાળુસિંહ તખતસિંહ ઝાલાએ રોકી માર મારી રહ્યા છે. જેથી ભીખુસિંહ તથા સુરપાલસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા અને સુરજસિંહ ઝાલા વગેરે દોડીને પહોંચતા નવલસિંહ તમે કેમ અમારી જમીન ખેડવા આવ્યા હતા કહીને ગડદાપાટુનો માર મારી રહ્યા હતા. વિનુસિંહને વધુ મારમાંથી છોડાવી છૂટા પડી ઘેર આવતાં નવલસિંહ ઝાલા, કાળુસિંહ ઝાલા, જયદીપસિંહ ઝાલા, અને યુવરાજસિંહ ઝાલા ધોકાથી માર માર્યો હતો.
માર માર્યો:ઈડરમાં યુવકના કપડાં ફાડી નાખી રંગછાંટી માર માર્યો
ઈડરમાં ધૂળેટીની સાંજે મોતીસરા બાવજીના મંદિરે દર્શન કરવા નીકળેલ રામદ્વારા વિસ્તારમાં રહેતા યુવકને મંદિરની પાસે બેઠેલા યુવકોએ કપડાં ફાડી નાખી રંગવા મામલે ઠપકો કરવા ગયેલ યુવકના પરિવારને લાકડીઓ, કડુ મારી પથ્થરમારો કરી ઈજાઓ કરતાં ઈડર પોલીસ સ્ટેશનમાં 7 સામે ફરિયાદ નોંધાઈ હતી. ઈડરના રામ દ્વારા મંદિરની સામે ઘાંટી રોડ પર રહેતા સચિન રમેશભાઈ નટુભાઈ ભોઈ મોતીસરા બાવજીના મંદિરે જઈને આવું છું કહી ઘેરથી નીકળ્યો હતો. થોડીવાર પછી ફાટેલા કપડાં અને રંગવાળો થઈને ઘેર આવતાં તેના ભાઈ મનોજ કુમારે પૂછતાં સચીને કહ્યું હતું કે મંદિરે પહોંચતા ભોઇ વાડામાં રહેતા અમિત ભરતભાઈ ભોઈ, રોહિત ભરતભાઈ ભોઈ, વિશાલ કીકમદાસ ભોઈ, કિશન કચરાભાઈ ભોઈ, સોહીલ લક્ષ્મણભાઈ ભોઈ, જીગર વસંતભાઈ ભોઈ અને દર્શન ધુળાભાઈ ભોઈ મંદિર પાસે બેઠેલા હતા અને સચિનને જોઈ જતાં પકડી લઈ પહેરેલા બધા કપડાં ફાડી નાખ્યા હતા.
બે પાડોશીઓ બાખડ્યા:પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં પાણી ઢોળવામુદ્દે લાકડીઓ ઉછળી
પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારમાં ધૂળેટીના તહેવાર દરમિયાન ઘરના આંગણામાં પડેલ કલર સાફ કરવા પાણી ઢોળવા મામલે બે પાડોશી પરિવારો બાખડતાં એકબીજાને લાકડીઓ અને ગડદાપાટુનો માર મારતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આઠ જણા સામે સામસામી ફરિયાદ નોંધાઈ હતી. સુનિલકુમાર રાજુભાઈ ભોઈએ ફરિયાદ નોંધાવી હતી કે તા.4-3-26ના રોજ બાજુમાં રહેતા માનવ મહેશભાઈ કહાર, તેની માતા માયાબેન અને પિતા મહેશભાઈ મથુરભાઈ કહાર અવારનવાર ઘર આગળ રોડ પર પાણી ઢોળ્યું હોવાથી માનવને પાણી ન ઢોળવા કહેવા જતાં અપશબ્દો બોલ્યા હતા. નાની ભાગોળ કહારવાસમાં રહેતા તેના કાકાના દીકરા નિખિલને ફોન કરી બોલાવતા નિખિલ ભરતભાઈ કહાર અને નેપાલી કાલિદાસ કહાર આવી ગયા હતા. તેમણે અપશબ્દો બોલી ઝઘડો કરી મારવા લાગ્યા હતા. આની વિરુદ્ધમાં અસ્મિતાબેન માનવભાઈ મહેશભાઈ કહારે ફરિયાદ નોંધાવી હતી કે ધુળેટીનો તહેવાર હોય અને ઘરના આંગણામાં કલર પડેલો હોવાથી સાંજે પાણી નાખી આંગણું સાફ કર્યું હતું પાણી ઘર આગળ રોડ ઉપર ગયું હોવાથી રાત્રે બાજુમાં રહેતા રાજુભાઈ બળદેવભાઈ ભોઈ પાણી ઢોળવા બાબતે અપશબ્દો બોલતા હોય અસ્મિતાબેનના સાસુએ રાજુભાઈને અપશબ્દો બોલવાની ના પાડતાં સુનિલભાઈ રાજુભાઈ ભોઈ, હરેશભાઈ રાજુભાઈ ભોઈ અને વિજયભાઈ રાજુભાઈ ભોઈ માયાબેનને લાકડીઓ ફટકારી હતી.
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ વાવેતર કરેલ બટાકા તૈયાર થઈ ગયા બાદ મોટાભાગના ખેડૂતો બટાકાનો જથ્થો વિવિધ ઠેકાણે કોલ્ડ સ્ટોરેજમાં મોકલવા માટે વાહનોમાં ભરી લઈ જઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના મોટાભાગના સ્થળે સ્થાનિક પોલીસ અથવા તો આરટીઓના અધિકારીઓ આવા બટાકા ભરેલા વાહનોને અટકાવી ઓવરલોડ હોવાનું કહીને દંડનીય કાર્યવાહી કરી રહ્યા હોવા અંગે સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખે કલેક્ટર તથા એસપીને રજૂઆત કરી આરટીઓ અને પોલીસતંત્રની ઓવરલોડના નામે થતી કનડગત દૂર કરવા માંગ કરી હતી. ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે ઈડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના અન્ય વિસ્તારોમાં ખેડૂતોએ વિવિધ કંપનીઓ સાથે બટાકાનું વાવેતર કરવા કોન્ટ્રાકટ કરી કંપનીઓ પાસેથી વિવિધ જાતના બિયારણ ખરીદ્યા બાદ વાવેતર કરી દીધું હતુ. હાલમાં ખેડૂતોએ બટાકા પાકીને તૈયાર થઈ જતાં અને ભાવ મળતા ન હોઈ તેને સાચવવા વાહનો મારફતે કોલ્ડ સ્ટોરેજમાં મુકવા લઈ જઈ રહ્યા છે. ખેડૂતોની લાચારીનો લાભ લઈ આરટીઓ તથા પોલીસતંત્ર આવા વાહનોને અટકાવી ઓવરલોડના નામે દંડ વસુલી રહ્યું છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે જો મોટા ટ્રકની વહન કરવાની ક્ષમતા 500 કટ્ટા હોય પરંતુ ખેડૂત પાસે 15-20 કટ્ટા વધે તો ખેડૂત વાહનચાલકને સમજાવી આ કટ્ટા ટ્રકમાં મોકલી આપે છે.
સ્માર્ટ મીટરનો વિરોધ:હિંમતનગર પંથકમાં સ્માર્ટ મીટરથી હાલાકી બિલની જાણ ન હોઇ વીજ સપ્લાય બંધ કર્યો
હિંમતનગર શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવી દીધા બાદ ગ્રાહકને બિલની જાણ ન થતાં પેમેન્ટ જમા ન થવાને કારણે કનેક્શન કપાઈ જતાં રોષે ભરાયેલા અનેક લોકો મોતીપુરા કચેરીએ ઊમટ્યા હતા અને આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં ઓનલાઇન પેમેન્ટ ભરવા છતાં પણ વીજ સપ્લાય પુનઃ ચાલુ થવામાં સમય નીકળે છે. હડિયોલના અમૃતભાઈ કાલિદાસ દરજીએ જણાવ્યું કે હું 75 વર્ષનો છું મને સવારે ખબર પડી કે મારા ઘરમાં લાઈટ નથી. મારે કોઈ મેસેજ પણ આવ્યો નથી. બિલ મળતાં જ હું 24 કલાકમાં બિલ ભરી દઉં છું. હેલ્પરને પૂછ્યું કે મારે લાઈટ ચાલુ છે કેમ નથી તો તેણે કહ્યું કે મીટર સુધી લાઈટ છે તમારું બિલ બાકી હોવાથી વીજ સપ્લાય બંધ કરાયો છે. કચેરીએ જઈ બિલ ભરવું પડશે અમારે કચેરીએ ધક્કા ખાવાના હોય તો આ સ્માર્ટ મીટર લગાવવાનું મતલબ શું છે મારી પાસે કોઈ સાધન નથી. બધાની હવે એક જ માંગ છે સ્માર્ટ મીટર કાઢી નાખો અમારે કોઈ જરૂર નથી. હાજીપુરમાં રહેતા જીગીશાબેન શાહે જણાવ્યું કે 4 મહિના પહેલા બાલાજી પાર્ક સોસાયટીમાં જીઇબી વાળા મીટર લગાવતા હતા મેં પૂછ્યું હતું કે આ સ્માર્ટ મીટર છે કે સાદુ મીટર છે તેમણે સાદુ મીટર હોવાનો ખોટો જવાબ આપ્યો હતો. ખોટું બોલી સ્માર્ટ મીટર લગાવી ગયા છે અત્યારે ઓનલાઇન બિલ ભર્યા પછી પણ લાઈટ ચાલુ નથી કરતા અને હેરાનગતિ ઉભી કરી છે અમારે સ્માર્ટ મીટર જોઈતું જ નથી.
પાલિકા દ્વારા કાર્યવાહી:મોડાસામાં ગંદકી ફેલાવતા, પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતાં 12 વેપારીઓ દંડાયા
મોડાસા શહેરમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં 12 કરતાં વધુ વેપારીઓ સામે પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરીને રૂ.4200 દંડ સ્થળ ઉપર વસૂલાયો હતો. નગરપાલિકાની ટીમ દ્વારા 42 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરાયો હતો. મોડાસા શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ અને ઉપયોગ કરતાં વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા ચીફ ઓફિસર ભદ્રેશ જે પટેલ પ્રમુખ નીરજ બી શેઠ અને આરોગ્ય સમિતિના ચેરમેન આશિષ ચૌધરી દ્વારા આપેલી સૂચના અપાઈ હતી. સૂચનાના ભાગરૂપે ઇન્સ્પેક્ટર સુનિલસિંહ રાજપુરોહિત ઇન્સ્પેક્ટર ચિરાગ પ્રજાપતિ દ્વારા પાલિકા કર્મીઓની ટીમ બનાવીને શહેરમાં ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં વેપારીઓ સામે શહેરના મુખ્ય રોડ તેમજ બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં અને બજાર વિસ્તારમાં ટીમ દ્વારા શુક્રવારે તપાસ હાથ ધરાઇ હતી. નગરપાલિકાની ટીમ દ્વારા ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં 12 વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરીને રૂ.4200 દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો હતો અને 42 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરાયો હતો. નગરપાલિકાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આ કાર્યવાહી યથાવત રહેશે.
હિંમતનગર નગરપાલિકામાં તા.26-02-24 ના રોજ ચીફ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળનાર ઉપેન્દ્ર ગઢવી કર્મચારીઓ અને શહેરીજનો માટે સરળતાથી મળી શકાય તેવું વ્યક્તિત્વ વ્યવહાર ધરાવે છે. સતત 8 વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી 16 વર્ષમાં 9 પાલિકામાં ફરજ બજાવી ઘડાઈ પણ ગયા છે. શહેરની સમસ્યાઓ અને ફરજ દરમિયાન આવતા અવરોધોને કેવી રીતે પાર કરે છે. તેના નિરાકરણની બ્લુ પ્રિન્ટ તથા કામની વ્યસ્તતા વચ્ચે પરિવાર સાથે તાલમેલ કેવી રીતે જાળવે છે તે અંગે દિવ્યભાસ્કરના સવાલોના તેમણે આપેલ જવાબ અહીં પ્રસ્તુત છે. Q. આપની અત્યાર સુધીની જીવનયાત્રા અને કારકર્દીનો મહત્વનો વળાંક શેને માનો છો? આ માટે કોઇ ઉપલબ્ધી, એવી કોઇ ઘટના કે કિસ્સો હોય તો જણાવશો? A. વર્ષ 2002માં બી.ઈ.મિકેનિકલ એન્જિનિયરીંગ પૂર્ણ કરી ઈન્ડસ્ટ્રીમાં નોકરી ચાલુ કરી હતી. પરંતુ સરકારી નોકરીનું લક્ષ રાખ્યું હોવાથી જીપીએસસી, યુપીએસસીની પરીક્ષાઓ આપતો રહ્યો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ક્રોનીકલ મેગેઝીન આવતું હતું. તેમાં દશા ઔર દિશા વિષય પર હિન્દી નિબંધની યોજાયેલ સ્પર્ધામાં ગુજરાતી હોવા છતાં દેશમાં પ્રથમ નંબર આવતા મારો ઉત્સાહ અને વિશ્વાસ ઉચ્ચસ્તરે પહોંચી ગયો અને વર્ષ 2010 માં સફળ થયો. 16 વર્ષમાં 9મી નગરપાલિકા છે. Q. આપની સંઘર્ષભરી જીવનયાત્રામાં આપના પરિવારે કઇ રીતે સપોર્ટ કર્યો? A. 10 થી 12 કલાક પરિવારથી દૂર રહેવું પડે છે પરંતુ પરિવાર મારી નોકરીને સમજે છે એક શહેરથી બીજા શહેર જઉ છું ત્યારે અનુકૂળ થવામાં પરિવારની સમજ સાર્થક બની રહે છે પરિવારના સપોર્ટ વગર શક્ય જ નથી. Q. પ્રેરણા કોણે આપી હતી? A. સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કરી તે દરમિયાન વર્તમાન સા.કાં. ડીડીઓ હર્ષદભાઈ વોરાએ પાલનપુરમાં સેમિનારનું આયોજન કર્યુ હતુ. જેમાં હું પણ ગયો હતો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના માધ્યમથી સરકારી નોકરી માટે આપેલ માર્ગદર્શનમાંથી પ્રેરણા મળી હતી. Q. અત્યાર સુધીની સફળતા માટે કોઇ એક વ્યક્તિને શ્રેય આપવા માગતા હોય તો તે કોણ? A. માત્ર માતા. માતાએ અમને ત્રણેય ભાઈને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે. સતત આઠ વર્ષ સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતો રહ્યો છતાં એક પણ વખત રોક્યો નથી ઉલટાનું પ્રોત્સાહન આપતા રહ્યા હતા. મારી સફળતાનો શ્રેય માત્ર મારી માતાને જાય છે. Q. અહીંથી ટ્રાન્સફર થાય તે પહેલા એવુ કયુ કાર્ય કરવું છે જેના થકી લોકો આપને યાદ રાખે. A. અગાઉ કહ્યું તેમ પાર્કિંગ, રખડતાં ઢોર, લારીઓ માટે કાયમી વ્યવસ્થા સહિત શહેરના સૌંદર્યીકરણ માટે મોતીપુરા સર્કલ પ્રવેશદ્વાર અને કેનાલ ફ્રન્ટ ફેઝ- 2નુ કામ કરવું છે. Q. કોઈ નિષ્ફળતા કે જેમાં શીખ મેળવી બાકી કામગીરીને સફળતા અપાવી હોય ? A. એક પાલિકામાં ફરજ બજાવવા દરમિયાન કોઈપણ કામ કરવામાં રાજકીય પદાધિકારીઓ દ્વારા અનેક અંતરાય ઉભા કરાતા હતા. કામ થઈ શકતું ન હતું.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:હિંમતનગરમાં ટ્રાફિકના 11 પોઇન્ટ પર પોલીસ છતાં ટ્રાફિક થાય છે
હિંમતનગર શહેરમાં પોલીસ દ્વારા શહેરના માર્ગો પર ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે કુલ 11 ટ્રાફિક પોઈન્ટસ કાર્યરત કરાયા છે. ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકની ઘનતા અને ટ્રાફિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ન્યાય મંદિર વિસ્તાર, મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે, ટાવર ચોક, એસટી બસ સ્ટેશન, આરોગ્યનગરના નાકે, મોતીપુરા બાયપાસ, મોતીપુરા બ્રિજ નીચે, પોલિટેકનિક ત્રણ રસ્તા, સહકારી જીન વિસ્તાર, છાપરિયા ચાર રસ્તા અને મહાવીર નગર સર્કલ ટ્રાફિક પોઈન્ટ ઉપર સ્ટાફની ફાળવણી કરાઇ છે. . સામાન્ય રીતે દરેક ટ્રાફિક પોઈન્ટ પર 2 થી 3 TRB જવાનો, 1 પોલીસ કોન્સ્ટેબલ અને જરૂરિયાત મુજબ 1 થી 2 GRD જવાનો મૂકાયા છે. પીક અવર્સમાં અવારનવાર ટ્રાફિક થાય છે પોલિટેકનિક ચોકડી ખાતે સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધી પોલીસ હાજર રહે છે. છતાં પીક અવર્સમાં અવારનવાર ટ્રાફિક જામ થાય છે. ન્યાય મંદિર ખાતે સવારે અને સાંજે વધારે ટ્રાફિક રહે છે. આ વિસ્તારમાં 2 ટીઆરબી અને 1 પોલીસ કોન્સ્ટેબલ ટ્રાફિકની ફરજમાં જોડાયેલા હોય છે. સાંજે ટીઆરબી જવાનો બાજુની હોટલમાં પાણી પીવા માટે ગયા હતા. જ્યારે કોન્સ્ટેબલ હાજર હતા. સવગઢ પાટિયા પાસે નજીકમાં જ પોલીસ સ્ટેશન છતાં ટ્રાફિકની સમસ્યા સહકારી જીન વિસ્તાર, છાપરિયા ચાર રસ્તા અને મહાવીર નગર સર્કલ વિસ્તારમાં સવારે અને સાંજે બે ટીઆરબી, બે જીઆરડી અને એક કોન્સ્ટેબલ હાજર હતા. સાંજના સમયે મહાવીરનગર સર્કલ ખાતે કોન્સ્ટેબલ તથા એક ટીઆરબી જવાન હાજર હતા. જ્યારે એક ટીઆરબીને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. સાંજના સમયે છાપરીયા ચાર રસ્તા ખાતે એક ટીઆરબી જવાન હાજર હતા. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ મેમો બુક લેવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. મહેતાપુરા, સવગઢ પાટિયા તથા આરટીઓ સર્કલ ખાતે સવાર સાંજ ભારે ટ્રાફિક થાય છે. મહેતાપુરા ખાતે એક કોન્સ્ટેબલ મૂકાયો છે. પરંતુ અહીં ટ્રાફિકનું નિયમન બરાબર થતું નથી. સવગઢ પાટિયા પાસે નજીકમાં જ પોલીસ સ્ટેશન છતાં ટ્રાફિકની સમસ્યા ભયંકર બની રહી છે. પોલીસ હાજર છતાં ટ્રાફિક થાય છેશહેરના બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ જટીલ છે. વળી, ગિરધરનગર બ્રિજનો છેડો અને બસ સ્ટેશનનો મુખ્ય દ્વાર અડીને છે અને અહીં ટ્રાફિક પોઇન્ટ હોવા છતાં શટલીયા વાહનોનો દિવસ દરમ્યાન અડીંગો રહતો હોવાથી ભારે હાલાકી રહે છે. ટ્રાફિક નિયમન માટે બે ટીઆરબી તથા એક કોન્સ્ટેબલ હાજર હોય છે. તેની પાસે આવેલા આરોગ્યનગરના નાકે પણ એક ટીઆરબી તથા એક કોન્સ્ટેબલ હાજર હોય છે. આમ છતાં ટ્રાફિક થાય છે. બપોરના સમયે પણ ટ્રાફિક પોલીસ હાજરમોતીપુરા બાયપાસ પર બે ટીઆરબી, બે જીઆરડી તથા એક કોન્સ્ટેબલ અને કયારેક વધારે ટ્રાફિકની સ્થિતિમાં હેડ કોન્સ્ટેબલને પણ અહીં ટ્રાફિક વ્યવસ્થાપન માટે મૂકાયા છે. મોતીપુરામાં બ્રિજ નીચે એક ટીઆરબી, એક જીઆરડી તથા એક કોન્સ્ટેબલ ફરજ બજાવે છે. અન્ય વિસ્તારોની જેમ અહીં પીક અવર્સની સાથેસાથે દિવસ દરમિયાન ટ્રાફિક રહેતો હોવાથી બપોરના સમયે પણ ટ્રાફિક પોલીસ હાજર રહે છે.
ભૂદેવો અને સર્વસમાજના આગેવાનોએ આપ્યું આવેદન:અંબાજીમાં આઉટસોર્સથી પૂજારીની ભરતીનો વિરોધ
અંબાજી મંદિર ખાતે દેવસ્થાન ટ્રસ્ટમાં આઉટસોર્સિંગ પદ્ધતિથી પૂજારીઓની ભરતી કરવાની શક્યતા સામે સ્થાનિક ભૂદેવો તથા સર્વસમાજના આગેવાનોમાં અસંતોષ વ્યક્ત થયો હતો. આ મુદ્દે 5 માર્ચ 2026ના રોજ અંબાજીમાં ભૂદેવો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓએ એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. અંબાજીના પંડિતો સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે અંબાજી દેવસ્થાનમાં પૂજારીની ભરતી પરંપરાગત અને ધાર્મિક પરંપરાને અનુરૂપ રીતે થવી જોઈએ અને આઉટસોર્સિંગ પદ્ધતિથી ભરતી કરવી યોગ્ય નથી. રજૂઆત બાદ દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તરફથી પ્રતિનિધિઓને ખાતરી આપવામાં આવી હતી કે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં પૂજારીઓની ભરતી આઉટસોર્સિંગ પદ્ધતિથી કરવામાં નહીં આવે. આ ખાતરી મળતા ઉપસ્થિત ભૂદેવો અને આગેવાનોમાં સંતોષ વ્યક્ત થયો હતો.
દર વર્ષે 10 લાખ રોપાઓ તૈયાર થશે:ડાવસમાં 3.5 કરોડના ખર્ચે 13 એકરમાં નર્સરી બનશે
ડીસાના ડાવસમાં રૂ. 3.5 કરોડના ખર્ચે રાજ્યની પ્રથમ નર્સરી ઉભી કરવામાં આવી રહી છે. 13 એકર વિસ્તારમાં બનનાર આ નર્સરીમાં દર વર્ષે 10 લાખથી વધુ ગુણવત્તાસભર રોપાઓ તૈયાર થશે, જેના દ્વારા વનીકરણ, દુર્લભ વનસ્પતિ સંરક્ષણ અને પર્યાવરણ જતનને મહત્વપૂર્ણ વેગ મળશે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગ્રીન કવર વધારવા અને દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ માટે ડીસા તાલુકાના ડાવસ ગામે રૂપિયા 3.5 કરોડના ખર્ચે 13 એકર વિસ્તારમાં અદ્યતન હાઇટેક નર્સરી ઉભી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. આ નર્સરી સમગ્ર રાજ્ય માટે એક મોડેલ પ્રોજેક્ટ બની શકે તેવું માનવામાં આવે છે.નર્સરીમાં આધુનિક ટેકનોલોજી અને નિયંત્રિત વાતાવરણ હેઠળ દર વર્ષે અંદાજે 10 લાખથી વધુ રોપાઓ તૈયાર કરવામાં આવશે. છોડના ગુણવત્તાસભર વિકાસ માટે મીસ્ટ ચેમ્બર, જર્મિનેશન ચેમ્બર, પોલીહાઉસ અને નેટહાઉસ જેવી અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે. આ સુવિધાઓના કારણે પ્રતિકૂળ આબોહવામાં પણ છોડનો વિકાસ સુરક્ષિત અને ઝડપી રીતે શક્ય બનશે. ખાસ કરીને લુપ્ત થવાના આરે આવેલી વનસ્પતિ પ્રજાતિઓના સંરક્ષણ માટે સોઇલ-લેસ મીડિયા જેવી આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. છોડના વિકાસ માટે ઓર્ગેનિક ખાતર તૈયાર કરાશે આ પ્રોજેક્ટમાં સીડ બેંક અને સીડ પ્રોસેસિંગ યુનિટ પણ ઉભા કરાશે, જ્યાં દુર્લભ અને કિંમતી બીજોને વૈજ્ઞાનિક રીતે લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય. સાથે જ નર્સરી ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પર્યાવરણપ્રેમીઓને વનસ્પતિ અને વનીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. નર્સરીમાં વર્મી કમ્પોસ્ટિંગ યુનિટ મારફતે ઓર્ગેનિક ખાતર પણ તૈયાર કરવામાં આવશે, જે છોડના સ્વસ્થ વિકાસમાં મદદરૂપ બનશે. હાલ વિલાયતી બાવળને દૂર કરવાનું કામ ચાલુ છેડાવસ ગામના સરપંચ ધર્માભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ વર્ષોથી વેરાન રહેલીજમીન હવે હરિયાળીથી ખીલી ઉઠશે. હાલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આવેલાવિલાયતી બાવળને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. નર્સરી શરૂ થતાં સ્થાનિકયુવાનોને રોજગારની તકો મળશે તેમજ આ વિસ્તાર ભવિષ્યમાં પર્યટન સ્થળ તરીકેપણ વિકસી શકે છે. આ પ્રોજેક્ટ રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણ માટેમહત્વપૂર્ણ યોગદાન આપશે.
ડૉ. હસરત જેસ્મીન છેલ્લા બે વર્ષથી મહેસાણાજિલ્લા વિકાસ અધિકારી ફરજ બજાવી રહ્યાં છે.એમબીબીએસ કર્યા પછી ગ્રામ્ય ક્ષેત્રોમાં તાલીમદરમિયાન સરકારની યોજનાઓ કેવી રીતેછેલ્લા માનવી સુધી પહોંચે, આ વિચાર તેમનેઆઈએએસ અધિકારી બનવા પ્રેરણા આપી. વ્યવસાયે તબીબ હોવા છતાં, સમાજમાં વ્યાપકપરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે તેઓસનદી સેવામાં જોડાયાં. પંજાબના લુધિયાણાથીશરૂ થયેલી તેમની સફર આજે ગુજરાતનાવહીવટી તંત્રમાં એક મજબૂત ઓળખ બની છે. Q: આપની જીવન યાત્રા અનેકારકિર્દીનો મહત્વનો વળાંક કયો ?.A : મારો રોડમેપ પહેલાથી જ નક્કીહતો. UPSCની તૈયારી એ એક સંઘર્ષછે, જેમાં ધીરજ, શિસ્ત અને સચોટ અભ્યાસની જરૂર હોય છે.એમબીબીએસ પછી જ્યારે હું તાલીમ મેળવતી હતી, ત્યારે ગ્રામીણ તાલીમ દરમિયાન મને સમજાયું કે લોકો સુધી સરકારી યોજનાઓ કેવી રીતે પહોંચેછે. ત્યાંથી જ મને જનસેવામાં જવાની પ્રેરણા મળી. Q : આપનો સંઘર્ષમાં પરિવાર કેવી રીતેમદદરૂપ રહ્યો?A : મારા માતા-પિતા, ભાઈ અનેસંપૂર્ણ પરિવાર જ મારી સૌથી મોટીતાકત રહ્યા છે. તેમણે મારા દરેકનિર્ણયમાં મજબૂત ટેકો આપ્યો છે. Q : મહેસાણામાં કયા મહત્વના પ્રકલ્પોપર કાર્ય કર્યું?A : મહેસાણામાં અમે સુપોષિતમહેસાણા''ના લક્ષ્ય સાથે ઘણું કાર્ય કર્યુંછે. ખાસ કરીને સગર્ભા માતાઓનાસ્વાસ્થ્ય માટે અમે સર્વગ્રાહી દેખરેખપ્રણાલી ઊભી કરી છે. જેમાં માતાનીનોંધણીથી લઈને પ્રસૂતિ અનેત્યારબાદની સંભાળનો સમાવેશ થાયછે. આ ઉપરાંત, જુવેનાઈલડાયાબિટીસ, લોહીની ઉણપ(એનિમિયા) અને પંચાયતોને આર્થિકરીતે સ્વનિર્ભર બનાવવા માટે પણ અમેખાસ પ્રયાસો કર્યા છે. Q : આ હોદા પર કામ કરવામાં સૌથીરોચક વાત અને મોટો પડકાર શું છે?A : રસપ્રદ વાત એ છે કે, લોકો અહીંખૂબ જ સહાયક છે. જ્યારે કોઈ મહિલાઅધિકારી સામે હોય ત્યારે ગ્રામીણવિસ્તારની મહિલાઓ વધુ સહજતાથીપોતાની વાત કહી શકે છે. અમે પણતેમને પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓનિસંકોચ બોલે. વહીવટમાં પડકારો તોહોય જ. જેમ, વર્ષો જૂની માન્યતાઓનેબદલવામાં સમય લાગે છે, પરંતુહકારાત્મક અભિગમ સાથે કાર્ય કરીએતો ચોક્કસ પરિણામ મળે છે. Q : જ્યારે પણ આ જિલ્લામાંથી વિદાયલો તો એવું શું કામ કર્યું છે કે લોકોઆપણે યાદ રાખે?A : (સ્મિત સાથે) એ તો પ્રજા નક્કીકરશે. પરંતુ યાદ હંમેશા પ્રેમ અનેકરેલા કાર્યથી જ આવતી હોય છે. કાર્ય કર્યું છે, મને ચોક્કસ આશાછે કે મહેસાણાના લોકો મનેયાદ રાખશે. મારું ધ્યાન હંમેશાઅંતિમ ઉપયોગકર્તા એટલે કેછેવાડાના માનવીને યોજનાનોલાભ મળે તેના પર રહ્યું છે. Q : કામની વ્યસ્તતા વચ્ચેપરિવાર અને શોખ માટે સમયકેવી રીતે ફાળવો છો?A: કામ અને અંગત જીવનવચ્ચેનું સંતુલન ખૂબ જરૂરી છે.જ્યારે પણ સમય મળે, હું મારીદીકરી સાથે સમય વિતાવું છું.તેને ભણાવવું અને તેની સાથેરમવું મને ખૂબ ગમે છે. આઉપરાંત મને મારા શોખ માટેસમય કાઢવો પણ ગમે છે,જેનાથી મન પ્રફુલ્લિત થાય છેઅને નવા વિચારો મળે છે. Q : આપની પાસે હોદ્દો, સત્તા,પાવર અને સમસ્ત સિસ્ટમ છેછતાં કોઈ કામ કરવામાંકઠિનાઈ અનુભવો છો?A : જ્યારે પણ અમારી પાસેકોઈ પ્રશ્ન અથવા તો સમસ્યાલઈને આવે તો પહેલાસાંભળીએ છીએ. પછીનિરાકરણ પર જઈએ છીએ.રોજ નવા પ્રશ્નો આવે છે.સરકારની સિસ્ટમ પણ બહુસારી છે. છતાં પ્રશ્નનુંનિરાકરણ ના આવે તોમાર્ગદર્શન માટે સરકારમાંમોકલીએ. મોટા ભાગે કામકરતાં કરતાં નિરાકરણ આવીજ જાય છે.
સરપંચ દ્વારા નવું સ્ટેન્ડ બનાવવા રજૂઆત કરાઈ:ધારપુરમાં 40 વર્ષ જૂનું પીકઅપ સ્ટેન્ડ જર્જરિત
ધારપુર ગામમાં આવેલું બસ સ્ટેન્ડ 40 વર્ષ જૂનું હોઈ હાલમાં અત્યંત જર્જરિત થઈ ગયું છે. અને ગમે ત્યારે મોટી હોનારત સર્જાય તેવી ભીતિ વચ્ચે ગ્રામજનો અને સરપંચ દ્વારા તંત્રને ભયજનક બાંધકામ ઉતારી નવું પીકઅપ સ્ટેન્ડ બનાવવા રજૂઆત કરી છે. પાટણ ઊંઝા હાઈવે માર્ગ ઉપર આવેલ ધારપુર ગામનું બસ સ્ટેન્ડ 40 વર્ષ જૂનું છે અને છેલ્લા ઘણા વર્ષોથી બસ સ્ટેન્ડ જર્જરીત થઈ ગયું છે. ગામના સરપંચ હંસાબેન માંડણભાઈ દેસાઈ તથા ગ્રામજન રસિકભાઈ પટેલે આ મામલે તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારને રજુઆત કરતા ચેરમેન દ્વારા તાત્કાલિક અસરથી પાટણ ડેપો મેનેજર,સિદ્ધપુર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર તેમજ પાટણ તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરી છે. ધારપુરના સરપંચે જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડના સ્લેબનો ભાગ જર્જરિત થયો હોય ગમે ત્યારે ધરાશાયી થાય તેમ છે.ઉનાળાની ગરમીથી બચવા મુસાફરો અને વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડનો સહારો લે છે. તો સુરક્ષાને ધ્યાને રાખી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ કાટમાળ દૂર કરી આધુનિક સુવિધા ધરાવતું નવું બસ સ્ટેન્ડ મંજૂર કરવા માંગ કરી છે.
પાટણના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા પ્રાથમિક શિક્ષણનો વહીવટી કાર્યભાર સંભાળી રહ્યા છે.જિલ્લામાં આવેલ પ્રાથમિક શાળાઓ તેમજ વિદ્યાર્થીઓ માટે તેમના વિકાસ માટે શુ બ્લુ પ્રિન્ટ છે.અને તેમના સંઘર્ષની કહાની વાંચો દિવ્ય ભાસ્કરના સવાલો અંગે તેમના આપેલા જવાબ. સવાલ: જિલ્લા શિક્ષણ અધિસવાલ:કારી બનવા પરિવારમાંથી કોણે પ્રેરણા આપી હતી?જવાબ: મારા પિતાશ્રી પાટણ જિલ્લાની કાંસા હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. મારા પિતાશ્રી, કે જેઓ આજે હયાત નથી, તેમની પ્રેરણાથી જ હું જિ.શિ.અધિ. બન્યો છું. ધો 1 થી 7 પાટણની બગવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો આજે એ જ જિલ્લામાં જિ.પ્રા.શિ. અધિકારી બન્યો તેનો ગર્વ છે. સવાલ: આપની અત્યાર સુધીની જીવન યાત્રા અને કારકિર્દીનો વળાંક શેને માનો છો? એવી કોઈ ઘટના કે કિસ્સાનું વર્ણન કરો.જવાબ: હું D.Pharm કરી જ્યારે B.Sc. માટે એક કોલેજમાં પ્રવેશ લેવા માટે પિતાજી સાથે પ્રિન્સિપાલની મુલાકાત કરવા ગયો હતો, ત્યારે પ્રિન્સિપાલે મારા પિતાજીનું અપમાન કરેલું. ત્યારથી જ જીવનમાં નક્કી કરેલું કે ટકાવારી જ એટલી લાવવી કે કોઈને ભલામણ કરવી પડે નહી. સવાલ: એવી કોઈ નિષ્ફળતા કે જેમાંથી તમે શીખ મેળવી સફળતા મેળવી હોય? જવાબ: હું પ્રથમ વખત ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 ની પરીક્ષા પાસ કરી ઇન્ટરવ્યુમાં 1 માર્કસ માટે વેઈટિંગમાં આવેલ ત્યારે ઘણો જ અફસોસ થયેલો. પરંતુ માતા-પિતાના આશીર્વાદ અને કુદરતની મહેરબાનીથી એક ઉમેદવાર અન્ય જગ્યાએ જવાથી એક જગ્યા ખાલી પડેલ, પરંતુ GPSC દ્વારા વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં ના આવતા મેં હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને જિ.શિ.અધિ. તરીકે નિમણૂંક મેળવી હતી. સવાલ: જિલ્લા શિક્ષણ અધિકારી પાટણના પદે થી વિદાય લો તે પહેલાં એવું કયું મોટું કાર્ય કરવા માંગો છો, જેના થકી લોકો આપને યાદ કરે?જવાબ: જિલ્લાના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે CET, NMMS, જ્ઞાન સાધના વગેરેમાં ઉત્તમ પરિણામ લાવે અને ભવિષ્યમાં IAS અને IPS જેવા ઉચ્ચ પદ પ્રાપ્ત કરે તેવું કાર્ય કરવાની મારી ઈચ્છા છે. સવાલ: આપની દ્રષ્ટિએ જિલ્લાની/ક્ષેત્રની સૌથી મોટી સમસ્યા કે લોકોનું દર્દ શું છે? આપની પાસે તેના ઉકેલની બ્લુપ્રિન્ટ કે યોજના શું છે?જવાબ: પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને દીકરીઓનું માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ-આઉટ રેશિયો વધુ છે તે મોટી સમસ્યા છે. સવાલ: પાટણ જિલ્લાની સરકારી શાળાઓમાં સતત સંખ્યાઓ ઘટે છે તો તેની સંખ્યા વધારવા માટે તમારી પાસે કોઈ આયોજન છે?જવાબ: દર વર્ષે ડિસેમ્બર માસથી જ સર્વેની કામગીરી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને શાળામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તથા ટેલી મેપિંગ કરી કોઈ વિદ્યાર્થી શિક્ષણ ના છોડે તેવી સમજ આપવામાં આવે છે સવાલ: જિલ્લામાં સરકારી શાળાઓ આધુનિકઅને સુવિધા સંપન્ન બને તેના માટે કોઈ બ્લુપ્રિન્ટ પ્લાન બનાવ્યો છે?જવાબ: વિવિધ ગ્રાન્ટમાંથી સ્માર્ટ રૂમ, RO વોટરકુલર, કોમ્પ્યુટર લેબ અને વિજ્ઞાનપ્રયોગશાળા જેવી સુવિધાઓ આપવામાંઆવે છે.
આત્મહત્યા:માતા-પિતાના ઝગડાથી કંટાળીને પુત્રનો ગળાફાંસો
જામનગર તાલુકાના દરેડ ગામમાં માતા-પિતાના ઝગડાથી કોલેજીયન પુત્રને મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. જામનગરની ભાગોળે આવેલા દરેડ ગામમાં ઘઉંના ગોડાઉન પાસે રહેતા કનૈયા હેમરાજભાઈ ગેડા (ઉ.વ.20) નામના કોલેજીયન યુવાને ગત તા.4ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગેની પોલીસને જાણ કરતા એએસઆઈ એચ.બી.પાંડવએ મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી આપ્યો હતો. મૃતકના ભાઈ વનરાજભાઈ હેમરાજભાઈ ગેડાએ પોલીસમાં જાહેર કર્યુ હતું કે, તેમના માતા-પિતા નાની-નાની બાબતમાં ઝઘડા કરતા હતા. નું પોલીસે નિવેદન લીધું હતું. જેમાં યુવાનના માતા-પિતા નાની-નાની બાબતમાં ઝઘડા કરતા હતા. જેથી કનૈયાને મનમાં લાગી આવતા પંખામાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધાનું જણાવ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાતાવરણ:મહત્તમ તાપમાન 33 ડિગ્રી,ગરમીનો દૌર..
જામનગરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ સુર્યદેવતા કોપાયમાન બની રહ્યા હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રીએ સ્થિર થયો છે. લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો નોંધાયો છે. પરંતુ મધ્યરાત્રીથી પરોઢીયા સુધી ઠંડક રહે છે. જેથી મિશ્રઋતુના કારણે રોગચાળો પણ વકર્યો છે. છેલ્લા સપ્તાહથી સુર્યદેવતાએ આકરો મિજાજ દેખાડી રહ્યા છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ સ્થિર રહ્યું છે. તો લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારા સાથે 21 ડિગ્રી નોંધાયું છે. સુર્યદેવતાએ ઉનાળાના પ્રારંભ સાથે જ આકરો મિજાજ દેખાડી રહ્યા છે અને બપોરના સમયે લોકો ગરમીમાં અકળાઈ ઉઠે છે. તો ભેજનું પ્રમાણ છેલ્લા ચોવીસ કલાકમાં 12 ટકાના વધારા સાથે 77 ટકા નોંધાયું છે. તો પવનની ગતિ પ્રતિકલાકના પાંચથી દશ કિ.મી.ની રહેવા પામી હતી. હાલ આખો દિવસ ગરમી રહ્યા બાદ સંધ્યા ઢળતા જ ઠંડક પ્રસરી જાય છે અને મધ્યરાત્રીથી પરોઢીયા સુધી વાતાવરણમાં ઠંડક રહે છે. જેના કારણે હાલ મિશ્રઋતુથી રોગચાળો પણ વકરી રહ્યો છે.
હીટ એન્ડ રન:સમર્પણ સર્કલ પાસે 2 બહેનોને કારની ઠોકર, નાની બહેનનું મોત
જામનગરના સમર્પણ સર્કલથી આગળ હીટ એન્ડ રન કેસમાં નાની બહેનનું મોત નિપજ્યું છે. જ્યારે મોટી બહેનને ઈજા પહોંચ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર ચાલકની પોલીસે શોધખોળ આરંભી છે. શહેરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા ખેતીવાડી ફાર્મ નજીક કોમલનગર સામે રહેતા અમરીબેન તુલસીભાઈ મકવાણા (ઉ.વ.39) અને તેમના નાના બહેન યશોદાબેન (ઉ.વ.25) ગત તા.27ના બપોરના સમયે સમર્પણ સર્કલથી માધવ ફાર્મ સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે ફુલ સ્પીડમાં આવતા કાર ચાલકે બન્ને બહેનોને અડફેટે લઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડીને નાશી છુટ્યો હતો. આ દરમિયાન મહિલાઓના પરિવારજનો સહિતના લોકો એકઠા થઈ ગયા હતા અને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં મોટી બહેનને જમણા હાથમાંઘ ખંભાથી નીચે ફેક્ચર તથા આંખ પાસે અને શરીરે છોલછાલની ઈજા પહોંચી હતી. નાની બહેન જશોદાબેનને પેટના ભાગે તેમજ કમરના ભાગે અને માથાના ભાગે ગંભીર પહોંચી હોવાથી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની ઈજાગ્રસ્ત અમરીબેનએ પોલીસમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને પીએસઆઈ એમ.એન.ઝાલાએ તપાસ હાથ ધરી છે. કાર ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. આ અકસ્માતના કારણે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરના વાહનોની સતત અવર-જવર હોવા છતાં પુરપાટ આવતી કારે ભરબપોરે અકસ્માત સર્જીને નાશી છુટ્યો હતો. પરંતુ કોઈએ તેને રોકવાની પણ કોશિષ ન કરી હોય, તેમ કાર લઈને આરોપી પલાયન થઈ ગયો હતો. પરંતુ પોલીસે તેની ઓળખ કરી લીધી છે.
આયોજન:વેરો નહીં ભરનારાની મિલ્કતો જપ્ત કરવા જામ્યુકોની તૈયારી
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા સહિતના વેરાની વસૂલાત કરવામાં આવે છે, તેમ છતાં અસંખ્ય લોકોએ વેરો ભરપાઈ કર્યો ન હોવાથી કરોડો રૂપિયા બાકી છે. જેની વસુલાત માટે તંત્રએ લાલ આંખ કરી છે અને વેરો નહીં ભરનાર આસામીની સ્થાવર/ જંગમ મિલકત જપ્તિમાં લેવા અને પાણી પુરવઠો બંધ કરવા સુધીના પગલાં લેવાની તૈયારી કરી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો, પાણી વેરો સહિતના અનેક પ્રકારના વેરા વસૂલવા માટે જુદી જુદી સ્કીમ પણ આપવામાં આવે છે, અને વ્યાજ માફી સહિતની યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. તેમ છતાં અનેક આસામીઓ દ્વારા કરોડો રૂપિયાનો વેરો ભરપાઈ કરવામાં આવતો નથી. જો કે, મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે મિલકત જપ્તિ અંગેના પગલાં પણ લેવામાં આવતા રહે છે. આમ છતાં પણ અનેક આસામીએ વેરો ભરપાઈ નહીં કરતા હવે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે, અને બાકીદારોના ઘરનો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. ઉપરાંત સ્થાવર/જંગમ મિલકત પણ જપ્તિમાં લેવામાં આવશે. તે અંગેની સત્તાવાર નોટીસ પણ પ્રસિદ્ધ કરી છે. આવા આકરા પગલાંથી બચવા તા. 31 માર્ચ 2026 પહેલા 100 ટકા વ્યાજ માફી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો હોય, બાકીદારોએ સત્વરે પોતાનો વેરો ભરપાઈ કરી શકે છે. અન્યથા મિલ્કતો સીલ કરવા ઉપરાંત પાણી પુરવઠો બંધ કરવા સહિતના આકરા પગલા લેવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેથી આગામી દિવસોમાં વેરો ન ભરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અને મિલ્કત વેરો નહીં ભરનારની મિલ્કતો સીલ કરવામાં આવશે, તેમજ પાણી વેરો નહીં ભરનારના નળ જોડાણો પણ કટ કરવામાં આવશે.
ચૂંટણી:જામનગરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં 65 ટકા (1265 મત) મતદાન
ગુજરાતના બાર કાઉન્સિલના આગામી પાંચ વર્ષના 23 ઉમેદવારોની વરણી માટે શુક્રવારે રાજ્યભરમાં મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં 23 સીટ માટે કુલ 99 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. જેમાં જામનગરના 5 વકીલોએ પણ ઉમેદવારી નોંધાવી છે. આજે સવારથી શરૂ થયેલા મતદાનમાં જામનગરમાં 1265 વકીલોએ મતદાન કરતા 65 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત બાર કાઉન્સિલના 23 સભ્ય ઉપરાંત બે કો. ઓપ્ટ. સભ્યની નિમણૂક થશે. તેથી પચ્ચીસ સદસ્ય આગામી પાંચ વર્ષ માટે ગુજરાત બાર કાઉન્સિલનું પ્રતિનિધિત્વ કરશે. આ વખતની ચૂંટણીમાં રાજ્યભરમાંથી 104 ઉમેદવાર-એડવોકેટ્સે ફોર્મ ભર્યા હતા. જેમાંથી બે ફોર્મ રદ્દ થયા હતા અને બે ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા હતા. રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી 99 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જેમાં જામનગરના પાંચ એડવોકેટ પણ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે જામનગર શહેરના 1340 એડવોકેટ્સ મળી જિલ્લાના કુલ 1867 મતદાર એડવોકેટ્સ નોંધાયેલ છે. શુક્રવારે સવારથી જામનગરની જિલ્લા અદાલતની ઈમારતમાં વકીલ મંડળના હોલમાં મતદાન શરૂ થયું હતું. પ્રારંભ સાથે જ મતદારોએ મત આપવા માટે ભીડ જમાવી હતી. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 65 ટકા મતદાન થયું હતું. 1265 એડવોકેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આગામી તા.9ના મતગણતરી કરવામાં આવશે. જેથી હાલ વકીલ મંડળમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે. બાર કાઉન્સિલ ચુંટણીમાં વકીલો વચ્ચે બોલાચાલી બાદ ફડાકાવાળી જામનગરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચુંટણીમાં સવારથી મતદાન શરૂ થયું હતું. જેમાં સાંજના પડતા એક નોન-પ્રેક્ટિસનર વકીલ મતદાન કરવા આવતા સિનિયર વકીલે તેમનું આઈડી કાર્ડ માંગ્યું હતું. જેના કારણે વિવાદ વકર્યો હતો. બોલાચાલી થતાં ફડાકાવાળી પણ થતાં વકીલ મંડળમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
રાષ્ટ્રીય પરિષદ:જામનગરમાં ITRA ખાતે રસમીમાંસા નેશનલ કોન્ફરન્સમાં 300થી વધુ રસશાસ્ત્રીઓ જોડાયા
જામનગર આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા ખાતે શુક્રવારથી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ રસમીમાંસા -2026 નો પ્રારંભ થયો છે. જેમાં બે દિવસ દરમિયાન 300થી વધુ રસશાસ્ત્રીઓ, સંશોધકો, તજજ્ઞો, પ્રખ્યાત વૈદ્યઓ, વૈજ્ઞાનિકો, ઔદ્યોગિકો સહિતના ઉપસ્થિત રહેશે. જેમાં વૈજ્ઞાનિક ચર્ચાઓ, ક્લિનિકલ પૃથક્કરણ, સંશોધન પાત્રો, પોસ્ટરો પ્રદર્શિત કરાયા છે. જામનગરમાં ITRA ખાતે રસમીમાંસા-૨૦૨૬નો પ્રારંભ ITRA ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીની અધ્યક્ષતામાં પ્રારંભ થયો છે. આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં બે દિવસીય આયોજનમાં વિવિધ આયોજનો કરાયા છે. જેમાં દેશભરમાંથી 300થી વધુ રસશાસ્ત્રીઓ, સંશોધકો, તજજ્ઞો, પ્રખ્યાત વૈદ્યો, વૈજ્ઞાનિકો, ઔદ્યોગિક આગેવાનો, નિષ્ણાતો, વિશ્વવિદ્યાલયના કુલપતિઓ અને આયુર્વેદના વિદ્યાર્થીઓની રસશાસ્ત્ર અંગેની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત થયા છે. તેમજ વૈજ્ઞાનિક ચર્ચાઓ, ક્લિનિકલ પૃથક્કરણ, સંશોધન પાત્રો પોસ્ટરો પણ પ્રદર્શિત કરાયા છે. આજે શનિવારે ધન્વંતરિ મેદાન ખાતે ITRA સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ 5-નવતનપુરી ધામના કૃષ્ણમણીજી મહારાજના વરદ્દ હસ્તે થશે. તેમજ કલેકટર કેતન ઠક્કર અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ તમામ કાર્યક્રમો ભારત સરકારના આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવના માર્ગદર્શન હેઠળ અને ITRAના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીના વડપણ હેઠળ યોજવામાં આવશે. રસમીમાંસા રાષ્ટ્રીય કૉન્ફરન્સમાં દેશના ખ્યાતનામ આયુર્વેદ વૈદ્યો અને રસશાસ્ત્રીઓ ખાસ હાજરી આપશે અને ભાવી રણનીતિ તૈયાર કરશે.
ફરિયાદ:સાવરકુંડલામાં કેમ સામે જુએ છે કહી બે પક્ષ વચ્ચે મારામારી: 4 લોકો ઇજાગ્રસ્ત
સાવરકુંડલા શહેરના બીડીકામદાર સોસાયટીમાં ગઈકાલે સાંજના સમયે બે જૂથો વચ્ચે મામલો બિચક્યો હતો. મસ્જિદે નમાજ પઢીને પરત ફરી રહેલા યુવાનો વચ્ચે સામે જોવા જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં લોખંડની પાઇપ અને પંચ જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. સાવરકુડલા બીડીકામદાર સોસાયટીમાં રહેતા રિઝવાન મહમદ જાંખરા (ઉ.વ. 27) અને તેમના મિત્ર નમાજ પઢીને રોશની પાનના ગલ્લે પહોંચ્યા હતા. ત્યારે સાદિક અયુબભાઇ ચૌહાણ ત્યાંથી પસાર થતા હતા. સાદિક તેમની સામે જોતો હોય, કેમ સામે જો છો ? પૂછતા સાદિક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ખિસ્સામાંથી પંચ કાઢી મારી દઈ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ઇમરાન ચૌહાણ, રાજુ ગોરી અને રસુલ લોખંડની પાઇપ સાથે ધસી આવ્યા હતા. ઇમરાને પાઇપનો ફટકો મારી ઢીંકાપાટુનો માર માર્યો હતો. હવે સામા બોલશો તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી. સામા પક્ષે પણ સાદિક અયુબ ચૌહાણ (ઉ.વ. 19) એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તે નમાઝ પઢીને ઘરે જતા હતા. ત્યારે હસન જીરૂકાએ તેમને ઉભા રાખી તુ કેમ અમારી સામે જો છો ? કહી ગળચી પકડી ઢીંકાપાટુનો માર માર્યો હતો અને રીઝવાન જાંખરા લોખંડની પાઇપ વડે સાદિકને વાંસામાં માર્યો હતો. સાથે ફરદીન જીરૂકા અને ફૈજાન જાંખરા પાઈપ અને ઈંટ લઇ મારવા દોડ્યા હતા. રિઝવાને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મુદ્દે હસન કાસમ જીરૂકા, રિજવાન મહમદ જાંખરા, ફરદી જીરૂકા, ફૈજાન જાંખરા, સાદિક ચૌહાણ, ઇમરાન રસુલ ચૌહાણ, રાજુ ગોરી, રસુલ મળી કુલ 8 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

32 C