SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
...

AI વીડિયો કાંડમાં પૂછપરછ દરમિયાન ‘આપ’ના ઉમેદવારની તબિયત લથડી:કાર્યકરો શ્રવણ જોશીને ઊંચકીને પોલીસ સ્ટેશન બહાર લાવ્યા, ટિકિટ મળ્યાંની ઉજવણી પણ ન કરી શક્યા

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વોર્ડ નંબર 26ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રવણ જોશીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એકતરફ ઉમેદવારોના નામ જાહેર થતા પ્રચારની તૈયારીઓ ચાલતી હોય છે, ત્યાં શ્રવણ જોશી ગોડાદરા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન બેભાન થઈ ગયા હતા. પોલીસ સ્ટેશનની અંદર જ તેમની તબિયત લથડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. બે કાર્યકર્તાઓ દ્વારા ઊંચકીને પોલીસ સ્ટેશનની બહાર લાવવામાં આવ્યા હતા, જેના દૃશ્યો પણ સામે આવ્યાં છે. પૂર્વ કોર્પોરેટરનો AI વીડિયો વાઇરલ કરવાનો મામલોપૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, શ્રવણ જોષી નામના યુવકે ચોથી એપ્રિલે એક વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. જેમાં પૂર્વ કોર્પોરેટરનો ફોટો રાખી તેમાં લખ્યું કે ‘સુરત કે સિહાસત મે એક નામ જો હર બાર ખબર બનતા હૈ, લેકિન વજહ હંમેશા સવાલો મે રહેતી હૈ અમિત રાજપૂત કભી કોર્પોરેટર, કભી સત્તા કા ચહેરા ઔર આજ આરોપો કે ઘેરે મે ઘેરા એક વિવાદિત નામ, આ રીતનો વીડિયોમાં ન્યૂઝ ચેનલો અને ન્યૂઝ પેપરોના કટીંગ્સ સાથે પૂર્વ કોર્પોરેટરના ફોટોગ્રાફને અનુરૂપ AIથી જનરેટ કરી તેમાં હાથકડી પહેરેલ જનરેટ ફોટો મુક્યો હતો. વાત અહીંથી અટકી ન હતી. શ્રવણ જોષીએ માજી કોર્પોરેટરનો પાલિકાના કર્મચારી સાથે ગાળાગાળી અને વકીલ પર ગુંડાઓ દ્વારા હુમલો કરવાની કોશિશનો ઓડિયો કલીપ બનાવી હતી. ઉપરાંત આશીષસિંગ મર્ડર કેસમાં સામેલ હોવા અંગેનો મોઢા પર માસ્ક પહેરાવી AIથી જનરેટ કરેલો ફોટો મુક્યો હતો. નેતા પ્રેમ વિવાદ મે ફસે, બિલ્ડરનું અપહરણ સહિતના આરોપો સાથે AIથી જનરેટ કરેલા ફોટો અને ઓડિયો બનાવી 1.58 મિનિટનો ડોક્યુમેન્ટ્રી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ મામલે અમિતસિંહ રાજપૂતે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને હવે જાહેર થયેલા ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે નિવેદન નોંધાવવા માટે શ્રવણ જોશી પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્રણ કલાકની પૂછપરછ બાદ તબિયત લથડીગોડાદરા પોલીસ મથકમાં શ્રવણ જોશીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પોલીસ સ્ટેશનમાં અંદાજે ત્રણ કલાક સુધી સતત પૂછપરછ અને નિવેદન લેવાની કામગીરી ચાલી હતી. આ દરમિયાન શ્રવણ જોશીને અચાનક પરસેવો થવા લાગ્યો હતો અને તેઓ શારીરિક અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. નિવેદન આપતી વેળાએ જ તેઓ અચાનક ખુરશી પરથી ઢળી પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા. પોલીસ મથકમાં જ ઉમેદવાર બેભાન થઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક મેડિકલ સહાય માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઉમેદવાર તરીકે નામ જાહેર થયું પણ ઉજવણીને બદલે હોસ્પિટલચોંકાવનારી વાત એ છે કે, જ્યારે શ્રવણ જોશી પોલીસ મથકમાં પૂછપરછ હેઠળ હતા અને બેભાન થયા, બરાબર તે જ સમયે આમ આદમી પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં વોર્ડ નંબર 26માંથી શ્રવણ જોશીને સત્તાવાર ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ઉમેદવાર તરીકે નામ જાહેર થાય ત્યારે કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ હોય છે, પરંતુ શ્રવણ જોશીના કિસ્સામાં પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી હતી. તેઓ ઉજવણી કરી શકે તેવી સ્થિતિમાં નહોતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માનસિક ત્રાસને કારણે તબિયત બગડીઃ વકીલશ્રવણ જોશીના વકીલ અભિષેકસિંહ રાજપૂતે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, આ સ્પષ્ટપણે માનસિક ત્રાસનો કેસ છે. શ્રવણ જોશીની તબિયત અગાઉથી જ નરમ હતી, તેમ છતાં તેમને ત્રણ કલાક સુધી બેસાડી રાખી પૂછપરછ કરવામાં આવી હતી. વકીલનો આરોપ છે કે, શ્રવણ જોશીએ ભૂખ લાગી હોવાથી જમવા માટે રજૂઆત કરી હતી, પરંતુ પોલીસ દ્વારા તેમની વાત સાંભળવામાં આવી નહોતી અને સતત નિવેદન લેવાનું ચાલુ રખાયું હતું. યોગ્ય રીતે નિવેદન ન લેવાતા અને શારીરિક નબળાઈને કારણે તેઓ બેભાન થઈ ગયા હોવાનું વકીલે ઉમેર્યું હતું. શ્રવણ જોશી ઉપર આ ત્રીજો કેસપોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, શ્રવણ જોશી સામે નોંધાયેલો આ પ્રથમ ગુનો નથી. આ તેમની ઉપરનો ત્રીજો કેસ છે. અગાઉ ખંડણી મામલે બે કેસ નોધાઇ ચૂક્યા છે પાસાના ઓર્ડર પણ થયા છે જોકે હાઇકોર્ટ દ્વારા તેમને રાહત આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:32 am

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે પોલીસ સક્રિય:કાયદો વ્યવસ્થા જાળવવા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સિટી બી ડિવિઝન પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાતરી કરવાનો છે. આ ઉપરાંત, પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપનની કામગીરી પણ સઘન બનાવી છે. આ પગલાંઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સુચારુરૂપે અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:26 am

ચકલી બચાવો અભિયાન 2026નો પ્રારંભ:સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્મીનારાયણ ગ્રુપ દ્વારા ચકલીના માળાનું વિતરણ

ભાવનગરમાં સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્મીનારાયણ ગ્રુપ દ્વારા 'ચકલી બચાવો અભિયાન 2026'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચૈત્રી પૂર્ણિમાના દિવસે નિષ્કલંક મહાદેવના દર્શને આવતા-જતા શ્રદ્ધાળુઓને ઠંડા પાણી અને ચકલીના માળાનું વિતરણ કરાયું હતું. આ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં રામપર, રતનપર, કોળિયાક, હાથબ, ખડસલીયા, લાખણકા અને મીઠીવીરડી જેવા ગામોમાં પણ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. આ માટે સંબંધિત ગામોના સ્વયંસેવકોની જરૂર છે. સ્વયંસેવકો શોભનાબેન સરવૈયા (મો. 9998977031) નો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર રીલ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે પણ આ જ નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:23 am

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત:બે બાઈક સામસામે અથડાતાં ત્રણ યુવાનના મોત, બે ગંભીર રીતે ઘાયલ

સુદામાપુરી પોરબંદરમાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી સીધી ટક્કરમાં ત્રણ આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય બે યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વહેલી સવારે સર્જાયો કાળમુખો અકસ્માત પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના આજે વહેલી સવારે 5:00 થી 5:40 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર બની હતી. બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતાં અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ પાંચેય યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ત્રણ યુવાનોના શ્વાસ થંભી ગયા હતા. મૃતક યુવાનોની વિગત અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણેય યુવાન પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે: તબીબોએ આ ત્રણેય યુવાનને મૃત જાહેર કરતા હોસ્પિટલ પરિસરમાં કરુણ દૃશ્યો સર્જાયા હતા. ઈજાગ્રસ્તોની સ્થિતિ આ અકસ્માતમાં અન્ય બે યુવાનને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે: સમગ્ર શહેરમાં શોકનું મોજું ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ વહેલી સવારના સમયે સર્જાયેલી આ સીધી ટક્કરે અનેક પરિવારોની આશા છીનવી લીધી છે. પોરબંદરના સોની બજાર અને પંચહાટડી જેવા વિસ્તારોમાં આ સમાચાર વહેતા થતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:16 am

NW-48 પ્રોજેક્ટને સાકાર કરવા માટે કવાયત તેજ બની:કચ્છથી રાજસ્થાન સુધીના નેશનલ વોટરવે માટે કવાયત

રાજસ્થાન અને કચ્છ વચ્ચે સીધી જળમાર્ગ કનેક્ટિવિટી ઊભી કરતા મહત્વાકાંક્ષી ‘જવાઈ-લૂણી-કચ્છનું રણ નેશનલ વોટરવે (NW-48)’ પ્રોજેક્ટને સાકાર કરવા માટે કવાયત તેજ બની છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સંબંધિત અધિકારીઓને આ વોટરવેનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર કરવા માટે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી શર્માએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોને કાર્ગો પરિવહન અને નિકાસ માટે સસ્તી વોટરવે કનેક્ટિવિટી પૂરી પાડવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને IIT મદ્રાસને આ પ્રોજેક્ટના ટેકનિકલ-નાણાકીય પાસાઓનું સઘન મૂલ્યાંકન કરવા અને જહાજોના અંદાજિત ટ્રાફિક અંગેનો તુલનાત્મક અભ્યાસ રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, 24 ઓક્ટોબર 2025 ના રોજ આ પ્રોજેક્ટ સંદર્ભે રાજસ્થાન સરકાર અને IWAI વચ્ચે MoU સાઈન કરવામાં આવ્યા હતા. બેઠકમાં IIT મદ્રાસના પ્રોફેસર કે. મુરલીએ DPR ની તૈયારીઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું.નેશનલ વોટરવે-48 કાર્યરત થવાથી કચ્છના રણ મારફતે અરબી સમુદ્ર સુધી કાર્ગોની નિર્બાધ હેરફેર વાસ્તવિકતા બનશે. રાજસ્થાનમાં પણ સ્થપાશે ‘NTCPWC’ સેન્ટરઆ બેઠકમાં નેશનલ વોટરવે-48 ની સાથે સાથે રાજ્યમાં પ્રસ્તાવિત ‘નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટ્સના નિર્માણ અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. ભારત સરકારના બંદર અને જળમાર્ગ મંત્રાલય હેઠળ ‘સાગરમાલા પ્રોજેક્ટ’ અન્વયે IIT મદ્રાસ ખાતે કાર્યરત આ સેન્ટરની એક શાખા રાજસ્થાનમાં પણ પ્રસ્તાવિત છે. આ સેન્ટર NW-48 પ્રોજેક્ટ માટે જરૂરી ટેકનિકલ માર્ગદર્શન આપશે. જહાજો કેટલી સરળતાથી ચાલી શકશે, પાણીનું સ્તર કેવું રહેશે અને પર્યાવરણને શું અસર થશે તે તમામ ટેકનિકલ માપદંડો નક્કી કરવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવશે. કચ્છ અને ગુજરાત માટે પ્રોજેક્ટનું મહત્વનેશનલ વોટરવે-48 કાર્યરત થવાથી કચ્છના રણ મારફતે અરબી સમુદ્ર સુધી કાર્ગોની નિર્બાધ હેરફેર વાસ્તવિકતા બનશે. આ જળમાર્ગ પેટ્રોકેમિકલ્સ, ખનિજ, સિમેન્ટ, રસાયણો અને અન્ય ઔદ્યોગિક માલસામાનના નિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તેનાથી પરિવહન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વ્યાપારી ગતિવિધિઓને નવો વેગ મળશે, જે બંને રાજ્યોના વિકાસનો મજબૂત આધારસ્તંભ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:01 am

સફેદ રણ બન્યું ફિલ્મ સિટી:અભિનેતા જોન અબ્રાહમ અને હર્ષવર્ધન રાણે સહિતના કલાકારો ફોર્સ-3ના શૂટિંગ માટે કચ્છમાં, એક્શન દ્રશ્યો ફિલ્માવાયા

વિશ્વપ્રસિદ્ધ સફેદ રણમાં રણ ઉત્સવની પૂર્ણાહુતિ બાદ હવે ફિલ્મી સિતારાઓનો મેળાવડો જામ્યો છે. બોલિવૂડના એક્શન હીરો જોન અબ્રાહમ પોતાની આગામી એક્શન ફિલ્મ ફોર્સ-3ના શૂટિંગ માટે હાલ કચ્છમાં છે. તેમની સાથે અભિનેતા હર્ષવર્ધન રાણે સહિતની મોટી સ્ટારકાસ્ટ પણ કચ્છના મહેમાન બન્યા છે. છેલ્લા પાંચ કે છ દિવસથી ટીમ ધોરડો સહિતના આસપાસના વિસ્તારમાં શુટિંગ કરી રહી છે. આ ફિલ્મ એક એક્શન ડ્રામા હોવાથી કચ્છના વિશાળ સફેદ રણ અને અદભૂત લોકેશન પર મોટા પાયે એક્શન સીન્સ ફિલ્માવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું અગાઉ અમદાવાદ અને ધોરાજીમાં શૂટિંગ પૂર્ણ થયા બાદ હવે કચ્છની પસંદગી કરાઈ છે. શૂટિંગનું શિડ્યુલ એટલું વ્યસ્ત છે કે કલાકારો વહેલી સવારે લોકેશન પર પહોંચી જાય છે અને મોડી રાત સુધી ફિલ્માંકન ચાલે છે. કચ્છમાં અગાઉ ‘લગાન’, ‘રેફ્યુજી’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી અનેક સુપરહિટ બોલીવુડ, ઢોલીવુડની ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. રણ ઉત્સવને કારણે વૈશ્વિક ફલક પર ચમકેલું કચ્છ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ શૂટિંગનું મનપસંદ હબ બની રહ્યું છે. પ્રવાસન સાથે હવે ફિલ્મી દુનિયાના આકર્ષણથી કચ્છની લોકપ્રિયતા અને સ્થાનિક રોજગારીમાં સતત વધારો થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:00 am

મંડે પોઝિટીવ:બંને હાથ ગુમાવવા છતાં બુલંદ હોંસલાથી ખેતી કરતા નરાના 54 વર્ષીય શીખ ખેડૂત

“મન મક્કમ હોય તો અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો” આ કહેવતને લખપત તાલુકાના છેવાડે આવેલા સરહદી વિસ્તાર નરા (પંજાબીવાંઢ) ના 54 વર્ષીય હરજીન્દ્રસિંઘ રાયશીખે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવી છે. 25 વર્ષ પહેલાં એક ગમખ્વાર અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી દેવા છતાં, તેઓ આજે જાતે ટ્રેક્ટર અને જીપ ચલાવી, ખેતીકામ કરી પોતાના પરિવારનું હસતા મુખે ગુજરાન ચલાવી રહ્યા છે અને સમાજ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 1965ના ભારત-પાક યુદ્ધ બાદ કેન્દ્ર સરકાર દ્વારા કચ્છની સરહદને સુરક્ષિત કરવા શશક્ત લોકોને વસાવવાની નીતિ અંતર્ગત નરા વિસ્તારમાં મોટી સંખ્યામાં શીખ પરિવારોને જમીન આપીને વસાવાયા હતા. હરજીન્દ્રસિંઘના દાદા નરેન્દ્રસિંઘ રાયશીખ અને પિતા નાનકસિંઘ રાયશીખ પણ ત્યારે પંજાબથી અહીં આવીને વસ્યા હતા. હરજીન્દ્રસિંઘનો જન્મ અને લગ્ન પણ નરામાં જ થયા છે અને તેઓ પોતાના દાદાને મળેલી ચાર એકર જમીનમાં ખેતી કરે છે. વર્ષ 2001માં કચ્છમાં અપૂરતા વરસાદને કારણે રોજગારી માટે હરજીન્દ્રસિંઘ પંજાબ ગયા હતા. ત્યાં એક વાડીમાં ખેતીકામ કરતી વખતે ઈલેક્ટ્રીક મોટરમાંથી અચાનક ભારે વીજ કરંટ લાગતા તેમને પોતાના બંને હાથ ગુમાવવા પડ્યા હતા. હાથ કપાઈ ગયા ત્યારે અન્ય દિવ્યાંગ લોકોને જોઇ હિમ્મત આવી“જ્યારે હાથ કપાઈ ગયા ત્યારે ક્ષણભર માટે વિચાર આવ્યો કે બીમાર માતા-પિતા, પત્ની અને બે પુત્રીઓનું ગુજરાન હવે કેવી રીતે ચાલશે?” હરજીન્દ્રસિંઘે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું. “પરંતુ દવાખાનામાં મેં એવા અનેક લોકોને જોયા જેમની પાસે હાથ-પગ કે આંખો ન હતી, છતાં તેઓ હિંમતભેર જીવી રહ્યા હતા. બસ, મેં પણ મનોમન નક્કી કરી લીધું કે કિસ્મતમાં જે છે તે સ્વીકારીને મારે તો માત્ર બે હાથ જ નથી, બાકી શરીર તો સાબૂત છે.” લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા : પરિવારના સહયોગથી ખેતી અને જવાબદારીનું વહનપંજાબથી નરા પરત ફર્યા બાદ તેમણે ખેતરમાં માતા-પિતા અને પત્નીને મદદ કરવાનું શરૂ કર્યું. અદમ્ય ઇચ્છાશક્તિથી તેઓ બંને હાથ ન હોવા છતાં ટ્રેક્ટર ચલાવતા શીખ્યા અને તેમાં સફળતા પણ મેળવી. તેઓ માત્ર ટ્રેક્ટર જ નહીં, જીપ પણ સરળતાથી ચલાવી લે છે. એટલું જ નહીં, તેઓ ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે હેન્ડ પંપ પણ ચલાવી લે છે. તેમની હિંમતને પત્નીના અતૂટ સાથનો ટેકો મળ્યો છે. હાથ ન હોવાથી જમવા માટે ક્યારેક પત્ની તો ક્યારેક પુત્ર તેમને જમાડે છે. આ સંઘર્ષમય જીવન વચ્ચે પણ તેમણે પોતાની બંને પુત્રીઓને સારી રીતે પરણાવી છે. ચાર વર્ષ પહેલાં ટીબીથી પીડાતા પિતાનું અવસાન થયું હતું અને હાલ પાંચ વર્ષથી લકવાગ્રસ્ત પથારીવશ માતાની સેવા અને બે નાના પુત્રોના અભ્યાસની જવાબદારી પણ તેઓ સુપેરે નિભાવી રહ્યા છે. સરકારી સહાયની હજુ પણ પ્રતીક્ષાહરજીન્દ્રસિંઘે જણાવ્યું કે તેમને હાથ ગુમાવ્યાનો લેશમાત્ર રંજ નથી. જોકે, થોડા દિવસો અગાઉ આવેલા મિની વાવાઝોડામાં તેમના મકાનના છાપરા ઉડી ગયા હતા અને ભારે નુકસાન થયું હતું. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા આ પરિવારને હજુ સુધી તંત્ર તરફથી કોઈ સરકારી સહાય મળી નથી, જે એક ખેદજનક બાબત છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:49 am

તંત્ર નિદ્રામાં:‘રોડ ટુ હેવન’ પર ડ્રોનથી સુરખાબ ત્રસ્ત, ખડીરમાં ફોસિલ ધ્વસ્ત!

કચ્છના સરહદી વિસ્તારમાં સુરક્ષા અને પર્યાવરણની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ડ્રોન દ્વારા શૂટિંગ કરવા માટે પોલીસ અને સંબંધિત વિભાગોની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. તેમ છતાં, ‘રોડ ટુ હેવન’ વિસ્તારમાં ફરી એકવાર ડ્રોન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં હજારોની સંખ્યામાં આવેલા ફ્લેમિંગો પક્ષીઓ ઉપરથી ડ્રોન ઉડાડીને શૂટિંગ કરવામાં આવ્યું છે. પક્ષીવિદનાં જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હાલ અંદાજે 50 થી 60 હજાર જેટલા ફ્લેમિંગો પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. માનવ વસાહતથી દૂર રહેવા ટેવાયેલા ફ્લેમિંગો હાલ વાહનવ્યવહાર ઓછો હોવાથી પક્ષીઓ નિર્ભય રીતે રોડ નજીકના પાણી વિસ્તારમાં જોવા મળે છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરંતુ આ જ સંવેદનશીલ પરિસ્થિતિમાં ડ્રોન ઉડાડવું કાયદેસર ગુનો ગણાય છે. ડ્રોનના અવાજ અને તેની હરકતો પક્ષીઓની શાંતિ ભંગ કરી શકે છે અને તેમના કુદરતી વ્યવહાર પર નકારાત્મક અસર પાડી શકે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ વિસ્તારમાં ડ્રોન શૂટિંગ પર પ્રતિબંધ હોવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. રેન્જ અધિકારીએ જણાવ્યું હતું કે મામલે તપાસ કરાશે અને જો નિયમોનો ભંગ થયો હશે તો જવાબદાર સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. અનુકૂળ વાતાવરણ હોતા રણમાં રોકાઈ ગયા સુરખાબમાર્ચ મહિનો શરૂ થતા જ સામાન્ય રીતે વિદેશી પક્ષીઓ પોતાના વતન તરફ પરત ફરતા હોય છે, પરંતુ આ વર્ષે કચ્છના વિશ્વપ્રસિદ્ધ રોડ ટુ હેવન વિસ્તારમાં જુદી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. મોડા વરસાદને કારણે રણના નીચાણવાળા વિસ્તારોમાં હજી પાણી ભરપૂર છે અને પક્ષીઓ માટે પૂરતું ખોરાક ઉપલબ્ધ છે. માર્ચના તાપ વચ્ચે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા અનુકૂળ વાતાવરણ જળવાયું છે. જાણકારોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિને કારણે ઘણા પક્ષીઓએ સ્થળાંતર મુલતવી રાખ્યું છે, જેના કારણે પ્રવાસીઓ માટે આકર્ષક દ્રશ્યો ઉભા થયા છે. ધોળાવીરા વુડ ફોસિલ પાર્કની દયનીય સ્થિતિ ધોળાવીરામાં આવેલા વુડ ફોસિલ પાર્કની હાલત હાલ અત્યંત કફોડી છે. કરોડો વર્ષ જૂના અશ્મિઓના જતનને બદલે અહીં ગંદકી અને અરાજકતાનું સામ્રાજ્ય છે. ગુજરાત ટૂરિઝમ વિભાગ હસ્તક આવતા આ મહત્વના પ્રવાસન સ્થળની દયનીય સ્થિતિથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અહીં સુરક્ષા માટે હાલમાં કોઈ જવાબદાર વ્યક્તિ કે સિક્યુરિટી ગાર્ડ હાજર નથી. ફેન્સિંગ ઠેર-ઠેરથી તૂટી ગયું છે, જેથી કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી શકે છે. પ્રવાસીઓને માર્ગદર્શન આપવા માટે લગાવેલા બોર્ડ નીચે પડી ગયા છે. પરિસરમાં દારૂની ખાલી બોટલો, પ્લાસ્ટિકના કચરા અને પાણીની બોટલોનો ખડકલો જોવા મળી રહ્યો છે. ભાસ્કર નોલેજ: જુરાસિક યુગના અશ્મિઓ અહીં આવેલા છેધોળાવીરા કરોડો વર્ષ જૂના કુદરતી ઇતિહાસ માટે પણ જાણીતું છે. અહીં આવેલ વુડ ફોસિલ પાર્ક પ્રવાસીઓ માટે અદભૂત સ્થળ છે. અહીં જોવા મળતા લાકડાના અશ્મિઓ આશરે 17 થી 18 કરોડ વર્ષ જૂના હોવાનું મનાય છે. આ અશ્મિઓ જુરાસિક કાળના છે, જ્યારે પૃથ્વી પર ડાયનાસોરનું અસ્તિત્વ હતું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, કરોડો વર્ષો પહેલાં ભૌગોલિક ફેરફારોને કારણે વૃક્ષો જમીનમાં દટાઈ ગયા હતા. ઓક્સિજનના અભાવે લાકડું સડવાને બદલે તેમાં રહેલા કાર્બનિક તત્વોની જગ્યા ખનિજોએ લઈ લીધી, જેને કારણે લાકડું પથ્થર બની ગયું પણ તેનો આકાર અને રેખાઓ અકબંધ રહી. પાર્કમાં પથ્થર બની ગયેલા મોટા લાકડાના થડ રાખવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:46 am

સટ્ટા રેકેટનો પર્દાફાશ કરાયો:માધાપરમાં મુંબઈ અને દિલ્હીની IPL મેચ પર સટ્ટો રમતા ત્રણ બુકીને ઝડપી લેવાયા

હાલમાં IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, તેવામાં એલસીબીએ માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલ માધવબાગના ફાર્મ હાઉસ પર ચાલતા સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી ત્રણ બુકીઓને 2 લેપટોપ, 8 ફોન અને ટીવી-રાઉટર સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. માધાપરમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલની મેચ પર હારજીતનો સટ્ટો રમતા આરોપી નીલેશ પ્રતાપ નંદા ભાનુશાલી, મુળ મુંબઈના અને હાલ માધાપર રહેતા આરોપી ધર્મેશ પ્રવીણ ચોથાણી ઠક્કર અને નીલેશ હરેશ ભોજવાણીને દબોચી લીધા છે. એલસીબીને બાતમી મળી હતી કે,માધવબાગ પ્લોટ નંબર એ-4 માં રહેતો આરોપી નીલેશ ભાનુશાલી પોતાના મળતિયાઓ સાથે હાલમાં ચાલી રહેલી આઈપીએલની મેચ પર સટ્ટો રમી-રમાડી રહ્યો છે અને પોતાના રહેણાંક મકાનનો જુગારખાના તરીકે ઉપયોગ કરે છે. બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા ત્રણેય આરોપી મળી આવ્યા હતા. જે બાદ પોલીસે તપાસ કરતા ક્રિકેટ મેચમાં હારજીત અને ઓવરની સેશન દરમિયાન કેટલા રન થશે તેના સટ્ટાના કુલ રૂપિયા 55.25 લાખના સોદા થયેલા હતા. બે લેપટોપ, ટીવી, આઠ મોબાઈલ અને રાઉટર સહીતનો કુલ 76 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ માધાપર પોલીસમાં જુગારધારાનો ગુનો દાખલ કરાવાયો હતો. જાપાન અને પેરિસ જેરી લાઈન પર સોદાપોલીસે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે ક્રિકેટ સટ્ટા માટે હાલમાં બે લાઈન ચાલુ હોવાનું જણાવ્યું હતું. જેમાં જાપાન લાઈનના સોદા માટે એક અલગ ફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે પેરિસ જેરી લાઈનના સોદા માટે પણ અલગ મોબાઈલ રાખેલો હતો. અને સોદો થયા બાદ આરોપીઓ લેપટોપ પર તેનો હિસાબ રાખતા હતા. 3 મોબાઈલથી ગ્રાહકોના સોદા લેવાતાબુકીઓ હારજીત સહિત ઓવરની સેશન દરમિયાન કેટલા રન થશે તેનો સટ્ટો ગ્રાહકો પાસેથી લેતા હતા. આરોપીઓએ 3 મોબાઈલ ગ્રાહકોના સોદા લેવા રાખેલા હતા. લેપટોપમાં iAssistant એપમાં હિસાબની એન્ટ્રીઓ હતી જેમાં મુંબઈની બેટિંગ દરમિયાન 11 ઓવર સુધી દિલ્હી કેપિટલના સોદામાં -2812.33 તેમજ મુંબઈ ઇન્ડિયન્સના સોદામાં 4519.33 થયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:43 am

વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી:જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 હજારથી વધુ કર્મચારીઓ ખડેપગે રહેશે

કચ્છ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણીમાં 1 જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને ગાંધીધામ મહાનગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા યોજાશે. સમગ્ર જિલ્લામાં કુલ 1896 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા 10,000થી વધુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મુખ્ય સ્ટાફ તરીકે 8355 કર્મચારીઓ ફરજ બજાવશે, જ્યારે 1900 જેટલા વર્ગ-4ના કર્મચારીઓ પણ આ પ્રક્રિયામાં સહભાગી બનશે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને 1178 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે, જેની સાથે GRD અને SRD અને હોમગાર્નાડના જવાનો પણ સામેલ હશે. તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાના પાલન, બેલેટ પેપર મેનેજમેન્ટ, EVM તાલીમ અને મતદાન જાગૃતિ જેવા મહત્વના કાર્યો માટે અલગ-અલગ નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી સંચાલન માટે જિલ્લા પંચાયતમાં 10 આર.ઓ (રિટર્નિંગ ઓફિસર) અને 17 એ.આર.ઓ, (આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર) તાલુકા પંચાયતોમાં 22 આર.ઓ અને 22 એ.આર.ઓ, નગરપાલિકાઓ માટે 7 આર.ઓ અને 7 એ.આર.ઓ તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા માટે ૩ આર.ઓ અને ૩એ.આર.ઓની જવાબદારી સોંપવામાં આવી છે. 1166 ઈમારતોમાં 1896 મથકો ઉભા કરવામાં આવ્યાજિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્રે આંકડાકીય વિગતો જાહેર કરી છે. સમગ્ર જિલ્લામાં કુલ 1166 પોલીંગ સ્ટેશન લોકેશન (ઇમારતો) નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કુલ 1896 મતદાન મથકો પર લોકશાહીનો પર્વ ઉજવાશે. ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી વધુ 234 મથકો માટે 105 લોકેશન ફાળવાયા છે. જ્યારે નગરપાલિકાઓમાં ભુજ (128 મથક) અને અંજાર (66 મથક) મોખરે છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો ભુજ તાલુકામાં 293 અને રાપર તાલુકામાં 199 મથકો પર મતદાન થશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:40 am

હોર્મુઝ સંકટ: ટ્રમ્પના અલ્ટીમેટમ વચ્ચે ઈરાને શરત મૂકી; ભારતની ચિંતા વધતાં જયશંકર એક્ટિવ

Trump's Deadline for Strait of Hormuz | પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ હવે નિર્ણાયક વળાંક પર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો મંગળવાર સાંજ સુધીમાં 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) ખોલવામાં નહીં આવે, તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલોને નષ્ટ કરી દેવામાં આવશે. ટ્રમ્પે આ સમયસીમા મંગળવાર રાત્રે 8 વાગ્યે (ભારતીય સમય મુજબ બુધવાર સવાર) નક્કી કરી છે. ટ્રમ્પની 'પાવર પ્લાન્ટ ડે' ની ધમકી ટ્રમ્પે સોશિયલ મીડિયા પર અત્યંત કડક ભાષામાં લખ્યું કે, જો જળમાર્ગ નહીં ખૂલે તો ઈરાનમાં 'પાવર પ્લાન્ટ ડે' અને 'બ્રિજ ડે' ઉજવાશે, એટલે કે તમામ મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉડાવી દેવાશે.

ગુજરાત સમાચાર 6 Apr 2026 7:40 am

ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં અંદાજે 2 લાખ ભૂલકાઓ વાર્ષિક કસોટી આપશે

બોર્ડ પરીક્ષા પુર્ણ થઈ અને યુનિવર્સિટી - કોલેજોમાં પરીક્ષા ચાલી રહી છે આ સાથે આજથી હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. 6 થી 11 એપ્રિલ દરમ્યાન ધો.3 થી 5 અને તા 13 થી 22 એપ્રિલ દરમિયાન ધો.6 થી 8માં કસોટી લેવાશે. કચ્છ જિલ્લામાં 1667 સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ ખાનગી મળી અંદાજે 2500 શાળામાં અભ્યાસ કરતા ધો.3 થી 8 ના 2 લાખ ભૂલકાઓ આજથી શરૂ થતી વાર્ષિક કસોટી આપશે. આજથી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળામાં દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો આરંભ થશે. જેમાં પ્રથમ તબક્કામાં આજે 6 એપ્રિલ સોમવારે ધો.3થી 5માં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષાના પેપર લેવાશે. ધોરણ 3 થી 5માં 6 એપ્રિલે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા, 7 એપ્રિલે ગણિત અને 8 એપ્રિલે પર્યાવરણ, 9 એપ્રિલે હિન્દી, 10 એપ્રિલ અને 11 એપ્રિલે અનુક્રમે અંગ્રેજી, મરાઠી, તેલુગુ સહિતની ભાષાઓના પ્રશ્નપત્ર લેવાશે.કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. ધોરણ -3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. જ્યારે ધોરણ-5થી 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે. સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી જે તે શાળા કક્ષાએ જ કરવાની રહેશે. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો માટે રાજ્ય કક્ષાએથી પ્રશ્નપત્ર તૈયાર કરીને આપવામાં આવશે.જ્યારે ખાનગી સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરીને પરીક્ષાનું આયોજન કરશે. જોકે, ખાનગી સ્કૂલોએ પણ સમાન સમય પત્રકનું પાલન કરવાનું રહેશે. બીજા તબક્કામાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 13 એપ્રિલથી પરીક્ષાનો આરંભ થશે. જેમાં પ્રથમ દિવસે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા, 15 એપ્રિલે ગણિત, 16 એપ્રિલે હિન્દી પ્રથમ અને દ્વિતીય ભાષા, 17 એપ્રિલે વિજ્ઞાન, 18 એપ્રિલે અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા, 20 એપ્રિલે સામાજિક વિજ્ઞાન, 21 એપ્રિલે સંસ્કૃત તેમજ 22મી એપ્રિલને બુધવારે તેલુગુ, મરાઠી, તમિલ, ઉર્દુ, જેવી પ્રથમ ભાષાના પ્રશ્નપત્રો લેવાશે. ધોરણ 6 થી 8 માં પરીક્ષાનો સમય સવારે 8 થી 11 અને પ્રશ્નપત્રમાં કુલ 80 ગુણ હશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-5 અને 8માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 3 માસ અભ્યાસ કરાવ્યા બાદ તેમની પુનઃ પરીક્ષા લેવામાં આવશે. જો પુનઃ પરીક્ષામાં તેઓ પાસ થાય તો તેમને ઉપલા ધોરણમાં પ્રવેશ ફાળવવાનો રહેશે તેમ શિક્ષણ વિભાગે નક્કી કર્યું છે. અગાઉ બંને પરીક્ષા ભેગી લેવાતી, આ વખતે અલગ અલગ આયોજનથી સરળતા થઈસામાન્ય રીતે ધોરણ 3 થી 8 ની વાર્ષિક પરીક્ષા દર વખતે એકસાથે લેવામાં આવે છે.પરંતુ આ વખતે આ કસોટી બે તબક્કામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં ધોરણ 3 થી 5 અને આ પરીક્ષા પૂર્ણ થયા બાદ દ્વિતીય તબક્કામાં ધોરણ 6 થી 8 ની પરીક્ષા લેવામાં આવશે.જેથી વહીવટી દ્રષ્ટિએ પણ વધુ સરળતા થશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:38 am

દૂધ ઉત્પાદનમાં કચ્છનો ડંકો:દૂધના 7,62,045 મેટ્રિક ટન ઉત્પાદન સાથે કચ્છ જિલ્લો રાજ્યમાં 7મા ક્રમે

તાજેતરમાં ભારતીય સંસદ (રાજ્યસભા) માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓમાં ગુજરાત અને ખાસ કરીને કચ્છ જિલ્લાએ દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ જોઇ શકાય છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત રજૂ થયેલા વર્ષ 2024-25 ના ડેટા અનુસાર 762,045 મેટ્રિક ટન (આશરે 7.62 લાખ મેટ્રિક ટન) ના જંગી દૂધ ઉત્પાદન સાથે કચ્છ જિલ્લો સમગ્ર ગુજરાતમાં 7મા ક્રમાંકે પ્રસ્થાપિત થયો છે સંસદમાં અપાયેલી માહિતી મુજબ, વર્ષ 2024-25 માં દેશનું કુલ દૂધ ઉત્પાદન 248 મિલિયન મેટ્રિક ટન (આશરે 247,869,976 મેટ્રિક ટન) નોંધાયું છે.જેમાંથી ગુજરાતનું યોગદાન આશરે 19,293,643 મેટ્રિક ટન રહ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાત દેશના ડેરી ઉદ્યોગમાં એક મજબૂત આધારસ્તંભ છે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી, બનાસકાંઠા જિલ્લો 3,546,711 મેટ્રિક ટનના ઉત્પાદન સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને છે. ભૌગોલિક રીતે દેશનો સૌથી મોટો અને રણપ્રદેશ ધરાવતો જિલ્લો હોવા છતાં, કચ્છના પશુપાલકોની મહેનત રંગ લાવી છે. કચ્છનું 762,045 મેટ્રિક ટનનું ઉત્પાદન એ દર્શાવે છે કે ગુજરાતના કુલ દૂધ ઉત્પાદનમાં આશરે 3.95% હિસ્સો માત્ર કચ્છ પૂરો પાડે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે પણ દેશના કુલ ઉત્પાદનમાં કચ્છ 0.31% જેટલો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. સરકારના અહેવાલ મુજબ, 2014-15 થી 2024-25 ના 11 વર્ષના ગાળામાં ભારતમાં દૂધ ઉત્પાદનમાં 69.41% નો ઐતિહાસિક વધારો નોંધાયો છે. જેમાં પશુઓની વાર્ષિક દૂધ ઉત્પાદકતા 1648 કિલોગ્રામથી વધીને 2251 કિલોગ્રામ થઈ છે, જે 36.63% નો રેકોર્ડબ્રેક વધારો દર્શાવે છે. રાજ્યમાં કચ્છથી આગળ રહેલા ટોચના 6 જિલ્લાઓ (આંકડા મેટ્રિક ટનમાં)

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:35 am

મહિલાઓ રચ્યું લૂંટનું નાટક:લૂંટની ફરિયાદ કરનાર મહિલા જ લૂંટારૂ નિકળી મહિલા સહિત બેની ધરપકડ કરવામાં આવી

શહેરમાં ચા ખાંડની પેઢી ધરાવતા પેઢી માલીકે તેમની ફેક્ટરીમાં કામ કરતી મહિલાને તેમના પતિનો પગાર તેમજ કારીગરોના પગારના રૂપિયા આપેલ હતા. જે બાદ આ મહિલા રૂપિયાનો થેલો લઇને ઘરે જતી હતી જે દરમિયાન તેમના સ્કુટરમાં રૂપિયાનો થેલો ટીંગાડેલો હતો. જે થેલો ટ્રાફિકનો લાભ લઇ બે શખ્સો લૂંટી ગયા હોવાનું ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસની તપાસમાં કંઇક ચિત્ર જુદુ જ તરી આવ્યું હતું અને ખુદ ફરિયાદ કરનાર મહિલા જ આરોપી નિકળી છે અને તેના મિત્રને રૂપિયા આપી દિધા હોવાનું અને ફેક્ટરી માલિકને રૂપિયા પરત ન કરવા પડે જેને લઇને નાટક રચ્યું હતું. શહેરમાં રહેતી શિલ્પાબેન વિજયભાઇ સોલંકી નામની મહિલાએ ગંગાજળિયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિનો પગાર તેમજ કારીગરોનો પગાર મળી કુલ રૂા. 90,500 ભરેલો થેલો લઇને તેઓ સ્કુટરમાં ઘર તરફ જઇ રહ્યા હતા. જે દરમિયાન કરચલિયા પરા આગરીયાવાડના નાકા પાસે ટ્રાફિક જામ હોવાને લીધે તેઓ ટ્રાફિકમાં ફસાયા હતા. તે વેળાએ બે શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવેલ હતા અને મહિલાના સ્કુટર ઉપર ટીંગાડેલો રૂપિયાનો થેલો લૂંટી ફરાર થયા હતા. જે ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ભાવનગર એલ.સી.બી.ના પી.એસ.આઇ. પી.ડી.ઝાલાને તપાસ સોંપવામાં આવી હતી. જે દરમિયાન તપાસનીશ અધિકારીએ મહિલાની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે ચિત્ર કંઇક જુદુ જ તરી આવ્યું હતું અને મહિલાએ તેના મિત્ર શ્રીધર ઉર્ફે સિદ્ધુ સોલંકીને મહિલા કોલેજ નજીક રૂપિયા ભરેલ થેલો આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે શિલ્પા સોલંકી અને શ્રીધર ઉર્ફે સિદ્ધુની ધરપકડ કરી હતી. ખોટી માહિતી આપવાની કાર્યવાહી કરાશેશિલ્પાબેન રાઠોડે પોલીસ ફરિયાદ ખોટી કરી હતી જેમાં કોઇ ઘટના બની જ ન હોય તેવી માહિતી ફરિયાદમાં લખાવવામાં આવી હતી. જે બાદ પોલીસ તપાસમાં પણ સરકારી કર્મચારીઓને ગુમરાહ કરી રહી હતી. હાલ બંન્ને આરોપી ગંગાજળીયા પોલીસને સોંપી આપેલ છે અને સરકારી કર્મચારીને ખોટી માહિતી આપવા બાબતેની મહિલા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. > પી.ડી.ઝાલા , પી.એસ.આઇ. એલ.સી.બી. તપાસમાં ફરિયાદી મહિલા ભાંગી પડતા નાટક ખુલ્યુંપોલીસની તપાસ દરમિયાન લૂંટ બાદ મહિલાએ બુમાબૂમ ન કરી હોવાનું જાણવા મળતા મહિલા ખોટું બોલતી હોવાનું જણાઇ આવ્યું હતું, જ્યારે મહિલાએ ઘટના ઘટ્યાના અડધી કલાક બાદ ફોન કર્યો હતો. સ્થળ ઉપર પોલીસે તપાસ કરતા હાજર લોકોએ લૂંટની ઘટના થઇ ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ મહિલાએ તેના મિત્રને રૂપિયાની જરૂર હોવાથી તેના મિત્ર શ્રિધરને રૂપિયા આપેલ હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:31 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:વિક્ટોરિયા પાર્કના કૃષ્ણકુંજ તળાવમાં વધતી જળ વનસ્પતિને દૂર કરવી જરૂરી

ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્ક પ્રકૃતિનું અનોખું આકર્ષણ બની રહ્યું છે, પરંતુ હાલ વધતી જળવનસ્પતિ અને બેફામ રીતે ઊગી નીકળેલા ઘાસના કારણે તેની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તળાવના મધ્યમાં આવેલો નાનો ટાપુ અનેક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઓળખાય છે, જ્યાં તેઓ પોતાના માળા બાંધે છે, પ્રજનન કરે છે અને કુદરતી રીતે જીવનચક્ર આગળ વધારે છે. આ દ્રશ્ય વર્ષોથી પ્રકૃતિપ્રેમીઓ અને મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ હાલની પરિસ્થિતિ આ કુદરતી સંતુલન માટે ખતરો સાબિત થઈ રહી છે. આ ઘાસ પાણીની સપાટી પર ઘન પડદો ઉભો કરી દે છે, પરિણામે માછલીઓ, કીડા-મકોડા અને અન્ય જળચર જીવસૃષ્ટિ માટે જીવવું મુશ્કેલ બની જાય છે. જળસૃષ્ટિમાં આવતી આ અસર સીધી રીતે પક્ષીઓના જીવન પર પણ પડે છે, કારણ કે તેમનો આહાર અને નિવાસ બંને આ જ તળાવ પર નિર્ભર હોય છે. વિક્ટોરિયા જંગલ સંસ્કૃતિ સચવાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે આ તમામ પ્રયત્નો છતાં, જો તળાવની યોગ્ય રીતે દેખરેખ અને સમયસર સફાઈ નહીં કરવામાં આવે, તો આ સંરક્ષણના પ્રયાસો અધૂરા રહી જાય તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓનું માનવું છે કે ચોમાસા પહેલાં જ તાત્કાલિક પગલાં લઈ તળાવમાંથી વધારાની ઘાસ અને જળવનસ્પતિ દૂર કરવી જરૂરી બની ગઈ છે. જો આ કામગીરી સમયસર કરવામાં આવે, તો તળાવનું પાણી ફરી સ્વચ્છ બની શકે છે, જળચર જીવસૃષ્ટિને નવજીવન મળી શકે છે અને પક્ષીઓ માટે આ સ્થળ વધુ સુરક્ષિત બની શકે છે. સાથે સાથે, પાર્કની કુદરતી સુંદરતામાં પણ નોંધપાત્ર વધારો થશે, જે શહેરના લોકો માટે આરામ અને આનંદનું કેન્દ્ર બની રહેશે. આ રીતે, વિક્ટોરિયા પાર્કના સંરક્ષણ સાથે જો કૃષ્ણકુંજ તળાવની પણ યોગ્ય રીતે સંભાળ લેવામાં આવે, તો આ વિસ્તાર માત્ર હરિયાળો જ નહીં પરંતુ પર્યાવરણપ્રેમીઓ માટે પ્રેરણારૂપ સ્થળ તરીકે પણ ઊભરી શકે છે, જ્યાં કુદરત અને માનવ વચ્ચેનું સંતુલન સ્પષ્ટ રીતે અનુભવાય છે. વિક્ટોરિયા પાર્કમાં પર્યાવરણ સંરક્ષણ માટે કડક પગલાંવિક્ટોરિયા પાર્કમાં પર્યાવરણ જાળવવા માટે પહેલેથી જ અનેક કડક પગલાં લેવામાં આવે છે. પાર્ક વિસ્તારમાં પ્લાસ્ટિક જેવા પ્રદૂષિત પદાર્થો લઈ જવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વિવિધ સ્તરે જંગલ અને પ્રાણીજીવનનું સંરક્ષણ કરાય છે, તે પગલા આવકારદાયક છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:27 am

વીજકાપ:કાલે દીવડી ફીડરમાં વીજકાપ

આગામી સપ્તાહમાં જ્યારે ભાવનગર શહેરમાં ગરમી જામી છે ત્યારે તા.7 એપ્રિલ, 10 એપ્રિલ અને 11 એપ્રિલ, ત્રણ દિવસ જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેથી નગરજનોને બપોર સુધી ગરમીમાં હેરાનગતિ ભોગવવી પડશે. તા.7 એપ્રિલને મંગળવારે 11 kv દિવડી ફીડર હેઠળના સરદાર નગર ગુરુકુળ પાછળનો ભાગ, દીવડી ચોક, ગુરુકુળ, લોકમિલાપ આજુબાજુનો વિસ્તાર, દીવડી ચોકથી થિયોસોફીકલ લોજ, કે એસ એમ, ચંપા સોસાયટીથી પન્ના અગરબત્તી, મોખડાજી સર્કલ, બામણીયા પ્લોટ, ડાયમંડ વિસ્તાર, શશી પ્રભુ ચોક, અખંડાનંદ ફ્લેટ, બાબુભાઈની ચાલી, રેન્ટ વાલા સર્કલથી શશી પ્રભુ ચોક થઈને વૃષા રેસિડેન્સી તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં. તા.10 એપ્રિલને શુક્રવારે 11 કેવી તગડી ફીડર હેઠળના ભૂતેશ્વર, તગડી, થોરડી, પીથલપુર અને રામપરમાં સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજકાપ રહેશે. શુક્રવારે જ શહેરમાં રૂપાણી ફીડર હેઠળના વાળંદ સોસાયટી, તુલસી પાર્ક 1, ગોકુળધામ રોડ, મોમાઈ ચોક, નારેશ્વર સોસાયટી, વિરાણી સ્કૂલ, આલેખ કોમ્પલેક્ષ, આલેખ કોમ્પલેક્ષથી કે પી એસ ઇ સ્કૂલ, કે પી ઈ એસ સ્કૂલથી કેસરિયા હનુમાન રોડ, આલેખ કોમ્પલેક્ષથી લખુભા હોલ, લખુભા હોલથી બેબીલેન્ડ સ્કૂલ તરફ જમણી બાજુનો વિસ્તાર, લખુભા હોલથી દવે ઘી તરફ ડાબી બાજુના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં. તા.11 એપ્રિલને શનિવારે વાઘાવાડી ફીડર હેઠળના સાગવાડી, શિવ પાર્ક, કાળીયાબીડ સી, ન્યુ ભગવતી પાર્ક, જુનુ ભગવતી પાર્ક શેરી નંબર 1 થી 7, નવી પાણીની ટાંકી કાળીયાબીડ સર્કિટ હાઉસ, વાઘાવાડી રોડ, સર્કિટ હાઉસ સુધી ઓશન પાર્ક, વૃંદાવન સોસાયટી, ગોકુલધામ સોસાયટી નંબર 1,2,3 , અવધ નગર, કબીર આશ્રમ રોડ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ વિસ્તાર, વિરાણી સર્કલથી પાણીની ટાંકીનો વિસ્તાર, મેલડી માતાજીનું મંદિરનો વિસ્તાર અને ભયલુ ભાઈની વાડી વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:25 am

મંડે પોઝિટીવ:ગોહિલવાડ પોલો ક્લબે 5 વર્ષમાં તાલીમથી તૈયાર કર્યા 75 રાઈડર

ગોહિલવાડ પોલો ક્લબ છેલ્લા પાંચ વર્ષથી ભાવનગર તેમજ સમગ્ર ગુજરાતમાં પોલો રમતને પ્રોત્સાહન આપવા માટે સક્રિય કામગીરી કરી રહ્યું છે. ક્લબ દ્વારા આયોજિત પોલો અવેરનેસ કેમ્પ્સના માધ્યમથી સુરત, અમદાવાદ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં કુલ 75 જેટલા રાઈડર્સને તાલીમ આપવામાં આવી છે. ક્લબના માર્ગદર્શક જયવીરસિંહ ગોહિલ ગુજરાતના એકમાત્ર પ્રોફેશનલ પોલો પ્લેયર છે. હાલમાં પણ ભાવનગરના રાઈડર્સ રોજબરોજ પોલોની નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે આ રમત પ્રત્યે વધતી રસપ્રદતા અને સમર્પણ દર્શાવે છે. ગોહિલવાડ પોલો ક્લબનો મુખ્ય હેતુ યુવાનોમાં પોલો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને પ્રોફેશનલ સ્તરે પહોંચાડવાનો છે. જયવીરસિંહ ગોહિલ છેલ્લા 20 વર્ષથી ઘોડા સંબંધિત રમતો સાથે જોડાયેલા છે અને રાજ્યમાં પોલોની મજબૂત પાયાની સ્થાપના માટે સતત પ્રયત્નશીલ છે. તેમનું સ્વપ્ન છે કે જેમ જયપુર, દિલ્હી, જોધપુર અને મુંબઈમાં પોતાની પોલો ટીમો છે, તેવી જ રીતે ગુજરાતની પણ પોતાની મજબૂત પોલો ટીમ ઉભી થાય. ગોહિલવાડ પોલો ક્લબના આ પ્રયાસોથી આવનારા સમયમાં ગુજરાત પોલો રમતના નકશા પર મહત્વપૂર્ણ સ્થાન મેળવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:25 am

કૃષિ વિશેષ:ડુંગળીના વાવેતરમાં રાજ્યમાં 2 જિલ્લાનો હિસ્સો 89.25%

ભાવનગર જિલ્લામાં હવે ઉનાળુ પાકનું જોરશોરથી વાવેતર શરૂ થઇ ગયું છે અને ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 65,800 હેકટરમાં થયું છે. આ વર્ષે ઉનાળુ વાવેતરમાં માવઠાનું નડતર છતાં વાવેતરની સ્થિતિ પ્રમાણમાં સારી છે. સાથે ગરમી પડી રહી છે તેમજ પાણીની સ્થિતિ પણ સારી હોય વાવેતર વધી રહ્યું છે. આ વર્ષે ભાવનગર અને અમરેલી જિલ્લામાં થઇને ડુંગળીનું કુલ વાવેતર 9,300 હેકટરમાં થયું છે જે ગુજરાત રાજ્યના કુલ વાવેતર 8,300 હેકટરના 89.25 ટકા થાય છે એટલે કે બાકીના 10.75 ટકામાં સમગ્ર રાજ્યમાં ડુંગળીનુ઼ વાવેતર આવી જાય છે. ઉનાળુ વાવેતરની આગેકૂચ થઇ રહી છે. જેમાં બાજરો, ડુંગળી, મગફળી, મગ, શાકભાજી સહિતનુ઼ વાવેતર થઇ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં બાજરાના વાવેતરમાં પણ ભાવનગર આગળના ક્રમે છે અને બાજરાના વાવેતરમાં ભાવનગર જિલ્લો 11,100 હેકટર સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં બાજરાનું કુલ વાવેતર 32,000 હેકટરમાં થયું છે. તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 11,100 હેકટર એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ 34.69 ટકા બાજરાનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ઉનાળુ મગફળીના વાવેતરમાં પણ ભાવનગર આગેકૂચ કરી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં 8,700 હેકટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ નંબરે છે. સૌરાષ્ટ્રમાં ઉનાળુ મગફળીનું કુલ વાવેતર 18,600 હેકટરમાં થયું હોય એકલા ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રભરની 46.77 ટકા વાવેતર થયું છે. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા 30,600 હેકટર મગફળીના વાવેતર સાથે નંબર વન જિલ્લો છે. ભાવનગર જિલ્લામાં જળાશયોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભરાયેલું છે ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી 65,800 હેકટર થઇ ગઇ છે. જેમાં બાજરી, મગફળી, ડુંગળી અને તલ મુખ્ય છે. સાથે શાકભાજી અને મગ પણ છે. જિલ્લામાં ક્યા પાકનું કેટલું વાવેતર શા માટે જિલ્લામાં વાવેતર વધ્યું ?ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીનો પુરતો જથ્થો હોવાથી ઉનાળા દરમિયાન તળાજા અને મહુવા વિસ્તારના કમાન્ડ વિસ્તારને સિંચાઈ માટે પુરતું પાણી આપી શકાશે. આ ઉપરાંત જ્યાં કેનાલો કે નહેરોની સુવિધા નથી એવા સિહોર, પાલિતાણા, વલ્લભીપુર, અને રંઘોળા સહિતના વિસ્તારોમાં બોર અને કૂવામાંથી સિંચાઈ માટે પાણી મળી રહે તેમ છે. એટલે આ વખતે ઉનાળુ વાવેતરમાં વધારો થયો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:23 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:સર ટી.હોસ્પિ.ના સત્તાધીશોનો અંધેર વહીવટ! લાખો રૂપિયાનું ફર્નિચર વરસાદમાં પલળી ગયું

ભાવનગર શહેરમાં આજથી અંદાજે 147 વર્ષ પહેલાં સ્થાપિત કરવામાં આવેલી સર ટી હોસ્પિટલ આજે હજારો દર્દીઓ માટે જીવદોરી સમાન બની રહી છે, જ્યાં રોજિંદા ધોરણે ભાવનગર જિલ્લા ઉપરાંત અમરેલી અને બોટાદ જેવા આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર માટે ઉમટે છે. છતાં હોસ્પિટલની હાલત અને સંભાળ અંગે જવાબદાર તંત્ર તરફથી દેખાતી ઉદાસીનતા ચિંતાજનક બની છે. જ્યાં લાખો રૂપિયાનું ફર્નિચર વરસાદમાં પલળી જવાની ઘટના, બપોરે પણ ચાલુ રહેતી લાઈટ-પંખાઓના કારણે વીજળીનો બેફામ વેડફાટ, સુપર સ્પેશિયાલિટી વિભાગ સામે પાણી ભરાવાની કાયમી સમસ્યા, એક્ઝોસ્ટ ફેન બંધ હોવાને કારણે દર્દીઓ બફારા અને ગરમીમાં પરેશાન, ફૂટપાથને બદલે લોકો મુખ્ય રોડ પર ચાલવા મજબૂર બનતા હોવા જેવી અનેક સમસ્યાઓથી દર્દીઓ અને તેના સંબંધીઓ પીડાઈ રહ્યા છે. લાખોના ફર્નિચરને કાટ લાગી જવાની ભીતિ જૂના બિલ્ડિંગની પાછળ આવેલા ખુલ્લી જગ્યામાં વિવિધ વિભાગો માટે મંગાવવામાં આવેલું લાખો રૂપિયાનું ફર્નિચર અઠવાડિયા જેટલા સમયથી પડેલું રહેતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કબાટ, સ્ટેન્ડ અને ટેબલ સહિતનો સામાન બે દિવસ અગાઉ પડેલા વરસાદમાં પલળી જતા કાટ ખાઈ નુકસાનની ભીતિ ઊભી થઈ છે. નોંધનીય છે કે આ જગ્યામાં બંને બાજુ છાપરું હોવા છતાં વચ્ચેનો ભાગ ખુલ્લો હોવાથી વરસાદનું પાણી સીધું ફર્નિચર પર પડતા તે ભીનું થઈ ગયું હતું. સર ટી. હોસ્પિટલમાં વીજળીનો બેફામ વેડફાટ: હોસ્પિટલના મલ્ટી સ્પેશિયાલિટી વિભાગની બહાર લગાડવામાં આવેલી લાઈટો બપોરના સમયે પણ ચાલુ રહેતી હોવાની સાથે વિવિધ વોર્ડ તરફ જતાં રસ્તાઓ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવા છતાં લાઈટ અને પંખા ચાલુ રાખવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જે વીજળીના સ્પષ્ટ દુરુપયોગ તરફ ઈશારો કરે છે, ખાસ કરીને જ્યારે સરકારી સંસ્થાઓમાં ઊર્જા બચત અને સંસાધનોના યોગ્ય ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે ત્યારે આવી બેદરકારી ચિંતાજનક બની છે. સુપર સ્પેશિયાલિટીમાં પાણી ભરાવાની સમસ્યા: કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા સુપર સ્પેશિયાલિટી વિભાગ સામે બનાવાયેલા RCC રોડમાં ખાડો રહી જવાથી બે દિવસ પહેલા પડેલા વરસાદ બાદ આ ખાબોચિયું પાણીથી ભરાઈ ગયું હતું. એક્ઝોસ્ટ ફેન બંધ હાલતમાં: બફારા અને સફોકેશનમાં તડપતા દર્દીઓ જનરલ વોર્ડમાં લગાવવામાં આવેલા એક્ઝોસ્ટ ફેન સારી સ્થિતિમાં અને રિપેર થયેલા હોવા છતાં ચાલુ ન રાખવામાં આવતા દર્દીઓ માટે ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, જ્યાં એક તરફ ઉનાળો અને કમોસમી વરસાદના કારણે વધેલા બફારા અને અસહ્ય ગરમી વચ્ચે મોટા વોર્ડોમાં દર્દીઓ, સગા-સંબંધીઓ તથા હોસ્પિટલ સ્ટાફની હાજરીને કારણે ભીડ વધતી હોવાથી સફોકેશન જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ફૂટપાથને બદલે લોકો રોડ પર ચાલવા મજબૂર: હોસ્પિટલ વિસ્તારમાં રોડની બાજુમાં બનાવવામાં આવેલી ફૂટપાથો સારવાર માટે આવતા લોકોની સલામતી માટે હોવા છતાં ત્યાં પેવર બ્લોક્સ જેમના તેમ પડ્યા રહેતા માર્ગ અવરોધિત બની ગયો છે, જેના કારણે લોકોને મજબૂરીમાં વ્યસ્ત રોડ પર ચાલવું પડી રહ્યું છે જ્યાં ઇમર્જન્સી વાહનોની સતત અવર-જવર રહેતી હોવાથી અકસ્માતની સંભાવનાઓ વધી રહી છે, આ પરિસ્થિતિ તંત્રની બેદરકારીને ઉજાગર કરતી હોવાનું જણાઈ રહ્યું છે. પાર્કિંગ કરવા માટે રોજ થતી અથડામણો: હોસ્પિટલમાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં તે અપૂરતી સાબિત થઈ રહી છે, જેના કારણે દરરોજ દર્દીઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે અથડામણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, જે વ્યવસ્થાપન સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ઘણી વખત આ પરિસ્થિતિમાં આવતા દર્દીઓ માટે પણ પાર્કિંગ ન મળતાં હાલાકી વધે છે, જે આરોગ્યસેવામાં અવરોધરૂપ બની રહી છે.. ઘણું ફર્નિચર ફાળવવાનું બાકી: હોસ્પિટલમાં આવેલું ફર્નિચર અલગ અલગ સમયે આવ્યું છે. એમાંથી થોડુંક ફર્નિચર ફાળવી દીધું છે. ત્યારે બાકી રહેલું ફર્નિચર લેપ્રસી હોસ્પિટલ ખાતે મોકલવાનું બાકી છે. - ડો. અશોક વાળા, સુપ્રિટેન્ડેન્ટ, સર ટી. હોસ્પિટલ

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:22 am

મતદારોનું સમીકરણ:જિલ્લામાં 8.87 લાખ મતદાર, વડોદરા તાલુકો 1.95 મતદારો સાથે સૌથી મોટો

વડોદરા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યના માળખામાં મતદારોની ભાગીદારી અત્યંત નિર્ણાયક બનશે. એસઆઈઆરની કામગીરી બાદના આંકડા અનુસાર, જિલ્લાના આઠ મુખ્ય તાલુકાઓ કરજણ, ડભોઇ, ડેસર, પાદરા, વડોદરા, વાઘોડિયા, શિનોર અને સાવલી મળીને કુલ 8,87,983 મતદારો નોંધાયેલા છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 4,52,864 અને મહિલા મતદારોની સંખ્યા 4,35,110 નોંધવામાં આવી છે. વડોદરા તાલુકો 1,95,637 મતદારો સાથે સૌથી મોટો મતવિસ્તાર છે, જ્યારે શિનોર તાલુકો 49,525 મતદારો સાથે સૌથી નાનો વિસ્તાર છે. ગ્રામીણ સ્તરે જોતા, વડોદરા તાલુકાનું સયાજીપુરા ગામ 8,094 મતદારો સાથે જિલ્લાનું સૌથી મોટું મથક બનીને ઉભરી આવ્યું છે. જ્યારે બીજી તરફ, શિનોરનું આનંદી ગામ સૌથી ઓછી એટલે કે માત્ર 2,423 મતદારોની સંખ્યા ધરાવે છે. આ આંકડાકીય માહિતી આગામી ચૂંટણીઓમાં વિવિધ પક્ષો માટે વ્યૂહાત્મક આયોજન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનિય છે કે, ભાજપ સિવાય વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરવામાં આવી છે ત્યારે ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. 8 તાલુકામાં કુલ 8.87 લાખ મતદારો વડોદરાના સયાજીપુરામાં સૌથી વધુ મતદારો શિનોરના આનંદીમાં સૌથી ઓછા મતદારો

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:58 am

ધનિયાવી રોડની ઘટના:પેટ્રોલપંપના સંચાલકોનો પૂર્વ કર્મચારી સહિત 3 પર હુમલો

શહેરના ધનિયાવી રોડ પર આવેલા પેટ્રોલ પંપના માલિકોએ પૂર્વ કર્મચારી પર 22 હજારની ઉચાપતનો આરોપ લગાવી રસ્તા વચ્ચે આંતરીને તેની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. વૈભવી કારમાં આવેલા 8થી 10 હુમલાખોરોએ કર્મચારી ઉપર કરેલા આ હૂમલામાં ત્રણ શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તરસાલી ચોકડી અને ધનિયાવી રોડ પાસે બનેલી આ ઘટનામાં હુમલાખોરોએ પૂર્વ કર્મચારી અને તેના સાળાને રસ્તામાં આંતર્યા હતા. ત્યારબાદ ધારીયા અને લાકડાના ડંડા વડે બેરહેમ માર માર્યો હતો. આ હુમલામાં એક યુવાનના બંને હાથે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ છે. રાકેશભાઈ અશોકભાઈ રાવળ અગાઉ પુરંદર ફાર્મ પાસેના ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર ફીલર તરીકે ફરજ બજાવતા હતા. ગત શનિવારે તેઓ પુત્ર સાથે શાકભાજી લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે પંપ માલિક યુવરાજસિંહ ઉર્ફે અપ્પુ મહીડાએ પોતાની ફોર્ચ્યુનર કારથી તેમને આંતર્યા હતા. મહીડાએ ધમકી આપતા કહ્યું હતું કે, ‘તેં પંપના ₹22,000 લઈ લીધા છે, તે પરત આપી દે નહીંતર મારી નાખીશ.’ રાકેશભાઈએ ઘરે પહોંચીને પોતાના સાળાને આ અંગે જાણ કરી હતી. તેઓ ધનિયાવી રોડ પર પાનના ગલ્લા પાસે ઉભા હતા, ત્યારે આરોપીઓ લાલ રંગની BMW કાર લઈને ધસી આવ્યા હતા. કારમાંથી ઉતરેલા ટોળાએ હુમલો કરતા મેલાભાઈ સુખાભાઈ રાવલીયાને ગંભીર ઈજાઓ થતા SSG હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હુમલામાં રાકેશભાઈ અને તેમના સાળા ભરતભાઈ રાવળને પણ ઈજાઓ પહોંચી છે. કપુરાઈ પોલીસે રાયોટિંગ અને હથિયારબંધી ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવરાજસિંહ અપ્પુ મહીડા, રાજવીરસિંહ મહીડા, જયરાજસિંહ મહીડા, હંસરાજસિંહ મહીડા અને અન્ય 4-5 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:55 am

ઠગાઈ:જમીનના દસ્તાવેજના બહાને રેલવે કર્મચારી સાથે 1.16 લાખની ઠગાઈ

પ્રતાપનગર ડી.આર.એમ. ઓફિસમાં ચીફ ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા બ્રિજભુષણ સચ્ચિદાનંદ ચૌબેએ જમીન વેચાણ કરવા જતા ગઠિયાએ દસ્તાવેજો બનાવી આપવાના બહાને રૂા.1.16 ખંખેરી લેતા મકરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બ્રિજભુષણ ચૌબે(ઉ.વ.54)ની ફરિયાદ અનુસાર, તેઓ વાઘોડિયાના રાવલ ગામે આવેલ તેમનો પ્લોટ વેચવા માંગતા હતા, જે માટે તેમણે ઓનલાઈન પોર્ટલ પર જાહેરાત આપી હતી. આ જાહેરાત જોઈને અમદાવાદના વિશાલ ખટવાણી નામના વ્યક્તિએ પ્લોટ રૂા.1.50 કરોડમાં ખરીદવામાં રસ દાખવ્યો હતો. આરોપીએ જમીનના વેચાણ માટેના જરૂરી તમામ લીગલ દસ્તાવેજો પોતે બનાવી આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો. દસ્તાવેજો બનાવવાની પ્રક્રિયાના ખર્ચ પેટે આરોપીએ ફરિયાદી અને તેમની દીકરીના બેંક ખાતામાંથી જુદા-જુદા સમયે ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કુલ રૂ. 1,16,500 મેળવ્યા હતા. આ રકમ એમ.ડી.એન્ટરપ્રાઈઝ, હર્ષ ક્રીએશન અને હરી ટ્રેડિંગ કંપની જેવા નામો ધરાવતા ક્યુ.આર. કોડ પર મોકલવામાં આવી હતી. નાણાં મેળવ્યા બાદ આરોપીએ દસ્તાવેજો બનાવી આપ્યા નહોતા અને ફરિયાદીના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આરોપીના અમદાવાદના સરનામે તપાસ કરતા ત્યાં કોઈ ઓફિસ મળી આવી નહોતી. અંતે છેતરાયા હોવાનો અહેસાસ થતા બ્રિજભુષણ ચૌબેએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 318(4) હેઠળ ફરિયાદ નોંધાવી છે. મિલકતના વ્યવહારમાં રાખવાની સાવચેતી

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:53 am

ફાયરબ્રિગેડે કાચ તોડીને બાળકને બહાર કાઢ્યો:અલકાપુરીમાં કારનો દરવાજો લોક થતાં 3 વર્ષનો બાળક 1 કલાક સુધી ફસાયો

અલકાપુરીમાં શનિવારે 3 વર્ષનું બાળક કારમાં ફસાયું હતું. પિતા કારમાંથી નીકળ્યા બાદ પાછલી સીટ પર બેસેલા પુત્રને કાઢવા દરવાજો ખોલવા ગયા, પણ તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ચાવી કારમાં રહી જતાં દરવાજો લોક થઇ ગયો હતો. ફાયરબ્રિગેડે કાચ તોડી 1 કલાકે બાળકને કાઢ્યો હતો. અમદાવાદના રહીશ પુત્ર સાથે કામસર વડોદરા આવ્યા હતા. તેઓ શનિવારે બપોરે 12 વાગ્યે અલકાપુરી પેટ્રોલપંપ સામેના મોલમાં ગયા ત્યારે ઘટના બની હતી. તેમણે દરવાજો ખોલવા પ્રયાસ કર્યા પણ ન ખૂલતાં ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો. લાશ્કરોએ કાચ તોડીને પુત્રને હેમખેમ બહાર કાઢ્યો હતો. શક્ય હોય તો ડુપ્લિકેટ ચાવી હાથવગી રાખવીકારનો દરવાજો અંદરથી લોક થઇ જાય અને બાળક હોય તો સામાન્ય સંજોગોમાં ઝડપથી કાચ તોડવો જોઇએ. કારણ કે એસી બંધ હોય ત્યારે બાળકની સલામતી સૌથી મોટી પ્રાયોરિટી હોય છે. આ અંગે ઓટો એક્સપર્ટ મનોજ ઠાકરે કહ્યું કે, તમે બે કારમાં પ્રવાસે નીકળ્યા હોવ તો એક કારની ડુપ્લિકેટ ચાવી બીજી કારમાં, એ રીતે ક્રોસ રાખવી જોઇએ.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:48 am

મંડે મેગા સ્ટોરી:19 કિમીમાં પાંચેય CCTV બંધ,પોલીસને 11 હિટ એન્ડ રનના આરોપી જાણવાનાં હવાતિયાં

કપુરાઈ પોલીસ મથકની હદમાં આવતા સુંદરપુરા પાટિયાથી દરજીપુરા ચોકડી સુધીના 19 કિલોમીટર લાંબા હાઈવે પર વારંવાર અકસ્માત થાય છે, જેમાં ઘણા કિસ્સાઓમાં વાહન ચાલકો ફરાર થઈ જાય છે. આ સાથે રાત્રીના સમયે પણ અનેક અકસ્માત થતા હોય છે. જેમાં ચોંકાવનારી વિગત એ છે કે, આટલા લાંબા અને સંવેદનશીલ હાઈવે પર સુરક્ષા માટે 5 બ્રિજ પર માત્ર 5 સીસીટીવી કેમેરા લગાવ્યા છે, કમનસીબે આ આ પાંચેય કેમેરા હાલ બંધ હાલતમાં છે. ટેક્નોલોજીના યુગમાં સિસ્ટમની આ ગંભીર બેદરકારીથી છેલ્લા 8 મહિના દરમિયાન થયેલા 11 જેટલા જીવલેણ અકસ્માતના ગુના ઉકેલવામાં પોલીસને નિષ્ફળતા મળી છે. શહેરને અડીને પસાર થતા નેશનલ હાઈવે નં.48નો 19 કિમીનો પટ્ટો કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં આવે છે. હાઈવે હોવાને કારણે વિસ્તારમાં સૌથી વધુ જીવલેણ અકસ્માતો નોંધાય છે. હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બને છે ત્યારે અકસ્માત સર્જનાર વાહનચાલકને પકડવા માટે સીસીટીવી ફૂટેજ મહત્ત્વનું પાસું હોય છે. 8 મહિનાથી કેમેરા બંધ હોવાથી પોલીસ વાહનનો નંબર કે આરોપી વિશે જાણકારી મેળવી શકતી નથી. કપુરાઈ પોલીસ દ્વારા આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને અનેકવાર લેખિત જાણ કરી હોવા છતાં સ્થિતિ જૈસે થે છે. સીસીટીવી બંધ હોવાથી લૂંટની ઘટનામાં પણ આરોપીઓને ઓળખવા મુશ્કેલ બને છેકપુરાઇ પોલીસ મથકની હદમાં હાઈવે પર આજવા બ્રિજ, કપુરાઈ બ્રિજ, તરસાલી બ્રિજ, વાઘોડિયા બ્રિજ અને જામ્બુવા બ્રિજ આવે છે. આ દરેક બ્રિજ પર એક-એક મુવિંગ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. જ્યારે પોલીસે જણાવ્યું હતું કે, કેટલીક વખત બ્રિજ પર લૂંટની ઘટના પણ બને છે. જોકે સીસીટીવી બંધ હોવાને કારણે લૂંટના ગુના ઉકેલવામાં પણ તકલીફ પડે છે. સીસીટીવી કેમેરા પુનઃ કાર્યરત કરવાની પ્રક્રિયા કરાઈ રહી છે : એનએચએઆઇનેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં હાઈવેનો કરાર ન્યૂ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિડેટ સાથે કરવામાં આવ્યો છે. જોકે આ કરાર માત્ર હાઈવે મેન્ટેન્સનો જ કરવામાં આવ્યો છે. જેમાં સીસીટીવીના સમારકામ વિશે કરાર કરવામાં આવ્યો નથી. સીસીટીવી કેમેરા શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે. હોટલ-દુકાનના CCTV હાઇવે તરફ રાખવા સૂચનહાલમાં હાઈવે બ્રિજના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. જેથી હાઈવે પર આવેલી હોટલો-દુકાનોના સીસીટીવી કેમેરાનું મેપિંગ કરાયું છે. ઉપરાંત તેમને સૂચન કરાયું છે કે, બહારના કેમેરા હાઈવે તરફ રાખવા. તબક્કાવાર આ સીસીટીવીની ચકાસણી કરાય છે. > ડી.સી. રાઉલ, પીઆઈ, કપુરાઈ પોલીસ મથક

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:46 am

ભાસ્કર એક્સક્લુસિવ:શહેરમાં 1 મહિનામાં નવાં 3653 પીએનજી જોડાણ અપાયાં, હજુ 4500 અરજી પેન્ડિંગ

1 મહિનાથી ચાલતા ઇરાન-ઇઝરાયેલ યુદ્ધને પગલે રાંધણ ગેસની સમસ્યા ઊભી થઇ હતી. જેથી લોકો પાઇપ નેચરલ ગેસ તરફ વળતાં ગેસ જોડાણમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. દર મહિને અપાતા 1 હજારથી 1500 જેટલાં પાઇપ ગેસ કનેક્શન હાલ બમણાં થયાં છે. 1 મહિનામાં નવાં 3653 પાઇપ ગેસ કનેક્શન અપાયાં છે, જ્યારે 4500 જેટલી અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે. યુદ્ધને પગલે રાંધણ ગેસની સમસ્યા સર્જાઈ હતી. માર્ચની શરૂઆતમાં ગેસ બોટલ માટે એજન્સીઓ પર લાઇનો લાગી હતી. બીજી તરફ સરકારે લોકો પીએનજી તરફ વળે તેવા પ્રયાસ કર્યા હતા. લોકો પણ બોટલની પળોજણમાંથી છૂટવા વીજીએલમાં પાઇપ લાઇન માટે અરજી કરી હતી. વીજીએલ દ્વારા એક મહિનામાં 3653 જોડાણ અપાયાં છે. જ્યારે કોમર્શિયલ લાઇન મેળવનારની સંખ્યા 1 મહિનામાં 48 થઈ છે. શહેરમાં આ પહેલાં 3030 કોમર્શિયલ ગેસ જોડાણ હતાં. અત્યારે 38 કિમીનું નવું નેટવર્ક નખાયું છે. પહેલાં 4473 કિમી જેટલું નેટવર્ક હતું. વોર્ડ કચેરીથી ગેસ જોડાણની કામગીરી ચાલુપહેલાં ગેસ કંપનીની ઓફિસ પરથી જ કનેક્શન માટેની કામગીરી કરાતી હતી. જોકે હવે દરેક વોર્ડ ઓફિસ પરથી આ કામગીરી કરાઈ રહી છે. છેલ્લા એક મહિનામાં વીજીએલે તેમનો સ્ટાફ પણ વધાર્યો છે, જેને પગલે કામગીરી ઝડપી થઇ શકે. બિલિંગ કાઉન્ટરોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:42 am

સિટી એન્કર:માતા-પિતાએ સિવણનું મશીન ન અપાવતાં દીકરીએ ઘર છોડ્યું અભયમે સરકારી યોજનાની સમજ આપીને ફોર્મ ભરાવી આપ્યું

ગોત્રીમાં રહેતી 16 વર્ષીય સગીરાને તેનાં માતા-પિતાએ સિલાઈ મશીન ન લઈ આપતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. સગીરા વિશે એક વ્યક્તિએ અભયમને જાણ કરતાં ટીમે પહોંચી સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, સગીરા નાની હોવાથી તેનાં માતા-પિતા તેને સિલાઈ મશીન લઈ આપતાં નહોતાં. જેથી અભયમે સગીરાનું કાઉન્સેલિંગ કરીને તેને ઘરે પહોંચાડી હતી. ઉપરાંત તેને સરકારી સહાય યોજનામાં સિલાઈ મશીન કેવી રીતે મેળવી શકાય તે બાબતે પણ જાણકારી આપી હતી. ગોત્રીની સગીરાએ ભણવાનું છોડીને સીવણ ક્લાસ શરૂ કર્યા હતા. પોતે પગભર થવા તે સિલાઈ મશીન લેવા માગતી હતી. જોકે તેનાં માતા-પિતાએ દીકરીને મશીન લઈ આપવાની ના પાડી દીધી હતી. ઉપરાંત તેની મરજી વિરુદ્ધ તેનાં લગ્ન પણ નક્કી કરી દીધાં હતાં. તેની માતાએ તેને કહ્યું કે, સાસરીમાં જઈને મશીન લેજે. સગીરાએ ઘણી જીદ કરી પણ માતા-પિતાએ મશીન ન લઈ આપતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન સ્ટેશન પાસેના રોડ પર સવારથી સગીરા બેસી રહેતાં નજીકના દુકાનદારે અભયમને જાણ કરી હતી. જેથી અભયમની ટીમ સગીરા પાસે પહોંચતાં તેણે પોતાની તકલીફ જણાવી હતી. તે પછી માતા-પિતાનો ફોન દ્વારા સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે, દીકરી નાની હોવાથી મશીન નથી લઈ આપતાં. જેથી અભયમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જોકે સગીરાએ જીદ પકડી કે, જ્યાં સુધી મશીન નહીં લઈ આપે ત્યાં સુધી ઘરે નહીં જાય. આખરે અભયમે સગીરાને સરકારી સહાય યોજના વિશે માહિતી આપી હતી, જેના દ્વારા તે મશીન લઈ શકે છે. સગીરાને યોજના વિશે સમજણ આપીને ફોર્મ પણ ભરાવી આપ્યું હતું. જેથી સગીરાને વિશ્વાસ આપ્યો કે, તેનું મશીન આવી જશે. જે બાદ તે ટીમ સાથે ઘરે પહોંચી હતી. અભયમની ટીમે કાઉન્સેલિંગ કરીને સગીરાને માતા-પિતાને સોંપીસગીરા નાનપણથી જ પોતાનાં મામા-મામી સાથે રહેતી હતી. જોકે તે થોડા સમયથી માતા-પિતા સાથે રહેવા ગઈ હતી. ઘટના વિશે મામા-મામીને પણ જાણ કરાઈ હતી. જેથી મામા-મામી સગીરાની જવાબદારી લેવા તૈયાર હતાં. જોકે સગીરા માતા-પિતાના ઘરે જવા માગતી હોવાને કારણે અભયમે સગીરાને તેનાં માતા-પિતાને સોંપી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:39 am

પોલીસ રેડ:મગદલ્લામાં દારૂની મહેફિલની તૈયારી કરતી થાઇલેન્ડની યુવતીઓ પોલીસના સકંજામાં

મગદલ્લામાં ભાડે રહેતી થાઈલેન્ડની 5 યુવતીઓ રવિવારે મધરાતે દારૂની મહેફિલ જમાવે તે પહેલા પોલીસે રેડ કરી હતી. આ દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂની બોટલ સહિત 5 પ્રતિબંધિત ઈ-સિગારેટો મળી આવી હતી. આ મામલે ઉમરા પોલીસે થાઇ યુવતી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. મગદલ્લા ગામે રહેતી થાઇલેન્ડની યુવતી દારૂની બોટલ અને ઈ-સિગારેટ સાથે એલસીબી ઝોન-4ના સ્ટાફે રવિવારે મધરાતે પકડી પાડી છે. યુવતીનું નામ ફાવિની ખેમ્નુઅન કોંગસેનકમ છે અને તે મગદલ્લા ગામે ભાડેના મકાનમાં રહે છે. એલસીબી ઝોનના સ્ટાફે આ બાબતે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે થાઇલેન્ડની યુવતી સામે પ્રોહિબિશન અને ઈ-સિગારેટનો ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી કરી છે. પોલીસે જણાવ્યું કે મગદલ્લામાં વિધવાના મકાનમાં ભાડેથી રહેતી થાઇલેન્ડની યુવતી પાસેથી 5 ઈ-સિગારેટો અને એક વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જે સમયે પોલીસે ઘરમાં રેડ કરી ત્યારે અન્ય 5 થાઇ યુવતીઓ બેઠેલી હતી. થાઈ યુવતીઓ દારૂની મહેફિલ શરૂ કરવાના હતા. આ પહેલા જ પોલીસે રેડ કરી હતી. હવે પોલીસ દારૂની બોટલ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરાવે તો બુટલેગરનું નામ સામે આવી શકે તેમ છે. મગદલ્લામાં ભાડે રહેતી થાઈલેન્ડની યુવતીઓના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ યુવતીઓ જાહેર રસ્તાઓ પર ટૂંકા વસ્ત્રો પહેરી ખુલ્લેઆમ ઈ-સિગારેટના દમ મારતી હોય છે

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:35 am

ચૂંટણીમાં AIનો દુરપયોગ:પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતને હથકડી પહેરાવેલો ફોટો વાઇરલ, ગુનો દાખલ

પાલિકાની ચૂંટણી પહેલા જ ગોડાદરા-ડિંડોલી વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાર્યો છે. ગોડાદરામાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખે સોસીયલ મીડિયામાં બે મિનીટનો એક વીડિયો અપલોડ કર્યો હતો. જેના કારણે અમિત રાજપૂતની બદનામી થતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ અંગે પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતે ગોડાદરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે આપના યુવા ઉપપ્રમુખ શ્રવણકુમાર જોષી સામે ગુનો દાખલ કર્યો છે. વીડિયો AIથી બનાવવામાં આવ્યો હતો. પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે શ્રવણ જોષી નામના યુવકે ચોથી એપ્રિલે એક વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. જેમાં પૂર્વ કોર્પોરેટરનો ફોટો રાખી તેમાં લખ્યું કે ‘સુરત કે સિહાસત મે એક નામ જો હર બાર ખબર બનતા હૈ, લેકિન વજહ હંમેશા સવાલો મે રહેતી હૈ અમિત રાજપૂત કભી કોર્પોરેટર, કભી સત્તા કા ચહેરા ઔર આજ આરોપો કે ઘેરે મે ઘેરા એક વિવાદિત નામ, આ રીતનો વીડિયોમાં ન્યૂઝ ચેનલો અને ન્યૂઝ પેપરોના કટીંગ્સ સાથે પૂર્વ કોર્પોરેટરના ફોટોગ્રાફને અનુરૂપ AIથી જનરેટ કરી તેમાં હાથકડી પહેરેલ જનરેટ ફોટો મુક્યો હતો. વાત અહીંથી અટકી ન હતી. શ્રવણ જોષીએ માજી કોર્પોરેટરનો પાલિકાના કર્મચારી સાથે ગાળાગાળી અને વકીલ પર ગુંડાઓ દ્વારા હુમલો કરવાની કોશિશનો ઓડિયો કલીપ બનાવી હતી. ઉપરાંત આશીષસિંગ મર્ડર કેસમાં સામેલ હોવા અંગેનો મોઢા પર માસ્ક પહેરાવી AIથી જનરેટ કરેલો ફોટો મુક્યો હતો. નેતા પ્રેમ વિવાદ મે ફસે, બિલ્ડરનું અપહરણ સહિતના આરોપો સાથે AIથી જનરેટ કરેલા ફોટો અને ઓડિયો બનાવી 1.58 મિનિટનો ડોક્યુમેન્ટ્રી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. નેતાજી પ્રેમ વિવાદ મેં ફસે, પાલિકાના કર્મચારી સાથે ગાળાગાળી, વકીલ પર હુમલો જેવી ઓડિયો ક્લિપ બનાવી આપ નેતાનું બીપી લો થતા હોસ્પિટલમાં દાખલઆમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખ શ્રવણ જોષીને ગોડાદરા પોલીસે શનિવારે નોટીસ મોકલી રવિવારે પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું હતું. રવિવારે શ્રવણ જોષી પોલીસ સ્ટેશને આવ્યા હતા. પોલીસે પૂર્વ કોર્પોરેટરનો વીડિયો બાબતે પૂછપરછ શરૂ કરી ત્યારે કેટલાક સવાલોના જવાબ આપવામાં શ્રવણ જોષીનો પસીનો છુટ્ટી ગયો હતો. પછી અચાનક શ્રવણ જોષીનું બીપી લો થતા તબિયત લથડી હતી. આથી પોલીસે તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગઈ છે. હાલમાં શ્રવણ જોષી હોસ્પિટલમાં પોલીસની નિગરાનીમાં છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:34 am

બાંધકામ નિષ્ણાંતોએ હૈયાવરાળ ઠાલવી:‘બાંધકામ ક્ષેત્રે માત્ર સુરત શહેરમાં ડીસીઆર નથી એવી એફિડેવિટ માગવાનો રિવાજ, ઇમ્પેક્ટ ફી કાયદો હટાવો’

શહેરના બાંધકામ ક્ષેત્રમાં જેમની પાયાની ભૂમિકા છે એવા સિવિલ ઇજનેર, આર્કિટેક્ટ અને કોંક્રિટ સાથે સંકળાયેલા નિષ્ણાતોના ક્ષેત્રમાં ભારે બળાપાની સ્થિતિ છે. હાલમાં ફાઈલોનો નિકાલ થઈ રહ્યો છે પરંતુ પ્રશ્નો વણ ઉકેલ્યા છે. કાયદામાં જેનો ઉલ્લેખ નથી એવી બાબતોની એફિડેવિટ અને રાજ્યમાં સુરત સિવાય ક્યાંય મંગાતા નહીં હોય એવા કાગળો રજૂ કરવા સહિતના પ્રશ્નો અંગે દિવ્ય ભાસ્કર ટોક શોમાં ચર્ચા કરી હતી. આ ચર્ચામાં જાબીર ચોકસી, વિજય ભટ્ટ, કમલેશ વૈષ્ણવ, હિરેન દેસાઈ, અમિત વાઘાણી, બલદેવ માઘવાણી, નરેન્દ્ર કોટડીયા, નિલેશ પટેલ, સુરેશ પટેલ, મહેશ સાવલીયા, મનિષ ગજજર, આશિષ માંજરાવાલા સહિતના સભ્યો જોડાયા હતા. સુરતમાં 2017માં બનેલો ડેવલપમેન્ટ પ્લાન વર્ષ 2026માં પણ ફાઇનલ થયો ન હોવાનો સૂર વ્યક્ત કરાયો પરમિશન સિસ્ટમ: ઓનલાઈન સિસ્ટમ હોવા છતાં ઓફલાઇન કાગળ મંગાય છેપ્લાનની ઓનલાઈન પરમિશન સિસ્ટમ છતાં પાલિકા દ્વારા ઓફ લાઈનમાં તમામ કાગળો મંગાય છે જે ઊચિત નથી. આ બંને પ્રક્રિયામાં 40 ટકા કપાતનો પ્રશ્ન ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ટી.પી.ઓ. દ્વારા પ્લોટ એલોટ કરાયાના 25 વર્ષ બાદ જનરલ કપાત માટે જણાવી દેવાતા કંઈ રીતે આપી શકાય એ પ્રશ્ન છે. પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ દર વર્ષે લેવાની જોગવાઈમાં સુધારાની જરૂર છે. સરકારે આ માટે એસઓપી (SOP) બનાવવાની જરૂર છે. ટાઉન પ્લાનિંગ: મંજૂરી પ્રક્રિયા લાંબી, સુધારાની કલમ 19 ધંધો બની ગયો છેટાઉન પ્લાનિંગમાં મંજૂર કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા ખુબ લાંબી છે. એમાં પણ કલમ 19 હેઠળ વારંવાર સુધારા ખરેખર એક ધંધો બન્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સુરતમાં વર્ષ 2017માં બનેલો વિકાસ પ્લાન આજે વર્ષ 2026માં પણ ફાઇનલ થયો નથી. સુધારાના નામે થતો ખેલ બંધ થવો જોઈએ. ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં પણ ડી.પી.ના નકશા આપી દેવાય છે જેને કારણે પ્લાન પાસ થતા નથી. બે દિવસ પૂર્વે જ ફરી સુધારા માટે દરખાસ્ત થઈ છે. લાયસન્સ સસ્પેન્શન: આગના બનાવમાં ઇજનેરો, આર્કિટેક્ટ બલિનો બકરોબિલ્ડિંગોમાં આગના બનાવોમાં પણ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બરની જવાબદારી નક્કી કર્યા વિના આર્કિટેક્ટ અને એન્જિનિયરને બલિનો બકરો બનાવી લાયસન્સ 6 મહિના કે કાયમ માટે સસ્પેન્ડ કરાય છે. ફાયર કન્સલ્ટન્ટના લાયસન્સ પણ કાઢી નખાયા છે. પાલિકા ન્યાયના સિદ્ધાંત મુજબ નોટિસ આપ્યા વિના લાયસન્સ કાયમ માટે પણ સસ્પેન્ડ કરી દે છે. જ્યાં અમારી ભૂમિકા જ નથી ત્યાં પગલાં લેવાઈ રહ્યા છે. ઇમ્પેક્ટ ફીનો કાયદો: ગેરકાયદે બાંધકામ કરનારા હવે બેખોફ બની ગયા છેરાજ્ય સરકારે તત્કાલ ઇમ્પેક્ટ ફીનો કાયદો સમાપ્ત કરવો જોઈએ. ગૃડાનું નોટિફિકેશન પહેલાં છ મહિનાનું હતું આજે ચોથા વર્ષે પણ ચાલુ છે. ઇમ્પેક્ટ ફી દર વર્ષે રિપિટ કરવાને કારણે જ ગેરકાયદે બાંધકામ કરનારાઓ બેખૌફ થઈ રહ્યા છે. બાંધકામ કરો અને ફી ભરીને રેગ્યુલરાઈઝ કરી દો એ ચલણ બની ગયું છે. એસેસમેન્ટ અને પ્લાન પાસ કરવાના સમયે જ શા માટે ચોકસાઈ રખાતી નથી એ પ્રશ્ન છે. બિલ્ડિંગ બાયલોઝને પાંગળો બનાવાઈ રહ્યો છે... ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે બિલ્ડિંગ બાયલોઝને નબળો પડાઈ રહ્યો છે. નેશનલ બિલ્ડિંગ કોડને ડાયલ્યુટના નામે સુધારા કરાઈ રહ્યા છે. એન.ડી.સી.ના આધારે બાયલોઝ બનતા હતા, જે ગીતા સમાન હતા એ નબળા પડતાં હવે બાયલોઝ કંઈ રીતે બનશે એ પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:33 am

ભાસ્કર એક્સક્લુસિવ:માપદંડો બદલાતાં ડ્રેનેજના 1200 કરોડના ટેન્ડર પર બ્રેક, મોટા વરાછા, ઉત્રાણમાં 3 વર્ષથી નેટવર્કના ફાંફાં

2020માં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ગટર લાઈન માટે 3 વર્ષથી ચાલતી કવાયત કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાને કારણે રોકી દેવાઈ છે. મોટા વરાછા, ઉત્રાણ, કોસાડ અને વાલકમાં STP બનાવી લાઇન નાખવા 1200 કરોડના ટેન્ડર સોંપવાની પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે. STPમાં ટ્રીટ થઇ જળાશયોમાં છોડાતા પાણીમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD)ના માપદંડ હવે 5ને બદલે 10 રાખવાની સૂચના મળતાં ટેન્ડર સ્ક્રેપ કરી દેવાયા છે. ઉપરાંત નદીમાં જતું પાણી પહેલાં કરતા થોડું ઓછું શુદ્ધ થશે. સ્માર્ટ સિટી સુરતમાં નદી શુદ્ધિકરણ અને ગંદા પાણીના નિકાલ માટેની કામગીરીમાં મોટો વળાંક આવ્યો છે. ભાસ્કર એક્સપર્ટખર્ચ તો ઘટશે પણ લાંબા ગાળે નદીમાં જૈવિક કચરો વધી શકે છેડો. પંકજ ગાંધીએ કહ્યું કે, ખર્ચ ઘટશે કેન્દ્રના ધોરણો સાથે સુસંગતતા હોવાથી ગ્રાન્ટ મેળવવામાં સરળતા પણ રહેશે. પાણીને વધુ શુદ્ધ કરવા વધુ વીજળી અને કેમિકલ્સ જોઈએ છે, જેથી હવે નદીમાં છોડાતું પાણી થોડું ઓછું શુદ્ધ થશે. નદીને શુદ્ધ રાખવા માટે BOD 5 મુજબ STP બનાવાતા હતાડ્રેનેજ વિભાગના ઇજનેર રાકેશ મોદીએ કહ્યું કે, સરકારની સૂચના મુજબ હવે BOD 5ને બદલે 10 રાખી તે માત્રા પ્રમાણે જ નવા STP બનાવવા, જેથી હાલ ટેન્ડર રોકી હવે નવેસરથી બહાર પડાશે.’ ઉલ્લેખનીય છે કે, નદીને વધુ શુદ્ધ રાખવા અત્યાધુનિક ટેકનોલોજીનો આગ્રહ રખાતાં ખર્ચ વધતો હતો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:30 am

સિટી એન્કર:પોલીસે વર્ષોથી ગુમ થયેલા 591 બાળકો, યુવાઓ, વૃદ્ધો-મહિલાઓને 4 મહિનામાં શોધી પરિવારને સોંપ્યા, બાળકો-અપહરણના મહત્તમ કેસ

સુરત પોલીસે હવે એવા લોકોની શોધખોળ શરૂ કરી છે જેઓ વર્ષોથી લાપતા છે અને જેમના કેસ ફાઈલોમાં દબાઈ ગયા હતા. પોલીસના આ પ્રયાસથી છેલ્લા ચાર મહિનામાં 591 ગુમ થયેલા લોકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો છે. જેમાં વૃદ્ધોથી લઈને બાળકોનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આમાં એવા લોકો પણ સામેલ છે જેઓ 15-20 વર્ષથી લાપતા હતા. પોલીસે વર્ષ 2007થી ગુમ થયેલા લોકોના પડતર કેસોના રેકોર્ડ, રજિસ્ટર અને દસ્તાવેજોની સમીક્ષા કરી હતી. સાથે જ ફરિયાદીઓ અને સાક્ષીઓનો ફરી સંપર્ક કરી નવા છેડેથી તપાસ શરૂ કરી, ત્યારે જઈને આ લોકો મળી આવ્યા છે. દર મહિને વધી રિકવરી નોંધ: ડિસેમ્બરમાં શોધાયેલા લોકોમાં 41 બાળકો, 53 પુખ્ત વયનાનો સમાવેશ છે. ‘ઓપરેશન મુસ્કાન’માંથી પ્રેરણા લઈને ‘મિશન મિલાપ’ શરૂ કરાયુંડીજીપીએ ઓપરેશન મુસ્કાનની શરૂઆત કરી હતી, જેના પરથી પ્રેરણા લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ‘મિશન મિલાપ’ શરૂ કર્યું હતું. તેમણે 2007થી ગુમ થયેલા 4500 લોકોનો ડેટાબેઝ બનાવી જૂના રેકોર્ડ ફરીથી તપાસ્યા હતા. ટેકનોલોજીથી લોકેશન ટ્રેસ કરાયાંપોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો સતત ઉપયોગ કરે છે. પેમેન્ટ ગેટવે, સોશિયલ મીડિયા અને આધાર ડેટાથી પણ લોકેશન ટ્રેસ કરાયાં છે. - કરણરાજ વાઘેલા, એડિ. સીપી લોકેશન ટ્રેસ કરીને શોધખોળપોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અલગ-અલગ રાજ્યોમાં ટીમો મોકલીને ગુમ થયેલા લોકોની શોધ કરી. ઘણા કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ, સરપંચ અને ગામના પ્રતિનિધિઓના સંપર્ક દ્વારા લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:25 am

માનવતા મહેકાઈ:સુરત: રસ્તામાં હાર્ટ અટેક આવતા બે યુવકો મદદ માટે આવ્યા અને સીપીઆર આપી જીવ બચાવ્યો

સુરતમાં માનવતાની એક જીવંત મિસાલ સામે આવી છે, જ્યાં અજાણ્યા યુવકોએ રસ્તા પર પોતાની બાઈક મૂકી એક અજાણ્યા વ્યક્તિનો જીવ બચાવવા માટે કારમાં જ મોઢાથી સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. ઉમરા બ્રિજ પર બનેલી આ ઘટનામાં હાર્ટ એટેક આવેલા પંકજ પરમારનું લગભગ 20 મિનિટ સુધી હ્રદય ધબકતું બંધ થઈ ગયું હતું, અને દરેક ક્ષણ જીવન અને મૃત્યુ વચ્ચેની જંગ બની ગઈ હતી. એક તરફ મિત્ર અમિત પટેલ ટ્રાફિક વચ્ચે સતત હોર્ન મારતા ઝડપથી કાર હોસ્પિટલ તરફ દોડાવી રહ્યા હતા, તો બીજી તરફ રસ્તામાં મળેલા યુવકો કારમાં જ સતત સીપીઆર આપીને જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં જોડાયેલા ડોક્ટર અને હોસ્પિટલમાં તૈયાર રહેલી ટીમ આ બધાના સંયુક્ત પ્રયાસોથી અંતે પંકજ પરમારને નવજીવન મળ્યું હતું. અમિત પટેલે જણાવ્યું કે તેઓ એક કાર્યક્રમમાં હતા ત્યારે પંકજ પરમારની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. તેઓ તરત જ પંકજને પોતાની કારમાં હોસ્પિટલ લઈ જવા નીકળી ગયા અને માર્ગમાં ડો. સંજય શાહને ફોન કરીને મદદ માટે બોલાવ્યા. પરંતુ ઉમરા બ્રિજ પાસે પહોંચતા પંકજ બેહોશ થઈ ગયા અને પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. આ સમયે અમિત પટેલ ગભરાયા છતાં હિંમત રાખીને સતત હોર્ન મારતા કાર ઝડપથી દોડાવતા રહ્યા. એ દરમિયાન ઉત્સવ મૈસુરિયા અને તેમના મિત્ર દેવ ટિકિટવાલા કાર પાસે પહોંચ્યા. પરિસ્થિતિ સમજતા જ તેઓ પોતાની બાઈક રસ્તા પર મૂકી કારમાં બેસી ગયા અને તરત જ પંકજને સીપીઆર આપવાનું શરૂ કર્યું. થોડી જ વા રમાં ડો. સંજય શાહ પણ કારમાં જોડાયા અને તેમણે છાતી પરથી સીપીઆર આપવાનું શરૂ કર્યું, જ્યારે ઉત્સવ અને તેમના મિત્ર મોઢાથી સીપીઆર આપી રહ્યા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા જ ડો. ગુંજનને જાણ કરી દેતાં હોસ્પિટલમાં ટીમ તૈયાર હતી.લગભગ 20 મિનિટ સુધી પંકજ પરમારનું હ્રદય બંધ રહ્યું હતું, છતાં રસ્તામાં મળેલા યુવકોની તાત્કાલિક મદદ, ડોક્ટરની સારવાર અને સમયસર હોસ્પિટલ પહોંચવાના કારણે તેમનો જીવ બચાવી શકાયો.આ સમગ્ર ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે આજે પણ માનવતા જીવંત છે અને મુશ્કેલીના સમયે અજાણ્યો માણસ પણ સૌથી મોટો સહારો બની શકે છે. કાર સતત હોર્ન મારી રહી હતી તેથી અમે પાસે ગયા‘હું મારા મિત્ર દેવ ટિકિટવાલા અને નિલેશ જયસ્વાલ સાથે બાઈક પર જઈ રહ્યો હતો. પાલ ઉમરા બ્રિજ પાસે એક કાર ચાલક સતત હોર્ન મારી રહ્યા હતા. મને કંઈક અજીબ લાગ્યું એટલે અમે કાર પાસે જઈને જોયું તો અંદર એક વ્યક્તિ બેહોશ હાલતમાં હતા અને તેમના મિત્રો તેમને ઉઠાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરિસ્થિતિ ગંભીર હોવાનું સમજતા અમે તરત જ તેમને સીપીઆર આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમની તબિયત વધુ ખરાબ લાગતા અમે બાઈક રોડ પર જ મૂકી કારમાં બેસી ગયા અને હોસ્પિટલ પહોંચીએ ત્યાં સુધી તેમને મોઢાથી સીપીઆર આપતા રહ્યા. રસ્તામાં એક ડોક્ટર પણ કારમાં જોડાયા. અમે પંકજભાઈને ઓળખતા પણ નહોતા, પરંતુ તે સમયે એક જ વિચાર આવ્યો કે એક માણસનો જીવ બચાવવો સૌથી મોટું કામ છે. ભગવાને અમને એક માણસને બચાવવાનું કામ આપ્યું એવું મને લાગે છે.’> ઉત્સવ મૈસુરિયા

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:22 am

મુસાફરોનો એક કલાક જેટલો સમય બચશે:સૌરાષ્ટ્ર જતી ટ્રેનને બાયપાસ કરવા ગેરતપુર-સાણંદ-સાબરમતી રૂટ પર ચોથી લાઇન નખાશે

વટવા-સાબરમતી વચ્ચે અમદાવાદ શહેરને બાયપાસ કરતી ચોથી રેલવે લાઇનનું કામ બે તબક્કામાં શરૂ કરાયું છે. લગભગ 1275 કરોડના ખર્ચે તૈયાર થનારી આ 59 કિમીની નવી લાઇનથી ટ્રેનોના રૂટમાં 12 કિમીનો ઘટાડો થતા મુસાફરોનો એક કલાક જેટલો સમય બચશે. વડોદરા તરફથી આવી સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને અમદાવાદ લાવવી પડે છે. સ્ટેશન પર આવતી ટ્રેનોને ઘણીવાર આઉટર પર 15થી 20 મિનિટ વેઇટિંગમાં ઊભી રાખવી પડે છે. નવી લાઇન શરૂ થતા ટ્રેનો ગેરતપુરથી સીધી સાણંદ નીકળી જશે, જેથી કાલુપુરમાં ભારણ ઘટશે. નવી લાઇનથી ટ્રેનના રૂટમાં 12 કિમીનો ઘટાડોપેસેન્જરોની ભીડ અને ટ્રેનોના ટ્રાફિકને કારણે કાલુપુર સ્ટેશન પર પ્લેટફોર્મ ક્લિયરન્સ મેળવવામાં ટ્રેનોને આઉટર પર લાંબો સમય ઊભી રાખવી પડે છે. નવી બાયપાસ લાઇન શરૂ થતા ટ્રેનોને કાલુપુર લાવ્યા વગર સીધી જ પસાર કરી દેવાશે, જેના પરિણામે ટ્રેનોના રૂટમાં 12 કિમીના અંતરનો ઘટાડો થશે. આ ફેરફારથી સ્ટેશન પરના ટ્રાફિક વેઇટિંગ અને વધારાના કિલોમીટર ઘટતા મુસાફરી સમયમાં 45થી 60 મિનિટની સીધી બચત થશે. મુસાફરો સાબરમતી કે સરખેજથી ટ્રેન પકડી શકશે 59 કિમીની બાયપાસ લાઇનનું કામ બે તબક્કામાં થશે

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:18 am

લ્યો બોલો!:ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ તે જ દિવસે મનપાએ 15 ટેન્ડર વેબસાઈટ પર ચડાવ્યા!

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હાલ આચારસંહિતા હોવાથી મનપા કોઇ કાર્યક્રમો ન કરી શકે તેમજ ટેન્ડર પણ બહાર પાડી ન શકે. જોકે મનપામાં બધાને અણસાર તો હતો જ કે ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે તેમ છે. જેને લઈને મનપાએ ટેન્ડર તૈયાર કરીને જ રાખ્યા હતા અને ચૂંટણી જાહેર થવાની જ રાહ જોવાતી હતી. ચૂંટણી જાહેર કરવા માટે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ત્યાં તુરંત જ મનપાએ ધડાધડ વેબસાઈટ પર ટેન્ડર ચડાવવાના ચાલુ કરી દીધા હતા અને કલાકોમાં જ નવા 15 ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયા હતા. આ 15 ટેન્ડરમાં આવાસ યોજનાના ટેન્ડર છે જે અગાઉથી જ નક્કી હતા. આ સિવાય અલગ અલગ વિસ્તારો ખાસ કરીને માધાપરમાં કાચા રોડ પર મેટલિંગકામ કરવાના ટેન્ડર, વિવિધ રોડ પર પેવર બ્લોકના કામનું ટેન્ડર, ટોઈલેટ બ્લોક બનાવવાનું કામ, સિમેન્ટ રોડ બનાવવાના કામ, બાયો મેડિકલ વેસ્ટ અંગેનું ટેન્ડર સહિતની બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ ટેન્ડરની છેલ્લી તારીખ 20 તારીખની આસપાસ છે એટલે કે મતદાન પહેલાં જ ટેન્ડરની તારીખ પૂરી થાય છે. ત્યારબાદના 10 દિવસ સુધીમાં અધિકારીઓ મોટાભાગની કામગીરી પૂરી કરી લેશે. નવી બોડી આવતા વેંત જ કરશે નવા ટેન્ડરનો ‘વહીવટ’ટેન્ડર બાદ કામ શરૂ કરવાની વહીવટી મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીમાં મળે છે. ત્યારબાદ જ એજન્સી કામ ચાલુ કરી શકે છે. હાલ અધિકારીઓએ ટેન્ડરની લાઈન કરી દીધી છે અને નવી બોડી આવશે એટલે તેનું લિસ્ટ તૈયાર થઈ જશે અને ત્યારબાદ દરખાસ્ત બનશે. સ્ટેન્ડિંગ કમિટીની રચના થશે એટલે તુરંત જ આ દરખાસ્તોને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે અને મંજૂરી અપાશે. આ વહીવટ થઈ ગયા બાદ હવે નવા કામ શરૂ કરી શકાશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:17 am

કથિત પત્રકાર ભાવેશ વણવી હત્યા કેસ:શીતલ પાર્ક નજીક ખાનગી પ્લોટ પાસે કારને સાફ કરીને ઢાંકીને મૂકી દેવાઈ હતી, લોહીના ડાઘ શોધવા FSLની મદદ લેવાઈ

કથિત પત્રકાર ભાવેશ વણવીના હત્યા કેસમાં બનાવના 20મા દિવસે પોલીસે જેમાં યુવાનનું અપહરણ કરાયું હતું તે કાર રવિવારે સાંજે શીતલ પાર્ક પાસે ખાનગી પ્લોટની બહાર આવેલી અવાવરું જગ્યામાંથી જપ્ત કરી હતી. આરોપી હમીર જોગરાણાએ કારની સાફ સફાઈ કરી તેને ઢાંકીને રાખી દીધી હતી. પોલીસને કારમાં લોહીના ડાઘ હોવાની શંકા જણાતા FSLની ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરાઈ છે. ઉપરાંત, આરોપીએ કારની નંબર પ્લેટ કાઢી સગેવગે કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્લોટની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવમાં પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં 20 દિવસ પૂર્વે બનેલા ભાવેશ વણવી હત્યા કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર હમીર મેરાભાઈ જોગરાણા તેમજ દેવકરણ સિંધા મીરને કસ્ટડીમાં લઇ આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે. રિમાન્ડ દરમિયાન આરોપી હમીરે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર ક્યાં છુપાવી રાખી હતી તે અંગે મહત્ત્વપૂર્ણ કબૂલાત કરી હતી. કબૂલાત મુજબ, બનાવ બાદ આરોપીએ સ્વિફ્ટ કારને શીતલ પાર્ક નજીક આવેલી એક 12 માળની ઇમારત પાસે આવેલા ખુલ્લા પ્લોટની બહાર અવાવરું જગ્યાએ સંતાડી મૂકી હતી. કારને લોકોની નજરે ન પડે તે માટે બ્લૂ કલરના કવરથી ઢાંકી દેવામાં આવી હતી અને બસની વચ્ચે રાખવામાં આવી હતી. પોલીસે FSLની ટીમ સાથે સ્થળ પર પહોંચી તપાસ કરતા કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં કારમાં લોહીના ડાઘ હોવાની શક્યતા વ્યક્ત થતા વૈજ્ઞાનિક તપાસ માટે નમૂનાઓ લેવામાં આવ્યા હતા. હત્યા પહેલા ભાવેશ વણવીને માર મારી કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યો હતો, જેના આધારે કાર મહત્ત્વપૂર્ણ પુરાવો બની શકે છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીએ કારને સંપૂર્ણ રીતે ધોઈ સાફ કરી દીધી હતી અને નંબર પ્લેટ કાઢી અલગ મૂકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, પોલીસ ટેક્નિકલ અને વૈજ્ઞાનિક સાધનોની મદદથી પુરાવા એકત્રિત કરવા પ્રયત્નશીલ છે. હાલમાં આરોપીને આગામી 7 તારીખ સુધી રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે. 20 દિવસ સુધી કાર ખુલી જગ્યાએ પડી રહી છતાં તે પોલીસના ધ્યાનમાં ન આવી?15 માર્ચે બનેલા હત્યા કેસમાં મુખ્ય આરોપી 3 એપ્રિલે પકડાયો, પરંતુ આ દરમિયાન ગુનામાં વપરાયેલી કાર શહેરમાં જ અવાવરું જગ્યાએ ઢાંકીને રાખવામાં આવી હતી. 20 દિવસ સુધી કાર પોલીસના ધ્યાનમાં કેમ આવી નહીં તે મુદ્દે સવાલો ઊભા થયા છે. આરોપી શહેરમાં જ હતો કે નહીં તેમજ કાર ક્યારે મુકાઈ તે અસ્પષ્ટ છે. પોલીસે હવે સીસીટીવી તપાસ શરૂ કરી છે, પરંતુ મોડું પગલું ગણાઈ રહ્યું છે. દરમિયાન આરોપીએ કાર ધોઈ અને નંબર પ્લેટ દૂર કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેના કારણે તપાસની ગતિ પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:16 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:રંગ ઉપવન સોસાયટીના પ્રવેશદ્વારે જ રંગબેરંગી કચરાના ઢગલા, હવે સ્થાનિકો ફરિયાદ કરી થાક્યા

રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર આવેલ રંગ ઉપવન સોસાયટીના રહેવાસીઓ વિચિત્ર સમસ્યાથી પીડાઇ રહ્યા છે. સોસાયટીની સામે જ આવેલી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા શાકભાજીના ધંધાર્થીઓ દરરોજ સડેલા શાકભાજીનો કચરો અહીં જ ઠાલવી રહ્યા હોવાથી રંગ ઉપવન સોસાયટીના રહીશો અસહ્ય દુર્ગંધ અને રંગબેરંગી કચરાથી થાકી ગયા છે. ન્યૂસન્સ પોઇન્ટ તરીકે ઊભરી આવેલા આ સ્થળ પરથી કચરો હટાવવા થોકબંધ ફરિયાદો કરવા છતાં પણ કોર્પોરેશન નક્કર પગલાં લઇ શકતું નથી. એરપોર્ટ રોડ પર છોટુનગર કોમ્યુનિટી હોલ પાસે પણ આવી જ સ્થિતિ છે. અહીં કચરાના ઢગલા ખડકાવવાની સાથે દરરોજ ગેરકાયદેસર રીતે ભરાતી ગુજરી બજારમાં ભંગારના ધંધાર્થીઓ હનુમાનમઢી ચોકથી લઇ રંગ ઉપવન સોસાયટીના ગેટ સુધી રસ્તો જામ કરી દેતા હોવા છતાં પણ ન તો મહાનગરપાલિકા કે ન તો પોલીસ એક્શન લેતી ન હોવાથી આ વિસ્તારમાં રહેતા લોકો હવે તો ફરિયાદ કરી-કરીને પણ થાક્યા છે. ખાસ કરીને રંગ ઉપવન સોસાયટી પાસે કચરાના ઢગલા ખડકાતા હોવા છતાં કોર્પોરેશન તંત્ર અહીં કચરો ફેંકતા તત્ત્વો સામે પગલાં લેવાને બદલે ઉકરડાના સ્થળે સિમેન્ટના પાકા પ્લેટફોર્મ જેવી સુવિધા ઊભી કરી દીધી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:12 am

ફળઝાડના નામે સરકારી જમીન હડપવાનું બહાનું નિષ્ફળ:ફળઝાડના હેતુની જમીનમાં 2021ને બદલે 448 વૃક્ષનો જ ઉછેર કર્યો એટલે જમીન શ્રીસરકાર

રાજકોટ શહેર નજીક ફળઝાડના હેતુ માટે કિંમતી સરકારી જમીન મેળવી લીધા બાદ સરકારના જમીન ફાળવણીના નિયમ મુજબ આવી જમીનમાં વૃક્ષનું વાવેતર કરવામાં આવતું ન હોવાથી તાજા ભૂતકાળમાં ત્રણેક આસામીઓ સામે શરતભંગના પગલાં લઇ આસિસ્ટન્ટ કલેક્ટરે જમીન ખાલસા કરવા હુકમ કર્યો હતો. જે પૈકી રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે ફળઝાડના હેતુ માટેની જમીનમાં પૂરતા પ્રમાણમાં નિયમ મુજબ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું ન હોવાથી શ્રીસરકાર થયેલી જમીન બચાવવા અપીલ કરનાર આસામીની અપીલ જિલ્લા કલેક્ટરે ફગાવી દઈ મદદનીશ કલેક્ટરનો હુકમ યથાવત્ રાખ્યો હતો. આ કેસમાં ફળઝાડના હેતુ માટે જમીન મેળવનાર આસામીએ છ એકર જમીન બચાવવા વૃક્ષ ન ઉછેરવા માટે ક્લાઇમેટ ચેન્જનું બહાનું આગળ ધર્યું હતું, પરંતુ કલેક્ટરે આ બહાનાને ફગાવી દીધું હતું. રાજકોટ તાલુકાના ફાળદંગ ગામના રેવન્યુ સરવે નંબર 253 પૈકી 1ની 6 એકર જમીન વર્ષ 1970માં નાયબ કલેક્ટર રાજકોટ દ્વારા 30 વર્ષ માટે ફળઝાડ ઉછેરના હેતુ માટે લાભચંદ દેવચંદ કોટકને નવી અને અવિભાજ્ય શરતે ફાળવી હતી.જેમાં મૂળ લાભાર્થીના અવસાન બાદ ચાર વારસદારના નામે જમીન વારસાઈ કરી છેલ્લે ચંદ્રકાન્ત લાભચંદ કોટકના નામે આવેલી છે. આ જમીનમાં નિયમ મુજબ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું ન હોવાની સાથે ભાડાપટ્ટાની મુદત પણ પૂર્ણ થઇ હોય મદદનીશ કલેક્ટર રાજકોટ સિટી-2 દ્વારા શરતભંગના પગલાં લઈ વર્ષ 2025માં સરકાર દાખલ કરવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે લાભાર્થીએ જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરી વૃક્ષની ઓછી સંખ્યા મામલે ક્લાઇમેટ ચેન્જની અસર તળે વૃક્ષ બળી ગયા હોવાનું તેમજ કેળા અને પપૈયાના વૃક્ષ બે વર્ષમાં જ સુકાઈ જતા હોવાનું અને ઝેરી અસર તળે અન્ય ઝાડ સૂકાઈ ગયાની દલીલ કરી હતી. જોકે જિલ્લા કલેક્ટરે છ એકર જમીનમાં નિયમ મુજબ 2021 વૃક્ષને બદલે માત્ર 448 વૃક્ષનું જ વાવેતર હોય મદદનીશ કલેક્ટરના હુકમને યથાવત્ રાખી જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. ફળઝાડના હેતુ માટે એક એકરે 335 વૃક્ષનું વાવેતર કરવું પડેસરકાર દ્વારા ફળઝાડના હેતુ માટે ફાળવવામાં આવતી સરકારી જમીનમાં નિયમ મુજબ પ્રતિ એક એકરમાં ફળઝાડના 200 અને ઇમારતી પ્રકારના 135 વૃક્ષ વાવેતર કરવાનો નિયમ છે. જે નિયમ મુજબ પ્રસ્તુત કેસમાં છ એકર જમીનમાં નિયમાનુસાર 2021 વૃક્ષ વાવવાને બદલે ભાડાપટ્ટે જમીન રાખનારે માત્ર 448 જ વૃક્ષ વાવ્યા હોવાનું પંચરોજકામમાં સામે આવ્યું હતું. ભાડાપટ્ટેદારે વૃક્ષ બળી જવા પાછળ જમીનમાં મુંડા આવી જવા, કુદરતી સુકારો, વાવાઝોડું, ઉંદર જવાબદાર હોવાની પણ અપીલ કેસ દરમિયાન દલીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:10 am

'હવે તો કિન્નરોને જ ચૂંટણી લડાવવી છે':જૂનાગઢના જર્જરિત કડિયાવડના રહિશોની હૈયાવરાળ, કહ્યું-'નેતાઓ પાસે જીવતા લોકો માટે સમય નથી, મડદા સાથે સ્મશાને ફોટા પડાવવા આવી જશે'

જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં તંત્રની લાપરવાહી અને બેદરકારીનો કહેર ફરી એક વાર સામે આવ્યો છે. વર્ષોથી જર્જરિત હાલતમાં ઊભેલી ઇમારતોનો એક સ્લેબ અચાનક તૂટી પડતા એક મહિલા લોહીલુહાણ થઈ ગઈ છે. બે વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે તંત્રએ મોટા-મોટા બણગા ફૂંક્યા હતા પરંતુ, આજે પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. સ્થાનિકોનો આક્રોશ એ હદે વધી ગયો છે કે, તેઓ હવે કહેવા લાગ્યા છે — કાડીયાવાડમાં હવે કિન્નરોને ચૂંટણી લડાવવી છે, કારણ કે સામાન્ય નેતાઓ અને તંત્ર તેમની વેદના સમજતા જ નથી. જૂનાગઢ શહેરના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારની ગ્રાઉન્ડ ઝીરો પરની વાસ્તવિકતા તપાસવા જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે અત્યંત ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. શું મકાન માલિકોને ભાડામાં રસ અને તંત્રને જાનહાનિની રાહ?કડિયાવાડ શાક માર્કેટમાં આજે પણ 50થી વધુ ઇમારતો અતિ જર્જરિત હાલતમાં અડીખમ ઉભી છે. નાની અને સાંકડી ગલીઓમાંથી હજારો લોકો પસાર થાય છે, જેમની ઉપર આ ઇમારતોના પોપડા અને લોખંડની ખીલાસરીઓ તલવારની જેમ લટકી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આવી જોખમી ઇમારતોમાં હજુ પણ 12થી વધુ વિધાર્થીઓ ભાડૂઆત તરીકે વસવાટ કરી રહ્યા છે. મકાન માલિકોને માત્ર ભાડામાં જ રસ છે અને તંત્રને કદાચ કોઈ મોટી જાનહાનિની રાહ જોવી હોય તેમ લાગે છે. 'હવે અમારે કિન્નરોને જ ચૂંટણી લડાવવી પડશે, કદાચ એ અમારી વેદના સમજે'કડિયાવાળમાં રહેતા ચંદ્રેશભાઈ પોપટ જે છેલ્લા 63 વર્ષથી બેલદાર શેરીમાં રહે છે, તેઓ આક્રોશ સાથે જણાવે છે કે કડિયાવાડમાં હાલના કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે. આઠ-આઠ મહિના વીતી જવા છતાં ગટર, પાણી કે રોડના કામો થતા નથી. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે હવે અમારે અહીં કોઈ રાજકીય નેતા નહીં પણ કિન્નરોને ચૂંટણી લડાવવી છે કારણ કે કદાચ તેઓ અમારી વેદના સમજશે. ચંદ્રેશભાઈ પોપટ જે મકાનમાં રહે છે તે અતિ જર્જરિત છે અને તેઓ પોતે આ બિલ્ડિંગ ઉતારી લેવા તૈયાર હોવા છતાં ભાડૂઆતો ખાલી કરતા નથી. તેઓ ભય વ્યક્ત કરતા કહે છે કે જો મનપા કમિશનર રૂબરૂ આવીને કડક હુકમ નહીં કરે, તો એક દિવસ તેઓ પોતે જ આ મકાનના કાટમાળ નીચે દટાઈને મૃત્યુ પામશે. 'એક વર્ષ પહેલાં ખરાબ રોડને કારણે મણકા તૂટી ગયા'કડિયાવાડ વિસ્તારની એક શેરીમાં રહેતા વસંતબેન તેરૈયાની આપવીતી પણ કંપારી છૂટી જાય એવી છે. તે જણાવે છે કે, આ વિસ્તારમાં ચાર મકાનો તો અત્યંત ભયજનક છે. વસંતબેન પોતે એક વર્ષ પહેલાં આ જ ગલીઓમાં ખરાબ રોડને કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમના મણકા તૂટી ગયા હતા છતાં કોઈ કોર્પોરેટરે તેમની ખબર સુદ્ધાં લીધી નહોતી. જ્યારે કોઈ મરી જાય ત્યારે આ નેતાઓ સ્મશાનમાં આવીને પણ ફોટા પડાવવા પહોંચી જાય છે, પરંતુ જીવતા માણસોની સુવિધા માટે તેમની પાસે સમય નથી. ગઈકાલે મહિલા ઇજાગ્રસ્ત થઈ તેનાથી લોકોમાં ભારે ગુસ્સો છે અને તેઓ કહે છે કે જવાબદારો લોકોની બદદુઆ લઈ રહ્યા છે. 'ત્રણ વર્ષથી ઇન્સ્પેક્ટરોને રજૂઆત છતાં એક નોટિસ નથી ફટકારી'વસ્તા લાધા શેરીમાં રહેતા મિલનભાઈ વ્યાસ જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રને સીધો પડકાર ફેંકી રહ્યા છે. તેઓ કહે છે કે તેમની ગલીમાં બે મકાનો એટલી ખરાબ હાલતમાં છે કે તેના છજ્જા ગમે ત્યારે કોઈના માથે ખાબકી શકે છે. ત્રણ વર્ષથી ઇન્સ્પેક્ટરોને રજૂઆત કરવા છતાં હજુ સુધી એક નોટિસ પણ પાઠવવામાં આવી નથી. મનપા કમિશનરને ચેલેન્જ આપે છે કે જો તેઓ રૂબરૂ આવીને તપાસ કરે અને એન્જિનિયરો આ મકાનોને સુરક્ષિત સાબિત કરી આપે, તો તેઓ કોઈપણ સજા ભોગવવા તૈયાર છે. છેલ્લા છ મહિનાથી અહીંની શેરીઓ ખોદી નાખવામાં આવી છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે, પણ કોર્પોરેટરો એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી. ‘કાગળની કામગીરી છોડો ને ગ્રાઉન્ડ લેવલ પર ઊતરી મોતના માચડા દૂર કરો’વૃદ્ધા મનોરમાબેન જોશી પણ ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તે કહે છે કે, અમારે દરરોજ મોતના મુખમાં જીવવું પડે છે. રસ્તાઓ તો ખરાબ છે જ, પણ ઉપર જોતા ચાલવું પડે છે કે ક્યારે કોઈ પથ્થર કે સ્લેબનો ભાગ માથે પડે. કડિયાવાડ વિસ્તાર જૂનાગઢના નકશામાં હોય તેવું લાગતું જ નથી, કારણ કે અહીંના લોકોની વેદના સાંભળવા વાળું કોઈ નથી. તંત્રની આ લાપરવાહી અને મકાન માલિકોની લોભવૃત્તિ વચ્ચે કડિયાવાડનો સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. બે વર્ષ પહેલાં બનેલી ઘટનાનું પુનરાવર્તન થતા વાર નહીં લાગેજો સમય રહેતા આ 50થી વધુ જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો બે વર્ષ પહેલાં બનેલી એ હૃદયદ્રાવક ઘટનાનું પુનરાવર્તન થતા વાર નહીં લાગે. જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓએ કાગળ પરની કામગીરી છોડીને ગ્રાઉન્ડ લેવલ પર આવી આ મોતના માચડાઓ દૂર કરવા જોઈએ જેથી અન્ય કોઈ નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવો ન પડે. મહાનગરપાલિકાનું તંત્ર કદાચ મોટી જાનહાનિ બાદ સફાળું જાગેજ્યારે આ તો માત્ર ભાસ્કરની નજરે ચડેલી જર્જરીત બિલ્ડીંગો છે ત્યારે હજુ પણ 50થી વધુ જર્જરીત બિલ્ડીંગો અને મકાનો કડિયાવાળમાં મોતના માચડા સમાન ઊભા છે. પરંતુ હાલ જે પ્રમાણે ઘટના ઘટી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે, કદાચ જુનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર અને આ વિસ્તારના કોર્પોરેટરો કોઈ મોટી જાનહાનિ થાય અને ત્યારબાદ સફાળું જાગી કામગીરી કરે ત્યારે લોકોની વ્યથા અને વેદના એટલી હદ વટાવી ગઈ છે કે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે હવે આ વિસ્તારમાં કિન્નરોને ચૂંટણી લડાવવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:05 am

બોજ નહીં, સહારો બનવું છે:29 કિલોના દિવ્યાંગ યુવાન પણ પરિવારને કરે છે સહાય

જીવનમાં પરિસ્થિતિઓ ઘણીવાર માણસને નબળો બનાવી દે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પોતાની મર્યાદાઓને જ પોતાની શક્તિ બનાવી લે છે. રાજકોટના 35 વર્ષીય મિલનભાઈ અશોકભાઈ વ્યાસ એવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે. માત્ર 29 કિલો વજન ધરાવતા મિલનભાઈને સ્પાઇનની ગંભીર તકલીફ છે. જેના કારણે તેમના હાથ અને પગમાં સતત દુખાવો રહે છે અને શરીરનો વિકાસ પણ પૂરતો થયો નથી, છતાં આ શારીરિક મર્યાદાઓ તેમના મનોબળને નબળું બનાવી શકી નથી. છેલ્લા 6 વર્ષથી મિલનભાઈ અગરબત્તી વેચવાનો નાનો વ્યવસાય કરે છે. રોજ સવારે મવડી ચોકડી પાસે અને સાંજે 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે અગરબત્તી વેચતા જોવા મળે છે. તેમના પરિવારમાં કુલ 5 સભ્ય છે, જેમાં ભાઈ અને બહેન બંને મનોદિવ્યાંગ છે. પરિવારનું એકમાત્ર આવકનું સાધન તેમના પિતા અશોકભાઈ છે, જેઓની ઉંમર વધતી જાય છે. આવી પરિસ્થિતિમાં મિલનભાઈએ પરિવાર પર બોજ બનવાને બદલે જાતે કમાઈ પરિવારને સહારો આપવાનો સંકલ્પ લીધો છે. તેમની આ લાગણી અને મહેનત એ દર્શાવે છે કે, સાચું બળ શરીરમાં નહીં પરંતુ મનમાં હોય છે. મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ હિંમત ન હારતા મિલનભાઈ આજે અનેક લોકો માટે જીવંત પ્રેરણા બની રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:02 am

નિવૃત્ત બેંક કર્મચારીનો કાઉન્સેલિંગ અને કલમનો સંગમ:નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ : લોકોને શાંતિથી સાંભળી ‘મનનો ભાર’ હળવો કરવાનું કાર્ય

કોરોનાના કપરા કાળમાં સમગ્ર વિશ્વ જાણે થંભી ગયું હતું. આ સમય માત્ર શારીરિક બીમારીનો જ નહોતો, પરંતુ તેણે અનેક પરિવારોની આર્થિક અને માનસિક કમર તોડી નાખી હતી. આવા કટોકટીના સમયે લોકોના મનમાં આશાનો સંચાર કરવા માટે નિવૃત્ત બેંક કર્મચારી કમલેશ પંડ્યાએ નિવૃત્તિના સમયમાં મનોવૈજ્ઞાનિક પરામર્શ એટલે કે કાઉન્સેલિંગનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. જરૂરિયાતમંદ લોકોને પૂરતો સમય આપી, તેમની વાતોને ધ્યાનપૂર્વક સાંભળીને તેમની માનસિક સ્થિતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું. આ કાર્યમાં માત્ર વાતો જ નહીં, પરંતુ ભાવાત્મક અને આધ્યાત્મિક અભિગમ પણ અપનાવવામાં આવ્યો. આ નિઃશુલ્ક સેવા માત્ર કોરોનાકાળ પૂરતી મર્યાદિત ન રહેતા ત્યારબાદ પણ ચાલુ રહી. આજે સમાજમાં અનેક પ્રશ્નો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું દબાણ, અભ્યાસમાં નિષ્ફળતાનો ડર, પરિવારોમાં વધતી જતી સ્વાર્થવૃત્તિ અને મોબાઈલ કે અન્ય વ્યસનોને કારણે પતિ-પત્ની અને બાળકો વચ્ચે વધતું જતું અંતર એક ગંભીર સમસ્યા બની ગઈ છે. લોકો પાસે સમય હોવા છતાં તેઓ પોતાની જાત સાથે સમય વિતાવતા નથી. સોશિયલ મીડિયાના અતિરેકને કારણે માનવી અંદરથી એકલો પડી રહ્યો છે. આ તકે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા કિસ્સાઓમાં તો લોકો “જીવનમાં હવે કોઈ રસ રહ્યો નથી’ તેવી ફરિયાદ સાથે આવે છે. આવા સમયે તેમને સર્જનાત્મક કાર્યો, સંગીત, વાંચન અને જીવનશૈલીમાં હકારાત્મક ફેરફાર લાવવાની પ્રેરણા આપવામાં આવે છે. મેડિકલ સાયન્સ પણ હવે સ્વીકારે છે કે મોટાભાગના શારીરિક રોગ ‘સાઇકોસોમેટિક’ એટલે કે માનસિક તણાવથી ઉદભવેલા હોય છે. અનેક સમસ્યાઓમાં કાઉન્સેલિંગ કરાયું કિસ્સો-1 વડીલ સાસુને માથાનો દુખાવો અને એસિડિટી રહેતા જેનું મુખ્ય કારણ પુત્રવધૂ સાથેનો વિખવાદ હતો. આ તકે યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. આ કિસ્સામાં સાસુ, પતિ, પુત્ર અને પુત્રવધૂ દરેકને અલગ-અલગ કાઉન્સેલિંગ કર્યું હતું. કિસ્સો-2 સતત બે વખત આપઘાતના પ્રયત્નો કરી ચૂકેલા ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીને એકધારા અઠવાડિયામાં ત્રણ વખત પોઝિટિવ થેરાપી આપી અને એક વર્ષમાં સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા. આવા કિસ્સામાં આર્ટ ઓફ લિવિંગનો ખૂબ ધીરજપૂર્વક ઉપયોગ કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:01 am

સાહેબ મિટિંગમાં છે:ભાજપના નેતાપુત્રોએ ટિકિટ માગતા કાર્યકર્તાઓમાં પરિવારવાદનો મુદ્દો ચગ્યો, એક મહિલા IASના ટૂંકાગાળામાં ત્રણ- ત્રણ ઓર્ડર થયા

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ભાજપ નેતાપુત્રોને ટિકિટની વાત આવતા વિરોધનો સૂર ઉઠ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે. દરેક વોર્ડમાંથી 50થી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી કરી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થાય ત્યારે આંતરિક વિરોધ ચોક્કસ બહાર આવી શકે છે. કેટલાક વોર્ડમાં દાવેદારી નોંધાવનારા લોકોના વિરુદ્ધની વાતો પણ વહેતી કરવામાં આવી છે. અમદાવાદમાં એક જ પરિવારના લોકોને ટિકિટ આપવાથી લઈને પરિવારવાદ ન ચલાવવાની માંગ કાર્યકર્તાઓમાં ઉઠી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓના પુત્ર અને તેમના સગા સંબંધીઓને ટિકિટ અપાવવા માટેનું લોબીંગ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે કાર્યકર્તાઓમાં એક જ માંગ અને ચર્ચા ચાલી રહી છે કે ભાજપ પરિવારવાદ ન હોવાની વાત કરે છે. પરંતુ ભાજપમાં જ નેતાઓ પોતાના પુત્રો અને સગા સંબંધીને ટિકિટ અપાવવા માટે દોડધામ કરી રહ્યા છે. જેથી કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી શકે છે. ભાજપ કાર્યકર્તાઓ ટિકિટના લોબિંગ માટે કાર્યાલયના બદલે પ્રમુખના બંગલે પહોંચ્યા!અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે બે દિવસ ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં 192 બેઠક માટે દાવેદારી કરનારા દાવેદારો અને સાંભળવામાં આવ્યા હતા. 2300થી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી બે દિવસમાં નોંધાવી હતી ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખના બંગલે પણ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉમેદવારી માટે અને ટિકિટ મેળવવા માટે લાઈનો લગાવી હતી. શહેર પ્રમુખના બંગલે બીજા દિવસે સવારે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પહોંચી ગયા હતા બંગલે પ્રમુખને ટિકિટ માટે રજૂઆત કરી હતી. ખાસ કરીને ખાનપુર કાર્યાલય ખાતે મળવાની જગ્યાએ બંગલા ઉપર મોટી સંખ્યામાં દાવેદારો પહોંચી ગયા હતા. ઓવૈસીની સભા સમયે ભાજપના ખાનપુર કાર્યાલયમાં શાંત માહોલ દેખાયોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ પ્રચારની શરૂઆત રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં AIMIM પાર્ટી દ્વારા અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ભાજપ કાર્યાલયની બહાર જ જાહેરમાં સભા કરીને ભાજપ વિરુદ્ધ સંબોધન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રીથી લઈને ભાજપના નેતાઓ વિશે બોલવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલયની બહાર જ યોજાયેલી સભાને લઈ ભાજપ કાર્યાલય પર સોંપો પડી ગયો હતો. કાર્યાલયમાં એક પણ ભાજપના નેતા ચૂંટણી હોવા છતાં સાંજે 07:00 વાગ્યા બાદ કોઈપણ ખાસ મોટા નેતા કે કાર્યકર્તા કાર્યાલય પર જોવા મળ્યા નહોતા. ચૂંટણી હોય ત્યારે અમદાવાદ જેવા સૌથી મોટા શહેરના ભાજપના કાર્યાલય ઉપર ઓવેસીની સભાના કારણે ખાલીખમ જોવા મળ્યું હતું ભાજપમાં ‘મૌન’નો આદેશ! ઉમેદવાર સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકોને મીડિયાથી દૂર રાખાયાસ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીને લઈ ભાજપમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે, પરંતુ આ પ્રક્રિયા વચ્ચે પાર્ટીમાં એક અલગ જ ‘મૌન રાજકારણ’ જોવા મળી રહ્યું છે. જ્યાં જ્યાં ચૂંટણી યોજાનાર છે ત્યાં નિરીક્ષકોની નિમણૂક તો કરવામાં આવી છે, પરંતુ તેમને મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારનું નિવેદન ન આપવાનું ઉપરથી કડક નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રો મુજબ, પાર્ટીને ભય છે કે કોઈ નેતા બોલતાં બોલતાં વિવાદ ઊભો ન કરી દે, તેથી માત્ર નિર્ધારિત પ્રવક્તાઓને જ બોલવાની છૂટ આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે પ્રશ્ન કંઈ પણ પૂછવામાં આવે, પરંતુ જવાબ હંમેશા પાર્ટી લાઇન મુજબ જ આપવામાં આવી રહ્યો છે, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ મળવાની વાત ફેલાતા રાજકોટ ભાજપ કાર્યકર્તાઓમાં નારાજગીસ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ઉમેદવારોની પસંદ માટે પ્રક્રિયા ચાલી રહી છે અને આ જ સમયે દરેક શહેર જિલ્લામાં કોને ટિકિટ મળશે કોની કપાશેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ભાજપમાં નવા સંગઠનની જાહેરાતથી અનેક જુના કાર્યકર્તાઓમાં નારાજગીના સુર સંભળાયા હતા. પરંતુ હવે સૌરાષ્ટ્રના પાટનગરમાં ઉમેદવારોની પસંદગીને લઇ પણ નારાજગી જોવા મળી રહી છે. ચર્ચા એવી છે કે કોંગ્રેસમાંથી આવેલા એક યુવા નેતાને ભાજપે ગત ટર્મમાં ટિકિટ તો આપી હતી પરંતુ હવે તેમને રિપીટ કરવાની વાતો થતા નારાજગી જોવા મળી રહી છે. સાથે તેઓ વિસ્તારના સ્થાનિક ન હોવા, મનપાના ભ્રષ્ટ TPOમાં ભાગીદાર હોવા અને આયાતી ઉમેદવાર હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે. ભાજપના જ વિસ્તારના કાર્યકર્તા અને આગેવાનો પણ આ વાતથી નારાજગી દર્શાવી રહ્યા છે. જો કે કોંગ્રેસમાંથી આવેલા અને પહેલી જ ટર્મમાં વિવાદમાં સપડાયેલ આ યુવા નેતાને ટિકિટ મળશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. પ્રિલિમ, મેઈન્સ અને નેગેટિવ માર્કીંગ વગર ક્લાસ-2ની પરીક્ષા લેવાતા આશ્ચર્યસુરત મહાનગરપાલિકા (SMC)ની 2018ની Class-2 ભરતીની પરીક્ષા તાજેતરમાં લેવામાં આવેલ જે પરીક્ષા ચર્ચામાં આવી ગઈ છે. કારણ કે 2 કલાકનું 100 માર્ક્સનું પેપર ઉમેદવારો માત્ર 1 કલાકમાં જ પૂરૂં કર્યું હતું, સૌથી મોટો મુદ્દો એ છે કે આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નહોતું અને કોઈ ઇન્ટરવ્યૂ નથી. જેના કારણે ઉમેદવારોમાં “આટલી સરળ પરીક્ષા Class-2 માટે કેવી રીતે?” તેવો સવાલ ઉઠી રહ્યો છે, ખાસ કરીને જ્યારે ગુજરાત સરકારની Class-3 ભરતીમાં પણ પ્રિલિમ્સ અને મેઇન્સ જેવી કઠિન પ્રક્રિયા હોય છે, ત્યારે SMCની આ સીધી અને સરળ સિસ્ટમ ચર્ચાનો વિષય બની ગઈ છે, સાથે જ સુરતની ભરતી માટે પરીક્ષા સેન્ટર અમદાવાદ રાખવામાં આવવું પણ હવે ચર્ચાને વધુ બળ આપી રહ્યું છે. IAS હિતેષ કોયાએ વયનિવૃત્તિ પહેલા જ નોકરી છોડી,કારણ શું, એક સિનિયર IASનું ટોર્ચર ?2008ની બેચના પ્રમોટી IAS અધિકારી હીતેશ કે કોયાએ પોતાની વયનિવૃત્તિ પહેલાના આઠ મહિના પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લેતા સચિવાલયમાં જાતજાતની ચર્ચા શરુ થઈ છે. તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું છે તે જાહેર કરાયુ નથી. પરંતુ નિવૃત્તિના આઠ મહિના પહેલાં સરકારી નોકરીમાંથી દૂર થયા એ વાસ્તવિકતા છે. મૂળ જામનગરના વતની એવા આ પ્રમોટી IAS નવેમ્બર 2026માં નિવૃત્ત થવાના હતા. તેમણે છેલ્લે ડેવલપમેન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી છે. ચર્ચા એવી છે કે, સચિવાલયમાં જ ફરજ બજવતા એક માથાભારે અને માથાફરેલા IAS અધિકારી કોયા પર માનસિક ટોર્ચર કરી રહ્યા હતા. આ અંગે કોયાએ પોતાના કેટલાક નજીકના માણસો સાથે વાતચીત પણ કરી હતી. આખરે આ ટોર્ચરમાંથી છૂટવા માટે તેમણે નોકરી જ છોડી દીધી છે.હવે આ માથાફરેલા અધિકારી કોણ છે તેની કાનાફૂસી થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય પર વોચ રાખવા માટે પ્રથમવાર એક IAS અધિકારીની નિયુક્તિગુજરાતમાં સામાન્ય રીતે મુખ્યમંત્રી કાર્યાલયમાં IAS અધિકારીઓની નિયુક્તિ થતી હોય છે પરંતુ કેબિનેટના અન્ય કોઇ મંત્રીની કચેરીમાં IAS મુકાતા નથી. પરંતુ આ વખતે પહેલીવાર નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયમાં સેક્રેટરી તરીકે 2014ની બેચના IAS અધિકારી આશિષ કુમારની નિયુક્તિ કરાઈ છે. તેમની પાસે હાલ ટ્રાયબલ ડેવલપમેન્ટના ડાયરેક્ટરનો એડિશનલ ચાર્જ યથાવત રહેશે. આ પહેલાં જ્યારે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યાલયમાં IASની નિયુક્તિ થઇ નહોતી.જ્યારે રુપાણી સરકારમાં હોમ મિનિસ્ટર રહેલા પ્રદીપસિંહ જાડેજાના કાર્યાલયમાં પણ કોઈ IAS અધિકારી નહોતા. ભુતકાળમાં ક્યારેય આવી નિયુક્તિ થઈ નથી. મૂળ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના વતની આશિષ કુમાર બી.ટેક થયેલા છે.ચર્ચા એવી છે કે, ગૃહમંત્રીની કાર્યપધ્ધતિ પર વોચ રાખવા માટે કેન્દ્રની સૂચનાથી તેમને અહીં મુકાયા છે.મહિલા IASને દિલ્હી મોકલવાના હોવા છતા ત્રણ ત્રણ ઓર્ડર થયાસરકારી તંત્રમાં કેટલીયે વાર લોલંલોલ ચાલતુ હોવાનુ બહાર આવતુ હોય છે. ગત અઠવાડીયે ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિનિયર IAS મહિલા અધિકારી આરતી કંવરનો દિલ્હી ડેપ્યુટેશન પર જવાનો ઓર્ડર થયો છે. સરકારને ખબર જ હતી કે, તેમની અરજી પેન્ડીંગ છે અને ગમે ત્યારે દિલ્હી મોકલવા પડશે. આમછત્તા સરકારે તેમને જૂદી જૂદી જવાબદારી સોંપી હતી.સૌ પ્રથમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થોડી મોડી થતા કોર્પોરેશનોમાં વહીવટદોરની નિમણૂકો કરાઈ હતી. જેમાં કંવરને જામનગરમાં મુકાયા હતા. ત્યારબાદ તુરંત જ એટલે કે આ ઓર્ડરના બીજા દિવસે સરકારે તેમને એક જીલ્લામાં પ્રભારી સચિવની જવાબદારી સોંપી દીધી હતી. આ બન્ને ઓર્ડર થયા બાદ દિલ્હીથી તેડુ આવતા ફરીથી સરકારે ત્રીજો ઓર્ડર કરીને તેમને દિલ્હી જવાની મંજૂરી આપી દીધી છે.જો કે, આરતી કંવરની થોડા સમય પહેલા જ જીએસટી કમિશનર તરીકે નિયુક્તિ કરાઈ હતી. બ્યુરોક્રેટ્સમાં આરતી કંવરના ગણતરીના દિવસોમાં જ ત્રણ ત્રણ ઓર્ડર થયા તેની ચર્ચા થઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છત્તા સરકારે કલેક્ટરો-ડીડીઓની બદલીઓ ના જ કરીવડાપ્રધાન મોદીની ગુજરાતની મુલાકાત પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ જશે એ નક્કી હતુ. સરકારને આ બાબતની જાણકારી પણ હતી જ.આમછત્તા કલેકટરો અને ડીડીઓની બદલીઓના ઓર્ડર કર્યા નહોતા. છેલ્લા એક મહિનાથી સચિવાલયમાં ચર્ચા હતી કે, વિધાનસભાનુ બજેટ સત્ર પૂરુ થયા બાદ અને ચૂંટણીની આચારસંહિતા લાગે તે પહેલા જ સામૂહિક બદલીઓના ઓર્ડર થશે. કેટલાક કલેક્ટરોએ તો મહત્વના કામો કરવાનુ પણ છોડી દીધુ હતુ. નવા પ્રોજેક્ટ કે કામગીરી શરુ કરી નહોતી. બેથી અઢી વર્ષ કે તેનાથી વધુ સમયથી ફરજ બજાવતા કલેક્ટરો-ડીડીઓ પોતાની બદલીની રાહ જોતા હતા પણ ચૂંટણી જાહેર થયા છત્તા બદલી થઈ નથી.હવે ફરીથી દોઢ મહીનો જેટલી રાહ જોવી પડશે. જો કે, ચૂંટણી પંચ અમુક કલેક્ટર કે ડીડીઓની બદલી કરે તો નવાઈ નથી. સેન્સની જગ્યાએ નોનસેન્સ સવાલો કરાતા ભાજપના દાવેદારો નારાજસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અલગ અલગ નિરીક્ષકો શહેર અને જિલ્લામાં મોકલવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં એક જગ્યા પર મોકલવામાં આવેલા નિરીક્ષકોને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નિરીક્ષકો દ્વારા ભાજપની સેન્સ પ્રક્રિયામાં લાલિયાવાડી બતાવવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો કે, આવા નેતાઓ કોઈપણ પ્રકારની સેન્સની જગ્યાએ નોનસેન્સ સવાલો કરી રહ્યા છે. ખૂબ જ વિવાદ આસપાસ ગણાતા એવા વોર્ડની સેન્સ લેવા આવેલા નિરીક્ષકોમાં રોષ જોવા મળતા આગામી દિવસોમાં આ વોર્ડમાં ઉમેદવારો જાહેર કરવામાં આવશે ત્યારે કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ અને તેમની વ્યથા ચોક્કસથી બહાર આવે તેવી ચર્ચા છે. ભાજપની સોશિયલ મીડિયા પર નબળી કામગીરીની કેન્દ્રીય નેતાઓએ નોંધ લીધીગુજરાત ભાજપના સંગઠનમાં પાર્ટીના નેતાઓ સોશિયલ મીડિયા ઉપર સક્રિય ન હોવા અંગેની નોંધ કેન્દ્રીય નેતાઓએ પણ લીધી છે. ભાજપનું સોશિયલ મીડિયા નબળું છે ત્યારે ભાજપ મીડિયામાં વિભાગમાં શહેર અને જિલ્લામાં નેતાઓની નિમણૂક કરવામાં આવી છે જે નિષ્ક્રિય કામગીરી કરી રહ્યા હોય એવો ઘાટ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા સારી કામગીરી કરવામાં આવતી હોય તેની માહિતી પણ હવે મીડિયા સુધી પહોંચાડવામાં ભાજપના જ નેતાઓને રસ ન હોય એવી નીતિ અપનાવવામાં આવી હોય તેમ માત્ર શહેર અને જિલ્લાઓમાં મીડિયા વિભાગમાં નામો જાહેર કરી દીધા છે. પરંતુ કોઈ પણ પ્રકારની સક્રિયતા જોવા મળી રહી નથી જેને લઈને ચર્ચા જાગી છે કે માત્ર હોદ્દાઓ મેળવવામાં રસ છે. મીડિયામાં માહિતી આપ લે કરવામાં મીડિયા વિભાગના હોદ્દેદારો નેતાઓ નિષ્ફળ ગયા છે. અમદાવાદ પશ્ચિમના એક વોર્ડમાં ભાજપની આંતરિક જૂથબંધી પાર્ટીને નડી શકેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ કરવામાં આવી છે તેની વચ્ચે અનામત રોટેશનમાં કેટલીક જગ્યાએ અનુસૂચિત જાતિ અને ઓબીસી ઉમેદવાર નક્કી કરવાના છે ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં ભાજપનો આંતરિક વિખવાદ ખૂબ જ સપાટી ઉપર આવી ગયો છે. વોર્ડ પ્રમુખ દ્વારા જેની સામે છેતરપિંડીનો કેસ થયો છે એવા એક વ્યક્તિને બનાવવામાં આવ્યો હોવાની ચર્ચા સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં થઈ રહી છે. ભાજપના આંતરિક વિખવાદો ખૂબ જ સપાટી ઉપર છે અનુસૂચિત જાતિના એક મહામંત્રી દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી હતી તેમાં ફોટો એડિટિંગ કરવામાં આવ્યું હતું. તેને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારના આ વોર્ડમાં કોંગ્રેસ મજબૂત છે ત્યારે આ વિસ્તારમાં ભાજપનો આંતરિક વિખવાદ કોંગ્રેસને ખૂબ જ ફાયદો કરાવી શકે તેમ છે. ભાજપના મધ્યસ્થ કાર્યાલયના સ્થળને લઈ કાર્યકર્તાઓમાં ચર્ચાસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવા માટે થઈને અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. પરંતુ કેટલાક વોર્ડમાં ભાજપના નેતાઓની યોગ્ય કામગીરી ન હોવાના કારણે થઈને ભાજપ આ બેઠકો જીતી શકે તેમ નથી. શહેરના વિસ્તારમાં એક વોર્ડ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પરંતુ જે વિસ્તારમાં ભાજપના મતદારો છે એવા જ વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓમાં એક એવી ચર્ચા જાગી રહી છે કે જ્યાં ખરેખર કોંગ્રેસના મતદારો છે તેવા વિસ્તારમાં ભાજપનું કાર્યાલય હોવું જોઈએ એના કારણે થઈને લોકો ભાજપની સાથે જોડાઈ શકે. પરંતુ ભાજપના નેતાઓએ કાર્યાલય પોશ વિસ્તારમાં ખોલ્યું છે. જેના કારણે થઈને જે કોંગ્રેસના મતવિસ્તારના ઉમેદવારો છે તે ભાજપ સાથે જોડાઈ શકશે નહીં અને ભાજપને તેમાં કોઈ ફાયદો થઈ શકે તેમ નથી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 am

વડોદમાં 5000 લોકો કચરાના ઢગલા વચ્ચે રહેવા મજબૂર:નંદઘર અને ક્લિનિક પાસે ડ્રેનેજની ગંદકી, બાળકોમાં બીમારીનું જોખમ વધ્યું; સ્થાનિકોએ કહ્યું, પહેલા સફાઈ કરો તો જ વોટ આપીશું

સુરત મનપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. જોકે, આ તૈયારીઓ વચ્ચે ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. સુરતના વોર્ડ નંબર 29 (અલ્થાન, બમરોલી અને વડોદ)માં આવતા વડોદ આવાસની હાલત અત્યંત દયનીય છે. અહીં લગભગ 1500 મકાનોમાં વસતા 5000થી વધુ લોકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. આવાસની દરેક ગલીઓમાં કચરાના ઢગલા અને ડ્રેનેજના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકોનો શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. જયારે નંદઘર અને ક્લિનિક પાસે પણ ડ્રેનેજની ગંદકી જોવા મળી હતી. સ્થાનિકોએ કહ્યું, બાળકોમાં બીમારીનું જોખમ વધ્યું અને પહેલા સફાઈ કરો તો જ વોટ આપીશું ચીમકી ઉચ્ચારી છે. નંદઘર અને ક્લિનિક પાસે જ ગંદકીના ઢગલાસ્થાનિકોની સૌથી મોટી ફરિયાદ એ છે કે જ્યાં સરકારી સુવિધાઓ હોવી જોઈએ ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય છે. વડોદ આવાસમાં આવેલા નંદઘર કમ્યુનિટી હોલ અને સરકારી ક્લિનિકની બિલકુલ બાજુમાં કચરાના મોટા પહાડો ખડકાયા છે. લોકો અહીં સુવિધા માટે આવે છે પરંતુ ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. ક્લિનિકમાં આવતા દર્દીઓ અને બાળકો આ ગંદકીના કારણે વધુ બીમાર પડી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા આ કચરો દૂર કરવાની કોઈ તસ્દી લેવામાં આવતી નથી. ગંદકીના કારણે બાળકોમાં બીમારીનું જોખમ વધ્યુંઆવાસની ગલીઓમાં વહેતા ગટરના પાણી અને કચરામાં જ માસૂમ બાળકો રમવા માટે મજબૂર છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો ખતરો સતત મંડરાતો રહે છે. ગરીબ પરિવારો જે રોજનું કમાઈને રોજ ખાય છે, તેઓ કમાણી છોડીને બાળકોની સારવાર માટે દોડધામ કરે કે પેટ ભરે? તે મોટો સવાલ છે. 'વોટ માંગવાનો સમય આવે ત્યારે નેતાઓ હાથ જોડીને આવે છે'સ્થાનિક રહીશ મમતાબેને જણાવ્યું કે, તેમની દુકાન અને ઘરની આસપાસ એટલી ગંદકી છે કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ છે. બાળકો આ ગંદકી વચ્ચે મોટા થઈ રહ્યા છે. જ્યારે વોટ માંગવાનો સમય આવે ત્યારે જ નેતાઓ હાથ જોડીને આવે છે અને મોટા વાયદાઓ કરીને ચાલ્યા જાય છે. 5 વર્ષમાં એકવાર પણ કોઈ નેતાએ અહીં આવીને એવું નથી પૂછ્યું કે તમે કઈ હાલતમાં જીવો છો. 'ટેક્સ ભરાવશે, પણ કોઈ સાફ-સફાઈની વ્યવસ્થા નથી'સ્થાનિક દુકાનદાર અશોક ભાઈએ જણાવ્યું કે, પૈસા લેવા આવશે, ટેક્સ ભરાવશે, ઘરવેરો ભરાવશે, પણ અહીંયા કોઈ સાફ-સફાઈની વ્યવસ્થા નથી. એસએમસી (SMC)ની સાઉથ ઝોનની ઓફિસ અહીંયા જ છે, એ લોકો પણ જોઈ રહ્યા છે કે પાણી રસ્તા પર વહી રહ્યું છે, છતાં કોઈ વ્યવસ્થા નથી થતી. નેતાઓ તો જ્યારે ચૂંટણી આવે ત્યારે જ વોટ માંગવા આવે છે, પછી દેખાતા જ નથી. 'પીવાનું પાણી ગંદુ આવે અને વાસ મારે છે'સ્થાનિક કોકિલાબેને જણાવ્યું હતું કે, અહીં પાણી સવારે ગંદુ આવે અને વાસ મારે છે. કચરાવાળા પણ આવે તો ઢગલો કરીને ચાલ્યા જાય, પછી એને લઈ નથી જતા. અમને તો એ પણ ખબર નથી કે કોર્પોરેટર કોણ છે કે કયા સાહેબ છે, અમે તો જૂના ઘરે જઈને વોટ આપી આવીએ છીએ પણ અહીં કોઈ નેતા જોવા આવતું નથી. 'બસ પેલા છોકરાઓ આવીને કાપલીઓ આપી જાય છે'સ્થાનિક કલાબેને જણાવ્યું હતું કે, કોઈ નેતા નથી આવતું, ખાલી વોટિંગ જોઈતું હોય ત્યારે જ આવી જાય છે. આ બધી બિલ્ડિંગોની સફાઈ કરવા કોઈ નથી આવતું, અમારે જાતે જ બધું કરવાનું હોય છે. નેતાઓ નથી આવતા, બસ પેલા છોકરાઓ આવીને કાપલીઓ આપી જાય છે એટલે અમે વોટ દઈ આવીએ છીએ. આઠ-આઠ વર્ષથી જનતા પરેશાન, કોઈ ઉકેલ નહીંવડોદ આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, તેઓ છેલ્લા 8 વર્ષથી આવી જ રીતે નરક જેવી સ્થિતિમાં રહે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર કામચલાઉ સફાઈ થાય છે. ગટરની લાઈનો વારંવાર ચોકઅપ થઈ જાય છે અને ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ જાય છે. આ ગંદકીમાં જીવવું એ હવે અહીંના લોકોની મજબૂરી બની ગઈ છે. પ્રશાસન અને લોકપ્રતિનિધિઓ બંને આ ગંભીર મુદ્દે મૌન સેવીને બેઠા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 am

'ફક્ત નામ ઇન્દ્રપુરી છે બાકી સ્થિતિ તો નર્કાગાર જેવી છે':'છ મહિનાથી રોડ બંધ, કોર્પોરેટરો આવતા જ નથી', વરસાદમાં કેડ સમાં પાણી ને રસ્તાઓ બિસ્માર; ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં રોષ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો અમદાવાદમાં મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 42 ઇન્દ્રપુરીના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક કિરણભાઈએ કહ્યું, ફક્ત નામ ઇન્દ્રપુરી છે બાકી સ્થિતિ તો નર્કાગાર જેવી છે, જ્યારે ઇન્દ્રપુરી વોર્ડ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર સિંઘલએ કહ્યું કે, છ મહિનાથી આ રોડ બંધ છે, કોર્પોરેટરો આવતા જ નથી. વરસાદમાં રોડ પર કેડ સમાં પાણી ભરાય છે. રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને ટ્રાફિકની સમસ્યાથી લોકો પીડાય છે. રસ્તાઓ બિસ્માર હાલતમાં, ટ્રાફીકની સમસ્યાવોર્ડ નં. 42માંથી વડોદરા એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. મોટા ભાગના લોકો ત્યાંથી મુસાફરી કરતા હોય છે. પરંતુ આ વોર્ડના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, સીટીએમ મિલ, ગાય સર્કલ, સુરેલીયા સર્કલ, બરોડા એક્સપ્રેસ હાઈવે અને રાજેન્દ્ર ચાર રસ્તા વગેરે વિસ્તારો આવેલા છે. ટ્રાફીકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે જાણીએ વોર્ડ નં.42ના લોકોએ ઇન્દ્રપુરી વોર્ડ વિશે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શું જણાવ્યું. 'ક્યાંય ફૂટપાથના ઠેકાણા નથી, રોડ-રસ્તાના ઠેકાણા નથી'ઇન્દ્રપુરી વોર્ડ કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર સિંઘલએ વધુમાં કહ્યું કે, લગભગ એકાદ વર્ષ પહેલાં આ CTM ચાર રસ્તા બંધ કરવામાં આવ્યા હતા ત્યારે સફિન હસનને અમે મળ્યા હતા. મેં કહ્યું હતું કે, આ ચાર રસ્તા બંધ કરો છો, બે ઓવરબ્રિજ છે, તંત્રની બેદરકારીના કારણે આ તમે ચાર રસ્તા બંધ કરી રહ્યા છો. તેઓએ ત્યારે મને એવું આશ્વાસન આપ્યું હતું કે, રાજુભાઈ, મને ચાર રસ્તા બંધ કરવા દો, હું તમારું CTM ચાર રસ્તા જંક્શન બનાવી દઈશ. અત્યારે જોઈ શકો છો ચાર રસ્તા પર ક્યાંય ફૂટપાથના ઠેકાણા નથી, રોડ-રસ્તાના ઠેકાણા નથી. 'વરસાદ પડવાથી રોડ પર કેડ સમાં પાણી ભરાય છે'સિંઘલએ વધુમાં જણાવ્યું કે, હાલ આપણે જે જગ્યાએ ઉભા છીએ તે જગ્યાએ છ મહિના પહેલા ભુવો પડ્યો હતો. એ છ મહિનાથી ભુવો પડેલો છે, હજુ સુધી એનું પુરાણ કરવામાં આવતું નથી. રોડ રસ્તા બંધ છે. આ જ રોડ પર વરસાદ પડવાથી કેડ સમાં પાણી ભરાઈ જાય છે. 'કુશાભાઉ ઠાકરે હોલની અંદર છતમાંથી પાણી ટપકે છે'કુશાભાઉ ઠાકરે હોલ વિશે રાજેન્દ્ર સિંઘલએ જણાવ્યું કે, થોડાક આગળ જાઓ તો ગાય સર્કલની આગળ કુશાભાઉ ઠાકરે હોલ છે. જે હોલની અંદર ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી. છેલ્લા એક વર્ષથી હું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં લખું છું કે સાહેબ, આ હોલની અંદર દરવાજાના ઠેકાણા નથી. ઉપર છતમાંથી પાણી ટપકે છે. અંદર પાણી ભરાઈ જાય છે. પાર્કિંગની અંદર ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નથી. 'ડ્રેનેજની સમસ્યા તો અપરંપાર, પીવાનું પાણી મળતું નથી'સિંઘલે જણાવ્યું હતુ કે, સુરેલિયા રોડ ઉપર અત્યારે હાલ ચોમાસામાં કેડ સમાં પાણી ભરાઈ જાય છે. લોકોને હાલ પીવાનું પાણી મળતું નથી અને જે મળે છે તે ગંદુ આવી રહ્યું છે. ડ્રેનેજની સમસ્યા તો અપરંપાર છે. CTM ચાર રસ્તાથી કેનાલ સુધીમાં કોર્પોરેશને 10 જગ્યાએ ખોદકામ કર્યું છે. એક મહિનાથી આ લોકો ખોદીને પાછા પૂરે છે અને બીજે ખોદે છે. 'ભાજપના નામે મત લઈ જાય છે, પ્રજાના કામોના નામે મત મળતા નથી'રાજેન્દ્ર સિંઘલએ કહ્યું કે, કોર્પોરેટરોમાં એક કોર્પોરેટર તો એક્સપાયર થઈ ગયા છે. બાકીના ત્રણમાંથી એક પણ કોર્પોરેટર અહીં આવતા નથી. આ લોકો ભાજપના નામે મત લઈ જાય છે, પ્રજાના કામોના નામે એમને મત મળતા નથી. જો સેવા જ કરી રહ્યા હોય, તો અમે કોંગ્રેસના કાર્યકરો સેવા કરીએ છીએ. ઇન્દ્રપુરી વોર્ડમાં ક્યારેય કોંગ્રેસ જીતી નથી, છતાં છેલ્લા 30 વર્ષથી અમે પ્રજાની સાથે છીએ અને પ્રજાની વચ્ચે જ છીએ. 'આંગણવાડી 4 વર્ષથી બંધ હાલતમાં છે'વધુમાં રાજેન્દ્ર સિંઘલએ કહ્યું કે, ઇન્દ્રપુરી વોર્ડમાં તમને કોઈ ડેવલપમેન્ટ દેખાશે જ નહીં. પુલ નીચે શાકભાજીની લારીઓ વાળા ઉભા છે, એમના માટે અમે માંગણી કરી છે કે ખુલ્લો પ્લોટ પડ્યો છે ત્યાં શાક માર્કેટની વ્યવસ્થા કરી આપો, પણ એ કરવામાં આવતું નથી. આ સિવાય ઇન્દ્રપુરી વોર્ડમાં એક આંગણવાડી બનાવેલી છે જે લગભગ 4 વર્ષથી બંધ હાલતમાં છે. ત્યાં મારી હાઈટ સમાન ઘાસ ઉગી ગયું છે અને અંદર દારૂ-જુગાર જેવા ધંધા ચાલે છે. 'ફક્ત નામ ઇન્દ્રપુરી છે બાકી સ્થિતિ તો નર્કાગાર જેવી છે'સ્થાનિક કિરણભાઈએ જણાવ્યું હતું કે, અમારા ઇન્દ્રપુરીમાં એક સ્વિમિંગ પૂલ અને એક લાઇબ્રેરી બનાવવામાં આવી હતી. જે અહીં સીટીએમ ચાર રસ્તાથી ફક્ત 20 ફૂટના અંતરે આવેલ છે અત્યારે એની હાલત મૃતપાય હાલતમાં છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરનો સંપર્ક કર્યો, પણ તેને વાત ના કરી આ અંગે દિવ્ય ભાસ્કરે ઇન્દ્રપુરી વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર કૌશિક ભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓએ વાત કરવા બાબતે બહાના બનાવ્યા હતા અને દિવ્ય ભાસ્કર સાથે કોઈ વાત કરી ન હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 am

નવા રોટેશનથી રાજકીય ગણિતોમાં ધરખમ ફેરફારો:હવે બાહુબલીઓ તેમજ આર્થિક સંપન્ન ઉમેદવારોનો દબદબો વધવાની શક્યતા, અનેક દિગ્ગજોનાં પત્તા કપાશે

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. આગામી 26 એપ્રિલનાં રોજ મતદાન થવાનું છે. જે અંતર્ગત મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા મુખ્ય રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની વ્યૂહરચના તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા તેના અમુક ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવાયા છે, જ્યારે ભાજપ દ્વારા પણ એકાદ બે દિવસમાં નામો જ જાહેર કરવામાં આવનાર છે. આ વર્ષની ચૂંટણી અગાઉના વર્ષો કરતા તદ્દન અલગ સાબિત થવાની છે, કારણ કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બેઠકોના રોટેશનમાં કરવામાં આવેલા મોટા ફેરફારે રાજકીય સમીકરણોને હચમચાવી દીધા છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે, આ નવા ફેરફારોને કારણે અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાશે અને આગામી ટર્મમાં મહાપાલિકામાં બાહુબલી તથા આર્થિક રીતે અત્યંત સંપન્ન ઉમેદવારોનું જોર વધવાની શક્યતા છે. બેઠકોના રોટેશનનું જટિલ માળખું અને તેની અસરોરાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડની 72 બેઠકો માટે વર્ષ 2020માં યોજાયેલી સામાન્ય ચૂંટણી સમયે જે રોટેશન અમલમાં હતું, તેમાં 2026ની આ ચૂંટણી માટે મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. શહેરના 18 વોર્ડમાંથી માત્ર વોર્ડ નં. 3, 4, 13 અને 17 એમ કુલ ચાર વોર્ડ જ એવા છે કે જેમાં બેઠકોના માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બાકીના 14 વોર્ડની 56 બેઠકોમાં વ્યાપક ફેરફાર થયો છે. ખાસ કરીને 13 જેટલી સામાન્ય બેઠકો રદ કરીને તેને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) માટે અનામત રાખવામાં આવી છે. વર્ષોથી પકડ જમાવીને બેઠેલાને ઘરભેગા થવાનો વારો આવી શકેઆ ફેરફારને કારણે જે વોર્ડમાં સવર્ણ જ્ઞાતિઓની વસતી વધુ છે, ત્યાં પણ હવે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે જગ્યા ઘટી ગઈ છે. આનાથી એવા રાજકીય ‘ધૂરંધરો’ કે જેઓ વર્ષોથી પોતાની બેઠક પર પકડ જમાવીને બેઠા હતા, તેમને હવે ઘરભેગા થવાનો વારો આવી શકે છે. નિરીક્ષકો માને છે કે જ્યારે બેઠકો અનામત બને છે, ત્યારે રાજકીય પક્ષો એવા ઉમેદવારોને પ્રાધાન્ય આપે છે જેઓ સ્થાનિક સ્તરે પ્રભુત્વ ધરાવતા હોય, બાહુબલી હોય અથવા ચૂંટણીના તોતિંગ ખર્ચને પહોંચી વળવા આર્થિક રીતે સક્ષમ હોય. આના કારણે અનુભવી રાજકારણીઓને બદલે નવા સાધન-સંપન્ન ચહેરાઓ મહાનગરપાલિકામાં જોવા મળી શકે છે. જ્ઞાતિવાર ટિકિટની સંભાવના અને રાજકીય વિશ્લેષણરાજકોટના રાજકારણમાં જ્ઞાતિવાદ હંમેશા એક મહત્વનું પરિબળ રહ્યું છે. નવા રોટેશન બાદ વિવિધ સમાજોનું પ્રતિનિધિત્વ કેવું રહેશે તેના પર રાજકીય નિરીક્ષકોએ ઊંડું ગણિત માંડ્યું છે. 72 બેઠકોના સંભવિત વિતરણ પર નજર કરીએ તો... મહિલા અનામતની વાત કરીએ તો, કુલ 72 બેઠકોમાંથી 50% એટલે કે 36 બેઠકો મહિલાઓ માટે અનામત છે, પરંતુ અન્ય કેટેગરીના જોડાણને જોતા કુલ 41 બેઠકો મહિલાઓ માટે અને બાકીની 31 બેઠકો સામાન્ય ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. અનુસૂચિત જાતિની 5 બેઠકમાંથી 3, અનુસૂચિત આદિજાતિની 1 અને પછાત વર્ગની 7 બેઠકોમાંથી 4 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. વોર્ડવાર બદલાયેલા સમીકરણોની વિગતવાર વિગત⇒ વોર્ડ નં. 1: અહીં ગાંધીગ્રામ જેવા વિસ્તારોમાં વ્હાઇટ કોલર મતદારોની સંખ્યા વધી છે. અગાઉ અહીં પ્રથમ બેઠક અનુસૂચિત જાતિ માટે હતી, જે હવે પછાત જ્ઞાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. આ વોર્ડમાં પછાત જ્ઞાતિના 4000થી વધુ મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. ⇒ વોર્ડ નં. 2, 5, 6: વોર્ડ 2માં પહેલી બેઠક સામાન્યમાંથી અનુસૂચિત જાતિની થઈ છે. વોર્ડ 5માં ત્રીજી બેઠક હવે પછાત વર્ગ માટે છે. વોર્ડ 6માં પણ બે મોટા ફેરફારો થયા છે, જ્યાં પહેલી બેઠક અનુસૂચિત જાતિ અને ત્રીજી પછાત જ્ઞાતિના ઉમેદવારને ફાળવાઈ છે. ⇒ વોર્ડ નં. 7, 8, 9: વોર્ડ 7માં પહેલી બેઠક અનુસૂચિત જાતિમાંથી પછાત વર્ગની થઈ છે, જ્યારે ત્રીજી સામાન્ય બેઠક અનુસૂચિત જાતિને મળી છે. વોર્ડ 8માં ત્રીજી બેઠક પછાત વર્ગ માટે અનામત છે. વોર્ડ 9માં પહેલી બેઠક પછાત અને ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ માટે જાહેર કરાઈ છે. ⇒ વોર્ડ નં. 10થી 12: વોર્ડ 10માં એક બેઠક પછાત વર્ગમાંથી સામાન્ય થઈ છે, જ્યારે ત્રીજી સામાન્ય બેઠક પછાત વર્ગને ફાળવવામાં આવી છે. વોર્ડ 11માં ત્રીજી બેઠક હવે પછાત જ્ઞાતિના ફાળે ગઈ છે. વોર્ડ 12માં પહેલી બેઠક પછાતમાંથી સામાન્ય ઉમેદવાર માટે ખુલ્લી મુકાઈ છે. ⇒ વોર્ડ નં. 14થી 18: વોર્ડ 14 અને 15માં પહેલી બેઠક અનુસૂચિત જાતિમાંથી પછાત વર્ગની થઈ છે. વોર્ડ 16માં પહેલી બેઠક પછાત અને ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. વોર્ડ 18માં પણ સમાન રીતે પ્રથમ બેઠક પછાત અને ત્રીજી બેઠક અનુસૂચિત ઉમેદવાર માટે રાખવામાં આવી છે. મતદારોની સંખ્યામાં ઘટાડો, એક નવો વળાંકરાજકોટમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા મતદાર સુધારણા કાર્યક્રમ (SIR)ના પરિણામો ચોંકાવનારા છે. 2020ની ચૂંટણીની સરખામણીએ રાજકોટમાં મતદારોની કુલ સંખ્યામાં 1,08,039નો ઘટાડો થયો છે. આ ઘટાડો ખાસ કરીને એવા વિસ્તારોમાં જોવા મળ્યો છે, જ્યાંથી લોકોનું સ્થળાંતર વધ્યું છે. મતદારોની સંખ્યામાં થયેલો આ ફેરફાર સીધી રીતે ઉમેદવારોની જીત-હારના માર્જિન પર અસર કરશે. ઓછા મતદારો હોવાને કારણે હવે દરેક મતની કિંમત વધી ગઈ છે, જેનાથી ચૂંટણી પ્રચાર વધુ આક્રમક બનવાની શક્યતા છે. બાહુબલીઓ અને સંપન્ન ઉમેદવારોનું વર્ચસ્વ કેમ વધશે?રાજકીય નિરીક્ષકોનું વિશ્લેષણ છે કે, જ્યારે બેઠકો વારંવાર બદલાય છે અને નવા વિસ્તારો અનામત હેઠળ આવે છે, ત્યારે પ્રસ્થાપિત નેતાઓ પોતાની જૂની બેઠક ગુમાવે છે. પક્ષો માટે પણ નવા અનામત વોર્ડમાં મજબૂત ઉમેદવાર શોધવો મુશ્કેલ બને છે. આવા સમયે, પક્ષો એવા સ્થાનિક આગેવાનોને પસંદ કરે છે, જેમની પાસે 'પૈસા અને પાવર' બંને હોય. આર્થિક રીતે સક્ષમ ઉમેદવારો ચૂંટણીના ખર્ચને પહોંચી વળવા સક્ષમ હોય છે, જ્યારે બાહુબલી ઉમેદવારો પોતાની સ્થાનિક વગ અને ડરના જોરે મતો અંકે કરી શકે છે. આ કારણે જ આગામી ટર્મમાં મહાનગરપાલિકામાં જે બોર્ડ બનશે, તેમાં શિક્ષિત કે અનુભવી લોકો કરતા 'પાવરફુલ' લોકોની સંખ્યા વધુ રહે તેવી ભીતિ અને સંભાવના બંને સેવવામાં આવી રહી છે. કોંગ્રેસ-AAPનો નવા રોટેશનનો લાભ ઉઠાવી ગાબડું પાડવાનો પ્રયાસઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી એ માત્ર સત્તા મેળવવાનો જંગ નથી, પરંતુ બદલાયેલા રોટેશન અને જ્ઞાતિવાદના નવા સમીકરણો વચ્ચે ટકી રહેવાની લડાઈ છે. ભાજપ પોતાની સત્તા જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવશે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નવા રોટેશનનો લાભ ઉઠાવીને ગાબડું પાડવા પ્રયાસ કરશે. અનામત પ્રથા, મહિલા પ્રતિનિધિત્વ અને ઘટતા મતદારો વચ્ચે શહેરના રાજકારણનું આ 'ગણિત' આવનારા દિવસોમાં વધુ રસપ્રદ બનશે. અંતે, જે ઉમેદવાર બાહુબળ, આર્થિક સંપન્નતા અને જ્ઞાતિના સમીકરણોને યોગ્ય રીતે સંતુલિત કરી શકશે, તે જ રાજકોટના શાસકો બનશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 am

'ચોમાસામાં દેડકા દેખાય,એમ ચૂંટણીમાં નેતા દેખાય':'ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં'ના બેનર લગાવવાની ચીમકી, કરોડોના બંગલાના રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે ત્રાહિમામ; વીજળીના ધાંધિયા હોવાનો વોર્ડ 1ના સ્થાનિકોનો આક્ષેપ

આગામી 26 એપ્રિલના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે.ત્યારે શહેરના વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો પર દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી.જેમાં રૈયાધાર વિસ્તાર જે ગામડા જેવો હોવાનું અને ત્યાં સફાઈ સહિતનાં પ્રશ્ને લોકોમાં રોષની લાગણી હોવાનું જોવા મળ્યું હતું.એટલું જ નહીં પોશ વિસ્તાર ગણાતા આલાપ ગ્રીન સિટી પાછળ કે જ્યાં કરોડોના બંગલા અને ફ્લેટ ત્યાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યું. સ્થાનિક રાહુલ મોભેરાએ જણાવ્યું હતું કે ચોમાસામાં દેડકા દેખાય,એમ ચૂંટણી આવે ત્યારે નેતાઓ દેખાય છે. જ્યારે શહેરમાં નવા ભળેલા ઘંટેશ્વર વિસ્તારના કલ્યાણ પાર્કના સ્થાનિકોએ તો મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. તો ભાજપના પૂર્વ કોર્પોરેટરે સબ સલામતના દાવા અને વિકાસ કાર્યો ગણાવ્યા. જ્યારે કોંગ્રેસના આગેવાને કહ્યું કે લોકો આ સરકારથી ત્રાહિમામ છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે. વિકાસ માત્ર કાગળ પર:શૈલેષ મોભેરારૈયાધાર વિસ્તારમાં રહેતા AAPના 69 ઝોનના સહ પ્રભારી શૈલેષ મોભેરાએ જણાવ્યું કે, ગયા 25 વર્ષથી રૈયાધારનો થોડો થોડો વિકાસ થતો આવે છે,પણ વિકાસ માત્ર કાગળ પર જ છે.વિકાસ માટે આવતું ફંડ ખાઈ જવામાં આવે છે.હાલની સ્થિતિએ રોડ પર બનાવેલા બમ્પમાં દર મહિને સફેદ પટ્ટા મારવામાં આવે છે,જે લાંબો સમય રહેતા નથી. ગટરના ઢાંકણા અઠવાડિયામાં 3-3 વાર તૂટી જાય છે.આ અંગેનો વિડીયો પણ વાયરલ કર્યો હોવા છતાં આમાં કોઈને રસ નથી, અને આ જ કારણથી સરકાર ભ્રષ્ટાચાર કરી રહી છે. 'લોકો ભાજપ સામે બોલતા ગભરાય છે'શૈલેષ મોભેરાએ વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નં 1માં ચાર પૂર્વ કોર્પોરેટર, જેમાં હિરેન ખીમાણીયા,ડો. અલ્પેશ મોરજરિયા,દુર્ગાબા જાડેજા અને ભાનુબેન બાબરીયાનો સમાવેશ થાય છે.ભાનુબેન બાબરીયા છેલ્લા 5 વર્ષથી કોર્પોરેટર છે,છતાં પણ એકવાર પણ આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી.આ ઉપરાંત અન્ય ત્રણ કોર્પોરેટર પણ પોતાના વિસ્તાર સિવાય ક્યાંય જોવા મળતા નથી.વિરોધ પક્ષ તરીકે જનતા ભાજપથી ડરે છે,પણ અંદરખાને તેમનો ફૂલ વિરોધ છે.લોકો ભાજપ સામે બોલતા ગભરાય છે,કારણ કે તેને જેલમાં પૂરી દેવામાં આવશે કે ખોટા કેસો કરી દબાવવામાં આવશે તેવો ડર છે.આ જ કારણથી જનતા બહાર આવીને વિરોધ કરી શકતી નથી. ચોમાસા સમયે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યાદિવ્યભાસ્કરની ટીમ જ્યારે રૈયાધાર વિસ્તારમાં પહોંચી ત્યારે અહીં કોઈ ગ્રામ્ય વિસ્તારમાં હોય તેવો જ માહોલ જોવા મળ્યો હતો.જોકે રોડ-રસ્તા સારા હતા પણ આ વિસ્તારમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો છે.સ્થાનિકોનાં જણાવ્યા મુજબ અહીં વારંવાર વીજળીની પણ સમસ્યા છે,ચોમાસામાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતા હોવાની સમસ્યા પણ આ વિસ્તારના લોકો ઘણા લાંબા સમયથી સહન કરી રહ્યા છે.આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતો હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.સાથે જ તાત્કાલિક સમસ્યાઓ ઉકેલવા માટે માંગ કરી હતી. વારંવાર વીજળી ગુલ થઈ જાય છે:ભરત ચૌહાણભરત ચૌહાણ નામના સ્થાનિકે દિવ્યભાસ્કર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી કે, અમારા વિસ્તારમાં છેલ્લા એક-બે વર્ષથી વીજળી અંગે મુખ્ય સમસ્યા છે.દિવસમાં બેથી ત્રણ વખત વીજળી ગુલ થઈ જાય છે અને જ્યારે ફોન કરવામાં આવે ત્યારે 'ટ્રીપ થઈ ગયું છે' અથવા 'કનેક્શન પ્રોબ્લેમ છે'જેવા કારણો આપવામાં આવે છે.ખાસ કરીને ગયા અઠવાડિયે શનિ-રવિમાં પણ સવારે 6 વાગ્યાથી લાઈટ જતી રહી હતી,જે કલાક પછી આવીને ફરી 8 વાગ્યે જતી રહી હતી. 'કોર્પોરેટરો તો ક્યારેય મુલાકાતે આવ્યા જ નથી'અમારા વિસ્તારથી માત્ર 100-200 મીટર દૂર પોશ વિસ્તારમાં ક્યારેય લાઈટ જતી નથી અને જો જાય તો પણ એક કલાકમાં આવી જાય છે.આ બાબતે અમે પટેલ સાહેબને લેખિતમાં અરજી પણ આપી હતી,જેના કારણે બે મહિના સુધી સ્થિતિ સુધરી હતી પરંતુ હવે ફરી એ જ સમસ્યા ઊભી થઈ છે.મોબાઈલ ચાર્જિંગ, ટેલિવિઝન અને પંખા જેવી પાયાની જરૂરિયાતો વીજળી વગર પ્રભાવિત થાય છે.જોકે રોડ-રસ્તા અને સફાઈની કામગીરી ઠીક છે,પરંતુ અમારા વિસ્તારના કોર્પોરેટરો તો ક્યારેય મુલાકાતે આવ્યા નથી. ચૂંટણી સમયે કદાચ દેખાયા હશે, પરંતુ હાલ અમને તેમના નામની પણ જાણ નથી. 'બગીચો કે આરોગ્ય કેન્દ્ર માટે રજૂઆત કરી હતી'રૈયાધાર વિસ્તારમાં વર્ષોથી રહેતા લાલદાસ નામના નાગરિકે જણાવ્યું કે તેઓ છેલ્લા 30 વર્ષથી વોર્ડ નં 1ના રૈયાધાર વિસ્તારમાં રહે છે.અહીં કાયમી ધોરણે ગંદકી અને કચરાની ગંભીર સમસ્યા છે.લોકો ગમે ત્યાં કચરો ફેંકી જાય છે,જેના કારણે કચરાના ઢગલા ખડકાયેલા રહે છે. છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આ વિસ્તારમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા આવે છે,ત્યારબાદ કોઈ ડોકાતું નથી.અહીં બગીચો કે આરોગ્ય કેન્દ્ર જેવી પાયાની સુવિધાઓ આપવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી.આ વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે,પરંતુ તંત્ર દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે. 'કચરાના ઢગલાઓ ઘરની સામે પડ્યા રહે છે'રાહુલ મોભેરા નામના સ્થાનિકે જણાવ્યું કે, અહીં મુખ્ય સમસ્યા એ છે કે મારા ઘરની સામે કચરાના ઢગલા પડ્યા રહે છે.હમણાં માવઠું થયું ત્યારે પાણી ભરાયું હતું અને મચ્છરનો ખૂબ ત્રાસ છે.આ બાબતે મેં અરજી પણ કરી છે,પરંતુ કોઈ ધ્યાન આપતું નથી.આ ઉપરાંત,મેં 2025માં સ્ટ્રીટ લાઈટના થાંભલા માટે પણ અરજી કરી હતી,છતાં હજુ સુધી કંઈ કરવામાં આવ્યું નથી,માત્ર સર્વે કરીને જતા રહે છે. આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે,ઘણીવાર ડહોળું પાણી આવે છે.આ બધી રોજિંદી સમસ્યાઓ છે. જેનો અમારે સામનો કરવો પડે છે.સ્થાનિક કોર્પોરેટરો વિશે પૂછતા તેમણે જણાવ્યું કે,અહીંની 90 ટકા જનતા ચારેય કોર્પોરેટરોને ઓળખતી પણ નહીં હોય.કારણ કે તેઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે,જેમ ચોમાસામાં કેમ દેડકા દેખાય એમ! ચૂંટણી સમયે બધાય દેખાશે. મત માંગવા આવશે,બાકી આ સિવાય કોઈપણ અહીં ડોકાતું નથી. 'કોર્પોરેટર કોણ છે એમની જાણ નથી અમને'રૈયાધાર વિસ્તારના મંજુબેને જણાવ્યું હતું કે,તેઓ છેલ્લા 20થી 22 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરે છે. સ્થાનિક કોર્પોરેટર કોણ છે તેની પણ તેમને જાણ નથી,કારણ કે તેઓ ક્યારેય વિસ્તારની મુલાકાતે આવ્યા નથી.ચૂંટણી સમયે મત માંગવા આવતા પ્રતિનિધિઓ જીત્યા પછી ડોકાતા પણ નથી.આ તમામ સમસ્યાઓ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી છે,પરંતુ હજુ સુધી કોઈપણ જવાબ મળ્યો નથી કે કોઈ અધિકારી તપાસ કરવા પણ આવ્યા નથી. 'નેતાઓ પ્રજાની તકલીફો જાણવા આવતા નથી'રૈયાધાર વિસ્તારનાં વેપારીઓમાં પણ રોષની લાગણી જોવા મળી હતી.દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં વેપારી અજયભાઈએ જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષથી દુકાન ચલાવી રહ્યો છું. અહીં રોડ રસ્તાની સ્થિતિ અત્યંત ગંભીર છે.છેલ્લા 2થી 3 વર્ષથી આવી જ પરિસ્થિતિ હોવા છતાં સ્થાનિક 4 કોર્પોરેટરોમાંથી કોઈ અહીં ડોકાતું પણ નથી.નેતાઓ માત્ર ચૂંટણી વખતે જ મત લેવા આવે છે અને ત્યારબાદ કોઈ કામગીરી થતી નથી.શાસક પક્ષ ભાજપનું શાસન હોવા છતાં કોઈ નેતા પ્રજાની તકલીફો જાણવા આવતા નથી તેવી વેદના પણ તેમણે વ્યક્ત કરી હતી. કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વેપારીઓમાં રોષઆ વિસ્તારમાં છેલ્લા 14થી 15 વર્ષથી વેપાર કરતા પ્રવીણભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કચરાના નિકાલની છે,જેના કારણે અન્ય ઘણી નાની-મોટી તકલીફો ઊભી થાય છે.સ્થાનિક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે,જે રીતે પત્રકારો રૂબરૂ આવીને પ્રશ્નો પૂછે છે તે રીતે કોઈ જનપ્રતિનિધિ ક્યારેય આ વિસ્તારની મુલાકાત લેતા નથી.તંત્ર દ્વારા આ વિસ્તારમાં વ્યવસ્થિત સાફ-સફાઈ કરવામાં આવે અને લોકહિતના કામો પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી વેપારીઓની મુખ્ય માંગ છે. અહીં દુકાન ધરાવતા ચંદ્રકાંતભાઈએ જણાવ્યું કે,તેઓ છેલ્લા 20 વર્ષથી અહીં વેપાર કરી રહ્યા છે પીવાના પાણીની પણ સમસ્યા અને રોડ-રસ્તાનું કામ પણ હજુ અડધું બાકી છે. સાફ-સફાઈ માટે સફાઈ કામદારો આવે છે પરંતુ કચરો ઉપાડવામાં આવતો નથી.અહીંના કોર્પોરેટર કોણ છે તેની તેમને જાણ નથી અને ચૂંટણી સમયે મત માંગવા સિવાય કોઈ દેખાતું નથી. પોશ વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવરૈયાધાર બાદ દિવ્યભાસ્કરની ટીમ પોશ વિસ્તાર ગણાતા આલાપ ગ્રીનસિટી પહોંચી હતી.જ્યાં અનેક સોસાયટીમાં રોડ-રસ્તા તેમજ ડ્રેનેજની સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમજ સફાઈ પણ નિયમિત નહીં થતી હોવાનો આક્રોશ સ્થાનિકોએ ઠાલવ્યો હતો.મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે,તેઓ ભાજપને મત આપે છે,વેરાઓ પણ ભરે છે.આમ છતાં વર્ષોથી તેમના પ્રશ્નો હલ થતા નથી.ચૂંટણી જીત્યા બાદ નગરસેવકો ડોકાયા નહીં હોવાનું જણાવી આયાતીના બદલે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માંગ પણ લોકોએ કરી હતી. સ્થાનિકને ટિકિટ આપવામાં આને:પુષ્પાબેન યાજ્ઞિકશાંતિનિકેતનમાં રહેતા પુષ્પાબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગંદકી અને મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ છે.અહીં પરિવહન માટે બસની સુવિધાનો અભાવ હોવાથી લોકોને દરેક સ્થળે ચાલીને જવું પડે છે.ચૂંટણી સમયે નેતાઓ મીટિંગો યોજે છે,પરંતુ જીત્યા પછી 5 વર્ષ સુધી કોઈ ડોકાતું નથી.જેના કારણે સોસાયટીમાં વિકાસના કામો થતા નથી.હાલમાં સોસાયટીના સભ્યો અને મહિલા મંડળ દ્વારા જ જરૂરી કામગીરી કરવામાં આવે છે.તંત્ર તરફથી કોઈ સહાય મળતી નથી.આથી તેઓ માંગ કરી રહ્યા છે કે જો આ વિસ્તારના જ કોઈ સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવામાં આવે,તો જ અમારા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે તેમ છે. બંસી પાર્ક વિસ્તારમાં રહેતા નેહાબેને જણાવ્યું હતું કે, અહીં ગટરની વ્યવસ્થા ન હોવાથી રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ રહે છે,જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ નેતાઓ મતો માંગવા આવે છે,પરંતુ જીત્યા પછી કોઈ પ્રશ્નો ઉકેલવા આવતું નથી.તેમણે પણ માંગ કરી છે કે જો આગામી ચૂંટણીમાં કોઈ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો જ આ વિસ્તારનો વિકાસ શક્ય છે. સ્થાનિક નિશાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ચોમાસામાં કાદવ-કીચડને કારણે વાહનો સ્લિપ થવાના બનાવો બને છે અને સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે.જો વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે. 'પ્રચાર માટે કોઈએ આવવું નહીં તેવા બોર્ડ લગાવવાનો નિર્ણય'કલ્યાણ પાર્ક વિસ્તારના ગીતાબા ચુડાસમાએ જણાવ્યું હતું કે,અહીં નાના બાળકો માટે કોઈ આંગણવાડી જેવી સુવિધા નથી.વિસ્તારમાં સાફ-સફાઈના અભાવે મચ્છરોનો ભારે ત્રાસ છે અને પાણી ભરાવાની સમસ્યાનો કોઈ યોગ્ય નિકાલ લાવવામાં આવ્યો નથી.આ વિસ્તારમાં પોતાના બોર્ડ લગાવનારા સ્થાનિક કોર્પોરેટર હિરેન ખીમાણીયાએ ક્યારેય આ વિસ્તારની મુલાકાત લીધી નથી કે લોકોની સમસ્યાઓ સાંભળી નથી.આથી કંટાળીને સોસાયટીના રહીશોએ આ વખતે ચૂંટણીમાં મતદાન ન કરવાનો અને ચૂંટણી પ્રચાર માટે કોઈને આવવા નહીં દેવા માટેના બોર્ડ મારવાનો નિર્ણય લીધો છે. મધુબેન પરમારે જણાવ્યું હતું કે, હાલમાં ગટરનું કામ છેલ્લા 3 મહિનાથી ચાલુ છે પણ તે અધૂરું મૂકી દેવામાં આવ્યું છે.પાણી ભરાવાની સમસ્યા હલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા અમારી માંગ છે. પાર્વતીબેન પાનસુરીયાએ જણાવ્યું હતું કે, પીવાના પાણીની ગંભીર સમસ્યા છે અને બોરના પાણી પણ દૂષિત આવે છે. છેલ્લા 5 વર્ષથી સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે,પરંતુ મનપાનાં કર્મચારીઓ માત્ર મુલાકાત લઈને આશ્વાસન આપી જાય છે અને કોઈ નક્કર કામગીરી થતી નથી.ગ્રાન્ટ મંજૂર થઈ હોવાની વાતો વચ્ચે પણ જમીન પર કોઈ સુધારો દેખાતો નથી. 'અધિકારીઓ માત્ર આશ્વાસન આપે'પ્રફુલભાઈ જોષીએ વિસ્તારની કથળતી જતી હાલત અંગે રોષ ઠાલવ્યો હતો.તેમના જણાવ્યા અનુસાર,છેલ્લા 5-6 વર્ષથી આ વિસ્તારમાં સમસ્યાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. 5 વર્ષ પહેલા મેટલિંગનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં અને ડામર રોડ મંજૂર થઈ ગયો હોવા છતાં હજુ સુધી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી.બંસી પાર્ક વિસ્તારમાં 50% થી વધુ બિલ્ડિંગો બની ગઈ હોવા છતાં, અહીં સફાઈ કર્મચારીઓ કે ડ્રેનેજની કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, સ્થાનિક કોર્પોરેટર ખીમાણીયાભાઈ અને અન્ય અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળે છે.ફોન કરવા પર કોઈ જવાબ મળતો નથી અને ઓફિસે જઈએ તો પણ મુલાકાત શક્ય બનતી નથી.ત્યારે વહેલી તકે ડ્રેનેજ લાઈન અને ડામર રોડની સુવિધા પૂરી પાડવામાં આવે જેથી આટલા વર્ષોથી ચાલતી મુશ્કેલીઓનો અંત આવે. મનપામાં નવા ભળેલા વિસ્તારોના લોકોને હાલાકીજે બાદ દિવ્ય ભાસ્કરની ટીમ ઘંટેશ્વર નજીક પહોંચી હતી. જ્યાં પણ કલ્યાણ પાર્ક સહિતનાં નવા ભળેલા વિસ્તારોનાં લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા આ વિસ્તારના લોકોએ તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે 'કોઈ નેતાએ પ્રચારમાં આવવું નહીં'તેવા બેનરો લગાવવાની તૈયારી દર્શાવી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના સબ સલામતના દાવાભાજપના પૂર્વ કોર્પોરેટર અલ્પેશ મોરજરીયાએ 5 વર્ષના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા વિકાસલક્ષી કાર્યોની વિગતો આપી હતી. વોર્ડમાં તમામ રોડ-રસ્તાઓનું રિ-કાર્પેટિંગનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાની અલ્પેશ મોરજરીયાએ વાત કરી હતી. જ્યારે મધ્યમ વર્ગના પરિવારોને સામાજિક પ્રસંગોમાં સુવિધા મળી રહે તે માટે સંતોષ પાર્ક વિસ્તારમાં એક અદ્યતન હોલ બનાવીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવી DI પાઇપલાઇન નાખવાનું કામ મંજૂરઆ ઉપરાંત અગાઉની નાની વોર્ડ ઓફિસને કારણે લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે નવી વોર્ડ ઓફિસનું કામ પણ મંજૂર કરાવ્યું છે જે ટૂંક સમયમાં શરૂ થશે.ગાંધીગ્રામ જેવા જૂના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિકાલ માટે 3 મુખ્ય જગ્યાઓ પર સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવી છે. જેના કારણે છેલ્લા 2 વર્ષથી આ સમસ્યામાં મોટો ઘટાડો થયો છે.ગાંધીગ્રામમાં જૂના નેટવર્કને કારણે આવતા ગંદા પાણીની ફરિયાદના ઉકેલ માટે ચારેય કોર્પોરેટરોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર વિસ્તારમાં નવી DI પાઇપલાઇન નાખવાનું કામ મંજૂર કરાયું છે અને આ પ્રોજેક્ટનું કામ 1થી 2 મહિનામાં શરૂ કરવામાં આવશે. વધુમાં અલ્પેશ મોરજરીયાએ નવા ભળેલા વિસ્તારો વિશે જણાવ્યું હતું કે લોકોને આપેલા વચન મુજબ આ વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની સુવિધા આપવામાં સફળતા મળી છે. રોડ રસ્તાના કામો અંગે તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તારોમાં મેટલ રોડ પાસ થઈ ગયા છે અને નાગેશ્વર વિસ્તારમાં ડામર રોડનું કામ આગામી 3 મહિનામાં પૂર્ણ થઈ જશે. આગામી સમયમાં પેવિંગ બ્લોકના કામો પૂર્ણ કરીને આ વિસ્તારને ડસ્ટ ફ્રી બનાવવાનું અમારું લક્ષ્ય છે.રૈયા ગામના વિકાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 85 ટકા રૈયા ગામમાં બ્લોક નાખવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.અમુક સૂચિત વિસ્તારોમાં ટેકનિકલ કારણોસર અને ગ્રામ્ય વિસ્તારના રોડ ટી.પી. સ્કીમમાં ન હોવાને કારણે કે અમુક જગ્યાએ વ્યક્તિગત દાવાઓના લીધે કામગીરી અટકી હતી. પરંતુ બાકીના મોટાભાગના વિસ્તારમાં પાયાની સુવિધાઓ પહોંચાડી દેવામાં આવી છે. લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે:કોંગ્રેસ આગેવાનવોર્ડ નંબર 1ના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રમેશ જુંજાએ જણાવ્યું હતું કે,વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં સમસ્યાઓનો અંબાર છે,પરંતુ છેલ્લા 5 વર્ષમાં સ્થાનિક કોર્પોરેટરો ક્યાંય દેખાયા નથી.જેના કારણે લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે,વોર્ડમાં મુખ્યત્વે રોડ-રસ્તા અને સફાઈ સહિતની ગંભીર સમસ્યાઓ છે. હાલમાં હિરેન ખીમાણીયા અને દુર્ગાબા જાડેજા જેવા કોર્પોરેટરો છે, પરંતુ જનતા તેમને ઓળખતી પણ નથી.લોકોની માંગ છે કે સ્થાનિક અને સક્રિય પ્રતિનિધિ હોય જે ખરેખર કામ કરે.આયાતી કે બહારના ઉમેદવારોના કારણે વિકાસના કામોમાં અવરોધ આવતો હોય તેમ લાગી રહ્યું છે. બાળકો માટે આંગણવાડીની સુવિધા નથી:AAP ઉમેદવાર ગૌરીબેનવોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌરીબેન પાણખણીયાએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ગ્રાઉન્ડ લેવલ પર લોકોની વચ્ચે જાય છે,ત્યારે લોકો પાયાની સુવિધાઓના અભાવે ખૂબ જ પરેશાન જોવા મળે છે.લોકોની મુખ્ય ફરિયાદોમાં ગટરની સુવિધાનો અભાવ,ખરાબ રોડ-રસ્તા અને સફાઈ કામદારોનું નિયમિત ન આવવું જેવી સમસ્યાઓ છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે લોકો તેમના વિસ્તારના કોર્પોરેટરોને પણ ઓળખતા નથી.દૂર્ગાબા જાડેજા અને હિરેન ખીમાણીયા જેવા કોર્પોરેટરોએ ક્યારેય મુલાકાત લીધી નથી કે લોકોના પ્રશ્નો સાંભળ્યા નથી.તુલસીપત્ર જેવા વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને ત્યાં 200થી વધુ બાળકો માટે આંગણવાડીની પણ કોઈ સુવિધા નથી.લોકો વર્તમાન પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ગયા છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે.જો આમ આદમી પાર્ટીની સત્તા પર આવશે,તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની તેમણે ખાતરી આપી હતી. રોડ-રસ્તાના કામને પ્રાથમિકતા આપીશું:વાલજી કણઝારિયાઆમ આદમી પાર્ટીના બીજા એક ઉમેદવાર વાલજી કણઝારિયાએ જણાવ્યું કે ગાંધીગ્રામથી પરા પીપળીયા સુધીના આ વિસ્તારમાં અનેક પાયાની સમસ્યાઓ છે,જે વર્ષોથી વણઉકેલ છે.ગાંધીગ્રામ અને એરપોર્ટની આસપાસની સોસાયટીઓમાં છેલ્લા 20 વર્ષથી ગંદા પાણીની સમસ્યા છે અને ગટર લાઇન ચોકઅપ થવાની ઘટનાઓ પણ વારંવાર બને છે.મારુતિનગર અને પરા પીપળીયામાં આવેલી ઈન્દિરા આવાસ યોજનાના ક્વાર્ટર્સમાં 15 વર્ષથી રોડ અને ગટરની કોઈ સુવિધા આપવામાં આવી નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના પ્રશ્નો સાંભળવા આવતા ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો તેઓ આ ચૂંટણીમાં વિજેતા બનશે તો જનતાની પાયાની જરૂરિયાતો અને સુવિધાઓ પૂરી પાડ્યા બાદ રોડ-રસ્તા સહિતના વિકાસના કામોને પ્રાથમિકતા આપશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 am

હરખપદુડા નેતાઓએ મતદાનની તારીખ ખોટી આપી:પ્રચારમાં ટાણે બાફ્યું; ભાજપે સસ્પેન્ડ કરેલા નેતાને પાછા લીધા, સિનિયર MLAએ બાંયો ચઢાવી, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 am

મંડે પોઝિટીવ:RTE માટે 6 વર્ષની ઉંમર અને 6 લાખની આવક મર્યાદા : એક-બે નહીં, મહત્તમ શાળા પસંદ કરશો તો પ્રવેશની સંભાવના વધી જશે

બાળકને સારી ખાનગી શાળામાં ભણાવવાનું દરેક વાલીનું સપનું હોય છે. ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) અંતર્ગત આ સપનું સાકાર થઈ રહ્યું છે, પરંતુ ફોર્મ ભરતી વખતે નાનકડી ભૂલ બાળકના પ્રવેશમાં અવરોધ બની શકે છે. દિવ્ય ભાસ્કરે વાલીઓને મૂંઝવતા મુખ્ય પ્રશ્નોનો અભ્યાસ કરી તેના સચોટ ઉકેલ રજૂ કર્યા છે, જેથી તમારું બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે. મોટાભાગના વાલીઓ માત્ર 1 કે 2 જાણીતી શાળાઓ જ પસંદ કરે છે. જો ત્યાં સીટો ભરાઈ જાય, તો પ્રવેશ મળવાની શક્યતા શૂન્ય થઈ જાય છે. નિષ્ણાતોની સલાહ છે કે, તમારા ઘરથી 6 કિમીના દાયરામાં આવતી મહત્તમ શાળાઓ પસંદ કરો. શાળાનું નામ અને સરનામું ચકાસીને જ પસંદગીક્રમ આપો, જેથી અંતરના કારણે ફોર્મ રિજેક્ટ ન થાય. ઉકેલ : જાણો પ્રવેશ રદ ન થાય તે માટે ફોર્મ ભરવાથી લઈને સ્કૂલ પસંદગી સુધીની મહત્ત્વની બાબતો Q.1. ફોર્મ ભર્યા બાદ ભૂલ હોય તો શું કરવું?A. ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. Q.2. RTEમાં મેળવેલ પ્રવેશ રદ થઇ શકે ખરા?A. વાલીએ બાળકના રજૂ કરેલા ડોક્યુમેન્ટ શંકાસ્પદ હોય, ખોટા રજૂ કર્યા હોય, આવક મર્યાદા કરતા વધુ હોય છતાં પ્રવેશ લીધો હોય તો પ્રવેશ રદ પણ થઇ શકે છે. Q.3. ભાડાના મકાનમાં કયો પુરાવો માન્ય રહેશે?A. આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ- જો આ મુજબના આધાર પૈકી કોઈ એક હોય તો, રજિસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. Q.4. આંગણવાડીના બાળકે ક્યું પ્રમાણપત્ર આપવું?A. આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય તો આંગણવાડી વર્કર અથવા સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવાનો રહેશે. Q.5. શાળા પ્રવેશ આપવાની ના પાડે તો?A. તમે જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે DEO/DPEOની કચેરીમાં રૂબરૂ વાંધા અરજી આપવાની રહેશે. Q.6. પ્રથમ રાઉન્ડના અંતે અને બીજા રાઉન્ડ પહેલા શાળાની પસંદગીમાં ફેરફાર કરી શકાય?A. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ જ બીજા રાઉન્ડ માટે ફરી શાળા પસંદ કરી શકશે, પ્રવેશ ફાળવણી થયેલા વિદ્યાર્થીઓ ફરી પસંદગી કરી શકશે નહીં. Q.7. વય મર્યાદા અને આવક કેટલી હોવી જોઈએ.A. ધોરણ-1માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ 1લી જૂનના રોજ પ્રવેશ માટે 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. ગ્રામ્ય અને શહેરી બંને માટે રૂ.6 લાખની આવક મર્યાદા લાગુ પડશે. Q.8. મારે કેટલી શાળા પસંદ કરવી જોઈએ?A. વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે. Q.9. પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી રીતે થશે?A. દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણ કરાશે. Q.10. મારા બાળકે ધો.1નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, ફરીથી RTE હેઠળ ધો.1માં અરજી કરી શકાય?A. આપનું બાળક જો ધોરણ 1માં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહિ. Q.11. પ્રવેશ મળ્યા બાદ કોઇપણ ફી ભરવી પડશે?A. પ્રવેશ તદ્દન નિઃશુલ્ક છે. વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ, બૂટ, પુસ્તકો, પરિવહન ખર્ચ, સ્કૂલ બેગ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ માટે વિદ્યાર્થીદીઠ રૂ.3000 મળશે. Q.12. વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકીએ?A. કોઇ મહત્તમ સીમા નથી. 6 કિમી સુધીમાં આવેલી શાળાઓ પૈકી ગમે તેટલી શાળા પસંદ કરી શકો છો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:59 am

રીઢો ચોર ઝડપાયો:એસી કોચમાં જ ચોરી કરનારો ઝડપાયો, સાત ગુના ઉકેલાયા

પશ્ચિમ રેલવે અમદાવાદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રેનોના એસી કોચમાં ચોરી કરતા આંતરરાજ્ય રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાલુપુર રેલવે યાર્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપી કનૈયારામ ગરીબરામ (બિહાર)ને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પડાયો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 1.50 લાખની કિંમતની મોંઘી ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાત્રિના સમયે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસી કોચમાં મુસાફરો ઊંઘતાં હોય ત્યારે તેમના કિમતી સામાનની ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં અનેક ગુના નોંધાયેલા હતા. હાલની કામગીરી દરમિયાન વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ગુનો પણ ઉકેલવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ અન્ય સંભવિત ગુના અંગે પણ તપાસ શરૂ કરાઈ છે. આ શહેરોમાં ગુના નોંધાયા

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:56 am

કાનપુર-લખનઉ સેક્શનમાં મેગા ટ્રાફિક બ્લોક:અમદાવાદ-દરભંગા અને સાબરમતી મુજફ્ફરપુર ટ્રેનના રૂટમાં ફેરફાર

ઉત્તર રેલવેના કાનપુર-લખનઉ સેક્શનમાં બ્રિજ પર ચાલી રહેલી કામગીરીને કારણે 2 એપ્રિલથી 13 મે સુધી રેલવે દ્વારા મેગા ટ્રાફિક અને પાવર બ્લોક લેવાયો છે. આ બ્લોકને પગલે અમદાવાદથી સંચાલિત થતી બે ટ્રેનોના માર્ગમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર મુજબ ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ હવે કાનપુરથી પ્રયાગરાજ, પં. દીનદયાળ ઉપાધ્યાય અને પાટલીપુત્ર માર્ગે દોડશે, જેથી આ ટ્રેન લખનઉ, અયોધ્યા કેન્ટ, શાહગંજ અને છપરા સ્ટેશનો પર નહીં જાય. તે જ રીતે ટ્રેન નંબર 15270 સાબરમતી-મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ પણ આ સમય દરમિયાન લખનઉ, ગોંડા, બસ્તી, ખલીદાબાદ, ગોરખપુર, દેવરિયા સદર, ભટની, સીવાન અને છપરા સ્ટેશનો પર નહીં જાય. કેટલાક પેસેન્જરે કન્ફર્મ ટિકિટ હોવા છતાંય કેન્સલ કરવી પડશેરૂટ બદલાતા મહત્ત્વનાં સ્ટેશનો પરથી સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નહીં થાય, જેથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ હોવા છતાં યાત્રાના પ્લાનમાં ફેરફાર કરવો પડશે, જેમાં કેટલાકે કન્ફર્મ ટિકિટ હોવા છતાં રદ કરાવવી પડશે અથવા અન્ય સ્ટેશન પર ઊતરતા મુસાફરી સમયમાં વધારો થવાની પણ શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:55 am

મંડે પોઝિટીવ:અડાલજથી વૈષ્ણોદેવી વચ્ચે 10 કિમીમાં 7 સમાજનાં ભવનો બનશે

વૈષ્ણોદેવી વિસ્તારને એજ્યુકેશન હબ તરીકે જાહેર કરવા માટે 6 પ્રમુખ સમાજ પોતાના ભવન તૈયાર કરી રહ્યા છે. વૈષ્ણોદેવીથી અડાલજ સુધીના 10 કિલોમીટરમાં 6 મોટા ભવન તૈયાર થઈ રહ્યા છે. વર્ષ 2028 સુધીમાં આશરે 1 હજાર કરોડમાં આ તમામ ભવનો તૈયાર થશે, જેમાં અભ્યાસને લઈને સમાજની સ્કૂલો, કોલેજો, ભવનની સાથે તાલીમ સેન્ટરના હેતુથી આ તમામ ભવન બનશે. અડાલજમાં સૌથી મોટું ભવન આંજણા ચૌધરી સમાજનું ત્યારે સૌથી ઊંચું પ્રજાપતિ સમાજનું ભવન તૈયાર થશે. અડાલજ એ અમદાવાદ, ગાંધીનગર, તેમ જ ઉત્તર ગુજરાતથી સેન્ટરમાં પડતું હોવાના લીધે અગ્રણી તમામ સમાજ પોતાના ભવન તૈયાર કરે છે. ચૌધરી સમાજ ભવન: 300 કરોડ ખર્ચપહેલી વાર દેશના તમામ જાટ, આંજણા અને ચૌધરી સમાજના વિદ્યાર્થીઓને એથલીટની તૈયારીઓ તેમ જ સરકારી પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે 300 કરોડના ખર્ચે આ ભવન માત્ર 3 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવશે. અભ્યાસની સાથે શારીરિક સક્ષમતાની પણ તાલીમ આપવામાં આવશે. (ઉપપ્રમુખ: નાનજી ચૌધરી) પ્રજાપતિ સમાજ ભવન: 250 કરોડ ખર્ચપ્રજાપતિ સમાજના સૌથી વધારે વસ્તી ઉત્તર ગુજરાત તેમ જ અમદાવાદમાં રહેતી હોવાથી અડાલજમાં ભવન બનવાનું નક્કી કરાયું, સાથે સાથે પહેલીવાર માત્ર સમાજની દીકરીઓ માટે કોલેજોનું નિર્માણ કરાશે. તમામ વિદ્યાર્થીઓ માટે એક પણ રૂપિયાનું ટોકન કે ફી લેવામાં આવશે નહીં. ભવન-હોસ્ટેલની સાથે કોલેજોનું નિર્માણ કરાશે. સમાજના એક સાથે 500થી વધારે વિદ્યાર્થીઓને ઉતારો આપવામાં આવશે. (પ્રમુખ: અનિલ પ્રજાપતિ) ઠાકોર સમાજ ભવન: 35 કરોડ ખર્ચગાંધીનગર તેમ જ અડાલજમાં ઠાકોર સમાજની વસ્તી વધુ હોવાના કારણે, તેમ જ સમાજના વિદ્યાર્થીઓનું ઓછું ભણતર હોવાના લીધે અડાલજમાં ભવનનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અડાલજની સાથે ગાંધીનગરમાં ઠાકોર સમાજનું ભવન તૈયાર કરાશે. રબારી સમાજ ભવન: 65 કરોડ ખર્ચવૈષ્ણો દેવી સર્કલ ખાતે અંતિમ 2 વર્ષથી સમાજ દ્વારા રેક્ટ ભવન તૈયાર કરાય છે, આ ભવન 8 માળ ઊંચું હશે. ગાંધીનગર, અમદાવાદ અને ઉત્તર ગુજરાત જવા માટે સેન્ટર પડતું હોવાથી સમાજના અગ્રણીઓ દ્વારા ભવન બનાવવાનું નક્કી કરાયું છે. સમાજના વિદ્યાર્થીઓ માટે હાલ નાનું સેન્ટર ચાલુ છે. ભવન માટે સમાજના અગ્રણીઓએ દાનમાં જમીન આપી છે. (પ્રમુખ: મુકેશભાઈ રબારી ભાંડુ) પાટીદાર સમાજ ભવન: 150 કરોડ ખર્ચસરદાર ધામ સંસ્થા અંતિમ 10 વર્ષથી સમાજના વિદ્યાર્થીઓ માટે કાર્ય કરે છે. વૈષ્ણોદેવી સર્કલમાં સમાજની દીકરીઓ માટે માત્ર 1 રૂપિયાના ટોકનમાં 14 માળ ઊંચું ભવન તૈયાર કર્યું છે. આ સંસ્થા માત્ર સમાજની દીકરીઓ માટે કાર્ય કરે છે, જેમાં સરકારી તાલીમ ઉપર ફોકસ કરે છે. 100થી વધુ અગ્રણીઓ આ ભવન માટે સેવા આપી રહ્યા છે. સંસ્થા દ્વારા 5 વર્ષ પહેલા પણ મહિલા ભવનનું ફેઝ વન તૈયાર કરાયું હતું. (પ્રમુખ: ગગજી સુતરીયા) પટેલ સમાજ ભવન: 2 હજાર કરોડ ખર્ચવિશ્વ ઉમિયા ધામ માત્ર પાટીદાર સમાજની સાથે સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે કાર્ય કરે છે. અડાલજના જાસપુરમાં સૌથી મોટા ભવનની સાથે તમામ સમાજના વિદ્યાર્થીઓને આ ભવનમાં સ્થાન આપવામાં આવશે. તેમ જ દેશ ભરના પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને આ ભવનમાં ઉતારો અપાશે. (પ્રમુખ: આરપી પટેલ) મોદી સમાજ ભવન: 30 કરોડ ખર્ચમોદી સમાજની વૈષ્ણોદેવીમાં મહિલા ભવન તૈયાર કરી રહી છે, આ પ્રકારનું મહિલા ભવન પહેલીવાર તૈયાર થઈ રહ્યું છે. આ ભવનમાં વિધવા, નિરાધાર તેમ જ સમાજની દીકરીઓને ઉતારો આપવામાં આવશે. ભવનમાં ઓછા દરે ઉતારોની વ્યવસ્થા કરાઇ છે. (પ્રમુખ: દિલીપ મોદી)

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:51 am

વાલોડના ખેડૂતનો ખેતીમાં પણ AI નો ઉપયોગ:પાકમાં સંભવિત રોગ, હવામાં ભેજ, વાતાવરણની આગોતરી જાણકારી

પરંપરાગત ખેતી જ્યારે ખર્ચાળ બની રહી છે, ત્યારે સુરત જિલ્લાના ઓવિયાણ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત જીગર દેસાઈએ ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીનો સમન્વય કરી નવો રાહ ચિંધ્યો છે. વાલોડ અને શિકેર ગામે 12 હેક્ટર જમીનમાં આધુનિક AI અને સજીવ ખેતીના જોરે તેમણે 'આજાજી' બ્રાન્ડ સ્થાપિત કરી છે. 15 હજાર આંબાની કલમ, 1500 નાળિયેરી,અને 4500 ડ્રેગન ફૂટની ખેતી કરે છે. તેમની સફળતાની કહાની તેમના જ શબ્દોમાં.... મેં તાપી જિલ્લાના શિકેર ગામમાં આવેલી મારી ખેતીમાં આધુનિક AI ટેકનોલોજી અપનાવી છે. આ યંત્ર જમીનમાં આવનારા સંભવિત રોગ, વરસાદની આગાહી, હવામાં ભેજ અને તાપમાનની ચોક્કસ વિગતો મારા મોબાઈલ પર આપે છે. આ આગોતરી જાણકારીને કારણે પાકને થતું નુકસાન હું અટકાવી શકું છું અને દવાનો બિનજરૂરી ખર્ચ બચે છે. આ ટેકનોલોજી જ જમીન અને પાક વચ્ચેનો સેતુ બની છે. મારા ફાર્મમાં મુખ્યત્વે કેરીનો પાક છે. મેં 10 બાય 10 ફૂટના અંતરે જમ્બો કેસરની 3500, કેસરની 3000, દશેરીની 1000, તોતાપુરી 1000, સોનપરી 6000, હાફૂસ 50, રાજાપુરી 200 અને વિશ્વપ્રખ્યાત મિયાઝાંકીની 15 હજાર કલમો રોપી છે. ખેતરની બોર્ડર પર 1500 રક્તચંદન, 700 નારિયેળ અને આંતરપાક તરીકે 4500 ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરી મેં જમીનનો એક-એક ઇંચ ઉપયોગ કર્યો છે. અમે જીવામૃત, અમૃત પાણી અને દશ પર્ણ અર્ક જેવા જૈવિક ખાતરો જાતે જ બનાવીએ છીએ. વેસ્ટ કમ્પોઝર જેવી પ્રોડક્ટ્સથી ઇનપુટ કોસ્ટમાં મોટો ઘટાડો થયો છે. વર્ષ 2023-24માં અમને ₹65 લાખની આવક થઈ હતી, જેની સામે ખર્ચ માત્ર ₹15-17 લાખ જ હતો. ગત વર્ષે ખરાબ હવામાન છતાં અમે ₹40 લાખની આવક મેળવી અમારી ક્ષમતા સાબિત કરી છે. મૂલ્યવર્ધન અને આંતરરાષ્ટ્રીય ઓળખજિગરભાઇ જણાવે છે કે, અમે માત્ર ફળ જ નહીં, પરંતુ કેસર કેરીનો પાવડર, રસ અને ડ્રેગન ફ્રૂટ પાવડર બનાવીને સીધું વેચાણ કરીએ છીએ. અમારું ફાર્મ ઓર્ગેનિક સર્ટિફાઇડ છે, જે વિદેશમાં નિકાસ માટે સક્ષમ છે. મને અત્યાર સુધીમાં 27 એવોર્ડ મળ્યા છે, જેમાં ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત સરદાર પટેલ એવોર્ડ મુખ્ય છે. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગત...9824110106 આ સમાચાર અન્યોને પણ શૅર કરો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:51 am

મ્યુનિ. સ્ટડી ટૂરના નામે પિકનિક:5 અધિકારી સ્ટડી ટૂરના નામે વિદેશ ફરી આવ્યા, નિવૃત્ત થયા પણ રિપોર્ટ ન આપ્યો

મ્યુનિ. સ્ટડી ટૂરના નામે અધિકારીઓને વિદેશ પ્રવાસે મોકલે છે પરંતુ આ પ્રવાસો માત્ર ‘પિકનિક’ બનીને રહી ગયા હોય તેમ જણાય છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ પંકજ ભટ્ટે માગેલી માહિતી મુજબ, 2016 થી 2018 દરમિયાન 5 ઉચ્ચ અધિકારી (તત્કાલીન મેયર સહિત) મ્યુનિ.ના લાખોના ખર્ચે સ્પેન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની મુલાકાતે ગયા હતા. નિયમ મુજબ, વિદેશથી પરત આવ્યા બાદ ત્યાં શીખેલી બાબતોનો ‘લર્નિંગ રિપોર્ટ’ સોંપવો અનિવાર્ય છે, જેથી અન્ય અધિકારીઓ પણ તેનો લાભ લઈ શકે. જોકે, આ 5 અધિકારીઓએ વર્ષો વિતવા છતાં કોઈ અહેવાલ આપ્યો નથી. મ્યુનિ. કમિશનરે 2018માં અને ત્યારબાદ છેક 2024માં ફરી પરિપત્ર કરીને અહેવાલ માગ્યો હોવા છતાં અધિકારીઓએ આપ્યો નથી. આ પૈકીના કેટલાક અધિકારીઓ હવે નિવૃત્ત થઈ ગયા છે, છતાં તેમની જવાબદારી નક્કી કરાઈ નથી. ટ્રાન્સપોર્ટેશન-હેરિટેજના પાઠ ભણવા માટે પ્રજાના 5 લાખનો ધુમાડો કર્યો

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:49 am

પાર્કિંગ મુદ્દે મ્યુનિ.નું કડક વલણ:સોસાયટીઓ વધારાની પાર્કિંગની જગ્યા ભાડે આપી શકશે, દબાણ નથી તેનું સેલ્ફ ડેક્લેરેશન આપવું પડશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા નિવારવા નવી ગાઈડલાઈન અમલી બનાવવામાં આવી છે. હવે સોસાયટી કે કોમર્શિયલ બિલ્ડિંગના માર્જિનમાં દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. જો બીયુ પરમિશન વખતે દર્શાવેલી પાર્કિંગની જગ્યાનો અન્ય ઉપયોગ થતો જણાશે, તો બિલ્ડિંગની મંજૂરી રદ થઈ શકે છે. દરેક સોસાયટીએ દર વર્ષે પાર્કિંગ દબાણમુક્ત હોવાનું ‘સેલ્ફ ડેક્લેરેશન’ આપવું ફરજિયાત રહેશે. સોસાયટીઓ માટે કમાણીની તક પણ છે. જો વધારાની પાર્કિંગની જગ્યા હોય, તો તેઓ કોર્પોરેશનના માધ્યમથી અન્ય લોકોને ભાડે આપી શકશે, જેનું ભાડું સોસાયટી પોતે નક્કી કરશે. રોડ પર અનધિકૃત પાર્કિંગ ન થાય તે માટે સોસાયટીએ વોચમેન રાખવો પડશે અને મુલાકાતીઓના વાહનો બિલ્ડિંગની અંદર જ પાર્ક થાય તે સુનિશ્ચિત કરવું પડશે. જૂની બિલ્ડિંગો માટે મુલાકાતી પાર્કિંગની વ્યવસ્થા કરવી એક પડકાર રહેશે, પરંતુ આ નવી પોલિસીથી રોડ પરનું દબાણ ઘટશે. પાર્કિંગની માહિતી એપ પર જાહેર કરવી પડશે

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:47 am

ખાદ્યતેલના ભાવમાં ઉછાળો:છેલ્લા દોઢ માસમાં સિંગતેલમાં ડબે રૂ.150 અને કપાસિયામાં રૂ.240નો વધારો થયો

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પામતેલની આયાત ઓછી થવાથી તેની અસર સ્થાનિક બજારમાં પડી છે. છેલ્લા દોઢ મહિનામાં સિંગતેલમાં ડબે રૂ.150 અને કપાસિયામાં રૂ.240નો વધારો થયો છે. ભાવ વધારાના કારણે શહેરમાં રોજ 5.84 કરોડનો વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચેના ગાળામાં લગભગ તમામ મુખ્ય તેલોમાં વધારો નોંધાયો છે. સિંગતેલના ભાવ રૂ. 2,950થી વધીને રૂ. 3,100 થયા છે એટલે કે રૂ. 150નો વધારો થયો છે. કપાસિયા તેલમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો છે, જેમાં રૂ. 2,320થી વધીને રૂ. 2,560 સુધી પહોંચી રૂ. 240નો વધારો થયો છે. તાજેતરમાં જ સિંગતેલમાં રૂ. 10 અને કપાસિયા તેલમાં રૂ. 20નો થયો છે. ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ વેપારી મહામંડળના પૂર્વ પ્રમુખ બિપિન શાહનું કહેવું છે કે, કુલ વધારામાંથી રૂ.70થી 80નો વધારો માત્ર યુદ્ધના પ્રભાવના કારણે થયો છે. આ પરિસ્થિતિ પાછળ કાચા માલની અછત પણ મહત્વનું કારણ છે. શહેરમાં સિંગતેલના રોજના 3 હજાર, કપાસિયા તેલના 12 હજાર, સનફ્લાવના 10 હજાર, પામતેલના 25 હજાર અને સરસવના 5 હજાર ડબાનું વેચાણ થાય છે. ભાવ વધારાના કારણે અમદાવાદીઓ પર રોજના 5.84 કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક બોજો પડ્યો છે. પામતેલમાં સૌથી વધુ રૂ.280નો વધારો નોંધ : બે માસમાં તેલના ડબ્બે થયેલા ભાવ વધારો રૂપિયામાં છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:46 am

મંડે પોઝિટીવ:પોલીસ સ્ટેશન, કોર્ટના ધક્કાનું વિચાર્યા વિના અકસ્માતમાં લોહીલુહાણ બે લોકોને હોસ્પિટલ પહોંચાડી ‘રાહવીર’ બન્યા, સરકારે સન્માનિત કર્યા

અકસ્માત સર્જાય ત્યારે લોકો પોલીસ કાર્યવાહી કે કોર્ટના ધક્કાથી ડરી મદદ કરવાનું ટાળે છે, પણ શહેરના બે રાહવીરે તેની ચિંતા કર્યા વગર અકસ્માતમાં ઘવાયેલા લોકોની મદદે આવ્યા હતા. આ કામગીરી બદલ જિલ્લા કલેક્ટર કચેરીએ ‘રાહવીર યોજના’ અંતર્ગત બંનેને 25-25 હજાર ઇનામ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે. એક રાહવીરે બાવળા હાઈવે પર અકસ્માતમાં કચ્ચરધાણ નીકળી જવા છતાં ગેસ કટરથી કાપી જીવિત લોકોને બહાર કાઢ્યા હતા. બીજા રાહવીરે સનાથલ સર્કલ પરના અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો હતો. કિસ્સો 1: બાવળા હાઈવે પર કારમાં ફસાયેલા ડ્રાઈવરનું બચવું મુશ્કેલ હતુંબાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ડ્રાઈવર લોખંડનાં પતરાં વચ્ચે ફસાયો હતો. એ સમયે બાવળાના ‘રાહવીરે’ ત્યાં પહોંચી જોયું કે ઈજાગ્રસ્તના શ્વાસ ખૂટી રહ્યા છે. એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની રાહ જોવામાં જો મોડું થશે તો જીવને જોખમ છે. યુવકે તાત્કાલિક ગેસ કટરની વ્યવસ્થા કરી એકત્ર થયેલા લોકોની મદદથી ગેસ કટરથી કારના પતરાં કાપી જીવ બચાવ્યો હતો. એક નાની ભૂલ ઈજાગ્રસ્તનો જીવ લઈ શકત, પણ ચોકસાઇથી કામ કરતા ભારે જહેમત બાદ લોખંડના પતરાં કાપી ઈજાગ્રસ્તને બહાર કાઢી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાતા તેનો જીવ બચ્યો હતો. કિસ્સો 2: સનાથલ સર્કલ પાસેના યુવતી વાહનની ટક્કરે ફંગોળાતા ઈજા થઈ હતીસનાથલ સર્કલ પાસે અકસ્માતની બીજી ઘટનામાં સાંજે 4થી 5 વાગ્યા વચ્ચે ટ્રાફિકમાં એક 20 વર્ષની યુવતી પૂરપાટ વાહનની અડફેટે આવતાં હવામાં ફંગોળાઈને રોડ પર પટકાઈ હતી. રજાના કારણે રસ્તા સૂમસામ હોવાથી યુવતીની મદદ કરનાર કોઇ જણાતું નહોતું. આ સમય દરમિયાન નોકરીએથી પરત ફરતી એક વ્યક્તિએ ગંભીર ઇજાગ્રસ્ત યુવતીને જોતાં જ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રસ્તામાં એમ્બ્યુલન્સ મળતા સોલા સિવિલ હોસ્પિટલ લઈ જતા તેને સમયસર સારવાર મળી ગઈ હતી. અત્યાર સુધી 85 રાહવીરને 6.18 લાખ ચૂકવાયાઅકસ્માતના એક કલાકની અંદર જ ઇજાગ્રસ્ત વ્યક્તિને જો કોઇ વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડે તો તેને પ્રોત્સાહન અપાય છે. આ રકમ પહેલા 5 હજાર હતી, તેને વધારીને 25 હજાર કરાઇ છે. ગુજરાતમાં 2023થી જાન્યુઆરી 2026 સુધીમાં 85 રાહવીરને 6.18 લાખની સહાય અપાઇ છે. મગજ-કરોડરજ્જુની ઈજા, મોટી સર્જરી કે દર્દીને 3 દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવાના ગંભીર કિસ્સામાં આ સહાય મળે છે. આ સ્થિતમાં સારવાર દરમિયાન મૃત્યુ થાય તો પણ રાહ-વીર સહાયને પાત્ર છે. 50% મોત સમયસર સારવારના અભાવે થયા

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:42 am

મંડે પોઝિટીવ:જંગલમાં પિતા- પુત્રએ 6000 લીટર પાણીથી પશુ-પક્ષીઓ માટે કુંડ ભર્યા

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની ગરમીમાં જંગલમાં રહેતા પ્રાણીઓ, પક્ષીઓને પીવા માટેના પાણીની તકલીફ ન પડે તેની ચિંતા જડીયાલ ગામના પિતા- પુત્રએ કરી છે. જેઓ સ્વખર્ચે પોતાનું ટ્રેકટર અને ગ્રામ પંચાયતના ટેન્કરમાં પાણી ભરી વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા કુંડ પાણીથી ભરી રહ્યા છે. અત્યાર સુધીમાં 6000 લીટર પાણી તેમણે પ્રાણી પક્ષીઓને પીવડાવ્યું છે. પાલનપુર તાલુકાના જડીયાલ ગામના સામાજીક કાર્યકર ખેડૂત અને જીવદયા પ્રેમી સમીરભાઇ દેસાઇ અને તેમના પુત્ર મિતેશ દર વર્ષે ઉનાળામાં સેવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતુ કે, અસહ્ય ગરમીમાં મનુષ્યો તો ઠીક, અબોલ પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની છે. આવી વિકટ પરિસ્થિતિમાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતા જ જંગલમાં જઇએ છીએ. આ વખતે 2000 લીટર પાણીના ત્રણ ટેન્કર દ્વારા કુલ 6000 લીટર પાણી કુંડમાં ભર્યું છે. ગયા વર્ષે 50 પાણીના કુંડા પણ ઝાડ ઉપર બાંધી તેમાં પાણી ભર્યુ હતુ. આ કામગીરી ઉનાળામાં પશુ-પક્ષીઓ પાણીની શોધમાં માનવ વસાહત તરફ ન ફંટાય અને જંગલમાં જ તેમને ખોરાક-પાણી મળી રહે તે હેતુથી અમે આ પ્રયાસ કર્યો છે. રાની પશુઓ માટે આશીર્વાદરૂપ સેવાજડીયાલનું જંગલ રીંછ, દીપડા, નીલગાય, શિયાળ અને વાંદરા જેવા પ્રાણીઓનું નિવાસસ્થાન છે. ઉનાળામાં કુદરતી જળસ્ત્રોત સુકાઈ જતાં આ પ્રાણીઓ ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે સમીરભાઈ અને મિતેશભાઈ દ્વારા ભરાતા આ પાણીના કુંડ આ વન્યજીવો માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:38 am

ટેક્સ ચોરી પકડવા સેટેલાઇટ સોફ્ટવેર સિસ્ટમ ઊભી કરાશે:હવે ‘ઉપરવાળો’ બધું જોશે!

ગુજરાતના આવકવેરા વિભાગ અને ઇસરો વચ્ચે ટેક્સ સંબંધિત માહિતીના આદાનપ્રદાન માટે એમઓયુ થયા છે. એમઓયુ મુજબ, એક સોફ્ટવેર ટુલ્સ કે મોડેલ બનાવાશે, જે ટેક્સના વહીવટતંત્ર અને ટેક્સ નિયમોના પાલન માટે સેટેલાઇટ તસવીરનો ઉપયોગ કરશે, એટલે કે સેટલાઇટ ડેટા દ્વારા કરચોરી પકડવામાં આવશે. હાલમાં ખેતીની જમીન બાબતે મુખ્ય બે રીતે ટેક્સ ચોરી થાય છે: ખેતી કર્યા વગર કૃષિ આવક બતાવવી અને બીજું જમીન વેચાણમાં કેપિટલ ગેઇન બચાવવા બિનખેતીને કૃષિ જમીન બતાવવી અને બીજું જમીન વેચાણમાં કેપિટલ ગેઇન બચાવવા માટે બિનખેતી જમીનને કૃષિ તરીકે દર્શાવવી. હવે સેટેલાઇટ ડેટાના એનાલિસિસથી આ બંને ગેરરીતિઓ સરળતાથી પકડાશે. રિમોટ સેન્સિંગ દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ અને ડેટા પરથી પાકનો પ્રકાર, તેની વૃદ્ધિ, જમીન લીલી છે કે સૂકી આ બધું જાણી શકાય છે. એટલે કે સેટેલાઇટ ઇમેજના ઉપયોગથી ખેતીની જમીનની ખરાઇ થઇ શકશે અને ખોટી કૃષિ આવક બતાવી ટેક્સ ચોરી કરનાર પર લગામ લાગશે. આ એમઓયુ થવાથી રિમોટ સેન્સિંગ ડેટાથી ઇન્કમ ટેક્સ રિટર્નની સ્ક્રુટિની વધુ ચોક્કસ બનશે. ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ અને માઈક્રોવેવ રડાર સેટેલાઈટઆ ટેક્નોલોજીમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને માઇક્રોવેવ રડાર સેટેલાઇટનો ઉપયોગ થશે, જે 3-5 વર્ષ સતત માહિતી આપશે. ઉપરાંત 15-20 વર્ષનો ડેટા હોવાથી લાંબા ગાળાની તપાસ થઇ શકશે. ડેટાનો ઉપયોગ સાચા ખેડૂતો પોતાના હિત માટે કરી શકશે. કોઈ સાચી ખેતી કરે છે, તો ડેટાના આધારે પોતાની આવકને સાબિત કરી ખોટા કેસથી બચી શકશે. ‘આ માટે ખાસ એપ-પોર્ટલ તૈયાર જેમાં અધિકારીઓને જમીનનો ઈતિહાસ દેખાશે’નોર્મલાઇઝ્ડ ડિફરન્સ વિજિટેશન ઇન્ડેક્સ (NDVI) ટેકનોલોજીથી પાકની સ્થિતિનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન થાય છે. જો કોઈ કરદાતા 5 વર્ષથી ખેતી બતાવે પરંતુ સેટેલાઇટ ડેટામાં જમીન સૂકી દેખાય, તો તરત જ શંકા ઊભી થાય છે. આ માટે ખાસ એપ અને પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી અધિકારીઓ સીધા જ જમીનનો ઇતિહાસ જોઈ શકે. અગાઉ 2થી 5 વર્ષ જૂના રિટર્ન ચકાસવામાં આવકવેરા અધિકારીઓને મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે સેટેલાઇટ ડેટાથી તપાસ ઝડપી બનશે. > નિલેશ દેસાઇ, ડાયરેક્ટર, ઇસરો ભાસ્કર ઇનસાઇડ: કેવી રીતે ખેતીની જમીન બતાવી ટેક્સ ચોરી થાય છે? ખોટી પેમેન્ટ સ્લિપ રજૂ કરીને: જો જમીન વેચતા પહેલા ઓછામાં ઓછા બે વર્ષ સુધી તેના પર ખેતી થઈ હોય, તો કેપિટલ ગેઈન ટેક્સમાં મુક્તિ મળે છે. પરંતુ કેટલાક લોકો બંજર જમીન વેચે છે જેના પર ક્યારેય પાક લેવાયો નથી. તેઓ ટેક્સ બચાવવા બનાવટી પેમેન્ટ સ્લિપ રજૂ કરે છે. ખેતીના ખર્ચમાં વધારો બતાવવો: ટેક્સ બચાવવા માટે કેટલાક લોકો ખેતી માટે બિયારણ, ખાતર અને મજૂરીના ખોટા બિલો બનાવીને વધુ પડતો ખર્ચ દર્શાવે છે. આનાથી તે જમીન પર થતો નફો ઓછો દેખાય છે, જેનો ઉપયોગ અન્ય કાળા નાણાંને એડજસ્ટ કરવા માટે થાય છે. જમીનની કિંમત ઓછી દર્શાવવી: જમીન વેચતી વખતે તેની સાચી બજાર કિંમત કરતાં દસ્તાવેજમાં ઓછી કિંમત દર્શાવવામાં આવે છે. બાકીની રકમ રોકડમાં લેવામાં આવે છે, જેના પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ ભરવો પડતો નથી. જમીનનો બિન-ખેતી ઉપયોગ છુપાવવો: ઘણીવાર જમીન માલિકો જમીનનો ઉપયોગ વાણિજ્યિક કે રહેણાંક હેતુ માટે કરતા હોય છે, પરંતુ કાગળ પર તેને ખેતીની જમીન તરીકે જ દર્શાવે છે. અન્ય વ્યવસાયની આવકને ખેતીની આવક ગણાવે છે. પાક વીમા ક્લેઇમનું પણ આકલન થઇ શકશેઆ ટેકનોલોજીનો ઉપયોગ કરચોરી પકડવા પૂરતો જ નહીં, ક્રોપ ઇન્સ્યોરન્સ ક્લેઇમમાં પણ થશે. પાકની વૃદ્ધિ, સિઝનલ ફેરફારના આધારે ક્લેઇમ નક્કી થઈ શકશે. આ ઉપરાંત ખોટા ક્લેઇમ પર નિયંત્રણ આવશે. કેટલું નુકસાન થયું તે ચોક્કસ માપી શકાય છે. ખેડૂતો દાવો સાબિત કરી શકે છે અને સરકાર પણ સચોટ રીતે ક્લેઇમ નક્કી કરી શકે છે, જેથી પારદર્શિતા વધશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:35 am

પોલીસ કાર્યવાહી:3 સ્થળેથી દારૂની 12 બોટલ સાથે યુવતી સહિત 3 ઝડપાયા

મૂળ રાણાવાવના અણીયારી ગામે અને હાલ જૂનાગઢ રહેતી ક્રિષ્નાબેન શામજી ભરડવા નામની યુવતી કુતિયાણાના ચૌટા ચેક પોસ્ટ પાસેથી પસાર થતા પોલીસે શંકાના આધારે તપાસ કરતા આ યુવતીના કબ્જા માંથી વિદેશી દારૂની 2 બોટલ મળી આવતા પોલીસે તેને ઝડપી લઇ કુલ રૂ. 3510નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત બીજા કેસમાં પોરબંદરના વેકુરડી પ્લોટ જાહેરપીરની દરગાહ સામે રહેતો નરશી વેલજી સીકોતરા નામના શખ્સને તેના ઘર નજીકથી પોલીસે શંકાના આધારે તલાસી લેતા શખ્સના કબ્જા માંથી વિદેશી દારૂની 6 બોટલ મળી આવતા પોલીસે તેને ઝડપી લઇ કુલ રૂ.4080નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત પારેખ ચકલા સોની બજારમાં રહેતો ચંદ્રેશ હેમેન્દ્ર પારેખ નામનો શખ્સ ગાયવાડી જાહેર શૌચાલય પાસે હતો ત્યારે પોલીસે શંકાના આધારે તલાસી લેતા શખ્સના કબ્જા માંથી વિદેશી દારૂની 4 બોટલ મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઇ કુલ રૂ.2600નો મુદ્દામાલ કબ્જે કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, વધુ એક અન્ય બનાવમા પોરબંદર જિલ્લામાં દારૂની બદી દૂર કરવા જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ, ચેકીંગ અને બાતમી આધારે દરોડા પાડવામાં આવે છે ત્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં દારૂ અંગેના 30 કેસ નોંધાયા હતા, જેમાં 13 શખ્સ નશો કરેલ હાલતમાં મળી આવતા, પોલીસે તેઓની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય 17 કેસમાં પોલીસે 108 લિટર દેશી દારૂ અને ભઠ્ઠી સહિત કિંમત રૂ.27,550નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

બાઇક ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો:માધવપુરમાંથી વધુ એક બાઈક ચોરી થતા ફરિયાદ

માધવપુર ગામે ગદાવાવ ઝાંપા વિસ્તારમાં પાતા ગામના આધેડે પોતાનું બાઇક પાર્ક કર્યું હતું જે બાઈક ચોરી થઈ જતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પાતા ગામે દડ વિસ્તારમાં રહેતા ભીખુભાઈ લાખાભાઇ પરમાર નામના આધેડે પોતાનું GJ 25 R 3131 નંબરનું બાઇક ગત તા.29/3ના રોજ માધવપુરમાં ગદાવાવ ઝાંપા પાસે બેન્કની સામે આવેલ કોમ્પલેક્ષના પાછળના ભાગે ગલીમાં પાર્ક કર્યું હતું. અને પરત લેવા જતા આ બાઇક મળી આવેલ ન હતું. જેથી આધેડે શોધખોળ કરી હતી પરંતુ બાઇક કોઈ શખ્સ ચોરી કરી લઈ ગયો હોય જેથી આધેડે પોલીસમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી વધુ આગળની તપાસ માધવપુર પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

મંડે પોઝિટીવ:બસસ્ટેશનથી ગેબનશા પીર સુધી રિવરફ્રન્ટ લંબાવવાનું કામ મંજૂર થયું હતું

સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા છે. દિવસે ને દિવસે વધતી જતી વસતી અને વાહનોને કારણે આ સમસ્યા ઘટવાની જગ્યાએ વધી રહી છે. ત્યારે તંત્ર દ્વારા બસ સ્ટેશનથી ગેબનશા પીર સુધી નદીના કાંઠે રૂ.50 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. તેનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસથી આર્ટસ કોલેજના ઢાળ સુધી પહેલા રિવરફ્રન્ટ બનાવ્યો હતો ત્યારબાદ આર્ટસ કોલેજના ઢાળથી બસ સ્ટેશન સુધી આ રિવરફ્રન્ટને લંબાવવામાં આવ્યો હતો હવે અત્યારે બસ સ્ટેશનથી વઢવાણ ગેબન સા પીરની દરગાહ સુધી લંબાવવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી ગેબશા પીરની દરગાહ સુધી રિવરફ્રન્ટની કામગીરી લંબાવવાનો મનપાએ નિર્ણય લીધો હતો. તેના માટે રૂ.50 કરોડ મંજૂર પણ કર્યા હતા. ટેન્ડર સહિતની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. શહેરમાં 50 ટકા ટ્રાફિક હળવો થશે સુરેન્દ્રનગર અને વઢવાણ આ બે જોડીયા શહેરના અંદાજે 4 હજારથી વધુ લોકો સુરેન્દ્રનગરથી વઢવાણ અને વઢવાણથી સુરેન્દ્રનગર આવતા જતા હોય છે. તે તમામ લોકોને હાલ ગેબનશા પીરથી બસ સ્ટેશન વાળા રોડ ઉપરથી જ આવવું પડે છે. ત્યારે આ રસ્તો બની ગયા બાદ શહેરના મુખ્ય રસ્તા ઉપર 50 ટકાથી વધુ ટ્રાફિક ઘટી જશે. આ કામ પોરબંદરની બેગબોન કંપનીને આપવામાં આવ્યું છે. કંપની દ્વારા રિવરફ્રન્ટ બનાવવાની કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. 2.5 કિમીની લંબાઇ ધરાવતા આ રિવરફ્રન્ટમાં બંને બાજુ 7 મીટર પહોળો રસ્તો બનશે. રસ્તાની વચ્ચે ડિવાઇડર, લોકોને ચાલવા માટે ફૂટપાથ અને સ્ટ્રીટલાઇટો પણ નાખવામાં આવશે. કંપનીએ એક વર્ષમાં આ રસ્તાનું કામ પૂર્ણ કરવાનું રહેશે. રિવરફ્રન્ટને કાંઇ પણ થશે તો 3 વર્ષ સુધીનો ગેરેન્ટી પિરિયડ રહેશે. દરમિયાન તમામ જવાબદારી કન્સ્ટ્રક્શન કંપનીની રહેશે. આ કામ પૂર્ણ થઇ ગયા બાદ ખાસ કરીને નદી કાંઠે આવેલા વિસ્તારનો પણ વિકાસ થશે. ચોમાસામાં ભોગાવો નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે લોકોને પાણી સામે રક્ષણ પણ મળશે. શહેરમાં 50 ટકા ટ્રાફિક હળવો થશે‎સુરેન્દ્રનગર અને વઢવાણ આ બે જોડીયા શહેરના અંદાજે 4 હજારથી‎વધુ લોકો સુરેન્દ્રનગરથી વઢવાણ અને વઢવાણથી સુરેન્દ્રનગર આવતા‎જતા હોય છે. તે તમામ લોકોને હાલ ગેબનશા પીરથી બસ સ્ટેશન‎વાળા રોડ ઉપરથી જ આવવું પડે છે. ત્યારે આ રસ્તો બની ગયા બાદ‎શહેરના મુખ્ય રસ્તા ઉપર 50 ટકાથી વધુ ટ્રાફિક ઘટી જશે.‎ જગ્યાએ 15 મીટર ખાડા કરીને ટેસ્ટિંગ કરાશેઅત્યારે રિવરફ્રન્ટમાં સોએલ ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. 3 જગ્યાએ 15 મીટર ઉંડા ખાડા કરવામાં આવશે.અને ત્યાંથી રેતી અને માટીના સેમ્પલ અમદાવાદ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. જેના આધારે જમીન કેટલી પોચી છે તે નક્કી થશે. ત્યાર બાદ રિવરફ્રન્ટ માટે કેટલી જાડી દીવાલ બનાવવી તે નક્કી કરવામાં આવશે. - દેવાંગભાઇ, સુપરવાઇઝર

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસિસ‎:ભાજપના 6 આકરા નિયમથી 60% દાવેદારોની ટિકિટ કપાશે

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયામાં 52 બેઠક માટે 491 લોકોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે ભાજપના ઉમેદવાર પસંદગીના 6 આકરા નિયમોના પગલે 60 ટકા એટલે કે, 256 દાવેદારોની ટિકિટ કપાઇ શકે તેમ છે. તેમાંય વર્તમાન સમયે નો રિપીટ થિયરીની પણ વાતો ચાલી રહી છે. જો તેનું સંપૂર્ણ પાલન થાય તો 80% લોકોને ઘરે બેસવાનો વારો આવશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 491 લોકોએ 52 બેઠક માટે ટિકિટની દાવેદારી કરી છે. ત્યારે ભાજપે 3 ટર્મ ચૂંટણી લડી ચૂકયા હોય, જન પ્રતિનિધી સાથે લોહીના સબંધ ધરાવતા હોય, એમપી, એમએલએ, નગરસેવકના પરિવારને પણ ટિકિટ નહી આપવાની સાથે 60 વર્ષથી વધુનાની બાદબાકી કરવાનો નિર્ણય લીધો છે. આમ ભાજપના આ 6 આકરા નિયમને કારણે અનેક દાવેદારોની ઉંઘ હરામ થઇ ગઇ છે. આથી જ દાવેદારોમાં એક જ સવાલ છે કે આપણું પત્તુ કપાશે કે ટીકીટ મળશે. મહત્વની બાબત એ છે કે, કોર્પોરેટરના સગાને પણ ટિકિટ નહી આપવાના નિર્ણયથી 25 ટકા દાવેદારોની ટિકિટ કપાઇ શકે છે. જ્યારે 60 વર્ષની ઉંમરને કારણે 10 ટકા, ત્રીજીવાર લડવાને કારણે 15 ટકાની ટિકિટ કપાઇ જાય તેમ છે. 3 વર્ષથી વધુ સમયથી ભાજપના સભ્ય હોવા જોઇએ. આ નિયમોને કારણે હાલતો ભાજપના કાર્યકરો દોડતા થઇ ગયા છે. આટલુ જ નહી પરંતુ જો પોતાની ટીકીટ કપાય તો જે તાકાત વાળા દાવેદારો છે તેઓ અપક્ષ ઉમેદવારી કરવાના મુડમાં આવી ગયા છે. જ્યારે આ મહાનગર પાલિકામાં જે નવા ભળેલા 5 ગામડા છે તેમાં સરપંચ અને ભાજપના આગેવાનોએ પણ દાવેદારી કરી છે. તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો માટે પડકાર રૂપ બની શકે છે. બીજી બાજુ કોંગ્રેસ ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવાની રાહ જોઇ રહી છે. કારણ કે ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસનો કયા ઉમેદવાર સક્ષમ છે તેનો અભ્યાસ કરીને કોંગ્રેસ અમુક સીટો ઉપર ઉમેદવાર જાહેર કરશે. જ્યારે આપે 24 ઉમેદવારની જાહેરાત કરી દીધી છે અને બાકીના ઉમેદવારોની શોધ કરી રહી છે. ભાસ્કર એક્સપર્ટ: નવી વોર્ડ રચનાથી મતોનું વિભાજન થતાં લીડ ઘટી શકેમનપાની આ ચૂંટણીમાં નવી વોર્ડ રચના છે. વોર્ડમાં ઘણા વિસ્તારોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બીજુ કે ગામડાના ઉમેદવારો પણ ભળ્યા છે. નવા ભળેલા વિસ્તારના લોકોના મત મેળવવા ભાજપ માટે પડકાર રૂપ રહેશે. બીજુ કે ઉમેદવારોને પ્રચાર માટે વધુ સમય નહી મળે આથી નવા મતદારો સુધી ઉમેદવારો પહોચી શકશે કે નહી તે પણ એક સવાલ છે. ભાજપમાં સૌથી વધુ નવા ઉમેદવાર આવશે તો મતદારો નવા ઉમેદવારને સ્વીકારે છે કે નહી તે મોટો સવાલ છે. બીજી બાજુ કોંગ્રેસ અને આપ બંનેએ આ મનપાની ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે, જેને કારણે મતોનું વિભાજન થશે અને તેને કારણે વિજેતા ઉમેદવારની થોડી લીડ ઘટી શકે છે. > કે.સી.શાહ, પૂર્વ સદસ્ય આપના ઉમેદવારો કોંગ્રેસના વધુ મત કાપશેવર્તમાન સમયે આપે જે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાં જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે તે જોતા અને વોર્ડનો અભ્યાસ કરતા આપના ઉમેદવારો કોંગ્રેસના વધુ મત કાપે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. જો આમ બને તો તેનો સીધો ફાયદો ભાજપને થઇ શકે છે. ફાઇનલ ઉમેદવારોને તૈયારીની ખાનગીમાં સૂચનાભાજપમાં ટીકીટ આપવાની કામગીરી ખુબ જ ગુપ્ત રાખવામાં આવે છે. બીજી બાજુ મનપાની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટયો છે. ત્યારે ટીકીટની રાહ જોઇને બેઠેલા ઉમેદવારોમાંથી કોનુ પત્તુ કપાશે અને કોને ટિકિટ મળશે તેનું હજુ ભરેલુ નાળીયેર છે. કાર્ય કરો પણ અવઢવામાં મુકાઇ ગયા છે ત્યારે એક વાત એવી પણ આવે છે કે, ભાજપે જે લોકોને ટીકીટ આપવાની છે તેમને ખાનગીમાં તૈયારી કરવાની સુચના આપી દીધી છે. આવા કાર્યકરોએ પેપર વર્કની અંદરખાને તૈયારીઓ પણ કરવાની શરૂઆત કરી દીધી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ખાડા બન્યા જોખમી:જોરાવરનગરમાં રસ્તામાં કરેલો ખાડો જોખમી, 1 જ દિવસમાં 2 વ્યક્તિ પડ્યા

સુરેન્દ્રનગરમાં વર્ષો પહેલા નાખવામાં આવેલી પાણીની લાઇન વારંવાર લીક થાય છે. જેના રિપેરીંગ પાછળ મનપાને મહિને 25 લાખથી વધુનો ખર્ચ થાય છે. લાઇન રિપેરીંગ માટે ખોદવામાં આવતા ખાડા યોગ્ય રીતે પૂરવામાં ન આવતા લોકો માટે જોખમી બની જાય છે. ત્યારે જોરાવરનગર ધારાસભ્યની ઓફિસથી માત્ર 60 ફૂટ દૂર નવા જ બનાવેલા ડામરના રસ્તા ઉપર લાઇન રિપેરીંગ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં પડી જવાને કારણે 2 વ્યક્તિને ઇજા થઇ હતી. સુરેન્દ્રનગર મનપા દ્વારા વાળીનાથ સર્કલથી જોરાવરનગર તરફ જતા રતનપર ફાટક સુધી 15 બાઈક સ્લિપ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દિવસ પહેલા જ નવો ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે. નવો રસ્તો બનતા લોકોને રાહત થઇ હતી. પરંતુ પાણીની લાઇન લીક થતા રસ્તા ઉપર મોટો ખાડો કરીને લાઇન રિપેરીંગની કામગીરી તો કરવામાં આવી હતી. પરંતુ યોગ્ય પુરાણ ન કરાતાઆ ખાડો લોકો માટે જોખમી બની ગયો અને 2 વ્યક્તિને ઇજા પણ થઇ હતી. એક ભાઇનું માથુ ફાટી ગયું ને એકને પગમાં ઇજા થઇ અમે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં બધા મિત્રો બેઠા હતા. રોડ ઉપર સવારે ખાડો ખેદેલો હતો. રાત્રીના સમયે લાઇટ ન હતી. ત્યારે કંસારા સમાજના વ્યકિત ખાડાને કારણે બાઇક સાથે પડી ગયા તેમને માથામાં ઇજા થઇ હતી લોહી નિકળતું હતું. અમે બાજુમાં આવેલી હોસ્પિટલે લઇ ગયા હતા. જેના થોડા સમય બાદ જ મંદિરના પૂજારી પણ પડી ગયા હતા. તેમને પગના ભાગે ઇજા થઇ હતી. - ધર્મેન્દ્રભાઈ રાઠોડ

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

પાકિસ્તાનની ગેંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો:ડીસામાંથી ઝડપાયેલ પાકિસ્તાની ઓળખ છુપાવી ઢાબામાં 6 માસથી કામ કરતો હતો

ડીસા શહેરમાંથી ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાકિસ્તાનની ગેંગનો વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો. પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઇએસઆઇ સાથે જોડાયેલો અને પંજાબના ગ્રેનેટ હુમલા કેસમાં સંડોવાયેલો આરોપી બિક્રમજીતસિંહ છેલ્લા 6 મહિનાથી ઓળખ છુપાવી ઢાબામાં કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. સામાં સ્થાનિક સ્તરે મજૂરી કરી જીવન જીવતો શખ્સ આંતરરાષ્ટ્રીય આતંકી ગેંગ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળતાં ડીસા શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પંજાબના ગ્રેનેટ હુમલા કેસમાં વોન્ટેડ બિક્રમજીતસિંહને ડીસા હાઈવે પર એરપોર્ટ ચાર રસ્તા નજીક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસે આવેલા કોમ્પલેક્ષમાં ચાલતાં ઢાબામાંથી ઝડપી પાડયો હતો. આરોપી છેલ્લા લગભગ છએક મહિનાથી પોતાની ઓળખ છુપાવી ઢાબામાં મજૂરી કામ કરી રહ્યો હતો. પંજાબ પોલીસ તરફથી મળેલા ચોક્કસ ઇનપુટના આધારે ગુજરાત એટીએસએ ગુપ્ત તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ અલગ-અલગ ટીમો બનાવી બનાસકાંઠા એસઓજી સાથે સંયુક્ત ઓપરેશન ગોઠવી શુક્રવારે સાંજે રેડ કરીને આરોપીને ઝડપી લેવાયો હતો. ISI સાથે જોડાયેલ શહેઝાદ ભટ્ટી ગેંગનો સાગરીત પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે બિક્રમજીતસિંહ પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઇએસઆઇ માટે કામ કરતી શહેઝાદ ભટ્ટી ગેંગ સાથે સંકળાયેલો છે. તે પંજાબમાં ગ્રેનેટ સપ્લાય કરવો, સ્થાનિક યુવકોને ગેંગમાં જોડવા તેમજ પોલીસ સ્ટેશન અને સુરક્ષા એજન્સીઓ પર હુમલાના કાવતરામાં સક્રિય ભૂમિકા ભજવતો હતો. આ કેસમાં અમૃતસર ખાતે ગુનો નોંધાયેલો છે અને અગાઉ પણ કેટલાક આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. હવે ડીસામાંથી થયેલી આ ધરપકડને કારણે તપાસમાં નવી કડીઓ સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ATS દ્વારા આરોપીની વધુ પૂછપરછ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેને પંજાબ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસિસ‎:4.41 લાખ હેક્ટરમાં ઉનાળુ વાવેતર, 50%માં બાજરી‎

કૃષિ વિભાગે આ ઉનાળે ઉત્તર ગુજરાતની 4,28,164 હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ મૂક્યો હતો. તેની સામે અત્યાર સુધીની સિઝનમાં 4,41,530 હેક્ટર સાથે 103.12% વાવેતર થઇ ચૂક્યું છે. અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં અનુમાન કરતાં 1 થી 18 ટકા વધુ વાવેતર થઇ ચૂક્યું છે. પાક પ્રમાણે વાવેતરની સ્થિતિ જોઇએ તો 4,41,530 હેક્ટર પૈકી 2,18,908 હેક્ટરમાં બાજરીના પાકના વાવેતર થયું છે, જે કુલ વાવેતરનો 49.58 ટકા હિસ્સો છે. જ્યારે 1,51,328 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે, જે કુલ વાવેતરનો 34.27 ટકા હિસ્સો છે. ઉપરાંત મગફળીનું 37,126, શાકભાજીનું 18,427, મકાઈનું 3,916, મગનું 2,916, તલનું 2,129, ડાંગરનું 362 અને અન્ય પાકોનું 6,418 હેક્ટરમાં વાવેતર થયું છે. 6 જિલ્લામાં વાવેતર (હેક્ટર) મહેસાણા ડાંગરનો એકમાત્ર જિલ્લો: મહેસાણા જિલ્લામાં કુલ 46,959 હેક્ટરમાં વાવેતર થયું છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ તમામ જિલ્લાઓમાં માત્ર મહેસાણામાં જ 362 હેક્ટરમાં ડાંગરનું વાવેતર જોવા મળ્યું છે. અહીં પશુપાલકોએ 28,293 હેક્ટરમાં ઘાસચારો વાવીને પશુ માટે આહારની વ્યવસ્થા કરી છે. પાટણમાં પશુ આહાર પર વધુ: પાટણ જિલ્લામાં 26,353 હેક્ટરમાં વાવેતર થયું છે. અહીંના ખેડૂતોએ સૌથી વધુ 17,160 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે, જ્યારે 7,738 હેક્ટરમાં બાજરીનું વાવેતર કર્યું છે. બનાસકાંઠા જિલ્લો વાવેતરનો ગઢ: બનાસકાંઠા જિલ્લો સમગ્ર ઉત્તર ગુજરાતમાં વાવેતરની દ્રષ્ટિએ મોખરે છે, જ્યાં કુલ 1,91,977 હેક્ટરમાં વાવણી થઈ છે. અહીં ખેડૂતોએ મુખ્યત્વે બાજરીનું 91,007 હેક્ટર અને ઘાસચારાનું 56,917 હેક્ટર પર સૌથી વધુ પસંદગી ઉતારી છે. આ ઉપરાંત, રોકડિયા પાક તરીકે 31,211 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરી અગ્રેસરતા જાળવી રાખી છે. વાવ-થરાદ જિલ્લો બાજરીનું હબ: વાવ-થરાદ વિસ્તારમાં કુલ 1,26,624 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ પંથકમાં સૌથી વધુ 95,048 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે, જે સમગ્ર વિસ્તારમાં કોઈપણ એક પાક માટેનો સૌથી મોટો આંકડો છે. અહીં ઘાસચારાનું વાવેતર 30,598 હેક્ટરમાં નોંધાયું છે. સાબરકાંઠા: શાકભાજી અને વિવિધતા: સાબરકાંઠામાં કુલ 29,291 હેક્ટરમાં ખેતી થઈ છે. અહીં શાકભાજીનું વાવેતર 5,545 હેક્ટર સાથે અન્ય જિલ્લાઓની સરખામણીએ નોંધપાત્ર છે. આ ઉપરાંત ખેડૂતોએ મકાઈનું 1,629 હેક્ટર, મગનું 1,545 હેક્ટર અને મગફળી 2,152 હેક્ટર જેવા પાકોમાં પણ રોકાણ કર્યું છે. અરવલ્લી: મર્યાદિત વિસ્તારમાં સારી પ્રગતિ: અરવલ્લીમાં કુલ 20,326 હેક્ટરમાં વાવણી થઈ છે. જેમાં બાજરીનું 8,324 હેક્ટર અને ઘાસચારાનું 7,514 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ જિલ્લામાં શાકભાજીનું વાવેતર પણ 2,507 હેક્ટરમાં થયું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

જિલ્લામાં એક વર્ષમાં 70,115 દસ્તાવેજ થયાં:ગત વર્ષથી 4550 દસ્તાવેજ ઓછા થયાં છતાં 419 કરોડ આવક જંત્રી દરને પગલે સ્ટેમ્પ ડ્યુટીનો ભાર વધતાં રજીસ્ટ્રેશન ધીમું પડ્યું

મહેસાણા જિલ્લામાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 10 તાલુકામાં કુલ 70,115 દસ્તાવેજ નોંધાયા છે. આ દસ્તાવેજો પરથી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી પેટે સરકારને રૂ.418.85 કરોડની તોતિંગ આવક થઈ છે. જોકે, ગત વર્ષ 2024-25ની સરખામણીએ આ વર્ષે દસ્તાવેજ નોંધણીમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. પાછલા વર્ષે જિલ્લામાં 74,665 દસ્તાવેજ સામે રૂ.440.23 કરોડની આવક સરકારી તિજોરીમાં નોંધાઈ હતી. જિલ્લા સબ રજીસ્ટ્રાર કચેરીના આંકડા મુજબ, ચાલુ વર્ષ દરમિયાન નોંધાયેલા દસ્તાવેજોમાંથી નોંધણી ફી પેટે રૂ.60.02 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ.358.82 કરોડની આવક થઈ છે. જ્યારે ગત વર્ષમાં નોંધણી ફી પેટે રૂ.64.27 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ.375.94 કરોડની આવક થઈ હતી. આમ, એક વર્ષમાં 4,550 દસ્તાવેજ ઓછા નોંધાતા આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ એક કારણ, જંત્રી દરમાં વધારાના લીધે મોટા સોદામાં સ્ટેમ્પ ડ્યુટીનો ભાર વધતાં રજીસ્ટ્રેશન ધીમું પડ્યું હોવાનું મનાય છે. સબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રો મુજબ, દસ્તાવેજ નોંધણીમાં આવો ફેરફાર સામાન્ય અપ-ડાઉનનો ભાગ માનવામાં આવે છે. જિલ્લામાં જમીન, મકાન, પ્લોટના ખરીદ-વેચાણ અને મિલકત ફેરફારના સોદાઓમાં ગતિ લગભગ સ્થિર રહી છે. મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી પણ રહેણાંક તેમજ કોમર્શિયલ મિલકતોના સોદામાં મોટો ફેરફાર દેખાયા નથી. મહેસાણા-કડીમાં જ 60 ટકા દસ્તાવેજજિલ્લામાં થયેલા કુલ 70,115 દસ્તાવેજોમાંથી મહેસાણામાં 21,895 અને કડીમાં 20,083 મળી કુલ 41,978 દસ્તાવેજ માત્ર આ બે તાલુકામાં જ નોંધાયા છે. એટલે કે, સમગ્ર જિલ્લાના 60 ટકા દસ્તાવેજ આ બે તાલુકામાં જ થયા છે, જ્યારે બાકીના 8 તાલુકામાં મળીને 40 ટકા નોંધણી થઈ છે. જિલ્લામાં સૌથી ઓછા 1,143 દસ્તાવેજ સતલાસણામાં થયા, જેમાં રૂ.2.35 કરોડ આવક નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

બાઇક ચોર ઝડપાયો:મહેસાણામાં ત્રણ બાઈક ઉઠાવનાર ઝડપાયો

મહેસાણા એલસીબીની ટીમે કલોલથી ત્રણ બાઇક ચોરી કરનાર શખ્સને ઝડપી ચોરીના ત્રણ બાઇક કબજે કર્યા છે. નંબર પ્લેટ વગરનું બાઈક લઈને પાલાવાસણા ચોકડીથી નાગલપુર તરફ આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે નાગલપુર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી મૂળ વિજાપુરના ખરોડ ગામનો અને હાલ કલોલમાં રહેતો નીકુલ વિનોદભાઈ મકવાણાને પકડી પૂછપરછ કરી હતી. જેમાં બાઈક (GJ 18 DR 3541) ત્રણ વર્ષ પહેલાં કલોલમાંથી ચોર્યુ હતું. આ ઉપરાંત, તેણે કલોલમાંથી વધુ બે બાઇક ચોરી કરી તેના મિત્રોને સસ્તા ભાવે વેચી દીધા હતા. પોલીસે આ બંને બાઈક પણ શોધી કાઢીને ત્રણે બાઈક મુદ્દામાલ રૂપે જપ્ત કર્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

પક્ષીઓ માટે સેવા:રામોસણ ચોકડી ખાતે 1000 પાણીના કુંડા, 700 માળા સ્થાપિત

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અબોલ પક્ષીઓ માટે માનવતા અને સેવાભાવનું સુંદર ઉદાહરણ મહેસાણાના રામોસણ ચોકડી ખાતે જોવા મળ્યું છે. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રણજીત ઠાકોર દ્વારા આ વિસ્તારમાં પક્ષીઓ માટે 1000 પાણીના કુંડા અને 700 માળા સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સેવાકાર્યમાં નવજીવન નિરાધાર સેવા ટ્રસ્ટનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. ઉનાળામાં વધતી ગરમીને કારણે પક્ષીઓ માટે પાણી અને આશ્રયની તંગી સર્જાતી હોય છે, ત્યારે આ પ્રકારની પહેલ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ બની છે. સ્થાનિક લોકોમાં પણ આ કાર્યને લઇને પ્રશંસા જોવા મળી રહી છે. પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળા મૂકાતા તેમને ગરમીમાં રાહત મળશે અને જીવ બચાવવા મદદરૂપ બનશે. સમાજમાં આવા સેવાભાવી કાર્યો વધુ લોકોને પ્રેરણા આપે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ગેસ કંપનીની મનમાની:આંબલિયાસણ સ્ટેશનમાં ગ્રાહકને ગેસના કનેકશન આપવામાં કંપનીની મનમાની

સરકાર દ્વારા LPG ની અછત ને દૂર કરવા માટે પગલાં ભરી રહી છે ત્યારે ગેસ કંપનીના અધિકારીઓની બેદરકારીના લીધે નવા કનેશન માટે ગ્રાહકોને પરેશાન થઈ રહ્યા છે ત્યારે મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશનમાં ૬ મહિના અને વડસ્મામાં ૧૬ મહિનાથી ડિપોઝિટ લઈ લીધા બાદ કનેકશન નહીં આપવામાં આવતાં હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આંબલિયાસણ સ્ટેશનમાં રહેતા પટેલ કમલેશભાઈ ભવાનભાઈએ પિન્કસીટીમાં પોતાના મકાન માટે સાબરમતી ગેસના કનેશન માટે સપ્ટેમ્બર - ૨૫માં રૂ.૬૮૫૪/- ભર્યા બાદ ૬ માસથી ગેસના કનેકશન માટે મહેસાણા ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે ગ્રાહકે ભારે રોષપૂર્વક જણાવ્યું કે જ્યારે પણ કનકેશનની માંગણી માટે ઓફિસે જઈએ છીએ ત્યારે અધિકારી એક ઓફિસ થી બીજી ઓફિસના મોકલી રહ્યા છે અને કોઈ યોગ્ય જવાબ તેમજ કનેકશન પણ આપવામાં આવી નથી રહ્યું. આમ આંબલિયાસણ તેમજ વડસ્મા માં પણ અનેક ગ્રાહકો પાસેથી ૧૬ માસ અગાઉથી ડિપોઝિટ લઈને કનેકશન આપવામાં આવ્યું નથી, આમ ગેસના કંપનીના અધિકારીઓ જાણે કે કોન્ટ્રાકટરના ભરોસે કામ કરતાં હોય તેમ ગ્રાહકોને કનેકશન માટે ગોળગોળ ફેરવીને વિલંબની નીતિ અપનાવી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લા કલેકટર તેમજ પુરવઠાના અધિકારીઓને આવા બેજવાબદાર અધિકારીઓ સામે કાયદાના કડક પગલાં લેવા જોઈએ અને ગ્રાહકને સરળતાથી કનેકશન મળે તેવી વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ ઉઠવા પામી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ગાડીચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી:જોરણંગ રોડ પર અકસ્માતમાં જીઇબી કર્મચારીને ગંભીર ઇજા

નારદીપુર જીઈબીમાં નોકરી કરતા અને આંબલિયાસણ ગામના રહેવાસી હરેશજી બેચરજી ઠાકોર જ્યારે પોતાની ફરજ પૂરી કરી બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જોરણંગ રોડ પર ગાડીચાલકે ટક્કર મારતાં ગંભીર ઇજા પહોંચી હતી. હરેશજી એક્ટિવા (GJ 02 AK 6055) લઈ જોરણંગ રોડ પર આવેલા હરીબા ફાર્મ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરઝડપે આવી રહેલી ગાડી (GJ 38 BA 5404)ના ચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હરેશજીને ડાબા પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ સેન્ટ્રો ગાડીનો ચાલક પોતાની ગાડી લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ:ESIC: મહેસાણાના 2 લાખ શ્રમિકોને જટીલ સારવાર માટે કલોલના ધક્કા

ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા મહેસાણા જિલ્લામાં હજારો શ્રમિકો દર મહિને પોતાની કમાણીમાંથી ESIC (કર્મચારી રાજ્ય વીમા નિગમ)માં નિયમિત ફાળો આપે છે. છતાં તંત્રની અતિ જટિલ કાગજી પ્રક્રિયા અને વહીવટી અવરોધોને કારણે જરૂરિયાત સમયે મોટાભાગના દર્દીઓ આ હકની સુવિધાનો ઉપયોગ જ ટાળી રહ્યા છે. ઉદ્યોગોનો વ્યાપ હોવા છતાં ESICની મુખ્ય હોસ્પિટલ કલોલમાં હોવાને કારણે સ્થાનિક શ્રમિકોને ઈમરજન્સીમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. શ્રમિકો માટે સૌથી મોટી મુશ્કેલી કાગળિયા પ્રક્રિયા બની છે. ઓનલાઇન પોર્ટલ પર આધારકાર્ડ લિંકિંગથી લઈને પરિવારની વિગતો અપડેટ કરવામાં એક અક્ષરની ભૂલ પણ ક્લેમ અટકાવી દે છે. તાત્કાલિક સારવારની સ્થિતિમાં પહેલા સ્થાનિક ડિસ્પેન્સરીમાંથી મેન્યુઅલ રેફરલ મેળવવા લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે. ઘણા કિસ્સાઓમાં કંપનીના સિક્કા-સહી, હાજરી પુરાવા અને અન્ય દસ્તાવેજો એકઠા કરવામાં જ દિવસ વીતી જાય છે. આ જટિલતાના કારણે દૈનિક મજૂરી કરતા શ્રમિકો ખાનગીમાં સારવાર લેવાનું અનુકૂળ માને છે. મારા કામની વાત: શ્રમ મંત્રાલયને સીધી ફરિયાદ કરી શકાય છેજો શ્રમિકોને સુવિધા ન મળતી હોય, તો તેઓ CPGRAMS (pgportal.gov.in) પોર્ટલ પર શ્રમ મંત્રાલય સામે સીધી ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત, 'ચિંતા સે મુક્તિ' એપ દ્વારા પણ વિગતો સુધારી શકાય છે. સ્થાનિક સ્તરે પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરી નાના સેન્ટરો પર લેબોરેટરી જેવી સુવિધાઓ વધારવા માંગ કરી શકાય છે, જેથી સ્ટાફનો ઉપયોગ થાય અને શ્રમિકોને કલોલ કે અમદાવાદ સુધી ધક્કા ન ખાવા પડે. દસ્તાવેજી ખામીને કારણે 18 થી 22% ક્લેમ રદ થાય છે નાના સેન્ટરોમાં સુવિધાનો અભાવનાના ESIC સેન્ટરોમાં એક્સ-રે, લેબોરેટરી અને અન્ય ટેસ્ટિંગ સુવિધાઓના અભાવે ડોક્ટરો પાસે પૂરતું કામ રહેતું નથી. બીજી તરફ મોટા ક્લેમ માટે જરૂરી તબીબી પ્રમાણપત્રો અને દસ્તાવેજો મેળવવામાં શ્રમિકોની કસોટી થાય છે. પરિણામે જિલ્લામાં નોંધાયેલા શ્રમિકોની સંખ્યા મોટી હોવા છતાં વાસ્તવિક લાભાર્થીઓનો આંકડો ખૂબ નીચો રહે છે. વિશેષજ્ઞોના મત મુજબ, જો સમગ્ર પ્રક્રિયાને પેપરલેસ, બાયોમેટ્રિક અને રિયલ-ટાઈમ ડિજિટલ વેરિફિકેશન આધારિત બનાવાય તો જ શ્રમિકોને તેમના ફાળાનું સાચું વળતર મળી શકશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

કટોસણ-સાંથલ રોડ પર અકસ્માત:માઇલસ્ટોન સાથે અથડાતાં બાઇકચાલક યુવાનનું મોત

જોટાણા તાલુકાના કટોસણથી સાંથલ તરફ જઈ રહેલા 30 વર્ષીય યુવાને બાઈક પરથી કાબૂ ગુમાવતાં માઇલસ્ટોન સાથે અથડાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. કટોસણ ગામના રહેવાસી નરપતસિંહ ગણપતસિંહ ઝાલા (30 વર્ષ) પોતાનું બાઇક લઈને શનિવારે સાંજના સમયે કટોસણથી સાંથલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે કટોસણ-સાંથલ રોડ પર ઈંટના ભઠ્ઠા સામે તેમનું બાઈક માઇલસ્ટોન સાથે અથડાઈ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે નરપતસિંહને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પહેલા જોટાણાની ખાનગી હોસ્પિટલ, ત્યાર બાદ જોટાણા સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકનું પોસ્ટમોર્ટમ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ કટોસણ ગામના મૃતકના કાકા માલભા જાલમસિંહ ઝાલાએ સાંથલ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસિસ‎:વેરા વસૂલાત 4% વધી : ગત વર્ષની સરખામણીએ‎ઉછાળો, નગરપાલિકાને રૂ. 23 કરોડની આવક થઈ‎

પાટણ નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ તબક્કે વેરા વસૂલાતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો પાર કર્યો છે. પાલિકાની તિજોરીમાં 23.13 કરોડની રેકોર્ડબ્રેક આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 4 ટકાનો ઉછાળો આવ્યો છે. કરદાતાઓએ ભરેલા આ કરોડો રૂપિયાનો ઉપયોગ શહેરના વિકાસ પાછળ થશે. જેમાં મુખ્યત્વે બાકી બિલ ચુકવણી સાથે સ્વચ્છતા અને પાણી લક્ષી સુવિધામાં વધારા સાથે શહેરના અંધારા વાળા વિસ્તારોમાં નવીન સ્ટ્રીટ લાઈટો પાછળ ખર્ચાશે. લાંબા સમયથી પડતર એવા વીજ કંપનીઓના બાકી બિલોની ચુકવણી આ રકમમાંથી કરવામાં આવશે, જેનાથી શહેરની સ્ટ્રીટ લાઈટો બંધ થવાની સમસ્યા કાયમી ધોરણે દૂર થશે. આ ઉપરાંત, પાલિકાના કર્મચારીઓના પગારના પ્રશ્નો ઉકેલાતા વહીવટી કામગીરીમાં ગતિ આવશે. શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઈટો નાખવા, સફાઈ માટેના નવા સાધનો અને ટ્રેક્ટરોની ખરીદી તેમજ પાણી પુરવઠાની લાઈનોના મેન્ટેનન્સ માટે ભંડોળ વાપરવાનું આયોજન છે. ચોમાસા પૂર્વે ડ્રેનેજ અને ગટર લાઈનની સફાઈની સુવિધા મજબૂત બનાવાશે. ચાલુ વર્ષની રિકવરી 74% થી વધુ, જૂના 26.43 કરોડના વેરા હજુ બાકી છે. બાકીદારોને સીલનો ડરથી વસૂલાતવેરા વસૂલાત માટે ચીફ ઓફિસર હિરલ ઠાકરે સાથે ટીમ લઈ વર્ષોથી બાકી રહેલા મોટા બાકીદારોની યાદી બનાવી બે તબક્કામાં સીલની કાર્યવાહી થતાં શહેરભરમાં અસર જોવા મળી હતી. બાકીદારમાં ભય અને સતર્કતા વધતા વેરા ભરપાઈ કરવા લાગ્યા હતા. સાથે સ્વચ્છતા શાખાની નવી પહેલરૂપે સમયસર વેરા ભરપાઈની પાવતી બતાવનારને નિઃશુલ્ક બે ડસ્ટબિન આપવાની યોજના પણ અસરકારક સાબિત થઈ છે. કડક કાર્યવાહી સાથે પ્રોત્સાહન બન્ને રીતો સાથે કરેલા ટીમ વર્કના સંયોજનથી પાલિકાની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વેરો ભરનારને વધારાના ચાર્જમાંથી મુક્તિ

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

અધૂરી કામગીરીથી લોકો થયા પરેશાન:સંડેર-હમીદપુર રોડના અધૂરા કામથી ધારપુર હોસ્પિટલ જવા 8 કિમી ધક્કો

પાટણ તાલુકાના સંડેરથી હમીદપુરને જોડતા માર્ગની કામગીરી શરૂ થયા બાદ અટકી જતા ધારપુર જવા માટે રણુંજ સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે.આ રોડ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલને જોડતો મુખ્ય ટૂંકો માર્ગ હોવા છતાં નાળાના કારણે અનેક લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી જોબ નંબર ફાળવવામાં આવ્યો નથી તેવું પાટણ તાલુકા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન નરેશભાઈ પરમારે જણાવ્યું હતું. સંડેર ગામના વિમલ પટેલે જણાવ્યું હતું કે સંડેર ગામમાં જ્યારે પણ મેડિકલ ઈમરજન્સી કે અન્ય કામ અર્થે ધારપુર જવાનું થાય ત્યારે વાયા રણુંજ થઈને લાંબો રૂટ લેવો પડે છે. સંડેરથી રણુંજ થઈને ધારપુરનું અંતર 18 કિમી જેટલું થાય છે.જો સંડેર-હમીદપુર રોડ તૈયાર થઈ જાય, તો આ અંતર ઘટીને માત્ર 10 કિમી રહી જાય તેમ છે. આમ, માત્ર એક રોડના અભાવે દર્દીઓને લાવતી એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનોએ 8 કિમીનો વધારાનો ફેરો ખાવો પડે છે. હમીદપુરના કિરણસિંહ ઠાકોરે જણાવ્યું હમીદપુરના ખેડૂતોના ખેતરો આ નાળાની સંડેર બાજુ હોય તેમને ખેતરમાં ટેક્ટર લઈ જવા માટે અને ઉપજ લેવા માટે રણુંજ સુધી લાંબુ થવું પડે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ:પાટણમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા ચૈત્રમાં 1100 શ્રીફળનું કીડિયારું બનાવાયું

સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતા ક્રિષ્ના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્રિષ્ના ગ્રુપ દ્વારા ચૈત્ર માસ નિમિત્તે જીવદયાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆત અને ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં મૂગા જીવોની જઠરાગ્નિ ઠારવા માટે ગ્રુપ દ્વારા કુલ 1100 જેટલા કીડિયારું પૂરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ શહેરની ગોપાલક હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને ક્રિષ્ના ગ્રુપના 150 થી વધુ યુવાનો દ્વારા આ જીવદયા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.​ શાસ્ત્રોક્ત માન્યતા મુજબ,ચૈત્ર મહિનોએ કીડીઓ માટે આખા વર્ષનો ખોરાક સંગ્રહ કરવાનો સમય હોય છે.આ બાબતને ધ્યાને રાખીને સંસ્થા દ્વારા ખાસ પ્રકારનું મિશ્રણ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 100 ગ્રામ બાજરીનો લોટ,100 ગ્રામ ભાખરીનો લોટ,200 ગ્રામ બૂરું ખાંડ,25 ગ્રામ સફેદ તલ અને 50 ગ્રામ ઘી નું મિશ્રણ કરી પૌષ્ટિક કીડિયારું બનાવવામાં આવ્યું છે. શહેરની વિવિધ સોસાયટીઓ, પોળો, ગલીઓ તેમજ પાટણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ કીડીયારું પહોંચે તેવું આયોજન પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.ખાસ કરીને ઘટાદાર વૃક્ષોની નીચે જ્યાં પોચી માટી હોય ત્યાં આ યુવાનો દ્વારા કીડિયારું પૂરવામાં આવી રહ્યું છે. ​ક્રિષ્ના ગ્રુપના પ્રમુખ કિરણ દેસાઈએ જણાવ્યું હતું કે ગત વર્ષની સફળતા બાદ આ બીજા વર્ષે પણ મોટા પાયે આયોજન કરાયું છે. આ કાર્યમાં દાતાઓના સહયોગથી લાખો કીડીઓને આહાર પૂરો પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે કે દરેક નાગરિક પોતાના ઘર આંગણે પક્ષીઓ માટે ચણ અને કીડીઓ માટે કીડિયારું પૂરીને આ ઉનાળામાં જીવદયાનું પુણ્ય કમાય.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ચકલીઘર અને કુંડાનું વિતરણ કરાયું:પાટણમાં મારું પણ ઘર હોય અભિયાન હેઠળ 3 હજાર ચકલીઘર,કુંડાનું વિતરણ

પાટણ શહેરના નવા બસ સ્ટેશન આગળ મહારાણા પ્રતાપ સેવા ગ્રૂપ દ્વારા 3 હજાર ચકલીમાળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો માળા અને કુંડા લેવા ઉમટ્યા હતાં. સિમેન્ટ-કોંક્રિ ટના જંગલો અને આધુનિક લાઈફસ્ટાઈલ વચ્ચે આંગણાની ચકલીઓ લુપ્ત થઈ રહી છે.ત્યારે બનાસકાંઠાના મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા ચકલીઓને બચાવવા માટે પાટણના નવા બસ સ્ટેન્ડ ખાતે 1500 ચકલીઘર અને 1500 કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. ​વર્ષ 2021થી વડગામથી શરૂ થયેલું આ અભિયાન હવે 2026માં વટવૃક્ષ બન્યું છે.સંસ્થા દ્વારા 18 તાલુકાઓમાં 40 હજાર ચકલીઘર અને કુંડાનું વિતરણ કરવાનું લક્ષ્યાંક છે. સંસ્થાના ભૂપતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.કે અત્યાર સુધી અમીરગઢ,સિદ્ધપુર, અમદાવાદ અને થરાદ જેવા શહેરોમાં આ સેવાયજ્ઞ પહોંચ્યો છે.આ સેવા થી અનેક ચકીલોનો બચી છે. તેવા સંસ્થાને અત્યાર સુધીમાં લોકો તરફથી 1હજાર થી વધુ વીડિયો મળ્યા છે.આમ આ સેવાયજ્ઞ જનજન સુધી પહોંચ્યો છે.આજના કાર્યક્રમમાં કેસી.પટેલ, નંદાજી ઠાકોર,મનોજ પટેલ ભૂપતસિંહ વાઘેલા,જકશીજી ઠાકોર હાજર રહ્યા હતા. ચકલીઘર અને કુંડાનું વિતરણ કરાઈ રહ્યું છે.તસવીર ભાસ્કર

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ગામ ગામની વાત:હમીદપુરમાં નવરાત્રીમાં આઠમના દિવસે પલ્લી ભરાય છે‎

પાટણ તાલુકાનું હમીદપુર ગામ એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.આ ગામ માત્ર 500ની વસ્તી ધરાવતું ગામ છે.જ્યાં નોરતાની આસો સુદ આઠમે સમસ્ત ગામની એક જ પલ્લી અંબાજી માતાના મંદિરે ભરાય છે.અને હવન યોજાય છે. આ ગામમાં સરકારી યોજનાઓના સુચારુ અમલીકરણ અને સ્થાનિકોના સહયોગથી આજે આ ગામ સુવિધાઓથી સજ્જ થઈ છે.​ગામના ઉજ્જવળ ભવિષ્ય સમાન બાળકો માટે હમીદપુરમાં નવીન પ્રાથમિક શાળા અને સુવિધાસજ્જ આંગણવાડી કેન્દ્ર પણ કાર્યરત કરવામાં આવ્યા છે.ભૌતિક સુવિધાઓ વધતા બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ પણ વધ્યો છે. નાના બાળકોના પોષણ અને પાયાના શિક્ષણ માટે આંગણવાડી કેન્દ્ર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ગામના આંતરિક રસ્તાઓને પાકા બનાવીને પરિવહન સુવિધા સુદ્રઢ કરવામાં આવી છે. રાત્રિના સમયે ગ્રામજનોની સુરક્ષા અને સુવિધા માટે સમગ્ર ગામમાં સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે.જેનાથી ગામ હવે રાત્રે પણ ઝળહળી ઉઠે છે. સ્વચ્છતા બાબતે પણ આ ગામ જાગૃત જણાય છે. ગંદા પાણીના યોગ્ય નિકાલ માટે ગામમાં ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં આવી છે, જે ગામને રોગચાળા મુક્ત રાખવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે. ગામના અગ્રણી બબલદાસ પટેલે જણાવ્યું હતું કે અમારું ગામ નાનું ગામ સુખી ગામ અને એકતાનું પ્રતીક છે. વર્ષોથી ગામમાં આવેલ પૌરાણિક નીલકંઠ મહાદેવના મંદિરમાં બિરાજમાન અંબાજી માતાના મંદિરે નવરાત્રીમાં હવન અને સમસ્ત ગામની ભેગી પલ્લી ભરાય છે.જેમાં ગામના કુંભાર માટીના ઘડુલામાં દુધની ધારાવાણી સમગ્ર ગામની ફરતે ફરે છે.અને ત્યારબાદ નિજ મંદિરે આવી સમગ્ર ગામ તેની પ્રસાદી લે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસિસ‎:હિંમતનગરના વોર્ડ 3માં સૌથી વધુ અને વડાલીના વોર્ડ 2માં સૌથી ઓછા મતદારો

26 એપ્રિલના રોજ સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, ઈડર અને વડાલી નગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી વિભાગ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ આંકડાઓ મુજબ, જિલ્લાની મુખ્ય ગણાતી હિંમતનગર નગરપાલિકામાં મતદારોનો દબદબો જોવા મળી રહ્યો છે, જ્યારે વડાલીમાં મતદારોની સંખ્યા તુલનાત્મક રીતે ઓછી છે. મતદાર યાદી મુજબ, સમગ્ર જિલ્લામાં જે ત્રણ નગરપાલીકાની ચૂંટણી યોજાવાની છે તેમાં હિંમતનગર નગરપાલિકાનો વોર્ડ નંબર 3 મતદારોની સંખ્યામાં મોખરે છે. આ વોર્ડમાં કુલ 8,327 મતદારો નોંધાયેલા છે, જેમાં 4,144 પુરુષો અને 4,183 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષો કરતા વધુ છે. હિંમતનગરના જ વોર્ડ નં. 11 માં પણ 8,145 જેટલા મતદારો છે. ​ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ધરાવતા વોર્ડની વાત કરીએ તો, વડાલી નગરપાલિકાનો વોર્ડ નંબર 2 છેલ્લે આવે છે. અહીં કુલ માત્ર 2,378 મતદારો છે. આ ઉપરાંત ઈડર નગરપાલિકાના વોર્ડ નં. 7 માં પણ માત્ર 2,550 મતદારો જ નોંધાયા છે, જે હિંમતનગરના મોટા વોર્ડની સરખામણીએ ત્રીજા ભાગના છે. ત્રણ નગર પાલિકાના વોર્ડની વિગત

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

મતદારોનું સમીકરણ:જિલ્લા પંચાયતમાં સૌથી વધુ મતદાર બડોલી બેઠક પર અને સૌથી ઓછા દોલતાબાદમાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાવાની છે. જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 917047 મતદારો મતદાન કરવાના છે, આ 34 બેઠકોમાં સૌથી વધુ મતદારો ધરાવતી બેઠક ઇડર તાલુકાની બડોલી છે. જેમાં 41657 મતદારો છે જયારે તલોદ તાલુકાની દોલતાબાદ બેઠક ઉપર સૌથી ઓછા મતદારો 29652 છે. ​સીમાંકનના આંકડાઓ જોતા, ઇડર તાલુકાની બડોલી બેઠક સૌથી વધુ વસતી ધરાવતી બેઠક તરીકે ઉભરી આવી છે. બડોલી બેઠકની કુલ વસતી 41657 નોંધાઈ છે, જે નિર્ધારિત સરેરાશ કરતા 20.28% વધારે છે. આ બેઠકમાં બડોલી, ચિત્રોડા, ગાંઠિયોલ, મોટા કોટડા અને પોશીના જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ​બીજી તરફ, તલોદ તાલુકાની દોલતાબાદ બેઠક અને ખેડબ્રહ્માની ખેડવા જેવી બેઠકોમાં વસતીનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું જોવા મળે છે. દોલતાબાદ બેઠકની કુલ વસતી 29652 છે. વડાલી તાલુકાની મહોર બેઠકની વસતી 32671 અને ઇડરની કડિયાદરા બેઠકની વસતી 31385 છે. કુલ 34 બેઠકો પૈકી અનામત બેઠકોની ફાળવણી વસતીના આધારે કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

યંગ ઇન્ડિયા ગ્રુપ’એ ફરી એકવાર છેવાડાના માનવીની મદદ કરી:સ્વચ્છતા જાળવવાની જવાબદારી માત્ર તંત્રની જ નહીં, નાગરિકોની પણ ખરી

સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અને માનવતાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા મોરબીના‘યંગ ઇન્ડિયા ગ્રુપ’એ ફરી એકવાર છેવાડાના માનવીની મદદ કરી છે. હાલમાં બદલાતા વાતાવરણ અને મચ્છરજન્ય રોગોના વધતા જતા પ્રકોપને ધ્યાને રાખીને, સંસ્થા દ્વારા શહેરના પછાત વિસ્તારોમાં વ્યાપક સ્તરે ‘આરોગ્ય રક્ષણ અભિયાન’ છેડવામાં આવ્યું છે. મોરબીના રબારીવાસ, વણકરવાસ અને વાલ્મિકીવાસ જેવા શ્રમિક વિસ્તારોમાં બીમારીનું પ્રમાણ ન વધે તે હેતુથી ગ્રુપના સભ્યો દ્વારા આધુનિક ફોગિંગ મશીનો વડે દરેક ગલીઓ અને દરેક ઘરે-ઘરે જઈને સઘન ફોગિંગ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મચ્છરજન્ય જીવાતનો મૂળમાંથી નાશ કરી, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રોગમુક્ત અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવાનો હતો. આ સેવાકીય પ્રકલ્પ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે સમાજના છેવાડાના વિસ્તારોમાં રહેતા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા છે. બીમારી વળગ્યા પછી ઇલાજ કરવા કરતા, રોગચાળો ફેલાય જ નહીં તેવી તકેદારી રાખવી એ જ સાચું સામાજિક કાર્ય છે. મોરબીનો દરેક વિસ્તાર સ્વચ્છ અને દરેક નાગરિક રોગમુક્ત રહે તેવા વિઝન સાથે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય પછાત વિસ્તારોમાં આ કામગીરી અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે.આ કાર્યને સફળ બનાવવા માટે સંસ્થાના ભાનુબેન નાગવાડીયા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:બાટલાનો સમય 15 માંથી હવે 35 દિવસનો કરી નાખ્યો

અમેરિકા, ઇઝરાયેલ, ઈરાન વચ્ચેના યુદ્ધથી ગેસના બાટલાની કટોકટીની એવી આંધી ઉઠી છે કે, મોરબી જેવા ઔદ્યોગિક રીતે સમૃદ્ધ શહેરમાં સગડીઓ ઉપર રસોઈ કરવા કેટલીક ગૃહિણીઓને મજબૂર કરી દીધી છે. જો કે આ ગેસના બાટલાની અછતની હૈયાહોળી એક મહિના કરતા પણ વધુ સમયથી હોય, હવે સ્થિતિ વિકટ બની છે. ઘરે બેઠા આસાનીથી મળતા ગેસના બાટલા એજન્સીમાં ધક્કા ખાવા છતાં મળતા ન હોય, કેટલીક જગ્યાએ બાટલાના કાળા કારોબારનો ધીકતો ધંધો ચાલતો હોવાની ફરિયાદ ઉઠવા છતાં પુરવઠા વિભાગની કોઇ કારી ફાવતી ન હોઇ, પ્રજા વિના કારણે હેરાન થાય છે. રેસ્ટોરન્ટમાં મહીના 8થી વધુ બાટલા મળી જતા, હવે એક જ બાટલો મળે છે, સ્થિતિમાં કેટલીક હોટલ-રેસ્ટોરન્ટ, પાણી-પુરી જેવા ધંધાર્થીઓ, અમુક ગૃહિણીઓને કોલસાની સગડી પર રસોઈ કરવા મજબુર બનવું પડ્યું છે. બાટલા ન મળતા સગડીમાં રસોઈ ચાલુ કરીબાટલાના કોઈ ઠેકાણા જ નથી. મહિને એકવાર બાટલો મળતો હોય ત્યાં સુધી શેના ઉપર રાંધીને ખાવું ? મારા જેવી સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતી મહિલાઓને પરિવાર સાથે રોજેરોજ બે ટાઈમ બહાર હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવું કોઈ કાળે પોસાય તેમ નથી. જો કે સગડી ઉપર રસોઈ બનાવી નથી. પણ હવે પરિસ્થિતિ એવી છે કે સગડી ઉપર રસોઇ બનાવીને ઘરના સભ્યોને જમાડું છું. જો કે કોલસાની સગડી પર રસોઈ બનાવવાથી ધુમાડાને કારણે આરોગ્યને નુકશાન થાય છે. > સીમાદેવી રાજપૂત 8 બાટલાની સામે મહિને એક જ બાટલો મળ્યોસામાન્ય સંજોગોમાં 8 થી 12 કોમર્શિયલ ગેસના બાટલા આસાની મળી જતા હતા. ગયા માર્ચ આખા મહિનામાં માત્ર એક જ બાટલો મળ્યો છે. બાટલા વગર તો રેસ્ટોરન્ટ કેવી રીતે ચલાવવી ? હાલ તમામ રસોઈ કોલસાના સગડી પર જ બનાવવી પડે છે. > દીપ કંસારા, રેસ્ટોરન્ટ માલિક પાણીપૂરીની સામગ્રી સગડી પર બનાવીએ છીએપાણીપુરીની રેકડી ચલાવીને અનેક લોકો ગુજરાન ચલાવે છે. ગેસનો બાટલો ન મળતો હોવાથી પુરી બનાવવી, ચણા, બટેટા બાફવા, રગડો બનાવવો વગેરે સામગ્રી સગડી પર જ બનાવીએ છીએ. ગેસ કરતા કોલસો મોંઘો પડે છે. છતાં ધંધો ચાલુ રાખવા કરવું પડે છે. > માંગીલાલ કુમાર, પાણીપુરીના ધંધાર્થી બાટલાનો સમય 15 માંથી હવે 35 દિવસનો કરી નાખ્યોચા બનાવવાનો નાના પાયે વેપાર કરી ઘરનું ગુજરાન ચલાવું છે. પહેલા 15 દિવસે બાટલો મળતો. હવે 35 દિવસ કરી નાખ્યા છે. 35 દિવસે બાટલો મળે તો ચા નો ધંધો કઈ રીતે ચાલે ? મોટા ખર્ચા પોસાય એમ ન હોય જ્યાં ત્યાંથી ગેસનો બાટલો માંગીને માંડ ધંધો ચલાવું છું. > જવાહર ભાઇ મીના, ચાના ધંધાર્થી

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

બામણવાડ ગામના સત્સંગ મેળાવડામાં મુમુક્ષુઓ ઉમટ્યા:સત્સંગનો ઉદ્દેશ્ય વ્યર્થ વાતોના બદલે આત્મામાં સ્થિર થવાનો અને તેના ઉત્થાનનો હોવો જોઈએ

મોડાસા તાલુકાના બામણવાડ ગામે 05/04/2026 ને રવિવારના પવિત્ર દિવસે પૂજ્ય શ્રી રામજીબાપા (ધોલવાણી)ના સાનિધ્યમાં એક ભવ્ય સત્સંગ મેળાવડાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સત્સંગનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યર્થ વાતો કરવાને બદલે આત્મામાં સ્થિર થવાનો અને તેના ઉત્થાનનો હોવો જોઈએ એમ બાપજીએ જણાવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે અન્ય સંતો-મહંતો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સત્સંગ દરમિયાન શ્રીમદ્દ રામજીબાપા, શ્રીમદ્ નાથુબાપા, શ્રીમદ્ જેશીગબાપા અને શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના પવિત્ર બોધ વચનોનું પાન કરાવતા પૂજ્ય શ્રી રામજીબાપાએ પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આપણે સત્સંગમાં આત્માના કલ્યાણ માટે આવ્યા છીએ, માટે અહીં બેસીને કોઈ વ્યર્થ વાતો કે કથાઓ કરવાને બદલે આત્મામાં સ્થિર થવા પર ભાર મૂકવો જોઈએ. સત્સંગ એ માત્ર આત્માના ઉત્થાન માટે છે અને અહીં મુમુક્ષુ જેવા ભાવ રાખે તેવું જ ફળ તેને પ્રાપ્ત થાય છે. વધુમાં તેમણે જીવનની નશ્વરતા સમજાવતા કહ્યું હતું કે, આ શરીર નાશવંત છે પરંતુ આત્મા અમર છે. આ જીવે સૃષ્ટિ પરના તમામ જીવોને માતા-પિતા તરીકે જોયા છે. સમાજમાં જોવા મળતી શારીરિક અક્ષમતાઓ એ ઈશ્વર નિર્મિત નથી, પરંતુ જીવના પોતાના કર્મોનું જ ફળ છે. જો જીવ રાગ અને કશાયનો ત્યાગ કરે, તો તેને અધોગતિમાં લઈ જનાર કોઈ નથી. સાચી ભક્તિ એ માત્ર ભાવ જાળવવો તે જ છે. તેમણે મનુષ્ય અવતારનું મહત્વ સમજાવતા કહ્યું કે ડુંગરા જેટલા પુણ્ય ભેગા થાય ત્યારે જ આ અવતાર મળે છે, માટે આયુષ્ય પૂરું થાય તે પહેલાં જાગવાની જરૂર છે, કારણ કે અંત સમયે એક શ્વાસ પણ વધારાનો મળવાનો નથી. માયાના બંધનથી દૂર રહેવા અને આત્મભાવમાં સ્થિર થવાની શીખ આપતા પૂજ્ય બાપાએ જણાવ્યું કે દેહ ભાવ રઝળપાટ કરાવે છે, જ્યારે આત્મભાવ શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય આપે છે. ભગવાન તો માત્ર પ્રેમના ભૂખ્યા છે. માત્ર ભજન ગાવાથી કલ્યાણ થતું નથી, પરંતુ ભગવાનના બોધ મુજબ જીવન જીવવાથી ભવસાગર તરી જવાય છે. તેમણે પાંડવો જેવી અડગ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા પર ભાર મૂકતા ઉમેર્યું કે જો તમે તમારી બધી જવાબદારી ભગવાનને સોંપી દો, તો તે તેને ઉપાડવા તૈયાર છે. અંતમાં તેમણે જણાવ્યું કે ગુરુ વગરની ભક્તિ અભિમાન તરફ દોરી જાય છે, પરંતુ જો સદગુરુની આજ્ઞા મુજબ જીવન જીવવામાં આવે તો જીવનું ચોક્કસ કલ્યાણ થાય છે. આ સત્સંગનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

વહીવટી તંત્ર દ્વારા સઘન‎તૈયારીઓ હાથ ધરાઈ:ચૂંટણીમાંપોલિંગ સ્ટાફથી લઈને દિવ્યાંગોની સુવિધા અંગે માનવીય અભિગમ અપનાવવા પર ભાર મૂકાયો

અરવલ્લી જિલ્લામાં આગામી યોજાનાર નગરપાલિકા અને તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત ની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે કલેક્ટર સભાખંડ ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીડી.વી.મકવાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. પોલિંગ સ્ટાફથી લઈને દિવ્યાંગોની સુવિધા અંગ ચૂંટણીમાં માનવીય અભિગમ અપનાવવા પર ભાર મૂકાયો કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ–2026દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આ ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે અત્યંત જરૂરી ગણાવી આ માટે તમામ વિભાગો દ્વારા સંકલન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય ગણાવી હતી તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વહીવટી અને સુરક્ષાના ભાગરૂપે મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ (EVM) વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

LCBની કાર્યવાહી:લૂંટ-ધાડના ગુનાનો રૂ. 5 હજારનું ઇનામ ધરાવતો આરોપી ઝડપાયો

રાજકોટ રેન્જના નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપવા હાથ ધરાયેલી ઝુબેશમાં અરવલ્લી એલસીબીને સફળતા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ અને ધાડના ગંભીર ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા અને આરોપી માટે પોલીસે જાહેર કરેલા રૂ. 5000નું ઈનામ ધરાવતા આરોપીને મેઘરજની ઉન્ડવા ચેકપોસ્ટ પાસેથી એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.જે. તોમર, વી.ડી. વાઘેલા, પી.પી. સોલંકી અને સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમિયાન મેઘરજ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિશ્વદિપસિંહ મહાવિરસિંહને ખાનગી બાતમી મળી હતી કે રાજકોટ રેન્જના વોન્ટેડ આરોપી ડાલુરામ હાલુજી ગુર્જર (રહે. ભંભાણા, જિ. ભિલવાડા, રાજસ્થાન) મેઘરજથી સીમલવાડા તરફ જઈ રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસે ઉન્ડવા ચેકપોસ્ટ પાસે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

મંડે પોઝીટીવ:એસ ટી બસ ચાલકનું નોકરી બાદ ગામે ગામ પેડલ રીક્ષા ફેરવી કલાયમેટ ચેન્જ અંગે જાગૃતિ અભિયાન

ખેડા જિલ્લાના માતર તાલુકામાં રહેતાં અને એસ ટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સમીરભાઇ દિવાન છેલ્લા લાંબા સમયથી લોકસેવાનું એક અનોખું કાર્ય કરી રહ્યા છે. તેઓએ એસટી બસને જ પાઠશાળા બનાવીને તેમાં ક્લાઇમેટ ચેન્જને લઇને જનજાગૃતિ ફેલાવવાની સાથે સાથે ગામેગામ ક્લાઇમેટ ચેન્જની જાગૃતિ માટે રથ લઇને ફરી, લોકોને પ્રકૃતિનું જતન કરવાની સમજ આપે છે. આ કાર્ય તેવો નિ:સ્વાર્થ ભાવે પ્રકૃતિના જતન માટે કરી રહ્યા છે. સમીરભાઇ દિવાન નોકરી પૂરી કર્યા બાદના સમયે એસટીની પાઠશાળા નામનો નવો કોન્સેપ્ટ શરૂ કરી એસટી બસમાં જ મુસાફરી કરતાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, મુસાફરોને સામાજિક સમસ્,યા વૈશ્વિક સમસ્યા સામાજિક બદીઓ - સામાજિક મુદ્દાઓ પર સંવાદ કરીને તેમાં આપણે શું યોગદાન આપીએ તો સમસ્યાઓનું નિરાકરણ આવી શકે તેના પાઠ ભણાવે છે. આ ઉપરાંત તેઓ ખાસ કરીને પર્યાવરણના મુદ્દાઓ તેમજ ક્લાઈમેટ ચેન્જ,ધ્વનિ પ્રદૂષણ,ભૂગર્ભ જળ,તેમજ રોડકિલ તથા અકસ્માતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી તેની સામે લોકજાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. એસ ટી વિભાગમાં ડ્રાઈવર તરીકે નોકરી પૂર્ણ કર્યા બાદ ખેડા ડેપોની કોઇપણ શેડયૂલની બસના રૂટમાં સામેલ થઈને તેઓ આ ઉમદા સામાજિક કાર્ય કરે છે. તેમજ તેઓના ફરજના શેડ્યુલ રૂટમાં પણ પડતર સમયમાં તેઓ પોતાની સામાજિક ફરજ નીભાવી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. નોકરીના સમય બાદ તેઓ સ્વનિર્મિત ક્લાઈમેટ રથને શાળાઓમાં ફેરવી ક્લાઈમેટ ચેન્જ કેમ થાય છે ? તેની ઘાતક અસરો કઈ છે ? તેને રોકવા આપણે શું કરી શકીએ ? તેના સેમીનાર યોજે છે. 2014 થી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સમીરભાઈ 50,000 વેસ્ટેજ ચીજોમાંથી બનાવેલી કચરાપેટીનું વિતરણ શાળાઓ, જાહેર સ્થળો પર કરી ચૂક્યા છે. તેની માટે રાજ્ય સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ તરફથી તેમને ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ 2024 થી સન્માનિત પણ કરાય હતા. વિવિધ સંસ્થાઓ દ્વારા પણ તેમને આ સામાજિક કાર્ય બદ્દલ સન્માનિત કરવામાં આવ્યા છે. છેલ્લા બે દાયકામાં ક્લાઈમેટ ચેન્જને કારણે થઇ રહેલી ગંભીર અસરોને ધ્યાને લઇ સમીરભાઈ દ્વારા ત્રણ અલગ અલગ ક્લાઈમેટ ચેન્જ જન જાગૃતિ રથ - પેડલ રિક્ષા પર બનાવીને દિવસેને દિવસે બગડતા પર્યાવરણ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. સમીર દિવાન દ્વારા ખેડા - માતર તાલુકાના ગામની સ્કૂલોમાં તથા જાહેર સ્થળોએ બસ તેમજ બસ સ્ટેશનમાં 200 થી વધારે ક્લાઈમેટ ચેન્જ જન જાગૃતિ તેમજ વૈશ્વિક સમસ્યાઓ પર જનજાગૃતિ સેમિનાર કરી ચૂક્યા છે. પ્લાસ્ટિકમુક્ત અભિયાન અંતર્ગત 5 હજારથી વધારે ઇકોફ્રેન્ડલી બેગનું પણ વિતરણ કર્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસિસ:SIR : બોટાદના 11માંથી 7 વોર્ડમાં 1000થી 1500 મતદારો ઘટી ગયા

બોટાદમાં વર્ષ 2025માં યોજાયેલી મધ્યસ્થ ચૂંટણીમાં 31.17 ટકા નિરસ મતદાન થયું હતું. જેમાં 11 વોર્ડના 44માંથી 40 ભાજપના અને 4 કોંગ્રેસના સભ્યો જીત્યા હતા. આ અગાઉ વર્ષ 2022માં નગરપાલિકા સુપરસીડ જાહેર થઇ હતી. ત્યારે આ વખતની ચૂંટણીમાં 11,769 મતદાર SIRમાં ઘટ્યા છે. બોટાદ નગરપાલિકામાં આ વખતે પૂર્ણ શાસન હોવાથી ભાજપના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ અગાઉ વર્ષ 2025માં આયોજિત મધ્યસત્ર ચૂંટણીમાં 31.17 ટકા નિરસ મતદાન થયું હતું. બોટાદના 11 વોર્ડમાં 44માંથી 40 ભાજપના અને 4 સભ્યો કોંગ્રેસના હોવા છતા જે તે સમયે ભાજપ પક્ષમા અંદરે અંદરના જૂથવાદને લઈ શહેરના વિકાસ માટેની રૂપિયા 48.46 કરોડની ગ્રાટ ન વપરાતાં 30 જૂન 2022ના ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બોટાદ નગરપાલિકા ને ગુજરાત નગરપાલીકા અધીનીયમ 1963ની કલમ 263(1) હેઠળ સુપરસીડ કરવામા આવી હતી. વર્ષ 2025ની મધ્યસત્ર ચૂંટણીમાં વોર્ડ નં.1, 7 અને વોર્ડ નં.9ની બે બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. બોટાદમાં વર્ષ 2023માં 1,07,629 મતદાર નોંધાયા હતા. જેમાં SIRની કામગીરી સમયે 11,759 મતદારોનો ઘટાડો થતાં આ વખતે 95,860 મતદાર વોટિંગ કરશે. ગત વર્ષ 2025ની ચૂંટણીમાં માત્ર 31.17 ટકાના નિરસ મતદાન અને આ વખતે મતદારોમાં ઘટાડો થતાં ઉમેદવારોને મોટીમથામણ કરવી પડી શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

અશ્વો પણ પહોંચ્યા દાદાના દરબારમાં‎:વીરનગરથી સાળંગપુરની પગપાળા યાત્રા કાઠીયાવાડી અશ્વોને દાદાના દર્શન કરાવ્યા

કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિર સાળંગપુર ધામમાં આસ્થાનો અનોખો દાખલો સામે આવ્યો છે, જ્યાં વીરનગરથી અશ્વો સાથે પગપાળા યાત્રા કરી 80 કિલો મીટરનું અંતર કાપીને ભક્તો સાળંગપુર સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. સાથે અશ્વોને પણ કષ્ટભંજનદેવ ના દરબારમા દર્શન કરાવાતા આ યાત્રા ચર્ચાનો વિષય બની છે. વીરનગરથી ભક્તોએ અશ્વો સાથે પગપાળા યાત્રા શરૂ કરી 80 કિલોમીટરનું અંતર કાપીને સાળંગપુર મંદિર પહોંચ્યા હતા. 3 એપ્રિલના સાંજે લગભગ 5 વાગ્યે મહેન્દ્રભાઈ શાંતુભાઈ ધાધલ દ્વારા અશ્વો સાથે યાત્રાનો પ્રારંભ કરાયો હતો. સતત યાત્રા બાદ 4 એપ્રિલે રાત્રીના 8 કલાકે ભક્તો સાળંગપુર પહોંચી ગયા હતા. આ યાત્રા દરમિયાન અશ્વો સાથે અશ્વસવાર પણ જોડાયા હતા. કાઠીયાવાડી નસલના અશ્વોની વિશેષ ઓળખ છેતેમ જણાવાયુ હતુ. આ નસલના અશ્વો માત્ર અમુક વિસ્તારોમાં જ જોવા મળે છે, જેના કારણે આ યાત્રા વધુ અનોખી બની છે. ભક્તોએ આ અશ્વોને પણ ભગવાનના દર્શન કરાવવા મંદિર સુધી લાવ્યા હતા.સાળંગપુરનું કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર વિશ્વવિખ્યાત આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાં દેશ-વિદેશમાંથી ભક્તો દર્શનાર્થે આવે છે. અશ્વોને પણ મંદિર દર્શન કરાવી તમામ વિધિઓ પૂર્ણ કર્યા બાદ તેમને સુર ક્ષિત રીતે વાહન મારફતે પરત મોકલવામાં આવ્યા હતા તેમ અશ્વસવાર મહેન્દ્રભાઈ ધાધલ દ્વારા જણાવાયુ હતું.આ પ્રકારની અનોખી યાત્રા પહેલી વખત જોવા મળી છે. 3 એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યે વીરનગરથી અશ્વો સાથે યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. જે 4 એપ્રિલે સાળંગ પુર પહોંચી હતી અને સવારે કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શનથી ધન્યતા અનુભવી હતી સાથે અશ્વોને પણ દર્શન કરાવ્યા હતા તેમ મહેન્દ્રભાઈ શાંતુભાઈ ધાધલે જણાવ્યું હતું. આ રીતે આ યાત્રા પાછળ દાદા પ્રત્યે રહેલી ભાવિકોની આસ્થા રહેલી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમનીપ્રસંશનીય કામગીરી:બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા કિશોરી પાસેથી તેના પિતાનો કોન્ટેક નંબર મેળવી પરિવારનો સંપર્ક કર્યો

માતાએ મોબાઈલ ફોન વધુ વાપરવા બાબતે ઠપકો આપતા મન પર લઈ ઘરેથી નીકળી ગયેલી ભાવનગર જિલ્લાની એક કિશોરીનું બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઈન અને રેલવે પોલીસના સહયોગથી પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. તંત્રની આ માનવીય અને ત્વરિત કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. ઘટનાની વિગત મુજબ, ગત 1 એપ્રિલના રોજ સાંજે બોટાદ રેલવે સ્ટેશન પર એક કિશોરી એકલી અને મુંઝવણમાં હોવાની જાણ એક જાગૃત નાગરિકે 1098 ચાઈલ્ડ હેલ્પલાઈન પર કરી હતી. માહિતી મળતા જ હેલ્પલાઈન ટીમે સ્થળ પર પહોંચી કિશોરીનું કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, મોબાઈલ વાપરવા બાબતે માતાએ વઢતા તે માઠું લગાડીને ભાવનગરથી ટ્રેન પકડી બોટાદ અને ત્યાંથી સુરેન્દ્રનગર પહોંચી હતી, ત્યારબાદ ફરી પરત બોટાદ આવી હતી. ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમે કિશોરી પાસેથી તેના પિતાનો સંપર્ક નંબર મેળવી તેમને જાણ કરી હતી. રાત્રિ દરમિયાન કિશોરીને સુરક્ષિત આશ્રય માટે 'સખી વન સ્ટોપ સેન્ટર' ખાતે રાખવામાં આવી હતી. બીજા દિવસે 2 એપ્રિલે રેલવે પોલીસ દ્વારા કિશોરીને બાળ કલ્યાણ સમિતિ (CWC) સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સમિતિના સભ્યોએ કિશોરીને સોશિયલ મીડિયાના નુકસાન અને મોબાઈલના અતિરેક અંગે સમજાવતા તે પિતા સાથે ઘરે જવા સહમત થઈ હતી. જરૂરી આધાર પુરાવાઓની ખરાઈ કર્યા બાદ કિશોરીને તેના પિતાને સોંપવામાં આવી હતી. આ તકે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન વિરેન્દ્રસિંહ મોરી, સભ્ય હિરેનભાઈ શાહ, સભ્ય મુકેશભાઈ ખોડદા, રેલવે પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્ર સિંહ મોરી, ગીતાબેન જોગરાજીયા, સચિવ સીડબલ્યુસી ગોરધનભાઈ મેર, બોટાદ ચાઇલ્ડ હેલ્પલાઈન કાઉન્સેલર મેહુલભાઈ સોનગરા, બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઇન કેસ વર્કર મોનિલભાઈ આંબલીયા, સીડબલ્યુસી કર્મચારી દશરથભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

મારામારી:બોટાદમાં રિક્ષાના ફેરા ભરવા બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે મારામારી

બોટાદમાં સાળંગપુર ત્રણ રસ્તા પાસે રિક્ષામાં પેસેન્જર ભરવાના વારા બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અથડામણમાં એક યુવક, તેના ભાઈ અને માતાને લોખંડના પાઇપ તથા લાકડી વડે બેરહેમ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટનાની વિગત મુજબ ફરિયાદી જયદીપભાઈ પ્રવીણભાઈ સોલંકી (ઉ.વ.19) ગત 2 એપ્રિલના રોજ પોતાના ગલ્લા પર હાજર હતા, ત્યારે તેનો મોટો ભાઈ પ્રદીપ રિક્ષામાં પેસેન્જર ભરી રહ્યો હતો. તે સમયે તેના કાકાનો દીકરો ઈશ્વર સોલંકી રિક્ષા લઈને આવ્યો હતો અને વારા વગર પેસેન્જર ભરવા બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. આ વિવાદ વધતા ઈશ્વર, તેના પિતા ખોડીદાસભાઈ, ભાઈ ભરતભાઈ અને માતા લતાબેન હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી વડે પ્રદીપ અને જયદીપ પર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. વચ્ચે છોડાવવા પડેલા તેમના માતા જયાબેનને પણ લતાબેને લાકડી વડે માર માર્યો હતો અને આરોપીઓએ તેમનો મોબાઈલ તોડી નાખ્યો હતો. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

વીમાકવચ બન્યો માટે સંકટનો સાથી‎:પિતાની છત્રછાયા ગુમાવનારી વિદ્યાર્થીનીને શાળા દ્વારા પાંચ લાખની વીમા રકમ અર્પણ

વ્યારા ખાતે શ્રી રફ દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી કે.કે. કદમ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ 10 ની વિદ્યાર્થીની સુનંદા દિલીપભાઈ પાડવીને મંડળ દ્વારા રૂપિયા 5 લાખની વીમા રકમ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીના પિતા સ્વર્ગીય દિલીપભાઈ મંગાભાઈ પાડવીનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં, તેના અભ્યાસમાં કોઈ વિઘ્ન ન આવે તે હેતુસર આ સહાય આપવામાં આવી છે. વ્યારા ના મંડળ દ્વારા વ્યારા ખાતે સંચાલિત કુલ 7 શાળાઓમાં આશરે 10000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સંસ્થા દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે રૂપિયા 5 લાખનો અકસ્માત વીમો ઉતારવામાં આવે છે, જે માટે દર વર્ષે અંદાજિત ₹16 લાખનું પ્રીમિયમ સંસ્થા ભરે છે. આ યોજના હેઠળ કોઈપણ વિદ્યાર્થી અથવા તેના વાલીનું અકસ્માતમાં મૃત્યુ થાય તો પરિવારે આર્થિક સહાયરૂપે વીમાની રકમ મળે છે.આ ઘટનામાં વિદ્યાર્થીનીના પિતાના અવસાન બાદ તરત જ મંડળ દ્વારા વીમા રકમ અર્પણ કરી માનવતા અને શિક્ષણ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજના સમયમાં જ્યાં અનેક સંસ્થાઓ નફાખોરી તરફ વળી રહી છે, ત્યાં આ પ્રકારનું સેવાકીય કાર્ય અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયક સાબિત થાય છે. આ વીમા રકમ મંત્રી મહેશ શાહ, સહમંત્રી દશરથભાઈ, ચેરમેન નેવિલ જોખી તથા આચાર્ય અપેક્ષાબેન દેસાઈના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પોરબંદર યાર્ડમાં કેરીની આવક ઘટી, 518 બોક્સ નોંધાયા

પોરબંદરના યાર્ડમાં કેસર કેરીની આવકમાં ઘટાડો થયો છે.અગાઉ કમોસમી વરસાદને લઈને કેરીની આવકમાં વધારો થયો હતો ત્યારે હવે ઘટાડો નોંધાયો હતો.યાર્ડમાં રવિવારે 518 બોક્સ કેરીની આવક થઈ હતી જેનો પ્રતિ બોક્સના રૂપિયા 1400 થી 1900 ભાવ બોલાયા હતા.પોરબંદરના યાર્ડમાં બરડા પંથકના આદિત્યાણા, બીલેશ્વર સહિતના ગામોમાંથી કેસર કેરીની આવક નોંધાઈ હતી. સમગ્ર રાજ્યના તલાલા ગીર,જૂનાગઢ તેમજ પોરબંદરના બરડા પંથકની કેરી માટે ખ્યાતનામ કહેવામાં આવે છે.પોરબંદરના બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાંથી ઉત્પાદિત થતી કેરી સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે પોરબંદર જિલ્લામાં આ વર્ષે કેસર કેરીની આવક પણ વહેલી નોંધાઈ છે. બરડા ડુંગરમાં ચુનાના પથ્થરના પેટાળને લીધે કેરીના બગીચામાં આ ચુનાના પથ્થરના પેટાળની ગરમીને લીધે સિઝન કરતા વહેલા ફાલ લાગી જાય છે જેથી પોરબંદરમાં આ વર્ષે વહેલી કેરી પાકી છે.સમગ્ર રાજ્યમાં આવેલ વિવિધ માર્કેટયાર્ડમાંથી એકમાત્ર પોરબંદરના માર્કેટયાર્ડમાં સૌપ્રથમ કેરીની આવક નોંધાઈ છે. પોરબંદરના યાર્ડમાં શુકવારે એક જ દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી 518 બોક્સ એટલે કે 5180 કિલો કેસર કેરીની આવક થઈ હતી.યાર્ડમાં આવક થયેલ કેરીના પ્રતિબોક્સના રૂ.1400 થી 1900 ભાવ બોલાયા હતા આવક ઘટતા પ્રતિ કીલોએ 20 થી 50 નો વધારો થયો પોરબંદરના યાર્ડમાં અગાઉ કેરીની આવકમાં વધારો થતાં જ ભાવમાં પણ ઘટાડો થયો છે.યાર્ડમાં કેરીની આવક વધતા પ્રતિકીલોએ રૂ.100 થી 150 ભાવ ઘટયા હતા.ત્યારે હાલ કેરીનો આવક ઘટતા જ કેસર કેરીના પ્રતિકીલોએ રૂપિયા 20 થી 50 નો ભાવ વધારો થયો હતો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am