રાજકોટ મહાપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા અંતે સરકારી મિલકતોનો બાકી વેરો વસૂલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારી વિભાગોને નોટિસ આપી વેરો ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી હતી, જેના પરિણામ સ્વરૂપ છેલ્લા 36 દિવસમાં સિવિલ હોસ્પિટલ, પીડબલ્યુડી, પીજીવીસીએલ જેવી મહત્ત્વની કચેરીઓ પાસેથી રૂ.3.63 કરોડનો બાકી વેરો વસૂલવામાં આવ્યો છે. માર્ચ એન્ડિંગ સુધીમાં આ આંકડો 10 કરોડને પાર થવાની શક્યતા છે. મનપાની આ કામગીરીને પગલે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 1 એપ્રીલ, 2025થી 7 માર્ચ, 2026 સુધીમાં કુલ વસૂલાતનો આંકડો રૂ. 389 કરોડ પર પહોંચી ગયો છે. જોકે ચાલુ નાણાકીય વર્ષનાં અંત સુધીમાં રૂ. 450 કરોડની વસુલાત કરવાનો લક્ષ્યાંક છે, જે પૂરો થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. ફેબ્રુઆરીમાં જ સરકારી વિભાગો દ્વારા રૂ. 2.49 કરોડની ચુકવણીરાજકોટ મહાનગરપાલિકાના વેરા વસુલાત વિભાગ દ્વારા હાલમાં શહેરભરમાં નોન-રેસિડેન્શિયલ, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલકતો પાસેથી વેરો મેળવવા માટે સઘન કાર્યવાહી ચાલી રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે સરકારી વિભાગો હસ્તકની મિલકતોના મિલકત વેરા અને પાણી ચાર્જિસની બાકી વિગતો મેળવીને વસૂલાત પ્રક્રિયા ઝડપી કરવામાં આવી હતી. ફેબ્રુઆરી માસમાં જ વિવિધ સરકારી વિભાગો દ્વારા કુલ રૂ. 2.49 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. જેમાં પી.ડબલ્યુ.ડી દ્વારા રૂ. 65.47 લાખ, ગર્વનમેન્ટ ઓફ એન્જિનિયરિંગ કોલેજ દ્વારા રૂ. 58.61 લાખ અને PGVCL દ્વારા રૂ. 45.37 લાખની રકમ મનપાની તિજોરીમાં જમા કરાવાઈ હતી. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પણ રૂ. 27.82 હજારનો વેરો ભર્યોઆ ઉપરાંત, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રૂ. 30.95 લાખ, જૂની કોર્ટ દ્વારા રૂ. 17.36 લાખ, નાયબ નિયામક કચેરી દ્વારા રૂ. 14.18 લાખ, યાંત્રિક ભવન દ્વારા રૂ. 11.00 લાખ અને મામલતદાર કચેરી (દક્ષિણ) દ્વારા રૂ. 6.43 લાખની ચુકવણી કરવામાં આવી હતી. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ રૂ. 27.82 હજારનો વેરો ભરવામાં આવ્યો છે. આમ, ફેબ્રુઆરી માસમાં સરકારી કચેરીઓ સામેની કડક કાર્યવાહીને લઈ મનપાને રૂ. 2. 49 કરોડની આવક થઈ હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા રૂ. 74.65 લાખની મોટી રકમની ચુકવણીચાલુ માર્ચ માસમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. માર્ચના શરૂઆતના દિવસોમાં જ સિવિલ હોસ્પિટલ દ્વારા રૂ. 74.65 લાખની મોટી રકમની ચુકવણી કરવામાં આવી છે. તે સાથે સેન્ટ્રલ GST કચેરી દ્વારા રૂ. 17.65 લાખ, પોસ્ટ વિભાગ દ્વારા રૂ. 17.22 લાખ અને GMSCL દ્વારા રૂ. 4.85 લાખની રકમ ચૂકવવામાં આવી છે. આમ, ચાલુ માસમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 1.14 કરોડની વસૂલાત માત્ર સરકારી મિલકતોમાંથી થઈ છે. સરકારી મિલકતોની વસુલાતનો આંકડો ચાલુ મહિનાના અંત સુધીમાં રૂ. 10 કરોડ કરતા વધુ થવાની શક્યતા છે. જૂના બાકી વેરાની સંપૂર્ણ રકમ ભરપાઈ કરનારને 10 હજાર સુધીની રાહતમહાનગરપાલિકા દ્વારા આ વર્ષે કરદાતાઓ માટે વિશેષ વ્યાજ માફી યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ જો કોઈ મિલકતધારક પોતાના જૂના બાકી વેરાની સંપૂર્ણ રકમ ભરપાઈ કરે છે, તો તેને મિલકત વેરાના વ્યાજ પર રૂ. 5000 અને પાણી વેરાના વ્યાજ પર રૂ. 5000 મળીને કુલ રૂ. 10,000 સુધીની રાહત મળી શકે તેમ છે. આ પ્રોત્સાહક યોજનાનો લાભ લેવા માટેની અંતિમ મુદત 31 માર્ચ, 2026 રાખવામાં આવી છે. નાગરિકોને આ ડિસ્કાઉન્ટ યોજનાઓનો લાભ લેવા અપીલમનપાના વેરા વસુલાત શાખાના મેનેજર વત્સલ પટેલનાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં જે ખાનગી કે વ્યાવસાયિક એકમોનો વેરો બાકી છે તેની સામે સીલિંગ અને મિલકત જપ્તી જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે નાગરિકોને આ ડિસ્કાઉન્ટ યોજનાઓનો લાભ લઈ સમય મર્યાદામાં પોતાનો વેરો ભરી દે, જેથી વ્યાજ અને દંડની રકમમાં રાહત મળી શકે તેવી અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, સરકારી મિલકતોનો રૂ. 90 કરોડથી વધુનો વેરો બાકી છે. જેની સામે માર્ચનાં અંત સુધીમાં કડક કાર્યવાહી છતાં રૂ. 10 કરોડથી વધુની વસુલાત થવાની ધારણા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી લાંબા સમયથી વેરો બાકી હોય તેવી સંસ્થાઓનો બાકી વેરો વસૂલવા ક્યારે અને શું પગલાં લેવાય છે તે તો આવનારો સમય જ બતાવશે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય લોકોના રૂ. 25-50 હજાર બાકી હોય તો સિલિંગ સહિતની કડક કાર્યવાહી કરતો વેરા વિભાગ સરકારી મિલકતોનાં કરોડો રૂપિયા બાકી હોવા છતાં સિલિંગ જેવી કડક કાર્યવાહી નિયમ મુજબ કરી શકતો નથી, જેના કારણે અનેક સરકારી મિલકતો દ્વારા લાંબા સમયથી માત્ર પત્રવ્યવહાર કરવામાં આવે છે પણ વેરો ભરપાઈ કરવામાં આવતો નથી. જોકે છેલ્લા બે મહિનાથી વેરા વિભાગ દ્વારા સરકારી વિભાગોને પણ નોટિસ આપી વેરો ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી હતી. જેના પરિણામે ટૂંકા ગાળામાં રૂ. 3.63 કરોડ જેવી વસુલાત થઈ છે. ત્યારે વેરા વિભાગ દ્વારા આ મામલે વધુ કડક પગલાં લેવાશે તો રૂ. 450 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં મોટી મદદ મળશે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી GIDC (ગુજરાત ઔદ્યોગિક વસાહત)માં રવિવારે (8 માર્ચ) સવારે એક ભીષણ આગની ઘટના બની હતી. પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીનું નામ: સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઈવેટ લિમિટેડ, પાનોલી GIDC. આગનું સ્વરૂપ: આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા 5 થી 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. આગને પગલે તંત્ર દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. કારણ: પ્રાથમિક માહિતી મુજબ, કંપનીમાં રહેલા અત્યંત જ્વલનશીલ કેમિકલ (ટોલ્વિન)ના ટેન્કમાં આગ લાગ્યા બાદ તે ઝડપથી સમગ્ર પ્લાન્ટમાં ફેલાઈ ગઈ હતી. કામગીરી અને બચાવ આગની જાણ થતા જ પાનોલી, અંકલેશ્વર અને ભરૂચના વિવિધ ફાયર સ્ટેશનોથી 10થી વધુ ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ લગભગ સાડા ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવવા માટે પાણીની સાથે મોટા પ્રમાણમાં ફોમ (Foam)નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. નુકસાન અને જાનહાની ભયનો માહોલ રવિવારની રજા હોવાથી કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ઓછી હતી, જે મોટી દુર્ઘટના ટળવાનું એક કારણ માનવામાં આવે છે. છતાં, આગ દરમિયાન થયેલા પ્રચંડ ધડાકાઓને કારણે આસપાસના રહીશો અને અન્ય ઉદ્યોગકારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના વુમન્સ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર મહિલાઓને 'મણિબેન પટેલ નારી રત્ન એવોર્ડ -2026' થી સન્માનિત કરવામાં આવી. એવોર્ડ વિજેતાઓમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એસ. વી. પિંટો (ન્યાય ક્ષેત્ર), નિમિષાબેન પંચાલ (મીડિયા ક્ષેત્ર), અને સેવા ક્ષેત્રમાંથી સુધાબેન પઢિયાર તેમજ નંદાબેન સોઢા પરમારનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓ રાષ્ટ્રની ધરી છે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે નારી શક્તિનું યોગદાન અનિવાર્ય છે. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રાધ્યાપકો દ્વારા લિખિત સંશોધન લેખોના પુસ્તક “Her વિશ્લેષણ: Vision to વ્યવહાર”નું વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તકમાં AI અને સાયબર સુરક્ષા, શિક્ષણ, રાજકારણ અને સ્વાસ્થ્ય જેવા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં 21મી સદીમાં AI દ્વારા મહિલા સશક્તિકરણ, NEP 2020 માં સ્ત્રીઓની સ્થિતિ અને રાજકારણમાં મહિલાઓની બદલાતી ભૂમિકા વિશે ગહન વિશ્લેષણ રજૂ કરાયું છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઇરમાના પ્રો. માધવી મહેતાએ મહિલા ઉદ્યોગસાહસિકતા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, “Women Leading the World” વિષય પર એક પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતોએ મહિલા ઉદ્યોગસાહસિકતાના પડકારો અને સફળતા વિશે સંવાદ કર્યો. શ્રીમતી આશાબેન દલાલે મહિલાઓ માટે AI દ્વારા ઊભા થતા પડકારો વિશે વિસ્તૃત માહિતી આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વુમન્સ સેલના સંયોજિકા પ્રોફેસર દર્શના દવેના માર્ગદર્શન હેઠળ ડૉ. કોમલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમે યુનિવર્સિટીની યુવતીઓને સમાજમાં આગળ વધવા માટે નવું પ્રોત્સાહન પૂરું પાડ્યું.
8 માર્ચ, 2026એ દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે, ત્યારે આ ફાઈનલ મેચ જોવા દેશના ખૂણેખૂણેથી ક્રિકેટ ફેન્સ, બોલિવૂડ સેલિબ્રિટી, દિગ્ગજ ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ એક દિવસ પહેલા જ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેઓ આજે મેચ નિહાળવા મોદી સ્ટેડિમય પહોંચી જશે. તો બીજી તરફ મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો મોદી સ્ટેડિયમ પહોંચશે જેને લઇને મોદી સ્ટેડિમય ક્રિકેટ ફેન્સથી હાઉસફૂલ થવાની શક્યતા છે. જોકે, ઈન્ટરનેશનલ પૉપ સુપરસ્ટાર રિકી માર્ટિન, પંજાબી પૉપ સિંગર સુખવીર અને ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક T20 વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. આ પરફોર્મન્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ પહેલાં થશે.
લૂંટની ઘટના:ગંગાજળિયા સીટી બસ સ્ટેન્ડ પાસે ચા પીવા આવેલ યુવકને લૂંટી લેવાયો
શહેરના રાણીકા ભાંગના કારખાના પાસે રહેતા અને ભાવનગર મહાનગરપાલિકાની બાજુમાં આવેલ ગીતાંજલિ કોમ્પલેક્ષની પાસે બહારના ભાગે લોકોના જન્મ મરણ નોંધ અંગેના ફોર્મ ભરવાની કામગીરી કરતા જીતુભાઈ રવજીભાઈ યાદવ તેના મિત્ર મયુરભાઈ પડાયા સાથે ગંગાજળિયા તળાવ સીટી બસ સ્ટેશન પાસે તેને મળી ચા પીતા હતા. ત્યારે એક અજાણ્યા ઇસમે તેની પાસે આવી તેને પકડી લઈ છરી ગળે મૂકી દઈ તેને ગાળો આપી તેની પાસે જે હોય તે આપી દેવાનું કહી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલ રૂપિયા 8000 ની કિંમત નો મોબાઇલ તથા રોકડા રૂપિયા 250 બળજબરીપૂર્વક કઢાવી લઈ નાસી ગયો હતો. બાદમાં તેમને આ વ્યક્તિ અજય ઉર્ફે તકિયા રાજુભાઈ વાઘેલા હોવાનું જાણવા મળ્યું હતું.જે અંગેની ફરિયાદ ગંગાજળિયા પોલીસમાં નોંધાવી હતી.
સ્વદેશી મેળાનું આયોજન કરાયું:ગારિયાધારમાં સ્વદેશી મેળાનો પ્રારંભ
ગારિયાધાર શહેરના વેપારીઓ અને સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગારિયાધાર નગરપાલિકા દ્વારા સાપ્તાહિક સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે. ગારિયાધાર તાલુકા શાળાના મેદાનમાં તા.7મી થી તા.13મી માર્ચ-2026 સુધી ચાલનારા સ્વદેશી મેળાને ગારિયાધાર નગરપાલિકાના મહિલા પ્રમુખે રીબીન કાપી ખુલ્લો મુક્યો હતો. ગારિયાધાર તાલુકા શાળાના મેદાનમાં સાપ્તાહિક સ્વદેશી મેળાના ઉદ્દઘાટન સમારોહમાં ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખ મીનાબેન શૈલેષભાઈ બારૈયાના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગારિયાધાર ખાતેના સાપ્તાહિક સ્વદેશી મેળામાં ગારિયાધાર શહેરના વ્યાપારીઓના જુદા જુદા 30 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. ગારિયાધારમાં સ્વદેશી મેળો સવારે 10 કલાક થી રાત્રે 10 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. સ્વદેશી મેળો-2026ના ઉદ્દઘાટન સમારોહમાં ગારીયાધાર નગરપાલિકા પ્રમુખ મીનાબેન શૈલેષભાઈ બારૈયા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, જિલ્લા ભાજપ મહામંત્રી વી.ડી.સોરઠીયા , શહેર પ્રમુખ નિલેશભાઈ રાઠોડ સહિત ગારિયાધાર નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભાવનગર પોલીસ દ્વારા યુવતીઓમાં જાગૃતિ અને સશક્તિકરણ લાવવા માટે સ્વરા પ્રોજેક્ટ નામની નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગરની ગાંધી મહિલા કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે વિશેષ સ્વરક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રોબેશનર એસપી મૌસમ મેહતા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં આત્મવિશ્વાસ વધારવો, સાયબર જગતમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવી તેમજ અજાણ્યા લોકો પર વિશ્વાસ કરતી વખતે સાવચેતી રાખવાની સમજણ આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વ્યક્તિગત સીમાઓ નક્કી કરવાની જરૂરિયાત, સોશિયલ મીડિયા પર દેખાતી દુનિયા અને વાસ્તવિક જીવન વચ્ચેનો તફાવત તથા ડિજિટલ યુગમાં ઉભા થતા જોખમો અંગે પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીનીઓને સોશિયલ મીડિયા પર થતી ઓનલાઈન છેતરપિંડી, ફેક પ્રોફાઇલ, ભાવનાત્મક પ્રભાવ અને વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ વિશે સરળ ભાષામાં માહિતગાર કરવામાં આવ્યા હતા. ‘સ્વરા’ એટલે કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ એવી દરેક સામાન્ય મહિલા કે જે પોતાના સ્વરક્ષણ માટે સજાગ રહે છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત ધરાવે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ યુવતીઓને પોતાના હકો માટે અવાજ ઉઠાવવા પ્રેરિત કરવાનો તેમજ આત્મવિશ્વાસ અને સશક્તિકરણ તરફ દોરી જવાનો છે.
વીજ કર્મીઓના પડતર પ્રશ્નો બાબતે લડતનો આરંભ:અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું PGVCL સામે આંદોલન
અનફે૨ લેબ૨ પ્રેક્ટિસ સહિતના કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો સત્વરે ઉકેલવા ગુજરાત વિદ્યુત કામદાર સંઘ લાંબા સમયથી લડત આપી રહ્યું છે. PGVCLના કર્મચારીઓના પોલિસી લેવલના પ્રશ્નો અંગે AGVKS દ્વારા સમયાંતરે PGVCL કોર્પોરેટ ઓફિસના તંત્રવાહકોને ઢંઢોળી યોગ્ય કરવા અત્યાર સુધીમાં રજૂઆતો કરાઈ છે. કર્મચારીઓના અનફે૨ લેબ૨ પ્રેક્ટિસ સહિતના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો બાબતે કામદાર સંઘે PGVCL સામે આરપારની લડાઈ આદરી 16મી માર્ચ સુધી વર્ક ટુ રૂલ્સ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમોનું એલાન કર્યું છે. PGVCLને જુદા-જુદા મુદ્દાઓ પર તાજેતરમાં 10થી વધુ લેખિત રજૂઆતો બાબતે કોઈ નક્કર ઉકેલ આવ્યો ન હોવાથી આંદોલનની નોટિસથી આખરી અલ્ટીમેટમ આપ્યું હતું. જે અનુસંધાને અણઉકેલ રહેલા પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા વર્ક ટુ રૂલસ મુજબ વધારાની કામગીરીનો બહિષ્કાર કરી આંદોલનનો આજથી પ્રારંભ કરી દીધો હતો ત્યારે AGVKS સાથે જોડાયેલ કર્મીઓ વર્ક ટુ રૂલસ મુજબ કામગીરી કરી PGVCLની વધારાની કામગીરીથી અલગ રહ્યા હતા. આંદોલનમાં 13 હજાર કર્મચારીઓ જોડાશેPGVCLને કર્મચારીઓના વ્યક્તિગત પ્રશ્નોથી લઈ પોલિસી લેવલના પ્રશ્નો અંગે અત્યાર સુધીમાં વારંવાર રજૂઆતો કરી છે. જોકે તેમ છતાં પ્રશ્નો ધ્યાને ન લેવાતા આંદોલનનું એલાન કરાયું છે ત્યારે ગુજરાત વિદ્યુત કામદાર સંઘના PGVCL સામેના આંદોલનમાં 13 હજાર કર્મચારીઓ જોડાશે. > બળદેવભાઈ પટેલ, સિનિયર સેક્રેટરી જનરલ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ AGVKSના આંદોલનમાં તબકકાવાર કાર્યક્રમોPGVCL વિરુદ્ધ આંદોલનાત્મક કાર્યક્રમોમાં PGVCLની વિવિધ કચેરીઓમાં તા.7 થી 15મી માર્ચ સુધી કચેરી સમય સિવાય અને રજાના દિવસોમાં વર્ક ટુ રૂલ્સ કામગીરી કરી રવિવારે વિન્ડો કલેકશન અને નોન ટેક કર્મચારીઓ ફિલ્ડ કલેકશનની કામગીરીથી દૂર રહેશે. તેમજ કચેરીઓમાં તા.11 થી 14મી માર્ચ સુધી વર્ક ટુ રૂલ્સ કામગીરી સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરાશે. છેલ્લા દિવસે તા.16મી માર્ચના PGVCL રાજકોટ કોર્પોરેટ કચેરીમાં ધરણા સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવશે.
આગામી દિવસોમાં મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે સૌ કોઇ સુસજ્જ થઇ રહ્યાં છે ત્યારે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી પૂર્વે પ્રાથમિક શિક્ષકોને પણ પોતાના અણઉકેલ પ્રશ્નો યાદ આવ્યા છે. તાજેતરમાં પ્રાથમિક શિક્ષકોના અણઉકેલ પ્રશ્નો અંગે રાજ્ય કારોબારી યોજાઇ ગઇ જેમાં HTAT બદલી કેમ્પ, 100% જિલ્લા ફેર, પ્રાથમિક શિક્ષકોને વર્ગ 1-2 માટે લાયક ગણવા, ધો. 6 થી 8 માં અંગ્રેજી વિષય શિક્ષકની નિમણૂક સહિતના 66 પ્રશ્નો ચર્ચાયા હતા. પ્રાથમિક શિક્ષકોના આ તમામ પ્રશ્નો અંગે લાંબા સમયથી રજૂઆત છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત રાજ્ય કારોબારીમાં ચર્ચાયેલા પ્રશ્નોમાં 01-04-2005 પછીના શિક્ષકો માટે OPS, 1998થી માતૃત્વની રજાઓ ઉ.પ.ધોરણમાં કપાત ન ગણવી, CRC co. માટે ત્રણ વાર સેલ્ફી અને કુલિંગ પિરિયડ રદ કરવા બાબત, આચાર્ય અને CRC co ને વેકેશનની પ્રાપ્ત રજાઓ આપવા બાબત, આશ્રમશાળામાં કરેલી નોકરી સળંગ ગણવા બાબત 1 વર્ષમાં 2 વાર વિદેશ જવા NOC આપવા બાબત, ખાલી જગ્યા પર નવીન TPEO ની તાત્કાલિક નિમણૂક,શિક્ષક તાલીમ શેડ્યુલ વર્ષની શરૂઆતમાં નક્કી કરી શરૂઆતમાં જ તાલીમ આપવા જેવા પ્રશ્નો પર આગળની રણનીતિ ઘડવામાં આવી હતી. જિલ્લા ફેર બદલીનો લાભ 2 વાર આપવા, બદલી થયેલ શિક્ષકોને 100 ટકા છૂટા કરવા, શૈક્ષણિક કચેરીઓમાં ક્લાર્કની સંપૂર્ણ જગ્યાઓ ભરવા, જિલ્લા ફેર માટે 5 વર્ષનો નિયમ દુર કરવા, ધોરણ 3 થી 8 ની પરીક્ષા એક સહ લેવા, ધો.6થી 8નું પ્રશ્નપત્ર 40 ગુણનું કરવા, ધો.3 થી 5માં તાસ પદ્ધતિ બંધ કરવા, સ્વચ્છતા અને ડેટમ ગ્રાન્ટ સમયસર આપવા અને નોંધપાત્ર વધારો કરવા, શાળાઓમાં ક્લાર્કની નિમણૂક કરવા, દરેક વર્ગમાં સ્માર્ટ TV વ્યવસ્થા પૂરી પાડવા, પગાર કેન્દ્રમાં શાળા સહાયકની નિમણૂક કરવા બાબતનો સમાવેશ કરાયો હતો. શિક્ષકોના આ 66 જેટલા અણઉકેલ પ્રશ્નો અંગે હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જાગૃતિ આવી છે. શિક્ષકોનું યુનિયન પણ આ અંગે સક્રિય થયું છે. કારોબારી બેઠકમાં આ અણઉકેલ પ્રશ્નોની ચર્ચા કરી હતી અને જાણે ચૂંટણી છે એટલે થોડા પ્રશ્નો ઉકેલાય તેવી આશા હોય તેવું લાગ્યું હતું. બીજો અને ચોથો શનિવાર રજા આપોધો.6 થી 8 ના શિક્ષકને ફરી ધો.1 થી 5માં જવા વિકલ્પ આપવા, સિનિયર શિક્ષકોને પ્રમોશન આપવા, બીજો અને ચોથો શનિવાર રજા, CRC co વય મર્યાદા 55 વર્ષ કરવા, શિક્ષક સામે ફરિયાદના કિસ્સામાં પ્રાથમિક તપાસ પોલીસ +ખાતા દ્વારા થયા બાદ જ યોગ્ય લાગે તો ધરપકડ કરવા, ઉત્સવ માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવા અને તબીબી કિસ્સા બદલીમાં જિલ્લા તબીબી અધિકારીનું પ્રમાણપત્ર માન્ય ગણવા બાબતનો સમાવેશ છે. 2011 પહેલાંના શિક્ષકોને TET મુક્તિ આપોકોર્ટ કેસ વાળી શાળા બાકાત રાખી બદલી કેમ પૂર્ણ કરવા, ધો.1 થી 5માં પાંચમા શિક્ષક મહેકમ માટે બાળકોની સંખ્યાનો રેશિયો ઘટાડવા બાબત - વર્ગ દીઠ શિક્ષક આપવા, શાળા કન્ટીજન્સી ચાલુ કરવી રકમમાં વધારો કરવો, આચાર્ય એલાઉન્સ વધારી 1000 કરવું , 2011 પહેલાંના શિક્ષકોને TET મુક્તિ, સત્રની શરૂઆતમાં જ સાહિત્ય મળી જાય તેવું આયોજન કરો.
અભ્યાસક્રમની મજાક:યુનિમાં બે જુદા જુદા સેમ.માં એક સમાન કોર્સ
એમકેબી યુનિ.એ જાણે અભ્યાસક્રમને મજાક સમાન બનાવી દીધો હોય તેમ બી.કોમ. સેમેસ્ટર-4 અને સેમેસ્ટર-6માં ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ કોર્સને સમાન અભ્યાસક્રમ સાથે બન્ને સેમેસ્ટરમાં ચાલુ રાખવામાં આવ્યો હોવાનું ખુલતા એબીવિપિ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ મામલે આગામી બે દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ કુલપતિને રજૂઆતના સમયે આપવામાં આવી હતી. આ મુદ્દે વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ બંને સેમેસ્ટરમાં એકસરખો વિષય અને એકસરખો અભ્યાસક્રમ રાખવામાં આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાછેડી થતી હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે અને અભ્યાસક્રમને મજાક સમાન બનાવી દેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. સાથે સાથે નવી શિક્ષણ નીતિ મુજબ (NEP) કેટી (KT) પરીક્ષા વર્ષમાં બે વખત લેવાય તેવી જોગવાઈ હોવા છતાં યુનિવર્સિટીમાં કેટી પરીક્ષાનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવતું નથી તેવી પણ ફરિયાદ ઉઠી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઘણા કિસ્સાઓમાં કેટી પરીક્ષા વર્ષ દરમિયાન લેવાતી નથી અને આગામી વર્ષે નિયમિત પરીક્ષાઓ સાથે જ લેવામાં આવે છે, જે નવી શિક્ષણ નીતિના નિયમો વિરુદ્ધ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટી કેમ્પસમાં અસામાજિક તત્વોનું આવાગમન વધી ગયું હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. કેમ્પસ વિસ્તારમાં દારૂ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેમ્પસમાં તાત્કાલિક ધોરણે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી વધુ સિક્યુરિટી ગાર્ડોની નિમણૂક કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ મુદ્દાઓને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી પ્રશાસનને તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે. સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો બે દિવસમાં આ મુદ્દાઓ પર યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના માટેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે.
'ઉંમર કદાચ શરીરને થોડું ધીમું બનાવી શકે, પરંતુ મનનો ઉત્સાહ ક્યારેય ધીમો પડવો જોઈએ નહીં' આ શબ્દો છે અમદાવાદમાં રહેતા અને 87 વર્ષની ઉંમરે પણ શહેરના ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર શોલેના જય-વીરુની જેમ મોટરસાયકલ પર ફરતા મંદાકિનીબેન શાહના. જેઓ આજે પણ મોટી ઉંમરના કારણે ઘરે બેસી રહેવાના બદલે નવી નવી જગ્યાએ ફરવાનું અને અન્ય લોકોને પ્રોત્સાહિત કરવાનું પસંદ કરી રહ્યા છે. biker.dadiથી ઈન્સ્ટાગ્રામમાં ફેમસ બંને બહેનો પોતાના વીડિયો બનાવી અપલોડ કરતા રહે છે.તેઓ ઈન્સ્ટાગ્રામ પર 7000થી વધુ ફોલોઅર્સ ધરાવે છે. અનેક મહિલાઓ માટે પ્રેરણારુપ બનેલા મંદાકિની બહેન શાહ સાથે મહિલા દિવસ નિમિતે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી. સ્કૂટર ચલાવતી સમયે ચહેરા પર લાગતો પવન યુવાનીનો અહેસાસ કરાવે- મંદાકિનીબહેનઅમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને 87 વર્ષની ઉંમરે પણ બહેન સાથે મોટરસાયકલ ચલાવતા મંદાકિની બહેન શાહે દિવ્ય ભાસ્કર સાથે પોતાના સંઘર્ષમય જીવનની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તેમને આજે પણ પોતાની નાની બહેન ઉષા સાથે અને તેમના વિશ્વાસુ સ્કૂટર પર સાહસિક મુસાફરી કરવી ખૂબ ગમે છે. તેઓ કહે છે કે,સ્કૂટર ચલાવતી વખતે ચહેરા પર લાગતો પવન તેમને ફરીથી યુવાનીનો અહેસાસ કરાવે છે. આ જ ઉત્સાહ તેમને આજે પણ જીવન જીવવાની નવી ઊર્જા આપે છે. પિતા ફ્રિડમ ફાઈટર, પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટામંદાકિનીબેનનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. તેઓ પાંચ બહેનો અને એક ભાઈ વચ્ચે સૌથી મોટા હતા. ઘરમાં સૌથી મોટા હોવાને કારણે જવાબદારી શું હોય છે તેની સમજ તેમને બાળપણથી જ થઈ ગઈ હતી. પરિવારની પરિસ્થિતિ સામાન્ય હતી અને આર્થિક સંજોગો હંમેશા મજબૂત નહોતા.તેમના પિતા ફ્રીડમ ફાઈટર હતા. દેશને આઝાદી મળ્યા પછી તેમનું સપનું પોતાનો વ્યવસાય શરૂ કરવાનો હતો. પરંતુ આર્થિક પરિસ્થિતિ મજબૂત ન હોવાને કારણે તે સપનું પૂર્ણ થઈ શક્યું નહોતું. ઘરમાં પૈસાની હંમેશા તંગી રહેતી. આવી સ્થિતિમાં તેમની માતાએ આખા પરિવારને સંભાળ્યો અને બાળકોને ઉછેર્યા. વધુમાં તેઓએ જણાવ્યું કે, તેમણે પોતાની માતાને રોજિંદા સંઘર્ષ કરતા જોયા અને તેમાંથી જ તેમને શીખ મળ્યું કે જીવનમાં સ્વાવલંબન કેટલું મહત્વનું છે. તેમણે નક્કી કર્યું કે જીવનમાં કોઈપણ પરિસ્થિતિ આવે, તેમને પોતાના પગ પર ઉભા રહેવું છે. નબળી આર્થિક સ્થિતિના કારણે કોલેજ સુધી અભ્યાસ ન થઈ શક્યોપરિસ્થિતિઓને કારણે મંદાકિનીબેન કોલેજ સુધી અભ્યાસ કરી શક્યા નહોતા. શાળા પૂર્ણ થતાં જ તેમણે કામ શરૂ કરી દીધું. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે બાલ મંદિરમાં મોન્ટેસરી શિક્ષિકા તરીકે કામ શરૂ કર્યું. તે સમયે તેમને અંગ્રેજી ભાષાના ઘણા શબ્દો પણ સારી રીતે આવડતા નહોતા, પરંતુ તેમની અંદર કામ કરવાની ઇચ્છા અને જવાબદારીનો ભાવ હતો. શિક્ષિકા તરીકે કામ કરતી વખતે તેમણે બાળકો સાથે જોડાવાની અને તેમને શીખવવાની ખાસ કળા વિકસાવી. આ કામ દ્વારા તેમને સમાજ સાથે વધુ નજીકથી જોડાવાની તક મળી. મહિલાઓને પગભર કરવા હંમેશા સક્રિય રહ્યામંદાકિનીબેન સામાજિક કલ્યાણના અનેક પ્રોજેક્ટ્સ સાથે જોડાયા. તેઓ ગામડાઓમાં મહિલા મંડળોની બેઠકમાં ભાગ લેતા, પંચાયતની ચર્ચાઓમાં હાજરી આપતા અને સ્ત્રીઓને તેમના અધિકારો વિશે સમજાવતા. તેઓ મહિલાઓને આત્મવિશ્વાસ સાથે જીવવાની પ્રેરણા આપતા. આ કામ દરમિયાન તેમને ઘણીવાર ધૂળિયા રસ્તાઓ પર મુસાફરી કરવી પડતી અને લોકો સાથે કલાકો સુધી ચર્ચાઓ કરવી પડતી. પરંતુ આ બધું તેમની માટે માત્ર કામ નહોતું, પરંતુ સમાજ માટે કંઈક કરવાનું એક મિશન હતું. 62 વર્ષની ઉંમરે મોપેડ ચલાવતા શીખ્યા આજે 87 વર્ષે પણ ચલાવે છેજીવનમાં નવી બાબતો શીખવાની તેમની ઉત્સુકતા ક્યારેય ઓછી થઈ નથી. 62 વર્ષની ઉંમરે તેમણે મોપેડ ચલાવવાનું શીખ્યું. ત્યારબાદ જીપ ચલાવવાનું પણ શીખ્યા. અંતે તેમણે એક સેકન્ડ-હેન્ડ સ્કૂટર ખરીદ્યું, જે આજે પણ તેમની સાથે જીવનની અનેક સફરોમાં સાથી છે. સમાજમાં ઘણીવાર લોકોને તેમની જીવનશૈલી વિશે પ્રશ્નો પૂછતા. લોકો વારંવાર પૂછતા કે શું તેઓ લગ્ન કર્યા નથી અથવા શું તેઓ વિધવા છે. ઘણા લોકો માટે એકલી સ્ત્રી એટલે અધૂરી કહાની. પરંતુ મંદાકિનીબેન માટે તેમની પોતાની જીવનકથા સંપૂર્ણ અને સુંદર હતી. તેઓ કહે છે કે દરેક દિવસ સાથે તેમની જીવનકથા વધુ ખીલી રહી છે. એક સમયે તેમને પણ લગ્ન કરવાની ઇચ્છા હતી, પરંતુ જીવનના રસ્તાઓ અલગ રીતે વળી ગયા. તેમણે જીવનને જે રીતે મળ્યું તે રીતે સ્વીકાર્યું અને આગળ વધ્યા. આજે પણ જ્યારે તેઓ સ્કૂટર ચલાવે છે ત્યારે ઘણીવાર ટ્રાફિક પોલીસ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને મજાકમાં પૂછે છે, “બા, તમે સ્કૂટર કેમ ચલાવો છો?” લોકો ઘણીવાર તેમની નકલ પણ કરે છે. જ્યારે લોકો તેમને અને તેમની બહેન ઉષાને સ્કૂટર પર એકસાથે જતા જુએ છે ત્યારે તેઓ આશ્ચર્યથી ભરાઈ જાય છે. પરંતુ મંદાકિનીબેન માત્ર સ્મિત કરે છે અને કોઈ જવાબ આપતા નથી. તેઓ કહે છે કે આ આનંદને શબ્દોમાં સમજાવવો મુશ્કેલ છે. સ્કૂટર ચલાવતી વખતે ચહેરા પર લાગતો પવન આજે પણ તેમને 16 વર્ષની ઉંમરની યાદ અપાવે છે. જીવનમાં ખુશી જાળવવા હાસ્ય અને રમતો ખૂબ જરુરી- મંદાકિનીબહેનમંદાકિનીબેનનો દિવસ આજે પણ ખૂબ સક્રિય રીતે પસાર થાય છે. તેઓ દરરોજ પોતાના મિત્રોને મળવા જાય છે. મિત્રો સાથે તેઓ ગીતો ગાય છે, ભોજન કરે છે અને વિવિધ રમતો રમે છે. તેમને ખાસ કરીને લોકોને રમતો શીખવવી ખૂબ ગમે છે. તેઓ માને છે કે રમતો અને હાસ્ય જીવનમાં ખુશી જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે. ઉંમર કદાચ શરીરને થોડું ધીમું બનાવી શકે, પરંતુ મનનો ઉત્સાહ ક્યારેય ધીમો પડવો જોઈએ નહીં, એવું તેઓ માને છે. તેમને આજે પણ કામ કરવું, લોકો સાથે મળવું અને નવી વસ્તુઓ શોધવી ગમે છે. મંદાકિની શાહનું જીવન સમાજ માટે એક સંદેશ છે કે પરિસ્થિતિઓ કેટલીય કઠિન હોય, જો મનમાં હિંમત અને આત્મવિશ્વાસ હોય તો જીવનને પોતાની રીતે જીવવું શક્ય છે. તેઓ કહે છે કે તેમણે એવું જીવન જીવ્યું છે જેની સમાજે કદાચ તેમના માટે કલ્પના પણ નહોતી કરી. પરંતુ તેમણે ક્યારેય સમાજના બંધનોને પોતાના સપનાઓ પર હાવી થવા દીધા નથી. આજે 87 વર્ષની ઉંમરે પણ તેઓ થાક્યા નથી. તેમની આંખોમાં હજુ પણ નવી સફરો અને નવા અનુભવો માટેનો તેજ જોવા મળે છે. મંદાકિનીબેનની આ કથા માત્ર એક વ્યક્તિની નથી, પરંતુ એ દરેક માટે પ્રેરણા છે જે જીવનમાં પોતાના સપનાઓને સાચા કરવા ઈચ્છે છે. તેમની જીવનયાત્રા એ સાબિત કરે છે કે હિંમત, આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો પ્રેમ હોય તો દરેક દિવસ નવી શરૂઆત બની શકે છે.
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જ્યારે સમગ્ર વિશ્વ સ્ત્રી શક્તિના ગુણગાન ગાઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢના ગિરનારની ગોદમાં પ્રકૃતિ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત મહિલાઓની સાહસિક ગાથા ખરેખર પ્રેરણાદાયી બની રહી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ'માં સંશોધન કરતી દીકરીઓએ સાબિત કરી દીધું છે કે સંકલ્પશક્તિ મજબૂત હોય તો જંગલના દુર્ગમ રસ્તાઓ પણ સરળ બની જાય છે. પરંપરાગત સીમાડાઓ ઓળંગીને આજે આ મહિલાઓ વન્યજીવ સંરક્ષણ માટે વિજ્ઞાન અને સાહસનો સમન્વય કરી રહી છે. ભાગ્યશ્રી ડાંગરની સંઘર્ષથી 'ગિરનારના GPS' સુધીની સફરઆ ગાથામાં સૌથી મોખરે નામ આવે છે ભાગ્યશ્રી ડાંગરનું. જેઓ 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ'માં જુનિયર રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી તેઓ ગિરનાર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીના ઊંડાણપૂર્વકના વિસ્તારોમાં લાઈકેન અને શેવાળ જેવી અત્યંત દુર્લભ દ્વિઅંગી વનસ્પતિઓ પર સંશોધન કરી રહ્યા છે. આ વનસ્પતિઓ પર્યાવરણની શુદ્ધતા માપવા માટે કુદરતી સૂચક તરીકે કામ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોનાકાળ અને પૂર જેવી કુદરતી આફતોમાં પણ ગિરનારના જંગલોમાં રહીને ડેટા એકત્રિત કરવાની તેમની ધગશ જોઈને આજે સૌ કોઈ તેમને માનથી 'ગિરનારનું GPS' કહે છે. તેમની પાસે ગિરનારના એવા વિસ્તારોની ભૌગોલિક જાણકારી છે જે ભાગ્યે જ કોઈ પાસે હોય. લુપ્ત થતી વન્ય પ્રજાતિઓ પર સંશોધન કરતી સખીબીજી તરફ, WCB રિસર્ચ ફાઉન્ડેશનના વાઈલ્ડ લાઈફ માઇક્રોબાયોલોજિસ્ટ સખીએ એક અનોખો રાહ કંડાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓ માત્ર લેબોરેટરી કે પેથોલોજી સેન્ટર સુધી જ સીમિત રહેવા જોઈએ, પરંતુ તેમણે આ રૂઢિચુસ્ત માનસિકતાને ફગાવી દીધી છે. સખીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ હાલમાં લુપ્ત થતી વન્ય પ્રજાતિઓ, ખાસ કરીને રીંછના આંતરડાના સૂક્ષ્મ જીવાણુઓ (Gut Microbiota) પર ગહન સંશોધન કરી રહ્યા છે. વન્ય જીવોના સ્વાસ્થ્ય અને તેમના સંરક્ષણ માટે સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસ કેવી રીતે મદદરૂપ થઈ શકે, તે દિશામાં તેમનું મૌલિક કાર્ય આજે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આજના યુગમાં દીકરીઓ દીકરાઓની સમકક્ષ: ડો. નિષિધ ધારૈયાભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડાયરેક્ટર ડો. નિષિધ ધારૈયાએ મહિલાઓના આ પ્રદાનને બિરદાવતા જણાવ્યું હતું કે, આજના યુગમાં દીકરીઓ દીકરાઓની સમકક્ષ જ છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ'ના માધ્યમથી અનેક દીકરીઓ વહેલી સવાર કે મોડી રાત સુધી જંગલના જટિલ વિસ્તારોમાં જઈને સેમ્પલ કલેક્શન અને ટ્રેકિંગ જેવા સાહસિક કાર્યો કરી રહી છે. દીકરીઓના આ આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધનો યુનિવર્સિટીનું ગૌરવ વધારી રહ્યા છે. વન વિભાગ સંશોધક બહેનોને પ્રોત્સાહન પૂરું પાડવા તત્પરઆ સાથે જ જૂનાગઢ વન વિભાગના ACF સુનિલ પ્રજાપતિએ વન્યજીવ સંરક્ષણમાં આ સંશોધનોની અગત્યતા સમજાવતા જણાવ્યું હતું કે, વર્ષ 2008માં ગિરનારને અભયારણ્ય જાહેર કરાયા બાદ તેના સંરક્ષણ માટે વૈજ્ઞાનિક ડેટા ખૂબ જરૂરી છે. જ્યારે મહિલા સંશોધકો દુર્ગમ વિસ્તારોમાં જઈને રિસર્ચ પેપર્સ તૈયાર કરે છે, ત્યારે વન વિભાગને જંગલના વ્યવસ્થાપન અને દુર્લભ વનસ્પતિઓના જતન માટે સચોટ માર્ગદર્શન મળે છે. વન વિભાગ હંમેશા આવી સંશોધક બહેનોને પ્રોત્સાહન પૂરું પાડવા તત્પર રહે છે. 'સ્ત્રીએ ક્યારેય પોતાની ક્ષમતા પર શંકા ન કરવી'આ તમામ મહિલા સંશોધકોનો એક જ સૂર છે કે સ્ત્રીએ ક્યારેય પોતાની ક્ષમતા પર શંકા ન કરવી જોઈએ. ભાગ્યશ્રીએ અંતમાં સંદેશ આપતા જણાવ્યું હતું કે, કોઈપણ કાર્ય ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે તેની નીડરતાથી શરૂઆત કરો છો. તેવી જ રીતે સખીએ પણ સ્ત્રીઓને મક્કમ રહીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. કુદરતના અગોચર રહસ્યોને ઉકેલવા એ સ્ત્રી માટે અશક્ય નથીગિરનારની આ દીકરીઓ સાબિત કરી રહી છે કે જો મનમાં અતૂટ શ્રદ્ધા અને અડગ ઈચ્છાશક્તિ હોય, તો કુદરતના અગોચર રહસ્યોને ઉકેલવા એ સ્ત્રી માટે અશક્ય નથી. આજે આ મહિલાઓ માત્ર સંશોધન જ નથી કરી રહી, પરંતુ આવનારી પેઢીની દીકરીઓ માટે સાહસ અને વિજ્ઞાનનો એક નવો માર્ગ મોકળો કરી રહી છે.
આજે 8 માર્ચ, 2026 (રવિવાર)એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને આખું અમદાવાદ ક્રિકેટમય બની ગયું છે. આખા અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ જામ્યો છે. ફ્લાઈટના ભાડામાં 3થી 4 ગણો ઉછાળો છે, તો મુંબઈ-અમદાવાદ વચ્ચે 4 સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડશે. સેલિબ્રિટીઝનો જમાવડો રહેવાથી શહેરમાં VVIP મુવમેન્ટમાં ધસારો જોવા મળશે. ક્રિકેટને ક્રેઝ એટલો જોરદાર છે કે અમદાવાદના મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને કેફેમાં મેચ જોવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. તો ગ્રુપ મેચ જોવાના ક્રેઝને લઈને શહેરમાં પ્રોજેક્ટરની અછત સર્જાઈ છે. આ મહામુકાબલા પૂર્વે એક ભવ્ય મેગા ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરાયું છે, જે દર્શકો માટે એક અનોખો અનુભવ બની રહેશે. ગ્લોબલ પોપ સ્ટાર રિકી માર્ટિન પ્રથમ વખત અમદાવાદના આંગણે પરફોર્મ કરશે, જ્યારે ગુજરાતની ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક અને પંજાબી સિંગર સુખબીર સિંહ પોતાના અવાજથી સ્ટેડિયમમાં જોશ ભરશે. અંદાજિત 1.25 લાખ પ્રેક્ષકોની હાજરીમાં લેસર શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થશે. જો તમે મેચ જોવા માટે જવાના હોવ તો તમારે શું ધ્યાન રાખવું, કઇ વસ્તુ સાથે લઈ જવી, પોતાની ગાડી કે ટુ-વ્હીલર ક્યા પાર્કિંગ કરવું અને જો મેટ્રોમાં જવાના હોવ તો ટાઇમિંગ અને પ્રતિબંધિત કે વૈક્લિપક રૂટ વિશેની તમામ માહિતી આજે તમને દિવ્ય ભાસ્કર એપ પર જાણવા મળશે. સ્ટેડિયમ ગેટ નંબર-1થી 100 મીટર દૂર બેરિકેડ મૂકી પ્રવેશ અપાશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1 પાસે ધક્કામુક્કી ન થાય તે માટે 100 મીટર આગળ બેરિકેડ્સ મૂકી ત્યાંથી જ પ્રવેશ અપાશે. સ્ટેડિયમમાં પ્રેક્ષકો પર નજર રાખવા સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવાયો છે, જેમાં બેઠેલી ટીમ 270 કેમેરાથી સતત મોનિટરિંગ કરશે. સ્ટેડિયમમાં 4 બોમ્બ સ્ક્વોડ, NDRFની ટીમ પણ તહેનાત રહેશે. મેચને પગલે સ્ટેડિયમની અંદર-બહાર લોખંડી બંદોબસ્ત રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વીઆઈપી સહિત 1 લાખથી વધુ લોકો આવવાના હોવાથી શહેર પોલીસે સુરક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. સ્ટેડિયમમાં 8 ગાડી સાથે 55 ફાયર અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશેસ્ટેડિયમના ચારેય ગેટ પાસે ફાયરનું એક વાહન તથા પાર્કિંગ પ્લોટમાં પણ ફાયરનાં વાહન ઊભાં રખાશે. આ સાથે જ સ્ટેડિયમની અંદર 55 ફાયર અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે. મેચને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ઓડિટ કર્યું છે. સાથે જ ઈમર્જન્સીમાં ત્યાંના સ્ટાફે શું કરવું જોઈએ તેની ટ્રેનિંગ પણ આપી છે. બિલ્ડિંગની અંદર ઇલેક્ટ્રિક સમસ્યાનો સામનો કરવા માટે ફાયર એક્સ્ટીંગ્વિશર, ફાયર ફાયટિંગ હાઈડ્રન પોઈન્ટ, વોટસ સ્પ્રિંક્લર ફિક્સ કરેલા છે. ટ્રાફિક જનપથ ટી-મોટેરા ગામ રોડ સવારે 10થી બંધમેચને પગલે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડન્સીથી મોટેરા ગામ સુધીનો આવવા-જવાનો રસ્તો વાહનોની અવરજવર માટે સવારે 10 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી વિસતથી જનપથ થઈ પાવર હાઉસ, પ્રબોધ રાવળ સર્કલ તથા કૃપા રેસિડન્સીથી ભાટ કોટેશ્વર રોડ, એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકશે. ટ્રાફિકના એક જેસીપી, ત્રણ ડીસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત કુલ 800 અધિકારી-કર્મચારીઓ હાજર રહેશે. શો માય પાર્કિંગ એપ ઉપરથી પાર્કિંગ બુકિંગ કરાવવાનું રહેશેT-20 વર્લ્ડ કપની ફાઈનલ જોવા એક લાખથી વધુ લોકો સ્ટેડિયમમાં આવશે ત્યારે જે લોકો વાહન લઈને સ્ટેડિયમ આવવાના છે તેમના માટે પાર્કિંગના અલગ અલગ લોકેશન નક્કી કરવામાં આવ્યા છે. લોકોએ શો માય પાર્કિંગ એપ ઉપરથી પાર્કિંગ બુકિંગ કરાવવાનું રહેશે જે બુક કરાવ્યા બાદ તેઓ પોતાનું વાહન ત્યાં પાર્કિંગ કરી જઈ શકશે. એપ કે વેબસાઇટ પરથી પાર્કિંગ બુક થશેદેશ-વિદેશમાંથી હજારો ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે પ્રેક્ષકોને પાર્કિંગ અંગે કોઈ મુશ્કેલી ન પડે, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને પાર્કિંગ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે SHOW MY PARKING દ્વારા આધુનિક અને નવીનતમ ટેકનોલોજી સાથે સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રેક્ષકોએ Show My Parking એપ ડાઉનલોડ કરીને અથવા સીધા વેબસાઇટ પરથી સરળતાથી પાર્કિંગ બુક કરી શકે છે. કુલ 5,000 વાહનો પાર્ક થઈ શકશેસ્ટેડિયમ આસપાસ કુલ 8 અલગ-અલગ પાર્કિંગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ફોર-વ્હીલર માટે 6 પાર્કિંગ સ્થળો અને ટુ-વ્હીલર માટે 4 પાર્કિંગ સ્થળો છે. ફોર-વ્હીલર માટે 2,000 વાહનો અને ટુ-વ્હીલર માટે 3,000 વાહનો એમ કુલ 5,000 વાહનો પાર્ક થઈ શકે છે. વર્લ્ડ કપ ફાઇનલ જોવા મેટ્રોમાં જવું સરળ પડશેવિશ્વનું સૌથી મોટું ગણાતા એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે વર્લ્ડ કપની મેચ રમાવાની છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. પણ શું તમે સ્ટેડિયમ ખાતે ઝડપી અને એકદમ સરળતાથી પહોંચવા માગો છો? જો હા તો તમારે મેટ્રોની સવારી કરવી પડશે. કારણ કે જો તમે તમારું પોતાનું વાહન લઈને જશો તોય તમારે 1થી 2 કિમી ચાલવું તો પડશે જ, પણ જો તમે મેટ્રો ટ્રેનમાં જશો તો માત્ર 100 મીટર ચાલવું પડશે, જી હા સ્ટેડિયમ પહોંચવામાં એકદમ સરળ અને નજીકનો રસ્તો મોટેરા મેટ્રો સ્ટેશનથી છે. તો આવો...જાણીએ કે કયા વિસ્તારમાંથી તમે કયા મેટ્રો સ્ટેશનની મદદથી સ્ટેડિયમ ખાતે પહોંચી શકશો... મેટ્રો રાતે 12.30 સુધી દોડશે, રૂ.50માં એડવાન્સ ટિકિટમેચ પૂરી થયા પછી સ્ટેડિયમથી પરત ફરનારા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને મેટ્રો સેવા રાત્રે 12.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સ્ટેડિયમથી એપીએમસી સુધી મેટ્રો રાત્રે 10થી 12.30 વાગ્યા સુધી દોડશે. ઉપરાંત જૂની હાઈકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તરફની સેવાઓ પણ રાત્રે 12.50 વાગ્યા સુધી રહેશે. ગાંધીનગરના મુસાફરો માટે સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે 11.40 અને 12.10 વાગે બે વધારાની ટ્રેન દોડાવાશે. પેસેન્જર રૂ. 50ની એડવાન્સ ટિકિટ પણ લઈ શકશે. આ બંને રૂટ ઉપરથી મોટેરા સ્ટેડિયમ પહોંચી શકાયજો તમે પૂર્વ વિસ્તારમાં રહો છો તો વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ તરફ જઈ શકો છો. જો પશ્ચિમ વિસ્તારમાં રહો છો તો થલતેજથી વસ્ત્રાલ જતી મેટ્રો ટ્રેન અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી જતી મેટ્રો ટ્રેનમાં બેસીને પહોંચી શકો છો. આ બંને રૂટ ઉપરથી મોટેરા સ્ટેડિયમ પહોંચી શકાય છે. મોટેરા તરફ જતી ટ્રેનમાં બેસવું પડશે પૂર્વ વિસ્તારમાંથી વસ્ત્રાલથી થલતેજની મેટ્રો ટ્રેનમાં બેસીને મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવું હોય તો તેના માટે ઇન્કમટેક્સ મેટ્રો સ્ટેશન ખાતે ટ્રેન બદલવી પડશે. ઇન્કમટેક્સ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ તરફ જતી ટ્રેનમાં તમારે બેસીને જવું પડશે. જો એસજી હાઈવે, બોપલ, બોડકદેવ, હેલ્મેટ ચાર રસ્તા, મેમનગર, આનંદનગર, પ્રહલાદનગર તરફથી જો તમે આવવા માંગતા હોવ તો થલતેજની મેટ્રો ટ્રેનમાં બેસી અને તમારે ઇન્કમટેક્સ ખાતે ટ્રેન બદલવી પડે અને મોટેરા તરફ જતી ટ્રેનમાં બેસવું પડશે. ઇન્કમટેક્સ સ્ટેશનથી ટ્રેન બદલવી પડશે જો સરખેજ, વેજલપુર, વાસણા, પાલડી, નવરંગપુરા સરખેજ અને મોટેરા સ્ટેડિયમ જવા માગો છો તો સીધી મોટેરા સ્ટેડિયમ જતી મેટ્રો ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ પહોંચી શકાશે, પરંતુ જો પૂર્વ વિસ્તારમાંથી અને એસજી હાઇવે તરફના વિસ્તારમાંથી આવો છો તો ઇન્કમટેક્સ સ્ટેશનથી ટ્રેન બદલવી જ પડશે અને મોટેરા સ્ટેડિયમ જતી ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ સુધી પહોંચી શકાશે. ફાઇનલ મેચને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે વધુ ચાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશેઅમદાવાદમાં ફાઇનલ મેચને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ વધુ ચાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ, અમદાવાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તથા અમદાવાદ–પુણે વચ્ચે વિશેષ ભાડા સાથે દોડાવાશે. બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ વચ્ચે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ તરીકે દોડાવાશે. અમદાવાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુપરફાસ્ટ એસી સ્પેશિયલ, અમદાવાદ-પુણે સુપરફાસ્ટ પણ દોડાવાશે. એડવાન્સ બુકિંગ 7 માર્ચથી તમામ રિઝર્વેશન કાઉન્ટર, આઈઆરસીટીસી પર શરૂ કરાશે. અમદાવાદ-મુંબઈ તેજસ સ્પે.માં વધારાના 4 એસી કોચ જોડાશેમુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનમાં એક સેકન્ડ એસી અને 3 થર્ડ એસી કોચ ઉમેરાશે. આ વધારાના 4 નવા કોચ ઉમેરવાથી ટ્રેનમાં 268 સીટનો વધારો થશે. આ નવી વ્યવસ્થા સાથે ટ્રેન 7 માર્ચે મુંબઈ સેન્ટ્રલથી ઊપડશે અને અમદાવાદથી 9 માર્ચે ઊપડશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે. આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. હાલ સોશિયલ મીડિયામાં પનોતી સ્ટેડિયમના ટેગ સાથે પોસ્ટ વાઈરલ થઈ રહી છે, ત્યારે આ સ્ટેડિયમ ખરેખર પનોતી છે કે નહીં તે જાણવા દિવ્ય ભાસ્કર ક્રિકેટરસિકો વચ્ચે પહોંચ્યું હતું. ક્રિકેટરસિકોએ જણાવ્યું હતું કે, અમે આવી ગયા છીએ હવે પનોતી હટી જશે. અન્ય એકે કહ્યું જો એવું હોય તો એક વર્લ્ડકપ હારી ચૂક્યા છે તો એ કર્ઝ પૂરૂ થઈ ગયું છે. હવે ફાઈનલી ઇન્ડિયા જ જીતશે. અન્ય એક ફેન્સે કહ્યું કે, વર્ષ 2023થી લોકોને લાગે છે પણ ઇન્ડિયા જીતશે અને આ દાગ હટી જશે. જાણો અન્ય ક્રિકેટ્સ ફેન્સે કેવા કેવા જવાબો આપ્યા.
જો તમે એમ માનતા હો કે હજારો કિલોમીટર દૂર ઇરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી મને કંઇ ફેર ન પડે તો તમારી આ માન્યતા ખોટી છે કેમ કે ફક્ત તમારા ખિસ્સાંને જ નહીં પરંતુ તમારી આસપાસના ઉદ્યોગો અને વેપાર ધંધાને પણ મિડલ ઇસ્ટમાં ફાટી નીકળેલા આ યુદ્ધની અસર થશે. ગેસ સિલિન્ડર, ડ્રાયફ્રૂટ્સથી લઇને સુરતના હીરા ઉદ્યોગ અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી સુધી આ યુદ્ધની અસર થઇ રહી છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે ક્યા ઉદ્યોગના શ્વાસ અદ્ધર થઇ ગયા છે. હજુ તો શનિવારના દિવસનો સૂરજ ઊગી જ રહ્યો હતો કે ત્યાં સમાચાર આવ્યા કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. સરકારે દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને LPG ઉત્પાદન વધારવાનો પણ આદેશ આપ્યો છે. બીજીતરફ અમરેલી, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા લાંબી લાઇનો લાગી હતી. યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાશે તેવી અફવા ફેલાતા આવી પરિસ્થિતિ ઊભી થઇ હતી. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર એસોસિએશનના ઉપપ્રમુખ મેહુલ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, યુદ્ધ લાંબુ ચાલે તો પણ ક્રૂડ ઓઇલનો જથ્થો આપણને મળી રહેશે એટલે તેના માટે પેનિક કરવાની કોઇ જરૂર નથી. ગ્રાહકો કોઇપણ સંજોગમાં પેનિક થઇને ખરીદી ન કરે. જેટલું જરૂરી હોય તેટલું જ પેટ્રોલ ડીઝલ લે. ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર થશે તો જ ભાવ વધશેતેમણે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની શક્યતાનો પણ છેદ ઉડાડી દીધો અને જણાવ્યું કે, મારું અંગત ગણિત કહે છે કે પેટ્રોલ-ડીઝલના સપ્લાયમાં કોઇ તકલીફ નથી પડવાની. સરકાર તકેદારી રાખી રહી છે કે લોકોને પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે. જ્યાં સુધી ક્રૂડનો ભાવ 100 ડોલર ઉપર ન વધે ત્યાં સુધી ભારતમાં ભાવ વધારાની શક્યતા પણ નહીંવત છે. આખા દેશ માટે પેટ્રોલ ડીઝલનો ઓછામાં ઓછો 45 દિવસનો જથ્થો પડ્યો છે.મેહુલ પટેલ કહે છે કે, ગુજરાતમાં આશરે 7 હજાર પેટ્રોલ પંપ છે. તેમાં CNG સ્ટેશન પણ આવી જાય. CNGને પણ અસર થઇ શકે છે. દર મહિને આપણો 21.77 લાખ KL (1 KL= 1 હજાર લીટર) લીટર ઉપયોગ છે. હાલમાં મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ તરફથી જે લેટેસ્ટ ન્યૂઝ મળ્યા છે તે પ્રમાણે આખા દેશ માટે આપણી પાસે ઓછામાં ઓછા 45 દિવસનો પેટ્રોલ અને ડીઝલનો રિઝર્વ જથ્થો પડ્યો છે. સાઉદી અરબથી આવતા ક્રૂડ ઓઇલ પર અસર થશેતેમણે આગળ કહ્યું, આ યુદ્ધના કારણે દુનિયાના ઓઇલ અને ક્રૂડ રિઝર્વ પર અસર પડી છે. ભારત તટસ્થ દેશ છે. છેલ્લા કેટલાક સમયથી આપણું મોટા ભાગનું ક્રૂડ રશિયા પાસેથી આવતું હતું. હવે અમેરિકા સાથે એગ્રિમેન્ટ થયો છે એટલે કદાચ અમેરિકા પાસેથી ક્રૂડ આવશે. ભારત સાઉદી અરબ પાસેથી 20થી 25% ક્રૂડ ઓઇલ ખરીદતું હતું. જેના પર કદાચ અસર પડશે. ટુરિઝમ પર અસરઇરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની અસર દુબઇમાં જોવા મળી હતી. એરપોર્ટ બંધ કરાતા ભારતીયો ત્યાં ફસાયા હતા. જો કે આવી પરિસ્થિતિમાં હવે ગુજરાતથી દુબઇ ફરવા જનારા મુસાફરોમાં પણ થોડો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી તેઓ પોતાનું પ્લાનિંગ થોડું મોડું કરી રહ્યાં છે અથવા તો કેન્સલ કરાવી રહ્યાં છે. વર્ષોથી ટુરિઝમ વ્યવસાય સાથે સંકળાયેલા અજય મોદીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, અચાનક જે રીતે દુબઇને ટાર્ગેટ કરવામાં આવ્યું તેના કારણે ત્યાંના ટુરિઝમ પર તેની અસર જોવા મળી રહી છે. દુબઇ ફરવા જનારા પ્રવાસીઓમાં ડરનો માહોલ બની ગયો હતો. દુબઇના બદલે બાલી, થાઇલેન્ડનું પ્લાનિંગતેમણે કહ્યું, આવી પરિસ્થિતિમાં ડર લાગે એટલે કેટલાક પર્યટકો દુબઇ જવાને બદલે બાલી, થાઇલેન્ડ સહિતના સ્થળોએ જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. અમારે ત્યાંથી અમેરિકા અને કેનેડા જનારા લોકોના બુકિંગ છે. તેમને અમે ડાયરેક્ટ દિલ્હી અને મુંબઇથી જ ફ્લાઇટ મળી જાય તે રીતની ટિકિટ બુક કરી આપીએ છીએ. જેથી બીજો કોઇ ઇશ્યુ હજી સુધી આવ્યો નથી. જો આ યુદ્ધ 2 મહિના લાંબુ ચાલ્યું તો ડ્રાયફ્રૂટના ભાવ પણ વધી શકે છે. જો કે હાલમાં પૂરતો જથ્થો છે અને લોકો ગભરાવાની જરૂર નથી. હિરેન ગાંધી IBF (ઇન ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન)ના સેક્રેટરી છે. તેમણે ડ્રાયફ્રૂટ, બાસમતી ચોખા અને સિરામિક ઇન્ડસ્ટ્રીના ગેસ સપ્લાય વિશે વાત કરી. ભારતનું ડ્રાયફ્રૂટ માર્કેટ 35 હજાર કરોડનુંહિરેન ગાંધીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મારી પાસે ઉપલબ્ધ સીએનજીના રિપોર્ટ અનુસાર આપણે દોઢથી પોણા બે લાખ ટન માલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. ટોટલ ડ્રાયફૂટના વેપારનું માર્કેટ 35 હજાર કરોડનું છે. તેમાંથી 80-90% આપણે આયાત કરીએ છીએ એટલે કે 28 થી 30 હજાર કરોડનું આપણે ઇમ્પોર્ટ કરી રહ્યાં છીએ. યુદ્ધના કારણે મામરો બદામના ભાવમાં વધારો થયો છે. હિરેન ગાંધી કહે છે કે, પહેલાં હોલસેલ માર્કેટમાં મામરો બદામનો ભાવ પ્રતિ કિલોએ 1800થી 2 હજાર રૂપિયા હતો જે હવે પ્રતિ કિલોએ 2800થી 2900 થઇ ગયો છે. મામરો બદામમાં 4થી 5% ઇમ્પોર્ટ હશે. બાકી 95% બદામ અમેરિકાથી આવે છે. જે અમેરિકન બદામ છે. આરોગ્યની દૃષ્ટિએ મામરો બદામ સારામાં સારી હોય છે. ઇરાનના પિસ્તા ડોડી સારા હોય છે. અફઘાનિસ્તાનના અંજીર સારા હોય છે. બદામનું ઇમ્પોર્ટ અમેરિકાથી, અખરોટનું મોટું ઇમ્પોર્ટ ચીલી અને અમેરિકાથી, પિસ્તાનું ઇમ્પોર્ટ ઇરાન તેમજ અમેરિકાથી થાય છે. જલદારૂ ઇરાન, ઇરાક અને UAEથી આવે છે. સાઉદી અરેબિયા અને UAE ખજૂરનું મોટું સપ્લાયર છે. સાઉદી અરેબિયા, યમન અને UAEમાંથી પ્રિમિયમ ખજૂર આવે છે. તેમાં તેમની મોનોપોલી છે. જેની સાથે સ્પર્ધા ન થઇ શકે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો ખર્ચ પણ વધ્યો છે. આની પાછળનું કારણ જણાવતાં હિરેન ગાંધીએ કહ્યું કે, ભારતનો 20% વેપાર હોર્મુઝની ખાડીમાંથી અને 35% વેપાર મિડલ ઇસ્ટમાંથી થાય છે. સ્વભાવિક છે કે યુદ્ધના કારણે આ વેપાર ડિસ્ટર્બ થયો છે. ઘણા બધા જહાજ દરિયામાં વેઇટિંગમાં છે. ક્લીયરન્સ વગર પડ્યાં છે. એક્સપોર્ટ-ઇમ્પોર્ટ માટે ભારતે પોતાનો રૂટ બદલવો પડે. જો નવો રૂટ આફ્રિકામાંથી શરૂ થાય તો તે મોંઘો પણ પડે અને માલ પહોંચવામાં મોડું પણ થાય. કંપનીઓએ ભાડાં વધારવાની સાથોસાથ વીમો પણ વધારી દીધો છે જેથી એક્સપોર્ટ-ઇમ્પોર્ટની ચેઇનની કોસ્ટિંગ વધી ગઇ છે. ડ્રાયફ્રૂટના ભાવ હમણાં નહીં વધેભારતમાં દર વર્ષે 30થી 35 હજાર કરોડ રૂપિયાના ડ્રાયફ્રૂટ્સ-નટ્સનું ઇમ્પોર્ટ થાય છે. ઇરાન, સાઉદી અરેબિયા, ઇરાક, UAE, ઓમાન જેવા દેશો મુખ્ય સપ્લાયર છે. તેઓ કહે છે કે, 20મી તારીખ સુધીનો માલ તો આપણી પાસે છે એટલે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં બહુ ફેર નહીં પડે. નવું ઇમ્પોર્ટ અત્યારે અટકી જશે. હાલ પૂરતું કોઇ પેનિક નથી કેમ કે હાલ ડ્રાયફૂટની ડિમાન્ડ ઓછી છે. જે ભાવ વધારો આવવાનો હતો તે આવી ગયો છે. હવે કોઇ ભાવ વધારો નહીં આવે. જો આ યુદ્ધ 2 મહિના લાંબુ ચાલ્યું તો ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો થવાની શક્યતા છે. હિરેન ગાંધી કહે છે કે, મે-જૂન મહિનામાં ડ્રાયફ્રૂટ્સની ફ્રેશ ખરીદી ચાલુ થશે. જો એ સમયે સપ્યાલ ચેઇન ડિસ્ટર્બ હશે તો ભાડું, પ્રિમિયમ વધશે. ઉપરાંત ડોલરના ભાવની અસર પણ આયાત ખર્ચ ઉપર થશે. ડ્રાયફ્રૂટ્સની માગ શિયાળામાં વધુ હોય છે. રમઝાન મહિનામાં ખજૂરનો વધુ ઉપયોગ થાય છે. જેની ડિમાન્ડ અત્યારે પૂરી થઇ ગઇ છે. આ સ્થિતિમાં ડ્રાયફ્રૂટ્સનો સ્ટોક તો પૂરતો છે એટલે પેનિક થવાની જરૂર નથી. યુદ્ધની અસર ફક્ત ઇમ્પોર્ટ પર જ નહીં પણ એક્સપોર્ટ ઉપર પણ થશે. તેમણે જણાવ્યું કે, આપણા બાસમતી ચોખાનું મોટામાં મોટું ગ્રાહક ઇરાન છે. 6 ખાડી દેશોમાં ભારત બાસમતી ચોખાના 40% એક્સપોર્ટ કરે છે. કિચન મસાલા અને સ્પાઇસિસ પણ ઇરાન અને ખાડી દેશોમાં એક્સપોર્ટ કરીએ છીએ. તેના પર આ યુદ્ધની અસર દેખાશે. એક્સપોર્ટમાં 10 થી 12% ઘટાડો થશે તેવું લાગે છે. તેમણે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, પેનિક થવાની કોઇ જરૂર નથી. છેલ્લા 5-6 વર્ષમાં ભારતે 7-8 દેશો સાથે કરાર કર્યા છે. અમેરિકા સાથે નવી ટ્રેડ ડીલ કરી છે. આ પરિસ્થિતિમાં ઇરાનથી થતાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટમાં બહુ ફેર નથી પડતો. ટ્રેડ રૂટ ડિસ્ટર્બ થવાના કારણે આપણા વેપાર-ઉદ્યોગને અસર થઇ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં 350થી વધુ જહાજો અટકી ગયાયુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો અટકી જતાં મોરબીના સિરામિક ઉદ્યોગને મળતાં ગેસના પુરવઠા પર અસર થઇ છે.સિરામિક ઇન્ડસ્ટ્રી અંગે તેમણે કહ્યું કે, સિરામિક ઇન્ડસ્ટ્રીનો ગેસ ખાડી દેશોમાંથી ઇમ્પોર્ટ થાય છે. મારા મત પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટમાં ઓછામાં ઓછા 350થી 400 જહાજો અટકી ગયા છે. જેથી મોટાભાગની ઇન્ડસ્ટ્રીનો સપ્લાય બંધ થઇ ગયો છે. ગેસ બહુ સ્ફોટક હોય છે, જો નાનું ડ્રોન પડે તો પણ આખું જહાજ બ્લાસ્ટ થઇ જાય એટલે કોઇ રિસ્ક લેવા તૈયાર નથી. 'સિરામિક ઉદ્યોગનો 90% બિઝનેસ મોરબી આસપાસ છે. આ ઇન્ડસ્ટ્રી માટે ગેસના ઇમ્પોર્ટમાં તકલીફ થઇ છે જ્યારે બીજીતરફ માલ બનાવીને વેચવો હોય તો તે માટેનું વાતાવરણ પર ડિસ્ટર્બ છે. ગેસના સપ્લાયના કારણે અસર થઇ છે તે 100% સાચી વાત છે પણ વિશ્વમાં પહેલેથી ડિસ્ટર્બન્સ તો હતું જ. ટેરિફના પ્રોબ્લેમ્સ હતા. ' તેમણે ચીન અને ઇરાનની સ્ટ્રેટેજી વિશે પણ વાત કરી.તેઓ કહે છે કે, ઇન્ડિયન ઇકોનોમી જેમ એનર્જી પર ડિપેન્ડેબલ છે તેમ ચીન હાઇએસ્ટ ઇમ્પોર્ટ ઇરાનથી અને બીજા દેશોમાંથી કરે છે. ચીન ભલે અત્યારે કોઇ રિએક્શન નથી આપતું પણ ભવિષ્યમાં કંઇક તો રિએક્શન આપશે જ. અત્યારે બધા દેશો ઇરાન વિરૂદ્ધ છે અને અમેરિકા સક્ષમ છે. ખાડી દેશો થોડા સ્ટ્રોંગ થયા છે. મને એવું દેખાય છે કે નજીકના સમયમાં કોઇ ઉકેલ આવશે. આવી સ્થિતિ લાંબો સમય નથી રહેવાની. 'ઇરાન ગમે ત્યાં હુમલો કરે છે. ખાડી દેશોમાં રહેલા અમેરિકાના સૈન્ય બેઝ પર હુમલો કરે તો આખા વિશ્વની સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઇ જાય અને અમેરિકા-ઇઝરાયલ પર યુદ્ધ અટકાવવાનું પ્રેશર બને. આ જિઓપોલિટિકલ ટેન્શન છે, 3 દેશો વચ્ચેની લડાઇ છે. ભારત ફક્ત ગલ્ફ કન્ટ્રી કે ઇરાનમાંથી જ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે તેવું નથી. આપણે કુલ 40 દેશોમાંથી ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ. જેથી બીજા વિકલ્પો તપાસી રહ્યાં છે.' મિડલ ઇસ્ટના યુદ્ધની અસર ગુજરાતના હીરા ઉદ્યોગ પર થઇ છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન સાથેનું એક્સપોર્ટ-ઇમ્પોર્ટ અટકી ગયું છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ યુદ્ધ પુરૂં થયા બાદ હીરાની ડિમાન્ડ વધતાં ઘરે ઘરે રત્ન કલકારને શોધવા જવા પડશે તેવી આશા વ્યક્ત કરી છે. રફ ટ્રેડિંગનું સૌથી મોટું માર્કેટ દુબઇતેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, સુરતની વાત કરીએ તો જેમ્સ એન્ડ જવેલરી સેક્ટર સાથે ડાયરેક્ટ 8થી 10 લાખ લોકો જોડાયેલાં છે. સમગ્ર ગુજરાતમાં લગભગ 17થી 18 લાખ લોકો જોડાયેલા છે. કટ એન્ડ પોલીશ નેચરલ ડાયમન્ડના લેબર વર્ક માટેનું રો મટિરિયલ રશિયા, આફ્રિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી સપ્લાય થાય છે. મુખ્યત્વે રશિયાનો ફાળો છે, જે 30% જેટલો છે.ડીટીસી (ડાયમંડ ટ્રેડિંગ કંપની)નો સપ્લાય પર 45% કન્ટ્રોલ છે. અત્યારે દુબઇ રફ ટ્રેડિંગ માટેનું સૌથી મોટું માર્કેટ બન્યું છે એટલે અત્યારે રો મટિરિયલનું મેઇન સપ્લાયર દુબઇ છે. 6 મહિનામાં આખા વર્ષ જેટલું એક્સપોર્ટદુબઇમાં હીરાનો સારો કારોબાર છે. એપ્રિલ-2024થી માર્ચ-2025ની વાત કરીએ તો 7868.16 મિલિયન ડોલરનું આપણું એક્સપોર્ટ હતું. ચાલુ વર્ષની વાત કરીએ તો એપ્રિલ-2025થી ફેબ્રુઆરી-2026 સુધીમાં 7680 મિલિયન ડોલરનું એક્સપોર્ટ કર્યું છે. ગયું આખું વર્ષ જેટલું એક્સપોર્ટ કર્યું તેટલું એક્સપોર્ટ આ 6 મહિનાના ક્વાર્ટરમાં જ કરી દીધું છે. દુબઇથી જે રફ હીરા ઇમ્પોર્ટ થાય છે તે એપ્રિલ-2024થી માર્ચ-2025 સુધીમાં 11 હજાર 51.38 મિલિયન ડોલરનું હતું અને એપ્રિલ-2025થી ફ્રેબ્રુઆરી-2026 સુધીમાં 9151 મિલિયન ડોલરનું ઇમ્પોર્ટ હતું. ગોલ્ડ અને રફ ડાયમંડનું ઇમ્પોર્ટ ત્યાંથી વધુ થાય છે. નાવડિયાએ જણાવ્યું કે, આ યુદ્ધની અસર ચોક્કસપણે આપણને થશે. રફ હીરાનું ઇમ્પોર્ટ અને કટ એન્ડ પોલીશનું એક્સપોર્ટ વાયા દુબઇ, કતાર અથવા કુવૈત થાય છે. મોટાભાગે દુબઇથી રફ હીરાનું ઇમ્પોર્ટ થાય છે, બાકી યુરોપિયન દેશો જેવા કે બેલ્જિયમ અને બોસ્વાનામાંથી પણ ઇમ્પોર્ટ થાય છે. ત્રણેય દેશો સાથેનું એક્સપોર્ટ-ઇમ્પોર્ટ અટકી ગયું'હું માનું છું કે આ યુદ્ધના કારણે આપણને અસર ચોક્કસ થઇ છે. જે લોકો ચીન પાસેથી ખરીદી કરતાં તે ભારત તરફ વળ્યાં છે એટલે આપણું માર્કેટ અત્યારે ગ્રો કરે છે પણ જો યુદ્ધ લાંબું ચાલશે તો તેની નેગેટિવ ઇફેક્ટ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર ચોક્કસ પડશે જ. ઇઝરાયલ, ઇરાન અને અમેરિકા સાથે જે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ થાય છે તે 100% અટકી ગયું છે. છેલ્લાં 2 દિવસના ન્યૂઝ રિપોર્ટ જોઇએ તો ઇરાન તેલ અવીવ પર મિસાઇલ હુમલા કરી રહ્યું છે. જેથી ત્યાંનું માર્કેટ ડિસ્ટર્બ થયું જ હોય.' જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની ખપતનું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે. વિશ્વનું 75% માર્કેટ એકલું અમેરિકા છે. અમેરિકાનું ટોટલ માર્કેટ 90 બિલીયન ડોલરનું છે. ઇઝરાયલ સાથે પણ સારો વેપાર થાય છે. એપ્રિલ-2024થી માર્ચ-2025 સુધીમાં ઇઝરાયલમાં આપણું એક્સપોર્ટ 548.87 મિલિયન ડોલર હતું. અમેરિકન ટેરિફમાં રાહત થતાં અને બાકીના ઓપ્શન મળતાં એપ્રિલ-2025થી ફેબ્રુઆરી-2026 સુધીમાં ઇઝરાયલમાં 514 મિલિયન ડોલરનું એક્સપોર્ટ કર્યું હતું. ગયા આખા વર્ષમાં જે એક્સપોર્ટ કર્યું તે આ વર્ષે 6 મહિનામાં જ કરી દીધું છે. ઇઝરાયલના લોકો જે હીરાની ચીનમાંથી ખરીદી કરતા તેને પણ યુદ્ધની અસર થઇ છે. દિનેશ નાવડિયાએ કહ્યું, નેચરલ ડાયમંડના ફેન્સી કલરનું સૌથી મોટું માર્કેટ ઇઝરાયલમાં છે. સોલિટેડ ડાયમંડ (ઉચ્ચ ગુણવત્તાવાળા હીરા)નું ખૂબ સારૂં માર્કેટ પણ ત્યાં છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી યહૂદી પ્રજા ચીનમાંથી ખૂબ સારી ખરીદી કરતી. તેમનું વર્લ્ડ વાઇડ માર્કેટિંગ પણ ખૂબ સારૂં હતું. યુદ્ધના કારણે તેમાં પણ ડિસ્ટર્બન્સ થયું છે. 'દુબઇ એરપોર્ટ ચાલુ છે. અત્યારે 3 દિવસથી મુંબઇ-દુબઇની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ચાલુ છે. કાર્ગોના પાર્સલ આવવા લાગ્યા છે અને અહીંથી જવા પણ લાગ્યા છે. દુબઇની સરકાર અત્યારે બહુ સ્ટ્રોંગ છે. તેમણે ત્યાં ઔદ્યોગિક મુવમેન્ટ ચાલુ કરી દીધી છે. એ આપણાં માટે રાહતના સમાચાર છે.' લેબગ્રોન ડાયમંડનું માર્કેટ વધ્યુંભારતમાં લેબગ્રોન ડાયમંડનું નવું માર્કેટ ઊભું થયું છે. લેબગ્રોન ડાયમંડનું 70થી 75% મેન્યુફેક્ચરિંગ ભારતમાં થાય છે. કામદારો માટે કામના નવા રિસોર્સ ઊભા થયા છે. લોકો ઘરે ઘરે રત્ન કલાકારો શોધવા જશેતેઓ કહે છે કે, ટેરિફ હટવાના કારણે નેચરલ ડાયમંડની ડિમાન્ડ વધતી જતી હતી સાથે લેબગ્રોન ડાયમંડ પણ ધીરે ધીરે ગ્રોથ પર છે. હું તો વર્કર માટે એવું જોઇ રહ્યો છું કે તેમના માટે સુવર્ણ કાળ આવશે. યુદ્ધ પૂરૂં થયું અને ડિમાન્ડ વધી તો આપણી પાસે વર્કફોર્સ તો એટલો જ છે. લોકો ઘરે ઘરે કારીગરો ગોતવા માટે જશે. આ પરિસ્થિતિ હું જોઇ રહ્યો હતો ત્યાં યુદ્ધ આવી ગયું એટલે થોડું અટક્યું પણ યુદ્ધ લાંબુ નહીં ચાલે એવું બધાં લોકો અનુમાન કરી રહ્યાં છે. તેમણે રત્ન કલાકારો માટે જણાવ્યું હતું કે, હું ચોક્કસથી કહીશ કે તેમના માટે સારો પીરિયડ આવી રહ્યો હતો પણ એક વિધ્ન આવ્યું છે. આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ કે આ વિધ્ન તાત્કાલીક દૂર થાય. અત્યારે ગ્રાહકો માટે પણ ગોલ્ડન પીરિયડ છે. નેચરલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડની પ્રાઇઝ એકદમ ડાઉન છે. આ પરિસ્થિતિમાં કોઇ ગ્રાહક એમ ઇચ્છે કે મારે નેચરલ ડાયમંડની જ્વેલરી કે લેબગ્રોન ડાયમંડની જ્વેલરી પહેરવી છે તો તેના માટે આ સારો મોકો છે.
ભાવનગરના આંગણે બોલિવૂડની સેલિબ્રિટીઓની ઉપસ્થિતિ વચ્ચે રવિવારે વહેલી સવારે કેરીસિલ મેરેથોન યોજાનાર છે, જેના માટે અત્યાર સુધીમાં 5000થી વધુ લોકો નોંધણી કરાવી ચૂક્યા છે. આ મેરેથોનના રેસ ડિરેક્ટર લિહાસ ત્રિવેદીના જણાવ્યા મુજબ,દોડ માટે 3 કિ.મી., 5 કિ.મી., 10 કિ.મી. અને 21.5 કિ.મી. જેવા અલગ-અલગ રૂટ રાખવામાં આવ્યા છે. જવાહર મેદાન ખાતેથી વહેલી સવારે 4.30થી સ્પર્ધા શરૂ થઇ જશે અને 9.30 કલાક સુધી અલગ અલગ સ્પર્ધા ચાલશે. તમામ રૂટ પર દોડવીરો માટે હાઈડ્રેશન સુવિધા ઉપલબ્ધ રહેશે. દોડવીરોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને તમામ રૂટ પર મેડિકલ પોઇન્ટ રાખવામાં આવ્યા છે અને દોડવીરોને મદદ કરવા માટે 50 ફિઝિઓથેરાપિસ્ટ પણ હાજર રહેશે. સાથે સાથે 3 ICU on Wheel ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ મેરેથોનમાં અત્યાર સુધીમાં 5000 થી વધુ લોકો નોંધણી કરાવી ચૂક્યા છે. ભારતના વિવિધ રાજ્યો જેમ કે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી પણ દોડવીરો આ મેરેથોનમાં ભાગ લેવા માટે ભવનગર આવી રહ્યા છે. ભાવનગરના ઈતિહાસમાં પ્રથમ વખત આ મેરેથોનમાં જાણીતી અભિનેત્રીઓ ઈશા દેઓલ, કરિશ્મા તન્ના અને ડાયના પેન્ટી તેમજ આર.જે. મેઘા ઉપસ્થિત રહેશે. નાગરિકોના સ્વાસ્થ્યને મેરેથોન સાથે જોડાયુકેરીસિલ લિમિટેડના સીએમડી ચિરાગ પારેખના મતે, ભાવનગરના લોકો કોઇપણ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા રહે, સ્વસ્થ રહે અને શહેરને પણ સ્વચ્છ રાખે તેવા હેતુથી કેરીસિલ લિમિટેડ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું છે.
ગેસ અછતથી ઉદ્યોગો પર સંકટ:ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર અલંગ સુધી
મધ્ય-પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુધ્ધ અને સૈન્ય અથડામણનો પ્રભાવ હવે વૈશ્વિક ઊર્જા બજાર પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. ગલ્ફ વિસ્તારમાંથી ઊર્જા પુરવઠામાં અવરોધ ઊભો થતા વિશ્વભરમાં ગેસ અને તેલના પુરવઠા પર અસર પડી છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ભાવનગરના અલંગ શિપ રીસાયકલિંગ સહિતના ગુજરાતના ઉદ્યોગો પર પણ પડ્યો છે. ઉદ્યોગોની કામગીરી અટકી ન જાય તેવા હેતુથી જીપીસીબી દ્વારા હંગામી ધોરણે માન્યતા પ્રાપ્ત વૈક્લ્પિક ઇંધણના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. વિશ્વના મહત્વપૂર્ણ તેલ માર્ગ તરીકે ઓળખાતા હોર્મુઝ જળમાર્ગમાં તણાવ વધતા ઊર્જા સપ્લાયમાં વિક્ષેપ સર્જાયો છે, જેના કારણે અનેક દેશોમાં ગેસ અને તેલના ભાવમાં વધારો તેમજ પુરવઠાની અછત જોવા મળી રહી છે. આ પરિસ્થિતિના પરિણામે ગુજરાતમાં ઉદ્યોગોને પૂરું પડતું ગેસ મળવામાં મુશ્કેલી ઉભી થઈ છે. ભાવનગર જીલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જહાજ ભાંગવાની કામગીરીમાં ઓક્સિજનની સાથે એલપીજીના સમન્વયથી કટિંગ કામગીરી કરવામાં આવે છે. એલપીજીના પુરવઠાને અસર થતા ગણ્યા-ગાંઠ્યા જહાજો અલંગમાં છે તેને પણ અસર પહોંચી રહી છે, ઉત્પાદનમાં કાપ મુકવાના વારા આવી શકે તેમ છે. ગેસ સપ્લાયમાં ઘટાડા કારણે કેટલીક ઔદ્યોગિક એકમોને ઉત્પાદન ઘટાડવું પડ્યું છે, જ્યારે કેટલાક ઉદ્યોગો પર બંધ થવાની ભીતિ પણ ઊભી થઈ છે. ખાસ કરીને ગેસ આધારિત સિરામિક, કેમિકલ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રો પર તેની અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, ગેસ પુરવઠામાં ઘટાડા કારણે ઉદ્યોગોની કામગીરી અટકી ન જાય તે માટે હંગામી ધોરણે માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ (liquid fuel)ના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.
નિમણૂક:કોર્પોરેશનના 11મા વહીવટદાર તરીકે આઈએએસ હર્ષદ પટેલ
ભાવનગર મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની આગામી 9મી માર્ચ અંતિમ દિવસ છે, જેથી 10 ની માર્ચ પછીથી જ્યાં સુધી નવી બોડી આવે નહીં ત્યાં સુધી સરકારે ભાવનગર કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટર તરીકે પૂર્વ કલેકટર અને રાજ્ય સરકારના સેક્રેટરી આઈએએસ હર્ષદકુમાર પટેલની નિયુક્તિ કરી છે. ભાવનગર કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓની આગામી 9મી માર્ચે મુદ્દત પૂર્ણ થશે. 9મી માર્ચે વર્તમાન સભ્યોની અંતિમ સાધારણ સભા મળશે. ત્યારબાદ કોર્પોરેશનની ચૂંટણી યોજાયા બાદ પ્રથમ સાધારણ સભા સુધી એડમિનિસ્ટ્રેટર તરીકે હર્ષદકુમાર પટેલની રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીએ છે કે, આઈએએસ હર્ષદકુમાર પટેલ હાલમાં સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તરીકે છે. જેઓ ભાવનગર કલેકટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ભાવનગર કોર્પોરેશનમાં 1982 થી 2026 સુધીમાં કુલ 10 વહીવટદારો નિયુક્ત થયા હતા અને હવે હર્ષદ પટેલ 11 મા વહીવટદાર આવશે. જેથી ભાવનગર કોર્પોરેશનમાં કમિશનર તરીકે આઈએએસ ઓફિસર ડો. નરેન્દ્રકુમાર મીના અને વહીવટદાર તરીકે આઈએએસ હર્ષદ પટેલ ફરજ બજાવશે.
વેધર રિપોર્ટ:ગરમીમાં વધઘટ, શહેરમાં બપોરે તાપમાન વધીને 35 ડિગ્રી થયુ
ભાવનગર શહેરમાં ગરમીમાં વધઘટ થઇ રહી છે. માર્ચના પ્રથમ સપ્તાહના અંતે મહત્તમ તાપમાન વધીને 35 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરે ગરમી વધી છે. જ્યારે રાત્રે ઉષ્ણતામાન ઘટીને 20.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. પવનની ઝડપ પણ ઘટીને આજે 6 કિલોમીટરથી 8 કિલોમીટર નોંધાઇ હતી. આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચકાતા બપોરે તાપમાન પુન: 37 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય તેવી શક્યતા છે. આજે લઘુત્તમ ઉષ્ણતામાન ઘટ્યું હતુ. 24 કલાક અગાઉ શહેરમાં રાતનું ઉષ્ણતામાન 21.2 ડિગ્રી હતુ તે આજે ઘટીને 20.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. આજે બપોરનું તાપમાન સામાન્યથી 1.5 ડિગ્રી વધુ નોંધાયુ હતુ જ્યારે રાતનું તાપમાન પણ 1.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. ખાસ તો ઉત્તર પશ્ચિમ દિશાના પવનની ઝડપ પણ ઘટી ગઇ હતી. આજે સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે સાંજે વધુ ઘટીને 6 કિલોમીટર નોંધાઇ હતી. બપોરે તાપમાનમાં વધઘટ રાત્રે તાપમાનમાં વધઘટ
સન્ડે બિગ સ્ટોરી:ઈલેકશન હોય કે સિલેકશન, એક જ સૂર, રાજકીય હાથો નહીં મહાજનનો બુલંદ અવાજ બને ચેમ્બર
ભાવનગરના વેપારીઓ અને ઉદ્યોગ ધંધાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે બનેલું સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા લાંબા સમયથી મહાજનનો અવાજ નહીં પરંતુ રાજકીય હાથો બની ગયું છે. ત્યારે આગામી 21મી માર્ચે યોજાનાર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં ઇલેક્શન થાય કે સિલેક્શન તેમાં મહાજનોને રસ નથી, પરંતુ તેઓની સમસ્યાઓ અને ભાવનગર શહેરના ઉદ્યોગ ધંધાના વિકાસ માટે ચેમ્બર તટસ્થ રીતે સ્ટેન્ડ લે તેવી મહાજનોમાં માંગ ઉઠી છે. ભાવનગરના મહાજનોના પ્રતિનિધિઓના સંગઠન એવા સૌરાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટી અને પ્રમુખ ઉપપ્રમુખની બે વર્ષની આગામી 30મી જૂનના રોજ મુદ્દત પૂર્ણ થાય છે. પરંતુ ચેમ્બરની કાર્યપદ્ધતિ મુજબ ત્રણ મહિના અગાઉ ચૂંટણી કરવામાં આવશે. શહેરના જુદા જુદા ક્ષેત્રના વેપારીઓ અને ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા 1100થી વધું સભ્યો ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા છે. તેમના પ્રતિનિધિઓ તરીકેના મેનેજિંગ કમિટીના સભ્યો તેમજ પ્રમુખ, ઉપપ્રમુખની આગામી 21મી માર્ચના રોજ ચૂંટણી યોજાનાર છે. આગામી 9મી માર્ચે ફોર્મ ભરવાના અંતિમ દિવસે દાવેદારોના ફોર્મ ભરાશે. જોકે, 12મી માર્ચના રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ચેમ્બરની પ્રણાલી મુજબ સેક્રેટરી હોય તે ઉપપ્રમુખ પદે અને ઉપપ્રમુખ હોય તે પ્રમુખ પદે ચૂંટણી વગર નિયુક્ત કરતા હોય છે. અને ચૂંટણી નહીં કરવા માટેના જ સતત પ્રયાસો રહેતા હોય છે. મેનેજિંગ કમિટીમાં જે સભ્ય સંખ્યા ગત ટર્મ સુધી 30ની હતી, તે આ વખતે 40 ની થઈ ગઈ છે. ભાવનગરના વેપારીઓ અને ઉદ્યોગકારોને ચૂંટણી કે બિનહરીફમાં રસ નથી, પરંતુ તેઓના પ્રશ્નો અને સમસ્યાનો ખોખારો ખાઈ રાજ્ય કે કેન્દ્ર સરકાર સુધી અવાજ પહોંચાડે તેવા સંગઠનની આવશ્યકતા છે. છેલ્લા લાંબા સમયથી ચેમ્બર ઓફ કોમર્સ રાજકીય હાથો બની રઔપચારિકતા વચ્ચે રાજકીય આગેવાનોના સન્માન અને જીહજુરીમાં વ્યસ્ત રહે છે. ત્યારે રાજકીય આગેવાનો અને પ્રજાના પ્રતિનિધિઓ સામે આંખ ઉંચી કરી ભાવનગરના અનેક પડતર પ્રશ્ન નિરાકરણ સુધી પહોંચાડે તેવી મહાજનોમાં પ્રબળ માંગ ઉઠી છે. નેતાઓની લાજ કાઢવાથી ઉદ્યોગોનું હિત જોખમમાં, આટલી રજૂઆત નજરઅંદાજસૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભાવનગરના જુદા જુદા પ્રશ્ને સરકારમાં રજૂઆત કરાઈ છે. પરંતુ નેતાઓની લાજ કાઢવાના કારણે આ રજૂઆતો માત્ર ઔપચારિક બની રહે છે, સરકાર હૈયાધારણા આપે એટલે બેસી જાય છે. માઢીયા GIDCમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવું, ખેતા ખાટલીમાં 10 લાખ ચોરસ મીટર જગ્યામાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ બેઝ GIDCની સ્થાપના, પોર્ટ ડેવલોપમેન્ટ, નિયમિત કનેક્ટિવિટી સહિતના મુદ્દા સરકારે નજરઅંદાજ કર્યા છે. ફ્લાઇટ, GIDC, GST સહિતના પ્રશ્ને રજૂઆત કરી હતીભાવનગર તથા સમગ્ર સૌરાષ્ટ્રના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રશ્નોને પ્રાથમિકતા આપી ચેમ્બર દ્વારા ભાવનગરમાં એર કનેક્ટિવિટી. જીએસટી, પોર્ટ, ધોલેરા અને જીઆઇડીસી સહિતના વિવિધ પ્રશ્ને રજૂઆતો કરાઈ હતી. ચેમ્બર દ્વારા વેપારીઓ અને ઉદ્યોગકારોના હિતોને ધ્યાનમાં રાખી વિવિધ સરકારી વિભાગો સાથે સંવાદ સાધવામાં આવ્યો છે. > પ્રકાશભાઈ ગોરસીયા, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ કનેક્ટિવિટી, નવા ઉદ્યોગ માટેના નિષ્ફળ પ્રયત્નોભાવનગર શહેરમાં નવા ઉદ્યોગ ધંધા આવે અને ખાસ કરીને કનેક્ટિવિટી મળી રહે તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયત્ન હોવા જોઈએ. છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં કોઈ નવા ઉદ્યોગ ધંધા શરૂ તો થતા નથી પરંતુ છે તે પણ બંધ થતા જાય છે. તેમજ હવાઈ અને રેલવે કનેક્ટિવિટીના પણ પ્રશ્ન કાયમી ઉકેલ આવ્યો નથી. છ ઉદ્યોગકારો અને વેપારીઓ અપુરતી હાજરીના કારણે ડિસક્વોલિફાઈડ થઈ શકે છેચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં યોજાતી બેઠકો દરમિયાન સભ્યોને ફરજિયાત 50% હાજરી હોવી જોઈએ. પરંતુ વર્તમાન મેનેજિંગ કમિટીમાં નિયમ મુજબ મિટિંગમાં 50% હાજરી નથી તેવા બે થી ત્રણ ઉદ્યોગકારો અને ચારથી પાંચ વેપારીઓ ડિસક્વોલિફાઈડ થઈ શકે છે. જેઓ સભ્યપદ ગુમાવશે.
મહિલા દિન વિશેષ:પતિને કેન્સર મટાડીને લેખિકા અને મોટીવેશનલ સ્પીકર બન્યા
કેન્સર બીમારીનું નામ સાંભળીને ભલભલાને ડર લાગી જાય, પરંતુ હવે સમાજમાં એવા કેટલાય વ્યક્તિઓ એવા જોવા મળે છે કે જે આ બીમારીનો સામનો કરીને પોતે પણ કેન્સરને હરાવી દે છે અને બીજાને પણ હરાવી દેવામાં મદદરૂપ થાય છે.આવા જ એક વ્યક્તિ ભાવનગરના વર્ષાબેન જાની છે. જોકે તેમને પોતાને નહીં પણ તેમના પતિ નિલેશભાઈને કેન્સરની બીમારી હતી. પરંતુ વર્ષાબેને તેમને તો ઉગારી જ લીધા ઉપરાંત હવે કેન્સર પીડિતોને બચાવવા સાથે પોતે રચનાત્મક માર્ગે વળીને લેખક અને મોટીવેશનલ સ્પીકર બની ગયા છે.તેઓ એક એવા સંઘર્ષશીલ મહિલા છે કે જેમણે વિપરીત પરિસ્થિતિમાં અનેક સંઘર્ષો વચ્ચે પોતે સફળતાનો માર્ગ બનાવ્યો છે. ભાવનગરના મહિલા લેખિકાઓમાં અને કવિયત્રીઓમાં વર્ષાબેનનું નામ સંઘર્ષશીલ નારી તરીકે આદરથી લેવામાં આવે છે. તેમણે સંસ્કૃત અને ગુજરાતી વ્યાકરણના પુસ્તકો લખવા સાથે કેન્સરથી બચી પણ શકાય છે અને તેને મટાડીને અટકાવી પણ શકાય છે તે પ્રકારે પુસ્તકો લખીને સન્માનો મેળવ્યા છે.15 વર્ષ પહેલા જ્યારે પતિને આ પ્રકારની બીમારીની જાણ થઈ ત્યારે તેમણે હારીને થાકવાને બદલે લડવાનો રસ્તો પસંદ કર્યો અને હિંમતપૂર્વક સામનો કરીને પતિને બચાવી લીધા છે.એ વાતને પણ આજે એક દસકો થઈ ગયો છે. તેઓ માત્ર એ રીતે જ સફળ નથી થયા પરંતુ પોતાની કારકિર્દી પણ સુંદર રીતે ઘડી છે.હાલ તેઓ કોઈને પણ કેન્સર થાય તો તેમના કાઉન્સેલિંગ માટે વિના મૂલ્ય સેવા આપે છે અને સાથે સાથે મોટીવેશનલ સ્પીકર તરીકે તેમના વક્તવ્ય ગોઠવાતા રહે છે.એક નારી કઈ રીતે સબળા બની શકે તેનું ઉત્તમ ઉદાહરણ વર્ષાબેન જાની છે. પ્રથમ પુસ્તક છપાવવા માટે પૈસા નહોતા..એક સમયે પુસ્તકોનું લખાણ તો તૈયાર કરી દીધું હતું પરંતુ તેને છપાવવા માટેનો ખર્ચ પરવડે તેમ નહોતો.એ તેમનું પહેલું પુસ્તક હતું પરંતુ દાતાઓના માધ્યમથી પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું અને પછી તેમની કલમ અટકી નથી. બાળપણથી જ તેમને લેખન અને કલામાં રસ રુચિ હતા.ધોરણ નવમાં સૌ પ્રથમવાર કવિતા લખેલી અને કોલેજકાળ દરમિયાન સૌ પ્રથમ લઘુ કથા લખી હતી. પછી ઘરની જવાબદારીઓ અને તેમના પતિને કેન્સરની બીમારીને કારણે વચ્ચેનો સમય ગાળો મુશ્કેલીરૂપ બન્યો હતો.પરંતુ તે મુશ્કેલીઓને તેમણે રચનાત્મક માર્ગે વાળીને આજે લેખિકા તરીકેનું સ્થાન મેળવી લીધું છે
ભાસ્કર એક્સક્લુસિવ:મહિલા ITI સહિત પાંચ ITI હાઇટેક બનાવાશે, મજૂરાગેટ બનશે હબ
આજે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે સુરતની દીકરીઓ માટે ટેકનિકલ શિક્ષણના ક્ષેત્રમાં સુવર્ણ યુગના મંડાણ થયા છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી PM SETU યોજના હેઠળ સુરત જિલ્લાની 5 સરકારી ITI પસંદગી કરાઇ છે. આ પ્રોજેક્ટ હેઠળ મજુરાગેટ ITI ને ‘હબ’ બનાવાશે. જ્યારે તેની સાથે સંકલન કરી ભીમરાડ મહિલા ITI, સચિન મહિલા ITI, હજીરા ITI અને બારડોલી ITI ‘સ્પોક’ સંસ્થાઓ તરીકે કાર્યરત રહેશે. આ પાંચેય ITI હવે ‘આત્મનિર્ભર ભારત’ની આધુનિક વર્કશોપ તરીકે ઓળખાશે. વર્ષો જૂના અભ્યાસક્રમોને સ્થાને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, ડ્રોન ટેકનોલોજી અને રોબોટિક્સ જેવા નવા 10 કોર્સ શરૂ કરાશે. ઉદ્યોગો સાથે આ સંસ્થાઓ જોડાઈને વિદ્યાર્થીઓને ‘રેડી-ટૂ-વર્ક’ ટ્રેનિંગ આપશે. શું છે PM SETU યોજના?કૌશલ્ય વિકાસ માળખાને વૈશ્વિક સ્તરનું બનાવવા ‘પીએમ સેતુ’ યોજના માટે 60 હજાર કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ દેશમાં ‘હબ એન્ડ સ્પોક’ મોડેલ અમલી બનશે, જેમાં પસંદગીની સંસ્થાઓને અત્યાધુનિક લેબ્સ સાથે સજ્જ કરવામાં આવશે. મારા કામની વાત વિદ્યાર્થીઓને શું સીધો ફાયદો થશે?
અવરોધરૂપ મકાનો હટાવાશે:MMTH પ્રોજેક્ટમાં નડતા 300 મકાનો તોડવામાં આવશે
મહાનગરપાલિકા દ્વારા સુરત રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ અંતર્ગત બની રહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH) પ્રોજેક્ટને આગળ વધારવા માટે અવરોધરૂપ બાંધકામો દૂર કરવાની કાર્યવાહી સાથે અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવવાની તૈયારી હાથ ધરાઈ છે. આ માટે પાલિકા ખાસ પોલિસી બનાવશે જેથી પ્રોજેક્ટથી અસર પામતા કુટુંબોને પાલિકા સંચાલિત અલથાણ, ગોટાલાવાડી અને આંજણા ટેનામેન્ટમાં ઉપલબ્ધ વધારાના આવાસો નક્કી ભાવે ફાળવી શકાશે. પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ સેલે કહ્યું કે, MMTH પ્રોજેક્ટ માટે સંપાદન કરાયેલી જમીનમાં હાલમાં લગભગ 300 મકાનો અવરોધરૂપ હોવાનું સર્વે દરમિયાન સામે આવ્યું છે. પ્રોજેક્ટના અમલ દરમિયાન અસરગ્રસ્તોને સુરત મહાનગરપાલિકા પાસે વિવિધ રી-ડેવલપમેન્ટ ટેનામેન્ટમાં ઉપલબ્ધ વધારાના આવાસોમાં સ્થાન આપવા SITCO દ્વારા માંગ કરાઈ હતી. જરૂર પડી તો પાલિકા અસરગ્રસ્તોને અલથાણ, ગોતાલાવાડી અને આંજણામાં મકાન ફાળવશે.
બેંક ખાતા ફ્રિઝ મામલે નવી SOP:સાયબર ક્રાઈમમાં એફઆઇઆર વિના પોલીસ બેન્ક ખાતુ ફ્રિઝ નહીં કરી શકે
કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સાયબર ફ્રોડના કેસોમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા મામેલ નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. જીજેઈપીસીના ચેરમેન જયંતી સાવલિયા અને ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ‘ઘણી વખત સાયબર ફ્રોડની ચેઇન ટ્રાન્ઝેક્શનના કારણે નિર્દોષોના ખાતા ફ્રીઝ થઈ જતા હતા. નવી SOPથી હવે માત્ર શંકાસ્પદ રકમ પર હોલ્ડ મુકાતા દૈનિક ટ્રાન્ઝેક્શન ચાલુ રાખી શકાશે.પારદર્શક પ્રક્રિયાથી ડિજિટલ પેમેન્ટમાં લોકોનો વિશ્વાસ વધશે. ભાસ્કર એનાલિસીસ
સન્ડે ફોટો સ્ટોરી:જાહેરાતોના 15 વર્ષ પછી ડુમસ સી-ફેસ આજથી લોકો માટે ખુલ્લો મુકાશે
ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આયોજન છેલ્લા પંદરથી વિચારાધીન હતું. જોકે, તેના નક્કર આયોજનની ગતિ 2017-18 માં વધી જ્યારે ‘કોસ્ટલ રેગ્યુલેશન ઝોન’ (CRZ) માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા (ફેઝ-1)ની પ્રત્યક્ષ કામગીરી માટેનો વર્ક ઓર્ડર છેક 22 ડિસેમ્બર 2023 ના રોજ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ પ્રોજેક્ટના પેકેજ-1 નું વિધિવત ખાતમુહૂર્ત 24 ડિસેમ્બર 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. રવિવારે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્ત તેનું લોકાર્પણ કરવામાં આવશે. - રીતેશ પટેલ
શહેરમાં પારિવારિક સંબંધોમાં આશ્ચર્ય પમાડે એવી એક શર્મજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના વિમલનગર વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારની દીકરીના જૂનાગઢ રહેતા સગા મોટા કાકીએ જ દીકરીની બદનામી કરતા ફોટો કુટુંબમાં ફરતા કરી દીધા હતા. મામલો થાણે પહોંચતા જૂનાગઢમાં રહેતા દંપતી વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ બનાવમાં શહેરના વિમલનગર મેઈન રોડ પાસે રહેતા અને બેંકમાં નોકરી કરતા પ્રૌઢે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના જ સગા મોટા ભાઈ સલીમ હાલા અને ભાભી નાઝીમા હાલાના નામ આપ્યા હતા. પ્રૌઢ ફરિયાદમાં જણાવે છે કે, ગત તા.04/03/2026ના રોજ બપોરના સમયે તેનાથી મોટા ભાઈ ઈસ્માઈલનો તેને કોલ આવ્યો હતો કે, નાઝીમા ભાભીએ તારી દીકરીના અન્ય યુવક સાથેના ફોટા તેના ફોનમાં મોકલેલ છે અને મેસેજમાં નીચે લખેલ છે કે, “તમે મારી દીકરીના કેસમાં ખોટી દખલગીરી કરતા બંધ થાવ નહીંતર હજુ બીજા ફોટા પણ મોકલીશ તો તમારે દવા પીવાનો વારો આવશે’. ત્યારબાદ અન્ય મોટાભાઈનો પણ તેના પર કોલ આવ્યો કે, તારી દીકરીના ફોટા નાઝીમા ભાભીએ મને પણ મોકલીને ડિલીટ કરી નાખ્યા છે. જે બાદ દીકરીના પિતાએ એ જ ફોટો દીકરીને મોકલ્યા તો તેણીએ કહ્યું કે, આ એ જ જૂનાગઢવાળો છોકરો છે જેની સાથે મેં પરિચય કેળવ્યો બાદમાં હકીકત માલૂમ પડતાં સંબંધ તોડી નાખ્યો હતો. ત્યારબાદ ગત તા.5/03ના સાંજના છ વાગ્યે દીકરીના મામાનો પણ દીકરીના પિતા પર કોલ આવ્યો અને તેણે પણ એ જ જણાવ્યું કે, તમારા ભાભીનો મારા પર કોલ આવ્યો’તો અને તેણીએ દીકરીના ફોટા પણ મોકલ્યા હતા. જે બાદ કોલમાં એમ કહ્યું હતું કે, તમારી ભાણીના બધે ફોટા વાઇરલ કરી દઈશ મારા ઘરની આઘી પાછી કરી છે તો, ભાણીનું ક્યાંય સગપણ થશે તો પણ ન્યૂડ ફોટા મોકલી સગપણ તોડાવી નાખીશ. જે બાદ યુવતીના પિતાએ તેના ભાઈ અને ભાભી વિરુદ્ધ દીકરી તથા પરિવારની ગરિમાને ઠેંસ પહોંચાડી માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોવાનું યુનિવર્સિટી પોલીસને જણાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરની ભાગોળે આવેલા મેટોડામાં રહેતા માજી સરપંચ અને તેના પરિવારજનો પર હાલના મહિલા સરપંચના પતિ-પુત્ર સહિત ચારે અગાઉના ઝઘડાનો ખાર રાખી હુમલો કરી ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેટોડામાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી મનસ્વીબેન શૈલેષભાઈ વેકરિયાએ મેટોડા પોલીસ મથકમાં મહિલા સરપંચના પતિ જેન્તીભાઈ અમરશીભાઈ સભાયા, તેનો પુત્ર પાર્થ, મૌલિક અને રાજેશ ગોરધન સભાયા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.6ના તેણી માતા સાથે હેરિયર કાર લઈ નાસ્તો કરવા જતા હતા, દરમિયાન હનુમાન મંદિર પાસે પહોંચતા કારના ટાયરમાં હવા ઓછી હોય જેથી તેણીએ ગાડી ઊભી રાખી તેની માતાને તપાસવા નીચે ઉતરવાનું કહ્યું હતું. જે દરમિયાન ચારેય આરોપી તેના ઘર પાસે બેઠા હતા. અગાઉ તેણીના પિતા શૈલેષભાઈ ગામના માજી સરપંચ હોય અને હાલમાં જેન્તીભાઈના પત્ની ગામના સરપંચ હોય જેથી અગાઉ તેની સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી તેણીની માતાને ગાળો ભાંડવા લાગ્યા હતા. જેથી તેણીએ કારમાંથી ઉતરી ગાળો ન બોલવાનું કહેતા આ રાજેશે ઉશ્કેરાઈને તેણીને લાફો ઝીંકી તેમજ પાર્થે માતા-પુત્રીને ધમકી આપી ઝપાઝપી કરી તેણીનું ટીર્શટ ખેંચી માર માર્યો હતો. જે બાદ તેણીએ તેના પિતા-ભાઈને જાણ કરી બોલાવતા પિતા-પુત્ર અને રાજેશ દોડીને ઘરમાંથી ધોકો લઈ આવી કારના પાછળના ભાગે તેણીની ગાડીના કાચ તોડી નાખી તેમાં નુકસાન કર્યું હતું. બાદ તેણીના પિતા-ભાઈને પણ ધોકો મારી ધમકી આપ્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા અને પારદર્શક કામગીરી માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા લેવાતા પ્રયત્નો નોંધપાત્ર રહ્યા છે. જ્યારે બીજીબાજુ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે નજર સામેથી બે શખ્સ હાથમાં ધારિયું લઈને નાસી છૂટ્યા હતા, પણ પોલીસે તેનો પીછો સુદ્ધા ન કરી ઘટનાસ્થળે હાજર તેમજ માથાકૂટમાં જ સામેલ એક યુવકને ફરિયાદ નોંધાવી હોય તો પોલીસ મથકે પહોંચી જવું તેમ કહ્યું અને પોલીસ કારને પોલીસ મથકે લઈને આવી પહોંચી હતી. બાદમાં પાર્કિંગમાં રાખેલી કારની તલાશી લેતા તેમાંથી ઘાતક હથિયારો અને સોડાની ખાલી બોટલો મળી આવતા બી-ડિવિઝન પોલીસ મથકમાં પોલીસે જ ફરિયાદી બની બે શખ્સ સામે ગુનો નોંધ્યો છે. ગત તા.05/03 રાત્રે 11 વાગ્યે બી-ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોરબી રોડ જકાતનાકા નજીક એક સિલ્વર કલરની ઓડી કાર પાસે કેટલાક ઇસમો જોરજોરથી દેકારો કરતા જોવા મળ્યા હતા, જેમાંથી એક ઇસમના હાથમાં ધારિયું જોવા મળ્યું હતું. પોલીસને જોઈને બે શખ્સ ત્યાંથી નાસી છૂટ્યા હતા, જ્યારે સ્થળ પર હાજર નૈમિષ ગોહેલ નામના યુવકે જણાવ્યું હતું કે, તેની સાથે હર્ષદીપ ખાચર અને અન્ય એક અજાણ્યો શખ્સ ઝઘડો કરી રહ્યા હતા. યુવકના જણાવ્યા મુજબ, આ કાર હર્ષદીપ ખાચર લઈને આવ્યો હતો. વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.06/03/2026ના સાડા ત્રણેક વાગ્યા આસપાસ આ નૈમિષ ગોહેલ રૂબરૂ પોલીસ મથકે આવ્યો હતો બાદમાં નૈમિષે પોલીસને જણાવ્યા મુજબ તે કોઈ ફરિયાદ નોંધાવવા ઈચ્છતો ન હોય તેની આ હર્ષદીપ ખાચર સાથે સમાધાનની વાત ચાલી રહી હોવાનું જણાવી તે પોલીસ સ્ટેશનેથી જતો રહ્યો હતો. બાદમાં પોલીસે 6 તારીખે જ રાત્રે સાડા આઠેક વાગ્યા આસપાસ જપ્ત કરેલી ઓડી કારની તલાશી લેતા કારમાંથી બે ધારિયા, ત્રણ સ્ટીલની છરીઓ, 48 કાચની ખાલી બોટલો અને કારની નંબર પ્લેટ મળી આવી હતી. બાદમાં પોલીસે જ ફરિયાદી બની હથિયારબંધી, જાહેરનામાના ભંગ અને ખોટી નંબર પ્લેટ લગાડવા બદલ ગુનો નોંધ્યો હતો. પોલીસનું માનવું છે કે, આ શખ્સો કોઈ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાના ઇરાદે નીકળ્યા હતા, પરંતુ પોલીસ સમયસર આવી પહોંચતા મોટી માથાકૂટ ટળી હતી.
ધમકી આપી:સોશિયલ મીડિયા પર વીડિયો મૂકતા પત્રકારને ફોનમાં ધમકી
રાજકોટના એક પત્રકારને સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોને પોસ્ટ કરવાના મુદ્દે મોબાઇલ ફોન પર ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસે આબીદ નામના એક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 150 ફૂટ રિંગ રોડ પર શીતલપાર્ક સર્કલ પાસે રવિરાંદલ પાર્ક શેરી નં.3માં રહેતા મયૂરસિંહ કિરીટસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે. તેઓ એક અખબારના સંચાલન સાથે જોડાયેલા હોવાનું જણાવાયું છે. ગત તા.5 માર્ચ 2026ના રોજ તેઓ જાગનાથ વિસ્તારમાં હતા ત્યારે તેમને ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે આબીદ હોવાનું કહી સોનીબજારના વેપારીઓ હિરેન લોઢિયા, નિલેશ કુંભાણી અંગેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકીને પોતાની બદનામી કરવામાં આવી હોવાનું કહ્યું હતું. ફરિયાદીએ જવાબમાં જણાવ્યું હતું કે વીડિયો પહેલેથી જ સોશિયલ મીડિયામાં ફરતો હતો અને તેમની પાસે પહોંચતા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા આબીદે “તમને જોઈ લઈશ, ક્યાંય મળશો તો જોવા જેવી થશે” કહી ગર્ભિત ધમકી આપ્યાનો આક્ષેપ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટ કોંગ્રેસમાં ખળભળાટ:પૂર્વ MLA રાજ્યગુરુની અચાનક જ નિવૃત્તિ,
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે કોંગ્રેસને રાજકોટમાં મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજકોટ-68ના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના લડાયક નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક રાજકીય તથા સામાજિક નિવૃત્તિ જાહેર કરતા પાર્ટીમાં ખળભળાટ મચ્યો છે. કોર્પોરેટરથી લઈને શહેર પ્રમુખ અને ધારાસભ્ય સુધીની જવાબદારી નિભાવનારા રાજ્યગુરુના આ નિર્ણયને રાજકીય વર્તુળોમાં “હીટવેવ” સમાન ગણાવવામાં આવી રહ્યો છે. રાજ્યગુરુ છેલ્લા સાડા ત્રણ દાયકાથી જાહેર જીવનમાં સક્રિય રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 1991થી રાજકારણ અને સમાજસેવામાં જોડાયેલો રહ્યો છું અને હવે 36 વર્ષ બાદ વ્યક્તિગત જીવન જીવવાનો સમય આવ્યો છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે, હવે કોઈ રાજકીય સભા, સરઘસ કે સામાજિક કાર્યક્રમમાં હાજરી નહીં આપે. કોર્પોરેશન સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક હોય ત્યારે લેવાયેલો આ નિર્ણય અનેક અટકળોને જન્મ આપી રહ્યો છે. તાજેતરમાં કોંગ્રેસ હાઈકમાન્ડે ચૂંટણી તૈયારી માટે વિવિધ સમિતિઓની રચના કરી હતી, પરંતુ તેમાં રાજ્યગુરુ અથવા તેમના સમર્થકોને સ્થાન ન મળ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. “હવે જીવનના શોખ પૂરાં કરવાની ઈચ્છા”રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, 60 વર્ષની ઉંમરે હવે વ્યક્તિગત જીવનનો આનંદ લેવા ઈચ્છા છે. મને કૂકિંગનો શોખ છે તે પૂરો કરીશ. તેમજ દરરોજ પ્રાણાયમ કરીશ. હિમાલય સહિત કુદરતી સ્થળોએ ફરવાનો તેમને ખાસ શોખ છે. છેલ્લા બે મહિનાથી તેઓ કોઈ સામાજિક કે રાજકીય કાર્યક્રમમાં હાજર રહ્યા નથી અને હવે સંપૂર્ણ વિરામ લેવાનો નિર્ણય કર્યો છે.
આજે વિશ્વ મહિલા દિવસ:આજની મહિલા... પુરુષ સમોવડી નહીં, તેનાથી શ્રેષ્ઠ બની રહી છે
દેવી મહાત્મયમ કે જેને દુર્ગા સપ્તશતી અથવા ચંડીપાઠ પણ કહેવામાં આવે છે. તેના બીજા અધ્યાયમાં આદ્યશક્તિ મા દુર્ગાનું વર્ણન છે. ઉપરોક્ત શ્લોક સાથે મહિલાના તેજ સાથે સરખાવીએ તો અત્યારે નહિ પહેલાથી મહિલાઓ પુરુષો કરતા શ્રેષ્ઠ હતી પણ હવે બદલતા કાર્યક્ષેત્ર અને જમાનામાં મહિલાઓ પોતાની ફરજ ઉપરાંત એવા ક્ષેત્રોમાં આગળ વધી રહી છે જ્યાં પુરુષો છે અને તેનાથી વધુ ચડિયાતી સાબિત થઈ રહી છે. જેમને સશક્તિકરણ નહિ મજબૂત મનોબળની જ જરૂર હતી. મહિલા દિવસે એ પૈકીની રાજકોટની સફળ અને સંઘર્ષ કરતી મહિલાઓના આ છે સબળ અને શ્રેષ્ઠ ઉદાહરણ. શક્તિના પ્રતીકને કદી સશક્તિકરણની જરૂર જ પડી નથી, જરૂર હતી મનોબળની, રાજકોટની આ મહિલાઓ તેની છે સાબિતી ફ્લાઈટ ઇન્સ્ટ્રક્ટરથી શરૂ થયેલી નિધિની સફર વિદેશી ઉડાનો સુધી પહોંચી છે. હાલ રાજકોટની સૌ પ્રથમ ઇન્ટરનેશનલ મહિલા પાઇલટ તરીકે અત્યાર સુધીની ઉડાનનો 7000થી વધુ કલાકોનો અનુભવ છે. પુણેથી હૈદરાબાદ સુધી ભારતની પ્રથમ વેક્સિન ફ્લાઇટનું સંચાલનની કામગીરી નિભાવી હતી. મેં ખુબ સંઘર્ષ કરીને માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. શ્રમિકોના 62 બાળકોને ભણાવવા માટે યોગદાન આપનારા મિનલબા ગોહિલને ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો છે. હાલ થોરાળા, પાંજરાપોળ જેવા વિસ્તારમાં બાળકોને ભણાવે છે, જે વૃદ્ધોને સંતાન ન હોય તેમના ઘરે અનાજ પહોંચાડવું, પીડિત મહિલાઓ કે દીકરીઓનું નિ:શુલ્ક માર્ગદર્શન આપે છે. ઉપરાંત અનેક સેવાકાર્યો કરે છે. તૃપ્તિ જાની છેલ્લા 20 વર્ષથી બ્યુટી અને શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન હજારો વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો અને માર્ગદર્શન આપવાનો મોકો મળ્યો છે. આ સફરે મને શીખવ્યું છે કે જ્યારે સ્ત્રીને યોગ્ય તક, હુન્નર અને આત્મવિશ્વાસ મળે છે, ત્યારે તે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. આજે મારો સંદેશ છે કે દરેક સ્ત્રી પોતાની શક્તિને ઓળખે. રાજયોગિની બ્રહ્માકુમારી ભારતીદીદીએ 12 વર્ષની ઉંમરે બ્રહ્માકુમારી સંસ્થામાં જીવન સમર્પિત કરી દીધું હતું. વર્તમાન ગુજરાત ઝોન ડાયરેક્ટર તરીકે સેવામાં ઉપસ્થિત છે. તેઓના માર્ગદર્શન હેઠળ અનેક વિકાસના કાર્યોમાં 10,000થી વધુ મહિલાઓને સાક્ષર બની, સીલાઇ મશીન વિતરણ, સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ સહિત સમાવેશ થાય છે.
SIR ઇફેક્ટ:રાજકોટમાં મતદારો ઘટશે અને મતદાન મથકો વધશે
રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી યોજવા તડામાર તૈયારીઓ શરૂ કરાવી મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોને SIR બાદ તૈયાર થયેલી મતદાર યાદીના આધારે પોતાની મતદાર યાદી તૈયાર કરવા સૂચના આપી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું ચૂંટણી તંત્ર બરાબરનું ધંધે લાગ્યું છે. વર્ષ 2021ની ચૂંટણીમાં રાજકોટ શહેરના 18 વોર્ડમાં 10,93,991 મતદાર નોંધાયેલ હતા જેની સામે SIR બાદ શહેરની ત્રણ વિધાનસભા બેઠકમાં જ 1.73 લાખથી વધુ મતદાર ઘટી ગયા હોવાની સાથે વાંકાનેર અને રાજકોટ ગ્રામ્યમાં પણ મતદારો ઘટ્યા હોવાથી કોર્પોરેશનની ચૂંટણીમાં SIR ઇફેક્ટ હેઠળ મતદારો ઘટવાની શક્યતા જોવાઈ રહી છે. મનપાની મતદાર યાદી તૈયાર કરવામાં હાલ તમામ તાકાત કામે લગાવવા છતાં 11મી પહેલાં મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ માટે તંત્રને 24 કલાક કામ કરવું પડે તેવી સ્થિતિ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. વર્ષ 2021ની રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 5,67,001 પુરુષ, 5,26,970 મહિલા, 20 થર્ડ જેન્ડર સહિત કુલ 10,93,991 મતદાર નોંધાયેલ હતા. જે અંતર્ગત 18 વોર્ડની ચૂંટણીમાં દરેક મતદાન મથકમાં 1104 મતદારનો સરેરાશ સમાવેશ કરવામાં આવતા કુલ 991 મતદાન મથક પર મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. બીજીતરફ ચૂંટણી પંચે SIR પ્રક્રિયા હાથ ધરાતા જિલ્લાની કુલ આઠ વિધાનસભા બેઠકમાં નોંધાયેલ કુલ 23,91,027 મતદાર પૈકી 2,95,211 મતદારનો ઘટાડો થતા હવે જિલ્લામાં મતદારોની સંખ્યા ઘટીને 20,95,816 થઈ છે. તે જોતા રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ચિમ અને 70 રાજકોટ દક્ષિણ બેઠકમાં જ 1,73,815 મતદાર ઘટી ગયા છે. આ ઉપરાંત શહેર વિસ્તારમાં 67 -વાંકાનેર બેઠક તેમજ 71 રાજકોટ ગ્રામ્ય બેઠકનો હિસ્સો પણ સમાવિષ્ટ થયેલ હોય આ બન્ને બેઠકમાં પણ મતદારો ઘટ્યા છે. હાલમાં કોર્પોરેશનનું ચૂંટણી તંત્ર મતદાર યાદીની ડેટા એન્ટ્રીમાં ધંધે લાગ્યું છે. જોકે, 11મી માર્ચ સુધીમાં ડેટા એન્ટ્રી કરી મતદાર યાદી તૈયાર કરવામાં તંત્રને ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા છે. જો કે કેન્સલ થયેલા નામો સંદર્ભે હજુ હજારોની સંખ્યામાં લોકોએ ફોર્મ ભરીને મતદાર યાદીમાં પોતાના નામ નોંધાવવા માટે કવાયત કરી છે. ત્યારે ચૂંટણી સુધીમાં રદ નામોનો આંકડો થોડો ઘટે તેવી પણ સંભાવના છે. જિલ્લા પંચાયતમાં મતદાન મથકો 1200 આસપાસ રહેશેરાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખાના સૂત્રોના મતે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 1200 જેટલા મતદાન મથક રહેવાની ધારણા છે, ગત જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં 1079 જેટલા મતદાન મથક પર મતદાન થયું હતું જેથી આ વખતે 12ઓ જેટલા મતદાન મથક વધવાની શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મુખ્ય વિધાનસભા બેઠક દીઠ મતદારોની સ્થિતિ
વિશ્વ મહિલા દિવસે રાજકોટના અલગ-અલગ ક્ષેત્રમાં નામનાં મેળવનાર અગ્રણી મહિલાઓને દિવ્ય ભાસ્કરે સવાલ કર્યો હતો કે, તમને જો એક દિવસ માટે શહેરના ટોંચના અધિકારી બનાવવામાં આવે તો તમે શું કાર્યવાહી કરો ? ત્યારે અગ્રણી મહિલાઓએ આક્રમક વિચારો વ્યક્ત કર્યા હતા અને કહ્યું હતું કે, જો અમે કલેક્ટર, કમિશનર કે સરકારી અધિકારી હોય તો શહેરને વિકસતું, ધબકતું અને ગુંડામુક્ત કરી દઇએ. 8 મહિલા અગ્રણીને દિવ્ય ભાસ્કરે સવાલ કર્યો કે, ‘તમને માત્ર એક દિવસની સરકારી સત્તા મળે તો તમે શું કરો ?’ અને આ રહ્યા તેના જવાબ: પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ મળે એટલે મહિલા નિર્ભયતા અનુભવે તે સુનિશ્ચિત કરવા તાત્કાલિક ઠરાવ કરી એક પિન્ક સ્ક્વોડની રચના કરું. પાંચ મુદ્દાઓ પર ખાસ ફોકસ પણ કરું. જેમાં દરેક સંવેદનશીલ પોઇન્ટ પર મહિલા પોલીસથી સજ્જ પીસીઆર વેન 24 કલાક તૈનાત રાખવાનો પણ નિર્ણય કરું. મહિલાઓની સોશિયલ મીડિયા પર થતી પજવણી રોકવા સાયબર મહિલા સેલ બનાવવામાં આવશે જે 24 કલાક એક્ટિવ રાખી શહેરને ગુંડામુક્ત કરી દઉ. સૌ પ્રથમ, હું મૂડીરોકાણ અને સબસિડીની જટિલ પ્રક્રિયાનું સંપૂર્ણ ડિજિટલાઈઝેશન કરીશ. ટેક્નોલોજી અપગ્રેડેશન અને પ્લાસ્ટિક રિસાઇક્લિંગ જેવા પર્યાવરણલક્ષી ઉદ્યોગો માટે ‘ઇન્સ્ટન્ટ કેપિટલ સબસિડી’ની જોગવાઈ કરી નાના ઉદ્યોગકારોને વ્યાજ સહાય સીધી બેંકમાં મળે તેવી પારદર્શક વ્યવસ્થા ઊભી કરીશ. જે ઉદ્યોગોનું સંચાલન મહિલાઓ કરતી હોય તેમને વીજળી દરમાં 20% રાહત અને જી.એસ.ટી. રિફંડમાં અગ્રતા આપવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર તરીકે જો ચાર્જ મળે એટલે સૌથી પહેલા એક નાગરિક સમિતિનું ગઠન કરી તેમાં પ્રબુદ્ધ નાગરિકોનો સમાવેશ કરીશ. કોઇપણ મહત્ત્વનો નિર્ણય હોય તો તેની ચર્ચા કરીને મતદાન થકી આગળ વધાશે. સમિતિના સૂચનો મેળવીને શહેરને કેમ સ્વચ્છ, સુંદર અને રહેવાલાયક બનાવવું તેનું આયોજન કરાશે. દરેક વોર્ડમાં એક નાની સ્પોર્ટ્સ એક્ટિવિટી અને સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ શકે તેવા સંકુલની વ્યવસ્થા કરવી. એકલાવાયું જીવન ગુજારતા લોકોને ઘરે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ઊભી કરું. આરોગ્ય કેન્દ્રમાં યુવક-યુવતીઓના કાઉન્સેલિંગ માટે નિમણૂક આપવી જેથી કિશોરાવસ્થાની મૂંઝવણો અને શારીરિક-માનસિક પરિવર્તનો અંગે માર્ગદર્શન મળી રહે. મહિલાઓને આરોગ્ય કેન્દ્રમાં વિનામૂ્લ્યે તપાસ, સારવાર, નિદાન આપવાથી સ્વસ્થ સમાજનું નિર્માણ કરું. ‘એક ગામ, એક મેદાન’ અભિયાન હેઠળ પડતર સરકારી જમીનનો મેદાન તરીકે ઉપયોગ કરી સ્પોર્ટ્સને આગળ વધારીશ. બિનઉપયોગી કે ઓછી ઉપયોગી સરકારી જમીનને બહુહેતુક પ્લે-ફિલ્ડમાં ફેરવી બાળક સુધી પાયાની સુવિધાઓ પહોંચાડીશ. સ્પોર્ટ્સ ઓથોરિટીના સહયોગથી ગામડાંમાં રમતગમતને વણી લઈશ અને સ્થાનિક યુવાનોને જ પી.ટી. ઇન્સ્ટ્રક્ટર તરીકે તૈયાર કરી રોજગારી અને માર્ગદર્શન પૂરું પાડીશ. PGVCLને માત્ર એક વીજ વિતરણ કંપની તરીકે જ નહીં, પણ એક સુરક્ષિત, ગ્રાહકલક્ષી અને ગ્રીન એનર્જીમાં અગ્રેસર સંસ્થા તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ. કર્મચારીઓ માટે અદ્યતન ‘સેફ્ટી કિટ’ ફરજિયાત કરીશ તેના વિના કામ નહીં કરવા દઈએ. નિયમિત મેન્ટેનન્સ દ્વારા જીવલેણ અકસ્માતો શૂન્ય કરવા પર ભાર મૂકીશ. આજનું શિક્ષણ વધુ મોંઘું થતું જાય છે તેમાં બદલાવ કરીશ. સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી તુરંત કરીશ અને કોલેજમાં સેમેસ્ટર પદ્ધતિને બદલે ફરીથી વાર્ષિક પદ્ધતિ પ્રમાણે શિક્ષણ અપાવીશ. ધોરણ 12 સાયન્સમાં એ અને બી ગ્રૂપને બદલે કોમન ગ્રૂપ કરીશ. ભણવાની અને સંસ્કાર મેળવવાની જવાબદારી માતા-પિતા સાથે શાળાની પણ સુનિશ્ચિત કરીશ. કલેક્ટરશ્રી એ જિલ્લાના રાજા ગણાય અને બંધારણ દ્વારા તેમને વિશાળ સત્તા મળેલી છે. નાગરિકોની સુખાકારી માટે તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી આધુનિક ટેક્નોલોજીના સદુપયોગ સાથે કાયદાના પાલનનો આદેશ આપીશ. જ્યાં વધારે જરૂર જણાય ત્યાં કડક હાથે કાર્યવાહી કરાવીશ.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં થોડા સમય પહેલાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશન બાદ હવે એક ચોંકાવતો ખુલાસો સામે આવ્યો છે. ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા બાદ કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન અનેક મકાનોમાંથી પાણીના વાલ્વ ખોલવાની ડુપ્લિકેટ ચાવીઓ મળી આવતા મહાનગરપાલિકાના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત બની ગયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાં અંદાજે 150 જેટલા મકાનધારકોએ મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાંથી જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે વાલ્વ ખોલવાની ડુપ્લિકેટ ચાવીઓ બનાવી લીધી હતી. રાજકોટના સૌથી વધુ ચર્ચિત અને પંકાયેલા વિસ્તારોમાં ગણાતા જંગલેશ્વરમાં વર્ષોથી ગેરકાયદે પ્રવૃત્તિઓનું નેટવર્ક ચાલતું હોવાની ચર્ચા હતી. આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તેમજ અન્ય પ્રવૃત્તિઓને કારણે કાયદો અને વ્યવસ્થાને પડકાર ઊભો થતો હતો. આવી સ્થિતિમાં શહેર પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત આયોજન કરીને મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ લગભગ ત્રણથી ચાર મહિનાની તૈયારી બાદ એક પખવાડિયા અગાઉ મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 1489 જેટલા ગેરકાયદે મકાનો કોઈ મોટી માથાકૂટ વગર ધરાશાયી કરવામાં આવ્યા હતા. હાલમાં આ વિસ્તારમાં તોડફોડ કરાયેલા મકાનોનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન મકાનોના અવશેષોમાંથી પાણીના વાલ્વ ખોલવા માટે ઉપયોગમાં લેવાતી ડુપ્લિકેટ ચાવીઓ મળી આવતા અધિકારીઓ ચોંકી ગયા હતા. મહાનગરપાલિકાના સૂત્રો મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાં પાણીની ચોરી વર્ષોથી સંગઠિત રીતે ચાલી રહી હતી. રાજકોટ મહાનગરપાલિકા શહેરના 18 વોર્ડમાં પાણી વિતરણ માટે ચોક્કસ સમયપત્રક અનુસાર વ્યવસ્થા ચલાવે છે. દરેક વિસ્તારમાં પાણીના વાલ્વ ખોલવા અને બંધ કરવા માટે વાલ્વમેનની નિમણૂક કરવામાં આવે છે. સામાન્ય રીતે દર વિસ્તારમાં લગભગ 20 મિનિટ માટે પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં કેટલાક માથાભારે તત્ત્વોએ પાણીના વાલ્વની ડુપ્લિકેટ ચાવીઓ બનાવી લીધી હતી અને જ્યારે જરૂર પડે ત્યારે વાલ્વ ખોલીને પાઇપલાઇનમાંથી સીધું પાણી મેળવી લેતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ખાસ કરીને કોઈ ધાર્મિક પ્રસંગ, સામાજિક કાર્યક્રમ કે પરિવારના લગ્ન-પ્રસંગ જેવા સમયે પાણીની વધારે જરૂરિયાત રહેતી ત્યારે આ ડુપ્લિકેટ ચાવીઓનો ઉપયોગ કરીને પાણી ઉપાડવામાં આવતું હતું. આ સમગ્ર ગેરકાયદે વ્યવસ્થા ઘણા વર્ષોથી ચાલતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડિમોલિશન દરમિયાન કેટલાક મકાનોમાંથી વીજપુરવઠા માટે ગેરકાયદે જોડાણ એટલે કે “લંગરિયા” પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે આ વિસ્તારમાં વીજચોરી પણ મોટા પાયે થતી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, મહાનગરપાલિકાએ અગાઉ શહેરમાં પાણી માટે મીટર આધારિત વિતરણ પ્રથા અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી, પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં વિવિધ કારણોસર આ પ્રથા અમલમાં આવી શકી ન હતી. જેના કારણે વર્ષોથી પાણીના ગેરકાયદે ઉપયોગની શક્યતાઓ વધતી રહી હતી. દર વર્ષે કરોડો રૂપિયાની પાણીચોરી થતી હોવાની આશંકામનપાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જંગલેશ્વર વિસ્તારમાં ડુપ્લિકેટ ચાવીની મદદથી વર્ષોથી પાણીની ચોરી થતી હતી. આ ચોરીના કારણે દર વર્ષે કરોડો રૂપિયાના પાણીનું નુકસાન થતું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ નુકસાનનો ચોક્કસ આંકડો હાલમાં નક્કી કરવો મુશ્કેલ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, કારણ કે વર્ષોથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ગુપ્ત રીતે ચાલતી હતી.
સિટી એન્કર:રાજકોટ મનપાની ટેક્સની ગાડી ધીમી, 455ના ટાર્ગેટ સામે 389 કરોડ જ વસૂલી શકાયા
મહાનગરપાલિકાએ 31 માર્ચ સુધી રૂ.5 હજારની મર્યાદામાં વ્યાજમાફીની યોજના જાહેર કર્યા છતાં મિલકતવેરાની વસૂલાતની ગાડી હજુ ધીમી ગતિએ આગળ વધી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે ટેક્સ વિભાગે રૂ.455 કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, પરંતુ તા.7 માર્ચ સુધીમાં કુલ રૂ.389.29 કરોડની જ વસૂલાત થઈ છે. પરિણામે હવે વર્ષ પૂર્ણ થવામાં બાકી રહેલા લગભગ 23 દિવસમાં મનપાને રૂ.66 કરોડ જેટલો વેરો ઉઘરાવવાનો મોટો પડકાર ઊભો થયો છે. મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા નોન-રેસિડન્સ, રેસિડન્સ, કોમર્સિયલ તેમજ સરકારી મિલકતોના બાકી મિલકતવેરા માટે ઝુંબેશ હાથ ધરાઈ છે. બાકીદારોને વેરા બિલ મોકલી ચૂકવણી કરવા સૂચના આપવામાં આવી રહી છે.મનપાએ ચાલુ વર્ષે વ્યાજમાફીની સ્કીમ જાહેર કરી છે. તેમાં બાકી મિલકતવેરાની સંપૂર્ણ ભરપાઈ કરનારને મિલકતવેરાના વ્યાજ પર રૂ.5,000 તથા પાણીવેરાના વ્યાજ પર રૂ.5,000 એમ કુલ રૂ.10,000 સુધીની રાહત મળે છે. આ યોજના 31 માર્ચ સુધી અમલમાં રહેશે. ટેક્સ વિભાગના આંકડા મુજબ સરકારી કચેરીઓ દ્વારા સવા મહિનામાં કુલ રૂ.2.64 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. તેમાં ફેબ્રુઆરી માસ દરમિયાન ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજે રૂ.58.61 લાખ, પીજીવીસીએલે રૂ.45.37 લાખ, સ્પોર્ટ્સ વિભાગે રૂ.30.95 લાખ, જૂની કોર્ટ દ્વારા રૂ.17.36 લાખ, યાંત્રિક ભવન દ્વારા રૂ.11 લાખ, નાયબ નિયામક કચેરી દ્વારા રૂ.14.18 લાખ, મામલતદાર કચેરી (દક્ષિણ) દ્વારા રૂ.6.43 લાખ, પી.ડબલ્યુ.ડી. દ્વારા રૂ.65.47 લાખ અને ઇન્કમટેક્સ વિભાગે રૂ.27.82 હજાર ભરપાઈ કરી હતી. આમ કુલ રૂ.2.49 કરોડ વસૂલાયા હતા. ચાલુ માર્ચ માસમાં સિવિલ હોસ્પિટલ દ્વારા રૂ.74.65 લાખ, જી.એમ.એસ.સી.એલ. દ્વારા રૂ.4.85 લાખ, પોસ્ટલ ડેપો દ્વારા રૂ.17.22 લાખ અને સેન્ટ્રલ જી.એસ.ટી. કચેરી દ્વારા રૂ.17.65 લાખ ચૂકવાતા કુલ રૂ.1.14 કરોડની આવક નોંધાઈ છે. પરંતુ બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રેલવે, સમરસ હોસ્ટેલ અને પાણી પુરવઠા બોર્ડ સહિતના વિભાગોના લગભગ રૂ.100 કરોડ જેટલા લેણા હજી બાકી છે. જુદા જુદા હિસાબી વિવાદો અને કાયદાકીય કારણોસર વર્ષોથી આ લેણાં ઉઘરાતા નથી. ટેક્સ વિભાગના સૂત્રો અનુસાર માર્ચ એન્ડમાં સરકારી વિભાગો દ્વારા મોટી ચૂકવણી થતી હોવાની આશા છે.
નમસ્તે, આજના મોટા સમાચારો જોઈએ તો, ઈરાને મીડલ ઈસ્ટના પાડોશી દેશોને ધરપત આપી છે કે તે તેના પર હુમલા નહીં કરે. અત્યાર સુધીમાં જે હુમલા થયા તેની માફી પણ માગી છે. બીજી તરફ યુદ્ધના કારણે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલના ભાવ અને ભારતમાં ગેસના ભાવમાં વધારો થયો છે. UPSC રિઝલ્ટ પછી નવો વિવાદ શરૂ થયો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ 2. AAP નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં, ગાંધીનગરમાં જનસભા 3. પીએમ મોદી દિલ્હીમાં 33,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે કાલના મોટા સમાચારો 1. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે, હોર્મુઝ રૂટ બંધ થતાં સરકારે નવા રસ્તાઓથી ક્રૂડ ઓઇલની સપ્લાય 10% વધારી મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાની ચિંતા ટળી ગઈ છે. કારણ કે, હોર્મુઝ રૂટ બંધ થયા પછી સરકારે કુલ આયાતના 10% ક્રૂડ ઓઇલ નવા રૂટથી મંગાવવાનું શરૂ કરી દીધું છે. સરકારે આ નિર્ણય સપ્લાય હોર્મુઝ રૂટ પ્રભાવિત થવાને કારણે લીધો છે. સૂત્રો અનુસાર, સરકારનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવ છતાં ભારત પાસે તેલનો પર્યાપ્ત ભંડાર છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, હોર્મુઝ રૂટ બંધ થવાને કારણે છેલ્લા 8 દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 27% સુધી વધી ગયા છે. સરકારી સૂત્રોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે નહીં. આજે અમે દેશને ફરીથી ખાતરી આપીએ છીએ કે કિંમતોમાં કોઈ વધારો થશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બંગાળમાં કોન્ફરન્સનું સ્થળ બદલવા પર રાષ્ટ્રપતિ નારાજ:તેમણે કહ્યું- રાજ્ય સરકાર આદિવાસીઓનું ભલું નથી ઈચ્છતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંગાળમાં કાર્યક્રમનું સ્થળ બદલવા બદલ શનિવારે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું- મને લાગે છે કે બંગાળ સરકાર આદિવાસીઓનું ભલું નથી ઈચ્છતી. મમતા બેનર્જી મારી નાની બહેન જેવી છે. હું પણ બંગાળની દીકરી છું. રાષ્ટ્રપતિએ કહ્યું... નોર્થ બંગાળના પ્રવાસે ન તો મુખ્યમંત્રી કે ન તો કોઈ રાજ્ય મંત્રી તેમને રિસીવ કરવા આવ્યા. મને ખબર નથી કે મમતા મારાથી નારાજ છે કે નહીં. જોકે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે બધા સ્વસ્થ રહો. તેમણે કાર્યક્રમનું સ્થળ બદલવા બદલ કહ્યું કે જો કાર્યક્રમ બિધાનનગરમાં હોત તો સારું થાત. ત્યાં ઘણી જગ્યા છે અને ઘણા લોકો આવી શક્યા હોત. પરંતુ મને ખબર નથી કે રાજ્ય પ્રશાસને ત્યાં મીટિંગની પરવાનગી કેમ ન આપી. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે આ શરમજનક છે, આવું પહેલા ક્યારેય બન્યું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈરાને પાડોશી દેશો પાસે માફી માગી, ટ્રમ્પ બોલ્યા- ઈરાન પાડોશી પાસે ઝૂક્યું; ઈરાનનો અમેરિકાની THAAD ડિફેન્સ સિસ્ટમ પર હુમલો:₹22,000 કરોડની જોર્ડનવાળી સિસ્ટમ નષ્ટ આજે અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો આઠમો દિવસ છે. ઈરાને છેલ્લા અઠવાડિયામાં સાઉદી અરેબિયા, UAE અને જોર્ડનમાં તહેનાત યુએસ ટર્મિનલ હાઇ અલ્ટીટ્યુડ એરિયા ડિફેન્સ (THAAD) સિસ્ટમને નિશાન બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોર્ડનના મુવફ્ફાક સાલ્ટી એર બેઝ પર THAAD રડાર સિસ્ટમ હુમલામાં નષ્ટ થઈ છે. આ રડાર THAAD સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને દુશ્મન બેલિસ્ટિક મિસાઇલોને શોધવા અને ટ્રેક કરી શકે છે. અમેરિકા પાસે ફક્ત 7-8 THAAD સિસ્ટમ છે, તેથી આ એક મોટું લશ્કરી નુકસાન માનવામાં આવે છે. એક THAAD સિસ્ટમની કિંમત ₹22,000 કરોડ સુધીની હોય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. UPSC રિઝલ્ટમાં મોટો વિવાદ:301 રેન્ક પર બે ‘આકાંક્ષા’નો દાવો; બંનેના એક જ રોલ નંબર, એક યુપી તો બીજી બિહારની; QR સ્કેન કરતા નીકળી ગડબડ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના પરિણામ 2025માં એક જ રેન્ક પર બે ઉમેદવારોએ દાવો કર્યો છે. UPSC દ્વારા જાહેર કરાયેલી મેરિટ લિસ્ટમાં AIR 301 પર આકાંક્ષા સિંહ છે, જેમનો રોલ નંબર 0856794 છે. આ પસંદગી પર બિહાર અને યુપીમાંથી 2 અલગ-અલગ વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો છે. આ બંને ઉમેદવારોનું નામ આકાંક્ષા સિંહ છે. ભાસ્કરે આ મામલાની તપાસ માટે બંને ઉમેદવારોના એડમિટ કાર્ડ તપાસ્યા. યુપીના ગાઝીપુરની આકાંક્ષાના ઇન્ટરવ્યુ કોલ લેટર પર નોંધાયેલ રોલ નંબર 0856794 છે. આ એડમિટ કાર્ડ પર દેખાતા QRને સ્કેન કરવા પર પણ આ જ રોલ નંબર દેખાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. બાદશાહના 'ટટીરી' ગીત વિરુદ્ધ FIR:વિદ્યાર્થિનીઓને સ્કૂલ બેગ ફેંકતી બતાવી, અશ્લીલ શબ્દોનો ઉપયોગ કર્યો, મહિલા આયોગે સમન્સ પાઠવ્યું બોલિવૂડ રેપર-સિંગર બાદશાહના નવા હરિયાણવી ફોક સોંગ 'ટટીરી'ને લઈને હરિયાણાના પંચકુલાના સાયબર ક્રાઈમ અને જીંદના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધાયો છે. રેપની લાઇન ‘આયા બાદશાહ ડોલી ચઢાને…’, છોકરીઓને સ્કૂલના યુનિફોર્મમાં બેગ ફેંકવા અને જીંદ ડેપોની હરિયાણા રોડવેઝની બસનો પરવાનગી વગર ઉપયોગ કરવાના આરોપો છે. બીજી તરફ, પાણીપતની 'નારી તું નારાયણી' સંસ્થાના અધ્યક્ષ સવિતા આર્યા અને 'શિવ આરતી ફાઉન્ડેશન'ના પ્રમુખ શિવ કુમારની ફરિયાદ પર હરિયાણા રાજ્ય મહિલા આયોગે બાદશાહને સમન્સ જારી કર્યું છે. જેમાં બાદશાહને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 13 માર્ચે આયોગ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી:અફવાએ મચાવી દોડધામ, જૂનાગઢમાં 1 કિમી સુધી વાહનોના થપ્પા; ખેડૂતો મોટા બેરલ લઈને ખરીદવા પહોંચ્યા ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પેટ્રોલ પંપ પર કેટલાંક જિલ્લામાં લાંબી લાઈનો લાગી છે. જેમાં જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામમાં આજે વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનોના દ્રશ્યો જોવા મળ્યા હતાં. સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી 'ડીઝલની તંગી'ની અફવાને કારણે ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો ને દોડધામ મચી હતી. જેના પરિણામે અજાબના પેટ્રોલ પંપ પર લગભગ એક કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતારો લાગી હતી. જેમાં ખાસ કરીને ટ્રેક્ટર, રિક્ષા અને અન્ય ખેતીવાડીના વાહનોની સાથે ખેડૂતો મોટા બેરલ લઈને પેટ્રોલ - ડિઝલ ખરીદવા પહોંચ્યા હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પનીર બનાવવા ઇન્ડસ્ટ્રીયલ એસિડનો ઉપયોગ થયાનો ઘટસ્ફોટ:1400 કિલો જથ્થો ઝેર નીકળ્યો, ફેક્ટરીનું લાયસન્સ મહારાષ્ટ્રનું અને કાળો કારોબાર સુરતમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં SOG દ્વારા 3 માર્ચના રોજ પાડવામાં આવેલા દરોડામાં પનીરના નામે પીરસાઈ રહેલા ધીમા ઝેરનો પર્દાફાશ થયો હતો. હાલ SOGની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ ફેક્ટરીમાં પનીર બનાવવા જે એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો, તે ખાદ્ય પદાર્થો માટેનું (Food Grade) નહીં, પરંતુ કારખાનાઓમાં વપરાતું 'ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ' એસિડ હતું. આ પનીર સુરતની અનેક ડેરીઓમાં સપ્લાય થતું હતું. આ ઉપરાંત SOGની તપાસમાં એ પણ ખુલ્યું છે કે, મુંબઈના એડ્રેસ પર FSSAI લાયસન્સ લઈ સુરતમાં ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. SOGએ 1400 કિલો પનીરનો જથ્થો તો જપ્ત કર્યું પણ આ ઝેર અનેક લોકો આરોગી ગયા હશે તેના સ્વાસ્થ્યને લઈ ચિંતા ઉભી થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : UPના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ:2000 ફૂટની ઊંચાઈએ અચાનક ડિસ્પ્લે બંધ થયું, લખનઉ એરપોર્ટ પર ઉતારાયું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પેટ્રોલ 336 અને ડીઝલ 321 રૂપિયા પ્રતિ લિટર થયું:પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 55 રૂપિયાનો વધારો, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો:ઈરાન યુદ્ધથી રાંધણ ગેસની અછતની શક્યતા; સરકારે LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : દાવો- ઈરાનનું એક યુદ્ધ જહાજ હાલ ભારતમાં:183 નૌસૈનિકો હાજર, ટેકનિકલ ખામી બાદ મદદ માગી, 4 માર્ચે કોચી પહોંચ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 50 હજારનું ડિજિટલ ફ્રોડ થાય તો એક કોલથી રિફંડ:તરત ફરિયાદથી 85% રકમ પાછી મળશે; RBI બનાવી રહી છે નવી ગાઈડલાઈન વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સેમસન પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની શકે છે:ICCએ 8 ખેલાડીઓ સાથે શોર્ટલિસ્ટ કર્યા; ન્યૂઝીલેન્ડના 2 ખેલાડીઓ સામેલ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 'હું સમસ્યાઓમાં ઘેરાઈ ગયો છું, શું કરું?':દુઃખી શિષ્યને મુશ્કેલીઓમાંથી બહાર આવવા સંતે આપી અમૂલખ શીખામણ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ બાળકના લીવર, આંતરડાં ખસીને છાતી તરફ આવી ગયા જયપુરમાં 11 વર્ષના છોકરાનું લીવર અને આંતરડા તેમની મૂળ સ્થિતિથી જમણી છાતી તરફ ખસી ગયા. તપાસમાં જાણવા મળ્યું કે બાળકને જન્મથી જ ડાયાફ્રેમેટિક હર્નીયા હતો. આ સ્થિતિ પેટ અને છાતીને અલગ કરતા પટલમાં જગ્યા બની જાય છે. જોકે, ડોકટરોએ સર્જરી કરી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભારતને ગાળો આપનાર બાલેન PM બનવાની નજીક:લોકો બોલ્યા- ઈન્ડિયા સાથે સંબંધો સુધારો, પાર્ટીની સ્પષ્ટતા- રોટી-બેટીનો સંબંધ જળવાઈ રહેશે 2. ભાસ્કર એક્સપ્લેનર : નીતિશે 3 મહિનામાં જ સીએમની ખુરસી કેમ છોડી:ચૂંટણી પહેલાં ભાજપે લખી સ્ક્રીપ્ટ; ચિરાગને વધારે સીટ, નીતિશ માટે કેમ્પેન 3. પારકી પંચાત : નીતિન પટેલે રકાબીમાં ચાનો સબડકો લીધો:કાકા બોલ્યા, ‘કડી યાર્ડ જેવી ચા ગુજરાતમાં ક્યાંય ના થાય’; AMCના નેતાઓ અધિકારીઓ સામે મેચ હારી ગયા 4. મેડિકલ ઇમરજન્સીમાં AIની સલાહ જીવલેણ સાબિત થશે!:ગંભીર બીમારીના કેસમાં ChatGPTએ 52% ખોટી સલાહ આપી, જાણો નેચર મેડિસિનનો ચોંકાવનારો રિપોર્ટ 5. બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દહીં ખાઓ!:રોગપ્રતિકારક શક્તિ વધારશે, મોટાપાથી રાહત મળશે, જાણો 12 સ્વાસ્થ્ય લાભો; કોને ન ખાવું જોઈએ? ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મેષ અને ધન રાશિના જાતકોને ધનવર્ષા થશે, વૃશ્ચિક રાશિને પૂર્વજોની મિલકતના પ્રશ્નો ઉકેલાશે વાંચો સંપૂર્ણ રાશિફળ
વાંકાનેરની એચ એન દોશી આર્ટસ એન્ડ આર.એન.દોશી કોમર્સ કોલેજના એન.એસ.એસ.યુનિટે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસના અનુસંધાને આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ તથા દોશી કોલેજના સંયુક્ત ઉપક્રમે Walk For Her કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 300 જેટલી કોલેજની વિદ્યાર્થીની બહેનો દ્વારા મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન એન.એસ.એસ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડો. વાય.એમ.ચુડાસમા એન.એસ.એસ. ડ્રિસ્ટિક કો-ઓર્ડીનેટર ડૉ.મયુર જાની, ડૉ. ઉર્મિલા પટેલ, ડૉ.અર્ચના પરમાર. પ્રો.ધવલ દાવડા, હેતલ ખીમસુરીયા, આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદના પ્રજ્ઞાબેન હાજર રહ્યા હતા. આ ઉપરાંત સેશન -2 માં કોલેજમાં થતી અન્ય પ્રવૃત્તિ ફિનિશિંગ સ્કૂલ ઇનોવેશન ક્લબ કોમ્પ્યુટર કોડિંગ ટીચિંગ એન્ડ ફેશન ડિઝાઇનીંગ ઇન્ડિયા ટ્રેડિશનલ ડે વગેરે તેમજ અન્ય શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમના ઉદઘાટક તરીકે મોરબી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉમેશ સુજાન, રણધીર સોનારા, નમ્રતાબેન મહેતા તથા આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રજ્ઞાબેન હાજર રહ્યા હતા.
મનપા એક્શન મોડમાં:મોરબીમાં વેરો ન ભરનારા 1275 આસામીને વોરંટ, 108 મિલકત સીલ
મોરબીમાં માર્ચ મહિનો પૂર્ણ થાય તે પૂર્વે મહાનગરપાલિકા દ્વારા વેરા ઉઘરાણી તેજ ગતિએ વધારી દીધી છે. મનપાએ રૂ. 10 હજાર કે તેથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓને વોરંટ ફટકારી વેરો ભરવા તાકીદ કરી છે લાંબા સમયથી વેરો ન ભરનાર 108 મિલકત સીલ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત 2 મકાનના નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં હજારો બાકીદારોને વોરંટ ફટકારવામાં આવ્યા છે અને અનેક મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા છે. મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખાએ અત્યાર સુધીમાં કુલ 1275 બાકીદારને વોરંટ ઇસ્યુ કર્યા છે. જેમાંથી 108 મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ સીલ થયેલી મિલકતમાંથી 42 આસામીએ તુરંત વેરો ભરપાઈ કરતા તેમના સીલ ખોલી નાખ્યા છે, જ્યારે 64 મિલકતો હજુ પણ સીલ છે. રહેણાંક મિલકતોમાં જેનો વેરો બાકી છે તેવા 2 આસામીના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તંત્રએ મિલકતનો વેરો 10,000 થી વધુ બાકી હશે, તેમના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપી નખાશે. આ કડક ઝુંબેશને કારણે શહેર વિસ્તારમાંથી રૂ. 27.37 કરોડ અને ગ્રામ્ય/ક્લસ્ટર વિસ્તારોમાંથી રૂ. 2.57 કરોડ મળી કુલ કરોડોની આવક પાલિકાની તિજોરીમાં જમા થઈ છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ સીલિંગ અને વોરંટની પ્રક્રિયા 31 માર્ચ 2026 સુધી સતત ચાલુ રહેશે.જો નિયત સમય મર્યાદામાં વેરો ભરવામાં નહીં આવે તો બાકી રકમ પર 18% વ્યાજ વસુલાશે. ભાસ્કર નોલેજક્યાં અને કેવી રીતે વેરો ભરી શકાશે?નાગરિકોની સુવિધા માટે પાલિકાએ નીચે મુજબની વ્યવસ્થા કરી છે.
કલેક્ટરે શૈક્ષણિક કામગીરીની કરી ચકાસણી:બાલપુર પ્રાથમિક શાળામાં કલેક્ટરની અચાનક મુલાકાત
વ્યારા તાલુકાના બાલપુર ગામ સ્થિત પ્રાથમિક શાળાની તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વીપીન ગર્ગ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે શાળામાં ચાલી રહેલી શૈક્ષણિક કામગીરીનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓના અભ્યાસ અને શિક્ષણની ગુણવત્તા અંગે માહિતી મેળવી હતી. કલેક્ટરે વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને અભ્યાસ સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જવાબ આપતા તેમની તૈયારી અને અભ્યાસ પ્રત્યેની લગન સ્પષ્ટ જણાઈ આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ પણ પોતાની શંકાઓ રજૂ કરતાં કલેક્ટરે સરળ ભાષામાં સમજ આપી તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. આ ઉપરાંત કલેક્ટરે શિક્ષકો સાથે ચર્ચા કરી શિક્ષણની ગુણવત્તા વધુ મજબૂત બને તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે શિક્ષકોનું સમર્પિત યોગદાન મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે:કડોદરામાં 1.30 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત
કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી 15માં નાણાપંચની યોજના અંતર્ગત અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર (UPHC)ના નવા મકાનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયો હતો. આ પ્રોજેક્ટ સુરત જિલ્લા પંચાયતને પ્રાપ્ત થયેલ અંદાજિત રૂપિયા 1.30 કરોડ ના અનુદાનમાંથી સાકાર કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ આર. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા ભૂમિ પૂજન અને ખાતમુહૂર્તની વિધિ વિધિવત રીતે કરવામાં આવી હતી. આ અવસરે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન એ. પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશનકુમાર એ. પટેલ તેમજ કડોદરા નગરપાલિકાના પ્રમુખ નારાયણી શર્મા તેમજ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી અંકુરભાઇ દેસાઈ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. નવા બનનારા આ હેલ્થ સેન્ટરથી સ્થાનિક રહીશોને ઘર આંગણે આધુનિક અને સસ્તી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે, જે સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
કરૂણાંતિકા:પહેલા માળે સૂતેલા 4 કારીગરે આગ ઓલવવા શટર ખોલ્યું, દાઝી જતાં 4 દિવસ પછી મોત થયું
માધુપુરા નમકીનના કારખાનામાં લાગેલી આગ બુઝાવવા ગયેલા ચાર કારીગર દાઝી જતાં ચાર દિવસની સારવાર બાદ મૃત્યુ પામ્યા હતા. કારીગરો પહેલા માળે સૂતા હતા ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. અગનજ્વાળા જોતાં તેઓએ નીચે જઈને આગ બુઝાવવા શટર ખોલ્યું તો આગની ઝપેટમાં આવતા દાઝી ગયા હતા. આ મામલે માધવપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આદરી છે. માધુપુરાના હનુમાનપુરા બસ સ્ટેન્ડ પાસેના મહેશ્વરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 3 માર્ચે 3 વાગ્યાની આસપાસ નમકીન બનાવતા આવકાર ફૂડ્સના બે માળના કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટસર્કિટથી આગ લાગી હતી. પહેલા માળે પતરાંના શેડની ઓરડીમાં સૂતેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 4 કારીગરને આગની જાણ થતા અરવિંદ પરમાર(18), સુભાષ પરમાર (26), કુલદીપ રાજપૂત (18) અને કૈલાશ વણઝારા (34) ધૂમાડાથી ગૂંગળામણ થતા ઊઠી ગયા હતા. બાદમાં ચારેયે કારખાનાની બહાર આવી કારખાનામાં ફાયર એક્ટિંગ્યુશરના 2 સિલિન્ડર હોવાની જાણ હોવાથી આગ બુઝાવવા માટે તેઓએ શટર ખોલતાં જ આગની જ્વાળાઓ તેમના પર ફરી વળતા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવી ચારેયને સારવાર માટે મોકલી આપ્યા હતા. ચાર દિવસની સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે ચારેયનાં મોત નિપજ્યાંનું જણાવ્યું હતું. માધુપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આદરી છે. ફાયર સેફ્ટીના અભાવે ચારેય કારીગરના જીવ લીધાઆગની ઝપેટમાં આવતા 80 ટકા જેટલા દાઝી જવાથી મોત નીપજ્યું હતું. ફાયરના અધિકારી અનુસાર, કોઈ બંધ રૂમ કે ફેક્ટરીમાં આગ લાગે ત્યારે અંદર રહેલો ઑક્સિજન વપરાઈ જતાં ત્યાં અતિ ગરમ વાયુઓ જમા થાય છે. આવા સમયે જો અચાનક શટર કે દરવાજો ખોલવામાં આવે તો બહારથી આવતો તાજો ઓક્સિજન અંદરના ગરમ વાયુ સાથે ભળીને ધડાકો કરે છે. જેને ફાયરની ભાષામાં બેકડ્રાફ્ટ કહે છે, જે આ ઘટનામાં થયો હોઇ, ચારેય કારીગરનાં મોત થયાં હતાં.
શિક્ષણ:29મી માર્ચે ગુજકેટના લીધે હવે એચ-ટાટ 12મી એપ્રિલે યોજાશે
ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગર દ્વારા 29મી માર્ચે ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) લેવામાં આવનારી હતી. જેના પગલે એચ-ટાટ (હાયર સેકન્ડરી એપ્ટિટ્યુડ ટેસ્ટ-શિક્ષક અભિરુચિ કસોટી- ટાટ)ની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે કરેલા ફેરફાર અનુસાર હવે આ એચ-ટાટ 12મી એપ્રિલે યોજાશે. રાજ્ય પરીક્ષા બોર્ડના નિર્ધારિત જાહેરનામા અનુસાર પરીક્ષાને લગતી સબંધિત વિગતોથી સતત માહિતગાર કરવા માટે http://www.sebexam.org વેબસાઈટની ચકાસણી કરવા માટે જણાવાયું છે. આ ટેસ્ટ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમમાં લેવાશે.
ભાસ્કર એક્સક્લૂઝિવ:ઉદ્યોગનગર ફાટક પાસેનો વૈકલ્પિક બિસ્મારરસ્તો મનપાએ 5 માસમાં પણ રિપેર કર્યો નહીં
પોરબંદરમાં ઉદ્યોગનગર ફાટક બંધ થતા સ્થાનિકોને 3 થી 4 કિમી ઓવરબ્રિજ માંથી પસાર થવું પડે છે ત્યારે વિરોધનો વંટોળ ઊઠ્યો હતો, વૈકલ્પિક રસ્તો અતિ બિસ્માર છે અને કલેક્ટરે રસ્તો રિપેર કરવા માટે કામચલાઉ તા. 31/5 સુધીમાં ફાટક ખોલી આપવા લેટર લખ્યો હતો જેથી રેલવે તંત્રે ફાટક ખોલ્યું છે પરંતુ 5 માસ દરમ્યાન મનપા દ્વારા રિપેર કામગીરી શરૂ કરવામાં પણ આવી નથી અને રેવન્યુ વિભાગ હસ્તકના દબાણ દૂર કરાયા નથી તેવા સંજોગોમાં રેલવે તંત્ર દ્વારા બોર્ડ લગાવી જાહેર કર્યું છે કે તા.31/5ના રાત્રિના 12 વાગ્યે ફાટક બંધ કરી દેવામાં આવશે. આ બોર્ડ જોઈને સ્થાનિકો રોષે ભરાયા છે. પોરબંદરમાં ઉદ્યોગનગર રેલવે ફાટકનો પ્રશ્ન ફરી ઉકળતો ચરૂ બન્યો છે. તાજેતરમાં પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ દ્વારા ઉદ્યોગનગર ફાટક પાસે બોર્ડ મારી સૂચના આપી છે કે તા. 31/5/2026ના રોજ રાત્રિના 12 વાગ્યાથી આ ફાટક સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. આ બોર્ડને જોઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે, નરસંગ ટેકરી થી રોકડિયા હનુમાન આવતી અને જતી વખતે વચ્ચે ઉદ્યોગનગર ફાટક આવે છે. આ ફાટક આસપાસ અનેક સોસાયટીઓ આવેલ છે અને અંદાજે 30 થી 35 હજાર સ્થાનિકો ઉપરાંત અન્ય લોકો આ ફાટક માંથી પસાર થાય છે. ફાટક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ અને આંદોલન કર્યા હતા જેને પગલે ફાટક ખોલવામાં આવ્યું હતું પરંતુ હવે ફરીથી ફાટક બંધ થવાનું બોર્ડ લગાવવામાં આવતા સ્થાનિકોનો રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે. ઉલ્લેખનીય એ છે કે, ફાટક પાસેથી વૈકલ્પિક રસ્તો આવેલ છે અને આ રસ્તો અતિ બિસ્માર છે તેમજ ચોમાસામાં પાણી ભરાઈ છે. ફાટક બંધ થાય તો સ્થાનિકોને વૈકલ્પિક રસ્તેથી પસાર થવું પડે અને આ વૈકલ્પિક માર્ગ પર છેક હાઈવે પર નીકળે જ્યાં મોટો ઢાળ ચડવો પડે અને રોંગ સાઈડમાં જવું પડે અથવા લાંબુ અંતર કાપવું પડે, જો આ રસ્તાનો ઉપયોગ ન કરે તો સ્થાનિકોને ઓવરબ્રિજ ચડીને 3 થી 4 કિમીનું અંતર વધુ કાપવું પડે. વૈકલ્પિક રસ્તો બિસ્માર હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા રેલવે તંત્રને તા.17/10/2025ના રોજ લેટર લખ્યો હતો જેમાં મનપા દ્વારા રોડનું સમારકામ અને ઢાળ રિપેર કરવાનો અને સીસીરોડ બનાવવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવશે અને 6 માસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેથી આ ફાટક તા.31/5/2026 સુધી તાત્કાલિક ખોલી આપવામાં આવે તેવું લેટરમાં લખ્યું હતું. મહત્વની વાત એ છે કે મનપા દ્વારા બિસ્માર વૈકલ્પિક રસ્તાનું સમારકામ 5 માસ દરમ્યાન કરવામાં જ આવ્યું નથી. રોડ મોટો કરવા માટે રેવન્યુ વિભાગની જગ્યામાં દબાણ છે તે દૂર કરવામાં આવ્યું નથી. હવે મંજૂરી લેવામાં અને ટેન્ડર પ્રક્રિયા કરવા માંજ મનપાને 3 માસ જેટલો સમય લાગી શકે તેમ છે. વૈકલ્પિક માર્ગ રાત્રિના સમયે જોખમી: સ્થાનિકો સ્થાનિકોને પૂછતા સ્થાનિકે જણાવ્યું હતુ કે, વૈકલ્પિક માર્ગ બિસ્માર તો છે જ સાથોસાથ અહીં દારૂની બદી જોવા મળે છે. આ રોડ પર રાત્રીના સમયે નશો કરેલ હાલતમાં આવારા તત્વો લથડિયા ખાતા જોવા મળે છે. સ્થાનિકોએ જણાવ્યું હતુ કે, ઓવરબ્રિજ પર પણ કેટલાક તત્વો નશો કરેલ હોય છે અને બર્થડે પાર્ટી કરે છે, ફાટક અંડર બ્રિજ કરી આપે તો 35 હજાર સ્થાનિકોની મુશ્કેલીનો અંત આવી શકે. શા માટે ફાટક બંધ કરવામાં આવશે ?ભાસ્કરે તપાસ કરતા રેલવે તંત્રએ જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી મોદી દ્વારા ફાટક મુક્ત ભારત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, અને ફાટક પાસે વૈકલ્પિક રસ્તો પણ કાઢી આપવામાં આવેલ છે જેથી ફાટક મુક્ત ભારત જાહેરાત અનુસંધાને ઉપરી અધિકારીઓની સુચના મુજબ આ ફાટક બંધ કરવામાં આવશે અને અન્ય સ્થળે જ્યાં ફાટક છે ત્યાં પણ ઓવર અથવા અંડર બ્રિજ અથવા વૈકલ્પિક રસ્તો કાઢી ફાટક બંધ કરી ફાટક મુક્ત રોડ કરવામાં આવશે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગ્રામ્ય પંથકના રેલ્વે સ્ટેશનમાં પાયાની સુવિધા અને ટિકીટ વેન્ડરનો અભાવ
રેલ્વે વિભાગ દ્વારા માત્ર શહેરના મોટા રેલ્વે સ્ટેશનના આધુનિકરણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે મોટા સ્ટેશનોને આધુનિક બનાવવાની જાહેરાત વચ્ચે પોરબંદર વાંસજાળીયા રેલ્વે ટ્રેક વચ્ચે આવતા ત્રણ જેટલા ગ્રામ્ય રેલ્વે સ્ટેશન પર પાયાની સુવિધા ઉપરાંત ટીકીટ વિતરણ માટે ટીકીટ વેન્ડરનો પણ વર્ષોથી અભાવ જોવા મળી રહ્યો છે.તરસાઈ,સખપુર,રાણા બોરડી સહિતના ગામોના સ્ટેશનના રેલ્વે સ્ટેશનમાં ટીકીટ વિતરણ બંધ હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેમજ આ સ્ટેશનમાં મુસાફરો માટે પાયાની પણ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગ દ્વારા સુરત,અમદાવાદ સહિતના મેટ્રો સીટી તેમજ અન્ય સ્ટેશનોને આધુનિકરણ માટે કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે. પોરબંદરના રેલ્વે સ્ટેશનનું પણ આધુનિકરણ માટે થોડા વર્ષો પૂર્વે જાહેર કર્યા બાદ રીનોવેશન હાથ ધરવામાં આવ્યું હતું.રેલ્વે વિભાગ દ્વારા શહેરના રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવી રહી છે પરંતુ ગ્રામ્ય પંથકના રેલ્વે સ્ટેશન મરણ પથારીએ જોવા મળી રહ્યા છે.પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતેથી અનેક ટ્રેઈનો દિવસ દરમ્યાન ઉપડે છે. આ ટ્રેઇનમાં ગ્રામ્ય પંથકના લોકો પણ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે. પરંતુ પોરબંદર વાંસજાળીયા રેલ્વે ટ્રેક વચ્ચેના રાણા બોરડી,સખપુર,તરસાઈ સહિતના રેલ્વે સ્ટેશનોમાં છેલ્લા ઘણા વર્ષોથી ટીકીટ વેન્ડરનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈને મુસાફરોને ટ્રેનમાં સફર કરવા માટે ફરજિયાત ટ્રેઈનમાં રહેલ ગાર્ડ પાસેથી ટીકીટ લેવા જવું પડી રહ્યું છે તો અમુક રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપ થતી ટ્રેનમાં ગાર્ડ દ્વારા ટીકીટ પણ આપવામાં આવતું નથી અને આગળના સ્ટોપ પર ટીકીટ આપવામાં આવશે તેવું મુસાફરોને જણાવી દેવામાં આવે છે. ટિકિટ વેચાણમાં કમિશન ઓછું હોવાથી વેન્ડરો મળતા નથીપોરબંદર વાંસજાળીયા રેલ્વે ટ્રેક વચ્ચેના રાણા બોરડી,સખપુર,તરસાઈ સહિતના રેલ્વે સ્ટેશનોમાં મુસાફરો માટે પાયાની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.આ તમામ સ્ટેશનમાં ચોતરફ ઝાડી ઝાંખરા તેમજ બેઠક વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે તો પીવાના પાણી તેમજ સોચાલય સહિતની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. મુસાફરોને દંડ મળી રહ્યો છેટિકિટ વેચાણમાં કમિશન ઓછું હોવાથી વેન્ડરો મળતા નથી પોરબંદર વાંસજાળીયા રેલ્વે ટ્રેક પર રાણા બોરડી,સખપુર,તરસાઈ સહિતના રેલ્વે સ્ટેશન ખાતે ભૂતકાળમાં ટીકીટ વેન્ડર હતા પરંતુ રેલ્વે દ્વારા ટીકીટ વિતરણ માટે કમિશનના દરમાં ઘટાડો કરી નાખવામાં આવ્યો છે જેને લઈને ટીકીટ વેન્ડર માટે કોઈ તૈયાર નથી.
મહિલા દિવસ:રૂપાળીબા બાગ આજે પણ મહિલાશક્તિનું પ્રતીક
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પોરબંદર શહેરના મધ્યમાં આવેલો ઐતિહાસિક રાજમાતા રૂપાળિબા બાગ મહિલાઓના સશક્તિકરણ અને સમાજમાં મહિલાઓને અપાયેલા માન- સન્માનનું અનોખું પ્રતિક બની રહ્યો છે. વર્ષો પહેલા મહિલાઓ અને બાળકોને મનોરંજન તથા આરામ માટે સુરક્ષિત અને અનુકૂળ સ્થળ મળે તે હેતુથી આ બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમય માટે આ એક પ્રગતિશીલ અને અનોખી પહેલ ગણાતી હતી. આજે પણ મોટા શહેરોમાં મહિલાઓ માટે સંપૂર્ણપણે અનામત બગીચા ઓછા જોવા મળે છે, ત્યારે દાયકાઓ પહેલા પોરબંદરમાં મહિલાઓ માટે ખાસ ગાર્ડનની વ્યવસ્થા કરાવવી રાજમાતા રૂપાળિબાની આગાહી વિચારસરણીનું ઉત્તમ ઉદાહરણ છે. મહિલાઓ નિર્ભય રીતે મનોરંજન કરી શકે અને બાળકો સાથે સમય વિતાવી શકે તે માટે શહેરના મધ્યમાં આ સુંદર બાગ ભેટરૂપે આપવામાં આવ્યો હતો.હાલમાં આ ઐતિહાસિક બગીચાની જાળવણી પોરબંદર મનપા દ્વારા કરવામાં આવે છે. ગાર્ડન વિભાગના માર્ગદર્શન હેઠળ સફાઈ અને સુરક્ષાની વ્યવસ્થા રાખવામાં આવી છે. બગીચામાં વર્ષો જૂના ઘટાદાર વૃક્ષો, હરિયાળી અને બાળકો માટે રમતગમતના સાધનો ઉપલબ્ધ હોવાથી મહિલાઓ અને બાળકો માટે આ સ્થળ આરામદાયક બન્યું છે. માત્ર મહિલાઓ માટે અનામત હોવાને કારણે અહીં સમયાંતરે સામાજિક, સાંસ્કૃતિક અને જાગૃતિ કાર્યક્રમો પણ યોજાય છે. શહેર માટે ગૌરવરૂપ આ બગીચો આજે પણ પોરબંદરની ઓળખ બની રહ્યો છે. આગામી સમયમાં બગીચામાં લાઇટિંગ ડેકોરેશન, ગ્લોઇન એનિમલ અને લાઇટિંગ ટ્રી જેવી સુવિધાઓ ઉમેરવાનું મનપાનું આયોજન છે. ઐતિહાસિક બાગનો ઇતિહાસરાજમાતા રૂપાળિબા બાગના નિર્માણ માટે પોરબંદરના દાતા શેઠ નાનજીભાઈ કાલિદાસ મહેતાએ રૂપિયા 51,000નું દાન આપ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્ર સરકારે રૂપિયા 34,000નો ખર્ચ કર્યો હતો. કુલ રૂપિયા 85,000ના ખર્ચે બનેલા આ બાગનું લોકાર્પણ વિક્રમ સંવત 2005માં શ્રીકૃષ્ણ જન્મજયંતિના દિવસે, તા. 17 ઓગસ્ટ 1949ના રોજ કરવામાં આવ્યું હતું. પોરબંદરની ઐતિહાસિક ઓળખ તરીકે ઓળખાય છે.
પોરબંદર જિલ્લામાં ઉનાળાના પ્રારંભ થતાની સાથે જ ગરમીમાં પણ વધારો થયો છે.જેથી લીંબુની ડિમાન્ડ વધી છે. લીંબુની આવક ઓછી રહેતા અને ડિમાન્ડ વધતા જ 10 દિવસમાં લીંબુના ભાવમાં પ્રતિકીલોએ રૂ.100નો વધારો થયો છે. 10 દિવસ અગાઉ લીંબુના ભાવ પ્રતિકીલોના રૂ.40 હતા ત્યારે હાલ લીંબુના પ્રતિકીલોના રૂ.140 થી 160 થઈ ગયા છે. સમગ્ર રાજ્ય સહિત પોરબંદર જિલ્લામાં હોળી-ધુળેટીના તહેવાર બાદ ગરમીમાં પણ વધારો થયો છે.ત્યારે ગરમીમાં વધારો થતાની સાથે જ લીંબુ સરબત, સહિતના ઠંડા પીવાનું વેચાણ પણ વધ્યું છે ત્યારે પોરબંદર પણ ગરમીમાં વધારો થયો છે.ગરમીમાં વધારો થતાની સાથે જ શહેરની શાકમાર્કેટ લીંબુની આવકમાં ઘટાડો થયો છે.હાલ લીંબુની આવક ઘટતા તેમજ લગ્ન પ્રસંગ તેમજ બજારમાં લીંબુની ડિમાન્ડ વધતા જ શાકમાર્કેટ લીંબુના ભાવમાં આસમાને પહોંચ્યા છે. પોરબંદરની શાકમાર્કેટના 10 દિવસ અગાઉ લીંબુમાં ભાવ પ્રતિકીલોના રૂપિયા 40 ભાવ હતો ત્યારે હાલ લીંબુના ભાવ પ્રતિકિલોના 140 થી 160 પહોંચ્યા છે. પોરબંદરના શાકમાર્કેટમાં છેલ્લા 10 દિવસમાં લીંબુના ભાવ પ્રતિકિલોના રૂપિયા 100 ભાવ વધારો નોંધાયો છે. એકાએક ભાવ વધારો થયો સામાન્ય રીતે દર વર્ષે લીંબુના ભાવ ઉનાળાના પ્રારંભ બાદ એક થી દોઢ માસ બાદ વધારો જોવા મળતો હોય છે ત્યારે આ વર્ષે ઉનાળાના પ્રારંભે જ લીંબુના ભાવમાં પ્રતિકિલોએ રૂપિયા 100 ભાવ વધારો થતાં ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઇ હતા.
મહિલા દિવસ નિમિત્તે મહિના સુધી શિબિર:સિવિલની મહિલા કર્મીઓ માટે ચેક અપ કેમ્પ યોજાશે
વર્લ્ડ વુમન્સ ડે નિમિત્તે સિવિલ હૉસ્પિટલમાં શનિવારે મહિલા તબીબો, નર્સિંગ સ્ટાફ, રેસિડેન્ટ ડૉક્ટરો, ફાર્માસિસ્ટ, ટેક્નિશિયન, વહીવટી સ્ટાફ, સિક્યુરિટી તેમજ વર્ગ-૪ સહિત વિવિધ વિભાગોમાં કાર્યરત તમામ મહિલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. મહત્ત્વનું છે કે કેમ્પસની તમામ મહિલા કર્મચારીઓ માટે સોમવારથી 1 મહિના સુધી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે. આ માટે કર્મચારીએ ગૂગલ ફોર્મથી નોંધણી કરાવવાની રહેશે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે 3 દિવસમાં 400 મહિલાના બોન ડેનસીટી ટેસ્ટ કરાયા છે. મહિના સુધી 1200થી વધુ મહિલા કર્મચારીઓના બોન ડેનસીટી, સર્વાઇકલ કેન્સરના નિદાન માટેનો પેપ સ્મિયર અને મેમોગ્રાફી તેમજ યુરીન-લોહીની તપાસ સાથે હેલ્થ ચેકઅપ કરાશે ગૂગલ ફોર્મથી નોંધણીહેલ્થ એકઅપ માટે હૉસ્પિટલતંત્ર દ્વારા ગુગલ ફોર્મ બનાવાયું છે, આ ફોર્મ ભરનારી મહિલા કર્મચારીની સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ ટેસ્ટ કરાશે, જેમાં ઓપીડીમાં બ્લડ-યુરીન ટેસ્ટ, રેડિયોલોજી વિભાગમાં મેમોગ્રાફી અને ગાયનેક વિભાગમાં મહિલામાં સર્વાઇકલ કેન્સરના નિદાન માટેનો પેપ સ્મિયર ટેસ્ટ કરાશે. કર્મચારીની 14 વર્ષથી નાની દીકરીને HVP રસી પણ અપાશે.
ભાસ્કર એક્સક્લુઝિવ:બચત મંડળીથી 1500 મહિલા રોજ 300 રૂપિયા કમાય છે
વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મંગળ નવકાર ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. લાલ રંગની સાડીમાં સજ્જ 500થી વધુ મહિલાએ એકસાથે હાથ ઊંચા કરીને આર્થિક સ્વતંત્રતાનો ઉત્સવ ઉજવ્યો હતો. 2 વર્ષમાં આ સંસ્થાના માધ્યમથી સેટેલાઇટ અને વાસણા વિસ્તારની 500થી વધુ મહિલા પગભર થઈ છે. સંસ્થાના પરિસરમાં જ કેટલીક મહિલાઓ કાપડની થેલીઓ બનાવવાનું કામ કરે છે. પ્લાસ્ટિક મુક્ત અભિયાન સાથે જોડાયેલી આ પ્રવૃત્તિ દ્વારા મહિલાઓ સન્માનજનક આવક મેળવી રહી છે. મંગળ નવકાર ટ્રસ્ટે 500 મહિલાને રોજગારી અપાવી સેટેલાઇટ અને વાસણાની 1500 બહેનો બચત-ધિરાણ મંડળી ચલાવી રહી છે. આ કારણે પ્રત્યેક મહિલા સરેરાશ રોજની 300 રૂપિયાની આવક ઊભી કરવામાં સફળ રહી છે. 2 વર્ષમાં સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા સિવણ ક્લાસ અને મહેંદી ક્લાસમાં 640 જેટલી મહિલાઓએ તાલીમ લીધી છે. આ તાલીમ માત્ર પ્રમાણપત્ર પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેમને રોજગાર મળે તે માટે સંસ્થાએ 250 જેટલા સિલાઈ મશીન નિઃશુલ્ક આપ્યાં છે.
ભાસ્કર એક્સક્લુઝિવ:જિલ્લામાં 14 વર્ષમાં સાક્ષરતા દર 7.87 ટકા વધતા દીકરી જન્મદરમાં પણ 4 ટકાનો વધારો
સેતુગીરી ગોસ્વામી ઝાલાવાડની સામાજિક વ્યવસ્થામાં હવે દીકરીઓને દીકરા જેટલું જ મહત્વ અપાઈ રહ્યું છે. 2011ની વસ્તી ગણતરીમાં મહિલા જન્મદરનો જે આંકડો ચિંતાજનક રીતે 896 હતો, તે 2025 સુધીમાં વધીને 925થી 930 સુધી પહોંચ્યો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે શહેરી વિસ્તાર કરતા પણ ઝાલાવાડના ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિ વધી અને દીકરીઓનો જન્મદર ઝડપથી સુધર્યો છે. સામાજિક જાગૃતિ અને માનસિકતામાં પરિવર્તન થતાં હવે દીકરીઓની સંખ્યા વધી અને દીકરી જ સાચી લક્ષ્મી હોવાનું સુરેન્દ્રનગર જિલ્લાના જન્મદરમાં પુરવાર થતું જણાય છે. નિષ્ણાતોનું માનવું છે કે દીકરીઓનો જન્મદર વધવા પાછળનું મુખ્ય કારણ સાક્ષરતા દરમાં વધારો છે. 2011માં જ્યાં જિલ્લાનો સાક્ષરતા દર 72.14 ટકા હતો તે 2025 સુધીમાં 7.87 ટકા વધી 80.01 ટકા થયો હતો. બાળકોમાં જાતિ પ્રમાણ એટલે કે ચાઇલ્ડ જેન્ડર રેશિયો સામાન્ય રીતે 0થી 6 વર્ષના બાળકો માટે ગણવામાં આવે છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે દર 1000 દીકરાએ દીકરીઓની સંખ્યા 896 પાયાનો આંકડો હતો. જે વર્ષ 2019-21 સુધીમાં 920 અને છેલ્લા 5 વર્ષ 2021-2026માં 925થી 930 સુધી પહોંચ્યો છે. 5 વર્ષમાં જિલ્લામાં સાક્ષરતા દરમાં વધારો અને ગુજરાતમાં બેટી વધાવો બેટી પઢાવો અને અનેક યોજનાઓના કારણે દીકરીઓના જન્મદરમાં વધારો થયો છે. સાક્ષરતા, જાગૃતિ સહિતના કારણોસર વધ્યું દીકરીઓનું પ્રમાણસામાજિક જાગૃતિ અને માનસિકતામાં પરિવર્તન : પહેલાના સમયમાં દીકરો જ કુળનો દીવો ગણાતો હતો, પરંતુ હવે લોકોની વિચારધારા બદલાઈ છે. , શિક્ષણનો વ્યાપ: સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્ત્રી શિક્ષણ વધતા લોકો હવે દીકરા-દીકરી વચ્ચેનો ભેદ ઓછો કરી રહ્યા છે. , નાનું કુટુંબ, સુખી કુટુંબ : મોંઘવારી અને આધુનિક જીવનશૈલીને કારણે લોકો હવે એક કે બે સંતાન રાખવાનું પસંદ કરે છે, પછી ભલે તે દીકરી હોય. , સરકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ : સરકાર દ્વારા આપવામાં આવતા આર્થિક પ્રોત્સાહનોએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં દીકરીના જન્મ પ્રત્યે હકારાત્મકતા લાવી છે , સોનોગ્રાફી ઉપર કડક નિયંત્રણ : ગર્ભમાં જાતિ પરીક્ષણ કરવા સામેના કડક કાયદાઓને કારણે અનિચ્છનીય ઘટનાઓમાં ઘટાડો થયો છે. , મમતા કાર્ડ અને આરોગ્ય ટ્રેકિંગ : મમતા કાર્ડસિસ્ટમ દ્વારા સગર્ભા મહિલાઓની નોંધણી થતી હોવાથી, ગર્ભપાતની શક્યતાઓ ઘટી જાય છે
બાર કાઉન્સિલ:જિલ્લામાંથી 76.50% મતદાન, 8 કોર્ટના કુલ 1297 મતદારોમાંથી 992એ મતદાન કર્યું
ગુજરાત રાજ્યની બાર કાઉન્સિલની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી 3 ઉમેદવારે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જેમાં તા.6 માર્ચે 8 કોર્ટના નોંધાયેલા વકીલોએ પ્રતિનિધિ તરીકે ચૂંટણી માટે મતદાન કર્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામંથી કુલ 76.50 ટકા મતદાન થયું હતું. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારોની ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં 8 કોર્ટ આવેલી હોવાથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આમ ચૂંટણીની જાહેરાત કરયા બાદ ઉમેદવારી ફોર્મ વિતરણ પ્રક્રિયા હાથ ધરાતા જિલ્લામાંથી 3 ઉમેદવાર દિપેનભાઇ દવે, પ્રશાંતભાઇ ભટ્ટ, અને અશોકભાઇ ચાવડાએ ફોર્મ ભર્યું હતું. આથી પ્રચાર પ્રસાર હાથ ધરાયો હતો. ત્યારે આજે 6-3-2026ના રોજ સવારે 10થી સાજે 6 કલાક સુધી જિલ્લાની 8 કોર્ટમાં મતદાન હાથ ધરાયું હતું. જેમાં સુરેન્દ્રનગર કોર્ટમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બાર એસોસીએશનના ચૂંટણી કમિશનર કે. કે. રામાનુજ તથા દેવેન્દ્રસિંહ બી. રાણા તથા ડી.એન. ઝાલા, શૈલેષભાઈ એન. સોલંકી, યુવરાજસિંહ પરમાર હતા.સાથો સાથ જિલ્લાની દરેક 8 કોર્ટમાં મતદાન હાથ ધરાયું હતું. જેમાં સાંજ સુધીમાં કુલ 1297 મતદારોમાંથી 992 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગર કોર્ટમાં અને સૌથી ઓછુ સાયલા કોર્ટમાં મતદાન થયું હતું. ત્યારે હવે મતદાન પૂર્ણ થતા હવે પરિણામની રાહ જોવાઇ રહી છે. જિલ્લામાં સૌ પ્રથમવાર મતદાનનું લાઇવ રેકોર્ડિંગ, સીસીટીવી કેમેરા બાર કાઉન્સિલની ચૂંટણીમાં આ વખત સૌ પ્રથમવાર મતદાનનું લાઇવ રેકોર્ડિંગ કરાયું હતું. જ્યારે સીસીટીવી કેમેરાની નીગરાની પણ રાખવામાં આવવા સાથે વકીલોએ મતદાન કર્યું હતું. જેમાં પોલિંગ ઓફિસરોની પણ નિમણૂંક કરવામાં આવી હતી. તાલુકાવાઇઝ થયેલું મતદાનસુરેન્દ્રનગર - 446 મતદાન, લીંબડી - 106, ધ્રાંગધ્રા - 99, વઢવાણ - 185, ચોટીલા - 50, થાનગઢ - 55, સાયલા - 51. આમ કુલ 992એ મતદાન કર્યું.
NA કાંડ:સસ્પેન્ડેડ જિલ્લા કલેક્ટરનામાતાના નામે એક જ બેંકમાં 12 ખાતા
તત્કાલિન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ અને તેમના મળતિયાઓ દ્વારા જમીન એન. એ પ્રકરણમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અદાલતમાં રજૂ કરાયેલી ચાર્જશીટમાં અનેક ગેરરીતિઓના ઘટસ્ફોટ કર્યા છે. તેમના નાણાકીય વ્યવહારોની તપાસમાં અનેક ગેરરીતિ પ્રકાશમાં આવી છે. રાજેન્દ્ર પટેલના માતાના નામના 12 જેટલા એકાઉન્ટ મળી આવ્યા છે. તેમની પત્નીના નામે 2 અને ખૂદ તેમના નામે ત્રણ અલગ અલગ બેંકમાં 3 એકાઉન્ટ મળી આવ્યા છે. ચાર્જશીટમાં થયેલા ખુલાસા મુજબ જશુમતીબહેન મહેન્દ્રભાઇ પટેલના નામે બી.ઓ.બી માં જ અલગ અલગ 12 નંબરના એકાઉન્ટ છે. એક જ બેંકમાં આ પ્રકારે આટલી મોટી સંખ્યામાં ખાતા ખોલાવી શકાય કે કેમ તે અંગે એક બેંકરે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, વ્યક્તિ ગમે તેટલા ખાતા ખોલાવી શકે છે તેમાં કોઇ મર્યાદા નથી. દરમિયાન સસ્પેન્ડેડે કલેક્ટરના નામે એચ ડી એફ સી બેંકમાં, આઇ સી આઇ સી આઇ બેંકમાં અને બી ઓ બીમાં 1 - 1 એકાઉન્ટ છે. પોતાના, પરિવારજનોના નામે કરોડોની મિલ્કતડો. રાજેન્દ્ર પટેલ, તેમના પત્નીના નામે કરોડોની પ્રોપર્ટી મળી છે. એવું કહેવાય છે કે તેમની બેનંબરી આવકનો વહીવટ તેમનો સાળો કરતો હતો. તપાસમાં ખૂલ્યા મુજબ સસ્પેન્ડેડ કલેક્ટરના નામે ગાંધીનગર - છારોડી ખાતે 1.85 કરોડની કિંમતનો ફ્લેટ છે. ઉપરાંત અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ 54 લાખની કિંમતનો એક ફ્લેટ છે. તેમની પત્ની મોનિકા પટેલના નામે કુહા ખાતે એક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ કે જેની કિંમત 81 લાખ મનાય છે અને ઝુંડાલમાં 43 લાખની કિંમતની દુકાન ખરીદી છે. ભ્રષ્ટાચારની સિંગલ વિન્ડો સિસ્ટમ એટલે જયરાજસિંહ એન એ બ્રાન્ચના ક્લાર્ક મયુરસિંહ ગોહિલે સ્વીકાર કર્યો કે તત્કાલિન કલેક્ટરના પી. એ. જયરાજસિંહ ઝાલા લાંચની રકમ ઉઘરાવવા માટેનો પ્રથમ પોઇન્ટ હતો. જે રકમ આવી હોય તે જે તે કર્મચારી - અધિકારીને પહોંચાડવાની જવાબદારી જયરાજસિંહની હતી. તેમણે એવો પણ એકરાર કર્યો કે, ક્યારેક હું પણ વચેટિયા અને દલાલો પાસેથી નાની મોટી રકમ લાંચ સ્વરુપે સ્વીકારી તે ચંદ્રસિંહ મોરીને પહોંચાડતો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓને તાત્કાલિક મદદરૂપ થવા 181 ટીમ કાર્યરત કરાઇ છે. જેમાં 12 વર્ષમાં 38,128 મહિલાને મદદ પહોંચાડી છે. 1 વર્ષમાં 675 મહિલાની વ્હારે અભયમ ટીમ આવી હતી. જેમાં 262 ગંભીર કિસ્સામાં સહાય કેન્દ્ર સખી વન સ્ટોપ સેન્ટરની મદદ અપાવી હતી. મહિલા હેલ્પલાઇનની સુવિધા ગુજરાત રાજ્ય સહિત જિલ્લામાં 8 માર્ચ 2015થી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શરૂ કરાઇ હતી. જિલ્લામાં 181 ટીમે 12 વર્ષમાં કુલ 38,128 મહિલાને જરૂરીયાત સમયે સલાહ, સૂચન, માર્ગદર્શન બચાવની મદદ પૂરી પાડી છે. જ્યારે તાકીદની સ્થિતિમાં સ્થળ પર જઇ 6700 મહિલાને મદદ પૂરી પાડી છે. જેમાં મહિલા સાથે થતી હિંસા શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો, શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી ,આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો સહિતના પ્રશ્નો ધ્યાને લેવાયા હતા. મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર વૈશાલીબેન મકવાણાએ જણાવ્યું કે જિલ્લામાં વર્ષમાં અભયમ હેલ્પલાઇનમાં 675 પીડીત મહિલાઓને ઘટના સ્થળે મદદ પહોંચાડી છે. જેમાં 389 કેસમાં કાઉન્સેલિંગ થકી સ્થળ પર સમાધાન કારી નિર્ણયો લેવાયા છે. જેમાં 262 કિસ્સામાં પીડીતા ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર સહિત મહિલા સંસ્થાની મદદ અપાવી હતી. ગત વર્ષની સરખામણીએ કેસમાં ઘટાડો અભયમ ટીમને 2025માં 675 કેસ સામે આવ્યા હતા. જેમાં 389 મહિલાને કાઉન્સેલિંગ તથા 262 ગંભીર કિસ્સાઓમાં સખી વનસ્ટોપ સેન્ટરની મદદ અપાવી હતી. જ્યારે 2024માં 781 કેસ સામે આવ્યા હતા જેમાં 509 મહિલાને કાઉન્સેલિંગ તથા 272 ગંભીર કિસ્સાઓમાં મહિલા સહાય કેન્દ્ર સખી વનસ્ટોપ સેન્ટરની મદદ અપાવી હતી. કુલ કેસમાં 106નો ઘટાડો થયો છે. જેમાં કાઉન્સેલિંગના 120 અને ગંભીર કિસ્સામાં 10નો ઘટાડો થયો છે.
તા.8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. તેવામાં આ મહત્વના દિવસે લખતરના એક એવા મહિલા મંડળની વાત કરીએ કે, જે સેવા પ્રવૃત્તિ માટે હંમેશા અગ્રેસર રહે છે. આ વાત છે લખતરના મહિલાઓના ગોપી મંડળની. જે ગોપી મંડળ તાલુકામાં અનેક સેવાપ્રવૃતિઓ માટે હંમેશા અગ્રેસર રહે છે. તહેવારોમાં પણ મહત્વનું સેવાકાર્ય કરે છે. લખતરના બુટ ભવાની મંડળ દ્વારા દિવાળીનાં તહેવારોમાં જરૂરિયાત મંદ લોકોને ફરસાણ, મીઠાઈ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામા આવે છે. જેના ફૂડ પેકેટ તૈયાર કરવા માટે તહેવારોમાં પરિવાર અને કામકાજમાંથી સમય કાઢી રાત્રે ગોપી મંડળની મહિલાઓ એકઠી થઈને તે તૈયાર કરે છે. તો મકરસંક્રાંતિનાં દિવસે પાંજરાપોળમાં પશુઓને લાડવા આપવામાં હોય છે. તો તે અંતર્ગત પણ ઉત્તરાયણ(મકરસંક્રાતિ )ની પૂર્વ રાત્રિએ મહિલાઓ સાથે મળીને મોટા પ્રમાણમાં લાડવા વાળે છે. તો જન્માષ્ટમીના તહેવાર પૂર્વે પણ લાડવા તૈયાર કરે છે. કોરોનામાં મોક્ષધામ માટે 30 હજાર છાણા થાપ્યા કોરોના કાળ દરમિયાન લખતરના મોક્ષધામમાં છાણાની અછત ઊભી થઈ હતી. તેવા સમયે લખતર પાંજરાપોળમાંથી મળેલ છાણમાંથી માત્ર દસેક દિવસમાં ત્રીસેક હજાર કરતાં વધુ છાણા થાપીને છાણાની અછતને દૂર કરી લોકોની મુશ્કેલી દૂર કરી હતી. આટલું જ નહીં, પરંતુ મોક્ષધામમાં ખવાય નહીં તેવી અંધ શ્રધ્ધાને દૂર કરી છાણા થાપતા સમયે ત્યાં જ ભજીયા, સમોસા સહિતનો નાસ્તો તેમજ અંતિમ દિવસે પૂરી, શાક સહિતનો જમણવાર પણ મોક્ષધામમાં કરી અંધશ્રધ્ધાને તિલાંજલિ આપવાની દિશામાં પગલું ભર્યું હતું.
ચૂંટણી પૂર્વે કોંગ્રેસ એક્શનમાં:લખતરમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ 30થી વધુએ દાવેદારી નોંધાવી
સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠનાત્મક સ્તરે તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે. તે અંતર્ગત લખતર તાલુકામાં સંભવિત ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. શનિવારે તા. 7 માર્ચના રોજ બપોરે 2થી 4 વાગ્યા દરમ્યાન લખતર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા આ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈ કાર્યકરો તથા આગેવાનો પાસેથી સંભવિત ઉમેદવારો અંગે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ સેન્સ પ્રક્રિયામાં ગુજરાત કોંગ્રેસ મહામંત્રી પંકજસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શક્તિસિંહ રાણા, લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરસોત્તમભાઈ દેવથળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી 30થી વધુ સંભવિત ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. કોંગ્રેસના આગેવાનો દ્વારા કાર્યકરો સાથે ચર્ચા કરી સ્થાનિક સ્તરે મજબૂત અને જીતની શક્યતા ધરાવતા ઉમેદવારો અંગે સૂચનો મેળવવામાં આવ્યા હતા.
આજે અહીં ધબકશે દેશનું દિલ:ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ આજે અમદાવાદમાં; જીત્યા તો બનાવીશું 3 વર્લ્ડ રેકોર્ડ
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે ક્રિકેટના સૌથી મોટા ઉત્સવ માટે તૈયાર છે. આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ છે. જો ભારત જીતશે તો ત્રીજીવાર જ્યારે ન્યૂઝીલેન્ડ જીતશે તો પ્રથમવાર ચેમ્પિયન બનશે. આ મેદાન હવે ફક્ત એક સ્ટેડિયમ નહીં, પરંતુ 140 કરોડ ભારતીયના ધબકારનું કેન્દ્ર બની સમગ્ર દેશનું દિલ અહીં ધબકશે. પીચ રિપોર્ટ મુજબ, અમદાવાદની પીચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ મનાય છે. જોકે 2019 અને આફ્રિકા સામેની મેચમાં મળેલી હારને જોતા, આ વખતે લાલ અને કાળી માટીની મિશ્ર પીચ જોવા મળી શકે છે. ભારત પાસે આ રેકોર્ડ બનાવવાની તક 1.ત્રણ ટી20 વર્લ્ડ કપ જીતનાર વિશ્વનો પહેલો દેશ બનશે. ભારત અગાઉ 2007માં અને 2024માં ટી-20 વર્લ્ડકપ જીતી ચૂક્યું છે. 2. 2007થી શરૂ થયેલા ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ યજમાન દેશ વર્લ્ડ કપ જીતી શક્યું નથી. 3.પહેલીવાર કોઈ દેશ સતત બે ટી20 વર્લ્ડ કપ જીતશે: 2024માં જ ભારતે આ ખિતાબ જીત્યો હતો. ભારત માટે મોટો પડકાર નિર્ણાયક રહેશે ટોસ
ધરપકડ:24 કલાક પછી ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચવાની શક્યતા
ઉત્તર ભારતમાં સક્રિય થયેલાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી શનિવારે શહેરમાં ભેજ અને ઠંડા પવનનું જોર વધ્યું હતું. જેથી શહેરનું લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી ગગડ્યું હતું. આગામી 24 કલાક શહેરના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે, એ પછી ગરમીનો પારો વધીને 39 ડિગ્રીએ પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન શુક્રવારની સરખામણીએ 1.3 ડિગ્રી વધીને 37.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી ગગડીને 20 ડિગ્રીએ નોંધાયું હતું. હવામાન નિષ્ણાત એ.ટી. દેસાઇએ કહ્યું કે, વાતાવરણમાં ભેજ વધવાની સાથે પવનની દિશામાં ફેરફાર થયો છે. જો કે, 24 કલાક બાદ આ સિસ્ટમ નબળી પડવાથી તાપમાન વધશે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ શુક્રવારે સિવિલ સર્વિસિસ પરીક્ષા 2025નું પરિણામ જાહેર કર્યું જેમાં પાલનપુરના ઉમર હાશમીએ 549 મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. પાછલા કેટલાક વર્ષોથી પરિવારથી દૂર રહીને દિલ્હી અભ્યાસ કરી રહ્યા હતા. ઉમરના પિતા અખ્તર ભાઈ પાલનપુર એલઆઈસીમાં ફરજ બજાવે છે. જ્યારે માતા ગૃહિણી છે. જ્યારે મોટાભાઈ ભુજમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. શુક્રવારે જેવુ નામ જાહેર થયું કે નાની બજારના ડાયરા વિસ્તારમાં તેમજ પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. સૌથી મહત્વની બાબત એ રહી કે ઉમર ધોરણ 10 અને 12 સ્કૂલમાં ગયા વગર માત્ર NIOS ઓપન સ્કૂલમાંથી પરીક્ષા પાસ કરીને ઉત્તર પ્રદેશની અલીગઢ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને ત્યારબાદ પાછલા ત્રણ વર્ષથી દિલ્હીની હમદર્દ ઇન્સ્ટિટયૂટમાં એન્ટરન્સ એક્ઝામ આપીને પ્રવેશ મેળવ્યો. અને ત્રીજા પ્રયાસમાં યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરી. ઉમરના મોટાભાઈ એ.એ. હાસમીએ જણાવ્યું કે ઉમરે ધોરણ 12 ની અંદર જ પોતાનો આઈએએસ બનવાનો ગોલ ક્લિયર કરી દીધો હતો. છેલ્લા ચાર વર્ષથી તે સંપૂર્ણ એના માટે જ તૈયારી કરતો હતો એના માટે પરિવાર, પ્રસંગો, સોશિયલ મીડિયા સહિતની તમામ બાબતો પોતાનાથી દૂર કરી દીધી હતી. જ્યારે બે વખત નિષ્ફળતા મળે એટલે કોઈ પણ વ્યક્તિ હતાશ થવા લાગે. પણ ઉમરે મનમાં ગાંઠ બાંધી લીધી હતી કે ગમે તેમ કરીને ચાર પાંચ ટ્રાય પણ ભલે આપવા પડે યુપીએસસી ક્લિયર કરીને જ રહીશ. તે ત્રીજા ટ્રાયલમાં ક્લિયર કરી 549મો રેન્ક મેળવ્યો છે. હાલ શાળાઓમાં માધ્યમિક શિક્ષણમાં જે રીતે દસમુ અને બારમું ભણાવીને મહત્વ આપવામાં આવે છે તે સિવાય પણ ઘર બેઠા અભ્યાસ કરીને સેન્ટર પર પરીક્ષા આપીને આગળ વધી શકાય છે. સફળતાનો મંત્ર: લિમિટેડ પરંતુ રિપીટેડ રીડિંગત્રીજા પ્રયાસમાં સફળતા મેળવ્યા બાદ પોતાની સફળતાનો મંત્ર જણાવતા કહ્યું કે કન્સિસ્ટન્સી (સતતતા) સૌથી મહત્વપૂર્ણ છે. તૈયારી દરમિયાન સૌથી મોટો પડકાર એ હોય છે કે સમય જતા એફિશિયન્સી ઘટવા લાગે છે અને બોરિંગનેસ વધે છે, કારણ કે ફરીથી એ જ પ્રયત્નો શરૂઆતથી કરવા પડે છે. તૈયારીમાં નોટ્સ બનાવવી, નિયમિત રિવિઝન કરવું અને વધુમાં વધુ રિવિઝન પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. સાથે જ તેમણે ભાર મૂક્યો કે લિમિટેડ પરંતુ રિપીટેડ રીડિંગ એટલે કે મર્યાદિત સામગ્રીને વારંવાર વાંચવું જ સફળતાનો સાચો મંત્ર છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી 20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને પગલે રવિવારે સવારથી બપોરે 6 વાગ્યા સુધીમાં 50 જેટલી સીધી ફ્લાઇટ બુક થઈ ગઈ છે. પેસેન્જર ટ્રાફિકને પહોંચી વળવા ઇન્ડિગો, અકાસા, સ્પાઇસ જેટ, એરઇન્ડિયા અને એરઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન અમદાવાદથી વધારાની 30 ફ્લાઇટ ઓપરેટ થશે, જેમાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ સહિત વિવિધ રૂટની 5400 સીટ વધારવામાં આવી છે અને તેની 80 ટકા સીટો બુક થઈ છે. રવિવારે ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ શેડ્યુલની 260, ડોમેસ્ટિકની વધારાની 30, ઉદ્યોગપતિ-સેલિબ્રિટીઝના 80 પ્રાઇવેટ જેટ મળી કુલ 350થી વધુ ફ્લાઇટની મૂવમેન્ટથી એરપોર્ટ વ્યસ્ત રહેશે. એક જ દિવસમાં 45 હજાર પેસેન્જરોની અવરજવર નોંધાય તેવી શક્યતા છે. સામાન્ય દિવસોમાં 260 ફ્લાઇટમાં 36 હજાર પેસેન્જરની અવરજવર નોંધાય છે. જોકે કોલ્ડ પ્લે વખતે 48 હજાર પેસેન્જર, વર્લ્ડ કપ ફાઇનલ વખતે 40 હજાર પેસેન્જરની અવરજવર નોંધાઈ હતી. ભાસ્કર એક્સપ્લેનર ; દર 7 મિનિટે મેટ્રો, 12થી 15 મિનિટે સિટી બસ મળશે સ્ટેડિયમમાં એન્ટ્રી કેટલા વાગ્યાથી? 3 વાગ્યાથી એન્ટ્રી મળશે. 5થી 10 મિનિટ ચેકિંગમાં જશે. પ્રવેશ કર્યા પછી સીટ સુધી પહોંચવામાં બીજી 25 મિનિટ લાગશે. સ્ટેડિયમમાં કઈ વસ્તુ લઈ જઈ શકાશે? ટિકિટ, ફોન, પર્સ, ચશ્માં, કેપ, જરૂરી દવા, લાકડી-પ્લાસ્ટિકની ડંડી વિનાના ધ્વજ કઈ કઈ વસ્તુઓ લઈ જઈ શકાશે નહિ? ફટાકડા, પાણીની બોટલ, લેપટોપ, સોફ્ટ ડ્રિંક, માચિસ, લાઇટર, છત્રી , હેલમેટ, પાવરબેંક, સેલ્ફી સ્ટિક, લેસર લાઇટ, હોર્ન તથા મોટી બેગ જેવી વસ્તુ પ્રતિબંધિત છે. પાર્કિંગ માટે ક્યાં જવું? જગ્યા મળશે? ટુવ્હીલર, ફોરવ્હીલર માટે સ્ટેડિયમથી દોઢથી 2 કિમી દૂર અલગ અલગ 8 પેઇડ પાર્કિંગ પ્લોટ છે. ઉપરાંત સ્થાનિક રહેવાસીઓએ પોતાના પ્લોટ, ઘરની સામે હંગામી ચાર્જેબલ પાર્કિંગ બનાવ્યાં છે. પાર્કિંગ માટે તમે ‘શો માય પાર્કિંગ’ એપથી ઓેનલાઇન સ્લોટ બુક કરી શકાશે. મેટ્રો-BRTSમાં કેવી રીતે જઈ શકાશે? કોઈ પણ મેટ્રો સ્ટેશનથી તમે સ્ટેડિયમના ગેટ નંબર 1થી 300 મીટર સુધી પહોંચી શકો છો. મેટ્રો ટ્રેન દર સાત મિનિટે મળશે અને મોડી રાત સુધી ચાલુ રહેશે. દર 12થી 15 મિનિટે બીઆરટીએસ, એએમટીએસ બસો પણ મળી રહેશે. બસમાં ઊતરીને 1થી દોઢ કિલોમીટર ચાલીને જવું પડશે. ગેટ પરથી સ્ટેડિયમમાં કેવી રીતે જવાશે? સ્ટેડિયમમાં પ્રવેશ પહેલાં ગેટથી 100 મીટર દૂર ટિકિટ તથા સિક્યોરિટી ચેકિંગ કરાશે. મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવાનું રહેશે. જો વચ્ચે કોઈ ટિકિટ માગે તો બતાવવી પડશે. મેચ પૂરી થયા પછી કેવી રીતે જવું? રાત્રે 2 સુધી લોકલ ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ છે. વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ : તપોવન સર્કલથી એપોલો સર્કલ માટે અલગ રૂટ લેવો પડશે 2000 પોલીસ અધિકારી-કર્મચારી 800 ટ્રાફિક પોલીસ કર્મચારી 4 બોમ્બ સ્કવોડ 8 ફાયર બ્રિગેડની ગાડીઓ 55 ફાયરનો સ્ટાફ 6 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય
આરોપીઓ ઝડપાયા:હિંમતનગરમાં ત્રણ મકાનો તોડનાર આંતરરાજ્ય ગેંગના 3 શખ્સો ઝબ્બે
મહેસાણાના નાગલપુર વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી વખતે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલી આંતરરાજ્ય ગેંગે મહેસાણામાં તરખાટ મચાવતા પહેલા હિંમતનગરમાં પણ એક જ દિવસમાં ત્રણ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. આ રીઢા ગુનેગારો જે તે શહેરમાં પહોંચી પહેલા બાઇકની ચોરી કરતાં અને તેના દ્વારા રેકી કરીને બંધ મકાનોમાં ચોરીને અંજામ આપતા હતા. જોકે, હિંમતનગરના ત્રણ મકાનોના તાળાં તોડ્યા હોવા છતાં ત્યાંથી તેમને કોઈ મોટી રકમ હાથ લાગી ન હોતી. મહેસાણા બી ડિવિઝન પોલીસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચીખલીકર ગેંગના ત્રણ શખ્સોને ઝડપી જ્યારે અન્ય બે વોન્ટેડને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. આ ગેંગ પોતાની કારની ઓળખ છુપાવવા માટે આગળની નંબર પ્લેટ પર એલઇડી લાઇટ લગાવતી અને પાછળની નંબર પ્લેટ તોડી નાખતી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ મામલે બે વોન્ટેડ ચોરોને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. પકડાયેલા આરોપીઓ રાજસિંહ ઈશ્વરસિંહ બરનારા, (ચીખલીકર સરદાર) મનમોહનસિંહ ઉર્ફે છોટે ઈકબાલસિંહ બંને રહે. ગંધવાની બારીયા મધ્ય પ્રદેશ {પર્વતસિંહ જામસિંહ ચીખલીકર રહે. ગલીયાકોટ રાજસ્થાન બે વોન્ટેેડ આરોપીઓ લડ્ડુસિંહ પર્વતસિંહ સરદાર રહે. ગલીયાકોટ અને નિર્મલ સિંહ રહે. રાજસ્થાન
બહુચરાજી તાલુકા પંચાયત કચેરીમાં કમ્પ્યુટરના સ્ક્રીન પર ફાઈલો એક પછી એક ખુલી રહી છે અને કીબોર્ડ પર એક હાથથી ઝડપથી ટાઈપિંગ થઈ રહ્યું છે. શરીરમાં માત્ર એક કિડની હોવા છતાં ચહેરા પર અદ્દભૂત શાંતિ અને આત્મવિશ્વાસ દેખાય છે. આ યુવતી છે શિલ્પાબેન હીરાભાઇ રાઠોડ. મહેસાણામાં રહેતી આ 29 વર્ષિય યુવતીનું જીવન સંઘર્ષ અને હિંમતની કહાની છે. જન્મથી જ એક હાથ ઓછો હોવા છતાં તેમણે જીવનની દરેક કસોટી સામે હિંમતથી લડીને સફળતા મેળવી છે. જરૂર પડી ત્યારે તેમણે નાના ભાઈને એક કિડની દાન કરી નવી જિંદગી આપી છે. તો એક હાથે રોટલી બનાવતાં અને કમ્પ્યુટર શીખી આત્મ નિર્ભર બની છે. બાળપણથી જ વિકલાંગતાને કારણે તેમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. અન્ય બાળકો બંને હાથથી રમતા અને લખતા ત્યારે તેમને દરેક કામ માટે વધારે મહેનત કરવી પડતી. ધો.1-4 ફઈના ઘરે ભણ્યાં. અભ્યાસ દરમિયાન ક્યારેક મશ્કરીનો સામનો પણ કરવો પડ્યો, છતાં તેમણે ક્યારેય હિંમત હારી નહીં. ધોરણ 8-12 ફુલપુરા ગામથી સિદ્ધપુર શહેરમાં અભ્યાસ કર્યો, તે સમયે રોજ 3 થી 4 કિમી પગપાળા શાળાએ જવું પડતું હતું. એક હાથથી લખવું સરળ નહોતું, છતાં તેમણે કમ્પ્યુટર ક્ષેત્ર પસંદ કર્યું અને BCom, PGDCA તથા MCA સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. કમ્પ્યુટર શિક્ષક તરીકે નોકરી શરૂ કરી. વર્ષ 2010માં જીવનમાં જ્યારે સ્થિરતા આવી ત્યારે પરિવાર પર આફત આવી. નાના ભાઈ અમિતની કિડની ફેલ થઈ ગઈ. ડોક્ટરોએ ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી ત્યારે આ હિંમતી બહેને જરા.. હવે લોકોને અંગદાન કરવા સમજાવે છે પરિવારની મનાઈ હોવા છતાં શિલ્પાબેને પોતાના ભાઈને કિડની દાન કરી હતી. સફળ ઓપરેશન બાદ ડોક્ટરોએ તેમની હિંમતને બિરદાવી હતી. અઆજે હોસ્પિટલ જવાનું થાય કે અન્ય સ્થળે જ્યાં પણ તક મળે અંગદાન કરવાની વાત સમાજ વચ્ચે મૂકે છે.
મહેસાણાની રાધનપુર ચોકડી સિવાય શહેરના અલગ અલગ વિસ્તારોમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા શનિવારે પોલીસ અને આરટીઓ સહિતના તંત્ર સાથે ટ્રાફિકની બેઠક કરી મહત્વના નિર્ણયો લીધા હતા. જેમાં રાધનપુર ચોકડી પર માથાના દુ:ખાવા સમાન બની ગયેલી ટ્રાફિક સમસ્યા હળવી કરવા હયાત સર્કલને તોડી નાનું કરવા તેમજ ડેરી રોડ પર આવેલી બ્લડ બેન્કનો નવો રસ્તો ખોલવા સહિતની બાબતોની ચર્ચા કરાઇ નિર્ણય કરાયો હતો. મહાનગરપાલિકાના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલે, એસપી હિમાંશુ સોલંકી, આરટીઓ અધિકારીઓ સહિતની બેઠક યોજાઇ હતી. રાધનપુર ચોકડી પર નવા નખાયેલા સિગ્નલની સમીક્ષાની સાથે આ ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માર્ગ- મકાન વિભાગના અભિપ્રાય બાદ ચોકડી પરનું હયાત સર્કલ નાનું કરવાનો નિર્ણય કર્યો હતો. સાથે ટ્રાફિકને લગતી કેટલીક બાબતોની ચર્ચા કરાઈ હતી. રિક્ષા-ઇકોનાં સ્ટેન્ડ નક્કી કરાશે1. માર્ગ- મકાન વિભાગના અભિપ્રાય બાદ રાધનપુર ચોકડી હયાત સર્કલ નાનું કરાશે. 2. રાધનપુર રોડ પર પાંચોટ તરફનું એસટી પીકઅપ સ્ટેન્ડ આગળ ખસેડવામાં આ વશે. 3. રિક્ષા અને ઇકો એસોસીએશન સાથે ચર્ચા કરી, યોગ્ય જગ્યાએ તેનું પાર્કિંગ કરાવવું. 4. ડેરી રોડ પર આવેલી બ્લડ બેન્ક નજીક સહિતના અલ્ટર રસ્તા ખોલવામાં આવશે. 5. મુખ્ય હાઇવે પર ડફેર દંગાની બંને સાઈડ, સર્કિટ હાઉસ આગળ દબાણો દૂર કરવા. 6. તમામ રોડ ઉપર પટ્ટાથી માર્કિંગ કરવું.
ભાસ્કર ફોલોઅપ:લકઝરી બસના નંબર જ નહીં, ચેસીસ અને એન્જિન નંબરમાં પણ ચેડાં ખૂલ્યાં
મહેસાણા આરટીઓએ ઝડપેલી લકઝરી બસના 20.55 લાખ રૂપિયાના ટેક્સચોરી કૌભાંડમાં દિવ્ય ભાસ્કરની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. મહેસાણાથી ઝડપાયેલી લકઝરી બસમાં માત્ર નંબર પ્લેટ જ નહીં, પરંતુ તેના ચેસીસ નંબર અને એન્જિન નંબર સાથે પણ ચેડાં કરાયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, બસનો વીમો, પીયુસી અને ફિટનેસ પણ 1 થી 2 વર્ષ પહેલાં પૂર્ણ થઇ ગયા હોવા છતાં બસ દોડતી રહી હતી. આરટીઓ દ્વારા ઝડપાયેલી RJ 46 PA 1527 નંબરની લકઝરી બસ માત્ર નંબર બદલીને ચલાવાતી ન હતી. સુવ્યવસ્થિત રીતે ટેક્સચોરી કરવા માટે રાજસ્થાનમાં ફરતી RJ 46 PA 1527 નંબરની બીજી બસના એન્જિન અને ચેસીસ નંબરની વિગતો આ બસમાં ફેરફાર કરીને લગાવી હતી. એટલું જ નહીં, RJ 46 PA 1527 નંબરની બસના સત્તાવાર દસ્તાવેજોની તપાસ કરવામાં આવી ત્યારે અનેક ગેરરીતિઓ સામે આવી. બસનું ફિટનેસ સર્ટિફિકેટ 24 મે, 2024ના રોજ પૂરું થઇ ગયું હતું. એટલે કે, ફિટનેસ ચકાસણી કર્યા વગર બસ લગભગ પોણા બે વર્ષથી રાજસ્થાનથી ગુજરાત સુધીના લાંબા રૂટ પર દોડતી રહી હતી. બસનો વીમો પણ છેલ્લા એક વર્ષથી લીધો નથી. તેમજ 20 ઓક્ટોબર, 2024ના રોજ પીયુસીની મુદત પૂરી થઇ હતી.
સરહદી સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ કરમણભાઈ ચૌધરીએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સતત બીજા વર્ષે ઝળહળતી સફળતા મેળવી આખા પંથકનું નામ રોશન કર્યું છે. ગત વર્ષે 2024માં 348મો રેન્ક મેળવી IPS બનનાર વિપુલે પોતાની જિદ્દ છોડી નહીં અને આ વર્ષે 2025માં 115મો રેન્ક હાંસલ કરી IASનું ગૌરવવંતું પદ મેળવ્યું છે. વિપુલના પિતાની ઈચ્છા હતી કે દીકરો મામલતદાર બને, પરંતુ વિપુલના કંઈક મોટું કરવાનો સંકલ્પ હતો. સરહદી વિસ્તારમાં ખેડૂતો, સામાન્ય લોકોની હાડમારી જોઈ તેણે UPSCની તૈયારી શરૂ કરી. સતત 18 કલાકનું વાંચન અને 5-5 પ્રયત્નો છતાં હિંમત હાર્યા વગર તેણે આ મુકામ હાંસલ કર્યો છે. ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આવવા છતાં હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારી તે આજે IAS બન્યા છે. વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે UPSC ક્લિયર કરવીએ મેરેથોન દોડ જેવી છે. શરૂઆત સહેલી લાગે પણ અંત સુધી ટકી રહેવું અઘરું છે. નિષ્ફળતા તમારી મહેનતમાં રહેલી ખામી બતાવે છે, તમારી કાબેલિયત નહીં.મેં પાંચ પ્રયત્ન કર્યા, ઇન્ટરવ્યુમાં ફેઈલ થયો, પણ મેં મારી ભૂલો સ્વીકારી. જો તમે લક્ષ્ય નક્કી કરી, મહેનતને જ મંત્ર બનાવશો, તો સફળતા ચોક્કસ તમારું સરનામું શોધતી આવશે. IPSની ટ્રેનિંગ પણ જોઈન નહોતી કરીવિપુલનું માનવું છે કે IPS તરીકે કાયદો-વ્યવસ્થાની જવાબદારી હોય છે, પરંતુ IAS બનીને તે સીધા જ ખેડૂતો અને છેવાડાના માનવીના જીવનધોરણને ઊંચું લાવવા માટે નીતિવિષયક નિર્ણયો લઈ શકશે. આ જ ઉમદા હેતુથી તેમણે IPSની ટ્રેનિંગ પણ જોઈન નહોતી કરી અને રજા લઈને IASની તૈયારીમાં લાગી ગયા હતો.
ખાસ સઘન મતદાર સુધારણા કાર્યક્રમ બાદ પાટણ જિલ્લામાં આવેલી ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને રાધનપુર વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 11,19,525 મતદારો નોંધાયા છે. તેમાં 40 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 5,87,542 હોવાને કારણે આ વર્ગ હવે આગામી ચૂંટણીમાં સત્તાનું સુકાન કોના હાથમાં જાય તે નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જિલ્લામાં નોંધાયેલા કુલ મતદારોમાં 40 વર્ષથી વધુ ઉંમરના 5,87,542 મતદારો છે.જેમાં મહિલા મતદારોની સંખ્યા 2,94,580 છે.જ્યારે પુરુષ મતદારો 2,92,953 છે. આમ આ વર્ગમાં પુરુષ કરતાં 1627 મહિલાઓ વધુ છે. પરિણામે મહિલાઓનો મતદાનમાં પડતો પ્રભાવ પણ આગામી ચૂંટણીમાં મહત્વનો બની શકે છે. બીજી તરફ 18 થી 39 વર્ષના યુવા મતદારોની સંખ્યા 5,31,983 છે.જિલ્લાની રાજકીય દિશા નક્કી કરવામાં મુખ્ય આધાર બની શકે છે. યુવા મતદારોમાં 2,89,932 પુરુષ અને 2,42,042 મહિલાઓનો સમાવેશ થાય છે.વયગત રીતે જોવામાં આવે તો જિલ્લામાં 18થી 19 વર્ષના 23,084 મતદારો, 20થી 29 વર્ષના 2,61,107, 30થી 39 વર્ષના 2,47,792 અને 40 વર્ષથી વધુ ઉંમરના 5,87,542 મતદારો નોંધાયા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે રાજકીય પક્ષોએ વયગત મતદાર ગણિત ગોઠવવાનું શરૂ કરી દીધું છે. ‘40 પ્લસ’ મતદારો પર પક્ષોની નજર રહેશેજિલ્લામાં 40 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા સૌથી વધુ હોવાથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ વર્ગ રાજકીય પક્ષો માટે નિર્ણાયક બની શકે છે.સામાન્ય રીતે આ વયના મતદારો વિકાસ, સુવિધા અને સ્થિરતા જેવા મુદ્દાઓને વધુ મહત્વ આપે છે, જેના કારણે ઉમેદવારો માટે આ વર્ગને રીઝવવું મહત્વપૂર્ણ બની રહેશે. બીજી તરફ 18 થી 39 વર્ષના યુવા મતદારો પણ મોટી સંખ્યામાં હોવાથી રોજગાર, શિક્ષણ અને વિકાસ જેવા મુદ્દાઓ પર તેમની પસંદગી રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વનો ફેક્ટર બની શકે છે. સાથે 40થી વર્ષ ઉપરના લોકો જવાબદારી વાળા લોકો હોય છે. મેચ્યુરીટી આવી હોય છે.જેથી રોજબેરોજના જીવન જરૂરિયાતના પ્રશ્નો અને સમસ્યાઓ આધિન મતદાન તરફ વળતા હોય છે.નવા મતદારો ભાવનાત્મક હોય છે. ટ્રેન્ડ પ્રમાણે ખેંચાય છે.> સિનિયર પ્રોફેસર ડૉ.ડી.સી.પટેલ, રાજકીય વિશેષજ્ઞ
સિદ્ધપુર પાટીદાર સમાજની કુળદેવી અને કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન જગતજનનીમાં ઉમિયાનો રથ શનિવારે પાટણ જિલ્લામાં મંગલ પ્રવેશ કર્યો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા, સુખ અને શાંતિનો સંદેશ પ્રસરાવવાનો છે. સિદ્ધપુર પંથકમાં આજથી સતત ચાર દિવસ સુધી મા ઉમાનો રથ પરિભ્રમણ કરશે. ગામેગામ રથના સામૈયા, પૂજન-અર્ચન અને આરતીના વિશેષ આયોજનો કરાયા છે. ભક્તોની સુવિધા માટે રથના રૂટની વિગતો જાહેર કરી છે. પ્રથમ દિવસે આજે રથ ચંદ્રાવતી, લીંડી, કનેસરા, ખળી અને ગણેશપુરા ગામોમાં આશીર્વાદ આપશે. બીજા દિવસે રવિવારે માધુપુરા, તાવડીયા, ઠાકરાસણ, નાંદોત્રી અને કુંવારા ગામે રથનું આગમન થશે. ત્રીજા દિવસે સોમવારે ઉમરૂ, સુજાણપુરા, ગાંગલાસણ અને આંકવી ગામના ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. રથયાત્રાના અંતિમ દિવસે એટલે કે મંગળવારે રાજપુર ગામે ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાશે. આ રથયાત્રા માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ સામાજિક સંગઠન અને આસ્થાનું પ્રતીક બની રહેશે. ઠેર-ઠેર પાટીદાર સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા રથના ભવ્ય વધામણાં કરવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ચાર દિવસ સુધી સિદ્ધપુર પંથક ''જય ઉમિયા'' ના નાદથી ગુંજી ઉઠશે. શ્રદ્ધાળુઓને ગામના નિર્ધારિત સમયે દર્શનનો લાભ લેવા અને રથના સ્વાગતમાં જોડાવા આહવાન કરાયું છે.
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ 29 વિસ્તારોમાં સીસી રોડ અને પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ યુડીપી 88ની વર્ષ 2025-26ની ગ્રાન્ટમાંથી કુલ 2.23 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું આયોજન કરાયું છે.જેનો શુભારંભ શનિવારે કરાયો હતો. શહેરના બારોટના કસારવાડામાં 7.14 લાખના ખર્ચે સીસી રોડ, જીમખાના ખાતે 20.91 લાખના ખર્ચે પેવર બ્લોક, કાર્યક્રમનું સ્ટેજ, શૌચાલય અને નવીન દીવાલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત અયોધ્યા નગરથી ટેલિફોન એક્સચેન્જ નાળા સુધી બંને બાજુ સીસી રોડ માટે 5.94 લાખના કામનો પ્રારંભ કરાયો હતો. આ કાર્યક્રમોમાં ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ, પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર,જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યવાહી:જાળીલા ગામનો યુવક વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો
બોટાદ એલસીબી પોલીસે પૂર્વ બાતમીને આધારે રાણપુર તાલુકાના જાળીલા ગામના યુવકને મોડી રાત્રીના બોટાદ ખસ રોડ શિવમ પાન સેન્ટર પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બીયર ટીનના જથ્થા સાથે ઝડપી પાડી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિ.એકટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. બોટાદ એલસીબી શાખામાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વનરાજભાઈ ડાયાભાઈ તથા સ્ટાફના માણસો 6 માર્ચના નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બોટાદ-ખસ રોડ પહોંચતા બાતમી રાહે હકીકત મળેલ કે, રોહીતભાઈ અરવિંદભાઈ બાવળીયા (ઉ.વ.23 રહે.જાળીલા) પોતાના કબજામાં વિદેશી દારૂનો જથ્થો લઈને ખસ ટી પોઈન્ટ તરફથી શિવમ પાન સ્ટોર તરફ આવનાર છે. જેણે લાલ કલરનો લાઇનીંગ વાળો શર્ટ તથા જીન્સનું પેન્ટ પહેરેલ છે જેથી શિવમ પાન સેન્ટર પાસે વોચમાં હતા, તે દરમ્યાન તેના હાથમાં એક થેલો હોય જેથી તેના ઉપર શક વહેમ જતા તેને અટકાવી થેલામાં ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-3 કિ.રૂ. 2100 તથા બીયરના ટીન નંગ-4 કિ.રૂ.1000 મળી કુલ 3100નો મુદ્દામાલ મળી આવતા તેને ઝડપી લઇ તેના વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્ય વાહી હાથ ધરેલ છે.
સાબરકાંઠામાં 1 થી 5 વર્ષના બાળકોના આધારકાર્ડની કામગીરી આઇસીડીએસમાં કરાતી હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી આધારકાર્ડ નોંધણી બંધ કરી દેવામાં આવી છે. નાના બાળકોને લઇ નોંધણી કરાવવા આવતાં અરજદારો રોજના ધરમધક્કાને લઇ ત્રાહીમામ પોકારી ચૂકયા છે. કચેરીના કર્મીઓ ઉડાઉ જવાબ આપી રહ્યાનો આક્રોશ વ્યકત થઇ રહ્યો છે. આઈસીડીએસ વિભાગમાં છેલ્લા લાંબા સમયથી આધાર એનરોલમેન્ટ કામગીરી બંધ થઈ ગઈ છે. હિંમતનગર ઘટકના જૂની જિલ્લા પંચાયતના બિલ્ડીંગમાં કાર્યરત કચેરીમાં જોવા મળ્યું કે બાળકોના આધારકાર્ડ માટેની કામગીરી ચાલતી હતી તે છેલ્લા એકાદ વર્ષથી બંધ છે. પ્રતિદિન બાળકો લઈને આવતાં અરજદાર માતાપિતા નિરાશ થઈ પરત જવા મજબૂર બની રહ્યા છે. ઓનલાઇન આધાર એનરોલમેન્ટ કામગીરી બંધ કરી દેવાઇ છે. થોડા સમય અગાઉ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા ચાલુ થતાં અરજદારોને પ્રિન્ટર, સ્કેનર કામ કરતાં નથી નો જવાબ આપી પરત મોકલાઇ રહ્યા છે. આગામી સમયમાં નવા શૈક્ષણિક સત્રની કામગીરી ચાલુ થતી હોઇ અને એડમિશન માટે આધારકાર્ડ જરૂરી હોવાથી નાના બાળકોને લઇને પહોંચતાં માતાપિતાને ધરમધક્કાનો અનુભવ થઇ રહ્યો છે. આઇસીડીએસ વિભાગના સીડીપીઓ ધ્રુતિબેન પુરોહિતે જણાવ્યું કે આધાર કીટ જૂની હોવાથી એરર આવતાં કામગીરી બંધ થઇ છે. આધાર કીટની ખરીદી રાજ્ય સરકાર કરતી હોય છે. પરંતુ પ્રથમ વખત સરકારે જિલ્લા કક્ષાએ ખરીદી કરવા પરવાનગી આપતાં લેપટોપ બેઈઝડ આધારકીટ માટે ટેન્ડરીંગ કર્યુ છે. આગામી બે એક માસમાં ખરીદીની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ જશે અને નવા સત્રમાં કોઇને સમસ્યાનો સામનો કરવો નહીં પડે.
ભાસ્કર એનાલિસિસ:સાબરકાંઠામાં ઉનાળુ વાવેતરમાં 50%નો ઘટાડો
સાબરકાંઠામાં ચાલુ વર્ષે ઉનાળુ પાકોના કુલ વાવેતર વિસ્તારમાં ગત વર્ષની સરખામણીએ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 2024-25 જિલ્લામાં કુલ 33,072 હેક્ટરમાં વાવેતર થયું હતું, જેની સામે ચાલુ વર્ષે 2025-26 અત્યાર સુધીમાં માત્ર 13,294 હેક્ટરમાં જ વાવેતર અત્યારસુધીમાં નોંધાયું છે. જિલ્લાના 8 તાલુકાઓના વાવેતરની સ્થિતિ જોતાં સરેરાશ વાવેતર વિસ્તારમાં 50% થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે. કૃષિ નિષ્ણાંતોના મતે વાવેતરમાં થયેલા આ ઘટાડા પાછળ પાણીની ઉપલબ્ધતા, તાપમાનમાં વહેલો વધારો તથા ગત સિઝનના પાકોના ભાવમાં ફેરફાર જવાબદાર હોવાનું નિષ્ણાંતો દ્વારા મનાઇ રહ્યું છે. પ્રાંતિજ તાલુકામાં સૌથી વધુ 86.28% વાવેતર નોંધાયું છે. જે અન્ય તાલુકાઓની સરખામણીએ ઘણી સારી સ્થિતિ દર્શાવે છે. જ્યારે બીજી તરફ, વિજયનગર તાલુકામાં સૌથી ઓછું માત્ર 15.85 % વાવેતર થયું છે. હિંમતનગર અને ઈડર તાલુકામાં પણ વાવેતરનો આંકડો અનુક્રમે 61.49 % અને 23.65 % રહ્યો છે. ખેડૂતોએ આ વર્ષે રોકડિયા પાકો કરતાં પશુ આહાર અને તેલીબિયા પર વધુ પસંદગી ઉતારી હોય તેવું દેખાય છે. કુલ 13,294 હેક્ટર પૈકી 4,719 હેક્ટરમાં માત્ર ઘાસચારાનું વાવેતર થયું છે. બાજરી અને મગફળીમાં ગત વર્ષે 5,807 હેક્ટરમાં બાજરી હતી જે ઘટીને 2,723 થઈ છે, જ્યારે મગફળીનું વાવેતર 1,431 હેક્ટરમાં થયું છે.
આજે 8મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં નારી શક્તિના કૌશલ્યને પ્રોત્સાહન આપવા ભારત સરકારના યુવા કાર્ય અને રમત-ગમત મંત્રાલયના માર્ગદર્શન હેઠળ, ભારતીય ખેલ સત્તામંડળ અને મેરા યુવા ભારત- ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સાબર સ્ટેડિયમ, હિંમતનગરમાં અસ્મિતા લીગનું આયોજન કરાયું છે. વિવિધ વયજૂથો માટે દોડ અને રસ્સા ખેંચનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં છોકરીઓ અને મહિલાઓ માટે ત્રણ અલગ-અલગ વયજૂથ નિર્ધારિત કરાયા છે. જેમાં અંડર-13, 13 થી 18 વર્ષ તથા 18 વર્ષથી ઉપરની મહિલાઓ દરેક વર્ગમાં 100 મીટર, 200 મીટર અને 400 મીટરની દોડ સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત, મહિલાઓમાં ખેલદિલી અને ઉત્સાહ વધારવા માટે વિશેષ આકર્ષણ તરીકે રસ્સા ખેંચ જેવી મનોરંજક સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. માય ભારત પોર્ટલ (https://mybharat.go v.in) અથવા ખેલો ઇન્ડિયાના NSRS પોર્ટલ પર નોંધણી કરાવી શકાશે. જે છોકરીઓ કે મહિલાઓ ઓનલાઇન નોંધણી કરાવી ન હોય અને તેમને સ્પર્ધામાં ભાગ લેવો હોય તો સ્પર્ધાના દિવસે એટલે કે આજે સવારે 7 કલાકે સાબર સ્ટેડિયમ ખાતે રૂબરૂ નોંધણી પણ કરાશે. જિલ્લા યુવા અધિકારી, માય ભારત (સાબરકાંઠા-અરવલ્લી) દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ સવારે 8 કલાકે શરૂ થશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ:છોટાઉદેપુરના વિકાસમાં મહિલા અધિકારીઓનું ભગીરથ પ્રદાન
સંયુકત રાષ્ટ્રએ 1975માં 8 માર્ચને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે Give to Gain થીમ પસંદ કરાઈ છે, જેનો સીધો અર્થ થાય છે ‘આપો તો મેળવો’. એટલે કે, મહિલાઓને જ્યારે આપણે સંસાધનો આપીએ છીએ, ત્યારે માત્ર મહિલાઓને જ નહીં પરંતુ આખા સમાજને તેનો લાભ મળે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદે ઓરસંગ નદીના કિનારે વસેલા બહુમૂલ્ય આદિવાસી વસ્તી ધરાવતા રાઠ પ્રદેશમાં રાજકીય અને વહીવટ ક્ષેત્રે મહિલાઓ સક્રિયપણે કાર્યરત છે. જ્યારે મહિલાઓને યોગ્ય માર્ગદર્શન અને સંસાધનો પૂરા પાડવામાં આવે છે, ત્યારે વિકાસની નવી કેડી કંડારાય છે. જેનું જીવંત ઉદાહરણ આજે અંતરિયાળ ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળી રહ્યું છે. અહીં પદાધિકારીઓથી લઈને વહીવટી અધિકારીઓ સુધીના મહત્વના હોદ્દાઓ પર મહિલાઓ બિરાજમાન થઈને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લાની પ્રગતિમાં પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે. તો જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સુશાસન અને વ્યવસ્થા જાળવવાનું સુચારુ કાર્ય કરી રહ્યા છે. આ સાથે મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર વહીવટી કુશળતા દ્વારા જનકલ્યાણના કાર્યોમાં વેગ લાવી રહ્યા છે. જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સતત કાર્યરત રાખવામાં આવે છે. કાર્યપાલક ઈજનેર નેહલ નાઈક જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગોને સુગમ બનાવી પાયાની માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરી રહ્યા છે. તો બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ છે. જેતપુરપાવીના મામલતદાર સોનાલીબેન ઓઝા મહેસૂલી અને રેવન્યુ કામગીરી સંભાળી રહ્યા છે. આ ઉપરાંત, જિલ્લા તિજોરી અધિકારી સવિતાબેન ચૌધરી સમગ્ર જિલ્લાના નાણાકીય વ્યવહારો સંભાળી રહ્યા છે. જ્યારે મહિલા અને બાળ વિકાસ અધિકારી હીનાબેન ચૌધરી નારી ઉત્કર્ષ માટે અને ICDS પ્રોગ્રામ ઓફિસર ક્રિશ્નાબેન પટેલ બાળકોના પોષણ માટે સમર્પિત ભાવે કાર્યરત છે. કલા અને સંસ્કૃતિ, સરકારી યોજનાઓને પ્રચાર –પ્રચારના માધ્યમ દ્વારા જન જન સુધી પહોચાડવાનું કાર્ય સહાયક માહિતી નિયામક કુ. માર્ગી રાજપુત કરી રહ્યા છે. તો પોલીસ ઇન્સ્પેક્ટર કે. ડી. કેવડિયા જિલ્લામાં કાયદો, સુરક્ષા અને શાંતિ જાળવવાની જવાબદારી નિભાવી રહ્યા છે. ડુંગરવાટ સરપંચ ડૉ બીના રાઠવા ગ્રામ્યકક્ષાએ માળખાકીય સુવિધાઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સતત કાર્યશીલ છે. આમ, છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ સ્તરે કાર્યરત આ મહિલા પદાધિકારીઓ અને અધિકારીઓ પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ દ્વારા ‘નારી શક્તિ’નો સાક્ષાત્કાર કરાવી રહ્યા છે. તેમ સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂતે જણાવ્યું હતું.
આજે વિશ્વ મહિલા દિવસ છે, અમે એવી મહિલાઓની વાત કરી રહ્યા છીએ, જેઓ દેત્રોજ તાલુકામાં રાજકીય ક્ષેત્રની સાથે સરકારના વિવિધ વિભાગોમાં ફરજો બજાવી પુરુષ સમોવડી બની છે. ઘરની ચાર દિવાલોમાં કેદ રહી ઘર કામ કરી ઘરમાં જીવન વ્યતિત પરંપરાને દેત્રોજ તાલુકાની મહિલાઓએ તોડી છે. મહિલા અનામતનો લાભ લઈને નોકરી રાજકીય ક્ષેત્રની સાથે શિક્ષણ અભ્યાસ અને વ્યાપારમાં પણ પુરુષ સમોવડી બની છે. દેત્રોજ તાલુકાની 47થી વધુ ગ્રામ પંચાયતો પૈકી 14 ગ્રામ પંચાયતોમાં મહિલાઓ સરપંચ તરીકેની જવાબદારી સંભાળી રહી છે. દેત્રોજ તાલુકા પંચાયતની કુકવાવ બેઠક પરથી ચૂંટાયેલા મહિલા મંજુબા જેઠુભા સોલંકી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અને દેત્રોજ-2 બેઠક પર અપક્ષ તરીકે મનીષાબેન પિયુષભાઈ પટેલ, ઉપરાંત તાલુકા પંચાયતની અશોકનગર દિલીપભાઈ ચૌહાણ, દેત્રોજ-1 મંજુલાબેન શૈલેષભાઈ ડોડીયા, રામપુરા- હિરલબેન કનુભાઈ ઠાકોર, અબાસણા- રમીલાબા પ્રવિણસિંહ સોલંકી, બામરોલી- જ્યોત્સનાબેન ભરતભાઈ પ્રજાપતિ, ગુંજાલા- રમીલાબા વનરાજસિંહ અને સુંવાળા- અંજનાબેન જગદીશભાઈ પટેલ દેત્રોજ તાલુકા પંચાયતમાં મહિલાઓનું શાસન છે. તેમજ જિલ્લા પંચાયતની સુંવાળા- બેઠક પર લીલાબા કિરીટસિંહ સોલંકી જિલ્લા પંચાયત સદસ્ય તરીકેનું પદ શોભાવી રહ્યા છે. આ ઉપરાંત દેત્રોજ તાલુકામાં વિવિધ સરકારી વિભાગોમાં 8 મહિલા તલાટી ક્રમ મંત્રી, ગ્રામ સેવક, પોલીસ સહિત સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રામપુરા ગ્રામ પંચાયતના વર્તમાન મહિલા સરપંચ કાંતાબેન કુંવરજી ઠાકોર બે ટર્મ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયા છે. અને હાલમાં તેમના પુત્રવધુ હિરલબેન કનુભાઈ ઠાકોર દેત્રોજ તાલુકા પંચાયતની રામપુરા બેઠક પર તાલુકા પંચાયત સદસ્ય નું પદ શોભાવી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટાયેલી મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. વર્તમાન સમયમાં ગામડાઓની આ સ્થિતિ છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં દીકરીઓએ શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.આજના વિશ્વ મહિલા દિવસ ના રોજ માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ સમગ્ર દેત્રોજ તાલુકા માટે ગૌરવની બાબત છે. તમામ મહિલાઓને અભિનંદન.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કેટલીક મહિલાઓ પોતાના સંકલ્પ, હિંમત અને મહેનતથી સમાજ માટે પ્રેરણારૂપ બની છે. રાજ્ય પરિવહન સેવાના ગોધરા વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતા કુલ 988 કંડક્ટરોમાં અનેક પડકારો વચ્ચે પુરૂષ સમોવડી બની 167 મહિલાઓ કંડક્ટર હાથમાં ટિકિટ મશીન લઈ પોતાની જવાબદારી નિભાવી રહી છે. કંડકટરની નોકરી સામાન્ય રીતે કઠિન માને છે. જેમા વહેલી સવારથી મોડી રાત સુધી લાંબા રૂટ પર મુસાફરી, ગામડાના કાચા રસ્તા હોય કે હાઈવેની ગતિ, બસમાં ભીડભાડ વચ્ચે મુસાફરોને ટિકિટ આપવી, નિયમોનું પાલન કરાવવું અને મુસાફરો સાથે સંવાદ જાળવવો જેવી અનેક જવાબદારીઓ હોય છે. છતાં ગોધરા વિભાગની મહિલા કંડક્ટરો આત્મવિશ્વાસ સાથે આ તમામ ફરજો નિભાવે છે. મહિલાઓ માટે નોકરી માત્ર રોજગાર નથી, પરંતુ આત્મનિર્ભર બનવાનો માર્ગ પણ છે. તેઓ પોતાના પરિવારની જવાબદારી સંભાળતા સંભાળતા ફરજ નિભાવી રહી છે, જે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા બની રહી છે. જેથી મહિલાઓની મહેનત અને હિંમતને સલામ કરી રહી છે. ગોધરા એસટી વિભાગની મહિલા કંડકટરો સાબિત કરી રહી છે કે સંકલ્પ અને આત્મવિશ્વાસ હોય તો પડકારનો સામનો કરી સફળતા મેળવી નારી સશક્તિકરણનુ ઉદાહરણ પૂરું પાડે છે. અમારી કામગીરીને સૌએ સ્વીકારી લીધી છે શરૂઆતમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોને મહિલાને કંડક્ટરની ફરજ બજાવવી જોઇ નવાઈ લાગતી હતી. પરંતુ સમય જતાં અમારી કામગીરીને સૌએ સ્વીકારી લીધી છે. આજે મુસાફરો પણ અમારી કાર્યશૈલી અને શિસ્તની પ્રશંસા કરે છે. - સુરેખા પટેલ, મહિલા કંડક્ટર, ગોધરા ડેપો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ગોધરા વિભાગના વિભાગીય નિયામક દ્વારા મુસાફરોની સુરક્ષા અને વહીવટી શિસ્ત જાળવવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. લુણાવાડા ડેપોમાં જોવા મળેલી ગંભીર યાંત્રિક અનિયમિતતાઓ અને ફરજમાં નિષ્કાળજી બદલ વિભાગીય નિયામકના આદેશ મુજબ ઉચ્ચ કચેરીની સૂચનાઓનો અનાદર અને નબળા સુપરવિઝનને કારણે ડેપો મેનેજર જે. એન. ગણાવાને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેમા ડેપો મેનેજર દ્વારા ગત 5મી ફેબ્રુઆરી 2026ના રોજ વાહનોની ચકાસણી અંગેનું સંતોષકારક પ્રમાણપત્ર વિભાગીય કચેરીને સુપરત કરવામાં આવ્યું હતું. જોકે વિભાગીય યાંત્રિક ઈજનેર દ્વારા કરાયેલી ઓચિંતી તપાસમાં 10 જેટલી બસોમાં ગંભીર યાંત્રિક ખામીઓ અને અનિયમિતતાઓ ઝડપાઈ હતી. જેથી સ્પષ્ટ થયું હતું કે ડેપો મેનેજર દ્વારા રજૂ કરાયેલું પ્રમાણપત્ર વાસ્તવિકતાથી વિપરીત અને ગેરમાર્ગે દોરનારું હતું. 24મી ફેબ્રુઆરીના રોજ લુણાવાડા ડેપોની બસનો દરવાજો ચાલુ બસે ખુલી જતાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. જે ઘટના બાદની તપાસમાં બહાર આવ્યું હતું કે બસના દરવાજાની મેઈન લોક કવર પ્લેટ તૂટેલી અને સેફ્ટી લોક પણ બંધ હાલતમાં હતું. ડેપો મેનેજરના સસ્પેન્શનના ગાળા દરમિયાન તેમનું હેડ ક્વાર્ટર હાલોલ ડેપો ખાતે રહેશેનુ જણાવવામાં આવ્યું છે.
મહિલા દિવસ:મહીસાગરના 4 પોલીસ મથકોના વિસ્તારની સુરક્ષા મહિલાઓના શિરે
સમગ્ર વિશ્વ 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે મહિસાગર જિલ્લો મહિલા સશક્તિકરણનું એક એવું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.. જિલ્લાના કુલ 6 તાલુકાઓ પૈકી 4 મહત્વના તાલુકાઓમાં લુણાવાડા, બાલાસિનોર, કોઠંબા અને કડાણા(ડીટવાસ) વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી મહિલા પોલીસ અધિકારીઓ નિભાવી રહ્યા છે. આંતરરાજ્ય સરહદ ધરાવતા ડીટવાસ ભૌગોલિક રીતે મોટા એવા લુણાવાડા જેવા વિસ્તારોમાં મહિલા અધિકારીઓની નિમણૂક પ્રશાસનનો તેમના પરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. આ મહિલા અધિકારીઓએ પોતાની કાર્યશૈલીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાવ્યો છે. જિલ્લાના 60% થી વધુ તાલુકાઓમાં કાયદાનું પાલન કરાવવાની જવાબદારી મહિલાઓના શિરે છે. ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ગુના ઉકેલ્યાલુણાવાડા મહિલા પોલીસ સ્ટેશનમાં 2021થી ફરજ બજાવતા ધેનુબેન. કે. ઠાકર પોતાની આગવી કાર્યશૈલી માટે જાણીતા છે. તેમણે ઘરફોડી જેવા જટિલ ગુનાઓને માત્ર હ્યુમન સોર્સ જ નહીં, પરંતુ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઉકેલી બતાવ્યા છે. તેમની આ સફળતા બદલ તેમને વિશેષ સન્માન પણ આપવામાં આવ્યું છે. બાહોશ અધિકારી તરીકે ઉભરી આવ્યા2010 થી પોલીસ વિભાગમાં જોડાયેલા જેતિ એન. સોલંકી હાલ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. ગાંધીનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ મેળવ્યા બાદ, છેલ્લા બે વર્ષથી તેઓ મહીસાગર જિલ્લામાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. એક સખ્ત અને નિડર અધિકારી તરીકે તેમની ગણના થાય છે. આદિવાસી સમાજનું ગૌરવકોઠંબા તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિયંકા. આર. બલાત વડોદરા ગ્રામ્ય, સુરત, ગાંધીનગર જેવા શહેરોમાં અનુભવ મેળવ્યા બાદ દોઢ વર્ષથી મહીસાગરમાં કાર્યરત છે. આદિવાસી સમાજમાંથી આવતા આ મહિલા અધિકારીએ તાલુકામાં શાંતિ અને સુરક્ષા જાળવીને સમાજનું નામ રોશન કર્યું છે. દારૂબંધી પર કડક લગામ કસીકડાણા તાલુકાનો સરહદી વિસ્તાર જે દારૂની હેરાફેરી માટે સંવેદનશીલ માનવામાં આવે છે, ત્યાં વૈશાલી. એ. ચૌધરીએ શાનદાર કામગીરી કરી છે. એક વર્ષ અગાઉ જિલ્લામાં આવેલા ચૌધરીએ દારૂના નેટવર્કને તોડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. જિલ્લામાં સૌથી વધુ પ્રોહિબિશનના ગુનાઓ પકડવા બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
વાહનચાલકોને ભારે મુશ્કેલી:ખેડા શહેરમાં સાંકડા બજારમાં ગાયોના આંટાફેરાથી ચાલકો- રાહદારીઓ મુશ્કેલીમાં
ખેડા શહેરના પોળોમાં-બજારમાં અને હાઈવે ચોકડી પર કેટલાક ઘણા સમયથી ગાયો મોટા પ્રમાણ માં ફરી રહી છે નગરપાલિકા માત્ર વર્ષમાં એક બે વાર ગાયોને પાંજરે પૂરી પોતાની કામગીરી માંથી છટકબારી કરતું હોય તેવું લાગી રહ્યું છે. કેટલીક વાર રાતના સમયે ગાયોનું મોટું ટોળું રોડ ઉપર આવી જવાથી ભારે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે દિવસે ખેડા બજારમાં ખુલ્લેઆમ ગાયો ચોકમાં બેઠેલી તેમજ બજારમાં ફરતી જોવા મળી રહી છે. એક બાજુ ખેડાનું બજાર સાંકડું બજાર ગણાય છે તેમાં પણ આ ગાયો બજારમાં ફરતી હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલી ઉભી થઈ રહી છે. કોઈ ગાય કોઈ વાહન ચાલકને કે નાગરિક ને અડફેટ લેતા જવાબદારી કોની, રખડતી ગાયો દિવસ દરમિયાન બજારમાં પડી રહેલા પ્લાસ્ટિકની કોથળીઓ અને ઝભલા ખાઈ ગંદકી કરી રહી હોવાના નાગરિકોના આક્ષેપ છે. પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આવી રખડતી ગાયોને પકડીને પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે. ખેડા શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્ર માલીએ જણાવ્યું હતું કે ખુલ્લે આમ ફરતી ગાયો કોઈ વાહન ચાલક અને રાહદારીઓને શિંગડે ભરાવી જાય તો જવાબદારી કોની,અગાઉ ખેડા શહેરમાં ફરતી કેટલી ગાયોએ લોકોના ભોગ પણ લીધો છે.ખેડા શહેરમાં લોકો આજુબાજુના ગામો માંથી મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. જેથી અકસ્માતની સંભાવના રહે છે.
મોડાસા પંથકની હોટલોમાં એસઓજીની તપાસ:બે હોટલમાં CCTV ન લગાવતાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
મોડાસામાં સીસીટીવી કેમેરા ન લગાવી જાહેરનામાનો ભંગ કરનાર પેલેટ ચોકડી પાસે આવેલ ક્રિષ્ના ચુલા ઢોસા હોટલના માલિક અને અન્ય એક બીએન ચોપાટી ચુલા ઢોસા હોટલના માલિકની એસઓજીએ અટકાયત કરી બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મોડાસાથી મેઘરજ રોડ પર પેલેટ ચોકડી નજીક ક્રિષ્ના ચુલા ઢોંસા હોટલમાં એસઓજીએ સીસીટીવી.બાબતે ચેક કરતાં હોટલના માલિકે પોતાની હોટલમાં નક્કી કરેલ ગુણવત્તાવાળા સીસીટીવી કેમેરા ન લગાડી જાહેરનામાનો ભંગ કરેલ હોવાનું બહાર આવતાં હોટલ માલિક કાલુરામ રોશનલાલ બુનકર મૂળ રહે.જુનદા તા.રેલમંગળા જિ.રાજસમંદ રાજસ્થાન હાલ રહે. શાસ્ત્રી મેદાનની સામે માલપુર રોડ મોડાસા સામે રૂરલ પોલીસમાં ગુનો નોંધ્યો હતો. બીજા કિસ્સામાં એસઓજીએ મોડાસાથી ધનસુરા રોડ પર સહયોગ ચોકડી નજીક ખલીકપુરની સીમમાં રોડ બાજુમાં શ્યામ આઇકોન કોમ્પ્લેક્ષમાં બી.એન.ચોપાટી ચુલા ઢોંસા હોટલમાં ગુણવત્તાવાળા સીસીટીવી કેમેરા નહીં લગાડી જાહેરનામાનો ભંગ કરેલ હોય હોટલ માલિક શંકરલાલ બદ્રીલાલ જાટ મૂળ રહે.જોધપુરા પોસ્ટ પીયાવરી જિ.રાજસમંદ હાલ રહે. બાલાજી કોમ્પ્લેક્સ કલ્યાણ ચોકની સામે ગુનો નોંધાયો હતો.
સૌરાષ્ટ્ર વિસ્તારની દરિયાઈ પટ્ટીમાં આવેલ છેવાડાના તાલુકો ઉનાનું આમોદ્રા ગામ આમ તો વર્ષોથી શિક્ષિત અને સમૃદ્ધ ગામની આગવી છાપ ધરાવે છે. આ ગામના અનેક ભાઈ બહેનો સરકારી અને સહકારી વિભાગોમાં સામાન્યથી લઈને ઉચ્ચ હોદ્દાઓ ઉપર અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું કર્તવ્ય બજાવી રહેલ છે. ત્યારે આજે વિશ્વ નારી દિન નિમિત્તે આપણે ગામની એવી ત્રણ વીરાંગનાઓ સમાન સન્માનનીય સન્નારીઓને યાદકરી તેણીઓનાં સંનિષ્ઠ કર્તવ્ય પાલન ને બિરદાવવામાં આવી રહી છે. આમોદ્રા ગામની આ સંનારીઓ પણ વિવિધ કક્ષાએ સન્માન પામેલ છે એ મુજબ આમોદ્રા ગામનાં એક સામાન્ય દશનામ ગોસ્વામી પરિવાર ની દીકરી ક્રિષ્ના બેન.એન.ગોસ્વામી તાજેતરમાં તામિલનાડુના આરાકોલન ખાતે 11માસની ટ્રેનિંગ પૂર્ણકરી 'પ્રિ. કમાન્ડો' તરીકે દિલ્હી ઈન્દિરાગાંધી મ્યુઝિયમ માં પોસ્ટીંગ મેળવી વતન આવતા સમસ્ત આમોદ્રાગામ અને તેમનાં પરિવારજનો તેમજ સમાજનાં આગેવાનો દ્વારા એક જાહેર કાર્યક્રમમાં વિવિધ મોમેન્ટો,પુષ્પહાર, અને ભારતમાતા નાં જયઘોષ સાથે ઉષ્મા ભર્યું સન્માન કર્યું હતું. આવીજ રીતે ગામના કારડીયા રાજપૂત સમાજ ની એક પુત્ર વધુ વર્ષા બેન .વી.સોલંકી(ડોડીયા) કે જેઓ BSFમાં પંજાબ(ખડકા)ખાતે ટ્રેનીંગ પૂર્ણકરી 2012 થીકોન્સટેબલ તરીકે જોડાઈને બાડમેર(રાજ.),મહેસાણા ,સહિત દેશમાં વિવિધ જગ્યાએ સેવા બજાવી હાલ પોંકરન (રાજ) ખાતે ફર્સ્ટબટાલિયન માં ફરજ બજાવી રહેલ છે, તેણી નું સન્માન પણ 2018માં આમોદ્રા ગામ સમસ્ત દ્વારા યોજાયેલ સૌ પ્રથમ સૈનિક સમારોહ દરમ્યાન નાગાલેન્ડ સ્પે.ફોર્સ લેફ્ટ. કર્નલ કિર્તીચક્ર વિજેતા અજીતસિંહ ઝાલા નાં હસ્તે સિલ્વર મેડલ ,પ્રશસ્તિ પત્ર અર્પણ કરી કરવામાં આવેલ. આવીજ રીતે ગામની કારડીયા રાજપૂત સમાજ ની એક દીકરી મનીષા બેન ભીમસિંહ સોલંકીએ 2020 માં પોલીસ ટ્રેનીંગ પૂર્ણકરી તાપી,અમદાવાદ,સહિત સ્થળોએ ફરજ બજાવી હાલ સાયબર ક્રાઈમ વિભાગમાં આણંદ ખાતે ફરજ બજાવે છે. જ્યાં તેણી એ ફરજ દરમ્યાન વર્ષ 2025માં સાયબરપોલીસ સ્ટે.માં 389 આસપાસ ગુમ થયેલા કે ચોરાએલ મોબાઇલ પરત લાવી આપવાની ઉત્કૃષ્ટ કામગીરી અન્ય સાથીદારો સાથે બજાવીપોલિસ સન્માનપ્રાપ્ત કરેલ હોવાનું તેમજ સાયબર ક્રાઇમના ગુનેગારો વિરુદ્ધ ટ્રાન્ઝેક્શન ની વિગતો મેળવી માહીતી નાં આધારે 2 ગુના નાં 7 આરોપીઓ ની અલગ અલગ વિસ્તાર માં થી ધરપકડ કરી NCCRP પોર્ટલની ગુજરાત ની 62 ફરિયાદોતેમજ ભારતભરના અલગ અલગ રાજ્યોની 65 ફરિયાદો નોંધી રૂ.11,80,000 નો મુદ્દામાલ રિકવર કરવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવાબદલ ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક એલ.એન.રાવ નાં હસ્તે 'સાયબર કોપ'એવોર્ડથી સમગ્ર ટીમ અને મનીષા સોલંકી ગાંધીનગર મા સન્માન પામેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ (SCADL) મારફતે કોમ્પ્રેહેન્સીવ કમ્પ્લેઈન્ટ રિડ્રેસલ સિસ્ટમ 2.0 (CCRS 2.0) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. AMC દ્વારા નાગરિકોની ઓનલાઈન અલગ અલગ માધ્યમોથી ફરિયાદ લેવામાં આવે છે જેમાં વોટ્સએપ, ટ્વીટર, SMS અને ફોનના માધ્યમથી ફરિયાદ નોંધાવી શકાય છે. અત્યાધુનિક ટેકનોલોજી સાથે નાગરિકોની ઓનલાઈન ફરિયાદના તમામ માધ્યમોને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો છે. AI અને એનાલિટિક્સ દ્વારા સમસ્યાઓનો ઝડપી ઉકેલ, રિયલ-ટાઈમ કામગીરીની પારદર્શિતા, મલ્ટી-ચેનલ ફરિયાદોનું રજિસ્ટ્રેશન, નાગરિકોની સેવા ઝડપી નિરાકરણ મળે તેના માટે કરવામાં આવશે. AI કોલ રિસિવ કરી સમગ્ર મામલે કન્વર્ઝેશન બાદ ફરિયાદ નોંધશેસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદની અંદર તમામ સિટીઝનો જે 155303 ઓનલાઈન કોર્પોરેશનનો જે નંબર છે તેના પર ફરિયાદ કરતા હોય છે અને તેમની ફરિયાદોનું 24 કલાકમાં નિરાકરણ આવતું હોય છે. પરંતુ ઘણીવાર સિટીઝન દ્વારા ફરિયાદ કામ થયા વગર જ બંધ થઈ ગઈ એવી ફરિયાદ આવતા તેનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવતું હતું. જોકે, હવે 155303 નંબર પર ઓનલાઈન ફરિયાદ કરતા AI દ્વારા તેને રિસિવ કરવામાં આવશે અને સમગ્ર મામલે કન્વર્ઝેશન કરી તેની ફરિયાદ નોંધવામાં આવશે. નાગરિકોની જે પણ ફરિયાદ હોય જેમ કે, વોટર, ડ્રેનેજ કે પછી લાઈટ રિલેટેડ અથવા અધર કોઈ ફરિયાદ હોય તેનો પહેલાનો ફોટો અને પછીનો ફોટો AI વર્ઝન દ્વારા અપડેટ કરવામાં આવશે. આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દેશની સૌપ્રથમ AI બેસ કમ્પ્લેન આધારીત ટેકનોલોજીનો ઉપયોગ કરી નગરજનોના પ્રશ્નોનું નિરાકણ લાવનાર મહાનગરપાલિકા બનશે. વોટ્સએપ, SMS, ઈમેલ સહિતના માધ્યમો ફરિયાદ નોંધણીએડવાન્સ IVR સિસ્ટમનો ઉપયોગ (25 ચેનલ કે જેનું રેકોર્ડિગ અને 50 ચેનલ સુધી વિસ્તરણની ક્ષમતા), વોટ્સએપ ચેટબોટ, મોબાઈલ એપ્લિકેશન, વેબ પોર્ટલ, સોશિયલ મીડિયા ઈન્ટીગ્રેશન, SMS, ઈમેલ, વોર્ડ ઓફિસ વોક-ઈન સહિતના માધ્યમો ફરિયાદ નોંધણી માટે ઉપલબ્ધ રહેશે. આ તમામ માધ્યમોથી મળતી માહિતી એનાલિસ્ટિક ડેશબોર્ડ, GIS Maps, AI ચેટબોટ અને મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ (MIS) સિસ્ટમમાં પહોંચશે. આ સાધનો દ્વારા ફરિયાદ નિવારણ, ઓટોમેટેડ એસ્કેલેશન, SLA ટ્રેકિંગ અને નાગરિક પ્રતિસાદ વ્યવસ્થા શક્ય બનશે. આ પ્રોજેક્ટ હેઠળ 5 વર્ષ સુધી ઓપરેશન્સ એન્ડ મેઈન્ટેનન્સ, 24x7 કોલ સેન્ટર સેવા, ટેકનિકલ સ્ટાફ અને સતત તાલીમ પણ આપવામાં આવશે. CCRS 2.0 ડિજિટલ પાયા પર આધારીત એક નવી સિસ્ટમશહેરમાં પહેલાથી જ ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS), સિટી સર્વેલન્સ સિસ્ટમ, ઈ-ચલણ સિસ્ટમ, સ્માર્ટ આંગણવાડી, સ્માર્ટ પબ્લિક ટોઈલેટ્સ, ઈન્ટીગ્રેટેડ સિટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર જેવી અનેક મહત્વપૂર્ણ સ્માર્ટ સિટી પહેલ અમલમાં છે. CCRS 2.0 આ ડિજિટલ પાયા પર આધારીત એક નવી પેઢીની સિસ્ટમ છે જે AMCની વિવિધ સ્માર્ટ એપ્લિકેશન્સ અને ઓપરેશનલ ડેશબોર્ડ સાથે સંકલિત થઈને વધુ સારી રીતે કામગીરી કરશે. ફરિયાદોને વિશિષ્ટ પ્રતીકો અને રંગોનો ઉપયોગથી GIS નકશા પર પ્લોટ કરાશેપ્રોજેક્ટ અંતર્ગત એનાલિટિક્સ ડેશબોર્ડ રીઅલ-ટાઇમ ફરિયાદ ટ્રેકિંગ, ઝોન/વોર્ડ/સમાજ-મુજબ વિશ્લેષણ, ગરમીના નકશા, પેટર્ન ઓળખ અને આગાહી દ્વારા સુરક્ષિત અને સંપૂર્ણપણે ડેટા-આધારિત શાસન માળખું પૂરું પાડે છે. ફરિયાદોને શ્રેણી-વિશિષ્ટ પ્રતીકો અને રંગોનો ઉપયોગ કરીને GIS નકશા પર પ્લોટ કરવામાં આવશે, જેમાં સહસંબંધ વિશ્લેષણ માટે માળખાગત સ્તરો (પાણીની પાઇપલાઇન્સ, ડ્રેનેજ નેટવર્ક્સ, રસ્તાઓ) ઓવરલે કરવામાં આવશે. ડેશબોર્ડ પુનરાવર્તિત અથવા લાંબા સમયથી પડતર સમસ્યાઓ માટે વીકલી રિપોર્ટ્સ, મેનેજમેન્ટ રિપોર્ટ્સ અને ઓટોમેટેડ એલર્ટ જનરેટ કરશે. સ્ટ્રોન્ગ બેકેન્ડ એનાલિટિક્સ અને AI/ML કેપેબિલિટીસ સાથે ડેશબોર્ડ અને GIS ઇન્ટેલિજન્સ સાથે મળીને કાર્યક્ષમ, પારદર્શક અને નાગરિકમૈત્રી શહેરી સેવાઓ માટે એકીકૃત શાસન વ્યવસ્થાનો મજબૂત આધાર ઉભો કરે છે. CCRS 2.0ના મુખ્ય ઘટકો કમ્પલેઈન્ટ રિડ્રેસલ મેનેજમેન્ટ સિસ્ટમફરિયાદના નોંધણીથી લઈને તેના નિરાકરણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયાનું સંચાલન ઓટોમેટેડ રૂટિંગ, SLA ટ્રેકિંગ, એસ્કેલેશન મિકેનિઝમ અને નાગરિક પ્રતિસાદની સુવિધા સાથે. મોબાઈલ એપ અને વેબ પોર્ટલAndroid, iOS તેમજ તમામ વેબ બ્રાઉઝર પર ફરિયાદ નોંધણી, ટ્રેકિંગ, ફોટો/વીડિયો અપલોડ અને રિયલ-ટાઈમ સ્ટેટસ અપડેટ જેવી સુવિધાઓ દ્વારા નાગરિકોને સરળ અને સુગમ સેવા અનુભવ મળશે. IVR સિસ્ટમ25-ચેનલ ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ કોલ રેકોર્ડિંગ, વોઇસ રિકગ્નિશન, બહુભાષી સપોર્ટ અને સ્માર્ટ કોલ રૂટિંગ જેવી સુવિધાઓ સાથે કાર્ય કરશે, જે AMC હેલ્પલાઇન 155303 સાથે સંકલિત રહેશે. વોટ્સએપ ચેટબોટદરરોજ અંદાજે 6,000 થી 8,000 પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ આ ચેટબોટ CCRS FAQs, ઇ-ગવર્નન્સ સેવાઓ (પ્રોપર્ટી ટેક્સ, જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, ફાયર NOC, પાણી ચાર્જિસ વગેરે) તેમજ નાગરિક ફરિયાદ નોંધણી સાથે સંકલિત રહેશે. AI આધારિત ચેટબોટNLU આધારિત, વોઇસ સક્ષમ અને 24x7 કાર્યરત ચેટબોટ AMC દ્વારા માન્ય સ્ત્રોતોમાંથી માહિતી મેળવી બુદ્ધિશાળી જવાબ આપશે, જેથી દિવસ કે રાત કોઈપણ સમયે કોલ સેન્ટર પર નિર્ભર રહ્યા વગર નાગરિકોને સહાય પ્રાપ્ત થશે. વોઈસ રેકગ્નિશનAI આધારિત ચેટબોટ વોઇસ ઇનપુટને સપોર્ટ કરશે, જેથી નાગરિકો લખાણ ઉપરાંત બોલીને પણ (ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં) સિસ્ટમ સાથે સંવાદ કરી શકશે, જેના કારણે તમામ વર્ગના નાગરિકો માટે સિસ્ટમ વધુ સુલભ બનશે. એનાલિટિક્સ ડેશબોર્ડરિયલ-ટાઈમ ડેશબોર્ડ, ડ્રિલ-ડાઉન ક્ષમતાઓ, MIS રિપોર્ટ, વોર્ડ/ઝોન/સોસાયટી આધારિત વિશ્લેષણ તેમજ ઓટોમેટેડ એલર્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. GIS/મેપ પ્લોટીંગફરિયાદોને GIS નકશા પર દર્શાવી હીટ મેપ, સ્થાનીક પેટર્ન ઓળખ, પખવાડિયા મુજબ પ્રેડિક્ટિવ ફોરકાસ્ટિંગ તેમજ ઋતુ આધારિત ટ્રેન્ડ વિશ્લેષણ શક્ય બનશે. પ્રિડિક્ટીવ ફોરકાસ્ટિંગAI/ML ટેક્નોલોજી દ્વારા ઝોન અને વોર્ડ આધારિત ઐતિહાસિક ફરિયાદ ડેટાના આધારે પખવાડિયે સમસ્યાઓનું પૂર્વ અનુમાન તૈયાર કરવામાં આવશે અને તેને GIS નકશા પર દર્શાવવામાં આવશે. ઋતુ આધારિત ટ્રેન્ડ વિશ્લેષણ દ્વારા વારંવાર આવતી સમસ્યાઓનું આગોતરું અનુમાન શક્ય બનશે. જેમ કે અગાઉના ચોમાસાના ડેટાના આધારે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ડ્રેનેજ સંબંધિત ફરિયાદોની સંભાવના. CCRS 2.0 AI આધારિત નાગરિક ફરિયાદ નિવારણ સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ AI આધારિત વોઇસ ફરિયાદ નોંધણી સુવિધાનાગરિકો હવે Conversational AI Voice Agent દ્વારા સીધા વોઇસ કોલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે, જેના કારણે કોલ વેઇટિંગ સમય ઘટશે અને ઝડપી નોંધણી શક્ય બનશે. ફરિયાદ નિરાકરણના ફોટો/વિડિયોની સ્માર્ટ ચકાસણીમેદાનમાં કાર્યરત અધિકારીઓ દ્વારા અપલોડ કરાયેલા ફોટો અથવા વિડિયોનું AI દ્વારા સ્વચાલિત ચકાસણી કરવામાં આવશે. જેથી ખાતરી થાય કે ફરિયાદનો યોગ્ય રીતે નિકાલ થયો છે. ફરિયાદ માટે યોગ્ય વિભાગની સ્વચાલિત ઓળખફરિયાદના વર્ણનના આધારે સિસ્ટમ આપમેળે સંબંધિત વિભાગ અને ફરિયાદનો પ્રકાર ઓળખીને યોગ્ય વિભાગને ફરિયાદ ફોરવર્ડ કરશે. ડુપ્લિકેટ ફરિયાદ શોધવાની વ્યવસ્થાએક જ મુદ્દા પર પહેલાથી નોંધાયેલી ફરિયાદ હોય તો સિસ્ટમ નાગરિકને તેની માહિતી અને રેફરન્સ નંબર આપશે જેથી ડુપ્લિકેટ ફરિયાદ નોંધાવવાનું ટાળવામાં આવશે. સમાન પ્રકારની ફરિયાદોને એકસાથે બંડલ કરવાની સુવિધાએક જ વિસ્તાર અથવા સમાન પ્રકારની અનેક ફરિયાદોને સિસ્ટમ દ્વારા એકસાથે ગ્રુપ કરીને ફિલ્ડ ટીમ દ્વારા ઝડપી અને સંકલિત કામગીરી શક્ય બનશે. વોઇસ આધારિત IVRS સિસ્ટમહવે નાગરિકો IVRSમાં નંબર દબાવવાના બદલે પોતાની અવાજ દ્વારા સેવા પસંદ કરી શકે છે અથવા ફરિયાદ નોંધાવી શકે છે. OCR આધારિત માહિતી કૅપ્ચર સિસ્ટમઅપલોડ કરાયેલા દસ્તાવેજો અથવા ફોટોમાંથી જરૂરી માહિતી OCR ટેકનોલોજી દ્વારા આપમેળે મેળવી સિસ્ટમમાં નોંધાશે. સ્માર્ટ સિટી સિસ્ટમ સાથે ઈન્ટિગ્રેશનCCRS 2.0ને સ્માર્ટ સિટી કમાન્ડ અને કન્ટ્રોલ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યું છે, જેથી સિસ્ટમ એલર્ટ મળતાં જ આપમેળે ફરિયાદ નોંધાઈ શકે અને પ્રોએક્ટિવ કામગીરી થઈ શકે. સંવેદનશીલ વિસ્તારો માટે પ્રાથમિકતા આધારિત કાર્યવાહીસંવેદનશીલ વિસ્તારો, વધુ ભીડવાળા સ્થળો અથવા મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન નોંધાયેલી ફરિયાદોને ઝડપી નિરાકરણ માટે પ્રાથમિકતા આપવામાં આવશે. AI આધારિત નાગરિક પ્રતિસાદ વિશ્લેષણનાગરિકોના વોઇસ ફીડબેકનું સેન્ટીમેન્ટ એનાલિસિસ દ્વારા વિશ્લેષણ કરીને સંતોષનો સ્કોર આપમેળે નક્કી કરવામાં આવશે. નાગરિક દ્વારા અપલોડ કરેલા ફોટોમાંથી બહુવિધ સમસ્યાઓની ઓળખનાગરિક દ્વારા અપલોડ કરાયેલા ફોટોનું AI દ્વારા વિશ્લેષણ કરીને જો એકથી વધુ નાગરિક સમસ્યાઓ જોવા મળે તો સંબંધિત તમામ વિભાગોને ફરિયાદ મોકલવામાં આવશે. ફરિયાદ ફરીથી ખોલવા માટે નિયંત્રિત વ્યવસ્થાફરિયાદ ફરીથી ખોલવાની પ્રક્રિયા AI દ્વારા અપલોડ કરાયેલા ફોટોના આધારે ચકાસણી કરીને કરવામાં આવશે. જેથી માત્ર વાસ્તવિક બાકી રહેલી સમસ્યાઓ માટે જ ફરિયાદ ફરીથી ખોલી શકાય. અમદાવાદના નાગરિકોને થતા લાભ
'રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી...', વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર
PM Modi On President Murmu West Bengal Visit : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ શનિવારે(7 માર્ચ, 2026) આદિવાસી સમુદાય માટેના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા ન હતા. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ TMC સરકારની ટીકા કરી હતી. રાષ્ટ્રપતિના પ્રોટોકોલનો ઉલ્લેખ કરતા PMએ કહ્યું કે, 'રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી...'
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રવાસન ક્ષેત્રે એક નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. સુરતના પ્રખ્યાત ડુમસ બીચ ખાતે તૈયાર કરવામાં આવેલા 'ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' (પેકેજ-01) નું લોકાર્પણ આવતી કાલે રવિવારે, 8 માર્ચ 2026 ના રોજ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદહસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રીના બદલે હવે સી.આર. પાટીલ કરશે ઉદ્ઘાટનઅગાઉ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવનાર હતું, પરંતુ કાર્યક્રમમાં ફેરફાર થતા હવે આ જવાબદારી નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને સોંપવામાં આવી છે. રવિવારે સાંજે 4:30 કલાકે ડુમસ દરિયા ગણેશ મંદિર પાસે આ જાહેર સમારંભ યોજાશે. 920 કરોડના વિકાસકાર્યોનો ધમધમાટઆ કાર્યક્રમમાં માત્ર ડુમસ સી-ફેસ જ નહીં, પરંતુ સમગ્ર સુરત શહેર માટે કરોડો રૂપિયાના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવશે જેમાં અંદાજિત 673.12 કરોડના ખર્ચે સાકારિત વિવિધ ઝોન વિસ્તારના પ્રોજેક્ટ્સ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. અને અંદાજિત 247.80 કરોડના ખર્ચે આગામી સમયમાં તૈયાર થનારા નવા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવામાં આવશે. ડુમસ સી-ફેસની ખાસિયતોડુમસ બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પર્યટન સ્થળ બનાવવાના હેતુથી આ સી-ફેસ તૈયાર કરાયો છે. જેમાં વોક-વે, બેઠક વ્યવસ્થા, સુંદર લેન્ડસ્કેપિંગ અને પ્રવાસીઓ માટેની આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટથી સુરતના પ્રવાસનને મોટો વેગ મળશે અને સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે.
સુરત શહેર હંમેશા નવીન પ્રયોગો અને નાગરિક ભાગીદારી માટે જાણીતું રહ્યું છે. 'સ્વચ્છ સર્વેક્ષણ'માં રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડનાર સુરત મહાનગરપાલિકાએ હવે સ્વચ્છતાના અભિયાનને ડિજિટલ ક્રાંતિ સાથે જોડવાનું મક્કમ ડગલું માંડ્યું છે. સુરત મહાનગરપાલિકા અને સ્વચ્છ ભારત મિશન અર્બન, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આજે શહેરના સાયન્સ સેન્ટર ખાતે “Swachhata workshop for creators – Swachhata prahari Meet – creators of a Swachh Gujarat” શીર્ષક હેઠળ એક ઐતિહાસિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ફ્લુએન્સર્સ, યુથ લીડર્સ અને NGO પ્રતિનિધિઓને એક મંચ પર એકત્રિત કર્યાઆજના સમયમાં સોશિયલ મીડિયા એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સમાજમાં પરિવર્તન લાવવાનું એક શક્તિશાળી હથિયાર છે. આ જ વિચારધારાને અમલમાં મૂકતા સુરત મહાનગરપાલિકાએ શહેરના 250 થી વધુ કન્ટેન્ટ ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ, યુથ લીડર્સ અને NGO પ્રતિનિધિઓને એક મંચ પર એકત્રિત કર્યા હતા. આ 'સ્વચ્છતા પ્રહરીઓ' પોતાની સર્જનાત્મક રીલ્સ અને પોસ્ટ્સ દ્વારા લાખો ફોલોઅર્સ સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડશે. અનુપમસિંહ ગહેલોતે હાજરી આપી ક્રિએટર્સનો ઉત્સાહ વધાર્યોઆ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર ડૉ. નરેન્દ્ર પાટીલ, અને સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન (IAS) અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે હાજરી આપી ક્રિએટર્સનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા, ડે. મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ, સિટી એન્જિનિયર ધર્મેશ ભગવાગર અને આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગર પણ કાર્યક્રમમાં જોડાયા હતા. 'કચરામાંથી કંચન' બનાવવાની પ્રક્રિયાનું પ્રત્યક્ષ દર્શનવર્કશોપની શરૂઆત માત્ર ભાષણોથી નહીં, પરંતુ 'ફિલ્ડ વિઝિટ' થી કરવામાં આવી હતી. સવારે 10:00 થી 12:30 દરમિયાન ક્રિએટર્સને સુરત પાલિકાના વિવિધ અત્યાધુનિક પ્લાન્ટ્સની મુલાકાત લેવડાવવામાં આવી હતી. બાંધકામના કાટમાળનો કેવી રીતે પુનઃઉપયોગ થાય છે તેની સમજ આપવામાં આવી સાથે પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટેની ટેકનિકલ પ્રક્રિયા બતાવાઈ હતી ગંદા પાણીને શુદ્ધ કરી ઉદ્યોગો માટે વાપરવાની ક્ષમતા નિહાળી ક્રિએટર્સ આશ્ચર્યચકિત થયા હતા. ભીના કચરામાંથી ગ્રીન એનર્જી બનાવવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. તેમજ 'રીડ્યુસ, રીયુઝ, રીસાઈકલ, રીફ્યુઝ અને રીકવર' ના સિદ્ધાંત પર ચાલતા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. 'સ્ટોરી ટેલિંગ' ના માધ્યમથી ગંભીર વિષયોને સરળ બનાવી લોકો સુધી પહોંચાડી શકેઆ મુલાકાત દરમિયાન ક્રિએટર્સ દ્વારા સ્થળ પર જ લાઈવ વિડીયો અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી, જેથી લોકો જાણી શકે કે તેમનો કચરો ક્યાં જાય છે અને કેવી રીતે પ્રોસેસ થાય છે. બપોરે 1:30 વાગ્યે ટેકનિકલ સત્રની શરૂઆત થઈ. જેમાં નિષ્ણાતો દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન અને વપરાયેલા પાણીના સંચાલન પર વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા. ક્રિએટર્સને સમજાવવામાં આવ્યું કે કેવી રીતે તેઓ 'સ્ટોરી ટેલિંગ' ના માધ્યમથી ગંભીર વિષયોને સરળ બનાવી લોકો સુધી પહોંચાડી શકે છે. કન્ટેન્ટ મેકર્સ એ સમાજના નવા જમાનાના સંદેશવાહકોગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ હાજર રહી શક્યા ન હતા, પરંતુ તેમણે ડિજિટલ ક્રિએટર્સ માટે એક વિશેષ સંદેશ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આજના યુગમાં કન્ટેન્ટ મેકર્સ એ સમાજના નવા જમાનાના સંદેશવાહકો છે. તમારી સર્જનાત્મકતા અને ડિજિટલ એન્ગેજમેન્ટ સ્વચ્છતાના અભિયાનને જન આંદોલન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.” આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ 'સ્વચ્છતા રીલ્સ કોમ્પિટિશન' નું લોન્ચિંગ હતું. સુરત મહાનગરપાલિકાએ જાહેરાત કરી કે જે ક્રિએટર્સ સ્વચ્છતા વિષય પર સૌથી પ્રભાવશાળી અને સર્જનાત્મક રીલ્સ બનાવશે, તેમને પાલિકા દ્વારા રોકડ પુરસ્કાર અથવા સન્માન પત્ર આપી ફેલિસીટેટ કરવામાં આવશે. આ સ્પર્ધાનો હેતુ યુવાનોને સ્વચ્છતા સાથે જોડવાનો છે.
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં શનિવારે રાત્રે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો હતો. મુલતાની નગરમાં થયેલા આ હુમલામાં ત્રણ બાળકો અને એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સુમારે મુલતાની નગરના રહેણાંક વિસ્તારમાં રસ્તા પર રમતા બાળકો પર શ્વાન અચાનક તૂટી પડ્યો હતો. આ હુમલામાં ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. શ્વાને નજીકમાં હાજર 60 વર્ષીય સાબીનાબેન ખાનજી મુલતાનીને પણ કરડ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થાનિક રહેવાસીઓ તરત જ દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને બચાવી પ્રભાસ પાટણના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડ્યા હતા. ઈજાગ્રસ્તોના પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. વેરાવળ-સોમનાથ જોડિયા નગર વિસ્તારમાં રખડતા શ્વાનોની સમસ્યા ગંભીર બની રહી છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં અંદાજે 8000 જેટલા રખડતા કૂતરાઓ હોવાનો અંદાજ છે. નાગરિકોનો આક્ષેપ છે કે, પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાના નિવારણ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સાંજ પછી રસ્તાઓ પર કૂતરાઓના ટોળા જોવા મળતા હોવાથી ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. નિર્દોષ બાળકો પર થયેલા આ હુમલા બાદ લોકોમાં પાલિકા તંત્ર સામે આક્રોશ વધુ તીવ્ર બન્યો છે. નાગરિકોએ તાત્કાલિક કડક કાર્યવાહી કરીને રખડતા શ્વાનોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.
સુરત શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી પારસ પ્રિન્ટ પ્રા.લી. માં ગત ગુરુવારે ઈટીપી પ્લાન્ટની ઝેરી કલર-કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે. આ મામલે પાંડેસરા પોલીસે ગંભીર નોંધ લેતા કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની ઘોર બેદરકારી બદલ તેની સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. આર્થિક લાભ ખાટવા માટે મજુરોને મોતના મુખમાં ધકેલનાર કોન્ટ્રાક્ટરે સેફ્ટીના કોઈ પણ સાધનો પૂરા પાડ્યા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સેફ્ટી સાધનો વગર ટાંકીમાં ઉતારતા કાળ આંબી ગયોપાંડેસરા GIDC પ્લોટ નં. 276માં આવેલી પારસ મિલમાં ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવાનું કામ કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાને સોંપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરે વધુ નફો કમાવવાની લાલચે સસ્તા દરે મજૂરો રાખી, તેમને ઝેરી કેમિકલવાળી ટાંકીમાં ઉતાર્યા હતા. ટાંકીમાં કલર અને કેમિકલ યુક્ત વેસ્ટેજ પાણી હોવાને કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થયો હતો. ગૂંગળામણને કારણે એક પછી એક ચાર શ્રમિકો બેભાન થઈ ગયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે ચારેય જિંદગીઓ હોમાઈ ગઈ હતી. સારવાર દરમિયાન તમામ 4 શ્રમિકોના કરુણ મોતઘટનાના દિવસે જ સોનુકુમાર કમલેશ પાસવાનને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય ત્રણ શ્રમિકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. શુક્રવારે સારવાર દરમિયાન દિપ્પુકુમાર ઉર્ફે અંકિત પાસવાન અને સંદીપકુમાર પાસવાનના નવી સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર હાલતમાં રહેલા મલેન્દર પાસવાનનું પણ સારવાર દરમિયાન બાબા મેમોરિયલ હોસ્પિટલમાં મોત થતાં કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. પોલીસે તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આર્થિક લાભ માટે મજૂરોના જીવ સાથે ખિલવાડપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા સારી રીતે જાણતો હતો કે કેમિકલ ભરેલી ભૂગર્ભ ટાંકીમાં ઝેરી ગેસ હોઈ શકે છે અને તેમાં ઉતરવાથી શ્રમિકનું મોત થઈ શકે છે. તેમ છતાં, તેણે મજૂરોને કોઈ પણ પ્રકારના સુરક્ષા ઉપકરણો જેવા કે માસ્ક, ઓક્સિજન સિલિન્ડર કે સેફ્ટી બેલ્ટ આપ્યા નહોતા. માત્ર આર્થિક લાભ મેળવવાના આશયથી રાત્રિના સમયે મજૂરોને જોખમી કામમાં જોતરી દઈને ગુનાહિત બેદરકારી દાખવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સાબિત થયું છે. પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરીસમગ્ર મામલે પાંડેસરા પોલીસે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા (રહે. ડિંડોલી) તથા અન્ય જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-105 (સાપરાધ મનુષ્યવધ) અને ૧૨૫(બી) (બેદરકારીથી અન્યના જીવને જોખમમાં મૂકવો) મુજબ ગુનો નોંધ્યો છે. ઉદ્યોગોમાં શ્રમિકોની સુરક્ષાને લઈને વારંવાર થતી બેદરકારી સામે આ કડક કાર્યવાહીથી અન્ય બેદરકાર સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પોલીસ આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરી અન્ય કોની સંડોવણી છે તેની તપાસ કરી રહી છે.
સાબરકાંઠામાં ત્રણ PI ની બદલી:સાયબર અને મહિલા પોલીસ સ્ટેશનમાં કરાઈ ફેરબદલ
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે આજે જિલ્લામાં ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની બદલીના આદેશો જારી કર્યા છે. આ બદલીઓમાં સાયબર ક્રાઈમ અને મહિલા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગર લીવ રિઝર્વના PI એલ.જે. વાળાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બદલવામાં આવ્યા છે. જ્યારે PI બી.પી. ડોડિયાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી હિંમતનગર IUCAW યુનિટમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, PI એસ.એમ. લાર્સનને હિંમતનગર IUCAW યુનિટમાંથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સેકન્ડ PI તરીકે નિયુક્ત કરાયા છે.
વલસાડ જિલ્લાના વાપી GIDC ચાર રસ્તા પાસે આવેલી ફૂડઇન હોટલ નજીક થયેલી ઇંત્તીજાર ઉર્ફે સલમાનની હત્યા કેસમાં મુખ્ય આરોપી મહમદ સઈદ ઉર્ફે ઇફ્તીખાર શેખની વચગાળાની જામીન અરજી વડોદરા (વાપી)ની ત્રીજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પુષ્પાબેન સૈનીએ નામંજૂર કરી છે. કોર્ટે નોંધ્યું કે આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચી કુહાડીના પાંચ ફટકા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. સરકારી વકીલ (AGP) રાકેશ ચંપાનેરીયાની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આરોપી મહમદ સઈદ ઉર્ફે ઇફ્તીખારે જૂની અદાવત રાખી સલમાનને પતાવી દેવાનું આયોજન કર્યું હતું. કેસરગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સામસામેની ક્રોસ ફરિયાદ આ અદાવતનું મૂળ કારણ હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ ચિખલીથી નીકળતા પહેલા સહ-આરોપી મહમદ અનવર ઉર્ફે મુન્ની સાથે ફોન પર વાત કરી સલમાનના લોકેશનની ખાતરી કરી હતી. મુન્નીએ રેકી કરીને જાણ કરી હતી કે સલમાન રોજ સાંજે ફૂડઇન હોટલ પાસે ચા પીવા આવે છે. ઘટનાના દિવસે સાંજે સવા પાંચ વાગ્યાની આસપાસ સલમાન 'બોસ્ટન ટી પાર્ટી' નામની દુકાન પાસે ઊભો હતો. તે સમયે આરોપી સઈદ કુહાડી લઈને ત્યાં પહોંચ્યો હતો અને સલમાનના માથામાં પહેલો ફટકો માર્યો હતો, જેના કારણે તે નીચે પડી ગયો હતો. ત્યારબાદ આરોપીએ નિર્દયતાપૂર્વક માથામાં અને પગમાં કુલ પાંચ ફટકા મારી સલમાનની હત્યા કરી હતી. સરકારી વકીલ (AGP) રાકેશ ચંપાનેરીયાએ જામીનનો સખત વિરોધ કરતા કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે અને હત્યામાં વપરાયેલી કુહાડી કબજે લેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આરોપીએ ગુના વખતે પહેરેલા કપડાં અને મોબાઈલ ફોન રિકવર કરવામાં સહકાર આપ્યો નથી. આ પૂર્વ આયોજિત કાવતરું હોવાથી અને પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા હોવાથી આરોપીને જામીન ન આપવા જોઈએ. કોર્ટે ગુનાની ગંભીરતા અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી આરોપી મહમદ સઈદની 30 દિવસની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે.
ગુજરાતમાં 10 મી માર્ચે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જવાનો છે ત્યારે 16 માર્ચથી રાજકોટ જિલ્લાની 760 સરકારી પ્રાથમિક શાળાઓનો સમય બપોરની પાળીના બદલે સવારની પાળીનો કરવા માંગ કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજકોટ એકમ દ્વારા રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને રજૂઆત કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજકોટ જિલ્લાના અધ્યક્ષ સંજય હુંબલે જણાવ્યુ હતુ કે, હાલ રાજ્યભરમાં ઉનાળાની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી તા. 10 માર્ચ 2026થી બપોરના સમયે તાપમાન અંદાજે 40 સેલ્સિયસ સુધી પહોંચવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા નાના બાળકોના આરોગ્ય, સુરક્ષા તથા શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખવું અત્યંત આવશ્યક બની રહે છે. વધુ તાપમાનના કારણે બપોરના સમયમાં શાળાઓ ચાલુ રાખવાથી બાળકોને ગરમીજન્ય તકલીફો, થાક, ડિહાઇડ્રેશન તથા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થવાની શક્યતા રહે છે. જેની સામે સવારની શાળા રાખવાથી બાળકો મધ્યાહન સૂર્ય તપે એ પહેલા પોતાના ઘરે પરત ફરી શકે અને સવારે ગરમી ઓછી હોય અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકે. જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા.16 માર્ચ 2026 ના સોમવારથી સમગ્ર રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવાર પાળીમાં નક્કી કરવા અંગે યોગ્ય અને તાત્કાલિક વહીવટી નિર્ણય લેવામાં આવે. જેથી વિદ્યાર્થીઓના આરોગ્ય અને હિતનું સંરક્ષણ થઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી છે. જોકે હવે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારની પાળીનો ક્યારથી કરવામાં આવે છે તે જોવું રહ્યુ.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતીય ગૃહિણીઓના બજેટ પર પડી છે. એપ્રિલ 2025 પછી પહેલીવાર ઘરેલું રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીંકાયો છે. લશ્કરી તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ મારફતે LNG સપ્લાયમાં અવરોધને કારણે વૈશ્વિક બજારમાં અસર જોવા મળી છે. તેના પગલે આજથી સમગ્ર ભારતમાં 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયા અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં 115 રૂપિયાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે. આ ભાવવધારા સાથે, દમણમાં ઘરેલું ગેસનો નવો ભાવ 862.50 રૂપિયાથી વધીને 922.50 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે કોમર્શિયલ ગેસનો ભાવ 1737 રૂપિયાથી વધીને 1852 રૂપિયા થયો છે. ભારતનો મોટો LNG સપ્લાય કતાર અને UAE થી હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આવે છે. વૈશ્વિક સપ્લાયમાં 20 ટકાની અસર પડતા સંભવિત અછતને પહોંચી વળવા માટે આ પગલું લેવાયું છે. દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે, ભારત સરકારે તમામ પબ્લિક અને પ્રાઇવેટ ઓઇલ રિફાઇનરીઓને LPGનું ઉત્પાદન તાત્કાલિક ધોરણે વધારવાનો નિર્દેશ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે પણ દેશમાં રાંધણ ગેસની સપ્લાય ચેઈન ખોરવાય નહીં અને સામાન્ય નાગરિકોને ગેસની ઉપલબ્ધતામાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવાનો આ પ્રયાસ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવાનું છે. ગેસ સિલિન્ડરના ભાવ વધારા સામે ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજીવ ગાંધી ભવન ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો થતા પોસ્ટર સાથે દેખાવો કર્યો હતો. હાય મોઘવારી હાય હાય ના નારા સાથે મહિલા કોંગ્રેસ દ્વારા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. તેમજ ગેસ સિલિન્ડરનો ભાવ વધારો પરત ખેંચવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી. સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. હાય મોંઘવારી હાય હાય, ગેસ સિલિન્ડરનો ભાવ વધારો પરત લો જેવા નારા લગાવી સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકર્તાઓએ ગેસ સિલિન્ડરના બાટલાને હાર પહેરાવી પ્રતિકાત્મક રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. મહિલા કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે છેલ્લા કેટલાક સમયથી જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા ઘરેલુ બજેટ પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગૃહિણીઓ માટે ઘરખર્ચ સંભાળવો મુશ્કેલ બન્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારીગેસ સિલિન્ડર રસોડાનું અગત્યનું સાધન છે અને તેના ભાવમાં વધારો થતાં સામાન્ય પરિવાર પર આર્થિક બોજો વધે છે. સરકારે મોંઘવારી પર કાબૂ મેળવવાના બદલે વારંવાર ભાવ વધારો કરી સામાન્ય લોકો પર મોંઘવારીનો ભાર મૂક્યો હોવાનો આરોપ પણ મહિલા કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો હતો. ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલો વધારો તાત્કાલિક પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સરકાર જો આ નિર્ણય પરત નહીં ખેંચે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સેવા, સુરક્ષા અને શાંતિએ પોલીસનો મુદ્રાલેખ છે. સુરત પોલીસે અનેકવાર સાબિત કર્યું છે કે તેઓ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતા પણ મુસીબતના સમયે સામાન્ય નાગરિકો માટે 'દેવદૂત' પણ સાબિત થાય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે, જ્યાં એક વિદ્યાર્થીનીનું ભવિષ્ય બગડતું અટકાવવા માટે ખાખી વર્દીધારી જવાને પૂરઝડપે બાઈક દોડાવી તેને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી હતી. ભૂલથી બીજા કેન્દ્ર પર પહોંચી અને રડવા લાગીધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો વળાંક હોય છે. મહિનાઓની મહેનત બાદ જ્યારે પરીક્ષાનો દિવસ આવે ત્યારે ટેન્શન હોવું સ્વાભાવિક છે. આવી જ સ્થિતિમાં એક વિદ્યાર્થીની ઉતાવળમાં કે મૂંઝવણમાં પોતાના નિયત પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. વિદ્યાર્થિનીનું સાચું પરીક્ષા કેન્દ્ર ઉમરા વિસ્તારની એલ.પી. સવાણી સ્કૂલ હતું પરંતુ, નામ એક હોવાને કારણે તે ભૂલથી અબ્રામા સ્થિત એલ.પી. સવાણી સ્કૂલ પર પહોંચી ગઈ હતી. જ્યારે તેને ખબર પડી કે તે ખોટા કેન્દ્ર પર છે અને પરીક્ષા શરૂ થવાને હવે ગણતરીની મિનિટો જ બાકી છે, ત્યારે તે ભાંગી પડી અને રડવા લાગી. તેનું આખું વર્ષ બગડવાની બીક તેના ચહેરા પર દેખાતી હતી. કોન્સ્ટેબલ જયંતીભાઈની નજર આ રડતી વિદ્યાર્થિની પર પડીઅબ્રામા સ્કૂલ ખાતે બંદોબસ્તમાં તૈનાત ઉતરાણ પોલીસ મથકના કોન્સ્ટેબલ જયંતીભાઈની નજર આ રડતી વિદ્યાર્થિની પર પડી. તેમણે તરત જ તેની પાસે જઈને પૂછપરછ કરી. જ્યારે તેમને ખબર પડી કે દીકરીનું કેન્દ્ર 20 કિલોમીટર દૂર ઉમરામાં છે અને સમય ખૂબ જ ઓછો છે, ત્યારે તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મદદનો નિર્ણય લીધો. કોન્સ્ટેબલે તરત જ પોતાની બાઈક કાઢી અને વિદ્યાર્થીનીને પાછળ બેસાડી. તેમને ખબર હતી કે સામાન્ય રીતે આ અંતર કાપતા 40 થી 50 મિનિટ લાગે છે, પરંતુ તેમની પાસે સમયસર પહોંચવા માટે થોડો જ સમય હતો. 20 કિલોમીટરનું લાંબુ અંતર કાપીને છેલ્લી ઘડીએ એલ.પી. સવાણી સ્કૂલ પહોંચ્યાઅબ્રામાથી ઉમરા સુધીના રસ્તામાં અનેક ટ્રાફિક સિગ્નલો અને વ્યસ્ત સર્કલો આવે છે. જોકે, એક દીકરીનું વર્ષ ન બગડે તે માટે જયંતીભાઈએ રસ્તામાં આવતા તમામ સિગ્નલો પર સતર્કતા દાખવી અને પૂરઝડપે બાઈક હંકારી. રસ્તામાં આવતા અન્ય પોલીસ કર્મીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ પણ સ્થિતિ સમજીને સહકાર આપ્યો. પોલીસ જવાનના મનમાં માત્ર એક જ લક્ષ્ય હતું – 'વિદ્યાર્થિની સમયસર પરીક્ષાના બાંકડા પર બેસી જવી જોઈએ.' 20 કિલોમીટરનું લાંબુ અંતર કાપીને છેલ્લી ઘડીએ તેઓ ઉમરા સ્થિત એલ.પી. સવાણી સ્કૂલ પહોંચ્યા હતા. પરીક્ષા કેન્દ્રના સંચાલકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવીજ્યારે વિદ્યાર્થીની બરાબર પરીક્ષા શરૂ થવાના સમયે પોતાના સાચા કેન્દ્ર પર પહોંચી, ત્યારે તેના અને તેના પરિવારના જીવમાં જીવ આવ્યો અને તેના ચહેરા પર હાશકારો હતો. પરીક્ષા કેન્દ્રના સંચાલકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી અને વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દીધી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની અને તેના વાલીઓએ સુરત પોલીસ અને ખાસ કરીને કોન્સ્ટેબલ જયંતીભાઈનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો આજે પોલીસ દેવદૂત બનીને ન આવી હોત, તો આખી રાત જાગીને કરેલી મહેનત એળે ગઈ હોત.

28 C