જામનગરમાં આજથી SSC અને HSC બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. કુલ 28,538 HSC વિદ્યાર્થીઓ અને 17,343 SSC વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. HSC વિજ્ઞાન પ્રવાહમાં 1905 અને સામાન્ય પ્રવાહમાં 9169 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. શહેરના 16 કેન્દ્રો પર 975 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્રોના બિલ્ડિંગ અને ક્લાસરૂમ CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પરીક્ષાર્થીઓને મીઠું મોં કરાવી શુભેચ્છા પાઠવી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ની વાર્ષિક પરીક્ષાઓનો રાજ્યવ્યાપી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ વિદ્યાર્થીઓ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં મીઠું સાથે ગુલાબ આપી આવકાર્યા હતા, ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કુલ 37,501 વિદ્યાર્થીઓ નોંધાયા છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 18,717 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 6292 વિદ્યાર્થીઓ નોંધાયા છે ધો.10 માટે 132 બિલ્ડીંગ, 1254 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે, તેવી જ રીતે બપોર બાદ ધો-12 (વિજ્ઞાન પ્રવાહ) માટે 31 બિલ્ડીંગ, 319 બ્લોક અને ધો-12 (સામાન્ય પ્રવાહ) માટે 69 બિલ્ડીંગ, 624 બ્લોકમાં પરીક્ષા યોજાશે, આમ, ભાવનગર જિલ્લામાં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં કુલ મળીને 62,510 વિદ્યાર્થીઓ નોંધાયા છે, તમામ પર CCTV કેમેરાની બાજ નજર રહેશે, જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા એ જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં એક પણ પરીક્ષા કેન્દ્ર 'સંવેદનશીલ' જાહેર કરવામાં આવ્યું નથી, તેમ છતાં, સાવચેતીના ભાગરૂપે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે જેમાં વિજ્ઞાન પ્રવાહના તમામ કેન્દ્રો પર ફૂલ ટાઈમ વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના અધિકારીઓની ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય અને સુચારૂ સંચાલન થાય. તંત્રએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના માનસિક તણાવ વગર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અધિકારીઓએ તમામ પરીક્ષાર્થીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં આજે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જિલ્લાના કુલ 122 કેન્દ્રો પર 87,609 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને બોલપેન આપીને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં ધોરણ 10 માટે જિલ્લામાં 68 કેન્દ્રો પર 50,746 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 30,661 વિદ્યાર્થીઓ 46 કેન્દ્રો પર પરીક્ષા આપશે, જ્યારે વિજ્ઞાન પ્રવાહના 6,202 વિદ્યાર્થીઓ 8 કેન્દ્રો પર પરીક્ષા આપશે. આમાં રીપીટર, પૃથ્થક અને ખાનગી ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. પરીક્ષા પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિર્ભય અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે એસ.એસ.સી. માટે 5 ઝોન અને એચ.એસ.સી. માટે 2 ઝોન રચીને દેખરેખની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રી અને ધારાસભ્યોની ફરિયાદ રહતી આવી છે કે, અધિકારીઓ તેઓને ગાંઠતા નથી. સમયાંતરે ધારાસભ્યો જાહેરમાં પોતાની નારાજગી પણ વ્યકત કરી ચૂક્યા છે. ત્યારે હવે સરકારે મંત્રી અને ધારાસભ્યોનું માન સન્માન જળવાય રહે તે માટે એક પરિપત્ર કરી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સૂચનાનું પાલન નહીં કરનાર અધિકારી સામે શિસ્તભંગની કાર્યવાહી થશે. અધિકારીઓ દ્વારા અયોગ્ય વર્તન કરાતું હોવાની ફરિયાદો ઉઠી હતીરાજ્યમાં લોકપ્રતિનિધિઓના માન-સન્માન અંગે ઉઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ સાંસદ, મંત્રી અને ધારાસભ્યો સહિતના લોકપ્રતિનિધિઓ સાથે વિવેકપૂર્ણ અને સન્માનજનક વર્તન રાખે.સરકારને મળતી રજૂઆતોમાં લોકપ્રતિનિધિઓ સાથે યોગ્ય વ્યવહાર ન થતો હોવાની બાબતો સામે આવતા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. સરકારે ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી અથવા કર્મચારી દ્વારા આ સૂચનાઓનું ઉલ્લંઘન થશે તો તેમના સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ પગલું પ્રશાસનમાં પારદર્શિતા અને સમન્વય વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રાજકીય વર્તુળોમાં આ પરિપત્રને પ્રજાના હિતમાં લેવાયેલો નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે. લોકપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે સુમેળ જળવાશે તો પ્રજાના પ્રશ્નોનો ઉકેલ વધુ ઝડપથી આવી શકશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.રાજ્ય સરકારના આ પરિપત્ર બાદ હવે તમામ કચેરીઓમાં તેના અમલ પર નજર રાખવામાં આવશે.
વલસાડના રોલા ગામે ‘રોલા વિકાસ ટ્રસ્ટ’ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ‘નમોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડ્રોન શો રહ્યો હતો. જેમાં આશરે 150 ડ્રોન્સે આકાશમાં એકસાથે ઉડીને વિવિધ આકૃતિઓ રજૂ કરી હતી. આ આકૃતિઓમાં પીએમ મોદીનો ચહેરો, ભારતનો નકશો અને અન્ય દેશભક્તિના પ્રતીકોનો સમાવેશ થતો હતો. આ પ્રસંગે આતશબાજી પણ કરવામાં આવી હતી. જાણીતા કલાકાર સાઈરામ દવેએ સંગીતમય અને નાટ્યાત્મક શૈલીમાં પીએમ મોદીના વડનગરના બાળપણથી લઈને દિલ્હીના શાસન સુધીની જીવનગાથા પ્રસ્તુત કરી હતી. અઢી કલાકના આ મલ્ટીમીડિયા મ્યુઝિકલ શોમાં મોદીજીની ‘શૌર્ય ગાથા’, ‘વિકાસ ગાથા’ અને ‘સેવા ગાથા’ દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, પ્રદેશ ભાજપ મંત્રી સોનલ સોલંકી સહિત ભાજપના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ લોકસભાના દંડક ધવલ પટેલે કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આવનારી પેઢી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાંથી પ્રેરણા મેળવી દેશસેવામાં જોડાય તે છે.
બોટાદ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લાના કુલ 58 પરીક્ષા કેન્દ્રો પર 16,554 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં 10,082 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,542 અને વિજ્ઞાન પ્રવાહમાં 930 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, દરેક કેન્દ્ર પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર આગેવાનો અને શાળાના શિક્ષકો દ્વારા કુમકુમ તિલક કરીને, મીઠું મોઢું કરાવી અને પુષ્પ આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપવા પહોંચ્યા હતા. આ અંગેની માહિતી કેળવણી સમાજના પ્રમુખ સંજયભાઈ ઠાકરે આપી હતી.
મંત્રી રિવાબા જાડેજાના આદેશથી:વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં મનપાની કાર્યવાહી, દુર્ગંધ રોકવા કડક સૂચના
જામનગરના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી ફેલાતી દુર્ગંધ અંગે સ્થાનિકોની રજૂઆત બાદ રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના આદેશથી મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય થયું છે. મનપાના અધિકારીઓ અને કોર્પોરેટરોએ પ્લાન્ટની મુલાકાત લઈ દુર્ગંધ રોકવા માટે કંપનીને કડક સૂચનાઓ આપી છે. ગાંધીનગર વિસ્તારમાં આવેલા આ પ્લાન્ટને કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાતી હોવાની ફરિયાદો લાંબા સમયથી હતી. ગુજરાત વિધાનસભા સત્રમાં હાજર રહેલા મંત્રી રિવાબા જાડેજાને આ અંગે રજૂઆતો મળ્યા બાદ તેમણે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. મંત્રીના સૂચન બાદ મહાનગરપાલિકાના આસી. કમિશનર અને સોલિડ વેસ્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઈ વરણવા તેમની ટીમ સાથે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થળે પહોંચ્યા હતા. આ નિરીક્ષણ દરમિયાન વોર્ડ નંબર બે, ત્રણ અને ચારના ભાજપના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ કંપનીને બહાર રાખવામાં આવેલો કચરો તાત્કાલિક અસરથી ઉપાડી લેવા અને જરૂરી સફાઈ કરવા માટે કડક સૂચના આપી હતી. ઉપરાંત, આસપાસના વિસ્તારમાં ડિઓ-સ્પ્રેની માત્રા વધારવા અને તેના નોઝલની યોગ્ય જાળવણી કરવા પણ જણાવાયું હતું, જેથી દુર્ગંધ વધુ ન ફેલાય. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હવે આ સ્થળની અઠવાડિયામાં બે વખત મુલાકાત લેવામાં આવશે અને સફાઈ સંબંધિત દૈનિક રિપોર્ટિંગ આપવાનું રહેશે. મનપાની ટીમ દ્વારા પણ આ બાબતે દૈનિક મોનિટરિંગ કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં આ કંપનીને અન્યત્ર સ્થળાંતર કરવાની પણ વિચારણા ચાલી રહી હોવાનું જણાવાયું છે.
આજથી વલસાડ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જિલ્લાના 57 કેન્દ્રો પર કુલ 51,415 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાઓ ૧૫૪ બિલ્ડિંગોમાં આવેલા ૧૮૫૪ બ્લોકમાં યોજાઈ રહી છે. પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ બ્લોક સી.સી.ટી.વી. કેમેરાથી સુસજ્જ કરવામાં આવ્યા છે. બુધવારે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. વ્યવસ્થાના ભાગરૂપે વલસાડ અને વાપી એમ બે ઝોન પાડવામાં આવ્યા છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લા શિક્ષણ કચેરીના સ્ટાફ, પોલીસ સ્ટાફ, સરકારી પ્રતિનિધિઓ, કેન્દ્ર સંચાલકો, સેવકો અને આરોગ્ય સ્ટાફ સહિત કુલ ૧૬૫૮ કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં જોડાયેલા છે. જિલ્લા શિક્ષણ અધિકારી ડો. રાજશ્રી ટંડેલે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને કોઈપણ ભય વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.
ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. જિલ્લાના 143 પરીક્ષા કેન્દ્રો પર કુલ 35,861 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી રહ્યા છે. પ્રથમ દિવસે અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી. આજે ધોરણ-10નું ગુજરાતી વિષયનું પેપર લેવાયું હતું, જ્યારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્ર વિષયનું પેપર યોજાયું હતું. પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લામાં એસએસસીના 22,796 વિદ્યાર્થીઓ, એચએસસી સામાન્ય પ્રવાહના 9,774 અને વિજ્ઞાન પ્રવાહના 3,259 વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થયા છે. આ ઉપરાંત, સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રહે તે માટે 153 સરકારી પ્રતિનિધિઓ, 143 સુપરવાઇઝરો, 1,282 ખંડ નિરીક્ષકો અને 331 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા પોલીસ વિભાગ અને રિક્ષા એસોસિએશનની મદદથી પરિવહન વ્યવસ્થા કરાઈ હતી. પરીક્ષા કેન્દ્રોમાં સ્માર્ટ વોચ સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો અને 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્સ મશીન તથા લાઉડસ્પીકર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા આરોલે શહેરના GNFC નર્મદા વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તિલક કરી, ચોકલેટ અને ગુલાબ આપી પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સાબરકાંઠાના વિજયનગર તાલુકાના આમોદ્રા ગામની તેજલ ડામોરે દુબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. તેણે 200 મીટર અને 400 મીટર દોડમાં આ સિદ્ધિ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધા દુબઈ ખાતે યોજાઈ હતી, જેમાં 600 જેટલા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેજલે આ ખેલાડીઓ વચ્ચે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેજલ ડામોર સાબરકાંઠાના ઇડર સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ સાથે સંકળાયેલી છે. આ મંડળે તેને લોકભાગીદારીથી મે 2025માં પ્રવેશ અપાવ્યો હતો. હાલમાં તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ખાતે રમતગમતની સઘન તાલીમ લઈ રહી છે. તેની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ રાષ્ટ્રીય અંધજન મંડળ અને SAI દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા શરૂ:પાટણમાં વિદ્યાર્થીઓને તિલક-મોં મીઠું કરાવી આવકાર, વાલીઓની ભીડ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. પાટણ જિલ્લામાં બે ઝોનમાં ધોરણ 10ના 22 કેન્દ્રો પર 18,630 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ધોરણ 10ની પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી સહિત લીઓ ક્લબ, ભારત વિકાસ પરિષદ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક, ગુલાબ અને સાકરથી મોં મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા. તેમને બોલપેન અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. પાટણ જિલ્લાની તમામ પરીક્ષા શાળાઓના બ્લોકમાં સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષા યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ આ બોર્ડ પરીક્ષા ગુરુવારથી શરૂ થઈ છે. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓની બેગ, બુટ, ચપ્પલ, મોજા સહિતની વસ્તુઓ પરીક્ષા ખંડની બહાર રખાવવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રોની બહાર પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને મૂકવા આવેલા વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. પરીક્ષાના સમયગાળા દરમિયાન પણ વાલીઓ બહાર રાહ જોઈ રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાનો શુભારંભ થયો છે. બી.એમ. હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે માહિતી આપી કે, ધોરણ 10માં 18,630 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વધુમાં, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 કેન્દ્રો પર 10,367 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો પર 1,721 વિદ્યાર્થીઓ જિલ્લામાં પરીક્ષા આપી રહ્યા છે. સમગ્ર પરીક્ષા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આપી શકે તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ ઉમેર્યું હતું કે, જિલ્લાની મોટાભાગની શાળાઓના વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા મારફતે પરીક્ષાનું સર્વેલન્સ થશે. ગાંધીનગર અને પાટણની સ્કોડ ટીમો પણ પરીક્ષા પર નજર રાખશે.
અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર કરી રહેલા વધુ એક પેસેન્જરના પેટમાં છુપાવેલું સોનું મળી આવ્યું છે. અબુધાબીથી અમદાવાદ એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા યુપીના એક મુસાફરની પૂછપરછ અને તલાશી લેતા તેને પોતાના પેટમાં સોનાની કેપ્સુલ છુપાવી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ કોર્ટના આદેશથી સિવિલ મોકલાયો હતો. જ્યાં મળમાંથી 5 લાખની કિંમતની 37 ગ્રામની ગોલ્ડની ત્રણ કેપ્સૂલ મળી આવી હતી. મહત્વનું છે કે, અમદાવાદ એરપોર્ટ પર એક જ મોડસ ઓપરેન્ડીથી શરીરમાં સોનું છુપાવી લાવવાની અઠવાડિયામાં આ બીજી ઘટના છે. આ પહેલા 19 ફેબ્રુઆરીએ એક પેસેન્જરના પેટમાંથી 21 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. આ અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાવેલી હેરોઇન ભરેલી 79 કેપ્સ્યુલ કબજે કરવામાં આવી હતી. આ કેસમાં તાજેતરમાં જ કોર્ટ દ્વારા મહિલા આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાં વળી આવા બીજા બે કેસ કસ્ટમ વિભાગના અધિકારીઓએ પકડી પાડયા છે. અમદાવાદ કસ્ટમ્સના AIU અધિકારીઓએ પ્રોફાઇલિંગના આધારે ભારતીય પાસપોર્ટ ધરાવતા ફખરુદ્દીન નામના એક પુરુષ પેસેન્જરને 19.02.2026 ના રોજ એર અરેબિયા ફ્લાઇટમાં અબુ ધાબીથી અમદાવાદ આવી રહેલા પેસેન્જરને અટકાવ્યો હતો. તેની પૂછપરછમાં પેસેન્જરે કબૂલ્યું છે કે તેણે ગળીને તેના શરીરમાં ધાતુ/નિષેધાત્મક વસ્તુઓ છુપાવી હતી.ત્યારબાદ 19 ફ્રેબ્રુઆરીના રોજ અમદાવાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, મુસાફરને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જેથી તેના શરીરમાં છુપાયેલા પદાર્થો શોધી શકાય. હોસ્પિટલમાં પેસેન્જર દ્વારા મળ પસાર કરતી વખતે સિવિલ હોસ્પિટલ, અમદાવાદના ડૉક્ટરને પેક્સમાં ૩ ત્રણ આકાર વગરના સોનાના બાર છુપાવેલા જોવા મળ્યા હતા. સિવિલ હોસ્પિટલ, અમદાવાદે ગઇકાલ 24મી ફ્રેબ્રુઆરીના રોજ મેડિકલ રિપોર્ટ દ્વારા ઉપરોક્ત છુપાવેલા માલની માહિતી આપી અને પેસેન્જરને ડિસ્ચાર્જ કર્યો હતો. આથી કસ્ટમ્સ અધિકારીઓએ આ સોનાના બાર અંગે સરકારી મૂલ્યાંકનર પાસે મુલ્ય કઢાવ્યું હતું. જેમા સરકારી મૂલ્યાંકનકારે ઉપરોક્ત છુપાયેલા માલનું મૂલ્યાંકન કરીને ગઇકાલે 24મી ફ્રેબ્રુઆરીના રોજ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જેમાં પ્રમાણિત કરવામાં આવ્યું હતું કે, ત્રણ આકાર વગરના સોનાના બાર 37.180 ગ્રામ વજનનું સોનું છે, જે શુદ્ધતા 821.0/ 19.71 કેરેટનું છે. જેની બજાર કિંમત રૂ. 5,01,827 અને ટેરિફ મૂલ્ય રૂ. 4,55,569 થાય છે. તેથી, કસ્ટમ્સ એક્ટ- 1962 ની જોગવાઈઓ હેઠળ તેમને જપ્ત કરવામાં આવ્યા હતા. અને તેની સામે કસ્ટમ્સને જાહેર કર્યા વિના શરીરમાં છુપાવીને ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા અંગેનો કેસ કરીને વધુ તપાસ ચલાવી રહી છે. આ પહેલા શાહરુખના શરીરમાંથી 21 લાખનું સોનું મળ્યું હતુંઆ અગાઉ અબુધાબીથી અમદાવાદ આવેલાં શાહરુખ નામના પેસેન્જર પાસેથી પણ 21 લાખથી વધુ કિંમતની ત્રણ સોનાની કેપ્સ્યુલ ઉપરાંત ગોળાકાર કેપ્સ્યુલ ફેરસ ધાતુનું બનેલ હોવાનું જાણવા મળ્યું હતું. તે પણ આ જ રીતે શરીરમાં છૂપાવીને લાવ્યો હતો. તેને પણ સિવિલ હોસ્પિટલમાં જ દાખલ કરીને પેક્સ દ્રારા મળ પસાર કરાવીને માલમત્તા કબ્જે કરી હતી. ત્યાં આ જ મોડેસી ઓપરેન્ડીથી આવેલાં બીજા મુસાફર પાસેથી પણ સોનાના બાર કબ્જે કરવામાં આવ્યા છે. છે.
નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ મુળી તાલુકાના નાળઘ્રી અને થાનગઢ તાલુકાના રૂપાવટી ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તલાટી કમ મંત્રીના દફતરની તપાસણી કરી હતી. એપેન્ડીક્સ-એ અને સામાન્ય દફતર તપાસણી ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નાયબ કલેકટરે ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને તપાસ કરી અહેવાલ સુપરત કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે ગામના ખેડૂતો સાથે પણ મુલાકાત કરી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા, તેની પદ્ધતિઓ અને તેનાથી કયા રોગોથી બચી શકાય તે અંગે વિગતવાર માહિતી આપી હતી. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તેમને સમજાવવામાં આવ્યા હતા. દફતર તપાસણી દરમિયાન મુખ્યત્વે નીચે મુજબના રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી: ગામ નમૂના નંબર 1 (ખેતીવારી પત્રક), ગામ નમૂના નંબર 8(ક) (શિક્ષણ ઉપકર), ગામ નમૂના નંબર 9 (રોજમેળ તથા પહોંચનું પત્રક), ગામ નમૂના નંબર 10 (ચલણ), ગામ નમૂના નંબર 14 (જન્મ-મરણ રજીસ્ટર), ગામ નમૂના નંબર 14(ડ) (ઢોરોનું રજીસ્ટર), ગામ નમૂના નંબર 17 (આવક-જાવક રજીસ્ટર) અને ગામ નમૂના નંબર 18 (સરક્યુલર ફાઇલ). આ તપાસણીમાં ગામની જમીન, વસ્તી, ઢોર, પિયતના પાણીના સાધનો, રોગચાળા, પહોંચબુક અને ગામના નકશા અંગેની માહિતી યોગ્ય રીતે જાળવવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરાઈ હતી. તલાટી કમ મંત્રી નિયમિત ગામે જાય છે, ડાયરી લખે છે અને પંચાયતની મિલકતની દેખરેખ રાખે છે કે કેમ તે મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી હતી.
ચોટીલા મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગંભીર ગેરરીતિઓ ઝડપાઈ:નાયબ કલેક્ટરની આકસ્મિક તપાસમાં મોટા ખુલાસા
ચોટીલાના થાનગઢ તાલુકાના અમરાપર ગામમાં આવેલા મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર 13 (અમરાપર-1) ખાતે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન PM પોષણ યોજના અંતર્ગત ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, અમરાપર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અનિલભાઈ એન. અંદાણી અને રસોઈયા મીઠીબેન કામાભાઈ પીહલા મામલતદાર, થાનગઢની પૂર્વ મંજૂરી વિના ગેરહાજર રહ્યા હતા. સંચાલક અનિલભાઈએ ટેલિફોનિક સંપર્ક કરતા વગર પરવાનગીએ અમદાવાદ ગયા હોવાની કબૂલાત કરી હતી અને માફી પણ માંગી હતી. વધુમાં, તે દિવસે શાળામાં કુલ 251 વિદ્યાર્થીઓ હાજર હતા. મધ્યાહન ભોજન યોજનામાં 185 વિદ્યાર્થીઓએ ભોજન લીધું હોવાનું વર્ધી બુકમાં દર્શાવવામાં આવ્યું હતું. જોકે, નાયબ કલેક્ટર અને મામલતદારે બાળવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ સાથે સીધો સંપર્ક કરીને તપાસ કરતા, ખરેખર 153 વિદ્યાર્થીઓએ જ ભોજન લીધું હોવાનું માલુમ પડ્યું હતું. આમ, 32 વિદ્યાર્થીઓ વધુ દર્શાવીને ગેરરીતિ આચરવામાં આવી હતી. મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પહાર યોજના અંતર્ગત, બપોરના ભોજન પછી સાંજે 4 વાગ્યે બાળકોને ફરજિયાત નાસ્તો આપવાનો હોય છે. મેનુ મુજબ સુખડી આપવાની હતી. હાજર 251 બાળકો દીઠ 50 ગ્રામ સુખડી (કુલ 12.55 કિલોગ્રામ) બનાવવાની થતી હતી, પરંતુ કેન્દ્રમાં માત્ર 3.7 કિલોગ્રામ સુખડી જ બનાવવામાં આવી હતી. આ રીતે 8.8 કિલોગ્રામ સુખડી ઓછી બનાવવામાં આવી હતી, જે એક ગંભીર ગેરરીતિ છે. આ અંગે મામલતદારને યોજના અમલમાં આવી ત્યારથી આજદિન સુધીની ઓછી બનાવેલી સુખડીની પેશગી વસૂલ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મધ્યાહન ભોજન કેન્દ્રમાં કોઈપણ પ્રકારનું સ્ટોક રજિસ્ટર નિભાવવામાં આવ્યું ન હતું. સરકારના પરિપત્ર મુજબ, દરરોજ મધ્યાહન ભોજન જમતા બાળકો સાથે એક શિક્ષકે બેસીને ભોજન લેવાનું હોય છે અને ટેસ્ટ રજિસ્ટર નિભાવવાનું હોય છે, જે ટેસ્ટ રજિસ્ટર પણ નિભાવવામાં આવ્યું ન હતું. આમ, સદરહુ અમરા૫ર પ્રાથમિક શાળાના મઘ્યાન ભોજન કેન્દ્ર 13 અમરા૫ર-1માં ગંભીર ગેરરિતીઓ ઘ્યાને આવતા મઘ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અનિલભાઇ એન.અનદાણી રહે. થાનગઢ તેમજ રસોઇયા મીઠીબેન કમાભાઇ પીહલા રહે. અમરા૫રને તાત્કાલીક ઘોરણે છુટા કરી અત્રેને અહેવાલ મોકલી આ૫વા મામલતદાર થાનગઢને આદેશ આ૫વામાં આવ્યો.સાથે સાથે અમરા૫ર પ્રાથમિક શાળાના ઘોરણ 1થી 8ના વિઘાર્થીઓને ગણીત, અંગ્રેજી, વિજ્ઞાન અંગે સામાન્ય પ્રશ્નો પુછી શિક્ષણની ગુણવતાની ચકાસણી કરી.
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી આંતરજિલ્લા ગેંગ સામે કાર્યવાહી તેજ કરી છે. ₹1.09 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં પોલીસે સુરતમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં કુલ ધરપકડનો આંક પાંચ પર પહોંચ્યો છે. કેસની વિગત મુજબ, ફરિયાદીનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Threads અને Telegram પર ‘Gurneet Randhawa’ નામની આઈડી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ‘Lotteebay’ નામના પ્લેટફોર્મ પર ઓનલાઇન સ્ટોર શરૂ કરાવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી. ફરિયાદીએ વિશ્વાસમાં આવી અલગ-અલગ દસ બેંક એકાઉન્ટ્સમાં ટુકડે-ટુકડે કુલ ₹1,10,25,500/- જમા કરાવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ ₹39,930/- પરત કર્યા હતા, પરંતુ બાદમાં ₹1,09,85,570/- ની રકમ ઓળવી જઈ છેતરપિંડી આચરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બેંક એકાઉન્ટ ટ્રેઇલના આધારે અગાઉ દિવ્યેશ ઉર્ફે દિવો ભુવા, કિશન ધડુક, પ્રશાંત વઘાસિયા અને રૂષપ સતાસીયાની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે સુરતના ખોડિયાર નગર વિસ્તારમાંથી ઉત્સવ ચંદુભાઈ ભેસાણીયાને ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ઉત્સવ ભેસાણીયા ગેંગ માટે બેંક એકાઉન્ટ્સની વ્યવસ્થા કરવાનું કામ કરતો હતો. તેણે રૂષપ સતાસીયા પાસેથી ઇન્ડસઇન્ડ બેંક, વાપી બ્રાંચનું કરંટ એકાઉન્ટ મેળવ્યું હતું. આ એકાઉન્ટમાં જુલાઈ-2025થી ઓક્ટોબર-2025 દરમિયાન ₹2.40 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે, જેમાંથી અંદાજે ₹19 લાખ આ કેસના ફરિયાદી પાસેથી જમા કરાવવામાં આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ ફોન જપ્ત કર્યો છે અને ડિજિટલ ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. સમગ્ર ગેંગના અન્ય સભ્યો તથા નાણાંની હેરફેરના તાંતણા શોધવા માટે વધુ તપાસ ચાલુ છે. પોલીસ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અથવા વધુ નફાની લાલચ આપતી અજાણી લિંક્સ અને પ્લેટફોર્મથી સાવચેત રહે. કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કરવા જણાવાયું છે.
આજથી બોર્ડની પરીક્ષા શરૂ:ઝાલાવાડમાં 127 કેન્દ્ર પર 32208 વિદ્યાર્થી પરીક્ષા આપશે
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે, 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. આ પરીક્ષાઓ 18 માર્ચ સુધી ચાલશે. જિલ્લાના 127 પરીક્ષા કેન્દ્રો પર કુલ 32,208 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને પરીક્ષા સમિતિના અધ્યક્ષ કે.એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ. ઓઝા દ્વારા પરીક્ષા માટે ત્રણ ઝોન બનાવવામાં આવ્યા છે. ધોરણ 10 માટે બી.સી. પરમાર અને બિપિનભાઈ પટેલને ઝોનલ અધિકારી બનાવાયા છે, જ્યારે ધોરણ 12 માટે કે.એન. બારોટ ઝોનલ અધિકારી તરીકે ફરજ બજાવશે. શહેરની એન.ટી.એમ. હાઈસ્કૂલને ઝોન કચેરી બનાવવામાં આવી છે. બુધવારે ત્રણેય ઝોનમાં પરીક્ષા સ્થળોએ મોકલવામાં આવનાર સાહિત્યના થેલા તૈયાર કરાયા હતા. આજે સવારે ઝોનલ કચેરીથી વાહનો દ્વારા પ્રશ્નપત્ર સહિતનું સાહિત્ય પરીક્ષા કેન્દ્રો પર રવાના કરવામાં આવ્યું છે. પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર, એસપી અને ડીઈઓ શહેરની વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને આવકારશે. વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી અને ગુલાબનું ફૂલ આપી પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે. આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયની પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત અને અર્થશાસ્ત્રના પેપરો લેવાશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા યોજાશે. 28 ફેબ્રુઆરીના રોજ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનની પરીક્ષા આપશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ કંટ્રોલ રૂમમાં સવારે 7 થી બપોરે 1:30 અને બપોરે 1:30 થી રાત્રે 8 સુધીની બે શિફ્ટમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક, જુનિયર ક્લાર્ક અને પટાવાળા ફરજ બજાવશે. સંવેદન શીલ અને અતિસંવેદન શીલ કેન્દ્ર તકેદારી અને ખાસ તકેદારી સેન્ટરથી ઓળખાશે સુરેન્દ્રનગર જિલ્લામાં જે કેન્દ્રો પર ભુતકાળમાં ચોરીના સહિત બનાવો સામે આવતા હોય તેને સંવેદનશીલ અને અતિ સંવેદન શીલ મથકો તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યારે આ વર્ષ બોર્ડ દ્વારા આવા સંવેદનશીલ અતી સંવેદનશીલ મથકો પર પોલીસ બંદોબસ્ત સહિત તરીકે ઓળખાતા ત્યારે આ કેન્દ્રોને તકેદારી અને ખાસ તકેદારીવાળા કેન્દ્રો તરીકે માર્ક કરવામાં આવ્યા છે. તકેદારી કેન્દ્રો થાન 3 તકેદીવાળા અને પાટડી 4, માલવણ 3, રાજસીતાપુર 2 ખાસ તકેદારીવાળા કેન્દ્રો જે બિલ્ડીંગ છેત્યાં પોલીસ તૈનાત કરવામાં આવશે. બોર્ડની પરીક્ષાની વિગત
નવસારીમાં લગભગ 35 હજાર વિદ્યાર્થી બોર્ડ પરીક્ષા આપશે:તમામ 1286 બ્લોક CCTVથી સજ્જ, એક્શન પ્લાન તૈયાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની પરીક્ષાઓ માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લામાં કુલ 34,971 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા વ્યવસ્થા પારદર્શક અને સુચારુ રીતે ચાલે તે માટે નવસારી અને ચીખલી એમ બે મુખ્ય ઝોનમાં આયોજન કરાયું છે. ધોરણ-10 (SSC)ની પરીક્ષા માટે નવસારી જિલ્લામાં કુલ 66 પરીક્ષા સ્થળો ફાળવવામાં આવ્યા છે. જેમાં નવસારી ઝોનમાં 11 કેન્દ્રો પર 10,256 વિદ્યાર્થીઓ અને ચીખલી ઝોનમાં 17 કેન્દ્રો પર 10,148 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ, ધોરણ-10માં કુલ 20,404 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ પરીક્ષાના તમામ 701 બ્લોકમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ધોરણ-12 (HSC)ની પરીક્ષા માટે પણ નવસારી અને ચીખલી ઝોન કાર્યરત રહેશે. સામાન્ય પ્રવાહમાં કુલ 16 કેન્દ્રો પર 9,546 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નવસારી ઝોનના 4,720 અને ચીખલી ઝોનના 4,826 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લામાં 5 કેન્દ્રો ફાળવાયા છે, જ્યાં 5,021 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શિક્ષણ વિભાગના સત્તાવાર આંકડા મુજબ, જિલ્લામાં ધોરણ-12 માટેના તમામ 585 બ્લોક અને ધોરણ-10 ના 701 બ્લોક એમ મળીને કુલ 1,286 બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ છે. વહીવટી તંત્ર આ વખતે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ સાથે ગેરરીતિ અટકાવવા આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં સ્થાનિક સાપના ઝેરથી બનશે એન્ટિવેનમ:સર્પદંશથી થતા મૃત્યુ ઘટાડવા રાજ્ય સરકારની પહેલ
ગુજરાત સરકારે સર્પદંશથી થતા મૃત્યુ ઘટાડવા મહત્વની પહેલ કરી છે. ટૂંક સમયમાં રાજ્યમાં જોવા મળતા ઝેરી સાપના ઝેરમાંથી તૈયાર કરાયેલ એન્ટિવેનમ હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે, જેનાથી સારવાર વધુ અસરકારક બનશે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્થાપિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) દ્વારા રાજ્યમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્રિત કરીને એન્ટિવેનમ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં સંસ્થામાં આશરે 460 ઝેરી સાપ રાખવામાં આવ્યા છે, જેમની સંભાળ અને ઝેર સંગ્રહ વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ થાય છે. આ સંશોધન કેન્દ્ર પાસે 3000 સાપ રાખવાની મંજૂરી છે. તાજેતરમાં, સંસ્થાએ ઈન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સૉ-સ્કેલ્ડ વાયપર જેવી મુખ્ય પ્રજાતિઓના લાયોફિલાઇઝ્ડ (પાવડર સ્વરૂપના) ઝેરની ઈ-હરાજી કરી હતી. ઉચ્ચ ગુણવત્તાને કારણે ધાર્યા કરતાં વધુ કિંમત મળી. અધિકારીઓ અનુસાર, ઈન્ડિયન કોબ્રાના ઝેર માટે પ્રતિ ગ્રામ ₹40,000ની આધાર કિંમત સામે ₹44,000 મળ્યા, જ્યારે સૉ-સ્કેલ્ડ વાયપર માટે ₹50,000ની સામે ₹56,500 પ્રાપ્ત થયા. સંસ્થાના ઉપાધ્યક્ષ ડૉ. ડી.સી. પટેલે જણાવ્યું હતું કે, પ્રદેશ મુજબ સાપના ઝેરમાં ફેરફાર થતો હોવાથી સ્થાનિક ઝેર પરથી બનેલું એન્ટિવેનમ વધુ અસરકારક સાબિત થાય છે. ધરમપુરમાં છેલ્લા 35 વર્ષથી સર્પદંશની સારવારમાં 98 ટકાથી વધુ સફળતા દર નોંધાયો છે. ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF) હેઠળ કાર્યરત આ સંસ્થાને વિશ્વ કક્ષાની બનાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ ₹11.68 કરોડનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. કાયમી કેમ્પસ માટે 2.25 હેક્ટર જમીન પણ ફાળવવામાં આવી છે. કેન્દ્ર સરકારે માર્ચ 2024માં 'નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેકબાઈટ એન્વેનોમિંગ (NAP-SE)' લોન્ચ કર્યો હતો. ભારત સર્પદંશ નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યયોજના જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ યોજનાનો લક્ષ્ય 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુ અને અપંગતાને 50 ટકા સુધી ઘટાડવાનો છે. સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા અત્યાર સુધી 300થી વધુ સાપ રેસ્ક્યુઅર્સ અને 1,495થી વધુ ડોકટરોને તાલીમ અપાઈ છે. 'સ્નેક્સ ઓફ વલસાડ' નામની ફિલ્ડ ગાઈડ અને દસ્તાવેજી ફિલ્મ દ્વારા જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સાપના ઝેરથી બનતું એન્ટિવેનમ ઉપલબ્ધ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં સર્પદંશની સારવારમાં ક્રાંતિકારી સુધારો થવાની શક્યતા છે.
બોટાદમાં માતૃભાષા સપ્તાહ ઉજવાયું:કવિ સંમેલનમાં જાણીતા કવિઓએ રચનાઓ રજૂ કરી
બોટાદમાં માતૃભાષા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એક કવિ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમ 25 ફેબ્રુઆરી, 2026ના રોજ બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલી જીવનધારા હોસ્પિટલ ખાતે બપોરે 2 કલાકે યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત માતૃભાષા મહોત્સવ-2026ના ભાગરૂપે માતૃભાષા શિક્ષણ કેન્દ્ર, બોટાદ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં અમરેલી શહેરના જાણીતા કવિઓ હરજીવન દાફડા, અગન રાજ્યગુરુ અને હાર્દિક વ્યાસે પોતાની રચનાઓ રજૂ કરી હતી. અમદાવાદના નિવૃત ફોરેસ્ટ ઓફિસર પ્રતાપસિંહ ડાભી 'કવિ હાકલ' પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આગવા લયમાં ગીતો ગાઈ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સંયોજન ડૉ. સાંગાણી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે શાબ્દિક સ્વાગત પણ કર્યું હતું. ભાવેશભાઈ પરમારે કાર્યક્રમનું સુચારુ રીતે સંચાલન કર્યું હતું. આ પ્રસંગે બોટાદના સાહિત્યરસિક ડોકટરો અને અન્ય ભાવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો.
સાવરકુંડલા શહેરના જૂના બસસ્ટેન્ડ નજીક આવેલા સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. જોકે, સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. કોમ્પ્લેક્સમાં આવેલી ટીવી રિપેરિંગની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે આસપાસના વેપારીઓ અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગને કારણે દુકાનમાં રહેલો મોટાભાગનો માલસામાન બળી જતાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, સાવરકુંડલા પંથકમાં આગની ઘટનાઓ વધી રહી છે. આ જ દિવસે સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ નજીક રેવન્યુ જમીનમાં પણ આગ લાગી હતી. આમ, એક જ દિવસમાં આગની આ બીજી ઘટના નોંધાઈ છે.
મલાડમાં ફળો પર ઉંદર મારવાની દવા લગાવતા 2 ફેરિયા ઝડપાયા
જાહેર આરોગ્ય સાથે બેફામ ચેડાં ઃ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ ઉંદરો ફળો ન ખાઈ જાય તે માટે ઝેરી દવા જ ફળો પર લગાવી હોવાની કબૂલાતઃ બંને ફેરિયાઓની દુકાનો સીલ મુંબઈ - મલાડમાં બે વિક્રેતાઓએ ફળમાં ઉંદર મારવાની દવા લગાવીને તેનું વેચાણ કરી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેનાથી લોકો માટે ગંભીર સ્વાસ્થ્યનું જોખમ ઊભું થયું હતું. આ મામલે ફરિયાદ મળતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા દુકાન સીલ કરી દીધી હતી અને બે આરોપીઓની ધરપકડ કરી હતી.
કહેવાય છે કે પ્રેમની કોઈ સીમા કે ધર્મ હોતો નથી. આ વાત સુરતમાં સાચી સાબિત થઈ છે. શહેરના 'યશવી ફાઉન્ડેશન' દ્વારા આયોજિત આગામી સમૂહલગ્નમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે કોમી એકતા અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સમૂહ લગ્નમાં એક પિતા વિહોણી મુસ્લિમ યુવતી હિન્દુ યુવક સાથે હિન્દુ ધર્મની શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નગ્રંથિથી જોડાશે. એક જ કંપનીમાં કામ કરતા સંપર્કમાં આવ્યાબાળપણમાં પિતા ગુમાવનાર ફરહા વડગામા (મુસ્લિમ યુવતીના જે હિન્દુ યુવક સાથે હિન્દુ વિધિથી લગ્ન કરવા જઈ રહી છે) પાલનપુર જકાતનાકા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તેને માતાએ જ ઘર કામ કરીને મોટી કરી છે. ફરહા પરિવારની એકની એક દીકરી છે. એ ખાનગી કંપનીમાં છેલ્લા સાત વર્ષથી કામ કરી રહી છે. દરમિયાન તે ભાઠા ગામ ખાતે રહેતા મોહિતના સંપર્કમાં આવી હતી. સાત વર્ષની મૈત્રી હવે પરિણયમાં બદલાશેમુસ્લિમ યુવતી ફરહા વડગામા અને હિન્દુ યુવક મોહિત છેલ્લા સાત વર્ષથી એકબીજાને જાણે છે. બંને એક જ જગ્યાએ નોકરી કરતા હતા અને ત્યાંથી જ તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. ફરહાના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે, પરંતુ તેની માતાએ દીકરીની ખુશી માટે આ સંબંધને મંજૂરી આપી છે. બંનેના પરિવારજનોએ સંમતિ આપીફરહાએ જણાવ્યું હતું કે, અમે બંને એકસાથે નોકરી કરતા હતા. ત્યારપછી અમને પ્રેમ થયો અને પછી અમે અમારા ઘરે વાત કરી હતી. હવે અમારા લગ્ન થવા જઈ રહ્યા છે, તો આ અમારા બંને માટે ખૂબ જ ખુશીની વાત છે. અમે પરિવારજનોને મનાવ્યા હતા.અમે બંનેએ અમારા દિલની વાત કરી હતી કે અમે લગ્ન કરવા માંગીએ છીએ. પછી બંને પરિવારજનોએ અંદરોઅંદર વાત કરી અને તેઓ માની ગયા. સામાજિક ડર પણ લાગતો નથી- ફરહાઅમે 7 વર્ષ સુધી સાથે નોકરી કરી છે. પહેલા તો ઘરમાં જણાવવામાં ડર લાગતો હતો કે અમારો ધર્મ અલગ છે એટલે મુશ્કેલી થશે, પણ પછી મેં મારી મમ્મી સાથે વાત કરી અને તે માની ગઈ. સમાજનો પણ કોઈ ડર નથી. બધું બરાબર છે. અમે આ બધું પરિવારની સહમતિથી કરી રહ્યા છીએ. મારા માટે બધું જ મારી મમ્મી છે. જો તે માની ગયા હોય, તો પછી મને કોઈની ચિંતા નથી. દીકરીની પસંદ હોવાથી માતાએ સંમતિ આપીફરહાની માતા અલ્લા રખીએ જણાવ્યું હતું કે, પહેલા તો ઘણા વર્ષો સુધી ના પાડી હતી, અમારા બંને વચ્ચે ઘણો ઝઘડો પણ થયો હતો. પણ પછી તેની ખુશી માટે હું માની ગઈ. દીકરીની પસંદ છે, એટલે હવે મને પણ પસંદ જ છે. ધર્મને કારણે જ થોડી મુશ્કેલીઓ આવી હતી: યુવકમુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા જઈ રહેલા મોહિતે જણાવ્યું હતું કે, પહેલા તો થોડી મુશ્કેલીઓ આવી હતી, પણ પછી બધા માની ગયા. ધર્મને કારણે જ થોડી મુશ્કેલીઓ આવી હતી, પણ 7-8 વર્ષથી અમે સાથે હતા એટલે ધીરે-ધીરે બધા માની ગયા. હિન્દુ વિધિથી લગ્ન થશેઆ કિસ્સાની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, ફરહા સ્વેચ્છાએ મોહિત સાથે હિન્દુ વિધિથી લગ્ન કરવા તૈયાર થઈ છે. યશવી ફાઉન્ડેશન દ્વારા જે પિતા વિહોણી દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, તેમાં આ બંને પણ જોડાશે. આ અંગે ફરહાની માતાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં ધર્મ અલગ હોવાથી થોડો વિરોધ હતો, પણ દીકરીની ખુશી અને મોહિતના સારા સ્વભાવને જોઈને અમે હા પાડી છે. અમને કોઈ સામાજિક ડર નથી, માત્ર દીકરીનું સુખ જોઈએ છે. યશવી ફાઉન્ડેશનનું સરાહનીય પગલુંયશવી ફાઉન્ડેશનના આયોજકો દ્વારા આ આંતરધર્મીય લગ્નને આવકારવામાં આવ્યું છે. ફાઉન્ડેશન વર્ષોથી પિતા વિનાની દીકરીઓના લગ્ન કરાવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે છે. આ વખતે ફરહા અને મોહિતના લગ્ન આકર્ષણનું કેન્દ્ર બનશે, જે દર્શાવે છે કે માનવતા અને પ્રેમ કોઈપણ ધાર્મિક વાડાઓથી ઉપર છે. સતત ત્રીજા વર્ષે સમૂહ લગ્નનું આયોજનસમાજમાં સકારાત્મકતાનું વાતાવરણ ઉભું કરવા વિવિધ સેવાયજ્ઞો થકી યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. જેના ભાગરૂપે સતત બે વર્ષથી યશવી ફાઉન્ડેશન પિતાવિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરતું આવ્યું છે. અને આ વર્ષે પણ આ જ સત્કાર્યને આગળ ધપાવતા તારીખ 14 માર્ચ, 2026 ના રોજ તૃતીય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન માટે યશવી પરિવાર ખુબ જ ઉત્સાહિત છે. સેવાના આ યજ્ઞની શરૂઆત 2024 થી થઈ હતી જ્યાં પ્રથમ વર્ષે 21 અને 2025માં બીજા વર્ષે 51 દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ, આ વર્ષે 2026 માં ત્રીજા વર્ષે 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. 14 માર્ચે સમૂહલગ્ન યોજાશેજ્યારે ઘરની દીકરી ઉંબરો ઓળંગીને નવા જીવનની શરૂઆત કરવા જતી હોય, ત્યારે પરિવારમાં જે ઉમંગ અને લાગણી હોય છે, તેવી જ લાગણી યશવી પરિવારને આ દીકરીઓ માટે છે. દીકરીઓના પાનેતર અને મહેંદી પ્રસંગથી માંડીને કરિયાવર સહિતની લગ્નપ્રસંગની તમામ વિધિઓ સંપૂર્ણ જવાબદારી સાથે સંપન્ન કરવી એ અમારો ઉદ્દેશ્ય છે. આ વર્ષે સમૂહ લગ્નના વિવિધ પ્રસંગો માં પાનેતર વિધિ 25 ફેબ્રુઆરીએ, મહેંદી પ્રસંગ 11 માર્ચે યોજાશે. જ્યારે તૃતીય સમૂહ લગ્નની તારીખ 14 માર્ચ, 2026 ના રોજ રાખવામાં આવ્યા છે.
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સાવારે 7 વાગ્યે ભવ્ય નગરયાત્રા નીકળવાની છે. આ નગરયાત્રાનું પ્રસ્થાન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કરાવશે. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાશે. ઉલ્લેખનીય છે કે, 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે અને 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે, ત્યારે આ પવિત્ર અવસરે શહેરમાં ટ્રાફિકજામ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. યાત્રાના રૂટ પરના અનેક રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે અને વાહન વ્યવહાર સુચારુ ચાલુ રાખવા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. નગરયાત્રાને લઈ સવારના 7 વાગ્યાથી યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક નિયમો લાગુ રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે BSNની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ચલિત મૂર્તિ કેમ?મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની રથ પર બિરાજે છે, તે રીતે માતાજીની મુખ્ય મૂર્તિ પ્રતિષ્ઠિત હોવાથી આબેહૂબ ચલિત મૂર્તિ મૂકવામાં આવશે. બે ફૂટ ઊંચાઈની આ મૂર્તિ અમદાવાદના કારીગરોએ તૈયાર કરી છે. 19 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ચલિત મૂર્તિને પ્રાણપ્રતિષ્ઠા બાદ મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાપિત કરવામાં આવશે. આગામી વર્ષોમાં જેટલી પણ નગરયાત્રા નીકળશે, તેમાં આ ચલિત મૂર્તિ બિરાજમાન હશે. ઈતિહાસકારોના મતે મંદિર મરાઠાકાળમાં બન્યુ, જ્યારે સરકારી ગેઝેટિયરમાં 1411નો ઉલ્લેખ
ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ થિયોડોર રૂઝવેલ્ટ નું એક વિધાન છે. કોઇપણ દેશ મજબૂત ના હોઇ શકે, જ્યાં સુધી તેના નાગરિકો બીમાર અને ગરીબ હોય. થિયોડોર રૂઝવેલ્ટનો કાર્યકાળ 1912 દરમિયાન હતો અને આ ઉપરનું વિધાન અને એની પ્રસ્તુતતા ફક્ત અમેરિકા નહીં પણ વિશ્વભરના દેશોને લાગુ પડે છે. શું વિશ્વના કોઇપણ દેશ એવી આરોગ્યવર્ધક સેવાઓ ધરાવે છે કે એના નાગરિકોની તંદુરસ્તી સારી રહે અને એ લોકોને આરોગ્યવર્ધક સેવાઓ પોષાઇ શકે? જવાબ છે કદાચ ના! આદર્શ હેલ્થકેર સિસ્ટમ માત્ર સપનુંબ્રિટન, કેનેડા જેવા નેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતા દેશ હોય, એશિયન દેશો જેવા પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ પોલિસીવાળા દેશો કે પછી કેપિટલિસ્ટ, શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત નાણાકીય ચલણ ધરાવતા અમેરિકા જેવા દેશો હોય! આદર્શ હેલ્થકેર સિસ્ટમ સપનું જ છે. અને એમાંય અમેરિકાની આરોગ્યલક્ષી વ્યવસ્થાની ચર્ચા અને ટીકા ભારતની મુલાકાત લો ત્યારે મિત્રો અને સંબંધીઓ પાસેથી અવારનવાર સાંભળવા મળતી જ હોય છે. અમુક અંશે એ લોકો સાચા પણ હોય છે. અમેરિકા તેની મોંઘી સારવારના કારણે ચર્ચામાં રહે છેઅમેરિકન હેલ્થકેર સિસ્ટમ, આધુનિક તકનીક, ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર અને સંશોધન માટે જાણીતી છે. છતાં તે અત્યંત મોંઘી સારવાર, સમાન ભાગે દરેક નાગરિક સુધી પહોંચે છે કે કેમ અને પ્રક્રિયા લગતી (પ્રોસેસ ઓરિએન્ટેડ) ગૂંચવણભરી વ્યવસ્થા જેવા મુદ્દાઓને કારણે ઘણી વખત બીજા દેશો જ નહીં પણ અમેરિકામાં પણ ચર્ચામાં રહે છે. અમેરિકામાં આરોગ્ય સેવાઓ મુખ્યત્વે પ્રાઇવેટ ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે અને સરકાર પણ કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ ચલાવે છે. છતાં અમેરિકન હેલ્થકેર સિસ્ટમ વિશ્વમાં જટિલ આરોગ્ય સિસ્ટમમાંની એક છે. અને જટિલ લાગતાં કારણોમાં છે, પ્રાઇવેટ, સરકારી, આવક આધારિત અને ઉંમર આધારિત મળતા આરોગ્યલક્ષી લાભોમાં અને તેની પહોંચ માટેની પ્રક્રિયા, નિયમો અને જાણકારીનો અભાવ. આરોગ્ય ક્ષેત્રે વિવિધ યોજનાઓઅમેરિકામાં મોટાભાગે આરોગ્ય સેવાઓ ખાનગી હોસ્પિટલ, ક્લિનિક અને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવે છે. મોટાભાગના લોકો જોબ (એમ્પ્લોયર) દ્વારા કુટુંબ માટે મળતા હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા આવરી લેવાય છે. ઉપરાંત, સરકાર વૃદ્ધો (67 અને એની ઉપરની ઉંમર) અને કેટલીક ખાસ જરૂરિયાત ધરાવતા લોકો માટે Medicare યોજના ચલાવે છે. જ્યારે ઓછી આવક ધરાવતા લોકો માટે Medicaid ઉપલબ્ધ છે. આ ઉપરાંત 2010માં લાગુ કરાયેલા Affordable Care Act (ઓબામા કેર) દ્વારા વધુ લોકોને વીમા કવરેજ આપવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મેડિકેર, મેડિકાઈડ અને ઓબામા કેરને સમજવા માટે એક આખો અલાયદો લેખ લખવો પડે એમ છે. તમે શ્રેષ્ઠ હાથોમાં છો તેવો અહેસાસ થાયઆમ તો અમેરિકામાં લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા તબીબી સાધનો અને ટ્રેનિંગ પામેલા નિષ્ણાત ડૉક્ટર ઉપલબ્ધ છે. નવી દવા, રસી અને સારવાર પદ્ધતિના વિકાસમાં અમેરિકા વિશ્વના શ્રેષ્ઠ દેશની કેટેગરીમાં આવે છે અને અહીંની હોસ્પિટલ્સમાં એક વખત દાખલ થાવ તો તમને એ અહેસાસ થયા વગર ન રહે કે તમે શ્રેષ્ઠ હાથોમાં છો. છતાં સારવાર, દવાઓ અને હોસ્પિટલ ફી ખૂબ મોંઘી છે. ઇન્શ્યોરન્સ વગર આરોગ્યલક્ષી સેવા મેળવવી ઘણા લોકો માટે અશક્ય બને છે. ઉપરાંત ઇન્શ્યોરન્સ પોલિસી, કવરેજ, ડિડક્ટિબલ અને કો (ઇશ્યોરન્સમાં કવર થાય એ ઉપરાંત ચૂકવવા પડતા ડોલર), પેમેન્ટ જેવી વ્યવસ્થા સામાન્ય લોકો માટે સમજવી મુશ્કેલ છે. આથી ઘણી વખત દર્દીઓને અનપેક્ષિત બિલનો સામનો કરવો પડે છે અને અધૂરામાં પૂરું, ખાનગી અને સરકારી ક્ષેત્ર વચ્ચે કો ઓર્ડિનેશન અને ડોક્યુમેન્ટેશન પ્રક્રિયા માટે વધુ ખર્ચ અને સમય જાય છે. જે સમગ્ર સિસ્ટમને મોંઘી બનાવે છે. હંમેશા શ્રેષ્ઠ સેવાઓ આપવાનો અભિગમસામે સૌથી મોટી ખૂબી કે હકારત્મક બાબત અમેરિકાની અને હેલ્થકેર સિસ્ટમની એ છે કે તમારી પાસે કોઇપણ જાતનો ઇશ્યોરન્સ હોય કે ના હોય તમે સામાજિક આર્થિક અને કાનૂની રીતે જે પણ વર્ગમાંથી આવતા હો એક વખત અહીંની હોસ્પિટલમાં જાવ તો તમને કંઇ પણ પૂછ્યા વગર હોસ્પિટલ અને એના સ્ટાફનો અભિગમ તમારી જિંદગી બચાવવા આપવી પડતી શ્રેષ્ઠ સેવાઓ આપવાનો રહેશે. અમેરિકન સરકાર અને નાગરિકો માટે આરોગ્યલક્ષી સેવાની ઉપલબ્ધી અને સરળ પ્રક્રિયા જેવા બે મોટા પડકારો છે અને એના પર સતત કામ ચાલતું હોય છે પણ જિંદગીની વેલ્યુ છે અહીં એ અહેસાસ પણ જેવો તેવો નથી. કહે છે ને કોઇપણ દેશ શ્રેષ્ઠ નથી હોતો એને શ્રેષ્ઠ બનાવવો પડે છે. એમ અમેરિકન હેલ્થકેર સિસ્ટમ પણ Work in progress છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
અમદાવાદથી અંદાજે વીસેક કિલોમીટર દૂર જેતલપુર ગામના ખેડૂતોની વિશાળ જમીન પર આંખોને આંજી દે તેવું એક આખું નગર ઊભું થયું છે. જેનું નામ અવસર નગર છે. ભગવાન સ્વામિનારાયણે જીવનકાળ દરમિયાન પોતાના હાથે સ્થાપેલા 9 મંદિરમાંના પાંચમા મંદિરની સ્થાપના જેતલપુરમાં કરી હતી. આ મંદિરને 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. જેના ભાગરૂપે 5 માર્ચથી 11 માર્ચ દરમિયાન અવસર નગરમાં દ્વિશાતબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. જેમાં 18 દેશના લાખો ભક્તો આવશે. અવસર મહોત્સવમાં ભક્તિભાવની સાથે સાથે ગ્લો ગાર્ડન અને ફ્લાવર શોનું અનોખું પ્રદર્શન પણ લોકોને અચંબિત કરી નાંખશે. 550 વીઘામાં પથરાયેલા આ વિશાળ અવસર નગરમાં શું-શું જોવા મળશે? અહીં સુધી કેવી રીતે પહોંચી શકાશે? પાર્કિંગની વ્યવસ્થા કેવા પ્રકારની હશે? એ અંગે દિવ્ય ભાસ્કરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પાસેથી માહિતી મેળવીને ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. 9 મંદિરની આબેહુબ પ્રતિકૃતિકુલ 550 વીઘા જમીનમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં 400 વીઘામાં મહોત્સવ ઉજવાશે જ્યારે 150 વીઘા જમીનમાં વિશાળ પાર્કિંગ હશે. એટલું જ નહીં અહીં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે સ્થાપના કરેલા નવે નવ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જેથી ભક્તોને એક જ સ્થળ પર બધા જ મંદિરના દર્શનનો લાભ મળી શકે. એક દિવસમાં 3 લાખ લોકો આવવાનો અંદાજઅમદાવાદના નારોલ-જેતલપુર હાઇવે પર અસલાલીથી આગળના બ્રિજ પરથી ડાબી તરફ વળતાં જ મહોત્સવનો રસ્તો આવશે. આ રસ્તા પર અંદાજે અડધો કિલોમીટર જતાં મહોત્સવ સ્થળ આવી જશે. અવસર નગરમાં નેશનલ હાઇવે, એસ.પી. રિંગ રોડ અને જેતલપુર ગામ એમ ત્રણ જગ્યાએથી પ્રવેશ કરી શકાશે. અહીં દિવસ દરમિયાન ત્રણેક લાખ લોકો આવવાનો અંદાજ હોવાના કારણે જેતલપુર ગામ તરફથી આવનારા માટે 5500 કારની ક્ષમતા, રિંગ રોડથી આવનારા માટે 1500 કારની ક્ષમતા અને નેશનલ હાઇવે તરફથી આવનારા માટે 2000 કારની ક્ષમતાવાળું પાર્કિંગ તૈયાર કરાયું છે. પાર્કિંગમાં ટાવર ઊભો કરાશે. જેમાં પાર્ક કરાયેલા વાહનો પર સ્વયંસેવકો દૂરબિનથી અને CCTVથી નજર રાખશે. ફોર વ્હીલર પાર્કિંગ માટે ટોકન અપાશે. આ ટોકન પાછું આપ્યા પછી જ કારને બહાર કાઢવા દેવામાં આવશે તેવું પણ પ્લાનિંગ થઇ રહ્યું છે. એક એક ખૂણા પર નજર રહે તે માટે આખા નગરમાં 450 કરતાં વધારે CCTV કેમેરા લગાવશે. પ્રવેશ માટે 2 ગેટનગરમાં પ્રવેશ માટે VVIP, મુખ્ય અતિથિઓ અને ભક્તો માટે 2 ગેટ તૈયાર કરાયા છે. જેમાં મુખ્ય ગેટને પવિત્ર બદ્રીનાથ ધામની થીમ પર તૈયાર કરાયો છે. જ્યારે બીજો ગેટ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગેટ જેવો જ આબેહુબ તૈયાર કરાયો છે. જેની બહાર ફાઉન્ટેન પણ મૂકવામાં આવશે. કઇ જગ્યાએ શું જોવા મળશે?જ્યારે તમે બદ્રીનાથ મંદિરની પ્રતિકૃતિવાળા ગેટથી અંદર પ્રવેશ કરશો એટલે ડાબી બાજુએ ગૌશાળા દેખાશે. અહીં ગાયોનો ઉછેર કેવી રીતે કરવો જોઇએ સાથે જ ગાયો મનુષ્યના જીવનમાં કેવી રીતે ઉપયોગી છે તે વિશેની માહિતી આપતું પ્રદર્શન ઊભું કરાયું છે. અહીંથી થોડે આગળ જતાં એક વિશાળ ફ્લાવર શો જોવા મળશે. જેમાં 2 લાખ 50 હજાર ફૂલોની મદદથી ધાર્મિક પ્રતીકો તૈયાર કરાયા છે. ભાવિ અને હાલની પેઢીમાં વૃક્ષો અને પર્યાવરણ અંગેની જાગૃતિ આવે તે માટે તેમની પાસે 10 વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ લેવડાવાશે. અહીં 200 ફૂટ બાય 200 ફૂટ પહોળી અને 100 ફૂટ ઊંચી એક ભવ્ય યજ્ઞ શાળા તૈયાર કરાઇ છે. જેમાં એક સાથે 200 કુંડમાં યજ્ઞ થશે. 4 વેદની 4 અલગ-અલગ યજ્ઞ શાળા તૈયાર કરવામાં આવી છે. આમ પૌરાણિક અને વૈદિક યજ્ઞ શાળાનો સમન્વય અહીં જોવા મળશે. એકસાથે 30 હજાર લોકો જમી શકે તેવી વ્યવસ્થાઅવસર નગરમાં 25 વીઘામાં ધર્મશાળા ઊભી કરાઇ છે. જેમાં સ્વયંસેવકો અને બહારગામથી આવેલા યાત્રિકો રહી શકે તે માટેની વ્યવસ્થા છે. એક સાથે 10 હજાર લોકો રહી શકે તેવી સુવિધા ઊભી કરાઇ રહી છે. 50 વીઘામાં 15 વિશાળ ડોમ તૈયાર કરાયા છે. જેમાં ભોજનાલય પણ છે. અહીં એક ડોમમાં એક સાથે 2 હજાર ભક્તો ભોજન પ્રસાદી લઇ શકે તેવી વ્યવસ્થા છે. જેથી એકસાથે 30 હજાર લોકો ભોજન કરી શકશે. ભોજન તૈયાર કરવા માટે 400 બાય 300 ફૂટનું 160 ચુલાવાળું મેગા કિચન તૈયાર કરાયું છે. અખંડ ધૂન માટે પણ એક ડોમ તૈયાર કરાયો. જેમાં બેસીને ભક્તો ભજન ગાઇ શકશે અને નાચી પણ શકશે. ભગવાન સ્વામિનારાયણના કાર્યોનું પ્રદર્શનઅહીં કુલ 6 ડોમમાં સ્વામિનારાયણ ભગવાને જેતલપુરમાં કરેલી ધાર્મિક ક્રાંતિનું પ્રદર્શન પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ભગવાને દૂર કરેલા કુરિવાજો અને દરેક સમાજને સાથે લઇને ચાલ્યાં હતા તેનું એક વિશાળ પ્રદર્શન હશે. જેની સાથે 50 બાય 10 ફૂટનું મોટું પેઇન્ટિંગ તૈયાર કરાયું છે. આ ઉપરાંત સ્ટોર રૂમ, પાણીની વ્યવસ્થા માટે દરરોજ 4 લાખ લીટર પાણી પ્યુરિફાઇ અને ઠંડુ કરી આપે તેવા RO પ્લાન્ટ ઊભા કરાશે. 10 બેડની હોસ્પિટલ ઊભી કરાઇલાખોની સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી અહીં 10 બેડની હોસ્પિટલ પણ કાર્યરત કરવામાં આવશે. જેમાં પ્રાઇમરી ચેકઅપથી લઇને પ્રાથમિક ટ્રીટમેન્ટ રહે તે માટે દરેક રોગના નિષ્ણાત ડોક્ટર્સ પણ હાજર રહેશે. નગરમાં એક મોટો પરિસંવાદ હોલ પણ તૈયાર કરાયો છે. જ્યાં જુદા જુદા નિષ્ણાતો અલગ અલગ વિષય પર પરિસંવાદ કરશે. આ ઉપરાંત સ્પર્ધાઓ પણ યોજાશે અને વિજેતાને સર્ટિફિકેટ પણ અપાશે. કથા મંડપમાં એકસાથે 20 હજાર લોકો બેસી શકશેનગરમાં એક મુખ્ય કથા મંડપ પણ તૈયાર કરાયો છે. જેમાં સંતો મહંતો અને આમંત્રિત મહેમાનો પ્રવચન કરશે. આ મંડપમાં એક સાથે 20 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. 52 કમિટિએ રાત-દિવસ મહેનત કરીજેતલપુરની ધરતી પર એક અઠવાડિયા સુઘી ચાલનારા આ કાર્યક્રમનું નામ વજેન્દ્ર પ્રસાદે રાખ્યું છે. નગરનું પ્લાનિંગ અને આયોજન વજેન્દ્ર પ્રસાદના નેતૃત્વમાં 40 સંતોએ કર્યું હતું. જેના પછી 4 સંત અને 10 ભક્તોની એક એવી કુલ 52 કમિટિ તૈયાર કરાઇ હતી. ઉત્સવની જાહેરાત થયા બાદ તેની ઉજવણી માટે સંતોએ સ્થળની શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન જેતલપુર ગામના લોકોએ પોતાની જમીન પર આ કાર્યક્રમ યોજવા માટે રજૂઆત કરી હતી. જેથી આ સ્થળની પસંદગી કરાઇ છે. આ માટે 104 થી વધુ ખેડૂતોએ અડધા વીઘાથી લઇને 50-50 વીઘા સુધીની જમીન કાર્યક્રમ માટે મફતમાં આપી દીધી છે. 8 વર્ષથી રોડનો વિવાદ હતોસૌથી અગત્યની વાત તો એ હતી કે રિંગ રોડથી કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવાના રસ્તે ટીપી સ્કીમ હેઠળ રોડ બન્યો હતો પણ 1 કિલોમીટરનો રોડ બનવાનો બાકી હતો. છેલ્લા 8 વર્ષથી આ રોડનો વિવાદ ચાલતો હતો કેમ કે સ્થાનિક ખેડૂતો આ જગ્યાનો કબજો ઔડાને આપતાં નહોતા. જો કે, આ કાર્યક્રમ માટે આ ખેડૂતોએ પોતાનો હક જતો કરીને વિવાદ વગર જમીન પર રસ્તો બનાવવાની મંજૂરી આપી. જેથી માત્ર 3 મહિનામાં રોડ તૈયાર થઇ ગયો. ખેડૂતોને જમીન પાછી અપાશેખેડૂતોએ આપેલી આ જમીન પર આજે કોઇ મુલાકાત લે તો એવો જરા પણ અંદાજો ન આવે કે આ કાર્યક્રમ ખેતર પર થઇ રહ્યો છે. મહોત્સવ પૂર્ણ થઇ ગયા પછી ખેડૂતોને તેમની જમીન જેવી હતી તેવી જ પાછી આપવામાં આવશે. કોઇને એકપણ ઇંચ જમીન ઓછી ન મળે તે માટે સંતોએ જમીનનો ડ્રોન અને ફિઝિકલ ખૂંટ એમ 2 રીતે સર્વે કરાવ્યો હતો. સાત સમુદ્ર પારથી ભક્તો આવશેઅવસર નગરની એક ઝલક જોવા માટે અને સેવા આપવા માટે સાત સમુદ્ર પારથી એટલે કે 18 દેશના ભક્તો અહીં આવવાના છે. જેમાં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, યુકે, જર્મની સહિત યુરોપના આઠેક દેશ, સિંગાપોર, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, ફિઝી, કેન્યા, કંપાલા, સાઉથ આફ્રિકા, કોંગો જેવા દેશોના શ્રદ્ધાળુઓ હશે. આ ઉપરાંત ખાડી દેશોમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં આવશે. ભક્તિ ભાવના આ ઉત્સવ દરમિયાન લોકોમાં પર્યાવરણ માટેની જાગૃતિ આવે તે માટેનો સંકલ્પ કરાયો છે. જેના ભાગરૂપે દર પૂનમે મંદિરે આવતાં ભક્તોને ફૂલ છોડ આપવામાં આવ્યાં હતા. ગામડે ગામડે જઇને ધૂન યોજીનરનારાયણ દેવના પીઠાધિપતિ આચાર્ય કોશલેન્દ્ર પ્રસાદ અને મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદના માર્ગદર્શનમાં ભાવિ આચાર્ય વજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષસ્થાને દ્વિશાતબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે. જેના માટેની તૈયારીઓ છેલ્લા 1 વર્ષથી શરૂ કરી દેવામાં આવી હતી. આ સાથે જ સભાઓ કરીને 200 કલાકની અખંડ ધૂન પણ કરવામાં આવી હોવાનું જેતલપુરના પુરૂષોત્તમ પ્રકાશ (પી.પી.) સ્વામીએ જણાવ્યું હતું. મંદિર સાથે જેટલા પણ ગામડાંઓ જોડાયેલા છે ત્યાં જઇ જઇને સભાઓ કરવામાં આવી હતી અને 200-200 કલાકની અખંડ ધૂન પણ યોજાઇ હતી. આ ઉપરાંત બીજા 500 જેટલા ગામોમાં જઇને 200 મિનિટની ધૂન કરાઇ હતી. જેતલપુર મંદિરનો ઇતિહાસભગવાન સ્વામિનારાયણે જેતલપુર ગામને કર્મભૂમિ બનાવ્યું હતું. ભૂતકાળમાં આ ગામ જતીલપુર તરીકે ઓળખાતું હતું. ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે અહીં રેવતી બળદેવજીની સ્થાપના કરી છે. ઇ.સ.1826માં અહીં 3 માળનું મંદિર બન્યું હતું. જેને 3 શિખરો અને 2 નાના શિખરો છે. મંદિરમાં અદભૂત કલાકૃતિ કરાઇ છે. મંદિરના મુખ્ય ખંડમાં રેવતી, બળદેવજી અને હરિકૃષ્ણ મહારાજની પ્રતિમા છે. જ્યારે મંદિરના પાછળના ભાગે ઘનશ્યામ મહારાજનું મંદિર છે. તેજેન્દ્ર પ્રસાદે તેની સ્થાપના કરી હતી. મંદિર પરિસરમાં 3 માળનો સભા મંડપ પણ છે. અમદાવાદ, મૂળી, ભુજ, વડતાલ,જેતલપુર, ધોલેરા, ધોળકા, જૂનાગઢ,ગઢપુર (ગઢડા) આ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે મંદિરોની સ્થાપના કરી હતી.
મ્યુનિ. શિક્ષણ માટે 4248 કરોડનું બજેટઃ 292 કરોડનો વધારો
સાયન્સ પાર્ક, એસ્ટ્રો લેબ, સાયબર સાક્ષરતા માટે જોગવાઈ 19 હજાર બાળકોને ટેબ્સ અપાશેઃ પરાંની શાળાઓમાં સીસીટીવી કેમેરા લાગશે મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકામાં શિક્ષણ વિભાગનું અલગ બજેટ આજે સવારે શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેશ્રી શિરવાડકર સમક્ષ એડિશનલ કમિશનર અવિનાશ ઢાકણે દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ રૃ. ૪૨૪૮.૦૮ કરોડનું છે, જે વર્તમાન શૈક્ષણિક વર્ષની સરખામણીમાં લગભગ રૃ.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ પ્રવાસ સાથે જોડાયેલા રહ્યા. પીએમ નેતન્યાહુએ તેમને એશિયાનો સિંહ ગણાવ્યા. બીજા મોટા સમાચાર NCERTના એક પુસ્તક પર CJIની નારાજગીને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કેનેડાના વડાપ્રધાન માર્ક કર્ની ભારત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ PM મોદી સાથે મુલાકાત કરશે. 2. ગૃહ મંત્રી અમિત શાહ બિહાર પ્રવાસે રહેશે. અહીં તેઓ ભારત-નેપાળ સરહદ સુરક્ષાની સમીક્ષા કરશે. કાલના મોટા સમાચારો 1. ઇઝરાયલી સંસદમાં મોદીએ હમાસ હુમલાની નિંદા કરી:કહ્યું- અમે તમારું દુઃખ સમજીએ છીએ, ભારત પણ લાંબા સમયથી આતંકવાદથી પીડાઈ રહ્યું છે PM નરેન્દ્ર મોદી બે દિવસના ઇઝરાયલ પ્રવાસે છે. ઇઝરાયલી સંસદને સંબોધતા તેમણે ઇઝરાયલ પર હમાસના હુમલાની નિંદા કરી. મોદીએ કહ્યું, 'અમે તમારું દુઃખ સમજીએ છીએ, ભારત લાંબા સમયથી આતંકવાદથી પીડાય છે.' તેમણે કહ્યું કે ભારત હવે અને ભવિષ્યમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે ઇઝરાયલ સાથે ઉભું છે. મોદીએ કહ્યું કે કોઈપણ કારણોસર નાગરિકોની હત્યાને વાજબી ઠેરવી શકાય નહીં, અને આતંકવાદને કોઈપણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય નહીં. મોદી નેસેટને સંબોધન કરનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. સંસદમાં પહોંચ્યા પછી સાંસદોએ ઉભા થઈને તાળીઓ પાડીને મોદીનું સ્વાગત કર્યું અને મોદી, મોદી!ના નારા લગાવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'જ્યુડિશિયલ કરપ્શન' ચેપ્ટરવાળી NCERT બુકના વેચાણ પર પ્રતિબંધ:CJIએ કહ્યું હતું, કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નથી; હું પોતે આ કેસની તપાસ કરીશ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના ભારે વાંધાને પગલે જ્યુડિશિયલ કરપ્શન ચેપ્ટરવાળી NCERT બુક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. NCERTનાં સૂત્રોએ સમાચાર એજન્સી ANIને આ વાતની પુષ્ટિ કરી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિભાગ લખવો જોઈતો ન હતો અને આવાં પાસાને પ્રકાશિત કરવાં અયોગ્ય છે. સરકારનો દાવો છે કે બાળકોનાં પુસ્તકોમાં પ્રેરણાદાયી વસ્તુ હોવી જોઈએ. CJI સૂર્યકાંતે બુધવારે આ મુદ્દા પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, દુનિયામાં કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ એક સારી રીતે વિચારીને લેવાયેલો નિર્ણય લાગે છે. હું આ કેસ જાતે જ સંભાળીશ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'હું વચ્ચે પડ્યો ન હોત તો પાકિસ્તાની PM માર્યા જાત':ભારત-પાક યુદ્ધ પર ટ્રમ્પનો ઘટસ્ફોટ, કહ્યું- મેં પરમાણુ યુદ્ધ રોકાવ્યું અને કરોડો લોકોના જીવ બચાવ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સંસદ (કોંગ્રેસ)માં પોતાના બીજા કાર્યકાળનું બીજું ‘સ્ટેટ ઑફ ધ યુનિયન’ સંબોધન આપ્યું. આ દરમિયાન તેમણે દાવો કર્યો છે કે 2025ના ભારત-પાકિસ્તાન લશ્કરી તણાવ દરમિયાન તેમના રાજદ્વારી હસ્તક્ષેપથી પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફનો જીવ બચ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે જો તેમણે દરમિયાનગીરી ન કરી હોત તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકી હોત. તેમનો દાવો છે કે એ સમયે પરિસ્થિતિ પરમાણુ સંઘર્ષ તરફ આગળ વધી રહી હતી અને તેમની વાટાઘાટોથી 35 મિલિયન લોકોના જીવ બચી ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. અમેરિકામાં બરફીલા તોફાનને કારણે 11 હજાર ફ્લાઇટ્સ રદ:5 લાખ ઘરોમાં વીજળી ગુલ, 153 વર્ષમાં પહેલીવાર ન્યૂઝપેપર છપાયા નહીં અમેરિકામાં ભયંકર તેજ પવનો અને ભારે હિમવર્ષાને કારણે એરપોર્ટ પર રનવે બંધ કરવા પડ્યા અને ઘણી જગ્યાએ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. અહીં રવિવારથી મંગળવારની વચ્ચે 11,055થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. માત્ર સોમવારે જ લગભગ 5,600 થી 5,700 ફ્લાઇટ્સ રદ થઈ, જે દેશભરની ફ્લાઇટ્સના લગભગ 20% હતી. આ માહિતી ફ્લાઇટ ટ્રેકિંગ કંપની ફ્લાઇટઅવેર દ્વારા આપવામાં આવી. નેશનલ વેધર સર્વિસ અનુસાર, રોડ આઇલેન્ડ અને મેસેચ્યુસેટ્સના કેટલાક ભાગોમાં લગભગ 37 ઇંચ સુધી બરફ પડ્યો. હિમવર્ષાને કારણે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં 6 લાખથી વધુ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ. સોમવાર સાંજ સુધીમાં 5 લાખ 19 હજાર 232 ઘર અને ઓફિસો વીજળી વગરના હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. VIROSH વેડિંગ: હલ્દી સેરેમનીનો PHOTO સામે આવ્યો:મ્યૂઝિક પાર્ટીમાં કપલે હાથમાં હાથ નાખી એન્ટ્રી કરી, કપલ ડાન્સની પણ ચર્ચા; કાલે એક દિ'માં બે પરંપરાથી લગ્ન ઉદયપુરમાં એક્ટર વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાની આજે મહેંદીની વિધિ થશે. સાંજે સંગીતનો કાર્યક્રમ યોજાશે. આ ખાસ અવસર માટે 'મોમેન્ટોસ એકાયા' હોટલને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવી છે. બંને 26 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. લગ્નમાં બંને પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મહેમાનો જ હાજર રહેશે. લગ્ન કરાવવા માટે પંડિતો પણ આજે ઉદયપુર પહોંચી ગયા છે. જ્યારે ફિલ્મ-પ્રોડ્યુસર-ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા પણ પહોંચ્યા છે. તેમની તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'માં વિજય દેવરાકોંડા મુખ્ય ભૂમિકામાં હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. મે મહિનામાં વાગશે ચૂંટણીના ઢોલ!:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ તેજ, મતદાન મથક, કર્મચારી નિમણૂંક અને EVMની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી હવે મે મહિનાના મધ્યકાળમાં યોજાઈ શકે છે તેવી શકયતા પ્રબળ બની રહી છે. અંતિમ મતદાર યાદી તૈયાર થઈ જતાં ચૂંટણી યોજવા માટેનો માર્ગ હવે લગભગ મોકળો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા-મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટે મતદાન પ્રક્રિયા મે મહિનાના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને મતદાન મથકોની યાદી, કર્મચારીઓની નિમણૂંક તથા ઈવીએમ મશીનોની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. એલર્ટ! ટ્રાફિક-પોલીસનાં ધાડાં રસ્તા પર ઊતર્યાં:નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે, અકસ્માતોની સંખ્યા વધતાં આજથી 10 માર્ચ સુધી રાજ્યમાં ટ્રાફિક ડ્રાઇવ જો આજથી તમે હેલ્મેટ વિના, નંબરપ્લેટ વિનાની ગાડી, કાળા કાચવાળી ગાડી અથવા રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય તો પોલીસ તમારી સામે કાર્યવાહી કરશે, કારણ કે 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી રાજ્યમાં માર્ગ અકસ્માત ઘટાડવા માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવા માટે રાજ્ય પોલીસવડા કે.એલ.એન.રાવ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસવડાને સૂચના આપવામાં આવી છે. જેથી આજથી ટ્રાફિક-પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો રોડ ઉપર ઊતરી ટ્રાફિકના નિયમોના ભંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : બોયફ્રેન્ડની સામે 7 લોકોએ મહિલા પર બળાત્કાર કર્યો:10 હજાર ટ્રાન્સફર કરાવ્યા, આસામમાં 2ની ધરપકડ; એક આરોપીના પરિવારે પત્રકાર પર હુમલો કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારતીય સોલર પેનલ પર અમેરિકાએ 126% ડ્યુટી લગાવી:કહ્યું- ચીન ભારત દ્વાર સસ્તા ઉત્પાદનો મોકલી રહ્યું છે, ઇન્ડોનેશિયા પર 143% ટેક્સ લગાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 30 હજારની લાંચે કરોડોના કૌભાંડનો ભાંડો ફોડ્યો:ડેપ્યુટી ડાયરેક્ટરના ઘરેથી 4.27 કરોડ રોકડા મળ્યા, સૂટકેસ-ટ્રોલી બેગ અને કબાટમાં રૂપિયા જ રૂપિયા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકાના ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયરના શૌચાલય જામ:45 મિનિટ લાઈનમાં ઊભા રહેવું પડે છે, સમારકામ મુદ્દે ટેકનિશિયન અને સૈનિકો વચ્ચે ઝપાઝપી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : અનિલ અંબાણીને બે દિવસમાં બીજો ઝટકો:EDએ 17 માળનું ઘર જપ્ત કર્યું, કિંમત 3716 કરોડ રૂપિયા; 40,000 કરોડના ફ્રોડ કેસમાં કાર્યવાહી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા સાવ ધૂંધળી:ક્વોલિફિકેશન માટે બીજાની હાર-જીતની પ્રાર્થના કરવી પડશે, જાણો બાકીની ટીમનાં સમીકરણો શું છે? વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મંગળનું ગોચર, કુંભ રાશિમાં પંચગ્રહી યોગ:મેષ રાશિના લોકો પર ધનવર્ષા, તુલાના જાતકોને સફળતા; વૃષભ-કર્કના જાતકોએ 2 એપ્રિલ સુધી સાવધ રહેવું વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ગાય ચરાવવા માટે મળશે 10 હજાર રૂપિયા રાજસ્થાનમાં શિક્ષણ મંત્રી મદન દિલાવરે ‘ગામ ગ્વાલા યોજના’ની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ એક ગોવાળને આશરે 70 ગાયો ચરાવવાની રહેશે. તેના બદલામાં તેને દર મહિને 10 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: ઈરાન પર હુમલો કરવા ગયેલા USS જેરાલ્ડ ફોર્ડનું ટોયલેટ જામ; દુનિયાનું સૌથી મોંઘુ યુદ્ધજહાજ નકામું થઈ જશે? 2. જે રસોડામાં રસોઈ બનતી ત્યાં જ પતિની લાશ દાટી દીધી: પત્નીએ પ્રેમી સાથે મળી કાવતરું ઘડ્યું, એક ફોન આવ્યો ને ભાંડો ફૂટી ગયો 3. ભાસ્કર એક્સક્લૂસિવ : કેવું છે દેશનું સૌથી મોટું ડિટેન્શન સેન્ટર: દલાલને 6-6 હજાર આપીને ભારત આવ્યા, 34 હજારમાં વેચાઈ બાંગ્લાદેશની સૂફી 4. પારકી પંચાત : ‘કંઈ ના થાય’ બોલ્યા ને પથ્થરનો ઘા આવ્યો: જિગીષા પટેલ પર હુમલો પોલિટિકલ સ્ટંટ હતો?; બોઇલ્ડ ભાજી ખાઈ CM બોલ્યા, ‘ટેસ્ટ જાળવી રાખ્યો છે હોં’ 5. Editor's View: કોંગ્રેસના ટીશર્ટ પર 'દેશદ્રોહ'નું ટેગ: વિરોધને દબાવ્યો તો વિસ્ફોટ થયો, એપસ્ટીન મુદ્દે સરકારનું મૌન; લોકશાહીને લાંછન લગાવતી ઘટનાનું ઈનડેપ્થ એનાલિસિસ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:મેષ અને કુંભ જાતકોની મહેનત સફળતાના દ્વાર ખોલશે, વૃષભ અને મીન જાતકોનું દાંપત્ય જીવન સુખી રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
કાર્યવાહી:બુટલેગર ગેંગનો ફરાર લીડર ગાંધીગ્રામના શખ્સની ધરપકડ
જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતો બુટલેગર રવિ હમીરભાઈ ભારાઈની 6 શખ્સની ગેંગ વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચે ગઇ તા. 11 ડિસેમ્બરે શીલ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો દાખલ કરાવ્યો હતો. રવિ ભારાઈએ તેના 5 સાગરીત સાથે દિવ દમણ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને ગોવા રાજ્યમાંથી વિદેશી દારૂની હેરફેર માટે ખોટા દસ્તાવેજ બનાવી આર્થિક ગુના આચરતી ટોળકી બનાવી હતી અને વિદેશી દારૂની આયાત માટે ટ્રક સહિતના વાહનના એન્જિન, ચેસીસ નંબર સાથે ચેડા કરી બોગસ ટ્રાન્સપોર્ટ, જીએસટી બિલ બનાવી આર્થિક સહિત 65 જેટલા ગુના જૂનાગઢ સહિત 6 જિલ્લામાં આચર્યા હતા. કેસમાં તાલાલાનો વિપુલ ઉર્ફે પૂંજો રામભાઈ ઉર્ફે રમણ ખાંભલા, રૂદલપુરનો રાજુ ખેતાભાઇ કરમટા, પોરબંદરના કાટવાણા ગામનો મના કાનાભાઈ કટારા અને તાલાલાનો રામા નારણ ચોપડાની પોલીસે અટક કરી હતી. ગેંગ લીડર રવિ હમીરભાઈ ભારાઈ ગુનો નોંધાયા બાદ નાસતો ફરતો હતો. દરમ્યાન બુધવારે તપાસનીશ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ આરોપી રવિ ભારાઈની ધરપકડ કરી હતી અને ગુરુવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવાશે.
આંદોલનની ચીમકી:આંગણવાડી કાર્યકરોની કલેકટર કચેરી સુધી રેલી શોષણ અને વહીવટી અન્યાય સામે સૂત્રોચ્ચાર
ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ સંલગ્ન - ભારતીય મજદુર સંઘ દ્વારા આંગણવાડી કાર્યકર અને બહેનોના પડતર પ્રશ્નો બાબતે જૂનાગઢ કલેકટર કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંગઠન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં ICDS વિભાગના અધિકારીઓના શોષણયુક્ત વર્તન અને વધારાની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા 15 ફેબ્રુઆરી 2026 સુધીમાં નવા મોબાઈલ આપવાની ખાતરી આપવામાં આવી હતી, જે આજદિન સુધી પૂર્ણ થઈ નથી. કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે પોષણ ટ્રેકર, પોષણ સંગમ અને અગમ જેવી એપ્લિકેશનોમાં 80 ટકા જેટલી ટેકનિકલ એરર આવે છે, તેમ છતાં અધિકારીઓ દ્વારા બહેનોને માનસિક ત્રાસ આપી રાજીનામા ધરી દેવાની ધમકી આપવામાં આવે છે. વધુમાં, લાભાર્થીઓના વજન-ઊંચાઈના ડેટામાં વિસંગતતા, નાસ્તાના બિલ અને ગેસ બિલની બાકી ચૂકવણી તેમજ એનજીઓ દ્વારા અપાતા હલકી ગુણવત્તાના નાસ્તા જેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સંગઠને માંગ કરી છે કે તમામ આંગણવાડીઓમાં નાસ્તો વર્કર-હેલ્પર બહેનો દ્વારા જ બનાવવામાં આવે જેથી બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે. જો વહેલી તકે આ નાણાકીય અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી મહામંત્રી ભાવિકા બી. ચાંઉ દ્વારા આપવામાં આવી છે.
ફરિયાદ:પતિએ મારપીટ કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી
અવાણીયા ગામની પરિણીતાને સાસુ-સસરાની ચડામણીથી પતિએ મારપીટ કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી હોવાની ફરિયાદ થતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી હતી. હાલ માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામે પિયરમાં રહેતા 21 વર્ષીય અભિક્ષાબેનના લગ્ન મૂળ કેશોદ તાલુકાના કરેણી ગામના હાલ રાજકોટના શાપર વેરાવળ રહેતા ભગવાનજીભાઈ સુનીલભાઈ સોંદરવા સાથે પ્રેમલગ્ન થયા હતા. લગ્નના શરૂઆતના 4 મહિના બાદ જ સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ મિનાક્ષીબેન અને સસરા સુનીલભાઈ ઘરકામ બાબતે મેણા-ટોણા મારી પરિણીતા પર શંકા-કુશંકા કરતા હતા. પતિ ભગવાનજીને દારૂ પીવાની ટેવ હોવાથી તે અવારનવાર ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતો હતો. ગત તા. 18 જાન્યુઆરીના રોજ સાસુ-સસરાની ચડામણીથી પતિએ પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે કંટાળીને પરિણીતાએ તેના પિતાના ઘરે આશરો લીધો હતો. આ અંગે પરિણીતાએ મંગળવારે ફરિયાદ કરતા માળીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આયોજન:સાળંગપુરમાં તા. 2 અને 4 માર્ચે દીક્ષા સમારોહ: 8મી માર્ચે રંગોત્સવ યોજાશે
BAPS સ્વામિ નારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ મહંત સ્વામી મહારાજનું બુધવારે સાળંગપુર તીર્થધામ ખાતે આગમન થયુ હતુ. સાળંગપુર મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થતાં જ ઉપસ્થિત સંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તોએ જયનાદ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ ક્ષણે BAPSના યુવકો અને બાળકો દ્વારા વિશેષ નૃત્યાંજલિ અર્પણ કરી ગુરુહરિ પ્રત્યે અનન્ય ભાવવંદના રજૂ કરવામાં આવી હતી.ઉલ લેખનીય છે કે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આગામી તા. 18 માર્ચ સુધી સાળંગપુર મુકામે રોકાણ કરશે. આગામી 2 અને 4 માર્ચના અનુક્રમે પાર્ષદી અને ભાગવતી દીક્ષા સમારોહ યોજાશે. જેમાં ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા નવયુવાનો સંસારના ભૌતિક સુખોનો ત્યાગ કરી ત્યાગા શ્રમનો પવિત્ર માર્ગ સ્વીકાર શે.તેમજ 8 માર્ચના મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ભવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે.. દેશ-વિદેશના હજારો હરિભક્તો આ ઉત્સવોમાં સહભાગી થઈ ધન્યતા અનુભવશે..મહંત સ્વામી મહારા આગામી 18 માર્ચ સુધી સત્સંગનો લાભ આપશે.
ફરિયાદ:બોટાદમાં એસટી ડ્રાઈવર પર રિક્ષા ચાલકનો હુમલો,પાઈપથી માથું ફોડ્યું
બોટાદમાં સરકારી ફરજ પર રહેલા એસટી ડ્રાઈવર પર એક રિક્ષા ચાલકે અમાનુષી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. લોખંડના પાઈપ વડે થયેલા આ હુમલામાં ડ્રાઈવરને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા છે. પોલીસે હુમલાખોર રીક્ષા ચાલક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ફરિયાદી હરેશભાઈ પાલજીભાઈ ચાચીયા (રહે. બોટાદ) એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગત 24 ફેબ્રુઆરીના રોજ તેઓ ઇંગોરાળા-બોટાદ રૂટની બસ (GJ-18 ZT 2272) લઈને બોટાદ તરફ આવી રહ્યા હતા. સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં બોટાદ-ભાંભણ રોડ પર શેરી નં-6 પાસે એક રીક્ષા (GJ-07 AU 1083) રોંગ સાઈડમાંથી ધસી આવી હતી.ડ્રાઈવરે બસ સાઈડમાં ઉભી રાખતા રીક્ષા ચાલકે ઉશ્કેરાઈને ગાળાગાળી શરૂ કરી હતી. આ દરમિયાન ડ્રાઈવરે ગાળો બોલવાની ના પાડતા રીક્ષા ચાલકે રિક્ષામાંથી લોખંડનો પાઈપ કાઢી પહેલા બસના કાચ ફોડી નાખ્યા હતા. ત્યારબાદ જ્યારે ડ્રાઈવર નીચે ઉતર્યા ત્યારે તેમના પર પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ડ્રાઈવરને માથાના ભાગે પાઈપ વાગતા તેમને કુલ 4 ટાંકા આવ્યા (કપાળ ઉપર 1 અને પાછળ 3) આ ઉપરાંત બચાવ કરવા જતા જમણા હાથના કાંડા પર પાઈપ વાગ્યો હતો.જ્યારે એસટી બસના કાચને નુકશાન થયુ હતુ અને ડ્રાઈવરનો મોબાઈલ તોડી નાખ્યો હતો. હુમલો ઉગ્ર બનતા બસના કંડક્ટર જગદીશભાઈએ તાત્કાલિક વચ્ચે પડી રીક્ષા ચાલકના હાથમાંથી પાઈપ પકડી લીધો હતો અને ડ્રાઈવરને વધુ માર ખાતા બચાવ્યા હતા. જતા-જતા રીક્ષા ચાલકે જો ફરી અહીથી બસ કાઢી તો મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત ડ્રાઈવરને બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયા હતા. બોટાદ પોલીસે આ મામલે રીક્ષા ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 221, 324, 115(2), 118(1) ,352 અને 351(3) અને સરકારી મિલકતને નુકસાન કરવા બદલ કલમ દાખલ કરી ગુનો નોંધ્યો છે
ધરપકડ:બોટાદથી ચોરાયેલા બાઈક કેસમાં 2 આરોપી બાઈક સહિત પકડાઈ ગયા
રાણપુર તાલુકાના નાગનેશ ગામનો યુવક તેના મિત્ર સાથે બોટાદમાં ખરીદી કરવા આવતા બોટાદ ટાવર રોડ ઉપર પંચવટી હોટલની સામે રોડની બાજુમાં ડેલા પાસે પાર્ક કરેલ બાઈક કોઈ ચોરી કરી લઈ ગયાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ જે કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. નાગનેશ ગામે રહેતા શૈલેશભાઇ રાજેશભાઈ બારૈયા ગત 15 ફેબ્રુઆરી નાં તેના મિત્ર સાથે બોટાદમાં ખરીદી કરવા આવ્યો હતો સવાર ના સમયે બોટાદ ટાવર રોડ ઉપર પંચવટી હોટલની સામે રોડની બાજુમાં ડેલા પાસે બાઈક પાર્ક કરેલ ત્યારબાદ ખરીદી કરી પરત જવા બપોરના સાડા ત્રણેક વાગ્યે બાઈક મુકેલ હતુ તે જગ્યાએ જઈને જોતા તે જગ્યાએ બાઈક હતુ નહી જેથી આજુબાજુમા શોધખોળ કરી હતી પરંતુ બાઈક મળી આવેલ નહી જેથી GJ-13-R-3434 નંબરનુ બાઈક કોઇ ચોરી કરી લઈ ગયાની 23 ફેબ્રુઆરીના બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ આ બાઈક ચોરી કેસમાં પી.એસ.આઈ. વી.સી. ભરવાડ તથા સર્વેલન્સ ટીમની વિવિધ ટીમો સાથે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અનાર્મ. હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા તથા પ્રફુલકુમાર પટેલે આરોપી રાજેશ દેવજીભાઈ કણઝરીયા, અલ્પેશ મનજીભાઈ મકવાણા (રહે.બન્ને બોટાદ)ને એકનંબર વગરની સ્પ્લેન્ડર પ્લસ બાઈક કબ્જે કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતાં આરોપીઓએ આ બાઈક ગત 15 ફેબ્રુઆરીએ ટાવર રોડ ઉપર પંચવટી હોટલની સામે રોડની બાજુમાં ડેલા પાસેથી ચોરી હોવાની કબુલાત કરી હતી.
કરૂણાંતિકા:મચ્છર ભગાડવા કરેલી અગરબત્તીથી ગાદલામાં આગ લાગતા વૃદ્ધનું મોત
બગસરાના મેઘાણીનગર વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટનામાં મચ્છર ભગાડવા માટે કરવામાં આવેલી અગરબતી અને બીડી પીવાની ટેવને કારણે કોઈ રીતે ગાદલામાં આગ લાગતા એક 90 વર્ષીય વૃદ્ધ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. બગસરાના મેઘાણીનગરમાં રહેતા અને મજૂરી કામ કરી જીવનનિર્વાહ કરતા 90 વર્ષીય જીવરાજભાઇ ગોકળભાઇ પોપલીયા ગઈ કાલે સવારના આશરે 08:50 વાગ્યા પહેલા પોતાના રૂમમાં હતા. વૃદ્ધને બીડી પીવાની આદત હતી અને મચ્છરોથી બચવા માટે રૂમમાં ધુમાડો કર્યો હતો. આ દરમિયાન અચાનક ગાદલામાં આગ લાગી ગઈ હતી. વય મર્યાદાને કારણે વૃદ્ધ કદાચ સમયસર બહાર નીકળી શક્યા ન હતા અને ગંભીર રીતે દાઝી જવાથી તેમનું ઘટનાસ્થળે જ અકાળે અવસાન થયું હતું. આ ઘટના અંગે મૃતકના પુત્ર કિશોરભાઇ જીવરાજભાઇ પોપલીયા દ્વારા બગસરા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને લઈ તાત્કાલિક બગસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડાયા હતા.
મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ:ધારીમાં વીજ તંત્ર દ્વારા 49 વીજ જોડાણો કાપી નખાયા
ધારીમાં વિજ કચેરીમાં મેગા ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં કચેરી તરફથી જુદી જુદી 10 ટીમો બનાવી 99 જેટલા ગ્રાહકોના બાકી 5.94 લાખ વસુલવાની કામગીરી હાથ ધરી હતી. ધારીમાં આયોજિત મેગા ડીસ કનેકશન ડ્રાઈવમાં 49 વિજ જોડાણમાં 3.66 લાખ ભરપાઈ ન કરતા આ તમામના વિજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. 49 લોકોના વિજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. તેમજ 50 વિજ ગ્રાહકોએ 2.03 લાખ વિજબીલની રકમ ભરપાઈ કરી દીધી હતી. ધારીમાં મેગા ડીસ કનેકશન ડ્રાઈવનું નાયબ ઈજનેર જે.એલ.સાંગાણીના સુપરવીઝન નીચે આયોજન કરવામાં આવ્યું હતું. વિજ વિભાગની આ ડ્રાઈવથી વિજબીલ ન ભરપાઈ કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
વિજ કંપનીએ બાકી બિલની ઉઘરાણી શરૂ કરતા જ સાવરકુંડલા પાલિકાએ 26.56 કરોડનો ચેક વિજ વિભાગને આપી દીધો હતો. સાવરકુંડલામાં વિજ બિલ બાકીદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં PGVCL દ્વારા વિજ બિલના બાકીદારો સામે મેગા કનેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 25 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા મેગાડીશ કનેક્શન ડ્રાઇમાં 19.73 લાખ બાકી હોવાથી કુલ 192 કનેક્શન કાપી નાખ્યા હતા. આ ઉપરાંત 15.25 લાખ રિકવર કરી રૂપિયા 5200નો રી કનેક્શન ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ નગરપાલિકાની રૂપિયા 26.56 કરોડનો ચેક આ ઝુંબેશમાં વિજ વિભાગને આપ્યો હતો. વીજ જોડાણ ન કપાય તેના માટે લાઈટ બિલ ભરી દેવા પીજીવીસીએલ દ્વારા અપીલ કરવામાં આવી છે. પાલિકાએ વ્યાજ અને અન્ય ચાર્જ માફ કરવાના વાંધા સાથે પાણી શાખાનું બિલ ચુકવ્યું હતું. સાવરકુંડલા પંથકમાં વિજ વિભાગે 192 લોકોના કનેકશન કાપી નાખ્યા હતા. આ કામગીરી માટે અમરેલી જિલ્લાના 29 સબ-ડિવિઝનમાં દસ-દસ માણસોની કુલ 290 ટીમો તૈનાત કરવામાં
કામગીરી:લુણીધારના યુવકને મરી જવા મજબૂર કરનાર ટોળકી સામે અંતે ગુનો નોંધાયો
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના લુણીધાર ગામે હનીટ્રેપ અને બ્લેકમેઇલિંગનો ભોગ બનલા એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. આ મામલે મૃતકના ભાઈ રવજીભાઇ ચાવડાએ વડીયા પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી જ્યોતીબેને મૃતક સુનીલભાઇને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ અન્ય ચાર આરોપીઓએ પણ સુનીલના લગ્ન જ્યોતી સાથે કરાવી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધો હતો. આ લાલચમાં આવીને સુનીલભાઇએ આરોપીઓને રૂપિયા અઢી લાખ રોકડ, સોનાનો ચેઇન તેમજ પોતાના અગત્યના ડોક્યુમેન્ટ્સ સોંપી દીધા હતા. પૈસા અને દાગીના પડાવી લીધા બાદ આરોપીઓનો અસલી ચહેરો સામે આવ્યો હતો. આ ગેંગે સુનીલભાઈ પાસે વધુ નાણાંની માંગણી શરૂ કરી હતી અને જો પૈસા ન આપે તો તેના પર બળાત્કારનો પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. સતત ત્રણ વર્ષથી ચાલતા આ માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને સુનીલભાઇએ અંતે આઘાતમાં આવી લુણીધાર સ્થિત પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. વડીયા પોલીસે આ મામલે આઈ.પી.સી.ની સંબંધિત કલમો હેઠળ જ્યોતીબેન દવંડે, અજય દવંડે, ગોવિંદરાવ દવંડે, કિરણબેન દવંડે અને જ્યોતીબેનના માતા તમામ રહે. રાજકોટ, મૂળ મધ્યપ્રદેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
કાર્યવાહી:નવા ઉજળાના શખ્સને પાસા હેઠળ પાલનપુરની જેલમાં ધકેલી દેવાયો
વડીયાના નવા ઉજળા ગામે રહેતા રણજીત કાંતીભાઈ વાઘેલા સામે વડીયા, રાજુલા અને તળાજા પોલીસ મથકમાં ચાર ગુના નોંધાયેલા હતા. તેમજ મિલકત સબંધીત ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે. વડીયાના પીઆઈ એ.એન.ગાંગણાએ રણજીત કાંતીભાઈ વાઘેલા (ઉ.વ.22) વિરૂદ્ધ જરૂરી પુરાવા એકત્રીત કરી મેજીસ્ટ્રેટ સમક્ષ પાસાની દરખાસ્ત રજુ કરી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ દ્વારા રણજીત વાઘેલાને પાસા હેઠળ પાલનપુર જિલ્લા જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. અમરેલી જિલ્લા પોલીવડા સંજય ખરાતની સૂચનાથી એલસીબી ટીમે રણજીત વાઘેલાને પાસા હેઠળ જેલમાં ધકેલવાની કાર્યવાહી કરી હતી.
કાર્યક્રમ:પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને પાયાના તત્વોઅંગે ખેડૂતોને સમજણ આપવામાં આવી
અમરેલી પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવે છે. અમરેલીના મોટા આંકડીયામાં અંજીર ફાર્મ ખાતે ખેડૂતો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા આંકડીયા, માલવણ, દહીડા અને પીપળીયા ગામના 150 થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી મેળવી હતી. રાસાયણિક ખેતી થકી જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે. પેસ્ટીસાઈડ્સના કારણે વિવિધ ઉત્પાદિત પાકની ગુણવત્તા ઘટી રહી છે સાથે માનવીય આરોગ્ય પરનો ખતરો સતત વધી રહ્યો છે. તાલીમ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને અંજીર ફાર્મ ખાતે મુલાકાત કરાવવામાં આવી હતી. સાથે પ્રાકૃતિક કૃષિના પાયાના તત્વો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, વાપ્સા, મિશ્ર પાક પદ્ધતિ સહિતના વિવિધ આયામો વિષયક માહિતી પુરી પાડવામાં આવી હતી. ખેડૂતોએ અંજીરની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું જીવંત નિરીક્ષણ કર્યું હતુ. આ તકે તાલુકાના વિસ્તરણ અધિકારી રાહુલભાઈ શેખવા અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ ઝીડ, માસ્ટર ટ્રેનર વૈશાલીબેન ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
માગ:રાજુલાના ચાંચ સહિત 13 ગામોને વસ્તી ગણતરીમાં યોગ્ય ન્યાય આપો
રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ચાંચ ગામ સહિત આસપાસના અનેક ગામોના વહીવટી પ્રશ્નો અને ખાસ કરીને વસ્તી ગણતરી મુદ્દે ભાજપના પદાધિકારીઓ દ્વારા રાજ્ય કક્ષાએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.ગ્રામજનોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે હેતુથી આ ગામોના નામ મામલતદાર કચેરીના રેકોર્ડ મુજબ વસ્તી ગણતરીમાં સુનિશ્ચિત કરવા માંગ ઉઠી છે. રજૂઆતમાં સમાવિષ્ટ કરવા ચાંચ, ખેરા, પટવા, સમઢિયાળા-1, ધાતરવડી, વિસળીયાં, વિકટર, પીપાવાવ, નિંગાળા, કડીયાળી, ભેરાઈ અને દેવપરા સહિતના ગામોના નામનો ઉલ્લેખ કરાયો છે. ભાજપ આગેવાન કાનજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, આ તમામ ગામોના નામ મામલતદાર કચેરીના દફતરે નોંધાયેલા છે. વસ્તી ગણતરી એ સરકારી સુવિધાઓ અને ગ્રાન્ટ ફાળવણી માટેનો પાયો છે. જો વસ્તી ગણતરી અને અન્ય વહીવટી કામકાજમાં આ ગામોનો યોગ્ય રીતે સમાવેશ થાય, તો જ ગ્રામજનોને વસ્તી આધારિત સરકારી યોજનાઓ, આરોગ્ય સુવિધાઓ અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો સીધો લાભ મળી શકે તેમ છે. જેને આ ગંભીર મુદ્દે યોગ્ય નિકાલ લાવવા માટે સાંસદ ભરત સુતરીયા, મંત્રી કુંવરજી બાવળિયા, કાનૂન-ન્યાયતંત્ર અને ઉર્જા વિભાગ મંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, અતુલ કાનાણી સહિતનાને લેખિત રજૂઆત કરી છે. અગાઉ વર્ષ 2021 માં જ્યારે વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાવાની હતી, ત્યારે પણ આ અંગે લેખિત જાણ કરવામાં આવી હતી. તે સમયે મામલતદાર દ્વારા આ ગામોની એક સત્તાવાર યાદી પણ તૈયાર કરાઇ હતી.
રજુઆત:ચૈત્રી નવરાત્રિમાં સા. કુંડલાથી કનકાઈ એસટી બસ શરૂ કરો
સાવરકુંડલાના સેવાભાવી અને સિનિયર સીટીઝન અગ્રણી નયનભાઈ ગાંધી અને તેમની ટીમ દ્વારા સાવરકુંડલા એસ.ટી. ડેપો મેનેજરને પત્ર પાઠવી સાવરકુંડલાથી કનકાઈ સુધીની લોકલ બસ ચૈત્રી નવરાત્રી દરમિયાન ચાલુ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. સાવરકુંડલા ડેપોની સાવરકુંડલાથી આગામી ચૈત્ર માસ તારીખ 19 માર્ચ 2026થી 27 માર્ચ દરમિયાન સાવરકુંડલા કનકાઈ માતાજીની બસ સુવિધા શરુ કરવા અંગે રજુઆત કરવામાં આવી હતી. ગીર મધ્યે આવેલ કનકાઈ માતાજી મંદિરમાં માતાજીની ભક્તિ અને આરાધના માટે ચૈત્રી નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવાના આવે છે. બધા હિન્દૂ ભક્તો માટે એક અનેરો અવસર હોય છે અને દરેક ધાર્મિક પ્રજા કનકાઈ માતાજીના દર્શન કરવા માટે તત્પર હોય છે. સામાન્ય સંજોગોમાં ત્યાં જવા માટે કોઈપણ બસ સુવિધા સાવરકુંડલાથી નથી પરંતુ જો આ સમય દરમિયાન સ્પેશ્યલ બસ 10 દિવસ માટે દોડાવવામાં આવે તો સાવરકુંડલા આજુબાજુના વિસ્તારો તેમજ ચલાલા, ધારી વિસ્તારની ધર્મપ્રેમી જનતાને કનકાઈ માતાજીના દર્શનનો બહોળો લાભ મળી રહે તેમ છે. કનકાઈ માતાજીનું મંદિર પ્રાચીન સમયથી આવેલું છે અને ઘણા કુટુંબોના કુળદેવી પણ છે જેથી ચૈત્રી નવરાત્રી દરમિયાન બસ સુવિધા આપવા માંગ કરવામાં આવી હતી. આમ, બસ શરૂ કરાઇ તો લોકોને ફાયદો થશે.
વિવાદ:ગીદરડી ગામમાં બળદગાડું, બાઇક અથડાતા બોલાચાલી થતા મહિલા પર કુહાડી વડે હુમલો
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીદરડી ગામે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મહેમાનના મોટરસાયકલ સાથે બળદગાડું અથડાવા બાબતે ઠપકો આપતા, ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ એક મહિલા પર જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી છે. ગીદરડી ગામે રહેતા રાબીયાબેન ઇકબાલભાઇ અવાદી (ઉ.વ. 35)ના ઘરે મહેમાન આવ્યા હતા. આ મહેમાનનું મોટરસાયકલ ઘરની બહાર પાર્ક કરેલું હતું. તે દરમિયાન ગામના જ જસુભાઇ ઉર્ફે જયસુખભાઇ કણસાગરા પોતાનું બળદગાડું લઇને ત્યાંથી નીકળતા મોટરસાયકલ સાથે અથડાવ્યું હતું. જ્યારે રાબીયાબેનના પતિએ આ બાબતે જસુભાઇને ઠપકો આપ્યો, ત્યારે આ વાતનું મનદુઃખ રાખી જસુભાઇ, અફસાનાબેને અને આરતીબેન સહિત ત્રણ લોકો હથિયારો સાથે ધસી આવ્યા હતા. ત્રણેય જણાએ મહિલા સહિત બે પર હુમલો કર્યો હતો. અને ઢીકાપાટુનો માર મારી પાઈપ અને કુહાડીથી મહિલાને ડાબા ગાલ ઉપર તેમજ ગળાના ભાગે ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓએ ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાબતે ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી રાબીયાબેનની ફરિયાદના આધારે ત્રણે વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ફરિયાદ:અમરેલીના દહીડા ગામમાં પ્રેમ લગ્નના મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારીમાં 6ને ઇજા
અમરેલી જિલ્લાના દહીડા ગામે રાત્રિના સમયે પ્રેમલગ્નની અદાવતમાં હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. દીકરાએ કરેલા પ્રેમલગ્નનો ખાર રાખીને એક જૂથ દ્વારા લાકડી અને પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં મહિલાઓ સહિત બંને પક્ષોમાં કુલ 18 જેટલા લોકો ઉપર સામાસામી ફરિયાદ દાખલ કરાઇ છે. અમરેલીના દહીડા ગામના રવજીભાઇ ખીમાભાઇ ધાધલના દીકરાએ અમરશીભાઈની ભાણકી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમસંબંધોના લગ્ન પરિવારને મંજૂર નહોતા, જેનું મનદુઃખ તેઓ લાંબા સમયથી રાખી રહ્યા હતા. જેને લઈ ગઈકાલે રાત્રિના આશરે 11 વાગ્યાના અરસામાં, અમરશીભાઈએ અગાઉથી કાવતરું રચી, ગેરકાયદેસર રીતે રવજીભાઇના મકાનમાં પ્રવેશ કર્યો હતો.અને સાથે દિનેશભાઈ, પાલભાઈ ગોરધનભાઇ સહિત 14 જેટલા લોકોએ લાકડીઓ, લોખંડના પાઇપ અને અન્ય હથિયારો વડે પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં માત્ર પુરુષો ઉપરજ નહીં, પરંતુ ઘરની મહિલાઓ પર પણ ઢીકાપાટુ અને હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે. તો સામા પક્ષે રવજીભાઈ ધાધલ અને તેમના પત્ની ગીતાબેન સાથે દીકરા દિકરીએ પણ લાકડી અને ઢીકાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ બંને પક્ષોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.
આત્મહત્યા:પતિ સાથે બોલાચાલી બાદ પત્નીએ ગળેફાંસો ખાઇ લીધો
અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 30 વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય દર્શનાબેન અને તેમના પતિ દિપકભાઈ ભુરાભાઈ બાવળીયા વચ્ચે કોઈ અગમ્ય કારણોસર અંદરોઅંદર બોલાચાલી થઈ હતી. આ રકઝક બાદ આવેશમાં આવી જઈને દર્શનાબેને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ કમનસીબે દર્શનાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પતિ દિપકભાઈ ભુરાભાઈ બાવળીયા ઉ.વ. 40એ અમરેલી સીટી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
ફરિયાદ:મજૂરીના બાકી પૈસા માંગતા યુવકને ધોકા વડે માર માર્યો
અમરેલી જિલ્લાના બાબાપુર ગામે મજૂરીના બાકી નીકળતા પૈસાની ઉઘરાણી કરવા ગયેલા એક દલિત યુવક પર બે શખ્સોએ હિંસક હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસે આ મામલે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ બાબાપુર ગામના રહેવાસી ઉમેશભાઈ હીરાભાઈ ચાવડા નામના યુવકે મુકેશભાઈ ભીમજીભાઈ સાંબડીયા પાસે પોતાની મજૂરીના રૂ. 4,200 લેવાના બાકી હતા. ગઈ કાલે બપોરે ઉમેશભાઈ ગામમાં અક્ષય રીબડીયાના ઘરે તે પૈસા લેવા માટે ગયા હતા. પૈસા માંગતા જ મુકેશભાઈ અને તેમના પુત્ર કૌશિક ઉશ્કેરાઈ ગયા હતા અને તારા પૈસા અમે ન આપીએ તો શું કરી લઈશ? તેમ કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા. તકરાર વધતા બંને પિતા પુત્રએ લાદીના તીક્ષ્ણ ટુકડા વડે ઉમેશભાઈના બંને હાથે ગંભીર ચીરા પાડી દીધા હતા. તેમજ પુત્રએ બાજુમાં પડેલો લાકડાનો ધોકો લઈ ઉમેશભાઈના વાંસાના ભાગે ફટકા મારી તેમને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ બંને આરોપીઓએ ભેગા મળીને યુવકને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો અને જો હવે પછી પૈસા માંગવા આવીશ તો મારી નાખીશું તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઉમેશભાઈએ આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
એસટી બસોના સુચારૂ સંચાલન માટે ખાસ સૂચના:નર્મદામાં આજે 14,580 છાત્રો બોર્ડ પરીક્ષાની કસોટીની એરણે
નર્મદા જિલ્લામાં ધોરણ 10 (એસ.એસ.સી) બોર્ડની પરીક્ષામાં જિલ્લાના 16 પરીક્ષા કેન્દ્રો ખાતે 8719 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે 27 પરીક્ષા બિલ્ડીંગોમાં 303 બ્લોક નક્કી કરાયા છે. જ્યારેધોરણ- 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 6 પરીક્ષા કેન્દ્રો ખાતે 4836 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થશે. જેના માટે 15 બિલ્ડીંગમાં 166 બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે કેન્દ્રો ખાતે 1025 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે માટે 5 બિલ્ડીંગમાં ૫૩ બ્લોક નક્કી કરાયા છે. આમ નર્મદા જિલ્લામાં ધોરણ- 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં 24 કેન્દ્રો ખાતે 522 બ્લોકમાં કુલ 14,580 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એસ.ટી. બસોનું નિયમિત સંચાલન થાય, વીજ પ્રવાહ સતત જળાઈ રહે, પરીક્ષા કેન્દ્રોમાં પીવાના પાણીની પુરતી સુવિધા ઉપલબ્ધ થાય, આરોગ્યલક્ષી સુવિધા તુંરત મળી રહે તે માટેની ઉપલબ્ધતાની ચકાસણી કરીલેવા સાથે પરીક્ષાના સમય દરમિયાન અધિકૃત કરાયેલા અધિકારી- કર્મચારીઓ સિવાય અય કોઈ વ્યક્તિ કેમ્પસમાં પ્રવેશ ન કરે તેની કાળજી રાખવી અને વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી ન પડે તેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે.
ભાસ્કર એનાલીસીસ:નવા સિમાંકન મુજબ નવા અસ્તિત્વમાં આવેલા નાનાપોંઢા તાલુકાને જિલ્લા પંચાયતની 4 બેઠક
વલસાડ જિલ્લા પંચાયતની આગામી વર્ષની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જોરદાર કવાયત શરૂ કરી દેવામાં આવી છે.આયોગે જાહેર કરેલી અનામત ફાળવણીમાં જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે જાતિ વર્ગના આધારે બેઠકો ફાળવાઇ છે.જેમાં ST,SC ,OBC અ્ને સામાન્ય વર્ગના મતદારોના આધારે બેઠકો નિર્ધારિત કરવામાં આવતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના રાજકારણમાં ચહલપહલ સર્જાઇ છે. આ વખતે જિલ્લામાં કપરાડા તાલુકાનું વિભાજન થયું હતું.જેમાંથી નાનાપોંઢાને છુટું પાડી તેને તાલુકો દરજ્જો અપાતાં નાના પોંઢા તાલુકા પંચાયત અસ્તિત્વમાં આવી છે.જેમાં કપરાડા અને પારડી તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ કરી નવુ સિમાંકન થયું છે.જેને ધ્યાને લઇ નાનાપોંઢાને જિલ્લા પંચાયતની 4 બેઠકો ફાળવવામાં આવી છે.આ જાહેરનામા બહાર પડ્યા બાદ અનેક નેતાઓની બેઠકના વિસ્તાર બદલાઇ ગયા હોય નેતાઓ મુંજવણમાં જણાઇ રહ્યા છે. જિલ્લા પંચાયતની કુલ 36 પૈકી કઇ બેઠકો પર કઇ અનામતઆંબતલાટ તા.ધરમપુર એસટી સીટ, આસલોણાં તા.કપરાડા,એસટી, અંભેટી એસટી,તા.નાનાપોંઢા,અટ ગામ તા.વલસાડ એસટી સ્ત્રી,આવધા તા. ધરમપુર,એસટી સ્ત્રી,બામટી તા.ધરમપુર એસટી,ચણવઇ તા.વલસાડ એસટી,ડહેલી તા.ઉમરગામ ,એસટી,ડુંગરી તા.વલસાડ સામાન્ય સ્ત્રી,ફણસા તા.ઉમરગામ એસટી,હનમતમાળ તા.ધરમપુર એસટી, કકવાડી દાંતી તા.વલસાડ એસટી, કપરાડા તા.કપરાડા એસટી સ્ત્રી, ખતલવાડ તા.ઉમરગામ સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી, કોસંબા તા.વલસાડ સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી, માકડબન તા.ધરમપુર એસટી સ્ત્રી, માંડવા તા.નાનાપોંઢા એસટી સ્ત્રી,મરોલી તા.ઉમરગામ, એસટી,મેઘવા ળ તા.કપરાડા એસટી બેઠક, મોહનગામ તા.ઉમરગામ એસટી સ્ત્રીબેઠક, મોટાપોંઢા,તા.નાનાપોં ઢા સા.શૈ.પછાતવર્ગ,નનકવા ડા તા.વલસાડ સા.શૈ.પછાત વર્ગ બેઠક, નાના પોંઢા તા.નાનાપોંઢા સામાન્ય સ્ત્રી બેઠક, પારડીસાંઢપોર તા.વલસાડ બિન અનામત સામાન્ય બેઠક, પરિયા તા.પારડી,એસટી સ્ત્રી બેઠક, પારનેરા તા.વલસાડ બિન અનામત સામાન્ય બેઠક, સંજાણ તા.ઉમરગામ બિન અનામત સામાન્ય, સરીગામ તા.ઉમરગામ,સામાન્ય સ્ત્રી, સિલધા તા.કપરાડા એસટી સ્ત્રી, સોળસુંબા તા.ઉમરગામ એસસી સ્ત્રી,સુખેશ તા.પારડી એસટી, તસ્કરીતલાટ ધરમપુર,એસટી સ્ત્રી,ટુકવાડા તા.પારડી એસટી સ્ત્રી, ઉમરસાડી તા.પારડી, બિન અનામત સામાન્ય બેઠક, વડોલી,તા.કપરાડા,એસટી સ્ત્રી બેઠક, વાંકલ તા.વલસાડ એસટી સ્ત્રી બેઠક
નેશનલ હાઈવે ઓથોરીટીએ 12 જુલાઇ 2025ની દરખાસ્ત અન્વયે જાહેરનામાથી તાન નદી, માન નદી, કોલક નદી,તથા રાતા ખાડી ઉપર આવેલા બ્રીજનો વાહન વ્યવહાર નિયંત્રિત કરી ડાયવર્ઝન આપવા હુકમ કર્યો હતો.આ જાહેરનામા મુજબ તાન નદી ઉપરના બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત મુક્યો હતો. જ્યારે માન નદી, કોલક નદી તથા રાતા ખાડી ઉપર આવેલા બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર ઉપર માટે પ્રતિબંધિત મુક્યો હતો. જાહેરનામામાં ઈમરજન્સી સેવામાં 108 એમ્બ્યુલન્સ તથા અન્ય ખાનગી/સરકારીએમ્બ્યુલ ન્સને અવર-જવર માટે માન નદી તથા કોલક નદી તથા રાતા ખાડી ઉપર આવેલા બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકતા જાહેરનામામાંથી મુક્તિ આપી હતી. નાનાપોંઢા નજીકના કોલક નદી બ્રિજ ઉપરથી ફક્ત હળવા વાહનોને અવર- જવર માટે છૂટ-છાટ આપવા સુધારા હુકમ કરાયો હતો. નેશનલ હાઈવે-56 માન નદી ઉપર કરંજવેરી ગામ પાસે આવેલો બ્રીજ વાંસદા અને ધરમપુરને જોડતો મહત્વનો બ્રિજ હોય અને ધરમપુર તાલુકા મથકે આવતા વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના વિસ્તારના ગામોના લોકોને અવર-જવર માટે મુશ્કેલી પડતી હોવાથી માન નદી ઉપરના કરંજવેરી બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવા સ્થાનિકોની રજુઆતને લઇ અધિકારીઓએ નેશનલ હાઈવે-56 નો સ્થળ તપાસ અહેવાલ મેળવતા 19 ફેબ્રુઆરીએ અહેવાલ રજુ કર્યો હતો. જે અહેવાલમાં તેઓએ કરંજવેરી ગામ પાસે માન નદી ઉપર આવેલ બ્રિજ ઉપરથી ફક્ત ટુ-વ્હીલર, પેસેન્જર કાર, LMVs, ૨ એક્ષેલ ધરાવતી ફોર-વ્હીલરમીની બસ અને ૨ એક્ષેલ ધરાવતા ફોર-વ્હીલર હળવા કોમર્શીયલ વાહનો (તમામ વાહનો વધુમાં વધુ 8 ટનસુધીનું કુલ વજન ધરાવતા)ને 30 કિ.મી./કલાકની ગતિથી પસાર થાય તો સલામતીની દષ્ટિએ કોઈ વાંધા જનક બાબત જણાતી નથી. તેમજ નવો બ્રિજ બને ત્યાં સુધી ઉપરોક્ત જણાવેલ વાહનોને અવર-જવર માટે છુટછાટ આપી શકાય તેમ હોવાનું જણાવ્યું છે.
ધરપકડ:આંગડિયા પેઢીમાંથી પૈસા કે દાગીના લઈને નીકળતા લોકોને લૂંટતી ટોળકીના 2 પકડાયા
આંગડિયા પેઢીમાંથી પૈસા કે દાગીના લઈને નીકળતા લોકોનો પીછો કરી થોડે દૂર અકસ્માત થયો હોવાનું કહીને ઝગડો કરી લૂંટી લેતી છારા ગેંગના 2 સાગરિત પકડાયા છે. 6 સભ્યની આ ટોળકીએ 4 જ મહિનામાં આ રીતે 7 લૂંટ કરીને રૂ. 40થી 50 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. મહત્ત્વનું છે કે આ ટોળકી સીજી રોડ પરના ઇસ્કોન આર્કેડની પેઢીમાં આવનારા લોકોને જ ટાર્ગેટ કરતા હતા. નગરી હૉસ્પિટલ પાસેથી 4 ફેબ્રુઆરીએ એક્ટિવામાં 5 કિલો ચાંદીને જઈ રતા શખ્સે અકસ્માત કર્યાનું કહીને રૂ. 12.48 લાખની ચાંદી લૂંટીને ટોળકી ભાગી ગઈ હતી. આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. દરમિયાનમાં ઝોન-7 એલસીબી પીઆઇ વાય. પી. જાડેજાએ ટીમ સાથે સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું હતું. 350 ફુટેજ જોયા બાદ વાહનના નંબર તેમજ લોકેશનના આધારે પોલીસે પ્રતીક ઉર્ફે અંધો પ્રવિણ રાયલાલ પાનવેકર (28) અને શંકુલ યોગેશભાઈ રસીકભાઈ ભોગેકર (32) (કુબેરનગર, સરદારનગર)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચાંદીના 2 ચોરસા, રોકડા રૂ. 8 લાખ, બાઈક, 2 ફોન મળીને રૂ. 12.33 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો જ્યારે અજય ગાગડેકર, વિશાલ તનવાણી, સન્ની તમંચે અને રોજનીશ ગુમાને પકડવા તજવીજ શરૂ કરી હતી. આ ટોળકીએ 4 મહિનામાં એલિસબ્રિજ, રામોલ, સોલા, સરખેજ, ઓઢવ અને બોપલમાં આ જ રીતે 7 લૂંટ કરીને રૂ.50 લાખ જેટલો મુદ્દામાલ લઈ ગયા હતા.
ફરિયાદ:ક્રાઇમ બ્રાન્ચના નામે તોડ કરી યુવતીએ 7.49 લાખ પડાવ્યા
સ્પામાં નોકરી કરતી યુવતી અને તેના 2 સાગરિતે ક્રાઇમ બ્રાંચના માણસ તરીકે ઓળખ આપીને સ્પાના સંચાલક પાસેથી રૂ. 7.49 લાખ પડાવી લીધા હતા. ઘાટલોડિયાના વિનોદભાઈ દરજી (65)એ વર્ષ પહેલાં વસ્ત્રાપુર હિંડોલા કોમ્પ્લેક્સમાં શિવાની નામથી સ્પા-મસાજ પાર્લર શરૂ કર્યું હતું. તેમના સ્પામાં નોકરી કરતી યુવતી સાથે તેઓ 5મીએ કઢંગી હાલતમાં હતા ત્યારે યુવતીના 2 સાગરીત ક્રાઇમ બ્રાંચના માણસ બનીને આવ્યા હતા અને કેસ કરવાની ધમકી આપીને રોકડા 1.50 લાખ તેમજ સ્કેન કરીને 49 હજાર લઈ ગયા હતા. પછી 14મીએ બંનેે દારૂ પીતા હતા ત્યારે પણ 5 લાખ પડાવ્યા હતા. આ અંગે તેમણે ફરિયાદ નોંધાવી હતી.
વિવાદ:GUએ NSUIના કાર્યકરોના પ્રવેશ રદ કર્યો, કોંગ્રેસે આંદોલનની ચીમકી આપતાં ફરી ગઈ
ગુજરાત યુનિવર્સિટીમાં સંઘના કાર્યક્રમ મુદ્દે એનએસયુઆઈના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ પછી વિવાદ સર્જાતાં યુનિવર્સિટીએ એનએસયુઆઇના કાર્યકરોનાં એડમિશન રદ કરીને કેમ્પસમાં પ્રવેશબંધીનો નિર્ણય કર્યો હતો. આ સમગ્ર વિવાદમાં ભાજપ સમર્થિત વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ ઝંપલાવીને એનએસયુઆઈના બેનર્સ તોડી નાખતાં વિવાદ વકર્યો છે, તેવામાં કોંગ્રેસ પક્ષે એનએસયુઆઇના સમર્થનમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જેના અનુસંધાને યુનિવર્સિટીએ યુ ટર્ન લઈને એડમિશન રદ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. અલબત્ત આ કાર્યકરો સામે એફઆઇઆર કરવાની જાહેરાત કરી છે. દરમ્યાન બુધવારે કોંગ્રેસ પક્ષે કુલપતિ અને રજિસ્ટ્રાર ભાજપ અને સંઘના ઘૂંટણીયે પડી ગયા છે, રબર સ્ટેમ્પની જેમ વર્તે છે તેવો આક્ષેપ કરતાં વિવાદ વકરવાની સંભાવના છે. બુધવારે બપોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજ સિંહે આક્ષેપ કર્યો હતો કે ‘કુલપતિ અને રજિસ્ટ્રાર ફરીથી સત્તા અને પદ ટકાવી રાખવા માટે હવાતિયાં મારી રહ્યાં છે. વિદ્યાર્થીઓને આપેલી નોટીસો તાત્કાલિક પાછી નહીં ખેંચાય તો કેમ્પસમાં હલ્લાબોલ કાર્યક્રમ યોજાશે. તાનાશાહી, અરાજકતા અને નિર્દોષ વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવાયા છે. યુનિવર્સિટીના સત્તાવાળાઓ એવો આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીઓએ ગાંધીજીનું અપમાન કર્યું છે, પરંતુ હકીકત એ છે કે આ જ વિદ્યાર્થીઓએ ગોડસેના નાટકનો વિરોધ કર્યો હતો. તો શું આ વિદ્યાર્થીઓ ખરેખર ગાંધીજીનુ અપમાન કરી શકે ખરા? આ વિદ્યાર્થીઓ ગોડસેના વિરોધમાં અને ગાંધીજીના પક્ષમાં વાત કરી રહ્યા છે. કોંગ્રેસના ઓલ ઇન્ડિયા માઈનોરીટી વિભાગના વાઇસ ચેરમેન શાહનવાઝ શેખે જણાવ્યું કે ‘કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિરોધ પક્ષના અવાજને દબાવવા માટે સીસીટીવી ફૂટેજમાં છેડછાડ કરાયા છે.’
આયોજન:મા ભદ્રકાળી ઐતિહાસિક પોળોના ભક્તોને દર્શન દેશે, સાબરમતીની આરતી ઉતારશે
ગુરુવારે અમદાવાદનો 616મો જન્મદિવસ છે. વર્ષ 1411માં જે ભૂમિ પર અહમદશાહ બાદશાહે શહેરનો પાયો નાખ્યો હતો, તે નગરનાં રક્ષક દેવી મા ભદ્રકાળી ગુરુવારે ભક્તોને દર્શન આપવા રાજમાર્ગો પર નીકળશે. 616 વર્ષ સુધી આ પરંપરા લુપ્ત હતી પરંતુ ગત વર્ષથી આરંભાયેલી આ ભક્તિમય પ્રથા આજે દિવ્ય સ્વરૂપ ધારણ કરશે. આજની યાત્રામાં માત્ર ધર્મ નહીં, પણ ટૅક્નોલોજી અને પરંપરાનો સુમેળ જોવા મળશે. સવારે નિજ મંદિરથી પૂજા-અર્ચના બાદ મા ભદ્રકાળીની ચલિત મૂર્તિ સુવર્ણ જડિત રથમાં બિરાજમાન થશે. આ વખતે યાત્રાના રૂટમાં ખાસ ફેરફાર કરાયા છે, જેમાં હેરિટેજ પોળોનો સમાવેશ કરીને અમદાવાદની અસલ સંસ્કૃતિને જોડવાનો પ્રયાસ થયો છે. રસ્તામાં હજારો ભક્તો, અખાડા અને ભજન મંડળીઓ માનું સ્વાગત કરશે. આ યાત્રા માણેકચોક અને રતનપોળ થઈને જગન્નાથ મંદિર પહોંચશે, જ્યાં શક્તિ અને ભક્તિના બે પ્રતીકોનો મિલાપ થશે. યાત્રાનું નવું આકર્ષણ, ‘ટેબ્લો ઓફ હેરિટેજ’?આ વર્ષની યાત્રામાં પહેલી વાર 15થી વધુ વિશેષ ટેબ્લો જોડવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના 615 વર્ષના ઈતિહાસની ઝાંખી રજૂ કરાશે. ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ પર જ્યારે યાત્રા પહોંચશે ત્યારે 11 ભૂદેવો દ્વારા નદીની શાસ્ત્રોક્ત વિધિથી આરતી કરવામાં આવશે, જે કાશીની ગંગા આરતીની યાદ અપાવશે. સ્ટુડન્ટ ફ્રેન્ડલી યાત્રા, પરીક્ષાર્થીઓને નો-ટેન્શનગુરુવારે બોર્ડની પરીક્ષા હોવાથી મંદિર ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસને ખાસ પ્લાનિંગ કર્યું છે. યાત્રા જે શાળાઓ પાસેથી પસાર થશે ત્યાં ‘સાયલન્ટ ઝોન’ જાહેર કરાયો છે. લાઉડ સ્પીકર બંધ રખાશે અને પરીક્ષાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે સ્વયંસેવકો ‘માનવ સાંકળ’ બનાવીને રસ્તો ક્લિયર રાખશે.
નોટિસ:સિસોદ્રા (ગ)ની મેઘદૂત સોસા.ના 30 પરિવારો પર બેઘર થવાનું સંકટ ઘેરાયું
નવસારી તાલુકાના સિસોદ્રા (ગણેશ) ગામે આવેલી મેઘદૂત સોસાયટી (રબારીવાસ)ના રહીશોએ પોતાનું આશિયાણું બચાવવા માટે કલેક્ટરને ભાવુક રજૂઆત કરી છે. છેલ્લા 55 વર્ષથી સર્વે નં. 146 વાળી જમીન પર કાચા-પાકા મકાનો બનાવી રહેતા 30 જેટલા પરિવારો અત્યારે ઘરવિહોણા થઈ જવાની ભીતિ સેવી રહ્યાં છે. રહીશોએ કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, આ જમીન પર વર્ષોથી તેમના તબેલા અને મકાનો આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા મિલકત આકારણી થઇ છે, વેરા બીલો ભરાય છે અને વીજ કનેક્શન પણ ધરાવે છે. ચૂંટણીમાં પણ તેઓ અહીંથી જ મતદાન કરે છે. જો અત્યારે તેમને અહીંથી હટાવવામાં આવશે, તો 30 પરિવારો અને પશુધન સાથે તેઓ નિરાધાર થઈ જશે. પોતાની જિંદગીભરની મૂડી મકાન બનાવામાં ખર્ચી નાંખનાર આ શ્રમજીવી પરિવારોએ કલેક્ટરને ન્યાય અપાવવા અને માનવતાના ધોરણે તેમને બેઘર ન કરવા વિનંતી કરી છે. હાલ જમીનના માલિકે નોટિસ પાઠવી દબાણ દૂર કરવા તાકીદ કરી છે. જેથી સ્થાનિકો દ્વારા કલેકટરને રાવ કરવામાં આવી છે.
જન્મદિન સંભારણું:વેસ્મા ગામના હોવા છતાં મનમોહન દેસાઇની મૂળવતન નવસારી પંથકમાં કોઈ સ્મૃતિ નહીં
મૂળ વતન નવસારી વેસ્માના અને બોલિવૂડમાં લગભગ એક દશક રાજ કરનાર મનમોહન દેસાઇની કોઈ સ્મૃતિ તેમના વતનમાં નથી. 26 ફેબ્રુઆરીનો દિવસ બોલિવૂડના જાણીતા નિર્માતા, દિગ્દર્શક મનમોહન દેસાઈનો જન્મ દિવસ છે. 1937માં તેમનો જન્મ થયો હતો. જન્મ તો મુંબઇમાં થયો હતો પણ તેમનું મૂળ વતન નવસારીનું વેસ્મા હતું. વેસ્મા છોડી બાદમાં તેમના પૂર્વજો બાજુના ગામ નવસારીના જ સંદલપોરમાં જમીન રાખી સ્થાયી થયા હતા, જ્યાં તેમના કુટુંબીઓની આજે પણ જમીન છે. આમ તો મનમોહન દેસાઈએ સક્રિય રીતે 25થી વધુ વર્ષ બોલિવૂડમાં નિર્માતા દિગ્દર્શક તરીકે કામ કર્યું પણ 1975થી 85નો લગભગ એક દશકો તેમનો અને અમિતાભ બચ્ચનનો કહેવાતો હતો. આ સમય દરમિયાન અમર અકબર એન્થની, ધર્મવીર, નસીબ, પરવરીશ, કુલી સહિત અનેક બ્લોક બસ્ટર ફિલ્મો આપી, જેણે તે સમયે કમાણીમાં બોલિવૂડમાં તે સમયના રેકર્ડ તોડ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી વતન નહીં હોય તેવા અનેક વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, મહાનુભાવોની શહેરમાં રોડ નામકરણ, પ્રતિમા યા અન્ય રીતે સ્મૃતિ જળવાઈ છે પણ મનમોહન દેસાઇ મૂળતઃ નવસારી પંથકના હોય અને દેશના ટોચના ફિલ્મ વ્યક્તિ હોવા છતાં કોઈ સ્મૃતિ નથી. અહીં ઉલ્લેખનીય છે કે, વાંસદામાં ત્યાંના સુપુત્ર જયકિશનની સ્મૃતિ સચવાઇ છે. કુળદેવીના દર્શને અવારનવાર આવતામનમોહન દેસાઈના દીકરા કેતન દેસાઇ તો મોટાભાગે મુંબઈ રહે છે પણ તેમના કુંટુંબના યતીન દેસાઈ વેસ્મા નજીકના સંદલપોરમાં રહે છે, જમીન પણ છે. તેઓ જણાવે છે કે મનમોહનજી પલસાણા સ્થિત તેમની કુળદેવી ઘરડી માતાના દર્શને આવતા હતા. તુફાન ફિલ્મ ટાણે તો હેલીકોપ્ટરમાં આવ્યા હતા. તેમનો દીકરો કેતન પણ મારી સાથે વતન કુળદેવીના દર્શને આવે છે.
સેવા કેમ્પનું આયોજન:કેસરા હનુમાન મંદિરે ડાકોર સંઘ માટે સૌથી મોટો 100 ફૂટનો સેવા કેમ્પ શરૂ
ડાકોર ધામની પદયાત્રા માટે અમદાવાદ શહેર ભક્તિ અને સેવાભાવથી ધબકી રહ્યું છે. શહેરના ત્રિવેદી પરિવાર દ્વારા કેસરા હનુમાન મંદિર ખાતે ડાકોર જતાં સંઘો માટે વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અગિયારસથી પૂનમ સુધી ચાલનાર આ કેમ્પ યાત્રાળુઓ માટે આશીર્વાદ સમાન બનશે. અમદાવાદથી ડાકોર સુધી આશરે 150થી વધુ સંઘો પગપાળા યાત્રા કરશે. કેમ્પમાં લગભગ 1500 યાત્રાળુઓ આરામથી રોકાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ભોજન, પાણી, આરામ, તબીબી મદદ સહિત 24 કલાક વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. દરેક સંઘના આગમન સમયે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત અને દર્શન-આરતીનું આયોજન કરવામાં આવશે, જે યાત્રાળુઓમાં આધ્યાત્મિક ઉર્જા વધારશે. કેમ્પ ખાતે સેવા સેન્ટરની પણ શરૂઆત કરવામાં આવી છે જેથી યાત્રાળુઓને માર્ગદર્શન અને સહાય સરળતાથી મળી રહે. જાગૃતિ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ સેવા યાત્રાળુઓને સુવિધા આપવાનો માત્ર પ્રયાસ નથી, પરંતુ ભક્તિ સાથે માનવસેવાનો સંકલ્પ છે. આ આયોજન અમદાવાદના લોકો માટે સેવા અને સંસ્કારનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે, પરતું આ વર્ષે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિર તેમ જ 5 વીઘા જગ્યામાં આ પ્રકારના કેમ્પ યોજાશે, આ કાર્ય માટે ત્રિવેદી પરિવાર તથા ટ્રસ્ટના 50થી વધુ લોકો સેવાનો લાભ આપશે. દિવસ દરમિયાન 3 સમય ભોજન વિતરણ કરવામાં આવશે. કેમ્પની મુખ્ય સુવિધાઓ • ડાકોર જનારા 1500 યાત્રાળુઓ માટે રોકાણ વ્યવસ્થા • ડાકોર પદયાત્રીઓ માટે 24 કલાક ભોજન, પાણી અને આરામ સુવિધા • તબીબી સહાય અને માર્ગદર્શન કેન્દ્ર •ઢોલ-નગારા સાથે સ્વાગત અને આરતી કાર્યક્રમ • અગિયારસથી પૂનમ સુધી સતત સેવા •સેવા સેન્ટર દ્વારા સહાય અને માહિતી
ભારતીય રોકાણકારો ગિફ્ટ સિટીના ગ્લોબલ પ્લેટફોર્મ દ્વારા વિશ્વના 30 માર્કેટમાં ટ્રેડિંગ કરી શકશે. એનએસઇ આઇએક્સ (નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ટરનેશનલ એક્સચેન્જ)ના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ વી.બાલાસુબ્રમણ્યમે બુધવારે આ જાહેરાત કરી હતી. હાલ આ પ્લેટફોર્મ સૉફ્ટ લૉન્ચના તબક્કામાં છે, જેમાં અમેરિકી માર્કેટ સૌથી પહેલા લાઇવ થશે. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે અન્ય દેશના માર્કેટ વર્ષ 2026ના અંત સુધીમાં લાઇવ થઈ જશે. હાલ આ ગ્લોબલ પ્લેટફોર્મનું પ્રારંભિક ફોકસ અમેરિકી માર્કેટ પર છે. ભારતીય રોકાણકારો દ્વારા વિદેશમાં કરવામાં આવતા રોકાણનો 95% હિસ્સો અમેરિકી માર્કેટમાં હોય છે. હાલ ભારતીય રોકાણકારો આ રીતે અન્ય દેશમાં ટ્રેડિંગ કરી શકે છે 1. ગિફ્ટ સિટી (IFSC) દ્વારા- ગિફ્ટ સિટી સ્થિત IFSC એક્સચેન્જ દ્વારા આંતરરાષ્ટ્રીય સિક્યોરિટીઝમાં ટ્રેડિંગની સુવિધા ઉપલબ્ધ છે. 2. આંતરરાષ્ટ્રીય બ્રોકર દ્વારા સીધું ટ્રેડિંગ - ઇન્ટરેક્ટિવ બ્રોકર્સ, વિદેશી બ્રોકરેજ કંપનીમાં એકાઉન્ટ ખોલી સીધા યુએસ અને અન્ય બજારોમાં શૅર/ETF ખરીદી શકાય. 3. ભારતીય બ્રોકર દ્વારા આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટિંગ -ICICI Direct, HDFC સિક્યોરિટીઝ જેવી ભારતીય બ્રોકરેજ પાર્ટનરશિપ મોડલથી US માર્કેટમાં રોકાણ સુવિધા આપે છે. 4. આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડ / ETF - દેશમાં ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય ફંડ અથવા ફીડર ફંડ દ્વારા વિદેશી ઈન્ડેક્સમાં રોકાણ કરી શકાય. ગ્લોબલ માર્કેટમાં ભારતીય રોકાણકારો આ રીતે ટ્રેડિંગ કરી શકશેનવા પ્લેટફોર્મ પર કોમ્પ્યુટર પર બ્રાઉઝર દ્વારા તથા મોબાઇલ અેપ દ્વારા ટ્રેડિંગ કરી શકાશે. આ માટે રિટેલ રોકાણકારોએ પાન આધારિત ઑથેન્ટિકેશન દ્વારા ગણતરીની મીનિટમાં ડીજીટલ કેવાયસી કરવાનું રહેશે. એકવાર વેરિફિકેશન પૂર્ણ થયા બાદ રોકાણકાર ગિફ્ટ સિટીમાં પોતાના અકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરીને ટ્રેડિંગ કરી શકશે. એનએસઇ આઇએક્સ દ્વારા વિદેશી બ્રોકર્સ સાથે ટાઇ-અપ કરવામાં આવ્યું છે. જેના માટે બેકઅપ અકાઉન્ટ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ટ્રેડિંગ માટે રોકાણકારોએ ડિમેટ અકાઉન્ટની જરૂર પડશે નહીં. રોકાણકારો એપમાં એનવીડીયા, એપલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓને વૉચલિસ્ટમાં નિહાળી શકશે તથા ડૉલરના ડિનોમિનેશનમાં તેમાં રોકાણ કરી શકશે. શૅરના અમુક હિસ્સામાં પણ રોકાણ કરી શકશેએનએસઇ આઇએક્સના વડાએ જણાવ્યું હતું કે ગ્લોબલ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો હાઇરિસ્ક સ્ટોકમાં એક શૅર નહીં પણ શૅરના અમુક હિસ્સામાં પણ રોકાણ કરી શકશે. એટલે કે શૅરની કિંમત ભલે સેંકડો ડોલર હોય પણ ભારતીય રોકાણકાર આ શૅરનો માત્ર 5 ડૉલર જેટલો નાનકડો હિસ્સો પણ ખરીદી શકશે.
ભાસ્કર એક્સક્લુઝિવ:ઓલિમ્પિક સિટી બનાવવા અમદાવાદ માટે નવું હાઉસિંગ મોડેલ, ત્રણથી વધુ પોલિસી તૈયાર થશે
અમદાવાદના આંગણે વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટેની દાવેદારીને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપ શહેરના આયોજનને ધ્યાનમાં રાખી વિકાસ કરવામાં આવી રહ્યો છે. શહેરને સ્માર્ટ અને સસ્ટેનેબેલ ઓલિમ્પિક સિટી તરીકે વિકસાવવા રાજ્ય સરકાર ખાસ હાઉસિંગ પોલિસી બનાવવા જઈ રહી છે, જેમાં 2036 સુધી દર ચાર વર્ષે પોલિસીમાં તબક્કાવાર ફેરફાર સાથે રિડિઝાઈન થશે. જેથી ઓલિમ્પિક માત્ર એક ઇવેન્ટ ન બને અને ઘોસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પણ સ્માર્ટ, સસ્ટેનેબેલ, અફોર્ડેબલ અને ઇન્કલુસિવ અમદાવાદ બનાવવાની દિશામાં આયોજન થઈ રહ્યું છે. નવી પોલિસીમાં FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) સહિત મ્યુનિસિપલ ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં રાહતો આપવામાં આવશે. ગ્રીન કવરને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત જમીનના ભાવ, રહેઠાણની માંગ, સ્થળાંતરણ, ગેરકાયદેસર વસાહતો અને પ્રોપર્ટી બજારને સંતુલિત રાખવા હાલની પોલિસીમાં રહેલી ખામીઓ દૂર કરવામાં આવશે. હાઉસિંગ પોલિસીમાં સુધારાનો ડ્રાફ્ટ તૈયાર કરાશે પ્રથમ તબક્કામાં અમદાવાદ સહિતના શહેરો માટેની હાઉસિંગ પોલિસીમાં સુધારા વધારા સાથેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં 10% જમીન નબળા વર્ગ માટે રાખવાની રહેશે. સાથોસાથ આપવામાં આવતી સુવિધાઓને 7 વર્ષ સુધી મેન્ટેઇન કરવાની જવાબદારી ડેવલપર કે બિલ્ડરની રહેશે. વધારાની FSIના સાથે FSIમાં રાહતો પણ ચોક્કસ ધારાધોરણ પ્રમાણે જ રહેશે. પ્રથમ નવી પોલિસીના મુખ્ય મુદ્દાઓ શું હશે? ભાસ્કર એક્સપર્ટ | ‘સરકાર કોમનવેલ્થ-ઓલમ્પિક માટે ખાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી બનાવી શકે છે’ગેમ્સના અનુસંધાનમાં સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી જાહેર થઈ શકે છે. નવી હાઉસિંગ પોલિસી માટે સરકાર ચર્ચા માટે બોલાવશે તો અમે જરૂર સલાહ સુચન આપીશું. શહેરમાં ઘોસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બને તે સરકાર મલ્ટીપલ આયોજન કરી રહી છે, ખાસ કરીને ટ્રેનિંગ સેન્ટર, હોસ્ટેલ સહિતની કાયમી વ્યવસ્થા કરાશે. ગાહેડ-ક્રેડાઈ દ્વારા જાન્યુઆરીમાં યોજાયેલા પ્રોપર્ટી ઓલિમ્પિયડમાં પણ અમદાવાદનો દસકો થીમ સાથે પ્રોપર્ટી શો યોજાયો હતો. > અંકુર દેસાઈ, સેક્રેટરી, ક્રેડાઈ ઓલમ્પિક વિલેજ ખંડેર ન બને માટે આયોજનજ્યાં ઓલિમ્પિક્સ યોજાઈ હતી તેમાંથી કેટલાક દેશોમાં ઈવેન્ટ બાદનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ ખંડેર થઈ ગયું હતું. અમદાવાદમાં પણ ઓલમ્પિક માટે તૈયાર થનારા ઓલિમ્પિક વિલેજ રીયુઝ પ્લાન તૈયાર કરવો જોઈએ. જેમકે ઓલિમ્પિક વિલેજને વિદ્યાર્થી હોસ્ટેલ, ઓછા ખર્ચાળ ભાડાના રહેણાંક, સરકારી કર્મચારી હાઉસિંગ, આઈટી પાર્ક/ સ્ટાર્ટઅપ લિવિંગ ઝોનમાં ફેરવવાની યોજનાઓ બનાવવામાં આવશે.
રિબેટ યોજના:9 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ ટેક્સ ભરશો તો 15% સુધી રિબેટ
આગામી 9 એપ્રિલથી 31 મે સુધી મ્યુનિ. ટેક્સ વિભાગે એડવાન્સ ટેક્સ ચૂકવનાર નાગરિકોને મહત્તમ 15 ટકા સુધી રિબેટ યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ આ યોજના હેઠળ મહત્તમ 13 ટકા સુધી રિબેટ મળતું હતું, જ્યારે આ વર્ષે બજેટમાં 2 ટકા રિબેટમાં વધારો કરવાનો નિર્ણય કરાયો હતો, જે અમલી બનાવાયો છે. રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા અને ડે. ચેરમેન પ્રદીપ દવેએ જણાવ્યું કે, ગયા વર્ષે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના હેઠળ 845.35 કરોડની આવક થઈ હતી. કુલ 6 લાખ મિલકતધારકોએ એડવાન્સ ટેક્સ ભર્યો હતો. આ વખતે એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાને પણ આ વર્ષે 15 ટકા સુધી લાભ મળી રહે તેવું આયોજન કરાયું છે. તેમાં ગયા વર્ષે એડવાન્સ ટેક્સ ચૂકવનારને 10 ટકા રિબેટના સ્થાને આ વર્ષે 12 ટકા રિબેટ આપવા નિર્ણય કરાયો છે. અબોલ જીવોને પાળતી સંસ્થાઓને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશેહવે જીવદયા સંસ્થાઓ માટે ટેક્સ માફી યોજના અમલી બનાવાઈ છે. આ સંસ્થાઓ અબોલ પશુ-પક્ષીઓ માટે નિ:શુલ્ક સેવા, સારવારકરતી હોવી જોઇએ. આ સંસ્થા ચેરિટી કમિશનર સમક્ષ અથવા તો રજિસ્ટ્રાર ઓફ કંપનીમાં કલમ 8 હેઠળ નોંધાયેલી હોવી જોઈએ અને નિયમિત હિસાબો ઓડિટ કરાવતી હોવી જોઈએ.
મ્યુનિ.ના વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સને પીપીપી ધોરણે ચલાવવા આપવાનો નિર્ણય કરાયો છે. તે માટે કોન્ટ્રાક્ટર મ્યુનિ.ને મહિને 2 લાખ ચૂકવશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મ્યુુનિ. સ્કૂલનાં બાળકો નિ:શુલ્ક પ્રવેશ અપાશે તથા સ્વિમિંગની કોચિંગ ફી પણ લેવાશે નહિ. તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા 61.67 કરોડના ખર્ચે બનેલા વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સને ચલાવવા માટે કરાયેલા ટેન્ડરિંગમાં પીપીપી ધોરણે 10 વર્ષ માટે આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ચલાવવા સોફ્ટ ટેનિસ એસોસિયેશન ઓફ ગુજરાતને આપવાનો નિર્ણય કરાયો છે. આ એજન્સી દ્વારા સૂચવવામાં આવતાં નવી કેટેગરી ઉમેરી સેમી એડવાન્સ, એડવાન્સ અને હાઈ પર્ફોર્મન્સ ઉમેરવામાં આવી છે, જેને આધારે ફીનું ધોરણ પણ નક્કી કરાયું છે. નક્કી કરાયેલા દરમાં મ્યુનિ. દ્વારા અત્યારે અન્ય સ્થળે લેવાતી ફી જેટલું જ ધોરણ રાખવામાં આવ્યું છે. તેમાં સ્વિમિંગમાં શિખાઉ માટે રૂ. 600 જ્યારે એડવાન્સ અને હાઈ પર્ફોર્મન્સ માટે 3 માસના રૂ. 5100 જ્યારે જાણકાર સ્વીમર માટે મહિને રૂ.300 નક્કી કરાયા છે. તે રીતે ક્રિકેટમાં શિખાઉ માટે રૂ. 500 પ્રતિમાસ અને સેમી એડવાન્સ હાઈ પર્ફોમન્સ માટે 2 હજારથી 2750 સુધીની ફી નક્કી કરાઈ છે.
ભરૂચ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે જેમાં પહેલા દિવસે છાત્રોને અધિકારીઓ તરફથી ફૂલ આપીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષા ને લઈને ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. તેથી છાત્રો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા દિવસે ધો-10 નું ગુજરાતીનું અને ધો-12 ભોતિક વિજ્ઞાન અને કોમર્સના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા યોજાશે. ભરૂચ જિલ્લામાં 143 પરીક્ષા બિલ્ડીંગો ઉપર કુલ 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જે પૈકી એસએસસીમાં 22,796 અને એચએસસીમાં સામાન્ય પ્રવાહમાં 9,774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3259 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સાથે સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓને પરીક્ષા આપશે . સમગ્ર પરીક્ષામાં 153 જેટલા સરકારી પ્રતિનિધિ 143 જેટલા સ્થળો પર સુપરવાઇઝર 1282 જેટલા ખંડ નિરીક્ષક 331 જેટલો પોલીસ સ્ટાફ પરીક્ષા દરમિયાન હજાર રહેશે. પરીક્ષા દરમિયાન પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ટ્રાન્સપોર્ટેશન માટે રીક્ષા એસોસિએશનની મદદથી બાળકોને પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આમ પરીક્ષા કેન્દ્ર અંદર વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ કે ઇલેક્ટ્રિક સાધન લઈ જઈ શકશે નહીં. પરીક્ષા દરમિયાન આસપાસના 100 મીટર રેજમાં ઝેરોક્ષ મશીન તેમજ લાઉડસ્પીકર વગાડવા માં પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરીક્ષા આપવા જતી વેળાએ આટલું ધ્યાન રાખો ઓરિજનલ રિસીપ્ટ સાચવો જેમાં સંપૂર્ણ ચકાસી ભૂલ હોય તો જલદી આચાર્યનો સંપર્ક કરો. રિસીપ્ટની એક નકલ વડીલોને આપી રાખો. એક નકલ પરીક્ષા વખતે ઓરીજનલ રિસીપ્ટની સાથે જ પણ અલગ ખિસ્સામાં રાખો. પરીક્ષા ખંડમાં ઊંડો શ્વાસ લો અને આખું પેપર વાંચો તેમજ સમયાંતરે પાણી પીઓ અને ન આવડો પ્રશ્ન છોડી લખવાનું ચાલુ રાખો. સમય મળે ત્યારે તેને લખવાનું રાખો. તેમજ કોઇની સાથે સરખામણી ના કરો તેમજ અફવાઓથી સાવધાન રહો, છ કલાક પૂરી સળંગ ઊંઘ લો, હળવું ભોજન લો.
ભરૂચથી 27 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી બસ સુવિધા:દાહોદ-ગોધરા તરફ વધારાની 100 બસ દોડાવાશે
ભરૂચ જિલ્લામાં આગામી હોળીના તહેવારને લઈને શ્રમીકોને તેમના વતન સુધી જવા માટે ભરૂચ એસટી વિભાગ 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી 100 બસ વધારાની દોડાવશે. ભરૂચ શહેરી વિસ્તારમાં કામ કરવા ગયેલા શ્રમિકો હોળીના તહેવારે પોતાના વતનમાં પાછા ફરતા હોય છે. જેને લઈને ભરૂચ ડેપો દ્વારા હોળી ધુળેટીના તહેવાર ને ધ્યાને રાખી પંચમહાલ બાજુના મજૂરી કરતા કર્મયોગી ને તેના વતન તરફ જવા માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભરૂચ ડેપોએ વધારાની બસના સંચાલન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ, પંચમહાલ અને ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે વધારાની બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં 27 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી 100 વધારાની એસટી બસની સુવિધા કરવામાં આવી છે. તેમજ વધુ ટ્રાફિક જણાશે તો વધારાની બસની પણ સુવિધા કરવામાં આવશે. તેમજ જે સ્થળે 50 થી વધુ શ્રમીકો તેમના વતન જવા તૈયાર હશે તેમના માટે તેઓના સ્થળ સુધી બસની સુવિધા આપવામાં આવશે. ઉલેખનીય છે કે, ગત વર્ષે ભરૂચ એસટી વિભાગે હોળી તહેવાર દરમિયાન 92 જેટલી વધારાની બસ ફાળવીને અંદાજે રૂપિયા 13.05 લાખની આવક કરી હતી. આમ વધારાની બસ સુવિધાને કારણે શ્રમિકોને તહેવાર દરમિયાન તેમના વતનમાં જવામાં સરળતા રહેશે. ચાર સ્થળેથી વધારાની બસોનું સંચાલન થશેભરૂચ જિલ્લામાં હોળીના તહેવારને ધ્યાને લઈને 100 વધારાની બસ ફાળવવામાં આવી છે. જેનું સંચાલન અંકલેશ્વર જીઆઇડીસી, ભરૂચ જીએનએફસી, અને ભોલાવ બસ ડેપો થી બસ નું સંચાલન કરવામાં આવે. તેમજ આ ડેપોમાં 50 થી વધુ શ્રમીકો થશે તો આ નજીકના ડેપોએ સંપર્ક કરીને બસ સુવિધા તેમના કામના સ્થળે બોલાવી શકે તેવું આયોજન કરાયું છે.
આજે મેચ:જનપથ ટીથી મોટેરા ગામ રોડ વાહનો માટે બંધ રહેશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડીઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુરુવારે બપોરે 3 વાગ્યે ટ્વેન્ટી 20 વર્લ્ડ કપની મેચ રમાશે, જેથી સેલિબ્રિટી, વીવીઆઈપી મોટી સંખ્યામાં મેચ જોવા આવવાના હોવાથી જનપથ ટીથી મોટેરા ગામ સુધીનો રસ્તો તથા સ્ટેડિયમ પાસેના કેટલાક રોડ વાહનચાલકો માટે બંધ રાખવામાં આવશે. વૈકલ્પિક રૂટ આ રૂટ બંધ રહેશે
ખમાસામાં આશાભીલના ટેકરાથી શરૂ થયેલું ‘આશાવલ’ આજે 480.88 ચોરસ કિમીનું અમદાવાદ બની ગયું છે. હજુ 2047 સુધીમાં તેનું ક્ષેત્રફળ 600થી 700 ચો. કિમી થવાની સંભાવના છે, જેમાં સાણંદ, કલોલ, મહેમદાવાદ અને દહેગામને આવરી લેવાશે. જોકે અમદાવાદ શહેરનો આગામી વિકાસ ‘વર્ટિકલ’ વધારે રહેશે એટલે કે હાઈરાઇઝ બિલ્ડિંગો વધશે. હાલના આશાભીલના ટેકરા વિસ્તારને જોઈએ તો તે માંડ 0.03 ચોરસ કિ.મી. જેટલો વિસ્તાર થાય છે. અમદાવાદ શહેર આ સ્થળેથી વિસ્તરી બંને રિંગ રોડને ઓળંગી ગયું છે અને આગામી 2050 સુધીમાં સાણંદ, કલોલ, દહેગામ કે મહેમદાવાદ પણ અમદાવાદ શહેરનો હિસ્સો બની શકે છે. મ્યુનિ.એ કરેલા સરવે અને અંદાજ પ્રમાણે 2035માં અમદાવાદ શહેરમાં 1.29 કરોડની વસતી તેમ જ 2047માં 1.57 કરોડની વસતી હોવાનો અંદાજ છે. આ સિવાય શહેરમાં અનેક નવા રસ્તા બનશે. શહેરને ગ્રીન અમદાવાદ અને કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડા માટે કામગીરી આરંભવામાં આવી છે. અમદાવાદના વિસ્તરણ માટેનો માસ્ટર પ્લાન બનાવવા સરવે ચાલી રહ્યો છે. ...આંકડામાં સમજો અમદાવાદની આજ-કાલ 1411માં અહમદશાહ બાદશાહે તેના ધર્મગુરુ શેખ અહમદ ગંજબક્ષ ખટ્ટુના માર્ગદર્શન હેઠળ માણેક બુરજ પરથી શહેરના કિલ્લાનો પાયો ચણવાની શરૂઆત કરી હતી. માન્યતા છે કે અમદાવાદ શહેરની પહેલી ઇંટ અહીં મૂકવામાં આવી હતી. 17 ચાર રસ્તા, 80 શેરી બજારઃ 13મી સદીમાં 17 ચાર રસ્તા, 80 શેરી માર્કેટ હતા, આજે હજારથી વધુ ચાર રસ્તા અને જૂજ શેરી માર્કેટ. 11 હજાર વિમાની મુસાફરોથી 1.25 કરોડઃ 1960માં માત્ર 11 હજાર લોકો વર્ષમાં વિમાની મુસાફરી કરતાં, આજે 1.25 કરોડથી વધુ. 61 બેન્કથી 1700થી વધુ બેન્કઃ 1961માં શહેરમાં 61 બેન્ક હતી, આજે 1738થી વધુ બેન્ક શાખા છે. સિટી બસમાં મુસાફરો એટલા જઃ 1966માં એએમટીએસની 371 બસમાં દૈનિક 4 લાખ લોકો મુસાફરી કરતા, આજે પણ એટલા મુસાફર. 10 હજાર ટેલિફોનથી શૂન્યઃ 1966માં અમદાવાદમાં 10 હજાર ટેલિફોન કનેક્શન હતા, આજે 100થી ઓછા, 50 લાખ મોબાઇલ. 9 મોટા મેળાઃ 1960ના દશકમાં વર્ષે 9 મોટા મેળાનું આયોજન થતું, દરેકમાં 5 હજાર લોકો આવતા. સાંરગપુરમાં પુરી પકોડી મેળો વગેરે. પહેલી વન-ડે મેચઃ અમદાવાદમાં દેશની પ્રથમ ક્રિકેટ વન-ડે મેચ 1981માં સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાઇ હતી. અમદાવાદીઓની બચત 4 લાખ કરોડઃ શહેરમાં લોકોની બેન્ક ડિપોઝિટ રૂ.4 લાખ કરોડ, NRI ડિપોઝિટ 25 હજાર કરોડ છે. 1.73 લાખથી 15 લાખ પરિવારઃ 1966માં અમદાવાદમાં કુલ 1.73 લાખ પરિવાર રહેતા હતા, આજે 15 લાખથી વધુ પરિવાર છે. 92 હજાર કરોડની નિકાસઃ અમદાવાદમાંથી વર્ષે 92 હજાર કરોડની નિકાસ, રાજ્યના જીડીપીમાં યોગદાન 20%થી વધુ છે. આશાભીલનો ટેકરોઆશાભીલનો ટેકરો શહેરના ઇતિહાસ સાથે જોડાયેલું સ્થળ છે. શહેરની સ્થાપના પહેલાં અહીં રાજા આશા ભીલે વસવાટ કર્યો હતો. આથી આ સ્થળને ‘આશાભીલનો ટેકરો’ કહેવાય છે. આ વિસ્તારમાં હાલ મ્યુનિ.નો બગીચો છે અને આગળની તરફ ગીતામંદિર બસ મથક છે.
હુકમ:જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે 9 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોની બદલી
ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે ગાંધીનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે નવ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો (સીએચઓ) માટે તાત્કાલિક અસરથી બદલીના આદેશો જાહેર કર્યા છે. આ બદલી હેઠળ સીએચઓને ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલ તાલુકાઓમાં આવેલા વિવિધ આયુષ્માન આરોગ્ય કેન્દ્રોમાં ફરીથી એપોઇન્ટ કરવામાં આવ્યા છે. પુનઃનિયુક્તિઓમાં, કૃતિકા વી. વળવી પીયજમાંથી જમિયતપુરા ખાતે, કિંજલ વી. પટેલ સામેત્રીમાંથી રખીયાલ-2 ખાતે, કરણસિંહ જે. ઝાલા લાકરોડાથી ઈશનપુર ખાતે, દીપાલી કે. પ્રજાપતિ કડજોદરા-2થી લીહોડા ખાતે, આરતી જે. પરમાર ટિટોડાથી ભોયણ રાઠોડ ખાતે, સોનલબેન એસ. બાળેવીયા હરણહોડાથી દેવકરણના મુવાડા-2 ખાતે, ચાંદની વી. પાઠક વ્યાસ પાલડીથી ધમાસણા ખાતે, હાર્દિક પટેલ સગદલપુરમાંથી વડવાસા ખાતે અને રિદ્ધિ આર. ધામીની વિહારથી છાલા-1 ખાતે બદલી કરવામાં આવ્યા છે. આદેશમાં નવા કેન્દ્રોમાં તાત્કાલિક હાજર થવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જ્યારે એનએચએમ માર્ગદર્શિકા હેઠળની મૂળ નિમણૂકની શરતો યથાવત્ રહેશે. તાલુકા આરોગ્ય અધિકારીઓને ખાલી થયેલી જગ્યાઓનું સંચાલન કરી પાલન અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ફેરબદલી ગુજરાતની મજબૂત પ્રાથમિક આરોગ્ય વ્યવસ્થા માટેની પહેલ સાથે સંકળાયેલી છે, જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો (એચડબ્લૂસી) દ્વારા આયુષ્માન ભારત યોજના હેઠળ અમલમાં છે. અનુભવી સીએચઓના પુનર્વિતરણ દ્વારા વિભાગનો ઉદ્દેશ ગ્રામ્ય અને અવિકસિત વિસ્તારોમાં સ્ટાફની કમી દૂર કરવાનો છે, જેથી માતૃત્વ આરોગ્ય અને જટીલ રોગોના સંચાલન જેવી સેવામાં સુધારો થાય. સ્થાનિક નાગરિકો માટે આ બદલાવ ઘર નજીક ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ વધુ લાભ આપશે, અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું કે આ બદલીઓ PHC સ્તરે કામગીરીને વધુ સુગમ બનાવશે એવી અપેક્ષા છે.
આયોજન:પાલજની ઐતિહાસિક હોળી સાથે 2 માર્ચે ભવ્ય કાર્યક્રમ
ગાંધીનગરના પાલજ ખાતે વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતી ગુજરાતની સૌથી મોટી હોળીના પર્વ માટે આ વર્ષે વિશેષ આયોજન કરાયું છે. ગાંધીનગર મહાનગરપાલિકા આ ઐતિહાસિક પરંપરામાં જોડાઈ છે. 2 માર્ચે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. લોકડાયરાનું પણ આયોજન કરાયું છે. મહોત્સવમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. કલાપ્રેમીઓ પણ મોટી સંખ્યામાં આવશે. પાલજની હોળી ભવ્યતા માટે જાણીતી છે જે ગુજરાતની સૌથી મોટી હોળી ગણાય છે સાથે વર્ષો જૂની આસ્થા માટે પણ પ્રખ્યાત છે. આ વર્ષે પરંપરાગત હોલિકા દહન થશે. સાથે જનતાના મનોરંજન માટે ખાસ આયોજન કરાયું છે. સાંસ્કૃતિક વારસો જીવંત રાખવા મહાનગરપાલિકાએ પહેલ કરી છે. કાર્યક્રમની શરૂઆતમાં હોલિકા દહનનું પૌરાણિક મહત્વ રજૂ થશે. ભક્ત પ્રહલાદની કથા પર આધારિત વિશેષ નાટક રજૂ કરાશે. કલાકારો આ કથાને જીવંત કરશે. નાટકથી નવી પેઢીને ભારતીય સંસ્કૃતિનો સંદેશ મળશે. અનિષ્ટ પર ઇષ્ટના વિજયની વાત પણ પહોંચશે. મુખ્ય આકર્ષણ તરીકે લોકગાયક બ્રિજરાજ ગઢવી લોકડાયરો રજૂ કરશે. ડાયરામાં શૌર્યરસ હશે. ભક્તિ સંગીત હશે. લોકસાહિત્યની વાતો પણ હશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાલજમાં વર્ષોથી પરંપરાગત હોળીની ઉજવણી કરાય છે.
પર્દાફાશ:શેરથા ટોલટેક્ષ પાસે ખાતરની આડમાં છુપાવેલો ₹રૂ. 53 લાખનો દારૂ ઝડપાયો
રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB-2) ની ટીમે એક મોટી સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે એક આઈસર ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને મહેસાણા તરફથી અમદાવાદ મોકલવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે શેરથા ટોલટેક્ષ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રકને અટકાવી કરોડોના દારૂના કારોબારનો પર્દાફાશ કર્યો છે. જેમાં મહેસાણા તરફથી આવી રહેલી એક આઈસર ટ્રક નંબર GJ-08-AU-8727 ને અટકાવવામાં આવી હતી. જ્યારે પોલીસે આ ટ્રકની તપાસ કરી ત્યારે શરૂઆતમાં તેમાં પશુઓના ગોબરમાંથી બનાવેલા ખાતર (ભુટ્ટા) ભરેલી 50 જેટલી કોથળીઓ જોવા મળી હતી, પરંતુ આ કોથળીઓ હટાવતા જ પોલીસ ચોંકી ઉઠી હતી કારણ કે તેની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 361 પેટીઓ ઝડપી પાડી છે, જેમાં રોયલ ચેલેન્જર અને મેકડોઅલ નં-૧ વ્હીસ્કીની બોટલો તેમજ અલ્ટ્રા મેક્સ બીયરના ટીન મળી કુલ 6,876 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત ₹53,72,400 થાય છે. દારૂના આ જથ્થાની સાથે પોલીસે ₹15,00,000 ની કિંમતની આઈસર ટ્રક અને ₹5,000 ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ₹68,77,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થળ પરથી પકડાયેલા ચાલક ભુપેન્દ્રસિંઘ ઉર્ફે નરેશ માંગીલાલ બિશ્નોઈની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોરના ગોપાલ પુનમારામ બિશ્નોઈએ લુધિયાણાથી ભરાવ્યો હતો અને તેને અમદાવાદ રિંગ રોડ ટોલટેક્ષ પાસે કોઈને પહોંચાડવાનો હતો. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધીને મુખ્ય સૂત્રધાર ગોપાલ બિશ્નોઈને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આક્ષેપ:શહેર ભાજપ પ્રમુખ રૂપારેલીયાએ બાંધકામ શાખામાં પોતાના ચાર માણસો મુકી દીધા '
જૂનાગઢ શહેર ભાજપમાં લાંબા સમયથી ધગધગતી આંતરિક જૂથબંધી હવે સ્મશાનના ઓટલેથી બહાર આવી છે. પૂર્વ યુવા ભાજપ ઉપપ્રમુખ તેજસ જોષીના સનસનાટીભર્યા આક્ષેપોએ પક્ષની 'શિસ્તબદ્ધ' છબીના લીરેલીરા ઉડાડી દીધા છે. આક્ષેપ છે કે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સંગઠન ચલાવવાને બદલે કરોડો રૂપિયાનું વ્યાજવટાવનું કાળું સામ્રાજ્ય ચલાવી રહ્યા છે. આ વ્યાજચક્રમાં શહેરના નાના વેપારીઓ પાયમાલ થઈ રહ્યા છે. આટલું જ નહીં, સંગઠનમાં પણ પક્ષના વફાદાર કાર્યકરોને બદલે પોતાના અંગત વહીવટદારો અને એક્ટિવિસ્ટોને ગોઠવી દઈને સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આરોપ છે. જ્યારે નેતાઓ જ વ્યાજખોરી અને કમિશનખોરીમાં વ્યસ્ત હોય, ત્યારે સામાન્ય જનતાની સુખાકારી માત્ર કાગળ પર જ રહી જાય છે. વ્યાજખોરી જ નહીં, પણ જૂનાગઢ મહાનગરપાલિકાને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવવાનો પણ આક્ષેપ છે. તેજસ જોષીના જણાવ્યા મુજબ, પૂર્વ પ્રમુખ પુનિત શર્માએ નીતિ-નિયમોને નેવે મૂકીને શહેરમાં ગેરકાયદે બિલ્ડિંગોનો ખડકલો કરી દીધો છે. ફોર્ચ્યુન પ્લાઝા જેવા અનેક પ્રોજેક્ટ્સમાં ગેરરીતિઓની ગંધ આવી રહી છે. મહાનગર પાલિકાની વિકાસ ગ્રાન્ટમાં પણ ફિક્સ 'ટકાવારી' લેવાતી હોવાના આક્ષેપે વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. રાયજી બાગમાં ભૂતકાળમાં થયેલી દુર્ઘટના છતાં, સત્તાધારી નેતાઓ માત્ર પોતાની ધારાસભ્ય બનવાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ભાજપનો ખેસ પહેરીને ભ્રષ્ટાચારનું લાઇસન્સ મેળવી લેનારા આવા નેતાઓને કારણે આજે જૂનાગઢનું રાજકારણ સ્મશાન જેવું ભયાનક અને ગંદું બની ગયું છે. શહેર પ્રમુખે આક્ષેપોના જવાબના બદલે આરતી જોશીનું ગાણુ ગાયુંતેજસ જોશી કે જે પહેલા હોદ્દેદાર હતા અત્યારે તેમના પરિવારમાંથી આરતીબેન જોશી મહિલા મોરચાના અધ્યક્ષ છે. તેમના એક પરિવાર માંથી બે હોદ્દા ન આપી શકાય. આક્ષેપો પાયા વિહોણા છે. > ગૌરવ રૂપારેલીયા પ્રમુખ શહેર ભાજપ
જીએસઈબીની ગુરુવારથી શરૂ થતી બોર્ડ પરીક્ષામાં કુલ 15.27 લાખથી વધુ વિદ્યાર્થી બેસશે. ધો. 10-12 (સાયન્સ-સા. પ્રવાહ)ની પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે. કેટલાંક વર્ષોમાં નોંધાયેલા નિયમિત વિદ્યાર્થીઓમાં 12 સાયન્સમાં અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ ઘટ્યા છે જ્યારે 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ વધ્યા છે. જિલ્લામાં કુલ મળીને 99555 વિદ્યાર્થીઓ ધોરણ 10માં અને ધોરણ 12 સાયન્સમાં કુલ 14,258 જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 58,947 વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયેલા છે. 12 સાયન્સમાં વિદ્યાર્થીઓ ઘટવા પાછળનાં કારણો • સીબીએસઈ બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોની સંખ્યામાં વધારો, જેના પરિણામે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનો સીબીએસઈ તરફનું વલણ વધતાં સંખ્યામાં ઘટાડો નોંધાયો. • ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સમાં સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોની તોતિંગ ફી તેમજ ફિઝિક્સ, કૅમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી મુખ્ય વિષયોની ટ્યુશન ફી પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડા માટે જવાબદાર છે. • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ઇજનેરી કૉલેજોની ફી અને મેડિકલ કૉલેજોની ફી પણ છેલ્લાં 2 વર્ષોમાં ખૂબ જ વધવાને કારણે મધ્યમ વર્ગના વાલીઓને પડી રહેલી આર્થિક મુશ્કેલી પણ જવાબદાર છે. • ધોરણ 12 સાયન્સ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જેઈઈ, નીટ, ગુજસેટના વધુ પડતા તણાવના કારણે સાયન્સ તરફનું વલણ ઓછું થયું છે. ધોરણ 10ના નોંધાયેલા નિયમિત વિદ્યાર્થીઓ વર્ષ વિદ્યાર્થીઓ 2018 7,95,528 2019 8,28,944 2020 8,04,268 2021 1,07,264 2022 7,81,702 2023 7,41,411 2024 7,06,370 2025 7,62,485 2026 7,69,994 12 સા. પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ વિદ્યાર્થીઓ 2022 3,35,145 2023 4,77,392 2024 3,78,268 2025 3,62,506 2026 4,37,279 9 વર્ષના 12 સાયન્સના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ વિદ્યાર્થીઓ 2018 1,34,352 2019 1,23,860 2020 1,16,494 2021 1,07,264 2022 95,361 2023 1,10,042 2024 1,11,132 2025 1,00,575 2026 1,11,294 12 સા.પ્ર.માં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવા પાછળના જવાબદાર કારણો • સીએ, સીએસ, આઈસીડબલ્યુ, ઈન્ટીગ્રેટેડ એમબીએ, એમએસસી આઈટી જેવા વિકલ્પોને કારણે વિદ્યાર્થીઓ રુચિ અનુસાર કારકિર્દી પસંદ કરી શકે છે. • ધોરણ 10 પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવાનો વિકલ્પ.
ગુજરામાં 2024 અને 2025ના બે વર્ષના ગાળા દરમિયાન 3,727 કરોડની કિંમતના 41 હજાર કિલોથી વધુના નશીલા પદાર્થો જપ્ત કરાયાં છે. ડ્રગ્સનું દુષણ રાજ્યમાં એટલું વધ્યું છે કે, ગુજરાત સરકારે યુવાનોને ડ્રગ્સ સહિતના નશીલા દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવા માટે નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં જિલ્લે-જિલ્લે વ્યસન મુક્તિ સારવાર કેન્દ્રો ખોલવાની જોગવાઇ કરવી પડી છે. વિધાનસભામાં ગૃહ વિભાગને લગતા પ્રશ્નો પરના જવાબ આપતી વખતે મંત્રી કૌશિક વેકરિયાએ આ માહિતી આપી હતી. માત્ર જામનગર અને કચ્છ જિલ્લામાંથી જ 244.59 કરોડની કિંમતના ગાંજો,ચરસ, હેરોઇન, કોકેઇન, અફીણ, એમ.ડી.ડ્રગ્સ, પોષડોડા જેવા નશીલા પદાર્થો પકડાયા હોવાનું પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે કહ્યું હતું કે, પેડલરોને પકડવામાં આવે છે, પરંતુ સેવન કરતા યુવાનોની ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેનું કાઉન્સેલિંગ કરાવવામાં આવે છે અને તેમની જિંદગી સુધારવાના પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ડ્રગ્સ માફિયાઓની આખી સર્કિટ તોડવા માટે વિદેશમાંથી ડ્રગ્સ મોકલનારા, ભારતમાં મગાવનારા, ખેપ મારનારા અને ગ્રાહકો એમ તમામ ટોચથી લઇને તળિયા સુધીના તબક્કે તપાસ થાય છે. કચ્છમાં ડ્રગ્સ માફિયાઓની 32.20 કરોડની સંપત્તિ પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરાયો હતો. ઓડિશાના ડ્રગ્સ માફિયાની સંપત્તિ પણ જપ્ત કરી તેની હરાજી કરાઇ છે. ગુજરાતમાં ત્રાસવાદ વિરોધી દળ ઉપરાંત નાર્કોટિક્સ વિરોધી દળની રચના કરાઇ છે. આ એજન્સીઓએ અત્યાર સુધીમાં 1,647 ગુના નોંધી ડ્રગ્સ માફિયાને જેર કર્યા છે. અમદાવાદમાં 2 વર્ષમાં કાયદેસર 26.75 લાખ લીટર દારૂ પિવાયોગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાંથી મળેલી વિગત અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં 2 વર્ષમાં 32 હોટલોને દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સરકાર અરજી કરનારી હોટલોને પરમિટ લિકર શોપનો પરવાનો આપે છે અને તેમાં વેચાતા દારૂમાંથી સરકારને ડ્યૂટી અને વેરા સ્વરૂપે બે વર્ષમાં 116.32 કરોડની આવક થઇ. હાલ નિયમ અનુસાર એક લીટર વિદેશી દારૂના વેચાણ પર એકસાઇઝ ડ્યૂટી પેટે 300 રૂપિયા અને સ્પેશિયલ ફી પેટે 135 રૂપિયા મળીને 435 રૂપિયા વેરો લેવાય છે. બે વર્ષમાં સરકારને આ વેરા પેટે થયેલી કુલ આવકની દષ્ટિએ કુલ 26.75 લાખ લીટર દારૂનું વેચાણ થયું હોવાનું માની શકાય. જો કે આ આંકડો માત્ર કાયદેસર પરમિટ લિકર શોપ પર પરવાનો ધરાવતા લોકોએ ખરીદેલા દારૂનો જ છે.
રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલ મન મંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે જેના કારણે ફ્લેટની અંદર હોલ તેમજ કિચનમાં સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ છે જયારે ઘરની અંદર રૂમમાં સુતેલા વૃદ્ધ માતા-પુત્ર ગૂંગળામણના કારણે બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને પોલીસે આંગણું ચોક્કસ કારણ જાણવા FSLની મદદ મેળવી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી.બોરીસાગરએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલ વર્ધમાન નગર શેરી નંબર 8માં આવેલ મન મંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક નંબર સી-402માં રાત્રીના 12 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી જેના કારણે ફ્લેટમાં હોલ તેમજ કિચનની અંદર સામગ્રી બળીને ખાખ થઇ ગઈ છે. આગ લાગી ત્યારે ઘરની અંદર રૂમમાં વૃદ્ધ માતા પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા (ઉ.વ.92) અને પુત્ર નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પુજારા જેમની ઉંમર આશરે 62 વર્ષ છે જેમને કોઈ બર્ન ઇન્જરી થવા પામી નથી પરંતુ ગુંગળામણ થવાના કારણે બેભાન હાલતમાં બન્નેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક રીતે આ બનાવમાં આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું મામવામાં આવી રહ્યું છે પરંતુ આંગણું ચોક્કસ કારણ જાણવા માટે FSL ટીમની પણ મદદ લેવામાં આવશે. FSL રિપોર્ટ આવ્યા બાદ આંગણું ચોક્કસ કારણ જાણી શકાશે. બનાવ અંગેની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવમાં બન્ને માતા-પુત્રના મોત થતા મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ રાજકોટ આવેલ પૌત્ર બનાવ સમીર ઘરે હાજર ન હોવાથી તેમનો જીવ બચી ગયેલ છે માટે પોલીસ દ્વારા તેમનું પણ નિવેદન નોંધી પુછપરછ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
આગામી કોમનવેલ્થ ગેમ્સને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજનને લઈ શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ ખાતે અધ્યતન એસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે. વસ્ત્રાલમાં તૈયાર થયેલા સ્પોર્ટસ કોમ્પલેક્સમાં જકુઝી, સ્ટીમ બાથ, સોના બાથ, જીમ જેવી સુવિધા ઉપરાંત અલગ અલગ 20 રમતો રમી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ રમતો માટેની ફી પણ નક્કી કરી લેવામાં આવી છે. આવતા મહિને લોકો માટે આ કોમ્પલેક્સ ખુલ્લું મૂકવામાં આવી શકે છે. સ્પોર્ટસ કોમ્પલેક્સમાં વિવિધ રમતો માટેની ફી નક્કી કરવામાં આવીબુધવારે મળેલી કમિટીમાં વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટેબલ ટેનિસ, ફૂટબોલ, સ્વિમિંગ, બાસ્કેટબોલ, જિમ્નેશિયમ, યોગા, બોક્સિંગ, ચેસ, સ્કેટિંગ વગેરે જેવી રમતો રમાડવામાં આવશે. જેના માટે માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક ફી પણ નક્કી કરવામાં આવી છે. 150 રૂપિયાથી લઈને અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કિડ્સ ઝોન માટે પણ ₹50 ફી નક્કી કરવામાં આવી છે જેથી પૂર્વ વિસ્તારના નાગરિકો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ લઈ શકશે. અલગ અલગ રમતો અને સુવિધાની ફી નક્કી કરવામાં આવી છે તે નીચે મુજબ છે. સોફ્ટ ટેનિસ એસોસિએશનને માસિક 2 લાખ રૂપિયાના ભાડે સ્પોર્ટસ કોમ્પલેક્સ ચલાવવા અપાયું રૂ. 61.67 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સોફ્ટ ટેનિસ એસોસિએશન ઓફ ગુજરાતને ચલાવવા માટેની મંજૂરી આજે 25 ફેબ્રુઆરીના રોજ મળેલી રીક્રિએશનલ કમિટીમાં આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને દર મહિને બે લાખ રૂપિયા આપવામાં આવશે. જોકે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવવા માટે એજન્સી ઉપર અધિકારીઓને ભાજપના સત્તાધીશોએ મહેરબાન થઈ આર્થિક રીતે સ્થાયી થવા માટે એક મહિનાનું ભાડું આપવાનું માફ કર્યું છે અને લાઇટ બીલમાં પણ 50 ટકા રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ રમતો માટેના દર મહિનાની ફી પણ નક્કી કરી દેવામાં આવી છે. રીક્રીએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી અને ડેપ્યુટી ચેરમેન સ્નેહાબા પરમારે જણાવ્યું હતું કે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નવું બનાવવામાં આવ્યું છે જેને પીપીપી ધોરણે ચલાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જે ટેન્ડર સિંગલ બિડર સોફ્ટ ટેનિસ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ભરવામાં આવ્યું હતું. ઓનલાઇન પ્રાઈઝ બીડમાં 1.25 લાખ રૂપિયા ભાડું આપવાનું નક્કી કરાયું હતું જોકે બાદમાં નેગોશિએશન કરીને દર મહિને બે લાખ રૂપિયા ભાડું મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવામાં આવશે. 10 વર્ષ માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આગામી મહિને સ્પોર્ટસ કોમ્પલેક્સનું લોકાર્પણ થઈ શકેસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું મહિનાનું લાઈટ બિલ સંચાલક એજન્સી દ્વારા ભરવાનું રહેશે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર ત્રણ મહિને લાઈટ બિલમાં 50 ટકા રાહત આપવા અંગેની પણ મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલના બાળકોને મફતમાં કોચિંગ અને રમવા માટે પ્રવેશ આપવાનો રહેશે. બીજી તરફ સંચાલક એજન્સીને આર્થિક રીતે સ્થાયી થવા માટે એક મહિનાનું ભાડું લેવામાં આવશે નહીં. બીજા મહિનાથી ભાડું જીએસટી સાથે ભરવાનું રહેશે. સેન્ટ્રલ્ય એસી સુવિધા અને લાઇબ્રેરી સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર છે. એરીયા અને અલગ અલગ સુવિધાઓ સાથેનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગામી મહિને નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવી શકે છે.
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં તેની મહિલામિત્ર પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયા બાદ હાલ જેલ હવાલે છે, ત્યારે આ કેસમાં ACP ઝેડ.આર. દેસાઈએ તપાસના મહત્વના પાસાઓ જાહેર કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાએ પરિવાર સાથે મળી BLUE PAPILLON સ્કૂલમાંથી અલગ અલગ રીતે કુલ 2.24 કરોડ રૂપિયા મેળવ્યા છે. આ દરમિયાન ગુરૂવારે પૂનમ ભદોરિયાની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સ્કૂલના નફા અને પગારના નામે કરોડોનો વહીવટપોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી પૂનમ ભદોરિયાએ વર્ષ 2018થી 2025 દરમિયાન BLUE PAPILLON સ્કૂલમાંથી માતબર રકમ મેળવી હતી. જેમાં પગાર પેટે 92.34 લાખ, નફા પેટે 57.84 લાખ અને મૂડીના વ્યાજ પેટે 38.16 લાખ મળી કુલ 1,88,35,680 રૂપિયા મેળવ્યા હોવાનું ડોક્યુમેન્ટ્સ પરથી સાબિત થઈ રહ્યું છે. પરિવારના સભ્યોના નામે પણ લાખો રૂપિયાACP ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, માત્ર પૂનમ જ નહીં, પરંતુ તેના પરિવારના સભ્યોએ પણ આ સંસ્થામાંથી આર્થિક લાભ લીધો હોવાનું સામે આવ્યું છે. પૂનમની બહેન પ્રિયા ચૌહાણે 14.95 લાખ પગાર પેટે મેળવ્યા છે. આ ઉપરાંત, પૂનમની માતા ઉર્મિલા અને પિતા બ્રિજમોહન ભદોરિયાએ પણ પગારના નામે અનુક્રમે 10.40 લાખ અને 10.40 લાખ મેળવ્યા છે. આમ, પૂનમના પરિવારના સભ્યોએ કુલ 35.75 લાખ સ્કૂલમાંથી મેળવ્યા હોવાની વિગતો સામે આવી છે. ડુમસ ખેડૂત સાથેનો વ્યવહાર શંકાના દાયરામાંતપાસ દરમિયાન વધુ એક ગંભીર બાબત સામે આવી છે. ડુમસના એક ખેડૂત પાસેથી મૃતક તુષાર ઘેલાણીએ 11 લાખ લેવાના બાકી હતી. તુષારના કહેવાથી ખેડૂતે આ રકમનો ચેક પૂનમ ભદોરિયાના પિતા બ્રિજમોહનને આપ્યો હતો. આ રકમ બાબતે જ્યારે આરોપી પૂનમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કોઈ યોગ્ય ખુલાસો કર્યો નથી. જે માટે પોલીસ તપાસનો વિષય બન્યો છે. પૂનમની બહેન પ્રિયા ચૌહાણની શંકાસ્પદ ભૂમિકા?આ સમગ્ર પ્રકરણમાં પૂનમની બહેન પ્રિયા ચૌહાણની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ રહી છે. પોલીસ દ્વારા પ્રિયાને નિવેદન નોંધાવવા માટે વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં તે હજુ સુધી પોલીસ સમક્ષ હાજર થઈ નથી. આર્થિક વ્યવહારો અંગે પ્રિયા દ્વારા કોઈ ખુલાસો રજૂ કરવામાં ન આવતા પોલીસ હવે આ દિશામાં કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. શું હતો સમગ્ર મામલો?સુરતના અગ્રણી બિલ્ડર અને 'ઘેલાણી ગ્રુપ'ના માલિક તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી, 2026ને રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાઉસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારી હતી. એ બાદ તુષાર ઘેલાણીને ગંભીર હાલતમાં સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના મગજના ડાબા ભાગે વાગેલી 9 mmની બુલેટ મગજની આરપાર નીકળી ગઈ હતી. સાથે જ બુલેટ્સના પાર્ટુકલ પણ મગજના વિવિધ જગ્યા પર પહોંચી જતાં મગજમાં સોજો આવી ગયો હતો. શહેરના નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે દિવસ-રાત એક કર્યા હતા. પાંચ દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતા રહ્યા, જોકે ઈજા એટલી ગંભીર હતી કે બુધવારે તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. કોણ હતા તુષાર ઘેલાણી?તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ હતું. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામક્ષેત્રે સક્રિય હતા. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી હતી. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા હતા. આ પણ વાંચો- દીકરીના કંકોત્રી લેખનના દિવસે જ પિતાનો ગોળી મારી આપઘાતનો પ્રયાસ, ઘરે મંડપ પણ રોપાઈ ગયાં હતાં આ પણ વાંચો- સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇન ડેડ જાહેર, પરિવારની અંગદાનની જાહેરાત આ પણ વાંચો: 'મિ.તુષાર ઘેલાણી, તમે હવે મજા લો અને ખુશ થાઓ', દીકરીએ પિતાને કરેલા મેસેજની વ્હોટ્સએપ ચેટ સામે આવી
શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાન સેમિ ફાઈનલમાંથી આઉટ ! જાણો ગણિત
ICC T20 World Cup 2026, New Zealand vs Sri Lanka : ટી20 વર્લ્ડકપ-2026ના સુપર-8 તબક્કાના રસાકસીભર્યા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 61 રને પરાજય આપીને સેમિફાઈનલની રેસમાં મજબૂત પકડ બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 168 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરોમાં માત્ર 107 રન જ બનાવી શકી હતી. કીવી ટીમ તરફથી કેપ્ટન મિશેલ સેન્ટનરે સૌથી વધુ 47 રન ફટકાર્યા હતા અને રચિન રવીન્દ્રએ 4 વિકેટ ઝડપી વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે જ પાકિસ્તાન માટે સેમિફાઈનલનું ગણિત અત્યંત ગૂંચવાળા જેવું બની ગયું છે, કારણ કે ન્યૂઝીલેન્ડનો રન રેટ હવે ઘણો ઊંચો થઈ ગયો છે જે પાર કરવો પાકિસ્તાન માટે અશક્ય સમાન જણાય છે. સેન્ટનર અને મેકકોન્ચીએ ન્યૂઝીલેન્ડને જીત અપાવી
જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ કોર્સનો સમાપન કાર્યક્રમ યોજાયો:ભાવનગરમાં 35 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અપાયા
ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર સ્થિત શિશુવિહાર સંસ્થા ખાતે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ સર્ટિફિકેટ કોર્સનો સમાપન કાર્યક્રમ 25 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયો હતો. શિશુવિહાર સંસ્થા અને વાઘ બકરી ફાઉન્ડેશનના સહયોગથી આ ત્રણ માસનો કોર્સ 5 ઓક્ટોબરથી 6 જાન્યુઆરી સુધી યોજાયો હતો. આ સમાપન કાર્યક્રમમાં વાઘ બકરી ફાઉન્ડેશનના સી.એસ.આર. ઓફિસર મિલનભાઈ પ્રજાપતિ અને વાઘ બકરી ચા પરિવારના સભ્યોની હાજરીમાં 35 તાલીમાર્થીઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.તાલીમાર્થીઓએ કોર્સથી થયેલા ફાયદાઓ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે તાલીમાર્થીઓની માહિતી અને ત્રણ માસ દરમિયાન અપાયેલી વિવિધ પ્રવૃત્તિઓના બ્રોશરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. સિદ્ધિવિનાયક હોસ્પિટલના એમ.ડી. ડૉક્ટર રાજીવ ઓઝાના માર્ગદર્શન હેઠળ ભાવનગરના વયસ્ક નાગરિકોની સંભાળ માટે વિવિધ બે તાલીમો દ્વારા તૈયાર થયેલી 48 બહેનોની સેવાઓની નોંધ લેવામાં આવી હતી. આ સેવાઓ માટે વાઘ બકરી ચા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરાયો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે તેનું સંકલન હીનાબેન ભટ્ટ દ્વારા કરાયું હતું.
શહેરમાં વિકાસકાર્યો અને કાયદાકીય શિસ્ત મુદ્દે બે મોટા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કતારગામમાં સુમન સ્કૂલના નિર્માણ સ્થળને લઈને ધારાસભ્ય વિનુ મોરડિયા અને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ વચ્ચે સર્જાયેલી ખેંચતાણ હવે સ્ટેન્ડિંગ કમિટીના ઉંબરે પહોંચી છે, જ્યાં 8 મહિનાથી ખોરંભે પડેલા પ્રોજેક્ટને નવી મંજૂરી આપવા કવાયત તેજ થઈ છે. બીજી તરફ, પાલ વિસ્તારમાં મંજૂરી વગર બાંધકામ શરૂ કરનારા મિલકતદારો સામે રાંદેર ઝોને લાલ આંખ કરી કામ અટકાવવા નોટિસ ફટકારી છે. કતારગામમાં સુમન સ્કૂલનું નિર્માણ છેલ્લા 8 મહિનાથી રાજકીય વર્ચસ્વનો મુદ્દો બની ગયું છે. ટીપી સ્કીમ નં-50 (રામકથા રોડ) પર જુલાઈ 2025માં 6.26 કરોડના ખર્ચે સ્કૂલ બનાવવાનું ટેન્ડર મંજૂર થયું હતું. જોકે, ધારાસભ્ય વિનુ મોરડિયાએ સ્થળ ફેરફારની માંગ કરી સ્કૂલને ગાયત્રી મંદિર પાસે ખસેડવા આગ્રહ રાખ્યો હતો. આ ખેંચતાણ એટલી હદે વધી કે મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. નેતાઓની આ લડાઈમાં સામાન્ય જનતા અને બાળકોના શિક્ષણના ભોગે વિકાસ કાર્ય અટવાઈ પડ્યું છે. મંજૂરી વગર જ કોમર્શિયલ પ્લોટ પર બાંધકામ શરૂ કરી દેવાયુંવિવાદની ચરમસીમા ત્યારે આવી જ્યારે સત્તાવાર મંજૂરી મળે તે પહેલાં જ ટીપી-35ના એફપી-123 (ગાયત્રી મંદિર પાછળ) જે ‘સેલ ફોર કોમર્શિયલ’ હેતુનો પ્લોટ હતો, ત્યાં બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું. મંજૂરી વગર થયેલા આ બાંધકામે પાલિકાના વહીવટી તંત્રને પણ દોડતું કરી દીધું હતું. હવે આ ગેરરીતિને ‘વેરિએશન’ પ્રક્રિયા દ્વારા થાળે પાડવા માટે શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે, જેમાં અગાઉના ટેન્ડરને નવા સ્થળ માટે મંજૂરી આપવાની તૈયારી છે. શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીમાં થશે સુમન સ્કૂલનો આખરી ફેંસલો13 જાન્યુઆરીએ ટીપી સમિતિમાં હેતુ ફેરની દરખાસ્ત મંજૂર થયા બાદ, હવે વેરિએશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. શાસકો સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્ત મુજબ, રામકથા રોડને બદલે હવે ગાયત્રી મંદિર પાસે જ સ્કૂલ બનાવવાની સત્તાવાર મહોર મારવામાં આવશે. આ નિર્ણય સાથે જ ભાજપના બંને જૂથો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજકીય અહમમાં પ્રોજેક્ટના ખર્ચ અને સમય બંનેનો વેડફાટ થયો છે. પાલમાં મંજૂરી વગરની ડિ-વોલ પર રાંદેર ઝોનની તરાપશહેરના વેસ્ટ ઝોન ગણાતા પાલ વિસ્તારમાં પણ પાલિકાની કડક કાર્યવાહી જોવા મળી છે. ટીપી સ્કીમ નં. 16, ફાઈનલ પ્લોટ નં. 98માં શ્રીપદ અરેના પાસેની એક મિલકતમાં પાલિકાની પૂર્વ મંજૂરી લીધા વિના જ ડિ-વોલ અને ખોદાણની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પાલિકાને આ અંગેની ફરિયાદ મળતા જ રાંદેર ઝોનની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ચાલતું સિવિલ કામ અટકાવી દીધું હતું. નોટિસનો અમલ નહીં થાય તો પોલીસ બંદોબસ્ત સાથે તોડી પડાશેરાંદેર ઝોને મિલકતદારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે મંજૂરી વગર કરાયેલું ખોદાણ તાત્કાલિક પુરાણ કરવામાં આવે. જો નોટિસનો અમલ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં પાલિકા પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ દૂર કરવાની અને મિલકત સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરશે. પાલિકાની આ આક્રમકતા જોઈ ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં કોળી ઠાકોર સમાજ નિગમ માટે ગ્રાન્ટમાં વધારો કરવા, લોન પ્રક્રિયા સરળ બનાવવા અને અલગ મંત્રાલયની રચના કરવાની માંગ કરી છે. તેમણે સમાજના સર્વાંગી વિકાસ માટે આ રજૂઆતો કરી હતી. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલા 2026-27ના બજેટ પર પોતાના વિચારો રજૂ કરતા, ધારાસભ્ય મકવાણાએ 4 લાખ 8 હજાર કરોડના ઐતિહાસિક બજેટને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નાણા મંત્રીને સૂચન કર્યું કે કોળી અને ઠાકોર સમાજના નિગમમાં લોન આપવાના નિયમો ખૂબ જ કડક છે. હાલમાં, લોન મેળવવા માટે સાતબારમાં બોજો પડાવવો ફરજિયાત છે, જે પ્રક્રિયાને મુશ્કેલ બનાવે છે. ધારાસભ્યએ આ નિયમોમાં ફેરફાર કરીને પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ કરી. આ ઉપરાંત, ધારાસભ્ય મકવાણાએ કોળી ઠાકોર સમાજ નિગમની ગ્રાન્ટમાં પણ વધારો કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે અન્ય સમાજોની સરખામણીમાં કોળી અને ઠાકોર સમાજમાં ધંધા અને શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તેથી, સમાજના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી શકે અને યુવાનો ઉદ્યોગપતિ બની શકે તે માટે કોળી અને ઠાકોર સમાજ નિગમ માટે એક અલગ મંત્રાલય બનાવવામાં આવે તેવી પણ રજૂઆત કરી. આનાથી યુવાનો અને મહિલાઓ શિક્ષિત બની મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકશે.
ભાવનગર LCB પોલીસે શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તાર માંથી ઘરફોડ ચોરીના મુદામાલ સાથે એક શખસને ઝડપી પાડ્યો છે. અગાઉ ચોરીના ગુન્હામાં ઝડપાઈ ચુકેલા હિસ્ટ્રીશીટર શખ્સના કબજામાંથી શંકાસ્પદ રોકડ, દાગીના કબજે લઈ પૂછપરછ હાથ ધરી હતી. આ પૂછપરછમાં પોતાની પાસે રહેલો મુદ્દામાલ તેણે બે દિવસ પહેલા શહેરના કુંભારવાડાની ગીરનાર સોસાયટીના મકાનમાં ચોરી કરી મેળવ્યો હોવાની કબુલાત આપી હતી. LCBએ શખ્સની ધરપકડ કરી બોરતળાવ પોલીસ મથકે સોંપી દેતા બોરતળાવ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકાસ્પદ બાતમી મળી હતીઆ બનાવ અંગે LCB કચેરીથી મળતી માહિતી મુજબ તા.25 ફેબ્રુઆરીના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓની તપાસમાં હતાં. તે દરમિયાન ભાવનગર શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં વીઆઈપી રોડ પર રામાપીરના મંદીર સામે બોરતળાવ પોલિસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર અને અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાયેલ કુંભારવાડા વિસ્તારનો ઇકબાલ ઉર્ફે ચીની નામનો શખસ એક બેગમાં શંકાસ્પદ દાગીના તથા રોકડ સાથે ઉભો છે. તેની પાસે રહેલા દાગીના તથા રોકડા રૂપિયા તે કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકાસ્પદ બાતમી મળી હતી. આરોપીએ 50 હજારથી વધુની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતીઆ બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં ઇકબાલ ઉર્ફે ચીની નામનો શખસ મળી આવ્યો હતો, પોલીસે તપાસ કરતા તેની પાસેથી પાટલા 1 જોડી કિ.રૂ.1500, માળાવાળુ મંગળસુત્ર-1 કિ.રૂ.500 અને રોકડ રૂ.8500 મળી કુલ રૂ.10,500 નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જે બાદ વધુ પુછપરછ કરતાં તેણે ગઇ તા.22/02/2026 ના રોજ મોડી રાત્રીના સમયે ભાવનગર શહેરના કુંભારવાડાની ગીરનાર સોસાયટીમાં આવેલા એક મકાનમાં બારીમાંથી પ્રવેશ કરી ઘરમાંથી સોનાની બુટ્ટી જોડ-1 ,મોબાઇલ ફોન 1 તથા રોકડ 50,000ની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના ઇકબાલ ઉર્ફે ચીની લીયાકત હુસૈન રફાઇને ઝડપી લઈ તેની વિરુદ્ધ વધુ કાર્યવાહી માટે તેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો. ભાવનગર એલસીબી પોલીસે ઝડપાયેલ શખ્સ ઇકબાલ ઉર્ફે ચીની લીયાકત હુસૈન રફાઇ ની ગુનાહિત પ્રવૃત્તિ અંગે તપાસ કરતા, શખ્સ વિરુદ્ધ અગાઉ અલગ-અલગ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલ હોવાનું સામે આવ્યુ હતું. જેમાં બોરતળાવ પોલીસ મથકમાં 4 ગુન્હા અને નિલમબાગ પોલીસ મથકમાં 1 ગુન્હો નોંધાયેલો છે. બોરતળાવ પોલીસે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
બોટાદમાં એસટી બસના ડ્રાઈવર અને રીક્ષાચાલક વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ગઈકાલે શહેરના ભાંભણ રોડ પર બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બોટાદ-ઈંગોરાળા રૂટની એસટી બસના ડ્રાઈવર હરેશભાઈ પાલજીભાઈ ચાંચિયા હાથમાં લોખંડનો પાઈપ લઈને રીક્ષાચાલકને મારી રહ્યા છે. ત્યારબાદ રીક્ષાચાલક પણ એસટી બસના ડ્રાઈવરને મારતો જોવા મળે છે. આ મારામારી દરમિયાન રીક્ષાચાલક સાથે એક મહિલા પણ બસ ડ્રાઈવર સાથે બોલાચાલી કરતી નજરે પડે છે. આ મારામારીમાં બસ ડ્રાઈવર હરેશભાઈ ચાંચિયાને ઈજા થઈ હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરત નજીકના સુલતાનાબાદ અને ભીમપોર ખાતે ટીપી સ્કીમના કારણે 100થી 400 વર્ષ જૂનાં 4 લાખ વૃક્ષો અને હેરિટેજ ઇમારતોનો વારસો ભૂંસાઇ શકે છે એવી ફરિયાદ કરતી જાહેરહિતની અરજી હાઇકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે ફગાવી કાઢી છે. હાઈકોર્ટે એવું અવલોકન કર્યું છે કે, આ જાહેર હિતની અરજીમાં કરવામાં આવેલા વ્યાપક આરોપોને ધ્યાને લઇ શકાય એમ નથી. કેમ કે જો એવું કરવામાં આવશે તો સંબંધિત વિસ્તારના એકંદર વિકાસ પર ગંભીર અસર પડી શકે છે. હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની અરજી દાખલસુલતાનાબાદ ભીમપોર સોશિયલ એન્ડ એન્વાયરન્મેન્ટ પ્રોટેક્શન ટ્રસ્ટ તરફથી હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ હેઠળ સુલતાનાબાદ ગામના સ્થાનિકોને પાઠવવામાં આવેલી નોટિસોને પડકારવામાં આવી હતી. અરજદારે એવો દાવો કર્યો હતો કે, તે એક રજીસ્ટર્ડ સોસાયટી છે અને એન્વાયરન્મેન્ટ પ્રોટેક્શન, ફોરેસ્ટ ડેવલપમેન્ટ અને વૃક્ષોની વાવણી જેવા પર્યાવરણના સંરક્ષણ અને જાળવણી માટેના કાર્યો કરે છે. વર્ષ 2014માં એક ચુકાદા મારફતે રદ કરવામાં આવી હતીઆ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે જો સુલતાનાબાદ-ભીમપોર ખાતેની ટીપી સ્કીમ નંબર 79 અને 80 અમલમાં આવશે તો એનાથી સ્થાનિક પર્યાવરણ અને હેરિટેજને ભારે નુકસાન થઇ શકે છે. તમામ તથ્યો અને દલીલો બાદ હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે આ ટીપી સ્કીમ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2012માં મંજૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 2013માં અરજદારોએ હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી હતી. જે વર્ષ 2014માં એક ચુકાદા મારફતે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને તેમાં નોટિસ મુજબની કાર્યવાહી પહેલાં ગ્રામજનોએ દાખલ કરેલા વાંધાનો નિર્ણય કરવા કહેવામાં આવ્યું હતું. આ અરજીમાં કોઇ દાદ આપવાનું ઉચિત જણાતું નથીહાઈકોર્ટે નોંધ્યું છે કે, આ આદેશ મુજબની કાર્યવાહી થઇ હતી અને 15 ફેબ્રુઆરી, 2022ના એક આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં અરજદારોને સુનાવણીની તક પણ આપવામાં આવી હતી. અલબત્ત જો એ આદેશથી અરજદારોને વાંધો હતો તો તેઓ આટલા વર્ષો ચુપ કેમ રહ્યા અને ફરીથી 2025માં એવી જ દાદ માટે અરજી કેમ દાખલ કરી. આ કોર્ટનું માનવું છે કે, ટીપી સ્કીમના અમલ દ્વારા હયાત પ્લોટ્સને રિ-ઓર્ગેનાઇઝ કરવાના રહે છે. જાહેર માળખાગત સુવિધાઓ ઊભી કરવાની હોય અને જાહેર રસ્તા વગેરે સહિતની સુવિધાઓ આપવાની હોય છે. જેથી કરીને નાગરિકોને વધુ સુવિધાઓ મળી શકે. આ સ્કીમ અંતે તો સ્થાનિકોના હિત અને કલ્યાણ માટે જ છે. તેથી આ અરજીમાં કોઇ દાદ આપવાનું ઉચિત જણાતું નથી.
પોરબંદરમાં PGVCL દ્વારા બાકી લેણાં વસૂલવા માટે મેગા ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશના પ્રથમ દિવસે 410 ટીમોએ જિલ્લાભરમાં કુલ 2,749 વીજ જોડાણો કાપી નાખ્યા હતા. આ કડક કાર્યવાહીના પરિણામે સાંજ સુધીમાં કુલ રૂપિયા 3.3 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. આ ઝુંબેશ પોરબંદર વિભાગીય કચેરી હેઠળના કેશોદ, માંગરોળ, પોરબંદર શહેર અને ગ્રામ્ય એમ ચારેય વિભાગમાં એકસાથે શરૂ કરવામાં આવી હતી. જે ગ્રાહકોના બે કે તેથી વધુ બિલ બાકી હતા, તેમને ત્યાં ટીમોએ પહોંચીને સીધા જ કનેક્શન કાપવાની કામગીરી કરી હતી. તંત્રના આ કડક વલણને કારણે બાકીદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો બિલ ભરવા કચેરીએ દોડી ગયા હતા. PGVCL દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રૂપિયા 10,000 સુધીની બાકી રકમ ધરાવતા ગ્રાહકો પાસેથી સ્થળ પર જ રોકડ સ્વીકારીને રાહત આપવામાં આવી હતી. જોકે, તેનાથી વધુ રકમ માટે કડક વલણ અપનાવાયું હતું. ઉપરાંત, ગઈકાલ સાંજ સુધીમાં ઓનલાઈન બિલ ભરી દેનાર ગ્રાહકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જિલ્લાની કેટલીક મહત્વની સરકારી કચેરીઓ જેવી કે કલેક્ટર કચેરી, એસપી ઓફિસ અને નગરપાલિકાનું પણ અંદાજે રૂપિયા 6 કરોડ જેટલું લેણું બાકી છે. આ કચેરીઓ સામાન્ય રીતે 4થી 6 મહિનાના ગાળે બિલ ભરતી હોય છે. જોકે, આ વિભાગોએ આગામી સમયમાં નિયમિત પેમેન્ટ કરવાની ખાતરી આપતા હાલ પૂરતા તેમના કનેક્શન કાપવામાં આવ્યા નથી. કુલ રૂપિયા 40 કરોડના બાકી લેણાં સામે પ્રથમ દિવસે રૂપિયા 3.3 કરોડની વસૂલાત થઈ છે. હજુ પણ 17,750 જેટલા ગ્રાહકો એવા છે જેમનું બિલ રૂપિયા 1,000 થી વધુ બાકી છે. આથી, આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેવાના સંકેત મળ્યા છે.
ગઇકાલે રાત્રે સજ્જનબેન ગોરધનભાઈ ડામોર નામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહિ રાત્રીના સમયે અધુરા માસે બાળક (પુત્ર)ને જન્મ આપ્યો હતો જો કે બાળકનું જન્મ સાથે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા નિયમ મુજબ પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ કરી હતી. જો કે પોલીસ કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ રૂમ પહોંચી ત્યારે બાળકનો મૃતદેહ તો હતો પરંતુ તેના માતા-પિતા હાજર મળી આવ્યા ન હતા. હાલ પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ શરૂ કરી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં માતા-પિતા બંને બામણબોર નજીક રોડના કામની સાઈટ ચાલુ હોઈ ત્યાં મજુરી કામ કરતાં હોવાની માહિતી પોલીસને મળી છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા કેદી હિંમત સામતભાઇ સોલંકી (ઉ.વ.30) આજે સવારે જેલમાં હતો ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી હાર્ટએટેક આવતા મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. બનાવ અંગે જાણ થતા મોતનું ચોક્કસ કારણ જાણવા પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક હિંમત મુળ કુકાવાવના માયાપર ગામનો વતની હોવાનું હાલ શાપર વેરાવળમાં રહી મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે તેને પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને સંતાનમાં એક પુત્રી છે. પત્ની પૂજા હાલમાં રિસામણે હોય અને ભરણપોષણનો કેસ કર્યો હતો જેના હપ્તા ચડી જતા હિંમત ત્રણ મહિનાથી રાજકોટ જિલ્લા જેલમાં હોવાનુ જાણવા મળ્યુ છે. મારામારી કરનાર કુખ્યાત આરોપીને એક વર્ષની સજા કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદ પર ગામે રંગીલા સોસાયટીમાં રહેતા ઘણુંબેન મનસુખભાઈ ડાભી નામની મહિલા શાકભાજીની રેકડી ચલાવતા હોય ત્યારે પાડોશી સંજય ટકો રોજાસરા નામનો શાકભાજીની રેકડી હટાવવાનું કહી અહીં રેકડી નહીં રાખવા બાબતે બોલાચાલી કરી સંજય ઉર્ફે ટકો રોજાસરા વાઘજીએ ગનુબેન ડાભીને લાકડી વડે મારતા વચ્ચે પડેલ પુત્ર લાલજીને પણ ઈજા પહોંચ્યા અંગેની કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સંજય ઉર્ફે ટકો વાઘજી રોજાસરા સામે મારામારી અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જસીટ કરવામાં આવ્યું હતું બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એ એમ પરમાર દ્વારા ફરિયાદી, સાહેદ, તપાસનીશ અને નજરે જોનાર સાહેદને તપાસવામાં આવેલા તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને લઈ ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એમ.શુકલએ આરોપી સંજય ટકો વાઘજી રોજાસરાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા અને દંડની સજા ફટકારી છે જેમાં દંડ ન ભરે તો વધુ એક માસની સજા નો હુકમ કર્યો છે. રિસામણે આવેલી પરિણીતાએ માવતરે આપઘાતનો પ્રયાસ કર્યો ગોંડલ ચોકડી પાસે આવેલા રોયલ પાર્ક પાસે રહેતી રુકસાના (ઉ.વ.30) નામની મહિલા કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાગઢ ગામે સાસરુ ધરાવે છે જેને પોતાના માવતરમાં ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રૂકસાનાબેને પોલીસને નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમના પતિને બીજી સ્ત્રી સાથે આડા સંબંધ હોય જેનો વિરોધ કરતા તેમને માર માર્યો હતો તેમજ એકાદ વર્ષ પહેલા લાકડાના ધોકા વડે માર માર્યો હતો. હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પાટડી તાલુકાના ફત્તેપુર ગામમાં આવેલા બે સોલાર પ્લાન્ટને રૂ. 2.01 કરોડના બાકી કરવેરા મુદ્દે સીલ કરવાની અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. ફત્તેપુર ગ્રામ પંચાયત દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે, જો બે દિવસમાં બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો ત્રીજા દિવસે બંને કંપનીઓને સીલ કરવામાં આવશે. આ કાર્યવાહી MI My Solar Ltd. અને Deserts My Solar Ltd. નામની બે કંપનીઓ સામે કરવામાં આવી છે. આ કંપનીઓ છેલ્લા 12 વર્ષથી ફત્તેપુર ગ્રામ પંચાયતની કરવેરા આકારણીવાળી જમીન પર વીજળી ઉત્પાદન કરી રહી છે અને સબ-સ્ટેશન ડિવિઝનમાં પાવર સપ્લાય કરીને કમાણી કરી રહી છે. ગ્રામ પંચાયત દ્વારા આ કંપનીઓને અગાઉ ત્રણ વખત કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ કંપનીઓ દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી. આ કંપનીઓ પર છેલ્લા ત્રણ વર્ષના કુલ રૂ. 2,01,11,976 ના કરવેરા બાકી છે. બાકી રકમમાં MI My Solar Ltd. ના રૂ. 71,95,732 અને Deserts My Solar Ltd. ના રૂ. 1,29,16,244 નો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયત દ્વારા 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ સીલ લગાવવા અંગેની નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં કંપનીઓ તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. આથી, ફત્તેપુર ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા કંપનીઓને ફરી જાણ કરવામાં આવી છે કે જો આગામી બે દિવસમાં બાકી કરવેરાની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો ત્રીજા દિવસે કંપનીઓને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સ (SDB) હવે હીરા ઉદ્યોગના કેન્દ્રબિંદુ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં વ્યાપારિક ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે SDB ખાતે મહીધરપુરા અને વરાછા વિસ્તારના અગ્રણી હીરા વેપારીઓના 'LB ગ્રુપ'ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં 500થી વધુ વેપારીઓએ હાજરી આપી બુર્સને ધમધમતું કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અખાત્રીજના શુભ મુહૂર્તે નવી ઓફિસોના દ્વાર ખુલશેLB ગ્રુપની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સુરતના મોટાભાગના વેપારીઓએ આગામી 'અખાત્રીજ'ના પવિત્ર દિવસે સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસો વિધિવત રીતે શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. જે વેપારીઓની ઓફિસનું ફર્નિચર કામ હજુ બાકી છે, તેઓએ પણ એક મહિનામાં કામ પૂર્ણ કરી લેવાની ખાતરી આપી છે. મે મહિના સુધીમાં બુર્સમાં વેપારીઓની મોટી સંખ્યા કાર્યરત થઈ જશે તેવી આશા સેવાઈ રહી છે. 8 માર્ચથી વધુ 75 વેપારીઓ ટ્રેડિંગ કેબિનમાં બેસશેબુર્સના વહીવટી તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર ગત 18 ફેબ્રુઆરીએ 70 જેટલા વેપારીઓએ ટ્રેડિંગ કેબિનમાં પોતાનો વ્યવસાય શરૂ કરી દીધો હતો. આ સફળતા બાદ હવે આગામી 8 માર્ચના રોજ વધુ 70થી 75 વેપારીઓ LB ગ્રુપના માધ્યમથી ડાયમંડ બુર્સમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ શરૂ કરવા જઈ રહ્યા છે. આમ, ટ્રેડિંગ કેબિનમાં પણ વેપારીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બ્રોકરોની અવરજવર 500થી વધીને 2000 પર પહોંચીSDBમાં માત્ર વેપારીઓ જ નહીં, પરંતુ બ્રોકરોની ચહલપહલમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. 18 ફેબ્રુઆરી પહેલા જ્યાં રોજના અંદાજે 500 જેટલા બ્રોકરો આવતા હતા, તે સંખ્યા હવે વધીને 2000ને પાર કરી ગઈ છે. ડાયમંડ બુર્સ હવે હીરા ઉદ્યોગ માટે એક સક્રિય, સુવ્યવસ્થિત અને ઝડપથી વિકસતું વ્યાપાર કેન્દ્ર બની રહ્યું છે, જે આગામી દિવસોમાં મુંબઈના વર્ચસ્વને સીધી ટક્કર આપશે. હર્ષ સંઘવી દ્વારા વેપારીઓને સતત માર્ગદર્શનગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સુરત ડાયમંડ બુર્સના પ્રોજેક્ટ પર પર્સનલ મોનિટરિંગ રાખી રહ્યા છે. તેઓ સતત વેપારીઓ સાથે સંપર્કમાં રહીને તેમને પડતી મુશ્કેલીઓ અને બુર્સમાં શિફ્ટ થવા માટે જરૂરી પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. વાઈસ ચેરમેન લાલજીભાઈ પટેલ (તુલસીભાઈ) ના જણાવ્યા મુજબ, સરકાર અને બુર્સ કમિટીના સંયુક્ત પ્રયાસોથી વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મળેલી રીવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં ટ્રાફિક જંકશનના ડેવલોપમેન્ટ માટેની ખાસ સુચના અધિકારીઓને આપી હતી. ગત રીવ્યુ બેઠકમાં ટ્રાફિક જંકશન ડેવલપમેન્ટ માટે અધિકારીઓને કામગીરી કરવા માટેની સૂચના આપી હતી. જે અંગેનો રિપોર્ટ કમિશનરે માંગ્યો હતો, જેથી એક પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે ફોટા સાથેની કોઈ માહિતી નહોતી. જેના પગલે તાત્કાલિક ધોરણે સાંજે 7 વાગ્યા સુધીમાં તમામ રિપોર્ટ અને ફોટા સાથે ફરીથી હાજર રહેવા માટેની સૂચના આપી હતી. ડિમોલિશન સાઈટો પર ગ્રીન નેટ લગાવવા માટેની પણ ચર્ચા કરાઈકમિશનરે શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ટ્રાફિક જંકશન ડેવલોપમેન્ટ કરવાની સુચના આપી હતી. લેફ્ટ ટર્ન ફ્રી, ડિવાઈડર લગાવવા અલગ-અલગ સૂચનો કરી અને ટ્રાફિક જંકશન ડેવલોપમેન્ટ કરવા માટે ખાસ જણાવ્યું હતું. બધા રિપોર્ટ આપવા માટે કહ્યું હતું ખાલી ચહેરા જોવા માટે અહીંયા નથી આવતા એમ કહી અને આ બાબત ઉપર વધારે ધ્યાન આપવા માટે જણાવ્યું હતું. શહેરમાં આગામી દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કરવાની હોવાને લઈને તેને લઈને પણ પબ્લિક ટોયલેટની સફાઈ અંગેની સૂચના અધિકારીઓને આપી હતી. શહેરમાં વધતા જતા પ્રદૂષણને લઈને શહેરમાં કન્સ્ટ્રક્શન થાય તો ડિમોલિશન સાઈટો પર ગ્રીન નેટ લગાવવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીને કહ્યું હતું કે- ઉભા થઈ અને વ્યવસ્થિત રીતે જવાબ આપોરોગચાળાના હાઈ રિસ્ક એરીયા નક્કી કરવામાં આવ્યા હતા. તેમાં ક્લોરીન ડોઝિયર લગાવવા માટેની વાત કરવામાં આવી હતી તે અંગે પણ કમિશનરે પૂછતા 65 જગ્યાએ ક્લોરિન ડોઝિયર લગાવવામાં આવ્યા છે 15 જગ્યાએ બાકી છે, જેથી આ કેવી રીતે બધું નક્કી થાય છે તે અંગે પૂછતા હેલ્થ વિભાગના અધિકારી દ્વારા જે સ્થળ પર કહેવામાં આવે છે ત્યાં લગાવવામાં આવે છે. જેથી વોટર પ્રોડક્શન વિભાગના અધિકારીને જ નોડલ ઓફિસર બનાવી અને કામગીરી કરવા જણાવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને નાઈટ રાઉન્ડની કામગીરી સોંપવામાં આવે છે, જે અંગે પણ સમીક્ષા કરી હતી. યોગ્ય રીતે કામગીરી કરવાની સૂચના આપી હતી. બે ઢોર પકડાયા હતા તેના માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે બેઠા બેઠા જવાબ આપ્યો હતો. જેના પગલે અધિકારીને કહ્યું હતું કે ઉભા થઈ અને વ્યવસ્થિત રીતે જવાબ આપો. અધિકારીને શો- કોઝ નોટીસ આપવા માટે સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી મ્યુ. કમિશનરને સુચના આપીમ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસના અધિકારી રીવ્યુ બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનરની સામે બેઠા હતા. આ દરમિયાન મોબાઇલમાં જોઈ રહ્યા હતા ત્યારે એક રીલ ચાલુ થઈ ગઈ હતી, જેનો અવાજ કમિશનર સુધી પહોંચી ગયો હતો. જેથી, કમિશનર ગુસ્સે ભરાયા હતા અને તેમને બેઠક છોડીને તાત્કાલિક જતા રહેવા માટે કહ્યું હતું. અધિકારીને શો- કોઝ નોટીસ આપવા માટે સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સુચના આપી હતી. રીવ્યુ બેઠકમાં કમિશનરે ગત રિવ્યુ બેઠકના મુદ્દા જ લીધા હતા. નવા બજેટના કામગીરી પર કામગીરી શરૂ કરવા માટે જણાવ્યું હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આવતીકાલથી રાજ્યભરમાં પ્રારંભ થશે. પરીક્ષાની પૂર્વ સંધ્યાએ અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે તમામ વિદ્યાર્થીઓને જિલ્લા પ્રશાસન વતી શુભેચ્છાઓ પાઠવી છે. કલેક્ટર ભારદ્વાજે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો તણાવ કે ભય રાખ્યા વિના આત્મવિશ્વાસ, એકાગ્રતા અને શાંતિ સાથે પરીક્ષા આપવા સૂચન કર્યું છે. તેમણે જણાવ્યું કે પરીક્ષા જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ તે જીવનનું અંતિમ લક્ષ્ય નથી. આ પરીક્ષા વિદ્યાર્થીઓના જ્ઞાન, મહેનત અને સંકલ્પનું પ્રતિબિંબ છે. કલેક્ટરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિદ્યાર્થીઓએ વર્ષભર કરેલી મહેનતનું ઉત્તમ પરિણામ ચોક્કસ મળશે. તેમણે નિયમિત અભ્યાસ, સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માટે શુભકામનાઓ પાઠવી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું કે, ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન લેવાતી આ પરીક્ષાઓમાં અમરેલી જિલ્લામાંથી ધોરણ 10 (SSC) ના કુલ 19,567 અને ધોરણ 12 (HSC) ના કુલ 12,107 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાઓ સુચારુ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
સંઘના સંગઠનને તોડવા અનફેર લેબર પ્રેકટિસ અને પડતર પ્રશ્નોના નિકાલ માટે પીજીવીસીએલના 11 હજાર કર્મચારીઓ દ્વારા આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. જેમાં 5 માર્ચથી વર્ક ટુ રૂલ અને 10 માર્ચે ધરણા અને સુત્રોચ્ચારની ચીમકી આપવામાં આવી છે. આ માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટરને લેખિતમાં 11 મુદ્દા સાથેનું અલ્ટીમેટમ આપ્યું છે. જોકે તેની સામે PGVCL દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે કે, આંતરિક રીતે તપાસ કરવામાં આવતા એક પણ કર્મચારીને અન્યાય થયો હોય તેવી રજૂઆત કંપનીને મળી નથી. યુનિયન દ્વારા માર્ચ માસની અસર થાય તે રીતે અને કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તે પ્રકારે હડતાળની ચિમકી આપી છે. અધિક્ષક હિસાબનિશને વધારાની કામગીરી આપવામાં આવીઅખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે, તમામ સર્કલમાં ટેકનિકલ અને નોન ટેકનીકલ કેડર, એકાઉન્ટ ઓફિસર, જુનિયર આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ ત્વરીત ભરવી, વર્તુળ કચેરી દ્વારા અધિક્ષક હિસાબનિશને વધારાની કામગીરી આપવામાં આવેલ છે તે જવાબદારીમાંથી મુક્ત કરવા, બઢતી આપવી અને આ માટે પેનલ બનાવી લાયકાત ધરાવતા કર્મચારીઓનો સમાવેશ કરવો. જુનિયર આસિસ્ટન્ટના સ્વ.વિનંતીથી બદલીના હુકમ કરવામાં આવી હતીવીજ અકસ્માતના કિસ્સામાં વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની જવાબદારી બનતી ન હોવા છતાં પણ જવાબદારી ફિક્સ કરી ફરજ મોકુફ કરવામાં આવે છે.આ તમામ કર્મચારીઓ સામે કરવામાં આવેલ કાર્યવાહી પાછી ખેંચવી, કંપનીના નિયમ મુજબ કર્મચારીઓને વુલન જર્સી, રેઈન કોર્ટ ઘણા સમયથી આપવામાં આવેલ નથી. તાજેતરમાં જુનિયર આસિસ્ટન્ટના સ્વ.વિનંતીથી બદલીના હુકમ કરવામાં આવી હતી. જેમાં અમુક કર્મચારીઓને અન્યાય થયો હોવાની ફરિયાદ છે. ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓને બીએલઓ સહિતની કામગીરી આપવામાં આવતા વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 5 માર્ચથી વર્ક ટુ રૂલ મુજબ વધારાની કામગીરીનો બહિષ્કારઆ ઉપરાંત ભુજ સર્કલના મેનેજમેન્ટ દ્વારા ઘણા સમયથી કંપનીના નિયમો તોડી વારંવાર એક જ યુનિયન અને જાતિ-જ્ઞાતિના સભ્યોને લાભ આપી સંઘના સંગઠનને તોડવામાં આવતી અનફેર લેબર પ્રેકટિસ બંધ કરવા સહિતની માંગણી સાથેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો 5 માર્ચથી વર્ક ટુ રૂલ મુજબ વધારાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે અને તા.10ના રાજકોટની કોર્પોરેટ કચેરીમાં ધરણા-સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું છે. 5માંથી 4 પ્રશ્નો બાબતે સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી છેજ્યારે આ બાબતે PGVCL તરફથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર કટારાએ ખૂલાસો આપતા જણાવ્યું છે કે, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આંદોલન અંગેની નોટીસ બાબતે જણાવવાનું કે, યુનિયન દ્વારા તા.17 જાન્યુઆરી,2026 ના પત્રથી મીટીંગ માંગવામાં આવી હતી. તે બાબતે મેનેજમેન્ટ દ્વારા તા.2 ફેબ્રુઆરી, 2026ના રોજ મીટીંગ આપવામાં આવી હતી અને તે મીટીંગમાં યુનિયન તરફથી રજૂ કરવામાં આવેલ 5માંથી 4 પ્રશ્નો બાબતે સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. બાકીનો એક પ્રશ્ન કંપનીના નિયમો તથા કાયદાકીય અભિપ્રાય ધ્યાને લેતા કંપની દ્વારા યોગ્ય નિર્ણય કર્યો છે. યુનિયનની રજૂઆતના તમામ મુદ્દાઓનો વિગતવાર વિસ્તૃત જવાબ પીજીવીસીએલ દ્વારા તા.18 ફેબ્રુઆરી,2026 ના રોજ આપવામાં આવેલ છે. માર્ચ મહિનાની કામગીરીને અસર થાય એવી પરીસ્થિતિ ઉભી કરવાની કોશિશજે બાદ એ.જી.વી.કે.એસ. યુનિયન દ્વારા અગાઉની રજૂઆત સાથેના અન્ય 11 મુદ્દા સાથે તા.23 ફેબ્રુઆરી, 2026ના રોજ હડતાલની નોટીસ આપવામાં આવી. તે અનુસંધાને મેનેજમેન્ટ દ્વારા કંપનીના નિયમોનુસાર સકારાત્મક કાર્યવાહી કરવા અંગે વિસ્તૃત અહેવાલ સીનીયર સેક્રેટરી જનરલ -ઊંઝાને 24 કલાકમાં જ તા.24 ફેબ્રુઆરી,2026 ના રોજ આપી દેવામાં આવ્યો છે. આમ છતાં એ.જી.વી.કે.એસ. યુનિયન દ્વારા હડતાલની ચીમકી દ્વારા કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું પગલું ભરી આવનાર માર્ચ મહિનાની કામગીરીને અસર થાય તેવી પરીસ્થિતિ ઉભી કરવાની કોશિશ કરી છે તેમજ આંતરિક તપાસ કરતાં કોઇપણ કર્મચારીને અન્યાય થયો હોય તેવી રજૂઆત કંપનીને મળી નથી.
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાસે પાર્ક કરેલું એક હોન્ડા એક્ટિવા ધોળા દિવસે ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાહનચાલકે રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાસે રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું મહેસાણાના પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહેતા અને ONGCમાં ફરજ બજાવતા વિપુલકુમાર ગણેશદાસ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ 23 ફેબ્રુઆરીના રોજ સવારે તેમની પત્ની કામીનીબેન પોતાનું સફેદ કલરનું હોન્ડા એક્ટિવા (નંબર GJ-01-SD-7585) લઈને લણવા ગામે નોકરીએ જવા નીકળ્યા હતા. તેમણે પોતાનું વાહન રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાસે રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું. વાહન ન મળતા મંદિરના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતાસાંજે સાડા પાંચ વાગ્યે નોકરી પરથી પરત ફરતા તેમને પોતાનું એક્ટિવા પાર્ક કરેલ જગ્યાએ જોવા મળ્યું નહોતું. આસપાસ તપાસ કરવા છતાં વાહન ન મળતા મંદિરના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે બપોરે આશરે 12.48 વાગ્યે એક અજાણ્યો શખ્સ આ એક્ટિવા ચાલુ કરીને ચોરી કરી જતો દેખાયો હતો.આશરે 20 હજાર રૂપિયાની કિંમતના આ એક્ટિવા અંગે વિપુલકુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજ અને એક્ટિવાના ચેસીસ તથા એન્જિન નંબરના આધારે અજાણ્યા ચોરને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Bill Gates Epstein Files: દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ બિલ ગેટ્સ એક વાર ફરી એપસ્ટિન ફાઈલ્સ સાથે જોડાયેલા વિવાદોથી ચર્ચામાં છે. આ મામલે ફસાયેલા બિલ ગેટ્સ હવે માફી માંગી રહ્યા છે. તેમણે કથિત રીતે કબૂલાત કરી છે કે બે રશિયન મહિલાઓ સાથે તેમના સંબંધ હતા. હાલમાં આવેલા નવા દસ્તાવેજો બાદ વકરેલા વિવાદ પછી બિલ ગેટ્સે માફી સાથે પ્રતિક્રિયા આપી છે. 'એપસ્ટિન સાથે સમય ગાળવો ભૂલ'
'દુનિયાના એકેય ખૂણે અમેરિકનો સુરક્ષિત નહીં રહે...', ખામેનેઈની ટ્રમ્પને ખુલ્લી ધમકી!
Ayatollah Khamenei Warns Donald Trump : ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની સત્તાવાર વેબસાઈટ પર એક ઈરાની અખબારનો સનસનાટીભર્યો લેખ શેર કરવામાં આવ્યો છે, જેમાં અમેરિકાને સીધી અને ગંભીર ચેતવણી આપવામાં આવી છે. ‘સદા-એ-ઈરાન’ અખબારના આ તંત્રીલેખમાં સ્પષ્ટ જણાવાયું છે કે, જો ભવિષ્યમાં ઈરાન વિરુદ્ધ કોઈ નવો સંઘર્ષ શરૂ થશે, તો તે માત્ર મર્યાદિત દાયરામાં નહીં રહે, પરંતુ વિશ્વના અનેક મોરચે ફેલાઈ જશે. ‘ઈરાન પર હુમલો થયો તો...

26 C