વર્લ્ડ ઓટિઝમ ડે:‘બાળક માગે તે આપવું, કંઇ અડવા ન દેવું, રમવા ન મોકલવું’ ઓટિઝમ થવાનું કારણ
આજે વર્લ્ડ ઓટિઝમ દિવસ છે. જાગૃતિ માટે આ દિવસ ઉજવાય છે. જો કે શહેરમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતાં બાળકોની સંખ્યા વધી છે. કોરોના બાદ આ વધારો થયો છે. એક અંદાજ મુજબ શહેર આસપાસમાં 3500થી વધુ બાળકોને ઓટિઝમ છે. ઓટિઝમ રોગ નથી, મગજના વિકાસની સ્થિતિ છે. જેનું નિદાન બાળકના જન્મના 18 મહિનાથી 3 વર્ષ વચ્ચે થાય છે. ઓટિઝમ વિશે પીડિયાટ્રિક થેરાપિસ્ટ ડૉ.પ્રાપ્તી પંડ્યાએ જણાવ્યું કે, માતા-પિતા બાળકોની વધારે પડતી કાળજી લે તે ઓટિઝમનું કારણ છે. બાળક બોલે તે પહેલાં તેની સામે વસ્તુ મૂકી દેવાય, બહાર રમવા ન મોકલાય તો બીજાં બાળકોના સંપર્કમાં નથી આવતાં. બાળકને કંઇ અડવા દેતાં નથી જેથી સેન્સરીની તકલીફ થાય છે. નોકરીયાત માતા-પિતાના બાળક હોય તો કેરટેકર સાથે બાળક રહેતાં એકલતા અનુભવે છે. બાળક શાળાએ જતાં અન્યો સાથે ભળતો નથી. જ્યારે ડૉ.જાનવી શાહે કહ્યુ કે, દોઢ વર્ષે ઓટિઝમનાં લક્ષણો જણાય છે. માતા-પિતા ભયથી બાળકને લોકોથી દૂર કરે છે પરંતુ તેમાં તે જ ભયમાં જીવવા લાગે છે. ઓટિઝમનાં લક્ષણો લાંબા સમય બાદ બાળક થયું હોવાથી પરિવાર તેને વધુ પડતો સુરક્ષિત રાખતોગોત્રીમાં રહેતા સંયુક્ત કુટુંબમાં લાંબા સમય બાદ બાળકનો જન્મ થયો હતો. જેને કારણે પરિવાર તેને હંમેશાં ઘરમાં જ રાખતો, જેનાથી તે બીમાર ન પડે અને તેને જમીન પર પણ નહોતાં મૂકતાં. જ્યારે 1 વર્ષ બાદ બાળકને ભીડમાં લઈ જવામાં આવ્યું ત્યારે તે સતત રડતું હોવાથી તેને પીડિયાટ્રિક પાસે લઈ જવામાં આવતાં જાણ થઈ હતી કે, બાળકને સેન્સરી ઓટિઝમ છે. જે બાદ તેની થેરાપી શરૂ કરવામાં આવી હતી. બાળકને આખી બાંયનાં કપડાં પહેરાવે તો ચીડાતો હતો, થેરાપી બાદ સ્વસ્થ થયોહરણી વિસ્તારમાં રહેતું દંપતીએ નોકરી કરતું હતું અને બાળકને તેનાં દાદી સાચવતાં હતાં. નાનપણથી જ તેનાં દાદી તેને ચડ્ડી અને બાંય વગરનાં કપડાં પહેરાવતાં હતાં. જ્યારે બાળકે બાંયવાળાં કપડાં પહેરાવવાનું શરૂ કર્યું તો બાળકનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. જે બાદ તબીબ પાસે લઈ જતાં તેને થેરાપિસ્ટ પાસે લઈ જવામાં આવ્યો હતો. થેરાપીમાં ધીરે-ધીરે તેને કપડાં પહેરાવવાનું શરૂ કરતાં થોડા સમયમાં જ તે આખી બાંયનાં કપડાં પહેરવા લાગ્યો હતો.
પંગુની ઉતરમની ઉજવણી કરાઈ:તમિલ સમાજે પંગુની ઉત્તિરમ પર્વે ભગવાન કાર્તિકેયના લગ્ન યોજ્યા
વડોદરામાં તમિલ સમાજ દ્વારા મંગળવારે પંગુની ઉત્તિરમ પર્વની ઉજવણી કરાઈ હતી. મંગળવારે 56મી પંગુની ઉત્તિરમ કાવડ યાત્રાનું આયોજન ભક્તિ, ઉત્સાહ અને સાંસ્કૃતિક ભવ્યતા સાથે કરવામાં આવ્યું હતું, જેમાં 2 હજારથી વધુ ભક્તો જોડાયા હતા. મંગળવારે સાંજે ભગવાન કાર્તિકેયના લગ્નનું પણ આયોજન કરાયું હતું. શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 55 વર્ષથી આ યાત્રાનું આયોજન કરાય છે. આ પ્રસંગે નાદસ્વરમ અને ચેંડા મેલમ (દક્ષિણ ભારત અને કેરળના પરંપરાગત વાદ્યો)ની મધુર ધૂન વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા સવારે 6:30 વાગ્યે સુરસાગર તળાવથી શરૂ થઈને સ્ટેશન રોડ પર આવેલા શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર સુધી પહોંચી હતી. મંદિરમાં ભગવાનનો દૂધથી અભિષેક કરાયો હતો. મહારાણી લક્ષ્મી સાથે તમિલ લોકો વડોદરા આવ્યા હતાવડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા લગભગ 100 વર્ષ પહેલા રેલવે સ્ટેશન પાસે તમિલ સમાજને અપાયેલી જમીન પર સ્થાપિત શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર આજે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પ્રથમ પત્ની લક્ષ્મીબાઈ હતા. તેઓ દક્ષિણ ભારતના તાંજોર વિસ્તારમાં ઉછર્યા હતા. તેમના લગ્ન સમયે તેમની સાથે ઘણા તમિલ લોકોને વડોદરા લઈને આવ્યા હતા. જે બાદ વડોદરામાં તમિલ લોકો સ્થાયી થયા હતા.
સમર્પિત ભક્તિનું રોકડું ફળ આપનારા વડોદરાના રોકડનાથ હનુમાનદાદા. રોકડનાથ હનુમાન મંદિર નવાબજાર અને બાજવાડા વિસ્તારને જોડતા માર્ગ પર આવેલું છે. આ મંદિર મોગલકાળ પહેલાંનું એટલે કે 500થી વધુ વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ અંગે રોકડનાથ હનુમાન મંદિરના રોનકગીરી કૈલાસગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 12-13 પેઢીથી ગોસ્વામી મહંતો મંદિરમાં હનુમાન દાદાની સેવામાં છીએ. આ હનુમાન દાદાની પ્રતિમા ધરતીમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાનો ઉલ્લેખ છે. એવું માનવામાં આવે છે કે, એક શ્રમિકને ભક્તિનું ફળ આપવા રોકડનાથ દાદા પ્રગટ્યા હતા. મહંત કૈલાસગીરી ગોસ્વામીએ તેમની પ્રાગટ્ય કથા આલેખી છે. તે પ્રમાણે એક ભક્તિભાવ ધરાવતો શ્રમિક હતો. કોટ વિસ્તારમાં ખાડો ખોદતાં શ્રમિકને થોડું ધન મળ્યું. શ્રમિકે તેમાંથી પરિવાર માટે જરૂરી વસ્તુ ખરીદી અને બાકીના ધનનો ઉપયોગ જરૂરિયાતમંદ માટે કર્યો હતો. ધન તેરસના દિવસે શ્રમિકને વધુ ઊંડો ખાડો ખોદવાનો વિચાર આવ્યો અને સાથીઓ સાથે મળીને ખોદકામ શરૂ કર્યું હતું. જોકે તેઓને જમીન ખોદવામાં નિષ્ફળતા મળતાં શ્રમિકે જાતે કોદાળી લઇ ખોદવાનું શરૂ કર્યું અને કાળી ચૌદશે જમીનમાંથી સિંદૂરવર્ણી હનુમાન દાદાની પ્રતિમા મળી આવી હતી. શ્રમિકને ભક્તિનું રોકડમાં ફળ આપનારા આ હનુમાન દાદાને રોકડનાથ હનુમાન દાદાનું નામ મળ્યું. વડોદરાના ગરબામાં રોકડનાથ હનુમાન દાદાનો ઉલ્લેખ1857ના વડોદરાના ગરબામાં પણ રોકડનાથ હનુમાન દાદાનો ઉલ્લેખ કરાયો હતો. આ મંદિરમાં માતા અંજનાદેવી અને પુત્ર મકરધ્વજ પણ એક ગર્ભ ગૃહમાં બિરાજમાન છે. આ મંદિર શહેરનાં વિવિધ પ્રાચીન હનુમાન મંદિર પૈકીનું એક મનાય છે. હનુમાન જયંતીના કાર્યક્રમો
વિવાદ:કોર્ટના નિર્ણય વિરુદ્ધ બીસીએની એપેક્ષ બેઠક બોલાવાયાનો આક્ષેપ
બીસીએની ચૂંટણીમાં 4 ઉમેદવારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા, જે મામલો પેન્ડિંગ છે. દરમિયાન હાલના સેક્રેટરીએ એપેક્ષ સભ્યોને મિટિંગ માટે બોલાવતાં વિવાદ થયો હતો. રોયલ-સત્યમેવ જયતે ગ્રૂપના સભ્યોએ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અને ખોટી રીતે મિટિંગ બોલાવ્યાના આક્ષેપ કર્યા હતા. કોર્ટના ઓર્ડરમાં ઉલ્લેખ હતો કે, નવી ઓફિસ બેરરની બોડી ન બને ત્યાં સુધી હાલની એપેક્ષ બોડી ફક્ત કેરટેકર તરીકે કામ કરશે. જોકે એપેક્ષ સભ્યોને ઈ-મેલ કરી 3 એપ્રિલે સાંજે 4 વાગે મિટિંગ માટે બોલાવાયા છે. જોકે તેમાં કોઈ એજન્ડા જણાવ્યો નથી. જ્યારે હાલ જે એપેક્ષ બોડીમાં છે અને ચૂંટણી લડી ચૂક્યા છે, તેમને આમંત્રણ અપાયું નહોતું. બીજી બાજુ રોયલ-સત્યમેવ જયતે ગ્રૂપે કહ્યું કે, એપેક્ષની મિટિંગ બોલાવવાની જરૂર જ નથી. આ કોર્ટની અવગણના છે. બીસીએના અન્ય સભ્યોએ કહ્યું કે, ક્રિકેટિંગ માટે મળી રહ્યા છીએ. છેલ્લી એપેક્ષ મિટિંગ 2 જાન્યુઆરીએ મળી હતી. લાંબા સમયથી મિટિંગ રખાઈ નહોતી, કોર્ટના હુકમ અને નિયમ મુજબ જ કામ કરીશુંરોજિંદા ખર્ચ મંજૂર કરવાના છે. એજન્ડા નક્કી કરી આગળની મિટિંગ થશે. કોર્ટના હુકમ-નિયમ મુજબ કામ કરીશું.> અજિત લેલે, સેક્રેટરી, બીસીએ એપેક્ષની મિટિંગ બોલાવવી એ ખોટું છે,અમારો વિરોધ છેકોર્ટના નિર્ણય વિરુદ્ધ એપેક્ષની મિટિંગ બોલાવી છે. અમે તેના વિરોધમાં છીએ. આ તદ્દન ખોટું છે. > ડૉ.દર્શન બેંકર, પ્રમુખ પદના ઉમેદવાર, બીસીએ
આગામી દિવાળી અગાઉ વડોદરાથી દીવ એક કલાકમાં કે દ્વારકાધીશ મંદિરે બે કલાકમાં પહોંચી જવાય કે કચ્છના રણોત્સવમાં 3 કલાકમાં હાજરી આપી શકાય તે કલ્પના સાકાર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે વડોદરા એરપોર્ટથી આ વર્ષે ઓક્ટોબરમાં એર ટેક્સીની ફ્લાઇટ શરૂ થવાની છે. ઉડાન સ્કીમ અંતર્ગત વિમાની ઓપરેટર કંપનીને મંજૂરી અપાઇ છે. હવે કેટલીક ઔપચારિકતા બાકી છે. આ સેવા અંતર્ગત વિમાનમાં 8 મુસાફરો હવાઇ સફર કરી શકશે. એટલું જ નહીં ટિકિટના દર આકર્ષક રખાશે. આ સેવા શરૂ કરાતાં સૌરાષ્ટ્ર અને વડોદરાના ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનને રોકાણ કરવા માટે અનુકૂળતા ઊભી થશે. ઉડાન (ઊડે દેશ કા આમ નાગરિક) અંતર્ગત સરકારે પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂક્યો છે. જેમાં સરકાર વાયાબિલિટી ગેપ ફંડિંગ આપશે એટલે વિમાની ભાડું સામાન્ય નાગરિકને પણ પરવડશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે અમદાવાદ, સુરતથી દીવની ફ્લાઇટ છે, પણ વડોદરાથી પણ સુવિધા શરૂ થતાં શહેરના પ્રવાસન, બિઝનેસ, ઉદ્યોગો અને મેડિકલ ટુરિઝમને વેગ મળશે. ઉડાન કાફે શરૂ કરવા પણ મંજૂરી મગાઈ છેવડોદરાથી ભૂજ, દીવ અને પોરબંદર માટે 8 સીટર વિમાનોની મંજૂરી અપાઇ છે. જે મળતાં જ સૌરાષ્ટ્ર-ક્ચ્છ અને વડોદરા વચ્ચે હવાઇ વહેવાર શરૂ થશે. ઉપરાંત ઉડાન કાફે માટે પણ મંજૂરી મગાઈ છે. એ મળે તો એરપોર્ટના અંદરના ભાગે રૂા.10માં ચા, રૂા.20માં સમોસા મળી શકશે. > એમ.એસ.આઇ દાઉદ, એરપોર્ટ ડાયરેક્ટર, વડોદરા કસ્ટમર સરવેમાં વડોદરાને બીજા ક્રમ માટે એવોર્ડ મળ્યોદેશભરનાં એરપોર્ટમાં ગ્રાહકોને અપાતી સુવિધામાં વડોદરા એરપોર્ટને દેશમાં (કેટેગરી-2)ના એરપોર્ટમાં બીજું સ્થાન મળ્યું હતું. જેનો ઇનામ વિતરણ સમારોહ નવી દિલ્હીમાં 31 માર્ચે યોજાયો હતો. જેમાં વડોદરાના એરપોર્ટ ડાયરેક્ટર એમએસઆઇ દાઉદને એએઆઇના ચેરમેને એવોર્ડ આપ્યો હતો. જ્યારે મંગળવારે સેવા દિનની ઉજવણી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એએઆઇ ડે અંતર્ગત કરાઈ હતી. જેમાં બીએપીએસ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેનું ઉદઘાટન કાર્યકારી એરપોર્ટ ડાયરેક્ટર આર.ડી.સેન્ડ્રે દ્વારા કરાયું હતું. ભૂજ દીવ પોરબંદર
જામનગર-દેવભૂમિ સહિત રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે.જે મુજબ 26મી એપ્રિલના રોજ મતદાન બાદ 28મી એપ્રિલના રોજ મત ગણતરી હાથ ધરાશે. આ વખતી ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત એ છેકે,ચુંટણીની જાહેરાત માંડી પરીણામ જાહેર થવા સુધી માત્ર 25 દિવસનો સમયગાળો મળે છે.જે ગત વખતની ચુંટણી કરતા 11 દિવસનો ઓછો ગાળો છે. મળતી વિગત અનુસાર આ વખતે જે સંસ્થામાં ચુંટણી યોજાઇ રહી છે. તેમાં છેલ્લે 2021ના વર્ષમાં ચુંટણી યોજાઇ હતી.જે તે વખતે 23 જાન્યુઆરી 2021ના રોજ ચુંટણીની જાહેરાત થઇ હતી અને 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયુ હતુ.મતલબ બંને વચ્ચે 36 દિવસનો સમયગાળો હતો. જયારે આ વખતે 1લી એપ્રિલના રોજ ચુંટણીની જાહેરાત થઇ છે અને 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનુ છે.આમ માત્ર 25 દિવસ જ મળી રહયા છે.અથાર્ત ઉમેદવાર પસંદગી, ફોર્મ ભરવા, પ્રચાર-પ્રસાર અને અન્ય તૈયારી માટે માત્ર 25 દિવસનો સમયગાળો મળી રહયો છે. રાજય ચુંટણી પંચ દ્વારા જામ્યુકોના 16 વોર્ડની 64 બેઠક માટે સામાન્ય ચુંટણીની જાહેરાત કરી દેવાઇ છે જેમાં તા.26મી એપ્રિલના રોજ મતદાન યોજાશે.ચુંટણીની જાહેરાત સાથે આચારસંહિતા અમલી બની છે.જે સાથે ચુંટણી સંબંધિત પ્રક્રિયાનો પણ પ્રારંભ કરી દેવાયો છે.રાજકીય પક્ષો દ્વારા પણ પુરજોશમાં કવાયત આદરી દેવાઇ છે. કોંગ્રેસ દ્વારા અગાઉ સેન્સ લેવાઇ હતી.જયારે આપ દ્વારા જુદા જુદા વોર્ડ માટે 19 ઉમેદવારોની પસંદગી જાહેર કરી દેવાઇ છે.ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા બાદ ગુરૂવારે સેન્સ લેવાશે. મનપાની ચુંટણી માટે મતદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ચુંટણી માટે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરાઇ હતી.જેમાં જુદા જુદા 16 વોર્ડમાં 23મી માર્ચની સ્થિતિએ 4,42,841 મતદાર નોંધાયા હતા 2021ની ચુંટણીમા઼ મતદારોની સંખ્યા 4,88,996 હતી. જામ્યુકોમાં ત્રણ દશકાથી ભાજપ સત્તાનશીન,ચાલુ વર્ષે ત્રિપાંખીયો જંગ જામ્યુકોમાં ગત ટર્મમાં 64 પૈકી 50 બેઠક સાથે ભાજપને સંપૂર્ણ બહુમતિ મળી હતી.જયારે કોંગ્રેસને 11 અને બસપાને ત્રણ બેઠક મળી હતી.જામનગર શહેરમાં લગભગ 1995થી ભાજપને બહુમતિ મળતી આવે છે.આમ, સતત છ ટર્મથી ભાજપનુ એકહથ્થુ(એક અપવાદ) સિવાય શાસન રહયુ છે.આગામી ચુંટણી માટે પણ ભાજપ દ્વારા કવાયત શરૂ કરાઇ છે.જોકે, કોંગ્રેસ દ્વારા અગાઉ સેન્સ પ્રક્રિયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ જુદા જુદા વોર્ડના દોઢ ડઝન ઉમેદવારના નામો પણ જાહેર કરી દેવાયા છે.મનપામાં એન્ટી ઇન્કમબન્સી સહિત ભ્રષ્ટાચાર-કૌંભાડોના વિપક્ષના છેલ્લા કેટલાક સમયથી અવિરત આક્ષેપો વચ્ચે ભાજપા માટે સરળતાથી જનાદેશ આદેશ મેળવવો અધરો બની રહેશે એવુ રાજિકય પંડિતો માની રહયા છે..જેમાં નવા સિમાંકન સહિતની બાબતો પણ અસરકર્તા રહેશે એમ મનાય છે.ખાસ કરી વિપક્ષના પરંપરાગત વોર્ડના ગઢમા ગાબડુ પાડવુ અધરૂ ગણાશે. જોકે, તમામ વોર્ડના ઉમેદવારો જાહેર થયા બાદ જ ચિત્ર મહદઅંશે સ્પષ્ટ થશે. મનપા માટે ભાજપમાં દાવેદારોનો રાફડો, 1550થી વધુ ફોર્મ ભરાયા શહેરના 16 વોર્ડની 64 બેઠક માટે યોજાનારી ચુંટણીને અનુલક્ષી ભાજપ દ્વારા બુધવારે હાથ ધરાયેલી પ્રક્રિયા અનુસાર વિવિધ વોર્ડ માટે કાર્યાલય ખાતેથી ઉમેદવારી ફોર્મનુ વિતરણ શરૂ કરાયુ હતુ.જેમાં મોડી સાંજ સુધીમાં તમામ વોર્ડની 64 બેઠક માટે 1550થી વધુ ઉમેદવારી પત્રો(દાવેદારો) મળ્યા હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.આમ, સત્તારૂઢ પક્ષના સભ્ય પદ માટે ઉમેદવારો રેકર્ડબ્રેક સંખ્યામાં ઉમટી પડયા હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક, છ તાલુકા પંચાયતની 112 બેઠક ઉપરાંત સિકકા નગરપાલિકાની 28 બેઠક માટે ચુંટણીની જાહેરાત થઇ છે.જિ.પં.ની ચુંટણીના અનામત રોટેશનમાં 50 ટકા સ્ત્રી અનામત જાહેર થયુ છે.જેના કારણે અમુક મોટા માથા જે તે બેઠક પર ચુંટણી નહી લડી શકે.જેના પગલે પરીવારના મહિલા સદસ્યોને મેદાને ઉતારવા સાથે જરૂર પડે બેઠક બદલવા માટે કવાયત આદરી દિઘી છે.જિ.પં.ની ગત ટર્મના અમુક પદાધિકારીઓ પર બેઠક બદલવા માટે મજબુર બન્યાનુ ચિત્ર ઉપસ્યુ છે. કઇ કઇ સંસ્થામાં ચૂંટણી... જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો. { જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો. { સિકકા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો. { જામનગર તા.પ.- 26, ધ્રોલ-જોડિયા તા.પં. 16-16, કાલાવડ, લાલપુર અને જામજોધપુર તા.પં. માં 18-18 બેઠકો.
ફરિયાદ:જામનગરમાં પત્નીને પુત્રી સાથે મૂકી ત્રાસ આપતા પતિ-સાસુ
જામનગર શહેરના એક પરિણીતાને પુત્રી સાથે એકલા મૂકી દઈ પતિ જૂનાગઢ જિલ્લામાં રહેતા માતા સાથે રહેવા ચાલ્યા ગયા હતા, જે પછી પરિણીતાને પતિ તથા સાસુ અવારનવાર કોલ કરી ચાલચલગત વિશે ગાળો ભાંડી ત્રાસ આપતા હોવાથી તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના ઢીંચડા રોડ પર સેનાનગર નજીક ગ્રીન પાર્કમાં માધુરીબેન બાલસ (ઉ.વ.24) નામની યુવતિના હસમુખભાઈ અરશીભાઈ બાલસ નામના યુવાન સાથે લગ્ન થયા હતા. લગ્ન થયા પછી આ દંપતીને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. તે દરમિયાન સાતેક મહિના પહેલાં હસમુખભાઈએ પત્નીને મારઝૂડ કરી હતી અને પત્ની તથા પુત્રીને મૂકી આ યુવાન જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકા વડાળા (ઘેડ) ગામમાં રહેતા માતા ધીરીબેન અરશીભાઈ સાથે રહેવા ચાલ્યા ગયા હતા. ત્યારપછી એકલા રહેતા માધુરીબેનને અવારનવાર મોબાઈલ પર કોલ કરી ચાલચલગત અંગે ગાળો ભાંડી હસમુખભાઈ તથા સાસુ ધીરીબેને ત્રાસ આપતા આ પરિણીતાએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે પતિ અને સાસુની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવના પગલે જામનગર શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
ફરિયાદ:દડિયામાં ઈંટના ધંધાર્થી સાથે 75 હજારનું ચીટીંગ
જામનગર તાલુકાના દડિયામાં ઈંટનો ભઠ્ઠો ચલાવતા આસામીને કોલસી આપવાનો વાયદો કરીને સુરેન્દ્રનગરના ચાંદળીયા ગામના શખ્સે રૂ।.75 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈને ત્રણ મહિનાથી કોલસો કે પૈસા પરત ન આપીની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્કમાં રહેતા અને ઈંટનો ભઠ્ઠો ચલાવતા સુનિલભાઈ નાનજીભાઈ ચાવડા નામના પ્રૌઢને ઈંટના ભઠ્ઠામાં કોલસીની જરૂર પડતી હોય છે, જેથી તેઓ અવાર-નવાર કોલસીની ગાડી મંગાવતા હોય છે. તેઓને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ચાંદળીયા ગામના રામ ભરવાડ સાથે સંપર્ક થયો હતો. બંને વચ્ચે વાતચીત થયા પછી સુનિલભાઈએ ત્રીસેક ટન જેટલો ઓપન કટીંગનો કોલસો પોતાના ધંધાના કામે જોઈતો હોવાની વાત કરી હતી. રામ ભરવાડે સસ્તામાં કોલસો અપાવી દેશે તેવી વાત કરી હતી. તે પછી ગઈ તા.10 ડિસેમ્બરની રાત્રે દડીયા ગામમાં પોતાના ઈંટના ભઠ્ઠે હાજર સુનિલભાઈને રૂ।.4300ના ભાવે એક ટન કોલસો આપવાનું કહી રૂ।.75 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી આપવા ફોન કર્યો હતો. જે બાદ આરોપી રામ ભરવાડે કોલસો ન મોકલાવી અને પૈસા પણ પરત ન આપીને છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દુર્ઘટના:હેબતપુર રોડ પર બે ટુવ્હીલર અથડાયાં, યુવકનું મોત, 1 ઈજાગ્રસ્ત
હેબતપુર રોડ વૃંદાવન બંગ્લોઝ કટ પાસે બે ટુવ્હિલર વચ્ચે મંગળવારે મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેના કારણે બન્ને ટુવ્હીલર ચાલકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 20 વર્ષીય ટુવ્હીલર ચાલકનું મોત થયું હતું. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂકરી છે. ભાડજ ગામમાં 26 વર્ષીય રાહુલ લામકા તેના પરિવાર સાથે રહે છે અને ઓનલાઈન ડિલીવરી બોય તરીકેનું કામ કરે છે. રાહુલને હેબતપુર ખાતેની એક ડિલીવરી મળી હોવાથી તેનો નાનો ભાઈ દિનેશ લામકા (ઉ.વ.20) ટુવ્હીલર લઈને ડિલીવરી કરવા માટે નિકળ્યો હતો. હેબતપુર રોડ વૃંદાવન બંગ્લોઝ કટ પાસે ઓવરસ્પીડમાં આવેલા એક ટુવ્હીલર ચાલકે ટક્કર મારતા બન્ને ટુવ્હીલર ચાલકો પટકાયા હતા. બંનેને સારવાર માટે ખસેડાયા હાત જ્યાં સારવાર દરમિયાન દિનેશ લામકાને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. અકસ્માત કરનાર ટુવ્હિલર ચાલક સુરેશ રાતડિયા (ઉ.વ.27, રહે. સોલા ગામ)ની સારવાર ચાલી રહી છે.
હનુમાન જન્મોત્સવ:રાંચરડાના મંદિરે સુંદરકાંડ પાઠ, યુનિ. પાસેના કષ્ટભંજન મંદિરે દિવ્યાંગજનો ભજનો ગાશે
ગુરુવારે રામભક્ત શ્રી હનુમાનજીની જન્મજયંતી નિમિત્તે શહેરનાં હનુમાન મંદિરોમાં મારુતિ યજ્ઞ, સુંદરકાંડ પાઠ, રામધૂન સહિતના કાર્યક્રમો યોજાશે. બુધવારે કેમ્પ હનુમાન મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી. તેમાં પરંપરાગત સજાવટ કરેલા રથ સાથે 11 ટેબ્લો રજૂ કરાયા હતા. આ વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ના ટેબ્લોએ સૌનું આકર્ષણ જમાવ્યું હતું. યાત્રામાં ભક્તોએ ‘જય શ્રીરામ અને જય હનુમાન’ના નારા લગાવી ભક્તિમય માહોલ ઊભો કર્યો હતો. યાત્રાના દર્શનાર્થે લોકોની ભારે ભીડ ઊમટી હતી. આજે ક્યાં શું? કેમ્પ હનુમાન મંદિર સવારે 7 વાગે વિશેષ આરતી 8 કલાકે સુંદરકાંડ પાઠ 12 કલાકે અન્નકૂટ દર્શન 1 કલાકે ભંડારો રાંચરડાના સૂતા હનુમાન સવારે વિશેષ આરતી સાંજે 6 વાગે સુંદરકાંડના પાઠ સાંજે 8 વાગે વિશેષ આરતી કષ્ટભંજન મંદિર યુનિવર્સિટી સવારે 7.30થી 1 વાગ્યા સુધી હવન બપોરે 12 વાગે હવન સાંજે દિવ્યાંગ કલાકારો દ્વારા ભજનસંધ્યા નાગરવેલ હનુમાન મંદિર સવારે 5 વાગે વિશેષ આરતી કરાશે 12 વાગે હવન યોજાશે દિવસ દરમિયાન આવતા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા સાંજે મહાઆરતી ડભોડા હનુમાન મંદિર સવારે 7 વાગે હવન-પૂજા 10 વાગે આરતી 12 વાગે ભંડારો અંજની માતા મંદિર સાંજે મહાઆરતી રાત્રે સુંદરકાંડના પાઠ માતા અંજની સાથે બિરાજિત હનુમાનજીનું મંદિરથલતેજ ટેકરા પાસે દૂરદર્શન ચાર રસ્તા પાસેના 100 વર્ષ પ્રાચીન અંજની માતા-હનુમાન મંદિર ખાતે ગુરુવારે હનુમાન જન્મોત્સવ ઉજવાશે. મંદિરની ખાસિયત એ છે કે અહીં હનુમાનજી સાથે તેમનાં માતા અંજનીજીની પ્રતિમા પણ છે, આથી આ સ્થળ રાજ્યનાં દુર્લભ મંદિરોમાંનું એક ગણાય છે. મંદિર દ્વારા નિયમિત પૂજા-અર્ચના સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરાય છે. મહંત વિજયદાસજી મહારાજની આગેવાની હેઠળ દર વર્ષે ઉજવાતા જન્મોત્સવમાં આ વર્ષે પણ વહેલી સવારથી માંડી રાત સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. હનુમાન જયંતીના દિવસે સવારે અભિષેકથી શરૂઆત થઇ, મંગળા આરતી, મારુતિ હવન, ધ્વજારોહણ અને શ્રીફળ હોમના કાર્યક્રમ યોજાશે. સાંજે સંધ્યા આરતી અને મહાપ્રસાદ બાદ ભક્તિમય વાતાવરણમાં સુપ્રસિદ્ધ લોક કલાકાર રાજભા ગઢવીનો સંતવાણી અને ડાયરો યોજાશે. બોપલમાં જન્મોત્સવનું ભવ્ય આયોજનબોપલના સરકારી ટ્યુબવેલ વિસ્તારમાં ભીડભંજન હનુમાન મંદિરે સવારે 10:30થી 4:30 વાગ્યા સુધી હવન યોજાશે. બપોરે 4:30 વાગ્યે શ્રીફળ પૂજન થશે. સાંજે 6થી રાતના 10 વાગ્યા સુધી સુધી પ્રીતિ ભોજનનું આયોજન કરાયું છે. આયોજકોએ પહોંચ સિવાય દાન ન કરવા સૂચના આપી છે.
ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા કેન્દ્રોના સીસીટીવીની ચકાસણી કરવામાં આવે છે. જેમાં અમદાવાદ શહેરમાં ગેરરીતિ કરનારા 36 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયાં છે. ગયા વર્ષ કરતા ચોરી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષે સીસીટીવીના આધારે 22 જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતી કરતા પકડાયા હતા. શહેર જિલ્લા શિક્ષણાધીકારી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ શહેરમાંથી સીસીટીવીના મોનિટરિંગના બાદ ધોરણ 10માંથી 18, ધોરણ 12 સાયન્સમાંથી 6, ધોરણ 12 આર્ટસમાંથી 12 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા જણાયા હતા. પરીક્ષા પૂરી થયા બાદ ટીમ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી ગેરરીતિ શોધીને એક ફાઇલ તૈયાર કરે છે. નિર્દોષ વિદ્યાર્થી ભોગ બને માટે નંબર શોધવા માટે પણ ખાસ ટેકનિકલ અપનાવવામાં આવે છે. વિદ્યાર્થી આ ગેરરીતિ કરતા CCTVમાં ઝડપાઈ ગયા
GST આવકમાં વધારો:ગુજરાતની માર્ચ મહિનાની GST આવકમાં 18%નો વધારો નોંધાયો
રાજ્ય માટે આર્થિક દૃષ્ટિએ સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. માર્ચ 2026 દરમિયાન રાજ્યની GST આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સત્તાવાર માહિતી મુજબ, માર્ચ 2026માં રાજ્યને GST હેઠળ કુલ રૂ.7,352 કરોડની આવક થઈ છે, જે ગયા વર્ષની સમાન અવધિમાં મળેલ રૂ.6,190 કરોડની સરખામણીએ અંદાજે 18.7 ટકા વધુ છે. આ સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે GST આવકનો વૃદ્ધિ દર માત્ર 8.8 ટકા રહ્યો છે, જ્યારે ગુજરાતે તે કરતાં ઘણી વધારે વૃદ્ધિ નોંધાવી છે. GST સિવાય, રાજ્યને માર્ચ 2026માં વેટ હેઠળ રૂ.2,714 કરોડ, વિજળી શુલ્ક હેઠળ રૂ.1,328 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ.24 કરોડની આવક થઈ છે. આમ, તમામ મુખ્ય કર સ્ત્રોતો દ્વારા રાજ્યને કુલ રૂ.11,418 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. વાર્ષિક આંકડાઓ પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્યને GST હેઠળ કુલ રૂ. 81,410 કરોડની આવક થઈ છે, જે અગાઉના વર્ષ કરતાં 11.1 ટકા વધુ છે. આ સમયગાળામાં પણ રાષ્ટ્રીય વૃદ્ધિ દર 8.3 ટકા રહ્યો છે. આ ઉપરાંત, સમગ્ર વર્ષ દરમિયાન વેટથી રૂ. 32,677 કરોડ, વિજળી શુલ્કથી રૂ.12,493 કરોડ અને વ્યવસાય વેરાથી રૂ.266 કરોડની આવક નોંધાઈ છે. આમ, તમામ સ્ત્રોતો મળી રાજ્યને કુલ રૂ.1,26,846 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
લોકોમાં ભયનો માહોલ:ધારીના ઝર ગામે દરગાહ સામે સાવજે ધામા નાખ્યા
ધારી તાલુકાના ઝર ગામમાંથી સાવજનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં આસ્થાના સ્થળ સુધી વન્યપ્રાણીની હાજરીથી દર્શનાર્થી ઓના ભયનો માહોલ સર્જાયો હતો. ધારીના ઝર ગામ પાસે આવેલા દાતારની દરગાહ સામે જ સિંહ આરામ ફરમાવતો હતો ત્યારે કોઈએ આ દ્રશ્ય પોતાના મોબાઇલમાં કેદ કર્યું હતું. જેમાં સ્પષ્ટ દેખાય છે કે સિંહ થોડો સમય દરગાહ નજીક નિર્ભય રીતે બેસેલો રહ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે ગામના આસ્થા કેન્દ્ર સુધી તેમની હાજરીએ લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ જગાવી છે. આ ઘટના વિસ્તારમાં વધતી જંગલી પ્રાણીઓની ચહલપહલ તરફ પણ ઈશારો કરે છે. વનવિભાગે લોકોને સાવચેતી રાખવા અને સિંહથી સલામત અંતર જાળવવા અપીલ કરી છે. સાથે જ કોઈ પણ પ્રકારની ગભરાટ ન ફેલાવવાની પણ અપીલ કરવામાં આવી છે.
આત્મહત્યાનો પ્રયાસ:ખરાબ વિચારો અને ડરામણા સપનાથી તણાવ અનુભવતી ડુંગરપરડાની યુવતીએ ફિનાઈલ પીધુ
રાજુલા તાલુકાના ડુંગરપરડા ગામે એક યુવતીએ માનસિક તણાવના કારણે ફીનાઇલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીને તાત્કાલિક સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રાજુલાના ડુંગરપરડા ગામે રહેતી માયાબેન લાલજીભાઇ બટુકભાઇ સાંખટ (ઉ.વ.25) ને છેલ્લા લગભગ દોઢ મહિનાથી સતત ખરાબ વિચારો અને ડરામણા સપનાઓ આવતા હતા. જેના કારણે તેઓ સતત ગભરામણ અનુભવી રહી હતી. આ પરિસ્થિતિથી કંટાળી જતાં તેમણે ગઈ કાલે રાત્રે આશરે 9:30 વાગ્યે પોતાના ઘરે બાથરૂમમાં રાખેલી ફીનાઇલની બોટલમાંથી ફીનાઇલ પી લીધું હતું. ફીનાઇલ પી લીધા બાદ તેમને ઉલટી અને ઉબકા થવા લાગતા પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે મહુવા સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નિર્ણય:આકરી ગરમીના પગલે અમરેલી જિલ્લા પ્રા. શાળાના સમયમાં અડધો કલાકનો ઘટાડો
અમરેલીમાં ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓના સમયમાં અડધો કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓને બપોરે 12:30 વાગ્યાના બદલે 12 વાગ્યે રજા આપવામાં આવશે. અમરેલીમાં વધતા તાપમાનને લઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ચિંતા કરતા બાળકોને ભર બપોરે તડકામાં ઘરે પહોંચવામાં મુશ્કેલી પડતી હોવાની બાબતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનાથી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવામાં આવે છે, પરંતુ આ વર્ષે શાળાઓમાંથી છૂટવાનો સમય 12:30 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો. આ બાબતે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સંઘના રાજ્ય ખજાનચી મહેન્દ્રભાઈ વિછીયા, જિલ્લા પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, મહામંત્રી પ્રવીણભાઈ કસવાળા, રસિકભાઈ મહેતા તેમજ વિવિધ તાલુકાના ઘટક સંઘોના પ્રતિનિધિઓએ ગરમીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના હિતમાં સમય ઘટાડવાની માંગણી કરી હતી. શિક્ષક સંઘની આ રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે પ્રાથમિક શાળાઓમાં 12:30ના બદલે હવે બપોરે 12 વાગ્યે રજા આપવામાં આવશે.
માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ:અમરેલીના મૃતક વૃદ્ધનું રેડક્રોસ સોસાયટી મારફત દેહદાન કરાયું
માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અમરેલીમાં વધુ એક દેહદાનનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. મૃત્યુ પછી પણ માનવજાતના કલ્યાણમાં પોતાનો દેહ ઉપયોગી બને તેવા ઉદ્દાત સંકલ્પ સાથે સ્વ. મુકતાબેન ભગવાનજીભાઈ ટાંકનું દેહદાન કરવામાં આવ્યું. અમરેલીના એક સમયના જાણીતા મંડપ સર્વિસ વ્યવસાય સાથે સંકળાયેલા સ્વ. બી.કે. ટાંકના ધર્મપત્ની મુકતાબેનનું અવસાન થયું હતું. જીવિત અવસ્થામાં જ તેમણે અમરેલી રેડક્રોસ સોસાયટી સમક્ષ પોતાના દેહદાનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમના અવસાન બાદ પરિવારજનોએ તેમની અંતિમ ઈચ્છાને માન આપી અમરેલી રેડક્રોસ સોસાયટીનો સંપર્ક કર્યો હતો. આ સંદર્ભે અમરેલી રેડક્રોસ બ્લડ બેન્કના ઇન્ચાર્જ મધુભાઈ આજુગીયાએ વિવિધ મેડિકલ કોલેજો સાથે સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ આટકોટ મેડિકલ કોલેજને ડેડ બોડીની જરૂરિયાત હોવાથી એમ્બ્યુલન્સ મારફતે સ્વ. મુકતાબેન ભગવાનજીભાઈ ટાંકનો દેહ ત્યાં મોકલી આપવામાં આવ્યો હતો, જેથી તેમનો દેહ તબીબી અભ્યાસ અને સંશોધન કાર્યમાં ઉપયોગી બની શકે. અમરેલી રેડક્રોસ બ્લડ બેન્કના ચેરમેન ડો. ભરત કાનાબારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી દેહદાન માટે સંકલ્પપત્ર ભરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સમાજમાં મૃત્યુ પછી પણ પોતાનો દેહ તબીબી શિક્ષણ અને સંશોધન માટે ઉપયોગી બને તેવી ઉન્નત ભાવના વિકસી રહી છે, જે સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયક અને આવકારદાયક બાબત છે.
સાવરકુંડલા જૈન સમાજના મોભી પ્રભુદાસભાઈ સોમચંદ દોશીનું તારીખ 22/03ના રોજ અવસાન થયું હતું તેમના ભાઈ સુરેશભાઈ, પુત્ર રાજેશભાઈ અને સુનિલભાઈ દોશી તથા દોશી પરીવારે સ્વજન સ્વ. પ્રભુદાસભાઈના ઉઠામણામાં જીવદયાના કાર્ય સાથે સ્વજનને ભાવાંજલિ અર્પણ કરવામા આવી હતી. દોશી પરીવારે શ્રદ્ધાજંલી પાઠવનાર તમામ સ્નેહીજનોને શ્રીફળમાં નવરત્ન ખાદ્યસામગ્રી ભરીને કીડિયારૂઓ માટે અર્પણ કરવામાં આવ્યા હતાં. સાવરકુંડલામાં આજના આધુનિક યુગમાં જ્યારે સામાજિક પ્રસંગોમાં દેખાડો વધી રહ્યો છે. ત્યારે સાવરકુંડલાના દોશી પરિવારે સમાજને એક નવી રાહ ચીંધી છે. સ્વ પ્રભુદાસ સોમચંદ દોશી પરિવારમાં રાખવામાં આવેલ ઉઠામણાના પ્રસંગે કોઈ પણ પ્રકારના દેખાડા વગર માત્ર સેવા અને જીવદયાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થના આત્માની શાંતિ અર્થે આ પરિવારે એક સરાહનીય નિર્ણય લીધો હતો. જેમા માનવતા અને અબોલ જીવો પ્રત્યેની સંવેદના જોવા મળી હતી. નવરત્ન પ્રસાદના નાળિયેર તૈયાર કરવામાં આવ્યા હતા. શ્રીફળમાં કીડીઓ માટે આહાર બની શકે તેવી નવરત્ન સમાન વિભિન્ન ખાદ્યવસ્તુઓ ભરવામાં આવી હતી. અને ઉઠામણામાં પધારેલા તમામ શોકમગ્ન સ્વજનો અને નાગરિકોને એક એક શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું. સ્વજનો પોતપોતાના ઘરે કે યોગ્ય સ્થાને આ જીવદયાનું કાર્ય આગળ ધપાવી શકે. સ્વ પ્રભુદાસભાઈના બેસણા પ્રસંગે સાવરકુંડલા કબીર ટેકરી આશ્રમ દ્વારા ચાલતી નિરાધાર, અશકત લોકોં અને જરૂરિયાત મંદોને ટીફીન સેવામાં મિષ્ઠાન ભોજન આપવામાં આવ્યું હતુ. તથા સાવરકુંડલા શીવાજીનગર ગૌશાળા ખાતે રહેલી ગાયોને તંરબૂચ અર્પણ કર્યાં હતા.
100 ટકા વસુલાત:રાજુલા તાલુકાના 4 ગામમાં વીજબીલ બાકીદારો શૂન્ય
રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજબિલની સો ટકા વસુલાત કરી ચાર ગામો એ શૂન્ય બાકીદારીનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. પીજીવીસીએલના પ્રયાસો, ગ્રામજનના સહયોગ થી ભાક્ષી-1, ભાક્ષી-3, નાના આગરિયા (સમૂહ ખેતી), નેસડી-2 ગામમાં રહેણાંક, ખેતીવાડી તથા ઔદ્યોગિક તમામ વીજ જોડાણોના બિલની સંપૂર્ણ ભરપાઈ થતાં ગામોને ઝીરો લાઇટ બિલનો દરજ્જો મળ્યો છે. રાજુલા તાલુકામાં વીજબિલ ભરપાઈ અંગે જાગૃતિ લાવવા માટે ગામના સરપંચો અને આગેવાનોએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. જેના પરિણામે આજે સંપૂર્ણ વીજબીલની વસૂલાત PGVCL દ્વારા કરી લેવામાં આવી છે. ભાક્ષી ગામના સરપંચ મંગળુભાઈ ધાખડા, સમૂહખેતી ગામના જીતુભાઈ કસવાળા અને રાજુભાઈ પરસાણા, નેસડી ગામના સરપંચ ગુણવંતભાઈ સાવલિયા તેમજ ભાક્ષી-1 ગામના સુરેશભાઈ વ્યાસ સહિત ગામના આગેવાનો દ્વારા ગ્રામજનોને સમજાવી સમયસર બિલ ભરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ શકી છે. સાથેજ પીજીવીસીએલના કર્મચારીઓ એમ.ડી. ખુમાણ, એચ.એમ. સોલંકી, આર.આર. દામોર અને આર.જે. ચૌહાણ સહિતના સ્ટાફે સતત મહેનત કરી હતી. કાર્યપાલક ઇજનેર બી. એમ. પટેલ તથા રાજુલા નાયબ કાર્યપાલક ઇજનેર ના માર્ગદર્શન અને સતત સમજાવટના કારણે આ સફળતા મળી હોવાનું જણાવાયું છે.
સુવિધા:STના નવા 37 એક્સપ્રેસ રૂટ શરૂ થતાં પેસેન્જરને ભાડામાં રૂ.40 સુધી લાભ થશે
અમદાવાદ એસટી ડિવિઝનને નવી ગુર્જરનગરી બસોનો કાફલો મળતા 37 નવા એક્સપ્રેસ રૂટ શરૂ કરાયા છે. જેમાંથી 10 રૂટ પ્રથમવાર સંચાલિત થશે અને 27 રૂટ પર બસોની સંખ્યા વધારાઈ છે. પુશ-બેક સીટો ધરાવતી આ આધુનિક બસોમાં મુસાફરોને કન્ફર્મ સીટની સુવિધા મળશે. ખાનગી લક્ઝરી બસોના રૂ.800થી રૂ.1200ના ભાડા સામે એસટીમાં માત્ર રૂ.400 થી રૂ.600માં મુસાફરી કરી શકાશે, જેનાથી મુસાફરોના ખિસ્સા પરનો બોજ 40 ટકા સુધી ઘટશે. સુરત માટે સવારે 6:15 અને 7:30 કલાકે નવી સેવા શરૂ થતા નોકરિયાત વર્ગને રાહત મળશે. સાથે જ દ્વારકા, જંબુસર અને ધાનેરા જેવા અંતરિયાળ રૂટો પર કનેક્ટિવિટી વધશે. પેસેન્જરો ઓનલાઇન પોર્ટલ પર એડવાન્સ બુકિંગ કરાવી શકશે. ધાર્મિક-શૈક્ષણિક કનેક્ટિવિટીના મુખ્ય રૂટ રૂટ ઉપડશે પહોંચશે ખાસિયત અમદાવાદથી દ્વારકા 20:30 07:15 યાત્રાળુઓ માટે રાત્રિ સેવા ધોળકાથી અંબાજી 06:45 11:45 ઉ. ગુજરાત સાથે કનેક્ટિવિટી દહેગામથી ભુજ 20:00 05:30 કચ્છ માટે નવી એક્સપ્રેસ સેવા વિજયનગરથી આણંદ 12:30 17:50 એજ્યુકેશન હબ સાથે જોડાણ વિરમગામથી સારંગપુર 07:15 11:00 હનુમાનજીના દર્શન ઉત્તમ સુરત માટે સવારે બે નવા રૂટ શરૂ થશે : અમદાવાદથી સુરત માટે સવારે 6.15 અને 7.30 વાગે નવી બસ શરૂ થતાં નોકરિયાત વર્ગને ફાયદો થશે.
2 એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ એવરનેસ ડે નિમિત્તે એએમએ ખાતે એક સેમિનારનું આયોજન કરાયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે, દર 36માંથી 1 બાળક ઓટિઝમ સાથે જન્મે છે. જે આંકડો કેન્સર કે ડાયાબિટીસ કરતાં પણ વધુ છે, કારણ કે તેમાં બાળકનો સામાજિક વિકાસ પ્રભાવિત થાય છે. ઓટિઝમ કોઈ બૌદ્ધિક મંદતા નહીં પરંતુ મગજના ન્યુરોન્સના વાયરિંગમાં ખામી છે, જેના કારણે બાળક બોલવામાં, પોતાની વાત રજૂ કરવામાં અને આંખોમાં નજર મળાવવામાં પાછળ રહી જાય છે. 18થી 24 મહિનામાં લક્ષણો ઓળખી લેવાય તો 80 ટકા બાળકોમાં યોગ્ય આહાર અને કસરતથી સુધારો શક્ય બને છે, જ્યારે 20 ટકા કેસોમાં જિનેટિક કારણો હોવાથી દવાઓ જરૂરી બને છે. ડૉ. જિગ્નેશ શેઠે કહ્યું કે, શહેરના 100થી વધુ જરૂરિયાતમંદ બાળકો માટે જિનેટિક ટેસ્ટ, થેરાપી અને સારવાર પાછળ દર વર્ષે રૂ. 10 લાખ સુધીની સહાય પૂરી પાડી રહ્યા છે. ઓટિઝમ સ્પેશિયાલિસ્ટ ડો. કેતન પટેલે કહ્યું કે, પશ્ચિમ દેશોની જૂની પદ્ધતિઓ પાછળ દોડવાને બદલે હવે ભારતની પોતાની નવી સારવાર પદ્ધતિ અમલી બનાવવી જરૂરી છે. હોમિયોપેથીથી 90 ટકા સુધી લક્ષ્ણો અટકાવી શકાય છે. ઓટિઝમથી છુટકારો મેળવવા માટેના 5 ઉપાય ડાયેટ કંટ્રોલ : દૂધ અને ઘઉંની વસ્તુઓ બંધ કરી સોયા મિલ્ક, બાજરી અને કઠોળનો ઉપયોગ વધારવો. શારીરિક પ્રવૃત્તિ : દોડવું, સાયકલિંગ, સ્કેટિંગ અને સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ મગજના વિકાસમાં મદદ કરે છે. સ્પીચ થેરાપી : બાળક બોલવાનું શરૂ કરે એટલે નિષ્ણાતની મદદ લેવી. આઈ-કોન્ટેક્ટ : બાળક સાથે સતત વાતો કરવી અને તેની સાથે નજર મિલાવવાની પ્રેક્ટિસ કરવી. નિષ્ણાતની સલાહ : હોમિયોપેથી સ્પેશિયાલિસ્ટ ડૉ. કેતન પટેલના મતે, હોમિયોપેથીથી જિનેટિક લક્ષણોમાં 90% સુધી રોક લગાવી શકાય છે.
નાનાપોંઢા તાલુકાના કોઠાર હોળી ફળીયા વિસ્તારમાં બુધવારે સવારે અંદાજે 7 વાગ્યે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો પર જંગલી ભૂંડે અચાનક હુમલો કર્યો હતો.નાનાપોંઢાના કોઠાર ગામે જંગલી ભુંડે 3 ખેડૂતો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘાયલોમાં સંજયભાઈ શાંતુભાઈ ગાઈન, પ્રીતેશભાઈ ગણુભાઈ ગાઈન અને ધર્માભાઈ પિલ્યાભાઈ ગાઈનનો સમાવેશ થાય છે. ત્રણેય ખેડૂત રોજિંદા કામકાજ દરમિયાન ખેતરમાં હાજર હતા ત્યારે જંગલી ભૂંડે હુમલો કરતા હડકંપ મચી ગયો હતો. હુમલા બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલોને પ્રથમ સારવાર માટે નાનાપોંઢા CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને ધરમપુર સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા જંગલી પ્રાણીઓના વધતા આતંકને કાબૂમાં લેવા માટે વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સરકાર દ્વારા ઝટકા મશીન મુકવા માટે સબસીડી પણ આપે છે. તે પણ ખેડૂતોએ લેવી જોઇએ.
વલસાડમાં મહાવીર જયંતિની શ્રધ્ધાભેર ઉજવણી માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જૈન સમુદાય મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું.મોટાબજાર ઉપાશ્રય ખાતેથી આચાર્ય ભગવંત મ.સા. તથા શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા. વલસાડ ખાતે મહાવીર જયંતિના પવિત્ર અવસરે નિકેળેલી શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરી વળી હતી.મોટાબજાર જૈન ઉપાશ્રય ખાતેથી નિકળેલી શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં જૈન સમાજના પરિવારજનો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી,જિલ્લા મહામંત્રી કમલેશ પટેલ, પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, મહિલા કાઉન્સિલર અલકાબેન શાહ હાજર રહ્યા હતા.વિવિધ માર્ગો પર શ્રધ્ધાળુઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. મૂનિ ભગવંતોનું સન્માન પણ કરાયું હતું.જૈન સમાજની મહિલાઓ બાળકો આગેવાનો તથા પરિવારજનો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી શોભાયાત્રાના રૂટ પર સતત જોડાયેલા રહ્યા હતા.
ભાસ્કર વિશેષ:વલસાડમાં આંગણવાડી બહેનોનો વિરોધ પ્રદર્શન સાથે ઓનલાઇન કામ પણ બંધ કર્યુ
વલસાડ જિલ્લામાં આંગણવાડી બહેનોને યોગ્ય માનદ વેતન નહિ ચૂકવતાં આંદોલન શરૂ કરી દઇ ઓનલાઇન ડિજિટલ કામગીરી 2 એપ્રિલથી બંધ કરી દેવાનું એલાન કરવામાં આવ્યું છે. લઘુત્તમ વેતન પણ ચૂકવવામાં આવતું ન હોવાની ફરિયાદ કરી છે. વલસાડ તાલુકાના 12 ઘટકની આંગણવાડી બહેનો હેલ્પરો વલસાડમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી બહેનોએ જણ બહેનોએ કરી નવા મોબાઇલ આપી દેવાયા છે પરંતું દરરોજ નવી નવી એપ્લિકેશનો આપતાં કામનું ભારણ વધતું જાય છે પરંતું વેતન વધારો નહિ કરાતા મોબાઇલ પર ઓનલાઇન કામગીરી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બહેનોએ કહ્યું કે પગાર વધારો નહિ તો કામ બંધ કરી દેવાની ફરજ પડશે કારણ કે વર્ષોથી વારંવાર ઉચ્ચ સ્તરે સંગઠન દ્વારા રજૂઆતો કરવા છતાં સરકાર માગણી પ્રત્યે ગંભીર ન હોવાથી લડત શરૂ કરાઇ છે. મોબાઇલ ફોન પર ડિજિટલ ઓનલાઇન કામગીરી કરવા માટે ફોન તો આપ્યા પણ કામ તો દિવસે દિવસે વધતું જાય છે અ્ને વેતન લઘુત્તમ ધોરણે પણ નથી મળતુ તેવી રાવ ઉઠી છે. આ મામલે વલસાડ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા 2018 પછી કેન્દ્ર સરકાર દ્વારા પગાર વધારવામાં આવ્યો નથી. હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટનો આદેશ છતાં કોઇ ન્યાય મળતો ન હોવાની હૈયાવરાળ ઠાલવવામાં આવી છે. જેથી કિર્તીબેન પ્રતાપગઢવાલા અને દિપ્તીબેન પટેલના નેતૃત્વમાં આંગણવાડી બહેનોએ વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માગણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ઉચ્ચ હોદ્દેદારો સાથે આગળ શું લડત કરવી તેનો નિર્ણય લેવાશે. મહિલાઓ લાંબા સમયથી માગ કરી રહી છે.
રેલવે મુસાફરોને હાલાકી:વલસાડ સ્ટેશનથી વારાફરતી ઉપડતી ટ્રેનના એકસરખા બોર્ડથી મુસાફરોમાં ભારે ગૂંચવણ
નવસારી રેલવે સ્ટેશન પર વહેલી સવારે મુસાફરો માટે એક વિચિત્ર અને હાલાકીભરી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. વલસાડથી ઉપડતી બે અલગ-અલગ ટ્રેનોના નંબર અને બોર્ડમાં સમાનતા હોવાને કારણે મુસાફરો સતત ગેરસમજનો ભોગ બની રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે 5:49 કલાકે વલસાડથી દાહોદ જતી ટ્રેન નંબર 19011 નવસારી આવે છે. ત્યારબાદ ટૂંકા અંતરે જ એટલે કે સવારે 6:10 કલાકે વલસાડ-વડનગર ટ્રેન આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ બંને ટ્રેનો પર દાહોદ-વલસાડ- વડનગર અને વલસાડ- વડોદરા-જામનગરના એક સરખા જ બોર્ડ લગાવાયા છે. રેલવે તંત્રની આ બેદરકારીને કારણે વડનગર જનારા મુસાફરો ભૂલથી દાહોદ જતી ટ્રેનમાં ચઢી જાય છે. આ ગેરસમજને કારણે ખાસ કરીને રિઝર્વેશન ધરાવતા મુસાફરોને ભારે મુશ્કેલી પડે છે, કારણ કે તેઓને પોતાની નિર્ધારિત સીટ મળતી નથી અને છેવટે સુરત કે તેનાથી અગાઉના સ્ટેશને ઉતરી જવાની ફરજ પડે છે. સૌથી વધુ હાલાકી સામાન્ય કોચના મુસાફરોને થાય છે, જેમને વડોદરાથી ટ્રેન જ્યારે દાહોદના રૂટ પર ફંટાય ત્યારે ખબર પડે છે કે તેઓ ખોટી ટ્રેનમાં સવાર થઈ ગયા છે. તંત્રએ આ બાબતે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બન્યું છે. મુસાફરોને મુશ્કેલી વેઠવી પડે છેવલસાડ-વડનગરમાં જતા મુસાફરો જેઓ રેગ્યુલર નહીં પણ વર્ષમાં એક કે બે વાર મુસાફરી કરતા હોય છે તેઓને ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. અમે રેગ્યુલર અપ-ડાઉન કરનારા લોકો છીએ એટલે અમને ટ્રેનનો ટાઇમ ખબર છે. ઘણા મુસાફરો પાસે સામાન વધારે હોય છે અને દાહોદની ટ્રેન પર વડનગર વાંચીને ચઢી જાય છે. કેટલીકવાર તો અમે પણ તેઓને સમજાવીએ છીએ. > કમલેશ ચુડાસમા, મુસાફર
પોલીસની આબરૂના ઘજાગરા ઉડાવતા તસ્કરો:ધરમપુરમાં સેશન્સ જજના બંગલામાં ચોરીનો પ્રયાસ
ધરમપુરના એડિશનલ સેશન્સ જજ રહે છે એ બંગલામાં પાછળનો ગ્રીલનો દરવાજો ખોલી અજાણ્યા ઇસમે ચોરીનો પ્રયાસ કર્યો હતો. ધરમપુર પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતો અને પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવતી ઘટના બની હતી જેમા ધરમપુર એડિશનલ સેશન્સ કોર્ટમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હેમંતભાઇ નટુભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ધરમપુર એડિશનલ સેશન્સ જજ 28 માર્ચથી રજા પર હતા. તેઓ ધરમપુરના દસોંદી ફળીયા ખાતે ભાડાના બંગલામાં રહે છે. બુધવારના ના રોજ સવારે 09 વાગ્યાના અરસામાં કોર્ટના પટાવાળા હરેશભાઈ પટેલ જજ સાહેબ સવારે આવવાના હોવાથી તેમનો કોટ લેવા માટે બંગલે ગયા હતા. ત્યારે આ બનાવની જાણ થઈ હતી. બંગલાના પાછળના ભાગે જઈને જોતા દરવાજાની લોખંડની ગ્રીલ ખુલ્લી હતી. તેમજ રૂમમાં સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. ઘટનાની જાણ થતા જ રજીસ્ટ્રાર હેમંતભાઈ અને અન્ય કર્મચારી જજના બંગલા પર જઇ સામાન ચેક કરતા કોઈ ચોરી થઈ ન હતી. પરંતુ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આગ લાગી:માલઘર ગામે શોર્ટ સર્કિટથી ઘરમાં આગ, સામાન બળ્યો
કપરાડા તાલુકાના માલઘર ગામના મોહુપાડા ફળિયામાં રહેતા પિન્ટુભાઈ બાબુરાવભાઈ ગાલટના મકાનમાં મંગળવારના રોજ સાંજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતાની સાથે જ આસપાસના રહીશો દોડી આવી આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ ઉનાળાની તીવ્ર ગરમી અને તાપમાન વધુ હોવાથી આગ ઝડપથી ફેલાતાં મકાનમાં રાખેલી જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓ બળી ખાખ થઈ ગઈ હતી. જેમાં અનાજ, કપડાં, ઘરગથ્થુ સામાન, જરૂરી દસ્તાવેજો તથા રોકડ રકમનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ સ્થાનિક રહીશ તેમજ ભાજપ યુવા મોરચાના મહામંત્રી ઈશ્વરભાઈ ઉદાર દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા તથા સંબંધિત તલાટી મંત્રીને કરવામાં આવી હતી. તેમણે અસરગ્રસ્ત પરિવરને તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગણી કરી છે. કપરાડા તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી આગ લાગે ત્યારે મુશ્કેલી પડતી હોય છે.
વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાનો સમય વહેલો કરતો પરિપત્ર જાહેર કરાયો હતો. જોકે, પહેલા જ દિવસે આ નિર્ણયનો અમલ કેટલો ખોરવાયો હતો. દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે સવારે 7:30 વાગ્યા સુધી અનેક શાળામાં શિક્ષકો હાજર જ ન હતા. જ્યારે વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં નિરાધાર રીતે ઉભા જોવા મળ્યા હતાં. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ શાળાનો સમય વહેલો રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને વધતી ગરમીથી રાહત મળે અને ભણતર સુગમ બને. પરંતુ જમીન પરની હકીકત બિલકુલ વિપરીત જોવા મળી હતી. ઘણા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી ગયા હતા, પરંતુ શિક્ષકોના મોડા આગમનને કારણે વર્ગખંડ બંધ જ રહ્યા હતાં. શાળાના દરવાજા ખુલ્યા હોવા છતાં શિક્ષણ પ્રવૃત્તિ શરૂ ન થતા વિદ્યાર્થીઓ બહાર જ સમય પસાર કરતા નજરે પડ્યા હતા. કેટલાક સ્થળોએ નાના વિદ્યાર્થીઓ તડકામાં ઊભા રહી રાહ જોતા જોવા મળ્યા હતા. જેનાથી તેમની આરોગ્ય અને સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. વાલીઓએ જણાવ્યું હતું કે સમય બદલવાનો નિર્ણય યોગ્ય છે, પરંતુ તેનો કડક અમલ ન થાય તો વિદ્યાર્થીઓના ભણતરને ભારે નુકશાની થશે. બાળકો સમયસર પહોંચે છે,પરંતુ શિક્ષકો જ મોડા આવે છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પરિપત્રમાં સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં મેદાન પર દેખાતી ઉદાસીનતા તંત્રની કામગીરી પર સવાલ ઉભા કરે છે. કડક દેખરેખ-જવાબદારી સાથે અમલ જરૂરી શિક્ષકોની હાજરી અને સમયપાલન સુનિશ્ચિત કરવા માટે કોઈ મોનીટરીંગ વ્યવસ્થા સક્રિય છે કે નહીં તે મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. શૈક્ષણિક નિષ્ણાતોનું માનવું છે કે આવા નિર્ણયો માત્ર કાગળ પર નહીં, પરંતુ કડક દેખરેખ અને જવાબદારી સાથે અમલમાં મુકવામાં આવે ત્યારે જ તેનો લાભ મળે છે. નહીં તો વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર પડે છે. હાલ આ મુદ્દે જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. પરંતુ પ્રથમ જ દિવસે થયેલી ગડબડીને ધ્યાનમાં લઈ તંત્ર સક્રિય થાય તેવી માંગ ઉઠી રહી છે.
ટ્રેનોની સરેરાશ સ્પીડમાં વધારો:ટ્રેનોની સ્પીડ 70 કિમીથી વધીને 136 કિમી થતાં 2 કલાક સુધીનો સમય બચશે
અમદાવાદ ડિવિઝનમાં 2025-26 દરમિયાન હાથ ધરાયેલા ટ્રેક સુધારા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુધારાના કારણે અમદાવાદથી મુંબઈ તેમજ પાલનપુર રૂટ પર દોડતી ટ્રેનોની સરેરાશ સ્પીડમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનો હવે 110થી 136 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા પેસેન્જરનો મુસાફરી સમય 30 મિનિટથી લઈ 2 કલાક સુધીનો સમય બચશે. ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે જણાવ્યું કે 26 રેલવે ક્રોસિંગ પર અંડરબ્રિજ અને 4 સ્થળે ઓવરબ્રિજ બનાવાયા છે. સાથે જ 53 કિમી વિસ્તારમાં લૂપ લાઇન દૂર કરીને સીધી ટ્રેક વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ ઉપરાંત 10 સ્થળોએ પર્માનેન્ટ સ્પીડ રિસ્ટ્રિક્શન (પીએસઆર) દૂર કરાયા છે. જે સ્પીડ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થયા છે. 26 અંડરબ્રિજ, 4 ઓવરબ્રિજ તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર : 26 અંડરબ્રિજ, 4 ઓવરબ્રિજ તૈયાર અને 53 કિમી સીધી ટ્રેક વ્યવસ્થા. 100 ટકા % ઇલેક્ટ્રિફિકેશન : ડિવિઝનનો સંપૂર્ણ રૂટ હવે ઇલેક્ટ્રિક ટ્રેનો માટે સજ્જ. યાત્રી સુવિધા : વર્ષ દરમિયાન 408.10 લાખ મુસાફરોએ સુરક્ષિત મુસાફરી કરી.
વિવાદ:5 વર્ષથી પ્રશ્નનો ઉકેલ ન આવતાં સૈજપુરના કોર્પોરેટરના ઘરે હંગામો
શહેરના સૈજપુર બોઘાના ભાજપના કોર્પોરેટર વિનોદકુમારી ચૌધરીના ઘરે સ્થાનિક ચાલીને રહીશોએ હંગામો કર્યો હતો રહીશોની રજૂઆત હતી કે પાંચ વર્ષે પણ તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી આ મામલે કોર્પોરેટર પરિવારજનો અને રહીશો વચ્ચે ધક્કા મૂકીને દ્રશ્યો પણ સર્જાયા હતા સૈજપુર બોધાના કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરીના ઘરે બુધવારે સવારે 10થી 15 મહિલાઓ અને પુરુષોનું ટોળું પહોંચ્યું હતું તેમણે રજૂઆત કરી હતી કે તેમના વિસ્તારમાં ગટરનો પ્રશ્ન લાંબા સમયથી વણ મોકલ્યો છે વારંવાર ની રજૂઆત છતાં પાંચ વર્ષેય પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. આ અંગે કોર્પોરેટરે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં કોર્પોરેટના પરિવારજનો અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી.
ભારતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા ફરી એકવાર પાટા પર ચઢી છે. બુધવારથી શરૂ થયેલા પ્રથમ તબક્કામાં ગણતરીકારોએ મકાનોની વિગતો નોંધવાનું શરૂ કર્યું છે. આ પ્રક્રિયામાં અમદાવાદ સહિત રાજ્યના 600 થી 800 શિક્ષકો અને સરકારી કર્મચારીઓ જોતરાયા છે. પ્રથમ દિવસે ગણતરીકારોએ વિવિધ વિસ્તારોમાં ફરીને મકાન નંબર, પરિવારના સભ્યોની સંખ્યા અને ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાઓની નોંધણી કરી હતી. આ વસ્તી ગણતરી બે તબક્કામાં વહેંચાયેલી છે. પ્રથમ તબક્કો સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે, જેમાં મકાનો અને ડિજિટલ સાધનો જેવી ભૌતિક સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. જ્યારે ફેબ્રુઆરી 2027માં બીજા તબક્કા દરમિયાન વાસ્તવિક વસ્તી ગણતરી થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે 1931માં જાતિ આધારિત ગણતરી થઈ હતી, જે હવે 95 વર્ષ બાદ ફરીથી કરવામાં આવશે. સરકાર આ ડેટાના આધારે ભવિષ્યની યોજનાઓ અને વિકાસકાર્યને વધુ અસરકારક બનાવવા પ્રયાસ કરશે. પ્રથમ રાઉન્ડમાં મકાનોની ગણતરી શરૂ થઈ - મકાન નંબર, દીવાલ-છતની સામગ્રી અને માલિકીની સ્થિતિ. - સભ્યોની સંખ્યા, વડાનું નામ, લિંગ અને જાતિ વર્ગ. - પીવાનું પાણી, વીજળી, શૌચાલય, રસોડું અને ગેસ કનેક્શન. - ટેલિવિઝન, ઇન્ટરનેટ, લેપટોપ/કમ્પ્યુટર અને સ્માર્ટફોન. - સાઈકલ, ટુ-વ્હીલર અને કારની ઉપલબ્ધતા. - ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, મુખ્ય અનાજ અને મોબાઈલ નંબર.
ગ્રામજનોએ કર્યો વિરોધ:કંબોયામાં હાઈસ્પીડ કોરિડોર માટે સર્વે કરવા પહોંચેલી ટીમને અટકાવી
વાંસદા તાલુકામાંથી બીલીમોરાથી વઘઇ સુધીનો હાઈસ્પીડ કોરિડોર ઉપરથી 80થી 100ની સ્પીડે વાહન નીકળી શકે એવો 6 લાઇન હાઈવે માટે સર્વેની કામગીરી કરવા સર્વે ટીમ પહોંચી હતી. તેઓ માટીના સેમ્પલ લેવાની કામગીરી કરતા હોવાની જાણ ગ્રામજનોને થઇ હતી. જેને પગલે આજુબાજુ વિસ્તારના સરપંચો તથા ગ્રામજનો ભેગા થઈ વિરોધ કરી સર્વેની કામગીરી અટકાવી દીધી હતી. વાંસદા તાલુકાના ગામોમાંથી હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટમાં 80થી 100ની સ્પીડથી વાહન નીકળી શકે એવો હાઈવે મંજૂર થતા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી હતી. કંબોયા ગામે હાઈસ્પીડ કોરિડોર માટે ટીમ સર્વે અંતર્ગત માટીના સેમ્પલ લઈ રહ્યાં હતા. જેની જાણ ગ્રામજનોને થઇ હતી. જેને પગલે આજુબાજુ વિસ્તારના સરપંચો સહિત ગામના આગેવાનો સ્થળ પર એકત્ર થઇ ગયા હતા. ગ્રામજનોએ સર્વે કરવા આવનાર ટીમને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર કોઈપણ જાતની કામગીરી કરવાની નથી.જેથી સર્વે કરવા આવનાર ટીમના કર્મચારીઓ સર્વે કામગીરી અટકાવી દીધી હતી.
‘પિતરાઈ ભાઈ સાથે લંડનમાં અભ્યાસ કરતો હોવાનું કહીને ગઠિયાએ બેન્કના મહિલા અધિકારી સાથે ઘરોબો કેળવ્યો હતો. ત્યારબાદ ઈન્ડિયામાં મકાન ખરીદવાની અને બિઝનેસ સેટ કરવાની વાત કરતા મહિલાએ તેનું મકાન રૂ.2 કરોડમાં વેચવાની વાત કરી હતી. જો કે તે મકાનના જીએસટી પેટે રૂ.80 લાખ ભરવા પડશે તેવી નોટિસ આપી 40.48 લાખ પડાવ્યા હતા. મણિનગરમાં રહેતા અને બેંક ઓફ ઈન્ડિયામાં સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા 55 વર્ષીય મીનાક્ષીબહેન સાથે ફેસબુકના માધ્યમથી મોટી છેતરપિંડી થઈ છે. ગત 10 ફેબ્રુઆરીએ તેમને ‘વિશાલ ચોપરા, લંડન’ નામની આઈડી પરથી મેસેજ આવ્યો હતો. વિશાલે જણાવ્યું હતું કે તે મીનાક્ષીબહેનના પિતરાઈ ભાઈ અભિનવ સાથે લંડનમાં ભણતો હતો અને હાલ ત્યાં કારના શો-રૂમમાં નોકરી કરે છે. વિશ્વાસ જીતવા માટે તેણે 2 માર્ચની લંડનથી મુંબઈની ટિકિટ, પાસપોર્ટની નકલ અને વિઝા ફોર્મ પણ વોટ્સએપ પર મોકલ્યા હતા. ત્યારબાદ તેણે જણાવ્યું કે ઈન્ડિયામાં તેનું એકાઉન્ટ નથી અને ડોલર એક્સચેન્જ કરાવવા માટે રૂ.80 લાખ જીએસટી ભરવો પડશે. આ ટેક્સ ભર્યા પછી જ તે મકાન ખરીદી શકશે તેમ કહી મીનાક્ષીબહેન પાસેથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.40.48 લાખ પડાવી લીધા હતા. છેતરાયા હોવાનો અહેસાસ થતા મહિલા અધિકારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનો વિશ્વાસ જીતવા માટે એર ટિકિટ પણ મોકલી હતી નકલી દસ્તાવેજો : વિશ્વાસ જીતવા માટે એર ટિકિટ, વિઝા એપ્લિકેશન અને પાસપોર્ટની નકલ વોટ્સએપ પર મોકલી. મોટી લાલચ : મહિલાનું ₹2 કરોડનું મકાન ખરીદવાની તૈયારી બતાવી આર્થિક વ્યવહારનો પાયો નાખ્યો. ટેક્સનું બહાનું : જીએસટી અને ડોલર એક્સચેન્જના નામે ખોટી નોટિસ મોકલી તાત્કાલિક પૈસાની માંગણી કરી. ડિજિટલ ટ્રાન્ઝેક્શન : મકાન ખરીદ્યા પછી પૈસા પરત કરી દેવાની ખાતરી આપી ₹40.48 લાખ પડાવ્યા.
સમસ્યા:મત માગવા આવેલા 30 કોર્પોરેટરે લોકોના પ્રશ્નો ઉઠાવ્યા જ નહોતા
ફેબ્રુઆરી 2021માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો મુજબ સૌથી વધુ ભાજપના 160, કોંગ્રેસ અને એનસીપીના 24, એઆઈએમઆઈએમના 7 અને અપક્ષના 1 કોર્પોરેટર વિજેતા બન્યા હતા. આ પૈકી ભાજપ, કોંગ્રેસ અને એઆઈએમઆઈએમના 30થી વધુ કોર્પોરેટરો પ્રજા માટે ‘નોન-પરફોર્મિંગ એસેટ’ સાબિત થયા છે. 48 વોર્ડ પૈકી ઘણા વોર્ડમાં હજુ પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી, ગટરો ઉભરાઈ રહી છે. કોર્પોરેટરો માટે શહેરના બજેટ, નીતિગત નિર્ણયો, જનસેવાના કામો, પ્રસ્તાવો તેમજ નાગરિકોના પ્રશ્નો ઉઠાવવા દર મહિને એકવાર મ્યુનિ. જનરલ બોર્ડમાં ફરજીયાત હાજર રહેવાનું હોય છે. પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને કોર્પોરેટરોએ મ્યુનિ. બોર્ડમાં સવાલો ઉઠાવવાના હતા. પરંતુ આવા એનપીએ પ્રકારના કોર્પોરેટરો પ્રજાની વચ્ચે તો દેખાયા નહોતા અને મ્યુનિ. બોર્ડની બેઠકોમાં પણ નિયમિત હાજર રહ્યા નહોતા. ભાજપના સૌથી વધુ 19 અને કોંગ્રેસના 6 કોર્પોરટરનો સમાવેશ કોર્પોરેટર પક્ષ વોર્ડ ચેતન પરમાર ભાજપ ખોખરા કમળા ચાવડા કોંગ્રેસ બહેરામપુરા તસ્નીમઆલમ તિરમીઝી કોંગ્રેસ બહેરામપુરા સિદ્ધાર્થ પરમાર ભાજપ રામોલ-હાથીજણ રાજશ્રી કેસરી કોંગ્રેસ ચાંદખેડા રિટા પટેલ ભાજપ ચાંદખેડા કાંતિ પટેલ ભાજપ બોડકદેવ અશ્વિન પેથાણી ભાજપ બાપુનગર મંજુલા ઠાકોર ભાજપ સરસપુર-રખિયાલ દિનેશ કુશવાહ (MLA) ભાજપ સરસપુર-રખિયાલ ભાસ્કર ભટ્ટ ભાજપ સરસપુર-રખિયાલ જૈનલબીબી શેખ AIMIM મક્તમપુરા મહંમદ જુબેર પઠાણ* AIMIM મક્તમપુરા પદ્માબેન બારોટ કોંગ્રેસ ઈન્ડિયા કોલોની મિત્તલ મકવાણા ભાજપ સરદારનગર કંચન પંજવાણી ભાજપ સરદારનગર માધુરી કલાપી કોંગ્રેસ દરિયાપુર કંચન રાદડિયા (MLA) ભાજપ ઠક્કરબાપાનગર બીના પરમાર AIMIM જમાલપુર કરણ ભટ્ટ ભાજપ મણિનગર અલકા પઢારિયા ભાજપ ઈન્દ્રપુરી મીરા રાજપૂત ભાજપ ભાઈપુરા મૌલિક પટેલ ભાજપ ઈસનપુર અંજુ શાહ ભાજપ સાબરમતી દશરથ પટેલ ભાજપ રાણીપ ભાવના પટેલ ભાજપ ઘાટલોડિયા હસમુખ પટેલ ભાજપ સૈજપુર બોઘા ગીતા પ્રજાપતિ ભાજપ વસ્ત્રાલ બોર્ડની બેઠક ટાણે નગરસેવકો ‘ઘેરહાજર’ હતા
વેરાની વસૂલાત:જિ.પંચાયતમાં 31 માર્ચ સુધીમાં 42 ટકા વેરો ભરાયો, વાગરાનો 62 ટકા
ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા તમામ ગ્રામ પંચાયતમાં વેરા વસૂલાત વધારવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ તલાટીઓ વેરો વસૂલાત કરવા માટે સતત કર્મગીરી કરી રહ્યા છે. જેના પરિણામે વર્ષે 31 માર્ચ સુધીમાં 42 ટકા વેરાની વસૂલાત કરાઇ છે. આને આગામી દિવસોમાં માપન વેરા વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વેરો વાગરા ગ્રામ પંચાયતે 62 ટકા વસૂલી લીધો છે. વેરા વસૂલવા માટે તલાટીઓ દ્વારા ઘરે ઘરે જઈને વેરા અંગે માહિતી આપવામાં આવી રહી છે તેમજ લોકોમાં જાગૃતિ લાવવા માટે બેઠકઓ અને સમજણ કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામ વિકાસ માટે જરૂરી આવક વધારવા નો છે, કારણ કે વેરા થી મળતી આવક ગામના વિવિધ વિકાસ કાર્યોમાં ઉપયોગી સાબિત થાય છે. રસ્તા, પાણી, સ્વચ્છતા સહિતની સુવિધાઓ માટે આ આવક મહત્વપૂર્ણ છે. વેરો ભરવા માટે પંચાયત તરફથી અપીલ કરવા આવે છે અને માંગણા નોટિસ ની બજવણી, ગામમાં મંડપ પાળીને કેમ્પ જેવું યોજી તેમજ રજાના દિવસે પણ કચેરી ચાલુ રાખી વધુમાં વધુ વેરા વસૂલાત થાય તેવું આયોજન કરાઇ રહ્યું છે.
કિશોરી મેળાનું સુંદર આયોજન કરાયું:આંગણવાડીઓમાં કિશોરીઓને પોષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું
જિલ્લામાં આઇસીડીએસવિભાગ દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રો પર 'કિશોરી મેળા'નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓમાં આરોગ્ય અને પોષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, જેમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેળા દરમિયાન કિશોરીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં વજન, ઊંચાઈ, બોડી માસ ઈન્ડેક્સ અને હિમોગ્લોબિનની તપાસ કરી પરામર્શ આપવામાં આવ્યો હતો. તજજ્ઞો દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર લેવાના ફાયદા સમજાવી, કુપોષણથી દૂર રહેવા અને યોગ્ય ખાનપાનની ટેવ પાડવા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે કિશોરીઓ દ્વારા પૂર્ણા શક્તિના લોટનો ઉપયોગ કરીને વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. શ્રેષ્ઠ વાનગી બનાવનાર કિશોરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. વધુમાં, ટેક હોમ રાશનના ફાયદા અને તેના યોગ્ય ઉપયોગ વિશે જાણકારી આપી હતી.
દિવ્યાંગ લાભાર્થીઓમાં ભારે અસંતોષ:સમાજ કલ્યાણ વિભાગે વડી કચેરીથી નવા ફોન આવતા બદલવા જણાવ્યું
ભરૂચમાં દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ આપવામાં આવેલા મોબાઈલ ફોન મુદ્દે દિવ્યાંગ લાભાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. 89 જેટલા અંધજન લાભાર્થીઓએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિત રજૂઆત કરી 4જી મોબાઈલ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે અને યોગ્ય ગુણવત્તાવાળા 5જી ફોન આપવા માગ કરી છે. જેથી અંધજન ફોન હાથમાં લઈને કચેરીની બહાર બેઠેલા જોવા મળ્યા હતા. લાભાર્થીઓના જણાવ્યા મુજબ, આપવામાં આવેલા 4જી ફોન ટેક્નિકલ રીતે નબળા છે. ખાસ કરીને ટોકબેક સુવિધા ચાલુ કરતાં ફોન ધીમો પડી જાય છે, જેના કારણે દિવ્યાંગ લોકો માટે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા પ્રતિ સાધન અંદાજે 20 હજાર સુધીનો બજેટ નક્કી કરાયો છે, જ્યારે આપવામાં આવેલા ફોનની કિંમત આશરે રૂ. 7,200 જેટલી છે. આથી ગેરરીતિની શંકા ઊભી થઈ છે. લાભાર્થીઓએ ટેન્ડર પ્રક્રિયા, ખરીદીની વિગત અને જવાબદારો અંગે પારદર્શિતા લાવવા માગ કરી છે. સાથે જ યોગ્ય તપાસ કરીને ગુણવત્તાસભર 5જી મોબાઇલ ફોન આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જોકે સમાજ કલ્યાણ માંથી જણાવવામાં આવ્યું છે કે જેવા નવા ફોન વડી કચેરી થી આવશે એટલે તાત્કાલિક બદલી આપવામાં આવશે. અમને હલકી ગુણવત્તા વાળા ફોન આપવામાં આવ્યા છે અમે બ્લાઇંડ લોકો છે અમારી સાધન સામગ્રીની રાજ્ય સરકાર માંથી સહાય આવે છે. જેનું ઓગસ્ટ 2025 માં ફોર્મ ભર્યા હતા એ સ્માર્ટ ફોનનું વિતરણ 12 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. એ ફોન હલકી ગુણવત્તા વાળા છે. જે રૂ. 7 હજારની આસપાસ છે અને 20 હજારની યોજના મંજુર થાય છે. આ ફોન ટોકબેક સુવિધાથી વપરાશ કરવાનો હોય છે જે આમાં ચાલતું નથી.- સુનિલ ચોહાણ, ધંતૂરીયા વડી કચેરીએથી ફોન આવતા બદલી આપવામાં આવશેભરૂચ જિલ્લામાં 89 દિવ્યાંગને યોજના અંતર્ગત ફોન આપવામાં આવ્યા છે. પણ દિવ્યાંગો તરફથી ફરિયાદ થઈ છે જે તેમને જે રીતે ના સોફ્ટવેર જોઈએ તે હાલના ફોનમાં ઉપલબ્ધ નથી. જેની રજૂઆત વડી કચેરીએ કરવામાં આવી છે. એ સંદર્ભે અમને સૂચના મળી છે કે ફોન બદલી આપવામાં આવશે. અને અમારી પાસે વડી કચેરીએ થી અંદાજે 15 દિવસમાં ફોન આવી જતાં ફોન બદલી આપવામાં આવશે.
SIRની અસર:7.51 લાખ મતદાર ઘટતાં પશ્ચિમના 5 અને પૂર્વના 19 વોર્ડના પરિણામ ઉલેટફેર થવાની શક્યતા
અમદાવાદ મ્યુનિ.ના 48 વોર્ડની 192 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન યોજાશે જ્યારે 28 એપ્રિલે પરિણામ જાહેર થશે. વર્ષ 2000થી લઈને 2021 સુધીમાં યોજાયેલી પાંચ ચૂંટણી પાંચ વર્ષ પહેલાં યોજાઈ ગઈ હતી. પરંતુ આ વખતે ચૂંટણી 5 વર્ષ અને 2 મહિના પછી યોજાઈ રહી છે. જે 25 વર્ષમાં સૌથી મોડી છે. શહેરમાં નવી મતદાર યાદીમાં 7.51 લાખ મતદારોની સ્પષ્ટ બાદબાકી થઇ ગઇ છે, ગયા વર્ષે જે વિસ્તારોમાં ચારની પેનલમાં સૌથી વધારે મતથી વિજેતા થયેલા ઉમેદવારને જેટલા મત મળ્યા હતા તેટલી સંખ્યામાં મતદારોના નામ આ વખતે યાદીમાંથી નામ કમી કરાયા છે. જેના કારણે પરિણામમાં ઊલટફેર થઈ શકે છે. કુબેરનગર, સરદારનગર, સાબરમતી જેવા વિસ્તારમાં જ્યાં 7 ઉમેદવાર માત્ર 1 હજાર મતની પાતળી બહુમતીથી જીત્યા હતા ત્યાં પણ આ મતદાર યાદીને કારણે સ્પષ્ટ ઇમ્પેક્ટ આવી શકે છે. મુસ્લિમ વિસ્તારમાં મતદાર નોંધણીની અસર અન્ય વિસ્તારો જેવી જોવા મળી છે. મક્તમપુરા વોર્ડમાં મતદારોની સંખ્યા 2234 વધી છે, શાહપુરમાં 19453, દરિયાપુરમાં 21280 મતદારો ઓછા થયા છે. જમાલપુરમાં 14251, સરખેજમાં 2145, બહેરામપુરામાં 13093, ગોમતીપુરમાં 17223, વટવામાં 12933 મતદારો ઘટ્યા છે. આ તમામ વિસ્તારોમાં મહત્તમ મુસ્લિમ મતદારો છે. મહત્તમ મત મળ્યા તે કરતાં વધુ મતદાર કપાયા વોર્ડ ઉમદવારને સૌથી મતદારો વધારે મત મળ્યા ઘટ્યા સાબરમતી 19566 19469 નારણપુરા 26004 24210 સ્ટેડીયમ 17625 22448 સૈજપુર બોધા 19375 21232 કુબેરનગર 14899 22693 અસારવા 22506 24831 શાહપુર 15659 19453 નવરંગપુરા 20231 29164 દરિયાપુર 20867 21280 ઇન્ડિયા કોલોની 16161 22095 બાપુનગર 21167 22430 સરસપુર 26475 26393 ખાડીયા 21286 23813 જમાલપુર 13983 14251 પાલડી 21300 20855 બહેરામપુરા 14800 13093 ગોમતીપુર 18970 17223 અમરાઇવાડી 15993 25605 ઇન્દ્રપુરી 20745 21017 ભાઇપુરા 21163 24136 ખોખરા 21835 20583 પાર્ટીની તૈયારીઓ કોંગ્રેસ | તમામ વોર્ડમાં ઉમેદવારી ઇચ્છુક કાર્યકરોના બાયોડેટા મેળવી લધા છે. કાર્યકરો અને ઉમેદવારોની રજૂઆતો પણ પ્રભારીએ સાંભળી છે. ઉમેદવારી માટે ઇચ્છુક કાર્યકરોના ઇન્ટરવ્યુ પણ થઇ ગયા છે. તમામ વોર્ડમાં 5થી 6 ઉમેદવારોની એક યાદી તૈયાર કરાઈ છે. ભાજપ | તમામ વોર્ડમાંથી દાવેદારોના બાયોડેટા આવી ગયા છે. અત્યારે 2, 3 અને 4 એપ્રિલ સુધી તેમને સાંભળવામાં આવશે. તમામ ફોર્મની સ્ક્રૂટીની બાદ પાર્લામેન્ટ્રીની બેઠક સમક્ષ એક વોર્ડની 4 પેનલની એક યાદી રજૂ કરાશે. 11 એપ્રિલ સુધીમાં તમામ નિર્ણય લઈ લેવાશે. અનામતે ગણિત બદલ્યુંમ્યુનિ.ની ચૂંટણી પહેલા જાહેર કરાયેલી અનામતની બેઠકોમાં 27 ટકા અનામત ઓબીસી ઉમેદવારોને અપાઈ છે. ત્યારે 48 વોર્ડમાં 52 જઓબીસી ઉમેદવારોને ફરજીયાત ટીકીટ આપવી પડશે. તે સિવાય એસ.સી. અને એસટી બેઠકોની અનામતનું પણ રોટેશન બદલાયું છે. જેથી 100થી વધારે બેઠકો પર સીધી અસર જોવા મળશે. મોટાભાગના વોર્ડમાં હાલની પેનલ તૂટી જશે. તે સિવાય ભાજપની 3 ટર્મ અને ઉંમરની મર્યાદાના અમલ કરશે તો મોટાભાગના ઉમેદવારોની ટિકિટ કપાશે.
વેધર રિપોર્ટ:જિલ્લાનું તાપમાન બે દિવસથી 36 ડિગ્રી થઇ જતાં ગરમી વધી
ભરૂચ જિલ્લામાં બુધવારે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે દિવસ દરમિયાન બફારો વધુ અનુભવાયો હતો. તેથી લોકોએ વધુ ગરમીનો અનુભવ કર્યો હતો. ગરમી ના કારણે લોકોને વધુમાં વધુ પાણી પીવા તેમજ જરૂર વગર બપોરના સમયે ઘરની બહાર નહીં નીકળવા માટે સલાહ આપવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી તાપમાન 35 અને 36 ડિગ્રી વચ્ચે રહ્યું છે. જેના કારણે લોકોના ઘરમાં એસીનો ઉપયોગમાં પણ વધારો થયો છે. આ વર્ષે માર્ચ મહિનાથી જ આકરી ગરમી પડી રહી છે ત્યારે આગામી દિવસમાં ગરમી વધુ પડશે. આમ દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 23 ટકાની આસપાસ અને પવનની ગતિ 22 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી.
નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર પંજાબ ભાજપ હેડક્વાર્ટરની બહાર થયેલા બ્લાસ્ટને લઈને રહ્યા. બીજા મોટા સમાચાર મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના રહ્યા, જેમાં ઈરાને એમેઝોન ઓફિસ પર હુમલો કર્યો છે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભોજશાળા વિવાદ મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટ હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. 2. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં ચૂંટણી રેલી કરશે. 3. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અસમમાં ત્રણ ચૂંટણી સભાઓ કરશે. કાલના મોટા સમાચારો 1. ઈરાને બહેરીનમાં એમેઝોન ઓફિસ પર હુમલો કર્યો:માઈક્રોસોફ્ટ-એપલ, ગૂગલ પણ નિશાન પર; ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે ડીલની કોઈ જરૂર નથી ઈરાને આજે બહેરીનમાં અમેરિકી કંપની એમેઝોન વેબ સર્વિસના એક ડેટા સેન્ટર પર હુમલો કર્યો છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, આ હુમલા બાદ તે સ્થળે ભીષણ આગ લાગી ગઈ હતી. આ પહેલા બહેરીનના ગૃહ મંત્રાલયે પણ માહિતી આપી હતી કે એક કંપનીની ઈમારતમાં આગ લાગી છે, જેને ફાયર બ્રિગેડની ટીમ ઓલવી રહી હતી. જોકે, તે સમયે કંપનીના નામનો ખુલાસો કરવામાં આવ્યો નહોતો. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે એક દિવસ પહેલા જ ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સે મિડલ ઈસ્ટમાં કાર્યરત 18 અમેરિકી કંપનીઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી. આ યાદીમાં માઈક્રોસોફ્ટ, એપલ, ગૂગલ અને મેટા જેવી મોટી ટેક કંપનીઓ સામેલ છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવા માટે કોઈ પણ પ્રકારની ડીલની જરૂર નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ચંદીગઢમાં પંજાબ BJP હેડક્વાર્ટરની બહાર બ્લાસ્ટ:ગ્રેનેડ ફેંકવાનો VIDEO સામે આવ્યો, આ જ હુમલાનો વીડિયો હોવાનો દાવો, 2 શંકાસ્પદ લોકોની શોધખોળ ચંદીગઢમાં BJPના પંજાબ મુખ્યાલયની બહાર બુધવારે સાંજે 5 વાગ્યે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ પછી ત્યાં પાર્કિંગમાં ઉભેલી ઘણી ગાડીઓના કાચ તૂટી ગયા. BJP ઓફિસની દીવાલ પર 70થી 80 છરા જેવા નિશાન બની ગયા છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ગ્રેનેડની પિન ખોલીને તેને ફેંકીને ભાગી રહ્યો છે. આ દરમિયાન ધમાકાનો અવાજ પણ સંભળાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો BJP ઓફિસ પર થયેલા હુમલાનો છે. બ્લાસ્ટની સૂચના મળતા જ ચંદીગઢ પોલીસની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બોમ્બ અને ડોગ સ્ક્વોડ તેમજ ફોરેન્સિક ટીમો દ્વારા સમગ્ર વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. ટીમે વિસ્ફોટકના ટુકડાઓની પણ તપાસ કરી. પોલીસને CCTVમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઊંઘમાંથી ઊઠ્યા ને 30 હજારની નોકરી ગઈ:વિશ્વની મોટી કંપનીઓમાં સામેલ ઓરેકલે મોટા પાયે છટણી કરી, 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી; આવતા મહિને બીજો રાઉન્ડ દુનિયાના છઠ્ઠા સૌથી અમીર ઉદ્યોગપતિ લેરી એલિસનની ટેક કંપની ઓરેકલે લગભગ 30,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. જેમાં ભારતના 12,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આવતા મહિને છટણીનો બીજો રાઉન્ડ પણ શરૂ કરી શકે છે. કર્મચારીઓને સવારે 6 વાગ્યે ઇનબોક્સમાં ટર્મિનેશન લેટર મળ્યા. તેમાં લખ્યું હતું કે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. થોડી જ મિનિટોમાં તેમની સિસ્ટમ એક્સેસ બંધ કરી દેવામાં આવી. કંપનીએ છટણી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. બિઝનેસ ઇનસાઇડર અનુસાર, ઓરેકલે ઘણા દેશોમાં કર્મચારીઓને ઇમેઇલ મોકલીને જણાવ્યું છે કે કંપની ફેરફારો કરી રહી છે, જેના હેઠળ કેટલાક પદો નાબૂદ કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઇન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ₹950, ઇન્ટરનેશનલ ₹10,000 સુધી મોંઘી:18 દિવસમાં બીજી વાર ભાડું વધ્યું; ફ્યુઅલ મોંઘું થવાથી એક્સ્ટ્રા ચાર્જ લાગશે દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોની ફ્લાઇટ્સ ગુરુવારથી મોંઘી થઈ જશે. એરલાઇને ડોમેસ્ટિક ઉડાનોમાં મહત્તમ ₹950 સુધી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં ₹10,000 સુધીનો વધારાનો ફ્યુઅલ ચાર્જ લગાવ્યો છે. નવી કિંમતો 2 એપ્રિલ રાત્રે 12:01 વાગ્યાથી લાગુ પડશે. ઇન્ડિગોએ 18 દિવસમાં બીજી વાર ઘરેલુ અને ઇન્ટરનેશનલ ઉડાનો પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. આ પહેલા કંપનીએ 14 માર્ચે પણ ભાડામાં વધારો કર્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલની કિંમતોમાં વધારાને કારણે લેવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) અનુસાર, છેલ્લા એક મહિનામાં ફ્યુઅલની કિંમતો 130%થી વધુ વધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 'ધુરંધર-2'એ 13 દિવસમાં વર્લ્ડવાઇડ 1435 કરોડ કમાયા:ચોથી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની; પુષ્પા-2, બાહુબલી-2નો પણ રેકોર્ડ તૂટશે! રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ (ધુરંધર: ધ રિવેન્જ) બોક્સ ઓફિસ પર સતત રેકોર્ડ બનાવી રહી છે. 13 દિવસમાં ફિલ્મે 1435 કરોડનું વર્લ્ડવાઇડ કલેક્શન કરી લીધું અને RRRના ઓલ ટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધું. આ સાથે જ તે ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્સ અનુસાર, ફિલ્મે 13મા દિવસે (બીજા મંગળવારે) 33.22 કરોડ અને સોમવારે 30 કરોડ કમાયા. આ સાથે વર્લ્ડવાઇડ કલેક્શન 1435 કરોડ અને ઇન્ડિયન કલેક્શન 1077 કરોડ થઈ ગયું છે. 1435 કરોડના કલેક્શન સાથે ધુરંધર બોલિવૂડની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તેણે તેના પાછલા પાર્ટનો રેકોર્ડ તોડ્યો, પરંતુ હજુ પણ આમિર ખાનની દંગલ (2200 કરોડ)થી પાછળ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સ્થાનિક સ્વરાજ્યની 10,005 બેઠકની એક જ તબક્કામાં 26 એપ્રિલે ચૂંટણી:28મીએ મતગણતરી, 4.18 કરોડ મતદાર; આચારસંહિતાનો અમલ શરૂ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસે 26મી એપ્રિલને રવિવારે મતદાન યોજાશે. મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરુર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ જાહેર કરાશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 10 ગુંઠા જમીનનું પણ ખરીદ-વેચાણ થઈ શકશે:વિવાદ ન હોય તો જમીન-મકાનની એ જ દિવસે વેચાણની 'પાકી એન્ટ્રી' થશે, રાજ્ય સરકારે કરેલા મહેસૂલી સુધારાઓનું A TO Z રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે. 1948થી લાગુ પડેલા ટુકડાધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુતમ ક્ષેત્રફળ નક્કી કર્યું છે. ગુંઠા જમીન એટલે 1,089 સ્કે. ફૂટ થાય, તેથી 10 ગુંઠા જમીન હોય તો 10,890 સ્કે. ફૂટ થાય. જ્યારે 135-ડીની નોટિસના સમયમાં ફેરફાર કરાયો છે, જે પહેલાં 30 દિવસનો પિરિયડ હતો, જેને હવે ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. વિવાદ ન હોય તો જમીન-મકાનની એ જ દિવસે વેચાણની 'પાકી એન્ટ્રી' થશે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : PM મોદીએ કહ્યું- કોંગ્રેસના રાજકુમારની હારની સેન્ચ્યુરી નક્કી:આસામમાં ભાજપ જીતની હેટ્રિક કરશે, રાજ્યની ઓળખ ચા અને ચિપથી થશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રિપોર્ટ- ઈરાન યુદ્ધમાં UAE સામેલ થઈ શકે છે:હોર્મુઝને બળજબરીથી ખોલવામાં અમેરિકાને મદદ કરશે; UNમાં સુરક્ષા દળ માટે પ્રસ્તાવ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ચાની પત્તીઓ તોડતા શીખ્યા પછી સેલ્ફી પડાવી:PM મોદીનો ચાના બગીચામાં અનોખો અંદાજ, કેરળમાં રાહુલે બસમાં મુસાફરી કરી; જુઓ તસવીરો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : બે ગાડીમાં આવ્યા કિડનેપર્સ, રસ્તા વચ્ચેથી બળજબરી કરી ઉઠાવી ગયા:બગદાદમાં અમેરિકી પત્રકાર કિડનેપ, અમેરિકી દૂતાવાસે ઈરાક ન જવાની સલાહ આપી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આધારકાર્ડની જન્મ તારીખ માન્ય નહીં રહે: કોમર્શિયલ સિલિન્ડર ₹218 મોંઘો થયો, રેલ ટિકિટ રિફંડ-ટોલના નિયમો બદલાયા; એપ્રિલમાં 15 મોટા ફેરફાર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : MATCH મસાલા: બાબર ડર્યો, યુદ્ધના ભડાકા યાદ આવી ગયા?:પ્રીતિ ઝિન્ટાએ ટીશર્ટ ફેંકી ને VIDEO VIRAL; ઈન્ડિયન પ્લેયર્સે જાદુગરને ટ્રોલ કરી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : હનુમાનજીની શીખ:જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર તાકાત જ નહીં, પરંતુ સમજદારી, ધૈર્ય અને સાચી વિચારસરણીની પણ જરૂર વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ કૂતરાઓ પણ સ્કૂલે જવા લાગ્યા, ખર્ચાઈ રહ્યા છે લાખો રૂપિયા ચીનમાં હવે કૂતરાઓ પણ સ્કૂલે જવા લાગ્યા છે. એક મહિલાએ તેના ડોગનું દોઢ લાખ રૂપિયામાં ‘ડોગ કિન્ડરગાર્ટન’માં એડમિશન કરાવ્યું છે. આ ફીમાં પિક-અપ, ડ્રોપ અને પર્સનાલિટી ટ્રેનિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: ચંદ્ર પર ફરીથી જવામાં અમેરિકા કેમ ડરી રહ્યું છે? શું નીલ આર્મસ્ટ્રોંગનું મૂન-લેન્ડિંગ ખોટું હતું, 54 વર્ષ પછી ટ્રમ્પનો નવો પ્લાન 2. ભાસ્કર સિરીઝ : પોતાનાં બધાં જ કપડાં કાઢીને આસારામે પીડિતાને ચુંબનો કર્યાં: ભૂત ભગાડવાના નામે ઓરલ સેક્સ કર્યું, જોધપુરની પીડિતાની ખોફનાક આપવીતી, જુઓ એપિસોડ-23 3. 'હું શિવનો અવતાર, સંભોગ કર, પવિત્ર થઈ જઈશ': SIT ઓફિસર બોલ્યા- નરબલિની શંકા; 150 મહિલા પીડિત, 58 અશ્લિલ વીડિયો મળ્યા 4. જે ગુનેગારથી રાજસ્થાન પોલીસ પણ કાંપતી તેને ગુજરાતની SITએ પકડ્યો: કારની ટક્કર મારીને દબોચવાનો પ્લાન બનાવ્યો, સામે ધારિયા-લાકડીઓ લઇને ટોળું ઊભું હતું 5. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : બંગાળમાં 'દાદા' વગર પ્રોપર્ટી ડીલ શક્ય નથી: 15 કરોડમાં એક કરોડ નેતાના, TMCના જે નેતાઓ પર આરોપ તેઓ હવે BJPમાં છે 6. ગ્રાઉન્ડ રિપોર્ટ : 'મારા પતિનો હાથ કાપ્યો હતો, બદલો લેતા રહીશું': RSSની 5000 શાખા, 4 લાખ મેમ્બર, 300 સ્વયંસેવકોની હત્યા; BJP ફેલ કેમ? 7. આસામનું મંદિર, જ્યાં દેવીને યોનિ રૂપમાં પૂજાય છે: 'રજસ્વલા'માં લાલ થઈ જાય છે બ્રહ્મપુત્રનું પાણી; અહીંના આશીર્વાદથી બને છે સરકાર કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોને સરકારી નોકરીમાં સારા સમાચાર મળશે, તુલા રાશિ માટે પ્રોપર્ટી કે ઘરની ખરીદીના યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે 'શ્રી હનુમાન જયંતી' કૃતજ્ઞતા મહામહોત્સવનો અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે. 1 અને 2 એપ્રિલ 2026 દરમિયાન આયોજિત આ દ્વિ-દિવસીય મહોત્સવ અંતર્ગત ગઈકાલે બુધવારે સવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું ઐતિહાસિક અને દિવ્ય 'રાજોપચાર પૂજન' કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાત્રે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પાસે મહાઆરતી કરવામાં આવી હતી. કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પાસે મહાઆરતી બાદ કાઉન્ટડાઉન પૂર્ણ થતાંની સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. આજે 2જી એપ્રિલે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે, જેમાં વહેલી સવારે મંગળા આરતી બાદથી આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવારે 5 વાગ્યે મંગળા આરતી, 7 વાગ્યે શણગાર આરતીવહેલી સવારે 5 વાગ્યે મંગાળા આરતીથી જ દાદાના દિવ્ય દર્શન થશે. આતશબાજી સાથે દાદાનું સ્વાગત કરવામાં આવશે. 7 વાગ્યે શણગાર આરતી થશે જેમાં દાદા સુવર્ણ વાઘા-સોનાના વસ્ત્રો ધારણ કરશે. 7 વાગ્યે વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ શરૂ થશે જેમાં 1000થી વધુ ભક્તો આ સામૂહિક વૈદિક યજ્ઞમાં ભાગ લેશે. 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા આલૌકિક સુવર્ણ વાઘાહનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે શ્રીહનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે. આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા. પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. 151 કિલોની વિશાળ કેક કાપવામાં આવશે, એક લાખ ફુગ્ગા છોડાશેસાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર અત્યારે ભક્તિના રંગે રંગાયું છે. આ વર્ષે સાળંગપુર ધામમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 151 કિલોની વિશાળ કેક કાપીને હનુમાનજીનો જન્મોત્સવ મનાવવામાં આવશે. જન્મોત્સવની ઉજવણીમાં આકાશમાંથી એક લાખ ફુગ્ગાઓ છોડવામાં આવશે. મહા અન્નકૂટ, મહા અન્નક્ષેત્રસવારે 10 કલાકે, દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ મળશે. 11 કલાકે શ્રી કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવશે. મહા સંધ્યા આરતીસાંજે 7 કલાકે,શ્રીકષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. બુધવારે રાજકોટ, વડોદરા અને સુરતમાં ભાજપની હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા વચ્ચે ગાંધીનગરમાં ભાજપની સેન્ટ્રલ ઈલેકશન કમિટી (CEC)ની બેઠક મળી હતી. જેમાં આગામી ચૂંટણીમાં 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ લડી ચૂકેલા કોર્પોરેટરોને રિપિટ નહીં કરવા પાર્ટીએ મન બનાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને ચૂંટણી લડવાની તક મળશે. ઉમેદવારીના માપદંડોને લઈ ભાજપ CECની બેઠકમાં ચર્ચાબુધવારે ભાજપ સેન્ટ્રલ ઈલેકશન કમિટી (CEC)ની બેઠક મળી હતી. જેમાં કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. 26 એપ્રિલે યોજાનારી પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીના માપદંડોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, સંગઠનના હોદ્દેદારોને ચૂંટણી લડવાની મંજૂરી નહીં મળે. વોર્ડ પ્રમુખો અને જિલ્લા પ્રમુખો ઉમેદવારી કરી શકશે નહીં, જેથી તેઓ સંપૂર્ણ રીતે સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. સાથે જ, ભાજપે વયમર્યાદા નક્કી કરતા 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનું મન બનાવી લીધું છે. સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને પણ આ વખતે આરામ આપવામાં આવશે. પાયાના કાર્યકર્તાઓને તક મળશેભાજપના નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે ટિકિટ વિતરણમાં વર્ષોથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવશે. પાયાના કાર્યકરોને સત્તામાં ભાગીદારી આપવાનો પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બેઠક દરમિયાન આગામી દિવસોમાં લોકસંપર્ક અભિયાનને તેજ બનાવવા અને પેજ સમિતિઓને વધુ સક્રિય કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ભાજપના આ ‘શુદ્ધિકરણ’ અભિગમથી પક્ષના અનેક દિગ્ગજ નેતાઓમાં ચિંતા અને ફફડાટ ફેલાયો છે, જેના કારણે ટિકિટ માટેની દોડ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. 26 એપ્રિલે પાલિકા-પંચાયતની ચૂંટણી માટે મતદાનગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા બુધવારથી આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. આ સમાચાર પણ વાંચોઃ રાજકોટ મનપાની ચૂંટણીમાં કોણ કપાશે-કોણ ફાવશે? આ સમાચાર પણ વાંચોઃ અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં કોણ કપાશે-કોણ ફાવશે? આ સમાચાર પણ વાંચોઃ વડોદરા મનપાની ચૂંટણીમાં કોના પત્તા કપાશે-કોણ ફાવશે?
વડોદરા શહેરમાં મહાનગપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે વિવિધ ચાર ઝોનમાં તબક્કાવાર વોર્ડવાર દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જોકે, આ સેન્સ પ્રક્રિયા સવારે 9 કલાકથી શરુ થવાની હતી પરંતુ, તમામ ઝોનમાં નિરીક્ષકો અંદાજે બે કલાક મોડા આવ્યા હતા. જેથી, 11 વાગ્યે સેન્સ પ્રક્રિયા શરુ થઇ હતી. પ્રથમ દિવસે વિવિધ ચાર ઝોનમાં 10 વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનું લાંબુ લિસ્ટ સામે આવ્યું મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ભાજપના કાર્યકરોની હોડ લાગી હતી. ભાજપ એ સૌથી મોટી રાજકીય પાર્ટી છે, જેથી સ્વાભાવિક છે તમામ કાર્યકર્તાઓને હોદ્દાની આશા હોય. પાયાના કાર્યકરો વર્ષો સુધી પક્ષ માટે તન, મન, ધનથી કામ કરતા હોય તો ચૂંટણી લડવાની ઈચ્છા સ્વાભાવિક બને છે ત્યારે સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનું લાંબુ લિસ્ટ સામે આવ્યું છે. 10 વોર્ડ માટે 776 જેટલા દાવેદારો નોંધાયા છે. જેમાં બુથ ઇન્ચાર્જથી માંડી વર્તમાન કોર્પોરેટરોનો સમાવેશ થાય છે. બાકીના વોર્ડની સેન્સ પ્રક્રિયા આજે યોજાશેવડોદરા શહેરમાં આજે સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે વિવિધ ઝોનમાં વોર્ડવાર દાવેદારોએ કતાર લગાવી હતી. સવારે 11 કલાકે શરુ થયેલી પ્રક્રિયા સાંજે 8 કલાક સુધી ચાલી હતી. કેટલાક ઝોનમાં તો તેના કરતા પણ મોડું થયું હોવાનું જાણવા મળ્યું છે. બાકી રહેલા વોર્ડની સેન્સ પ્રક્રિયા આજે યોજવામાં આવશે ત્યારે વડોદરા શહેરમાં 76 બેઠકો માટે ભાજપના જ 2000થી વધુ દાવેદારો નોંધાય તો નવાઈ નહીં મોટાભાગના વર્તમાન કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવીસેન્સ પ્રક્રિયા દરમિયાન મોટા ભાગના વર્તમાન કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવી છે. જો કે જે અગ્રીમ હરોળના પદાધિકારીઓ હતા તેઓ પણ સેન્સ પ્રક્રિયા માટે અન્ય જિલ્લાઓમાં ગયા હોવાથી તેઓએ આગલા દિવસે જ કાર્યાલય ખાતે પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભરી દીધું હતું. ત્યારે પ્રથમ દિવસે ચાર ઝોનમાં મોટા ભાગના નવા ચહેરા જોવા મળ્યા હતા. ત્યારે હવે ભાજપ દ્વારા નવા ચહેરાઓને સમાવવામાં આવે કે પછી જુના જોગીઓ ઉપર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે તે જોવું રહ્યું. પ્રથમ દિવસે થયેલ સેન્સ પ્રક્રિયામાં વોર્ડવાર ઉમેદવારોની સંખ્યા
મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-'જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ'
West Asia Conflict: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે PM આવાસ પર સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ(CCS)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. યુદ્ધ વચ્ચે CCSની આ બીજી વિશેષ બેઠક હતી. બેઠકમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને આગળની રણનીતિ પર વિગતવાર ચર્ચા થઈ હતી. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે 'સુનિશ્ચિત કરવામાં આવે કે યુદ્ધની અસર જનતા પર ન પડે.' દરેક શક્ય પગલાં લેવામાં આવે: PM મોદી
ચૈત્રી નવરાત્રી નિમિત્તે બહુચરાજી મેળામાં પૂનમના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે ઝીણીપોળ યુથ ક્લબ દ્વારા મોઢેરા કેનાલ નજીક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પદયાત્રીઓને 800 કિલો કોથમીર વડી અને પીવાના પાણીનું વિતરણ કરીને સેવા પૂરી પાડવામાં આવી હતી. મોઢેરા કેનાલની બાજુમાં આવેલા પેટ્રોલ પમ્પ પાસે આ સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો હતો. અહીં ખાસ કરીને બહુચરાજી તરફ જતા શ્રદ્ધાળુઓ માટે કોથમીર વડીનો નાસ્તો અને પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર આયોજન દરમિયાન અંદાજે 800 કિલો કોથમીર વડીનું પદયાત્રીઓ અને વાહન ચાલકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. માર્ગ પરથી પસાર થતા મોટી સંખ્યામાં ભક્તો અને ચાલકોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. આ સેવા કાર્યમાં ઝીણીપોળ યુથ ક્લબના પ્રમુખ ગોવિંદ પટેલ, ઉપ પ્રમુખ હિતેશ પટેલ, મંત્રી નીતિન પટેલ, ખજાનચી હિતેશ પટેલ, સહમંત્રી રાકેશ પટેલ તેમજ સંગઠન મંત્રી રાહુલ પટેલ સહિત ક્લબના અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા આપી હતી.
સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા ચૂંટણી:ભાજપ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયા શરૂ
સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. નમો કમલમ્ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મહેશભાઈ મોદી, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા છે. તેઓ દાવેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાય મેળવી રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાતી હોવાથી ભાજપમાં દાવેદારોની મોટી સંખ્યા જોવા મળી રહી છે. નમો કમલમ્ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દાવેદારી નોંધાવવા માટે કાર્યકરોની લાંબી કતારો લાગી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ માટે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક વોર્ડ દીઠ ચાર સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. કુલ 52 સભ્યો ચૂંટણી લડી શકશે. આજે વોર્ડ નંબર 1 થી 7 માટે ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે વોર્ડ નંબર 8 થી 13 માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે, જેના કારણે કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેન સેવા આજથી શરૂ થઈ છે. પ્રથમ દિવસે આ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન પર નિર્ધારિત સમય કરતાં આશરે 20 મિનિટ મોડી રાત્રે 7:56 વાગ્યે પહોંચી હતી. ચાર મિનિટના વિરામ બાદ રાત્રે 8:00 વાગ્યે તે ખેડબ્રહ્મા તરફ રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, નવ વર્ષના લાંબા ગાળા બાદ આ રૂટ પર રેલવે સેવા પુનઃ શરૂ થઈ છે. ગઈકાલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડબ્રહ્માથી નવી મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી સેવા શરૂ થતા આ રૂટના તમામ ગ્રામજનોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આજથી અસારવાથી નિયમિત મેમુ સેવા શરૂ થતા હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની નોંધપાત્ર ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મુસાફરો આ ટ્રેનમાંથી ઉતરતા અને ચડતા જોવા મળ્યા હતા, જે આ રૂટ પરની રેલવે સેવાની જરૂરિયાત દર્શાવે છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા પિંગળી રેલવે ફાટક નંબર 33 ને આગામી એક મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રેલવે ઓવરબ્રિજની કામગીરીના અંતિમ તબક્કાને કારણે આ ફાટક 1 એપ્રિલથી 1 મે સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. ડેરોલ સ્ટેશન નજીક આવેલા આ રેલવે ક્રોસિંગ (એલ.સી. 33) પર રેલવે ઓવરબ્રિજ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. જાહેર જનતાની સલામતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા કલેક્ટર જે.જે. પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, 1 એપ્રિલથી 1 મે, 2024 સુધી તમામ પ્રકારના નાના-મોટા વાહનવ્યવહાર માટે આ ફાટક સંપૂર્ણપણે બંધ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મુસાફરો અને વાહનચાલકોને અગવડતા ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ચાલકો ફાટક નંબર 33 નજીક આવેલા ડેરોલ રેલવે સ્ટેશન પાસેના આર.યુ.બી. નંબર 32 નો ઉપયોગ કરી શકશે. જ્યારે ભારે વાહનો માટે લાંબા અંતરના અન્ય ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવો પડશે. રેલવે ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે હેતુથી લેવાયેલા આ નિર્ણયને સ્થાનિક ગ્રામ પંચાયતો અને પંથકના આગેવાનોએ પણ સમર્થન આપ્યું છે. બ્રિજ બની જવાથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થશે, જેથી જનતાને સહકાર આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ શહેરના રૈયા ગામ પાછળના ભાગે તળાવ પાસે આવેલી બાવળની ઝાડીઓમાં દારૂનું મોટાપાયે કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી એક આરોપી નવીન લક્ષ્મીદાસ દામાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસની આ તપાસમાં અશોક લેલન મેક્ષીટ્રક અને ફોક્સવેગન વેન્ટો કાર જેવી લક્ઝરી ગાડીઓમાંથી વિદેશી દારૂની કુલ 1,644 બોટલો મળી આવી છે, જેની કિંમત અંદાજે 15,72,400 થાય છે. પોલીસે દારૂ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.21,47,400 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે દારૂનો જથ્થો રવિ મનસુખભાઈ નાખવા અને નવાબ નામના શખ્સોનો છે. દરોડા વખતે રવિ નાખવા, નવાબ અને તેનો ભાઈ અંધારાનો અને ઝાડીઓનો લાભ લઈને ભાગી ગયા હતા જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે વાહનો પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ટ્રેનમાં બેઠેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપમૂળ નોઇડાના કરુણાદેવી રાકેશસિંહ રાજપુત પોતાના પરિવાર સાથે દિલ્હી-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં રાજકોટ આવ્યા હતા. અહીંથી તેઓને સોમનાથ જવાનું હોવાથી તેઓ પ્લેટફોર્મ નંબર 1 પર ઉભેલી ટ્રેન નંબર 11466ના સ્લીપર કોચમાં બેઠા હતા. બપોરે અંદાજે 1.35 વાગ્યે ટ્રેન ઉપડી ત્યારે બારી પાસે બેઠેલા કરુણાદેવીના ગળામાં હાથ નાખી એક અજાણ્યો શખ્સ સોનાનો ચેઇન તોડીને ટ્રેનની બીજી તરફ ઉતરીને ભાગી ગયો હતો. આ ઘટના બાદ વૃદ્ધાએ તાત્કાલિક રેલ્વે હેલ્પલાઇન 139 પર સંપર્ક કર્યો હતો. તેમની મુસાફરી ચાલુ હોવાથી પ્રાથમિક જાણ વેરાવળ રેલ્વે પોલીસને કરવામાં આવી હતી અને ત્યારબાદ આ મામલો રાજકોટ રેલ્વે પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ચોરાયેલા સોનાના ચેઇનની કિંમત આશરે 39,000 રૂપિયા દર્શાવવામાં આવી છે. હાલ રાજકોટ રેલ્વે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ. (BNS) ની કલમ 304(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા સ્થાનિક સ્વરાજ ચૂંટણી 26 એપ્રિલે યોજાશે:મતગણતરી 28 એપ્રિલે, આચારસંહિતા અમલી બની
રાજ્ય ચૂંટણી પંચે સાબરકાંઠા સહિત ગુજરાતની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ સંસ્થાઓ માટે 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ, ઉમેદવારો 6 એપ્રિલથી ફોર્મ ભરી શકશે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે, જ્યારે 15 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. મતદાન 26 એપ્રિલે થશે અને પરિણામ 28 એપ્રિલે મતગણતરી બાદ જાહેર કરાશે. સાબરકાંઠામાં હિંમતનગર, વડાલી અને ઈડર સહિતની નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતાં હાલ વહીવટદાર શાસન અમલમાં છે. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતો માટે પણ ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી કમિશનરે બુધવારે આ તારીખોની જાહેરાત કરી હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયત, તેમજ હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકા પંચાયતો માટે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત, હિંમતનગર, ઈડર, વડાલી અને પ્રાંતિજ નગરપાલિકાની બે પેટાચૂંટણી પણ 26 એપ્રિલે યોજાશે.
સુરતની નવી જિલ્લા અદાલત ક્યાં બનશે? વર્ષોથી વકીલ આલમ અને સુરતની જનતામાં ચાલી રહેલી અટકળો અને વિવાદોનો આજે અંત આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા મગદલ્લા ખાતેની કિંમતી જમીનને નવી કોર્ટ બિલ્ડિંગ માટે હેતુફેર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉ જીયાંવ ખાતે ફાળવાયેલી જમીનનો વકીલો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટી અને વકીલ મંડળની રજૂઆતોને ધ્યાને રાખીને આખરે તાપી નદીના કિનારે મગદલ્લામાં નવું ન્યાયધામ બનાવવાનો માર્ગ મોકળો થયો છે. આ નિર્ણયથી વકીલોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. જીયાંવની જમીન કેમ રદ થઈ? વકીલોનો વિરોધ રંગ લાવ્યોઅગાઉ જૂન 2019માં કલેક્ટરના હુકમથી મોજે જીયાંવ ખાતે 50,000 ચો.મી. જમીન કોર્ટ બિલ્ડિંગ માટે ફાળવવામાં આવી હતી. જોકે, સુરત જિલ્લા વકીલ મંડળ અને સુરત સિટી એડવોકેટ એસોસિએશન દ્વારા આ સ્થળને લઈને નામદાર ચીફ જસ્ટિસ સુધી રજૂઆતો કરવામાં આવી હતી. વકીલોની દલીલ હતી કે જીયાંવ વિસ્તાર પ્રદૂષણ અને અંતરની દૃષ્ટિએ યોગ્ય નથી. આ મામલે જાન્યુઆરી 2026માં હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટી અને હોદ્દેદારો વચ્ચે બેઠક મળી હતી, જેમાં મગદલ્લાની જમીનને વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવી હતી. આખરે વકીલોની લડત સફળ રહી છે અને શહેરની મધ્યમાં કહી શકાય તેવા મગદલ્લા વિસ્તાર પર મંજૂરીની મહોર વાગી છે. 181.11 કરોડના ખર્ચે બનશે સુરતનું નવું ન્યાયધામમાર્ગ અને મકાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, સુરતની આ નવી જિલ્લા કોર્ટના બાંધકામ માટે કુલ 181,11,00,000 (એકસો એક્યાસી કરોડ અગિયાર લાખ)ની માતબર રકમની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે 25 માર્ચ 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી, હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના મેમ્બર્સ અને કાયદા વિભાગના સેક્રેટરીઓની હાજરીમાં મળેલી હાઈલેવલ મીટિંગમાં આ બજેટ અને સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગ સુરતની વધતી જતી વસ્તી અને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાને રાખીને અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે. મગદલ્લા ટી.પી. સ્કીમ નંબર-4 (રુંઢ-મગદલ્લા) માં જમીન ફાળવણીકલેક્ટરના હુકમ મુજબ મગદલ્લા ગામની સર્વે/બ્લોક નંબર 2-1 વાળી જમીન જે અગાઉ ગૌચર તરીકે નોંધાયેલી હતી અને માર્ગ-મકાન વિભાગને પુલના સામાન તેમજ સરકારી આવાસો માટે ફાળવવામાં આવી હતી, તેનો હેતુફેર કરવામાં આવ્યો છે. આ જમીન ટી.પી. સ્કીમ નંબર-4 (રુંઢ-મગદલ્લા) હેઠળ આવે છે, જેમાં એફ.પી. નંબર 55 (ક્ષેત્રફળ 77,951 ચો.મી.)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય પ્લોટ્સ પણ ફાળવણીમાં છે. આ વિશાળ જમીન હવે સત્તાવાર રીતે જિલ્લા ન્યાયાલયના ભવન માટે અનામત કરી દેવામાં આવી છે. તાપી નદીના બ્રિજ નજીક આવેલી આ જગ્યા પરિવહન અને વાતાવરણની દૃષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે. હાઈકોર્ટના 3 જજોએ રૂબરૂ નિરીક્ષણ કરી મંજૂરી આપી હતીનોંધનીય છે કે, 21 ફેબ્રુઆરી 2026ના રોજ નામદાર હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના ત્રણ માનનીય ન્યાયમૂર્તિઓએ સુરતની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ કમિટીએ મગદલ્લા ખાતે આવેલી સરકારી જમીનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન આ સ્થળ વકીલો, અસીલો અને ન્યાયિક પ્રક્રિયા માટે અત્યંત અનુકૂળ હોવાનું જણાયું હતું. મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ દ્વારા પણ આ જમીન ફાળવવા માટે જરૂરી વહીવટી હુકમ કરવા રજૂઆત કરી હતી, જેના પગલે કલેક્ટરે આજે આખરી હુકમ જારી કર્યો છે. હવે અન્ય ઉપયોગ પર રહેશે પ્રતિબંધકલેક્ટરના હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે અગાઉ જે જમીન તાપી નદીના પુલની સાધન સામગ્રી રાખવા અને સરકારી કર્મચારીઓના આવાસો માટે ફાળવવામાં આવી હતી, તેનો ઉપયોગ હવે માત્ર જિલ્લા ન્યાયાલયના કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે જ કરી શકાશે. આ જમીનનો હેતુફેર (Land Use Change) કરવામાં આવ્યો છે. શરત મુજબ કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના આ જમીનનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિર્ણયથી સુરતના વકીલ આલમમાં ભારે રાહત અને હર્ષની લાગણી છે કારણ કે તેમને આખરે પોતાની મનગમતી અને અનુકૂળ જગ્યા મળી ગઈ છે.સુરત માટે આ નિર્ણય ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે મગદલ્લાનું લોકેશન શહેરના તમામ વિસ્તારોથી સરળતાથી એક્સેસ કરી શકાય તેમ છે.
વેરાવળ નગરપાલિકાની 44 બેઠકો માટે ભાજપમાં ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો છે. કુલ 300થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવતા પક્ષ માટે ઉમેદવાર પસંદગી એક મોટી કસોટી બની ગઈ છે. પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં આજે સવારથી વેરાવળ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે 50થી વધુ દાવેદારી નોંધાઈ હતી. બપોરે 2 વાગ્યાથી વેરાવળ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. નિર્ધારિત સમય મુજબ આ પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની હતી. જોકે, નગરસેવક બનવા ઈચ્છુક આગેવાનો અને કાર્યકરોની ભારે ભીડને કારણે સમય મર્યાદા લંબાવવાની ફરજ પડી હતી. પરિણામે, સેન્સ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવી હતી. ભાજપમાં વધતી દાવેદારી દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે સ્પર્ધા વધુ કઠિન બનશે. ટિકિટ વિતરણ દરમિયાન પક્ષને આંતરિક સંતુલન જાળવવું પડકારરૂપ બની શકે છે.
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે મિલ્કત વેરાના રૂ.455.80 કરોડના મુળ લક્ષ્યાંકની સામે રૂ.447.93 કરોડની વસુલાત થઈ છે. ગત નાણાકિય વર્ષ કરતા 8.44% ની વૃદ્ધિ સાથે ચાલુ નાણાકિય વર્ષમાં કુલ 34.44 કરોડ વધારાની આવક કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025-26 માં કુલ 6,10,931 મિલકત પૈકી 4,63,564 મિલકતોનો વેરો ભરાયેલ છે.આમ, ગત વર્ષ 2024-25 ની સાપેક્ષમાં 43,905 વધુ મિલકતોમાં વેરાની વસુલાત થવા પામી છે. આમ કુલ મિલકતધારકોમાંથી 75.75% મિલકતધારકોએ ચાલુ વર્ષે વેરાની ભરપાઈ કરેલ છે. કુલ આવક અને કુલ કરદાતાઓને ધ્યાને લેતા, રેસીડન્સ કેટેગરીમાં કુલ 3,47,274 કરદાતાઓએ રૂ.204.90 કરોડનો વેરો ભરપાઇ કરેલો છે. જયારે નોન રેસીડન્સ કેટેગરીમાં કેટેગરીમાં કુલ 1,15,534 કરદાતાઓએ રૂ. 242.34 કરોડનો વેરો ભરપાઇ કરેલો છે. ચાલુ વર્ષે બજેટ સમયે ફેબ્રુઆરી 2026 માં જાહેર કરાયેલ વ્યાજ માફી યોજનાને પણ ખુબજ પ્રચંડ પ્રતિસાદ મળેલો છે. કુલ 45,967 મિલકતધારકોએ વ્યાજ માફી સ્કીમનો લાભ લીધેલ છે. જે પૈકી 33,471 રેસીડન્સ કેટેગરીના મિલકત ધારકો અને 12,496 નોન રેસીડન્સ કેટેગરીના મિલકત ધારકોએ વ્યાજ માફી સ્કીમનો લાભ લીધેલ છે. આ મિલકત ધારકોએ કુલ મળીને રૂ. 78.66 કરોડની રકમ ભરપાઇ કરેલી છે. રાજકોટમાં રાજ્યકક્ષાનો અગ્નિવીર ભરતી મેળો, 16 દિવસમાં 9200 યુવાનો ઉમટવાનો અંદાજ રાજકોટના રેસકોર્સ સ્ટેડિયમ ખાતે રાજ્યભરના યુવાનો માટે ભારતીય સેના દ્વારા અગ્નિવીર ભરતી રેલીનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. 24 માર્ચથી શરૂ થયેલી આ ભરતી પ્રક્રિયા 8 એપ્રિલ સુધી ચાલશે. આ ભરતી મેળામાં રાજ્યના તમામ 34 જિલ્લાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 9200 જેટલા ઉમેદવારો ભાગ લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આખી પ્રક્રિયાને સફળ બનાવવા માટે ભારતીય સેના અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીણવટભરી તૈયારીઓ કરવામાં આવી છે.રાજકોટ ખાતેની ઇન્ફન્ટ્રી બ્રિગેડના સહયોગથી ભરતી સ્થળે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ આયોજનમાં રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર કચેરી, રોજગાર નિયામકની કચેરી તેમજ આરોગ્ય અને શિક્ષણ વિભાગનો મહત્વનો સહયોગ મળી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયા માટે ડિજિટલાઈઝેશન ડ્રાઈવ હેઠળ તમામ પ્રક્રિયાઓ ઈલેક્ટ્રોનિક અને મેરિટ આધારિત રાખવામાં આવી છે. ભારતીય સેનામાં પસંદગી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે કરવામાં આવે છે. ઉમેદવારો કોઈપણ ભરતી એજન્ટ કે અસામાજિક તત્વોની લાલચમાં ન આવીને કોઈપણ તબક્કે લાંચ કે નાણાંની લેતી-દેતીમાં ન પડે અને આવી બાબતોથી દૂર રહે તે માટે ખાસ સૂચના જારી કરવામાં આવી છે. તમામ પસંદગી માત્ર યોગ્યતાના ધોરણે જ કરવામાં આવશે તેમ જામનગરની આર્મી રિક્રૂટમેન્ટ ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યુ છે. રાજકોટમાં 942 ઉમેદવારો 12 મીએ UPSC ની NDA - CDA ની સ્પર્ધાત્મક પરીક્ષા આપશે યુનિયન પબ્લીક કમિશન (યુપીએસસી) દ્વારા આગામી તા.12ને રવિવારે એનડીએ-સીડીએ (નેવલ ડીફેન્સ એકેડમી-કમ્બાઈન્ડ ડીફેન્સ એકેડમી)ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે.જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ લેવાનાર આ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો રાજકોટ આવી પહોંચતા તેને કલેકટર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ કરી દેવામાં આવેલ છે. રાજકોટ સહિત દેશભરના ચુનંદા કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં રાજકોટ શહેરમાં પાંધી કોલેજ, સદગુરૂ કોલેજ, એવીપીટી કોલેજ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજ એમ 4 સેન્ટર પરથી આ પરીક્ષા લેવાશે.જેમાં એનડીએની સ્પર્ધાત્મક પરીક્ષામાં બે પેપર અને સીડીએની પરીક્ષામાં ત્રણ પેપર ઉમેદવારોએ આપવાના રહેશે. પરીક્ષાનો સમય 9થી 5-30 કલાક સુધીનો નિયત કરવામાં આવેલ છે. રાજકોટમાં 942 ઉમેદવારો આ પરીક્ષા માટે નોંધાયા છે. મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં અરજદારોની લાંબી કતાર લાગી મનપા સિવિક સેન્ટરમાં છેલ્લા ઘણા સમયથી અરજદારો હેરાન-પરેશાન થઈ રહ્યા છે આજે પણ સિવિક સેન્ટર ખુલે તે પહેલા જ વહેલી સવારથી અરજદારોની લાંબી કતારો લાગી હતી. જન્મ-મરણના દાખલા, વેરા બીલ સહિતના અનેકવિધ દાખલા મેળવવા અરજદારોની લાંબી કતાર જોવા મળી હતી. કામ ધંધા છોડી અનેક મહિલા પુરૂષો યુવાનો કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. વહેલી સવારથી ઉભેલા અરજદારોનો છેક બપોર સુધીમાં છુટકારો થયો હતો. કતારોમાં ઉભેલા અરજદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લક્ષ્મણરાવ ઈનામદાર શોપીંગ સેન્ટરની 9 દુકાનોની તા.8 એપ્રિલે હરરાજી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એફ.પી.51/બી હેઠળ તૈયાર થયેલ લક્ષ્મણરાવ ઇનામદાર(વકીલ સાહેબ) ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજી કરી વેંચાણથી આપવાની છે. આ જાહેર હરરાજી તા.8/4ના રોજ સવારે 9 કલાકેથી કરાશે. જાહેર હરરાજીમાં ભાગ લેનારે હરરાજીની તારીખના આગળના દિવસ સુધીમાં એસ્ટેટ વિભાગમાં અથવા હરરાજીના દિવસે સ્થળ પર રૂ.2,00,000 રાજકોટ મહાનગરપાલિકાના નામના ચેક અથવા ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ તરીકે ભરવાનાં રહેશે. ડીપોઝીટ ભરનાર વ્યક્તિ જ હરરાજીમાં ભાગ લઇ શકશે.
સુરત મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગની એક મોટી બેદરકારી સામે આવી છે. મંગળવારે શહેરના આશરે 60 જેટલા કોન્ટ્રાક્ટરોનાં બેંક ખાતામાં કુલ 24 કરોડ રૂપિયા ભૂલથી જમા થઈ ગયા હતા. એક તરફ પાલિકા પાસે ગ્રાન્ટનો અભાવ છે અને અનેક બિલો પેન્ડિંગ છે, ત્યારે અચાનક આટલી મોટી રકમ ખાતામાં આવતા કોન્ટ્રાક્ટરોમાં અચરજ ફેલાયું હતું. જોકે, આ ખુશી લાંબો સમય ટકી નહોતી કારણ કે પાલિકાએ તાત્કાલિક એક્શન મોડમાં આવી મોડી રાત સુધીમાં તમામ વ્યવહારો રિવર્સ કરાવી દીધા હતા. બેંક ઓપરેટરની 'કોપી-પેસ્ટ' ભૂલથી ડબલ એન્ટ્રી થઈઆ સમગ્ર ગોટાળા પાછળ ખાનગી બેંકના ઓપરેટરની એક સામાન્ય ગણાતી પણ ગંભીર ભૂલ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જૂની પેજ શીટ મુજબ ક્લિયરિંગ માટે મુકાયેલા ચેકની યાદીને કોપી-પેસ્ટ કરવામાં આવતા ડબલ એન્ટ્રી થઈ ગઈ હતી. જેના કારણે અલગ-અલગ કોન્ટ્રાક્ટરોનાં ખાતામાં 20 લાખથી લઈને સવા કરોડ રૂપિયા સુધીની રકમ વધારાની જમા થઈ ગઈ હતી. વગર કામ કર્યે એકાઉન્ટમાં પૈસા જોઈ કોન્ટ્રાક્ટરો પણ ક્ષણિક માટે મૂંઝવણમાં મુકાયા હતા. 350 કરોડનું દેવું અને 24 કરોડનો લ્હાણીઆ ઘટના ત્યારે બની છે જ્યારે પાલિકાની આર્થિક સ્થિતિ કફોડી છે. 15મા નાણા પંચ સિવાયની મોટાભાગની ગ્રાન્ટ ખૂટી પડતા વિકાસકામોના અંદાજે 350 કરોડ રૂપિયાના બિલો અટવાયેલા છે. મેગા પ્રોજેક્ટ પર કામ કરતી એજન્સીઓ પેમેન્ટની રાહ જોઈ રહી છે ત્યારે બીજી તરફ વગર માગ્યે 24 કરોડ રૂપિયા વહેંચાઈ જતાં વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આ છબરડાને કારણે એકાઉન્ટ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાત્રે 11 વાગ્યા સુધી બેંકમાં દોડધામ, તમામ પૈસા પરત ખેંચાયાજેવી ભૂલની જાણ થઈ કે તરત જ પાલિકાના એકાઉન્ટ વિભાગે બેંક મેનેજરનો સંપર્ક સાધ્યો હતો. ભૂલ સુધારવા માટે પાલિકાની ટીમ રાત્રે 11 વાગ્યા સુધી બેંકમાં અડિંગો જમાવીને બેસી રહી હતી. સદનસીબે, તમામ ટ્રાન્ઝેક્શન સમયસર રિવર્સ કરી દેવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીને નુકસાન થતું બચાવી લેવાયું હતું. કોન્ટ્રાક્ટરો જે રકમ જોઈને ખુશ થયા હતા, તે રકમ રાતોરાત ખાતામાંથી ગાયબ થઈ જતાં આ કિસ્સો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાત રાજ્યના શ્રમ આયુક્ત કચેરી દ્વારા કોન્ટ્રાક્ટ મજૂરો (નિયમન અને નાબૂદી) અધિનિયમ હેઠળ કામ કરતા કામદારો માટે લઘુત્તમ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી બહાર પડેલા સત્તાવાર પરિપત્ર મુજબ અલગ-અલગ કેટેગરીના મજૂરો માટે દૈનિક વેતનના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. નવી જાહેરાત અનુસાર અશિક્ષિત (Unskilled), અર્ધશિક્ષિત (Semi-skilled) અને કુશળ (Skilled) કામદારો માટે જુદા-જુદા દર લાગૂ કરવામાં આવ્યા છે. જેમાં મજૂરો માટે ઝોનવાઇઝ વેતન નક્કી કરવામાં આવ્યું છે. કુશળ કારીગરો માટે ઝોન-1માં 474.00 અને ઝોન-2માં 462.00 રૂપિયા, અર્ધ કુશળ કારીગરો માટે ઝોન-1માં 462.00 અને ઝોન-2માં 452.00 તેમજ બિન કુશળ માટે ઝોન-1માં 452.00 અને ઝોન-2માં 441.00 વેતન નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પરિપત્રમાં પાસ ભથ્થા (VDA) અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વિવિધ ઉદ્યોગ અને વ્યવસાય માટે પ્રતિદિન ભથ્થાના દરો અલગથી નક્કી કરવામાં આવ્યા છે, જે જીવન નિર્વાહ સૂચકાંક (CPI) આધારે ગણવામાં આવ્યા છે. શ્રમ વિભાગે વધુમાં જણાવ્યું છે કે, આ નવા દરો 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે અને 30 સપ્ટેમ્બર 2026 સુધી માન્ય રહેશે. આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના લાખો કોન્ટ્રાક્ટ મજૂરોને મળશે, જેના કારણે તેમની આવકમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે મજૂરોના હિતમાં આવા નિર્ણયો લેવામાં આવે છે, જેથી મોંઘવારી વચ્ચે જીવનનિર્વાહ સરળ બને અને કામદારોને યોગ્ય વેતન મળી રહે.
વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને એક આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. આરોપીને મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લામાંથી ગણતરીના સમયમાં દબોચી લીધો છે. આરોપી દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતોવડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાળકી પર દુષ્કર્મના ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ રોકડીને વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. સોમવારના રોજ આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતો. જેના કારણે પોલીસ હેડક્વાર્ટરના સ્ટાફ દ્વારા કેદીને સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં કડક બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. વોશરુમના બહાને કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયોઆરોપીને લઈ પોલીસ સ્ટાફના માણસો ઊભા હતા. તે દરમિયાન આ આરોપીએ વોશરૂમ જવા માટે પોલીસ સ્ટાફને જણાવ્યું હતું. જેથી તેને વોશરૂમ તરફ લઈ જવામાં આવતો હતો ત્યારે જ આરોપી પોલીસ કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છેપોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આ ભાગી છૂટેલા આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી, પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે. હાલ પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે. આ દરમિયાન PSI એ એન પાટીલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડે (રહે. રણજિતનગર, પરશુરામનો ભઠ્ઠો, સયાજીગંજ) વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. વહેલી સવારે આરોપી સગાના ઘરે દરોડો પાડીને ઊંઘતા ઝડપી પાડ્યો વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. PSI બી.વી. ગોહિલ અને એ.એસ.આઈ. દીપકભાઈને સચોટ બાતમી મળી હતી કે, આરોપી મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના દોંડાઈચા ગામે તેના સગાના ઘરે છુપાયેલો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક મહારાષ્ટ્ર પહોંચી હતી. વહેલી સવારે સાડા ચાર વાગ્યે આરોપીના સગાના ઘરે દરોડો પાડીને ઊંઘતા ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડી પાડી વડોદરા લાવવામાં આવ્યો છે અને વધુ તપાસ અર્થે અકોટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ પાટણ જિલ્લામાં 1 એપ્રિલ, 2026થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતાના અમલ દરમિયાન ચૂંટણી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની બદલી તેમજ તાકીદના તબીબી કારણો સિવાયની રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ, 6 એપ્રિલ, 2026ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ, 2026 છે. 13 એપ્રિલે ફોર્મની ચકાસણી થશે અને 15 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. મતદાન 26 એપ્રિલ, 2026, રવિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જરૂર પડ્યે, 27 એપ્રિલે પુનઃ મતદાન થશે અને 28 એપ્રિલ, 2026ના રોજ મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ, 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. પાટણ જિલ્લામાં પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ ઉપરાંત, રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2ની ખાલી બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાશે. પંચાયતોની વાત કરીએ તો, પાટણ જિલ્લા પંચાયત અને તેની હેઠળની પાટણ, સમી, સાંતલપુર, રાધનપુર, સરસ્વતી, ચાણસ્મા, સિદ્ધપુર, હારીજ અને શંખેશ્વર સહિતની નવ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ પણ યોજાશે. આચારસંહિતાના અમલ દરમિયાન, મતદારોને પ્રભાવિત કરી શકે તેવી કોઈપણ જાહેરાતો, વચનો, નાણાકીય ગ્રાન્ટની ફાળવણી કે નવી નિમણૂકો પર ચૂંટણી આયોગ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ જાહેરાત સાથે જ રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ કાર્યક્રમ મુજબ, 6 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થશે, જેની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ફોર્મની ચકાસણી 13 એપ્રિલે થશે અને 15 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વલસાડ સહિત સમગ્ર રાજ્યમાં 10,000થી વધુ બેઠકો માટે હજારોની સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. લોકસભાના દંડક ધવલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ભાજપમાં જોવા મળી રહેલી આ સ્વસ્થ સ્પર્ધા દર્શાવે છે કે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર અતૂટ વિશ્વાસ છે. આગામી 28 એપ્રિલે ભાજપનો ભવ્ય વિજય થશે અને વિરોધ પક્ષોનો સફાયો થશે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ખાસ કરીને યુવા ચહેરાઓ અને મહિલા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ કાર્યાલયો પર ટિકિટ વાંચ્છુઓની લાંબી કતારો આગામી દિવસોમાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાના સંકેત આપી રહી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમાં સાયબર ફ્રોડને લગતા ગુનાઓની ફરિયાદ નોંધવામાં આવે છે, ત્યારે અમદાવાદ શહેરમાં 3 લાખથી ઓછા ફ્રોડની એક જ દિવસમાં 12 ફરિયાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ દ્વારા અરજી લેવામાં આવી હતી જેની તપાસ કરવામાં આવી અને અંતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ ફરિયાદમાં ભોગ બનનાર અલગ અલગ રીતે સાયબર ફ્રોડના શિકાર બન્યા છે. કિસ્સો 1: ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણના નામે 1.64 લાખની છેતરપિંડીસારંગપુરમાં રહેતા 55 વર્ષીય આધેડને એક યુવતીએ ફેસબુક પર રિકવેસ્ટ મોકલીને પરિચય કેળવ્યો હતો. બાદમાં ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી બમણો નફો મળશે તેવી લાલાચ આપીને આધેડને લિંક મોકલી હતી. આધેડે રોકાણ શરૂ કરતા ભાવેશ ચૌહાણ સાથે સંપર્ક કરાવ્યો હતો. ભાવેશે આધેડને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને કોન્ટ્રાક્ટ સાઈન કરાવીને 30 ટકા કમિશન આપવાનું કહીને રૂપિયા 1.64 લાખ મેળવી લીધા હતા. આ સાથે રકમ વિડ્રો ન કરવા દઈને બે લાખની માંગણી કરી હતી. આ મામલે ખાડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કિસ્સો 2: લોનના નામે 56 હજારની છેતરપિંડીમૂળ રાજસ્થાનનો 34 વર્ષીય યુવક શહેરમાં રહે છે અને પિત્ઝા રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. તેને ગઠિયાઓએ લોનના નામે ફોન કરતા તેણે ફોન કાપી નાખ્યો હતો. જે બાદ અલગ અલગ નંબર પરથી ફોન આવતા તેણે ફોન ઉપાડ્યા નહોતા અને બાદમાં એક બાદ એક ઓટીપી આવતા ફોન બંધ કરી દીધો હતો. 20 મિનિટ બાદ ફોન ચાલુ કરતા 56 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતાં સેટેલાઈટ પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 3: ફોન-પે કંપનીના નામે બે શખસો 45 હજાર પડાવ્યાફતેવાડીમાં રહેતો યુવક બાકરોલ સર્કલ પાસે પકોડીની લારી ચલાવે છે. થોડા સમય પહેલાં ફોન-પે કંપનીના નામે બે શખસો આવ્યા હતા. આ શખસોએ ક્યુઆર કોડ અને સાઉન્ડ સ્પીકર આપવાનું કહીને યુવક સાથે વાત કરી હતી. બાદમાં આ વસ્તુઓ આપીને ફોનમાંથી નવા ક્યુઆર કોડમાં 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ કરાવ્યું હતું. ગઠિયાઓએ સ્પીકર લઇને આવીએ તેમ કહીને રફુચ્ચકર થઈ ગયા હતા. થોડી વા બાદ પરત આવીને યુવકનો ફોન લઇને 45 હજારનું ટ્રાન્ઝેક્શન કરીને એપ્લિકેશન ડિલીટ કરી નાખી હતી. સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 4: વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 50 હજાર પડાવ્યાગાંધીનગર માણસાના 61 વર્ષીય વૃદ્ધ મોટેરામાં રહે છે અને કપ-રકાબી બનાવવાનો વેપાર કરે છે. તેમને અજાણ્યા શખસોએ ફોન કરીને તમે મુંબઇમાં લોકોને હેરાનગતિ કરી હોવાની અને મની લોન્ડરિંગની ફરિયાદ નોધાઈ છે. તમારા વિરૂદ્ધ એરેસ્ટ વોરન્ટ હોવાનું કહીને ડરાવ્યા હતા. બાદમાં ઉચ્ચ અધિકારીને મળવાનું કહીને અધિકારી હાજર ન હોવાથી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ત્રણ કલાકે સેફ રિપોર્ટ મંગાવીને ડિપોઝિટ પેટે પાંચ લાખ માગ્યા હતા. વૃદ્ધે 50 હજાર ટ્રાન્સફર કરતા તેમની સાથે સાયબર ફ્રોડની શંકા જતાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિસ્સો 5: પેટીએમ બંધ કરવાના નામે 50 હજાર પડાવ્યાગોતામાં રહેતો યુવક ડ્રાય ક્લિનિંગની દુકાન ધરાવે છે. થોડા સમય પહેલાં તેની દુકાને એક શખસ પેટીએમ કંપનીના નામે આવ્યો હતો. યુવકે પેટીએમ સાઉન્ડ બોક્સ બંધ કરાવવાનું કહેતા તેણે યુવકને પોતાના જ ખાતામાં 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું હતું. બાદમાં તમારા ફોનથી રિકવેસ્ટ નાખવી પડશે તેમ કહીને ફોન મેળવીને 10 જ મિનિટમાં 50 હજાર મેળવી લીધા હતા. ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિસ્સો 6: આઇફોન ખરીદવાના નામે 68 હજાર રૂપિયાની ઠગાઈસુરતના માંડવીના 20 વર્ષીય યુવકે ઇન્સ્ટાગ્રામમાં આઇફોન 13 પ્રો મેક્સ વેચાણની જાહેરાત જોઈ હતી. બાદમાં તે ખરીદવા ઇન્સ્ટાગ્રામ આઇડી પર મેસેજ કર્યો હતો. ગઠિયાએ 5,545 ભાવ કહીને યુવક પાસે બુકિંગ માટે ઓનલાઈન 100 રૂપિયા પડાવ્યા હતા. બાદમાં યુવકે ટુકડે ટુકડે રૂપિયા 5,545 ચૂકવ્યા હતા. ગઠિયાએ એક સાથે જ પેમેન્ટ કરવું પડશે તેમ કહીને 68 હજાર રૂપિયા પડાવી લેતા યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 7: રોકાણના નામે 2.65 લાખની છેતરપિંડીનવરંગપુરામાં રહેતા આધેડ સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ કરે છે. તેમણે રોકાણ માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ગઠિયાઓએ રોકાણની રકમ સામે માત્ર 10 હજાર રૂપિયા આપીને 2.65 લાખનું ફ્રોડ આચરતા નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 8: લોનના નામે 2 લાખની છેતરપિંડીન્યુ રાણીપમાં રહેતો યુવક નોકરી કરે છે. એક શખસે તેને ઓછા વ્યાજની લોનના નામે ફોન કર્યો હતો. બાદમાં યુવકના ડોક્યુમેન્ટ મેળવીને 6 લાખની લોન મંજુર થઇ હોવાનું કહીને વિવિધ ચાર્જના નામે રૂ. 2.06 લાખ પડાવીને છેતરપિંડી આચરી હતી. સાબરમતી પોલીસે ગુનો નોંધ્યો છે. કિસ્સો 9: ફોન-પે મારફતે 99 હજારનું સાયબર ફ્રોડશાહપુરમાં રહેતો યુવક ડેટા એન્ટ્રીનું કામ કરે છે. તેની માતાના ખાતામાંથી કોઇ ગઠિયાએ ફોન-પે મારફતે 99,900 નું સાયબર ફ્રોડ આચરતા શાહપુર પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 10: યુવકનો ફોન હેક કરી 22 હજાર સેરવી લીધાચાણક્યપુરીમાં રહેતો અને ગેરેજ ધરાવતા યુવકનો ફોન હેક કરીને કોઇ શખસોએ ઓનલાઇન પ્લેટફોર્મથી 22 હજાર સેરવી લેતા સોલા પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 11: લોનના નામે યુવક પાસે 29 હજાર પડાવ્યાનિર્ણયનગરમાં રહેતા 34 વર્ષીય યુવકે સો. મીડિયા પર જાહેરાત જોઇને લોન લેવા માટે મેસેજ કર્યો હતો. ગઠિયાએ લોનની ઓનલાઇન પ્રોસેસ કરાવી આપવાનું કહીને 29,500 પડાવી લેતા વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 12: પેટીએમના નામે યુવકના ખાતામાં 50 હજાર સેરવી લીધાશેરડીના રસની લારી ધરાવતા યુવક પાસે પેટીએમમાંથી આવ્યા હોવાનું કહીને બે લોકો આવ્યા હતા. આ શખસોએ કંપનીના નામે ક્યુઆર કોડ અને સાઉન્ડ મશીન આપીને જતા રહ્યા હતા. જે બાદ ગઠિયાઓ ફરી આવ્યા અને પેટીએમ વોલેટ ખાતામાંથી રેગ્યુલર ખાતામાં નાણાં આવી જાય તેવુ સેટિંગ કરવાના બહાને યુવકનો ફોન મેળવીને 50 હજાર સેરવીને ભાગી ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
વર્ષ 2024માં અમદાવાદ ગ્રામ્યના ધંધુકા પોલીસ મથકે 30 વર્ષીય આરોપી કમલેશ વાઘેલા સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી જતા જજ બી.એસ.મહેતાએ સરકારી વકીલ ભરતસિંહ રાઠોડની દલીલો, 8 સાહેદ અને 35 પુરાવાને આધારે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. નદીમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુંકેસને વિગતે જોતા ભોગ બનનાર સગીર 11 વર્ષ અને 8 મહિનાની ઉંમરનો હતો ત્યારે ફરિયાદી સગીરની માતાને આરોપીએ પોતાના પુત્રને ભાદર નદીમાં નાહવા જવાનું કહીને સાથે લઈ ગયો હતો. જ્યાં તેને નદીના પાણીમાં જ શરીરનો ટુવાલ ખેંચી લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સગીર ઘરે આવતા તેને પાછળના ભાગે દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને 30 હજારનો દંડ કર્યોઆટલું જ નહીં આ વાત જો સગીર કોઈને જણાવશે તો તેને ડુબાડીને મારી નાખવાની ધમકી આરોપીએ આપી હતી. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સાથે 30 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. કોર્ટે સગીરને 4 લાખ રૂપિયા વિક્ટિમ કમ્પેન્સેશન એક્ટ અંતર્ગત ચૂકવવા હુકમ કર્યો હતો.
વડોદરાના લોકહ્રદયમાં વસેલા જુમ્મા મસ્જિદ વાળા પીર બાબા હજરત સૈયદ અઝીમુદ્દુન મહમુદ નુરુલ્લાહ જીલાનીના 38માં વાર્ષિક ઉર્ષ અને સૈયદના મોઈને મિલ્લત હજરત સૈયદ મોઈનુંદ્દીન બાબા કાદરીના બીજા ઉર્ષની ઉજવણીનો વડોદરા શહેરમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગૌસિયા મંજિલ અજબડી મિલ પાસેથી ગાદીપતિ હજરત સૈયદ અમિરુદ્દીન બાબા કાદરી અને નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરીની આગેવાનીમાં વિશાળ સંદલ જુલૂસ નીકળ્યું હતું, જેમાં સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાયું હતું. વિવિધ શહેરોમાંથી ઉમટી પડેલી જનમેદની આ જુલૂસમાં વડોદરા ઉપરાંત હાલોલ, કાલોલ, સુરત અને પેટલાદ જેવા શહેરોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રિફાઈ ગ્રુપના સભ્યોએ ડફ અને નગારાના તાલે સૂફી સંતો અને પયગમ્બર સાહેબની શાનમાં ભક્તિગીતો રજૂ કરીને વાતાવરણને આધ્યાત્મિક બનાવી દીધું હતું. માર્ગમાં દરેક સમુદાયના લોકોએ ફૂલહાર અને બેનરો લગાવીને ગાદીપતિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ રેલીમાં માત્ર શ્રદ્ધાળુઓ જ નહીં, પણ ડોક્ટરો, વકીલો અને એન્જિનિયરો જેવા બુદ્ધિજીવીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત વિધિ અને કાદરી લંગર મોડી સાંજે જુલૂસ મેમણ કોલોની, ધનાની પાર્ક સ્થિત દરગાહ શરીફ પહોંચ્યું હતું. ત્યાં પરંપરાગત રીતે ચાદર અને ગુલપોશીની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. અંતમાં સર્વ કલ્યાણ માટે દુઆઓ માંગવામાં આવી હતી અને કાદરી લંગરનું આયોજન થયું હતું. સમગ્ર આયોજન દરમિયાન પોલીસ અને સ્થાનિક પ્રશાસનનો સહયોગ પ્રશંસનીય રહ્યો હતો. આગામી કાર્યક્રમોની રૂપરેખા ઉર્ષની ઉજવણી 4 દિવસ સુધી ચાલશે. 3 એપ્રિલના રોજ રાત્રે 10 કલાકે દેશ-વિદેશના મહેમાનોની હાજરીમાં સૂફીવાદ પર પ્રવચન અને શાયરીનો કાર્યક્રમ યોજાશે. 4 એપ્રિલ, શનિવારે સવારે 10 કલાકે કુરાન ખ્વાની અને મહેફિલે મિલાદ બાદ બપોરે 1.30 કલાકે 'કુલ શરીફ'ની વિધિ સાથે ઉર્ષનું સમાપન થશે. આ પ્રસંગે સૈયદ અમિરુદ્દીન બાબા કાદરી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે.
ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પંથકના અધેલાઈ ગામના યુવકે શખસને યુવતીને મેસેજ કરવા બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખી 8 જેટલા શખસોએ અલગ અલગ રીતે ભડભીડ ટોલનાકા અને અધેલાઈ ચોકડી પાસે હુમલો કરી લાકડી-પાઈપ વડે માર મારતા ત્રણ યુવકને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. જે મામલે વેળાવદર ભાલ પોલીસ મથકમાં 8 શખસ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીને મેસેજ કરવા બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખીમળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પંથકના અધેલાઈ ગામે રહેતા મેહુલ બિજલભાઈ તલાવીયાએ ફરીયાદ નોંધાવી હતી કે, તેઓના ગામમાં રહેતા રોહિત દુમાદીયાએ ગત તા.22ના રોજ યુવતીને મેસેજ કરતા તેને મેસેજ નહીં કરવા સમજાવવા જતા રોહિતે બાદમા ફોન કરી તેને અપશબ્દો આપ્યા હતાં. હુમલો કરીને લાકડી-પાઈપ વડે આડેધડ માર માર્યોતેના કુટુંબી ભાઈ જગદિશને ઝધડો કરવા બોલાવતો હતો, દરમિયાન ગત તા.31ના રોજ ભડભીડ ટોલનાકા પાસે તેના કુટુંબી ભાઈ જગદિશભાઈને જયપાલ, જગદિશ, વિશ્વાસ, રાજુએ માર મારતા તેઓ અને તેના કુટુંબી ભાઈ સંદિપ વલ્લભભાઈ તલાવીયા બન્ને બાઈક લઈને જતા હતાં, ત્યારે અધેલાઈ ચોકડી પાસે કારમાં આવેલા રસીક, ઉમેશ, બુધાએ તેઓને ઉભા રાખી હુમલો કરી લાકડી, પાઈપ વડે આડેધડ માર માર્યો હતો. ત્રણેયને ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા'જો રોહિતને કાંઈ કિધુ તો' જીવતા નહી રહેવા દઈએ તેમ કહી ધમકી આપી હતી. દરમિયાન મારમારીમાં ઘવાયેલા ત્રણેય યુવકને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. 8 શખસો સામે ફરિયાદ નોંધાઈજે ફરીયાદ સંદર્ભે પોલીસે રોહિત દુમાદીયા, જગદિશ દુમાદીયા, જયપાલ દુમાદિયા, વિશ્વાસ દુમાદીયા, રાજુ દુમાદીયા, રસીક દુમાદીયા, ઉમેશ દુમાદીયા, બુધા દુમાદીયા (રે. તમામ અધેલાઈ) સામે BNS એક્ટ 115(2), 118(1), 352, 351(3), 54, તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં સમગ્ર રાજ્યમાં રાજકીય ચહલપહલ વધતી જોવા મળી રહી છે. 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે, જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. જીતુ વાઘાણીએ આ જાહેરાતને આવકારતા જણાવ્યું કે, એકસાથે આટલી મોટી ચૂંટણી યોજાશે તે રાજ્ય માટે ઐતિહાસિક ગૌરવ છે. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે લાંબી ચૂંટણી પ્રક્રિયામાં નાના-મોટા વિક્ષેપ જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે ટૂંકા ગાળામાં જ જનતાને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરવાની તક મળશે, જે લોકશાહી માટે સકારાત્મક છે. વાઘાણીએ જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં જનતાએ વધુમાં વધુ મતદાન કરીને વિકાસની દિશામાં કાર્ય કરનાર પ્રતિનિધિઓને પસંદ કરવા જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપના વિકાસના એજન્ડાને લોકો ફરી એકવાર સમર્થન આપશે. 'ઉમેદવારો માટેના ક્રાઈટેરિયા નક્કી થશે'ઉમેદવાર પસંદગી અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં વાઘાણીએ જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં ઉમેદવારો માટેના માપદંડ (ક્રાઈટેરિયા) નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ પાર્ટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભાજપ પારદર્શક અને લોકશાહી ઢબે ઉમેદવારોની પસંદગી કરે છે. 'કોંગ્રેસ અલગ અલગ જૂથોમાં વહેંચાઈ ગઈ છે'કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પર જવાબ આપતા વાઘાણીએ કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસ પોતે જ આંતરિક વિખવાદમાં ફસાઈ ગઈ છે અને વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ રહી છે. વાઘાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ અલગ અલગ જૂથોમાં વહેંચાઈ ગઈ છે અને પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના આગમન બાદ બેઠકો યોજાઈ રહી છે, પરંતુ તેઓ હજુ સુધી મજબૂત ટીમ ઉભી કરી શક્યા નથી. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ સત્તા માટે બેચેન બની ગઈ છે અને આવી નિવેદનબાજી કરીને પોતે જ પોતાની હાર સ્વીકારી રહી છે. 'કોંગ્રેસ અને આપ પાસે યોગ્ય ઉમેદવારો નથી'સેન્સ પ્રક્રિયા અંગે વાઘાણીએ જણાવ્યું કે, ભાજપ લોકશાહી પદ્ધતિથી કામ કરે છે અને નિરીક્ષકો દ્વારા લોકોનો મત જાણી લેવામાં આવી રહ્યો છે. લોકોને વડાપ્રધાનના નેતૃત્વમાં વિશ્વાસ છે. ભાજપમાં ઉમેદવારની પસંદગી થયા બાદ પાર્ટી સંપૂર્ણ રીતે ઉમેદવાર સાથે ઉભી રહે છે, જ્યારે કોંગ્રેસમાં ટિકિટ આપ્યા પછી ઉમેદવારોને એકલા છોડી દેવામાં આવે છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ અને આપ પાસે યોગ્ય ઉમેદવારો નથી અને તેઓ માત્ર હાર માટે ઉમેદવારો ઊભા રાખે છે. 'કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી, છેલ્લી ઘડીએ કોઈને પણ ઊભા રાખે છે'ભાજપના સ્થાપના દિવસને લઈને પણ વાઘાણીએ જણાવ્યું કે, ભાજપ વર્ષના 365 દિવસ કાર્ય કરતી પાર્ટી છે, જ્યારે અન્ય પક્ષો માત્ર ચૂંટણી સમયે સક્રિય થાય છે. ભાજપ સતત લોકો સાથે સંપર્કમાં રહે છે અને ઘર-ઘર તિરંગા જેવા કાર્યક્રમો દ્વારા લોકો વચ્ચે રહે છે. તેમણે ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી અને તેઓ છેલ્લી ઘડીએ કોઈને પણ ઊભા રાખે છે. અંતમાં વાઘાણીએ દાવો કર્યો કે આવનારી ચૂંટણીમાં ભાજપને જનતા ફરી એકવાર આશીર્વાદ આપશે અને 'કમળ ખીલશે, વિકાસ જીતશે'.
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે શહેરના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના સક્રિય કાર્યકર ઋષિરાજસિંહ જાડેજા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીના હસ્તે તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ પહેલા ઋષિરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના હાઈકમાન્ડને પત્ર લખીને પોતાના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. શરૂઆતમાં તેમણે 'અંગત કારણો' દર્શાવ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાઈને અટકળોનો અંત લાવ્યા છે. ઋષિરાજસિંહની સાથે તેમના મિત્ર મંડળ અને મોટી સંખ્યામાં ટેકેદારોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. શાંતિનગર વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા ઋષિરાજસિંહના ભાજપમાં જોડાવાથી વોર્ડ નંબર-2માં ભાજપની પકડ વધુ મજબૂત બનશે તેમ મનાય છે. મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે જ પક્ષ છોડવાની આ ઘટના કોંગ્રેસ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. પોતાના રાજીનામા પત્રમાં તેમણે અગાઉ કોંગ્રેસ દ્વારા મળેલા માર્ગદર્શન અને તક બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જામનગરના વિકાસ માટે અને ભાજપની નીતિઓથી પ્રભાવિત થઈને મેં અને મારા સાથીઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. હવે તેઓ દેશ અને શહેરના વિકાસની વિચારધારા સાથે જોડાઈને ભાજપના નેતૃત્વ હેઠળ કાર્ય કરવા તત્પર છે. જામનગરના રાજકારણમાં આ ફેરબદલ આગામી ચૂંટણીમાં કેવા પરિણામો લાવે છે તે જોવું રસપ્રદ રહેશે.
સુરત શહેર પોલીસ વિભાગમાં વહીવટી તંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી પોલીસ કમિશનર દ્વારા વ્યાપક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા 15 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક અદલાબદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય જિલ્લાઓ અને રેન્જમાંથી બદલી થઈને સુરત હાજર થયેલા 12 નવા અધિકારીઓને પણ તાત્કાલિક અસરથી મહત્વના પોલીસ મથકો અને શાખાઓની જવાબદારી સોંપવામાં આવી છે. વહીવટી પ્રક્રિયા અને નવી નિમણૂંકનો હેતુપોલીસ કમિશનરના આ નિર્ણયને પગલે સુરતના અનેક પોલીસ સ્ટેશનોમાં હવે નવા ચહેરાઓ વહીવટ સંભાળશે. ખાસ કરીને સાયબર ક્રાઈમ, ટ્રાફિક અને મહિલા પોલીસ સ્ટેશન જેવી મહત્વની શાખાઓમાં નિમણૂંક આપીને કામગીરીને વધુ ગતિશીલ અને પરિણામલક્ષી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાનો નવો ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. અન્ય જિલ્લામાંથી આવેલા અધિકારીઓનું પોસ્ટિંગબહારથી આવેલા અધિકારીઓની યાદીમાં પંચમહાલથી આવેલા આર.એ. જાડેજાને સલાબતપુરા અને ખેડા-નડીયાદથી આવેલા કે.જી. દેસાઈને ભેસ્તાન પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. વડોદરા શહેરથી આવેલા એસ.ડી. રાતડા હવે અડાજણ વિસ્તારની કમાન સંભાળશે, જ્યારે ડાંગ-આહવાથી આવેલા એ.આર. વાળાને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. નવસારીથી આવેલા ડી.એસ. કોરાટને સરથાણા પોલીસ મથકની જવાબદારી અપાઈ છે. પશ્ચિમ રેલવેથી આવેલા ભારતીબેન પી. વેગડાને ટ્રાફિક શાખામાં અને પંચમહાલ રેન્જથી આવેલા યુવરાજસિંહ એસ. સિસોદિયાને સાયબર ક્રાઈમમાં નિમણૂંક આપવામાં આવી છે. વિશેષ શાખાઓમાં અનુભવી અધિકારીઓની એન્ટ્રીરાજકોટથી આવેલા સ્મિતાબેન એન. રાઠોડને કંટ્રોલરૂમ અને ખેડા-નડીયાદથી આવેલા વી.ડી. મંડોરાને સાયબર ક્રાઈમમાં પોસ્ટિંગ અપાયું છે. જૂનાગઢથી આવેલા ડી.જે. ઝાલાને ટ્રાફિક શાખા, વલસાડથી આવેલા પી.એ. વળવીને લીંબાયત અને વડોદરાથી આવેલા ભાવનાબેન એલ. મહેરીયાને મહિલા પોલીસ સ્ટેશન (સેક્ટર-1) ની જવાબદારી સોંપાઈ છે. આ નિમણૂંકો શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને મહિલા સુરક્ષાના પાસાઓને વધુ મજબૂત બનાવશે તેવી ધારણા છે. શહેરના 15 PIની આંતરિક અદલાબદલીની વિગતોશહેરની અંદર થયેલી બદલીઓમાં શીતલ શાહને પાલથી ઇચ્છાપોર અને બી.એ. ભટ્ટને મહિલા પોલીસ સ્ટેશનથી પાલ પોલીસ સ્ટેશનમાં નિમણૂંક મળી છે. વિશેષ શાખાના ડી.યુ. બારડને મહિધરપુરા અને એસ.ઓ.જી.ના ટી.બી. પંડ્યાને રાંદેર પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઈ છે. જે.એચ. ઝાંબરેને ઉધના-2થી અલથાણ અને બી.બી. પરમારને સચીન GIDCથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. મહિલા અધિકારીઓમાં મીનાબા ઝાલાને લસકાણા પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઈ છે. જાહેર સુરક્ષા અને નવી વ્યુહરચનાજે.એન. ભરવાડને ખટોદરા અને એમ.વી. પટેલને ડુમસ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. એચ.બી. પટેલ હવે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન સંભાળશે. વી.બી. ગોહિલને ટ્રાફિકમાંથી ગોડાદરા અને જે.એ. રાઠવાને ઉમરાથી વેસુ પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. આર.એમ. ઠાકોરને ઉધના અને એચ.જય. સોલંકીને લાલગેટ પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. એમ.આર. સોલંકીને કાપોદ્રા-I PI તરીકે જવાબદારી અપાઈ છે. આ ફેરફારોથી સ્થાનિક સ્તરે પોલીસિંગમાં નવી પદ્ધતિઓ અને કાર્યક્ષમતા વધવાની અપેક્ષા છે.
ગોધરા પાસે બાઈક સ્લિપ થતા યુવાન ગંભીર ઈજાગ્રસ્ત:ભામૈયા પૂર્વના યુવાનને સિવિલ હોસ્પિટલ ખસેડાયો
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં માર્ગ અકસ્માત થયો છે. ગોધરાના ચાંચેલવ પાસે બાઈક સ્લિપ થતાં ભામૈયા પૂર્વ ગામના ગણપતભાઈ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગણપતભાઈ પટેલ આજે બપોરે પોતાના બાઈક પર કોઈ કામ અર્થે ગોધરા શહેર તરફ જઈ રહ્યા હતા. ગોધરા નજીક ચાંચેલવ પાસેથી પસાર થતી વખતે અચાનક તેમનું બાઈક સ્લિપ થઈ ગયું હતું. બાઈક પરથી કાબૂ ગુમાવતા ગણપતભાઈ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે શરીરના અન્ય ભાગોએ પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત ગણપતભાઈને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ભરૂચ જિલ્લામાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી એક મહિલાનું પ્રશાસન અને સહાય સંસ્થાઓના સહયોગથી પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. 26 માર્ચ, 2026ના રોજ સાંજે 181 મહિલા અભયમ હેલ્પલાઈન પર મળેલી ફરિયાદના આધારે પીડિત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિ અને સાસુએ મારકૂટ કરીને તેને ઘરેથી કાઢી મૂકી હતી. પિયર પક્ષમાં પણ કોઈ સહારો ન હોવાથી તે મુશ્કેલીમાં મુકાઈ હતી. આ પરિસ્થિતિમાં મહિલાએ ઝઘડિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી તેને 181 હેલ્પલાઈન મારફતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી હતી. સેન્ટર ખાતે મહિલાને તાત્કાલિક આશ્રય અને માનસિક સહાય પૂરી પાડવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ ફરીથી પોતાના ઘરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા સખી સેન્ટરની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી. ટીમે મહિલાને ઝઘડિયા તાલુકાના ગામ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડી હતી. સ્થળ પર પહોંચી ટીમે મહિલાના પરિવારજનો સાથે ચર્ચા કરી. ગામના સરપંચ અને ઝઘડિયા પોલીસ સ્ટેશનના પી.એલ.વી.ના સહયોગથી પતિ અને સાસુ સાથે સમાધાન કરાવવામાં આવ્યું. બંને પક્ષ વચ્ચે સમજૂતી થતાં મહિલાનું સફળતાપૂર્વક પુનઃસ્થાપન થયું.
રાજકોટના એક નામાંકિત ડોકટરના ક્લિનિક પર લેબર રૂમની અંદર હોલ્ડરમાં ગુપ્ત સીસીટીવી કેમેરો લગાવી બાદમાં ડોક્ટરની અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી રૂપે રૂ. 25 લાખની માંગણી કરવાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આજ રોજ 1 એપ્રિલના પોલીસે અજયસિંહ ચુડાસમા નામના શખ્સની ધરપકડ કરી છે જે અગાઉ ઝડપાયેલ આરોપી ડોક્ટર કેતન નાંઢાનો મિત્ર છે અને ડોક્ટર કેતનએ જ તેને વીડિયો આપી રૂપિયા પડાવવા માટે જાણ કરી હતી. આ પછી તેમણે પોતાના સત્યની ગર્જના અખબારના ભાગીદાર સહીત ચાર લોકો સાથે મળી ડોક્ટર પાસે રૂપિયા 25 લાખની માંગણી કરી હતી. હાલ આ કેસમાં હજુ 10 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 2 ઝડપાયા, 10 આરોપીઓ પોલીસ પકડથી દૂરરાજકોટ શહેર સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 308(5), 308(4), 351(2), 356(3), 61 અને આઇટી એક્ટની કલમ 66(E), 67, અને 67(A) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમના વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં સાધુવાસવાણી રોડ પર ગૌતમ ક્લિનિકના ડો.કમલ નાંઢા, હિરેન મકવાણા, અજય ચુડાસમા, હાર્દિક ડોડીયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, સ્વાતિ નથવાણી, અમિત ઠક્કર, ભરતભાઈ તેમજ તપાસમાં ખુલે તે તમામનો સમાવેશ થાય છે. લેબર રૂમની અંદર બલ્બ હોલ્ડરમાં એક સ્પાય કેમેરો ફિટ કર્યો હતોઆ કેસમાં ફરિયાદીના ક્લિનિકમાં ડો. કમલ નાંઢા નામના શખ્સ દ્વારા ફરિયાદીના ક્લિનિકમાં લેબર રૂમની અંદર બલ્બ હોલ્ડરમાં એક સ્પાય કેમેરો ફિટ કરવામાં આવ્યો હતો જે કેમેરાની અંદર મેમરી કાર્ડ ઇનબિલ્ટ હતું. જયારે પણ બલ્બ હોલ્ડરની સ્વીચ ચાલુ કરવામાં આવે ત્યારે તે સ્પાય કેમેરામાં રેકોર્ડિંગ ચાલુ થઇ જતું હતું અને મેમરી કાર્ડમાં તે સ્ટોરેજ થતું હતું. સ્પાય કેમેરા મારફત ક્લિનિકના માલિક તબીબની અંગત પળોની વિડીયો ફૂટેજ સ્ટોર કરી હતી. તબીબને બ્લેકમેલ કરીને 25 લાખની ખંડણી માગીઅગાઉ ડોક્ટર કમલની ધરપકડ બાદ આજે તેના મિત્ર અજયસિંહ ચુડાસમાની ધરપકડ કરવામાં આવી છે. અજયસિંહ ચુડાસમા કે જે પત્રકાર હોવાનું જણાવતા તેમની સાથે ડોક્ટર કમલ નાંઢાએ વિડીયો શેર કરી રૂપિયા પડાવવા માટે પ્લાન બનાવ્યો હતો. આ પછી આરોપી અજયસિંહ ચુડાસમા દ્વારા પોતાના સત્યની ગર્જના અખબારના ભાગીદાર હિરેન મકવાણાને જાણ કરતા તેઓ ચાર લોકો મળી તબીબને બ્લેકમેલ કરી તેની પાસેથી ખંડણી રૂપે રૂપિયા 25 લાખની માંગણી પણ કરવામાં આવી હતી. આરોપીનો ગુનાહિત ઈતિહાસપોલીસ તપાસમાં આરોપી અજયસિંહ ચુડાસમા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. અજયસિંહ ચુડાસમા વિરુદ્ધ અગાઉ મારામારીના ત્રણ ગુના, પ્રોહિબિશનના બે ગુના તેમજ આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ બે જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આમ અત્યાર સુધી આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જયારે હજુ પણ 10 આરોપીઓ ફરાર હોવાથી પોલીસ દ્વારા તમામની શોધખોળ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમમાં પાગલ ડોક્ટરનું ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવીને કારસ્તાન પોલીસ તપાસ દરમિયાન સાધુ વાસવાણી રોડ પર આવેલા ગૌતમ ક્લિનિકમાં કામ કરતા ડો.કમલ નાંઢા નામના તબીબને મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમ હતો જેના કારણે તેને ફરિયાદીના ક્લિનિકમાં સ્પાય કેમેરો ઇન્સ્ટોલ કર્યો હતો બાદમાં તેને તબીબ સાથેની અંગત પળોના ફૂટેજ જોતા દાંત બગડી હતી અને ખંડણી માટે પ્લાન બનાવ્યો હતો અને ખંડણીની માંગણી કરી હતી. આ તમામ અંગત પળોના વિડીયો 2023ના હતા જેમાં જૂન 2024થી સતત ફરિયાદીને ધાક ધમકીઓ આપી વારંવાર બદનામ કરવાનું કહી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. તાજેતરમાં પણ આજ રીતે ફરી ફોન મેસેજ અને પેમ્પલેટ બનાવી વાયરલ કરી રૂપિયાની માંગણી સતત ચાલુ રાખવામાં આવતા અંતે કંટાળી ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ પાસે કુલ 3000 થી વધુ વિડીયો રેકોર્ડિંગ હોવાનું સામે આવ્યું છે જેમાં ડોક્ટરની અંગત પળોના વિડીયોનો સમાવેશ થાય છે અને સાથે જે દર્દીઓને ઇન્જેક્શન લગાવવામાં આવતા હોય તે વિડીયો ફુટેજનો પણ સમાવેશ થાય છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
ગીર સોમનાથ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પ્રોહીબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે GUJCTOC એક્ટ-2015 હેઠળ ગુનો નોંધી, ગેંગ લીડર રોહિત ઉર્ફે “રેમ્બો” બારીયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાયદો 2015માં અમલમાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ સંગઠિત ગુનાખોરી કરતી ટોળકીઓને નિયંત્રિત કરવાનો છે. ગીર સોમનાથમાં આ કાયદાનો ઉપયોગ કરીને પ્રથમવાર આવી અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે ગુપ્ત તપાસ હાથ ધરી હતી. ઈ-ગુજકોપ સિસ્ટમમાંથી મળેલી માહિતીના આધારે આ ગુનાહિત ટોળકીના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ વેરાવળ, પ્રભાસ પાટણ અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી સક્રિય હતી. તેઓ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યો અને દીવ, દમણ, ગોવા જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ મંગાવી તેનો સંગ્રહ અને વેચાણ કરતા હતા. આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે “રેમ્બો” બારીયા હતો, જે પોતાના સાગરિતો સાથે મોટા પાયે દારૂની હેરાફેરી કરતો હતો. આ ગેંગ દ્વારા કમાયેલા કાળા નાણાં પર કોઈ ટેક્સ ચૂકવવામાં આવતો ન હતો, જેના કારણે રાજ્યના અર્થતંત્રને નુકસાન થતું હતું. પોલીસે ગેંગ લીડર સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે, જેમણે અનેક ગુનાઓ આચર્યા છે. જોકે, એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં GUJCTOCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ડીવાયએસપી વેરાવળ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
શું તમે કલ્પના કરી શકો છો કે જે ગલ્ફમાં એટલે કે ઈસ્લામિક દેશોમાં 80 વર્ષથી અમેરિકાની મિસાઈલોનો દબદબો હતો, ત્યાંની શાંતિની સ્ક્રિપ્ટ આજે બેજિંગમાં લખાઈ રહી છે? આજની તારીખે બોમ્બ ભલે ઈરાન પર વરસે પણ તેનો આર્થિક આંચકો બધે લાગ્યો છે. ખાસ તો અમેરિકાના મહાન હોવાના દાવાને. કારણ કે જેમ વર્ષો પહેલા બ્રિટન જેવી મહાસત્તાનું પતન થયું હતું, તેવી જ કટોકટીમાં આજે અમેરિકા મુકાયું છે. અમેરિકાના દાવા મુજબ તેમણે ઈરાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને પરમાણુ મથકો તોડી પાડ્યા છે પણ હોર્મુઝમાં રહેલા જહાજો આજે પણ અમેરિકા પાછા નથી લાવી શકી. અને જ્યારે આ બધુ જ ચાલી રહ્યું છે ત્યારે ચીન અને પાકિસ્તાને સાથે મળીને યુદ્ધને રોકવા પાંચ પોઈન્ટનો માસ્ટર પ્લાન બનાવ્યો છે. જેઅમેરિકાને કરવાનું હોય (જો કે હાલની પરિસ્થિતિ મુજબ ઈચ્છા છતાં કંઈક કરી નથી શકતું તે વાત અલગ છે) તે ચીન કરી રહ્યું છે તે જોઈને અમેરિકાનો ઈગો ઘવાયો છે. માટે આજે આપણે વાત કરીશું કે અમેરિકા કેવી રીતે જીતવાની કગાર પર હોવા છતાં હારી ગયું છે? ચીન અને પાકિસ્તાનનો શું પ્લાન છે? શું ચીન અમેરિકાને પાડીને દુનિયાનો ધણીધૂરી બનશે? નમસ્કાર... આજે એપ્રિલફૂલના દિવસે મિડલ ઈસ્ટમાં દુનિયા અને ખાસ કરીને અમેરિકાની અગ્નિ પરીક્ષા ચાલી રહી છે. લાગે છે કે ઈસ્લામિક દેશોમાં અમેરિકાનો દબદબો ઓગળી રહ્યો છે અને ચીનનો પાવર વધી રહ્યો છે. આવું એટલા માટે કારણ કે અમેરિકાએ ઈઝરાયલને આગળ ધરીને યુદ્ધ તો શરું કરી દીધું પણ રોકવાના ફાંફાં પડી ગયા છે. વોશિંગ્ટનમાં બેસીને ટ્રમ્પ યુદ્ધ જીતી ગયા હોવાની વાતો કરી રહ્યા છે પણ ઈરાન ટસનું મસ નથી થઈ રહ્યું અને હુમલા ઉપર હુમલા કરી રહ્યું છે. ચીન અને પાકિસ્તાનની બંધ બારણે બેઠકએવામાં ઈન્ટરનેશનલ જગતમાં એવા રિપોર્ટ્સ સામે આવ્યા છે કે હોર્મુઝ સ્ટ્રેટની અગન જ્વાળાઓ રોકવા ચીન ફાયરમેન બનીને આગળ આવ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રી ઈશાક ડાર અને ચીની વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે બેજિંગમાં એક બંધ બારણે બેઠક મળી. આ બેઠકમાં પાંચ મુદ્દાનો એક પ્લાન બન્યો છે જેનાથી ઈઝરાયલ ઈરાન યુદ્ધ રોકાઈ જાય. આ પ્લાનમાં ટ્રમ્પની ધાકધમકી નહીં પણ લોકોને ફાયદો થાય અને શાંતિથી વાત થાય એવા મુદ્દાઓ છે. ઉપરથી અમેરિકાના બધા મુસ્લીમ દેશો સાથે સંબંધો છે જ્યારે ચીનના બધા ઈસ્લામિક કન્ટ્રી જોડે સારા સંબંધો છે. યુદ્ધનું અતથી ઈતિયુદ્ધની અપડેટ માહિતીની વાત કરીએ તો 28 ફેબ્રુઆરીએ અમેરિકાએ ઈઝરાયલના એડવાન્સ્ડ ફાઈટર જેટ્સથી ઈરાનના ન્યુક્લિયર સેન્ટર્સ પર અને આર્મી બેઝ પર હુમલાઓ કર્યા હતા. દુનિયાને લાગ્યું કે યુદ્ધ થોડા દિવસોમાં પૂરું થઈ જશે પણ એવું ન થયું. ઈરાને હિંમત હાર્યા વગર અમેરિકાના આર્મી બેઝ અને ઈઝરાયલ પર જોરદાર હુમલાઓ કર્યા. ઈરાને પણ અમેરિકાની જેમ દુનિયાને તેલના કૂવાઓ પર હુમલાઓ અને હોર્મુઝ સ્ટ્રેટથી સપ્લાય ચેઈન રોકીને હેરાન કરી. લાશોના ઢગલા અને લાખોનું માઈગ્રેશન2 માર્ચે ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે મોરચો માંડ્યો. 16 માર્ચે ઈઝરાયલે લેબનોનની જમીન પર આક્રમણ કરી જમીન હડપી. કહેવાય છે કે શરૂઆતથી અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 1200થી વધુ લોકોના મોત થયા છે, જેમાંથી રિપોર્ટ્સ મુજબ મોટાભાગના તો સામાન્ય નાગરિકો છે. યુદ્ધના કારણે પોતાના પર આંચ ન આવે તે માટે 10 લાખથી વધુ લોકોએ ઘરબાર છોડી ચૂક્યા છે. હારની કગાર છતાં ઈરાને અમેરિકાને હંફાવ્યુંટ્રમ્પ સરકારે દાવો કર્યો હતો કે 4-5 અઠવાડિયામાં યુદ્ધ પૂરું થશે પણ બે મહિના થઈ ગયા છે. યુદ્ધ પૂરું થવાના કે શાંતિના કોઈ એંધાણ નથી દેખાતા. ઈરાનના ટોપ લીડર્સને મારવામાં અને ઈરાનને નબળું પાડવામાં અમેરિકા સક્સેસફૂલ રહ્યું છે પણ યુદ્ધ રોકવામાં અમેરિકાને ફીણાં આવી ગયા છે. ઉપરથી ઈરાનના સતત હુમલાથી અમેરિકા અને ઈઝરાયલને પણ ખૂબ જ નુકસાન થયું છે. ઈન્ટરનેશલ મીડિયા રિપોર્ટમાં તો એવા સમાચારો છે કે યુદ્ધ લડવા અમેરિકાનો દારૂગોળો અને રૂપિયા પૂરા થવા આવ્યા છે. માટે જ ટ્રમ્પ મિડલ ઈસ્ટના દેશો પાસે યુદ્ધ લડવાના રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે. ગૂગલના ડેટાસેન્ટર્સ ઉડાવી દેવાની ઈરાની ધમકીઆજના જ લેટેસ્ટ રિપોર્ટ્સની વાત કરીએ તો ઈરાની સેના IRGCએ અમેરિકાને ચોખ્ખી ધમકી આપી છે કે જો તે હુમલાઓ ચાલુ રાખશે, તો ઈરાન મિડલ ઈસ્ટના ગૂગલ કે માઈક્રોસોફ્ટ જેવા જેટલા પણ અમેરિકી ટેક જાયન્સના માળખા છે તેના પર મિસાઈલનો મારો ચલાવશે. આજના સમયમાં બિલ્ડિંગના માળખા કરતા ડેટા સેન્ટરની ઈમ્પોર્ટન્સ વધુ છે. યુદ્ધ રોકવું ચીનનું ઈમેજ મેકઓવરઆ જૂની વાતો કરવાની જરૂર એટલા માટે છે કારણ કે તેનાથી સમજી શકાય કે અમેરિકા જીતની કગાર પર હોવા છતા કેવી રીતે યુદ્ધ રોકવામાં હારી ગયું છે. એવામાં હવે યુદ્ધ રોકવાનો રસ્તો ચીને સાફ કરી આપ્યો છે. અત્યાર સુધી ચીન આર્થિક મહાસત્તા હતું પણ યુદ્ધ રોકવાના નિર્ણયના કારણે પશ્ચિમમાં ચીનની ઈમેજ ડિપ્લોમેટિક મીડિયેટર તરીકે પણ બની આવી છે. અમેરિકાનું એગ્રેશન ને ચીનની ચાલાકીચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો પ્લાન એવો છે કે કોઈ પણ ઈસ્લામીક દેશના અંદરૂની મામલામાં હસ્તક્ષેપ કર્યા વગર શાંતિથી અને વાતચીતથી યુદ્ધ પૂરું કરી શકાય. સામેની બાજુ અમેરિકા સેનાની કાર્યવાહી અને ધમકીઓનો ઉપયોગ કરીને યુદ્ધ રોકવા માગે છે. ચીનની વિદેશ નીતિ આમ તો એવી રહી છે કે પહેલો હુમલો અમે નહીં કરીએ પણ જો તમે પહેલો હુમલો કરશો તો અમે બીજો હુમલો કરવા લાયક નહીં છોડીએ. જો કે એક બીજી બાજુ પણ છે જેની આપણે વાત કરવી બને. ડ્રેગનની ડિપ્લોમેટિક સક્સેસનો ઈતિહાસ ICJ-UNSCને હટાવી IOMedને પહેલવાન બનાવવાનો પ્લાન2025માં હોંગકોંગમાં ચીને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર મીડિયેશનનું ઉદ્ઘાટન કર્યું. આ ફોરમનો પ્લાન હતો કે દુનિયામાં એક એવી ઈન્ટરનેશનલ પ્લસ સરકારી સંસ્થા બને જે માત્રને માત્ર વાતચીતથી ઝઘડાઓ બંધ કે પૂરા કરાવે. સામાન્ય રીતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અથવા UNની સિક્યોરિટી કાઉન્સિલ આ પ્રકારના ઝઘડાઓ પૂરા કરે છે પણ તેમાં પશ્ચિમ દેશોનો વધુ દબદબો છે. અમુકવાર નાના દેશોની વાત દબાઈ પણ જાય છે. મિડલ ઈસ્ટ તો વેસ્ટર્ન ઓર્ગેનાઈઝેશન્સને પક્ષપાતી અને સામ્રાજ્યવાદી માને છે. સામેની બાજુ ચીન IOMedથી એવું પ્લેટફોર્મ બનાવવા માગે છે જેમાં પશ્ચિમી દેશોનો દબદબો ન હોય અને વિવાદ વધાર્યા વગર વિવાદનો અંત આવી શકે. યુદ્ધથી ચીન-રશિયાને કોઈ મોટી અસર નહીં!અમેરિકાએ ઈરાન પર મેક્સિમમ પ્રેશરથી પ્રતિબંધો લાદીને તેની રિયાલ કરન્સીને તોડી નાખી છે, પણ ચીને તેના BRI પ્રોજેક્ટ્સ અને રશિયા-મિડલ એશિયા પાઈપલાઈન્સથી પોતાની ઊર્જા સુરક્ષા કવચ બનાવી લીધું છે. હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થવા છતાં ચીન કે રશિયાની ઈકોનોમીને કોઈ ખાસ મોટી અસર નથી થઈ. જે પણ બેજિંગને સોદાબાજી માટે મજબૂત ઓપ્શન તરીકે રજૂ કરે છે. યુદ્ધ રોકવા પાછળ ચીનનો અસલી આશયપણ ચીન આ બધુ સમાજ સેવા કરવા નથી કરી રહ્યું. ચીનનું સૌથી વધુ તેલ સાઉદી અરેબિયા અને ઈરાનથી આવે છે. ચીન તેની જરૂરિયાતનું 40% થી 45% તેલ મિડલ ઈસ્ટના દેશો પાસેથી ખરીદે છે એટલે જો મિડલ ઈસ્ટમાં કોઈ છમકલું થાય તો સીધું નુકસાન ચીનને પણ થાય. ઉપરથી આ જ વિસ્તારમાં ચીનનો BRI એટલે કે બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ પ્રોજક્ટ ચાલી રહ્યો છે જેમાં ચીન રૂપિયાનો વરસાદ કરી રહ્યું છે. જેમાં ચીન નુકસાન ન થાય તેના માટે મિડલ ઈસ્ટમાં શાંતિ ઈચ્છી રહ્યું છે. મુસ્લીમ દેશોના રજનીકાંત ચીન કે અમેરિકા?હવે આપણે વાત કરીએ મુસ્લીમ દેશો અમેરિકા બાજુ વધુ છે કે ચીન બાજું? જ્યાં યુદ્ધ ચાલુ છે તે ઈરાનની જ વાત કરીએ તો 2021માં 25 વર્ષના કરાર અને SCOમાં મેમ્બરશીપ પછી તે પૂરી રીતે રશિયા અને ચીન બાજુ છે. પાકિસ્તાને ચીનના પ્લાનમાં પણ શામેલ થયું અને અમેરિકા સાથે મળીને યુદ્ધ પૂરું કરવા મીટિંગ કરી. એટલે તે દૂધ અને દહીં બંનેમાં રહેવામાં માને છે. સાઉદી અરેબિયા અને યુએઈની વાત કરીએ તો તે પણ અમેરિકા અને રશિયા-ચીન મામલે ન્યુટ્રલ છે. આ બંને દેશો સિક્યોરિટી માટે અમેરિકા પર નિર્ભર છે પણ ટેક્નોલોજી મામલે ચીન તરફ ઝુકેલા છે. 2023ના બેજિંગ કરારથી સમજી શકાય છે કે આ બંને દેશો એક રીતે જોવા જઈએ તો અમેરિકાની સામે ચીન રશિયા બાજુ વધુ નમેલા છે. ઈસ્લામિક દેશોમાં સોફ્ટવેર અમેરિકાન, હાર્ડવેર ચીનીટૂંકમાં સમજીએ તો મીડલ ઈસ્ટ દેશો કે ઈસ્લામિક કન્ટ્રીમાં સોફ્ટવેર અમેરિકાના છે અને હાર્ડવેર રશિયા-ચીનના છે અને તે બંનોનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. હવે આપણે ચાર મુદ્દાથી સમજીએ કે જો ચીન યુદ્ધ રોકવામાં બાજી મારી જાય તો અમેરિકાને ઈન્ટરનેશનલ લેવલે શું નુકસાન થઈ શકે તેની. પેટ્રો ડોલર નહીં હવે પેટ્રો યુઆન?જો ચીન યુદ્ધ રોકી દે તો સાઉદી અને બીજા ખાડી દેશોને લાગશે કે તેમને પોતાની સુરક્ષા માટે અમેરિકાના મોંઘા શસ્ત્રો અને મથકોની બિલકુલ જરૂર નથી. જો આવું થાય તો અમેરિકાના ડોલરને મોટો ઝટકો લાગી શકે તેમ છે. કારણ કે આપણે પેટ્રો ડોલરનો કરાર જોયો જ હતો કે અમેરિકા સુરક્ષા આપશે અને મીડલ ઈસ્ટ ડોલરમાં તેલ વેચશે. જો ચીન યુદ્ધ રોકી દે તો ભવિષ્યમાં સાઉદી જેવા તેલ દેશો અમેરિકા કરતા ચીન બાજુ વધુ ઢળી શકે. જો આવું થાય તો પેટ્રો-યુઆન નામનો કોઈ કોન્સેપ્ટ પણ બની શકે કે દુનિયા સામે રજૂ થાય. પાકિસ્તાન પહેલા ઈરાનથી ભીખ માગતું હતું પણ સાઉદીની તાકાત વધી તો સાઉદીના ખેમામાં જતું રહ્યું. જો ચીન ઉદ્ધ રોકી દે તો એવું પણ બની શકે કે પાકિસ્તાન અમેરિકાની દોસ્તી તોડીને ચીનના ખોળામાં બેસી જાય. જો ચીન યુદ્ધ રોકે તો ટ્રમ્પ માટે કાબુલ કરતા પણ ખરાબ હાલત થશે. કારણ કે અમેરિકાની જનતા ટ્રમ્પને પૂછશે કે યુદ્ધમાં તમે અમારા ટેક્સના અબજો રૂપિયા ફૂંકી માર્યા અને જશ ચીન કેમ ખાટી ગયું? અમેરિકા-પાકની યુદ્ધ ડિપ્લોમસી ફેલહમણા થોડા દિવસ પહેલા આપણે વાત કરી હતી કે કેવી રીતે પાકિસ્તાન યુદ્ધ રોકવા મધ્યસ્થી કરવાનું હતું અને અમેરિકા સાથે બેસીને મીટિંગ પણ કરી. આ પ્લાન કાગળનો વાઘ સાબિત થયો કારણ કે ટ્રમ્પની શરતો ઈરાન માટે શાંતિ મંત્રણા ઓછી અને ધમકી વધુ હોય તેવી હતી. તો શું ચીનનો પ્લાન સક્સેસફૂલ રહેશે કે કેમ તે મોટો સવાલ બની શકે. અમેરિકા નહીં ઈચ્છે યુદ્ધનો શ્રેય ચીન લઈ જાયતો અહીં અમુક સવાલો ઉભા થાય છે. કારણ કે અમેરિકા પાસે મિડલ ઈસ્ટમાં કન્ટ્રોલ કરવા પોતાની આર્મી અને બેઝ છે. ચીન પાસે મિડલ ઈસ્ટમાં અમેરિકાની જેમ મોટું સૈન્ય બળ નથી તો હોર્મુઝમાં જહાજોને કેવી રીતે સુરક્ષા મળશે તે મોટો સવાલ બની શકે. બીજી બાજુ અમેરિકા ક્યારેય નહીં ઈચ્છે કે યુદ્ધ રોકવાનો શ્રેય ચીનને મળે. માટે તે પોતાના 15 મુદ્દાના પ્લાનનું દબાણ ફરી વધારી શકે કે કોઈ મોટો હુમલો કરીને યુદ્ધને વધુ ભડકાવી શકે તેમ છે. ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ તો આટલા ભયાનક હાલ થયા બાદ પણ ઈરાન ડગ દેવા તૈયાર નથી. અને ઈઝરાયલને તો ઈરાનનો ખાત્મો જ જોઈએ છે. આગળ શું થશે તે કહેવું અંધારામાં તીર મારવા જેવું છે. હવે યુદ્ધની તંગદિલીથી હટીને આપણે એવી વાતોનું વિશ્લેષણ કરીએ જે ખરેખર ચોંકાવનારું છે. જ્યારે 2026ની શરૂઆત થઈ જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની ન્યૂ યર સ્પીચમાં પશ્ચિમ દેશોનું નામ લીધા વગર કહ્યું હતું કે, અમે વિશ્વ પર નિયંત્રણ મેળવવા નથી માંગતા, પરંતુ તેને એવા લોકોથી મુક્ત કરવા માંગીએ છીએ જેઓ માને છે કે વિશ્વ તેમનું છે. અમેરિકાની ધમકી ને ચીનની ભાઈબંધીહાથીના દાંત ખાવના અને દેખાડવાના અલગ હોય છે પણ ડ્રેગનની આગમાં કેટલી સચ્ચાઈ હોય શકે તે ગંભીર ચર્ચાનો વિષય છે પણ આનાથી એક એંગલ એવો વિચારી શકાય કે ચીન પોતાની જાતને નેતા બનાવવા માગે છે પણ અમેરિકાની જેમ ધાક ધમકી કે થોપી બેસાડેલા ઓર્ડર્સથી નહીં પણ સબ કા સાથ સબકા વિકાસની જેમ. ચીન પોતાની વિસ્તારવાદી નીતિના કારણે બીજા દેશોના મામલામાં ડખા કરે છે પણ અહીં પાંચ મુદ્દાઓથી મીડલ ઈસ્ટ માટે એક વાત એવી સામે આવી શકે કે ચીન બીજા દેશોની સૌવેર્નિટીનું સન્માન કરે છે. ખૈર, એક્સપર્ટનું આ મામલે શું કહેવું છે તે પણ જાણીએ ચીનના વધતા પાવર પર એક્સપર્ટની વાતફાઈનાન્શિયલ ટાઈમ્સના ઈકોનોમિક ઈશ્યુના રાઈટર તેજ પરીખનું કહેવું છે કે, ચીનની લાંબા ગાળાની વિચારસરણી અને આર્થિક લવચીકતા તેને પશ્ચિમ એશિયાની અસ્થિરતાનો લાભ લેવા માટે શ્રેષ્ઠ સ્થાને રાખે છે. હૂવર ઈન્સ્ટિટ્યૂશનના ડૉ. એલિઝાબેથ ઇકોનોમીનું માનવું છે કે, ચીનને સુપરપાવર બનવાના અધિકારો ગમે છે, પરંતુ તે વૈશ્વિક સુરક્ષા અને વિકાસનો બોજ અમેરિકાની જેમ ઉપાડવા માંગતું નથી. તો બ્રિટિશ હિસ્ટોરિયન અને પોલિટિકલ સાયન્ટિસ્ટ રાણા મિત્તરનું કહેવું છે કે, ચીન અમેરિકાની સૈન્ય નબળાઈઓને આર્થિક અને રાજદ્વારી જીતમાં બદલવામાં માહિર છે. પોલીસ નહીં મેનેજર બનવામાં ચીનને રસ?સાવ સાદી રીતે સમજીએ તો બીટવીન ધ લાઈન એક્સપર્ટનું માનવું છે કે, જો ચીન આ યુદ્ધ અટકાવી શકે, તો તે વિશ્વની સુપરપાવર શક્તિ જ નહીં, પણ મલ્ટી પોલર સેન્ટર તરીકે પણ ઉભરી શકે તેમ છે. ચીન અમેરિકાની જેમ વિશ્વના પોલીસમેન બનવાને બદલે વિશ્વના મેનેજર બનવાનું વધુ પસંદ કરશે. હવે આપણે ચીનની શક્તિની વાત કરીએ. એપ્રિલ 2026 સુધીમાં ચીના ખાલી ડિપ્લોમેટિક લેવલે જ નહીં પણ ટેક્નોલોજી અને ઈકોનોમી લેવલે પણ મોટા તીર માર્યાં છે. રાજનીતિ નહીં ટેક દુનિયામાં પણ ચીની ડંકોચીને મેડ ઈન ચાઈના 2025ના 86 ટકા કામો પૂરા કર્યા છે. જેના કારણે દુનિયામાં ચીન AI, સોલર પાવર અને ઇલેક્ટ્રિક વાહનોમાં હવે અજેય છે. 2026માં ચીને પોતાની જીડીપીનો ટાર્ગેટ 4.5થી 5 ટકાનો જાળવી રાખ્યો છે. જે જણાવે છે કે ચીન ઈકોનોમીની દ્રષ્ટિએ દુનિયાના સ્ટેબલ દેશોમાંનું એક છે. ચીને પોતાના 14 પાડોશીઓમાંથી 12 જોડે પોતાના બોર્ડર ઝઘડાઓ સંકેલી લીધા છે માત્ર ભારત અને ભુટાન સાથે ઝઘડાઓ છે. જો આમાં પણ કંઈ સેટલમેન્ટ થાય તો ચીનના કોઈ પાડોશી દેશો સાથે બોર્ડર મામલે ઝઘડાઓ નહીં રહે. પણ જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ ચીન પાસે દેવું અને વસ્તી જેવા પડકારો આજે પણ પર્વતની જેમ સામે ઉભા છે. આપણે ક્યારના ચીનની જ વાત કરી રહ્યા છીએ. જો કે મીટિંગ ચીન અને પાકિસ્તાન બંને વચ્ચે થઈ હતી. પુસ્તકના લેખક ભલે ચીન છે પણ પુસ્તક ઘરે પહોંચાડનાર ફેરિયો તો અહીં પાકિસ્તાન છે. તો નિષ્પક્ષ થઈને પાકિસ્તાનની વાત કરવી પણ બને. ચીન-અમેરિકા જાની દુશ્મન પણ પાકિસ્તાનના દોસ્તચીનના ઈરાન અને પાકિસ્તાન બંને દેશો સાથે સારા સંબંધો છે. પાકિસ્તાન ઈસ્લામિક રાષ્ટ્ર હોવાના કારણે સાઉદી અરેબિયા સાથે પણ એક ટેબલે બેસી શકે છે અને ઈરાન સાથે પણ. જો કે આ મામલે પાકિસ્તાન બેલેન્સ નથી જાળવી શક્યું તે વાત અલગ છે. પાકિસ્તાન નાટો દેશોમાં નથી છતાં અમેરિકા સાથે નોન નાટો તરીકે સારા સંબંધો છે. ઉપરથી અમેરિકા અને ચીન એકબીજાના જાની દુશ્મન છે તો પણ પાકિસ્તાનના બંને દેશો સાથે સારી બને છે. ટ્રમ્પે ચીનથી કેમ દૂરી બનાવી?યાદ હોય તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આવતા મહિનાની 14-15 તારીખે મીટિંગ હતી. પણ યુદ્ધના કારણે આ મીટિંગ લંબાવી દેવાઈ છે. જેનો સીધો મતલબ એવો થઈ શકે કે આવતા દોઢ મહિના સુધી પોતાના ઓવર એગ્રેશનના અમેરિકાનો તો યુદ્ધ રોકવાનો કોઈ પ્લાન સફળ જાય તેમ લાગતું નથી. તો વધે ચીનના પાંચ મુદ્દાનો એકલો ઓપ્શન જે બની શકે કે ઈઝરાયલ-ઈરાનનું યુદ્ધ રોકી શકે. દુનિયાનો ધણી અમેરિકા નહીં પણ ચીન?ચીન અને પાકિસ્તાનનો પાંચ મુદ્દાનો શાંતિ પ્લાન અત્યારે વિશ્વ માટે એક આશાનું કિરણ પણ છે અને અમેરિકા માટે ખતરાની ઘંટડી પણ. કારણ કે જો આ પ્લાન જમીન પર ઉતરે છે અને હોર્મુઝની સામુદ્રધુની ખુલે છે, તો 21મી સદીના ઇતિહાસના પુસ્તકોમાં 2026નું વર્ષ એવા વર્ષ તરીકે લખાશે જ્યારે પશ્ચિમી વર્ચસ્વનો સૂર્ય આથમ્યો અને પૂર્વીય સત્તાનો ઉદય થયો. પણ અહીં મોટો ટ્વિસ્ટ એ છે કે યુરોપ દેશોને ચીન પર પૂરો ભરોસો નથી. આજે પણ યુરોપ ચીનને શંકાની નજરે જ જુએ છે. જો ભવિષ્યમાં દુનિયાની ધૂરા ચીન સંભાળે તો યુરોપ તે માનશે કે નહીં તે મોટો સવાલ છે. યુદ્ધ રોકાવાથી નેતન્યાહુને ભારે નુકસાન અહીં સૌથી મોટો પેચ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો છે. આ વર્ષે ઇઝરાયેલમાં ચૂંટણીનો માહોલ છે, તારીખો જાહેર નથી થઈ એ વાત અલગ છે. પણ નેતન્યાહુના શાસનના કારણે ઈઝરાયલી જનતામાં ભારે આક્રોશ છે. 70 ટકા ઈઝરાયલીનું માનવું છે કે ઈરાન તેમના માટે ખતરો છે પણ તે જ 50 ટકા ઈઝરાયલીઓનું કહેવું છે કે તેમને નેતા તરીકે નેતન્યાહુ નથી પસંદ. નેતન્યાહુની લિકુડ પાર્ટીની લોકપ્રિયતામાં 15% નો ઘટાડો નોંધાયો છે. એટલે તેમના માટે આ યુદ્ધ એક એવું કવચ છે જે તેમને સત્તા પર ટકાવી રાખે છે. જો યુદ્ધ રોકાઈ જાય, તો જનતાના સવાલોના તીર ફરી તેમના તરફ વળશે. ઈઝરાયલ ચીનના યુદ્ધ રોકવાના પ્રયાસને પડકારશે?બીજી તરફ, ચીનના પાંચ મુદ્દામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને નાબૂદ કરવાની કોઈ વાત નથી. ઇઝરાયેલ માટે પાડોશમાં બેઠેલું પરમાણુ શક્તિ સંપન્ન ઈરાન અને હુથી-હિઝબુલ્લાહ જેવા પ્રોક્સી ગ્રુપ્સ કાયમી માથાનો દુખાવો છે. આવી સ્થિતિમાં, શું નેતન્યાહુ પોતાની રાજકીય કારકિર્દી અને દેશની લાંબાગાળાની સુરક્ષાને દાવ પર લગાવીને ચીનના શાંતિ મંત્રને સ્વીકારશે? આ સવાલ જ ચીનના પ્લાન માટે સૌથી મોટો સ્પીડ બ્રેકર છે. અને છેલ્લે... સૌથી મોટી વાત અહીં એ છે કે શું અમેરિકા આ યુદ્ધ રોકવાના પાંચ મુદ્દાને સ્વીકારશે કે અહમ ઘવાવાના કારણે નહીં સ્વીકારે? આર્થિક અને હથિયારોના નુકસાનના કારણે અત્યારે અમેરિકાને પણ યુદ્ધ રોકવું જ છે પણ પોતાને મોટું દેખાડીને જીત દેખાડવી છે. પણ તો'ય જો અમેરિકા અને ઈઝરાયલ ચીનની વાત ન માનીને હથિયારોના પાવરના જોરે ઈરાન પર મિસાઈલ્સ ધડાકા ચાલુ રાખશે તો અમેરિકા દુનિયા સામે હિરો નહીં પણ વિલન બનીને સામે આવશે. જે થાય તે પણ એક વાત નક્કી છે કે દુનિયા હવે વોશિંગ્ટન બાજુ જ નથી જોતું બેજિંગના નિર્ણયો પર પણ તાકતી બાજ નજર રાખે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર.(રિસર્ચ- સમીર પરમાર)
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ટીમ્બા ગામે આવેલી સહયોગ સ્ટોન ક્રશિંગ કંપનીમાં પથ્થરના બ્લાસ્ટિંગ મુદ્દે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ક્વોરીમાં બ્લાસ્ટિંગ કરવાથી મકાનોને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરી આવેલા સ્થાનિકોએ ક્વોરીના મેનેજર સાથે ગાળાગાળી કરી લોખંડની પાઇપ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સતલાસણા પોલીસ મથકે 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બ્લાસ્ટિંગના કારણે મકાનોમાં નુકસાન થતું હોવાની રજૂઆત કરી હતીમૂળ અમરેલી જિલ્લાના અને હાલ સતલાસણામાં રહીને સહયોગ સ્ટોન ક્રશિંગ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ વલ્લભભાઈ જાલોદ્રા ગત 30 માર્ચના રોજ ક્વોરી પર હાજર હતા. તે સમયે ટીમ્બા ગામના પાંચ મહિલાઓ સહિતના લોકોએ ક્વોરી પર આવી બ્લાસ્ટિંગના કારણે મકાનોમાં નુકસાન થતું હોવાની રજૂઆત કરી હતી. મેનેજરે વળતર આપવાની તૈયારી બતાવી ઘરવેરાની પાવતી માંગતા મામલો બિચક્યો હતો અને લોકો ગાળાગાળી કરી પરત ફર્યા હતા. 'અમારી મહિલાઓ સાથે કેમ અસભ્ય વર્તન કર્યું' થોડીવાર બાદ અન્ય ચાર શખ્સો લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે ક્વોરી પર ધસી આવ્યા હતા અને 'અમારી મહિલાઓ સાથે કેમ અસભ્ય વર્તન કર્યું' તેમ કહી મેનેજર પર હુમલો કર્યો હતો. જેમાં રાજપાલસિંહ મનહરસિંહ અને વિરેન્દ્રસિંહ જશવંતસિંહે લોખંડની પાઇપ વડે મેનેજરને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જ્યારે અન્ય શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો. સતલાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હુમલા દરમિયાન ક્વોરીના કર્મચારીઓએ વચ્ચે પડી મેનેજરને વધુ મારથી બચાવ્યા હતા. જતાં-જતાં હુમલાખોરોએ 'જો હવે પૂછ્યા વગર બ્લાસ્ટિંગ કર્યું છે તો તને જીવતો છોડીશું નહીં અને ગાડી સળગાવી દઈશું' એવી ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત મેનેજરને તાત્કાલિક સતલાસણા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે સતલાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ લોકો સામે ફરિયાદ નોંધાઈ
વાપી મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વેરા વસૂલાતમાં આક્રમક અભિગમ અપનાવી નોંધપાત્ર સફળતા મેળવી છે. મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમે કુલ ₹44.28 કરોડની વસૂલાત કરી છે, જે નિર્ધારિત ₹50.10 કરોડના લક્ષ્યાંકની નજીક છે. ખાસ કરીને માર્ચ મહિનામાં તંત્રની કડક કાર્યવાહીને કારણે બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો અને અંતિમ દિવસોમાં જ કરોડોની આવક થઈ હતી. વેરો ભરવામાં આનાકાની કરતા રહેણાંક તેમજ બિન-રહેણાંક મિલકતધારકો સામે પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કરની આગેવાની હેઠળ ટીમે કુલ 662 મિલકતોને સીલ કરી દીધી હતી. આ પગલાં બાદ આશરે 11,739 નાગરિકોએ દંડ અને વ્યાજથી બચવા સ્વૈચ્છિક રીતે વેરો ભરવાનું પસંદ કર્યું હતું. આંકડા મુજબ, નિર્ધારિત લક્ષ્યાંક ₹50.10 કરોડ સામે કુલ ₹44.28 કરોડની વસૂલાત થઈ છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ₹7.42 કરોડનો વધારો નોંધાયો છે. માર્ચ માસમાં જ ₹6.30 કરોડની વસૂલાત થઈ હતી, જેમાં છેલ્લા બે દિવસમાં 2066 કરદાતાઓ પાસેથી ₹1.44 કરોડની આવક થઈ હતી. વહીવટદાર ભવ્ય વર્માએ કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નિયમિત 5% રિબેટ ઉપરાંત, જો કરદાતા ઓનલાઈન માધ્યમથી વેરો ભરે તો વધારાનું 1% મળીને કુલ 6% વળતર આપવામાં આવશે. આ યોજના માર્ચ-2027 સુધી અમલમાં રહેશે. નાયબ કમિશનર આસ્થા સોલંકીએ જણાવ્યું કે શહેરના વિકાસ માટે વેરાની આવક અત્યંત જરૂરી છે. ટેક્સ ઇન્સ્પેક્ટર દીપક ચભાડિયા અને મેહુલ પટેલ સહિતની ટીમોએ ઘરે-ઘરે જઈને જનજાગૃતિ ફેલાવી હતી. પાલિકાએ આ સફળતા માટે શહેરના જાગૃત નાગરિકો અને મીડિયા જગતનો પણ આભાર વ્યક્ત કર્યો છે. નવા નાણાકીય વર્ષને ધ્યાનમાં રાખીને સોફ્ટવેર મેન્ટેનન્સ કામગીરીને કારણે 1 થી 5 એપ્રિલ દરમિયાન વેરા સંબંધિત તમામ સેવાઓ બંધ રહેશે. પાલિકાએ નાગરિકોને તે મુજબ આયોજન કરવા અપીલ કરી છે.
અમદાવાદના કાંકરિયા પિકનિક હાઉસ ખાતે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 75 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં સારવાર માટે બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વહેલી સવારે ઝાડા-ઉલટી અને પેટમાં દુ:ખાવાની ગંભીર ફરિયાદ સાથે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ફૂડ વિભાગ દ્વારા લગ્ન પ્રસંગમાં પીરસાયેલી મટન બિરયાની, ડ્રાયફ્રૂટ હલવો, ચિકન, ફિશ અને માવાના સેમ્પલ લઈને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પાણી પૂરૂ પાડનાર વોટર જગ સપ્લાયર અને યજમાનના ઘરેથી પણ પાણીના નમૂના લેવામાં આવ્યા છે. રાત્રે 10 વાગ્યા આસપાસ ભોજન પીરસવામાં આવ્યું31 માર્ચ 2026ની રાત્રે કાંકરિયા પિકનિક હાઉસમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં અંદાજે રાત્રે 10 વાગ્યાની આસપાસ ભોજન પીરસવામાં આવ્યું હતું. મહેમાનોને ભોજનમાં મટન બિરયાની, ડ્રાયફ્રૂટ હલવો, ચિકન, ફિશ, દહીં વડા, છાશ અને મોકટેલ પીરસવામાં આવ્યા હતા. તબિયત લથડતા મહેમાનોને હોસ્પિટલ ખસેડાયાભોજન લીધાના માત્ર ચાર કલાકના ટૂંકા ગાળામાં જ મહેમાનોની તબિયત લથડવા લાગી હતી અને તેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. ઘટનાની ગંભીરતાને જોતા AMCના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. 66 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળAMCના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે ગંભીર નોંધ લઈને કેટરિંગ સર્વિસ આપનાર કેટરસ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. હાલની સ્થિતિએ માત્ર ચેપી રોગ હોસ્પિટલમાં જ 66 દર્દીઓ સારવાર હેઠળ છે. આ સિવાય એલ.જી. હોસ્પિટલ, કાશીબા હોસ્પિટલ અને શિફા હોસ્પિટલ જેવી ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓ દાખલ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરાયુંઆરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. રહેવાસીઓને ક્લોરીનની ગોળીઓ, ઓ.આર.એસ. (ORS) ના પેકેટ અને આરોગ્ય વિષયક પત્રિકાઓનું વિતરણ કરીને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) બજરંગદળના નારણપુરા દ્વારા તા. ૧ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ ઠંડા પીણાંના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પ ઉસ્માનપુરા ચાર રસ્તા, જૈન દેરાસરની સામે યોજાયો હતો. આ કેમ્પ કેમ્પ હનુમાજી મંદિરથી નીકળતી યાત્રાના શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાં પૂરા પાડવાના હેતુથી ગોઠવવામાં આવ્યો હતો. નારણપુરા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આ સેવામાં ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનમાં બજરંગદળ ભાગવત વિભાગના પાર્થ દવે અને સહસંયોજક પાર્થ બારોટ, બજરંગદળ નારણપુરા જિલ્લા સંયોજક પીયૂષ પરમાર અને સહસંયોજક જીમિત રબારી, તેમજ પરાગભાઈ શાહ અને ચિંતનભાઈ સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા. માતૃશક્તિના જિલ્લા સંયોજિકા હેતલબેન અને વિભાગના રંજનબેન સહિત માતૃશક્તિના સભ્યોએ પણ આ સેવા કાર્યમાં સક્રિય યોગદાન આપ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વઘાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂબંધી કાયદા હેઠળ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિશ્વકર્મા મંદિર સામે, ફુલાકી ચાર રસ્તા પાસે ખુલ્લા મેદાનમાં ચાલતા ગેરકાયદેસર દારૂના વેચાણ પર પોલીસે કાર્યવાહી કરી હતી. આ દરોડામાં કુલ રૂ. 61.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન, પોલીસે રૂ. 25.45 લાખની કિંમતનો 9864 બોટલ/ટીન IMFL દારૂ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, રૂ. 76,000ની કિંમતના 7 મોબાઈલ ફોન, રૂ. 35 લાખની કિંમતના 3 વાહનો અને રૂ. 1100 રોકડા સહિત કુલ રૂ. 61,24,064નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવ જીવનસિંહ સોલંકી, મિનેશ ગાંડાભાઈ સોલંકી, પંકજ રાજેશસિંહ રાજપૂત અને પ્રકાશ જકાહીભાઈ પરમાર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, આ કેસમાં મુખ્ય આરોપી ગણપત ઉર્ફે કિશન રેવા પરમાર સહિત 9 આરોપીઓ હજુ પણ ફરાર છે. આ સમગ્ર ઓપરેશન SMCના PI આર. જી. ખાંટના નેતૃત્વમાં પાર પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ગુજરાત દારૂબંધી અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કરવામાં આવી છે. હાલ પાટડી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓમાં ફારૂક ઈશાક મેમણ (IMFLના રીસીવર), પંબુભા વાઘેલા, ટીનાજી ઠાકુર તેમજ ટ્રક, સ્કોર્પિયો અને હ્યુન્ડાઈ ગ્રાન્ડ 10 કારના માલિક/ડ્રાઈવરનો સમાવેશ થાય છે.
સાબરકાંઠા SP પાર્થરાજસિંહ ગોહિલે જન્મદિવસ ઉજવ્યો:હિંમતનગરમાં દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ઉજવણી કરી
સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે આજે હિંમતનગરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો. તેમણે સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં દિવ્યાંગ બાળકો સાથે કેક કાપીને ઉજવણી કરી હતી. આ પ્રસંગે સંસ્થાના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલે પોલીસ અધિક્ષકને બુકે, શાલ અને મોમેન્ટો અર્પણ કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. સંસ્થાના દિવ્યાંગ બાળકોએ પણ ઉત્સાહભેર પોલીસ અધિક્ષકને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 1 થી 4 એપ્રિલ, 2026 દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC), સબ સેન્ટરો અને સંબંધિત વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને, ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ અને અનાજની બોરીઓ વરસાદથી પલળી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે. અનાજના પરિવહન દરમિયાન પણ સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ ખેડૂતો અને વેપારીઓને પણ અપીલ કરી છે કે, તેઓ હવામાનની આગાહી મુજબ જરૂરી સાવચેતી રાખે અને તેમના અનાજને વરસાદથી સુરક્ષિત રાખે. આ માહિતી મામલતદાર, ડિઝાસ્ટર શાખા, બનાસકાંઠા દ્વારા આપવામાં આવી છે.
વડોદરા શહેરમાં આવતીકાલે 2 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં નીકળનારી ભવ્ય શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફતેપુરા મેઈન રોડ વિસ્તારથી નીકળનારી આ યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાનાર હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાંજે 4 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિવિધ માર્ગો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન અમલી રહેશે. નો-પાર્કિંગ ઝોન સાંજે 4 વાગ્યાથી શોભાયાત્રાના સમગ્ર રૂટ પર રોડની બંને સાઈડ તમામ પ્રકારના વાહનો માટે 'નો-પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. ફતેપુરા ચાર રસ્તાથી અડાણીયાપુલ, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી. રોડ, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર, પદમાવતી ટ્રીકોણ, લાલકોર્ટ બિલ્ડીંગ, ગાંધી નગરગૃહ સર્કલ, જ્યુબિલીબાગ સર્કલ, ભક્તિ સર્કલથી રોકડાનાથ હનુમાન મંદિર સુધી -પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. અડાણીયાપુલ ચાર રસ્તા ખાતેથી શોભાયાત્રા પસાર થઈ ગયા બાદ જ વાહનોને પ્રવેશ આપવામાં આવશે. શોભાયાત્રા ચાંપાનેર રોડ તરફ પસાર થયા બાદ પરિસ્થિતિ મુજબ ટ્રાફિક ધીમે-ધીમે ખુલ્લો કરવામાં આવશે. આ જાહેરનામું પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય ઈમરજન્સી સેવાઓ તેમજ હોસ્પિટલ જતા વાહનોને લાગુ પડશે નહીં. વડોદરા શહેર પોલીસે નાગરિકોને અગવડતા ટાળવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહકાર આપવા વિનંતી કરી છે.
ગાંધીનગરના પોર ગામે વર્ષ 2023માં કચરો નાખવા જેવી સામાન્ય બાબતે થયેલા મારામારીના ઝઘડા પછી એક મહિલાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. આ ગુનામાં ગાંધીનગરના મુખ્ય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ આશિષ જે.એસ. મલ્હોત્રાની કોર્ટે મુખ્ય આરોપી દશરથજી કાંતીજી ઠાકોરને 10 વર્ષની સખત કેદ અને 31 હજારના દંડની સજા ફટકારી છે. જ્યારે અન્ય એક આરોપીને પણ 6 મહિનાની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. વૃદ્ધાને ધક્કો મારતા કમરના ભાગે ગંભીર ઈજાઓગાંધીનગરના પોર ગામમાં વર્ષ 2023માં આરોપી દશરથજી ઠાકોર અને મુકેશજી કાંતિજી ઠાકોરે ભેગા મળીને ફરિયાદીની માતા કપિલાબેન સાથે કચરો નાખવા જેવી તુચ્છ બાબતે ઝઘડો કર્યો હતો. આ વિવાદ દરમિયાન આરોપી મુકેશજીએ કપિલાબેનને જોરદાર ધક્કો મારી નીચે પાડી દીધા હતા. જેના કારણે તેમને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. વૃદ્ધાનું હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન મોતઆ ઝઘડાના તણાવમાં કપિલાબેનને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદીના પિતા રમણજી અને ભાઈ વિક્રમજી પર પણ હુમલો કરી મુઢ માર માર્યો હતો. આ અંગે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને સખતમાં સખત સજાની વકીલ દ્વારા માંગ કરાઈજે કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરી હતી કે, સમાજમાં આવા બનાવો રોજબરોજ બનતા હોય છે. જો આવા ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં ન આવે તો કાયદાનો ડર રહેતો નથી. સમાજમાં એક મજબૂત દાખલો બેસે અને નવા ગુના કરતા લોકો અટકે તે હેતુથી આરોપીઓને સખતમાં સખત સજા અને વધુમાં વધુ દંડ કરવો જોઈએ. કોર્ટે મુખ્ય આરોપીને 10 વર્ષની સખત કેદ સજા ફટકારીઆમ બંને પક્ષોની દલીલો અને સાક્ષીઓની જુબાની સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓને વિવિધ કલમો હેઠળ સજા ફટકારી છે. જે પૈકી મુખ્ય આરોપી દશરથજી કાંતીજી ઠાકોરને 10 વર્ષની સખત કેદ અને 31,000 રૂપિયાનો દંડ તેમજ બીજા આરોપી મુકેશજી કાંતીજી ઠાકોરને છ મહિનાની કેદ અને કુલ 11,000 રૂપિયા દંડ ભોગવવા હુકમ કર્યો છે.
સુરતમાં છેલ્લા 24 કલાકમાં બે અલગ-અલગ બે પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સૈયદપુરા વિસ્તારમાં રહેતા યુવકના ઘરે જમવા માટે આવતા મિત્રએ યુવકની પત્ની પર દાનત બગાડી હતી. પરણિતાના એકલતાનો લાભ ઉઠાવી તેના પતિ અને બંને દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી પરણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. બીજા બનાવમાં પુણાગામ વિસ્તારમાં રહેતા યુવકે તેના ઘર સામે રહેતી યુવતી સાથે મિત્રતા કર્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેના બીભસ્ત ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લઈ તેને મળવા માટે તેની માસીના ઘરે બોલાવી હતી. જયાં યુવતીને પટ્ટાથી માર મારી શારીરિક સંબંધબાંધી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારનો પહેલો બનાવમળતી માહિતી પ્રમાણે, મૂળ પશ્ચિમ બંગાળની વતની અને સુરતના લાલ ગેટ વિસ્તારમાં રહેતી પરણીતાએ ગતરોજ તેના પતિના મિત્ર નાઝીમ નુર આલમ શેખ (રહે ત્રીજો માળ ગુજરાતી સ્કૂલની સામે નાગોરી વાડ રસ્તા સૈયદપુરા) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ સુરતમાં એકલા રહીને મજૂરી કામ કરતા હતા ત્યારે નાઝીર નૂર આલમ શેખ સાથે તેમની મિત્રતા થઈ હતી. જોકે ત્યારબાદ તેઓ એક જ રૂમમાં સાથે રહેતા હતા. દર મહિને પૈસા ચૂકવી દેશે એવું કહીને જમવા માટે આવતો હતોઆ દરમિયાન પરણીતાનો પતિ તેના લઈને સુરત રહેવા આવી ગયો હતો અને અલગથી રૂમ રાખી રહેવા લાગ્યો હતો. જોકે બાદમાં નાઝીમ નૂર આલમે પોતાના બહારનું જમવાનું ફાવતું ન હોવાથી તેમના ઘરે જમવા આવશે અને દર મહિને પૈસા ચૂકવી દેશે એવું કહીને જમવા માટે આવતો હતો. આ દરમિયાન ફેબ્રુઆરી ૨૦૨૬ માં પરણીતા ઘરે એકલી હતી ત્યારે જમવા આવેલા નાઝીમે તેની એકલતાનો લાભ ઉઠાવી તેના પતિ અને બંને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. અવારનવાર ધાકધમકી આપી શારીરિક શોષણ કર્યું હતું. જેથી ભોગ બનનાર પરણીતાએ પતિને સઘળી હકીકત જણાવ્યા બાદ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બળાત્કારનો બીજો બનાવસુરત શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતા યુવકે તેના ઘર સામે રહેતી યુવતી સાથે મિત્રતા કર્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેના બીભસ્ત ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લઈ તેને મળવા માટે તેની માસીના ઘરે બોલાવી હતી. જયાં યુવતીને પટ્ટાથી માર મારી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે તેમણે યુવતીની જાણ બહાર મોબાઈલમાં વીડિયો પણ ઉતારી લીધો હતો. જોકે ત્યારબાદ આ વીડિયોના આધારે બ્લેકમેલ કરી વાયરલ કરવાની ધમકી આપી બે થી ત્રણ વાર શારીરિક શોષણ કર્યું હતું. જોકે, ત્યારબાદ ત્રણ દિવસ અગાઉ પણ યુવતીના ઘરે તેના ટેરેસ પર આવી શારીરિક અડપલા કરી એલફેલ ગાળો આપી જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું દવા પી જઈશ તેવી ધમકી આપી માર મારી જતો રહ્યો હતો. જેથી યુવતીએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીને અવારનવાર વાતચીત કરતો હતોઆ બનાવની વિગત એવી છે કે, વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં રહેતો લાલજી જગાભાઈ જીંજાળા લેસપટ્ટીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. લાલજી પુના વિસ્તારની અન્ય સોસાયટીમાં રહેતો હતો ત્યારે તેમના ઘરની સામે રહેતી એક 23 વર્ષીય યુવતી સાથે તેણે મિત્રતા કરી હતી. ત્યારબાદ લાલજીએ યુવતીને હું તને પસંદ કરું છું અને તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીને અવારનવાર તેની સાથે ફોનમાં વાતચીત કરતો હતો. ત્યારબાદ યુવતી ઘરે એકલી હોય ત્યારે તેના ઘરે જઈ શારીરિક અડપલાં કરી તેના બીબસ્ત ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક શોષણ કર્યુંઆ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી તથા દવા પીવાની ધમકી આપી તેને મળવા માટે લાલજીએ પોતાના માસીના ઘરે બોલાવી હતી. જ્યાં એકલતાનો લાભ લઇ લાલજીએ તેને પટ્ટાથી માર મારતા યુવતી ગભરાઈ ગઈ હતી. આ સમયે લાલજીએ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીની જાણ બહાર મોબાઈલમાં વિડીયો પણ ઉતારી લીધો હતો. જોકે ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાલજીએ બે થી ત્રણ વાર તેનું શારીરિક શોષણ કરી ગત તારીખ 27-03-2026ના રોજ બપોરે 12.30 વાગ્યાના અરસામાં લાલજી યુવતીના ઘરે ટેરેસ પર મળવા માટે આવ્યો હતો. તેણે શારીરિક અડપલા કરી એલ ફેલ ગંદી ગાળો આપી હતી અને જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું દવા પી લઈશ તેવી ધમકી આપી માર માર્યો જતો રહ્યો હતો. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લાલજી જગાભાઈ જીંજાળા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના સોની બજારમાં થયેલી ચોરીનું મુંબઇ કનેક્શન સામે આવ્યું છે. ગધીવાડની અમિત જવેલર્સમાં થયેલી ચોરીનું આખેઆખું કાવતરું મુંબઈની આર્થર રોડ જેલમાં ઘડાયું હતું. જે બાદ મુંબઈનો માહિર ચોર અને અન્ય પાંચ તસ્કરોની ટોળકી રાજકોટમાં ત્રાટકી હતી. જે મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ છ શખ્સોની ટોળકીને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સવારે 6 વાગ્યે દુકાનના તાળા તૂટ્યાનો ફોન આવ્યો હતોલીમડા ચોક નજીક ડિજીબી પેલેસ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા સોની વેપારી મનિશભાઈ રમણભાઈ રાણપરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સોની બજાર નવા નાકા રોડ પર મારુતી પ્લાઝા કોમ્પ્લેક્ષની સામે ગધીવાડ શેરીમાં અમિત જવેલર્સ નામની દુકાન ધરાવી વેપાર કરૂ છું. ગત તા.30.03.2026ના રોજ રાત્રીના 9 વાગ્યાની આસપાસ હું તથા મારો દિકરો જય અમારી દુકાન બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. બાદમાં આજે સવારે 6 વાગ્યા આસપાસ અમારી દુકાનની નજીક નિહારનો સામાન વેચતા રમેશભાઈ દ્વારા અમને જાણવા મળ્યું કે, અમારી દુકાનના તાળા તુટેલા છે જેથી હું તથા મારો દિકરો જય તાત્કાલિક અમારી દુકાન અમિત જવેલર્સ ખાતે પહોંચ્યા હતા. 50 હજારના બે રોકડ રકમ ગણવાના મશીનો મળી આવ્યા ન હતા અમારી દુકાનના બહારના લાકડાના દરવાજા પર મારેલ ચાર લોક તથા એક મોટું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને દુકાનનો દરવાજો ખુલ્લો હતો. દુકાનનો અંદરનો કાચનો સ્લાઈડર દરવાજો પણ ખુલ્લો હતો. બાદ દુકાનની અંદર જઈ જોતા દુકાનના બે સીસીટીવી કેમેરા પણ તુટેલી હાલતમાં હતા. બાદ દુકાનની અંદર રહેલ આશરે રૂ.50 હજારની કિંમતના બે રોકડ રકમ ગણવાના મશીનો મળી આવ્યા ન હતા જેથી ફરિયાદ નોંધાવી હતી. 6 શખ્સોને અટકાયતમાં લઇ ચોરીમાં ગયેલો મુદ્દામાલ પકડી પાડ્યોચોરીના બનાવનો તાત્કાલિક ભેદ ઉકેલી તસ્કરોને ઝડપી લેવાની પોલીસ કમિશનરની સૂચનાને પગલે એ ડિવિઝન પોલીસ અને એલસીબી ઝોન-2ની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે સંયુક્ત બાતમીના આધારે પેલેસ રોડ નજીક પદ્મકુંવરબા હોસ્પિટલ સામેથી શંકાસ્પદ સફેદ કલરની i20 કાર સાથે 6 શખ્સોને અટકાયતમાં લઇ ચોરીમાં ગયેલો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેમણે સોની બજારની અમિત જવેલર્સમાં વહેલી સવારે ચોરી કર્યાની કેફીયત આપતાં શુભમ સુભાષભાઈ સોની, ભાવિક કિરણભાઈ સીતાપરા, જયદીપ નરેશભાઈ કાકડિયા, મિલન દિલીપભાઈ ગોંડલીયા, ધવલ દિલીપભાઈ સુરેલા અને રાકેશ કાળુભાઇ બોરસાણીયાની ધરપકડ કરી રૂ.50 હજારની કિંમતના રોકડ ગણવાના બે મશીન, જીજે.03.એમઆર.0410 કાર મળી કુલ રૂ.5.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેલમાં મુલાકાત થઈ ને ચોરીનું કાવતરું ઘડાયું હતુંઝડપાયેલા શખ્સોએ પોલિસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત આપી હતી કે, મુંબઈનો તસ્કર શુભમ ચોરીના ગુનામાં આર્થર રોડ જેલમાં બંધ હતો. ત્યારે જ મિલન ગોંડલીયાનો ભાઈ સાવન પણ ફ્રોડના ગુનામાં અહીં જેલમાં હતો. જેલમાં શુભમ અને સાવનની મુલાકાત થઇ હતી. બાદમાં સાવને મિલનની મુલાકાત શુભમ સાથે કરાવી હતી અને ચોરીનું કાવતરું ઘડાયું હતું. શુભમ ચોરી કરવામાં માહિર હોય મિલને તેને અહીં ચોરી કરવા બોલાવ્યો હતો. ચોરીને અંજામ આપ્યાની એકાદ કલાક પૂર્વે તસ્કરો સોની બજારમાં આવી રેકી કરી વધુમાં તસ્કરોએ જણાવ્યું હતું કે, ચોરી જુનવાણી દુકાનમાં જ કરવાનું નક્કી થયું હતું. જેથી લાકડાના દરવાજાનો નકુચો સરળતાથી તોડી શકાય અને ચોરીને ગણતરીની મિનિટોમાં અંજામ આપી તસ્કરો ફરાર થઇ શકે. ચોરીને અંજામ આપ્યાની એકાદ કલાક પૂર્વે તસ્કરો સોની બજારમાં આવી રેકી કરી અમિત જવેલર્સને ટાર્ગેટ કરવાનું નક્કી કરી ગયા હતા અને બાદમાં તેઓ વહેલી સવારે ચોરી કરવા ત્રાટક્યાં હતા. ચોરીને અંજામ આપી તસ્કરો ઘરે જઈને સુઈ ગયા'તા પોલિસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સોની બજારની અમિત જવેલર્સમાં ત્રાટકી તસ્કરો પોતપોતાના ઘરે જઈ આરામથી સુઈ ગયા હતા. આ દરમિયાન ચોરીના સમયગાળા દરમિયાન સોની બજારમાં એક સફેદ કલરની આઈ-20 કારની ગતિવિધિ અંગે પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે આગળના કાચ પર 'શ્રી' લખ્યું હોય એવી કારની શોધખોળ શરૂ કરી હતી. આ કાર પદ્મકુંવરબા હોસ્પિટલ નજીક હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઈ તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. તિજોરી ન તૂટતાં 10 લાખના ઘરેણાં બચી ગયા સોની બજારની પેઢીમાં ચોરી કરવાથી મોટી મતા હાથમાં આવશે તેવી અપેક્ષાએ તસ્કરો અમિત જવેલર્સમાં ત્રાટક્યાં હતા. જયા તેઓ અલગ-અલગ પાંચ લોક તોડવામાં સફળ રહ્યા હતા પરંતુ, દુકાનમાં રહેલી તિજોરી તોડવામાં તસ્કરો અસફળ રહ્યા હતા જેના કારણે તિજોરીમાં સોની વેપારીએ રાખેલા આશરે રૂ.10 લાખના ઘરેણાં બચી ગયા હતા.
ગાંધીનગર ચિલોડા પોલીસની ટીમે હિંમતનગર-અમદાવાદ હાઈવે આગમન હોટલની સામેના નાકા પોઇન્ટ પર વાહન ચેકીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર હથિયારના સોદાગરને ઝડપી પાડ્યો છે. આ અંગે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી દિલ્હીથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા ઉત્તર પ્રદેશના શખ્સ પાસેથી લોડેડ પિસ્ટલ અને 9 જીવતા કારતુસ સહિત અંદાજે 36 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. હાઈ-વે રોડ પર બેરીકેડ્સ મૂકી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુંગાંધીનગર ચિલોડા પોલીસ મથકના પીઆઇ એસ.જે. ચૌહાણની ટીમ દ્વારા ચંદ્રાલા ગામની સીમમાં આગમન હોટલ સામે હિંમતનગર તરફથી આવતા હાઈ-વે રોડ પર બેરીકેડ્સ મૂકી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન હિંમતનગર તરફથી આવતી બાબુ ટ્રાવેલ્સની બસને બાતમી આધારે અટકાવવામાં આવી હતી. બાદમાં બસના કંડક્ટરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ બસ દિલ્હીથી અમદાવાદના રૂટ પર મુસાફરો લઈને જઈ રહી છે. હાથ બનાવટની પિસ્તોલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતોબાદમાં પોલીસ ટીમે બસની અંદર તપાસ કરતા સ્લીપિંગ કોચની સીટ નંબર R પર બેઠેલા પેસેન્જર પાસેથી કાળા કલરનો થેલો મળો આવ્યો હતો. જે થેલાની તલાશી લેતા કપડાંની વચ્ચે સંતાડેલું એક પૂંઠાનું બોક્સમાંથી એક હાથ બનાવટની પિસ્તોલ કી રૂ.25000 અને રૂ.900 ની કિંમતના નવ જીવતા કારતુસ ઉપરાંત બે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. જેના પગલે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શિવમસિંગ ચંદ્રભાનસિંગ રાજપુત હોવાનું જણાવ્યું હતું. તે મૂળ બિહારના સિવન જિલ્લાના ગુટની ગામનો વતની છે અને હાલ નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે રહે છે. હથિયાર રાખવા બાબતે આરોપી પાસે કોઈ કાયદેસરનું લાયસન્સ ન હોવાથી પોલીસે ગુનો નોધી આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો હેતુ શું હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ઈસનપુર વિસ્તારની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસ અને બદનામીથી કંટાળી છેવટે કાયદાનો આશરો લેતા મેજિસ્ટ્રેટ કોર્ટે મહિલાના પક્ષમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2007માં લગ્નગ્રંથિથી જોડાયેલી આ મહિલાને તેના પતિ અને સાસરિયાઓએ શારીરિક-માનસિક દુઃખ આપી, રૂમમાં પૂરી દઈ અને પિયરિયાઓ સાથે સંબંધ તોડવા દબાણ કરી નર્ક જેવી સ્થિતિમાં મુકી દીધી હતી. કરોડોની મિલકત અને બ્યુટી ટ્રીટમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા છતાં બાળકોની ફી અને ઘરના ભાડાના પૈસા ન આપતા પતિને કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે આદેશ કર્યો છે કે, પતિએ પત્નીને દર મહિને રૂ. 12 હજારનું ભરણપોષણ, રૂ. 50 હજારનું વળતર ચૂકવવું પડશે અને મહિલાને તેના સસરાના ઘરે બાળકો સાથે રહેવાનો હક આપવો પડશે, એટલું જ નહીં સાસરિયાઓને તે ઘરમાં પ્રવેશ કરવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે અરજી દાખલ કરી હતીકેસની વિગતો જોતા, અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઇસનપુરની રહેવાસી મહિલાએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અંતર્ગત પોતાના પતિ સહિતના સાસરિયાઓ સામે અરજી દાખલ કરી હતી. જે મુજબ તેના લગ્ન વર્ષ 2007માં હિન્દુ વિધિ વિધાન મુજબ રાજસ્થાનમાં થયા હતા. તેને સ્ત્રી ધન પણ મળ્યું હતું, લગ્ન બાદ તેને એક પુત્ર અને એક પુત્રી જન્મ્યા હતા. પતિને કમળો થયો તો તેનો વાંક મહિલાના પિયરિયા ઉપર નાખી દીધોમહિલાની કાકાની દીકરીના લગ્નમાં તેના સાસરિયા અને પિયરિયા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં માફી માંગ્યા છત્તા સાસરિયા માન્યા નહોતા. ત્યારબાદ મહિલાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેમજ મહિલાને પિયરીયાઓ સાથે સબંધ રાખવાની ના પાડી દીધી હતી. પતિ મહિલા સાથે ઝઘડો કરીને તેને માર મારતો હતો. વળી જ્યારે પતિને કમળો થયો તો તેનો વાંક મહિલાના પિયરિયા ઉપર નાખી દીધો હતો. પત્નીને રૂમમાં પુરી દઈ પોલીસને ફોન કરી આપધાત કરવા જાતે પુરાઈ હોવાનું કહ્યુંઆખરે બંને કુટુંબોને લઈને જ્ઞાતિ બેસી હતી. ત્યારે મહિલાને હેરાન નહીં કરવા, સાસરિયાઓએ બાહેંધરી આપી હતી. જો કે ઘરમાં દેરાણી આવતા તેની ચઢામણીથી પણ સાસરિયાઓ તેને ત્રાસ આપતા અને મહિલાને જાદુગર કહેતા હતા. મહિલાના પતિએ તેને માર મારીને એક રૂમમાં પૂરી દીધી હતી. સાથે 100 નંબર પર તેણે ફોન કરતા પતિએ કહ્યું હતું કે મહિલા આપઘાત કરવા રૂમમાં પુરાઈ ગઈ છે. પતિએ છૂટાછેડાની માગ કરી, ત્રણ વર્ષ આવી પરિસ્થિતિ ચાલીમહિલાએ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી અને હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જો કે બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં તેઓ સંયુક્ત કુટુંબમાંથી અલગ રહેવા ગયા હતા. તેમ છતાં પતિના વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો, પરંતુ તે વધુ ક્રૂર બનીને પત્નીને માર મારવા લાગ્યો હતો. જેથી મકાનમાલિકે મકાન ખાલી કરવા જણાવ્યું હતું. પતિએ છૂટાછેડાની માગ કરી હતી, ત્રણ વર્ષ આવી પરિસ્થિતિ ચાલી હતી. મહિલા ઉપર સાસરિયાઓએ જાદુટોણા કરવાનો આક્ષેપ મૂક્યોમહિલાના સાસુનું કેન્સરથી નિધન થતા મહિલા ઉપર સાસરિયાઓએ જાદુટોણા કરવાનો આક્ષેપ મૂક્યો હતો. સમાજ વચ્ચે હડધૂત કરી નાખી હતી. પતિને ઘરનું ભાડું, બાળકોની ફી અંગે પૈસાની માગ કરતા પતિએ પત્નીને પિયરમાંથી પૈસા લઈ લેવા કહ્યું હતું. આમ પતિ તેની લગ્નની ફરજો નિભાવવામાં નિષ્ફળ નીવડ્યાનો પત્નીએ આક્ષેપ મૂક્યો હતો. પોલીસે પતિને સમજાવ્યો છત્તા, સમાધાન થયું નહોતુંપત્ની પિયરમાં ઓશિયાળુ જીવન જીવતી હતી. જ્યારે પતિ બ્યુટી ટ્રીટમેન્ટના વ્યવસાય કરીને સંયુક્ત કુટુંબમાં લાખો રૂપિયા કમાય છે. તે અમદાવાદમાં એક કરતા વધુ દુકાનો અને ઘર પણ ધરાવે છે. જેની કુલ કિંમત કરોડો રૂપિયામાં થવા જાય છે. તેણે બાળકોને તરછોડી દીધા છે અને પત્ની પાસે આવકનું કોઈ સાધન નથી. જેથી મહિલાએ જુલાઈ, 2022માં શાહીબાગ પોલીસ મથકે અરજી આપી હતી. પોલીસે પતિને સમજાવ્યો છત્તા, સમાધાન થયું નહોતું. પતિ રાજકીય વગ ધરાવતો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવીપતિએ રાજસ્થાનના લોકલ મીડિયામાં પત્નીની બદનામી કરી હતી. બાળકોની શાળાની ફી ભરી નહીં હોવાથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને માર્કશીટ આપવા ઇનકાર કર્યો હતો. વળી પતિ રાજકીય વગ ધરાવતો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. કોર્ટ પત્નીને પોષણ આપે અને પત્ની પતિ સાથે રહેવા જવા પણ તૈયાર છે. મહિલાએ પતિ સામે માનસિક યાતનાના વળતર પેટે 50 લાખની માગ કરી પત્નીએ પતિ પાસેથી ઘરના ભાડા પેટે 10 હજાર, ભરણપોષણના 70 હજાર, સ્ત્રીધન પરત આપવા અને શારીરિક તેમજ માનસિક યાતનાના વળતર પેટે 50 લાખ રૂપિયાની માગ કરી હતી. કોર્ટે સાહેદ અને પુરાવા ચકાસ્યા હતા. તેમજ અરજદાર મહિલાના સાસરિયાઓ સામેના આક્ષેપને સમર્થન આપ્યું હતું. કોર્ટનો 12 હજારનું ભરણપોષણ, રૂ. 50 હજારનું વળતર ચૂકવવા આદેશકોર્ટે આદેશ કર્યો હતો કે, મહિલાની સસરાની માલિકીના એક ઘરમાં મહિલા તેના બે બાળકો સાથે રહેશે. મહિલાનું સ્ત્રીધન પરત આપવામાં આવશે. પતિની આવક કોર્ટે મહિને 45 હજાર ઠરાવી હતી. તેને મહિલાને કોર્ટમાં અરજી દાખલ થયેથી મહિને 12 હજાર રૂપિયા ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો હતો. તેની શારીરિક અને માનસિક યાત્રા પેટે 50,000 રૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો. સાસરિયામાં મહિલા રહે છે તે ઘરમાં પ્રવેશ કરશે નહીં.
ગુજરાત રાજ્યમાં સુરત બાદ હવે રાજકોટમાં ફક્ત મહિલાઓ માટેની પિંક બસ આજે 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. શહેરમાં સિટી બસ (RMTS) અને BRTS ની 238 બસમાં સવારે 6 થી રાત્રે દૈનિક 54000 મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જેમાં 20000 જેટલા મહિલાઓ છે. હાલ 4 રૂટ પર પાઇલોટ પ્રોજેક્ટ સ્વરૂપે શરૂ થયેલી આ સુવિધા સમગ્ર શહેરમાં તમામ રૂટ પર શરૂ કરવાની તૈયારી છે. પ્રથમ દિવસે પિન્ક બસમાં મુસાફરી કરતી યુવતીઓએ પણ મહાનગરપાલિકાની આ સુવિધાને આવકારી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા (RMTS) તથા બી.આર.ટી.એસ. બસ સેવા કાર્યરત રાખવામાં આવી છે. આ બંને સેવાઓનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહ્યું છે. શહેરમાં વધતી મુસાફરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાલ કુલ 82 રૂટ પર 100 CNG બસ તથા 134 ઇલેક્ટ્રિક બસ એમ કુલ 234 બસ દ્વારા દૈનિક પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવાઓ દ્વારા દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને સરળ અને સસ્તી મુસાફરીની સુવિધા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના RRL સિટી બસના જનરલ મેનેજર પરેશ અઢીયાએ જણાવ્યુ હતુ કે, મનપા દ્વારા નાગરિક કેન્દ્રિત સુવિધાઓ વધારવાના હેતુસર તેમજ ખાસ કરીને મહિલા મુસાફરોને વધુ સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી ઉપલબ્ધ થાય તે માટે નાણાંકીય વર્ષ 2026-27 ના બજેટ સ્પીચ અંતર્ગત મહિલા સુરક્ષિત સફર યોજના (MSSY) જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓ માટે વિશેષ પિંક બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર મહિલા મુસાફરોને મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓને જાહેર પરિવહનમાં સુરક્ષિત વાતાવરણ મળે અને તેઓ નિર્ભયતાપૂર્વક મુસાફરી કરી શકે તે હેતુસર આ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.આજે 1 એપ્રિલના સવારે ત્રિકોણબાગ ખાતેથી ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, નરેન્દ્રસિંહ જાડેજા અને મનીષ રાડીયા દ્વારા ઝંડી આપી પિંક બસ પાઇલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે રાજકોટ રાજપથ લિ.ના જનરલ મેનેજર પરેશ અઢીયા, રાજકોટ રાજપથ લિ.ના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવતી આયુષીએ જણાવ્યું હતું કે, ફક્ત મહિલાઓ માટે પિંક બસ શરૂ કરવામાં આવી તે આવકારદાયક છે. હું ત્રંબા કોલેજમાં અભ્યાસ કરું છું અને ત્યાંથી આ બસમાં બેઠી હતી. ધ્વનિતાએ જણાવ્યુ હતુ કે, આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરું છું. પિંક બસની સેવા શરૂ કરવામાં આવી છે તે ખૂબ જ સારી છે. જેમાં મહિલાઓ માટેની આ સ્પેશ્યલ બસની સુવિધા ખૂબ જ સારી છે. પિંક બસ મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સારી છે. આ યોજના હેઠળ પ્રારંભિક તબક્કામાં શહેરના મહત્વપૂર્ણ અને વધુ મુસાફરો ધરાવતા 3 સિટી બસ (RMTS) રૂટ તથા 1 BRTS રૂટ પર એમ કુલ 4 પિંક બસ કાર્યરત કરવામાં આવી છે. આ બસો મહિલાઓ માટે વિશેષ નિર્ધારિત રહેશે તથા બસમાં કન્ડક્ટર તરીકે પણ મહિલા સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે. જેથી મુસાફરી દરમિયાન મહિલાઓને વધુ સુરક્ષા અને સહજતા અનુભવાય. પિંક બસ માટે નિર્ધારિત રૂટની વિગતો.. - રૂટ નં.13 – લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ થી કોઠારીયા ચોક – 1 CNG બસ- રૂટ નં.17 – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ત્રંબા ગામ – 1 CNG બસ- રૂટ નં.8 – ગ્રીનલેન્ડ ચોકથી લાભુભાઈ ત્રિવેદી એન્જિ. કોલેજ (કણકોટ) – 1 ઇલેક્ટ્રિક બસ- BRTS રૂટ – માધાપર ચોકથી ગોંડલ ચોક – 1 ઇલેક્ટ્રિક બસ આ રૂટની પસંદગી દરમિયાન મહિલાઓની વધુ અવરજવર, શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક વિસ્તારો તથા મુખ્ય ટ્રાન્સપોર્ટ કોરિડોરને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. પાઇલોટ પ્રોજેક્ટના અનુભવના આધારે ભવિષ્યમાં વધુ રૂટ પર પિંક બસ સેવા વિસ્તૃત કરવામાં આવશે. મહિલા મુસાફરો માટે ખાસ પાસ સુવિધા મહિલા સુરક્ષિત સફર યોજના અંતર્ગત મુસાફરી કરનાર મહિલા મુસાફરો વુમન કેટેગરી પાસ મેળવીને આ સેવાનો લાભ લઈ શકશે. આ પાસ વાર્ષિક માત્ર રૂ.1000 ના નજીવા દરે આપવામાં આવશે. જ્યારે રૂ.50 પ્રોસેસિંગ ચાર્જ અલગથી વસૂલવામાં આવશે.પાસ મેળવવા માટે મહિલા મુસાફરો રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિટી સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસ ખાતે અથવા ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કર્યા બાદ નિયમોનુસાર કાર્યવાહી પૂર્ણ કરીને પાસ ઇસ્યુ કરવામાં આવશે. પાસ મળ્યા બાદ મહિલા મુસાફરો નિર્ધારિત પિંક બસ રૂટમાં સરળતાથી મુસાફરી કરી શકશે. - યોજનાનો અમલમહિલા સુરક્ષિત સફર યોજના નાણાંકીય વર્ષથી તા.1 એપ્રિલ-2026થી અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક તમામ મહિલા મુસાફરોએ અગાઉથી પાસ માટે અરજી કરવાની રહેશે. જેથી યોજનાનો લાભ સમયસર મેળવી શકાય. - ખાસ સુવિધાઓ અને નિયમો1.પિંક બસમાં ફક્ત મહિલા મુસાફરોને મુસાફરી કરવાની સુવિધા2.બસમાં મહિલા કન્ડક્ટર દ્વારા સેવા3.સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ4.માતા સાથે 12 વર્ષની ઉંમર સુધીના બાળકોને નિઃશુલ્ક મુસાફરી5. મહિલાઓ નિયમોનુસાર ટિકિટ દર ચુકવી અથવા વુમન પાસ દ્વારા મુસાફરી કરી શકશે6. નિર્ધારિત રૂટ પર નિયમિત સમયપત્રક મુજબ સેવા7. ભવિષ્યમાં પાઇલોટ પ્રોજેક્ટના પ્રતિસાદ આધારે વિસ્તરણ
વડોદરા તાલુકાના સેવાસી વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા ગેસ લિમિટેડની આઇસર ગાડીએ બાઈક પર સવાર દંપતીને અડફેટે લીધાં હતાં. જેમાં પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પતિ પર આઈસરનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યુંમળતી માહિતી મુજબ, આ અકસ્માત સેવાસી બસ સ્ટેન્ડ પાસે બન્યો હતો. આઇસર ગાડીનો ચાલક બાઈક સવાર દંપતીને અડફેટે લીધા બાદ વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે દંપતીનું બાઈક અને પતિ આઈસરના ટાયર નીચે જોવા મળ્યા હતા. જેમાં પતિનું ઘટના સ્થળે જ ટાયર ફરી વળતા મોત નીપજ્યું હતું. પત્નીને ગંભીર ઈજાઓના પગલે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈઆ અકસ્માતમાં પત્નીને ગંભીર ઇજાઓ થતાં સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં પત્નીને આંખો સામે જ પતિએ દમ તોડ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, આરોપીની તપાસ હાથ ધરીઆ ગમખ્વાર અકસ્માત બનતાં આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાલુકા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને આઇસર ગાડીને કબજામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલમાં આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીઓ પહેલા ભાજપે કમર કસી છે. પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપમાંથી આવેલા 6 નિરીક્ષકોની અધ્યક્ષતામાં આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પંચમહાલમાં 178 તાલુકા પંચાયત, 38 જિલ્લા પંચાયત અને 2 નગરપાલિકાની બેઠકો માટે આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ભાજપે જમીની સ્તરે તૈયારીઓ આરંભી દીધી છે. ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપની પરંપરાગત પ્રણાલી મુજબ, ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો નિરીક્ષકો સમક્ષ પોતાનું દાવેદારી ફોર્મ રજૂ કરશે. નિરીક્ષકોની ટીમમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, પ્રદેશ મંત્રી કૈલાશબેન ગામીત, પ્રદેશ કારોબારી સભ્ય રામજીભાઈ માવણીનો સમાવેશ થાય છે. બીજી ટીમમાં વિજયભાઈ પટેલ (નાયબ મુખ્ય દંડક), જનકભાઈ બગદાણા અને સીતાબેન નાયક ઉપસ્થિત છે. આ બે દિવસીય સેન્સ પ્રક્રિયા બે અલગ અલગ ઝોન મુજબ ચાલશે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાલિકાના કમ્પોઝ યાર્ડમાં લાગેલી આગે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા બે દિવસથી સતત સળગતા કચરાના ઢગલાઓમાંથી નીકળતા ઝેરી ધુમાડાએ આસપાસના ખેડૂત પરિવારોને ઘેરી લીધા છે, જેના કારણે સ્થાનિકોમાં આરોગ્ય અંગે ચિંતા વ્યાપી છે. આ આગના કારણે ફેલાયેલા ઝેરી ધુમાડાનો સૌથી વધુ પ્રભાવ નજીકના વિસ્તારોમાં વસતા 50થી વધુ ખેડૂત પરિવારો પર પડી રહ્યો છે. બાળકો, મહિલાઓ અને વડીલોમાં શ્વાસ લેવામાં તકલીફ જેવી આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે. ખેડૂતોના મતે, કમ્પોઝ યાર્ડની આ આગ માત્ર આરોગ્ય માટે જ નહીં, પરંતુ તેમની આજીવિકાને પણ જોખમમાં મૂકી રહી છે. ધુમાડા અને ગરમીના કારણે ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થયું છે, અને અનેક નાળિયેરીના વૃક્ષો બળી જતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. પરિસ્થિતિ વધુ ગંભીર બની છે કારણ કે કમ્પોઝ યાર્ડમાં મૃત પશુઓ પણ જોવા મળ્યા છે. આના કારણે ઝેરી વાયુ પ્રદૂષણનું સ્તર વધુ ખતરનાક બની શકે છે અને ચેપી રોગચાળાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક લોકો અને ખેડૂતોએ પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓનું કહેવું છે કે કમ્પોઝ યાર્ડમાં કચરાનું યોગ્ય સંચાલન થતું નથી અને વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નથી. આગ લાગ્યા પછી પણ તેને તાત્કાલિક કાબૂમાં લેવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી અને ઉડાવ જવાબો આપવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ જિલ્લા તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. આગને કાબૂમાં લેવા, પ્રદૂષણને રોકવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવા માટે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. જો તંત્ર સમયસર જાગૃત નહીં થાય, તો આ આગ અને પ્રદૂષણનું સંકટ વધુ વિકરાળ બની શકે છે, જેના ગંભીર પરિણામો સમગ્ર વિસ્તારમાં જોવા મળી શકે છે.
સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. આવતીકાલે હનુમાન જયંતિના પવિત્ર અવસરે લાખો ભક્તો સાળંગપુર પહોંચે તેવી સંભાવના છે. ભક્તોની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને બોટાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા માટે એક SP, એક DYSP, ચાર PI, દસ PSI સહિત 100થી વધુ પોલીસકર્મીઓ અને 120 GRD તથા TRB જવાનો તૈનાત રહેશે. વાહન વ્યવહાર અને પાર્કિંગ વ્યવસ્થા સુગમ બનાવવા માટે 12 જેટલી અલગ-અલગ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યાં હજારો વાહનો પાર્ક કરી શકાશે. આ ઉપરાંત, સાળંગપુર આવતા ભક્તોને સરળ માર્ગદર્શન મળી રહે તે માટે બોટાદ પોલીસે સોશિયલ મીડિયા પર એક ખાસ મેપ પણ જાહેર કર્યો છે. પોલીસે ભક્તોને આ મેપનું પાલન કરવા અપીલ કરી છે. બોટાદ ડિવાયએસપી મહર્ષિ રાવલેઆપી માહિતી.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12 ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલશે 'સેન્સ'નો દોરસુરત મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડ માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને ઝીણવટભરી રહેવાની છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ સેન્સ પ્રક્રિયા સતત ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં શહેરના તમામ 30 વોર્ડના દાવેદારોને નિરીક્ષકો દ્વારા રૂબરૂ સાંભળવામાં આવશે. આજે પ્રથમ દિવસે 12 વોર્ડ બાદ હવે આગામી બે દિવસમાં બાકીના વોર્ડનો વારો આવશે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે શક્તિ પ્રદર્શનશહેર ભાજપ દ્વારા મનપાની ચૂંટણી માટે કમર કસી લેવામાં આવી છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચાર અલગ-અલગ જૂથોમાં નિરીક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 12 નિરીક્ષકોની પેનલ સુરત આવી પહોંચી છે, જેઓ દરેક વોર્ડના કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે. ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, પક્ષમાં લોકશાહી ઢબે પ્રક્રિયા ચાલી રહી છે. પાટીદાર બહુલ 7 વોર્ડ પર વિશેષ ફોકસઆજની સેન્સ પ્રક્રિયામાં જે 12 વોર્ડ લેવામાં આવ્યા છે, તેમાંથી 7 જેટલા વોર્ડ પાટીદાર મતદારોના વર્ચસ્વ વાળા છે. મોટા વરાછા, સરથાણા, કાપોદ્રા, ફુલપાડા, કતારગામ અને સીંગણપોર જેવા વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જોરદાર લડત આપી હતી. આ વખતે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. 'પરિવારવાદ' પર બ્રેક અને 'નો રિપીટેશન'નું સસ્પેન્સટિકિટ ફાળવણીમાં પરિવારવાદ અંગે પૂછવામાં આવતા શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી પરિવારવાદમાં માનતી નથી. પક્ષ કાળજી રાખશે કે એક જ પરિવારના બે સભ્યોને ટિકિટ ન મળે. જોકે, પ્રવર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળશે કે નહીં તે અંગે તેમણે મૌન સેવ્યું હતું. ધાર્મિક માલવીયાની કેસરિયા સાથે દાવેદારીપાટીદાર અનામત આંદોલન (PAAS) ના અગ્રણી નેતા ધાર્મિક માલવીયા આજે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા અને વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડવા માટે પ્રબળ દાવેદારી નોંધાવી હતી. અગાઉ ઓલપાડ બેઠક પરથી ભાજપ સામે ચૂંટણી લડનારા ધાર્મિક માલવીયા હવે સત્તાધારી પક્ષના બેનર હેઠળ મેદાને ઉતરવા તૈયાર થયા છે. પત્ની AAPના પૂર્વ કોર્પોરેટર હોવા છતાં ભાજપમાં વિશ્વાસધાર્મિક માલવીયાની પત્ની આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રહી ચૂક્યા છે. જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે ટકોર કરતા કહ્યું કે, તેઓ AAPમાં કોર્પોરેટર હતા, અત્યારે નથી. તેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અને હવે તેઓ વકીલાતના વ્યવસાયમાં વ્યસ્ત છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘરમાં કોઈ રાજકીય વિખવાદ નથી. અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યાની એન્ટ્રીસુરતના રાજકારણમાં સૌથી મોટો ધડાકો અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાની એન્ટ્રીથી થયો છે. કાવ્યા કથીરિયાએ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માટે ભાજપમાંથી પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી છે. કાવ્યા અગાઉ કનકપુર-કનસાડ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, તેથી તેમની પાસે વહીવટી અનુભવ પણ છે. AAP પર કાવ્યા કથીરિયાના આકરા પ્રહારપોતાની દાવેદારી અંગે વાત કરતા કાવ્યા કથીરિયાએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટી પાસે કોઈ ચોક્કસ વિઝન નથી, તેઓ માત્ર જનતાને ભ્રમિત કરવાના નુસખા અપનાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નગરપાલિકામાં કરેલા વિકાસકામો અને લોકો સાથેનો સંપર્ક તેમનો મજબૂત પાયો છે. 50% મહિલા અનામત, 'ડાઉન ટુ અર્થ' બહેનોની શોધમનપામાં 50% મહિલા અનામત અમલી હોવાથી મહિલા દાવેદારોમાં ભારે ઉત્સાહ છે. મહિલા નિરીક્ષકોએ જણાવ્યું હતું કે, અમે એવી બહેનોને પ્રાધાન્ય આપીશું જે ગ્રાસરૂટ લેવલની કાર્યકર્તા હોય. માત્ર શોભાના ગાંઠિયા જેવી મહિલાઓ નહીં, પરંતુ જેઓ વોર્ડની સમસ્યાઓને વાચા આપી શકે તેમને અગ્રીમતા અપાશે. ડોક્યુમેન્ટ્સ વગર એન્ટ્રી નહીંભાજપ દ્વારા આ વખતે ઉમેદવારી ઈચ્છુકો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દરેક ઉમેદવારે 3 પાસપોર્ટ સાઈઝ ફોટા, વર્ષ 2026ની લેટેસ્ટ મતદાર યાદીમાં નામ હોય તે પેજની નકલ, અને તમામ સરકારી વેરા ભરાયા હોવાના પુરાવા રજૂ કરવા પડશે. પાટીદાર સમાજ અને વોટ બેંકનું ગણિતધાર્મિક માલવીયા અને કાવ્યા કથીરિયા જેવા ચહેરાઓને આગળ કરીને ભાજપ પાટીદાર વોટ બેંકમાં ગાબડું પાડવા માંગે છે. ધાર્મિક માલવીયાએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે પાટીદાર સમાજ ખૂબ જ સમજુ છે. જે લોકોએ સમાજની મુશ્કેલીઓમાં સાથે ઉભા રહીને અવાજ ઉઠાવ્યો છે, સમાજ તેમની તરફેણમાં જ વિચારશે. પારિવારિક સહમતી અને સપોર્ટરાજકારણ વિશે કાવ્યાએ સ્પષ્ટ કર્યું કે, પારિવારિક જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ અલ્પેશ કથીરિયા સાથે ચર્ચા કરીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ચૂંટણીમાં અલ્પેશ કથીરિયાના સપોર્ટ અને પ્રચાર-પ્રસાર અંગે પણ તેમણે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતાશહેર ભાજપ પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ દાવેદાર સામે ભ્રષ્ટાચાર કે અન્ય ગંભીર આરોપો હશે, તો તેનો રિપોર્ટ સીધો શિસ્ત સમિતિને મોકલવામાં આવશે. પક્ષની છબી ખરડાય તેવા કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે નહીં. ક્લીન ઈમેજ ધરાવતા ચહેરાઓને જ પ્રાધાન્ય મળશે. રિપોર્ટ કાર્ડના આધારે ટિકિટની વહેંચણીનિરીક્ષકો દ્વારા આ ત્રણ દિવસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમામ વિગતોનું સંકલન કરવામાં આવશે. નિરીક્ષકો પોતાનો સીલબંધ રિપોર્ટ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સુપરત કરશે. કાર્યકર્તાઓના કામના આધારે જ ટિકિટની વહેંચણી થશે. સુરતના રાજકારણમાં હવે શું?સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પ્રદેશ ભાજપ પર ટકેલી છે. 30 વોર્ડના હજારો દાવેદારોમાંથી કોનું નસીબ ચમકશે તે જોવાનું રહેશે. આગામી બે દિવસની સેન્સ પ્રક્રિયામાં હજુ પણ અનેક મોટા અને ચોંકાવનારા ચહેરાઓ સામે આવે તેવી પૂરી સંભાવના છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

26 C