SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

ગઢડા શહેરની વિદ્યાર્થીનીએ બે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું:ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, IQ ટેસ્ટમાં બીજો ક્રમ મેળવ્યો

બોટાદ જિલ્લાના ગઢડા શહેરની ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાજલબેન જાનીભાઈ સુમરાએ બે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે. કાજલબેને કોલેજમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત, તેમણે આઈક્યુ (IQ) ટેસ્ટમાં પણ બીજો ક્રમ મેળવીને પોતાની બૌદ્ધિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. જાનીભાઈ સુમરાની પુત્રી અને બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા સિકંદર જોખીયાના મામાના દીકરી કાજલબેનની આ સિદ્ધિ બદલ સંધિ સમાજ અને સમગ્ર બોટાદ જિલ્લામાં તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજના સ્ટાફ દ્વારા કાજલબેનને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ આવી જ પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 12:49 pm

ખંભાળીયા-દ્વારકા હાઈવે પર મીની બસનો અકસ્માત:વડોદરાના 7 યાત્રીઓ ઘાયલ, કોઈ જાનહાનિ નહીં

જામ ખંભાળીયા-દ્વારકા નેશનલ હાઈવે પર એક ખાનગી મીની બસનો અકસ્માત થયો છે. નંદાણા નજીક બનેલી આ ઘટનામાં વડોદરાથી દ્વારકા દર્શન કરવા જઈ રહેલા 17 યાત્રીઓ પૈકી 7 લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, બસ ચાલકને ઝોકું આવી જતાં બસ રોડની સાઈડમાં ખાડામાં ખાબકીને પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં 4 મહિલાઓ અને 3 પુરુષોને ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામ ખંભાળીયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 12:42 pm

ડુમસ સી-ફેસ ખાતે શ્રમદાન કાર્યક્રમ:મનપા કમિશનર અને પૂર્વ મેયર સહિત 4000થી વધુ શહેરીજનોએ સફાઈ હાથ ધરી ડુમ્મસ સી ફેસને ચમકાવ્યો, 212 કિલો કચરાનો નિકાલ કરાયો

સુરત મહાનગરપાલિકા દ્વારા આજે રવિવારે સવારે શહેરના નવનિર્મિત અને લોકપ્રિય પર્યટન સ્થળ ડુમસ સી-ફેસ ખાતે એક વિશાળ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ લોકાર્પણ થયેલ આ સ્થળ સુરતવાસીઓ અને આસપાસના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ખાસ કરીને વીકેન્ડમાં અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જ્યાં આજે અનેક લોકોએ ભેગા મળીને આપ સફાઈ હાથ ધરી હતી. મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળી ડુમ્મસ સી ફેસને ચમકાવ્યો શહેરની જાણીતી NGO જેવી કે 'ઇનોવેટીવ ફોર ઇન્ડિયા' અને 'ક્લીનઅપ સુરત' ના સ્વયંસેવકો, સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને 4000થી વધુ જાગૃત શહેરીજનોએ આ શ્રમદાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કમિશનર એમ નાગરાજન અને પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ ખુદ કચરો ઉપાડ્યો હતો અને લોકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી અનેક લોકોએ આ સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો હતો અને ડુમ્મસ સી ફેસને ચમકાવ્યો હતો. ક્રિએટર્સના માધ્યમથી લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ આપવા માટેનો પ્રયત્નકમિશનર એમ.નાગરાજને જણાવ્યું હતું કે, સુરત ડુમસ સી-ફેસ ખાતે આજે ક્રિએટર્સના માધ્યમથી લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ આપવા માટેનો એક પ્રયત્ન કર્યો છે. સાથે શ્રમદાનનું આયોજન કર્યું છે. જે ક્રિએટર ઇકોનોમી છે એની અંદર લોકોના ઘર સુધી પહોંચવા માટેનું જે પ્લેટફોર્મ ડિજિટલ માધ્યમથી ઊભું થયું છે. આ માધ્યમને અપનાવીને સ્વચ્છતાનો સંદેશ આપીને ઘરે-ઘરેમાં સૂકો કચરો અને ભીના કચરાને અલગ કરવાનો મુહિમ દરેક ભાઈ-ભાઈઓ, બહેનો, બાળકો, યુવાનો પણ હાથ ધરે અને કચરાને અલગ કરવાથી એનું પર્યાવરણનું જતન થાય અને આર્થિક રીતે પણ આપણને ફાયદો થઈ શકે અને રિસાયકલ-રિડ્યુસ બાબતમાં પણ ઉપયોગી થાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત જ્યારે વિશ્વ કક્ષાએ નામના મેળવી રહ્યું છે ત્યારે સ્વચ્છતામાં પણ આપણું જે કામ છે એ વિશ્વ કક્ષાનું હોય, અભિગમ મોટો હોય અને બેસ્ટ હોય એના માટેનો આ પ્રયત્ન છે. એમાં ક્રિએટર્સનો રોલ ખૂબ અગત્યનો છે અને એમને આજે સાથે રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 212 કિલો કચરાનો નિકાલશ્રમદાન દરમિયાન ઉપસ્થિત લોકોએ સાથે મળીને ડુમસ સી-ફેસ પરથી અંદાજે 212 કિલો જેટલો કચરો એકત્રિત કર્યો હતો. જેમાં મુખ્યત્વે પ્લાસ્ટિકની બોટલો, પાન-મસાલાના રેપર્સ, કાગળ અને પ્લાસ્ટિકની થેલીઓનો સમાવેશ થતો હતો. ગંદકી ના ફેલાવવા અને હંમેશા ડસ્ટબીનનો ઉપયોગ કરવા તાકીદકમિશનર એમ. નાગરાજને શહેરીજનોને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વચ્છતાને આપણા સ્વભાવમાં લાવવી જરૂરી છે. તેમણે કચરાના વર્ગીકરણ સુકો અને ભીનો કચરો અલગ રાખવા પર ભાર મૂક્યો હતો અને સુરત શહેરનું નામ વિશ્વ સ્તરે સ્વચ્છતામાં રોશન થાય તે માટે ઉચ્ચ સ્તરની જાળવણી કરવા અપીલ કરી હતી. પર્યટન સ્થળો પર ગંદકી ન ફેલાવવા અને હંમેશા ડસ્ટબીનનો ઉપયોગ કરવા પણ ખાસ તાકીદ કરવામાં આવી હતી. આ વખતના અભિયાનમાં સોશિયલ મીડિયા ક્રિએટર્સની ભૂમિકા મહત્ત્વની રહી હતી. ઉપસ્થિત ક્રિએટર્સને તેમની ક્રિએટિવિટી દ્વારા સ્વચ્છતા વિષયક રીલ્સ બનાવી લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવા પૂર્વ મેયરનું આહવાનપૂર્વ મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા રાખવી એ માત્ર સફાઈ કર્મચારીઓની જ નહીં, પણ સમગ્ર સુરતના નાગરિકોની સામુહિક જવાબદારી છે. તેમણે ડુમસ સી-ફેસને 'લીટર ફ્રી ઝોન' કચરા મુક્ત વિસ્તાર બનાવવા માટે સહકાર માંગ્યો હતો. આગામી સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં પણ સુરત શહેર પ્રથમ ક્રમાંક જાળવી રાખે તે માટે તેમણે તમામ શહેરીજનોને કટિબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાંઆ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન, પૂર્વ મેયર દક્ષેશભાઈ માવાણી, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, પૂર્વ દંડક ધર્મેશ વાણીયાવાલા સહિત પૂર્વ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્રના અધિકારીઓ જેવા કે ડેપ્યુટી કમિશનર મનીષ ડોક્ટર, ડેપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રી અને આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગર પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 12:27 pm

ગોધરા-વડોદરા હાઈવે પર અકસ્માતમાં યુવકનું મોત:વણાકપૂર પાસે કાર-બાઇક અકસ્માતમાં એક ગંભીર ઈજાગ્રસ્ત

ગોધરા-વડોદરા હાઈવે પર વણાકપૂર ગામ નજીક સિદ્ધિ હોટલ પાસે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતક યુવકની ઓળખ કાલિયા કૂવા ગામના જીતુ દશરથભાઈ નાયક (ઉંમર 21 વર્ષ) તરીકે થઈ છે. જીતુ નાયક તેમના બે મિત્રો સાથે લીલેસરા ગામેથી એક લગ્ન પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા, ત્યારે વણાકપૂર પાસે કાર સાથે તેમનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 12:27 pm

પાળીયાદ કુમારશાળાના બાળકોને ભોજન કરાવાયું:400 બાળકોને રસ પૂરીનું ભાવતું ભોજન પીરસાતા ખુશી

પાળીયાદ કુમારશાળામાં આશરે 400 બાળકોને રસ પૂરીનું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજન બોટાદ સંપ્રદાયના આચાર્યદેવ ગુરુદેવ નવિનચંદ્રજી મ.સા.ના સુશિષ્ય શાસન પ્રભાવક ગુરુદેવ જયેશચંદ્રજી મ.સા., શાસનરત્ન ડૉ.પૂ.સુપાર્શ્વચંદ્રજી મ.સા. તથા નવ દીક્ષિત પૂ.દેવાર્યચંદ્રજી મ.સા.ની પ્રેરણાથી યોજાયું હતું. આ ભોજન સમારંભ સ્વ. રાજભાઈ સમીરભાઈ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરાયો હતો. તેના દાતા તરીકે હ. રીટાબેન હરીશભાઈ વોરા (ઘાટકોપર, મુંબઈ) હતા. પાળીયાદ સેવા ટીમ અને ગુરુભક્તો દ્વારા બાળકોને ભોજન પીરસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બાળકોએ આ ભોજનનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 12:15 pm

યુવકે પ્રેમિકા સાથે મળી પત્નીને પીજીએ જઈને મારી:પીડિતાની મિત્રએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતા બન્ને ધમકી આપી ફરાર

શહેરના પંચવટી વિસ્તારમાં પતિથી અલગ થઈને રહેતી પત્નીને પતિ અને પતિની પ્રેમિકાએ ભેગા મળીને માર માર્યો હતો. એટલું જ નહીં બંનેએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પત્નીએ પતિ અને પ્રેમિકા વિરુદ્ધ ગુજરાતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિને અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાથી પત્ની અલગ રહે છેઆંબાવાડીમાં પીજીમાં રહેતા પ્રિયંકા પરીખે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રિયંકા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પ્રિયંકાના લગ્ન 2011માં વિશાલ પરીખ સાથે થયા હતા. બંનેને બે બાળક પણ છે જે હાલમાં વિશાલ અને તેના પરિવાર સાથે રહે છે. વિશાલને છેલ્લા 12 વર્ષથી વેજલપુરમાં રહેતી કિંજલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. પ્રિયંકા છેલ્લા ઘણા સમયથી પતિ વિશાલથી અલગ રહે છે અને બંનેનો છૂટાછેડાનો કેસ પણ ચાલુ છે. પોલીસને ફોન કરતા બન્ને ધમકી આપી ફરાર28 માર્ચના રોજ પ્રિયંકા તેના મિત્ર સાથે આંબાવાડીના પીજી ખાતે હતી, ત્યારે વિશાલ અને કિંજલ પીજી પર ગયા હતા. વિશાલે પ્રિયંકાને કહ્યું હતું કે, તું કેમ મારા ઘરે આવતી નથી. વિશાલે પ્રિયંકા સાથે ઝઘડો કરીને ઉશ્કેરાઈને ગાળો આપી છૂટા હાથની મારામારી કરી હતી. પ્રિયંકાએ બુમાબૂમ કરતા તેની મિત્ર આવી ગઈ અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા વિશાલ અને કિંજલ ત્યાંથી ભાગી ગયા હતા. જતા-જતા વિશાલે ધમકી આપી હતી કે, અમારા બંને વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશું. આ અંગે પ્રિયંકાએ વિશાલ અને કિંજલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 12:13 pm

લોખંડના બેરલમાં લાકડાના વહેરની આડમાં છુપાવેલો દારૂ ઝડપાયો:રાજસ્થાનથી મોરબી જતો રૂ. 6.22 લાખનો જથ્થો જપ્ત, દારૂની હેરાફેરીનાં વધુ એક કિમીયા પર PCBએ પાણી ફેરવ્યું

ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે બૂટલેગરો અવનવા કિમીયા અજમાવી હેરાફેરી કરતા હોય છે. જોકે પોલીસ દ્વારા સમયાંતરે બૂટલેગરોનાં વિવિધ કિમીયાનો પર્દાફાશ કરાતો હોય છે. ત્યારે રાજકોટ PCBએ વિદેશી દારૂની હેરાફેરીનાં વધુ એક કિમીયાનો પર્દાફાશ કર્યો છે. જેમાં લોખંડના બેરલમાં લાકડાના પાવડરની આડમાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મોરબી ખાતે મોકલવામાં આવી રહ્યો હતો, જેને રાજકોટ પોલીસની સતર્કતાને કારણે સફળતાપૂર્વક પકડી લેવામાં આવ્યો છે. દારૂની બોટલો ભરી તેની ઉપર લાકડાનો પાવડર પાથરી દીધોપોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની વિગત મુજબ, પી.સી.બી.ના જવાનો જ્યારે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી ચોક્કસ અને સંયુક્ત હકીકતના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બૂટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અત્યંત ચાલાકીભરી પદ્ધતિ અપનાવવામાં આવી હતી. તેઓએ વાદળી રંગના લોખંડના નાના 28 બેરલોનો ઉપયોગ કર્યો હતો. આ બેરલોમાં ઇંગ્લીશ દારૂની બોટલો ભરી તેની ઉપર લાકડાનો પાવડર (વહેર) પાથરી દેવામાં આવ્યો હતો. જેથી બહારથી જોતા માત્ર લાકડાનો સામાન જ હોય તેવું લાગે. પોલીસે રેડ દરમિયાન કુલ 174 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યોઆ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે દરોડો પાડ્યો હતો. આ સમગ્ર દરોડા દરમિયાન પોલીસે કુલ 174 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 6,22,680 આંકવામાં આવી છે. જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં વિશ્વભરની જાણીતી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. દારૂ મોકલનાર અને સ્વીકારનાર બંનેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાઆ કેસમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી રવાના કરનાર મુખ્ય સૂત્રધાર અને મોરબી ખાતે આ જથ્થો સ્વીકારનાર વ્યક્તિને પકડવાના હજુ બાકી છે. પોલીસ દ્વારા આ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ પીસીબી પોલીસની આ કામગીરીથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બૂટલેગરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 11:59 am

યુવકનું ફેક ઈન્સ્ટા આઈડી બનાવી મહિલાની મેસેજ:CISFના ASIની પત્નીના ગળામાંથી 48 ગ્રામની ચેન તોડી બાઇક ચાલકો ફરાર

અમદાવાદ એરપોર્ટ ખાતે CISFમાં ASI તરીકે ફરજ બજાવતા વિજય કુમારના પત્ની સેલવીબેન સવારના સમયે તેમના દીકરા સાથે ચાંદખેડાના ઉત્સવ કોર્નર પાસેથી મોર્નિંગ વોક માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક ઉપર હેલ્મેટ પહેરીને બે શખસ આવ્યા હતા, જેમાંથી બાઈકની પાછળ બેઠેલા શખસે સેલવીબેનના ગળામાં રહેલા 48 ગ્રામનો સોનાનો દોરો ચોરી લીધો હતો. આ દરમિયાન સેલવીબેન અને પાછળ બેઠેલા વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થતા પાછળ બેઠેલા વ્યક્તિનું હેલ્મેટ નીકળી ગયું હતું. જોકે, લૂંટ કરીને બંને નાસી ગયા હતા. 1.70 લાખના દાગીના ખેંચી ફરાર થઈ જનાર બાઈક પર આવેલા બંને શખસ વિરુદ્ધ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવકનું ફેક ઈન્સ્ટા આઈડી બનાવી મહિલાને મેસેજઆંબાવાડીમાં રહેતો 28 વર્ષનો યુવક તાલુકા પંચાયતમાં નોકરી કરે છે. આ યુવકને તેના પડોશમાં રહેતા વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું કે, તું મારા ભાભીને ઈન્સ્ટાગ્રામ આઈડી પર ખરાબ મેસેજ કેમ કરે છે. યુવકે મેસેજ ન કર્યો હોવાથી યુવક ઘરે આવીને મળ્યો ત્યારે યુવકના નામનું આઈડી પરથી મહિલાને મેસેજ આવેલા હતા, જેમાં યુવકનો ફોટો પણ લાગેલો હતો. યુવકે તપાસ કરતા યુવકના નામનું કોઈ અજાણ્યા વ્યક્તિએ ફેક આઈડી બનાવી મહિલાને મેસેજ કર્યા હતા. જે અંગે યુવકે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગેમ રમતી વખતે એપ્લિકેશન ડાઉનલોડ કરતા ખાતામાંથી પૈસા ગયબસરસપુરમાં રહેતા અશ્વિન ચૌહાણે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તે મોબાઈલ ફોનમાં ગેમ રમતો હતો. ત્યારે અલગ-અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જાહેરાત આવી હતી, જેથી અશ્વિને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ખોલતા જ અચાનક ફોન હેક થઈ ગયો હતો. જે ફોન ઘરમાં મૂકી દીધો અને રાતના સમયે અશ્વિન દૂધ લેવા ગયો હતો. દૂધ લીધા બાદ અશ્વિને ઓનલાઇન પેમેન્ટ કર્યું. જે પેમેન્ટ કર્યા બાદ ફોનમાં બેલેન્સ ચેક કરતા ખાતામાંથી 99 હજાર રૂપિયા ઓછા થયા હતા. જેથી અશ્વિને બેંકમાં જઈને તપાસ કરી તો અજાણ્યા વ્યક્તિએ તેના ખાતામાંથી 99000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હોવાની જાણ થઈ હતી. સાઈબર ફ્રોડની જાણ થતા અશ્વિને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 11:55 am

નવસારીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ:12 ફૂટથી ઊંચી ગણેશ મૂર્તિ બનાવનાર સામે કાર્યવાહી

નવસારી જિલ્લામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી 12 ફૂટથી વધુ ઊંચી ગણેશ મૂર્તિઓ બનાવનાર સામે રૂરલ પોલીસે કાર્યવાહી કરી છે. છાપરા ગામમાં આવેલા શિવમ મૂર્તિ કેન્દ્રના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી અન્ય મૂર્તિકારોમાં પણ ચિંતા વ્યાપી છે. નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટે તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, જળ પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણની સુરક્ષા માટે ગણેશ મૂર્તિઓની ઊંચાઈ 12 ફૂટથી વધુ ન રાખવા તેમજ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવા સહિતના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ જાહેરનામાના અમલીકરણ માટે નવસારી રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર હિરલબેન બારોટ અને તેમની ટીમ જમાલપોર ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન, પોલીસ ટીમે છાપરા ગામમાં ગાંધી ફાટક બ્રિજ પાસે આવેલા 'શિવમ મૂર્તિ કેન્દ્ર' પર તપાસ કરી હતી. દુકાન માલિક આનંદ મહાદેવ દાસની હાજરીમાં મૂર્તિઓની માપણી કરવામાં આવતા, ગણેશજીની બે મૂર્તિઓ આશરે 14 ફૂટ ઊંચી મળી આવી હતી, જે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હતી. સામાન્ય રીતે, બંગાળી કારીગરો ગણેશ મહોત્સવ માટે વહેલા મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દે છે. જો શરૂઆતમાં જ 12 ફૂટથી ઊંચી મૂર્તિઓ બનાવતા અટકાવવામાં ન આવે, તો મોટી સંખ્યામાં આવી મૂર્તિઓ બની જાય છે. ત્યારબાદ કારીગરો આર્થિક નુકસાનનો દાવો કરીને સમાધાનની વાત કરે છે. આ પરિસ્થિતિ ટાળવા માટે, પોલીસે આ વર્ષે માર્ચ મહિનાથી જ જાહેરનામાનું કડક અમલીકરણ શરૂ કર્યું છે. કલેક્ટરના જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મૂર્તિની ઊંચાઈ 12 ફૂટથી વધારે હોવી જોઈએ નહીં. આ નિયમનો ભંગ કરી વધુ ઊંચાઈ ધરાવતી મૂર્તિઓ બનાવતા હોવાનું જણાતા પોલીસે આનંદ મહાદેવ દાસ વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ 223 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જાહેરનામામાં કઈ બાબતો પર છે પ્રતિબંધ?* પી.ઓ.પી. (PoP) મૂર્તિઓનું કુદરતી નદી-તળાવમાં વિસર્જન કરવા પર.* ઝેરી કેમિકલ કે સિન્થેટીક કલરના ઉપયોગ પર.* મૂર્તિની ઊંચાઈ 12 ફૂટથી વધારે રાખવા પર.* ખંડિત કે વેચાયા વગરની મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડવા પર. શું કહે છે ગણેશ મંડળના પ્રમુખ આ મામલે નવસારી શહેરના ગણેશ મંડળના પ્રમુખ પ્રવીણ શિંદે સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ મામલે મને માહિતી નથી પરંતુ મૂર્તિકારો સાથે બેઠક કરીને તેમણે આટલી ઊંચી મૂર્તિ બનાવવાનો ઓર્ડર કયા ગણેશ મંડળે આપ્યું તેની માહિતી મેળવીશું સાથે જ આ જાહેરનામું ગણેશ મંડળોના ધ્યાને નથી જેથી અમે આ મામલે નવસારી પ્રાંત સાથે પણ બેઠક કરશુ

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 11:52 am

સાયબાપુરમાં સરકારી માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે ₹2.40 કરોડના ખર્ચે નિર્માણ

હિંમતનગર તાલુકાના સાયબાપુર ગામે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગામમાં ₹2 કરોડ 40 લાખના ખર્ચે નિર્માણ થનારી સરકારી માધ્યમિક શાળાના મકાનનું ખાતમુહૂર્ત હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, આ નવી શાળાના નિર્માણથી ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ વધુ મજબૂત બનશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સુવિધાયુક્ત વાતાવરણ મળશે, જેનાથી ગામના શૈક્ષણિક વિકાસને વેગ મળશે. કાર્યક્રમમાં APMC ડિરેક્ટર તથા બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ રાજુભાઈ પંચાલ, હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ અને ભગીરથસિંહ ઝાલા, બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ વનરાજસિંહ રાઠોડ, જીતેન્દ્રસિંહ ઝાલા, રામસિંહ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સમગ્ર શિક્ષા અભિયાનના ઈજનેર અર્ચનાબા જાડેજા, શાળાના આચાર્ય અને શિક્ષકગણ, ગામના સક્રિય કાર્યકર્તા પૃથ્વીસિંહ રાઠોડ, ડેપ્યુટી સરપંચ ઇન્દ્રસિંહ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી સરપંચ, અન્ય સિનિયર આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રકલ્પથી સાયબાપુર ગામમાં શિક્ષણ ક્ષેત્રે નવી ઊર્જાનો સંચાર થશે અને ભાવિ પેઢી માટે ઉજ્જવળ તકોનું નિર્માણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 11:47 am

ભરૂચમાં 28 જોડા દ્વારા સમૂહ જવારા સ્થાપના:જુના તવરા ખાતે ક્ષત્રિય સમાજે ચૈત્ર સુદ અગિયારસના દિવસે સ્થાપના કરી

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ચૈત્ર સુદ 11, રવિવારના રોજ માતાજીના સમૂહ જવારાની વિધિવત સ્થાપના કરવામાં આવી. આ અવસરે કુલ 28 જોડા દ્વારા સમૂહ જવારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. આગામી પાંચ દિવસ સુધી સવાર અને સાંજ માતાજીના જવારાનું પૂજન-અર્ચન કરવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત ચૈત્ર સુદ પૂનમ, ગુરુવાર, તા. 2 જી એપ્રિલના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. બપોરે 2 વાગ્યે ગ્રહશાંતિ, સાંજે 4 વાગ્યે શ્રીફળ હવન, સાંજે 5 વાગ્યે માતાજીની શોભાયાત્રા, સાંજે 6 વાગ્યે મહાપ્રસાદ અને રાત્રે 9 વાગ્યે રાસ-ગરબા યોજાશે. તદુપરાંત, શુક્રવાર, તા. 3 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે માતાજીના જવારાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 11:47 am

દ્વારકા ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી:આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે દંડ અને લોક કરાશે

દ્વારકા ટ્રાફિક પોલીસે શહેરના જાહેર માર્ગો અને મંદિર આસપાસ આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. નિયમ ભંગ કરનાર વાહનોને લોક કરવામાં આવશે અને દંડ પણ વસૂલવામાં આવશે. રોડ પર ગેરકાયદે પાર્કિંગ હવે સહન કરવામાં આવશે નહીં. ટ્રાફિકમાં અવરોધ સર્જતા અને બેદરકારીથી પાર્કિંગ કરતા વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી છે. દ્વારકા ટ્રાફિક પોલીસે નાગરિકોને નિયમોનું પાલન કરવા અને શહેરમાં સુવ્યવસ્થિત ટ્રાફિક જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 11:47 am

ખાંધોલ ગામે શિક્ષણ-બાળ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ:₹2.49 કરોડના ખર્ચે સરકારી શાળા-આંગણવાડીનું નિર્માણ

હિંમતનગર તાલુકાના ખાંધોલ ગામે શિક્ષણ અને બાળ વિકાસને વેગ આપતા બે મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે સરકારી માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત અને નવી આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રકલ્પોમાં રૂપિયા 2 કરોડ 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર સરકારી માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે. જ્યારે રૂપિયા 9 લાખના ખર્ચે તૈયાર થયેલી નવી આંગણવાડીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ રૂપિયા 2 કરોડ 49 લાખના ખર્ચે આ વિકાસકામો હાથ ધરાયા છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, આ પ્રકલ્પો ગામના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સુવિધાઓથી ગામના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે અને નાના બાળકોના પોષણ તેમજ પ્રાથમિક સંભાળમાં સુધારો થશે. કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી દિલીપસિંહ મકવાણા, APMC ડિરેક્ટર તથા બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ રાજુભાઈ પંચાલ, હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, ભગીરથસિંહ ઝાલા અને યુવા મોરચા પ્રમુખ ભાવિકભાઈ દેસાઈ સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સરપંચ મનુભાઈ દેસાઈ, નવઘણભાઈ દેસાઈ, દીપેશભાઈ દેસાઈ, આચાર્ય જિગીશાબેન ડામોર, સમગ્ર શિક્ષા અભિયાનના ઈજનેર અર્ચનાબા જાડેજા, વાસણા (ઝુંપ) સરપંચ બાદરસિંહ ચૌહાણ, ગિરીશભાઈ પટેલ, ભોગીલાલ ગૌસ્વામી, હિરાભાઈ વાઘેલા, રામભાઈ મકવાણા, ભવાનસિંહ અને મગનભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ નવા પ્રકલ્પોથી ખાંધોલ ગામમાં શિક્ષણ અને બાળ કલ્યાણના ક્ષેત્રે નવી દિશા મળશે અને ગામના ભવિષ્ય માટે સકારાત્મક પરિવર્તન આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 11:40 am

વલસાડમાં 16 વર્ષીય સગીરા ગુમ, અપહરણની ફરિયાદ:નોકરી પર જવાનું કહી નીકળ્યા બાદ પરત ન ફરતાં પોલીસ તપાસ

વલસાડ શહેરમાંથી એક શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરા ગુમ થઈ છે. નોકરી પર જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ તે પરત ન ફરતા, પરિવારજનોએ વલસાડ સિટી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુમ સગીરાની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડમાં રહેતા આ પરિવારની 16 વર્ષીય સગીરા તેની માતાની તબિયત સારી ન હોવાથી તેમની જગ્યાએ શાક સુધારવા અને વાસણ ધોવાનું કામ કરવા ગઈ હતી. તે 26 માર્ચના રોજ ઘરેથી નોકરી પર જવા નીકળી હતી. સગીરા મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તેમણે સગીરાના મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન લાગ્યો ન હતો. પરિવારજનોએ સ્થાનિક આગેવાનો અને યુવકોની મદદ લઈને પણ સગીરાને શોધવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાની માતાએ તેના સાથી કામદારોને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સગીરા કામદારો સાથે નોકરી પરથી છૂટીને ઘરે જઈ રહી હતી ત્યારે કલ્યાણબાગ પાસે નવરંગ લસ્સી સેન્ટર સામે શાકભાજી માર્કેટમાં કામ હોવાનું જણાવી હતી. તેણે સાથી કામદારોને એમ પણ જણાવ્યું હતું કે તે મહેન્દ્રભાઈ સાથે ઘરે પરત આવશે. આ માહિતી મળતા પરિવારે તાત્કાલિક મહેન્દ્રભાઈનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે સગીરા તેમને મળવા ન આવી હોવાનું જણાવ્યું હતું. આથી પરિવારના સભ્યોમાં ચિંતા વધી ગઈ હતી. તેમણે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં સગીરાની શોધખોળ કરી હતી. ક્યાંય પત્તો ન લાગતા આખરે વલસાડ સિટી પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વલસાડ સિટી પોલીસની ટીમે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 11:31 am

રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ સુરતમાં:એન્જિ.-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા યોજાઈ, ચુસ્ત સુરક્ષા અને સ્ક્વોડની દેખરેખ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત 'ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ' (GUJCET) નો આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં પ્રારંભ થયો છે. એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હજારો વિદ્યાર્થીઓ આજે આ મહત્વપૂર્ણ પરીક્ષા આપી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે અવરજવર જોવા મળી હતી. રાજ્યમાં સુરતનું વર્ચસ્વ અને બેઠક વ્યવસ્થાઆ વર્ષે ગુજકેટની પરીક્ષામાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાં સુરત જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો છે. આંકડાકીય વિગતો મુજબ, સુરતમાં અંદાજે 18,000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓને સમાવવા માટે સુરત વહીવટી તંત્ર દ્વારા 101 જેટલી બિલ્ડિંગોમાં કુલ 1001 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત કેન્દ્ર પર નોંધાતા અહીં વહીવટી જવાબદારી પણ વિશેષ જોવા મળી રહી છે. ત્રણ તબક્કામાં પરીક્ષાનું આયોજનવિષયવાર ગુણભાર અને સમયને ધ્યાને રાખીને ગુજકેટની પરીક્ષા કુલ ત્રણ તબક્કામાં લેવામાં આવી રહી છે. જે મુજબ, પ્રથમ પેપર સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધીના લાંબા સત્રમાં યોજાયું હતું. ત્યારબાદ બીજું પેપર બપોરે 01:40 થી 02:40 અને અંતિમ પેપર સાંજે 04:00 થી 05:00 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. આ સમયપત્રક મુજબ વિદ્યાર્થીઓને દરેક પેપર વચ્ચે જરૂરી વિરામ પણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા અને સ્ક્વોડની દેખરેખપરીક્ષાની ગરિમા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ 101 પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, શિક્ષણ વિભાગ દ્વારા 'સ્પેશિયલ સ્ક્વોડ'ની રચના કરવામાં આવી છે. આ ટીમો પરીક્ષા દરમિયાન વિવિધ કેન્દ્રોની સરપ્રાઈઝ વિઝિટ કરી રહી છે, જેથી ચોરી કે અન્ય ગેરરીતિને સંપૂર્ણપણે અટકાવી શકાય. વિદ્યાર્થીઓની સુવિધા માટે તકેદારીગરમીના માહોલ અને પરીક્ષાના તણાવને ધ્યાને રાખીને સુરતની શાળાઓના સંચાલકોએ ખાસ તકેદારી લીધી છે. વિદ્યાર્થીઓને પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને કોઈ પણ પ્રકારની વહીવટી મુશ્કેલી ન પડે તે માટે વિશેષ હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પણ પોતાની મહેનત અને કારકિર્દીને નવી ઊંચાઈ આપવા માટે આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી રહ્યા હોવાનું જણાયું છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 11:14 am

જામનગરથી દ્વારકા 140 કિમી સાયકલ યાત્રા:પર્યાવરણ અને સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશ અપાયો

જામનગરથી તેર સાયકલ સવારોનું એક જૂથ દ્વારકા સુધીની 140 કિલોમીટરની સાયકલ યાત્રાએ નીકળ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ, ઇંધણની બચત અને સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો હતો. યાત્રા પૂર્ણ થયા બાદ સાયકલ સવારોએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. સાયકલ ક્લબ જામનગરના ફાઉન્ડર મેમ્બર અને શહેરના જાણીતા જનરલ સર્જન ડોક્ટરે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સાયકલ રાઈડ જામનગરથી દ્વારકા સુધી અંદાજે 140 કિલોમીટરની હતી. આ સાયકલ યાત્રા દ્વારા લોકોને પર્યાવરણ સુરક્ષા, ગેસ-પેટ્રોલની બચત કરવા અને વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવા પ્રેરણા આપવામાં આવી હતી. આ ઉપરાંત, સાયકલિંગથી શરીર તંદુરસ્ત રહે છે અને સ્વસ્થ જીવન જીવવા માટે સાયકલ એક શ્રેષ્ઠ માધ્યમ છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 11:05 am

કાનડામાં રૂ. 2.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે પ્રોટેક્શન દીવાલ સહિત મહત્વપૂર્ણ કામોનો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાનડા ગામે ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે રૂ. 2.42 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પોમાં પ્રોટેક્શન દિવાલ સહિતના મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે. આ વિકાસકાર્યો પૂર્ણ થવાથી ગામમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. આ ઉપરાંત, ગામના સર્વાંગી વિકાસને પણ વેગ મળશે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, મંડલ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ રાજુભાઈ પંચાલ, ઉપપ્રમુખ વનરાજસિંહ રાઠોડ, પ્રમુખ જયેશભાઈ બારોટ, મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, ભગીરથસિંહ ઝાલા, સાબરકાંઠા ક્ષત્રિય સમાજના પ્રમુખ ગજેન્દ્રસિંહ ચૌહાણ અને યુવા મોરચા મંત્રી પરેશસિંહ રાઠોડ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સરપંચ નરેન્દ્રસિંહ ઝાલા, મનુભાઈ દેસાઈ, કલ્પેશસિંહ પરમાર, ભારતસિંહ પરમાર, મનહરસિંહ ઝાલા અને ડેપ્યુટી સરપંચ કાલુસિંહ ઝાલા પણ હાજર રહ્યા હતા. તેમની સાથે ગામના અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાનડા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે વિકાસકાર્યો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 10:51 am

53 હજાર આંગણવાડી બહેનો હાઈટેક બનશે:સરકાર આપશે 5G સ્માર્ટફોન, પોષણ અભિયાનને મળશે ગતિ, e-HRMS પર થશે ડિજિટલ મોનિટરિંગ

રાજ્યમાં પોષણ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની અંદાજે 53 હજાર આંગણવાડી બહેનોને હવે હાઈટેક બનાવવામાં આવશે. આ અંતર્ગત તમામ બહેનોને લેટેસ્ટ 5G સ્માર્ટફોન અને ટ્રાવેલ એડપ્ટર આપવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ પોષણ ટ્રેકર એપને વધુ અસરકારક બનાવવાનો છે, જેથી બાળકો અને ગર્ભવતી મહિલાઓના પોષણ સંબંધિત ડેટાનું રિયલ ટાઈમમાં મોનિટરિંગ કરી શકાય. આંગણવાડી સેવાઓમાં ટેક્નોલોજીનો વ્યાપ વધશેસરકાર દ્વારા સ્માર્ટફોન વિતરણમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક આંગણવાડી બહેનને આપવામાં આવેલા ફોનનો રેકોર્ડ e-HRMS પોર્ટલ પર નોંધવામાં આવશે. સાથે જ, ફોન આપતી વખતે કર્મચારીનો ફોટો લેવામાં આવશે અને OTP આધારિત ચકાસણી પણ કરવામાં આવશે. આ પહેલથી આંગણવાડી સેવાઓમાં ટેક્નોલોજીનો વ્યાપ વધશે અને સરકારની યોજનાઓનો લાભ વધુ ઝડપથી અને અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 10:46 am

પાટણના ખાલક્ષાપીર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ.:રોડ પર ગંદા પાણી, સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન

પાટણ શહેરના ખાલક્ષાપીર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા વિકરાળ બની છે. ખાલક્ષાપીર માર્ગ પર આવેલી ઝીલ સોસાયટી, સાંઈ વિલા અને દેવાંસી સોસાયટી પાસે ગટરના ગંદા પાણી ફુવારાની જેમ રોડ પર રેલાઈ રહ્યા છે. આના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગંદા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાઈ છે. મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ખાલક્ષાપીર રોડ પર આવેલી આ ત્રણ સોસાયટીઓના રહીશોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની યોગ્ય જાળવણીના અભાવે અવારનવાર ગટરો ઉભરાવાની ઘટનાઓ બને છે. સ્થાનિક રહીશો દ્વારા આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિક રહીશ ભરત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગટરના પાણીના નિકાલ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ગંદકી અને દુર્ગંધના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ગટરના પાણી માર્ગો પર નદીની જેમ વહેતા હોવાથી વાહનચાલકોને પણ અકસ્માતનો ભય રહે છે. પાલિકા તંત્ર આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 10:39 am

મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન:181 ટીમે વૃદ્ધને કાયદાનું ભાન કરાવ્યું

જામનગરમાં બસમાં ટિકિટના પેમેન્ટ બાબતે મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનાર 60 વર્ષીય વૃદ્ધને 181 મહિલા હેલ્પલાઈન ટીમે કાયદાનું ભાન કરાવ્યું હતું. વૃદ્ધે પોતાની ભૂલ સ્વીકારી પીડિતાની માફી માંગી હતી, જેના પગલે સ્થળ પર જ સુખદ સમાધાન થયું. આ ઘટના જામનગર શહેરમાં બની હતી. બસમાં ફરજ બજાવતા મહિલા કંડક્ટર મુસાફરોની ટિકિટ કાપી રહ્યા હતા ત્યારે એક 60 વર્ષીય વૃદ્ધ મુસાફર સાથે ટિકિટના પેમેન્ટ બાબતે બોલાચાલી થઈ. વૃદ્ધે રાજકોટની ટિકિટ લીધા બાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેતા કંડક્ટરે જણાવ્યું કે ટિકિટ કપાઈ ગઈ છે, તે પહેલા જણાવવું જોઈતું હતું. આ સાંભળતા જ વૃદ્ધ ઉશ્કેરાઈ ગયા અને ભરી બસમાં અન્ય મુસાફરોની હાજરીમાં મહિલા કંડક્ટર સાથે અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યા. મામલો એટલો બિચક્યો કે વૃદ્ધે મહિલા પર હાથ ઉગામ્યો અને રાજકોટ પહોંચ્યા બાદ જોઈ લેવાની ધમકી પણ આપી. આ ઘટનાથી પીડિત મહિલાએ તુરંત 181 હેલ્પલાઈન પર કોલ કરી મદદ માંગી. કાઉન્સેલર ઈશિતા પરમાર, કોન્સ્ટેબલ ગીતાબેન ધારવિયા અને પાયલોટ રામજીભાઈ સિયારની ટીમ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી હતી. અભયમની ટીમે સૌપ્રથમ પીડિતાને શાંત પાડી આશ્વાસન આપ્યું. ત્યારબાદ ટીમે વૃદ્ધ પુરુષને કાયદાકીય જોગવાઈઓ અને સ્ત્રીની ગરિમા જાળવવા બાબતે ગંભીરતાથી સમજ આપી. 181 ની ટીમ દ્વારા અપાયેલી સમજ અને સલાહ બાદ વૃદ્ધને પોતાની ભૂલ સમજાઈ. તેમણે જાહેરમાં પીડિતાની માફી માંગી અને ભવિષ્યમાં કોઈ પણ મહિલા સાથે આવો વ્યવહાર નહીં કરવાની બાહેધરી આપી. પીડિત મહિલાએ પણ વૃદ્ધને માફ કર્યા અને 181 હેલ્પલાઈનનો આભાર માન્યો. આ સમગ્ર મામલે સ્થળ પર જ સુખદ સમાધાન આવ્યું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 10:34 am

ગુજકેટની પરીક્ષા, 8 કલાકમાં જ ત્રણ પેપર:વિદ્યાર્થિનીએ કહ્યું-એક જ દિવસમાં ત્રણ પેપર આપવા મુશ્કેલ થઈ જાય છે, 1 લાખથી વિદ્યાર્થીની આકરી કસોટી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2026ની પરીક્ષા યોજાઈ છે. ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજકેટ 2026 માટે 36 ઝોનની રચના કરવામાં આવી હતી. જ્યાં 668 પરીક્ષા સ્થળો પર 1.35 લાખ પરીક્ષાર્થીઓ છે. જો કે આ વખતે એક દિવસમાં એટલે કે સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધીમાં ત્રણ પેપર હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ પરીક્ષાનું અમદાવાદ શહેરમાં 59 અને ગ્રામ્યમાં 30 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ શહેરમાં 11,754 વિદ્યાર્થીઓ અને ગ્રામ્યમાં 6352 ગુજતેટના પરીક્ષાર્થીઓ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સૌથી વધુ અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થી છે. શહેરમાં ગુજરાતી મીડીયમમાં 2512, હિન્દી મિડિયમમાં 522 અને અંગ્રેજી મીડિયમમાં 8720 વિદ્યાર્થીઓ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં ગુજરાતી મીડીયમમાં 3097, હિન્દી મીડિયમમાં 109 અને અંગ્રેજી મીડિયમમાં 3146 વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી ન પડે તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં અધિકારીઓ 24 કલાક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને જ્યાં મુશ્કેલી સર્જાશે તો ત્યાં માર્ગદર્શન કરશે. તેમજ પરીક્ષામાં ગેરરીતિ ડામવા માટે તમામ કેન્દ્રો પર ખાસ પગલા પણ લેવામાં આવ્યા છે. દરેક પરીક્ષા સેન્ટર પર CCTV ની દેખરેખ હેઠળ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ખાતે પણ રાજ્યકક્ષાનો રાઉન્ડ ધ ક્લોક ચાલતો સ્ટેટ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ સવારે 7 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જ્યાંથી વિદ્યાર્થીઓ વાલીઓને અને શાળાઓને માર્ગદર્શન આપવામાં આવશે. જે માટે ઝોનના ઝોનલ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. તેમજ પરીક્ષાનો ડર દૂર કરવા માટે કાઉન્સિલિંગ કેન્દ્ર પણ શરૂ કરાયું છે. ગરમી હોવાથી પૂરતા પાણીની વ્યવસ્થા અને આરોગ્ય ટીમ પણ તૈનાત રખાઈ છે. ગુજકેટની પરીક્ષા હોવાથી અમદાવાદમાં વહેલી સવારથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર પહોંચી ગયા હતા. પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરીક્ષા સેન્ટર વિદ્યાર્થીઓને ફુલ આપીને મોઢું મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થી દક્ષ પટેલે જણાવ્યું હતું કે, ગુજકેટની પરીક્ષાની તૈયારી ખૂબ સારી કરી છે. જેથી કોઈપણ પ્રકારનો ડર લાગી રહ્યો નથી. આજની પરીક્ષા માટે આખું વર્ષ મહેનત કરી છે. બાયોલોજીમાં સૌથી વધુ માર્ક્સ કવર થઈ શકે એવો પ્રયાસ કરીશ. એક જ દિવસમાં ત્રણ પેપર પુછાતા હોવાથી થોડુંક અઘરું થઈ જતું હોય છે પરંતુ તૈયારી સારી હોવાથી સરળતાથી લખી શકાય છે. પેપર ગમે તેવું પુછાય તૈયારી સારી છે જેથી કોઈ વાંધો નહીં આવે. વિદ્યાર્થિની દેવાંશી પંચાલે જણાવ્યું હતું કે, દરરોજ ત્રણથી ચાર કલાક તૈયારી કરી છે. પહેલી સવારે ઊઠીને જ વાંચવાનું શરૂ કરી દેતી હતી. ઓનલાઇન લેક્ચર અને જાતે તૈયારી કરી છે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં સૌથી વધુ તૈયારી કરી છે. એક જ દિવસમાં ત્રણ પેપર આપવા અઘરું થઈ જતું હોય છે કારણ કે બોર્ડની પરીક્ષામાં દરરોજ એક એક પેપર પૂછાતા હોય છે. પેપર ગમે તેવું પુછાય તૈયારી સારી રીતે કરી છે જેથી કોઈ તકલીફ નહીં પડે. વિદ્યાર્થિની રિદ્ધિએ જણાવ્યું હતું કે, ધોરણ 12 શરૂ થયા ત્યારથી જ ગુજકેટ સહિતની પરીક્ષાની શરૂ દીધી હતી. તેમજ પેરા મેડિકલમાં એડમિશન લેવું હોય તો ગુજકેટની પરીક્ષા ફરજિયાત છે. જેથી આજની પરીક્ષા માટે ખૂબ સારી તૈયારી કરી છે. તૈયારી સારી કરી છે જેથી આશા છે કે પેપર સારું જશે. દરરોજ 8 થી 9 કલાક તૈયારી કરી છે. એક જ દિવસમાં ત્રણ પેપર ની પરીક્ષા આપવી થોડી અઘરી થઈ જતી હોય છે. કારણકે આપણાને એક દિવસમાં એક જ પેપર આપવાની ટેવ હોય છે. પરંતુ એક જ સાથે ત્રણ પેપર ની પરીક્ષા આપવી અઘરી થઈ જતી હોય છે. છે કે મીડીયમ પેપર પૂછાઈ શકે છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે અતિ મહત્વની પરીક્ષા યોજાઈ હતી. શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સાથે બેઠક પણ યોજાઈ હતી. પરીક્ષા CCTV ની દેખરેખ હેઠળ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમ પણ રાખવામાં આવી છે. કોઈ ગેરરીતિ ન થાય તે માટેની પણ તકેદારી રાખવામાં આવશે. આ વર્ષે ગુજકેટની પરીક્ષામાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાં સુરત જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો છે. આંકડાકીય વિગતો મુજબ, સુરતમાં અંદાજે 18,000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓને સમાવવા માટે સુરત વહીવટી તંત્ર દ્વારા 101 જેટલી બિલ્ડિંગોમાં કુલ 1001 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં પણ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ન્યૂ એરા સ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થિની મકવાણા નિધિએ જણાવ્યું હતું કે તે છેલ્લા 2 વર્ષથી આ પરીક્ષા માટે સખત મહેનત કરી રહી હતી. તેના મતે જે વિદ્યાર્થીઓ JEEની તૈયારી નથી કરતા તેમના માટે આ પરીક્ષા શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેના દ્વારા સારી કોલેજમાં એડમિશન મેળવવાની તકો વધી જાય છે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓએ મહેનત કરીને આ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા જોઈએ જેથી ભવિષ્યમાં સારી કોલેજમાં પ્રવેશ નિશ્ચિત કરી શકાય. આ જ શાળામાં પરીક્ષા આપવા આવેલ કાકડિયા ભક્તિએ જણાવ્યું હતું કે તે છેલ્લા 1 થી 1.5 વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી અને તેની તૈયારી ખૂબ જ સરસ થઈ છે. આ પરીક્ષાનું મહત્વ સમજાવતા તેણે ઉમેર્યું હતું કે એડમિશન પ્રક્રિયામાં 50% માર્ક્સ આ પરીક્ષાના અને 50% માર્ક્સ બોર્ડના ગણાય છે, જે એડમિશન મેળવવામાં મોટો ફેરફાર લાવી શકે છે. તેણે અન્ય વિદ્યાર્થીઓને પણ આ પરીક્ષા આપવાની સલાહ આપી હતી કારણ કે તેનાથી એડમિશનમાં ઘણો ફાયદો થાય છે. પરીક્ષાર્થી પારેખ ક્રિશા શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, મેં આ પરીક્ષા માટે ખૂબ જ સારી તૈયારી કરી છે. છેલ્લા ઘણા સમયથી હું રોજનું 8 થી 9 કલાક વાંચન કરતી હતી. પરીક્ષાને લઈને મારામાં ઘણો ઉત્સાહ છે અને મને વિશ્વાસ છે કે મારું પરિણામ સારું આવશે. અન્ય એક વિદ્યાર્થીની પાનસુરિયા અર્પિતાએ પણ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, મેં દિવસમાં 12 થી 13 કલાક મહેનત કરી છે. મારું સપનું એમ.બી.બી.એસ. (MBBS) માં પ્રવેશ મેળવવાનું છે, તેથી આ પરીક્ષા મારા માટે ખૂબ મહત્વની છે. મને આશા છે કે હું 92 થી 93 ટકા જેટલા માર્ક્સ મેળવી શકીશ.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 10:26 am

મેડિકલ-એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેનો ઉત્સાહ:રાજકોટમાં 46 કેન્દ્રોમાં 9306 વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા યોજાઈ, કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ગુજકેટ (GUJCET) ની પરીક્ષા આજે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં યોજાઈ હતી. રાજકોટમાં આ પરીક્ષા માટે તંત્ર દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 46 કેન્દ્રો પર 9306 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. સવારે 9:30 વાગ્યાથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ જેવા મહત્વના વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. પરીક્ષાના શિડ્યુલ મુજબ, સવારે 10:00 થી 12:00 દરમિયાન ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું સંયુક્ત પેપર લેવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરના સત્રમાં બાયોલોજી અને મેથ્સના પેપર લેવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરેક કેન્દ્રની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. જોકે આ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ન્યૂ એરા સ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીની મકવાણા નિધિએ જણાવ્યું હતું કે તે છેલ્લા 2 વર્ષથી આ પરીક્ષા માટે સખત મહેનત કરી રહી હતી. તેના મતે જે વિદ્યાર્થીઓ JEEની તૈયારી નથી કરતા તેમના માટે આ પરીક્ષા શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેના દ્વારા સારી કોલેજમાં એડમિશન મેળવવાની તકો વધી જાય છે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓએ મહેનત કરીને આ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા જોઈએ જેથી ભવિષ્યમાં સારી કોલેજમાં પ્રવેશ નિશ્ચિત કરી શકાય. આ જ શાળામાં પરીક્ષા આપવા આવેલ કાકડિયા ભક્તિએ જણાવ્યું હતું કે તે છેલ્લા 1 થી 1.5 વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી અને તેની તૈયારી ખૂબ જ સરસ થઈ છે. આ પરીક્ષાનું મહત્વ સમજાવતા તેણે ઉમેર્યું હતું કે એડમિશન પ્રક્રિયામાં 50% માર્ક્સ આ પરીક્ષાના અને 50% માર્ક્સ બોર્ડના ગણાય છે, જે એડમિશન મેળવવામાં મોટો ફેરફાર લાવી શકે છે. તેણે અન્ય વિદ્યાર્થીઓને પણ આ પરીક્ષા આપવાની સલાહ આપી હતી કારણ કે તેનાથી એડમિશનમાં ઘણો ફાયદો થાય છે. પરીક્ષાર્થી પારેખ ક્રિશા શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, મેં આ પરીક્ષા માટે ખૂબ જ સારી તૈયારી કરી છે. છેલ્લા ઘણા સમયથી હું રોજનું 8 થી 9 કલાક વાંચન કરતી હતી. પરીક્ષાને લઈને મારામાં ઘણો ઉત્સાહ છે અને મને વિશ્વાસ છે કે મારું પરિણામ સારું આવશે. અન્ય એક વિદ્યાર્થીની પાનસુરિયા અર્પિતાએ પણ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, મેં દિવસમાં 12 થી 13 કલાક મહેનત કરી છે. મારું સપનું એમ.બી.બી.એસ. (MBBS) માં પ્રવેશ મેળવવાનું છે, તેથી આ પરીક્ષા મારા માટે ખૂબ મહત્વની છે. મને આશા છે કે હું 92 થી 93 ટકા જેટલા માર્ક્સ મેળવી શકીશ. ઉલ્લેખનીય છે કે, પરીક્ષા આપતી વિદ્યાર્થીનીઓએ અન્ય પરીક્ષાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે, પરીક્ષાથી ગભરાવાની જરાય જરૂર નથી. આ કોઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી, તેથી કોઈપણ પ્રકારના ટેન્શન કે ડર વગર, પૂરા આત્મવિશ્વાસ સાથે પેપર લખવું જોઈએ. વાલીઓ અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા, જેથી તેઓ શાંત ચિત્તે પરીક્ષા આપી શકે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 10:22 am

હિંમતનગરમાં ગુજકેટ પરીક્ષા શરૂ:16 કેન્દ્ર પર કડક સુરક્ષા વચ્ચે વિદ્યાર્થીઓને પ્રવેશ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે ગુજકેટ (GUJCET) પરીક્ષાનું આયોજન કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કરવામાં આવ્યું છે. શહેરના કુલ 16 સીસીટીવી સુસજ્જ પરીક્ષા કેન્દ્રોમાં 157 બ્લોકમાં પરીક્ષા લેવાઈ રહી છે. પરીક્ષાની પારદર્શિતા અને શાંતિપૂર્ણ આયોજન સુનિશ્ચિત કરવા માટે દરેક કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ પહેલાં વિદ્યાર્થીઓની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે અને નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા લાગ્યા હતા અને તેમને નિયત સમય મુજબ કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ પરીક્ષા સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે. પ્રશાસન દ્વારા તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે સંચાલિત થાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓ કોઈપણ અવરોધ વિના પરીક્ષા આપી શકે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 10:05 am

વેરાવળમાં આરોગ્યનો હરિત મહાયજ્ઞ: પાંચ વર્ષથી લીમડાના રસથી નિઃશુલ્ક સેવા:રોજ 25 કિલો પાનથી તૈયાર થાય આયુર્વેદિક પીણું; ચૈત્ર માસમાં રોગપ્રતિકારક શક્તિ વધારતો અનોખો પ્રયાસ

આધુનિક જીવનશૈલીની ભાગદોડમાં જ્યાં લોકો આરોગ્યથી દુર થઈ રહ્યા છે, ત્યાં વેરાવળ શહેરમાં એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ લોકો માટે આશીર્વાદ સમાન બની છે. શહેરના શ્રીપાલ સોસાયટી વિસ્તારમાં રવીન ગોસ્વામી અને તેમના મિત્રો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચૈત્ર માસ દરમિયાન લીમડાના પાનનો રસ વિનામૂલ્યે પીવડાવવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે, જે હવે લોકચર્ચાનો વિષય બન્યો છે. દરરોજ સવારે 6 વાગ્યાથી શરૂ થતી આ સેવા માત્ર પીણું પૂરું પાડતી નથી, પરંતુ આરોગ્ય પ્રત્યે જાગૃતિનું સંદેશ પણ આપે છે. આસપાસના વિસ્તારોમાંથી લગભગ 25 કિલો જેટલા તાજા લીમડાના પાન એકત્રિત કરી તેમાંથી રસ તૈયાર કરવામાં આવે છે. વોકિંગ માટે નીકળતા નાગરિકો, મહિલાઓ, વડીલો અને શાળાએ જતા બાળકો પણ આ કડવા પરંતુ ગુણકારી રસનો સ્વીકાર કરી રહ્યા છે. રવીન ગોસ્વામી જણાવે છે કે લીમડો પ્રાચીન આયુર્વેદમાં મહત્વપૂર્ણ ઔષધી તરીકે ઓળખાય છે. ચૈત્ર માસ દરમિયાન તેનો સેવન શરીરને શુદ્ધ કરી વર્ષભર રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તેઓ કહે છે કે “આધુનિક જીવનમાં આપણે કુદરતી ઉપચારોથી દુર થઈ રહ્યા છીએ, ત્યારે આ નાનકડો પ્રયાસ લોકોમાં પરંપરાગત આરોગ્ય પદ્ધતિઓ પ્રત્યે વિશ્વાસ વધારવાનો છે.” વિશેષતા એ છે કે બાળકોને આ કડવો રસ પીવામાં સરળતા રહે તે માટે પીપરમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કારણે નાના બાળકોમાં પણ લીમડાના રસ પ્રત્યે ઉત્સાહ જોવા મળે છે, જે આ સેવાયજ્ઞની લોકપ્રિયતાનું મહત્વપૂર્ણ કારણ બન્યું છે. મર્યાદિત સેવન જરૂરી, તજજ્ઞોની સલાહ અનિવાર્ય આયુર્વેદ મુજબ લીમડો ખૂબ ગુણકારી હોવા છતાં તેનું અતિ સેવન હાનિકારક બની શકે છે. ચૈત્ર માસમાં તેનું મર્યાદિત સેવન લાભદાયક ગણાય છે, પરંતુ વર્ષભર તેનો ઉપયોગ સૌ માટે યોગ્ય નથી. શરીરની પ્રકૃતિ અને દોષોના આધારે આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લઈને જ તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. લીમડાના રસના લાભો પણ ઓછા નથી લીમડામાં રહેલા એન્ટી-ફ્લેટ્યુલેન્ટ અને એન્ટાસિડ ગુણો પાચનક્રિયાને સુધારે છે અને ગેસ-એસિડિટીને નિયંત્રિત કરે છે. ફાઈબર યુક્ત હોવાને કારણે આંતરિક સ્વસ્થતા જાળવવામાં મદદરૂપ બને છે. એન્ટીઓક્સિડન્ટ તત્વો શરીરને ડિટોક્સ કરી ઓક્સીડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે, જ્યારે ત્વચા માટે પણ તે અત્યંત લાભદાયક સાબિત થાય છે. આ રીતે વેરાવળમાં ચાલી રહેલો આ સેવાયજ્ઞ માત્ર આરોગ્ય જાળવણી માટે જ નહીં, પરંતુ સમાજમાં સેવાભાવ, પરંપરા અને આયુર્વેદ પ્રત્યે નવી પેઢીમાં વિશ્વાસ જગાવતો એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 9:33 am

અજાણ્યા વાહને મહિલાને અડફેટે લેતા હાઈવે પર માંસના લોચા ઉડ્યા:લગ્નમાંથી પરત ફરતા દંપતીનો વડોદરા NH-48 પર અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે જ મોત

વડોદરા નજીક નેશનલ હાઈવે-48 પર ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા ભારે વાહનની ટક્કરે બાઈક સવાર 43 વર્ષીય મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. લગ્ન પ્રસંગમાંથી પતિ સાથે પરત ફરી રહેલી મહિલાને અંધારામાં પાછળથી આવતા વાહને જોરદાર ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું અને રસ્તા પર માંસના લોચા પથરાયા હતા. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. ભયાનક અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુંપ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક મહિલા અને તેમના પતિ લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતા અને મંજુસર તરફ જઈ રહ્યા હતા. અંધારામાં અચાનક પાછળથી આવતી મોટી ગાડીએ તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાનું તાત્કાલિક ઘટનાસ્થળે જ મોત થયું હતું અને રસ્તા પર માસના લોચા પથરાયા હતા. 'અંધારામાં પાછળથી આવતી મોટી ગાડીએ ટક્કર મારી' મૃતક મહિલાના પતિ નાસિરઅલી એ જણાવ્યું હતું કે, અમે લગ્નમાંથી આવીને મંજુસર તરફ જઈ રહ્યા હતા. અચાનક પાછળથી મોટી ગાડી આવી અને અમારી બાઇકને ટક્કર મારી. અંધારામાં કંઈ ખબર જ ન પડી અને આ અકસ્માત સર્જાયો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યોસમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાની ઉંમર આશરે 43 વર્ષ છે, પોલીસે મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. હાલમાં આ મામલે પોલીસે ફરાર ચાલકની શોધમાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અવાર નવાર નેશનલ હાઈવે પર સર્જાઈ રહેલા અકસ્માત પર લગામ કસવા માટે તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ પણ વાંચો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રકે બાઈક સવારને કચડ્યા; દીકરી માટે મુરતિયો જોવા નીકળ્યા ને અકસ્માત થયો, સાસુ અને જમાઈના મોત અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરાના ફાજલપુર ગામ નજીક આજે એક રુંવાડા ઉભા કરી દે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રકચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા સાસુ-જમાઈના મોત નિપજ્યા હતા. દંપતી દીકરીની સગાઈ માટે છોકરો જોવા જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના શરીરના અંગો છિન્નભિન્ન થઈ હાઈવે પર વિખરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જ્યારે ઘટનાસ્થળે હાજર એક મહિલાના હૈયાફાટ રુદન અને 'આમને ઉઠાવો, નહીંતર મરી જશે' તેવા આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. નંદેસરી પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) વડોદરા NH-48 પર કારચાલકે દાદી-પૌત્રને ઉડાવ્યાં, બંનેનાં મોત; રોડ ક્રોસ કરતાં હતાં ને કાળમુખી કારે ટક્કર મારી ત્રણ મહિના અગાઉ વડોદરા નેશનલ હાઈવે-48 પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ કારચાલકે રોડ ક્રોસ કરી રહેલાં દાદી અને પૌત્રને જોરદાર ટક્કર મારી ઉડાવ્યાં હતાં. આ ગમખ્વાર અકસ્માતમાં બંનેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. દાદી અને પૌત્ર પોતાના ગામડેથી શહેરમાં રહેતા દીકરાના ઘરે આવી રહ્યાં હતાં, એ દરમિયાન હાઈવે ઓળંગતી વખતે કાળમુખી કારે તેમને અડફેટે લીધાં હતાં. (સંપૂર્ણ સમાચાર વાંચો) વડોદરા પાસે NH-48 પર અકસ્માતમાં શાહ દંપતીનું મોત; પતિ-પત્ની ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવ્યાં બાદ ટ્રક ફરી વળ્યું 4 મહિના અગાઉ વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર કપૂરાઈ ચોકડી પર ગમખ્વાર અકસ્માત થયો હતો. બાઇકસવાર દંપતી ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવ્યા બાદ ટ્રક તેમના પર ચડી જતાં બંનેનું મોત થયું હતું. આજવા ચોકડીથી કપૂરાઈ ચોકડી તરફ જવાના માર્ગે અકસ્માત સર્જાયો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 9:14 am

દુદખામાં પિતરાઈ ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો:કલેક્ટરના આદેશ છતાં જમીન પરત ન કરતા ફરિયાદ

પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામે પિતરાઈ ભાઈની જમીન પચાવી પાડવા બદલ એક શખ્સ વિરુદ્ધ 'ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020' (લેન્ડ ગ્રેબિંગ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કલેક્ટર પાટણની સમિતિ દ્વારા સાત દિવસમાં કબજો સોંપવાના આદેશનું ઉલ્લંઘન થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી રણછોડભાઈ પરમાભાઈ વણકર (રહે. દુદખા) ની સર્વે નંબર 497 વાળી આશરે 12 વીઘા જમીન તેમના પિતા અને દાદાના સમયથી વારસામાં મળેલી છે. આશરે 20 વર્ષ પહેલા પિતાના અવસાન બાદ, રણછોડભાઈ અને તેમના ભાઈઓએ વિશ્વાસ રાખીને આ ખેતર પિતરાઈ ભાઈ જગાભાઈ તેજાભાઈ વણકરને ભાગે ખેડવા આપ્યું હતું. જોકે, વિશ્વાસઘાત કરીને આરોપી જગાભાઈએ ખેતરમાં વચોવચ શેઢો પાડી દીધો હતો. તેમણે 'તમારા પિતા કરતાં મારા પિતાને ઓછી જમીન મળી હતી' તેવું બહાનું કાઢીને આશરે 8 વીઘા જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી લીધો હતો. વર્ષો સુધી સામાજિક સમજાવટ અને સગા-સંબંધીઓ દ્વારા મધ્યસ્થી કરાવવાના પ્રયાસો છતાં આરોપીએ જમીન ખાલી કરી ન હતી. ન્યાય ન મળતા, ફરિયાદીએ 18 જુલાઈ 2025ના રોજ પાટણના કલેક્ટરને ઓનલાઇન અરજી કરી હતી. આ અરજીની તપાસ મામલતદાર સમી અને પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તપાસ અહેવાલના આધારે, ગત 09 માર્ચ 2026ના રોજ પાટણ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો કે આરોપીએ સાત દિવસમાં જમીનનો કબજો અસલ માલિકને સોંપી દેવો, અન્યથા તેમની સામે એફ.આઈ.આર. દાખલ કરવી. કલેક્ટરના આદેશ અને મામલતદાર સમીના પત્ર છતાં આરોપીએ જમીન ખાલી ન કરતા, અંતે રણછોડભાઈ વણકરે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી જગાભાઈ તેજાભાઈ વણકર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ 4(3) અને 5, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 329(૩), તથા જી.પી. એક્ટની કલમ 120 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 9:00 am

ભાવનગરમાં યુવકને રોડ વચ્ચે છરીના ઘા મારી પતાવી દીધો, VIDEO:ત્રણ અજાણ્યા શખસોએ મોપેડ રોકી જીવલેણ હુમલો કર્યો, રાહદારી રોકવા આવ્યો છતાં ન રોકાયા, પોલીસ તપાસ શરૂ

ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે ગત રાત્રે (28 માર્ચ)એ એક 29 વર્ષીય યુવાનની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અચાનક તૂટી પડેલા હુમલાખોરોએ પેટના ભાગે ઉપરાઉપરી ઘા માર્યા હતા, જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલ પહોંચતા જ મોત નીપજ્યું હતું. હત્યાની સંપૂર્ણ ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. ઘટનાની જાણ થતાં ASP અને Dy.SP સહિત વરતેજ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાણવા અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પેટના ભાગે આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યોભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સીદસર નજીક આવેલા વાળુંકડ ગામમાં ગત રાત્રે યુવાનની કરપીણ હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં અજાણ્યા શખ્સોએ રવિભાઈ અનિલભાઈ ક્લોતરા (ઉ.વ 29)ને પેટના ભાગે આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો.બનાવની જાણ થતાં જ ASP, સીટી Dy.SP તેમજ વરતેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહને ખુલ્લી મેજીક વાહનમાં ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક માહિતી મુજબ હત્યાના કારણો અંગે હજી સ્પષ્ટતા થઈ નથી અને પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે. રસ્તા પરથી પસાર થતાં કારચાલકે સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કર્યોહત્યાની ઘટનાનો વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, તે સમયે ત્યાંથી પસાર થતાં કારચાલકની કાર સામે જ એક યુવકની મોપેડ રસ્તા વચ્ચે પડી છે અને બાજુમાં યુવક પર અન્ય ત્રણ ઇસમો તિક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો કરી રહ્યાં છે. ત્યારે ત્યાંથી પસાર થતા એક સ્થાનિક તેને બચાવવાનો પ્રયાસ કરવા હુમલાખોરોને રોકવા જાય છે. છતાં ત્રણેયે રોકાયા વગર આડેધડ છરીના ઘા મારી યુવકને લોહીલુહાણ કરી નાખ્યો હતો. જે બાદ ત્રણેય ત્યાંથી પોતાની મોપેડ પર સવાર થઈ ત્યાંથી ફરાર થઈ જાય છે. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાઆ બનાવ અંગે ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમે જણાવ્યું હતું કે, વરતેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાળુંકડ ગામમાં બનેલી હત્યાની ઘટના અંગે પોલીસે FIR નોંધી હત્યારાઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 8:47 am

ઉમેરાવાળી મહાકાળી મંદિરમાં મહાપ્રસાદ યોજાયો:ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ભક્તોએ દર્શન કરી પ્રસાદ લીધો

ચૈત્ર નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા ઉમેરાવાળી મહાકાળી માતાજીના મંદિરમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો. આ મહાપ્રસાદ મહોત્સવનું આયોજન શ્રી ઉમેરાવાળી મહાકાળી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિર ચોપ્પન ક્વાર્ટર પાસે આવેલું હોવાથી, ચોપ્પન ક્વાર્ટર સહિત આસપાસના વિસ્તારોના રહીશોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. ભક્તોએ ભક્તિભાવપૂર્વક પંગતમાં બેસીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીને સૌએ આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. સમગ્ર પરિસરમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 8:27 am

ઘાતકી હત્યા:વાળુકડની બજારમાં રાત્રે યુવાનની છરીઓના ઘા ઝીંકી કરપીણ હત્યા

ભાવનગર શહેર નજીકના વાળુકડ ખાતે આજે રાત્રે કોઇ અકળ કારણોસર માલધારી સમાજના યુવાનની બજારમાં કોઇ હત્યારાઓએ અકળ કારણોસર છરીઓના ઘા ઝીંકીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ હતી અને મોડી રાત્રે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં માલધારી સમાજના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. આ અંગે મેળલી માહિતી મુજબ આજે રાતના સમયે ભાવનગર તાલુકાના વાળુકડ ગામની બજારમાં રવિભાઈ અનિલભાઈ કાળોતરા જઇ રહ્યાં હતા ત્યારે એકાએક હત્યારાઓ ત્રાટક્યા હતા અને છરીઓના ઘા ઝિંકતા રવિભાઇનું વાળુકડમાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. હુમલાખોરોએ રવિભાઇને એક પછી એક તિક્ષ્ણ ઘા એવા મારેલા કે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં તેઓને પોસ્ટ મોર્ટમ રૂમમાં લાવ્યા ત્યારે પણ છાતી અને પડખાના ભાગે જે છરીઓ મારેલી તે ખુંપેલી રહી હતી. હત્યાના આ બનાવ અંગે કોઇ કારણ જાણવા મળ્યું નથી. વાળુકડની બજારમાં છરી વડે હુમલો, બનાવવાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી, ગળે, છાતી અને મોઢા ભાગે ગંભીર ઇજા થઇ હતી અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ હત્યાના પગલે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે તેમજ હુમલાખોરોને ઝડપી લેવા તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે. રવિભાઇને કોઇ સાથે જૂની અદાવત હોય આ હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે જો કે હુમલાના કારણ અંગે પોલીસ દ્વારા હજી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મોડી રાત્રે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:24 am

મારા મારી:પાલિતાણાના જાળીયા ગામે બોલાચાલી બાદ મારામારી

ભાવનગર | પાલીતાણાના જાળીયા (માં) ગામે છોકરાઓ માટે દુકાને ભાગ લેવા ગયેલ મહિલા સાથે કરાયેલ બોલાચાલીની દાજ રાખી પાઇપ, કુહાડી જેવા સાધનો વડે ઈસમ ના ઘરે જઈ હુમલો કરાયા ની ફરિયાદ પાલીતાણા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જાળીયા ગામે રહેતા ભગવાનભાઈ લાભુભાઈ ચૌહાણ ની દીકરી શોભાબેન ગઈકાલે મોહનભાઈ ટપુભાઈ મકવાણા ની દુકાને છોકરાઓ માટે ભાગ લેવા ગયેલ. તે વખતે તે ગામમાં જ રહેતા મોહનભાઈ ટપુભાઈ મકવાણા તથા તેના દીકરા અશોકભાઈ મોહનભાઈ મકવાણા બંને જણાએ ભાગ લેવા બાબતે શોભાબેન સાથે બોલાચાલી કરેલ. જે અંગે ભગવાનભાઈ તથા અશોકભાઈ મકવાણા એ સામસામે અરજી પણ કરેલ. તેની દાજ રાખી લાખાભાઈ ગીગાભાઈ મકવાણા, મોહનભાઈ ટપુભાઈ, ખોડાભાઈ મોહનભાઈ, અશોકભાઈ મોહનભાઈ, ઘુઘાભાઈ ઘુસાભાઇ, વિશાલભાઈ ઘુસાભાઇ તથા કલ્પેશભાઈ ઘુસાભાઇએ લોખંડના પાઇપો કુહાડી પાવડો તથા લાકડીઓ સાથે ભગવાનભાઈ ના ઘરે આવી ગાળો આપી મુંઢ માર મારી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:19 am

ચનિયાણા ગામે હિંસક જૂથ અથડામણ:ઘોડી લઈને પસાર થવાના મુદ્દે હિંસક અથડામણમાં યુવકને 21 ટાંકા આવ્યા

ઘોઘા તાલુકાના નવાગામ (નાના) ગામે સામાન્ય બોલાચાલીનો મુદ્દો હિંસક અથડામણમાં ફેરવાતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. રસ્તામાં ઘોડી લઈને જવા બાબતે થયેલી તકરાર વધતા લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. નવાગામ (નાના) ખાતે રહેતા કિરણસિંહ દલપતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી છે કે તા. 26 માર્ચના રોજ તેમના પિતરાઈભાઈ શક્તિસિંહ રમજુભાઈ ગોહિલ ચનિયાળા ગામેથી પોતાની ઘોડી લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં રહેતા તનસુખભાઈ ઉદાભાઈ રાવે તેમને ઘોડી લઈને ત્યાંથી ન નીકળવા કહ્યું હતું, કારણ કે તેમના માલ-ઢોર ભડકતા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે કિરણસિંહ દલપતસિંહ ગોહિલ પોતાના પિતરાઈ ભાઈઓ સાથે તનસુખભાઈના ઘરે જઈ આ મુદ્દે ઠપકો આપતા વાત ઉગ્ર બની હતી. દરમિયાન તનસુખભાઈનો દીકરો વિવેક ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે કિરણસિંહના માથા પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી અને લોહી વહેવા લાગ્યું હતું. આ દરમિયાન બચાવ માટે આગળ આવેલા કિરણસિંહના પિતરાઈ ભાઈઓ પર પણ જીતુ ઉદાભાઈ રાવ અને કૌશિક મનસુખભાઈ રાવે લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરી અહીં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા વાતાવરણ તંગ બની ગયું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા કિરણસિંહને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથાના જમણા ભાગે 21 ટાંકા લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:16 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:માઢીયા પાસે રોંગ સાઈડથી આવેલા વાહને અડફેટે લેતા દંપતી ખંડિત થયું

મહુવા તાલુકામાં બેદરકારીપૂર્ણ અને જીવલેણ વાહનચાલનનો એક ગંભીર બનાવ સામે આવ્યો હતો, જે અકસ્માતમાં એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે તેમની પત્નીને ઈજાઓ પહોંચી હતી. જેના લઈ માર્ગ સુરક્ષાના અનેક પ્રશ્નો ઊભા થયા હતા અને સ્થાનિકોમાં રોષની લાગણી પણ વ્યાપી ગઈ હતી. ખાસ કરીને રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે વાહન ચલાવવાના લીધે માઢીયા ગામ નજીક ગંભીર અકસ્માત થયો હતો. મહુવા તાલુકાના કડીયાળી ગામે રહેતા કિરણબેન મયુરભાઈ પંડ્યાએ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ સવારના અંદાજે 8:30 વાગ્યે પોતાના પતિ મયુરભાઈ સાથે તળાજા દવાખાનાના કામે જતા હતા. તે દરમિયાન માઢીયા ગામ નજીક જય ગોપાલ હોટલ પાસે સામેથી એક મોટરસાયકલ નંબર GJ 01 SD 3591 ચાલક દ્વારા રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે બેદરકારીપૂર્વક વાહન હંકારીને આવી સીધી અથડામણ સર્જી હતી. આ અકસ્માતમાં કિરણબેનને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી જ્યારે તેમના પતિ મયુરભાઈને મોઢા, કપાળ અને જમણી આંખ ઉપર ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્મત બાદ આસપાસના રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે મહુવાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મયુરભાઈ મનસુખલાલ પંડ્યાને મૃત જાહેર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:16 am

PGVCL એક્શન મોડમાં:પાલિતાણા તાલુકા પંચાયત કચેરીનું વીજ જોડાણ કટ

હિસાબી વર્ષના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCL દ્વારા વીજળીના બાકી બિલની વસુલાતની જોરશોરથી કામગીરી ચાલી રહી છે. પાલીતાણાના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ પાલિતાણા તાલુકા પંચાયત કચેરીના વીજ જોડાણના બિલની બાકી રકમ લાંબા સમયથી ચૂકવાઈ ન હતી. PGVCLના પાલિતાણા ડિવિઝન કચેરી મારફતે અનેકવાર તાકીદ કરવા છતાં રૂ.170419નું વીજળીનું બાકી બિલ નહીં આખરે PGVCLએ ત્રીજી નેત્ર ખોલી પાલિતાણા તાલુકા પંચાયત કચેરીનું વીજ જોડાણ કટ્ટ કરી નાખ્યું છે. પાલિતાણા તાલુકાના 91 ગામોના વિકાસ કામોનો કારોબાર સંભાળતી પાલિતાણા તાલુકા પંચાયત કચેરી પોતાના વહિવટીમાં જ થાપ ખાઈ ગયું છે. જેમાં પાલિતાણા તાલુકા પંચાયત કચેરીના વીજળીના જોડાણ (ગ્રાહક નંબર : 37402059820)ની રકમ સમયસર ભરપાઈ ન કરતા બાકી બિલની રકમ વધવા લાગી હતી. છેલ્લે રૂ.1,70,491 સુધી પહોંચેલા PGVCLના બાકી બિલ ચૂકવવા પાલિતાણા તાલુકા પંચાયત કચેરીના સત્તાધીશોની ઢીલી નીતિથી PGVCLના તંત્રવાહકો પણ મુંઝાયા હતા. પાલિતાણા તાલુકા કક્ષાની સરકારી કચેરીના રૂએ પાલિતાણા તાલુકા પંચાયત કચેરી સામે PGVCLની ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની ડિસક્નેસક્શન ડ્રાઈવમાં પણ કામગીરી કરવામાં આવી ન હતી. જોકે આમ છતાં તાલુકા પંચાયત કચેરી દ્વારા PGVCLના બાકી બિલના નાણાં ચૂકવાયા ન હતું ત્યારે અનેકવાર તાકીદ કર્યા બાદ પણ બાકી બિલ ન ભરતા પાલિતાણા તાલુકા પંચાયત કચેરીનું વીજ જોડાણ કાપી નખાયું છે. અનેકવાર તાકીદ કર્યા બાદ પણ બિલ ભર્યું ન હતુંપાલિતાણા તાલુકા પંચાયત કચેરીના વીજળી જોડાણના બાકી બિલના નાણાં ચૂકવવા બાબતે જાણ કરાઇ હતી. અનેકવાર તાકીદ કર્યા બાદ પણ બિલ ભર્યું ન હતું. જેથી આજે પી.જી.વી.સી.એલ.નું રૂ.1.70 લાખનું વીજળીનું બિલ નહીં ચુકવતા જોડાણ કટ્ટ કરી દેવાયું છે.> જે.સી.ગૌસ્વામી, ઇલેક્ટ્રિક એન્જીનિયર, PGVCL પાલિતાણા ડિવિઝન

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:15 am

પરિણીતાને અપાયો ત્રાસ:ધોળા દિવસે ઘરમાં ઘુસી પરિણીતા સાથે અડપલા અને મારામારી કરી

ભાવનગર શહેરમાં મહિલા સુરક્ષાને લઈને ચિંતાજનક બનાવ સામે આવ્યો હતો, જેમાં શહેરની એક પરિણીતાના ઘરમાં ઘૂસીને શારીરિક અડપલા તથા મારપીટ કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી. ભાવનગર શહેરમાં રહેતી એક પરિણીતાએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સવારના સમયે તેઓ પોતાના સાસુ સાથે ઘરે હાજર હતા અને તેમના પતિ કામ માટે બહાર ગયા હતા. તે દરમિયાન કુંભારવાડા વિસ્તારમાં રહેતો વિપુલ ગદાભાઈ મકવાણા અચાનક તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને પરિણીતાની સાડીનો છેડો પકડી શારીરિક અડપલા કર્યા હતા. પરિણીતાએ બૂમાબૂમ કરતાં તેમના સાસુ તરત જ ત્યાં દોડી આવ્યા હતા અને તેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી વધુ ઉશ્કેરાયો હતો અને પરિણીતાને તેમજ તેમના સાસુને માર માર્યો હતો. આ બનાવ દરમિયાન ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગાઉ પણ આ આરોપીને પરિણીતાના પતિએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે પણ આરોપીએ ઝઘડો કર્યો હતો, આ ઘટનાને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:13 am

ભાસ્કર વિશેષ:GST વધુ ડિજિટલ બનશે, ટાઇમ ટ્રેકિંગથી કરચોરી પર લગામ

કર પાલન સુધારવા અને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) સિસ્ટમને વધુ સુવ્યવસ્થિત બનાવવા કેન્દ્ર સરકાર 1 એપ્રિલ, 2026થી સુધારેલા ઇન્વોઇસિંગ નિયમો અમલમાં લાવવા તૈયાર છે. આ નવા નિયમો ખાસ કરીને બિઝનેસ ટુ બિઝનેસ (B2B) વ્યવહારોમાં સંકળાયેલા વેપારીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તાજેતરના અપડેટ્સ મુજબ, સરકાર ઇન્વોઇસ જનરેશન અને રિપોર્ટિંગ પ્રક્રિયાને વધુ કડક બનાવશે. હવે વ્યવસાયોને GST પોર્ટલ પર ઇન્વોઇસ અપલોડ કરવા માટે નિર્ધારિત સમયમર્યાદાનું કડક પાલન કરવું પડશે. આ પગલાનો મુખ્ય હેતુ રીઅલ-ટાઇમ ટ્રેકિંગ સુનિશ્ચિત કરવો અને કરચોરીને અસરકારક રીતે અટકાવવાનો છે. સુધારેલા નિયમોમાં ઇ-ઇન્વોઇસિંગનો વ્યાપ વધારવાનો પણ સમાવેશ થાય છે. વધુ શ્રેણીના કરદાતાઓ માટે ઇ-ઇન્વોઇસ ફરજિયાત બનવાની શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પગલાથી વ્યવહારોમાં પારદર્શિતા વધશે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) દાવા વધુ સરળ બનશે. ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચે થતા વિસંગતતાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. કર નિષ્ણાતોએ આ સુધારાને સ્વાગત કર્યું છે અને જણાવ્યું છે કે તે કર પાલનમાં વધુ શિસ્ત લાવશે. જોકે, નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) માટે આ પરિવર્તન શરૂઆતમાં પડકારજનક બની શકે છે. ખાસ કરીને ટેક્નોલોજી અપગ્રેડ અને સમયમર્યાદાનું પાલન કરવા માટે તેમને વધુ સજ્જ થવું પડશે. સરકારે વ્યવસાયોને સલાહ આપી છે કે તેઓ પોતાની એકાઉન્ટિંગ સિસ્ટમને સમયસર અપડેટ કરે અને ઇન્વોઇસનું યોગ્ય રીતે સંચાલન કરે. નિયમોના ઉલ્લંઘનથી દંડ ઉપરાંત ITC દાવા પર પ્રતિબંધ લાગવાની શક્યતા છે. સરકારના જણાવ્યા અનુસાર, આ સુધારાઓ દેશના ટેક્સ ઇકોસિસ્ટમને વધુ ડિજિટલ અને પારદર્શક બનાવવા માટેની વ્યૂહરચનાનો ભાગ છે. ભાસ્કર એક્સપર્ટટેકનોલોજી, સમયમર્યાદા પડકારજનક રહેશેનવા GST ઇન્વોઇસિંગ નિયમો કર પ્રણાલીને વધુ પારદર્શક બનાવશે, પરંતુ SMEs માટે શરૂઆતમાં ટેક્નોલોજી અને સમયમર્યાદા પડકારરૂપ રહેશે. સમયસર ઇન્વોઇસ અપલોડ અને સિસ્ટમ અપગ્રેડ જરૂરી છે. યોગ્ય તૈયારી રાખવાથી દંડ ટાળી શકાય અને ITC દાવા સરળ બની શકે છે. - ભરતભાઇ શેઠ, વરિષ્ઠ ટેક્સ કન્સલટન્ટ

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:12 am

વિરાટ હિન્દુ સંમેલન યોજાયું:સંસ્કૃતિ, આસ્થા અને એકતાને ઉજાગર કરવા માટે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

કાળીયાબીડ વિસ્તારમાં બહેનોની હિન્દુ સંમેલન સમિતિ દ્વારા ભગવતી વસ્તીમાં તા. 24 માર્ચને મંગળવારના રોજ, લેઉવા પટેલ સમાજની વાડી, ઓશીયન પાર્ક ખાતે હિન્દુ સંસ્કૃતિની આસ્થા અને એકતાને ઉજાગર કરવા એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં દિન મણીદાસ પ્રભુજી, વિપુલભાઈ જોશી ઉપસ્થિત રહેલ અને સમાજમાં જરૂરી એવા પંચ પરિવર્તન જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વેદશી જીવનશૈલી અને નાગરિક કર્તવ્યબોધ જેવા વિષય પર ઉદબોધન કરેલ. તેમજ જુદા-જુદા દેવી દેવતાઓની વેશભૂષા તથા નૃત્ય રજુ કરેલ નાના બાળકો તથા કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ. પ્રાપ્ત કરેલ નાગરિકને સન્માનિત કરવામાં આવેલ. આ સંમેલનમાં સાગવાડી,ઓશીયન પાર્ક, જૂની ભગવતી પાર્કમાં વસ્તા હિન્દુ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ. સંમેલનને સફળ બનવવા હિન્દુ સંમેલન સમિતિના અધ્યક્ષ. દિવ્યાબેન દ્વિવેદી, સ્નેહાબેન , જલ્પાબેન પારેખ, હેમાલીબેન, પુનમબેન અપેક્ષાબેન દવે, કપીલાબેન, ચંદ્રિકાબેન ચૌહાણ રીટાબેન ગોહેલ દ્વારા જહેમત ઉઠાવેલ. પંચ પરિવર્તન પર ઉદબોધન કરાયુપંચ પરિવર્તન જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વેદશી જીવનશૈલી અને નાગરિક કર્તવ્યબોધ જેવા વિષય પર પૂજય દિન મણીદાસ પ્રભુજીએ ઉદબોધન કરેલ. અને વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનારનુ સન્માન કરાયુ.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:10 am

શૈક્ષણિક સિદ્ધિ:ધર્મભાઇ પટેલના એક સાથે 6 સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત

સ્વામિનારાયણ ગુરુકુલ, સરદારનગરના આચાર્ય પટેલ ધર્મકુમાર બટુકભાઈએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આચાર્યએ એક સાથે કુલ 6 સંશોધન પેપર તૈયાર કરી આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરાવ્યા છે તેમજ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પોતાના સંશોધન પેપર રજૂ કર્યા હતા. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ તથા ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલિતાણામાં કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના સંશોધકો અને પ્રાધ્યાપકો જોડાયા હતા. ધર્મભાઇ પટેલના શિક્ષણ અને ઇનોવેશનના સંશોધન પેપર ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઇનોવેટિવ રિસર્ચ ઇન ટેકનોલોજી (IJIRT) તથા વ્યૂ ઓન સ્પેસ : ઇન્ટરનેશનલ મલ્ટીડિસિપ્લિનરી જર્નલ ફોર એપ્લાઇડ રિસર્ચમાં પ્રકાશિત થયા છે, જે બંને આંતરરાષ્ટ્રીય જર્નલ છે. ગુરુકુલ શિક્ષણ પદ્ધતિના મૂલ્યોની સમજ અપાઇખાસ કરીને “નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ગુરુકુલ શિક્ષણ પદ્ધતિનું આધુનિક શિક્ષણમાં પ્રાસંગિક વિશ્લેષણ” વિષયમાં પ્રાચીન ગુરુકુલ શિક્ષણ પદ્ધતિના મૂલ્યો, સંસ્કાર આધારિત શિક્ષણ, જીવન કૌશલ્ય, સ્વાનુશાસન, ગુરુ-શિષ્ય સંબંધ, વ્યવહારિક શિક્ષણ અને સમગ્ર વ્યક્તિત્વ વિકાસ જેવી બાબતો આજના આધુનિક શિક્ષણમાં પણ ખૂબ જ પ્રાસંગિક છે તે બાબતનું સંશોધનાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:09 am

AI પરના વક્ષશોપમાં 100 શિક્ષકો લેશે ભાગ:રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં શિક્ષકો માટે AI પર વર્કશોપનો થયેલો આરંભ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના શિક્ષકોમાં ફેલાવવા માટે, આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર 5 દિવસની તાલીમનું આયોજન તા. 27થી 31 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ માટે સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ, પંચમહાલ, જામનગર, ડાંગ, છોટાઉદેપુર તથા બોટાદ જેવા 10 જિલ્લાઓ માંથી ધોરણ 8 થી 12ના 100 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ વર્કશોપ માટે સ્ટેટ બોર્ડ, EMRS અને સીબીએસઇ શાળાના શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાવનગરના જિલ્લા કલેકટર ડો. મનીષકુમાર બંસલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડો. કન્નન શ્રીનિવાસન(પૂર્વ નિર્દેશક, CSMCRI-CSIR) હાજર હતા.જેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી થનારી ક્રાંતિ વિશે રસપ્રદ વાત કરી. આ ૫ દિવસીય વર્કશોપ દરમિયાન TCS ગાંધીનગર, GEC ભાવનગર, DAIICT ગાંધીનગર, IITE ગાંધીનગર, શાંતિલાલ શાહ એન્જીનિયરીંગ કોલેજ ભાવનગર, IIIT વડોદરા, સાયબર સેલ ભાવનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાતો જોડાશે. AI શિક્ષકોને શિક્ષણ પ્રણાલીમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે, વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં અને કારકિર્દી ઘડતરમાં કેવી રીતે ઉપયોગી નીવડે તેનું માર્ગદર્શન આપશે, સાથે સાથે વિવિધ પ્રવૃતિઓ કરાવાશે તેમ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:07 am

ભ્રષ્ટાચાર વિરુદ્ધ 22 શિપ બ્રેકરોની હવે કોર્ટના દ્વાર ખખડાવશે:CGSTના ભ્રષ્ટાચારની સહી-સિક્કા સાથે ફરિયાદ કરવા છતાં એજન્સીઓનું ભેદી મૌન

અલંગના 22 અગ્રણી શિપ બ્રેકરો દ્વારા ભાવનગર સીજીએસટી કચેરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સત્તાવાર રીતે કંપનીના સહી-સિક્કા, મોબાઇલ નંબર સાથે કરવામાં આવ્યા બાદ પણ તપાસનીશ એજન્સીઓ દ્વારા હજુસુધી કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહીં હોવાને કારણે પ્રમાણિક ઉદ્યોગકારો પણ અકળાયા છે, અને કોર્ટમાં દાદ માંગવા માટેની હિલચાલ કરી રહ્યા છે. શિપ બ્રેકરો દ્વારા પત્ર દ્વારા કરવામાં આવેલા આક્ષેપ અનુસાર, સીજીએસટી ભાવનગરના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવાના મલીન ઇરાદા સાથે 100થી વધુ શિપ બ્રેકરો અને રોલિંગ મિલોને શો-કોઝ નોટિસ અને બાદમાં ડિમાન્ડ ઓર્ડર ઇશ્યુ કરાયા હતા. જે પેઢીઓએ ડિમાન્ડ ઓર્ડરની 3 ટકા રકમ ભ્રષ્ટાચાર તરીકે ચૂકવી આપી છે તેઓના ઓર્ડર પરત ખેંચી લેવાયા હતા. આ બાબતનો 22 શિપ બ્રેકરોના સહી-સિક્કા, મોબાઇલ નંબર વાળો પત્ર તમામ એજન્સીઓ સુધી પહોંચી ગયા હોવા છતા અત્યાર સુધી જે લોકોએ સહી-સિક્કા મોબાઇલ નંબર સાથે ખુલ્લીને ભ્રષ્ટાચાર સામે ફરિયાદ કરી છે તેઓની ક્રોસ પુછપરછ કે ખાતાકીય તપાસ પણ કરવામાં આવી નથી. જેથી તેઓ કોર્ટના શરણે જવાનો માર્ગ અપનાવવાના હોવાનું જાણવા મળ્યુ છે અને તટસ્થ તપાસ કરાવવામાં આવે તો તપાસમાં તમામ સહયોગ આપવાની પુન: ખાતરી ઉચ્ચારી રહ્યા છે. દરમિયાન 22 શિપ બ્રેકરોના ભ્રષ્ટાચાર અંગેના ગંભીર આક્ષેપો વચ્ચે સીજીએસટી ભાવનગરના અધિકારીઓ વિવિધ એસોસિએશનો પાસેથી પારદર્શક કામગીરી કરી રહ્યા હોવા અંગેના પ્રસંશાપત્ર એકત્ર કરી રહ્યા છે, અને ભ્રષ્ટાચારની ફરિયાદને કાઉન્ટર કરવાના હવાતીયા મારી રહ્યા છે. આટલા શિપ બ્રેકરોએ ફરિયાદ કરી હતીસીજીએસટીના બેફામ ભ્રષ્ટાચાર સામે નવયુગ શિપ બ્રેકર્સ, કિરણ શિપ બ્રેકિંગ કંપની, ગુરૂ આશિષ શિપ બ્રેકર્સ, શુભ આર્યા સ્ટીલ, ક્રેયાંશ શિપ બ્રેકિંગ એલએલપી, શ્રી સાંઇબાબા શિપ બ્રેકિંગ કંપની, આતમ મનોહર શિપ બ્રેકર્સ, મરિન લાઇન્સ શિપ બ્રેકર્સ, મારીયા શિપ બ્રેકિંગ, શિપ ટ્રેડ કોર્પોરેશન, રાય મેટલ વર્ક્સ પ્રા. લિ., અલંગ શિપ બ્રેકિંગ કોર્પોરેશન, બૈજનાથ મેલારામ એન્ડ સન્સ, માધવ સ્ટીલ, માધવ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન, પંચવટી શિપ બ્રેકર્સ, હુસૈન શેઠ એન્ડ સન્સ (શિપ બ્રેકિંગ) પ્રા.લિ., કેપીજી એન્ટરપ્રાઇઝ રીસાયકલર્સ એલએલપી, વિજય શિપ બ્રેકિંગ, શીરડી સ્ટીલ ટ્રેડર્સ, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ શિપ બ્રેકિંગ પ્રા. લિ., ડાયનેમિક શિપ રીસાયકલર્સ પ્રા.લિ. દ્વારા સહી-સિક્કા અને પોતાના મોબાઇલ નંબર સાથે પત્ર દ્વારા ફરિયાદ કરેલી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:05 am

શહેરના 36 સેન્ટરમાં યોજાશે ગુજકેટની પરીક્ષા:આજે 4,307 વિદ્યાર્થી, 2,809 વિદ્યાર્થિનીઓની ગુજકેટ કસોટી

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતી કાલ તા.29 માર્ચને રવિવારે ગુજકેટ લેવાશે. આ પરીક્ષામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના 1,15,050, સીબીએસઈ બોર્ડના 18,769, એનઆઈઓએસ બોર્ડના 599 તેમજ અન્ય બોર્ડના મળીને કુલ 1,35875 વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષાખંડમાં પ્રવેશપત્ર, સાદું કેલક્યુલેટર અને કાળી/ભૂરી શાહીવાળી પેન સિવાય અન્ય કોઈ સાધન સામગ્રી કે સાહિત્ય લઈને આવે કે પૂછપરછ કરે કે ઇશારા કરે અથવા ઉત્તરવહી ફાડી નાખે, જવાબવહીમાં દેવી દેવતાના નામ લખે કે ગેરવર્તણુંક કરે તો ગેરરીતિ ગણાશે. 120 ગુણના પ્રશ્નોના જવાબો વિદ્યાર્થીઓએ ઓએમઆરમાં આપવાના રહેશે. ભાવનગર જિલ્લામાં ગુજકેટમાં 7116 પરીક્ષાર્થી છે તેમાં ગુજરાતી માધ્યમના 5,807 અને અંગ્રેજી માધ્યમના 1,309 પરીક્ષાર્થી છે. શહેરમાં 36 સેન્ટરમાં 357 બ્લોકમાં પરીક્ષાનું આયોજન છે. માર્ચના અંતમાં ગરમીનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે દરેક કેન્દ્ર પર પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રાખવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થીને ડીહાઈડ્રેશન કે ગભરામણ જેવી સમસ્યા થાય તો ત્વરિત સારવાર મળી રહે તેવું આયોજન કરાયું છે. પરીક્ષા કામગીરીના અનુભવી હોય તેવાઅધિકારીઓની ઝોનલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓ પ્રશ્નપત્રો અને OMR શીટના ગોપનીય પરિવહનથી લઈ પરીક્ષા પૂર્ણ થયા બાદ સાહિત્ય પરત મેળવવા સુધીની પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે. રવિવારે સવારે 10થી 12 વાગ્યા સુધી રસાયણ અને ભૌતિક વિજ્ઞાનનું સંયુક્ત પ્રશ્નપત્ર લેવાશે, બપોરે 1.40 કલાકથી 2.40 કલાક દરમિયાન જીવ વિજ્ઞાન તેમજ સાંજે 4થી 5 વાગ્યા દરમિયાન ગણિતનું પ્રશ્નપત્ર લેવામાં આવશે. ગુજકેટમાં તમામ પ્રશ્નો ઓએમઆર પદ્ધતિથી લેવાતા હોય છે. આજે આ રીતે લેવામાં આવશે પરીક્ષાગુજકેટમાં ભૌતિક વિજ્ઞાન (Physics) 40 ગુણ – 40 પ્રશ્નો, રસાયણ વિજ્ઞાન (Chemistry) 40 ગુણ – 40 પ્રશ્નો, જીવવિજ્ઞાન (Biology) 40 ગુણ – 40 પ્રશ્નો અને ગણિત (Mathematics) 40 ગુણ – 40 પ્રશ્નો જેમાં પરીક્ષા માટે વિષયવાઇઝ સમયમાં ભૌતિક અને રસાયણ વિજ્ઞાન માટે 120 મિનિટનો સમય રહેશે. જ્યારે જીવવિજ્ઞાન અને ગણિત માટે 60-60 મિનિટનો સમય રહેશે. વિદ્યાર્થીઓએ એક આઇડી પ્રૂફ સાથે રાખવુંગુજકેટના ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન એડમિશન કાર્ડ સાથે કોઈપણ એક ફોટો આઈડી પ્રુફ જેમાં આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો ધોરણ 12ની પરીક્ષાની ઓરીજનલ હોલ ટિકિટ સાથે લાવવાની રહેશે તેની નોંધ લેવા ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:04 am

પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયાની જાહેરાત:મહુવામાં જિલ્લા, તા.પં.ની તમામ બેઠકો પર સદભાવના ચૂંટણી લડશે

પંચાયત અને પાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધુ ફેલાઈ રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયાએ મહુવા તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ સીટો પર સદભાવના મંચના નામથી ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આગામી ચૂંટણી પહેલા જ મહુવા પંથકમાં રાજકીય વાતાવરણ તંગ બન્યું છે. ભાજપ સહિતના પક્ષોને જાકારો આપી પોતાનો જુદો પક્ષ જ ઉભો કરી સદભાવના મંચના નામથી વર્ષ 2010માં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયાએ ચૂંટણી લડી હતી અને સફળતા પણ મળી હતી. પરંતુ ત્યારબાદ ઉલ્લેખનીય રીતે પ્રકાશમાં આવ્યા ન હતા. પરંતુ હવે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કનુભાઈ કલસરિયા પુનઃ મેદાનમાં આવ્યા છે. આજે સર્કિટ હાઉસ ખાતે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયાએ આગામી ચૂંટણીમાં સદભાવનાના મંચથી લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કનુભાઈ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં મહુવા તાલુકામાં જિલ્લા પંચાયતની 8 અને તાલુકા પંચાયતની 34 બેઠકો પરથી સદભાવનાના મંચ પરથી ઉમેદવારો ઉતારશે. કોઈ રાજકીય પક્ષ સાથે જોડાણ નહીં કરી કનુભાઈ દ્વારા જાહેર કરેલ ચૂંટણીની રણનીતિને કારણે મુખ્ય રાજકીય પક્ષોને પણ વિચારતા કરી મૂક્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:03 am

હવાઈ યાત્રીઓ માટે સુવિધા:ભાવનગર એરપોર્ટે લાઇબ્રેરી, લેપટોપ વર્ક સ્ટેશન બનાવાયુ

ભાવનગર એરપોર્ટ પરથી નવી મુંબઈની હવાઈ સેવા શરૂ થવાની સાથે જ મુસાફરોની સુવિધામાં પણ અભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા એરપોર્ટના બિલ્ડિંગનું નવીનીકરણ કરવાની સાથે ઓપરેશનલ અને પેસેન્જર ફેસિલિટીઝમાં અત્યાધુનિક સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનો લાભ હવેથી મુસાફરોને મળશે. એરપોર્ટ ડિરેક્ટર તપનકુમાર નાયક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મુસાફરોમાં વાંચનનો વ્યાપ વધે તે હેતુથી એરપોર્ટ પર એક સુસજ્જ લાઈબ્રેરી તૈયાર કરવામાં આવી છે. મુસાફરો ફ્લાઈટના આગમન કે પ્રસ્થાનના સમય પૂર્વે આ લાઈબ્રેરીનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત, આજના ડિજિટલ યુગને ધ્યાને રાખીને પ્રોફેશનલ્સ અને બિઝનેસ મુસાફરો માટે ખાસ લેપટોપ વર્ક સ્ટેશન પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં તેઓ પર્સનલ ડેસ્ક પર શાંતિથી પોતાનું વર્ક પૂર્ણ કરી શકશે. એરપોર્ટ પરિસરમાં મુસાફરોની સુવિધા માટે વાઈફાઈ અને મલ્ટિપલ મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન જેવી પાયાની જરૂરિયાતોને પણ અપગ્રેડ કરવામાં આવી છે. બિલ્ડિંગના રીનોવેશન બાદ એરપોર્ટનો દેખાવ વધુ આકર્ષક અને સુવિધાજનક બન્યો છે. આ તમામ નવિનતમ સુવિધાઓને કારણે ભાવનગર એરપોર્ટ હવે માત્ર મુસાફરીનું કેન્દ્ર જ નહીં, પરંતુ મુસાફરો માટે એક આરામદાયક અને ફળદાયી વેઈટિંગ એક્સપિરિયન્સ પૂરો પાડતું સ્થળ બની રહેશે. આજથી ભાવનગરનું એરપોર્ટ પુન: ધમધમશેરવિવારથી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ ફ્લાઇટને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે.આર.નાયડુ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ બે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે. રવિવારે સવારે 8:30 કલાકે પ્રથમ ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરશે. આ નવી હવાઈ સુવિધા ઉપલબ્ધ થવાથી ભાવનગરના હીરા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે તેમજ નવી મુંબઈ મારફતે અન્ય મહાનગરો સાથેની કનેક્ટિવિટી પણ સરળ બનશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:01 am

સન્ડે બિગ સ્ટોરી:GIS એજન્સીને છાવરવાનું કૌભાંડ, અધુરૂ કામ-ક્ષતિ છતાં પ્રોજેક્ટ પાસ કર્યો હતો, માત્ર 11 લાખ જ પેનલ્ટી વસુલાશે

દુનિયા હાલમાં ટેકનોલોજીમાં દિનપ્રતિદિન આગળ વધી રહ્યું છે, ત્યારે ભાવનગર કોર્પોરેશનનો જીઆઈએસ પ્રોજેક્ટ પણ સુષુપ્ત અવસ્થામાં છે. વર્ષ 2016-17 માં રૂ.4.41 કરોડના ખર્ચે શરૂ કરેલા જીઆઈએસ પ્રોજેક્ટમાં અનેક ક્ષતિઓ અને અધૂરી કામગીરી હોવા છતાં સિસ્ટમને લોન્ચ કરવાની મંજૂરી પણ આપી દીધી હતી. બિનશરતી મંજૂરીને કારણે એજન્સી પાસેથી માત્ર 11 લાખ જેટલી જ પેનલ્ટી વસૂલ કરી બાકીની બિલની રકમ ચૂકવવા માટે પ્રક્રિયા શરૂ છે. તંત્રની બેદરકારીઓને કારણે કોર્પોરેશનને લાખો રૂપિયાનું નુકસાન થશે. એટલું જ નહી એસેસમેન્ટ વિભાગની છેલ્લા એક મહિનાથી આકારણીની કામગીરી ઠપ થઈ છે ત્યારે એજન્સીની ગંભીર બેદરકારીઓ છતાં તેને વધુ એક વર્ષ માટે મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવા સક્ષમ સત્તાને તંત્ર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્યના મહાનગરોમાં જીયોગ્રાફી ઇન્ફર્મેશન સિસ્ટમ દ્વારા પ્રજાકીય આવશ્યક સુવિધાઓ જેવી કે, રોડ, પાણી અને ડ્રેનેજનું નેટવર્ક, મિલકતો, કોર્પોરેશનની માલિકીના પ્લોટ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, સ્ટ્રીટ લાઇટના પોલ તેમજ ડ્રેનેજના મેનહોલ પણ જીઆઈએસ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવે છે. જેને કારણે તંત્રને પણ કામગીરીમાં સરળતા રહે છે. તંત્ર અને પ્રજાની સુવિધા માટે જ ભાવનગર કોર્પોરેશન દ્વારા 4.41 કરોડના ખર્ચે 2016 માં નેસન્ટ ઈન્ફોટેક એજન્સીને જીઆઈએસ પ્રોજેક્ટનું કામ સોંપવામાં આવ્યું હતું. એજન્સીને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પીરછલ્લા વોર્ડમાં જીઆઈએસ બેઇઝ મિલકત વેરાની આકારણીનું કામ સોપ્યું હતું. પરંતુ તેમાં પણ અનેક ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. તેવી જ રીતે જીઆઈએસ એપ્લિકેશન અને મોબાઇલ એપ્લિકેશન સહિતની સુવિધાઓમાં ટેકનિકલ ક્ષતિઓ બહાર આવી હતી. વિભાગો દ્વારા પણ તે બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. તત્કાલીન સમયે એજન્સીની ગંભીર ક્ષતિઓ અને અધુરી કામગીરી હોવા છતાં જાણે એજન્સીને ભૂલો કરવા ખુલ્લો દોર આપ્યો હોય તેમ વર્ષ 2019 માં તંત્ર દ્વારા બિનશરતી પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો હતો. એજન્સીની ભૂલોને નજર અંદાજ કરી સિસ્ટમને મંજૂરી પણ આપવામાં આવી હતી. એજન્સી સાથે થયેલ કરાર પણ વર્ષ 2023 માં પૂરો થઈ ગયો છે. એજન્સીના બાકી બિલની 21 લાખની રકમ તેમજ સિક્યુરિટી ડિપોઝિટ તરીકે રાખેલ 21 લાખ મંજૂર કરવાનું પ્રકરણ ત્રણ વર્ષ બાદ હવે શરૂ થયું છે. પરંતુ એજન્સીની ગંભીર ભૂલો માટે કેટલી પેનલ્ટી વસૂલ કરવી તેની ગડમથલ પણ ઓડિટમાં ચાલી રહી છે. તત્કાલીન સમયે તંત્રની પણ ગંભીર બેદરકારીને કારણે કોર્પોરેશનને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. મિલકત આકારણીમાં પણ હતું ઓડિટ ઓબ્જેક્શનપીરછલ્લા વોર્ડમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મિલકતની આકારણી અને જીઆઈએસ બેઇઝ રીસર્વેની કામગીરી એજન્સીને સોંપવામાં આવી હતી. પરંતુ મિલકતોના ડ્રોઈંગ સીટ અપલોડ નહીં કરવા, ડોક્યુમેન્ટ અપલોડ કર્યા વગર આકારણી, સર્વે ફોર્મ નહીં થતા હોવા સહિતની ક્ષતિઓને કારણે ઓડિટ ઓબ્જેક્શન આવ્યું હતું. તે પણ એજન્સી દ્વારા સોલ્વ કરવામાં આવ્યું ન હતું. અપગ્રેડેશન, મેન્ટેનન્સ માટે ટેન્ડર પ્રક્રિયાજીઆઈએસની કામગીરી હાલમાં શરૂ છે. જેને અપગ્રેડેશન અને મેન્ટેનન્સ માટેની પણ ટેન્ડર પ્રક્રિયા શરૂ છે. જેની માટે કન્સલ્ટન્ટ પણ રોકવામાં આવ્યા છે. એજન્સીનું બાકી બિલ ચૂકવવા માટેની કાર્યવાહી શરૂ છે. > અરવિંદ મેર, ઈડીપી મેનેજર 2021માં ખરીદેલી સેટેલાઇટ ઇમેજ પણ બિન ઉપયોગીકોર્પોરેશન દ્વારા વર્ષ 2021માં ખરીદવામાં આવેલ સેટેલાઈટ ઇમેજ આજ સુધી કોઈ ઉપયોગમાં લીધેલી નથી. જેના કારણે ઈમેજ ખરીદવાના લાખો રૂપિયાનું કોર્પોરેશનને આર્થિક નુકસાન થયું છે. તેમજ અધેવાડા વિસ્તારની સુવિધાના નેટવર્કનું પણ આજ સુધી મેપિંગ થયું નથી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:00 am

આજે સતાધાર ચાર રસ્તા પરના ઓવરબ્રિજને ખુલ્લો મુકાશે:એક લાખ વાહનચાલકોને રાહત; CM હસ્તે રૂ.1098 કરોડના વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત

રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાકી રહ્યા છે, ત્યારે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા AMC અને ઔડાના આજે 29 માર્ચના રોજ 1098 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. પશ્ચિમ વિસ્તારના સૌથી વ્યસ્ત ગણાતા એવા સતાધાર ચાર રસ્તા પર બનાવવામાં આવેલા ફ્લાય ઓવરબ્રિજનું પણ સવારે 10.30 વાગ્યે લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજ શરૂ થતાની સાથે એક લાખથી વધુ વાહનચાલકોને સીધી રાહત મળશે. ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરીના લોકોને રાહત થશેશહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા બ્રિજ બનાવવા આવી રહ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડિયાના સતાધાર ચાર રસ્તા પર બની રહેલા ફ્લાયઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. 29 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવશે. સતાધાર ચાર રસ્તા પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 103.63 કરોડ રૂપિયાના ખર્ચે 975 મીટર લાંબો અને 16.5 મીટર પહોળો 4 લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ ફ્લાયઓવર શરૂ થતાં ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરી જેવા વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી સરળ બનશે. અંદાજે 1 લાખ વાહનચાલકોને સીધી રાહત મળશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. નારણપુરા, અમરાઈવાડી અને અસારવામાં આવાસનું લોકાર્પણરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સવારે 10:30 વાગ્યે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, ત્યારબાદ 11 વાગ્યે મેમનગર ખાતે આવેલી એચ.બી કાપડિયા સ્કૂલમાં મન કી બાત કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. સાંજે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે. જેમાં નારણપુરા, અમરાઈવાડી અને અસારવા ખાતે તૈયાર કરવામાં આવેલા આવાસ યોજનાના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ તેમજ ગાંધીનગર લોકસભાના મળીને 700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 7:00 am

ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર:વાદળો વચ્ચે તાપમાનનો પારો 37.8 ડિગ્રીએ પહોંચ્યો

ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાનનો પારો વધીને 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા સમગ્ર રાજ્યમાં બપોરના સમયે સૌથી વધુ તાપમાન ભાવનગરમાં નોંધાતા નગરજનો ગરમી અને બફારાથી અકળાઇ ગયા હતા. બપોર બાદ આકાશમાં વાદળો પણ છવાયા હતા. શહેરમાં રાત્રે પણ લઘુત્તમ ઉષ્ણતામાન 2.2 ડિગ્રી વધીને 24.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે તાપમાન ગઇ કાલની તુલનામાં 0.6 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. આથી આખો બપોર નગરજનોએ લગભગ 38 ડિગ્રી તાપમાન અને સાથે 41 ટકા ભેજ હોય અકળાવનારા બફારાનો અનુભવ કર્યો હતો. શહેરમાં 24 કલાક અગા. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 22.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ તે આજે એક જ દિવસમાં 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 24.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. આજે સવારે શહેરમાં પવનની ઝડપ 12 કિલોમીટર હતી તે સાંજના સમયે 10 કિલોમીટર વધીને 22 કિલોમીટર થઇ ગઇ હતી. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 54 ટકા હતુ જે સાંજે પણ 41 ટકા નોંધાયું હતુ. ભાવનગર શહેરમાં આજે બપોર બાદ વાદળો છવાયા હતા જોકે, માવઠાની કોઈ આગાહી ભાવનગર શહેર કે જિલ્લામાં કરવામાં આવી નથી. ઉત્તર ગુજરાત સહિતના 6 જિલ્લાઓમાં આવતીકાલે કમોસમી વરસાદની અને પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેથી ત્યાંના ખેડૂતોમાં ચિંતા પેઠી છે. રાજ્યમાં બપોરનું નોંધાયેલું તાપમાન (સોર્સ : આઈએમડી ગુજરાત) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં વાદળોગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાદળછાયા વાતાવરણ વચ્ચે પારો 38 ડિગ્રીથી 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે 31મી સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાતમાં બે દિવસ દરમિયાન માવઠાની આગાહી છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં વાદળો છવાયેલાં રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ભાવનગરમાં આજે બપોર બાદ વાદળો છવાયા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:57 am

દુષ્કર્મ પીડિતા શિક્ષિકાનું જીવવું દુષ્કર:આરોપીએ ફોન નંબર જાહેર કરી દેતા ગંદી કોમેન્ટના હજારો મેસેજ મળ્યા

રાજકોટમાં રહેતી શિક્ષિકા પર ધો.10ના વિદ્યાર્થીએ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી હતી. બે દિવસ પહેલાં આરોપીએ પણ વારાણસીમાં જઈ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા પહેલાં વીડિયો ફરતો કરીને શિક્ષિકાના તમામ મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને અંગત પળોના ફોટા ફરતા કરી દેતા શિક્ષિકા માટે હવે જીવવું દુષ્કર થઈ ગયું છે. દિવ્ય ભાસ્કરની ઓફિસે આવીને શિક્ષિકાએ પોતાની કથની વર્ણવી હતી અને જણાવ્યું હતું કે, આરોપી ધ્રુવલ દેસાઈના કારણે પોતાનું જીવવું દુષ્કર થઈ ગયું છે. જ્યારથી ફોન નંબર ફરતા થયા છે ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 100થી વધુ અજાણ્યા નંબર પરથી ફોન કોલ્સ આવ્યા છે અને જે ફોન રિસીવ કરવામાં આવે તેમાં સામે છેડેથી અભદ્ર માંગ અને મિત્ર બનવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત વોટ્સએપ પર હજારોની સંખ્યામાં અભદ્ર મેસેજ પણ કરવામાં આવી રહ્યા છે. મોટાભાગના તત્ત્વો પોતાને રમકડું સમજતા હોય તે રીતે ન કહેવાની વાતો કરીને પજવણી કરી રહ્યા છે. એફબી અને ઈન્સ્ટાગ્રામ પર ગણતરીની મિનિટોમાં જ 100થી વધુ ફ્રેન્ડ રિકવેસ્ટ આવી ગઈ છે અને મોટાભાગના તત્ત્વો ફ્રેન્ડ રિકવેસ્ટ કરવાની માંગ કરી રહ્યા છે. શિક્ષિકાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આરોપી ધ્રુવલ દેસાઈએ વારાણસીમાં ફિનાઈલ પી લીધું છે ત્યારે તે જે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હોય ત્યાંથી તેની તાકીદે ધરપકડ કરીને કાનૂની રાહે કાર્યવાહી કરવી જોઈએ. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકનો સંપર્ક કરતા તપાસ ચાલુ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષિકાને ફોન પર ઓટીપીના અનેક મેસેજ મળ્યાપીડિત શિક્ષિકાએ જણાવ્યું હતું કે, ટેક્સટ મેસેજ આવી રહ્યા છે અને તેમાં ઓટીપી નંબર આવી રહ્યા છે અને આ નંબરની સાથે આવેલી લિંક પર ક્લિક કરવાના પણ મેસેજ આવી રહ્યા છે. ઓટીપી શા માટે આવી રહ્યા છે તેની પણ કોઇ જાણ નથી. બે ફોન નંબર જાહેર કરી દેવાતા ઉપરોક્ત તમામ બાબતો થઈ રહી છે. ગુનો નોંધવાના બદલે પોલીસે ફરી એક વખત માત્ર અરજી જ લીધીગાંધીગ્રામ પોલીસ મથક જે ઝોન હેઠળ આવે છે તે ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈએ થોડા દિવસો પહેલાં જ કહ્યું હતું કે, દુષ્કર્મ સહિતની ગંભીર ઘટના બને અને પીડિતા જ્યારે ફરિયાદ નોંધાવવા આવે ત્યારે એક પળનો પણ વિલંબ કર્યા વિના ફરિયાદ લઈ લેવી જોઇએ અને આરોપીની તાકીદે ધરપકડ કરવી જોઈએ. દુષ્કર્મ પીડિત શિક્ષિકાએ કહ્યું હતું કે, 28 માર્ચ શનિવારે ફરી એક વખત ગાંધીગ્રામ પોલીસ મથકે ગઈ હતી અને જે લોકોએ પોતાને મેસેજ અને ફોન કોલ્સ કર્યા છે તે ઉપરાંત જે મીડિયામાં પોતાની ઓળખ છતી કરી દેવામાં આવી છે અને અંગત પળોના ફોટા ફરતા કરાયા છે તેઓની સામે ગુનો નોંધવા રજૂઆત કરી હતી, પરંતુ પોતાની માત્ર અરજી જ લેવામાં આવી છે. આથી પીડિત શિક્ષિકાએ પોતાના અંગત પળોના ફોટા મીડિયામાં પ્રસિદ્ધ કરનાર રાજકોટ ન્યૂઝ અપડેટ્સ, ગોંડલ ન્યૂઝ અપડેટ્સ, ક્રિશુલ ન્યૂઝ અપડેટ્સ, અવર રાજકોટ, રાજકોટ મિરર, મચ્છુ ન્યૂઝ મોરબી, સિટી ન્યૂઝ, વાહ ગુજરાત અને પરફેક્ટ સૌરાષ્ટ્રના સંબંધિત લોકો સામે કાનૂની રાહે કાર્યવાહી કરી તેઓની તાકીદે ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌ પ્રથમ વીડિયો ફરતો કરનાર આરોપી ધ્રુવલ સામે પણ અલગથી ગુનો નોંધવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:25 am

બેરલમાં છુપાયેલો ‘વિદેશી દારૂ' ઝડપાયો:સોખડા ચોકડી પાસે ગોડાઉનમાં દરોડો 6.22 લાખનો સ્કોચ-વોડકાનો જથ્થો જપ્ત

શહેરમાં પાર્સલ સર્વિસનો દુરુપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરવાના મોટા કૌભાંડાનો પીસીબીની ઝડપી કામગીરીથી પર્દાફાશ થયો છે. સોખડા ચોકડી નજીક બોમ્બે સુપર કોમર્સિયલ ઝોન વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસના ગોડાઉનમાં દરોડો પાડી પોલીસે રૂ. 6.22 લાખની કિંમતનો મોંઘોદાટ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. માહિતી મુજબ, પીસીબીને ખાનગી બાતમી મળી હતી કે, બેડી ચોકડી તરફ જતાં રોડ પર બોમ્બે સુપર કોમર્સિયલ ઝોન- 18ની સામે એસીપીએલ ટ્રાન્સપોર્ટ મેઈન ડેપો સૌભાગ્ય વેરહાઉસ નામના ગોડાઉનમાં લોખંડના બ્લૂ કલરના બેરલમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ માહિતીના આધારે પીએસઆઈ પી.બી. ત્રાજિયાની ટીમે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 28 બેરલમાંથી કુલ 174 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.6,22,680 આંકવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ પાર્સલ રાજસ્થાનના નિમરાણા ખાતેથી મોકલવામાં આવ્યું હતું અને તેનો અંતિમ ડિલિવરી પોઈન્ટ મોરબી હતો. પાર્સલ બૂટલેગર સુધી પહોંચે તે પહેલાં જ પોલીસે છાપો મારીને સમગ્ર જથ્થો જપ્ત કરી લીધો હતો. હાલ સપ્લાયર અને મગાવનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે પોલીસે મોબાઈલ નંબરના આધારે તપાસનો દોર વેગવંતો બનાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:19 am

પરિણીતાને ધમકી:રાજકોટમાં જેઠે છેડતી કરી પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી

શહેરના જામનગર રોડ મનહરપુર વિસ્તારમાં પરિણીતાને કૌટુંબિક જેઠે પ્રેમસંબંધ રાખવા મજબૂર કરી તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મનહરપુર વિસ્તારમાં એફ.સી.આઈ. ગોડાઉન પાસે રહેતી એક મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી વિગતો મુજબ, તેના પતિ અને જેઠ ખાનગી નોકરી કરે છે. આજથી આશરે એક માસ પહેલાં જ્યારે પરિણીતા ઘરે એકલી હતી ત્યારે તેના મોટા સસરાનો પુત્ર સુભાષ કલાભાઈ મકવાણા ઘરે આવ્યો હતો. તેણે પરિણીતાનો હાથ પકડી તેની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કર્યું હતું. બાદમાં ગત તા.14મીના સવારે 12 વાગ્યાની આસપાસ જ્યારે ખુશીબેન દૂધ લેવા જઈ રહી હતી, ત્યારે આરોપી સુભાષે પોતાનું મોટરસાઇકલ આડું રાખી તેને રસ્તામાં અટકાવી હતી. આરોપીએ પરિણીતાને ધમકાવતા કહ્યું હતું કે,”તું મારી સાથે અફેર રાખ, નહીંતર તારા પતિને બદનામ કરી દઈશ. આરોપીએ પરિણીતાના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વારંવારની પજવણી અને માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે હિંમત ભેગી કરી તેના પતિને સમગ્ર હકીકત જણાવ્યા બાદ આ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:15 am

15 લાખના અત્તરથી ખાટુ શ્યામબાબાનો થશે અભિષેક:ખાટુ શ્યામ બાબા પર આજે રાતરાણીના 10 લિટર અત્તરથી અભિષેક કરી પ્રસાદીરૂપે વિતરણ કરાશે

રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર સામે આવેલું ખાટુ શ્યામ મંદિર શહેરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું ખૂબ જ મોટું કેન્દ્ર છે. અહીં ભગવાન ખાટુ શ્યામજી એટલે કે બર્બરિકની અત્યંત સુંદર અને મનમોહક મૂર્તિ બિરાજમાન છે. જેના દર્શન માત્રથી ભક્તોને અપાર શાંતિનો અનુભવ થાય છે. મંદિરના બાંધકામનું કામ ચાલી રહ્યું છે. ખાસ કરીને દર મહિનાની શુક્લ પક્ષની અગિયારસના દિવસે અહીં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે અને આ દિવસે વિશેષ ભજન સંધ્યા, જ્યોત, મહાપ્રસાદ, વિશેષ શૃંગાર તથા બાબાને ખાસ વાઘા પહેરાવવામાં આવે છે. આજે તા.29 માર્ચના રોજ કામદા એકાદશી પણ છે. જેમાં અહીં સવારે 4 વાગ્યે ખાટુ શ્યામ બાબાને સ્નાન કરાવી વિશેષ અત્તરનો મહાઅભિષેક કરવામાં આવશે. શ્યામ બાબા પર થયેલા અત્તરના અભિષેકનું ભક્તોમાં પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ આજે સાંજે 7 વાગ્યાથી કીર્તન અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાની શુક્લ પક્ષની અગિયારસને વિશેષરૂપે ઉત્સાહ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં સવારથી રાત્રિ સુધી અને આરતી સમયે 4થી 5 હજાર ભાવિકોની ભીડ ઊમટી પડે છે. દર મહિનાની શુક્લપક્ષની અગિયારસના દિવસે અહીં વિશેષ ધાર્મિક આયોજનો યોજાય છે. આ ઉપરાંત આ દિવસે તમામ ભક્તોને ખીચડીનું પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવે છે. મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ટુંક સમયમાં તે પૂર્ણ થતાં અહીં મુખ્ય મંદિર ખાટુ શ્યામ બાબા, અન્ય બે મંદિરમાં રાણીસતીદાદી તથા હનુમાનજી મહારાજનું રહેશે. જેમાં ત્રણેયની જ્યોત રાજસ્થાનથી લાવવામાં આવશે. 15 લાખની કિંમતના અત્તરનો અભિષેકરાજકોટમાં આવેલી પરફ્યુમની કંપનીના ઓનર સંદીપભાઇએ જણાવ્યું હતું કે, ખાટુ શ્યામ બાબાને આજે 10 લિટર રાતરાણીના અત્તરથી અભિષેક કરાવવામાં આવશે. આ ખાસ અત્તર કનોજથી તૈયાર કરાવવામાં આવ્યું છે. જેમાં 1 ટનથી વધારે રાતરાણીના પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કુલ અત્તરની કિંમત 15 લાખ જેટલી થશે. આ અત્તરની શીશીનું ભક્તોમાં પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:13 am

આજે કામદા એકાદશી:કૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરી લવિંગ ધરાવવા

પંચાંગ પ્રમાણે આજે તા.29 માર્ચ ચૈત્ર સુદ અગિયારસને રવિવારે કામદા એકાદશી છે. આ દિવસે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મ કરી અને ત્યારબાદ સૌ પ્રથમ સૂર્યને અર્ધ્ય આપવું. શ્રીકૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરવું. ભગવાનને વસ્ત્ર, જનોઈ, ચાંદલો, ચોખા, ફૂલ, અબીલ, ગુલાલ, કંકુ, અર્પણ કરી ધૂપ-દીપ, નૈવેદ્ય, શ્રીફળ અર્પણ કરવું સાથે લવિંગ ખાસ ધરાવવું. આરતી કરી પ્રાર્થના કરવી અને ત્યારબાદ પીપળે પાણી રેડી અને કામદા એકાદશીની કથા વાંચવી અથવા સાંભળવી. આખો દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવું. બપોરે સૂવું નહીં અને રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું. સાંજના સમયે ભગવાનના જપ કીર્તન કરવા. આ પ્રમાણે કામદા એકાદશીનું વિધિવત વ્રત કરવાથી શ્રાપમાંથી મુક્તિ મળે છે. જીવનમાં કોઈપણ જાતનું બંધન હોય તો તેમાંથી મુક્તિ મળે છે. જો જન્મકુંડળીમાં શ્રાપિત દોષ હોય તો તે શાંત થાય છે. આ તકે શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ કામદા એકાદશીનો બોધ અંગે જણાવ્યું હતું કે, જ્યારે વ્યાપાર-ધંધો કે નોકરી કરતા હોય તે સમયે તેમાં જ પૂરતું ધ્યાન આપવું અને ત્યારે ઘરની ખોટી બાબતોનો વિચાર કરવો જોઈએ નહીં, બહેનોએ પણ ઘરકામ કરતી વખતે કોઈપણ બીજી બાબતોનો વિચાર કરવો જોઈએ નહીં. ફકત કામમાં જ ધ્યાન આપવું યોગ્ય રહે છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:10 am

RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા:એક દીકરી હોય તેવા વાલીને મહાપાલિકા આપશે પ્રમાણપત્ર

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળની પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. આ વર્ષે પણ જે માતા-પિતાને સંતાનમાં માત્ર એક જ દીકરી હોય, તેમને પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે અગ્રતા આપવામાં આવશે. આ અગ્રતાનો લાભ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જરૂરી પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે દીકરીનો જન્મ તા.01/06/2018થી તા. 30/05/2019 દરમિયાન થયેલ હોય, તેવા વાલીઓ તા.04/04/2026થી તા.17/04/2026 સુધીમાં કામકાજના દિવસો દરમિયાન સવારે 10:30થી સાંજે 6:00 કલાક સુધી પ્રમાણપત્ર મેળવી શકશે. આ માટે RMCની સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરી ખાતેના સિવિક સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. વાલીઓએ સૌ પ્રથમ મનપાની વેબસાઇટ www.rmc.gov.in પર જઈ ‘ફોર્મ્સ’ મેનુમાં ‘જન્મ-મરણ વિભાગ’માંથી ‘RTE SINGLE GIRL CHILD’ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. આ ફોર્મ ભરીને તેની સાથે જરૂરી દસ્તાવેજો બિડાણ કરવાના રહેશે. આ પુરાવાઓ સાથે રાખવા

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:09 am

NIOS ધો.10 પરીક્ષા માટે કાઉન્ટડાઉન શરૂ:10 એપ્રિલથી NIOS ધો.10ની પરીક્ષા, 15થી વધુ વિષયના પેપર્સ: બપોરની શિફ્ટમાં રહેશે પરીક્ષા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા એપ્રિલ 2026 સેશન માટે ધોરણ 10 (સેકન્ડરી કોર્સ)ની પરીક્ષાનું પ્રાથમિક સમયપત્રક જાહેર થતાં વિદ્યાર્થીઓમાં તૈયારીને લઈને ચેતનતા વધી છે. પરીક્ષાઓ 10 એપ્રિલથી શરૂ થઈ 6 મે સુધી ચાલશે, જેમાં એકેડેમિક સાથે સાથે સ્કિલ આધારિત વિષયોનો પણ વ્યાપક સમાવેશ કરવામાં આવ્યો છે. NIOS બોર્ડ ખાસ કરીને તે વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ છે, જેઓ પરંપરાગત શાળા પદ્ધતિથી અલગ રીતે અભ્યાસ કરે છે અથવા વિવિધ કારણોસર ઓપન સ્કૂલિંગ પસંદ કરે છે. આથી સમયપત્રક જાહેર થતાં જ હજારો વિદ્યાર્થીઓ માટે તૈયારીનું અંતિમ ચરણ શરૂ થઈ ગયું છે. શિક્ષણવિદોનું માનવું છે કે, અંતિમ 10-15 દિવસ સૌથી મહત્ત્વના હોય છે. ખાસ કરીને ગણિત અને સાયન્સ જેવા વિષયો માટે સતત પ્રેક્ટિસ અને રિવિઝન જરૂરી છે. સાથે સાથે, સ્કિલ વિષયોમાં થિયરી સાથે પ્રેક્ટિકલ સમજ પણ જરૂરી બને છે. NIOS દ્વારા જાહેર કરાયેલું આ સમયપત્રક હાલ પ્રાથમિક છે, જેથી અંતિમ સમયપત્રકમાં થોડા ફેરફારો થવાની શક્યતા રહેલી છે. વિદ્યાર્થીઓએ નિયમિત રીતે સત્તાવાર વેબસાઇટ અને સંબંધિત સૂચનાઓ પર નજર રાખવી અનિવાર્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સ્પોર્ટ્સ અને ઈત્તર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ NIOS ના માધ્યમથી પોતાની શૈક્ષણિક કારકિર્દી આગળ વધારતા હોય છે. પરીક્ષાના પેપરોની મહત્ત્વપૂર્ણ તારીખો પરીક્ષાનો સમય અને પદ્ધતિમોટાભાગની પરીક્ષાઓ બપોરે 2:30થી 5:30 દરમિયાન લેવામાં આવશે. આ શિફ્ટને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસનો સમય અને રિવિઝન પ્લાન ગોઠવવો જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:08 am

કોર્ટે આપ્યો મહત્વનો અને કડક ચુકાદો:સીતારામ પાર્ક જમીન મૂળ માલિકની જ કબજો કરનારનો દાવો ફગાવી દેતી કોર્ટ

રાજકોટ શહેરના મોટામવા વિસ્તારમાં આવેલી સીતારામ પાર્ક સોસાયટીની જમીન સંબંધિત લાંબા સમયથી ચાલતા વિવાદમાં ન્યાયાલયે મહત્ત્વનો અને કડક ચુકાદો આપ્યો છે. અરજદારે વર્ષો સુધી કબજો હોવાનો દાવો કરીને માલિકીહક્ક માટે દાખલ કરેલો દાવો અદાલતે નામંજૂર કર્યો છે. કોર્ટના નિરીક્ષણ મુજબ અરજદારે પોતાના દાવામાં મૂળ માલિક કોણ છે, ક્યારે અને કેવી રીતે કબજો મેળવ્યો તે અંગે સ્પષ્ટ વિગતો રજૂ કરી નહોતી. માત્ર લાંબા સમયથી કબજો હોવો એ ‘એડવર્સ પઝેશન’ સાબિત કરવા પૂરતું નથી, તેવું અદાલતે નોંધ્યું. સાથે જ, કેસમાં જરૂરી ‘કોઝ ઓફ એક્શન’ દર્શાવવામાં નિષ્ફળતા અને લિમિટેશન કાયદાના ભંગને પણ ગંભીર ખામી ગણાવી છે. અદાલતે વધુમાં કહ્યું કે, અરજદારે ચતુરાઈપૂર્વક ડ્રાફ્ટિંગ કરીને કોર્ટને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આવા દાવાઓ કાયદાની કસોટી પર ટકી શકતા નથી. આથી, પ્રતિવાદી નંબર 13 દ્વારા દાખલ કરાયેલ અરજી સ્વીકારીને ઓર્ડર-7 રૂલ-11 હેઠળ plaint ફગાવી દેવામાં આવી. ચુકાદામાં મહત્ત્વની નોંધ તરીકે કોર્ટે જણાવ્યું કે, સંબંધિત જમીન ખેતીલાયક હોવા છતાં બિનઅધિકૃત રીતે ઉપયોગ અને બાંધકામ કરવામાં આવ્યું છે. આ બાબતે રેવન્યુ સત્તાધિકારીઓને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, અરજદારે કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હોવાને કારણે સમગ્ર કેસનો ખર્ચ પણ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ ચુકાદો જમીન વિવાદોમાં ‘એડવર્સ પઝેશન’ના દાવા માટે કડક માપદંડ નક્કી કરે છે અને ખોટા કે અધૂરા દાવાઓ સામે કોર્ટની સખ્ત વૃત્તિ દર્શાવે છે. ટીઆરપી અગ્નિકાંડથી અત્યાર સુધીમાં મનપા પણ ગેરકાયદે બાંધકામ મામલે ચાર વખત કેસ જીતી ચૂકી છેસિતારામ પાર્કમાં હોટેલ, રેસ્ટોરેન્ટ, ગેરેજ, હોસ્ટેલ, ગોડાઉન સહિતના એકમો ધમધમે છે. સૌથી ગંભીર બાબત એ છે કે કોઇની પાસે પણ ફાયર એનઓસી કે બાંધકામ પરવાનગી નથી. ટીઆરપી અગ્નિકાંડ બાદ મનપાએ ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ આપી હતી. જેની સામે કબજેદાર હાઇકોર્ટ અને ગ્રુડા સુધી ગયા હતા. પણ ચાર વખત કેસમાં પછડાટ મળી હતી. છેલ્લે હાઇકોર્ટમાં ગયા ત્યારે એટલી જ રાહત મળી કે મનપા ફરીથી સાંભળે. ચુકાદાથી ગેરકાયદે બાંધકામ દૂર કરવાનો રસ્તો ખુલ્લોઆ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, મોટામવા વિસ્તારમાં આવેલી વિવાદિત જમીન પર જે ગેરકાયદેસર ઉપયોગ અને બાંધકામ ચાલી રહ્યું છે તેની તાત્કાલિક જાણ મહેસૂલ તંત્રને કરવામાં આવે. આ ચુકાદાથી મહાનગરપાલિકા હવે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરી શકશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:01 am

જસદણ પ્રાંત અધિકારીનો બોગસ ખેડૂતો માટે આંચકારૂપ ચુકાદો:ખેતીની જમીન ખરીદનાર ચાર બિનખેડૂત ઠર્યા, 54.63 લાખનો દંડ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બોગસ ખેડૂત ખાતેદાર બનવા હોડ જામી છે. ખાસ કરીને વગદાર અને આર્થિક સદ્ધર લોકો ફાર્મહાઉસના શોખ માટે તેમજ કાળું નાણું છુપાવવા વારસાઈ કે ભળતા નામે બોગસ ખાતેદાર બની રહ્યા છે. ત્યારે રાજકોટના જસદણ તાલુકામાં 28 વર્ષ પૂર્વે ખેડૂત ન હોવા છતાં સાંથણીમાં ફાળવવામાં આવેલી ખેતીની જમીન ખરીદનાર આસામી વિરુદ્ધ પ્રાંત અધિકારીએ સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ કાયદાની કલમ 54ના ભંગ સબબ કલમ 75 મુજબ પગલાં લઈ જસદણના ચિતલિયા ગામની 7.20 એકર જમીન ખાલસા કરી સરકાર હસ્તક લેવા હુકમ કરવાની સાથે જમીન ખરીદનાર બોગસ ખેડૂતના ચાર વારસદારોને રૂ.54.63 લાખનો દંડ ફટકારી રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને આ આસામીઓએ તેમના જિલ્લામાં જમીન ખરીદી હોય તો ચકાસણી કરી પગલાં લેવા જાણ કરવામાં આવી છે. બોગસ ખેડૂત ખાતેદારના ચોંકાવનાર કિસ્સાની વિગત જોઈએ તો વર્ષ 1968માં જસદણ તાલુકાના ચિતલિયા ગામના રેવન્યુ સરવે નંબર 148 પૈકીની 10 એકર જમીન ભીમાભાઇ ગોવિંદભાઈને ડેપ્યુટી કલેક્ટર રાજકોટ દ્વારા નવી અને અવિભાજ્ય શરતે ફાળવ્યા બાદ ભીમાભાઈનું અવસાન થતા તેમના વારસદાર રામાભાઇ તેમજ ડાઈબેન ભીમાભાઇ બારૈયાના નામે વારસાઈ નોંધ પડી હતી. બાદમાં વર્ષ 1997માં આ જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફર્યા બાદ રામાભાઇ તેમજ ડાઈબેન ભીમાભાઇ બારૈયાએ 7.20 એકર જમીન ખોડાભાઈ મુળાભાઈ પરમારને વેચાણ આપતા જમીન ખરીદનારના નામે વેચાણ નોંધ પડી ગઈ હતી. જોકે, વર્ષ 2022માં રામાભાઇ ભીમાભાઇ બારૈયાના વારસદાર હીરાભાઈ રામાભાઈ બારૈયાએ વેચાણ સામે વાંધો લેતા નોંધ તકરારી બની હતી અને મૂળ ખાતેદારોને નામે નોંધ પડી હતી. દરમિયાન જમીન વેચાણથી રાખનાર ખોડાભાઈ મુળાભાઈ પરમારનું અવસાન થતા તેમના પુત્રો રામજીભાઈ, મેરામભાઇ, રમેશભાઈ અને હીરાભાઈ ખોડાભાઈ પરમાર દ્વારા કાનૂની લડત આપવામાં આવી હતી. જોકે, વર્ષ 2025માં તત્કાલીન જિલ્લા કલેક્ટર દ્વારા આ કેસમાં ડેપ્યુટી કલેક્ટર જસદણને જમીન વેચાણ રાખનાર ગુજરનાર ખોડાભાઈ મુળાભાઈ પરમાર જમીન ખરીદતી વખતે ખાતેદાર હતા કે, કેમ તેની ચકાસણી કરવા સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમની કલમ 54 અન્વયે કાર્યવાહી કરવા આદેશ કરતા પ્રાંત અધિકારી જસદણની તપાસમાં ગુજરનાર ખોડાભાઈ મુળાભાઈ પરમારે વર્ષ 1997માં ખેતમજૂર હોવાના નાતે જમીન ખરીદી કરી હોવાનું અને ખેતમજૂર હોવાનું પ્રમાણપત્ર તાલુકા વિકાસ અધિકારી જસદણે આપ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે, સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદા મુજબ ખેતમજૂરનું પ્રમાણપત્ર આપવાના અધિકાર તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યા ન હોય ગુજરનારે ખેતમજૂર હોવાના નાતે જમીન ખરીદવાની દલીલ ફગાવી દઈ ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન ખરીદી કરવા મામલે રામજીભાઈ, મેરામભાઇ, રમેશભાઈ અને હીરાભાઈ ખોડાભાઈ પરમારને બિન ખેડૂત જાહેર કરી 7.20 એકર જમીન ખાલસા કરી સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. ઉપરાંત પ્રવર્તમાન જંત્રીના ત્રણ ગણા લેખે રૂ.54,63,360 (ચોપન લાખ, ત્રેસઠ હજાર, ત્રણસો સાઈઠ) દંડ ફટકારવામાં આવ્યો છે. મૂળ ખેડૂતના વારસદારોએ વારસાઈ નોંધ માટે કાર્યવાહી કરતાં કૌભાંડ છતું થયુંજસદણના ચિતલિયા ગામે ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન ખરીદી કરવાના કિસ્સામાં સાંથણીની જમીનના મૂળ લાભાર્થીના પુત્રના 12 વારસદારોએ જમીન પોતાની હોવાનો દાવો કરી 25 વર્ષ બાદ વારસાઈ નોંધ પડાવી લેતા જમીન ખરીદી કરનારના વારસદારે કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરતા તત્કાલીન કલેક્ટરે 2025માં જમીન ખરીદી કરનાર ખોડાભાઈ મુળાભાઈ પરમાર ખાતેદાર હતા કે કેમ ? તેની ચકાસણી કરવા હુકમ કરતા જ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. સિવિલ કોર્ટ અને હાઇકોર્ટમાં પણ રાહત ન મળીખેડૂત ખાતેદાર ન હોવા છતાં ખેતીની જમીન ખરીદી પ્રકરણમાં ગુજરનાર ખોડાભાઈ મુળાભાઈ પરમારના વારસદારોએ સિવિલ કોર્ટમાં પણ દાવો કર્યો હતો જેમાં કોઈ સ્ટે આપવામાં આવ્યો નથી તેમજ હાઇકોર્ટે પણ રિવિઝન અરજી એડમિશન સ્ટેજે જ ડિસ્પોઝ કરી હોય જસદણ પ્રાંત અધિકારીએ બોગસ ખેડૂતો માટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:00 am

અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં કોણ કપાશે-કોણ ફાવશે?:અનેકને નવું રોટેશન નડી જશે, ભાજપના 40 ટકા સીટીંગ કોર્પોરેટર બદલાવાની શક્યતા

આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં પણ ઉમેદવારોની ચર્ચા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટરોની ચર્ચા ખૂબ જોરશોરથી ચાલી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 15 જેટલા સિનિયર કોર્પોરેટરો ત્રણ ટર્મ પૂર્ણ થઈ ચૂકી હોવાથી ચૂંટણી લડી શકશે નહીં જ્યારે કેટલાક ઉમેદવારોની નિષ્ક્રિય કામગીરીના કારણે ફરીથી તેમને ટિકિટ મળવાની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. કેટલાક કોર્પોરેટરો અનામત રોટેશનના કારણે ફરીથી ચૂંટણી લડી શકશે નહીં. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અનામત રોટેશન અને ભાજપના નિયમો મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં 160માંથી 40 ટકા જેટલા ઉમેદવારોની ટિકિટ કપાશે જેના કારણે થઈને નવોદિતોને ચાન્સ મળશે. ભાજપમાં 3 ટર્મ પૂર્ણ થઈ હોય તેઓના સ્થાને નવા ચહેરા આવી શકેભાજપમાં ત્રણ ટર્મ થઈ ચૂકી હોય અને 60 વર્ષ ઉપર થઈ ચૂકેલા મોટાભાગના ઉમેદવારોને ફરીથી ટિકિટ મળતી નથી હોતી. ત્યારે હોદ્દેદારો રહી ચૂકેલા એવા કોર્પોરેટરોની વાત કરીએ તો શાહીબાગ વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ મેયર પ્રતિભા જૈન, ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર જતીન પટેલ, મણીનગર વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ દંડક શીતલ ડાગાની ત્રણ ટર્મ થઈ ચૂકી હોવાના કારણે તેઓ ફરીથી ચૂંટણી લડી શકે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. રોડ બિલ્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન અને નારણપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર જયેશ પટેલને ત્રણ ટર્મ થઈ ચૂકી હોવાના કારણે ફરીથી ચૂંટણી લડી શકશે નહીં. ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ દંડક અરુણસિંહ રાજપૂત પણ ત્રણ ટર્મ થઈ ચૂકી હોવાના કારણે તેઓને ફરીથી ટિકિટ મળે તેવી શક્યતા ઓછી છે. સૈજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર અને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન મહાદેવ દેસાઈ પણ ત્રણ ટર્મ પૂરી થઈ ચૂકી હોવાના કારણે ફરીથી ચૂંટણી લડી શકશે નહીં. જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયર અને નારણપુરા વોર્ડના કોર્પોરેટર ગીતાબેન પટેલ પણ ત્રણ ટર્મ થઈ ચૂકી હોવાના કારણે ચૂંટણી લડી શકશે નહીં. અનામત રોટેશનના કારણે પણ ઘણા બધા કોર્પોરેટરો ચૂંટણી નહીં લડી શકે અથવા તો પાર્ટી અન્ય વોર્ડમાંથી ચૂંટણી લડાવી શકે.ઘાટલોડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર પ્રવીણ પટેલને શહેર ભાજપમાં ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે જેના કારણે તેઓને ફરીથી ચૂંટણી લડવા મળે એવી શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. વર્તમાન બોડીમાંથી ભાજપના અનેક કોર્પોરેટરો રિપિટ થઈ શકેભાજપમાં ઘણા બધા પાસાઓ ઉપર ફરીથી ટિકિટ આપવામાં આવી શકે છે ત્યારે તેમાંના કારણોની વાત કરીએ તો રાજકીય લોબિંગ અને તેમની સારી કામગીરીની નોંધ લેવાય, સિનિયર કોર્પોરેટરો જેમની હવે આગામી ટર્મમાં ખૂબ જ જરૂરિયાત પડી શકે એવા નેતાઓ, ભાજપમાં સક્રિય અને મૂળ વિચારધારા ધરાવનારા એવા ભાજપના નેતાઓને ફરીથી ટિકિટ મળી શકે છે.ભાજપમાં ફરીથી રિપીટ થવાની શક્યતાની વાત કરીએ તો પાલડી વોર્ડના પ્રીતિશ મહેતા, સરખેજ વોર્ડના જયેશ ત્રિવેદી, રાણીપ વોર્ડના વિરલ વ્યાસ, બોડકદેવ વોર્ડના દેવાંગ દાણી, બાપુનગર વોર્ડના પ્રકાશ ગુર્જર, ખાડિયા વોર્ડના પંકજ ભટ્ટ, વાસણા વોર્ડના મેહુલ શાહ, ખોખરા વોર્ડના કમલેશ પટેલ સહિતના નેતાઓ તેમની કામગીરી અને ભાજપના ક્રાઇટ એરિયામાં યોગ્ય હોવાને લઈને ફરીથી રીપિટ થઈ શકે છે. અનામતના નવા રોટેશનના કારણે અનેક કોર્પોરેટરોના આપોઆપ પત્તા કપાઈ જશે27 ટકા OBC અનામતના નવા રોટેશનના કારણે 20થી વધારે કોર્પોરેટરો પોતાની સીટ ગુમાવી શકે છે ત્યારે અનામત રોટેશન અને નિષ્ક્રિય કામગીરીના કારણે પણ ઘણા બધા કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. જેમાં પહેલી જ ટર્મ હોય એવા કોર્પોરેટરોની ટિકિટ પણ કપાઈ શકે છે. ખોખરા વોર્ડના કોર્પોરેટર ચેતન પરમાર, રામોલ-હાથીજણ વોર્ડના સિદ્ધાર્થ પરમાર બંને ખૂબ વિવાદમાં આવ્યા હતા જેને લઈને હવે તેમને ફરીથી રિપીટ કરવામાં આવે તેવી શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. ચાંદખેડા વોર્ડમાં ભાજપના ત્રણ કોર્પોરેટર છે, જેઓને પાર્ટી રિપિટ કરે તેવી શક્યતા ઓછી છે. સરસપુર-રખીયાલ વોર્ડમાં બે કોર્પોરેટરોમાં ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા દિનેશ કુશવાહ અને ભાસ્કર ભટ્ટ ઉપ-પ્રમુખ બની ગયા હોવાના કારણે તેમને ફરીથી રિપિટ કરાશે નહીં. બે મહિલા કોર્પોરેટરોને પણ ફરીથી ટિકિટ મળવાની શક્યતા નથી જેના કારણે સરસપુરમાં પણ આખી પેનલ ઉતારવામાં આવે તેવી શક્યતા છે. શાહીબાગ વોર્ડમાં બંને મહિલા ઉમેદવારો બદલાશેશાહીબાગ વોર્ડમાં મહિલા ઉમેદવારોમાં એક અનુસૂચિત જાતિ અને એક સામાન્ય બેઠક જાહેર કરવામાં આવી છે. જ્યારે પુરુષ ઉમેદવારમાં પછાત વર્ગ અને સામાન્ય માટે બેઠક જાહેર કરવામાં આવી હોવાના કારણે શાહીબાગ વોર્ડમાં નવા અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર આવશે. જોકે મેયર પ્રતિભા જૈનનની 3 ટર્મ થઈ ગઈ હોવાના કારણે તેઓ પણ ચૂંટણી નહિ લડે જેથી બંને નવા મહિલા ઉમેદવાર આવશે.જ્યારે જશુભાઈ ચૌહાણને મહામંત્રી બનાવાયા હોય તેઓ પણ રિપિટ નહીં થાય.જ્યારે ભરત પટેલ પણ સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડ્યા હોવાથી તેમને પણ રિપિટ કરવામાં આવી શકે છે. અહીં ત્રણ ઉમેદવારો બદલાઈ શકે છે. પાલડીમાં જૈનિક વકીલના સ્થાને નવો ચહેરો આવશેજૈન સમાજ (વણિક)નું પ્રભુત્વ ધરાવતી પાલડી બેઠકમાં પણ બે મહિલા ઉમેદવાર સામાન્ય અને એક પછાત વર્ગ તેમજ એક સામાન્ય પુરુષ ઉમેદવાર હોવાના કારણે જૈનિક વકીલ અને પ્રીતિશ મહેતા બંનેમાંથી એક ઉમેદવારે પોતાના સીટ ગુમાવી પડે તેવી સ્થિતિ છે. કારણ કે નવા ઓબીસી ઉમેદવાર આવવાના કારણે બેમાંથી એક ઉમેદવારે પોતાની સીટ છોડવી પડશે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટને રિપિટ કરવા હોય તો વોર્ડ બદલવો પડશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા હિતેશ બારોટના થલતેજ વોર્ડમાં મહિલા બેઠક પર પછાત વર્ગ અને પુરુષ ઉમેદવારમાં અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક ફાળવી હોવાના કારણે તેમને પણ બેઠક ખાલી કરવી પડશે અને. પછાત વર્ગના ઉમેદવાર તરીકે હિતેશ બારોટને બોડકદેવ અથવા જોધપુર વોર્ડમાં પુરુષમાં સામાન્ય બેઠક પરથી લડાવવામાં આવી શકે છે. બંને મહિલા ઉમેદવારમાં પણ બદલાવવામાં આવી શકે છે. નવા વાડજ વોર્ડનવા વાડજ વોર્ડમાં મહિલા અનુસૂચિત જાતિના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા લલીતાબેન મકવાણાની ટિકિટ કપાશે હવે સામાન્ય મહિલા અને પછાત વર્ગ મહિલા અનામત આવી હોવાના કારણે બંને નવા મહિલા ઉમેદવાર મૂકવા પડશે. બંને પુરુષ ઉમેદવાર પણ સામાન્ય બેઠક ફાળવી હોવાના કારણે ભાજપના ચાલુ કોર્પોરેટર વિજય પંચાલને પણ બેઠક છોડવી પડે તેવી સ્થિતિ છે. વિજય પંચાલને સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં પછાત વર્ગ અનામત હોવાથી ત્યાંથી લડાવવામાં આવી શકે છે. સાબરમતી વોર્ડભાજપના ગઢ ગણાતા એવા સાબરમતી વોર્ડમાં ગત ટર્મમાં અનુસૂચિત આદિજાતિ (ST) પુરુષ ઉમેદવાર બેઠક અનામત હતી જે હવે દૂર થઈ ગઈ છે અને પછાત વર્ગ અનામત બેઠક હોવાના કારણે રમેશભાઈ રાણા ફરી સાબરમતી બેઠક પરથી ચૂંટણી લડી શકશે નહીં. અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર તરીકે બેઠક અનામત હોવાના કારણે પછાત વર્ગના હિરલબેન ભાવસાર જેઓ સામાન્ય બેઠક પરથી લડ્યા હતા જેથી તેઓને હવે બેઠક છોડવી પડે તેવી સ્થિતિ છે. જોકે સામાન્ય બેઠક પરથી તેઓ ફરીથી ચૂંટણી લડી શકે છે. જોકે સામાન્ય સ્ત્રી તરીકે એક બેઠક ફાળવી હોવાના કારણે ત્યાં ફરીથી ચૂંટણી લડાવી શકાશે નહીં અને અનુસૂચિત જાતિના નવા ઉમેદવાર આવશે. ભાઈપુરા-હાટકેશ્વરઅમદાવાદના શાસક પક્ષ ભાજપના નેતા અને ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિની બેઠક પર સીધી અસર થઈ છે. નવા અનામત ફાળવણી મુજબ અનુસુચિત જાતિના પુરુષ ઉમેદવાર અને સામાન્ય પુરુષ ઉમેદવાર હોવાના કારણે હવે ગૌરાંગ પ્રજાપતિને તેમની સીટ બદલવી પડશે.જો કે, તેઓને OBC મોરચાના પ્રમુખ બનાવાયા હોય ફરી ટિકિટ મળે તેવી શક્યતા ઓછી છે. ખોખરા વોર્ડમાંથી અનુસૂચિત જાતિની અનામત દૂર થઈ હોવાના કારણે ચેતન પરમાર હવે ત્યાંથી લડી શકશે નહીં. સરદારનગર વોર્ડએકમાત્ર સિંધી સમાજની સૌથી વધારે સંખ્યા ધરાવનારા સરદારનગર વોર્ડમાં અનુસૂચિત મહિલા બેઠક અનામત દૂર થઈ ગઈ હોવાના કારણે ભાજપના ચાલુ કોર્પોરેટર મિત્તલ મકવાણા ફરીથી રિપીટ થશે નહીં. બાકીની ત્રણ સામાન્ય હોવાના કારણે સિંધી સમાજના જ ત્રણેય ઉમેદવાર ફરીથી લડાવવામાં આવી શકે છે. જેમાં ત્રણેય કોર્પોરેટરમાંથી ભાજપ માત્ર એક જ યુવા કોર્પોરેટર સન્નીખાન ખાનચંદાણીને રીપીટ કરે તેવી શક્યતા છે. નરોડા વોર્ડમાં અનુસુચિત જાતિ પુરુષ ઉમેદવારની બેઠક દૂર થઈ ગઈ હોવાથી કોર્પોરેટર રાજેન્દ્ર સોલંકીને ફરી ટિકિટ મળશે નહીં. નવા પછાત વર્ગના પુરુષ ઉમેદવાર લડાવવામાં આવશે. જ્યારે બે મહિલા ઉમેદવાર સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કુબેરનગર વોર્ડકોંગ્રેસ અને એનસીપીના ગઠબંધન ઉપર લડવામાં આવતી કુબેરનગર વોર્ડની ચારે બેઠકમાં મહિલા અનુસૂચિત જાતિની બેઠક દૂર થઈ ગઈ હોવાના કારણે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર ફરીથી ચૂંટણી લડી શકશે નહીં. બે પછાત વર્ગ મહિલા અને બે સામાન્ય પુરુષ માટે બેઠક ફાળવી હોવાના પગલે ભાજપને ઓબીસીના નવા ઉમેદવાર મુકવા પડશે જ્યારે ગીતાબા ચાવડાને ફરીથી રીપીટ કરવામાં આવી શકે છે. નિકુલસિંહ તોમર આ બેઠક પરથી એનસીપીમાંથી ફરીથી સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. અસારવા વોર્ડરાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મતવિસ્તારમાં આવતા અસારવા બેઠકમાં બે મહિલા ઉમેદવાર સામાન્ય વર્ગને ફાળવવામાં આવી છે જેથી આ બેઠક ઉપર પટણી સમાજનું પણ પ્રભુત્વ હોવાના કારણે એક પટણી સમાજના મહિલા ઉમેદવારને સામાન્ય બેઠક પરથી અથવા પછાત વર્ગ પુરુષ ઉમેદવાર લડાવવામાં આવી શકે છે. શાહપુર વોર્ડમુસ્લિમ સમાજનું પ્રભુત્વ ધરાવતી એવી શાહપુર વોર્ડની બેઠકમાં અનુસૂચિત જાતિ પુરુષની અનામત બેઠક દૂર થઈ ગઈ હોવાથી ગત ટર્મમાં અનુસૂચિત જાતિની બેઠક પરથી જીતેલા પ્રતાપ આગજા ફરી લડી શકશે નહીં. એક પુરુષ અને એક મહિલામાં OBC અનામત આવી હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસ આ બેઠક ઉપર નવા જ ઉમેદવાર મૂકી શકે છે. બેમાંથી એક મહિલા ઉમેદવાર રીપીટ થઈ શકે છે અથવા બંનેમાં નવા ઉમેદવાર મુકાઈ શકે છે. આવી જ દરીયાપુર વોર્ડમાં મહિલા અનુસૂચિત જાતિ બેઠક દૂર થઈ ગઈ હોવાના કારણે કોંગ્રેસના કોર્પોરેટર માધુરી કલાપી અનુસૂચિત જાતિની બેઠક પરથી લડી શકશે નહીં જોકે સામાન્ય બેઠક પરથી તેઓને જો ટિકિટ આપવામાં આવે તો ફરીથી લડી શકે છે. બે સામાન્ય પુરુષ ઉમેદવાર હોવાના કારણે પણ ભાજપ વોર્ડમાં પેનલ જીતવા મજબૂત ઉમેદવાર ઉતારી શકે છે. અમરાઈવાડી વોર્ડઅમરાઈવાડી વોર્ડમાં પુરુષ ઉમેદવારમાં અનુસૂચિત જાતિ બેઠક અનામત આવી હોવાના કારણે કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર જગદીશ રાઠોડ માટે બેઠક ફાઇનલ થઈ ગઈ છે. અનુસૂચિત જાતિની બેઠક હોવાના કારણે હવે તેઓ ફરીથી આ જ બેઠક પર ચૂંટણી લડશે. જોકે ભાજપના સીટીંગ કોર્પોરેટર ઓમ પ્રકાશ બાગડી ફરીથી ભાજપની બેઠક પરથી લડી નહીં શકે. કારણ કે અમરાઈવાડીમાં એક પાટીદાર કોર્પોરેટર મૂકવામાં આવી શકે છે જેના કારણે સામાન્ય બેઠક પરથી તેઓ લડી શકશે નહીં. જ્યારે વસ્ત્રાલ વોર્ડમાં અનુસૂચિત જાતિ મહિલા બેઠક અનામત આવી છે અને પુરુષ ઓબીસી બેઠક અનામત આવી હોવાના કારણે ભાજપના હાલના બંને સીટિંગ કોર્પોરેટર જે સામાન્ય બેઠક પરથી જીત્યા છે તેઓ માંથી અનિરુદ્ધસિંહ ઝાલા ફરીથી રિપીટ કરાશે નહીં કારણકે વસ્ત્રાલ પાટીદાર ગઢ ગણાતો હોવાના કારણે એક પાટીદાર ઉમેદવાર ભાજપ સામાન્ય બેઠક પર લડાવશે. ચાંદખેડા વોર્ડભાજપ અને કોંગ્રેસ બંને માટે સૌથી ચર્ચાસ્પદ અને ઉમેદવારોની એવી ચાંદખેડા વોર્ડની 4 બેઠક છે. વર્ષ 2021ના અનામત મુજબ ચાંદખેડા વોર્ડ નંબર ત્રણમાં બે સામાન્ય સ્ત્રી અને એક સામાન્ય પુરુષ તેમજ પછાત વર્ગને સીટ ફાળવવામાં આવી હતી. જે ચૂંટણીમાં પછાત વર્ગના ઉમેદવાર તરીકે ભાજપમાંથી રાકેશ બ્રહ્મભટ્ટ અને સામાન્યમાં અરુણસિંહ રાજપૂત ચૂંટાઈને આવ્યા છે જ્યારે મહિલામાં ભાજપમાંથી સામાન્ય વર્ગમાં રીટાબેન પટેલ અને અનુસૂચિત જાતિના રાજશ્રીબેન કેસરી પણ સામાન્ય બેઠક પરથી જ લડ્યા અને વિજેતા બન્યા હતા. જોકે વર્ષ 2025ની ચુંટણીમાં અનામત બેઠક ફાળવણી મુજબ હવે ચાંદખેડા વોર્ડમાં અનુસુચિત આદિજાતિ (ST) મહિલા અનામત ફાળવવામાં આવી છે જેથી હવે ST મહિલા ઉમેદવાર નવા મૂકવામાં આવશે જ્યારે પુરુષમાં અનુસૂચિત જાતિ માટે પણ અનામત રાખી હોવાના કારણે ત્યાં નવા ઉમેદવાર મૂકવામાં આવશે. ચાંદખેડા વોર્ડમાં સૌથી વધારે અનુસૂચિત જાતિ, હિન્દી ભાષી, પટેલ અને અલગ અલગ જાતિના લોકો રહેતા હોવાના કારણે આ સીટ ઉપર ST અને SC બંને હવે ઉમેદવાર મૂકવામાં આવ્યા છે. માત્ર બે વોર્ડની બેઠકોમાં જ કોઈ ફેરફાર ન થયોરાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે જેમાં માત્ર બે બેઠક એવી છે જેમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. સાબરમતી વિધાનસભામાં આવતા રાણીપ વોર્ડમાં અને બાપુનગર વિધાનસભામાં આવતા બાપુનગર વોર્ડમાં વર્ષ 2021માં જે અનામત બેઠકો હતી તે મુજબ અનામત બેઠકો રાખવામાં આવી છે તેમાં કોઈપણ ફેરફાર થયો નથી. એક પછાત વર્ગ અને સામાન્ય મહિલા અને બે સામાન્ય પુરુષની બેઠક હતી જે યથાવત રાખવામાં આવી છે. કોંગ્રેસ-AIMIMમાં પણ ફેરફાર થઈ શકેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને AIMIM પાર્ટીના નેતાઓના કોર્પોરેટરો પણ છે ત્યારે વિપક્ષ કોંગ્રેસમાં 24 કોર્પોરેટરો છે. વિપક્ષ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ખૂબ જ છે. જોકે વિપક્ષ કોંગ્રેસના નેતા શહેજાદ ખાન પઠાણ ફરીથી રિપિટ કરવામાં આવી શકે છે. શહેજાદખાન પઠાણ દ્વારા અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ફરીથી પોતે રિપીટ હશે એવા આશાવાદ સાથે હમ સબ કા યહી હે નારા શહેઝાદ ખાન આયે દોબારા સ્લોગનથી ચૂંટણી પ્રચાર ચૂંટણીની શરૂઆત પણ કરી દીધી છે. દાણીલીમડા વોર્ડમાં શહેજાદ ખાન પઠાણની સાથે સલીમ સાબુવાલા અને રમીલાબેન ફરીથી રીપીટ થઈ શકે છે. શહેજાદ ખાન પઠાણ સાથે વિવાદમાં આવેલા સાથી કોર્પોરેટર જમનાબેન વેગડા ફરીથી રિપીટ થશે નહીં અને કોંગ્રેસમાંથી પણ ચૂંટણી લડશે નહીં. ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને મજબૂત મહિલાનેતા એવા રાજશ્રી કેસરી પણ ફરીથી ચાંદખેડા વોર્ડમાં પોતાના દમ પર ટિકિટ લાવીને ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસના કોર્પોરેટરોમાં બહેરામપુરા વોર્ડમાં કમળાબેન પરમાર છેલ્લા પાંચ વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર તેમને ટિકિટ મળવાની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાંથી એકમાત્ર ચૂંટાઈને આવેલા પદ્માબેન બારોટ પણ ફરીથી રિપીટ થાય તેવી શક્યતા નથી. દરિયાપુર વોર્ડમાં ચારેય કોર્પોરેટર કોંગ્રેસના છે જેમાં ઉપનેતા નીરવ બક્ષી જેઓ કોંગ્રેસના સિનિયર નેતા સુરેન્દ્રનગર બક્ષીના પુત્ર છે તેઓ પોતાની ફરીથી ટિકિટ મેળવવા માટે કોંગ્રેસમાં લોબિંગ કરી શકે છે. દરિયાપુર વોર્ડના માધુરી કલાપી અને સમીરા શેખ માંથી એકમાત્ર સમીરા શેખ ફરીથી રિપીટ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ઈમ્તિયાઝ શેખની પણ આ વખતે ટિકિટ કપાવાની શક્યતા છે.. અનામત રોટેશનના કારણે પણ કોંગ્રેસ અને AIMIM પાર્ટીના નેતાઓની પણ ટિકિટ કપાઈ શકે છે અને નવા ચહેરાઓ ફરીથી જોવા મળી શકે છે જમાલપુર વોર્ડમાં AIMIM પાર્ટીના ચારેય કોર્પોરેટરની નિષ્ક્રિય કામગીરીના કારણે કોંગ્રેસના જો મજબૂત ઉમેદવાર ઉભા રાખવામાં આવે તો ફરીથી કોંગ્રેસ જમાલપુરમાં પેનલ જીતી શકે છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:00 am

યુદ્ધના સમયે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું કે નહીં?:ઇન્વેસ્ટર્સની અસમંજસ- અત્યારે શેર વેચવા કે ખરીદવા, એક્સપર્ટની 3 નિયમોનું પાલન કરવાની સલાહ

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ હોય કે છેલ્લા 4 વર્ષથી ચાલતું રશિયા-યુક્રેનનું યુદ્ધ હોય જ્યારે પણ વિશ્વમાં અસ્થિરતા ફેલાય છે ત્યારે તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને તેના શેરબજારના પોર્ટફોલિયો પર પડે છે. હાલમાં વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે ક્રૂડ ઓઇલના ભાવ 72 ડોલરથી સીધા 120 ડોલરે પહોંચી ગયા છે. આ બળતા ભાવે ભારતીય શેરબજારમાં ભૂકંપ સર્જ્યો છે. માર્કેટ 15થી 20% સુધી ગગડ્યું છે. અનેક દિગ્ગજ બ્લૂ-ચિપ કંપનીઓ પોતાના ઓલ-ટાઇમ હાઇથી 20થી 60% જેટલી નીચે આવી ગઇ છે. જો અભ્યાસ કર્યા વગર શેર બજારમાં રોકાણ કરવામાં આવે તો સ્ટોકનું વેચાણ કર્યા વગર બીજો કોઇ વિકલ્પ રહેતો નથી. તેમાં પણ 2020 પછી જેટલા લોકોએ શેરબજારમાં રોકાણ કર્યું તેમાં ઘણા યંગસ્ટર્સ સટ્ટાકીય પ્રવૃત્તિ તરફ આકર્ષાયા છે. તેઓ કોલ અને પુટ કરી રહ્યાં છે. તેમાં વધારે એક્ટિવ રહેવાના કારણે સમય જતાં રૂપિયા ખોવાનો વારો આવે છે. આવી ડર અને અસમંજસભરી સ્થિતિમાં શું અત્યારે શેર વેચીને નીકળી જવું જોઇએ કે પછી યુદ્ધનો સમયગાળો ખરીદી કરવાનો શ્રેષ્ઠ સમય છે? શું હજી પણ સોનુ સેફ હેવન માની શકાય? રોકાણકારોના મનમાં ચાલી રહેલાં આવા જ સવાલોના જવાબ મેળવવા માટે દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટર પોઇન્ટના ફાઉન્ડર અને માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચૂડાસમા અને આપકા ઇન્વેસ્ટમેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર હિતેશ સોમાણી સાથે વાતચીત કરી હતી. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે તેઓ શું કહી રહ્યાં છે. સોના ચાંદીની ચાલ 100 વર્ષમાં પહેલીવાર નિરાશાજનકયુદ્ધની પરિસ્થિતિમાં પણ છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં સેફ હેવન તરીકે રોકાણકારો અત્યાર સુધી સોના અને ચાંદી તરફ પ્રેરાતા હતા પણ ઘણાં વર્ષો પછી એવું બન્યું છે કે યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યાં છે. હવે સોના ચાંદીને પણ સેફ હેવન તરીકે ન ગણી શકાય તેવી સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીની જે ચાલ છે તે રોકાણકારો માટે ખૂબ જ નિરાશ કરનારી છે. આવી પરિસ્થિતિ ભારતના 100 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર જોવા મળી છે. 'ભારતને યુદ્ધની પરિસ્થિતિમાં મોટી અસર થઇ છે'જયદેવસિંહ ચૂડાસમા આ યુદ્ધની પરિસ્થિતિને વિશ્વભરના તમામ દેશ માટે ખૂબ જ કટોકટીભરી ગણાવે છે. તેઓ કહે છે કે, આ સ્થિતિમાં સૌથી વધારે ઇફેક્ટ એશિયન દેશો અને સાઉથ એશિયન દેશોને થઇ છે. જો ભારતની વાત કરીએ તો ભારતને આ યુદ્ધની પરિસ્થિતિમાં ખૂબ જ મોટી અસર થતી જોવા મળી રહી છે કેમ કે ભારતના 80% ઊર્જા સ્ત્રોતો ખાડી દેશો પર ડિપેન્ડન્ટ છે. ભારતીય અર્થવ્યવસ્થા માટે આ ખૂબ જ ચેલેન્જિંગ સમય ગણી શકાય. 'ઇકોનોમી પર પણ ખૂબ જ પ્રભાવ પડ્યો છે'હિતેશ સોમાણીના કહેવા જ્યારે પણ કોઇ ગ્લોબલ વોરની પરિસ્થતિ સર્જાય છે ત્યારે માત્ર ભારત જ નહીં પણ ગ્લોબલ માર્કેટ નબળા પડતાં હોય છે. ભારતના માર્કેટની સાથે સાથે ગ્લોબલ માર્કેટ પણ એટલું જ ડાઉન જઇ રહ્યું છે. હાલમાં યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાઇ છે તે આટલી બધી એક્સપેક્ટેડ નહોતી. આ યુદ્ધ ઘણું લાંબુ ચાલી રહ્યું છે. આ વોરથી ઘણાં દેશોને મોટું નુકસાન પણ થયું છે. મિડલ ઇસ્ટની ઘણી રિફાઇનરીઓ પર હુમલો થયો છે. આવા સંજોગોમાં ઇકોનોમી ઉપર પણ ખૂબ જ પ્રભાવ પડ્યો છે. જેના કારણે GDPના ગ્રોથ રેટમાં પણ અસર દેખાય છે. 'આ ભાવ પણ ઝડપથી નીચે આવી જશે'તેઓ આગળ કહે છે કે, હાલમાં બધી જગ્યાએ ક્રૂડ ઓઇલની ચર્ચા ચાલી રહી છે અને તે ખૂબ ડિમાન્ડમાં છે પણ તેમાં ઇન્વેસ્ટ કરવું હિતાવહ નથી. કેમ કે તેના ભાવમાં અત્યારે જે ઉછાળો આવ્યો છે તે ફક્ત યુદ્ધના કારણે જ છે. જો યુદ્ધ પૂર્ણ થશે અને પરિસ્થિતિ ફરી પહેલાં જેવી થઇ જશે ત્યારે આ ભાવ પણ એટલી જ ઝડપથી નીચે આવી જશે. સિઝ ફાયરના સમાચાર આવવાથી અચાનક જ ક્રૂડ ઓઇલના ભાવ નીચે આવ્યાં હતા. ભારતીય શેર બજાર અંગે જયદેવસિંહ ચૂડાસમાએ કહ્યું, યુદ્ધની શરૂઆત થઇ ત્યાં સુધી ભારતીય શેર બજાર પ્રમાણમાં અટકેલું હતું પણ યુદ્ધ પછી ભારતીય શેર બજાર વધુ 15થી 20% ડાઉન થયું હતું. જ્યારે સ્ટોક સ્પેસિફિક ડેમેજ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. BSC500ની 75% કંપનીઓના જે ભાવ છે તે તેના લાઇફટાઇમ ઉત્તમ સ્તર કરતાં લગભગ 20થી 60% સુધી ઘટી ચૂક્યાં છે. રોકાણકારોના પોર્ટફોલિયો પણ વધારે ડેમેજ થયા હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય શેર બજાર સેન્સેક્સ અને નિફ્ટીની દ્રષ્ટ્રીએ તેના સ્તર કરતાં 15થી 20% નીચે ચાલી રહ્યાં છે. જો હજી અહીંથી બજાર 5થી 10% ઘટે તો તેની અસર આવી શકે છે. ‘યુદ્ધ ચાલતું હોવા છતાં ભારતીય શેર બજાર ખૂબ જ સ્ટ્રોંગ રીતે ઊભું છે'તેમના કહેવા મુજબ હાલમાં નિફ્ટી અને સેન્સેક્સ પોતાના ઓલટાઇમ લો કરતાં પણ નીચે ગગડી ગયા છે. યુદ્ધની પરિસ્થિતિમાં ઘણીવાર માર્કેટમાં 40થી 50%નો ફોલ જોવા મળતો હોય છે. જો ભારતીય સ્ટોક માર્કેટની વાત કરવામાં આવે તો હાલમાં દરેક ખરાબ ન્યૂઝ ભારતીય શેર માર્કેટ માટે પોઝિટિવ બની રહ્યાં છે. ઇરાન યુદ્ધ ચાલતું હોવા છતાં ભારતીય શેર બજાર ખૂબ જ સ્ટ્રોંગ રીતે ઊભું છે. જે ભારતીય ઇકોનોમી માટે લોંગ ટર્મ સ્ટોરી બનશે. સોમાણીએ વધુમાં કહ્યું કે, પોર્ટફોલિયોનો અર્થ એ પણ છે કે ગ્રુપ ઓફ સ્ટોક જ નહીં પણ ગ્રુપ ઓફ અસેસ્ટ પણ હોવું જોઇએ. જ્યારે પોર્ટફોલિયો બનાવીએ છીએ ત્યારે તેમાં ઇક્વિટીનો પણ હિસ્સો હોય છે. ગોલ્ડ, સિલ્વરના બોન્ડ્સનો પણ હિસ્સો હોય છે એટલે જ્યારે એક અસેટ ક્લાસ પર્ફોમન્સ ન આપી શકે ત્યારે બીજું ઓવરકમ કરે છે. પાછલા વર્ષોની હિસ્ટ્રી જોઇએ તો કંઇ ખાસ રિટર્ન નથી મળ્યું પણ જો તમારી પાસે કોમોડિટીના એટીએફ્સ એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ હોય કે પછી ગોલ્ડ એટીએફ્સ હોય અને તે સારું પ્રદર્શન કરે તો તમારો પોર્ટફોલિયો ગેઇન કરે છે. આવી સ્થિતિ વચ્ચે એક્સપર્ટસ રોકાણકારોને કેટલીક સલાહ આપે છે. જયદેવસિંહ ચુડાસમા કહે છે કે તમે જ્યારે પણ રોકાણ કરો તો તેની વહેલી શરૂઆત કરી દો. જેમાં પણ રોકાણ કરો તેમાં નિયમિતતા જાળવો. રોકાણોની યોગ્ય વિકલ્પોમાં સારી રીતે વહેંચણી કરો. જો રોકાણકારો આ 3 નિયમોનું કડક પાલન કરે તો તેમને સારું પરિણામ મળશે જ. હંમેશા ભૂતકાળમાં મળેલા સારા પરિણામોને જોઇને એક જ સેગ્મેન્ટમાં પૂરેપૂરી મૂડી રોકો તે યોગ્ય નથી. 'તમારું રોકાણ એક બંચમાં અને એક પોર્ટફોલિયોમાં થવું જોઇએ'હિતેશ સોમાણી ઇન્વેસ્ટર્સને સલાહ આપતા કહે છે કે, હાલમાં હાય ઓન ટિપ્સનો સમય છે. જેટલું માર્કેટ તૂટે એટલું જ તમે માર્કેટમાં ઇન્વેસ્ટ કરતાં રહો. સ્ટોક સ્પેસિફિક રહેવાની જગ્યાએ તમે માર્કેટમાં પૈસા લગાવો કેમ કે જ્યારે ઇકોનોમી ગ્રો થવાનું શરૂ થશે ત્યારે તેની સેન્સેક્સ ઉપર ખૂબ જ પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. તમારું રોકાણ એક બંચમાં અને એક પોર્ટફોલિયોમાં થવું જોઇએ જેથી આવનારા દિવસોમાં તેની પોઝિટિવ ઇફેક્ટ જોવા મળશે. બીજીતરફ રોકાણકારે પોતાનો બાય ઓન ડિપનો એક્શન પ્લાન પણ બનાવવો જોઇએ. જેથી તે નિફ્ટીના બીઝ, ગોલ્ડ બીઝ ખરીદી શકે. નિફ્ટીમાં દર હજારના કડાકે ઇન્વેસ્ટ કરો અને તેને એવરેજ આઉટ કરો જેથી જ્યારે તે ગ્રો કરશે ત્યારે તમને સારો પ્રોફિટ મળશે. જયદેવસિંહ ચૂડાસમા માને છે કે માર્કેટમાં દરેક ઘટાડો ફક્ત કામચલાઉ જ હોય છે.તેમના મતે, આવી પરિસ્થિતિમાં રોકાણકારોએ માઇન્ડસેટ સાથે જ રોકાણ કરવું જોઇએ. જેથી જો કોઇ કરેક્શન આવે તો વધારે દુઃખી ન થવાય. જો કોઇ પાસે 100 રૂપિયા હોય તો તેણે ટૂકડે ટૂકડે ખરીદવાની યોજના બનાવવી જોઇએ. છેલ્લા 3થી 4 દાયકાની વાત કરીએ તો આ વખતે એવું પ્રથમ વખત નથી કે ટોપ લેવલથી સારો એવો ઘટાડો આવ્યો હોય. થોડા સમય પહેલાં પણ વૈશ્વિક અસ્થિરતાની અસર થઇ હતી પણ દરેક ઘટાડો સમય જતાં એવું સાબિત કરે છે કે તે ફક્ત કામચલાઉ જ હતો. 'હાલમાં ન્યૂઝ બેઝ્ડ માર્કેટ ચાલી રહ્યું છે'હિતેશ સોમાણીએ ભારતીય શેર બજાર ગ્લોબલ લેવલે કેટલું મહત્વ ધરાવે છે તેનો કિસ્સો કહ્યો.તેમણે જણાવ્યું કે, હું મારા અનુભવ, રિસર્ચ અને મારા ચાર્ટસના અભ્યાસના આધારે કહું તો 2026માં જ મને માર્કેટમાં સ્ટ્રોંગ બુલિશ રિટર્ન જોવા મળી રહ્યું છે પણ આ વોરનો સમય છે. જેથી કોઇના હાથમાં કોઇ પરિસ્થિતિ નથી હોતી. બીજીતરફ ટ્રમ્પ શું નિર્ણય લેશે તે પણ નક્કી નથી. હાલમાં ન્યૂઝ બેઝ્ડ માર્કેટ ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલાંની વાત કરીએ તો બપોરે 3:30 વાગ્યે ભારતીય સ્ટોક માર્કેટ બંધ થયું ત્યારે નિફ્ટી માઇનસ 600 પોઇન્ટ પર બંધ થઇ હતી. આ સમયે અચાનક એક નેતાની પોસ્ટ આવે છે. જેમાં તે કહે છે કે હવે સિઝફાયર છે. ભારતીય સ્ટોક માર્કેટ બંધ થયા પછી આ ન્યૂઝનું ડિક્લેર થવું અને બીજા જ દિવસે 700 થી 800 પોઇન્ટનો ગેપઅપ થવો એ ક્યાંકને ક્યાંક બતાવે છે કે ભારતીય માર્કેટ કેટલી વેલ્યુ ધરાવે છે. (નોંધ-શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. ઉપર જણાવેલા મંતવ્યો એક્સપર્ટના અંગત વિચારો છે. રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જોઇએ.)

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 6:00 am

સન્ડે ફોટો સ્ટોરી:શહેરી વિસ્તારમાં ગુજરાતનો પ્રથમ (રાજકોટમાં ) લાયન સફારી પાર્ક બનવાને આરે, જ્યાં ઝૂ અને બે તળાવનો ત્રિવેણી સંગમ

સાસણમાં મુક્ત ફરતા સિંહ ઉપરાંત આંબરડી અને દેવળિયા સફારી પાર્કમાં પણ વિહરતા સિંહ જોનારા મુલાકાતીઓની સંખ્યા લાખોમાં હોય છે. આ બધા સફારી પાર્ક શહેરી વિસ્તારથી દૂર હોય છે, પણ રાજકોટમાં શહેરી વિસ્તારમાં અને મહાનગરપાલિકા દ્વારા લાયન સફારી પાર્ક બનાવી રહી છે જેનું કામ હવે પૂર્ણતાને આરે છે. રાજકોટ મનપા ગુજરાતની એવી પ્રથમ કોર્પોરેશન છે જે પોતાનો લાયન સફારી પાર્ક ચાલુ કરશે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આ સફારી પાર્ક લાલપરી અને રાંદરડા તળાવની વચ્ચે અને પ્રદ્યુમ્ન પાર્ક ઝૂની નજીક બની રહ્યું છે. લાલપરી તળાવને રિ-ડેવલપ કરવા માટે પણ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેથી રાજકોટમાં પણ કાંકરિયા તળાવ જેવી સુવિધા મળશે. ઝૂ, બે તળાવના ત્રિવેણી સંગમમાં સફારી પાર્ક ભળશે એટલે રાજકોટને અટલ સરોવર બાદ નવું નજરાણું મળશે જ્યાં લોકો પોતાનો આખો દિવસ ગાળી શકશે. સવારે સફારી, બપોરે ઝૂ અને સાંજે તળાવની પાળે મોજ2026માં લાયન સફારી પાર્ક બની જશે આ સાથે જ લાલપરીમાં પણ રિ-ડેવલપમેન્ટને કારણે વિકાસ થશે. ઝૂ તો હાલ સૌથી લોકપ્રિય છે જ. આ કારણે એક જ સ્થળે લોકોને હરવા ફરવામાં આખો દિવસ નીકળી જશે. સવારના સમયે સફારી પાર્કમાં મુક્ત વિહરતા સિંહ જોશે. બપોરે ઝૂમાં અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓ જોઈ શકાશે. લાયન સફારી પાર્કમાં આ સુવિધાઓ મળશે

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:58 am

વકીલોને ડ્રેસ કોડમાં રાહત:રાજકોટમાં કોટ વગર પણ કોર્ટમાં હાજર રહી શકાશે

રાજકોટ સહિત રાજ્યભરના વકીલો માટે ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. પરંપરાગત રીતે કોર્ટમાં કાળો કોટ પહેરવો ફરજિયાત માનવામાં આવે છે, પરંતુ હવે ઉનાળાની ઋતુમાં આ નિયમમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વકીલોના આરોગ્યનું રક્ષણ કરવાનું તેમજ તાપમાનના વધારા વચ્ચે ન્યાયિક કાર્યને સરળ બનાવવાનું છે. સામાન્ય રીતે એડવોકેટ્સ માટે કોર્ટમાં હાજર થતી વખતે કાળો કોટ, સફેદ શર્ટ અને બેન્ડ પહેરવો ફરજિયાત હોય છે, પરંતુ ઉનાળામાં વધતા તાપમાનને કારણે ઘણા વકીલોને તકલીફનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને બપોરના સમયમાં કોર્ટમાં કામ કરતી વખતે ગરમીને કારણે થાક, ડિહાઇડ્રેશન અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હતી. આથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એક ખાસ કમિટી બનાવી રાજ્યના ચીફ જસ્ટિસ સમક્ષ ડ્રેસ કોડ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઇ તા.18-3-2009ના રોજ ગુજરાત હાઇકોર્ટ તરફથી ભારતીય બંધારણ અનુચ્છેદ 235 તથા ક્રિમિનલ મેન્યુઅલ 197 અનુસાર એક ખાસ નોટિફિકેશન બાહર પાડવામાં આવ્યું હતું જેમાં ઉનાળા દરમિયાન 1-4થી 31-7 સુધી ઉનાળાની ઋતુ દરમિયાન કોટ વગર પણ ધારાશાસ્ત્રીઓને કોર્ટમાં હાજરી આપવા મંજૂરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:55 am

એરપોર્ટ પર સમર શેડ્યૂલ અમલી:આજથી ડેઇલી 14 ફ્લાઇટની ઉડાન

રાજકોટના હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટને દરજ્જો મળ્યા બાદ પણ હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ ન થતાં મુસાફરોમાં નિરાશા છે. ત્યારે આજથી સમર શેડ્યૂલ અમલમાં આવતા ડોમેસ્ટિક ઉડાનોમાં વધારો થયો છે. નવા શેડ્યૂલ મુજબ હવે રોજિંદી 14 ફ્લાઇટ ઉડાન ભરી દેશે, જેનાથી એર કનેક્ટિવિટી મજબૂત બનશે. સમર શેડ્યૂલ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. આ વખતે ફ્લાઇટોની સંખ્યામાં વધારો થવા ઉપરાંત કેટલાક રૂટના સમયમાં પણ ફેરફાર કરાયો છે. ફ્લાઇટનું નવું ટાઈમટેબલ

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:55 am

માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી:રાજકોટની રાષ્ટ્રીય શાળામાં બે સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરાયું, આરોપીઓ સકંજામાં

શહેરના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી રાષ્ટ્રીય શાળાના પરિસરમાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. બે નેપાળી સગીર સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સંદીપ ઉર્ફે લાલાભાઇ પટેલ અને જયેશ મજેઠિયા નામના બે આરોપીઓને સકંજામાં લીધા છે. ફરિયાદ મુજબ, બન્ને સગીર છેલ્લા એક વર્ષથી રાષ્ટ્રીય શાળાના પરિસરમાં આવેલા પાણીના પ્લાન્ટમાં કામ કરતા હતા. આ દરમિયાન તેઓ આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓએ ખાવા-પીવાની લાલચ આપી સગીરોને રૂમમાં લઈ જઈ અવારનવાર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. વિરોધ કરતાં સગીરોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાથી તેઓ લાંબા સમય સુધી ડરના છાયામાં શોષણ સહન કરતા રહ્યા હતા. પોલીસે બન્ને સગીરનો મેડિકલ અને ઓસિફિકેશન ટેસ્ટ કરાવતા તેમની ઉંમર 14થી 17 વર્ષની વચ્ચે હોવાનું બહાર આવ્યું છે. પોક્સો એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરાશે. સ્ટોનકિલરના હુમલામાં બચેલો જયેશ એક સમયે ‘સાક્ષી’, હવે આરોપીજયેશ મજેઠિયાનું નામ 2016ના સ્ટોન કિલર કેસમાં મહત્ત્વના સાક્ષી તરીકે સામે આવ્યું હતું. તે સમયે સ્ટોન કિલરના ખૂની હુમલામાં બચી ગયેલા જયેશે પોલીસને મહત્ત્વની માહિતી આપી હતી, જેના આધારે આરોપી સુધી પહોંચવામાં મદદ મળી હતી, પરંતુ હાલ એ જ વ્યક્તિ બે સગીર સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવા જેવા ગંભીર ગુનામાં સંડોવાયો હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની ઓળખ ભાસ્કર ઈન્સાઈડધમકીઓથી ડરાવી ચુપ કરાયા: સગીરોસગીરોએ પોલીસને જણાવ્યું કે, આરોપીઓ વારંવાર “કોઈને કહેશે તો જાનથી મારી નાખીશું” તેવી ધમકીઓ આપતા હતા. આ કારણે તેઓ લાંબા સમય સુધી શોષણ સહન કરતા રહ્યા અને કોઈને જાણ કરી શક્યા નહોતા. વીડિયો પુરાવાથી તપાસમાં મોટો વળાંકઆરોપીઓએ શોષણના કૃત્યોના વીડિયો બનાવ્યા હતા, જે હાલ પોલીસને મળી આવ્યા છે. આ વીડિયો તપાસમાં મહત્ત્વનો પુરાવો સાબિત થઈ રહ્યો છે. પોલીસે વીડિયો કબજે કરી ટેક્નિકલ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:53 am

આર.બી.વી.ફાઇનાન્સના પિતા-પુત્રો સામે ગુનો નોંધાયો:ગ્રાહકનું 684 ગ્રામ સોનું લઇ ફાઇનાન્સના સંચાલક ફરાર

વરાછા જયભવાની સોસાયટીમાં રહેતા હિંમતભાઇ ગોયાણીને વર્ષ 2020માં તેમને રૂપિયાની જરૂર પડી હતી. ત્યારે તેમણે વરાછા યોગીચોકમાં આવેલી આર.બી.વી ફાઇનાન્સના ધીરુ ખોડા ભીમાણી અને તેના દીકરા રાકેશ અને તુષાર( નીલકંઠ હાઇટ્સ, સરથાણા જકાતનાકા) પાસે 147.07 ગ્રામ સોનાના દાગીના ગીરવે મૂકી 4 લાખ વ્યાજે લીધા હતા. ત્યાર બાદ તેમણે વર્ષ 2021 અને 2022માં બીજા ઘરેણા સહિત કુલ 684.12 ગ્રામ સોનાના ઘરેણાં ગીરવે મૂકી 16.30 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું તેઓ નિયમિત વ્યાજ ચૂકવતા હતા. એકાદ વર્ષ પૂર્વે પિતા-પુત્રો ઓફિસ બંધ કરી ફરાર થઇ ગયા હતા. હિંમતભાઇએ ફોન પર સંપર્ક કરી તેઓ રૂપિયા આપવા તૈયાર હોઇ દાગીના પરત કરવાનું કહ્યું હતું. વાયદા આપી પિતા-પુત્ર ફોન બંધ કરી દીધો હતો. જેથી હિંમતભાઇએ પિતા-પુત્રો વિરુદ્ધ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભીમાણી પિતા-પુત્રોએ આ સોનું અન્ય બેંકમાં ગીરવે મૂકી વધુ રકમ લેતા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:45 am

વેપારી સાથે ઠગાઈ:ઝિમ્બાબ્વેથી 7 કરોડના કોપર સ્ક્રેપના બદલે ટોળકીએ વેપારીને ધૂળ-પથ્થર મોકલી આપ્યા

સુરતના વેપારી સાથે 4 ગઠિયાએ ઝિમ્બાબ્વેથી કોપર સ્ક્રેપ અપાવવાના બહાને 7.09 કરોડની છેતરપિંડી કર્યાના બનાવ વરાછા પોલીસમાં નોંધાયો છે. ઝિમ્બાબેમાં કોપર સ્ક્રેપ બતાવીને કન્ટેનરનું સિલ ખોલીને કોપરની જગ્યાએ પથ્થર અને ધૂળ ભરીને ભારત મોકલી આપ્યું હતું. સરથાણા રહેતા મધુર કોર્પોરેશનના નામે પેઢી ધરાવતા પ્રકાશભાઇ કથિરીયા ઝિમ્બાબ્વે માં પણ કંપની ધરાવે છે. ગાંધીધામ રહેતો સ્ક્રેપ દલાલ રોહિત યાદવ જુન 2025માં તેની ઓફિસે આવ્યો હતો અને ઝિમ્બાબ્વેમાં કોપર સ્ક્રેપનો જથ્થો વેચવાનો હોવાનું કહેતા તેઓ ઝિમ્બાબ્વે ગયા હતા. જ્યાં રોહિતે દિપક મોડ તેના ભાગીદાર દિકરા કૃણાલ મોડ (રહે, ઝિમ્બાબ્વે, મુળ જામનગર) અને ફરઝાન મિર્ઝા (મુરાદાબાદ યુપી)સાથે પરિચય કરાવ્યો હતો. સ્ક્રેપ પસંદ આવતા પ્રકાશભાઇએ 100 ટનનો ઓર્ડર આપ્યો હતો. ટોળકીએ એડવાન્સ માંગતા પ્રકાશભાઇએ તેમને.7,09 કરોડ દુબઇ ખાતે તેમના ભાઇની ઓફિસથી ટ્રાન્સફર કરાવ્યા હતા. . પ્રકાશભાઇ સુરત આવી ગયા હતા. થોડા દિવસો મુંદ્રા આવેલું કન્ટેનર ખોલતા તેમાંથી પથ્થર અને ધૂળ નીકળી હતી. અન્ય કન્ટેનરમાં પણ ધૂળ અને પથ્થર નીકળ્યા હતા. જેથી પ્રકાશભાઇ ઝિમ્બાબ્વે ગયા હતા. પ્રકાશભાઇની પત્ની ગીતાબેને ચારેય ગઠિયા સામે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ટોળકીએ પ્રકાશભાઇને ઝિમ્બાબ્વેમાં ફસાવી દીધાઉઘરાણી માટે ઝિમ્બાબ્વે આવેલા પ્રકાશભાઇને ઠગ દિપકે રુપિયા આવાનું કહ્યું હતું. દરમિયાનમાં તેમના ઘરે 200 કિલો કોપર મૂકી દીધું હતું. ઝિમ્બાબ્વેમાં કોપરના નિકાસ માટે કડક નિયમ છે. દિપકે બિલ કે પુરાવા વિના કોપર તેમના ઘરે મૂકી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે પ્રકાશભાઇની ધરપકડ કરી હતી. હાલ તે જેલ મુક્ત થયા છે પણ પાસપોર્ટ ઝિમ્બાબ્વેની પોલીસમાં જમા હોવાથી તેઓ ત્યાં જ ફસાઇ ગયા છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:44 am

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિના VCનું નિવેદન:પરીક્ષામાં ગોખણપટ્ટી છોડીને મૌલિકતાથી લખો, પ્રશ્નના જવાબમાં હાર્દ આવી જતો હશે તો અમે વિદ્યાર્થીઓને પૂરા માર્ક્સ આપીશું

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીજી એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ માટે મેં ખાસ વ્યવસ્થા કરી છે. મેં તમામ અધ્યાપકોને સૂચના આપી છે કે જો વિદ્યાર્થીઓના જવાબમાં પ્રશ્નનો મૂળ હાર્દ આવી જતો હોય તો વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવે. મારો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષો જૂની ગોખણપ ટ્ટીનો અંત લાવી વિદ્યાર્થીઓની મૌલિક સમજશક્તિને પ્રોત્સાહન આપવાનો છે, જેથી વિદ્યાર્થીઓ પુસ્તકિયું જ્ઞાન બેઠું ઉતારવાને બદલે વિષયની સમજ ણ પર ધ્યાન આપી શકે. વિદ્યાર્થીઓના લખાણને સુવ્યવસ્થિત કરવા અમે નવી ઉત્તરવહી તૈયાર કરી છે, જેમાં પેજની ચારેતરફ ખાસ માર્જિન બોર્ડર રાખવામાં આવી છે. આ ફેરફારથી વિદ્યાર્થીઓનું લખાણ પેજની મર્યાદાની બહાર નહીં જાય અને પેપર ચેકિંગમાં પણ કોઈ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે માટે મેં 120 સભ્યોની ટીમ નિમી છે અને તમામ કોલેજોમાં સીસીટીવી કેમેરા ચાલુ રાખવા આદેશ આપ્યા છે. અગાઉની પેપર લીકની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પેપર બંડલ ખોલવા બાબતે ચુસ્ત નિયમો બનાવ્યા છે. અમે આ વખતે હોલ ટિકિટમાં જ ગેરરીતિ અને તેની સામે થતી સજાની કડક જોગવાઈઓ છાપી દીધી છે, જેથી હવે કોઈ પણ વિદ્યાર્થી નિયમોથી અજાણ હોવાનું બહાનું કાઢી શકશે નહીં. (મિલન માંજરાવાલા સાથે થયેલી વાતચીતના આધારે) આ બાબતોનું પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું1. પેપર આવતા જ પાંચ મિનિટ શાંતિથી વાંચીને કયો પ્રશ્નો આવડે છે, તે નક્કી કરી લેવું.2. દરેક પ્રશ્નના ગુણ મુજબ સમય ફાળવો. વધુ માર્ક્સના પ્રશ્નો માટે પૂરતો સમય રાખવો.3. નવી ઉત્તરવહીમાં બોર્ડરની અંદર જ લખવું, જેથી પેપર સુવ્યવસ્થિત અને સ્પષ્ટ દેખાશે.4. જવાબો પોઈન્ટ્સમાં જ લખવા, તપાસનારા પ્રોફેસરોને જવાબનો હાર્દ સમજાય તે માટે પેન્સિલથી અંડરલાઈન કરવી તેમજ દરેક નવો વિભાગને નવા જ પાનેથી શરૂ કરવો.5. હોલ ટિકિટની ગેરરીતિની સજાની જોગવાઈઓ પહેલેથી વાંચી લેવી, જેથી અજાણતા કોઈ ભૂલ ન થાય તથા પોતાની ઓળખ થાય તેવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તી કરવી નહીં. આ છે પરીક્ષાનું ચેકલિસ્ટવિદ્યાર્થીઓએ આટલું જ સાથે રાખવું આ રીતે પરીક્ષાની તૈયારી કરવી1. કોઈ પણ પ્રશ્નને બેઠો ગોખવાને બદલે તેના મૂળ કોન્સેપ્ટને સમજો, જેથી પરીક્ષામાં મૌલિક ભાષામાં જવાબ સરળતાથી લખાશે.2. લાંબા ફકરા વાંચવાને બદલે દરેક પ્રકરણના મુખ્ય મુદ્દાઓની યાદી બનાવો, જે છેલ્લી ઘડીએ રિવિઝનમાં ઉપયોગી થશે.3. અઘરા વિષયોને સવારના સમયે વાંચો અને સહેલા વિષયોને સાંજના સમયે વાંચવાનું આયોજન બનાવી તૈયારી કરવી.4. રોજે રોજ વાંચવા સાથે ઓછામાં ઓછું એક કલાક લખવાની પ્રેક્ટિસ કરો, જેથી પરીક્ષામાં લખવાની ઝડપ-અક્ષરો જળવાશે.5. પરીક્ષાના દિવસોમાં હળવો ખોરાક લેવો અને 7થી 8 કલાકની ઊંઘ લેવી, જેથી યાદશક્તિ અને એકાગ્રતા જળવાઈ રહેશે.6. અઘરા સૂત્રો કે તારીખો કે વ્યાખ્યા યાદ રાખવા નાના કાર્ડ્સ અથવા ચાર્ટ્સ બનાવો.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:37 am

નોકરી ન્યુઝ:કેન્દ્ર સરકાર એન્થ્રોપોલોજિસ્ટની જગ્યા ભરશે, રૂ. 2 લાખ સુધીનો પગાર આપશે

UPSC દ્વારા એન્થ્રોપોલોજિસ્ટની 2 કાયમી જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે. એન્થ્રોપોલોજીમાં માસ્ટર થયેલા ઉમેદવારો 17 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. પસંદગી પામનારને રૂ. 1.77 લાખ સુધીનો પગાર મળશે. આ ગ્રુપ-A ગેઝેટેડ પોસ્ટ માટેની સુવર્ણ તક છે. ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુથી થશે. અરજીઓની સંખ્યા વધારે હશે તો જ લાયકાત કે અનુભવથી ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરાશે અથવા સ્ક્રીનિંગ ટેસ્ટ યોજાશે. ઇન્ટરવ્યુ 100 માર્ક્સનું છે. આ લાયકાત ઉમેદવારો પાસે હોવી ફરજિયાત કરાઈ આ રીતે ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:33 am

બુર્સ અને ડાયમંડ મેન્યુફેક્ચરર્સની બેઠકમાં નિર્ણય:ડાયમંડ બુર્સમાં મેન્યુફેક્ચરર્સનો સ્ટોક જ રહેશે, વોલ્ટમાં જ માલ રાખવા નિર્ણય

સુરત ડાયમંડ બુર્સ અને ડાયમંડ મેન્યુફેક્ચરર્સ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેન્યુફેક્ચરર્સને વહેલી તકે પોતાની ઓફિસ બુર્સમાં શરૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીના વિકાસ, ભવિષ્યની યોજના અને ટ્રેડિંગ સિસ્ટમને વધુ સુવ્યવસ્થિત બનાવવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વરાછા, મીની બજાર, મહિધરપુરા અને કતારગામથી આવતા દલાલ અને બ્રોકરોને ડાયમંડનું જોખમ પોતાની સાથે રાખવું પડતું હોય છે, જેથી હવે સુરત ડાયમંડ બુર્સના સેફ વોલ્ટમાં રાખવામાં આવશે. બેઠક દરમિયાન સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પોતાની ઓફિસ સુરત ડાયમંડ બુર્સમાં જ શરૂ કરશે અને પોતાનો સ્ટોક પણ બુર્સમાં જ રાખશે. આ સાથે બ્રોકર્સ દ્વારા ડાયમંડની ખરીદી-વેચાણની સમગ્ર પ્રક્રિયા પણ સુરત ડાયમંડ બુર્સમાંથી જ સંચાલિત કરવામાં આવશે. બુર્સ ખાતે ઉપલબ્ધ અદ્યતન સેફ ડિપોઝિટ વોલ્ટ સુવિધાનો ઉપયોગ કરીને મેન્યુફેક્ચરર્સ માલને અહીં જ સુરક્ષિત રીતે સંગ્રહિત રાખશે, જેથી દલાલોને માલની હેરફેર કરવી ન પડે અને જોખમ ઘટશે. મેન્યુફેક્ચરિંગ-ટ્રેડિંગ એક જ છત નીચે થશેસુરત ડાયમંડ બુર્સના વાઈસ ચેરમેન લાલજી પટેલે કહ્યું હતું કે, ‘મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગની તમામ પ્રવૃત્તિઓને એક જ સ્થળે કેન્દ્રિત કરવાથી ઇન્ડસ્ટ્રીને મોટી સુવિધા મળશે અને સેફ વોલ્ટ જેવી સુવિધાઓને કારણે સુરક્ષા વધુ મજબૂત બનશે.’ ઇન્ડસ્ટ્રીને શું ફાયદો? શું બદલાશે?

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:31 am

વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ:શાલિની અગ્રવાલને સુરતના પ્રભારી સચિવની જવાબદારી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત પૂર્વે રાજ્ય સરકારે વહીવટી મોરચે મોટો નિર્ણય લીધો છે. અધિકારીઓની બઢતી, બદલી અને વહીવટી સુગમતાને ધ્યાને રાખીને રાજ્યના તમામ જિલ્લાઓના પ્રભારી સચિવોની નવી નિમણૂક કરવામાં આવી છે. જેમાં સૌથી નોંધપાત્ર ફેરફાર સુરત અને અમદાવાદ જેવા મહત્વના મહાનગરોમાં જોવા મળ્યો છે. સુરત મહાનગરપાલિકામાં સવા ત્રણ વર્ષ સુધી કમિશનર તરીકે નોંધનીય કામગીરી કરનાર શાલિની અગ્રવાલને ફરી એકવાર સુરતની જવાબદારી સોંપવામાં આવી છે. વહીવટી સેતુ બનશે પ્રભારી સચિવોશહેર વિકાસ વિભાગના અગ્રસચિવ એમ. થેન્નારસનને અમદાવાદ શહેર અને જિલ્લાના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે સુરતના પૂર્વ કમિશનર અને હાલના વહીવટદાર મિલિંદ તોરવણેને તાપી જિલ્લાનો પ્રભાર સોંપાયો છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:30 am

વિસ્કોસની નાણા-ટેક્સટાઈલ મંત્રાલયને રજૂઆત:ડોમેસ્ટિક યાર્ન ગુણવત્તા હલકી, હાઈસ્પિડ મશીનમાં 25 ટકા પ્રોડક્શન લોસ થાય છે

વિસ્કોસ યાર્ન પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવા બાબતે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ (ડિજીટીઆર) દ્વારા નાણામંત્રાલયને ભલામણ કરવામાં આવતા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ચિંતા ફેલાઈ છે. આ મુદ્દે શનિવારે વિસ્કોસ વિવર એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં ઉદ્યોગકારોએ એકસુરે આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો. એસોસિએશને કેન્દ્રિય નાણામંત્રાલય અને ટેક્સટાઈલ મંત્રાલયને પત્ર લખી રજૂઆત કરી છે કે વિસ્કોસ યાર્ન પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવી હાલની પરિસ્થિતિમાં યોગ્ય નથી. ઉદ્યોગકારોના મતે, દેશમાં વિસ્કોસ યાર્ન બનાવતી કંપનીઓના પ્લાન્ટ્સ લગભગ 60 વર્ષ જૂના છે, જેના કારણે સ્થાનિક સ્તરે ઉત્પાદિત યાર્નની ગુણવત્તા નીચી રહે છે. આ યાર્ન હાલના 700થી 800 આરપીએમની ઝડપે ચાલતા આધુનિક મશીનો પર અસરકારક રીતે કામ કરતું નથી. જો તેનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદનમાં આશરે 25 ટકા સુધી ઘટાડો થવાની શક્યતા છે. 7 વર્ષમાં મશીનરીમાં 10 હજાર કરોડનું રોકાણ થયુંવિવરોનું કહેવું છે કે સુરતમાં છેલ્લા સાત વર્ષમાં આધુનિક મશીનરીમાં આશરે 10,000 કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવશે તો ઉત્પાદન ખર્ચ વધશે અને ઉદ્યોગ પર સીધી અસર પડશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:29 am

સિટી એન્કર:લોક અદાલત અકસ્માતમાં મોતને ભેટેલાના પરિજનોને 86 કરોડ ચૂકવાયા, ચેક બાઉન્સમાં રૂ. 384 કરોડના સમાધાન

લોક અદાલતનો હેતુ માત્ર કેસનો ઝડપી નિકાલ નથી, પરંતુ પક્ષકારોને ન્યાય અપાવવાનો પણ છે અને છેલ્લી પાંચ લોક અદાલતમાં તે ફળિભૂત થયું હોય એમ લાગી રહ્યુ છે. ખાસ કરીને એવા પરિવાર જેમના પરિજનો અકસ્માત મોતને ભેટે છે તેઓના પરિવાર માટે તો લોક અદાલત સંજીવની પુરવાર થઈ છે. મુખ્ય કમાનાર જ્યારે ન હોય ત્યારે ઘર ચલાવવું અઘરુ બની જાય છે અને આ સ્થિતિમાં અકસ્તામ ધારા હેઠળના કેસનો ઝડપી નિકાલ થતા બાળકોની શિક્ષણ ફી, ભરણપોષણ, માતા-પિતાની દેખરેખ સહિત અનેક ખર્ચાઓમાં આસાની રહેતી હોય છે. વર્ષ 2025-26માં 86 કરોડની ચૂકવણી પરિજનોને કરવામાં આવી છે. લોક અદાલતમાં અકસ્તાત વળતરના 875 કેસનો નિકાલ પાંચ લોક અદાલતમાં કરાયો છે. એડવોકેટ રહીમ શેખ કહે છે કે ઘણીવાર કેસ ચાલવામાં કોઇક કારણોસર મોડું થાય તેવા કેસમાં મરનારના પરિજનોને આર્થિક રીતે ઘણું જ સહન કરવુ પડે છે પરંતુ ઝડપી નિકાલ થવાથી સમગ્ર પરિવારની મદદ થાય છે. લોક અદાલત થકી ઝડપથી ન્યાય મેળવવામાં અને કેસના નિકાલમાં ઘણો ફાયદો થઈ રહ્યો છે. ચેક બાઉન્સના 17 હજાર કેસનો નિકાલ કરાયોચેક બાઉન્સના કેસોની વાત કરીએ તો કુલ 17,102 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં 383.67 કરોડની વસુલાત પણ કરવામા આવી છે. એડવોકેટ નરેશ ગોહિલ કહે છે સુરત રાજયની આર્થિક રાજધાની છે અને ચેક બાઉન્સ થતા અનેકોના રૂપિયા ફસાતા હોય છે. ઝડપી નિકાલ એક રીતે રાહત આપે છે. ઘરેલું વિવાદમાં 577 કેસનો નિકાલ કરવામાં આવ્યોએક વર્ષની પાંચ લોક અદાલતમાં વૈવાહિક વિવાદના કુલ 577 કેસનો નિકાલ કરવામા આવ્યો છે, જેમાં 89.48 કરોડની વસુલાત કરવામાં આવી છે. એડવોકેટ સ્વાતી મહેતા કહે છે કે ઘણીવાર સ્ત્રી સાથે અન્યાય થાય તેણે પતિનું ઘર છોડવું પડે ત્યારે જો તેને ભરણપોષણની રકમ સમયસર મળી જાય તો તે માતા-પિતા પર બોજ બનતી નથી. ઉપરાંત જો બાળક હોય તો તેને આ રકમ વધુ ઉપયોગી સાબિત થાય છે. અડધો ન્યાય ત્યારે જ મળી જાય છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:26 am

ભાસ્કર એક્સક્લુસિવ:નેશનલ હાઇવે 48 પર કામરેજ–ચલથાણ સેક્શનનો 13 કિમી રોડ હવે 4 લેનથી 6 લેન બનશે, ટ્રાફિકજામ અને અકસ્માતો પણ ઘટશે

સુરત જિલ્લામાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે નેશનલ હાઈવે-48ના કામરેજ–ચલથાણ સેકશનને આખરે 17 વર્ષ બાદ 6 લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી મળી ગઈ છે. લગભગ 13.875 કિમી લાંબા આ મહત્વપૂર્ણ કોરિડોરના વિસ્તરણ અને સર્વિસ રોડના નિર્માણ માટે 686.15 કરોડ રૂપિયાનું ખર્ચ થશે. હાલ આ સેકશન માત્ર 4 લેનનું છે, જેને 2009માં જ 6 લેન બનવાનું હતું. આ કોરિડોર દેશના સૌથી વ્યસ્ત હાઈવેમાંનો એક છે, જ્યાં ભારે પ્રમાણમાં કોમર્શિયલ ટ્રાફિક પસાર થાય છે. હાઈવે આસપાસ અનેક મોટા ઔદ્યોગિક વિસ્તારો હોવાને કારણે અહીં રોજ વાહનોનો દબાણ ખૂબ વધુ રહે છે. આંકડા મુજબ આ સેકશન પરથી દરરોજ અંદાજે 1.30 લાખ વાહનો પસાર થાય છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. પ્રોજેક્ટ હેઠળ હાલના 4 લેન કેરેજવેને 6 લેનમાં ફેરવવામાં આવશે અને બંને બાજુ સર્વિસ રોડ બનાવાશે. રોડનું નિર્માણકાર્ય પૂર્ણ થવામાં 1થી 1.5 વર્ષ લાગશેકેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ NH-48ના કામરેજ–ચલથાણના 13.875 કિમી સેકશનને 4થી 6 લેન તથા સર્વિસ રોડમાં બદલવાની જાહેરાત કરી છે, જેના કારણે રાહતની આશા જાગી છે. લાંબા સમયથી વાહનચાલકો આ માર્ગ પર જામ અને અકસ્માતોથી પરેશાન હતા. હવે ટ્રાફિકને અલગ કરવામાં મદદ મળશે. પરંતુ આ નિર્ણય 17 વર્ષની મોડાશીથી આવ્યો છે. 2009માં 90 હજાર વાહનોની ક્ષમતા માટે બનાવાયેલો હાઈવે હવે 1.5 લાખ પેસેન્જર કાર યુનિટ ટ્રાફિક સહન કરી રહ્યો છે. NHAIએ પણ વધતા ટ્રાફિકને અકસ્માતોનું કારણ ગણાવ્યું છે. હાઇવે 6 લેન થતાં બોટલનેક દૂર થશે, ચાલકોનો ડર ઓછો થશેટ્રાફિકના સંદર્ભમાં ‘બોટલનેક’ તે ભાગને કહેવાય છે જ્યાં રસ્તો અચાનક સંકુચિત થઈ જાય અને વાહનોની અવરજવર અટકાય છે. જેમ સુરતમાં NH-48ના કામરેજ–ચલથાણ સેકશન પર છે. આગળ-પાછળ રસ્તો 6 લેનનો છે, પરંતુ વચ્ચેનો 13 કિમીનો ભાગ માત્ર 4 લેનનો છે. આ કારણે ઝડપી ગતિએ આવતો ભારે ટ્રાફિક આ સંકુચિત ભાગમાં અટવાઈ જાય છે, જેના કારણે લાંબા જામ સર્જાય છે. ખાસ કરીને કડોદરા અને કામરેજ જેવા એન્ટ્રી-એગ્ઝિટ પોઇન્ટ્સ પર દબાણ વધુ વધી જાય છે. રસ્તાની આ સ્થિતિને ‘બોટલનેક’ કહેવાય છે, જે ટ્રાફિક જામનું મુખ્ય કારણ બને છે. ખાસ કરીને મોન્સૂનમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની જાય છે, જ્યારે જામ 2થી 3 કલાક સુધી યથાવત રહેતો હતો. વરસાદની સીઝનમાં થતા ટ્રાફિકજામથી રાહત મળશેNH-48 પર ચલથાણથી કામરેજ વચ્ચેના 13 કિમી માર્ગને હવે 6 લેનમાં ફેરવવામાં આવશે. આથી ખાસ કરીને મોન્સૂન દરમિયાન થતા ભારે ટ્રાફિક જામથી રાહત મળશે અને અકસ્માતોમાં ઘટાડો થશે. ઉપરાંત આ સેકશનમાં 2 વ્હીકલ અંડરપાસ પણ બનાવાઈ રહ્યા છે, જેના કારણે NH-48 પરથી સુરત શહેરમાં એન્ટ્રી-એગ્ઝિટ વધુ સરળ બનશે. > સંજય યાદવ, પ્રોજેક્ટ ડિરેક્ટર, NHAI, સુરત યુનિટ

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:22 am

ભાસ્કર એક્સક્લુસિવ:હજીરાના સ્ટિલ પ્લાન્ટમાં છે દેશનો સૌથી લાંબો 27 કિમીનો કન્વેયર બેલ્ટ, જેટી પર જહાજ પાર્ક થાય ત્યાંથી રો-મટિરિયલ સીધું જ ફેક્ટરીમાં પહોંચે છે

હજીરા ખાતે આવેલી AM/NS Indiaનો પ્લાન્ટ સંપૂર્ણ ઈન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ તરીકે કાર્યરત છે. અહીં દેશનો સૌથી લાંબો 27 કિલોમીટરનો કન્વેયર બેલ્ટ બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા જેટી પર જહાજમાંથી ઉતારવામાં આવતું આયર્ન અને અન્ય કાચામાલ સીધું પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. આ સિસ્ટમના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ અને સમય બંનેમાં ઘટાડો થયો છે અને ઉત્પાદન પ્રક્રિયા વધુ ઝડપી બની છે. હાલ હજીરા ખાતે 60 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટનું વિસ્તરણ ચાલી રહ્યું છે. આ વિસ્તરણમાં 45 હજારથી વધારે લોકો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત વિસ્તરણ કામગીરીમાં 1 હજાર ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઉત્પાદન ક્ષમતા 9 મિલિયન ટન પ્રતિ વર્ષથી વધીને 15 મિલિયન ટન થશે અને અંદાજે 60 હજારથી વધુ રોજગારીની તકો ઉભી થશે. આ પ્રોજેક્ટથી ઓટોમોટિવ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સ્ટીલ આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. ગ્રીન સ્ટીલ એટલે શું? AM/NS India તેન આવી રીતે બનાવે છે AM/NS આંતરરાષ્ટ્રીય સ્તરનું ઉચ્ચ ગુણવત્તાનું સ્ટીલ બનાવે છે

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:20 am

જ્વેલરી સેક્ટર બન્યું નવું ગ્રોથ એન્જિન:સુરતમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો, 6 વર્ષમાં ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ 35 હજાર કરોડથી 90 હજાર કરોડ પાર

દેશના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટના છેલ્લા છ વર્ષના આંકડાઓ દર્શાવે છે કે તૈયાર જ્વેલરી સેગમેન્ટ દેશના એક્સપોર્ટમાં નવું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. વર્ષ 2020-21માં ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ 35,483 કરોડ હતો, જે વધીને વર્ષ 2024-25માં 94,938 કરોડ સુધી પહોંચ્યો છે, જ્યારે 2025-26ના એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન જ 40,670 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ નોંધાયું છે. ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટ વર્ષ 2020-21માં 20,438 કરોડ હતો, જે વધીને વર્ષ 2024-25માં 51,685 કરોડ થયો છે અને 2025-26માં પણ 53,502 કરોડ સુધી પહોંચ્યો છે. એટલે ડાયમંડ જ્વેલરી વેલ્યુ એડેડ સેગમેન્ટ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે. સિલ્વર જ્વેલરી માસ માર્કેટ તરીકે સ્થિર માંગ ધરાવે છે, જ્યારે પ્લેટિનમ જ્વેલરી સૌથી ઝડપી વધતો સેગમેન્ટ બની રહ્યો છે. વર્ષ 2020-21માં માત્ર 133 કરોડનો પ્લેટિનમ જ્વેલરી એક્સપોર્ટ વર્ષ 2025-26માં 2,000 કરોડને પાર કરી ગયો છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં હવે માત્ર હીરા કટિંગ-પોલિશિંગ નહીં પરંતુ તૈયાર જ્વેલરી સેગમેન્ટ વેલ્યુ એડિશન અને એક્સપોર્ટ વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં તૈયાર જ્વેલરીની વધતી માંગને કારણે ભારતમાંથી તૈયાર જ્વેલરીના એક્સપોર્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. છ વર્ષના ગોલ્ડ, ડાયમંડ,સિલ્વર અને પ્લેટિનમ જ્વેલરી એક્સપોર્ટના આંકડા 6 વર્ષમાં 664 લાખ કેરેટ લેબગ્રોન હીરાનું એક્સપોર્ટ થયું, Gen-Z સૌથી મોટું બજારદેશના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડ સેગમેન્ટ સૌથી ઝડપથી વધતો સેગમેન્ટ બની રહ્યો છે. છેલ્લા 6 વર્ષના આંકડા મુજબ વર્ષ 2020-21થી વર્ષ 2025-26 દરમિયાન દેશમાંથી કુલ 664 લાખ કેરેટ લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટ થયા છે. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક બજારમાં લેબગ્રોન ડાયમંડની માંગ સતત વધી રહી છે અને ભારત આ બજારમાં મહત્વપૂર્ણ સપ્લાયર તરીકે ઉભરી રહ્યું છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપના બજારમાં યુવા ગ્રાહકો, ખાસ કરીને Gen-Z, લેબગ્રોન ડાયમંડ જ્વેલરી તરફ ઝડપથી વળી રહ્યા છે. લેબગ્રોન ડાયમંડની માંગમાં કેમ થઈ રહ્યો છે વધારો? વિદેશમાં જ નહીં ભારતમાં પણ ડિમાંડ વધી રહી છેઆઈગીરી જ્વેલર્સના ઓનર સ્મીત પટેલે કહ્યું હતું કે, ‘વિદેશમાં જ નહીં ભારતમાં પણ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની માંગ વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને અમે દેશમાં દિલ્હી, હૈદ્રાબાદ, જયપુર સહિતના 10 શહેરોમાં સ્પેશિયલ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના શોરૂમ ખોલ્યા છે, લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની સતત માંગમાં વધારો થઈ રહ્યો છે’ લેબગ્રોન હીરાના એક્સપોર્ટમાં6 વર્ષમાં 3.5 ગણો વધારો સુરત જ્વેલરી ઉદ્યોગ

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:55 am

RTEના નવા નિયમથી વાલીઓને થશે ફાયદો:સ્કૂલમાં સવાર, બપોરની પાળીમાં 2 વર્ગ હશે તો RTEના 25% વિદ્યાર્થી ફાળવાશે

આરટીઇના ફોર્મ ભરતા સમયે જે સ્કૂલોમાં બે પાળી પદ્ધતિ ચાલતી હશે ત્યાં વાલી સ્કૂલની સાથે પાળી પણ પસંદ કરી શકાશે. આ માટે બેઠકોની ગણતરી પણ એ મુજબ જ કરાશે. વાલીઓને ઓનલાઇન પ્રવેશ ફોર્મની સાથે પાળીનો વિકલ્પ પણ અપાશે. જેથી હવે સ્કૂલ સંચાલકોની મનમાની નહીં ચાલે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વાલીઓની ફરિયાદ બાદ આ વર્ષથી આરટીઇની પ્રક્રિયામાં ફેરફાર કરાયો છે. શહેરની ઘણી મોટી અને જાણીતી બે પાળીની સ્કૂલ સંચાલકો આરટીઇના બાળકોને બપોરની પાળીમાં જ પ્રવેશ આપતા હતા. હવે આરટીઇના નવા નિયમથી વાલીઓને ફાયદો થશે. આ રીતે બેઠકની ગણતરી થશેજો કોઇ સ્કૂલમાં સવારની પાળીમાં 2 વર્ગો અને બપોરનીમાં 2 વર્ગો હશે તો તેમાં 25 ટકાના આધારે વિદ્યાર્થીઓ ફાળવાશે. કોઇ સ્કૂલ પોતાના ધોરણના કુલ વિદ્યાર્થીઓના 25 ટકાના આધારે આરટીઇના વિદ્યાર્થીઓની સંખ્યાની ગણતરી કરી શકશે નહીં. પાળી પ્રમાણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આધારે જ આરટીઇના વિદ્યાર્થીની ફાળ‌વણી કરાશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:38 am

બહુચરાજી જવા 125થી વધુ ભક્તોનો સંઘ રવાના:ધજાજી ધારણ કરનાર તાપમાં ઉઘાડા પગે જાય છે, માતાજીને પીઠ બતાવતા નથી

શહેરના નવાપુરા સ્થિત જૂના બહુચરાજી મંદિરેથી 125થી વધુ ભક્તોનો ઐતિહાસિક પદયાત્રા સંઘ પ્રસ્થાન પામ્યો છે. ભક્ત વલ્લભ ભટ્ટ દ્વારા 350 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ અકબંધ છે. આ સંઘની વિશેષતા એ છે કે તે માતાજીના એક નિજ મંદિરેથી નીકળી સીધો શક્તિપીઠ બહુચરાજી પહોંચે છે. મહંત અલ્કેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, ભક્તો પાંચ રાત ઘરની બહાર રહી કઠિન ઉપાસના કરે છે. વિશેષ કરીને, ધજાજી ધારણ કરનારા ભક્તો ચૈત્ર માસના આકરા તાપમાં પણ ચંપલ પહેર્યા વિના ઉઘાડા પગે યાત્રા પૂર્ણ કરે છે. માર્ગમાં અને મંદિરે ધજાજીની હાજરીમાં ભક્તો ક્યારેય માતાજીને પીઠ બતાવતા નથી અને ઊંધા પગે ચાલી મર્યાદા જાળવે છે. ચૈત્ર પૂનમે શંખલપુર અને બહુચરાજીના આદ્યસ્થાને પરંપરાગત પૂજા, આરતી અને લાડુનો ગોખ ભરીને આ યાત્રા પૂર્ણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:37 am

RTOના વાહનો વર્ષથી ગેરેજમાં:અમદાવાદ RTO એન્ફોર્સમેન્ટનાં બે વાહનો એક વર્ષથી ધૂળ ખાય છે

અમદાવાદ આરટીઓ પાસે એન્ફોર્સમેન્ટ માટે રહેલા ત્રણ વાહનો પૈકી બે વાહનો છેલ્લા એક વર્ષથી કંપનીના ગેરેજમાં પડ્યા છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા રિપેરિંગનું બજેટ ફાળવવામાં ન આવતા આ સ્થિતિ સર્જાઈ છે. ગેરેજ સંચાલકોએ હવે આરટીઓને અલ્ટીમેટમ આપ્યું છે કે જો વાહન રિપેર ન કરાવવા હોય તો તેને અહીંથી લઈ જાઓ, કારણ કે ગેરેજમાં પાર્કિંગની જગ્યા રોકાઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના ઇન્સ્પેક્ટરો દ્વારા રિપેરીંગ માટે જે ક્વોટેશન અપાયા છે તેના પર વિભાગના ઉચ્ચ અધિકારીઓને વિશ્વાસ નથી. અધિકારીઓને આશંકા છે કે ઇન્સ્પેક્ટરો રિપેરીંગના બહાને ‘કટકી’ કરી રહ્યા છે, તેથી વારંવાર ક્વેરી કાઢી ફાઈલ પાછી મોકલવામાં આવે છે. નિયમ મુજબ સત્તાવાર શો-રૂમમાં વાહનો મોકલાયા હોવા છતાં મડાગાંઠ ઉકેલાઈ નથી. આ અંગે ટ્રાન્સપોર્ટ કમિશનર ડો. રાજેન્દ્ર પટેલ અને ફાઈલ હેન્ડલ કરતા ઓએસડી વિજય પટણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. વાહનો બંધ હોવાથી કામગીરી પર અસર

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:34 am

યુદ્ધના કારણે સપ્લાય ચેન ખોરવાઈ:કાચા માલનો ભાવ 70% વધ્યો, પ્લાસ્ટિક એકમોનું ઉત્પાદન ઘટી ત્રીજા ભાગનું થયું

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને પગલે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન ખોરવાતા ગુજરાતનો પ્લાસ્ટિક ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાયો છે. છેલ્લા 30 દિવસમાં કાચા માલના ભાવમાં 70 ટકાનો તોતિંગ વધારો થયો છે, જ્યારે પુરવઠામાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ પ્રતિકૂળ સ્થિતિને કારણે રાજ્યના 60 ટકા મેન્યુફેક્ચરિંગ એકમો હાલ તેમની કુલ ક્ષમતાના માત્ર ત્રીજા ભાગનું જ ઉત્પાદન કરી રહ્યા છે. ઉદ્યોગકારો પાસે માત્ર 10 એપ્રિલ સુધીનો જ કાચો માલ ઉપલબ્ધ છે, જે ખૂટી જતાં ઉત્પાદન ઠપ્પ થવાની અને અનેક યુનિટ્સ બંધ થવાની ભીતિ છે. જો સ્થિતિ વણસશે તો આગામી સમયમાં પ્લાસ્ટિકની રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં 35 ટકા સુધીનો વધારો થઈ શકે છે, જેનો સીધો બોજ સામાન્ય ગ્રાહકો પર પડશે. આ કપરા સમયમાં ‘ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન’ (GSPMA) એ સરકારના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. એસોસિએશને પોલિમરના ભાવ સ્થિર કરવા, એમએસએમઈ એકમો માટે કાચા માલનો સ્પેશિયલ ક્વોટા નક્કી કરવા, વ્યાજમુક્ત લોન, વધારાની વર્કિંગ કેપિટલ અને આયાત શુલ્કમાં રાહત આપવા રજૂઆત કરી છે. કાચા માલની અછતને પહોંચી વળવા પ્લાસ્ટિક રિસાયક્લિંગના નિયમો હળવા કરી તેને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. પ્લાસ્ટિક પ્રોડક્ટના ભાવ 35 ટકા સુધી વધી શકે છેજો હાલની સ્થિતિ જળવાઈ રહેશે તો આવતા સમયમાં પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના ભાવમાં 35 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે, સીધો ભાર સામાન્ય ગ્રાહકો પર પડશે. - અનીશ પટેલ, પ્રમુખ, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:32 am

CM 1099 કરોડનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે:51 સ્કૂલને આજે રોબોટિક્સ લેબ, 6 હજાર લાભાર્થીને આવાસ મળશે

શહેરમાં 322.77 કરોડનાં 19 કામોનું લોકાર્પણ અને 673.37 કરોડનાં 49 કામોનું ખાતમુહૂર્ત રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. મુખ્યમંત્રી કુલ 1099 કરોડનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સતાધાર વિસ્તારમાં આખરે ત્રણ વર્ષ બાદ તૈયાર થયેલા સતાધાર ફ્લાયઓવરને ખુલ્લો મૂકવામાં આવતાં ત્યાંથી રોજ પસાર થતાં 1.5 લાખથી વધુ નાગરિકોને તેનો લાભ મળશે. નોંધનીય છે કે, હાઉસિંગ પ્રોજેક્ટના 2 આવાસોના ડ્રો કરવામાં આવતાં ત્યાં પણ 2184 નાગરિકોને તેનો લાભ મળશે. આ સિવાય ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરાની 51 સ્કૂલોને રોબોટિક્સ લેબ, નવરંગપુરામાં સ્વિમિંગ પૂલની સુવિધા મળશે. મુખ્યમંત્રી સવારે 9 વાગ્યે લોકાર્પણ-ખાતમુહૂર્ત બાદ સાંજે 4 વાગે ગુજ. યુનિ. ઓડિટોરિયમ ખાતે જાહેર સભાને સંબોધશે. જમાલપુર, મેમ્કો, શ્રેયસ ફ્લાયઓવર નીચે શાકમાર્કેટ પણ ખુલ્લું મુકાશે

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:31 am

સિટી એન્કર:58 વર્ષની મહિલા પર સ્વાદુપિંડના કેન્સરની સફળ સર્જરી, પિત્તનળી, જઠર, સ્વાદુપિંડનું આંતરડા સાથે જોડાણ તૂટી જાત તો જોખમ હતું

સોલા સિવિલમાં 58 વર્ષની એક મહિલા દર્દી પેટમાં દુખાવો, કમળો, ભૂખ ન લાગવી અને ઊલટી જેવી સમસ્યાઓ સાથે આવી હતી. તપાસ કરતાં પેન્ક્રિયાસમાં ગાંઠ જોવા મળી અને એ કેન્સર હોવાનું નિદાન થયું હતું. સામાન્ય રીતે આ પ્રકારનું કેન્સર 60 વર્ષ પછી વધુ જોવા મળે છે અને ખાસ કરીને સ્મોકર કે આલ્કોહોલિક દર્દીઓમાં જોવા મળે છે, પરંતુ આ કેસમાં ચોક્કસ કારણ કહી શકાય તેમ નહોતું. દર્દીને ડાયાબિટીસ પણ હતું, જેને પહેલા કંટ્રોલમાં લાવીને અમે સર્જરી માટે તૈયાર કર્યા. આ ‘વિપલ પ્રોસિજર’ પેટની સૌથી કોમ્પ્લિકેટેડ અને રિસ્કી સર્જરીમાંથી એક છે. આ સર્જરી લગભગ સાડા છથી સાત કલાક ચાલી હતી. સર્જરી પહેલાં સીટી સ્કેન દ્વારા ખાતરી કરવામાં આવી કે, કેન્સર મુખ્ય લોહીની નસોમાં ફેલાયેલું નથીને. તે જાણ્યા બાદ ઓપરેશન શક્ય બન્યું. ઓપરેશન દરમિયાન પેન્ક્રિયાસનો હેડ, ડ્યુઓડેનમ અને પિત્ત નળીનો ભાગ દૂર કરીને જરૂરી જોડાણ સફળતાપૂર્વક બનાવવામાં આવ્યા હતા. ખાસ વાત એ રહી કે સર્જરી પછી કોઈ જટિલતા આવી નહીં. દર્દીનો રિકવરી પિરિયડ પણ ખૂબ સારો રહ્યો અને 10થી 11 દિવસમાં દર્દીને સંપૂર્ણ રીતે સ્વસ્થ હાલતમાં ડિસ્ચાર્જ આપી શક્યા. જ્યારે સામાન્ય રીતે આવા કેસમાં વધુ સમય લાગે છે. આ સમગ્ર પ્રક્રિયા ટીમવર્ક અને યોગ્ય આયોજનના કારણે સફળ બની. આ સર્જરીમાં દર ચારે એક દર્દીનું મૃત્યુ થાય છેઆવા કેસમાં પેન્ક્રિયાસ હેડ, નાના આંતરડાનો ભાગ અને પિત્ત નળીનો ભાગ કાઢવો પડે છે. ત્યાર બાદ શરીરમાં ફરીથી ત્રણ અલગ અલગ જોડાણ બનાવવાના હોય છે. આમાં કોઈ એક પણ જોડાણ લીક થાય તો દર્દીનું જીવન જોખમાઈ શકે. સામાન્ય રીતે આવી સર્જરીમાં 4માંથી 1 દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે, એટલે ઓપરેશન જટિલ હોય છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:28 am

વેલ્ફેર ફંડમાં ભ્રષ્ટાચારની ગંધ:મ્યુનિ.ને કર્મચારીઓ પાસેથી જ લોન પેટે આપેલા 3.5 કરોડ લેણાં નીકળે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓના હિત માટે ચલાવવામાં આવતી વેલ્ફેર લોન યોજનામાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે આવ્યા છે. હાલમાં તંત્રને પોતાના કર્મચારીઓ પાસેથી રૂ. 3.50 કરોડથી વધુ રકમ લેણી નીકળે છે. આ જે મ્યુનિ. તંત્ર સામાન્ય નાગરિકનો 1 લાખનો ટેક્સ બાકી હોય તો મિલકત સીલ કરી દે છે, પરંતુ પોતાના કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયા વસૂલવામાં નિષ્ફળ નીવડ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, માત્ર 93 કર્મચારી પાસે રૂ. 24 લાખથી વધુની લોન બાકી છે. નિયમ મુજબ, કર્મચારી નિવૃત્ત થાય, મૃત્યુ પામે કે અનફિટ જાહેર થાય ત્યારે લોનની વસૂલાત અટકી જાય છે. સફાઈ કર્મચારીઓના કિસ્સામાં, તેમના વારસદારોને રહેમરાહે નોકરી તો આપી દેવાય છે, પરંતુ પૂર્વજોના લેણાં વસૂલવા બાબતે ઉદાસીન રહે છે. સ્ટેન્ડિંગ કમિટીના સ્પષ્ટ ઠરાવ મુજબ, કર્મચારીને તેના પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેચ્યુઈટી જેવી લેણી રકમ કરતાં વધુ લોન આપી શકાય નહીં. છતાં, અધિકારીઓએ આ નિયમને નેવે મૂકી લાયકાતથી વધુ રકમની લોન મંજૂર કરી દીધી છે. ઘણા કિસ્સામાં નિવૃત્તિના કાગળો બાકી લેણાંનો હિસાબ કર્યા વગર પૂર્ણ કરી દેવામાં આવે છે, જે સીધેસીધો ભ્રષ્ટાચાર સૂચવે છે. સ્ટેન્ડિંગના ઠરાવનું ઉલ્લંઘન કરી મર્યાદા બહાર લોન અપાઈસ્ટેન્ડિંગ કમિટીમાં સ્પષ્ટ ઠરાવ કરાયો હતોકે, મ્યુનિ. પાસેથી નોકરી દરમ્યાન જેટલી રકમ લેણી નીકળતી હોય તેટલી રકમની જ લોન મ્યુનિ. આપી શકે છે. જોકે આ નિર્ણયને તંત્ર ઘોળીને પી ગયું છે. અનેક કર્મચારીઓની લેણી રકમ તેને મ્યુનિ. પાસેથી મળતી રકમ કરતાં પણ વધારે છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:24 am

ભાસ્કરનો 181 સેન્ટરનો આંખે દેખ્યો અહેવાલ:સંકટમાં છેલ્લી આશ: રોજ 1 હજાર મહિલાનાં આંસુ લૂછે છે અભયમ્

રાત્રે 1.17 વાગ્યા છે, શહેર સૂતું છે, પણ 181 હેલ્પલાઇન સેન્ટર જાગી રહ્યું છે.સ્ક્રીન સામે કાઉન્સિલરો કૉલ એટેન્ડ કરવા બેઠા છે. એટલામાં એક કૉલ આવે છે, જેમાં રડતી મહિલાનો અવાજ સંભળાય છે- ‘હવે મારી પાસે કોઈ રસ્તો નથી. મારો પતિ અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા જબરદસ્તી કરે છે. મારી પાસે મરવા સિવાય કોઈ વિકલ્પ નથી.’ કાઉન્સિલર તેને શાંતિથી સમજાવે છે, વિશ્વાસ અપાવે છે અને બીજી તરફ આખી ટીમ એક્શનમાં આવે છે... લોકેશન ટ્રેસ થાય છે, રેસ્ક્યુ ટીમ એલર્ટ થાય છે અને મિનિટોમાં મહિલા સુધી પહોંચે છે. ‘દિવ્ય ભાસ્કર’એ 181ના સેન્ટરમાં 4 કલાક બેસી રહી જોયું કે કેવી ગંભીરતા દાખવી રાજ્યના ખૂણે ખૂણે મહિલાઓને મદદ પહોંચાડાઈ રહી છે. દરેક કાઉન્સિલર ખૂબ જ ગંભીરતા અને સંવેદનશીલતાથી જાણે પોતાનું સ્વજન હોય એ રીતે મદદ માટે દોડે છે. રાજ્યભરનાં સેન્ટરોનો કન્ટ્રોલ રૂમ નવા નરોડામાં છે, જેમાં 34થી ‌વધુ કાઉન્સિલર 24 કલાક ખડેપગે રહે છે. રોજ સરેરાશ 1 હજાર કૉલ્સ આવે છે, જેમાં સૌથી વધુ ઘરેલુ હિંસાના હોય છે. પોણા કલાકમાં 3 મહિલા, સગીરાને મદદ પહોંચાડીકિસ્સો 1 • બચાવો, મારું ઘર નરક બની ગયુંરાતે 12:45 — હેલ્પલાઈન પર રડતી મહિલાનો કોલ આવ્યો, 'મારું ઘર નરક બની ગયું છે, જલદી બચાવો.' પતિ મંદિરનો પૂજારી છે, 21 વર્ષની સફાઈકામ કરતી યુવતીના મોહમાં છે. રોજ તેને ઘરે લાવે છે, વિરોધ કરું તો મારે છે. તુરંત અભયમે પહોંચી જઈ યુવતીના પરિવારને બોલાવ્યો અને બંનેને કાયદાનું ભાન કરાવ્યું. કિસ્સો 2 • સગીરાને માનવ તસ્કરીથી ઉગારી રાતે 1:12 — કોલમાં ગભરાયેલો અવાજ સંભળાય છે, 'મેડમ, હ્યુમન ટ્રાફિકિંગ છે, સગીરાને બચાવો.' મિનિટોમાં અભયમની વાન સાયરન વગાડતી રવાના. બાંગ્લાદેશી સગીરાને નશીલો પદાર્થ પીવડાવી બેભાન કરી અમદાવાદ લવાઈ હતી. દલાલો તેને દેહવ્યાપારના નરકમાં ધકેલે એ પહેલાં જ ટીમ પહોંચી ગઈ અને ઉગારી. કિસ્સો 3 • છેડતી કરનારા પાસે માફી મગાવી રાતે 1:23 — સુરતથી એક માતાનો ફોન આવ્યો- 'મારી 16 વર્ષની દીકરી ટ્યૂશન જતા ડરે છે, પેલાં છોકરાં જીવવા નથી દેતા. ક્લાસીસે હાથ ઊંચા કરી લીધા છે. પણ અભયમ મેદાને આવ્યું. ટીમે તુરંત પહોંચી જઈ રસ્તા વચ્ચે આંતરી છેડતી કરતા બેને ઝડપી પાડ્યા. પોલીસમથકે લેખિત બાંયધરી, જાહેરમાં માફી મગાવી.' ટીમ આટલું ન કરે તો ખુલાસો આપવો પડે... રિસ્પોન્સ કોલની 30 સેકેન્ડમાં રેસ્ક્યુ ટીમે નીકળી જવું જરૂરી કૉલ કરનારનું લોકેશન મેળવીને જરૂર હોય એવા કિસ્સામાં ગણતરીની સેકન્ડમાં રેસ્ક્યુ ટીમે રવાના થવાનું હોય છે, પણ જો તેમાં મોડું થાય તો કન્ટ્રોલ રૂમમાં કારણ આપવું પડે છે. રિયલ ટાઇમ લોકેશન મેપના રૂટ સિવાય રસ્તો બદલે તો ભૂલ ગણાય કોલરના લોકેશન પર પહોંચવામાં કયા રસ્તા પર ટ્રાફિક ઓછો હશે તે મેપમાં જોવાનું હોય છે. લોકેશન સિવાય ડ્રાઇવર બીજા કોઈ રસ્તા પરથી જાય તો તે તેની ભૂલ ગણાય છે, તેનો ખુલાસો કરવો પડે છે. મોનિટરિંગ સ્ક્રીન પર એક પણ કોલ વેઇટિંગમાં રાખી શકાતો નથી181 સેન્ટરમાં વિશાળ ડિસ્પ્લેમાં આવતા કૉલ્સની વિગતો હોય છે. કોઈ કૉલ વેઇટિંગમાં ન રહે એ માટે સુપરવાઇઝર મોનિટરિંગ કરે છે. અહીં સ્ક્રીન પર એક પણ કોલ વેઇટિંગમાં રાખી શકાતો નથી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:21 am

ભાસ્કર વિશેષ:કોરિયન ફિલ્મો-સિરિઝની અસરમાં વિદ્યાર્થીઓમાં તણાવનું પ્રમાણ 2.1થી 3.6 થયું, એકાગ્રતા ઘટી-પરિવાર સાથે સંવાદ 40% કપાયો

ગુજરાતના ક્લાસરૂમ્સમાં હવે ‘નમસ્તે’ને બદલે ‘અન્યોન્ગ-હાસેયો’ (કોરિયન અભિવાદન) સંભળાઈ રહ્યું છે. 2500 વિદ્યાર્થીઓ પર કરાયેલું 4 માસનું ગહન સંશોધન ચેતવણી આપે છે કે કોરિયન સંસ્કૃતિની આ ઘેલછા માત્ર મનોરંજન નથી, પરંતુ બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ભારતીય સંસ્કારો માટે ‘સ્લો પોઈઝન’ સાબિત થઈ રહી છે. ​સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ બાળકોને કે-ડ્રામા અને કે-પોપના એવા લૂપમાં ફસાવે છે જ્યાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. વિદ્યાર્થીઓ રાત-રાતભર જાગીને સીરીઝ જુએ છે, જેનાથી તેમની ઊંઘ અને એકાગ્રતા પર ગંભીર અસર પડી છે. સૌથી ચિંતાજનક બાબત ‘બ્યુટી સ્ટાન્ડર્ડ્સ’ છે. કોરિયન કલાકારો જેવા દેખાવા માટે બાળકો જોખમી ડાયેટિંગ કરે છે. અંદાજે 35% વિદ્યાર્થીઓ માટે આ આઈડલ્સ હવે ભગવાન સમાન છે, જે તેમને વાસ્તવિક દુનિયાથી કાપીને ‘પેરાસોશિયલ રિલેશનશિપ’ (કાલ્પનિક સંબંધો)માં ધકેલી રહ્યા છે. કોરિયન કન્ટેન્ટ એટલે શું? કોરિયન કન્ટેન્ટ, જેને “હાલ્યું ” તરીકે ઓળખવામાં આવે છે, દક્ષિણ કોરિયાની લોકપ્રિય મનોરંજન લહેર છે, જે આજે વિશ્વભરના યુવાનોને આકર્ષી રહી છે. તેમાં K-popનું ઝૂમતું સંગીત,ભાવનાત્મક K-ડ્રામા, આકર્ષક વેબ સિરીઝ, રંગીન વેબટૂન્સ અને સમકાલીન કાલ્પનિકતા, હીલિંગ રોમાન્સ તથા થ્રિલર જેવી શૈલીઓમાં પુસ્તકો, નોવેલનો સમાવેશ થાય છે. તેની સ્ટાઈલ, ભાવના અને ગ્લેમર યુવાનોના મન અને જીવનશૈલી પર ઝડપથી પ્રભાવ પાડી રહ્યા છે.(તેજસ રાવળ સાથેની વાતચીત પર આધારિત) આ રીતે થયું સંશોધન■ નિરીક્ષણ: શાળાઓમાં વિદ્યાર્થીઓની વર્તણૂક, બોલચાલ અને ડ્રેસિંગ સ્ટાઈલમાં અચાનક આવેલા બદલાવથી રિસર્ચની શરૂઆત થઈ.■ ​ડેટા કલેક્શન: પાટણ અને આસપાસના વિસ્તારોના 2500 વિદ્યાર્થીઓનો સર્વે અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા.■ ​તારણ વિશ્લેષણ: મનોવૈજ્ઞાનિક સ્કેલ પર વિદ્યાર્થીઓના તણાવ અને એકાગ્રતાનું ચોકસાઈપૂર્વક માપન કરાયું.■ ​પરિણામ: ડિજિટલ વ્યસન અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે સીધો અને નકારાત્મક સંબંધ પ્રસ્થાપિત થયો. બાળકો ભારતીય પરંપરા ભૂલી વિદેશી જીવનશૈલીને ઉત્તમ માને છે■ ​સંશોધનના તારણમાં ચોંકાવનારા સામે આવેલ આંકડા સ્ટ્રેસ લેવલ■ ​કોરિયન કન્ટેન્ટના અતિરેકથી તણાવનો આંક 2.1 થી વધીને 3.6 થયો■ ​શૈક્ષણિક ગ્રાફ: એકાગ્રતાનો સ્કોર 3.8 થી ઘટીને 2.9 પર આવી ગયો.■ ​ઓળખનું સંકટ: બાળકો ભારતીય સાહિત્ય અને પરંપરાઓ ભૂલીને વિદેશી જીવનશૈલીને શ્રેષ્ઠ માની રહ્યા છે.■ ​સામાજિક દુરી: સ્ક્રીન ટાઈમ વધતા પરિવાર સાથેના સંવાદમાં 40% નો ઘટાડો નોંધાયો. સમસ્યાનો ઉકેલ: સ્ક્રીન ટાઇમ શૂન્ય કરવો એ ઉપાય નથી■ ​ડિજિટલ ડાયેટ: બાળકોના સ્ક્રીન ટાઈમ પર પ્રતિબંધ નહીં, પણ ગુણવત્તાયુક્ત નિયંત્રણ રાખો.■ ​સંવાદ વધારો: વાલીઓ બાળકો સાથે બેસીને કન્ટેન્ટ જુએ અને તેના સારા-નરસા પાસાંની ચર્ચા કરે.■ ​મીડિયા લિટરસી: પડદા પરની ચમક-ધમક અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સમજાવવો જરૂરી છે.■ ​કાઉન્સેલિંગ: શાળાઓમાં માનસિક સ્વાસ્થ્ય માટે નિયમિત સત્રો આયોજિત કરવા જોઈએ.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:13 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:5 લાખ હેક્ટર જમીન NA થતા શેરડીના વાવેતરમાં 40% ઘટાડો

એક સમયે જે સુગર ફેક્ટરીઓ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિનું પ્રતીક હતી, તે આજે પોતે આર્થિક કટોકટીમાં સપડાઈ છે. ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં શેરડીના વાવેતર અને ઉત્પાદનમાં 15% થી 25% સુધીનો ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો ભૂતકાળમાં જેમ કપાસ મંડળીઓ બંધ થઈ ગઈ, તેમ રાજ્યની કાર્યરત 13 સહકારી સુગર મિલો પણ ઇતિહાસ બની જશે. બીજી તરફ વધતા શહેરીકરણને કારણે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં જ 5 લાખ હેક્ટરથી વધુ જમીનો બિનખેતી થઈ ગઈ છે. સુગર મિલો શરૂ થઈ ત્યારે એકરે સરેરાશ 34 ટન ઉત્પાદન ક્ષમતા હતી, જે હવે ઘટીને માત્ર 15 ટન પર આવી ગઈ છે. વર્ષ 2020-21માં સુગર ફેક્ટરીઓએ 97.99 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કર્યું હતું, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર 72.40 લાખ મેટ્રિક ટન (અંદાજિત) રહી ગયું છે. તેવી જ રીતે, ખાંડનું ઉત્પાદન પણ 1 કરોડ ક્વિન્ટલથી ઘટીને 75.49 લાખ ક્વિન્ટલ પર આવી ગયું છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ઉદ્યોગની ક્ષમતામાં સરેરાશ 25% નો ઘટાડો થયો છે. વર્ષ 2016-17માં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન સરેરાશ 4000 રૂપિયા મળતા હતા, જે આજે વર્ષ 2024-25માં ઘટીને 3500 રૂપિયાની આસપાસ પહોંચ્યા છે. બીજી તરફ, મજૂરી, ખાતર અને ડીઝલના ભાવ બમણા થઈ ગયા છે. ખેડૂતો માટે હવે શેરડીની ખેતી ‘ખોટનો ધંધો’ સાબિત થઈ રહી છે. કેમ ડગમગી રહ્યો છે સુગર ઉદ્યોગ? આ છે 3 મુખ્ય કારણો1. સરકારની MSP નીતિ અને આર્થિક વિસંગતતા:કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની MSP (લઘુત્તમ ટેકાના ભાવ) માત્ર 3100 રૂપિયા રાખવામાં આવી છે, જે ઉત્પાદન ખર્ચ સામે અત્યંત ઓછી છે. બજારમાં ચોખા જેવી જણસી 50 રૂપિયે કિલો મળે છે, જ્યારે જટિલ પ્રોસેસ બાદ તૈયાર થતી ખાંડ માત્ર 38 રૂપિયે કિલો વેચાય છે. 2. શહેરીકરણ અને બિનખેતી થતી જમીન: દક્ષિણ ગુજરાતમાં વધતા ઉદ્યોગો અને હાઈવે પ્રોજેક્ટ્સને કારણે છેલ્લા 5 વર્ષમાં અંદાજે 5 લાખ હેક્ટર જમીન બિનખેતી (NA) થઈ ગઈ છે. ખેતીલાયક જમીન ઘટતા સીધી અસર શેરડીના વાવેતર પર પડી છે. 3. સંચાલકોની નિષ્ક્રિયતા અને રાજકીય દબાણ: સુગર ફેક્ટરીઓના મોટાભાગના સંચાલકો સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં, તેઓ કેન્દ્ર કે રાજ્ય સરકાર સમક્ષ ખાંડ ઉદ્યોગની વાસ્તવિક સ્થિતિ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે. પીલાણના દિવસો 180 થી ઘટીને 120 થઈ ગયા હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આંકડાની નજરે ખાંડ ઉદ્યોગની દશા દક્ષિણ ગુજરાતનું અર્થતંત્ર ખાંડ ઉદ્યોગ પર ટકેલુંગુજરાતમાં 141 લાખ હેક્ટર શેરડીનું વાવેતર થાય છે, જે અંદાજે 22,500 કામદારોને સીધી અને 5 લાખ લોકોને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. ઉદ્યોગનું વાર્ષિક 4 હજાર કરોડ ટર્નઓવર છે, જેમાં 95% હિસ્સો માત્ર દક્ષિણ ગુજરાતનો છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:06 am

ભાસ્કર બ્રેકિંગ:‘પોપટ છાપ ભણતર’ બંધ થશે! ગોખણપટ્ટી નહીં પણ ‘સમજો અને જાતે કરો’ ભણાવાશે

ગુજરાતમાં સ્કૂલ શિક્ષણને સંપૂર્ણ બદલવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 2 થી 11માં 24 વિષયોના પાઠ્યપુસ્તકો બદલાશે. સરકારનું ફોકસ હવે ‘ગોખવાના અભ્યાસક્રમ’થી હટીને ‘સમજીને અને જાતે કરી શકાય’ તેના પર છે. નવી શિક્ષણ નીતિ મુજબ 2030 સુધીમાં ધોરણ 2થી 12 સુધીના તમામ પાઠ્યપુસ્તકો બદલી દેવાશે. ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયો એનસીઈઆરટીના પુસ્તકોના આધારે તૈયાર રહેશે, જ્યારે કે અન્ય વિષયો ગુજરાતમાં જ તૈયાર થશે. સૌથી મોટો બદલાવ રહેશે કે હવે બાળકોને ગોખણ પટ્ટી કરવાની જરૂર રહેશે નહીં, પરંતુ પ્રવૃત્તિ દ્વારા શિખવાડાશે. ઉદાહરણ તરીકે, વિજ્ઞાન અને ગણીત જેવા અઘરા વિષયોના મુદ્દાઓને હવે રમત, પ્રયોગ અને રોજિંદા જીવનના ઉદાહરણોથી સમજાવાશે. ધોરણ 9 અને 11ના કમ્પ્યુટરના વિષયમાં પણ મોટો બદલાવ કરાયો છે. હવે એઆઇ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ જેવા વિષયોને જોડવામાં આવ્યા છે. વિદ્યાર્થી હવે વાસ્તવીક જીવનની સમસ્યાઓ સોફ્ટવેરના માધ્યમથી હલ કરવાનું શિખશે. સરકારનો દાવો છે કે, નવા પાઠ્યપુસ્તકો બાદ વિદ્યાર્થીઓએ ગાઇડ કે અન્ય ઇત્તર સાહિત્યની જરૂર રહેશે નહીં. સાથે જ શિક્ષકોને પણ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા ટ્રેનિંગ અપાશે, જેથી શિક્ષકો પણ નવી ટેકનોલોજીને યોગ્ય રીતે શીખી શખે. અકંદરે આ તમામ બદલાવ ગુજરાતની શિક્ષણ પદ્ધતિને આધુનિક, પ્રેક્ટિકલ અને ભવિષ્ય માટે તૈયાર કરવાની દીશામાં મોટુ પગલું માનવામાં આવી રહ્યું છે. નવી ઢબે ભણતર: એ બધું જે તમે જાણવા માગો છો હવે સ્કિલ આધારીત શિક્ષણનવી શિક્ષણ નીતિ પછી સરકાર પર દબાણ હતું કે શિક્ષણને સ્કિલ બેઇઝ્ડ બનાવવામાં આવે. ઉદ્યોગોની પણ એ જ માંગ હતી. કારણ એ પણ હતું કે કોચિંગ અને ગાઈડના પ્રભાવ પર અંકુશ આવે. કારણ કે તેનાથી શિક્ષણના મૂળ આશયને અસર થઈ રહી હતી. જુનિ શિક્ષણ વ્યવસ્થા નવી વ્યવસ્થામાં શું બદલાવ? | વિદ્યાર્થી પર અસર શિક્ષકો પર અસર સિસ્ટમ પર અસર ભવિષ્ય પર અસર નવા પાઠ્યપુસ્તકોમાં શું બદલાશે : પ્રવૃત્તિ, સમૂહકાર્ય તથા બાળકોમાં જિજ્ઞાસા સર્જાય એવા પ્રયાસો પર ભાર 1. ગોખણ પટ્ટીના સ્થાને પ્રવૃત્તિલક્ષી અભ્યાસ઼ હવે અભ્યાસ યાદ કરવા સુધી સિમિત નહીં રહે. બાળકો પ્રવૃત્તિ, પ્રોજેક્ટ અને સમુહ કાર્ય દ્વારા પોતે જ મુદ્દાની સમજ વિકસીત કરશે. જેનાથી કોન્સેપ્ટ લાંબા સમય સુધી યાદ રહેશે અને તેનાથી વ્યાવહારીક જ્ઞાનમાં પણ વધારો થશે. 2. વિજ્ઞાનમાં પ્રયોગ આધારીત શિક્ષણ વિજ્ઞાન માત્ર પાઠ્યપુસ્તકો સુધી સિમિત નહીં રહે. વિદ્યાર્થી જ નાના પ્રયોગ કરીને શીખશે, જેમ કે ખોરાકમાં પોષક તત્વોની ઓળખ કરવી. જેનાથી બાળકોની જિજ્ઞાસા પણ વધશે અને વિષય વધારે રોચક અને સમજવા માટે યોગ્ય રહેશે. 3. ગણિતને સરળ બનાવાયું ગણિતને રોજિંદાના ઉદાહરણો સાથે જોડવામાં આવ્યા છે. મોલના ફ્લોર જેવા ઉદાહરણથી પ્લસ- માઇનસ સમજાવાશે, જેથી બાળકોને ગણિતની વ્યાખ્યા અને મુદ્દાઓ પણ સરળ અને વ્યાવહારીક લાગશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ભાસ્કર એનાલિસિસ:પાટણ જિલ્લાની 9 માંથી 5 તાલુકા‎ પંચાયતોમાં મહિલા પ્રમુખ બનશે‎

પાટણ જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ પદોની અનામત જાહેર થતાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થશે. આ અનામત મુજબ 50 ટકાથી વધુ તાલુકાઓમાં મહિલા નેતૃત્વ ઉભું થવાનું નિશ્ચિત બન્યું છે, જ્યારે બક્ષીપંચ અને અનુસૂચિત જાતિના પ્રતિનિધિત્વ સાથે નવી ગોઠવણો શરૂ થશે. જિલ્લામાં કુલ 9 તાલુકા પંચાયતોમાંથી 5 તાલુકાઓમાં મહિલા પ્રમુખ બનશે. પાટણ, ચાણસ્મા, સરસ્વતી, સમી અને શંખેશ્વર તાલુકાઓમાં મહિલા અનામત આવતાં મહિલાઓને નેતૃત્વમાં મોટો હિસ્સો મળવાનો છે. આ સ્થિતિ સ્થાનિક સ્તરે મહિલા રાજકારણને મજબૂત બનાવશે, પરંતુ સાથે સાથે પ્રોક્સી (પતિરાજ) પોલિટિક્સની ચર્ચાઓ પણ તેજ બની છે. બક્ષીપંચ (સા.શૈ.પ) વર્ગ માટે સિદ્ધપુર અને ચાણસ્મા મળી કુલ 2 તાલુકા પંચાયતો અનામત રાખવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારોમાં સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારી માટે પક્ષોને કાળજીપૂર્વક ગોઠવણ કરવી પડશે. અનુસૂચિત જાતિ માટે માત્ર રાધનપુર તાલુકા પંચાયત અનામત રાખવામાં આવી છે. હારીજ અને સાંતલપુર તાલુકાઓ સામાન્ય કેટેગરી માટે ખુલ્લા રાખવામાં આવતા અહીં સીધી રાજકીય ટક્કર જોવા મળશે. આ બંને તાલુકાઓમાં પક્ષોની તાકાત, સંગઠન અને સ્થાનિક નેતાઓની લોકપ્રિયતા નિર્ણાયક સાબિત થશે. આ વખતે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખની સામાન્ય બેઠક જાહેર થઈ છે. અત્યાર સુધી એટલે કે 2002 થી 2023 સુધીમાં જિલ્લા પંચાયતમાં અનુ જાતિનાં બે, બક્ષીપંચ છ અને જનરલ કેટેગરીના બે પ્રમુખ રહી ચૂક્યા છે. આ વખતે સામાન્ય બેઠક હોય દરેક ઉમેદવારોને પ્રમુખ બનવા તક હોય પ્રમુખ પદ માટે વિજેતા ઉમેદવારોમાં સ્પર્ધા થશે. આ રીતે જોવામાં આવે તો મહિલાઓનો પ્રભાવ 55 ટકા કરતાં વધુ બેઠકોમાં જોવા મળશે, જ્યારે બક્ષીપંચ અને અનુસૂચિત જાતિના પ્રતિનિધિત્વ સાથે પાટણ જિલ્લાનું રાજકારણ નવા સમીકરણ તરફ આગળ વધે છે. આંકડાકીય વિગત કયા તાલુકામાં પ્રમુખની કઈ બેઠક અરજણસર બેઠક પર જીતનાર ઉમેદવાર રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ બનશે :આ અનામત બાદ ઘણા દિગ્ગજ નેતાઓ સીધી સ્પર્ધાથી બહાર થઈ ગયા છે, જોકે રાધનપુર તાલુકા પંચાયતની બેઠક અનુજાતી માટેની અનામત બેઠક છે. રાધનપુર તાલુકામાં એકમાત્ર અરજણસર બેઠક અનુજાતીની છે. એટલે આ બેઠક પર જીતનાર ઉમેદવાર તાલુકા પંચાયત પ્રમુખ બનશે. તેવું સ્થાનિક રાજકીય આગેવાને જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:બિલ નહીં ભરો તો કનેક્શન કપાશે,પછી સ્માર્ટ મીટર જ લાગશે‎

માર્ચ મહિનો પૂરો થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ બાકી લેણાં વસૂલવા માટે પાટણમાં કુલ 2,472 ગ્રાહકો પાસે ₹3.95 કરોડનું બાકી હોવાથી ટાર્ગેટ પૂર્ણ કરવા 8 ટીમો મેદાનમાં ઉતારી છે. જો ગ્રાહક બાકી બિલ ન ભરે તો તેનું જૂનું કનેક્શન કાપી નાખે છે અને એ નવી અરજી કરે એટલે ફરજિયાત ‘સ્માર્ટ મીટર’ લગાવી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં 400 કનેક્શન કાપી 350 સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે. 50 અરજી અંગે મીટર લગાવવાની કામગીરી પ્રક્રિયામાં છે. વીજ બિલ બાકી વિગતો 85 ટકા લક્ષ્યાંક અધુરોહાલમાં પાટણમાં કુલ 77,000 વીજ ગ્રાહકોમાંથી અત્યાર સુધીમાં માત્ર 10,200 ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યા છે. હાલમાં 85 ટકાનો લક્ષ્યાંક અધુરો હોય શહેરના તમામ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાનો તેમનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો છે. લોકો સ્વેચ્છાએ સ્માર્ટ મીટર લગાવવા આગળ આવી રહ્યા ના હોય UGVCL દ્વારા હવે જે જૂના વીજ કનેક્શન કપાય છે અથવા કોઈ ફોલ્ટ સર્જાય તો ત્યાં નવા સ્માર્ટ મીટર લગાવીને લક્ષ્યાંક પૂર્ણ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જેને લઇ માર્ચ એન્ડિંગમાં જેમના પણ બિલો બાકી છે તેમના ઝડપથી વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે જેને લઇને ત્યાં નવા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી શકાય છે. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. યુજીવીએલ સાથે સંવાદસવાલ: લોકો જૂના મીટર માંગે છે, તો સ્માર્ટ મીટર જ કેમ લગાવો છો?જવાબ: કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હવે જૂના મીટરની ખરીદી બંધ છે. રીડિંગમાં કોઈ ફરક નથી, માત્ર ટેકનોલોજી બદલાઈ છે. કનેક્શન કપાયા બાદ મીટર માટે અરજી કરતા નવા જ સ્માર્ટ મીટર લાગશે. સવાલ: ઘરે કોઈ ના હોય તો જાણ કર્યા વગર લાઈટ કેમ કાપો છો?જવાબ: અમે પાડોશીનો સંપર્ક કરીએ છીએ, મોબાઈલ પર મેસેજ પણ આપીએ છીએ. તમામ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે જ કાર્યવાહી થાય છે. સવાલ: સ્માર્ટ મીટર પ્રત્યે લોકોમાં વિશ્વાસ ઊભો કરવા શું કરવામાં આવી રહ્યું છે?જવાબ: ગ્રાહકને સમજાવવામાં આવે છે કે માત્ર ટેકનોલોજી બદલાઈ છે. મીટર રીડિંગમાં કોઈ જ ફરક આવતો નથી છતાં પણ જો વિશ્વાસમાં ના આવે તો અંતે તેમના ભ્રમ દૂર કરવા માટે એક મહિના માટે સ્માર્ટ મીટર સાથે જૂનો મીટર પણ ત્યાં લગાવવામાં આવે છે અને તેમને રીડિંગ ચેક કરવા માટે કહેવાય છે. જેથી લોકો ઇન્સ્ટોલ કરાવે છે. એકવાર બંનેના રીડિંગ સરખા આવ્યા બાદ જૂનું મીટર હટાવી દેવામાં આવે છે. ગ્રાહકોએ કહ્યું, વીજબિલ ન ભરતાં કનેક્શન કાપી નાખ્યું, ફરી ચાલુ કરવા માટે અરજી કરી તો કહ્યું સ્માર્ટ મીટર લાગશે કિસ્સો: 1 –ચેતનભાઈના ઘરે છેલ્લા બે મહિનાનું વીજ બિલ બાકી હતું. માર્ચ એન્ડિંગ હોવાથી UGVCLની ટીમ વસુલાત માટે ઘરે પહોંચી બિલ ભરપાઈ ન થતા કનેક્શન કાપી નાખ્યું હતું. જ્યારે બાકી રકમ ભરીને કનેક્શન ફરી ચાલુ કરાવવા અરજી કરી, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હવે જૂનું મીટર પાછું નહીં લાગે. ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવું પડશે. એટલે અંધારામાં રહેવા કરતાં મેં સ્માર્ટ મીટર સ્વીકારી લીધું છે. કિસ્સો: 2 –શૈલેષભાઈની દુકાનનું બિલ બાકી હોવાથી તંત્રએ કનેક્શન કાપ્યું હતું. જ્યારે તેઓ નવું કનેક્શન લેવા ગયા ત્યારે તેમને સ્માર્ટ મીટર માટે દબાણ કરાયું. શૈલેષભાઈએ દલીલ કરી કે સ્માર્ટ મીટર રીડિંગમાં ભૂલ બતાવે છે. આખરે તંત્રએ વચગાળાનો રસ્તો કાઢ્યો અને નવુ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવાની સાથે તેમનો ભ્રમ દૂર કરવા બાજુમાં થોડા સમય માટે જ તેમનું જૂનું મીટર પેરેલલ (સમાંતર) તરીકે રાખ્યું છે. જેથી એક માસના લાઈટ બિલ બાદ બંનેના રીડિંગ ચકાસી શકશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ચોરે કરી હાથ સફાઈ:સાબરમતી- જેસલમેર ટ્રેનમાં કોલેજીયન યુવતીનું પર્સ ચોરાયું

સાબરમતી- જેસલમેર ટ્રેનમાં કોલેજીયન યુવતીની બેગમાંથી અજાણ્યો શખ્સ રોકડ અને સોનાની ચુની સહિત રૂ.26,137ની મત્તા ભરેલું પર્સ ચોરી ગયો હતો.. ધાનેરાના થાવર ગામની અને મહેસાણાની નવદીપ સોસાયટીમાં રહી પાટણ ખાતે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી ગોમતીબેન ભેમાભાઇ ચૌધરી પરીક્ષા આપવા માટે પાટણ જઈ રહી હતી. ત્યારે સાબરમતી-જેસલમેર ટ્રેનમાં ભીડનો લાભ લઈ અજાણ્યા શખ્સે તેની કોલેજ બેગમાં રાખેલું પર્સ સેરવી લીધું હતું. ટ્રેન ઉપડ્યા બાદ તપાસ કરતાં ખબર પડી કે બેગની ચેન ખોલી અંદરથી નાનું પર્સ કોઇ ચોરી ગયું છે. જેમાં રોકડ, સોનાની ચુની અને 2 પેનડ્રાઈવ મળી રૂ.26,137ની મત્તા હતી. તપાસ બાદ પર્સ ન મળી આવતાં આખરે મહેસાણા રેલવે પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીછે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

બેંક મેનેજર ઉપર હુમલો:ગોરીસણાના બેંક મેનેજરને દેલવાડાના સરપંચ અને તેમના પુત્રએ લાફા ઝીંક્યા

ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામે યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં પૂરતી રોકડ ન હોવાનું કહેતાં ઉશ્કેરાયેલા દેલવાડાના સરપંચ અને તેમના પુત્રએ બ્રાંચ મેનેજરને ગડદાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકે નોંધાતાં અટકાયત કરવામાં આવી હતી . ગોરીસણા યુનિયન બેંકમાં બપોરે સમીરખાન તાજમહંમદ મકરાણી નામનો ગ્રાહક રૂ.50 હજારનો ચેક લઈને નાણાં ઉપાડવા આવ્યો હતો. કેશિયર હર્ષિતાબેને બેંકમાં પૂરતી રોકડ ન હોવાથી થોડીવાર રાહ જોવા અથવા પછી આવવા જણાવ્યું હતું. આ સાંભળી તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેના પિતા તાજમહંમદ મહેરાબખાન મકરાણી (દેલવાડા ગામના સરપંચ)ને ફોન કરીને બોલાવ્યા હતા. સરપંચ તાજમહંમદે બેંકમાં આવી મેનેજર સુનિલકુમાર સરીયાને ગાળો આપી, લાફો મારી દીધો હતો અને છાતીના ભાગે ગડદા માર્યા હતા અને શર્ટ ફાડી નાખ્યું હતું. તેમજ હું દેલવાડાનો સરપંચ છું, તું બહાર નીકળ તને જાનથી મારી નાખીશ અને બેંક બંધ કરાવી દઈશની ધમકી આપી હતી. ઘટનાની જાણ પોલીસ હેલ્પલાઇન 112ને કરતાં ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પિતા-પુત્રની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

હુમલો:વસાઇમાં અર્ધનગ્ન હાલતમાં ફરતા શખ્સને ઠપકો આપતાં પડોશી પર હુમલો, 5ને ઇજા

વિજાપુર તાલુકાના વસાઈ ગામે ઘર આગળ અર્ધનગ્ન હાલતમાં ઊભા રહી ગંદા ગીતો વગાડતા શખ્સને ઠપકો આપતાં 9 શખ્સોએ લોખંડની પાઇપ અને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં 5 જણાને ઇજા પહોંચી હતી. હુમલાની ઘટના ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેના આધારે ઈજાગ્રસ્ત યુવતીએ 9 શખ્સો વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ શખ્સોએ અગાઉ પણ વર્ષ 2012માં પણ હુમલો કર્યો હતો નિકિતાબેન પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 18 માર્ચે રાત્રે વિજય કાંતિભાઈ પરમાર નામનો શખ્સ તેમના ઘર પાસે અર્ધનગ્ન હાલતમાં આંટા મારતો હતો અને મોબાઇલમાં ખરાબ વીડિયો જોઈ બિભત્સ ગીતો વગાડી લલકારતો હતો કે, હવે હું નવરો થઈ ગયો છું, જેણે સામે આવવું હોય તે આવી જાવ, ટાંગા ભાંગી નાખીશ. યુવતીએ ડરના માર્યા તેના કાકાને બોલાવતાં વિજય, રમેશ અને કાંતિ પરમારે લોખંડની જાળી તોડી ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પરિવાર બચાવ માટે બહાર આવતાં ટોળાએ પાઇપ યુવતીના માથામાં મારી હતી. અન્ય મહિલાઓ છોડાવવા વચ્ચે પડતાં તેમની સાથે પણ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં નિકિતાબેન સંજયભાઈ પરમાર, તેમના બહેન મોનિકાબેન, કાકા રાજુભાઇ વરૂભાઇ, કાકાનો દીકરો દક્ષ અને કાકીને ઇજા થઇ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ 9 સામે ફરિયાદ 1. વિજય કાંતિભાઈ પરમાર 2. કાંતિભાઈ શિવાભાઈ પરમાર 3. રમેશ કાંતિભાઈ પરમાર 4. લકુભાઈ કાળાભાઈ પરમાર 5. સુજલ દિનેશભાઈ પરમાર6. આરતી ઉર્ફે ગગલી કાંતિભાઈ 7. સોનલબેન મનોજભાઈ 8. ઉર્મિલાબેન દિનેશભાઈ પરમાર 9. કાજલબેન વિજયભાઈ પરમાર

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

4070 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે‎ ગુજકેટની પરીક્ષા:હોલટિકિટ નીકળ્યા પછી 8 છાત્રને લેટ ફી સાથે ગુજકેટ પરીક્ષાની મંજૂરી મળી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રવિવારે ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) લેવામાં આવશે. જિલ્લામાં ચાર વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું જ ભૂલી ગયા હતા. જ્યારે અન્ય ચાર વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં એના બદલે બી ગ્રુપ લખાયેલું હતું. આ તમામ આઠ વિદ્યાર્થીએ શાળા મારફતે શિક્ષણ બોર્ડમાં રજૂઆત કરતાં, બોર્ડે રૂ.1000 લેટ ફી સાથે પરીક્ષાની સંમતી આપી હતી. આથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ આઠે વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં બેઠક વ્યવસ્થા કરાઇ છે. જિલ્લામાં એ ગ્રુપના 1680, બી ગ્રુપના 2383 અને એ-બી ગ્રુપના 7 મળી કુલ 4070 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જેમાં 2117 વિદ્યાર્થી અને 1953 વિદ્યાર્થિનીઓ છે. જેમાં ગુજરાતી માધ્યમના 3206 અને અંગ્રેજી માધ્યમના 864 પરીક્ષાર્થીઓ છે. આ પરીક્ષા માટે મહેસાણા શહેરના 19 કેન્દ્રોના 205 બ્લોકમાં વ્યવસ્થા કરાઇ છે. એ ગ્રુપમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત મળી ત્રણ પેપરના કુલ 120 ગુણના MCQ (બહુવિકલ્પ) પ્રશ્નો આપવાના રહેશે. આ જ રીતે બી ગ્રુપમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન મળી ત્રણ પેપરના 120 ગુણના પ્રશ્નો આપવાના રહેશે. જ્યારે એ-બી સંયુક્ત ગ્રુપના વિદ્યાર્થીઓએ 160 ગુણના પ્રશ્નો આપવાના થશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

શહેરમાં મકાનોની કિંમત-ભાવ વધશે‎:હવે પછી દરેક બાંધકામમાં વિકાસચાર્જ' ભરવો પડશે

મહેસાણા મહાનગરપાલિકાએ ભૌતિક અને માળખાગત સુવિધાઓ ડેવલપ કરવાના આયોજન સાથે વિકાસ નકશાનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કરી વાંધા સૂચનો માટે મૂક્યો છે. એ જ રીતે બાંધકામોમાં હવે સૂચિત વિકાસ ચાર્જ પણ દર્શાવી દેવામાં આવ્યા છે અને આગામી ત્રણ મહિના વાંધા -સૂચનો પછી રાજ્ય સરકારને દરખાસ્ત કરીને ઘટાડા કે વધારા સાથે નવા વિકાસ ચાર્જ લેવાનું શરૂ કરવામાં આવશે. બાંધકામ પરવાનગી વખતે અત્યારે પ્રતિ ચોરસ મીટર રહેણાંકમાં 350 એમીનિટી ચાર્જ લેવાય છે. ટાઉન પ્લાનિંગ વિસ્તારમાં બાંધકામ વખતે બેટરમેન્ટ ચાર્જ પણ લેવાય છે. હવે આ ઉપરાંત દરેક બાંધકામમાં વિકાસ ચાર્જ મહાનગરપાલિકાએ સૂચિત કર્યા છે, જે વાંધા સૂચનોના નિકાલ પછી આખરી થઈ અમલમાં આવશે. નવા વિકાસ ચાર્જના પગલે બાંધકામ કિંમત ઉચકાશે અને મકાનોની કિંમતો, ભાવો પણ વધશે તે નક્કી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ઉત્તર ગુજરાતમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ:આજે મહેસાણા જિ.માં થંડરસ્ટ્રોમ સાથે હળવા વરસાદની શક્યતા

પશ્ચિમી પવનના પ્રભાવથી શનિવારે હવામાં ભેજનું પ્રમાણ વધતાં આકાશ દિવસભર સામાન્ય વાદળછાયું રહ્યું હતું, જેના કારણે તાપમાનમાં પોણા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને પારો 36 ડિગ્રીથી નીચે રહ્યો હતો. જોકે વધેલી ભેજને કારણે ઉકળાટ સાથેની ગરમીથી લોકો પરેશાન રહ્યા હતા. હવામાન વિભાગે રવિવારે વધુ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સાથે આગામી 5 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ, તેજ પવન અને છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં રવિવારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં થંડરસ્ટ્રોમ સાથે હળવા વરસાદની વકી છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે સરેરાશ 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. પશ્ચિમી પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતાં વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું હતું. જેને લઇ દિવસના તાપમાનમાં પોણા 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તાપમાન 36 ડિગ્રીથી નીચે રહ્યું હતું, પરંતુ વધુ પડતાં ભેજના કારણે ઉકળાટ સાથેની ગરમીનો અનુભવ યથાવત રહ્યો હતો. આજે રવિવારે ગરમીમાં વધુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના ટુંકાગાળાના અનુમાન મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 એપ્રિલ સુધી વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે. આ દરમિયાન પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન અને હળવી મેઘગર્જના સાથે છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. જો કે, પ્રિ-મોનસૂન વરસાદના આ રાઉન્ડમાં વરસાદની તિવ્રતા અને વિસ્તાર મર્યાદિત રહી શકે છે. એટલે કે, વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am