SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

ભાવનગર-સોમનાથ હાઈવે પર સિંહણને કચડનાર આરોપી જેલહવાલે:પોલીસ આવાસ નિગમમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં આરોપીની CCTVના આધારે ધરપકડ; મહિનામાં 3 વન્યજીવના મોતથી સુરક્ષા પર સવાલ

ભાવનગર-સોમનાથ નેશનલ કોસ્ટલ હાઈવે વન્ય પ્રાણીઓ માટે 'ડેથ ટ્રેપ' સાબિત થઈ રહ્યો છે. ગત 31 જાન્યુઆરીના રોજ નાગેશ્રી ટોલનાકા પાસે 5 વર્ષીય સિંહણને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જનાર કારચાલકની વન વિભાગે ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી ગાંધીનગર પોલીસ આવાસ નિગમમાં કરાર આધારિત સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. શું હતી ઘટના?ગત 31 જાન્યુઆરીની સાંજે જાફરાબાદ રેન્જમાં નાગેશ્રી ટોલનાકાથી માત્ર 500 મીટર દૂર એક સિંહણ રોડ ક્રોસ કરી રહી હતી. આ સમયે ગાંધીનગરથી કોડીનાર તરફ જતી એક પુરપાટ ઝડપની કાર (નંબર GJ-18-EE-4544)એ સિંહણને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે, સિંહણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સિંહણને લોહીલુહાણ હાલતમાં મૂકી નાગેશ્રી ટોલનાકાથી ઉના તરફ ફરાર થઈ ગયો હતો. પોલીસે CCTVના આધારે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યોઘટનાની જાણ થતા જ શેત્રુંજી ડિવિઝનના એસીએફ (ACF) વિરલસિંહ ચાવડા અને તેમની ટીમ માત્ર 10 મિનિટમાં સ્થળ પર પહોંચી હતી. વન વિભાગે તાત્કાલિક ટોલનાકાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા શંકાસ્પદ કારની ઓળખ થઈ હતી. વન વિભાગે નાકાબંધી કરાવી કારચાલક વીરેન્દ્ર રાયસિંગભાઈ રાઠોડ (ઉં.વ. 30, રહે. પોણાદર, કોડીનાર)ને ટીંબી નજીકથી દબોચી લીધો હતો. આરોપીની પૂછપરછમાં તેણે ગુનો કબૂલતાં વન વિભાગે વાઈલ્ડ લાઈફ એક્ટની વિવિધ કલમો હેઠળ તેની ધરપકડ કરી છે. ગઈકાલે તેને જાફરાબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને હાલ તે અમરેલી જેલના હવાલે છે. એક મહિનામાં 3 વન્યજીવના મોત: સુરક્ષા સામે સવાલજાન્યુઆરી મહિનામાં જ આ કોસ્ટલ બેલ્ટ પર વન્યજીવોના મોતના આંકડા ચોંકાવનારા છે: તંત્રની ચેતવણીવનવિભાગે વાહનચાલકોને આ વિસ્તારમાં ગતિ મર્યાદા જાળવવા કડક અપીલ કરી છે. હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિને કારણે સિંહોની વસ્તી પર જોખમ તોળાઈ રહ્યું છે, જેના કારણે વન્યપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 8:57 am

બોટાદમાં હિન્દુ મહાસંમેલન યોજાયું:ધાર્મિક સંગઠનો, સંતો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

બોટાદના પાળીયાદ રોડ પર આવેલી એમ. ડી. શાહ વિદ્યાલય ખાતે આજે હિન્દુ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં બોટાદ જિલ્લાના સંતો, મહંતો, ધાર્મિક સંસ્થાઓના વડાઓ, આશ્રમના સંચાલકો, ડોકટરો, રાજકીય આગેવાનો અને પત્રકારો સહિત મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાસંમેલનમાં 5000થી વધુ લોકો, જેમાં કાર્યકરો, યુવાનો અને યુવતીઓનો સમાવેશ થાય છે, ઉત્સાહભેર જોડાયા હતા. આયોજકોએ આ સંમેલનને સફળ ગણાવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક માધવ સ્વામીએ જણાવ્યું હતું કે, આયોજિત હિન્દુ સંમેલનને અભૂતપૂર્વ સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 8:46 am

ભાવનગરમાં સિંધી પંચાયત દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો:સ્વ. અમિતભાઈ છગનાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરાયું

ભાવનગર શહેરના રસાલા કેમ્પ સ્થિત સિંધી જનરલ પંચાયત હોલ ખાતે 01 ફેબ્રુઆરીના રોજ એક નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. અમિતભાઈ છગનાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ કેમ્પમાં લગભગ 400 જેટલા લોકોએ આરોગ્ય તપાસ અને સારવારનો લાભ લીધો હતો. આ કેમ્પનું આયોજન સિંધી જનરલ પંચાયત યુવા વિંગ, ડૉ. સંદીપભાઈ ધામેચા અને સૌલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. સિંધી જનરલ પંચાયત યુવા વિંગના પ્રમુખ મનીષભાઈ આડવાણીએ જણાવ્યું હતું કે, નાના અને મધ્યમ વર્ગના લોકોને મદદરૂપ થવાના હેતુથી આ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં લેપ્રોસ્કોપિક સર્જન, યુરોલોજિસ્ટ, કાન-નાક-ગળાના નિષ્ણાત, ફિઝિશિયન, ડેન્ટલ સર્જન અને સ્ત્રીરોગ નિષ્ણાત સહિત ૬ ડોકટર્સની ટીમે સેવા આપી હતી. આ ઉપરાંત, મેડલેબ વી-પેથ લેબોરેટરી દ્વારા થાઈરોઈડ અને ડાયાબિટીસની તપાસ પણ નિ:શુલ્ક કરવામાં આવી હતી. દર્દીઓને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ), મેયર ભરતભાઈ બારડ, સિંધી જનરલ પંચાયતના પ્રમુખ કનૈયાલાલ છગનાણી, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, લીગલ કમિટીના ચેરમેન દિલીપભાઈ જોબનપુત્રા, જનરલ પંચાયતના મહામંત્રી ભરતભાઈ વાધવાણી, સિંધી જનરલ પંચાયત યુવા વિંગના પ્રમુખ મનીષભાઈ આડવાણી, મહામંત્રી કમલેશભાઈ દેવાણી, વિજયભાઈ પંજવાણી તેમજ યુવા વિંગના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 8:43 am

ગામ ગામની વાત:ગઢડાના સીમાડે 629 વર્ષ પુરાણું સ્વયંભૂ બેલનાથ મહાદેવ મંદિર‎

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચોસલા, અનીડા અને ખીજડિયા એમ ત્રણ ગામના સીમાડે અને કાળુભાર, સીતાપરી અને ભાટિયા એમ ત્રણ નદીના ત્રિવેણી સંગમના કાંઠે કુદરતી સૌંદર્ય વચ્ચે પાંડવ કાલીન અને 629 વર્ષ પ્રાચીન અને ઐતિહાસિક બેલનાથ મહાદેવ મંદિર આવેલું છે. અહીં શ્રાવણ માસ અને મહાશિવરાત્રી સહિતના ધાર્મિક તહેવારોમાં મોટી સંખ્યામાં ગઢડા પંથકના શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે અને ધામધૂમથી ઉજવણી કરાય આવે છે ત્રણેય નદિના કાંઠે આવેલુ આ રમણીય ધાર્મિક સ્થળ બેલનાથ મહાદેવ મંદિર ગઢડા પંથકના લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. બેલનાથ મહાદેવ મંદિર સાથે અનેરો પૌરાણિક ઈતિહાસ પણ જોડાયેલો છે. લોક વાયકા મુજબ પાંડવો અજ્ઞાત વાસમા હતા તે સમયે પાંડવો ફરતા ફરતા આ સ્થળે આવેલ અહીં તે સમયે સ્વયંભૂ શિવલીંગ હતું ત્યારે ભીમ, અર્જુન, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ સહિત પાંચેય પાંડવોએ માતા સાથે અહીં મહાદેવની પૂજા અર્ચના કરી હતી અને ઘણા સમય સુધી પાંડવો આ સ્થળે રોકાયા હોવાની લોક વાયકા છે. બેલનાથ મહાદેવ મંદિરની આધ્યાત્મિક શક્તિના અનેક પરચા પણ પ્રસિદ્ધ છે. એક વખત નદીમાં પૂર આવતાં મંદિરમાં રહેલી નંદીની મૂર્તિ પુરમાં તણાઈ ગઈ હતી. ભક્તો મંદિરે દર્શન કરવા આવ્યા ત્યારે મૂર્તિ ન હતી પરંતુ બીજા દિવસે નદીના પૂરમાં તણાઈ ગયેલી નંદીની મૂર્તિ બીજા દિવસે પોતાની જગ્યા પર પાછી આવી ગઈ હતી. ત્યારથી આ મંદિર બેલનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયું. આ પૌરાણિક બેલનાથ મહાદેવનું મંદિર ગઢડા તાલુકાના જુના ચોસલા ગામનો ટીંબો કહેવાય છે, જે ત્રણ ગામના સીમાડે જંગલ વિસ્તારમાં આવેલું છે. તેમ પૂજારી શાંતિગીરી બાપુ અનિડા દ્વારા જણાવાયું છે. બેલનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ વીર અરજણજી ગોહિલની શૌર્યગાથા સાથે જોડાયેલો છે. ઈ.સ. 1411 માં ગઢડા તાલુકાના ગઢાળી ગામના વીર અરજણસિહજી ગોહિલ (વીર હમીરસિહજી ગોહિલના મોટાભાઈ) હતા તેઓ ગઢાળી ગામે રહેતા હતા. વીર અરજણસિંહજી ગોહિલને દરરોજ બે કલાક મહાદેવની પૂજા-અર્ચના કરવાની ટેક હતી. પૂજા અર્ચના કર્યા બાદ જ અન્ય કામો કરતા હતા. વીર અરજણજી ગોહિલની શૌર્યગાથાનો ઇતિહાસ‎એક દિવસ વીર અરજણસિંહજી ગોહિલ મહાદેવની પૂજા કરતા હતા ત્યારે પૂજા દરમિયાન દુશ્મનોએ હુમલો કરતાં વીર અરજણસિહજી ગોહિલનું મસ્તક ધડથી અલગ કર્યું હતું તેમ છતાં અરજણસિહજી ગોહિલનું ધડ 1200 દુશ્મનો સામે લડ્યું હતું. આજે પણ વીર અરજણસિહજી ગોહિલની સમાધી આવેલી છે. અહીં દર ચૌદશના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ગામની સુવિધાનદીના સામે કાંઠેથી આવતા શ્રદ્ધાળુઓ માટે નદી પાર કરવા પહેલાં હોડી પણ મુકાઈ હતી, જે હાલમાં બંધ છે. બેલનાથ મહાદેવ મંદિરે દર ચૌદશ એટલે દર મહિનાની શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. તો શ્રાવણ માસ દરમ્યાન અહીં ભક્તો દ્વારા ભજન, કિર્તન, ધુન યોજવામાં આવે છે, શ્રાવણ માસ દરમ્યાન દરરોજ મહાદેવને વિશેષ અભિષેક પૂજા અને મહાઆરતી થાય છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 8:17 am

વિરાટ હિંદુ સંમેલન યોજાયું:શાળાઓમાં રામાયણ, મહાભારત,ક્રાંતિ ગાથા ભણાવવા આહ્વાન

બોટાદ શહેરના પાળીયાદ રોડ સ્થિત એમ.ડી.શાહ વિધાલયના પટાંગણમાં હિન્દુ સંમેલન સમિતિ - બોટાદ દ્વારા 1 ફેબ્રુઆરી 26 ને રવિવારે સાંજે 6-00 કલાકે હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરાયું હતુ. સરયુ નદી ખાતેથી લાવેલ જળની જળયાત્રા ભવ્ય શોભાયાત્રા બપોરના 3-00 કલાકે બોટાદ માર્કેટિંગ યાર્ડ , હવેલી ચોક, ગોકુલ મેડિકલ, ભજનાનંદ આશ્રમ , એસ.ટી.ડેપો, પંજવાણીકાંટા, આનંદધામ રેસીડેન્સી થઈ એમ.ડી. સ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી. સ્વામિ આત્માનંદ સરસ્વતીજી - ભજનાનંદ આશ્રમ, બોટાદ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ હિન્દુ સંમેલનમાં દાતાઓનું તેમજ વિવિધ સેવાકી પ્રવૃત્તિ કરતા સ્વયંસેવકોનું સંતોના હસ્તે પ્રમાણપત્ર અને મોમેન્ટ આપી સન્માનિત કરાયા હતા. આ સંમેલનમાં 151 ક્રાંતિની મસાલો પ્રગટાવવામાં આવી હતી. તેમજ બોટાદ શહેરની આદર્શ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ અને સુંદરમ્ સ્કૂલ માં ઘો-5 મા રામા યણ,ઘો-6 ચરિત્ર રામાયણ ઘો-7 માં મહાભારત અને ઘો-8 માં ક્રાંતિ ગાથા નો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે જેનું સંતોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ હિન્દુ સંમેલનમાં મહામંડલેશ્વર ભાવેશબાપુ શુક્લ-મહાકાળી ધામ, બોટાદ, રાજ ગીરીજી મહારાજ - જગનનાથ મંદિર, બોટાદ રામદાસ માતાજી- રામદેવપીર મંદિર, બોટાદ,નગાલાખાની જગ્યા ના મફાભગત, શનિદેવ હનુમાન મંદિર ના જમનાદાસ બાપુ સહિત ના સંતો , મહંતો વિવિધ સંસ્થાઓના આગેવાનો, ડોક્ટરો , વકીલો શહેરની વિવિધ શાળાઓના આચાર્યો,શિક્ષકો વિદ્યાર્થીઓ, રાજકીય આગેવાનો સહિત સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કારથી સંતાનને તૈયાર કરવા માતાઓ ને આહવાનભારત માતાકી જય સનાતન ધર્મ ના જય ઘોષ સાથે ધર્મ સભાને સંબોધતા બોટાદ ભજનાનંદ આશ્રમ ના મહંત આત્માનંદ સરસ્વતીજી એ જણાવ્યું હતું કે જે દેશનો યુવાન હેવાન બને એ રાષ્ટ્ર હેરાન પરેશાન હોય માટે માતૃશક્તિની અંદર વિવેકથી જાગૃતિની જરૂર છે માતાઓને સંસ્કારથી સંતાનોને તૈયાર કરવા જણાવ્યું હતું, સત્તા અને સંપત્તિ સહાયક બની શકે સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. શાસ્ત્ર અને શસ્ત્ર બે હશે તો ભારતમાતા સલામત રહેશે. યુવાની રાષ્ટ્રનું કવચ છે ,યુવાની રાષ્ટ્રની સંપત્તિ છે. યુવાનો આ દેશની ધડકન છે. માટે રાષ્ટ્ર માટે સમર્પિત થઈ યુવાનોને જીવવા આહવાન કરાયું હતું. સંતાનોને રામાયણની ચોપાઈ હનુમાન ચાલીસા ના પાઠ શીખવાડવા અને પ્રેમથી જીવતા શીખવા આહવાન કરાયું હતું

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 8:15 am

વેપારીઓમાં વિરોધનો સૂર ઉઠ્યો:એકસાઇઝ ડયુટીના વિરોધમાં આણંદ-ખેડા જિલ્લાના વેપારીઓએ તમાકુની ખરીદ વેચાણ બંદ કરી અચોક્કસ મુદતનું આંદોલન છેડયું

ચરોતરમાં દરવર્ષે મોટા પ્રમાણ તમાકુ વાવેતર થાય છે. તમાકુના પાક પર 60 ટકા ખેડૂતો જીવન ગુજરાન ચલાવે છે. ત્યારે સરકાર દ્વારા તમાકુના પાક એકસાઇઝ ડયુયી લાગુ કરવામાં આવતાં તેની વિપરીત અસર આણંદ ખેડા જિલ્લાના ખેતી ક્ષેત્રમાં ઉભી થનાર છે. તેમજ ચરોતરના 1500 વધુ નાના મોટા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ત્યારે રવિવાર થી આણંદ ખેડા જિલ્લાના વેપારીઓ એકસાઇઝ ડયુટી માફ કરવાની માંગ સાથે તમાકુ ખરીદ વેચાણ બંધ કરવાની સાથે આંદોલન છેડયું છે. આ પગલે આગામી દિવસો તમાકુ પાક તૈયાર થતાં ચરોતરના 4 થી લાખથી વધુ ખેડૂતો સીધી અસર વર્તાશે. આ આંદોલનના ભાગરૂપે ચરોતર વિસ્તારમાં આવેલા તમામ તમાકુ વેપારીઓએ અચોક્કસ મુદત સુધી તમાકુનું ખરીદ-વેચાણ સંપૂર્ણ રીતે બંધ રાખવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એસોસિયેશન દ્વારા જણાવ્યું હતું . જ્યાં સુધી એક્સાઇઝ બાબતે નક્કર અને સ્પષ્ટ નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારનું બિલિંગ, લોડિંગ કે નવો વેપાર કરવો નહીં. ખેડૂતો પણ તમાકુના વેપારીઓ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. કારણે વેપારીઓ સાથે ખેડૂત વર્ગ પણ એકજૂટ થયો છે. એસોસિયેશનના જણાવ્યા મુજબ આ નિર્ણય કારોબારી, ઝોન પ્રમુખો તથા ઝોન કારોબારી મિટિંગમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. એસોસિયેશન દ્વારા તમામ સભ્ય વેપારી મિત્રોને આ આંદોલનમાં પૂર્ણ સહકાર આપવા જણાવ્યું છે અને જ્યાં સુધી એસોસિયેશન દ્વારા સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી તમાકુ ખરીદ-વેચાણ ન કરવું.અંતમાં પ્રમુખ તથા મંત્રી દ્વારા તમામ વેપારીઓ અને ખેડૂત મિત્રોને એકતામાં રહી આંદોલનને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જીએસટી અનેએકસાઇઝ ભારણથી નાના વેપારીઓને ધંધો બંધ કરવાનો વખતવેપારીઓ ખેડૂતો પાસેથી કારી તમાકુ લઈને, સાફસૂફ કરીને બજારમાં વેચાણ યોગ્ય બનાવવાની કામગીરી કરે છે. આ રીતે તૈયાર કરાયેલ તમાકુમાંથી વિવિધ કંપનીઓ તમાકુના વિવિધ ઉત્પાદનોનું પ્રોડકશન કરે છે તેમ જણાવતા ચરોતર તમાકુ વેપારી એસો.ના પ્રમુખ. પ્રદીપ ઉપાધ્યાયે કહ્યું હતું કે, નાના વેપારી પર 40 ટકા જીએસટી અને18 ટકા એકસાઇઝનું ભારણમાં તમાકુ ખરીદવા અસક્ષમ બની જતાં ધંધો બંધ કરવાનો વખત આવશે. જેથી વેપારીઓને 5 ટકાની શ્રેણીમાં દાખલ કરવા માટે રજૂઆત કરી હતી

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:58 am

જીલ્લામાં ઈ કેવાયસીની 94 ટકા કામગીરી પૂર્ણ‎:રેશનકાર્ડના ઇ કેવાયસીમાં બાળકો અને વૃદ્ધોના ફિંગર પ્રિન્ટ નહીં મળતા મૂંઝવણ

કેન્દ્ર સરકારે તમામ કેટેગરીના રેશનકાર્ડને ઇ કેવાયસી ફરજીયાત કરવાનો આદેશ કર્યો છે. ત્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં ઈ-કેવાયસીની 94 ટકા કામગીરીઓ પુર્ણ થઇ ગઇ છે.જો કે હજુપણ 6 ટકા કામગીરીઓ બાકી રહી હોવાથી અબાલ વૃદ્ધો,નાના બાળકોના ફિંગર પ્રિન્ટ નહીં આવતા તંત્ર માટે સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઇ ગઇ છે.છતાંય પણ ટીમોને 100 ટકા કામગીરીઓ પુર્ણ કરવા કામગીરી હાથ ધરવામાં આવી રહેલ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેર સહિત જિલ્લામાં એનએફએસએ 1,4,9843 રેશનકાર્ડ ધારકો નોંધાયેલા છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઇ કેવાયસી માટે ઘણા સમયથી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયત સહિત અન્ય જગ્યાએ ઇ કેવાયસી કરી દેવા રેશરેશનકાર્ડ ધારકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે 3 મહીનામાં એક પણ વખત અનાજ નહીં મેળવતા રેશનકાર્ડ પણ આપોઆપ બંધ કરી થઇ જાય છે. આમ આણંદ જિલ્લામાં પુરવઠા વિભાગમાં અત્યાર સુધીમાં કુલ 94 ટકા ઇ કેવાયસીની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે.બાકીની 6 ટકા ઇ કેવાયસી કામગીરી બાકી હોય તમામ રેશનકાર્ડ ધારકોને ઇ કેવાયસી કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો છે. સરકાર દ્વારા સાચા લાભાર્થી અનાજથી વંંચિત ના રહી જાય તે માટે છેલ્લા 2 વર્ષથી ઇ કેવાયસીની કામગીરી ઠેરઠેર હાથ ધરવામાં આવી છે.નાના બાળકો અને અબાલ વૃદ્ધોની ફિંગર પ્રિન્ટ નહીં મેચ થતા તંત્ર માટે પણ મુંઝવણ ઉભી થઈ છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:48 am

જાહેરનામું પ્રસિદ્ધ કરાયું:ખંભાત રેલવે બ્રિજની કામગીરીને પગલે માર્ગ એક વર્ષ બંધ રહેશે

ખંભાત ખાતે રેલવે ફાટક પાસે રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને કારણે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. જાહેર સલામતી જાળવવા અને કામગીરી ઝડપી બનાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા આ નિર્ણય લેવાયો છે. આ જાહેરનામા અંતર્ગત, ભારે અને મધ્યમ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક રૂટ નક્કી કરાયા છે. આ ડાયવર્ઝન તા. 27 જાન્યુઆરી 2026 થી તા. 26 જાન્યુઆરી, 2027 સુધી, એટલે કે એક વર્ષ માટે અમલમાં રહેશે.નાના વાહનો માટે, રેલવે ફાટકથી ખોડીયાર મંદિર, ગ્રામ્ય પોલીસ ચોકી અને માધવલાલ હાઈસ્કૂલ થઈને લાલદરવાજા તરફ જવાનો રૂટ રહેશે. ખંભાત સીટી રોડ પર નાની ખોડીયાર મંદિરથી આર.સી. અમીન પેટ્રોલ પંપ તરફ જતો હયાત રસ્તો ડાયવર્ટ કરાયો છે. ભારે વાહનો કંસારીની ખોડીયાર ચોકડીથી કાણીસા ચોકડી, કાણીસા ગામથી સાંઢ ચોકડી થઈ જીણજથી દહેડા તરફ જઈ શકશે.મધ્યમ વાહનો ખંભાત તરફ આવવા માટે કાણીસા ચોકડીથી હરીયાણ, રંગપુર અને સાંઢ ચોકડી થઈને અવરજવર કરી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગને જરૂરી ડાયવર્ઝન બોર્ડ અને સૂચનાઓ મૂકવા આદેશ આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:47 am

અકસ્માત સર્જાયો:ઓડ પાસે કારે બાઈકને અડફેટે લેતાં બેને ઈજા

ઉમરેઠ તાલુકાના ઓડ પાસે કારે બાઈકને અડફેટે લેતાં બાઈક પર સવાર યુવક અને યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી. વડોદરાના પદમલા ખાતે રહેતા વિક્રમભાઈ રણજીતભાઈ પરમાર અને તેના મિત્ર મનીષની બેન બિનલ બંને જણાં ઓડ ખાતે સામાજિક પ્રસંગ હોય તેમાં હાજરી આપવા માટે બાઈક લઈને પદમલાથી ઓડ ખાતે આવ્યા હતા. દરમિયાન, સામાજિક પ્રસંગમાં હાજરી આપીને બંને યુવક-યુવતી પરત વડોદરા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન, તેઓ ઓડથી ખંભોળજ જવાના રોડ પર સીએનજી પંપ પાસે એક સફેદ રંગની કારે તેની કાર પુરઝડપે હંકારી બાઈક પર સવાર બંને યુવક-યુવતીને અડફેટે લેતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે ખંભોળજ પોલીસે કારના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:45 am

વેપારી ગુમ થયો:ખંભાતના નગરાનો હિરાનો વેપારી ભેદી સંજોગોમાં ગુમ

ખંભાતમાં હિરાનું કારખાનું ધરાવતા 45 વર્ષીય વેપારી બે દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં ખંભાત શહેર પોલીસે જાણવાજોગ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતના નગરા ગામ સ્થિત મોટી પાટી ટેકરીવાળા ફળીયામાં રહેતો 45 વર્ષીય હસમુખભાઈ ભઈલાલભાઈ પટેલ ગત 29મી ના રોજ પોતાની પુત્રીને કોલેજ મુકવા ગયા બાદ આકૃતિ ખાતે દૂધ આપવા ગયા હતા. એ પછી તેઓ ઘરે પરત ફર્યા નહોતા. તેઓ હિરાનું કારખાનું ધરાવે છે. જોકે, મોડી સાંજ સુધી તેઓ પાછા ન ફરતા અને મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. પરિવારે સગા-સંબંધી ઉપરાંત કારખાનામાં તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પતો મળ્યો નહોતો. આ અંગે ખંભાત શહેર પોલીસે જાણવાજોગ ગુનો નોંધી તેના સીડીઆર ઉપરાંત તેના મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે. આ સિવાય પોલીસ દ્વારા છેલ્લે તેઓ જ્યાં દૂધ આપવા માટે ગયા હતા ત્યાં એ પરિવારની તેમજ કારખાનાના કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે. જોકે તેમના ગુમ થવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ મળ્યું નથી. છેલ્લા કેટલાક સયમથી ગુમ થવાના બનાવો વધી જવા પામ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:45 am

ગામ ગામની વાત:ફિણાવ ગામના તળાવ કિનારે વૃક્ષોની વનરાજી‎

ખંભાત તાલુકામાં આશરે એક હજાર વર્ષ પૂર્વે ફિણાવ ગામ છીયાઓએ વસાવેલ હોવાની લોકવાયકા પ્રચલિત છે. ગામમાં પટેલ, પ્રજાપતિ, બ્રાહ્મણ, વણકર, વાણિયા, રબારી, દેવીપુજક, દરબાર, રોહિત, રાવળ, વાળંદ, સુથાર, પંચાલ, બારૈયા, તેમજ મુસ્લિમ સમુદાયના લોકો હિન્દુ સંપ સહકારથી રહે છે. ગામમા સાદગી પરિશ્રમ ઉદ્યમ પ્રામાણિકતા સાથે જાતમહેનત કરવા વાળા સ્વાશ્રયી લોકો વસે છે. હિન્દુ મુસલમાન પોતાના ધર્મના તહેવારો આનંદથી ઉજવે છે. ગામમાં ધુણીયું તળાવ, રસોનું તળાવ, જામણ તળાવડી આવેલી છે. ફૂલબાઈ માતાના મંદિર પાછળ સુંદર તળાવ છે.બાવળ તેમજ અન્ય વૃક્ષોથી ઘેરાયેલું ઈકો પોઈન્ટ છે. જમીન ગોરાળું, કાળી, ચીકણી આવેલી છે. આ ગામમાં ખેતીનો વ્યવસાય વિકસેલ છે. મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનમાં જોતરાયેલા છે. ત્રણ ખળી મારફતે તમાકુનો કાચો માલ તૈયાર થાય છે. ગામમાં ચાર પ્રાથમિક શાળા અને 6 આંગણવાડી આવેલી છે. પ્રાથમિક સારવાર માટે પેટા આરોગ્ય કેન્દ્ર આવેલું છે સમુહ દાનથી સિધ્ધનાથ મહાદેવનો જીણોધ્ધાર તેમજ વણકર બંધુ તરફથી સોમેશ્વર મહાદેવનું નવિનતમ મંદિર બનાવવામાં આવેલ છે.લાલબાઈ ફૂલબાઈ, ભાથીજી મંદિર, ખોડિયાર મંદિર જેવા ધાર્મિક સ્થળોના નિર્માણ કાર્યો માટે દાનથી તેમજ લોકભાગીદારીથી બાંધકામ થયેલા છે.ભાથીજીના મંદિરે નાગપંચમી એ મેળો ભરાય છે.તળાવ કિનારે ગામથી બે કિલોમીટર દૂર છે. નાનું મંદિર વૃક્ષોની વનરાજી, તેમજ શિયાળામાં પંખીઓના કલરવથી પર્યટન સ્થળ છે. પરા વિસ્તારમાં જનતાની સુખાકારી માટે વિવિધ સુવિધા ઉભી કરાશે ગામમાં આવેલા તમામ પરા પાકા રસ્તા સહિત બ્લોક પેવીંગનું કામ કરાશે. તેમજ સફાઇ સહિત કામગીરી નિયમિત કરવામાં આવે છે. પંચયાત દ્વારા દરેક વિસ્તારમાં પીવાનું પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:44 am

દબાણ ફરી ધમધમતા થયા:આણંદ અમૂલ ડેરી શાકમાર્કેટ‎પાસે પુન: લારીઓનો અડીંગો‎

આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પર આવેલા શાકમાર્કેટ બહાર ગેરકાયદે ઉભી રહેતી તમામ લારીઓ હટાવીને માર્ગ ખુલ્લો કરતાં દૈનિક અવરજવર કરતાં 5 હજારથી વધુ વાહનચાલકોને રાહત થઇ હતી. તેમજ શાકમાર્કેટમાં આવતાં ગ્રાહકો હાશકારો અનુભવ્યો હતો. પરંતુ મનપા દબાણ વિભાગની ટીમો શરૂઆત પાંચ દિવસ નજર રાખ્યા બાદ પુન:ફરકી નથી.જેના કારણે શાકમાર્કેટની બાજુમાં રોડ પર ગુરૂદ્વારા સર્કલ સુધી લારીઓનો જમાડો ધીમે ધીમે થઇ રહ્યો છે. ત્યારે મનપા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કાયમી ધોરણે રોડ પર દબાણ થવાની સંભાવના છે. જેથી મનપા દ્વારા તાત્કાિલક પગલાં લેવામાં આવે તેમ નગરજનો ઇચ્છે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મનપા દ્વારા અમૂલ ડેરી રોડ પર આવેલા શાકમાર્કેટ પાસે લારીઓ હટાવીને પાર્કીંગ માટે વ્યવસ્થા કરી હતી. તેમજ રસ્તો ખુલ્લો થતાં છેલ્લા 20 દિવસથી કોઇ અકસ્મતા થયા નથી તેમજ ટ્રાફિક સમસ્યા સર્જાઇ ન હતી. પરંતુ છેલ્લા એક સપ્તાહથી મનપા દ્વારા કોઇ નજર રાખવામાં ન આવતાં કેટલાંક ઇસમોના ઇશારે પુન: એક એક કરી જૂની લારીઓવાળા ગોઠવાઇ ગયા છે.હાલમાં સવારે ચાર પાંચ લારીઓ દેખાય છે. સાંજ પડતાં 15થી વધુ લારીઓ ખડકાઇ જાય છે.તેવી સ્થિતી ગુરૂદ્વારા સર્કલ પાસે જોવા મળે છે. ત્યારે પ્રજાના મનમાં પ્રશ્ન ઉઠવા પામ્યો છે. કમિશ્નર આદેશી લારીઓ હટાવી દીધી હતી. પરંતુ ત્યારે કેટલાંક હપ્તાખોર ઇસમો પોતાનું સ્ટેીંગ તુટે નહીં તે માટે રોજીરોટીના નામે લારીઓ પુન: ગોઠવી દેવાનો તખતો રચ્યો છે. જેને લઇને પુન: ટ્રાફિક સમસ્યા સર્જાવવાની શરૂ થઇ ગઇ છે. ખાસ કરીને સાંજે ટ્રાફિક જામ થઇ જાતાં વાહનચાલકોને હાલાકી ભોગવી પડે છે. હપ્તા વધારવા માટે ખેલ પાડ્યો હોવાની શંકા આણંદ મનપાએ 20 દિવસ અગાઉ અમૂલ ડેરી રોડ પરથી તમામ લારીઓ દૂર કરી હતી.જે હાલ ધીમે ધીમે ગોઠવાઇ રહી છે. તેની પાછળ મુખ્યકારણે કેટલાંક નેતાઓના ઇશારે હપ્તા લેતા વચેટીયાઓ હપ્તો વધારવાના ખેલ ભાગરૂપે કમિશ્નરને ટ્રાફિક સમસ્યાની રજૂઆત કરીને દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાની હતી. હવે વચેટીયાઓનો હપ્તો વધી જતાં ધીમે ધીમે લારીઓવાળાને ઉભા રહેવા માટે સુચના આપી રહ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:42 am

ખેડૂત વૈજ્ઞાનિક પરિસંવાદ યોજાયો:દરિયાકાંઠા ખેતી પરીસંવાદમાં જળચર ઉછેરની માહિતી અપાઇ

આણંદ કૃષિ યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવાતજ ખાતે દરિયાકાંઠાની ખેતી આધારિત કેપેસીટી બીલ્ડીંગ કાર્યક્રમ અને ખેડૂત વૈજ્ઞાનિક પરીસંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના ખેડૂતોને દરિયાકાંઠાના પ્રદેશમાં આજીવિકા વધારવા મત્સ્યઉદ્યોગ અને જળચર ઉછેર વિશેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ડો. રેડ્ડીએ ખારી જમીનમાં ઉગી શકે તેવી ઔષધિય વનસ્પતિ અને બાગાયતી પાકો વાવી લાંબાગાળા સુધી આવક મેળવવાની માહિતી આપી હતી. આ ઉપરાંત તેઓએ ખારી જમીનમાં ટકી શકે તેવી ક્ષાર પ્રતિરોધક જાતનું વાવેતર કરવા જણાવ્યું હતું. ડો. ડીએમ રાઠોડે સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ વિવિધ કૃષિ પાકોમાં પ્રાકૃતિક ખેતી અને તેના આયામો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતાં. સાથે જ પાક સંરક્ષણ વૈજ્ઞાનિક ડો. આરએમ પટેલ દ્વારા દરિયાકાંઠાની ખેતીમાં જીવાત અને રોગ વ્યવસ્થાપન વિશે માહીતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:40 am

યુરિયા ખાતરની ફાળવણી:આણંદમાં ચાલુ રવિ સિઝનમાં યુરિયાની જરૂરિયાત સામે કુલ 55085 મેં.ટન યુરીયા ખાતર ફાળવ્યું

આણંદ જિલ્લા માં ચાલુ રવિ સિઝનમાં યુરિયાની જરૂરિયાત સામે કુલ 55094.99 મેં.ટન યુરીયા ખાતર ફાળવ્યુંદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે આણંદ ચાલુ રવિ સિઝનમાં યુરિયાની જરૂરિયાત સામે અત્યાર સુધીમાં કુલ 55094.99 મેંટન યુરીયા ખાતર સપ્લાય થયેલ છે. નવેમ્બર માસમાં11085.66 મે.ટન યુરિયાનો જથ્થો અને ડીસેમ્બર માસમાં 16604.01 મે.ટન યુરિયા જથ્થો આણંદ જિલ્લામાં ફાળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચાલુ માસમાં જિલ્લાની જરૂરિયાત પ્રમાણે માસનો ઉઘડતો જથ્થો 9040.49 મે.ટન અને અત્યાર સુધીમાં બાય રોડ તથા રેક મારફતે 13418 મે.ટન યુરીયા જથ્થા સાથે કુલ22458.545 મે.ટન જથ્થો ચાલુ માસમાં ખેડૂતો માટે ઉપલબ્ધ થયેલ છે. તેમજ આગામી દિવસોમાં તમામ કંપનીઓ મારફત જરૂરીયાત અનુસાર યુરીયા ખાતરની સપ્લાય ચાલુ રહેનાર છે. હાલમાં જીલ્લામાં 8936.40 મે.ટન જથ્થો 310 સંસ્થાઓ પાસે ખેડૂતો માટે ઉપલબ્ધ છે. તેમજ તંત્ર દ્વારા ખાતર સપ્લાય બાબતે આગોતરુ આયોજન કરી રોજેરોજ ખાતરની પરિસ્થિતિ ઉપર યોગ્ય મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા જિલ્લાની જરૂરિયાત અનુસાર પુરતા પ્રમાણમાં જથ્થાનો સપ્લાય કરવામાં આવી રહેલ છે અને આગામી દિવસોમાં પણ પુરતો જથ્થો સપ્લાય થનાર છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:39 am

મનપા દ્વારા દંડનીય કાર્યવાહી:આણંદની તુલિપ હોસ્પિટલને બીયુ પરમિશન ન હોઈ મનપા દ્વારા 1 લાખનો દંડ ફટકારાયો‎

કરમસદ આણંદ મનપાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક લાંભવેલ રોડ ઉપર આવેલ ઝાયડસ હોસ્પિટલની પાછળ તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મનપાની ટીમ દ્વારા તુલીપ મલ્ટી સ્પેશ્યલ્ટી હોસ્પિટલના કબજેદાર પાસેથી હોસ્પિટલની બાંધકામ મંજૂરી, મંજૂર થયેલ પ્લાન, બીયુ પરમિશન અને ફાયર એનઓસી અંગે ચકાસણી કરતા તુલીપ હોસ્પિટલના કબજેદારો પાસે સક્ષમ ઓથોરિટી પાસેથી મેળવેલ પરમિશન ન હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કોર્પોરેશન એકટ ના ભંગ બદલ તુલીપ મલ્ટી સ્પે. હોસ્પિટલને વહીવટી ચાર્જ પેટે રૂપિયા એક લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તુલિપ હોસ્પિટલના સંચાલકોને દિન 10 માં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવીને રજૂ કરવા તથા ત્યાં સુધી આ બિલ્ડીંગ નો યુઝ ન કરવા નોટીસ આપવામાં આવી છે અન્યથા મહાનગરપાલિકા દ્વારા કાયદાની જોગવાઈને આધીન તુલિપ હોસ્પિટલ સીલ કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:35 am

ગોઝારો અકસ્માત સર્જાયો:તારાપુર-વાસદ પાસે બાઈકની અડફેટે ખંભાતના આધેડનું મોત

તારાપુર-વાસદ સ્થિત સિક્સ લાઈન હાઈવે રોડ પર પુરપાટ ઝડપે જઈ રહેલા બાઈકના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા આધેડને ટક્કર મારતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ મામલે તારાપુર પોલીસે બાઈકના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. તારાપુર-ધર્મજ રોડ સ્થિત ખોડિયાર મંદિર પાસે રહેતા અને તારાપુર- વાસદ સ્થિત સિક્સ લાઈન હાઈવે પર હોટલ ધરાવતા મૂળજીભાઈ ભરવાડે તારાપુર પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમની હોટલ પર હાજર હતા ત્યારે તારાપુર મોટી ચોકડી તરફથી ધર્મજ તરફ પુર ઝડપે આવી ચઢેલા બાઈકના ચાલકે એક આધેડને ટક્કર મારી હતી. બનાવને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી. પરંતુ તેમને ખસેડે તે પહેલાં જ સ્થળ પર મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પોલીસ દ્વારા તેના વાલી-વારસને શોધવાની કવાયત હાથ ધરી હતી, જેમાં મૃતક ખંભાતમાં રહેતો દિનેશભાઈ સોમાભાઈ પરમાર હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આ મામલે બાઈકના ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:35 am

વિદ્યાર્થીઓને મળશે માર્ગદર્શન:શૈક્ષિક મહાસંઘ ભાવનગર દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ભાવનગરમાધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ તેમજ સરકારી સંવર્ગના સંયુક્ત ઉપક્રમે SSC અને HSC બોર્ડ-2026ની પરીક્ષા આપનાર ભાવનગર જિલ્લાના વિધાર્થીઓને ગુજરાતી માધ્યમના મુખ્ય વિષયોનુ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે એ ઉમદા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. જેમા નીચે મુજબના વિષય તજજ્ઞ તેમજ અનુભવી શિક્ષકો વિધાર્થીઓને માર્ગદર્શનની સાથે સાથે તનાવ મુક્ત અને પ્રસન્નતા યુક્ત બોર્ડની પરીક્ષાઓ કઈ રીતે આપી શકાય એ અંગેનુ યોગ્ય માર્ગદર્શન આપશે. આ માટે સાંજે 5:00 થી 7:00 સુધી આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકાશે અને ત્યારબાદના સમયગાળામાં વોટ્સ એપ પર મૂંઝવતા પ્રશ્નો મુકી શકાશે. આ હેલ્પલાઇનમાં માર્ગદર્શક તરીકે તરુણભાઈ વ્યાસ મો.નં. 94282 21720, સંયોજક તરીકે સંજયભાઈ ભટ્ટ મો.નં.94274 96008, સત્યજીતભાઈ પાઠક મો.નં. 9998008132, ચંદ્રિકાબેન ચૌહાણ મો.નં. 8200588230 અને ડો.ચિરાગ ભાઈ ચૌહાણ મો.નં. 9824757959 રહેશે. ધોરણ-10ના સ્ટાન્ડર્ડ ગણિત માટે મનીષભાઈ વિંઝુડા મો.નં.9426535390, બેઝિક ગણિત માટે બાબુભાઈ કાતરીયા મો.નં.9426454197, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ચંદ્રિકાબેન ચૌહાણ મો.નં. 8200588230, હિન્દી માટે જેસીંગભાઇ સોલંકી મો.નં.93280500442, સંસ્કૃત માટે ભુપતભાઈ મોરી મો.નં. 9879218056, ગુજરાતી માટે આશાબેન ખેરાલા મો.નં. 6352425015, અંગ્રેજી માટે મેહુલભાઈ ભાલ મો. નં. 9824977047 અને સામાજિક વિજ્ઞાન માટે પ્રાગજી ભાઈ પરમારનો મો.નં.9426239540 પર સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:33 am

આજે વેટલેન્ડ દિવસ:મરિન સાયન્સ ભવન દ્વારા રાષ્ટ્રીય પરિસંવાદ યોજાશે

સમૃદ્ધ જીવ વિવિધતા ધરાવતા વિસ્તારોને જલપ્લાવિત વિસ્તાર એટલેકે વેટલેન્ડ કહેવાય છે જંગલો ની સરખામણી માં ત્રણ ગણા ઝડપથી નાશ પામી રહ્યા છે. વેટલેન્ડમાં વસ્તી જીવ સૃષ્ટિ પૈકી 25 % લુપ્ત થવાને આરે છે. વિશ્વના કુલ વેટલેન્ડ માંથી 35 % જેટલા વિસ્તારો વિવિધ માનવ પ્રવૃત્તિઓને કારણે નાશ પામી ગયા છે. 1971માં 2જી ફેબ્રુઆરીએ રામસર કરાર થયા ત્યારથી વેટલેન્ડ નિવાસન તંત્રના સંરક્ષણ અને સંવર્ધન માટે 1997થી સંયુક્ત રાષ્ટ્ર(યુનાઇટેડ નેશન્સ) દ્વારા દર વર્ષે ૨ જી ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ્સ દિવસ ઉજવાય છે. આ નિમિત્તે વેટલેન્ડ્સ એટ ક્રોસરોડ્સ: બ્લુ ઇકોનોમી સોલ્યુશન, ક્લાઈમેટ, બાયોડાયવર્સીટી અને કમ્યુનીટી રેઝીલીયન્સ જેવા પ્રસ્તુત વિષય પર રાષ્ટ્રીય સેમિનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના મરીનસાયન્સ ભવન દ્વારા નવા કોર્ટ હોલ ખાતે તા. 2 ફેબ્રુઆરીને સોમવારે આયોજિત કરવામાં આવ્યો છે આ સેમિનારનો ઉદ્દેશ્ય સમુદ્ર આધારિત અર્થતંત્રને ટેકો આપતી મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમ તરીકે વેટલેન્ડ્સના બહુપરીમાણીય મહત્વ પર ભાર મૂકવાનો છે, આબોહવાકીય પરિવર્તનો દ્વારા થતી અસરો, જૈવવિવિધતાનું સંરક્ષણ અને સ્થાનિક માનવ સમુદાયની અનુકુલન સાધવાની ક્ષમતા વગેરે ઉપરાંત આબોહવા પરિવર્તન, બિનઆયોજિત વિકાસ અને સંસાધનોના વધુ પડતા શોષણથી ઉદભવતા વેટલેન્ડ્સ પર વધતા દબાણને પણ સંબોધશે. વેટલેન્ડ સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે સંકલિત અને ટકાઉ અભિગમો પર ચર્ચા કરવા માટે એકસાથે લાવશે. પચાસ સંશોધન પોસ્ટરનું નિદર્શનઆ સેમિનારમાં નિષ્ણાતોના વ્યાખ્યાનો, ટેકનિકલ સત્રો, અને અંદાજે પચાસ જેટલા સંશોધન પોસ્ટર દ્વારા પ્રસ્તુતિઓનો સમાવેશ થશે, જેમાં નવીન પ્રથાઓ, નીતિ માળખા, સમુદાય-આધારિત સંરક્ષણ મોડેલો અને વેટલેન્ડ પુનઃસ્થાપન માટે પ્રકૃતિ-આધારિત ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:32 am

સામાન્ય સભામાં ગરમા ગરમી સર્જાઈ:વિપક્ષના નેતા ટેબલ કુદી રેલીંગમાં ધસી ગયા

સિહોર નગરપાલિકાની સાધારણ સભા જેમ અપેક્ષા હતી એ મુજબ જ તોફાની બની રહી હતી. નિર્મળ ગુજરાત હેઠળ ગાર્બેજ પોઇન્ટમાં થયેલ નબળી કામગીરી અંગે ગરમા ગરમી થઈ હતી. ઉથરેટીમાં પંચરોજકામ કરવાનું ગત સાધારણ સભામાં સર્વાનુમતે નક્કી થયા બાદ પણ હજુ સુધી પંચ રોજકામ ન થયું હોય તેમ છતાં નવું ટેન્ડર આપી દેવાનો પણ વિપક્ષ નેતાએ વિરોધ કર્યો હતો. ઉથરેટીમાં આગના બનાવો અંગે પણ પંચરોજકામ કરવાનું નક્કી થયા બાદ અચાનક જ આગ લાગવાના બનાવો બનવા તથા પ્રદૂષણ બોર્ડની નોટિસ આવતા જ આ બનાવો બંધ થઈ જવાએ શંકા પ્રેરક બાબત છે તેમજ જે તે સમયે પ્રમુખ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું નિવેદન આપવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ ન થવા અંગે પ્રમુખને પ્રશ્નો પૂછ્યા હતા. કર્મચારીઓને કાયમી કરવા અંગે પણ વિપક્ષ નેતાએ વ્હાલા દવલાની નીતિ રખાતી હોય તમામ કેસ જીતી ચૂકેલા કર્મચારીઓને કાયમીના એક સમાન રીતે લાભો આપવા જણાવ્યું હતુ. પાલિકાનું સ્વંભડોળ તળિયે પહોંચવા અંગે પણ દલીલો થઈ હતી આઉટસોર્સમાં મળતિયાઓની નિયમ વિરુદ્ધ ભરતી અંગે પણ વિપક્ષ નેતાએ અવાજ ઉઠાવ્યો હતો. નગરપાલિકામાં 140 ના મહેકમ સામે 204 કર્મચારીઓ નો સ્ટાફ હોવા છતાં ધાર્યું કામ થતું નથી. જ્યાં જરૂર નથી એવા વિભાગમાં ભરતી કરવામા આવે છે અને જ્યાં ખરેખર જરૂરિયાત છે એવા મહેનતના કામોમાં પોસ્ટ ખાલી પડી રહે છે આ તકે પ્રમુખ દ્વારા ઉડાઉ જવાબ આપી મુદ્દો ડાયવર્ટ કરવાનો પ્રત્યન કરાતા વિપક્ષ નેતા જયરાજસિંહ મોરી ટેબલ કુદીને રેલિંગમાં ઘસી ગયા હતા અને એક તબક્કે પ્રમુખ તથા વિપક્ષ નેતા આમને સામને થઈ ગયા હતા. દીપશંગભાઈ રાઠોડ દ્વારા પણ ટાઉનહોલ ભાડે આપવા સામે તથા પ્રોસીડિંગમાં છેડછાડ થતી હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:31 am

પથ્થરમારો કર્યો:વલભીપુરના મુળધરાઇ ગામે ચાર શખ્સોએ કારના કાચ ફોડી સગીરા ઉપર પથ્થરમારો કર્યો

વલભીપુર તાલુકાના મુળધરાઇ ગામે એક પરિવારના ફળિયામાં પાર્ક કરેલ ઉપર ચાર શખ્સોએ કારના કાચ ફોડ્યા હતા. જે બાદ કાર માલિકે ઠપકો આપતા, ચારેય શખ્સોએ દાઝ રાખી ઘરના ફળિયામાં ઉભી રહેલ સગીરા ઉપર આડેધડ પથ્થરમારો કરી, ગંભીર ઇજા કરી ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મામલે ચારેય શખ્સો વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વલભીપુર તાલુકાના મુળધરાઇ ગામે રહેતા વિપુલ વીરસિંગભાઇ વાઘેલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોડી રાત્રે તેઓ તેમના ઘરે હતા તે દરમિયાન તેમના ઘરની બાજુમાં રહેતા કાળુ અમરશીભાઇ વાઘેલા, હકુ અમરશીભાઇ વાઘેલા, ભોળાભાઇ અને વિક્રમભાઇએ એકસંપ કરી વિપુલભાઇના ઘરે ધસી ગયા હતા અને વિપુલભાઇના ઘરના ફળિયામાં પાર્ક કરેલી બોલેરો કાર ઉપર ચારેય શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ વિપુલભાઇના બાપુજીએ ચારેય શખ્સોને ઠપકો આપવા ગયેલ હતા. અને કેમ કાચ ફોડ્યા તેમ કહેતા ચારેય શખ્સોએ ફરી પથ્થરમારો કર્યો હતો. જે દરમિયાન ઘરના ફળિયામાં ઉભા રહેલા સગીરા ભુરીબેન ઉપર ચારેય શખ્સોએ આડેધડ પથ્થરમારો કરી, જીવલેણ હુમલો કરતા, ભુરીબેનના શરીર ઉપર પથ્થરોના ઘા વાગી જતાં ગંભીર ઇજાઓ થવા પામી હતી.ચારેય શખ્સોએ ઇજા કરી ફરાર થઇ જવા પામ્યા હતા. સગીરા ઉપર હુમલા બાદ ગંભીર ઇજાઓ થતાં ઇજાગ્રસ્ત હાલતે ભુરીબેનને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના મામલે વિપુલભાઇએ મુળ ધરાઇ ગામના કાળુ અમરશીભાઇ વાઘેલા, હકુ અમરશીભાઇ વાઘેલા, ભોળા તેમજ વિક્રમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:30 am

અલંગ કે હીરા માટે કોઈ જાહેરાત નહી:કેન્દ્રીય બજેટમાં ભાવનગરના ઉદ્યોગો અંગે કોઈ નવી જાહેરાત ન થતા કરાતા નિરાશા

આજે રજૂ થયેલા બજેટ પર પ્રતિભાવ આપતા સીપીઆઈએમના પ્રદેશના મંત્રી અરૂણભાઇ મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ તમામ ક્ષેત્રો માટે ભારે નિરાશા જનક છે, આ બજેટ બાબતે કામદારો કર્મચારીઓ મોટી આશાઓ રાખતા હતા ઔદ્યોગિક કામદારોને પેન્શનમાં વધારો થશે તેવી આશા રાખીને બેઠા હતા એ તમામ આશાઓ નિરાશામાં બદલાઈ ગઈ છે તથા સરકાર પ્રત્યે ભારે રોષમાં છે. આંગણવાડી, આશા વર્કર અને મધ્યાન ભોજન કર્મચારીઓના પગારમાં છેક 2018 થી એક પણ રૂપિયાનો વધારો મળ્યો નથી વધારો જાહેર કર્યો નથી તે સામે ભારે રોષ ઉભો થયો છે. બધી આશા પણ ઠગારી નીવડી છે તેના પડઘા આગામી ચૂંટણીઓમાં પડશે તે નિશ્ચિત છે. તેમજ તા 12 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા હડતાળમાં જબ્બર સંખ્યામાં જનતા ભાગ લેશે અને રોડ ઉપર ઉમટી પડશે. હાલમાં ચાલતો ઇન્કમટેક્સ એક્ટ 1961 અમલમાં છે જે છ દાયકા જૂનો છે જેમાં પાછલા વર્ષના બજેટમાં ઇન્કમટેક્સ એક્ટ 2025 દાખલ કરેલ છે જે પહેલી એપ્રિલ 2026 થી અમલમાં આવશે, જેમાં પ્રિવિયસ અને એસેસમેન્ટ યર ની જગ્યાએ ટેક્સ યર લખવામાં આવશે. જેમાં ફેસલેસ કાર્યવાહી અને ડિજિટલ પ્રક્રિયાને વિશેષ મહત્વ મળશે અને કાર્યવાહી સરળ તેમજ ઝડપી બનશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના ટેક્સ અને લો કમિટીના ચેરમેન હિતેશભાઈ રાજ્યગુરુએ બજેટના પ્રતિભાવમાં જણાવ્યું હતું. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મુખ્યત્વે નવી સાત હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત, ત્રણ નવી આયુર્વેદિક એઇમ્સ ની સ્થાપના અને ટુરિઝમ પર ધ્યાન આપીને દોઢ લાખ નવા ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવા ખાસ સ્કીલ પ્લેટફોર્મ ટુરિસ્ટ સ્પોર્ટ આઇડેન્ટિફિકેશન અને કોસ્ટલ ટુરીઝમ તથા મેડિકલ ટુરીઝમ અભિગમ દ્વારા નવી રોજગારી સર્જન અને નવી આર્થિક પ્રવૃત્તિને વેગ આપવામાં આવશે તેવું આયોજન કરાયું છે તેમ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું છે. આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં ભાવનગરના આર્થીક કરોડરજ્જુ સમાન બે મુખ્ય ઉદ્યોગ અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ અને હીરા ઉદ્યોગ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી અથવા તો બજેટમાં કોઈ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી આ બંને ઉદ્યોગને હાલ સરકારના સમર્થનની જરૂર છે. એસટીટીમાં વધારાથી શેર બજાર પર અસર થશેધંધાના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ કરવામાં આવી શેર બાયબેક હવે શેર હોલ્ડર માટે કેપિટલ ગેઇન તરીકે કરપાત્ર અને એસટીટીમાં વધારાથી શેર બજાર પર અસર થશે બજેટમાં ટુરિઝમ આયુર્વેદ સેન્ટર અને નાના ખેડૂતોને પ્રોત્સાહન મળશે તેમ ભાવનગર ઇન્કમટેક્ષ બાર એસોસિએશનના દિવ્યકાન્તભાઈ સલોતે જણાવ્યું હતું. દૂધ સહકારી મંડળીઓ માટે ફાયદાકારક બજેટબજેટમાં દૂધ સહકારી મંડળીઓને નિયત શરત અનુસાર ડિવિડન્ડની રકમ બાદ મળવાપાત્ર બનશે તેમજ દાણ વેચાણમાંથી પણ ટેક્સમાં રાહત મળશે તે આવકારદાયી પગલું છે તેમ બીજેપી સેલ ભાવનગર દ્વારા જણાવાયું છે. નાના ખેડૂતોને વિના વ્યાજે 20,000 સુધીની લોન મળશેકેન્દ્રીય બજેટને આવકારતા સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે જણાવ્યું હતું કે નાના ખેડૂતોને વિના વ્યાજે 20,000 સુધીની લોન આપવામાં આવશે તેમ જ નાળિયેર પ્રોત્સાહન યોજનાથી લગભગ ત્રણ કરોડ લોકોને લાભ મળશે. 2030 સુધીમાં આ ઉત્પાદનને વિશ્વમાં ઓળખ આપવાનું લક્ષ્યાંક છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:28 am

સાયબર ફ્રોડના આરોપી ઝડપાયા:સાયબર ફ્રોડમાં ઓડીશાની પોલીસે સરપંચના પુત્ર સહિત બેની ધરપકડ કરી

ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસ મથકમાં ગઇકાલથી જ ઓડિશા સી.આઇ.ડી. ક્રાઇમ પોલીસ દ્વારા ધામાં નાંખવામાં આવ્યા હતા. અને ઓડીશામાં રહેતા એક વ્યક્તિ રૂા.5.14 કરોડનું સાયબર ફ્રોડ કરાયું હતું જેમાં ત્રણેક કરોડ રૂપિયાનું ફ્રોડ ગુજરાતના ઠગો દ્વારા કરવામાં આવ્યા હોવાનું ઓડીશા પોલીસની તપાસમાં ખુલવા પામ્યું હતું. જેના બે આરોપી ગારિયાધાર પંથકના હોવાનું જણાતા પોલીસે ગારિયાધાર પંથકના પરવડી ગામના સરપંચના પુત્ર તેમજ પાંચ ટોબરા ગામના એક શખ્સની ધરપકડ કરી, ચાર લાખ રૂપિયા રીકવર કરાયા હોવાનું જાણવા મળ્યું હતું. ભાવનગરના ગારિયાધાર તાલુકાના પરવડી ગામના સરપંચ ભૂપતભાઇ ગોયાણીના પુત્ર મિલન ભુપતભાઇ ગોયાણી તેમજ પાંચ ટોબરા ગામનો વૈભવ જીતેન્દ્રભાઇ કોશિયાની રૂા. 5.14 કરોડના સાયબર ફ્રોડમાં નામ સપાટી પર આવતા ઓડીશા સી.આઇ.ડી. ક્રાઇમ પોલીસ દ્વારા બંન્ને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઓડીશા પોલીસના જણાવ્યાનુસાર, ઓડીશા રાજ્યમાં રહેતી એક વ્યક્તિ સાથે કુલ રૂા. 5.14 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું. જે પૈકી રૂા. ત્રણેક કરોડ માત્ર ગુજરાતના કેટલાક સાયબર ઠગો દ્વારા કરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું અને નવ લાખ જેટલી માતબર રકમ ગારિયાધારના પરવડીના સરપંચના પુત્ર મિલન ગોયાણીના બેન્ક ખાતામાં જમા થયા હોવાનું તપાસમાં જણાઇ આવતા ઓડીશા પોલીસે બંન્નેની ધરપકડ કરી હતી. આ બંન્ને શખ્સોની ધરપકડ કરી ઓડીશા પોલીસ લઇ ગઇ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું. સરપંચની ધરપકડ બાદ ઓડીશા પોલીસે મુક્ત કર્યાગારિયાધારના પરવડી ગામના સરપંચ ભુપતભાઇ અને પુત્રનું બેન્કમાં જોઇન્ટ એકાઉન્ટ હતું. જેથી તેમના ખાતામાં સાયબર ફ્રોડના નવ લાખ રૂપિયા જમા થયા હતા. જે મામલે પોલીસે ચાર લાખ રૂપિયા રીકવર કર્યા હતા. પરંતુ આ કૃત્ય સરપંચના પુત્ર મિલને કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલતા ઓડીશા પોલીસે સરપંચ ભુપતભાઇ ગોયાણીને મુક્ત કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:27 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:શહેરના વિક્ટોરિયા પાર્કની જર્જરિત થયેલ સુરક્ષા દિવાલનો ઉદ્ધાર ક્યારે કરવામાં આવશે

શહેરની હરિયાળીના ફેફસાં સમાન વિક્ટોરિયા પાર્કની જાળવણી પ્રત્યે છેલ્લા ઘણા સમયથી દુર્લક્ષ સેવાઈ છે. જેમાં ખાસ કરીને વિક્ટોરિયા પાર્કની સુરક્ષા દિવાલ મામલે વન વિભાગના તંત્રવાહકોના પેટનું પાણી હલતું નથી. 138 વર્ષ પહેલા સને-1888માં ભાવનગરના રાજા મહારાજા તખ્તસિંહજી દ્વારા વિક્ટોરિયા પાર્ક સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ભાવનગરની ઐતિહાસિક વિરાસત એવા વિક્ટોરિયા પાર્કની સુરક્ષા દિવાલ દિન-પ્રતિદિન જર્જરિત બનતી જાય છે. ભાવનગર શહેરની મધ્યે લગભગ 500 એકર જમીન પર ફેલાયેલા વિક્ટોરિયા પાર્કની પાણીની ટાંકીથી જવેલ્સ સર્કલ, જવેલ્સ સર્કલથી ઇસ્કોન ક્લબ હોટલ અને ઇસ્કોન ક્લબ હોટલથી કાળિયાબીડ સાગવાડી સુધીની સુરક્ષા દિવાલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં છે. આ દિવાલમાં કેટલીક જગ્યાએ દિવાલ ધસી પડયા બાદ થાગડથીગડ જેવી મરામત કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વિક્ટોરિયા પાર્કમાં વિચરતા વન્ય પશુઓની સુરક્ષા માટે દિવાલનું નવેસરથી કામ થાય તે ખુબ જરૂરી છે. સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા દિવાલ પર ચિત્રો દોરાવેલાથોડા વર્ષો પહેલા સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા વિકટોરીયા પાર્કની આ દિવાલ આકર્ષક બને અને તેની જાળવણી થતી રહે તે હેતુથી પાણીની ટાંકીથી લઈને ઈસ્કોન કલબવાળા રોડ સુધી જે દિવાલ આવેલી છે ત્યાં 600થી વધુ ચિત્રોથી આ દિવાલને કલરફુલ બનાવવામાં આવી હતી જેની જાળવણી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:25 am

સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું:GMB દ્વારા DASR પ્રમાણપત્ર પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી

શિપ રિસાયક્લિંગમાં વૈશ્વિક અગ્રણી તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવવાના એક મહત્વપૂર્ણ પગલામાં, ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB)એ અલંગ-સોસિયા શિપ રિસાયક્લિંગ યાર્ડ ખાતે શિપ રિસાયક્લિંગ પ્રવૃત્તિઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત વર્ગીકરણ સોસાયટીઓના પેનલમેન્ટ સાથે રિસાયક્લિંગ ઓફ શિપ રેગ્યુલેશન્સ, 2026 પર એક અધિસૂચના બહાર પાડી છે. રિસાયક્લિંગ ઓફ શિપ એક્ટ, 2019, રિસાયક્લિંગ ઓફ શિપ નિયમો, 2021 અને નવા સૂચિત રિસાયક્લિંગ ઓફ શિપ રેગ્યુલેશન્સ, 2026 અનુસાર જારી કરવામાં આવી છે. માન્યતા પ્રાપ્ત સંસ્થાઓના પેનલમેન્ટને 19 જાન્યુઆરી, 2026ના રોજના પત્ર દ્વારા બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય તરફથી ઔપચારિક મંજૂરી મળી છે. અલંગ ખાતે શિપ રિસાયક્લિંગ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ અને પ્રમાણિત કરવા માટે આઠ અગ્રણી વૈશ્વિક વર્ગીકરણ સોસાયટીઓને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ તરીકે પેનલમાં મૂકવામાં આવી છે. આમાં અમેરિકન બ્યુરો ઓફ શિપિંગ (ABS), બ્યુરો વેરિટાસ, DNV AS, ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ (IRS), કોરિયન રજિસ્ટર ઓફ શિપિંગ, લોયડ રજિસ્ટર, નિપ્પોન કૈજી ક્યોકાઈ (ClassNK) અને RINA સર્વિસીસનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ દરિયાઈ સલામતી, પર્યાવરણીય સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સંમેલનોના પાલનમાં તેમની કુશળતા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત છે. GMBએ શિપ રિસાયક્લિંગ સુવિધા માટે દસ્તાવેજ અધિકૃતતા (DASR) જારી કરવા માટે એક સુવ્યવસ્થિત પ્રક્રિયાને પણ અંતિમ સ્વરૂપ આપ્યું છે, જે શિપ રિસાયક્લર્સ માટે ફરજિયાત પ્રમાણપત્ર છે. નવા માળખા હેઠળ, શિપ રિસાયકલર્સે ગુજરાત મેરીટાઇમ બોર્ડને અગાઉથી જાણ કરીને, તેમની DASR અરજીઓ કોઈપણ સૂચિબદ્ધ માન્યતા પ્રાપ્ત સંસ્થાઓને સબમિટ કરવાની રહેશે. માન્યતા પ્રાપ્ત સંસ્થા અરજીની સમીક્ષા કરશે, વૈધાનિક અને પર્યાવરણીય ધોરણોનું પાલનનું મૂલ્યાંકન કરશે અને મંજૂરી મળ્યા પછી, અંતિમ જારી માટે DASR ને GMB ને મોકલશે. DASR પ્રમાણપત્ર જારી કરવા માટે, GMB લાગુ પડતા કરવેરા સાથે રૂપિયા 25,000ની ફી વસૂલશે. એકવાર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી GMB ઔપચારિક રીતે DASR જારી કરશે, જે રિસાયકલરને જહાજ રિસાયક્લિંગ કામગીરી હાથ ધરવા માટે અધિકૃત કરશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:23 am

ક્રિકેટપ્રેમી ઉર્મીલાબા:ભારતની એકપણ મેચ જોવાનું ન ગુમાવતા ભાવેણાના 92 વર્ષીય ક્રિકેટ ક્રેઝી ઉર્મીલાબા

ભાવનગરના ભૂતપૂર્વ પોર્ટ ઓફિસર કેપ્ટન સ્વ.ટી.પી.પટેલના ભાવનગરના ઘોધાસર્કલ વિસ્તારમાં રહેતા 92 વર્ષીય પત્ની ઉર્મીલાબેનનો આ ઉંમરે ક્રિકેટનો શોખ બરકરાર રહ્યો છે. વયાધિન શારીરિક તકલીફોની ઐસી કી તૈસી કરીને ભારત રમતું હોય તેવી તમામ મેચ ઉપરાંત મહિલા ક્રિકેટ પ્રિમિયર લીગ બોલ ટુ બોલ ટી.વી.ઉપર નિહાળે તો ખરા પણ સાથે જે તે ક્રિકેટરના નામ અને તેની ક્વોલિટીની પણ સારી જાણકારી ધરાવે છે. તેમના કારણે તેમની સારસંભાળ લેતા બહેનને પણ રસ જાગ્યો છે. ઉર્મીલાબેન ક્રિકેટ સાથે એટલા ઓતપ્રોત રહે છે કે બીજા દિવસે સવારમાં તેમના અમદાવાદ રહેતા ક્રિકેટર જમાઇ જીતેશ મણિયાર સાથે તેની ત્યાં સુધી ચર્ચા કરે છે કે ક્યા ખેલાડીએ શું સારું કર્યું કે શું ભૂલ કરી. ક્રિકેટ પ્રત્યેની તેમની ઘેલછાની વિશિષ્ટ વાત એવી છે કે, ક્રિકેટના શેડ્યૂલ અનુસાર તેમના ખાન-પાનનું ટાઇમ ટેબલ રહે છે. તેઓ માને છે કે ઉંમર વધતા નાની મોટી શારીરિક તકલીફો તો રહેવાની જ છે, એ તકલીફના રોદણાં રોવાથી કંઇ મળવાનું તો ઠીક ચિંતા વઘે છે તેના કરતા બાકી રહેલા જીવતરને શોખ સાથે જીવવાથી ભારત મેચ જીતે છે એમ હું તકલીફોને હરાવું છે તેની મજા પડે છે. અઠવાડીયા પછી શરુ થનારા T20 વિશ્વ કપની મેચ જોવા ઉત્સુક છે. ભારતમાં મહત્વની મેચ માટે લોકો તેના આયોજન બદલે છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:23 am

હવામાન વિભાગની આગાહી:તા.15 ફેબ્રુઆરી સુધી બપોરે તાપમાન 30થી 32 ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચે રહેશે

ભાવનગરમાં આ ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે. 24 કલાકના દિવસમાં અંદાજે રાત્રે 8-9 કલાક ગુલાબી ઠંડી, દિવસે 4થી 5 કલાક ગરમી બાકીના સમયમા વાતાવરણ ખુશનુમા રહેશે. આમ ફેબ્રુવારીમા શરૂઆતથી જ ગરમીનો અહેસાસ થશે. તા.1 થી તા.14 તારીખ સુધી દિવસે તાપમાનમા વધારો 30 થી 32 સેન્ટીગ્રેડ અને 15મી પછી તાપમાન વધીને 32 સેન્ટીગ્રેડથી ફેબ્રુઆરીના અંતમા 36. સેન્ટીગ્રેડ સુધી પહોચી જતા નગરજનોને ઠંડીમાં રાહત અને અંદાજે આગામી 149 દિવસો આકરા તાપમાનનો સમય શરૂ થશે . રાત્રીનુ તાપમાન 15 થી 18 સેન્ટીગ્રેડ રહેશે. જેથી ગુલાબી ઠંડી રહેસે. આ બેવડી ઋતુમાં દિવસે ગરમીને રાત્રી ઠંડી રહેશે. જ્યારે ભાવનગર પાસે આવેલી 40 થી 100 કિ.મી. પહોળી દરિયાઈ ખાડીના પાણીનું તાપમાન 22.2 સેન્ટીગ્રેડ રહેશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થઈ રહેલ છે તેના લીધે ભાવનગર/ગુજરાતમાં વાવાઝોડા અને કરા સાથે માવઠુ થવાની શકયતાઓ પ્રથમ સપ્તાહમાં છે. ભાવનગરના હવામાનમાં ગત વર્ષોમાં ફેબ્રૂઆરીમાં ભાગ્યે જ વધીને 1 મી.મી. વરસાદ નોંધાયો છે. ત્યારે ઋતુ પરિવર્તનના કારણે ? ભાવનગરમા કમોસમી વરસાદની ઘટના વારંવાર નોંધાઈ રહી છે. ઉનાળો કઠોર,લાંબો,વારંવાર હીટવેવ્સવાળો રહે છેગ્લોબલ વોર્મિંગે હવામાન ચક્રમાં ખલેલ પંહોચાડી છે. ઉનાળો કઠોર,લાંબો,વારંવાર હીટવેવ્સ અને તીવ્ર ગરમી અને રાત્રી તાપમાનમા વધારો વિગેરેથી લંબાઈ રહયો છે. અરબી સમુદ્રના પાણીના તાપમાનનો વધારો હળવા દબાણનુ સર્જન કે ચક્રવાતનુ સર્જન કરે છે.આમ અરબી સમુદ્રના દરિયાકાંઠા પરના હવામાનમાં આમૂલ પરિવર્તન આવ્યુ છે. છેલ્લાં 15 વર્ષમાં 2020 સૌથી ઠંડુ રહેલુંભાવનગરના શિયાળાની વાત કરીઍ તો 2010થી એટલેકે 15 વર્ષ અને એ પહેલા પણ શિયાળાની ઋતુમા ઠંડીનુ પ્રમાણ હળવુ રહ્યું છે. ભાવનગરમાં શિયાળો એટલે જાન્યુઆરી કારણ આ એક જ માસમાં ઠંડીનો અનુભવ થાય છે. છેલ્લા 15 વર્ષમા જાન્યુઆરીમાં સરેરાશ તાપમાન 11 થી 27 સે. રહેલ છે. એક નોંધ મુજબ છેલ્લા 15 વર્ષમાં તાપમાનમાં અલ્પ ઘટાડો 0.06 સે. નોંધાયો છે અને શીત લહરમાં 2 .4 દિવસનો વધારો નોંધાયો છે. છેલ્લા 15 વર્ષમાં 2020 સૌથી ઠંડુ અને 2015 અને 2019ના વર્ષો પ્રમાણમાં ઠંડા હતા. માહિતી આપનાર - બી.આર. પંડિત, હવામાન શાસ્ત્રી

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:21 am

વાવેતરમાં ક્રાંતિ:એકજ વર્ષમાં ઘઉંના વાવેતરમાં 31.78 ટકાનો વધારો

ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયા બાદ માગશર સહિત શિયાળામાં માવઠા ન વરસતા તેમજ આજની તારીખે જિલ્લાના મુખ્ય 12 જળાશયોમાં 75 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયેલો છે તેથી શિયાળુ વાવેતર વધ્યું છે જેમાં ખાસ કરીને આ વખતે ઘઉંના વાવેતરમાં 31.78 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ઘઉંનું શિયાળામાં વાવેતર 34,300 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે વધીને 45,200 હેકટર થઇ ગયુ છે. આ રીતે એક જ વર્ષમાં ઘઉંના વાવેતરમાં ભાવનગરમાં 10,900 હેકટરનો વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં ચોમાસામાં 100 ટકાથી વધુ વરસાદ થતા તેમજ શેત્રુંજી ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થઇ જતાં આ વર્ષે હવે ગોહિલવાડ પંથકમાં ઘઉંનું વિક્રમી વાવેતર થયું છે. સાથે જાન્યુઆરી માસના અંતે પણ સારી ઠંડી પડતા ઘઉં માટે ઉત્પાદન માટે ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે. આજથી 7 વર્ષ પૂર્વે 2019માં સમગ્ર ભાવનગર જિલ્લામાં ઘઉંનું વાવેતર ઘટીને 5500 હેકટર થઇ ગયેલું તે આ વર્ષે સવા આઠ ગણું વધીને 45,200 હેકટરના આંકને આંબી ગયું છે. ભાવનગર જિલ્લામાં 2019ના વર્ષમાં રવિ પાકનું કુલ વાવેતર 35,300 હેકટરમાં થયેલું તે ગત વર્ષે વધીને 1,40,300 હેકટરમાં થયું હતુ .તે આ વર્ષે વધીને 1,62,400 હેકટર થઇ ગયું છે. આમ, 2019થી 2026ના 7 વર્ષમાં રવિ પાકમાં કુલ સાડા ચાર ગણો વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં વર્ષોથી ડુંગળીનું સર્વાધિક વાવેતર અને ઉત્પાદન થાય છે. ત્યારે આ વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતભરમાં ડુંગળીનું કુલ વાવેતર વધીને 94,800 હેકટર થયું છે અને તેની સામે ભાવનગર જિલ્લામાં વાવેતર 42,500 હેકટર થયું છે. એટલે કે રાજ્યના કુલ વાવેતરના 44.83 ટકા ડુંગળીનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. આ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 1700 હેકટરનો વધારો થયો છે. ટકાવારીની દ્રષ્ટિએ ગણીયે તો આ વર્ષે ડુંગળીના વાવેતરમાં 4.1 ટકાનો વધારો થયો છે. 2015થી 2026 સુધી ઘઉં વાવેતરની સ્થિતિ ચણાના વાવેતરમાં 1 વર્ષમાં 11,700 હેકટરનો વધારોભાવનગર જિલ્લામાં આ વર્ષે ચણાના વાવેતરમાં 11,700 હેકટરનો વધારો નોંધાયો છે. અન્ય રાજયોમાં ચણાનું ઉત્પાદન આ વર્ષે ઓછું થયું હોય ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચણાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ચણાનું વાવેતર 21,800 હેકટર થયું હતુ તે આ વર્ષે 11,700 હેકટર વધીને 33,500 હેકટરના આંકને આંબી ગયું છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:20 am

મંડે પોઝિટીવ:મહુવાના નાળિયેર ઉદ્યોગને વૈશ્વિક બ્રાન્ડ બનાવાશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર કરેલા બજેટમાં નાળિયેરના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ નારિયેળ ઉત્પાદનમાં વધારવા સંવર્ધ યોજનાનો પ્રસ્તાવ કરવામાં આવતા આનો સીધો અને સૌથી મોટો ફાયદો ભાવનગરના મહુવા વિસ્તારમાં થશે. રાજયમાં ઉત્પાદિત નાળિયેરના જથ્થાનું 65 ટકા ઉત્પાદન એક માત્ર મહુવામાં અને બાકીનુ 35 ટકા ઉત્પાદન રાજયના અમુક ગામોમાં થાય છે. રાજયના એકમાત્ર મહુવા માર્કેટિંગ યાર્ડમાં નાળીયેરની હરરાજી થાય છે અને મહુવા યાર્ડમાં વર્ષે 1.25 કરોડ નાળિયેરની આવક અને વેચાણ થાય છે. કૃષિ ક્ષેત્રમાં આર્થિક વિકાસ માટે ખાસ કરીને નાળિયેરના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરાઇ હતી. આમાં નવજીવન પ્રોજેક્ટ અને માર્કેટ લિંકેજીંગ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. ઇ.સ. 2030 સુધીમાં નાળિયેર ઉપરાંત કાજુને વૈશ્વિક બ્રાન્ડ તરીકે વિકસાવવાનો માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. આથી મહુવા પંથક તેમજ ભાવનગર જિલ્લામાં નાળિયેર ઊદ્યોગનો વિકાસ અન્ય નવા રોજગારની તકો અને આર્થિક વૃદ્ધિ માટે ઊત્સાહક રહેશે. નાળિયેરના પાકની વાત કરીએ તો દેશ લેવલે ગુજરાતનો વિસ્તાર અને ઉત્પાદનમાં નવમો નંબર આવે છે. હાઈબ્રિડ જાતો કૃષિ સંશોધન કેન્દ્ર મહુવાથી પ્રસિદ્ધ કરાઈ જે વેલુ અને ઊંચું ઉત્પાદન આપે છે. ગૃહ ઉદ્યોગ તરીકે વિકસાવી શકાયઆ બાબતમાં યુનિવર્સિટી અને બાગાયત ખાતાએ ખૂબ જ પ્રયાસ કરવા જરૂરી છે. તદુપરાંત આપણી પાસે મૂલ્યવૃદ્ધિ જેવું કે કાચા નાળિયેરનું પાણીનું પેકિંગ, કોપરા કાચલીનો રેસાઓનો મૂલ્ય વૃદ્ધિ કરે અને ગૃહ ઉદ્યોગને સારી રીતે વિકસાવી શકાય જેથી કરીને લોકોને રોજે રોટી અને રોજગાર મળી રહેશે. કેન્દ્ર સરકારને યોજનાઓ રાજ્યમાં લાવી અને તેના લાભો નાળિયેરીને ખેતી કરતા ખેડૂતોને મળી રહે તે માટે પ્રયાસ કરવાની ખાસ જરૂર છે. > ડો.પી.કે. કાપડીયા, નિવૃત્ત સંશોધન, વિજ્ઞાનિક બાગાયત નાળિયેર માટે મહુવા ખાતે એશિયા ખંડનું પ્રથમ ઈલાઈટ ફાર્મછેલ્લા પાંચ વર્ષથી જમીનમાં મીઠા પાણીનો સ્ત્રો વધતા નાળિયેરીના ગુણવત્તા અને ઉત્પાદનમાં ખૂબ જ મોટો વધારો જોવા મળે છે. ખેડૂતોને વાવેતર માટેનું શુદ્ધ અને ઊંચું ઉત્પાદન આપતી રોપાવો મળી રહે તે માટે કૃષિ સંશોધન કેન્દ્ર મહુવા ખાતે એક એશિયા ખંડનું પ્રથમ અને મોટું ઈલાઈટ ફાર્મ બનાવવામાં આવેલ છે તેમાંથી મોટા જથ્થામાં પ્રતિવર્ષે હાઈબીડના રોપાઓ તૈયાર કરી શકાય અને ખેડૂતને માંગને પહોંચી શકાય તેનું આયોજન કરેલ છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:18 am

લૂંટનો મામલો આવ્યો સામે:સોળિયા પાસે યુવકની આંખમાં મરચું છાંટી 4 શખ્સે લૂંટ ચલાવી

રાજકોટના કોટડાસાંગાણીના સોળિયા નજીક શનિવારે રાત્રે બાઇકચાલક યુવકને ચાર શખ્સે આંતરી આંખમાં મરચાંની ભૂકી છાંટી પછાડી દીધો હતો અને યુવકના ખિસ્સામાંથી રોકડ તેમજ મોબાઇલ સહિત કુલ રૂ.42700ની મતા લૂંટી ચારેય શખ્સ નાસી ગયા હતા. કોટડાસાંગાણીના રામપરા ગામમાં રહેતા રણજિતભાઇ નરેશભાઇ બાબરિયા (ઉ.વ.32)એ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચાર અજાણ્યા શખ્સ હોવાનું કહ્યું હતું. રણજિતભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે પોતે પોતાનું બાઇક ચલાવીને રાજકોટથી રામપરા જવા નીકળ્યો હતો અને રાત્રીના પોણા એક વાગ્યાના અરસામાં નારણકા ચોકડીથી આગળ સોળિયા જતાં રોડ પર પહોંચ્યો હતો ત્યારે પાછળથી બાઇકમાં ચાર શખ્સ ધસી આવ્યા હતા. અજાણ્યા શખ્સોએ રણજિતભાઇને આંતરી ઊભા રખાવ્યા હતા. ચાર પૈકીના એક શખ્સે રણજિતભાઇની આંખમાં મરચાંની ભૂકી છાંટી દેતા રણજિતભાઇ નીચે પટકાતાં ચારેય શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને રૂ.12700ની રોકડ સહિતનું પર્સ, બાઇક અને મોબાઇલ સહિત કુલ રૂ.42700ની મત્તા લૂંટી ચારેય શખ્સ નાસી ગયા હતા, લૂંટારુઓ હિન્દીભાષી હોવાનું યુવકે કહ્યું હતું. પોલીસે ગુનો નોંધી ચારેય લૂંટારુની શોધખોળ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:16 am

ગાંજાનો મોટો જથ્થો પકડાયો:આજી ડેમ ચોકડીથી 3.646 કિલોગ્રામ ગાંજા સાથે રાજકોટનો પેડલર ઝડપાયો

રાજકોટના આજી ડેમ ચોકડીથી 3.646 કિ.ગ્રા. ગાંજા સાથે એસઓજીની ટીમે પેડલરને ઝડપી પાડ્યો છે. આ શખ્સે ગુજરાત-રાજસ્થાન બોર્ડરેથી ગાંજો મગાવ્યો હતો. ગાંજો સગે-વગે કરે તે પહેલાં જ એસઓજીની ટીમે શખ્સને પકડી લીધો હતો. પોલીસે કોર્ટ પાસેથી આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. એસઓજી શાખાની ટીમને મળેલી બાતમીના આધારે આજી ડેમ ચોકડી પાસે, બાલાજી રેસ્ટોરન્ટ સામે શક્તિ ઓટો ગેરેજ નજીકથી અશ્વિન ઉર્ફે જોગીડો પ્રવીણભાઇ સોલંકી (ઉં.વ. 22, રહે. ભીમરાવનગર, પટેલ ચોક, માંડાડુંગર, દિનેશભાઇ પરમારની ઓરડીમાં, રાજકોટ) નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ.2.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 1,82,300 રૂપિયાની કિંમતનો 3.646 કિ.ગ્રા. ગાંજો, મોબાઈલ ફોન, 700 રોકડ રકમ અને બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજાએ જણાવ્યું છે કે, માદક પદાર્થનું છૂટક વેચાણ કરવા આ આરોપી રાજસ્થાન બોર્ડરેથી ગાંજો રાજકોટ લાવ્યો હતો, અહીં માલને સગેવગે કરે તે પૂર્વે પોલીસે તેને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેને ગાંજો સપ્લાય કરનારનું નામ જણાવતા પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. 4 મહિનામાં 4 વખત ગાંજો લાવી વેચી નાખ્યો હતોઆરોપી અશ્વિન ઉર્ફે જોગીડો પ્રવીણભાઈ સોલંકી(ઉં.વ.22)ની છેલ્લા 4 મહિનામાં આ 5મી ટ્રિપ હતી. આરોપી રાજસ્થાનથી ગાંજો લાવી રાજકોટમાં તેનું વેચાણ કરતો હતો. અગાઉ 4 વખત વેચાણ કરી ચૂક્યો છે. ગાંજાનું કોને કોને વેચાણ કરી ચૂક્યો છે તે સહિતની પોલીસ દ્વારા પૂછપરછ થઇ રહી છે. આરોપીએ તેને ગાંજો સપ્લાય કરનાર શખ્સનું નામ જણાવ્યું છે. પોલીસે આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:15 am

નોકરીની સુવર્ણ તક:GPSCની 279 જગ્યા માટે ભરતી, 16મી સુધી ફોર્મ ભરી શકાશે, 26 એપ્રિલે પરીક્ષા

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના યુવાનો માટે કારકિર્દીની સુવર્ણ તક પૂરી પાડતી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આયોગ દ્વારા આપેલી માહિતી મુજબ, રાજ્યના વિવિધ પાંચ વિભાગો, સ્પોર્ટ્સ ઓથોરિટી અને 9 મહાનગરપાલિકા સહિત કુલ 23 સંવર્ગની 279 જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર, મેડિકલ ઓફિસર અને એન્જિનિયરિંગ ક્ષેત્રની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે ઉમેદવારો GPSCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધીની રહેશે. આ ભરતીમાં હવે વન ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) ફરજિયાત કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા હેઠળ ઉમેદવાર મોબાઈલ નંબરના માધ્યમથી રજિસ્ટ્રેશન કરી શકશે, જેનાથી ભવિષ્યની ભરતીઓમાં વારંવાર દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર રહેશે નહીં. તમામ જગ્યાઓ માટે પ્રિલિમ પરીક્ષા 26 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. પરીક્ષા પદ્ધતિ | 300 માર્ક્સનું પ્રશ્નપત્ર પહેલીવાર કાઉન્સેલિંગ પદ્ધતિ - મેરિટમાં આવનારને પસંદગી મુજબની નિમણૂક મળશેઆ ભરતીની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેમાં કાઉન્સેલિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. ખાસ કરીને 9 મહાનગરપાલિકાની 202 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ બાદ મેરિટ લિસ્ટ જાહેર કરાશે. મેરિટમાં જે ઉમેદવાર પ્રથમ ક્રમે હશે તેને પોતાની પસંદગી મુજબની મહાનગરપાલિકામાં નિમણૂક મેળવવાની તક મળશે. આ રીતે પારદર્શક પદ્ધતિથી ઉમેદવારોને તેમના મેરીટના આધારે લોકેશન પ્રેફરન્સ ફાળવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:13 am

ભાસ્કર એક્સક્લુસિવ:પ્રોફેસરે પ્રમોશન અને ચીફ સેક્રેટરીથી વધુ પગાર માટે જૂની તારીખમાં પેપર છપાવી નાખ્યા

વિદ્યાધામ ગણાતી પરંતુ વારંવાર વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ છે. આ વખતે યુનિવર્સિટીના એક સિનિયર પ્રોફેસરે પ્રમોશન મેળવવા અને અને રાજ્યના મુખ્ય સચિવ (Chief Secretary) કરતા પણ વધુ પગાર મેળવવા માટે જૂની તારીખમાં સંશોધન પેપરો છપાવીને મોટી ‘ગેરરીતિ’ આચરી હોવાની વિગતો બહાર આવતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) હેઠળ પ્રમોશન મેળવવા માટે પ્રોફેસરે પોતાની પ્રોફાઇલમાં જૂની તારીખમાં જર્નલમાં પેપર છપાયા હોવાનું દર્શાવ્યું છે, પરંતુ હકીકતમાં તેમણે આ તમામ પેપર એક જ જર્નલમાં અને તાજેતરમાં જ છપાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ તમામ બાબતોના નક્કર પુરાવા સાથે યુજીસીમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. અેસેસમેન્ટ વર્ષમાં જરૂરી પેપરની સંખ્યા પૂરી કરવા અને સિનિયર પ્રોફેસરના હોદ્દા સુધી પહોંચવા માટે આ ‘ગેરરીતિ’ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બનાવને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ચર્ચાઓ જાગી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલમાં જ CAS હેઠળ ઇન્ટરવ્યૂ થવાના છે, જે માટે સ્પેશિયલ રિક્રૂટમેન્ટ સેલની રચના પણ કરવામાં આવી છે. પ્રશ્ન એ ઊઠે છે કે, શું આ સેલ દ્વારા પ્રોફેસરના પેપરોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે કે પછી બધું ‘લોલમલોલ’ ચાલશે? આ ગંભીર મામલે યુજીસી (UGC) ને પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના શિક્ષણમંત્રી અને ઉચ્ચ શિક્ષણ કમિશનરને પણ આ મામલે લેખિતમાં ફરિયાદ કરાશે. પ્રોફેસરને આ ગેરરીતિથી શું ફાયદો?

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:12 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:રાજકોટમાં કોંક્રીટ સપ્લાયના વાહનો અને ડામરના ડમ્પરોનો ત્રાસ, મનપા-પોલીસ ચૂપ

સિમેન્ટ કોંક્રીટના જંગલ એવા રાજકોટ શહેરમાં ચારેય દિશામાં વણથંભ્યો વિકાસ ચાલી રહ્યો છે. પ્રવર્તમાન સમયમાં મોટાભાગની ઇમારતો આરસીસી સ્ટ્રક્ચરથી બની રહી છે ત્યારે શહેરની ભાગોળે આવેલા જુદા-જુદા કોંક્રીટ મિક્સર પ્લાન્ટમાંથી રેડી ટુ યુઝ મટિરિયલ સપ્લાય કરવામાં આવે છે. આ મટિરિયલ ભરીને આવતાં કોંક્રીટ મીક્સર ટેન્કર ચાલકો બેફામ બનીને દોડવાની સાથે જ્યારે મિક્સર ખાલી કરીને પરત જતા હોય ત્યારે રસ્તા પર વધેલો મલબો ઢોળાતો જતો હોય છે જેના કારણે શહેરના નવા નક્કોર રસ્તાઓની હાલત ખરાબ થાય છે. ખાસ કરીને સિમેન્ટ કોંક્રીટના આ મલબાના કારણે રોડ પર ટૂ-વ્હિલર ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર વાહનોની સાથે-સાથે શહેરમાં જે-જે રસ્તા પર ડામર પાથરવાના કામ થાય છે ત્યારે પણ આવી જ સ્થિતિ સર્જાય છે. ડામર ભરેલા વાહનો ખાલી થઇને જ્યારે જતાં હોય ફૂલ સ્પીડમાં પસાર થતા હોય ત્યારે ડામરના અવશેષો રસ્તા પર ઢોળતા જતા હોય શહેરના તમામ રસ્તાઓની હાલત ખરાબ થઇ છે. જોકે આમ છતાં મનપા કે પોલીસ તંત્ર આવા વાહન સામે પગલાં ભરતું નથી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:09 am

કાળમુખા ટ્રકે સર્જ્યો અકસ્માત:માલધારી ફાટક પાસે હિટ એન્ડ રન પુત્રની નજર સામે જ પિતાનું મૃત્યુ

શહેરના માલધારી ફાટક પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. વાવડીમાં આવેલા કારખાનેથી પુત્ર સાથે બાઈક પર પરત ઘરે જઈ રહેલા 71 વર્ષીય વૃદ્ધને પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા ટ્રકચાલકે અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ અમરેલીના બગસરા તાલુકાના મુંજિયાસર ગામના વતની અને હાલ રાજકોટના કોઠારિયા ગામમાં રહેતા મગનભાઈ રામજીભાઈ વાળા(ઉ.વ.71) રવિવારે સવારે સાડા દસ વાગ્યા આસપાસ તેમના પુત્ર જીગ્નેશભાઈ સાથે બાઈક પર જઈ રહ્યા હતા. જીગ્નેશભાઈ વાવડી પાસે કારખાનું ધરાવે છે, જ્યાંથી પિતા-પુત્ર કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. માલધારી ફાટક પુલ નીચેથી પસાર થતી વખતે એક અજાણ્યા ટ્રકચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં મગનભાઈના શરીર પરથી ટ્રકનું ટાયર ફરી વળતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યો હતા. બનાવ અંગે આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે ફરાર ટ્રકચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:09 am

વિશ્વમાંગલ્ય સભા:રાષ્ટ્રના પરિવર્તન માટે સદાચાર, છાત્ર અને બાલ સભા

વિશ્વમાંગલ્ય સભા એક રાષ્ટ્રવ્યાપી મહિલા સંગઠન છે વિશ્વનો દરેક પરિવાર તેનું કાર્યક્ષેત્ર છે આ કાર્ય ક્ષેત્રનું કેન્દ્રબિંદુ માતા છે. સભાનું ધ્યેય માતાની માતૃત્વ ભાવનાને કાયમી બનાવવા અને તેના દ્વારા સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન કરવાનું છે. ભારતીય સંસ્કૃતિના વસુધૈવ કુટુમ્બકમના ખ્યાલને સાકાર કરવાનો વિશ્વમાંગલ્ય સભાનો સંકલ્પ છે. રાજકોટ મહાનગરમાં વિશ્વમાંગલ્ય દ્વારા મુખ્યત્વે સદાચાર સભા છાત્ર સભા બાલ સભા તથા સેવાકીય ક્ષેત્રમાં વિવિધ કાર્યો કરવામાં આવે છે. આ સંસ્થા અનેક પ્રાંતોમાં કાર્યરત છે જેમ કે વિદર્ભ, દેવગીરી, પશ્ચિમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્ર, મુંબઈ, ગોવા, કર્ણાટક, આંધ્રપ્રદેશ તેલંગણા, મધ્ય ભારત, માલવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ,ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી તથા ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આ સંસ્થા દ્વારા કોઈ વ્યક્તિગત નહીં, પરંતુ રાષ્ટ્રના પરિવર્તન માટે કાર્ય કરવામાં આવે છે જેમાં કોઈ એક સમાજ નહીં, પરંતુ સર્વજ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાલ સભામાં દસ વર્ષ સુધીના શાળાના બાળકોનો સમાવેશ થાય છે ત્યારબાદ છાત્ર સભામાં વિદ્યાર્થીનો વર્ગ અને મહિલા સદાચાર સભામાં ઘર સાથે 24 કલાક જોડાયેલી તેવી માતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરળ રીતે કહીએ તો જ્યારે કોઈ સામાન્ય પરિવારમાં પણ પરિવર્તન લાવવાની જરૂર હોય તો તે માત્ર મહિલા કે માતાના હાથમાં હોય છે તેવી જ રીતે જ્યારે રાષ્ટ્રનું પરિવર્તન લાવવા માટે કાર્ય હાથ ધરાયું છે તે સંજોગોમાં દેશની દરેક મહિલાઓને જોડવામાં આવે છે અને સદાચાર સભા કરવામાં આવે છે. આ સભામાં જોડાવા કે કોઈપણ જગ્યાએ સભા કરવા માટે તે સંપૂર્ણ નિ:શુલ્ક હોય છે. દરેક મહિલા પાસે કંઈક ને કંઈક સારી વાત હોય છે, પરંતુ તેને તક નથી મળતી તેથી આ સંસ્થા દ્વારા દરેક મહિલાઓને એકત્રિત કરીને જોડવામાં આવે છે અને રાષ્ટ્ર માટે એક કલાક આપવાની હોય છે. સંસ્થાનું માનવું છે કે કોઈપણ મહિલા તેના વિચાર,વાણી, સંસ્કારથી સશક્ત હશે તો સો ટકા રાષ્ટ્રનું પરિવર્તન થશે. દર મહિને એક વખત એક કલાકની કે દોઢ કલાકની સદાચાર સભાનું આયોજન કરવામાં આવે છે. આ સભા કોઈપણ મંદિર કે કોઈપણ સોસાયટીમાં મહિલાઓને એકત્રિત કરીને યોજવામાં આવે છે. જેમાં સૌ પ્રથમ શક્તિગાન ત્યારબાદ 10 મિનિટનો યોગ, રમતગમત, કરંટ અફેર્સ અને અંતમાં ધ્વજ પ્રાર્થના અને જયઘોષ કરવામાં આવે છે. વર્ષ 2010માં મહારાષ્ટ્રમાં અંજન ગામમાં જીતેન્દ્રનાથ મહારાજ દ્વારા આ સંસ્થાની સ્થાપના થઈ અને ત્યાંથી વિચાર અને પ્રેરણા મળી. રાજકોટમાં છેલ્લા બે વર્ષથી આ સંસ્થા કાર્યરત છે જેમાં કોર કમિટીમાં 10 હોદ્દેદારો છે. આ ઉપરાંત ભારતભરમાં 3500થી વધારે સદાચાર સભા ચાલી રહી છે. વિશેષ વાત તો એ છે કે, ભારતની 25થી 26 વર્ષની 14 એવી બહેનોએ નક્કી કર્યું કે, આજીવન લગ્ન ન કરી માત્ર રાષ્ટ્ર માટે સંપૂર્ણ જીવન આપવામાં આવશે. ભારતભરમાં 2000 કાર્યકર્તા અને 6 લાખ સભ્યછેલ્લા 2 વર્ષમાં રાજકોટમાં 20થી વધુ સદાચાર સભા, પ્રશિક્ષણ વર્ગ, સૌરાષ્ટ્ર પ્રાંતની ઓનલાઈન મિટિંગ, નારી સન્માન કાર્યક્રમ, માતૃ સંમેલન, બહેનો માટે વિવિધ સ્પર્ધા, છાત્ર સભા, બાલ સભા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભારતભરમાં સંસ્થાના 14 પ્રસારક છે, 2000 કાર્યકર્તા તથા 6 લાખ મેમ્બર છે. જેમાં રાજકોટ મહાનગરમાં અધ્યક્ષ જ્યોતિબેન માંડલિયા, સંયોજિકા દીપ્તિબેન ટીપરે, સહસંયોજિકા પારૂલબેન દેસાઈ કાર્યરત છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:07 am

માર માર્યો:ધરાર પ્રેમીએ સેલ્સમાં કામ કરતી યુવતીના ઘરે પહોંચી માર માર્યો

રાજકોટના માલધારી ચોક નજીક રહેતી એક યુવતીએ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે માર્કેટિંગ કંપનીમાં નોકરી કરે છે. તેની જ સોસાયટીમાં રહેતા પ્રતાપસિંહ ઉર્ફે પતિયો સુખદેવસિંહ જાડેજા સાથે તેને સાતેક વર્ષ પૂર્વે મિત્રતા હતી, શનિવારે પ્રતિપાલસિંહે ઘર પાસે આવીને ગાળો ભાંડી કહ્યું કે, તું કેમ મારી સાથે વાત નથી કરતી? જેથી તેણીએ સંબંધ રાખવાની ના કહી દીધી હતી. જેનાથી ઉશ્કેરાઈ જઈ પ્રતાપસિંહ અને તેના ભાઈ હેમાંગે તેને માર માર્યો અને બચાવવા પડેલા તેના મામીને પણ માર મારી ઘર ઉપર ઇંટોના ઘા ઝીંક્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:06 am

જંગલેશ્વર ડિમોલેશન:જમીન વેચનાર રામા વાલાની 3 પુત્રીનો પ્લોટ પર કબજો

શહેરના વોર્ડ નંબર-16માં આવેલ જંગલેશ્વર વિસ્તારમાં જિલ્લા સમાહર્તાને ફાળવવામાં આવેલ ટીપી સ્કીમ -6ની એક લાખ ચોરસ મીટરથી વધુ સરકારી જમીન પર દબાણનો મુદ્દો સળગી રહ્યો છે ત્યારે વર્ષ 1980થી 1990ના દશકમાં રેવન્યુ સરવે નંબર 256ની જમીન સરકારે ભરડિયા માટે પોતાને આપી હોવાનો દાવો કરનાર રામા વાલાના વારસદારોએ ગરીબવર્ગના લોકોને અહીં 50થી 100 વારના પ્લોટનું વેચાણ કર્યું હોવાનું દિવ્ય ભાસ્કરની ટીમની તપાસમાં સામે આવ્યું છે. મહત્ત્વની બાબત તો એ છે કે, જંગલેશ્વરમાં શેરી નંબર 31થી 35 વચ્ચે સરકારી જમીન વેચનાર વાલા રામાની ત્રણ દીકરીના પ્લોટ આજે પણ અહીં ખુલ્લા પડ્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ અહીં શેરી નંબર -35માં વાલા રામાના વારસદાર મણિબેન, જીજીબેન અને હંસાબેનના ખુલ્લા પ્લોટ આવેલ છે. જેમાં આજની તારીખે પણ પાડોશીઓ કે અન્ય કોઈ ચીજવસ્તુ રાખી શકતા નથી. ગત ચોમાસામાં અહીં એક વૃક્ષ વાવવામાં આવતા ત્રણેય બહેનો આવ્યા હતા અને અમને પૂછ્યા વગર અહીં કઈ પણ પ્રવૃત્તિ નહીં કરવા સૂચના આપી ગયા હતા. વાલા રામાના કુટુંબીઓ પણ આ વિસ્તારમાં જ વસવાટ કરતા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, જંગલેશ્વર ડિમોલિશન માટે સિટી મામલતદાર દ્વારા 1358 નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. આજે ડિમોલિશન મામલે હાઇકોર્ટમાં સુનાવણીરાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની સરકારી જમીન પર વસવાટ કરતા અંદાજે 35 હજાર લોકો રાતોરાત બેઘર બની જાય તેવી સ્થિતિમાં હોવાથી અહીં વસવાટ કરતા લક્ષ્મણભાઇ જીણાભાઇ જમોડ સહિતના 15 નાગરિકોએ હાઇકોર્ટમાં પોતાના એડવોકેટ એમ.આર.સૈયદ મારફતે અર્જન્ટ મેટર દાખલ કરી કલેક્ટર તંત્ર તેમનો આશરો ન છીનવે તે માટે ન્યાય માગતા જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીએ સુનાવણી હાથ ધરી હતી. જેમાં સરકારી વકીલ દ્વારા મામલતદાર વતી સમય આપવા માંગ કરતાં હાઇકોર્ટ દ્વારા તા.2જીએ આગામી સુનાવણી મુકરર કરી હોય આજે જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટના આદેશ પર સૌની મીટ મંડાઈ છે. હાઇકોર્ટમાં પિટિશન કરનાર જંગલેશ્વરના રહેવાસીઓ 1. લક્ષ્મણભાઈ જીણાભાઈ જમોડ2. અશોકભાઈ મેરામભાઈ વિરડા3. મદીનાબેન યુનુસભાઈ શેરસિયા4. વિક્રમભાઈ હાજાભાઈ છૈયા5. સિરાજભાઈ સુમરા6. યુનુસભાઈ ઈકબાલભાઈ7. તૈયબભાઈ મામદભાઈ ઘાડા8. પરાસરા અબ્દુલભાઈ અલીભાઈ9. ચંદ્રિકાબેન કાંતિલાલ ભટ્ટી10. ચંદ્રેશભાઈ વલ્લભભાઈ જાખેલિયા11. સાવનભાઈ નરશીભાઈ સોરાણી12. યુનુસ હાજીભાઈ શેરસિયા13. દેવાયતભાઈ કરશનભાઈ ચાવડા14. ભગવાનજીભાઈ લાવડિયા15.ગોરધનભાઈ ભાણાભાઈ કુકડિયા

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:03 am

વેધર રિપોર્ટ:ટ્રફ સિસ્ટમ સક્રિય, સૌરાષ્ટ્રમાં સપ્તાહ સુધી ઠંડીમાં રાહત, વાદળિયું વાતાવરણ રહેશે

ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્રના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, આગામી સાત દિવસ સુધી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેવાની સંભાવના છે. ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા દેખાતી નથી. રવિવારે રાજકોટનું લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે જ્યારે મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી નોંધાયું છે. એટલે કે શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. શહેરમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાય છે જ્યારે દિવસ દરમિયાન પણ વાદળિયું વાતાવરણ રહે છે. હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, 7 ફેબ્રુઆરી 2026 સુધી ગુજરાત કે સૌરાષ્ટ્રના કોઈ પણ ભાગ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. લઘુતમ તાપમાનમાં આગામી 7 દિવસ દરમિયાન કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ન હોવાથી ઠંડીનું પ્રમાણ સ્થિર રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં દક્ષિણ હરિયાળા અને નિકટવર્તી રાજસ્થાન અને ગુજરાત સુધી એક ટ્રફ સિસ્ટમ સક્રિય છે, જે સમુદ્ર સપાટીથી અંદાજે 0.9 કિમીની ઊંચાઈ પર સ્થિત છે. આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જ્યારે આગામી 7 દિવસની આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો કે મહત્ત્વપૂર્ણ ફેરફાર થવાની સંભાવના નથી. દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલમાં માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. જોકે ઉત્તર અને ઉત્તર-પૂર્વીય પવનો 15થી 20 કિમીની ઝડપે ફૂંકાવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:01 am

સિટી એન્કર:સૌરાષ્ટ્ર-કચ્છમાં પેટ્રોકેમિકલ, પોર્ટ અને એમએસએમઈ ક્ષેત્રે થશે6 લાખથી વધુ રોજગારીનું સર્જન, સ્કિલ્ડ મેનપાવરની ડિમાન્ડ રહેશે

રાજકોટ ખાતે તાજેતરમાં યોજાયેલ કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં આગામી દસ વર્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 25 જેટલા સેક્ટરમાં 5,492 સમજૂતી કરાર થકી 5.78 લાખ કરોડનું રોકાણ આવનાર છે જેને પગલે આવનાર દિવસોમાં અહીં રોજગારીની વિપુલ તક, પ્રાપ્ત થશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓના મતે આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં નવી 6 લાખથી વધુ રોજગારીનું સર્જન થશે. રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર લાડાણી જણાવે છે કે, હવે સમય બદલાઈ રહ્યો છે. તમામ સેક્ટર ટેક્નોલોજી ડ્રિવન બની રહ્યા છે. જેમાં સ્કિલ્ડ મેનપાવરની જરૂરિયાત રહેશે. એમ.એસ.એમ.ઈ. સેક્ટરમાં 50 હજાર જેટલી રોજગારી ઉપલબ્ધ બનશે. જેથી મિકેનિકલ, સિવિલ, બાયોટેક્નોલોજી, આઈટી અને આઈટીઆઈ ડિગ્રીધારકો જેવા સ્કિલ આધારિત કોર્સ કરેલા છાત્રો માટે વિશાળ તકો રહેલી છે. ઓટો, મશીન ટુલ્સ, પ્લાસ્ટિક, કિચનવેર સેક્ટરમાં સી.એન.સી. મશીનનો વપરાશ વધતા ઓટો કેડ ડિઝાઈનર, સી.એન.સી. ઓપરેટર, જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે કુશળ યુવાનોની બહોળી સંખ્યામાં માંગ રહેશે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણી જણાવે છે કે, રાજકોટમાં પાર્ટ્સ બનાવી એક્સપોર્ટ કરતી અનેક ઇન્ડસ્ટ્રીઝ હવે સેમિ કે ફુલ્લી ઓટોમેટિક બની રહી છે. એસેમ્બલી લાઈન અને રોબોટ્સ નાના મોટા કામ કરી આપે છે. આજની યુવા પેઢી હવે મેન્યુફેક્ચરિંગ ઓટોમાઇઝેશનના ઉપયોગ પર ભાર મૂકી રહ્યા છે. જેથી હવે લેબર વર્ક ઘટી રહ્યું છે અને સ્કિલ્ડ મેનપાવરની ડિમાન્ડ વધી રહી છે. ક્યાં ક્ષેત્રમાં કેટલી રોજગારી વધશેજામનગર-કચ્છમાં રિન્યૂએબલ્સ એનર્જી ઉદ્યોગ સાથે આવનારા સમયમાં 2 લાખથી વધુ રોજગારી ઊભી થવાની છે. મુન્દ્રા પોર્ટ અને કંડલા પોર્ટ સહિતના પોર્ટ ડેવલપમેન્ટ માટે થયેલાં કરાર મુજબ 2.89 લાખ નવી રોજગારીનું સર્જન થવા જઈ રહ્યું છે. સાથે જ મોરબી, અમરેલી સહિતના જિલ્લામાં એમએસએમઈ ક્ષેત્રે 50 હજાર જેટલી રોજગારી ઉપલબ્ધ બનશે. ઉપરાંત સ્માર્ટ સિટી અને અર્બન ડેવલપમેન્ટ માટે 11 હજાર જેટલી રોજગારીની તકો છે તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝમાં 10 હજારથી વધુ એમ્પલોયમેન્ટ જનરેટ થશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:00 am

સાહેબ મિટિંગમાં છે:ચીફ સેક્રેટરીએ IAS અધિકારીઓનો ક્લાસ લીધો, અમદાવાદ ભાજપના ધારાસભ્યએ વીડિયો બતાવી દારૂની ફરિયાદ કરવી પડી

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ફાઈવ સ્ટાર હોટલ માટે કોઈ રસ ન દાખવતા હવે જમીન પર ટુરિઝમ ભવન બનશેનવા સચિવાલય સામે આવેલી જમીન વહીવટી જગતમાં વર્ષોથી ચર્ચાનો વિષય રહી છે. એક સમયે અહીં ફાઈવ-સ્ટાર હોટલનું સપનું જોવામાં આવ્યું હતું. ટેન્ડર પડ્યા, ચર્ચા થઈ, પરંતુ કોઈએ રસ દાખવ્યો નહીં એટલે હવે સરકારે સ્પષ્ટ નિર્ણય લીધો છે – અહીં ટુરિઝમ ભવન જ બનશે. આશરે 100 કરોડના ખર્ચે બનનાર આ ભવનમાં પ્રવાસન વિભાગના તમામ મુખ્ય દફ્તરો એક સાથે આવશે. હાલમાં જે જમીન પાર્કિંગ તરીકે ઓળખાય છે, ત્યાં આગામી બે વર્ષમાં પ્રવાસન નીતિ અને પ્રોજેક્ટની ફાઈલો ફરતી જોવા મળશે. CSનો સ્પષ્ટ આદેશ,'વિવિધ વિભાગોમા બાકી તપાસ 3 મહિનામાં પૂરી કરો'વિભાગીય અને પ્રાથમિક તપાસોની હાલત એવી છે કે, ફાઈલ ચાલે છે પણ પરિણામ લંગડું છે. નિવૃત અધિકારીઓને માનદ વેતન મળતું હોવા છતાં તપાસો મહિનાઓ સુધી પૂરી થતી નથી. પરિણામે નિર્દોષ અધિકારીઓ માનસિક રીતે પરેશાન થાય છે અને દોષિત અધિકારીઓને સમય મળે છે. મુખ્ય સચિવે હવે સ્પષ્ટ શબ્દોમાં તમામ વિભાગોને ત્રણ મહિનામાં બાકી તપાસ પૂરી કરવાની સૂચના આપી છે. સૂત્રો મુજબ રાજ્યના વિવિધ વિભાગોમાં તપાસ કેસો લાંબા સમયથી લંબાઈ રહ્યા છે. શિક્ષણ, માર્ગ–મકાન, સિંચાઈ, આવક, આરોગ્ય, પંચાયત અને શહેરી વિકાસ જેવા વિભાગોમાં સૌથી વધુ કેસ અટકેલા હોવાની ચર્ચા છે. સમયસર દસ્તાવેજો ન મળતા તપાસ આગળ વધતી નથી એવી અંદરખાને ફરિયાદો પણ ઉઠી રહી છે. નિવૃત્તિ પછી પણ વિશ્વાસ અકબંધસરદાર સરોવર નિગમના ચેરમેન તરીકે મુકેશ પુરીની મુદત વધુ બે વર્ષ માટે લંબાઈ. નિવૃત્તિ પછી ચાર વર્ષ સુધી સતત જવાબદારી – એ વહીવટી જગતમાં દુર્લભ ગણાય છે. સચિવાલયમાં ચર્ચા છે કે, “સરકાર જેને ભરોસાપાત્ર માને, તેને નિવૃત્તિ પણ રોકી શકતી નથી” મુકેશ પુરી સરકારની ગુડબુકમાં હોવાની વાતો પણ આ ચર્ચાને બળ આપે છે. કોઈપણ ફાઈલ 7 દિવસથી વધુ વિભાગમાં રહેવી જોઈએ નહી, CSની ચેતવણીગત બુધવારે કેબિનેટને સમાંતર મળેલી કમિટી ઓફ સેક્રેટરીઝની મીટીંગમાં મુખ્ય સચિવ એમ.કે. દાસે તમામ IAS અધિકારીઓનો કલાસ લીધો હતો. આ મીટીંગમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરી દ્રારા કયા વિભાગમાં કેટલા દિવસો સુધી ફાઈલો પેન્ડિંગ રહે છે તેનુ વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યુ હતુ. કેમકે હાલમાં તમામ ફાઈલો ઈ સરકારથી સંચાલિત થાય છે. આ પ્રેઝન્ટેશનમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ખાસ કરીને અનેક ડીપાર્ટમેન્ટોમાં ઢગલાબંધ ફાઈલો પડી રહી હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેમાં મોટાભાગની ફાઈલોમાં ખોટા વાંધા વચકા કઢાતા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. જેને લઈને મુખ્ય સચિવ દાસે તમામ વિભાગના સેક્રેટરીઓને સૂચના આપી હતી કે, હવે પછીથી તમારા વિભાગમાં કોઈપણ ફાઈલ 7 દિવસથી વધુ રહેવી જોઈએ નહી. જો તમારે ત્યાં માણસો ઓછા હોય તો માણસો વચ્ચે કામની વહેચણી કરી દો. હવે આવતા દિવસોમાં આ આદેશનો કેટલો અમલ થઈ રહ્યો છે તેનો રીવ્યૂ આગામી દિવસોમાં કરાશે. તમામ વિભાગોની ફાઈલો સમયસર નિકળે તેના માટે ખુદ સીએસ સીધુ મોનીટરીંગ કરે એ બાબત ખુબ જ મહત્વપૂર્ણ મનાય છે. GILમાંથી એક અધિકારી, બે પટાવાળાની તાત્કાલીક હકાલપટ્ટીથોડો સમય પહેલા જ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હસ્તક આવતી જીઆઈએલ-ગુજરાત ઈન્ફર્મેશન લિમિટેડ દ્રારા એક અધિકારી અને બે પટાવાળાની તાત્કાલીક અસરથી હકાલપટ્ટી કરાઈ હતી.જેને લઈને ચર્ચા શરૂ થઈ છે કે, જે લોકોને રાતોરાત કાઢી મુકવામાં આવ્યા છે તેમનો કોઈ જ વાંકગુનો નહોતો. આ બધા જ કર્મચારીઓ કોન્ટ્રાક્ટબેઝથી નોકરી કરીને પોતાના ઘરનુ ગુજરાન ચલાવતા હતા. કાઢી મુકવાના કારણઓ પણ ખુબ નાના છે. એક પટાવાળાને એવા કારણથી કાઢી મુકાયો કે, તને જે કામ સોંપ્યુ હતુ તે કામ તે બીજા પટાવાળાને કેમ સોંપ્યુ. જ્યારે બીજાને એટલે કાઢી મુક્યો કે, વિભાગના સેક્રેટરી ઓફિસમાં આવ્યા છે કે નહી તેની તેને ખબર નહોતી. જ્યારે અધિકારીને કાઢવાનુ કારણ ટેન્ડરમાં વહીવટ છે. ચર્ચા મુજબ, એક ટેન્ડરમાં જે કંપની ડીસ્ક્વોલીફાઈ થવાની હતી તેનુ સેટીંગ કરવાની વાટાઘાટો ચાલી રહી હતી. જેથી તે સંદર્ભના કેટલાક ડોક્યુમેન્ટસ મંગાવાયા હતા.શનિવારે રજા હોવા છત્તા શા માટે કામગીરી કરી રહ્યા છો તેવુ બહાનું ધરીને અધિકારીની હકાલપટ્ટી કરાઈ હતી.આ અધિકારી ઉપર ક્યારેય પણ ભ્રષ્ટાચાર કરવાનો કે ગેરરીતિ આચરવાનો ખોટો આક્ષેપ પણ થયો નહોતો. ચૂંટણી પાછળ ઠેલાય તો મનપામાં વહીવટદારો મૂકાશેફેબ્રુઆરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોની પાંચ વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે. બીજી બાજુ હાલમાં ગુજરાતના ચૂંટણી પંચ દ્રારા SIRની કામગીરી ચાલી રહી છે. જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થોડા મહીના લંબાશે એવુ અનુમાન છે. જો કે, એક એવી પણ ચર્ચા છે કે, સરકાર જૂની મતદાર યાદીના આધારે પણ આ ચૂંટણી કરાવી શકે છે. જે કોઈ નિર્ણય લેવાશે તે અંગેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં જ કરી દેવાશે. બીજી બાજુ ચૂંટણી મોડી થાય તો પછી મહાનગરપાલિકાઓમાં વહીવટદારોને મુકવા પડે. સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે, અમદાવાદમાં થેન્નારસન અથવા મુકેશકુમાર, સુરતમાં ડો.જયંતિ રવિને, વડોદરામાં શાલીની અગ્રવાલને જ્યારે રાજકોટમાં વિક્રાંત પાંડેને મુકી શકાય છે. SIRની કામગીરી, બોગસ મતદારો સામેના મોટાભાગના આક્ષેપોને ફગાવી દેવાશેચૂંટણી પંચ દ્રારા SIRની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. મતદારો બોગસ કે ખોટા હોવાની ફરિયાદો આવી ગઈ છે. રાજ્યભરમાં SIRની કામગીરી દરમિયાન જ વિવિધ કારણોથી લગભગ 75 લાખ મતદારો નીકળી ગયા છે. ઉપરાંત 40 લાખ જેટલા મતદારો સામે વાંધા આવ્યા છે. જેમાં રાજકીય પક્ષોના કાર્યકરો-એજન્ટોના વાંધાઓની સંખ્યા વિશેષ છે. ચૂંટણી પંચના ટોચના સૂત્રો જણાવે છે કે, અમે આવેલા વાંધાઓના સંદર્ભમાં ઉંડો અભ્યાસ કરીશુ. વાંધા કરનારા સામે પુરાવાઓ માગીશુ. તેમજ જેમની સામે વાંધા થયા છે તેના પાસે પણ તેઓ સાચા મતદાર હોવાની પુરાવા માગીશું. જો તેમનુ નામ યાદીમાં હશે, તેમની પાસે મતદારનુ ઓળખકાર્ડ હશે તો પછી અમે આવા વાંધાઓને તુરંત જ કાઢી નાખીશુ. કુલ વાંધાઓ પૈકીના 90 ટકાથી વધુના વાંધાઓ નિકળી જાય એવી પૂરી શક્યાતો છે. અધિકારી રાઉન્ડમાં જવાના બદલે ઓફિસમાં જ બેસી રહેતા ઉધડો લેવાયોએક IAS અધિકારીને તેમના વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે છતાં પણ તેમની જ વિભાગની કામગીરીમાં તેઓ ધ્યાન ન આપતા તેમને ખખડાવવામાં આવ્યા હતા. માત્ર એસી ઓફિસમાં બેસી રહી મિટિંગો કરવામાં જ અધિકારી વ્યસ્ત હોય છે. અધિકારીના વિભાગમાં જે જવાબદારી આવે છે તેમાં તેઓએ સ્થળ ઉપર ફરવું પડે તેમજ નિરીક્ષણ કરવાની જરૂરિયાત હોય છે. પરંતુ આ અધિકારી વધારે ઓફિસમાં જ બેસી રહેતા હોય છે ખાસ કરીને તેમને નદી પાસેની ઓફિસ ખૂબ ગમતી હોવાથી ત્યાં વધારે બેસે છે. અનેક વિભાગોની જવાબદારી છતાં પણ તેમને મહત્વનો વિભાગ પર ધ્યાન આપવું જરૂરી નથી જેના કારણે આ વખતે તેમનો વારો નીકળી ગયો હતો. રિવરફ્રન્ટ પર મંજૂરી વગર જ પોલીસનો જમણવાર યોજાયો!સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોઈપણ કાર્યક્રમ કરવો હોય તો રિવરફ્રન્ટ ઓથોરિટીની મંજૂરી લેવાની હોય છે. જોકે તાજેતરમાં જ રિવરફ્રન્ટ વિસ્તારમાં બ્રિજની નીચે સ્થાનિક પોલીસ દ્વારા જમણવારનો કાર્યક્રમ યોજ્યો હતો. જે કાર્યક્રમ અંગે કોઈપણ મંજૂરી લેવામાં આવી નહોતીય જો કોઈપણ સામાન્ય વ્યક્તિ રિવરફ્રન્ટ ઉપર ક્યાંય દબાણ કરીને બેઠો હોય તો તરત જ તેની સામે પગલાં લેવામાં આવે છે. પરંતુ સ્થાનિક પોલીસે બ્રિજની નીચે જમણવાર યોજી નાખ્યો અને તેની કોઈ મંજૂરી લીધી નહોતી છતાં પણ રિવરફ્રન્ટ ઓથોરિટીના અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કર્યા હતા. સામાન્ય વ્યક્તિને રિવરફ્રન્ટ ઉપર ગંદકી કે થુંકનાર વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ મ્યુનિસિપલ કમિશનરે આપ્યા હતા પરંતુ અહીંયા તો મંજૂરી વિના જ કાર્યક્રમો થવા લાગ્યા છે હવે કમિશનર સાહેબ શું આવા બાબતે કોઈ ખુલાસો માંગશે તેવી ચર્ચા જાગી છે. ભાજપના ધારાસભ્યએ પોતાના મત વિસ્તારમાં દારુ વેચાતો હોવાની રજૂઆત કરવી પડીતાજેતરમાં જ ભાજપના ધારાસભ્યોની શહેર પોલીસ કમિશનર સાથેની સંકલન બેઠક મળી હતી. ભાજપના ધારાસભ્યના મતવિસ્તારમાં દારૂ વેચાતો હોવાને લઈને તેમણે અધિકારીનું ધ્યાન દોર્યું હતું જેના ફોટો- વીડિયો પણ ધારાસભ્ય તેમના મોબાઇલમાં ઉતારી લીધા હતા. જે અંગે તેમણે રજૂઆત કરી હતી. જો કે અધિકારીએ દારૂ બંધ હોવાની વાત કરી હતી. પરંતુ ધારાસભ્ય પાસે તેના ફોટો વીડિયો પણ હતા. એક ધારાસભ્યએ તેમના મત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટેની પણ રજૂઆત કરી હતી. આ ધારાસભ્યના મતવિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં દારૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે ત્યારે ધારાસભ્યએ જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા પણ કહેવું પડ્યું હતું. ધારાસભ્યોને પણ હવે અમદાવાદની ટ્રાફિક સમસ્યા દેખાઈ!અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેનો નાગરિકો સામનો કરી રહ્યા છે. સાથે ભાજપના ધારાસભ્યોને પણ આ બાબતે શહેર પોલીસ કમિશનરને કહેવું પડ્યું હતું. શહેરમાં ખાસ કરીને ટ્રાફિક બાબતે મોટાભાગના ધારાસભ્યોએ રજૂઆત કરી હતી. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારની અંદર ટ્રાફિકની સમસ્યા ખૂબ નડી રહી છે લોકોને લાંબો સમય સુધી ટ્રાફિકમાં સામનો કરવો પડી રહ્યો છે. જેથી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને ટ્રાફિક પોલીસ આ બાબતનું નિરાકરણ લાવે તેવી રજૂઆત કરી પડી હતી. ટ્રાફિકમાં સામાન્ય લોકો ફસાઈ જાય છે ત્યારે નેતાઓ પણ હવે તેનો સામનો કરી રહ્યા છે પોલીસ અધિકારીઓ તેમની સાયરન વગાડીને નીકળી જાય છે પરંતુ હવે નેતાઓથી લઈ સામાન્ય લોકો ટ્રાફિકનો સામનો ખૂબ કરી રહ્યા હોવાથી આ બાબતે જાણ કહેવું પડ્યું હતું. અમદાવાદ કમિશનરે અધિકારીઓને કહ્યું-'નાગરિકોની ફરિયાદની રાહ ન જુઓ'અમદાવાદમાં દિન પ્રતિદિન વધતી જતી સમસ્યાઓને લઈને મ્યુનિસિપલ કમિશનરે તેમના IAS અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી કે જો નાગરિકો અથવા અન્ય કોઈ માધ્યમથી ફરિયાદ મળે ત્યાં સુધી ફરિયાદની રાહ ના જુઓ. તમને જો કોઈપણ સમસ્યા દેખાય તો તાત્કાલિક તેનું નિરાકરણ લાવો. સામાન્ય રીતે અધિકારીઓ સવારે રાઉન્ડ લેતા હોય છે ત્યારે તેમના સામે કેટલીક સમસ્યા હોય છે ત્યારે તેનું નિરાકરણ લાવવાની જગ્યાએ તેની ફરિયાદ મળે છે કે કેમ તેની રાહ જોતા હોય છે. ત્યારે હવે કમિશનરે કહ્યું કે જો તમને લાગે કે અહીંયા સમસ્યા છે અથવા ફરિયાદ મળશે તો તરત જ તેનું નિરાકરણ લાવી દો. સામાન્ય રીતે IAS અને અધિકારીઓને ખબર હોવી જોઈએ પરંતુ કમિશનરે આવું કહેવું પડ્યું છે કારણ કે કેટલાક અધિકારીઓ આવી બાબતે ધ્યાન આપી રહ્યા નથી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 7:00 am

મંડે પોઝિટીવ:ગામડાંના બાળકો માટે પ્રિ-સ્કૂલ ફ્રી, ધો.1થી 12માં જરૂરિયાતમંદને ફી વિના શિક્ષણ, વિદ્યાર્થીને અભ્યાસની સાથે ડિફેન્સની પણ તાલીમ

જ્યારે સેવાનો સંકલ્પ અને શિક્ષણનું સમર્પણ ભેગું થાય ત્યારે કેવું પરિવર્તન આવી શકે તેનું જીવંત ઉદાહરણ રાજકોટના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યું છે. શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક નવી અને પ્રેરણાદાયક પહેલ તરીકે એઈમટ્રોન ફાઉન્ડેશન (યુ.એસ.એ.) દ્વારા ભૂપગઢ ખાતે એક અભિનવ ‘શિક્ષણ યજ્ઞ’નો આરંભ ત્રંબામાં કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો પાયો એ વિચારધારા પર છે કે, ગામડાંનો કોઈ પણ બાળક આર્થિક મજબૂરીને કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. અહીં ગામડાંના બાળકો માટે પ્રિ-સ્કૂલ ફ્રી છે, ધો.1થી 12માં જરૂરિયાતમંદને અડધી ફી કે વિનામૂલ્યે શિક્ષણ અપાય છે, અભ્યાસની સાથે ડિફેન્સની તાલીમ પણ અપાય છે. સામાન્ય રીતે ‘ખાનગી શાળા’ અને ‘વિનામૂલ્યે શિક્ષણ’ આ બે શબ્દો સાથે જોવા મળતા નથી, પરંતુ રાજકોટમાં આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. આજના યુગમાં જ્યારે શિક્ષણ એક વ્યવસાય બની રહ્યો છે ત્યારે પહેલીવાર એવું બન્યું છે કે, ભૂપગઢની ખાનગી સંસ્થા પોપ્યુલર સ્કૂલ દ્વારા ગામડાંના ભૂલકાંઓ માટે સંપૂર્ણ વિનામૂલ્યે પ્રિ-સ્કૂલ એટલે કે LKG, HKG, બાલવાટિકા શરૂ કરવામાં આવી છે. આ સેવા માત્ર પાયાના શિક્ષણ પૂરતી મર્યાદિત નથી, ધોરણ 1થી 12 સુધીના અભ્યાસમાં પણ સંસ્થા જરૂરિયાતમંદ બાળકોને અડધી ફી અથવા તો તદ્દન મફત શિક્ષણ આપીને પિતાતુલ્ય છાયા પૂરી પાડે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાંના બાળકોને કોઈપણ આર્થિક ભારણ વગર શહેર જેવું જ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે. રાજકોટમાં પહેલીવાર એવી ખાનગી પ્રિ-સ્કૂલ શરૂ થઇ જ્યાં બાળકોને ફી ભર્યા વિના શિક્ષણ મળશે. બાળકોના સર્વાંગી વિકાસ માટે 30 નિષ્ણાત શિક્ષકોની ટીમ કાર્યરતકોઈપણ શિક્ષણ યજ્ઞ શિક્ષકો વિના અધૂરો છે. અહીં 30 અનુભવી અને એક્સપર્ટ શિક્ષકોની ટીમ બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. શર્મિલાબેન બાંભણિયા દ્વારા સંચાલિત આ ‘પોપ્યુલર સ્કૂલ એન્ડ ડિફેન્સ એકેડમી’ હવે ભૂપગઢ ખાતે ધોરણ 9થી 12 (કોમર્સ અને આર્ટસ) ના નવા શૈક્ષણિક સત્રો સાથે ગામડાંના વિકાસમાં નવો અધ્યાય લખવા જઈ રહી છે. ઉદ્ઘાટન પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરીને માનવસેવાનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, અગાઉ સંસ્થામાંથી તાલીમ મેળવીને આર્મી, પોલીસ, ફોરેસ્ટ વિભાગ તેમજ નવોદય વિદ્યાલયમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરી અન્ય બાળકોને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. એક્સ-આર્મીમેન દ્વારા ઘડતર પુસ્તકિયું જ્ઞાન પૂરું થયા પછી ‘રાષ્ટ્રવાદ’નો પાઠ ભણે છે 1. સૈનિકો દ્વારા તાલીમ - અહીં બાળકોને તૈયાર કરવા માટે ખાસ નિવૃત્ત સૈનિકો (એક્સ આર્મીમેન)ની નિમણૂક કરવામાં આવી છે. 2. નાનપણથી ઘડતર - ધોરણ 3થી જ વિદ્યાર્થીઓને ડિફેન્સ એકેડમીની કઠિન અને શિસ્તબદ્ધ તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ ભવિષ્યમાં આર્મી, પોલીસ કે ફોરેસ્ટ વિભાગમાં દેશની સેવા કરી શકે. 3. પરિણામ - આ તાલીમનું જ પરિણામ છે કે અનેક વિદ્યાર્થીઓ આજે સરકારી સંરક્ષણ વિભાગો અને નવોદય વિદ્યાલયમાં પસંદગી પામી ચૂક્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:58 am

આઇટી દરોડા:લક્ષ્મી ડાયમંડની ઓફિસમાં સોફાની પાછળના ગુપ્ત રૂમમાંથી કરોડોના ડોક્યુમેન્ટ મળી આવ્યા

લક્ષ્મી ડાયમંડ અને અનિલ બગદાણા ગ્રુપ પર ચાલી રહેલા આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનમાં અધિકારીઓએ રૂપિાય 25 કરોડની રોકડ અને જ્વેલરી સિઝ કરી છે. આજે સતત પાંચમાં દિવસે અધિકારીઓએ ડોક્યુમેન્ટ, લેપટોપ, કોમ્પ્યુટર અને બીજી અનેક સમાગ્રી જપ્ત કરવાનું ચાલુ રાખ્યું હતું. 30 સ્થળો પૈકી 15 સ્થળ પર આજે દરોડાની કામગીરી પુરી થઈ હતી. લક્ષ્મી ડાયમંડ પરની ઓફિસમાં એક ફિલ્મી સીન પણ સજાર્યો હતો. દિવાળની સાથે રાખેલા એક સોફની પાછળ ગુપ્ત રીતે રખાયેલા ડોકયુમેન્ટ મળી આવ્યા હતા. ઉપરાંત ડામયંડને લગતા જે ડોક્યુમેન્ટ મળ્યા છે તેમાં બોગસ ખર્ચા, હીરાની રોકડમાં ખરીદ-વેચાણ, એક્સપોર્ટને લગતા ડેટામાં અધિકારીઓએને શંકા ગઈ છે. અધિકારી સૂત્રો કહે છે કે સોમવારની બપોર સુધી તમામ સ્થળો પર તપાસ પુરી કરી દેવામા આવશે. આ દરમિયાન ઢગલાબંધ દસ્તાવેજ જે જપ્ત કરવામાં આવ્યા છે તે આઇટી કચેરી લાવવાની શરૂઆત કરવામા આવશે. સીઅ મિહિર ઠક્કર કહે છે કે, કોઇપણ દરોડા હોય અધિકારીઓ જપ્ત માહિતીને ભેગી કરીને એપ્રાઇઝર રિપોર્ટ તૈયાર કરતા હોય છે જેના આધારે ટેક્સ ચોરીનું એક આંકલન સામે આવે છે. બાદમાં સમગ્ર મામલો સેન્ટ્રલ સર્કલમાં જાય છે જ્યાં કરદાતા દરેક સવાલ કે એન્ટ્રી સામેના પોતાના પુરાવા રજૂ કરે છે. એક રીતે આ પહેલી અદાલતી હિયરિંગ જેવુ છે. દિવાલની આગળ સોફા અને તેની પાછળ ડોકયુમેન્ટનો ખજાનોલક્ષ્મી ડાયમંડની ઓફિસમાં એક સોફાસેટની પાછળ મોટી દિવાલ હતી. એક અધિકારીએને શંકા જતા તેણે સોફાની સાઇડ પર કર્યો હતો તો એક ચાવી નાખી શકાય એવો હોલ હતો. આથી નજીકથી ખરાઈ કરતા એક લોક જેવું હતું. આ એક દિવાલમાં ગુપ્ત રૂમ હતો જેમાંથી કરોડો રૂપિયાના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. ડાયમંડમાં બોગસ ખર્ચા, રોકડમાં વેચાણની શંકાઅધિકારીઓએને જે કાગળો મળ્યા છે તેનું બારિકાઇથી નિરિક્ષણ હજી બાકી છે અને તેે પુરું કરવામાં ચારથી પાંચ મહિના થાય એમ છે. અલબત્ત, અધિકારી સૂત્રો કહે છે કે પ્રાથમિક આકલન મુજબ ખર્ચા ખોટી રીતે ઊભા કરાયા હોવાની શંકા છે. ઉપરાંત ડાયમંડ પણ રોકડમાં કાઢવામં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:55 am

ફેનિલ દેસાઈની સફળતાની કહાણી:રિલેટેબલ કપલ કોમેડીથી ડિજિટલ વિશ્વમાં ઓળખ

સુરતના કામરેજ તાલુકાના ફેનિલ દેસાઈએ કન્ટેન્ટ ક્રિએશનની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. વર્ષ 2021માં તેમણે વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં હિન્દીમાં કપલ કોમેડી કન્ટેન્ટ બનાવતા હતા, પરંતુ દોઢ લાખ જેટલા ફોલોઅર્સ થયા બાદ તેમણે ગુજરાતી ભાષામાં કન્ટેન્ટ બનાવવાનો નિર્ણય લીધો. ફેનિલ દેસાઈ જણાવે છે કે તેમના પિતાના અવસાન બાદ મળેલા પી.એફ.ના પૈસાથી તેમણે એક કેફે શરૂ કર્યું હતું. શરૂઆતના એક-બે વર્ષ સુધી ખાસ કોઈ પ્રતિસાદ ન મળ્યો, પરંતુ સતત મહેનત બાદ સફળતા મળી. ગુજરાતી કન્ટેન્ટ પર સ્વિચ કર્યા બાદ તેમના વિડીયો ઝડપથી વાયરલ થયા. ખાસ કરીને પત્નીના પિયર જવાના પ્રસંગને આધારે બનાવેલા ચાર વિડીયો એક પછી એક અપલોડ કરાયા, જે તમામને 4 મિલિયનથી લઈને 12 મિલિયન સુધીના વ્યૂઝ મળ્યા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:52 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:કતારગામમાં રિઝર્વેશન ફેરને કારણે રોષ, એક લાખ લોકો રહી શકે તેટલામાં બે લાખ લોકો રહે છે

શહેરને દક્ષેશ માવાણી સહિત ત્રણ ત્રણ મેયર આપનાર કતારગામમાં ટી.પી. નંબર 49, 50 અને 51નો કહેર વર્તાઈ રહ્યો છે. રિઝર્વેશન ફેરને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગેરકાયદે દબાણને કારણે એક લાખ લોકો રહી શકે એટલાં એરિયામાં બે લાખ લોકોનો વસવાટ થઈ જતાં ગીચતા વધી ગઈ છે. અગ્રિમ દૈનિક દિવ્ય ભાસ્કરની પ્રજાનો અવાજ ચર્ચામાં સ્થાનિક અગ્રણીઓએ પોલીસ, પાલિકા અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખાદ્ય પદાર્થ તપાસ માટે લેબ જરૂરીસૌરાષ્ટ્રવાસી બહુલ વિસ્તારમાં માવા અને મીઠાઈ, ઘી કે પનીરની તપાસ જો વ્યક્તિએ કરાવવી હોય તો અહિંયા લેબોરેટરી નથી જેને કારણે અનેક વખત નેગેટીવ રિપોર્ટ પણ આવે તે પણ લોકોના જમ્યા બાદ આવે છે. આ સ્થિતિ ગંભીર બની રહી છે > નાગજીભાઈ કુંભડીયા 15 દિવસ સુધી ફોલ્ટ મળતો નથીપાણીની લાઈનમાં દુષિત પાણીની લાઈનમાં ભળી જવાની ઘટનામાં પંદર દિવસ સુધી ફોલ્ટ મળતો નથી . ટી.પી.ના નકશા લઈને અધિકારી ફરતા હોવા છતાં ફોલ્ટ નહીં મળે તો ફરિયાદ કોંને કરવી એ પ્રશ્ન છે. > ખીમજીભાઈ પણસારા ‌બીઆરટીએસ રેલિંગ જ સમસ્યાકતારગામથી જહાંગીર પુરા સુધીના વિસ્તારમાં બી.આર.ટી.એસ.ની રેલિંગ સાંકડા રસ્તાને કારણે અકસ્માત સર્જે છે. એક કલાકમાં માંડ એક બસ પસાર થાય છે પરંતુ આ રેલિંગને કારણે સમગ્ર દિવસ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. > નિરંજન સોમલિયા ગેરકાયદે દબાણનો રાફ્ડોવિસ્તારમાં ચારેબાજુ ગેરકાયદે દબાણનો રાફડો ફાટયો છે. ફરિયાદ કરવા છતાં પાલિકાને દબાણ દૂર કરવાની ફૂરસદ મળતી નથી. ખુદ પાલિકાના જ આર્શિવાદ હોય એ રીતે દબાણ કરનારાઓની દાદાગીરી વધી રહી છે. > કલ્પેશ વરિઆ સ્કૂલની નજીક છૂટથી દારૂ મળે છેકતારગામ વિસ્તારમાં એક શાળાની ચારે દિશામાં દારૂ ખુલ્લેઆમ મળે છે. પોલીસ સ્ટેશનથી ચોકી સુધીના ગમે તે વિસ્તારમાં આ દૂષણ ફેલાયું છે, જેને કારણે મહિલાઓ અને બાળકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. > રામસિંહ પિપલિયા તાપી શુદ્ધિકરણ માટે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ પાણીમાંસરકાર અને પાલિકાએ તાપી શુદ્ધિકરણ માટે ખર્ચેલા એક હજાર સુડતાળીસ કરોડ પાણીમાં ગયા છે. આજે પણ વિસ્તારમાં અનેક સ્થળે દુષિત પાણીના નાળા સીધા તાપીમાં જાય છે. વિયર કોઝવે પાસે લોકો તાપી પૂજા કરીને કચરો ફેંકી જાય છે પરંતુ પાલિકાને કચરો ફેંકનારને દંડ થશે એવા બોર્ડ કે, માણસો પણ મુકતી નથી. ફરિયાદ કરવા છતાં અધિકારીઓ ખો ખો રમી રહ્યા છે. જેને કારણે ભરતીના સમયે સચરો સીધો તાપીમાં ઠલવાઈ રહ્યો છે. > સાગર સવાણી રિઝર્વેશન : એક લાખ લોકોને અસરકતારગામમાં 3 ટી.પી. સ્કીમમાં રિઝર્વેશન ફેર બદલથી 27 સોસાયટીના ખુલ્લા પ્લોટ અને વાડીઓ રિઝર્વેશનમાં આવી ગઈ છે. ઉદ્યોગપતિના હિતમાં આ નિર્ણય લેવાયો હોવાનું સ્પષ્ટ છે. 2022માં રિઝર્વેશન દૂર કરાયું , ત્રણ મહિનામાં જ પાછુ મુકી દેવાયું, > ઉમેશ ઝડફિયા રખડતાં કૂતરાના ત્રાસ વધ્યોકતારગામ વિસ્તારમાં રખડતાં કૂતરાનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે. લોકોના ઘરમાં પણ કૂતરા પ્રવેશી જાય છે, પાલિકામાં લેખિત કે, ઓન લાઈન ફરિયાદ કરવા છતાં આ કૂતરાઓ લઈ જઈને ખસી કરાતી નથી > જયંતિભાઈ સોમલિયા

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:51 am

નોકરી ન્યૂઝ:પોસ્ટ ઓફિસમાં 20 હજાર જગ્યા પરીક્ષા વિના ધો.10 પાસને નોકરી

સરકારી જોબ શોધનારા માટે ઇન્ડિયા પોસ્ટ તમારા માટે મોટી તક લઈને આવ્યું છે. પોસ્ટ વિભાગ દ્વારા દેશભરમાં 20 હજારથી વધુ પોસ્ટ પર ગ્રામીણ ડાક સેવક (જીડીએસ) અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (બીપીએમ) માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીની સૌથી બેસ્ટ વાત એ છે કે કોઈ લેખિત એક્ઝામ આપવાની નથી, માત્ર 10મા ધોરણના માર્કસ પરથી સીધું સિલેક્શન થશે. ઓનલાઇન એપ્લિકેશનની પ્રક્રિયા 31 જાન્યુઆરી 2026 થી સ્ટાર્ટ થઈ ગઈ છે.જે કાર્યવાહી 16 ફેબ્રુઆરી સુધી ચાલનારી છે. કેન્ડિડેટ્સે એપ્લાય કરતી વખતે પોતાના 10માના માર્કસ ખૂબ જ ધ્યાનથી ભરવા, જો ખોટી માહિતી હશે તો ફોર્મ સીધું રિજેક્ટ થઈ જશે. સિલેક્ટ થયેલા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ વેબસાઇટ પર જાહેર થશે. આ રીતે એપ્લાય કરવું આ ડોક્યુમેન્ટ્સ જોઇશે :

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:48 am

પ્રેક્ટિકલ એક્ઝામનું કાઉન્ટડાઉન શરૂ થયું:5 ફેબ્રુઆરીથી ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ શહેરના 18360 વિદ્યાર્થી પરીક્ષા આપશે

ગુજરાત બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનારી મેઈન એક્ઝામ પહેલાની પ્રેક્ટિકલ એક્ઝામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 5 ફેબ્રુઆરીથી ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવાની જાહેરાત થતા જ સુરતનું શિક્ષણ તંત્ર ફૂલ એક્શન મોડમાં આવ્યું છે. સુરત સિટી અને જિલ્લાના 18,360 સ્ટુડન્ટ્સ લેબમાં પોતાની કેપેબિલિટી સાબિત કરશે. સુરત DEO ડો. ભગિરથસિંહ પરમાર દ્વારા એક્ઝામના પ્રોપર પ્લાનિંગ માટે તૈયારીઓ પૂરી કરી છે. પરીક્ષામાં ફૂલ ટ્રાન્સપરન્સી જળવાય તે માટે દરેક સ્કૂલની લેબ દીઠ બે-બે સુપરવાઈઝરો તૈનાત રહેશે. આ ઉપરાંત, સ્કૂલો કોઈ પણ પ્રકારનું ‘સેટિંગ’ કે પોલમપોલ ન ચલાવે તે માટે દરેક સેન્ટર પર એક્સટર્નલ ઓબ્ઝર્વર (બાહ્ય નિરીક્ષક) ની નિમણૂક કરવામાં આવશે. ગેરરીતિ ડામવા ‘સેમ ડે’ માર્કસ અપલોડિંગઅગાઉ પ્રેક્ટિકલ એક્ઝામમાં સ્કૂલો પોતાના સ્ટુડન્ટ્સને માર્કસમાં ફેવર કરતી હોવાની ફરિયાદો ઉઠતી હતી. જેને રોકવા બોર્ડે નિર્ણય લીધો છે કે પ્રેક્ટિકલના માર્કસ જે-તે દિવસે જ ઓનલાઇન લોક કરવા પડશે. ડો. ભગિરથસિંહ પરમારે તમામ સ્કૂલોની લેબમાં સાધનો અને કેમિકલ્સનું ચેકિંગ કરવા ઓર્ડર આપ્યા છે. બોર્ડ દ્વારા મંગળવારે હોલ ટિકિટ અપલોડ કરી દેવાઈ છે. સ્કૂલોએ ઇન્ડેક્સ નંબરથી લોગઇન કરી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. કામની વાત : પ્રેક્ટિકલ પરીક્ષામાં પૂરા માર્કસ લાવવા આ ધ્યાન રાખવું

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:47 am

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના 67મા સમૂહલગ્ન યોજાયા:સમૂહલગ્નમાં ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા, સાયબર ક્રાઇમથી બચવા અને બેંકખાતા ભાડે ન આપવા સંકલ્પ

ભરથાણા આઉટર રિંગરોડ ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો 67મો સમૂહલગ્ન યોજાયો હતો. જેમાં 71 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ અવસરે કેશુભાઇ ગોટીએ 5 સંકલ્પ લેવડાવ્યા હતા. હેલ્થ વેલ્થ અને હેપીનેસ ને જીવન મંત્ર બનાવો. માણસને વિચારોથી ઉપર ઉઠાવશો તો સ્વમાની બનશે. ડ્રગ્સ ના દુષણથી દૂર રહો, સાયબર ક્રાઈમથી બચીને રહો, બેંક ખાતા ક્યારે ભાડે આપવા નહીં વગેરે બાબતો ના સંકલ્પ કરાવ્યા હતા. સ્થાનેથી સરદારધામ સુરતના પ્રમુખ જયંતીભાઈ નારોલાએ જણાવ્યું હતું કે દાતાઓએ આર્થિક સહયોગ કરીને અને યુગલો એ સમૂહ લગ્નમાં જોડાઈને ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છે સમગ્ર સમાજમાં પાટીદાર સમાજની જે શાખ છે તે જળવાઈ રહેવી જોઈએ. રાષ્ટ્રગીત બાદ લગ્નવિધી કરાઇપ્રમુખ કાનજીભાઈ ભલાળાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ જ્યાં જાય ત્યાં પ્રગતિ કરે છે આ પાટીદાર સમાજની તાકાત છે.સમૂહલગ્ન એ માત્ર પ્રવૃતિ નથી પણ સામાજિક સુધારણા અને સેવાનો આધાર છે. સમૂહલગ્નના માધ્યમથી સમજની એકતા જળવાય છે. ઘનશ્યામભાઈ શંકર પરિવારને સન્માનિત કરાયા હતા જનમેદની એક સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યા પછી લગ્નવિધી શરૂ કરાઇ હતી. 45 વર્ષમાં 5463ના લગ્ન કરાયાસૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત 1983થી સમૂહલગ્ન સમારોહની સેવા પ્રવુતિઓનો પ્રારંભ થયો છે. 45 વર્ષથી ચાલતી આ પ્રવૃતિમાં 5463 યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા છે. વિશેષ સેવા અને સિદ્ધી મેળવનાર વ્યક્તિઓ અને સમાજલક્ષી સેવાના પ્રવુતિઓમાં સહયોગ આપનાર દાતા પરિવારો નુ અભિવાદન કર્યુ હતુ. સમાજની ગંગાસ્વરૂપ 101 બેહનો દરેક ને રૂ. 5000ની ભેટ આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:44 am

આવતીકાલે પાલિકાનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ થશે:બજેટનું કદ વધીને 11 હજાર કરોડ થઈ શકે, વાસ્તવિક બજેટ પર ફોકસ

પાલિકામાં 3જીને મંગળવારે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ અને 2025-26નું રિવાઇઝ્ડ બજેટ નવનિયુક્ત કમિશનર એમ.નાગરાજન રજૂ કરશે. ચૂંટણી વર્ષ હોય કર-દર વગરનું અને જાન્યુઆરીમાં જ વેરાવ્યાજમાં રાહત આપી છે ત્યારે વાસ્તવિક બજેટ પર ભાર મૂકાશે. કમિશનરે તમામ વિભાગીય વડાઓ-ઓફિસરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે, લોકોને લાભ આપતા પ્રોજેક્ટો હોય તો જ લાવજો, જેથી કાગળ પર ચાલતા પ્રોજેક્ટો પર બ્રેક લાગશે. કોઈ નવા મોટા પ્રોજેક્ટો બજેટમાં નહીં હોય ગાંધીનગરમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે થયેલી મીટિંગમાં આપાયેલી સૂચના પ્રમાણે કમિશનર ઇનોવેટિવ આયોજનો રજૂ કરશે. બજેટના કદમાં કમિશનર 500થી 600 કરોડનો વધારો સૂચવી સ્થાયી સમિતિમાં રજૂ કરશે અને શાસકો વધુ 500 કરોડ વધારો કરશે તેથી 10 ટકા કદ વધી 11 હજાર કરોડ થઈ શકે છે. છેલ્લાં 2 વર્ષથી રજૂ થતાં રેવન્યુ સરપ્લસ બજેટ માટે પણ અધિકારીઓને ટાર્ગેટ અપાશે. રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, કન્વેન્શનલ બરાજ, વહીવટી ભવન, તમામ વોર્ડ વિસ્તારોમાં 50 બેડની હોસ્પિટલો, સીસી રોડ, શહેરમાં નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ, સ્ટ્રીટ લાઇટ,રસ્તા, ડ્રેનેજ-પાણી નેટવર્ક સહિતના પ્રોજેક્ટો જ આગળ વધારવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:42 am

બાળકીનું રેસ્ક્યુ કરાયું:ભીમરાડમાં બેડરૂમનો દરવાજો લોક થઈ જતા ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ

ભીમરાડ સોમીબા ફાર્મ સામે ઓલિવા પ્રાઈડ ફ્લેટ્સ ખાતે રહેતા અનુરાગ સહાનીના પત્ની અને બે વર્ષની પુત્રી એન્સી (ઉ.વ. 2) રવિવારે બપોરે ઘરે હતા ત્યારે માસૂમ એન્સી રમતા રમતા બેડરૂમમાં ગઈ હતી અને દરવાજો લોક કરી દીધો હતો. દરવાજો ન ખુલતા એન્સી રડવા લાગી હતી. માતાએ આખરે ફાયરબ્રિગેડની મદદ લીધી હતી. ફાયર ઓફિસર જયેશ લાડ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને લોક તોડી એન્સીને રેસ્ક્યુ કરી લીધી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:42 am

પાણી કાપ:અડાજણ-અઠ‌વામાં 4-5 ફેબ્રુઆરીએ પાણીકાપ, 10 લાખ લોકોને અસર થશે

રાંદેર વોટર વર્કસની લાઈન બદલવાની કામગીરી કરાશે. જે સળંગ 24 કલાક ચાલશે, જેથી આગામી 4 અને 5 ફેબ્રુઆરીએ અડાજણ, પાલ, અઠવાના 10 લાખ લોકોને પાણીકાપની અસર થશે. 4થીએ સવારે 9થી શરૂ કરીને 5 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યા સુધી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. 4થીએ સવારે 9થી 5મીએ બપોરે 12 સુધી સતત કામગીરી બુધવારે : ગુરુવારે:

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:41 am

ભાસ્કર એનાલિસીસ:SEZ લોકલ બજારમાં માલ વેચી શકશે, લેબગ્રોન ચિપ્સ પર ઈમ્પોર્ટ ડ્યુટી નાબૂદ, સોલાર પેનલના રોમટિરિયલ પર ઘટાડાઈ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે બજેટ જાહેર કર્યું હતું, જેમાં સુરતની જેમ એન્ડ જ્વેલરી, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે પ્રત્યક્ષ રીતે કોઈ જોગવાઈ ન હતી, જે જોગવાઈઓ કરવામાં આવી છે તેમાં પરોક્ષ રીતે ફાયદો થઈ શકે છે. ખાસ કરીને SEZ યુનિટો હવે સ્થાનિક માર્કેટમાં પ્રોડક્ટ વેચી શકશે, લેબગ્રોન હીરાની ચિપ્સ પર 2028 સુધી ડ્યુટી ઝીરો કરી છે, જ્યારે સોલાર પેનલના કાચના રો મટિરિયલ પર ઘટાડી છે. કોઈ સામેથી કાળું નાણું જાહેર કરશે તો 60ની જગ્યાએ 30% જ ટેક્સનાણાં મંત્રી નિર્મલા સીતારણે જાહેર કરેલા કેન્દ્રીય બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ ટેક્સ અંગેની અનેક બાબતો લાગુ કરવામાં આવી છે, જેમાં અગાઉ કોઈ કરદાતા જો સામેથી આવીને બેનામી આવક જાહેર કરતો હતો તો તેને 60 ટકા ટેક્સ ભરવો પડતો હતો, પરંતુ હવે તેને માત્ર 30 ટકા જ ટેક્સ ભરવાનો રહેશે. સુરતમાં બેનામી વ્યવહારોના આંકડાઓમાં વર્ષે સરેરાશ ચાર હજાર કરોડના ખુલાસા થતા હોય છે. સી.એ. પ્રદીપ સિંઘી અને પારસ શાહ કહે છે કે, હવે જો ટેક્સ ઓડિટ રિપોર્ટ મોડેથી ફાઇલ કરવામાં આવશે તો 75 હજારથી લઇને 1.50 લાખ સુધીની ફી ભરવાની રહેશે. સુરતીઓ શેર માર્કેટમાં મોટાપાયે રોકાણો કરે છે. હવેથી શેર બાયબેકના કેપિટલ ગેઇન ટેક્સ તરીકે ગણવામાં આવશે. એકંદરે બજેટ લાભકારી રહેશે. સી.એ. નિતેશ અગ્રવાલ કહે છે કે, આ બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 12 લાખ સુધી ફ્રી છે. નવો લો હવે અમલમાં આવશે. સેક્ટર વાઇઝ જોગવાઈ અને ફાયદા ટ્રાન્સપોર્ટેશન હીરા, કાપડ, સોલાર, MSME યુનિટો ઝડપથી-સસ્તી રીતે માલ મોકલી શકશે MSME સુરતનું MSME દેશ અને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી આધુનિક મશીનરીથી ઉત્પાદન ખર્ચ ઘટવા સાથે એક્સપોર્ટ વધશે સોલાર પેનલ વધુ ઓર્ડર, ઝડપી ડિલિવરી અને રોકાણ માટે નવું પ્રોત્સાહન મળશે જેમ એન્ડ જ્વેલરી ક્લિયરન્સ અને કેશ ફ્લો સુધરશે, ઈ-કોમર્સમાં નાના નિકાસકારને લાભ ફેસલેસ સ્કીમમાં નોટિસ માન્ય કરાઈ1 એપ્રિલ, 2021થી ફેસલેસ સ્કીમ અમલમાં આવવાના કારણે જેએઓએ આપેલી નોટિસોને અમાન્ય માનવા માટે લડત ચાલી રહી હતી. આ કેન્દ્રીય બજેટમાં જેએઓ દ્વારા જારી કરાયેલી નોટિસોને 1 એપ્રિલ, 2021થી રેટ્રોસ્પેકિટવ અસર સાથે માન્ય કરી દેવામાં આવી છે. > પ્રજ્ઞેશ જગાશેઠ, સી.એ.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:39 am

ભાસ્કર એક્સક્લુસિવ:ચોકમાં ચાર બિલ્ડિંગની નીચેથી મેટ્રોની ટનલ કાઢવા ફ્લેટ ખાલી કરાવાયા, બિલ્ડિંગો નીચે ટેકા મૂકાયા

ચોકમાં ક્રાઇમબ્રાંચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગની કામગીરી દરમિયાન TBMના વાઇબ્રેશનથી રહેણાંક 4 બિલ્ડિંગોમાં અસર પહોંચી છે, જેમાં 3 બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા છે તથા રંગીલદાસ અને હિબા પેલેસના રહીશોને હોટલમાં ખસેડીને મશીનો મૂકી સતત મોનિટરિંગ શરૂ કરાયું છે. હાલ TBM હિબા પેલેસની નીચે 12 મીટરે છે. નજીકના બક્ષી બંગલામાં ક્રેક પડતાં મેટ્રોએ મરામત કરી હતી. હિબા પેલેસના પાર્કિંગમાં સિમેન્ટ પૂરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી જમીનની મજબૂતી વધે. ટનલ એન્ડ્રૂયસ લાઇબ્રેરી પાસે બહાર નીકળશે. 3 દેશના એક્સપર્ટ્સે વિઝિટ કરીકામગીરીને ચકાસવા GMRCના અધિકારીઓ સાથે ઇટલી, કોરિયા, ઇન્ડોનિશિયાના એક્સપર્ટ અને SVNITના અતુલ દેસાઇએ શનિવારે ફિલ્ડ વિઝિટ કરી હતી, જેમાં સાવચેતીરૂપે કેટલાંક પગલાં સૂચવ્યા હતા. હાલ બિલ્ડિંગોના સ્ટ્રક્ચર્સને નુકસાન ન થાય તે માટે જમીન, ટનલ, સ્ટ્રક્ચરમાં કેમિકલ ઇંજેક્શન અપાઇ રહ્યા છે, જેથી સ્ટ્રક્ચરને મજબૂત બનાવી શકાય. બિલ્ડિંગ નીચે 12 મીટરે TBM છે હિબા પેલેસની નીચે 12 મીટરની ઊંડાઇએ TBM પહોંચ્યું છે. પેનિક થવા જેવું કશું નથી. તમામ મશીનરી અને ટેકનોલોજીના આધારે કામ થઇ રહ્યું છે. હાલમાં દર કલાકે CMO અને PMOને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. - સાર્થક શાહ, એન્જિનિયર, GMRC

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:33 am

ચોરીનો મામલો આવ્યો સામે:થલતેજ બંગલામાંથી રૂ.13.03 લાખના દાગીનાની ચોરી

થલતેજની નિકિતા પાર્ક સોસાયટીના બંગલોમાંથી તસ્કરો રૂ. 13.03 લાખના દાગીના ચોરી ગયા હતા. પરિવારના સભ્યો જનોઈ પ્રસંગમાં હાજરી આપવા રાજકોટ ગયા હતા ત્યારે ધાબાના વેન્ટીલેટરની જાળીનો કાચ ખોલીને તસ્કરો બંગલામાં ઘુસ્યા હતા. નિકિતા પાર્કમાં રહેતા સંકેતભાઈ ઠક્કર આર્યુવેદિક કંપનીમાં કમિશનથી વેપાર કરે છે. 22 જાન્યુઆરીએ તેઓ માતા - પિતા તેમજ દીકરી સાથે રાજકોટ મામાની દીકરીના દીકરાની જનોઈમાં હાજરી આપવા ગયા હતા. તેઓ 25મીએ પાછા આવ્યા ત્યારે કબાટના દરવાજા ખુલ્લા હતા અને તિજોરીમાંથી રૂ. 12.70 લાખના સોનાના અને રૂ.33 હજારના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.13.03 લાખની મત્તાની ચોરી થયાનું જાણ્યું હતું. આથી તેમણે તપાસ કરી તો ધાબાના વેન્ટીલેટરની જાળીના કાચ ખોલી તસ્કર ઘરમાં પ્રવેશ્યા હતા. આ અંગે સંકેતભાઈ એ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:14 am

યુવકે જીવન ટૂંકાવ્યું:મેન્ટેનન્સ બાબતે કમિટીના 2 સભ્યે કનેક્શન કાપવાની ધમકી આપતાં યુવકે આત્મહત્યા કરી

આર્થિક સ્થિતિ સારી ન હોવાથી યુવક 6 મહિના સુધી સોસાયટીનું પાણીનું માસિક રૂ. 300 મેન્ટેનન્સ ભરી શક્યો નહોતો. આથી કમિટીના 2 સભ્ય ઉઘરાણી કરી પાણીનું જોડાણ કાપી નાખવાની ધમકી આપતા હતા. આ સાથે એવું પણ કહેતા કે બિલ ભરી ન શકતા હોય તો જીવાય જ નહીં. મેણા-ટોણાથી કંટાળીને યુવકે કેનાલમાં પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું. કૃષ્ણનગરની કૃષ્ણધામ સોસાયટીમાં ધીરુભાઈ ભીમજીભાઈ પટેલ (70) પરિવાર સાથે રહે છે. તેમનો દીકરો ભાવેશ કેબ ચલાવે છે. 27 જાન્યુઆરીએ સવારે ઘરેથી નીકળ્યા પછી ભાવેશે સોશિયલ મીડિયામાં વીડિયો મૂક્યો હતો. જેમાં તે કેનાલ પાસે ઊભેલો દેખાતો હતો અને તે કહેતો હતો કે હું સંજયભાઈ બાલધા અને ગીરીશભાઈ બાલધાના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છું. આ બંને જણાં મેન્ટેનન્સ બાબતે ઝઘડો કરીને જોડાણ કાપી નાખવા ધમકી આપે છે. ભાવેશે ફેમિલીના વોટસઅપ ગ્રૂપમાં કરન્ટ લોકેશન મૂક્યું હતું. જે દહેગામ ઝાક જલુન્દર કેનાલનું હતું. પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા ત્યારે કાર મળી હતી, પરંતુ તે નહોતો. પછી 30 જાન્યુઆરીએ કડી વણસોરની કેનાલ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. જરૂરી પુરાવા એકત્ર કરી ધરપકડ કરવામાં આવશેપોલીસનું કહેવું છે કે આ ઘટનામાં ભાવેશે આત્મહત્યા કરતા પહેલાં વીડિયો બનાવ્યો હતો, જેમાં તે સંજયભાઈ અને ગિરીશભાઈના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો હોવાનું સ્પષ્ટ બોલી રહ્યો છે. જે પોલીસ માટે સૌથી મહત્વનો પૂરાવો છે, પરંતુ માત્ર 300 રૂપિયા લેખે 6 મહિનાના રૂ.1800 ના મેન્ટેનન્સ માટે ભાવેશ આત્મહત્યા કરે તે વાત પોલીસને જરા પણ ગળે ઉતરે તેમ નથી. જેથી તે દિશામાં જરુરી પૂરાવા એકત્રિત કરવા તજવીજ શરુ કરી છે. પોલીસનું કહેવું છે કે પુરાવા મળ્યા બાદ જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. કમિટી મેમ્બર પાસે જોડાણ કાપવાની સત્તા જ નથીસોસાયટી તેમજ સોસાયટીના સભ્યોના નાના-મોટા વિવાદ મુદ્દે કામ કરતા કાયદાકીય નિષ્ણાતના જણાવ્યા અનુસાર, સોસાયટીના કમિટીના મેમ્બરો કોઈ પણ સભ્યનું પાણી કે ગટરનું કનેકશન કાપી શકે જ નહી. તેમની પાસે આવી કોઈ સત્તા જ નથી. જો સભ્ય મેન્ટેનન્સ ન ભરતા હોય તો તેના માટે પણ કાગળ પરની કાયદાકીય પ્રક્રિયા છે. તે પૂરી કરવી પડે. તેવું સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ ટાંક્યું હતું. આ સાથે મેમ્બર કોઈ પણ સભ્યના ઘરે જઈને મેન્ટેનન્સના પૈસાની ઉઘરાણી કરી શકે નહીં. જો કમિટી મેમ્બર આવું કશું પણ કરે તો જે તે સભ્ય કમિટિના મેમ્બર સામે પોલીસ કેસ કરી શકે છે. પાણીનું બિલ ભરી ન શકતા હો તો જીવાય જ નહીં, કહેતાં યુવકે કૅનાલમાં ઝંપલાવ્યું

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:14 am

પશ્ચિમ રેલવે દ્વારા અદ્યતન સિસ્ટમ કાર્યરત કરાઈ:પશ્ચિમ રેલવેમાં કવચ 4.0 સિક્યુરિટી સિસ્ટમ લાગુ થતાં લાંબા અંતરની રેલમુસાફરી વધુ સુરક્ષિત બની

પશ્ચિમ રેલવેએ રેલ સુરક્ષા બાબતે હાંસલ કરેલી સિદ્ધિમાં લાંબા સમયથી અપેક્ષિત કવચ 4.0 સુરક્ષા પ્રણાલીનું સફળ કમિશનિંગ પૂર્ણ કરાયું છે. આથી લાંબા અંતરની ટ્રેનોની મુસાફરી વધુ સુરક્ષિત બનશે. આ પ્રોજેક્ટને રૂ.397 કરોડના ખર્ચની મંજૂરી આપી હતી, તેનો તબક્કાવાર અમલ થઇ રહ્યો છે. વડોદરા–સુરત–વિરાર–મુંબઈ સેન્ટ્રલ રેલમાર્ગ પર કવચ યોજના અંતર્ગત અંદાજે 344 કિમી લાંબા વિભાગમાં કામ પૂર્ણ કરી સિસ્ટમ કાર્યરત કરાઈ છે. આ અગાઉ અમદાવાદ-વડોદરા વચ્ચે કવચ સિસ્ટમ કાર્યરત હતી, જેથી અમદાવાદથી વિરાર સુધી 435 કિમીના રૂટ પર અદ્યતન સુરક્ષા સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે. કવચ એક આધુનિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે, જે માનવીય ભૂલોથી થતા અકસ્માત અટકાવવા મદદરૂપ બને છે. આ સિસ્ટમ સિગ્નલ પાસિંગ એટ ડેન્જર, ઓવર સ્પીડિંગ તેમજ હેડ-ઓન અને રિયર-એન્ડ અથડામણોને રોકવાની ક્ષમતા ધરાવે છે. કવચ સંપૂર્ણપણે ભારતમાં વિકસિત ટેકનોલોજી છે, જે ભારતીય હવામાન અને ટ્રાફિક પરિસ્થિતિને અનુકૂળ છે. પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનીત અભિષેકના જણાવ્યા મુજબ, યુરોપમાં વપરાતી ઈટીસીએસ જેવી સિસ્ટમની સરખામણીએ તેની કિંમત ઓછી છે પરંતુ સુરક્ષા વધુ છે. પ્રોજેક્ટ હેઠળ 8 હજારથી વધુ આરએફઆઈડી ટેગ, 57 રેડિયો ટાવર અને સમગ્ર રૂટમાં ઓએફસી કેબલ પાથર્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:08 am

ચોરીનો મામલો આવ્યો સામે:ફ્લેટની સફાઈ કરવા આવેલા 4 યુવકે તિજોરીમાંથી 45 હજાર પણ સાફ કર્યા

મહિલાએ ઓનલાઇન સર્ચ કરીને ફ્લેટની સાફસફાઈ માટે કંપનીમાંથી 4 છોકરા બોલાવ્યા હતા. એ ચારેય છોકરા સફાઈ દરમિયાન નજરૂ ચૂકવીને કબાટમાંથી રૂ. 45 હજાર ચોરી ગયા હતા. મહિલાની ફરિયાદના આધારે બોપલ ચારેયની ધરપકડ કરી પૈસા કબજે કર્યા હતા. ચારેયે સોસાયટીમાં આવવા માટે ગેટ ઉપર આઇડી તેમજ મોબાઈલ નંબર સહિતની લખાવેલી માહિતીના આધારે પોલીસે ઝડપી લીધા હતા. બોપલની મહિલાએ ફ્લેટની સફાઈ માટે ઓનલાઇન સર્ચ કરીને અર્બન કંપનીમાંથી 4 છોકરા બોલાવ્યા હતા. ચારેય જણા26 અને 27 જાન્યુઆરી, એમ 2 દિવસ સફાઈ માટે ગયા હતા. તેઓ ગયા પછી કબાટમાંથી રૂ.45 હજાર ચોરાયાની મહિલાને જાણ થઈ હતી. મહિલાની ફરિયાના આધારે પીઆઇ એસ. વી. ચૌધરીએ તપાસ શરૂને સોસાયટીના એન્ટ્રી રજિસ્ટરમાંથી મળેલી માહિતીના આધારે ભેરુલાલ કેવટ, શિવલાલ કેવટ, ગોપાલ કેવટ અને નારાયણ કેવટની ધરપકડ કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:07 am

સગીરે સર્જ્યો અકસ્માત:સગીરે 2 મહિલા સહિત 3ને ટક્કર મારતાં પિતા સામે ફરિયાદ નોંધાઈ

ન્યૂ વાસણામાં ટુવ્હીલર લઈ નીકળેલા સગીરે ચાલતાં જતી બે મહિલાને ટક્કર મારી હતી. જે બાદ ત્યાંથી ભાગવાની કોશિશ કરતા બીજા એક ટુવ્હીલરને ટક્કર મારી ફરાર થયો હતો. પોલીસ તપાસમાં અકસ્માત કરનાર સગીર હોવાનું જણાયું હતું. જેથી સગીરને ટુવ્હીલર આપનાર તેના પિતા સામે પોલીસે ગુનો નોંધી પિતાની ધરપકડ કરી છે. પાલડીમાં રહેતાં શીવાંગી શાહ (35) ગત 29 તારીખે તેમનાં ભાભી સાથે શાકભાજી લેવા વાસણા ગયાં હતાં. ન્યૂ વાસણાના રાજયશ રીવેરા સામેથી પસાર થતાં હતાં, ત્યારે એક ટુવ્હીલર ચાલકે ઓવરસ્પીડે આવી શિવાંગી શાહ અને તેમની ભાભીને ટક્કર મારતાં બંને મહિલા રસ્તા પર પટકાયાં હતાં. તો અકસ્માત બાદ ટુવ્હીલર ચાલક ફરાર થતો હતો ત્યાં બીજા એક ટુવ્હીલરને અડફેટે લીધું અને પછી ફરાર થયો હતો. ઈજાગ્રસ્ત શિવાંગીબેનને પગમાં ફ્રેક્ચર થયું હતું. આ અંગે એમ-ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કેસની તપાસ કરતા ટુવ્હીલરના માલિક જોધપુરગામ પટેલ વાસમાં રહેતા કાળુભાઈ ઠાકોરનું હોવાનું જણાયું હતું. જેથી કાળુભાઈની પૂછપરછ કરતા, તેમનો 17 વર્ષીય દીકરો ઘરે કોઈને કહ્યા-કર્યા વગર ટુવ્હીલર લઈ નીકળી પડ્યો હતો અને અકસ્માત કર્યા હતા. જેથી પોલીસે સગીર હોવા છતાં તેના પિતાએ તેને ટુવ્હીલર આપ્યું હોવાથી પિતા કાળુભાઈ ઠાકોર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. 2025માં પોલીસે વાહન ચલાવતા 5835 સગીર પાસેથી રૂ. 11.21 લાખ દંડ લેવાયો, રોજ 16 સગીર પકડાયાસગીરો દ્વારા થતા અકસ્માતને રોકવા પોલીસે 2025માં સ્કૂલ કે ટ્યૂશન ક્લાસની આસપાસ સ્પેશિયલ ડ્રાઈવ યોજવા સાથે જ ચાર રસ્તાઓ પર ખાસ કરી સગીર વાહન ચલાવતા પકડાય તો દંડ કરવાનું શરૂ કર્યું હતું. જેથી સગીરો દ્વારા થતા અકસ્માતને રોકી શકાય. પોલીસે એક વર્ષમાં 5835 સગીરોને વાહન ચલાવતા પકડ્યા હતા. રોજના સરેરાશ 16 અને મહિને સરેરાશ 486 સગીરોને વાહન ચલાવતા તેમની પાસેથી રૂ.11.21 લાખનો દંડ ફટકાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:07 am

પતિ-પત્નીના વિવાદમાં નિર્દોષ ભાડૂતો ફસાયા:પતિ 2 વર્ષ સુધી લેવા ન આવતાં ઘરે પાછી આવેલી પત્નીએ ભાડુતોને બંધક બનાવ્યા

શહેરમાં પતિ-પત્નીના વિવાદમાં નિર્દોષ ભાડૂતો ફસાયા હોવાનો એક વિચિત્ર કિસ્સો બન્યો છે. જેમાં પતિએ પત્નીને ટ્રેનિંગમાં જવાનું બહાનુ બનાવીને દીકરા સાથે પિયરમાં મૂકી આવ્યો હતો. 2 વર્ષ સુધી પરત ન આવ્યો અને ફોન પણ ઉપાડતો ન હતો. જેથી પત્ની સાસરીમાં પહોંચી ત્યારે પતિએ મકાન ભાડે આપી દીધું હોવાનું સામે આવ્યું હતું. આથી પત્નીએ ઘરમાં ઘૂસી ભાડુઆતને રૂમમાં બંધ કરી ‘મારો પતિ નહીં આવે ત્યાં સુધી તમને બહાર નહીં જવા દવું’ તેમ કહી બંધક બનાવી દીધા હતા. આખરે 181ને કૉલ મળતાં અભયમની ટીમે પત્નીને સમજાવી બંધક ભાડુતને મુક્ત કરાવ્યા હતા. શહેરના એક વિસ્તારમાં પતિ-પત્ની તેના એક વર્ષના બાળક સાથે રહે છે. બે વર્ષ પહેલા પતિએ મારે ટ્રેનિંગમાં જવાનું છે, પૂરી થાય એટલે તને પિયરમાંથી લેવા આવીશ તેમ કહીને પત્ની અને બાળકને પિયરમાં મૂકી આવ્યો હતો. જે બાદ પત્ની પતિને ફોન કરે તો પતિએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતુ એટલુ જ નહીં પત્નીનો નંબર પણ બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો. બે વર્ષ સુધી પતિ લેવા આવ્યો ન હોવાથી કંટાળીને પત્ની સાસરીમાં પોતાના ઘરે ગઈ હતી. તે સમયે જાણવા મળ્યું હતુ કે, તેના પતિએ મકાન ભાડે આપ્યું છે અને છેલ્લા 1.5 વર્ષથી ભાડુઆત મકાનમાં રહે છે. જે સાંભળીને પત્ની આક્રોશમાં આવીને ઘરમાં ઘૂસીને દરવાજાઓ બંધ કરી લોક કરી ભાડુઆતને બંધક બનાવી દીધા હતા. ભાડુઆતોનો સામાન પણ પોતાની પાસે રાખી લીધો હતો. મારો પતિ જ્યાં સુધી મને મળવા નહિં આવે ત્યાં સુધી તમે બંધક રહેશો અને તમારો સામાન પણ મારી સાથે રહેશે તેમ જણાવી રહી હતી. જેથી ભાડુઆતે 181 પર ફોન કરી મદદ માંગી હતી. અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી કાઉન્સેલીંગ કરીને “તમારી લડાઈ પતિ સામે છે, તેમાં નિર્દોષ ભાડૂતોને હેરાન કરવાથી તમારી સામે કાયદેસરનો ગુનો બની શકે છે.” તેમ સમજાવીને ભાડુઆતોને મુક્ત કરી તેમનો સામાન પરત આપાવ્યો હતો. મને કેમ લેવા નથી આવતો, મારે પતિને મળીને આનો જવાબ જોઈએ છે પોલીસ ફરિયાદ નથી કરવીકાઉન્સેલીંગ દરમિયાન પત્નીએ જણાવ્યું હતુ કે, મારે પતિ સામે કોઈ ફરિયાદ કરવી નથી. બસ પતિનો જવાબ જોઈએ છે કેમ તે મને લેવા નથી આવતો. મારે પતિને પોલીસ ફરિયાદ કરીને જેલમાં મોકલવો નથી. જ્યારે પણ મારો પતિ આવશે તેની રાહ જોઈશ, જવાબ માંગીશ અને સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી હું મારા હક માટે લડત ચાલુ રાખીશ. જેથી 181 ની ટીમે પત્નીના પરિવારને બોલાવી તેમને સમજાવીને તેને પરત પિયરમાં મોકલી આપી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:06 am

વારસાનું સંવર્ધન:હેરિટેજ રૂટ પર કોબાલ્ટ-બ્લેક સ્ટોન પથરાયા

અમદાવાદના ઐતિહાસિક હેરિટેજ રૂટના વિકાસનું કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી લઈ માણેકચોક સુધી ત્રણ તબક્કામાં હાથ ધરાયેલી આ કામગીરીમાં કોબાલ્ટ સ્ટોન તથા બ્લોક સ્ટોન પેવિંગ નખાઈ રહ્યા છે, દીવાલો પર હેરિટેજ લૂક પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે તથા અહીં સુવ્યવસ્થિત પાર્કિંગ અને આકર્ષક સાઇન બોર્ડ્સ મૂકવામાં આવશે. મ્યુનિ. 40 કરોડના ખર્ચે 2.25 કિમીનો આ હેરિટેજ રૂટને વર્ષ 2027 સુધીમાં નવો રૂપરંગ આપશે. પહેલા તબક્કામાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી રિલીફ રોડ, બીજા તબક્કામાં રિલીફ રોડથી દોશાવાડાની પોળ અને ત્રીજા તબક્કામાં દોશીવાળાની પોળથી માણેકચોક સુધીનું કામ કરાશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:05 am

પ્રજાજન પરેશાન:પોર્ટલના લર્નિંગ લાઇસન્સમાં એરર આવે છે, એજન્ટ પાસે કરાવો તો નથી આવતી

અમદાવાદ આરટીઓમાંથી નીકળતાં ઘણાંખરાં લર્નિંગ લાઇસન્સમાં લાઇસન્સિંગ ઑથોરિટીની સહી જોવા મળતી નથી. આરટીઓ દ્વારા લર્નિંગ લાઇસન્સનું અપ્રુવલ આપ્યા બાદ પોર્ટલ પરથી લર્નિંગ લાઇસન્સ અપલોડ કરવામાં આવતાં કચેરીના વડાની સહી હોતી નથી. લાઇસન્સિંગ ઑથોરિટીની સહીમાં સોફ્ટવેરમાં એરર હોવાના કારણે સહી જોવા મળતી નથી કે બીજી કોઈ રીતે લોકો પાસેથી પૈસા પડાવવા આ રીતે કામગીરી કરવામાં આવે છે. જોકે આરટીઓનાં સૂત્રોએ જણાવ્યું કે આરટીઓ કચેરીના કર્મચારીઓ દ્વારા ખોટી રીતે ક્વેરી કાઢીને લોકોને હેરાન કરવામાં આવે છે. અને માનીતા એજન્ટો મારફતે આ કામ લઈને આવે તો સમજૂતી કરી તરત કામ કરી દેવામાં આવે છે અને તરત જ લાઇસન્સિંગ ઑથોરિટીની સહી પણ જે-તે લાઇસન્સમાં આવી જાય છે. એક વખત સહી વગરનું લાઇસન્સ નીકળે એટલે આરટીઓના કર્મચારી દ્વારા ક્વેરી કાઢવામાં આવે છે અને ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કરવાનું કહેવામાં આવે છે. પોર્ટલની ભૂલના કારણે લોકોને અમદાવાદ આરટીઓના ધક્કા ખાવાનો વારો આવતો હોય છે. અમદાવાદ આરટીઓના તાબા હેઠળના કર્મચારીઓએ લોકોને વારંવાર ધક્કા ખવડાવવામાં માને છે પરંતુ કામ જલ્દીથી પૂર્ણ થાય તેમાં ઓછો રસ ધરાવતા હોય છે. અમદાવાદ આરટીઓમાં ચાલતી ગેરરીતિ અંગે લોકો કંટાળીને આખરે એજન્ટને પૈસા આપીને પોતાનું કામ કઢાવી લે છે. ત્યારે મહત્ત્વનો સવાલ છે કે જે લાઇસન્સમા પહેલા એરર આવતી હોય અને એજન્ટને કામ સોંપ્યા બાદ તે કામ કોઈ પણ એરર વગર થઈ જાય છે. આ પ્રકારની એરર ભાગ્યેજ કોઇ લાઈસન્સમા આવતી હોય, મોટાભાગના લાયસન્સમા સહી આવે જ છેઅમદાવાદના ઇન્ચાર્જ આરટીઓ નિરવ બક્ષીએ જણાવ્યું કે ક્યારેક પોર્ટલમા ખામીના કારણે એવું બની શકે કે લાયસન્સિગ ઓથોરિટીની સહી વગરની પ્રિન્ટ આવી જાય. પરંતુ મોટાભાગના કેસ આ પ્રકારનું થતું નથી ક્યારેક એકાદ કેસમામા પોર્ટલમા એરરના કારણે આવું બન્યું હોય. અમદાવાદ આરટીઓમા આ પ્રકારની કોઇપણ ગેરરીતિ થતી નથી, તમામ કામ નિયમો પ્રમાણે કરવામા આવતા હોય છે. પોર્ટલમા ખામી સર્જાવાના સમસ્યાનો ઉકેલ ગાંધીનગરથી લાવી શકાશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:02 am

મંત્રી રિવાબા ક્રિકેટ રમી છવાઈ ગયા:નાણામંત્રીએ જામનગર માટે મોટી જાહેરાત કરી; ધારાસભ્યે જાહેરમાં IPS સફિન હસનને ફોન કરી શું કહ્યું?

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:00 am

મતદાર યાદીમાંથી નામ કાઢવા કેવી રીતે કારસો ઘડાયો?:ફોર્મમાં અડધી વિગતો પ્રિન્ટેડ બાકીની પેનથી ભરી; અરજી જેના નામે થઈ એ અજાણ, સીધા મામલતદાર ઓફિસે ફોર્મ જમા થયા

તમારું નામ કપાયું કે લિસ્ટમાં છે? ગુજરાતમાં અત્યારે ઠેર-ઠેર ચર્ચા ચાલી રહી છે. વાત છે મતદાર યાદીની. SIRની પ્રક્રિયામાં લોકોએ ચિંતામાં તો કેટલાકે હોંશે-હોંશે BLOને ફોર્મ ભરીને આપી દીધા. જરૂર પડ્યે દોડધામ કરીને ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવ્યા પણ હવે જે વાતો સામે આવી રહી છે એ ઘણા સવાલો ઉભા કરે છે. સામાન્ય માણસની વાત તો ઠીક, જે લોકોને રાષ્ટ્રપતિ પદ્મ એવોર્ડથી સન્માનીત કરી ચૂક્યા હોય એવા મહાનુભાવોનો જ મતાધિકાર છીનવાઈ જાય એવો કારસો ઘડાયો હોવાના પુરાવા મળ્યા છે. મતદારોની જાણ બહાર કોણ ખોટા ફોર્મ ભરી રહ્યું છે? તેની નિયમ મુજબની પ્રક્રિયા શું છે? અને આ પાછળ જવાબદાર લોકો કોણ છે? એ સમજવા અને આરોપોનું સત્ય જાણવા દિવ્ય ભાસ્કરે ટીમ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પહોંચ્યા, જ્યાંથી શાહબુદ્દીન રાઠોડનું નામ રદ કરવાની અરજી થઈ હતી. અચાનક આ મામલો કેવી રીતે ચર્ચાનો મુદ્દો બન્યો એ સમજી લો.SIRની કામગીરીમાં ૩૦ જાન્યુઆરી સુધી ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ હાલ સુધારણાનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં જો કોઈ નાગરિકનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં રહી ગયું હોય તો તેઓ નામ ઉમેરવા માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત જો કોઈનું નામ ખોટી રીતે દાખલ થયું હોય તો તેને રદ કરાવવા માટે પણ અરજી કરવાની જોગવાઈ છે. આમ, મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ-7 ભરવું પડે છે. હાલમાં આ જ ફોર્મ વિવાદનું સૌથી મોટું કારણ બન્યા છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર જો કોઈ મતદારે સ્થળાંતર કર્યું હોય, મતદારનું અવસાન થયું હોય અથવા વારંવારના સંપર્ક છતાં જે-તે વ્યક્તિની ભાળ ન મળતી હોય તો અન્ય કોઈ પણ વ્યક્તિ ફોર્મ-7 ભરીને તેનું નામ યાદીમાંથી દૂર કરવા અરજી કરી શકે છે. આ સમગ્ર પ્રક્રિયામાં વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે વિપક્ષના નેતાઓ સહિત અનેક લોકોએ આક્ષેપ કર્યો કે મતદારોના નામ ગેરકાયદેસર રીતે કમી કરવા માટે મોટા પાયે ખોટા ફોર્મ ભરીને ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જેમ કે સુરેન્દ્રનગરના થાનગઢમાંથી પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ અને જૂનાગઢમાંથી પદ્મશ્રી હાજી રમકડુંના નામ રદ કરવા માટે પણ અન્ય વ્યક્તિઓ દ્વારા ફોર્મ-7 ભરવામાં આવતા હાહાકાર મચી ગઈ. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર 25 જાન્યુઆરી સુધીમાં અંદાજે સાડા બાર લાખ જેટલા ફોર્મ-7 સબમિટ થયા છે. આક્ષેપો મુજબ આમાંથી મોટાભાગના ફોર્મ બોગસ છે અને ચોક્કસ હેતુથી મતદારોના નામ દૂર કરવા માટે ભરવામાં આવ્યા હોઈ શકે છે. ગ્રાઉન્ડલેવલે ચોંકાવનારી હકીકત જાણવા મળીચોટીલા પહોંચીને અમે આ મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે મળેલી અરજીઓના ફોર્મ મેળવ્યા. ચોટીલામાં કુલ 647 અને થાનગઢમાં 192 અરજીઓ થઈ છે. જ્યારે અમે આ ફોર્મ જોયા તો ચોંકાવનારી વિગતો ધ્યાને આવી. ચોટીલામાં નામ કમી કરવા માટેના તમામ 647 ફોર્મમાં અરજદાર તરીકે એક જ વ્યક્તિનું નામ હતું પૃથ્વીરાજસિંહ પરમાર. વળી, આ માત્ર સંયોગ નથી. કારણ કે થાનગઢમાંથી જે ફોર્મ ભરવામાં આવ્યા છે તેમાં પણ મોટેભાગે અરજદાર તરીકે એક જ વ્યક્તિ એટલે કે રાઠોડ હિતેષ જયંતીભાઈનું નામ નોંધાયેલું હતું. કોઈનું નામ મતદારયાદીમાંથી કઢાવવાનો પ્રયાસ કેટલા મોટાપાયે થયો હોઈ શકે તેનો અંદાજો ફોર્મમાં ભરેલી વિગતો પરથી આવી જાય છે. કારણ કે BLO કે ચૂંટણી પંચની વેબસાઇટ પરથી નામ કરી કરાવવાનું ફોર્મ-7 મળે છે એમાં કોઈ જ વિગતો પહેલાંથી ભરેલી હોતી નથી. પરંતુ હિતેષ રાઠોડ અને પૃથ્વીરાજસિંહ પરમારના નામે ભરાયેલા ફોર્મ-7માં મતદારની કેટલીક વિગતો પ્રિન્ટેડ હતી અને અરજદાર તરીકેનું નામ બોલપેનથી લખવામાં આવેલું છે. એનો અર્થ એવો છે કે ફોર્મ-7ની મોટાભાગની વિગતો કમ્પ્યુટરથી ભરવામાં આવી છે. નીચે આપેલું ફોર્મ-7 જુઓ, એમાં કોઈ વિગતો ભરેલી નથી. નીચે આપેલું ફોર્મ-7 હિતેષ રાઠોડે અન્ય વ્યક્તિનું નામ કમી કરાવવા માટે ભર્યું છે. એમાં જે તે મતદારની વિગતો પહેલાંથી જ પ્રિન્ટેડ છે, જ્યારે હિતેષનું નામ, એપિક નંબર અને મોબાઇલ નંબર બોલપેનથી લખવામાં આવ્યું છે. શાહબુદ્દીન રાઠોડનું ફોર્મ પણ હિતેષ રાઠોડના નામે જ ભરવામાં આવ્યું છે. હિતેષ રાઠોડ કોણ છે?અનેક લોકોના નામ કમી કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ-7માં અરજદાર તરીકે હિતેષ રાઠોડનું નામ છે. તેની સાથે ચૂંટણીકાર્ડ નંબર એટલે કે એપિક નંબર અને મોબાઇલ નંબર લખેલા છે. જેમાંના એક નંબર પર કોલ કરતા મહારાષ્ટ્રના નાસિકમાં રહેતી એક વ્યક્તિએ ફોર્મ ઉપાડ્યો. તેણે દાવો કર્યો કે આ નંબર છેલ્લા 7 મહિનાથી તેની પાસે છે. હવે હિતેષને શોધવા માટે અમે ફોર્મ-7માં લખેલા એપિક નંબરનો સહારો લીધો. ચૂંટણીપંચની વેબસાઇટ પર કોઈનો પણ એપિક નંબર નાખીને મતદારની પ્રાથમિક વિગતો જાણી શકાય છે. અમને જાણવા મળ્યું કે હિતેષ રાઠોડ ચીલોડા વિધાનસભા મતવિસ્તારમાં જ રહે છે, 26 વર્ષની ઉંમર છે અને મફતિયાપરાની શાળા નંબર-7માં તેમનું મતદાન કેન્દ્ર છે. એટલે કે આ ભાઈ સ્થાનિક જ છે. કોઈક રીતે હિતેષ રાઠોડનો સંપર્ક કરતા તેમણે આવા કોઈ ફોર્મ ભર્યા હોવાનો ઇનકાર કર્યો છે. હિતેષ રાઠોડની જેમ જ સેંકડો લોકોના ફોર્મ જેના નામે ભરાયા છે એવા પૃથ્વીરાજસિંહ પરમારને પણ અમે શોધ્યા. ચૂંટણીપંચની વેબસાઇટ પર આપેલી મુજબ સુરેન્દ્રનગરના થાનગઢના ધર્મેન્દ્રનગર વિસ્તારમાં રહે છે. 33 વર્ષની ઉંમર છે. તેઓ પોતાના નામે ભરવામાં આવેલા ફોર્મની જાણકારીથી સ્તબ્ધ છે. એટલે જ કેમેરા સામે કાંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો, પરંતુ પોતાનો પક્ષ અમારી સામે રજૂ કર્યો. આ દરમિયાન માન્યામાં ન આવે એવી જાણકારી અમને મળી. સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા પૃથ્વીરાજસિંહે જણાવ્યું કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે નાતો ધરાવતા નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું, મને આવી કોઈ અરજી વિશે જાણ સુદ્ધા નથી. મારા નામ અને મોબાઈલ નંબરનો કોઈએ ખોટો ઉપયોગ કર્યો છે. મને BLOનો ફોન આવ્યો ત્યારે જ ખબર પડી કે મારા નામે આટલા ફોર્મ ભરાયા છે. પૃથ્વીરાજસિંહે વધુમાં ઉમેર્યું કે આ અંગે નાયબ મામલતદારનો સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે તપાસની ખાતરી આપી છે. જોકે, ઓફિસમાં આ ફોર્મ કોણ જમા કરાવી ગયું તે અંગે મામલતદાર પાસે પણ કોઈ સ્પષ્ટ માહિતી નથી. પૃથ્વીરાજસિંહે તો ત્યાં સુધી કહ્યું કે જે ગામોના નામ રદ કરવાની અરજીઓ તેમના નામે થઈ છે, તે ગામો તેમણે ક્યારેય જોયા પણ નથી. આટલી જાણકારી પરથી બે મોટા અને ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. 1. કોઈના નામનો દુરુપયોગ કરીને આટલા મોટા પાયે ફોર્મ કોણે ભર્યા?2. ખોટા ફોર્મ સબમિટ કરનાર અજ્ઞાત વ્યક્તિઓ સામે હજુ સુધી FIR કેમ નોંધવામાં આવી નથી? અમને સુરેન્દ્રનગરના એક BLO સાથે નામ ગુપ્ત રાખવાની શરતે વાત કરી. તેમણે જણાવ્યું કે, નિયમ મુજબ નામ કમી કરવા માટે મૃત્યુના કિસ્સામાં મરણનો દાખલો અથવા સ્થળાંતરના કિસ્સામાં પંચરોજકામ જેવા પુરાવા જરૂરી છે. આ ફોર્મ પર BLOની સહી હોવી પણ અનિવાર્ય છે. BLOએ વધુમાં જણાવ્યું કે, અમને આટલી મોટી સંખ્યામાં ફોર્મ આવ્યા હોવાની જાણ ઉચ્ચ કક્ષાએથી થઈ છે. આ તમામ ફોર્મ ડમી હોવાની શક્યતા છે, કારણ કે તેમાં BLOની સહી નથી કે કોઈ પુરાવા જોડાયેલા નથી. આ ફોર્મ BLO એપ દ્વારા કે અમારી જાણ હેઠળ ભરવામાં આવ્યા નથી. હાલમાં આ ફોર્મ અંગેની પ્રક્રિયા સ્થગિત છે અને તાલુકા પંચાયત કે વહીવટી તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવશે, તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય રીતે નાગરિકો BLO પાસે જ ફોર્મ જમા કરાવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં સીધા મામલતદાર ઓફિસે ફોર્મ પહોંચી ગયા હોવાથી શંકાઓ વધુ ઘેરી બની છે. અમે તપાસને આગળ વધારતા એવા લોકોની મુલાકાત લીધી જેમના નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે અરજીઓ કરવામાં આવી હતી. ચોટીલામાં કુલ 839 નામ રદ કરવાની જે અરજીઓ થઈ છે, તેમાંથી ચોંકાવનારી વિગત એ છે કે 23% અરજીઓ માત્ર એક જ ગામ ઢોકડવાની છે. આ ગામના 192 લોકોના નામ કમી કરવા માટે ફોર્મ ભરવામાં આવ્યા છે. અમે ઢોકડવા ગામે પહોંચીને જેસાજીભાઈને મળ્યા, જેમના પરિવારના પાંચ સભ્યોના નામ રદ કરવાની અરજી થઈ છે. જેસાજીભાઈએ આક્રોશ સાથે જણાવ્યું, હું મારા પૂર્વજોના સમયથી ઢોકડવા ગામમાં જ રહું છું. મેં SIRની પ્રક્રિયા દરમિયાન પણ તંત્રને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. ડ્રાફ્ટ યાદીમાં અમારું નામ હતું, પરંતુ કોઈએ મને જાણ કરી કે અમારું નામ કાઢવા માટે ફોર્મ ભરાયું છે. આ સાંભળી મેં જાતે ચોટીલા મામલતદાર કચેરી જઈને રજૂઆત કરી છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ અમારું નામ હટાવવાની હિંમત કેવી રીતે કરી શકે? તેમણે વધુમાં ઉમેર્યું કે, પૃથ્વીરાજસિંહ નામના જે વ્યક્તિએ અરજી કરી છે તે અમારા ગામના નથી અને અમને ઓળખતા પણ નથી. આ સંજોગોમાં અમારે નહીં, પણ અરજી કરનારે સાબિત કરવું જોઈએ કે અમે અહીં રહેતા નથી. અમારું નામ કમી ન થઈ જાય તે માટે અમારે સતત ચોકસાઈ રાખવી પડે છે. એવું લાગે છે કે સરકાર જેવું કંઈ છે જ નહીં, જ્યારે હકીકતમાં સરકારે અમારું ધ્યાન રાખવું જોઈએ. જેસાજીભાઈના પુત્ર સંજયભાઈએ પણ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું, મારો જન્મ આ જ ગામમાં થયો છે. SIRની પ્રક્રિયા સમયે જ્યારે સાહેબો ઘરે આવ્યા ત્યારે અમે તમામ જરૂરી દસ્તાવેજો આપ્યા હતા. તેમ છતાં, અમારા નામ રદ કરવાની અરજી થઈ અને તંત્ર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એવું લાગે છે કે કોઈ એવું ઈચ્છે છે કે અમે મતાધિકારનો ઉપયોગ ન કરીએ. અમારી સરકારને વિનંતી છે કે જે લોકો ખોટી રીતે હેરાન કરે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ ષડયંત્રમાં એક જ ખાચર પરિવારના 30થી વધુ સભ્યોના નામ કાઢવાની અરજી પણ કરવામાં આવી છે. આ કુટુંબના મોભી 56 વર્ષીય રમેશભાઈએ જણાવ્યું, હું ખેતીકામ કરું છું અને જન્મથી અહીં જ રહું છું. BLO જ્યારે ફોર્મ ભરવા આવ્યા ત્યારે અમે પૂરતી વિગતો આપી હતી. બાદમાં જાણ થઈ કે મારા પરિવારના 35 સભ્યોના નામ કમી કરવા અરજી થઈ છે. જેમના નામ રદ કરવાના ફોર્મ ભરાયા છે તે તમામ લોકો હાલમાં અહીં જ હાજર છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, “અમે મામલતદારને રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. સરકારે તપાસ કરવી જોઈએ કે આ અરજીઓ કોણ આપી ગયું? આ સવાલનો જવાબ અધિકારીઓ પાસે પણ નથી.” ચોટીલામાં SIRની પ્રક્રિયા હેઠળ થયેલી ગેરરીતિઓ મુદ્દે અમે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સાથે મુલાકાત કરી, જેઓ આ મામલે મજબૂત વિરોધ નોંધાવી રહ્યા છે. ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે, અમારા બૂથ લેવલ એજન્ટ્સ (BLA) આ પ્રક્રિયા પર પહેલાથી નજર રાખી રહ્યા હતા. વાંધા અરજીના અંતિમ દિવસોમાં અચાનક જથ્થાબંધ ફોર્મ ભરાયા હોવાનું ધ્યાન પર આવતા અમે ડેપ્યુટી કલેક્ટર પાસે વિગતો માંગી હતી. તપાસ દરમિયાન અમે સ્તબ્ધ થઈ ગયા કે આ યાદીમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ પણ સામેલ હતું. મોટાભાગના ફોર્મ દલિત, આદિવાસી અને મુસ્લિમ મતદારોના નામ કમી કરવા માટે ભરાયા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ કોઈ છૂટક ઘટના નથી પણ એક સેન્ટ્રલી ષડયંત્ર લાગે છે. તમામ ફોર્મ વ્યવસ્થિત રીતે પ્રિન્ટેડ છે, જેમાં જે-તે મતદારની માહિતી પહેલેથી છાપેલી છે. માત્ર અરજદારના નામ જ પેનથી લખવામાં આવ્યા છે. અમારા સૂત્રો મુજબ, ચોટીલામાં આ ફોર્મ ભાજપના મહામંત્રી દ્વારા અને થાનગઢમાં ભાજપના શહેર પ્રમુખ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આ ચૂંટણી પંચ અને મતદારો સાથેની સીધી છેતરપિંડી છે. આ મામલે સત્ય જાણવા અમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી સુમિતકુમાર શાહનો સંપર્ક કર્યો. ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપ્યા. સુદીપકુમાર શાહ સિનિયર અધિકારી છે તેમ છતાં તેમણે આવા ગંભીર વિષય પર સત્તાવાર જવાબ આપવાને ઉલ્ટો સવાલ કર્યો કે તમે ચોટીલાના ચૂંટણી અધિકારીને ન મળ્યા? અમે કહ્યું તમે ઉપરી અધિકારી છો, તમને આ ગેરરીતિ મુદ્દે આવેદનપત્ર અપાયું હતું. એટલે તમારે જવાબ આપવો જોઈએ. ત્યારે સુદીપકુમાર શાહે કહ્યું, આવેદનપત્ર માત્ર શાહબુદ્દિન રાઠોડના નામ પૂરતું જ હતું. શરૂઆતમાં તો તેઓ અમને નિયમ સમજાવવા લાગ્યા. તેમણે કહ્યું કે ચૂંટણી પંચના નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિ ફોર્મ રજૂ કરી શકે, પૂરાવા સાથે કે પુરાવા વગર. નિયમ મુજબ ERO ફોર્મ યોગ્ય ન લાગે તો તેને રદ કરી શકે છે. એટલે અમે સવાલ કર્યો કે આ કેસમાં શું છે? તેમણે કહ્યું કે EROએ રિપોર્ટ કર્યો છે કે આ અંગે તપાસ ચાલુ છે. અમે કહ્યું કે ફોર્મ જ ખોટા છે તો પછી તપાસ કેમ? તો તેમણે આશ્ચર્યજનક ભેદ સમજાવતા કહ્યું, માત્ર વિગત ખોટી છે, ફોર્મ ખોટું નથી. જેને ઈશ્યું ઉભા કરવા છે તે તો કરશે જ. બાકી એક પ્રક્રિયા છે, તેને ફોલો કરવામાં આવે છે. BLOની તપાસ મતદારની સુનાવણી બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવતો હોય છે. અમે આગળ પૂછ્યું કે ત્રાહિત વ્યક્તિ દ્વારા ખોટી રીતે ફોર્મ ભરાઈ જવા એ ચૂંટણીપંચના સમયની બરબાદી નથી? BLOની સહી વગરના ફોર્મ સ્વિકારી લેવા એ EROની ભૂલ નથી? આ પ્રશ્નનો ઉડાઉ જવાબ આપતા તેમણે કહ્યું કે, જો હું ERO હોવ તો આ પ્રશ્નનો જવાબ આપી શકું. (જો કે પોતે સિનિયર અધિકારી છે) હું કોઈ જજ નથી કે આ જવાબ આપી શકું. અમે કહ્યું કે, ચોટીલામાં પૃથ્વીરાજસિંહ 646 ફોર્મમાં અરજદાર છે. પરંતુ આ જ વ્યક્તિને ખબર નથી કે ફોર્મ કોણે ભર્યા છે. સુદીપકુમાર શાહે કહ્યું કે, આ તો તમે મને કહ્યું એટલે જાણ થઈ. આ તમામ વાત ERO, AEROના લેવલની છે. ફોર્મ આધારે તપાસ શરૂ કરવામાં કંઈ ખોટું નથી. આ થોડી કોઈ જ્યુડિસરીની તપાસ છે. EROના અધિકાર ક્ષેત્રમાં હું દખલ ન કરી શકું. હદ તો એ વાતની છે કે સુમિતકુમાર શર્મા પોતે જ જાણે આટલી મોટી ગોલમાલની પોલ ખોલતા હોય એમ ચોંકાવનારું નિવેદન આપ્યું. અમે પૂછ્યું કે, આ EROનો સમય વેડફવાની બાબત નથી? તો નાયબ ચૂંટણી અધિકારીએ કહ્યું કે, હું કંઈ અમેરિકાનો ટ્રમ્પ નથી કે દરેક જગ્યાએ દખલ કરું. અમે કહ્યું કે, કોઈ નવરો માણસ ચૂંટણી પંચનો સમય બરબાદ કરતો હોય તો ફરી ન કરે તેવો દાખલો ન બેસાડવો જોઈએ? આ અંગે પણ હાથ અધ્ધર કરી દેતા તેમણે કહ્યું કે, જો હું ERO હોત તો ચોક્કસ દાખલો બેસાડત. પરંતુ તેમને હું કંઈ ન કહી શકું. અમે કહ્યું કે, જો ખોટા ફોર્મને આધારે EROએ કાર્યવાહી શરૂ કરી હોય તો શું કહેવાય? નાયબ ચૂંટણી અધિકારીએ કહ્યું કે, એ તો જે કરે તે ભોગવે. હું તેમના અધિકારી ક્ષેત્રમાં કંઈ ન કહી શકું. આમ, સમગ્ર વાતચીતમાં નાયબ ચૂંટણી અધિકારીએ પોતાની જવાબદારી ERO પર ઢોળી દીધી છે. તેમણે આ મામલે સત્તાવાર નિવેદન આપવાનો પણ ઈનકાર કર્યો હતો. હવે, સૌથી આશ્ચર્યની વાત એ છે કે અગાઉ ચૂંટણીપંચે કહ્યું હતું કે મતદારયાદીમાંથી નામ કરી કરાવવા માટે 12 લાખ 60 હજાર ફોર્મ ભરાયા છે. પરંતુ 31 જાન્યુઆરીએ મુખ્ય ચૂંટણી અધિકારીએ બહાર પાડેલી યાદી મુબજબ આવા ફોર્મની સંખ્યા હવે માત્ર 1 લાખ 83 હજાર થઈ ગઈ છે. સામાન્ય રીતે દિવસો વધે એમ ફોર્મની સંખ્યા પણ વધવી જોઈએ પરંતુ શંકાસ્પદ રીતે આંકડો ઘટ્યો છે. ખરેખર તો ફોર્મ પાછા ખેંચવાનો આ પ્રક્રિયામાં કોઇ નિયમ જ નથી, તેમ છતાં અગાઉ જાહેર કરાયેલો આંકડો ઘટી કેવી રીતે ગયો તે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. અંતમાં એક જીવતો જાગતો દાખલો જાણી લો. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ 6ના કોર્પોરેટર પ્રવિણ વાઘેલાએ 28 જાન્યુઆરી, 2026ના રોજ પ્રાંત અધિકારી સમક્ષ એક સોગંદનામું રજૂ કર્યું. જેમાં તેમણે લખ્યું કે જૂનાગઢ વિધાનસભાના બૂથ નંબર 235 તેમજ અન્ય કોઈપણ બૂથમાં ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે તેમાં વાંધેદાર તરીકે મારી સહી કરેલી છે. જે શરતચૂકથી થઈ છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 6:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:લુહાર-સુથાર સમાજના 8મીએ સમૂહલગ્ન, કંકોતરીથી મામેરા સુધીની સર્વ વિધિ નિ:શુલ્ક

આજના સમયમાં લગ્ન એટલે આડંબર અને વધતા ખર્ચની ચર્ચા સામાન્ય બની ગઈ છે ત્યારે સમસ્ત લુહાર–સુથાર સમાજ દ્વારા સમાજને નવી દિશા આપતું આયોજન કરાયું છે. સમાજ દ્વારા આયોજિત 50મા સામૂહિક લગ્નોત્સવમાં પહેલી વાર કંકોતરી છપાવવાથી માંડીને મામેરું અને લગ્નવિધિ પૂર્ણ થાય ત્યાં સુધીનો તમામ ખર્ચ સમાજ જ ઉઠાવશે, તેવો નિર્ણય લેવાયો છે. મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં દરેક યુગલ પાસે ટોકન ચાર્જ પેટે 2 હજાર રૂપિયા લેવાતા હતા પરંતુ આ વર્ષે એક રૂપિયો પણ ન લેવાનું સમાજના અગ્રણીઓ નક્કી કર્યું છે. હાથીજણમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારા સામૂહિક લગ્નોત્સવમાં 24 યુગલ લગ્નગ્રંથિથ જોડાશે. ખાસ વાત એ છે કે આ સમગ્ર આયોજન વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વસતા 500થી વધુ લુહાર–સુથાર સમાજના અગ્રણીઓ એકત્રિત થઈને સ્વયંસેવક તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આ સામૂહિક લગ્નોત્સવના આયોજનમાં પંકજ મિસ્ત્રી, પ્રિન્સિપાલ સોનલ પંચાલ અને કાંતિભાઈ પીઠવા સહિત સમાજના આગેવાનો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. કોઈપણ પ્રકારની ફી કે દાન વગર સમાજ દ્વારા સમગ્ર વ્યવસ્થા ઊભી કરાઈ છે. સમાજના પ્રમુખે અપીલ કરતાં જણાવ્યું હતું કે, લુહાર–સુથાર સમાજના દરેક વ્યક્તિએ, સક્ષમ હોય કે ન હોય, સામૂહિક લગ્ન અપનાવવા જોઈએ, જેથી ખોટા ખર્ચ ટાળી શકાય. સાથે જ સમાજના દરેક પ્રસંગોમાં એકતાથી જોડાવાની પણ તેમણે ભાવપૂર્વક અપીલ કરી. આ આયોજન સમાજ માટે માત્ર લગ્નોત્સવ નહીં, પરંતુ એક સામાજિક સંદેશ બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:59 am

CETની પરીક્ષા:મલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે તે શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા? જેવા સરળ પ્રશ્નો CETમાં પુછાયા

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ, જ્ઞાન શક્તિ ટ્રાઈબલ રેસિડેન્સિયલ અને રક્ષા શક્તિ સ્કૂલ્સમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના મેળવવા માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઈટી) શનિવારે યોજાઈ હતી. 5,87,697 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. પરિણામ 15મી સુધીમાં જાહેર કરાશે. 150 માર્કસની પરીક્ષામાં 150 જેટલા પ્રશ્નો પૂછાયા હતા. ઓવરઓલ પ્રશ્નોનું સ્તર અપેક્ષા મુજબનું સરળ રહ્યું હતું. મલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે તે શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા? શિયાળામાં કયા પાક લેવામાં આવે છે તે સહિતના પ્રશ્નો પૂછાયા હતા. એકંદરે પ્રશ્નપત્ર સરળ રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:58 am

નોકરી ન્યૂઝ:ડાક વિભાગમાં ધો.10 પાસને પરીક્ષા વિના 28740 જગા પર નોકરીની તક

ભારતીય પોસ્ટ વિભાગમાં આવેલી ભરતીમાં ગ્રામીણ ડાક સેવક (જીડીએસ) અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (બીપીએમ)ની 28740 જગ્યા પર ભરતીની તક છે. આ ભરતી માટે મહત્ત્વપૂર્ણ બાબત એ કે ધો.10 પાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વિના માત્ર મેરિટના આધારે દેશભરના પોસ્ટ વિભાગના 23 સર્કલમાં જોબ મેળવી શકશે. પસંદગી પામેલ ઉમેદવાર પ્રતિમાસ 29 હજારનો પગાર મેળવી શકશે. રસ ધરાવતા ઉમેદવારો 14 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકે છે. 16 ફેબ્રુઆરી સુધીમાં ફી ભરી શકાશે. એપ્લિકેશનમાં કોઈ ભૂલ જણાય તો 18-19 ફેબ્રુઆરી સુધીમાં સુધારો કરી શકાશે. પ્રથમ મેરિટ યાદી 28 ફેબ્રુઆરીએ જાહેર થશે. વેબસાઈટ indiapostgdsonline.gov.in પરથી ભરતી વિષયક તમામ વિગતો મેળવી શકાશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:57 am

પોલીસ ભરતી:પોલીસ ભરતીમાં 8 દિવસમાં 50,383 ઉત્તીર્ણ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અનેએલઆરડી કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ભરતી પ્રક્રિયામાં સમગ્ર રાજ્યમાંથી 10 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જે દર્શાવે છે કે યુવાનોમાં પોલીસ સેવામાં જોડાવાનો ભારે ઉત્સાહ છે. ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. 22 થી 29 જાન્યુઆરી દરમિયાન કુલ 1,87,874 ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 1,16,075 ઉમેદવારોએ ઉત્સાહભેર કસોટી આપી હતી. આ કડક પરીક્ષાના અંતે 50,383 ઉમેદવારો સફળતાપૂર્વક ઉતીર્ણ થયા છે. આ ભરતી પ્રક્રિયા પુરુષ ઉમેદવારો માટે 13 માર્ચ અને મહિલા ઉમેદવારો માટે 6 માર્ચ સુધી ચાલશે. રાજ્યના 15 શહેરોમાં ફુલપ્રુફ વ્યવસ્થા વચ્ચે લાખો યુવાનો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે ઉમેદવારોની શારીરિક કસોટી આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબી અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. સ્થળ પર જ ફરિયાદ નિવારણ માટે ‘અપીલ બોર્ડ’ મુકાયાં છેજો કોઈ ઉમેદવારને પોતાની ઊંચાઈ કે અન્ય માપણીમાં અસંતોષ હોય, તો તેમના માટે દરેક ગ્રાઉન્ડ પર ‘અપીલ બોર્ડ’ની સુવિધા રાખવામાં આવી છે. જેમાં SP કક્ષાના અધિકારી અને મેડિકલ ઓફિસરની હાજરીમાં પુનઃ ચકાસણી કરી ત્વરિત નિરાકરણ લવાય છે. આમ ટેકનોલોજીના ઉપયોગથી ગેરરીતિ અટકાવાશે. ત્રિવેણી સંગમ | ગેરરીતિ અટકાવવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:57 am

વિશાલ પારાશર | અમદાવાદ:વેજલપુર, મકરબામાં બ્રિજનું કામ મંથર ગતિએ ચાલતાં ટ્રાફિકની સમસ્યા, સરખેજના રોજાના તળાવમાં ગંદકીથી દુર્ગંધની સમસ્યા

સરખેજ વોર્ડની હંમેશાં ઉપેક્ષા થતી હોવાનો આ વિસ્તારમાં રહેતા નાગરિકોનું કહેવું છે. વોર્ડના વેજલપુર-મકરબામાં બ્રિજનું કામ બેથી ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. ધીમી ગતિના કામને કારણે અહીં રોજ ટ્રાફિકની સમસ્યા રહે છે. ઐતિહાસિક સરખેજ રોજાના તળાવમાં ગંદકીની વારંવાર ફરિયાદો છતાં તેનો ઉકેલ લવાતો નથી. શ્રીનંદનગર પાસે સોનલ રોડ પર દર ચોમાસે 2થી 3 ફૂટ સુધી પાણી ભરાયેલાં રહે છે, પણ તેના ઉકેલનું કોઈ નક્કર આયોજન હજુ સુધી તંત્ર લાવી શક્યું નથી. મહિના પહેલાં જ ખુલ્લા મુકાયેલાં નવા શકરી તળાવની લાઇટો બંધ હાલતમાં પડી છે. તો મકરબા પોલીસ લાઇનથી હાઈવે સુધીના રસ્તાની ફૂટપાથો પર દબાણ, આડેધડ પાર્કિંગને કારણે ચાલવાની જગ્યા જ રહી નથી. જર્જરિત કન્યા શાળા તોડી પડાઈ, નવી ક્યારે બનશે?અધૂરા બ્રિજથી ટ્રાફિક, પીયૂષનગરમાં અકસ્માતનો ભય, વરસાદમાં ગંદા પાણીની ગંભીર સમસ્યા છે. વારંવારની રજૂઆત છતાં કામગીરી થતી નથી, જેનું સત્વરે કાયમી નિરાકરણ લાવવું અનિવાર્ય છે. • દિવ્યકાંત પરમાર શાંતિપુરા ચાર રસ્તા પાસે રોડનું કામ અત્યંત ધીમું હોવાથી વાહનચાલકો પરેશાન છે. તંત્ર સત્વરે આ કામગીરી ઝડપી બનાવે અને ધૂળની ગંભીર સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી છે. • બલવાનસિંહ ચૌધરી સરખેજમાં રેલવે સ્ટેશનથી આરોગ્ય કેન્દ્ર સુધી ફૂટપાથનું કામ બજેટ છતાં અધૂરું છે. નવા શકરી તળાવની લાઈટો બંધ છે અને ત્યાં પણ ફૂટપાથની સુવિધા નથી. આ કામ વહેલીતકે પૂર્ણ કરવું જોઈએ. • સુરેશ સોલંકી વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે ઓવરબ્રિજની કામગીરી 3 વર્ષ પછી પણ અધૂરી રહેતા સ્થાનિકો ટ્રાફિક, સ્ટ્રીટલાઇટની સમસ્યાથી ત્રસ્ત છે. ધીમી ગતિથી ચાલતા કામને કારણે લોકોમાં રોષ છે. • વિનોદ ચાવડા શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, પરંતુ સરખેજ રોજા જેવાં સ્થાપત્યોનું યોગ્ય ડેવલપમેન્ટ વાતોમાં જ સીમિત છે. મકરબા પોલીસ લાઈનથી હાઈવે સુધીના રસ્તા પર ફૂટપાથ પરનાં દબાણો, ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. સરખેજ રોઝાને જોડતો અલબુરુજ ચાર રસ્તા સુધીનો રોડ પણ બિસમાર હાલતમાં છે. • નાવેદ કાઝી જર્જરિત કન્યા શાળાને તોડી પાડીને વિદ્યાર્થિનીઓને કુમાર શાળામાં બેસાડાય છે. નવી શાળા ક્યારે બનશે તેની કોઈ માહિતી નથી. કોર્પોરેટરના બજેટનો પ્રજાહિતમાં વપરાશ થયો નથી. ટીપી-85માં 2 વર્ષથી શાળાની પરવાનગી છતાં કામ અટકેલું છે. ફતેવાડીથી બાકરોલ સુધીનો ગ્રીન ઝોન હટાવી રેસિડન્સી માટે ખુલ્લો મૂકવો જોઈએ. • અઝહર વડિયા શ્રીનંદનગર પાસે સોનલ રોડ પર દર ચોમાસે 2થી 3 ફૂટ સુધી પાણી ભરાયેલાં રહે છે, પણ કોઈ ઉકેલ લવાતો નથી. મકરબાનો બ્રિજ 3 મહિનામાં શરૂ થઈ જશે વેજલપુરનો બ્રિજ અડધો વેજલપુર અને અડધો સરખેજ વોર્ડમાં આવે છે. દબાણો અને ડ્રેનેજની લાઈનોને પગલે બ્રિજનું કામ મોડું થયું છે. સરખેજ રેલવે સ્ટેશનથી હેલ્થ સેન્ટરનો રસ્તા પરના ફૂટપાથનું કામ ફેબ્રુઆરીમાં થઈ જશે. 3 મહિનામાં મકરબાનો બ્રિજ શરૂ થઈ જશે. પોલીસ હેડ ક્વાટર્સથી હાઈવે માર્ગ પર દબાણો દૂરની કાર્યવાહી કરાશે. • જયેશ ત્રિવેદી, કોર્પોરેટર

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:56 am

પ્રગતિશીલ ખેડૂત:પ્રાકૃતિક ખેતપેદાશો વેચવા ઈ-માર્કેટ બનાવી વાર્ષિક 12 લાખની આવક

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના કુકસવાડામાં રહેતા અને ધોરણ- 10 સુધી ભણેલા પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ પંડિત પ્રાકૃતિક ખેતીને આધુનિક ટેક્નોલોજી સાથે જોડી માત્ર 6 વીઘા જમીનમાંથી તેઓ વર્ષે ₹ 10થી 12 લાખની આવક મેળવી રહ્યા છે. તેઓ વેબસાઈટ બનાવીને ગાયના ઘી, ઉપરાંત પંચગવ્ય પ્રોડક્ટ, ઔષધીઓ વિગેરેનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે. મોહનભાઈના શબ્દોમાં જ એમની વાત જાણીએ.. ‘શરૂઆતમાં હું મોબાઈલ એજન્સીનો બિઝનેસ કરતો હતો પણ, કોરોનાકાળમાં ધંધો બંધ થઈ ગયો. બીમાર ગાયની સંસ્થામાં પણ હું સેવા આપતો ત્યાં ગાયના શરીરમાંથી પ્લાસ્ટિક નીકળતા જોયું ત્યાર પછી મારી જમીનમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરી. શરૂઆતમાં મેં પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી, આત્મા સાથે જોડાયો. બાગાયત વિભાગ સહિતના અધિકારીઓનું માર્ગદર્શન મળ્યું. સરકારની વિવિધ પ્રાકૃતિક કૃષિ માટેની યોજનાઓનો પણ લાભ લીધો અને પદ્મશ્રી સુભાષ પાલેકરની પ્રાકૃતિક કૃષિ માટે તાલીમ લીધી. આજે હું 6 વીઘા જમીનમાં નાળિયેરી, કેળ, હળદર, સુરણ, આંબામોરી સહિતના પાકોની મિશ્ર પાક પદ્ધતિથી ખેતી કરું છું. પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો પાસેથી ગાયના ઘીનું બ્રાન્ડિંગ અને પેકિંગ કરી અમદાવાદ, સુરત, મુંબઈ સુધી વેચીએ છીએ. પંચગવ્ય પ્રોડક્ટ, ઔષધીઓ મિશ્રિત ચા, શેમ્પૂ, તેલ, નેચરલ ફ્લોર ક્લીનર ગોનાઈલ, મોબાઇલ માટે એન્ટીરેડીએશન ચીપ, પેઈનકીલર ઓઈલ સહીતની પ્રોડકટનું પણ વેચાણ કરીએ છીએ.' ફાર્મમાં દર મહિને 30 ખેડૂતોને તાલીમ અપાય છેમાળીયાહાટીના તાલુકાના કુકસવાડા ખાતે તેમનું ગૌકૃપા ફાર્મ એ આત્માનું મોડેલ ફાર્મ જાહેર થયેલ છે. તેમજ ગુજરાતની સૌ પ્રથમ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી - હાલોલ દ્વારા ચાલતા પ્રોજેકટ અંતર્ગત અહીંયા રિસોર્સ સેન્ટર અપાયું છે. જ્યાં જૂનાગઢ જિલ્લાના 30 ખેડૂતો મહિનામાં 2 વાર બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાપસા મિશ્રપાકની પ્રેક્ટિકલ તાલીમ લઈ રહ્યા છે. ગોબર-ગૌમૂત્રથી તૈયાર થતા જીવામૃત, ઘનજીવામૃત વડે મિશ્ર-બહુસ્તરીય પદ્ધતિથી ખેતી6 વર્ષ પહેલાં રાસાયણિક ખેતી છોડીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવનાર મોહનભાઈ હવે નાળિયેરી, કેળા, હળદર, સુરણ, આંબા અને રતાળુની મિશ્ર-બહુસ્તરીય પદ્ધતિથી ખેતી કરે છે. ગાયના ગોબર-ગૌમૂત્રથી તૈયાર થતા જીવામૃત, ઘનજીવામૃત અને વિવિધ પ્રાકૃતિક કીટનાશકોનો જ ઉપયોગ કરીને તેઓ ખેતરમાં એક પણ રૂપિયાનું રાસાયણિક ખાતર કે દવા વાપરતા નથી. મોહનભાઈ પંડિત : મોબાઈલ નંબર - 99988 52699(જયરામ મહેતા સાથેની વાતચીતના આધારે)

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:47 am

ગુજરાત જ ગ્રોથ એન્જિન!:બજેટનો ‘આત્મા’ ગુજરાત ‘નિર્ભર’

દેશની સરકારે રવિવારે સ્પષ્ટ કર્યું કે ભારતના આર્થિક વિકાસનો આગામી તબક્કો ગુજરાતના સમર્થનથી આગળ વધશે. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં મેન્યુફેક્ચરિંગ, MSME, સેમિકન્ડક્ટર, ફાર્મા, ટેક્સટાઇલ, રિન્યૂએબલ એનર્જી, ડિફેન્સ અને ટૂરિઝમ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેનો સૌથી મોટો અને સીધો ફાયદો ગુજરાતને જ મળશે. સરકારનું સ્પષ્ટ વિઝન મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી અને ગ્રીન એનર્જી દ્વારા આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત બનાવવાનો છે. ગુજરાત આ વિઝનમાં માત્ર ભાગીદાર નથી, પરંતુ દેશના ગ્રોથ એન્જિન તરીકે પણ ઉભરી આવ્યું છે. બજેટમાં 200 MSME ક્લસ્ટર પાર્ક અને ₹10,000 કરોડના ગ્રોથ ફંડની જાહેરાત કરવામાં આવી છે. મેન્યુફેક્ચરિંગ હબ હોવાને કારણે ગુજરાતમાં 10 થી 12 ક્લસ્ટર પાર્ક બનવાની અપેક્ષા છે. રાજ્યમાં પહેલાથી જ ઉપસ્થિત 6.5 થી 7.5 લાખ MSME યુનિટ્સને આનો સીધો લાભ મળશે. સોલારમાં કાચા માલ અને BESS પર ડ્યુટી રાહત, ટેક્સટાઇલ માટે ₹1,500 કરોડનું પેકેજ, ડિફેન્સ બજેટમાં વધારો અને લોથલ-ધોળાવીરાના વિકાસથી ગુજરાતને નોંધપાત્ર ફાયદો થયો છે. લોથલ-ધોળાવિરાથી ગુજરાતમાં ટુરિઝમ-હોસ્પિટાલિટી સેક્ટરને ફાયદોધોળાવિરા અને લોથલ જેવા પ્રાચીન સ્થળોને ડેવલપ કરવાની જાહેરાતથી ગુજરાતમાં હોસ્પિટાલિટી તથા ટૂરિઝમ સેક્ટરને મોટો ફાયદો મળશે. આ વિસ્તાર આસપાસ રહેતા લોકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે. ઇતિહાસિક સ્થળો પર વધુ પ્રવાસીઓ વધશે અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિ વધશે નાના વ્યવસાયને વેગ મળશે. નવી પ્રવૃત્તિઓથી ટુરિઝમ સેક્ટરમાં રોકાણ વધશે, ટ્રાવેલ એજન્સીઓ, હોટેલ અને રેસ્ટોરન્ટ સેગમેન્ટમાં નવા રોકાણ આવશે. મેડિકલ ટૂરિઝમનો પણ બહોળો વ્યાપ ગુજરાતને મળશે. ટેક્સટાઈલ ગુજરાતના ઉદ્યોગોને મળશે નવી ગતિટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે 1500 કરોડના ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ગુજરાત સહિત દેશના મુખ્ય ટેક્સટાઈલ હબને સીધો ફાયદો થવાનો છે. સરકારે નેશનલ ફાઈબર સ્કિમ,, ટેક્સટાઈલ એક્સપેન્શન એન્ડ એમ્પલોયમેન્ટ સ્કિમ, ટેક્સ-ઈકો ઈનિશિએટીવ અને સમર્થ 2.0 જેવી યોજનાઓ દ્વારા ફાઈબરથી લઈને ફિનિશ્ડ ફેબ્રિક સુધી સંપૂર્ણ વેલ્યુ ચેઈન મજબૂત થશે. ગુજરાત માટે ખાસ મહત્વ એ છે કે સુરત દેશના મેનમેડ ફેબ્રિક, સાડી અને પ્રોસેસિંગ યુનિટોનું સૌથી મોટું કેન્દ્ર છે. જેમ એન્ડ જ્વેલરી SEZ વેચાણ, ઈ-કોમર્સ એક્સપોર્ટ સરળતા-ડ્યુટી લંબાવાથી મોટો ફાયદોજેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા અનેક મહત્વપૂર્ણ નીતિગત સુધારા જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને SEZ યુનિટોમાં બનેલી પ્રોડક્ટ્સને હવે સ્થાનિક બજારમાં વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે ઉત્પાદકોને સ્ટોક ક્લિયરન્સ અને કેશ ફ્લો બંનેમાં રાહત મળશે. ઈ-કોમર્સ મારફતે વિદેશમાં જ્વેલરી અને ડાયમંડના પાર્સલ મોકલવા માટે અગાઉ રહેલી 10 લાખની મર્યાદા હટાવી દેવામાં આવતા નાના અને મધ્યમ એક્સપોર્ટર્સને હવે સીધી રીતે ગ્લોબલ ગ્રાહકો સુધી પહોંચવાની તક મળશે. રિન્યુએબલ એનર્જી : ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ અને રૂફટોપ પ્રોજેક્ટ્સને મળશે ગતિસ્વચ્છ ઊર્જા સેક્ટરને પ્રોત્સાહન આપવા સોલાર ઈન્ડસ્ટ્રી માટે મહત્વપૂર્ણ રાહતો જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને સોલાર પેનલના કાચ બનાવવામાં ઉપયોગ થતા કાચા માલ જેમ કે સોડિયમ એન્ટિમોનેટ સહિતના મટીરીયલ્સ પર કસ્ટમ્સ ડ્યૂટી ઘટાડીને શૂન્ય અથવા ઓછા દરે લાવવામાં આવી છે, જ્યારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) અને સંબંધિત કેપિટલ ગુડ્સ પર પણ ડ્યૂટી છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી સુરત અને ગુજરાતની ઈન્ડસ્ટ્રીને સૌથી મોટો લાભ થશે. બાયોફાર્મા શક્તિ…બાયોફાર્મા શક્તિ અગ્રણી બનાવશે. ગુજરાતમાં આ સેગમેન્ટમાં અત્યાર સુધીમાં સરેરાશ 5000 કરોડનું રોકાણ આવી ચૂક્યું છે અને સરકારની જાહેરાતથી આગામી બે-ત્રણ વર્ષમાં વધારાનું 5-7 હજાર કરોડનું રોકાણ આવશે. સરકાર દ્વારા 10000 કરોડની ફાળવણીમાંથી ગુજરાતને 50 ટકાથી વધુ ફાળવણી થાય તેવો અંદાજ એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયનના ભાવેશ ઉપાધ્યાયે દર્શાવ્યો હતો. સમગ્ર ભારતમાં ખાસ કરીને ગંભીર અને દીર્ઘકાલીન રોગોથી પીડાતા દર્દીઓ માટે આધુનિક અને સસ્તી સારવાર વધુ વ્યાપક રીતે ઉપલબ્ધ બનશે. ફાર્મા ઉદ્યોગ માટે આ જટિલ જનરિક્સ, બાયોલોજિક્સ અને આગામી પેઢીની નવીનતામાં રોકાણ માટે મજબૂત આધાર પૂરો પાડે છે, જ્યારે દર્દીઓ માટે વહેલું નિદાન, અદ્યતન સારવાર સુધી ઝડપી પહોંચ અને વધુ સારા આરોગ્ય પરિણામોની આશા ઉભી કરે છે. અંતે, આ બધું મળીને ભારતને ‘વિશ્વની ફાર્મસી’ સાથે સાથે ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાનો વિશ્વસનીય વૈશ્વિક પુરવઠાકર્તા તરીકે વધુ મજબૂત બનાવશે. બજેટમાં ગુજરાતના સેક્ટરને શું મળ્યું, કેટલો ફાયદો થશે MSME – ગુજરાતમાં 6.7 - 7 લાખ યુનિટ મેન્યુફેક્ચરિંગ હબ હોવાથી રાજ્યને સૌથી વધારે ફાયદો મળશેએમએસએમઇ સેક્ટર માટે 200 ક્લસ્ટર પાર્કની રજૂઆત કરાઇ છે અને ગ્રોથ ફંડ માટે 10 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ હોવાથી સૌથી વધુ ફાયદો મળશે. 200માંથી 10-12 ક્લસ્ટર પાર્ક આવે તો પણ ગુજરાતમાં નવા રોકાણ, રોજગાર સર્જન તથા મેન્યુફેક્ચિરંગ ઉત્પાદનમાં ઘણું આગળ નીકળી શકે છે. ગુજરાતમાં નાના-મોટા મળીને 6.5-7 લાખ યુનિટો આવેલા છે. બજેટમાં કરવામાં આવેલ જોગવાઈથી રાજકોટ-મોરબી સહિત અનેક ઔદ્યોગિક સેન્ટરનો વિકાસ થશે અને ત્યાંના ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ચિપ મેન્યુફેક્ચરિંગ: સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 રજૂ કરશે, ગુજરાતને વધુ તકચિપ મેન્યુફેક્ચરિંગમાં દેશમાં ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે અને આગામી ટુંકાગાળામાં ગુજરાતમાંથી પહેલી કોર્મશિયલ ચિપ રજૂ કરાશે. દેશમાં ગુજરાતમાં સૌ પહેલા સેમીકંડક્ટર પોલિસી ઘડાઇ અને ચાર સેમીકંડક્ટર પ્લાન્ટને મંજૂરી મળી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 1.30 લાખ કરોડથી વધુનું રોકાણ આવી ચૂક્યું છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) 2.0નો પ્રારંભ સેમિકન્ડક્ટર સાધનો, મટીરિયલ્સ, ડિઝાઇન અને સપ્લાય ચેનમાં સહાય વિસ્તારીને અદ્યતન ચિપ્સમાં આત્મનિર્ભરતા તરફ ભારતની યાત્રાને ઝડપી બનાવશે અને વૈશ્વિક સ્પર્ધામાં ભારતને મજબૂત બનાવશે તેમજ ગુજરાતમાં રોકાણને વેગ મળશે. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે: મુખ્યમંત્રીવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે. તેમના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. એમ.એસ.એમ.ઇ. પર ભાર મૂકવામાં આવ્યો છે. જેથી ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટર બૂસ્ટ અપ થશે. - ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:45 am

મંડે પોઝિટીવ:ભાઈ સાથે પણ વાત ન કરવા દેનારા પતિથી છૂટા થઈ શિક્ષિકા જીસેટ, નેટ, સી-ટેટ, બી.એડ્ અને પીએચડી કરી આત્મનિર્ભર બની

પડ્યું પાનું નીભાવી લેવા કરતાં છેડો ફાડીને આગળ વધીએ તો એક વાર થઈ ગયેલી ભૂલનું પુનરાવર્તન થવાનો પસ્તાવો નથી રહેતો અને પછીનું જીવન અન્યો માટે દૃષ્ટાંત બની જતું હોય છે. અમદાવાદનાં ઈંગ્લીશ પેડાગોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કુંજન કે. પાટડિયા આવો જ પ્રેરણાસ્રોત બન્યાં છે. પતિના અમાનુષી ત્રાસ, સાસરિયાંનું મૌન અને બે દીકરીના ભવિષ્યની ચિંતા કરીને ડૉ. કુંજને ‘પિયા કા ઘર’નો ત્યાગ કર્યો. ભાંગી પડવાને બદલે, દુખિયા નારી બની રહેવાને બદલે નિવૃત્ત IPSનાં દીકરીએ અધૂરો મૂકેલો અભ્યાસ ફરી શરૂ કર્યો. લગ્ન પહેલાં અંગ્રેજીમાં બીએ કર્યું હતું. એ પછી પિયર આવીને બીએડ્, એમએડ્, એજ્યુકેશનમાં નેટ, અંગ્રેજી અને એજ્યુકેશન વિષયમાં એમ બે વાર જીસેટ પાસ કરી. અને હજી હમણાં જ અંગ્રેજી વિષયમાં પીએચડી પણ કર્યું. કૉલેજમાં 20 વર્ષની ઉંમરે પ્રેમ થયો અને પછી પરિવારની સંમતિથી 2004-05માં લગ્ન થયાં. છ મહિનામાં જ લગ્ન પહેલાં અને પછીની અનુભૂતિમાં આભ-જમીનનું અંતર જોયું. મનનો માણીગર ધીમેધીમે શંકાશીલ બનતો ગયો. એટલે સુધી કે રક્ષાબંધને ભાઈ સાથે વાત કરવાની પણ મનાઈ હતી. સાસરું ઘરમાંથી પીંજરું બનવા લાગ્યું. બંધન ધીમેધીમે ત્રાસનું સ્વરૂપ પણ લેવા લાગ્યો. પતિ જીપીએસસીની તૈયારી કરવા પુસ્તકાલયમાં વાંચવા જતો ને દારૂ પીને ઘરે આવતો. આવીને ગાળો આપતો, ઢોર સમજીને મારતો. સાસુ-સસરાં આંખ-કાન-મોં ખુલ્લાં રાખીને મૂક-બધીર ને અંધ બની બેસી રહેતાં. કારણ કે સમજાવવાનો પ્રયાસ કર્યો તો દીકરો બાપ ઉપર પણ હાથ ઉપાડતો. આટલા ત્રાસ છતાં બાળક આવશે તો જવાબદારીનું ભાન થશે, સુધરી જશે; એવા વિચારે સાસરિયાએ સમજાવ્યાં. પડ્યું પાનું નીભાવી લઈએ, એ વિચારે ડૉ. કુંજને મન વાળ્યું અને 2008માં દીકરીનો જન્મ થયો. પણ ધારણા ખોટી પડી. પરિસ્થિતિ હતી એના કરતાં પણ વધારે વરવી થઈ. હવે દીકરી પણ માને માર ખાતાં જોતી. દીકરી એક દિવસ નજીકમાં રહેતા નાનાને ઘરે રહેવા ગઈ અને બાળસહજ સ્વભાવે નાનાને વાત કરી. એ પછી સમજાવટનો દોર ચાલ્યો. સમજી પણ ગયા પણ પછી હતું એનું એ થવા લાગ્યું. ફરી પાછો સંતાનનો વિચાર આવ્યો અને 2015માં બીજી દીકરીએ જન્મ લીધો. આ વખતે પણ સ્થિતિ ન સુધરી. પતિ વધારે બેફામ બન્યો. ‘ પોલીસ બનવા માટે જ લગ્ન કર્યાં’તાં’, પતિનો આ સ્વાર્થનો સંબંધ ડૉ. કુંજન માટે વજ્રાઘાત પુરવાર થયો. રોજ દારૂ પીને દીકરી ખોળામાં હોય તોય લાત મારવાની પતિની આદત ન સુધરી. છેવટે બંને દીકરીના ભવિષ્યની ચિંતાએ ડૉ. કુંજને 2013માં ઉંબરો ઓળંગ્યો અને એક પછી એક ડિગ્રી મેળવી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:31 am

હવામાન વિભાગની આગાહી:ફેબ્રુઆરીમાં અમદાવાદનું તાપમાન સામાન્યથી 1થી 3 ડિગ્રી વધુ રહી શકે

ફેબ્રુઆરી મહિના દરમિયાન અમદાવાદનું તાપમાન સામાન્યથી 1થી 2 ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે, પરંતુ, સમગ્ર મહિના દરમિયાન સવાર-સાંજ ફુલ ગુલાબી ઠંડી અને બપોરે સામાન્ય ગરમીને લીધે ડબલ સિઝનનો અનુભવ થવાની શક્યતા છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ફેબ્રુઆરીના પ્રથમ ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં છાંટ છૂટ થવાની શક્યતા છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન અમદાવાદનું તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે. એટલે કે, ફેબ્રુઆરીમાં અમદાવાદનું સામાન્ય મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 14.3 ડિગ્રીની આસપાસ નોંધાતું હોય છે. પરંતુ, ફેબ્રુઆરીમાં તાપમાન સામાન્યથી 1થી 2 ડિગ્રી વધુ રહેવાની શક્યતા હોવાથી અમદાવાદનું લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી વધુ અને મહત્તમ તાપમાન 31 ડિગ્રીથી વધુ રહી શકે છે. જ્યારે 15 ફેબ્રુઆરી પછી શહેરના મહત્તમ-લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થઇ શકે છે. વાતાવરણમાં ભેજ વધતાં વાદળિયું વાતાવરણ સર્જાયુંવેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હાલમાં વાતાવરણના ઉપરના લેવલમાં ટ્રફની (ભેજની પટ્ટી) સિસ્ટમ સક્રીય થઇ છે. આ ટ્રફની સિસ્ટમ અરબી સમુદ્રથી લઇને ગુજરાત સુધી લંબાઇ છે, જેથી અરબી સમુદ્ર પરથી ભેજ ખેંચાઇને ગુજરાત તરફ આવતો હોવાથી વાતાવરણમાં ભેજ વધતાં વાદળિયું વાતાવરણ સર્જાયું છે, અને ફેબ્રુઆરીના ચાર દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. - ડો. અશોક દાસ , ડિરેક્ટર, હવામાન વિભાગ

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:23 am

મંડે પોઝિટીવ:કેન્સરમાં ગાલ, જડબું, જીભ ગુમાવ્યાં, પણ હિંમત નહિ: આઠ કેન્સર વોરિયરે સ્ટેજ પર ગીતો ગાયાં, શંખનાદ કર્યો, મોટિવેશનલ સ્પીચ આપી

‘કેન્સર એટલે જીવનનો અંત’ આ ભ્રમ તોડતો એક પ્રેરણાદાયી કાર્યક્રમ ‘ગોલ્ડન વોઇસ’ અમદાવાદ મેડિકલ એસોસિયેશન અને અમદાવાદ કેન્સર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં 8 કેન્સર વોરિયરમાંથી બેએ ગીત ગાયાં, એકે શંખનાદ કર્યો તો પાંચે મોટિવેશનલ સ્પીચ આપી હતી. આ એવા કેન્સર વોરિયર્સ છે, જેમણે ગાલ, જડબું કે જીભ ગુમાવી દીધાં, પણ હિંમત ન હાર્યા. ફાઉન્ડેશનના ડિરેક્ટર અને હેડ એન્ડ નેક સર્જન ડો. કૌસ્તુભ પટેલે જણાવ્યું કે, ‘મોઢાના કેન્સરની સર્જરી બાદ દર્દીનું જીવન કેવી રીતે પુનઃસ્થાપિત થઈ શકે છે એ બાબત પર ઓછું ધ્યાન જાય છે. એએમએ પ્રમુખ ડો. જિગ્નેશ શાહે જણાવ્યું કે, 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસના સંદર્ભમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પહેલી વાર કેન્સર વોરિયર્સને મંચ પર લાવી સમાજ સામે જીવંત ઉદાહરણ રજૂ કરાયું હતું કે, કેન્સર પછી પણ જીવન અટકતું નથી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:22 am

મંડે મેગા સ્ટોરી:યુનેસ્કોના રિવ્યુ પહેલાં હેરિટેજ ઇમારતો-સ્થાપત્યોનો ‘મેકઓવર’ કરાશે, રિસ્ટોરેશન માટે પોલિસી બનાવાશે

વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાના નિરીક્ષણ માટે યુનેસ્કોની ટીમ વર્ષના અંતમાં કે 2027ની શરૂઆતમાં અમદાવાદ આવશે. આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ પણ આવી રહી છે, જેને પગલે મ્યુનિ.એ હેરિટેજ ઇમારતો અને સ્થાપત્યોને નવો ઓપ આપવા માટે નવી નીતિને મંજૂરી આપી છે. વર્ષ 2026-27માં મ્યુનિ. હેરિટેજ ઇમારતનાં રિસ્ટોરેશન, રિપેરિંગની મંજૂરી માટેની પોલિસી બનાવશે. ઉપરાંત હેરિટેજ ઇમારતોનું મેન્યુઅલ સરવે કરાશે, દરેક ઇમારતનું ડિજિટલ ડોક્યુમેન્ટેશન કરાશે. હેરિટેજ સિટી જોવા આવતાં સહેલાણીઓ માટે ગાઇડ, હેરિટેજ અને ટૂરિસ્ટ બસ સહિતની સુવિધા તૈયાર કરાશે. ટૂરિસ્ટ બસોને ખાસ કરીને કોટ વિસ્તાર અને રિવરફ્રન્ટના મહત્ત્વનાં હેરિટેજ સ્થળો સાથે જોડશે. આ બધા માટે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટને વર્ષ 2026-27ના બજેટમાં 18.8 કરોડની ફાળવણી કરાશે. લાઇડર સ્કેનિંગ ટેક્નોલોજી : લેઝર કિરણોથી જમીન, ઇમારતોનું થ્રીડી મેપિંગ કરાશેલાઇડ સ્કેનિંગ ટેક્નોલોજી દ્વારા પ્રાપ્ત થ્રીડી સરવે, ઇમારતની સ્થિતિનું મૂલ્યાંકન અને ઇમારતોનાં ડિજિટલ આર્કાઇવ લાંબા ગાળાના સંરક્ષણ માટે વૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે. ઉપરાંત એઆર (ઓગમેન્ટેડ રિયાલિટી) અથવા વીઆર (વર્ચ્યુઅલ રિયાલિટી) તરીકે પ્રસ્તુતિ માટે પણ આ ડેટા ઉપયોગી રહેશે હેરિટેજ વારસાની જાળવણીના પ્રયાસો વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટને વર્ષ 2026-27નાં આયોજનનાં અલગ અલગ કામો માટે રૂ.18.8 કરોડનું બજેટ ફાળવાશે

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:18 am

NCPના નેતૃત્વ અંગે ચાલી રહેલી ચર્ચાએ હવે નવો વળાંક લીધો:NCPના નિવેદન પર પત્રકાર પર દોષ ઢોળીને ગોયલનો `યુ-ટર્ન'

ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના અકાળે અવસાન પછી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ) ના નેતૃત્વ અંગે ચાલી રહેલી ચર્ચાએ હવે નવો વળાંક લીધો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે પ્રફુલ્લ પટેલ એનસીપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. જોકે, આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જતાં, ગોયલે થોડા કલાકોમાં જ 'યુ-ટર્ન' લઈ લીધો છે. તેમણે પોતાના નિવેદનનું પત્રકારોએ ખોટું અર્થઘટન કર્યું હોવાનું જણાવ્યું. તેમણે દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું કે પાર્ટી પ્રફુલ્લ પટેલ નહીં પણ સુનેત્રા પવારના નેતૃત્વમાં કામ કરી રહી છે. પીયુષ ગોયલે જાહેરાત કરી હતી કે પ્રફુલ્લ પટેલને એનસીપીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જોકે આ સમાચાર આગની જેમ ફેલાતાં, પીયુષ ગોયલે સ્પષ્ટતા કરી હતી કે, એક વરિષ્ઠ પત્રકારે મને આ ખોટી માહિતી આપી હતી. મેં કોઈ પણ સત્તાવાર ચકાસણી કર્યા વિના તે નિવેદન આપ્યું હતું. હવે હું સમજી ગયો છું કે એનસીપી પાર્ટી ઉપર મુખ્ય મંત્રી સુનેત્રા અજિત પવારના નેતૃત્વમાં કામ કરી રહી છે.દરમિયાન, પીયુષ ગોયલના પહેલાં નિવેદન પછી, મનસે પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સોશિયલ મિડિયા પર લેવામાં આવેલું વલણ વિવાદના કેન્દ્રમાં રહ્યું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:12 am

સેલિબ્રિટિની ઘરની બહાર કરાયો હુમલો:ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘર પર ગોળીબારના લીધે ખળભળાટ

બોલીવુડના ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘર અજ્ઞાત વ્યક્તિ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. શનિવારે મધરાતે રોહિતના જુહુ ખાતેની બિલ્ડિંગ પર ગોળીબાર કરવામાં આવ્યો. ઘટનાની માહિતી મળતા જ જુહુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જખમી થયું નથી. આ ઘટનાની ગંભીર નોંધ લેતા મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રકરણની તપાસ સોંપવામાં આવી છે. ગોળીબાર પ્રકરણે મુંબઈ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. આ એફઆઈઆર અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ બીએનએસ અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમ હેઠળ નોંધવામાં આવી છે. આ સેલિબ્રિટિઓ પર હુમલોકોમેડિયન કપિલ શર્માની કેનેડાની કેપ્સ કેફે પર ત્રણ વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. પહેલો હુમલો 10 જુલાઈ 2025, બીજો 7 ઓગસ્ટ 2025 અને ત્રીજી વખત ઓક્ટોબર 2025માં હુમલો થયો. લોરેન્સ બિશ્નોઈની ટોળકીએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. 12 સપ્ટેમ્બર 2025ના અભિનેત્રી દિશા પટણીના બરેલી ખાતેના ઘરની બહાર બે હુલાખોરોએ ગોળીબાર કર્યો હતો. એની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈ ટોળકીએ સ્વીકારી હતી. બંને હુમલાખોર માર્યા ગયાની માહિતી પોલીસે આપી હતી. સપ્ટેમ્બર 2024માં પંજાબી ગાયક એપી ઢિલ્લોના કેનેડાના ઘરની બહાર અજ્ઞાત હુમલાખોરોઓ ગોળીબાર કર્યો હતો. બિશ્નોઈ સાથે સંબંધિત રોહિત ગોદારાએ આ ઘટનાની જવાબદારી સ્વીકારી અને પછી સોશિયલ મીડિયા પર ધમકી પણ આપી હતી. 17 ઓગસ્ટ 2025ના સવારે 5 વાગ્યે યુટ્યુબર એલ્વિશ યાદવના ગુરુગ્રામ ખાતેના ઘર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી. આ પ્રકરણમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:10 am

પંચાહ્નિકા તપોત્સવનું આયોજન કરાયું:શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પંચાહ્નિકા તપોત્સવનું આયોજન

જૈન ધર્મની તપ, ત્યાગ અને સંયમની પરંપરાને ઉજાગર કરતી એક ગૌરવસભર ધાર્મિક ઘટના રૂપે રામનગર, સાબરમતી ખાતે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના પાર્શ્વનાથ આરાધના ભવનમાં પંચાહ્નિકા તપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તથા ૧૦૮ ફૂટના આદિનાથ દાદાના પ્રેરક, જંબૂદ્વીપ, નાગેશ્વર, માંડવગઢ અને માણીભદ્ર તીર્થોના ઉદ્ધારક તથા માર્ગદર્શક ગુરુદેવ પ.પૂ.આ.ભ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સા.ના પાવન સાનિધ્યમાં આ તપોત્સવ યોજાયો હતો. કાર્યદક્ષ વિનયી પ.પૂ.આ.મ. શ્રી સૌમ્યચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. વર્ધમાનતપ આરાધક પ.પૂ.આ.મ. શ્રી વિવેકચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. પ્રવર્તક પ.પૂ. શ્રી ધૈર્યચંદ્રસાગર જી મ.સા., પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા.ની શિષ્યા, ભીષ્મ તપસ્વિની પ.પૂ.સા. શ્રી ગિરાંશુ મ.સા. શ્રીજી મ.સા.ના દિવ્ય તપોબળથી વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા પ્રસંગે પારણું શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ ટ્રસ્ટ્રી શ્રી સંજય જીવણલાલ શાહ તથા શ્રીમતી અલ્પાસંજય શાહ મહિલાવિભાગ(ઉપપ્રમુખ)ના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસર રવિવારે ઊજવાયો હતો.અલ્પ વયથી આરંભેલી કઠોર તપશ્ચર્યાઓ, અખંડ આરાધના અને સંયમમય જીવન દ્વારા તપસ્વી શ્રીનું જીવન આજે સમાજ માટે પ્રેરણાનું જીવંત પ્રતીક બન્યું છે. આ પંચાહ્નિકા તપોત્સવ દરમિયાન તપવદના, અનુમોદના, વિનંતિ, શ્રમણી-શ્રમણીઓના વંદન તથા પાંચ છોડના ઉદ્યાપન સહિત વિવિધ તપ આરાધના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે અને અનેક સાધુ-સાધ્વી ભગવંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ, સાધના અને આત્મશુદ્ધિના ભાવોથી પરિપૂર્ણ બન્યું હતું. તપસ્વી શ્રી દ્વારા કરાયેલ ૧૦૮ ઉપવાસ ગુણસંવનન, 7400 દીર્ઘ આયંબિલ, 18 માસક્ષમણ તથા અન્ય દુર્લભ તપશ્ચર્યાઓએ જૈન સમાજમાં તપમહિમા, સંયમ અને આધ્યાત્મિક ઉન્નતિના મૂલ્યોને તેમજ પ.પૂ.સા. શ્રી ગિરાંશુ ધારા જેમની વાકપ્રતુતા નું પ્રતીક વધુ મજબૂત બનાવ્યા છે. પ્રવચન, શિબિરો અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા અનેક શ્રાવક-શ્રાવિકાઓ ધર્મપથ પર આગળ વધ્યા છે.આ પાવન અવસરે સાબરમતી સંઘ અધ્યદ્મ શ્રી જયંતિભાઈ સંઘવી (રત્નમની) ધર્મે ટ્રસ્ટ્રી ધર્મેશભાઈ શાક અને શ્રી જશવંતલાલ નેમચંદ શાહ સાધુ સાધવી અને જૈન ટ્રસ્ટીઓ, સંઘના સભ્યો અને મહાનુભાવો, ધર્મપ્રેમીઓ અને સંસ્થા સભ્યો હાજર રહ્યા હજારો શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:04 am

કોર્ટનો ચુકાદો:સગીરની હત્યા કરવાના આરોપમાં પિતાને બાર વર્ષ પછી જન્મટીપ

નવજાત પુત્રની હત્યા કરવાના પ્રયાસમાં થાણેની કોર્ટે 36 વર્ષના પિતાને જન્મટીપની સજા ફટકારી છે. ઉપરાંત પત્ની અને અન્ય બે સંતાનની હત્યા કરવાના પ્રયાસ માટે કસૂરવાર ઠરાવ્યો હતો. આ ઘટના 2013માં બની હતી. એડિશનલ સેશન્સ જજ એસ જી ઈનામદારે શુક્રવારે આપેલા આદેશમાં જણાવ્યું કે પોલીસે આરોપી સુનિલ સદાશિવ પાતાડે વિરુદ્ધ સર્વ આરોપો ઉચિત શંકાની પાર સિદ્ધ કરવામાં સફળતા મેળવી છે.પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને આરોપીએ તેની પર અને તેના ત્રણ સંતાન પર હુમલો કર્યો હતો. 7 માર્ચ, 2013ના રોજ કલ્યાણ શહેરમાં તેમના ઘરે આ બધા જ સૂતેલા હતા ત્યારે આરોપીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેના નવ વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની પત્ની અને અન્ય બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, એમ પોલીસે કોર્ટને જણાવ્યું હતું. કલ્યાણમાં મહાત્મા ફુલે ચોક પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) અને 324 (ખતરનાક શસ્ત્રનો ઉપયોગ કરીને ગંભીર ઈજાઓ પહોંચાડવી) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હી.કોર્ટે તેના પુત્રની હત્યામાં તેને જન્મટીપ આપી હતી, જ્યારે અન્ય પરિવારજનોની હત્યાના પ્રયાસ માટે વધુ 10 વર્ષની કેદ આપી હતી, જે બંને સજા તેણે વારાફરતી ભોગવવાની રહેશે. ઉપરાંત આરોપીને રૂ. 10,000નો એકત્રિત દંડ કર્યો હતો અને આ રકમ ભરપાઈ તરીકે પત્નીને સોંપવાનો આદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:02 am

કોર્ટનો ચુકાદો:પત્નીની હત્યાનો આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છૂટ્યો

ફરિયાદ પક્ષ ઉચિત શંકાની પાર કસૂર સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો છે અને જુબાનીઓમાં સાતત્યતા નથી એવું કારણ આપીને થાણે જિલ્લાની કોર્ટે 50 વર્ષીય આરોપીને પત્નીની હત્યાના કેસમાં નિર્દોષ છોડી મૂક્યો છે. પ્રમુખ જિલ્લા અને સેશન્સ જજ એસ બી અગ્રવાલે થાણેના ડાયઘરમાં રહેતી શગુફ્તા શેખના પતિ મહંમદ તારિક પીરમહંમદ શેખને નિર્દોષ છોડી મૂક્યો છે. 22મી જાન્યુઆરીના રોજ આ આદેશ પસાર કરાયો હતો, જેની નકલ શુક્રવારે મળી હતી. કેસની વિગતો અનુસાર શગુફ્તા શેખ 19 મે, 2024ના રોજ ઘણા બધા ફ્રેક્ચર્સ સાથે મળી આવી હતી અને ઘરમાં બધું વેરવિખેર હતું. ફરિયાદ પક્ષનો કેસ મૃતકના ભાઈ અને પિતાની જુબાની પર આધારિત હતો. તેમણે આરોપ કર્યો હતો કે આરોપી વારંવાર પત્ની સાથે ઝઘડા કરતો હતો અને ઘટનાના દિવસે રાત્રે તેણે અમને કોલ કરીને જણાવ્યું કે પોતે લાકડીથી પત્નીને ફટકારી હતી, જેમાં તે બેભાન થઈ ગઈ છે. પોલીસે દાવો કર્યો કે આરોપી ડાયઘર પોલીસ સ્ટેશનમાં પોતે જ આવ્યો અને હુમલો કર્યો છે એવું કહીને શરણાગતી સ્વીકારી હતી. પોસ્ટમોર્ટમમાં પણ હિંસામાં મૃત્યુ થયું હોવાનું તારણ નીકળ્યું હતું. જજને જણાયું કે ફરિયાદ પક્ષની વાર્તામાં હત્યાના આરોપ પર કસૂરવાર ઠરાવવા માટે જરૂરી કાનૂની ભારનો અભાવ છે.કોર્ટે આદેશમાં નોંધ્યું કે મૃતકના ભાઈએ એવી જુબાની આપી કે તેની બહેન આરોપી દ્વારા કરાતી ગાળાગાળી અને ચારિત્ર્ય પર શંકા કરતો હતો, પરંતુ આ વાત માનવામાં આવે તેવી નથી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:02 am

ગુનો નોંધાયો:મહિલા સાથે ઠગાઈ સંબંધે દુબઈના શખસ વિરુદ્ધ ગુનો

વેપારમાં આકર્ષક રોકાણોને નામે નવી મુંબઈની મહિલા વેપારી સાથે રૂ. 43.41 લાખની છેતરપિંડી કરવા સંબંધે પોલીસે દુબઈ સ્થિત શખસ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 44 વર્ષની મહિલા ઈ-કોમર્સ વેપારમાં સંકળાયેલી હતી અને નવી મુંબઈના જૂના પનવેલમાં રહેતી હતી. તેણે પ્રેયર મેટ્સ અને ગારમેન્ટ્સમાં ડીલરશિપ માટે 2023માં ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ હતી. લિસ્ટેડ વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કર્યા પછી તેણે દુબઈ સ્થિત શખસ હોવાનો દાવો કરતા પુરુષ સાથે સંદેશવ્યવહાર શરૂ કર્યો હતો. અનેક મહિનાઓમાં તેનો વિશ્વાસ જીત્યો અને પછી બેચલર્સ માટેની રેન્ટલ પ્રોપર્ટીઝમાં વધારાનું રોકાણ કરવા માટે મનાવી. ઘર દીઠ રૂ. 1.20 લાખનો વાર્ષિક નફો થશે એમ જણાવ્યું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:બજેટ 2026- સંરક્ષણ બજેટ 15% વધ્યું, ફોન-EV સસ્તા, ભારત સાથે વર્લ્ડ કપ મેચ નહીં રમે પાકિસ્તાન; કેન્દ્રીય બજેટ ગુજરાત માટે લાભદાયી

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બજેટ 2026-27થી જોડાયેલા રહ્યા. આમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રક્ષણ બજેટ (Defense Budget) 15% વધ્યું છે. બીજા મોટા સમાચાર પાકિસ્તાન સરકારની જાહેરાતના રહ્યા. તેણે ભારત સાથે ટી-20 વર્લ્ડ કપ મેચ રમવાની ના પાડી દીધી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બજેટ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે. 2. સોનમ વાંગચુકની મુક્તિની માગને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. બજેટ 2026: ઓપરેશન સિંદૂર પછી સંરક્ષણ બજેટમાં 15%નો વધારો:ઈન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર નહીં, કેન્સરની દવા સસ્તી થશે, 3 આયુર્વેદિક એઇમ્સ; 7 હાઈસ્પીડ રેલ કોરિડોર બનશે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. તેઓ 85 મિનિટ બોલ્યા, પરંતુ સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત કરી નથી. જોકે, ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક AIIMS જેવી નવી વાતો કહી છે. બજેટ ભાષણમાં કોઈ સીધી ચૂંટણીલક્ષી જાહેરાત પણ નહોતી. ઓપરેશન સિંદૂર પછીના પ્રથમ બજેટમાં સીતારમણે ભૂ-રાજનીતિ અને પડકારોની વાત કરી અને દેશનું સંરક્ષણ બજેટ ₹6.81 લાખ કરોડથી વધારીને ₹7.85 લાખ કરોડ કર્યું. એટલે કે, કુલ સંરક્ષણ બજેટમાં 15.2% નો વધારો થયો છે. હથિયારોની ખરીદી અને આધુનિકીકરણ પર ગયા વર્ષના ₹1.80 લાખ કરોડની સરખામણીમાં આ વર્ષે ₹2.19 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મેચ નહીં રમાય:પાકિસ્તાન સરકારની જાહેરાત; બાંગ્લાદેશના સમર્થનમાં 15 ફેબ્રુઆરીના મહામુકાબલાનો બહિષ્કાર કર્યો T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ નહીં રમાય. પાકિસ્તાન સરકારે આ મેચના બોયકોટની જાહેરાત કરી છે. બંને ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં એકબીજા સામે ટકરાવાની હતી. જોકે, હાલમાં એ નક્કી નથી કે જો ભારત અને પાકિસ્તાનની ટીમ નોકઆઉટ રાઉન્ડમાં સામસામે આવશે ત્યારે પાકિસ્તાન રમશે કે નહીં? ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં એન્ટ્રી આપી હતી. ICCના આ નિર્ણયના વિરોધમાં પાકિસ્તાને ભારત સામેની મેચનો બોયકોટ કરી દીધો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. બજેટ બાદ શેરબજાર ધડામ! ₹11 લાખ કરોડ સ્વાહા:સેન્સેક્સ 1546 પોઈન્ટ ઘટીને 80,722 પર બંધ , નિફ્ટી પણ 495 પોઈન્ટ તુટ્યો, કારણ- FO પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધાર્યો બજેટ બાદ, શેરબજાર 1 ફેબ્રુઆરી (રવિવાર)ના રોજ ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 1546 પોઈન્ટ અથવા લગભગ 2% ઘટીને 80,722 પર બંધ થયો. નિફ્ટી પણ 495 પોઈન્ટ ઘટીને 24,825 પર બંધ થયો. આ ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. છેલ્લા કલાકોમાં, રોકાણકારોના લગભગ 11 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. સરકારે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)ને 0.02%થી વઘારીને 0.05% કર્યો છે. ઓપ્શન્સ પ્રીમિયમ અને એક્સરસાઇઝ પરનો STT પણ વધીને 0.15% કર્યો. આ કારણે બજારમાં આટલો ઘટાડો થયો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કોંગ્રેસનો દાવો- અનિલ અંબાણીએ એપસ્ટીન પાસે મદદ માગીઃ મોદી-ટ્રમ્પની મિટિંગ કરાવવાની હતી; શનિવારે કોંગ્રેસે કહ્યું હતું- ટ્રમ્પ માટે મોદી ઈઝરાયલમાં નાચ્યા કોંગ્રેસે રવિવારે સતત બીજા દિવસે એપ્સટિન ફાઇલ્સનો મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસના નેતા પવન ખેરાએ X પર બે પોસ્ટ શેર કરી. આમાં 16 માર્ચ, 2017ના રોજ અનિલ અંબાણી અને અમેરિકન સેક્સ અપરાધી જેફરી એપસ્ટીન વચ્ચેની ચેટના સ્ક્રીનશોટનો સમાવેશ થાય છે. ચેટમાં અનિલ અંબાણી કુશનર અને બેનન (ટ્રમ્પની નજીકના) ને મળવા માટે એપસ્ટીનની મદદ માંગતા જોવા મળે છે, અને ટ્રમ્પ-મોદીની મુલાકાત ગોઠવવામાં એપસ્ટીનની મદદ પણ માંગતા જોવા મળે છે. ખેરાની બીજી પોસ્ટમાં 24 મે, 2019ના રોજ જેફરી એપસ્ટેઇન અને સ્ટીવ બેનન વચ્ચેની વાતચીતનો સ્ક્રીનશોટ સામેલ છે. તેમાં એપસ્ટીન બેનનને કહે છે કે મોદીની મુલાકાત ખરેખર રસપ્રદ હતી. મોદીના માણસે તેમને કહ્યું કે વોશિંગ્ટન (યુએસએ)માં કોઈ તેમની સાથે વાત કરતું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ટ્રમ્પે ફરી એક વખત મોદીની ડીલની પોલ ખોલી:કહ્યું- ભારત ઈરાનના બદલે વેનેઝુએલાથી તેલ ખરીદશે, ડીલ પહેલેથી જ નક્કી છે; ચીનને પણ આવી જ ડીલ કરવા કહ્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત હવે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાને બદલે વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદશે. તેમણે દાવો કર્યો છે કે ભારતે વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદવાનો સોદો કરી લીધો છે. આ નિવેદન ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીથી એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું. જોકે, ભારત સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. ટ્રમ્પે કહ્યું, “અમે પહેલાથી જ એક ડીલ કરી લીધી છે. ભારત વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદશે, ઈરાન પાસેથી નહીં.” તેમણે એમ પણ કહ્યું કે ભારત સાથે આ સોદાનો કોન્સેપ્ટ નક્કી થઈ ચૂક્યો છે. ટ્રમ્પના મતે, ચીન પણ જો ઈચ્છે તો વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્યના 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે: MSMEથી લઈ સેમિકન્ડક્ટરમાં સિક્કો પડશે; જાણો કેન્દ્રીય બજેટથી ગુજરાતને શું ફાયદો? કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 1 ફેબ્રુઆરી, 2026એ બજેટ રજૂ કર્યું. નાણામંત્રીના 85 મિનિટના ભાષણમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત થઈ ન હતી. જોકે, ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક AIIMS જેવી નવી વાતો કહેવામાં આવી છે. ત્યારે ગુજરાતને આ બજેટથી અનેક ફાયદા થવા જઈ રહ્યા છે. જેમાં રાજ્યના 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે તો SME-MSME ગ્રોથ ફંડ માટે 10 હજાર કરોડની જાહેરાત અને સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચની જાહેરાતથી ગુજરાતમાં MSMEથી લઈ સેમિકન્ડક્ટરમાં સિક્કો પડશે, તો આવો જાણીએ ગુજરાતનું ઔધોગિક જગત આ બજેટને કેવી રીતે જુએ છે અને તેનાથી ગુજરાતને શું ફાયદો? વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'જીતુ વાઘાણીને ધોળા દિવસે તારા દેખાડવાના છે': કિશન મેર:ઋષિભારતીનો ભાવનગરની ન્યાય સભામાં હુંકાર, 'હવે આખા કોળી સમાજને 25 દિવસ દોડાવનારને દોડાવો' બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાના મામલે ન્યાય મળ્યા બાદ આજે ભાવનગરના અક્ષરપાર્ક ખાતે કોળી સમાજ દ્વારા ભવ્ય 'ન્યાય સભા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ઋષિભારતી બાપુએ હુંકાર સાથે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, નવનીત બાલધિયાને ન્યાય મળ્યો, હવે આખા કોળી સમાજને 25 દિવસ દોડાવનારને પણ દોડાવવો જોઈએ. આ ફક્ત કોળી સમાજની સભા છે, કોઈ પાર્ટીની નથી. બીજી તરફ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશ સોલંકી સહિત કેટલાક કદાવર નેતાઓ આ સભામાં ઉપસ્થિત રહ્યા નથી, જેની સમાજમાં ચર્ચા ચાલી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ: અજિત પવારના મૃત્યુથી CM ફડણવીસનો શેડ્યૂલ બદલાયો:જિલ્લા પરિષદ-પંચાયત સમિતિ ચૂંટણીનો પ્રચાર નહીં કરે; NCP વિલય પણ નક્કી નથી (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : 'મેં રશિયન છોકરીઓ સાથે સંબંધો નથી બનાવ્યા':બિલ ગેટ્સે કહ્યું- એપસ્ટીન ફાઇલ્સમાં લાગેલા આરોપો સંપૂર્ણપણે ખોટા; જાતીય રોગના દાવાને ખોટો ગણાવ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : 2027 ચૂંટણી પહેલાં PM મોદીનો પંજાબ પ્રવાસ શા માટે:32% દલિત મતદારો પર નજર, 23 બેઠકો ટાર્ગેટ; કોંગ્રેસ માટે રાજકીય ખતરાની ઘંટડી (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : ભારતે બાંગ્લાદેશની મદદ ઘટાડીને અડધી કરી:હવે ₹60 કરોડ આપશે, માલદીવ-મ્યાનમારનું ફંડ પણ ઘટાડ્યું, ભૂટાનનું વધારીને ₹2288 કરોડ કર્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : નાણા મંત્રીએ કહ્યું- STT વધારવાથી સટ્ટાબાજી અટકશે:નાના રોકાણકારોને નુકસાનથી બચાવવાનો હેતુ, AI ક્યારેય માણસની જગ્યા લઈ શકતું નથી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ : ભારત U-19 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચ્યું:પાકિસ્તાનને 58 રનથી હરાવ્યું, ગુજરાતના વેદાંત ત્રિવેદી-ખિલન પટેલ ઝળક્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સંત રવિદાસ જયંતિ:પારસ પથ્થર મળવા છતાં રવિદાસજીએ સોનાની લાલચ ન કરી, જાણો પ્રેરણાદાયી કથા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ટોયલેટમાં ફસાયા પૂર્વ CMના મીડિયા સલાહકાર રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના મીડિયા સલાહકાર મહેન્દ્ર ભારદ્વાજ ટ્રેનના ટોયલેટમાં લગભગ એક કલાક સુધી ફસાયેલા રહ્યા હતા. બાદમાં રેલવે કર્મચારીઓએ દરવાજો તોડીને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : સોના-ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ વચ્ચે લોકો તાંબા તરફ વળ્યા: એક કિલોની લગડીમાં 3 મહિનામાં 35% રિટર્ન, માર્કેટ એક્સપર્ટે ચેતવ્યા- ભંગારના ભાવે વેચવું પડશે 2. ખાખી કવર : મંત્રીએ કહ્યું, 'મારી પ્રેમિકાને મારી નાખો!’: 7 માસની ગર્ભવતી મધુમિતાની હત્યાથી UP હચમચી ગયું, કિલરે જન્મટીપના નામે VIP રૂમમાં જલસા કર્યા 3. સન્ડે જઝબાત: પોલીસે મારા પ્રાઇવેટ પાર્ટ પર ઇંટ બાંધી: માથું ખુરશીમાં બાંધીને ઊંધો લટકાવ્યો, વકીલ બનીને કેસ જાતે લડ્યો; 12 વર્ષ પછી નિર્દોષ છૂટ્યો 4. આજનું એક્સપ્લેનર:સામાન્ય લોકો માટે નીરસ કેમ રહ્યું બજેટ, ભાષણ પછી કેવી રીતે ક્રેશ થયું શેરબજાર; જાણો 5 મોટા કારણો 5. બજેટમાં કોઈ મોટું એલાન કેમ નહીં, એક્સપર્ટ પાસેથી સમજો:ગોલ્ડ બોન્ડ પર ટેક્સ છૂટ હવે 8 વર્ષ પછી; કરદાતા માટે શું બદલાયું કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મિથુન રાશિના જાતકોનું ધારેલું કામ પાર પડશે, સિંહ રાશિના લોકો માટે નવું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:00 am

છેતરપિંડીનો મામલો આવ્યો સામે:શેરોમાં રોકાણને નામે વૃદ્ધ સાથે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી

શેરબજારમાં રોકાણો કરવા પર ઉચ્ચ વળતરો મેળવી આપવાનું વચન આપીને નવી મુંબઈના 75 વર્ષીય વેપારી સાથે રૂ. 1.08 કરોડની છેતરપિંડી કરવા સંબંધે પોલીસે ગુનો દાખલ કર્યો છે. પીડિત નવી મુંબઈના વાશી વિસ્તારનો રહેવાસી છે. ગયા મહિને તેણે શેરબજારમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરોનું વચન આતી ફેસબુક પર જાહેરાત જોઈ હતી. આ જાહેરાત પર ક્લિક કરતાં જ તેને વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો અને ટ્રેડિંગ અકાઉન્ટ માટે સ્થાપિત વિવિધ છેતરામણી વેબસાઈટ્સ પર દોરવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બર, 2025 અને 6 જાન્યુઆરી વચ્ચે વૃદ્ધે 18 અલગ અલગ ટ્રાન્સફરમાં વિવિધ ખાતાંમાં રૂ. 1.08 કરોડ જમા કર્યા હતા, એમ સાઈબર સેલના અધિકારીએ જણાવ્યું હતું. વિશ્વાસ જીતવા માટે ઠગે આરંભમાં મંચ પર તેનો નફો રૂ. 4 કરોડ સુધી વધી ગયો હોવાનું બતાવ્યું હતું. જોકે વૃદ્ધે આ ભંડોળ ઉપાડવાનો પ્રયાસ કરતાં ઠગે કર અને આઈપીઓ સબ્સ્ક્રિપ્શન ફીને નામે વધુ પેમેન્ટસ માગ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોતે છેતરાયો છે એવું ધ્યાનમાં આવતાં જ વૃદ્ધે નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ થકી ફરિયાદ નોંધાવી હતી. નવી મુંબઈ સાઈબર પોલીસે 29 જાન્યુઆરીના રોજ ભારતીય ન્યાય સંહિતા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ધારાની સુસંગત જોગવાઈઓ હેઠળ બે અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:59 am

સિટી એન્કર:મહાપાલિકાનો ભાંડુપમાં એશિયાનો સૌથી મોટો જળશુદ્ધિકરણ પ્રકલ્પ

મહાપાલિકાનો ભાંડુપ જળશુદ્ધિકરણ પ્રકલ્પ એશિયાનો સૌથી મોટો પ્રકલ્પ છે. એમાં દરરોજ બે હજાર મિલિયન લીટર પાણી પર પ્રક્રિયા કરવામાં આવશે. ત્યાં 46 વર્ષ પહેલાં બાંધેલા દરરોજ 1 હજાર 910 મિલિયન લીટર ક્ષમતાના જળશુદ્ધિકરણ પ્રકલ્પનું બાંધકામ નબળું પડવાથી નવો પ્રકલ્પ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ પ્રકલ્પ એપ્રિલ 2029 સુધી પૂરો કરવાનો ઉદ્દેશ છે. મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ આ પ્રકલ્પસ્થળની મુલાકાત લીધી હતી. આ પ્રકલ્પનું કામ ઝડપી કરો એવો આદેશ તેમણે આપ્યો હતો. આ પ્રકલ્પ પૂરો થયા પછી પાણી પુરવઠા વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. ઉપરાંત વધુ દરજ્જાવાળું પાણી ઉપલબ્ધ થશે. ભવિષ્યમાં વધનારી લોકસંખ્યા, ઔદ્યોગિક જરૂરિયાત તેમ જ નાગરીકરણના કારણે વધતી પાણી માગ ધ્યાનમાં લઈને આ પ્રકલ્પ મહત્વનો છે. પાણીની વધતી જરૂરિયાત પૂરી કરવી અને આયખું પૂરું થયેલા પ્રકલ્પની જગ્યા લેવી એ મુખ્ય ઉદ્દેશ છે એમ ગગરાણીએ જણાવ્યું હતું. આ સમયે સ્પેશિયલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેંટના ઉપાયુક્ત પુરુષોતમ માળવદે, પાણી પુરવઠા પ્રકલ્પના ચીફ એન્જિનિયર મહેન્દ્ર ઉબાળે સહિત સંબંધિત એન્જિનિયરો અને અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. મુંબઈની વધતી લોકસંખ્યા અને નાગરીકરણનો વિચાર કરતા પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થાને વધુ સક્ષમ કરવી ઘણી જરૂરી છે એમ ગગરાણીએ ઉમેર્યું હતું. બે સિસ્ટમનો ઉપયોગમુંબઈને પાણી પુરવઠો કરવા બે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં એક સિસ્ટમમાં તાનસા-વૈતરણા સિસ્ટમ દ્વારા તાનસા, મોડકસાગર, મધ્ય વૈતરણા અને અપ્પર વૈતરણા જળાશળનું પાણી પાઈપલાઈન દ્વારા ગુરુત્વાકર્ષણ દ્વારા ભાંડુપ કોમ્પ્લેક્સમાં લાવવામાં આવે છે. બીજી સિસ્ટમમાં આ કોમ્પ્લેક્સના જૂના અને નવા જળશુદ્ધિકરણ કેન્દ્રમાં આ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. એ પછી એનો મુંબઈમાં પુરવઠો કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:58 am

મંડે પોઝિટીવ:ભાયખલાના રાણીબાગમાં 6 ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે મુંબઈ પુષ્પોત્સવ

મુંબઈ મહાપાલિકા અને વૃક્ષ પ્રાધિકરણના સહિયારા પ્રયાસથી ભાયખલાના વીરમાતા જીજાબાઈ ભોસલે વનસ્પતી ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય એટલે કે રાણીબાગમાં 6 થી 8 ફેબ્રુઆરીના ત્રણ દિવસમાં મુંબઈ પુષ્પોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 6 ફેબ્રુઆરીના સવારે મુંબઈ પુષ્પોત્સવનું ઉદઘાટન કરવામાં આવશે. એ પછી રાતના 8 વાગ્યા સુધી પુષ્પોત્સવ બધા મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે. બાકીના બે દિવસ એટલે ક 7 અને 8 ફેબ્રુઆરીના સવારે 8 થી રાતના 8 વાગ્યા સુધી મુંબઈ પુષ્પોત્સવ મુંબઈગરા અને પર્યટકો માટે ખુલ્લુ રહેશે. આ વર્ષે 29મો પુષ્પોત્સવ છે. મુંબઈ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણી અને અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (પૂર્વ ઉપનગરો) ડો. અવિનાશ ઢાકણેના માર્ગદર્શન હેઠળ તેમ જ ઉપાયુક્ત (ઉદ્યાન) અજિતકુમાર આંબી અને ઉદ્યાન અધિક્ષક જિતેન્દ્ર પરદેશીની દેખરેખ હેઠળ મુંબઈ પુષ્પોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિશિર ઋતુની શરૂઆત થાય એટલે મુંબઈગરા રાણીબાગના પુષ્પોત્સવની રાહ જુએ છે. ઘડિયાળના કાંટે અને પવનની ઝડપે દોડતા મુંબઈગરા માટે મુંબઈ પુષ્પોત્સવ એટલે સુંગધી તહેવાર હોય છે. વિવિધ પ્રજાતિના રંગબેરંગી ફૂલઝાડ, ફળોના ઝાડ, ઔષધીય વનસ્પતિ તેમ જ વિવિધ ઋતુઓમાં ખીલતા ફૂલો વગેરે મળીને લગભગ 5 હજાર છોડનો મુંબઈ પુષ્પોત્સવમાં સમાવેશ હોય છે. પર્યાવરણનો શોખ અને ફૂલો પર પ્રેમ કરનારા પર્યાવરણપ્રેમીઓ માટે પુષ્પોત્સવમાં ઉદ્યાન સંબંધી સામગ્રીનું વેચાણ, ઝાડ માટે જરૂરી ખાતર વગેરેની હાટડી પણ ખુલ્લી મૂકવામાં આવશે. આ ત્રણ દિવસના મુંબઈ પુષ્પોત્સવમાં નાગરિકોને મફત પ્રવેશ આપવામાં આવશે. ગાર્ડન વર્કશોપમુંબઈ પુષ્પોત્સવ સાથે જ 6 થી 8 ફેબ્રુઆરી 2026ના ત્રણ દિવસમાં ઉદ્યાન સંબંધી ગાર્ડન વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. આ વર્કશોપમાં બાગકામ કેવી રીતે કરવું, ઝાડોની સંભાળ કેવી રીતે રાખવી, રોપા-ઝાડ અને વેલને કયું ખાતર ક્યારે અને કેટલા પ્રમાણમાં આપવું એ બાબતે અભ્યાસપૂર્ણ પ્રશિક્ષણ આપવામાં આવશે. નોખી આકર્ષક સંકલ્પના મુંબઈ પુષ્પોત્સવમાં ફૂલઝાડોની સુંદર રજૂઆત અને આકર્ષક સજાવટ કરવામાં આવે છે. એ સાથે દર વર્ષે એક ખાસ સંકલ્પના રચીને પુષ્પોત્સવ ઉજવવામાં આવે છે. ગયા વર્ષે ભારતના રાષ્ટ્રીય પ્રતિકોની આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી. વિવિધ ફૂલોની મનમોહક રચના દ્વારા રાષ્ટ્રધ્વજ, ભારતરત્ન પુરસ્કારની પ્રતિકૃતિ તેમ જ રાષ્ટ્રીય ફળ આંબાની રચના ગલગોટાના ફૂલોથી તૈયાર કરવામાં આવી હતી. આ સજાવટે મુંબઈગરાના મન મોહી લીધા હતા. આ વર્ષના મુંબઈ પુષ્પોત્સવમાં પણ નોખી અને આકર્ષક સંકલ્પના રજૂ કરવામાં આવશે. સળંગ ત્રણ દિવસ ચાલનારા આ પુષ્પોત્સવને મુંબઈગરાએ માણવો એવી હાકલ મુંબઈ મહાપાલિકા તરફથી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:57 am

LCBની કાર્યવાહી:રાયપુર ગામના પાર્લરમાંથી દારૂના જથ્થા સાથે 1 પકડાયો

ગાંધીનગરના રાયપુર ગામમાં ધોળા દિવસે દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી છે,લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB-1) ની ટીમ જ્યારે ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી કે રાયપુર ગામના બળિયાદેવ વાસમાં રહેતો ગોવિંદજી ઉદાજી ઠાકોર પોતાના ''''શિવ પાર્લર'''' માં વિદેશી દારૂ સંતાડીને વેચી રહ્યો છે. પોલીસે જ્યારે શિવ પાર્લરમાં તપાસ કરી, ત્યારે પાર્લરમાં રાખેલા એક લાકડાના ટેબલના કબાટમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 42 નંગ વિદેશી દારૂની બોટલો અને 16 નંગ બીયરના ટીન કબજે કર્યા છે. આ કુલ 58 નંગ મુદ્દામાલની કિંમત અંદાજે ₹12,570/- જેટલી થાય છે. આ મામલે પોલીસે 53 વર્ષીય ગોવિંદજી ઉદાજી ઠાકોરની સ્થળ પરથી ધરપકડ કરી છે. તેની સામે ડભોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે,હાલમાં પોલીસ આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:54 am

કેબલચોરો થયા સક્રિય:મોટા ચિલોડામાં સાઈટ પરથી 100 ફૂટ કેબલની ચોરી

ગાંધીનગરના મોટા ચિલોડામાં આવેલી એક ફેબ્રિકેશન સાઈટને નિશાન બનાવી બે શખ્સોએ અંદાજે 100 ફૂટ લાંબા ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. મૂળ પેથાપુરના રહેવાસી 44 વર્ષીય ઇમરાન સિરાજભાઈ લુહાર કે જેઓ છૂટક મજૂરી અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમણે આ અંગે ચિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોટા ચિલોડાથી ગાંધીનગર તરફ જતા રોડ પર, સેતુસ્વેર કોમ્પ્લેક્ષની બાજુમાં ગુડા (GUDA) નો એક ખુલ્લો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં વિશ્વાસ ફેબ્રિકેશનના નામે કામકાજ ચાલે છે અને ત્યાં લોખંડના સામાન સાથે અન્ય સામગ્રી રાખવામાં આવે છે. ગત 29 જાન્યુઆરીના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ કામ પતાવીને સાઈટ બંધ કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 30 જાન્યુઆરીની સવારે 9 વાગ્યે જ્યારે ઇમરાનભાઈ સાઈટ પર પહોંચ્યા ત્યારે તેમને સામાન વેરવિખેર જણાયો હતો. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, ત્યાં પડેલો અંદાજે 100 ફૂટ લાંબો 6 એમ.એમ. ફોરકોર ઇલેક્ટ્રિક કેબલ ગાયબ હતો. આ કેબલની અંદાજિત કિંમત ₹18,000 જેટલી થાય છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:53 am

કેબલની ચોરી:રાયપુરમાં કંપનીના પતરા તોડી કેબલની ચોરી થઇ

ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામમાં આવેલી ‘એમ.ટેક વે સિસ્ટમ નામની કંપનીને તસ્કરોએ નિશાન બનાવી છે. કંપનીના શેડમાં બાકોરું પાડીને અજાણ્યા ચોરો અંદાજે ₹44,800ની કિંમતનો કિંમતી વેલ્ડિંગ કેબલ ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. કંપનીમાં સર્વિસ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા બળદેવભાઈ ભગવાનભાઈ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 26 જાન્યુઆરીની સાંજે સાડા છ વાગ્યે તેઓ કંપનીના મશીનો ચેક કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે 10:30 વાગ્યે જ્યારે તેઓ નોકરી પર પરત ફર્યા અને કામ શરૂ કરવા માટે વેલ્ડિંગ મશીન ચાલુ કરવા ગયા, ત્યારે તેમને જોયું કે મશીનનો કેબલ ગાયબ હતો. તપાસ કરતા માલૂમ પડ્યું કે મશીનમાંથી કેબલ કાપી નાખવામાં આવ્યો હતો. ચોરોએ ચોરી કરવા માટે કંપનીના પતરાના બનાવેલા શેડના દરવાજા પાસે પતરામાં મોટું બાકોરું પાડ્યું હતું અને તેમાંથી અંદર પ્રવેશ્યા હતા. અંદરથી તેઓ 100 મીટર લાંબો વેલ્ડિંગ કેબલ લઈ નાસી છૂટ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:53 am

અડાલજ પોલીસ દ્વારા દરોડો:શેરથાના ખેતરમાંથી 400 લીટર દેશી દારૂનો વોશ ઝડપાયો

ગાંધીનગરના શેરથા ગામેથી દંતાલી તરફ જતા રોડ પર આવેલા એક ખેતરમાં અડાલજ પોલીસે દરોડો પાડીને દેશી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જોકે,જોકે પોલીસના આવતા પહેલા જ આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. શનિવારે અડાલજ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે શેરથા ગામના પ્રહલાદજી ગલાબજી ઠાકોર ખેતરમાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે,બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને ખેતરમાં રેઇડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાં દેશી દારૂ ગાળવા માટેની ભઠ્ઠી મળી હતી. હતા, જ્યાંથી 400 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ (રસાયણ) ભરેલો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:52 am

મેગા મેડિકલ કેમ્પનુંઆયોજન કરાયું:સંત રવિદાસની જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર સિવિલમાં મેગા આરોગ્ય કેમ્પ

સંતરવિદાસની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન માટે એક વિશાળ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને સરળ અને મફત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો. કેમ્પમાં જનરલ ઓપીડી, પીડીયા (બાળરોગ), મેડિસિન, સર્જરી, સ્ત્રીરોગ, આંખ અને દાંત સહિતના તમામ વિભાગોના અનુભવી અને તજજ્ઞ ડોક્ટરો હાજર રહ્યા હતા. આ કેમ્પમાં દર્દીઓની સંપૂર્ણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને જરૂરી મુજબ સારવાર આપવામાં આવી હતી. સાથે સાથે રોગ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. દર્દીઓ માટે મફત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની ચકાસણીઓ પણ કરવામાં આવી હતી.શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા,અને લાભ લીધો હતો. કુલ મળીને 350 થી વધુ લોકોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થતો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:49 am

ચૂંટણીને લઈને કોંગ્રેસ સક્રિય થઈ:મનપા ચૂંટણીના પગલે શહેર કોંગ્રેસનું જમ્બો સંગઠન રચાયું

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ચાલુ વર્ષે યોજાનાર છે ત્યારે કોંગ્રેસ એકાએક સક્રિય બની ગઈ છે. ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનું જમ્બો સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું છે. શહેર પ્રમુખ શક્તિ પટેલની આગેવાનીમાં સામાજિક સમીકરણો ને ધ્યાને લઈ ને વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગાંધીનગરની સ્થાનિક ચૂંટણી ને ધ્યાનમાં રાખીને શહેર સંગઠન માળખાની રચના કરવામાં આવી છે. ભાજપમાં શહેર પ્રમુખની નિમણુંક ના 6 મહિના બાદ પણ હજુ સંગઠન માળખું રચાયું નથી ત્યારે કોંગ્રેસ આગોતરી તૈયારી કરી રહી છે. કોંગ્રેસ દ્વારા સામાજિક સમીકરણો સેટ કરવા જમ્બો સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 16 ઉપ પ્રમુખ, 7 મહામંત્રી અને 20 મંત્રીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 3 સહમંત્રી, કાર્યાલય મંત્રી અને સલાહકારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવક્તા તરીકે સી. જે. પરમાર અને ફેનિલ પટેલની જ્યારે મહામંત્રી તરીકે કર્મજીતસિંહ વાઘેલા, મીતુલ જોશી સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મનપાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસે અત્યારથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:48 am

450 દબાણ હટાવાયાં:રજાના દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રખાઇ

પાટનગરને દબાણ મુક્ત કરવાની ઝુંબેશ રવિવારે રજાના દિવસે પણ અવિરત રખાઇ હતી. ચોથા દિવસે રહેણાંક અને વાણિજ્યની સાથે ધાર્મિક હેતુના દબાણો સુધી તંત્ર પહોંચતા સેક્ટર 24માં ઉચાટનો માહોલ સર્જાયો હતો. દબાણ હટાવ ટુકડીએ ધર્મસ્થાન ફરતે કરાયેલી ફન્સિંગ અને ઓટલા તોડી નાંખ્યા હતાં. સેક્ટર 20, 21, 24 અને સેક્ટર 30ના વિસ્તારમાંથી ઝુંપડા સહિત 450 દબાણો હટાવાયા હતાં. દબાણકારોની ઘુસણખોરીથી શહેરનું કોઇ સેક્ટર બાકાત રહ્યું નથી. આ મુદ્દે વર્ષોની બેદરકારી કારણભુત બની છે. હવે સચિવાલયથી છુટેલા આદેશના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને રજાના દિવસે પણ ચાર સેક્ટરોમાં 10 ટીમ ઉતારીને કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. પાંચ જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર સહિત સરંજામ સાથે દબાણો હટાવવામાં આવ્યા હતાં. તેમાં માત્ર સેક્ટર 24ના વિસ્તારમાંથી જ 230 ઉપરાંત દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં. અહીં ધર્મસ્થાનો આસપાસ કરવામાં આવેલી તાર ફેન્સિંગ અને ઓટલા પર જેસીબી ચલાવવામાં આવ્યાના પગલે લોકો એકઠા થઇ ગયા હતાં. જોકે દબાણ હટાવ ટુકડીઓ દ્વારા ધર્મસ્થાનને કોઇ હાની પહોંચાડાઇ ન હતી. બાદમાં મામલો થાળે પડી ગયો હતો. આ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ઝુંપડા, છાપરાની સાથે વાણિજય હેતુ માટે બાંધવામાં આવેલા શેડ અને ઓટલા હટાવી દેવામાં આવ્યા હતાં. બીજી બાજુ સેક્ટર 20 અને 21 તથા સેક્ટર 30માં દબાણો હટાવવામાં આવ્યા હતાં. જ્યાં વાહન રિપેરીંગના ગેરેજ સંબંધે કરાયેલા 200 ઉપરાંત પાકા દબાણો અને ફેન્સિંગ દુર કરવામાં આવ્યા હતાં.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:47 am