અમદાવાદના ન્યુ ચાંદખેડા વિસ્તારમાં આવેલા કે.બી. રોયલ એલમ કોમ્પ્લેક્સમાં કાંચીપુરમ ઢોંસાની દુકાનના માલસામાન રાખવાની જગ્યામાં આગ લાગવાની ઘટના બની છે. સદનસીબે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લીધી હતી. રસોડામાં માલ-સામાન મૂક્યો હતો ત્યાં જ આગ ભભૂકીઢોંસાની દુકાનની બાજુમાં સોસાયટીની માર્જિન જગ્યામાં એક શેડ જેવું બનાવવામાં આવ્યું હતું. આ શેડમાં ઢોસા બનાવવા માટેનો માલસામાન (રસોડાનો સામાન) રાખવામાં આવ્યો હતો. આ જ જગ્યામાં અચાનક આગ લાગી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, આ જગ્યા રસોડાના કામ માટે વપરાતી હતી અને ત્યાં માલસામાન રાખવામાં આવતો હતો, જેના કારણે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત પગલાં લઈને આગને ફેલાતી અટકાવી અને તેને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી હતી. આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ અને ફાયર અધિકારીઓ ઘટનાની વધુ તપાસ કરી રહ્યા છે.
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી સુન્દરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમકાર ગ્રુપ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમ હિરેનકુમારના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં અંદાજે 500થી વધુ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ ભક્તિભાવપૂર્વક સુન્દરકાંડ પાઠમાં ભાગ લીધો હતો. સમગ્ર સ્થળ 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. આ આયોજનનો ઉદ્દેશ્ય સમાજમાં ધાર્મિક ભાવના, એકતા અને સદભાવનાનો સંદેશ ફેલાવવાનો હતો. ઓમકાર ગ્રુપના સભ્યો અને સેવાભાવી કાર્યકરોને કાર્યક્રમના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
જીવાપુરા શાળાના શિક્ષક રૂમાલ ડામોર નિવૃત્ત:વિદાય સમારંભમાં શાળા વિકાસ માટે ₹10,000નું દાન
બાવળા તાલુકાની જીવાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક રૂમાલભાઈ રાયસિંગભાઈ ડામોરનો વિદાય સમારંભ યોજાયો. તેઓ વયનિવૃત્ત થતાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમારંભ ગામના વડીલ દાદામિયા બાપુ કાદરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. બાવળા તાલુકા BRC Co. દિગ્વિજયસિંહ મોરી સાહેબ, લાલુભાઇ ડયા, અજીતભાઇ, મનીષભાઈ પ્રજાપતિ અને બીપીનભાઇ પ્રજાપતિ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, તેમના વતન ચિતવા અને જીવાપુરા ગામના લોકો તેમજ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત થનાર શિક્ષક રૂમાલભાઈ ડામોરે શાળાના વિકાસ અર્થે ₹10,000નું દાન આપવાની જાહેરાત કરી હતી. શાળા પરિવારે શિક્ષકશ્રીના આ યોગદાન અને સેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આસ્ટોડિયામાં હનુમાન જયંતિ:શ્રી બાલા હનુમાન મંદિરે ભક્તોએ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો
આસ્ટોડિયા સ્થિત શ્રી બાલા હનુમાન મંદિરે ગુરુવાર, 2 એપ્રિલ, 2026 ના રોજ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના પૂજારી દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરને રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે, પૂજારી દ્વારા શ્રી હનુમાનજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત ભાવિક ભક્તોને બુંદીના લાડુ અને ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. આ દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. માણેક ચોકના વેપારીઓ સવાર-સાંજ શ્રી હનુમાનજીના દર્શન કરવા નિયમિતપણે આવે છે. આ મંદિરમાં લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે બાધા રાખે છે અને મનોકામના પૂર્ણ થતાં દર્શન કરી પ્રસાદ ચડાવે છે.
બગદાણાના ચકચારી મારામારી કેસ બાદ ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. આજે 3 એપ્રિલના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે બાલધિયાએ પોતાની રાજકીય ઈચ્છાશક્તિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો પક્ષ તક આપશે તો તેઓ આગામી ચૂંટણી લડવા માટે પણ તૈયાર છે. બગદાણા હુમલો અને વિવાદઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ બગદાણા ધામના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો. આ કેસમાં જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા સરકારે તપાસ માટે 'સીટ' (SIT)ની રચના કરી હતી, જે બાદ જયરાજ આહિરની ધરપકડ પણ કરવામાં આવી હતી. કોળી સમાજની એકતા અને ન્યાયની લડતનવનીત બાલધિયા પર થયેલા હુમલાની ઘટનાને સમગ્ર કોળી સમાજે સખત શબ્દોમાં વખોડી હતી. ન્યાયની માંગ સાથે રાજ્યભરમાં કોળી સમાજના આગેવાનો અને લોકો રસ્તા પર ઉતર્યા હતા અને અનેક સંમેલનો પણ યોજાયા હતા. આ મુદ્દે કોળી સમાજની અભૂતપૂર્વ એકતા જોવા મળી હતી અને ન્યાય માટે છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. આ સામાજિક આંદોલન બાદ હવે નવનીત બાલધિયાની સત્તાવાર રાજકીય એન્ટ્રીથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ….
કાલુપુર ટંકશાળમાં હનુમાન જયંતિ ઉજવાઈ:જહાંપનાની પોળના રહીશોએ મંદિરે આરતી કરી, પ્રસાદ વહેંચ્યો
કાલુપુર ટંકશાળ સ્થિત જહાંપનાની પોળમાં શ્રી હનુમાન મંદિર ખાતે 2 એપ્રિલ, 2026, ગુરુવારના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી. પોળના રહીશો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પોળના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને શ્રી હનુમાનજીની આરતી ઉતારી હતી. ત્યારબાદ ઉપસ્થિત ભાવિક ભક્તોને બૂંદી અને ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં પોળના અનેક રહીશો તેમજ સ્થાનિક વ્યાપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રસાદનો લાભ લીધો હતો.
વૃંદાવન-6 બંગ્લોઝમાં હનુમાન જયંતિની ઉજવણી:સોસાયટીના સભ્યોએ ભજન અને ચાલીસા ગાન કર્યું
અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા વૃંદાવન-6 બંગ્લોઝ સોસાયટીમાં હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના સેક્રેટરી વિપુલભાઈ પટેલે ભજન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સોસાયટીના સભ્યો, બાળકો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ સાથે મળીને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું અને હનુમાનજી તથા ભગવાન રામના ભજનો ગાયા હતા. કાર્યક્રમના અંતે, સોસાયટીના સભ્ય અપૂર્વભાઈ પટેલે સૌ સભ્યો માટે નાસ્તાની વ્યવસ્થા કરી હતી, જેનો સૌએ આનંદ માણ્યો હતો. ત્યારબાદ સૌ સભ્યો પોતાના ઘરે પરત ફર્યા હતા.
હનુમાન જન્મોત્સવે મોટા વરાછામાં નશામુક્તિ અને ભંડારો:માતૃ પ્રવાહ ટ્રસ્ટ અને રાકેશ પટેલે આયોજન કર્યું
હનુમાન જન્મોત્સવ નિમિત્તે મોટા વરાછાના આકડીયા હનુમાન રામચોક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃ પ્રવાહ ચેરીટેબલ ટ્રસ્ટના રસિકભાઈ ધામેલીયા અને સામાજિક કાર્યકર રાકેશભાઈ પટેલ દ્વારા નશામુક્તિ અભિયાન, સુંદરકાંડ પાઠ અને ભંડારાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સંસ્થા દ્વારા જણાવાયું હતું કે ઘણા વ્યસની વ્યક્તિઓ દોરા-ધાગા કે દવાઓ લેવા છતાં વ્યસન છોડી શકતા નથી, કારણ કે જ્યાં સુધી તેમનું માનસિક પરિવર્તન ન થાય ત્યાં સુધી નશો છૂટતો નથી. સંસ્થા આવા વ્યક્તિઓનું સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માનસિક પરિવર્તન કરાવીને તેમનું વ્યસન છોડાવે છે. માતૃ પ્રવાહ ચેરીટેબલ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં તેમણે અનેક વ્યસની વ્યક્તિઓને નશો છોડાવીને તેમના પરિવારમાં પાછા મોકલ્યા છે. આ વ્યક્તિઓ હાલમાં શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે અને પોતાના પરિવાર તથા સમાજને મદદરૂપ થઈ રહ્યા છે. આજના સમયમાં ખરાબ ખાવા-પીવાની જીવનશૈલી અને ઘટતી શારીરિક શક્તિને કારણે વ્યસનો ઝડપથી હાવી થઈ રહ્યા છે. તમાકુ અને બીડી જેવા વ્યસનોથી થતા ભયંકર કેન્સરના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. યુવાનોમાં વધતા વ્યસનો પરિવારોને બરબાદ કરી રહ્યા છે. આથી, હનુમાન જન્મોત્સવ નિમિત્તે, ઉપસ્થિત લોકોએ પોતાના તમામ પ્રકારના વ્યસનો છોડવા માટે પ્રાર્થના કરી અને શપથ લીધા. સંસ્થાનો ખાસ નિયમ છે કે નશો છોડાવવા આવનાર વ્યક્તિની કોઈ જ્ઞાતિ કે જાતિનો ભેદભાવ રાખ્યા વિના સારવાર કરવામાં આવે છે. તેમની ગોપનીયતા જાળવવામાં આવે છે અને તેમનું નામ-સરનામું ક્યાંય જાહેર કરવામાં આવતું નથી. વધુ માહિતી માટે 9879394125 અને 9913199183 નંબર પર સંપર્ક કરી શકાય છે.
ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મજાગૃતિ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલમાં યોજાયો હતો. તેનો મુખ્ય હેતુ બાળકોમાં વાંચન પ્રત્યેનો જુસ્સો વધારવાનો અને તેમને પુસ્તકો વાંચવાની ટેવ પાડવાનો હતો. કાર્યક્રમમાં ધર્મજાગૃતિ કેન્દ્રના પ્રમુખ પ્રમોદભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. જેમાં મીરામબિકા સ્કૂલના ટ્રસ્ટી જીગીશાબેન પટેલ, સંસ્કાર વિદ્યામંદિર સ્કૂલના આચાર્ય અને શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમીના ડાયરેક્ટર મોટિવેશનલ સ્પીકર ધવલભાઇ વાળા, સફળ બાળ વિદ્યાવિહારના નિયામક દિનેશભાઈ શાહ, અનમોલ મોતી ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પાયલબેન શાહ અને રાહી ફાઉન્ડેશનના ટ્રસ્ટી જયેશભાઈ પરીખનો સમાવેશ થાય છે. આ વક્તાઓએ વિદ્યાર્થીઓને વાંચનનું મહત્વ, જીવનમાં પુસ્તકોનું સ્થાન અને કારકિર્દી ઘડતરમાં પુસ્તકોનો ફાળો વિગતવાર સમજાવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધર્મજાગૃતિ કેન્દ્ર સંસ્થા દ્વારા ઉપસ્થિત તમામ વક્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મૌઝા ગામમાં હનુમાન જયંતિનું ભવ્ય આયોજન:નેત્રંગ પાસેના મંદિરે હજારો ભક્તો ઉમટ્યા
નેત્રંગ નજીક આવેલા મૌઝા ગામના પવનપુત્ર હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારો ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. મંદિરના પૂજારી બાબુ દાદા વર્ષોથી સેવા આપી રહ્યા છે. ભક્તોમાં એવી શ્રદ્ધા પ્રવર્તે છે કે અહીં માનતા રાખવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. લોકો લાડુ, શ્રીફળ, ચોકલેટ કે પેંડા જેવી વસ્તુઓની માનતા રાખે છે. મંદિરમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ મંદિરે દેશ-વિદેશથી ભક્તો દર્શનાર્થે આવે છે. ઘણા શ્રદ્ધાળુઓ દર મહિને દાદાના દર્શન કરવા આવે છે. દર પૂનમના દિવસે અહીં હવન અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન થાય છે. હનુમાન જયંતિના દિવસે વિશેષ હવન યોજાય છે.
ગઢડામાં પશુને મારવા મુદ્દે બે કોમ વચ્ચે બબાલ:વિંછીયા પરાના રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસ તપાસ
ગઢડા શહેરના વિંછીયા પરા વિસ્તારમાં પશુઓને મારવા મુદ્દે બે કોમ વચ્ચે બબાલ થઈ હતી. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કેટલાક શખ્સો પશુઓને માર મારી રહ્યા હતા, જેનો વિંછીયા પરાના રહીશોએ વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ બબાલ શરૂ થઈ હતી. રહીશોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક શખ્સોએ લોખંડની પાઈપ અને લાકડીઓ વડે તેમને માર માર્યો હતો. ઘટના બાદ વિંછીયા પરા વિસ્તારના મોટી સંખ્યામાં રહીશો ગઢડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રહીશ કાજલબેન સહિતના લોકોએ પશુઓને માર મારનારા અને રહીશો પર હુમલો કરનારા શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવાની માંગ કરી હતી. ગઢડા VHP પ્રમુખ અર્જુન રાજ્યગુરુએ પણ પશુઓને માર મારનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
શ્રી મહાવીર બી.એડ્. કોલેજમાં દીક્ષાંત સમારોહ:ભાવિ શિક્ષકોએ રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ લીધો
શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત બી.એડ્. કોલેજ, પાંડેસરા ખાતે 1લી એપ્રિલના રોજ સેમેસ્ટર-4ના તાલીમાર્થીઓ માટે દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભાવિ શિક્ષકોને રાષ્ટ્ર નિર્માણની જવાબદારી સ્વીકારવા માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ રમણિકભાઈ ઝાપડીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ સુધાકરજી માસ્ટર અને વ્યવસ્થાપક ચંદ્રકાંતભાઈ શાહ પણ હાજર રહ્યા હતા. સવારે 10.30 કલાકે દીપ પ્રજ્વલન અને ગણેશ વંદના સાથે સમારોહનો પ્રારંભ થયો હતો. ડૉ. બિન્ની મહેતાએ મહેમાનોનો પરિચય આપ્યો હતો, જ્યારે ડૉ. અમીત સુરતીએ તાલીમાર્થીઓને દીક્ષાંત સંકલ્પ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કોલેજ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. વર્ષ 2025-26 માટે કાયસ્થ પ્રિયા વિનયકુમારને ‘બેસ્ટ કોલેજ સ્ટુડન્ટ ઓફ ધી યર’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સંસ્થાના વાર્ષિક સામાયિક 'સાર્થક'નું વિમોચન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન રમણિકભાઈ ઝાપડીયાએ પોતાના 36 વર્ષના શૈક્ષણિક અનુભવો વહેંચતા જણાવ્યું હતું કે, 'શિક્ષક બનવું એ માત્ર નોકરી નથી, પણ ઈશ્વરે આપણને કોઈનું જીવન રંગીન બનાવવાનું માધ્યમ બનાવ્યા છે.' તેમણે તાલીમાર્થીઓને શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન આપવા અને પૂર્વ તૈયારી વગર વર્ગખંડમાં ન જવા ભારપૂર્વક જણાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ સુધાકરજી માસ્ટરે જણાવ્યું કે, 'ધરતી પરનો સૌથી મોટો કલાકાર શિક્ષક છે, જે અજ્ઞાનરૂપી પથ્થરને કંડારીને જ્ઞાનરૂપી મૂર્તિ બનાવે છે. ભારતને 'વિશ્વગુરુ' બનાવવાનું સામર્થ્ય આ ભાવિ શિક્ષકોના હાથમાં છે.' કાર્યકારી પ્રધાનાચાર્યા ડૉ. જયશ્રી કાનાણી અને પ્રા. ભાવિકા પટેલે પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રા. સાગર ગાંધીએ કર્યું હતું અને આભારવિધિ પ્રા. ખુશ્બુ પટેલે કરી હતી. સમગ્ર આયોજન ડૉ. બિન્ની મહેતા અને પ્રા. ખુશ્બુ પટેલએ કર્યું હતું. કાર્યક્રમની પૂર્ણાહુતિ સામૂહિક ‘કલ્યાણમંત્ર’ના ગાન સાથે થઈ હતી.
સુરત શહેરની લાજપોર જેલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. ડિંડોલી પોલીસ દ્વારા પૈસાની લેતી દેતીના કેસમાં પકડાયેલા સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદાર રાહુલ ભગવાન ચિત્તેનું જેલમાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. કસ્ટોડિયલ ડેથની આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સચિન પોલીસ દ્વારા આ મામલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. ફરજ દરમિયાન જ રાહુલની પોલીસ દ્વારા અટકાયત કરાઈમૃતક રાહુલ ભગવાન મથુરામ ચિત્તે (ઉંમર 32 વર્ષ) સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો. ગત 24 તારીખે રાહુલ જ્યારે પોતાની નોકરી પર હતો, ત્યારે જ ડિંડોલી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. નાણાકીય વ્યવહારમાં થયેલી પોલીસ ફરિયાદ બાદ તેને લાજપોર જેલ ભેગો કરવામાં આવ્યો હતો. જોકે, ટૂંકા ગાળામાં જ તેની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. જેલના સળિયા પાછળ યુવાનના મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. વ્યાજખોરો દ્વારા માનસિક ત્રાસ અને પોલીસ કાર્યવાહીના દબાણ વચ્ચે મોતમૃતકના પિતા ભગવાનભાઈએ જણાવ્યું હતું કે, રાહુલે કોઈ વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. આર્થિક ભીંસના કારણે તે સમયસર પૈસા પરત કરી શક્યો નહોતો. પરિણામે વ્યાજખોરોએ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 24 તારીખે બપોરે 2 વાગ્યાના અરસામાં પોલીસ તેને ઉઠાવી ગઈ હતી. પરિવારનો આક્ષેપ છે કે વ્યાજખોરો દ્વારા આપવામાં આવેલા માનસિક ત્રાસ અને ત્યારબાદ પોલીસ કાર્યવાહીના દબાણ વચ્ચે રાહુલનું મોત નિપજ્યું છે. ધરપકડ બાદ જેલમાં મોકલી અચાનક હોસ્પિટલ લાવતા શંકાસિવિલ હોસ્પિટલ ખાતે હાજર મૃતકના પિતા ભગવાનભાઈએ ન્યાયની માગ કરતા જણાવ્યું હતું કે, મારો દીકરો સંપૂર્ણ સ્વસ્થ હતો, તેને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી. જે દિવસે પોલીસે તેને પકડ્યો તે દિવસે પણ તે SMCમાં પોતાની ફરજ બજાવતો હતો. પિતાના મતે, 23 તારીખે ધરપકડ બાદ તેને જેલમાં મોકલવામાં આવ્યો અને અચાનક હોસ્પિટલ લાવવામાં આવ્યો તે બાબત જ શંકા જન્માવે છે. ગત રાત્રે 11થી 12 વાગ્યાની વચ્ચે રાહુલે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરીજેલના કેદીનું હોસ્પિટલમાં મોત થતાં આ કેસ 'કસ્ટોડિયલ ડેથ' તરીકે જોવામાં આવી રહ્યો છે. નિયમ મુજબ આવા કિસ્સામાં મેજિસ્ટ્રેટની હાજરીમાં તપાસ અને પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. હાલમાં સચિન પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું જેલમાં તેને કોઈ શારીરિક તકલીફ થઈ હતી કે અન્ય કોઈ કારણોસર તેનું મોત થયું છે.
ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગોએ સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે નોડલ અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કાર્ય કરવા માર્ગદર્શન અપાયું હતું. આદર્શ આચારસંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન અને કાયદો-વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. વધુમાં, મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઇઝેશન અને ઈ-ડેશબોર્ડ, આઈટી કામગીરી, SVEEP હેઠળ મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન, એસએમએસ મોનિટરિંગ, પોલિંગ સ્ટાફ માટેની સુવિધાઓ, તાલીમ કાર્યક્રમો, કસ્ટમાઇઝ્ડ કિટ, સાયબર સિક્યુરિટી તેમજ વેબકાસ્ટિંગ અને વીડિયોગ્રાફી અંગે પણ જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ ખાતે સંસ્થાના પ્રમુખ પ્રમોદભાઈ શાહના પ્રમુખપદે યોજાયો હતો. બાળ સાહિત્ય અને કેળવણી ક્ષેત્ર સાથે સંકળાયેલા જયેશ પરીખ, જિગીષાબેન પટેલ, દિનેશભાઈ શાહ, પાયલબેન શાહ અને ધવલભાઈ વાળા અતિથિ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શહેરની વિવિધ શાળાઓના બાળકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોટાદના તેજસ્વી બાળ સાહિત્ય લેખિકા કુમારી ઈશાની નાગરનું સન્માન સંસ્થાના પ્રમુખ પ્રમોદ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
વલસાડના સાંસદ ધવલ પટેલે અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત અને મુખ્યમંત્રીને લખાયેલા પત્ર મુદ્દે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, દિલ્હીથી આવેલા એક નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણી નજીક આવે ત્યારે આમ આદમી પાર્ટીના આયાતી નેતાઓ આવી નાટકીય હરકતો કરતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો. ચૂંટણીમાં સહાનુભૂતિ મેળવવા નૌટંકી: ધવલ પટેલધવલ પટેલે વધુમાં કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈક સમયે પણ પુરાવા માંગનાર આ નેતાઓ અર્બન નક્સલ વિચારધારાને પ્રોત્સાહન આપે છે. ચૂંટણી દરમિયાન સહાનુભૂતિ મેળવવા માટે શાહી ફેંકવી, લાફા મારવા જેવી નૌટંકી કરવામાં આવે છે. ટેન્કર સ્કીમ અને મહોલ્લા ક્લિનિક જેવા પ્રોજેક્ટને પણ તેમણે ‘ડ્રામા’ ગણાવ્યા. ‘77 જેટલા આરોપીઓ AAP સાથે જોડાયેલા’તેમણે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, પંજાબમાં તેમના નેતા ડ્રગ્સ કેસમાં પકડાયા હતા, જ્યારે ગુજરાતમાં પણ અનેક AAP નેતાઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. 77 જેટલા આરોપીઓ AAP સાથે જોડાયેલા છે. ઈડર, બોટાદ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ખૂનના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓમાં નેતાઓના નામ જોડાયા હોવાના તેમણે દાવા કર્યા. ‘ગુજરાતના લોકોનો PM મોદી પર વિશ્વાસ છે’ધવલ પટેલે પ્રશ્ન ઉઠાવ્યો કે, આવા અરાજકતા ફેલાવતા તત્વો સામે કાયદો લાગુ કેમ નથી થતો? બહારથી આવીને ગુનાઓ કરનાર તત્વોને રાજકીય આશ્રય આપવામાં આવે છે તે ગંભીર બાબત છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતના લોકોનો વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છે અને રાજ્યમાં આવી “ડ્રામા પોલિટિક્સ” ક્યારેય ચાલશે નહીં. સેન્સ પૂર્ણ થયા બાદ ત્રણ સ્તરની સ્ક્રુટિનીગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. પ્રદેશ મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે, રાજ્યના વિવિધ જિલ્લા, તાલુકા અને મનપા સ્તરે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા આવતીકાલ સુધીમાં પૂર્ણ થશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણ તબક્કામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં સંકલન સમિતિમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે, ત્યારબાદ ઉમેદવારોની પેનલ તૈયાર કરીને ચૂંટણી સમિતિ સમક્ષ મુકવામાં આવશે. ઉમેદવાર પસંદગી દરમિયાન સામાજિક, રાજકીય અને સેવાકીય પૃષ્ઠભૂમિને મહત્વ આપવામાં આવશે. સાથે સાથે અરજી કરનાર ઉમેદવારો અંગે ફીડબેક મેળવી અંતિમ નામ નક્કી કરવામાં આવશે. ઉમેદવારી પ્રક્રિયાને લઈ અનિલ પટેલનું નિવેદનઅનિલ પટેલે વધુમાં જણાવ્યું કે, ઉમેદવારી માટેના માપદંડો ચૂંટણી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે, જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. અંતે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો દ્વારા સામૂહિક ચર્ચા કરીને અંતિમ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવશે.
મણિનગર બારગામ દશાનાગર સમાજે હાટકેશ્વર જયંતિ ઉજવી:450થી વધુ પરિવારજનોએ મહાપ્રસાદનો લાભ લીધો
મણિનગર સ્થિત બારગામ દશાનાગર વણિક સમાજ દ્વારા હાટકેશ્વર જયંતિ ઉજાણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 450થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના પરિવારજનોએ આ ઉજાણી પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને મહાપ્રસાદનો લાભ લીધો હતો, જે આયોજનનો મુખ્ય ભાગ હતો.
રાહી ફાઉન્ડેશન દ્વારા લર્નિંગ ક્લિનિક સ્કૂલના દિવ્યાંગ બાળકો સાથે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને મનભાવન ભોજન પીરસવામાં આવ્યું હતું, જેમાં લાડુ, ફૂલવડી, રોટલી, શાક, દાળ અને ભાતનો સમાવેશ થતો હતો. ભોજન ઉપરાંત, તેમને કેડબરી અને બિસ્કિટના પેકેટ પણ ભેટમાં આપવામાં આવ્યા હતા. બાળકોના મનોરંજન માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ અને નિહારિકા પરીખે કાર્યક્રમનું સંકલન કર્યું હતું. લર્નિંગ ક્લિનિક સ્કૂલના કુસુમબેન અને તેમના સેવાભાવી સ્ટાફ દ્વારા આ કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સહયોગી દાતાઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સીમાડા ચાર રસ્તાનું નામ બદલાયું:હવે 'જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક' તરીકે ઓળખાશે, સમિતિની મંજૂરી
સુરતના સીમાડા નાકા ચાર રસ્તાનું નામ બદલીને 'જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક' કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આજે શ્રી વ્રજવિલાસ હવેલીના ૧૦મા પાટોત્સવ નિમિત્તે આ નામકરણ સમારોહ યોજાયો હતો. વરાછા રોડ પર મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો વસવાટ કરે છે અને સીમાડા નાકા ખાતે છેલ્લા ૧૦ વર્ષથી શ્રી વ્રજવિલાસ હવેલી આવેલી છે. આ સંપ્રદાયના સ્થાપક જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના નામ પરથી ચોકનું નામ રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને ભારતીય જનતા પાર્ટીના પ્રયાસોથી આ નામકરણનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયો હતો, જેને મંજૂરી મળી હતી. નામકરણ સમારોહમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ, વૈષ્ણવાચાર્ય પુરુષોત્તમલાલજી મહારાજ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે 'જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક'નું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ નામકરણથી શ્રી વ્રજવિલાસ હવેલીના જયેશ લાખાણી, જીતુ ભીમાણી, રજની ચાંચડ, મુકેશ લાખાણી, વિશ્વાસ વેકરિયા, કિશન ગજેરા, અશ્વિન લીંબાસિયા, અજય સોંડાગર સહિત કમિટીના સભ્યો અને સુરતમાં વસતા લાખો વૈષ્ણવોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.
સુરત ખાતે નગર પ્રાથમિક શાળા નંબર 149 માં KP Human Development Foundation દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 186 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં પ્રાથમિક સ્તરથી જ અભ્યાસ પ્રત્યે ઉત્સાહ, આત્મવિશ્વાસ અને પ્રગતિશીલ વલણ વિકસાવવાનો હતો. KP ગ્રૂપના ચેરમેન ડૉ. ફારૂક પટેલે કહ્યું. બાળકો દેશનું ભવિષ્ય છે. જો આપણે તેમને પ્રાથમિક કક્ષાથી જ પ્રોત્સાહન આપીએ, તો તેઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ જીવનમાં વધુ સારી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. KP Human Development Foundationનો હેતુ દરેક બાળક સુધી ગુણવત્તાસભર શિક્ષણ અને પ્રેરણા પહોંચાડવાનો છે. કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય, શિક્ષકો અને KP ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ઇનામ પ્રાપ્ત કર્યા હતા.
શારદા સ્પેશિયલ સ્કૂલ, બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ખાતે 2 એપ્રિલ, 2026 ના રોજ વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે નિમિત્તે એક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાના મનોદિવ્યાંગ વિદ્યાર્થી સૈયદ મોહમ્મદ રેહાન દ્વારા બનાવેલા ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ મનોદિવ્યાંગ બાળકોની સર્જનાત્મકતા, કલાત્મક ક્ષમતા અને આત્મવિશ્વાસને સમાજ સમક્ષ રજૂ કરવાનો હતો. રેહાને વિવિધ વિષયો પર રંગબેરંગી ચિત્રો બનાવી પોતાની કલ્પનાશક્તિ અને પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે અમદાવાદના જાણીતા કલાકારો કુલીનભાઈ પટેલ, દિલીપભાઈ દવે, મનહરભાઈ કાપડિયા અને હંસાબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રેહાનના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો બાળકોમાં નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડે છે. પ્રદર્શન દરમિયાન વાલીઓ, શિક્ષકો અને શહેરના અનેક પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી રેહાનને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સંસ્થાના સંચાલકશ્રીએ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહેશે.
મહેસાણા શહેરના રાધનપુર ચોકડીથી મોઢેરા સર્કલ વચ્ચેના હાઈવે પર ગત બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા પિકઅપ ડાલાએ એક્ટિવાને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પિકઅપ ડાલા એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતીમૂળ ભાન્ડુ ગામના વતની અને હાલ મહેસાણા કસ્બા પોલીસ ચોકી સામે રહેતા રાધેશ્યામ વિશ્વકર્મા (સુથાર) વિમલ ડેરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ગત બપોરે તેઓ પોતાનું એક્ટિવા (નંબર: GJ-02-AM-0790) લઈને રાધનપુર ચોકડીથી મોઢેરા સર્કલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર પિકઅપ ડાલા (નંબર: GJ-15-AX-7484) ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટૂંકી સારવાર દરમિયાન દમ તોડ્યોઅકસ્માતમાં રાધેશ્યામભાઈને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા જ પુત્ર શિવકુમાર સહિતના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. ઇજાગ્રસ્તને મહેસાણા સિવિલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરીઆ બનાવ અંગે મૃતકના પુત્રએ પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
મહીસાગર LCBએ વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશન ગુનાના ફરાર આરોપી જગપાલસિંહ ઉર્ફે જોની લાલસિંહ ચુંડાવતને ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી પકડાયો હતો. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના નિર્દેશ બાદ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે LCB દ્વારા વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB સ્ટાફના મહીપાલસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, વિરપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન કલમ 65(એ)(એ), 98(2), 81, 116(2) અને BNS-2023 ની કલમ 111(2)બી હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી જગપાલસિંહ ઉર્ફે જોની તેના ઘરે હાજર છે. બાતમીના આધારે, LCB સ્ટાફે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સરથુણા (તા. સીમલવાડા) ખાતે આવેલા આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો. મૂળ પરદા ચુંડાવત, તા. સાબલા, જી. ડુંગરપુર (રાજસ્થાન) નો રહેવાસી જગપાલસિંહ ઉર્ફે જોની લાલસિંહ ચુંડાવત ત્યાંથી મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી શહેરમાં સિટી બસના ચાલકે નજીવા અકસ્માત બાદ વૃદ્ધ રિક્ષાચાલક પર લોખંડના પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દરજી પંચ વાડી પાસે બનેલી આ ઘટનામાં રાહદારીઓએ સમયસર દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને એક રિક્ષા વચ્ચે સામાન્ય અકસ્માત થયો હતો. બસ રિક્ષા સાથે સહેજ અડી જતાં બંને ચાલકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા સિટી બસનો ચાલક ગુસ્સે ભરાયો હતો. તેણે બસમાંથી લોખંડનો પાઇપ કાઢી જાહેરમાં વૃદ્ધ રિક્ષાચાલકને મારવાનો પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરે વૃદ્ધે તેને ગાળો આપી હોવાનું કહીને રસ્તા વચ્ચે હંગામો મચાવ્યો હતો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રાહદારીઓ તાત્કાલિક વચ્ચે પડ્યા હતા અને ડ્રાઈવરને અટકાવ્યો હતો. લોકોએ સમજાવટ કરતા ડ્રાઈવર બસ લઈને ત્યાંથી રવાના થયો હતો, જેના કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને અનેક સવાલો ઉભા થયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરમાં હથિયાર ન કાઢવા અંગેનું જાહેરનામું અમલમાં છે. ત્યારે બસમાં પાઇપ રાખવા અને તેનો જાહેરમાં ઉપયોગ કરવા સામે પોલીસ કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી રહી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે સિટી બસમાં ડ્રાઇવરોને આ રીતે લોખંડના પાઇપ રાખવાની છૂટ કોણે આપી? નવસારી પોલીસ આવા હિંસક વ્યવહાર કરતા ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ? આ ઉપરાંત, નવસારી મહાનગરપાલિકા આ ઘટના બાદ સિટી બસના ઇજારદાર સામે કોઈ દંડનાત્મક પગલાં ભરશે કે નહીં તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. મુસાફરોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પાલનપુરના ચડોતર સ્થિત બનાસ કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઈચ્છુક ઉમેદવારો ઉમટી પડ્યા હતા. રાજ્યભરમાં આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં બનાસકાંઠા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની 48 બેઠકો, 10 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે મતદાન થશે. ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. નિરીક્ષકોએ ઉમેદવારોના ફોર્મ સ્વીકારી તેમની રજૂઆતો સાંભળી હતી. આ તમામ વિગતો પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડને સુપ્રત કરવામાં આવશે. ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોની અંતિમ પસંદગી કરવામાં આવશે. ભાજપની આ સેન્સ પ્રક્રિયાને કારણે જિલ્લાના રાજકીય માહોલમાં વધુ ગરમાવો આવ્યો છે. હવે ભાજપ કોને ટિકિટ આપે છે તેના પર સૌની નજર રહેશે.
નવસારી કોંગ્રેસમાં 20 કાર્યકરોના રાજીનામા બાદ સમાધાન:ટિકિટ વહેંચણી માટે સંકલન સમિતિની રચના કરાઈ
નવસારી શહેર કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. નવનિયુક્ત શહેર પ્રમુખની નિમણૂક સામે નારાજ થયેલા 20થી વધુ કાર્યકરો અને અગ્રણીઓના રાજીનામા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હસ્તક્ષેપ કર્યો હતો. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં પક્ષપાત ટાળવા માટે ખાસ 'સંકલન સમિતિ'ની રચના કરવામાં આવી છે. આ વિવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણૂક બાદ શરૂ થયો હતો. નારાજ કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે નવનિયુક્ત શહેર પ્રમુખ ટિકિટ વહેંચણીમાં પોતાના અંગત લોકોને પ્રાધાન્ય આપશે. આ મુદ્દે 20થી વધુ સક્રિય કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપી દીધા હતા, જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષની છબીને નુકસાન થયું હતું. વિવાદનો ઉકેલ લાવવા માટે પ્રદેશ કોંગ્રેસે સુરતના અગ્રણી નેતાઓ અસલમ સાયકલવાળા અને ધનસુખ રાજપૂતને નવસારીના નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. આ બંને નેતાઓએ તાત્કાલિક નવસારી પહોંચી નારાજ જૂથના આગેવાનો સાથે બેઠકો યોજી હતી. લાંબી ચર્ચાઓ અને સમજાવટ બાદ, રિસાયેલા કાર્યકરોને મનાવી લેવામાં આવ્યા હતા. તેમણે પક્ષમાં ફરી સક્રિય થવા માટે સંમતિ દર્શાવી છે, જેનાથી કોંગ્રેસમાં એકતાનું વાતાવરણ પુનઃસ્થાપિત થયું છે. ટિકિટ વહેંચણીમાં કોઈ એક વ્યક્તિનો પક્ષપાત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે હવે 'સંકલન સમિતિ'ની રચના કરવામાં આવી છે. આ સમિતિ નવસારી નગરપાલિકાના 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરશે. આ સમિતિમાં સુરતથી અસલમ સાયકલવાળા અને ધનસુખ રાજપૂતનો સમાવેશ થાય છે. નવસારીમાંથી શહેર પ્રમુખ દીપક બારોટ અને કાર્યકારી પ્રમુખ રાજન જોશી પણ સમિતિના સભ્યો છે. આ ઉપરાંત, નારાજ જૂથમાંથી પૂર્વ શહેર પ્રમુખ ધર્મેશ માળી, નીરવ નાયક અને પ્રવીણ દેસાઈને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવસારીમાં ભાજપ અત્યંત સક્રિય છે, જ્યાં 52 બેઠકો માટે 347 જેટલા કાર્યકરોએ ટિકિટની માંગણી કરી છે. તેની સામે કોંગ્રેસ અત્યાર સુધી આંતરિક વિવાદોમાં અટવાયેલી હતી. જોકે, હવે સમાધાન થતા અને ધર્મેશ માળી, નીરવ નાયક, પ્રવીણ દેસાઈ જેવા કદાવર કાર્યકરો ફરી મેદાનમાં આવતા કોંગ્રેસમાં નવો જોમ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે.
મહેસાણા જિલ્લાના વિજાપુર પાસે આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ તિરુપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તથા અસ્મિતા ફાઉન્ડેશનના આયોજનમાં ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહાનુભાવોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ખેડૂતો અને મહાનુભાવોને સન્માનઆ સંમેલન દરમિયાન રાજ્યના દરેક જિલ્લામાંથી ઉત્કૃષ્ટ પ્રાકૃતિક ખેતી કરતા એક-એક ખેડૂતની પસંદગી કરી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજના વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનાર મહાનુભાવોને પણ એવોર્ડ અને સન્માનપત્રથી નવાજવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારમાં આચાર્ય દેવવ્રતજીના અમૂલ્ય યોગદાનને ધ્યાને લઈ પદ્મભૂષણ સંત સ્વામી સચ્ચિદાનંદ મહારાજના વરદ હસ્તે રાજ્યપાલને પ્રાકૃતિક કૃષિના ભીષ્મ પિતાનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. સંસ્થા અને ખેડૂતોએ રાજ્યપાલને સ્મૃતિચિહ્ન અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલને તેમની ઉત્કૃષ્ટ રાજકીય સેવાઓ બદલ'રાજકીય સેવા સન્માન ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સામાજિક ઉત્તરદાયિત્વ અને પુસ્તક વિમોચનઆ કાર્યક્રમમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રાજ્યપાલના હસ્તે ગંગા સ્વરૂપા બહેનોના બચત મંડળને પ્રોત્સાહન આપવા માટે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સંસ્થાના ફાઉન્ડર જીતુભાઈ દ્વારા લેખિત પાંચ પુસ્તકોનું વિમોચન પણ રાજ્યપાલ અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ખેડૂતોના અનુભવો અને સફળતાની વાતો 'પ્રાકૃતિક ખેતીથી જમીન બગડતી નથી અને હેલ્થ પણ સારી રહે છે'પ્રાકૃતિક ખેતી કરતા દ્વારકાથી આવેલા નકુલ નયનભાઈએ જણાવ્યું હતું કે, “મારી પાસે 80 વીઘા જમીન છે. તેમાં 22 પ્રકારના પાકો (ફળ, શાકભાજી, અનાજ, કઠોળ વગેરે) વાવું છું. વર્ષે 30થી 35 લાખ રૂપિયાની ચોખ્ખી આવક થાય છે. પ્રાકૃતિક ખેતીથી જમીન બગડતી નથી, શરીર અને વાતાવરણ બંને સ્વસ્થ રહે છે. રાસાયણિક ખાતરના ભાવ વધે તોપણ અમને કોઈ અસર નથી, કારણ કે અમે ગાયના છાણ અને સ્થાનિક વનસ્પતિમાંથી જ ખાતર બનાવીએ છીએ. વેલ્યુ એડિશન કરીને સીધું વેચાણ કરું છું, માર્કેટ યાર્ડમાં વેચતો નથી.” 'રાસાયણિક ખેતી કરતાં ત્રણ ગણો વધુ ફાયદો થાય છે'મોરબી જિલ્લાના નારણકા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અશોકભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે, 4 એકરમાં પ્રાકૃતિક શાકભાજીનું વાવેતર કરું છું. વર્ષે 4થી 5 લાખની આવક થાય છે. રાસાયણિક ખેતી કરતાં ત્રણ ગણો વધુ ફાયદો થાય છે. ખેડૂતોને અપીલ છે કે, પ્રાકૃતિક ખેતી તરફ વળો, તે શરીર, મન અને ધન ત્રણેય માટે ફાયદાકારક છે. 'ખેડૂતોએ સદ્ધર બનવું હોય તો પ્રાકૃતિક કૃષિ તરફ વળવું'ભાવનગરના પ્રાકૃતિક ખેતી કરતા નરસિંગભાઈ મોરીએ જણાવ્યું કે,10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. એક પણ યુરિયા કે રાસાયણિક ખાતર વાપર્યું નથી, છતાં ઉત્પાદન ડબલ થયું છે. 10 વીઘામાં 1 એકર પંચસ્તરીય જંગલ મોડલ છે, જેમાં વર્ષે 4થી 6 લાખની આવક થાય છે. માત્ર મજૂરીનો જ ખર્ચ લાગે છે. ખેડૂતોએ સદ્ધર બનવું હોય તો પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જ જોઈએ. ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતભાઈઓને અપીલસુરત જિલ્લાના હાડી ગામના કિરીટભાઈ રતિલાલભાઈ પટેલે જણાવ્યું કે, 10 એકરમાંથી 3 એકર અને 20 ગુંઠામાં પ્રાકૃતિક ખેતી કરું છું. હાલ ગુલાબી ચોકલેટી રીંગણનું સારું ઉત્પાદન મળી રહ્યું છે. દર ત્રીજા દિવસે 80-90 કિલો ઉતરે છે અને મૂલ્યવર્ધન કરીને વેચું છું. મોદી સાહેબના 'આવક ડબલ'ના લક્ષ્ય કરતાં પણ ચાર ગણી આવક છે. ખેડૂતોને અપીલ છે કે, પોતાના પરિવાર માટે પણ એક એકરમાં ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અપનાવો. 'ગાય આધારિત ખેતીથી ખર્ચ નહિવત્ અને નફો વધુ'મહેસાણાના તળેટી ગામના હરેશકુમાર શંકરલાલ પટેલે જણાવ્યું કે, પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. ગાય આધારિત ખેતીથી ખર્ચ નહિવત્ છે અને નફો વધુ મળે છે. 9 વીઘામાં વર્ષે 4થી 5 લાખની આવક થાય છે. રાસાયણિક ખેતી કરતાં ત્રણ ગણો વધુ ફાયદો છે. આ સંમેલને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપવા અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
પાલનપુર સિવિલમાં 25 સેમી ગળાની ગાંઠ દૂર:ખોરાક-શ્વાસમાં તકલીફ અનુભવતી મહિલાને બે કલાકની સર્જરીથી રાહત
પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં 60 વર્ષીય મહિલાના ગળામાંથી 25 સેન્ટીમીટરની વિશાળ ગાંઠ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે. દાંતીવાડા તાલુકાના એક ગામના આ મહિલાને છેલ્લા 20 વર્ષથી ખોરાક અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. મહિલાના પુત્રએ જણાવ્યું કે, છેલ્લા અંદાજે 20 વર્ષથી વિવિધ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાઈ હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ મળ્યું નહોતું. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં સારવાર અસરકારક સાબિત ન થતાં પરિવાર નિરાશ થયો હતો. ગત 17 માર્ચના રોજ ઘરકામ કરતી વખતે વજનદાર અનાજનું કટ્ટ માથા પર પડતાં મહિલા નીચે પટકાયા હતા. શરૂઆતમાં પરિવારે આ ઘટનાને ગંભીરતાથી લીધી નહોતી, પરંતુ બીજા દિવસે સવારે મોઢા, છાતી અને ગળાના ભાગે અચાનક ભારે સોજો જોવા મળતા પરિવાર ભયભીત બની ગયો હતો. ત્યારબાદ દર્દીને તાત્કાલિક પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબોએ જૂના રિપોર્ટ્સ ચકાસીને તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તરત જ દાખલ કરી સારવાર શરૂ કરી હતી. બીજા દિવસે એક્સ-રે, સીટીસ્કેન, એમઆરઆઈ અને લોહીના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ગળાના ભાગે આશરે દોઢ કિલો વજનની મોટી ગાંઠ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ લગભગ 10 દિવસ સુધી સોજો ઓછો કરવા માટે દવાઓ અને ઇન્જેક્શન દ્વારા સારવાર આપવામાં આવી. સોજો ઓછો થતાં તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ અને પરિવારે સંમતિ આપી. સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડો. કલ્પેશભાઈ પટેલ, ડો. સાર્થક, ડો. રેખા, ડો. ઋષિ તથા એનેસ્થેસિયા નિષ્ણાત ડો. દીપક મંગલ સહિતની ટીમે આશરે બે કલાકની જહેમત બાદ ગળાના ભાગે આવેલી અંદાજે દોઢ કિલો વજન અને 25 સેન્ટીમીટર સાઇઝની ગાંઠ સફળતાપૂર્વક દૂર કરી.
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે, સરદાર ધામની પાછળ આવેલી મેગ્નેટ લેવીસ સોસાયટીમાં હનુમાન જયંતીના પાવન અવસર પર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ નિમિત્તે સોસાયટીના રહીશો દ્વારા હનુમાન ચાલીસાના 11 પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પાઠની પૂર્ણાહુતિ બાદ સમૂહ આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં રહીશોએ જોડાઈને ધર્મલાભ લીધો હતો. સમગ્ર આયોજન દરમિયાન શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ સભ્યોએ એકબીજાને પૂરતો સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શનિવારીય સત્સંગની અવિરત પરંપરામેગ્નેટ લેવીસ સોસાયટીની ખાસિયત એ છે કે અહીં માત્ર તહેવારો જ નહીં, પરંતુ આધ્યાત્મિકતાને જીવનશૈલીનો ભાગ બનાવવામાં આવ્યો છે. સોસાયટીમાં દર શનિવારે રાત્રે 9:30 વાગે નિયમિતપણે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. આ સાપ્તાહિક સત્સંગમાં સોસાયટીના તમામ વયના લોકો ઉત્સાહભેર ભાગ લે છે. એકતા અને ભક્તિના સંગમ સમાન આ પ્રવૃત્તિમાં રહીશોનો સહકાર પ્રશંસનીય રહ્યો છે, જે સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
મહીસાગર જિલ્લાએ ગ્રામ પંચાયત વેરા વસુલાતમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આ સિદ્ધિ નોંધાઈ છે. જિલ્લામાં કુલ 88.30 ટકા જેટલી નોંધપાત્ર વેરા વસુલાત થઈ છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ સિદ્ધિને કારણે મહીસાગર જિલ્લો ગૌરવ અનુભવી રહ્યો છે. વિગતો મુજબ, જિલ્લાની કુલ 361 ગ્રામ પંચાયતોમાંથી 206 ગ્રામ પંચાયતોએ 100 ટકા વેરા વસુલાતનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. આ કામગીરી ગ્રામ્ય સ્તરે મજબૂત વહીવટ અને આયોજન દર્શાવે છે. આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે જિલ્લા પંચાયત ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લામાં થયેલી આ સિદ્ધિ અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. કોંગ્રેસ પક્ષે ઉમેદવારી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ કર્યો છે. પ્રદેશ નિરીક્ષકો દિનેશભાઈ મકવાણા અને રાજેશભાઈ જોષીની ઉપસ્થિતિમાં લોઢવા ખાતેથી દાવેદારોને સાંભળવાની શરૂઆત થઈ છે. લોઢવા અને કોડીનાર ખાતે યોજાયેલી પ્રથમ બેઠકોમાં સુત્રાપાડા અને કોડીનાર તાલુકા, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના દાવેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દાવેદારોએ પોતાની સામાજિક કાર્યક્ષમતા, લોકસંપર્ક અને જીતની સંભાવનાઓ અંગે રજૂઆતો કરી હતી. નિરીક્ષકોએ તમામ દાવેદારોને ધ્યાનપૂર્વક સાંભળીને નોંધ લીધી હતી. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજાભાઈ વંશે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આગામી ચૂંટણીમાં લોકોના પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓને મુખ્ય મુદ્દા બનાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પક્ષ પાસે અનુભવી અને જનઆધાર ધરાવતા કાર્યકરોની મજબૂત ટીમ છે, જે ચૂંટણીમાં ભાજપને ટક્કર આપશે. ઉમેદવારી પ્રક્રિયાના આગામી તબક્કા હેઠળ, આવતીકાલે સવારે 9 વાગ્યે તાલાલા ખાતે તાલાલા તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના દાવેદારોને સાંભળવામાં આવશે. બપોરે 3 વાગ્યે વેરાવળ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વેરાવળ તાલુકા અને જિલ્લા પંચાયતના દાવેદારો રજૂઆત કરશે. સાંજે 5 વાગ્યે વેરાવળ નગરપાલિકા માટેની સાંભળણી યોજાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાલુકા અને જિલ્લા ચૂંટણી સમિતિ દ્વારા તમામ નામો પર વિસ્તૃત ચર્ચા કરાશે. પસંદગીના આધારે પેનલ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જ્યાંથી અંતિમ ઉમેદવારોની જાહેરાત થશે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલે સક્રિયતા વધારી છે. પક્ષ ઉમેદવારોની પારદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા આંતરિક જૂથબંધી ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસની આ ગતિશીલ કામગીરી આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં કેવા ફેરફારો લાવે છે તે જોવું રહ્યું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ ગામ સ્થિત તિરૂપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેતી અને પર્યાવરણના જતન માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 લાખથી વધુ ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મહાઅભિયાનમાં જોડાઈ ચૂક્યા છે, જે પરિવર્તનની દિશામાં એક મોટું કદમ છે. આ પ્રસંગે પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે વિશેષ ઉપસ્થિત રહીને ઉપસ્થિત જનમેદનીને આશીર્વચન પાઠવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ અને સ્વામી સચ્ચિદાનંદજી દ્વારા રાજ્યપાલનું પ્રાકૃતિક કૃષિના 'ભીષ્મ પિતા' નો ખિતાબ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલનને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના કારણે વધતા જતા કેન્સર, હાર્ટ અટેક, ડાયાબિટીસ અને કિડની ફેલ્યોર જેવા રોગો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એક વૈજ્ઞાનિક સંશોધનનો હવાલો આપતા જણાવ્યું હતું કે, 105 માતાઓના દૂધના પરીક્ષણમાં યુરિયા અને આર્સેનિક જેવા ઝેરી તત્વો મળી આવ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે. રાસાયણિક ખેતીને વિદેશી પદ્ધતિ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, યુરિયાના લીધે બનતો નાઈટ્રસ ઓક્સાઈડ ગેસ કાર્બન ડાયોક્સાઈડ કરતા 312 ગણો વધુ ખતરનાક છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે. રાસાયણિક ખેતીના કારણે ધરતી માતા ઝેરી બની છે અને ભૂગર્ભ જળમાં પણ નાઈટ્રેટનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂકતા રાજ્યપાલે વૃક્ષોને 'દેવતા' સમાન ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ ત્રણ વર્ષ સુધી વૃક્ષનું જતન કરે છે, તે વૃક્ષ તેને આજીવન પાળે છે. કાર્યક્રમ દરમિયાન એક ઉમદા નિર્ણય લેતા રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી મિશન માટે મળેલી રૂ. 1,11,111 ની રાશી સ્થળ પર જ 'ગંગા સ્વરૂપા' વિધવા બહેનોના કલ્યાણ અને તેમના બાળકોના શિક્ષણ માટે અર્પણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને તિરુપતિ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા જળ સંરક્ષણ અને પર્યાવરણના કાર્યોની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા તિરૂપતિ ઋષિવન ખાતે લગાવવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈને તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ સખીઓને ગામડે-ગામડે જઈને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવા આહવાન કર્યું હતું જેથી ગુજરાત સમગ્ર દેશ માટે કૃષિ ક્ષેત્રે રોલ મોડેલ બની શકે.
નવસારી મનપાની 52 બેઠક માટે ભાજપમાં રસાકસી:13 વોર્ડમાં 347 દાવેદારો, 26 એપ્રિલે ભાવી નક્કી થશે
નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં કુલ 347 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. નિરીક્ષકોની ત્રણ અલગ-અલગ ટીમો દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 5, 6 અને 13માં સૌથી વધુ રસાકસી જોવા મળી હતી. આ ત્રણેય વોર્ડમાં 33-33 દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. નવસારીમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી હોવાથી પક્ષના જૂના અને અનુભવી કાર્યકરોએ પણ ચૂંટણી લડવામાં સક્રિય રસ દાખવ્યો છે. ચૂંટણી વિશ્લેષકોના મતે, વોર્ડ નંબર 13 સૌથી વધુ રસપ્રદ રહેશે. આ વોર્ડમાં આદિવાસી અને ઉજળિયાત બંને જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ છે, જેના કારણે કોઈપણ પક્ષ માટે આ બેઠક જીતવી પડકારજનક બની રહેશે. આ વોર્ડના મતદારો ઉમેદવાર કે પક્ષના વિજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારના કુલ 1,87,875 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 52 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. નિરીક્ષકોની ટીમે માત્ર મહાનગરપાલિકા જ નહીં, પરંતુ તાલુકા અને જિલ્લા પંચાયતના દાવેદારોના પણ ફોર્મ સ્વીકારી પ્રક્રિયા હાથ ધરી હતી.
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે હથિયારો જમા કરાવવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશનો હેતુ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો તથા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા મુજબ, જિલ્લાની 17 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ – નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તારોમાં કોઈ પણ વ્યક્તિ શસ્ત્ર અધિનિયમ 1959ની કલમ-2 હેઠળ આવતું કોઈ પણ હથિયાર ધારણ કરી શકશે નહીં. ચૂંટણી હેઠળના વિસ્તારોમાં રહેતા અને જિલ્લા બહારથી પરવાના મેળવેલા તમામ હથિયાર પરવાનેદારોએ જાહેરનામું અમલમાં આવ્યાના 7 દિવસની અંદર તેમના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા ફરજિયાત રહેશે. જમા કરાયેલા હથિયારો શસ્ત્ર નિયમો-2016ના નિયમ 47 અને 48 હેઠળ પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રીતે રાખવામાં આવશે અને ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ પરત કરવામાં આવશે. જોકે, આ આદેશમાંથી કેટલાક વર્ગોને મુક્તિ આપવામાં આવી છે. જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રહેલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, સરકારી સુરક્ષા એજન્સીના સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત અધિકારીઓ અને રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકૃત સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. જિલ્લા બહાર વસવાટ કરતા હથિયાર પરવાનેદારો ચૂંટણી હેઠળના વિસ્તારોમાં હથિયારો લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત, જામીન પર છૂટેલા વ્યક્તિઓ, ફોજદારી ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ, હુલ્લડના ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ, ગંભીર ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ અને ચૂંટણી પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થામાં અવરોધરૂપ બની શકે તેવી વ્યક્તિઓ જો હથિયારનો પરવાનો ધરાવતા હોય, તો જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તેમના હથિયારોની સમીક્ષા કરીને જમા લેવામાં આવશે. આ જાહેરનામું 1 એપ્રિલ, 2026 થી 30 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 અને શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-25 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમરેલી જિલ્લાના સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
નવસારીના જલાલપોરમાં એક મહિલાનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરીને તેમના સગા-સંબંધીઓ પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે 'સાહિલ' તરીકે ઓળખ આપીને મહિલા પાસેથી OTP મેળવી લીધો હતો અને ત્યારબાદ આ છેતરપિંડી આચરી હતી. નવસારી જિલ્લામાં સાયબર ક્રાઈમના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સંદર્ભમાં, જલાલપોર પોલીસ મથકે ઓનલાઈન ફ્રોડની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જલાલપોર રોડ પર આવેલી સ્મૃતિ કુંજ સોસાયટીમાં રહેતા એક મહિલાના વોટ્સએપ એકાઉન્ટને હેક કરીને તેમના પરિચિતો પાસેથી નાણાંની માંગણી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જલાલપોર વિસ્તારની બી-16, સ્મૃતિ કુંજ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય પ્રવીણાબેન સુરેશભાઈ વાડદોરિયા ગત 30 માર્ચ, 2026ના રોજ સાંજે 6:30 થી 7:00 વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ પર એક અજાણ્યા શખ્સનો સંપર્ક થયો હતો. આ શખ્સે પોતાની ઓળખ 'સાહિલ' તરીકે આપીને પ્રવીણાબેન પાસેથી વાતોમાં ભળાવીને ઓ.ટી.પી. (OTP) મેળવી લીધો હતો. જેવો પ્રવીણાબેને ઓટીપી આપ્યો કે તરત જ ઠગબાજે તેમનું વોટ્સએપ એકાઉન્ટ પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું. ત્યારબાદ આ ઠગ શખ્સે પ્રવીણાબેનના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા સગા-સંબંધીઓ અને મિત્રોને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. 'મારે તાત્કાલિક પૈસાની જરૂર છે' તેમ કહીને પ્રવીણાબેનના નામે નાણાંની માંગણી કરીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે છેતરાયા હોવાનો અહેસાસ થતાં પ્રવીણાબેને તાત્કાલિક જલાલપોર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે અજાણ્યા મોબાઈલ ધારક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ આઈ.ટી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં જલાલપોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન. આઈ. રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI દ્વારા આ કેસની ટેકનિકલ તપાસ ચલાવવામાં આવી રહી છે.
પાટડી દંતયજ્ઞમાં 50 દર્દીઓની તપાસ:30 દર્દીઓને મફત દાંતના ચોખટા અપાયા, દાંતના રોગોની સારવાર પૂરી પડાઈ
પાટડી આંખની હોસ્પિટલ ખાતે એક દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 50 દર્દીઓની દાંત સંબંધિત તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 30 દર્દીઓને મફત દાંતના ચોખટા બનાવી આપવામાં આવ્યા હતા. આ દંતયજ્ઞ વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ, ડિવાઇન હેલ્થ સેન્ટર રાજકોટ અને ડૉ. એચ. જે. ભટ્ટ સ્મારક ટ્રસ્ટ પાટડીના પ્રમુખ કનુભાઈ ગઢવીના સહયોગથી યોજાયો હતો. ડૉ. મોનિકા ભટ્ટ અને ડૉ. સંજય અગ્રાવત દ્વારા દર્દીઓને દાંતના રોગોની સારવાર પૂરી પાડવામાં આવી હતી. શિબિરનું સમગ્ર સંચાલન પૂર્વ શિક્ષક દાદુભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું. કનુભાઈ ગઢવી અને ભક્તુભાઈ ગઢવીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું, જ્યારે આંખની હોસ્પિટલના ડૉ. ચંદ્રકાંત પટેલે આભાર દર્શન કર્યું હતું. આ દંતયજ્ઞમાં સારવાર માટે આવેલા દર્દીઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
સુરતમાં બે ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. બારડોલીમાં નંબર પ્લેટ વગરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું અને પરવત પાટિયામાં બસની ટક્કરે કેમિકલ વેપારીનું કમકમાટીભર્યું મોત થયું છે. આ બંને અકસ્માતના CCTV વિડીયો સામે આવ્યાં છે. બારડોલીમાં ટ્રકે રિક્ષાને અડફેટે લઈ 50-60 મીટર સુધી ઢસડીબારડોલીમાં આજે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શહેરની જૂની કોર્ટ સામેના માર્ગ પર એક નંબર પ્લેટ વગરના માટી ભરેલા ટ્રકે રિક્ષાને અડફેટે લઈ રસ્તા પર દૂર સુધી ઢસડતા રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ધ્રુજારી લાવી દે તેવા છે. પલસાણાના તાતીથૈયા ગામે રહેતા અને મૂળ અયોધ્યાના વતની રામઅવતાર તુલસીરામ મોર્ય (ઉ.વ. 48) પોતાની રિક્ષા નંબર: GJ 05 AZ 6506 લઈને પત્ની નાનકાબેન અને સંતાન સાથે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મિઢોળા નદીથી લીનીયર બસ સ્ટેન્ડ તરફ આવતા રોડ પર પાછળથી પૂરઝડપે આવી રહેલા માટી ભરેલા એક હાઈવા ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક ચાલકે રિક્ષાને અડફેટે લીધા બાદ ઉભી રાખવાને બદલે તેને રસ્તા પર આશરે 50થી 60 મીટર સુધી ઢસડી હતી. રિક્ષામાં સવાર રામઅવતાર ટ્રકના વ્હીલ નીચે આવી જતાં તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સદનસીબે, તેમની પત્ની અને બાળકનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. ટ્રક પર કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ નહોતીઆ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રક ચાલક કેટલી બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ટ્રક પર કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ નહોતી. નંબર પ્લેટ વગરના વાહનો શહેરમાં આ રીતે બેફામ દોડતા હોવાથી પોલીસ અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર, ગુનો નોંધાયો ઘટનાની જાણ થતાં જ બારડોલી ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતકની પત્ની નાનકાબેનની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ- 281, 106(1) તથા એમ.વી.એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે ટ્રક કબજે કરી ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. દિન-પ્રતિદિન વધતા જતાં ભારે વાહનોના આતંક સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરવત પાટિયામાં MP રોડવેઝની બસે ટક્કર મારતા કેમિકલ વેપારીનું કરુણ મોતસુરત શહેરના પરવત પાટિયા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે મધ્યપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારી એક મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 60 વર્ષીય કેમિકલ વેપારીનું મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે મોપેડ પર બેસેલા અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. મધ્યપ્રદેશ પરિવહનની બસ અડફેટે લેતા અકસ્માત સર્જાયોમળતી માહિતી મુજબ, પરવત પાટિયાની સમ્રાટ ટાઉનશીપમાં રહેતા અને કેમિકલનો વ્યવસાય કરતા ગજેન્દ્રકુમાર હુકમીચંદ જૈન (ઉં.વ. 60) બે દિવસ પહેલા પોતાની હીરો મેસ્ટ્રો મોપેડ (નંબર GJ-05-SN-4798) લઈને ઘરનો સામાન લેવા અથવા કોઈ કામ અર્થે નીકળ્યા હતા. તેમની સાથે મોપેડ પર તેમના મિત્ર ચંદ્રપ્રકાશ ચંપકલાલ જૈન પણ સવાર હતા. જ્યારે તેઓ પરવત પાટિયા હનુમાન મંદિર પાસે મેઈન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી મધ્યપ્રદેશ પરિવહનની બસ (નંબર MP-46-ZE-4356) ના ચાલકે મોપેડને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બસની ટક્કર વાગતા જ વેપારી ગજેન્દ્રકુમાર હવામાં 5 ફૂટ દૂર ફેંકાયા હતા અને રોડ પર પટકાયા હતા. તેમને માથાના ભાગે અને ડાબા કાનમાંથી પુષ્કળ લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે તેમની મોપેડ બસના આગળના ટાયર પાસે ફસાઈ ગઈ હતી.
કલોલ તાલુકાના નારદીપુર ગામમાં પશુ પ્રત્યેની અત્યંત ક્રૂરતાની હચમચાવનારી ઘટના સામે આવી છે. અત્રેના ગામના સીમ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ત્રણ ગાયોની ચોરી કરી તીક્ષ્ણ હથિયારો વડે તેની કતલ કરી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે FSL રીપોર્ટ આધારે કલોલ તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. ત્રણ પશુપાલકોની ગાયો વાડામાંથી ઓચિંતા ગાયબ થઈ ગઈપ્રાપ્ત વિગતો મુજબ, કલોલ તાલુકાના નારદીપુર ગામના લાલદાસ વાસમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા આયુષ લલ્લુભાઈ રબારીની એક કાળી ગાય ગત તા. 27 માર્ચના રોજ વહેલી સવારે વાડામાંથી ગુમ હતી. આથી પશુપાલકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમની ગાયની સાથે પડોશમાં રહેતા જીતુભાઈ રબારી અને કાનજીભાઈ રબારીની પણ એક એક ગાય મળી કુલ ત્રણ ગાયો ગાયબ હતી. ખેતરમાં પશુઓના કપાયેલા અવશેષો મળતા ગ્રામજનો સ્તબ્ધપશુપાલકોએ દિવસભર શોધખોળ કરવા છતાં પશુઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન સાંજના સમયે નારદીપુરથી ડીંગુચા રોડ પર આવેલા ONGC વેલ પાસેના એક પડતર ખેતરમાં પશુઓના કપાયેલા અવશેષો મળી આવતા ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ત્રણેય ગાયોને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખી હોવાનું બહાર આવ્યુંઆ ઘટનાના પગલે પશુપાલકો અને ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં લોહીથી ખરડાયેલી જગ્યા પર ગાયના શિંગડા અને શરીરના અન્ય ભાગો વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા. પશુપાલકોએ સ્થળ પરથી મળી આવેલા કોટીયુ અને દોરડા પરથી પોતાની ગાયોની ઓળખ કરી હતી. અંદાજે 1.45 લાખની કિંમતની ત્રણેય ગાયોને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યોઆ ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વેટરનરી ડોક્ટર દ્વારા જરૂરી નમૂના લઈ FSL તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં પણ આ અવશેષો ગૌવંશના હોવાનું પુરવાર થયું છે. જેથી પશુપાલક આયુષ રબારીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
હિંમતનગર બાયપાસ પર ચાલુ કારમાં લાગી આગ:પરિવારનો સમયસર બચાવ, ફાયર વિભાગે આગ બુઝાવી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક કાંકરોલથી બેરણા બાયપાસ રોડ પર આજે બપોરે એક ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. કારમાંથી ધુમાડો નીકળતા જ પરિવાર સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયો હતો, જેથી તેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના શુક્રવારે બપોરના સમયે રોટરી સરસ્વતી સ્કૂલ પાછળ, હસ્તિનાપુર વિસ્તારમાં બની હતી. હસ્તિનાપુરના અતુલભાઈ ફલજીભાઈ પટેલ પોતાની સેન્ટ્રો કાર (નંબર GJ 09 AG 5744) માં પરિવાર સાથે ઈડરના જુમસર જઈ રહ્યા હતા. બાયપાસ રોડ પર પહોંચતા જ કારના આગળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જોઈને અતુલભાઈ અને તેમનો પરિવાર તરત જ કારના દરવાજા ખોલીને બહાર નીકળી ગયો હતો. થોડી જ વારમાં કાર સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી. આગની જાણ થતા જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. હિંમતનગર ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંકભાઈ પટેલે આ માહિતી આપી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્કના વાહનોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. લીકર પરમિટના કૌભાંડ બાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કૌભાંડનો પુરાવો કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદના વાહન સર્વિસ માટે તલોદમાં જતા હોવાનું સામે આવ્યું છે. જ્યા સર્વિસ થયા બાદ GST નંબર વગરના લાખો રૂપિયાનો બિલ રજૂ થયા અને પાસ થઈ જતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. ગેરરીતિ કરવા માટે તલોદમાં વાહન સર્વિસ કરાવીને ખોટા બિલ રજૂ લાખો રૂપિયાનું કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. આરોગ્ય વિભાગને જાણ છતાં કોઈ કાર્યવાહી નહીકોંગ્રેસે દાવો કર્યો છે કે, માત્ર સામાન્ય સર્વિસ માટે પણ બ્લડ બેંકના વાહનો તલોદ સર્વિસ માટે મોકલવામાં આવે છે. જેમાં લાખોમાં બિલ GST નંબર વગરના રજૂ કરીને કૌભાંડ કરવામાં આવતી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. તમામ જિલ્લા અને તાલુકાની હોસ્પિટલમાં પણ તપાસ કરવા માટે કોંગ્રેસે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે. યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે એવો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગને જાણ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. લીકર પરમિટના નામે પૈસાની પણ ઉચાપત કરવામાં આવે છેગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે ગેરવર્તન કરવામાં આવે, દર્દીને સમયસર સારવાર મળે નહીં, સિક્યુરિટી બેહુદુ વર્તન કરે એવા અનેક બનાવ જોયા છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં જે રીતે ખરીદીના કૌભાંડ ચાલે છે. વાહનોની ચકાસણી અને સમારકામ માટે નાણાકીય મોટા વ્યવહાર કરવામાં આવે છે, જેને જોઈને એવું લાગે છે કે, આના કરતા મોટું કૌભાંડ બીજું કોઈ હોય શકે નહીં તેમજ લીકર પરમિટના નામે પૈસાની પણ ઉચાપત કરવામાં આવે છે. જો તપાસ કરવામાં આવે તો લીકર પરમિટ સિવાય જુદા-જુદા પ્રકારના પૈસાની ઊંચાઈનો કિસ્સો સામે આવી શકે છે. 5 હજારથી વધુનો આંકડો હોય તો GST બિલ હોવું જરુરીવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના સત્તાધિશો અને આરોગ્ય વિભાગ દ્વારા ઢાંકપીછોડો કરીને બે-ત્રણ રસીદ પૂરતું સીમિત કરી દીધું છે. તેવી જ એક પ્રકારની સૌથી મોટી નાણાકીય ગેરરીતિ સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકના જે વાહન છે, તે વાહનમાં તલોદના બિલ રજૂ કરવામાં આવ્યા છે. વાહન અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અને તેનું રિપેરિંગ તલોદમાં કરવામાં આવે છે. જેમાં 18 હજાર રૂપિયાનો વાલ રિપેરિંગ કરવા માટે આપવામાં આવે છે. આ આખા બિલમાં GST નંબર પણ નથી. 5 હજાર કરતા વધુની રકમ થાય તો GST બિલ હોવું જરૂરી છે. યોગ્ય તપાસ થશે તો સિવિલ હોસ્પિટલમાં અનેક પ્રકારના કૌભાંડ સામે આવશેમુખ્યમંત્રી પાસે તપાસની માંગ સાથે ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તે બાદ પણ GST નંબર ન હોવા છતાં સત્તાધિશોએ બિલની ચુકવણી પણ કરી દીધી છે. વિશેષ પ્રેમના કારણે આવું કર્યું હોય તેવું સમજી શકાય છે. આવા અનેક બિલ છે જેમાં નાણાકીય ઉચાપત, ગેરરીતિ થતું હોવાનું સામે આવી શકે છે. જેથી સમગ્ર બાબતની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે. જો યોગ્ય તપાસ થશે તો સિવિલ હોસ્પિટલમાં અનેક પ્રકારના કૌભાંડ સામે આવશે. જેથી અમે મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે આરોગ્ય વિભાગ પાસે બધી વિગત છે પરંતુ મુખ્યમંત્રીએ રસ લઈને સિવિલ હોસ્પિટલમાં ગેરરીતિ થતી હોવાની યોગ્ય તપાસ કરવામાં આવે. નાગરિકોમાં નાણાં યોગ્ય ખર્ચમાં વપરાય તો જ નાગરિકોને સિવિલ હોસ્પિટલમાં સારી સુવિધા મળી શકશે.
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોરવા હડફ તાલુકાના વિરેનિયા ગામના લિસ્ટેડ બુટલેગર ગિરીશ ઉર્ફે કીરો રાઠોડની પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર, પ્રોહીબિશનની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રીઢા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે LCB ટીમે આ ઓપરેશન હાથ ધર્યું હતું. ગિરીશ ઉર્ફે કીરો રાઠોડ વિરેનિયા ગામનો રહેવાસી છે અને લાંબા સમયથી ગેરકાયદેસર દારૂના વેપારમાં સક્રિય હતો. તેની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પંચમહાલ LCB દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આરોપી ગિરીશ ઉર્ફે કીરા રાઠોડ વિરુદ્ધ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના બે ગુના નોંધાયેલા છે. તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તેના વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીને કારણે તાલુકાના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મહીસાગરના સરસવા ગામે બે બાઇક અથડાઈ:એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલમાં સારવાર હેઠળ
મહીસાગર જિલ્લાના સરસવા ગામે ગત સાંજે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ગત ૨ એપ્રિલની સાંજે સુખાભાઈ વાદી નામના યુવક પોતાની બાઇક લઈને ડોરી ગામે જઈ રહ્યા હતા. સરસવા ગામ પાસેથી પસાર થતી વખતે સામેથી આવતી અન્ય એક બાઇક સાથે તેમની બાઇક અથડાઈ હતી. આ અકસ્માતમાં સુખાભાઈ વાદીને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે મોરા ખાતેની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, ઇજાઓની ગંભીરતાને જોતા, પ્રાથમિક સારવાર બાદ ગત રાત્રે તેમને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. હાલ સુખાભાઈ વાદી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાનગર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતની સોમણી ગૌશાળાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગ્રામજનો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું. રાજ્યપાલે શુક્રવારે નવાનગર સ્થિત 'સોમણી ગૌશાળા'ની મુલાકાત લઈને ગૌ-પૂજન કર્યું હતું. આ તબક્કે તેમણે ગૌશાળામાં રહેલી ૩૧૦ જેટલી દેશી ગાયોના આરોગ્ય અને દૂધ ઉત્પાદન ક્ષમતા અંગે પશુપાલન અધિકારીઓ સાથે તકનીકી ચર્ચા કરી હતી. રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પશુપાલનને વધુ નફાકારક બનાવવા માટે દેશી ગાયોમાં 'બ્રીડ ઇમ્પ્રૂવમેન્ટ' (નસલ સુધારણા) પર ધ્યાન આપવું જરૂરી છે. તેમણે પશુપાલકોને પરંપરાગત પદ્ધતિમાં જરૂરી સુધારા કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બ્રીડ તૈયાર કરવા સૂચન કર્યું હતું. નવાનગરના ગ્રામજનો દ્વારા જનભાગીદારીથી તૈયાર કરવામાં આવેલા 'સોમ સરોવર'ની મુલાકાત લેતા રાજ્યપાલ પ્રભાવિત થયા હતા. આ સરોવર થકી સમગ્ર ગામની ખેતીલાયક જમીનને ડ્રીપ ઇરિગેશન (ટપક પિયત પદ્ધતિ) સાથે જોડીને પાણીનો જે કરકસરભર્યો ઉપયોગ કરવામાં આવે છે, તેને રાજ્યપાલે જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. સ્થાનિક ખેડૂતો સાથેના સંવાદમાં રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના ફાયદા સમજાવતા કહ્યું હતું કે, રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી એ આજના સમયની માંગ છે. તેમણે ખેડૂતોને પ્રાયોગિક ધોરણે ખેતરના એક નાના ભાગમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા, જેથી જમીનનું સ્વાસ્થ્ય જળવાય અને લોકોને શુદ્ધ આહાર મળી રહે. આ મુલાકાત દરમિયાન હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી વિમલ ચૌધરી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં ઘર આંગણે રમી રહેલી એક માસૂમ બાળકી અચાનક નજીક આવેલી નહેરમાં પડી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. સચિન GIDC વિસ્તારમાં આવેલી ઓમ ઓમ સાઈ સોસાયટીમાં પ્રદીપભાઈ વર્મા પોતાના પરિવાર સાથે રહે છે. તેમની 4 વર્ષની લાડકવાયી પુત્રી આરાધ્યા આજે સવારના સમયે ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન તેની માતા ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતી. રમતા-રમતા આરાધ્યા ઘરની નજીકથી પસાર થતી નહેર પાસે પહોંચી ગઈ હતી અને અચાનક પગ લપસતા તે ઉંડા પાણીમાં ખાબકી હતી. બાળકી પાણીમાં ગરકાવ થતા જ ચીસાચીસ જેવો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ બાળકીને બહાર કાઢી સિવિલ ખસેડીબાળકી નહેરમાં પડી હોવાની જાણ આસપાસના લોકોને થતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક યુવાનોએ ભારે જહેમત બાદ બાળકીને નહેરમાંથી બહાર કાઢી હતી. આ સમયે બાળકી બેભાન અવસ્થામાં હતી. પરિવારજનો અને સ્થાનિકોએ સમય ગુમાવ્યા વગર તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ આરાધ્યાને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુંમાસૂમ આરાધ્યાના અચાનક મોતથી વર્મા પરિવાર ઊંડા શોકમાં ડૂબી ગયો છે. માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. ઘર આંગણે રમતી દીકરી થોડી જ વારમાં કાળનો કોળિયો બની જશે એવી કલ્પના પણ પરિવારે કરી ન હતી. આ ઘટનાએ ફરી એકવાર નાના બાળકો ધરાવતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો રજૂ કર્યો છે કે, બાળકો જ્યારે ઘરની બહાર રમતા હોય ત્યારે તેમના પર સતત દેખરેખ રાખવી કેટલી અનિવાર્ય છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરીઆ સમગ્ર મામલે સચિન GIDC પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા સોસાયટી અને નહેર આસપાસના વિસ્તારમાં પંચનામું કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના પરવત પાટીયા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે મધ્યપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારી એક મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં 60 વર્ષીય કેમિકલ વેપારીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાના કંપારી છૂટી જાય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મધ્યપ્રદેશ પરિવહનની બસ અડફેટે લેતા અકસ્માત સર્જાયોમળતી માહિતી મુજબ, પરવત પાટીયાની સમ્રાટ ટાઉનશીપમાં રહેતા અને કેમિકલનો વ્યવસાય કરતા ગજેન્દ્રકુમાર હુકમીચંદ જૈન (ઉં.વ. 60) બે દિવસ પહેલા પોતાની હીરો મેસ્ટ્રો મોપેડ (નંબર GJ-05-SN-4798) લઈને કોઈ કામ અર્થે નીકળ્યા હતા. તેમની સાથે મોપેડ પર તેમના મિત્ર ચંદ્રપ્રકાશ ચંપકલાલ જૈન પણ સવાર હતા. જ્યારે તેઓ પરવત પાટીયા હનુમાન મંદિર પાસે મેઈન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી મધ્યપ્રદેશ પરિવહનની બસ (નંબર MP-46-ZE-4356)ના ચાલકે મોપેડને અડફેટે લીધું હતું. CCTVમાં કેદ થયા ભયાનક દૃશ્યોઅકસ્માત એટલો ભયાનક હતો કે બસની ટક્કર વાગતા જ વેપારી ગજેન્દ્રકુમાર હવામાં 5 ફૂટ દૂર ફેંકાયા હતા અને રોડ પર પટકાયા હતા. તેમને માથાના ભાગે અને ડાબા કાનમાંથી પુષ્કળ લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે તેમની મોપેડ બસના આગળના ટાયર પાસે ફસાઈ ગઈ હતી. હોસ્પિટલમાં દમ તોડ્યો, મિત્ર સારવાર હેઠળઘટના બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ગજેન્દ્રકુમાર જૈનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમના મિત્ર ચંદ્રપ્રકાશ જૈનને આંખ નીચે, માથામાં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે આઈ.એન.એસ (INS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હજુ ગંભીર હોવાનું જાણવા મળે છે. પુણા પોલીસે ગુનો નોંધ્યોમૃતકના પુત્ર તન્મય ગજેન્દ્રકુમાર જૈન (વ્યવસાયે CA)ની ફરિયાદના આધારે પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બસચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1), 281, 125(a), 125(b) અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પીએસઆઈ વી.સી. મસાણી આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ડૉ. અર્જુન નિમાવતને પીએચ.ડી. (P.H.D.) ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આ પદવીદાન સમારોહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જે યુનિવર્સિટીનો ૧૦મો પદવીદાન સમારોહ હતો. ડૉ. અર્જુન નિમાવતએ ઇતિહાસ વિષયક્ષેત્રમાં બોટાદ શહેર પર ઐતિહાસિક સંશોધન કર્યું છે. તેમના આ મહત્વપૂર્ણ સંશોધનને શૈક્ષણિક જગતમાં મૂલ્યવાન યોગદાન તરીકે ઓળખવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડૉ. નિમાવતને ડિગ્રી એનાયત કરતી વખતે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના કાર્યની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરત બી. રામાનુજે જણાવ્યું હતું કે પદવી આપવી એ માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી, પરંતુ પરિશ્રમનું પરિણામ છે. આ પદવીદાન સમારોહમાં ભાવનગર મહારાણી સંયુક્તા કુમારી, સંસદ નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાવેશભાઈ જાની સાહેબ અને વિવિધ વિભાગોના અધ્યક્ષો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મ અને પોક્સો હેઠળનો ગંભીર ગુનો નોંધાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મહેંદી શીખવા જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની મજબૂરી અને એકલતાનો લાભ લેનાર 19 વર્ષીય શખસને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. સોશિયલ મીડિયાથી શરૂ થયો સિલસિલો પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરા ઓનલાઇન મહેંદી ક્લાસ શોધતી હતી. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ દ્વારા તેની મુલાકાત વેરાવળમાં જ રહેતી અને મહેંદી શીખવતી અન્ય એક સગીરા સાથે થઈ હતી. પીડિતા ત્યાં મહેંદી શીખવા જતી હતી. આ દરમિયાન મહેંદી શીખવનાર સગીરાના ભાઈ મહમદ સીરાજ ઇમરાનભાઈ ચૌહાણ (ઉં. 19)એ પીડિતા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી વાતચીત શરૂ કરી હતી. વિશ્વાસઘાત અને બળજબરી આશરે 15 દિવસ પૂર્વે જ્યારે પીડિતા હંમેશ મુજબ મહેંદી શીખવા માટે આરોપીના ઘરે ગઈ હતી, ત્યારે આરોપી મહમદ સીરાજે રૂમમાં એકલતાનો લાભ લીધો હતો. તેણે સગીરાને વાતોમાં ફસાવી, તેની સાથે બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ફોટોએ ખોલ્યો પાપનો ઘડો આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિતાના પરિવારે તેના મોબાઈલમાં આરોપી સાથેનો ફોટો જોયો હતો. પરિવારે કડકાઈથી પૂછપરછ કરતાં પીડિતા ભાંગી પડી હતી અને પોતાની સાથે થયેલી આપવીતી માતાને જણાવી હતી. દીકરીની કેફિયત સાંભળી ચોંકી ઉઠેલા માતાએ તાત્કાલિક વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચ્યો ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ રેન્જના DIG રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી PI જે.એન. ગઢવીની આગેવાનીમાં સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS)ની કલમ 64(1) તેમજ પોક્સો (POCSO) એક્ટની કલમ 3(એ) અને 4 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયાના જોખમો અને સગીર બાળકોના ઓનલાઇન સંપર્કો પ્રત્યે વાલીઓએ સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. પોલીસની આ ત્વરિત કામગીરીને વેરાવળના નગરજનોએ બિરદાવી છે.
બોટાદના પાળીયાદ રોડ પર આવેલી નવકાર રેસિડેન્સી દ્વારા ચૈત્રી પૂનમના દિવસે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રામધૂનનું આયોજન કરાયું હતું, જેમાં રેસિડેન્સીના તમામ રહેવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પાળીયાદ રામધૂન મંડળી દ્વારા ઢોલ, કરતાલ અને સંગીતના સથવારે રામધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી. આયોજકોમાંથી એક વ્યક્તિ પણ હનુમાનજીના વેશમાં આવીને ભક્તો સાથે રામધૂનમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં સોસાયટીના બાળકો હનુમાનજી, સીતા, રામ અને લક્ષ્મણના વેશભૂષામાં સજ્જ થઈને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ ઉમેર્યો હતો. નવકાર રેસિડેન્સી દ્વારા ધાર્મિક તહેવારોની નિયમિતપણે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતિની ઉજવણીનું આ દ્વિતીય વર્ષ હતું, જે સફળતાપૂર્વક સંપન્ન થયું.
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક નેતા અતુલ ભંડેરીએ ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. તેમની સાથે 100થી વધુ કાર્યકરો અને સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા હતા. જામનગર શહેરના વોર્ડ નંબર 16ના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, જયેશ દોમડીયા અને રાજેશ વાઘેલા સહિત 100થી વધુ યુવાનો અને આગેવાનો કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરિત થઈ કોંગ્રેસ પરિવારમાં સામેલ થયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિત જામનગર શહેર કોંગ્રેસની સંપૂર્ણ ટીમ ઉપસ્થિત રહી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અતુલ ભંડેરી અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. જોકે, ભાજપમાં તેમના કાર્યોની અવગણના અને અધૂરા વચનોથી તેઓ નારાજ હતા. આગામી મહાનગરપાલિકા ચૂંટણી લડવાની તૈયારીઓ વચ્ચે તેમણે ફરી પોતાની જૂની પાર્ટીમાં પરત ફરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના સ્થાનિક અને પ્રદેશ સ્તરના આગેવાનો દ્વારા અતુલ ભંડેરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા, જેનાથી જામનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
તલગાજરડામાં હનુમંત ઉત્સવ સંપન્ન:જીવનની ઊર્જા વધારતા સાત આહારની મોરારિબાપુએ કરી વ્યાખ્યા
તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં છેલ્લા 48 વર્ષથી યોજાતો હનુમંત સંગીત નૃત્ય મહોત્સવ આ વર્ષે પણ ભવ્ય રીતે સંપન્ન થયો. હનુમાન જયંતીના પાવન અવસરે 49 માં ચતુર્દિવસીય મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે વિવિધ ક્ષેત્રના 13 જેટલા કલાધરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શબાના આઝમીએ અનુભવી સામાજિક જવાબદારી હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીને ‘નટરાજ એવોર્ડ’ થી નવાજવામાં આવ્યા. સન્માન સ્વીકારતા તેમણે જણાવ્યું કે, તેમને અનેક પુરસ્કારો મળ્યા છે, પરંતુ મોરારિબાપુના હસ્તે મળેલું આ સન્માન હૃદયસ્પર્શી છે અને તેનાથી તેમની સામાજિક જવાબદારી વધી હોય તેવો અનુભવ થાય છે. તેમણે કલા દ્વારા સામાજિક ક્રાંતિ લાવવાની મક્કમતા પણ વ્યક્ત કરી હતી. મોરારિબાપુનું ઊર્જાસભર માર્ગદર્શન આ પ્રસંગે આશીર્વચન આપતા પૂજ્ય બાપુએ જીવનની ઊર્જાને ઉર્ધ્વગામી બનાવતા ‘સાત આહાર’ વિશે વાત કરી. તેમણે ગાયન, વાદન, નર્તન, એકાંત, મૌન, મંત્ર અને ભજનને આહાર ગણાવ્યા. બાપુએ ઉમેર્યું કે, હનુમાનજી મહારાજ આ કળાઓથી પ્રસન્ન થાય છે અને સમાજના વિવિધ વર્ગો વચ્ચે સેતુ બાંધવાનું કાર્ય કરે છે. 13 પ્રતિભાઓનું બહુમાન મહોત્સવમાં સુસાઈ કન્નૂ કુલંદેઈ સામી (સદ્ભાવના એવોર્ડ), કનુ પટેલ (કૈલાસ લલિતકલા એવોર્ડ), શ્યામલ મુનશી અને સૌમિલ મુનશી (અવિનાશ વ્યાસ એવોર્ડ) તેમજ વસંતકુમાર મ. ભટ્ટ (વાચસ્પતિ એવોર્ડ) ને સન્માનિત કરાયા. શુચિતા વાય. મહેતાને ભામતી એવોર્ડ, જ્યારે રમેશભાઈ બી. નાયક, અરવિંદ વૈદ્ય અને કંવરજીત પેન્ટલને નટરાજ એવોર્ડ અપાયા. હનુમંત એવોર્ડ મેળવનારાઓમાં રતિકાંત મહાપાત્ર, ઓજસ અઢિયા, દેબાશીશ ભટ્ટાચાર્ય અને કૌશિકી ચક્રબર્તીનો સમાવેશ થાય છે. તમામ વિજેતાઓને રોકડ રાશિ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરાયા હતા. આ સમારોહમાં સંતોષદાસજી મહારાજ, મુરલી બાબા અને ગોપાલબાબા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સંચાલક હરિશ્ચંદ્ર જોશીની 50 વર્ષની સેવાને પણ બાપુએ બિરદાવી હતી. સમગ્ર આયોજન જયદેવભાઈ માંકડ અને નિલેશભાઈ વાવડીયાના સહયોગથી સફળ રહ્યું હતું.
અમરેલીમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારો સાંભળ્યા
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારોએ ટિકિટની માંગણી કરી છે, જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સેન્સ પ્રક્રિયા છેલ્લા બે દિવસથી ચાલી રહી છે. જેમાં સવારથી મોડી રાત સુધી દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ભાજપના નિયમો અનુસાર, દાવેદારો ફોર્મ ભરી રહ્યા છે અને નિરીક્ષકો તેમને કેટલાક પ્રશ્નો પૂછીને તેમની ઉમેદવારીની માંગણીઓ સ્વીકારી રહ્યા છે. અમરેલી જિલ્લામાં એક જિલ્લા પંચાયત, અગિયાર તાલુકા પંચાયત અને છ નગરપાલિકાનો સમાવેશ થાય છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના દાવેદારો અને કાર્યકરોને ઝોન વાઈઝ નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા આજે મોડી રાત સુધી ચાલુ રહેશે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આ પ્રક્રિયા માટે નિરીક્ષકોની ટીમ નિયુક્ત કરવામાં આવી છે. જેમાં પૂર્વ પ્રદેશ કન્વીનર મીડિયા સેલ જગદીશભાઈ ભાવસાર, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, પૂર્વ ધારાસભ્ય ડો. માયાબેન કોડનાની, પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ, પૂર્વ મેયર બિજલબેન પટેલ, પ્રદેશ સંયોજક વિજયભાઈ પુરોહિત, પૂર્વ મેયર બિપીનભાઈ સિક્કા, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ રાઠોડ અને પૂર્વ શહેર મહામંત્રી કનુભાઈ દેસાઈ જેવા અગ્રણીઓ દાવેદારોને સાંભળી રહ્યા છે. ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોની વધતી સંખ્યાને કારણે જિલ્લાના પાંચ વિધાનસભાના ધારાસભ્યોની ચિંતામાં વધારો થયો છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલથી ધારાસભ્યો પર કાર્યકરોનું દબાણ વધશે અને ટિકિટ માટે ભલામણના કોલ શરૂ થશે તેવી અપેક્ષા છે.
વલસાડના તિથલ દરિયાકિનારે પથ્થરો વચ્ચેથી સુરતના 46 વર્ષીય રત્નકલાકાર ભરતભાઈ પટેલનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. વલસાડ સિટી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, પરંતુ પ્રાથમિક પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટમાં પણ મોતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા અપાયેલા પ્રોવિઝનલ ડેથ સર્ટિફિકેટ મુજબ, ભરતભાઈના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તબીબોએ જણાવ્યું છે કે FSL અને હિસ્ટો-પેથોલોજી રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પૂરતું મોતનું કારણ 'પેન્ડિંગ' રાખવામાં આવ્યું છે. મૃતક ભરતભાઈ હરજીભાઈ પટેલ (રહે. ઓપેરા પેલેસ, કામરેજ, સુરત) હીરા ઘસવાનું કામ કરતા હતા. તેઓ ઘરેથી ઓફિસે જવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ કોઈને જાણ કર્યા વગર વલસાડ પહોંચી ગયા હતા. ઘટનાસ્થળેથી પોલીસને કાળા રંગની ટિફિન બેગ મળી હતી, જેમાં ટિફિન ભરેલું જ હતું. આ દર્શાવે છે કે તેમણે જમવાનું લીધું નહોતું. બેગમાંથી સુરતથી વલસાડની ટ્રેન ટિકિટ અને આધારકાર્ડની ઝેરોક્ષ પણ મળી હતી, જેના આધારે તેમની ઓળખ થઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતા ભરતભાઈ શાંત સ્વભાવના અને કામમાં વ્યસ્ત રહેતા વ્યક્તિ હતા. તેમના નિધનથી 11 વર્ષનો પુત્ર અને 2 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પત્ની સાવિત્રીબેન અને પરિવાર આઘાતમાં છે કે જે વ્યક્તિ ક્યારેય એકલા ક્યાંય જતા નહોતા, તે અચાનક વલસાડ કેવી રીતે પહોંચ્યા. વલસાડ સિટી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન અને વિસેરા (Viscera) રિપોર્ટમાં કોઈ ઝેરી તત્વની હાજરી અંગે તપાસ કરી રહી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઉંચકાશે.
ચંદ્રુમાણામાં હનુમાન જયંતિ ઉજવાઈ:સંકટમોચન મંદિરે 11મો જન્મોત્સવ ધામધૂમથી યોજાયો
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી હનુમાન જયંતિ નિમિત્તે શ્રી સંકટમોચન હનુમાનજી મંદિરે 11મો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં બિરાજમાન શ્રી હનુમાનજી દાદા અને શ્રી ભૈરવ દાદાને સિંદૂર અને ફૂલહારનો શૃંગાર કરવામાં આવ્યો હતો. આનંદના ગરબા મંડળ દ્વારા માતાજીના ગરબા, સ્તવનો, હનુમાન ચાલીસા અને હનુમાનજીના ભજનો રજૂ કરાયા હતા. દત્ત મંડળ દ્વારા દત્ત ધૂન જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેણે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. આ પ્રસંગે કાંતિભાઈ પટેલ, દત્ત મંડળ અને કમલેશભાઈ વ્યાસ દ્વારા વડા, ચણા, બુંદી અને દ્રાક્ષના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરતભાઈ રાવલ, પ્રમોદભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, નીતિનભાઈ વ્યાસ, પુજારી ઈચુ મહારાજ, કાંતિભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, અશ્વિનભાઈ વ્યાસ, વિઠાભાઇ પટેલ, કનુભાઈ વ્યાસ, શીવાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, બહેનો અને બાળકોએ હનુમાનજી દાદાની ભક્તિ કરી હતી. ઈચુપુરી જયંતીભાઈ ઠાકોર અને મથુરભાઈ ઠાકોરે મંદિરની સ્વચ્છ પાણી વડે સાફ-સફાઈ કરી સેવા આપી હતી.
કેશોદ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા નાગરિકો અત્યારે પાણીના એક-એક ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર અગાઉ શહેરમાં એકાંતરે પાણી આપવામાં આવતું હતું જેના કારણે જીવનનિર્વાહમાં કોઈ મોટી તકલીફ પડતી નહોતી પરંતુ હાલની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. હવે પાંચ થી છ દિવસના લાંબા અંતરાલ પછી માંડ એકવાર પાણીના દર્શન થાય છે. આટલા લાંબા વિરામ બાદ જ્યારે પાણી આવે છે ત્યારે પણ તેનો સમય ગાળો માત્ર ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ જેટલો જ મર્યાદિત રાખવામાં આવ્યો છે. પાણીના વિતરણમાં માત્ર સમયની જ મર્યાદા નથી પણ ગુણવત્તાનો પણ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. સુનીલભાઈ નામના સ્થાનિક નાગરિકે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે જ્યારે પાંચ દિવસે પાણી આવે છે ત્યારે તેની શરૂઆતની પંદર મિનિટ સુધી તો અત્યંત દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી નળમાં આવે છે. આ વાસ મારતા પાણીનો રસોઈ કે પીવા માટે તો ઠીક પણ અન્ય કોઈ ઘરકામમાં પણ ઉપયોગ કરી શકાતો નથી. આમ ગણતરી કરતા અડધો કલાક જેટલું જ વાપરવા લાયક પાણી મળે છે જે મોટા પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે સાવ અપૂરતું સાબિત થાય છે. લોકોમાં એ વાતનો પણ ભારે રોષ છે કે નેતાઓ માત્ર ચૂંટણી વખતે જ મત માંગવા ઘરે આવે છે અને વાયદાઓ કરે છે પરંતુ સત્તા મળ્યા પછી પાંચ વર્ષ સુધી જનતાની પાયાની જરૂરિયાતો જોવા પણ કોઈ આવતું નથી. આ જળ સંકટની સૌથી વધુ માઠી અસર મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર પડી રહી છે. ઉર્મિલાબેન ખાનવાણીએ આ અંગે જણાવ્યું હતું કે પાણી વગર ઘરના તમામ કામકાજ થંભી ગયા છે. પાંચ-છ દિવસે પાણી આવતું હોવાથી અને ઘરમાં રહેલા ટાંકા ખાલી થઈ જતા હોવાથી મજબૂરીવશ ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે. અત્યારે પાણીના એક ટાંકા દીઠ બસો રૂપિયા જેવો મોંઘો ભાવ વસૂલવામાં આવે છે. રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારો માટે દર અઠવાડિયે આટલો મોટો ખર્ચ કરવો અશક્ય બની રહ્યો છે. ગૃહિણીઓ માટે સ્થિતિ એવી સર્જાઈ છે કે મર્યાદિત પાણીમાં રસોઈ કરવી, કપડાં ધોવા કે નાહવા-ધોવાનું કામ પતાવવું તે એક મોટો પડકાર છે. કેશોદના જળ પ્રશ્નના ઉકેલ માટે લોકોએ 'મુંડિયા વાવ' નામના કુવા તરફ આશા વ્યક્ત કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ કુવો છેલ્લા અઢી વર્ષથી બંધ હાલતમાં પડ્યો છે. જો નગરપાલિકા દ્વારા આ કુવાને પુનઃજીવિત કરવામાં આવે તો આસપાસના પાંચસો થી છસો લોકોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તેમ છે પરંતુ તંત્ર દ્વારા આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલાએ જણાવ્યું હતું કે અજાબ નજીક નગરપાલિકાની મુખ્ય પાણી વિતરણની લાઈનમાં અચાનક ભંગાણ સર્જાવાના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. આ લાઈનના રિપેરિંગમાં બે દિવસ જેટલો સમય લાગ્યો હોવાથી શહેરમાં પાણી પહોંચાડવામાં વિલંબ થયો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઉનાળાને કારણે પાણીની માંગમાં ભારે વધારો થયો છે અને ભૂગર્ભ જળના સ્તર નીચા ગયા હોવાથી પાલિકાના પોતાના બોરવેલ પૂરતું પાણી આપી શકતા નથી. કેશોદ નગરપાલિકાએ પાણી પુરવઠા વિભાગ પાસે વધારાના બે એમ.એલ.ડી. પાણીની માંગણી કરી હતી જે હવે મળવાનું શરૂ થઈ ગયું છે. હવે શહેરને કુલ આઠ એમ.એલ.ડી. પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે જેનાથી આગામી દિવસોમાં સ્થિતિ સુધરવાની આશા છે. લાંબા ગાળાના આયોજન તરીકે ઓઝત નદીમાંથી રો-વોટર મેળવી તેને ફિલ્ટર કરી આખા શહેરને આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે જે પ્રોજેક્ટ અત્યારે સૈદ્ધાંતિક મંજૂરીના તબક્કે હોવાનું તેમણે જણાવ્યું હતું. આમ કેશોદની જનતા અત્યારે તંત્રના નવા વાયદાઓ અને અમલીકરણની રાહ જોઈ રહી છે.
SVM શાળામાં ફી વધારા મુદ્દે NSUIની રજૂઆત:એક સપ્તાહમાં કાર્યવાહી ન થતાં ઉગ્ર આંદોલનની ચીમકી
જામનગરની એસવીએમ શાળામાં ફી વધારા અને અન્ય ગેરરીતિઓ સામે વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. આ મામલે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. NSUIના જણાવ્યા અનુસાર, શાળા દ્વારા નર્સરીથી ધોરણ 10 સુધીમાં સરેરાશ 35 થી 45 ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારા માટે કોઈ યોગ્ય કારણો કે પારદર્શિતા આપવામાં આવી નથી, જેના કારણે વાલીઓ પર આર્થિક બોજ વધી રહ્યો છે. આ ઉપરાંત, શાળા પર ફી અલગ-અલગ શીર્ષક હેઠળ વસૂલવાનો આક્ષેપ છે. કાયદેસર ફી ઉપરાંત 'દાન' તરીકે પણ રકમ લેવામાં આવતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જે નાણાકીય પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા કરે છે. કેમ્બ્રિજ પાઠ્યક્રમ અંગે પણ શાળા પર ભ્રામક માહિતી આપવાનો આક્ષેપ છે. NSUI એ જણાવ્યું કે શાળા સંપૂર્ણ કેમ્બ્રિજ પદ્ધતિનો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં માત્ર એક જ પુસ્તક કેમ્બ્રિજનું છે અને બાકીના પુસ્તકો સ્થાનિક પ્રકાશકોના છે. દિવસીય શાળા પદ્ધતિ ફરજિયાત બનાવવા અને કેમ્બ્રિજ કેન્દ્ર માટે અનુભવી શિક્ષકોની અછત મુદ્દે પણ વાલીઓમાં નારાજગી છે. NSUI એ વધુમાં આક્ષેપ કર્યો છે કે શાળા સંચાલક ડૉ. હેમાંગ પારેખ દ્વારા વાલીઓને છોડપત્ર (LC) લઈ જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને NSUI એ જિલ્લા શિક્ષણાધિકારીને યોગ્ય તપાસ કરીને કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. NSUI એ ચેતવણી આપી છે કે જો એક સપ્તાહની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો DEO કચેરીના દ્વારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રાજ્ય સરકારે તાજેતરમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં પીરસવામાં આવતા પનીર બાબતે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવેથી દરેક સંચાલકે પોતાની હોટલમાં સ્પષ્ટપણે બોર્ડ મારવું પડશે કે તેઓ જે પનીર વાપરે છે તે દૂધમાંથી બનેલું 'અસલી પનીર' છે કે વનસ્પતિ તેલમાંથી બનેલું 'એનાલોગ પનીર'. સરકારના આ આદેશ બાદ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. આ મામલે હવે 'સધર્ન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન' મેદાને આવ્યું છે. એસોસિએશને સરકારના નિર્ણયને આવકાર્યો છે, પરંતુ સાથે જ સ્ટ્રીટ ફૂડ અને લારીઓ પર મળતા પનીર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગ્રાહકો સાથે છેતરપિંડી રોકવા સરકારનો માસ્ટરપ્લાનરાજ્યમાં નકલી ખાદ્ય પદાર્થોના વધતા જતા દૂષણને રોકવા માટે સરકારે કડક વલણ અપનાવ્યું છે. હોટલોમાં પનીરના નામે એનાલોગ પનીર (જેમાં દૂધના ફેટને બદલે સસ્તું પામોલિન તેલ વાપરવામાં આવે છે) પીરસવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ પનીર સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોઈ શકે છે. હવે સરકારે ફરજિયાત કર્યું છે કે ગ્રાહકને ખબર હોવી જોઈએ કે તે શું ખાઈ રહ્યો છે. જો કોઈ હોટલ એનાલોગ પનીર વાપરતી હશે, તો તેણે મોટા અક્ષરે મેનુ અથવા હોટલના પ્રવેશદ્વાર પર તેની જાહેરાત કરવી પડશે. 'સમાજને સારી ગુણવત્તાનું ભોજન પીરસવા માટે પ્રતિબદ્ધ છીએ'સરકારના આદેશ અંગે પ્રતિક્રિયા આપતા સધર્ન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ જણાવ્યું હતું કે, 'અમે સરકારના આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. દક્ષિણ ગુજરાતના તમામ હોટલ સંચાલકો આ સૂચનાનું 100% પાલન કરશે. અમે હંમેશા કાયદાનું સન્માન કરીએ છીએ અને સમાજને સારી ગુણવત્તાનું ભોજન પીરસવા માટે પ્રતિબદ્ધ છીએ.' તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રતિષ્ઠિત હોટલો પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે પહેલેથી જ FSSAI ના નિયમો પાળે છે અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનો જ આગ્રહ રાખે છે. 'અમે બોર્ડ મારીશું, પણ લારીઓ પર કોણ નજર રાખશે?'સનત રેલિયાએ હોટલિયર તરીકે નહીં, પણ એક સામાન્ય નાગરિક તરીકે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, 'અમે તો લાયસન્સધારકો છીએ એટલે બોર્ડ લગાવીશું, પણ જે લારીઓ પર પનીરની વાનગીઓ વેચાય છે તેનું શું? આ લારીઓ પાસે ન તો FSSAI લાયસન્સ છે, ન તો GST કે ગુમાસ્તા ધારાનું રજિસ્ટ્રેશન. આ લારીઓવાળા તેલ, ઘી કે પનીર ક્યાંથી લાવે છે અને તે કેટલું શુદ્ધ છે તેની કોઈ ગેરંટી નથી. શું તેઓ બોર્ડ મારશે કે તેઓ નકલી કે એનાલોગ પનીર વાપરે છે?' સ્ટ્રીટ ફૂડ વેચનારાઓ પાસે કોઈ ચોક્કસ સરનામું કે નોંધણી હોતી નથીએસોસિએશને વધુમાં જણાવ્યું હતું કે, મોટો વર્ગ અને ખાસ કરીને યુવા પેઢી તેમજ વિદ્યાર્થીઓ તેમના મર્યાદિત બજેટને કારણે લારીઓ પર ખાવાનું પસંદ કરતા હોય છે. લોકો પ્રોટીન મેળવવાની આશાએ પનીર ખાય છે, પરંતુ લારીઓ પર વેચાતું પનીર જો અનઅપ્રૂવડ અને નકલી હોય તો તે યુવા પેઢીના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. સ્ટ્રીટ ફૂડ વેચનારાઓ પાસે કોઈ ચોક્કસ સરનામું કે નોંધણી હોતી નથી, જેથી કોઈ અઘટિત ઘટના બને તો તેમને પકડવા પણ મુશ્કેલ છે. માત્ર હોટલ-રેસ્ટોરન્ટ પર કાયદા લાદવાને બદલે સમગ્ર ફૂડ સેક્ટરને આવરી લેવામાં આવે. તેમણે કહ્યું કે, આમ, પનીર મુદ્દે સરકારના આદેશ બાદ હવે આગામી દિવસોમાં લારી-ગલ્લાઓ પર તવાઈ આવે છે કે કેમ તે જોવું રહ્યું. એનાલોગ પનીર 'અનસેફ' નથી, પણ તેને 'સબ-સ્ટાન્ડર્ડ' કહી શકાયવડોદરા હોટેલ ઓનર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હેમલ મહેતાએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોને ઘણો ફાયદો થશે. FSSAIના ધોરણો મુજબ ખોરાકને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ફૂડ, સબ-સ્ટાન્ડર્ડ ફૂડ અને અનસેફ ફૂડ. એનાલોગ પનીર 'અનસેફ' નથી, પણ તેને 'સબ-સ્ટાન્ડર્ડ' કહી શકાય, કારણ કે, તેનું નામ પનીર જેવું છે, પણ તે અસલી પનીર નથી. તે ખાવાલાયક તો છે જ, પરંતુ સરકારનો ઉદ્દેશ્ય પારદર્શિતા લાવવાનો છે. જો તમે એનાલોગ પનીર વાપરતા હોવ તો એનું બોર્ડ લગાવો અને જો શુદ્ધ પનીર હોય તો એનું બોર્ડ લગાવો. આ સારી વાત છે. અમે તેને આવકારીએ છીએ. અગાઉ FSSAIની મીટિંગમાં પણ અમને આ બાબતે જાણ કરાઈ હતીતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર તરફથી આ સૂચના તો હમણાં ફરી આવી છે પણ અગાઉ FSSAIની એક મીટિંગમાં પણ અમને આ બાબતે જાણ કરવામાં આવી હતી. વડોદરાની ઘણી હોટેલોએ તો ત્યારે જ બોર્ડ લગાવી દીધા હતા કે તેઓ કયા પ્રકારનું પનીર વાપરે છે. તે લખવું હવે ફરજિયાત છે. રાજ્ય સરકારે એનાલોગ પનીર વાપરવાની ના નથી પાડી. માત્ર એટલું જ કહ્યું છે કે જો તમે એનાલોગ વાપરીને ગ્રાહકોને સસ્તી વાનગી પીરસવા માંગતા હોવ, તો બોર્ડ પર તે સ્પષ્ટ જણાવો. આનાથી ગ્રાહકને ખબર પડશે કે તેઓ શું ખાઈ રહ્યા છે અને એ મુજબ તેની કિંમત ચૂકવશે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને મૂળ ભાવનગરના ઉખરલા (તા. શિહોર) ના વતની 80 વર્ષીય દેવરાજભાઈ પ્રેમજીભાઈ દેસાઈએ જીવનના અંતિમ શ્વાસ સુધી પરોપકારની જ્યોત જલતી રાખી છે. અંધશ્રદ્ધાથી દૂર રહીને તેમણે જીવતા જગતિયું કરી સમાજને નવી રાહ ચીંધી છે. માધવાનંદ આશ્રમમાં અન્નક્ષેત્ર હોય કે ચાંનોદમાં ગાયોની સેવા, દેવરાજભાઈ હંમેશા અગ્રેસર રહ્યા હતા. ગ્રીન આર્મી સાથે જોડાઈને તેમણે 150 થી વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારની પરંપરા અને સંકલ્પદેસાઈ પરિવારમાં જન્મદિવસ, લગ્ન કે પુણ્યતિથિ જેવા દરેક પ્રસંગોની ઉજવણી વૃક્ષારોપણ, નેત્રદાન અને અંગદાન જાગૃતિના કાર્યક્રમો દ્વારા કરવામાં આવે છે. આ સંસ્કારોને વરેલા પરિવારે દેવરાજભાઈના અવસાન બાદ તેમના દેહને મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસાર્થે અર્પણ કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. આ માટે લોક દ્રષ્ટિ આઈ બેન્ક અને રેડ ક્રોસ બ્લડ સેન્ટરના ડો. પ્રફુલ્લભાઈ શિરોયા અને દિનેશભાઈ જોગાણીનો સંપર્ક કરી સંકલ્પ પત્ર ભરવામાં આવ્યું હતું. સમાજ માટે પ્રેરણારૂપ કાર્યપુત્ર ધનસુખભાઈ, બિપીનભાઈ, પ્રવીણભાઈ અને પૌત્રી ડો. સ્મિતા દેસાઈ સહિત સમગ્ર પરિવારે આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે ગ્રીન આર્મીના સૈનિકો અને પટેલ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પરિવારની માનવતાવાદી ભાવનાને બિરદાવી હતી. ‘જીતે જીતે રક્તદાન, જાતે જાતે અંગદાન’ ના સૂત્રને દેસાઈ પરિવારે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.
હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા રેડક્રોસ ભવન અને ભગિની સમાજની બિલ્ડિંગ પાછળ ખુલ્લી જગ્યામાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. સુકા ઘાસ અને ઝાડમાં લાગેલી આ આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિકો દ્વારા પોલીસ અને ફાયર ટીમને જાણ કરવામાં આવતા, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ જોતજોતામાં ઝડપથી પ્રસરી રહી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. હિંમતનગર નગરપાલિકાના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આગની જાણ થતાં જ પ્રથમ એક મિની બ્રાઉઝર સાથે ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે, આગ વધુ પ્રસરી હોવાથી બીજા મોટા બ્રાઉઝરની મદદ લેવામાં આવી હતી. ફાયર ટીમે અંદાજે એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ કામગીરીમાં 5000 લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શહેરના જગતપુર વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત રહેણાંક સોસાયટી, આર્કવે બાય અદાણી રિયલ્ટીના આંગણે હનુમાન જયંતિની પૂર્વસંધ્યાએ એક અનોખો આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો. બુધવારે સાંજે સોસાયટીના રહેવાસીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને ભગવાન હનુમાનની આરાધનામાં લીન થયા હતા. આ અવસરે સમૂહ સુંદરકાંડ પાઠનું અત્યંત ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તિ અને એકતાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ભક્તિમય વાતાવરણ અને આધ્યાત્મિક ચિંતનસોસાયટીના રમણીય બગીચામાં આયોજિત આ કાર્યક્રમમાં રહેવાસીઓ તેમજ આમંત્રિત મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને આવેલા શ્રદ્ધાળુઓએ સુંદરકાંડના પવિત્ર શ્લોકોનું લયબદ્ધ ગાન કર્યું હતું. સમગ્ર વિસ્તાર હનુમાનજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. શ્રદ્ધા અને શાંતિથી ભરેલા આ વાતાવરણમાં ઉપસ્થિત સૌ કોઈએ દૈનિક જીવનની દોડધામમાંથી વિરામ મેળવીને આંતરિક શાંતિનો અનુભવ કર્યો હતો. સામૂહિક એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતનઆ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સોસાયટીના સભ્યો વચ્ચે પરસ્પર ભાઈચારો અને એકતા વધારવાનો હતો. સામૂહિક પૂજન દ્વારા આધ્યાત્મિક મૂલ્યોના જતન સાથે નવી પેઢીમાં પણ સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાંત વાતાવરણ અને ભક્તિમય સંગીતની લહેરો વચ્ચે રહેવાસીઓએ પવનપુત્ર હનુમાનના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
દ્વારકામાં ગટર યોજનાનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય પબુભા માણેકે વિકાસ અને ચૂંટણી મુદ્દે નિવેદન આપ્યું
દ્વારકા શહેરના ગોવાળયાધામ વિસ્તારમાં ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે આ યોજનાનો પ્રારંભ થયો હતો. આ યોજનાથી વિસ્તારના લોકોને ગટર સમસ્યામાંથી રાહત મળશે તેવી અપેક્ષા છે. આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેકે આગામી તાલુકા પંચાયતની ચૂંટણી અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે દ્વારકા તાલુકામાં અનેક વિકાસ કાર્યો પ્રગતિમાં છે અને ભવિષ્યમાં વધુ કાર્યો હાથ ધરવામાં આવશે. તેમણે કાર્યકરોને ચૂંટણી માટે સજ્જ રહેવા અને વિકાસના મુદ્દે જનતા સમક્ષ જવાનું આહ્વાન કર્યું. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર શહેરમાં અશાંતધારો અમલી હોવા છતાં પડદા પાછળ મિલકતના સોદાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા ચકચાર મચી હતી. ક્રેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં હિન્દુ માલિકીના કોમર્શિયલ કોમ્પ્લેક્ષના વેચાણ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની મંજૂરી અપાવવાના બહાને SDMના જ ડ્રાઈવરે લાખો રૂપિયાની માગણી કરી હતી. જે મામલે 17 દિવસ બાદ મદદનીશ કલેક્ટરે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. અધિકારીના નામનો ખોટો ઉપયોગ કરી ડ્રાઈવરની નાણાકીય લેવડ-દેવડશહેરમાં અશાંતધારા વચ્ચે મિલકત સોદામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને મામલો વધુ ગરમાયો છે. નિલમબાગ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાએ લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કલેકટર કચેરીએ મારૂતિ મેન પાવર એજન્સી મારફતે આઉટસોર્સિંગ હેઠળ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મોમીન એમ.પઠાણે પોતાના હોદાનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. ગત તા. 17 માર્ચ 2026ના રોજ સાંજના સમયે મોમીન એમ.પઠાણના ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા હતા. આ ઓડિયો-વીડિયોમાં શખ્સ દ્વારા કલેક્ટર કચેરી અને અધિકારીઓના નામ-હોદાનો ખોટો ઉપયોગ કરીને નાણાકીય લેવડ-દેવડ કરતા હોવાના સંવાદ હતો. એટલું જ નહીં, કચેરીના દસ્તાવેજોના અનધિકૃત રીતે ફોટોગ્રાફ લઈ અને તે આધાર પર વાતચીત કરતો હોવાનો પણ ખુલાસો થયો હતો. આરોપી મોમીન પઠાણે દસ્તાવેજો લીક કર્યાંફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોમીન પઠાણને કોઈપણ સરકારી દસ્તાવેજ કે તેની માહિતી જાહેર કરવાનો અધિકાર ન હોવા છતાં તેણે ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા દસ્તાવેજો લીક કર્યા હતા અને કચેરીના નામે નાણાંની માંગણી કરતો હતો. આ સમગ્ર ઘટનાને ગંભીર ગેરરીતિ ગણાવી મદદનીશ કલેક્ટરે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જેના આધારે નિલમબાગ પોલીસે મોમીન એમ.પઠાણ વિરુદ્ધ BNS કલમ 318(2), 212, 204, 228 અને 356 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મદદનીશ કલેક્ટર પ્રતિભા દહીયાની બદલી થઈઅત્રે ઉલેખિનય છે કે, મોમીનનો ઓડિયો-વિડિઓ સોશલ મીડિયામાં વાઈરલ થયા બાદ ભારે ચકચાર મચી હતી. તે પૂર્વે જ ભાવનગરના મદદનીશ કલેકટર પ્રતિભા દહીંયાંની બદલીનો ઓર્ડર રાજેસ્થાન થવા પામ્યો હતો, જે ઓર્ડર થી સરકારી કર્મચારી વર્તુળોમાં ચકચાર મચી જવા પામી હતી.
મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચૂંટણી લડવા માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં એક-એક વોર્ડમાંથી સરેરાશ 30 થી 40 જેટલા ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. આ સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી ધારાસભ્ય અમિત શાહ, પુષ્પાબેન મિસ્ત્રી અને રુચિર ભટ્ટને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ દ્વારા ક્રમશઃ એક પછી એક વોર્ડના દાવેદારોને બોલાવીને તેમની સેન્સ લેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 4 જેટલા વોર્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ટંકારા તથા વાંકાનેર નગરપાલિકાની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ 179 બેઠકો માટે કુલ 580 જેટલા દાવેદારોએ ટિકિટની માંગણી કરી હતી. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતી રાજકોટિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં માળિયા, વાંકાનેર, ટંકારા, હળવદ તથા મોરબી તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો તેમજ તાલુકા પંચાયતની બેઠકો અને વાંકાનેર તેમજ ટંકારા નગરપાલિકાની બેઠકો માટે સેન્સ લેવામાં આવી હતી. આજે મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તેમાં પ્રથમ વોર્ડથી જ આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક વોર્ડમાં સરેરાશ 30 થી 40 જેટલા આગેવાનો દ્વારા ટિકિટ માટેની દાવેદારી કરવામાં આવી રહી છે. મોડી સાંજ સુધીમાં મોરબી મહાનગરપાલિકા તથા માળિયા નગરપાલિકાની બેઠકો માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ સંકલનની બેઠક મળશે અને તેમાં દાવેદારોની પેનલ નક્કી કરીને પ્રદેશમાં નામ મોકલાવવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપના દાવેદારોની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયતો, ત્રણ નગરપાલિકાઓ અને એક નગરપાલિકાની પેટાચૂંટણી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આજે વડાલી તાલુકા પંચાયતની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જ્યારે તલોદ, પ્રાંતિજ તાલુકા પંચાયત અને હિંમતનગર નગરપાલિકાની પ્રક્રિયા ચાલુ છે. આ સેન્સ પ્રક્રિયા ગઈકાલે ગુરુવારે સવારે 9 વાગ્યે હિંમતનગરના કળશ પાર્ટી પ્લોટ ખાતે શરૂ થઈ હતી. પ્રથમ દિવસે સાંજે 7.30 વાગ્યા સુધીમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો સામે 120 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. આ ઉપરાંત, ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની 20 બેઠકો સામે 62, વિજયનગરની 18 બેઠકો સામે 56, હિંમતનગરની 28 બેઠકો સામે 116 અને પોશીના તાલુકા પંચાયતની 20 બેઠકો સામે 58 દાવેદારોએ સેન્સ આપી હતી. વડાલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે 68 દાવેદારોની સેન્સ લેવાઈ હતી. આમ, પ્રથમ દિવસે કુલ 144 બેઠકો સામે અંદાજે 480 દાવેદારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી. બીજા દિવસે, શુક્રવારે સવારે 9 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા ફરી શરૂ થઈ હતી. જેમાં સૌપ્રથમ વડાલી તાલુકા પંચાયતની 16 બેઠકો સામે 72 દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે. હાલમાં પ્રાંતિજ અને તલોદ તાલુકા પંચાયત તેમજ હિંમતનગર નગરપાલિકાની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. બપોર બાદ ઇડર તાલુકા પંચાયત, ઇડર નગરપાલિકા અને પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 2 સહિતની બેઠકો માટે દાવેદારોની સેન્સ લેવાશે. બે દિવસની આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સાંજે જિલ્લા સંકલન બેઠક યોજાશે. આ બેઠકમાં દાવેદારોની પેનલ તૈયાર કરીને આગળ મોકલવામાં આવશે. આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવા માટે ભાજપ દ્વારા બે ટીમોની રચના કરવામાં આવી છે. ટીમ-1 માં ગાંધીનગર શહેર પ્રમુખ આશિષભાઈ દવે, પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્ય અને પૂર્વ પોરબંદર જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, તથા પૂર્વ શહેર પ્રમુખ અને મહિલા મોરચાના સ્મિતાબેન જોશીનો સમાવેશ થાય છે. ટીમ-2 માં પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જામનગરના પૂર્વ જિલ્લા પ્રભારી અને પૂર્વ જિલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા, તેમજ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ડૉ. દેવાંગીબેન મૈયડનો સમાવેશ થાય છે.
અમદાવાદની અલગ-અલગ કાપડની કંપનીઓ પાસેથી નવી દિલ્હીના બે વેપારીએ મોટા પાયે કાપડ ખરીદીને કુલ રૂ. 4.62 કરોડની રકમ ન ચૂકવીને છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ છે. ફરિયાદીની ઓફિસે આવીને સંપર્ક કર્યો હતોમળતી માહિતી મુજબ, નવરંગપુરા વિસ્તારમાં આવેલા એલ.પી. હાઉસ, શ્રેયસ કોલોની ખાતે કાર્યરત 'એલ બી ટેક્ષ પ્રા. લી.' નામની કંપનીમાં સિનીયર જનરલ મેનેજર તરીકે નોકરી કરતા અંકિતભાઈ જોગીનકુમાર શાહ (ઉં.વ. 37) દ્વારા આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, નવી દિલ્હીની ગીતા કોલોનીમાં આવેલી 'એ.એમ. એન્ટરપ્રાઇઝ' ના પ્રોપરાઇટર અનીલ રાજેન્દ્ર મદન અને 'નમહ ફેબ્રીક્સ' ના માલીક પીયુષ ગહલોટ એક જ ઓફિસ ધરાવે છે. 2025માં આ બંને દિલ્હીના વેપારીએ કાપડ લેવા માટે ફરિયાદીની ઓફિસે આવીને સંપર્ક કર્યો હતો. ઉઘરાણી બાદ પણ પૈસા ન આપતા ફરિયાદવેપારની શરૂઆતમાં આ બંને આરોપીઓએ કાપડનો માલ ખરીદીને 30 દિવસની ઉધારીના વાયદા મુજબ ટુકડે-ટુકડે નાણાં ચૂકવીને વેપારીઓનો પૂરેપૂરો ભરોસો જીતી લીધો હતો. પરંતુ ત્યારબાદ તેઓની દાનત બગડી હતી અને એપ્રિલ-2025થી માર્ચ-2026ના સમયગાળા દરમિયાન 'એલ બી ટેક્ષ પ્રા. લી.' સહિત શહેરની અન્ય ત્રણ પેઢીઓ પાસેથી લાખો રૂપિયાનો ડેનીમ અને અન્ય કાપડનો માલ ખરીદી લીધો હતો. ત્યારબાદ તેઓએ પેમેન્ટ ચૂકવવાનું બંધ કરી દીધું હતું અને વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા કે માલ પરત આપ્યા ન હતા. છેવટે તેમણે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં સાયન્સ સીટી રોડ ઉપરથી ગાડીમાંથી લાશ મળી આવવાની ઘટના બની હતી. પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. મૃતક શેલા ગામના રહેવાસી અને શેરબજારનો વ્યવસાય કરનારા હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના શરીર ઉપર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી, હાલ સોલા પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની શકયતા વર્તાઈ રહી છે. ઉલ્લખેનિય છે કે, 7 દિવસ પહેલાં અમદાવાદમાં GJ-5 મર્સિડીઝમાંથી કોહવાયેલી લાશ મળી મળી હતી. શરીર પર કોઈ ઈજાના નિશાન મળી આવ્યા નથી-PIસોલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે. એન. ભૂકણે જણાવ્યું હતું કે, સાયન્સ સિટી રોડ ઉપર હેતાર્થ પાર્ટી પ્લોટ પાસે ગાડીમાંથી લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવેલી છે શરીર ઉપર કોઈ ઈજાના નિશાન મળી આવ્યા નથી. મૃતક ગાડીમાં કેવી રીતે આવ્યા ગાડી કોની છે તે વગેરે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. વિહત બંગલોઝની બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં ગાડીમાં લાશ પડી'તીમળતી માહિતી મુજબ, 2 એપ્રિલના રોજ સાંજના સમયે સોલા પોલીસને જાણ થઈ હતી કે સાયન્સ સીટી રોડ ઉપર હેતાર્થ પાર્ટી પ્લોટ નજીક વિહત બંગલોઝની બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં ગાડીમાં લાશ પડી છે. જેથી સોલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા ત્યાં જઈને તપાસ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયાં હતા. મૃતક શેરબજારનો વ્યવસાય કરતા હતાપોલીસ દ્વારા ગાડી ખોલીને તપાસ કરતા તેમાં આશરે 45 વર્ષીય વ્યક્તિની લાશ જોવા મળી હતી. પોલીસે મૃતકની ઓળખ કરતા શેલા ગામના રહેવાસી હર્ષદભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું. હર્ષદભાઈ પોતે શેરબજારનો વ્યવસાય કરતા હતા. પોલીસે તાત્કાલિક લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસ તપાસ શરૂપોલીસને ગાડીમાંથી અથવા મૃતકના શરીર ઉપર કશું શંકાસ્પદ મળી આવ્યું નથી. સોલા પોલીસ દ્વારા હાલમાં મૃતક કેવી રીતે ગાડીમાં આવ્યા આ ગાડી કોની હતી અને કોઈને મળ્યા હતા કે કેમ તે વગેરે અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો અમદાવાદમાં GJ-5 મર્સિડીઝમાંથી કોહવાયેલી લાશ મળી 7 દિવસ પહેલાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે કોલેજ પાસે પાર્ક થયેલી મર્સિડીઝ ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ગેરેજવાળાની હોવાનું સામે આવ્યું. લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી સરખેજ પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મર્સિડીઝ ગાડીમાંથી જે મૃતદેહ મળ્યો તેની તપાસ દરમિયાન મૃતક બોડકદેવ વિસ્તારનો પ્રતાપભાઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક ગત 25મીએ ઘરેથી નીકળ્યો હતો. જે બાબતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી. મૃતકને બીમારી હતી અને દવા પણ ચાલતી હતી. જોકે, પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હત્યા કરી, ડેકીમાં લાશ મૂકી વિરાટનગર ઓવરબ્રિજ નીચે મર્સિડિઝ છોડી અમદાવાદમાં પૂર્વ ભાગીદારે પાટીદાર બિલ્ડરની હત્યા કરાવી હતી. 13 સપ્ટેમ્બર, 2025ની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી. મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઓઢવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઈ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ શીરોહી, રાજસ્થાન) અને ત્રીજામાં સગીરનો સમાવેશ થતો હતો. ત્રણેય આરોપીને રાજસ્થાનના શીરોહી પાસેથી પોલીસે પકડી લીધા હતા. આરોપીઓએ નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હિંમતભાઈ રૂડાણીની હત્યા કરી હતી. આ હત્યા માટે પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
રાજકોટના જામનગર રોડ પર આવેલ એઈમ્સમાં એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થી રતન મેઘવાલે ગત તા.14.03.2026ના રોજ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લેતા ગાંધીગ્રામ પોલીસે વિદ્યાર્થી પાસેથી મળેલ સ્યુસાઇડ નોટ આધારે આપઘાત કરવા મજબુર કરવા કલમ હેઠળ તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી એઇમ્સના જ અન્ય 5 વિદ્યાર્થી સામે ગુનો નોંધી પોલીસ 5 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા જે બાદ આરોપીઓએ જેલમાંથી છૂટવા જામીન અરજી કરતા સેશન્સ કોર્ટ દ્વારા તમામ પાંચેય આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા છે. મૃતક વિદ્યાર્થી રતન મેઘવાલ તથા આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી રાજકોટ એઈમ્સ હોસ્પીટલમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા હતા જયાં મૃતક વિદ્યાર્થી રતનને એક યુવતી સાથે એક તરફી પ્રેમ સંબંધ બાબતે શંકા કરી પાંચેય આરોપીઓ મૃતક વિદ્યાર્થી રતનને છેલ્લા થણા સમયથી અવાર-નવાર શારીરીક માનસીક ટોર્ચર કરી માર મારતા હતા અને આ માર મારવા બાબતેના વીડીયો બનાવી રતનને બદનામ કરતા હતા જે બાબતે અસહય ત્રાસ આપી મરવા મજબુર કરતા મૃતક વિદ્યાર્થીએ તા.14.03.2026ના રોજ જામનગર રોડ, ઘંટેશ્વર, 25 વારીયા પાસે રેલવે પાટા પર પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થી રતન મેઘવાલના આપઘાત બાદ તેના પિતાએ પ્રણવ મોહન પાલીવાલ, અસ્મિત રાકેશ શર્મા, આયુશ સુરેશનંદન યાદવ, નિર્વિધ્નમ નુર વિનોદકુમાર યાદવ અને યુવરાજ રાજારામ ચૌધરી વિરુધ્ધ BNSની કલમ 108 તથા એટ્રોસીટી એકટની કલમ 3 મુજબ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેના આધારે પોલીસે પાંચેય આરોપીઓને પકડી જેલ હવાલે કરતા આરોપીઓએ એડવોકેટ તુષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. તમામ પક્ષકારોની દલીલોના અંતે સેસન્સ કોર્ટ દ્વારા આરોપી તરફે થયેલ એડવોકેટ તુષાર ગોકાણીની દલીલો ગ્રાહય રાખી આરોપીઓને તપાસમાં સહકાર આપવા અને ભારત દેશ બહાર ન જવાની શરતે જામીન પર મુકત કરવા આદેશ કર્યો છે. આ કામે તમામ આરોપીઓ વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નંદિમ ધંધુક્રિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોષી રોકાયા હતા.
ગુજરાતમાં 5 મી તારીખથી વસતિ ગણતરી શરૂ નહીં થાય. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. રાજ્યમાં પહેલાં ઓનલાઇન વસતિ ગણતરી 5 એપ્રિલથી શરૂ થવાની હતી. દરમિયાનમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે વસતિ ગણતરીનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખ્યો છે. આ કાર્યક્રમ ક્યારથી શરૂ થશે તેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેમ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે વસતિ ગણતરીની કામગીરીને અસર પહોંચે તેમ હોવાથી જનગણના વિભાગે આ કામગીરીને લંબાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને સરકારે મંજૂરીની મ્હોર મારી દીધી છે. દેશમાં વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો શરૂદેશમાં વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો છે. જે 30 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં 'હાઉસ લિસ્ટિંગ' એટલે કે મકાનોની ગણતરી થશે. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં થશે. તેમાં લોકોને તેમની જાતિ પૂછવામાં આવશે. આઝાદી પછી પહેલીવાર જાતિનો ડેટા એકત્રિત કરવામાં આવશે. આ પહેલા 1931માં આવું થયું હતું. વસતિ ગણતરી દરમિયાન તમને કુલ 33 પ્રશ્નો પૂછાશે. આ વસતિ ગણતરીમાં કયા પ્રકારના સવાલો પૂછવામાં આવશે તે અંગે સોશિયલ મીડિયામાં ધૂમ મેસેજો વાયરલ થઇ રહ્યાં હતા. જો કે ગુજરાત સરકારે આ કાર્યક્રમને મોકૂફ રાખવાનું નોટિફિકેશન બહાર પાડતાં જ સમગ્ર ચર્ચા પર હાલ પૂરતું પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. પહેલીવાર સંપૂર્ણપણે ડિજિટલ વસતિ ગણતરીદેશમાં પહેલીવાર વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે. કર્મચારીઓ મોબાઇલ એપથી ડેટા સીધા તેમના સ્માર્ટફોન પર એકત્રિત કરશે. પહેલાં વસતિ ગણતરીના આંકડા કાગળ પર નોંધવામાં આવતા હતા અને પછી તેમને ડિજિટાઇઝ કરવામાં આવતા હતા. આમાં ઘણો સમય લાગતો હતો. મકાનોની ગણતરીમાં જિયો-રેફરન્સિંગ ટેકનિકનો ઉપયોગ થશે. દરેક ઘરનું લોકેશન ડિજિટલ મેપ પર નોંધવામાં આવશે. જેથી કોઇ મકાન છૂટી ન જાય અને કોઇની ફરીથી ગણતરી ન થાય. કર્મચારીઓ જો આ 3 સવાલ પૂછે તો જવાબ ન આપો આવક: મહિનાની કમાણી અથવા બેંક બેલેન્સ સંબંધિત કોઈ પણ પ્રશ્ન.દસ્તાવેજો: આધાર, પાન અથવા અન્ય કોઇ પણ ઓળખપત્ર બતાવવાનું દબાણ.બેંક વિગતો: બેંક ખાતા નંબર અથવા OTP (ઓટીપી) જેવી ખાનગી વિગતો. 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીરાજ્યમાં 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10 હજારથી વધુ બેઠકો માટે મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરુર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી થશે.
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વેરાવળના કાજલી યાર્ડ નજીક એક બાઈક સવાર યુવક દ્વારા કરવામાં આવેલો જીવલેણ સ્ટંટ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. નેશનલ હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર અન્ય વાહનોની અવરજવર વચ્ચે આ પ્રકારની જોખમી હરકત સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાલતી બાઈક પર ઊભા રહી હાથ ફેલાવ્યાવાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક પુરપાટ ઝડપે ચાલતી બાઈક પર સીટ પર ઊભો થઈ જાય છે અને બંને હાથ ફેલાવી સ્ટંટ કરે છે. આ દ્રશ્યો હાઈવે પર પાછળ આવી રહેલી એક કારમાં બેઠેલા વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યા હતા. સામાન્ય સંતુલન ગુમાવતા જ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવા છતાં યુવક બેફામ બનીને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતો જોવા મળ્યો હતો. અન્ય વાહનચાલકો માટે પણ જીવનું જોખમનિષ્ણાતોના મતે, આ પ્રકારના જોખમી કરતબ માત્ર સ્ટંટ કરનાર માટે જ નહીં, પરંતુ રસ્તા પર પસાર થતા અન્ય નિર્દોષ વાહનચાલકો માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા અને 'લાઈક્સ' મેળવવાની લ્હાયમાં યુવાનો પોતાના અને બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. પોલીસ તપાસનો ધમધમાટવીડિયો વાઈરલ થયા બાદ સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો આવા તત્વો સામે કડક કાર્યવાહીની સાથે હાઈવે પર પેટ્રોલિંગ વધારવાની માગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે વાઈરલ વીડિયોને આધારે તપાસ શરૂ કરી દીધી છે. બાઈક નંબર અને અન્ય વિગતોના આધારે યુવકની ઓળખ મેળવવાના પ્રયાસો તેજ કરાયા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ યુવક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હેડ્રોપોનિક ગાંજાની દાણચોરીના કિસ્સાઓ સતત વધતાં જઈ રહ્યાં છે. આ ગુનામાં સજાની કડક જોગવાઈ હોવા છતાં આ ગાંજાની ડિમાન્ડને કારણે દાણચોરીના કેસો ઘટવાનું નામ લેતાં નથી. આ દરમિયાન આજે સવારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. વીઝેડ- 750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે મુસાફરો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા. મુસાફરો પાસેથી બે કિલોથી વધુ વજનનો ગાંજો મળી આવ્યોDRI તરફથી મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, એઆઈયુ, અમદાવાદના અધિકારીઓએ વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. વીઝેડ- 750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે ભારતીય નાગરિકોને અટકાવ્યા હતા. તેમની પાસેથી બે કિલોથી વધુ વજનનો ગાંજો મળી આવ્યો હતો. તેની આંતરરાષ્ટ્રીય બજારમાં બે કરોડથી વધુ કિંમત થવા જાય છે. મુસાફરો ગાંજો કોના માટે અને કોની પાસેથી લાવ્યા તે દિશામાં તપાસ શરૂમુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસમાં આઠ વેક્યુમ-સીલબંધ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો પદાર્થ હતો. પરીક્ષણ કરાવતાં આ પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી અને કુલ 2.254 કિલો પ્રતિબંધિત વસ્તુ જપ્ત કરવામાં આવી હતી. બંને મુસાફરોની NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના જબલપુરના છે. તેઓ કોના માટે અને કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ શહેરના હાર્દ સમાન વ્યાપારી વિસ્તારોમાં લાંબા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. આ પરિસ્થિતિને થાળે પાડવા અને રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે આજે શહેર પોલીસ 'એક્શન મોડ'માં જોવા મળી હતી. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સંજય દેસાઈ અને તેમની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આકસ્મિક ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતા નિયમભંગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસના કાફલાએ આઝાદ ચોકથી શરૂ કરીને પોસ્ટ ઓફિસ રોડ, દાણાપીઠ સર્કલ અને ચોક માલીવાડા જેવા વ્યસ્ત વિસ્તારોમાં પગપાળા પરિભ્રમણ કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન પોલીસે રસ્તાની વચ્ચે કે નો-પાર્કિંગ ઝોનમાં અડચણરૂપ રીતે ઊભેલા વાહનોના માલિકો સામે લાલ આંખ કરી હતી. અનેક વાહનચાલકોને સ્થળ પર જ કડક સૂચના આપી ચેતવણી આપવામાં આવી હતી કે, જો ફરીથી આ પ્રકારે આડેધડ પાર્કિંગ કરવામાં આવશે તો વાહન ડિટેઈન કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. પીઆઈ સંજય દેસાઈએ આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓને ટ્રાફિકને કારણે પડતી મુશ્કેલીઓ દૂર કરવી એ અમારી પ્રાથમિકતા છે. માત્ર દંડ વસૂલવાને બદલે લોકોમાં જાગૃતિ આવે અને તેઓ શિસ્તબદ્ધ રીતે વાહન પાર્ક કરે તે હેતુથી આ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે અને ટ્રાફિકના નિયમોનું સતત ઉલ્લંઘન કરનારા તેમજ રસ્તા પર દબાણ કરનારાઓ સામે કાયદાનો સકંજો વધુ કડક કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે. પોલીસની આ સક્રિયતાને પગલે આજે બપોર બાદ મુખ્ય બજારોના રસ્તાઓ પ્રમાણમાં મોકળા જોવા મળ્યા હતા.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાધજીપુર ગામે એક પશુપાલકને તેની જ ભેંસે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે. પશુ ચરાવવા નીકળેલા યુવકને તોફાની બનેલી ભેંસે પથ્થરના ઢગલા પર પછાડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી અનુસાર, વાધજીપુર ગામના રહેવાસી વિક્રમભાઈ બારિયા પોતાની ભેંસને ચરાવવા લઈ ગયા હતા. ભેંસનું દોરડું તેમના હાથમાં હતું ત્યારે ભેંસ અચાનક તોફાની બનીને દોડવા લાગી. દોરડું હાથમાં વીંટળાયેલું હોવાથી વિક્રમભાઈ પણ તેની સાથે ઢસડાયા હતા. તોફાની ભેંસે વિક્રમભાઈને પથ્થરોના ઢગલા પર પછાડતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના સ્થળે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિક્રમભાઈને તાત્કાલિક શહેરા રેફરલ હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ રિફર કરાયા છે. હાલ પશુપાલક યુવકની સારવાર ચાલી રહી છે.
અમદાવાદ શહેરના લીલાપુર વિસ્તારમાં આવેલી હૃદયકુંજ સોસાયટીમાં નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સોસાયટીમાં રહેતા નડિયાદ ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિતના પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કરવાના મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેન્ટેનન્સ અને ડિપોઝિટની રકમ ન ભરતા ગજગ્રાહ ચાલતો હતોપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લીલાપુર વિસ્તારમાં આવેલી હૃદયકુંજ સોસાયટીમાં રહેતા ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર હીરેનકુમારના પત્ની સોસાયટીમાં ચેરમેન તરીકે સેવા આપે છે. સોસાયટીમાં બંગલા નંબર 3માં રહેતા વસંતીબેન અને તેમનો પરિવાર સોસાયટીના મંજૂર પ્લાન મુજબ પેરાફેટ ન બનાવવા દેતા હોવાથી તેમજ મેન્ટેનન્સ અને ડિપોઝિટની રકમ ન ભરતા હોવાથી લાંબા સમયથી ગજગ્રાહ ચાલતો હતો. યુવતીએ લોખંડની પાઈપ વડે હીરેનકુમાર પર હુમલો કરી દીધોઆ બાબતે ચેરમેન તરીકે હીરેનકુમારના પત્નીએ વારંવાર ટકોર કરતા પાડોશી પરિવાર તેમની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. ગઈકાલે રાત્રે આ વિવાદે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વસંતીબેનની દીકરીએ હીરેનકુમારના ઘર સામે આવીને અગાઉના ઝઘડાની અદાવત રાખી ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે હીરેનકુમારે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉશ્કેરાયેલી યુવતીએ લોખંડની પાઈપ વડે હીરેનકુમાર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન વસંતીબેન અને તેમનો દીકરો ધ્રુવ પણ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અને હીરેનકુમારને માર માર્યો હતો. યુવકે શોભનાબેન પર હુમલો કરી છેડતી કર્યાનો પણ આક્ષેપઆ ઝઘડો વધતા હીરેનકુમારના ભત્રીજા જ્યોતિરાદિત્ય અને પાડોશમાં રહેતા શોભનાબેન વચ્ચે છોડાવવા પડ્યા હતા, પરંતુ હુમલાખોરોએ તેમને પણ નિશાન બનાવ્યા હતા. ધ્રુવ નામના યુવકે શોભનાબેન પર હુમલો કરી તેમની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ છે. હુમલાખોરોએ દવા પી ખોટા કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારીઆટલેથી ન અટકતા હુમલાખોર પરિવારે જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વસંતીબેને પોતે દવા પી લઈને સામા પક્ષને ખોટા કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્તોને પાડોશીઓ દ્વારા તાત્કાલિક અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના વાલ્કેટ ગેટ વિસ્તારમાં ફૂઈના દીકરાને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ફઈનો દીકરો તેમજ તેના પુત્ર મળી તેના મામાના દીકરા પર છરી અને ધોકા વડે હુમલો કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગંગાજળિયા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાળો બોલવાની ના પાડતા છરી અને ધોકા વડે હુમલો કર્યોમળતી માહિત અનુસાર, ભાવનગર શહેરના વાલ્કેટગેટ વિસ્તારમાં આવેલ બહારફળીમાં રહેતા અને મજૂરી કામ કરતા રાહુલ ઉર્ફે બોમ્બ જયંતિ મકવાણા ઉં.વ. 28એ ગંગાજળિયા પોલીસ મથકમાં તેની ફુઈના પુત્ર કાળુ ચૌહાણ અને કાળુના પુત્ર ચિરાગ કાળુ ચૌહાણ, ધમુ કાળું ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાજ મુજબ, ગઈકાલે(2 એપ્રિલે) તેના ઘર પાસે આવેલ શેરીમાં ઠાકર દ્વારા પાસે બેઠો હોય એ દરમિયાન તેના ફઈના પુત્રો જાહેરમાં બિભત્સ અપશબ્દો બોલતા હોય હાથી તેમને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ ત્રણેય શખ્સોએ ફરિયાદી રાહુલ પર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. યુવાનને લોહીયાળ ઈજાઓ પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 3 સામે ગુનો નોંધાયોજે યુવાનની ફરિયાદના અનુસંધાને ગંગાજળીયા પોલીસે કાળુ ચૌહાણ, ચિરાગ કાળુભાઇ ચૌહાણ, ધમુ કાળુભાઇ ચૌહાણ રહે તમામ વાલકેટ ગેઇટ, ભાવનગરનાઓ વિરુદ્ધ BNS એક્ટ 118(1), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બોડેલી તાલુકાના ઊંચકલમ કુંડી ગામમાં આજે વિકાસનો સૂર્યોદય હજુ બાકી હોય તેવું પ્રતીત થાય છે. આ ગામ પાયાની પ્રાથમિક સુવિધાઓથી એટલી હદે વંચિત છે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનેક પરિવારોએ વતનનું આંગણું છોડી સ્થળાંતર કરવાની નોબત આવી છે. વિકાસ, સુવિધા અને છેવાડાના માનવીની સુખાકારીના પોકળ દાવાઓ વચ્ચે આ અવિકસિત ગામના દ્રશ્યો હૃદયને હચમચાવી મૂકે તેવા છે. બોડેલી તાલુકાના ઊંચકલમ ગામનું કુંડી ફળિયું આજે પણ ઉપેક્ષાનો શિકાર છે. જે ગામ એક સમયે માનવીઓના કલશોરથી ગુંજતું હતું, તે આજે વીરાણ ભાસી રહ્યું છે. વતનની માયા છોડી અનેક લોકો હવે આ ગામનો ત્યાગ કરી ચૂક્યા છે. કુંડી ગામમાં જ્યાં ક્યારેક સમૂહજીવનની સુવાસ હતી, ત્યાં આજે માત્ર ભયાનક સન્નાટો પ્રસરેલો છે. એવું લાગે છે કે વિકાસનો માર્ગ આ ફળિયા સુધી પહોંચતા પહેલા જ ક્યાંક અટકી ગયો છે. અહીં નથી વીજળીના દર્શન થયા કે નથી પાકા રસ્તાની સુવિધા મળી. તરસ છિપાવવા માટે નળ કે હેન્ડપંપ તો સ્વપ્ન સમાન છે; ગામલોકોએ પીવાનું પાણી મેળવવા આજે પણ કોતરોમાં ભટકવું પડે છે. આ જ દુર્દશાને કારણે સક્ષમ લોકો ગામ છોડી ગયા છે, તો કેટલાક રોજીરોટીની શોધમાં સતત માઈગ્રેશન કરી રહ્યા છે. જે રહી ગયા છે, તે એકલવાયા વૃદ્ધો છે જેમનું જીવન હવે માત્ર સંઘર્ષની પરાકાષ્ઠા બનીને રહી ગયું છે. અહીં વસતા લોકો માટે જાયે તો કહા જાયે જેવી કપરી સ્થિતિ સર્જાઈ છે. અશક્ત કાયા હોવા છતાં પેટનો ખાડો પૂરવા વૃદ્ધોએ મજૂરીના શરણે જવું પડે છે. એક એવા વૃદ્ધ દંપતીની વ્યથા આંખમાં ઝળઝળિયાં લાવી દે તેવી છે, જેમણે પોતાની બે દીકરીઓ ગુમાવી દીધી છે અને કોઈ પુત્ર નથી. 75 વર્ષના અશક્ત પતિની આંખોની જ્યોતિ હવે મંદ પડી છે, જ્યારે તેમની 70 વર્ષની પત્ની જર્જરિત શરીરે મજૂરી કરી ઘરનો ચૂલો સળગતો રાખે છે. જો મજૂરી મળે તો રોટલો નસીબ થાય, નહીંતર ભૂખ્યા પેટે પાણી પીને રાત કાપવી પડે છે. પાણી માટે પણ તેમને કોતર સુધી લાંબા થવું પડે છે અને ચોમાસામાં ઝૂંપડાના નેવાંનું પાણી એકત્ર કરી તરસ છિપાવવી પડે છે. સરકારી ચોપડે કદાચ આ પરિવારનું અસ્તિત્વ જ નથી, કારણ કે તેમની પાસે નથી આધાર કાર્ડ, નથી રેશન કાર્ડ કે નથી ચૂંટણી કાર્ડ. જંગલ વિસ્તારની આ વસાહતમાં રાત્રિનો અંધકાર દીપડાના ભય સાથે વધુ બિહામણો બને છે. ઘરમાં વીજળી નથી અને ઘરને દરવાજો પણ નથી. ગત વર્ષના વાવાઝોડાએ તેમનું મકાન જમીનદોસ્ત કરી નાખ્યું હતું, જેના કારણે તેઓ હવે ગામ છોડી ગયેલા અન્ય એક પરિવારના મકાનમાં આશરો લઈ રહ્યા છે. આજે તો એકબીજાના સહારે આ જોડી જીવી રહી છે, પણ ક્યારેક એક સાથ છૂટશે ત્યારે બીજાનું શું થશે? તે વિચાર માત્ર કમકમાટી પેદા કરે છે. ગુજરાતના પ્રત્યેક નાગરિકને પાયાની સુવિધાઓ મેળવવાનો બંધારણીય હક્ક છે, તો પછી કુંડી ગામના આ રહીશોની અવગણના કેમ? ક્યાં સુધી આ લાચાર વૃદ્ધો અને મહિલાઓ ન્યાયની પ્રતીક્ષા કરશે? શું આ દયનીય હાલતના અહેવાલ બાદ વહીવટી તંત્રની નિદ્રા ઉડશે કે પછી આ પરિવારો નસીબના સહારે જ પોતાનું જીવન વ્યતીત કરશે? તે એક મોટો પ્રશ્ન છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે વાલ્મીકી સમાજના માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણ કોળી ઉપસ્થિત રહ્યા હતા. પ્રવિણ કોળી દ્વારા આ કાર્યક્રમ દરમિયાન બાળકોને નોટબુક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. આ વિતરણ કાર્યક્રમ માત્ર ભૌતિક વસ્તુઓનું વિતરણ નહોતો, પરંતુ શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને બાળકોને અભ્યાસ માટે પ્રેરિત કરવાનો એક પ્રયાસ હતો. આવા કાર્યોથી સમાજમાં શિક્ષણનું મહત્વ વધે છે અને બાળકોને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે.
મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ શહેરના અડાજણ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. તાડવાડી સ્થિત ઐતિહાસિક ગોરાટ હનુમાન મંદિરની સુરક્ષા અને અશાંતધારાના ઉલ્લંઘનને મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરની આસપાસના વિસ્તારોમાં અને સોસાયટીઓના ગેટ પર વિરોધ પ્રદર્શન કરતા પોસ્ટરો અને બેનરો લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે, 'જો ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું.' સ્થાનિકોનો આક્ષેપ છે કે અશાંતધારો અમલી હોવા છતાં નિયમોને નેવે મૂકીને અન્ય ધર્મના લોકોને અહીં વસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અંશાતધારો લાગુ હોવા છતાં તે વિસ્તારમાં બિલ્ડર દ્વારા અન્ય ધર્મના લોકોને ફ્લેટ આપવામાં આવતા હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. 'ગોરાટ મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું' સ્થાનિક રહીશો દ્વારા લગાડવામાં આવેલા પોસ્ટરોમાં ખૂબ જ આક્રમક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મંદિરની બિલકુલ પાછળ જે મોટી બિલ્ડિંગનો પ્રોજેક્ટ બની રહ્યો છે, તે મંદિરના અસ્તિત્વ અને સુરક્ષા માટે જોખમરૂપ છે. હનુમાન જયંતિના પવિત્ર અવસરે જ આ પ્રકારના પોસ્ટરો સામે આવતા સુરતનું રાજકારણ ગરમાયું હતું અને શાસક પક્ષ માટે આગામી ચૂંટણીમાં મુશ્કેલીઓ ઊભી થાય તેવા સંકેતો મળી રહ્યા છે. 'અમે જ ભાજપને લાવ્યા હતા, હવે એ જ મંદિર વિરુદ્ધ કામ કરે છે'ગોરાટ હનુમાન મંદિરના પૂજારી શિવલહરી ગોસ્વામીએ આ મામલે સરકાર સામે સીધો મોરચો માંડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 'હું છેલ્લા 23-24 વર્ષથી અહીં પૂજા કરું છું. આ વિસ્તાર સંપૂર્ણપણે હિન્દુ બહુમતી ધરાવે છે. જો અહીં અન્ય ધર્મના લોકો રહેવા આવશે તો તે મંદિર અને અહીંની જનતા બંને માટે હાનિકારક સાબિત થશે. ભાજપ સરકાર ભગવા ઝંડા અને સાધુ-સંતોના ટેકાથી સત્તા પર આવી છે, પરંતુ અત્યારે તે ભગવાની વિરુદ્ધ અને સંતોની વિરુદ્ધ કામ કરી રહી હોય તેવું લાગે છે. જ્યારે ભાજપનું કોઈ નામ નહોતું જાણતું ત્યારે અમે ગામડાઓમાં મિટિંગો કરીને તેમને સમર્થન અપાવ્યું હતું, પણ હવે અમારે આવી સરકાર જોઈતી જ નથી.' 'અમે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છીએ' સ્થાનિક રહીશ કુશમનભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે, આ પ્રોજેક્ટ માટે અશાંતધારાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છીએ અને 4થી 5 વાર આવેદન પત્ર આપી ચૂક્યા છીએ. અશાંતધારો અમલમાં હોવા છતાં અન્ય ધર્મના લોકોને અહીં રહેવા માટે પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. અમે હાઈકોર્ટ સુધી લડત આપી છે, પરંતુ કોઈ રાજકીય પક્ષ કે નેતાએ અમને સાથ આપ્યો નથી. 18 મીટરના રોડ પર 21 માળની બિલ્ડીંગને કઈ રીતે મંજૂરી મળી ગઈ? આ તમામ પરમિશન ગેરકાયદેસર છે.' 'મને ક્ષત્રિય જાણી ફ્લેટ ન આપ્યો, પણ અહીં અન્ય ધર્મના લોકો માટે લાલ જાજમ'વિજયભાઈ જરીવાલા નામના રહીશે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, 'જ્યારે હું આ બિલ્ડરના અન્ય પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવવા ગયો ત્યારે હું ક્ષત્રિય જ્ઞાતિનો હોવાથી મને ફ્લેટ આપવામાં આવ્યો નહોતો. તો પછી અહીં હિન્દુ વિસ્તારમાં અન્ય ધર્મના લોકોને કેમ વસાવવામાં આવી રહ્યા છે? નિયમ મુજબ અહીં માત્ર 14 માળની મંજૂરી મળી શકે તેમ છે, તેની જગ્યાએ 21 માળનું બાંધકામ થઈ રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે ત્રણ માળનું કામ પૂરું થઈ ગયું ત્યાં સુધી SMCની મંજૂરી નહોતી, અને પછી અચાનક મંજૂરી મળી ગઈ. જો કોઈ સામાન્ય માણસ નાનું બાંધકામ કરે તો તંત્ર તોડી પાડે છે, તો અહીં કેમ મૌન છે?' મંદિરની ગરિમા જાળવવામાં મદદ કરશે તેને જ 5000 પરિવાર વોટ આપશેઆ વિવાદ હવે માત્ર બાંધકામ પૂરતો મર્યાદિત નથી રહ્યો પણ ચૂંટણીના મુદ્દામાં પરિવર્તિત થયો છે. તાડવાડી અને હનુમાન ચોક વિસ્તારના અંદાજે 5000 પરિવારોએ એકસૂરે નક્કી કર્યું છે કે જે નેતા કે પક્ષ આ ગેરકાયદેસર વસાહત રોકવામાં અને મંદિરની ગરિમા જાળવવામાં મદદ કરશે, તેને જ વોટ આપવામાં આવશે. સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે કોઈ પણ પક્ષની વિચારધારા કરતા પોતાના વિસ્તારની સુરક્ષા અને અશાંતધારાના કડક અમલીકરણને પ્રાધાન્ય આપશે. જો સાત દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ચૂંટણી પહેલા અશાંતધારાનો મુદ્દો નિર્ણાયક બનશેસુરતના પશ્ચિમ વિસ્તારમાં અશાંતધારો હંમેશા સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. ગોરાટ હનુમાન મંદિર પાસેની આ ઘટનાએ સાબિત કર્યું છે કે લોકો હવે જાગૃત થયા છે. અન્ય ધર્મના લોકોના પ્રવેશ સામેનો આ વિરોધ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. એક તરફ શ્રદ્ધાનો વિષય છે અને બીજી તરફ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન, આ બંને વચ્ચે ઘેરાયેલા રાજકીય પક્ષો માટે હવે 'વોટ બેંક' બચાવવી મુશ્કેલ બની રહી છે. જોવાનું એ રહેશે કે તંત્ર અને સરકાર આ ગંભીર મુદ્દે શું પગલાં ભરે છે.
લાખવડ ગામે ખેતરના પાઈપમાં અજગર ફસાયો:ભારે જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યુ, તારંગાના જંગલોમાં મુક્ત કરાયો
મહેસાણા નજીક આવેલા લાખવડ ગામે વન્યજીવ પ્રેમીઓની સતર્કતાને કારણે એક વિશાળ અજગરનો જીવ બચાવી તેને કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો છે. લાખવડ ગામના ખેડૂત દિનેશજી ઠાકોરના ખેતરમાં પાણીની પાઈપમાં એક અજગર ફસાઈ ગયો હોવાની જાણ થતા જ સેવાભાવી સંસ્થાઓ મદદે દોડી આવી હતી. ભારે જહેમત બાદ પાઈપમાં ફસાયેલા અજગરનું રેસ્ક્યુઆ ઘટનાની વિગત મુજબ ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતને પાઈપ લાઈનમાં અજગર હોવાનું જણાતા તાત્કાલિક ધોરણે મહેસાણાના 'સદભાવના ફાઉન્ડેશન' અને 'નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર'નો સંપર્ક કરવામાં આવ્યો હતો. વન્યજીવોના સંરક્ષણ માટે જાણીતી આ બંને સંસ્થાઓના સભ્યો તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ પાઈપમાં ફસાયેલા અજગરનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. અજગરને તારંગાના ગાઢ જંગલોમાં મુક્ત કરાયોરેસ્ક્યુ કરાયેલા આ અજગરને બાદમાં તેની સુરક્ષા અને ખોરાકની અનુકૂળતાને ધ્યાને રાખી તારંગાના ગાઢ જંગલોમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સદભાવના ફાઉન્ડેશન અને નિજાનંદ ગ્રુપ વર્ષોથી મહેસાણા જિલ્લામાં નિઃસ્વાર્થ ભાવે કાર્યરત છે. સેવાભાવી સંસ્થાઓ મદદે દોડી આવી'તીરહેણાંક કે ખેતીવાડી વિસ્તારમાં ચડી આવતા સરીસૃપ જીવોને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર પકડીને તેમને તેમના મુક્ત અને કુદરતી વાતાવરણમાં સુરક્ષિત પહોંચાડવાની ઉમદા કામગીરી આ સંસ્થાઓ દ્વારા સતત કરવામાં આવી રહી છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક ગ્રામજનો અને પ્રકૃતિ પ્રેમીઓએ બિરદાવી હતી.
ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારે ગુડ ફ્રાયડેની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શહેર અને જિલ્લાના વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી અનુયાયીઓ જોડાયા હતા. ગુડ ફ્રાયડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપોના નિવારણ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રુસ પર ચઢાવી યાતનાઓ આપવામાં આવી હતી, જેની સ્મૃતિમાં ખ્રિસ્તી વિશ્વાસીઓ ઉપવાસ રાખી પ્રાર્થના અને ભક્તિમાં લીન રહે છે. ભરૂચ શહેરમાં આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ, બંબાખાના સ્થિત CNI ચર્ચ તેમજ કેથલિક ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. આ સભાઓમાં ભક્તિગીતો, બાઈબલના વચનો અને પ્રાર્થનાઓ દ્વારા ઈસુના બલિદાનને યાદ કરાયું હતું. આ પ્રસંગે એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવ. જગદીશ ખ્રિસ્તીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધ્યા હતા. તેમણે ઈસુ ખ્રિસ્તના બલિદાનનો સંદેશ આપ્યો અને માનવતા, પ્રેમ તથા ક્ષમાના મૂલ્યો પર ભાર મૂક્યો. તેમણે દેશ, દુનિયા અને ભરૂચ શહેરની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આમ, ભરૂચ જિલ્લામાં ગુડ ફ્રાયડેનો તહેવાર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મનાવવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરાઈ હતી. કલેક્ટર મિહિર પટેલે આચારસંહિતાનું ચુસ્ત પાલન કરવા અને ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓનું અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી હતી. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લેવા અંગે માર્ગદર્શન અપાયું હતું. ચૂંટણી ઓબ્ઝર્વર્સ માટે વાહન વ્યવહાર, રહેવા-જમવાની સુવિધા, ટેલિફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ અપાઈ હતી. મતદારયાદીની ચકાસણી, માર્ક કોપી તૈયાર કરવી, ઈવીએમ મશીનોનું સંચાલન અને જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવા અને ઉમેદવારી ફોર્મથી લઈને ચૂંટણી પરિણામ સુધીની તમામ માહિતી ઈ-ડેશબોર્ડમાં સમયસર દાખલ કરવા અંગે પણ સમીક્ષા કરાઈ હતી. ઉમેદવારોના એફિડેવિટ/એકરારનામા ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી સુનિશ્ચિત કરવા પણ જણાવાયું હતું. જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની સ્થાપના, પોલિંગ સ્ટાફની વ્યવસ્થા, અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ, વાહન સંપાદન, બેલેટ પેપર સંબંધિત કામગીરી અને મીડિયા મેનેજમેન્ટ અંગે પણ સૂચનાઓ અપાઈ હતી. મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા પણ ભાર મુકાયો હતો. ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અને તેના પરિપત્રોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. ઉમેદવારના રજીસ્ટરની ચકાસણી કરી તેનું જિલ્લા કક્ષાએ નિયમિત રિપોર્ટિંગ કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગની તૈયારીઓ અંગે માહિતી રજૂ કરી હતી.
ભરૂચ જિલ્લામાં વડોદરા-સુરત નેશનલ હાઈવે પર નબીપુર નજીક માંચ પાટિયા પાસે આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અથડામણ એટલી જોરદાર હતી કે એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ નબીપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
પાટણ જિલ્લામાં 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયાના બીજા દિવસે ત્રણ સભ્યોની નિરીક્ષક સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ દાવેદારો અને કાર્યકરોનો અભિપ્રાય લેવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવાના ભાગરૂપે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ લેવાની કામગીરીનો પ્રારંભ થયો છે. આ પ્રક્રિયા માટે પક્ષ દ્વારા ત્રણ સભ્યોની વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા અને સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ નિરીક્ષકો બે અલગ-અલગ સ્થળોએ દાવેદારોની રજૂઆતો સાંભળી રહ્યા છે અને પાયાના કાર્યકરો પાસેથી ઉમેદવારો અંગેના અભિપ્રાયો મેળવી રહ્યા છે. બીજા દિવસે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના દાવેદારો માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરાયું હતું. જેમાં પ્રથમ તબક્કે પાટણ નગરપાલિકા માટે ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ સિદ્ધપુર નગરપાલિકાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી તરફ, હારીજ ખાતે આવેલી રોહિત કોટન ઇન્ડસ્ટ્રીમાં હારીજ, શંખેશ્વર અને ચાણસ્મા તાલુકાના ઉમેદવારોના સેન્સ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ બેઠકો દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા અને ટેકો જાહેર કરવા ઉમટી પડ્યા હતા. પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો અને સિદ્ધપુર નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકો સહિત કુલ 80 બેઠકો માટે દાવેદારોની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. સેન્સ પ્રક્રિયા પહેલા રાષ્ટ્રીય કિસાન મોરચાના અધ્યક્ષ બાબુભાઈ જેબલીયાએ જણાવ્યું હતું કે, ટિકિટ મળે કે ન મળે, પાર્ટી માટે કામ કરવું જોઈએ.નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલા આ અભિપ્રાયો અને મળેલી રજૂઆતોના આધારે એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ આગામી સમયમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે. નિરીક્ષકોના અહેવાલ અને પક્ષના આંતરિક સર્વેના આધારે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવશે. ચૂંટણીની તારીખ નજીક હોવાથી ભાજપ દ્વારા વહેલી તકે સક્ષમ ઉમેદવારોના નામ જાહેર કરવાની દિશામાં કવાયત તેજ કરવામાં આવી છે.
બોટાદના સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર ખાતે 02-04-26 ના રોજ સાંજે 7 કલાકે ચૈત્ર માસ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રામણેર બૌદ્ધ ભિક્ખુણી વંદનીય ઉત્પલવર્ણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ભગવાન બુદ્ધને પુષ્પ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને ફુલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો. ત્યારબાદ બૌદ્ધ સાધુ દ્વારા ત્રિશરણ, પંચશીલ અને બુદ્ધ વંદના કરવામાં આવી. રાહુલભાઈ વાજાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. 'ધર્મ અને તેનું તત્વજ્ઞાન' વિષય પર જયંતિભાઈ ચાવડા, અમૃતભાઈ કલીવડા, મયુરભાઈ જમોડ, મોન્ટુભાઈ માળી, બિજલભાઈ પરમાર અને હિંમતભાઈ ગોહિલ સહિતના વક્તાઓએ પ્રવચનો આપ્યા. ભિક્ખુણી ઉત્પલવર્ણાજીએ 'સમ્યક જીવનની આધારશિલા' પર ધમ્મ દેશના આપી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કર્મચારીઓને બૌદ્ધ ઉપોસથ કેલેન્ડર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગીરીશભાઈ પરમારે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું, જ્યારે દીપકભાઈ સોલંકીએ આભારવિધિ કરી. બોધિરાજ બૌદ્ધ દ્વારા સમાપન ગાથા બોલીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ ઉત્સવમાં વિનોદભાઈ ભાદરકા, હરેશભાઈ પરમાર, બોધિરાજ બૌદ્ધ, મૌલેશભાઈ સોલંકી, ડાયાભાઈ ચાવડા, પ્રિતેશભાઈ ચાવડા, અલ્પેશ ખુમાણ, રાજેશભાઈ જાદવ, મનિષભાઈ પરમાર, મુકેશભાઈ ચૌહાણ, અમરાભાઈ બથવાર, કાળુભાઈ વાજા, કિરણભાઈ બથવાર, દિનેશભાઈ કાનપરીયા, ભાવેશભાઈ પરમાર, પ્રકાશભાઈ મકવાણા, જગદીશભાઈ ગોહિલ, ભુપતભાઈ ચૌહાણ, સાહિલ વાજા, પ્રતિભા બૌદ્ધ, નિરમાબેન પરમાર, આરતિબેન ભાદરકા, લક્ષ્મીબેન બથવાર, દીપ્તિબેન પરમાર સહિત મોટી સંખ્યામાં બૌદ્ધ ઉપાસક-ઉપાસિકાઓ અને સમાનતાવાદીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે હરેશભાઈ પરમાર, વિનોદભાઈ ભાદરકા અને ડાયાભાઈ ચાવડા તરફથી સુજાતા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સૌ ઉપસ્થિતોએ લાભ લીધો. આ ઉપરાંત, દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટાદ શહેરમાં વૈશાખી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ધમ્મ પદયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. વેરાવળ તાલુકાના સવની, ઇશ્વરીયા, મંડોર અને દેવળી સહિતના ગામોમાં લસણના તૈયાર પાકને ભારે અસર પહોંચી છે. વહેલી સવારે લગભગ એક ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. આનાથી લસણના પાથરા પલળી ગયા છે અને પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. પાંચ મહિનાની મહેનત બાદ તૈયાર થયેલો પાક બગડતા ખેડૂતો ચિંતિત છે, કારણ કે ઘણા ખેડૂતો માટે આ પાક જ વર્ષભરની આવકનો મુખ્ય સ્ત્રોત છે. સવની ગામના ખેડૂત જયેશભાઈ ઝાલાએ જણાવ્યું કે, લસણના એક વીઘા પાક પાછળ અંદાજે 12થી 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં બિયારણ, દવા અને મજૂરીનો સમાવેશ થાય છે. વર્તમાન પરિસ્થિતિમાં પાક બગડવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, મહિનાઓની મહેનત બાદ પાક તૈયાર કર્યો હતો, પરંતુ એક જ વરસાદે બધું બગાડી નાખ્યું છે. તેઓ હવે સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે લસણની ગુણવત્તા પર સીધી અસર પડી રહી છે. કૃષિ નિષ્ણાતોના મતે, જો આગામી દિવસોમાં વાતાવરણ સ્વચ્છ નહીં રહે તો નુકસાન વધુ ગંભીર બની શકે છે. આ મુશ્કેલી વચ્ચે અસરગ્રસ્ત ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની માંગ કરી છે. ખેડૂતોની અપેક્ષા છે કે પાક નુકસાનીનું સર્વેક્ષણ કરીને તેમને યોગ્ય વળતર આપવામાં આવે, જેથી આર્થિક સંકટમાંથી રાહત મળી શકે. અન્ય એક ખેડૂત સાજણભાઈ ગરચરે જણાવ્યું કે, લસણના પાથરા પાણીમાં પલળી ગયા છે અને હવે વેચાણ યોગ્ય પાક બચશે કે કેમ તે અંગે શંકા છે. હાલ ખેડૂતો સરકાર તરફથી તાત્કાલિક સહાયની રાહ જોઈ રહ્યા છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો ગીર સોમનાથના ખેડૂતો માટે આ કમોસમી વરસાદ આર્થિક સંકટનું કારણ બની શકે છે.
અતિમહત્ત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં સાબરમતી અને સુરત તથા મહારાષ્ટ્રમાં થાણે એમ ત્રણ ઠેકાણે ત્રણ રોલિંગ સ્ટોક ડેપો બનાવવાનું આયોજન છે. તે પૈકી સુરતમાં 27 હેક્ટર વિસ્તારમાં રોલિંગ સ્ટોક ડેપો બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરત રોલિંગ સ્ટોક ડેપો ટ્રેનોના કમિશનિંગ અને જાળવણી માટે જરૂરી સુવિધાઓથી સજ્જ હશે. તેમાં ટ્રેનસેટના હળવા જાળવણી માટે અત્યાધુનિક સાધનો, તેમજ નિરીક્ષણ ખાડીઓ, વોશિંગ પ્લાન્ટ, સ્ટેબલિંગ લાઇન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. ડેપો પરિસરમાં રોલિંગ સ્ટોકનું દરરોજ અને નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવશે. હાલમાં, બે નિરીક્ષણ-ક્રમ-સ્ટેબલિંગ લાઇન પૂરી પાડવામાં આવી રહી છે અને ભવિષ્યમાં ચાર સ્ટેબલિંગ લાઇનનું આયોજન છે. નિરીક્ષણ ઉપરાંત, ડેપોમાં અનશેડ્યુલ રિપેર અને વ્હીલ રિ-પ્રોફાઇલિંગ માટેની સુવિધાઓ પણ હશે. રોલિંગ સ્ટોક ડેપો એ ટ્રેનોનું ‘ઘર’ અને ‘હોસ્પિટલ’ જેવુંરોલિંગ સ્ટોક ડેપો રેલવે વ્યવસ્થામાં ટ્રેનોના વાહનો (જેને રોલિંગ સ્ટોક કહેવાય છે)ના સ્ટોરેજ, જાળવણી અને મરામત માટેનું એક વિશેષ કેન્દ્ર છે. રોલિંગ સ્ટોકમાં ટ્રેનના તમામ વાહનોનો સમાવેશ થાય છે, જેમ કે લોકોમોટિવ, પેસેન્જર કોય, ટ્રેનસેટ વગેરે. ડિપો એ ટ્રેનોનું “ઘર” અને હોસ્પિટલ” જેવું છે, જ્યાં ટ્રેનોને પાર્ક કરવામાં આવે છે, દરરોજનું નિરીક્ષણ કરવામાં આવે છે, સાફ કરવામાં આવે છે અને જરૂરી રિપેરિંગ કરવામાં આવે છે. નિયમિત અને વિગતવાર નિરીક્ષણથી ટ્રેનમાં કોઈ ખામી વહેલી શોધી શકાય છે, જેથી અકસ્માતનું જોખમ ઘટે છે. ખાસ કરીને 320 કિમી/કલાકની સ્પીડવાળી બુલેટ ટ્રેનમાં આ અત્યંત જરૂરી છે. ડેપોનું આઈઆરકોન ઈન્ટરનેશનલ કંપની દ્વારા નિર્માણ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત રોલિંગ સ્ટોક ડેપો સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની નજીક જ બનાવવામાં આવી રહ્યો છે. આ ડેપો નિયોલ રેલવે સ્ટેશનની ઉત્તર બાજુએ આવેલો છે. તે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનથી લગભગ 2 કિલોમીટર દક્ષિણ તરફ આવેલો છે. સુરત બુલેટ ટ્રેન સ્ટેશન અંત્રોલી ગામમાં સુરત-બારડોલી રોડ (NH-53) પાસે આવેલું છે. આ સ્થળ એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે, તે બુલેટ ટ્રેનના મુખ્ય રૂટ પર છે અને સુરત-બિલીમોરા (પ્રથમ તબક્કો) માટે પણ અનુકૂળ છે. ડેપોનું નિર્માણ આઈઆરકોન ઈન્ટરનેશનલ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે.
કચ્છમાં બીજા દિવસે કમોસમી વરસાદ:પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે શુક્રવારે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. પૂર્વ કચ્છના મુખ્ય શહેરો ગાંધીધામ, અંજાર અને ભચાઉ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. આ પહેલા ગુરુવારે ભુજ તાલુકાના ખાવડા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે અબડાસા વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ નોંધાયો હતો. ગાંધીધામ અને અંજાર શહેરમાં કમોસમી વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. કચ્છમાં સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને લીધે તલ, જુવાર, ઇસબગુલ, એરંડા, મગ અને બાજરી સહિતના વિવિધ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા તાજેતરમાં માનવ સેવા મંદબુદ્ધિ આશ્રમ, સમઢિયાળા ખાતે દિવ્યાંગ સભ્યોને મિષ્ટાન સહિતનું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વ. પ્રવિણચંદ્ર વૃજલાલ દોશીની પુણ્યતિથિ અને વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ નિમિત્તે યોજાયો હતો. તા. 02-04-2026ના રોજ હનુમાન જયંતિના પાવન પ્રસંગે આ ભોજન સમારોહનું આયોજન કરાયું હતું. ભોજનમાં કેરીનો રસ, બુંદીના લાડુ, દાળ, ભાત, શાક અને રોટલીનો સમાવેશ થતો હતો. યંગ જાયન્ટ્સ બોટાદના પ્રમુખ અમન દોશીના સૌજન્યથી આ સેવાકાર્ય હાથ ધરાયું હતું. આ સેવાકીય પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય આશ્રમના નિરાધાર અને દિવ્યાંગ સભ્યોના ચહેરા પર ખુશી લાવવાનો અને તેમની સાથે સમય વિતાવી આનંદ વહેંચવાનો હતો. યંગ જાયન્ટ્સ સંસ્થા જન સેવાને પ્રભુ સેવા માનીને આવા અનેકવિધ કાર્યક્રમો કરતી રહે છે. આ પ્રસંગે યંગ જાયન્ટ્સ બોટાદના પ્રમુખ અમન દોશી અને આગમ ડગલી સહિત સંસ્થાના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ શહેરમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમ એટ્રોસિટી એક્ટના સંપૂર્ણ અમલ માટે જીવ ગુમાવનાર દલિત સમાજના યુવાનોની યાદમાં યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલ 2018ના રોજ સુપ્રીમ કોર્ટના એક નિર્ણય બાદ એટ્રોસિટી એક્ટની કેટલીક કાયદાકીય જોગવાઈઓમાં ફેરફાર કરાયા હતા. આ કાયદાને ફરીથી સંપૂર્ણપણે લાગુ કરવાની માંગ સાથે થયેલા આંદોલનો દરમિયાન દલિત સમાજના કેટલાક યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી સહિત વિઠ્ઠલભાઈ સાપરિયા, મુકેશભાઈ પરમાર, કેશવભાઈ મકવાણા, રતિલાલભાઈ ચૌહાણ, જેરામભાઈ તાવિયા, પ્રેમજીભાઈ પરમાર, વિપુલભાઈ વાઘેલા, ઈમ્તિયાઝભાઈ કુરેશી, સિકંદરભાઈ જોખિયા, ઝાકિરભાઈ સંધી, બાબુભાઈ બથવાર, કિશોરભાઈ મકવાણા, દયાળભાઈ વાજા, હરગોવિંદભાઈ સાબળિયા અને નરેન્દ્રભાઈ બગડા જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડમાં ગરમીનો પારો યથાવત્:ગઈકાલે બપોરે આકરા તાપથી જનજીવન પ્રભાવિત, આજે પણ 32 ડિગ્રી પાર
એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ગઈકાલે બપોરે આકરા તાપને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ અનુસાર, આજે પણ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. ગુરુવારે વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 32.3C નોંધાયું હતું. વહેલી સવારથી જ આકાશ ચોખ્ખું રહેતા તાપની તીવ્રતા અનુભવાઈ હતી. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન ગરમ પવનો ફૂંકાતા નોકરીયાત વર્ગ અને રાહદારીઓ પરેશાન થયા હતા. લઘુત્તમ તાપમાન 24.6C રહેતા રાત્રિના સમયે થોડી રાહત મળી હતી. જોકે, આજે શુક્રવારે પણ ગરમીનું જોર યથાવત રહેશે. મહત્તમ તાપમાન 31C થી 32C ની આસપાસ અને લઘુત્તમ તાપમાન 24C ની આસપાસ રહેવાની સંભાવના છે. આકાશ ચોખ્ખું રહેશે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા બપોરના સમયે અસહ્ય બફારો અનુભવાઈ શકે છે.રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જોકે, વલસાડમાં વરસાદની શક્યતા નહિવત છે, પરંતુ પવનની ગતિમાં ફેરફાર થવાથી ગરમીના મિજાજમાં આંશિક વધ-ઘટ જોવા મળી શકે છે.
પોતાની ખાણીપીણી માટે જાણીતા સુરત શહેર પર હાલમાં ગેસની અછતનું ગ્રહણ લાગ્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, વેપારીઓએ લાચારીમાં પોતાની દુકાનો બંધ કરવી પડી રહી છે. શહેરના પોશ ગણાતા અઠવા ગેટ વિસ્તારમાં આવેલી જાણીતી ‘શ્યામ શુદ્ધ શાકાહારી વેજ બિરયાની’ શોપની બહાર માલિકે એક પોસ્ટર લગાવ્યું છે, જેના પર લખ્યું છે: “Sorry, We're Closed Due to LPG Shortage.” ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે વેપારીઓ રસોઈ બનાવી શકતા નથી, જેને પરિણામે ગ્રાહકોને ખાલી હાથે પરત ફરવું પડે છે. વૈશ્વિક યુદ્ધની સ્થાનિક અસરઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે 'હોર્મુઝની સામુદ્રધુની' (Strait of Hormuz) માર્ગેથી થતો ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ માર્ગે આયાત કરે છે. સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં ગેસની માંગ હંમેશા વધુ રહેતી હોય છે, ત્યારે આ આંતરરાષ્ટ્રીય કટોકટી હવે સ્થાનિક લારી-ગલ્લા અને રેસ્ટોરન્ટ માલિકોની રોજીરોટી છીનવી રહી છે. ભાવ વધારાનો બેવડો મારમાત્ર અછત જ નહીં, પરંતુ ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ પણ વેપારીઓની કમર તોડી નાખી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. કેટલીક જગ્યાએ તો સિલિન્ડર મેળવવા માટે વેપારીઓએ નિયત ભાવ કરતાં પણ વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. સ્થાનિકોની વ્યથાઆ અંગે પડોશના એક દુકાનદારે જણાવ્યું હતું કે, આ બિરયાની રેસ્ટોરન્ટ છેલ્લા એક મહિનાથી બંધ છે. અહીં ગુણવત્તાયુક્ત બિરયાની બનાવવામાં આવતી હતી, પરંતુ લાંબા સમયથી ગેસની બોટલ ન મળવાને કારણે અને સતત પડતી મુશ્કેલીઓને લીધે માલિકે આખરે દુકાન બંધ કરવાનો નિર્ણય લીધો છે.

31 C