અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં આધેડ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે રાત્રિ દરમિયાન એન્ટ્રી કર્યા વગર એક ડિલિવરી બોય ફ્લેટ અંદર પ્રવેશતા તેને અટકાવતા રોષે ભરાયો. બોલાચાલી બાદ ડિલિવરી બોય અને બહારથી આવેલા તેના પિતાએ મળીને ગાર્ડને માર માર્યો અને મેઈન ગેટનું બેરિયર પણ તોડી નાખ્યું હતું. ડિલિવરી બોયે તેના મિત્રોને બોલાવ્યા હતા અને એક વ્યક્તિએ છરી વડે આધેડને હાથ અને આંખ પાસે ઈજા પણ પહોંચાડી હતી. સમગ્ર મારામારી અને તોડફોડની ઘટના CCTVમાં કેદ થઈ હતી. સરખેજ પોલીસે ડિલિવરી બોય અને અન્ય પાંચ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. ડિલિવરી બોય એન્ટ્રી વગર પ્રવેશ કરતા સિક્યુરિટી ગાર્ડે ટોક્યોસરખેજમાં રહેતા 52 વર્ષીય મહમંદ સમીર શેખ સરખેજ ફતેવાડીમાં આયમન 52માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેઓ રાતના સમયે નોકરી પર હાજર હતા, ત્યારે ફ્લેટ બહાર દુકાનની લાઇટ બંધ કરવા ગયા હતા ત્યારે એક ઝેપટો કંપનીનો ડિલિવરી બોય મેઈન ગેટ તરફ આવતો હતો. જેને સમીરભાઇએ ઊભો રાખ્યો હતો અને કહ્યું કે એન્ટ્રી કર્યા વિના અંદર કેમ ગયો. ડિલિવરી બોયે કહ્યું કે, તમે હાજર નહોતા તો ડિલિવરી કરવા નહીં જવાનું. જેથી સમીરભાઈએ કહ્યું કે, હવે પછી એન્ટ્રી કર્યા વગર ગેટમાં પ્રવેશ કરવો નહીં. ડિલિવરી બોયના પિતાએ લોખંડની પાઇપ વડે હુમલો કર્યોબાદમાં ડિલિવરી બોય સિક્યુરિટી ગાર્ડ સમીરભાઈ સાથે બોલાચાલી કરી મારામારી કરવા લાગ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિ બહારથી આવ્યો અને કહેવા લાગ્યો કે, કેમ મારા દીકરા સાથે બોલાચાલી કરે છે. કહી મેન ગેટનું બેરિયર તોડીને આવ્યો અને સમીરભાઈ સાથે મારામારી કરી લોખંડની પાઇપ દ્વારા સમીરભાઈને માર મારવા લાગ્યો હતો. જે દરમિયા આસપાસના લોકો ભેગા થઈ જતાં સમીરભાઈને વધુ માર મારવાથી છોડાવ્યા હતા. આરોપીએ અન્ય સાગરીતોને બોલાવી લાવી ફરી માર માર્યોસમીરભાઈ એ-બ્લોકની સીડી તરફ જતા રહ્યા ત્યારે ડિલિવરી બોય તેના અન્ય સાગરીતો સાથે ફરી આવ્યો અને સમીર ભાઈને માર મારવા લાગ્યો હતો. એક વ્યક્તિ છરી લઈને આવ્યો હતો જેણે સમીરભાઈને હાથ ઉપર અને આંખ પાસે છરી પણ મારી હતી. મારામારી દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા જેમણે સમીરભાઈને છોડાવ્યા હતા. સમીરભાઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે વી.એસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ડિલિવરી બોય અને અન્ય પાંચ સામે ગુનો નોંધ્યોસમીરભાઈએ ડિલિવરી બોય અને અન્ય પાંચ વ્યક્તિઓ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર મારામારી અને તોડફોડની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
પગલાં લેવા માંગણી:પાલનપુરના ગોબરી રોડ પર જાહેરમાં નાખી, બાળીને પ્રદૂષણ ફેલાવાય છે
પાલનપુર થી જગાણા ગામ તરફ જતા ગોબરી રોડ પર માર્કેટ યાર્ડ નજીક જાહેર માર્ગ પર કચરો ઠાલવવામાં આવે છે જોકે આ કચરો ઉઠાવવા માટેની સેનિટેશન વિભાગ દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહિશો રોજ અહીં કચરો બાળીને પ્રદુષણ સર્જે છે. આસપાસની સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્તિ કરતાં જણાવ્યું કે અવારનવાર અહીં કચરો સળગાવવામાં આવે છે ક્યારેક ક્યારેક તો ટાયર પણ સળગાવવામાં આવે છે. શિયાળામાં સાંજના સમયે ધુમાડો ઉપર જતો નથી અને હવામાં નીચેજ ફરતો રહે છે અને રોજ રોજ આ રીતે કચરો બળવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે. સેનીટેશન શાખા દ્વારા જાહેરમાં કચરો સળગાવવાની કામગીરી કરતા તત્વો સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.
ખાતર ડેપો પર કતારો:અમીરગઢમાં શિયાળુ પાકનું મોટાપાયે વાવેતર છતાં ખાતરની અછત
અમીરગઢ તાલુકામાં શિયાળુ પાકની વાવણી જોરશોરથી ચાલી રહી છે. ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાક માટે યુરિયા ખાતરની માંગમાં ભારે વધારો થયો છે. પરંતુ હાલ તાલુકાના વિવિધ ખાતર ડેપો પર ખાતરની અછતના કારણે ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહીને ખાતર મેળવવા મથામણ કરી રહ્યા છે. અમીરગઢ તાલુકામાં હાલ યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. શિયાળુ પાકનું મોટાપાયે વાવેતર શરૂ થતાં ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.આ તાલુકામાં ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાકનું મોટા પાયે વાવેતર થયું છે. આ પાકોને વાવણી સમયે તેમજ વાવણી પછી પણ યુરિયા ખાતર જરૂરી રહે છે. હાલ પુરવઠાની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.અરણીવાડા ગામના ખેડૂત મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,સારા વરસાદને કારણે આ વર્ષે યુરિયા ખાતરની થોડી શોર્ટેજ જોવા મળી રહી છે. સરકારને વિનંતી છે કે અગાઉના વર્ષોની જેમ તાત્કાલિક પુરવઠો સુનિશ્ચિત કરીને ખેડૂતોને રાહત આપવામાં આવે.
કામગીરી:પાલનપુર મીરા દરવાજા બગીચો તોડી હવેઅંડર ગ્રાઉન્ડ સંપ અને ટાંકી બનાવવાનું શરૂ
પાલનપુર શહેરમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે નવા સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઇ મીરા ગેટ બગીચો તોડીને હવે અહીં અંડરગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવનાર છે. જેને લઇ એજન્સી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યું કે અગાઉ પાલિકાની સાધારણ સભામાં પીવાના પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે નવા ટાંકા અને સંપ મંજૂર કરવામાં આવ્યા હતા. જેને લઇ કામગીરી ચાલી રહી છે. સંગ્રહ ક્ષમતા વધતા પીવાના પાણીની જે જરૂરિયાતો છે તે આવનારા સમયમાં પહોંચી વળાશે.
કાર્યવાહી:5 કરોડની નશીલી દવાઓ વેચી દેનાર કંપનીનું આરોપી દંપતી ઝબ્બે
બનાસકાંઠામાં નશીલા પદાર્થોના કાળા વેપાર મામલે કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો (CNB)ની નિમચ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર દવાઓના ઉત્પાદન અને વિતરણના કેસમાં વધુ બે આરોપીઓ અમદાવાદની એનડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક પત્ની સમીક્ષા મોદી અને તેના પતિ માર્કેટિંગ ડાયરેકટર સુનિલ મોદીની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રૂ. 3.80 લાખ રોકડા અને દવાઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુનિલ મોદી અને સમીક્ષા મોદીએ નશીલી દવાઓના વેચાણ માટે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામડાઓના યુવકોનો સંપર્ક કર્યો હતો. ધાનેરા અને થરાદથી અગાઉ જે બે યુવકો ઝડપાયા હતા તે હાલ પાલનપુર ની જેલમાં છે. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ફેબ્રુઆરી મહિનામાં ધાનેરા અને થરાદ વિસ્તારમાં રેડ કરીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા, જ્યાંથી અંદાજે 5 કરોડ રૂપિયાની પ્રતિબંધિત દવાઓ જપ્ત કર્યો હતો. તે પછીની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપીઓએ અમદાવાદની એન.ડી. ફાર્માસ્યુટિકલ કંપની ખોલી NDPS એક્ટ હેઠળની દવાઓનું ગેરકાયદેસર ઉત્પાદન અને સપ્લાય કર્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું કે નશીલી અને ગર્ભપાત માટે પ્રતિબંધિત દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓના ઘરો અને ગોડાઉનમાં પ્રતિબંધિત દવાઓ સહિત 3.80 લાખ રૂપિયાની રોકડ રકમ તથા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી હતી. પોલીસ તપાસ મુજબ અત્યાર સુધી આરોપીઓએ પાંચ કરોડની 42.51 લાખ ટેબ્લેટ માર્કેટમાં વેચાણ કરી દીધી છે. ઉપરાંત 15500 કોડીન દવા પણ માર્કેટમાં સપ્લાય કરી છે. સમગ્ર કાર્યવાહી બાદ કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમ અમદાવાદથી દંપતીની ધરપકડ કરીને પાલનપુરની કોર્ટમાં રજૂ કરી 7 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોના અધિકારી પ્રવીણ ધૂલે જણાવ્યું કે અમે જ્યારે થરાદ અને ધાનેરાથી આરોપીઓને પકડ્યા એના પછી જે દવાઓ મળી હતી તે લેબમાં પરીક્ષણ કરાવ્યું હતું અને તેમાં પ્રતિબંધિત ડ્રગ હોવાનું સામે આવ્યું હતું. અમે ત્યારથી જ દવાઓનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેને લઈ આરોપીઓની શોધખોળ કરી રહ્યા હતા. આખરે અમને સફળતા મળી છે. નશીલા પદાર્થોના નેટવર્કમાં જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલી રહી છે. અમદાવાદના ગોતામાં 2017માં ફાર્મા કંપનીની ઓફિસ ખોલી, ત્રણ વર્ષથી NDPS ડ્રગનું વેચાણ ચાલુ કર્યું હતું જુલાઈ 2017 માં સમીક્ષા સુનિલકુમાર મોદીએ રિટેલ બિઝનેસ અને હોલસેલ બિઝનેસમાં કંપનીનું રજીસ્ટ્રેશન કરાવ્યું. વાર્ષિક 10 કરોડના ટર્ન ઓવરની એનડી ફાર્માસ્યુટિકલ્સ કંપની ગોતામાં શરૂ કરીને શરૂઆતના વર્ષોમાં ફાર્મા કંપનીની દવાઓ સપ્લાય કરતા પરંતુ પાછલા ત્રણ વર્ષથી માર્કેટમાં પ્રતિબંધિત દવાઓ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. જેમાં અત્યાર સુધી પાંચ કરોડ ની 42.51 લાખ ટેબલેટ માર્કેટમાં સપ્લાય કરી વેચી હોવાનો ખુલાસો નાર્કોટિક્સ બ્યુરો એ કર્યો છે.
અટકાયત:વરાણા પાસેથી 2.58 લાખનો દારૂ ભરેલી ક્રેટા ગાડી પકડાઈ
સમી રાધનપુર હાઇવે પર વરાણા પીકઅપ સ્ટેન્ડ નજીકથી એલસીબીએ રૂ.2,58,960ના પર પ્રાંતીય દારૂનો જથ્થો ભરેલી ક્રેટા ગાડી પકડી પાડી હતી. દારૂ સાથે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી હતી. જોકે દારૂનો જથ્થો ભરી આપનાર સહિત ત્રણ શખ્સો વોન્ટેડ છે. પાટણ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે મળેલી બાતમી આધારે વરાણા પીકઅપ સ્ટેન્ડ નજીકથી એક ક્રેટા ગાડી પકડી હતી તેમાં તપાસ કરતા રૂ.2,58,960ની પરપ્રાંતિય દારૂની 1200 બોટલ મળી આવી હતી જેને પગલે પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના લાલપુર ગામના મહેન્દ્રસિંહ તનસિંગ રત્નુની અટકાયત કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર ભવાની સિંહ જોધપુર તેમજ વીરાવાના શ્રીરામ બિશ્નોઇ અને છાણિયાથર ગામના મહેશ માતમભાઈ ભરવાડ સામે સમી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી. દારૂ, ગાડી અને મોબાઇલ મળી કુલ રૂ.12,88,960નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો
કોંગ્રેસની માગ:પાટણ પાલિકાનું જેટિંગ મશીન અન્ય જિલ્લાના ગામે મોકલતા હોવાની રાવ
પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા માટેનું પાલિકાનું જેટીંગ મશીન શહેરમાં ઉપયોગ કરવાના બદલે શહેરથી દૂર અન્ય જિલ્લાનાં ગામે મોકલાતા હોવાની રાવ સાથે શહેર કોંગ્રેસે નિયમ વિરુદ્ધ મશીન મોકલવા બદલ કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાટણ શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કર્યા હતા કે શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી હોય છતાં કામગીરી કરવામાં આવી રહી નથી પરંતુ પાલિકા દ્વારા 6 નવેમ્બરના રોજ દિવસભર ઊંઝા તાલુકાના વિશોળ ગામે ભૂગર્ભ ગટરની સાફ સફાઇ માટે પાટણ નગરપાલિકાનું જેટીંગ મશીન મોકલ્યું હતું. આ સમયે શહેર વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા વધી હોય નાગરિકોને વારંવાર રજૂઆત કરવા છતાં જેટીંગ મશીન ઉભરાતી ગટરોની ચેમ્બરમાં ઉપયોગમાં આવ્યું નહોતું. પરતું અન્ય જિલ્લાના ગામોમાં કામ માટે મોકલાઈ રહ્યું છે. વધુમાં કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું કે પાટણની જનતા દ્વારા માંગણી કરાતી હોવા છતાં જેટીંગ મશીન અપાતું નથી. નગરપાલિકામાંથી જેટીંગ મશીનને બહારગામ મોકલવા માટે કોઇપણ જાતનો ઠરાવ કરાયો નથી અને બહારગામ મોકલવા માટેની કોઇપણ કિંમત નક્કી કરી નથી.તેમ છતાં પાટણ નગરપાલિકાનાં વહીવટી તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર સાફ સફાઇ કરવાનું જેટીંગ મશીન ઊંઝાના વિશોળ ગામે કોના દ્વારા મૌખિક-લેખિત હુકમ કર્યો તે બાબતે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ.
ઉ.ગુ.માં ઠંડીનો દબદબો:ધ્રુજાવતી સવાર અને ઠંડકભર્યો દિવસ
ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો માહોલ સતત ઘેરાતો જાય છે. રાત્રીના તાપમાનમાં રોજબરોજ ઘટાડો નોંધાતાં લોકો હવે ધ્રુજાવતી ઠંડીનો અનુભવ કરવા લાગ્યા છે. શનિવારે પણ અડધા ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેના પરિણામે મુખ્ય પાંચ શહેરોમાં રાત્રીનું તાપમાન સરેરાશ 15.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. શુક્રવારના સૂર્યાસ્ત સાથે જ ઠંડકભર્યું વાતાવરણ છવાયું હતું, જે રાતભર યથાવત રહેતાં શનિવારની સવાર ધ્રુજાવતી ઠંડી સાથે શરૂ થઇ હતી. બીજી બાજુ, દિવસના તાપમાનમાં પણ પોણા ડિગ્રીનો ઘટાડો નોંધાતાં પારો 32.5 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. ઉત્તર-પૂર્વ દિશાથી સરેરાશ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનના કારણે અનુભવાતું તાપમાન 29.5 ડિગ્રી સુધી ઘટી ગયું હતું. પરિણામે દિવસ દરમિયાન પણ ઠંડકનો અહેસાસ રહ્યો હતો. દિવસ-રાતના તાપમાનમાં થયેલા આ તફાવતને કારણે હવે લોકો એસી અને પંખા બંધ કરી ગરમ કપડાંનો સહારો લેવા લાગ્યા છે. હવામાન વિભાગ મુજબ, આગામી એક સપ્તાહ સુધી રાત્રીના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી, એટલે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો દબદબો યથાવત રહેશે.
ભાસ્કર ઈનસાઈડ:પાટણમાં નવા બસ સ્ટેન્ડ પાસે ડમ્પરચાલકે એક્ટિવાને ટક્કર મારતાં યુવકનું મોત થયું
પાટણના નવા બસસ્ટેન્ડ પાસે ગુરુવારે સાંજે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં એક્ટિવા ચાલક 25 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓ થતાં મહેસાણાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ સાબરકાંઠાના પોશીના તાલુકાના આંબામહોડા ગામના વતની અને પાટણનાં ધારપુર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતાં યુવક 25 વર્ષીય આકાશભાઈ પંકજભાઈ સોલંકી 6 નવેમ્બર, 2025ના રોજ સાંજે 6:00નાં સુમારે પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક નવા બસસ્ટેન્ડ પાસેથી તેમના મિત્રનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતાં તે વખતે ડમ્પરે પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે આકાશભાઈને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર માટે તેમને મહેસાણા રીફર કરાયા હતા, જ્યાં મહેસાણાની ભગવતી ICUમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આકાશ સોલંકીએ અકસ્માત થયાની જાણ તેમના બનેવી પ્રવીણભાઈ તરાલને ફોન કરીને કરી હતી. પ્રવીણભાઈ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવે છે અને આકાશ તેમની સાથે જ ધારપુર સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા. પ્રવીણભાઈ મૂળ ખેડબ્રહ્માના મોટાબાવળ ગામના વતની છે. આ બનાવ અંગે પાટણ બી ડિવિઝન પોલીસમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બેફામ દોડતાં ડમ્પરોથી થતાં અકસ્માતોમાં લોકોના મોત થઈ રહ્યા છે છતાં તંત્ર દરકાર લેતું નથી બનાસ નદીમાંથી રેતી ભરી ઊંઝા, મહેસાણા, અમદાવાદ સુધી બેફામ દોડતાં ડમ્પરોના કારણે પાટણ અને સરસ્વતી પંથકમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. પાટણમાં જ સિદ્ધપુર ચોકડી, ઊંઝા ત્રણ રસ્તા, ધારપુર સિવિલ હોસ્પિટલ, શિહોરી ત્રણ રસ્તા, લીલીવાડી સહિતના વિસ્તારમાં ડમ્પરોનાં અકસ્માતોની ઘટના બની ચુકી છે. ડમ્પર સાથે થતાં અકસ્માતમાં લોકોના મોત થવાની ઘટનાઓ વધારે બને છે. અકસ્માતો ઘટે તે માટે તંત્ર દ્વારા કોઈ ગંભીરતા પૂર્વકનાં પગલાં લેવાતાં નથી.
આમને-સામને:પાટણ પાલિકામાં ભાજપના સભ્યોના બે જૂથો પ્રદેશકક્ષાએ સામસામે રજૂઆત કરતાં વિવાદ વધુ વકર્યો
પાટણ નગરપાલિકામાં સામાન્ય સભામાં એજન્ડા ઉપર કામોના લેવાના મુદ્દે સત્તા પક્ષ ભાજપની બોડીમાં શરૂ થયેલો વિવાદ શાંત પડવાના બદલે હવે બે જૂથમાં આમને સામને આવી એકબીજા ઉપર ગંભીર આરોપો મૂકી બન્ને જૂથ અલગ અલગ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને કાર્યવાહી અંગે રજૂઆત કરતા વિવાદ વધુ વકર્યો છે. જેમાં જાહેરમાં સભ્યો વિકાસના કામના બદલે અંગત કામો સૌને રસ હોવાના એકબીજા સામે નિવેદનોના વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થતા લોકોમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. નગરપાલિકાના પ્રમુખ હિરલ પરમાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.જેમાં ભાજપના 6 સભ્યો કોંગ્રેસ સાથે મળીને વિકાસના કામો અટકાવી રહ્યા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે. સામે પક્ષે ભાજપના સભ્યો દ્વારા વળતા પ્રહાર રૂપે પાલિકા પ્રમુખ દ્વારા પોતાના અંગત કામો કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેમ જ તેમના ગ્રુપના સભ્યો પણ ભ્રષ્ટાચાર કરતા હોય તેના પુરાવા પણ હોવાના રાવ સાથે તેમની સામે કાર્યવાહી કરવા પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. જેમાં પાલિકા પ્રમુખ સામે કાર્યવાહી કરવા શૈલેષ પટેલ, મનોજ પટેલ, મુકેશ પટેલ મનોજ કે.પટેલ, હિના શાહ, બિપીન પરમાર, નરેશ દવે, સ્મિતા પટેલ, આશા ઠાકોર, રાજેન્દ્ર હિરવાણી, રમેશ પટેલ,ધર્મેશ પ્રજાપતિ,અનિલા મોદી 12 કોર્પોરેટરો સહીઓ કરી છે. ભાજપના 6 સભ્યો કોંગ્રેસ સાથે મળી કામો અટકાવી રહ્યા છે : નગર પાલિકા પ્રમુખપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે ભાજપના જ 6 નગરસેવકો વિકાસ વિરોધી ટોળકી બની વિરોધ કરી રહી છે.જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું તે દિવસથી ભાજપના આ 6 નગરસેવકો વિકાસનાં કામોમાં રોડા નાખતાં આવ્યા છે.જે કોંગ્રેસના 5 સભ્યોની મદદ લઈને બહુમતિ સાથે વિકાસના કામો નામંજૂર કરાવે છે.જેથી તેમની સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પ્રમુખે ભ્રષ્ટાચાર કર્યો છે તેના પુરાવા હોય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે : સભ્યો પાટણ નગરપાલિકાના સભ્યોના ગૃપ પૈકીના કોર્પોરેટર મનોજ પટેલે જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ તેમના ગુરુજી કહે તે પ્રમાણે નિવેદન બાજી કરી રહ્યા છે. આ પ્રમુખ પાટીદાર સમાજ વિરોધી માનસિકતા ધરાવે છે. અગાઉ પણ તેમણે પાલિકાના 10 કર્મચારીઓની બદલી કરી હતી. તેમાંથી 8 પાટીદાર હતા.પ્રમુખ મોટા ભ્રષ્ટાચાર કર્યા છે.જેના પુરાવા ફોટા સ્વરૂપે અને વીડિયો સ્વરૂપે છે.તેમની સામે પગલાં ભરવા માટે અમો 20 જેટલા સભ્યોએ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષને રજુઆત કરી છે પાલિકા પ્રમુખની વિરોધમાં ભાજપના આ 6 સભ્યોકોર્પોરેટર શૈલેષ પટેલ,મનોજ પટેલ,મુકેશ પટેલ,મનોજ એન.પટેલ,બિપીનભાઈ નરેશ દવે
ટ્રાફિક જામ:બલોલ રોડ પર ખાડો કરવા જેસીબી રોડ પર ઊભું કરી દેતાં ટ્રાફિક
હાલ પાલાવાસણા-કાલરી હાઇવેને ફોરલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને મીઠાથી કાલરી સુધીના રોડ પર ગણ્યે ગણાય નહીં તેટલા ખાડા પડેલા છે. જેને કારણે એસટી સહિતનાં વાહનોને સર્પાકાર ચલાવવા પડે તેવી જોખમી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાં શનિવારે બપોરે બલોલ પાસે રોડ પર પાઇપલાઇન માટે ખાડો ખોદવા જેસીબી રોડ પર ઊભું કરી દેતાં બંને બાજુ અડધો કિમી જેટલી વાહનોની લાઇન લાગી હતી. અડધા કલાક સુધી ટ્રાફિક બંધ રહેતાં લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું.
મુસાફરો મુશ્કેલીમાં:મહેસાણા રેલવે સ્ટેશનના શૌચાલય બંધ
મહેસાણા રેલવે સ્ટેશન પર આવેલા મહિલા અને પુરુષ શૌચાલય છેલ્લા 10 દિવસથી તાળાબંધ હોવાથી મુસાફરો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને મહિલા મુસાફરો માટે આ સ્થિતિ વધુ તકલીફજનક બની છે. સ્ટેશન પર આવનારા મુસાફરોને સ્વચ્છતા અને આરામની સુવિધાનો અભાવ અનુભવાઈ રહ્યો છે. મુસાફરોએ રેલવે અધિકા રીઓને શૌચાલય ખુલ્લા કરવા માંગ કરી હતી.
મહેસાણાના મુખ્ય હાઇવે પર બની રહેલા બ્રિજના કામને લઇ નાગલપુર પાટિયા પાસે વાહન વ્યવહારમાં ફેરફાર કરાયો છે. શનિવારે નાગલપુર પાટિયાની બીજી બાજુ પણ નવું ડાયવર્ઝન શરૂ કરાયું છે. મહેસાણાથી અમદાવાદ તરફ જતાં વાહનોને હવે મોઢેરા અંડરપાસથી નીકળ્યા બાદ પસાભાઇ પેટ્રોલપંપથી સર્વિસ રોડ થઇ વિકાસનગર પાટિયા સુધી જવાનું રહેશે. જ્યારે અમદાવાદ તરફથી આવતાં વાહનોને વિકાસનગર પાટિયાની સામેથી પકવાન હોટલ સુધી સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, નાગલપુર પાટિયા પર સામાન્ય વાહન વ્યવહાર ચાલુ રહેશે, જેથી હાઇવેની બંને બાજુથી આવતાં વાહનો નાગલપુર તથા બાયપાસ સુધી અવરજવર કરી શકશે. હજુ નાગલપુર પાટિયા નજીકનો રોડ અગાઉથી જ ખરાબ હાલતમાં હોઇ વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બન્યો છે. તેવામાં હવે ડાયવર્ઝન લંબાતાં રોંગ સાઇડથી આવતાં વાહનો અને આડેધડ પાર્કિંગના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.
કાર્યવાહી:કટોસણ રોડ માંથી 3.67 લાખનો દારૂપકડાયો
દેત્રોજ પોલીસ નાઈટ રાઉન્ડ પ્રેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સાથે બાતમી આધારે કટોસણ રોડ બજારમાંથી ગાડીમાં વિદેશી દારૂની બોટલ નંગ-1080 કિં. 3.67 લાખનો મુદ્દામાલ સાથે કુલ કિં.18,97,200ના મુદ્દામાલ સાથે ભજનલાલ બાબુલાલ બિશ્નોઈ (32) સો. રોહિલા વેસ્ટ તા.ધોરીમના જિ.બાડમેર રાજસ્થાન અને મુકેશ ભગવાનારામ બિશ્નોઈ (25)રહે. પુનાસા તા. ભીનમાલ જિ. જાલોરને પકડી લીધા હતા.
ગૌરવની વાત:ડૉ. મેહુલ જાનીનું સ્પેન ખાતે ભાવનગરનું ગૌરવ વધારતું આમંત્રણ
ડૉ.મેહુલ જાનીને ડેન્ટલ ટ્રિટમેન્ટ ક્ષેત્રે ઓરલ રિહેબિલિટેશનમાં ક્રાંતિ લાવી રહેલી આધુનિક કોર્ટિકોબેસલ (KOS) ઇમ્પ્લાન્ટ્સ ટેક્નોલોજી પર એક વિશેષ કોર્સ લેવા માટે સ્પેન ખાતે વક્તા અને ટ્રેનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય આમંત્રણ ખરેખર ભાવનગર માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે ડૉ. જાનીને શૈક્ષણિક અને વૈજ્ઞાનિક જગતની મુખ્ય વ્યક્તિઓ, જેમ કે સેવિલા યુનિ.ના ચાન્સેલર, કોલેજના ડીન અને સ્પેનિશ સોસાયટી ઑફ ઇમ્પ્લાન્ટોલોજીના પ્રમુખ, સાથે વાતચીત કરવાની અદ્ભુત તક મળી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે તબીબી અને ડેન્ટલ તાલીમના ભવિષ્યની દિશા તેમજ નવીનતમ વલણો વિશે ખૂબ જ ફળદાયી ચર્ચા કરી હતી. વધુમાં, ડૉ. જાનીને એક ખૂબ જ વરિષ્ઠ ડૉક્ટર સાથે વાત કરવાનો સન્માન મળ્યું હતું, જેઓ ડૉ. પેર-ઇન્ગવાર બ્રાનમાર્ક (આધુનિક ઇમ્પ્લાન્ટોલોજીના પિતા)ના સીધા વિદ્યાર્થી હતા. આ અંગે ડૉ. જાનીએ જણાવ્યું કે, જેમણે ઇમ્પ્લાન્ટોલોજીના ઉદ્ભવનો જાતે અનુભવ કર્યો હોય, તેમની સાથે ચર્ચા કરવી એક ખૂબ જ ભાવનાત્મક અનુભવ હતો. કોર્સમાં હાજરી આપનાર ડૉક્ટરોનો સમૂહ અસાધારણ હતો, ખાસ કરીને ડેન્ટલ ઇમ્પ્લાન્ટોલોજીમાં માસ્ટર્સ કરી રહેલા વિદ્યાર્થીઓની જિજ્ઞાસા, ઉત્સાહ અને ચર્ચાનું સ્તર ઉત્કૃષ્ટ હતું. તેઓએ કોર્ટિકોબેસલ ઇમ્પ્લાન્ટોલોજી (KOS)ના સિદ્ધાંતોને ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો. સ્પેનમાં આપેલ તેમના સફળ લેક્ચર બાદ, ડૉ. મેહુલ જાનીને પ્રતિષ્ઠિત સેવિલા યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી અને ટ્રેનર તરીકે જોડાવા માટે આમંત્રિત કર્યા છે. ડૉ. જાનીનું આ આંતરરાષ્ટ્રીય સન્માન તેમની નિપુણતાને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવે છે અને ભાવનગરનું ગૌરવ વધારે છે.
ધમકી આપી:આડાસંબંધની શંકાએ દંપતિને ધમકી આપી
ભાવનગર જિલ્લામાં આડાસંબંધની શંકાએ ધાક ધમકીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે જેથી દાંમ્પત્ય જીવનમાં પણ ખલેલ સર્જાઈ છે. આવો જ એક કિસ્સો તળાજામાં તાજેતરમાં નોંધાયો હતો. તળાજા પંથકમાં રહેતા એક મહિલાને તેના ખેતર માલિક સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી કઠવા ગામે રહેતો ઘનશ્યામ મથુરભાઇ ચુડાસમાએ મહિલાને ખેતરના માલિક સાથે સંબંધ નહીં રાખવાનું જણાવી, મહિલા તેમજ તેના પતિને ધારીયાથી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને મહિલાના યુવક સાથેના આડાસંબંધના ફોટો તેમજ વિડીયો કુટુંબીઓને દેખાડવાનું કહી, ચારીર્ત્રય ઉપર જેમતેમ બોલતા મહિલાએ કઠવા ગામના ઘનશ્યામ મથુરભાઇ ચુડાસમા વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બિસ્માર માર્ગ:સિહોરમાં અત્યંત બિસ્માર થયેલા રોડથી રહીશો ત્રસ્ત
સિહોર નગરપાલિકા પાછળના ભાગમાંથી ભાવનગર રાજકોટ રોડનો ડાયવર્જન અહીં કાઢવામાં આવેલ ત્યારે પણ ખૂબ મરામત કર્યા બાદ વાહનો ચાલતા થયા હતા તેમજ પાણી લાઇન,ગટર લાઇન વગેરેના ખોદકામ બાદ હાલ આ રોડ અત્યંત ખરાબ થઈ ચૂક્યો છે નાના વાહન ચાલકો વારંવાર વાહનો પરથી ગબડી રહ્યા છે એક બાજુ ગટરના પાણી વહેતા થઈ ગયા છે છતાં કોર્પોરેટરોના પેટના પાણી હાલતા નથી. આ વોર્ડમાં આવતી સોસાયટીઓ પુનિત નગર,શિવશક્તિ, આંજનેય પાર્ક,વૃંદાવન,કૈલાસનગર,શ્રીજી નગર,કેશવ પાર્ક સહિત અનેક સોસાયટીઓના રહીશોમાં કચવાટ છે ત્યારે તંત્ર દ્વારા આ રોડ તાત્કાલિક રિપેરિંગ કરાવવા માંગ ઉઠી છે નવો રોડ બનતા પહેલા ગટર તથા પાણીની તૂટેલી લાઇનો પણ રિપેરિંગ કરવી જરૂરી છે.
પ્રજાજન પરેશાન:મહુવામાં ડ્રેનેજ લાઇન, કચરો સહિતની સમસ્યાથી જનતા ત્રસ્ત
મહુવા શહેરના વોર્ડ નં.1-2-3 માં ડ્રેનેજ લાઇન તથા કચરો ઉપાડવા તથા વિવિધ પ્રશ્ને આપ દ્વારા મહુવાના ચીફ ઓફિસરને પત્ર લખી રજુઆત કરવામાં આવેલ છે. મહુવા શહેરના વોર્ડ નં.1 માં ડ્રેનેજ કનેક્શન તેમજ ડ્રેનેજ લાઇનનો તથા પાણીની લાઇનોનું ખોદકામ કરેલ છે પરંતુ તેનું પુરાણ કે આવી જગ્યાઓ ઉપર ગારો ન થાય, વોર્ડ નં.2માં ગટરના પાણી રોડ ઉપર ન વહે તેની વ્યવસ્થા કરવામાં આવે તથા સુકો કચરો અને ભીંના કચરાની ડોલો મુકવા, ગટરની લાઇનો સાફ કરવી તેમજ વોર્ડ નં.3માં ખરેડીયા મહોલ્લામાં પીવાના પાણીમાં ગટરનું પાણી વારંવાર ભળી જાય છે. કચરાની ગાડીઓ અંદર સુધી પહોચે અને તરવાડી કબ્રસ્તાનથી લઇ અને ભાદ્રોડના ઝાંપા સુધીના વિસ્તારમાં સાઇડના બ્લોક નાખવા તથા નીચાણવાળા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ઘરોમાં પાણી ઘુસ્યા હતા અને હજુ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલો હોય જેના નિકાલ કરવો વગેરે વિવિધ પ્રશ્નોનુ વહેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે આપ દ્વારા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવેલ છે.
મારમાર્યો:વલભીપુર પાલિકામાં મુકાદમને મારમાર્યો
વલભીપુર નગર પાલિકામાં અરૂણાબેન અશોકભાઇ વેગડ નોકરી કરતા હોય અને જે નગરાપાલિકામાં ટાઇમસર નોકરીમાં હાજર થતાં ન હોય જેથી નગરપાલિકાના મુકાદમ સુનીલભાઇ રાજેશભાઇ વેગડે નોકરીમાં સમય મુજબ આવવાનું કહેતા, અરૂણાબેનના પતિ અશોકભાઇ ઉર્ફે વીલીયમ બાલાભાઇ વેગડ અને તેમના પુત્ર પારસ અશોકભાઇ વેગડે એક સંપ કરી, વલભીપુર નગરપાલિકાના દાદરમાં જ સુનીલભાઇ વેગડ ઉપર જીવલેણ હુમલો કરી, ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થતાં સુનીલભાઇ વેગડે પિતા-પુત્ર વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સંતવાણી સન્માન સમારોહ:ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે
ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો પ્રત્યેનાં પોતાના લગાવનો ઉલ્લેખ કરી પ્રસન્નભાવે કહ્યું કે ભજનથી ભૂત ભાગે એટલે ભૂતકાળની ચિંતા જાય, ભવિષ્ય જાગે એટલે ભવિષ્યકાળ ઊજળો થાય અને વર્તમાન રહે આગે એટલે વર્તમાનકાળ પ્રગતિમાં રહે છે. મોરારિબાપુએ કહ્યું કે ભજનાનંદીને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહ હોતાં નથી અને મર્મ, ધર્મ અને કર્મ સમજાઈ જાય છે. કારતક વદ બીજ એ મોરારિબાપુનાં પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે તલગાજરડા ચિત્રકુટધામમાં સંતવાણી સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સંતવાણી વંદના સમારોહમાં સંતવાણીના આદિ સર્જકની વંદનામાં ભક્ત કવિ ગેમલદાસજી - ગેમલજી ગોહિલ ( પ્રતિનિધિ નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) તથા મંજીરા વાદક હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર) વર્ષ 2025 માટે મોરારિબાપુના હસ્તે સન્માનિત થયાં. મોરારિબાપુની પ્રેરણા સાથે યોજાયેલ આ સંતવાણી સન્માન સમારોહમાં સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષીએ પ્રાસંગિક વાતમાં ગેમલજીબાપુની રચનાઓનો સાથે ચરિત્ર ઉલ્લેખ કર્યો તેમજ આ ઉપક્રમણની તબ્બક્કા વાર ઉમેરણની વિગત જણાવી હતી. આ સન્માન અર્પણ વિધિ સમારોહમાં સંતો, મહંતો અને વિદ્વાનો તથા કલાકારોની ઉપસ્થિતિમાં ભજનિકો દ્વારા તેમની વાણીમાં સંતવાણીનો લાભ મળ્યો હતો.
નાની રાજસ્થળીની સરદાર ઇન્ડસ્ટ્રીઝ ખેડૂતો માટે દેવદૂત બની:ખેડૂતોની મગફળી 75 ટકા વળતર સાથે ખરીદાશે
પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામમાં આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝના માલિક યુનુસભાઈ મતવા દ્વારા ખેડૂતોની પોતાની મગફળી જે પણ કન્ડિશનમાં હોય બગડી ગયેલી, ખરાબ થઈ ગયેલી, પલળી ગયેલી હોય તેવી મગફળી ખરીદવા માટે નાની રાજસ્થળી ગામે આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીમાં 75 ટકાના વળતર સાથે સારા ભાવ આપી ખરીદી કરવામાં આવશે. સરદાર ઇન્ડસ્ટ્રીઝના માલિક યુનુસભાઈ મતવાએ જણાવેલ કે ગુજરાત ભરના ખેડૂતોને જે નુકસાની થઈ છે. તેના અનુસંધાને ખેડૂતોના પ્રેરણા સ્તોત્ર બની ખેડૂતોને પૂરતો ભાવ મળે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઉભો કરવામાં આવે તે માટેના પ્રયાસો કરવામાં આવશે તેમજ ગમે તેવી પલળી ગયેલી, ઉગી ગયેલી,ગોગડા થઈ ગયેલી અને ખરાબ થઈ ગયેલી મગફળી આખા ગુજરાતમાંથી વિના સંકોચે ખેડૂતોના હિતમાં 75 ટકા સાથે ખરીદવામાં આવશે અને પૂરતો ભાવ આપવા પ્રયાસ કરાશે. સવારના 8 કલાકથી રાત્રિના 10 કલાક સુધી અમારા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકશે તેમ યુનુસભાઇ મતવા દ્વારા જણાવવામાં આવેલ છે. તેમનો મોબાઈલ નંબર અને 90 99 91 91 91 તેમજ 98 98 75 65 80 છે તેના ઉપર ખેડૂતો ફોન કરી સંપર્ક કરી શકશે. આમ પાલિતાણાની નાની રાજસ્થળી ગામની સરદાર ઈન્ડ્રસ્ટ્રીઝ ખેડૂતો માટે દેવદૂત સમાન સાબિત થઈ છે.
વિપક્ષ નેતા દ્વારા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત:પાલિતાણા શહેરમાં ગટર સમસ્યા નિવારવા આંદોલનની ચેતવણી
પાલીતાણા શહેરમાં ઉતી થયેલી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાને લઈને નગરપાલિકા વિપક્ષ નેતા દ્વારા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. તંત્રની બેદરકારીને કારણે શહેરમાં ઊભા થયેલા રોગચાળાના ગંભીર ભય અંગે તાત્કાલિક ધ્યાન દોર્યું હતું વિપક્ષ નેતા કિરીટ સાગઠીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવાની ફરિયાદોની સંખ્યા 350 થી વધુ સુધી પહોંચી ગઈ છે, શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટરો ઉભરાઈને ગંદુ પાણી લોકોના ઘરો સુધી પહોંચ્યું છે. ખારો નદી ભરેલી હોવાથી ગટરનું પાણી શહેરમાં પાછું મારે છે, જેના પરિણામે સમગ્ર શહેરમાં અસહ્ય ગંદકી ફેલાઈ છે.ગંદા પાણીના કારણે શહેરમાં મોટા પાયે રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે. બાળકો, મહિલાઓ અને વડીલોનું સ્વાસ્થ્ય ગંભીર જોખમમાં મુકાયું છે અને અનેક વિસ્તારોમાં માંદગીના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે કિરીટ સાગઠીયાએ આક્ષેપ કર્યો કે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર કાગળ પર કામગીરી કરે છે અને સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર યોજના બનાવતું નથી. ત્યારે વિપક્ષ નેતા કિરીટ સાગઠીયાએ ચીફ ઓફિસરને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, નગરપાલિકાનું વહીવટી તંત્ર આ ગંભીર સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવે અને ગટરના કાયમી નિકાલ માટે યોગ્ય યોજના બનાવે અન્યથા જો આગામી 7 દિવસમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરીને લોકોને પડતી હાલાકી દૂર કરવામાં નહીં આવે, તો શહેરના સ્થાનિક લોકો સાથે મળીને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે, જેની સમગ્ર જવાબદારી તંત્રની રહેશે તેવી રજૂઆત વિપક્ષ નેતા દ્વારા ચીફ ઓફિસરને ગટરના પ્રશ્ન બાબતે કરવામાં આવી છે
2.03 કરોડની ઠગાઈ:મેનેજર, દલાલ, ટ્રાન્સપોર્ટરે 350 ટન લોખંડ સેરવી લીધુ
ભાવનગર જિલ્લાના સિહોર જી.આઇ.ડી.સીમાં આવેલ નવભારત રોલીંગ મીલના મેનેજરે ત્રણ વેપારી દલાલ, ટ્રાન્સપોર્ટર સાથે મળી કંપનીમાંથી બીલ મુજબના વજનનું લોખંડ ટ્રકોમાં ભરાવાને બદલે તેના કરતા વધારે વજનનું લોખંડ ટ્રકોમાં ભરાવી, ઉપરના વજનનું લોખંડ બારોબાર વેચાણ કરી, કંપનીના માલિક સાથે બે કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી આચરતા, કંપની દ્વારા મેનેજર, ટ્રાન્સપોર્ટર તેમજ ત્રણ વેપારી દલાલ વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભાવનગરના સિહોર જી.આઇ.ડી.સી.માં આવેલ નવભારત રોલીંગ મીલમાં મેનેજર તરીકે નોકરી કરતા મુળરાજસિંહ હરીચંદ્રસિંહ ગોહિલએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ એક દિવસ તેમની ફેક્ટરીએ ગયા તે વેળાએ તેમના કંપની મેનેજર અમોલ ગીરીશભાઇ ગુજરાથી (રહે. કાળિયાબીડ) કંપનીમાંથી દસ ટન બીલ મુજબની લોખંડનું સેક્શન ભરાવી રહ્યા હતા. પરંતુ મુળરાજસિંહે ટ્રકમાં જોતા દસ ટન કરતા વધુ વજનનું લોખંડ ભરાવ્યું હોવાની શંકા જતાં ટ્રકને વે બ્રિજ ઉપર ચડાવાયો હતો. જેમાં દસ ટનની બદલે ટ્રકમાં 21 ટન જેટલું વજન જોવામાં આવતા અમોલભાઇને કંપનીના માલિક વગેરે દ્વાર પુછપરછ હાથ ધરી હતી જેમાં અમોલ ગુજરાથીએ ટ્રાન્સપોર્ટર કરદેજ ગામનો વિશાલ સાટિયા, ત્રણ વેપારી દલાલો ભાવેશ ચૌહાણ, યોગેશ પરમાર અને મેહુલ પંડ્યા સાથે મળીને બીલના વજન કરતા વધુ વજનનું લોખંડ ભરાવી, ઉપરના વજનનું લોખંડનું બારોબાર વેચાણ કરી, દોઢ વર્ષમાં 350 ટન લોખંડ સેરવી લઇ, કંપનીના માલિક સાથે રૂા.2.03 કરોડની છેતરપિંડી આચર્યાની કબુલાત આપતા કંપનીના મેનેજર દ્વારા ચારેય શખ્સો વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ બે શખ્સોની ધરપકડ કરી, ત્રણની શોધખોળ શરૂ કરી છે. છેતરપિંડી કરી ચારેય શખ્સોએ રૂપિયા વહેંચી લીધાટ્રાન્સપોર્ટર અને ત્રણ વેપારી દલાલ તેમજ મેનેજર સહિતે દોઢેક વર્ષમાં 350 ટન લોખંડનું બારોબાર વેચાણ કરી રૂા. 2.03 કરોડની કંપનીના માલિક સાથે ઠગાઇ આચરી હતી. જેમાં મેનેજરને રૂા. 90 લાખ, ભાવેશ ચૌહાણ રૂા. 25 લાખ, ટ્રાન્સપોર્ટર વિશાલ સાટિયા રૂા. 28 લાખ, યોગેશ પરમારને રૂા. 25 લાખ તેમજ મેહુલ પંડ્યાએ રૂા. 35 લાખ ભાગમાં આવ્યા હતા. બે કર્મીએ નોકરી કરતા ટ્રેડર્સની દુકાન ખોલી નાંખીછેતરપિંડી કરનાર ભાવેશ ચૌહાણ અને યોગેશ પરમાર બંન્ને નવભારત રોલીંગ મીલમાં જ નોકરી કરતા હતા પરંતુ ટુંકાગાળામાં રૂપિયાની કમાણી કરવા માટે મેનેજર સાથે મળીને લોખંડ સેરવી લેવાની ભુમિકામાં ભાગ ભજવ્યો હતો અને જે બાદ ભાવેશ અને યોગેશે એક ચામુંડા ટ્રેડર્સ નામે દુકાન ખોલી ચોરી કરેલ લોખંડની દુકાનમાંથી વેચાણ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ભાસ્કર સૂચન:ઊંઝાની ઐઠોર ચોકડી નજીક ગાય સાથે બાઈક અથડાતાં પત્નીનું મોત, પિતા અને પુત્રને ઇજા
ગાંધીનગરથી બાઇક ઉપર બનાસકાંઠાના કીડોતર ગામે વતન જવા નીકળેલા પરિવારનું બાઈક ઐઠોર ચોકડી નજીક ગાય સાથે અથડાઈને સ્લીપ ખાઈ જતાં સવાર પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે પિતા, પુત્રને ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે ઉનાવા પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધ્યો છે. અમીરગઢ તાલુકાના કીડોતર ગામના કિસ્મતસિંહ ડાભી હાલ ગાંધીનગરના સરગાસણ ખાતે કેશવ પરિસરમાં રહે છે. 5 નવેમ્બરના રોજ બપોરે કિસ્મતસિંહ તેમની પત્ની આનંદબા અને પુત્ર ભદ્રવીરસિંહ સાથે બાઇક પર ગાંધીનગરથી કીડોતર જવા નીકળ્યા હતા. તેઓ મહેસાણા- ઊંઝા હાઇવે પર ઐઠોર ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગાય અચાનક રોડ પર આવતાં તેમણે બાઇકની બ્રેક મારી હતી. પરંતુ સ્પીડના કારણે બાઈક ગાય સાથે ભટકાઈને સ્લીપ મારી જતાં કિસ્મતસિંહ સહિત ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. ત્રણેયને 108માં ઉનાવા સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેમની પત્ની આનંદબાનું મોત નીપજ્યું હતું. ટુવ્હીલરની સ્પીડ 50ની મર્યાદામાં હોય તો બચાવ થઇ શકેમુસાફરી દરમિયાન અચાનક બ્રેક મારતાં કાર સહિતનું ચાર પૈડાંવાળું વાહન કાબૂમાં આવી શકે. પરંતુ, વધુ સ્પીડમાં બાઇક સહિત ટુ વ્હીલર સ્લીપ ખાઈ જાય છે. હાઇવે પર ટુવ્હીલરની સ્પીડ 50ની મર્યાદામાં ચલાવવામાં આવે તો અચાનક બ્રેક મારતાં કાબૂમાં આવી શકે છે.
મકાનને આગચંપી દેવાઈ:બોરડીગેટમાં મકાન સળગાવાયું
બોરડીગેટ વિસ્તારમાં મેલડી માતાના મંદિરવાળા ખાંચામાં રહેતા મહેશભાઇ બચુભાઇ રાઠોડની માલિકીના મકાને જુની અદાવતની દાઝ રાખી સુનિલ, નિતો, હાર્દિક અને અમન તેમજ અજાણ્યા શખ્સો ધસી આવી, ઘર ખાલી કરવાનું કહી, મકાનને આગચાંપી દેતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો. મકાનમાં આગ લાગતા આગની ભયાવળ જ્વાળાઓ ઉઠવા પામતા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. જે મામલે ફાયર બ્રિગેડે ઘટના સ્થળે ધસી જઈ, પાણીનો મારો ચલાવી આગને બુઝાવતા, જાનહાની ટળી હતી.
સિંહ દેખાયા:પાલિતાણા શેત્રુંજય ડુંગર પર બે સિંહોએ દેખા દીધા
પાલિતાણા ક્ષેત્રીય વન વિભાગમાં પાલિતાણા રાઉન્ડ હેઠળ શેત્રુંજય ડુંગર તરીકે ઓળખાતા અને તેની આજુ-બાજુના આદપુર, ઘેટી, જીવાપુર, રોહીશાળા, ગણધોળ, ડુંગરપુર જેવા ગામોના ગૌચરણ તથા માલિકીના ડુંગરના સર્વે નંબર આવેલા છે. સિંહ, દીપડા, ઝરખ તેમજ અન્ય હિંસક પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. શેત્રુંજય ડુંગર પર કુલ અલગ-અલગ ધાર્મિક સ્થાનો આવેલા છે. ડુંગર ઉપર તથા આજુ-બાજુમાં કુલ 18 સિંહો પરિવાર વસવાટ કરે છે જે દરરોજ પોતાના લોકેશન બદલતા રહે છે ત્યારે આજે શેત્રુંજય ગીરીરાજ ઉપર આજે સવારના આઠ વાગ્યા આસપાસના સમયે કુમાર કુંડ પાસે સિંહ જોવા મળ્યો હતો જ્યારે સાંજના અરસામાં પદ્માવતી ટુંક આગળથી ચાલવાના રસ્તા ઉપર પણ જોવા મળેલ હતો. સિંહને જોતા યાત્રિકો અને ડોળીવાળાઓ થંભી ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવને શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ મનીષભાઈ કનાડીયાએ પણ સમર્થન આપેલ છે.
પાણી નહીં છોડાય:રૂપેણ નદીમાં ચેકડેમના કામને લઇ સિંચાઇ માટે પાણી નહીં છોડાય
સિરીઝ ઓફ ચેકડેમ અંતર્ગત રૂપેણ નદી ઉપર મહેસાણા તાલુકાના મોટીદાઉ તથા પાલોદર ગામે ચેકડેમનું કામ એકાદ મહિનામાં હાથ ધરાનાર છે. જેથી કામ શરૂ થયેથી પૂર્ણ ન થાય ત્યાં સુધી રૂપેણ નદીમાં સિંચાઇ માટે પાણી છોડવામાં નહીં આ વે તેવી જાહેરાત સુજલામ સુફલામ પેટા વિભાગ-6 મહેસાણા દ્વારા કરાઇ છે. અને તે અંગેની લેખિત જાણ નદીકાંઠાના 50થી વધુ ગામોના સરપંચોને કરાઇ છે. રવિ સિઝનના આરંભે જ તંત્રના આ નિર્ણયથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોઇ, રવિ સિઝન માટે સિંચાઈનું પાણી ચાલું રાખવા અને ચેકડેમનું કામ રવિ સિઝન પૂરી થયા બાદ શરૂ કરવા પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે વિભાગને લેખિત રજૂઆત કરી છે.
પોલીસ કાર્યવાહી:ઘરફોડ ચોરી કરનાર સિક્યુરીટી જબ્બે
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ રચના ફ્લેટમાં એકી સાથે બે ફ્લેટના તાંળા તોડી કોઇ અજાણ્યો શખ્સ સાડા ચાર લાખથી વધુની મત્તાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ જવાની ઘટના બનતા જેની નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જે પગલે પોલીસે તપાસ હાથ ધરતા રચના ફ્લેટના સિક્યુરીટી તરીકે ફરજ બજાવતો હર્ષદિપ ભુપતભાઇ ડાભી જ તસ્કર હોવાનું ખુલતા પોલીસે સિક્યુરીટી ગાર્ડની ધરપકડ કરી, તસ્કરીમાં ગયેલા ઘરેણાં કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાસ્કર વિશેષ:યાદી સુધારણા માટે પહેલીવાર મતદાર નહીં મળે તો વધુ બે વખત BLO તેમના ઘરની મુલાકાત લેશે
જિલ્લામાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) મતદાર યાદી સુધારણા ઝુંબેશ મંગળવારથી શરૂ થઈ છે. જે 4 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં BLO (બૂથ લેવલ ઓફિસર) ઘરે-ઘરે જઈ સુધારણાની કામગીરી કરશે. 6 તબક્કાની કામગીરી બાદ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ ફાઈનલ મતદાર યાદી પ્રકાશિત કરાશે. યાદી સુધારણા માટે પ્રથમવાર મતદાર નહીં મળે તો વધુ બે વખત મતદારની મુલાકાત લેશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અભિષેક પરમારે જણાવ્યું કે, એક મહિના દરમિયાન BLO પાસેથી મતદારે એન્યુમરેશન ફોર્મ ભરી આપવાનું રહેશે. ડ્રાફ્ટ યાદી બને ત્યાં સુધીમાં ફોર્મ નહીં ભરે તો નામ નીકળી જશે
પરિણીતાને અપાયો ત્રાસ:પરિણીતા ગર્ભવતી હોય સાસરિયાઓ દ્વારા મારકૂટની ફરિયાદ
ભાવનગર શહેરના રબર ફેક્ટરી પાછળ પિતાના ઘરે રિસામણે રહેતા શિફાબેન અલ્ફાઝભાઈ લાખાણી ના લગ્ન એકાદ વર્ષ પહેલા અમદાવાદ સરખેજ મુકામે રહેતા સલીમભાઈ હબીબભાઈ લાખાણી ના દીકરા અલ્ફાજ સાથે થયા હતા. બાદ તેના પતિ અલ્ફાઝભાઈ સલીમભાઈ લાખાણી, સસરા સલીમભાઈ હબીબભાઈ લાખાણી, સાસુ યાસ્મીનબેન સલીમભાઈ લાખાણી તથા નણંદ જુવેરીયાબેન અસરફભાઈ લોહિયા તેણીને ઘરકામ બાબતે તથા અન્ય નાની-મોટી વાતોમાં અવારનવાર હેરાન પરેશાન કરી મેણા ટોણા બોલી તથા ઝઘડો કરી માર કુટ કરી પિયર જતા રહેવાનું કઈ તેમજ છૂટાછેડા માટે દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી પહેરેલ કપડે પિયરમાં જતી રહેલ. તેમજ હાલમાં તેણીને સાત માસનો ગર્ભ હોવા છતાં તેણીની સાથે પતિ સહિત સાસરિયાંઓનો અસહ્ય ત્રાસ હોવાની ફરિયાદ તેણીએ મહિલા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
આયોજન:મહેસાણામાં ટીબી રોડ પર 19 કરોડના ખર્ચે વધુ એક સ્પોર્ટસ સંકુલ તૈયાર થશે
મહેસાણા-1ની જેમ -2માં પણ ટીબી રોડ પર આવેલા નવરંગ ગ્રાઉન્ડ ખાતે રૂ.19 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા બીજું વધુ એક સ્પોર્ટસ સંકુલ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેને મનપાના વહીવટદાર એવા જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી છે. નવરંગ ગ્રાઉન્ડમાં જ્યાં પહેલા નવરાત્રી થતી હતી, ત્યાં મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક શહેરીજનો માટે સ્પોર્ટસ સંકુલ ઊભું કરવામાં આવનાર છે. પિંકલ કોર્ટ, સ્વિમિંગ પુલ, બેડમિન્ટન કોર્ટ, જીમ્નેશિયમ અને મલ્ટી ઉપયોગી એવા આ સ્પોર્ટસ સંકુલને રૂ.19 કરોડના ખર્ચે બનાવવા માટે શનિવારે કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિએ મનપાને મંજૂરી આપી હતી. આ સિવાય, શહેરના માનવ આશ્રમ ચોકડી વિસ્તારમાં શહેરમાં પ્રવેશતા માર્ગ ઉપર રૂ.6 થી 7 કરોડના ખર્ચે એક આકર્ષક અને ભવ્ય પ્રવેશદ્વાર બનાવવાનું આયોજન કરાયું છે.
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલ અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે શનિવારે વર્ષ 2082ની પ્રથમ સંકટ ચતુર્થીની ઉજવણી હજારો ભકતોના ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી અને સંકટ હરનારા દાદા પાસે આવીને શિશ નમાવ્યા.ભાવનગર જિલ્લામાં એક માત્ર કાળીયાબીડમાં ગણપતિ મંદિર અષ્ટવિનાયક સિધ્ધિ વિનાયક મંદિર આવેલુ છે. જીવનના તમામ સંકટોના નાશ કરવા માટે અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે ગણપતિ દાદાને ભકતો દ્વારા લાડુ ધરવામાં આવ્યા હતા., પુષ્પના હાર ચડાવવા, બહેનોનો સત્સંગ અને સમુહ ગણપતિ પાઠ કરી 108 દિવાની દિપ માળા સાથે ઉત્સવ આરતી કરીને ઉજવણી કરવામાં આવી હતી. સંકટ ચર્તુથીના દિવસે જે લોકોને જીવનમાં સંકટ આવતા હોય તે લોકોએ મંદિરએ આવીને મુશક દેવના કાનમાં મનોકામના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. તેવી શ્રધ્ધા સાથે ભાવનગર સહિત આજુ-બાજુના શહેરમાંથી પણ ભકતોએ આવીને મનોકામના કરી હતી. શનિવારે હજારો ભાવિકો ભકિત સાથે વ્રત રાખી પૂજન અર્ચન કર્યુ હતુ. વિધ્ન દૂર કરવા વ્રત કરાયા> બાળકોએ અભ્યાસ સિદ્ધિ માટે ચોથ રાખવી.> સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના સાથે વ્રત કર્યુ હતુ.> ધંધામાં રૂકાવટ અને વિધ્નને દૂર કરવા ભાઇઓએ પુજા પાઠ કર્યા> આ દિવસે લોકો સંકટ ચોથમાં. આખો દિવસ ફળ, જયુસ અને લીકવીડ પર રહ્યા બાદ રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિ દાદાની ગોળ, ભાખરીનો લાડુ ધરી લાડુની પ્રસાદી લઇ ચોથની પૂર્ણાહુતી કરી આ ચોથ કરવાથી સંકટોનો નાશ થાય છે.
ચિન્તેષ વ્યાસ, પ્રમોદ શાહ મહેસાણા મહાનગર પાલિકાની હદમાંથી પસાર થતી લગભગ 12 કિલોમીટર લાંબી ખારી નદીના અસ્તિત્વ, પ્રદૂષણ અને દબાણ અંગે મહેસાણાના આરટીઆઇ એક્ટિવિસ્ટ કૌશિક પરમારે જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગી હતી. જળસંપતિ નિગમ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મહાનગરપાલિકા ત્રણેય સરકારી વિભાગોએ નિરાશાજનક જવાબો આપ્યા બાદ નદીની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા લગભગ 12 કિલોમીટરના પટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં નદીમાં પ્રદૂષણ અને ગેરકાયદે જોડાણો જોવા મળ્યા હતા. નાગલપુર સ્થિતિ કોઝ-વે દુર્ગંધ મારતાં ગંદા પાણીથી ખદબદતો જોવા મળ્યો હતો. નાગલપુર સ્નેહ કુટીર પાછળ, આરટીઓ નજીક ખારી નદીના ડાયવર્ઝન રોડની બાજુમાં, બ્રહ્માણીનગર, કસ્બા, રોહિતવાસ, કુકસ રોડ, પરા-સાંઇબાબા રોડ અને ગાંધીનગર લીંક રોડ સહિત 8 જેટલા સ્થળોએ પાઇપોના જોડાણ સાથે ગંદુ પાણી નદીમાં ઠલવાઇ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપોમાં પણ ગંદા પાણીનું જોડાણ આપીને નદીને દૂષિત કરાઇ રહી છે. આ ઉપરાંત, નદીના પટમાં ઠેર-ઠેર કચરો પણ જોવા મળ્યો હતો. જેને લઇ નદીમાં રહેલું પાણી દુર્ગંધ મારી રહ્યું છે. સાંજના સમયે નદીના પટ નજીક જવું પણ મુશ્કેલ બન્યું છે. 3 સરકારી વિભાગોનાબેજવાબદાર જવાબો
GSEB:26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી ધો.10-12ની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.29 ફેબ્રુઆરીથી ધો.10, સંસ્કૃત પ્રથમા અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા પરીક્ષાનો આરંભ થશે. આ પરીક્ષા 16 માર્ચ સુધી લેવામાં આવશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવ્યો છે. ધો.10માં વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયના પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. તે માટે સમય સવારે 10 વાગ્યાથી બપોરના 1.15 કલાક દરમિયાન રહેશે. જેમાં પ્રથમ 15 મિનિટ પેપર વાંચવા માટે રહેશે. પરીક્ષાના પ્રથમ દિવસે સેન્ટર પર 30 મિનિટ વહેલા પહોંચી જવાનુ઼ રહેશે. બાકીના દિવસોમાં 20 મિનિટ વહેલા પહોંચવાનું રહેશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. જેમાં પ્રથમ ભાગમાં બહુવૈકલ્પિય એટલે કે ઓએમઆર પદ્ધતિથી 50 પ્રશ્નો હશે અને તેના ગુણ પણ 50 અને સમયગાળો 60 મિનિટ રહેશે. બીજા ભાગમાં 50 ગુણના વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો હશે. કમ્પ્યૂટર અધ્યયન સૈદ્ધાંતિકની પરીક્ષા ફક્ત ઓએમઆર પદ્ધતિએ લેવાશે અને તેમાં બહુવૈકલ્પિય પ્રકારના 100 પ્રશ્નો અને 100 ગુણ રહેશે. તે માટે 120 મિનિટનો સમય મળશે. ઓએમઆર શીટમાં ફક્ત કાળી કે ભુરી શાહીવાળી બોલપેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયોની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા તા.5 ફેબ્રુઆરીથી કમ્પ્યૂટર અધ્યયન (પ્રાયોગિક) વિષયની પ્રાયોગિક પરીક્ષા જે તે શાળા દ્વારા જ લેવાની રહેશે જેના ગુણ શાળાએ બોર્ડને તા.20 ફેબ્રુઆરી, 2026 સુધીમાં ઓનલાઇન મોકલવાના રહેશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહ ક્યા વિષયની પરીક્ષા ક્યારે લેવાશે ? ધો.12 સા.પ્ર.માં ક્યા વિષયની પરીક્ષા ક્યારે લેવાશે ?26 ફેબ્રુઆરી સહકાર પંચાયત, અર્થશાસ્ત્ર, 27 ફેબ્રુઆરી કૃષિ વિદ્યા, ગૃહ જીવન, તત્વ જ્ઞાન, 28 ફેબ્રુઆરી વાણિજ્ય વ્યવસ્થા 4 માર્ચ ઇતિહાસ, નામાના મૂળ તત્વો, 5 માર્ચ મનો વિજ્ઞાન, 6 માર્ચ સમાજશાસ્ત્ર, 7 માર્ચ ગુજરાતી અને અંગ્રેજી દ્વિતીય ભાષા, 9 માર્ચ રાજ્ય શાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર, 10 માર્ચ ગુજરાતી, હિન્દી સહિતની પ્રથમ ભાષા, 11 માર્ચ હિન્દી દ્વિતીય ભાષા, 12 માર્ચ એસપી અને વાણિજ્ય પત્ર વ્યવહાર, 13 માર્ચ ભૂગોળ, 14 માર્ચ ચિત્રકામ, કમ્પ્યૂટર અધ્યયન સહિતના વિષય, 16 માર્ચ સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત ભાસ્કર નોલેજપરીક્ષામાં કોઇ પણ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિઝિટલ ઘડિયાળ જેવા ઇલે. સાધનો પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં લઇ જવા પર મનાઇ છે. પરંતુ ધો.12 સાયન્સની પરીક્ષામાં સાદું કેલ્ક્યુલેટર લઇ જવાની છૂટ રહેશે. કોઇ પણ સાહિત્ય મળશે તો જરૂરી શિક્ષા કરવામાં આવશે. પ્રવેશિકા સિવાય કોઇ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવામાં આવશે. ધો.10માં ક્યા વિયષની પરીક્ષા ક્યારે લેવાશે ?26 ફેબ્રુઆરી ગુજરાતી, 28 ફેબ્રુઆરી વિજ્ઞાન, 4 માર્ચ સામાજિક વિજ્ઞાન, 6 માર્ચ બેઝિક ગણિત, 9 માર્ચ સ્ટાન્ડર્ડ ગણિત, 11 માર્ચ અંગ્રેજી, 13 માર્ચ ગુજરાતી દ્વિતીય ભાષા, 14 માર્ચ હેલ્થકેર, ટ્રાવેલ સહિતના વિષયો, 16 માર્ચ હિન્દી, સંસ્કૃત સહિતની દ્વિતીય ભાષા નોંધ : સમય સવારે 10થી બપોરના 1.15 સુધી રહેશે
હુમલો:કેવડિયામાં ગોડબોલે ગેટની સફાઇ કરતાં કર્મચારી પર મગરે બે વખત હુમલો કર્યો
સરદાર સરોવર નર્મદા ડેમ નજીક ગોડબોલે ગેટની સફાઈ કરનાર કર્મચારી પર અચાનક મગરે હૂમલો કરી દેતા કર્મચારી ઘાયલ થયો હતો.તેને સારવાર અર્થે એકતાનગરના ટ્રોમાં સેન્ટરમાં લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો. નર્મદા ડેમ ખાતે કામ કરતો રમેશ ધના તડવી (ઉ.43 વર્ષ) ગત રોજ ડેમથી ત્રણ કિમી દૂર આવેલો ગોડબોલે ગેટની સફાઈ કરી રહ્યો હતો.રમેશે એક પછી એક 4 ગેટની સફાઈ તો કરી લીધી હતી અને 5 માં ગેટની સફાઈ કરી રહ્યો હતો એ દરમિયાન મગરે અચાનક પાછળથી હુમલો કરી દીધો હતો. એ દરમિયાન રમેશે સમય સૂચકતા વાપરી ગેટની જાળી પકડી લેતા મગર એને પાણીમાં ખેંચી શક્યો ન્હોતો.જો કે ગેટની ઉપર ઊભેલા અન્ય કર્મચારીઓએ પથ્થરો મારતા મગર રમેશને છોડી દીધો હતો. જે બાદ પાછો બીજી વાર પણ મગરે હુમલો કર્યો હતો પરંતુ ત્યાં હાજર કર્મચારીઓએ મોટા મોટા પથ્થરો મારતા અંતે મગર પાણીમાં જતો રહ્યો હતો.આ ઘટનામાં રમેશને પીઠના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.આ ઘટના બાદ રમેશને તાત્કાલિક એકતાનગર સ્થિતિ ટ્રોમા સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવાયો હતો.અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો.હાલ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રમેશની સારવાર ચાલી રહી છે.
રોષ:ભરૂચના સિંધી સમાજે છત્તીસગઢના નેતા માફી માગે તેવી માગણી સાથે રેલી યોજી
છત્તીસગઢના નેતા અમિત બધેલે ભગવાન સાઈ ઝુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને કારણે ભરૂચ સહિત દેશભરના સિંધી સમાજમાં રોષ જોવા મળ્યો છે.29 ઓક્ટોબરના રોજ અમિત બધેલે સોશિયલ મીડિયા પર ભગવાન સાઈ ઝુલેલાલજી વિશે અભદ્ર અને આક્ષેપાત્મક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાથી સિંધી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી.આ ઘટનાના વિરોધમાં ભરૂચના સિંધી સમાજના અગ્રણીઓ, મહિલા સભ્યો અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે જો અમિત બધેલ તાત્કાલિક જાહેર માફી નહીં માંગે તો તેની વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. વિરોધ પ્રદર્શન દરમિયાન જય ઝુલેલાલના નારા લગાવવામાં આવ્યા હતા. સમાજના સભ્યોએ આક્ષેપિત વ્યક્તિને સજા કરવાની માંગ કરી હતી.
એક રાતમાં તાપમાનમાં વધુ 1 ડિગ્રીનો ઘટાડો:શહેરમાં રાતે ઠંડીનો પારો ગગડીને 19.2 ડિગ્રી થઇ ગયો
અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની અસર ઘટવાથી વાતાવરણમાં ભાવનગર શહેરમાં હવે ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને સૂકા તેમજ ઉત્તરના ઠંડા પવન શરૂ થતાં શહેરમાં ઠંડીનો પારો એક દિવસમાં વધુ એક ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને આજે 19.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાતના સમયે અને વહેલી સવારે ઠંડીનો ચમકારોનો અનુભવ થયો છે. આગામી દિવસોમાં શહેરમાં ઠંડીનો પારો વધુ ગગડતા ઠંડીની તીવ્રતામાં વધારો થશે. ઉત્તર-પૂર્વથી પૂર્વના સૂકા ઠંડા પવનો શરૂ થતાં રાતના સમયે 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 20.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 19.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઠંડીનો ચમકારાનો આરંભ થયો હતો. વહેલી સવારે અને મોડી રાત્રે શહેરમાં ઠંડા પવન સાથે શિયાળાનો આરંભ થયો છે. શહેરમાં મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 64 ટકા નોંધાયું જ્યારે સાંજના સમયે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 43 ટકા થઇ ગયું હતુ. સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે આજે સાંજે વધીને 12 કિ.મી. થઇ ગઇ હતી.
ભાવનગર સાથે અન્યાય:ભાવનગરની મુસાફરી જનતાને વંદે ભારત ટ્રેનની ફાળવણીમાં અન્યાય
સમગ્ર ભારતમાં 160 વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને જામનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, ઓખા, વેરાવળને તેની ફાળવણી કરવામાં આવેલી છે. ભાવનગરથી સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન ચલાવવાની લાંબા સમયથી પડતર માંગણી હોવા છતા પ્રીમિયમ ટ્રેન ફાળવણીમાં સરકાર અને રેલવે તંત્ર દ્વારા સુગ અનુભવાઇ રહી છે. વંદે ભારત ટ્રેન મુસાફરોની સુવિધાઓને ખાસ ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવી છે, ઉપરાંત તેથી ગતિને કારણે મુસાફરીના કલાકો ઓછા થઇ જાય છે. ભારતમાં વર્ષ 2019માં વંદે ભારત ટ્રેનો શરૂ થયા બાદ મુસાફરોમાં ભારે લોકપ્રિય બની રહી છે. ભાવનગર-સુરત વચ્ચે સામાજીક અને વ્યાવસાયિક વ્યવહારો દૈનિક ધોરણે હોય છે, અને તેના કારણે તેને ટ્વિન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સડક માર્ગે આ બંને શહેરો વચ્ચે દૈનિક ધોરણે હજારો મુસાફરોની આવન-જાવન રહે છે. તેથી દૈનિક ટ્રેનની ફાળવણી માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી સંતોષવામાં આવી નથી. તાજેતરમાં ભાવનગર-અયોધ્યા ટ્રેનને લીલીઝંડી આપવા ભાવનગર આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈશ્નવે પણ ભાવનગર-સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન ફાળવવાની ઘોષણા કરી હતી. હાલમાં અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન પર નવિનીકરણની કામગીરી ચાલી રહી હોવાનું કારણ આપવામાં આવ્યુ હતુ પરંતુ આ બંને સ્ટેશનો પર નવી ટ્રેનો તો ફાળવવામાં આવેલી જ છે તો શા માટે ભાવનગર-સુરત ટ્રેન માટે વિલંબ કરવામાં આવી રહ્યો છે તેના અંગે પણ પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. ગુજરાતના અનેક શહેરો અને નગરો હાલમાં દેશમાં કાર્યરત સૌથી ઝડપી ટ્રેન, વંદે ભારત એક્સપ્રેસ સાથે કનેક્ટિવિટી મેળવી ચૂક્યા છે. ગુજરાત અને પડોશી રાજ્યો રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દોડતી આ પાંચ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનો સાથે, રાજ્યના 18 શહેરો અને નગરો હવે વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જોડાયેલા છે. આ ટ્રેનો દ્વારા જોડાયેલા ગુજરાતના શહેરો અને નગરો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી, પાલનપુર, મહેસાણા, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર, દ્વારકા, ઓખા, જૂનાગઢ અને વેરાવળ છે. આ શહેરોમાં, અમદાવાદ પાંચેય વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સાથે કનેક્ટિવિટી ધરાવે છે, જ્યારે વડોદરા, સુરત, વાપી, રાજકોટ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર બે વંદે ભારત ટ્રેનો સાથે જોડાયેલા છે. તેનાથી વિપરીત, પાલનપુર, મહેસાણા, જામનગર, જૂનાગઢ, વેરાવળ, સોમનાથ અને દ્વારકા જેવા બાકીના શહેરોમાંથી ફક્ત એક જ વંદે ભારત ટ્રેન પસાર થાય છે. આમ ભાવનગરને રેલવેની આ સુવિધાની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો છે. વંદે ભારત ટ્રેન વિષે જાણો...વંદે ભારત એક્સપ્રેસ એ ભારતીય રેલ્વે દ્વારા સંચાલિત મધ્યમથી લાંબા અંતરની સેમી-હાઈ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન સેવા છે. તે એક આરક્ષિત, વાતાનુકૂલિત ચેર કાર સેવા છે જે 800 કિમી (500 માઇલ) કરતા ઓછા અંતરે આવેલા શહેરોને જોડે છે અથવા હાલની સેવાઓ સાથે મુસાફરી કરવામાં દસ કલાકથી ઓછા સમય લે છે. આ વાણિજ્યિક સેવાનું સત્તાવાર રીતે 15 ફેબ્રુઆરી 2019 ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પાણી કાપ:ભરતનગર, સિંધુનગરમાં પાણી કાપ
ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ સારો એવો વરસાદ વરસતા જળાશયો પણ છલોછલ થઈ ગયા છે ત્યારે પાણીની કોઈ મુશ્કેલી રહી નથી. પરંતુ ગઈકાલે રાત્રે તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ પર પંપ ઇન્સ્ટોલ કરવા રાત્રે 12 થી સવારે 6 કલાક સુધી શટડાઉન કરતા તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ પરથી પાણી વિતરણ થતાં વિસ્તારો ભરતનગર અને સિંધુનગરમાં આજે સવારે પાણી વિતરણ થઈ શક્યું ન હતું. આજે નગરજનોને કોઈપણ પ્રકારની આગોતરી જાણ નહીં હોવાને કારણે વહેલી સવારે લોકો પાણીની કાગડોળે રાહ જોતા રહ્યા હતા.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત:લાંબા સમયથી ભાવનગર હવાઇ માર્ગે મેઇન શહેરોથી છુટુ પડી ગયું
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગરની એર કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થાય તે માટે વિવિધ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. વિમાની સેવાના અભાવે હાલ લાંબા સમયથી ભાવનગર જાણે હવાઇ માર્ગે મેઇન શહેરોથી છુટુ પડી ગયું હોય તેવી પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગરની એર કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થાય તે માટે સતત અને સઘન પ્રયત્નો થઇ રહ્યા છે. આ બાબતોને ધ્યાનમાં લઇ ગુજરાત રાજ્ય અને ભારત સરકારના વિવિધ વિભાગોને ચેમ્બર અનુરોધ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી મમતા વર્મા, પર્યટન વિભાગના સેક્રેટરીશ્રી રાજેન્દ્રકુમાર, ધોલેરા-સરના મેનેજીંગ ડાયરેક્ટર કુલદીપ આર્યા અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષ અને સી.ઈ.ઓ. રાજકુમાર બેનીવાલ તથા કેન્દ્ર સરકારના એમએસએમઈ મંત્રાલયના સેક્રેટરી એસ.સી.એલ. દાસ, સાંસ્કૃતિક મંત્રાલયના સેક્રેટરી વિવેક અગ્રવાલ તથા પોર્ટ્સ, શીપીંગ અને વોટરવેઈઝ મંત્રાલયનાં સેક્રેટરી વિજયકુમારને પત્ર પાઠવવામાં આવેલ છે. પાઠવવામાં આવેલ દરેક પત્રોમાં ભાવનગરની એર કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થાય તે માટે પ્રયત્નો કરવા અને તે અંગે તેમના તરફથી ભલામણ પત્રો ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે. શું ભાવનગરને એર કનેક્ટિવિટી જરૂરી ?ભાવનગર ખાતે એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ, પ્લાસ્ટિક, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ, ડાયમંડ, સોલ્ટ જેવા અનેક ઉદ્યોગો આવેલા છે. નજીકના ભવિષ્યમાં CNG અને કન્ટેનર ટર્મિનલનું નિર્માણ થનાર છે, જયારે વડાપ્રધાનનાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ધોલેરા-સર તથા લોથલ હેરીટેજ પ્રોજેક્ટ ભાવનગરથી નજીકના અંતરે આવેલા છે. આ ઉપરાંત પાલિતાણા, નિષ્કલંક મહાદેવ, ગોપનાથ, સાળંગપુર જેવા યાત્રાધામોનું ભાવનગર પ્રવેશદ્વાર છે તેથી ભાવનગર ખાતેથી એર કનેક્ટિવિટી સત્વરે પુનઃ સ્થાપિત થવી જોઈએ. હવાઈ સેવાની અન-ઉપલબ્ધીના કારણે વેપાર, મૂડીરોકાણ અને પર્યટન પ્રવૃત્તિઓને વિપરીત અસર પડેલ છે.
ભાસ્કર ગાઈડ:દેવ અગ્રવાલ સીએ ઇન્ટરમીડીએટની પરીક્ષામાં ઉર્તિણ
ભરૂચના માત્ર 20 વર્ષીય દેવ અગ્રવાલે સીએની ઇન્ટરમીડીએટ પરીક્ષામાં દેશમાં 33મો ક્રમ મેળવ્યો છે. તેેણે 600માંથી 443 ગુણ પ્રાપ્ત કર્યા છે. દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં દેવે તેની સફળતાના રહસ્યોને ઉજાગર કર્યા હતાં. દેવે જણાવ્યું હતું કે, તેઓ માત્ર 20 જ વર્ષ ના છે અને ધોરણ- 10માં અભ્યાસ વખતે જ નકકી કરી લીધું હતું કે, વિજ્ઞાન પ્રવાહમાં જવાના બદલે તેઓ ચાર્ટડ એકાઉટન્ટ બનવા માગે છે. સીએ બનાવવા લક્ષ્ય સાથે તેમણે મહેનત શરૂ કરી હતી અને ધોરણ-12માં આવતાની સાથે સીએના કલાસીસ શરૂ કરી દીધાં હતાં.તેઓના માતા અને પિતા તરફથી ઘણો સહયોગ રહ્યો છે. તેઓ દિવસમાં 10થી 12 કલાક માત્ર સીએના અભ્યાસ માટે ફાળવતાં હતાં. ચાર્ટડ એકાઉટન્ટ બનવા માટે પહેલાં સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપવાની હતી. જેમાં સપ્ટેમ્બર 2024માં પહેલા પ્રયાસમાં જ 400માંથી 314 ગુણ મેળવ્યા હતા. જે બાદ સીએ ઇન્ટરમીડિએટ પરીક્ષામાં ઉતીર્ણ થવાની મહેનત કરવાનું શરુ કરી દીધું હતું. હાલ પરિણામ આવ્યું છે તેમાં તેણે 600માંથી 443 ગુણ મેળવી દેશમાં 33 મો ક્રમ મેળવ્યો છે. વધુમાં દેવે જણાવ્યું કે, આપણને જે વિષયમાં રસ હોય તે વિષયમાં જ આગળ વધવું જોઇએ. મને રીટર્ન ઓફ વેલ્યુ વાળો વિષય ઘણો જ રસપ્રદ લાગે છે અને ઘણો સંઘર્ષ ભર્યો વિષય હોવાથી આ વિષય પસંદ કર્યો છે. સીએની પરીક્ષા માટે આ રીતે તૈયારી કરો કોરોના કાળમાં દરેક વસ્તુ ઓનલાઇન થઇ ગઈ હતી તેમ હાલ સીએ માટેના કોચિંગ ઓનલાઇન શરૂ થઇ ગયા છે. ભરૂચ શહેરમાં હાલ સીએ માટે કોઈ પણ કોચિંગ કલાસ નથી પણ ઓનલાઇન શિક્ષણ મેળવી શકાય તેમ છે. વિદ્યાર્થીઓએ આઇસીએઆઇની બોર્ડ ઓફ સ્ટડીઝની વિનામુલ્યે ઉપલબ્ધ ઇ- લર્નિંગ વેબસાઇટનો ઉપયોગ કરવો જોઇએ. દરરોજ ઓછામાં ઓછા 8 થી 10 કલાક નિયમિત અભ્યાસ કરવો. છેલ્લાં ત્રણ મહિના ફક્ત પુનરાવર્તન માટે ફાળવવા અને મૉક ટેસ્ટ પેપર્સ લખવાનો મહાવરો અત્યંત જરૂરી છે. સીએની એક્ઝામ ત્રણ તબક્કામાં લેવામાં આવે છે - ફાઉન્ડેશન- એન્ટ્રેન્સ, ઇન્ટર અને ફાઇનલ. પરીક્ષામાં પાસ થવા ટોટલના 50% અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 40% માર્ક ફરજીયાત લાવવાના હોય છે. આ ગુણ મેળવવા માટે સ્માર્ટ વર્ક કરવું ખૂબ જરૂરી છે. ખાસ પેપર લખવાનો મહાવરો કરવામાં આવે તો આ ગુણનો રેસિયો જળવાઈ રહે છે. > વ્રિન્દા વખારીયા, અધ્યક્ષ,ભરુચ બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઇઆરસી ઓફ આઇસીએ
શહેરના વિકાસની અવળીગતિ:ટનાટન રોડને સિલકોટ અને 2 મહિના પહેલા બનાવે રોડમાં ગાબડા
ભાવનગર કોર્પોરેશન દ્વારા આગામી ચૂંટણીને ધ્યાને રાખી વિકાસ કામોને આંધળો વેગ આપી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લાંબા સમયથી રોડ બન્યા નથી અથવા તો અતિશય બિસ્માર હાલતમાં છે. ત્યારે બીજી તરફ જ્યાં જરૂર જ નથી તેવા ટનાટન રોડને નવા બનાવવામાં આવી રહ્યા છે. ચોમાસા પૂર્વે ગત જુન માસના અંતમાં શહેરનો સત્યનારાયણ રોડ અને કમિશનરના બંગલાની બાજુમાં અશોક દવે માર્ગ બનાવવામાં આવ્યો હતો. ચોમાસાના વરસાદ બાદ પણ રોડની સ્થિતિ સારી હતી. ત્યારે હવે બંને રોડને સીલકોટ કરતા હાલત બગાડી નાખી છે. રોડ ધૂળધાણી થઈ ગયા છે. ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવ્યા ત્યારે એરપોર્ટ થી રૂપાણી સર્કલ સુધીના રોડ ટનાટન બનાવ્યા હતા. પરંતુ ઉતાવળે આંબા ન પાકે તેની જેમ રાતો રાત બનાવેલા રોડની ગુણવત્તા પણ જળવાઈ ન હતી. અને હજુ બે મહિના પણ નથી થયા ત્યાં મહિલા કોલેજ સર્કલ પાસેના રોડની અંદરથી નબળી ગુણવત્તા રોડ ફાડીને બહાર આવી છે. ડાયવર્ઝનને કારણે હેવી વાહનોના વાહન વ્યવહારને કારણે પણ રોડ તૂટવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં 486 કરોડના રોડ અને બ્લોકના કામ થયા છે. તે પૈકી અનેક રોડના હાલ બેહાલ થઈ ગયા છે.
ભાસ્કર નોલેજ:આમોદ તાલુકાના 15 ગામમાં વીજ કંપનીનાદરોડા, 25 લાખની વીજચોરી બહાર આવી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં 10 થી15 જેટલા ગામમાં ડીજીવીસીએલની વીજીલન્સની 41 ટીમે દરોડો પાડી વીજ ચોરી કરનાર 44 ને 25 લાખનો દંડ ફટકાર્યો. આમોદ તાલુકાના 15 જેટલા ગામમાં વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજીલન્સ ટીમે આમોદ તાલુકાના આછોદ, મછાસરા, રોઝા ટંકારીયા, નાહિયેર, ઇંટોલા, બુવા, નવાવાડીયા, માતર, તેગવા, નિણમ, રોધ, શ્રીકોઠી જેવા ગામોમાં દરોડા પાડી લંગર નાંખીને તેમજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી કરતા 44 કેસ ઝડપી પાડ્યા હતા. જેમાં વીજ ચોરોને કુલ 25.4 લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 41 વીજીલન્સ ટીમે પોલીસ સાથે રાખીને દરોડો પાડતા વીજ ચોરી કરતા તત્વો માં ફફડાટ ફેલાઇ ગયો હતો. વીજ કંપનીએ મીટર તેમજ સર્વિસ વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. વીજચોરી કેવી રીતે પકડવામાં આવે છેદર મહિને ફીડરના લોસીસ થતાં હોય છે એટલે કે વીજ વિભાગ 100 યુનિટ આપે તો તેની સામે બિલ કેટલા થયા જો 100ની સામે 80 યુનિટના બિલ થયા તો 20 ટકા વીજચોરી જે તે વિસ્તારમાં થતી હોવાનું સાબિત થાય છે. આવા ફીડરો અને તેમાં સમાવેશ કરાયેલાં ગામોને શોધી દરોડાઓ પાડવામાં આવે છે.તપાસ દરમિયાન વીજ વિભાગના કાયદાની કલમ 135 મુજબ ચોરી કરે છે તે સાબિત થઇ જાય તો મીટર અને સર્વિસ વાયર જપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ કોર્ટે રીકવરી માટે જણાવે તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. વીજ ચોરી કરનાર આપેલો દંડ ભરી દેવાથી ફરી મીટર લગાવી આપવામાં આવે છે.
વીજળીનું ડિજીટલાઈઝેશન:વીજળીના 623 ફિડરોનું ‘સ્કાડા’થી થશે મોનિટરીંગ
ભારત સરકારના ઊર્જા મંત્રાલય નિદર્શિત માર્ગદર્શિકા અનુસાર પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થાય તેવા આશય સાથે કરોડો રૂપિયાના ખર્ચે સ્કાડા (સુપરવિઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન) સિસ્ટમ હેઠળ વીજ વ્યવસ્થાપન તંત્રનું ડીજીટલાઇઝેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પી.જી.વી.સી.એલ.ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના સ્કાડાના પાયલોટ પ્રોજેક્ટને લઈ પસંદ કરાયેલા ભાવનગરમાં 11 કે.વી.ના 623 ઇલેક્ટ્રિક ફિડરોના પ્રારંભિક તબક્કાનું પરીક્ષણ શરૂ કરાયું છે. સ્કાડા દ્વારા વીજ વ્યવસ્થાપનના ડીજીટલાઇઝેશન સાથે ભાવનગર જિલ્લા સહિતના બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર શહેરના ગ્રાહકોને વીજળી પુરી પાડતા 11 કે.વી.ના 623 ઇલેક્ટ્રિક ફિડરોનું મોનિટરીંગ કરાશે . સ્કાડા પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં પસંદ કરાયેલ ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ તેમજ જામનગરમાં પાર્ટ-1 અને પાર્ટ-2માં હયાત વીજ વ્યવસ્થાપન તંત્રને અપગ્રેડ કરવા, આર.એમ.યુ. યુનિટ લગાવવા અને વીજળીના સ્માર્ટ મીટરો લગાવવા સહિતની અનેક મૂળભૂત કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે ત્યારે સંભવતઃ વર્ષ-2026ના અંત સુધીમાં સ્કાડા પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત બનશે. પીજીવીસીએલના ‘સ્કાડા’ પ્રોજેક્ટની ફેક્ટ ફાઈલ 4 સબ સ્ટેશનોનું પ્રારંભિક તબક્કાનું પરીક્ષણપી.જી.વી.સી.એલ.ના સૌરાષ્ટ્ર ઝોનમાં પસંદ કરાયેલ ભાવનગર શહેરમાં સ્કાડા પ્રોજેક્ટની પ્રારંભિક તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ ભાવનગર જિલ્લાના સિટી સબ સ્ટેશન, વરતેજ સબ સ્ટેશન અને સુરેન્દ્રનગર જિલ્લાના બે મળી કુલ ચાર સબ સ્ટેશનોનું પ્રારંભિક તબક્કાનું પરીક્ષણ શરૂ છે. > યશપાલસિંહ જાડેજા અધિક્ષક ઈજનેર, PGVCL ભાવનગર વર્તુળ કચેરી, ભાવનગર
સમારંભ:કેવડિયામાં તા. 13મીએ ગૌરવ યાત્રાઓનો સમાપન સમારંભ
ભગવાન બિરસા મુંડાની150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત તા.7મી નવેમ્બરે અંબાજીથી મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલની ઉપસ્થતિમાં પ્રારંથ થયો હતો. તેવી જ રીતેઉમરગામથી પણ આ ગૌરવ રથનો પ્રારંભ થયો છે. બે રૂટ પરથી પસાર થઈ રહેલી આ ગૌરવ યાત્રાનું નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે તા.13મી નવેમ્બરે સમાપન થશે.અંબાજી અને ઉમરગામથી પ્રારંભ થયેલી ગૌરવ યાત્રા વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે. આ યાત્રા પૈકી રૂટ નંબર-01ની યાત્રા હાલ વલસાડ-નવસારી જિલ્લામાંથી પસાર થઈ રહી છે. આ ગૌરવયાત્રા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જાવલી ખાતે તા. 11મી નવેમ્બરે પ્રવેશ કરશે. ત્યારબાદ પુનઃસુરત અને ભરૂચ જિલ્લાના ગામોમાંથી ભ્રમણ તા.12મી તારીખે નાંદોદ તાલુકાના ધારીખેડા ખાતે પહોંચશે. આ યાત્રા તા.13મી નવેમ્બરે ધારીખેડાથી નીકળી એકતાનગર ખાતે પહોંચશે. તેવી જ રીતે રૂટ નંબર-2ની અંબાજીથી નીકળી વિવિધ જિલ્લામાં ભ્રમણ કરી રહેલી ગૌરવ યાત્રા છોટાઉદેપુરના નસવાડી તાલુકામાંથીતા. 13મી નવેમ્બરે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે. આદિવાસી વિસ્તારોમાં બન્ને યાત્રાઓ ભ્રમણ કરી રહી છે. જેનું ઠેર-ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. યાત્રાઓની સાથે મહાનુભવો પણ જોડાઇ રહ્યા છે.
બેઠક:દેડિયાપાડામાં વડાપ્રધાનના કાર્યક્રમમાં આદિવાસી ઢબના આમંત્રણ પત્ર અપાશે
દેડિયાપાડામાં 15મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના અવસરે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાનના આગમન પહેલાં શનિવારે રાજયના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચના જીએનએફસી સરકીટ હાઉસમાં પાંચ જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી અને વિવિધ સમિતીઓ દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. જાહેરસભા, રોડ – શોનો રૂટ સહિત તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કીંગ અને વાહન વ્યવહારના રૂટ સહિતના આયોજન અંગેની વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે આદીવાસી સમાજના રીત - રિવાજ અને સ્થાનિક આદીવાસી સંસ્કૃતિ મુજબ ગામડાંનાલોકોને શુભ પ્રસંગે આપવામાં આવતા આમંત્રણની વ્યવસ્થા અંગે રચનાત્મક માર્ગદર્શન આપ્યું હતું. જાહેર સ્થળો સહિત ડેડીયાપાડા ખાતે સાથે થનારા આદીવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વારલીપેઈન્ટીંગ સહિતના ભિંતચિત્રો અને સ્વાગત ગેટ બનાવવા સહિતની વ્યવસ્થા ઉભી કરી સ્થાનિકલોકો પણ આ કાર્યક્રમમાં જોડાય અને રોજગારી પણ મેળવે તેવી વ્યવસ્થા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન દેવમોગરામાં મંદિરમાં દર્શન કર્યા બાદ દેડિયાપાડા ખાતે જાહેર સભાને સંબોધિત કરશે.
વિકાસનું આયોજન:વિઝન 2041- IT ઝોન, ટ્રાન્સપોર્ટેશન ઝોન સહિતનું આયોજન
કોઈપણ શહેરના વિકાસ માટે ડેવલોપમેન્ટ પ્લાન અતિ મહત્વનો હોય છે. ત્યારે ભાવનગર થર્ડ રિવાઇસ ડેવલપમેન્ટ પ્લાન વિઝન 2041 અંતર્ગત ભાવનગરના ઇતિહાસમાં પ્રથમવાર રાજ્ય અને કેન્દ્રના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સરપંચો સહિતની એક મંચ પર ઉપસ્થિતિ સાથે પ્રેઝન્ટેશન અને સૂચનો આપવાનો જાહેર કાર્યક્રમ થયો હતો. જેમાં જુદા જુદા 30 જેટલા સૂચનો પણ આવ્યા હતા. ખાસ કરીને ડેવલપમેન્ટ પ્લાનમાં આઈટી ઝોન, લોજિસ્ટિક હબ અને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન ઝોન સહિતના આવકારદાયક સૂચનો પણ મૂકવામાં આવ્યા છે. ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (બાડા) દ્વારા ભાવનગરની વિકાસ યોજના માટે વિચાર વિમર્શ સંદર્ભે ભાવનગરના થર્ડ રીવાઇઝ ડેવલોપમેન્ટ પ્લાન વિઝન- 2041 કાર્યક્રમ ઇસ્કોન ક્લબ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભાવનગર સૌરાષ્ટ્ર પૂર્વનો વિસ્તાર ધોલેરા/અલંગ ઓથોરીટી, ઘોઘા, પીપાવાવ પોર્ટ વિગેરે સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં મેન્યુફેક્ચરીંગ, ફીશરીઝ, ઈમ્પોર્ટ એક્સપોર્ટની રીતે રોજગારીની અનેક તકો ઉભી કરી ઔધોગીક વિકાસ પામી રહી છે. ત્યારે ભાવનગરના આગામી વિકાસ નકશા માટે પણ વિકસિત પૂર્વ આયોજન જરૂરી બન્યું છે. ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ડૉ. એન. કે. મીના દ્વારા ભાવનગરના થર્ડ રિવાઇઝ ડેવલપમેન્ટ પ્લાન વિઝન-2041 માં એક મંચ પરથી સંબંધિત અધિકારી અને પદાધિકારીઓના સૂચનો લઈ શકાય તે માટેનું આયોજન કર્યું હતું. અને અધિકારી પદાધિકારીઓ ઉપરાંત સંસ્થાના આગેવાનો, ઉદ્યોગપતિઓ, સરપંચો અને અગ્રણી આગેવાનો સહિત 200 થી વધુ લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રિવાઇઝ ડેવલપમેન્ટ પ્લાનમાં વિઝન 2041માં ઉપસ્થિતો એ નવા વિચારો ઉપરાંત ડીપી રોડ વધારવા, જાહેર ઉપયોગિતાના સ્થળ વધારવા, આઇટી ઝોન, લોજિસ્ટિક્સ હબ, મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન ઝોન, આવાસ યોજનાઓ, બાડા વિસ્તારમાં ટીપી સ્કીમમાં વધારો કરવો, રહેણાંકી અને કોમર્શિયલ ઝોન વધારવા સહિતના 30થી વધુ સૂચનો આવ્યા હતા. કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર ઈનસાઈડ:ગોધરામાં શહેરા ભાગોળ પાસેના રેલવે અંડરપાસમાં શ્રમિકોની જોખમી કામગીરી
ગોધરા શહેરના શહેરા ભાગોળ નિર્માણાધિન રેલવે અંડરપાસ ખાતે વરસાદી પાણીને બહાર કાઢવા માટે ચાલી રહેલી કામગીરીમાં શ્રમિકોના જીવ સાથે જોખમી ખેલ ખેલાઈ રહ્યો છે. સુરક્ષાના તમામ ધારાધોરણોને નેવે મૂકીને, શ્રમિકો દ્વારા જે રીતે પાણીના ઊંડા ભરાવમાં ઊતરીને જોખમી કામગીરી કરવામાં આવી રહી છે, તે જોતાં કોઈ પણ ક્ષણે મોટી હોનારત સર્જાવાનો ભય તોળાઈ રહ્યો છે. ગોધરા શહેરા ભાગોળ ખાતે નિર્માણાધિન રેલવે અંડર પાસમાં કામગીરી દરમિયાન બેદરકારી ભરેલા દૃશ્યો સામે આવ્યા છે. શ્રમિકો ઊંચાઈ પરથી ઊંડા પાણીમાં ઊતરવા માટે માત્ર દોરડાનો સહારો લઈ રહ્યા છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે તેમના જીવની કિંમત શૂન્ય આંકવામાં આવી રહી છે. પાણીમાં ઇલેક્ટ્રિકલ કે અન્ય કોઈ જોખમ ઊભું થાય તો, શ્રમિકોનો જીવ બચાવવો લગભગ અશક્ય બની જાય તેમ છે. સ્થાનિક નાગરિકો અને જાગૃત લોકો આ બેદરકારી ભરેલા દૃશ્યને નિહાળીને વહીવટી તંત્રની ઘોર નિષ્કાળજી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. જો આ જીવલેણ કામગીરી દરમિયાન કોઈ અકસ્માત સર્જાય અને કોઈ શ્રમિક જાન ગુમાવે, તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે? સ્થાનિક સત્તાધીશો અને રેલવે વિભાગે તાત્કાલિક આ બાબતની ગંભીર નોંધ લઈ શ્રમિકોને પૂરતા સુરક્ષા સાધનો પૂરા પાડે અને નિયમ અનુસાર કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. જ્યાં સુધી આ જોખમી પ્રથા બંધ ન થાય, ત્યાં સુધી આ અંડરપાસ મોતનો કૂવો સાબિત થઈ શકે છે. શ્રમિકોને પુરતા સાધનો પુરા નહિ પડાય તો મોતનો કૂવો સાબિત થઇ શકે છેસ્થાનિક સત્તાધીશો અને રેલવે વિભાગે તાત્કાલિક આ બાબતની ગંભીર નોંધ લઈને, શ્રમિકોને પૂરતા સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે અને નિયમ અનુસાર કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. જ્યાં સુધી આ જોખમી પ્રથા બંધ ન થાય, ત્યાં સુધી આ અંડરપાસ મોતનો કૂવો સાબિત થઈ શકે છે.
સફળ પ્રસૂતિ:રેંટિયા PHCમાં 1 જ દિવસમાં 4 બાળકી અને 1 બાળકનો જન્મ
દાહોદ તાલુકાના રેંટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી સ્ટાફની ઉત્કૃષ્ટ સેવા અને તત્પરતાના કારણે આરોગ્ય વિભાગે એક જ દિવસમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. રેંટિયા PHCમાં એક જ દિવસે કુલ પાંચ ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રની ટીમે સમયસર તબીબી સહાય અને જરૂરી સંભાળ પૂરી પાડતા આ તમામ પ્રસવો દરમિયાન ચાર બાળકી અને એક બાળકનો જન્મ થયો છે. સૌથી આનંદની વાત એ છે કે, આ તમામ માતાઓ અને નવજાત બાળકો સંપૂર્ણ સ્વસ્થ છે. આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓ, નર્સો અને સહાયક સ્ટાફે દિવસભર સતત સેવા આપીને તમામ પ્રસવોને સુરક્ષિત રીતે પૂર્ણ કર્યા હતા. પરિવારજનોએ આરોગ્ય ટીમના કાર્ય અને સમર્પણની પ્રશંસા કરતાં આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સફળ કામગીરી માટે રેંટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમને તબીબી તંત્ર તરફથી અભિનંદન અને પ્રશંસા મળી રહી છે. મહિલા અને બાળકના આરોગ્ય માટે ગ્રામ્ય સ્તરે કાર્યરત આરોગ્ય સેવાઓના આવા સફળ પ્રયત્નો ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યા છે અને સામાન્ય જનતામાં સરકારી આરોગ્ય સેવાઓ પ્રત્યે વિશ્વાસ વધારી રહ્યા છે.
નકલી ઘડિયાળ વેચનાર પોલીસના સકંજામાં:બ્રાન્ડેડના નામે મુંબઇથી લવાયેલી નકલી ઘડિયાળ વેચનાર ઝડપાયો
મહિધરપુરામાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળોનું વેચાણ કરતા 22 વર્ષીય જતીન હરીશ ચોપરા( રાંદેર ગુજરાત હાઉસિંગ બોર્ડ)ને એસઓજીએ પકડી 3.93 લાખની નકલી ઘડિયાળો જપ્ત કરી છે. આરોપી પાસેથી ટાઇટન કંપનીની ફાસ્ટ્રેક બ્રાન્ડેડની નકલી 875 ઘડિયાળો મળી છે. આ નકલી ઘડિયાળો આરોપી મુંબઈના મનીષ માર્કેટ અને આલ્ફા શોપમાંથી લાવ્યો હતો. ટાઇટનના લીગલ એડવાઇઝર ગૌરવ તિવારીની ફરિયાદ પર મહિધરપુરા પોલીસે જતીનની ધરપકડ કરી છે. 3.93 લાખની 875 ઘડિયાળો કબજે કરાઈબ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ બાબતે કંપનીના લીગલ એડવાઇઝરે જણાવ્યું કે ઓરિજનલ કંપનીની બ્રાન્ડેડ ઘડિયાળમાં 6 નંબરના આંકડાની નીચે મોડલ નંબર લખેલો હોય છે એટલું જ નહિ ઘડિયાળના પટ્ટા પર કંપનીનો લોગો હોય છે, નકલી ઘડિયાળ વજનમાં હલકી હોય છે. જ્યારે બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ વજનમાં ભારે હોય છે. બ્રાન્ડેડ કંપનીની નકલી ઘડિયાળના મશીન ચીનમાં બને છે. જ્યાંથી લાવી અહિંયા તેને ફિટ કરવામાં આવે છે.
અમરેલીના બાબરાના ફૂલઝર ગામે 5 નવેમ્બરરાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતાં થયેલી બબાલમાં એકની હત્યા થઇ હતી, અને 10ને ઇજાઓ પહોંચી હતી. સામસામે 50થી વધુ સામે ફરિયાદ થઇ હતી. એમાં 29 પાટીદાર સામે ફરિયાદ થઈ છે. બે એવા લોકોનાં નામ છે, જેમાંથી એક હોટલમાં અને એક હોસ્પિટલમાં દાખલ હતા. આ જૂથઅથડામણના પડઘા સુરતમાં પડ્યા છે. આ મામલે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફૂલઝર જવાની પણ તૈયારીઓ કરાઇ છે. આ બેઠકમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, લુખ્ખા સામે લુખ્ખા જ પેદા કરો, હવે ફરિયાદી નહીં આરોપી બનો. આ વખતની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ 75 વર્ષની ચૂંટણી કરતાં અલગ હશે. આ વખતે 27 ટકા રિઝર્વેશન સાથે ચૂંટણી લડાશે. મારી સૌને વિનંતી છે કે તૈયાર રહેવું. તમારે સિસ્ટમમાં અને સત્તામાં ભાગીદારી બનાવવી પડશે. બંને મોરચે આગળ વધવાનું છે. આ મામલે પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ કહ્યું કે ફૂલઝરની ઘટના સીસીટીવીમાં કેદ છે. જો એના આધારે ગુનો નોંધાયો હોય તો પાટીદાર યુવાનો નિર્દોષ સાબિત થાય છે. ‘સૌરાષ્ટ્રના હજારો ગામમાં આ જ સ્થિતિ છે’બેઠકમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે પરિસ્થિતિ સુધારવા દિવાળીમાં ગામ જઈએ ન ચાલે. ગામ કમિટીની રચના કરવી પડશે. મહિને 10-10 યુવાનોએ ગામડે જવાનું, સૌરાષ્ટ્રનાં 10,000થી વધુ ગામમાં 500 ગામને બાદ કરો તો બધે આ જ પરિસ્થિતિ છે. અમદાવાદની ચિંતન શિબિર બાદ માંગ મૂકી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 68 જેટલા સમાજથી પણ વધારે સમાજ જ્ઞાતિજનોનો ઈડબલ્યુએસમાં લાભ મળી રહ્યો છે, તો એમને પણ આ ચૂંટણીઓમાં લાભ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ. દરેક મોરચે આગળ આવવાનું છે. આ રાજકારણનો કે કોઈ પાર્ટીનો વિષય નથી. પક્ષ કોઈપણ હોય, પણ આપણો માણસ હોવો જોઈએ.
શહેરમાં લારી ગલ્લા તો ઠીક હવે આમલેટની દુકાન અને પંકચરની દુકાનો પર પણ ગાંજો વેચાઇ રહ્યો છે. ડિંડોલીમાં પંકચરની દુકાન પરથી અને ઉત્રાણમાં આમલેટની લારી પરથી ગાંજો પકડાયો છે. ઉત્રાણ પોલીસને બાતમી મળી હતીકે, ઉત્રાણ વીઆઇપી સર્કલ એલીટા સ્કવેર પાસે પતરાના શેડમાં આમલેટની લારી પર ગાંજો વેચાઇ રહ્યો છે. પોલીસે દરોડો પાડી લારી ચલાવતા મોહિત નાગેશ્વર મહાજન (દિવ્યલોક એપાર્ટમેન્ટ રાજપુત ફળિયા ઉત્રાણ) અને ચિરાગ સાગર સોલંકી (કિર્તીનગર ઉત્રાણ)પાસેથી 66.62 ગ્રામ ગાંજો મળ્યો હતો. બંને જણા ભાગીદારીમાં આમલેટની લારીની આડમાં ગાંજો વેચતા હતા. નવાગામ ડિંડોલી મણીનગર રેલવે ટ્રેક પાસે સાયકલ રિપેરીંગ અને પંકચરની દુકાન પર ગાંજો વેચાઇ છે. પોલીસે દરોડા પાડી દુકાન ચલાવનાર રાધાકાંત ભોલા પ્રસાદ પાસેથી રૂ.40,200ની કિંમતનો 804 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો અને મોબાઇલ ફોન મળીને કૂલ રૂ.45,880ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીઓ કતારગામ ઉત્કલનગર રેલવે ટ્રેક પાસેથી ગાંજો લાવ્યા હોવાનું અને છુટક વેચતા હોવાની કબુલાત કરી હતા. ઉત્રાણ, ડિંડોલી સહિત 3.20 લાખનો ગાંજો જપ્તશહેર પોલીસમાં દ્વારા એક જ દિવસમાં 3.20 લાખની કિંમતનો ગાંજો પકડી પાડ્યો છે. જેમાં ડિંડોલી પોલીસે રૂ.40,200, ઉત્રાણ પોલીસે રૂ.3,351નો, વરાછા પોલીસે પાટીચાલમાંથી રૂ.2.76 લાખનો અને ભેસ્તાન પોલીસે રૂ.10,600ની કિમતનો ગાંજો પકડી પાડ્યો હતો.
સેવાકાર્ય:પથવિજય ભગવાન ધર્મચક્ર ટ્રસ્ટે નવાપુર પંથકના ગામોમાં ચીજ-વસ્તુ વિતરણ કરી
પથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરીટેબલ ટ્રસ્ટના સેવા કાર્યો અવિરત પણે ચાલતા જ રહે છે. પન્યાસ પદ્મબોધિ વિજયજી મહારાજની આચાર્ય પદવી નિમિત્તે મહારાષ્ટ્રમા બલસાણા ડોનડાઈચા, વીસારવાડી, નવાપુર તથા સોનગઢ માં બાળકોને રમકડા, કપડા, નોટબુક તેમજ ગ્લાસ અને મીઠાઈનું વિતરણ પ્રમુખ વજુભાઈ પારેખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. બલસાણામાં ગૌશાળામાં ગાયોને ઔષધી યુક્ત લાડુ ખવડાવવામાં આવ્યા હતા. લમપી ગાયોની ઔષધીથી સારવાર કરવામાં આવી તેમજ સ્ટાફના માણસોને રોકડ રકમ તથા બક્ષીસ આપવામાં આવી. આ સેવા યજ્ઞ 6થી 21 નવેમ્બર 2025 સુધી અલઞ અલઞ વિસ્તારોમાં ચાલશે. 21 નવેમ્બરના રોજ પન્યાસ પદ્મબોધિ વિજયજી મહારાજની આચાર્ય પદવી નિમિતે પ્રભુજીની સુંદર અંગ રચના પણ કરવામા આવશે.
સ્નેહમિલન સમારોહ:મોઢ વણિક હિતવર્ધક મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો
સુરતી મોઢ વણિક હિતવર્ધક મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ નાનપરા, જમરૂખ ગલી, કે.જે. વૃદ્ધાશ્રમ ખાતે પ્રમુખ હસમુખ લાલવાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં અમેરિકા નિવાસી ડો. અરવિંદ લાપસીવાળા ચીફ ગેસ્ટ તરીકે અને મહેમાન તરીકે પીપલ્સ કો .ઓપ. બેન્કના ચેરમેન અમિત ગજ્જર સાથે હરીશ જાડાવાલા, એડવોકેટ રમેશભાઈ ગાંધી ઉપસ્થિત રહયા હતા. પ્રમુખ હસમુખ લાલવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે ઉપસ્થિત મુખ્ય મહેમાન અને અન્ય મહેમાનોની સાથે એડવોકેટ ધર્મેશ ગાંધી અને દાતા હરીશ જાડાવાળાનું સન્માન કરવામાં આવ્યું હતું 200થી વધારે સભ્યોની હાજરીમાં સ્નેહમિલન યોજાયું હતું. મંત્રી મનહર લાપસીવાળાએ હિતવર્ધક મંડળની સ્થાપનાથી 100 વર્ષ જૂની યશગાથા યાદ કરી અને મહેમાનો દ્વારા હિતવર્ધક મંડળની પ્રવૃત્તિઓ જેમાં દર માસે 400થી વધુ આર્થિક નબળા પરિવારોને અન્ન સહાય , વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક સહાય સ્કૂલ અને ટ્યુશન ફી જેવી નિયમિત સેવાઓને બિરદાવી હતી.સભાના અંતે શ્રીવાસ ઘીવાળાએ આભાર વિધિ કરી કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો હતો.
એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન:10મીએ મજૂરાગેટ ITI ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત ITI મજુરા ગેટ, સુરત ખાતે તા. 10-11-2025ના રોજ સવારે10:30 કલાકથી જિલ્લા કક્ષાનો નેશનલ એપ્રેન્ટિસશીપ ભરતી મેળો યોજાશે. એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે. આ ઇવેન્ટ આચાર્ય ITI મજુરા ગેટ, સુરત દ્વારા આયોજિત છે. અને વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કૌશલ્ય સાથે રોજગારના તકો પ્રદાન કરશે.
SIRની પ્રક્રિયા:મતદાર સુધારણા અંતિમ તબક્કામાં જિલ્લામાં 15 લાખ ફોર્મનું વિતરણ
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. જિલ્લામાં 15 લાખ ફોર્મનું વિતરણ કરાયું છે. આગામી 3 દિવસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે. બૂથ-લેવલ અધિકારીઓ ઘરે ઘરે જઈને ફોર્મ એકત્રિત કરી રહ્યા છે. આ પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે ત્યારબાદ 9 ડિસેમ્બરે મતદાર યાદીનો પ્રથમ ડ્રાફ્ટ પ્રકાશિત કરાશે. જેના નામ કે વિગતોમાં ભૂલ હશે તેઓ 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી સુધારા કરી શકશે કે વાંધા રજૂ કરી શકશે. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન કોઈપણ સમસ્યા ટાળવા માટે દરેક પાત્ર નાગરિકે ખાતરી કરવી જોઈએ કે તેમનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે દાખલ થયેલ છે. અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.
અડાજણના લોનધારકે હોમ લોનના 9 લાખ બાકી હતા ત્યારે હપ્તા બંધ કરતા બેંકે ફ્લેટનો કબજો લીધો હતો. બાદમાં અરજદારે ફ્લેટ વેચવાનો છે કહી બેંક પાસે ડોકયુમેન્ટ માંગ્યા હતા. બેંકે થોડા દિવસ કાઢી નાંખતા તેણે અરજી કરીને લોન માફ કરી 25 લાખનું વળતર અપાવવા કોર્ટમાં અરજી કરી હતી. જો કે, દલીલો બાદ કોર્ટે અરજી ફગાવી હતી. બેંકમાં ધક્કા ખાતા અરજદારને આપઘાતનો વિચાર આવ્યો હતો. આમ, સેવામાં ખામી કહી અરજી કરી દીધી હતી. ભાસ્કર એક્સપર્ટસરફેસી એક્ટ બાદ કાર્યવાહી કરવાની હકૂમત રહેતી નથીએડવોકેટ શ્રેયસ દેસાઈએ કહ્યું કે, સરફેસી એક્ટની કલમ-34ની જોગવાઈ તેમજ સુપ્રીમ કોર્ટ અને નેશનલ કમિશનના ચુકાદાથી પ્રસિધ્ધ થતા કાનૂની સિદ્ધાંતો મુજબ સરફેસી એક્ટની કાર્યવાહી થઈ ગયા બાદ કોઈ પણ કોર્ટને કાનૂની કાર્યવાહી સાંભળવાની હકૂમત રહેતી નથી. આ સંજોગોમાં ફરિયાદ સાંભળવાની પણ જિલ્લા કમિશનને હકૂમત નથી તેથી જ ફરિયાદ પ્રાથમિક તબક્કે રદ કરી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં માંગ:‘હીરામંદી હોવાથી 5મા વર્ષે પણ વેરાબિલમાં વ્યાજ માફી આપો’
કોરોનામાં ધંધા-રોજગાર ઠપ્પ થતાં શાસકોએ પ્રથમ વર્ષે જ સુઓમોટો દરખાસ્ત લાવી વર્ષ-2021-22માં વ્યાજ માફી યોજના જાહેર કરી શહેરીજનોને 25 કરોડ રૂપિયાની રાહત આપી હતી. તે પછી પણ સતત વર્ષ-2022-23, 2023-24 અને 2024-25માં પણ મિલકત વેરા પર વ્યાજ માફીની પ્રોત્સાહક યોજનાનો લાભ આપ્યા બાદ શાસકોએ હવે સામી ચૂંટણીએ વધુ એક વખત મિલકત વેરા પર વ્યાજ માફી યોજના જાહેર કરવા બાકી મિલકત વેરા અને વ્યવસાય વેરાના ડેટા ઉથલાવવાનું શરૂ કરી દીધું છે. વ્યાજ પેટે 80 કરોડ રૂપિયાની રાહત 400 કરોડની રિકવરી4 વર્ષ વ્યાજ પેટે 80 કરોડની રાહત અપાઈ છે. તેની સામે વર્ષોથી જમા ન થઇ રહેલો વેરો આ યોજનાને પગલે 399.11 કરોડ રૂપિયાની રિકવરી પણ થઇ હતી. 2.76 લાખ લોકોએ સીધો લાભ લીધો હતો. માફી યોજના જાહેર કરી બાકી વ્યાજના ડેટા મેળવવા જોઈએસ્ટેન્ડિંગની બેઠકમાં સભ્ય નરેશ ધામેલિયાએ કહ્યું હતું કે, વ્યાજ માફી જાહેર કરી બાકી વ્યાજના ડેટા પણ ઉપસ્થિત કરવા અને લોકોને કેટલો લાભ થશે તે મુદ્દે ચર્ચા કરાઇ હતી.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો સુરત-ખારેલ વચ્ચેનો 55 કિમીનો રોડ ડિસેમ્બર સુધીમાં ખુલ્લો મૂકાશે, જેથી સુરતથી સાપુતારા, દમણ, વલસાડ, મુંબઈ તરફ જવા સમયની બચત થશે. હાલમાં ખારેલ પહોંચતા 66 મિનિટ લાગે છે. નવા રૂટ પર 43 મિનિટમાં પહોંચી શકાશે. ખારેલ પાસે બાંધકામ માટે માટી ઉલેચતાં ખાડો પડ્યો હતો, જેને બ્યુટિફિકેશન માટે તળાવમાં તબદિલ કરાયો હતો. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર રાજ્યમાં આ પહેલું સ્થળ છે જ્યાં તળાવ પણ બનાવવામાં આવ્યું છે. ખારેલને NH 48 સાથે જોડતા સર્વિસ રોડને પહોળો કરવાની કામગીરી અંતિમ તબક્કામાંએનાથી ખારેલ સુધીનું બાંધકામ, ટોલ પ્લાઝા તૈયાર થઈ ગયા છે. ઉપરાંત ખારેલને NH 48 સાથે જોડતા સર્વિસ રોડને પહોળો કરવાનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ માર્ગ અંડરપાસમાંથી પસાર થતો હોવાથી ટેકનિકલી જટિલ છે. ભરૂચથી ખારેલ સુધીનો રસ્તો 40 દિવસમાં ખુલ્લો મુકાશે. જેથી અમદાવાદ-નવસારી વચ્ચે ખુલ્લો, સીધો અને સરળ પ્રવાસ શક્ય બનશે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વળતર વધારો અથવા દેવુ માફ કરો
વર્ષે ચોમાસું મુસીબત લઈને આવ્યું છે. કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેતરોમાં તૈયાર થયેલા ડાંગર, સોયાબીનના ઊભા અને કાપીને ખેતરમાં રાખી મુકેલા પાકને વ્યાપક નુકસાન થયું છે. મબલખ પાકની આશા રાખીને બેઠેલા ખેડૂતોને હવે રવિપાક માટે બીયારણના પૈસા પણ ભેગા થાય તેવી પરિસ્થિતિ રહી નથી. રાજ્ય સરકારે રૂ. 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં પ્રતિ હેક્ટર રૂ. 22,000 નું વળતરની જાહેરાત કરી છે. પરંતુ મોટા ભાગના ખેડૂતોને આ વળતર અપૂરતું જણાઈ રહ્યું છે. કેટલાંક ખેડુતોના મતે રૂ. 22,000નું વળતર તેમની ખેતીની મજૂરી અને મજૂરોના પૈસા પણ પૂરા પાડે તેમ નથી. આ માત્ર આંશિક રાહત આપી શકે તેમ છે. ખેડૂતો હવે સરકાર પાસે પ્રતિ હેક્ટર રૂ. 50,000 નું વળતર ચૂકવવાની ઇચ્છા રાખી રહ્યા છે. જો સરકાર વળતરની રકમમાં વધારો ન કરી શકે તો ખેડૂતોનું તમામ દેવું માફ કરવામાં આવે. રવિપાક માટે બિયારણનાપૈસા પણ ભેગા થાય તેવીપરિસ્થિતિ નથીહમણાં તમામ ખેડૂતોની પરિસ્થિતિનબળી છે. મકાઈ ડાંગર સોયાબીન ,પાકને નુકસાનની, પશુને ખાવા માટેઘાંચ ચારો બગડી ગયો છે. સડી ગયોછે. વાસ મારે છે. જે ઢોર ઢાકર ખાતાનથી. જોઈએ એટલી અનાજમાંઉપજની આવી અને જે પાક થયો છે તેપણ ખરાબ થઈ ગયો છે.જે માર્કેટમાંવેપારી લેવા તૈયાર નથી અને અનાજલેતો એનો પૂરો ભાવ આપતા નથી.જેથી રવિપાક માટે બીયારણના પૈસાપણ ભેગા થાય તેવી પરિસ્થિતિ નથી.સરકાર જલ્દી જલ્દી સર્વે કરી ખાતામાંપૈસા જમા કરાવે એવી માગ છે.અશોકભાઈ તેરસિગભાઈ મુનિયા, ગાંગરડા પરાળ વેચાતું લાવવાની નોબત આવી છેસરકાર દ્વારા જે સહાય આપવામાં આવી છે તનો ખરેખરઅમને સંતોષ નથી અને સરકારે જે વળતર જાહેર કર્યું છેતે પણ યોગ્ય નથી. હાલ અમે વાર્ષિક ખેતી ઉપર આધારરાખીએ છીએ. જે વરસાદના કમોસમી માવઠા કારણેખરાબ થઈ છે.સોયાબીનનો પાક ખરાબ થતા અમારેખારિયુ તેમજ ડાંગર પાક ખરાબ થતા પરાળ વેચાતુંલાવવાની નોબત આવી છે. સરકાર દ્વારા ખેડૂતને પૂરતુંવળતર મળે અને યોગ્ય વળતર મળે તેવી માંગ છે.પંકજભાઈ અભેસિંગ રાઠોડ, નવાગામ 50 હજાર આપવા જોઇએ કેદેવુ માફ કરવું જોઇએસરકારે પ્રતિ હેક્ટર 22000 રૂપિયા વળતર ચૂકવવાનીજાહેરાત જે કરી છે. તેમાં મારે દોઢ હેક્ટર જમીનમાંડાંગરની ખેતી કરેલ છે. જેમાં મારી મજૂરી અનેદાળિયાના પૈસા પણ નીકળે એવા નથી. તો સરકારને 50હજાર રૂપિયા આપવા જોઈએ નહી તો દેવુ માફ કરવુંજોઈએ લખમણભાઇ લબાના, બલૈયા ખેડૂત લોન નથી લીધીતેવા ખેડૂતોને100% વળતરચુકવોસરકારે જાહેર કરેલ સહાયપાકના નુકશાન સામે યોગ્યતો નથી અંશત: યોગ્યકહેવાય. ચોમાસાનો પાકફેલ ગયો હતો. ત્યાર બાદડાંગરનો પાક પણ કમોસમીવરસાદથી ફેલ ગયો છે.એટલે લોન લીધી હોય તેવાખેડુતોની લોન 100 ટકામાફ કરવી જોઇએ અને જેખેડુતે લોન નથી લીધી તેવાખેડુતોને 100 ટકા વળતરસરકારે ચુકવવુ જોઇએ -અરવિંદસિંહ પરમાર, વડેલાવ. ખેડૂત અને પશુ બંને ઉપવાસ કરી રહ્યા છેસરકારે વિધા દીઠ રૂા.20000 ચુકવવા જોઇએ, સરકારની સહાય મુજબ ફક્ત રૂા.5000 થાય છે. ખેતરમાં તૈયાર થયેલ પાકને નુકશાન થવાથી ખેડુતના મોંમા કોળીયો ઉતરતો નથી . પશુ ભીનુ ધાસ ખાતા નથી. જેથી અત્યારે તો ખેડુત અને પશુ બંને ઉપાવાસ કરી રહ્યા છે. - અમૃતભાઇ કાંકણપુર સરકારની સહાય ભાઇમાં વિખવાદ કરાવે તેવી છે સરકારની સહાયની જાહેરાત સમગ્ર ખેડુતોને આવરીલે તેવી નથી. જે ખેડુતોએ લોન લીધી હોય તેવા ખેડુતોની લોન માફ કરવી જોઇએ અને લોન નથી લીધી તેવા ખેડુતોને 1 હેક્ટર દીઠ વિમા પેટે રૂા.1 લાખ આપવા જોઇએ. સરકારની સહાય ભાઇમાં વિખવાદ કરાવે તેવી છે. - હસમુખભાઇ પટેલ, ભારતીય કિસાન સંધ મહામંત્રી, હરકુંડી
ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેળસેળિયા વેપારીઓ સામે કાર્યવાહી કરવા તથા કાયદો કડક બનાવવા આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કર્યા બાદ પાલિકાની ઊંઘ ઊડી છે અને અઠવાડિયાથી તપાસ અભિયાન શરૂ કરાયું છે. પાલિકાના આરોગ્ય વિભાગ અને ઝોનના સેનિટેશન સ્ટાફે 3થી 8 નવેમ્બર દરમિયાન કુલ 238 સંસ્થાની તપાસ કરી 6 સંસ્થા સામે પગલાં લીધાં છે. તપાસ દરમિયાન સ્વચ્છતા તથા ખોરાકની ગુણવત્તા જાળવવા આરોગ્ય અધિકારીઓ અને ઇજનેરોની ટીમોએ વિવિધ ખાણીપીણીની દુકાનો, રેસ્ટોરાં, બેકરી તથા ફૂડ પ્રોડક્શન યુનિટોની ચકાસણી કરી હતી. આ અભિયાન દરમિયાન કુલ 138 કિલોગ્રામ ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રીનો નાશ કરાયો હતો. વિવિધ સંસ્થાઓ પાસેથી કુલ 1.65 લાખનો દંડ પણ વસૂલ કરાયો છે. ભાસ્કર નોલેજઅસલી પનીર નરમ હોય છે, ચીઝ ઓગળી જાય છેફૂડ વિભાગના અધિકારીના જમાવ્યા મુજબ, પનીરને ગરમ પાણીમાં થોડી વાર ઉકાળી ઠંડુ પાડી આયોડીન ટીંચરનાં ટીંપાં નાંખતા જો વાદળી રંગ થાય તો તે નકલી પનીર છે. રબર જેવું કડક જણાય, કેમિકલની વાસ આવે તો પણ નકલી છે. ઓરિજનલ પનીર નરમ અને દૂધની ગંઘ આવે છે. સ્વાદમાં મલાઇ જેવું લાગે છે. જ્યારે નકલી ચીઝ સખત અને રબર જેવું બને છે. અસલી ચીઝ મોંમાં નાંખતાં જ ઓગળી જાય છે. પનીર, ચીઝ, ઘી, મરી-મસાલાના 43 નમૂના લેબમાં મોકલાયા, 427 કિલો સીઝઆરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, પનીર, ચીઝ એનાલોગ, ઘી, મરી-મસાલાનું બનાવતી તથા વેચતી કુલ 31 સંસ્થાની તપાસ કરી પનીરના 14, ચીઝ એનાલોગના 7, ઘીના 17, મરી-મસાલાના 3, ચીઝના 2 નમૂના લઇ પૃથ્થ્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરટરી ખાતે મોકલી અપાયા હતા, જેના રિપોર્ટ બાદ ફૂડ સેફટી એકટ-2006 અને તેના નીતિ-નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાશે. પનીર, ચીઝ એનાલોગ, ઘી મળી કુલ 426.9 કિલો જેની કિંમત આશરે 1.44 લાખનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો હતો અને 138 કિલોગ્રામ અખાઘ્ય પદાર્થોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ભાસ્કર ઈનસાઈડ:ઉદયપુર-રતલામના એન્જિને પિપલિયામાં લોડ ન ખેંચ્યો
રતલામ મંડળમાં ડેમૂ ટ્રેનની ડ્રાઇવિંગ પાવર કા(ડીપીસી) સાથે હવે ટ્રેનો સાથે ઇલેક્ટ્રીક એન્જિનોમાં વારંવાર ખામી સર્જાઇ રહી છે. ઉદયપુરથી રતલામ આવી રહેલી 19328 ઉદયપુર સિટી-રતલામ એક્સપ્રેસનું એન્જિન પિપલિયા સ્ટેશન ઉપર ફેલ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. આ ટ્રેન 36 મિનિટ મોડી પરોઢે 5.33 વાગ્યાના બદલે 6.09 વાગ્યે પિપલિયા પહોંચી હતી. એક મિનિટના સ્ટોપેજ બાદ ટ્રેનને આગળ વધવા માટે ગ્રીન સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું હતું. જોકે, સિગ્નલ ગ્રિન છતાં એન્જિન ટ્રેનને ખેંચી નહીં શકતાં લોકો પાયલટના અનેક પ્રયાસ નિષ્ફળ રહેતાં અંતે કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. થોડી વાર બાદ ટેક્નિકલ સ્ટાફે પિપલિયા ધસી આવીને એન્જિનની ખામી શોધવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ બાદ પુન: ટ્રેનને આગળ વધારવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સફળતા મળી ન હતી. ફરીથી સમારકામ શરૂ કરીને આશરે અડધા કલાકની મહેનત બાદ ફરી પ્રયાસ કરવામાં આવતાં ટ્રેન આગળ વધી શકી હતી. ડેપોના સ્ટોરમાં જરૂરી પાર્ટસનો અભાવમહુ ડેપોના સ્ટોરમાં જરૂરી પાર્ટસ અને સાધનોના અભાવે ડેમૂ ટ્રેનો એન્જિનમાં આંતર- તીસરે નાની- મોટી ખામીઓ સામે આવી રહી છે. સાધનોના અભાવે ટેક્નિકલ સ્ટાફની ઇચ્છા હોવા છતાં તેઓ મજબુરીમાં જુગાડથી કામ ચલાવી રહ્યા છે. રેલવેએ મુખ્યાલને મેમુ રેકની ડિમાન્ડ મોકલી છે પણ એલોટમેન્ટ થયુ નથી.
આજીવન કેદની સજા:પ્રેમિકાની હત્યા બાદ લાશ સળગાવનાર પ્રેમીને આજીવન કેદ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભાણપુરના જંગલમાંથી વર્ષ 2021માં યુવતીની સળગેલી લાશ મળી હતી. આ ચકચારી હત્યા કેસમાં દાહોદની નામદાર સેશન્સ કોર્ટે ચુકાદો જાહેર કરી આરોપી પ્રેમી મેહુલ પરમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ દાહોદના વાંદરીયા ગામના મેહુલ પરમારને દાહોદ શહેરની 19 વર્ષની કૃતિકા બંરડા સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધમાં મનદુઃખ થતાં મેહુલે બે સગીર મિત્રો સાથે ગુનાહિત કાવતરું રચ્યું હતું. પૂર્વ આયોજિત કાવતરા મુજબ મેહુલે કૃતિકાને દાહોદના પરેલ વિસ્તારમાં બોલાવી જાનથી મારી નાખવાના ઇરાદે બંને હાથમાં છરીના ઘા મારી અને ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આરોપીઓએ યુવતીના મૃતદેહને ટુ વ્હીલર પર ભાણપુરના જંગલમાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. 23 નવેમ્બર 2021ના રોજ કૃતિકાની સળગેલી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી મેહુલ પરમારની સંડોવણી બહાર આવી હતી. નામદાર સેશન્સ કોર્ટે ચુકાદો આપતા આરોપી મેહુલ પરમારને આજીવન કેદની સજાની સાથે રૂ. 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે. દંડની આ રકમ મૃતક કૃતિકાબેનના માતા-પિતાને ચૂકવવામાં આવે તેવો કોર્ટે ખાસ હુકમ કર્યો હતો.
ભાસ્કર એક્સક્લુસિવ:RFOના 4 વર્ષના પુત્રએ કહ્યું વાગ્યું એ પહેલા ફટાકડા જેવો અવાજ આવ્યો હતો
કામરેજમાં મહિલા આરએફઓ સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં હજુ પણ તેના આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગૌસ્વામી પોલીસ પકડથી ભાગી રહ્યા છે. બીજી તરફ આરએફઓ સોનલ સોલંકીના ચાર વર્ષના પુત્રએ ચાઇલ્ડ વેલફેર અધિકારીની હાજરીમાં પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, ‘મને ફટાકડા જેવો અવાજ આપ્યો હતો અને પછી મારી મમ્મી અને મને બંનેને વાગ્યું હતું. ’ 6 તારીખે સવારે જ્યારે ઘટના બની ત્યારે કારમાં સોનલ સોલંકી સાથે તેમનો ચાર વર્ષનો પુત્ર હતો. તેને સ્કૂલે મુકવા જ તેઓ નીકળ્યા હતા અને ફાયરિંગ થયું હતું. આ દિવસે સવારે જ 9 વાગ્યાના અરસામાં તેમના પતિ નિકુંજ પણ ઘરેથી નીકળી ગયા હતા. તેના બંને મોબાઇલનું છેલ્લું લોકેશન ઘરનું જ બતાવે છે અને પછી ફોન સ્વીચઓફ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગ કેસમાં RTO અધિકારી પતિ ફરાર, પત્ની કોમામાં6 તારીખે સવારે ઘટના બન્યા પછીથી સોનલ સોલંકીના આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગૌસ્વામી ઘરેથી નીકળી ગયા હતા. હજુ સુધી તેમનો કોઈ પતો મળ્યો નથી. ફરિયાદમાં સોનલ સોલંકીના ભાઈએ સ્પષ્ટ લખાવ્યું છે કે તેમના પતિએ જ ગોળી મરાવી દીધી છે. બીજી તરફ ઘટનાને 72 કલાક વીતિ ગયા છતાં સોનલ સોલંકી હજુ કોમામાં જ છે. તેમને માથામાં ગોળીવાગી હતી.
કાર્યવાહી:નાની સારસીથી દેશી તમંચા સાથે એક ઇસમ ઝડપાયો
દાહોદ એસઓજીની ટીમે નાની સારસી ગામ નજીક રેડ ચલાવી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. દાહોદ એસઓજીની ટીમ મેળેલી ચોક્કસ બાતમીના આધારે નાની સારસી ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચકાસણી માટે પહોંચી હતી. બાતમી મુજબ, મુવાલીયા તળાવ તરફ જતા રસ્તા પર એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં બેઠેલો હતો. ટીમે વ્યુહાત્મક રીતે દરોડો પાડી તેને પકડી પાડ્યો હતો. પકડાયેલ બદુભાઇ છગનભાઇ ડામોર ઉંમર 47 રહે. મુવાલીયાની અંગઝડતી દરમ્યાન તેના પાસેથી એક દેશી હાથ બનાવટનો 5 હજારનો તમંચો મળ્યો હતો. આ હથિયાર ગેરકાયદે રાખવામાં આવ્યું હોવાનું જણાતા પોલીસએ તાત્કાલિક તેને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેની વિરુદ્ધ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારાની સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો:ઠંડીએ જમાવટ કરી, મધરાતે પારો 12 ડિગ્રીએ પહોંચ્યો
દાહોદ શહેરમાં શિયાળાની ઋતુનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. શહેરના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના કારણે દિવસના અંતે અને રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દાહોદ શહેર સાહિત જિલ્લામા રાતના સમયે પારો ગગડીને 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ નીચું તાપમાન દાહોદના રહેવાસીઓને ગરમીમાંથી રાહત આપી રહ્યું છે અને શિયાળાના આગમનની અનુભૂતિ કરાવી રહ્યું છે. હાલમાં પવન ઉત્તર-પૂર્વ દિશામાંથી 7કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે.જે ઠંડીની અસરને વધારી રહ્યો છે. આ ઉપરાંત પવન 13 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહ્યા છે. જેનાથી શીતલહેર જેવો અહેસાસ થઈ રહ્યો છે. હવાની ગુણવત્તા અને ભેજ ઠંડા હવામાનની સાથે જ દાહોદમાં હવાની ગુણવત્તા ચિંતાનો વિષય બની છે. હવામાં પ્રદૂષણનું સ્તર ઊંચું છે. જે શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવતા લોકો માટે અને સામાન્ય નાગરિકો માટે પણ સ્વાસ્થ્યને લગતા જોખમો ઊભા કરી શકે છે. હવામાં ભેજનું પ્રમાણ 35% નોંધાયું છે. સામાન્ય રીતે શિયાળામાં ભેજ ઓછો થતો હોય છે, જે આંકડો ઠંડીની તીવ્રતા સાથે સુસંગત છે. દાહોદમાં અચાનક વધેલી ઠંડી અને પ્રદૂષિત હવાને ધ્યાનમાં રાખીને નાગરિકોને ગરમ કપડાં પહેરવા, રાત્રે ઠંડીથી બચવા માટે જરૂરી પગલાં લેવા અને હવાની ગુણવત્તાને કારણે સવારે વહેલા બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી શિયાળાની મોસમમાં વરસાદી માહોલ રહ્યો હતો. ત્યારે અચાનક જ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીએ પગપેસારો કર્યો હતો.
પહેલી પત્નીને અંધારામાં રાખીને બીજા લગ્ન કરી પહેલી પત્નીના બે બાળકોનો કાયમી અને વચગાળાનો કબજા માટે પતિએ કરેલી અરજી ફેમિલી કોર્ટે નામંજૂર કરી હતી અને પત્નીની દલીલો બાદ રૂપિયા 15 હજાર ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ કરાયો હતો. આ કેસમાં પતિએ પત્ની પાસે છુટાછેડાના કાગળો પર એમ કહીને સહિઓ કરાવી લીધી હતી કે આપણે વિદેશ ફરવા જવાનું છે અને કાગળો પર સહી કરવી જરુરી છે. ઉપરાંત આ કેસ જ્યારે કોર્ટમાં ગયો ત્યારે પતિએ બાળકોનો કબજો માગ્યો હતો અને પરંતુ પત્નીએ પોતે બાળકોની સારસંભાળ માટે સક્ષમ છે એમ કહી બંને પ્રથમ શ્રેણીમા પાસ થવાના પરિણામ પણ બતાવ્યા હતા. પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જોષીએ દલીલો કરી હતી. બીજી ડિલિવરી વખતે પતિ ગર્લફ્રેન્ડને હાથમાં હાથ નાંખીને હોસ્પિટલ આવ્યો હતોકતારગામના યુવક અને નાનપુરાની યુવતીના લગ્ન થયા બાદ પેહલું બાળક અવતર્યું હતું ત્યાં સુધી બધુ સમૂસુતરુ હતું. જો કે, બીજી ડિલિવરી વખતે પતિ એક સ્ત્રીમિત્રના હાથમાં હાથ નાંખીને હોસ્પિટલ આવ્યો હતો. પત્નીએ પૂછયું કે આ મહિલા કોણ છે તો સંતોષકારક જવાબ આપ્યો ન હતો. બાદમાં પરિણીતા પર ત્રાસ ગુજારી યેનકેન પ્રકારે હેરાન કરતો હતો. આ દરમિયાન અન્ય સ્ત્રી સાથેની મોબાઇલ ચેટિંગ પણ પત્નીએ જોઈ હતી. દિવાળી દરમિયાન પત્ની પિયર ગઈ તો પતિ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી તેને ઘરે લઈ આવ્યો હતો. આ દરમિયાન બંને પરિવારો વચ્ચે સમાધાન થયું હતું અને પતિએ બાંયધરી આપી હતી કે તે બીજી પત્નીને છુટાછેડા આપી દેશે, પરંતુ તેણે તેવું કર્યું ન હતું અને આખરે પહેલી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. પત્ની મા-બાપની જવાબદારી નિભાવતીકબજા અરજીના નિકાલમાં કોર્ટ માતા કે પિતાનો બાળકો સાથેનો વ્યવહાર પણ જુએ છે. આ કેસમાં બાળકોનું ભરણપોષણ, લાલનપાલન, ભણતર, ઇત્તરપ્રવૃત્તિઓ પત્ની જ કરતી હતી. તે માતા-પિતા તરીકે બેવડી જવાબદારીઓ અદા કરતી હતી. બાળકોનાં ભણતર પર પણ કોઈ અસર નથી થતી એ સાબતિ કરવા તેણે તેમના શ્રેષ્ઠ રિઝલ્ટ પણ લાવી બતાવ્યા હતા. ઘણીવાર કટોકટીની સ્થિતિ હોય, ટેકનિકલ મેટર હોય ત્યારે 7-8 વર્ષથી વધુના સમજદાર બાળકોને પણ કોર્ટ પૂે છે. > પ્રીતિ જોષી, એડવોકેટ
નામ રદ કરાયા:પંચમહાલ જિલ્લામાં સરકારી અનાજ લેતા શંકાસ્પદ 3322ના નામ રદ કરાયા
પંચમહાલ જિલ્લામાં ગરીબી રેખા હેઠળના પરિવારો માટે ચાલતી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) યોજનાનો લાભ સારા લાભાર્થીઓ લઇ રહ્યા છે કે નહિ તેની હાલ તપાસ ચાલી રહી છે. જિલ્લામાં વિવિધ યોજનાઓનો લાભ તથા ઇન્કમટેકસ ભરતા હોય, જમીન ધરાવતા હોય સહીતમાં આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક કરેલા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર મારફતે નિયત આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવી સરકારી અનાજ મેળવતા વ્યક્તિઓની યાદી જિલ્લા પુરવઠા વિભાગને સોંપી છે. જિલ્લામાં નિયત કરેલ આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા અને નેશનલ ફૂડ સિક્યુરિટી કાયદા હેઠળ મફત અનાજ મેળવતા 2,33,708 વ્યક્તિઓ મળી આવ્યા હતા. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સરકારી અનાજ લેતા આવ વ્યક્તિઓને નોટિસ તેમજ વેરીફીકેશનની કામગીરી હાથ ધરી હતી. નોટીસમાં સાચા લાભાર્થી હોય તો પુરાવા રજૂ કરવા જણાવ્યું હતુ. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા યાદી મુજબના વ્યક્તિઓનું વેરિફિકેશન કરી નિયત આવક કરતા વધુ આવક મેળવતા વ્યક્તિઓને એનએફએસએ લાભાર્થીની યાદી માંથી રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમા 3322 લાભાર્થીઓના નામ રદ કરાયા છે. જેમા આધાર લીંક ન હોય તેવા 1, છેલ્લા એક વર્ષથી કોઇ ખરીદી ન કરી હોય તેવા 1190, ડુપ્લીકેટ રેશનકાર્ડ હોય તેવા 30, અઢી એકર જમીન હોય તેવા 1556, 6 લાખથી વધુ આવક ધરાવાતા હોય તેવા 323 સહિતના લાભાર્થીઓનો સમાવેશ થાય છે. વિભાગ દ્વારા દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને કારણે, હવે ગરીબોના હક્કનું અનાજ વાસ્તવિક અને જરૂરીયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો માર્ગ મોકળો થયો છે. તાલુકો - શંકાસ્પદ - 2.47 એકર - 6 લાખથી - લાભાર્થી - જમીન ધરાવતા - વધુ આવક
કુદરતની અજીબ ઘટના : 1.11 લાખ કરોળિયા ગુફામાં હળીમળીને રહે છે
- કરોળિયાનું વિશ્વનું સૌથી મહાકાય જાળું મળ્યું - ગુફામાં સલ્ફર, એસિડ, ટોક્સિકની વરાળનું અતિ ઝેરી વાતાવરણ હોવા છતાં વિશિષ્ટ પ્રજાતિના કરોળિયા વિશાળ સંખ્યામાં જીવે છે મુંબઈ: કુદરતની અજીબોગરીબ ઘટનાઓ માનવજાત માટે પ્રેરણાદાયક બની શકે છે. આવી જ ઘટના બની છે આલ્બેનિયા અને ગ્રીસ વચ્ચે આવેલી એક ગુફામાં. ફોડ પાડીને કહીએ તો ૧૦૬ ચોરસ મીટરની આ વિશાળ ગુફામાં એક સાથે ૧૧૧,૦૦૦ કરોળિયા રહે છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં રહેતા કરોળિયાનું જાળું વિશ્વનું સૌથી મોટું છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પ્રક્રિયા ફરી એકવાર ચર્ચામાં આવી છે. બે વર્ષથી વધુ સમય વીતી ગયા છતાં ક્લાસ-1 અને ક્લાસ-2ની મુખ્ય પરીક્ષાનું પરિણામ હજુ જાહેર થયું નથી. ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કેટલાક ઉમેદવારોનું કહેવું છે કે, પરિણામ આવવામાં એટલો લાંબો સમય લાગી જાય છે કે “અમને યાદ જ રહેતું નથી કે કઈ પરીક્ષા આપી હતી.” આ મામલે કમિશનને પૂછાતા બાબતને કોન્ફિડેન્શિયલ ગણાવી કંઈપણ કહેવાનો ઈન્કાર કરાયો હતો. UPSCના પરિણામ સમયસર આવી જાય પણ GPSCના નથી આવતા- ઉમેદવારઉમેદવારોની નિરાશા એ છે કે UPSC જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં પરિણામો સમયસર આવી જાય છે, જ્યારે GPSC જેવી રાજ્યની સંસ્થા વર્ષો સુધી પરિણામ જાહેર કરતી નથી. હાલ આશરે દસ હજાર જેટલા ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા છે અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. GPSC તરફથી આ બાબતે પૂછપરછ કરતા અધિકારીઓએ માત્ર એટલું કહ્યું કે આ “કોન્ફિડેનશિયલ બાબત” છે એટલે ઉમેદવારોને અથવા જાહેર માધ્યમોને કોઈ ખુલાસો કરી શકાતો નથી. કમિશનનું કહેવું છે કે અંતિમ પ્રક્રિયા પૂર્ણ થવા સુધી પરિણામ અંગે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી શકાતી નથી. GPSCની નવી જાહેરાતને લઈ ઉમેદવારોમાં મૂંઝવણGPSCની જાહેરાત નં. 13/2024-25 અંગે પણ વિવાદ ઉભો થયો છે. ઉમેદવારોના મતે જાહેરાતમાં સ્પષ્ટતા વિહોણી છે — કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને યોગ્ય ગણવામાં આવ્યા છે, જ્યારે સરકારી નોકરીમાં હાલ કાર્યરત કર્મચારીઓને ગ્રેડ પેના આધારે યોગ્ય ગણવામાં આવ્યા નથી. જેનાથી ઉમેદવારો વચ્ચે અસમાનતા અને વિસંગતતા સર્જાઈ છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે GPSC જેવી મહત્વપૂર્ણ ભરતી સંસ્થામાં નિયમોની સ્પષ્ટતા ન હોવી અને પરિણામોમાં વિલંબ થવો બંને બાબતો ભરતી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો કરે છે. એક ઉમેદવારે જણાવ્યું, “અમે એક વર્ષથી વધુ રાહ જોઈ રહ્યા છીએ. UPSCનો આખો ચક્ર પૂરો થઈ જાય છે — પ્રારંભિક, મુખ્ય, ઇન્ટરવ્યૂ અને નિમણૂક સુધી — પણ GPSCનું એક પરિણામ નથી આવતું.” વિશ્લેષકો માને છે કે GPSCએ પારદર્શિતા વધારવી જોઈએ અને પ્રક્રિયાને ટેકનોલોજી આધારિત બનાવી વધુ ઝડપથી પરિણામ જાહેર કરવા માટે પગલાં લેવાની જરૂર છે. સાથે જ જાહેરાતોમાં સ્પષ્ટતા રાખવી જરૂરી છે જેથી ઉમેદવારોમાં ગેરસમજ ન સર્જાય. સરકાર દ્વારા સચિવાલયમાં સેક્શન અધિકારીઓની સંખ્યા વધારી 606 કરીસચિવાલયમાં હાલ આશરે 400 જેટલી જગ્યાઓ ભરાયેલી છે. રાજ્ય સરકાર દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોમાં સેક્શન અધિકારી (વર્ગ-2) ની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી કૂલ 578 મંજૂર જગ્યા હતી, જેમાં હવે સરકારે 28નો ઉમેરો કરી નવી મંજૂર સંખ્યા 606 કરી છે. જોકે હાલમાં સચિવાલયમાં સેક્શન ઓફિસરની જગ્યાઓ 400 જેટલી જ છે. જીપીએસસી દ્વારા સેક્શન ઓફિસરની 50 જેટલી જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે.
છૂટાછેડા, ડિવોર્સ, તલ્લાક... આ શબ્દો હજુ થોડા સમય પહેલાં સુધી આપણા સમાજમાં સૂગ, કલંક અને ઘૃણાની નજરે જોવામાં આવતા. પરંતુ હવે આપણા આધુનિક ગણાતા ગુજરાતમાં છૂટાછેડાના કેસો એ હદે વધ્યા છે કે ફેમિલી કોર્ટો તેનાથી ઊભરાઈ રહી છે. આંકડા કહે છે કે ગયા વર્ષે ગુજરાતમાં 62 હજારથી વધુ છૂટાછેડાના કેસ નોંધાયા હતા. શૉકિંગ વાત તો એ હતી કે આ કેસો એક વર્ષમાં જ ડબલ થઈ ગયા છે! આવું શા માટે થાય છે? શું કામ દંપતીઓ અલગ પડી રહ્યાં છે? શું ગુજરાતમાં લગ્નસંસ્થાના પાયા નબળા પડી રહ્યા છે? આ તમામ સવાલોના જવાબો મેળવવા માટે દિવ્ય ભાસ્કર એપ પર 10 નવેમ્બર, સોમવારથી શરૂ થઈ રહી છે એક નવી ડેઇલી સિરીઝ ‘છૂટાછેડા’. આ સિરીઝમાં આપણે ગુજરાતના જાણીતા, સિનિયર ડિવોર્સ લૉયર્સને મળીને જાણીશું કે તેમની પાસે કેવા કેવા કારણો લઇને લોકો ડિવોર્સ માગવા આવે છે. આમાં જાતીય અસંતોષ, એક્સ્ટ્રા મેરિટલ અફેર, ડોમેસ્ટિક વાયોલન્સ જેવા જાણીતાં કારણોથી લઇને લિવ ઇન, કોન્ટ્રાક્ટ અને ઓપન મેરેજ ઉપરાંત દાદા-દાદીની ઉંમરે લેવાતા ‘ગ્રે ડિવોર્સ’ સુદ્ધાંની વાતો હશે. પ્લસ, આવું શા માટે થઈ રહ્યું છે, લોકોનાં માનસમાં એવાં તે કયા બદલાવ આવી રહ્યા છે, તે જાણવા માટે મનોચિકિત્સકને પણ પૂછીશું. રોજેરોજ ભારે ઇન્ટરેસ્ટિંગ એવો એકેએક એપિસોડ વાંચવાનું ચૂકશો નહીં. 10 નવેમ્બર, સોમવારે સવારે 6 વાગ્યાથી દિવ્ય ભાસ્કર એપ પર વાંચો નવી સિરીઝ ‘છૂટાછેડા’. દરરોજ નવો એપિસોડ પ્રકાશિત થશે.
થોડા દિવસો પહેલાં ગુજરાતમાં એવું વાતાવરણ હતું કે લોકો ઘરેથી બહાર નીકળતી વખતે પોતાની સાથે રેઇનકોટ રાખવો કે સ્વેટર તેની મૂંઝવણ અનુભવતા હતા. રાજ્યમાં આ વખતે શિયાળાની ગુલાબી ઠંડીના હજી તો શ્રી ગણેશ જ થયાં હતા ને બે-બે વાવાઝોડાની અસરના કારણે જાણે ચોમાસું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી પણ આ સ્થિતિની અસર શિયાળા ઉપર થશે અને શિયાળાના દિવસોમાં ચોંકાવનારો ઘટાડો થશે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે આ વખતે શિયાળાના 4 મહિના કેવા રહેશે? શરૂઆતના દિવસોમાં ઠંડી શરૂ થયા પછી અચાનક વાવાઝોડા આવવાનું કારણ શું રહ્યું? 5 વર્ષ પહેલાં અને આ વર્ષના શિયાળાના દિવસોમાં કેવો ફેરફાર જોવા મળ્યો? સૌથી ઠંડા શહેરની યાદીમાં શું હવે નલિયા કરતાં બીજું કોઇ સ્થળ સામેલ થઇ રહ્યું છે? આ વખતે ગુજરાતના શિયાળામાં અલનીનો કે લાનીનાની અસર જોવા મળી રહી છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે સ્કાયમેટ વેધરના વાઇસ-પ્રેસિડન્ટ મહેશ પલાવત સાથે ખાસ વાતચીત કરી હતી. સામાન્ય રીતે એવું થતું હોય છે કે નવરાત્રિ પૂરી થાય પછીના થોડા સમયમાં ઠંડીની શરૂઆત થાય છે. દિવાળી આસપાસ ફૂલ ગુલાબી ઠંડી અનુભવાય છે પણ છેલ્લા કેટલાક સમયથી આમાં ફેરફાર થયો છે. ઉત્તરાયણ પછીના થોડા જ દિવસોમાં એસી કરવું પડે છે. જે છેક ચોમાસા સુધી ચાલુ રહે છે. ગઇ 3 તારીખે તો ગુજરાતના 4 શહેરમાં ગરમ રાતનો 56 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. ચોમાસાં પછી તડકો અને તડકા પછી માવઠુંઆ વખતે તો ચોમાસું પૂરૂં થયા પછી ગુજરાતીઓને આકરા તાપનો અનુભવ થયો. દિવાળી ગઇ અને તરત જ માવઠાંની એન્ટ્રી થઇ. જેની અસર શિયાળાની સિઝન પર થઇ છે. જે ઠંડી ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા અને નવેમ્બરની શરૂઆતમાં અનુભવાતી હતી તે આ વખતે નથી અનુભવાઇ. માવઠાના કારણે ઠંડી રોકાઇ ગઇસ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પલાવતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, સામાન્ય રીતે ગુજરાતમાં ઓક્ટોબરમાં ખૂબ જ ઊંચુ ટેમ્પરેચર રહે છે. જેના કારણે તેને બીજો ઉનાળો પણ કહેતાં હોઇએ છીએ. બીજી તરફ આ વખતે 6 ઓક્ટોબરથી જ પહાડોમાં બરફ વર્ષા થવાની સારી શરૂઆત થઇ હતી. વચ્ચે વચ્ચે આ બરફ વર્ષાની અસર મધ્ય ભારત અને ગુજરાત સુધી જોવા મળી હતી. નવેમ્બરના અંતે ઠૂંઠવાતી ઠંડી પડશે'હાલમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલના ઊંચા પહાડો પર બરફ વર્ષા જોવા મળી છે. હવે રોકાયેલા શિયાળાની ફરી એકવાર શરૂઆત થઇ ગઇ છે.આવનારા 10 દિવસ સુધી બરફ વર્ષા થવાની સંભાવના ખૂબ જ નહીંવત છે. આના પરથી કહી શકાય કે નવેમ્બરના અંતમાં જ ઠૂંઠવાતી ઠંડીની અસર જોવા મળી શકે છે. આ સમય દરમિયાન ટેમ્પરેચરનો પારો ઉપર નીચે જોવા મળશે.' 30 દિવસ જ ઠંડી અનુભવાશે'અત્યારના સમયગાળામાં ભારે શિયાળો ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. જેના કારણે શિયાળાની સિઝનના સમયમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ જોઇએ તો ક્લાયમેટ ચેન્જના કારણે શિયાળાની ઋતુ પ્રભાવિત થઇ છે. જેથી ઠંડીના દિવસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે જાન્યુઆરી મીડથી જ ટેમ્પરેચરમાં વધારો જોવા મળે છે. આવામાં શિયાળો મોડો શરૂ થાય છે અને વહેલો પૂરો પણ થઇ જાય છે. જેથી શિયાળાનો પીક સમયગાળો મીડ ડિસેમ્બરથી જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી રહે છે. જો દિવસોની વાત કરીએ તો માત્ર 30 દિવસ જ ઠંડીનો અનુભવ થશે.' શિયાળાની સિઝન ઘટીને 60 દિવસની થઇ ગઇપહેલાં ઓક્ટોબર-નવેમ્બરની શરૂઆતથી જ ઠંડીની શરૂઆત થઇ જતી હતી તેમ જણાવતા મહેશ પલાવતે ઉમેર્યું, ગુજરાતમાં શિયાળો પહોંચવામાં થોડો સમય લાગી જતો હતો છતાં ઠંડીનો અનુભવ શરૂ થઇ જતો હતો.ઠંડી જાન્યુઆરીના એન્ડ સુધી રહેતી હતી એટલે કે શિયાળાની ઠંડીનો અનુભવ 90 દિવસ સુધી થતો હતો. આવામાં સિવિયર ઠંડી હવે માત્ર 30 દિવસની થઇ ગઇ છે. શિયાળો 20 દિવસ પાછળ ધકેલાયો'જો ઉત્તર ભારતની વાત કરીએ તો પહેલાં 5 નવેમ્બરથી દિલ્હી NCR અને તેની આસપાસના રાજ્યોની સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓ વિન્ટર યુનિફોર્મ પહેરવાનું શરૂ કરી દેતા હતા પણ હવે તેમાં ખૂબ જ શોકિંગ બદલાવ જોવા મળ્યો છે. આજની તારીખે નવેમ્બર એન્ડ સુધી સ્કૂલ્સમાં વિન્ટર યુનિફોર્મ જોવા નથી મળતો કે લોકો પણ સ્વેટર પહેરતાં નજરે નથી પડતાં. આના પરથી કહી શકાય કે શિયાળાની ઠંડી ઓછામાં ઓછા 20 દિવસ પાછળ જતી રહી છે.' 4-5 વર્ષથી ગુજરાતના વાતાવરણમાં વધારોછેલ્લાં 5 વર્ષમાં શિયાળાની ઋતુમાં જોવા મળેલા બદલાવ અંગે તેમણે જણાવ્યું, અત્યાર સુધીમાં વાત કરીએ તો પ્રિ-ઇન્ડસ્ટ્રીયલ એરા પછી ટેમ્પરેચર અને ગ્લોબલ વોર્મિંગમાં સતત વધારો થઇ રહ્યો છે. પહેલા 10 વર્ષમાં સમગ્ર વિશ્વમાં ટેમ્પરેચર 0.7 ડિગ્રી વધતું હતું તે 1975થી ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જો છેલ્લા 4-5 વર્ષની વાત કરીએ તો ભારત અને ગુજરાતના ટેમ્પરેચરમાં સતત વધારો થઇ રહ્યો છે. છતાં કેટલાક વિસ્તારોમાં ઘટાડો જોવા મળે છે. એવું નથી કે સમગ્ર ગુજરાતમાં ટેમ્પરેચર વધી રહ્યું છે. કેટલોક એવો વિસ્તાર પણ છે જ્યાં ક્યારેક ઠંડી વધુ પડે છે તો કેટલીક જગ્યાએ ગરમી વધુ પડે છે. 'ગુજરાતમાં બે રિજિયન છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને બીજું ગુજરાત રિજિયન. જો આ બન્નેમાં આ વખતે ઠંડીનું અનુમાન જોઇએ તો સૌરાષ્ટ્ર કચ્છ રિજિયન અપેક્ષા કરતાં થોડું ઓછું ઠંડુ રહેશે. જ્યારે ગુજરાત રિજિયનમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે પણ નલિયા એક એવી જગ્યા છે જ્યાં ઠંડીનો પારો વધારે ગગડે છે.' અરબ સાગરમાં લો પ્રેશર બનવાનું પ્રમાણ વધ્યુંશિયાળા પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વિશે તેમણે કહ્યું, હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મોટાભાગના ખેડૂતોને મગફળી અને ડુંગળીના પાકોમાં નુકસાની આવી છે. આ બાબતને આપણે ક્લાયમેટ ચેન્જ સાથે ન જોડી શકીએ પરંતુ એક ઇમ્પેક્ટ દેખાઇ રહી છે કે પહેલાં અરબ સાગરમાં સમુદ્રી તોફાનો ખૂબ જ ઓછા બનતા હતા અને બંગાળની ખાડીમાં વધુ બનતા હતા. આનું પ્રમાણ 7:3નું હતું. તેમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. હાલમાં ઉદ્ભવેલી પરિસ્થિતિના કારણે ટેમ્પરેચરનો પારો નીચો જતા અટકી ગયો હતો. 'ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં એકાદવાર લો પ્રેશર એરિયા બનતો હોય છે. અગાઉ કહ્યું તેમ બંગાળની ખાડી કરતાં અરબી સમુદ્રનું લો પ્રેશર ખૂબ જ ઓછું હતું. જ્યારે હવે અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર પર વરસાદ રૂપે તેની અસર જોવા મળે છે. આમાં ક્લાયમેટ ચેન્જની અસર જોવા મળે છે. જેના આધારે કહી શકાય કે ઋતુઓમાં બદલાવ આવી રહ્યો છે.' તેમણે કહ્યું, ઉત્તર તરફથી જે હવા આવે છે તેની પણ શરૂઆત થઇ ચૂકી છે. મેં જોયું કે સોશિયલ મીડિયામાં લાનીના મુદ્દે હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયામાં એવું કહેવાય છે કે આ વખતે લાનીનાની અસરના કારણે કડક ઠંડી પડશે. જોકે આવું કંઇ થવાનું નથી. એટલે સોશિયલ મીડિયા પર ચાલતી આ વાત પર ધ્યાન આપવું નહીં. બહુ કડકડતી ઠંડી નહીં પડે'2021 થી 2023 સુધી સતત સ્ટ્રોંગ લાનીના રહ્યું હતું છતાં એટલી ઠંડી નહોતી પડી. હાલમાં જે લાનીના સિસ્ટમ છે તે ખૂબ જ નબળી છે. જે નવેમ્બરથી જાન્યુઆરી સુધી રહેશે એ પછી ફરીથી ન્યૂટ્રલ પોઝિશન પર આવી જશે. આપણે એવું કહી શકીએ કે ઠંડીની શરૂઆત થઇ છે પણ બહુ વધારે કડકડતી નહીં પડે.' ગુજરાતમાં વર્ષોથી નલિયા જ ઠંડુગાર રહે છે. શું આ બદલાતી પરિસ્થિતિમાં કોઇ નવો જિલ્લો કે સ્થળ ઠંડાગાર બનવાની રેસમાં આગળ આવ્યું છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, હાલમાં આ લિસ્ટમાં કોઇ એવો જોરદાર બદલાવ નથી, આજે પણ સૌથી ઠંડુગાર તો નલિયા જ રહે છે. બીજી તરફ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ઇડરમાં ટેમ્પરેચરમાં ઘટાડો જોવા મળે છે. આવામાં ટેમ્પરેચરમાં કોઇ મોટો ફેરફાર જોવા નથી મળ્યો. મહેશ પલાવતે લોકોને ચેતવણી આપતાં કહ્યું, ઓક્ટોબર મહિનાથી વાતાવરણમાં એકદમ બદલાવ જોવા મળે છે. લોકો ગરમીનો અનુભવ કરતા હોય છે. દિવસ દરમિયાન ટેમ્પરેચર ખૂબ જ વધી જાય છે અને રાત્રિ દરમિયાન ગગડે છે. આવી પરિસ્થિતિમાં બીમારીનું પ્રમાણ વધી જાય છે. લોકોએ રાત્રે સૂતી વખતે પોતાના શરીરને કવર કરીને સૂવું જોઇએ. જેથી મચ્છર કરડવાથી બચી શકાય. હવામાનના અનુમાન માટે AIનો ઉપયોગહવામાનના અનુમાન માટે હવે AIનો ઉપયોગ પણ થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે,અત્યાર સુધી હવામાનનું અનુમાન લગાવવા માટે અમે ગ્લોબલ મોડલનો ઉપયોગ કરતા હતા. તેમાં અમે લોકલ ડેટા પણ નાંખતા હતા. જેના પરથી કોમ્પ્યુટરાઇઝ થઇને તેમાંથી પરિણામ આવતું હતું. જો કે હવે નવી નવી ટેક્નોલોજી આવી રહી છે એમાં પણ AI આવ્યું છે એટલે અમે તેનો ઉપયોગ પણ કરી રહ્યાં છીએ. જેનાથી એનાલિસિસ કરવામાં પણ ખૂબ જ સારા પરિણામો મળે છે. આમ જો મહેશ પલાવતનું માનીએ વાતાવરણમાં ફેરફારની અસરના કારણે શિયાળાના દિવસો ઘટી રહ્યાં છે એટલે હવે શિયાળામાં સ્વેટર અને ધાબળા તો કાઢજો પણ ફક્ત 30 દિવસ માટે.
ખાનગી વાહનચાલકોની લૂંટ:કમોસમી વરસાદમાં બંધ રહેતો સાધલી - કાયાવરોહણ માર્ગ આખરે શરૂ કરાયો
ગુજરાત મા કમૌસમી વરસાદ ના કારણે છેલ્લાં પંદર દિવસ થી નવીનીકરણ થઈ રહેલ પોર-સાધલી-કાયાવરોહણ- સાધલી રોડ વાહનવ્યવહાર માટે સપુર્ણ બંધ થઈ ગયો હતો. જેના કારણે સમગ્ર સાધલી પંથક ના મુસાફરો તથા વાહનચાલકો ને ખુબ જ મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો. કારણ, સાધલી રુટ ની તમામ બસો બંધ કરી દેવામાં આવી હતી. જે આજરોજ સાધલી-કાયાવરોહણ રોડ પર સપુર્ણ માટી હટાવીને સરખુ કરી રોડ ફરી ચાલુ કરવા મા આવતા વાહનવ્યવહારથી ધમધમી ઉઠયો છે. સાધલી-કાયાવરોહણ થઈને બસો ચાલુ થતા મુસાફરો તથા વિદ્યાર્થીઓઅને નોકરીયાત વર્ગ મા આનંદ ની લાગણી જોવા મળી રહી છે. વડોદરા જીલ્લા મા માગઁ અને મકાન વિભાગ દ્વારા સાધલી-કાયાવરોહણ-પોર સ્ટેટ હાઈવે રોડ ને દશ મિટર પહોળો કરવા માટે પ્રથમ નોરતે તેનુ ખાતે મુહૂર્ત કરજણ-ડભોઈ ના બન્ને ધારાસભ્ય ના હસ્તે કરવામા આવ્યુ હતુ.પરતુ સમગ્ર રાજયમાં કમૌસમી વરસાદ ના કારણે આ રોડ પર માટી નાખવા ના કારણે રોડ સપુણઁ બંધ થઈ ગયો હતો. જેના કારણે ખાનગી વાહનો વાળા મુસાફરો પાસે થી ત્રણ ગણુ ભાડુ વસુલ વા આવતુ હતુ. સાધલી થી વડોદરા નુ ભાડુ 70થી 80 રુપિયા એક જણ પાસે થી લેવા મા આવતુ હતુ.એમ જાણવા મળેલ છે. આવા કપરા સમય મા કોઈ નેતા જોવા નથી આવ્યા. આ બધા ને 9 કિમી ના અંતર ના બદલે 30 કિમી ફરી ને વડોદરા જવુ પડતુ હતુ. આખા રોડ પર માટી નાખવા ના કારણે રોડ પર કીચડ થઈ ગયુ હતુ. હાલ માં આ રોડ વાહનવ્યવહાર માટે ચાલુ કરવા મા આવતા સાધલી રુટ ની બસો ચાલુ કરી દેવામાં આવતા રાહત થઈ છે.
પદ યાત્રા:સરદાર પટેલના માનમાં દરેકવિધાનસભા ક્ષેત્રમાં પદ યાત્રા
છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતેયોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સાંસદજશુભાઈ રાઠવાએ જણાવ્યું કેઅખંડ ભારતના શિલ્પી સરદારવલ્લભભાઈ પટેલની 150મીજન્મજયંતિ વર્ષને ધામધૂમ પૂર્વકવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઉજવી રહ્યા છે. ત્યારેછોટાઉદેપુરમાં વિસ્તારમાં દરેકવિધાનસભામાં સરદાર પટેલનામાનમાં દરેક વિધાનસભામાં પદયાત્રા યોજાશે. જેમાં ગુજરાતસરકાર અને ભારત સરકારનામંત્રીઓ ઉપસ્થિત રહશે. જ્યારે આદિવાસીઓનું ગૌરવભગવાન બિરસા મુંડાની 150મીજન્મ જયંતિ ઉજવાઈ રહી છે.જેમાં 27 આદિવાસી વિસ્તારનીવિધાનસભામાં જનજાતિ ગૌરવયાત્રા 7 નવેમ્બરથી 13 નવેમ્બરસુધી યોજાશે. ભગવાન બિરસામુંડાની જન્મ જયંતિ નિમિતે 15મીનવેમ્બરે ગુજરાતમાં આદિવાસીદેવી દેવતાઓના પૂજન સાથેકાર્યક્રમો થશે. સરદાર પટેલજન્મજયંતિ નિમિતે વિવિધકાર્યક્રમો બાબતે સાંસદે વિવિધમુદ્દા ઉપર ચર્ચા કરી હતી.યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વરેલ રાજ્ય મંત્રી નારણ રાઠવા,પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી,નગરપાલિકા સભ્યો, ભાજપનાકાર્યકર્તાઓ મોટી સંખ્યામાંઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાંકમોસમી વરસાદને કારણેખેડૂતોને થયેલ નુકસાન બાબતેસર્વે થયું હોય જે અંગે ગુજરાતસરકાર દ્વારા ખેડૂતોમાં મદદરૂપથવા માટે 10 હજાર કરોડનું પેકેજજાહેર કરાયું જે અંગે સાંસદેસરકારનો આભાર માન્યો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે 19 દિવસ મોડી પરીક્ષા લેવાશે, ટાઈમટેબલ પણ ગયા વર્ષની સરખામણીમાં બોર્ડે 23 દી’ મોડું આપ્યું છે. ગયા વર્ષે બોર્ડે 15 ઓક્ટોબરે ટાઈમટેબલ આપી દીધું હતું જ્યારે આ વર્ષે 8 નવેમ્બરે એટલે કે 23 દિવસ મોડું આપ્યું છે. અને ગયા વર્ષે પરીક્ષા પણ 7 ફેબ્રુઆરીથી લેવાઈ હતી જ્યારે આ વર્ષે 26 ફેબ્રુઆરીથી એટલે કે 19 દિવસ મોડી લેવાનાર છે. આ વર્ષે પહેલીવાર ધો.10માં સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતનું પેપર અલગ અલગ લેવાશે, બંને પેપર વચ્ચે રજા અપાઈ છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. વિદ્યાર્થીઓ 7 નવેમ્બર 2025ના બપોરે 12:00 કલાકથી 6 ડિસેમ્બર 2025ની રાત્રે 12:00 કલાક સુધી રેગ્યુલર ફી સાથે બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર ફોર્મ ભરી શકશે. આ વખતે વાલી અને સંચાલકોના સૂચનોને ધ્યાનમાં રાખીને પરીક્ષા કાર્યક્રમમાં સુધારા કરાયા છે. વાલીઓની માંગ હતી કે, ધોરણ 10 અને 12 બંનેમાં મુખ્ય વિષયોની પરીક્ષા પહેલા ઓછામાં ઓછા એક દિવસની રજા આપવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને મુખ્ય વિષયોની તૈયારી અને પુનરાવર્તન માટે પૂરતો સમય મળે. જેના કારણે આ વર્ષે ગુજરાત બોર્ડે પોતાના સમય પત્રકની પેટર્નમાં સુધારા કર્યા છે. ધોરણ 12 સાયન્સ | ભૌતિક વિજ્ઞાનથી પરીક્ષાનો પ્રારંભ થશે ધોરણ 12 કોમર્સ | પહેલું પેપર અર્થશાસ્ત્રનું લેવાશે ધો.10| 6 માર્ચે બેઝિક, 9નાં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર 29 માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષાગુજકેટ 2026ની પરીક્ષાનીપણ તારીખ જાહેર કરાઇ છે. 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 થી 4 સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ હવે જાહેર કરાશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરાશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં આપી શકાશે.
મોત:પુણેની હોટેલમાં કચ્છી યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું
પુણે શહેરના સોમવારપેઠ વિસ્તારમાં હોટેલ ઓરિયન્ટમાં શુક્રવારે બપોરે લાગેલી આગમાં દૌંડના રહેવાસી અને 32 વર્ષના કચ્છી યુવાન મોહિત ભૂપેન્દ્ર મામણીયા (શાહ)નું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે, આ આગ લગભગ સિગારેટના સળગતા ઠૂંઠાથી લાગી હોઈ શકે. મોહિત શાહે ગુરુવારે રાત્રે હોટેલમાં રૂમ બુક કર્યો હતો. શુક્રવારે સવારે તે રૂમમાંથી બહાર આવ્યો નહોતો. બપોરે લગભગ 12 વાગ્યાના સમયે હોટેલના સ્ટાફને રૂમમાંથી ધુમાડો નીકળતો દેખાયો. તરત જ પુણે શહેરના સમર્થ પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ. ફાયર ઓફિસર પ્રશાંત ગાયકવાડે જણાવ્યું કે, જ્યારે અમારા જવાનો સ્થળ પર પહોંચ્યા ત્યારે સ્ટાફે આગને અંશતઃ બુઝાવી દીધી હતી. રૂમની અંદર એક પુરુષ બેભાન હાલતમાં મળ્યો, જેની ઓળખ મોહિત શાહ તરીકે થઈ. તેને તરત જ હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. સમર્થ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ઉમેશ ગિટ્ટેએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મોહિત દારૂના નશામાં હતો અને શક્ય છે કે નશામાં સિગારેટના સળગતા ઠૂંઠાથી રૂમમાં આગ લાગી હશે. રૂમમાં ખાટલાનો એક ભાગ બળી ગયો હતો, જેના કારણે ભારે ધુમાડો ફેલાયો અને મોહિતનો શ્વાસ રૂંધાઈ ગયો. તેના હાથ પર દાઝી જવાના નિશાન જોવા મળ્યા, પરંતુ મૃત્યુનું કારણ શ્વાસ રૂંધાવું હોવાનું અનુમાન છે. પોલીસે આ ઘટનાને આકસ્મિક તરીકે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. મૂળ ગામ કચ્છના મુન્દ્રા તાલુકાના બેરાજા અને હાલ પુણેથી 70 કિમી દૂર દૌડમાં રહેતા મોહિતના પિતા ભૂપેન્દ્રભાઈ શાહે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, મોહિત આર્કિટેક્ટ હતો અને પુણેમાં જોબ કરતો હતો. ઘટનાના દિવસે પણ તે કામ માટે પુણે રોકાયો હતો અને તેણે અમને તેની જાણ કરી હતી. તેના છૂટાછેડા થયા હતા.
દેવદિવાળી તથા તુલસીવિવાહ બાદ લગ્નના મુહૂર્તોની શરૂઆત થતી હોય છે. ત્યારે આ વર્ષે તા.16 નવેમ્બરથી લગ્ના મુહૂર્તોની શરૂઆત થવા જઇ રહી છે. પરંતુ આ સમયગાળા દરમિયાન અનેક લગ્નો યોજાવાના છે. આ વખતે અનેક સમૂહલગ્નોનું પણ આયોજન થયું છે ત્યારે છેલ્લા 28 વર્ષથી શ્રી ગોપાલક સમૂહલગ્ન સમિતિ દ્વારા ભરવાડ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. સમિતિ દ્વારા આગામી તા.12 ફેબ્રુઆરી 2026 ગુરુવારના રોજ પરસાણા ચોક, નવો 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે 28મા સમૂહલગ્ન યોજાશે. અત્યાર સુધીમાં 2600થી વધુ દીકરીઓના સમૂહલગ્નમાં જોડાઇને પોતાનો ગૃહસંસાર નિભાવી રહી છે. આ વખતે યોજાનારા સમૂહલગ્નમાં 100થી વધુ દીકરીઓના વિવાહ થશે. સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સમૂહલગ્ન યોજાશે જેમાં ભરવાડ સમાજના ધર્મગુરુ ઘનશ્યામપુરીબાપુ સહિતના સંતો-મહંતો તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વચન પાઠવશે. સમૂહલગ્નમાં આ વખતે 20,000થી વધુ ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહી ભોજનપ્રસાદ લાભ લેશે.આ ઉપરાંત દીકરીઓને સોના-ચાંદી તથા ઘરવપરાશની 100થી વધુ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે.આ સમૂહલગ્નને સફળ બનાવવા સમિતિના પ્રમુખ હરિભાઇ માટિયા, ભીખાભાઇ પડસારિયા, હીરાભાઇ બાંભવા, રાજુભાઇ જુંજા સહિતના દરેક લોકો જહેમત ઉઠાવી રહ્યા છે. ભાસ્કર ઈનસાઈડઇતિહાસને ભૂલવો ન જોઇએભરવાડ સમાજ દ્વારા તેનો ઇતિહાસ કે સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. હાલ પેઢીને ખબર જ નથી કે, 100 વર્ષ પૂર્વે ભરવાડનું જીવન કેવું હતું? જેમાં પહેલાના સમયમાં ઘેટાં-બકરાં, આખલાને લઇને ખેતરે રોકાણ કરે. ત્યાં ખાટલો, ઉતારો હોય, ત્યારબાદ ઘેટાંનું ઊન, ગાય-ભેંસના દૂધનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે. આ પરંપરા, સંસ્કૃતિ હાલની પેઢી સુધી પહોંચાડવા કે જીવંત રાખવા સમૂહલગ્નના સ્થળ પર જ આ જીવંત વાતાવરણ ઊભું કરાશે. જેમાં વાડામાં આખલો, ઘેટાં-બકરાં, ઊંટને રખાશે. આ ઉપરાંત 2થી 5 બહેનો જીમી-કાપડું-પછેડોના પહેરવેશમાં ચૂલા પર રોટલા ઘડશે, છાશ વલોવશે. ખાટલા પર ગોદડું પાથરી ભાઇઓ કેડિયું-ચોયણી-બંડીના પહેરવેશમાં હુકો ફૂંકે, વાતોના ગપાટા સહિતની સંસ્કૃતિ જીવંત કરાશે.
તેજસ્વી છાત્રોનું સન્માન:ઝાલાવાડ સત્તર તાલુકા બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું
રાજકોટમાં ઝાલાવાડ સત્તર તાલુકા બ્રહ્મસમાજ દ્વારા તાજેતરમાં છાત્ર સન્માન અને જ્ઞાતિ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં શહેરના બ્રહ્મઅગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ કમલેશભાઇ જોશીએ ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, યુવાનો સમાજ સેવામાં જોડાઇ સમય સાથે તાલ મિલાવે તે જરૂરી છે. આ ઉપરાંત જ્ઞાતિના કેજીથી પીજી સુધીના તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું હતું. બ્રહ્મ અગ્રણીઓએ બાળકોનું શિક્ષણ, સમાજની વિવિધ સેવા અને ધર્મ સંસ્કૃતિના સન્માનની હિમાયત કરી હતી.
રાજકોટની આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને દૂધનો વેપાર કરતાં આધેડને તેમના ઘર નજીક રહેતા શખ્સે મિત્રતા કેળવી વિશ્વાસમાં લઇ 60 લાખની છેતરપિંડી આચરી હતી. આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને દૂધનો વેપાર કરતાં અશ્વિનભાઇ વશરામભાઇ પાઘડાળએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રોહન રાકેશ વેકરિયાનું નામ આપ્યું હતું. અશ્વિનભાઇએ જણાવ્યું હતું કે, તેઓ આસ્થા રેસિડેન્સીની બહાર બેસતા હતા ત્યારે ત્યાં જ રહેતો રોહન વેકરિયા બેસવા આવતા મિત્રતા કેળવાતા એક વખત રોહને કહ્યું હતું કે, શાપરમાં પ્લાસ્ટિકના દાણા બનાવવાનું મશીન મૂક્યું છે, તેમાં પૈસા રોકો તો જે નફો થાય તેમાં 5 ટકા ભાગ આપીશ, જ્યારે પૈસા માગું ત્યારે જ પૈસા આપવાના રહેશે તેવી રોહને વાત કરી હતી. અશ્વિનભાઇએ હાલમાં પૈસા ન હોવાનું કહેતા રોહને મકાન પર લોન લઇ લો, જે પૈસા આવે તે મને આપો, મકાનનો હપ્તો હું ભરીશ, અશ્વિનભાઇએ મકાન પર 45 લાખની લોન લીધી હતી, અને તેમની પાસે રહેલા રોકડા 5 લાખ આપ્યા હતા. અશ્વિનભાઇએ લોન પૈકી તેમના ખાતામાં રૂ.33,29,541 જમાં થયા હતા, બાદ રોહને કટકે કટકે પૈસા મગાવવાનું શરૂ કર્યું હતું, ક્યારેક રકમ પરત આપતો જેથી અશ્વિનભાઇને વિશ્વાસ બેસતો ગયો હતો. અશ્વિનભાઇએ કુલ રૂ.1,02,00,000 રોહનના ખાતામાં જમા કરાવ્યા હતા, સામે રોહને અશ્વિનભાઇને રૂ.42 લાખ પરત આપ્યા હતા, બાકીના 60 લાખ માટે અશ્વિનભાઇએ ઉઘરાણી કરતા રોહન ઘર ખાલી કરીને કોઇ અન્ય સ્થળે જતો રહ્યો હતો.
હત્યાનો પ્રયાસ:કારખાનાની ઓરડીમાં દારૂ પીધા બાદ 2 શ્રમિક બાખડ્યા
રાજકોટના કાલાવડ રોડ પરની રાજવાટિકા સોસાયટીમાં રહેતા અને કુવાડવા જીઆઇડીસીમાં બ્રાયન ઇન્ટરનેશનલ નામની ડીઝલ એન્જિનના પાર્ટ બનાવાની કંપની ચલાવતા જયેશભાઇ અમૃતભાઇ વસોયા (ઉ.વ.48)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમની જ કંપનીમાં કામ કરતાં અને ત્યાં જ ઓરડીમાં રહેતા બિહારના અવધેશ શિવકુમારનું નામ આપ્યું હતું. કારખાનેદાર જયેશભાઇ વસોયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રિના કારખાનામાં આવેલી ઓરડીમાં રહેતો અવધેશ અને વિશાલ વચ્ચે કોઇ મુદ્દે માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા અવધેશે હિચકારો હુમલો કર્યો હતો અને વિશાલ લોહીલુહાણ થઇ ગયો હતો. હુમલામાં ઘવાયેલા વિશાલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તે બેભાન હાલતમાં છે. કોઇ મુદ્દે બોલાચાલી થતાં અવધેશે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું હતું. જોકે ઓરડીમાં બંને દારૂ પીવા બેઠા હતા અને દારૂ પીતા પીતા કોઇ મુદ્દે માથાકૂટ થતાં મામલો હત્યાની કોશિશ સુધી પહોંચ્યો હતો. પોલીસે ખૂનની કોશિશનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.
લોકોને થયો ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ:રાજકોટમાં ઠંડીએ ડગ માંડ્યા, લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી
રાજકોટ સહિત રાજ્યભરમાં ઉત્તર પૂર્વના ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે. આ ઠંડા પવનની અસર હેઠળ તાપમાનનો પારો 2થી 4 ડિગ્રી સુધી ઘટતા લોકોને ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે બે દિવસ બાદ ફરી એકવાર બંગાળના અખાતમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે તાપમાનમાં વધારો થઈ શકે છે. આવી પરિસ્થિતિ 25 નવેમ્બર સુધી રહ્યા બાદ શિયાળો જામે તેવી શક્યતા હોવાનું હવામાન નિષ્ણાંત જણાવી રહ્યા છે. રાજકોટમાં ઠંડીએ ડગ માંડ્યા છે. શનિવારે લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું હતું. આગામી એક સપ્તાહ સુધી લઘુતમ કે ન્યુનતમ તાપમાનમાં ખાસ્સો વધારો કે ઘટાડો થશે નહીં અને યથાવત રહેશે. હાલ ઉત્તર પૂર્વના ઠંડા પવનના કારણે આગામી 2-3 દિવસ સુધી અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની સપાસ રહેવાની શક્યતા છે. શનિવારે રાજકોટનું મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગાંધીનગર ખાતે નોંધાઈ હતી જ્યાં લઘુત્તમ તાપમાન ઘટીને 14.0 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ગાંધીનગર ઉપરાંત 15.4 ડિગ્રી સાથે નલિયા ખાતે, 15.6 ડિગ્રી સાથે વડોદા ખાતે તેમજ 15.8 ડિગ્રી સાથે ડીસા ખાતે પણ વધુ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરો ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ અને દીવમાં લઘુતમ તાપમાન 19.2 થી 23.6 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. આ શહેરોમાં હજુ ઠંડીનો ચમકારો વિશેષ જોવા મળ્યો નથી.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:રાજકોટના ત્રણ ફાયર સ્ટેશનને સારી કામગીરી માટે રાજ્ય સરકારે બિરદાવ્યા, એવોર્ડ અપાયો
ગાંધીનગર સ્થિત ગુજરાત ફાયર સર્વિસ દ્વારા દર વર્ષે રાજ્યની મહાનગરપાલિકા હસ્તકના ફાયર સ્ટેશનને સારી કામગીરી બદલ બિરદાવવામાં આવે છે. જે પૈકી ચાલુ વર્ષે રાજકોટના ત્રણ ફાયર સ્ટેશનને બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ ફાયર કોલ, રેસ્ક્યૂ કોલ, ફાયર સેફ્ટી ઈન્સ્પેક્શન, ફાયર એનઓસી માટેની કામગીરી, એમ્બ્યુલન્સ અને શબવાહિના કોલ સહિતની કામગીરીને આવરી લઈને તેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત થાય છે. આ એવોર્ડ વિતરણનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રામાપીર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર ફિરોજ લુવાની, કોઠારિયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર મોઇન શેખ અને રેલનગર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર દિનેશ ચાંચિયાએ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે સાથે એવોર્ડ મેળવ્યો હતો. TRPની ઘટના બાદ ફાયર બ્રિગેડનું એવોર્ડથી વધ્યું મનોબળરાજ્ય સરકારે જે એવોર્ડ જાહેર કર્યા છે તેમાં રાજકોટના 3 સ્ટેશનને બેસ્ટ ગણ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાને તો અલગ અલગ કેટેગરીમાં ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે પણ આ એવોર્ડ ફાયર બ્રિગેડના સ્ટાફ માટે મહત્ત્વનો હતો. મહાનગરપાલિકાનો આ એક એવો વિભાગ હતો કે જેને સૌ કોઇ સન્માનની નજરે જોતા હતા. જોકે ટીઆરપી અગ્નિકાંડ બાદ તેમાં ચીફ ફાયર ઓફિસર સહિતનાઓની બેદરકારી ખૂલી હતી. આ ઉપરાંત ઈન્ચાર્જ ઓફિસર મારૂ લાંચ લેતા પકડાયો હતો. ત્યારબાદ બીજા વચેટિયા પણ ફાયર એનઓસી માટે લાંચ લેતા પકડાઈ ચૂક્યા છે. આ કારણે ફાયર બ્રિગેડ ખૂબ જ વગોવાઈ હતી અને નિષ્ઠાથી કામ કરતા કર્મચારીઓને પણ નીચાજોણું થયું હતું. ચીફ, નાયબ તેમજ સ્ટેશન ઓફિસર જેલવાસમાં હોવાથી કામગીરીનું ભારણ પણ વધારે હતું. આ કપરા સમયના દોઢ વર્ષ બાદ આખરે ફાયર બ્રિગેડને એવોર્ડ મળતા નિષ્ઠાથી ફરજ બજાવતા સ્ટાફનું મનોબળ વધ્યું છે. રાજકોટના આ ત્રણ ફાયર સ્ટેશનના સ્ટાફે કરેલી કામગીરી
મિલકતના વેરાની વસૂલાત:મનપામાં 301 કરોડની વેરા આવક, આકરી ઉઘરાણી કરી 207 સીલ માર્યા
રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ શાખા દર વર્ષે ડિસ્કાઉન્ટ યોજના આપે છે જેમાં એડવાન્સ વેરો ભરનારને 10 ટકા ડિસ્કાઉન્ટ અપાય છે. આ સમયે સૌથી વધુ વેરો જમા થતો હોય છે અને ત્યારબાદ મનપા નવેમ્બર માસથી બાકીદારોની આકરી ઉઘરાણી શરૂ કરી દે છે. હાલની સ્થિતિએ મનપાની તિજોરીમાં 301 કરોડ રૂપિયાની વેરા આવક થઈ છે જે 3,82,951 મિલકતમાંથી મળી છે. મનપાના ચોપડે પાંચ લાખ કરતા વધુ મિલકત નોંધાયેલી છે તેમાંથી 3.80 લાખનો વેરો આવી ગયો છે અને હજુ 150 કરોડ જેટલી વેરાની વસૂલાત બાકી છે. આ વસૂલાત કરવા માટે મનપાની ટેક્સ શાખાનો રિકવરી સેલ દોડતો થયો છે અને ચાર મહિનામાં 207 મિલકતને સીલ કરી દેવાઈ છે. હવે નવેમ્બરથી વધુમાં વધુ મિલકતો સુધી પહોંચવામાં આવશે કારણ કે, માર્ચ સુધીમાં ટાર્ગેટ પૂરો કરવાનો છે. આ ઉપરાંત ગત વર્ષે તો હપ્તા યોજના પણ હતી જેમાં મહત્તમ મિલકતને આવરી લેવાઈ હતી જે હવે નથી. આ કારણે આગામી ચાર મહિના મોટી સંખ્યામાં મિલકતો સીલ કરવામાં આવશે. ઇનસાઇડસ્ટાફની ઘટ ધરાવતી મનપામાં આટલી વસૂલાતમાં પગાર પણ ન નીકળે!હાલ મનપામાં સ્ટાફની ખૂબ ઘટ છે અને કાયમી ભરતી કરવા આગામી ચાર વર્ષ માટેનું કેલેન્ડર તૈયાર કરાયું છે. આ વર્ષે 300 કરોડની વેરા આવક મેળવી છે અને ટેક્સ શાખા હજુ બહુ જોર કરશે તો વધીને બીજા 100 કરોડ માંડ કરી શકશે. મનપા પાસે હાલ આવકના ઘણા સ્રોત છે પણ તે ખૂબ ઓછા છે મોટો સ્રોત મિલ્કત વેરો જ છે. છતાં હાલ જે સ્ટાફ છે તેનો પગાર ચૂકવવો હોય તો પણ વેરા આવક પૂરતી નથી. મહેકમ ખર્ચ જ વેરા આવકની લગોલગ છે. આ કારણે ઉઘરાણી પૂરી કરવાનો લક્ષ્યાંક ખૂબ જ જરૂરી બની ગયો છે. જે સાબિત કરે છે કે, શહેરનો સર્વાંગી વિકાસ કરવો હોય તો ગ્રાન્ટ તો સરકાર તરફથી આવશે પણ મનપાની પોતાની આવક વધુ હશે તો પ્રાથમિક જરૂરિયાત ઉપરાંત શહેરીજનો માટે અલગ અને નવી સુવિધા અને વ્યવસ્થા ઊભી કરી શકાશે.
સત્તાવાર જાહેરાત:કચ્છ ભાજપ પ્રમુખની ટીમ માટે પ્રદેશ નિરીક્ષકોએ લીધો સેન્સ
ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ કરાઈ. તેમની રાજ્યકક્ષાની ટીમના નામની ઘોષણા હજુ બાકી છે, પરંતુ રાજ્યભરના 82 જેટલા નિરીક્ષકો દ્વારા અલગ અલગ જિલ્લાની ટીમોની નિમણૂક માટે વ્યાયામ શરૂ થઈ ગયો છે. કચ્છ ભાજપ પ્રમુખ દેવજી વરચંદની ટીમ માટે શનિવારે પ્રદેશ નિરીક્ષકોએ રાજ્યના પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છના ધારાસભ્યો સહિતનાઓ સાથે ચર્ચા પરામર્શ કરીને કોને સ્થાન આપવું તેના સેન્સ લીધા હતા. ભારતીય જનતા પક્ષે રાજ્ય સ્તરના પ્રદેશ પ્રમુખની નિમણૂક કર્યા બાદ જિલ્લાના પ્રમુખ અને તેમની ટીમ ઉપપ્રમુખ, મહામંત્રી, ખજાનચી સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવા માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. જે અંતર્ગત પ્રદેશ નિરીક્ષકો હિરેનભાઈ હિરપરા, અશોકભાઈ જોશી તેમજ શુક્લા ભુજ ખાતેના ભાજપ કાર્યાલય કમલમ ખાતે કાર્યવાહી હાથ ધરી હતી. કચ્છ ભાજપમાં આંતરિક રાજકીય કામગીરી, સ્વચ્છ છબી વગેરે તપાસ, વ્યક્તિગત મીટીંગ અને ચર્ચાઓને કારણે દિવસભર કમલમ ખાતે ધમધમાટ જોવા મળ્યો હતો. જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારો સાથે આ બાબતે બેઠક કરી મહામંત્રી, ઉપપ્રમુખ, ખજાનચી સહિત 20 જેટલા સભ્યોની નિયુક્તિ બાબતે યાદી તૈયાર કરીને પ્રદેશ સ્તરે મોકલવામાં આવશે. આ નામો પર મંજૂરીની અંતિમ મહોર લાગતા જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
રજૂઆત:સરકારના એક પરિપત્રથી ધોળાવીરાના 35 ગાઈડ એકાએક બેરોજગાર બન્યા
ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ કરવામાં આવતા માત્ર દેશના નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓ પણ મુલાકાત લે છે. શનિ અને રવિવારે રજાના દિવસોમાં તેમજ પ્રવાસન ઋતુ દરમિયાન દૈનિક 5000 થી વધુ અહીં મુલાકાતીઓ આવે છે. અન્ય ફરવાના સ્થળ કરતાં ધોળાવીરા વિશિષ્ટ પુરાતત્વીય જગ્યા હોવાથી તે સ્થળનું જ્ઞાન આપી શકે તે માટેના ગાઈડ જરૂરી હોય છે. છેલ્લા થોડા વર્ષોથી પ્રવાસીઓમાં વધારો થતા સ્થાનિક યુવાઓ ગાઈડના વ્યવસાયમાં જોડાયા છે. પ્રવાસન વિભાગ દ્વારા પ્રમાણિત હોય તે જ સેવા આપી શકે તેવા પરિપત્રને કારણે અંદાજે 35 જેટલા યુવાઓ બેરોજગાર બન્યા છે. ધોળાવીરા હડપ્પન પુરાતત્વ સ્થળે વર્ષોથી સેવા આપતા સ્થાનિક માર્ગદર્શકોને આજદિન સુધી સત્તાવાર અનુમતિ આપવામાં આવી નથી. જેના કારણે તેઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ગાઈડ જીગર સંજોટે જણાવ્યું કે તેઓ લાંબા સમયથી પ્રવાસીઓને ધોળાવીરાના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે માહિતી આપી રહ્યા છે. ઘણા માર્ગદર્શકો પાસે કાર્ડ અને જરૂરી ઓળખ પ્રમાણપત્રો પણ છે, છતાં તેમને પુરાતત્વ વિભાગ તરફથી મંજૂરી મળી રહી નથી . CA આધિકારીએ માર્ગદર્શકોને જણાવ્યું છે કે ગાઇડ તરીકે માન્યતા મેળવવા માટે ગુજરાત ટુરિઝમ વિભાગનું લાઇસન્સ ફરજિયાત છે. આથી સ્થાનિક ગાઇડ્સે રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ વિભાગને વિનંતી કરી છે કે, તેઓ લેખિત અનુમતિ (પરવાનગી) આપે, જેથી સ્થાનિક લોકોને રોજગારનો અવસર મળી રહે અને પ્રવાસીઓને યોગ્ય માર્ગદર્શન મળી શકે. સ્થાનિક ગાઇડ્સે આ બાબતમાં તાત્કાલિક પગલાં લેવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) તેમજ પ્રશાસનને રજૂઆત કરી છે.
સન્ડે ફોટો સ્ટોરી:46 વર્ષ જૂનો તોડી પડાયેલો સાંઢિયા પુલ 74 કરોડના ખર્ચે ફેબ્રુઆરીમાં નવો બની જશે
રાજકોટમાં જામનગર રોડ પર રેલવે ટ્રેક પરનો સાંઢિયા પુલ 1978માં બનાવાયો હતો. જોકે આ પુલ ફક્ત 2 લેનનો હતો અને સમય વીતતા ત્યાંથી ટ્રાફિક નીકળવો મુશ્કેલ થઈ ગયો હતો તેમજ આવરદા પણ પૂરી થઈ ગઈ હતી. જેને લઈને મનપાએ એ પુલ તોડીને ત્યાં 4 ટ્રેકનો ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો હતો. 15-03-2024ના વર્ક ઓર્ડર આપીને રૂ.74.32 કરોડના આ બ્રિજનું કામ ચાલુ કરાયું. જે આજે 70 ટકા પૂર્ણ થઈ ગયું છે અને હવે ફક્ત રેલવે લાઈન પરના ભાગ પર સ્ટીલ ગર્ડર ચડાવવાનું કામ બાકી છે. આમ તો આ બ્રિજ પૂરો કરવાનો સમયગાળો બે વર્ષનો હોવાથી માર્ચ 2026 અંતિમ તારીખ છે પણ હાલની સ્થિતિને જોતા ફેબ્રુઆરી માસમાં જ કામ પૂરું થઈ શકે. આ કારણે ત્યાંથી પસાર થતા 40,000 વાહનને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. આ ઓવરબ્રિજમાં ત્રણ વર્ષનો ગેરંટી પિરિયડ છે પણ આગામી 50 વર્ષ સુધી ચાલે તેટલું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. નવા બ્રિજની પહોળાઈ 16.40 મીટર અને લંબાઈ 600 મીટરજૂનો પુલ 1978માં બન્યો હતો અને તેમાં સૌથી વધુ માટી કામ કરવામાં આવ્યું હતું તેથી તે સમયે વધુ પહોળો બની શકે તેમ ન હતો. માટીકામને કારણે પુલની આવરદા પણ ઓછી હતી. જેને લઈને જે તે સમયે રેલવેએ પત્ર લખીને ત્યાંથી ભારે વાહનો પસાર કરવાની ના પાડી હતી. હવે જે નવો બ્રિજ બની રહ્યો છે તે સીસી કામ છે એટલે કે તેનાથી અનેકગણો મજબૂત છે. આ ઉપરાંત પહેલા 2 લેન હતા હવે 4 લેન સહિત 16.40 મીટરની પહોળાઈ હોવાથી રોડમાં જે રીતે સડસડાટ પસાર થઈ જવાય છે તેવી જ રીતે બ્રિજમાંથી નીકળી જવાશે. 600 મીટરની લંબાઈનો આ બ્રિજ પસાર કરવામાં ગણતરીની મિનિટો લાગશે.
રવિ સિઝન વખતે જ પાવરપટ્ટીના નિરોણા પંથકમાં યુરિયા ખાતરની ભારે તંગી સર્જાતાં ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. પાક માટે અતિ આવશ્યક એવા આ ખાતર માટે તેમને ભટકવું પડે છે. નિરોણા ગ્રુપ સેવા સહકારી મંડળી દ્વારા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં યૂરિયા ખાતર પૂરૂં પાડવામા આવે છે પરંતુ મંડળીમાં છેલા એક માસથી ખાતરની એક પણ થેલી આવી નથી. મંડળીના વ્યવસ્થાપકોએ જણાવ્યું હતું કે ખાતરની અછત બાબતે ઇફ્કો કંપની સમક્ષ રજૂઆત કરાઇ છે પરંતુ પુરવઠો મળતો નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ કપાસ, એરંડા સહિતના પાકો સારી અવસ્થામા છે જેના વિકાસ માટે ખાતર આવશ્યક છે. દર વર્ષે યુરિયા ખાતરતંગી સાર્જાય છે પરંતુ તંત્ર દ્વારા આ અંગે લાંબા સમયથી કોઈ નક્કર કામગીરી થતી નથી. સહકારી મંડળીના પ્રમુખ કે. ડી. આહિરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તંગી બાબતે ધારાસભ્યથી લઇ છેક કૃષિ મંત્રી સુધી રજુઆત કરવાં છતાં સમસ્યા યથાવત છે. ખેડૂતોના આક્ષેપ મુજબ કેટલાક લોકો દ્વારા ભુજથી યુરિયા લાવી અહીં ઊંચા ભાવે વેચાણ કરવાં માં આવે છે. જો તેમને યુરિયા મળતું હોય તો સહકારી મંડળીને કેમ નહીં તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ખેડૂતો ને 10 થેલીની જરૂરિયાત સામે 5 થેલી પણ મળતી નથી. ખાતર આવે ત્યારે તેને મેળવવા લાંબી લાઈનમાં ઉભવું પડે છે ત્યારે ખેતરમાં કામ કરવું કે કતારમાં ઉભવું તેવો રોષ કિસાનો વ્યક્ત કરી રહ્યા છે.
ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી તે ઘાતક છે અને તેને કારણે અગાઉ અનેક ગંભીર ઘટનાઓ બની છે. આવા જ વધુએક કિસ્સામાં યુવકે જીવ ગુમાવ્યો હતો. બાઇકચાલકે રિંગ રણકતા પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો હતો અને બેલેન્સ ગુમાવતા બાઇક પાર્ક કરાયેલી કાર પાછળ ઘૂસી ગયું હતું અને યુવકની જિંદગીનો અંત આવી ગયો હતો. શહેરન વિજય પ્લોટમાં રહેતો અને લાલબહાદુર હાઇસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો રાજદીપ પ્રકાશભાઇ ભટ્ટી (ઉ.વ.17) અને તેનો મિત્ર રાજન સુરેશભાઇ મકવાણા (ઉ.વ.20) તા.6ના રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં વિજય પ્લોટમાં પોતાના ઘરે પાસે બેઠા હતા ત્યારે રાજદીપે મિત્ર રાજનને રેસકોર્સ રિંગ રોડ પર ચક્કર મારવા જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મિત્રની ઇચ્છાને માન આપી પોતાના બાઇકને કિક મારી અને મિત્ર રાજદીપને પાછળ બેસાડી બંને મિત્ર રેસકોર્સ રિંગ રોડ પર પહોંચ્યા હતા. રેસકોર્સ રિંગ રોડ પર આંટાફેરા કરી બંને મિત્ર રાત્રિના એકાદ વાગ્યે ઘરે પરત જવા નીકળ્યા હતા. બાઇક રાજન મકવાણા ચલાવતો હતો. બંને મિત્ર એસ્ટ્રોન ચોકથી આગળ વિરાણી હાઇસ્કૂલ તરફ ટાગોર રોડ પર પહોંચ્યા હતા ત્યારે રાજનના મોબાઇલમાં રિંગ રણકી હતી. રિંગ સાંભળી પેન્ટના ખિસ્સામાં રહેલો મોબાઇલ કાઢવા રાજને પ્રયાસ કર્યો હતો અને પેન્ટના ખિસ્સામાંથી ચાલુ બાઇકે મોબાઇલ કાઢવા જતાં રાજને કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક આગળ પાર્ક કરાયેલી કાર પાછળ ધડાકાભેર અથડાયું હતું. કાર સાથે બાઇક અથડાતાં રાજદીપ અને રાજન બંને બાઇક પરથી ફંગોળાઇને નીચે પટકાયા હતા. રાજદીપને સામન્ય ઇજા થઇ હતી, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા રાજનને 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને સારવાર દરમિયાન રાજન મકવાણાનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે રાજદીપ ભટ્ટીની ફરિયાદ પરથી મૃતક બાઇકચાલક સામે ગુનો નોંધ્યો હતો. યુવાન પુત્રના આકસ્મિક મોતથી મકવાણા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી કે વાહન ચલાવતી વખતે અન્ય કોઇ પ્રવૃત્તિ કરવી તે કેટલી ઘાતક બની શકે છે તે આ કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે. આ બનાવ યુવાધન માટે વિચાર માગી લે તેવો છે.
નમસ્તે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં છેલ્લી ચૂંટણી સભા સંબોધી હતી, કારણ કે 11 તારીખે મંગળવારે મતદાન છે તે પહેલાં પ્રચાર બંધ થઈ જશે. જેસલમેરમાં સૈન્ય અભ્યાસ દરમિયાન મિસાઈલ મિસ ફાયર થઈ ગઈ અને રહેણાક વિસ્તાર નજીક પડી હતી. મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યા પછી કરોડો રૂપિયાની ઓફર મળી રહી છે. અન્ય મહત્વના સમાચાર કોંગ્રેસના દાવાને લઈને રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો કર્યો હતો કે, ગૃહમંત્રી અમિત શાહ હોટલમાં CCTV છુપાવી રહ્યા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બિહારમાં બીજા તબક્કાની ચૂંટણીમાં પ્રચારનો છેલ્લો દિવસ. નવાજૂની થઈ શકે. 2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દહેરાદૂનમાં ઉત્તરાખંડના રાજ્ય સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. 3. રાષ્ટ્રપતિ મુર્મુ અંગોલાની મુલાકાતે છે અને અંગોલાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરે તેવી અપેક્ષા છે. 4. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બિહારના કિશનગંજમાં ચૂંટણી માટે સભા કરશે. કાલના મોટા સમાચારો 1. બેતિયામાં મોદીએ કહ્યું -છેલ્લી સભા, શપથગ્રહણ સમારોહમાં આવીશ: રાહુલ ગાંધી પર કટાક્ષ, કેટલાક લોકો બિહાર ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે PM મોદીએ બેતિયામાં એક સભામાં કહ્યું, બેતિયા મારા બિહાર ચૂંટણી પ્રચારની સમાપન રેલી છે. આ ચૂંટણીમાં આ મારી છેલ્લી રેલી છે. 11 નવેમ્બરે, આપણે ફક્ત બેઠકો જ નહીં, પરંતુ દરેક બૂથ જીતવાના છે. હું જીતના આત્મવિશ્વાસ સાથે જઈ રહ્યો છું. હવે હું NDAના શપથ ગ્રહણ સમારોહમાં આવીશ. ચંપારણની આ ભૂમિનું ઐતિહાસિક મહત્વ ખૂબ જ છે. આ એ ભૂમિ છે જ્યાં ગાંધીજીને મહાત્માનું બિરુદ મળ્યું હતું. આજે, જ્યારે આપણે બિહારના વિકાસના સંકલ્પ સાથે નીકળ્યા છીએ, ત્યારે આ ભૂમિનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. જેસલમેરમાં સેનાની મિસાઇલથી પ્રચંડ વિસ્ફોટ:ટાર્ગેટ ચૂકી જતાં રહેણાંક વિસ્તારથી 500 મીટર દૂર પડી, 3 હજાર લોકો થરથરી ઉઠ્યાં; સૈન્ય અભ્યાસ દરમિયાનની ઘટના જેસલમેરમાં લશ્કરી કવાયત દરમિયાન એક મિસાઇલ ખોટી રીતે ફાયર થઈ. મિસાઇલ પોતાનો ટાર્ગેટ ચૂકી ગઈ અને રેન્જની નજીક ભદરિયા ગામ પાસે પડી. મિસાઇલ લેન્ડ થતાં જ એક જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે આસપાસના ગામોમાં ગભરાટ ફેલાયો. કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ઘટના શનિવારે સાંજે 4 વાગ્યે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં બની હતી. માહિતી મળતાં સ્થાનિક પોલીસ અને સેનાની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મિસાઇલના પૂંછડીના ટુકડાને એક પિકઅપ ટ્રકમાં લોડ કરીને ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં લઈ જવામાં આવ્યો હતો. બાકીના ટુકડાઓ માટે શોધ ચાલુ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મેદાનમાં ચેમ્પિયન, માર્કેટમાં બન્યાં બ્રાન્ડ!:કારથી લઈને બેંકો સુધી મહિલા ક્રિકેટર્સ પાસે પ્રમોશન કરાવવા કંપનીઓની લાઇન, સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ ડબલ થયા વર્લ્ડ કપ જીત્યા બાદ, ભારતની મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુમાં 50%થી વધુનો વધારો થયો છે. PTIના અહેવાલ મુજબ, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને જેમિમાહ રોડ્રિગ્સ જેવા ટોચના કલાકારો હવે ₹1 કરોડથી વધુના પર્સનલ એન્ડોર્સમેન્ટ ડીલ મેળવે તેવી અપેક્ષા છે. ઘણી બ્રાન્ડ્સ તેમને તેમના અભિયાનનો ચહેરો બનાવવા માંગે છે. આમાં કાર કંપનીઓથી લઈને બેંકો, FMCG, લાઇફ સ્ટાઇલ, બ્યૂટી, પર્સનલ કેર અને એજ્યુકેશન કંપનીઓ સામેલ છે. ટોચની મહિલા ક્રિકેટરો હવે એવા ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહી છે જ્યાં પહેલા પુરુષ-પ્રભુત્વ હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ડાયાબિટીસ-કેન્સરના દર્દીઓને અમેરિકાના વિઝા નહીં મળે:સરકાર પરનો બોજ ઓછો કરવાનો હેતુ; અધિકારીઓ આરોગ્ય, ઉંમર અને નાણાકીય સ્થિતિની તપાસ કરશે ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવી બીમારીઓથી પીડિત લોકોને હવે અમેરિકામાં પ્રવેશવામાં મુશ્કેલી પડી શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શુક્રવારે વિશ્વભરના યુએસ દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને નિર્દેશ આપ્યો હતો કે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને અમેરિકામાં મુસાફરી કરવા કે રહેવાની મંજૂરી ન આપવામાં આવે. આ નિયમ 'પબ્લિક ચાર્જ' નીતિ પર આધારિત છે, જેનો ઉદ્દેશ એવા ઇમિગ્રન્ટ્સને રોકવાનો છે જેઓ યુએસ સરકારી સંસાધનો પર નિર્ભર બની શકે છે. તે વિઝા અધિકારીઓને અરજદારોના સ્વાસ્થ્ય, ઉંમર અને નાણાકીય સ્થિતિની તપાસ કરવાની સલાહ આપે છે. જો કોઈ વ્યક્તિને ભવિષ્યમાં ખર્ચાળ તબીબી સંભાળની જરૂર પડે અથવા સરકારી સહાય પર નિર્ભર બને તો તેમના વિઝા રિજેકટ કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં બે આતંકવાદીઓ ઠાર:ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા; સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળ પર ગોળીબાર કર્યો શનિવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. નિયંત્રણ રેખા (LoC) પારથી ઘૂસણખોરીના પ્રયાસની ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીય સેનાએ શુક્રવારે આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારતીય સેનાના એક યુનિટ ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ઓપરેશન ચાલુ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ પહેલા 5 નવેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરૂ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આતંકવાદીઓના ગોળીબારમાં એક સૈનિક ઘાયલ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીર પોલીસે સેનાના સમર્થનથી આતંકવાદીઓ સામે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર 6. ધો. 10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ જાહેર:સાયન્સમાં ફિઝિક્સ અને કોમર્સમાં ઈકોનોમિક્સના પેપરથી પ્રારંભ, 29 માર્ચે ગુજકેટની પરીક્ષા; જાણો સંપૂર્ણ કાર્યક્રમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. વિદ્યાર્થીઓ 7 નવેમ્બર 2025ના બપોરે 12:00 કલાકથી 6 ડિસેમ્બર 2025ની રાત્રે 12:00 કલાક સુધી રેગ્યુલર ફી સાથે બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર ફોર્મ ભરી શકશે. ગત વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા 10 દિવસ વહેલા શરૂ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ત્રણ પેટ્રોલ પંપના માલિકનો નર્મદા કેનાલમાં 2 દીકરી સાથે આપઘાત:કલોલથી આધારકાર્ડ કઢાવવાનું કહી નીકળ્યા, મિત્રને લોકેશન-ફોનનો પાસવર્ડ મોકલ્યો ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના અને 3 પેટ્રોલ પંપના માલિક એવા ધીરજ ભલાભાઈ રબારીએ 2 વ્હાલસોયી દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવતા ભલભલાના હ્રદય કંપી ઉઠ્યા છે. આધારકાર્ડ કઢાવવા જઇએ છીએ તેવું કહી ઘરેથી કારમાં નીકળેલા ધીરજે પોતાના ઘર કલોલની બલરામ પાર્ક સોસાયટીથી અંદાજિત 5.9 કિલોમીટર દૂર પિયજ ગામની નર્મદા કેનાલ પહોંચી મોતની છલાંગ લગાવી દીધી. મિત્રને કેનાલનું લોકેશન-ફોનનો પાસવર્ડ મેસેજ કર્યો. મિત્રએ પિતરાઈ ભાઈને જાણ કરી પણ પરિવાર પહોંચે તે પહેલાં જ ધીરજની ‘ધીરજ’ ખૂટી ને 2 ફૂલ જેવી છોકરીઓ સાથે મોતની છલાંગ લગાવી દીધી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સમસ્તીપુરમાં રસ્તા પર પડેલી VVPAT સ્લિપ મળી:વહીવટીતંત્રે કહ્યું- તપાસ બાદ FIR દાખલ કરવામાં આવશે; RJDએ પૂછ્યું- શું ચોર કમિશન જવાબ આપશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : દિલ્હી બાદ કાઠમંડુ એરપોર્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ:સાંજે 5:30 વાગ્યાથી ફ્લાઇટ્સ બંધ; 100 ઈન્ટરનેશનલ અને 250 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પ્રભાવિત વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પીએમ મોદીને આશીર્વાદ આપવા માટે હરિદ્વારથી સાધુ-સંતો પહોંચશે:40,000 ભાજપના કાર્યકરો પણ સામેલ થશે, ખાસ QR કોડ દ્વારા પ્રવેશ આપવામાં આવશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાન-અફઘાનિસ્તાનની ત્રીજા રાઉન્ડની શાંતિ મંત્રણા નિષ્ફળ:અફઘાન પ્રવક્તાએ કહ્યું- પાકિસ્તાનનું વલણ બેજવાબદાર, જો હુમલો કરશે તો કરારો જવાબ આપીશું વાંચો સંપૂર્ણ સમાચાર 5. આ નોંધી રાખો : EPF ટ્રાન્સફર હવે ઓટોમેટિક થશે:નોકરી બદલતા જ 2-3 દિવસમાં PF બેલેન્સ નવા એકાઉન્ટમાં આવી જશે; પહેલાં મહિનાઓ લાગતા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPLનું મિની ઓક્શન 15 ડિસેમ્બરે યોજાઈ શકે:ખેલાડીને રિટેન કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર છે; CSK સેમ કરનને રિલીઝ કરી શકે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર : ભગવાન કૃષ્ણે કહ્યું હતું 'મહિનાઓમાં હું માગશર છું':કૃષ્ણજન્મ સંયોગમાં છૂપાયા છે સંદેશ- સંકટમાં ધીરજ ન ગુમાવવી, પૂર્વ આયોજનથી સફળતા મળે છે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે વિશ્વનું સૌથી મોટું કરોળિયાનું જાળું મળ્યું વૈજ્ઞાનિકોએ અલ્બેનિયા-ગ્રીસ સરહદ પરની ગુફામાં વિશ્વનું સૌથી મોટું કરોળિયાનું જાળું શોધી કાઢ્યું છે. 1,140 ચોરસ ફૂટમાં ફેલાયેલું આ જાળું 1,10,000 થી વધુ કરોળિયાનું ઘર છે. બે અલગ અલગ પ્રજાતિઓએ આ વસાહત બનાવી છે. કરોળિયા સલ્ફરથી ભરેલા જંતુઓ ખાય છે અને ગુફાના વાતાવરણમાં અનુકૂલન સાધ્યું છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. અસુર-6 : ધોકાથી માથાં ફાડી નાખતું 9 અસુરનું ઝુંડ:ઘરેણું ન નીકળે તો અંગો કાપી નાખે, પેન્ટ-શર્ટવાળી બાઈની 'બાવલી ગેંગ'એ વાડીએ સૂતેલા 7નાં ઢીમ ઢાળી દીધાં 2. ગુજરાતી યુવકે બનાવેલી એસિડિટીની ઓરલ સ્ટ્રિપ અમિત શાહે ટેસ્ટ કરી:જીભ પર મૂકતાં ઓગળી જાય, સેકન્ડોમાં ફાયદો, સાંધાના દુખાવાની દવા માટેનો પ્રયોગ પણ સફળ રહ્યો 3. રાજકોટમાં કામ કરી ચૂકેલા આદર્શનું સુદાનમાં અપહરણ:12 દિવસથી પત્તો નહીં; વાઇરલ વીડિયોથી પરિવારને ખબર પડી, 'શાહરુખ ખાન કહે તો કદાચ મારા પતિને છોડી દે' 4. આજનું એક્સપ્લેનર:ઈલોન મસ્કનું સેલરી પેકેજ 1 ટ્રિલિયન ડોલર; આટલામાં સિંગાપોર-ઈઝરાયલ ખરીદી શકાય, મંગળ ગ્રહ પર શહેર વસી જાય 5. રાજકોટમાં કામ કરી ચૂકેલા આદર્શનું સુદાનમાં અપહરણ:12 દિવસથી પત્તો નહીં; વાઇરલ વીડિયોથી પરિવારને ખબર પડી, 'શાહરુખ ખાન કહે તો કદાચ મારા પતિને છોડી દે' કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:કન્યા રાશિના જાતકોને સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે; તુલા રાશિના જાતકોએ વ્યર્થ વાદ-વિવાદોથી દૂર રહેવું વાંચો સંપૂર્ણ રાશિફળ
રૂદ્રાણીમાં ધરતીપુત્રોનો હુંકાર:કચ્છના કિસાનો પોતાનો હક્ક લઈને જ ઝંપશે
ભારતીય કિસાન સંઘ દ્વારા ભુજના રૂદ્રાણી જાગીરથી સંતોના આશીર્વાદ લઈને કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારે 9:15 કલાકે મહંત લાલગીરી બાપુના હસ્તે કિસાન રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સંતો અને કિસાન સંઘના આગેવાનો તેમજ ખેડૂતોની ઉપસ્થિતિમાં કિસાન રથ નોખાણીયા જવા રવાના થયો હતો. ત્યાંથી લોરીયા હનુમાનગઢ, સુમરાસર શેખમાં કિસાન રથને ભવ્ય આવકાર મળ્યો હતો. બપોરે ઢોરી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાંથી રથ કુનરીયા, કોટાય, ધ્રંગ પહોચ્યું હતું. અને સાંજે લોડાઈ કેશવનગર ખાતે મહાસભાનું આયોજન કરાયું હતું. આ રથ આગામી 7 દિવસમાં ભુજ તાલુકાના 70 વિવિધ ગામોમાં ફરીને ખેડૂતોની વિવિધ પડતર માંગો સંદર્ભે અવગત કરશે. સરકારને અનેક વખત રજુઆતો બાદ પણ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ 16 ઓક્ટોબરથી ભચાઉના જંગી ગામમાંથી થયો હતો. ભચાઉ, રાપર અને અંજાર બાદ હવે ભુજ તાલુકાના 70 ગામમાં લડત સમિતિ દ્વારા કિસાન જાગૃતિ માટે રથ ફેરવવામાં આવશે. આ પ્રસંગે લડત સમિતિના પ્રમુખ શિવજીભાઇ બરાડિયા, કચ્છ જીલ્લા કિસાન સંઘના પ્રમુખ કરમણભાઈ ગાગાલ, ભુજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ ગાગાલ, ડાહ્યાભાઈ રૂડાણી, કાનજીભાઈ, વાલજીભાઈ લીંબાણી, રામજીભાઈ છાંગા, જિલ્લાના સલાહકાર મોહનબાપા, મહિલા પાંખના વાલુબેન હાલાઇ તેમજ શાંતાબેન પટેલ સહિતના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

24 C