સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 15મી નવેમ્બરે સુરતના ડુમસરોડ અને પાલનપુર ્સથિત બે ઓફિસો પર દોડા પાડી કોલ સેન્ટરના માસ્ટર માઈન્ટ નીતેશ ખવાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે. સુરતમાં જે કોલસેન્ટર ચાલતુ હતું તેના માધ્યમથી લોન લેવા અને નોકરી ઈચ્છુક લોકોના ડેટા મેળવી તેઓને ફોન કરાતો હતો. ત્યારબાદ આરોપીઓ તેના ડોક્યુમેન્ટ મેળવી ACB મેન્ડેટ તૈયાર કરી બેંકમાંથી ટુકડે ટુકડે રકમ ઉપાડી લેતા હતા. આ ટોળકીના અત્યાર સુધીમાં 1200થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ટોળકી દ્વારા 9 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આગામી દિવસોમાં આંકડો વધવાની શક્યતા છે. આરોપીઓ દ્વારા દુબઈના વોટ્સએપ નંબર પર દરરોજ એક્સેલ સીટ મોકલતા હોવાની વિગતો પણ મળી આવી છે. આરોપીઓ દ્વારા બે પ્રકારના લોકોને નિશાન બનાવવામાં આવતા ભાગ-1: ગરીબ અને મધ્યમવર્ગીય લોન લેનારાઓ સાથેની છેતરપિંડીઆ કૌભાંડનો સૌથી મોટો અને આર્થિક રીતે નુકસાનકારક પાર્ટ ઓનલાઈન લોન લેવા માંગતા લોકો પર કેન્દ્રિત હતો. જેમને તાત્કાલિક પૈસાની જરૂર હતી તેવા લોકોને આરોપીઓએ સરળતાથી લોન આપવાની લાલચ આપીને ફસાવ્યા હતા.ફ્રોડની શરૂઆત એવા લોકોથી થતી હતી જેઓ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર પર્સનલ લોન માટે અરજી કરતા હતા. આરોપી નીતેશ ખવાણીની કંપની 'Globelink Tech Services' કે 'Smaex Enterprise' આ અરજદારોનો ડેટા મેળવી લેતી હતી. ત્યારબાદ કોલ સેન્ટરમાં બેઠેલા કર્મચારીઓ જેમને એક ખાસ સ્ક્રિપ્ટ શીખવવામાં આવતી હતી, તે અરજદારોનો સંપર્ક કરતા અને તેમને વિશ્વાસ અપાવતા કે તેમની લોન મંજૂર થઈ ગઈ છે. ACH મેન્ડેટ તૈયાર કરી ગ્રાહકોના ખાતામાંથી પૈસા ઉસેડી લેતાલોન મંજૂર થઈ ગયા પછી, પ્રોસેસિંગ માટે પીડિતો પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો અને અન્ય જરૂરી દસ્તાવેજો મંગાવવામાં આવતા હતા. અહીંથી જ છેતરપિંડી શરૂ થતી હતી.આરોપીઓ આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને પીડિતની સહમતી અને જાણકારી વિના જ બેંકમાં ACH ઓટોમેટિક કલિયરિંગ હાઉસ મેન્ડેટ તૈયાર કરતા અને જમા કરાવતા. ACH મેન્ડેટ એ બેંકિંગ પ્રક્રિયા છે, જે ગ્રાહકના ખાતામાંથી ચોક્કસ રકમ નિયમિત અંતરાલે ડેબિટ કરવાની પરવાનગી આપે છે. એકવાર આ ACH મેન્ડેટ તૈયાર થઈ ગયા પછી આરોપીઓ પીડિતના ખાતામાંથી 3,170 થી લઈને 25,000 સુધીની રકમ (લોનની પ્રોસેસિંગ ફી, વીમા ફી વગેરેના નામે) એક જ ઝાટકે ખેંચી લેતા હતા. પીડિતોને આ રકમ કપાયા બાદ ખબર પડતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. કોઈકના 10 હજાર ગયા તો કોઈકના 39 હજાર ગયાઉમેશ શિંદે નામના એક પીડિતે ઈમેલ કરીને ફરિયાદ કરી હતી કે, તેણે કોઈ લોન લીધી ન હોવા છતાં તેના ખાતામાંથી 99, 3000, 5000 અને 11000 એમ જુદી જુદી રકમ કંપનીના નામે કાપી લેવામાં આવી છે. આ દર્શાવે છે કે નાનામાં નાની રકમ કાપીને પણ આરોપીઓ મોટી કમાણી કરતા હતા. જય વ્યાસ નામના અન્ય એક પીડિતના ખાતામાંથી તો 39,000 જેટલી મોટી રકમની કપાત થઈ હતી. લવ કુમાર નામના પીડિતે ફરિયાદ કરી કે ICICI બેંકના તેના ખાતામાંથી ACH Mandateના નામે 3,000, 4,000, 5000 અને 2000 મળીને ચાર વખત નાણાં કપાયા હતા. આ તમામ ઈમેલ director@globelinktechservices.com થી officernodalofficial@gmail.com પર ફોરવર્ડ કરાયેલા મળ્યા હતા. લોનની જરૂરિયાત ધરાવતા આ ગરીબ અને મધ્યમવર્ગીય લોકોએ લોન તો ન મેળવી, પરંતુ તેમની પાસે જે થોડીઘણી બચત હતી તે પણ આ ઠગબાજોએ ACH મેન્ડેટના દુરુપયોગ દ્વારા હડપી લીધી. અત્યાર સુધીમાં 1,187 ACH/NACH ટ્રાન્ઝેક્શન્સ દ્વારા કુલ 9.92 કરોડની રકમની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ભાગ-2: બેરોજગાર યુવાનોને નિશાન બનાવતી 'વર્ક ફ્રોમ હોમ' જોબ સ્કેમબીજા કૌભાંડમાં આ રેકેટે ખાસ કરીને નોકરીની શોધમાં રહેલા યુવાનોને નિશાન બનાવ્યા હતા, જેઓ આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા હતા.આરોપીઓ 'Work India' જેવી વેબસાઇટ્સ પરથી નોકરી શોધતા ઉમેદવારોનો ડેટા મેળવતા.ઉમેદવારોને 'Bytesolver Pvt Ltd' નામની કંપનીમાં વર્ક ફ્રોમ હોમ જોબની આકર્ષક ઓફર આપવામાં આવતી, જેના માટે 10,000 + GST ફી નક્કી કરવામાં આવતી.નોકરીની લાલચ આપીને તેમની પાસેથી આ ફી માટે ડિજિટલ સર્વિસ કોન્ટ્રાક્ટ પર સહી કરાવી લેવામાં આવતી હતી. લીગલ નોટિસ દ્વારા ડરાવીને વસૂલી કરતાફી લીધા પછી, દસ દિવસના સમયગાળા બાદ, પીડિતોને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવતી કે, તેમનો કોન્ટ્રાક્ટ અમુક કારણોસર રદ કરવામાં આવ્યો છે. અહીંથી ધમકી શરૂ થતી હતી. આરોપીઓ વકીલ અયાઝ એલ. ટીમ ના માધ્યમથી પીડિતોને કાયદાકીય નોટિસ મોકલતા હતા. આ નોટિસમાં કાયદાકીય કાર્યવાહીની ધમકી આપીને, કોન્ટ્રાક્ટના ભંગ બદલ દંડ તરીકે 10,000 સુધીની રકમની વસૂલી કરવામાં આવતી હતી. પોલીસે ઓફિસમાંથી 45 જેટલી આવી કાયદાકીય નોટિસની નકલો જપ્ત કરી છે. બેરોજગારી અને કાયદાકીય કાર્યવાહીના ડર હેઠળ, અનેક યુવાનોએ ન છૂટકે આ ગેરકાયદેસર રકમ ચૂકવી દીધી હતી. આમ, આ ઠગબાજોએ નોકરીની શોધમાં નીકળેલા યુવાનોની આશાને પણ લૂંટી લીધી હતી. કૌભાંડનું આંતરરાજ્ય નેટવર્કનીતેશ ખવાણી આ સમગ્ર ઓપરેશનનો માસ્ટરમાઇન્ડ હતો, જે પોતે ડિજિટલ માર્કેટિંગનો નિષ્ણાત હોવાનું જણાવતો હતો. તેના ગુનાહિત રેકોર્ડમાં અમદાવાદ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ લોન અને ડિજિટલ પેમેન્ટ ફ્રોડના કેસ નોંધાયેલા છે.કોલ સેન્ટર મેનેજર મોહમ્મદ જાવેદ નાસીરવાલા અને અન્ય 8 કર્મચારીઓ આ કૌભાંડમાં સક્રિય હતા. તેઓ સ્ક્રિપ્ટના આધારે પીડિતોને ફોન કરતા અને રિકવરી ટીમના સભ્યો કાયદાકીય નોટિસ દ્વારા ડરાવતા. રેકેટના તાર દુબઈ સુધી જોડાયેલાનીતેશના ફોનમાંથી મળેલા પુરાવા દર્શાવે છે કે આ રેકેટના તાર દુબઈ સુધી જોડાયેલા હતા. એક વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ દુબઈના નંબર પરથી લોગિન હતું, અને 'Daily Reporting Group' માં દરરોજ કલેક્શનની એક્સેલ શીટ્સ મોકલાતી હતી. આ દર્શાવે છે કે આ એક અત્યંત સંગઠિત અને વ્યવસ્થિત આંતરરાજ્ય ગુનાહિત સિન્ડિકેટ હતું.ઈમેલ દ્વારા મળેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પરમાર અને પીએસઆઈ ડી.વી. ગામિત સહિતની 16 સભ્યોની ટીમ દ્વારા 15 નવેમ્બર, 2025ના રોજ ડુમસ રોડ અને પાલનપુર સ્થિત બે ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા. સ્વસ્તિક યુનિવર્સલ બિલ્ડિંગની ઓફિસ નં. 306 જ્યાં 'Smaex Enterprise Pvt Ltd' અને 'Adv. Ayaz I Timol' ના બોર્ડ લાગેલા હતા, ત્યાંથી નીતેશ ખવાણીને ઝડપી લેવાયો હતો. આ કૌભાંડ દેશ માટે ચેતવણીરૂપ છે- બિશાખા જૈનસાયબર સેલના ડીસીપી બિશાખા જૈનએ જણાવ્યું હતું કે, પોલીસે ઘટનાસ્થળ પરથી તમામ મહત્ત્વના દસ્તાવેજો, હાર્ડવેર અને ACH મેન્ડેટના રેકોર્ડ જપ્ત કરીને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી, 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાયબર ક્રાઇમની આ સરાહનીય કામગીરીથી 1,222થી વધુ પીડિતોને ન્યાય મળવાની આશા જાગી છે. આ કૌભાંડ સુરત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક ચેતવણીરૂપ છે કે ઓનલાઈન લોન અને જોબ ઓફરના નામે થતી છેતરપિંડીમાં કેવી રીતે બેંકિંગ પ્રક્રિયાઓનો પણ દુરુપયોગ કરવામાં આવે છે. આ સમાચાર પણ વાંચોઃપાકિસ્તાની એજન્ટો દુબઈ-વિયેતનામની ટિકિટ કરાવે, ત્યાં ચીની ગેંગ પાસપોર્ટ-મોબાઈલ જપ્ત કરી બળજબરીથી સાયબર ફ્રોડ કરાવતા ગુજરાત સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર સ્લેવરી (સાયબર ગુલામી) રેકેટનો મોટો પર્દાફાશ કરતા જૂનાગઢના પતિ-પત્ની સહિત 3 એજન્ટોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ પાકિસ્તાનના બે ભાઈઓ સાથે મિલીભગત કરતા હતા અને દેશ-વિદેશમાં યુવક-યુવતીઓને નોકરીના નામે છેતરતાં હતાં. (સંપૂર્ણ સમાચાર વાંચો)
સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે, જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે, ત્યારે ભાવનગરના દેવળીયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો. વૃદ્ધાનું ગળું દબાવી અને બે લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા છે અને એકજૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર ઘટના?ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, 15 નવેમ્બર શનિવારના રોજ તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા તે વેળાએ તેના જ ગામમાં રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવી અડધા પ્લોટની માંગણી ગમારા કુટુંબના મઢ માટે કરી હતી. જ્યારે મઢ માટે ધનજીભાઈએ પહેલેથી જ 12 ફૂટ જગ્યા આપી હોવા છતાં પણ અડધા પ્લોટની માંગણી ન સ્વીકારતા ગભા ખેંગારભાઈ ગમારાએ એકદમ ઉશ્કેરાઈ જઈ લાફો મારી ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળો આપી હતી. આ ઉપરાંત તેમની સાથે આવેલા કુલદીપ ગભાભાઈ ગમારા, ઇન્દુ ભગુભાઈ ગમારા, રતા ઇન્દુભાઇ ગમારા, માતર રામાભાઇ ગમારા, સુરેશ ખેંગારભાઈ ગમારા, રતાભાઈ ઇન્દુભાઇ ગમારાનો મોટો દીકરો, વિરમભાઈ ખેંગાભાઇ ગમારાનો નાનો દીકરો, બધાએ એક સંપ થઈ તો ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાના પ્લોટમાં જઈ ઘણ વડે દીવાલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ધનજીભાઈએ ઉમરાળા પોલીસ મથકમાં કુટુંબીજનો સાથે ફરિયાદ નોંધાવી હતી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં પાટીદાર અગ્રણીઓને બઠેકતારીખ: 17 નવેમ્બર 2025 ને સોમવારે સાંજે 8:30 કલાકે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ (સારથી એવન્યુ, L.P. સવાણી સ્કૂલ પાસે) ખાતે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે પાટીદાર સમાજના વડીલ ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂટ થવાની અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ હતી. જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા, વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. 'આપણા આખા સમાજની આબરૂ અને સુરક્ષાનો સવાલ છે'આ ઘટના ફક્ત એક પરિવારની નથી, આપણા આખા સમાજની આબરૂ અને સુરક્ષાનો સવાલ છે. જમીન હડપવા, ઘરમાં ઘૂસીને માર મારવો, વૃદ્ધ માતાને મારી નાખવાની ધમકી આપવી. આવા અસામાજિક તત્વો સામે ચૂપ રહેવું એ આપણા સમાજ માટે અને ગામડામાં રહેતા દરેક સમાજના લોકો માટે ખતરો છે. આજે જે પાટીદાર યુવાન સુરતમાં છે, ખાસ કરીને મોટા વરાછા, કામરેજ, કાપોદ્રા, વરાછા, અમરોલી, પુણા, સરથાણા, અડાજણ, વેસુ, કતારગામ વિસ્તારના બધા ભાઈઓ અને વડીલો હાજર રહ્યા હતા. પ્લોટ પટાવી પાડવા ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલોપાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થયો છે. એ ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થવાનું કારણ કે એ અસામાજિક તત્ત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો, એ જમીન પચાવી પાડવી હતી, એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારા માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે અને જો તું જમીન નહીં આપે તો 25 વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ. 'પત્નીને ગળું દબાવી અને બે લાફા પણ માર્યા હતા'આવું કહી અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે. એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગળું દબાવી અને બે લાફા પણ મારવામાં આવે છે. ત્યાંથી એ અસામાજિક અને લુખ્ખાઓને સંતોષ નથી થતો. 'પોલીસ તંત્ર મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે'ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે. પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે, ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મીટિંગ યોજી છે અને એ મીટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા. 'અસામાજિક લુખ્ખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ'પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે, ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય, કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય, ત્યારે એકજૂટ થઈ દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વૈમનસ્યતા ઊભી કરવાનું અને ઝેર જે ઉકસાવવાનું કામ કરતા હોય, જે ઝેર ભરવાનું કામ કરતા હોય, એ લોકોને ડામીને અસામાજિક લુખ્ખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ.
ટેક્સ બચાવવા લોકો દ્વારા ચોક્કસ પાર્ટીઓને ડોનેશન આપી પાર્ટી પાસેથી કમિશન બાદની રકમ પર મેળવી રહ્યા હોવાની હકીકતના પગલે આયકર વિભાગના અધિકારીઓએ અમદાવાદ અને ગાંધીનગરની 25 પ્રિમાઇસીસ સહિત ગુજરાતભરમાં 32 પ્રિમાઇસીસ પર દરોડા પાડીને કામગીરી શરૂ કરી હતી. જે પૈકી મોટા ભાગની પ્રિમાઇસીસમાં દરોડા બાદ નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ બિલ્ડરની જુદી જુદી પ્રિમાઇસીસ પરના દરોડામાં ડિપાર્ટમેન્ટને ઘણી વિગતો મળી છે. ગુજરાતમાં દરોડા બાદ હવે ડિપાર્ટમેન્ટ દ્વારા દેશભરમાં રાજકીય પાર્ટીઓ પર દરોડા પડે તેવી સંભાવનાને લઇને સંચાલકો દોડતા થઇ ગયા છે. રાજકીય પાર્ટીઓની ઓફિસોની વિગતો એકત્રિત કરાઈશહેરના પોશ વિસ્તાર ઉપરાંત કોટ વિસ્તારમાં અને પોળો તથા શેરીઓમાં ચાલતી રાજકીય પાર્ટીઓની ઓફિસોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. હાલમાં જે પાર્ટીઓની ઓફિસોમાં ઇનકમ ટેક્સની તપાસ ચાલી રહી છે. તે ઉપરાંત ઘણી પ્રિમાઇસીસન વિગતો ડિપાર્ટમેન્ટ પાસે નહિ હોવાથી તેની હાલ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. બિલ્ડરને ત્યાં દરોડામાં દસ્તાવેજો અને વ્યવહારોની વિગતો મળીબીજી તરફ અમદાવાદના બિલ્ડરને ત્યાં ચાલી રહેલા દરોડામાં પણ ઘણા દસ્તાવેજો અને વ્યવહારોની વિગતો મળી છે. હવે બિલ્ડર સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવશે. આયકર વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાષ્ટ્રવ્યાપી દરોડાની કામગીરી કરવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.
સુરતમાં હત્યાનો સિલસિલો એક બાદ એક ચાલી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ત્રીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગતરોજ રાત્રે રાંદેર વિસ્તારમાં હત્યા થઈ હતી. ત્યારબાદ આજે બપોરે લિંબાયતમાં હત્યાનો બનાવ બન્યો હતો. જ્યારે હવે પુણા વિસ્તારમાં 19 હજાર રૂપિયા માટે મિત્રે મિત્રને માથામાં ટાઇલ્સના ઘા મારી પતાવી દીધો હતો. હાલ તો પુણા પોલીસે આરોપીને પકડી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતોમળતી માહિતી પ્રમાણે, મૂળ બિહાર અને પુણા વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં 30 વર્ષીય લાલુ મિથિલેશ યાદવ રહેતો હતો. ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લાલુ વતનની નજીકના ગામમાં રહેતા 20 વર્ષીય વિકી મનોજકુમાર યાદવનો મિત્ર હતો. બંને મિત્રો સાથે હરતા ફરતા રહેતા હતા. ગઈકાલે રાત્રે પણ બંને સાથે સિગારેટ પીવા માટે ગયા હતા. વિકીએ લાલુના માથામાં ટાઇલ્સના ઘા મારી દીધાસિગરેટ પીને પરત ફરતા સમયે બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો. ઉશ્કેરાઈ ગયેલા વિકીએ લાલુના માથામાં ટાઇલ્સના ઘા મારી દીધા હતા. ત્યારબાદ લાલુને લોહી લુહાર હાલતમાં મિત્ર જ મિત્રને લઈને સારવાર માટે હોસ્પિટલ લઈને પહોંચી ગયો હતો. ત્યારબાદ તેની હાલત ગંભીર હતી અને પોલીસને મિત્ર પર જ શંકા ગઈ હતી. દરમિયાન લાલુનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી મિત્રને ઝડપી પાડ્યોપોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, વિકીએ મૃતક લાલુને 19,000 રૂપિયા આપ્યા હતા. જે વિકી પરત માગી રહ્યો હતો પણ મૃતક લાલુ રૂપિયા આપવા માટે આનાકાની કરી રહ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને ઊંચકે રાઈ ગયેલા વિકીએ લાલુને ટાઇલ્સના ઘા મારીને પતાવી દીધો હતો. હાલ તો આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને હત્યાનો ગુનો નોંધી પુણા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાંટળી ગામે લકુલીશ યોગાશ્રમ પંચમહાલ દ્વારા ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. સનાતન સંસ્કૃતિના પ્રસાર અને સેવા કાર્યોના ઉદ્દેશ્ય સાથે આ આશ્રમનું નિર્માણ કરવામાં આવશે. સંસ્થાના સ્થાપક પૂજ્ય પ્રિતમ મુનિજીના સાન્નિધ્યમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ નવનિર્મિત આશ્રમમાં ભગવાન શિવના અવતાર લકુલીશજીના સંકલ્પને સાકાર કરવાના ભાવિ આયોજનોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તેમાં બાળકોમાં સંસ્કાર સિંચન માટે હિન્દુ ગુરુકુળ, ગૌસેવા માટે ગૌશાળા, યોગ પ્રશિક્ષણ, અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય સુવિધાઓ જેવા અનેક સેવાકીય પ્રકલ્પો શરૂ કરાશે. આ પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ અને જીવદયાનું જતન કરવાનો હેતુ છે. આ પ્રસંગે આશીર્વચન આપતા પૂજ્ય પ્રિતમ મુનિજીએ યુવા પેઢી પર વધી રહેલા પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે યુવાનોને આધુનિકતાની આંધળી દોટ મૂકવાને બદલે સાચી શાંતિ અને માર્ગદર્શન માટે ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ઋષિમુનિઓએ ચીંધેલા માર્ગે ચાલવા હાકલ કરી હતી. આ ધાર્મિક અને સેવાકીય પ્રસંગે ગીતા પાઠ મંડળ ગોધરાના મહેન્દ્ર ઉપાધ્યાય, જિલ્લા સહકારી સંઘના રયજીભાઈ પરમાર, રંજનબેન રાઠોડ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના હિતેન્દ્રસિંહ રાઉલજી તેમજ સંસ્થાના ખજાનચી પ્રફુલભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકો અને દાતાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઉદાર મને દાન આપવામાં આવ્યું હતું.
વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચાઈનીઝ (પ્લાસ્ટિકની માંજા) દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન રૂ. 17 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે આ કાર્યવાહીમાં એક શખસને ઝડપી સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચન પોલીસ ઇન્સ્પેક્ટર કે આર સિસોદીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે ભૂતની ટીમ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીન આધારે એક ટેમ્પોમાં ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ભરીને સમીયાલાથી સાવલી તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે કરચીયા ગામની સીમમાં ઔરા લાઈફકેર કંપની સામેના રોડ પર નાકાબંધી કરી વાહનને રોક્યું હતું. ચેકિંગ દરમિયાન ટેમ્પામાંથી પ્લાસ્ટિકની ચાઈનીઝ માંજાના 2700 રીલ (બોબીન) મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ.12,06,000 તથા ટેમ્પાની કિંમત રૂ. 5,00,000 મળીને કુલ રૂ.17,06,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં આરોપી બાદરૂ બાબુભાઈ મેડા (ઉં.વ. 35, રહે. ખાનાપરા, પોસ્ટ મોકમપરા, તા. કુશલગઢ, જિ. બાંસવાડા, રાજસ્થાન)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત હાઈકોર્ટએ સોમવારે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ આ ACPCને નિર્દેશ આપ્યો હતો કે એક વિધાર્થિનીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના MBBS કોર્સમાં પ્રવેશ આપવામાં આવે. આ નિર્ણય વિધાર્થિનીએ ડોક્ટર બન્યા બાદ ફરજિયાત એક વર્ષની ગ્રામ્ય સેવાને ઉપરાંત વધારાના છ મહિના સેવા આપવા સંમતિ આપ્યા બાદ લેવામાં આવ્યો હતો. વિધાર્થિનીએ અમદાવાદની મેડિકલ કોલેજમાં ત્રીજા રાઉન્ડમાં પણ પ્રથમ વર્ષનો પ્રવેશ કન્ફર્મ ન કરવાનું બેદરકારીપૂર્ણ વર્તન કર્યું હતું. હાઇકોર્ટે ગયા અઠવાડિયે ACPCને તેના માટે એક સીટ ખાલી રાખવાનો આદેશ આપ્યો. વિદ્યાર્થિનીએ 6 મહિના ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવા સંમતિ દર્શાવીવિદ્યાર્થીનીએ જણાવ્યું કે, કોલેજ સ્ટાફે આપેલી ખોટી સલાહને કારણે તે પ્રવેશ કન્ફર્મ કરવા જરૂરી દસ્તાવેજો હેલ્પ સેન્ટર પર જમા કરી શકી નહોતી. નહીતર, તેણીએ ફી પણ ભરી હતી અને લેકચરોમાં હાજરી આપવાનું શરૂ કરી દીધું હતું. ACPC અને કોલેજે તેના હુકમનો વિરોધ કર્યો અને દલીલ કરી કે વિદ્યાર્થિની પોતાની બેદરકારી અને ગફલતના કારણે જ મુશ્કેલીમાં આવી છે. જ્યારે વિદ્યાર્થિનીએ પોતાની ભૂલ માટે વળતરરૂપે MBBSનો કોર્સ પૂર્ણ થયા બાદ વધારાના 6 મહિના ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવા સંમતિ દર્શાવી હતી. ભવિષ્યમાં આવી ભૂલ ના થાય તે માટે રૂ. 5 હજારનો દંડ ફયકાર્યોત્યારે હાઇકોર્ટે કહ્યું હતું કે, જો રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં લાયકાત ધરાવતા મેડિકલ ડોક્ટરની વધારાની 6 મહિનાની સેવા મળશે. 5 હજારનો દંડ કરીને, આ પ્રક્રિયાગત ખામી, જેના સંપૂર્ણપણે વિધાર્થીની જવાબદાર છે, તે કોર્ટ દ્વારા દૂર કરશે. હાઇકોર્ટે તેના પ્રથમ વર્ષના MBBSમાં પ્રવેશને નિયમિત કરવાની દિશામાં આદેશ આપ્યો છે એ શરતે કે તે વધારાની 6 મહિનાની ગ્રામ્ય સેવા અંગેની બાહેંધરી તે આપશે. બાદમાં તરત જ પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર જમા કરીને પ્રવેશ કન્ફર્મ કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવી પડશે. હાઇકોર્ટ દ્વારા ભવિષ્યમાં વિધાર્થીની દ્વારા આવી ગફલત ફરી ન થાય તે માટે ઉદાહરણ રૂપિયા 5 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરના ઈન્દિરાનગર (સેક્ટર-24)માં રહેતા ભાવેશકુમાર કાન્તીભાઈ સોલંકીએ ગુડા (ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ) પર ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે મુખ્યમંત્રીથી લઈને શહેરી વિકાસ વિભાગ સુધી રજુઆત કરી છે. તેમની ફરિયાદ મુજબ અનુસૂચિત જાતિના વેઇટિંગ લિસ્ટ મુજબ તેમને મળવાનું રહેલું AWS–2 પ્રકારનું પ્રધાનમંત્રી આવાસ (સરગાસણ ટી.પી.-07, એફ.પી.-186, હાઉસ નં.–C/712) ગુડાએ ભૂલથી ઓબીસી કેટેગરીના વ્યક્તિને ફાળવી દીધું છે અને તે વ્યક્તિ ગયા બે વર્ષથી ત્યાં વસવાટ કરી રહ્યા છે. વેઇટિંગ લિસ્ટમાં ક્રમાંક 33 તમામ કચેરી પ્રક્રિયા પૂર્ણ અરજદાર સોલંકીના જણાવ્યા મુજબ, વર્ષ 2021માં તેમના પિતાના નામે એડબ્લ્યુએસ–2 યોજના માટે અરજી કરવામાં આવી હતી. 2022માં થયેલા ઓનલાઈન ડ્રોમાં તેઓ વેઇટિંગ લિસ્ટમાં ક્રમાંક 33 પર આવ્યા હતા. ગુડાએ માર્ચ-2025માં ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવ્યા બાદ તેમને C-712 આવાસ ફાળવાતું હોવાની સત્તાવાર ચીઠ્ઠી પાઠવી હતી. ત્યારબાદ મે-2025માં તેમને પેમેન્ટ શિડ્યુલ આપવામાં આવ્યું અને અરજદાર દ્વારા જુલાઈ અને ઑગસ્ટ-2025માં કુલ ₹1,12,500ની રકમ બે હપ્તામાં જમા કરવામાં આવી હતી. પછી સપ્ટેમ્બર-2025માં સત્તાવાર ફાળવણી પત્ર (અલોટમેન્ટ લેટર) પણ અપાયું હતું. બેંક લોનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એગ્રીમેન્ટ, NOC અને ડિમાન્ડ લેટર માટે 11 નવેમ્બરે ગુડામાં અરજી પણ જમા કરાઈ હતી. જે મકાન અમને ફાળવ્યું છે તેમાં પહેલેથી જ પરિવાર રહે છેઅરજદારનું કહેવું છે કે જ્યારે તેઓ ફાળવવામાં આવેલા આવાસની ફિઝિકલ ચકાસણી કરવા ગયા ત્યારે ત્યાં એક પરિવાર રહેતો જોવા મળ્યો. પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે તેઓને પણ ગુડાથી જ ફાળવણી મળી છે અને બેંક લોન પણ ચાલુ છે. સોલંકીના જણાવ્યા મુજબ, આવાસ પહેલાં પાટકર કમળાબેનને SC કેટેગરી હેઠળ ફાળવવામાં આવ્યું હતું પરંતુ જાતિ સર્ટિફિકેટ ન હોવાથી 28 જૂન 2025ના રોજ ફાળવણી રદ કરી દેવામાં આવી. ત્યારબાદ તે જ SC કેટેગરીના મકાનને ભૂલથી ઓબીસી કેટેગરીના લાભાર્થી રબારી કાનજીભાઈને ફાળવી દેવામાં આવ્યું. “કચેરીની ભૂલ છે, એક અઠવાડિયામાં બીજું મકાન આપીશું” – ફરજ પરના અધિકારીઅરજદાર જ્યારે 13 નવેમ્બરે ગુડાની કચેરીએ રૂબરૂ રજૂઆત કરવા ગયા, ત્યારે ફરજ પરના અધિકારીએ આ બાબતને “કચેરીની ભૂલ” ગણાવી અને એક અઠવાડિયામાં બીજું મકાન ફાળવવાનું આશ્વાસન આપ્યું હોવાનું અરજદારનું કહેવું છે. “SC કેટેગરીના મકાનમાં OBC ને ફાળવણી શા માટે?” અરજદાર સોલંકીનો મુખ્ય આક્ષેપ છે કે SC કેટેગરીમાં આવેલ મકાન રદ થાય તો SC વેઇટિંગ લિસ્ટમાંથી જ આગામી અરજદારને ફાળવણી થવી જોઇએ, છતાં ગુડાએ નિયમોને અવગણીને ઓબીસી કેટેગરીના વ્યક્તિને મકાન ફાળવી દીધું છે. સોલંકી કહે છે કે, “આ બેદરકારીને કારણે SC કેટેગરીના ઘણા લાભાર્થીઓને તેમના હકના મકાનથી વંચિત થવું પડે છે. અમારી સાથે જાહેર રીતે અન્યાય થયો છે.” મુખ્યમંત્રી, મંત્રી અને અગ્રસચિવને નકલ સાથે લેખિત ફરિયાદઅરજદારે તેમની વિગતવાર ફરિયાદની નકલ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી અને અગ્રસચિવ સહિત અનેક અધિકારીઓને રવાના કરી છે અને યોગ્ય તપાસ સાથે તેમને મૂળ ફાળવાયેલ C-712 મકાન તાત્કાલિક ફાળવવાની વિનંતી કરી છે.
ગુજરાતને વૈશ્વિક રોકાણ, બિઝનેસ અને પ્રવાસન માટે વધુ આકર્ષક બનાવવા રાજ્ય સરકાર દારૂ પરમિટ સંબંધિત મહત્વના નિર્ણયો લઈ શકે છે. GIFT સિટીમાં વિદેશી મહેમાનો અને બિઝનેસ ડેલિગેટ્સને લીકર પરમિટ મળ્યા બાદ સરકાર હવે સુરત ડાયમંડ બુર્સ, સ્ટેચ્યુ ઑફ યુનિટી અને કચ્છના રણોત્સવમાં પણ નિયંત્રિત પરમિટ મળવાની સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સાથે-સાથે સરકાર દ્વારા તૈયાર કરાયેલી લીકર પરમિટની મોબાઇલ એપ્લિકેશનનું ટ્રાયલ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે એપ ટૂંક સમયમાં લોન્ચ થઈ જશે. જે પછી સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન થઈ જશે. સરકાર હવે ત્રણ સ્થળે નિયંત્રિત છૂટછાટ આપવા વિચારી રહી છેGIFT Cityમાં Wine Dine ઝોન અને FL-III લાઇસન્સ ધરાવતા હોટલ/ક્લબોમાં દારૂ પીવાની પરવાનગી અપાતા રાજ્ય સરકારને ₹94 લાખથી વધુની આવક થઈ. ગીફ્ટ સિટી બાદ સરકાર હવે ત્રણ સ્થળે નિયંત્રિત છૂટછાટ આપવા વિચારી રહી છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વનો સૌથી મોટો ડાયમંડ ટ્રેડિંગ હબ બન્યો છે. દુનિયાભરના વેપારીઓ, રોકાણકારો અને ટ્રેડર્સ અહીં સતત મુલાકાત લે છે. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ મુજબની સુવિધાઓ આપતી વખતે “કન્ટ્રોલ્ડ લીકર પરમીટ” એક મહત્વનો ભાગ બની શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છેવિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યું બન્યા બાદ SOU પર વર્ષ દરમિયાન લાખો પ્રવાસીઓ આવે છે જેમાં વિદેશીઓનું પ્રમાણ પણ વધતું રહ્યું છે. વિદેશી પ્રવાસીઓને તેમની જરૂરિયાત મુજબ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાથી તેઓનું સ્ટે લાંબું રહે છે, જેનાથી સ્થાનિક હોટલ, રેસ્ટોરન્ટ, વાહન વ્યવહાર અને રાજ્યના અર્થતંત્રને સીધો ફાયદો થઈ શકે છે. રણોત્સવ દર વર્ષે હજારો વિદેશી મહેમાનોને આકર્ષે છેવિદેશી પ્રવાસીઓ અહીં કેટલાંક દિવસો રોકાય છે અને તેઓ માટે ફૂડ–હોસ્પિટાલિટી સુવિધાઓ સાથે “લિમિટેડ લીકર પરમીટ”નો નિર્ણય પ્રવાસન ક્ષેત્રને વધારવા લઈ શકાય છે. સરકારે લીકર પરમીટ માટેની ઑનલાઇન મોબાઇલ એપનું ટ્રાયલ પૂર્ણ કરી દીધું છે, એપ ટૂંક સમયમાં લોન્ચ થશે. પ્રાથમિક તબક્કામાં ગીફ્ટ સિટી, ત્યારબાદ SOU–સુરત–રણોત્સવ જેવા સ્થળો માટે એપ દ્વારા ટૂરિસ્ટ પરમીટ આપવામાં આવી શકે છે. ગુજરાતમાં દારૂ પ્રતિબંધ યથાવત રહેશે પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસન અને બિઝનેસ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને સીમિત અને નિયંત્રિત પરમીટ ઝોન બનાવવાની ચર્ચા સરકારનું આગામી પ્રવાસન વિઝન બની શકે છે.
ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા તા. ૧૭/૧૧/૨૦૨૫ના રોજ ગોધરા ખાતેના સ્પોર્ટ્સ સંકુલ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કનેલાવ ખાતે યોજાઈ હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ સ્પર્ધાનું સંચાલન જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, પંચમહાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાસ્કેટબોલ સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના યુવા ખેલાડીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એમ ત્રણેય વિભાગમાં ભાઈઓ અને બહેનોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના રમતગમત અધિકારી કુ. મયુરબાળા ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ખેલાડીઓએ રમતગમતની ભાવના અને શિસ્ત સાથે ઉચ્ચ સ્તરનું પ્રદર્શન કરીને સ્પર્ધાને રોમાંચક બનાવી હતી.
બોપલમાં માઇકાના વિદ્યાર્થીની સરાજાહેર ચપ્પાના ઘા મારીને હત્યા કરનાર પોલીસ કર્મચારી વીરેન્દ્રસિંહ પઢેરિયાએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને કોર્ટે 5 હજારના દંડ સાથે ફગાવી દીધી છે. અગાઉ વિરેન્દ્રસિંહ પઢેરીયાએ જુલાઈ મહિનામાં હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ, હાઈકોર્ટે અરજી ફગાવવાનું વલણ ધરાવતા તે અરજી અરજદાર દ્વારા પરત ખેંચવામાં આવી હતી. ત્યારબાદ કોઈપણ સંજોગો બદલાયા વગર તેને ફરી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, કોઈપણ સંજોગો બદલાયા નથી પરંતુ, સુપ્રીમમાં અરજી કરવા હાઇકોર્ટના રિઝન ઓર્ડરની જરૂર હોવાથી તેને આ અરજી કરી છે. વળી શાબ્દિક ટપાટપીમાં આવેશમાં આવીને અરજદારે વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો હતો. હાઇકોર્ટે 5 હજારના દંડ સાથે અરજદારની અરજી ફગાવી દીધીસરકારી વકીલે દલીલ કરી હતી કે, ઓળખ પરેડમાં આરોપીને સાહેદે ઓળખી બતાવ્યો છે. પોલીસમાં હોવા છતાં તેને આવું ઘૃણિત કૃત્ય કર્યું છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, પાછલી જામીન અરજી ફગાવવાનું વલણ ધરાવતા તે અરજી અરજદારે પરત ખેંચી હતી. ત્યારબાદ સંજોગોમાં કોઈ ફેરફાર થયા નથી. અરજદારે સુપ્રીમમાં જવું છે અને હવે તે રિઝન ઓર્ડર માંગી રહ્યો છે. તેને ન્યાયિક સમયનો બગાડ અને દુરુપયોગ કર્યો છે. આરોપીએ ગુનામાં વાપરેલું ખંજર FSLમાં મોકલવામાં આવ્યું હતું. તેની ઉપરથી મૃતકનું લોહી મળી આવ્યું છે. ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ છે અને સાક્ષીઓ તપાસવાના શરૂ થયા છે ત્યારે હાઇકોર્ટે 5 હજારના દંડ સાથે અરજદારની અરજી ફગાવી દીધી હતી. વિરેન્દ્રસિંહ સામે અગાઉ પણ ગુના નોંધાયા છેઉલ્લેખનીય છે કે, આરોપી સામે નોંધાયેલી FIRમાં મુજબ બોપલના સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સથી રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા તરફ જતાં પ્રથમ વળાંક પાસે વીરેન્દ્રસિંહ ગાડી લઇને જતો હતો અને મૃતક વિદ્યાર્થી પ્રિયાંશુ સાથે ઝપાઝપી કરી કારમાંથી બંને હાથમાં છરીઓ લઇને આવ્યો હતો અને પ્રિયાંશુ ઉપર વાર કરતાં તેને ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન વિદ્યાર્થી પ્રિયાંશુનું મૃત્યુ થયું હતું. વિરેન્દ્રસિંહ સામે અગાઉ પણ કેટલાક ગુના નોંધાય ચૂક્યા છે.
મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે, જેમાં 8.37 કરોડ કરતા વધુના ટર્નઓવર સાથેના એક 'એક મ્યુલ એકાઉન્ટ' સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ખાતાનો ઉપયોગ દેશના 7 રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઈમ દ્વારા મેળવેલા નાણાં જમા અને ઉપાડવા માટે કરવામાં આવ્યો હતો. બંધન બેંકમાં 'હિતેષ ટ્રેડર્સ' નામે ખાતુ ખોલાવ્યુંસાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, બંધન બેંકનું આ ખાતું 'હિતેષ ટ્રેડર્સ' નામની પેઢીના નામે ખોલવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, આ બેંક ખાતામાં સાયબર ફ્રોડથી મેળવેલા 1,11,334 (એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોત્રીસ રૂપિયા) સહિતના નાણાં જમા થયા બાદ ચેક દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીઓ હિતેષ મહેન્દ્રભાઈ રાવળ અને પીયુષ કાન્તીભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધી છે. ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યાતપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ બેંક ખાતું ખોલાવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ દસ્તાવેજોમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશનના કાગળોનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસે 'હિતેષ ટ્રેડર્સ'ના દર્શાવેલા સરનામે તપાસ કરી, ત્યારે તે સરનામે કોઈ પેઢી અસ્તિત્વમાં ન હોવાનું મોટો ખુલાસો થયો હતો. બેંગ્લોર, પટના, MP સહિતના 7 રાજ્યોમાં ફરિયાદોઆ બેંક ખાતાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ માત્ર ગુજરાત પૂરતી સીમિત નહોતી. બેંગ્લોર, પટના, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ અને રાજસ્થાન સહિત કુલ 7 રાજ્યોમાંથી આ બેંક ખાતા વિરુદ્ધ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર ફરિયાદો નોંધાયેલી છે. મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(4), 318(4), અને 61 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નારાયણસિંહ ઈશ્વરસિંહ ચાવડાને સોંપવામાં આવી છે.
વાપીમાં ગુનેગાર સત્યમ યાદવને પાસા હેઠળ જેલ:વલસાડ LCB દ્વારા ભુજની ખાસ જેલ પાલારા મોકલાયો
વાપી વિસ્તારમાં શરીર સંબંધિત ગુનાઓ આચરી લોકોમાં ભય ફેલાવનાર 21 વર્ષીય સત્યમ સુભાષ યાદવને વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પાસા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે. તેને કચ્છ-ભુજની ખાસ જેલ પાલારા ખાતે મોકલી દેવાયો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. વલસાડના પોલીસ અધિક્ષક (SP) યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB વલસાડની ટીમે આરોપી વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા હતા. LCB દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માને મોકલવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે સત્યમને 'ભયજનક વ્યક્તિ' જાહેર કરીને તેને પાસા હેઠળ અટકાયતમાં લઈ ભુજ ખાતે કેદ રાખવાનો આદેશ આપ્યો હતો. સત્યમ સુભાષ યાદવ વાપીમાં રહે છે અને તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશના સંતકબીરનગર જિલ્લાનું ઔવતના ગામ છે. તેની સામે અગાઉ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બે ગંભીર પ્રોહિબિશન ગુનાઓ સહિત અન્ય ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. વલસાડ LCBની આ કાર્યવાહીથી વિસ્તારમાં કાયદો-વ્યવસ્થામાં સુધારો થશે અને લોકોને ભયમુક્ત વાતાવરણ મળશે તેવી અપેક્ષા છે.
રાજકોટના કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ.24)એ 15 નવેમ્બરના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે અંગે મૃતકના ભાઈ અભિષેક તુષારભાઈ વ્યાસ (ઉ.વ.28) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ડોલીબેનના પતિ અમિત ચંદ્રકાંતભાઈ આચાર્ય અને મિત્ર જય મનોજભાઈ સોનગરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ડોલીબેનના લગ્ન વર્ષ 2021માં અમિત આચાર્ય સાથે થયા હતા અને છેલ્લા દોઢે વર્ષથી બહેન રાજકોટ રહેતી હતી. 15 નવેમ્બર 2025ના સાંજના 7 વાગ્યા આસપાસ બનેવી અમિતકુમારનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મેં અને તમારા બહેન ડોલીએ છૂટાછેડા લેવા માટે કોર્ટમાં પ્રોસેસ શરૂ કરી છે અને સોમવારે કોર્ટમાં મુદત છે. ડોલીને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો જેથી મેં મારા મિત્ર જય સોનાગ્રાને ડોલીના ઘરે જવા માટે કહ્યું હતું ત્યારે જય ઘરે પહોંચતા ડોલીએ ગળાફાંસો ખાઈ લીધો છે તેમ જણાવ્યું હતું. 15 દિવસથી મિત્ર જય સોનગરા સાથે રહેતી હતી ડોલીબેનનો પતિ ઝઘડા કરી હેરાન પરેશાન કરતો હતો અને પોતે કોઈ કામ ધંધો કરતો ન હતો. આ બાબતે ડોલીએ અવારનવાર માવતરને વાત કરી હતી. ડોલી શુભ એપાર્ટમેન્ટમાં રહેતી હોય ત્યાં આજુબાજુના રહીશો પાસેથી પરિવારને જાણવા મળ્યું હતું કે, ડોલી 15 દિવસથી જય મનોજભાઈ સોનગરા સાથે ભાડેથી રહેતી હતી અને બે દિવસ પહેલા જય અને ડોલી વચ્ચે ઝઘડો થયો હતો. જય સોનગરાએ પોતે ડોલી સાથે છ મહિનાથી રિલેશનમાં હોવાનું જણાવ્યું હતું. આમ પરિણીતાને પતિ અમિતકુમાર આચાર્યએ શારીરિક માનસિક ત્રાસ આપ્યા બાદ તેનો પુરુષ મિત્ર જય સોનગરા પણ છએક મહિનાથી રિલેશનમાં હોવાથી તે દરમિયાન ત્રાસ આપતા બંનેના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચાલીને જતા પ્રૌઢના ગળામાંથી સોનાની માળા ઝૂંટવીકમલેશભાઈ નાનજીભાઈ નકુમ (ઉ.વ.56)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે તેમના સાળા હેંમતભાઈ બચુભાઈ જારીયાના દીકરા આશીષના લગ્ન પ્રસંગમાં ગયા હતાં. રાત્રીના 8.30 વાગ્યા આસપાસ જમીને તેઓ તથા તેમના સગા અરજણભાઈ કરશનભાઈ જારીયા બન્ને નાના મૌવા મેઇન રોડ પર પાનની દુકાન પર પાન ખાવા માટે ગયા હતા. ત્યાંથી પાન ખાઈને 9.30 વાગ્યે ચાલીને પરત ફરતા લક્ષ્મીનગર શેરી નં.6, અમૃત ક્રેડીટ સોસાયટીના ખુણા પાસે પહોંચતા એક અજાણ્યો શખસ સામેથી કાળા કલરનું એક્ટીવા ચલાવી નજીક આવ્યો હતો. ત્યારે પ્રૌઢે ગળામાં પહેરેલી રૂદ્રાક્ષની સોનાની આશરે પાંચ તોલાની માળા જોટ મારી અને ખેંચી એક્ટિવાચાલક નાસી ગયો હતો. એક્ટિવાચાલકને પકડવા જતા પ્રૌઢ દોડતા-દોડતા પડી ગયા હતા જેથી તેમને હોઠ તથા નાક અને જમણા હાથની આંગળી પર ઇજા પહોંચી હતી. એક્ટિવા પર આવેલો શખસ પ્રૌઢના ગાળમાં ઝોંટ મારી રૂ.90 હજારની કિંમતની સોનાની માળા આંચકી ગયા અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ઘરેલું હિંસાના કેસમાં પરિણીતાની અરજી નામંજૂરરાજકોટમાં રહેતી પરીણિતા વંદનાબેન અશ્વીનભાઈ દસાડીયાના લગ્ન શહેરમાં જ રહેતા અશ્વીનભાઈ દસાડીયા સાથે થયેલા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા પરીણીતાએ પોતાના પતિ તથા સાસરીયા વિરૂદ્ધ રાજકોટની કોર્ટમાં ઘરેલુ હિંસા તથા કરીયાવર મેળવવાની ફોજદારી અરજી દાખલ કરી હતી. આ કેસ ચાલી જતા ફોજદારી કોર્ટ દ્વારા નોંધ કરવામાં આવી કે, અરજદાર દ્વારા પતિ વિરૂદ્ધ આક્ષેપો પૂરવાર થતા નથી તેમજ પતિએ પરિણીતા સાથે કોઈ શારીરિક, માનસીક હિંસા આચરી હોય તેવું ફલીત થતું નથી. જેથી અરજદાર રક્ષણનો હુકમ મેળવવા તથા સ્ત્રીધન પરત મેળવવા હકદાર બનતા નથી માટે અરજદારની અરજી નામંજૂર કરતો કોર્ટે હુકમ કર્યો હતો. બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત રાજકોટ RTO કચેરી પાછળ શિવમ સોસાયટીમાં રહેતા ભગવાનદાસ નરભેરામભાઇ પરમાર (ઉં.વ.72) બે દિવસ પૂર્વે 15 નવેમ્બરના રોજ રાત્રિના એકાદ વાગ્યા આસપાસ પોતાના ઘરે સેલફોસની ટીકડીઓ ખાઈ જતા ઉલટી થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં વૃદ્ધને ડાયાલીસીસની સારવાર ચાલતી હતી. ઉપરાંત માનસિક અસ્વસ્થ પણ રહેતા હતા જેથી કંટાળી પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જો કે, હાલ બનાવ અંગે જાણ થતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં એક સગીરા અને એક યુવકનું મૃત્યુ થયું છે. માળિયા (મી)ના રોહીશાળા ગામે એક સગીરાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે મોરબી નજીક એક કારખાનાના ક્વાર્ટરમાં યુવકે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પ્રથમ ઘટનામાં, મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ માળિયા મિયાણા તાલુકાના રોહીશાળા ગામે રાજેશભાઈ છગનભાઈની વાડીએ મજૂરી કરતા જયંતીભાઈ નાયકની ૧૬ વર્ષીય પુત્રી વાણશીબેન નાયકે ૪ નવેમ્બરના રોજ બપોરના સુમારે વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. વાણશીબેનને તાત્કાલિક સારવાર માટે પ્રથમ જેતપુર સીએચપી અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ૧૫ નવેમ્બરના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે હોસ્પિટલ દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટનામાં, મોરબીના લગધીરપુર રોડ પર આવેલી સનારીયા કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા ૨૧ વર્ષીય મોહિતભાઈ રાજુભાઈ વર્માએ પોતાના રૂમમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોહિતભાઈના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી છે. એન.એસ. મેસવાણીયા આ યુવકના આપઘાત પાછળના કારણો અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગલીયાણા ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. અવની ફાર્મ નજીક દવાખાનું ચલાવતા આ ઈસમ વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આણંદ SOG પોલીસને ગલીયાણા ગામે બોગસ ડોક્ટર દવાખાનુ ચલાવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તારાપુર તાલુકાના ખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. આશિયાના સૈયદને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. પોલીસે નાનીગોપાલ નિર્મલ રોય (રહે. ગોલાણા, નાના ફળીયા, તા.ખંભાત. મુળ રહે. પશ્ચિમ બંગાળ) ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન, નાનીગોપાલ રોયે પોતે ડોક્ટર હોવાનો દાવો કર્યો હતો. જોકે, તે ડોક્ટર તરીકેની કોઈ ડિગ્રી કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર રજૂ કરી શક્યો ન હતો. પોલીસે દવાખાનામાંથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શનો અને મેડિકલ પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેવાતી સાધનસામગ્રી સહિત કુલ રૂપિયા 17,835 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોરબંદરમાં બે સ્થળે આગના બનાવ, જાનહાનિ ટળી:ફાયર વિભાગની સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના અટકી
પોરબંદરમાં આજે સાંજે લગભગ 7 વાગ્યે બે અલગ-અલગ સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ બની હતી. પોરબંદર ફાયર વિભાગને જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરી બંને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. સદ્નસીબે, આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રથમ ઘટના કોલીખડા નજીક અતિથિ હોટલ પાસે બની હતી. અહીં અમર સાગર સી ફૂડના પાણી સપ્લાય ટેન્કરની કેબિનમાં વાયરિંગ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. ફાયર ફાઇટર્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને ઝડપથી કાબૂમાં લઈને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. બીજી ઘટના નિધિ પાર્ક વિસ્તારમાં બની હતી, જ્યાં એક પ્લેઝર સ્કૂટરમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે સ્કૂટર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કાર્યવાહી કરી હતી. પોરબંદર ફાયર વિભાગે બંને બનાવોમાં ઝડપી અને સમયસર પ્રતિસાદ આપ્યો હતો, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ટળી હતી. આ બંને આગના બનાવો અંગે વધુ તપાસ ચાલી રહી છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ખાતે વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત સરકારના 'મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ' તથા 'માય ભારત' અંતર્ગત યોજાયો હતો. યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરીયાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો. જેમાં મુખ્ય વક્તા તરીકે નિસર્ગભાઈ રાઠોડ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં, અધ્યક્ષ તરીકે કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરીયાએ સમગ્ર કાર્યક્રમની ટૂંકી રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે કુલ સચિવ ડો. અનિલભાઈ સોલંકી, યુનિવર્સિટીના એનએસએસ કોઓર્ડિનેટર ડો. સંજયભાઈ જોષી સહિત વિવિધ વિભાગોના પ્રોફેસર્સ અને મોટી સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ડો. સંજયભાઈ જોષીએ કર્યું હતું, જ્યારે સંચાલન જયભાઈ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું.
રાજકોટ મનપાની દબાણ હટાવ શાખાએ પખવાડિયામાં અલગ-અલગ વિસ્તારમાંથી 68 રેંકડી-કેબીન જપ્ત કર્યા હતા તો શહેરમાં આડેધડ મારવામાં આવતા 2100થી વધુ બોર્ડ-બેનર કબ્જે કર્યા છે. શહેરના જામનગર રોડ, જલારામ ચોક, જંકશન પ્લોટ, રેસકોર્ષ રોડ, યુનિ.રોડ, 150 ફુટ રોડ, નાણાવટી ચોક, સાધુવાસવાણી રોડ, પટેલ કન્યા છાત્રાલય, કોઠારીયા રોડ, સેટેલાઈટ ચોક પર રસ્તા, સર્કલ, ડિવાઇડર પર મંજૂરી વગર ગેરકાયદે રાખવામાં આવેલા 2130 બોર્ડ-બેનર જપ્ત કરાયા હતા તેમજ તા. 1થી 15 દરમિયાન જ્યુબેલી મવડી બ્રિજ નીચે રેલ્વે લાઈન, આનંદ બંગલા ચોક, રામનાથ પરા, કરણપાર્ક, રૈયા રોડ, નંદનવન પાર્ક, રવિવારી આજીડેમ, કોઠારીયા રોડ, મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી રસ્તા પર નડતર રૂપ 68 રેકડી, કેબીન જપ્ત કરાયા હતા. અલગ-અલગ રોડ પરથી 760 પરચુરણ ચીજવસ્તુઓ અને 3501 કિલો શાકભાજી, ફળ જપ્ત કરાયા હતા તો અલગ-અલગ રોડ પરથી રૂ. 1.14 લાખનું મંડપ કમાન અને છાજલી ભાડુ ઉપરાંત રૂ. 3.07 લાખનો વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીનાં કાર્યક્રમમાં ફેરફાર, હવે શનિવારે રાજકોટ આવે તેવી શક્યતાઆગામી તા.19ના મહાપાલિકાના સ્થાપના દિને મનપા દ્વારા સંખ્યાબંધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો નકકી કરાયા છે. ત્યારે એકાએક મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફેરફાર થયાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી હવે તા. 22 નવેમ્બરને શનિવારે રાજકોટ આવે તેવી પુરી શક્યતા છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કોર્પોરેશન તંત્ર દ્વારા મુખ્યમંત્રીનાં હસ્તે રૂ. 400 કરોડના કામોની ભેંટ આપવાની તૈયારી કરવામાં આવી હતી. અને આર્ટ ગેલેરીમાં રાજકોટની 'કલ આજ ઔર કલ' ઉપરનું ચિત્ર પ્રદર્શન પણ ગોઠવવામાં આવનાર છે. સીએમનાં એકતા યાત્રા સહિતના કાર્યક્રમો હોવાથી હવે તેઓ તારીખ 22 નવેમ્બરે રાજકોટ આવે તેવુ જાણવા મળ્યું છે. જોકે મનપા પાસે હજુ જુની કે નવી કોઇ તારીખનો સત્તાવાર કાર્યક્રમ આવ્યો નથી. આથી સીએમઓમાંથી કાર્યક્રમ આવે ત્યારે ફાઇનલ વ્યવસ્થા ગોઠવાશે. સખી વન સ્ટોપ સેન્ટરે માનસિક ત્રાસથી ઘર છોડનારી પરિણીતાનું સમાધાન કરાવ્યુંમહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ચલાવવામાં આવતી એક નોંધપાત્ર યોજના એટલે સખી વન સ્ટોપ સેન્ટર. રાજકોટમાં આ સેન્ટર મહિલાઓની સામાજિક અને આર્થિક ઉન્નતિ માટે તેમજ તેમના જીવનમાં સુખનો દીપક પ્રગટાવવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યું છે. આવા જ એક કિસ્સામાં, રાજકોટની 19 વર્ષીય પરિણીતાએ પતિ અને સાસુના માનસિક ત્રાસથી કંટાળીને ઘર ત્યજી દીધું હતું. પતિ સાથેના ઉગ્ર ઝઘડા બાદ તેણે 181 અભયમને કોલ કર્યો હતો અને ત્યારબાદ તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. સેન્ટરના સ્ટાફે યુવતીનું સફળતાપૂર્વક કાઉન્સેલિંગ કર્યું હતું. આ પછી યુવતીના પતિને સેન્ટર પર બોલાવીને બંનેને સાથે બેસાડીને સમજાવવામાં આવ્યા હતા. સ્ટાફે પતિને પત્ની અને માતાનું સન્માન જાળવીને પારિવારિક જીવન જીવવા અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટરની આ નોંધપાત્ર કામગીરીને કારણે મહિલા અરજદાર તેમના પતિ સાથે પુન:મનમેળાપ કરવા તૈયાર થયા હતા. પરિવાર સાથે સુખદ સમાધાન થતાં યુવતીએ સેન્ટરના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ જિલ્લાના માણાવદર-વંથલી પંથકમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સ્થાનિક ખેડૂતો વચ્ચે 'ફોન કોલ' અને 'સળી'ના મુદ્દે એક મોટો અને ઉગ્ર વિવાદ ઊભો થયો છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન, ખાતરની અછત અને રોડ-રસ્તાની બિસ્માર હાલત જેવી ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆત કરવા માટે જ્યારે ખેડૂતો ધારાસભ્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને પૂરતો પ્રતિસાદ મળતો નથી. આ મામલે ધારાસભ્યએ આપેલા નિવેદનથી ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. 'કોઈ સળી વાળા હોય હું તેમના ફોન ઉપાડતો પણ નથી'ધારાસભ્ય અરવિંદ લાડાણીનું એક નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, 'મને જે લોકો સળી કરે છે તેનો જવાબ હું આપતો નથી. આ અંગે તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, 'મારા વિઘ્ન સંતોષી માણસો મીડિયા સમક્ષ આવીને પોતાના નિવેદનો દેતા હોય છે. ખેડૂતોને હું જવાબ દેતો જ હોઉં છું, પરંતુ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ સળી કરવા વાળા હોય તેમાં હું ગંભીરતા રાખું છું અને તેવા ફોન ઉપાડતો પણ નથી. 'ખેડૂતોએ મને ફરિયાદ કરી હોય તે વાત તદ્દન ખોટી છે'પોતાના કામકાજની પદ્ધતિ સમજાવતા તેમણે વધુમાં કહ્યું હતું કે, મારું કાર્યાલય ટૂંક સમયમાં શરૂ થઈ જશે, કાર્યાલય શરૂ કરવું ના કરવું એ મારી ઈચ્છાની વાત છે. હું લોકો હારે સતત સંપર્કમાં હોઉં છું, એવું નથી કે કાર્યાલય હોય તો જ બધો વહીવટ થઈ શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ખેડૂતોએ મને ફરિયાદ કરી હોય તે વાત તદ્દન ખોટી છે અને જો કોઈ એવા ખેડૂત હોય તો તેમને મારી સામે લઈ આવો. તેઓ કહે છે કે ક્યારેક કવરેજ ન હોય, ક્યારેક મીટિંગમાં હોઈએ અને વીડિયો આવે પછી હું જોઈ લઉં પછી મારે તેને ફોનમાં જવાબ દેવાનો થતો નથી, કેમ કે એણે મને રજૂઆત તો કરી દીધી. 'અરવિંદભાઈ સળી તો તમે પહેલા કરી છે'જોકે, ધારાસભ્યના આ નિવેદનથી ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે. વંથલી તાલુકાના બંટીયા ગામના ખેડૂત પ્રકાશ જલુ એ ધારાસભ્ય લાડાણીને સીધો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, 'અરવિંદભાઈ સળી તો તમે પહેલા કરી છે, કારણ કે, કોંગ્રેસમાં તમને જ્યારે મત આપ્યા અને તમે પક્ષ પલટો કરી ભાજપમાં ચાલ્યા ગયા. આનાથી મોટી સળી કોઈ હોય જ ના શકે, સળી તો તમે જ કરી છે.' 'કમોસમી વરસાદથી ખેડૂતોને મોટેપાયે નુકસાની થઈ છે'પ્રકાશ જલુએ વર્તમાન સમસ્યાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અત્યારે ખેડૂતોને ખાતર મળતું નથી, કમોસમી વરસાદથી ખેડૂતોને મોટેપાયે નુકસાની થઈ છે, ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય છે અને રોડ રસ્તા ભંગાર હાલતમાં છે. ત્યારે લોકો ધારાસભ્યને ફોન કરે તો તેને એવું કેમ લાગે છે કે તેને સળી કરવા માટે ફોન કરે છે? હવે જ્યારે લોકો કોલ કરે તો શા માટે તમને સળી લાગે છે?તેમણે ધારાસભ્યના ચૂંટણી સમયના વાયદાઓને યાદ કરાવતા કહ્યું કે, ચૂંટણી સમયે અરવિંદ લાડાણી કહેતા હતા કે મને કાળી રાતે કામ હોય તો પણ કોલ કરજો, તમારા કામ કરવા માટે હું ગમે ત્યારે હાજર રહીશ, તો હવે જ્યારે લોકો કોલ કરે છે તો શા માટે તમને સળી લાગે છે? જલુએ ચેતવણી આપી કે આનો જવાબ તો હવે જ્યારે અરવિંદભાઈ લાડાણી તમે ગામડામાં આવો ત્યારે ખેડૂતો આપવા તૈયાર જ બેઠા છે, એટલે વહેલી તકે હવે તમે ગામડામાં આવો. 'મત જોતા હોય ત્યારે સાત-સાત વખત ફોન કરી આજીજી કરે છે'માણાવદર મતવિસ્તારના અન્ય એક ખેડૂત આગેવાને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, થોડા દિવસો પહેલાં જ એક ખેડૂતે વીડિયો વાઇરલ કરી કહ્યું હતું કે, કોઈપણ પક્ષના નેતાઓ અને તેના કાર્યકર્તાઓ મત જોતા હોય ત્યારે સાત સાત વખત ફોન કરી આજીજી કરે છે, પરંતુ ચૂંટાયા બાદ જ્યારે ખેડૂતો કે સામાન્ય માણસને જરૂર પડે છે ત્યારે કોઈ ફોન ઉઠાવતું નથી. તેમણે પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું: એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બોલું છું, જે નેતાઓને મગજમાં ઘમંડ આવી ગયા છે. જે સામાન્ય માણસ અને ખેડૂતોના પૈસે જે લીલાલેર કરે છે અને મોટા મોટા કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરે છે તેવા લોકોને હું કહું છું કે જેદી ખેડૂતોના મગજ જશે ત્યારે નામ નિશાન નહીં હોય, પહેરવા ચડી નહીં રહે યાદ રાખજો આ. આ ખેડૂતો નબળા છે તેવું ન માનતા. 'મેં અનેક વખત કોલ કર્યા, પરંતુ એક વખત રીસીવ કર્યો નથી'આ ખેડૂત આગેવાને ધારાસભ્ય અરવિંદ લાડાણી પર આરોપ લગાવ્યો કે કમોસમી વરસાદ થયો અને ત્યારબાદ ખેડૂતોએ રજૂઆત કરવા માટે જ્યારે ધારાસભ્યને ફોન કર્યા ત્યારે એક પણ ફોન અરવિંદભાઈ લાડાણીએ ઉઠાવ્યા ન હતા, જેની બધી એ સાબિતી મારી પાસે છે. તેમણે વધુમાં કહ્યું કે અરવિંદભાઈ લાડાણીએ એવું કહ્યું કે મારા વિરોધીઓ મને ફોન કરી બદનામ કરવાનું કરે છે, પરંતુ આવું કંઈ જ નથી. મેં ધારાસભ્યને અનેક વખત કોલ કર્યા છે, પરંતુ એક વખત મારો કોલ રીસીવ કર્યો નથી. ખાતરમાં જે ડુબ્લીકેટ ખાતર આવે છે તેના માટે પણ કોલ કર્યા હતા, ત્યારે અરવિંદભાઈ લાડાણીએ મને કહ્યું હતું કે તમારે જે પ્રશ્ન હોય તે લેખિતમાં આપો, હાલ જ્યારે ડિજિટલ ઇન્ડિયા છે ત્યારે જેને કામ કરવું હોય તેને લેખિતમાં આપવાની કોઈ જરૂર નથી. જ્યારે અરવિંદભાઈ લાડાણી કોંગ્રેસમાં હતા, ત્યારે ખેડૂતોના અનેક મુદ્દાઓ લઈને આવતા હતા, પરંતુ ભાજપમાં ગયા બાદ કેમ કંઈ સાંભળતા નથી. 'MLAએ કોઈ વિકાસના કામ કર્યા નથી અને તદ્દન ખોટી વાતો કરે છે'ખેડૂતો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોઈ વિકાસના કામ કર્યા નથી અને તદ્દન ખોટી વાતો કરે છે. વંથલીથી માણાવદરનો રોડ બાર વર્ષથી બન્યો નથી, ત્યારે આનાથી મોટી સળી કઈ હોઈ શકે. ઉપરાંત, વંથલી માણાવદરમાં જે ટીકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવે છે ત્યાં એક પણ સીસીટીવી કેમેરા નથી અને ખેડૂતોની મગફળી પણ વધુ પ્રમાણમાં રિજેક્ટ કરવામાં આવે છે. હાલ મંડળીઓમાં ખાતર પણ સમયસર મળતું નથી અને માણાવદર તાલુકામાં ઘણી બોગસ મંડળીઓ ચાલે છે, પરંતુ તે મામલે એક પણ વખત ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી નથી. અરવિંદભાઈ લાડાણી પ્રજાએ તમને મત આપી કોંગ્રેસ પક્ષમાંથી જીતાડ્યા અને તમે ભારતીય જનતા પાર્ટીમાં પક્ષપલટો કરી ગયા આ જ સૌથી મોટી 'સળી' છે.
પોરબંદર જિલ્લામાં ખેલ મહાકુંભ-2025નો પ્રારંભ થયો છે. આ અંતર્ગત વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 1,158 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જિલ્લામાં કુલ ચાર મુખ્ય સ્પર્ધાઓ યોજાઈ હતી. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા પોરબંદરના ચોપાટી સ્થિત હાથી સ્કેટિંગ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર-11, અંડર-14, અંડર-17 અને ઓપન એજ કેટેગરીમાં કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 52 ભાઈઓ અને 33 બહેનોનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા પોરબંદરના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી. અંડર-11 અને ઓપન એજ કેટેગરીમાં કુલ 83 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 62 ભાઈઓ અને 21 બહેનોનો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા રાણાકંડોરણાની પૂજાપરા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને ઓપન એજ કેટેગરીમાં કુલ 336 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 180 ભાઈઓ અને 136 બહેનોનો સમાવેશ થાય છે. રાણાવાવ તાલુકાની એથ્લેટિક્સ સ્પર્ધા પોરબંદરના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17 અને ઓપન એજ કેટેગરીમાં કુલ 654 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 382 ભાઈઓ અને 272 બહેનોનો સમાવેશ થાય છે. ખેલ મહાકુંભ-2025 અંતર્ગત પોરબંદર જિલ્લામાં યોજાયેલી સ્કેટિંગ, બેડમિન્ટન, વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી વિવિધ સ્પર્ધાઓમાં કુલ 1,158 ખેલાડીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.
અમદાવાદના કોતરપુર વોટર વર્કસમાંથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે. આજે 17 નવેમ્બરના રોજ સવારે 300 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાવર સપ્લાયનો કટ થયો હોવાના કારણે આવતીકાલે 18 નવેમ્બરના રોજ સવારે અંદાજિત 15 મિનિટ જેટલું પાણી ઓછું આપવામાં આવશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા, સરખેજ, પાલડી, આશ્રમ રોડ, નવરંગપુરા, એલિસબ્રિજ, વાડજ, નવા વાડજ, અખબારનગર, નારણપુરા, સુભાષબ્રિજ, કેશવનગર, સાબરમતી અને ચાંદખેડા તેમજ પૂર્વ વિસ્તારમાં નરોડા, નિકોલ અને ઓઢવ વિસ્તારમાં પાણીની ઘટ પડશે. કાલે 15 મિનિટ પાણી ઓછું મળશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોડક્શન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ કોતરપુર વૉટર વર્કસ ખાતે 300 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સવારે 11.30 વાગ્યાથી પાવર ગયો હતો. પાવર સપ્લાય બંધ થવાના કારણે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ થયો હતો. પશ્વિમ ઝોનના રાણીપ વોર્ડ સિવાય તમામ વોર્ડ અને ઉત્તર ઝોનના નરોડા વોર્ડ, પૂર્વ ઝોનના નિકોલ અને ઓઢવ વોર્ડના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણીમાં ઘટ પડશે. સવારે લોકોને ઓછું પાણી મળશે. જો કે, જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં પાણીના બોર છે ત્યાં બોર ચાલુ કરવામાં આવશે જેથી લોકોને પાણીની તકલીફ પડશે નહીં.
વલસાડમાં ગેસ લાઇનમાં ભંગાણ:સર્વિસ રોડના ખોદકામ દરમિયાન GSPC લાઇન તૂટી, 400 ઘરોમાં પુરવઠો બંધ
વલસાડના સાંઈ લીલા મોલ પાસે સર્વિસ રોડના ખોદકામ દરમિયાન GSPCની ગેસ લાઇન તૂટી ગઈ હતી. આ ઘટનાને કારણે વિસ્તારના 400થી વધુ ઘરોમાં ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. DFICCની ટીમ દ્વારા સર્વિસ રોડની કામગીરી ચાલી રહી હતી. DFICCના કોન્ટ્રાક્ટર દ્વારા JCB વડે રોડ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન, JCBનો પાવડો ગેસ લાઇનને વાગતા લાઇનમાં ભંગાણ થયું હતું. ગેસ લાઇન તૂટતા જ ધડાકાભેર અવાજ આવ્યો હતો, જેના કારણે JCB ચાલક અને કામદારો ગભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક સ્થાનિકો અને DFICCના કોન્ટ્રાક્ટરે GSPC ટીમને જાણ કરી હતી. GSPCની ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે સૌપ્રથમ ગેસ લાઇન બંધ કરી હતી અને જરૂરી તકેદારીઓ રાખીને ભંગાણ થયેલી લાઇનના સમારકામની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને કારણે આસપાસના આશરે 400થી વધુ ઘરોમાં ગેસ પુરવઠો બંધ થઈ ગયો હતો. GSPC દ્વારા યુદ્ધના ધોરણે મરામતની કામગીરી ચાલી રહી છે, જેથી વહેલી તકે પુરવઠો પૂર્વવત કરી શકાય.
પોરબંદરમાં રોજગાર મેળો:817થી વધુ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવાયા, 23માંથી 14ની પ્રાથમિક પસંદગી
પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 15 નવેમ્બર, 2025ના રોજ આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં હાજર રહેલા 23 ઉમેદવારોમાંથી 14ની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ ભરતીમેળા માટે પોરબંદર જિલ્લાના 817થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મીડિયા દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 23 ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા. ભરતીમેળામાં હિરાવતી મરીન પ્રોડક્ટ્સ, આદિત્ય સીનર્જી પ્રા.લી., કે.એ.રાઈચુરા કો., હિંદુસ્તાન મરીન પ્રોડક્ટ્સ અને દ્વારકાધીશ ટેક્ટર્સ જેવા સ્થાનિક નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નોકરીદાતાઓએ તેમના એકમ કે સંસ્થા ખાતેની ખાલી જગ્યાઓ અને જોબ પ્રોફાઇલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ, નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાજર રહેલા 23 ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ અને આવડતના આધારે ૧૪ રોજગારવાંચ્છુઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. પસંદ કરાયેલા ઉમેદવારોને બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. આ ઉપરાંત, રોજગાર કચેરીના કાઉન્સેલરો દ્વારા કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ. પોર્ટલનો પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.
ગોધરા શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને અકસ્માતોના ચાર અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં કુંડલા ગામે એક પરિણીતાએ કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો, જ્યારે કેપ્સ્યુલ પ્લોટમાંથી 738 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપાયો હતો. આ ઉપરાંત, મૈત્રી સર્કલ પાસે મારામારી અને પાર્વતીનગર સોસાયટીમાંથી એક યુવતી ગુમ થવાનો બનાવ પણ નોંધાયો છે. ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં આવેલા મૈત્રી સર્કલ પાસે સાક્ષીમાં રહેવા બાબતે અદાવત રાખીને બે ઇસમોએ એક વ્યક્તિને માર માર્યો હતો. ઇદગાહ મહોલ્લામાં રહેતા હસન અબ્દુલ હકીમ કારીગરે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત 16 નવેમ્બરના રોજ તેઓ મૈત્રી સર્કલ પાસે હતા ત્યારે તારિક નૂરમોહમ્મદ મિસ્ત્રી અને શાહરૂખ એહમદ મિસ્ત્રીએ તેમના ભાઈ સાક્ષીમાં કેમ રહ્યા તે બાબતે અપશબ્દો કહ્યા હતા. અપશબ્દો બોલવાની ના પાડતા તારિક મિસ્ત્રીએ ઉશ્કેરાઈને મોઢાના ભાગે મુક્કો માર્યો અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટનામાં, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે કેપ્સ્યુલ પ્લોટ વિસ્તારમાં આવેલ ઇકબાલ ભોચુંના તબેલા પાસેના ઝાડી-ઝાંખરામાંથી 738 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો ગૌવંશ લાવીને તેની કતલ કરી રહ્યા છે. 16 નવેમ્બરના રોજ દરોડા પાડવામાં આવતા કતલ કરવા એકઠા થયેલા ત્રણ ઇસમો નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી આસિફ ઇદ્રિશ હયાતનો મોબાઈલ ફોન અને બે બાઇક સહિત કુલ રૂ. 2.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માંસ ગૌમાંસ હોવાની આશંકાએ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું છે અને ફરાર થયેલા ઇસમોની શોધખોળ ચાલુ છે. ગોધરા તાલુકાના કુંડલા ગામે ભાથીજી મંદિર ફળિયામાં રહેતા મુકેશકુમાર પટેલે ગોધરા તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોત અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગત 11 નવેમ્બરના રોજ તેમની 39 વર્ષીય પત્નીએ પોતાના ઘર પાસે આવેલા કૂવામાં અગમ્ય કારણોસર ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. કૂવાનું પાણી પી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોથી ઘટનામાં, ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ પાર્વતીનગર સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતી ગુમ થતા જાણવાજોગ નોંધાઈ છે. રિતેશભાઈ મહેરાએ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણવાજોગ નોંધાવી હતી કે ગત 4 નવેમ્બરના રોજ તેમની દીકરી કોઈને જાણ કર્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી. યુવતીની શોધખોળ કરવા છતાં તેનો ક્યાંય પત્તો લાગ્યો નથી. પોલીસે આ મામલે જાણવાજોગ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 13 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ માટે ફૂડ ફેસ્ટિવલમાં કુલ 4.20 લાખ લોકો આવ્યા હતા. જોકે, ફૂડ ફેસ્ટિવલમાં ખાણીપીણી માટે સ્થાનિક ખાણીપીણીના વેપારીઓ સાથે હાઈફાઈ હોટલ લક્ઝુરિયસ અને ભોગ પ્રસાદના ઊંચી કિંમતના ભોજન હોવાના કારણે ખાણીપીણીનો લાભ ખૂબ ઓછા લોકો લઈ શક્યા હતા. કોફી પેવેલિયનમાં સૌથી વધારે 25,000 જેટલા લોકોએ મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. ફૂડ ફેસ્ટિવલ માત્ર જોવા માટે લોકો વધારે આવ્યા હતા ફૂડ ફેસ્ટિવલમાં કુલ 4.20 લાખ નાગરિકોએ મુલાકાત લીધી હતીમ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ફૂડ ફેસ્ટિવલ 2025નું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના ફૂડ ફેસ્ટિવલમાં કુલ 4.20 લાખ નાગરિકોએ મુલાકાત લીધી હતી. કોફી પેવેલિયનથી લઈને ફાઇવ સ્ટાર હોટલોનું લંચ અને ડિનર તેમજ આધ્યાત્મિક ભોગ પ્રસાદ માટે લંચ અને ડિનર પણ રાખવામાં આવ્યા હતા. ફાઈવ સ્ટાર હોટલના લક્ઝરી પેવેલિયનમાં લંચ અને ડિનર કરવા માટે માત્ર 238 ટિકીટ વેચાઇ હતી. જ્યારે પુરીના જગન્નાથ મંદિરના આધ્યાત્મિક ભોજન માટેના સ્પયુરિચિયલ પેવેલિયનમાં માત્ર 141 ટિકીટ વેચાઇ હતી. જ્યારે કોફી પેવરલેનમાં અંદાજે 25,000 જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. મોંઘી ખાવા-પીવાની ચીજવસ્તુ હોવાના કારણે ઓછા લોકો આવ્યા સામાન્ય રીતે ફૂડ ફેસ્ટિવલમાં અવનવી ખાણીપીણી ખાવા પીવાનું લોકો પસંદ કરતા હોય છે પરંતુ, રીજનલ ફૂડમાં પણ જાણીતી બ્રાન્ડની મોંઘી ખાવા-પીવાની ચીજવસ્તુ હોવાના કારણે પણ ઓછા લોકો આવ્યા હોવાનું કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું. ફૂડ ફેસ્ટિવલમાં લોકો આવ્યા હતા પરંતુ, માત્ર ફૂડ ફેસ્ટિવલમાં જોઈ અને ફરીને જતા રહ્યા હતા.
પોરબંદર ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત PC PNDT એક્ટ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર તાલુકા આરોગ્ય કચેરી ખાતે યોજાયેલા આ સેમિનારમાં તાલુકાના આરોગ્ય કાર્યકરો અને આશા બહેનોને PC PNDT કાયદા અંગે સચોટ માર્ગદર્શન આપી જાગૃત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો, જેથી લિંગ ગુણોત્તરમાં સુધારો લાવવામાં યોગદાન આપી શકાય. આ સેમિનારમાં કાયદા નિષ્ણાત યોગેશભાઈ નનેરાએ PC PNDT એક્ટની વિવિધ જોગવાઈઓ, કાયદાના કડક અમલ, ગર્ભમાં બાળકના જાતિ પરીક્ષણના કાયદાકીય પરિણામો અને આરોગ્ય કર્મચારીઓની ફરજો તથા જવાબદારીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કુલ 74 આરોગ્ય કાર્યકરો અને આશા બહેનોએ તાલીમ મેળવી હતી. સેમિનારના સમાપન પ્રસંગે સંકલ્પ DHW તરફથી ડો. સંધ્યાબેન જોશીએ આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત તમામ લાભાર્થીઓને બેટી બચાઓ બેટી પઢાઓ લોગોવાળી બેગ અને IEC સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ સેમિનાર દ્વારા આરોગ્ય ટીમને PC PNDT કાયદા અંગે વધુ સ્પષ્ટ સમજ મળી, જેનાથી ક્ષેત્રમાં કાયદાના અસરકારક અમલ અને સમાજમાં લિંગભેદ ઘટાડવાના પ્રયત્નોને વેગ મળશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ અધિકારી પી.પી. જાદવના માર્ગદર્શન હેઠળ તથા સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.સી. વાજા, જીલ્લા બાળ સુરક્ષા એકમના કાયદા નિષ્ણાત યોગેશભાઈ નનેરા, તાલુકા હેલ્થ વિઝીટર નીમુબેન ઓડેદરા અને તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ હેમાક્ષી સોલંકી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ટીમમાંથી ડો.સંધ્યાબેન જોશી (ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર), ચિરાગ દવે (જેન્ડર સ્પેશ્યાલિસ્ટ), સૌરભ મારું (ફાઇનાન્સ લિટ્રેસી) અને રાજેશ ટાંક પણ હાજર રહ્યા હતા.
સુરતમાં ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ પર આજથી એરકોન્કોર્સ (પ્લેટ ડેસ્ક)ની કામગીરી શરૂ થઈ રહી હોવાથી આ બંને પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આગામી 125 દિવસ સુધી પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ પરથી ઉપડતી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર ત્રણ અને છ પરથી દોડાવાશે. ટ્રેનો ઉધનાને બદલે સુરત રેલવે સ્ટેશનથી દોડાવવામાં આવશેઉધના-છપરા, ઉધના-મેગલુરુ, ઉધના-સંબેદારગંજ સહિતની ટ્રેનો ટ્રેનો ઉધનાને બદલે સુરત રેલવે સ્ટેશનથી દોડાવવામાં આવશે. જયારે ઉધના-પુરી, ઉધના-જયનગર ટ્રેનને ચલથાણ રેલવે સ્ટેશને જ અટકાવી દેવાશે. જેથી કરીને આ બંને ટ્રેન ચલથાણ અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે રદ રહેશે. ઉધના-પુરી અને ઉધના-જયનગર ટ્રેન ચલથાણ રેલવે સ્ટેશને જ અટકાવી દેવાતા મુસાફરોએ ત્યાંથી ઉધના તેમજ સુરત સુધી અન્ય વાહનો મારફતે આવવાની નોબત ઊભી થશે. પ્લેટફોર્મ નંબર ચાર-પાંચ 125 દિવસ માટે બંધઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ આગામી 125 દિવસ માટે બંધ કરાતા ટ્રેનોને ત્રણ અને છ નંબરના પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરી દેવામાં આવી છે. દરમિયાન હાલમાં ઉધના રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર એક, બે, ત્રણ અને છ કાર્યરત રહેશે. ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ચાર અને પાંચ ઉપર વિભિન્ન પ્રકારની કામગીરી કરાશે. પાવર કેબલથી માંડીને સિગ્નલિંગ અને ટેલિકોમના કેબર દૂર કરી અન્યત્ર ખસેડાશે. તેવી જ રીતે હયાત પ્લેટફોર્મના શેડને તોડીને કાટમાળ દૂર કરાશે. ઉપરાંત આરસીસી વર્ક પણ કરાશે. પ્લેટફોર્મ 6 પર સુવિધાના અભાવે મુસાફરોને હાલાકીઉધના રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ ઉપર ટ્રેનની સાથે સાથે મુસાફરોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આ બંને પ્લેટફોર્મ પરથી પસાર થતી ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરી દેવામાં આવી છે. તેથી આગામી 125 દિવસ સુધી ઉધના રેલવે સ્ટેશન પરથી ટ્રેન પકડનારા મુસાફરોએ ટ્રેન કયા પ્લેટફોર્મ પરથી ઉપડશે તેની માહિતી મેળવી લેવા તંત્રએ અપીલ કરી છે. પ્લેટફોર્મ 6 પર હાલમાં પાણીના પરબ, શૌચાલય અને બેસવાની વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ પણ પૂર્ણપણે ઉપલબ્ધ નથી. વધુમાં, સુરત તરફ જતા વિસ્તારમાં એક્સેસ (એલાઉન્સ-મેન્ટ) હજુ વિકસિત નથી, જેના કારણે મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં પણ અડચણો આવી શકે છે.
ઈડરના ખેતરમાં મહિલાને પ્રસુતિ પીડા:108 એમ્બ્યુલન્સ ટીમે રસ્તામાં જ સફળ ડિલિવરી કરાવી
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદપુરા ગામમાં 108 એમ્બ્યુલન્સ ટીમે સરાહનીય કામગીરી કરી છે. ખેતરમાં રહેતી એક મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે બપોરે એક વાગ્યે 108 ને ફોન મળ્યો હતો. ઉમેદપુરાના ખેતરમાં રહેતા લીલાબેન મેઠાભાઈ ડાભીને પ્રસુતિની પીડા શરૂ થઈ હતી અને તેમને તાત્કાલિક સારવારની જરૂર હતી. આ માહિતી મળતા જ 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. EMT ભૂમિ પટેલ અને પાયલોટ પ્રવીણસિંહ કુંપાવત લીલાબેનને ઈડર સિવિલ હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા. જોકે, રસ્તામાં પ્રસુતાને વધુ પીડા ઉપડતા 108 ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સને રોડની સાઈડમાં પાર્ક કરી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી હતી. સફળ પ્રસુતિ બાદ માતા અને બાળક બંનેને વધુ સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આણંદના ચિખોદરા ગામમાં રીક્ષા ભાડે રાખવા બાબતે થયેલા વિવાદમાં એક રીક્ષાચાલકે દંપતી સહિત ત્રણ વ્યક્તિઓ પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ ઘટના ગત તારીખ 15 નવેમ્બરના રોજ રાત્રિના સમયે બની હતી, જેમાં ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ચિખોદરાના ભોઈવાડ સામે આવેલા પગથીયાવાડી ખડકીમાં રહેતા રેખાબેન પટેલ તેમના પતિની સ્પાઈન સર્જરીને કારણે ઘરે રહે છે. તેઓ અગાઉ ચિખોદરાના સાગર અશોકભાઈ મકવાણાની રીક્ષા ભાડેથી લેતા હતા. જોકે, છેલ્લા પાંચ મહિનાથી રેખાબેને સાગરની રીક્ષા બંધ કરીને ગામના અન્ય યુવકની રીક્ષા ભાડે રાખવાનું શરૂ કર્યું હતું. આ બાબતથી નારાજ થઈને રીક્ષાચાલક સાગર મકવાણા અવારનવાર રેખાબેનને ફોન કરીને તેની રીક્ષા ફરીથી ચાલુ કરવા દબાણ કરતો હતો અને ધમકીઓ આપતો હતો. તે રેખાબેનનો પીછો પણ કરતો હતો અને તેમની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો. ગત તારીખ 15 નવેમ્બરના રોજ સાંજે રેખાબેનના બહેન વૈશાલીબેન અને તેમની પુત્રી આણંદ આવ્યા હતા. તેઓ જમવા માટે હોટલમાં ગયા હતા. જમ્યા બાદ રેખાબેન એક્ટિવા પર અને વૈશાલીબેન તેમની પુત્રી સાથે રીક્ષામાં બેસીને રાત્રે ચિખોદરા સ્થિત ઘરે પહોંચ્યા હતા. તે જ સમયે, રીક્ષાચાલક સાગર મકવાણા એકાએક ત્યાં દોડી આવ્યો હતો અને ઉશ્કેરાઈને રેખાબેન પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. રેખાબેનની બુમાબુમ સાંભળીને તેમના પતિ શૈલેષભાઈ અને મોટી બહેન વૈશાલીબેન તેમને બચાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે સાગરે ઉશ્કેરાઈને શૈલેષભાઈ અને વૈશાલીબેન પર પણ ચપ્પા વડે હુમલો કર્યો હતો. બુમાબુમ થતાં આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. લોકો ભેગા થતાં જ સાગરે આજે તો બચી ગયા છો, જો મારી રીક્ષા ચાલુ નહીં કરાવો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ હુમલામાં રેખાબેનને આંખ, બંને ગાલ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. વૈશાલીબેનને ડાબા હાથે અને શૈલેષભાઈને બંને હાથ તથા ખભાના પાછળના ભાગે ઈજાઓ થઈ હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક આણંદ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. જોકે, રેખાબેન અને શૈલેષભાઈને વધુ દુખાવો થતા તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. આ બનાવ અંગે રેખાબેન પટેલે આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે સાગર મકવાણા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરીયાદી રેખાબેન જણાવે છે કે, સાગરના ઈરાદા ખરાબ હતાં. જેથી અમે સાગરની રીક્ષા બંધ કરી, બીજી રીક્ષામાં જવાનું શરૂ કર્યું. ત્યારથી આ સાગર અવારનવાર અમને ધમકીઓ આપતો હતો. પરંતુ, આ અંગે મેં ઘરે વાત કરી ન હતી. આ સાગર ચોવીસ કલાક દારૂ પીધેલો જ હોય છે અને હું ગમે તેની રીક્ષામાં જવ ત્યારે તે મારો પીછો કરે જ. તેણે મારી ઉપર એસિડ એટેક કરવાની પણ ધમકીઓ આપી છે.
દિલ્હીમાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટનાને પગલે, તમામ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સ્થાપનોની સલામતી સુનિશ્ચિત કરવા માટે દેશભરના સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેને લઈ આજે વડોદરા એરપોર્ટ પર પણ વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક મળી હતી. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આજે વડોદરા એરપોર્ટ પર એક સંયુક્ત સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાજ્ય પોલીસ, ભારતીય વાયુસેના, CISF અને તમામ એરપોર્ટ હિસ્સેદારોની સક્રિય ભાગીદારી સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આ કવાયત દરમિયાન, વડોદરાના પોલીસ કમિશનર, વડોદરાના એરપોર્ટ ડિરેક્ટર અને CISFના ડેપ્યુટી કમાન્ડન્ટે ભાગ લેતી ટીમોને સંબોધિત કરી હતી અને વડોદરા એરપોર્ટ અને તેના મહત્વપૂર્ણ સ્થાપનોની સુરક્ષા વ્યવસ્થા વધારવાની મહત્વપૂર્ણ જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વર્તમાન સુરક્ષા વાતાવરણમાં સંકલન, તૈયારી અને સતત તકેદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ બેઠક બાદ એક વ્યાપક સર્વેક્ષણ અને સુરક્ષા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્ય પોલીસે એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં તપાસ અને દેખરેખ હાથ ધરી હતી, જ્યારે CISF એ હાલના સુરક્ષા પ્રોટોકોલનું મૂલ્યાંકન અને મજબૂત કરવા માટે એરપોર્ટ પરિસરમાં સમાન પગલાં લીધા હતા. તમામ સહભાગી એજન્સીઓએ પુનરોચ્ચાર કર્યો કે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા અને વડોદરા એરપોર્ટની સતત સલામતી સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટ કર્મચારીઓ અને સ્ટાફે હંમેશા સતર્ક અને સતર્ક રહેવું જોઈએ.
વર્ષ 1989માં રાજ્યના તત્કાલીન આરોગ્ય મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય એવા વલ્લભભાઈ પટેલની હત્યા કરવામાં આવી હતી. જે સંદર્ભે રાજકોટ સેશન્સ કોર્ટે વર્ષ 1996માં ચુકાદો આપતા આરોપી અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડ્યા હતા. જેની સામે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી 29 વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટે આ અપીલ નકારી નાખી છે. રાજકોટ સેશન્સ કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યોસરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ કેસ સાંયોગિક પુરાવા આધારિત છે. તેમ જ તમામ સાક્ષીઓને તપાસીને ઘટનાની ચેઇન પૂર્ણ કરવામાં પ્રોસિક્યુશન સફળ રહ્યું હતું. આરોપીએ નવેમ્બર 1989 માં રાત્રે વલ્લભ પટેલને છરી મારી હતી. જે છરી આરોપી પાસેથી રિકવર કરવામાં આવી હતી. આરોપીને ઓળખ પરેડમાં સાક્ષીઓ ઓળખી બતાવ્યો હતો. FSL અને મેડિકલ પુરાવા પ્રોસિક્યુશનના પક્ષમાં હતા. મૃતકને ડાબા ફેફસામાં છરી વાગી હતી. કેટલાક સાહેદોએ પ્રોસિક્યુશનના કેસને સપોર્ટ કર્યો હતો. જો કે અનિરુદ્ધસિંહના વકીલ ધર્મેશ.એમ.દેવનાની અને ગૌરાંગ.પી.ગોકાણીએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, આ કેસમાં કોઈ આંખે દેખ્યો સાક્ષી નથી. આરોપીનો મૃતક પર હુમલો કરવાનો કોઈ હેતુ નહોતો. આ ઘટનાને વીત્યે 39 વર્ષ કરતા વધુ સમય થયો છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, વલ્લભભાઈ પટેલ તત્કાલીન સમયે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી હતા. તેઓ પડધરીના હડમતીયા ગામે ઇલેક્શન કેમ્પેઇનમાં ગયા હતા. તેઓ ચોરામાં સંબોધન કરીને રામજી મંદિર પાસે પોતાના બૂટ પહેરી રહ્યા હતા. ત્યારે આરોપીએ મૃતક ઉપર છરીના 6 ઘા ઝીંક્યા હતા, તેવો આક્ષેપ છે. આરોપીના કપડા ઉપરથી લોહી મળ્યું હતું. જો કે સેશન્સ કોર્ટે તેને શંકાનો લાભ આપ્યો હતો. ત્યાં ગામડાના 100 થી 150 લોકો એકત્ર થયા હતા. સિક્યુરિટી ગાર્ડ હુમલાને રોકી શક્યો નહોતો કે આરોપીને ઝડપી શક્યો ન હતો. સવારે તેમનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. જો કે હાઇકોર્ટે સેશન્સ કોર્ટના હુકમમાં હસ્તક્ષેપ યોગ્ય સમજ્યો નહોતો. લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે હત્યા નિપજાવવામાં આવી હતીઘટનાને વિગતે જોતા 21 નવેમ્બર, 1989માં દેશમાં નવમી લોકસભાની ચૂંટણીનો પ્રચાર તેની ચરમસીમા પર ચાલતો હતો. રાજકોટ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રમાબેન માવાણી અને ભાજપના શિવલાલ વેકરિયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં ગુજરાત સરકારના આરોગ્યમંત્રી વલ્લભભાઇ પટેલ પાર્ટીના ઉમેદવાર રમાબેન માટે રાજકોટ જિલ્લામાં ઠેર-ઠેર ફરી પ્રચાર કરી રહ્યા હતા. એ મુજબ રાજકોટથી 45 કિમી દૂર જામનગર રોડ પર પડધરી તાલુકાના હડમતિયા ગામે 21 નવેમ્બર, 1989ના રોજ સાંજે 5.30 વાગ્યે તેમનો કાર્યક્રમ હતો. નિર્ધારિત સમયે ચોરાને અડીને આવેલા મંદિરના હોલમાં 500 લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ આરોગ્યમંત્રી વલ્લભભાઇ પટેલને બીજે પ્રચારમાં મોડું થવાથી તેઓ સમયસર આવી શક્યા નહોતા, એટલે લોકોનું ટોળું વિખેરાઇ ગયું હતું. વલ્લભભાઇ પટેલ લગભગ સવા આઠ વાગ્યે હડમતિયા ગામે પહોંચ્યા હતા. અંદાજે 150 લોકોની હાજરીમાં એકાદ કલાક સભાનો કાર્યક્રમ ચાલ્યો હતો. ચોરાના મેદાનમાં બે બાજુ વીજળીના બલ્બ હતા, જેમાંથી એક ચાલુ અને એક બંધ હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ વલ્લભભાઇ પટેલ જે બાજુ બલ્બ બંધ હતો એ બાજુ પડેલા તેમના ચપ્પલ પહેરવા જતા હતા. અચાનક એક શખસ ધસી આવ્યો હતો અને તેણે વલ્લભભાઇ પર ઉપરાઉપરી છરીના 6 ઘા ઝીંકી દીધા હતા, જે એટલા ઝનૂનથી માર્યા હતા કે તેમને ફેફસામાં ઘા થયો હતો. થોડીવારમાં તો નાસભાગ મચી ગઇ અને હત્યારો પણ અંધારામાં અલોપ થઇ ગયો હતો. તરત વલ્લભભાઇ પટેલના સિક્યોરિટી ગાર્ડે તેમના રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અંગે તરત જ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીને જાણ કરવામાં આવી હતી. ફેફસા પર છરીનો ગંભીર ઘા પ્રાણઘાતક પુરવાર થયો હતોવલ્લભભાઇને હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યાં સુધી તેઓ ભાનમાં હતા. તેમણે પોતાના લોહીનું ગ્રુપ બી પોઝીટિવ હોવાનું પણ જણાવ્યું હતું, જેથી સંખ્યાબંધ બ્લડ ડોનર્સ હોસ્પિટલ પર હાજર થઇ ગયા હતા. છરીના ઘા પેટમાં, છાતીમાં અને પીઠમાં વાગ્યા હતા. હૃદયની બાજુમાં વાગેલા છરીના ઘાથી તેમનું ફેફસું વિંધાઇ ગયું હતું અને આ ઘા તેમના માટે પ્રાણઘાતક પુરવાર થયો હતો. 62 વર્ષના વલ્લભભાઇએ બીજા દિવસે વહેલી સવારે પત્ની સુશીલાબેન અને પુત્રી જયશ્રીબેન સહિતનાં કુટુંબીજનોની હાજરી અંતિમ શ્વાસ લીધા હતા. વલ્લભભાઈ પટેલની હત્યા મામલે હડમતીયાના અનિરુદ્ધસિંહ સામે ગુનો નોંધાયો હતોવલ્લભભાઇએ પોતાના ડાઇંગ ડેકલેરેશનમાં જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યા શખસે મારી પર છરીથી હુમલો કર્યો હતો ને તે કોણ હતો એ હું કહી શકું નહીં. બીજી તરફ આ કેસમાં પોલીસે 21 વર્ષીય આરોપીને બીજા જ દિવસે સવારે જામખંભાળિયાથી ઝડપી પાડ્યો હતો, જેનું નામ હતું બળો ઉર્ફે અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજા (હડમતિયાવાળા). 8 ચોપડી ભણેલા અનિરુદ્ધસિંહના પરિવારમાં ત્રણ ભાઇ અને એક બહેન હતી, જેમાં તે સૌથી મોટો હતો. એ વખતે મીડિયામાં છપાયેલા અહેવાલ મુજબ આરોપીને વલ્લભભાઇ પોતાના ગામ હડમતિયા આવવાના છે એની ખબર પડતાં અનિરુદ્ધસિંહ જાડેજા (હડમતિયાવાળા) ચોરા પર જઇને બેઠો હતો, પણ પછી વલ્લભભાઇ નિર્ધારિત સમયે ન આવતાં તે પોતાના ઘરે ગયો હતો. પછી દૂધ-રોટલી જમીને વાડીએ ગયો હતો, જ્યાંથી 8 વાગ્યે પાછો ચોરાએ આવ્યો હતો. સભા પૂરી થઇ ગયા પછી વલ્લભભાઇ ચપ્પલ પહેરવા જતા હતા ત્યારે તેમના પર હુમલો કર્યો હતો. બાદમાં નાસી હડમતિયા સ્ટેશને જઇને રાજકોટ-ઓખા ટ્રેનમાં બેસીને જામખંભાળિયા પહોંચી ગયો હતો, જ્યાં સવારે પંચાયત રેસ્ટ હાઉસ પાસે ચાની લારીએ પોલીસે તેને છરી સાથે ઝડપી પાડ્યો હતો.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આંબેડકર આવાસ યોજનામાં રહેતી પરિણીતાએ કોઠારીયામાં રહેતાં પતિ સહિતના સાસરીયા સામે માનસીક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી છે. પરિણીતાએ ઘરેથી ભાગી પ્રેમ લગ્ન કરતા પિયરથી સાથ છૂટ્યો અને પ્રેમ લગ્ન બાદ પતિએ દગો દેતાં પરિણીતા નોધારી બની છે. બનાવ અંગે ક્રિષ્નાબેન સાંખલા (ઉ.વ.26)એ પતિ જયદીપ રામસિંહ સાંખલા, સસરા રામસિંહ, સાસુ અંજુબેન, જેઠ પંકજસિંહ, જેઠાણી ઉષાબા સાંખલા અને જેઠ શકિતસિંહ વિરુદ્ધ માનસીક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફેબ્રુઆરી 2022ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા પરિણીતાએ ફરીયાદીમાં જણાવ્યું હતું કે, પિતાના મકાનમા છેલ્લા એકાદ વર્ષથી રહે છે અને પારકા કામ કરી ઘરનુ ગુજરાન ચલાવે છે. તેણીના પ્રેમ લગ્ન તા.26 ફેબ્રુઆરી 2022ના રોજ થયા છે અને લગ્નજીવનથી સંતાનમાં એક દિકરો છે. પતિ જયદિપસિંહ સાથે કોલેજ સમયથી ઓળખાણ થઇ હતી બાદમાં ફોન તથા સોસીયલ મિડીયામા વાત કરતા અને બન્ને આઠેક મહિના વાત કરી હતી ત્યારે પતિએ કહ્યું હતું કે, મારે તારી સાથે જ લગ્ન કરવા છે બન્નેની જ્ઞાતી અલગ હોવા છતા તે અપનાવવા તૈયારી દાખવી હતી. બન્નેના પ્રેમ સંબંધ અંગે માતા પિતાને ખબર પડતા તેઓની વચ્ચે ઝઘડો થયો જેથી ઘરેથી કોઈને જાણ કર્યા વગર પિયરથી ભાગી એક ભાડાના મકાનમાં રહેતી અને પતિ આવતો જતો હતો. એકાદ મહિના બાદ કોર્ટમાં તા.26 ફેબ્રુઆરી 2022ના લગ્ન કર્યા હતા અને કે.કે.વી હોલ પાસે ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા હતાં. પતિ પત્ની બન્ને સાથે રહેતા લગ્ન બાબતે સાસરિયાઓને ખબર પડતા પતિને બોલાવતા ન હતા અને લગ્ન જીવન સારું ચાલતુ હતું. એકાદ વર્ષ પછી દિકરાનો જન્મ થયો હતો ત્યારે પિયરવાળા સાથે સંબંધ ના હોવાથી પતિએ સાસુને તેડાવતા સાસુ, સસરા તથા બન્ને જેઠ ઘરે આવ્યા હતા અને બે મહિના ઘરે રોકાયા હતાં. સાસરીવાળા જેમ ફાવે તેમ વર્તન કરી ધૂતકારતા હતાં. સાસુ સસરા અને બન્ને જેઠ તેણી વિરુધ્ધ પતિને ચઢામણી કરતા અને પતિ તેમની સાથે ઝઘડો કરતા બધા એક થઈ માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. દરમિયાન પતિને બીજી કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ હોવાનું રેકોડીંગ મળતા પતિને કહ્યું તો તે ગુસ્સે થઈ ગયો અને ઝઘડો કરી હાથ ચાલાકી કરી ઘરેથી જતો રહ્યો હતો. પતિ ઘરે આવે ત્યારે દારુ પિધેલ હાલતમાં આવતો હતો ત્યારે એ શું બોલે છે એનુ પણ ભાન રહેતી ન હતી પરંતુ તેણીને ઘર ચલાવવુ હોય જેથી બધુ જતું કરતી હતી. તેમજ પતિ અવાર નવાર બીજી સ્ત્રી સાથે વાત કરતા જેથી આ બાબત સાસુ સસરાને કહેતી તો તેઓ ધ્યાન આપતા નહિ અને સાસુ તો કહેતા કે, તું તો કાળી છો મારા દિકરાને તો બીજે મળી જાશે તારે રહેવુ હોય હોય તો રહે, નહી તો જતી રહે. પરંતુ તેણીને પિયરમા કોઈ સંબંધ ના હોવાથી ઓશીયાળુ જીવન જીવતી હતી. જેઠના લગ્ન હોવાથી ફોસલાવી લઇ ગયા હતા સાસરીવાળા ઘણી વખત દિકરાને રમાડવા લઈ જતા પરંતુ તેને આપનાવતા નહી, આ બાબતે પતિને કહેતી તો તે કહેતો કે, તારે મારા મમ્મી પપ્પા કહે તેમ કરવાનુ, તું તો મારા મમ્મી પપ્પાને સરખી રીતે રાખતી નથી તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. જેઠના લગ્ન 27 જાન્યુઆરી 2024ના આસપાસ લગ્ન હોવાથી સાસુ સસરા તેને ફોસલાવી લગ્નમા લઇ ગયા હતા. જેઠના લગ્ન પુરા થયા બાદ જેઠ શક્તિસિંહ તું ગામડાની છો, તું અમારા સમાજમા નહી ભળે અને તેણીના હાથનુ પાણી પિતા નહી. તેમજ જેઠાણી અને સાસુ તેમની પર રોફ જમાવી નાની નાની વાતમાં પહેરવેશ બાબતે રોક ટોક કરતા અને કહેતા કે, તને અમારા સમાજમા રહેતા આવડતુ નથી. તારે રહેવું હોય તો રહે નહિ તો જતી રહે જે બાદ તેઓ ભાડાના મકાનમા રહેવા આવતા રહેલ અને ત્યાં પણ પતિ ઘરકામ બાબતે ઝઘડો કરતા અને છેલ્લે એકાદ વર્ષ પહેલા અજાણી સ્ત્રી બાબતે ઝઘડો થયો અને તેને સ્વિકારી અને કહ્યું કે, હવે હું સુધરી જઈશ પરંતુ કોઈ સુધારો થતો નહિ અને છેલ્લે આ બાબતે ઝઘડો થતાં તે કહેવા લાગી કે, હવે તો આમ જ થાશે તારે રહેવું હોય તો રહે નહિ તો જતી રહે તેમ કહિ તે જતો રહેલ અને 15 દિવસ તેણી પુત્ર એકલા રહેતા અને બાદ ઘરવાળો આવી તે કપડાં ભરવા લાગતાં તેને પૂછયુ કે, કપડા લઈને ક્યાં જાવ છો, એટલે તે કહેવા લાગ્યો કે, હવે મારે તારી અને તારા દિકરા સાથે નથી રહેવુ તેમ કહી જતો રહ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં બપોરના સુમારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સ્થાનિક લિસ્ટેડ બૂટલેગર સુદામ પાટીલની તેના જ ઘર નજીક ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા પાછળ ધંધાકીય અદાવત કે પૈસાની લેતીદેતી મુખ્ય કારણ હોવાની પોલીસને પ્રાથમિક આશંકા છે. બે અજાણ્યા આરોપીઓએ બૂટલેગરનું મોપેડ અટકાવ્યુંલિંબાયત વિસ્તારમાં રહેતો અને પોલીસ ચોપડે લિસ્ટેડ બૂટલેગર તરીકે નોંધાયેલો સુદામ પાટીલ સોમવારે બપોરે અંદાજે 2 વાગ્યાની આસપાસ પોતાના મોપેડ પર કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો. તે પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે બે અજાણ્યા આરોપીઓએ તેનું મોપેડ અટકાવ્યું હતું. તીક્ષ્ણ હથિયાર વડે સુદામ પાટીલ પર જીવલેણ હુમલો કર્યોમોપેડ રોકાવતા જ બંને આરોપીઓએ સુદામ પાટીલ પર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા આ હુમલામાં સુદામને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દિવસના અજવાળે ભરચક વિસ્તારમાં થયેલી આ હત્યાને કારણે સમગ્ર લિંબાયત વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ગણતરીના કલાકોમાં જ એક હત્યારાની અટકાયતઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સુદામ પાટીલ બુટલેગર હતો અને તેની હત્યા પાછળનો હેતુ ગેરકાયદેસર ધંધામાં થયેલી અદાવત અથવા કોઈ રકમની લેતીદેતી હોઈ શકે છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ પૈકી એકની અટકાયત કરી લીધી છે. અન્ય ફરાર આરોપીને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરી દીધી છે.
વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની બે ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 જેટલા ખાધ્ય વ્યવસાય એકમોનું આ કાર્યવાહીમાં શંકાસ્પદ ખાધ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. સાથે ગત રાત્રે સમા સમરસ હોસ્ટેલમાં થયેલા હોબાળા બાદ સેમ્પલ લેવામાં આવ્યા છે. ખોરાક શાખાની ટીમે શહેરના અલકાપુરી, ન્યૂ સમા રોડ, દાંડિયા બજાર, પ્રતાપનગર, કારેલીબાગ, વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તા, ગોરવા, સમતા સહિતના વિસ્તારોમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન, કેટરિંગ યુનિટ, ઉત્પાદક પેઢી અને રિટેલર્સના કુલ 20 ખાદ્ય વ્યવસાય એકમોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન આટા, સીંગતેલ, મરચું પાવડર, પનીર ટિક્કા મસાલા, સેવ અને તેલવાળી તુવેરદાળ સહિત કુલ 6 ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પૃથ્થકરણ માટે વડોદરા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ન્યૂ સમા રોડ પર આવેલી બોયઝ હોસ્ટેલની કેન્ટીન તથા બોયઝ હોટેલમાં પણ વિગતવાર તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરમાં ખાણી પીણીની લારીઓ, હોટેલ-રેસ્ટોરન્ટ તથા અન્ય તમામ ખાદ્ય વ્યવસાય સ્થળોએ આવી આકસ્મિક તપાસનું અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે.
ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ ચોટીલા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના તમામ પેટ્રોલ પંપ ધારકોને પરિપત્ર દ્વારા સૂચના આપી હતી. આ સૂચના મુજબ, ગેરકાયદેસર ખનનના કામમાં વપરાતા વાહનો પેટ્રોલ પંપ પર પાર્ક કરવા નહીં. જો આવી વિગતો સામે આવશે તો જમીનની શરતભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સૂચના છતાં, તારીખ 16/11/2025 ના રોજ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા થાનગઢના વીજળીયા ગામે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને વીજળીયા ગામના શક્તિ પેટ્રોલ પંપ, સોનગઢ ગામના રાજલક્ષ્મી પેટ્રોલ પંપ અને ગેબીનાથ પેટ્રોલ પંપ ખાતે જેસીબી, ડમ્પર, લોડર અને ટ્રેક્ટર જેવા અનેક વાહનો ધ્યાને આવ્યા હતા. આ વાહનો ગેરકાયદેસર ખનનની કામગીરીમાં વપરાતા હોવાનું જણાયું હતું. નાયબ કલેક્ટરના પરિપત્રનો ભંગ કરીને પેટ્રોલ પંપ પર મોટા પ્રમાણમાં આવા વાહનો રાખવા બદલ, પેટ્રોલ પંપના માલિકો બાબુ ઝાલા (રહે. વીજળીયા), દિલીપ જળુ (રહે. સોનગઢ) અને સામત રબારી (રહે. સોનગઢ) સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તમામ માલિકોને નોટિસ આપવાની તેમજ NOC રદ કરવા અને જમીન શરતભંગ અંગે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
‘શેખ હસીનાને અમને સોંપી દો’ ફાંસીની સજાના ચુકાદા બાદ યુનુસ સરકારનો ભારતને પત્ર
Demand For Extradition Of Former Bangladesh PM Sheikh Hasina : બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન હાલ ભારતમાં આશરો લઈ રહ્યા છે, ત્યારે બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ કોર્ટે આજે શેખ હસીનાને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદના થોડાંક જ કલાકો બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને પત્ર લખ્યો છે અને શેખ હસીના તેમજ પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલની તાત્કાલિક પ્રત્યાર્પણની ઔપચારિક માંગણી કરી છે. બાંગ્લાદેશે ભારતને પ્રત્યાર્પણ સંધિનો હવાલો આપ્યો બાંગ્લાદેશી સરકારે પત્રમાં કહ્યું છે કે, ‘બાંગ્લાદેશી આઈસીટીએ માનવતા વિરુદ્ધના અપરાધોના ગુનામાં હસીના અને અસદુઝમાનને મોતની સજા સંભળાવી છે. જો આ ફરાર આરોપીઓને કોઈ દેશ આશરો આપે છે, તો તે દુશ્મનાવટ અને ન્યાયની અવગણના ગણાશે.
ગોધરામાં ગૌતસ્કરી, હુમલા વધ્યા:નાગરિકોએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ગોધરા શહેરમાં ગૌતસ્કરી, ગેરકાયદેસર કતલખાના અને ગૌરક્ષકો પર હુમલાની ઘટનાઓ વધતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે. આ મુદ્દે ગોધરાના યુવાનોએ 17 નવેમ્બરના રોજ જિલ્લા કલેક્ટર અજય દહિયાને આવેદનપત્ર સુપરત કર્યું હતું.થોડા દિવસો પહેલાં જાફરાબાદ સાયન્સ કોલોની વિસ્તારમાં ગૌતસ્કરીનો એક પ્રયાસ થયો હતો. વહેલી સવારે નંબર વિનાની સફેદ SUV ગાડીમાં આવેલા શખ્સોએ ગાયને વાહનમાં ભરવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટના દરમિયાન નજીકના રહેવાસીઓ અવાજ સાંભળીને બહાર આવ્યા હતા. ગૌતસ્કરોએ પથ્થર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોસાયટીના યુવાનોની બૂમો સાંભળીને લોકો ભેગા થતાં ગૌતસ્કરો ગાડી લઈને ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.યુવાનોની મુખ્ય માંગણી ગૌમાતાને નગરમાતા જાહેર કરવાની હતી, જેથી ગાયોને નુકસાન પહોંચાડનારા અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે.આવેદનપત્રમાં ગૌચર જમીનની સુરક્ષા, ગૌરહેઠાણની સુવિધાઓ મજબૂત કરવી, ગાયો માટે પ્લાસ્ટિક રહિત શુદ્ધ આહારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જેવી માંગણીઓ પણ રજૂ કરવામાં આવી હતી. કલેક્ટરને ગેરકાયદેસર ગૌતસ્કરી રોકવા રાત્રિ પેટ્રોલિંગ વધારવા, બિનકાયદેસર કતલખાના પર દરોડા તેજ કરવા અને CCTV પુરાવાના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી પણ કરાઈ હતી.યુવાનોએ જણાવ્યું હતું કે તેઓ ગૌમાતાના રક્ષણ માટે પ્રશાસનને દરેક રીતે સહકાર આપવા તૈયાર છે.
ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનના દૂષણને ડામવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે સઘન ઝુંબેશ ચલાવી છે. મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ક્ષેત્રીય ટીમ દ્વારા રોડ ચેકિંગની રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે ઓવરલોડિંગ અને રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતા 7 ડમ્પર જપ્ત કરી 2.10 કરોડનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે સઘન ઝુંબેશ ચલાવીગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનના દૂષણને ડામવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે સઘન ઝુંબેશ ચલાવી છે. મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ક્ષેત્રીય ટીમ દ્વારા રોડ ચેકિંગની રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ટીમે રોયલ્ટી પાસ વગર અથવા રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ ખનીજ ભરીને વહન કરતા કુલ 7 ડમ્પર પકડી પાડ્યા છે. આ વાહનોમાંથી આશરે 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રોયલ્ટી પાસ વગર સાદી માટી અને સાદી રેતીનું વહન કરતા ડમ્પરો જપ્તઆ પકડાયેલા વાહનોમાં રિલાયન્સ સર્કલ પાસેથી સાદી માટીનું ઓવરલોડિંગ, મહાત્મા મંદિર અને અડાલજ-કોબા રોડ પરથી સાદી રેતીનું ઓવરલોડિંગ કરતા ડમ્પરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કલોલના નાસ્મેદ અને જાસપુર વિસ્તારમાં પણ રોયલ્ટી પાસ વગર સાદી માટી અને સાદી રેતીનું વહન કરતા ડમ્પરોને જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે , ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે છેલ્લા એક અઠવાડિયામાં કલોલ, વલાદ, લવારપુર, ટીટોડા, જાસપુર, શેરથા, અડાલજ, ધેંધુ, નારદીપુર, નાસ્મેદ તથા ગાંધીનગર જેવા વિસ્તારોમાં ખાસ ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશ અંતર્ગત ખનીજોનું બિનઅધિકૃત વહન કરતા કુલ 37 કેસો કરવામાં આવ્યા છે. આ તમામ કેસોમાં કુલ અંદાજે 11.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-2827 હેઠળ વાહન માલિકો પાસેથી અત્યાર સુધીમાં 45.50 લાખની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે વધુ 7 કેસોમાં 18.59 લાખની દંડકીય રકમ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે, જે પૂર્ણ થતાં સરકારની તિજોરીને કુલ 64.09 લાખની મહેસૂલી આવક થશે. ગાંધીનગર જિલ્લાના ભૂસ્તર તંત્રની આ સક્રિયતાથી ગેરકાયદેસર ખનન અને વહન પ્રવૃત્તિઓ પર લગામ કસાઈ છે.
દસાડા વિધાનસભા ક્ષેત્રના પાટડી ખાતે 'સરદાર યુનિટી માર્ચ' અંતર્ગત એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને પ્રાંત અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પદયાત્રા રાષ્ટ્રવ્યાપી 'સરદાર @ 150 : યુનિટી માર્ચ' કાર્યક્રમનો એક ભાગ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પ્રસ્થાપિત એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને જન-જન સુધી પહોંચાડવાનો હતો. સાંસદ ચંદુ શિહોરા, ધારાસભ્ય પી.કે. પરમાર અને પ્રાંત અધિકારી મિલન રાવ સહિતના મહાનુભાવોએ પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નવરંગપુરાથી શરૂ થયેલી આ પદયાત્રા પાટડીના સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે સમાપ્ત થઈ હતી. સમાપ્તિ સ્થળે મહાનુભાવોએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. યાત્રા દરમિયાન, સહભાગીઓએ રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારી અને સામાજિક સૌહાર્દ મજબૂત કરવાના સંદેશ પર ભાર મૂક્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, સ્થાનિક રહેવાસીઓ, અગ્રણીઓ અને વિવિધ સામાજિક સંગઠનોએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પહેલનો હેતુ સરદાર પટેલના આદર્શોને જીવંત રાખવા અને સમુદાયોમાં સામાજિક સુમેળને વધુ મજબૂત કરવાનો હતો.
સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ખટોદરા વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયું છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા લેવામાં આવેલા પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ જાહેર થતાં જ હડકંપ મચી ગયો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ પનીર દૂધમાંથી નહીં, પરંતુ સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનાવવામાં આવ્યું હતું, જે સીધું જ શહેરવાસીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે. રિપોર્ટમાં ગંભીર અનિયમિતતાઓસુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા કરવામાં આવેલા પૃથક્કરણમાં ઘણી ગંભીર ખામીઓ સામે આવી છે. આરોગ્ય અધિકારી બી. આર ભરમભટએ જણાવ્યું હતું કે, ધારાધોરણ મુજબ પનીરમાં ફેટનું પ્રમાણ 50% હોવું જોઈએ, તેની સામે આ નમૂનામાં તે માત્ર 35% જ માલુમ પડ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે રિપોર્ટમાં Bita-sitosterolની હાજરી મળી આવી છે, જે પનીરમાં એબ્સન્ટ હોવું જોઈએ. આ તત્વ વેજીટેબલ ફેટની ભેળસેળ સૂચવે છે. વધુમાં, પનીરમાં દૂધને બદલે સ્ટાર્ચની માત્રા પણ મળી આવી છે, જે સ્પષ્ટપણે પનીર બનાવવામાં ભેળસેળ કરાઈ હોવાનું સાબિત કરે છે. નકલી પનીર ખાવાથી આરોગ્યને જોખમઆ સબ-સ્ટાન્ડર્ડ પનીરનું સેવન કરવાથી માનવ શરીર પર ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, સ્ટાર્ચ અને અન્ય એડિટિવ્સના કારણે સામાન્ય રીતે ગેસ, પાચન શક્તિમાં ઘટાડો અને પેટની અન્ય તકલીફો પેદા થઈ શકે છે. લાંબે ગાળે, આંતરડાના નેચરલ માઇક્રોબ ખોરવાઈ શકે છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને પાચન સંબંધિત રોગોનું જોખમ વધે છે. સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનેલા આ પનીરમાંથી શરીરને જરૂરી પ્રોટીન અને કેલ્શિયમ મળતું નથી, જેના કારણે લાંબે ગાળે આ પોષક તત્વોની ઉણપની સમસ્યા સર્જાય શકે છે. ક્યારે શું થયું? – રેડ અને જપ્તીનો ઘટનાક્રમસુરભી ડેરી પર આ કાર્યવાહીની શરૂઆત 7 નવેમ્બર, 2025ના રોજ થઈ હતી. સુરત મનપાના ફૂડ સેફટી ઓફિસરોએ ખટોદરાના સોરઠિયા કમ્પાઉન્ડમાં સ્થિત સુરભી ડેરીના ગોડાઉન પર સ્થળ તપાસ કરી હતી. ડેરીના માલિક શૈલેષભાઈ છગનભાઈ પટેલ ગેરહાજર હોવાથી સેલ્સમેન ઓમપ્રકાશ પપ્પુલાલ માહોર પાસેથી પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો.ત્યારબાદ, 10 નવેમ્બરના રોજ SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) દ્વારા આ જ સ્થળે રેડ કરીને 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. બે દિવસ બાદ, 12 નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગે હનીપાર્ક રોડ પર આવેલી સુરભી ડેરીમાંથી વધુ 17 કિલો પનીર કબ્જે કર્યું હતું. આમ, કુલ ત્રણ રેડમાં 771 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. હવે કાયદેસરની કાર્યવાહી થશેરિપોર્ટમાં પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં, સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અને તેના નીતિ-નિયમો અનુસાર સદર સંસ્થા/ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલે એડજયુડીકેટીંગ ઓફીસર, સુરત સમક્ષ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે મનપા અને પોલીસ વિભાગે લાલ આંખ કરી છે, ત્યારે સુરભી ડેરીના સંચાલકો સામે હવે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી થવાના સંકેતો છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા 1 જાન્યુઆરી, 2026ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પાત્રતા ધરાવતા નાગરિકોનો મતદારયાદીમાં સમાવેશ સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત, પાત્રતા ન ધરાવતા, મરણ પામેલા, કાયમી સ્થળાંતર કરેલા અથવા બે જગ્યાએ નોંધાયેલા મતદારોના નામો દૂર કરવા પણ આવશ્યક છે. આ તમામ કામગીરી બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા કરવામાં આવે છે. BLO હાલના મતદારોની માહિતી BLO એપમાં મેપિંગ કરે છે, ઈન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) વિતરણ કરે છે અને ભરેલા ફોર્મ પરત મેળવી ડિજીટાઇઝેશન કરે છે. BLO ઓછામાં ઓછા ત્રણ વખત ઘરે મુલાકાત લે છે અને વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ, ગરીબ તેમજ અન્ય સંવેદનશીલ જૂથના મતદારોને મદદ કરે છે. આ કામગીરી 4 નવેમ્બર, 2025 થી 4 ડિસેમ્બર, 2025 સુધી 30 દિવસમાં પૂર્ણ કરવાની હોય છે. જોકે, સાબરકાંઠા જિલ્લામાં 1282 BLOs પૈકી એક BLO એ પોતાની 30 દિવસની કામગીરી માત્ર 13 દિવસમાં પૂર્ણ કરી પ્રશંસનીય કાર્ય કર્યું છે. આ સિદ્ધિ 28-ઇડર વિધાનસભા મતવિસ્તારના ભેટાલી ગામના ભાગ નં.-325ના BLO શિલ્પાબેન ઇશ્વરભાઇ પંચાલે હાંસલ કરી છે. તેમણે તેમના મતવિસ્તારમાં કુલ 385 મતદારોનો ઘરેઘરે સંપર્ક કરી EF (ગણતરી ફોર્મ) વિતરણ કર્યું અને ભરેલા ફોર્મની એન્ટ્રી BLO એપમાં પૂર્ણ કરી. આ રીતે, તેમણે ભાગ નં.-325ની 100 ટકા કામગીરી માત્ર 13 દિવસમાં પૂરી કરી છે. તેમની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંહ સાદુએ BLO શિલ્પાબેનને કલેક્ટર ઓફિસમાં અભિનંદન પાઠવી પ્રમાણપત્ર સાથે સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે, અન્ય BLOs ને પણ નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવતા સરકારી કાર્યક્રમોમાં વિપક્ષના જનપ્રતિનિધિઓને ઇરાદાપૂર્વક બાકાત રાખવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષીએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને માંગ કરી છે કે આવા તમામ જાહેર કાર્યક્રમોમાં વિપક્ષના પ્રમુખોને સામેલ કરવામાં આવે અને નિમંત્રણ પત્રિકામાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવે.જો આગામી સમયમાં આ વ્યવસ્થા નહીં સુધરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે. તંત્ર પર રાજકીય કિન્નાખોરીનો ગંભીર આક્ષેપ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષીએ જણાવ્યું હતું કે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજદિન સુધી યોજાયેલા કોઈપણ સરકારી કાર્યક્રમોમાં તંત્ર દ્વારા કોંગ્રેસ પાર્ટીના કોઈપણ પ્રતિનિધિને નિમંત્રણ મળતું નથી, કે નિમંત્રણ પત્રિકામાં તેમના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી.જુનાગઢ શહેરમાં કોઈપણ સરકારી કાર્યક્રમો હોય, કોઈપણ મહાન વિભૂતિની પુણ્યતિથિ હોય, જુનાગઢ મુક્તિ દિવસની ઉજવણી હોય, કે શિવરાત્રીનો મેળો હોય કે અન્ય કોઈપણ કાર્યક્રમ હોય જેમાં રાષ્ટ્રીય પાર્ટી તરીકે કોંગ્રેસના કોઈપણ પ્રતિનિધિને નિમંત્રણ પત્રિકામાં સ્થાન આપવામાં આવતું નથી, તેમજ આવા કાર્યક્રમમાં હાજરી આપવા માટેનું પણ આમંત્રણ આપવામાં આવતું નથી.ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોનું નામ તમામ કાર્યક્રમોના નિમંત્રણમાં હોય છે,તેમની હાજરી હોય છે અને મીટીંગોમાં પણ તેમને નિમંત્રણ આપવામાં આવે છે. સરકારી ખર્ચ, તો બધાનું પ્રતિનિધિત્વ શા માટે નહીં ? કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે શહેરમાં થતા દરેક કાર્યક્રમો અને ઉજવણીઓ કોઈ પાર્ટીના ખર્ચે થતી નથી, એ જગ જાહેર વાત છે. આ તમામ ખર્ચ સરકારી તિજોરીમાંથી, એટલે કે જિલ્લા વહીવટી તંત્રના ભંડોળમાંથી કરવામાં આવે છે.આવા જાહેર કાર્યક્રમમાં લોકોનું પ્રતિનિધિત્વ કરતા તમામ રાષ્ટ્રીય પાર્ટીના જનપ્રતિનિધિને અવશ્ય હાજર રાખવા એ વહીવટી તંત્રની નૈતિક જવાબદારી છે. આમંત્રણ ન આપીને તંત્ર એ જનપ્રતિનિધિનું નહીં પરંતુ પ્રજાનું અપમાન કરે છે.મનોજ જોષીએ વધુમાં જણાવ્યું કે હું પણ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો જુનાગઢનો શહેર પ્રમુખ છું. ત્યારે હું પણ એક પ્રજાનો પ્રતિનિધિ છું. આ મામલે બે દિવસ પહેલા જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું કે આવા કાર્યક્રમોમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે અમને પણ સ્થાન મળે તે માટેની રજૂઆત કરી છે. આગામી સમયમાં ઉગ્ર વિરોધની ચીમકી જૂનાગઢ શહેર કોંગ્રેસે કલેક્ટરને સ્પષ્ટપણે નિવેદન આપ્યું છે કે તેમણે તટસ્થ ભૂમિકા ભજવવી જોઈએ અને કોઈ પણ પ્રકારની રાજકીય કિન્નાખોરી ન રાખતા તમામ પક્ષના પ્રતિનિધિઓને આવા કાર્યક્રમોમાં નિમંત્રણ પત્રિકામાં નામનો ઉલ્લેખ થાય અને દરેક કાર્યક્રમમાં નિમંત્રણ મળે. સાથે જ, બહોળા સમુદાયના હિતમાં લેવાતા કોઈપણ નિર્ણયમાં તમામ પક્ષના પ્રતિનિધિઓને સાથે રાખવાની પણ રજૂઆત કરવામાં આવી છે. જો કોંગ્રેસની આ રજૂઆતનો સ્વીકાર કરવામાં નહીં આવે તો મનોજ જોષીએ ચીમકી ઉચ્ચારી છે કે હવે પછી આવા કાર્યક્રમોના નિમંત્રણ પત્રિકામાં અમારું નામ નહીં હોય કે આવા કાર્યક્રમમાં અમને આમંત્રણ પાઠવવામાં નહીં આવે તો લોકોને સાથે રાખી જ્યાં પણ કાર્યક્રમ યોજાશે ત્યાં અમે ઉગ્ર આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરશું.
પાટણ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સમી ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની કચેરીમાં કાર્યવાહી કરી છે. UGVCLના જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર પટેલને ₹50,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, UGVCLના વર્ગ-2ના અધિકારી ચિંતન કુમાર પટેલે એક જાગૃત નાગરિકના ખેતરમાં વીજ જોડાણ કરી આપવા માટે ₹50,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે પાટણ ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે, ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને UGVCL કચેરી, સમી ખાતે છટકાનું સફળ આયોજન કર્યું હતું. આ ટ્રેપ દરમિયાન, જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર પટેલે ફરિયાદી પાસેથી ₹50,000ની લાંચની રકમ સ્વીકારતા જ ACBએ તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આરોપી ચિંતન કુમાર પટેલને ACB દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ અધિકારી પી.ડી.આર. ગઢવી, ACB પાટણનાઓએ આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના આધારે ACB વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલી સંકલનની બેઠકમાં શહેરીજનોને માટે અતિ ત્રાસદાયક ટ્રાફિકનો પ્રશ્ન ગુંજયો હતો. પ્રશ્નને ઉકેલવા માટે રસ્તા પહોળા કરવા સહિતની રજૂઆતો કરાઈ હતી. સાંસદ રામભાઈ મોકરીયા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જનતાને થતા સૌથી મોટા ત્રાસ, એટલે કે ભારે ટ્રાફિકજામ અને અવ્યવસ્થાના મુદ્દા પર ધ્યાન દોર્યું હતું. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, રસ્તાઓ સાંકડા હોવાથી શહેરના હજારો વાહનચાલકોને દરરોજ સમયનો વ્યય થાય છે અને ઇંધણનો બગાડ થાય છે. આથી, તેમણે નાગરિકોના મૂલ્યવાન સમય અને શ્રમની બચત થાય તે માટે તાત્કાલિક પગલાં લેવા આગ્રહ કર્યો હતો. તેમણે 10 વર્ષ પહેલાં તૈયાર કરાયેલા રસ્તા પહોળા કરવાના સર્વે રિપોર્ટની અમલવારી કરવા પર ભાર મૂક્યો હતો. જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી શકે. TP સ્કીમની કામગીરી ઝડપથી પૂર્ણ થવાથી નવા વિસ્તારોમાં વિકાસના દ્વાર ખૂલશેઆ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સૂચવ્યું કે જાહેર હિતને સર્વોપરી ગણીને, જ્યાં જરૂરી હોય ત્યાંના દબાણો અને ટી.પી. સ્કીમ્સના કારણે રસ્તા પર રહી ગયેલી કમ્પાઉન્ડ વોલને હટાવીને તાત્કાલિક રસ્તાઓ પહોળા કરવા જોઈએ. આ પગલાથી માત્ર ટ્રાફિક હળવો નહીં થાય, પરંતુ અકસ્માતોનું જોખમ પણ ઘટશે અને શહેરીજનો માટે સલામત અને સુગમ વાહનવ્યવહાર શક્ય બનશે. આ ઉપરાંત, સ્થાનિક કક્ષાએ TP સ્કીમની કામગીરી ઝડપથી પૂર્ણ થવાથી નવા વિસ્તારોમાં વિકાસના દ્વાર ખૂલશે અને નાગરિકોને આયોજનબદ્ધ માળખાગત સુવિધાઓનો લાભ મળશે. નાગરિકોને સ્પર્શતા અન્ય મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો ધારાસભ્ય દર્શિતાબેન શાહએ પણ નાગરિકોને સ્પર્શતા અન્ય મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે બાંધકામ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગાર્ડન શાખાના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમના સૂચનો પાછળનો હેતુ એ હતો કે, શહેરમાં સ્વચ્છતા જળવાય, કચરાનો યોગ્ય નિકાલ થાય અને હરિયાળી વધી શકે, જેનાથી નાગરિકોનું સ્વાસ્થ્ય અને પર્યાવરણની ગુણવત્તા સુધરે. બાકી લોકાર્પણ-ખાતમુહૂર્ત અને વિકાસ કામોને વેગ મળવાથી શહેરીજનોને તૈયાર થયેલી સુવિધાઓ, જેમ કે ગાર્ડન, કોમ્યુનિટી હોલ કે નવા રસ્તાઓનો લાભ સમયસર મળી શકે. નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનું નિરાકરણ ટૂંકા ગાળામાં શક્ય બનશેઆ બેઠકમાં ખાસ કરીને મનપાના ઓનલાઈન પોર્ટલ/ડેશબોર્ડનો ઉપયોગ કરીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની નવીન પદ્ધતિ અપનાવવામાં આવી હતી. આ ઇ-સંકલન પોર્ટલ સામાન્ય નાગરિકો માટે પણ પરોક્ષ રીતે ખૂબ જ લાભદાયી છે, કારણ કે તે વિકાસ કામોમાં પારદર્શિતા લાવે છે અને જવાબદેહી નક્કી કરે છે. આ પોર્ટલ દ્વારા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને દર્શિતાબેન શાહ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોના ઝડપી અપડેટ્સ સીધા જ તેમને મળે છે. આનો અર્થ એ થયો કે, નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનું નિરાકરણ ટૂંકા ગાળામાં શક્ય બનશે, જેનથી પ્રશાસન અને જનતા વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે. લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે તે આવનારો સમય જ બતાવશેમનપા કમિશનર તુષાર સુમેરાએ તમામ અધિકારીઓને સ્પષ્ટપણે સૂચના આપી હતી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નો, ખાસ કરીને ટ્રાફિક અને દબાણ હટાવવા સંબંધિત પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવે, જેથી રાજકોટ શહેરના નાગરિકોને સુખાકારીનો અનુભવ થાય અને તેઓ એક આધુનિક, વ્યવસ્થિત અને ટ્રાફિકમુક્ત શહેરના લાભો મેળવી શકે. આ બેઠકમાં સાંસદ અને ધારાસભ્યોએ એવા નિર્ણયો લેવા પર ભાર મૂક્યો હતો, જેનો સીધો અને સકારાત્મક લાભ સામાન્ય નાગરિકોને મળી શકે છે. જોકે, આ બેઠકમાં કરાયેલા સૂચનોની અમલવારી ક્યારે થશે અને લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે તે આવનારો સમય જ બતાવશે.
સુરતના મહીધરપુરા વિસ્તારમાં આવેલા ચાર માળાના એક મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જ્વેલરી પોલિસિંગ કરવાની સાથે રહેતા રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી ગઈ હતી. આ આ ફ્રીજના કમ્પ્રેસર સુધી પહોંચી જતા તેમાં ધડાકો થયો હતો. જેના પગલે બિલ્ડીંગમાં રહેતા લોકો અને આસપાસના લોકો દોડીને બહાર નીકળી ગયા હતા. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગના જવાનોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે જ રૂમમાં રહેલા અન્ય ગેસના સિલિન્ડર સુધી આગને પ્રસરતા અટકાવીને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતના રામપુરા મેઇન રોડ પર પાટીદાર ભવન પાસે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું એક મકાન આવેલું છે. જેમાં ચોથા માળે જ્વેલરી પોલિસીંગ કરવામાં આવે છે અને આ સાથે જ ત્યાં કારીગરો પણ રહે છે. આજે બપોર બાદ કારીગરો દ્વારા રસોઈ બનાવવામાં આવી રહી હતી ત્યારે ગેસ સીલીન્ડર લીકેજ થયો હતો અને આસપાસમાં રહેલા ગાદલાઓ સહિતના સામાનમાં આગ લાગી ગઈ હતી. ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી કે હાજર ત્રણ જેટલા ઈસમો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. રૂમમાં પડેલો ફ્રિજ સહિતનો સામાન બળીને ખાખ થયોગાદલાઓ સહિતના સામાનમાં લાગેલી આગ ગણતરીની મિનિટમાં જ ફ્રીજ સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે ફ્રિજનું કમ્પ્રેસરમાં ધડાકો થયો હતો. ધડાકો થતા ની સાથે જ બિલ્ડીંગમાં રહેલા તમામ લોકો બિલ્ડીંગ માંથી નીચે ઉતરી ગયા હતા અને આસપાસથી લોકો દોડી પણ આવ્યા હતા. બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોમાં અફરાતફરી ગઈ હતી. ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. રૂમમાં રહેલા અન્ય ગેસ સિલિન્ડર સુધી આગ ન પહોંચતા મોટી દુર્ઘટના ટળીફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, આગનો કોલ મળતાની સાથે જ ઘાંશી શેરી, મોગલીસરા અને કતારગામ ફાયલ સ્ટેશનની છથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ચાર માળના મકાનમાં ચોથા માળે આગ લાગી હોવાથી કતારગામ ખાતેનું ટર્ન ટેબલ લેડર પણ રવાના કરવામાં આવ્યું હતું. હફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગને પ્રસરતી અટકાવવામાં આવી હતી. જ્વેલરી પોલિસીંગ કરવામાં આવતું હોવાથી ત્યાં બેથી વધુ ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા. આગે સિલિન્ડર સુધી આગ ન પહોંચવા દઈને ફાયર વિભાગ દ્વારા એક મોટી દુર્ઘટના ને અટકાવી હતી. એક કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયોફાયર વિભાગ દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આ આગના પગલે ગાદલા સહિતનો સામાન, વાયરીંગ, ફ્રીજનું કોમ્પ્રેસર ફાટી હોવાથી આખું ફ્રીજ તહેસનહેસ થઈ ગયું હતું. આ સાથે જ વાયરીંગ અને ફર્નિચરનો સામાન મળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
પાવીજેતપુરના તૂટી ગયેલા સિહોદ પુલ તેમજ ડાયવર્ઝન ઉપર આવી દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ મુલાકાત લઈ સરકારી ડાયવર્ઝનને સત્વરે બનાવવામાં નહીં આવે તો નશનલ હાઇવે નંબર 56ના રસ્તાને બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજરોજ પાવીજેતપુર નજીક સિહોદ ગામે ભારજ નદી ઉપર તૂટેલા પુલ તેમજ સરકારી ડાયવર્ઝનની મુલાકાતે આવ્યા હતા. તેમણે કહ્યું કે જુલાઈ 2023થી આ પુલ તૂટી ગયો હોય અઢી વર્ષથી જનતા હાલાકી ભોગવી રહે છે. 35 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. પાંચ પાંચ વાર જનતા પોતાના સ્વખર્ચે જ જનતા ડાયવર્ઝન બનાવી શકતી હોય તો પછી ફાંકા ફોજદારી મારતા નેતાઓ તેમજ સરકાર દ્વારા આ ડાયવર્ઝન કેમ બનાવવામાં આવતું નથી. વિકાસની વાતો કરતા નેતાઓને શું આ વિકાસ દેખાય છે. 2.34 કરોડમાં પહેલું તેમજ 4 કરોડનું બીજું એમ બે બે વાર સરકારી ડાયવર્ઝન બનાવવામાં આવ્યા હોય,જે રેતી,માટી, ભૂંગળા મૂકી બનાવી દીધું હોય જે પાણીમાં ધોવાઈ જાય છે અને જનતા પરેશાન થાય છે ત્યારે અહીંના નેતાઓ શું કરે છે સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે જનતા પોતાના ખર્ચે પોતાના શ્રમથી ડાયવર્ઝન બનાવે છે અને એ ડાયવર્ઝન ઉપરથી નેતાઓ પસાર થાય છે ત્યારે તેઓએ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવી વાત છે પોતાની સરકાર હોય તો શું આટલું ડાયવર્ઝન બનાવી ન શકાય? નેશનલ ઓથોરિટીના અધિકારીને રજૂઆત કરવા માટે સિહોદના તૂટેલા ડાયવર્ઝન પરથી ચૈતર વસાવાનો કાફલો બોડેલી મુકામે ગયો હતો. આ સમસ્યાનો વહેલી તકે સમાધાન કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જનતા ડાયવર્ઝન બનાવનાર યુવાનોને મળીને ચૈતર વસાવાએ આભાર માની અભિનંદન પાઠવ્યા હતા.ચૈતર વસાવા શિહોદ ડાયવર્ઝન પરથી સીધા નેશનલ હાઈવેની બોડેલી ખાતેની કચેરી ખાતે ગયા હતા. લગભગ અડધો કલાક સુધી બેસવા છતાં એક પણ અધિકારી આવ્યો ન હતો, માત્ર ત્યાં પટાવાળા જ હાજર મળ્યા હતા. ત્યારે ચૈતર વસાવાએ અધિકારીને 10 વખત ફોન કરવા છતાં નેશનલ હાઈવે કચેરીના અધિકારીએ ફોન ઉપાડ્યો ન હતો. આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે અગાઉ એમણે કરેલા ભ્રષ્ટાચારના જવાબ અમે માંગવાના હતા.એનાથી બચવા માટે એ લોકો અહીંયાથી પલાયન થયા છે. પણ આ વિસ્તારમાં મારો પ્રવાસ હશે ત્યારે ફરીથી આ કચેરીમાં આવીશ અને એમની પાસેથી જવાબ લઈને જ જંપીશ. આવનારા દિવસોમાં બ્રિજ ન બને કે ડાયવર્ઝન આ લોકો ન બનાવી આપે તો આવનારા દિવસોમાં નેશનલ હાઈવે 56 ઉપર ધરણા પર બેસવું પડશે તો અમે બેસીશું.
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના અવસાન બાદ તેમની અંતિમયાત્રામાં પરિવારજનો શોકમગ્ન થઈ નનામીને ખભે લઈ 'રામ નામ સત્ય હૈ' બોલતા હોય છે. પરંતુ, મોડાસા શહેરમાં એક 85 વર્ષીય વયોવૃદ્ધ વેપારીની અંતિમયાત્રા પરંપરાગત રીતથી વિરુદ્ધ, વાજતે-ગાજતે અને ડીજેના તાલે નીકળતા નગરજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું. મોડાસા શહેરમાં વર્ષોથી કરિયાણા અને ફટાકડાનો વ્યવસાય કરતા પીતાંબરદાસ મથુરદાસ મુખી (ઉં.વ. 85)નું ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. ડીજે મંગાવી, પાઘડીઓ પહેરીને નીકળી યાત્રાપીતાંબરદાસના પુત્ર તારાચંદ મુખીએ તેમના પિતાની અંતિમયાત્રાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું. તેમણે પિતાની અંતિમયાત્રા વાજતે-ગાજતે કાઢવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયને પગલે પરિવાર અને સમાજના સભ્યોએ ભેગા મળીને ડીજે મંગાવ્યું. તમામ પુરુષોએ માથે પાઘડીઓ પહેરી અને નાચતા-કૂદતા ઉલ્લાસભેર સ્મશાનયાત્રા કાઢી હતી. સખત મહેનતનું અનોખું સન્માનપરિવારજનોએ જણાવ્યું કે, પીતાંબરદાસે આજીવન પોતાના પરિવાર માટે સખત મહેનત કરી હતી અને હંમેશા હસમુખો સ્વભાવ રાખ્યો હતો. તેમના જીવનભરના યોગદાન અને સમાજમાં રહેલા માન-મોભાને ધ્યાનમાં રાખીને, તેમને પરંપરાગત શોકને બદલે આ અનોખી રીતે વિદાય આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અનોખી અંતિમયાત્રા જોઈને મોડાસાના નગરજનોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા સંકલ્પ રેસ્ટોરન્ટમાં ગ્રાહકની ફરિયાદ બાદ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રસોડામાં ટાઇલ્સ બદલવાની અને સ્વચ્છતા સુધારવાની સૂચના સાથે રેસ્ટોરન્ટને બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ અપાયો છે. ધારાબેન જેઠવા નામના ગ્રાહકે ફૂડ શાખામાં ટેલિફોનિક ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંકલ્પ ઢોસામાં ઢોસા ખાતી વખતે તેમને જીવાત મળી હતી. તેમણે આ ઘટનાના ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. ફરિયાદના આધારે મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓએ સંકલ્પ રેસ્ટોરન્ટના કિચન સહિત સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, નિરીક્ષણ દરમિયાન ફૂડમાં કોઈ ગંભીર ક્ષતિ જણાઈ ન હતી. ફૂડ વિભાગના અધિકારી પરમારે જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટને પેસ્ટ કંટ્રોલ કરાવવા, પાણીનો રિપોર્ટ રજૂ કરવા, કામ કરતા કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ મેળવવા અને રસોડાની સ્વચ્છતા (હાઈજેનિક કન્ડિશન) સુધારવા માટે ગ્રેસ ટાઇલ્સ લગાવવા સૂચના અપાઈ છે. જ્યાં સુધી ટાઇલ્સનું કામ પૂર્ણ ન થાય અને સ્વચ્છતાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી રેસ્ટોરન્ટને બે દિવસ માટે કોઈપણ પ્રકારનો વેપાર કે વેચાણ ચાલુ ન રાખવા આદેશ આપવામાં આવ્યો છે. આ સૂચનાઓનું પાલન થયા બાદ જ રેસ્ટોરન્ટ ફરીથી શરૂ કરી શકાશે.
દેશમાં વારંવાર થતા ફેક કોલ્સ અને તાજેતરમાં દિલ્હીમાં બનેલી બ્લાસ્ટની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, કેશોદ એરપોર્ટ ખાતે સુરક્ષા તંત્ર દ્વારા આજે એક મહત્ત્વપૂર્ણ અને હાઈએલર્ટ મોકડ્રિલ યોજાઈ હતી. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા ચકાસવાનો અને આપત્તિજનક પરિસ્થિતિમાં વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનને મજબૂત બનાવવાનો હતો. દર વર્ષે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવે છેકેશોદ DYSP બી.સી. ઠક્કરે આ મોકડ્રિલ અંગે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા જ દિલ્હીમાં લાલ કિલ્લા નજીક જે બ્લાસ્ટ થયો છે, તેને લઇ સમગ્ર દેશમાં સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દર વર્ષે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવે છે. તુરંત સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતુંઆજના મોકડ્રિલ દરમિયાન બે મુખ્ય ધમકીઓનું દૃશ્ય ઊભું કરવામાં આવ્યું હતું જેમાં વિમાન હાઇજેક અને એરપોર્ટને બોમ્બની ધમકી મળતાની સાથે જ સમગ્ર એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું અને તુરંત સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. વિવિધ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈઆ મોકડ્રિલમાં પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એમ્બ્યુલન્સ તથા એરપોર્ટ ઓથોરિટી સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. આ મોકડ્રિલ દરમિયાન ખાસ કરીને વિવિધ સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને સમયસર પ્રતિસાદ આપવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. એજન્સીઓએ સંકલિત રીતે રેસ્ક્યુ અને કન્ટ્રોલ પ્રક્રિયાનો અભ્યાસ કર્યોDYSP ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, આ મોકડ્રિલમાં ખાસ કરીને પ્લેન હાઇજેક થાય ત્યારે આ કૃત્ય કરનાર વ્યક્તિ સાથે કેવી રીતે વાતચીત કરવી અને આ તમામ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળવું, તે અંગેની પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એજન્સીઓએ સંકલિત રીતે રેસ્ક્યુ અને કંટ્રોલ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. આવી પરિસ્થિતિમાં કેવી રીતે ઝડપી પ્રતિસાદ આપવો અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવી તેના માર્ગદર્શન પણ આપવામાં આવ્યા. મોકડ્રિલ દરમિયાન ખામી જણાઈ તો તે તુરંત દૂર કરવામાં આવે છેઆ મોકડ્રિલનો મુખ્ય હેતુ એ છે કે, જ્યારે પણ એરપોર્ટ પર કોઈ ઘટના બને ત્યારે તેને લઈને સુરક્ષા એજન્સીઓની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં આવે. મોકડ્રિલ દરમિયાન જો કોઈ ખામી જણાઈ તો તે ખામી તાત્કાલિક દૂર કરવામાં આવે છે, જેથી વાસ્તવિક આપત્તિ સમયે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. કેશોદ એરપોર્ટની મોકડ્રિલને સફળ જાહેર કરવામાં આવી હતીકેશોદ એરપોર્ટ ઓથોરિટી, પોલીસ વિભાગ અને અન્ય અલગ -અલગ વિભાગ દ્વારા આ સફળ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રિલના અંતે કેશોદ એરપોર્ટની સુરક્ષા તૈયારી મજબૂત હોવાનો સંદેશ મળતા, આ મોકડ્રિલને સફળ જાહેર કરવામાં આવી હતી.
ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના 20 વર્ષીય વાઘુજી ઠાકોરે 2024માં અગ્નિવીર ભરતીમાં સફળતા મેળવીને પોતાના અને પરિવારના સ્વપ્નને પાંખો લગાવી હતી પરંતુ, તાલીમ દરમિયાન દોડતી વખતે ફિનિશિંગ લાઇન નજીક પડી જવાથી પગમાં ફ્રેક્ચર થયું અને બેંગલુરુના કમાન્ડ હોસ્પિટલમાં સારવાર બાદ મેડિકલ બોર્ડે તેમને માત્ર 3 ટકા દિવ્યાંગ જાહેર કરી દીધા. આટલી ઓછી ટકાવારીથી દિવ્યાંગ લાભ પણ નથી મળતો અને આટલી વધુ કે હવે આર્મી કે કોઈ પણ વિભાગમાં નોકરીના દરવાજા બંધ થઈ ગયા દિવ્યાંગ પ્રમાણપત્રના આધારે તેને ‘અયોગ્ય’ ગણાવી બહાર કાઢ્યોગુજરાતનો 20 વર્ષનો એક યુવક અગ્નિવીર માટે 2024માં પસંદ થયો હતો. તાલીમ દરમિયાન ફિનિશિંગ લાઇન પર પહોંચતાં પહેલાં જ તે પડી જાય છે અને તેના પગમાં ફ્રેક્ચર થાય છે. બેંગલુરુના કમાન્ડ હોસ્પિટલમાં સારવાર બાદ તેને 8 અઠવાડિયાની રજા આપવામાં આવી. આ દરમિયાન તેને ડ્યુટીમાંથી 45 દિવસથી વધુ ગેરહાજરીનો નોટિસ મળી અને જ્યારે તે અગ્નિવીરના આર્મી સર્વિસ કોર (ASC) તાલીમ કેન્દ્ર પહોંચ્યો ત્યારે મેડિકલ બોર્ડના દિવ્યાંગ પ્રમાણપત્રના આધારે તેને ‘અયોગ્ય’ ગણાવી બહાર કરી દેવામાં આવ્યો. બેંગલુરુના 2 TRG BN, ASC સેન્ટરના કમાન્ડિંગ ઓફિસરે વાઘુજીને મેડિકલી અનફિટ જાહેર કરીને બોર્ડઆઉટ કરી દીધા. હવે ગરીબ ખેડૂત પરિવારનો આ યુવાન ન તો અગ્નિવીર રહ્યો અને ન તો કોઈ બીજી સરકારી નોકરી માટે લાયક ગણાય છે. વાઘુજી ઠાકોર સામાન્ય પરિવારમાં જીવન જીવી રહ્યાં છે. તેમનો પરિવાર “ભાગીયા” તરીકે ખેતી પર જીવન ગુજારી રહ્યાં છે. 5 વર્ષની ભરતી લાવીને જવાનોનું મનોબળ તોડવાનું કામ ભાજપે કર્યુંગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અગ્નિવીર યોજના દ્વારા સશસ્ત્ર દળોની શિસ્ત, સ્થિરતા અને મનોબળને ભારે આંચકો પહોંચ્યો છે. ભાજપ સરકારે દેશની આર્મ્ડ ફોર્સિસ ગૌરવ,યુવાનોના સપના અને તેમની કારકિર્દી સાથે પ્રયોગ કર્યો છે. 5 વર્ષની ભરતી લાવીને જવાનોનું મનોબળ તોડવાનું કામ ભાજપે કર્યું છે. ટ્રેનિંગ દરમિયાન થયેલી ઇજાના કારણે અનફિટ જાહેર કરી દેવાયાકોંગ્રેસની માંગ સ્પષ્ટ છે કે, અગ્નિવીર યોજના સશસ્ત્ર દળોને કમજોર કરે છે, યુવાનોને નિરાશ કરે છે અને રાષ્ટ્રસુરક્ષાને અસર કરે છે. આ યોજના તાત્કાલિક સમીક્ષા કરીને સૈનિકોના ભવિષ્યને સુરક્ષિત કરવાની જરૂરીયાત છે. અગ્નિવીર સાથે અન્યાય થયાની ગુજરાત કોંગ્રેસની લાગણી છે. પાટણના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના ઠાકોર વાઘુજીને ટ્રેનિંગ દરમિયાન થયેલી ઇજાના કારણે અનફિટ જાહેર કરી દેવાયા, ટ્રેનિંગ દરમિયાન પગ મચકોડાય જતા 3% ડીસેબિલિટી જાહેર કરી અનફિટ જાહેર કરાયા, અનફિટ જાહેર કરાતા હવે આર્મીના કોઈ પણ વિભાગમાં નોકરી મેળવવાના દરવાજા બંધ થયા છે. 21 વર્ષની ઉમરમાં જ તેનું જીવન અંધકારમાં ધકેલાઈ ગયું એક નિર્ણયથી 21 વર્ષીય યુવકના નોકરી માટેના તમામ દરવાજા બંધ થાય એ કેટલા અંશે યોગ્ય? કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને મદદ માટે લેખિતમાં રજૂઆત કરી, પરંતુ ક્યાંયથી કોઈ જવાબ મળ્યો નથી. વાઘુજી ઠાકોરની શારીરિક ક્ષમતાને અનુરૂપ સરકારી અથવા અર્ધસરકારી સંસ્થામાં રોજગાર આપવો જોઈએ, નહીં તો 21 વર્ષની ઉમરમાં જ તેમનું જીવન અંધકારમાં ધકેલાઈ ગયું છે. કોંગ્રેસ પક્ષના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોર દેશના રક્ષામંત્રી સમક્ષ આ મામલે ન્યાય મળે તે માટે લેખિત રજુઆત કરશે.
પાલનપુરની બનાસ સિવિલ હોસ્પિટલમાં 70 વર્ષીય વૃદ્ધનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે, ઓપરેશન દરમિયાન દર્દીને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તબીબોએ તાત્કાલિક CPR આપી તેમનો જીવ બચાવ્યો હતો. તબીબોની સમયસરની સારવાર અને કુશળ કામગીરીના કારણે વૃદ્ધ ગંભીર સ્થિતિમાંથી બહાર આવી શક્યા છે. મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર ગામના આ વૃદ્ધ છેલ્લા એક વર્ષથી પેશાબમાં બળતરા અને અટકી અટકીને પેશાબ આવવા જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા. તેઓ 27 ઓક્ટોબરના રોજ ખાનગી વાહન મારફતે બનાસ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં દાખલ થયા હતા. વૃદ્ધની ઉંમર અને તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, તબીબોએ અગાઉના રિપોર્ટ્સ તપાસ્યા બાદ નવા રિપોર્ટ્સ કરાવ્યા હતા. રિપોર્ટ્સ આવ્યા બાદ હોસ્પિટલના યુરોલોજી નિષ્ણાત ડૉ. સુનિલભાઈ આર. જોશીએ જણાવ્યું કે, દર્દીની પ્રોસ્ટેટ ગ્રંથિ અત્યંત મોટી થઈ ગઈ હતી. જો વધુ વિલંબ થયો હોત તો મૂત્ર સંપૂર્ણપણે અટકી જવાથી કિડની પર ગંભીર અસર થઈ શકતી હતી. પરિવારજનોને આ બાબતની જાણ કર્યા બાદ દૂરબીન વડે ઓપરેશન કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, ઓપરેશન દરમિયાન દર્દીને અચાનક ખેંચ આવતા હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા. તબીબોએ તાત્કાલિક કાર્ડિયાક મસાજ અને CPR આપીને ચાલુ ઓપરેશન દરમિયાન જ હૃદયના ધબકારા ફરી શરૂ કર્યા હતા. ત્યારબાદ દર્દીને જરૂરી દવાઓ આપવામાં આવતા તેમનું બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા સામાન્ય થયા હતા. દર્દીને શ્વાસનળીમાં ટ્યુબ નાખીને વેન્ટિલેટર પર રાખીને ICU ખાતે લઈ જવામાં આવ્યા હતા. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ મેડિસિન વિભાગના ડૉ. આશિષ પટેલ, ડૉ. મીરા પટેલ તેમજ એનેસ્થેસિયા વિભાગના ડૉ. વંદના, ડૉ. શ્વેતા, ડૉ. રિદ્ધિ, ડૉ. સ્નેહિતા સહિત ICU વિભાગના સ્ટાફ દ્વારા સઘન સારવાર હાથ ધરવામાં આવી હતી. દર્દીના જરૂરી રિપોર્ટ્સ કરવામાં આવ્યા બાદ હૃદયરોગના હુમલા માટેના ઇન્જેક્શનો તેમજ બ્લડ પ્રેશર વધારવા માટે નોરએન્ડોલીન જેવા ઇન્જેક્શનો આપવામાં આવ્યા હતા. 15 દિવસની લાંબી તબીબી સારવારના અંતે દર્દી હાલમાં સંપૂર્ણપણે સ્વસ્થ છે. દર્દીના પરિવારજનોએ બનાસ સિવિલ હોસ્પિટલના તમામ તબીબો અને સ્ટાફનો સમયસરના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ મિલકતોમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 17 નવેમ્બરના રોજ મળેલી વોટર સપ્લાય કમિટીમાં નિર્ણય કરાયો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ 1230 જેટલી મિલકતોમાં રૂ. 23.63 કરોડના ખર્ચે સિસ્ટમ નાખવાના કારણે વરસાદી પાણી વેડફાશે નહીં. આ સિસ્ટમના કારણે વરસાદી પાણી મિલકતોમાં ઉપયોગમાં લેવામાં આવશે. 1230 ઇમારતો ઉપર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાની મંજૂરીવોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની વિવિધ ઈમારતોના રૂફટોપ પર ભરાતા વરસાદી પાણીનો Catch the Rain” અભિયાન અંતર્ગત જળસંચય કરવા 1230 ઇમારતો ઉપર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. રૂ. 23.63 કરોડ રૂપિયાના ખર્ચે ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે આ કામગીરી સોંપવામાં આવી છે. કોર્પોરેશનની મિલકતોમાં ધાબા પર જે વરસાદી પાણી ભરાય અને તેનો સંગ્રહ થાય તેના માટેની સિસ્ટમ નાખવામાં આવશે. આ સિસ્ટમ નાખવાના કારણે વરસાદી પાણીનો સંગ્રહ કોર્પોરેશનની મિલકતોની પાણીની ટાંકીમાં થશે અને તેનો ઉપયોગ થઈ શકશે. રૂફટોપ પર ભરાતા વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણી બચાવી શકાશેચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો જળસંચય કરવા કેચ ધ રેન અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની સમગ્ર શહેરના તમામ ઝોનમાં આવેલી ઝોન ઓફિસો, વોર્ડ ઓફિસો, હોસ્પિટલ મ્યુનિસિપલ શાળાઓ, અર્બન હેલ્થ સેન્ટર, લાઇબ્રેરીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ડ્રેનેજ પંપીંગ સ્ટેશન તેમજ અન્ય વિવિધ ઇમારતોના રૂફટોપ પર ભરાતા વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણી બચાવી શકાશે.
CMએ કરાવ્યો યુનિટી માર્ચનો પ્રારંભ અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો. 3.5 કિલોમીટરથી વધુ લાંબી આ યાત્રા ઓફિસ અવર્સમાં યોજવામાં આવી. જેના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો જેમાં ફાયરબ્રિગેડની ગાડી ફસાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા ત્રણેયય આતંકીઓને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે ગુજરાત ATS દ્વારા આ ત્રણેય આતંકીઓને ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આંતકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લોખંડી બંદોબસ્ત સાથે હાથ ધરાયું મેગા ડિમોલિશન ગાંધીનગરના સેક્ટર 30માં આજે મેગા ડિમોલિશન હાથ ધરાયું..વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી 7 મકાન-બે ધાર્મિક દબાણ તોડી પડાયા.. 1400થી વધુ દબાણો પર તવાઈ બોલાવવાામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો MLA હીરા સોલંકી હડદડના પીડિત પરિવારોને મળ્યા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ આજે બોટાદના હડદડ ગામે પહોંચ્યા અને ખેડૂતો સાથે મુલાકાત કરી.. બોટાદ એપીએમસીમાં કપાસમાં થતા કડદા મુદ્દે આપે યોજેલી મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ABVP અને NSUIનો GTUમાં હલ્લાબોલ ABVP અને NSUI એ આજે GTUમાં હલ્લાબોલ કર્યો. જીટીયુએ સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષામાં ગત વર્ષનું બેઠે બેઠું પેપર પૂછી લેવાતા આજે વિરોધ કરવામાં આવ્યો..આ દરમિયાન કુલપતિએ પોલીસને ઈશારો કરતા કાર્યકરોએ કુલપતિને ખખડાવી નાખ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પુત્રજન્મનો ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો અરવલ્લીના રુઘનાથપુરા ગામમાં પુત્ર જન્મનો ઉત્સવ માતમમાં ફેરવાયો. 6 દીકરી પર દીકરો આવતા ખેતમજૂરનો પરિવાર માનતા પૂરી કરવા રણુજા જઈ રહ્યો હતો ત્યારે રાજસ્થાનમાં નડેલા અકસ્માતમાં 3 વર્ષની બાળકી સહિત 6 લોકોના મોત થયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્પીચ આપતા આપતા 24 વર્ષની યુવતી ઢળી પડી સુરતની ધારુકાવાળા કોલેજમાં સ્પીચ આપતી વખતે 24 વર્ષની યુવતી ઢળી પડી. યુવતીને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. જો કે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચ્ચુ કારણ જાણવા મળશે. અમદાવાદની યુવતી આઈટી કંપનીમાં કામ કરતી હતી અને સેમિનાર માટે સુરત ગઈ હતી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પતિ,પુત્ર અને પુત્રીની હત્યા કરી લાશો દાટી દીધી ભાવનગરમાં ફોરેસ્ટ ઓફિસરે જ પતિ , પુત્ર અને પુત્રીની હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે. અધિકારીએ લાશો દાટવા માટે સ્ટાફ પાસે JCBથી ખાડો ખોદાવ્યો અને 2 ડમ્પર માટી મગાવી હતી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જૂની અદાવતમાં મિત્રનો મિત્ર પર હુમલો સુરતમાં પાંચ વર્ષ જૂની અદાવતનો બદલો લેવા મિત્રએ મિત્ર પર ચપ્પુથી હુમલો કર્યો. હુમલા બાદ આરોપી ત્યાં થોડીવાર ઊભો રહે છે અને ઈજાગ્રસ્ત મિત્રને સતત જોતો રહે છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની અટકાયત કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો 10.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા અને દાહોદ રાજ્યના સૌથી ઠંડા શહેર રહ્યા.. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન હાલ 15 ડિગ્રીથી નીચે જતુ રહ્યું છે.. છેલ્લા 24 કલાકમાં તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી ઘટ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા રણછોડનગર અને નહેરુનગરમાં જવાના માર્ગ પર આવેલ જવાનગરમાં બેફામ પણે ચાલતા દેશી વિદેશી દારૂના વ્યાપક વેચાણને લઈ સ્થાનિકો દ્વારા આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ સમસ્યાથી પીડિત મહિલાઓ અને આગેવાનો બુટલેગરો અને પીધેલા ફોટો પોસ્ટર સાથે પોલીસ ભવન પહોંચ્યા હતા. વિદેશી દારૂના વ્યાપક વેચાણને લઈ સ્થાનિકોની રજૂઆતઆ અંગે રજૂઆત માટે આવેલ સંદીપ શર્માએ જણાવ્યું હતું કે, મારા વિસ્તારમાં નાના બાળકો આવતા જતા હોય છે અને બેફામ રીતે તે લોકો દારૂ વેચે છે. નાના બાળકોને સ્કૂલ જવા માટે વેન આવે અને તેની આગળ બકરીઓ આવી જાય તો ગાળો બોલે છે અને મારવા માટે આવી જાય છે. આ લોકો સરેઆમ દારૂ વહેંચે છે અને પીધેલા લોકો છોકરીઓને હેરાન કરે છે, આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. આ અંગે અન્ય વ્યક્તિએ જણાવ્યું કે, અમે સમા વિસ્તારમાં રહીએ છીએ અને જવાહરનગરમાં દારૂ વહેચાય છે. આ અંગે અમે આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પોલીસ આવે છે અને 10 મિનિટમાં બંધ કરાવી પાછી જાય છે અને પાછુ ચાલુ થઈ જાય છે. અમારી બહેન દીકરીઓને કોમેન્ટ કરે છે, આવવા જવા માટે ટ્રાફિક રહે છે. આ લોકોને કોઈનો ડર નથી. કોઈનું મરણ કે સિરિયસ હોય તો એમ્બ્યુલન્સને આવવા માટે જગ્યા રહેતી નથીઆ અંગે સિમરન ચૌહાણે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં એકજ પ્રોબ્લેમ છે કે, અહીંયા દારૂ વહેચાય છે. સંજયનગર વુડાના મકાન પાછળ દેશી અને ઇંગ્લીશ દારૂ વહેચાય છે. અમારે ત્યાં કોઈનું મરણ કે સિરિયસ હોય તો એમ્બ્યુલન્સને આવવા માટે જગ્યા રહેતી નથી. આ પહેલા અમે સ્થાનિક પોલીસ મથકમાં પણ અરજી કરી પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. વધુમાં કહ્યું કે, અહીંયા દારૂ પી ને કોઈ ને કોઈ રસ્તામાં ઊભા થઈ જાય છે, ટ્રાફિક થાય છે અને દેશી દારૂના અને ઇંગ્લીશ દારૂ ખુલ્લેઆમ વહેચાય છે તેઓને કોઈ ડર નથી.
સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના પારિવારિક ઝઘડામાં રવિવાર રાત્રે એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા પતિના મિત્રની પત્નીના ભાઈએ માછલી કાપવાના ધારદાર ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી દીધી હતી. જ્યારે આ ઝઘડામાં પત્નીએ એક ચપ્પુથી પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પત્ની પૂજા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્નીને પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધની આશંકાસિંગણપોર ગામના વણઝારા વાસ પાસે રહેતા 26 વર્ષીય ટ્રક ડ્રાઈવર દિનેશ ધનસુખ રાઠોડ અને તેમની પત્ની પૂજા રાઠોડ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. દંપતીને ત્રણ બાળકો છે તેમ છતાં પૂજા છેલ્લા આઠ મહિનાથી મોરા ભાગળ શારદાનગર-2માં તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ઝઘડાનું મુખ્ય અને ગંભીર કારણ એ હતું કે, પૂજાને તેના પતિ દિનેશના અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ હોવાની આશંકા હતી. આ શંકાને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઊગ્ર બોલાચાલી અને ઝઘડા થતા રહેતા હતા. જેના કારણે છેલ્લા 8 મહિનાથી પિયર રહેવા માટે આવી ગઈ હતી. પતિ મિત્ર સાથે પત્નીને મળવા તેના ઘરે પહોંચ્યોરવિવારની રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ દિનેશ પોતાના મિત્ર અજય દેવીપૂજક સાથે તેની પત્ની પૂજા અને બાળકોને મળવા શારદાનગર ખાતે ગયો હતો. પતિ-પત્ની વચ્ચે વાતચીત શરૂ થતાં જ શંકાને લઈને ફરીથી ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પૂજાના સગા-સંબંધીઓ તેવા અજીત વસંતભાઈ રાઠોડ, ધર્મેશ બચુભાઈ રાઠોડ અને સુનિલ રાઠોડ પણ સામેલ થયા હતા. માછલી કાપવાના ચપ્પુથી અજય પર ઉપરાછાપરી ઘા માર્યાડીસીપી લખધીરસિંહના જણાવ્યા મુજબ, ઉશ્કેરાયેલી પત્ની પૂજા રાઠોડે ઘરમાં મુકેલા ચપ્પુ વડે તેના પતિ દિનેશ પર હુમલો કરી ચપ્પુના ઘા માર્યા હતા. દિનેશ ગંભીર ઈજા સાથે ઘવાયો હતો, જ્યારે દિનેશના મિત્ર અજય દેવીપૂજક પરિસ્થિતિને થાળે પાડવા અને ઝઘડો છોડાવવા માટે વચ્ચે પડ્યો ત્યારે પૂજના ભાઈ અજીત વસંત રાઠોડે તના પર જીવલેણ હુમલો કર્યો હતો. અજીત માછલી વેચવાનો ધંધો કરતો હોવાથી ઘરમાં માછલી કાપવા માટે ધારદાર ચપ્પુ રાખતો હતા. અજીતે આજ તીક્ષ્ણ હથિયાર વડે અજય દેવીપૂજકને પેટના તેમજ ડાબા હાથના ભાગે ઉપરા છાપરી ઘા માર્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોએ અજયને મૃત જાહેર કર્યોનિર્દોષ અજય દેવીપૂજક ચપ્પુના ઘા વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે લાઈફલાઈન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. મિત્રની હત્યા થતા અને પોતે ઇજાગ્રસ્ત થતાં દિનેશ આઘાતમાં સરી પડ્યો હતો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીઆ બનાવની જાણ રાંદેર પોલીસને થતા પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ડીસીપી લખધીરસિંહે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં પતિ ગંભીર ઈજાગ્રસ્ત છે, જ્યારે તેમના મિત્રનું મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પત્ની પૂજા રાઠોડ અને તેના સગા અજીત રાઠોડ, ધર્મેશ રાઠોડ અને સુનિલ રાઠોડ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
મહેસાણા મનપા દ્વારા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના આશય સાથે શરૂ કરાયેલા વિકાસ કામો હરણફાળ ગતિ ભરી રહ્યા છે. ત્યાં થોડાક મહિના અગાઉ શરૂ કરાયેલ સ્પેસ મેકિંગ ડેવલોપમેન્ટનું કામ આકર્ષક નજારા સાથે પૂર્ણતાને આરે રહ્યું છે. હવે તોરણવાળી માતાના ચોકમાં 10 જ દિવસમાં હેરિટેજ સ્ટ્રીટની કામગીરીનો આરંભ કરવામાં આવશે. શહેર અકલ્પ્ય વિકાસની કેડીએ આગળ ડગલું ભરી રહ્યું છેદેશ અને દુનિયામાં મહેસાણા એક નાનકડું શહેર નગરપાલિકા માંથી મહાનગર પાલિકાનો દરજ્જો મેળવતા સરકારની સીધી નિગ્રાહનીમાં વિકાસ કામોની હરણફાળ ભરી રહ્યું છે. હાલમાં મનપાના વહીવટદાર શાસનમાં શહેર પહેલા ક્યારેય કલ્પના ન કરાઈ હોય તેવા અકલ્પ્ય વિકાસની કેડીએ આગળ ડગલું ભરી રહ્યું છે. શહેરમાં નાગરિકોને સાચી અને સારી સેવા મળે માટે ના માત્ર પાયાની સેવાઓ પરંતુ, ભૌગોલિક સુવિધાઓ અને આનંદદાયક સેવાઓ પર ભાર મુકતા વહીવટદાર એસ.કે. પ્રજાપતિ અને મ્યુનિ. કમિશનર રવિન્દ્ર ખતાલે તેમજ તેમની ટીમ દ્વારા શહેરમાં બ્યુટીફીકેશના કામો સાથે સ્પેસ મેકિંગ ડેવલોપમેન્ટ અને હેરિટેજ સ્ટ્રીટ તેમજ આઇકોનીક એન્ટ્રન્સ ગેટ સહિતના કોન્સેપટ નક્કી કરાયા હતા. વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી ડાયવર્ઝન આપવામાં આવશેજેના પર કામ કરતા મનપા તંત્ર દ્વારા મહેસાણા તાલુકા પંચાયત પાસેની ખુલ્લી જગ્યામાં 1.81 કરોડના ખર્ચે સ્પેસ મેકિંગ ડેવલોપમેન્ટની કામગીરી કરતા આ કામ હાલમાં પૂર્ણતાને આરે રહ્યું છે. જયારે આગામી 10 દિવસમાં હેરિટેજ સ્ટ્રીટ ડેવલોપમેન્ટના કામે તોરણવાળી માતાના ચોકમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી ડાયવર્ઝન આપવામાં આવશે. જે વ્યવસ્થા બાદ ત્યાં 5.17 કરોડના ખર્ચે હેરિટેજ સ્ટ્રીટનું કામ પુર જોશમાં શરૂ કરાશે. તાલુકા પંચાયત પાસેના સ્પેસ મેકિંગ ડેવલોપમેન્ટની વિશેષતાઓ1.81 કરોડના અંદાજીત ખર્ચ સાથે ડેવલોપ કરાયેલ તાલુકા પંચાયત પાસેની જગ્યાના સ્પેસ મેકિંગ ડેવલોપમેન્ટમાં વોક વે., ડેકોરેટિવ એલિમેન્ટ, સીટીંગ એરિયા, ડેકોરેટિવ લાઇટિંગ, ગ્રીનરી, સ્કલ્પચર વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો દિવસના અજવાળામાં તો ઠીક પરંતુ, રાત્રીના અંધારામાં પણ અલ્હાદક નજારો જોવા મળી રહ્યો છે.
દિલ્હી બ્લાસ્ટ બાદ ગીર સોમનાથમાં મેગા કોમ્બિંગ:ગેરકાયદે હથિયારો મળ્યા, 3 સામે જાહેરનામા ભંગનો ગુનો
દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પૃષ્ઠભૂમિમાં, ગીર સોમનાથ જિલ્લા પોલીસે આજે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ખાસ કરીને કોડીનાર અને મૂળ દ્વારકા બંદર વિસ્તાર દરિયાઈ માર્ગે સંવેદનશીલ હોવાથી ત્યાં સઘન સુરક્ષા તપાસ કરાઈ હતી. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સવારે વહેલી સવારથી જ 06 PI, 07 PSI, SOG, LCB, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિત 120થી વધુ પોલીસકર્મીઓનો કાફલો મેદાનમાં ઉતર્યો હતો. 110 કિલોમીટર લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાઈ હદથી લઈને અંદરના ગામડાં સુધી કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. એસ.પી. જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, જિલ્લાનો દરિયાકાંઠો સંવેદનશીલ હોવાથી અહીં રહેતા લોકોની ઓળખ, દસ્તાવેજો અને રહેવા અંગેની જાણકારીની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન પરપ્રાંતિય લોકો અંગે પોલીસને જાણ ન કરવા બદલ ત્રણ ઈસમો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે. ઓપરેશન દરમિયાન કુલ છ સ્થળોએથી ગેરકાયદે હથિયારો મળી આવ્યા હતા. મૂળ દ્વારકા કચ્છી પીરની દરગાહના મુઝાવર અમીનશા ઇસ્માઇલશા કનોજીયાના રહેણાકમાંથી બે લોખંડની તલવાર, એક છરો તથા ફરસી જેવા હથિયારો મળી આવ્યા હતા. આ ઉપરાંત, કોડીનારના ત્રિકમરાય મંદિર વિસ્તાર, દક્ષિણામૂર્તિ, બુખારી મહોલ્લો, જીન પ્લોટ, એકતા ચોક, જામવાળા નદીકાંઠો તથા ગીર ગઢડા રોડ પર અલગ-અલગ ઈસમો પાસેથી છરીઓ મળી આવી હતી. આ તમામ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે. કોડીનારના જીન પ્લોટમાં આવેલ મદરેસા એ કાદરીમાં છેલ્લા એક વર્ષથી એક પરપ્રાંતિય વ્યક્તિને મૌલાના તરીકે રાખવામાં આવ્યો હતો, પરંતુ તેની પોલીસ જાણ ન કરવા બદલ સંચાલક ઇમરાન સોંપરિયા સામે ગુનો નોંધાયો છે. આવા કુલ ત્રણ સ્થળોએ જાહેરનામાનો ભંગ કરી પરપ્રાંતિય લોકોને ગેરકાયદે રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી જિલ્લાના હળવદમાં એક અત્યંત દુખદ ઘટના બની છે, જ્યાં વ્યાજખોરોના ત્રાસ અને બેંકની લોનની ઉઘરાણીથી કંટાળીને એક કારખાનેદારે પોતાની કારમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. હળવદ પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદના સરા રોડ પર રહેતા 44 વર્ષીય નવનીત આદ્રોજા માળિયા-હળવદ હાઇવે પર કેદારીયા ગામ નજીક અનાજ સાફ કરવાનું કારખાનું ધરાવતા હતા. આજે સવારે તેઓ રાબેતા મુજબ કારખાને ગયા હતા. ત્યાં તેમણે પોતાની ક્રેટા ગાડીમાં બેસીને ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ભાગીદારે પોલીસને જાણ કરીઆ બનાવની જાણ મૃતકના ભાગીદારને થતાં તેમણે તાત્કાલિક 112 પર પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ હળવદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. સુસાઇડ નોટમાં દુઃખ વ્યક્ત કર્યુંપોલીસને તપાસ દરમિયાન મૃતક નવનીત આદ્રોજા પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નોટમાં કારખાનેદારે વ્યાજખોરો દ્વારા કરવામાં આવતા ત્રાસ અને બેંકની લોનના હપ્તા ન ભરી શકવાને કારણે થતી ઉઘરાણીથી પોતે કેટલા કંટાળી ગયા હતા તેનો ઉલ્લેખ કર્યો છે. આ ત્રાસના કારણે જ તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. હળવદ પોલીસે સુસાઇડ નોટને કબજે કરીને તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેથી વ્યાજખોરો અને ઉઘરાણી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
અમદાવાદના પિતા પુત્રએ એક જમીન દલાલ સાથે 1.46 કરોડની છેતરપિંડી કરી છે.પિતા પુત્રએ સાણંદની જમીન વેચવાનું કહીને ખેડૂતો તેમના સંપર્કમાં હોવાનું કહીને ડીલ કરી હતી.બાદમાં રોકડા નાણાં 1.46 લાખ મેળવી લીધા હતા. જે બાદ પિતા પુત્રએ જમીન દલાલનો ફોન ન ઉપાડીને નાણાં પરત ન આપીને વેચાણ દસ્તાવેજ ન કરી આપીને છેતરપિંડી કરી હતી.નારણપુરા પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નારણપુરામાં રહેતા કૌશલભાઇ પટેલ જમીન લે વેચનું કામ કરે છે. કૌશલભાઇને એકાદ વર્ષ પહેલા સાણંદના જમીન દલાલ અશોક અને તેના પિતા ધનજી પ્રજાપતિ સાથે મુલાકાત થઇ હતી. બંને પિતા પુત્રએ સાણંદના નારણપુરાની જમીન વેચાણ માટે કૌશલભાઇને વાત કરી હતી.જમીનના ખેડૂતો પિતા પુત્રના સંપર્કમાં હોવાનું કહેતા કૌશલભાઇએ જમીનના કાગળોની તપાસ કરી હતી.આ જમીનો વાંધા વિનાની હોવાનું હોવાનું સામે આવ્યુ હતું. જે બાદ બંને પક્ષે મિટીંગ થઇ હતી અને એક વીઘાનો 80.22 લાખ ભાવ નક્કી કરીને ડીલ નક્કી કરી હતી.નાણાં કે બાનુ આપશો એટલે બાનાખત અને જરૂરી કાર્યવાહી કરી દેવાનો પિતા પુત્રએ વાયદો કર્યો હતો. પિતા પુત્રએ કૌશલભાઇ પાસેથી રૂ. 1.46 કરોડ મેળવી લીધા હતા પરંતુ બાદમાં દસ્તાવેજ ન કરીને કે નાણાં પરત ન આપીને છેતરપિંડી આચરી હતી. જેથી મામલો પોલીસ પાસે પહોંચતા નારણપુરા પોલીસે અશોક પ્રજાપતિ અને તેના પિતા ધનજી પ્રજાપતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લામાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા દેશવ્યાપી આયોજિત 'જનજાતિ ગૌરવ કળશ યાત્રા' નું ગૌરવપૂર્ણ અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જનજાતિ વીર પુરુષો, ખાસ કરીને ભગવાન બિરસા મુંડાના અપ્રતિમ બલિદાન અને શૌર્યને નમન કરીને યુવાઓમાં રાષ્ટ્રીય ચેતના અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ જગાડવાનો છે. બિરસા મુંડાની જન્મસ્થળની પવિત્ર માટીનું આગમનઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દિનેશ ચોચાએ આ યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ કળશ યાત્રા કાઢવામાં આવી છે. ભગવાન બિરસા મુંડાના પવિત્ર જન્મ સ્થળ પરથી આવેલી તેમની માટી આજે કળશમાં સંતો, સૂરાઓ અને દાતારોની ભૂમિ ગણાતા જુનાગઢ ખાતે પધારી છે. આ કળશ યાત્રા આજે અલગ અલગ શૈક્ષણિક કેમ્પસો પર જઈ રહી છે અને યુવાનો દ્વારા તેને ઉમંગભેર વધાવવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં સન્માન યાત્રાનું પૂજનયાત્રાએ જુનાગઢ જિલ્લામાં નક્કી કરાયેલા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી, જેમાં સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સવારે 7:20 વાગ્યે ઘોડાસરા કોલેજ થી શરૂઆત કરીને, 9:00 વાગ્યે સુભાષ મહિલા કોલેજ, 10:00 વાગ્યે સી.એલ. કોલેજ, બપોરે 1:00 વાગ્યે બી.કે.એન.એમ.યુ. યુનિવર્સિટી અને પોલીટેકનિક તથા 2:30 વાગ્યે પી.કે.એમ. કોલેજ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરેક સ્થાને કળશનું પૂજન, દીપ પ્રજ્વલન અને જનજાતિ ગૌરવના સૂત્રોચ્ચાર સાથે યાત્રાનું ઉમંગભેર સ્વાગત થયું. કુલપતિ અને તમામ સ્ટાફ દ્વારા આ કળશ યાત્રાનું પૂજનઆ કળશ યાત્રામાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર શિક્ષકવર્ગ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક જોડાઈને સ્વાગત-પૂજન કર્યું હતું. હાલમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આ કળશ યાત્રા પધારી છે.જ્યાં યુનિવર્સિટીના કુલપતિ અને તમામ સ્ટાફ દ્વારા આ કળશ યાત્રાનું પૂજન અને સ્વાગત કરવામાં આવ્યું છે. અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાકળશ યાત્રાના વિશેષ સ્વાગત કાર્યક્રમમાં કુલપતિ ડો. પ્રતાપસિંહ ચોહાણ, રજિસ્ટ્રાર રણજીત પરમાર, ઇસી મેમ્બર દિનેશભાઈ ડઢાણીયા, પ્રિન્સિપાલ બલરામભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ (એબીવીપી) નરેશભાઈ સોલંકી, પ્રિન્સિપાલ એમ.પી. ત્રાડા, સુરેશભાઈ ભોયે, પ્રિન્સિપાલ પરવેઝ બ્લોચ, બી.ડી. પરમાર અને પ્રફુલભાઈ કાનજીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાનું આગમન થતાં જ સમગ્ર કેમ્પસ રાષ્ટ્રીયતા, એકતા અને સંસ્કૃતિના ભાવથી ગુંજી ઉઠ્યું. સાંસ્કૃતિક જાગૃતિનો શક્તિશાળી સંદેશ પ્રસરી ગયોજનજાતિ સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને વીર પુરુષોના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ યાત્રાનો હેતુ જુનાગઢ જિલ્લાની તમામ સંસ્થાઓમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો. કળશ યાત્રાએ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ગૌરવ, સંગઠન અને સાંસ્કૃતિક જાગૃતિનો શક્તિશાળી સંદેશ પ્રસરી ગયો.
સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ થઈ રહી છે. તાજેતરમાં જ કેનેડાના ટોરેન્ટોમાં સનાતન મંદિરમાં સરદાર પટેલની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે કમ્યુનિટીના લોકો ઉપરાંત કાઉન્સિલર્સ, એમપી, ઉદ્યોગપતિઓ, સમાજના જાણીતા લોકોએ હાજરી આપી હતી. દિવ્યભાસ્કરે સરદાર પટેલની જન્મજયંતિ ઉજવવામાં મહત્ત્વનો ભાગ ભજવાનર મહેન્દ્ર પટેલ તથા દાદુભાઈ પટેલ સાથે ખાસ વાત કરી હતી. છેલ્લા 55 વર્ષથી દાદુભાઈ પટેલ તથા 40 વર્ષથી મહેન્દ્રભાઈ પટેલ કેનેડામાં રહે છે. દાદુભાઈ મૂળ એન્જિનિયર ને હાલમાં રિટાયર્ડ લાઇફ જીવી રહ્યા છે. મહેન્દ્રભાઈ બંધ થયેલી કંપનીના ઇક્વિપ્મેન્ટ્સ ખરીદવાનો બિઝનેસ કરે છે. સરદાર પટેલ જયંતી ઉજવવા અંગે મહેન્દ્રભાઈએ કહ્યું હતું, 'હું 2014માં ન્યૂ જર્સી હતa અને ત્યાં દર વર્ષે સરદાર પટેલ પર એક ઇવેન્ટ યોજાતી. આ ઇવેન્ટમાં મને સરદાર પટેલ અંગેની એક બુક આપીને કેનેડામાં આ પ્રકારની ઇવેન્ટ શરૂ થાય તેવા પ્રયાસો કરવાનું કહ્યું. 2014માં મેં કેનેડામાં ચાર-પાંચ મિત્રો સાથે ભેગા મળીને સરદાર જયંતી ઉજવવાનું નક્કી કર્યું. બે વર્ષ પછી ઇન્ડિયન કોન્સ્યુલેટમાં આ અંગે વાત થઈ અને પછી મોટાપાયે ઉજવવાનું નક્કી થયું. ત્યારબાદથી 141મી જન્મજયંતિ મોટાપાયે ઉજવી હતી અને ત્યારથી લઈને દર વર્ષે અમે કેનેડામાં અલગ-અલગ જગ્યાએ સરદાર પટેલની જન્મજયંતિ સેલિબ્રેટ કરીએ છીએ. અમે તમામ ભારતીયોને ઇવેન્ટમાં સામેલ થવા આમંત્રણ આપીએ છીએ.' ઇવેન્ટની શરૂઆત કેનેડા તથા ભારતના રાષ્ટ્રગીતથી થઈ હતી. ત્યારબાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવ્યા હતા. BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત સંતોષમુનીદાસે આશીર્વચન આપ્યા હતા. આ ઉપરાંત એક ભારત, શ્રેષ્ઠ ભારત પર વાત કરવામાં આવી હતી. દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઇવેન્ટ પૂર્ણ થઈ હતી. ઇવેન્ટમાં સરદાર પટેલની ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજ પટેલ, સરદાર પટેલ ટ્રસ્ટના અધ્યક્ષ દિનશા પટેલ, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના શુભેચ્છા સંદેશાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. અંતે, ઇવેન્ટમાં હાજર રહેલા તમામ મહેમાનોએ રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લીધી તથા સરદાર પટેલના આદર્શો પ્રમાણે અનુસરણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તસવીરોમાં માણો સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી....
ગાંધીનગરમાં સી.એમ. ફેલોશીપ અંતર્ગત પસંદ થયેલા 24 ફેલો માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પરિવર્તનકારી બદલાવ લાવીને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, સામાન્ય નાગરિકોની સુખ-સુવિધા અને ગુડ ગવર્નન્સને વધુ સશક્ત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે યુવાશક્તિના ઈનોવેશન, જ્ઞાન અને કૌશલ્ય સાથે વરિષ્ઠ સચિવોના અનુભવોનું સંકલન કરીને રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થાને વધુ લોકોનું કલ્યાણ કરતી દિશામાં દોરવાનો સરકારનો પ્રયાસ છે. મોદીએ 2009માં શરૂ કરાવેલો સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ બની રહ્યો બેસ્ટ પ્લેટ ફોર્મમુખ્યમંત્રીએ યાદ કરાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેનાં તેમના કાર્યકાળ દરમિયાન 2009માં સી.એમ. ફેલોશીપની શરૂઆત કરી હતી. તેજસ્વી અને પ્રતિભાશાળી યુવાઓના ઈનોવેટીવ વિચારોને શાસનમાં જોડવાનો આ અભિગમ આજે સુશાસનના મહત્વપૂર્ણ સાધન તરીકે ઊભો થયો છે.તેમણે કહ્યું કે વડાપ્રધાનએ “સરકાર ચલાવવાની નહીં, દેશ બદલવાનો” અભિગમ અપનાવ્યો છે, જેને આધારે ડિજિટલ ભારત જેવી પહેલો થકી લોકોના જીવનમાં ક્રાંતિ આવી છે. સ્પીપા – IIM ઈન્દોર વચ્ચે MoUશિબિરની શરૂઆતમાં મુખ્યમંત્રીની હાજરીમાં સ્પીપા (SPIPA) અને આઈ.આઈ.એમ. ઈન્દોર વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યો.આ એમ.ઓ.યુ. હેઠળ પબ્લિક પોલિસી મેનેજમેન્ટના 11 જેટલા વિષયો પર કેપેસિટી બિલ્ડિંગ માટે સંયુક્ત તાલીમ કાર્યક્રમો યોજાશે. ગુડ ગવર્નન્સ માટે ફેલોની ભૂમિકા મહત્વપૂર્ણમુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું કે સી.એમ. ફેલોશીપના ફેલોએ કરેલા રિસર્ચ, કેસ સ્ટડીઝ અને વિવિધ વિષયક યોગદાન રાજ્યની નીતિ-વ્યવસ્થાને વધુ અસરકારક બનાવે છે. સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ફેલોશીપને છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ વેગ મળ્યો છે. શિબિરમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવોએ ફેલોને માર્ગદર્શન આપ્યું હતું. ફેલોએ તેમના પ્રેઝન્ટેશન્સ રજૂ કર્યા હતા અને બેસ્ટ પ્રેક્ટિસીસનું શેરીંગ પણ કર્યું હતું.ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
સિમેન્ટ અને કોંક્રિટના જંગલો વચ્ચે શુદ્ધ હવા અને શાંતિ શોધતા નગરજનો માટે એક ખુશખબર છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોલવડા તળાવને 'અમૃત સરોવર' તરીકે વિકસાવવામાં આવ્યું છે. જે જગ્યા પર એક સમયે કચરાના ઢગલા અને ડમ્પિંગ સાઇટ હતી તે આજે લીલીછમ વનરાજી, પક્ષીઓનો કલરવ અને નયનરમ્ય સૌંદર્યથી સભર આકર્ષણનું કેન્દ્ર બની છે. ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા કોલવડા તળાવને 'અમૃત સરોવર' તરીકે વિકસાવવામાં આવ્યું છે.સહેલાણીઓની સગવડ માટે સિમેન્ટ-કોંક્રિટનો ઉપયોગ નજીવો રાખીને તળાવની આસપાસ મિયાંવાંકી વન પદ્ધતિથી 30 હજાર જેટલા દેશીકુળના વૃક્ષો વિકસાવવામાં આવ્યા છે. બદામ, વડ, પીપળો, આંબો, આમળાં, સરૂ, જાંબુ અને જામફળ જેવા દેશીકુળના વૃક્ષોથી 41,301 ચોરસ મીટર વિસ્તાર હરિયાળીથી છવાયો છે, જેના કારણે આ સ્થળ હવે 'ઓક્સિજન પાર્ક' ની પણ ગરજ સારે છે. હાલમાં વધુ 10,000 વૃક્ષો વાવવાનું કામ ચાલી રહ્યું છે. આ તળાવ વિવિધ પશુ-પક્ષીઓનું નિવાસ્થાન બન્યું છે. સાંજના સમયે મોર, પોપટ, કોયલ, ઢેલ, ટીટોડી, બતક, અને નામશેષ થતી જતી ઘર ચકલીઓ જોવા મળે છે. કમિશનર ગાંધીનગરના જણાવ્યા અનુસાર, સૃષ્ટિના નિયમ પ્રમાણે જીવન ચક્ર અને જીવશૃંખલા જળવાઈ તે ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશ સાથે અહીં સાપ જેવા સરીસૃપોને પણ કોઈપણ ખલેલ વગર આશ્રય મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તળાવના ઢોળાવ પર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને રક્ષણ મળે તે રીતે આયોજન કરાયું છે, જેને કારણે આ તળાવ મૂળ નિવાસી પક્ષીઓ ઉપરાંત સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ માટે પણ રહેઠાણ બન્યું છે. આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો 8.47 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરાયુ છે. 1,10,000 ચોરસ મીટર ફેલાયું છે. તળાવમાં પાણી સંગ્રહ ક્ષમતા 182.5 મિલિયન લિટર છે. આમ આ સ્થળ કોલવડા, રાંધેજા અને ગાંધીનગર શહેરના 10 હજારથી વધુ રહેવાસીઓ માટે આ નજીકનું પિકનિક સ્પોટ બન્યું છે. આ પ્રોજેક્ટ માત્ર સૌંદર્યકરણ પૂરતો સીમિત નથી. અહીં ભૂગર્ભ જળની ભરપાઈ માટે તળાવ ઓવર ફ્લો થતાં રિચાર્જ કુવાઓ બનાવવાનું કાર્ય હાથ ધરાયું છે. સાથે જ પાણીની ગુણવત્તા સુધારવા માટે જળચર છોડ વાવેતરનું અને તળાવમાં હંમેશા પાણી જળવાઈ રહે તે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિકસાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ નયનરમ્ય સ્થળ પર આથમતા સૂરજનું તળાવમાં પડતું પ્રતિબિંબ, બાળકોની કિલકારીઓ અને પક્ષીઓનો મધુર અવાજ વાતાવરણને ખૂબ જ આહલાદક બનાવે છે. આ સ્થળની મુલાકાત શહેરની ભીડભાળથી દૂર, પ્રકૃતિના ખોળે વિહરવાની ખોજ પૂર્તિનું માધ્યમ બની રહેશે.જિલ્લામાં ચાલી રહેલા મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન જેમ કે એક પેડ મા કે નામ ને આ પ્રોજેક્ટ વધુ વેગ આપે છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના વાઘુજી ઠાકોર નામના યુવકની અગ્નિવીર તરીકે પસંદગી થઈ હતી. અગ્નિવીરની તાલીમ દરમિયાન વાઘોજી ઠાકોરને પગમાં સામાન્ય ઇજા પહોંચી હતી. પગમાં ઇજા થવાને કારણે વાઘુજી ઠાકોરને અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે, અને ગુજરાતના અગ્નિવીર સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. અનફિટ જાહેર કરવામાં આવતા યુવાનનું સપનું ચકનાચૂર થઈ ગયું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. તેમજ વાઘુજી ઠાકોરને સરકારી અથવા અર્ધ સરકારી નોકરી આપવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. અગ્નિવીર સાથે અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જુદી જુદી ભરતીના બદલે કોન્ટ્રાક આધારિત પરથી લાવીને સૈન્યના મનોબળને તોડવાનું કામ ભાજપની કેન્દ્ર સરકારે કર્યું છે. છતાં દેશ સેવા કરવા હજારો યુવાનો આર્મફોર્સીસમાં જોડાઈ રહ્યા છે. સિધ્ધપુર તાલુકાના એક ગામમાંથી આવતા વાઘુજી ઠાકોર નામના સામાન્ય પરિવારનો યુવાનની અગ્નિવિર તરીકે પંસદગી થઈ હતી. ટ્રેનિંગમાં સામાન્ય ઇજા થતા અનફિટ જાહેરતેને વધુમાં કહ્યું કે, વાઘુજીનો અગ્નિવિરની તાલીમ દરમિયાન ફિનિશિંગ લાઇન ક્રોસ કરતા સમયે પગ મચકોડાઇ ગયો હતો. જેથી સારવાર માટે દાખલ કરાયો હતો. હોસ્પિટલમાં સારવાર બાદ જ્યારે રજા આપવામાં આવી ત્યારે તાલીમમાંથી ગેરહાજર હોવાનું કહી નોટિસ આપવામાં આવી. નોટિસ મળ્યા બાદ 8 અઠવાડિયાની સારવાર આપવામાં આવી. ત્યારબાદ અગ્નિવિરના આર્મી સર્વિસ સ્કોડ તાલીમ કેન્દ્ર પર પહોંચે છે. જ્યાં મેડિકલ બોર્ડના દિવ્યાંગ પરિપત્રના આધાર તેને અયોગ્ય ગણાવી દેવામાં આવે છે. કોંગ્રેસે સરકારી કે અર્ધ-સરકારી નોકરી આપવા માગ કરીવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જે પગ મચકાયો એટલી વાતમાં તેને ડિસેબિલિટીમાં ગણવામાં આવે છે. વાઘુજી ઠાકોરને અનફિટ જાહેર કરવામાં આવે છે. જેના કારણે વાઘુજીનું સ્વપ્ન ચકનાચૂર થઈ જાય છે. અમારી સહાનુભૂતિ તેમની સાથે છે, અને તમામ મદદ કરવાની ખાતરી આપી છે. અગ્નિવીર યોજના આવી ત્યારે આ નવી નીતિને સૈન્યના મનોબળ માટે ઘાતક સાબિત થઈ શકે છે તેવું કહ્યું હતું. નીતિના કારણે એક યુવાનનું સપનું ચકનાચૂર થઈ જાય છે. અમારી માંગ છે કે આવા ઘણા લોકો ભોગ બને છે. જેથી વાઘુજી ઠાકોરને સરકારી કે અર્ધ સરકારીમાં લાયકાતના આધારે બીજું કામ આપવામાં આવે. આર્મીમાં ઘણા બધા વિભાગ હોય છે જેમાં તેનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ છે. જેથી આ યુવાન સન્માન સાથે જિંદગી જીવી શકે. રાજ્યસભા શક્તિસિંહ ગોહિલ અને લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ રક્ષામંત્રી પાસે આ મુદ્દો રજૂ કરશે.
સુરતના 35 વર્ષીય એક વ્યક્તિએ હેબિયસ કૉર્પસ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી. જેમાં તેણે પોતાની પત્ની અને છ વર્ષની સગીર પુત્રીને તેના જ સમાજનો એક વ્યક્તિ અપહરણ કરીને ગોંધી રાખી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેના સાસરી પક્ષના લોકોને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. તેઓના લગ્ન વર્ષ 2019માં થયા હતા. ત્યાર બાદ તેમના ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો. તેઓ સુરત મુકામે ખુશીથી રહેતા હતા. ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરીતે 26 જુલાઈના રોજ કામે ગયો હતો. જ્યારે તે પરત આવ્યો ત્યારે ઘરમાં પત્ની અને સગીર દીકરી નહોતી. તેને બંનેને શોધવા ઘણો પ્રયત્ન કર્યો, આખરે તેણે પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ પણ તેને શોધવામાં નિષ્ફળ રહેતા તેને ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરી હતી. તેને જણાવ્યું હતું કે, પત્ની અને દીકરીને શોધતા દરમિયાન તેને જાણવા મળ્યું હતું કે તેની પત્નીને તેના જ સમાજના રાજસ્થાનનો રહેવાસી વ્યક્તિ ભગાડી ગયો છે. જેણે અગાઉ બે વખત લગ્ન કરીને પોતાની પત્નીઓને ત્યજી દીધી છે. તેને એક નાનું બાળક પણ છે, તે આવી આદત ધરાવે છે. 4.51 લાખ લઈને સમાધાન કરવા ધમકી આપી હતીઅરજદારની પત્ની ચિંતા વાળી અને ભાવનાઓ પર કાબુ રાખી શકે તેવી નથી, તેનો લાભ આરોપીઓ ઉપાડ્યો છે. આ કૃત્યમાં અરજદારના સાસુ, સસરા અને સાસરિયાના અન્ય લોકો પણ સામેલ છે. પત્નીને ભગાડી જનાર વ્યક્તિ તેના સાસરીયામાં મિત્ર છે. વળી આરોપીએ અરજદારને કોઈ પણ કાનૂની કાર્યવાહી નહીં કરવા અને 4.51 લાખ રૂપિયા લઈને સમાધાન કરવા ધમકી આપી હતી. આરોપી તેની પત્ની અને પુત્રી સાથે તેના ઘરમાંથી 4 તોલા જેટલું સોનું, એક કિલો ચાંદી અને 1.50 લાખ રૂપિયા રોકડા લઈને ભગાડી ગયો હતો. પત્નીએ કહ્યું હતું કે તેના પતિ સાથે રહેવા માંગતી નથીજોકે, કોર્ટના હુકમથી પોલીસે અરજદારની પત્ની અને તેની સગીર પુત્રીને શોધીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરી હતી. અરજદારની પત્નીએ કોર્ટને જણાવ્યું હતું કે તે હાલ જ્યાં પણ છે ત્યાં ખુશ છે. તે તેના પતિ સાથે રહેવા માંગતી નથી. આથી હાઇકોર્ટે આ અરજીનો નિકાલ કર્યો હતો. અરજદારે તેની સગીર પુત્રીને મેળવવી હોય તો યોગ્ય કાનૂની કાર્યવાહી અંતર્ગત અરજી કરવા છૂટ આપી હતી.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રવિવારે ‘ધ યુનિટી ટ્રેઈલ – સાયકલ ઓન સન્ડે’ નામની બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટનો ભવ્ય પ્રારંભ થયો હતો. ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામિતે લીલી ઝંડી આપીને 5 કિ.મી.ની આ સાઈકલોથોનનો શુભારંભ કરાવ્યો હતો. 650થી વધુ સાયક્લિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતોનર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘ધ યુનિટી ટ્રેઈલ – સાયકલ ઓન સન્ડે’ બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ તા. 16 અને 17મી નવેમ્બર-2025 દરમિયાન ભવ્ય રીતે યોજવામાં આવી રહી છે. જેના પ્રથમ દિવસે રવિવારે ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામ ગામીતે લીલી ઝંડી આપીને સાઈકલોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પાંચ કિમીની સાઈકલોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 650થી વધુ સાઇક્લિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંત્રી, ધારાસભ્ય તેમજ અધિકારીઓએ પણ સાયકલ ચલાવી યુવાનોને ઉત્સાહિત કર્યા હતા. સાઈકલોથોન ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના મંત્રને વાસ્તવિકતામાં ઉતારે છેઆ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં આયોજિત સાઈકલોથોન ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના મંત્રને સાચા અર્થમાં પ્રોત્સાહતિ કરે છે. સ્વદેશી ઉત્પાદન, સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણપ્રેમી પરિવહનના સંદેશને પ્રસરાવવાનો આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાષ્ટ્રની એકતા, સ્વદેશી અને સ્વાવલંબનની ભાવનાને આગળ ધપાવવા અને વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. ફિલ્મ જગતના અગ્રણી બોની કપૂર પણ કાર્યક્રમમાં હાજરઆ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, ફિલ્મ જગતના અગ્રણી બોની કપૂર, સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરીશ્રી મનિંદર પાલ, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમાર, ગુજરાત પ્રવાસન વિભાગના એમડી પ્રભવ જોશી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, દેશભરના સાઇક્લિસ્ટો, મોટી સંખ્યામાં નાગરિકો સાઇક્લિસ્ટોને શુભેચ્છા પાઠવવા અને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતાં. આજે પણ વિવિધ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાશેનર્મદાના મનોહર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે યોજાયેલી આ સાઈકલોથોન ફિટનેસ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે યુવાનો માટે પ્રેરણારૂપ બની હતી. આજે 17મી નવેમ્બરે પણ વિવિધ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાશે.
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://chunavsetu-search.gujarat.gov.in/ લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR કામગીરીમાં ઉત્સાહભેર સહયોગ આપીને મતદાર તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. 'ચૂનાવ સેતુ' વેબસાઇટના માધ્યમથી મતદારોની આ કામગીરી વધુ સરળ બની રહી છે.
જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂ જે એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વિશ્વભરમાં જાણીતું છે, ત્યાં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક નવી અને અનોખી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે રીતે માણસ પોતાના શરીરને ફીટ રાખવા માટે કસરત કરે છે, તે જ રીતે ઝૂના સિંહો પણ પાંજરામાં આળસુ ન બને અને જંગલની જેમ સક્રિય રહે તે માટે એક ખાસ 'એન્ગ્રીસમેન્ટ' પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ નવીન પ્રયોગોથી સિંહોમાં નોંધનીય અને સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. શા માટે શરૂ કરાયો 'એન્ગ્રીસમેન્ટ' પ્રોગ્રામ ?સક્કરબાગ ઝૂના વેટરનરી ઓફિસર રિયાઝ કડીવારે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશિયાટિક લાયનના સંવર્ધન માટે જાણીતું છે, જેમાં ખાસ કરીને વાઇલ્ડ એનિમલ બ્રીડિંગ કરવામાં આવે છે.જ્યારે કોઈ પણ વન્ય પ્રાણીને જંગલ (વાઇલ્ડ અવસ્થા) માંથી કેપ્ટિવિટી (પાંજરા) માં લાવવામાં આવે છે, ત્યારે તેના સ્વભાવ અને ક્રિયાઓમાં ઘણા ફેરફારો થાય છે. પાંજરામાં બંધ રહેવાથી સિંહો આળસુ બની જાય છે, તેમની શારીરિક અને માનસિક નબળાઈ વધે છે, અને તેમનું કુદરતી વર્તન બદલાઈ જાય છે. આ નકારાત્મક અસરને ઓછી કરવા અને તેમની જરૂરિયાત મુજબ આસપાસનું વાતાવરણ ઊભું કરવા માટે 'એન્ગ્રીસમેન્ટ'ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ ક્રિયામાં પ્રાણીઓને કુદરતી અવસ્થામાં જેવી સગવડો મળે છે, તેવી જ સગવડો અહીં ઊભી કરવામાં આવે છે, જેથી તેઓ અનુભવી શકે કે પોતે કુદરતી વાતાવરણમાં જ ઉછરી રહ્યા છે. સિંહોની તંદુરસ્તી માટેના ચાર મુખ્ય પ્રકારના 'એન્ગ્રીસમેન્ટ' 1. શારીરિક અને વાતાવરણીય એન્ગ્રીસમેન્ટ (Physical and Environmental)જંગલમાં જેવું કુદરતી વાતાવરણ હોય, તેવું અહીં ઊભું કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં સિંહોને ઊંચા વિસ્તારમાં રહેવાનું વધુ પસંદ હોય છે, જ્યાંથી તેઓ આસપાસનો તમામ વિસ્તાર મોનિટર કરી શકે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે, ઝૂ દ્વારા લાકડામાંથી બનાવવામાં આવેલા અલગ-અલગ ઊંચાઈના પ્લેટફોર્મ (બેંચ) તૈયાર કરીને મૂકવામાં આવ્યા છે. સિંહો આ પ્લેટફોર્મ પર બેસી શકે છે, જેથી તેમનું કુદરતી વર્તન બદલાય નહીં અને તેમની માનસિક ક્ષમતામાં વધારો થાય. આસપાસ ઘાસ, પ્લાન્ટ અને પાંદડાઓ મૂકીને તેમને નૈસર્ગિક જગ્યામાં હોવાનો અનુભવ કરાવવામાં આવે છે. ઉપરાંત, જંગલમાં સિંહો ઝાડના થડ સાથે પોતાના પંજાઓ ઘસતા હોય છે. આ જ પ્રકારની ક્રિયા અહીં પણ ઊભી કરવામાં આવે છે, જેથી સિંહો પૂરતી રીતે આનંદ માણી શકે. 2. ખોરાક સંબંધિત એન્ગ્રીસમેન્ટ (Feeding Enrichment)જંગલમાં સિંહોને શિકાર માટે મહેનત કરવી પડે છે. જ્યારે અહીં રૂમમાં તેમને સરળતાથી ખોરાક મળી જાય છે, ત્યારે તેઓ તેની અવગણના ન કરે તે માટે વિશેષ પદ્ધતિ અપનાવાય છે.સિંહો આળસુ ન બને અને સક્રિય રહે તે માટે ઝાડ સાથે રબરની દોરી, દડો કે પછી ખોરાક એવી રીતે બાંધીને કે સંતાડીને રાખવામાં આવે છે.ખોરાકને ગમે ત્યાં સંતાડી દેવામાં આવે છે અને તેની ખુશ્બુ વડે પ્રાણીઓ જાતે જ તેનો ખોરાક શોધી કાઢે છે.આ પ્રવૃત્તિ દ્વારા સિંહ ખોરાક પકડવા માટે મહેનત કરે છે અથવા તેની સાથે રમે છે. આ પ્રક્રિયાથી સિંહની શારીરિક અને માનસિક શક્તિમાં વધારો થાય છે અને તેઓ પ્રવૃત્તિમય રહે છે. 3. ગંધ પારખવાની શક્તિનું એન્ગ્રીસમેન્ટ (Olfactory Enrichment)પ્રાણીઓમાં શારીરિક અને માનસિક વિકાસની સાથે સાથે તેમની ગંધ પારખવાની શક્તિનો પણ વિકાસ થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.જંગલમાં સિંહો અલગ-અલગ પશુઓના પંજાઓ કે ઝાડ સાથે ઘસાયેલા પશુઓને સૂંઘીને શિકાર શોધતા હોય છે. આજ ક્રિયા સિંહો માટે અહીં ઝૂ માં પણ આપવામાં આવે છે.તેમની ગંધ પારખવાની શક્તિનો વિકાસ થાય તે માટે અલગ અલગ બીજા પ્રાણીઓના મળમૂત્ર મૂકવામાં આવે છે.આનાથી સિંહોને એ જાણકારી મળી શકે કે ખોરાક કેટલી દૂર છે અથવા તેમના વિસ્તારમાં કોઈ અન્ય પ્રાણી આવી ચડ્યું છે કે કેમ. આ પ્રકારની ગતિવિધિથી પ્રાણીઓમાં માનસિક સ્વચ્છતા આવે છે. 4. સામાજિક એન્ગ્રીસમેન્ટ અને બ્રીડિંગ (Social and Breeding)બ્રીડિંગ કેપેસિટીમાં વધારો થાય તે માટે ચોથા પ્રકારનું એન્ગ્રીસમેન્ટ તેના સ્વભાવને લગતું છે. સિંહ અને સિંહણ વચ્ચેના મીટિંગ ટાઈમ દરમિયાન જે બ્રીડિંગ થાય તે ઉચ્ચ કક્ષાનું બને તે માટે ખાસ ધ્યાન રખાય છે.નર અને માદા જે એકબીજાના સ્વભાવને અનુકૂળ હોય તેવા પ્રાણીઓને જ સિલેક્ટ કરવામાં આવે છે.એકબીજાને અનુકૂળ ન રહેતા નર અને માદામાં ઘણી વખત ઘર્ષણ ઊભું થતું હોય છે, જે બ્રીડિંગની પ્રક્રિયાને અસર કરી શકે છે.આ તમામ બાબતો પર ધ્યાન દેવાથી સિંહોની બ્રીડિંગ કેપેસિટીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સ્વચ્છતા અને ઝૂના નિયમોસિંહોના ફિટનેસ પ્રોગ્રામની સાથે સાથે, સક્કરબાગ ઝૂમાં સ્વચ્છતા અને પર્યાવરણને અનુલક્ષીને સખ્ત નિયમો લાગુ કરાયા છે. ઝૂમાં આવતા તમામ પ્રવાસીઓને પ્લાસ્ટિક બેગ, પાન-માવા કે ધૂમ્રપાન ન કરવા માટે સ્પષ્ટ નોટિસ લગાવવામાં આવી છે. ઝૂમાં કામ કરતા કર્મચારીઓને પણ પાન-માવા ખાવાની સખ્ત મનાઈ ફરમાવી દેવાઈ છે, જેથી સ્વચ્છતા જળવાઈ રહે.
ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકીવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે ગુજરાત ATS દ્વારા આ ત્રણેય આતંકીઓને ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આંતકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ગાંધીનગર જિલ્લા કોર્ટે આતંકીઓને રિમાન્ડ પર મોકલી આપ્યા હતા. જોકે, આજે રિમાન્ડ પૂર્ણ થતાં જ આજે કોર્ટ દ્વારા આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા. 9 નવેમ્બરના ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના ત્રણ આતંકીની 'ઝેરીલી' માનસિકતા ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી 9 નવેમ્બરના રોજ ISISના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ મૂળ હૈદ્રાબાદનો રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાગઢથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા. જે ડો. અહેમદ સૈયદે કલેક્ટર કર્યા હતા. જોકે, તે હથિયારો લઈ પરત હૈદ્રાબાદ જાય તે પહેલાં જ ATSએ તેને દબોચી લીધો હતો. ત્રણેય આતંકીઓ પાસેથી 3 વિદેશી બનાવટની પિસ્ટલ, 30 જીવતા કારતૂસ અને 4 લિટર કેસ્ટર ઓઈલ કબજે કરાયું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો થોડા મહિના અગાઉ AQISનો પ્રચાર પ્રસાર કરતા 4ની ધરપકડ કરાઈ હતી ગુજરાત ATSએ ચાર મહિના પહેલા અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. સંપૂર્ણ સમાચાર વાંચો
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના એક પરિવારને છ દીકરી બાદ પુત્રનો જન્મ થતાં આનંદભેર રાજસ્થાનના રામદેવરા રણુંજા ખાતે રામદેવજીની માનતા પૂરી કરવા જતાં હતા. ત્યારે આ પરિવારના 20 સભ્યને 16 નવેમ્બરે રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં 3 વર્ષની બાળકી સહિત કુલ 6 શ્રદ્ધાળુનાં મોત થયા હતા. આ ઘટનામાં રૂઘનાથપુરા ગામના એક જ પરિવારના 4 સભ્ય સહિત 6 લોકોના મૃતદેહ વતનમાં આવી પહોંચતાં આખું ગામ હિબકે ચડ્યું હતું. દીકરાની માનતા પૂરી કરવા નીકળેલા પરિવારને કાળ ભરખ્યોધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના ખેતમજૂર કાળુસિંહ પરમારને ત્યાં છ દીકરી બાદ પુત્રનો જન્મ થયો હતો. પુત્રપ્રાપ્તિની ખુશીમાં તેમણે રાજસ્થાનના રામદેવરા (રણુંજા) ખાતે રામદેવજીની માનતા રાખી હતી. આ માનતા પૂરી કરવા માટે કાળુસિંહના પરિવારજનો સહિત કુલ 20 લોકો 15 નવેમ્બરની રાત્રે ટેમ્પો દ્વારા રણુંજા જવા નીકળ્યા હતા. રણુજા દર્શન કરવા જતાં ટેમ્પો-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, ટેમ્પોના ફૂરચેફૂરચાબીજા દિવસે, રવિવારે (16 નવેમ્બર) વહેલી પરોઢે લગભગ 5:30 વાગ્યાના અરસામાં, જોધપુર-જૈસલમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-125) પર બાલેસર નજીક ખારી બેરી ગામ પાસે જોરદાર અકસ્માત થયો હતો. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી શ્રદ્ધાળુઓ ભરેલા ટેમ્પોની બાજરીની બોરીઓથી ભરેલા એક ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, ટેમ્પોના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા અને ટ્રક પલટી ગઈ હતી. (આખો અહેવાલ વાંચો) ઘટનાસ્થળે 3નાં મોત સહિત 6 શ્રદ્ધાળુને કાળ ભરખ્યોઆ ગોઝારા અકસ્માતમાં ત્રણ શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઘાયલોને તાત્કાલિક જોધપુરની MDM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ ત્રણ લોકોએ દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ 6 શ્રદ્ધાળુનાં મોત થયા છે, જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 7 બાળક સહિત 12 જેટલા લોકો ઘાયલ થયા છે. આ પણ વાંચો, તલોદના પુંસરીમાં એકસાથે બે યુવકનીની અંતિમયાત્રા નીકળી: ગામમાં શોકનો માહોલ રૂઘનાથપુરા ગામના એક જ પરિવારના ચારનાં મોતઆ અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 પૈકી 4 લોકો અરવલ્લીના ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના વતની હતા. મૃતકોના નામ નીચે મુજબ છે: આ કરૂણાંતિકામાં માતા સોનલબેન અને તેમની દીકરી નવ્યાનું મૃત્યુ થયું છે. પુત્રજન્મની માનતા રાખી હતી, તે નાનો દીકરો આશ્ચર્યજનક રીતે હેમખેમ બચી ગયો છે. જોકે, કાળુસિંહની અન્ય બે દીકરીની હાલત પણ ગંભીર જણાતાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. ગંભીર ઇજાગ્રસ્તોને અમદાવાદ અને બાકીના ઘાયલોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આખું ગામ શોકમાં ગરકાવ, વતન પર આભ તૂટ્યુંગઈકાલે થયેલા અકસ્માત બાદ આજે મૃતદેહો વતન રૂઘનાથપુરા ગામે આવી પહોંચતાં આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. એક જ ઘરના સભ્યોની અંતિમયાત્રા નીકળતાં સૌ કોઈની આંખો ભીંજાઈ ગઈ હતી. મૃતકોના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી હૃદયદ્રાવક સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના સરપંચ નરેન્દ્ર પટેલ તરત જ રાજસ્થાન દોડી ગયા હતા અને મૃતક પરિવારો તેમજ ઇજાગ્રસ્તોને શક્ય તમામ મદદ પૂરી પાડી હતી. આ અકસ્માત અંગે બાલેસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દેશમાં ગાંજાનું સપ્લાય કરતો ડ્રગ્સ માફિયા અનિલ પાન્ડી ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવી ગયો છે. આ ડ્રગ્સ માફિયાનો દેશનો ગાંજા કિંગ પણ કહેવામાં આવે છે. ઓડિશાથી તે દેશના ખુણેખુણે ગાંજો મોકલી ગાંજા કિંગ ગણાતા અનિલકુમાર પાન્ડી અને તેનો ભાઈ સુનિલ પાન્ડી કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે અનિલ પાન્ડીની ધરપકડ કરતા અનેક મોટા માથાઓની સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ છે. બન્ને ભાઈઓ દેશના વિવિધ રાજ્યોમાં ગાંજાનો હોલસેલમાં ધંધો કરતાગાંજા કિંગ કહેવાતો 39 વર્ષનો અનિલકુમાર વૃન્દાવન ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવ્યો છે. અનિલ અને તેનો ભાઈ સુનિલે ભેગા મળીને નાના પાયે ગાંજો વેચવાનું શરૂ કર્યુ અને જોતજોતામાં તે બન્ને બંધુઓ ગાંજા કિંગ બની ગયા. ઓડિશાના જગન્નાથપુરથી બેસીને બન્ને ભાઈઓ દેશના વિવિધ રાજ્યોમાં ગાંજાનો હોલસેલમાં ધંધો કરતા હતા. ટ્રાન્સફર વોરંટના આધારે ગાંજા કિંગ અનિલ પાન્ડીની ધરપકડઅમદાવાદ સહિત ગુજરાતમાં 12 ગુનાઓમાં અનિલ પાન્ડી વોન્ટેડ હતો, જેની ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. અનિલ પાન્ડી વિરૂદ્ધ અમદાવાદ, સુરત, જુનાગઢ, રાજકોટ ગ્રામ્ય, રેલવે પોલીસમાં ગુના નોંધાયા છે. ઓડિશાથી આવતી ટ્રેનમાં અનેક વખત લાખો રૂપિયાનો ગાંજો બીનવારસી મળી આવ્યો હતો. જેમાં પણ અનિલ પાન્ડીનો રોલ હોય તેવી શક્યતાઓ છે. હાલ અનિલ પાન્ડીની ધરપકડ કરીને તેની વધુ પુછપરછ હાથ ધરાઈ છે. અનિલના પિતા વૃંદાવન પણ ગાંજાના કેસમાં વોન્ટેડક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, અનિલ પાન્ડીએ ગંજામાંથી કરોડો રૂપિયાની કમાણી કરીને 10થી 12 સંપતિ વસાવી હતી, જેને મેં જે તે સમયે STF સાથે મળીને સીઝ કરી હતી.આ પ્રથમ કિસ્સો હતો કે જેમાં એક રાજ્યની પોલીસ અન્ય રાજ્યમાં જઈને સંપતિ સીઝ કરવા ગઈ હતી. અનિલના પિતા વૃંદાવન પણ ગાંજાના કેસમાં વોન્ટેડ છે. અનિલ તેના ભાઈ સાથે મળી ઓડિશામાં ગાંજાની ખેતી કરતો અને મુખ્ય સુરતમાં જ સપ્લાય કરતો હતો. બંને ભાઈઓ સુરતમાં અલગ અલગ જગ્યાએ ગોડાઉન રાખીને રાજ્યમાં બાય રોડ ગાંજો સપ્લાય કરતા હતા. ઓડિશાથી ટ્રેનમાં મોટી માત્રામાં જથ્થો આવતો હતો જે અહીંયાના મૂળ ઓડિશાના હોય તેવા શ્રમિકો લઈ લેતા હતા. આરોપીને લોકલ લેવલે કોણ મદદ કરતું હતું તેની તપાસ શરૂઅનિલ સુધી પોલીસ પહોંચે નહીં તે માટે તેણે સપ્લાય માટે આખી ચેન બનાવી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં વર્ષ 2018નો એક ગુનો નોંધાયો હતો. આરોપી ઓડિશામાં નક્સલી વિસ્તારની નજીક ગાંજાની ખેતી કરતો હતો જેથી જોખમ ઓછું રહે. ગાંજાનું ઓડિશાથી પ્રોડક્શન કરીને દેશભરમાં વેચાણ કરતો હતો. અનિલ ઓડિશાથી ક્યારેક ગાડી અને ટ્રકમાં ચોરખાનું બનાવી ગાંજો અહીંયા સપ્લાય કરતો હતો. આરોપી સાથે અન્ય કોણ જોડાયેલું છે અને લોકલ લેવલે કોણ મદદ કરતું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.
જળચર જીવસૃષ્ટિ અને દરિયાકાંઠાના પ્રકૃતિ સંરક્ષણને વેગ આપવા માટે, માધવપુર હેચરી ખાતે આજે 32 ગ્રીન સી ટર્ટલના બચ્ચાઓને સફળતાપૂર્વક દરિયામાં છોડવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, રાણાવાવના રેન્જ ફોરેસ્ટ ઑફિસર સામતભાઈ ભમ્મર, ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી અને પૂર્વ ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હેચરી દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રી કાચબાઓના સંરક્ષણ માટે સતત કાર્યરત છે. આ કામગીરીમાં ઈંડાનું સંરક્ષણ, બચ્ચાઓની દેખરેખ અને યોગ્ય સમયે તેમને દરિયામાં છોડવા જેવી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ પ્રયાસો દરિયાઈ પર્યાવરણને સમૃદ્ધ બનાવવા અને દુર્લભ સમુદ્રી જીવસૃષ્ટિને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે દરિયામાં છોડવામાં આવેલા ગ્રીન સી ટર્ટલના બચ્ચાઓ હવે પોતાના સ્વાભાવિક દરિયાઈ પ્રવાસની શરૂઆત કરશે. આ પગલું સ્થાનિક સંરક્ષણ કાર્યને વધુ બળ અને પ્રોત્સાહન પૂરું પાડે છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ભોલેશ્વરના સાબર સ્ટેડિયમ ખાતે સાંસદ ખેલ મહોત્સવ-2025નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ-2025 યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ, તંદુરસ્ત જીવનશૈલી અને સકારાત્મક ઊર્જા વધારવા માટે એક મહત્વપૂર્ણ મંચ છે. તેમણે ઉમેર્યું કે રમતગમત શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને સંકલ્પશક્તિ જેવા જીવનમૂલ્યો શીખવે છે. આ મહોત્સવ અંતર્ગત ખેલાડીઓ એથ્લેટિક્સ, કબડ્ડી અને કરાટે જેવી રમતોમાં ભાગ લેશે. સાબરકાંઠા જિલ્લા વિકાસ રમતગમત અધિકારી ત્રિવેણી સરવૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ-2025 માટે કબડ્ડી અને એથ્લેટિક્સમાં 56 હજારથી વધુ ખેલાડીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કરાટે સ્પર્ધા માટે ઑફલાઈન કુલ 75 હજારથી વધુ રજિસ્ટ્રેશન થયા છે. આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સાબરકાંઠા બાસ્કેટબોલ એસોસિયેશનના ચેરમેન ગોપાલસિંહ રાઠોડ, જિલ્લા રમતગમત અધિકારી મહેશ ચૌધરી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ત્રિવેણી સરવૈયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સાબરકાંઠા વ્યાયામ મંડળના શિક્ષકો, ડિસ્ટ્રિક્ટ કોચ અને મોટી સંખ્યામાં રમતવીરો પણ હાજર રહ્યા હતા.
હિંમતનગરમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ 2025ની સ્પર્ધાઓ ચાલી રહી છે. તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ પૂર્ણ થયા બાદ 7 નવેમ્બરથી 30 નવેમ્બર 2025 દરમિયાન સ્વામી વિવેકાનંદ રમતગમત સંકુલમાં 24 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓ અંતર્ગત સોમવારે બહેનોની ઓપન એજ ગ્રુપની બાસ્કેટબોલ મેચ, અંડર-14 ભાઈઓ અને બહેનોની કબડ્ડી મેચ તેમજ અંડર-17 ભાઈઓની ફૂટબોલ મેચ યોજાઈ હતી. સાબરકાંઠાના કોચ ત્રિવેણી સરવૈયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાની અંડર-14, અંડર-17 અને ઓપન એજ ગ્રુપની 24 રમતોની સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ હાલમાં જિલ્લા કક્ષાની મેચો ચાલી રહી છે. ફૂટબોલમાં તલોદ સી.ડી.પટેલ હાઈસ્કૂલ અને હિંમતનગર ગ્રોમોર એજ્યુકેશન વચ્ચે, જ્યારે કબડ્ડીમાં વક્તાપુર સંઘવી કે.કે.કે. હાઈસ્કૂલ અને બાસ્કેટબોલમાં માય ઓન હાઈસ્કૂલ વચ્ચે મેચો રમાઈ રહી છે. જિલ્લા કક્ષાની આ 24 રમતોની મેચો 30 નવેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 2025ની મેચો યોજાશે, જેની તારીખ અને સ્થળ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે એક પડતર એમ્બ્યુલન્સમાંથી દારૂની ખાલી બોટલો મળી આવવાની ઘટના સામે આવી હતી. દિવ્યભાસ્કર દ્વારા આ ઘટનાનો પર્દાફાશ કરવામાં આવતા કુંભકર્ણનિંદ્રામાં સુતેલુ સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે. ગઈકાલે આ બનાવ સામે આવ્યા બાદ તંત્રએ તેને અત્યંત ગંભીરતાથી લીધો છે અને તાત્કાલિક અસરથી પગલાં લેવાની શરૂઆત કરી છે. સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસનાં આદેશો અપાયા છે. તેમજ આ માટે ત્રણ સભ્યોની ખાસ કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં જે જવાબદાર જણાશે તેની સામે કડક પગલાં લેવાની ખાતરી સિવિલ હોસ્પિટલનાં આરએમઓ ડો. હર્ષદ દૂસરાએ આપી છે. સિવિલ હોસ્પિટલના આરએમઓ (રેસિડેન્ટ મેડિકલ ઓફિસર) ડો. હર્ષદ દૂસરાએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ ગંભીર ગણી શકાય. આ બાબતને ધ્યાનમાં લઈને હોસ્પિટલના તબીબી અધિક્ષક તરફથી તાત્કાલિક ધોરણે 3 સભ્યોની એક વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીને સમગ્ર ઘટનાની ઝીણવટભરી અને સઘન તપાસ કરવા માટેના આદેશો આપવામાં આવ્યા છે. આ કમિટી બનાવના દરેક પાસાની બારીકાઈથી તપાસ કરશે અને ત્યારબાદ વહેલી તકે તેમનો વિગતવાર રિપોર્ટ રજૂ કરશે. તપાસમાં એમ્બ્યુલન્સ, હોસ્પિટલ પરિસર અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવશે. સીસીટીવી આધારે, સિક્યુરિટી આધારે અને જરૂર પડ્યે પોલીસની મદદથી આ તપાસ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા કડક કરવા અને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા પર ભાર વધુમાં તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ બનાવ ફરીથી ન બને તે માટે હોસ્પિટલ તંત્ર દાખલારૂપ કાર્યવાહી કરશે. જે કોઈ પણ આ કૃત્ય માટે જવાબદાર જણાશે, તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તો સુરક્ષા વ્યવસ્થાને લઈને હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક ધોરણે પગલાં ભરવાની શરૂઆત કરી છે. સૌથી પહેલા તો હોસ્પિટલની સિક્યુરિટીને શક્ય તેટલી ટાઈટ કરવાની કોશિશ કરવામાં આવશે. આ પ્રકારે કોઈ અનિચ્છનીય બનાવ ફરી ન બને તે માટે સુરક્ષા એજન્સીને કડક સૂચનાઓ આપી તેની પાસેથી પણ આ અંગે તાત્કાલિક ખુલાસો માંગવામાં આવશે. અને ત્યારબાદ સિક્યુરિટી એજન્સી વિરુદ્ધ પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની મદદ લેવાશે, પેટ્રોલિંગ વધારવાની રજૂઆત આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસની પણ મદદ લેવામાં આવશે. આરએમઓ હર્ષદ દૂસરાએ જણાવ્યું કે, હોસ્પિટલ પરિસરમાં આવા પ્રકારના તત્વો ફરીથી પ્રવેશી શકે નહીં તેનાં માટે પોલીસનું પેટ્રોલિંગ વધારવાની રજૂઆત કરવામાં આવશે અને પોલીસની મદદથી પરિસરમાં સતત બાજ નજર રાખવામાં આવશે.ખાસ કરીને જે એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલો મળી આવી છે, તે પડતર હાલતમાં હતી. આ એમ્બ્યુલન્સને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે, આ પ્રક્રિયા પણ તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જ આગળ ધપાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ તાત્કાલિક કાર્યવાહી પરથી સ્પષ્ટ થાય છે કે, હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા આ મામલાની ગંભીરતાને સમજીને પારદર્શક અને કડક પગલાં લેવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ આ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવશે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ તપાસ ક્યારે પૂર્ણ થશે અને તેમાં કોણ જવાબદાર સાબિત થશે તે તો આવનારો સમય જ બતાવશે.
સુરતના અંત્રોલી ગામમાં રહેતા અને સારોલીમાં આર.એસ.ડી રોડલાઇન્સ નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા વેપારીએ તેમના પૂર્વ કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વેપારીએ ડ્રાઈવરને નોકરી પરથી કાઢી મુકતા ડ્રાઈવરે આ વાતની અદાવત રાખી તેમને અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ઘૂસી અંદર પાર્ક કરેલ આઈસર ગાડીમાં આગ લગાવી દીધી હતી. જેના કારણે રૂપિયા 16.50 લાખનું વેપારીને નુકસાન પણ થયું હતું. બનાવને પગલે આખરે ટ્રાન્સપોર્ટના માલિકે સારોલી પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની અને સુરતના કડોદરા વિસ્તારમાં આંત્રોલી ગામ ખાતે આવેલ ઓમકાર રેજન્સીમાં રહેતા 45 વર્ષીય રાયસીંગ ભેરુસિંગ દેવડા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સુરતમાં સારોલી ગામમાં કાન્તેશ્વર સોસાયટીની બાજુમાં તેમનું આર.એસ.ડી રોડલાઈન્સ નામનું ટ્રાન્સપોર્ટનું ગોડાઉન આવેલું છે. તેઓએ તેમની પાસે ડ્રાઇવિંગનું કામ કરતા જ્ઞાનસિંગ પૃથવીપાલસિંગ (રહે- ગામ-પરવૈતા માઉ પોસ્ટ-પ્રતાપગઢસીટી થાના-મોહનગંજ જી-પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ) જ્ઞાનસિહને નોકરીમાંથી છૂટા કર્યા હતા. આ વાતની અદાવત રાખી જ્ઞાનસિગે રાયસીંગભાઈના દીકરા અભિજીતના તુમ ગોડાઉન સે બહાર નિકાલકે દિખાઓ મેં તેરે કો ઓર તેરે બાપ કો જાન સે માર દુંગા ઓર તુમારા ગોડાઉન ઓર ગાડીયા ભી જલા દુંગા એવી ધમકી આપી હતી. ત્યારબાદ ગત રોજ રોજ રાત્રે 2.30 થી 3.15 વાગ્યાના અરસામાં જ્ઞાનસિહ તેમના ગોડાઉનમાં પ્રવેશયો હતો અને આર.એસ.ડી રોડલાઈન્સ ગોડાઉનમાં પાર્ક કરેલ GJ.15. એવી. 2040 નંબરની આઇસર ગાડીમાં આગ લગાવી દીધી હતી. આઇસર ટેમ્પો માં આગ લાગી હોવાની ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગણતરી ની મિનિટોમાં આંખ પર કાબુ મેળવી લીધો હતો. જોકે તે પહેલા આઇસર ટેમ્પો બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે આઈસર ગાડીમાં રૂપિયા 16.50 લાખનું નુકસાન થયું હતું. બનાવને પગલે રાયસીંગે સારોલી પોલીસ મથકમાં જ્ઞાનસિંગ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાત્રીના સમયે પેટ્રોલ પંપ ઉપર વાહનમાં 79 રૂપિયાનુ પેટ્રોલ ભરાવી આરોપીઓ દ્વારા 1 રૂપિયો પરત લેવા બાબતે ફિલરમેનને છરી વડે માર મારી ગંભીર ઈજાઓ પહોચાડવા કેસમા સેશન્સ કોર્ટ દ્વારા આરોપી શાહનવાજ મહેબુબભાઈ પઠાણ (ઉ.વ.24) અને તેના નાનાભાઈ અકરમ મહેબુબભાઈ પઠાણ (ઉ.વ.19)બે 6 માસની કેદની સજા અને પ્રત્યેકને રૂ.3000નો દંડ ફટકાર્યો છે. છરી વડે ફરીયાદીને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી તા.29 માર્ચ 2021ના રોજ સાંજના 6.30 વાગ્યા આસપાસ આરોપી શાહનવાજ સોમનાથ વે–બ્રીજ, 80 ફુટ રોડ પર આવેલ સોમનાથ પેટ્રોલ પંપ ખાતે પોતાના વાહનમાં પેટ્રોલ ભરાવવા ગયો હતો ત્યારે ફિલરમેને કેટલુ પેટ્રોલ ભરાવવા બાબતે પુછતા શાહનવાજે રૂ.79નુ પેટ્રોલ ભરવા જણાવ્યું હતું. પેટ્રોલ ભરી આપ્યા બાદ ફરીયાદી ભરતભાઈ નાથાભાઈ ગોહેલે 1 રૂપિયો છુટો ન હોવાનુ કહેતા શાહનવાજે ઝડઘો કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. ફરીયાદીએ આ બાબતે વિરોધ કરતા એક કલાક બાદ આરોપી શાહનવાજ પોતાના નાનાભાઈ અકરમને લઈને આવ્યો હતો અને પોતાના પાસે રહેલ છરી વડે ફરીયાદીને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ રજુ કર્યું હતું. જુબાનીમાં અને ફરિયાદમાં કોઈ વિસંગતતા નથી : સરકારી વકીલ આ કેસની આખરી દલીલો વખતે બચાવ પક્ષે રજુઆત કરવામાં આવી હતી કે, હાલના કેસમા ફરીયાદીની ફરીયાદ અને કોર્ટ સમક્ષની જુબાનીમા વિસંગતતા છે. જેથી બનાવ શંકાસ્પદ લાગતો હોવાથી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા જોઈએ જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, પાંચ વર્ષ પહેલા બનેલ બનાવ અંગે ફરીયાદીએ પોતાની ફરીયાદમા જે વિગતો જણાવી હતી તે જ વિગતો અને તેટલી જ વિગતો પાંચ વર્ષ બાદ જુબાની વખતે જણાવવામા આવે તો તેને વિસંગતતા ન કહેવાય. પોલીસ તપાસ દરમ્યાન છરી કબ્જે થયેલ છે આ ઉપરાંત ફરીયાદની વિગતો કરતા વધુ વિગતો જણાવવી અને વિરોધાભાષી વિગતો જણાવવી તે બને વચ્ચે તફાવત છે. હાલના કેસમા ફરીયાદીએ પોતાની જુબાનીમા બનાવ અંગે કોઈ વિરોધાભાષી વિગતો જણાવી નથી પેટ્રોલ પંપના માલિક અને બીજા ફીલરમેનએ બનાવ અંગે જે વિગતો જણાવી છે તેનાથી બનાવ સચોટપણે સાબિત થાય છે. પોલીસ તપાસ દરમ્યાન છરી કબ્જે થયેલ છે તેમજ તબીબી અભિપ્રાય મુજબ ફરીયાદીને થયેલ ઈજાઓ છરીથી થયેલ હોવાનુ જણાઈ છે. આરોપી શાહનવાજે પેટ્રોલ પંપે આવી રૂ.79નુ અજુગતી રકમનુ પેટ્રોલ ભરવા જણાવ્યું હતું અને 1 રૂપિયા માટે ઝઘડો કરે તો તે સાબિત કરે છે કે આરોપી શાહનવાજ ઝઘડો કરવા માટે જ આવેલ હતો. 6 માસની કેદની સજા અને પ્રત્યેકને રૂ.3000નો દડ ફરમાવેલ છે આરોપીઓએ પોતાના બચાવમા તેઓ સામે ફરીયાદીએ ખોટી ફરીયાદ કરી હોય તે અંગે કોઈ કારણ દર્શાવેલ નથી તેથી ફરીયાદીની ફરીયાદ સાચો બનાવ હોવાનું સાબિત થાય છે. આ તમામ કારણોસર આરોપીઓનો બચાવ સાબિત થતો ન હોય તેથી આરોપીઓને તકસીરવાન ઠરાવવા જોઈએ. સરકાર તરફેની આ રજુઆતોના અંતે અધિક સેશન્સ જજ આઈ.બી.પઠાણ સાહેબે આરોપીને 6 માસની કેદની સજા અને પ્રત્યેકને રૂ.3000 નો દડ ફરમાવેલ છે.
લોકગાયકો અને કલાકારોની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભાવનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં એક વિશાળ અને ભવ્ય 'યુનિટી માર્ચ' એકતા પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિ આ યુનિટી માર્ચનો પ્રારંભ શહેરના સરદારબાગ જશોનાથ સર્કલ ખાતેથી કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં આ માર્ચનું આયોજન થયું હતું. પદયાત્રાના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, મંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય જે.વી. કાકડિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. લોક કલાકારોની હાજરીથી માર્ચમાં ઉત્સાહ આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાતના જાણીતા લોકગાયકો અને કલાકારોની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. લોકગાયક કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, સાગરદાન ગઢવી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવનગરના નાગરિક ભાઈઓ, બહેનો અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. 4 કિલોમીટરથી વધુ લાંબી પદયાત્રા આ યુનિટી માર્ચ શહેરના 4 કિલોમીટરથી વધુના વિસ્તારમાં યોજાઈ હતી. સરદારબાગથી શરૂ થયેલી આ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે પાનવાડી ચોક, એસટી બસ સ્ટેશન, બહુમાળી ભવન, નીલમબાગ સર્કલ, વિજયરાજનગર, વિશ્વકર્મા સર્કલ, શાસ્ત્રીનગર, જવાહર ફાટક, કુંભારવાડા સર્કલ, બાથાભાઈનો ચોક, શીતળામા નો ચોક, અમર સોસાયટી, સરિતા સોસાયટી, ભાવના સોસાયટી, ભાવનગર-રાજકોટ હાઇવે, પ્રમુખ દર્શન કોમ્પલેક્ષ હાદાનગર, રામજી મંદિર હાદાનગર, ગુરુનગર, tvs શોરૂમ પાસે, મિલેટ્રી સોસાયટી નાકુ, ગાયત્રીનગર જેવા વિસ્તારોમાંથી પસાર થઈને મસ્તરામ બાપા મંદિર સ્ટેજ ખાતે તેનું સમાપન થયું હતું. આ યુનિટી માર્ચ સરદાર પટેલના એકતા અને રાષ્ટ્રનિર્માણના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો એક ભવ્ય પ્રયાસ બની રહેશે.
તાપીમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી:બે વિધાનસભા બેઠકો પર યુનિટી માર્ચનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં 'યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા જિલ્લાની બે વિધાનસભા બેઠકો પરથી પસાર થશે. 'સરદાર@૧૫૦' પદયાત્રા આજથી બે દિવસ સુધી તાપી જિલ્લામાં ફરશે. આ યાત્રાનો શુભારંભ વ્યારા ખાતેથી કેબિનેટ મંત્રી નરેશ પટેલની આગેવાની હેઠળ થયો હતો. આ પ્રસંગે એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી નરેશ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરી લોકોને એકજૂથ થવા હાકલ કરી હતી અને યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી, સંસદસભ્ય પ્રભુભાઈ વસાવા અને યાત્રાના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે આઠ કિલોમીટર લાંબી આ યાત્રામાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
GTU દ્વારા સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષામાં ગત વર્ષનું બેઠું પેપર પૂછવામાં આવ્યું હતું. જેને લઈને ABVP અને NSUI દ્વારા GTUમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVPના વિરોધ દરમિયાન કુલપતિએ પોલીસને ઈશારો કરતા કાર્યકરોએ કુલપતિને ખખડાવ્યા હતા. કાર્યકરોએ કુલપતિને કહ્યું, તમારે માત્ર તાયફા જ કરવા હોય તો રાજીનામું આપી દો, તમને તાયફા માટે ઈનચાર્જ બનાવી દઈશું. બીજી તરફ NSUIએ પણ કુલપતિ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ABVPએ સિક્યુરિટી ઈન્ચાર્જને ખખડાવતા અંદર જવા દીધાGTUમાં ચાલી રહેલી સિવિલ એન્જિનિયરિંગની સેમેસ્ટર 7ની પરીક્ષામાં ગત વર્ષનું બેઠું પેપર પૂછવામાં આવ્યું હતું. કુલપતિ રાજુલ ગજ્જર જે બ્રાન્ચના પ્રોફેસર છે તે જ બ્રાન્ચના પેપરમાં છબરડો થતાં NSUI અને ABVP દ્વારા GTUમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. GTUમાં ગેટ પર ABVPના કાર્યકરોને રોકી લેતા ABVPએ સિક્યુરિટી ઈનચાર્જને ખખડાવ્યા હતા જેથી સિક્યુરિટી ઇન્ચાર્જે કાર્યકરોને અંદર જવા દીધા હતા. 'તમારે માત્ર તાયફા જ કરવા હોય તો રાજીનામું આપી દો'કુલપતિ ચેમ્બરમાં જઈને ABVP દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી, ત્યારે કુલપતિ રાજુલ ગજ્જરે પોલીસન ઈશારો કરીને કાર્યકરોને લઈ જવા કહ્યું હતું ત્યારે કાર્યકરોએ કુલપતિને ધમકાવ્યા હતા. કાર્યકરોએ કુલપતિને કહ્યું કે, તમારે જવાબ આપવો પડશે. અગાઉ ડિપ્લોમાની પરીક્ષામાં પણ છબરડો થયો હતો. ABVPએ કુલપતિને કહ્યું હતું કે, તમે આવીને તાયફા જ કર્યા છે, વિદ્યાર્થીઓ માટે કઈ કર્યું નથી. તમારે તાયફા જ કરવા હોય તો કહી દો ખુરશી છોડી દો તમને ઈનચાર્જ બનાવી દઈએ એટલે તમે તાયફા કરજો. વારંવાર રજુઆત કરી છતાં તમે કોઈ પગલા લેતા નથી તમે ટેકનિકલ ક્ષેત્રે ફેલ ગયા છો. ABVP બાદ NSUIના કાર્યકરો પણ રજૂઆત કરવા આવ્યા ABVPની રજૂઆત બાદ NSUIના કાર્યકરો પણ રજૂઆત કરવા આવ્યા હતા. NSUIના કાર્યકરો રજૂઆત કરી રહ્યા હતા ત્યારે સિક્યુરિટી ઇન્ચાર્જ વચ્ચે બોલતા NSUIના કાર્યકરોએ કુલપતિ અને સિક્યુરિટી ઈનચાર્જને ખખડાવ્યા હતા. NSUIના કાર્યકરોએ કુલપતિ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તમારા આવ્યા બાદ નર્સિંગની પરીક્ષામાં છબરડો થયો છે. તમારા કારણે એક પ્રોફેસરે પણ આપઘાત કર્યો હતો. હવે તમારા કાર્યકાળમાં પેપર પણ ગત વર્ષનું બેઠું પૂછવામાં આવ્યું છે. કુલપતિના ઓફિસ અને ઘરને તાળાબંધીની ચિમકીABVPના નેતા ધ્રુમિલ અખાણીએ જણાવ્યું હતું કે, કોઈ ચોક્કસ વ્યક્તિઓના ફાયદો કરાવવા માટે જ GTUના પ્રોફેસરે ગત વર્ષનું બેઠું પેપર પૂછ્યું છે. કુલપતિએ કાર્યવાહી કરવાની બાહેધરી આપી છે, ટૂંક સમયમાં કાર્યવાહી ન થાય તો અમે યુનિવર્સિટીની ઘેરાવ કરીશું. જ્યારે NSUIના નેતા સુધીર રાવલે જણાવ્યું હતું કે, પેપર કાઢનાર પ્રોફેસરે 10 વિદ્યાર્થીઓને બોલાવીને ગત વર્ષનું પેપર જ તૈયાર કરવા જણાવ્યું હતું. કુલપતિ કાર્યવાહી કરવામાં ઢીલ મૂકી રહ્યા છે. 2 અઠવાડિયામાં કાર્યવાહી કરવામાં ન આવ તો કુલપતિના ઓફિસ અને ઘરે તાળાબંધી કરવામાં આવશે.
કચ્છના BLOએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું:જિલ્લામાં SIR કામગીરીમાં સમસ્યાઓની રજૂઆત કરી
કચ્છમાં મતદાર સુધારણા યાદીની કામગીરીમાં રોકાયેલા બૂથ લેવલ ઓફિસરો (BLOs) એ પોતાની વિવિધ સમસ્યાઓ અંગે ભુજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. ભુજ, ગાંધીધામ અને અંજાર સહિતના આશરે 250 જેટલા શિક્ષકોએ આ સમસ્યાઓનું નિવારણ લાવવા માગ કરી છે. BLOs દ્વારા રજૂ કરાયેલી મુખ્ય સમસ્યાઓમાં મહિલા કર્મચારીઓને સાંજે 6 વાગ્યા પછી કામગીરી માટે ઓફિસમાં બોલાવવા દબાણ ન કરવા અને ટાર્ગેટ પૂરા કરવા માટે શિક્ષકો પર માનસિક દબાણ કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ છે. સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) બાબતે કોઈ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો ન હોવાથી લોકો પાસે 2002ની માહિતી ઉપલબ્ધ નથી. આના કારણે BLOs સાથે વારંવાર તકરાર થાય છે. મતદારો BLOs પર 2002ની માહિતી શોધવા દબાણ કરે છે. માહિતી ન મળે તો મામલતદાર કચેરી દ્વારા BLOsને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. યોગ્ય સમયે અને તારીખે સાહિત્ય પૂરું પાડવામાં ન આવતું હોવા છતાં ટાર્ગેટ આપીને કામનો બોજ વધારવામાં આવે છે. ઓનલાઈન કામગીરી માટે કોઈપણ પ્રકારના ગેજેટ આપવામાં આવ્યા નથી. આના કારણે સમય માંગી લેતી કામગીરી ઓછા સમયમાં પૂર્ણ કરવા દબાણ થતા માનસિક તણાવ ઉદ્ભવે છે. આ કામગીરીમાં 90 ટકાથી વધુ શિક્ષકો જોડાયેલા હોવાથી શિક્ષણ કાર્ય પર માઠી અસર પડે છે. શિક્ષકોનું મુખ્ય કાર્ય શિક્ષણ આપવાનું અને રાષ્ટ્રીય ઘડતર માટે નાગરિકો તૈયાર કરવાનું છે. તેમને મામલતદાર કચેરીની કાગળિયાની કામગીરીમાં રોકી રાખવામાં આવે છે, જેનાથી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર થાય છે. BLOs એ એવી પણ રજૂઆત કરી છે કે તંત્ર પોતાની ભૂલ સ્વીકારવાને બદલે BLOs પર દોષનો ટોપલો ઢોળી દે છે. તેમને 2002ની કોઈ હાર્ડ કોપી પણ આપવામાં આવી નથી. મામલતદાર કચેરી દ્વારા સેક્ટર ઓફિસર અને BLOs સાથે રાત્રે 10 વાગ્યે ઓનલાઈન મીટિંગો કરવામાં આવે છે, જે માનસિક તણાવનું કારણ બને છે. આ વેળાએ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કામ કરવાની ના નથી, પરંતુ આ માટે ઉગ્રતા ન કરાય અને સાંજે 7 વાગ્યા બાદ કામ ન કરાવાય. તેમણે શિક્ષક સિવાય અન્ય કેડરના કર્મચારીઓને પણ સરખા પ્રમાણમાં કામગીરી સોંપવાની માગ કરી હતી. વધુમાં, મતદારો પાસેથી પ્રાપ્ત થતા અયોગ્ય અને અધૂરા ફોર્મ્સની સમસ્યાનું નિરાકરણ લાવવું, BLOs પાસેથી કામગીરી બાબતનો રિપોર્ટ ચેનલ મારફતે જ લેવો, અને દરેક બૂથ પર પ્રાથમિક શિક્ષકો સિવાયના સહાયકો પૂરા પાડવાનો સમાવેશ થાય છે.
વલસાડવાસીઓનું પાલિકાને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ:પાયાની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો 'વલસાડ બંધ'ની ચીમકી
વલસાડ શહેરના નાગરિકોએ નગરપાલિકા સામે વહીવટી અને નાગરિક સુવિધાઓ સંબંધિત અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. નાગરિકોએ આ મુદ્દાઓનો ત્રણ મહિનામાં નિકાલ કરવાની માંગ કરી છે, અન્યથા 18 ફેબ્રુઆરી 2026ના રોજ 'વલસાડ બંધ' અને 'જન જાગૃતિ – નવ નિર્માણ આંદોલન' શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે. રજૂઆત મુજબ, ગુજરાતની 159 નગરપાલિકાઓમાંથી માત્ર વલસાડ નગરપાલિકા જ સેનિટેશન યુઝર ચાર્જીસ વસૂલ કરે છે. રહેણાંક મિલકતો પરથી વાર્ષિક રૂ. 360 અને કોમર્શિયલ મિલકતો પરથી રૂ. 600 લેખે દર વર્ષે કુલ રૂ. 2.06 કરોડ વસૂલવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂ. 10.43 કરોડ વસૂલાયા હોવા છતાં, સેનિટેશન સંબંધિત કોઈ કામગીરી ન થતી હોવાનો નાગરિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ ઉપરાંત, મોલની પ્રારંભિક દુકાનોની હરાજીથી રૂ. 4 કરોડથી વધુની રકમ વસૂલવામાં આવી હોવા છતાં કેટલીક કામગીરી અધૂરી છે. નગરપાલિકા દ્વારા આવક-જાવકના ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક હિસાબો નોટિસ બોર્ડ પર પ્રકાશિત ન કરવાના મુદ્દાને પણ નાગરિકોએ ગંભીરતાથી લીધો છે. શહેરમાં નવા રસ્તાઓમાં દબાણ દૂર ન થવા, કેટલાક સભ્યો અને હોદ્દેદારો દ્વારા કર્મચારીઓ સાથે કથિત દુર્વ્યવહાર તેમજ મોટી સંખ્યામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની માંગ પણ ચર્ચામાં છે. હાલમાં મંજૂર થયેલી 390 જગ્યાઓમાંથી 255 જગ્યાઓ ખાલી છે, જ્યારે હેડ ઓફ ડિપાર્ટમેન્ટની 14માંથી 10 જગ્યાઓ ખાલી પડી છે.વધુમાં, નગરપાલિકાના કર્મચારીઓને 7મા અને જાહેર થયેલા 8મા પગાર પંચનો લાભ પણ મળી રહ્યો નથી, જે કર્મચારીઓમાં નારાજગીનું કારણ બન્યું છે.નાગરિકોએ નગરપાલિકાને તમામ પ્રશ્નોનો ત્રણ મહિનામાં નિકાલ કરવા જણાવ્યું છે. જો આ સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, તો નગરપાલિકાની નવી બોર્ડીને એક વર્ષ પૂર્ણ થશે તે દિવસે, એટલે કે 18 ફેબ્રુઆરી 2026ના રોજ, 'વલસાડ બંધ'નું આયોજન કરી 'જન જાગૃતિ – નવ નિર્માણ આંદોલન' શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
અમીરગઢ તાલુકાની આદિવાસી વિસ્તારની શાળાઓ આજે વિદ્યાર્થીઓ વિના ખાલી રહી હતી. જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓના વિરોધમાં આદિવાસી સમાજના વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલ્યા ન હતા. આ અનોખા વિરોધને કારણે ટ્રાઇબલ વિસ્તારની શાળાઓ વિદ્યાર્થી વિહોણી બની હતી. શાળાઓમાં શિક્ષકો હાજર હતા, પરંતુ એક પણ વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો ન હતો. આદિવાસી સમાજ લાંબા સમયથી જાતિ અંગેના દાખલા કઢાવવામાં પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે. આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, સમાજના લોકોએ આ નિર્ણય લીધો હતો. આદિવાસી સમાજના આગેવાનોએ જણાવ્યું કે, આ વિરોધનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે. હાલમાં ઘણા યુવાનો સરકારી નોકરી મેળવ્યા પછી પણ જાતિના દાખલા રદ થવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ભવિષ્યમાં વર્તમાન વિદ્યાર્થીઓને આવી મુશ્કેલીઓ ન પડે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. સરકારનું ધ્યાન દોરવા માટે અગાઉ કલેક્ટર કચેરી અને મુખ્યમંત્રી સુધી આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. આ એક દિવસીય શાંતિપૂર્ણ વિરોધ સ્વયંભૂ રીતે વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર આ મુદ્દે ઝડપથી કોઈ ઉકેલ નહીં લાવે અથવા ચર્ચા નહીં કરે, તો ભવિષ્યમાં આગેવાનો સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. આ અંગે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, આજે અમીરગઢ તાલુકાની આદિવાસી શાળાઓ વાલી મારફતે બંધ કરવામાં આવી છે. આજે એટલા માટે બંધ કરી છે કે, આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીના દાખલાઓ જે કાયમી મળતા હતા, એ દાખલાઓ રદ કરવામાં આવ્યા છે, બંધ કરવામાં આવ્યા છે. એના વિરોધની અંદર આજે સંપૂર્ણ આદિવાસી વિસ્તારની શાળાઓ બંધ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે, વાલી એવું કહેવા માંગે છે કે દીકરા-દીકરીને ભણાવીને આગળ શું કરશું? એના કરતો ના ભણાવીએ એવું ધારીને બેઠા છે. દીકરા-દીકરીઓ ભણી ગણીને નોકરીઓ પર લાગ્યા છે તેઓને અગાઉ જે દાખલા મળતા હતા એ જ પદ્ધતિથી દાખલાઓ ચાલુ કરે. જે લોકોના દાખલાઓ રદ કર્યા છે, એમને પાછી મંજૂરી આપીને નોકરીમાં જોઈન્ટ કરે. આ તમામ મુદ્દા પર આજે શાળાઓ બંધ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે, હજુ પણ એ દાખલાઓ સરકાર સંપૂર્ણ રીતે ચાલુ નહીં કરે, તો હજુ પણ ભવિષ્યમાં વધારે કદાચ સરકારને વિચારવું પડશે કે આદિવાસી વિસ્તાર આજે એકલો શું કામ બંધ કરીને બેઠો? આજે આદિવાસીઓનો વારો છે, આવતી કાલે બીજા સમાજનો વારો છે. સરકારે સંપૂર્ણ રીતે આના પર રાજકારણ કર્યું છે. હું રાજકારણ એટલા માટે કહેવા માંગુ છું કે, આદિવાસીઓ ઉપર જ અત્યાચાર થઈ રહ્યો છે આજે. કેમ તમે આદિવાસીઓના દાખલા બંધ કર્યા? કેમ જે નોકરી લાગ્યા હતા એમને અત્યારે તમે દાખલા નથી આપતા, નોકરી જોઈન્ટ નથી કરતા? આ સંપૂર્ણ આદિવાસી ઉપર અત્યાચાર કરી અને રાજકારણ ખેલી રહ્યા છે આ તદ્દન ખોટું છે. આ અંગે યુવા આગેવાન ઈશ્વર ડામોરે જણાવ્યું કે, અમે એક દિવસ માટે શાળા બંધનું એલાન કર્યું હતું, જે માટે અમે ગામે ગામ ફર્યા, વાલીઓને જાગૃત કર્યા કે, ભાઈ આપણા વિદ્યાર્થીઓ જે ભણે છે, એનું ભવિષ્ય સુરક્ષિત કરવું હોય, આપણા જે પણ યુવાનો સરકારી નોકરી લાગ્યા છે, એ યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવું હોય, અને આપણી જે આદિવાસી તરીકેની જે ઓળખાણ છે, એ ઓળખાણને જો સુરક્ષિત રાખવી હોય તો આ કરવું પડશે. આ જ વિદ્યાર્થી 10-12 ધોરણ ભણીને પછી જ્યારે ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરશે, અને સરકારી નોકરી લાગશે ત્યારે અત્યારે જે અમારા યુવાનો સરકારી પરીક્ષા પાસ કરીને જે ફાંફા મારે છે, જેમના દાખલાઓ રદ થયા છે, એ જ રીતના આ વિદ્યાર્થીઓ આવનારા સમયમાં હેરાન થાત, પરેશાન થાત અને એમના પણ આ જ રીતે દાખલા રદ થાત. એટલે સરકારની આંખો ખોલવા માટે અનેકવાર કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યા, સીએમ સુધી આવેદનપત્ર પહોંચાડ્યા પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા આજે સ્વયંભૂ વાલીઓએ પોતાના બાળકો સ્કૂલે ન મોકલીને વિરોધ દર્શાવ્યો છે. વધુમાં ઈશ્વર ડામોરે જણાવ્યું હતું કે, આજે અમે આ શાંતિપૂર્વક વિરોધ નોંધાવ્યો છે. જોવાનું રહ્યું કે, સરકાર કેટલા સમયમાં આનું નિરાકરણ લાવે છે કે પછી આ બાબતે અમારી જોડે ચર્ચા-વિચારણા કરે છે કે કેમ. જો નથી કરતા, તો આવનારા સમયમાં સૌ આગેવાનોને સાથે મળી, અમારા વિસ્તારના જે પણ અગ્રણીઓ છે એમને સાથે મળી, આગળની રણનીતિ જે પણ નક્કી થશે એ આપની સમક્ષ અમે મૂકીશું.
વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભોજનની સામગ્રીમાં નિયત કંપનીના બદલે અન્ય કંપનીની ચીજ-વસ્તુઓ તથા સાફ-સફાઈ અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાના મુદ્દે 16 નવેમ્બરની મોડીરાતે હોબાળો મચાવ્યો હતો. આ મામલે વિદ્યાર્થીઓએ અગાઉ રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા કડકડતી ઠંડીમાં રોડ પર ઉતરી આવીને મેનેજમેન્ટ સામે ભારે હોબાળો મચાવ્યો હતો. તેલના ડબ્બામાં પાણી મિક્સ થતાનો આક્ષેપવડોદરાના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે રસોઈ બાબતે રોટલી માટે પેકિંગમાં આવતા ચોક્કસ કંપનીના ગુણવત્તા યુક્ત લોટના બદલે અન્ય જુદી-જુદી કંપનીઓના લોટ મોકલાતા હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા છે. જેથી વિદ્યાર્થીઓ અવારનવાર માંદગીમાં સપડાતા હોય છે. આવી જ રીતે રસોઈમાં વપરાતા સીંગતેલના ડબ્બામાં અન્ય કંપનીનું તેલ અને ડબ્બામાં પાણી મિકસ કરતા હોવાના અનેકવાર કિસ્સા વિદ્યાર્થીઓએ રંગે હાથ જોયા હતા. પાણી પણ ન આવતું હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ આ ઉપરાંત રસોડામાં પણ ભારે ગંદકીના કારણે દુર્ગંધ ફેલાતી હોવાના પણ આક્ષેપો કરાયા છે. સાથે હોસ્ટેલમાં ટોયલેટ-બાથરૂમમાં પણ નાહવા અને શૌચ જતી વખતે કેટલીવાર પાણી વગર હેરાન પરેશાન થવાનો કેટલાય વિદ્યાર્થીઓને વારો આવ્યો છે. સામાન લઈને આવેલા ટેમ્પોચાલકે આડેહાથ લીધોગત રાત્રે માલ સામાન તથા ચીજ વસ્તુઓ ભરીને આવેલા આઇસર ટેમ્પો ચાલકને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આડે હાથ લીધો હતો. ટેમ્પો ડ્રાઇવર પાસેથી ગાંધીનગર સ્થિત કોન્ટ્રાક્ટરનો નંબર માંગવામાં આવ્યો હતો, જ્યાં સામે છેડેથી જાતજાતના બહાના બનાવીને ફોન વારંવાર કાપી નાખવામાં આવતો હતો. પરિણામે વિદ્યાર્થીઓ વધુ ઉશ્કેરાયા હતા. સીંગ તેલના ડબ્બામાં અન્ય કંપનીનું અન્ય તેલ ભરવામાં આવતા વિદ્યાર્થીઓએ રંગે હાથ પકડયાનું પણ પૂછતાછમાં જણાવ્યું હતું. જોકે રસોઈ રસોડાની ગંદકી સહિતના અન્ય પ્રશ્નો બાબતે અગાઉ લેખિત જાણ કરવા છતાં પણ પ્રત્યુતર મળ્યો નથી. વિદ્યાર્થીઓએ ભેળસેળ કરતા રંગેહાથ ઝડપ્યાં હતાંઆ ઉપરાંત માલ-સામાન ભરીને ટેમ્પો ડ્રાઇવર આવ્યો, ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ પણ હાજર ન હતી, જેથી સમરસ બોયઝ હોસ્ટેલનું તંત્ર ખાડે ગયું હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા ભારે સૂત્રોચાર કર્યો હતો. સીંગતેલના ડબ્બામાં પાણી સહિત અન્ય ભળતું તેલ મિકસ કરવા બાબતે રંગે હાથ પકડાઈ જતા ભારે હોબાળો મચાવ્યો હતો. મોડીરાતે હોબાળો થતાં આરોગ્ય વિભાગની તપાસસમા વિસ્તારમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં સિંગતેલમાં પાણી સહિત અન્ય તેલની ભેળસેળ, રસોડામાં ગંદકીના કારણે ભારે બદબુ અને રોટલીના લોટ બાબતે નિયત કંપનીના લોટ પેકિંગ ના બદલે અન્ય કંપનીના લોટ સહિતની અન્ય કેટલીક ક્ષતિઓ બાબતે જાણ થતા તાત્કાલિક ધોરણે પાલિકા તંત્રની આરોગ્ય શાખાએ અધિકારી સહિત અન્ય કર્મીઓની ટીમ દ્વારા સમરસ હોસ્ટેલમાં સઘન ચેકિંગ હાથ ધરીને કેટલીક ચીજ વસ્તુઓના સેમ્પલ તપાસ માટે કબજે કરવામાં આવી રહ્યા છે.
સોનીને હત્યા કરવાની ધમકી આપીને 15 લાખની ખંડણી ઉઘરાવવાના ગુનામાં કોર્ટે વિશાલ ગોસ્વામી ગેંગને દોષિત ઠેરવ્યા છે. વિશાલ ગોસ્વામી સહિત રિંકુ તથા સતીશ ગોસ્વામી કુલ ત્રણ જણાને દોષિત જાહેર કર્યા છે. હવે સજા અંગે બચાવ પક્ષને સાંભળવામાં આવશે.આ કેસમાં સરકાર પક્ષે સ્પેશિયલ પીપી ચેતન શાહ અને કમલેશ જૈન રોકાયેલા હતા. બપોર પછી તેમને સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા સજા જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વિશાલ ગોસ્વામીને ત્રણ કેસમાં સજા કરવામાં આવી હતી, જેથી તે અને રિંકુ હાલ જેલમાં છે, જ્યારે ત્રીજા આરોપીને કોર્ટના હુકમ બાદ જેલ હવાલે કરવામાં આવશે. વિશાલે કાકા પર ફાયરિંગ કરીને ક્રાઇમની દુનિયામાં એન્ટ્રી કરીવિશાલ રામેશ્વરપુરમ ગોરસ્વામી મૂળ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના શિવલાલકાપુર ગામનો વતની છે. ગામની અંદર કાકા-બાપા વચ્ચે વિખવાદ થતાં સામ-સામે ફાયરિંગ થયું હતું, જેથી વિશાલના પરિવારે મધ્યપ્રદેશથી રાજસ્થાનના ભરતપુરમાં સ્થળાંતર કર્યું, જયાં વિશાલના પિતા નાનું-મોટું કામ કરતા હતા. વિશાલ અને તેના ભાઈઓ ડ્રાઇવિંગ વગેરેનું કામ કરતા હતા. જોકે વિશાલ ગોસ્વામીને જલદીથી પૈસાદાર બનવું હતું, જેથી તેના પરિવારે ધીમે ધીમે ગુનાખોરીની દુનિયામાં કદમ રાખ્યા. પહેલા રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ અને દિલ્હીમાં તેણે લૂંટ શરૂ કરી હતી. ત્યાર બાદ તેણે ગુજરાતમાં પગ રાખ્યો હતો. અમદાવાદ અને ભુજમાં વિશાલ ગોસ્વામી અને તેના ભાઈએ ગેસ એજન્સીમાં ડ્રાઇવર તરીકેની નોકરીની આડમાં લૂંટ કરવાનું શરૂ કર્યું હતું. સૌ પહેલા તેમણે ભુજના માધાપર વિસ્તારની બેંકમાં લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ તેમણે અમદાવાદની બે બેંકમાં લૂંટ કરી. આ સિવાય વેજલપુરમાં મુથુટ ફાઇનાન્સ કંપનીમાં લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ તો તેમણે જ્વેલર્સને લૂંટવાનું તેમજ તેમની પાસેથી ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. વિશાલ ગોસ્વામીનો ગુનાહિત ઈતિહાસ વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુજરાતમાં પહેલો ગુજસીટોકનો ગુનો નોંધાયો હતોગુજરાતમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલીવાર આ કાયદા હેઠળ વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર શખસની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ પાસેથી મોટીમાત્રામાં હથિયારો મળી આવ્યા હતા. શહેરમાં ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ સક્રિય થઈ હતી. ગોસ્વામી ગેંગ દ્વારા શહેરના મોટા વેપારીઓને ધમકી ભર્યા ફોન કરવામાં આવી રહ્યાં હતા અને ખંડણી માગવામાં આવી રહી હતી.
ઇન્ડિયન નેચરોપથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ’ મેડિકલ એસોસિએશન (INYGMA), ગુજરાત ચેપ્ટરે નેચરોપથી ડે પહેલા આજે રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત યોગ અને નેચરોપથી (BNYS) તબીબી પ્રણાલી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. જેને લઈ આજે આ મુદ્દે નીતિ સુધારવા માટે માંગ કરી છે. INYGMA ના લીડર્સ- ડૉ. યશકુમાર દોડેજા, ડૉ. કેરસી દેસાઈ, ડૉ. પિનાકી અમીન અને ડૉ. દેવાંગ કારિયા એ સમજાવ્યું કે આનું મૂળ કારણ રાજ્યના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ (Clinical Establishments) ફ્રેમવર્કમાંથી યોગ અને નેચરોપથીને દૂર કરવું અને સંબંધિત વહીવટી નિષ્ફળતાઓ છે. આ કાર્યવાહી સીધી રીતે રાષ્ટ્રીય નીતિનો વિરોધાભાસ કરે છે અને દર્દીઓ, સંસ્થાઓ અને લાયકાત ધરાવતા તબીબી વ્યાવસાયિકો માટે હાનિકારક પરિણામો લાવી છે. INYGMAના નેશનલ ટ્રેઝરર ડો. યશકુમાર દોડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત દ્વારા રાજ્યના CEA માંથી યોગ અને નેચરોપથીને બાકાત રાખવું એ એક નીતિ વિષયક ભૂલ છે. જે રાષ્ટ્રીય કાયદાનો વિરોધાભાસ કરે છે અને કાયદેસરની તબીબી પ્રણાલીનો નાશ થવાનું જોખમ ઊભું કરે છે. GST ના દરોડા એ તાત્કાલિક અને ખતરનાક પરિણામ છે, તેઓ રાજ્યમાં BNYSની પ્રેક્ટિસ, દર્દીઓની સલામતી અને ભાવિને જોખમમાં મૂકે છે. યોગ અને નેચરોપથી એ કેન્દ્રીય CEA અધિનિયમ 2010 હેઠળ રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત તબીબી પ્રણાલી છે, અને AYUSH વિભાગની 2006 ની માર્ગદર્શિકા નેચરોપથી ચિકિત્સકોની નોંધણી અને સંસ્થાઓની માન્યતા માટે માળખું પૂરું પાડે છે. જોકે, ફેબ્રુઆરી 2025માં, ગુજરાત દ્વારા તેના રાજ્ય-સ્તરના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (CEA) માંથી યોગ અને નેચરોપથીને દૂર કરવામાં આવ્યું, જે આવું કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય બન્યું છે. આ નીતિ વિષયક ફેરફારને કારણે જુલાઈ 2025 થી, ગુજરાતમાં યોગ અને નેચરોપથીની હોસ્પિટલો અને કેન્દ્રોને GSTના સમન્સ અને દરોડાનો સામનો કરવો પડી રહ્યો છે. આનું કારણ એ છે કે ઔપચારિક રીતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે માન્યતા ન મળવાને કારણે આરોગ્યસંભાળ સેવાઓ માટે GST મુક્તિ નકારવામાં આવી રહી છે. વધુમાં, શિક્ષણ અને નોંધણીનું ગંભીર સંકટ છે, કારણ કે જુલાઈ 2021નો સરકારી ઠરાવ (GR) BNYS નોંધણીની પાત્રતાને મર્યાદિત કરે છે. આનાથી MPIYNER (ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સાથે જોડાયેલ) સહિત બહુવિધ સંસ્થાઓના સ્નાતકો અને અન્ય રાજ્યના BNYS સ્નાતકોની ગુજરાતમાં નોંધણી અટકી ગઈ છે, અને નવી BNYS કોલેજો શરૂ કરવાની પણ પરવાનગી મળતી નથી. આ જાહેર ક્ષેત્રની અવગણના ને કારણે રાજ્યમાં 150 થી વધુ નોંધાયેલા BNYS ડોકટરો હોવા છતાં, ગુજરાતની AYUSH હોસ્પિટલોમાં એક પણ BNYS ચિકિત્સકની નિમણૂક કરવામાં આવી નથી, જ્યારે તમિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યો સક્રિયપણે BNYS ડોકટરોની ભરતી કરે છે અને કેન્દ્રીય AYUSH યોજનાઓનો ઉપયોગ કરે છે. આ સમસ્યાઓનું એક મુખ્ય કારણ ગુજરાત સરકારના AYUSH નિર્દેશાલય/આરોગ્ય વિભાગમાં લાયકાત ધરાવતા BNYS ચિકિત્સકોનું કોઈ પ્રતિનિધિત્વ ન હોવું છે, જે નીતિ વિષયક ભૂલોનું કારણ બને છે. INYGMA ગુજરાત ચેપ્ટર દ્વારા તાત્કાલિક ધોરણે પાંચ મુખ્ય નીતિગત સુધારાઓની માંગ કરવામાં આવી છે. તેમની પ્રથમ અને સૌથી મહત્વની માંગ એ છે કે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (CEA) માંથી યોગ અને નેચરોપથી (BNYS) ને દૂર કરવાના નિર્ણયને તાત્કાલિક રદ કરીને BNYS ને ફરીથી શામેલ કરવું જોઈએ. BNYS ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ સામે GST સમન્સ/દરોડા બંધ કરવા અને તેમની GST-મુક્ત (GST-exempt) સ્થિતિની પુષ્ટિ કરવા માટે સત્તાવાર સૂચનાઓ જારી કરવી જોઈએ. શિક્ષણ અને નોંધણીના સંકટને દૂર કરવા માટે, GR 2021માં સુધારો કરવો જોઈએ, જેથી MPIYNER સ્નાતકો સહિત રાજ્યના તમામ પાત્ર BNYS સ્નાતકોને નોંધણી (Registration) મળી શકે અને રાજ્યમાં નવી BNYS કોલેજોની મંજૂરી મળી શકે. જાહેર આરોગ્ય ક્ષેત્રમાં BNYS ડોકટરોને સ્થાન આપવા માટે, રાજ્યભરની AYUSH હોસ્પિટલો અને જાહેર આરોગ્ય સુવિધાઓમાં BNYS ચિકિત્સકોની ભરતી શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે. અંતે, નીતિ વિષયક નિર્ણયોમાં નિષ્ણાત પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે, ગુજરાત સરકારના AYUSH નિર્દેશાલય / આરોગ્ય વિભાગમાં લાયકાત ધરાવતા BNYS ચિકિત્સકોની નિમણૂક કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામે ગ્રામજનોએ પોલીસને સાથે રાખી દેશી દારૂના અડ્ડાઓ પર 'જનતા રેડ' કરી હતી. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને દારૂ બનાવવાના વોશના અંદાજે 70 થી 80 કેરબાનો નાશ કરવામાં આવ્યો હતો. ગામમાં દેશી દારૂના વેચાણ અને ઉત્પાદનના દુષણને રોકવા માટે ગ્રામજનો સંગઠિત થયા હતા. તેમણે પોલીસ તંત્રનો સહયોગ મેળવી ગામમાં ચાલતા વિવિધ દારૂના અડ્ડાઓ પર અચાનક દરોડા પાડ્યા હતા. જનતા રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ અને વોશ ભરેલા 70 થી 80 જેટલા કેરબા મળી આવ્યા હતા. યુવાનોને આ દૂષણથી બચાવવાના હેતુથી ગ્રામજનો અને પોલીસે સંયુક્ત રીતે આ સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ કાર્યવાહીના પગલે ગામમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
અમરેલી જિલ્લાના બગસરા બસ સ્ટેન્ડ નજીક એક વ્યક્તિનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ ધીરુભાઈ મોહનભાઈ ખીમસુરિયા તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને બગસરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનો પણ દોડી આવ્યા હતા. વધુ તપાસ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ભાવનગરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહ પર હાલ કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. જોકે, જાહેરમાં મૃતદેહ મળી આવતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. મૃતદેહ અહીં કેવી રીતે પહોંચ્યો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. મૃતકના કાકા વાલજીભાઈએ જણાવ્યું હતું કે, તેમણે મૃતદેહ જોયા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની છે. પાક નિષ્ફળ જવાથી ગંભીર આર્થિક સંકળામણના કારણે ઈશ્વરીયા ગામના 42 વર્ષીય ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેડૂતના આ અંતિમ પગલાથી સમગ્ર પંથકમાં ગમગીની અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યુંમૃતક શૈલેષ દેવજીભાઈ સાવલીયા તેમની પત્ની 11 વર્ષનો દીકરો અને એક 16 વર્ષની દીકરી સાથે રહેતાં હતાં. શૈલેષભાઈને સવા દસ વીઘા જેટલી જમીન હતી, જે તેમના પરિવારના ગુજરાનનો એકમાત્ર આધાર હતી. તેને ચાલુ વર્ષે પોતાની આ જમીનમાં મગફળી, ડુંગળી અને તુવેર જેવા મહત્ત્વના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ કાપણીના સમયે જ કમોસમી વરસાદ તૂટી પડતા, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. શૈલેષ સાવલિયાએ વાવેલા ત્રણેય પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા તેમને પારાવાર નુકસાન થયું હતું. આર્થિક સંકળામણના કારણે ખેડૂતનો આપઘાતપાક નિષ્ફળ જવાથી શૈલેષ સાવલિયા ગંભીર આર્થિક સંકળામણમાં ઘેરાઈ ગયા હતા. પરિવારનું ભરણપોષણ અને દેવું ચૂકવવાની ચિંતાના કારણે તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સ્પષ્ટ થાય છે. શૈલેષભાઈએ ખેતરમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યુંઆ અંગે મૃતક શૈલેષભાઈનાભાઈ પ્રફુલભાઈ દેવજીભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે, શૈલેષભાઈએ આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. તે તેમની પત્ની અને સંતાનો સાથે રહેતા હતાં. શૈલેષભાઈને સવા દસ વીઘા જમીન હતી અને તે ખેતી કામ કરતા હતાં. નિરાશા અને હતાશાથી શૈલેષભાઈએ ખેતરમાં જઈને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. પંથકમાં ચિંતાનું મોજું ફર્યુંખેડૂતના આત્મઘાતી પગલાની માહિતી મળતા જ વિસાવદર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે મૃતક શૈલેષભાઈના ભાઈ પ્રફુલભાઈએ જણાવ્યા મુજબ શૈલેષભાઈ આર્થિક સંકળામણના કારણે પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા આત્મહત્યા કર્યાનું પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શૈલેષ સાવલિયાના આત્મહત્યાના પગલાથી આખા પંથકમાં શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉનામાં પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાત:રેવદ ગામના ખેડૂતે પેટે વીજપોલ બાંધી કૂવામાં ઝંપલાવ્યું, 7 વીઘામાં મગફળીનો પાક બગડ્યોગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં એક ખેડૂતે આત્મહત્યા કરી. રેવદ ગામના 49 વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. કૂવામાં તરીને બહાર ન નીકળી શકાય એટલા માટે પોતાના શરીરે વીજપોલનો 3 ફૂટનો ટુકડો બાંધી દીધો હતો. ઘરે ન આવતા દીકરીએ કાકાને કોલ કર્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ખેડૂતે આપઘાત પહેલાં ડાયરીમાં શું લખ્યું?:બે દીકરીને પરણાવવાના ઓરતા અધૂરા રહ્યા દીકરી હાંફળી ફાંફળી બનીને ઘરમાં બધાને કહે છે, રાત થઈ ગઈ છે પણ અબ્બુજાન હજી સુધી આવ્યા નથી. તે ફોન ઉપાડતા નથી. મને ચિંતા થાય છે. એ ક્યાં હશે? પરિવારજનો કહે છે, ચિંતા ન કર... એ હશે ત્યાંથી આવી જશે... આડોશ-પાડોશના લોકો અને ખેતરના શેઢા પાડોશી લોકો તેને શોધવામાં લાગી ગયા. અંતે એક કડી મળી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)

25 C