આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના સંકલ્પ પર કામ કરતી સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા રવિવારે સમસ્ત પાટીદાર સમાજના યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતભરમાંથી 20 હજારથી વધુ યુવા ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો. વિશ્વઉમિયાધામના યુવા સંગઠન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલનનું ઉદ્ધાટન તેમજ પાટીદાર સમાજના યુવા ઉદ્યોગસાહસિકો માટે બનાવવામાં આવેલી VUF Business Network એપ્લિકેશનનું લોન્ચિંગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરાયું હતું. આ એપ્લિકેશનમાં 1 લાખ યુવા ઉદ્યોગસાહસિકો જોડાશે. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિશ્વઉમિયાધામમાં નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિરની ‘શિલા’નું પૂજન કરી સમગ્ર મંદિર નિર્માણ કાર્યનું નિરિક્ષણ કર્યું હતું. યુવા બિઝનેસ મહાસંમેલનમાં અમેરિકા-કેનેડા-ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિત 7 દેશમાંથી પાટીદાર યુવા ઉદ્યોગસાહસિકો પણ પધાર્યા હતા. આ સાથે જ 20 હજાર પાટીદાર યુવા ઉદ્યોગસાહસિકોએ ‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ લઈ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. હું માના મંદિરે જોડાયો નહોતો શ્રી આર.પી.પટેલે મને જોડ્યોવિશ્વઉમિયાધામમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે હું વિશ્વઉમિયાધામ સાથે જોડાયો નહોતો પરંતુ પ્રમુખશ્રી આર.પી.પટેલે મને માના મંદિર સાથે જોડ્યો તેનો મને આનંદ છે. મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી. ભારતને વિશ્વગુરુ બનાવવામાં પાટીદાર સમાજનું ખુબ મોટું યોગદાન છે. વિશ્વઉમિયાધામની બિઝનેસ એપ્લિકેશન આત્મનિર્ભર ભારત અભિયાન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તમામ યુવાનો VUF Business Network એપ્લિકેશન ડાઉનલોડ કરજો તમારા ધંધા-રોજને વેગ મળશે. સનાતન ધર્મનું કેન્દ્ર એવું મા ઉમિયાનું મંદિરમાં સમાજ-શિક્ષણ-અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ આ ચારનો સમન્વય થયો છે. ગુજરાતના વિવિધ શહેરમાં 100 ઉદ્યોગસાહસિકોની ‘ બેંક ફોર બિઝનેસ’ બનશેઆ પ્રસંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખશ્રી આર.પી.પટેલે જણાવ્યું કે વિશ્વઉમિયાધામના નિર્માણમાં સર્વે સનાતનીઓ સહભાગી બને તે અંતર્ગત વિશ્વભરમાં ‘મારી ઈંટ માના મંદિરે’ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મંદિર નિર્માણમાં ઈંટદાન કરી મા ઉમિયાના કૃપાપાત્ર બન્યા છે. યુવા બિઝનેસ મહાસંમેલન અંગે વાત કરતા પ્રમુખશ્રી જણાવે છે કે આગામી દિવસોમાં વિવિધ શહેરોમાં યુવા ઉદ્યોગ સાહસિકો માટે ‘બેંક ફોર બિઝનેસ’ શરુ કરાશે. જેમાં વિશ્વાસથી વ્યવસાય અને વ્યવસાયથી વિકાસના ઉદ્દેશ્ય પર સહકારિતા મોડેલ પર 100 બિઝનેસમેન એક ગૃપમાં એક બીજા સાથે કામ કરશે. વધુમાં તેમણે જણાવ્યું કે વિશ્વઉમિયાધામના નિર્માણમાં દાતાશ્રીઓએ 70 મિનિટમાં 70 કરોડના નવા દાનની જાહેરાત કરી છે. 28 તારીખે કાર્યક્રમ હોય વિશ્વઉમિયાધામ 28 હજાર વૃક્ષારોપણનો સંકલ્પ લે છે.
વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરતા સાયબર ઠગોના કોલથી ચકચાર મચી જવા પામી છે. ધારાસભ્યને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે, 'હું મુંબઈમાંથી બોલું છું, તમને નોટિસ મોકલી છે.' આ કોલથી શંકા જતા યોગેશ પટેલે તરત જ પોલીસ કમિશનર તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, કોલ કરનારને તેમણે કહ્યું, 'તું જે સ્કૂલમાં ભણ્યો છે, એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું', જે સાંભળતાં જ સામેથી તરત ફોન કાપી નાખવામાં આવ્યો હતો. આ ઘટનાથી સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં તેઓ ડિજિટલ એરેસ્ટના નામે લોકોને ડરાવીને છેતરપિંડી આચરે છે. હું મુંબઈ પોલીસમાંથી બોલું છું અને તમારી વિરુદ્ધ એક નોટિસ આવી છેવડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું મુંબઈ પોલીસમાંથી બોલું છું અને તમારી વિરુદ્ધ એક નોટિસ આવી છે, તે તમને મોકલી છે. તો યોગેશ પટેલે જણાવ્યું હતું કે, તું જે સ્કૂલમાં ભણ્યો, એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું એટલે સાયબર માફિયાએ તરત જ ફોન કાપી નાખ્યો હતો. મને તરત જ શંકા ગઈ અને મેં વળતો સવાલ પૂછ્યો હતોભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે 11.27 વાગ્યે મને એક અજાણ્યો ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ મારું નામ પૂછ્યું. મેં મારું નામ જણાવ્યું હતું, ત્યારે એણે કહ્યું કે હું મુંબઈ પોલીસમાંથી બોલું છું અને તમારી વિરુદ્ધ એક નોટિસ આવી છે, તે તમને મોકલી છે. એ વ્યક્તિ ગુજરાતીમાં વાત કરતો હતો. મને તરત જ શંકા ગઈ અને મેં વળતો સવાલ પૂછ્યો હતો. મેં તેને કહ્યું હતું કે તું જે સ્કૂલમાં ભણ્યો, એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું. એટલે એણે તરત જ ફોન કાપી નાખ્યો. મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો તે ખોટો હતોતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના બાદ મેં તરત જ વડોદરા શહેર પોલીસ કમિશનરને ફોન કર્યો હતો અને બધી જ વાત જણાવી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે સાયબર સેલના ACP સાથે વાત કરી હતી. મેં જે નંબર પરથી ફોન આવ્યો હતો એની વિગત સાયબર સેલમાં આપી છે. જે નંબર પરથી કોલ આવ્યો હતો, તેમાં મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો, જેને ગુગલ પર ચેક કરતા લોગો ખોટો હતો. લારીઓમાં સીમકાર્ડ ખુલ્લેઆમ વેચાય છેતેઓએ ઉમેર્યું હતું કે, પછી મેં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી અને એમને ખાસ વિનંતી કરી છે કે, વડોદરા શહેરમાં અને રોડ પર લારીઓમાં સીમકાર્ડ ખુલ્લેઆમ વેચાય છે. આ સીમકાર્ડ કંપનીમાં જ વેચાણ થાય એવું કંઈક કરો. જેમ બેંકમાં એકાઉન્ટ ખોલાવે તેમ સીમકાર્ડ ખરીદવા માટે 2 સાક્ષી હોવા જોઈએ અને તે પણ કોઈ સ્થાનિક સાક્ષી હોવો જોઈએ. જેથી, કરીને કોઈ બોગસ ડોક્યુમેન્ટ્સથી સીમકાર્ડ ન મેળવી શકે. લારી વાળા કાર્ડ કાઢે એટલે બધું બોગસ જ હોયતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લારી પરથી સીમકાર્ડ લેવું ઘણું જોખમી છે. આ લોકો આપણું આધારકાર્ડ અને બીજી વિગતો પણ મિસયુઝ કરી શકે છે. લારી વાળા કાર્ડ કાઢે એટલે બધું બોગસ જ હોય ને. સીમકાર્ડ માત્ર કંપનીના ઓથોરાઈઝ ડેપો પરથી જ મળવા જોઈએ. અત્યારે દરરોજ કેટલાય લોકો આ રીતે છેતરાઈ રહ્યા છે તો કડકાઈ આવે. આ તો લોકોને તો રોજ ફ્રોડ ફોન આવતા થઈ ગયા છે.
ઝાલવાડની ઐતિહાસિક ધરા વાંકાનેરના આંગણે અશ્વશક્તિનો અનોખો સંગમ રચાયો! ગરવી ગુજરાતના ગૌરવ સમાન કાઠિયાવાડી અને મારવાડી અશ્વોની શાનદાર રજૂઆત સાથે 17મા ‘કામા અશ્વ શો’નું ભવ્ય સમાપન થયું છે. રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના યજમાનપદે યોજાયેલા આ ત્રિદિવસીય મહોત્સવમાં 260થી વધુ જાતવાન અશ્વોએ પોતાની રેવાલ ચાલ અને કરતબોથી સૌના દિલ જીતી લીધા હતા. કઈ રીતે 12 લક્ષણના આધારે પારખવામાં આવે છે અસલ કાઠિયાવાડી ઘોડાને? અને કોણ બન્યા આ અશ્વ રમતોત્સવના વિજેતા? જોઈએ આ ખાસ અહેવાલમાં... રેવાલ ચાલ અને જમ્પિંગ શોએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યાઅશ્વ શોના અંતિમ દિવસે રેવાલ ચાલ, બેરલ શો અને જમ્પિંગ જેવી રોમાંચક સ્પર્ધાઓ યોજાઈ હતી. ખાસ કરીને ગુજરાત પોલીસના માઉન્ટેન વિભાગના તાલીમબદ્ધ અશ્વોએ જ્યારે જમ્પિંગ અને વિવિધ કરતબો રજૂ કર્યા, ત્યારે સમગ્ર મેદાન તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં અશ્વપાલકોને પ્રોત્સાહન આપવા માટે વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાઠિયાવાડી અને મારવાડી અશ્વને ઓળખવાના '12 નિયમ'આ અશ્વ શોમાં વેટરનરી ડો. નિલેશ ભાડજાએ કાઠિયાવાડી અને મારવાડી અશ્વની ઓળખ માટેની વિશેષતાઓ જણાવી હતી. કોઈ પણ અશ્વની જાત નક્કી કરવા માટે '12 બાબ' (લક્ષણો) જોવામાં આવે છે: કાઠિયાવાડી ઘોડા તેમની લડાયક મિજાજ, લાંબી કેસવાળી અને મજબૂત બાંધા માટે વિશ્વભરમાં જાણીતા છે. વેટરનરી ડૉ. નિલેશ ભાડજાએ જણાવ્યું હતું કે, કોઈપણ ઘોડાને ઊભો હોય ત્યારે પ્રથમ નજરમાં ઓળખવા માટે 12 પ્રકારના 'બાબ' હોય છે. આ 12 બાબના આધારે ઘોડાની જાત નક્કી થાય છે, જેમાં ચાર ટૂંકા, ચાર લાંબા અને ચાર પહોળા બાબનો સમાવેશ થાય છે. ખાસ કરીને કાઠિયાવાડી ઘોડા લડાયક હોય છે, તેમની કેસવાળી લાંબી, મોકળી મોટી અને ડોક ટૂંકી હોય છે, આવા લક્ષણોના આધારે કાઠિયાવાડી ઘોડાની ઓળખ થાય છે. આવા પ્રદર્શનોથી રાજ્યમાં ઉચ્ચ નસ્લના અશ્વોના સંવર્ધનમાં વધારો જોવા મળ્યો છે. વિજેતા અશ્વોની યાદી: 1. ઉત્તમ કાઠિયાવાડી ઘોડી: 2. ઉત્તમ કાઠિયાવાડી વછેરી (ટુ ટીથ): 3. રેવાલ ચાલ સ્પર્ધા: અશ્વપાલકોમાં ઉત્સાહઆ અશ્વ શો માત્ર એક સ્પર્ધા નહીં, પરંતુ અશ્વપાલકો માટે એક મિલન સ્થાન બની રહ્યું હતું. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાની બીજલ નામની ઘોડીએ રેવાલ ચાલમાં મેદાન મારતા ગઢવી પરિવાર અને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી ગુજરાતના અશ્વપાલકોને આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે. સુરતના લવાછા ગામે ઘોડાઓની હણહણાટીસુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના લવાછા ગામે દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિયેશન દ્વારા ભવ્ય અશ્વ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 20 વર્ષથી યોજાતી આ પરંપરાગત સ્પર્ધામાં આ વર્ષે પણ દેશભરમાંથી 60 જેટલા અશ્વ માલિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઘોડાઓની હણહણાટી અને ધૂળની ડમરીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં વિજેતાઓને બાઈક અને રોકડ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. સૌથી રોમાંચક ગણાતી 'મોટી રવાલ' દોડમાં રાજસ્થાનના અશ્વએ પ્રથમ સ્થાન રહ્યો હતો. જ્યારે ઓલપાડના શકબ નામના અશ્વને 'લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ' અપાયો છે, આ ઘોડાને બોલિવુડ સ્ટાર સલમાન ખાને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. (આખો અહેવાલ વાંચો)
શહેરના ગીચ રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ ડામવા માટે જૂનાગઢ પોલીસે કમર કસી છે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચે વહેલી સવારે શહેરના ઢાલ રોડ અને પાડાવાલા ચોક વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઈક જેવી કામગીરી કરી હતી. રહેણાંક મકાનો અને ડેલાઓની આડમાં ધમધમતા કતલખાના પર ત્રાટકેલી પોલીસે ક્રૂરતાના મોઢામાંથી 31 અબોલ જીવોને બચાવી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ એમ. પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે પાડાવાલા ચોકના રહેણાંક મકાનોમાં અમુક શખ્સો કોઈપણ પરવાનગી કે લાયસન્સ વગર પશુઓની કતલ કરી રહ્યા છે. આ હકીકતને આધારે એલસીબી પીએસઆઈ પી.કે. ગઢવી, ડી.કે. પટેલ અને એસઓજી પીએસઆઈ ડી.કે. સરવૈયાની અલગ-અલગ ટીમો બનાવી વહેલી સવારથી જ આ વિસ્તારોને ઘેરી લેવામાં આવ્યા હતા. રેડ દરમિયાન પોલીસને સ્થળ પરથી અત્યંત ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં પશુઓને ઘાસચારા કે પાણી વગર ટૂંકા દોરડાથી બાંધી કતલ કરવાની તૈયારી રાખવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી 1 ભેંસ, 23 પાડા, 4 પાડી અને 3 બકરી મળી કુલ 31 પશુ જીવને જીવતા બચાવ્યા છે. આ પશુઓને તાત્કાલિક સુરક્ષિત કરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, પોલીસે સ્થળ પરથી 1050 કિલો માસ જેની કિંમત 2,10,000 ચામડા અને હોજરીનો કચરો, 9 કુહાડી, 14 છરી, 2 વજન કાંટા, હિસાબની ડાયરી, 70,000 રોકડ અને 10 મોબાઈલ ફોન સહિત કુલ 5,48,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ ગુનામાં પોલીસે કુલ 12 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં મકબુલ કાલુભાઈ ખંભાતી, અનીશ મહમદહુસેન બેલીમ, આકીબ અહેમદભાઈ બેલીમ, અફરોઝ મકબુલભાઈ ખંભાતી, નઈમ હનીફભાઈ કચરા, અકીલ કાલુભાઇ બેલીમ, મુનાવર ઇબ્રાહીમભાઈ બેલીમ, ગુલ્લુભાઇ ઇબ્રાહીમભાઈ બેલીમ, ફઝલ નજીરભાઈ બેલીમ, સાજીદ ઇબ્રાહીમભાઇ બેલીમ, એઝાઝ અહેમદભાઈ બેલીમ અને દાઉદભાઈ સકુરભાઈ મેમણનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 325, 292, 54 તેમજ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને ગુજરાત પ્રાણી સંરક્ષણ કાયદા હેઠળ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં કુણાલ એમ. પટેલ સાથે પીએસઆઈ પી.કે. ગઢવી, ડી.કે. પટેલ, ડી.કે. સરવૈયા અને ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ આઝાદસિંહ સિસોદિયા, ઇન્દ્રજિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ વાળા, કોન્સ્ટેબલ મયુરભાઈ કોડીયાતર, નિલેશભાઈ રાતીયા, દેવેનભાઈ સિંધવ, વિક્રમભાઇ પરમાર તથા એસઓજીના એએસઆઈ મહેન્દ્રભાઈ કુવાડિયા, વિક્રમભાઈ ચાવડા, રમેશભાઈ માલમ, ઇરફાન રૂમી, હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ વાંક અને કોન્સ્ટેબલ વિશાલ ઓડેદરા જોડાયા હતા. રહેણાંક વિસ્તારમાં આ રીતે ચાલતા કતલખાના પરની કાર્યવાહીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
પ્રભાસતીર્થ વેરાવળમાં વેરાવળ-પાટણ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સર્વજ્ઞાતી શ્રીમદ ભાગવત સપ્તાહનો શુભારંભ થયો. આ કથા ધાર્મિક ઉત્સાહ, ભક્તિભાવ અને સામાજિક સમરસતાનો સંગમ બની રહી છે.કપીશ્વર પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ રહેલી આ ભાગવત કથામાં વિદ્યા વાચસ્પતિ ડો. મહાદેવ પ્રસાદ મહેતા વ્યાસપીઠ પર બિરાજમાન છે. પ્રથમ દિવસે શ્રોતાઓ ભાગવત મહાત્મ્ય, ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ અને ધર્મના મહત્વ વિશેની વાણીથી પ્રભાવિત થયા હતા.ભાગવત સપ્તાહના શુભારંભ પૂર્વે બિલેશ્વર મહાદેવ મંદિરથી એક વિશાળ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં બહેનોએ માથે શ્રીમદ ભાગવતજીની પોથી ધારણ કરી હતી. ભજન-કિર્તન, રાસ-ગરબા અને ઢોલ-નગારાના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શોભાયાત્રામાં સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો, હોદ્દેદારો અને મહાનુભાવો સહિત વિવિધ સમાજોના પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગ સર્વજ્ઞાતી એકતાનું પ્રતિક બન્યો હતો.કથા સ્થળે પહોંચ્યા બાદ ડો. મહાદેવ પ્રસાદ મહેતાએ સમસ્ત બ્રહ્મ સમાજ, વિવિધ સમાજોના આગેવાનો અને દાતાશ્રીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે આ ભવ્ય ધાર્મિક આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવી આશીર્વાદ આપ્યા હતા.આ સર્વજ્ઞાતી ભાગવત સપ્તાહ સમાજમાં આધ્યાત્મિક ચેતના, સંસ્કાર અને સમરસતાનો સંદેશ ફેલાવશે તેવી અપેક્ષા છે. આયોજકોએ આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ભાવિકો અને શ્રદ્ધાળુઓ કથાનો લાભ લે તેવી આશા વ્યક્ત કરી છે.
બોટાદ એલ.સી.બી. પોલીસે નવા વર્ષની પૂર્વસંધ્યાએ રાણપુર વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઇનોવા કારમાંથી દારૂ અને બીયરના ટીન સહિત કુલ રૂ. 9,04,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુજરાત રાજ્યના ડી.જી.પી.ના આદેશથી નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઇવ અમલમાં મૂકવામાં આવી છે. જેના ભાગરૂપે ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારની સૂચના અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. સોલંકીની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે રાણપુર–પાળીયાદ ત્રણ રસ્તા પાસે અંડરબ્રિજ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન GJ-21-BC-9295 નંબરની ઇનોવા કારને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 320 બોટલો (કિંમત રૂ. 38,400) અને બીયરના 440 ટીન (કિંમત રૂ. 66,000) મળી આવ્યા હતા. પોલીસે કાર ચાલક આરોપી જોરૂભાઇ મનુભાઇ પટગીર (રહે. નોલી, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) વિરુદ્ધ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવા વર્ષની ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ખાસ કરીને દારૂ પીને વાહન ચલાવનારા અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની સરહદે આવેલી હાલની ચેકપોસ્ટોમાં વધારો કરીને કુલ 17 સક્રિય ચેકપોસ્ટ કાર્યરત કરાશે. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 36 વાહન ચેકિંગ પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં 24 કલાક સઘન ચેકિંગ હાથ ધરાશે. છેલ્લા ત્રણ દિવસમાં (24 થી 26 ડિસેમ્બર) પોલીસે સઘન ડ્રાઈવ ચલાવીને 150 થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો નોંધ્યા છે. નવા વર્ષની રાત્રે પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. શંકાસ્પદ વાહનચાલકોનું બ્રેથ એનાલાઈઝર દ્વારા ચેકિંગ કરાશે અને જરૂર પડ્યે મેડિકલ તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ માસ દરમિયાન દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસે 32 કેસ નોંધી અંદાજે રૂ. 1.91 કરોડનો દારૂ અને રૂ. 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આગામી દિવસોમાં આ પ્રવૃત્તિઓને રોકવા માટે LCB, SOG અને પેરોલ ફર્લો સ્કવોડ સહિતની ટીમો તહેનાત કરવામાં આવી છે. ફાર્મહાઉસ કે અન્ય સ્થળોએ દારૂની મહેફિલો ન યોજાય તે માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોન સર્વેલન્સ દ્વારા આંતરિક અને દુર્ગમ વિસ્તારો પર પણ પોલીસની સીધી નજર રહેશે.
લોકશાહીમાં ચૂંટણી જીતવી એ ગૌરવની વાત હોય છે, પરંતુ સંખેડા તાલુકાના ઈન્દ્રાલ ગામના નવનિર્વાચિત સરપંચ માટે આ જીત જાણે 'કરમની કઠણાઈ' સાબિત થઈ છે. જૂન મહિનામાં સરપંચ તરીકે ચૂંટાયા હોવા છતાં, આજે છ-છ મહિના વીતી ગયા બાદ પણ રાકેશ પંચાલને સરપંચ પદનો ચાર્જ સોંપવામાં આવ્યો નથી. પરિણામે, ગામનો વહીવટ રામભરોસે છે અને વિકાસકાર્યો પર બ્રેક લાગી ગઈ છે. કેમ સર્જાઈ આ વિચિત્ર સ્થિતિ?આ સમસ્યાના મૂળમાં વહીવટી ટેકનિકલ ખામી રહેલી છે. જૂન મહિનામાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ ત્યારે રાકેશ પંચાલ સરપંચ તરીકે વિજેતા જાહેર થયા. પણ, સભ્યોના ફોર્મ સમયસર ન ભરાવાને કારણે સભ્યોની ચૂંટણી યોજી શકી ન હતી. પંચાયતના નિયમ મુજબ જ્યાં સુધી સભ્યોની નિમણૂક ન થાય ત્યાં સુધી પંચાયતની પ્રથમ સભા બોલાવી શકાતી નથી. પ્રથમ સભા વગર સરપંચને સત્તાવાર ચાર્જ મળી શકતો નથી. વિકાસના કામો 'વેન્ટિલેટર' પર, ગ્રામજનો પરેશાનસરપંચ પાસે સત્તા નથી અને ગામમાં કોઈ વહીવટદાર પણ મુકવામાં આવ્યા નથી. આ 'ત્રિશંકુ' જેવી સ્થિતિને કારણે ઈન્દ્રાલ ગામમાં ગંભીર સમસ્યાઓ ઉભી થઈ છે: 'ખાતા વગરના પ્રધાન' જેવી હાલતસ્થાનિક સ્તરે ચર્ચા છે કે, સરપંચની હાલત અત્યારે 'ખાતા વગરના પ્રધાન' જેવી થઈ છે. જનતાએ મત આપીને વિજેતા તો બનાવ્યા, પણ વહીવટી તંત્રના અટવાયેલા ચક્રોને કારણે તેઓ લોકસેવા કરી શકતા નથી. સરપંચ પોતે અને ગ્રામજનો હવે એક જ સુરમાં માગ કરી રહ્યા છે કે, વહેલી તકે સભ્યોની પેટા ચૂંટણી યોજવામાં આવે અને પંચાયતનું બંધારણ પૂરું કરી સરપંચને ચાર્જ સોંપવામાં આવે. ગ્રામજનોની આક્રમક માગઇન્દ્રાલ ગામના લોકોમાં તંત્રની આ ઢીલી નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી વહીવટ સોંપવામાં નહીં આવે, તો ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.
રાજકોટમાં વધુ એક યુવાને ટૂંકા ગાળામાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટના રહેવાસી અને ટુરિઝમ ધંધા સાથે સંકળાયેલ યુવાનને તેના મિત્ર થકી અન્ય એક હર્ષદીપ ખાચર નામના શખ્સ સાથે પરિચય થયો હતો જેમને અન્ય બે શખ્સો સાથે મળી યુવાનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહી તેમાં 7થી 30% સુધી મસમોટું વળતર મળશે તેવી લાલચ આપી હતી અને સાંજ સુધીમાં રૂપિયા પરત મળશે તેમ કહી 13.71 લાખ પડાવી રૂપિયા પરત ન એ છેતરપિંડી આચરી હતી જો કે યુવાને રૂપિયા પરત માંગતા આરોપીઓએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવા ધમકી આપી આજ દિવસ સુધી રૂપિયા પરત ન આપતા અંતે ફરિયાદ નોંધાવતા પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદના આધારે આરોપી હર્ષદીપ ખાચર, જયવીર અને ઉકાભાઇ નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદી મોહનભાઈ લક્ષ્મણભાઈ ચાંડપાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી એક મહિના પહેલા મારા મિત્ર અભીષેક ભોજાણી થકી મારે હર્ષદીપભાઈ ખાચર સાથે પરીચય થયો હતો. હર્ષદીપભાઈએ મને રૂબરૂ મળ્યા ત્યારે જણાવ્યું હતું કે તમારી પાસે રોકડા રૂયીપા હોય તો મારી પાસે સારો બીઝનેશ છે જેમા તમને 7%થી લઈને 30% સુધી નફો મળશે તેવી લાલચ આપી હતી. આ પછી હર્ષદીપભાઈ ખાચરે મને ક્રીપ્ટો કરન્સીમા રોકાણ કરવાનું કહી સારો નફો અપાવીશ તેવી લાલચ આપી હતી જેથી મે 02.12.2025ના રોજ મારા મીત્ર અભીષેક ભોજાણીએ હર્ષદીપભાઈ ખાચરને ફોન કરી અને જણાવ્યું કે અમારી પાસે રૂપીયાની વ્યવસ્થા થઈ ગઈ છે જેથી હર્ષદીપભાઈ ખાચરે યાજ્ઞીક રોડ પી.એમ.આગંડીયા પેઢી પાસે બોલાવ્યા હતા જ્યાં બપોરના 1.30 વાગ્યાની આસપાસ હુ અને મારા મીત્ર અભીષેકભાઈ ભોજાણી હર્ષદીપભાઈ ખાચરને મળ્યા હતા. હર્ષદીપભાઈ ખાચરે તેના મોબાઈલમાથી ભાવનગરના જયવીરભાઈ સાથે વાતચીત કરાવી હતી અને જયવીરભાઈ બર્થ ડે પાર્ટીમા હોવાથી તેને મને ફોનમા જણાવ્યું કે હુ હર્ષદીપભાઈ ખાચરના મોબાઈલમા નામ નંબર મોકલુ તેમા USDTના આજના ભાવ 91.40 પ્રમાણે કુલ 15000 USDTની રકમ રૂ.13,71,000 જમા કરાવી આપો હુ તમને તેના નફાના રૂપીયા અને તમારી મુળ રકમ સાંજે 6 વાગ્યા સુધીમા પરત આપી દઈશ તેમ કહેતા હર્ષદીપભાઈ ખાચરે મને હાર્દીકભાઈના નામે રૂ.13,71,000 યાજ્ઞીક રોડ ઉપર આવેલ પી.એમ.આંગડીયા પેઢીમા હાર્દીકભાઈ નામે સુરત વરાછા ખાતે ટ્રાન્સફર કરાવ્યા હતા. સાંજના 6 વાગ્યા સુધી તમને તમારા તમામ રુપીયા નફા સાથે પરત મળી જશે અથવા તમારા એકાઉન્ટમા 15,000 USDT જમા થઈ જસે તેવી લાલચ આપી હતી. આ પછી હું અભીષેકભાઈ અને હર્ષદીપભાઈ રાત્રીના 8 વાગ્યા સુધી સાથે હતા દરમ્યાન સાંજના 6 વાગ્યા આસપાસ મે હર્ષદીપભાઈ ખાચરને પૂછયું કે મારા રૂપીયા પરત કયારે આવસે જેથી તેણે જણાવ્યું કે રૈયા ચોકડીએ આંગડીયામા રૂપીયા આવસે તેમ જણાવ્યું જેથી અમે ટાટાના શો રૂમ પાસે આવેલ ગાત્રાળ હોટેલ ખાતે ચા પાણી પીતા હતા દરમિયાન એક વ્યકતી કાર લઈને આવ્યો અને હર્શદીપભાઈ અને આ કાર લઈને આવેલ ઉકાભાઈએ મને કહ્યું કે તમે રૂપીયા ભુલી જજો રૂપીયા પાછા દેવાના થતા નથી જેથી મારા રૂપીયા પરત આપવા કહેતા બંન્ને એકદમ ઉશ્કેરાઈ અને મને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમા આ બંન્ને જણા ત્યાથી ભાગી ગયા હતા હાલ પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદના આધારે આરોપી હર્ષદીપ ખાચર, જયવીર અને ઉકાભાઇ નામના શખ્સ સામે BNSની કલમ 318(4), 351(2), 352 તથા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા સહીત કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાટ ધરી છે.
સુરત શહેરમાં ડુપ્લીકેટ બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વો સામે રાંદેર પોલીસે લાલ આંખ કરી છે. રાંદેર પોલીસની ટીમે બાતમીના આધારે અડાજણ બસ ડેપો સ્થિત 'હબ ટાઉન' કોમ્પ્લેક્સમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને મોટા પાયે ચાલતા નકલી બ્રાન્ડેડ વસ્તુઓના વેપલાને ઝડપી પાડ્યો છે.વેબસાઇટ્સ અને ઈન્સ્ટાગ્રામ દ્વારા રાજ્યભરમાં નકલી માલ વેચવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. કોમ્બિંગ દરમિયાન પાંચમા માળેથી મળ્યો જથ્થો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાંદેર પોલીસની ટીમ દ્વારા હબ ટાઉનમાં આવેલા પાનના ગલ્લાઓ અને વિવિધ દુકાનોમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન કોમ્પ્લેક્સના પાંચમા માળે આવેલી દુકાન નંબર 503 અને 507 શંકાસ્પદ જણાઈ હતી. પોલીસ તપાસમાં આ દુકાનોમાંથી નામી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નામે વેચાતા શૂઝ, ઘડિયાળ, પર્સ, પરફ્યુમ, ગોગલ્સ, ટી-શર્ટ્સ અને ક્રોક્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સોશિયલ મીડિયા અને વેબસાઇટના માધ્યમથી છેતરપિંડી ઝડપાયેલા આરોપીઓ આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેઓ આ ડુપ્લીકેટ વસ્તુઓ વેચવા માટે વિવિધ વેબસાઇટ્સ અને ઇન્સ્ટાગ્રામ પેજનો ઉપયોગ કરતા હતા. શૂઝકેપ્સ, ક્લાસિક બેગ અને ક્લાસી પર્સ, ક્લાસી કીક્સ અને શુગાઝમ, અર્બન ડ્યૂડ, કીક બઝ અને ફેશન આયના વેબસાઇટ્સ દ્વારા ગ્રાહકોને આકર્ષવામાં આવતા હતા ચતુરાઈપૂર્વકની મોડસ ઓપરેન્ડી આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેઓ અત્યંત ચતુરાઈથી આ નેટવર્ક ચલાવતા હતા. તેઓ ડુપ્લીકેટ શૂઝ અને પરફ્યુમ એક સ્થળેથી મંગાવતા, જ્યારે તે બ્રાન્ડના ખાલી બોક્સ અને પેકેજિંગ મટીરીયલ અન્ય સ્થળેથી મેળવતા હતા. ત્યારબાદ આ નકલી ચીજવસ્તુઓને બ્રાન્ડેડ બોક્સમાં પેક કરી ઓલ ઈન્ડિયા ડિલિવરીના નામે ગ્રાહકોને પધરાવી દેતા હતા. મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી પોલીસે સ્થળ પરથી આશરે રૂપિયા 1,20,300/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આરોપીઓ પાસે વસ્તુઓના ખરીદ-વેચાણના કોઈ જ અધિકૃત બિલો મળી આવ્યા નહોતા. રાંદેર પોલીસે આબિદ કુડા અને સુફિયાન પલ્લા વિરુદ્ધ કોપીરાઈટ ભંગ અને છેતરપિંડીના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા તાલુકાના ખેરડી ગામે નેશનલ હાઈવે 47 પર આવેલી ત્રણ હોટલો તેમજ તેમની આસપાસની દુકાનોમાં આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. આ હોટલો ખાતે બાયોડીઝલ, ડીઝલ ચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો પણ તંત્રને મળી હતી. સરકારી સર્વે નંબર 224/પૈકી 1 (નવો સર્વે નંબર 605) પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ જમીન પર મંગળુ ખાચર દ્વારા વર્ષ 2001થી 'શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ' બનાવીને 4 એકર જમીનનો કબજો કરવામાં આવ્યો હતો. જેમાં 1 એકર જમીન પર પાકું બાંધકામ હતું. આ હોટલ તેમજ તેમની હોટલની બાજુમાં ચા, પંચર, પાન મસાલા, કરિયાણાની દુકાનો, રહેઠાણ માટેનો બંગલો, સ્ટાફ ક્વાર્ટર અને ઘોડાસર (ઘોડાઓ માટેનો તબેલો) સહિતના ગેરકાયદેસર બાંધકામો ઉભા કરાયા હતા. આ કાર્યવાહીમાં શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ, 7 દુકાનો (ચા, પાન મસાલા, પંચર, કરિયાણા), 1 રહેઠાણનો બંગલો, 3 સ્ટાફ ક્વાર્ટર અને ઘોડાસર સહિતના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આશરે 12 કરોડ 94 લાખ 56 હજાર રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મહેન્દ્ર ખાચર દ્વારા વર્ષ 2001થી 3 એકર જમીન પર 'વીર વચ્છરાજ હોટલ' બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું. આ હોટલમાં પણ ચા, પંચર, પાન મસાલાની દુકાનો અને હોટલ સ્ટાફ ક્વાર્ટર જેવા ગેરકાયદેસર પાકા બાંધકામો ઉભા કરાયા હતા. જ્યાં ગેરકાયદેસર બાંધકામ કરેલા હતા તે બાંધકામ સરકારી જમીનમાંથી દુર કરાવી આશરે 10,62,40,000 (અંકે રૂપિયા દસ કરોડ બાસઠ લાખ ચાલીસ હજાર પુરા) કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત પટના બિહાર બલવીર હોટલ કે જેનું ક્ષેત્રફળ એકર 1-16 ગુ.(3.5 વિઘા) પર કબજો કરી ઉપયોગ કરવામાં આવે છે. જે જમીન પર સુરેશ ખાચરે વર્ષ 2001થી હોટલ બનાવી અનઅધિકૃત રીતે દબાણ કર્યું હતું. અહિં પણ ચા, પંચર તથા પાન મસાલાની દુકાનો, હોટલ સ્ટાફ ક્વાર્ટર વિગેરેનું બાંધકામ કરાયું હતું તેને દૂર કરાયું છે. દબાણકર્તાઓને 26 ડિસેમ્બર 2025ના રોજ જગ્યા ખાલી કરવા માટે આખરી નોટિસ આપવામાં આવી હતી, જેની મુદત 28 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 2 વાગ્યે પૂર્ણ થઈ હતી. દબાણ સ્વયં દૂર ન થતાં, આજે બપોરે 3 વાગ્યે નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે કાર્યવાહી કરી હતી. ઉક્ત તમામ ગેરકાયદેસર બાંઘકામનુ કુલ ક્ષેત્રફળ એકર 8-29 ગુઠા( 22 વિઘા) જમીન થાય છે. જેનું હાલની બજાર કિંમત રૂ. 28,12,24000 કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ગેરકાયદેસર પાકા બાંધકામ 25 વર્ષથી કરેલ છે તે અંગે વાર્ષિક 1 ટકાના દરે કુલ 25 વર્ષની વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશનના ઉપક્રમે આજરોજ કમાટીબાગ ખાતે ચિત્ર મહોત્સવ 3.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં વડોદરા શહેરની 80 શાળાઓના 800થી વધુ બાળકોએ નોંધણી કરાવી હતી. જેમાંથી 700 જેટલા બાળકો હાજર રહીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ વિષયો પર આધારિત ચાર અલગ-અલગ જૂથોમાં બાળકોની વહેંચણી કરવામાં આવી હતી. આ રંગોત્સવમાં બાળકોએ પોતાની કલાત્મક પ્રતિભા ખીલવીને રંગોની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી મુખ્ય અતિથિ તરીકે તેમજ બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દરેક જૂથમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્કારો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ચિત્ર મહોત્સવ બાળકોમાં છુપાયેલી કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થયો છે.
નવા વર્ષના આગમન પૂર્વે મહેસાણા જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 205 જેટલા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. આ બદલીના આદેશમાં એ.એસ.આઈ. ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોલીસ વડા દ્વારા કરવામાં આવેલા આ હુકમમાં મહેસાણા શહેર, વિસનગર, કડી અને ઊંઝા સહિતના મુખ્ય પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા સ્ટાફમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બદલીઓ જાહેર હિત તેમજ કેટલાક કિસ્સાઓમાં કર્મચારીઓના સ્વખર્ચે એમ બંને પ્રકારે કરવામાં આવી છે. નોંધનીય છે કે મહેસાણા પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી ફેરફારનો દોર ચાલી રહ્યો છે. આ અગાઉ 19 નવેમ્બર 2025 ના રોજ પણ 747 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરીને વિભાગમાં મોટો ગંજીફો ચીપવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી એકવાર 205 કર્મચારીઓની બદલી થતા પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.
ભાવનગરના 21 બાળકોએ 425 કિમી સ્કેટિંગ કરી:ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાશે
ભાવનગરના લાયન સ્કેટિંગ ક્લબના 21 બાળકોએ 425 કિલોમીટરનું અંતર સ્કેટિંગ કરીને ભાવનગરથી દ્વારકા સુધીની યાત્રા પૂર્ણ કરી છે. આ સિદ્ધિ બદલ તેમના નામ 'ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ' અને 'વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ એક્સેલન્સ'માં નોંધવામાં આવશે. 6થી 15 વર્ષની વયના આ બાળકોની યાત્રા 25 ડિસેમ્બર, 2025ના રોજ ભાવનગરના નીલમબાગથી શરૂ થઈ હતી. ચાર દિવસની સતત મહેનત બાદ 28 ડિસેમ્બરની બપોરે તેઓ ભગવાન દ્વારકાધીશના શરણે પહોંચ્યા હતા. આ જૂથમાં 20 છોકરા અને 1 છોકરીનો સમાવેશ થાય છે. આ યાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર સ્થાનિકો દ્વારા બાળકોનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રયાસ માત્ર શ્રદ્ધાનો જ નહીં, પરંતુ વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કરવાનો પણ છે. આ બાળકોનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને મોબાઈલ અને વ્યસનથી દૂર રાખીને રમતગમત સાથે જોડવાનો છે. આ સંદેશ સાથે જ તેમણે આ સ્કેટિંગ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી.
વડોદરામાં લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમિકા પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પ્રેમીએ ધંધો શરૂ કરવા માટે રૂપિયા 3.48 લાખ મહિલા પાસેથી લીધા હતા. પરંતુ પ્રેમીએ ધંધો બંધ કરીને પરત રાજસ્થાન ભાગી ગયો હતો. બાપોદ પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગતા મેજિસ્ટ્રેટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રેમીએ મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતુંમૂળ રાજસ્થાનના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા મહાશક્તિ વુડામાં રહેતા હિતેષ વાલચંદ લબાના સાથે કેટરર્સમાં પીઆરઓ તરીકે કામ કામ કરતી બાળકીની વિધવા માતાનો પરીચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થયા બાદ હિતેષ લબાનાએ મહિલાને લઈને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યાં હતા મહિલાને પણ તેના પર વિશ્વાસ આવી ગયો હોય ધંધો કરવા માટે ઓનલાઇન તથા રોકડા મળીને રૂપિયા 3.48 લાખ પ્રેમીને આપ્યાં હતા. પ્રેમ સંબંધ દરમિયાન પ્રેમીએ મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ મહિલાના રૂપિયા લઈને ધંધો પણ શરૂ કર્યો હતો. પરંતુ આ ધંધો થોડા દિવસ સુધી કર્યાં બાદ બંધ કરીને પરત રાજસ્થાન ભાગી ગયો હતો. જેથી મહિલા રાજસ્થાન જઇને તેના પરિવારને મળી હતી, ત્યારે હિતેશ લબાનાએ પરત આવવા માટે વાયદો કર્યો હતો પરંતુ હિતેશ લબાના પરત આવ્યો ન હતો અને 3.48 લાખ રૂપિયા પણ પરત કર્યાં ન હતા. દુષ્કર્મ તથા ઠગાઇ ને આરોપી જેલહવાલેમહિલાએ હિતેશ લબાના સામે દુષ્કર્મ તથા ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. 28 ડિસેમ્બરના રોજ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ માંગણી કરાઇ હતી. ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના 2 દિવસના 30 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.
અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં પુષ્પકુંજ ગેટ નંબર એક બંધ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકોની ભીડ આજે 4થા દિવસે થઈ હોવાને લઈ ગેટ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદના કાંકરિયા કાર્નિવલના ચોથા દિવસે પણ માનવ મહેરામણ ઊમટી પડતા સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભીડને નિયંત્રિત કરવા અને ક્રાઉડ મેનેજમેન્ટના ભાગરૂપે પુષ્પકુંજ ગેટ નંબર એકને હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે. મુલાકાતીઓની અવિરત ભીડને પગલે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પ્રશાસન દ્વારા અત્યાધુનિક ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા સ્થિતિ પર સતત નજર રાખીને ભીડનું યોગ્ય નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે.ગઈકાલ 27 ડિસેમ્બરનો માહોલ જુઓ.....કાંકરિયા કાર્નિવલમાં 1-લાખથી વધુ લોકો એકત્ર થતાં તમામ ગેટ બંધ:ત્રીજા દિવસે માનવ મહેરામણ ઊમટી પડ્યો, ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી ભીડ નિયંત્રણઅમદાવાદના કાંકરિયા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025 માં 1 લાખથી વધારે લોકો કાંકરિયા પરિસરમાં ભેગા થતા ભીડને કાબુમાં કરવા માટે કાંકરિયા કાર્નિવલના તમામ સાત ગેટ એન્ટ્રી માટે બંધ કરવામાં આવ્યા છે. તમામ ગેટ પરથી અત્યારે હાલમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે કોઈપણ નાગરિકને કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 27 ડિસેમ્બરના રોજ શનિવારે કાંકરિયા કાર્નિવલ ની મજા માણવા માટે સમગ્ર અમદાવાદ અને અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો કાંકરિયા પરિસર ખાતે કાર્નિવલની મજા માણવા માટે પહોંચ્યા છે. રાતે 9.15 વાગ્યાની આસપાસ કાંકરિયા કાર્નિવલમાં 80 થી 1 લાખ જેટલા લોકો કાંકરિયા ફરતે આવેલા પરિસરમાં ભેગા થઈ ગયા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર)
પાટણ જિલ્લાના હાઈવે પર બેફામ દોડતા ટર્બો વાહનચાલકોના કારણે અકસ્માતો વધી રહ્યા છે. આવા જ એક બનાવમાં ડેરાસણા અને બાલીસણા વચ્ચે માટી ભરીને આવતા એક ટર્બોએ ડેર ગામના યુવાનને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. ડેર ગામના અરવિંદજી ઠાકોર સોલર પ્લાન્ટમાં પોતાની નાઈટ શિફ્ટ પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ડેરાસણા અને બાલીસણા વચ્ચેના માર્ગ પર, જ્યાં મોટા પાયે ખોદકામ ચાલી રહ્યું છે, ત્યાં માટી ભરીને બેફામ રીતે આવી રહેલા એક ટર્બો ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવાનને બંને પગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તે ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત અરવિંદજી ઠાકોરને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમની હાલત ગંભીર જણાતા, તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ સહિતના આગેવાનોએ ઈજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી. સ્થાનિક આગેવાન શ્રવણજી ઠાકોરે આ મામલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ચાલતા ખોદકામ અને ટર્બો ચાલકોની મનમાની માટે પોલીસ તંત્ર તેમજ ખાણ-ખનીજ વિભાગની શિથિલતા જવાબદાર છે. તેમણે આવા વાહનો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન નગરપાલિકાની ટીમ પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પાટણ સીટી એ-ડિવિઝન પોલીસે પકડાયેલા ચાર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઘટના 24 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 5:15 વાગ્યે પાટણ શહેરના પારેવા સર્કલ પાસે આવેલા વોટર વર્ક્સ કમ્પાઉન્ડમાં બની હતી. નગરપાલિકાની ટીમ 15 થી 20 જેટલા રખડતા ઢોરોને પકડી પાંજરામાં પૂરવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન મોટરસાયકલ પર લાકડીઓ અને ધોકા સાથે આવેલા પાંચ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી હતી. તેમણે કર્મચારીઓને ફરજ બજાવતા અટકાવ્યા અને પકડેલા ઢોરોને ભગાડવા માટે પાંજરાનો દરવાજો ખોલી નાખ્યો હતો. આ શખ્સોએ નગરપાલિકાના કર્મચારીઓને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઢોરો જાહેર રોડ પર દોડતા થતા વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ મામલે સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિપુલ અમરત ભરવાડ, વિષ્ણુ મનુ ભરવાડ, રોહીત ઉર્ફે ભાણો ભરવાડ, ટીનો રબારી અને ભોપો ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી હતી. એ-ડિવિઝન પોલીસ મથકેથી તેમનું જાહેરમાં સરઘસ કાઢી ત્રણ દરવાજા ખાતે ગાડીમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણ દરવાજાથી દોશીવટ બજાર સુધી ફેરવી પારેવા સર્કલ પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ કાર્યવાહીનો મુખ્ય આશય એ હતો કે ભવિષ્યમાં કોઈ પણ સરકારી કામકાજમાં અવરોધ ઊભો ન કરે અને લોકોમાં રહેલો ભય દૂર થાય. આ રીકન્સ્ટ્રક્શન જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા સરકારી મગફળી ખરીદી કેન્દ્ર પર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને તેમના સમર્થકો દ્વારા દાદાગીરી અને મારામારી કરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં શ્રમિકની પત્નીની છેડતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા બદલ પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. બારદાન ભરવા બાબતે બબાલ થઈ હતીસમગ્ર મામલે વિસાવદરના એએસપી રોહિત ડાગરે જણાવ્યું હતું કે માંડાવડ ખરીદી કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન હરેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. મગફળીને બારદાનમાં ભરવા જેવી સામાન્ય બાબતે શ્રમિકો સાથે બોલાચાલી કરી હતી. વિવાદ વધતા આરોપીઓએ શ્રમિકને માર મારી તેની પત્નીને ધક્કો માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરી અપમાનિત કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગોપાલ ઇટાલીયા સાથે વાજતે-ગાજતે પોલીસ સ્ટેશન પહોંચી 'આપ'ના કાર્યકરોનો રોષએટ્રોસિટી અને છેડતી જેવી ગંભીર ફરિયાદ નોંધાયા બાદ આજે વિસાવદરમાં અજીબોગરીબ દ્રશ્યો જોવા મળ્યા હતા.જેના પર ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ છે તેવા હરેશ સાવલિયા અને અન્ય આરોપીઓને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગળામાં ફૂલહાર પહેરાવ્યા હતા, અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વાજતે-ગાજતે રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારનું શક્તિપ્રદર્શન રાજકીય આલમમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પોલીસે નોટિસ ફટકારી તપાસ હાથ ધરીજૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક (SC/ST સેલ) રવિસેજસિંહ પરમાર દ્વારા આરોપીઓને BNSSની કલમ-35(3) મુજબ નોટિસ ફટકારી તપાસમાં હાજર રહેવા તાકીદ કરી છે. આ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 75(2), 115(2), 296(બી), 351(૩3), 54 અને એટ્રોસિટી એક્ટની કલમ-3(1)(આર)(એસ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હરેશ સાવલિયા સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નાનાપોંઢા ખાતે ગુજરાત જોડો યાત્રાની એક જાહેર સભામાં સરકાર અને વન વિભાગ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આદિવાસીઓના હકો અને જમીન મુદ્દે સરકારને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું કે, જો પરિસ્થિતિ વણસશે તો આદિવાસીઓ પરંપરાગત શસ્ત્રો સાથે રસ્તા પર ઉતરતા અચકાશે નહીં. વસાવાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, જે દિવસે આદિવાસીઓ તેમના તીર-કામઠાં, ભાલા અને પાલિયા લઈને રસ્તા પર ઉતરશે, તે દિવસે વન વિભાગ ક્યાંય નજરે નહીં પડે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ હથિયારો માત્ર ઘરના શણગાર માટે નથી, પરંતુ જરૂર પડ્યે તેનો ઉપયોગ પણ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, જો આદિવાસીઓની જમીનો છીનવી લેવામાં આવશે, તો તેઓ ગાંધીનગર સુધી કૂચ કરશે અને 'નેપાળવાળી' (ક્રાંતિકારી ફેરફાર) કરવાની પણ તૈયારી દર્શાવી હતી. ચૈતર વસાવાએ ઉમેર્યું કે, તેઓ હજુ સુધી સંવાદ અને બંધારણમાં માને છે, પરંતુ જો સરકાર આદિવાસીઓને કોરિડોર કે હાઈ-ટેન્શન લાઇનના નામે પરેશાન કરવાનું બંધ નહીં કરે, તો તેઓ આરપારની લડાઈ લડશે. ગુજરાતમાં વારંવાર બદલાતા મંત્રીમંડળ અંગે કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, મંત્રીમંડળ બદલવાથી જનતાનો વિકાસ થવાનો નથી. તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીમાં સીધી સરકાર જ બદલી નાખવા માટે લોકોને આહવાન કર્યું હતું. વધુમાં, તેમણે વલસાડ જિલ્લાના સાંસદ અને ધારાસભ્યને ભાજપના 'ચાવી વાળા રમકડાં' ગણાવ્યા હતા. સાથે જ, ગુજરાત પ્રદેશમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલને સમાવી લેવાની ઘટના ઉપર પણ પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો યાત્રા દરમિયાન કપરાડા અને નાનાપોંઢાના કોંગ્રેસના સક્રિય કાર્યકર્તાઓ તેમના સમર્થકો સાથે કોંગ્રેસની વિચારધારા છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ચૈતર વસાવાએ તમામ કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ જાહેર સભામાં આદિવાસી સમાજની મોટી જનમેદની જોવા મળી હતી, જેઓ ચૈતર વસાવાના આ આક્રમક તેવરને વધાવી રહ્યા હતા. આ નિવેદન બાદ આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં રાજકીય ગરમાવો વધવાની પૂરેપૂરી શક્યતા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામે એક બિનઉપયોગી પાણીની ટાંકીને પાંચ સેકન્ડમાં જમીનદોસ્ત કરવામાં આવી હતી. આ ટાંકી રૂ. 32,400ની હરાજી બાદ તોડી પાડવામાં આવી હતી. હિંમતપુર ગામમાં અંદાજે 1700થી વધુ વસ્તી છે. ગ્રામજનોને પીવાનું પાણી પૂરું પાડવા માટે વાસ્મો દ્વારા વર્ષ 2014-15માં 5000 લીટરની ક્ષમતાવાળી આ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકી આશરે 40 ફૂટ ઊંચી હતી. આ ટાંકી બિનઉપયોગી બન્યા બાદ તેને તોડી પાડવા માટે રૂ. 32,400ની હરાજી કરવામાં આવી હતી. રવિવારે સાંજે કોન્ટ્રાક્ટર દ્વારા તાર બાંધીને જેસીબી વડે ખેંચીને માત્ર પાંચ સેકન્ડમાં તેને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. હાલમાં ગ્રામજનોને પીવાનું પાણી ત્રણ બોર દ્વારા સવાર-સાંજ બે સમય પૂરું પાડવામાં આવે છે.
સુરેન્દ્રનગર SOGએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથે પ્રદર્શન કરતા બે ઇસમોની ધરપકડ કરી છે. આ મામલે પાણશીણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીએ પણ આ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સૂચનાઓના અનુસંધાને, SOG સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સામતસિંહ ગોહિલને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે, સોશિયલ મીડિયા પર હથિયાર સાથે પ્રદર્શન કરનાર ઇસમની તપાસ કરવામાં આવી હતી. તપાસ અને પૂછપરછ દરમિયાન, તે ઇસમનું નામ હરીભાઈ જહાભાઈ ભુવા (ઉંમર 38, રહે. લીંબડી, હવેલીશેરી, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) હોવાનું જાણવા મળ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે તેણે એક લગ્ન પ્રસંગમાં ફોટા પડાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. હથિયાર અંગે વધુ પૂછપરછ કરતા, તેણે જણાવ્યું કે આ હથિયાર હરજીભાઈ ધુડાભાઈ સભાડ (ઉંમર 58, રહે. ભોયકા, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર)નું હતું. આ બંને ઇસમો વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)એ, ૨૯(બી), ૩૦ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં પીઆઈ બી.એચ. શિંગરખીયા, પીએસઆઈ એન.એ. રાયમા, પીએસઆઈ આર.જે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા, હેડ કોન્સ્ટેબલ જગમાલભાઈ અંબારામભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સામતસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઈ મહમદભાઈ સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.
દ્વારકામાં તાંત્રિક વિધિના બહાને લાખોની ઠગાઈ:'મદારી ગેંગ'ના બે સાગરીત ઝડપાયા
દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.એ અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી ભોળા નાગરિકોને છેતરતી 'મદારી ગેંગ'નો પર્દાફાશ કર્યો છે. પોલીસે તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીનાની છેતરપિંડી કરનાર બે આરોપીઓને ₹9.32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. રાજકોટના નિર્મલભાઈ કાથળભાઈ ઝરૂ આ ઠગબાજોનો શિકાર બન્યા હતા. આરોપીઓએ તેમને વિશ્વાસમાં લીધા હતા કે સોનાના દાગીના પર તાંત્રિક વિધિ કરાવવાથી ઘરની તમામ મુશ્કેલીઓ દૂર થશે અને સુખ-સમૃદ્ધિ આવશે. આ બહાને, આરોપીઓએ ફરિયાદીને દ્વારકા-નાગેશ્વર રોડ પર આવેલા ધ્રાસણવેલ ગામ પાસે બોલાવ્યા હતા. ત્યાં વિધિના નામે લાખોની કિંમતના સોનાના દાગીના પડાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, દ્વારકા પોલીસ અને એલ.સી.બી. દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી જાનનાથ પઢીયાર અને નેનુનાથ બામણીયાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹9,32,000 ની કિંમતના સોનાના દાગીના રિકવર કર્યા છે. આ ગેંગ અંધશ્રદ્ધાળુ લોકોને ધાર્મિક લાલચ આપી છેતરવામાં માહેર હોવાનું સામે આવ્યું છે. દ્વારકા પોલીસ આ શખ્સોએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં રવિવારે ગુરુ ગોવિંદસિંઘજીની 359મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શોભાયાત્રા, સેહજ પાઠ અને લંગર પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ઉજવણીના ભાગરૂપે ગુરુદ્વારાથી એક શોભાયાત્રા નીકળી હતી. જેમાં શીખ સંપ્રદાયના મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા હતા. આ શોભાયાત્રા જી.જી. હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં ગુરુ ગોવિંદસિંઘજીની છબીને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. જી.જી. હોસ્પિટલ ખાતે સુપરિન્ટેન્ડેન્ટ ડો. દીપક તિવારી, મેડિસિન વિભાગના વડા ડો. અજય તન્ના, આર.એમ.ઓ. પ્રમોદ સક્સેના, હોસ્પિટલ સ્ટાફ, નિવૃત્ત આર્મીમેન અને ગુરુદ્વારાની સંગતની હાજરીમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થનામાં હોસ્પિટલના દર્દીઓ ઝડપથી સાજા થાય તેવી પણ કામના કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરુદ્વારામાં સેહજપાઠની સમાપ્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગંગાનગરના ભાઈસાહેબ ગગનદીપ સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે શબ્દ કીર્તન કર્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગુરુદ્વારામાં હાજર રહી માથું ટેકવી શબ્દ કીર્તનનો લાભ લીધો હતો. આ પછી ગુરુ કા લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
નવસારી રૂરલ પોલીસે આમડપોર ગામની સીમમાં બુલેટ ટ્રેન બ્રિજ પાસે ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ 5.67 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે આમડપોરથી તેલાડા જતા રોડ પર બુલેટ ટ્રેન ઓવરબ્રિજ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા-પાનાનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે, પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ અને શિવરાજભાઈની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી અને પોલીસે તીન પત્તીનો જુગાર રમતા 6 ખેલાડીઓને રંગેહાથ પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી કુલ 5,67,550 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં અંગઝડતી અને દાવ પરથી 47,550 રૂપિયા રોકડા, 30,000 રૂપિયાની કિંમતના 6 મોબાઈલ ફોન, 90,000 રૂપિયાની કિંમતના 3 મોટરસાયકલ અને 4,00,000 રૂપિયાની કિંમતની 1 અર્ટીગા કારનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં કલ્પેશ પ્રવિણભાઈ પ્રજાપતિ (વંદના સોસાયટી, કબીલપોર), રાવતલાલ ઉર્ફે રાહુલ ભરવરલાલ પ્રજાપતિ (ધારાનગર સોસાયટી, કબીલપોર), બનવારીલાલ ગોવિંદભાઈ પ્રજાપતિ (કાલીયાવાડી, નવસારી), ભગવાનરામ ચુનારામ પ્રજાપતિ (ટેમ્પલવ્યુ સોસાયટી, નાની ચોવીસી), ભંવરલાલ સેવારામ પ્રજાપતિ (ટેમ્પલવ્યુ સોસાયટી, નાની ચોવીસી) અને શ્રવણસિંહ મોતીસિંહ દહીયા (ધારાનગર સોસાયટી, કબીલપોર) નો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ આરોપીઓ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. નવસારી રૂરલ પોલીસે આ મામલે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પી.એસ.આઈ. કે.એમ. પાટીલ ચલાવી રહ્યા છે.
દિગ્વિજય સિંહે RSSના વખાણ કરતાં વિવાદ! થરૂરે તો કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવ્યું
Tharoor Supports Digvijaya Singh in RSS Controversy : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિવાદોમાં ઘેરાયા છે. ત્યારે શશી થરૂરે દિગ્વિજય સિંહનો સાથ આપ્યો છે. કોંગ્રેસના 140માં સ્થાપના દિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં થરૂર અને દિગ્વિજય સિંહ બાજુ-બાજુમાં બેઠેલા જોવા મળ્યા. જેની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જે બાદ થરૂરે કહ્યું, કે હા હું પણ ઈચ્છું છું કે સંગઠન મજબૂત થવું જોઈએ અને તે માટે પાર્ટીમાં શિસ્ત હોવી જોઈએ. થરૂરે કહ્યું, કે એ વાતમાં કોઈ આશંકા નથી કે સંગઠનને હજુ મજબૂત કરવાની જરૂર છે.
ઉકાઈમાં ₹3.75 કરોડનું અત્યાધુનિક ST બસ સ્ટેશન બનશે:મંત્રીઓના હસ્તે ભૂમિપૂજન: મુસાફરોને સુવિધા મળશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આશરે રૂ. 3.75 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર એસ.ટી. બસ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ તથા રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આ ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આદિવાસી સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે. સરકારે છેવાડાના માનવીની સુખાકારીને પ્રાધાન્ય આપી સરહદી ગામોમાં પણ કનેક્ટિવિટી અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. અંતરિયાળ વિસ્તારના બાળકોના શિક્ષણમાં કોઈ અવરોધ ન આવે તે માટે ટ્રાન્સપોર્ટ અને એસ.ટી. બસ પાસ જેવી સેવાઓ સુદ્રઢ કરી શિક્ષણને સરળ બનાવ્યું છે. રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રત્યેક નાગરિકના કલ્યાણ માટે કાર્યરત છે. ઉકાઈ ખાતે નિર્માણ પામનાર અત્યાધુનિક સુવિધાયુક્ત બસ સ્ટેશન મુસાફરોની સુવિધામાં વધારો કરશે અને સ્થાનિક પરિવહન સેવાને વધુ સરળ બનાવશે. રાજ્ય સરકાર તરફથી નિગમને ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન માટે ફાળવેલ સહાય થકી સુરત એસ.ટી. વિભાગના ઉકાઈ ખાતે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળું નવીન બસ સ્ટેશન બનશે. આ બસ સ્ટેશન અંદાજિત 2400 ચો.મી. વિસ્તારમાં રૂ. 375 લાખના ખર્ચે નિર્માણ પામશે. આ નવા સંકુલમાં મુસાફરો માટે 5 પ્લેટફોર્મ, 132 ચો.મી.નો વિશાળ વેઇટિંગ એરિયા, કેન્ટીન, સ્ટોલ્સ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. મુસાફરોની સુરક્ષા માટે સમગ્ર સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. દિવ્યાંગોની સુવિધા માટે ખાસ સ્લોપિંગ રેમ્પ અને અલગ શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુસાફરોની સાથે એસ.ટી. નિગમના કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રથમ માળ પર લાઇન ચેકિંગ રૂમ અને ડ્રાઇવર-કન્ડક્ટર માટે રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત, સંકુલમાં પાર્સલ રૂમ, ટિકિટ રૂમ અને વોટર રૂમ જેવી સુવિધાઓ પણ સામેલ હશે. આ સુવિધાજનક બસ સ્ટેશન કાર્યરત થવાથી ઉકાઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો નાગરિકોને પરિવહનની શ્રેષ્ઠ સેવાઓ એક જ સ્થળેથી મળી રહેશે. આ ભૂમિપૂજન પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લાના અગ્રણી સુરજભાઈ વસાવા, સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ, સ્થાનિક હોદ્દેદારો, આગેવાનો, સુરત એસ.ટી.ના વિભાગીય નિયામક પંકજ ગુર્જર, સોનગઢ ડેપો મેનેજર બલરામ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્કારધામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનદર્શન, સંઘર્ષયાત્રા અને રાષ્ટ્ર નિર્માણના વિચારોને ઉત્સવ સ્વરૂપે ઊજવવા માટે આયોજિત 'નમોત્સવ'નો આજે કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થશે. વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકાર અને લેખક સાઈરામ દવે દ્વારા લિખિત આ મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શોમાં 150થી વધુ કલાકારો અને 450 જેટલા ટેક્નિશિયનો ભાગ લઈને પ્રધાનમંત્રીના બાળપણથી લઈને 'ઓપરેશન સિંદૂર' સુધીની પ્રેરક સફરને સાંસ્કૃતિક રંગોમાં પરોવીને રજૂ કરશે. બાળપણથી વિશ્વ મંચ સુધીની સફરને વિઝ્યુઅલી અને મ્યુઝિકલી રજૂ કરશેઆ કાર્યક્રમમાં વિશાળ સ્ટેજ પર હાથી, ઘોડા, ટ્રેન અને મગરમચ્છ જેવી પ્રતિકૃતિઓ સાથે ભવ્ય ડ્રોન શોનું પણ આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં લોકો આ શો નિહાળી શકે તે માટે LED સ્ક્રીન લગાવવામાં આવી છે. 'નમોત્સવ' એ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ, PMના જીવનના આદર્શોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે, જેમાં બાળપણથી વિશ્વ મંચ સુધીની સફરને વિઝ્યુઅલ અને મ્યુઝિકલ રજૂઆત દ્વારા દર્શાવવામાં આવશે. ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજનસંસ્કારધામ આયોજન સમિતિ દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં અન્ય માન્યવરોની પણ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમ દ્વારા સેવા, સંઘર્ષ અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યોને લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. 'નમોત્સવ'ની આ રજૂઆત લોકોમાં પ્રધાનમંત્રીના જીવન પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેરણાને વધુ ગાઢ બનાવશે એવી અપેક્ષા છે.
અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ અમદાવાદના પશ્રિમ વિસ્તારમાં ખાડો ખોદ્યા વિના તૈયાર થયેલી 27 કિમી લાંબી ડ્રેનેજ લાઇનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું.. સાથે સાથે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પતરાના શેડમાં દારુબાર ચાલતો હોવાનો વીડિયો સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતરાના શેડમાં દારુ બાર ચાલતુ હોવાનો વીડિયો સામે આવ્યો.. અહી પાણી-સોડાથી લઈને બાઈટિંગ પણ પીરસવામાં આવી રહ્યું છે. જો કે પોલીસનું કહેવું છે કે વીડિયોની ખરાઈ બાદ કાર્યવાહી કરાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 26થી વધુ મુસાફરો ભરેલી બોલેરો પલટી બોટાદના મિલેટ્રી રોડ પર બોલેરો પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ. જેમાં 2 લોકોના મોત થયા છે. ગાડી 26 થી 28 જેટલા મુસાફરો સાથે ઓવરલોડેડ હતી. જેમાં 23 મુસાફરો ઘાયલ થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાટીદાર સિંગરના પ્રેમ લગ્ન વિવાદમાં વળાંક સુરતની સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મામલે પિતાની અપીલ બાદ સિંગરે સમાજ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો.. કહ્યું દીકરી મરી મરીને જીવે એ પોસાય છે.. જો હું પ્રેશરમાં આવીને આપઘાત કરી લઈશ તો સમાજ જવાબદારી લેશે ? આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રત્નકલાકારના આપઘાતના હચમચાવતા CCTV સુરતમાં 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ દીધી.. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા યુવકને લાગી આવ્યું હતું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાંકરિયા કાર્નિવલની ભીડમાં બાળકોનું ધ્યાન રાખજો અમદાવાદમાં ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલમાં 3 દિવસમાં 52 બાળકો પરિવારથી વિખૂટાં પડી ગયા.. જો કે પોલીસે ડ્રોન-CCTVની મદદથી ગણતરીના કલાકોમાં મિલન કરાવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસની હાજરીમાં મહિલાને લાફો ઝીંક્યો અમદાવાદના ખોખરા વિસ્તારમાં માત્ર સિગરેટના પૈસા માંગવા જેવી બાબતે યુવકે પોલીસની હાજરીમાં મહિલાને લાફો ઝીંક્યો..એટલું જ નહીં ઘર પર પેવર બ્લોકના છુટ્ટા ઘા પણ કર્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રખડતી ગાયે બે યુવકો પર હુમલો કર્યો વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં રખડતી ગાયે બે યુવકો પર હુમલો કર્યો.. પગથી કચડતા એક યુવકની હાલત ગંભીર છે.. તોફાને ચડેલી ગાયને જોઈને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 12 વર્ષના બાળક પાસે કરાવી ચોરી અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ચોર ટોળકીએ બાળક પાસે જ્વેલર્સમાં ચોરી કરાવી.. મહિલા અને પુરુષે વેપારીને વાતચીતમાં વ્યસ્ત રાખ્યા. અને બાળકને ઈશારો કરતા જ તેણે સોનાની કાંટીઓ ભરેલી થેલી ઉઠાવી લીધી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિલા મોરચાની 11 સભ્યોએ આપ્યા રાજીનામા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખની મનમાની અને કાર્યશૈલી સામે મહિલા મોરચાની 11 મહિલાઓએ રાજીનામા આપી દીધા.. મહિલાઓ વિપુલ ઉધનાવાલાન મહિલા વિરોધી માનસિકતા, અસભ્ય વર્તન અને ત્રાસથી કંટાળી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ભાવનગર સિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ત્રિદિવસીય શ્રી બાલમુકુંદજી ક્રિકેટ ટ્રોફી ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ટુર્નામેન્ટના અંતિમ દિવસે જ્ઞાતિના તમામ સભ્યો એક સ્થળે એકત્રિત થયા હોય ત્યારે આપણે સૌ પ્રથમ ભારતીય છીએ અને ત્યારબાદ વિવિધ જ્ઞાતિઓમાં વહેંચાયેલા છીએ તેવા મેસેજ સાથે ગૌરવપૂર્ણ વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી હતી. દેશપ્રેમની ભાવના જાગ્રત કરવા ક્રિકેટ ટુર્નામેન્ટજેમાં ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષરકુમાર વ્યાસની ઉપસ્થિતમાં ભાવનગર, મહુવા, તળાજા, પાલીતાણા, મુંબઈ, સુરત, ઉનાથી વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોનીએ વંદે માતરમ્ ગીતનું ગાન કર્યું હતું. નવી પેઢીને વંદે માતરમ્ ગીતનું મહત્વ સમજાય અને દેશપ્રેમની ભાવના જાગ્રત કરવા ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે સાથે આ અનોખો ઉપક્રમ જોડવાના પ્રયોગની જિલ્લા કલેકટર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ સરાહના કરી હતી.
અમીરગઢ તાલુકામાં રસ્તાઓના ખાતમુહૂર્તને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મંત્રી પ્રવીણ માળીના હસ્તે ખાતમુહૂર્ત થાય તે પહેલાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ વહેલી સવારે અંધારામાં જ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું. જોકે, બાદમાં મંત્રી પ્રવીણ માળીએ કપાસિયા ખાતે ત્રણ બાળાઓના હસ્તે ફરીથી રસ્તાઓનું મુહૂર્ત કરાવ્યું હતું. આજે અમીરગઢ તાલુકામાં કુલ 46 કિલોમીટરના અને અંદાજે 49 કરોડના ખર્ચે બનનારા ત્રણ જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત નિર્ધારિત હતું. વહેલી સવારે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ અંધારામાં જ ખાતમુહૂર્ત કરી દીધું હતું. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે, આખા ગુજરાતના ધારાસભ્યો પોતપોતાના વિસ્તારમાં ખાતમુહૂર્ત કરતા હોય છે, કોઈ મંત્રી આવીને બીજાના વિસ્તારમાં ખાત મુહૂર્ત નહોતા કરતા પણ મારા વિસ્તારની અંદર નવરા બેઠેલા મંત્રી પ્રવિણ માળી એમને બીજું કઈ કામ નહીં એટલે અહીંયા કપાસિયાથી સૂર્ય રસ્તાનું ખાત મૂર્હત કર્યું. વધુમાં જણાવ્યું કે, કપાસિયા 60 વર્ષ જૂનું ગામ છે ત્યાં રસ્તો ઓલરેડી એક વખત નહીં 20 વખત રિસર્ફેસ થયેલા રસ્તા અને રૂટિંગમાં 2 વર્ષે 3 વર્ષે રૂટિંગ કામગીરી કરવાની ડામર કામની હોય જ છે એટલા માટે નવરા મંત્રી કહું છું. નવેસરથી ખાતમુહૂર્ત કરાવ્યું હોત તો હું સાથે જોડાયો હોત. સ્થાનિક ધારાસભ્યને સીએમ પોતે આવતા હોય ને તોય યાદ કરે પણ આ તો મંત્રી, ધારાસભ્યને પણ નઈ બોલાવવાના. વિચારધારા એમની અલગ છે, સ્થાનિક ધારાસભ્યને નઈ લાવવાના ભેગા. વધુમાં જણાવ્યું કે, પૈસા સરકારના છે, ગ્રાન્ટ સરકારની છે અને હું સરકારમાં બેઠેલો એક પક્ષ તરીકે ધારાસભ્ય તરીકે મારી નૈતિક ફરજ હતી. એ આજે આવવાના હતા પણ મને યાદ નતા કર્યા. એ આજે 10 વાગે ખાતમુહૂર્ત કરવાના હતા મેં સાડા છ વાગે જઈને સવારમાં અહીંના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં જઈને ખાતમુહૂર્ત કરીને આવ્યો છું, પણ એમને શરમ નઈ હોય. કેમ કે સવારમાં વહેલું મેં ખાતમુહૂર્ત કર્યું છે અને ફોટા વીડિયો વાયરલ કર્યાં છે. ધારાસભ્યના ખાતમુહૂર્ત બાદ બપોરના સમયે મંત્રી પ્રવીણ માળી કપાસિયા પહોંચ્યા હતા. તેમણે ચાર રસ્તાઓનું ખાતમુહૂર્ત ત્રણ બાળકોના હસ્તે કરાવ્યું હતું. કપાસિયા ખાતે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સભા દરમિયાન મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, હું રસ્તામાં આવતો હતો ત્યારે ક્યાંક રોડ ઉપર કંકુ પડ્યું હતું. મને કોઈએ કહ્યું કે કોઈ ખાતમુહૂર્ત કરીને ગયું છે. બૂટ પહેરેલા ભાઈ અને માત્ર બે જણા ખાતમુહૂર્ત કરીને ગયા છે. તેમણે ઉમેર્યું કે, અત્યારે અહીંયા કોણે મુહૂર્ત કર્યું હતું? પ્રવીણભાઈ માળીએ મુહૂર્ત નથી કર્યું, આ મુહૂર્ત આદિવાસી સમાજની દીકરીઓ તેમજ માલધારી સમાજની દીકરીઓએ કર્યું છે. મંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજમાં કાળ પડતો અને સુવિધાઓ ન હતી. હવે ગામમાં સુવિધાઓ છે એટલે દીકરીઓ શિક્ષણ મેળવી શકે છે. કોંગ્રેસે ગુજરાતમાં 60 વર્ષ સુધી 1000 કરોડનું બજેટ નથી ફાળવ્યું, જ્યારે ભાજપ સરકારે વનવાસી ક્ષેત્ર માટે 30,000 કરોડનું બજેટ ફાળવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, કળિયુગમાં કોંગ્રેસનો નાશ કરવાનો છે. કોઈપણ વિકાસના કામો હશે, તમારા વિસ્તારમાં તમારો ધારાસભ્ય હું છું એમ સમજીને કહેજો, હું વિકાસના કામો કરી આપીશ. જે રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં (1) ડાભેલા-અમીરગઢ-અંબાજી રોડ (11 કિલોમીટર, રૂ. 10 કરોડ), (2) નેશનલ હાઈવેથી સરોત્રા-કપાસિયા રોડ (17.5 કિલોમીટર, રૂ. 15 કરોડ), (3) ઈકબાલગઢ-ખારા રોડ (13.5 કિલોમીટર, રૂ. 14 કરોડ) અને (4) અમીરગઢ-ખાપા રોડ (6 કિલોમીટર, રૂ. 3.75 કરોડ)નો સમાવેશ થાય છે. આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળી સહિત ભાજપના મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકર્તાઓ અને કપાસિયા ગામ સહિત આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈ- અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતોની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ગત મોડી રાત્રે વડોદરા પાસે તરસાલીથી કપુરાઈ તરફ 2 ટ્રક અને એક લક્ઝરી ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકનો પગ કપાઈ ગયો હતો. બીજી તરફ અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે ટ્રિપલ અકસ્માતમાંમુંબઈથી દિલ્હી જઈ રહેલા ટ્રક ચાલકનો પગ કપાઈ ગયો હતો. જ્યારે લક્ઝરી બસમાં બેઠેલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. વડોદરા જિલ્લામાં અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે નેશનલ હાઈવે પર પણ વાહનચાલકો માટે જોખમ વધતું જઈ રહ્યું છે. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો ગભરાટભરી સ્થિતિમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે, તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. હાઇવે પર અકસ્માતમાં મહિલાનું મોતઅમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 ઉપર વડોદરા પાસે સુંદરપુરા પાટીયા નજીક આજે એક દંપતીની બાઇક સ્લિપ ખાઈને રોડ પર પટકાઈ હતી. આ સમયે પાછળથી આવતા અજાણ્યા વાહનચાલકે પુરઝડપે ચલાવીને મહિલા પર ટાયર ચઢાવી દીધા હતા. આ અકસ્માતમાં મહિલા જયશ્રીબેન યજ્ઞેશભાઇ પટેલ (ઉ.વ. 50)નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ફરિયાદી યજ્ઞેશભાઇ પટેલ (ઉ.વ. 55, રહે. અંકલેશ્વર) અને તેમનાં પત્ની જયશ્રીબેન વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી હોન્ડા ડ્રીમ યુગા બાઇક (નં. GJ-16-CD-6124) પર અંકલેશ્વર જઈ રહ્યાં હતાં. આગળ કૂતરું આવી જતાં બ્રેક મારતાં બાઇક જમણી બાજુએ સ્લિપ ખાઈ ગઈ હતી અને બંને રોડ પર પડી ગયાં. તે જ વેળાએ પાછળથી આવેલા અજાણ્યા વાહનચાલકે બેદરકારીથી વાહન ચલાવી જયશ્રીબેન પર ચઢી જવાથી તેમને પેટ અને સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મોત થયું હતું. આરોપી વાહનચાલક ઘટનાસ્થળેથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પીએમશ્રી ચંદ્રુમાણા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન પ્રિન્સિપાલ ગણેશભાઈ ડોડીયાની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સાહસ, સંસ્કૃતિ અને ભૌગોલિક જ્ઞાનનો વિકાસ કરવાનો હતો, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રવાસની શરૂઆત જોગણીનારના દર્શનથી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ભારતના સૌથી મોટા ખાનગી મુન્દ્રા બંદરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વિશાળ જહાજો, કન્ટેનર ટર્મિનલ અને આયાત-નિકાસની પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. માંડવી ખાતે ક્રાંતિ તીર્થની મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકને નિહાળી દેશભક્તિના ઇતિહાસ વિશે જાણકારી મેળવી. દિવસના અંતે, દરિયાકિનારે બાળકોએ રેતીમાં રમીને અને સૂર્યાસ્તનો નજારો માણીને આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રવાસના બીજા દિવસે, વિદ્યાર્થીઓએ કચ્છની પશ્ચિમ સરહદે આવેલા અંબેધામ (ગોધરા) ખાતે મા અંબાના ભવ્ય મંદિરની મુલાકાત લીધી અને આસપાસના સેવાકાર્યો વિશે માહિતી મેળવી. ત્યારબાદ, ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંના એક એવા નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા. અહીંથી વિદ્યાર્થીઓએ સમુદ્રની પેલે પાર પાકિસ્તાનની સરહદનો અહેસાસ કર્યો હતો. માતાના મઢ ખાતે કચ્છના કુળદેવી માં આશાપુરાના દર્શન કરી બાળકોએ આશીર્વાદ મેળવ્યા. સાંજે, ધોરડોના સફેદ રણની મુલાકાત લીધી, જ્યાં પૂનમની નજીકના દિવસોમાં મીઠાના રણમાં સૂર્યાસ્તનો અદ્ભુત નજારો માણ્યો અને 'રણ ઉત્સવ'ની ઝલક પણ નિહાળી. પ્રવાસના ત્રીજા દિવસે, ભુજ શહેરના ઐતિહાસિક આઈના મહેલ અને પ્રાગ મહેલની મુલાકાત લેવામાં આવી. અહીં વિદ્યાર્થીઓએ યુરોપિયન અને કચ્છી સ્થાપત્યકળાનો અનોખો સંગમ જોયો, તેમજ જૂની કલાકૃતિઓ, ઝુમ્મરો અને હથિયારો નિહાળ્યા. ત્યારબાદ, સફેદ આરસપહાણમાંથી બનેલા સ્વામિનારાયણ મંદિરમાં બારીક કોતરણી નિહાળી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો. કચ્છની હસ્તકલાના કેન્દ્ર સમાન ભુજોડીની મુલાકાત લઈ, વિદ્યાર્થીઓએ વણાટકામ અને હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જોઈ કારીગરોની મહેનત વિશે જાણકારી મેળવી. પ્રવાસના અંતિમ ચરણમાં, વિદ્યાર્થીઓએ માં મોગલના ધામ કબરાઉ ખાતે દર્શન કર્યા. અહીંના શિસ્તબદ્ધ વાતાવરણ અને શ્રદ્ધાએ બાળકોના મન મોહી લીધા. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન, વિદ્યાર્થીઓએ સમૂહમાં રહેવાની ભાવના, શિસ્ત, સમયપાલન અને ભારતની ભવ્ય વિરાસત વિશે જ્ઞાન મેળવ્યું. પ્રવાસ દરમિયાન ભોજન અને નિવાસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
આંજણા ચૌધરી સેવા મંડળ, ગાંધીનગર દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, સાધુ સંતો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજમાંથી આવતા ઉચ્ચ સરકારી અધિકારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલભાઈ ચૌધરીએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને સમાજ સાથે રહીને પરસ્પર સહયોગ કરવા હાકલ કરી હતી. પ્રમુખ ભગવાનભાઈ ચૌધરીએ સમાજના દરેક સભ્યને સમાન ગણાવીને કાર્યક્રમમાં સૌના સહયોગની પ્રશંસા કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે પોતાના ઉદ્બોધનમાં સમાજ શબ્દની વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે, સમત્વ અને મમત્વની ભાવના સાથે ત્યાગ કરવાની દિલેરી હોવી એ જ સાચો સમાજ છે. આંજણા ચૌધરી સેવા મંડળના ઉપપ્રમુખ નટવરભાઈ ચૌધરીએ સમાજના અગ્રણીઓ અને સભ્યોનું અભિવાદન કર્યું હતું. જનકભાઈ દેસાઈ અને રમેશભાઈ ચૌધરી સહિતના કાર્યકરોએ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.
સુરતની પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો મામલો હવે સોશિયલ મીડિયા અને સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ વિવાદમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે આરતીએ તેના પિતાની અપીલને ફગાવીને સમાજની વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા. સવારે આરતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને બપોર બાદ રડતા રડતા વેદના ઠાલવી હતી. આ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે, દીકરી મરી-મરીને જીવે એ પોસાય છે, હું આજે કોઈ પ્રેશરમાં આવીને કદાચ આપઘાત કરી લઉં તો શું આ સમાજ જવાબદારી લેશે? તો બીજી તરફ આરતીના આ પ્રકારના એક બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર આવતા સમાજના આગેવાન વિજય માંગુકીયાએ નારાજગી વ્યકત કરી હતી. સાથે કહ્યું હતું કે, છોકરાની ઉંમર 21 વર્ષથી ઓછી હોવાથી લગ્ન શક્ય નથી. જ્યારે મૈત્રી કરારમાં રહેતા હોય ત્યારે મંગળસૂત્ર અને સેથો પૂરી વીડિયો બનાવી સમાજ પર આગળી ચીંધવી યોગ્ય નથી. દીકરી પાછી આવે તો પિતા અપનાવવા તૈયારઆરતી સાંગાણીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કરતા પરિવારમાં ભારે નારાજગી જોવા મળી હતી. જોકે, પિતાના હૃદયમાં દીકરી પ્રત્યેની લાગણી અકબંધ હોવાથી, તેમણે જાહેરમાં અપીલ કરી હતી કે જો આરતી ભૂલ સુધારીને પાછી આવે, તો તેઓ તેને ફરીથી સ્વીકારવા અને અપનાવવા માટે તૈયાર છે. પિતાની આ વાતને સમાજના લોકોએ આવકારી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) આરતીની વિવાદાસ્પદ પોસ્ટ: રિયાલિટી ઓફ સોસાયટીપિતાની ભાવુક અપીલ બાદ આશા રાખવામાં આવતી હતી કે મામલો થાળે પડશે, પરંતુ આરતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકીને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. આરતીએ પોતાની સ્ટોરીમાં લખ્યું કે, હજારો બળાત્કાર સહન કરવા વાળો સમાજ એક પ્રેમ લગ્ન સહન કરી શકતો નથી - રિયાલિટી ઓફ સોસાયટી માત્ર લખાણ જ નહીં, આરતીએ ત્રણ અલગ-અલગ વીડિયો પણ અપલોડ કર્યા છે. આ વીડિયોમાં તેણે પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું છે કે તેને અને તેના જીવનસાથીને હેરાન કરવામાં આવી રહ્યા છે. જોકે, આ વીડિયોમાં તેની બોલવાની રીત અને સમાજ પ્રત્યેનો અભિગમ જોઈને નેટીઝન્સ દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી રહી છે. હાલ તો આરતી સાંગાણી અને તેના પરિવાર વચ્ચેની આ ખાઈ વધુ ઊંડી થતી જઈ રહી હોય તેમ લાગે છે. એક તરફ પિતાની સ્વીકારવાની ભાવના છે અને બીજી તરફ આરતીનો સામાજિક વ્યવસ્થા સામેનો બળવો. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ શાંત પડે છે કે હજુ વધુ વકરે છે. આરતીએ અલગ અલગ ત્રણ વીડિયો બનાવી સવાલો ઉઠાવ્યાઆરતી સાંગાણીએ સોશિયલ મીડિયામાં ત્રણ વીડિયો મૂકીને જણાવ્યું હતું કે, મારે કંઈ જ બોલવું નથી પણ મને લાગે છે કે લોકો મોઢામાં આંગળી નાખી-નાખીને મને બોલાવશે. હાલમાં મારા પપ્પાનો એક વિડિયો વાયરલ કર્યો છે, જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. તો શું તમે લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી, તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું? મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે. મેં મારી બહેનો સાથે વાત કરી હતી, મેં મારા પપ્પા સાથે વાત કરી હતી અને બે-ચાર દિવસ પછી તમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે—મારો ફેમિલી અને અહીંયાથી ફેમિલી. અને નિર્ણય આવ્યો હતો. મારા પપ્પાએ રાજીખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ‘તું ખુશ રહે, હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું’. અને એવું તો છે નહીં ને કે હું દુનિયાની પહેલી એવી દીકરી છું કે જેણે લવ મેરેજ કર્યા? તો હું જ કેમ ચર્ચાનો વિષય? કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજી જ્ઞાતિમાં જાય છે, કેટલાય એવા દીકરાઓ છે પટેલ સમાજના જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી? ત્યારે કેમ કોઈને વાંધો નથી? ત્યારે તો બહિષ્કાર નથી થતો? આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ. તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે? તમને એવું જ લાગે છે ને, તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો. કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી? કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરી-મરીને જીવે એ પોસાય છે પણ દીકરી ખુશ ના હોવી જોઈએ! આજે હું ખુશ છું તો દુનિયાથી જોવાતું નથી- આરતી સાંગાણીઆજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું હોય એવું લાગે છે મને તમને, કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ. તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ, આ વાત ભૂલવી નહીં. જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને એની વેદના તમને થશે ને, ત્યારે તમને ખબર પડશે. અને પુરુષને તો આ વાત સમજાવવાની જ નથી, કારણ કે તમને તો આ વાત ક્યારેય ખબર નહીં પડે કે દીકરીની વેદના શું હોય. દીકરી તો પપ્પાના ઘરે પણ પારકી અને સાસરાના ઘરે પણ પારકી છે. અત્યારે તમને બધાને મારાથી આટલો વિરોધ છે, મારી જાતથી... હું જે જ્ઞાતિમાં આવી છું તેનાથી તમને બહુ વિરોધ છે. તમે લોકોએ ક્યારેય વિચાર્યું છે કે કોરોના જેવો કોરોના આવ્યો ત્યારે શું કોઈએ ડોક્ટરની જાત પૂછી હતી? જ્યારે અકસ્માત થાય અને લોહીની જરૂર પડે ત્યારે તમે પૂછો છો કે ભાઈ તું કઈ જાતનો છે? કયા સમાજનો છે? તું પટેલ જ હોવો જોઈએ. ભાઈ લોહીનો પણ કલર અલગ નથી તો આપણે કોણ છીએ આ રીતે જાતિના આધારે ભેદભાવ કરવાવાળા? તમે લોકો એમ કહો છો કે અમે તમને સુરતમાં નહીં આવવા દઈએ, આ દીકરીનો બહિષ્કાર કરો. જ્યાં સુધી મેં તમારા સમાજની માન-મર્યાદા રાખી, મારા બાપની ઇજ્જત રાખી, રમવાની ઉંમરે કામ કર્યું, રાત-ઉજાગરા કર્યા ત્યારે હું બધાને સારી લાગતી હતી. અને આજે જ્યારે હું મોટી થઈ છું, મેં મારા માટે કંઈક વિચાર્યું છે તો હું લોકોને ડાકણ લાગુ છું. આવો તે કેવો સમાજ છે તમારો અને આવા તે કેવા વિચારો છે? હું મંગળસૂત્ર પહેરું છું તો પણ તમને વાંધો છે. જ્યાં બાળ લગ્ન થાય છે અને આજે પણ ઘણી જગ્યાએ બાળ લગ્ન ચાલુ છે ત્યાં જઈને વિરોધ કરો ને. હું ચર્ચા કરવાનો વિષય નથી. હું જે જ્ઞાતિમાંથી આવું છું એ પણ નીચી નથી અને જે જ્ઞાતિમાં હું ગઈ છું એ પણ નીચી નથી. કોઈ પણ જ્ઞાતિ નીચી નથી હોતી, માણસ માણસ હોય છે. હું પ્રેશરમાં આવીને કદાચ આપઘાત કરી લઉં તો શું સમાજ જવાબદારી લેશે?તમે લોકોએ મારા પપ્પા પર પણ પ્રેશર કર્યું અને એના પુરાવા પણ છે. હું કઈ ખોટું નથી બોલતી બસ તમે સ્વીકારી નથી શકતા એટલો જ ફરક છે. હું આજે કોઈ પ્રેશરમાં આવીને કદાચ આપઘાત કરી લઉં તો શું આ સમાજ જવાબદારી લેશે? મારા પપ્પાને કોણ જવાબ આપશે? મારા જીવનને તમે તમારું જીવન સમજી લીધું છે. હું હસી પણ ન શકું, બોલી પણ ન શકું. તમે કહો ત્યાં પરણું અને તમે ના કહો તો ના પરણું. આના કરતાં તો ભગવાન કોઈને દીકરી જ ના આપે અને આવા સમાજમાં તો ક્યારેય ના આપે જ્યાં દીકરીને પોતાનું જીવન જીવવાનો કોઈ અધિકાર જ નથી. તમને લાગે છે કે મેં મારા બાપનું નથી વિચાર્યું પણ યાર તમે ઘરમાં એવો માહોલ તો આપો કે દીકરી તમને પ્રેમથી કહી શકે કે પપ્પા હું આને પ્રેમ કરું છું અને મારે ત્યાં લગ્ન કરવા છે. આજે મારી ખુશી મારા ઘરના જ નથી જોઈ શકતા તો મને સમાજનું કોઈ દુઃખ નથી. મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે કારણકે મેં આવડી થઈ, મેં મારા ઘર માટે જે કર્યું છે એ કર્યું છે. અને જ્યાં સુધી આ સમાજને સમાજ માટે મેં ગીતો ગાયા, સમાજ ના ગીતો ગાયા ત્યાં સુધી હું બધાને વ્હાલી રહી ગઈ, ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું. અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે, એવી એક દીકરી પોતાના... મારા ઘરમાં નથી એવો માહોલ એટલે મેં ઘરે ન કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું. પણ આ જે લોકો આ બધું સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે. પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું અને મારામાં પણ જીવ છે, મારો જીવ પણ બળ્યો છે. આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખી છે. જે લોકોથી થોડીક ઉમ્મીદ હોય છે એ લોકો પણ આજે... જે લોકોને આ વાતની ખબર જ નથી એવી એવી વાતો કરે છે. જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત? પટેલ સમાજના દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત? કેટલી દીકરીઓ એવી છે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે, ત્યાં જઈને વાતો કરો. હું ખુશ છું અને મારું જીવન છે, આખી દુનિયાનું નથી. દરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે. મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે હવે. આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને. બની શકે તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે, તમારા ઘરે પણ દીકરી છે. સિંદૂર પૂરી, મંગળસૂત્ર પહેરી વીડિયો બનાવી સમાજ સામે આંગળી ચીંધવી યોગ્ય નથી- વિજય માંગુકીયાપાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી આરતી સાંગાણીનો વિવાદ સર્જાયો છે અને લોકો ગેરમાર્ગે દોરાય, યુવાન-યુવતીઓ ગેરમાર્ગે દોરાય તેવા વીડિયો વાયરલ કરે છે, પોસ્ટો મૂકે છે ત્યારે આરતી સંગાણીને મારે સમાજના અગ્રણી તરીકે એટલું કહેવું છે કે, જો તને તારા પ્રત્યે ભરોસો હોય, તને તારી જીવનની ઉડાન ભરવી હોય તો તું તારી રીતે ભર. પરંતુ, આ સમાજની સામે આંગળી ચીંધવાનું બંધ કરી દે. જ્યારે તે પ્રેમ લગ્નનું નાટક કર્યું અને ભાગીને જ્યારે લગ્ન કર્યા છે, તે ડોળ કર્યો છે ત્યારે ચોક્કસ સામે આવે છે કે છોકરાની ઉંમર 21 વર્ષની હજી પૂરી નથી થઈ. અને જ્યારે ભારતીય સંવિધાન મુજબ જ્યારે 21 વર્ષની ઉંમર પૂરી નથી થતી ત્યારે મૈત્રી કરારમાં રહેતા હોય એવા સંજોગોમાં સિંદૂર પૂરવું, મંગળસૂત્ર પહેરીને વીડિયો બનાવીને સમાજની સામે આંગળીઓ ચીંધવી એ યોગ્ય નથી. ઉપરાંત, જ્યારે સમાજની સામે આંગળી ચીંધીને કહેવું કે સમાજને બળાત્કારીઓ સામે વાંધો નથી પરંતુ સમાજની કોઈ દીકરી પ્રેમ લગ્ન કરી ભાગે એની સામે વાંધો છે. હા ચોક્કસ, સમાજની પરંપરા ખોરવાય છે. આવી જો દીકરીઓ માવતરને વિશ્વાસઘાત કરી અને ભાગીને લગ્ન કરે ત્યારે સમાજ બળવાખોર તરીકે એમને જાહેર કરે છે અને આવો બળવો કરવો એ સમાજમાં દૂષણ પણ કહેવાય છે અને સમાજની પરંપરા પણ આની અંદર ખોરવાય છે. ક્યારેય બળાત્કારીઓને કોઈપણ સમાજ સ્વીકારતો નથી અને બળાત્કારીઓની જો વાત કરતી હોય તો બળાત્કારીઓ સામે સરકાર અને સિસ્ટમ કડક હાથે પગલાં લે છે. પરંતુ આ બંધારણની સામે, સમાજ સરકારની સામે લડી રહ્યો છે જેથી કરીને આવી દીકરીઓ માવતરો સાથે, માવતરોએ જે ઉડાન ભરવાની એને શક્તિ આપી હશે રાત-દિવસ જોયા વગર જ્યારે એમના પિતા, કોઈપણ દીકરીના માવતરો જ્યારે એમને ઉડવાની તાકાત આપતા હોય છે, ઉડાન ભરવાની તાકાત આપતા હોય છે, તેમ છતાંય સ્વતંત્રતા આપ્યા પછી જે દીકરીઓ વિશ્વાસઘાત કરતી હોય છે ત્યારે ચોક્કસ સમાજના અગ્રણી તરીકે ચિંતા થાય છે. અને વીડિયો જ્યારે વાયરલ થાય છે, કોઈ પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયાની અંદર આવે છે ત્યારે ચોક્કસ દુઃખ થાય છે કે લોકોને, યુવાન-યુવતીઓને શું આની અંદરથી પ્રેરણા મળશે? અને યુવાન-યુવતી હંમેશા તેમના જીવન માટે સ્વતંત્ર હોય છે પણ એ સ્વતંત્રતા સમાજને ક્યાંક ને ક્યાંક નુકસાન કરતી હોય છે, પરંપરાઓને નુકસાન કરતી હોય છે ત્યારે ક્યારેય સમાજ આ વાતને સ્વીકારતો નથી.
ગઢડામાં કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ ઉજવાયો:કાર્યાલય ખાતે ધ્વજવંદન કરાયું, અનેક અગ્રણીઓ હાજર રહ્યા
ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો 141મો સ્થાપના દિવસ ગઢડા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસનો ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આઝાદીની લડાઈમાં મહત્વનું યોગદાન આપનાર આ પક્ષના સ્થાપના દિવસની ઉજવણીમાં શહેર અને જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કનુભાઈ જેબલિયા, બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ અને ગઢડા નગરપાલિકા સદસ્ય અજયભાઈ ઝાલા, બોટાદ જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ કમલેશભાઈ ચૌહાણ, બોટાદ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાનુભાઈ બોરીચા, બોટાદ જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ અગ્રણી ચાવડાભાઈ વકીલ, કોંગ્રેસ અગ્રણી રાઘવભાઈ કેવડીયા, હરેશભાઈ પાટગીર, રમેશભાઈ ભીંગરાડીયા, ટીનાભાઈ ચાવડા, ગઢડા નગરપાલિકા સદસ્ય ગોરાભાઈ ગોહિલ, રમેશભાઈ રાઠોડ, ગઢડા કોંગ્રેસ અગ્રણી રફીકભાઈ ખોખર, વસનભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ પરમાર, રાજુભાઈ ચૌહાણ, ગઢડા શહેર કોંગ્રેસ ઓબીસી પ્રમુખ પરેશભાઈ મકવાણા, ગઢડા શહેર કોંગ્રેસ લઘુમતી પ્રમુખ ઈકબાલભાઈ ચૌહાણ, ગઢડા તાલુકા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ હરદેવસિંહ વાઢેલ, ગઢડા શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ યોગેશભાઈ યાદવ, ગઢડા શહેર કોંગ્રેસ અગ્રણી પ્રદીપભાઈ ખાચર અને રામજીભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે થોળ અભયારણ્યના વિસ્તારમાં પક્ષી દર્શન કરી નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ વન વિભાગ અને સ્થાનિક પક્ષીવિદો પાસેથી અભયારણ્યમાં આવતા પક્ષીઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. સ્થાનિક પક્ષીવિદ દ્વારા બારહેડેડ ગીઝ, ગ્રેલેગ ગીઝ, ડાલમેસીયન પેલીકન, કોમન ક્રેન, બ્રામણી ડક, રફ એન્ડ રીવ વગેરે જેવા યાયાવર પક્ષીઓ સાયબિરીયા, રશીયા, માંગોલિયા, કઝાકિસ્તાન, ચીન વગેરે દેશોમાંથી આવે છે, તે અંગે રાજ્યપાલને અવગત કરવામાં આવ્યા હતા. યાયાવર પક્ષીઓના સંરક્ષણ માટેની પહેલ અંગે વિસ્તૃત ચર્ચાઆ ઉપરાંત રાજ્યપાલએ સ્થાનિક અધિકારીઓ સાથે થોળ અભયારણ્યમાં નેચર વોક કર્યુ હતું. નેચર વોક દરમિયાન રાજ્યપાલએ થોળ અભયારણ્યની મુલાકાતે આવેલ પ્રવાસીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો અને નાયબ વન સંરક્ષક સાથે આગામી સમયમાં અભયારણ્યમાં યાયાવર પક્ષીઓના સંરક્ષણ માટેની પહેલ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલએ થોળ અભયારણ્ય સંકુલ ખાતે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. થોળ પક્ષી અભયારણ્ય 118 જાતિના પક્ષીઓ માટેનું સંવેદનશીલ રહેઠાણઅત્રે ઉલ્લેખનીય છે કે, થોળ પક્ષી અભયારણ્ય સરોવરનો વિસ્તાર 600 હેકટર 6.99, ચો.કિ.મી. છે. સિંચાઈ તળાવ તરીકે ઉપયોગમાં લેવાતા આ સરોવરમાં હજારોની સંખ્યામાં જળાશયના પક્ષીઓ આવે છે, વસવાટ કરે છે અને શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે આશ્રયસ્થાન બની રહે છે. આ સરોવરનો વિસ્તાર મહત્વના પક્ષી વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. થોળ પક્ષી અભયારણ્યને 12 ઓગસ્ટ, 2021ના રોજ “રામસર સાઈટ” આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતાં જલપ્લાવિત વિસ્તાદ તરીકે માન્યતા પ્રાપ્ત થયેલો છે. થોળ અભયારણ્યમાં છેલ્લી પક્ષી ગણતરી મુજબ 55587 જેટલા તથા જુદા જુદા અંદાજીત 74 જાતિના પક્ષીઓ નોંધાયેલ હતાં. આ ઉપરાંત અત્યાર સુધી 320થી વધારે જાતિના કુલ પક્ષીઓ નોંધાયેલ છે, જેમા 78 જાતિના યાયાવર(માયગ્રેટરી) પક્ષીઓનો સમાવેશ થાય છે. થોળ પક્ષી અભયારણ્યમાં 118 જાતિના પક્ષીઓ માટેનું સંવેદનશીલ રહેઠાણ છે.
અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા સોના ચાંદીના જ્વેલર્સની દુકાનમાંથી નજર ચૂકવીને ચોરી થઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલી ટોળકીએ બાળકને સાથે રાખી સોનાના દાગીનાની ચોરી કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેથી જ્વેલર્સ દ્વારા આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જ્વેલર્સની દુકાનમાં ટોળકીએ બાળક પાસે ચોરી કરાવીઅમદાવાદના આનંદનગર વિસ્તારમાં શ્રી લક્ષ્મી જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન આવેલી છે જેમાં વેજલપુર વિસ્તારમાં રહેતા ભાવેશ માળી દુકાનમાં નોકરી કરે છે. તેમની સાથે સુરેશભાઈ નામના વ્યક્તિ પણ નોકરી કરે છે. ગત નવેમ્બર મહિનામાં બપોરના સમયે સુરેશભાઈ જમવા માટે ગયા હતા ત્યારે ભાવેશભાઈ તેમની દુકાન ઉપર હાજર હતા. મહિલા અને પુરુષ નાના 12 વર્ષના બાળક સાથે આવ્યાબપોરના સમયે એક અજાણી મહિલા અને પુરુષ નાના 12 વર્ષના બાળક સાથે દુકાનમાં આવ્યા હતા. કાનમાં અને નાકમાં પહેરવાની સોનાની કાંટીઓ બતાવવાની વાત કરી હતી. બે મિનિટ બાદ અન્ય એક મહિલા અને પુરુષ દુકાનમાં આવ્યા હતા અને ચાંદીનું છતર જોવા માંગ્યું હતું. પરંતુ ભાવેશભાઈએ તેમને બતાવ્યું નહીં જેથી તેઓ ત્યાંથી જતા રહ્યાં હતાં. ત્રણ લાખની સોનાની કાંટીઓ ગાયબનાના બાર વર્ષના બાળક સાથે આવેલી મહિલા અને પુરુષને ભાવેશભાઈ દ્વારા સોનાની કાંટીઓ બતાવવામાં આવી રહી હતી. બાદમાં તેઓ કોઈપણ ખરીદી કરાવી ના જતા રહ્યા હતાં. જે બાદ તેઓએ સોનાની કાંટીઓની ગણતરી કરતા તેમાંથી ત્રણ લાખ રૂપિયાની સોનાની કાંટીઓ ગાયબ હતી. બાળકે સોનાની કાંટીઓ ભરેલી થેલી લઈ લીધી હતીસીસીટીવી ફૂટેજમાં જોતા મહિલા અને પુરુષ સોનાની કાંટીઓ જોઈ રહ્યાં હતા. ક્યારે વાતચીતમાં વ્યસ્ત રાખીને નાના છોકરાને ઈશારો કરતા 12 વર્ષના બાળકે સોનાની કાંટીઓ ભરેલી થેલી લઈ લીધી હતી. જેથી આ મામલે દુકાન માલિકને જાણ કરતા તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું કહેતા આનંદનગર પોલીસે ગુનો નોધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. કમરમાં ચપ્પુ-હાથમાં ટોર્ચ સાથે ચોરી, CCTVસુરત શહેરમાં તસ્કરો હવે નવા-નવા પેંતરા અજમાવી રહ્યા છે. ઉધના વિસ્તારમાં આવેલી એક આઈસ્ક્રીમ પાર્લરમાં માત્ર અડધો ફૂટ પહોળા અને ત્રણ ફૂટ લાંબા શટરના ગાબડાંમાંથી બે તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર) વડોદરાના મકરપુરા GIDCની બે કંપનીમાં ચોરી, CCTVવડોદરા શહેરના મકરપુરા GIDCમાં આવેલી બે કંપનીમાં મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યાં હતા અને એક્યુરેટ એન્જિનિયર્સ નામની કંપનીમાં બે તસ્કરો 1.68 લાખની કિંમતના કોપરના 16 નંગની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર) 90 હજારની વીંટી બેગમાં નાખી ફરાર, CCTVગોતાના જ્વેલર્સ શો રૂમમાં ગ્રાહક બનીને આવેલી મહિલાએ દાગીના જોવાના બહાને 6.40 ગ્રામની વીંટી ચોરી હતી. ગોતા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી ગ્રાહક બનીને આવેલી મહિલાએ દાગીના ચોરી કર્યા છે. દાગીના ખરીદવાના બહાને આવેલી 50 વર્ષની એક અજાણી મહિલાએ કર્મચારીઓની નજર ચૂકવીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.(વાંચો સંપૂર્ણ સમાચાર)
તીરગર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા દ્વારા ગોધરાના સરદાર નગર ખંડ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, નિવૃત્ત અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓ તેમજ રમતગમત, કલા અને રાજકીય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ઉપસ્થિત રહી તમામ પ્રતિભાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી આમંત્રિતોને આવકાર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સી.કે. રાઉલજી ઉપરાંત પંચમહાલ અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી દેવા સોલંકી, પાલિકા ઉપપ્રમુખ સુનિલ લાલવાણી, કાઉન્સિલર જીતુ સાવલાણી, દીવા પરમાર અને સવિતા ભુચ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ એપીએમસી ચેરમેન પ્રવિણસિંહ રાઉલજી, ખુમાનસિંહ ચૌહાણ, ચંદ્રસિંહ રાઉલજી, રામ ગઢવી તેમજ ગુજરાતના 26 ગામના તીરગર સમાજના આગેવાનો અને 200થી વધુ સમાજજનો હાજર રહ્યા હતા. ધારાસભ્ય સી.કે. રાઉલજીએ તેજસ્વી વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવતા ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. તેમણે સમાજની પ્રગતિને બિરદાવી ખાતરી આપી હતી કે, સામાજિક ઉત્થાનના કાર્યોમાં તેઓ હંમેશા તત્પર અને મદદરૂપ રહેશે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન તીરગર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટના પ્રમુખ જેઠા તીરગર, મહામંત્રી ભાનુપ્રસાદ પરમાર, કન્વીનર ડૉ. મનુ પરમાર તેમજ મહેશ પરમાર, જેઠા પરમાર, વિઠ્ઠલ પરમાર અને હસમુખ મકવાણા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતો માટે સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અગીયોલ ગામે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે નેશનલ હાઈવે 48થી ગામ ચોક સુધીના ડામર રોડનું ઉદ્ઘાટન કરાયું હતું. આશરે એક કિલોમીટરથી વધુ લાંબા આ ડામર રોડના લોકાર્પણ ઉપરાંત, ધારાસભ્ય વી.ડી. ઝાલા દ્વારા અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. જેમાં અગીયોલ ગામના મઠ વિસ્તારમાં રૂ. 4 લાખના ખર્ચે બનનારા સીસી રોડ, હાઈસ્કૂલથી નવી વસાહત સુધીના રૂ. 5 લાખના સીસી રોડ અને અનુસૂચિત જાતિ ફળિયામાં રૂ. 3 લાખના ગટરના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે હિંમતનગર તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ ચંદનસિંહ રહેવર, દેસાસણના સરપંચ ભાવિકભાઈ દેસાઈ, અગીયોલ ગામના સરપંચ સુજાનભાઈ ગૌસ્વામી સહિત ગામના અગ્રણીઓ, મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસકામોના કાર્યક્રમ બાદ, ધારાસભ્ય વી.ડી. ઝાલાએ અગીયોલ ગામના સરપંચના નિવાસસ્થાને સ્થાનિકો અને કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 129મા 'મન કી બાત' કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
નવસારી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવા વિવાદનું કેન્દ્ર બની છે. આ નવી બસ સેવાને કારણે શહેરના આશરે 2500 થી 3000 રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની હોવાના આક્ષેપો થયા છે. રિક્ષા એસોસિએશને આ અંગે ચિંતા વ્યક્ત કરી સરકાર પાસે યોગ્ય નિવારણ લાવવા માંગ કરી છે. રિક્ષા એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓ બસ સેવાનો વિરોધ કરતા નથી, પરંતુ તેના સંચાલનથી રિક્ષા ચાલકોને મોટો ફટકો પડ્યો છે. પહેલા જે ચાલકો દિવસના 400 થી 500 રૂપિયા કમાતા હતા, તેમની કમાણી હવે ઘટીને માંડ 150 થી 200 રૂપિયા થઈ ગઈ છે. આના કારણે રિક્ષા ચાલકોને ઘરનું ભાડું, બેંકના હપ્તા અને બાળકોની સ્કૂલ ફી ભરવામાં મુશ્કેલી પડી રહી છે. રિક્ષા ચાલકોની મુખ્ય માંગણીઓમાં બસનું લઘુત્તમ ભાડું વધારીને 10 રૂપિયા કરવું અને બસો ગમે ત્યાં ઊભી રાખવાને બદલે દર એક કિલોમીટરે નિશ્ચિત સ્ટોપ પર જ ઊભી રહે તે સામેલ છે. તેમણે સમાન નિયમો લાગુ કરવાની પણ માંગ કરી છે. રિક્ષા ઊભી રહે તો ટ્રાફિક નડતરના નામે ડિટેઈન કરવામાં આવે છે, જ્યારે બસો ગમે ત્યાં ઊભી રહે છે તેના પર તંત્ર કેમ મૌન છે તેવો સવાલ ઉઠાવ્યો છે. રિક્ષા ચાલક નીલમ સનસે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, રોડ પર કોઈ પણ વ્યક્તિ હાથ બતાવે એટલે બસ ઊભી રહી જાય છે, જેના કારણે મુસાફરો રિક્ષામાં બેસવાનું ટાળે છે અને તેમનો ધંધો 50 ટકાથી પણ નીચે જતો રહ્યો છે. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે, સિટી બસોના અનિયમિત સ્ટોપને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. જો તંત્ર દ્વારા વહેલી તકે આ મામલે મધ્યસ્થી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રિક્ષા ચાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી શક્યતા છે.
છોટા ઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના એક ગામમાં 13 વર્ષીય સગીરાની રહસ્યમય રીતે હત્યા કરાયેલી લાશ ઘરની બાજુના ખેતરમાંથી મળી આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, સગીરા દિવસ દરમિયાન ઘરે એકલી હતી ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ હત્યારો સગીરાના મૃતદેહને ઢસડીને બાજુના ખેતરમાં લઈ ગયો હતો. બપોરના સમયે સગીરાની માતા ખેતરેથી ઘરે પરત ફરતા દીકરી જોવા ન મળતાં તેમણે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઘરની બાજુના ખેતરમાંથી દીકરીનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ કદવાલ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કદવાલ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવા અને હત્યાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. સગીરાના પરિવારજનો સવારે 8 વાગ્યે ખેતરે ગયા હતા. સગીરાએ તેની માતાને ભૂંડના ત્રાસને કારણે પિતા સાથે ખેતરે જવા કહ્યું હતું. જેથી માતા પણ ખેતરે ગઈ હતી. તે સમયે ઘરમાં વૃદ્ધ દાદી અને સગીરા જ હાજર હતા, ત્યારે હત્યારાએ આ કૃત્યને અંજામ આપ્યો હતો. મૃતક સગીરાના પરિવારમાં કુલ પાંચ સ છે, જેમાં પિતા, માતા, દાદી, સગીરા પોતે અને એક પરણાવેલી મોટી બહેનનો સમાવેશ થાય છે. આ પરિવાર ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. હત્યારા દ્વારા સગીરાની આબરૂ લૂંટવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોઈ શકે છે. સગીરાની હત્યા ઘરે કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેના મૃતદેહને ઢસડીને બાજુના ખેતરમાં મૂકી દેવાયો હતો. મૃતકની માતાએ જણાવ્યું કે જ્યારે તેમણે દીકરીનો મૃતદેહ જોયો ત્યારે તેના શરીર પર એકપણ કપડું ન હતું. મૃતદેહ જે ખેતરના છેડે મૂકવામાં આવ્યો હતો, ત્યાં એક ઝાડ પર સગીરાનો મોબાઈલ ફોન લટકતો મળી આવ્યો હતો. આના પરથી એવી પણ આશંકા સેવાઈ રહી છે કે સગીરાએ હત્યારાનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે 'ઘર ઘર સંપર્ક અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનની શરૂઆત બ્રહ્મચારી નિત્યાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં રામજી મંદિરથી થઈ હતી. આ અભિયાન અંતર્ગત ગામની તમામ શેરીઓ અને મહોલ્લાઓમાં ઘરે ઘરે સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં 'પાંચ પરિવર્તન'ના વિષયને રજૂ કરતી પત્રિકાઓ અને શુલ્કવાળા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પાંચ પરિવર્તનોમાં 'આપણને ન ગમતો વ્યવહાર બીજા સાથે ન કરવો', 'પ્રકૃતિનું જતન કરવું', 'આપણી સંસ્કૃતિમાં સામાજિક સમરસતા', 'સ્વદેશીનો ઉપયોગ વધારવો' અને 'પરિવાર પ્રબોધન' (બાળકો સહિત પરિવાર સાથે બેસીને સમાજ અને પરિવારની બાબતો વિશે રચનાત્મક ચર્ચા કરવી) જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઘર ઘર સંપર્ક અભિયાનમાં મહેસાણા વિભાગના શારીરિક શિક્ષણ પ્રમુખ પ્રવિણસિંહ ગોહિલ, પાટણ તાલુકા સંઘચાલક રમેશભાઈ સોની, જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ વ્યાસ અને આનંદભાઈ દેસાઈ સહિતના કાર્યકરો જોડાયા હતા.ચંદ્રુમાણા ગામના વાલ્મિકી સમાજના મીઠાભાઈ, જગદીશભાઈ અને મંગાભાઈએ તેમના સમાજ વતી કાર્યકરોને શાલ અને ખેસ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.
પાટણ શહેરના સંતોકબા હોલ ખાતે જિલ્લા સહકારી સંઘ, કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓ અને પાટણ નાગરિક સહકારી બેંક દ્વારા એક દિવસીય શૈક્ષણિક સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં સહકારી ક્ષેત્રના આધુનિક સુધારાઓ અને મંડળીઓનો વ્યાપ વધારવા અંગે તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પાટણ જિલ્લાના સહકારી આગેવાનો અને કાર્યકરોને સહકાર ક્ષેત્રના બદલાતા પ્રવાહોથી માહિતગાર કરવાનો હતો. સેમિનારમાં વહીવટી પારદર્શિતા અને કાયદાકીય જટિલતાઓ દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો. કેન્દ્રીય સહકાર મંત્રાલયના નવા સુધારાઓ મુજબ, સેવા સહકારી મંડળીઓ હવે માત્ર ધિરાણ પૂરતી મર્યાદિત નહીં રહે. તેઓ કોલ્ડ સ્ટોરેજ, ગ્રામ્ય સ્તરે મોલ, પેટ્રોલ પંપ અને વિવિધ ખાદ્ય વસ્તુઓના વેચાણ જેવા વ્યવસાયો સાથે જોડાઈ શકશે. આ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ટેકનિકલ સત્રમાં ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગના સચિવ સુનિલ ચૌધરી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્કના પૂર્વ CEO મનકોડીએ નવા નિયમો અને વહીવટી કુશળતા વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને પાટણ APMC ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ સેમિનારમાં ભાગ લીધો હતો. સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સહકારી માળખાને વધુ મજબૂત અને વ્યવસાયિક રીતે સજ્જ કરવાનો હતો.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દેવલપાડા સ્થિત માધવ આશ્રમશાળા ખાતે રવિવારે શારદાબેન શાંતિલાલ મરોલીયા કુમાર છાત્રાલય ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવન આશરે રૂ. 1 કરોડના ખર્ચે તૈયાર થયું છે. ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ તથા જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલ અને રમત રાજ્યમંત્રી ડૉ.જયરામ ગામીત આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દાતા જનકભાઈ મરોલીયા અને મરોલીયા પરિવારના હસ્તે પણ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો છે. રાજ્ય સરકારે પણ દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધા મળે તે માટે પરિણામલક્ષી કામગીરી કરી છે. તેમણે 1985થી કાર્યરત આ આશ્રમ શાળામાં સરકારની સાથે દાતાઓ દ્વારા અપાતા અનુદાન બદલ આભાર વ્યક્ત કર્યો. રાજ્યમંત્રી ડૉ.જયરામ ગામીતે કહ્યું કે, સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસની હંમેશા ચિંતા કરી છે. તેમણે વિદેશમાં રહેતા દાતાઓની પણ પ્રશંસા કરી, જેઓ અહીંના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સરકારને સહકાર આપી રહ્યા છે. નોંધનીય છે કે, આ કુમાર છાત્રાલય ભવનનું નિર્માણ સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ, નવસારી દ્વારા સેવાભાવી દાતાઓના ઉદાર દાનથી કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન દાતાઓના યોગદાનને ભાવપૂર્વક બિરદાવવામાં આવ્યું હતું અને તેમની સેવાભાવનાને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવવામાં આવી હતી. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ, ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી દેવલીમાડીના ભાવપૂર્વક દર્શન કર્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક સ્વ. ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકાભિમુખ ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ મોટી ખાવડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘ધીરુભાઈ અંબાણી ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ’નું આયોજન કરાયું હતું. આ ટૂર્નામેન્ટમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 5 થી 8 ની વિદ્યાર્થિનીઓની 12 ટીમોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવ વિદ્યાર્થિનીઓ માટે ઉત્સાહભર્યો અને સશક્તિકરણથી ભરેલો સાબિત થયો હતો. ટૂર્નામેન્ટમાં મેઘપર તાલુકા શાળાની ટીમ વિજેતા બની હતી, જ્યારે મોટી ખાવડી કન્યા શાળાની ટીમ રનર અપ રહી હતી. વિજેતા અને રનર અપ ટીમોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિલ્ડ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ગ્રામ્ય સ્તરે ક્રિકેટને પ્રોત્સાહન આપવા તેમજ દીકરીઓમાં આત્મવિશ્વાસ અને રમતગમતના ઉત્સાહને વધારવાના ઉમદા હેતુ સાથે આ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. મેઘપર ક્લસ્ટરમાંથી મેઘપર, પડાણા ગામ, પડાણા પાટિયા, જોગવડ ગામ, જોગવડ પાટિયા અને નવાણીયા એમ છ શાળાની ટીમો જોડાઈ હતી. તેવી જ રીતે, મોટી ખાવડી ક્લસ્ટરમાંથી મોટી ખાવડી, નાની ખાવડી, શાપર, ગાગવા, ગાગવા વાડી અને મુંગણી સહિતની શાળાની ટીમોએ ભાગ લીધો હતો. નોકઆઉટ ફોર્મેટમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચો યોજાઈ હતી. તમામ મેચોના અંતે મેઘપર અને મોટી ખાવડી ક્લસ્ટરની વિજેતા ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ચેમ્પિયન ટીમ નક્કી કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટ માટે ગામના શિક્ષકો અને યુવા સભ્યોએ સ્વૈચ્છિક રીતે સમય આપીને દૈનિક પ્રેક્ટિસ દરમિયાન ગર્લ્સ ક્રિકેટ ટીમને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આયોજકો દ્વારા ટૂર્નામેન્ટના સુચારુ સંચાલન માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. મેદાન પર ખેલાડીઓ માટે પ્રાથમિક સારવારની સુવિધા, ઠંડા પાણીની વ્યવસ્થા, અનુભવી અમ્પાયર અને સ્કોરર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. ઉપરાંત, તમામ 12 ટીમોની ખેલાડીઓને સ્પોર્ટ્સ શૂઝ, ખેલાડીના નામ સાથેની કસ્ટમાઇઝ્ડ ટીમ ટી-શર્ટ અને પ્રોત્સાહક મેડલ આપવામાં આવ્યા હતા. ટૂર્નામેન્ટના અંતે પ્લેયર ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, શ્રેષ્ઠ બેટર, શ્રેષ્ઠ બોલર, શ્રેષ્ઠ ફિલ્ડર, શ્રેષ્ઠ વિકેટકીપર અને શ્રેષ્ઠ ટીમને પ્રોત્સાહિત કરી ખેલાડીઓની ખેલ ભાવનાને ઉત્તેજન આપવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટ બાદ તમામ ટીમોને બેટ, બોલ અને સ્ટમ્પ ધરાવતી ટેનિસ બોલ ક્રિકેટ કિટ પણ ભેટ આપવામાં આવી હતી, જેથી ટીમો ટૂર્નામેન્ટ બાદ પણ પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી શકે. આ ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાએ રમતોત્સવનું આયોજન કરીને સ્થાનિક ખેલકૂદ સંસ્કૃતિને મજબૂત કરવાની સાથે કન્યાઓ રમતગમતમાં મહત્તમ સહભાગી બને તે માટે પરિવારજનોને પ્રોત્સાહિત કરવાનો હતો, જે સફળ રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના ૩૦ વર્ષીય યુવાન ભાવસિંગ ઉર્ફે મયુર અમુભાઈ ધાનાએ ભૂમાફિયાના માનસિક ત્રાસથી કંટાળીને ગત ૨૭ ડિસેમ્બરના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાનના પિતાએ ગામના જ અનિરુદ્ધસિંહ જખીયા નામના શખ્સ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વીડિયો વાયરલ કરી ત્રાસની વ્યથા ઠાલવી હતીઆત્મહત્યા કરનાર મયુરે જીવ ટૂંકાવતા પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે અનિરુદ્ધસિંહ જખીયા તેને સતત ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું. મૃતક મયુરના પિતા અમુભાઈ ધાનાએ જણાવ્યું હતું કે, આ શખ્સ અવારનવાર ધમકીઓ આપતો હતો. બનાવના દિવસે સાંજે 5 વાગ્યાના અરસામાં તેણે બાપ-દીકરા બંનેને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અમુભાઈ કેશોદથી પરત ઘરે પહોંચ્યા ત્યારે તેમનો દીકરો ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસની નિષ્ક્રિયતા સામે પિતાના આક્ષેપોમૃતકના પિતાનો આક્ષેપ છે કે ભૂમાફિયાના ત્રાસથી કંટાળીને તેમણે પોતે પણ ત્રણ મહિના પહેલા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ પોલીસ ફરિયાદ કરવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે તેમની ફરિયાદ નોંધવાને બદલે સામા પક્ષે તેમના દીકરા પર જ ફરિયાદ નોંધી દીધી હતી. અમુભાઈએ રોષ સાથે જણાવ્યું કે જો તે સમયે પોલીસે અમારી વાત સાંભળી હોત અને ન્યાય આપ્યો હોત, તો આજે મારો દીકરો જીવતો હોત. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારા દીકરાનો મૃતદેહ સ્વીકારીશ નહીં. આ મામલે કેશોદ એસપી બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે કાલવાણી ગામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી અમુભાઈની રજૂઆતના આધારે આરોપી અનિરુદ્ધસિંહ જખીયા વિરુદ્ધ માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ વાયરલ થયેલા વીડિયો અને અન્ય પુરાવાઓને આધારે પોલીસ હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
વડોદરા જિલ્લાના પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ(દિનુ મામા) પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે, ત્યારે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ મામલે દિનુ મામા આક્રમક મૂડમાં જોવા મળ્યા. તેઓએ જણાવ્યું હતું કે, અત્યારે વિરોધ પક્ષના નેતાઓ અને જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે કે, ડ્રગ્સ મીટાઓ, દારૂ મીટાઓ પણ ગુજરાતના કયા ગામડામાં દારૂ નથી મળતો ? પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા) એ જણાવ્યું હતું કે, અત્યારે વિપક્ષના નેતાઓ અને જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે કે, ડ્રગ્સ મીટાઓ દારૂ મિટાઓ, હું આપ સર્વેને પૂછું છું કે, ગુજરાતના કયા ગામડામાં દારૂ નથી મળતો? આ સામાજિક બદીને રોકવાની જવાબદારી માત્ર જીજ્ઞેશ મેવાણી, ગોપાલ ઈટાલિયા કે ચૈતર વસાવાની જ નથી, શું સાધુ-સંતોની જવાબદારી નથી? જો સાધુ-સંતો ધારે તો આ દૂષણને માત્ર એક મહિનામાં નિયંત્રિત કરી શકાય છે. મારી વાત કરવાની શૈલી હંમેશા આવી જ રહી છે. હું કોઈ પણ પ્રકારના તોડ-મરોડ કરેલા નિવેદનોને સ્વીકારતો નથી. આ પહેલા તાજેતરમાં જ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા) નો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓએ કહેતા જોવા મળ્યા હતા કે, હમણાં પ્રવીણસિંહભાઈએ કહ્યું કે, મુઝે પીને કા શોખ નહીં, ગમ ભુલાને કો પીતા હું. આ વાત બરોબર છે પણ જો મગજ જ બંધ થઈ જાય તો કામ કંઈ ન થાય. દારૂબંધી માટે ઋષિઓ, મુનિઓ, સંતો અને અક્ષર સ્વામી પણ ઘણું મોટું જ્ઞાન આપીને ગયા છે, પણ અહીં બેઠેલા 80 ટકા લોકો વ્યસનીઓ છે. એટલે 'મુખ મેં રામ ઔર બગલ મેં છુરી' વાળા લોકોનું ક્યારેય ભલું થતું નથી. દિનેશ પટેલ (દિનુ મામા) એ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે અપક્ષ ચૂંટણી લડીને મોરચો માંડ્યો હતો. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. આ ઉપરાંત તેઓ ભાજપ સામે અને ભાજપના ધારાસભ્ય અને નેતાઓ સામે નિવેદનો લઈને સતત ચર્ચામાં રહે છે.
ભરૂચમાં 2 અને 5 કિમી મેરેથોનનું આયોજન:435થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો, વિજેતાઓને ઇનામ અપાયા
ભરૂચના મકતમપુર ખાતે 27 ડિસેમ્બરના રોજ 2 અને 5 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રવણ વિદ્યામંદિર, હરિઓમ આશ્રમ, બટુકનાથ વ્યાસ શાળા અને જલારામ પાતરાના સહયોગથી આ દોડ યોજાઈ હતી. આ મેરેથોનમાં વિવિધ વય જૂથોના કુલ 435 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. મેરેથોન દોડનો પ્રારંભ મકતમપુર સ્થિત શ્રવણ વિદ્યામંદિરથી થયો હતો. આ દોડ બોરભાથા બેટ, નર્મદા બંગલો, દુબઈ ટેકરી, નિઝામવાડી અને ઝાડેશ્વર પંચાયત વિસ્તારમાંથી પસાર થઈ પરત શ્રવણ વિદ્યામંદિર ખાતે પૂર્ણ થઈ હતી. ગ્રુપ એકમાં ભાઈઓમાં હરેશ વસાવા પ્રથમ, કુશ વસાવા બીજા અને પિયુષ વસાવા ત્રીજા સ્થાને રહ્યા હતા. બહેનોમાં માનસી પ્રજાપતિ પ્રથમ, ઉતમવંશી સોલંકી બીજા અને પ્રિયાંશી વસાવા ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ બેમાં 103 ભાઈઓ અને 71 બહેનોએ ભાગ લીધો હતો. બહેનોમાં પ્રિશા વસાવા પ્રથમ, અંજલી સંગાડા બીજા અને તાનિયા પાટણવાડિયા ત્રીજા સ્થાને રહ્યા. ભાઈઓમાં વિકેશ સંગાડા પ્રથમ, અભી વસાવા બીજા અને સુમિત ભુરીયા ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ ત્રણમાં ભાઈઓમાં હર્ષિલ સોલંકી પ્રથમ, અર્થ રાણા બીજા અને વીર વસાવા ત્રીજા સ્થાને રહ્યા. બહેનોમાં સનાયા વસાવા પ્રથમ, માહી વસાવા બીજા અને પાવની પરમાર ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ ચારમાં કુલ 22 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. મોટા ભાઈઓમાં યોગી મહાવીર પ્રથમ, અક્ષત વસાવા બીજા અને ઇન્દ્ર ગોડ ત્રીજા સ્થાને રહ્યા. બહેનોમાં લીના બાંગડે પ્રથમ, મનીષા વસાવા બીજા અને ચેતના પવાર ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ પાંચમાં કુલ 27 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ભાઈઓમાં પ્રવિણ વસાવા પ્રથમ, દિનેશ વસાવા બીજા અને પ્રવિણ આહિર ત્રીજા સ્થાને રહ્યા. મહિલાઓમાં નરગીશ પરમાર પ્રથમ, જ્યોત્સના મોરી બીજા અને સુપ્રિયા પરમાર ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. 61 વર્ષથી ઉપરના વર્ગમાં કુલ 10 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભાઈઓમાં ભુલા વસાવા પ્રથમ, રસિક રાવલ બીજા અને બચુ પાનવાલા ત્રીજા સ્થાને રહ્યા. બહેનોમાં મંજુ પરમાર વિજેતા બન્યા હતા. કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,સેવાસદન પ્રમુખ વિભૂતિબા યાદવ,મારુતિસિંહ અટોદરીયા,હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી જીમીતભાઈ,કારમિલબેન, પંકજભાઈ,જગજીવનભાઈ,આરોગ્ય વિભાગના ડૉ. ઉન્નતિબેન અને ડૉ.સુનીલભાઈ,બટુકનાથ વ્યાસ, શાળા પ્રમુખ પિનાકી રાજપૂત તેમજ અર્જુન રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનો દ્વારા વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ભાજપ પ્રદેશ સંગઠનમાંથી નવસારીની બાદબાકી:સી.આર. પાટીલના ગઢમાંથી એક પણ કાર્યકરને નવી ટીમમાં તક નહીં
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમની નવી ટીમની જાહેરાત કરી છે. આ નવી ટીમમાં નવસારી જિલ્લાને સ્થાન ન મળતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. અગાઉની ટર્મમાં પ્રદેશ સ્તરે પ્રતિનિધિત્વ ધરાવતા નવસારીમાંથી આ વખતે એક પણ કાર્યકરને સંગઠનમાં સ્થાન મળ્યું નથી. નવસારી જિલ્લો પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ગઢ ગણાય છે. ગત ટર્મમાં નવસારીના શીતલ સોનીને પ્રદેશ સંગઠનમાં મંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ વખતે જાહેર થયેલી યાદીમાં નવસારીના એક પણ કાર્યકરનું નામ ન હોવાથી સ્થાનિક કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે. આસપાસના જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ અને તાપીમાંથી કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે, પરંતુ નવસારીને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યું છે. આ બાબત કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની છે. આ અંગે પૂર્વ પ્રદેશ મંત્રી શીતલબેન સોનીએ જણાવ્યું હતું કે, નવા પ્રદેશ પ્રમુખે તેમની રણનીતિ અને વિચારધારા મુજબ ટીમની પસંદગી કરી છે. આગામી સમયમાં ચૂંટણીલક્ષી રણનીતિ માટે નવી ટીમ ખૂબ જ જરૂરી છે. ગત ટર્મમાં મને તક મળી હતી, હવે નવા ચહેરાઓને તક મળી છે જે પક્ષના હિતમાં છે. કોઈ કાર્યકર નારાજ નથી, આ એક સંગઠન પ્રક્રિયાનો ભાગ છે. નવસારી જેવા ગઢ ગણાતા જિલ્લાની અવગણના થતા કાર્યકરોમાં આંતરિક ચર્ચાઓ તેજ બની છે.
સાપુતારામાં આંતરરાજ્ય ઘરફોડ ગેંગ ઝડપાઈ:20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે, ત્રણ આરોપી પકડાયા
સાપુતારા પોલીસે 31 ડિસેમ્બરની ડ્રાઇવ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સક્રિય આંતરરાજ્ય ઘરફોડ ચોર ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. સઘન વાહન ચેકિંગ દરમિયાન હુન્ડાઇ ક્રેટા કારમાં આવેલા શંકાસ્પદ ઇસમોને અટકાવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મહારાષ્ટ્ર તરફથી આવતી સફેદ રંગની હુન્ડાઇ ક્રેટા કાર (GJ-20-CB-2646)ને રોકવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન પોલીસને શંકા જતાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ સમયે એક ઇસમ પાસેથી ઘરફોડ માટે વપરાતું લોખંડનું ગણેશીયું મળી આવ્યું હતું. પોલીસની કાર્યવાહી દરમિયાન કાર ચાલક અને અન્ય બે ઇસમો વાહન લઈને ભાગી ગયા હતા. પોલીસે તાત્કાલિક પીછો કરીને માલેગામ નજીક કાર મૂકીને જંગલમાં ભાગેલા આરોપીઓમાંથી એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ. 20,36,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં રૂ. 5,13,180 રોકડ, બે ચાંદીની ચેન, એક જોડ ચાંદીના સાંકળા, હુન્ડાઇ ક્રેટા કાર, ત્રણ મોબાઇલ ફોન અને લોક તોડવાના સાધનોનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અકલુજ તાલુકામાં આવેલી એક કન્સ્ટ્રકશન ઓફિસમાં ઘરફોડ ચોરી કરી હતી. આ અંગે અકલુજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. પકડાયેલા આરોપીઓમાં અનિલભાઇ રેવાભાઇ ભાભોર, વકીલ તેરસિંગ ભાભોર અને મિથુનભાઇ મનુભાઇ ભાભોરનો સમાવેશ થાય છે. કમલેશભાઇ દિપાભાઇ ભાભોર અને કાંતી તેરસિંગ ભાભોરને વોન્ટેડ જાહેર કરાયા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગેંગના સભ્યો સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સાપુતારા પોલીસ સ્ટાફ દ્વારા તત્પરતા, સતર્કતા અને સંકલિત કાર્યવાહી દાખવીને આંતરરાજ્ય ચોર ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં માત્ર સિગરેટના પૈસા માંગવા જેવી નજીવી બાબતે જય અંબે ફાસ્ટ ફૂડની દુકાનમાં વિવાદ સર્જાયો હતો, જેમાં દુકાનદાર અને ગ્રાહક વચ્ચે સામસામે મારામારી થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ભાઈપુરાની વિશ્વાસ પાર્ક સોસાયટી પાસે થયેલા આ ઝઘડામાં દુકાનદારનો આક્ષેપ છે કે, મોન્ટુ કોસ્ટી નામના શખ્સે પૈસા માંગતા ઉશ્કેરાઈને તેમને લાફા માર્યા હતા અને પોલીસની હાજરીમાં તેમની દીકરી પર પણ હુમલો કર્યો હતો. સામા પક્ષે મોન્ટુએ વળતો આક્ષેપ કર્યો છે કે, દુકાનદારે ગાળો બોલી તેની સાથે ઝપાઝપી કરી હતી અને તેમની પત્નીએ ચપ્પુ વડે હુમલો કરતા તેને દાઢીના ભાગે ઈજા થઈ હતી. હાલ ખોખરા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની હાજરીમાં મોન્ટુએ દીકરી ઉપર હુમલો કર્યોખોખરાના ભાઈપુરા વિસ્તારમાં આવેલા વિશ્વાસ પાર્ક સોસાયટી પાસે જય અંબે ફાસ્ટ ફૂડની દુકાનમાં મોન્ટુ કોસ્ટી અને તેના બે મિત્રોએ શનિવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ આવીને દુકાન પર સિગરેટ માંગી હતી અને મસ્કાબનનો ઓર્ડર આપ્યો હતો. મોન્ટુ પાસે સિગરેટ ના રૂપિયા માંગતા તેણે કહ્યું કે, તું હમારે પાસ પૈસા માંગેગા? તેમ કહી એકદમથી ઉશ્કેરાઈને ગંદી બિભસ્ત ગાળો બોલી અને દુકાનદારને મોઢા ઉપર ત્રણ ચાર લાફા મારી દીધા હતા. આટલેથી ન અટકાઈ પોલીસની હાજરીમાં પણ મોન્ટુએ રાજેશભાઈની દીકરી ઉપર પણ હુમલો કર્યો હતો. બાદમાં પોલીસ મોન્ટુ તેના સાથે રાહુલ અને અન્ય સાગરીતોને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં પોલીસે રાજેશભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દુકાનદારની પત્નીએ ગાળો બોલી ચપ્પુ વડે હુમલો કર્યોઆ બનાવના સંદર્ભે સામે મોન્ટુએ પણ દુકાન માલિક રાજેશભાઈ સામે FIR દાખલ કરાવી છે. જેમાં ફરિયાદ અનુસાર લખાવ્યું છે કે, મેં તેમની દુકાન પર જઈને સિગરેટ અને મસ્કાબનનો ઓર્ડર આપ્યો હતો. ત્યાં રાજેશભાઈએ સિગરેટના રૂપિયા માંગતા મેં કહ્યું હતું કે, હજી તો હું ઉભો છું જતો નથી રહેવાનો પૈસા આપું છું. આવું કહેતા રાજેશ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગંદી ગાળો બોલીને ઝપાઝપી કરીને લાતો અને ફેટો મારી હતી. આ દરમિયાન તેમની પત્ની વચ્ચે આવી ગઈ હતી અને તે પણ ગંદી ગાળો બોલવા લાગી હતી. તેમની પત્નીએ રાજેશભાઈનું ઉપરાણું લઈને મને ગંદી ગાળો બોલી હતી અને મને ચપ્પુ કાઢીને મારવા જતા અમે હાથ ઊંચો કરીને બચાવ કર્યો હતો. જોકે દાઢીના ભાગે થોડો ઘસારો વાગી જતા આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા અને વચ્ચે પડીને મને છોડાવ્યો હતો. હાલમાં પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદના મિલેટ્રી રોડ પર પિકઅપ ગાડી પલટી:બોલેરો પિકઅપ પલટી, 23થી વધુ લોકો ઈજાગ્રસ્ત
બોટાદ શહેરના મિલેટ્રી રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરેલી બોલેરો પિકઅપ ગાડીનાસંતુલન ગુમાવી પલટી જતાં ઘટનાસ્થળે જ 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં 23થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. વાડીએ જમવા જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યોમળતી વિગતો અનુસાર, બોલેરો પિકઅપ ગાડીમાં કુલ 26થી 28 લોકો સવાર હતા. આ તમામ લોકો શહેરના હરણકુઈ વિસ્તારના એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના સભ્યો વાડીએ જમવાના પ્રોગ્રામ માટે જઈ રહ્યા હતા ત્યારે મિલેટ્રી રોડ પર ડ્રાઈવરે ગાડી પરનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.
ગાંધીનગર શહેર અને જિલ્લાના વિવિધ રાજપૂત સંગઠનોના સંયુક્ત ઉપક્રમે આજે રવિવારના રોજ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત શ્રી રાજપૂત સમાજ ભવન ખાતે યોજાશે. સમાજના ઉત્કર્ષ અને સંગઠનને મજબૂત કરવાના આશય સાથે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના અનેક દિગ્ગજ મહાનુભાવો હાજરી આપશે. શંકરસિંહ વાઘેલા સહિતના રાજકીય આગેવાનો હાજર રહેશેઆ સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર રહેશે.જ્યારે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂત, વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સમાજને માર્ગદર્શન પૂરું પાડશે.આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે વિવિધ રાજપૂત મંડળોના પ્રમુખો, આઈઆરએસ અને આઈએએસ અધિકારીઓ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ હાજર રહેશે. શ્રી રાજપૂત સમાજ ગાંધીનગર, રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, સમસ્ત રાજપૂત મહિલા સેવા ટ્રસ્ટ અને યુવા વિકાસ પરિષદ ગાંધીનગરના સંયુક્ત આયોજન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં સામાજિક વિકાસ માટે ચર્ચાઓ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે તમામ આમંત્રિતો માટે સ્વરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેના દાતા બલરામસિંહજી ભવાનસિંહજી ચાવડા છે.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ અમદાવાદ દ્વારા આજે 28 ડિસેમ્બરના રોજ નિકોલ ખાતે આવેલા ખોડલધામ ગ્રાઉન્ડમાં સમસ્ત લેઉવા પટેલ સમાજ અમદાવાદનું મહા સંમેલન અને નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ લેઉવા પટેલ સમાજના મંત્રીઓ સન્માન સમારોહ યોજાશે. મહાસંમેલન અને સન્માન સમારોહની સાથે મા ખોડલ - મા અન્નપૂર્ણાની ભવ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજ અમદાવાદના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ અને કૌશિક વેકરીયા ઉપસ્થિત રહેશે. મહાસંમેલનમાં 25000 લોકો ઉપસ્થિત રહેશેલેઉવા પટેલ સમાજ અમદાવાદ દ્વારા નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા સમસ્ત લેઉવા પટેલ સમાજના મહાસંમેલન કાર્યક્રમમાં અમદાવાદમાં રહેતા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત કુલ 25000 જેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે. લેઉવા પટેલ સમાજનો ખૂબ મોટો વર્ગ શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારમાં રહેલો છે. આગામી સમયમાં રાજકારણ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અમદાવાદના સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનું યોગદાન વધે તેને લઈને શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. કયા મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહેશે
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા અંદાજિત 2 વર્ષ પહેલાં શહેરમાં આવેલ બોરતળાવ અને સીદસરને જોડતો 2 કિ.મી. લાંબો આઈકોનીક બ્રિજ અંદાજે રૂા.100 કરોડના ખર્ચે સાકાર થવાની વાતો હતી. પરંતુ આજદિન સુધી આ પ્રોજેકટ માત્ર કાગળ ઉપર છે અને જો આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હોત તો સીદસર અને આજુબાજુના 20થી વધુ ગામોના લોકોના પરિવહન ને લાભ મળત પરંતુ આ પ્રોજેકટ માત્ર કાગળ પરજ રહેતા શાસક અને વિપક્ષ એકબીજાને પ્રહારો કરી રહ્યા છે. 100 કરોડના ખર્ચે બનનારો આઈકોનિક બ્રિજ કાગળ પર ભાવનગર શહેરમાં હાલ સુવિધાથી સજ્જ ધજ્જ કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા તેમજ પાલિકાના શાસકપક્ષ દ્વારા રોડરસ્તા,પાણી,ડ્રેનેજ જેવા વિકાસના કામો ચાલી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે બે વર્ષ પૂર્વ ઇસ્કોનથી બોરતળાવ સીદસર સુધી આઇકોનીક ઓવરબ્રિજ બનાવવા માટે શાસકપક્ષ દ્વારા આર્કિટેક પાસે આ આઇકોનીક બ્રિજ માટે સ્કેચ તૈયાર કરવા માટે રોકવામાં આવેલ જેમાં મોટી રકમ આ બાબતે ચુકવવામાં આવેલ તેમ છતાં આજદિન સુધી આ બ્રિજ માત્ર કાગળ પર જ રહેતા પાલિકાના વિરોધપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ શાસકપક્ષ દ્વારા આ બ્રિજ બાબતે નમતું જોખી અને આ બ્રિજ માટે થોડી નાની મોટી મુશ્કેલીઓ જે આવી રહી છે તેને દૂર કરવા માટે પ્રયાસો હાલ ચાલી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે આ બ્રિજ જો તૈયાર થઈ ગયો હોત તો ભાવનગરના આજુબાજુના ઘણાખરા ગામોને આ બ્રિજનો સીધો લાભ મળત. માત્ર ડીપીઆર તૈયાર કરી કન્સલ્ટન્ટને ફી ચૂકવાય છે, કામ થતું નથી- જયદીપસિંહ ગોહિલઆ અંગે મહાનગરપાલિકાના વિપક્ષ કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકામાં બે વર્ષ પહેલા બોરતળાવની અંદર ઇસ્કોન થી સીદસર સુધીનો પુલ બનાવવાની વાત હતી, જેમાં કન્સલ્ટ નિમ્યા. કન્સલ્ટને ફી વસુલ કરાવવવાની એટલે ખરેખર જે વસ્તુ કરવાની છે એ વસ્તુ કરતા નથી, છતાં તેને ઇસ્કોન થી સીદસર સુધી રોડ બનાવવાનું સૂજે છે. ખરેખર થાય તો અમે વિપક્ષ તરીકે એને વધાવશું, પણ આવા ડીપીઆર તૈયાર કરાવીને કન્સલ્ટને મોટી મોટી ફી ચૂકવાઈ છે. અમે સામાન્ય સભામાં કહ્યું કે કન્સલ્ટને ચૂકવવા માટે આ લોકો કંઈ પણ કરી શકે અને આ લોકો કાલ સવારે તખ્તેશ્વર થી સીધાજ ચંદ્રમાં જવાનો ડીપીઆર તૈયાર કરાવશે. કામ કરવું નથી, માત્ર ડીપીઆર તૈયાર કરાવી કન્સલ્ટને મોટી ફી ચુકવવામાં આવે છે. આ બોરતળાવની અંદર પુલ બનાવવાનો છે, પણ મારું એવું માનવું છે કે બોરતળાવની અંદર પ્રથમ બાંધકામની પરમિશન જ ન મળે. ખરેખર આવી પ્રાથમિકતા બધી પૂરી કરી ત્યારબાદ આવા ફતવા અને આયોજન કરવાની જરૂર છે. ન કરવાના કામ ખોટી વાહ વાહ, ચૂંટણી આવે એટલે ભાવનગરના શહેરીજનોને આવી ચોકલેટો આપશે, પછી ક્યારે ક્યાં પૂલ જશે, ક્યાં ભૂલ થશે એ ખબર નથી. એટલે હું નથી માનતો કે ભાવનગર મહાનગરપાલિકા 100 થી 150 કરોડ રૂપિયા ખર્ચી આવા પુલ બનાવી શકે. પગારના ફાફા છે, ક્યાંથી પૈસા કાઢશે. માત્ર વાતો કરી કન્સલ્ટને ચૂકવવાના અને આ ચૂંટણી લક્ષી જાહેરાત હમણાં આવશે એટલે કરશે, એવું ચોક્કસ અમારું માનવું છે. શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન?આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશ રાબડીયાએ જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર બોરતળાવ એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દેન છે.આ બોરતળાવ વિસ્તારમાં જે જૂનું બોરતળાવથી સીદસર ગામનો કેડો હતો, એના ઉપર આઇકોનિક બ્રિજ બનાવવા માટે અમે છેલ્લા બે વર્ષથી મથામણ કરી રહ્યા છીએ. આની અંદર આર્કિટેક રાખીને એનો કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવેલો હતો. તે કોન્સેપ્ટની અંદર મોટાભાગે બોર તળાવમાં પાણીનો પ્રવાહ છે, એ કેનાલ સ્વરૂપે રહે અને વધારાના ભાગનું પોસન છે, એ પુરાતો હોય એવું અમને લાગ્યું. એટલે એ કોન્સેપ્ટની અમે ના પાડી છે. આખો બ્રિજ બને એના માટેનો નવો કોન્સેપ્ટ કરાવવા માટેની અત્યારે કાર્યવાહી શરૂ છે. આગામી દિવસોમાં નવો કોન્સેપ્ટ સિલેક્શન કરી અને બોર તળાવના પાણીને ક્યાંય પણ અવરોધ ન થાય એ માટેની તૈયારીઓ થઈ રહી છે. આના માટેના જરૂરી NOC લેવાના હોય છે. એની પ્રોસેસ એકવાર કરી ચૂક્યા છીએ અને એમાં પર્યાવરણનું NOC લેવાનું હોય. આ NOC માટે થઈને આગળની ગતિવિધિ શરૂ છે અને આ બ્રિજથી આજુબાજુના 20 ગામડાઓને ફાયદો થવાનો છે. અને અમારો મક્કમ નિર્ધાર છે. આ બ્રિજ અમારે બનાવવો છે, પરંતુ ટેકનિકલ જે પ્રોસેસ કરવાની છે તે પ્રગતિમાં છે અને આગામી દિવસોમાં આ પુલ કરવામાં આવશે. અને અમે બ્રિજ માટે કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છીએ. એની માટે અલગથી રાજ્ય સરકારમાં બજેટની માંગણી કરી ચૂક્યા છીએ. પરંતુ કોન્સેપ્ટ તૈયાર થયા પછી આખી ડિઝાઇન બને અને ડીપીઆર બને પછી એનું બજેટ નક્કી કરી શકીએ. અગાઉ જે કન્સલ્ટ ફી ચૂકવવામાં આવી છે તે અંગે જણાવ્યું હતું કે કન્સલ્ટસી ફી ચૂકવવાનું જે કોન્સેપ્ટ તૈયાર કર્યો હોય એની ફી કાયમ માટે કોઈના કોઈ પ્રોજેક્ટ માટે કરવાની થતી હોય છે. ત્યારે જે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેની કોસ્ટ હોય, તેની ચુકવણી કરી હશે, પણ મને ખ્યાલ નથી. એ નીચેના વિભાગથી ચૂકવતી હોય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે લીંબડી ખાતે રૂ. 6.11 કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. ડેપો અને વર્કશોપનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ તકતીનું અનાવરણ કરીને વિકાસકાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ભૌગોલિક દ્રષ્ટિએ લીંબડી સૌરાષ્ટ્રનું અતિ મહત્વનું કેન્દ્ર અને પ્રવેશદ્વાર છે. આ અત્યાધુનિક વર્કશોપ 100 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ સુસજ્જ વર્કશોપ ન હોવાથી, આ વિસ્તારની બસોના મેઈન્ટેનન્સ અને જાળવણી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરતા કહ્યું કે, સમયસર ખાતમુહૂર્ત અને સમયસર લોકાર્પણ એ જ સરકારની કાર્યપદ્ધતિ છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એસ.ટી. નિગમનો કાયાકલ્પ થઈ રહ્યો છે. ખાસ કરીને અભ્યાસ અર્થે આવ-ગમન કરતી દીકરીઓ અને વિદ્યાર્થીઓને ફ્રી પાસની સુવિધા આપી સરકાર તેમના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી રહી છે. જૂની બસોના સ્થાને આજે રાજ્યમાં અત્યાધુનિક વોલ્વો બસો દોડી રહી છે, જે મુસાફરોની સુવિધા અને સલામતીમાં નોંધપાત્ર વધારો કરે છે. લીંબડીના ભૌગોલિક મહત્વ અંગે વાત કરતા સાંસદ ચંદુ શિહોરાએ જણાવ્યું હતું કે, લીંબડી નેશનલ હાઈવે પર સ્થિત 'સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર' હોવાથી અહીં વાહનવ્યવહારની સતત ભારે અવરજવર રહે છે. આ વિસ્તારની જરૂરિયાતોને સમજીને આ અત્યાધુનિક વર્કશોપનું નિર્માણ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં મુસાફરોની સુખાકારીમાં વધારો કરશે અને એસ.ટી. નિગમની કાર્યક્ષમતા માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને અઢળક ગ્રાન્ટ ફાળવીને રાજ્ય સરકાર વિકાસકાર્યોને નવી ગતિ આપી રહી છે. વધુમાં તેમણે રાજ્ય સરકારની ત્વરિત કાર્યપદ્ધતિની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં એક એવી નવી પ્રણાલી સ્થાપિત કરી છે કે જેમાં જે વિકાસકામનું ખાતમુહૂર્ત થાય છે, તેનું લોકાર્પણ પણ નિર્ધારિત સમયમર્યાદામાં જ પૂર્ણ કરવામાં આવે છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ત્વરિત નિર્ણયશક્તિને કારણે વિકાસકાર્યો ખૂબ જ ઝડપથી સાકાર થઈ રહ્યા છે, જેનો સીધો લાભ સામાન્ય જનતાને મળી રહ્યો છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સરકારની વિકાસલક્ષી નીતિઓની સરાહના કરતા જણાવ્યું હતું કે, અગાઉ નગરપાલિકાઓ આર્થિક તંગી અનુભવતી હતી, પરંતુ આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને અઢળક ગ્રાન્ટ ફાળવી વિકાસકાર્યોને નવી ગતિ આપવામાં આવી રહી છે. લીંબડીના વિકાસ માટે કરાયેલી રજૂઆતોનો હકારાત્મક પ્રતિસાદ મળતા જ આજે અહીં તમામ સુવિધાઓથી સજ્જ અદ્યતન બસ સ્ટેન્ડ અને વર્કશોપ સાકાર થઈ રહ્યા છે. માત્ર ગ્રાન્ટ મંજૂર કરવાના બદલે સમયમર્યાદામાં ખાતમૂહૂર્તથી લોકાર્પણ સુધીની કાર્યપદ્ધતિમાં સરકાર વિશ્વાસ ધરાવે છે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ વિભાગીય નિયામક એચ.એસ. જોષી દ્વારા શાબ્દિક સ્વાગત તેમજ લીંબડી ડેપો મેનેજર મનોજકુમાર મહંત દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. લીંબડી ડેપોના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મિશનના સ્વામી પ્રફુલકુમાર સ્વામી, પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, અગ્રણી હરપાલસિંહ રાણા, શંકરભાઈ દલવાડી સહિતના જિલ્લા- તાલુકા પંચાયતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતના અધિકારીઓ તેમજ વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. લીંબડી ડેપો વર્કશોપ: નવિન સુવિધાજનક બાંધકામની રૂપરેખારાજ્ય સરકાર તરફથી નિગમને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી રાજકોટ એસ.ટી. વિભાગના લીંબડી મુકામે બાંધવામાં આવનાર આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવિન ડેપો વર્કશોપમાં 35005.00 ચોરસ મીટર કુલ જમીન વિસ્તારમાં 6.11 કરોડ રૂપિયાની કુલ આખરી અંદાજિત કિંમતે વિવિધ સગવડતાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં 1368.98 ચોરસ મીટરના બાંધકામ વિસ્તારમાં 20.63 ચોરસ મીટરની ડેપો મેનેજર ઓફિસ, 27.0000 ચોરસ મીટરનો એડમીન રૂમ, 26.04 ચોરસ મીટરનો ટાયર રૂમ, 26.04 ચોરસ મીટરનો બેટરી રૂમ, 52.74 ચોરસ મીટરનો સ્ટોર રૂમ, 25.02 ચોરસ મીટરનો ઓઈલ રૂમ, 20.09 ચોરસ મીટરનો ઈલેક્ટ્રીક રૂમ, મેઈન્ટેનન્સ માટે 2 નંગ લોન્ગ પીટ તથા 1 નંગ યુ પીટ, 8.06 ચોરસ મીટરનો વોટર રૂમ અને સરક્યુલેશન વિસ્તારમાં 4830.85 ચોરસ મીટરનું સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ કરવામાં આવશે, તેમજ પ્રથમ માળ પર 52.74 ચોરસ મીટરનો વર્કર રૂમ, 18.66 ચોરસ મીટરનો રેકોર્ડ રૂમ, 18.88 ચોરસ મીટરનો લેડીઝ રેસ્ટ રૂમ અને 17.93 ચોરસ મીટરનો ડિસ્પેન્સરી રૂમ બનાવવામાં આવશે.
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ‘સોફ્ટ કમ્પ્યુટિંગ એન્ડ ઇટ્સ એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ’ વિષય પર 7મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ (icSoftComp2025) હનોઈ, વિયેતનામમાં યોજાઈ હતી. આ કોન્ફરન્સ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સંશોધકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને તેમના સંશોધન, જ્ઞાન, નવા વિચારો અને નવીનતાઓ રજૂ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડે છે. icSoftComp2025 ને સ્પ્રિંજર, યુ.એસ.એ. દ્વારા ટેકનિકલી સ્પોન્સર કરવામાં આવી હતી અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) દ્વારા ફાઈનાન્સિયલી કો-સ્પોન્સર કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં 43 દેશોના સંશોધકોએ 12 ટેકનિકલ સેશનમાં તેમના 114 સંશોધન પેપર્સ રજૂ કર્યા હતા. તેમાંથી પસંદ કરાયેલા અને રજૂ કરાયેલા સંશોધન પેપર્સ સ્પ્રિંજર, યુ.એસ.એ. દ્વારા તેમની પ્રતિષ્ઠિત કોમ્યુનિકેશન્સ ઈન કમ્પ્યુટર એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (CCIS) સીરીઝ, ISSN: 1865-0929 માં પ્રોસીડીંગ્સ તરીકે પ્રકાશિત કરવામાં આવશે. 354 થી વધુ પ્રતિનિધિઓ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સના જનરલ ચેર તરીકે ડૉ. અતુલ પટેલ (પ્રોવોસ્ટ, ચારુસેટ, ચાંગા), ડૉ. ડી. કે. પ્રતિહાર (IIT ખડગપુર, ભારત) અને ડૉ. પવન લિંગરાસ (પ્રોફેસર, સેન્ટ મેરી યુનિવર્સિટી, કેનેડા) હતા. ડૉ. કે. કે. પટેલ (ચારુસેટ, ચાંગા) આ કોન્ફરન્સના TPC ચેર હતા. ડૉ. આશિષ ઘોષ (ISI, કોલકત્તા, ભારત), ડૉ. કે. સી. સંતોષ (યુનિવર્સિટી ઓફ સાઉથ ડાકોટા, યુ.એસ.એ.), ડૉ. ગાયત્રી ડોક્ટર (CEPT યુનિવર્સિટી, અમદાવાદ), ડૉ. ગેબ્રિયલ ગોમ્સ ડી ઓલિવેરા (યુનિવર્સિટી ઓફ કેમ્પિનાસ, બ્રાઝિલ) અને ડૉ. આશિષ જલોટે પરમાર (NTNU, નોર્વે) આ કોન્ફરન્સના કો-ચેર્સ હતા. icSoftComp2025 માં અગ્રણી સંશોધકો અને ઉદ્યોગના નેતાઓના ઉચ્ચ ગુણવત્તાવાળા વિશેષ સત્રો, ત્રણ કી-નોટ લેકચર અને છ નિષ્ણાત વાર્તાલાપ યોજાયા હતા. મુખ્ય વક્તા ડૉ. હોંગ ન્હુંગ ન્ગુયેન (ગાચોન યુનિવર્સિટી, સિઓલ, દક્ષિણ કોરિયા) હતા. જ્યારે ડૉ. એડગર વેઈપલ (યુનિવર્સિટી ઓફ વિયેના, વિયેના, ઑસ્ટ્રિયા), ડૉ. માર્કો ડોરિગો (યુનિવર્સિટી લિબ્રે ડી બ્રુક્સેલ્સ, બ્રસેલ્સ, બેલ્જિયમ), ડૉ. અહમદ બાઝી (ન્યૂ યોર્ક યુનિવર્સિટી અબુ ધાબી, યુએઈ), ડૉ. તાતીઆના કાલગાનોવા (બ્રુનેલ યુનિવર્સિટી ઓફ લંડન, યુકે), ડૉ. ઉન્નતી શાહ (યુટિકા યુનિવર્સિટી, યુટિકા, એનવાય, યુએસએ), અને ડૉ. ડોનાટેલા ફિરમાની (સેપિએન્ઝા યુનિવર્સિટી ઓફ રોમ, ઇટાલી) દ્વારા નિષ્ણાત વાર્તાલાપ આપવામાં આવ્યા હતા.
વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અટકવાનું નામ લઈ રહ્યો નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આજે ફરી એકવાર ખોડિયાર નગર વિસ્તારમાં રખડતી ગાયે બે યુવકને અડફેટે લીધા હતા. જેમાંથી એક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં નાશભાગ મચી ગઈ હતી. વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલ પંચમ ઇલાઇટ ફ્લેટ પાસે રખડતી ઢોરે અચાનક તોફાન મચાવ્યું હતું. ગાયે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે નિર્દોષ નાગરિકોને અડફેટે લીધા હતા, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાયની અડફેટે આવતા બંને વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ભોગ બનેલા બે વ્યક્તિઓ પૈકી એકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. વધુ ઇજાગ્રસ્ત વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆતો છતાં કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળતા મળી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સામાજિક કાર્યકર અતુલ ગા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં રખડતી ગાયોના ત્રાસને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં રસ્તાઓ પર ગાયોનો ખતરો યથાવત છે. આજે ખોડિયાર નગર ચાર રસ્તા પાસે આવેલ પંચમ ઇલિઈટ પાસે એક ગાયની અડફેટે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પશુપાલકો ગાયોને રસ્તા પર રઝળતી મૂકી દે છે, જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે. મારી પશુપાલકોને વિનંતી કરી છે કે, જ્યારે ગાયોને બહાર કાઢવામાં આવે ત્યારે તેમની સાથે રહેવું જોઈએ. વડોદરા મહાનગરપાલિકાને પણ કડક કામગીરી કરવી જોઈએ અને રખડતા પશુઓને ડબ્બે પૂરી ટેગિંગ કરવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકો સુરક્ષિત રહી શકે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જેને કારણે અવારનવાર રખડતા ઢોરને કારણે લોકોના મોત પણ થાય છે, જોકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા વડોદરા વાસીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
દિવ્ય ભાસ્કર દ્વારા બનાસકાંઠા અને થરાદ-વાવ જિલ્લાના પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેનારા સરપંચોના સન્માન માટે પાલનપુર ખાતે 'દિવ્ય સરપંચ એવોર્ડ - 2025' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના એવા સરપંચોને નવાજવામાં આવ્યા જેમણે પંચાયતી રાજના માધ્યમથી ગામડાઓના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. કાર્યક્રમની શરૂઆતમાં દિવ્ય ભાસ્કર ગુજરાતના હેડ હિતેશ મોઢે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, દિવ્ય ભાસ્કર છેલ્લા 23 વર્ષથી લોકોની મરજીનું અખબાર બનીને ઉભર્યું છે. દૈનિક ભાસ્કર ગ્રુપ આજે 12 રાજ્યોમાં 55 લાખથી વધુ સર્ક્યુલેશન સાથે સત્ય અને સારી બાબતોને લોકો સમક્ષ લાવવાની મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. દિવ્ય ભાસ્કરના 'દિવ્ય સરપંચ એવોર્ડ' કાર્યક્રમમાં ઉપસ્થિત વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વાહનવ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ સરપંચોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સરપંચ એ ગામનો 'વડાપ્રધાન' છે અને તેમની જવાબદારી અત્યંત ગંભીર હોય છે. તેમણે આહવાન કર્યું હતું કે, સરપંચોએ કોઈપણ જાતના જાતિવાદ વગર તમામ ગ્રામજનોને સમાન ગણીને કાર્ય કરવું જોઈએ. મંત્રીએ ખાસ ભાર મૂક્યો હતો કે, ગામમાં વ્યક્તિગત કામો કરવાને બદલે સામે ચાલીને જનકલ્યાણના કામો કરવા જોઈએ. વિશેષ કરીને વૃદ્ધોની દરકાર લેવી અને વિધવા બહેનોને પેન્શન જેવી યોજનાઓનો લાભ અપાવવો એ સરપંચની નૈતિક જવાબદારી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ગામની સુવિધાઓ અને વંચિત વિસ્તારોની માહિતી મેળવીને સપનાનું ગામ સાકાર કરવા તેમણે સરપંચોને અનુરોધ કર્યો હતો. વધુમાં મંત્રીએ ગામને ભવિષ્યમાં આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે એક નવતર વિચાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, બધા સરપંચોએ ફોરેસ્ટ વિભાગનનો સંપર્ક કરી તંત્રના સહયોગથી પંચાયતની જમીન પર 20 થી 25 વર્ષના લાંબા ગાળાના આયોજન સાથે વૃક્ષોનો ઉછેર કરે, તો ભવિષ્યમાં તેના વેચાણની આવકમાંથી ગામના વિકાસકામો થઈ શકશે અને સરકારની ગ્રાન્ટ પર નિર્ભર નહીં રહેવું પડે. આ સંદર્ભે તેમણે દાંતા તાલુકાના એક ગામનું ઉદાહરણ આપ્યું હતું જ્યાં નીલગીરીના વાવેતરની આવકથી ગામનો વિકાસ થયો હતો. આ ઉપરાંત, ગ્રામજનોના આર્થિક ભારણને ઘટાડવા માટે દર વર્ષે 10 ગામોમાં 'અટલવાડી' (સામુહિક પ્રસંગ વાડી) બનાવવાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, લગ્ન પ્રસંગોમાં મંડપ પાછળ થતા મોટા ખર્ચને રોકવા આ એક મજબૂત વિકલ્પ બનશે. અંતમાં તેમણે આગામી પેઢીનું વિચારીને સંવેદનશીલતા સાથે ભગવાનની સેવા સમજી જનસેવા કરવા તમામ સરપંચોને પ્રેરણા આપી હતી. એડિશનલ કલેક્ટર ડી. બી. ટાંકે સરપંચોની કામગીરીને બિરદાવતા કહ્યું કે, ગ્રામ્ય સ્તરે સરકારની તમામ યોજનાઓ જેવી કે 'સ્વચ્છતા ઝુંબેશ' અને 'બેટી બચાવો, બેટી પઢાવો'ના અમલીકરણની મુખ્ય જવાબદારી સરપંચની છે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સરકારી યોજનાઓમાં થયેલા સુધારાઓ વિશે માર્ગદર્શન આપી સ્વચ્છતા પર ભાર મૂકવા વિનંતી કરી હતી. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, 2047ના વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગ્રામ પંચાયત એ પ્રથમ સોપાન છે. સરપંચોમાં જાગૃતિ આવે અને તેઓ વધુ ઉત્સાહથી કામ કરે તે માટે દિવ્ય ભાસ્કરનો આ પ્રયાસ પ્રશંસનીય છે. પંચાયતી રાજનો મુખ્ય હેતુ લોકો દ્વારા, લોકો માટેની સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન સરપંચોએ પોતાના સંવાદમાં ગામડાઓમાં કરેલા વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ, આધુનિક સુવિધા યુક્ત લાયબ્રેરીઓ, સોલર, નળ સે જળ યોજના, ગરીબોને આપેલા આવાસો, ગામમાં કરેલ ડિજિટલ સેવાઓ, સોલર સ્ટ્રીટ લાઈટો, નવી માધ્યમિક શાળાઓની મંજૂરી, નવા રોડ, સરકારી કોલેજની મંજૂરી, નર્મદાના પાણીથી કેનાલો ભરવાનું, આધુનિક પંચાયતોની મજૂરી, અંડર ગ્રાઉન્ડ લાઈટ, ખેતીમાં ડામરના રસ્તાઓની બનાવટ, જળ સંચયના જેવા ઘણાં વિકાસ કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ કાર્યક્રમે અન્ય સરપંચો માટે પણ પ્રેરણાસ્ત્રોત પૂરો પાડ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી પ્રવિણ માળી, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, એડિશનલ કલેક્ટર ડી. બી ટાંક, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શેખ સાહેબ, દિવ્ય ભાસ્કર ગુજરાતના હેડ હિતેશ મોઢ, દિયોદરના આગવી ગજેન્દ્ર વાઘેલા, તલાટીઓ, સરપંચો અને તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશનો આજે બીજો દિવસ છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના 1419 મતદાન મથકો પર 1419 બૂથ લેવલ ઓફિસર (BLO) સવારે 10 વાગ્યાથી મતદારોની મદદ માટે હાજર રહ્યા હતા. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ પણ આગિયોલ ગામના બૂથની મુલાકાત લીધી હતી. આ ઝુંબેશમાં મતદારોના નામ કમી કરવા, નવા નામ ઉમેરવા અને મતદારની અન્ય વિગતો સુધારવાની કામગીરી ચાલી રહી છે. ખાસ ઝુંબેશના પ્રથમ દિવસે, શનિવારે, કુલ 3428 મતદારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. ચૂંટણી વિભાગ દ્વારા જિલ્લામાં ડિસેમ્બર 2025માં 27મી શનિવાર અને 28મી રવિવારે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી આ ખાસ ઝુંબેશ ચાલુ રહેશે. આ ઉપરાંત, જાન્યુઆરી 2026માં 3જી શનિવાર અને 4થી રવિવારે પણ આવી જ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવશે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સ્થાનિક ભાજપના અગ્રણીઓ સાથે આગિયોલ ગામે પ્રાથમિક શાળામાં આવેલા ત્રણ બૂથની મુલાકાત લીધી હતી. તેમણે ચાલી રહેલી કામગીરી અંગે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન, ઘણા મતદારો SIR (સર્વે) બાદ પોતાના નામ યાદીમાં છે કે નહીં તે જોવા આવ્યા હતા, તેમજ નવા મતદારો પણ નામ નોંધાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં યુવકના આપઘાત કેસમાં સ્યૂસાઇટ નોટ મળી:માળીયા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત ત્રણ સામે ફરિયાદ
મોરબીમાં એક યુવકના આપઘાત કેસમાં સ્યૂસાઇટ નોટ મળી આવી છે. આ નોટના આધારે માળીયા (મી) તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. મૂળ મોરબીના લક્ષ્મીનગર ગામના અને હાલ ઉમા ટાઉનશિપમાં રહેતા હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા (49)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમણે આશિષભાઈ રમેશભાઈ પાડલીયા, હિતેશભાઈ વાસુદેવભાઈ દસાડીયા અને કમલેશભાઈ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાને હાથ ઉછીના રૂ.1.26 લાખ આપ્યા હતા. આ રૂપિયા આરોપીઓ પરત આપતા ન હોવાથી હર્ષદભાઈએ આ બાબતે તેમના સાળા વિપુલભાઈ વિડજા સાથે વાત કરી હતી. ત્યારબાદ હર્ષદભાઈ અને વિપુલભાઈએ આરોપીઓ પાસેથી રૂપિયા પરત માંગ્યા હતા. રૂપિયાની માંગણી આરોપીઓને પસંદ ન આવતા, તેમણે પૈસા પરત ન આપવા પડે તે માટે પોલીસમાં ખોટી ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, ત્રણેય આરોપીઓએ સાથે મળીને હર્ષદભાઈ અને તેમના સાળા વિપુલભાઈને ડરાવી-ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિપુલભાઈને રૂબરૂ અને ફોન પર પણ સતત ધમકીઓ આપી હેરાન કરવામાં આવતા હતા. આ હેરાનગતિ અને ધમકીઓના કારણે વિપુલભાઈ વિડજાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. તેમના મૃતદેહ પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી આવી હતી, જેમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ હતો. આ સ્યૂસાઇટ નોટના આધારે, મૃતક વિપુલભાઈના બનેવી હર્ષદભાઈ લીખીયાની ફરિયાદ લઈને પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ ચાલી રહી છે.
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરો માટે નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી નવું ટાઈમ-ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 108 જેટલી ટ્રેન નિર્ધારિત સમય કરતા 1થી 42 મિનિટ વહેલા અને 17 ટ્રેનો 2થી 20 મિનિટ મોડી કરવામાં આવી છે. નિર્ધારિત સમય કરતા ટ્રેન વહેલા ઉપડશેરાજકોટ રેલવે ડિવિઝનની યાદીમાં જણાવ્યા મુજબ મડગાંવ- હાપા એક્સપ્રેસ, દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો, તિરુવનંતપુરમ- વેરાવળ એકસપ્રેસ, એર્નાકુલમ- ઓખા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ- જામનગર હમસફર, રાજકોટ- વેરાવળ લોકલ અને દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ તેના નિર્ધારિત સમય કરતા 5 મિનિટ વહેલા ઉપડશે. જયારે રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ, પુરી-ઓખા એક્સપ્રેસ, દેહરાદુન-ઓખા, ઉતરાંચલ એક્સપ્રેસ, બિલાસપુર-ઓખા એક્સપ્રેસ, નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ, રાજકોટ-પોરબંદર એકસપ્રેસ, વેરાવળ-રાજકોટ લોકલ અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 10 થી 20 મીનિટ વહેલા ઉપડશે. આ ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી ઉપડશેજ્યારે માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એકસપ્રેસ અને માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ 27 મિનિટ વહેલા ઉપડશે. આજ રીતે પોરબંદર-રાજકોટ લોકલ, ઓખા-રામેશ્વરમ એકસપ્રેસ, ઓખા-શાલીમાર એકસપ્રેસ, પોરબંદર-શાલીમાર એકસપ્રેસ, પોરબંદર-સાંતરાગાછી એકસપ્રેસ અને પોરબંદર-રાજકોટ લોકલ નિર્ધારિત સમય કરતા 5-5 મિનિટ મોડી ઉપડશે. આ સ્ટેશનોમાં આવતી-જતી ટ્રેનના સમયમાં ફેરફાર રાજકોટ ડિવિઝનમાં ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે, મુસાફરોએ ટાઈમ-ટેબલ મુજબ મુસાફરી કરતી વખતે રેલવે પૂછપરછ 139 નંબર અથવા www.r.indianrailways.gov. in પર વિગતો ચકાસી શકશે. રાજકોટ સ્ટેશન પર આવતી-જતી ટ્રેનનું ટાઈમ ટેબલ ટ્રેન નામ. આગમન પ્રસ્થાન રામેશ્વર-ઓખા-રામેશ્વર 04.59 05.09 પુરી-ઓખા એક્સપ્રેસ 04.47 04.57 દેહરાદૂન-ઓખા (ઉત્તરાંચલ એક્સપ્રેસ) 07.20 07.30 મડગાંવ-હાપા એક્સપ્રેસ 07.57 08.07 દિલ્લી સરાઇ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ 07.50 મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો 08.30 08.40 તિરૂવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસ 11.00 11.10 ઓર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ 11.00 11.10 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર 11.56 12.06 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ 13.30 13.40 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ 13.30 13.40 વૈષ્ણવદેવી કટરા-હાપા એક્સપ્રેસ 16.15 16.25 વૈષ્ણવદેવી કટરા-જામનગર એક્સપ્રેસ 16.25 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 16.00 રાજકોટ-વેરાવળ લોકલ 07.50 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 10.20 દિલ્લી સરાઇ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ 07.50
મોરબીના 8 ઉદ્યોગકારો સાથે 1.62 કરોડની છેતરપિંડી:સરકારી યોજનાના વળતર ખોટા દસ્તાવેજોથી ઉપાડી લેવાયા
મોરબીના આઠ સિરામિક ઉદ્યોગકારોને ભારત સરકારની ICIGATE યોજના હેઠળ મળવાપાત્ર રૂ. 1,62,78,858નું વળતર ખોટા દસ્તાવેજોના આધારે ઉપાડી લેવામાં આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આઠ ઉદ્યોગકારોના ICIGATE યુઝર એકાઉન્ટમાં રકમ જમા થઈ હતીવિદેશમાં ચીજવસ્તુઓની નિકાસ કરતા ઉદ્યોગકારોને ભારત સરકાર દ્વારા ICIGATE સ્કીમ મારફતે નિકાસ કરેલા માલની રકમ આધારિત વળતર આપવામાં આવે છે. મોરબીના યુવા ઉદ્યોગપતિ સહિત કુલ આઠ ઉદ્યોગકારોના ICIGATE યુઝર એકાઉન્ટમાં આ રકમ જમા કરવામાં આવી હતી. ખોટા ઈ-મેલ આઈડી અને ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરીને છેતરપિંડીઅજાણ્યા ઠગબાજોએ ગુનાહિત કાવતરું રચીને ઉદ્યોગકારોની જાણ બહાર તેમના કીમતી દસ્તાવેજોનો ઇલેક્ટ્રોનિક માધ્યમથી દુરુપયોગ કર્યો હતો. તેમણે ખોટા દસ્તાવેજો બનાવી, ખોટા ઈ-મેલ આઈડી અને ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરીને ICIGATE પોર્ટલમાં યુઝર આઈડી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ખોટા યુઝર આઈડી દ્વારા અન્ય ICIGATE યુઝર આઈડીમાં ટ્રાન્સફર કરીને કુલ રૂ.1,62,78,858ની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધાઈમોરબીના પંચાસર રોડ પર આવેલા ધરતી પાર્ક, પ્રયાગ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા દીપકભાઈ વલમજીભાઈ પાંચોટિયા (ઉંમર 36) એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને સાક્ષીઓની પેઢીઓ તથા કંપનીઓ દ્વારા વિદેશમાં સિરામિક ચીજવસ્તુઓની નિકાસનો વ્યવસાય કરવામાં આવે છે. પોલીસે હવે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે.
રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરો અને આંખલાઓને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની સૂચનાથી નગરપાલિકા પ્રમુખ ચાંદ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીના માર્ગદર્શનમાં સુધરાઈ સ્ટાફે આ કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહી તાજેતરમાં રખડતા ઢોરના કારણે એક વ્યક્તિના મોત બાદ કરવામાં આવી છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં રખડતા ઢોરો અને આંખલાઓનો ત્રાસ વ્યાપક બન્યો હતો. આ ઢોરોની અડફેટે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઉપરાંત, રસ્તા પર બેસી જતા ઢોરો ટ્રાફિકમાં પણ અવરોધ ઉભો કરે છે. શહેરમાં આશરે 1500 જેટલા રખડતા ઢોરો અને આંખલાઓ છે, જેમાંથી અડધાથી વધુ માલિકીના હોવાનું જાણવા મળ્યું છે. દૂધ દોહ્યા બાદ માલિકો દ્વારા ઢોરોને રખડતા છોડી દેવામાં આવે છે. આ ઉપરાંત, ઘાસચારો વેચતા વેપારીઓ જાહેર રસ્તાઓ પર ઘાસચારો નાખતા ઢોરો ત્યાં એકઠા થાય છે અને બાખડે છે, જેના કારણે શાળા પાસે વિદ્યાર્થીઓ અને બજારમાં લોકો અડફેટે આવે છે. આથમણા નાકા, અયોધ્યાપુરી, તિરુપતિ નગર, સલારી નાકા, પ્રાગપર ચોકડી, બગીચા પાસે, પાવર હાઉસ, ગુરુકુળ રોડ અને રતનપર જેવા વિસ્તારોમાં માલિકીના ઢોરો મોટી સંખ્યામાં જોવા મળે છે. આજથી રાત્રે શરૂ કરાયેલી આ કામગીરીમાં ઢોરોને પકડવા માટે પીંજરા અને ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જ અનેક આંખલાઓને પકડીને પાંજરાપોળને હવાલે કરવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા અગાઉ પણ સમયાંતરે આવી કામગીરી કરવામાં આવતી રહી છે. પ્રમુખ ચાંદ ભીંડેએ જણાવ્યું હતું કે, માલિકીના ઢોરોના માલિકોને તેમના ઢોરોને બાંધી રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં જો માલિકીના ઢોરો પકડાશે તો દંડાત્મક કાર્યવાહી અને જાહેર અડચણ ઉભી કરવા બદલ ગુનો નોંધવામાં આવશે. ઘાસચારાના વેપારીઓને પણ ગામથી એક કિલોમીટર દૂર, કોઈને નડતરરૂપ ન થાય તેવા સ્થળે વેચાણ કરવા સૂચના અપાઈ છે. નગરપાલિકા રાપર શહેરને રખડતા ઢોરો અને આંખલામુક્ત બનાવવા કડક કાર્યવાહી કરશે.
ગુજરાતમાં બાળલગ્ન અને નાની ઉંમરે માતૃત્વની ગંભીર સમસ્યા ફરી એકવાર સામે આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર 2025 દરમિયાન કરાયેલા સત્તાવાર સર્વેમાં ખુલાસો થયો છે કે રાજ્યમાં 13થી 16 વર્ષની કુલ 1633 દીકરીઓ સગર્ભા છે. આ ચોંકાવનારા આંકડાઓએ મહિલા-બાળ સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણ તંત્રની કાર્યક્ષમતાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ઘણા જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં નાની ઉંમરની સગર્ભાવસ્થાસર્વે મુજબ વલસાડ જિલ્લામાં સૌથી વધુ 190 દીકરીઓ સગર્ભા હોવાનું નોંધાયું છે. ત્યારબાદ દાહોદ (133), જામનગર (90), મહેસાણા (78), સાબરકાંઠા (76), આણંદ અને ડાંગ (70-70), ખેડા (67) તથા અમદાવાદ શહેર (63) જેવા જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં નાની ઉંમરની સગર્ભાવસ્થાઓ નોંધાઈ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સગર્ભાવસ્થાઓ મોટા ભાગે બાળલગ્ન સાથે જોડાયેલી હોવાની શક્યતા છે, જે દીકરીઓ અને તેમના સંતાન માટે ગંભીર આરોગ્ય જોખમ ઉભું કરે છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા નારા જમીન પર નિષ્ફળઆ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, NFHS-5ના આંકડાઓ મુજબ રાજ્યમાં બાળલગ્નનો દર 21.8 ટકા છે અને કેટલાક જિલ્લાઓમાં આ પ્રમાણ 30થી 49 ટકા સુધી પહોંચ્યું છે. “બાળલગ્ન પ્રતિબંધક કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા નારા જમીન પર નિષ્ફળ સાબિત થયા છે,” તેમ તેમણે કહ્યું હતું. 1633 નાની ઉંમરની સગર્ભાવસ્થાઓ તંત્રની નબળાઈબીજી તરફ, બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મષ્ઠાબેન ગજ્જરે સરકારનો બચાવ કરતા જણાવ્યું હતું કે, જાહેર થયેલા આંકડાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે. 'દરેક કેસ બાળલગ્નનો જ છે કે કેમ તેની ખરાઈ કર્યા બાદ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં ‘બાળ વિવાહ મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ટ્રાયબલ અને પછાત વિસ્તારોમાં સતત જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે,” તેમ તેમણે જણાવ્યું. સામાજિક પ્રથાઓ, આર્થિક દબાણ અને કાયદાની અજ્ઞાનતા બાળલગ્નનું મુખ્ય કારણ છે. સરકાર દ્વારા સરપંચો, તલાટીઓ, સમાજના આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓને જોડીને બાળલગ્ન રોકવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક તરફ સરકાર કાર્યવાહી અને જાગૃતિની વાત કરે છે, તો બીજી તરફ 1633 નાની ઉંમરની સગર્ભાવસ્થાઓ તંત્રની નબળાઈ દર્શાવે છે. બાળલગ્ન અટકાવવા મહિલા-બાળ વિકાસ વિભાગ મારફતે સતત પ્રયાસોગજ્જરનું કહેવું છે કે, બાળલગ્ન અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ અને મહિલા-બાળ વિકાસ વિભાગ મારફતે સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ઘણા વિસ્તારોમાં માતા-પિતા પૈસાની લાલચ, સામાજિક રીવાજો અને પરંપરાઓ, તેમજ બાળલગ્ન પ્રતિબંધક કાયદાની પૂરતી જાણકારી ન હોવાના કારણે દીકરા-દીકરીઓના નાની ઉંમરે લગ્ન કરાવી દે છે. ખાસ કરીને ટ્રાયબલ અને શ્રમજીવી પરિવારોમાં આર્થિક તંગી અને સમાજના દબાણને કારણે બાળકોની ઇચ્છા વિરુદ્ધ પણ લગ્ન કરાવવાના બનાવો સામે આવી રહ્યા છે. ગજ્જરના જણાવ્યા મુજબ, જ્યાં સુધી માતા-પિતા અને સમાજમાં વ્યાપક જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી બાળલગ્ન પર સંપૂર્ણ રોક લગાવવી પડકારરૂપ રહેશે. હવે જોવાનું રહ્યું કે, આ ચોંકાવનારા આંકડાઓ બાદ સરકાર માત્ર તપાસ સુધી સીમિત રહેશે કે બાળલગ્ન સામે ખરેખર કડક કાર્યવાહી કરશે.
સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ-2025માં જાણીતી ગુજરાતી ગાયિકા ઈશાની દવેના કાર્યક્રમે સંગીતમય માહોલ સર્જ્યો હતો. તેમના મધુર અને શક્તિશાળી અવાજે લોક તથા આધુનિક સંગીતની અનોખી રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રવાસીઓ આનંદમાં ઝૂમી ઉઠ્યા હતા, જેનાથી ફેસ્ટિવલ યાદગાર બન્યો હતો. ઈશાની દવે ગુજરાતી લોક અને આધુનિક સંગીત ક્ષેત્રે જાણીતું નામ છે. તેઓ ગુજરાતી સંગીત ઉદ્યોગમાં પોતાની અનોખી ગાયકી અને સંગીત માટે વિશેષ ઓળખ ધરાવે છે. અમદાવાદ, ગુજરાતમાં જન્મેલા ઈશાની દવેએ બાળપણથી જ ગાવાની શરૂઆત કરી હતી અને આજે તેઓ ગુજરાતી સંગીત જગતમાં એક અગ્રણી ગાયિકા તરીકે સ્થાપિત થયા છે. નવરાત્રી દરમિયાન તેમના ગરબા અને લોકગીતો ખાસ લોકપ્રિય બને છે. કાનુડા જેવા ગીતો દ્વારા તેમણે શ્રોતાઓમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. પરંપરાગત ગુજરાતી લોકસંગીતને આધુનિક શૈલીમાં રજૂ કરવાની તેમની કળા યુવા પેઢીમાં ખૂબ આકર્ષણ જગાવે છે. સાપુતારા ફેસ્ટિવલમાં પણ તેમણે લોકગીતો અને ગરબાની પ્રસ્તુતિ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિવિધ લાઈવ સ્ટેજ શો અને ગરબા ઇવેન્ટ્સમાં તેમની ઊર્જાવાન રજૂઆત માટે ઈશાની દવે જાણીતા છે. તેમના કાર્યક્રમ દરમિયાન સમગ્ર મેદાન તાળીઓ અને નૃત્યથી ગુંજી ઉઠ્યું હતું. પ્રવાસીઓ, સ્થાનિક નાગરિકો અને સંગીતપ્રેમીઓએ એકસાથે સંગીતનો આનંદ માણ્યો હતો. સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં ઈશાની દવેની ઉપસ્થિતિએ કાર્યક્રમને નવી ઊંચાઈ બક્ષી હતી. સંગીત, નૃત્ય અને ઉત્સાહથી ભરપૂર આ સાંજ પ્રવાસીઓ માટે યાદગાર બની રહી હતી, જ્યાં ઈશાની દવેના મધુર સ્વરે સૌના દિલ જીતી લીધા.
બોટાદ સુધારણા યોજના હેઠળ બોટાદ તાલુકાના ઝમરાળા, રતનવાવ અને કેરિયા-૨ ગામોની પીવાના પાણીની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો અંત આવ્યો છે. આ ગામોમાં પાણી પુરવઠા વ્યવસ્થાનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા બોટાદ જિલ્લાની જનતાને સુનિશ્ચિત અને સતત પીવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ કરાવવાના હેતુથી બોટાદ સુધારણા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત કારિયાણી હેડવર્ક્સથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ઉપરોક્ત ત્રણેય ગામોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તીવ્ર અછત હતી. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ગ્રામજનોને પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેના કારણે દૈનિક જીવન પર અસર થતી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બોટાદ સુધારણા યોજના અંતર્ગત નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી. આ ઉપરાંત, જરૂરી ટેકનિકલ વ્યવસ્થાઓ અને પાણી પુરવઠા સંબંધિત માળખાકીય કામગીરી પણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી હતી. હાલમાં હાથ ધરવામાં આવેલું ટેસ્ટિંગ સંપૂર્ણપણે સફળ રહ્યું છે. આ સફળતા સાથે હવે ઝમરાળા, રતનવાવ અને કેરિયા-૨ ગામોને નિયમિત અને પૂરતો પીવાનો પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવશે, જેનાથી તેમની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સુરત શહેર કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને વિવાદો વકરતા પક્ષમાં મોટું ભંગાણ સર્જાયું છે. શહેર પ્રમુખની કાર્યશૈલી સામે વિરોધ નોંધાવી મહિલા મોરચાની 11 હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા ધરી દેતા કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગંભીર આક્ષેપો સાથે રાજીનામાનો દોરમહિલા કાર્યકર્તાઓએ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતા પટેલને ઉદ્દેશીને મોકલેલા રાજીનામામાં ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાની માનસિકતા મહિલા વિરોધી છે. કાર્યકર્તાઓ સાથે તેમનું વર્તન અસભ્ય અને અપમાનજનક રહેતું આવ્યું છે. તેમના દ્વારા સતત કરવામાં આવતા માનસિક ત્રાસ અને મનસ્વી નિર્ણયોથી કાર્યકર્તાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લાંબા સમયથી ચાલતો અસંતોષ સપાટી પર આવ્યોસૂત્રોના જણાવ્યા અનુસાર, વિપુલ ઉધનાવાલા જ્યારે શહેર પ્રમુખ બન્યા ત્યારથી જ પક્ષના જૂના અને વફાદાર કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળતો હતો. અગાઉ પણ અનેક કાર્યકર્તાઓએ તેમની મનમાની અને કાર્યશૈલી બાબતે પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે મહિલા કાર્યકર્તાઓએ આકરો નિર્ણય લીધો છે. ચૂંટણી ટાણે જ પક્ષની છબી ખરડાઈએક તરફ કોંગ્રેસ આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ સંગઠનના મુખ્ય સ્તંભ ગણાતી મહિલા પાંખમાં સર્જાયેલો આ બળવો પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 11 સભ્યોના એકસાથે રાજીનામા પડતા હાઈકમાન્ડ પણ દોડતું થયું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ સુરત કોંગ્રેસના આ આંતરિક વિખવાદને ડામવા માટે કેવા પગલાં ભરે છે અને વિપુલ ઉધનાવાલા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ.
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના માંકણજ ગામે સાંથલ પોલીસ દ્વારા ક્રૂડ ઓઇલની ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. વરચંદ અને તેમનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ટેન્કરમાંથી ઓઇલ કાઢી ટ્રકના ટાંકામાં ભરી રહ્યો હતો ને ઝડપાયોપોલીસને મળેલી બાતમી મુજબ માંકણજ ગામનો રહેવાસી શૈલેષસિંહ ઉર્ફે શલુભા નવલસિંહ ઝાલા,જે ઓ.એન.જી.સી.ના ક્રૂડ ઓઇલ ભરેલા ટેન્કરમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તે પોતાના ગામમાં ટેન્કર ઊભું રાખી તેમાંથી ઓઇલની ચોરી કરી રહ્યો હતો. આ શખ્સ પોતાના મળતીયાઓ સાથે મળીને ટેન્કરમાંથી ઓઇલ કાઢી ટ્રકમાં ગોઠવેલા ટાંકામાં ભરી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે માંકણજ ગામે દરોડો પાડ્યો હતો. 24 લાખનો મુદ્દામાલ જપ્તઆ રેઇડ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ચોરીનું 10,000 લિટર ક્રૂડ ઓઇલ ઝડપી પાડ્યું હતું, જેની કિંમત અંદાજે 4 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે 5 લાખની કિંમતની ટ્રક નંબર GJ-09-Y-8245 15 લાખની કિંમતનું ટેન્કર નંબર GJ-18-BW-3562 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 24,03,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક શખ્સ ઝડપાયો, વોન્ટેડ આરોપીઓની શોધખોળઆ કાર્યવાહીમાં પોલીસે નંદાસણના સૈયદવાસમાં રહેતા અસદુલ્લા મહંમદહુસૈન ગુલાબનબી સૈયદ નામના એક શખ્સની ધરપકડ કરી છે.જ્યારે મુખ્ય આરોપી શૈલેષસિંહ ઝાલા, મંડાલીનો ઇમરાન રહીમખાન પઠાણ અને નંદાસણનો અસલમ યુનુસભાઇ સૈયદ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નવસારીમાં પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા કાઈટ ફેસ્ટિવલ:10 થી 14 જાન્યુઆરી, વિજેતાઓને મળશે આકર્ષક ઇનામ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત 'કાઈટ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં પતંગ રસિયાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે તેવી અપેક્ષા છે. દક્ષિણ ગુજરાતની ઉત્સવપ્રિય જનતા માટે ઉતરાયણનો તહેવાર હંમેશા ખાસ રહ્યો છે. આ વર્ષે નવસારી મહાનગરપાલિકાએ આ મહોત્સવના માધ્યમથી શહેરના સાંસ્કૃતિક વારસા અને તહેવારોની રોશનીને નવી ઊંચાઈ આપવાનો પ્રયાસ કર્યો છે. આ આયોજનને લઈને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ મહોત્સવમાં સહભાગી થવા ઈચ્છુક પતંગબાજો માટે નવસારી મહાનગરપાલિકાએ ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરીજનોએ નિયત કરેલી લિંક પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ ફેસ્ટિવલમાં માત્ર પતંગ ચગાવવા જ નહીં, પરંતુ પોતાની કળા પ્રદર્શિત કરનાર પતંગબાજોને પ્રોત્સાહિત કરવા માટે પણ યોજના રાખવામાં આવી છે. શ્રેષ્ઠ દેખાવ કરનાર ટોપ-3 વિજેતાઓને આકર્ષક ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં ઉતરાયણનો ક્રેઝ જોતાં, નવસારીનો આ પ્રથમ કાઈટ ફેસ્ટિવલ સ્થાનિકો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે તેવી શક્યતા છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ 28 ડિસેમ્બરના રોજ ઉજવાયો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પક્ષના ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી અને ઝુબેર પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર, 1885ના રોજ મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં થઈ હતી. કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી પક્ષના પ્રથમ પ્રમુખ હતા, જ્યારે નિવૃત્ત અંગ્રેજ અધિકારી એ.ઓ. હ્યુમ સ્થાપક સભ્યોમાંના એક હતા. સ્થાપના દિવસ નિમિત્તે આગેવાનોએ દેશની આઝાદીમાં કોંગ્રેસના યોગદાનને યાદ કર્યું હતું અને લોકશાહી મૂલ્યોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પરંતુ સુરતની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં જે રીતે લોકોએ કાયદો હાથમાં લઈને દારૂના બે અડ્ડાઓ પર 'જનતા રેડ' કરી છે, તેણે પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. હાલમાં જ મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પતરાના શેડમાં ચારેતરફ પડદા બાંધીને રીતસરનું દારૂનું બાર બનાવવામાં આવ્યું છે. અહીં દારૂ, પાણી-શોડા, બાઈટિંગથી લઈને લોકોને પીવા માટેની સુવિધા આપવામાં આવી રહી છે. એક તરફ સુરત પોલીસ ડ્રોન ઉડાવીને કાયદો-વ્યવસ્થાને જાળવવાના તાયફાવો કરે છે, પરંતુ શહેરનું ધમધમતા દારૂનો અડ્ડાઓ નજરે નથી પડતાં! મહીધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એચ. બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આ વીડિયો હાલ જ મારા સુધી પહોંચ્યો છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકારના જુના વીડિયો પણ ફરતા હોય છે, જેથી તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી થશે. 3 દિવસમાં બે મોટી ‘જનતા રેડ’ કરી લોકોએ પોલીસની પોલ ખોલી31st પહેલા સુરતમાં પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂના વ્યવસાયની પોલ સામાન્ય જનતા ખોલી રહી છે. 23 ડિસેમ્બરના રોજ ભેસ્તાનના ભગવતીનગર વિસ્તારમાં લોકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, લોકોએ ગુનો પકડ્યો હોવા છતાં પોલીસ કર્મચારીએ જનતા રેડ કરનારાઓને જ ચોરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી, જે પોલીસ અને બુટલેગર વચ્ચેની મિલીભગત તરફ ઈશારો કરે છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 25 ડિસેમ્બર: પાલ પોલીસ સ્ટેશનની હદમાં બાળકો સાથે મહિલાઓની દારૂના અડ્ડા પર રેડસુરતના પાલનપુર ગામમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્ત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઊતરી ‘જનતા રેડ’ કરી બૂટલેગરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. મહાદેવ ફળિયામાં ચાલતા દેશી દારૂના અડ્ડાને કારણે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની ત્રાટકી હતી. બૂટલેગરે જ્યારે 'તમને શું નડે છે?' કહી ઉદ્ધતાઈ કરી ત્યારે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દઈ અડ્ડાનો સોથ વાળી દીધો હતો. કાખમાં માસૂમ બાળકને તેડીને પણ મહિલા આ સાહસિક અભિયાનમાં જોડાઈ હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) બુટલેગર યજ્ઞેશ સામે 3થી વધુ ગુના છતાં ધંધો ચાલુ!પાલ વિસ્તારમાં જનતા રેડ બાદ પોલીસે જ્યારે બુટલેગર યજ્ઞેશની અટકાયત કરી અને તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ બુટલેગર વિરુદ્ધ અગાઉ 3થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. સવાલ એ થાય છે કે રીઢો ગુનેગાર હોવા છતાં તે પોલીસની નાક નીચે કેવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યો હતો? મહિધરપુરાનો વીડિયો થયો વાઇરલહજુ આ ઘટનાઓ શાંત નથી થઈ ત્યાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વસ્તા દેવડી રોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં બુટલેગર કોઈપણ ડર વગર વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાનું સ્પષ્ટ નજરે આવી રહ્યું છે. ગ્રાહકો માટે ત્યાં જ બેસીને દારૂ પીવાની (સિટિંગ) સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. જાહેરમાં ચાલતી આ પ્રવૃત્તિ જોઈને લાગે છે કે બુટલેગરોને પોલીસ પ્રશાસનનો કોઈ જ ખોફ રહ્યો નથી. પોલીસની કામગીરી પર ઉઠતા સવાલો31 ડિસેમ્બરની ઉજવણી પહેલા જ સુરત પોલીસની આબરૂના લીરા ઉડી રહ્યા છે. જે કામ પોલીસે કરવાનું હોય છે, તે કામ હવે સામાન્ય જનતા અને મહિલાઓએ કરવું પડી રહ્યું છે. શું પોલીસ ખરેખર અજાણ છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરી રહી છે? શું ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારના જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેશે? સ્થાનિક લોકોનો આક્રોશ જણાવી રહ્યો છે કે જો પોલીસ કડક હાથે કામગીરી નહીં કરે, તો આગામી દિવસોમાં જનતા રેડના કિસ્સાઓ હજુ વધી શકે છે.
44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાત ટીમના ખેલાડી ભાઈઓ અને બહેનો આજ રોજ વડોદરા રેલવે સ્ટેશનથી બેંગલુરુ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થયા છે. AKFFGના જનરલ સેક્રેટરી, અશોક ગરુડ એ જણાવ્યું હતું કે, 44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે તા. 31-12-2025 થી 4-01-2026ના રોજ યોજાનાર છે, જેમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી 36 ટીમ આવવાની છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો ખેલાડીઓ ભાગ લેવાના છે, જે ખુબ આનંદની લાગણી અનુભવાય છે. જેમાં ગુજરાત રાજ્યના ભાઈઓ અને બહેનો ખેલાડી પણ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે. ગુજરાત રાજ્યના 30 ખેલાડી અને 2 કોચ, 2 મેનેજર, 1 ફિઝિયો ભાગ લેવા માટે વડોદરાથી રવાના થયા છે.
પીજીવીસીએલ દ્વારા આજરોજ તા.28.12.2025ના રોજ કુલ 15 કેન્દ્રો પર 7330 ઉમેદવારો માટે વિદ્યુત સહાયકની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રીઝર્વ કેટેગરીની ખાલી જગ્યાઓ માટે 3 કેડર કે જેમાં નાયબ અધિક્ષક વહીવટ, નાયબ અધિક્ષક હિસાબ તેમજ સીનીયર ટેકનીશીયનની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ લેવાઈ રહેલ પરીક્ષામાં કૌભાંડ થવાની આશંકા આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ પરીક્ષાના સંચાલન માટે પીજીવીસીએલનાં ક્લાસ 1 અને ક્લાસ 2 કક્ષાના કુલ 30 અધિકારીઓની ફાળવણી તમામ 15 કેન્દ્રો પર જરૂરી સુપરવિઝન અર્થે કરવામાં આવી છે. જેમાં ક્લાસ 1 અધિકારીઓને દરેક કેન્દ્રો પર મોનીટરીંગના હેતુસર ફલાયિંગ સ્કોડ તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. પરીક્ષાના દરેક કેન્દ્રો પર 2 SRPની ફાળવણી પણ કરવામાં આવી છે અને પરીક્ષા સી.સી.ટી.વી. ધરાવતા ક્લાસરૂમની અંદર આયોજિત કરવામાં આવી છે. પરીક્ષાર્થી પરેશ બારૈયાએ જણાવ્યું હતું કે, આજે PGVCL ની પરીક્ષા છે હું ઘણા સમયથી તૈયારી પણ કરી રહ્યો છું. જયારે કોલ લેટર લેવા ગયો ત્યારે મારો અકસ્માત થયો છે જેથી ડાબા હાથે ઇજા પહોંચી છે. નોકરીની જરૂરિયાત છે એટલે આજે કોઈ પણ રીતે પરીક્ષા આપવા માટે પહોંચ્યો છે. હું છેલ્લા 3-4 વર્ષથી દરેક સરકારી પરીક્ષા આપી રહ્યો છું. આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ભરતીમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી જે સાંભળી પોતાને પણ દુઃખ થયું છે કારણ કે આટલા સમયથી મહેનત કરતા હોય અને એવું થાય તો દુઃખ જરૂર થાય છે. સૌરાષ્ટ્રભરમાંથી આજે આ ભરતી માટે ઉમેદવારો પરીક્ષા આપવા આવી પહોંચ્યા હતા. 10 વાગ્યાથી પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ 11 વાગ્યાથી શરૂ કરી 1 વાગ્યા સુધી સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષા PGVCL દ્વારા એજન્સીને લેવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. જો કે આ પરીક્ષાઓમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવે છે તો ઉમેદવારો દ્વારા આ પરીક્ષા પણ ગૌણ સેવા આયોગ દ્વારા લેવામાં આવે તેવી અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ લેવાઈ રહેલ પરીક્ષામાં કૌભાંડ થવાની આશંકા આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે કેટલાક હિંદુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. 27 ડિસેમ્બરના રોજ શહેરના એસજી હાઇવે પર થલતેજ નજીક આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેના દ્વારા ડેકોરેશન તોડી નુકસાન કરી વિરોધ કરવા બદલ પાંચ લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ભગવા સેનાના કાર્યકર્તાઓ પેલેડિયમ મોલ ખાતે પહોંચી ગયા હતા અને મોલમાં લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રીને નીચે પાડી દેવામાં આવ્યા હતા. જેને લઈને સિક્યુરિટી ગાર્ડ અને અન્ય લોકો સાથે બોલાચાલી કરી હતી. એ બાદમાં ક્રિસમસ ટ્રીને નીચે પાડી નુકસાન કરતા પોલીસ આવી ગઈ હતી. આ મામલે પાંચ લોકો વિરુદ્ધ પેલેડિયમ મોલના સિક્યુરિટી સુપરવાઇઝર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: અમદાવાદમાં ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી ઉતારીને ફેંક્યાં, સૌથી મોટા પેલેડિયમ મોલમાં ઘૂસી ધમાલ મચાવી ભગવા સેનાના કાર્યકર્તાઓ પેલેડિયમ મોલમાં તોડફોડ કરીમળતી માહિતી મુજબ શહેરમાં 25 ડિસેમ્બરથી લઇ 31 ડિસેમ્બર સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને અલગ અલગ જગ્યાઓ મોલ પર ક્રિસ્મસ ટ્રી અને શાંતાક્લોઝ, લાઈટિંગ સહિતના શણગાર કરવામાં આવતા હોય છે. કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે 27 ડિસેમ્બર એસજી હાઇવે પર થલતેજ પાસે આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેનાના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા. મોલમાં જેટલા પણ ક્રિસમસ ટ્રી લગાવવામાં આવેલા હતા અને સાન્તાક્લોઝની ટોપી સહિત વગેરે જે ડેકોરેશન કરવામાં આવ્યું હતું. તેને નીચે પાડી દેવામાં આવ્યું હતું અને દૂર કરી દેવામાં આવ્યું હતું. ક્રિસ્મસ ટ્રીને નીચું પાડી દઈ 5 હજાર જેટલું નુકસાન પહોંચાડ્યું હતુંઆ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ તમામ કાર્યકરોની અટકાયત કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. મોલના સિક્યુરિટી સુપરવાઇઝર દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા અનુપસિંહ રાજપુત, રાહુલ વર્મા, ધ્રુવસિંહ રાજપુત, પ્રજ્વવલ ઝા અને બોબીસિંહ રાજપુત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાંચ શખ્Sસો પેલેડિયમ મોલમાં ત્રીજા અને ચોથા માળે જે ક્રિસ્મસ ટ્રી અને અન્ય ડેકોરેશન હતું તેને નીચે પાડી દીધું હતું અને 5000 રૂપિયાનું નુકસાન કર્યું હતું. સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરી બળ વાપર્યું હતું.
કલોલ તાલુકામાં એક 15 વર્ષની કિશોરીનો રસ્તો રોકી અશોભનીય ઈશારા કરી હેરાન કરતા પાડોશી યુવકને 181 અભયમ ટીમે કાયદાનું ભાન કરાવ્યું છે. વારંવાર સમજાવવા છતાં ન સુધરતા યુવક સામે પરિવારે અભયમની મદદ માંગી હતી. ટીમે સ્થળ પર પહોંચી યુવકને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ફરી આવી હરકત કરી તો સીધા જેલમાં જવું પડશે. અંતે યુવકે ભૂલ સ્વીકારી લેખિત ખાતરી આપતા બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું. સગીરાને રસ્તામાં રોકી અશોભનીય ઈશારા કરી હેરાન કરતો પાડોશીશાળાએ જતી દીકરીઓની સુરક્ષા માટે કાર્યરત 181 અભયમ હેલ્પલાઈન ફરી એકવાર વરદાન સાબિત થઈ છે. કલોલ તાલુકાની એક 15 વર્ષીય સગીરાને રસ્તામાં રોકી અશોભનીય ઈશારા કરી હેરાન કરતા પાડોશીના યુવકને અભયમ ટીમે કડક શબ્દોમાં સમજાવી કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપતા રોમિયોના હોશ ઉડી ગયા હતા. યુવકની હેરાનગતી ચાલુ રહેતા અંતે દીકરીએ હિંમત દાખવી કલોલ તાલુકાની 15 વર્ષની દીકરીએ અભયમ હેલ્પલાઈન પર કોલ કરીને પોતાની વ્યથા ઠાલવી હતી. તેણે જણાવ્યું હતું કે, જ્યારે તે સ્કૂલે જાય છે ત્યારે પાડોશમાં રહેતો એક યુવક વારંવાર તેનો રસ્તો રોકે છે અને તેની સાથે વાત કરવાની કોશિશ કરી ખોટી રીતે હેરાન કરે છે. આ બાબતે સગીરાના પરિવારે અગાઉ પાડોશીને જાણ કરી હતી, પરંતુ ઉકેલ આવવાને બદલે બંને પક્ષે ઝગડો થયો હતો. સમજાવટ છતાં યુવકની હેરાનગતી ચાલુ રહેતા અંતે દીકરીએ હિંમત દાખવી અભયમની મદદ માંગી હતી. અભયમ ટીમે યુવકને કડક ચેતવણી આપીઆ કોલ મળતાની સાથે જ અભયમ ટીમ તાત્કાલિક આપેલા સરનામે પહોંચી હતી. અને ટીમે પાડોશીના ઘરે જઈ યુવકને રૂબરૂમાં બોલાવ્યો હતો અને તેની કરતૂતો સામે કાયદાની ગંભીરતા સમજાવી હતી. અભયમ ટીમે કડક ચેતવણી આપી હતી કે જો હવે પછી દીકરીની પજવણી કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરી જેલ ભેગો કરી દેવામાં આવશે. 181 ટીમે માફી મંગાવી મામલો થાળે પાડ્યોત્યારે પોલીસ કાર્યવાહીના ડર અને અભયમ ટીમની સમજાવટ બાદ રોમિયો યુવક ફફડી ઉઠ્યો હતો. અને તેણે પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ મદદ માંગનાર દીકરી અને તેના માતા-પિતાએ ઉદારતા દાખવી યુવકનું ભવિષ્ય ન બગડે તે હેતુથી તેને સુધરવાનો એક મોકો આપવાનું નક્કી કર્યું હતું. અંતે અભયમ ટીમે બંને પક્ષોને યોગ્ય માર્ગદર્શન આપી આ મામલાનો સુખદ અંત લાવવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે 30 ડિસેમ્બર, 2025ના રોજ છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનર - ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર - સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ગુજરાતભરના જુનિયર સાહસવીર ભાઈઓ અને બહેનોને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવાનો છે. સ્પર્ધાનો પ્રારંભ સવારે 7 કલાકે થશે, જ્યારે વિજેતા ખેલાડીઓ માટે સવારે 10 કલાકે ચોટીલા તળેટી ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્યો શામજીભાઈ ચૌહાણ, પી. કે. પરમાર, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. સુરેન્દ્રનગર કલેકટર કે.એસ. યાજ્ઞિક અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું પણ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેશે. 30 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 7 કલાકે મહાનુભાવો દ્વારા સ્પર્ધકોને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ સવારે 10 કલાકે વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાના દિવસે, 30 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 6 થી 10 કલાક દરમિયાન ચોટીલા ડુંગર પર યાત્રાળુઓને ચડવા-ઉતરવા કે સ્પર્ધાના રૂટમાં આવતા પગથિયાઓ પર અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર અને આયોજકો દ્વારા ચોટીલા આવતા તમામ યાત્રાળુઓ, ભક્તજનો અને નાગરિકોને આ અંગે જાણ કરી સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.
અમરેલીમાં 31 ડિસેમ્બર માટે 31 ચેકપોસ્ટ ઊભી કરાશે:નશાખોરી રોકવા ફાર્મ હાઉસ, રિસોર્ટ પર પણ પોલીસની વોચ
અમરેલી જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ નશાખોરી રોકવા માટે સઘન વાહન ચેકિંગ અને ફાર્મ હાઉસ તેમજ રિસોર્ટ પર વોચ રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે, 31 ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને નશાખોરી અટકાવી શકાય તે માટે ખાસ બંદોબસ્ત યોજના બનાવવામાં આવી છે. આ અંતર્ગત સમગ્ર જિલ્લામાં 31 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વાહનચાલકો નશાની હાલતમાં છે કે કેમ, તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમરેલી સિટી પોલીસે પણ મોડી રાત્રે DYSP ચિરાગ દેસાઈ અને PI ડી.કે. વાઘેલાના નેતૃત્વ હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર ચેકિંગ શરૂ કર્યું છે. જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, અમરેલી જિલ્લાને દરિયાઈ અને જંગલ વિસ્તાર અડીને આવેલો છે, તેમજ નજીકમાં કેન્દ્રીય શાસિત પ્રદેશ પણ છે. આ કારણોસર 31 ડિસેમ્બરની ઉજવણીના બહાને કેફી પીણાં કે ડ્રગ્સનું સેવન વધવાની શક્યતા રહે છે, જેને રોકવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા હોટલ, ફાર્મ હાઉસ અને રિસોર્ટ પર SOG અને LCBની ટીમો દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પરિવાર સાથે શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરે, પરંતુ કેફી પીણાં કે ડ્રગ્સ જેવી બાબતોથી દૂર રહે. નશાખોરી કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચમાં અયૈપ્પા ભગવાનની 47મી વાર્ષિક શોભાયાત્રા યોજાઈ:કેરાલીયન સમાજના હજારો લોકો ભક્તિભાવથી જોડાયા
ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા કેરાલીયન સમાજ દ્વારા ભગવાન અયૈપ્પાના 47મા વાર્ષિક પૂજા મહોત્સવ અંતર્ગત શનિવારે સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સમાજના લોકો વાદ્યોના સંગીત સાથે ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. દર વર્ષે ડિસેમ્બરમાં યોજાતી આ પરંપરાગત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કેરાલીયન સમાજના ભક્તો ઉમટી પડે છે. આ વર્ષે શોભાયાત્રા શહેરના કસક સર્કલથી શરૂ થઈ હતી. જેમાં પરંપરાગત વાદ્યોનો નાદ, હાથી, તૈયમ, તાલાપોલી (પૂજાની થાળી) અને આકર્ષક લાઇટિંગ જેવી ભવ્ય વ્યવસ્થા સાથે ઝાડેશ્વર રોડ પર આવેલા અયૈપ્પા મંદિર સુધી પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં કેરાલીયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ભગવાન અયૈપ્પાના વિવિધ રૂપો ધારણ કરીને જોડાયા હતા. આનાથી સમગ્ર શહેરમાં ઉત્સવમય અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. શોભાયાત્રા મંદિર પહોંચ્યા બાદ ભજન, મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ પહેલા સવારે મંદિર પરિસરમાં ગણપતિ હોમ અને અભિષેક વિધિ પણ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સંપન્ન થઈ હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ મોરચાની નિમણૂકોમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા ખેડૂત નેતા હિરેન હીરપરાને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. હિરેન હીરપરાએ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેડૂત નેતા તરીકેની ઓળખ ઊભી કરી છે. તેમણે ખેડૂતોના પ્રશ્નોને સરકાર અને સંગઠન સમક્ષ સતત અને હકારાત્મક રીતે રજૂ કર્યા છે. રાજ્યભરમાં ખેડૂતોની મુલાકાત લઈ, વિવિધ ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળતા હતા. તેમની નિમણૂકથી ખેડૂતો અને કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામના વતની હિરેન કનુભાઈ હીરપરા એલ.એલ.બી. શિક્ષિત યુવાન છે અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓ સ્થાનિક સહકારી સહિત 6 જેટલી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેમની રાજકીય કારકિર્દી વર્ષ 2009માં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ધારી તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે શરૂ થઈ હતી. ત્યારબાદ, 2013માં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ, 2016માં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી, 2020માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અને 2021માં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે તેમણે સેવા આપી હતી. 2025ના અંતિમ દિવસોમાં તેમને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું છે. પાટીદાર સમાજમાંથી આવતા યુવા ચહેરા અને સંગઠનમાં તેમની સક્રિય કામગીરીને કારણે અગાઉ ધારી વિધાનસભા અને અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીઓમાં તેમનું નામ ચર્ચામાં રહ્યું હતું. ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકેની તેમની નિમણૂકને કાર્યકરો અને ખેડૂતોએ ઉમળકાભેર આવકારી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ હાલ ફરજ બજાવી શકતા નથી. તબીબી સલાહ અનુસાર તેઓ આરામ અને સારવાર હેઠળ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જવાબદારી તાત્કાલિક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે. તમામ જવાબદારી-નિર્ણય મુખ્યમંત્રી લેશેસરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગની રોજિંદી કામગીરી, મહત્વના નિર્ણય અને ચાલી રહેલી યોજનાઓ પર કોઈ અસર ન પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓ યથાવ્ રીતે ચાલુ રહેશે અને તમામ વહીવટી નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવશે. તબિયતમાં સુધારા બાદ ફરી પાનસેરિયા ફરજ સંભાળશેમંત્રી પ્રફુલ પાનસેરિયાની તબિયતમાં સુધારો આવ્યા બાદ તેઓ ફરી ફરજ સંભાળશે. ત્યાં સુધી આરોગ્ય વિભાગનું સંચાલન મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ રહેશે.
અમદાવાદના કાંકરિયા ખાતે યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલ 2025માં સહેલાણીઓની ભારે ભીડ વચ્ચે સુરક્ષાને લઈને પોલીસ સતર્ક બની છે, શરૂઆતના માત્ર ત્રણ જ દિવસમાં 52 જેટલા બાળકો ભીડમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. જોકે, અમદાવાદ પોલીસની સતર્કતા અને હાઈટેક સર્વેલન્સને કારણે ગણતરીના કલાકોમાં જ આ તમામ બાળકોને શોધી કાઢી તેમના માતા-પિતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. 6 અત્યાધુનિક ડ્રોન અને 3 હાઈ-ટેક કંટ્રોલ રૂમ દ્વારા થઈ રહેલા મોનિટરિંગને પગલે બાળકો જ નહીં, પરંતુ ખોવાયેલા કિંમતી વસ્તુ પણ મુલાકાતીઓને પરત અપાવવામાં આવી છે. મનપા અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ભારે ભીડમાં પોતાના બાળકો અને કિંમતી ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખે. ત્રણ દિવસમાં 52 બાળકો માતા-પિતાથી વિખૂટા પડ્યાકાંકરિયા કાર્નિવલમાં રોજના 50 હજારથી વધારે લોકો આવી રહ્યા છે. જેમાં 25 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બર સુધીના 3 દિવસમાં કાંકરિયા કાર્નિવલ ખાતે કુલ 52 જેટલા બાળકો વિખૂટા પડી ગયા હતા. ત્યારે માતા-પિતા દ્વારા કાંકરિયા કાર્નિવલ ખાતે શરૂ કરવામાં આવેલા પોલીસ કંટ્રોલરૂમમાં પોતાનું બાળક વિખૂટું પડી ગયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે કાંકરિયા પરિસર ખાતે હાજર મિસિંગ સેલના અને અન્ય પોલીસકર્મીઓ અને સીસીટીવી કેમેરાની મદદથી વિખૂટા થયેલા બાળકોને શોધીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. મુલાકાતીઓની કિંમતી ચીજ વસ્તુ પણ સુપરત કરાઈકાર્નિવલમાં ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવતી હોય છે. કાંકરિયા કાર્નિવલમાં કેટલાક લોકોની કિંમતી ચીજ વસ્તુઓ પણ ખોવાઈ ગઈ હતી. પોલીસની સતર્કતાને કારણે ભીડમાં ખોવાયેલા 1 કિંમતી આઇફોન (IPHONE) અને 2 પર્સ (જેમાં રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો હતા) મળી આવ્યા હતા. પોલીસે તેના અસલ માલિકોની શોધખોળ કરી અને ખાતરી કર્યા બાદ આ સામાન પરત સોંપ્યો હતો. 6 અત્યાધુનિક ડ્રોનથી આકાશમાંથી 350 ડિગ્રી સર્વેલન્સશહેર પોલીસની ઝોન 6ની પોલીસ અને મણીનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આખા પરિસરમાં ઠેર-ઠેર પોલીસ કર્મચારીઓ અને સહાયતા કેન્દ્ર મુકવામાં આવ્યા છે. 6 અત્યાધુનિક ડ્રોનથી આકાશમાંથી 350 ડિગ્રી સર્વેલન્સ દ્વારા ભીડ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. 3 હાઇ-ટેક કંટ્રોલ રૂમ: સી.સી.ટીવી કેમેરા નેટવર્ક દ્વારા સમગ્ર વિસ્તારનું સતત મોનિટરિંગ થાય છે. મુલાકાતીઓની ત્વરિત મદદ માટે 24 કલાક પોલીસ સહાયતા કેન્દ્ર કાર્યરત કરાયું છે. વિખૂટા પડેલા લોકોને શોધવા માટે ખાસ બે સમર્પિત ટીમોમહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાદા ડ્રેસમાં 11 શી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કાંકરિયા પરિસરમાં કરવામાં આવે છે. જ્યારે વિખૂટા પડેલા બાળકો અને વ્યક્તિઓને તાત્કાલિક શોધવા માટે ખાસ બે સમર્પિત ટીમોની રચના કરી છે. જે ખૂબ જ ભીડમાં નાના બાળકો પરિવારથી વિખૂટા થઈ જતા હોય છે. તેને પોલીસ દ્વારા શોધીને તેના માતા-પિતાને પરત આપવામાં મદદ કરે છે.
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા તાજેતરમાં ઇન્ટર હાઉસ ઓબ્સ્ટેકલ સ્પર્ધા 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા કેડેટ્સની શારીરિક સહનશક્તિ, ચપળતા, હિંમત અને ટીમવર્કનું પરીક્ષણ કરવા માટે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં પાંચ સિનિયર હાઉસના ધોરણ 9 થી 11ના કેડેટ્સે ભાગ લીધો હતો. કેડેટ્સે સ્ટ્રેટ બેલેન્સ, ગેટ વોલ્ટ, એલ્બો લિફ્ટ, ઝિગ-ઝેગ બેલેન્સ, ડબલ ડિચ, બર્મા બ્રિજ, એઇટ ફીટ વોલ, સ્ક્રેમ્બલ નેટ, મંકી રોપ, વર્ટિકલ રોપ, ક્રોલ અને રેમ્પ જેવા પડકારજનક અવરોધોનો સામનો કર્યો હતો. લગભગ તમામ કેડેટ્સે તેમની કઠોર તાલીમ અને શિસ્તને પ્રતિબિંબિત કરતા અવરોધોને સફળતાપૂર્વક પાર કર્યા. ખૂબ જ સ્પર્ધાત્મક ઇવેન્ટ પછી, શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ ઓબ્સ્ટેકલ કોમ્પિટિશન 2025-26માં વિજય પ્રાપ્ત કર્યો. તેમણે 17 મિનિટ અને 04 સેકન્ડના પ્રભાવશાળી સમયમાં કોર્સ પૂર્ણ કરીને ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી. આંગ્રે હાઉસે રનર્સ-અપ સ્થાન મેળવ્યું. વ્યક્તિગત કેટેગરીમાં, કેડેટ પંકજે પ્રથમ સ્થાન મેળવ્યું, ત્યારબાદ કેડેટ રુદ્ર બીજા સ્થાને અને કેડેટ સુજલે ત્રીજા સ્થાને રહ્યા. સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ વિજેતા હાઉસને ચેમ્પિયનશિપ ટ્રોફી આપી. આ પ્રસંગે, અધિકારીઓ અને સ્ટાફે વિજેતાઓને અભિનંદન આપ્યા અને તમામ કેડેટ્સના ઉત્સાહપૂર્ણ ભાગીદારી અને પ્રશંસનીય પ્રયાસોની પ્રશંસા કરી.
બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિર દ્વારા 175મો શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત આનંદ મેળાનું પણ આયોજન કરાયું છે, જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ નાગરિકો ઉમટી રહ્યા છે. આ મેળામાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ માટે મનોરંજનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. વિવિધ પ્રકારના ચકડોળ, ઝુલા અને રમતો લોકો માટે મુખ્ય આકર્ષણ બન્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે મેળામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ અને નાગરિકોએ આ મેળાનો ઉત્સાહભેર લાભ લીધો હતો. મેળામાં વિવિધ ખાણી-પીણીના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા છે, જ્યાં મુલાકાતીઓ પરિવાર સાથે વિવિધ વાનગીઓનો સ્વાદ માણી રહ્યા છે. બોટાદના નાગરિકોએ સ્વામીનારાયણ મંદિર દ્વારા આયોજિત આ કાર્યક્રમને સારો પ્રતિસાદ આપ્યો છે. મહોત્સવના આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નાતાલ અને 31મી ડિસેમ્બરના મીની વેકેશન દરમિયાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશના ભાવિકોનો મોટો પ્રવાહ ઉમટી પડ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, 25 થી 27 ડિસેમ્બર સુધીના ત્રણ દિવસમાં સોમનાથમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. 31 ડિસેમ્બર સુધીમાં આ આંકડામાં હજુ વધારો થવાની શક્યતા છે. ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર ખાતે દર્શનમાં કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે, સોમેશ્વર પૂજાના સ્લોટ વધારાયા છે અને લાઈટ એન્ડ સાઉન્ડ શોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. યાત્રિકો માટે પાર્કિંગ સહિતની અન્ય સુવિધાઓમાં પણ વધારો કરાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનનું અનેરું મહાત્મ્ય હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની હોટેલો ઉપરાંત આસપાસની તમામ હોટેલો અને ગેસ્ટહાઉસો સંપૂર્ણપણે બુક થઈ ગયા છે. ગુજરાત બહારના પરપ્રાંતિય પ્રવાસીઓએ આ મીની વેકેશન ગાળવા સૌરાષ્ટ્રભણી પ્રયાણ કર્યું છે. પ્રવાસીઓ માત્ર સોમનાથ જ નહીં, પરંતુ દ્વારકા, સાસણગીર અને સંઘ પ્રદેશ દીવ જેવા સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન સાથે સાસણગીરમાં સિંહ દર્શન અને દીવના પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. દર વર્ષે નાતાલ અને નવા વર્ષના મીની વેકેશન દરમિયાન હજારો અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સોરઠના પર્યટન સ્થળોની મુલાકાત લે છે. સોરઠ પ્રદેશ વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે, જ્યાં વર્ષના અનેક તહેવારો અને વેકેશન સમયે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. પરપ્રાંતીય પ્રવાસીઓ ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન કરીને નવા વર્ષનો શુભારંભ કરવા ઉમટ્યા છે.
વડોદરા-દાહોદ મેમુ ટ્રેન ગોધરા સુધી આંશિક રદ:ડેરોલ યાર્ડમાં ROB ગર્ડર લોન્ચિંગ માટે ૩ કલાકનો બ્લોક
વડોદરા-દાહોદ મેમુ ટ્રેન આજે વડોદરા અને ગોધરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ડેરોલ યાર્ડમાં રોડ ઓવર બ્રિજ (ROB) ના ગર્ડર લોન્ચિંગના કામ માટે રેલવે દ્વારા ત્રણ કલાકનો બ્લોક લેવામાં આવશે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. વડોદરા રેલવે ડિવિઝન દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, ડેરોલ યાર્ડમાં લેવલ ક્રોસિંગ નંબર 32 પર બની રહેલા રોડ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગનું કાર્ય હાથ ધરાશે. આ માટે આજે બપોરે ૧:૩૦ થી ૪:૩૦ વાગ્યા સુધી અપ અને ડાઉન એમ બંને લાઇન પર ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ ત્રણ કલાકના બ્લોકની સીધી અસર ગાડી સંખ્યા 69117 વડોદરા – દાહોદ મેમુ ટ્રેન પર પડશે. આ ટ્રેન આજે વડોદરાથી ગોધરા વચ્ચે દોડશે નહીં, એટલે કે આ રૂટ પર તે આંશિક રીતે રદ રહેશે. રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ ટ્રેનના સમય અને સ્ટોપેજની નવીનતમ વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર તપાસ કરી લે. આનાથી મુસાફરીમાં થતી અગવડ ટાળી શકાય છે.
સુરત શહેરના રામપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી બાદ માઠું લાગી આવતા યુવકે ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે. દાનિશ કામ વગર અહીં-તહીં ફરતા પિતાએ ઠપકો આપ્યો હતોરામપુરા રામવાડી પાસે આવેલા 'હમ્દપાર્ક' બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. મળતી માહિતી મુજબ, દાનિશ અવારનવાર કામ વગર અહીં-તહીં ફરતો રહેતો હતો, જેને લઈને પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાની આ શિખામણ દાનિશને મન પર લાગી ગઈ હતી. સારવાર માટે ખસેડાયો પણ ન બચ્યો26 ડિસેમ્બરને શુક્રવારે રાત્રે દાનિશે આવેશમાં આવીને પોતાના બિલ્ડિંગના ચોથા માળેથી પડતું મૂક્યું હતું. તેને ગંભીર હાલતમાં તાત્કાલિક લોખાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. CCTVમાં કેદ થયા મોતના દૃશ્યોઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, દાનિશ ચોથા માળેથી નીચે કૂદે છે અને નીચે ઉભેલા એક 'છોટા હાથી' ટેમ્પાના પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાઈને જમીન પર પટકાય છે. અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ હેબતાઈ ગયા હતા અને તરત જ તેની મદદ માટે દોડી આવ્યા હતા. પરિવાર પર આભ ફાટ્યુંમૃતક દાનિશ તેના પિતાનો એકનો એક પુત્ર હતો અને તેને એક બહેન પણ છે. ઘરના વડીલે પુત્રના સારા ભવિષ્ય માટે આપેલો ઠપકો આટલો મોટો આઘાત આપશે તેવી કલ્પના પરિવારે કરી ન હતી. લાલગેટ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 27 ડિસેમ્બરે રાજકોટમાં યુવકે ઓવરબ્રિજ પરથી કૂદકો માર્યો હતો રાજકોટ શહેરના રૈયા ચોક ઓવરબ્રિજ પરથી એક યુવાને છલાંગ લગાવી આત્મહત્યાની કોશિશ કરી હતી. આ ઘટનામાં યુવકને માથાના અને પગના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવકનું નામ હરેશ જેઠવા (ઉં.વ.41) હોવાનું અને તે રૈયા રોડ પર આવેલ શ્યામનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું .છે તેને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે, પોતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવ્યો હતો. ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી બાદ માઠું લાગી આવતા યુવકે ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
કોડીનારના વેળવા ગામમાં ખેડૂત અને પોપટની અનોખી મિત્રતા:ખેડૂતના ખભે બેસી તેમની સાથે ફરે છે 'મીતુ' પોપટ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેળવા ગામમાં માનવતા અને પ્રેમનું અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે લોકો શ્વાન-બિલાડી કે પશુઓ સાથેની મિત્રતા જુએ છે, પરંતુ અહીં એક માનવી અને પોપટ વચ્ચે એવી આત્મીય દોસ્તી જોવા મળી છે કે જે સૌને આશ્ચર્યમાં મૂકી દે છે. વેળવા ગામના ખેડૂત નારણભાઈ સાર્દુલભાઈ સાવધરીયા અને ‘મીતુ’ નામના પોપટ વચ્ચેનો સંબંધ હવે આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે. નારણભાઈ પગપાળા ચાલે કે મોટરસાયકલ લઈને નીકળે, ત્યારે મીતુ તરત જ તેમના ખભા ઉપર આવી બેસી જાય છે. બંનેનું આ દ્રશ્ય જોતા લોકો થોભી જાય છે. આ અનોખી મિત્રતાની શરૂઆત આશરે છ માસ પહેલાં થઈ હતી. નારણભાઈની વાડીએ તેમને એક પોપટનું બચ્ચું મળ્યું હતું, જે કદાચ પોતાની માતાથી વિખૂટું પડી ગયું હતું. આસપાસ ઘણી શોધખોળ કરવા છતાં માતા પોપટ ન મળતાં, નારણભાઈએ માનવતાના દાવ સાથે તેને પોતાના ઘરે લઈ જઈ સાચવવાનું નક્કી કર્યું. નારણભાઈએ પોપટના બચ્ચાને ખોરાક આપ્યો, પાણી પાવડ્યું અને પોતાના સંતાન સમાન કાળજી લીધી. સમય જતાં આ લાગણી વધુ ગાઢ બની અને આજે મીતુ નારણભાઈ વિના એક ક્ષણ પણ રહી શકતું નથી. છ માસના સમયગાળામાં આ સંબંધ મજબૂત મિત્રતામાં પરિવર્તિત થયો છે. રાત્રિના સમયે નારણભાઈ મીતુને પાંજરામાં રાખે છે, જ્યારે દિવસ દરમિયાન તેને સંપૂર્ણપણે ખુલ્લું મૂકે છે. ખેતીના કામે જાય ત્યારે પણ મીતુ નારણભાઈ સાથે જ રહે છે. માણસ અને પોપટ વચ્ચેની આ નિસ્વાર્થ દોસ્તી આજે વેળવા ગામમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને માનવતા હજુ જીવંત છે તેવો સુંદર સંદેશ આપે છે.

26 C