ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ તરીકે રાજ્યમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર જનાતા રેડ કરનાર અલ્પેશ ઠાકરો છેલ્લા ઘણા સમયથી દારૂબંધી સામે અવાજ ઉઠાવવા મામલે નિષ્ક્રિય બન્યા હતો. જોકે, ફરી એકવાર ભાજપના ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય તરીકે અલ્પેશ ઠાકોરે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં દારૂબંધીને લઈને હુંકાર કર્યો છે. દારૂના અડ્ડાઓ મામલે જાહેર સ્ટેજ પરથી કહ્યું હતું કે, જો ક્યાંય પણ દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો હું જાતે દારૂના અડ્ડા ઉપર આવીશ. 'અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો મને કહેજો હું પાછો નહીં પડું'અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સ્ટેજ પરથી હુંકાર કર્યો હતો કે, જો વિસ્તારમાં કોઈપણ ગરીબ કે સામાન્ય વ્યક્તિને અસામાજિક તત્વો હેરાન કરતા હોય, રંજાડતા અથવા હપ્તાખોરી કરતા હોય તો મને કહેજો હું પાછો નહીં પડું. ક્યાંય પણ જો દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો હું જાતે આવીશ. મારું નામ ક્યાંય પણ ચાલતું હોય તો હું આવીશ. મને ખબર જ ન હોય તો હું કેવી રીતે કાર્યવાહી કરું. જેથી મને જાણ કરજો હું જાતે તમારી સાથે આવીશ. 'દરેકને વ્યસન મુક્ત જમાઈ જોઇએ છે, પરંતુ આપવો નથી'વધુમાં તેમણે કહ્યું હતું કે, એક કાર્યકર્તાએ મને કહ્યું તો હું જાતે ગાડી ચલાવીને ગયો હતો. જેથી મને કહેજો હું જાતે એકલો આવીશ. તમારા ઘરની બાજુમાં કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય અને તમે એવું માનતા હોય કે મારે શું? તો એવું ના માનતા કારણ કે આ ઝેર તમારા ઘર સુધી પણ પહોંચી શકે છે. જેથી કોઇપણ અસામાજિક પ્રવૃત્તિ તમારા ઘરની બાજુમાં ચાલતી હોય તો જાણ કરજો. દરેકને વ્યસન મુક્ત જમાઈ જોઇએ છે, પરંતુ કોઇને વ્યસન મુક્ત જમાઈ આપવો નથી. જેથી આપણા નબીરાઓનું પણ ધ્યાન રાખજો. 'મને બધી ખબર ના હોય, તમારે મારૂં ધ્યાન દોરવાનું હોય'મારી માત્ર રોડ, પાણી, ગટર અને લાઈટ માટેની જવાબદારી નથી. તમારા જાનમાલના રક્ષણની પણ મારી જવાબદારી છે. કોઈપણ અસામાજિક તત્વો જો હેરાન કરતા હોય તો મને ધ્યાન દોરજો. મને બધી ખબર ના હોય. તમારે મારૂં ધ્યાન દોરવાનું હોય. ભાજપનો દરેક કાર્યકર રાષ્ટ્રવાદને ભરેલો છે. જેથી જ્યાં પણ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં દરેક લોકોએ કટિબદ્ધ થઈને કામ કરવું જોઇએ. 'આપણે એકને ગમતા હોઇએ તો બીજાને ના પણ ગમતા હોઇએ'જોકે, આ દરમિયાન અલ્પેશ ઠાકોરનું દર્દ પણ છલકાયું હતું. ચાંદખેડા વોર્ડમાં કેટલાક ભાજપના નેતાઓ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય તરીકે ગણકારતા નથી. ભાજપના સંગઠનના કેટલાક નેતાઓ પોતાની મનમાની રીતે પાર્ટીમાં કામ કરતા હોય છે તેમજ આંતરિક ઝઘડા અને કામગીરી પણ યોગ્ય નથી. જેથી આ તમામ બાબતે તેઓએ મીઠી ટકોર કરી હતી. તેઓએ કહ્યું હતું કે, આપણે એકને ગમતા હોઇએ બીજાને ગમતા પણ ના હોઇએ. પરંતુ જે નારાજગી હોય તો તે નારાજગીનું કારણ જાણીને તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો પડે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, હું તમને બધાને પ્રેમ કરું છું. હું રાજનીતિ માટે નથી બેઠો. મારા આંખમાં ક્યારેય તમને રમત નહીં દેખાય. તમે બધાએ મને અહીંયા ધારાસભ્ય બનાવ્યો છે. તમામ પ્રાંત અને તમામ વર્ગના લોકો અહીંયા છે. જેથી મારે તમામ લોકોનું ધ્યાન રાખવું જે મારી જવાબદારી છે. મારું અહીંયા ગોકુલધામ વસે છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, સૌ લોકો પૈસા કમાવો, સુખી થાવ અને ખુશ રહો તેવી શુભેચ્છા પાઠવી દીધી હતી. આમંત્રણ પત્રિકામાં નામ છતાં કોર્પોરેટર ભાસ્કર ભટ્ટ ગેરહાજરભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શહેર ભાજપમાંથી સરસપુર-રખિયાલ વોર્ડના ભાજપના કોર્પોરેટર ભાસ્કર ભટ્ટ હાજર રહેવાના હતા, પરંતુ ભાસ્કર ભટ્ટ કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળ્યા હતા. આમંત્રણ પત્રિકામાં પણ ભાસ્કર ભટ્ટનું નામ સૌથી મોટું લખવામાં આવ્યું હતું અને ઉપર લખવામાં આવ્યું હતું, પરંતુ ખુદ ભાસ્કર ભટ્ટ જ ગેરહાજર રહેતા તેમની જગ્યાએ શહેર ભાજપમાંથી મહેશ ઠક્કર હાજર રહ્યા હતા. સ્નેહમિલન કાર્યક્રમમાં એક બાદ એક વિવાદઅમદાવાદમાં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે શહેર ભાજપ દ્વારા દરેક વોર્ડમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, ત્યારે શહેર ભાજપના વોર્ડ મુજબના સ્નેહમિલન કાર્યક્રમમાં એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. ચાંદખેડા વોર્ડમાં આજે 6 નવેમ્બર 2025ના રોજ સાંજે જનતાનગર ખાતે યોજાનારા સ્નેહમિલન કાર્યક્રમની નિમંત્રણ પત્રિકાને લઈને વિવાદ પણ થયો હતો. દરેક વોર્ડ મુજબ કાર્યક્રમમાં નિમંત્રક તરીકે વોર્ડના પ્રમુખ અથવા હોદ્દેદારો હોય, પરંતુ ચાંદખેડા વોર્ડમાં નિમંત્રક તરીકે ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ લખી દેવામાં આવ્યું હતું. જોકે, ધારાસભ્યને પણ આ બાબતે જાણ ન હોવાનું સામે આવ્યું છે. 'આમંત્રણ પત્રિકા છપાઈ ત્યારે હું બહારગામ હતો': કેતન દેસાઈચાંદખેડા વોર્ડના ભાજપના પ્રમુખ કેતન દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમની નિમંત્રણ પત્રિકા મહામંત્રી દીપક ડાભલીયા દ્વારા છપાવવામાં આવી છે, જ્યારે આમંત્રણ પત્રિકા છપાઈ ત્યારે હું બહારગામ હતો. મને પત્રિકા જોવા માટે મોકલવામાં આવી હતી. જોકે, આ પ્રમાણેની નિમંત્રણ પત્રિકા છપાવવામાં આવી છે. મુખ્ય વક્તા અને મહેમાન તરીકે ભાજપના કોર્પોરેટર ભાસ્કર ભટ્ટ હોવાથી તેમનું નામ ઉપર લખવામાં આવ્યું છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે આ બાબતે મને જાણ નથી. હું બહાર હતો. 'નિમંત્રણ પત્રિકાને લઈને સમગ્ર વિવાદ સામે આવ્યો'નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં સરસપુર-રખિયાલ વોર્ડના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટનું નામ સૌથી ઉપર લખવામાં આવ્યું છે અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ નીચે લખવામાં આવ્યું હતું. આ નિમંત્રણ પત્રિકામાં નિમંત્રક તરીકે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ લખાયું છે. આ ઉપરાંત નીચે પણ ચાંદખેડા વોર્ડ ભાજપ પરિવાર લખવામાં આવ્યું છે. જેથી નિમંત્રણ પત્રિકાને લઈને સમગ્ર વિવાદ સામે આવ્યો છે. આ અગાઉ દિયોદર ખાતે ઠાકોર સમાજના મહા સ્નેહમિલન ગેનીબેન, સ્વરૂપજી અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજનું એક મહા સ્નેહમિલન દિયોદર ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, ગેનીબેન, સ્વરૂપજી અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજમાં સુધારા વધારા, સામાજિક બંધારણ અને કુરિવાજો તેમજ બદીઓ દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અહીં ક્લિક કરી વાંચો સમગ્ર અહેવાલ...
ગોધરામાં અજાણ્યા વાહન ચાલકે યુવતીને ટક્કર મારી:સ્થળ પર મૃત્યુ; ટ્રાન્સપોર્ટર પર હુમલો, બે અલગ ઘટનાઓ
ગોધરા તાલુકાના ઓરડવાડા ગામ પાસે એક માર્ગ અકસ્માતમાં 20 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક યુવતીની ઓળખ આશાબેન દલપતભાઈ પટેલ (ઉં.વ. 20) તરીકે થઈ છે, જે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બારીયાગામડી વિસ્તારની રહેવાસી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, આશાબેનને માનસિક સંતુલન સંબંધિત મધ્યમ પ્રકારની તકલીફ હતી અને તે ક્યારેક કહ્યા વગર ઘરેથી નીકળી જતી હતી. ગત 4 નવેમ્બરના રોજ સાંજે સાત વાગ્યા આસપાસ આશાબેન ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે રાત્રે આઠ વાગ્યા બાદ ઓરડવાડા ગામના સરપંચે તેમના ભત્રીજાને ફોન કરીને જાણ કરી કે, પાનમ બ્રિજથી ઓરડવાડા તરફ આવતા હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક યુવતીનું મૃત્યુ થયું છે. આ માહિતી મળતા મૃતદેહ ગોધરા સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં હોવાનું જાણવા મળ્યું હતું. પ્રેમિલાબેન, ગામના સરપંચ અને અન્ય પરિવારજનોએ હોસ્પિટલ પહોંચી મૃતક યુવતી પોતાની પુત્રી આશાબેન હોવાની ખાતરી કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ, અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી ટક્કર મારતા આશાબેનને માથામાં ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો હતો. ગોધરા તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અન્ય એક ઘટનામાં, ગોધરા તાલુકાના વણાંકપૂર ગામે નજીવી બાબતે બે ઈસમોએ એક ટ્રાન્સપોર્ટર સાથે ઝઘડો કરી માર માર્યો હતો. આ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગોધરા શહેરના પોલન બજારમાં રહેતા ઇશહાક અબ્દુલ રહીમ છુંગા (ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 31 ઓક્ટોબરના રોજ બપોરના સમયે વણાંકપૂર ગામ પાસે આવેલી સુપ્રિમ હોટેલ ખાતે તેમની ટ્રક પંચર પડી હતી. તેઓ ટ્રકના ચાલક અને ક્લીનરની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન કરીમ મુહમ્મદ મોગલ અને જાવેદ હુસૈન વલીવાંકા નામના ઈસમો ત્યાં આવ્યા હતા. ઇશહાક છુંગાએ તેમને પૂછ્યું કે તું મારા ક્લીનરને કેમ ચઢાવે છે? આટલું કહેતા જ જાવેદ હુસૈન વલીવાંકા ઉશ્કેરાઈ ગયો અને તેના હાથમાં રહેલું પંચ ઇશહાક છુંગાના કપાળના ભાગે માર્યું. કરીમ મુહમ્મદ મોગલે પણ ગડદાપાટુનો માર માર્યો હતો. બંને ઈસમોએ અપશબ્દો બોલીને અમારું નામ લીધું છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસે બંને ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યાત્રી કૃપયા ધ્યાન દે:સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર
રેલવે દ્વારા સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અજમેર ડિવિઝનના અજમેર-પાલનપુર રેલવે સેક્શન પર આવેલા ફાલના સ્ટેશન યાર્ડમાં ફૂટ ઓવર બ્રિજ (FOB) ગર્ડર લોંચિંગ માટે સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે તેના નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી ઉપડશે. પ્રવાસીઓએ આ ફેરફારને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર પહોંચવુંઆ રીશડ્યુલિંગથી ટ્રેન નંબર 12462, સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ જે 7 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી સાબરમતી સ્ટેશનથી પોતાના નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી ઉપડશે. આ ચાર દિવસ દરમિયાન સાબરમતી- જોધપુર વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓએ આ ફેરફારને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર પહોંચવું.
સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા:તાપી જિલ્લામાં વ્યારા-નિઝર વિધાનસભામાં આયોજન
તાપી જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે યોજાનારી પદયાત્રાઓ અંગે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં જિલ્લા ભાજપના પદાધિકારીઓએ યાત્રાઓની રૂપરેખા રજૂ કરી હતી. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સરદાર @150 યુનિટ માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સરદાર એકતા યાત્રા આગામી 17 અને 18 નવેમ્બરના રોજ તાપી જિલ્લાની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક પર ફરશે. આ ઉપરાંત, ઉમરગામથી કેવડિયા સુધી યોજાનારી ભગવાન બિરસા મુંડાજીની યાત્રા આગામી 9 નવેમ્બરના રોજ તાપી જિલ્લામાં પ્રવેશ કરશે. આ બંને મહત્વપૂર્ણ યાત્રાઓની સંપૂર્ણ વિગતો અને આયોજનની રૂપરેખા આપવા માટે તાપી જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ આ પત્રકાર પરિષદ યોજી હતી.
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ફેબ્રુઆરીથી યોજનાર પરીક્ષા માટે આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરી શકાશે. આવતીકાલથી ( 7/11/2025 )થી રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે. જે 6 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.Org ફી સાથે ફોર્મ ભરી શકશે. દર વર્ષે દિવાળી પહેલા બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાતા હોય છે પરંતુ, આ વર્ષે દિવાળી બાદ બોર્ડના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે શાળાના સંચાલકો, આચાર્ય, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને સમયમર્યાદામાં ફોર્મ ભરવા માટે સૂચના આપી છે. ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને પણ બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ઓનલાઈન જ ભરવાના રહેશે. જેની માહિતી પણ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.
મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં અંધશ્રદ્ધા ફેલાવી લોકોને છેતરતી ભુઈ હનીફાબેન પઠાણનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે સાથે રાખીને કરાયેલી રેડ દરમિયાન, ભુઈ લોકોને રોગ મટાડવાના બહાને પૈસા લેતી હતી. જાથાની કાર્યવાહી બાદ ભુઈએ જાહેરમાં લોકોની માફી માંગી હતી અને આ ધંધો બંધ કરવાની ખાતરી આપી હતી. વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાં રહેતી હનીફાબેન પઠાણ છેલ્લા દસ વર્ષથી પોતાના ઘરમાં માતાજીનો મઢ બનાવીને ખોડીયાર માતા અને મેલડી માતાની ભુઈ હોવાનો દાવો કરતી હતી. તે લોકોને બીપી અને ડાયાબિટીસ જેવા રોગો મટાડવાનું કહીને દાણા પીવડાવી ઉપચાર કરતી હતી. આ ઉપરાંત, તે દર્દીઓને તેમની ચાલુ દવાઓ બંધ કરાવી માતાજીમાં શ્રદ્ધા રાખવા માટે કહેતી હતી, જેનાથી લોકોમાં ગંભીર અંધશ્રદ્ધા ફેલાઈ રહી હતી. હનીફાબેન પઠાણ પાસે વાંકાનેર, મોરબી, કુવાડવા, ચોટીલા અને થાન સહિતના વિસ્તારોમાંથી લોકો આવતા હતા. તે રોગ મટાડવા ઉપરાંત સંતાન પ્રાપ્તિ, ઘરકંકાસ દૂર કરવા, લગ્ન સંબંધી ઉકેલ, મેલી વસ્તુ કે છાયા જેવી અંધશ્રદ્ધાળુ વાતો કરીને લોકોને છેતરતી હતી. થાનના એક પરિવારની મહિલાને બીપીની તકલીફ હતી, જેમણે ભુઈના કહેવાથી દવા બંધ કરી દીધી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પીડિત પરિવારે ભારત જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો. આ માહિતી મળતા, ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ભોગ બનેલા પરિવારને સાથે રાખીને વાંકાનેરમાં રેડ કરી હતી. આ કાર્યવાહીના પરિણામે, હનીફાબેન પઠાણે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી લોકોની માફી માંગી હતી અને ભવિષ્યમાં આવા અંધશ્રદ્ધા ફેલાવતા ધંધા બંધ કરવાની ખાતરી આપી હતી.
રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળની બાંધકામ શાખા હસ્તકની લાખાજીરાજ શાક માર્કેટ અને જ્યુબિલી શાક માર્કેટ માટે બાંધકામ શાખાએ જ અલગ અલગ વિરોધાભાસી આદેશો જાહેર કરીને બુધ્ધિનું પ્રદર્શન કર્યું છે. ! એક તરફ લાંબા સમયથી લાખાજીરાજ માર્કેટ કરાવવવાની પ્રક્રિયાના વેપારીઓ જ્યુબિલી શાક માર્કેટમાં બેસવા માટે તૈયાર થઇ ગયા છે. અને દિવાળી બાદ તમામ થડાં ખાલી કરીને જ્યુબિલીમાં કરવા થડાની પણ ફાળવણી કરી દેવામાં આવી છે ત્યારે હવે બાંધકામ શાખાએ વગર વિચાર્યે જ્યુબિલી શાક માર્કેટ પણ ખાલી કરવાનો આદેશ આપતાં પોતાની જ હસ્તકની આ બન્ને શાક માર્કેટ માટે વિરોધાભાસી આદેશ જારી કરી દેતાં જ્યુબિલી ઉપરાંત લાખાજીરાજ માર્કેટના ધંધાર્થીઓની મુંઝવણ વધી ગઇ છે. શહેરના સેન્ટ્રલ ઝોન હસ્તકના વોર્ડ નં.૭માં પરાબજારમાં આવેલી લાખાજીરાજ શાક માર્કેટ અતિ જર્જરિત હોય જોખમી બની ગઈ છે. જેને લઈ મહાનગરપાલિકાની બાંધકામ શાખાએ 5 વર્ષ પહેલા 9 ઓગસ્ટ 2020ના રોજ એસ્ટેટ શાખાને પત્ર લખીને લાખાજીરાજ માર્કેટ તુરંત ખાલી કરાવવા માટે આદેશ આપ્યો હતો. છેલ્લા વર્ષની ખાલી કરવા ચાલતા વિવાદ બાદ આખરે એસ્ટેટ શાખાએ તમામ વેપારીઓ, ગોડાઉનધારકો અને દુકાનદારોને નોટિસ આપીને લાખાજીરાજ માર્કેટ તાકીદે ખાલી કરવા માટે આદેશ આપ્યો હતો. રાજકિય દબાણો, વેપારીઓના વિરોધ તેમજ કાનુની વિવાદ બાદ આખરે વેપારીઓએ દિવાળી બાદ માર્કેટ ખાલી કરવાની તૈયારી બતાવી હતી. જેને લઈને એસ્ટેટ શાખાએ તમામ વેપારીઓને તેઓને જ્યુબિલી શાક માર્કેટમાં ફાળવવામાં આવેલા થડા ખાતે સ્થળાંતર કરવા માટે જણાવ્યું છે. ત્યારે બીજીતરફ સેન્ટ્રલ ઝોનની બાંધકામ શાખાએ તા. 29 ઓક્ટોબરે જ્યુબિલી શાક માર્કેટ નવીનીકરણ કરવાનું જણાવીને જ્યુબિલી શાક માર્કેટ ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે. આમ બાંધકામ હસ્તકની બે અલગ અલગ શાક માર્કેટ માટે અગાઉના આદેશનો અભ્યાસકર્યા વગર જ્યુબિલી શાકે માર્કેટ પણ ખાલી કરાવવાનો આદેશ આપતાં હવે જ્યુબિલી અને જેઓને જ્યુબિલી શાક માર્કેટમાં થડાની ફાળવણી કરવામાં આવી છે તેવા લાખાજીરાજ શાક માર્કેટનાં વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાએ લાખાજીરાજ માર્કેટ ખાલી કરવા થડા ધારકોને જ્યુબિલી શાક માર્કેટમાં થડાની ફાળવણી કરી દીધી છે. ત્યારે બાંધકામ શાખાએ જ્યુબિલી શાક માર્કેટ પણ ખાલી કરવા આદેશ કરતાં આ બન્ને માર્કેટોના 487 થડા ધારકોની આજીવિકા અને ધંધા રોજગાર પર લટકતી તલવાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
પોરબંદરમાં સોરઠીયા રબારી સમાજનું સ્નેહમિલન:શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે બિનરાજકીય મંચ
પોરબંદરમાં સોરઠીયા રબારી સમાજ દ્વારા આગામી 9 નવેમ્બર, 2025ના રોજ એક ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવાનો છે. આયોજન સોરઠીયા રબારી નવનિર્માણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.આ સ્નેહમિલનનું આયોજન પોરબંદર રબારી બોર્ડિંગ ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. સમાજના જાગૃત યુવાનો દ્વારા આ પહેલ કરવામાં આવી છે. આ સ્નેહમિલન સંપૂર્ણપણે બિનરાજકીય રહેશે અને સમાજના વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા, માર્ગદર્શન અને ઉકેલ માટે એક મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડશે. કાર્યક્રમમાં રબારી સમાજના સાધુ-સંતો, ભુવા-આતા શ્રીઓ, સામાજિક આગેવાનો, રાજકીય નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહી સમાજને માર્ગદર્શન આપશે. કાર્યક્રમના મુખ્ય હેતુઓમાં સમાજમાં એકતા અને સંગઠન મજબૂત કરવું, શૈક્ષણિક વિકાસ માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવું, કુરીવાજો દૂર કરીને સુધારાઓ તરફ આગળ વધવું, સમાજના યુવાનોને કારકિર્દી અને નેતૃત્વમાં આગળ ધપાવવા તેમજ અન્ય સમાજ સાથે સમરસતા અને સમાનતા વધારવાનો સમાવેશ થાય છે. આયોજક સંસ્થા સોરઠીયા રબારી નવનિર્માણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ યુવાનોનું એક બિનરાજકીય સંગઠન છે, જે સમાજને દરેક ક્ષેત્રે આગળ વધારવા કટિબદ્ધ છે. સમાજને સંદેશ આપવામાં આવ્યો છે કે દેખાડામાં નહિ, દયાળુ બનીએ... વિવાદમાં નહિ, વિશ્વાસુ બનીએ... અભણ નહિ, ભણતરૂ બનીએ... વ્યક્તિ પુજાળુ નહિ, શક્તિ પુજાળુ બનીએ...કાર્યક્રમની રૂપરેખા મુજબ, ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત, વડીલો તથા વક્તાઓનું ઉદ્દબોધન, રક્તદાન કેમ્પ અને સ્વરૂચી ભોજનનો સમાવેશ થાય છે. રાત્રે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૯ નવેમ્બર, ૨૦૨૫ના રોજ રવિવારે સાંજે 3:00 વાગ્યે સોમનાથ–પોરબંદર–દ્વારકા બાયપાસ ચોકડી, મુ. વનાણા, તા./જી. પોરબંદર ખાતે યોજાશે.
અમદાવાદ શહેરના અસારવા તળાવમાં માછલીઓ મરી જવાની ઘટના સામે આવી હતી, જે બાદ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં વિવિધ તળાવોમાં ઓક્સિજનની માત્રા જળવાઇ રહે તેમજ પાણીમાં કોઇપણ પ્રકારનું ગટરના પાણી ન ભરાય તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. શહેરમાં વિવિધ તળાવો જેવા કે વટવા મહાલક્ષ્મી તળાવ, સરખેજનું રતન તળાવ સહિત કેટલાક તળાવમાં ગટરના ગંદા પાણી આવી રહ્યા છે ત્યારે આ તળાવમાં ગંદા પાણી આવતા અટકાવવા માટે સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત તળાવોને સ્વચ્છ કરવા માટે બાયો ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે સૂચના અપાઇ છે. 30મી નવેમ્બર સુધીમાં આ તળાવ પણ તૈયાર થઇ જશેસ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં વિવિધ તળાવોમાં સ્વચ્છતા જળવાય તે માટે યોગ્ય કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. કોઇપણ તળાવમાં ઓક્સિજનની માત્રા ઓછી ન પડે અને માછલીઓ ન મરે એવી સુવિધા અને વ્યવસ્થા કરવા માટે તંત્રને તાકીદ કરવામાં આવી છે. સ્ટેન્ડીંગ કમિટીમાં શહેરમાં વિવિધ તળાવો જેના બ્યુટીફીકેશની કામગીરી ચાલી રહી છે, તે તળાવો મામલે પણ પ્રશ્ન કરવામાં આવતાં તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે, 30મી નવેમ્બર સુધીમાં આ તળાવ પણ તૈયાર થઇ જશે. આ સિવાય લાંભા તળાવ, બાપુનગર તળાવ અને વટવાના મહાલક્ષ્મી તળાવને પણ બ્યુટીફીકેશનની કામગીરી ચાલી રહી છે. તે બાબતે પણ પ્રશ્ન પુછાયો હતો કે, ત્યાં શું સ્થિતિ છે અને આ કામગીરી ક્યાં સુધીમાં પૂર્ણ થશે. AMC કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં ઈન્ચાર્જ આરોગ્ય અધિકારીને તાકીદ કરીઅમદાવાદમાં કૂતરા કરડવાના કિસ્સા વધી રહ્યા છે અને કૂતરા કરડવાનો ભોગ બનનાર વ્યક્તિને આપવામાં આવતી એન્ટિ રેબીક્સ વૈકિસન (ARV) તથા ઈમ્યુનોગ્લોબીન વેક્સિન AMCના હેલ્થ સેન્ટરો અને CHCમાં મળી રહે તે માટે યોગ્ય પગલાં લેવા માટે AMC કમિશનર બંછાનિધિ પાનીએ સ્ટેન્ડિંગ કમિટીમાં ઈન્ચાર્જ આરોગ્ય અધિકારીને તાકીદ કરી હતી આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ન્યુ મણીનગર વિસ્તારમાં કુતરા કરડવાની ઘટના બાદ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરના કેટલાંક અર્બન હેલ્થ સેન્ટરોમાં વેકસીન ઉપલબ્ધ હોતી નથી અને દર્દીને બીજા UHC અથવા CHCમાં મોકલવામાં આવતા હોવાની તેમજ કેટલાંક કિસ્સામાં નાગરિકોને ખાનગી કિલનિક અથવા હોસ્પિટલોમાં ARV લેવા જવું પડતું હોવા નને લઈ ઈમ્યુનોગ્લોબીન વેક્સિન AMCના હેલ્થ સેન્ટરો અને CHCમાં મળી રહે તે માટે યોગ્ય પગલાં લેવા સૂચના આપી હતી.
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે લીલેસરા વિસ્તારમાં એક ખેતરમાંથી કતલના ઇરાદે બાંધી રાખેલી ગાયને બચાવી લીધી છે. પોલીસે ગાયને પરવડી પાંજરાપોળ ખસેડી છે અને અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી. બાતમી મુજબ, ગોધરા શહેરના લીલેસરા રોડ પર બ્લુબેલ સ્કૂલ પાછળના એક ખુલ્લા ખેતરમાં ગૌવંશને કતલના ઇરાદે બાંધી રાખવામાં આવ્યું હતું. આ ચોક્કસ બાતમીના આધારે, પોલીસે ગત 4 નવેમ્બરના રોજ મોડીરાત્રે બાતમી મુજબની જગ્યાએ છાપો માર્યો હતો. રેડ દરમિયાન, પોલીસને ત્યાંથી એક ગાય ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવી હતી. જોકે, પોલીસની રેઇડ દરમિયાન ગૌવંશને કતલના ઇરાદે બાંધી રાખનારા ઇસમો નાસી છૂટ્યા હતા. આ સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે અજાણ્યા ઇસમો સામે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં વંદે માતરમ@150ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે, આવતીકાલે, 07 નવેમ્બર, 2025ના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી ખાતે સવારે 9.30 કલાકે તમામ અધિકારીઓ રાષ્ટ્રગીતના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરશે અને ત્યારબાદ 'સ્વદેશી શપથ' લેશે. કલેક્ટર કચેરી ઉપરાંત, જિલ્લાની અન્ય તમામ કચેરીઓમાં પણ કર્મચારીઓ આ જ સમયે સમૂહ ગાન અને શપથ ગ્રહણ કાર્યક્રમમાં જોડાશે. આ સાથે, જિલ્લાની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ખાતે વંદે માતરમ @150 થીમ આધારિત સેમિનાર અને વક્તૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન કરાશે. સામાન્ય વહીવટ વિભાગની સૂચના અનુસાર, શુક્રવાર, 07 નવેમ્બર, 2025ના રોજ જિલ્લાની તમામ કચેરીઓનો સમય સવારે 9.30 થી સાંજે 5.10 સુધીનો રહેશે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સવારે 9.30 કલાકે સમયસર હાજર રહીને આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં ભાગ લેવો ફરજિયાત છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમની પ્રસિદ્ધિની 07મી નવેમ્બરની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તેનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જગાડવાનો છે.
બોટાદ જિલ્લા પોલીસ અને બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ગઢડામાં 'બેટી બચાવો, બેટી પઢાવો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સોલંકી પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ દરમિયાન યોજાયો હતો, જેમાં ઉપસ્થિત શ્રોતાઓને કાયદાકીય અને વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના PSI શિવાની મકવાણાએ મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી વિશે ચર્ચા કરી હતી. પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC)ના કાઉન્સેલર રીનાબેન વ્યાસે સેન્ટરની કામગીરી અને ઘરેલુ હિંસા સંબંધિત કાયદા બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. DHEWના જિલ્લા કોઓર્ડિનેટર મહેશભાઈએ મહિલાઓને લગતી વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. 181 મહિલા અભયમ હેલ્પલાઈન વિશે કાઉન્સેલર જલ્પાબેન સોનગરા અને કોન્સ્ટેબલ લતાબેન દ્વારા જાણકારી આપવામાં આવી હતી. શી ટીમના કર્મચારી સુરપાલસિંહ ગોહિલે શી ટીમ, સાયબર ક્રાઈમ અને સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે વાત કરી હતી. તો તેમણે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. PBSC ગઢડાના કાઉન્સેલર રેખાબેન મજેઠીયા અને ક્રિષ્નાબેન બધેકા દ્વારા સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ. મંસૂરી અને નાયબ પોલીસ અધિક્ષક એ.એ. સૈયદના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.
વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે નં. 48 ઉપર APMC માર્કેટની સામે બનેલી લૂંટની ઘટનાનો ભેદ કપુરાઇ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે 3 આરોપીઓને મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર હજુ ફરાર છે. આ મામલે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 23 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે નેશનલ હાઈવે નંબર-48 પર લોખંડના બ્રિજ નીચે APMC માર્કેટની સામે ફરિયાદી લક્ઝરી બસની રાહ જોઈને ઊભા હતા. તે વખતે બે ટુ વ્હીલર પર સવાર 4 અજાણ્યા ઈસમો આવ્યા હતા. બે ઈસમોએ ફરિયાદીને પકડી રાખ્યા હતા, જ્યારે બીજા બેને પેન્ટના જમણા ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધું હતું. પાકીટમાં 25,000 રૂપિયાની રોકડ હતી. ધક્કો મારીને ફરિયાદીને પાડી દીધા બાદ ચારેય ભાગી ગયા હતા.. કપુરાઇ પોલીસ સ્ટેશનના પીઆઇના માર્ગદર્શનમાં ડી.સી. રાઓલના માર્ગદર્શમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને CCTV ફૂટેજ, ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ શરૂ કરી હતી અને બાતમીના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 1.તુષાર ઉર્ફે મીનુ કાંતિભાઈ યુનારા, રહે. રમેશચંદ્રની ગલી, બરાનપુરા પેટ્રોલપંપ સામે, બરાનપુરા વાડી, વડોદરા. 2.આશિષ ઉર્ફે રૂત્વિક કમલેશભાઈ ચુનારા, રહે. વિઠ્ઠલવાડી, ચોખંડીનાની શાક માર્કેટ પાસે, વાડી, વડોદરા. 3. હર્ષ ઉર્ફે બમ્બુ નયનભાઈ ચુનારા, રહે. રમેશચંદ્રની ગલીની બાજુમાં, બરાનપુરા પેટ્રોલપંપ સામે, બરાનપુરાવાડી, વડોદરા. ફરાર આરોપી1. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોર. જપ્ત કરાયેલ મુદ્દામાલ બાઈક, મોપેડ, રોકડ 20,000 રૂપિયા, 3 મોબાઇલ
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખા અને આવારા તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે ત્યારે લુખ્ખા તત્વોને બાનમાં લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કડક કાર્યવાહી કરવા સૂચના આપતા આજ રોજ વધુ એક હિસ્ટ્રીશીટરના ગેરકાયદે ખડકાયેલા ઘર પર બૂકડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જેમાં આજે સાંજના સમયે રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રૂખડિયાપરા વિસ્તારમાં નામચીન બુટલેગર રાજેશ ઉર્ફે ડોનિયો ચૌહાણ દ્વારા બનાવવામાં આવેલ ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. રાજકોટ મનપા તેમજ PGVCL તંત્રને સાથે રાખી પોલીસ દ્વારા નામચીન હિસ્ટ્રીશીટર દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલ અનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજેશ ઉર્ફે ડેનિયા વિરુદ્ધ પ્રોહીબિશન, મારામારી, એટ્રોસિટી સહિત અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમજ અગાઉ આરોપી વિરુદ્ધ પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પુરપાટ ઝડપે વાહન ચલાવતા યુવાને કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાયુંરાજકોટના કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડરબ્રિજમાં પુરપાટ ઝડપે વાહન ચલાવતા ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો છે. યુવરાજ પરસોતમભાઈ પરમાર (ઉ.વ.18), રોહિત મુરજીભાઈ પરમાર (ઉં.વ.30) અને એક સગીર ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ રોહિતના સ્પલેન્ડર બાઈક પર નીકળ્યા હતા. તેઓ કાલાવડ રોડ મહિલા કોલેજ અન્ડર બ્રિજ ખાતે પહોંચતા બાઈક કાબુમાં ન રહેતા બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું, જેમાં ત્રણેય ઘવાયા હતા. આ દરમિયાન અન્ય કોઈ રાહદારીએ 108માં ફોન કરતા 108 મારફત ત્રણેયને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં રોહિત અને તેના ભત્રીજા યુવરાજને ગંભીર ઈજા હોવાના કારણે ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયા હતા. જ્યારે વિવેકને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. રોહિત કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાસે કાર શો-રૂમમાં કાર કોટિંગનું કામ કરે છે. ગઈકાલે રાત્રે શો-રૂમ બંધ થયા બાદ તે ભત્રીજા યુવરાજ અને મિત્ર વિવેક સાથે નાસ્તો કરવા માટે રેસકોર્સ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. હાલ ત્રણેય સારવાર હેઠળ છે. વાહન સ્લીપ થતા તલાટી મંત્રીના પિતાનું મોત નીપજ્યુંગિરીશચંદ્ર મગનલાલ દવે (ઉ.વ.67) આજે બપોરે 12.30 વાગ્યા આસપાસ ઘર પાસે સ્કૂટર લઈને જતા હતા ત્યારે વાહન સ્લીપ થઈ જતા માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી. જેથી, તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યાં હતા. મૃતક વૃદ્ધ બહુમાળી ભવનમાં આવેલા ઉદ્યોગ કેન્દ્રમાં કર્મચારી હતા અને હાલ નિવૃત્ત જીવન ગાળતા હતા અને તેમના પુત્ર રોહિતભાઈ પડધરીમાં તલાટી મંત્રી છે. ગિરીશચંદ્રભાઈ 3 ભાઈ અને 1 બહેનમાં નાના હતા, તેઓ આજે સવારે શાકભાજી લેવા માટે નજીકની ગુરુજી શાક માર્કેટ ખાતે ગયા હતા ત્યાંથી શાકભાજી લઈને પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે આ વાહન સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. તું અલગ જ્ઞાતિની છો કહી મેણાં ટોણા મારતારાજકોટની પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે હરી ઝાપડા સાથે 5 જૂનના રોજ ભાગીને દિલ્હી ગયા બાદ 6 જૂનના કોર્ટ મેરેજ કર્યા હતા આ પછી આઠ દિવસ દિલ્હીમાં રહ્યા હતા અને પછી 12 જૂનના રોજ રાજકોટ આવી આજીડેમ ચોકડી પાસે હોટલમાં બે ત્રણ દિવસ રોકાયા હતા. બાદ પતિ હરી ઝાપડાના મિત્રનો ઘંટેશ્વર પાસે આવેલ ફ્લેટમાં થોડા દિવસ રોકાયા હતા. પરિણીતા પતિ સાથે તા.18 જુનના રોજ તેમના ઘરે જતા જ ભાગીને લગ્ન કર્યા હોવાથી સાસુ શાંતુબેન અને દાદી સાસુ મંજુબેને પરિણીતાને ગાળો આપી મારમાર્યો હતો. આ આપણા જ્ઞાતિની નથી તું તેને મૂકી દે કહી પતિને ચઢામણી કરતા પતિએ પણ સાથ છોડ્યો હતો. આથી, પરિણીતાએ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી ઘરે બોલાવી સમજાવવા છતાં સાસરીયાપક્ષ પરિણીતાને સ્વીકારવા તૈયાર ન હતા આથી પરિણીતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રોકાઈ હતી. જ્યાં સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે પરિણીતાના માતા-પિતાને જાણ કરતા ગત તા.19 જૂનના રોજ પિયરપક્ષ પરિણીતાને તેની સાથે માવતરે લઈ ગયા હતા. બાદમાં સખી વન સ્ટોપ સેન્ટર મારફત સમાધાનની વાત કરતા સાસરીયા પક્ષે જણાવેલ કે અમારી જ્ઞાતિની નથી એટલે અમારે સમાધાન કરવું નથી. આજ દિવસ સુધી પતિનો પણ કોઈ ફોન કે મેસેજ ન આવતા અંતે પરિણીતાએ પતિ, સાસુ દાદી સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વાસણા વિસ્તારમાં જી. બી. શાહ કોલેજની સામે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ફરિયાદી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી પર છરા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ વાસણા પોલીસે પવનસિંહ સોલંકી અને જીલુભા ઉર્ફે જીલ સોલંકી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાની સામે આવ્યું હતું. જેથી, હવે વાસણા પોલીસે હત્યાના પ્રયાસના આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ પણ ગુનો દાખલ કર્યો છે તેમજ જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયેલા બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. એકબીજાની મદદ કરી ગુનાને અંજામ આપી, આરોપીઓ ફરાર7 સપ્ટેમ્બરના મોડી રાત્રે જી.બી.શાહ કોલેજની સામે આવેલ હનુમાનજી મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યા પાસે જીલુભા સોલંકી અને શંકર રાયલજી નામના વ્યક્તિએ અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ફરિયાદીને માર માર્યો હતો. જે દરમિયાન પવનસિંહ સોલંકી તેના ભાઈનું ઉપરાણું લઈ ફરિયાદીને માર માર્યો હતો. પવનસિંહે દેવદર્શભાઈને ગળાના ભાગે છરા વડે જીવલેણ ઘા મારી ગંભીર ઇજાઓ પહોચાડી હતી. એકબીજાની મદદ કરી ગુનાને અંજામ આપી, આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન શંકર ઠાકોર નામના વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. નાસ્તા ફરતા આરોપી પવનસિંહ સોલંકી અને જીલુભા ઓરખે જીલ સોલંકીની પૂછપરછ કરતા આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હત્યાના પ્રયાસની સાથે-સાથે ગુજસીટોક હેઠળ પણ ગુનો દાખલ કર્યોજે બાદ વાસણા પોલીસ સ્ટેશનનું રેકોર્ડ ચેક કરતા આરોપીઓ વિરુદ્ધ અનેક ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા દસ વર્ષ દરમિયાન અનેક ગંભીર ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું હતું તેમજ આરોપીઓ અમદાવાદ શહેરમાં પોતાનું નેટવર્ક ઊભું કરી ગેંગ ચલાવતા હતા. આરોપીઓ પોતાની ગેંગ બનાવી ધમકી આપી જુદા-જુદા અનેક પ્રકારના ગુનામાં સંડોવાયેલા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. આરોપીઓ ગંભીર પ્રકારના ગુના આચરતા હોવાથી વાસણા પોલીસે હત્યાના પ્રયાસની સાથે-સાથે ગુજસીટોક હેઠળ પણ ગુનો દાખલ કર્યો છે. નામદાર કોર્ટમાં આરોપીઓ સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. નાસ્તા ફરતા આરોપી પવનસિંહ સોલંકી અને જીલુભા ઉર્ફે જીલ સોલંકી સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યના GUDM (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન) વિભાગે લાંબા સમયની અસમંજસ બાદ આખરે રાંદરડા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. મહાપાલિકા દ્વારા આ યોજના માટે રૂ. 16,94,50,968 ઉપરાંતના ખર્ચનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ યોજના હેઠળ પ્રદ્યુમન પાર્ક નજીકના વિસ્તારોનો વિકાસ કરીને લાયન સફારી પાર્ક, ફૂડ કોર્ટ, બાલ ક્રીડાંગણ, સેલ્ફી પોઈન્ટ અને લાઈટિંગ સહિતની સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે. તળાવ ફરતે રિવર ફ્રંટ ચેન પણ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટના માર્ગમાં આવતા સાગરનગર, જંગલેશ્વર તેમજ બેટ દ્વારકા વિસ્તારના 900થી વધુ વિસ્થાપિતોને જગ્યા ખાલી કરવા માટે મહાનગરપાલિકાએ આખરી નોટિસ આપી દીધી છે. અસરગ્રસ્તોને અન્યત્ર આવાસ ફાળવવા માટે જરૂરી દસ્તાવેજો માંગવામાં આવ્યા છે. જેમાં સાગરનગરના 600માંથી 400 વિસ્થાપિતોએ આધાર પુરાવા આપી દીધા છે. જ્યારે જંગલેશ્વરના 491 વિસ્થાપિતોને હવે 2018-19 મુજબના ડોક્યુમેન્ટ્સ આપવા જણાવાયું છે, કારણ કે મોટાભાગના પાસે 2010ના દસ્તાવેજો નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ, લલુડી વોંકળીના કુલ 670 વિસ્થાપિતોએ સોરઠિયાવાડી સ્થિત આવાસોમાં જવાની તૈયારી દર્શાવી ચુક્યા છે. ત્યારે ટૂંક સમયમાં રાંદરડાનાં બ્યુટીફીકેશનની કામગીરી આગળ વધશે. રાજકોટ મનપામાં સૌપ્રથમ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ શરૂ કરાશે, વેરાવિભાગનું સ્થળાંતર કરી રીનોવેશન શરૂ રાજકોટ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત તમામ પ્રકારના પ્રોજેક્ટ્સના આયોજન, અમલીકરણ, અને દેખરેખ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (PMU)ની સ્થાપના કરવામાં આવનાર છે. આ યુનિટની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ સરકાર તરફથી મળતા ભંડોળનો સમયસર અને યોગ્ય ઉપયોગ થાય, ગુણવત્તાનું મોનીટરીંગ થાય અને લોકોને સમયમર્યાદામાં સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે તે છે. આ માટે હાલ 11 મહિનાના કરાર આધારિત 35 એન્જિનિયરોના ઇન્ટરવ્યુ લેવાઈ ગયા છે. આ કોર્પોરેટ કક્ષાના વિભાગને સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલી જૂની ટેક્સ બ્રાન્ચ ખાલી કરીને કાર્યરત કરવામાં આવનાર છે. આ માટે વેરા વિભાગને ગાંધી મ્યુઝિયમમાં ખસેડી રીનોવેશન શરૂ કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર તુષાર સુમેરાના સીધા મોનીટરીંગ હેઠળ, PMU માટે આધુનિક ડિઝાઇન સાથેના ફર્નિચર, કોન્ફરન્સ રૂમ અને અંડરગ્રાઉન્ડ કેબલિંગ સહિતના કામો ઝડપથી ચાલી રહ્યા છે. યુનિટમાં કંટ્રોલ રૂમ અને વોર રૂમની વ્યવસ્થા હશે, જ્યાં કુલ 35 એન્જિનિયરની ટીમ દૈનિક કામગીરી કરશે. આ યુનિટ માટે કુલ 8 શ્રેષ્ઠ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. તમામ પ્રોજેક્ટ્સની માહિતી એક ક્લિક પર મળી રહે તે માટે સોફ્ટવેર-ડેશબોર્ડ પણ તૈયાર કરવામાં આવનાર છે. મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં બે લિફ્ટ એકસાથે બંધ થતાં અરજદારોને હાલાકી રાજકોટ મહાપાલિકાની ઢેબર રોડ સ્થિત સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે અરજદારો અને ચૂંટાયેલા લોકો માટે લીફટ સુવિધા છે. દિવ્યાંગો અને વીઆઇપી માટે પણ લીફટ રહેલી છે. પરંતુ દરરોજ લીફટની જરૂરીયાત હોવા છતાં એકાએક બે લીફટ બંધ પડી જતા અરજદારોને મુશ્કેલી પડી રહી છે. સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે અરજદારો માટેની લીફટ છેલ્લા થોડા સમયથી ફર્નિચર તેમજ સાહિત્ય ફેરવવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હતી. આ પછી અનેકવાર લીફટ બંધ થતી હતી. સાથે મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ પુર્ણ થતાં અને લીફટમાં ટેકનીકલ સહિતના ફોલ્ટ આવતા ગઇકાલથી આ બન્ને લીફટ બંધ છે. હાલ દિવ્યાંગોને લીફટની ખાસ જરૂર પડે છે. જોકે વહીવટી પાંખમાં બે પૈકી એક લીફટ ચાલુ છે અને એક બંધ છે તો શાસક પક્ષના બિલ્ડીંગમાં રહેલી લીફટ પણ બંધ પડેલી છે. જે સમયસર ચાલુ થાય તેવી અરજદારોની માંગ છે. રાજકોટ મનપા તંત્ર જાગ્યું, એક જ દિવસમાં 32 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું રાજકોટ કોર્પોરેશન દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની ઝુંબેશ ફરી હાથ ધરવામાં આવી છે. આજે ત્રણે ઝોનમાં ચલાવવામાં આવેલી ડ્રાઇવમાં 32 કિલોથી વધુ ઝબલા સહિતનું આવું પ્લાસ્ટિક પકડી 188 જેટલા આસામીઓને દંડ કરવામાં આવ્યો હતો. મહાપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અન્વયે આજે ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી 32.880 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કુલ 188 આસામીઓ પાસેથી રૂ. 60,350નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. કામગીરી ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં ટીમોએ કરી હતી. ગીરગંગા ટ્રસ્ટનાં દિલીપ સખિયાને રાષ્ટ્રપતિના હસ્તે ‘જળસંચય જનભાગીદારી એવોર્ડ’થી સન્માનિત કરાશે જળ સંચય માટેના 1,11,111 સ્ટ્રકચર તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાના જળસંચય જન ભાગીદારી ક્ષેત્રે ઉદાહરણરૂપ અને સમર્પિત કાર્યની પ્રશંસા સાથે આગામી 18મી નવેમ્બરે દિલ્હી મુકામે યોજાનાર એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુના હસ્તે તેમને જળસંચય જન ભાગીદારી 1.0 એવોર્ડ’ એનાયત કરવામાં આવશે. આ રાષ્ટ્રીય જળ એવોર્ડ સમારંભ પ્લેનરી હોલ, વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાશે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુના હસ્તે દિલીપ સખીયાને ‘જલ સંચય જન ભાગીદારી 1.0 એવોર્ડ’ એનાયત કરાશે. આ પ્રસંગે અન્ય કેટલાક વિજેતાઓને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ દ્વારા પણ સન્માનિત કરાશે. ઉલ્લેખનીય છે કે, દિલીપ સખીયા અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળ સંરક્ષણ માટે ઘણા સમયથી સક્રિય છે, જેને લઈ તેમને ‘વોટરમેન ઓફ ઇન્ડિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવતીકાલે મનપા કચેરીએ વંદેમાતરમનું સમૂહગાન યોજાશે ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમની પ્રસિધ્ધિ પર તા.7મી નવેમ્બરે રાષ્ટ્ર વ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમ્યાન રાષ્ટ્ર ગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાય હતી અને એક નવી ઉંચાઈ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્ર ગીત સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્ર ગીતના સન્માનમાં કાલે મનપામાં સમુહ ગાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. રાષ્ટ્ર ગીત વંદે માતરમની 150 વર્ષની ઉજવણીને લઈને મહાપાલિકા દ્વારા આવતીકાલ તા.7ના શુક્રવારે સવારે 10:30 કલાકે, ઢેબરભાઈ રોડ, સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વક્તવ્ય તેમજ વંદે માતરમ રાષ્ટ્ર ગીતનું સમુહ ગાન યોજાશે. સાથે-સાથે સ્વદેશી માટેના શપથ લેવામાં આવશે. આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટરો, અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહેશેે. 9 નવેમ્બર ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ ટેકનિકલ કારણોસર, 9 નવેમ્બર, 2025નાં વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા યાત્રીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ લેટેસ્ટ જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જવા જણાવાયું છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: 1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર 2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર 3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર 4) ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર 5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર 6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર 7) ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી 8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી 9) ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી 10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી 11) ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી 12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી
સુરતના લિંબાયત વિસ્તારમાં 12 વર્ષ અગાઉ એક યુવતીની છેડતીની સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવક સલમાન પઠાણની હત્યાના કેસમાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે આરોપીઓએ મુક્કા અને ઢીક્કાનો માર એવી જગ્યાએ માર્યો હતો, જ્યાં ઇજા થવાથી જીવનું જોખમ થઈ શકે છે, જે તેમનો ઇરાદો સ્પષ્ટ કરે છે. શું હતી સમગ્ર ઘટના?કેસની વિગત મુજબ, આ ઘટના આજથી 12 વર્ષ અગાઉ એટલે કે 26જાન્યુઆરી, 2013ના રોજ લિંબાયતમાં બની હતી. યુવતીની છેડતી બાબતે યુવક સલમાન ઘરની બહાર હાથ-પગ ધોઈને આવ્યો ત્યારે શાહરુખ પઠાણ, સલીમ, ઐયુબ પઠાણ, અલ્તાફ પઠાણ અને એઝાઝ કુલ પાંચ આરોપી દોડી આવ્યા હતા.આરોપીઓએ સલમાનને ગાળો આપીને પૂછ્યું હતું કે , તુ કેમ બહેનની મશ્કરી કરે છે? તેમ કહીને પાંચેય જણાએ તેની પર ઢીક્કા-મુક્કી વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ સલમાનને એટલો ગંભીર માર માર્યો હતો કે તે ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સારવાર દરમિયાન યુવકનું મૃત્યુસલમાન બેભાન થતાં ઘરના સભ્યોએ તેના પર પાણીના છાંટા નાંખી ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ભાનમાં આવ્યો નહોતો. આથી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યાંથી તેને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જોકે, બીજી હોસ્પિટલ સુધી પહોંચતા પહેલા જ યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. માથામાં ઇજાથી લોહી જામી ગયું હતુંસરકાર તરફે કેસ લડી રહેલા એપીપી અરવિંદ વસોયાએ કોર્ટમાં મજબૂત દલીલો રજૂ કરી હતી. એપીપીએ જણાવ્યું હતું કે, જો આરોપીઓનો ઇરાદો મૃત્યુ નીપજાવવાનો ન હોત તો તેઓ દ્વારા શરીરના અન્ય ભાગો પર ઇજા કરવામાં આવી હોત. પરંતુ, આરોપીઓ દ્વારા મરણ જનારને માથાના ભાગે ઇજા કરવામાં આવી હતી અને ઘાની તીવ્રતા એટલી હતી કે મરણ જનારના માથામાં સબડ્યુરલ તથા સબ એરેકનોઇડના ભાગમાં લોહીનો ભરાવો થયો હતો. એપીપી વસોયાએ દલીલ કરી હતી કે, શરીરના નાજુક અવયવો ધરાવતા ભાગો ઉપર આટલી તીવ્રતાથી ઘા મારેલ છે તે આરોપીઓનો ઇરાદો સ્પષ્ટ કરે છે કે મરણજનારનું મૃત્યુ નિપજે તેવી ઈજાઓ કરવાનો હતો. હત્યા કેસમાં કોર્ટનો મહત્વનો હુકમકોર્ટે તમામ દલીલો અને પુરાવાઓ ધ્યાનમાં લઈને પોતાના હુકમમાં મહત્વની નોંધ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, સમાજમાં આવી ક્ષુલ્લક બાબતોમાં ઝઘડો મૃત્યુ નિપજાવવા સુધી ન પહોંચે તે રીતે દાખલો બેસે તેવી સજા આરોપીઓને કરવી જોઈએ. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આરોપીઓ જાણતા હતા કે કયાં ઇજા કરવાથી જાનનું જોખમ થઈ શકે છે. 12 વર્ષે હત્યા કેસમાં ચૂકાદો આવ્યોકોર્ટે આખરે હત્યાના કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓ જેમાં શાહરુખ, સલીમ, ઐયુબ પઠાણ અને અલ્તાફ પઠાણને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાથી 12 વર્ષ જૂના કેસમાં મૃતક યુવકના પરિવારને ન્યાય મળ્યો છે.
સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ સિવાયના હોદ્દેદારોની પસંદગી માટે હિંમતનગરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ નિરીક્ષકોની બે સભ્યોની ટીમે ધારાસભ્યો અને સાંસદો સહિતના અપેક્ષિતોની સેન્સ લીધી હતી, જેમાં 60 થી 70 કાર્યકર્તાઓના નામો મળ્યા હતા. આ પ્રક્રિયા ગુરુવારે બપોર બાદ હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. પ્રદેશ નિરીક્ષક તરીકે સુરેન્દ્રનગરના પ્રભારી હિંમતભાઈ પઠશાળા અને બનાસકાંઠાના કુમુદબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ સેન્સ પ્રક્રિયામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ અને પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યાકુંવરબા પરમાર સહિત કુલ 10 અપેક્ષિતોની સેન્સ લેવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ સિવાયના હોદ્દાઓ માટે મળેલા 60 થી 70 નામોની યાદી પ્રદેશ સ્તરે મોકલવામાં આવશે, જ્યાંથી પસંદગી થયા બાદ આગામી સમયમાં હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે.
હિંમતનગરમાં મતદાર યાદી સુધારણા કાર્યશાળા યોજાઈ:મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
હિંમતનગરમાં ડૉ. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે મતદાર યાદી સુધારણા અભિયાન (SIR – 2025) અંતર્ગત એક વર્ચ્યુઅલ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં પ્રદેશ જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ધારાસભ્ય વી.ડી. ઝાલા, SIR પ્રભારી ભરતભાઈ ગોંડલિયા, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, APMC ચેરમેન જયેશભાઈ પટેલ, BLA-1 વિધાનસભા વિનોદભાઈ પટેલ અને મંડલ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, મતદાર યાદી સુધારણા અભિયાનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓને આગામી સમયમાં વધુ સચોટ અને સંપૂર્ણ મતદાર યાદી તૈયાર કરવા માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગર જિલ્લામાં પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેને લઈ જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને કલેક્ટર ઓફિસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા સ્તરીય પદયાત્રા 22 નવેમ્બર સુધી યોજાશેભાવનગર જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આજે કલેક્ટર ઓફિસ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું કે, રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ ના સૂત્ર સાથે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં ભવ્ય પદયાત્રાઓ યોજાશે. જિલ્લા સ્તરીય પદયાત્રા 10થી 22 નવેમ્બર, 2025 દરમિયાન યોજાશે. આ અંતર્ગત દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ એક પદયાત્રાનું આયોજન થશે, જેમાંથી એક જિલ્લા કક્ષાની રહેશે. દરેક પદયાત્રા 8થી 10 કિલોમીટર લાંબી હશે અને તેમાં સામાજિક સંસ્થાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. શાળા-કોલેજો અને સંસ્થાઓને પ્રોત્સાહન આપવા સૂચના આપીજિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વે વિવિધ સ્પર્ધાઓ અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન પણ કરાશે. 'સરદાર સ્મૃતિવન'ની સ્થાપના કરાશે અને 'એક પેડ મારા નામે' અભિયાન હેઠળ 562 વૃક્ષો વાવવામાં આવશે. આ સાથે એન.એસ.એસ. કેમ્પ, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા કાર્યક્રમો તેમજ યોગ અને આરોગ્ય શિબિરો પણ યોજાશે. ઉપરાંત ‘સરદાર@150 યંગ લીડર ક્વિઝ’, ‘સરદાર@150 નિબંધ સ્પર્ધા’ અને ‘રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતા’ યોજાશે. આ સ્પર્ધાઓ માટે My Bharat પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સુવિધા આપવામાં આવશે. જિલ્લા કલેક્ટરે મહત્તમ વિદ્યાર્થીઓ અને નાગરિકો આ પ્રવૃત્તિઓમાં જોડાય તે માટે શાળા-કોલેજો અને સંસ્થાઓને પ્રોત્સાહન આપવા સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મીયાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા (વર્ચ્યુઅલી), જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મોરબી નજીક જેટકો સબસ્ટેશનમાં બ્લાસ્ટ:ભીષણ આગ લાગતા વીજ પુરવઠો ખોરવાયો
મોરબી નજીક જેતપર રોડ પર આવેલા પીપળી ગામ પાસેના જેટકોના સબસ્ટેશનમાં શુક્રવારે મોડી સાંજે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ ઘટના જેટકોના 220 કેવી સબસ્ટેશનમાં બની હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેનાથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ મોરબી મહાપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ટીમે આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કર્યા હતા. હાલ પણ ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે કાર્યરત છે.
મેગા સીટીનું બિરુદ મેળવનાર અમદાવાદ શહેરમાં આજે પણ અનેક ગામો આવેલાં છે. આ ગામના ખુદના દરવાજા હતા. આવા જ અસારવા ગામના દરવાજા તૂટીને ભંગાર બની ગયા છે. તેના પર ધૂળ ચડી ગઇ છે. આજે દરવાજા વગરનું ગામ થઇ ગયું છે. જેથી, અસારવા ગામના રહીશોએ તાજેતરમાં ગુજરાતમાં ભાજપ શાસિત મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને ગામના દરવાજા સત્વરે બને તે દિશામાં કાર્યવાહી કરવા માંગ કરતું આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે, પક્ષની આંતરિક જૂથબંધીને બાજુએ મૂકીને આ કાર્ય વહેલી તકે બને તે જોવા રજૂઆત કરી છે. સત્તાધીશો વચ્ચે હૂંસાતૂંસીમાં ગામ નામઠામ વગરનું બની ગયું આજના શહેરી વિસ્તારોમાં એક સમયે જે-તે મત વિસ્તાર તે જ નામના ગામથી ઓળખાતા હતા. દાયકાઓ પછી પણ દરેક વિસ્તારમાં જૂના ગામ વસેલા છે અને ગામના દરવાજા રૂપે બોર્ડ લગાવેલાં છે પરંતુ, બે વર્ષ અગાઉ અસારવા ગામનું જૂનું બોર્ડ અને દરવાજો કાઢી વખારમાં નાંખી દીધા બાદ આજ સુધી ત્યાં નવું બોર્ડ કે દરવાજો લગાવવામાં આવ્યો નથી. સોસાયટીના બોર્ડ અને બાકડાં હોવા છતાં આજકાલ કોર્પોરેટર, ધારાસભ્યોમાં પોતાના નામના બોર્ડ-બાંકડા લગાવવાની હોડ લાગી છે ત્યારે ગામના દરવાજા પર કોનું નામ આવશે તે મુદ્દે સત્તાધીશો વચ્ચે હૂંસાતૂંસીમાં ગામ નામઠામ વગરનું બની ગયું છે. અસારવા વિસ્તાર આજે પોતાનું વર્ચસ્વ ગુમાવી રહ્યું છેપ્રાચીન મંદિરો, વાવ અને મેળાને લીધે આગવી અને ઐતિહાસિક, સાંસ્કૃતિક તેમ જ ધાર્મિક ઓળખ ધરાવતો અસારવા વિસ્તાર આજે પોતાનું વર્ચસ્વ ગુમાવી રહ્યું છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં બે વર્ષથી બોર્ડ કે દરવાજો લગાવવામાં આવ્યો નથી. જેથી અકળાયેલાં અસારવા ગામના જુદા-જુદા વાસના આગેવાનોએ અસારવાના મહિલા ધારાસભ્ય અને હાલ મંત્રીમંડળમાં સ્થાન પામેલાં દર્શનાબેન વાઘેલાને આવેદનપત્ર સુપરત કર્યું છે. 400 વર્ષ જૂનું અસારવા ગામ છેલ્લાં બે વર્ષથી દરવાજાવિહોણું બન્યું અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલ તથા જીજ્ઞેશ પટેલે જણાવ્યું છે કે, 400 વર્ષ જૂનું અસારવા ગામ છેલ્લાં બે વર્ષથી દરવાજાવિહોણું બન્યું છે. હાલ આ દરવાજો મ્યુનિ.ના ગોડાઉનમાં ધૂળ ખાય છે. સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરોને અગાઉ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ, કોઇ કાર્યવાહી થઇ ન હતી. જેથી તા.5મી નવેમ્બરના રોજ અસારવા ગામના આગેવાનોએ અસારવા વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને આવેનદપત્ર સુપરત કર્યું હતું. જેમાં અસારવા ગામના બંને દરવાજા બનાવવા માટે વોર્ડના કોર્પોરેટરોએ 2024-25 અને 2025-26માં પોતાનું બજેટ ફાળવ્યું છે તેમ છતાં કોઇ કારણોસર જૂના અસારવા ગામ તેમ જ નવા અસારવા ગામના દરવાજા બનાવવા માટે ગલ્લાં-તલ્લાં થઇ રહ્યાં છે. કોર્પોરેટરોની મુદત જાન્યુઆરી માસમાં પતી જશે દરવાજા બનાવવા માટે વિઘ્નરૂપ હોય તો આપના પક્ષની આંતરિક જૂથબંધી છે પરંતુ, હવે આપ રાજય સરકારના એક જવાબદાર વ્યક્તિ અને અસારવા વિધાનસભાના પ્રથમ નાગરિક છો ત્યારે આપે પક્ષાપક્ષી કે પક્ષની આંતરિક જૂથબંધીને બાજુએ મૂકી અસારવા ગામના બંને દરવાજા સત્વરે બને તે દિશામાં કાર્યવાહી કરવી જોઇએ કારણ કે, આ કોર્પોરેટરોની મુદત જાન્યુઆરી માસમાં પતી જશે તે પહેલાં દરવાજાનું કામ શરૂ નહીં થાય તો કોર્પોરેટરોએ ફાળવેલ બજેટ બાતલ જશે તેનાથી દુઃખદ ઘટના બીજી કોઇ નહીં હોય તો અસારવા ગામના નાગરિકોની લાગણી અને માંગણીને સત્વરે વાંચા આપશો.
અરવલ્લીમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવાશે:જનજાતીય ગૌરવ યાત્રા 8 નવેમ્બરે ભિલોડાથી પ્રવેશ કરશે
અરવલ્લી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થનાર છે. અરવલ્લી જિલ્લામાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી માટેની આયોજન બેઠક કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં કલેક્ટરે કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અંગે વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અરવલ્લી જિલ્લામાં જનજાતીય ગૌરવ યાત્રા 8 નવેમ્બરના રોજ બપોરે 3:45 કલાકે રથ ભિલોડા પહોંચશે. ત્યાં રથનું સ્વાગત અને સભા યોજવામાં આવશે. આ સાથે 8 નવેમ્બરની રાત્રે શામળાજી ખાતે રાત્રિસભાનું આયોજન કરવામાં આવશે. તારીખ 9 નવેમ્બરના રોજ રથ મેઘરજ ખાતે પહોંચશે અને ત્યારબાદ માલપુર તાલુકામાં થઈને રથની અરવલ્લી જિલ્લામાંથી વિદાય થશે. આ ઉજવણીમાં પ્રભાત ફેરી, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, શપથગ્રહણ સહિતની પ્રવૃત્તિઓ કરાશે. આદિજાતિમાંથી આવતા રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓ, પ્રગતિશીલ ખેડૂતો વગેરેનું સન્માન કરાશે. વધુમાં, સેવા સેતુ અંતર્ગત ગ્રામજનો વિવિધ સરકારી સેવાઓનો લાભ કાર્યક્રમ સ્થળેથી મેળવી શકશે. જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અગાઉ શાળાઓ અને કોલેજોમાં રમતગમત, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, નિવાસી અધિક કલેક્ટર ડી.વી. મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના વટવા પોલીસ મથકે વર્ષ 2023માં મૂળ બિહારના 40 વર્ષીય આરોપી ઉમાશંકર શાહ સામે 7 વર્ષીય મનોદિવ્યાંગ બાળકીની હત્યા, દુષ્કર્મ અને પોક્સોની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે અમદાવાદ શહેર સિટી સેશન્સ કોર્ટમાં આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં કેસ ચાલી જતા 17 સાહેદ, 40 પુરાવા તેમજ સરકારી વકીલ કે.જી.જૈન અને દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલોને આધારે જજ એ.બી.ભટ્ટે આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. તેમજ મૃતક બાળકીના માતા પિતાને 10 લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો છે. ઘર પાસે રમતી મનોદિવ્યાંગ દીકરી અચાનક ગાયબ થઈ હતીકેસને વિગતે જોતા ફરિયાદીની 7 વર્ષીય મનોદિવ્યાંગ દીકરી આંગણામાં રમતી હતી. અચાનક દીકરી ગાયબ થઈ ગઈ હતી. આથી દીકરીના પિતા તેને શોધવા નીકળ્યા હતા. ત્યારે તેમના મિત્રએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ ફટાફટ ઘરે આવી જાય. તેઓ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે તેમના ઘરની સામેની ઓરડીમાં ભાડે રહેતો આરોપી ઉમાશંકર શાહના ઘરની બહાર લોકોનું ટોળું ભેગું થયું હતું. બારીમાંથી જોતા ઉમાશંકર ઊંઘતો હતો. ખૂબ જ દરવાજો ખખડાવતા છતાં તેને દરવાજો ખોલ્યો ન હતો. લોકોને વિશ્વાસ હતો કે દીકરી તેના જ ઘરમાં છે. 7 વર્ષની દીકરી નગ્ન હાલતમાં એક ખૂણામાં પડી હતીઆથી લોકોએ દરવાજો તોડી નાખ્યો હતો. દરવાજો તૂટતા જ સામેનું દૃશ્ય જોઈને લોકો હેબતાઈ ગયા હતા. કારણ કે 7 વર્ષની દીકરી નગ્ન હાલતમાં એક ખૂણામાં પડી હતી અને તેની પ્રાઈવેટ પાર્ટમાંથી રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. તેને તપાસતા તેના શ્વાસ બંધ થઈ ચૂક્યા હતા. ઘટનાસ્થળનો વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યો હતો. પોલીસને ફોન કરવામાં આવ્યો હતો અને આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટ સમક્ષ સાહેદોનું Crpc 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું હતું. આરોપીના કૃત્યથી બાળકીનું મોત થયું હોવાનું સાબિત થયુંઆ કેસની સુનોવણીમાં આરોપીના વકીલ વતી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીના કૃત્યથી બાળકીનું મૃત્યુ થયું હોવાનું સાબિત થયું નથી. વધુ વળી આ કેસમાં કોઈ નજરે જોનાર સાક્ષી નથી. ઘટના બાદ કરાયેલા વીડિયો રેકોર્ડિંગ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ઘટના દિવાળીના સમયગાળામાં બની હતી. જ્યાં આરોપી બાળકીનું અપહરણ કરીને પોતાના ઘરમાં લઈ ગયો હતો. સાહેદોએ એમ પણ જણાવ્યું હતું કે, દરવાજો તોડવામાં આવ્યો ત્યારે આરોપીના મોઢામાંથી શરાબની દુર્ગંધ આવતી હતી. મેડિકલ પુરાવા પણ પ્રોસિક્યુશનની તરફેણમાં હતા. વળી આરોપી પરિણીત છે અને તેન બે દીકરીઓ પણ છે.
નકલી પોલીસ માટે પંકાયેલા રાજકોટના મિહિર કુંગશીયા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એસટી બસ સ્ટેન્ડ પાસે છોકરી સાથે ખોટા કામ કરવા આવ્યો છો કહીં સરધારના યુવાન પાસેથી આરોપી મિહિરે રૂપિયા 95 હજાર પડાવી લેતાં એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા જેલમાં રહેલ આરોપી મિહિરનો કબ્જો લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરધારનો યુવક અમદાવાદ ફાર્મા કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવાં જતો હતો દરમિયાન રાજકોટ એસટી બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન જતો હતો દરમિયાન મિહિરે પોલીસની ઓળખ આપી ખોટી ફરિયાદની ધમકી આપી રૂપિયા 95,000 પડાવી લીધા હતા. ફાર્મા કંપનીમાં નોકરી કરતા યુવાને નોંધાવી ફરિયાદ સરધાર ગામે શાંતીનગર વૃંદાવન સોસાયટીમાં રહેતાં જીજ્ઞેશ કીરીટભાઇ વ્યાસ (ઉ.વ.43)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કુખ્યાત મિહિર કુંગશીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, પોતે ફાર્મા કંપનીમાં નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.30 ઓક્ટોબરના રોજ અમદાવાદ ફાર્મા કંપનીમાં નોકરી અંગેનો મૌખિક ઇન્ટરવ્યુ હતું જેથી સરધારથી એસટી બસમાં સાંજે 5 વાગ્યે અમદાવાદ જવા માટે નીકળ્યો હતો આ પછી 6.30 વાગ્યે રાજકોટ બસ સ્ટેન્ડમાં ઉતરી ત્યાંથી ટ્રેનમાં અમદાવાદ જવાન હતું માટે બસ સ્ટેન્ડ બહારથી રેલ્વે સ્ટેશન જવા માટે ઓટો રીક્ષામાં બેઠો હતો આ સમયે તેમની પાસે એક થેલો હતો અને થેલામાં સર્ટીફીકેટ તેમજ રોકડ રૂપિયા હતા. રીક્ષામાં બેસી જયુબેલી ચાર રસ્તા પાસે પહોચતા એક અજાણ્યો માણસ તેનુ સફેદ કલરનું વાહન લઇ આવ્યો હતો અને તેણે રીક્ષા રોકી કહ્યું કે હું પોલીસમાં છુ અને તમે બસ સ્ટેન્ડ પાસે છોકરી સાથે ખોટા કામ કરવા માટે આવ્યા હતા જેથી તમારે પોલીસ સ્ટેશન આવવુ પડશે કહ્યું હતું. યુવાને કોઈ પણ ખોટા કામ કર્યા નથી કહેતા એકદમ ઉશ્કેરાય અને ફડાકા મારવા લાગ્યો હતો અને થેલો ચેક કરવા લાગ્યો હતો દરમિયાન થેલામાં રહેલ રોકડ રૂપિયા 95,000 બળજબરી પૂર્વક પડાવી લીધા હતા અને ત્યારબાદ નંબર પ્લેટ વગર વાહનમાં બેસાડી રેલ્વે સ્ટેશન પાસે લઇ આવ્યો હતો જ્યાં પહોંચી હવે આવા ખરાબ કામ કરવા આવતો નહીં કહી ઉતારીને નાસી છૂટ્યો હતો. ત્યારબાદ યુવાન ટ્રેનમાં બેસી અમદાવાદ ઇન્ટરવ્યુ માટે જતો રહ્યો હતો. ઇન્ટરવ્યુ પુર્ણ કરીને તા.03 ના સરધાર ખાતે આવ્યો હતો બીજા દિવસે સમાચારમાં જોયું તો રાજકોટમાં ક્રાઇમબ્રાંચના નામે 20 હજાર રૂપીયાનો તોડ કરતા નકલી પોલીસ મીહીર કુંગસીયા ઝડપાયો છે અને તેની પાસેથી 95,000 રૂપિયા પડાવનાર મિહિર જ હોવાનું ધ્યાન પર આવતા યુવાને રાજકોટ આવી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમ 204, 119 મુજબ ગુનો નોંધી જેલમાંથી કબ્જો લેવા તપાસ તજવીજ હાથ ધરી છે.
આણંદના ચિખોદરા ચોકડી નજીક આવેલા જલારામ મોટર્સના શોરૂમના સ્ક્રેપમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આણંદ તાલુકાની ચિખોદરા ચોકડી પાસે કટારીયા શોરૂમની સામે આવેલા જલારામ મોટર્સના શોરૂમના સ્ક્રેપમાં આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાઈ રહી હોવાથી આસપાસના લોકોએ તરત જ કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના હેઠળ ફાયર ડ્રાઈવર રવિભાઈ સાબલિયા અને ફાયરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, મુકેશભાઈ પરમાર તથા યુવરાજસિંહ રાઠોડ ફાયર ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. થોડા સમયની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ, સ્ક્રેપના સામાનને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
'નવેમ્બર ક્રાંતિ નહીં, 2028માં સત્તામાં વાપસી સાથે જ થશે બદલાવ', શિવકુમારનું મોટું નિવેદન
Karnataka News: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે નવેમ્બર ક્રાંતિ અંગેની અટકળોને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ક્રાંતિ નવેમ્બર કે ડિસેમ્બરમાં નહીં, પરંતુ 2028માં થશે, જ્યારે કોંગ્રેસ સત્તામાં પાછી આવશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શિવકુમારે કહ્યું કે, તેઓ પાર્ટીના 'શિસ્તબદ્ધ સૈનિક' છે અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે પાર્ટીના નિર્ણયોનું પાલન કરશે. તાજેતરમાં એવી અફવાઓ હતી કે કોંગ્રેસ સરકારના પાંચ વર્ષના કાર્યકાળ વચ્ચે મુખ્યમંત્રી બદલાઈ શકે છે, જેને કેટલાક 'નવેમ્બર ક્રાંતિ' કહી રહ્યા હતા.
જામનગરમાં સિંધી સમાજે આજે તેમના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ વિશે છત્તીસગઢમાં થયેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં બાઈક રેલી યોજી હતી. આ રેલી બાદ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરમાં જેસીપી અધ્યક્ષ અમિત બધેલ દ્વારા સમસ્ત સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલજી વિરુદ્ધ અયોગ્ય અને અપમાનજનક વાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે સિંધી સમાજ અંગે અણછાજતા, આધારવિહોણા અને અપમાનજનક આક્ષેપો કરીને સમાજની ધાર્મિક તથા સામાજિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચાડી હતી. આ પ્રકારના વાણીવિલાસથી માત્ર સિંધી સમાજમાં જ નહીં, પરંતુ સમગ્ર સમાજમાં અસંતોષ અને દુઃખની લાગણી વ્યાપી છે. દુનિયાભરના સિંધી સમાજમાં આ નિવેદનને લઈને ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સિંધી સમાજે કલેક્ટર સમક્ષ પાઠવેલા આવેદનપત્રમાં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી હસ્તક્ષેપ માટે રજૂઆત કરી છે. તેમણે છત્તીસગઢ સરકારને યોગ્ય માર્ગદર્શન આપી જેસીપી અધ્યક્ષ અમિત બધેલ સામે કાનૂની કાર્યવાહી કરાવવાની માંગ કરી છે. આવેદનમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિ અથવા અધિકારી દ્વારા કોઈ પણ સમાજની ધાર્મિક લાગણી દુભાય નહીં તે માટે તંત્ર સચેત રહે અને જરૂરી નિર્દેશો આપવામાં આવે. જામનગર સિંધી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના ચેરમેન પરમાનંદભાઈ ખટર, પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, સેક્રેટરી કિશોરભાઈ સંતાણી અને મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ જોડાયા હતા.
16 નવેમ્બર, 2024ના રોજ ધારપુરની GMERS મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના MBBS વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું રેગિંગ દરમિયાન મોત થયું હતું. જેમાં એન્ટી રેગિંગ કમિટીએ આરોપી 15 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ અને પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સસ્પેન્શનનું એક વર્ષ આરોપીઓ પૂર્ણ કરી ચૂક્યા છે, ત્યારે કારકિર્દીનું બીજું વર્ષ બગડે નહીં તે માટે તેમને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. 'ભવિષ્યના ડોક્ટરો આવા હોઈ શકે નહીં': હાઇકોર્ટજે મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, આરોપી વિદ્યાર્થીઓને વધુ સજા અને દંડ થવો જોઇએ. 1 લાખ રૂપિયાથી કોઇનું બાળક પાછું નહીં આવે. તમે તમારા કેરિયર માટે અહીં આવ્યા છો. એક વિદ્યાર્થીને 35 લાખનો દંડ કરવાનો રહેશે. જે મૃતકના વાલીઓને આપવામાં આવે. આખરે આ લોકો ડોક્ટર બનીને પૈસા જ કમાવવાના છે! ઓથોરિટીએ તો હળવો દંડ કર્યો છે. ભવિષ્યના ડોક્ટરો આવા હોઈ શકે નહીં. તેમને કાયમ માટે મેડિકલ કોર્સમાંથી કાઢી નથી મુક્યા! હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી વધુ સુનાવણી 19 જાન્યુઆરીએ રાખી હતી. જોકે, અરજદારોએ યોગ્ય ફોર્મ સમક્ષ અપીલ કરવાની મંજૂરી સાથે અરજી પરત ખેંચી હતી. 'વધુ એક લાખ દંડ ભરવા તૈયાર, પરંતુ તેમનું વર્ષ બગાડવામાં આવે નહીં'અરજદારોએ જણાવ્યું હતું કે, આ કેસમાં કોઈ ઇન્ટર્નલ તપાસ થઈ નથી. તેઓ 1 વર્ષથી સસ્પેન્ડ છે. તેઓની ઉપર ક્રિમીનલ કેસ ચાલુ છે. તેમને રજૂઆત કરવા માટે કોઈ શો કોઝ નોટિસ અપાઈ નથી. તેઓ 1 લાખ દંડ ભરવા અને ક્રિમીનલ ટ્રાયલ માટે તૈયાર છે. પણ તેમની કારકિર્દીનું બીજું વર્ષ બગાડો નહીં, આ એક અકસ્માત હતો, તેઓને રજૂઆતની તક અપાઇ નથી. જે વિધાર્થી મૃત્યુ પામ્યો તેના મેડિકલ બેકગ્રાઉન્ડ વિશે તેઓને ખબર નહોતી. તેઓ વધુ એક લાખ દંડ ભરવા તૈયાર છે, પરંતુ તેમનું વર્ષ બગાડવામાં આવે નહીં. આ કેસમાં UGC અને મેડિકલ કમિશનની ગાઈડલાઈન મુજબ તપાસ થઈ નથી. શું છે સમગ્ર મામલો16 નવેમ્બર, 2024 શનિવારની રાત્રે ધારપુર મેડિકલ કોલેજના પ્રથમ વર્ષનો MBBS વિદ્યાર્થી અનિલ મેથાણિયા બેભાન થયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. કોલેજના જ 15 સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતા તેનું મોત નિપજ્યું હતું. શનિવારની રાત્રે સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજની હોસ્ટેલમાં બોલાવ્યા હતા અને ડાન્સ કરવા, ટીશર્ટ વગેરે કાઢીને નાચવા, દસ-દસ ગાળો બોલવા જેવી હરકતો કરવા દબાણ કર્યું હતું. આ દરમિયાન મૃતક વિદ્યાર્થી અનિલ મેથાણિયા ખૂબ ડરી ગયો હતો અને રાત્રે 8 વાગ્યાથી રાતના 11:30 વાગ્યા સુધી તેન એક પગે ઊભો રાખ્યો હતો. જેના કારણે અનિલ બેભાન થઈ ગયો હતો અને પછી તેનું મોત થયું હતું. વિદ્યાર્થીનું કાર્ડિયો રેસ્પિરેટરી અટેકથી થયું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ... જોકે, આ આ મામલે એન્ટી રેગિંગ કમિટીએ આરોપી 15 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ અને પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ 15 વિધાર્થીઓ સામે કલ્પેબલ હોમિસાઇડ, ગેરકાયદેસર સભા, ગેરકાયદેસર રીતે રોકી રાખવાનો, તેમજ અશ્લીલ ગીતો અને શબ્દો બોલવાના આરોપસર ફોજદારી કેસ પણ ચાલી રહ્યો છે. પાટણ રેગિંગકાંડની ઇનસાઇડ સ્ટોરી: 10-12 વાર ઇન્ટ્રોના નામે રેગિંગ, એટલી ગાળો બોલાઈ કે અનિલ ગભરાઈને ઢળી પડ્યો
વાપીના છીરી મહાદેવનગર ખાતે હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની આગોતરા જામીન અરજી વાપીના એડીશનલ સેશન્સ જજ એચ. એન. વકીલ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ ઘટના 23 ઓક્ટોબર, 2025ના રોજ સાંજે સાડા સાત વાગ્યે વાપીના છીરી મહાદેવનગર વિસ્તારમાં કમાલભાઈના ભંગાર ગોડાઉન સામે બની હતી. આરોપીઓ અમરૂદ્દીન નઈમ ખાન, મહેબુદ્દીન નઈમ ખાન અને ગુલામ મહેબુદ્દીન ખાન (ત્રણેય રહેવાસી છીરી, તા. વાપી, જી. વલસાડ) એ ફરિયાદી પર હુમલો કર્યો હતો. તેમણે અદાવતના કારણે ફરિયાદીની મોટરસાયકલને લાત મારી નીચે પાડી હતી અને લોખંડની સળીયા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ફરિયાદીને હાથ અને પગમાં ફ્રેક્ચર થયા હતા, તેમજ માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સરકારી વકીલ અનિલ ત્રિપાઠી દ્વારા કોર્ટ સમક્ષ આરોપીઓ વિરુદ્ધ ગંભીર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીના રથ પ્રસ્થાન કાર્યક્રમમાં ભાગ લેવા વાપી પહોંચ્યા છે. તેઓ વંદે ભારત ટ્રેન દ્વારા વાપી રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 7મી નવેમ્બરના રોજ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઘોડિપાડા ખાતે યોજાશે. આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ, લોકસભાના દંડક ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
છત્તીસગઢના નેતા અમિત બધેલે ભગવાન સાઈ ઝુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને કારણે ભરૂચ સહિત દેશભરના સિંધી સમાજમાં રોષ જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 29 ઓક્ટોબર, 2025 ના રોજ અમિત બધેલે સોશિયલ મીડિયા પર ભગવાન સાઈ ઝુલેલાલજી વિશે અભદ્ર અને આક્ષેપાત્મક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાથી સિંધી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. આ ઘટનાના વિરોધમાં, આજે ભરૂચના સિંધી સમાજના અગ્રણીઓ, મહિલા સભ્યો અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે, જો અમિત બધેલ તાત્કાલિક જાહેર માફી નહીં માંગે, તો તેની વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. વિરોધ પ્રદર્શન દરમિયાન જય ઝુલેલાલ ના નારા લગાવવામાં આવ્યા હતા. સમાજના સભ્યોએ આક્ષેપિત વ્યક્તિને સજા કરવાની માંગ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી વર્ષના બજેટ તૈયાર કરતાં પહેલાં નાગરિકો પાસેથી સૂચનો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-2027ના બજેટ માટે પણ નાગરિકો પાસેથી વિવિધ માધ્યમો દ્વારા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં કુલ 798 ઇમેઇલ મારફતે મળેલાં સૂચનો સહિત કુલ 2,607 સૂચનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યા છે. પ્રાથમિક સુવિધાઓ માટે 1795 સૂચનો મળ્યાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, બજેટ માટે સૌથી વધારે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, પાણી, ગટર અને લાઈટ જેવી ફરજિયાત સેવાઓ માટે 1795 સૂચનો મળ્યા છે, જે કુલ સૂચનોના 68.85 ટકા છે. જયારે બિન-ફરજિયાત સેવાઓ માટે 788 સૂચનો મળ્યા છે, જે કુલ સૂચનોના 30.23 ટકા છે. આવક/રેવન્યુ જનરેશન માટે 16 જેટલા સૂચનો મળ્યા છે, જે કુલ સૂચનોના 0.61 ટકા થાય છે. આ ઉપરાંત સેવાઓના સુધારણા માટે 8 સૂચનો મળ્યા છે અને તેની ટકાવારી 0.31 થાય છે. સ્કૂલ, ક્રેમેટોરિયમ, ફાયર, બ્રિજ વગેરે માટે પણ નાગરિકોએ સૂચનો આપ્યાફરજિયાત સેવાઓ અંતર્ગત મળેલા સૂચનોમાં નાગરિકોએ રોડ/ફૂટપાથ પર 487 સૂચનો, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેઇન પર 327 સૂચનો, પાણી સપ્લાય પર 297 સૂચનો, લાઇટ / EE Cell પર 280 સૂચનો, હેલ્થ એન્ડ ક્લીનિંગ / SWM પર 110 સૂચનો, ટ્રાફિક અને હાઉસિંગ પર દરેકે 98 સૂચનો મળ્યા છે. આ ઉપરાંત સ્કૂલ, ક્રેમેટોરિયમ, ફાયર, બ્રિજ વગેરે માટે પણ નાગરિકોએ સૂચનો આપ્યા છે. આવક/રેવન્યુ જનરેશન માટે કુલ 16 સૂચનો મળ્યાંબિન-ફરજિયાત સેવાઓ અંતગર્ત મળેલા સૂચનોમાં ગાર્ડન / ચિલ્ડ્રન પાર્ક / ઓક્સિજન પાર્ક / વૃક્ષારોપણ પર 133 સૂચનો, ICDS પ્રોજેક્ટ્સ પર 133 સૂચનો, ટ્રાન્સપોર્ટેશન (AMTS-AJL) પર 80 સૂચનો, જિમ અને પ્લે ગ્રાઉન્ડ પર 75 સૂચનો, પાર્કિંગ / એસ્ટેટ / અન્ય શહેરી સુવિધા પર 64 સૂચનો આપ્યા છે. આ સાથે સ્માર્ટ સિટી, ઇ-ગવર્નન્સ, લાયબ્રેરી, સિનિયર સિટિઝન પાર્ક, કોમ્યુનિટી હોલ વગેરે માટે પણ પ્રતિભાવકારક સૂચનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનન પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત આવક/રેવન્યુ જનરેશન માટે કુલ 16 સૂચનો મળ્યાં છે, જ્યારે સેવાની ગુણવત્તા સુધારવા માટે 8 સૂચનો આપવામાં આવ્યા છે. મોટાભાગના નાગરિકોએ ફરજિયાત સેવાઓ જેવી કે સફાઈ વ્યવસ્થા, રસ્તા, પાણી, આરોગ્ય સુવિધાઓ વગેરે વિષયોમાં ખાસ ધ્યાન આપીને સૂચનો આપ્યા છે. નાગરિકો પાસેથી મળેલા દરેક સૂચનનું વિષયવાર વિશ્લેષણ કરીને 2026-27ના બજેટમાં જરૂરી ફેરફાર અને સુધારણા કરવા માટે કાર્યવાહી હાથ ધરાશે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુર ગામની સીમમાં પસાર થતી મહીસાગર નદીમાં વડોદરામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો 21 વર્ષીય આશાસ્પદ યુવક મિત્રો સાથે ન્હાવા પડ્યો હતો. આ દરમિયાન તે મહીસાગર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત થયું હતું. સાવલી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા આરાધના ડુપ્લેક્સમાં રહેતો અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો દિવ્ય રાકેશભાઈ ગુપ્તાના કોમ્પ્યુટર સ્ટુડિયોમાં જવું છું, તેમ કહીને 4 નવેમ્બરના રોજ ઘરેથી નીકળ્યો હતો, ત્યારબાદ તેને પોતાની મમ્મીને ફોન કરીને કહ્યું હતું કે, ઓફિસમાં બહુ કામ હોવાથી તે રાત્રે ઘરે નહીં આવી શકે અને હું તથા મારા મિત્રો સ્ટુડિયોમાં જ રોકાઈ જઈશુ. ત્યારબાદ 5 નવેમ્બરના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ દિવ્યના પરિવારને જાણવા મળ્યું હતું કે, સાવલી તાલુકાના લાછનપુર ગામમાં આવેલ મહીસાગર નદીમાં દિવ્ય ડૂબી ગયો છે, જેથી પરિવારજનો લાંછનપુરા ખાતે પહોંચ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા સાવલી પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ, ક્યાંય પતો લાગ્યો નહોતો. રાત્રે અંધારું થઈ ગયો હોવાથી આજે 6 નવેમ્બરના રોજ સવારે ફાયર બ્રિગેડ વડોદરાની મદદ લેવામાં આવી હતી અને તેઓએ મહિસાગર નદીમાંથી દિવ્ય ગુપ્તાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક યુવક દિવ્ય રાકેશભાઈ ગુપ્તા જરોદ ખાતે આવેલી ITM યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. સાથે સાથે પાર્ટટાઈમ ગ્રાફિક ડિઝાઇનરનું કામ કરતો હતો. મૃતક અપરણિત હતો અને મૃતકના પિતાને બે પુત્રો હતા. મૃતકનો નાનો ભાઈ 15 વર્ષનો છે, ત્યારે ફરી એકવાર લાંછનપુરાની મહી નદી યમદૂત સાબિત થઇ છે.
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે થઈ રહી છે. આજની પેઢી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને જાણે-સમજે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે એવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં આ વર્ષ “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાઈ રહ્યું છે. આદિજાતિ ગૌરવના સંદેશને આ યાત્રા જન-જન સુધી પ્રસરાવશેગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ’ અંતર્ગત યોજાઈ રહેલી જનજાતીય ગૌરવ યાત્રાના અંબાજીથી પ્રારંભ અવસરે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત રાજ્યમંત્રી પી. સી. બરંડા, કમલેશભાઈ પટેલ, પ્રવિણભાઈ માળી તથા સ્વરુપજી ઠાકોર ઉપસ્થિતિ રહેશે. આ યાત્રા ઉત્તર ગુજરાતના આદિજાતિ વિસ્તાર અંબાજી અને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે આવેલા ઉમરગામથી, એમ બે સ્થળોએથી 7થી 13 નવેમ્બર સુધી યોજાશે. આ દરમિયાન 14 આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવના સંદેશને આ યાત્રા જન જન સુધી પ્રસરાવશે. કાર્યક્રમમાં કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને અપાશેયાત્રા દરમિયાન જનજાતીય ગૌરવ રથ જે ગામોમાં જશે ત્યાં લોકો દ્વારા સ્વાગત કરાશે તેમજ રાત્રિરોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનના નાટક, નિદર્શન અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને અપાશે તેમજ રથયાત્રાના માધ્યમથી આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના અનેક સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યાત્રાના રૂટ પરના ગામોમાં યોજાશે. બાળકો, યુવાઓ અને સમગ્ર સમાજ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનથી પરિચિત થાય એવા કાર્યક્રમો પણ આ યાત્રા દરમિયાન થવાના છે. આ ઉપરાંત, ભગવાન બિરસા મુંડાનાં રાષ્ટ્રનિર્માણ માટેના યોગદાન અંગે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, નાટક-ભવાઈ તથા તેમના જીવન પરના વ્યાખ્યાનો, ફિલ્મ નિદર્શન પણ રાજ્ય સરકારના વિભાગો દ્વારા યોજાવાના છે. જનજાતીય ગૌરવ રથયાત્રા મહત્વની બનશે એવો વિશ્વાસ CMએ વ્યક્ત કર્યો14 આદિજાતિ સિવાયના 20 જિલ્લાઓમાં પણ 13થી 15 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમ થવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિતે 15મી નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસની રાષ્ટ્ર કક્ષાની ઉજવણી ડેડિયાપાડામાં દેવમોગરા માતાજીના સાનિધ્યમાં થશે. રાજ્ય સરકારે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો લક્ષ્યાંક પાર પાડવા અંતરિયાળ અને છેવાડાના ગામોના પ્રત્યેક આદિજાતિ બાંધવો વિકાસની રાહમાં અગ્રેસર રહેવાની નેમ રાખી છે. આ માટે આદિજાતિઓને વિકાસની મુખ્ય ધારામાં લાવીને રાષ્ટ્રનિર્માણમાં તેમને જોડવામાં આ જનજાતીય ગૌરવ રથયાત્રા મહત્વની બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાનએ આપેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરતી આ રથયાત્રાથી જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીને ભવ્ય બનાવવા તેમજ ભગવાન બિરસા મુંડાએ આપેલા ‘આપણો દેશ, આપણું રાજ’ના સૂત્રને આત્મનિર્ભર ભારત, વિકસિત ભારતના નિર્માણથી ચરિતાર્થ કરવાનું પણ મુખ્યમંત્રીએ આહવાન કર્યુ છે.
તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ સમજૂતીની મિટિંગ આજે (6 નવેમ્બરે) થઈ રહી છે. પણ જે રીતે બંને દેશનો માહોલ છે તે જોતાં બંને દેશ વચ્ચે તંગ માહોલ શાંત થાય તેવું લાગતું નથી. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનો ઘૂસી આવ્યા ને સરકારને ભગાડી દીધી. ત્યારથી અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો છે. તાલિબાને એવું શરૂ કર્યું છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે જે ડૂરંડ સરહદ છે તેમાં પશ્તૂન વિસ્તારો પર પોતાનો અધિકાર ગણાવ્યો છે. હકીકતે આ વિસ્તારો છે પાકિસ્તાનની અંદર. તાલિબાનો હવે અફઘાનિસ્તાન નહિ પણ ગ્રેટર અફઘાનિસ્તાન બનાવવા માગે છે અને નવો નકશો પણ જાહેર કર્યો છે. આ બધાથી પાકિસ્તાન ગુસ્સામાં છે. પાકિસ્તાને એવું કહ્યું કે, જો તાલિબાનો સખણાં નહિ રહે તો ભૂક્કા કાઢી નાખીશું. નમસ્કાર, પાકિસ્તાનના દિવસો ભરાઈ ગયા હોય એવું લાગે છે. એના બે કારણો છે. એક તરફ અફઘાનિસ્તાન સરહદે તણાવ છે. બીજું, ભારતે સર ક્રિક અને અરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે. તેની સામે પાકિસ્તાને પણ યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે. પાકિસ્તાને ભારત અને અફઘાનિસ્તાન બંનેથી એલર્ટ રહેવાનું છે. પાકિસ્તાનમાં તાલિબાનો સાથે વિવાદ શું છે?તાલિબાનો પાકિસ્તાનના પશ્તૂન વિસ્તારોને પોતાના ગણાવે છે. ખાસ કરીને બલૂચિસ્તાન, ગિલગીટસ્તાન, બાલ્ટિસ્તાન, ખૈબર પખ્તુનખ્વાહ અને આસપાસના વિસ્તારોમાં પશ્તૂન વસ્તી વધારે છે જે અફઘાનિસ્તાનનો ભાગ હોવાનું કહેવાય છે. હવે આ વિસ્તારો પાકિસ્તાન પાસે છે. અફઘાનિસ્તાન હવે ફરીથી આ વિસ્તારોને પાછા લેવા માગે છે. પાકિસ્તાન આ કારણે નારાજ છે. અહિથી જ વિવાદ શરૂ થયો છે. બે પ્રકારના તાલિબાનો પાકિસ્તાન માટે માથાનો દુખાવોપાકિસ્તાનને પરેશાન કરે છે બે પ્રકારના તાલિબાનો. એક, જે અફઘાનિસ્તાનમાં વસે છે. જેને TTA (તહેરિક-એ-તાલિબાન અફઘાનિસ્તાન) કહે છે. બીજા છે પાકિસ્તાનની અંદર રહેતા તાલિબાનો. જેને TTP (તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન) કહે છે. એક સમયે TTA એટલે અફઘાનિસ્તાની તાલિબાનને પાકિસ્તાને આશરો આપ્યો હતો. એમાંથી જ TTPનો ઉદ્દભાવ થયો અને આ તાલિબાનો પાકિસ્તાનમાં જ રહેવા લાગ્યા.અફઘાની તાલિબાનોએ લાંબા સમય સુધી પાકિસ્તાનમાં બેઠાં બેઠાં દબદબો જમાવ્યો. જ્યારે પાકિસ્તાનના તાલિબાનો અફઘાનિસ્તાનમાં જઈને અમેરિકાના સૈનિકો સાથે લડ્યા. એ પછી TTA એટલે મૂળ અફઘાનિસ્તાનના તાલિબાનો 2021માં અફઘાનિસ્તાન પાછા આવી ગયા અને એ જ વર્ષમાં TTP એટલે કે પાકિસ્તાની તાલિબાનો પાકિસ્તાનમાં પાછા ફર્યા. અને હવે બંને તાલિબાનો પાકિસ્તાનના દુશ્મન બની ગયા છે. ડખો ક્યાંથી શરૂ થયો?પાકિસ્તાનની અંદર રહેલા તાલિબાનો તો પાકિસ્તાનને મીટાવી દેવા જ બેઠા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાહની એક સ્કૂલ પર પાકિસ્તાની તાલિબાન એટલે TTPએ કબજો કરી લીધો. પછી સ્કૂલનું નિરીક્ષણ કર્યું તો સ્કૂલની દીવાલો પર મહંમદઅલી જિન્હા અને પાકિસ્તાની શાયર અલામા ઈકબાલની તસવીરો હતી. પાકિસ્તાની તાલિબાનીઓ આ તસવીરો જોઈને એટલા ગુસ્સે થયા કે ચંપલ ઉતારીને તેનાથી તસવીરોને મારવા લાગ્યા. TTP એટલે કે પાકિસ્તાનમાં રહેતા આ એ તાલિબાનો છે જે રહે છે તો પાકિસ્તાનમાં પણ તેના દિલમાં તો અફઘાનિસ્તાન જ છે. પાકિસ્તાની નાયબ વડાપ્રધાને સંસદમાં શું કહ્યું?પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઈશાક ડારે સંસદમાં કહ્યું કે, 2020-2021માં ભૂલ એ કરી કે જ્યારે તાલિબાનો અફઘાનિસ્તાનમાં આવી ગયા તો આપણે ત્યાં પહોંચીને કહી દીધું કે અમે એક કપ ચા પીવા આવ્યા છીએ. પણ એ ચા આપણને બહુ મોંઘી પડી. ચાના એક કપે પાકિસ્તાન-અફઘાન બોર્ડરોને ખાસ કરીને ડૂરંડ સરહદને ફરીથી ખોલી. પાકિસ્તાનમાંથી 35-40 હજાર તાલિબાનો ભાગીને માંડ અફઘાનિસ્તાન ગયા હતા, તે બધા પાછા ફર્યા. એ વખતની ઈમરાન સરકારે 100 ક્રિમિનલોને પાકિસ્તાનમાં આશરો આપ્યો. આ એવા ક્રિમિનલ હતા જેણે બલુચિસ્તાનમાં પાકિસ્તાનના ઝંડા સળગાવ્યા હતા. આ તેની સૌથી મોટી ભૂલ હતી. આ ભૂલોમાંથી આપણે શીખવાની જરૂર છે. શું છે ડૂરંડ સરહદ વિવાદ?પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જે સરહદ છે તેનું નામ ડૂરંડ બોર્ડર છે.1893માં ડૂરંડ લાઈન સમજૂતી થઈ હતી. જે બ્રિટીશ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે હતી.ડૂરંડ લાઈને અફઘાન અને પશ્તૂન સમુદાયને બે ભાગમાં વહેંચી દીધા.ડૂરંડ સરહદની લંબાઈ 2430 કિલોમીટર છે.આ સરહદ પર બલૂચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વાહ અને પાકિસ્તાન કબાયલી વિસ્તારો છે.તાલિબાન આ બોર્ડરને માનતું નથી. તેનું કહેવું છે કે વર્ષો પછી આ સમજૂતી રદબાતલ થઈ ગણાશે. પશ્તૂન વિસ્તાર પણ અમારા જ છે. એક કપ ચાની સ્ટોરી શું છે?જ્યારે 2021માં અફઘાનમાં તાલિબાન સત્તામાં આવ્યું હતું ત્યારે ઈમરાન સરકારમાં ISI ચીફ ફૈઝ હમીદ દોડીને કાબુલ પહોંચી ગયા હતા. ત્યાં તેમણે જઈને કહ્યું હતું કે હું તો તમારી ચા પીવા આવ્યો છું. કાબુલની ફાઈવ સ્ટાર હોટેલ સેરેનામાં ISI ચીફે તાલિબાનો સાથે એક કપ ચા પીધી હતી. બ્રિટીશ લેડી જર્નાલિસ્ટે હમીદના હાથમાં ચાનો કપ હોય તેવો ફોટો પણ પાડી લીધો હતો. ચા પીતાં પીતાં ફૈઝ હમીદે તાલિબાનોને સુગર કોટેડ વાતો કરી કે આપણે બધા એક જ કરંડિયાના ફળો છીએ. આપણે સાથે મળીને રહેવાનું છે. એકબીજાની રક્ષા કરવાની છે. આ બધી વાતચીત કર્યા પછી તાલિબાનોને ISI ચીફે આમંત્રણ આપી દીધું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની ડૂરંડ સરહદ ખોલી દઈએ. જેથી તાલિબાનોને જો પાકિસ્તાનમાં આવીને રહેવું હોય તો રહી શકે. તાલિબાનોને આ ઓફરમાં તક દેખાઈ. તાલિબાનોને થયું કે જો પાકિસ્તાનમાં જઈને રહેવાની તક મળશે તો આજે નહિ તો કાલે, પાકિસ્તાનના વિસ્તારો પર તાલિબાની કબજો હશે. આ રીતે પાકિસ્તાનની ISI ચીફે ઈમરાન ખાનના કહેવાથી એક ભૂલ કરી ને તાલિબાનોની પાકિસ્તાનમાં એન્ટ્રી થઈ. પણ દુનિયા જાણે છે કે તાલિબાનો ઊધઈ જેવા છે. એકવાર પાકિસ્તાનમાં ઘૂસી ગયા ને હવે તેનો કબજો જમાવતા જાય છે. બાઈડેન સરકારે ઈમરાન સરકાર પર દબાણ કર્યુંતાલિબાન નેતાઓ ISI ચીફની મુલાકાતના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. ફૈઝની કાબુલ મુલાકાત અને તાલિબાન નેતાઓ સાથેની તેમની મુલાકાતથી બાઈડેન સરકાર નારાજ થઈ. અમેરિકાને લાગ્યું કે જનરલ ફૈઝ અફઘાનિસ્તાનમાં તાલિબાન નેતાઓ સાથે અમેરિકાની હારની ઉજવણી કરી રહ્યા છે.અમેરિકાની બાઈડેન સરકારે અને આર્મી ચીફ જનરલ બાજવાએ ઇમરાન ખાન પર હામિદને હટાવવા દબાણ કર્યું. પરિણામે કાબુલની મુલાકાતના એક મહિના પછી જ હામિદને ISI ચીફ પદ પરથી હટાવી દેવામાં આવ્યા. પાકિસ્તાનનો મોટો સડો - TTPપાકિસ્તાનમાં જ રહેતા તાલિબાનોએ પાકિસ્તાનને પરેશાન કરી નાખ્યું છે. TTPના મૂળિયાં પાકિસ્તાનમાં બહુ ઊંડા છે અને આ જ TTP એટલે પાકિસ્તાનમાં વસવાટ કરી રહેલા તાબિબાનો હવે પાકિસ્તાનને જ નડી રહ્યા છે. ખેબર પખ્તુનખ્વાહમાં લોકલ ફૂટબોલ મેચ હતી, તેમાં ચીફ ગેસ્ટ તરીકે TTPના કમાન્ડરને આમંત્રણ હતું. આ ઘટનાથી પાકિસ્તાની સરકારને પણ પેટમાં દુખ્યું છે. થોડા સમય પહેલાં જ TTPના લોકોએ પાકિસ્તાનના અલગ અલગ શહેરોમાં બેનર, કાગળમાં કાંઈક લખીને વીડિયો બનાવીને વાયરલ કર્યા હતા. જેમાં લખેલું હતું કે, જો કાબૂલ પર હુમલો કરશો તો અમે ઈસ્લામાબાદને રાખ કરી દઈશું. TTPના કાર્યકરો પાકિસ્તાનની અંદર ભય ફેલાવી રહ્યા છે અને TTAના આતંકીઓ પાકિસ્તાની સરહદ પર તહેનાત છે. ડૂરંડ લાઈન જાણે સળગી રહી છે. પાકિસ્તાનના લોકો જ મુનીરને ચેતવી રહ્યા છે કે હજી સમય છે. સુધરી જાવ. તો અફઘાનિસ્તાન સામે યુદ્ધ થશે જપાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસીફે પાકિસ્તાની ચેનલ જીઓ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ઈસ્તંબુલમાં પાક-અફઘાન વચ્ચે શાંતિ સમજૂતીમાં કાંઈ ઉકળશે નહિ તો વાત વણસી જશે. જો અમારી સરઝમીં પર, અમારા લોકોને નિશાન બનાવાય છે તો પછી અમે જે કરશું તે બહુ ખરાબ હશે. હવે તો યુદ્ધ જ થશે. પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સૈન્ય તાકાત કેટલી છે?એરક્રાફ્ટઅફઘાનિસ્તાન 9પાકિસ્તાન 850ફાયટર જેટઅફઘાનિસ્તાન 0પાકિસ્તાન 400હેલિકોપ્ટરઅફઘાનિસ્તાન 8પાકિસ્તાન 370એર ડિફેન્સ સિસ્ટમઅફઘાનિસ્તાન 0પાકિસ્તાન 1ગ્લોબલ ફાયર પાવર ઈન્ડેક્સ રેન્કઅફઘાનિસ્તાન 118પાકિસ્તાન 12 પાકિસ્તાન સરકારની આર્મી સામે સરેન્ડરની તૈયારી !!પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર કાંઈક મોટું કરવાની તૈયારી કરી રહી છે એ નક્કી છે.પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે જીઓ ન્યૂઝને એવું કહ્યું કે આર્મી પર કંટ્રોલ અંગે સંવિધાનની કલમમાં સુધારો કરવાની તૈયારી ચાલી રહી છે અને તેના માટે પરામર્શ ચાલી રહ્યો છે. પાકિસ્તાનના જીઓ ન્યૂઝના રિપોર્ટ મુજબ રક્ષામંત્રી ખ્વાજા આસીફે એવું જણાવ્યું હતું કે આર્ટીકલ 243માં સંશોધન જરૂરી છે કારણ કે ડિફેન્સની જરૂરિયાત બદલાઈ ગઈ છે. પાકિસ્તાનના સંવિધાનમાં આર્ટીકલ 243માં કેટલીક વાતો લખી છે પણ તેમાં ખાસ એક વાત એ લખી છે કે સશસ્ત્ર દળો પર સંઘીય સરકારનું નિયંત્રણ અને કમાન રહેશે અને સશસ્ત્ર દળોની સર્વોચ્ચ કમાન રાષ્ટ્રપતિ પાસે રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો પાકિસ્તાનની કેન્દ્ર સરકાર પાસે જ આર્મીનો કંટ્રોલ રહેશે. જેમાં રાષ્ટ્રપતિ સર્વોચ્ચ હશે. હવે, જો પાકિસ્તાની સરકાર બંધારણની આ કલમમાં સુધારો કરવા માંગે છે, તો તેનો અર્થ એ થશે કે તે આર્મી પરનો પોતાનો કંટ્રોલ ઘટાડવા માંગે છે. આ ઘટનાને પાકિસ્તાનના આર્મી ચીફ આસિફ મુનીર સામે પાકિસ્તાની સરકારની શરણાગતિ માનવામાં આવી રહી છે. આવો જ બદલાવ થઈ રહ્યો છે કે બીજો કોઈ ફેરફાર થશે, તે આવનારો સમય કહેશે. છેલ્લે,ભારતની આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય પાંખ મળીને સૈન્ય અભ્યાસ 'ત્રિશૂળ' થઈ રહ્યો છે તો તેની સામે પાકિસ્તાની નેવીએ પણ ઉત્તર અરબ સાગરમાં નેવીનો સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. ભારતે ઓપરેશન સિંદૂર પછીનો આ સૌથી મોટો સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. અરબ સાગરથી લઈ સર ક્રિક સુધી આ સૈન્ય અભ્યાસ એ માત્ર સૈન્ય અભ્યાસ છે કે બીજો કોઈ પ્લાન છે? તે આગામી દિવસોમાં ખબર પડી જશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ યશપાલ બક્ષી)
આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત બૂથ લેવલ ઓફિસરો (BLOs) દ્વારા ઘરે ઘરે જઈને 2.81 લાખથી વધુ મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી ચાલી રહી છે. આ ઝુંબેશ 4 નવેમ્બરથી શરૂ થઈ છે અને આગામી 4 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, સંબંધિત વિસ્તારના BLOs મતદારોને ફોર્મનું વિતરણ કરશે અને મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરશે. આણંદ જિલ્લાના સાત વિધાનસભા મતદાર વિભાગોમાં BLOs દ્વારા નાગરિકોને એન્યુમરેશન ફોર્મ સમજાવટ સાથે વિતરિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં 57,488 (24.14%), બોરસદમાં 28,553 (10.66%), આંકલાવમાં 49,665 (21.50%), ઉમરેઠમાં 31,834 (11.46%), આણંદમાં 24,417 (7.42%), પેટલાદમાં 31,425 (12.90%) અને સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં 57,776 (25.69%) ફોર્મનું વિતરણ થયું છે. આમ, જિલ્લાની તમામ સાત વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,81,158 મતદારોને (કુલ મતદારોના 15.51%) ઘરે ઘરે જઈને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં કુલ 18,12,327 ફોર્મનું વિતરણ કરવાનું લક્ષ્ય છે.
શહેરના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે ટ્રસ્ટી, હોદ્દેદાર અને કાર્યકર્તાઓનું ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું, જેમાં 1500થી વધુ સભ્યોની ઉપસ્થિતિ જોવા મળી. નવા વર્ષના પ્રારંભે ઉમંગ અને ઉત્સાહથી ભરપૂર આ સ્નેહમિલન કાર્યક્રમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા તથા પ્રમુખ આર.પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. 250 કરોડનું દાન એકત્ર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યોપ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે, 2027માં જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરનું પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વર્ષમાં વિશ્વઉમિયાધામના નિર્માણ માટે 250 કરોડ રૂપિયાનું દાન એકત્ર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. નવા વર્ષમાં નવી ઊર્જા સાથે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધીસ્નેહમિલનના દિવસે માત્ર ત્રણ કલાકમાં જ મા ઉમિયાની 100 કિલો વજનની મૂર્તિ માટે 31 તોલાથી વધુ સોનાના દાનની જાહેરાત થઈ. જે વિશ્વ ઉમિયાધામ પ્રત્યે લોકોની અઢળક શ્રદ્ધાનું પ્રતિબિંબ છે. આ પ્રસંગે હોદ્દેદારોએ નવા વર્ષમાં નવી ઊર્જા સાથે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઉપરાંત, આગામી દિવસોમાં “ઈંટદાન અભિયાન” શરૂ કરીને વિશ્વ ઉમિયાધામના નિર્માણ માટે ઘર-ઘર પહોંચવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્યમાં નકલી પોલીસ બની રોફ જમાવતો શખસો અસલી પોલીસનો માથાનો દુઃખાવો બન્યા છે. આણંદમાં નકલી પોલીસ બની રોફ જમાવતો એક શખસ ઝડપાયા બાદ હવે પાટણમાં પણ પોલીસના નકલી આઈ કાર્ડ અને યુનિફોર્મ પેરી તોડબાજીનો ખેલ રચનાર ઝડપાયો છે. પાટણમાં વેપારી પાસે 5 લાખનો તોડ કરે એ પહેલા જ અસલી પોલીસે 6 લોકોને ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનો ઢોંગ કરી વેપારી પાસે ખંડણી વસૂલવાનો પ્રયાસપાટણ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનો ઢોંગ કરીને કોલકાતાના એક વેપારી પાસેથી ₹5 લાખની ખંડણી વસૂલવાનો પ્રયાસ કરનાર છ વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી નકલી આઈ કાર્ડ, 11 મોબાઈલ ફોન, ત્રણ વાહનો અને ₹50,000 રોકડા સહિત કુલ ₹18,12,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. કોલકાતાના પ્લાયવુડના હોલસેલ વેપારી મુકેશકુમાર સરજુપ્રસાદે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે, તેમના ધંધામાં ગુજરાતના પાટણ જિલ્લાના એક વ્યક્તિએ નાણાકીય છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડીમાં પાટણના ચંદ્રુમણા ગામના પોપટ રાજપુતનો હાથ હોવાની શંકા હતી. આ અંગે ચર્ચા કરવા મુકેશકુમાર તેમના મિત્ર સુનીલકુમાર નેપાલસિંગ જાટ સાથે પાટણ આવ્યા હતા. પાટણ આવીને પોપટ રાજપુતને મળતા તેમણે જણાવ્યું કે, છેતરપિંડી તેમણે નહીં, પરંતુ સાંતલપુર તાલુકાના પર ગામના કૌશલસિંહ જાડેજાએ કરી છે. કૌશલસિંહ જાડેજા ન મળતા, પોપટભાઈએ મદદ માટે પાટણ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા તેમના એક મિત્રને બોલાવવાની વાત કરી. 31 ઓક્ટોબર, 2025ના રોજ પાટણની કેર્રીફોર હોટલમાં સાંજના સમયે આ પોલીસ માણસ સાથે મુલાકાત થઈ. તેણે પોતાની ઓળખ પી.ટી. ઝાલા અને સંજયના નામથી આપી હતી. નકલી પોલીસે કામ કરી આપવાના બદલે રોકડા ₹5 લાખની માંગણી કરીબનાવની વાત સાંભળીને આ નકલી પોલીસે કામ કરી આપવાના બદલે રોકડા ₹5 લાખની માંગણી કરી હતી. બાદમાં તે અવારનવાર પોપટ ઠાકોર મારફતે રૂપિયાની માંગણી કરતો રહ્યો. આ વ્યક્તિ ખરેખર પોલીસ છે કે કેમ, તેવી મુકેશકુમારને શંકા જતાં તેમણે એલસીબી પાટણ ખાતે તપાસ કરી હતી. ત્યાં જાણવા મળ્યું કે એલસીબીમાં પી.ટી. ઝાલા કે સંજય નામના કોઈ કર્મચારી ફરજ બજાવતા નથી. તે વ્યક્તિના મોબાઇલ નંબર અંગે પણ તપાસ કરાવતા તે નંબરનો કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી ન હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે વોચ ગોઠવી 6 લોકોને ઝડપી પાડ્યાનકલી પોલીસ દ્વારા ખંડણી વસૂલવાના પ્રયાસ અંગે મુકેશકુમારે પોલીસને અરજી આપી હતી. 5 નવેમ્બર, 2025ના રોજ આરોપીઓ ₹5 લાખની રકમ લેવા પાટણની રવેટા હોટલ ખાતે આવવાના હોવાથી પોલીસે વોચ ગોઠવી હતી. મુકેશકુમાર અને તેમના મિત્ર સુનીલકુમાર રવેટા હોટલના રૂમ નંબર 302માં રોકાયા હતા. સાંજે પોપટ ઠાકોર અને નકલી પોલીસ પી.ટી. ઝાલા સહિત અન્ય ચાર વ્યક્તિઓ રૂમમાં આવ્યા હતા. મુકેશકુમારના ઈશારાથી સુનીલકુમારે પોલીસને કોલ કરી બોલાવ્યા હતા. દસ મિનિટમાં પોલીસ દળ હોટલના રૂમ નંબર 302માં આવી પહોંચ્યું અને તમામ છ વ્યક્તિઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સંજયસિંહ નામનો શખસ નકલી પોલીસ બનીને ફરતો હતોપોલીસ તરીકે ઓળખ આપનાર વ્યક્તિનું સાચું નામ પરમાર (ઠાકોર) સંજયસિંહ મફતસિંહ અમરસંગ (ઉંમર 30, રહેવાસી વામૈયા ગામ, કાયાણી પાટી, તા.જી. પાટણ) હોવાનું જણાયું. તે નકલી પોલીસ બનીને ફરતો હતો. તેની સાથે અન્ય પાંચ ઇસમોને પણ પકડવામાં આવ્યા હતા. મોબાઈલમાંથી પોલીસ યુનિફોર્મમાં બનાવેલો વીડિયો પણ મળી આવ્યોસંજયસિંહ ઠાકોરની અંગઝડતીમાં 'CRIME CONTROL FOUNDATION'ના માર્કાનું આઈ કાર્ડ અને એક મોબાઈલ મળ્યો હતો. મોબાઈલ ગેલેરીમાં પોલીસ યુનિફોર્મમાં બનાવેલો એક વીડિયો પણ મળી આવ્યો હતો. તે ઉપરાંત, તેના મોબાઈલમાંથી 'GUJARAT POLICE, I CARD NO. 197, RANK PSI, UNIT DISTT-S.O.G.'ની વિગતો ધરાવતા નકલી પોલીસ આઈ કાર્ડનો ફોટો પણ મળી આવ્યો. સંજયસિંહના પહેરવેશમાં પગમાં લાલ કલરના પોલીસ યુનિફોર્મના TSF કંપનીના બુટ અને ખાખી મોજા મળી આવ્યા હતા, જે રાજ્યસેવકનો સ્વાંગ ધારણ કર્યાનું પુરવાર કરે છે. પોલીસે આરોપીઓ પાસેથી કિયા ગાડી, સફેદ સ્વિફ્ટ કાર અને આઈ-20 કાર કબજે કરી છે. આઈ-20 ગાડીમાંથી ₹50,000 રોકડા મળી આવ્યા છે.પોલીસે નકલી આઈ કાર્ડ, 11 મોબાઈલ ફોન (કિંમત ₹1,61,000), 03 વાહનો (કિંમત ₹16,00,000), ₹50,000 રોકડા અને પોલીસ યુનિફોર્મના બુટ-મોજા (કિંમત ₹1,000) સહિત કુલ ₹18,12,000નો મુદ્દામાલ પંચનામાની વિગતે કબજે કર્યો છે. તમામ છ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓના નામ-સરનામું:
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ દરમિયાન આજે દીપડો પાણીમાં ફસાઈ ગયો હતો. જેને પગલે વન વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું અને ઈજાગ્રસ્ત દીપડાને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પંથકમાં આવેલા મોકસી ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી આ પંથકમાં દીપડા હોવાની લોકબૂમો ઉઠી હતી, તેના પગલે પંથકવાસીઓ અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ખાસ કરીને ખેડૂત વર્ગ અને મજૂરીયાત વર્ગમાં પોતાના ખેતરોમાં જવા માટે દીપડાના ડરથી કાંપતા હતા, જેના કારણે વનવિભાગે પાંજરું મૂકવામાં આવ્યું હતું. આ દરમિયાન આજે ગામના જાગૃત નાગરિકને ખેડૂતો દ્વારા જાણવા મળ્યું હતું કે, એક દીપડો ઇજાગ્રસ્ત હાલતમાં પાણીમાં બેઠો છે, તેના પગલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક યુવાનો અને વન વિભાગના કર્મચારીઓના સહયોગથી દીપડાને રેસ્ક્યુ કરીને પાંજરે પૂરવામા સફળતા મળી હતી. આ વેળાએ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો દીપડાને જોવા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્ત હોવાથી તેને સારવાર અર્થે ખસેડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારેદિપડો પાંજરે પુરાયો હોવાની ખબર વાયુવેગે પ્રસરતા પંથકવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. મોકસી ગામના જાગૃત નાગરિક હરદીપસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, આજે મોક્સી ગામની સીમ વિસ્તારની અંદર એક દીપડો જોવા મળ્યો હતો. ત્યારે ગ્રામજનોએ મને જાણ કરી હતી, મેં ઘટનાસ્થળે જઈને જોયું ત્યારે એ દીપડો પાણીની અંદર ફસાયેલો જોવા મળ્યો હતો. ત્યારે એ દીપડાની પરિસ્થિતિ જોઈને મેં તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને જેથી વન વિભાગની ટીમ સ્થળ પર આવી ગઈ હતી અને દીપડાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દીપડાને સારવાર માટે વડોદરા ખાતે રેસ્ક્યુ સેન્ટરમાં તાત્કાલિક મોકલી આપવામાં આવ્યો છે. આ દીપડા દ્વારા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની અંદર ભયનો માહોલ ફેલાઈ રહ્યો હતો, ત્યારે આજે આ દીપડો સફળતાપૂર્વક પિંજરે પુરાતા ગામના ખેડૂતો અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.
સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચે પરિવહનની એક મહત્વની કડી સમાન રો-રો ફેરી સર્વિસમાં મોટી ખામી સામે આવી છે. ઘોઘાથી સુરત હજીરા આવી રહેલી રો-રો ફેરીમાં ટેકનિકલ ખામી સર્જાતા તે સાડા ત્રણ કલાક સુધી દરિયામાં જ બંધ હાલતમાં ફસાઈ ગઈ હતી. આ વિલંબના કારણે જે યાત્રીઓએ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી, તેમણે સમયસર ન પહોંચી શકવાના કારણે પોતાની ટિકિટો કેન્સલ કરાવવાની ફરજ પડી હતી. રો-રો ફેરીના મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા યાત્રીઓએ હોબાળો મચાવ્યો હતો. હજીરાથી 5 કિલોમીટર દૂર રો-રો ફેરી બંધ પડીમળતી માહિતી મુજબ, રો-રો ફેરી સમય મુજબ બુધવાર 5 નવેમ્બર સાંજે 5 વાગ્યે હજીરાથી સુરત આવવા માટે નીકળી હતી. સામાન્ય રીતે તે 8:30 વાગ્યા સુધીમાં સુરત પહોંચી જાય છે, પરંતુ તે દિવસે ધીમા પડતા 9:30 વાગ્યા સુધીમાં પહોંચવાની શક્યતા હતી. જોકે, ફેરી હજીરાના કિનારાથી માત્ર પાંચથી છ કિલોમીટરના અંતરે પહોંચી ત્યારે તે અચાનક સમુદ્રમાં બંધ થઈ ગઈ. યાત્રીઓ રાત્રે 8:30 વાગ્યાથી જ બંધ રો-રો ફેરીમાં ફસાયાએમરોડરીના ડિઝાઇનર પાર્થિલ ધામેલીયા જેઓ પોતાની બાઇક સાથે ફેરીમાં મુસાફરી કરી રહ્યા હતા, તેમણે સમગ્ર ઘટનાની વિગતો આપી હતી. પાર્થિલભાઈએ જણાવ્યું કે, જ્યારે ફેરી બંધ થઈ ત્યારે અમે સ્ટાફ અને ગાર્ડને પૂછ્યું. તેમણે શરૂઆતમાં માત્ર અડધો કલાકમાં ફેરી ઉપડી જશે તેમ જણાવી દીધું. 'ટેક્નિકલ પ્રોબ્લેમ છે' સિવાય કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહોતો. ફ્લાઇટ કેન્સલ કરાવીને યાત્રીઓનો હોબાળોફેરીનું મેનેજમેન્ટ વારંવાર ખોટા સમય આપીને યાત્રીઓને ગેરમાર્ગે દોરી રહ્યું હતું. સ્ટાફે પહેલા 10 વાગ્યાનો અને પછી 10:30 વાગ્યાનો સમય આપ્યો, પરંતુ તેમ છતાં ફેરી શરૂ ન થઈ. આ વિલંબ કેટલાક યાત્રીઓ માટે ગંભીર સમસ્યા લઈને આવ્યો. રાત્રે 11 વાગ્યાની ફ્લાઇટની ટિકિટ ધરાવતા યાત્રીઓએ અનિવાર્યપણે તેમની ટિકિટ કેન્સલ કરાવવી પડી હતી. સમય અને નાણાં બંને ગુમાવવાના કારણે યાત્રીઓનો આક્રોશ વધ્યો. પાર્થિલ ધામેલીયાના જણાવ્યા મુજબ, જ્યારે 10:30 વાગ્યા છતાં કોઈ સ્ટાફ દેખાયો નહીં અને કોઈ યોગ્ય જવાબ ન મળ્યો, ત્યારે યાત્રીઓએ હોબાળો કરવાનું શરૂ કરી દીધું હતું. પરિસ્થિતિ વણસતી જોઈને ફેરીનો સ્ટાફ અને ગાર્ડ યાત્રીઓથી સંતાઈ ગયા હતા, જેનાથી યાત્રીઓની નારાજગી વધુ વધી હતી. યાત્રીઓને સુરત કિનારે રાત્રે 12:30 વાગ્યે ઉતરવું પડ્યુંઆખરે, લગભગ સાડા ત્રણ કલાકના વિલંબ બાદ રાત્રે 11:45 વાગ્યે જહાજ ફરી શરૂ થઈ શક્યું. યાત્રીઓને સુરત કિનારે રાત્રે 12:30 વાગ્યે ઉતરવું પડ્યું હતું. યાત્રીઓએ આક્ષેપ કર્યો છે કે, આટલો મોટો વિલંબ થવા છતાં ફેરી મેનેજમેન્ટ તરફથી કોઈપણ પ્રકારનો યોગ્ય ખુલાસો કે સહકાર આપવામાં આવ્યો નહોતો. યાત્રીઓએ કરેલા બબાલ અને હોબાળાને કારણે સમગ્ર મામલો ગરમાયો હતો. જોકે આ સમગ્ર મામલે અત્યારસુધી રો-રો ફેરી સંચાલકો તરફથી યોગ્ય જવાબ આપવામાં આવ્યા નથી.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બહુચર્ચીત બનેલા મૂળ રાજકોટના માથાભારે શખ્શની સામે વધુ એક ગુનો અટલાદરા પોલીસ મથકમાં નોંધાયો છે. તેની સામે કોર્ટમાં થયેલા કેસને પરત ખેંચવા માટે ફરિયાદીને પરિવાર સહિત જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો મામલો બહાર આવ્યો છે. તેમાં માથાભારે શખસ તથા તેના ભાઇઓ માટે 50-50 લાખની માંગણી કરી હતી. પૈસા નહી આપે તો તને અને તારા પરિવારને જોઇ લેવાનું જણાવ્યુ હતું. આ મામલે અટલાદરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જતીન નથવાણીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીવડોદરા શહેરમાં કલાલી વિસ્તારમાં મલબરી ટાવર વિસેન્ઝા હાઇડેક ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ છોડીને રહેવા આવેલા અને ખાનગી ન્યૂઝ ચેનલના CMD ગીરીશ સોલંકીની ખંડણી, દારૂ, હથિયાર બંધીના જાહેરનામાની ભંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવણી બહાર આવી રહી છે. તેની પોલીસ ધરપકડ કર્યા બાદ વિવિધ કારનામાઓ બહાર આવી રહ્યા છે, તેમ તેમ પોલીસ દ્વારા તેની સામે કાનૂની સાણસો વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશનમાં જતીન મહેશભાઇ નથવાણી નામના પત્રકારે પણ ગીરીશ સોલંકી સામે વધુ એક ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે કલાલી વિસ્તારમાં વિસેન્ઝાના હાઇડેકના બિલ્ડર તેમજ ત્યાંના અમુક કેટલાક રહીશો દ્વારા નર્મદા નિગમની સરકારી જગ્યા ઉપર ગેરકાયદે રીતે કબ્જો કર્યો હતો. તેના સંદર્ભમાં 2022ના જુલાઇ મહિનામાં વડોદરા કલેક્ટરને લેન્ડગ્રેબીંગ અધિનિયમ 2020 હેઠળ કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરવામાં આવી હતી. જેનો હુકમ 29 ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યો હતો. જેનાથી જતીન નથવાણી અસંતુષ્ટ હોવાથી એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં 2025ના 1 માર્ચના રોજ ક્રીમીનલ ઇન્કવાયરીથી ફરિયાદ દાખલ કરી હતી. 'બંને હિસાબ કરીને 50-50 લાખ તૈયાર રાખજે'આ ફરિયાદના અનુસંધાનમાં ગત 15 ઓક્ટોબરના રોજ ગીરીશ સોલંકીએ જતીન નથવાણીને ધમકી આપતાં કહ્યુ હતુ કે, તે મારા વિરૂદ્ધ કોર્ટમાં જે ફરિયાદ આપી છે, તેમાં મારૂ કંઇ થવાનું નથી, તે ફરિયાદ તું પાછી ખેંચી લે. જો તું ફરીયાદ પાછી નહીં ખેંચે તો હું સુપ્રિમ કોર્ટમાં જઇને સારામાં સારો વકીલ રોકીને કેસ લડીશ અને આ માટે કોર્ટમાં કેસ લડવાનો ખર્ચ તથા મારા અને મારા ભાઇનો આવવા જવાનો તમામ ખર્ચ તારી પાસેથી વસુલ કરીશ અને બંન્ને હિસાબ કરીને 50- 50 લાખ રૂપિયા તૈયાર રાખજે. જો તું કેસ લડવાના પૈસા નહી આપે તો તને અને તારા પરિવારજને જોઇ લઇશ. તારે જ્યાં દોડવુ હોય ત્યાં દોડી લેજે. ભલે તું પત્રકાર હોય, હું કોઇ પોલીસવાળાઓ, ડોક્ટરો, મેડીકલ સ્ટોરવાળા, સ્કુલવાળાઓ, બિલ્ડરો કે બીજા કોઇ સરકારી અધિકારીઓ કોઇને મુકતો નથી. તે તને હું થોડો એમ જ જવા દઇશ? તું તો જઇશ પણ તારા ઘરના પણ ક્યાં ખોવાઇ જશે એ પણ તને ખબર નહી પડે તેમ કહીના જાનથી મારી નાખવાની ધમકી આપતાં આખરે મામલો પોલીસ મથકે આપ્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને ગીરીશ સોલંકીની સામે કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટ શહેરમાં કેરટેકર મહિલાએ મકાન માલિક વૃદ્ધાના ઘરમાંથી જ રૂ.11.20 લાખની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના માલવીયાનગર વિસ્તારમાં કેરટેકર તરીકે કામ કરતી ન્યારા ગામની મહિલાએ ત્રણ માસમાં અલગ અલગ સમયે 83 ગ્રામ સોનુ અને રોકડ સેરવી લઈ પોતાના ઘર ભેગું કર્યું હતું જે અંગે પુત્રએ તપાસ કરતાં ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આ પછી મહિલાની પુછપરછ કરતા પોતે ચોરી કર્યાની કબૂલાત આપતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે બંટી બબલીની ધરપકડ કરી 9.41 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મકાનમાંથી કટકે કટકે રોકડ અને સોનાની ચોરી કરીરાજકોટ શહેર એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર પ્રધુમન ગ્રીન સીટી એપાર્ટમેન્ટમાં રહેતાં ધીરેનભાઈ હીરાલાલ વાધર (ઉ.વ.54)એ માલવીયાનગર પોલીસમાં ન્યારા ગામમાં રહેતી ભાવના રમેશ ભૂત નામની મહિલા સામે પોતાના રહેણાંક મકાનમાંથી કટકે કટકે રોકડ અને સોનુ મળી રૂ.11.20 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીના માતા હર્ષાબેન હીરાલાલ વાઘર (ઉ.વ.83) માલવીયાનગર મેઇન રોડ પંચશીલ સ્કુલ પાસે એકલા રહેતા હોવાથી તેની સારસંભાળ માટે રાજકોટની ગીતાંજલી હોમ હેલ્થકેર નામની એજન્સી મારફતે ભાવના ભૂતને ઓગષ્ટ મહીનાથી કેરટેકર તરીકે રાખ્યા હતા જે માતાની સતત રાત-દીવસ સેવા ચાકરી કરતી હતી જેના ભાવનાબેનને રોજના રૂ.1400 ચૂકવતા હતા. કુલ રૂપિયા 9.41 લાખનો મુદ્દામાલ કબજે કરાયોફરિયાદી તા.02 નવેમ્બરના રોજ બપોરના આશરે બે વાગ્યે માતાના ઘરે મિત્ર સાથે ગયા હતા ત્યારે રૂમમાં કબાટ ખોલી અંદર જોતા વસ્તુ કબાટની અંદર જોવા મળી ન હતી જે કબાટમાં સોનાની ઘડીયાળનો બેલ્ટ 40 ગ્રામનો, સોનાનુ ડોકીયુ 20 ગ્રામ, સોનાની નાકની ચુક, સોનાનુ ઓમકાર, મોતીની માળા સોનાની મઢેલી અને રોકડ રૂ.3 લાખ હતાં. ભાવનાબેનએ ચોરી કરી હશે તેવી શંકા જતા તેની પુછપરછ કરતા પોતે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ પછી મહિલા સાથે તેનો મિત્ર સોનુ બારોબાર વેચવા જતો હતો જો કે તે ચોરીનો માલ વહેંચે તે પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ભાવના ભૂત અને આશિષ પરમારની ધરપકડ કરી તેની પાસેથી કુલ 9.41 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 'એન્યુમેરેશન' તબક્કાનો પ્રારંભ થયો છે. ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર, જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં 14,81,991 મતદારોને એન્યુમેરેશન ફોર્મ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ, જિલ્લાના કુલ 1518 મતદાન મથકો પર 1518 બુથ લેવલ ઓફિસરો (BLOs) દ્વારા ઘરે ઘરે જઈને મુલાકાત લેવામાં આવી રહી છે. આ કામગીરી 4 ડિસેમ્બર, 2025 (ગુરુવાર) સુધી ચાલશે. આ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) 1 જાન્યુઆરી, 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં જાહેર કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 60-દસાડા, 61-લીંબડી, 62-વઢવાણ, 63-ચોટીલા અને 74-ધ્રાંગધ્રા વિધાનસભા મતવિસ્તારોમાં આ કામગીરી ચાલી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, સુરેન્દ્રનગર દ્વારા નાગરિકોને આ સમયગાળા દરમિયાન બુથ લેવલ ઓફિસરોને સંપૂર્ણ સહયોગ આપવા અનુરોધ કરાયો છે. હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપવાની જરૂર નથી. મતદારો પોતાની મતદારયાદીમાં નામની ચકાસણી તેમજ વર્ષ 2002ની મતદારયાદી https://voters.eci.gov.in/ વેબસાઇટ પર કરી શકે છે. મતદાર રજીસ્ટ્રેશન સંબંધિત કોઈ પણ માહિતી કે માર્ગદર્શન માટે મતદારો 1950 હેલ્પલાઇન પર સંપર્ક કરી શકે છે અથવા તેમના સંબંધિત બુથ લેવલ ઓફિસર (BLO)નો પણ સંપર્ક સાધી શકે છે.
દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં દરેક વિધાનસભા વિસ્તારમાં આશરે 5 થી 8 કિલોમીટરની પદયાત્રા યોજાશે. ભરૂચ જિલ્લામાં યોજાનાર આ પદયાત્રા અંગે આજે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પદયાત્રાની વિસ્તૃત માહિતી આપી હતી. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી કેવડિયા સુધી એક ઐતિહાસિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં દેશભરના મહાનુભાવો, યુવાનો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ જોડાશે. દેશના તમામ 542 લોકસભા ક્ષેત્રોમાંથી યુવાનો આ યાત્રામાં ભાગ લેશે. પદયાત્રા દરમિયાનએક ભારત –આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવવામાં આવશે. આ સાથે જ, દરેક વિધાનસભા વિસ્તારમાં સમાજના શ્રેષ્ઠીઓ, કલાકારો અને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. આ યાત્રા દ્વારા સમાજમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ પ્રસરી શકશે. સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લાના નાગરિકોને આ એકતા પદયાત્રામાં જોડાઈને રાષ્ટ્રીય એકતા માટે પોતાનું યોગદાન આપવા અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા અગ્રણી પ્રકાશ મોદી, પદયાત્રાના જિલ્લા ઈન્ચાર્જ કન્વિનર રશ્મિકાંત પંડ્યા, ભરૂચ પ્રાંત અધિકારી મનિષા મનાણી, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી મિતા ગવલી, રમત- ગમ્મત અધિકારી રાજન ગોહિલ, માય ભારત ભરૂચના ડેપ્યુટી ડાયકેક્ટર પંકજ યાદવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે, નવા વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં રોડ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ નાગરિકોને પૂરી પાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવા અંગે નિર્ણય આજે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. દરેક ઝોનમાં સાત એડિશનલ સિટી એન્જિનિયર અને દરેક વોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર મુકાશે. એન્જિનિયરિંગ વિભાગમાં કુલ 636 જેટલા અધિકારી અને કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. એન્જિનિયરિંગ વિભાગમાં ભરતી કરવાનો નિર્ણય લેવાયોસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરનો દિન પ્રતિદિન વિસ્તાર વધી રહ્યો છે. 550 કિલોમીટરથી ફેલાયેલા અમદાવાદમાં રોડ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાના કામો કરવામાં આવે છે. જે દરેક કામ ઝડપી અને સમયસર પૂર્ણ થાય તેના માટે શહેરીજનોને સમયસર પાણી અને ગટરની સુવિધા મળી રહે તેના માટે એન્જિનિયરિંગ વિભાગમાં અધિકારીઓની ભરતી કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 636 અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરાશેમ્યુનિસિપલ કમિશનર અને એન્જિનિયરિંગ વિભાગ તરફથી મૂકવામાં આવેલી દરખાસ્તમાં સુધારા સાથે મંજૂરી આપવામાં આવી છે. દરેક ઝોનમાં 7 એડિશનલ સિટી એન્જિનિયર, 17 ડેપ્યુટી સિટી એન્જિનિયર, 48 વોર્ડમાં 48 આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર, 168 આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર અને 396 ટેકનિકલ સુપરવાઇઝર એમ મળીને 636 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. વાર્ષિક ખર્ચમાં રૂપિયા 55 કરોડનો વધારો થશેવધુમાં તેમણે જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ વિભાગમાં આ ભરતી પ્રમોશનથી અને બહારથી પણ અધિકારીઓની ભરતી કરવામાં આવનાર છે. ખાસ કરીને અમદાવાદમાં 3,500 કિલોમીટરની ડ્રેનેજ લાઈન, 980 કિલોમીટરની વરસાદી પાણીની લાઈન, 5525 કિલોમીટરની પાણીની લાઈન અને 3250 કિલોમીટરનું રોડનું નેટવર્ક છે, ત્યારે એન્જિનિયરિંગ વિભાગમાં નવું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. નવું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે વાર્ષિક ખર્ચમાં પણ 55 કરોડ રૂપિયાનો વધારો થશે. એન્જિનિયરિંગ વિભાગના મહેકમમાં વધારો કરાયોઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર વધી રહ્યો છે અને વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરીજનોને શુદ્ધ પાણી ગટર વ્યવસ્થા રોડ સહિતની સુવિધાઓ મળી રહે તેના માટે તેની કામગીરી એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવે છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રોજેક્ટ વિભાગ, સબ ઝોનલ અને ઝોનલ કક્ષાએ એન્જિનિયરિંગ વિભાગ કામગીરી થતી હોય છે, ત્યારે શહેરના વિસ્તાર અને કામગીરીના સંલગ્નમાં જે એન્જિનિયરિંગ વિભાગનું જે મહેકમ હતું તેમાં વધારો કરવામાં આવ્યો છે. નવું મંજૂર મહેકમ
સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસે લીંબડી-અમદાવાદ હાઇવે પરથી ગેરકાયદેસર પેટ્રોલ, ડીઝલ અને કેમિકલ કટિંગનું મોટુ રેકેટ ઝડપી પાડ્યું છે. કટારીયા ગામ નજીક આવેલા યુપી-બિહાર-મહારાષ્ટ્ર ઢાબા હોટલ ખાતેથી આ પ્રવૃત્તિ ચાલતી હતી. પોલીસે કુલ ₹1,06,17,295ના મુદ્દામાલ સાથે છ આરોપીઓની ધરપકડ કરી છે. એલ.સી.બી. ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી. સ્થળ પરથી પ્લાસ્ટિકના બેરલમાંથી 850 લિટર પેટ્રોલ (₹79,900) અને 1050 લિટર ડીઝલ (₹94,500) જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બે ટ્રક (₹40 લાખ), બે બોલેરો પીકઅપ વાહન (₹10 લાખ), એક સ્કોર્પિયો કાર (₹15 લાખ), ₹1,81,500 રોકડા અને છ મોબાઈલ ફોન (₹50,000) પણ જપ્ત કરાયા હતા. રેડ દરમિયાન ટ્રકમાંથી 13,000 લિટર પેટ્રોલ (₹11,66,839) અને 9,000 લિટર ડીઝલ (₹7,79,796) મળી આવ્યું હતું. જ્યારે બીજા ટ્રકમાંથી 19,360 કિલો હેક્સન પેટ્રોલ (₹17,64,760) પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે રામકૃપાલ રાજેન્દ્રપ્રસાદ યાદવ (સુરત), શિરાજભાઈ મેમુદભાઈ ટીબલીયા (રળોલ, લીંબડી), શૈલેષસિંહ ભરતસિંહ ગોહિલ (વસ્તડી, વઢવાણ), ચેતનભાઈ મફાભાઈ જોગરાણા (રાણાગઢ, લીંબડી), ગંભુભાઈ લાભુભાઈ મેણીયા (કટારીયા, લીંબડી) અને હોટલ સંચાલક જય ઉર્ફે જયરાજ ભૂપતભાઈ રાઠોડ (ચુડા) સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમોએ આ કાર્યવાહી કરી હતી. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પાણસીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિર 27થી 29 નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુરમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારી આ શિબિરમાં રાજ્યના મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો અને અન્ય વહીવટી અધિકારીઓ હાજર રહેશે. વિવિધ વિભાગોના કાર્યક્રમો અને તેમની અમલી સ્થિતિ વિશે ચર્ચા થશેશિબિરનો હેતુ રાજ્યના વહીવટીતંત્રને વધુ અસરકારક બનાવવાનો અને અધિકારીઓ વચ્ચે સક્ષમ સંકલન વધારવાનો છે. અધિકારીઓના ક્ષેત્રિય અનુભવો, વિવિધ વિભાગોના કાર્યક્રમો અને તેમની અમલી સ્થિતિ વિશે ચર્ચા થવાની છે જેથી વિકાસની ગતિ વધુ તેજ થાય. અધિકારીઓ પોતાના અનુભવ, પડકારો અને ઉકેલો રજૂ કરશેચિંતન શિબિર દરમિયાન મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની હાજરીમાં વિવિધ વિષયક ચર્ચા સત્રો યોજાશે. દરેક વિભાગના અધિકારીઓ પોતાના અનુભવ, પડકારો અને ઉકેલો રજૂ કરશે. સમૂહ ચર્ચા દ્વારા રાજ્યના વિકાસ માટે નવનવા વિચારો મેળવવાના ઉદ્દેશ સાથે આ શિબિર યોજાઈ રહી છે. ત્રણ દિવસીય ચિંતન શિબિર 27થી 29 નવેમ્બર સુધી ચાલશેચિંતન શિબિરમાં ભાગ લેનાર અધિકારીઓને ટ્રેન મારફતે ધરમપુર પહોંચવાનું રહેશે. તમામ અધિકારીઓને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, શિબિર બાદ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સમાપન સત્રમાં ચિંતનના મુદ્દાઓની પ્રસ્તુતિ અને સમીક્ષા થશે. આ ત્રણ દિવસીય ચિંતન શિબિર 27 નવેમ્બરે પ્રારંભ થઈ 29 નવેમ્બર સુધી ચાલશે. શિબિરના અંતે રાજ્યના વિકાસ માટે નવી દિશા નક્કી કરવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
રાજસ્થાનના કુખ્યાત બુટલેગર અશોક બિશ્ર્નોઇ અને તેના સાગરિતો દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાના બુટલેગરોને લાખો-કરોડોનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ સપ્લાય કરી રાજ્યમાં દારૂની રેલમછેલ કરાતી હોવાથી આવી અસામાજીક પ્રવૃત્તિ કરનાર ટોળકીના કુલ 13 આરોપી સામે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં ગોવામાં દારૂની ફેક્ટરી ચલાવતા આરોપી વિપિન અરોરાની ધરપકડ કરી બન્ને આરોપીને વડોદરા સ્પેશિયલ કોર્ટ, ગુજસીટોક, સમક્ષ રજૂ કરી 30 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા અદાલતે ખાસ સરકારી વકીલ રઘુવીર પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી 15 દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો હતો. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનના કુખ્યાત બુટલેગર અશોક બિશ્ર્નોઇ અને તેના સાગરિતો દ્વારા પરપ્રાંતમાંથી મોટાપાયે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાજ્યના વિવિધ શહેરોના બુટલેગરોને પહોંચાડવામાં આવતો હોવાથી છેલ્લા ઘણાં સમયથી ચાલતી આ પ્રવૃત્તિ સામે પોલીસે પગલાં લીધા હોવા છતાં તે બેરોકટોક ચાલતી હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ ટોળકી સામે ગુજસીટોક હેઠળ શનિવારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સ્ટેટ મોનોટરીંગ સેલએ અશોક પુનમારામ પંવાર(બિશ્નોઇ) (રહે.સાંગડવા, તા.ચિતલવાના, જિ.ઝાલોર) તથા નિલેશ ઉર્ફે નિલુ ઉર્ફે ભઇજી હરેશભાઇ નાથાણી (સીંધી) (રહે. ખોડીયારનગર, ન્યુ વી.આઇ.પી.રોડ) તથા તેના સાગરીતો ઘેવરચંદ ભાગીરથરામ બિશ્નોઇ (રહે.કરવાડા ગામ તા.રાણીવાડા જી.સાંચોર), નારાયણ ઉર્ફે નરેશ ભારમલજી બિશ્નોઇ (રહે.કરવાડા ગામ તા.રાણીવાડા જી.સાંચોર), શ્રવણકુમાર કિશ્નારામ બિશ્નોઇ (રહે.સાંગડવા, તા. ચિતલવાના, જિ.ઝાલોર), રવિ ઉર્ફે જીગો ચામડો ઠાકોરભાઇ માછી (રહે. ઘર નં.116, સ્લમ ક્વાટર્સ, નાલંદા પાણીની ટાંકી સામે, વાઘોડીયા રોડ), રવિ નાઉમલ કુકડેજા (રહે.531, માધવનગર, સાગર સ્ટુડીયોની સામે, આજવા રોડ), ધવલ પુનમારામ બિશ્નોઇ (જાની) (રહે.કાછેલા બગસડી, તા.ચિતલવાના,જિ.ઝાલોર), સુનીલ ભેરારામ બિશ્નોઇ (કાવા) (રહે.રોહીલા પુર્વ, (લુખ) તા.ધોરીમન્ના, જિ.બાડમેર), ઓમપ્રકાશ પુનમારામ પંવાર (બિશ્નોઇ) (રહે.સાંગડવા, તા.ચિતલવાના, જિ.ઝાલોર), જગદીશ ઉર્ફે જે.ડી. પપુરામ સાહુ (બિશ્નોઇ), રહે.મેઘાવા, તા.ચિતલવાના, જિ.ઝાલોર), સુરેશ ઉર્ફે રોહીત ક્રિષ્ણારામ બિશ્નોઇ, રહે.ગામ બારૂડી, તા.ધોરીમન્ના, જિ.બાડમેર) અને છબીલનાથસિંહ ઉર્ફે પ્રદિપ રાજા કૌશલસિંહ રાજપુત (રહે. 35, સ્નેહ કુંજ સોસાયટી, નુતન નાગરીક બેંકની બાજુમાં, ઇસનપુર, અમદાવાદ) સંગઠીત ગુનામાં ટોળકી બનાવી ગુનાઓ આચરેલ છે. એસએમસીએ આ ગુનામાં ગોવાના એક આરોપી વિપિન અરોરાની ધરપકડ કરી છે. તેણે 40,000 પેટી વિદેશી દારૂ ગુજરાતમાં સપ્લાય કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વડોદરા ગુજસીટોક કોર્ટમાં સમક્ષ રજૂ કરી 30 દિવસના રિમાન્ડની માંગણી કરતા અદાલતે 21 નવેમ્બર સુધીના 15 દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
ચોમાસાની સિઝનમાં અનેક રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ શહેરના મનપા કમિશનરના નિવાસસ્થાનથી HDFC બેંક સુધીના માર્ગ પર જે પહેલેથી જ સારો હતો, તેના પર ફરીથી નવો ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ થતા નાગરિકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, ચોમાસાના કારણે અધુરુ કામ રહી ગયું હોવાથી હાલ આ રોડ બનાવવાની કામગીરી પૂરી કરવા માટે કામ શરૂ કરાયું છે. મનપા નાણાંનો વ્યય કરી રહી હોવાનું લોખમુખે ચર્ચાલોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, જ્યાં રોડ સારી હાલતમાં છે ત્યાં ફરી નવો રોડ કેમ? પ્રજાના પૈસાનો દુરુપયોગ ગણાતી આ કામગીરીને લઈને જાહેર ચર્ચાઓમાં મનપાની નીતિ પર સવાલો ઉઠી રહ્યા છે. નાગરિકોનું કહેવું છે ,કે શહેરમાં ઘણા એવા રસ્તા છે જ્યાં ખરેખર મરામતની જરૂર છે, પરંતુ મહાનગરપાલિકા એ જગ્યાએ ધ્યાન આપવાને બદલે પહેલેથી સારા રોડ પર જ ડામર પાથરીને જાહેર નાણાંનો વ્યય કરી રહી હોઈ તેવું લોખમુખે ચર્ચાઈ રહ્યું છે. રોડ વિભાગના અધિકારીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું: નાગરિકઆ અંગે કલ્પેશ મણિયારે જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકાએ પહેલા તો બુદ્ધિનું પ્રદર્શન કર્યું ગણાય. ખાસ કરીને કમિશનરના બંગલેથી HDFC બેન્ક સુધીનો રોડ એકદમ સારો સરસ હતો. અધિકારીઓને રાજી કરવા માટે રોડ વિભાગના અધિકારીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. ભાવનગર શહેરના ઘણા માર્ગો એવા છે કે જે ખખડધજ છે, લોકો એ જોવા જવું જોઈએ અને એ માર્ગો કરવા જોઈએ. અધિકારીઓને રાજી કરવા માટે મહાનગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક રોડ બનાવે છે. પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. અધૂરું કામ પુરુ કરવા માટે ફરી કામ શરૂ કરાયું છેઆ અંગે મનપાના રોડ વિભાગ અધિકારીને પૂછતાં જણાવ્યું હતું કે, ચોમાસા સિઝન પહેલા આ રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું પણ ચોમાસુ વહેલું બેસી જતા કામ અધૂરું રહ્યું હતું. તેને લઈ હાલ આ રોડ બનાવવાની કામગીરી શરૂ છે. જેમાં હાલ મનપાના કમિશનરના નિવાસ સ્થાનથી લઈ HDFC બેન્ક સુધી રોડની કામગીરી ચાલી રહી છે.
રાજકોટનાં કાલાવડ રોડ ઉપર વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કટારીયા ચોકડી ખાતે ઓવરબ્રિજ અને અંડરબ્રિજના મોટા પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું, જે રાજકોટના ટ્રાફિક મેનેજમેન્ટમાં એક સીમાચિહ્નરૂપ બની રહેશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે વાહનો માટે ડાયવર્ઝન સક્રિય કરવામાં આવ્યા છે. ખાસ કરીને આડા રીંગ રોડ એટલે કે ગોંડલ રોડથી જામનગર રોડ તરફના માર્ગે વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝનનાં રૂટ જાહેર કરવામાં આવ્યા છે. જોકે કાલાવડ રોડથી મેટોડા તરફ જવાનો રસ્તો ચાલુ રાખવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડની કટારીયા ચોકડીએ રૂ. 167 કરોડના ખર્ચે આઇકોનિક ફ્લાય ઓવરબ્રીજનું અને અન્ડરબ્રીજનું નિર્માણ કરવાની કામગીરી ચાલી રહી છે. થોડા સમય પહેલા સર્વિસ રોડ તેમજ ડાયવર્ઝનના કામ હાથ પર લેવામાં આવ્યા હતા, અને કાલાવડ રોડ તેમજ નવા રીંગ રોડથી અવરજવર કરતા વાહનો માટે સાઇડમાં રસ્તાઓ પણ ખોલવામાં આવ્યા હતા. હવે કટારીયા ચોકડી વિસ્તારમાં બ્રિજ બનાવવાના કામને કારણે ગોંડલ રોડ તથા જામનગર રોડ તરફના માર્ગોમાં ટ્રાફિક ડાયવર્ઝન રૂટ અમલમાં મુકાયો છે. આ બ્રિજના બાંધકામના કામને કારણે કટારીયા ચોકડી ખાતે ગોંડલ રોડથી જામનગર રોડ તરફ તથા જામનગર રોડથી ગોંડલ રોડ તરફ જતો રીંગ રોડ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. વાહનોની અવર-જવર માટેના મુખ્ય વૈકલ્પિક રૂટ 150 ફૂટ રીંગ રોડ-2, ગોંડલ ચોકડીથી જામનગર રોડ તરફ જવા માટે (ભારે વાહનો માટે): 1150 મીટરની લંબાઈ અને 18.00 મીટરની પહોળાઈ ધરાવતો આ માર્ગ એકવાકોરલથી પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ, જીનીયશ સ્કૂલ, કાલાવડ રોડ થઈ કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાથી કોનપ્લેક્ષ સિનેમા થઈ 150 ફૂટ રીંગ રોડ-2 પર નીકળશે. 150 ફૂટ રીંગ રોડ-2, જામનગર રોડથી ગોંડલ રોડ તરફ જવા માટે: 650.00 મીટરની લંબાઈ અને 18.00 મીટરની પહોળાઈ ધરાવતો આ માર્ગ 150 ફૂટ રીંગ રોડ-2 થઈ એલેકઝીર રોડ, ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડ, કોરાટવાડી મેઇન રોડ, ધ વાઇબ રોડ થઈ 150 ફૂટ રીંગ રોડ-2 પર પાછો આવશે. 150 ફૂટ રીંગ રોડ-2 જામનગર રોડથી કાલાવડ રોડ થઈ 150 ફૂટ રીંગ રોડ-2 ગોંડલ રોડ તરફ (ભારે તથા ઇન્ડસ્ટ્રીયલ વાહન માટે): 1600.00 મીટરની લંબાઈ અને 24.00 મીટરની પહોળાઈ ધરાવતો આ માર્ગ 150 ફૂટ રીંગ રોડ-2થી રત્નવિલાસ પેલેસવાળા રસ્તા, કાલાવડ રોડ, કણકોટ ચોકડી થઈ વીર-વિરૂ તળાવ 24.00 મીટરવાળા રસ્તે થઈ 150 ફૂટ રીંગ રોડ-2 પર પહોંચશે. ઉલ્લેખનીય છે કે, કટારીયા ચોકડીએ ઓવરબ્રિજનું મુખ્ય કામ હવે શરૂ કરવાનું છે. એક વખત પીલર સહિતના કામ પૂર્ણ થઈ જાય એટલે ફરીથી વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવશે. ચોકડી વચ્ચે પાયાનું કામ શરૂ અને પુરૂ થાય ત્યાં સુધી જામનગર અને ગોંડલ વચ્ચેનો વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો છે. જોકે મેટોડા તરફ જતો રસ્તો ચાલુ રાખવામાં આવ્યો છે. આ આઇકોનિક પ્રોજેક્ટનું કામ ટેન્ડર મંજૂર થયાના 30 મહિનામાં એટલે કે લગભગ અઢી વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે.
સુરત શહેરમાં ધાર્મિક લાગણી દુભાય તેવી એક ઘટનામાં માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં એક જ વિસ્તારના બે મંદિરોને નિશાન બનાવી ચોરી કરનાર બે આરોપીઓને ઉમરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ચોંકાવનારી વિગત એ છે કે આ આરોપીઓ મંદિરમાં ચોરીને અંજામ આપ્યા બાદ વૈભવી જીવન જીવવા નહીં, પરંતુ વતનમાં પોતાનું સરકારી અનાજ લેવા માટે ભાગી ગયા હતા. તેમને અંદાજ પણ નહોતો કે સુરત પોલીસ આટલી ત્વરિત કાર્યવાહી કરીને તેમને શોધી કાઢશે. આ મામલે ઉમરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને બે અન-ડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. 24 કલાકમાં 2 મંદિરો નિશાન બનાવ્યા હતાઆ ચોરીની ઘટનાઓ સુરતના ઉમરા વિસ્તારમાં બની હતી.જ્યાં 23 કલાકના અંતરાલમાં બે મંદિરોમાં ધાડ પાડવામાં આવી હતી. પ્રથમ ઘટનામાં વેલેન્ટાઇન સિનેમા પાછળ આવેલા માં કાલીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હતી. ત્યારબાદની રાત્રે જ બીજા એક મંદિરમાં એટલે કે રૂઢનાથ મહાદેવ મંદિરમાં પણ ચોરી કરવામાં આવી હતી. બંને આરોપીઓએ આ બંને મંદિરોની કુલ ચાર દાનપેટીઓ તોડીને રોકડ રકમની ચોરી કરી હતી. ધાર્મિક સ્થળો પર થયેલા આ કૃત્યથી સ્થાનિક શ્રદ્ધાળુઓમાં નારાજગી વ્યાપી ગઈ હતી, જેના પગલે ઉમરા પોલીસે આ ગુનાને ગંભીરતાથી લીધો હતો. રાશન લેવા ગયેલા ચોર પોલીસના સકંજામાંફરિયાદ નોંધાતાની સાથે જ ઉમરા પોલીસની ટીમ તપાસમાં લાગી ગઈ હતી. તપાસ અધિકારીઓએ ગુનાવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી. એટલું જ નહીં, સુરત શહેરના રસ્તાઓ, સોસાયટીઓ અને દુકાનોના 150થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા, જેના થકી આરોપીઓનો આવવા-જવાનો ચોક્કસ રૂટ નક્કી થઈ શક્યો.ટેકનિકલ સોર્સીસ અને ખાનગી બાતમીદારો મારફતે પોલીસને જાણવા મળ્યું કે ચોરી કરનાર બંને ઈસમો મહારાષ્ટ્ર તરફ ભાગી ગયા છે. પોલીસને ચોક્કસ માહિતી મળી કે આરોપીઓ તેમના વતનમાં સરકારી અનાજ મેળવવા માટે પહોંચવાના છે. બસ, આ માહિતીના આધારે ઉમરા પોલીસની એક ટીમે ત્વરિત પગલાં ભરીને મહારાષ્ટ્ર પહોંચી ગઈ હતી અને ત્યાંથી બંને આરોપીઓ, દીપક એકનાથ સોનવણે અને દીપક રવિન્દ્ર જાદવને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓને સહેજ પણ ખ્યાલ નહોતો કે પોલીસ આટલી ઝડપથી તેમને શોધી કાઢશે. મૂળ મહારાષ્ટ્રના આરોપીઓ સુરતના મગદલ્લામાં રહેતા હતાપોલીસે પકડેલા આરોપીઓ, દીપક સોનવણે (ઉં.વ. 31) અને દીપક જાદવ (ઉં.વ. 26), બંને સુરતના મગદલ્લા ગામમાં રહેતા હતા, પરંતુ તેઓ મૂળ જલગાંવ, મહારાષ્ટ્રના વતની છે. ચોરી કરીને રોકડ મેળવ્યા છતાં, તેમની મુખ્ય જરૂરિયાત રાશન લેવાની હતી, જે દર્શાવે છે કે તેઓ ચોરીના પૈસા ઉડાવવા નહીં, પણ ટૂંકાગાળાની જરૂરિયાતો પૂરી કરવા માંગતા હતા.ઉમરા પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ બે ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.
પાટણ સ્થિત સદારામ સેવા સમિતિ દ્વારા સદારામ કન્યા હોસ્ટેલના નિર્માણ માટે ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય દાતા બાબા ભરવાડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમણે હોસ્ટેલ માટે ₹2.51 કરોડનું દાન આપ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે શિક્ષણના કાર્યોમાં અવરોધ ઊભો કરનારા 'લુખ્ખા તત્વો' અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમાજ પ્રત્યેની જવાબદારી અંગે આકરા નિવેદનો આપ્યા હતા. તેમજ ગેનીબેને કહ્યું કે, હોસ્ટેલ બનવાથી દીકરીઓના અભ્યાસની ચિંતા દૂર થશે પરંતુ સંતુલન જાળવવા માટે દીકરાઓ માટે પણ હોસ્ટેલની તાતી જરૂરિયાત છે. આ સમારોહમાં ઠાકોર સમાજના રાજકીય આગેવાનો, અગ્રણીઓ, કલાકારો, યુવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. સમિતિએ જણાવ્યું કે આ સદારામ હોસ્ટેલમાં 1000 દીકરીઓ રહી શકશે. રહેવાની સુવિધા, ભોજન, લાઈબ્રેરી અને જીમ જેવી અદ્યતન સુવિધાઓ સાથેની હાઈટેક હોસ્ટેલ તરીકે નિર્માણ પામશે. હોસ્ટેલમાં 25% બેઠકો અન્ય સમાજની દીકરીઓ માટે અનામત રાખવામાં આવશે. સમિતિએ આગામી 18 મહિનામાં કામ પૂર્ણ કરી દીકરીઓને પ્રવેશ આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરે શિક્ષણ અને સમાજ સુધારણાના કાર્યોમાં અવરોધ ઊભો કરનારા તત્વો સામે આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે આવા વ્યક્તિઓને 'લુખ્ખા તત્વો' ગણાવ્યા અને સ્પષ્ટતા કરી કે જે લોકોએ એક રૂપિયો પણ દાન ન આપ્યું હોય, તેમને હિસાબ માંગવા આવે ત્યારે દૂર રાખવા જોઈએ. તેમણે શિક્ષણનું કામ કરતા લોકોને સૂચન કર્યું કે, આવા તત્વોને દૂર રાખીને દાન કરનારાઓને જ હિસાબ આપવો જોઈએ. તેમણે ટીકા કરનારાઓની ટીકા ન કરવા અને નાનામાં નાના સહયોગી સુધી હિસાબ પહોંચાડવા પણ અનુરોધ કર્યો. ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજના રાજકીય આગેવાનોની જવાબદારી અંગે ગંભીર સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, જ્યારે આપણે ટિકિટ લેવા જઈએ છીએ ત્યારે દાવો કરીએ છીએ કે મારો સમાજ આવડો છે તો મને ટિકિટ મળવી જોઈએ. હા ભાઈ, તમારો સમાજ આવડો એટલે તમને ટિકિટ મળી, પણ તમે પાંચ વર્ષ ધારાસભ્ય રહ્યા, સાંસદ સભ્ય રહ્યા, જિલ્લામાં રહ્યા, તાલુકામાં રહ્યા, સમાજના નામે ચૂંટાયા પછી તમે સમાજ માટે શું કર્યું? હવે આ હિસાબ માંગવાનો સમય આવી ગયો છે. તેમણે સમાજ માટે વાસ્તવિકતા અને ગંભીરતાથી કામ કરવાની માંગ કરી. દીકરાઓ માટે પણ હોસ્ટેલની બનાવવાની તાતી જરૂરિયાતઃ ગેનીબેનકન્યા હોસ્ટેલના નિર્માણને આવકારતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, તેનાથી દીકરીઓના અભ્યાસની ચિંતા દૂર થશે અને દીકરીઓને ગ્રેજ્યુએશન સુધી ભણાવવી જોઈએ. જોકે, તેમણે શિક્ષણમાં સંતુલન જાળવવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, જો માત્ર દીકરીઓ જ ભણશે અને દીકરાઓ નહીં ભણે, તો સમાજના રીત-રિવાજોમાં મોટી અસમાનતા આવશે અને સંતુલન (બેલેન્સ) નહીં થાય. તેમણે ઉમેર્યું કે દીકરી ઓછી ભણેલી હોય તો પુરુષ ચલાવી લે છે, પરંતુ સમાજમાં સંતુલન જાળવવા માટે દીકરાઓ માટે પણ હોસ્ટેલ બનાવવાની તાતી જરૂરિયાત છે. આ પ્રસંગે દાનવીર એવા બાબાભાઈ ભરવાડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજની દીકરીઓ શિક્ષણથી વંચિત રહી ન જાય અને તેઓ ઉચ્ચ અભ્યાસ થકી સમાજ અને દેશનું નામ રોશન કરી શકે તે માટે પાટણ ખાતે બીજે ક્યાંય ના હોય તેવી અધતન સુવિધા યુક્ત હોસ્ટેલ બનાવવાનું આજરોજ ખાર્ત મુહૂર્ત કરવામાં આવ્યું છે. સદારામ સેવા સમિતિ ગુજરાતનું વિઝન અઢી કરોડ રૂપિયાનું હતું જે પાછળથી સાડા ત્રણથી ચાર કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરીને ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજની દીકરીઓની સાથે 25 ટકા અનામતમાં સર્વે સમાજની દીકરીઓ આ કન્યા હોસ્ટેલમાં રહેવાની સાથે શિક્ષાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. આગામી 20 થી 22 મહિનામાં સદારામ કન્યા હોસ્ટેલનું તમામ કામ પૂર્ણ કરી સમાજની દીકરીઓ માટે અદ્યતન હોસ્ટેલનું કાર્ય પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. દીકરીઓને શિક્ષણ ધામ સુધી સુરક્ષિત લાવવા અને લઈ જવા માટે ત્રણ જેટલી બસની વ્યવસ્થા કરવાનું પણ જણાવ્યું હતું.
પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નવ્યુગ હાઈસ્કૂલ ખાતે શૈક્ષણિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય નોકરીદાતાઓ અને રોજગારવાચ્છુઓ વચ્ચે સેતુ બનવાનો હતો. આ ભરતીમેળામાં હાજર રહેલા 24 ઉમેદવારોમાંથી 13ની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ ભરતીમેળા માટે પોરબંદર જિલ્લાના 672થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 24 ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા. મેળામાં સ્થાનિક ખાનગી શાળાઓ જેવી કે ચમ સ્કૂલ, કસ્તુરબા સ્કૂલ, ચાણક્ય સ્કૂલ, કે.બી. તાજાવાલા સ્કૂલ, યાજ્ઞવલ્ક્યા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, વી.જે. મદ્રેસા સ્કૂલ, વાઇડ વિંગ્સ પ્રી-સ્કૂલ (રાણાવાવ) અને શ્રી સરસ્વતી સ્કૂલ (ખાંભોદર)ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તેમની સંસ્થાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ અને જોબ પ્રોફાઇલ વિશે ઉમેદવારોને વિગતવાર માહિતી આપી હતી. ઉપસ્થિત ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાજર રહેલા 24 ઉમેદવારોમાંથી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ અને આવડતના આધારે 13 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ પસંદ કરાયેલા ઉમેદવારોને બીજા રાઉન્ડના ઇન્ટરવ્યુ માટે ફરીથી બોલાવવામાં આવશે. આ ઉપરાંત, રોજગાર કચેરીના કાઉન્સેલરો દ્વારા ઉમેદવારોને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ. પોર્ટલ વિશે પણ માહિતી આપી તેનો પ્રચાર-પ્રસાર કર્યો હતો.
DyCM બે દિવસ કચ્છના પ્રવાસે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી બે દિવસ કચ્છની મુલાકાતે છે. માતાના મઢમાં દર્શન કરી તેઓએ સરહદના ગામોમાં આગેવાનો સાથે વાતચીત કરી. કોટેશ્વરમાં જવાનો સાથે પણ મુલાકાત કરશે.. તો રાત્રે કપુરાસીમાં રોકાણ કરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ મેદાને. આજથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં આ યાત્રા ફરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવતીકાલે સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર 7 નવેમ્બરે રાજ્યની તમામ સરકારી કચેરીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. ઓફિસનો સમય સવારે 9:30થી સાંજે 5:10 સુધી રહેશે. રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂરા થતા રાજ્યભરમાં સમૂહગાન અને શપથ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દુષ્કર્મી આસારામના 6 મહિનાના જામીન મંજૂર દુષ્કર્મ કેસના આરોપી આસારામને ગુજરાત હાઈકોર્ટે 6 મહિનાના જામીન આપ્યા. આ પહેલા જોધપૂર હાઈકોર્ટે પણ આસારામને જામીન આપ્યા છે, જેથી ગુજરાત હોઈકોર્ટે અલગ સ્ટેન્ડ ન લઈ શકાય તેમ કહી આસારામના જામીન મંજૂર કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાલતુ કુતરાએ ફરી એક વાર કર્યો હુમલો અમદાવાદના મણિનગરમાં જર્મન શેફર્ડે બે બાળકો પર હુમલો કર્યો. ફ્લેટના પાર્કિંગમાં કૂતરાએ બાળકની પાછળ દોડી, તેને દાંત બેસાડી દીધા. પોલીસે કૂતરાના માલિકની ધરપકડ કરી છે, જ્યારે કોર્પોરેશનની સીએનસીડી ટીમ કૂતરાને લઈ ગઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રખડતા કૂતરાઓના ઝુંડે યુવકનો ભોગ લીધો સુરતના સૈયદપુરામાં કૂતરાઓના ઝુંડે યુવકનો જીવ લીધો. વહેલી સવારે યુવક પાછળ કૂતરાનું ઝુંડ પડતા યુવકે દોટ મુકી, નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. હોસ્પિટલ લઈ જતા બ્રેઈન હેમરેજથી તેનું મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PI પર હુમલો કરતા સલમાન લસ્સી પર ફાયરિંગ સુરતના કુખ્યાત સલમાન લસ્સીને ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો. જો કે પીઆઈ પર ચપ્પુથી હુમલો કરતા ક્રાઈમ બ્રાંચે તેને પગમાં ગોળી ધરબી દીધી. હોસ્પિટલના બિછાને તે પોક મુકીને રડતો જોવા મળ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રમખાણોના ત્રણ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા 2002ના રમખાણોમાં દરિયાપુરના ત્રણ આરોપીઓને અમદાવાદ શહેર મેજિસ્ટ્રેટ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા.રમખાણો દરમિયાન લીધેલા વીડિયો રેકોર્ડિંગમાં આરોપીઓ પાસે AK-47 રાઇફલ દેખાતી હતી અને તેઓ હિન્દુ રહેઠાણોને ટાર્ગેટ કરતા હતા. જો કે આ હથિયાર રિકવર ન થતા અને વીડિયોગ્રાફર હોસ્ટાઈલ થતા કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદમાં રમાઈ શકે છે T20 WCની ફાઈનલ ટી 20 વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદના નમો સ્ટેડિયમમાં રમાઈ શકે છે.. પણ જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચશે તો ન્યુટ્રલ વેન્યુ પર મેચ રમાશે. ટૂંક સમયમાં જ ઓફિશિયલ શિડ્યુલ જાહેર કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માવઠા પછી હવે ઠંડીનો દોર જામશે માવઠાના દોર પછી હવે રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરુ થશે .. ત્રણ દિવસ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 24 કલાકમાં નલિયામાં સૌથી ઓછું 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ગત 5 નવેમ્બરના રોજ 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા. મહાદેવભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાર બાદ આજે તેમને ભારતી આશ્રમના મહંત હરિહરાનંદે આશ્રમના તમામ હોદ્દાઓ પરથી હટાવી દીધા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર હરિહરાનંદે જણાવ્યું કે, લઘુમહંત મહાદેવ ભારતીને લઘુમહંત પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમજ મહાદેવ ભારતીને હવે જુનાગઢ ભારતી આશ્રમ સાથે કોઈ લેવા દેવા નથી. બાપુને શોધવા એક મોટું સર્ચ અભિયાન શરૂ કરાયું હતુંમહાદેવભારતી બાપુએ સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે તેઓ ગિરનારના સાંનિધ્યમાં પોતાનું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યા છે, જેને પગલે ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને વન વિભાગ દ્વારા બાપુને શોધવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસની તમામ ટીમોને જંગલના જુદા જુદા વિસ્તારોમાં વહેંચી દેવામાં આવી હતી. 'પરેશ નામના સુરતના છોકરાએ FB પરથી કોન્ટેક્ટ કર્યો'1008 મહામંડલેશ્વર મહાદેવભારતીએ સુસાઇડ નોટમાં લખ્યું કે હિતેશ ઝડફિયા અને કૃણાલ હરિયાણી, આ બે છોકરાને મેં ઓફિસમાં વહીવટમાં રાખ્યા હતા. બાપુના નજીકના હતા, જેથી મેં તેમને રાખ્યા. બહુ જ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. એવામાં એક દિવસ મેહુલ ડોડિયા, મુંબઈ, તેમને પરેશ નામના એક સુરતના છોકરાએ ફેસબુક પરથી કોન્ટેક્ટ કર્યો કે મારે હરિહરાનંદ બાપુને મળવું છે. મેહુલે પ્રકાશ, જે બાપુની ગાડી ચલાવતો હતો, તેમનો નંબર આપ્યો. પ્રકાશ સાથે પરેશે વાત કરી અને પ્રકાશે કહ્યું કે અમે અમદાવાદ, સરખેજ આશ્રમે છીએ, ત્યાં આવો. પરેશ સરખેજ આશ્રમે આવ્યો, બાપુને મળ્યો. પરેશ સ્વામિનારાયણ મંદિરમાં તથા ચડાવ હનુમાન મંદિર, ગિરનાર પગથિયે, અવારનવાર સેવા માટે આવતો, એ બધી વાત તેણે બાપુને કીધી. 'પરેશને દીક્ષા આપી દીધી અને પરમેશ્વર ભારતી નામ આપ્યું'બાપુએ પરેશને કીધું કે તું મારી સાથે રહીને સેવા કર અને મારો શિષ્ય બની જા. પરેશે કીધું, થોડો સમય આપો. પરંતુ બાપુએ આખી રાતમાં ત્રણ વખત બોલાવીને પરેશને કહ્યું હતું, દીક્ષા લઈ લે. બાપુ રડ્યા એટલે પરેશ માની ગયો અને સવારે બાપુએ એકલા હાથે પરેશને દીક્ષા આપી દીધી અને પરમેશ્વર ભારતી નામ આપ્યું. હવે તે બાપુ સાથે રહેવા માંડ્યો. પછી બાપુએ તેમને બુરા આશ્રમે રાખ્યા. પછી મેં તેમને જૂનાગઢ આશ્રમમાં મારી સાથે રહીને મને આશ્રમમાં મદદરૂપ થાય એવી ભાવના સાથે જૂનાગઢ બોલાવ્યો. તેઓ આવ્યો અને સાથે રહેવા માંડ્યા. વ્યવસ્થિત રીતે અમે રહેતા હતા. પેલા બે છોકરા, હું, તથા પરમેશ્વર ભારતી સાથે હળીમળી રહેતા હતા. પછી જે હિતેશ ઝડફિયા હતો તે રોજ રાત્રે અશોકના ઘરે સૂવા માટે જતો હતો. અશોક આશ્રમ સામે ચાની કીટલીનું કામ કરે, એટલે રાત્રે ત્યાં હોય. 'મારાથી નિરાશ થઈ મને માનસિક ટોર્ચર કરવા માંડ્યા'અમને ખ્યાલ આવ્યો કે આવું ચાલી રહ્યું છે, એટલે બાપુને વાત કરી. પછી ગોવાળને રજા આપી દીધી. એટલે ગોવાળ ભરડાવાવ પાસે રહેવા જતા રહ્યા. તો હિતેશ રાત્રે ત્યાં જવા લાગ્યો, એટલે મેં, બાપુએ, તેમને આવું કરવાની ના પાડી. તો તે આશ્રમમાંથી નીકળી ગયો અને ગોવાળની સાથે તેમના ઘરે રહેવા જતો રહ્યો. આ વાત પરમેશ્વર ભારતીને ના ગમી, એટલે મારી સાથે એ ઝઘડવા માંડ્યા. એ આખો દિવસ ત્યાં તેમની ચાની કીટલીએ જઈને બેસતો. એટલે મેં તેમનો વિરોધ કર્યો. આપણે ભારતી આશ્રમના સાધુ થઈને આવી રીતે ચાની લારીએ બેસીએ, એ બરાબર ના કહેવાય. આવી રીતે તે મારાથી નિરાશ થઈને દુશ્મની કરવા લાગ્યા અને મને માનસિક ટોર્ચર કરવા માંડ્યા. 'ત્રણ વર્ષથી મારા પર માનસિક ટોર્ચરિંગ કરે છે'આ ત્રણેય જણા- હિતેશ, કૃણાલ અને પરમેશ્વર ભારતી, મને ખૂબ જ માનસિક ટોર્ચરિંગ કરવા માંડ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી મારા પર માનસિક ટોર્ચરિંગ કરે છે, એમાં છેલ્લા પાંચ મહિનાથી તો ખૂબ જ વધી ગયું છે. બાપુને પણ દબાણ કરે છે. બાપુએ મને કીધું કે તું ગોરા આશ્રમે વયો જા. ત્યાં મંદિરનું કામ ચાલુ છે, તો ત્યાં રહેજે. હું ગોરા ગયો. ત્યાં પણ આ બંને છોકરા આવ્યા અને ત્રણેય થઈને પાછું મારા પર એ જ ચાલુ કરી દીધું. હું ત્યાંથી નીકળી ગયો અને અંકલેશ્વર પાસે દત્ત આશ્રમ, ઉદાલી જતો રહ્યો. એ દરમિયાન આ લોકોના ટોર્ચરિંગથી મારા મગજ પર ખરાબ અસર પડી, જેથી સતીશભાઈ ખરેડી મને રાજકોટ મેન્ટલની હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં પાંચ મહિના દવા લીધી. દવા લો તો જ ઊંઘ આવે તેવી પરિસ્થિતિ થઈ ગઈ. 'મને અહીં શાંતિથી રહેવા દો'ઉદાલી આશ્રમે આખા શ્રાવણ માસનું મૌન અનુષ્ઠાન કર્યું, તો મને રાહત થઈ. પછી હું શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન પૂરું કરી ખડિયા મહાકાળી ધામ, જ્યાં મારો શિષ્ય રહે છે, ત્યાં રોકાવા સાત-આઠ દિવસ આવ્યો. હું ત્યાં શાંતિથી રહેતો હતો. ત્યાં મનોજ જોબનપુત્રા (ટ્રસ્ટી) તથા જયદીપ બાપુ અમદાવાદથી મને તેડવા માટે આવ્યા. પહેલા તો મેં ના પાડી કે મને અહીં શાંતિથી રહેવા દો. પછી તેમણે બહુ આગ્રહ કર્યો હતો, એટલે હું આવ્યો. જૂનાગઢ આશ્રમે આવ્યો, દર્શન કરી બાપુને મળ્યો. પછી બાપુએ કીધું કે સરખેજ આશ્રમે થોડા દિવસ રહીને પછી ગોરા વયો જજે. પછી થોડા દિવસ સરખેજ રહીને નવરાત્રિ અનુષ્ઠાન કરવા હું ગોરા આશ્રમ ગયો. પછી બાપુનો પાછો ફોન આવ્યો કે નલખેડા બગડામુખી માતાજીને ત્યાં જઈ આવો. તો હું ઉજ્જૈન, નલખેડા જઈ પછી પાછો અમદાવાદ આવ્યો. સરખેજ આશ્રમે દિવાળી કરી. હું ત્રીજ-ચોથમાં સાણથલી ગામે કથા હતી ત્યાં ગયો. 'પરમેશ્વર ભારતીએ બાપુને કહ્યું, મહાદેવભારતી જૂનાગઢ ના આવવા જોઈએ'ત્યાર પછી એવું નક્કી કર્યું કે હવે જૂનાગઢ થોડા દિવસ રહેવાનું. પહેલા બીજના દિવસે બાપુએ જૂનાગઢ આવવાનું કહ્યું. પછી પરમેશ્વર ભારતીએ બાપુને ના પાડી કે એ મહાદેવભારતી જૂનાગઢ ના આવવા જોઈએ. બાપુને ધમકી પણ આપી. પછી સરખેજથી ઇક્કા બાપુ, અમર ભારતી બાપુ, તથા મનોજભાઈ જોબનપુત્રા (હું ખડિયા હતો ત્યાંથી) આવ્યા અને બધા રાત્રે 12:00 વાગ્યે આશ્રમે આવ્યા. પરમેશ્વર ભારતીને બધાએ બહુ જ સમજાવ્યા. રાત્રે ત્રણ વાગ્યા સુધી સમજાવ્યા સમાધાન માટે, પણ તે માન્યા નહીં. બીજે દિવસે અને રાત્રે પણ સમજાવ્યા, તોપણ ના માન્યા. ઓલા બે છોકરા, હિતેશ અને કૃણાલને પણ બોલાવ્યા, પણ તેઓ પણ કહેવા માંડ્યા, મહાદેવ બાપુને આશ્રમમાંથી જવા દો. સમાધાન તો ના કર્યું, ઊલટાની ધાકધમકી આપવા લાગ્યા. 'આ લોકોના ત્રાસથી હું મારું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું'છેલ્લા ઘણા ટાઈમથી મને અને હરિહરાનંદ બાપુ (ગુરુજી)ને આ લોકો ત્રણેય જણા ખૂબ ટોર્ચરિંગ કરે છે. આ લોકોના ત્રાસથી હું મારું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું. હું હવે આવા લોકોથી એટલો ત્રાસી ગયો છું કે મને મરવા મજબૂર થવું પડ્યું છે, તેથી હું આજે જંગલમાં ગિરનારના સાંનિધ્યમાં મારું જીવન પૂરું કરું છું. મારી એવી ઈચ્છા છે કે મારું શરીર જીવતા તો કોઈને કામ આવ્યું હોય કે ના આવ્યું હોય, પણ મારા મર્યા પછી આ જીવન જંગલી પશુઓને કામ આવે. એટલા માટે હું જંગલમાં જઈ રહ્યો છું. કદાચ મારું શરીર હેમખેમ મળે તો આ શરીરને સમાધિ ન આપતા અને દેહદાન કરી દેજો, કેમ કે મારે આશ્રમમાં જમીન નથી રોકવી. મેં સંકલ્પ પણ કર્યો છે કે દેહદાનનો સિવિલમાં જઈ તે મારે ફોર્મ ભરવાનું હતું, પણ સેટિંગ ન આવ્યું. અજયભાઈ સાથે વાતચીત થઈ ગઈ છે. મારા ફોનમાં એનું રેકોર્ડિંગ પણ છે. તો પૂજ્ય ગુરુજીને તથા મારી સાથે જોડાયેલા સઘળા લોકો તથા મારા પૂર્વાશ્રમનાં માતા-પિતા, પરિવારની સૌની હું ક્ષમા માગું છું. મને માફ કરી દેજો. કદાચ ઈશ્વરની આ જ ઈચ્છા હશે. મારું જીવન આટલું જ હશે. આ સાથે અમદાવાદના નિલેશભાઈ ડોડિયા તથા રોનક સોનીએ પણ મને માનસિક ત્રાસ આપ્યો છે. આ બધાને તેમનાં કર્મની સજા મળે, જેથી બીજા મારા જેવાનું જીવન ઝેર ન બને અને તેમને જીવ ખોવો ન પડે. મારી દેશના માનનીય રાષ્ટ્રપતિજી, વડાપ્રધાન, તથા ગૃહમંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રીને તથા ગૃહમંત્રીને વિનંતી છે કે મારા આ કેસની વ્યવસ્થિત ઇન્ક્વાયરી થાય અને દોષિતોને સજા મળે, એવી હું આશા રાખું છું. મારી વિનંતી આપ જરૂર સ્વીકારજો, એવી આશા સાથે મારી સાથે જોડાયેલા તથા મને સાથ આપનારા સર્વેનું હું આભારી છું. તમો બધા મને માફ કરશો, એવી આશા સાથે જય ગિરનારી. ઓમ નમો નારાયણ. લિ. આપનો મહાદેવભારતી પોલીસે તાત્કાલિક ધોરણે FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતીબાપુએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે તેઓ માનસિક શાંતિ માટે ઉદાલી આશ્રમે મૌન અનુષ્ઠાન કરી આવ્યા હતા અને ત્યાર બાદ ખડિયા મહાકાળી ધામમાં પણ થોડો સમય શાંતિથી રહ્યા હતા, જોકે આગ્રહને કારણે તેઓ જૂનાગઢ પરત આવ્યા બાદ ત્રાસ ફરી શરૂ થયો હતો. બાપુની સુસાઇડ નોટના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી અને સાથે જ તેમના જીવને જોખમ ન પહોંચે એ માટે તાત્કાલિક સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. થોડા દિવસો પહેલાં બાપુને મહાકાળી ધામથી ટ્રસ્ટીઓ સમજાવીને જૂનાગઢ ભારતી આશ્રમ લઈ ગયા હતા દિવ્ય ભાસ્કરની ટીમ ખડિયા નજીક આવેલા મહાકાલી ધામ ખાતે જ્યાં થોડો સમય પહેલાં મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ સાતથી આઠ દિવસ રોકાયા હતા ત્યાં પહોંચી હતી. ત્યાર બાદ ભારતીય આશ્રમના ટ્રસ્ટી મનોજ જોબનપુત્રા અને જયદીપ બાપુ તેમને અહીંથી જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે લઈ ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 'હિતેશ-કૃણાલ,પરમેશ્વર ભારતી 3 વર્ષથી ટોર્ચર કરતા એટલે મરવા મજબૂર થયો'જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજી 2 નવેમ્બર વહેલી સવારના 3.47 વાગ્યે 5 પાનાંની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા હતાં.(વાંચો સંપૂર્ણ અહેવાલ) મહાદેવભારતી દ્વારા સુસાઈડ નોટમાં જે નામો લખાયાં છે તેમની અને આશ્રમના અન્ય લોકોની પૂછપરછ હાથ ધરાઈમહાદેવભારતીની મળી આવેલી સુસાઈડ નોટમાં જે લોકોનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની અને આશ્રમમાં રહેતા અન્ય લોકોની ભવનાથ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને થયેલા પારાવાર નુકસાન વચ્ચે મૂળ બાદલપુર ગામના અને અમદાવાદ સ્થિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે. પોતાના વતન સહિતના 4 ગામના કમોસમી વરસાદથી પાક ગુમાવનારા ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની માતબર સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી બાદલપુર, સાંખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર ગામના 1200થી વધુ ખાતેદારોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. વતનનું ઋણ અદા કરવા ઉદ્યોગપતિનો નિર્ણયખાતર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ભારતભરના ખેડૂતોને ખાતર પૂરું પાડવાના વ્યવસાય સાથે જોડાયેલો છું. બાદલપુર, સાંખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર આ ચાર ગામ એક સીમાડામાં આવેલા છે, જ્યાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યોઉદ્યોગપતિએ જણાવ્યું કે, મને લાગ્યું કે મારા વતનના ખેડૂતોને આ કપરી પરિસ્થિતિમાં મારે ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે મદદ કરવી જોઈએ. ખોડલધામના ચેરમેન નરેશ પટેલની એક અપીલ હતી કે, ઉદ્યોગપતિઓ પોતપોતાના વતનમાં ઋણ અદા કરી ખેડૂતોની મદદ કરે, સાથોસાથ કુળદેવી ખોડિયાર માની કૃપાથી આજે મને ખેડૂતોને મદદ કરવાનો મોકો મળ્યો છે. જાહેરાતથી સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છવાઈઆ જાહેરાતથી કુલ ચાર ગામના 1200થી વધુ ખાતેદારોને સીધો લાભ મળશે. બાદલપુર, સાંખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર આ ચાર ગામોમાં અંદાજે 1800થી 2000 હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે. જેમાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા 1200થી વધુ ખાતેદારોને મદદ કરવા જાહેરાત કરાઈ છે. સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છવાઈ છે અને ખેડૂતોએ ઉદ્યોગપતિને અભિનંદન પાઠવ્યા છે. 'આજે અમારે ચારેય ગામમાં દિવાળી જેવો માહોલ થયો છે'પ્રભાતપુર ગામના ખેડૂત પંકજ કથીરિયા અને અન્ય ખેડૂત સંદીપ રાબડીયાએ હર્ષ વ્યક્ત કરતા કહ્યું કે, હાલના સમયમાં ખેડૂતની પરિસ્થિતિ કપરી બની છે. કમોસમી વરસાદથી સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. આ નુકસાનીના સમયમાં દિનેશ કુંભાણી ખેડૂતોની મદદથી આવ્યા તેનાથી અમને રાહત મળી છે. સરકાર પર વિશ્વાસ, તાત્કાલિક સહાયની આશાદિનેશ કુંભાણીએ કહ્યું- 'સરકાર પર પણ મને વિશ્વાસ છે કે ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવશે. જો સરકાર દ્વારા તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે, તો ખેડૂતોને જે હાલ મુશ્કેલી પડી રહી છે, તેમાંથી તેઓ તાત્કાલિક બહાર આવી શકે તેમ છે.'
કુતિયાણામાં ઇઝરાયેલમાં નોકરી અપાવવાની લાલચ આપીને આઠ લોકો સાથે રૂ.56 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે કુતિયાણા પોલીસ મથકે ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માધા રાજાભાઈ રાઠોડ, જીજ્ઞેશ માધાભાઈ રાઠોડ અને વિશાલકુમાર નંદકિશોર અનાવત નામના ત્રણ વ્યક્તિઓએ કુતિયાણા શહેરના વછરાજ કોમ્પ્લેક્ષમાંથી આ છેતરપિંડી આચરી હતી. તેમણે આઠ વ્યક્તિઓને ઇઝરાયેલમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. આરોપીઓએ ઇઝરાયેલ મોકલવાની પ્રક્રિયા પૂર્ણ થવાની ખોટી વાતો કરીને પીડિતોનો વિશ્વાસ જીત્યો હતો. આ રીતે તેમણે કુલ રૂ.56 લાખ જેટલી મોટી રકમ વસૂલ કરી હતી. લાંબા સમય સુધી કોઈને ઇઝરાયેલ મોકલવામાં ન આવતા અને નોકરી અંગે કોઈ પરિણામ ન મળતા પીડિતોને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. જ્યારે તેમણે પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે આરોપીઓએ રકમ પરત આપવાનો ઇનકાર કર્યો હતો. આથી, પીડિતોએ ભેગા મળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કુતિયાણા પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ આરોપીઓના ઠગાઈના નેટવર્ક અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની પણ તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. પોલીસે નાગરિકોને વિદેશમાં નોકરીની લાલચમાં ઠગાઈનો ભોગ ન બનવા માટે સાવચેત રહેવા અપીલ કરી છે. વિદેશી રોજગાર માટે માત્ર માન્ય એજન્સીઓ અને કાયદેસર માધ્યમો દ્વારા જ પ્રક્રિયા કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વ્હેલ માછલીની ઉલ્ટી એટલે કે એમ્બરગ્રીસનો જથ્થો વહેંચતા લોકો પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાંથી એમ્બરગ્રીસના જથ્થા સાથે સુરેન્દ્રનગરના ત્રણ આરોપીની રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 2.96 કરોડના એમ્બરગ્રીસના જથ્થા સહિત કુલ 2.97 કરોડના મુદામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ રાજકોટ આ જથ્થો વહેંચવા માટે આવ્યા હતા અને ગ્રાહકની શોધમાં હતા ત્યારે SOGએ ઝડપી પાડ્યા હતા. પોલીસે 2.96 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી પાડ્યો રાજકોટ શહેર SOG દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વહેલ માછલીની ઉલ્ટી સાથે એક શખસની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી પોલીસે 2.96 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીના નામ નરેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા (ઉ.વ.51), પરેશ ચંદ્રકાંત શાહ (ઉ.વ.66) અને આશીષ સુરેશ ભટ્ટ (ઉ.વ.48) છે, જે મૂળ સુરેન્દ્રનગરના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલ આરોપી નરેન્દ્રસિંહ જાડેજા મુખ્ય સૂત્રધાર છે અને તેને બાબરાનો શખસ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) આપી ગયો હતો. તેણે અન્ય બે શખ્સો સાથે મળી રાજકોટમાં ગ્રાહકોની શોધખોળ કરતા શાસ્ત્રી મેદાન પાસે પહોંચતા SOG દ્વારા ચોક્કસ બાતમીના આધારે આરોપીઓને એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વ્હેલ માછલીની ઉલ્ટી તરતું સોનુ માનવામાં આવે છેહાલ પોલીસે આરોપી પાસેથી કબ્જે કરેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) રેન્જ ફોરેસ્ટ ઓફીસર તેમજ FSL અધિકારીઓ પાસે પરીક્ષણ/તપાસ અર્થે મોકલી આરોપી વિરમની BNSS કલમ 35(1)(ઇ) મુજબ અટકાયત કરી તપાસ વનવિભાગના કાર્યક્ષેત્રને લગતી હોય જેથી વધુ તપાસ અર્થે વનવિભાગના અધિકારી રાજકોટને સોપેલ છે. ઉલ્લેખનીય છે કે વ્હેલ માછલીની ઉલ્ટી તરતું સોનુ માનવામાં આવે છે અને ભારતના વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સ્પર્મ વ્હેલને સંરક્ષિત પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે અને એનાં ખરીદ-વેચાણ ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું છે. કેવી રીતે બને છે ઉલ્ટી.?વ્હેલની ઊલટી બનવાની પ્રોસેસ પ્રકૃતિની સૌથી વિચિત્ર ઘટનાઓમાંની એક છે. સાયન્સ પણ આ વાતને ખાતરીપૂર્વક જાણી શક્યું નથી કે આખરે વ્હેલની ઊલટી બનવાનું કારણ શું હોય છે.? કેટલીકવાર જ્યારે માંસનો ટુકડો વ્હેલના પેટમાંથી તેના આંતરડામાં પ્રવેશે છે ત્યારે વ્હેલના શરીરમાં થતી એક જટિલ પ્રક્રિયાથી એ વ્હેલની ઊલટી બને છે, જેને વ્હેલ ઓકી નાખે છે. 1783માં જર્મન ફિઝિશિયન ફ્રેન્ઝ સ્વેઇગરે એને 'કઠોર વ્હેલના છાણ' તરીકે ઓળખાવ્યું હતું. સપ્ટેમ્બરમાં એક આરોપી ઝડપાયો હતોઉલ્લેખનીય છે કે, ગત 11 સપ્ટેમ્બરના રોજ રાજકોટ શહેર SOG દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વહેલ માછલીની ઉલ્ટી સાથે અમરેલીના વિરમ બાવળિયા ધરપકડ કરવામાં આવી હતી. જેની પાસેથી પોલીસે રૂપિયા 49,80,000ની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ એમ્બરગ્રીસનો જથ્થો આરોપી વિરમને જીતુ કોળી નામના શખ્સ દ્વારા આપવામાં આવ્યો હોવાની કબૂલાત આપી હતી.
જામનગરમાં ઉદ્યોગપતિ વિશાલ મોદી સામે દુષ્કર્મનો ગંભીર આરોપ લાગ્યો છે. એક યુવતીએ સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ઉદ્યોગપતિએ ફેબ્રુઆરી 2024 થી સપ્ટેમ્બર 2025 દરમિયાન અનેકવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મનો વીડિયો પણ ઉતારી લીધો હતો અને તેના આધારે યુવતીને બ્લેકમેલ કરતો હતો. આ પછી, તેણે યુવતીને પોતાની ઓફિસ સહિત જામનગરના અલગ-અલગ સ્થળોએ બોલાવીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાક્રમ ફેબ્રુઆરી 2024 થી સપ્ટેમ્બર 2025 સુધી ચાલ્યો હતો. ભોગ બનનાર યુવતીએ ગત 28મી તારીખે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શું છે સમગ્ર ઘટનાફરિયાદ મુજબ, આરોપીને લોનની જરૂરિયાત હતી અને તે સંદર્ભે આ યુવતી તે ઉદ્યોગપતિના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થઈ અને આરોપીએ યુવતી સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લીધી હતી. ફેબ્રુઆરી માસમાં આરોપીએ મહિલાને એક પ્રોપર્ટી પર મોર્ગેજ લોન કરાવવાની વાત કરી તે પ્રોપર્ટી જોવા માટે સ્વામિનારાયણ મંદિર પાસે બોલાવી હતી. આરોપી પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને યુવતીને એક વિલામાં લઈ ગયો હતો. લોન બાબતેની વાતચીત દરમિયાન આરોપીએ યુવતીને કોલ્ડડ્રિંક પીવા આપ્યું હતું. આ કોલ્ડડ્રિંક પીધા બાદ યુવતીનું શરીર ધ્રૂજવા લાગ્યું અને તેણી બેભાન અવસ્થામાં સરી પડી. આરોપીએ યુવતીની આ સ્થિતિ અને એકલતાનો લાભ લઈ તેની ઈચ્છા અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ દરમિયાન આરોપીએ પોતાના મોબાઈલમાં અંગત પળોના ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયોના આધારે આરોપીએ યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે યુવતીને પોતાની ઓફિસ પાસે બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદમાં ગુજસીટોકના આરોપી અને શહેરમાં પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા સહિતના નામોનો ઉલ્લેખ થતા પોલીસ ગંભીરતાથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ભોગ બનનાર યુવતીએ જણાવ્યું છે કે, આરોપી ઉદ્યોગપતિ હોવાથી તેના અનેક અસામાજિક ઈસમો સાથે સંપર્ક છે અને બધે જ તેના સંબંધો અને લાગવગ છે. તેનો એક મિત્ર જામનગરના ગુજસીટોકના ગુનામાં જેલમાં પણ રહી ચૂક્યો છે. આ બધા લોકોથી ડરીને તે હિંમત કરી શકી ન હતી અને સતત ડિપ્રેશન તથા પીડામાં રહેતી હતી. આત્મહત્યાના વિચારો આવતા હોવા છતાં પુત્રના ભવિષ્યને કારણે તે આવું પગલું ભરી શકી ન હતી. આરોપી મને બ્લેક-મેઈલીંગ કરવાની ધમકી આપી મારૂ શારીરીક શોષણ કરી રહ્યો હતો, તેણે તેમના વિક એન્ડ હોમમાં તેમજ તેમની ઓફિસમાં અનેક વખત મારી સાથે મારી મરજી તેમજ ઈચ્છા વિરૂધ્ધ શારીરીક સબંધો બાધી સતત દુષ્કર્મ આચરતો હોય જેથી આરોપીના માનસિક તેમજ શારીરીક શોષણમાંથી છુટવા હિંમત કરીને તેમની સામે આ ફરીયાદ દાખલ કરવા આવી છું.
રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલબોર્ડની શાળાઓની મુલાકાત લીધી હતી. શાહપુર દરવાજા પાસે આવેલી શાહપુર ગુજરાતી શાળા નંબર 5 અને 6ની મુલાકાત માટે આવ્યા હતા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ બીજા શૈક્ષણિક સત્રની વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી છે તેમજ મંત્રી બન્યા બાદ મોટી સંખ્યામાં લોકોએ બુકની ભેટ આપી હતી. જેથી એ તમામ બુક AMC સ્કૂલ બોર્ડની શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રીના દોરેલા ચિત્રો પણ ભેટમાં આપ્યા છે તેમજ શાહપુરની ગુજરાતી શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ સંવાદ પણ કર્યો હતો. શિક્ષણ મંત્રીએ આજે તમામ બુકનું વિદ્યાર્થીઓમાં વિતરણ કર્યુંશિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, ખૂબ જ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓ પણ આજે હાજર રહ્યા છે. પ્રદેશ પ્રમુખની સૂચના હતી કે, બુકે નહીં પરંતુ બુકથી સ્વાગત કરવામાં આવે. જેથી મંત્રી બન્યા બાદ અમારું જે પણ બુક વડે સ્વાગત કરવામાં આવ્યું, જેથી સ્વાગતમાં જે પણ શૈક્ષણિક કિટો આવી તેનું શૈક્ષણિક સંસ્થામાં વિતરણ કરવાનું નક્કી કર્યું હતું. જેથી આજે તમામ બુકનું વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ પર્યાવરણ, વૃક્ષ બચાવો સહિતના વિષય પર કૃતિઓ રજૂ કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શાળાઓમાં વાંચન અને લેખન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ દરેક શાળામાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે ગુજરાતી સરકાર કટિબંધ છે. લેખન, વાંચન અને ગણનનું બધી જ શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
નખત્રાણા તાલુકાના મથલ નજીકના વન વિસ્તારમાં ચિંકારા જોવા મળ્યા છે. વન વિભાગ, નખત્રાણા-કચ્છના કેમેરામાં આ પ્રાણીની તસવીર કેદ થઈ હતી. વન રક્ષક ધીરજભાઈ વાઘેલાએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ચિંકારા, જેને ઇન્ડિયન ગેઝેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હરણ કુળનું એક પ્રાણી છે. તે મુખ્યત્વે રણ, કાંટાળા જંગલો અને ડુંગરાળ વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રાણી શુષ્ક વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ છે. ચિંકારા સ્વભાવે ખૂબ જ ડરપોક હોય છે. સહેજ પણ ભયનો અહેસાસ થતાં તે અત્યંત ઝડપથી દોડીને ભાગી જાય છે. તેની દોડવાની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે. ચિંકારા સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં બચ્ચાને જન્મ આપે છે, જેથી ખોરાક પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય અને બચ્ચાનો ઉછેર સરળતાથી થઈ શકે. નર ચિંકારાના શીંગડા દેખાવમાં મોટા હોય છે, જ્યારે માદાના શીંગડા પ્રમાણમાં નાના હોય છે. આ પ્રાણી સમૂહમાં રહેવા માટે જાણીતું છે અને મોટાભાગે ઝુંડમાં જોવા મળે છે. તેની મળ બકરીની મળ જેવી જ હોય છે, પરંતુ કદમાં થોડી નાની હોય છે, જેના પરથી આસપાસ ચિંકારાનો વસવાટ છે તે સહેલાઈથી ઓળખી શકાય છે. નીલગાયની જેમ જ, ચિંકારા પણ દરરોજ એક જ જગ્યાએ મળત્યાગ કરે છે.કચ્છના લગભગ દરેક તાલુકામાં ચિંકારા જોવા મળે છે.
ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર, અમરેલી જિલ્લામાં 01/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ, જિલ્લાના પાંચ વિધાનસભા વિસ્તારો – 94-ધારી, 95-અમરેલી, 96-લાઠી, 97-સાવરકુંડલા અને 98-રાજુલા – માં મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમના ENUMERATION તબક્કા અંતર્ગત, અમરેલી જિલ્લાના કુલ 1,371 મતદાન મથકોના બૂથ લેવલ ઓફિસરો (BLOs) દ્વારા 4 નવેમ્બર, 2025 (મંગળવાર) થી 4 ડિસેમ્બર, 2025 (ગુરુવાર) સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત શરૂ કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન, કુલ 12,71,375 મતદારોને એન્યુમેરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) આપવામાં આવશે. હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ BLOને કોઈપણ પ્રકારના દસ્તાવેજ આપવાની જરૂર નથી. મતદારો પોતાની મતદાર યાદીમાં નામ તથા વર્ષ 2002ની મતદાર યાદી https://voters.eci.gov.in/ પર ચકાસી શકશે. મતદાર રજિસ્ટ્રેશન સંબંધિત કોઈપણ માહિતી અથવા માર્ગદર્શન માટે 1950 હેલ્પલાઈન પર સંપર્ક કરી શકાય છે અથવા મતદારો સીધા BLOsનો પણ સંપર્ક કરી શકે છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વિકલ્પ ભારદ્વાજે અમરેલી જિલ્લાના નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન એન્યુમેરેશન ફોર્મ ભરવામાં બૂથ લેવલ ઓફિસરોને સહયોગ કરવા અનુરોધ કર્યો છે.
પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે મેરી પુંજી મેરા અધિકાર અભિયાન અંતર્ગત એક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને આ સેમિનારનું આયોજન બેંક ઓફ બરોડા અને લીડ જિલ્લા મેનેજર કચેરી, બનાસકાંઠા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકો, મ્યુચ્યુઅલ ફંડ, શેર, ડિવિડન્ડ, પેન્શન અને વીમા ક્ષેત્રોમાં પડેલી દાવા વગરની રકમનો દાવો કરવાની પ્રક્રિયા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગના નેજા હેઠળ ઉપસ્થિતોને આ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કુલ 18 ગ્રાહકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેમની રકમ DEAF યોજના હેઠળ સફળતાપૂર્વક રિફંડ કરવામાં આવી છે. આ ગ્રાહકોને કુલ ₹10.23 લાખની રકમ ચૂકવવામાં આવી હતી. આ જાગૃતિ સેમિનારમાં વિવિધ બેંકોના પ્રાદેશિક મેનેજરઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નલિયા-ભુજ-નલિયા ST બસ સણોસરા પાસે પલટી:સામેથી આવતા વાહનથી બચવા જતા અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
ગુરુવારે બપોરે નખત્રાણાના સણોસરા નજીક ભુજથી નલિયા જતી ST બસ પલટી ખાઈ ગઈ હતી. નલિયા ડેપોની આ લોકલ રૂટની બસ સામેથી પુરપાટ આવતા વાહનથી બચવાના પ્રયાસમાં માર્ગ પરથી ઉતરીને બાવળની ઝાડીમાં પલટી મારી ગઈ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, બસમાં સવાર કેટલાક પ્રવાસીઓને હળવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પ્રવાસીઓની બુમાબુમથી નલિયા હાઈવે ગુંજી ઉઠ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નખત્રાણા ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર, નલિયા ડેપોની બસ સણોસરા અને સુખપર ગામ વચ્ચેના હાઈવે પર અકસ્માતગ્રસ્ત બની હતી. તેમણે જણાવ્યું કે, સામેથી ઓવરટેક કરતા આવતા વાહન સાથે ટક્કર ટાળવા જતા આ બનાવ બન્યો હતો. તેમણે અકસ્માત બહુ ગંભીર ન હોવાનું પણ ઉમેર્યું હતું. અકસ્માત બાદ બસના મુસાફરોને અન્ય બસ ફાળવીને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. બસમાં કુલ કેટલા લોકો સવાર હતા અને કેટલા પ્રવાસીઓ ઘવાયા છે તે અંગેની ચોક્કસ માહિતી હજુ પ્રાપ્ત થઈ નથી. હાલ અકસ્માતગ્રસ્ત બસને હટાવવાની કામગીરી ચાલી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીકયુટીવ કાઉન્સીલમાં તાજેતરમાં નવા સદસ્યોની કુલપતિ ડૉ. ઉત્પલ જોશી દ્વારા નિમણુંક કરવામાં આવી છે. જેમાં કેટલાક સદસ્યોની નિમણુંક નિયમોનો ઉલાળીયો કરી થયાની કોંગ્રેસે ફરીયાદ કરી છે અને આ અંગે જો પગલા ન લેવાય તો ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની લડત છેડવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવકતા રોહીત રાજપૂતે આ અંગે જણાવ્યું છે કે યુનિ.ના સ્ટેચ્યુટ 42માં દર્શાવ્યા મુજબ કોઈ એક વ્યકિતની બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સતત બીજી વખત નિમણુંક થઈ શકતી નથી. આમ છતા કુંભારાણાને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણુંક આપવામાં આવી છે જે યોગ્ય નથી. આ ઉપરાંત સિન્ડિકેટે અગાઉ જેઓને સજા કરી છે તેવા મુખર્જી અને ડોડીયાની નિયુકિત પણ કાયદાથી વિરૂધ્ધ જઈ કરવામાં આવી છે. પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ નિલાંબરીબેન દવેએ જેઓને ગેરલાયક ઠેરવ્યા હતા તે કમલ મહેતાને વર્તમાન કુલપતિ ઉત્પલ જોશીએ લાયક ગણી નિયુકિત આપી છે. એક મહિના પહેલા હેડ બનેલા પત્રકારત્વ ભવનના નીતાબેન ઉદાણી અને મહેતા સીનીયર બની ગયા છે તેવો આક્ષેપ રાજપૂતે કર્યો છે. આ ઉપરાંત પડધરી કોલેજ કે જે નેક એક્રેડીએશન ધરાવતી નથી છતાં તેના અધ્યાપકને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર તરીકે નિમણુંક આપવામાં આવી છે. આ પ્રકારની અનેક ભૂલો બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ઇસી નિમણુંકમાં કરવામાં આવી છે. આ ભૂલોને સુધારવામાં નહીં આવે તો આગામી ટુંક સમયમાં જ હાઈકોર્ટમાં કાનૂની લડત છેડવામાં આવશે. આ બાબતે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે, કોમન એક્ટ અને સ્ટેચ્યૂટ મુજબ 3 સભ્યોની કમિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ નથી. કોંગ્રેસની જે રજૂઆત આવી છે. જેનો જવાબ અમે આપી દઈશું. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં અઢી વર્ષ માટે નવી નિયુક્તિ ડૉ. એમ. એન. જીવાણી ડૉ. સી. કે. કુંભારાણા ડૉ. નીપા ગાંધી ડૉ. બી. કે. કલાસવા ડૉ. ક્રિષ્ના દૈયા એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં અઢી વર્ષ માટે નવી નિયુક્તિ ડૉ. કમલ મેહતા ડૉ. નીતા ઉદાણી ડૉ. એસ. ડી. મોરી ડૉ. કે. ડી. લાડવા ડૉ. નિદત બારોટ ડૉ. જે. કે. ડોડીયા ડૉ. સંજય મુખર્જી ડૉ. ભીખુભાઈ પટેલ ડૉ. મિલન વડોદરિયા ડૉ. જીગ્નેશ ઉપાધ્યાય ડૉ. હર્ષિદા જાગોદડિયા
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં 10 વાઇબ્રન્ટ સમિટના આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે. 8 અને 9 જાન્યુઆરીના રોજ કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આયોજનઆ આયોજનના ભાગરૂપે રાજકોટમાં આગામી તા. 8 અને 9 જાન્યુઆરીના રોજ કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 9 જાન્યુઆરીના રોજ MSME કોન્કલેવનું પણ આયોજન કરાયુંરાજકોટ ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વિગેરે વિવિધ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે તા. 9 જાન્યુઆરી, 2026ના રોજ “MSME કોન્કલેવ”નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માહિતીસભર સેમીનારો, પેનલ ડીસ્કશન, એક્ઝીબિશન તથા વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. તદુપરાંત, આ કોન્ક્લેવમાં કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ 12 જિલ્લાઓમાં સ્થિત અને ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કરનારા વિવિધ માઇક્રો તથા સ્મોલ એકમોને નીચે મુજબની કુલ પાંચ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય અને પાત્રતા ધરાવતા MSME એકમો ઉપરોક્ત એવોર્ડ માટે શ્રેણી મુજબ અરજી કરી શકે છે. જે સંદર્ભે વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. ઉદ્યોગ વિભાગ દ્વારા કચ્છ-સૌરાષ્ટ્રના મહત્તમ MSME ઉદ્યોગોને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
સુરેશ રૈના અને શિખર ધવન પર EDની મોટી કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત, કયા કેસમાં થઈ કાર્યવાહી?
11 Crore Seized by ED in Betting App Case: ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ગુરુવારે કાર્યવાહી કરી છે, જેના કારણે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ED એ આ બંનેની કુલ 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, '1xBet' સટ્ટાબાજીની સાઇટ સામેના મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ વચગાળાના આદેશમાં, શિખર ધવનની 4.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું પીરકાંઠી બજાર વર્ષોથી નાગરિક સુવિધાઓના અભાવનો ભોગ બની રહ્યું છે. માર્ગની બંને બાજુ ઉભરાતી ગટરો, દુર્ગંધ અને ગંદકીના કારણે અહીંનો રોજિંદો વેપાર અને દૈનિક જીવન મુશ્કેલ બન્યા છે. વેપારીઓ અને દુકાનદારો આ સમસ્યાથી લાંબા સમયથી પીડાઈ રહ્યા છે. પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. વેપારીઓએ આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવી જાય છે. ઉભરાતી ગટરોના કારણે રસ્તા પર ગંદુ પાણી ફેલાય છે, જેનાથી નાગરિકો અને ગ્રાહકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. એક વેપારીએ જણાવ્યું કે, પાલિકાની નિષ્ક્રિયતાના કારણે હવે ધંધો કરતા શરમ આવે છે. દુકાન આગળ ઉભરાતી ગટરો અને દુર્ગંધથી ગ્રાહકો પાછા વળી જાય છે. સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારી મંડળના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પીરકાંઠી બજારની ગટરની સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો પાલિકા અને સેનિટરી વિભાગની કચેરીઓને તાળાબંધી કરવામાં આવશે. આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમની ટીમે સ્થળ પર જઈને ગટરની સફાઈ કરી છે અને હાલમાં ઉભરાતું પાણી બંધ કરવાની કામગીરી કરી છે. તેમણે ખાતરી આપી કે ગટરની ઊંડાણપૂર્વક સફાઈ કરાવી વેપારીઓ અને ગ્રાહકોની મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના હબ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ગોંડલ યાર્ડ અને અમેરિકા સ્થિત 'નેશનલ પીનટ બોર્ડ, USA' વચ્ચે ખેડૂતોને સીધો ફાયદો કરાવતા એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) થયા છે. આ MOU માટે નેશનલ પીનટ બોર્ડ, USAના બોબ પાર્કર ગોંડલ APMC આવ્યાં હતા. નેશનલ પીનટ બોર્ડના CEO પાર્કર બોબ પાર્કર APMCની મુલાકાતેગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો. અમેરિકામાં મગફળી ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં જેમનો મુખ્ય ફાળો છે, તેવા નેશનલ પીનટ બોર્ડ, USA ના CEO બોબ પાર્કર ગોંડલ યાર્ડની વિશેષ મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન, ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા અને બોબ પાર્કર વચ્ચે મગફળી ઉત્પાદન, વેચાણ અને આંતરરાષ્ટ્રીય બજારને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ, જે બાદ બંને સંસ્થાઓ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બોબ પાર્કરે યાર્ડની મુલાકાત દરમિયાન મગફળીની હરરાજી થતી હતી તે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજી હતી. MOUથી ગોંડલ પંથકના ખેડૂતોને ટેકનોલોજી અને નવા સંશોધનનો સીધો લાભ મળશેયાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ આ MOU અંગે જણાવ્યું હતું કે, આ સમજૂતીથી ગોંડલ પંથકના ખેડૂતોને ટેકનોલોજી અને નવા સંશોધનનો સીધો લાભ મળશે, જેનાથી ખેડૂતોને મહત્તમ ફાયદો થશે અને તેમની આવકમાં વધારો થશે. ગોંડલ APMCના મુલાકાતી રજીસ્ટરમાં બોબ પાર્કરની નોંધપોતાની ગોંડલ APMCની મુલાકાત દરમિયાન બોબ પાર્કરે મુલાકાતી રજીસ્ટરમાં એક નોંધ લખી હતી, જેમાં તેમણે લખ્યું હતું - તમારા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર. તમારી સંસ્થા ખૂબ જ પ્રભાવશાળી છે અને ખેડૂતો માટે ખૂબ મદદરૂપ છે. દલાલ મંડળ અને વેપારીઓ સાથે પાર્કર બોબની બેઠકબોબ પાર્કરે યાર્ડના દલાલ મંડળ અને વેપારીઓ સાથે પણ એક ખાસ બેઠક યોજી હતી, જેમાં તેમણે મગફળી ઉત્પાદન અંગે મહત્વપૂર્ણ વૈશ્વિક માહિતી આપી હતી. આ વિશેષ અવસરે, યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલભાઈ (બાવભાઈ) ટોળીયા, યાર્ડના ડિરેક્ટરો સહિત અન્ય આગેવાનોએ બોબ પાર્કરનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો. અમેરિકાનું નેશનલ પીનટ બોર્ડઅમેરિકાના નેશનલ પીનટ બોર્ડની સ્થાપના વર્ષ 2000 માં કરવામાં આવી હતી. આ બોર્ડનો મુખ્ય હેતુ અમેરિકામાં મગફળી પકવતા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવું, દેશમાં મગફળીનો વપરાશ વધારવો અને તેના પોષણ, ઉપયોગ અને ગુણવત્તા વિશે જાગૃતિ ફેલાવવાનો છે. તેના મુખ્ય કાર્યોમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવું, ગ્રાહકોને મગફળીના આરોગ્ય લાભો વિશે માહિતગાર કરવા, એલર્જી સંબંધિત જાગૃતિ અને તેના ઉકેલો પર કામ કરવું, તથા ખેડૂતોને મદદ કરીને તેમના ઉત્પાદનના માર્કેટિંગને સમર્થન આપવાનો સમાવેશ થાય છે.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આજે સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસે પ્રતીક ધરણા યોજી ખેડૂતો માટે વિશાળ જંગી સભા કરી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ તાલુકા મથકો પર પ્રતીક ધરણા કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાવરકુંડલા નગરપાલિકા પટાંગણમાં યોજાયેલા આ પ્રતીક ધરણા અને સભામાં કોંગ્રેસે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. ખેડૂતોને તાત્કાલિક સહાય અને દેવામાફી આપવાની માંગ કરવામાં આવી હતી. ધરણા બાદ થોડીવારમાં બળદગાડા સાથે એક રેલી કાઢવામાં આવશે. આ રેલીમાં કપાસની ગાંસડીઓ બળદગાડા પર બાંધીને વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોન્ચ કરાયેલી 'PMC Connect' એપ્લિકેશનને સારો પ્રતિસાદ મળ્યો છે. 15 ઓક્ટોબરના રોજ લોન્ચ થયા બાદ 22 દિવસમાં આ એપ પર 150થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. આ અરજીઓમાં મોટાભાગની ફરિયાદો સફાઈ અને સ્ટ્રીટલાઈટને લગતી છે. નાગરિકો દ્વારા સીધા જ એપ મારફતે પોતાની સમસ્યાઓ રજૂ કરવામાં આવી રહી છે. મનપા દ્વારા મોટાભાગની અરજીઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. કેટલીક અરજીઓ ટેકનિકલ કારણોસર અથવા કર્મચારીઓ સ્થળ પર પહોંચી ન શકવાને કારણે બાકી છે, જેનું નિરાકરણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પોરબંદરમાં 3.25 કરોડના ખર્ચે રસ્તા રીપેરીંગ શરૂપોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં માર્ગ સુવિધાઓ સુધારવા માટે રસ્તા રીપેરીંગની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત વોર્ડ નંબર 1, 10, 11, 12 અને 13માં પેચવર્ક સહિત નવા રસ્તાઓનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂપિયા 3.25 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાલમાં આ કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.સંબંધિત વોર્ડની તમામ ગલીઓ અને મુખ્ય રસ્તાઓ પર પેચવર્ક અને નવા રસ્તા બનાવવાની યોજના છે. આનાથી નાગરિકોને ટૂંક સમયમાં સુધારેલી માર્ગ સુવિધાઓનો લાભ મળશે.મહાનગરપાલિકા તંત્રના જણાવ્યા અનુસાર, શહેરના પ્રાથમિક પ્રશ્નોને અગ્રતા આપીને માર્ગ વ્યવસ્થા સુધારવાના કાર્યને સતત આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
સુરતમાં અનેક ગુનાઓણાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી સલમાન ઉર્ફે લસ્સી સલીમ મિર્ઝા નવસારી જિલ્લાના ડાભેલ ખાતેથી ગત મોડી રાતે ઝડપાઈ ગયો છે. તેને પકડવા ગયેલા સુરત DCBના PI પી.કે. સોઢા પર સલમાન લસ્સીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો જે મામલે નવસારીના મરોલી પોલીસ મથકે હત્યાના પ્રયાસ (IPC કલમ 307) સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ આરોપી સારવાર હેઠળ છે તેની સારવાર પૂર્ણ થયા બાદ નવસારી પોલીસ તેની વિધિવત ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. 'ડાભેલ ગામ પાસે આરોપી સંતાયો હોવાની માહિતી મળી હતી'આ મામલે નવસારીના DYSP એસ.કે રાય માહિતી આપતા જણાવે છે કે, બાતમીના આધારે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમ અને નવસારીની મરોલીની પોલીસ ટીમ એ સ્થળે ગઇ હતી. જ્યાં ડાભેલ ગામ પાસે આવેલા આસિયાના મકાન વિભાગ-1ના મકાન નંબર 85માં આરોપી સંતાયેલો હોવાનું જાણવા મળતાં સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને નવસારી જિલ્લાની લોકલ ટીમ એ આજુબાજુમાં ગોઠવાઈ ગઈ હતી. 'આરોપીએ PI પર હુમલો કરી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો'DYSP એસ.કે રાયએ વધુમાં જણાવ્યું કે, પોલીસની ટીમે ઘરને ખખડાવીને પોલીસ હોવાનું જણાવતા આરોપી સલમાન ઉર્ફે લસ્સીએ પાછળના ભાગેથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, હાજર પોલીસ ઇન્સ્પેક્ટર સોઢાએ અને ટીમે તેને રોકવાનો પ્રયત્ન કરતાં આરોપીએ પોલીસ ઇન્સ્પેક્ટર સોઢાને ચપ્પુ મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી આરોપીને જમણા પગે ગોળી મારી હતી અને બાદમાં ઝડપી લીધો હતો. આરોપી ઇજાગ્રસ્ત થતાં તેને લોહીલુહાણ હાલતમાં સચિનની નજીક આવેલ A to Z હોસ્પિટલમાં લઈ જવામાં આ્યો હતો. આ અંગે મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો (Indian Penal Code - IPC) કલમ 109 મુજબ દાખલ કરીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડી. જે. પટેલને સોંપવામાં આવી છે. શું છે સમગ્ર મામલોઆ સમગ્ર મામલો ભેસ્તાનમાં થયેલી એક હત્યા સાથે સંકળાયેલો છે. ભીંડી બજાર સ્થિત અલ ખલીલ ટી સેન્ટર ખાતે સલમાન લસ્સી ગેંગના સભ્યોએ જૂની અદાવતમાં બે યુવક પર ચપ્પુ અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ હુમલામાં મૂળ ઉત્તર પ્રદેશના વતની એક સગીર શકીલનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હત્યા પાછળનું મુખ્ય કારણ જૂની અદાવત અને અગાઉના એક ઠપકાની બાબત હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી સોહેલના મિત્ર અને મૃતક શકીલને આરોપીઓએ અગાઉ કોઈ બાબતે ઠપકો આપ્યો હતો, જે માથાકૂટનું કારણ બન્યું હતું. હુમલા સમયે આરોપીઓએ શકીલને તું શા માટે મારા મિત્રને ઠપકો આપે છે? તેમ કહીને હુમલો કર્યો હતો. મૃતક સગીર શકીલ તેના મિત્ર અલ્લુ અને અન્ય મિત્રો સાથે ઉન વિસ્તારમાં ચા પીવા ગયો હતો. આ દરમિયાન, કુખ્યાત સલમાન લસ્સી ગેંગના સભ્યો સલમાન લસ્સી, એમરોજ દાલ ચાવલ અને શાહરૂખ ચપ્પુ, લાકડાના ફટકા અને દંડા જેવા જીવલેણ હથિયારો સાથે અલ ખલીલ ટી સેન્ટર પર ધસી આવ્યા હતા. આ ગેંગના સભ્યોએ સગીર શકીલ અને તેના મિત્ર અલ્લુ પર અંધાધૂંધ હુમલો કરી દીધો હતો.આ જીવલેણ હુમલામાં સગીર શકીલને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાક જેવા કે મગફળી, ડાંગર અને કપાસને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે છોટા ઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસે તાત્કાલિક વિશેષ રાહત પેકેજ જાહેર કરવા અને દેવા માફીની માંગ કરી છે. છોટા ઉદેપુર તાલુકા કોંગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કુદરતી આફતોને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. છેલ્લા સાત સીઝનથી રાજ્યમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો માર પડ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે સરકાર માત્ર રાહત પેકેજની જાહેરાતો કરે છે, પરંતુ જાહેર કરાયેલી રકમના માત્ર 30 થી 35%
મોરબી જિલ્લામાં 88% પાક નુકસાન:ખેડૂતોએ દેવા માફી માટે CM-PMને કલેક્ટર મારફત રજૂઆત કરી
મોરબી તાલુકાના સરપંચો અને ખેડૂતોએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનને પગલે સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂતો કપાસ અને મગફળી સહિતના પાકોને થયેલા મોટા નુકસાનને કારણે આર્થિક સંકટમાં મુકાયા છે. ઓક્ટોબરના અંતમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં કમોસમી વરસાદ થયો હતો, જેના પરિણામે કપાસ અને મગફળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લા પંચાયત દ્વારા નુકસાનના આકારણી માટે ટીમો પણ મોકલવામાં આવી હતી. જોકે, ખેડૂતોનું કહેવું છે કે માત્ર વળતર ચૂકવવાથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકશે નહીં. આજે ટંકારા વિધાનસભા વિસ્તારના મોરબી તાલુકાના ખરેડા, વાંકડા, માંડલ, આદરણા, જીકીયારી સહિતના 10 જેટલા ગામોના સરપંચો અને ખેડૂતો, તેમજ મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ રવિરાજસિંહ પરમાર સહિતના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં ખેડૂતોએ માત્ર વળતર નહીં, પરંતુ ખેતી માટે લીધેલા ધિરાણના દેવા માફ કરવાની માંગ કરી છે. તેઓએ વર્ષ 2020 થી બંધ કરાયેલી પાક વીમા યોજના ફરીથી શરૂ કરવા પણ અપીલ કરી છે. ચાલુ વર્ષે મોરબીમાં કપાસ, મગફળી સહિતના પાકોનું કુલ 3.17 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુભાઈ ઉસદડીયાના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદને કારણે 2.79 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે, જે જિલ્લામાં સરેરાશ 88 ટકા જેટલું નુકસાન દર્શાવે છે. હવે સરકાર દ્વારા ખેડૂતોને ક્યારે અને કેટલું વળતર ચૂકવવામાં આવે છે, તેમજ દેવા માફી અંગે શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર રહેશે.
હિંમતનગર દુર્ગા ઓવરબ્રિજ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થશે:700 મીટર લાંબા બ્રિજનું 60% થી વધુ કામ પૂરું
હિંમતનગરમાં જૂની સિવિલથી છાપરિયા ચાર રસ્તા સુધી નિર્માણાધીન દુર્ગા રેલવે ઓવરબ્રિજ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પ્રોજેક્ટનું 60 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. GUDCના એન્જિનિયર હર્ષ રાવલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 700 મીટર લાંબા આ ઓવરબ્રિજમાં કુલ 19 પિયર પૈકી 18 તૈયાર થઈ ગયા છે, જ્યારે એક પિયરનું કામ ચાલી રહ્યું છે. 19માંથી 15 પિયર કેપ પણ બની ગઈ છે અને ચાર બાકી છે. આ ઓવરબ્રિજ સાડા સાત મીટર પહોળો બનશે અને રેલવે સેક્શનમાં ફૂટપાથ સાથેનો હશે. ગર્ડર પણ લોન્ચ થઈ ગયા છે અને બાકીના ગર્ડર સાઇટ પર કાસ્ટ કરવામાં આવ્યા છે. 15માંથી ચાર ડેક સ્લેબ પણ તૈયાર થઈ ગયા છે. માર્ચ 2026 સુધીમાં આ રેલવે ઓવરબ્રિજ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે તેવી અપેક્ષા છે.
અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરતી કંપની અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) એ તેની કામગીરીના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ પાંચ વર્ષમાં એરપોર્ટ પર મુસાફરોનો અનુભવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. 5 વર્ષમાં મુસાફરોની સંખ્યા 10 હજારમાંથી 36,500 સુધી પહોંચીએરપોર્ટ પર મુસાફરો અને ટ્રાફિકમાં જબરજસ્ત વધારો જોવા મળ્યો છે. AIAL દ્વારા નવેમ્બર 2020માં કામગીરી સંભાળ્યા બાદ એરપોર્ટે દૈનિક મુસાફરોની સંખ્યા ગણી તો જાણવા મળ્યું કે, દૈનિક મુસાફરોની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. વર્ષ 2020ના 10,133 મુસાફરોની સામે 2025માં 36,500થી વધુ થઈ ગઈ છે. એટલું જ નહીં, એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (ATM) પણ પ્રતિ દિવસ 177થી વધીને 284 થઈ છે. આ પાંચ વર્ષના ગાળામાં, AIALએ 10 મિલિયન સલામત કાર્ય કલાકો પણ મેળવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં નોંધપાત્ર પરિવર્તનએરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. જેમાં ટર્મિનલ 1(T1) જે ઘરેલુ મુસાફરો માટેનું T1, ત્રણ ગણી સીટિંગ ક્ષમતા અને 36 ચેક-ઇન કાઉન્ટર્સ સાથે 39,000 ચોરસ મીટર સુધી વિસ્તર્યું છે. તેમાં નવા ડિજી યાત્રા-સક્ષમ ઈ-ગેટ્સ ઉમેરાયા છે. જ્યારે ટર્મિનલ 2 (T2) માં હવે આ એક સ્થાનિક અને ઇન્ટરનેશનલ હબ છે, જે 12 બોર્ડિંગ ગેટ્સ અને વિસ્તૃત ઇમિગ્રેશન વિસ્તારો સાથે 49,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. ચાર્ટર ફ્લાઇટ કામગીરી માટે 400 ચોરસ મીટરનું એક નવું ટર્મિનલ પણ રજૂ કરવામાં આવ્યું છે. કાર્ગો ટર્મિનલમાં 40,000 ચોરસ મીટરનું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ વાર્ષિક 200,000 મેટ્રિક ટન (MT) સુધીના માલનું સંચાલન કરી શકે છે. ચહેરાની ઓળખનો ઉપયોગ કરતી ડિજી યાત્રા ઇકોસિસ્ટમ શરૂમુસાફરીને સરળ બનાવવા માટે, એરપોર્ટ પર ઓટોમેટેડ બેગેજ સિસ્ટમ્સ, સફાઈ રોબોટ્સ અને બોર્ડિંગ પાસ તરીકે ચહેરાની ઓળખનો ઉપયોગ કરતી ડિજી યાત્રા ઇકોસિસ્ટમ શરૂ કરવામાં આવી છે. AIAL એરપોર્ટે ગ્રીન પાવર તરફ સ્વિચ કર્યું છે, ગંદા પાણીનું રિસાયક્લિંગ અપનાવ્યું છે અને તેના મોટાભાગના વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કર્યા છે, જેના કારણે કાફલાનો 60% હિસ્સો EV છે. આ કામગીરી બદલ એરપોર્ટને પાંચ વર્ષમાં 30થી વધુ વૈશ્વિક સન્માનો મળ્યા છે. જેમાં ACI લેવલ 4 સર્ટિફિકેશન, બ્રિટિશ કાઉન્સિલ સેફ્ટી 5-સ્ટાર રેટિંગ અને CIIના ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ પ્લેટિનમ સર્ટિફિકેશન પણ મળ્યા છે.
વલસાડ જિલ્લામાં ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. પિઠા ગામ નજીકથી ડ્રગ્સ બનાવતી એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, કલવાડા પાસે એક વાડીમાં આવેલા ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે. આ ગોડાઉનમાં ડ્રગ્સનો કાચો અને તૈયાર માલ સંતાડેલો હતો. DRIએ કુલ 114 કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે 20 કરોડ રૂપિયાથી વધુ અંદાજવામાં આવી રહી છે. DRIની ટીમે પિઠા ગામ નજીક આવેલા એક શોપિંગ સેન્ટરમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી કાર્યરત હતી. વધુ પૂછપરછ દરમિયાન કલવાડા પાસે એક વાડીમાં ભાડે રાખેલા કોલ્ડ સ્ટોરેજ વિશે માહિતી મળી હતી, જ્યાં તૈયાર અને કાચો ડ્રગ્સનો માલ સંતાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, 10 કિલો તૈયાર ડ્રગ્સ અને 104 કિલો અંડર-પ્રોસેસ ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ફેક્ટરી છેલ્લા બે વર્ષથી કોઈપણ પ્રકારના લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હતી. આ કાર્યવાહીમાં DRIએ ફેક્ટરીના બે માલિકો ચંદ્રકાન્ત કે. છેડા અને અશોક મુળજી પીઠારીયા તેમજ બે વર્કરો સહિત કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. કોર્ટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. આરોપીઓ ડ્રગ્સ બનાવવા માટે રસાયણો ક્યાંથી લાવતા હતા, તૈયાર માલ કોને સપ્લાય કરતા હતા અને નાણાકીય વ્યવહારો ક્યાં થયા હતા તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. DRI ટીમ હવે ડ્રગ્સના સપ્લાય નેટવર્ક અને તેમાં સંકળાયેલા અન્ય તત્વો સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.
રંગીલા રાજકોટ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની કામગીરી મામલે આમ આદમી પાર્ટીએ આજે વિરોધ વ્યક્ત કર્યો હતો. આપ'નાં આગેવાનો અને કાર્યકરો પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતા. તેમજ ''હાય રે કમિશ્નર હાય હાય', 'નાના વેપારીઓને હેરાન કરવાનું બંધ કરો' અને 'દારૂના અડ્ડા બંધ કરાવો' સહિતના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ ગુનેગારો સામે ચિંગમ (નરમ) બની જાય છે, જ્યારે સામાન્ય પ્રજાજનો અને નાના વેપારીઓ સામે સિંઘમ (કડક) બનીને દમનકારી નીતિ અપનાવી રહી છે. આમ આદમી પાર્ટીનાં શહેર પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 દિવસથી રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવીને રાત્રીના 11 વાગ્યા પછી રાજકોટ શહેરના ખાણી-પીણી તેમજ ચા-પાનની દુકાનો અને લારીઓ પર જઈને તે બળજબરીથી બંધ કરાવવા દબાણ કરી રહી છે. આ કામ પોલીસનું પ્રજાજનોના હિત માટે 365 દિવસ કરવાનું હોય, પરંતુ હાલમાં ન્યૂસન્સ અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ નિષ્ફળ રહી છે અને તેનો સીધો માર પોતાનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓ પર પડી રહ્યો છે. પોલીસની મહત્વપૂર્ણ બ્રાન્ચોની કામગીરી પર સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે, ડીસીબી, પીસીબી, એસ.ઓ.જી. તથા જે તે વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રાજકોટના ભૂગોળથી વાકેફ છે. આમ છતાં, જ્યાં ખરેખર વિદેશી દારૂ, દેશી દારૂ, જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસ ગેરહાજર જોવા મળે છે. પ્રજાને આ દુષણમાંથી મુક્ત કરાવવી એ રાજકોટ શહેર પોલીસની મહત્વપૂર્ણ ફરજ બને છે, રાત્રીના સમયે ખાણી-પીણી અને ચા-પાનના ગલ્લાઓ બંધ કરાવવાથી આ દુષણ દૂર થઈ શકશે નહીં. આવુ કરીને પોલીસ ફક્ત સામાન્ય પ્રજા તેમજ નાના વેપારીઓને નિશાન બનાવીને કામગીરીનો સંતોષ માની રહી છે. આમ આદમી પાર્ટીના નેતાએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસ તંત્રના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ નેતાઓની ચાપલુસી અને હપ્તા ઉઘરાવવામાંથી નવરા પડતા નથી. જેના કારણે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. રાત્રીના સમયે નાના ધંધાર્થીઓ પર દમન ગુજારવાને બદલે, પોલીસે ખરેખર ન્યૂસન્સ પોઈન્ટ્સ અને ગેરકાયદે પ્રવૃત્તિના અડ્ડાઓ પર તવાઈ બોલાવવી જોઈએ. જો પોલીસ દ્વારા નાના વેપારીઓને હેરાન કરવાનું ચાલુ રાખવામાં આવશે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.
સુરત મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ સૈયદપુરાના ભંડારીવાડમાં થોડા દિવસ પહેલા વહેલી સવારે એક યુવક પાછળ કૂતરાઓનું ઝુંડ પડ્યું હતું. યુવક પોતાનો જીવ બચાવવા દોડતા પડી જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનામાં ઈબ્રાહીમ ઉર્ફે એજાઝ એહમદ અન્સારી નામના યુવકને બ્રેઈન હેમરેજ થતા હોસ્પિટલમાં 12 દિવસની સારવાર બાદ આજે(6 નવેમ્બર) મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. કૂતરાનું ઝુંડ પાછળ પડ્યું, દોડતા દોડતા પડી ગયાઅન્સારી આફતાબ એહમદ (મૃતકનો ભાઈ)એ જણાવ્યું હતું કે, 24 ઓક્ટોબરના રોજ 38 વર્ષીય ઈબ્રાહીમ ઉર્ફે એજાઝ એહમદ અન્સારી સવારે નમાઝ પઢીને કબ્રસ્તાનથી મારા અબ્બાની ફાતિહા (દુઆ) પઢીને આવ્યો હતો. ઘરની પાસે આવતા જ એમને ચાર-પાંચ કૂતરા એકસાથે કરડવા માટે દોડયા. તેમણે પોતાનો જીવ બચાવવા માટે દોડ લગાવી અને દોડતા દોડતા તે પડી ગયા. પડ્યા પછી તેમને એટલી ગંભીર ઈજા થઈ કે તેના કારણે તેમની પીઠમાં જે મુખ્ય નસ છે તે ડેમેજ થઈ ગઈ. તેના કારણે તેમનું આખું શરીર પેરેલાઈઝ (લકવાગ્રસ્ત) થઈ ગયું હતું. 12 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાવધુમાં જણાવ્યું હતું કે, પેરેલાઈઝ થવાને કારણે અમે તાત્કાલિક તેમને લોકલ હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા. ત્યાં ઈમરજન્સી યુનિટમાં દેખરેખ પછી, તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા. 10 દિવસ રાખ્યા પછી, બે દિવસ તેમની હાલત એટલી ગંભીર થઈ ગઈ હતી કે તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા. રાત્રે તેમની તબિયત બગડી અને ત્યાં જ તેમનું નિધન થયું હતું. દોડતાં દોડતાં પગ લથડ્યો ને પડી ગયાCCTVમાં દેખાઈ રહ્યું છે કે કૂતરાઓ તેમની પાછળ કરડવા માટે દોડ્યા અને ગભરાઈને તે એકદમ ઝડપથી દોડ્યા. દોડતાં દોડતાં તેમનો પગ લથડ્યો અને તે પડી ગયા. જ્યારે તેઓ પડી ગયા, ત્યારે તે કૂતરાઓ ભાગી ગયા. પછી ફરીથી થોડીવાર પછી તેઓ પાછા આવ્યા તેમને કરડવા માટે. અને અહીંયા બધા લોકો હાજર હતા, તેથી તેઓ કરડી ન શક્યા. SMC સખત કાર્યવાહી કરેવધુમાં જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે SMC આના પર સખત કાર્યવાહી કરે, જેથી મારા ભાઈ સાથે જે થયું, તેવું બીજા કોઈની સાથે ન થાય. અહીં મોહલ્લામાં ઘણા નાના બાળકો રમે છે. દરેક ગલીમાં એટલા કૂતરા છે કે બાળકોને બચાવવા બહુ મુશ્કેલ થઈ જાય છે. ક્યારે કોને કરડી જાય, કેટલાયને કરડી પણ ચૂક્યા છે. જો સવારના સમયે કોઈ હાજર ન હોય ને નાના બાળકને પકડી લે, તો તે બાળકોને કરડી જશે, કોઈને ખબર પણ નહીં પડે. તો હું ઈચ્છું છું કે આના પર સખત કાર્યવાહી કરવામાં આવે, જેથી આ કૂતરાઓની પરેશાની લોકોથી દૂર થઈ જાય. ગઈકાલે જ એક બાળક પર કૂતરાઓએ હુમલો કર્યો હતોઅલ્ફાશ (મૃતકના પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે આ અંગે, હું માનું છું કે મેયરને પણ પત્ર લખવામાં આવશે. મંત્રીને પણ પત્ર લખવામાં આવશે, કે આની પર સખત કાર્યવાહી થાય. અહીંયા, હજુ ગઈકાલે જ, એક બાળક પર પણ કૂતરાઓએ હુમલો કર્યો હતો. તે બાળક બચી ગયો, પણ એના માતા-પિતાએ ખૂબ હોબાળો કર્યો, ત્યારે તે કૂતરાઓને ભગાડવામાં આવ્યા. આની પર સખત કાર્યવાહી કરવામાં આવે, જેથી આ પરેશાની દૂર થાય. હું ઈચ્છું છું કે કૂતરાઓને અહીંથી પકડીને દૂર લઈ જવામાં આવે. કાર્યવાહી નહીં થાય તો મોરચો કાઢીશુંવધુમાં જણાવ્યું હતું કે, જો કાર્યવાહી નહીં કરવામાં આવે, તો હું આખા મોહલ્લાના લોકોને એકઠા કરીને એક મોટો મોરચો કાઢીશ. અને આ કૂતરાઓની પરેશાનીને લઈને, આની પર કાર્યવાહી કરવામાં આવે તે માટે આંદોલન કરીશ. પરંતુ દુર્ભાગ્યની વાત છે કે અત્યાર સુધીમાં અહીં કોઈ અધિકારી આવ્યા નથી. અહીં જે ઘટના બની છે, આટલો મોટો બનાવ બન્યો છે, મારા ભાઈનું નિધન થયું છે, એના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. તંત્ર તરફથી કોઈ આવ્યું નથી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન શા માટે ધ્યાન નથી આપી રહ્યું?પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ દાખલ કરીને તેઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે, પરંતુ મને એ સમજાતું નથી કે SMC (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) શા માટે આની પર ધ્યાન નથી આપી રહ્યું? આટલો મોટો બનાવ બન્યો, આ કૂતરાઓની પરેશાનીને કારણે જ આ બધું થયું છે. જો કૂતરાઓની પરેશાની ન હોત, તો આ ઘટના થાત જ નહીં. તેઓ માત્ર એટલું જ કહી રહ્યા છે કે આમાં અમે શું કરી શકીએ?. હું કહું છું કે તેઓ આમાં ઘણું બધું કરી શકે છે, જો તેઓ ઈચ્છે તો. આના પર સખત કાર્યવાહી થવી જોઈએ, જેથી આ કૂતરાઓની પરેશાની દૂર થાય. હું નથી ઈચ્છતો કે મારી જેમ, બીજો કોઈ વ્યક્તિ પણ આ મુશ્કેલીમાંથી પસાર થાય. અમારા વિસ્તારમાં, આખા મોહલ્લામાં, લગભગ 500થી 600 કૂતરાઓ છે.
શિયાળાની ટ્રાવેલ સીઝન શરુ થાય તે પહેલા સ્પાઈસજેટ એરલાઈન્સે પોતાના કાફલાને મજબૂત બનાવવા માટે કંપનીએ લીઝ પર નવા 5 એરક્રાફ્ટનો ઉમેરો કર્યો છે. આ સાથે હવે એરલાઈન્સ પાસે હવે કૂલ 10 નવા એરક્રાફ્ટ્સ થઈ ગયા છે. નવા 5 એરક્રાફ્ટ ઉમેરાયાએરલાઈન્સ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ આ પાંચેય એરક્રાફ્ટ હવે વ્યાપારી કામગીરીમાં જોડાઈ ગયા છે. આ 5 એરક્રાફ્ટમાં એક અનગ્રાઉન્ડ કરાયેલ બોઇંગ 737 MAX, ત્રણ બોઇંગ 737s અને એક એરબસ A340નો સમાવેશ થાય છે. કંપનીનો ટાર્ગેટ એવો છે કે, નવેમ્બરના અંત સુધીમાં ઓપરેશનલ ફ્લીટને બમણાથી વધુ કરવામાં આવશે. મુસાફરોને વધુ સુવિધાજનક મુસાફરીનો અનુભવ થશેઓક્ટોબરના અંતમાં પણ સ્પાઇસજેટે બોઇંગ 737 અને બોઇંગ 737 MAX એરક્રાફટને સેવામાં પરત લાવ્યા હતા. તે સમયે કુલ 5 નવા એરક્રાફટ ઉમેરાયા હતા. આ નવા ઉમેરેલા એરક્રાફટ સ્પાઇસજેટની શિયાળા દરમિયાન મુસાફરી માટે કરવામાં આવેલી યોજનાનો ભાગ છે, જેમાં ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે 20 નવા એરક્રાફટ કાફલામાં જોડાવાના છે. સ્પાઇસજેટના આ પગલાથી મુસાફરોને વધુ વિકલ્પો અને વધુ સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળશે.
રાજ્યભરની શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી. પરંતુ હવે જ્ઞાન સહાયકો શાળાઓમાં હાજર થવા તૈયાર જ નથી. રાજ્યમાં 2700 જેટલા જ્ઞાન સહાયકો હાજર થવા માટે તૈયાર નથી. કાયમી શિક્ષકની ભરતી કરવામાં ના આવતા ટેટ-ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયક તરીકે હાજર થવામાં નિરાશા દાખવી રહ્યા છે. જેથી શાળા સંચાલકોએ માંગ કરી રહ્યા છે કે, જ્ઞાન સહાયકના સ્થાને પ્રવાસી શિક્ષકની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સરકાર પાસ કરવામાં આવી છે. આજથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ પરંતુ શાળામાં શિક્ષકની ઘટ કાયમી શિક્ષકની ભરતી ન થતા ટેટ ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયક થવા તૈયાર નથી. જેથી અમદાવાદમાં સૌથી વધુ અંગ્રેજીના 89, સામજિક વિજ્ઞાન અને કોમ્પ્યુટરના 21, અર્થ શાસ્ત્રના 18, સાયકોલોજી અને સોસ્યોલોજીના એકંદરે 12 અને 10 શિક્ષક હજુ પણ ન મળ્યા નથી. અમદાવાદ શહેરમાં 400ના ઓર્ડર થયા, 200 હાજર થવા તૈયાર નથી- ભાસ્કર પટેલરાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2011 થી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાઓની શિક્ષક ભરતીનું કામકાજ હાથમાં લીધા બાદ પરિસ્થિતિ એ છે કે અમારી કાયમી ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. પહેલા પ્રવાસી અને હવે જ્ઞાન સહાયકના નામે જે વિલંબ થઈ રહ્યો છે તે બહુ જ દુઃખદ બાબત છે. એક આખું સત્ર પૂર્ણ થઈ ગયું અને હવે દિવાળી બાદ જ્યારે શિક્ષકો મૂકવાની થઈ ત્યારે શહેરમાં 400 જગ્યાની સામે 200 કરતા વધુ હાજર થવા પણ તૈયાર નથી. સમગ્ર ગુજરાતમાં 2700 કરતા વધુ જ્ઞાન સહાયકોની જગ્યા ખાલી પડી છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. જ્ઞાન સહાયક તો આપવામાં આવતા નથી જેથી અમારી માંગ છે કે પ્રવાસી શિક્ષકનો ઠરાવ જીવિત કરવામાં આવે. 'પ્રવાસી શિક્ષક રાખીને શાળા ચલાવવાની છૂટ આપવામાં આવે'વધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, અમને અમારી રીતે પ્રવાસી શિક્ષક રાખીને શાળા ચલાવવાની છૂટ આપવામાં આવે. અમને જો જ્ઞાન સહાયક ઉપલબ્ધ ના થકે તો પ્રવાસી શિક્ષકનો ઠરાવ જીવિત કરવામાં આવે અને એમને અમારી રીતે પ્રવાસી શિક્ષક રાખીને શાળા ચલાવવાની મંજૂરી આપવામાં આવે. પહેલા 6 મહિના સુધી તો અમને શિક્ષક મળ્યા જ નહીં. હવે શિક્ષણ કાર્યના જે 4 મહિના બાકી રહ્યા છે તેમાં પણ કાયમી અને અનુભવી શિક્ષકોને BLO કામગીરીમાં લગાવી દેવામાં આવ્યા છે. જેથી શિક્ષણ કર્યા બગડવાનું જ છે. પછી કહીશું કે ગુજરાતના બાળકો ભણવામાં પાછળ છે, પરંતુ ગુજરાત આખું ભણવામાં પાછળ ધકેલાઈ ગયું છે. સરકાર ગંભીરતાથી વિચારે અને અમને શિક્ષક આપે તેવી અમારી માંગ છે.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં ગત મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં થયેલી બબાલમાં એકની હત્યા થઇ હતી, જ્યારે 10 જેટલા લોકોને ઇજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ છે. આ મામલે આજે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. ગતમોડી રાત્રે ગામમાં ધિંગાણુ સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. જોકે, હાલ ગામમાં શાંતિનો માહોલ હોવાનું ડિવાયએસપીએ જણાવ્યું છે. ટ્રેક્ટરનું ટાયર ઘોડીને અડ્યું ને બબાલ શરૂ થઇ રઘુ ગોકુળભાઇ પદમાણીએ 6 લોકો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું થે કે, દેવગર શિવગિરી ગૌસ્વામીના દીકરા જયેન્દ્રના લગ્નના ફુલેકામાં ગામના હરદીપ દેવકુભાઇ વાળા અને તેમના સગા ઘોડી લઇને આવ્યા હતા. જે દરમિયાન રોડ ઉપર ફરિયાદીનો પુત્ર સાગર ટ્રેક્ટર લઇને પસાર થતાં ઘોડીને ટ્રેક્ટરનું ટાયર થોડુ અડી ગયું હતું. જેથી હરદીપ વાળાએ સાગરને ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને બાદમાં લાફા માર્યા હતા. આ બાદ ટ્રેક્ટર ચાલક સાગરના સગા-સંબંધી હરદીપ વાળાના ઘરે ઠપકો આપવા જતા હતા. જે દરમિયાન રસ્તામાં માણસુર કથુભાઇ વાળા ક્રેટા કાર પુરઝડપે ચલાવીને આવ્યા હતા. જેમાં મનસુખ ભીખાભાઇ રાદડિયા અને મહેન્દ્ર મુળજીભાઇ ગજેરા કારની અડફેટે આવી ગયા હતા. ક્રેટાથી ઇજાગ્રસ્ત થતાં એકનું મોત થયુંમાણસુર કથુભાઇ વાળા ક્રેટાએ બે લોકોને ફંગોળતા બંને લોહિલુહાણ હાલતમાં થઇ ગયા હતા. આ દરમિયાન પાછળથી મોટા દેવળિયા ગામના મહેન્દ્ર ભાણાભાઇ વાળા બાઇક લઇને આવતા હતા તેને પણ ક્રેટાએ ટક્કર મારતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને મહેન્દ્રભાઇ વાળાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ ક્રેટા ચાલક ત્રણ જેટલા લોકોને ફંગોળીને ફરાર થઇ ગયો હતો. જે બાદ તેમના સગા-સંબંધીઓ એકત્ર થઇને ગેરકાયદેસર મંડળી રચીને ધારદાર હથિયારો સાથે ફરિયાદી રઘુ પદમાણી સહિત તેમની સાથે રહેલા ખોડા જેરામ પદમાણી, અતુલ ખોડાભાઇ પદમાણી, જયસુખ કુવરજીભાઇ અને સંજ્ય ખોડાભાઇને આડેધડ માથાના ભાગે માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઠપકો આપતા 50 લોકોનું ટોળુ ધસી આવ્યું બાબરા પોલીસ મથકમાં સામા પક્ષે હરદીપ દેવકુભાઇ વાળાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગામના જયેન્દ્ર ગૌસ્વામીના લગ્નમાં પોતે ઘોડી લઇને ગયા હતા. જેમાં ફુલેકા દરમિયાન સાગર પદવાણી ટ્રેકટર લઇને નીકળ્યો હતો જેણે ઘોડી સાથે પોતાનું ટ્રેક્ટર અથડાવ્યું હતું. જેથી તેમણે ટ્રેક્ટર ધીમુ ચલાવવા માટે ઠપકો આપ્યો હતો. જેનું મનદુ:ખ રાખીને 29 જેટલા અન્ય લોકો સાથે 50 લોકોનું ટોળુ ધસી આવ્યું હતું અને લોખંડની પાઇપ-ધારિયા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી જયસુખ કુવરજીભાઇ સાકરિયાએ લોખંડની પાઇપથી તેમને માથામાં માર માર્યો હતો. તેમજ તેમના પિતાને પણ મારમાર્યો હતો. આ ઉપરાંત આરોપી જેરામ પદમાણીએ લોખંડની પાઇર મારી કુલદીપભાઇના હાથે ઇજાઓ પહોંચાજી હતી. આ ઉપરાંત આરોપીઓએ આડેધડ મારમારીને દેવકુભાઇ અને નાગરાજભાઇને હાથમાં ફેક્ચર કર્યું હતું. આમ આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરૂ રચીને જીવલેણ હુમલો કર્યો હતોય આ લોકોના નામજોગ સહિત 50થી વધુના ટોળા સામે FIR આ ઉપરાંત બીજા 50 જેટલા અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઇ છે. હાલ ગામમાં શાંતિનો માહોલ; DySPઆ મામલે ડીવાઈએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવમાં એકનું મોત થયું હોવાથી હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. હાલ ગામમાં શાંતિનો માહોલ છે. જોકે, શાંતિ ન ડહોળાય એ માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ મામલે હાલ આગળની તપાસ અમે કરી રહ્યા છીએ.
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીના પદવીદાન સમારોહ માટે વિદ્યાર્થીઓને 560 રૂપિયા લઈને સ્કાર્ફ આપવામાં આવ્યા છે. જેની ગુણવત્તાને લઈને વિરોધના સૂર ઊભા થયા છે. વિદ્યાર્થી વિકાસ સંગઠને સ્કાર્ફને લઈને વિરોધ કર્યો છે અને તેની નિંદા પણ કરી છે. વિદ્યાર્થી વિકાસ સંગઠનના વિદ્યાર્થી નેતા પાર્થ પંડ્યાએ જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થી પાસેથી 560 રૂપિયા લઈને જે પોતા સ્કાર્ફ આપ્યો છે તેની ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે. આ ખૂબ જ શરમજનક અને નિરાશાજનક બાબત છે કે જ્યારે વિદ્યાર્થીઓ પોતાના 3થી 5 વર્ષના અભ્યાસ અને મહેનત પછી ડિગ્રી મેળવવા જઈ રહ્યા છે, અને કેટલાક વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ જેવી સિદ્ધિ માટે સન્માનિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે તેમને આવી નીચી ગુણવત્તાનો સ્કાર્ફ પહેરાવવો પડે છે. આ વિદ્યાર્થીઓના માન-સન્માનનો અપમાન છે. હું તેની કડક નિંદા કરું છું અને આ બાબતે વાઇસ ચાન્સેલર સુધી ફરિયાદ કરવામાં આવશે, જેથી સ્પષ્ટ થઈ શકે કે 560 રૂપિયા લઈ વિશ્વવિદ્યાલયે કોઈ ગોટાળો કર્યો છે કે કેમ? આવી નીચી ગુણવત્તાની વસ્તુ આપી વિશ્વવિદ્યાલયે વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે, જે અસ્વીકાર્ય છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ આગામી તા.8 નવેમ્બરે યોજવામાં આવશે. જેમાં 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. આ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 270 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને દીક્ષાંત પ્રવચન આપશે. આ ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રી પણ હાજર રહેશે.
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ગઢડા ભાગવત સપ્તાહ:આયોજકોએ ભવ્ય સામૈયું કરી સ્વાગત સન્માન કર્યું
બોટાદ જિલ્લાના ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં ડો. હિરાભાઈ સોલંકી દ્વારા પિતૃના મોક્ષાર્થે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહના પાંચમા દિવસે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ હાજરી આપી હતી. તેમની સાથે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, જયરાજભાઈ પટગીર, વિક્રમભાઈ બોરીચા, મુકેશભાઈ હિહોરીયા સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી નિમુબેન બાંભણીયા અને અન્ય આગેવાનોનું કુવારીકાઓ દ્વારા તિલક કરીને ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ ભાગવત સપ્તાહનું શ્રવણ કર્યું હતું. આ પ્રસંગે હિરાભાઈ સોલંકી, પારુલબેન ધરજીયા, રાધિકાબેન સોલંકી અને સુનિતાબેન સોલંકીએ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાને શાલ ઓઢાડી અને ફુલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા. અન્ય ઉપસ્થિત આગેવાનોનું રાજુભાઈ સોલંકી, વિનુભાઈ સોલંકી અને સુજલભાઈ ધરજીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભાવનગર-બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ પોતાના ઉદ્બોધનમાં ડો. હિરાભાઈ સોલંકીની કોરોના સમયમાં કરેલી સેવાઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી વક્તા સમાજમાં કેવી રીતે જીવવું તે શીખવાડે છે. મંત્રીએ માતૃશક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે મહિલાઓ અનેક રૂપમાં કાર્ય કરે છે, તેથી જ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને માતા તરીકે સંબોધવામાં આવે છે અને માતૃશક્તિને વંદન કરવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભક્તિભાવમાં લીન થયા હતા.
લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના દેવા માફ કરવા અને પાક નુકસાન માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ અને ડાંગર સહિતના ખરીફ પાકોને વ્યાપક નુકસાન થયું છે. આના પરિણામે અનેક ખેડૂતો પાક ધિરાણ ચૂકવી શકવાની સ્થિતિમાં નથી, તેમજ આગામી શિયાળુ સિઝન માટે બીજ અને ખાતર ખરીદવા માટે પણ નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ સમિતિના પ્રમુખ પર્વત રાઠવાના નેતૃત્વ હેઠળ અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, છેલ્લા સાત સીઝનથી વાવાઝોડા, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોથી ખેડૂતો સતત નુકસાન ભોગવી રહ્યા છે. તેમ છતાં, રાજ્ય સરકારે રાહત પેકેજની માત્ર જાહેરાતો કરી છે, પરંતુ વાસ્તવમાં ખેડૂતોને સંપૂર્ણ ચુકવણી થતી નથી અથવા તો માત્ર 30 થી 35 ટકા રકમ જ મળે છે. કોંગ્રેસે માંગ કરી છે કે, યુપીએ સરકારના સમયમાં દેશભરના ખેડૂતોના રૂ. 78,000 કરોડના દેવા માફ કરવામાં આવ્યા હતા, તે જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા પણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. આ ઉપરાંત, 2020થી ગુજરાતમાં બંધ પડેલી પાક વીમા યોજના તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે. કમોસમી વરસાદને કારણે મગફળીના પાકમાં ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી, ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં છૂટછાટ આપીને ભેજયુક્ત મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવાની પણ કોંગ્રેસે માંગ કરી છે. સાથે જ, ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછત અંગે ચિંતા વ્યક્ત કરીને ખેડૂતોને યોગ્ય સમયે પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂત એકતા ઝિંદાબાદ અને ખેડૂતોને ન્યાય આપો જેવા સૂત્રોચ્ચાર કરીને સરકારે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલથી વડોદરાની બે દિવસની મુલાકાતે આવનાર છે. પ્રથમ દિવસે રાજ્યપાલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામ ખાતે પ્રાકૃતિક કૃષિલક્ષી વિવિધ કાર્યક્રમો ઉપસ્થિત રહેશે. શુક્રવારે રાજ્યપાલ વાંકાનેર ગામની પી.એમ. પ્રાથમિક શાળા ખાતે પ્રાકૃતિક કૃષિના સ્ટોલ્સની મુલાકાત લેશે અને ત્યારબાદ ત્યાં આયોજીત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમની અધ્યક્ષતા કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે પ્રેરણાદાયી માર્ગદર્શન આપશે. બપોર બાદ તેઓ વાંકાનેરના એક પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેશે. અને પ્રાથમિક શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરી ગ્રીન ગુજરાતનો સંદેશ આપશે. પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતિ માટે સાંજે તેઓ સ્થાનિક ખેડૂતો સાથે ચર્ચા કરશે. શનિવારે સવારે રાજ્યપાલ ગાય દોહન અને ગૌશાળાની મુલાકાત લઈને એમ. એસ. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે અને આ ઉપરાંત વિદ્યાર્થીઓને મેડલ આપશે.
લિંક્ડઇન:તમારું નેટવર્ક એ તમારી નેટવર્થ છે:નોકરી માટે દર મિનિટે 11 હજારથી વધુ અરજી સબમિટ થાય છે
એક મજાક વિશ્વભરમાં ચાલતી હોય છે કે અડધું વિશ્વ ફેસબુક (જે હવે મેટાના નામે ઓળખાય છે) એમાં રહે છે. એ મજાકને થોડી આગળ વધારવી હોય તો કહી શકાય કે દુનિયાભરના પ્રોફેશનલ્સ નોકરીને લગતા માધ્યમ લિંક્ડઇન પર રહે છે. જો કે અત્યારે 200 દેશોના એક બિલિયન્સ કરતા વધારે રજિસ્ટર્ડ સભ્યો ધરાવતા લિંક્ડઇન માટે આ વાત મજાક રહી નથી એવી ક્રાંતિ આ એમ્પ્લોયમેન્ટ સંબંધિત સાઇટે કરી છે. રોજગારલક્ષી સામાજિક નેટવર્કિંગ સેવાઅગેઇન જેનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ધ સિલિકોન વેલીમાં થયો છે એ લિંક્ડઇન એક અમેરિકન વ્યવસાય અને રોજગાર-લક્ષી સામાજિક નેટવર્કિંગ સેવા છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ મુખ્યત્વે વ્યાવસાયિક નેટવર્કિંગ અને કારકિર્દી વિકાસ માટે થાય છે કારણ કે તે નોકરી શોધનારાને તેમના રેસ્યુમે એટલે કે સીવી પોસ્ટ કરવાની અને એમ્પ્લોયર્સને તેમને જે પ્રોફેશનલ મદદની કે નોકરી ખાલી હોય એ સૂચિ પોસ્ટ કરવાની મંજૂરી આપે છે. રિક્રુટર્સ લિંક્ડઇન પર આધાર રાખે છેઅને અત્યારે એ સ્થિતિ છે કે અમેરિકા સહિત દુનિયાભરની કંપનીઝ અને એના રિક્રુટર્સ સારા વ્યાવસાયિકો શોધવા માટે લિંક્ડઇન પર આધાર રાખે છે. આ ઉપરાંત તમે કોઇપણ કંપનીના કેરિઅરને લગતા વિભાગમાં જાઓ અને નોકરી માટે અપ્લાય કરો તો મોટાભાગની કંપની તમારા લિંક્ડઇન પ્રોફાઇલની લિંક માંગે છે તમારો રેફેરન્સ તપાસવા. આવી વિશ્વસનીયતા લિંક્ડઇને વ્યવસાયિક જગતમાં ઊભી કરી છે. વ્યવસાયિક દુનિયામાં ક્રાંતિ કરનાર આ લિંક્ડઇન 5 મે, 2003 ના રોજ રીડ હોફમેન અને એરિક લી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ રસપ્રદ કોન્સેપ્ટને સિકોયા કેપિટલ અને બીજા ઘણા વેન્ચર કેપિટાલિસ્ટ્સનું ફંડ તરત જ મળ્યું. 2003માં શરૂઆત થઇ2003માં જેની શરૂઆત થઇ એ લિંક્ડઇન ઓક્ટોબર 2010માં સિલિકોન વેલી ઇનસાઇડરની ટોચની 100 સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ્સ યાદીમાં 10 મા ક્રમે હતું. અત્યારે વિશ્વભરમાં ઓફિસીસ ધરાવનાર લિંક્ડઇનને ડિસેમ્બર 2016માં માઇક્રોસોફ્ટે 26.2 બિલિયન ડોલરમાં ખરીદ્યું. જે-તે સમયે તેમનું સૌથી મોટું જોડાણ હતું. જાન્યુઆરી 2011માં 45 ડોલરની કિંમતે પ્રથમ શેર બહાર પાડનાર લિંક્ડઇને ટ્વિટર જેવી કંપનીને રેવન્યુમાં જલ્દી પાછળ રાખી દીધી જે એની સફળતા દર્શાવે છે. 31 કરોડ માસિક સક્રિય યુઝર્સઆ પ્લેટફોર્મમાં આશરે 31 કરોડ માસિક સક્રિય યુઝર્સ છે. જેમાંથી 75% થી વધુ સભ્યો યુનાઇટેડ સ્ટેટ્સની બહાર રહે છે અને દર સેકન્ડે લગભગ 5 નવા સભ્યો નેટવર્કમાં જોડાય છે અને રસપ્રદ રીતે સ્ત્રીઓ કરતાં પુરુષો આ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરે છે. જેમાં આશરે 57% પુરુષ અને 43% સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ઘણા વપરાશકર્તાઓ ઉચ્ચ શિક્ષિત છે. જેમાં અડધાથી વધુ લોકો કોલેજની ડિગ્રી ધરાવે છે અને નોંધપાત્ર ભાગ ઉચ્ચ આવક ધરાવતા પરિવારમાંથી આવે છે. દર મિનિટે 11 હજારથી વધુ નોકરીની અરજી આવે છેતમે દુનિયામાં ક્યાંય પણ હોવ પણ નોકરી શોધતા હોવ કે તમારી કંપની શ્રેષ્ઠ એમ્પ્લોયી શોધતી હોય, લિંક્ડઇન નો ઉપયોગ આવશ્યક થઇ ગયો છે. કારણ કે અહીં દર મિનિટે 11,000 થી વધુ નોકરીની અરજીઓ સબમિટ થાય છે અને પ્લેટફોર્મ દ્વારા દર મિનિટે 6 લોકોને નોકરી પર રાખવામાં આવે છે. 95% થી વધુ ભરતી કરનારાઓ નવી પ્રતિભા શોધવા માટે લિંક્ડઇનનો ઉપયોગ કરે છે. અત્યારે આ પ્લેટફોર્મ 36 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તે લિંક્ડઇન લર્નિંગ જેવી સુવિધાઓ પણ પ્રદાન કરે છે, જેના પર 23,500 થી વધુ કોર્સીસ છે. જેવા કે જેનરેટિવ એઆઇ, બુલિયન સર્ચ વગેરે. ફોર્બ્સ અનુસાર લિંક્ડઇન આજે નોકરી શોધનારાઓ અને કંપનીઝ માટે ઉપલબ્ધ સૌથી ફાયદાકારક સોશિયલ નેટવર્કિંગ સાધન છે. અમુક દેશમાં પ્રતિબંધ અમુક દેશના સિક્યોરિટી અને સેન્સરશિપ જેવા અમુક કારણોસર લિંક્ડઇન ચાઇના અને રશિયા જેવા દેશમાં બેન છે કે એનો ઉપયોગ નિયંત્રિત છે પણ અંતે વાત એટલી છે કે તમારે તમારું પ્રોફેશનલ બ્રાન્ડિંગ કરવું છે, તમારી જાતને શ્રેષ્ઠ વ્યવસાયિક તકો માટે ઉપલબ્ધ કરવી છે તો તમે લિંક્ડઇન પર હોવા જરૂરી છે અને એ વાત લિંક્ડઇનની સફળતા અને જરૂરિયાતની મોટી સાબિતી છે.
સેટેલાઈટમાં રહેતા સ્મિતા જૈને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મે, 2025થી આજ સુધી દહેરાદૂનના અરનવ ખુરાના સાથે કોમ્પ્યુટર સર્વરની ખરીદી કરી સાથે મળી ધંધો કરવા 8.14 લાખ રૂપિયા અરનવને આપ્યા હતા. જોકે ધંધો શરૂ કર્યા બાદ અરનવે કોઈ વેપાર કર્યો નહોતો કે કોઈ નફો પણ કર્યો નહોતો. ધંધાના નામે લાખો રૂપિયા પડાવ્યા હતાં. આ મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા સેટેલાઈટ પોલીસે તપાસ શરૂ કરી છે. સરદારનગરમાં કાર-રિક્ષામાંથી દારૂનો જથ્થો મળ્યોઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સરદારનગર વિસ્તારમાં આવેલા ઓઝોન સોસાયટીના પાર્કિગમાં રેડ કરી હતી. ત્યારે દારૂની હેરાફેરી કરતો જીતેન્દ્ર સિંધી પોલીસન જોઈને નાસી ગયો હતો. પોલીસે તપાસ કરતા કાર અને ઓટોરિક્ષામાંથી અલગ-અલગ બ્રાન્ડની 754 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે 1.53 લાખના દારૂ સહિત કુલ 2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દારૂ મામલે ફરાર જીતેન્દ્ર સિંધી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દાહોદ શહેરની ગરબાડા ચોકડી પાસે બાઇકમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં બાઇક ચાલક પંકજ અને તેમની પુત્રીનો આબાદ બચાવ થયો હતો. આગને કારણે બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, પંકજભાઈ પોતાની પુત્રી સાથે ઘરેથી દાહોદ આવી રહ્યા હતા અને તેમની મોટરસાઇકલને સર્વિસ કરાવવા જઈ રહ્યા હતા. ગરબાડા ચોકડી પાસે અચાનક બાઇક બંધ પડી ગઈ હતી. બાઇક બંધ પડતાં પંકજભાઈએ તેને કિક મારીને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે બાઇકમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળી આવી હતી. આગ લાગતાંની સાથે જ પંકજભાઈએ સમયસૂચકતા વાપરીને પોતાની પુત્રી સાથે તાત્કાલિક બાઇક પરથી ઉતરી ગયા અને સુરક્ષિત સ્થળે ખસી ગયા. આગ ઝડપથી વિકરાળ બની હતી, જેના કારણે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક દાહોદ ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ દાહોદ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ચૂકી હતી. સદનસીબે, આ ઘટનામાં પિતા-પુત્રીને કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

27 C