બોટાદ APMCમાં કપાસની હરરાજી આજથી શરૂ:ચેરમેને જાહેરાત કરી, ખેડૂતોને માલ લાવવા અપીલ
બોટાદ માર્કેટિંગ યાર્ડ (APMC) માં કપાસની હરરાજી આજથી શરૂ થશે. APMCના ચેરમેન મનહરભાઈ માતરીયાએ આ અંગે જાહેરાત કરી હતી. કડદાના વિરોધને કારણે છેલ્લા ત્રણ દિવસથી માર્કેટિંગ યાર્ડ બંધ હતું. હવે ફરીથી હરરાજી શરૂ થઈ રહી છે. આજથી સવારે 9 વાગ્યાથી કપાસની હરરાજી શરૂ થશે. યાર્ડમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ચેરમેન મનહરભાઈ માતરીયાએ તમામ ખેડૂતોને પોતાનો કપાસનો માલ વેચાણ માટે યાર્ડમાં લાવવા અપીલ કરી છે.
ગામ ગામની વાત:બોદાલ - વર્ષોથી ગટર સુવિધા અને ડસ્ટ મુકત ગામની ઓળખ
બોદાલ ગામની બાંધણી અને નગર રચનામાં મધ્યયુગનાં લક્ષણો દેખાઈ આવે છે. મધ્યયુગમાં રાજપૂતો કિલ્લા બાંધતા હતા. કિલ્લાની મધ્યમાં કુળદેવીની સ્થાપના થતી હતી. ત્યારબાદ કુળદેવીના મંદિરની આજુબાજુ રાજ પરિવાર, ત્યારબાદ રાજપરિવારના રક્ષકો અને છેલ્લે આજુબાજુ સામાન્ય જનતાનો વસવાટ રહેતો, એવી જ બોદાલ ગામની રચના છે. ગામની મધ્યમાં ગામની કુળદેવી બોદાઇ માતાનું મંદિર આવેલું છે. ગામમાં ત્રણ બસ સ્ટેન્ડ છે. સમયના પરિવર્તન પરિણામે ગામમાં સિમેન્ટ કોંક્રિટના અદ્યતન સગવડવાળાં પાકાં મકાનો બંધાવેલા છે. ગામમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા અનન્ય છે. આખા ગામમાં પાણીની બે પાઇપલાઇન આવેલી છે. અમેરિકામાં વસતા ગામના લોકોના સહકારથી ગામમાં અદ્યતન ગટર યોજના કરેલી છે. આખા ગામમાં પથ્થરો નાખેલા છે, જ્યારે ગામનો મુખ્ય રસ્તો સિમેન્ટ કોંક્રિટથી બનાવેલો છે, પરિણામે ગામ ચોખ્ખું રહે છે. ગામમાં હિંદુ દેવ-દેવીઓનાં મંદિરો આવેલા છે, જ્યારે હિંદુ સંપ્રદાયનાં સ્થાનકો નહિવત છે. ખેડા અને આણંદ જિલ્લામાં ફક્ત એક જ સત્યનારાયણ ભગવાનનું મંદિર તેમજ અગિયાર મુખી હનુમાનજીનું મંદિર આવેલ છે. આ ઉપરાંત વારાહી માતા, ભીમનાથ મહાદેવ રામજી મંદિર, રામદેવપીરનું મંદિર, વાઘેશ્વરી, અંબામાતા, રબારીઓની શિકોતેર માતાનું મંદિર આવેલાં છે, તેમજ જૈન માટે અદ્યતન જૈન ઉપાશ્રય પણ છે, શિક્ષણ માટે ગામમાં પ્રાથમિક શાળા, કન્યાશાળા, હાઇસ્કૂલ, બાલમંદિર અને આંગણવાડી આવેલ છે. ગામ સાયબર વિલજે તરીકેની આગવી ઓળખ ધરાવે છે ગામના યુવાન વૈજ્ઞાનિકોએ અદભુત સાયબર સિસ્ટમ મારફતે વિકાસ ગાથાનો ચિતાર રજૂ કર્યો હતો છે. ગામમા યોજાયેલા સમૂહ લગ્નનો લાઇન પ્રોગ્રામ સાયબર સિસ્ટમ મારફતે અમેરિકાનીચેનલ પર દર્શાવ્યો હતો, તત્કાલીન સમયે બોદાલ ગામને ભારતના પ્રથમ “સાયબર વિલેજ” તરીકે નવાજવામાં આવ્યું હતું. જે સમગ્ર બોદાલ ગામ માટે સિદ્ધિવંત ઘટના બની હતી. ગામનું સ્મશાનગૃહ (મુક્તિધામ) જોવા જેવું છે. છત્ર સાથેની ભગવાન શંકરની ઊંચી પ્રતિમા આકર્ષક છે. શબને અગ્નિદાહ દેવાની અદ્યતન સગવડ છે. બોદાલ ગામને જોડતા પરા વિસ્તારમાં સુવિધા પુરી પડાશે બોદાલ ગામ જોડતા પરા વિસ્તારમાં પાક રસ્તા સહિત પીવાના પાણી સુવિધા ઉપલબ્ધ કરાશે. તેમજ પરા વિસ્તાર બ્લોક નાંખવાની કામગીરી હાથ ધરવામાં બાકી છે. આ તમામ કામો જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે.
ટીખળખોરોએ હદ કરી દીધી:આણંદમાં ગાંધીજીની પ્રતિમા પર કપડાં ટીંગાડાતા નારાજગી
આણંદ શહેરના રેલ્વે ગોદી પાસે ગાંધીજીની પ્રતિમા મુખ્ય બજાર આવેલી છે. તેમ છતાં અવારનવાર કેટલાંક ટીખળખોર દ્વારા ચશ્મા કે લાકડી કાઢી લઇને અપમાન કરવામાં આવતું હતું. પરંતુ શનિવારે ટીખળખોરોએ હદ કરી દીધી ગાંધીજીના ચશ્મા ઉતારી લઇને તેમના જમણા હાથમાં મહિલાની સાડીઓ સહિત કપડાં ટીંગાળી ઘોર અપમાન કર્યું હતું. જેને લઇને ગાંધી પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આણંદ ટાઉન પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં વારંવાર ગાંધીજીનું અપમાન કરવામાં આવે છે. ત્યારે તંત્ર દ્વારા આવા તત્વોને શોધીને તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
કિશોર ગુમ થયો:ખંભાતની ગલીઓમાં કિશોર ભુલો પડતાં ગુમ થયો
ખંભાતમાં સંબંધીના ઘરે મહેમાન થઈને આવેલો વડોદરાનો 10 વર્ષીય કિશોર ઘરેથી બિસ્કીટ લેવા નીકળ્યા બાદ અચાનક ખંભાતની ગલીઓમાં ગુમ થયો હતો. ખંભાત શહેર પોલીસે સમયસૂચકતા વાપરી તુરંત જ બાળકને સહીસલામત શોધી કાઢ્યો હતો. આ અંગે વાત કરતા પીઆઈ વી. પી. ચૌહાણે જણાવ્યું હતું કે, વડોદરાના કલાલી ગામે રહેતા જિજ્ઞેશભાઈ મિસ્ત્રી તેમના 10 વર્ષીય પુત્ર સૌમ્ય સાથે ખંભાતના ભાટવાડામાં સંબંધીના ઘરે આવ્યા હતા. દરમિયાન, બપોરે પુત્ર સૌમ્ય બિસ્કીટ લેવા માટે નીકળ્યો હતો. પરંતુ પોળની ગલીઓમાં તે ભુલો પડ્યો હતો. અડધા કલાક સુધી અહીં તહીં ભટક્યા બાદ તેને તેનું ઘર મળ્યું નહોતું. બીજી તરફ દુકાને બિસ્કીટ લેવા ગયેલો પુત્ર ઘરે ન આવતાં અચાનક પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. તેઓ તુરંત પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસની એક ટીમ દ્વારા તુરંત જ શહેરના સીસીટીવી ફૂટેજ ફંફોસ્યા હતા. જેમાં અડધા કલાકમાં કિશોર શહેરના અલીંગ ચાર રસ્તા વિસ્તારમાં દેખા દીધી હતી. જેને પગલે પોલીસની એક ટીમ તેના પિતા સાથે ત્યાં પહોંચી હતી. આમ, સફળતાપૂર્વક ગણતરીના કલાકોમાં જ કિશોરને શોધી કાઢ્યો હતો.
આણંદ સામરખા ચોકડી મનપા હસ્તક રૂ 2 કરોડના ખર્ચે નવું સ્લોટર હાઉસ તૈયાર કરાશે. ત્યારે અમદાવાદ વડોદરા હાઇવે રોડ પર તંત્રએ સ્લોટર હાઉસ તોડી નાખતા શહેરીજનોને હાલાકીઓનો ભોગ બનવું પડતું હતું. આખરે મંજૂરી મળતાં સ્લોટર હાઉસ આધુનિક બનાવવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ પાલિકા હસ્તક સ્લોટર હાઉસ નેશનલ હાઇવે એપીએમસી સામે તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારે હાઇવે 6 લેન કરવામાં માટે આવતાં સ્લોટર હાઉસ તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ પાછલના ભાગની જમીન ઘણા સમયથી પડતર પડી રહી હતી. સ્લોટર હાઉસ ન બનાવતા શહેરમાં મટનનો ધંધો કરતાં વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વખત આવતો હતો. જેથી છેલ્લા 5 વર્ષથી રજૂઆત કરવા છતાં જગ્યાના પ્રશ્ને વિવાદો ઉઠતાં પડતું મુકવામાં આવતું હતું. આખરે મનપાએ તેની મૂળ જગ્યા પર બે કરોડના ખર્ચે આધુનિક સ્લોટર હાઉસ બનાવવામાં નક્કી કર્યું છે. જેમાં આધુનિક સેનીટેશન મશીન મુકાશે. જેથી તેની દુર્ગધ બહારના જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. સ્લોટર હાઉસ તૈયાર થતાં શહેરની મધ્યમ આવેલી દુકાનોમાં કતલ અટકી જતાં સ્વચ્છતા જળવાશે.
પરિણીતા ગુમ થઈ:ખંભાતના પીપળોઈની પરિણીતા ગુમ
ખંભાતના પીપળોઈ ગામે રહેતી પરિણીતા ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. પીપળોઈ અલકાપુરી વિસ્તારમાં રહેતી 22 વર્ષીય દિપીકાબેન શૈલેષભાઈ પટેલ ગત 8 મી ઓક્ટોબરના રોજ ઘરેથી કોઈને પણ કંઈ કહ્યા વિના નીકળી ગઈ હતી. આ અંગેની જાણ તેણીના પરિવારજનોને થતાં તેમણે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહોતો. આખરે, તેના ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પરણિતાને અપાયો ત્રાસ:હું મારા છોકરાને જેલમાંથી છોડાવી લાવ્યો છું, અમે તો આઝાદીથી જીવવા વાળા છે
આણંદમાં તુલસી ગરનાળા પાસે રહેતી યુવતીને તેના એનઆરઆઈ પતિ સહિતના સાસરીયાઓ દ્વારા ઘરના કામકાજ બાબતે ઠપકો આપી તથા પતિના રાત્રિના ઘર બહાર રહેવા બાબતે પૂછતાં ગમે તેમ અપશબ્દ બોલી, સાસુ-સસરાએ પુત્રને અમેરિકા અને દિલ્હીમાં જેલમાંથી છોડાવી લાવ્યા હોવાનું અને તેેમને આઝાદીથી રહેવાવાળા હોવાનું કહીને ત્રાસ ગુજાર્યો હતો. પતિ અને સાસુ-સસરાએ રીક્ષાચાલક પિતા અને વિદેશ રહેતા ભાઈ પાસેથી પણ પૈસાની માગણી કરી હતી. આખરે કંટાળેલી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આણંદ શહેરના તુલસી ગરનાળા પાસે રહેતી 27 વર્ષીય પ્રિયંકાબેન દિપકભાઈ પ્રજાપતિના લગ્ન અમદાવાદ ખાતે રહેતા કિર્તન હિમાંશુ દલવાડી સાથે થયા હતા. શરૂના લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતું. બાદમાં પતિ અને સાસુ હીના અને સસરા હિમાંશુએ ઘરના કામકાજ બાબતે વાંધા વચકા કાઢતા હતા. ઉપરાંત અમેરિકાથી પરત ફરેલો પતિ રાત્રિના બહાર ગયા બાદ મોડેથી આવતો હતો. ક્યારેક સવારે પરત ફરતો હતો. જે બાબતે પત્ની પ્રિયંકાએ ઠપકો આપતા કિર્તને તેના બહાર ફરવા બાબતે કંઈ ન બોલવા અને તેની સાથે રહેવું હોય તો રહેવું અન્યથા તેના પિયર જતી રહેવા ધમકાવી હતી. આ ઉપરાંત તેના માતા-પિતાએ પણ પરિણીતાનો પક્ષ લેવાને બદલે તેમનો એકનો એક દીકરો હોવાનું અને તેને અમેરિકા અને દિલ્હીની જેલમાંથી છોડાવી લાવ્યા હોય, આઝાદીથી રહેવાવાળા છીએ તેમ કહી ગમે તેમ અપશબ્દ કહ્યા હતા. બીજી તરફ યુવતીનો ભાઈ વિદેશ હોય અને પિતા રીક્ષાચાલક હોવા છતાં બાપના ઘરેથી કંઈ લાવી નથી તેમ કહી પૈસાની માંગણીઓ કરી હતી. વધુમાં તેણીને પતિ પિયર મુકી આવ્યો હતો અને તેડીને લઈને પણ જતો નહોતો. પરિણીતાના ફોન પણ બ્લોક કરી દીધા હતા. પિતાએ પણ સમાધાનના પ્રયાસ કર્યા હતા પરંતુ તેઓએ તેમને પણ ધાક-ધમકી આપી હતી. આખરે, કંઈક રસ્તો ન દેખાતા આખરે તેણીએ પોલીસ સ્ટેશનના દ્વાર ખટખટાવ્યા હતા. મહિલા પોલીસે ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
નકલી તબીબ ઝડપાયો:બોરસદના નાપા તળપદમાં હવે પુત્રની ડિગ્રી પર દવાખાનું ચલાવતા પિતા પકડાયા
આણંદ જિલ્લામાં ડમી ડોક્ટર પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. માત્ર એક જ અઠવાડિયામાં ચોથો કેસ નોંધાયો છે. બોરસદના નાપા-તળપદમાંથી એક બોગસ તબીબને બોરસદ શહેર પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. મૂળ બિહારના સીતામઢીનો અને હાલમાં બોરસદના નાપા તળપદની બાળગોવિંદદાસ પટેલ ખડકી ખાતે રહેતા રામનરેશ કમલકાન્ત ચૌધરી કોઈ પણ પ્રકારની ડિગ્રી વિના તબીબી પ્રેક્ટીસ કરતો હોવાની ચોક્કસ બાતમી બોરસદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેના આધારે બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. આર. ચૌધરી અને એસ. એમ. પટેલ સહિતની ટીમે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન, શખસ તેના ક્લીનીકમાં હાજર મળી આવ્યો હતો. પોલીસે ક્લીનીકમાં તપાસ કરતા આર્યુવેદિક અને એલોપેથિક દવાઓ ઉપરાંત ડોક્ટરની પ્રેક્ટીસ કરવા માટેના સાધનો મળ્યા હતા. રૂપિયા 11 હજારનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તેની પાસે સત્તાવાર ડોક્ટરની ડિગ્રી કે સર્ટીફિકેટ માંગતા તે કોઈ સંતોષકારક જવાબ કે ડિગ્રી-સર્ટી રજૂ કરી શક્યો નહોતો. તેની પ્રાથમિક પૂછપરછમાં તે ગ્રેજ્યુએટ સુધી ભણેલો હોવાનું અને છેલ્લાં સાત-આઠ વર્ષથી તે પ્રેક્ટીસ કરતો હોવાનું જણાવ્યું હતું. તેના પુત્ર આણંદ-વિદ્યાનગરમાં બીએચએમએસ ડોક્ટર છે. જોકે, પકડાયેલા આધેડ પાસે કોઈ તબીબી ડિગ્રી નહોતી. પરંતુ તે નજીવા દરે તાવ-ઉધરસની ટ્રીટમેન્ટ કરતો હોવાનું જણાવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી:ચરોતરમાં આગામી દિવસોમાં પવનોનું જોર રહેતા ઠંડી વધશે
આણંદ ખેડા જિલ્લામાં હાલ બેવડીઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો હેસાસ વર્તાયો છે. પવનની દિશા ઉતર પૂર્વ શરૂ થતાં લઘુતમ તાપમાન સતત ઘટી રહ્યું છે. પરંતુ મહત્તમ તાપમાન 33 ડિગ્રી સ્થિર રહેતા બેવડીઋતુનો માહોલ સર્જાયો છે. કાશમીર પંથકમાં બરફ વર્ષા શરૂ થઇ ગઇ હોવાથી આગામી સપ્તાહમાં મેદાની પ્રદેશમાંથી ઠંડા પવનોનું જોર વધશે. જેના કારણે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નીચે જવાની સંભાવના છે. દિવાળી પહેલા શિયાળો શરૂ થઇ જશે. ગતવર્ષ કરતાં 10 દિવસ વહેલુ શિયાળ આગમન થવાની સંભાવના છે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ચોમાસાની વિદાય બાદ દક્ષિણ પશ્વિમના પવન દિશા બદલીને હવે ઉતર પૂર્વ દિશાના પવનો શરૂ થયા હોવાથી રાત્રિનું તાપમાન નીચું ગયું હોવાથી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હાલમાં દિવસનું તાપમાન સામાન્ય ઉંચુ રહેશે. જેથી દિવસે ગરમીનો અનુભવ થશે. શિયાળાની શરૂઆત આગામી સપ્તાહ થઇ જશે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી નીચે જતાં ઠંડી જામે તેવી સંભાવના છે. હાલમાં માવઠાની કોઇ સંભાવના નથી.
ભાવનગર જિલ્લાના નાણાકીય બિલો અને કાર્યભાર હળવો કરવા મુખ્ય તિજોરી કચેરીની સાથો-સાથ તાલુકા કક્ષાએ કુલ 8 સબ ટ્રેઝરી કચેરી કાર્યરત કરાઇ હતી.થોડા સમય પહેલાં ઉમરાળાને વલભીપુરમાં મર્જ કરી દેવાય. ગારિયાધાર અને ઘોઘાની સબ ટ્રેઝરી કચેરી પણ બંધ કરી દેવાઇ હતી. જ્યારે ગત 20 સપ્ટેમ્બરથી અદ્યતન સુવિધા ધરાવતી ત્રણ તાલુકાના પ્રાંતવાળી સિહોર સબ ટ્રેઝરી કચેરીને અલીગઢી તાળા લગાવી દેવામાં આવ્યા. નાણાં વિભાગના આ નિર્ણયથી સિહોર તાલુકાના 1500 ઉપરાંત પેન્શનરો, મહિને અંદાજે લાખ રૂપિયાના લેવાતા સ્ટેમ્પ,પ્રાંત કચેરી, મામલતદાર કચેરી,કોર્ટ, એનિમલ હૉસ્પિટલ,જેસર, વલભીપુર, ગારિયાધાર, ઉમરાળાના સી.એચ.સી.ના બિલો, નગરપાલિકા, તાલુકા પંચાયત સહિતની પેટા કચેરીઓના બિલો, સ્થાનિક કક્ષાએથી આ કામગીરી સરળતાથી થતી હતી. ચલણનો દાખલો પણ અરજદારોને સહેલાઇથી મળી શકતો હતો. એક માસના અંદાજે દોઢેક કરોડથી વધુના બિલોનો વ્યવહારો થતા હતા.આ છતાં નાણા વિભાગે સિહોરની સબ ટ્રેઝરી કચેરીને બંધ કરી દેવાનો નિર્ણય લીધો જેને સિહોરના પેન્શનરો, સ્થાનિક આગેવાનો, રાજકીય આગેવાનોએ વિરોધ કર્યો છે અને સિહોર સબ ટ્રેઝરી કચેરીને યથાવત રાખવા માંગ કરી છે. ટ્રેઝરી કચેરી બંધ થતાં ભાવનગરનો 22 કિમીનો ધક્કોસિહોર, ઉમરાળા અને વલભીપુર પ્રાંતની એક કચેર હોવાની સાથે 8 સરકારી કચેરી અને તેના પેટા વિભાગોના બિલો સ્ટેમ્પ સહિત ચલણના દાખલા માટે સિહોર સબ ટ્રેઝરી કચેરી બંધ થતાં હવે ભાવનગર સુધી 22 કિમીનો ધક્કો અરજદારોને થશે.
દર્દીઓને હાલાકી:ગુંદરણા આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરના અભાવે દર્દીઓને હેરાનગતિ
ગુંદરણા આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરના અભાવે દર્દીઓ હેરાનગતિ ભોગવી રહયાં છે ઇન્ચાર્જ ડોકટર પણ માત્ર ત્રણ ચાર દિવસ જ આવે છે. મહુવા તાલુકાના ગુંદરણા ગામે સરકારી આરોગ્ય કેન્દ્ર ડોક્ટરના ચાર્જમાં આપવામાં આવતા ડોક્ટર આઠ દિવસમાં માત્ર ત્રણ દિવસ જ ગુંદરણા આરોગ્ય કેન્દ્ર ખાતે હાજર રહે છે આથી અનેક દર્દીઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે અને સામાન્ય, મધ્યમ વર્ગના લોકોને ન છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લઈને પૈસા દઈને દવા લેવી પડે છે. સરકાર લોકો આરોગ્ય માટે લાખો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે ત્યારે ગ્રામ્યના પીએચસીઓમાં ડોક્ટર અભાવે દવાથી વંચિત રહે છે. ગુંદરણા PHC માં 19 થી 20 ગામનો સમાવેશગુંદરણા ગામના પીએસસી સેન્ટરમાં 19 થી 20 ગામનો સમાવેશ થાય છે જેની વસ્તી આશરે 35000 જેટલી થાય છે ત્યારે ગુંદરણા પીએસસીમાં અંદર ડોક્ટર આઠ દિવસમાં ખાલી ફક્ત ત્રણ દિવસ જ હાજર રહે છે આથી દર્દીઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે અને ગુંદરણામાં કાયમી ડોક્ટરની નિમણૂક થાય તેવી દર્દીઓ તથા ગામ લોકો તથા ગામના સરપંચ મીઠાભાઈ સાડીસ માંગ કરી રહ્યા છે.
કૃષિ અને ગ્રામવિકાસ કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરામાં અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા કૃષિમહાવિદ્યાલય ભવનનું નિર્માણ થયું છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોરારિબાપુના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન થયું છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ચાલતાં ગ્રામવિકાસ સંબંધી અભ્યાસક્રમો અને પ્રવૃત્તિમાં અસ્પી ઉદ્યોગગૃહ વિશેષ સહયોગી રહેલ છે. લોકભારતી વિશ્વવિદ્યાલય આરંભ થતાં તેમાં પણ લગભગ રૂપિયા બે કરોડના ખર્ચે કૃષિમહાવિદ્યાલય ભવનનું નિર્માણ થયું છે. સંસ્થાનાં પ્રથમ દીક્ષાંત સમારોહ દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ભવનનું ઉદ્ઘાટન મોરારિબાપુના હસ્તે થયું છે. લોકભારતીના વડા અરુણભાઈ દવેએ જણાવ્યા મુજબ અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા લોકભારતીની ગ્રામવિકાસ અને કૃષિ સંબંધી અભ્યાસ પ્રવૃત્તિમાં ખૂબ જ સહયોગ મળ્યો છે.
તજજ્ઞ વ્યાખ્યાનનું આયોજન:ગુજરાતી વ્યાકરણ અને ભાષાકીય શુદ્ધિની સમજ આપવામાં આવી
વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત ભાવનગર સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે મદદનીશ ગ્રંથાલય નિયામક એસ એ યુ પટેલની અધ્યક્ષ સ્થાને પ્રો. વર્ષાબેન જાનીનું તજજ્ઞ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત તજજ્ઞ વ્યાખ્યાનમાં પ્રો. વર્ષાબેન જાની દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણ પાયાથી લઈને સમાસ, વિભક્તિઓ તથા ભાષાકીય શુદ્ધિ અંગે સુંદર સરળ ભાષામાં સમજૂતી આપી હતી. વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આ માર્ગદર્શન ખુબ જ ઉપયોગી અને માર્ગદર્શક બની રહ્યું. ગુજરાતી ભાષા નિયમિત આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ નાની બાબતોમાં ક્યાં ક્યાં ચીવટ રાખવી તે અંગે સરળ શૈલીમાં સમજૂતી આપી. વર્ષાબેન દ્વારા જ્ઞાન સાથે ગમ્મત જેમ સરળ રીતે ગુજરાતી વ્યાકરણ શીખવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગ્રંથાલય ડૉ. આર. ડી. પરમાર, મહિલા પુસ્તકાલયના ગ્રંથપાલ સી. એન. ઘટાડ તથા મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી ના હેડ ક્લાર્ક પી. એમ. પંડ્યા હાજર રહ્યા હતા.
બાળ કેળવણી કથાનું આયોજન:11 નવેમ્બરે ગિજુભાઈ બધેકાના વિચારો પર બાળ કેળવણી કથા
બાલાભાઈ ડાંગરની 16મી પુણ્યતિથિ નિમિત્તે ગિજુભાઈ બધેકાના વિચારો આધારિત બાળ કેળવણીની કથાનું આયોજન તારીખ 11 નવેમ્બરને મંગળવારે ભાવનગરના રંઘોળા ખાતે આવેલા નારણભાઈ ડાંગરના ફાર્મહાઉસ ખાતે કરવામાં આવ્યું છે જેમાં લોકભારતી યુનિવર્સિટીના પ્રો.વાઈસ ચાન્સલર વિશાલ ભાદાણી કથામાં વક્તવ્ય આપશે. બાળ કેળવણી કથા તારીખ 11 નવેમ્બરને મંગળવારે યોજાશે જેમાં બપોરે 2:00 વાગે ગિજુભાઈ બધેકાના જીવન કવન આધારિત પ્રદર્શન યોજાશે તેમજ બપોરના ત્રણથી પાંચ વાગ્યા દરમ્યાન બાળ કેળવણી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેઓને બાળ ઘડતરમાં માનવ સભ્યતાનું ભવિષ્ય દેખાય છે એવા સૌ કોઈ જાગૃત નાગરિકોને ગિજુભાઈ બધેકાના વિચારો આધારિત આ બાળ કેળવણી કથામાં બાલાભાઈ ડાયાભાઈ ડાંગર મેમોરિયલ ટ્રસ્ટ અને ડાંગર પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે.
બસમાં ભયંકર આગ ભભુકી ઉઠી:કોંજળીની બાલક્રિષ્ના વિદ્યાલયની બસમાં આગ ભભુકી
મહુવા તાલુકાના કોંજળી ગામે આવેલ મારૂતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલતિ બાલક્રિષ્ના વિદ્યાલય આવેલ છે. જે વિદ્યાલયની બસ વિદ્યાર્થીઓને લઇ કોંજળી ગામેથી બગદાણા તરફ જઇ રહી હતી તે વેળાએ બસમાં એકાએક ભયંકર આગ ભભુકી ઉઠી હતી. જો કે, આ આગ બસના ડ્રાઇવર સાઇડ આવેલ એન્જિનમાં આગ પ્રસરતા વિદ્યાર્થીઓને હેમખેમ બસમાંથી નીચે ઉતારી લેતા જાનહાની ટળવા પામી હતી. બસને રસ્તા વચ્ચે થોભાવી દઇ બસમાં લાગેલી આગને સ્થાનીકોઓ પાણીનો મારો ચલાવી કાબુમાં આગને લેવામાં આવી હતી.
કાર ભડકે બળી:સુરતથી ભાવનગર આવતા પરિવારની કારમાં આગ ભભુકી
સુરત ખાતે રહેતા એક પાંચ સભ્યોનો પરિવાર આજે ભાવનગર ખાતેના ગ્રામ્ય પંથકમાં આવવા માટે સુરતથી કાર લઇ ભાવનગર તરફ આવી રહ્યા હતા. તે વેળાએ વડોદરા નજીક આવેલ ફાજલપુર ટોલનાકાથી આગળ જઇ રહ્યા હતા તે વેળાએ ટોલનાકાથી થોડે દુર જ કારના એન્જીનમાં એકાએક આગ ભભુકી ઉઠતા, કારમાં સવાર પાંચ લોકો જીવ બચાવીને કારમાંથી બહાર નિકળી જતાં તમામ લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
દિવાળી વેકેશન:શાળાઓમાં ગુરૂવારથી 21 દિવસીય દિવાળી વેકેશનનો આરંભ થશે
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ધારિત કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ, સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1થી 8 અને 9થી 12ની છ માસિક પરીક્ષાઓનો પ્રારંભ 3 ઓક્ટોબર, મંગળવારથી થવા જઈ ગયો અને આ પરીક્ષાઓ એકસાથે રાજ્યભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં લેવામાં આવી. વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું પરિણામ તેમના શૈક્ષણિક પ્રદર્શન માટે અતિ મહત્ત્વનું સાબિત થશે. આ પરીક્ષા પૂર્ણ થતા ભાવનગર સહિત સમગ્ર ગુજરાતની શાળાઓમાં તા.16 ઓક્ટોબરને ગુરૂવારથી દિવાળી વેકેશનનો આરંભ થશે. શાળાઓમાં છ માસિક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ તરત જ દિવાળીનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થશે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ વેકેશન વિદ્યાર્થીઓને તહેવારોની ઉજવણી માટે પૂરતો સમય આપશે. આમ, ઓક્ટોબર મહિનાનું બીજું પખવાડિયું દિવાળીની રજાઓ અને તહેવારોની ઉજવણી માટે સમર્પિત રહેશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે આ સમયગાળો વ્યસ્ત અને પછી આનંદથી ભરપૂર રહેશે. શિક્ષણ બોર્ડના વર્ષ 2025-26 માટેના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પ્રથમ સત્ર 15 ઓક્ટોબરે પૂર્ણ થાય છે અને 16 ઓક્ટોબરથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન પડી જશે. આ દિવાળી વેકેશન 05 નવેમ્બર સુધીનું રહેશે અને ત્યારબાદ 06 નવેમ્બરથી શાળાઓમાં ફરી બીજા સત્રનો પ્રારંભ થશે. દ્વિતીય સત્ર 06 નવેમ્બરથી 03 મે-2026 સુધીનું 144 દિવસનું રહેશે.
હુમલો:પડોશમાં રહેતા શખ્સે આધેડ ઉપર હુમલો કર્યો
કુંભારવાડા નારી રોડ પર રહેતા મહેશભાઇ કરશનભાઇ સોલંકીના ઘરની બાજૂમાં રહેતા અરવિંદ વેલજીભાઇ પડાયા નામના શખ્સે મહેશભાઇના ઘર પાસે આવી, મહેશભાઇ ઉપર જુની અદાવતની દાઝ રાખી, લાકડીના કાન ઉપર ઘા ઝીંકી, લોહીયાળ ઇજા કરી ફરાર થઇ ગયો હતો. મહેશભાઇને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં મહેશભાઇએ અરવિંદ વિરૂદ્ધ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
દિવાળી અને નૂતન વર્ષના તહેવારો આવી રહ્યાં છે ત્યારે ભાવનગર શહેરમાં રૂા.10,20 અને 50ની નવી નોટોના બંડલો બેંકોમાંથી સરળતાથી મળી રહે તેવી આગોતરી વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે તો દિવાળીને આડે માંડ એક અઠવાડિયુ બાકી રહ્યું છે ત્યારે હજી લોકોમાં નવા વર્ષે નવી ચલણી નોટો અને ખાસ તો રૂ.10, રૂ.20 અને રૂ.50 તથા રૂ.100ના બંડલની જરૂરિયાત રહેતી હોય બેન્કોમાં વ્યવસ્થા થાય તે જરૂરી છે. દિવાળીના તહેવારો ઉપર ચલણી સિક્કાઓની જગ્યાએ 10, 20, 50 રૂપિયા જેવી નવી નોટોના બેંકોમાંથી બંડલો સરળતાથી મળી રહે તેવી લોકોમાંથી માંગણી ઉઠવા પામી છે. તહેવારો ઉપર ભૂતકાળમાં બેંકોમાંથી આ રીતની વ્યવસ્થા કરવામાં આવતી હતી. ભાવનગર શહેરમાં ઘણા સમયથી બેંકોમાંથી નોટોની જગ્યાએ સિક્કા આપવાની સરકારે પ્રથા પાડી છે પણ દિવાળીના તહેવારમાં નવી નોટો આપવી જરૂરી છે. કારણ કે ચારથી પાંચ હજાર રૂપિયાના સિક્કાનું વજન લઈને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. તેના બદલે 10, 20, 50 રૂપિયાની નોટોના નવા બંડલો મળી રહે તે વ્યવસ્થા જરૂરી છે. દિવાળીનું પર્વ આવતા ભાવનગરમાં દર વર્ષે નવી નોટ માટે બજારમાં કાળાબજારો થાય છે ત્યારે સરકાર પુરતા પ્રમાણમાં બેંકોમાં નવી નોટો આપી લોકોને સરળતાથી મળી રહે તેવું કરે તે જરૂરી છે. દિવાળીમાં ચલણી નોટોની ડિમાન્ડ વધારે હોય ઉંચા ભાવ લે છેદિવાળી સમયે જ નવી ચલણી નોટોની માંગ વધી જતી હોય છે. નવી કડકડતી નોટો લેવા માટે લોકોની લાઈન લાગે છે. નવી નોટોની ભારે માંગ રહેતી હોવાથી તેના કાળા બજાર થઈ રહ્યા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. પૂજામાં મૂકવા તેમજ દિવાળીએ આવતા સગા-સંબંધીઓને આપવા માટે નવી ચલણી નોટોની ડિમાન્ડ રહેતી હોય છે. જેના પગલે દિવાળીએ બેન્કોમાં નવી નોટો લેવા માટે ધસારો રહે છે. બેન્કોએ હજુ સુધી નવી નોટોનું વિતરણ શરૂ કર્યું નથી. દિવાળીમાં નવી ચલણી નોટોની ડિમાન્ડ વધારે રહેતા ઉંચા ભાવ વસૂલાય છે જ્યારે ડિમાન્ડ વધારે હોય ત્યારે ભાવ બમણાં થઈ જતાં હોય છે. - દેરીરોડના વાચક જગદીશભાઈ ભટ્ટનો રિપોર્ટ
ધમાકેદાર આયોજન:જીતો યુથ ટીમ દ્વારા આયોજીત અર્બન ફલી માર્કેટે રંગ જમાવ્યો
ભાવનગર જીતો યુથની ટીમ દ્વારા શહેરમાં પ્રથમવાર એક સાથે ફન, ફૂડ, મ્યુઝિક અને શોપિંગના ફ્યુઝન સમાન બે દિવસના ફલી માર્કેટ 2025નો આરંભ ધમાકેદાર અંદાઝમાં થયો હતો. અને પહેલા દિવસથી લોકોએ શોપિંગ અને ફૂડની સાથે મ્યુઝિકનો આસ્વાદ માણ્યો હતો. ત્યારે આજે ઇવેન્ટ માં યોજાયેલ એક સાથે 200 ડ્રમરોના કાર્યક્રમે ફન બ્લાસ્ટ કર્યો હતો. ભાવનગર ખાતે તા.11-12 ઓક્ટોબર ના રોજ જીતો અર્બન ફ્લી માર્કેટ 2025 કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પનીલા ફેશન અને એમ.સિ.સિ ગ્રુપના સહકાર થી પ્રોગ્રામ સફળ રહ્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિએ ચાર ચાંદ લગાવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ચેરમેન સંજયભાઈ શાહ (ભજુભાઈ) અને ચીફ સેક્રેટરી ચિંતનભાઈ શાહ થી કરવામાં આવી હતી અને આ ભવ્ય કાર્યને બિરદાવ્યું હતું. દિવાળી શોપોઈંગ સ્ટોલ્સ અને સ્વાદિષ્ટ ખણી પીણીના ચાટેકેદાર સ્વાદ સાથે વેલેટ પાર્કિંગની સરસ સુવિધા સાથે સિક્યુરીટી અને બાઉન્સરની સજ્જ સુવિધા, યુથ મેમ્બેરોએ ચાર મહિનાની મેહનત રંગ લાવી અને એમ કહીયે ઉપસ્થિત લોકોએ આ કાર્યક્રમને ખૂબ જ માણ્યો હતો જે પ્રથમવાર યોજાયેલ હતો.
ભ્રષ્ટાચાર:પાલિતાણાના ગામોમાં મલ્ટીપર્પઝ શેડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા
પાલીતાણા તા.ના વિવિધ ગામોમાં મલ્ટીપર્પઝ શેડ બનાવાયા છે જ્યાં નિયત થયેલી જગ્યા ને બદલે ગમે તે જગ્યાએ બનાવી તથા ગેલ્વેનાઈઝ્ડ પાઇપના બદલે અલંગના સ્ક્રેપ માંથી બનેલા લોખંડના પાઇપ તથા મટિરિયલ હલકી કક્ષાનું અને કોઈ સરકારી જાહેરાત વગર ખરીદી કરી તેના આભાસી ખર્ચ બતાવી બે કરોડથી વધુ ના રકમના ભ્રષ્ટાચારના આરોપ લગાવી ગ્રામજનોએ કલેકટર અને જિલ્લા વિકાસ અધિ.ને રજૂઆત કરી હતી. પાલીતાણા તાલુકામાં જુદાજુદા 17 ગામોમાં 2.37 કરોડના ખર્ચે 37 મલ્ટીપર્પઝ શેડ બનાવવામાં આવ્યા છે જેમાં શેડની સંખ્યામાં ગામ પ્રમાણે જોતા વિસંગતતા હોય સાથે જ આ શેડ ગામની જાહેર નિયત થયેલી હોય તેવી જગ્યાઓમાં બનાવવામાં આવ્યા નથી સરકારી યોજના હેઠળના શેડ હોય તો તેના ક્યાં મૂકવામાં આવે તે પહેલેથી દર્શાવવું જરૂરી હોય છે. શેડની અંદર વાપરવામાં આવેલ મટીરીયલ લોખંડનું છે જ્યારે એસ્ટીમેટમાં ગેલ્વેનાઈઝ પાઇપ દર્શાવાયા હતા તથા મટીરીયલની હલકી કક્ષાનું ઉપરથી કલર કરેલું હોય તેવું છે અને મટીરીયલની ખરીદી ઓથોરાઈઝ ડીલર પાસેથી ખરીદાયો છે કે નથી તે કોઈ જાણકારી આપ્યા વગર ખરીદી કર્યાના આક્ષેપો કરાયા છે. રૂપિયા પાંચ લાખ સુધીના કામો ગ્રામ પંચાયત અને સીધા આપવાની જોગવાઈ પંચાયત અધિનિયમની વૈધાનિક જોગવાઈ છે પરંતુ ગ્રામ પંચાયત પોતે જ એજન્સી તરીકે કામ કરે તો તેણે નિયમોનું પાલન કરવું પડતું હોય છે જેમાં તે ખરીદી કરવામાં આવી છે . તેમાં ખોટા બીલો ઊભા કરી કોઈ જાહેરાત વગર ખરીદી કરી આભાસી ખર્ચનો રેકોર્ડ ઉભો કરી પદાધિકારીઓ અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યાના આરોપ ગ્રામજનોએ લગાવ્યા હતા જેની રજૂઆત કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને કરી ટેકનિકલ ફિઝિકલ તપાસ કરી વિજિલન્સની માંગ કરી હતી. માત્ર ડુંગરપુરમાં પાંચ શેડ બનાવાયાકુલ 17 ગામોમાં 37 શેડ બનાવાયા છે જેમાં પણ શેડની સંખ્યામાં વિસંગતતા દેખાઈ રહી છે જેમાં ડુંગરપુર ગામ કે જેમાં 2,000 જેટલી ની વસ્તી છે 5 શેડ બનાવી અન્ય ગામોને અન્યાય થયાના આરોપ લાગ્યા હતા.
જીકાસને લીધે રકાસ:યુનિ.માં સ્નાતક કક્ષાએ 12,835 બેઠકો ખાલી રહી ગઇ
જીકાસની ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં આ વખતે સ્નાતક કક્ષાએ કુલ 25,864 બેઠકો પૈકી 13,029 બેઠકો જ ભરાઇ છે. એટલે કે 50.38 ટકા બેઠકો ભરાઇ છે બાકી 49.62 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. આમ, મે-જૂનથી ઓક્ટોબર માસ સુધી જીકાસ દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાના તબક્કા યોજ્યા છતાં સ્નાતક કક્ષાએ અડધોઅડધ બેઠકો ખાલી રહી ગઇ છે. હજી રાઉન્ડ યોજાય છે ત્યારે પ્રવેશ મેળવે તે વિદ્યાર્થીને સેમેસ્ટરમાં હાજરી અને વર્ગમાં અભ્યાસના દિવસો ગુમાવવા પડે છે. આમ છતાં એડમિશન પ્રોસસેસ ચાલે છે. !! યુનિમાં અનુસ્નાતક કક્ષાએ 2640 બેઠકો ભરાઇ છે. જેમાં 90 બેઠક પીજી ડિપ્લોમાની છે. ગામડાના વિદ્યાર્થીઓ ભાવનગરની યુનિ.માં પ્રવેશ મેળવે છે પણ તેઓ જીકાસની પ્રક્રિયાથી પૂરતા વાકેફ હોતા નથી. ઉપરાંત સરકારી યુનિવર્સિટીઓની સંચાલિત કોલેજોમાં પ્રવેશની કામગીરી જીકાસ પોર્ટલથી કરવામાં આવે છે. પરંતુ પ્રવેશની કામગીરી એટલી ધીમી કરવામાં આવે છે. આથી નિયત સમયમાં પ્રવેશની કામગીરી નહી થવાથી શૈક્ષણિક વર્ષ શરૂ થવા છતાં પ્રવેશની કામગીરી સરકારી યુનિવર્સિટીઓમાં રેગ્યુલર ન થતા તેનો પણ ફટકો પડ્યો હતો. ખાનગી યુનિ.ઓમાં કોઇ નિયમ પ્રવેશ ન હોય એ રીતે એડમિશન આપવાનો આરંભ કરી દેવાયો હતો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓનો સંપર્ક કરી પ્રવેશ આપી દેવાતો હતો. એમ.કે.બી. યુનિ.માં 2025-26માં યુજીમાં પ્રવેશ ફેકલ્ટી - પ્રવેશ બી.એ. - 6340 વિદ્યાર્થી બી.કોમ. - 3099 વિદ્યાર્થી બી.એસસી. - 933 વિદ્યાર્થી બીએસસી આઇટી - 57 વિદ્યાર્થી બી.સી.એ. - 1109 વિદ્યાર્થી બી.બી.એ. - 578 વિદ્યાર્થી બી.એસ.ડબલ્યુ. - 127 વિદ્યાર્થી બી.એડ. - 431 વિદ્યાર્થી એલએલબી - 221 વિદ્યાર્થી બી.આર.એસ. - 134 વિદ્યાર્થી કઇ કઇ ખામીઓ નડી ગઇ ?ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ (જીકાસ) પોર્ટલની અવ્યવસ્થા, ખામીના લીધે આ વર્ષની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં અસંખ્ય બેઠકો ખાલી રહી હતી, જેમાં વેલિડેશન પ્રક્રિયામાં ખામી એટલે કે વિદ્યાર્થીઓએ મેળવેલા માર્કસની વિગતો ખોટી ભરી હોય તો પણ તે માર્કસનો ઓનલાઈન સોફ્ટવેરમાં સ્વીકાર થતો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓના નામ,વય સહિતની ઓનલાઈન વિગતો ભર્યા પછીથી તેમાં કોઈ પ્રકારની ચકાસણી કરાઈ ન હતી. આવા વિવિધ કારણોના લીધે પ્રથમ વર્ષની સ્નાતક કક્ષાની બેઠકો ખાલી રહી છે.
સિટી એન્કર:દશકામાં પ્રથમવાર બે તાલુકામાં 1100 મી.મી.થી વધારે વરસાદ
હવે જ્યારે ચોમાસાએ વિધિવત રીતે વિદાઇ લઇ લીધી છે અને ઠંડા પવન સાથે ગુલાબી ઠંડીનો ચમકારો શરુ થઇ ગયો છે. આ ચોમાસામાં ભાવનગર જિલ્લામાં બમ્પર વરસાદ વરસ્યો અને છેલ્લાં એક દશકામાં એવું પ્રથમ વખત બન્યું કે જિલ્લાના બે તાલુકામાં 1100 મી.મી. એટલે કે 44 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય. મહુવામાં 1156 મી.મી. અને સિહોરમાં 1127 મી.મી. વરસાદ વરસી ગયો છે. જ્યારે ભાવનગર જિલ્લામાં એકંદરે કુલ વાર્ષિક વરસાદ 627.80 મી.મી. છે તેની સામે 805.10 મી.મી. વરસાદ વરસતા આ વર્ષે ચોમાસામાં 128.24 મી.મી. વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે આરંભથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં જિલ્લાના કુલ 10 પૈકી 8 તાલુકામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. માત્ર ભાવનગર શહેર અને જેસર એ બે એવા તાલુકા છે જ્યાં 98 ટકા વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેરમાં સિઝનનો કુલ વરસાદ 762 મી.મી. છે તેની સામે આજ સાંજ સુધીમાં 747 મી.મી. વરસાદ વરસી જતા એકંદરે 98 ટકા વરસાદ વરસ્યો છે. માત્ર અડધા ઇંચ વરસાદની ખોટ રહેતા ભાવનગર શહેરમાં આ વર્ષે 100 ટકા વરસાદ થયો નથી. મહુવા-તળાજા વચ્ચે 23 ઇંચનો જબ્બર તફાવતભાવનગર જિલ્લામાં ખંડવૃષ્ટિ વધતી જાય છે તેનું ઉદાહરણ એક જ સરહદ ધરાવતા મહુવા અને તળાજા તાલુકો છે. જેમાં મહુવામાં આ ચોમાસામાં કુલ વરસાદ 1156 મી.મી. વરસી ગયો છે જ્યારે તેને અડીને આવેલા તળાજા તાલુકામાં 576 મી.મી. વરસાદ વરસ્યો છે. આમ એક જ સરહદ ધરાવતા બન્ને તાલુકા વચ્ચે વરસાદમાં 580 મી.મી. એટલે કે લગભગ 23.2 ઇંચનો જબ્બર તફાવત રહી ગયો છે. ભાવનગર જિલ્લામાં તાલુકા મુજબ વરસાદ
ઘાતકી હત્યા:વેડ રોડ પર ગલ્લા પાસે ઝઘડો ન કરવાનું કહેતા યુવકની હત્યા
વેડરોડ વિસ્તારમાં શનિવારે રાત્રે પોતાના ગલ્લા પાસે ઝઘડો નહીં કરવાનું કહેતા ચાર જેટલા માથાભારે શખ્સોએ યુવાન પર ચપ્પુ વડે હમલો કરી યુવાનની હત્યા કરી નાખ્યાનો બનાવ બન્યો છે. વેડ રોડ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા જીયાઉલ જમીરએહમદ અંસારી વેડરોડ પર કમલાબા હોસ્પિટલની બાજુમાં ઇંડાની લારી ચલાવે છે. તેમના ચાર સંતાનોમાંથી મોટો દિકરો જુનૈદ (ઉ.વ. 25) અડાજણ ગેલેક્સી સર્કલ નજીકની ઇમિગ્રેશન ઓફિસમાં નોકરી કરતો હતો. જ્યારે તેમનો નાનો દિકરો જુબેર (ઉવ.18) લારી નજીક જ પાનનો ગલ્લો ચલાવે છે. દિવાળીનો તહેવાર હોવાથી નાનાખટાઇ વેચવાની હોય તા.11મી ઓક્ટોબરની રાત્રે જુનૈદ અને તેના મિત્રો દિલીપ તરસરીયા, જયદીપ તરસરીયા અને કૈશિક વોરા સાથે પાનના ગલ્લા પાસે બેસીને નાનખટાઇના બોક્સ તૈયાર કરતા હતા. દરમિયાનમાં આશરે 10.45 વાગ્યના અરસામાં વેડરોડ શિવછાયા સોસાયટીમાં રહેતો હાર્દીક ઉર્ફે ભોલો દલવાણીયા તથા તેના મિત્રો પ્રિન્સ મોણપરા અને પ્રતિક જાદવ નાઓ હર્ષ વરીયા નામના છોકરા સાથે બોલાચાલી કરતા-કરતા ત્યાં આવી પહોંચ્યા હતા અને પાનના ગલ્લા પાસે ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી જીયાઉલ અંસારીએ તેમને ઝઘડો ન કરવા કહ્યું હતું. છતાં આ ચારેય જણા ત્યાં ઝઘડો કરીને ગાળાગાળી કરતા હતા. જેથી જુનૈદ અને તેના મિત્ર દિલીપે અહીં ઝઘડો નહીં કરવા માટે કહેતા હાર્દિક ઉશ્કેરાયો હતો અને દિલીપ સાથે મારામારી કરવા લાગ્યા હતો. જ્યારે જુનૈદ તેને છોડાવા જતા હાર્દીક ઉર્ફે ભોલો દલવાણીયાએ તેની પાસે રહેલુ ચપ્પુ કાઢી જુનૈદના જમણા પગના સાથળના ભાગે ચપ્પુ માર્યું હતું.
ઠગાઈ:સલાબતપુરાની રાધા ક્રિષ્ના ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 37 લાખની ઠગાઈ
સલાબતપુરા રાધા ક્રિષ્ના ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી શ્રી કર્ણી ફેબ નામની પેઢીમાંથી ઉધારમાં રૂ.37.03 લાખની કિંમતના બેગ માટેના કાપડની ખરીદી પેમન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર બેંગ્લુરૂના બે ગઠીયાઓ સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કુંભારીયા ગામ નેચરવેલી રેસિડેન્સીમાં રહેતા શિવશંકર મોતીલાલ દાગા સલાબતપુરા સ્થિત રાધા ક્રિષ્ણા માર્કેટમાં આવેલી શ્રી કર્ણી ફેબ નાની પેઢીમાં મનેજર તરીકે નોકરી કરે છે. તેમની કંપની બેગ બનાવવાના કાપડનો ધંધો કરે છે. જુન 2023માં તેમની સાથે કુમથી રવિન્દ્ર વિનયકુમારે ફોન કર્યો હતો. અને પોતે કર્ણાટકના બેંગ્લુરૂ ખાતે ભાગીદાર દાકોજુ ભરત કશ્યપ સાથે સારાવી ઇન્ડસ્ટ્રીયલ પ્રા.લીના નામે બેગ બનાવવાની કંપની ધરાવતા હોવાનું કહ્યું હતું. અને પોતાની સારી શાખ હોય બજારના શિરસ્તા પ્રમાણે પેમેન્ટ કરી આપવાનું કહ્યું હતું. જેથી વિશ્વાસમાં આવી ગયેલા મેનેજર શિવશંકરે તા. 1-6-2023 થી તા.2-7-2024 દરમિયાન કુર્મથી અને તેની કંપનીને રૂ.37,03,831ની કિંમતનું પ્લાસ્ટિક ફેબ્રિક્સ ઉધારમાં આપ્યું હતું. જોકે, નક્કી થયા મુજબ 30 દિવસમાં પેમેન્ટ નહીં આવતા શિવશંકરને ઉઘરાણ શરૂ કરી હતી. પહેલા આ બંનેએ બહાના શરૂ કર્યા હતા. બાદમાં ફોન બંધ કરી દીધા હતા. પોલીસે બે ઠગ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરીશિવશંકરે બેંગ્લુરૂ જઇને તેમની કંપનીના સ્થળે તપાસ કરતા આ બંને જણાએ કંપનીનું સ્થળ પણ બદલી નાખ્યું હતું. આખરે શિવશંકરે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવા પોલીસે કર્ણથી અને દાકોજુ વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
આપઘાતના 2 બનાવ:સામાન્ય બાબતમાં પત્ની સાથે ઝઘડો થતાં પતિનો આપઘાત
શહેરમાં આપઘાતના અલગ અલગ બે બનાવોનાં બે વ્યક્તિએ જીવન ટુંકાવી લીધું હતું. જેમાં લિંબાયતમાં પત્ની સાથે બોલાચાલી બાદ પતિએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેવી જ રીતે પાંડેસરામાં પણ પત્ની સાથે ઝગડા બાદ પતિએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીહારના રોહતકના વતની અને લિંબાયત મહાપ્રભુ નગર ખાતે રહેતા 27 વર્ષીય પ્રેમકુમાર સુનિલ સિંહ એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરી એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શનિવારે સાંજે પ્રેમકુમારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્ની સાથે ઝગડો થતા તેમા માઠુ લાગી આવવાના કારણે પ્રેમકુમારે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બીજા બનાવમાં પાંડેસરા રિધ્ધીસિધ્ધી નગર ખાતે રહેતા 23 વર્ષીય રાજકુમાર બનવારીલાલ કેશરવાની નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા. રવિવારે બપોરે તેમણે ઘર પાસે અન્ય રૂમમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્ની સાથે ઝગડો થતા તેમણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપઘાતની આ બંને ઘટનામાં પોલીસે મૃતકોના આપઘાત પાછળ પારિવારિક ઝઘડો જ કારણભૂત છે, અન્ય કોઈ આર્થિક કે પછી બીજું કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે, જેના માટે પોલીસે મૃતકોના નજીકના લોકોની પૂછપરછ કરી છે.
ગોઝારો અકસ્માત:સરથાણામાં મોપેડ સ્લીપ થતા મોપેડ સવાર ભાઈ, બહેન પૈકી બહેનનું ટ્રક નીચે આવી જતાં મોત
સરથાણામાં મોપેડ પર રેસ્ટોરન્ટમાં જમવા માટે જઈ રહેલા ભાઈ-બહેનની મોપેડ સ્લીપ થઈ જતા પાછળીથી આવતી ટ્રક નીચે આવી જતા ગંભીર રીતે ઘવાયેલી બહેનનું મોત નીપજ્યું હતું. રાજકોટના વતની અને સરથાણા કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રહેતા હાર્દીકકુમાર બોઘરા કાર લે વેચનો ધંધો કરે છે. તેમના 24 વર્ષીય પત્ની દિશાબેન તેમના ભાઈ દેવર્ષી સાથે મોપેડ પર રેસ્ટોરન્ટમાં જમવા માટે જતા હતા. દરમ્યાન વ્રજચોક પાસે અચાનક મોપેડ સ્લીપ થઈ જતા દિશાબેન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકની અડફેટમાં આવી ગયા હતા. હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરાયા હતા.
આપ અબ સોસાયટી કે ગેટ કે બહાર નિકલ કે દિખાઓ મે તુમકો જાન સે માર દુંગા, એમ કહી ઓડીકારમાંથી ટ્રાન્સપોર્ટના વેપારીએ લાઇસન્સવાળી રિવોલ્વર કાઢી યુવકોને ડરાવવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ છે. વેપારીએ વટ પાડવાના ચક્કરમાં ફાયરિંગ કર્યુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાને પગલે ડુમસ પોલીસ દોડી આવી હતી. પોલીસ આવે તે પહેલા વેપારી ત્યાંથી ભાગી ગયો હતો. ડુમસ પોલીસમાં આકાશ શાહે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ટ્રાન્સપોર્ટના વેપારી નીરજ રાજકુમાર સિંઘ(38)(રહે,અવધ કેરોલીના, સાયલન્ટ ઝોન, ડુમસ)ની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. સાથે પોલીસે વેપારી પાસેથી રિવોલ્વર તેમજ ખાલી કાર્ટુસ તેમજ ઓડીકાર કબજે કરી છે. ડુમસ એરપોર્ટ રોડના સાયલન્ટ ઝોન પાસે આવેલા અવધ કેરોલીનામાં રહેતા અને પિપલોદમાં કારના શોરૂમમાં સેલ્સમેનેજર તરીકે નોકરી કરતા 31 વર્ષીય આકાશ સુનિલ શાહ 11મી તારીખે મોડીરાતે અગ્ર એકઝોટીકાની બહાર કાર પાર્ક કરી મિત્ર વિનીત, મિત, હર્ષ અને જ્ય સાથે પાનના ગલ્લા પર બેઠા હતા. આ દરમિયાન ઓડીકાર લઈ નીરજસિંઘએ ત્યાં આવી જોરથી હોર્ન વગાડી તેઓને ઈશારા કરી ગાળો આપી અવધ કેરોલીના સોસાયટીમાં ચાલી ગયો હતો. ઓડીકારના ચાલકે ગાળો આપતા સેલ્સમેનેજર અને તેના મિત્રો ઘરે ગયા ત્યારે કારનો ચાલક ઊભો હતો. આથી આકાશે તેને કહ્યું કે તુમને હમકો ગાલી ક્યું દીયા? આથી ચાલકે કહ્યું કે તુમ લોગ રોડ કે બીચ મે ખડે થે ઈસ લીએ ગાલી દીયા થા, એમ કહી બોલાચાલી કરી ચાલક ત્યાંથી ઘરે ચાલી ગયો હતો. મોડીરાતે ટ્રાન્સપોર્ટના વેપારી પાછો ઓડીકાર લઈ આવી પાછી માથાકૂટ કરી હતી. જેમાં મામલો ઉગ્ર બનતા ટ્રાન્સપોર્ટના વેપારીએ કારમાંથી રિવોલ્વર કાઢી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. આ ઘટનાને કારણે સ્થાનિકોના ટોળા મોડીરાતે સોસાયટીમાં ભેગા થયા હતા. ઘટનાને પગલે ડુમસ પોલીસ દોડી આવી હતી. 2018માં રિવોલ્વરનું લાયસન્સ લીધું હતુંધંધામાં જોખમ હોવાથી નીરજસિંઘએ રિવોલ્વરના લાયસન્સ માટે વર્ષ 2018માં પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે તેને લાયસન્સ મળી જતા તે રિવોલ્વર રાખીને ફરતો હતો. હવે ડુમસ પોલીસે આ ઘટનાને કારણે તેની રિવોલ્વરનું લાયસન્સ રદ કરવા માટેની પ્રોસેસ શરૂ કરી છે. ટ્રાન્સપોર્ટના વેપારી નીરજસિંઘ 15 દિવસ પહેલા અવધ કેરોલીનામાં રહેવા માટે આવ્યો હતો. નીરજસિંઘ કડોદરા ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે.
ડ્રગ માફિયા ઝડપાયા:ગોડાદરાની OYO હોટેલમાં MD ડ્રગ્સ સપ્લાય કરતા બે માફિયાની ધરપકડ
રાજસ્થાન પાલીથી સુરત અઢી લાખનું એમડી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા બે ડ્રગ્સ માફીયાને ગોડાદરાની ઓયો હોટેલમાંથી ક્રાઇમબ્રાંચના સ્ટાફે ઝડપી પાડયા છે. ઝડપાયેલા બે પૈકી આકીબ અગાઉ હથિયાર સાથે રાજસ્થાનમાં પકડાયો હતો. હાલમાં બન્ને આરોપીનો કબજો ગોડાદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. બન્ને કોર્ટએ 2 દિવસના રિમાન્ડ આપ્યા છે. 25.29 ગ્રામ એમડી ડ્રગ્સ 2.52 લાખ, મોબાઇલ-2 મળી 3.02 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ગોડાદરા પોલીસે ડ્રગ્સ માફીયા આકીબ જાવેદનખાન(32) અને દિનેશ જોધારામ જાટ(30)(બન્ને રહે, મારવાડ જકંશન, પાલી, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. બન્ને અગાઉ રાજસ્થાનની સુરત ટ્રેન અને બસમાં એમડી લઈને આવતા હતા. જો કે સુરતમાં કોને એમડી સપ્લાય કરવાના હતા તે અંગે પોલીસે કોઈ ફોર્ડ પાડયો નથી. જ્યારે બન્ને ડ્રગ્સ માફીયા રાજસ્થાન પાલી જિલ્લામાં રાજુ બિસ્નોઇ પાસેથી એમડી ખરીદી કર્યુ હોવાની વાત કરી છે. આરોપી આકીબ જાવેદખાન વર્ષ 2025ના જાન્યુઆરીમાં રાજસ્થાનમાં એમડીમાં પકડાયો હતો. જેમાં 4 મહિના જેલમાં રહી જામીન પર છુટીને પાછો એમડીનો વેપલો શરૂ કર્યો હતો.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... મંત્રીમંડળના વિસ્તરણ પહેલા મંત્રીના PA ફાઈલોનો નિકાલ કરવામાં લાગ્યાભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ હવે મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે. જેને પગલે હવે સચિવાલયમાં હલચલ શરુ થઈ ગઈ છે. સ્વર્ણિમ-1માં કેબિનેટ કક્ષાના જ્યારે સ્વર્ણિમ-2માં રાજ્યકક્ષાના મંત્રીઓની તેમજ તેમના સ્ટાફની ઓફિસો છે. છેલ્લા પખવાડીયાથી મોટાભાગના મંત્રીઓના કાર્યલયોની ઓફિસોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. પટાવાળો ફાઈલોના ઢગલા લઈને આમથી તેમ ફરી રહ્યા હોવાની વાત અત્યારે કોમન થઈ ગઈ છે. કેટલાક મંત્રીઓ મોડીરાત સુધી પોતાની ઓફિસમાં કામ કરતા નજરે પડે છે. જ્યારે કેટલાય મંત્રીઓના કેટલાય PA ભારે ગભરાટમાં છે. પોતાના સાહેબની હકાલપટ્ટી થશે તો પોતાને પણ હવે અહીંથી જવુ પડશે એ બાબતનો ગભરાટ તેમને સતાવી રહ્યો છે. આથી તેઓએ પણ જે તે કામોની બાકી ફાઈલોનો નિકાલ કરવાનુ શરૂ કરી દીધુ છે. જેમાં ખાસ કરીને વહીવટની ફાઈલોને આઘાપાછી કરાતી હોવાની ચર્ચા પણ છે. મહિલા IPSએ મુલાકાતીઓના ફોન બહાર મુકાવાનુ શરુ કર્યુ!ગાંધીનગરમાં ફરજ બજાવતા એક મહિલા આઈપીએસ અધિકારીએ હવે પોતાને મળવા આવતા વિઝિટરના મોબાઈલ ફોન બહાર મુકાવવાનુ શરુ કર્યુ છે. આશ્ચર્યની વાત એ છે કે, CMને મળવા જતા લોકોના ફોન બહાર મુકાવવામાં આવે છે. એ સિવાય કેટલાક મંત્રીઓ તેમજ અનેક સિનિયર IAS અને IPS અધિકારીઓ વિઝિટરના ફોન બહાર મુકાવતા નથી. પરંતુ આ મેડમને તેમને મળવા આવતા લોકો સાથે એવી તો શું ખાનગી વાત કરવાની હશે કે, ઓફિસની બહાર મોબાઈલ ફોન મુકાવવાનો આદેશ કર્યો છે. જેનો અમલ પણ શરૂ થઈ જતા કેટલાક અધિકારીઓમાં જ મેડમ સામે રોષ ફેલાયો છે. સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે, શું તેમને ડર છે કે, કોઈપણ વ્યક્તિ તેમની વાતચીતની ઓડીયો કે વીડિયો કરીને તેને સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કરી દેશે કે પછી વહીવટ કરવાની વાત વાઈરલ થઈ જવાનો ડર છે. બોર્ડ નિગમોમાં કેટલીક નિમણૂકો થવાનુ ગાજર ફરીથી લટકાવાતા લોબીંગ શરુગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી કરી દેવાયા બાદ હવે આગામી ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ પણ કરાશે એ પ્રકારનુ વાતાવરણ ઉભુ થયુ છે. આ સ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડ કેટલાક બોર્ડ-નિગમોમાં રાજકીય નિમણૂકો કરવા જઈ રહ્યુ છે તેવી વાતો ફરીથી સચિવાલયમાં ઉડી છે. જેને કારણે ભાજપના જ અનુભવી નેતાઓ મજાક કરી રહ્યા છે કે, અગાઉની જેમ ફરીથી બોર્ડ-નિગમનુ ગાજર લટકાવી દેવાયુ છે. આમ છત્તા જે લોકોને થોડી આશાઓ છે તેઓએ બોર્ડ નિગમ લેવા માટે લોબીંગ શરૂ કરી દીધુ છે. જેના માટે કમલમના અને CMOમાં આંટાફેરા મારવાનુ શરુ કરી દીધુ છે. ગોપાલ ઈટાલિયાના માધ્યમથી આપનો પાટીદાર સમાજને આકર્ષવાનો પ્રયાસ!આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં ખુબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ગોપાલ ઇટાલિયાની વિસાવદર બેઠક પર જીત બાદ તેઓ સૌરાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારમાં પ્રવાસ કરી 'ગુજરાત જોડો' સૂત્ર સાથે જાહેરસભાઓ ગજવી રહ્યા છે. ખાસ સૌરાષ્ટ્રમાં હવે આમ આદમી પાર્ટીની નજર પણ પાટીદાર સમાજ પર હોય તેવું લાગી રહ્યું છે. પાટીદાર મતદારોની જવાબદારી ગોપાલ ઈટાલીયાને સોંપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ગોપાલ ઈટાલીયાએ પાટીદાર સમાજ દ્વારા આયોજિત દરેક ગરબા આયોજનમાં પણ હાજરી નવરાત્રી સમયે આપી હતી અને હવે ફરી વખત એટલે કે ધારાસભ્ય બન્યા પછી બીજી વખત તેઓ રાજકોટમાં પાટીદાર સમાજની વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં જાહેરસભાને સંબોધન કર્યું. એટલે મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ પર આમ આદમી પાર્ટી પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આનંદીબેન પટેલના સૌરાષ્ટ્ર પ્રવાસથી અનેક તર્કવિતર્કગુજરાતના રાજકારણમાં મંત્રી મંડળ અને પ્રદેશ પ્રમુખમાં બદલાવની વાતો ખુબ લાંબા સમયથી ચાલતી આવી છે. જેમાં એક સપ્તાહ પૂર્વે પ્રદેશ પ્રમુખની નિમણુંક થઇ ગયા બાદ હવે મંત્રીમંડળમાં દિવાળી પછી ફેરફારની ચર્ચા વચ્ચે ફરી એક વખત મુખ્યમંત્રી પદ માટે પણ બદલાવની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચામાં જ્ઞાતિ આધારિત સમીકરણોને સાથ જોડવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાતની અંદર ભાજપ, કોંગ્રેસ અને આપના પ્રદેશ પ્રમુખ OBC છે. જયારે હાલના મુખ્યમંત્રી કડવા પાટીદાર સમાજમાંથી આવે છે માટે હવે આગામી સમયમાં મુખ્યમંત્રી પદ પર ફરી લેઉવા પાટીદાર સમાજને તક મળશે તેવી વાતો ખુબ જોરશોરથી ચાલી રહી છે અને તેમાં સૌરાષ્ટ્રને પ્રાધાન્ય આપવામાં આવે તેવી પણ અટકળો તેજ બની છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતના પૂર્વ મહિલા મુખ્યમંત્રી સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા અને લેઉવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાના આગેવાનો સાથે લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન મંદિરની પણ મુલાકાત લીધી હતી. આ પછી લેઉવા પાટીદાર સમાજ ફરી સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં મુખ્ય પદ માટે સક્રિય બને તો નવાઈ નહિ અને તેમાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીની નજીકના નેતાનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. જો કે, આ નામ અગાઉ સ્વ.વિજયભાઈ રૂપાણીની સરકાર વખતે પણ ચર્ચાયું હતું પરંતુ એ સમયે કડવા પાટીદારને નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું ત્યારે હવે ચર્ચાઓએ પકડેલા જોર વચ્ચે ચર્ચા સાચી પડશે કે ભાજપ તેની સિસ્ટમ મુજબ ચર્ચાઓનો છેદ ઉડાવી દેશે તે જોવું મહત્વનું રહેશે. વિશ્વકર્માના આવવાથી જૂના જોગીઓને પોતાનો સમય ફરી આવવાની આશા જાગીગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ જગદીશ પંચાલે પોતાની ગુજરાત ભ્રમણની શરૂઆત અંબાજી ખાતે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવવાની શરૂઆત કરી દીધી છે. એક સપ્તાહની અંદર તેઓ ચારેય ઝોનમાં અલગ અલગ સ્થળોએ હાજરી આપી ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે તેવામાં હાલ આખાએ ભાજપની અંદર ગુજરાતમાં આંતરિક જૂથવાદે સૌથી મોટો પડકાર આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બની શકે તેમ છે માટે પ્રદેશની સાથે સાથે શહેર જિલ્લાના સંગઠન માળખામાં પણ બદલાવ આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તામાં એક જ ચર્ચા ચાલી રહી છે જે છે પ્રદેશ પ્રમુખના ગુજરાત ભ્રમણ બાદ તમામ જગ્યાએ રમણભમણ થશે એટલે કે સંગઠનમાં જડમૂળથી બદલાવ આવશે. તેમાં કેટલાક જુના જોગીઓને પોતાનો સમય ફરી આવવાની આશા જાગી છે. મહેસાણાની પ્રથમ રીજિયોનલ વાઈબ્રન્ટ સમિટની પોઝિટિવ નોંધ દિલ્હીએ લીધીમહેસાણામાં પ્રથમ વખત જ રીજિયોનલ વાઈબ્રન્ટ સમિટ મળી હતી. જેની સંપૂર્ણ જવાબદારી ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતના ખભ્ભા પર હતી. ઉત્તર ગુજરાત આમ પણ રાજપૂતનો વિસ્તાર જ ગણાય છે. સમિટ પહેલા એવી ચર્ચા ચાલતી હતી કે, વાઈબ્રન્ટની આ મુખ્ય સમિટ નથી માટે કોઈ ઝાકમઝોળ પણ નહી હોય અને વૈશ્વિક નેતાઓ કે ઉધોગપતિઓ આવશે નહી. પણ બાપુની છેલ્લા બે મહિનાની મહેનતે રંગ લાવી દીધો હતો. પ્રથમ વાઈબ્રન્ટથી જ હાજર રહેતા જાપાનના રાજદૂત પોતે હાજર રહ્યા હતા અને તેઓએ મુ્ખ્યમંત્રી તેમજ ઉધોગમંત્રી સાથે વન ટુ વન બેઠક પણ કરી હતી.જાપાનની કંપનીઓ ગુજરાતમાં સેમિકન્ડકટર-ચિપ્સના ઉત્પાદન માટે ગુજરાતમાં પોતાના પ્લાન્ટ શરુ કરવા આગળ આવી રહી છે. પ્રથમ દિવસે ગગનયાત્રી સુભાંશુ શુક્લા હાજર રહેતા ત્યાં હાજર રહેલા તમામ લોકો ખુશ થઈ ગયા હતા.ઉપરાંત ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાતી સમિટ જેવુ જ આયોજન થયુ હોવાની પોઝિટિવ નોંધ પણ દિલ્હીએ લીધી છે. મંત્રીઓ-અધિકારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા કરી પરંતુ 'પ્રસાદી' વગર કામ નહી કરવાના શપથ ક્યારે લેશે?ગુજરાત સરકારના તમામ મંત્રીઓ અને સેક્રેટરીઓ તેમજ વર્ગ-1ના અધિકારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. જેના ફોટા પણ તેઓએ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા. જો કે, અધિકારીઓ તો દર વર્ષે આ પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. તેમના ફોટા જોઈને સોશિયલ મીડિયા ઉપર લોકો જાતજાતની કોમેન્ટો કરી રહ્યા છે. લોકો પૂછે છે કે, પ્રશ્ન એ ઉભો થાય છે કે, શા માટે તેઓને પ્રતિજ્ઞા લેવી પડે છે. જો તેઓ પોતાની ફરજોને સારી રીતે નિભાવતા હોય તો પછી દર વર્ષે પ્રતિજ્ઞા લેવાનુ નાટક કરવાની જરૂર જ ન પડે. ભરતી વખતે તેઓ પ્રતિજ્ઞા લેતા જ હોય છે. માત્ર દેશપ્રેમની વાતો કરવાથી કે પ્રતિજ્ઞા લેવાથી તેઓનો ભ્રષ્ટાચાર ઢંકાઈ જવાનો નથી. લોકો કહે છે કે, ખરેખર તો મંત્રીઓ અને આઈએએસ-આઈપીએસ અધિકારીઓએ તેમજ વર્ગ-1 સહિતના તમામ અધિકારીઓએ જીવનમાં એક જ વખત સાચી પ્રતિજ્ઞા લેવી જોઈએ. જેમાં તેઓએ ભ્રષ્ટાચાર નહી કરવાની, લોકોના નિયમ મુજબના કામો ફટોફટ કરી આપવાની પ્રતિજ્ઞા હોવી જોઈએ. વિશ્વકર્માની ટીમમાં સામેલ થવા યુવાનેતાઓની દોડધામ વધીગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ હવે આજકાલ કેટલાક યુવા નેતાઓ પ્રદેશ પ્રમુખને આગળ પાછળ ફરતા જોવા મળી રહ્યા છે. ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ તરીકે એકદમ યુવાનોની જેમ રહેતા અને યુવાની જેમ કામગીરી કરતા પ્રમુખને મૂકવામાં આવ્યા છે ત્યારે પ્રદેશ સંગઠનમાં યુવા નેતાઓની ટીમ તૈયાર થાય તેવી આશામાં બેઠેલા યુવા નેતાઓ દ્વારા હવે પ્રમુખની નજીક જવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પાર્ટીમાં યુવા નેતા રહી ચૂકેલા કેટલાક નેતાઓને ફરીથી કામગીરી સોંપવામાં આવી રહી છે ત્યારે નવી ટીમમાં મોટાભાગે 35થી 50 વર્ષના યુવાઓ હોવાની શક્યતા વચ્ચે યુવા નેતાઓમાં સંગઠનની ટીમમાં સ્થાન તેમજ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ મેળવવાની આશા સાથે આગળ પાછળ ફરી રહ્યા છે. બે નેતાઓ તો પ્રદેશ પ્રમુખની નિમણુકના દિવસથી જ સતત સાથે ફરતા જોવા મળી રહ્યા છે. ભાજપના ધારાસભ્યોએ જે ફટાકડાની દુકાનનું ઉદઘાટન કર્યું ત્યાં જ GSTનો દરોડો પડ્યોતાજેતરમાં જ ફટાકડાના એક ભવ્ય મોટા શોરૂમનું બે ધારાસભ્યો અને કોર્પોરેટરોની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અને કોર્પોરેટરો દ્વારા ફટાકડાના શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હોવાના ત્રણ દિવસ બાદ જ ગુજરાત રાજ્યના GST વિભાગ દ્વારા અલગ અલગ શહેરોમાં ફટાકડાના ઉત્પાદન કરતી અને વેચાણ કરતી દુકાનો તેમજ શોરૂમમાં દરોડા પાડ્યા હતા. જે દુકાનનું ઉદ્ઘાટન ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોની હાજરીમાં થયું હતું ત્યાં પણ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલે સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ ચર્ચા જાગી છે કે, આ ફટાકડાના વેપારીના ભવ્ય શોરૂમનું ઉદઘાટન કરવા ગયા અને ત્રીજા દિવસે રેડ પડી એટલે નેતાઓની હાજરી મોંઘી પડી તેને લઈને ચર્ચા છે. IAS અધિકારી સિનિયર-જૂનિયર વચ્ચે ભેદભાવ રાખતા હોવાની ચર્ચાઅમદાવાદના એક IAS અધિકારી સિનિયર અને જુનિયર વચ્ચે ભેદભાવ રાખતા હોવા અંગેની અન્ય અધિકારીઓમાં ચર્ચા જાગી છે. IAS અધિકારી અઠવાડિયામાં એકવાર તમામ અધિકારીઓ સાથે બેઠક કરે છે. આ બેઠકમાં સારી ખરાબ કામગીરી અંગે ચર્ચા થાય છે અને જો ખરાબ કામગીરી કરી હોય તો અધિકારી સામે કાર્યવાહી કરવાના ફરમાન આપતા હોય છે. પરંતુ આ અધિકારી કેટલાક અધિકારીઓની બેદરકારી હોવા છતાં પણ તેમને આ બાબતે નારાજગી વ્યક્ત કરતા નથી અથવા કાર્યવાહી કરતા નથી એક સિનિયર અધિકારીના વિસ્તારમાં રોડ રસ્તાથી લઈને રખડતા ઢોર ખૂબ જોવા મળે છે છતાં પણ IAS અધિકારી સામે કાર્યવાહીના ઓર્ડર કરવામાં આવતા નથી જેથી કેટલાક અધિકારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ખાડાના લીધે બેનાં મોત છતાં તૂટેલા રોડ પર રોલર ન ફેરવાતાં રોજ અકસ્માત
વરિયાવ અને વેલંજામાં તૂટેલા રોડ પર અકસ્માતની ઘટનામાં 2 નિર્દોષના મોત છતાં ચોમાસામાં ધોવાયેલા રોડ નિર્માણ મુદ્દે તંત્રએ હજુ સક્રિયતા દર્શાવી નથી, જેને પગલે પાસોદરા સ્વામી નારાયણ મિશન રોડ પર ફરી એકવખત રોડ મટિરિયલના થીગડાં ઉખડીને ઉબડ-ખાબડ થતાં રોજ 25 સોસાયટીના લોકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. તૂટેલા રોડ પર ગબડી રહેલાં ચાલકો કિનારેની અને વાડ વગરની ખુલ્લી કેનાલમાં ખાબકી જવાની પણ ભીતિ છતાં તંત્રનું સૂચક મૌન સ્થાનીકોની મુશ્કેલી વધારી રહ્યું છે. પિયુષ વૈકરિયાએ કહ્યું કે, મંદ ગતિએ ચાલી રહેલું રોડ નિર્માણ ફરી ધોવાતા પંચામૃત, વિક્ટોરિયા, નવકાર, સહજાનંદ, અંબા લક્ઝરિયા, સુરભી, સ્ટાર ધર્મ, નીલકંઠ રો હાઉસ, શ્વેતા પાર્ક, સરલ ગ્રીન વેલી, વ્રજ ભૂમિ, સિદ્ધિ વિનાયક, શ્લોક, શાલીગ્રામ ફ્લોરા, ઓમ પેલેસ, કદમ્બ બંગ્લોઝ ના લોકો પરેશાન છે.
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના 82માં જન્મદિવસની ઉજવણી ઝાંપા બજારમાં થઈ હતી, જે વ્હોરા સમાજના ઇતિહાસમાં ઊંડા મૂળ ધરાવતો વિસ્તાર છે. અહીં સૈયદના સાહેબનું પૂર્વજોનું નિવાસસ્થાન દેવડી મુબારક આવેલું છે, તેની બાજુમાં જ 200 વર્ષ જૂની અરબી એકેડેમી અલજામેઆ-તુસ-સૈફીયા આવેલી છે, જે શિક્ષણ પ્રત્યે સમાજની નિષ્ઠાનું પ્રતીક છે. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ દાઉદી વ્હોરા સમાજ સાથે જન્મદિવસ સમારોહમાં જોડાયા હતા. તેઓએ સૈયદના સાહેબને તેમના જન્મદિવસની પૂર્વસંધ્યાએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના 82માં જન્મદિવસની ઉજવણી ઝાંપાબજારમાં થઈ હતી, જેમાં દેશ-વિદેશથી સમાજના લોકો હાજર રહ્યા હતા
‘શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫’ અને ‘વિકાસ સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં રૂા.૪૮.૮૧ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂા.૨૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતવાસીઓને કુલ રૂા.૬૯.૮૧ કરોડના વિકાસકામોની ભેટ આપી હતી. મંત્રી અને મહાનુભાવોએ લાભાર્થીઓને આયુષ્માન ભારત અને આભા કાર્ડનું વિતરણ કર્યું હતું. ઈન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું કે, સુરત શહેર જનહિતના ક્ષેત્રે નેતૃત્વ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. સુરતને વધુ ‘ખૂબસુરત’ બનાવવા માટે સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવો જોઇએ. સુરતની સ્વચ્છતા અને વિકાસની રફતારને જાળવી રાખવાની આપણી સૌની સામૂહિક જવાબદારી છે. સ્પોર્ટ્સથી બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે છેસીઆર પાટીલે કહ્યું હતું કે, રમત-ગમત સાથે જોડાયેલા બાળકો શારીરિક અને માનસિક રીતે મજબૂત બને છે. રમતો બાળપણથી જ ખેલદિલીની ભાવના વિકસાવે છે, જે વયસ્ક થયા બાદ બાળકના સર્વાંગી વિકાસમાં ખેલદિલીની ભાવના મહત્વનો ભાગ ભજવે છે. 226 વિકાસ પ્રકલ્પો શહેરીજનોની સુખસુવિધામાં વધારો કરી સુરતને વિકાસની દોડમાં અગ્રેસર બનાવવામાં મહત્વનું યોગદાન આપશે. પાલિકાના સત્તાધિશો, અધિકારીઓ અને સમગ્ર મનપા તંત્રને પાટીલે અભિનંદન આપ્યા હતા.
સુરતના ટેક્સટાઈલ હબમાં એરજેટ મશીન પર ચાલતી વિવિંગ યુનિટોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ વધતા ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને એરજેટ વિવર એસોસિએશન દ્વારા મેમ્બર વેપારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં હાલના માર્કેટની સ્થિતિ, નવા વેપારીઓની એન્ટ્રી અને વિવિંગ ઉદ્યોગમાં વધી રહેલી સ્પર્ધાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લાં કેટલાક મહિનાઓમાં શહેરના નવા વિસ્તારોમાં અનેક વેપારીઓએ એરજેટ મશીન ઇન્સ્ટોલ કર્યા છે. પરંતુ ઘણા નવા ઉદ્યોગકારોને વેપારની મૂળભૂત બાબતો અને યોગ્ય રેફરન્સની માહિતી ન હોવાથી તેઓ ખોટી કે ચિટર પાર્ટીને માલ સપ્લાય કરીને નુકસાનમાં જઈ રહ્યાં છે. આવા કિસ્સાઓ અટકાવવા એસોસિએશન દ્વારા મેમ્બરોને સુચના આપવામાં આવી કે કોઈપણ નવા ગ્રાહકને માલ આપતા પહેલા એસોસિએશનના રેફરન્સ દ્વારા ચકાસણી કરી લેવી. બેઠકમાં ઉલ્લેખ થયો કે વિવિંગ ઉદ્યોગમાં ઘણા નવા વેપારીઓ કાપડનું રિયલ કોસ્ટિંગ યોગ્ય રીતે નથી કાઢી શકતા, જેના કારણે વર્ષના અંતે હિસાબ કરતી વખતે નુકસાન થાય છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે એસોસિએશનએ નક્કી કર્યું કે કાપડનું રિયલ કોસ્ટિંગ કાઢતા શિખવાડવામાં આવશે. જેમાં વેપારીઓને કાચા માલથી લઈને ફિનિશ્ડ ફેબ્રિક સુધીની તમામ ખર્ચની ગણતરી શિખવાડશે. માર્ગદર્શન આપીને ઉદ્યોગને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો હેતુએસોસિએશનના કમિટી મેમ્બર મયુર ધોળિયા અને ડો. હરેશ પટેલે કહ્યું કે, ‘અમારો હેતુ માત્ર સભ્યોના હિતની રક્ષા કરવાનો નથી, પરંતુ નવા ઉદ્યોગકારોને યોગ્ય માર્ગદર્શન આપીને વીવિંગ ઉદ્યોગને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો છે. ખાસ કરીને વીવર નીચા ભાવે કાપડનું વેચાણ ન કરે તે દિશામાં પણ તેમને નોલેજ આપવામાં આવશે.
સપનું થયું સાકાર:કુનરિયાના ખેત મજૂરને પાકું મકાન બનાવવા મળી 1.20 લાખની સહાય
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય અને મધ્યમવર્ગના નાગરિકોના જીવનમાં સુધારો લાવવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાઈ છે. તેમાંથી એક પ્રધાનમંત્રી આવાસ યોજના છે, જે ઘરવિહોણા લોકો માટે આશીર્વાદ સમાન બની છે. ભુજ તાલુકાના કુનરીયા ગામના મહેશભાઈ પુંજાભાઈ વાણિયાને આ યોજનાથી નવા જીવનની શરૂઆત મળી છે. તેઓ અગાઉ કાચા ભાડાના મકાનમાં રહેતા હતા, ચોમાસા દરમિયાન તેમના આખા ઘરમાં પાણી ટપકતું, શિયાળા અને ઉનાળામાં પણ તકલીફ થતી હતી. મહેશભાઈને ઘરના લોકોની તકલીફ જોઈ ખૂબ દુ:ખ થતું હતું. ખેત મજૂરી કરી માંડ માંડ ઘરનું ગાડુ ચાલતું હતું. ત્યાં પાક્કા ઘરનું સપનું કેવી રીતે સાકાર કરવું તેની ચિંતા હતી. ખેત મજૂરીથી મળતી આવકમાં પાક્કું ઘર બનાવવું અશક્ય લાગતું હતું. ગામના આગેવાનો પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી મળતાં મહેશભાઈએ અરજી કરી, જે મંજૂર થતાં તેમને રૂ.1,20 લાખની સહાય મળેલી. આ સહાય તથા પરિવારની થોડી બચત સાથે મહેશભાઈએ પોતાનું પાક્કું ઘર બાંધ્યું. મહેશભાઈએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મારું ઘરનું સપનું સાકાર થયું. આજે અમે સુરક્ષિત અને ખુશ જીવન જીવીએ છીએ.” આ યોજના મધ્યમવર્ગીય પરિવારો માટે “ઘર” નહીં, પરંતુ “ગૌરવ”નું પ્રતીક બની રહી છે.
રિઝર્વ બેંકે 4 ઓક્ટોબરથી દેશભરમાં સેમ ડે ચેક ક્લિયરિંગ સિસ્ટમ અમલમાં કરી છે. જો કે, નવી વ્યવસ્થાથી જ ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ જ્યાં ચેક એક દિવસમાં ક્લિયર થઈ જતા ત્યાં હવે 3-4 દિવસે પણ થવાના ફાંફા છે. સતત બીજા રવિવારે બેંકોમાં ક્લિયરિંગ કામગીરી ચાલુ રહેતી જોવા મળી હતી. મોટી બેંકો તરફથી પૂરતો ટેક્નિકલ સપોર્ટ ન મળતાં સેમ ડે સિસ્ટમ સ્મુથ રીતે શરૂ થઈ શકી નથી. કેટલીક બેંકોના સર્વર વારંવાર ડાઉન રહે છે, જેથી ક્લિયરિંગ પ્રોસેસ અટકે છે. બેંક કર્મચારીઓનો સમય પણ વધુ વપરાઈ રહ્યો છે અને ગ્રાહકોને ચુકવણીમાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકો દ્વારા ગ્રાહકોને મેસેજ કરીને ચેક-લેવડ દેવડ કરવાની જગ્યાએ પેમેન્ટ આરટીજીએસ, એનઈએફટી, આઈએમપીએસ અને યુપીઆઈથી નાણાં ટ્રાન્સફર કરવા સલાહ આપવામાં આવી રહી છે. નાની બેંકોનાં ફંડ ફસાઈ જતાં લિક્વિડ ફલો પર પ્રેશરઅનેક કો-ઓપરેટિવ, સરકારી-પ્રાઈવેટ બેંકો કાર્યરત છે, પરંતુ નવી સિસ્ટમમાં નાની અને કો-ઓપરેટિવ બેંકોને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. આ બેંકોના જણાવ્યા પ્રમાણે, તેઓ પોતાની બેંકના ચેક તો સેમ ડે ક્લિયર કરી રહ્યા છે, પરંતુ મોટી બેંકોના ચેક સમયસર ક્લિયર થતા નથી. પરિણામે નાની બેંકોનાં ફંડ ફસાઈ રહ્યા છે અને તેમના લિક્વિડ ફલોમાં પણ પ્રેશર આવી રહ્યું છે. બધી બેંકો સરખું યોગદાન આપેશહેરની એક અગ્રણી કો-ઓપરેટિવ બેંકના મેનેજરે જણાવ્યું હતું કે, ‘આ સિસ્ટમ સારી છે, પણ બધી બેંકો સમાન રીતે ભાગ ન લે તો તેનો હેતુ પૂર્ણ થતો નથી. મોટી બેંકોનાં સર્વર ડાઉન રહેતાં અમારા ગ્રાહકો અકળાઈ જાય છે, જ્યારે હકીકતમાં ખામી અમારી પાસે નથી.’ બેંકોનાં સર્વર એકસાથે કામ કરેસાઉથ ગુજરાત કો-ઓપરેટિવ બેંક એસો.ના પ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યું કે, મોટી બેંકોના સહકારના અભાવે મુશ્કેલી છે. ઘણી બેંકોનાં સર્વર એકસાથે કામ નહીં કરતાં ક્લિયરિંગ અટકે છે. રિઝર્વ બેંકે પણ સૂચના આપી છે કે, સિસ્ટમ સ્ટેબલ થાય ત્યાં સુધી ધીરજ રાખવી પડશે.રિઝર્વ બેંકના ચીફ જનરલ મેનેજરને સેમ ડે ચેક ક્લિયરિંગના નિયમને એક મહિના માટે સ્થગિત કરવા ચેમ્બરની રજૂઆતચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસીએ કહ્યું કે, ઘણા વેપારીઓની ફરિયાદ હતી કે, જે ચેક કલાકોમાં ક્લિયર થવાના હતા તે 6-7 દિવસથી ક્લિયર થયા નથી. જેથી બેંકોએ મેન્યુઅલ સિસ્ટમ જારી રાખી છે. દિવાળીમાં લિક્વિડિટી અટકવાથી વેપાર પ્રભાવિત થઈ રહ્યો છે. ઉપરાંત ફ્રોડ થવાની પણ સંભાવના છે. તેથી ચેમ્બરે રિઝર્વ બેંકના સેમ-ડે ચેક ક્લિયરિંગના નિયમને એક મહિના માટે સ્થગિત કરવા અંગેની રજૂઆત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ચીફ જનરલ મેનેજરને કરવામાં આવી છે.’
ઘુડખર અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લું મૂકાશે:નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે શરૂ
કચ્છના નાના રણમાં આવેલું ઘુડખર અભયારણ્ય હવે પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આશરે 4,953 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા અભયારણ્યને નિહાળવા માટે દર વર્ષે હજારો પ્રવાસીઓને આકર્ષાય છે. 7 ઑક્ટોબરથી 14 જૂન સુધી પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય અને દુર્લભ ઘુડખરનું નિરીક્ષણ કરી શકશે. અભયારણ્યમાં ઘુડખર ઉપરાંત રણ લોકડી, વરુ અને અનેક પ્રકારના જંગલી પ્રાણીઓ જોવા મળે છે. શિયાળાની સિઝનમાં અહીં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોવાથી તે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. 2024ની ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 7,672 નોંધાઈ છે, જે સતત વધતી જઈ રહી છે. કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્ય કુદરતપ્રેમી અને સાહસપ્રેમી પ્રવાસીઓ માટે આકર્ષણ બની રહે છે. કચ્છ એક એવો જિલ્લો છે જ્યાં રણ, દરિયો અને જંગલ વિસ્તાર એકસાથે જોવા મળે છે. દર વર્ષે કચ્છના છારીઢંઢ અભયારણ્યમાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ કચ્છમાં આવતાં હોય છે. આ વર્ષે સારા એવા વરસાદથી યાયાવર પક્ષીઓએ મોટા પ્રમાણમાં કચ્છમાં આવશે. છારીઢંઢમાં સાઈબેરીયાથી કુંજ પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અન્ય પક્ષીઓની વાત કરીએ તો સુરખાબ, પેલિકન, યુરોપિયન રોલર, સમડી, બાજ જેવા યાયાવર પક્ષીઓ પણ કચ્છના મહેમાન બને છે. આ છારીઢંઢ અભયારણ્યની સાથે ઘોરાડ અભયારણ્ય પણ ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે.
સપ્ટેમ્બર-2025માં ભારતના જ્વેલરી અને હીરા ઉદ્યોગના એક્સપોર્ટમાં ફરી વધારો નોંધાયો છે. ખાસ કરીને નેચરલ ડાયમંડ અને પ્લેટિનમ જ્વેલરીના એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો છે. જોકે લેબગ્રોન હીરા અને પ્લેઈન ગોલ્ડ જ્વેલરીનું એક્સપોર્ટ ઘટ્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ જારી કરેલા આંકડા પ્રમાણે, વર્ષ 2024ના સપ્ટેમ્બરની સરખામણીમાં આ સપ્ટેમ્બરમાં નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ 11.65% વધીને 12,079 કરોડ થયું છે, જે સપ્ટેમ્બર-2024માં 10,829 કરોડ હતું. અમેરિકાની ટેરિફની અનિશ્ચિતતા છતાં નેચરલ ડાયમંડની માંગ સ્થિર રહી છે, જેના કારણે સુરતના કટ એન્ડ પોલિશ્ડ હીરા ઉદ્યોગને રાહત મળી છે. ખાસ કરીને હીરા વેપારીઓેએ અમેરિકા સિવાય અન્ય દેશોમાં માર્કેટ શોધ્યું હોવાથી એક્સપોર્ટમાં વધારો થયો હોવાનો હીરા વેપારીઓનો મત જોવા મળી રહ્યો છે. બીજી તરફ લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 5.8%નો ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર-2024માં 1,009 કરોડના લેબગ્રોન હીરા નિકાસ થયા હતા, જે આ વર્ષે ઘટીને 950 કરોડ રહ્યા છે.ભાસ્કર ઇનસાઈડડિઝાઇનર જ્વેલરીની પસંદગી અને ટ્રેન્ડ બદલાતાં ઉછાળો: ઉદ્યોગકારોલેબગ્રોનના ભાવ 30% ઘટ્યા: લેબગ્રોન ઉદ્યોગ પર ભાવમાં ઘટાડા અને વધતા પુરવઠાનું દબાણ જોવા મળી રહ્યું છે. એક વર્ષમાં વૈશ્વિક સ્તરે લેબગ્રોનના ભાવમાં 30%નો ઘટાડો થયો છે. નેચરલમાં ચીન, હોંગકોંગ, UAEમાંથી માંગ: ટેરિફ વધારાની શક્યતા હોય વેપારીઓએ અગ્રિમ શિપમેન્ટ કરતાં વૃદ્ધિ નોંધાઈ છે. ચીન, હોંગકોંગ, યુએઈમાં માંગ ફરી સ્થિર થઈ છે. પ્લેટિનમ જ્વેલરીની લોકપ્રિયતા વધીપ્લેટિનમ જ્વેલરીની વૈશ્વિક લોકપ્રિયતા અને નવી ડિઝાઇનોને કારણે એક્સપોર્ટ વધ્યું છે. US_જાપાનમાં રિંગ્સ અને મેન્સ જ્વેલરીની માંગ વધી રહી છે. ગોલ્ડ જ્વેલરીમાં મિશ્ર ચિત્રપ્લેઈન ગોલ્ડ જ્વેલરીનું એક્સપોર્ટ 2.22% ઘટ્યું છે, જ્યારે સ્ટટેડમાં 13.98%નો ઉછાળો છે. UAE, સિંગાપુરમાં સ્ટટેડ જ્વેલરીની માંગ વધી છે. લેબગ્રોનના એક્સપોર્ટમાં 5.8%નો ઘટાડો
સિવિક સેન્સના લેન્સ:કચરા પેટીમાં અખાધ્ય પદાર્થ ન ફેંકાતા રખડતા ઢોરોનો ત્રાસ અને ગંદકીથી બીમારી
ભુજ શહેરની સફાઈનો ઠેકો દર મહિને 75 લાખ રૂપિયાના ખર્ચે અપાયો છે. પરંતુ, લોકો દ્વારા કચરા પેટીમાં અખાધ્ય પદાર્થ નાખવાને બદલે માર્ગોમાં ફેંકી દેવાય છે, જેથી ખોરાકની શોધમાં રખડતા ઢોરોનો પણ ત્રાસ વધી જાય છે. જેને નિવારવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. જેની પાછળ દંડાત્મક કાર્યવાહીનો અભાવ છે. નગરપાલિકા દ્વારા ઘરોઘર કચરો ઉપાડવા, માર્ગો સાફ કરવા અને ફૂટપાથમાં ઉગી નીકળેલી ઝાડી કટિંગ સહિતની સફાઈ માટે દર મહિને 75 લાખ રૂપિયા ચૂકવાય છે, જેમાં ઠેકેદારની કામગીરી સંતોષકારક નથી. પરંતુ, સેનિટેશન શાખાએ આંખ આડા કાન કરી રાખ્યા હોય એમ કોઈ દંડાત્મક કાર્યવાહી થતી નથી. એવી જ રીતે સિવિક સેન્સના અભાવે કેટલાક લોકો પણ કચરા પેટીમાં કચરો નાખવાને બદલ સીધો માર્ગ ઉપર પ્લાસ્ટિકની થેલીમાં અખાધ્ય પદાર્થ નાખીને ફેંકી દે છે. જેને કારણે રખડતા ઢોરોનો પણ ત્રાસ વધી જાય છે. જો એવા સ્થળોએ સી.સી. ટી.વી. કેમેરા લગાડવામાં આવે અને કચરો ફેંકનારા સામે દંડાત્મક કાર્યવાહી થાય તો જ હલ આવે એમ છે. પરંતુ, એમાંય ભલામણોને કારણે તટસ્થ રીતે કાર્યવાહી થતી નથી. 1500 સ્થળોએ ગંદકી : એસ.બી.એમ. શાખાસ્વચ્છ ભારત મિશન શાખાના વડા નિખિલ ધામાણીએ જણાવ્યું હતું કે, શહેરના 1500 જેટલા સ્થળોએ ગંદકીના ગંજ જોવા મળતા હોવાનું ધ્યાને આવ્યું છે, જેથી તંત્ર અને લોકો સાથે સંકલન સાધી હલ શોધવા પ્રયાસરત છીએ. નગરસેવક ધીરેન લાલને કહ્યું હતું કે, લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તો જ ઉકેલ આવશે. સાફ કર્યા બાદ એકાદ કલાકમાં એજ સ્થિતિ થઈ જતી હોય છે. દંડાત્મક કાર્યવાહીનો વિકલ્પ ઉપયોગમાં લેવો પડશે.
આજવા રોડ સ્થિત કમલાનગર તળાવ સફાઈ માટે 60 શહેરીજનોએ 25 દિવસ શ્રમદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે 5 ટ્રેક્ટર ભરીને 2 વર્ષ જૂનું પ્લાસ્ટિક ખોદી કાઢી તળાવ સ્વચ્છ કર્યું છે. મેરી આસ્થા-મેરા દેશ સંસ્થા દ્વારા કમલાનગર તળાવને મોડલ તળાવ બનાવાશે. સંસ્થા શહેરનાં અન્ય તળાવોને પણ પાલિકા સાથે મળીને સાફ કરશે. મેરી આસ્થા-મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખ સુનીલ પરમારે જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો ત્યારથી 12 ઓક્ટોબર એટલે કે 25 દિવસ સુધી સંસ્થા દ્વારા આજવા રોડના કમલાનગર તળાવમાં રોજેરોજ 60થી વધુ લોકોએ સફાઈ કરી છે. દર રવિવારે સંસ્થાના સભ્યો કોર્પોરેશન સાથે મળીને તળાવની સાફ-સફાઈ કરે છે. જ્યારે છેલ્લા 25 દિવસમાં કમલાનગર તળાવમાંથી 5 ટ્રેક્ટર ભરાય તેટલો પ્લાસ્ટિક સહિતનો કચરો કાઢવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, મેરી આસ્થા-મેરા દેશ ટ્રસ્ટ દ્વારા કમલાનગર તળાવને દોઢ વર્ષ પહેલાં પણ સાફ કરવામાં આવ્યું હતું. તળાવમાં ફ્લોટિંગ વિસર્જન પોઈન્ટ બનાવાશે સુનીલ પરમારે કમલાનગર તળાવનું મોડલ લોકોને બતાવ્યું હતું. આ મોડલમાં એક ફ્લોટિંગ વિસર્જન પોઈન્ટ પણ બતાવ્યો હતો. જ્યારે પાણી ઓછું હશે ત્યારે આ ફ્લોટિંગ વિસર્જન પોઈન્ટ નીચે બેસી જશે અને પાણી ભરાશે ત્યારે આ પ્લેટફોર્મ તરીને ઉપર આવી જશે. આ તરતા વિસર્જન પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે ગેટ બનાવવામાં આવશે અને આસપાસ રેલિંગ પણ ઊભી કરવામાં આવશે. લોકો ફૂલ-પૂજાપાનો સામાન વિસર્જન કરી શકશે. લોકો તળાવમાં પોલિથિન સાથે પૂજાપાનો સામાન નાખે છે, પરંતુ આ વિસર્જન પોઈન્ટ પાસે 3 કુંડ પણ બનાવાશે. જેમાં એકમાં પોલિથિન નાખવાની રહેશે. બીજામાં આર્ટિફિશિયલ માળા, ચુંદડી મુકાશે, જ્યારે ફૂલ તરતા પ્લેટફોર્મ પર વિસર્જન કરી શકાશે. કાયાકિંગ કરીને પણ આ તળાવમાંથી પ્લાસ્ટિક કઢાયુંસુનીલ પરમાર પોતે સ્વિમર છે. તેમણે પાલિકાની પરવાનગી લઈને કાયાકિંગ કરીને કમલાનગર તળાવમાંથી 2 વર્ષ કે તેથી જૂનું પ્લાસ્ટિક જે તળાવમાં દબાયેલું હતું તે કાઢ્યું હતું. જ્યારે તળાવના કિનારે મૂકેલાં મંદિરો, ભગવાનના ફોટા પણ ભેગાં કરીને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
કાર્યવાહી:વોકળા ફળિયાની દુકાનમાંથી ચોરી કરનાર શખ્સ પકડાયો
ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદી જીગરભાઈ દામજીભાઈ ઠક્કરે પોતાની દુકાનમાંથી પતરા ખોલી 16 હજારના કિંમતની સિગરેટ,રજનીગાંધા અને મોબાઈલ ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબીની ટીમે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન બાતમીના આધારે આરોપી રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલાને આશાપુરા સ્કુલ પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે.
હત્યારી દુલ્હન:40 વર્ષીય પત્નીએ રૂપિયા માટે 60 વર્ષીય પતિને જીવતો સળગાવ્યો હતો
તાલુકાના સામત્રામાં ગંભીર રીતે દાઝેલા વૃદ્ધના બનાવમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં ભોગબનનારની યુવાન પત્નીએ જ પોતાના વૃદ્ધ પતિને રૂપિયા માટે જીવતો સળગાવ્યો હતો જેમાં વૃદ્ધનું મોત થતા સમગ્ર મામલો હવે હત્યામાં પલટાયો છે. 40 વર્ષીય પત્નીએ ભુજમાં મકાન લીધો હતો જેના રૂપિયા ભરવા વૃદ્ધ પતિ પાસે માંગણી કરી કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી. આરોપી પત્નીની પોલીસે અટકાયત કરી લીધી છે. આ બનાવથી ગામ સહિત પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી. આ બાબતે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સામત્રાના મૃતક 60 વર્ષીય ધનજીભાઈ ઉર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈએ માનકુવા પોલીસ મથકે પોતાની 40 વર્ષીય પત્ની કૈલાશબેન ધનજી કેરાઈ સામે શનિવારે રાત્રે ગંભીર હાલતમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી. જોકે બાદમાં તેમનું મોત થયું હતું. બનાવ શનિવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી વૃદ્ધની પત્નીએ ભુજમાં મકાન લીધેલો હતો. જેના રૂપિયા ભરવા માટે અવાર નવાર રૂપિયા માંગી ઝઘડો કરતી અને રૂપિયા લઇ જતી હતી. એ દરમિયાન આરોપી પત્નીએ હતભાગી પાસેથી મકાન માટે વધુ રૂપિયાની માંગણી કરી હતી. જેથી વૃદ્ધ પતિએ રૂપિયા આપવાની ના પાડતા આરોપી પત્ની તેમનો હાથ પકડી ઘરના આંગણામાં આવેલી ગેરેજમાં લઇ ગઈ હતી. જ્યાં બોટલમાં પડેલ કેરોસીન જેવો પ્રવાહી વૃદ્ધ પતિ પર છાંટી દઈ દીવાસળી ચાંપી સળગાવી દીધા હતા. જે બાદ પોતે ગેરેજની બહાર નીકળી જઈ દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને ઉપરના રૂમમાં ચાલી ગઈ હતી. આગ લાગતા હતભાગીએ રાડો પડી હતી અને આસપાસથી લોકો આવી ગયા હતા અને એમ્બ્યુલન્સ મારફતે તેમને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝેલા વૃદ્ધ પતિએ સારવાર દરમિયાન રવિવારે સાંજે ચાર વાગ્ય પ્રથમ પત્નીનું 4 વર્ષ પહેલા મોત, દોઢ વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતાહતભાગી વૃદ્ધના પહેલા લગ્ન લક્ષ્મીબેન સાથે થયા હતા અને તેમને સંતાનમાં ત્રણ દીકરા છે. પ્રથમ પત્નીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. જે બાદ દોઢ વર્ષ અગાઉ મહેસાણા જિલ્લાના હીરપુરામાં રહેતી આરોપી કૈલાશબેન કનુસિંહ ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા અને સામત્રામાં બન્ને સાથે રહેતા હતા. 18 તોલાના સોનાના દાગીના પડાવી લીધા હતાહતભાગી વૃદ્ધ દોઢ વર્ષ અગાઉ લગ્ન કરી આરોપી પત્નીને સામત્રા લઇ આવ્યા હતા. જે બાદ આરોપી પત્નીએ પતિની પહેલી પત્નીના 18 તોલાના સોનાના દાગીના મંગળસુત્ર,પાટલા,કંઠી અને વીંટીઓ પડાવી લઇ પોતાની પાસે રાખી લીધા હતા.વૃદ્ધ પતિ તેની પાસે દાગીના માંગતા ત્યારે આપવાની ના પાડી ઝઘડો કરતી અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી.જે બાબતે હતભાગી વૃદ્ધે પોતાના દીકરા અને સમાજના માણસોને પણ વાત કરી હતી. સંતાન ન થતા છુટાછેડા બાદ મેરેજ બ્યુરોથી પરિચય થયો હતો અને લગ્ન કર્યાસમગ્ર મામલે માનકુવા પોલીસ મથકના પીઆઈ પી.પી.ગોહિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપી મહિલાના અગાઉ લગ્ન થયેલા હતા. પ્રથમ પતિ સાથે લગ્ન જીવન દરમિયાન તેને સંતાન પ્રાપ્તિ ન થઇ હોવાથી તેની સાથે લગ્ન જીવન તોડી નાખ્યો હતો. જે બાદ મેરેજ બ્યુરો મારફતે સામત્રાના હતભાગી વૃદ્ધ સાથે પરિચય થયો અને લગ્ન કર્યા હતા.
ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગોકુળમાં શરૂ કરાયેલી અન્નકૂટની પાવન પરંપરાને આગળ ધપાવતા, ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર તેના 15 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં એક ભવ્ય દીપોત્સવ અને મહાઅન્નકૂટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે મંદિરને 1.51 લાખ દીવડાઓથી સુશોભિત કરાશે અને ભગવાનને 175થી વધુ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવશે. મંદિરના કાર્યવાહક સંત કોઠારી દેવપ્રકાશદાસજીએ વિગતો આપતાં જણાવ્યું કે, છેલ્લા 15 વર્ષોમાં મંદિર દ્વારા આયોજિત અન્નકૂટ ઉત્સવોમાં 25 લાખથી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો છે. આ વર્ષે પણ આશરે બે લાખ ભક્તોને પ્રસાદ પહોંચાડવાનું લક્ષ્ય છે. મહાઅન્નકૂટમાં હજારો મણ અનાજ, સુકામેવા અને અન્ય ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિરના મહંતસ્વામી ધર્મનંદનદાસજી અને ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજીના માર્ગદર્શન હેઠળ 100થી વધુ સંતો, પાર્ષદો, સત્સંગી ભાઈ-બહેનો અને સાંખ્યયોગી બહેનો આ સેવાકાર્યમાં જોડાયા છે. અન્નકૂટની ભવ્યતાઆ વર્ષે મહાઅન્નકૂટ માટે 175થી વધુ વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં મૈસુર, ફાફડા, સુખડી, મોહનથાળ, અડદિયા, પેંડા અને બરફી જેવા મિષ્ટાન અને ફરસાણનો સમાવેશ થાય છે. આ માટે 19 હજાર કિલો લોટ, 5 હજાર કિલો ફાફડા, 3500 કિલો મગજ, 750 ગુણી ખાંડ, 750 દેશી ઘીના ડબ્બા અને 400 તેલના ડબ્બા જેવી વિપુલ સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ વર્ષના અન્નકૂટની વિશેષતા એ છે કે તેનો પ્રસાદ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં વસતા હરિભક્તો સુધી પહોંચાડવામાં આવશે. અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુ.એ.ઈ. જેવા દેશોમાં એર કાર્ગો દ્વારા પ્રસાદ મોકલવાની વ્યવસ્થા કરાઇ છે. દિપોત્સવીના કાર્યક્રમની રૂપરેખા
મંડે પોઝિટીવ:દર્દીઓને ફ્રીમાં મેડિકલ સાધનની સહાય કરતી સંસ્થાને દાતાએ ભાડા વિના દુકાન આપી દીધી
બાપુનગરમાં 21 વર્ષથી ચાલતી શ્રી કૃષ્ણ સેવા રથ દ્વારા સુદામા દર્દીઓને 28થી વધુ જાતના મેડિકલ સાધનો વિનામૂલ્યે આપે છે. અત્યાર સુધીમાં 25 હજારથી વધુ દર્દીએ લાભ લીધો છે. તેમની કામગીરી જોઈ એક દાતાએ સેવા કાર્ય કરવા, સાધનો મૂકવા માટે ભાડા વિના દુકાન વાપરવા આપી છે. સંસ્થાના ફાઉન્ડર નટવર નાકરાણીએ જણાવ્યું કે મારા પિતાને શ્વાસની બીમારી હોવાથી વારે ઘડીએ દવાખાને લઈ જવા પડતા હતા. આ તકલીફ જોઈને મને દર્દીઓ માટે સેવા કરવાની પ્રેરણા મળી. 1992માં મિત્રના મેડિકલ સ્ટોર પર બેસીને જરૂરિયાતમંદ દર્દીની દવા ખરીદવા ક્રાઉડ ફંડિંગ કરતો હતો. બાદમાં એક મિત્રે સેવા કરવા રૂ.70 હજાર આપ્યા તેનાથી મેં મેડિકલના 7 સાધનો ખરીદ્યા હતા. જે મારી ભાડાની દુકાનની સાથે રાખીને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે આપતો હતો. ધીરે ધીરે લોકોનો સપોર્ટ મળતો ગયો એમ સાધનો વધતા ગયા. કોરોનામાં મારી કામગીરી જોઈને દાતા પુરુષોત્તમ ઘેવરીયાએ 2021 માં મને ખોડિયાર નગર ખાતેની તેમની દુકાન ભાડા વગર જ આપી છે. સંસ્થાના ફાઉન્ડરે કહ્યું કે, પિતાને વારે ઘડીએ દવાખાને લઈ જવા પડતાં હોવાથી દર્દીઓની સેવા કરવાની પ્રેરણા મળી 1 મહિના સુધી ફ્રી ત્યારબાદ ભાડું 1થી 5 રૂપિયા દૈનિકશરૂઆતમાં વિનામૂલ્યે સાધનો આપતા હતા પરંતુ લોકો પરત ન આપતા હોવાના લીધે લીધે હવે એક મહિના સુધી સાધનો ફ્રીમાં અપાય છે. એ પછી એક રૂપિયાથી લઈને પાંચ રૂપિયા સુધીનું દૈનિક ભાડું લેવાય છે. અમદાવાદ સિવાય સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાંથી લોકો સાધનો લેવા આવે છે.સેવા કાર્ય કરશે ત્યાં સુધી દુકાનનું ભાડું લઈશું નહીંએક મિત્ર થકી આ સંસ્થાની માહિતી મળી હતી . તેમના સેવા કાર્યો જોઈને મેં મારી દુકાન ભાડા વિના જ તેમને વાપરવા આપી દીધી છે. જ્યાં સુધી તેઓ આ કાર્ય કરશે ત્યાં સુધી આ દુકાન તેમને ફ્રીમાં વાપરવા આપીશું. > પુરુષોત્તમ ઘેવરિયા, દાતા
ગટરની સમસ્યા:માધાપર જૂનાવાસ પંચાયતને મળેલા ટેન્કર, કચરો ઉપાડવાની ગાડીઓ, સફાઈના સાધનો સડી ગયા
માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી, ગટરની સમસ્યા અને રખડતા ઢોરનો ત્રાસ વધતા સ્થાનિક મુશ્કેલીમાં મુકાયા છે. કચરો ઉપડવાની પણ પંચાયત દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા રખડતા ઢોર કચરો ખાઈ રહ્યા છે. જનતાના ટેક્સના પૈસા માંથી ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ અન્ય ગ્રાન્ટ માંથી સફાઈ માટેના સાધનો મળ્યા હતા. જેમાં ટ્રેક્ટર, ઈલેક્ટ્રીક રીક્ષા, પાણીના ટેન્કર તેમજ ગટર સફાઈ માટે પ્રેસર પંપવાળા ટેન્કરનો ઉપયોગ ન થતા તે પડ્યા પડ્યા સડી ગયા હોવાનું સામે આવ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા ઈલેક્ટ્રીક રીક્ષા ગ્રામ પંચાયતને મળી હતી, પરંતુ તે રીક્ષાનો કચરો ઉપાડવા માટે ઉપયોગ થયો જ નહીં, અને આખરે તે સડી ગઈ પંચાયતને 11 માં નાણાપંચની નવી રિક્ષા મળી હતી, તેની પણ હાલ દૂરદશા થઈ ગઈ છે. તાલુકા પંચાયત દ્વારા મળેલ પાણીના ટેન્કરની પણ એ જ હાલત છે. જિલ્લા પંચાયત દ્વારા જુનાવાસ ગ્રામ પંચાયતને ગટરની સાફ-સફાઈ માટે 15 ટકા વિવેકાધીન ગ્રાન્ટ વર્ષ 2018 19 માંથી સફાઈ માટે નવા ઈલેક્ટ્રીક પ્રેશર પંપ વાળું ટેન્કર મળ્યું હતું, પણ તે પણ પડ્યું પડ્યું ખરાબ થઈ ગયું છે. પોલીસ ચોકી પાછળ વિસ્તારમાં પાણીનો ટાંકો
ભાસ્કર એનાલિસીસ:ગુજરાતને દર ચોમાસામાં 1151 કરોડનું નુકસાન
છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં વર્ષે સરેરાશ 175 લોકો ચોમાસામાં પૂરના કારણે મૃત્યુ પામે છે. સેન્ટ્રલ વોટર કમિશન(CWC)ના ‘રિપોર્ટ ઑન ફ્લડ ડેમેડ સ્ટેટેસ્ટિક્સ’ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને ચોમાસામાં વર્ષે સરેરાશ 1151 કરોડનું નુકસાન થયું હતું. જેમાં પૂરના કારણે ખેડૂતોને થયેલ પાકનું નુકસાન, ઘરો અને જાહેર મિલકતોને થયેલ નુકસાન સામેલ છે. એક દાયકામાં રાજ્યમાં વાર્ષિક સરેરાશ 7.20 લાખ હેક્ટરમાં 580 કરોડના પાકને નુકસાન થાય છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 47 લાખથી વધુ ગુજરાતીઓ વર્ષે પૂર કે અતિભારે વરસાદને લીધે અસરગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત એક દાયકામાં વર્ષે સરેરાશ 12 હજારથી વધુ પશુઓ પણ મૃત્યુ પામ્યા હતા. છેલ્લા 70 વર્ષમાં ગુજરાતમાં 10 હજારથી વધુ વ્યક્તિઓ પૂરના કારણે મોતને ભેટ્યા હતા. આ રિપોર્ટમાં 1953થી 2022 પૂરથી થયેલા નુકસાનની માહિતી આપવામાં આવી છે. 5 વર્ષમાં દેશમાં 7.72 લાખ પશુનાં મોત થયાંછેલ્લાં 5 વર્ષમાં પૂરના કારણે દેશમાં 9111 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 7.72 લાખ પશુઓના મોત થયા હતા. 2018થી 2022 દરમિયાન વર્ષે સરેરાશ 3.5 કરોડ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા હતા. કુલ 3 કરોડથી વધુ હેક્ટરમાં 67 હજાર કરોડથી વધુના પાકને નુકસાન થયું હતું. 26.47 લાખ ઘરોને 10 હજાર કરોડથી વધુનું નુકસાન થયું હતું. જાહેર મિલકતોને 53 હજાર કરોડ અને કુલ 1.31 લાખ કરોડનું નુકસાન થયું હતું. ટોપ-10 નુકસાનવાળાં રાજ્યમાં ગુજરાતપૂરના કારણે ખેતીમાં પાક, ઘરો અને જાહેર મિલકતોને થયેલા કુલ નુકસાનમાં ગુજરાત ટોપ-10માં છે. 2018થી 2022 દરમિયાન ગુજરાતમાં કુલ 5753 કરોડનું નુકસાન થયું છે. સૌથી વધુ રાજસ્થાનમાં 26271 કરોડ, પ.બંગાળમાં 17407 કરોડ, કેરળમાં 12577 કરોડ, આંધ્ર પ્રદેશમાં 11703 કરોડ, આસામમાં 11513, મહારાષ્ટ્રમાં 10526, બિહારમાં 7261 કરોડ, તમિલનાડુમાં 7041 કરોડ અને કર્ણાટકમાં 6596 કરોડનું નુકસાન થયું હતું. 70 વર્ષમાં ગુજરાતમાં 10 હજાર લોકોના મોત1953થી 2022 દરમિયાન ગુજરાતમાં 10 હજારથી વધુ વ્યક્તિઓના પૂરના કારણે મોત નીપજ્યા હતા. આ દરમિયાન પાકને 5474 કરોડ, 22 લાખ ઘરોને 4701 કરોડ, જાહેર મિલકતોને 4761 કરોડનું નુકસાન થયું હતું. કુલ 7.34 લાખ પશુઓના મોત પૂરમાં થયા હતા. આ 70 વર્ષ દરમિયાન કુલ 15 હજાર કરોડથી વધુનુ નુકસાન ગુજરાતને થયું હતું. 2017માં સૌથી વધુ 3500 કરોડનું નુકસાન થયુ હતું. છેલ્લા 5 વર્ષમાં નુકસાન સરેરાશના આધારે કરોડમાં) રાજ્યમાં વર્ષે સરેરાશ 16 લાખ હેક્ટર વિસ્તાર પૂરની ચપેટમાં આવી જાય છે વિગત - નુકસાન
સુરક્ષા સામે સવાલ ઊઠ્યા:એરપોર્ટ પર ચુસ્ત સિક્યોરિટી વચ્ચેથી મહિલા ચેક ઇન કાઉન્ટર સુધી પહોંચી
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર એક રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના સામે આવી છે, જે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે. એક મહિલા પેસેન્જર ઈન્ડિગોની ગોવા જતી ફ્લાઈટ માટે વહેલી સવારે 4:55ની ટિકિટ ધરાવતી હતી, પરંતુ તેને એવું લાગ્યું કે ફ્લાઈટ બપોરની છે અને તે લગભગ બપોરે એરપોર્ટ પહોંચી ગઈ. તેણે એરપોર્ટના પ્રવેશદ્વાર પરથી સરળતાથી ટર્મિનલની અંદર પ્રવેશ મેળવી લીધો. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, પ્રવેશદ્વાર પર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) તરફથી પેસેન્જરની ટિકિટ તથા ઓળખપત્ર તપાસવામાં આવે છે અને ટિકિટનો બારકોડ ફરજિયાત સ્કેન કરાય છે. તેથી સવાલ એ છે કે જ્યારે ટિકિટ પર સમય સવારના 4.55 દર્શાવાયેલો હતો ત્યારે એ ટિકિટ બપોરે કેમ માન્ય રાખવામાં આવી? શું સીઆઈએસએફ કર્મચારીઓએ ટિકિટ સમય પર યોગ્ય ધ્યાન આપ્યું ન હતું? ટર્મિનલમાં કેવી રીતે પહોંચી? આમ એરપોર્ટ સુરક્ષા સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મહિલા રવિવારે બપોરે ડિપાર્ચર ગેટ પરથી પ્રવેશ કરી એરલાઇનના ચેક-ઇન કાઉન્ટર સુધી પહોંચી ગઈ હતી. જ્યારે તેણે બોર્ડિંગ પાસ મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે એરલાઇન સ્ટાફના ધ્યાને આવ્યું હતું કે, તેની ફ્લાઇટ તો વહેલી સવારની હતી, જે તે પહેલેથી જ મિસ કરી ચૂકી હતી. આ મુદ્દે તપાસ બાદ એરલાઇન દ્વારા તેને નવી ટિકિટ ઇશ્યૂ કરી સાંજે 7.50 કલાકે ગોવાની બીજી ફ્લાઇટમાં ટ્રાન્સફર આવી. જોકે ટર્મિનલ સુધી મહિલાનું પહોંચવું જ એ સુરક્ષા વિભાગ માટે ચિંતાજનક બાબત છે.
અંગદાન:30 વર્ષના બ્રેઇનડેડ યુવકની ત્વચા, આંખોનું દાન
સિવિલમાં 30 વર્ષીય મૃતક દર્દીનાં સગાં દ્વારા ચામડી અને બે આંખનું દાન કરાયું છે, જેને પગલે સિવિલ હોસ્પિટલમાં 26મુ ચામડીનું દાન પ્રાપ્ત થયું છે. ચામડીનું દાન સિવિલની સ્કિન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદેએ જણાવ્યું હતું કે, 10 ઓકટોબરે સિવિલ હોસ્પિટલમાં દાખલ 30 વર્ષીય કિશન મકવાણા નામના દર્દીનું અવસાન થયું હતું. તેમના ભાઈ સાહિલ મકવાણાને સિવિલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા ત્વચા અને આંખોના દાન માટે સમજ આપી હતી. ત્યાર બાદ કિશનભાઇના ભાઈએ ત્વચા તેમ જ આંખોનું દાન કરવા સંમતિ આપી હતી. ત્યાર બાદ પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડોક્ટરોની ટીમે મૃતક કિશનના પીઠના ભાગેથી ચામડી મેળવી હતી. આ ચામડીના દાન સાથે સિવિલ હોસ્પિટલમાં 26મુ ચામડીનું દાન પ્રાપ્ત થયું છે. સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે કે, ચામડી દાનથી પ્રાપ્ત થયેલી ત્વચાને ગંભીર રીતે બળેલા દર્દીઓને નવી આશા મળે છે. મૃત્યુ પછી મળેલી ચામડી દાઝેલા દર્દીઓને ઇન્ફેક્શનથી બચાવવાની સાથેે પીડા ઘટાડે છે.
ગંભીર અકસ્માત સર્જાયો:સ્કોર્પિયોચાલકે ત્રણ વાહનને એડફેટે લીધાં, બાળક ગંભીર
ન્યૂ સીજી રોડ પાસે કાળા રંગની સ્કોર્પિયોના ચાલકે ત્રણ વાહનને અડફેટે લીધાં હતાં, જેમાં બાઇક પર જતા જિતુભાઈ ભોજાયા તેમની પત્ની, બાળકને ઇજા પહોંચી હતી. જ્યારે 12 વર્ષીય મૌર્યને જમણા પગે ફ્રેક્ચર થયું હતું. આ બનાવ અંગે એલ ટ્રાફિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. ચાંદખેડામાં રહેતા જિતુભાઈ ભોજાયા (45)એ ટ્રાફિક પોલીસમાં અકસ્માત કરી નાસી ગયેલા અજાણ્યા કારચાલક સામે એલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જિતુભાઈ, પત્ની અને 12 વર્ષીય પુત્ર મૌર્ય સાથે શનિવારે રાતે હોટલમાં જમવા ગયાં હતાં અને પાછા ફરી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી.
દિવાળીને હવે અઠવાડિયું બાકી છે અને શહેરભરમાં મીઠાઈ, વિવિધ ફરસાણોથી દુકાનો ભરાઈ ગઈ છે. લોકોએ ખરીદી પણ શરૂ કરી દીધી છે, પરંતુ આવી તળેલી વાનગીઓ આપણા આરોગ્ય માટે હેલ્ધી છે કે કેમ તે માટે મ્યુનિ. પાસે માત્ર બે મોબાઇલ ટેસ્ટિંગ વાન છે. આ બંને વાન રોજ માંડ 3થી 4 સેમ્પલ જ તપાસી શકે છે, કારણ કે છેલ્લાં ચાર વર્ષમાં મ્યુનિ.ની મોબાઇલ વાન આખા શહેરમાંથી માત્ર 3853 સેમ્પલ તપાસી શકી છે, જેમાંથી માત્ર 16 જ ફેઇલ ગયા હતા. મ્યુનિ.એ વર્ષ 2022માં મોબાઇલ ટેસ્ટિંગ લેબની સુવિધા શરૂ કરી હતી. મોબાઇલ ટેસ્ટિંગ લેબ દ્વારા તેલમાંથી બનતી વાનગીઓનું સ્થળ પર તપાસ કરવામાં આવે છે. તપાસ કરીને ટોટલ પોલર કાઉન્ટ માપવામાં આવે છે, જેમાં રોજના સરેરાશ 3થી 4 સેમ્પલ જ તપાસી શકાય છે. મોબાઇલ ટેસ્ટિંગ લેબની બસમાં એક લેબ ટેક્નિશિયન અન્ય બે સ્ટાફ હોય છે. ચાલુ વર્ષે મોબાઇલ ટેસ્ટિંગ લેબે 762 સેમ્પલની તપાસ કરી હતી અને તેમાંથી એક પણ સેમ્પલ ફેલ થયું ન હતું. ગત વર્ષે પાંચ સેમ્પલ, વર્ષ 2023માં સાત સેમ્પલ અને 2022માં માત્ર ચાર સેમ્પલ નાપાસ થયા હતા. જે વેપારીના સેમ્પલ નાપાસ આવ્યા હતા તેમને 5થી 30 હજાર સુધીનો દંડ ભરી છોડી દેવાયા હતા. એક તેલમાં વારંવાર તળાતી વાનગીથી ફેટી લિવરનું જોખમ રહે છે: ન્યુટ્રિશનિસ્ટએક જ તેલમાં તળાતી વાનગીઓ આરોગવાથી ફેટી લિવર, હાઈ કોલેસ્ટ્રોલ અને બીપીની સમસ્યા થાય છે. જોકે લાંબા સમય સુધી આ પ્રકારનું ફૂડ લેવાથી કેન્સરનું જોખમ પણ રહે છે. આવી વાનગીઓનું વેચાણ વધ્યું છે. લોકોને સ્વસ્થ્ય આહાર મળે તો તેઓનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેશે. -પ્રદીપ કૌશિક, ન્યુટ્રિશિયનિસ્ટ આખા શહેરમાંથી માત્ર 0.41 ટકા સેમ્પલ જ ફેલ? આવું કેમ?ચાર વર્ષમાં લેવાયેલા સેમ્પલમાંથી ફક્ત 16 નાપાસ થયા હતા. એટલે કે મોબાઇલ ટેસ્ટિંગ લેબ દ્વારા લેવાયેલા છેલ્લા ચાર વર્ષમાં નમૂનામાંથી માત્ર 0.41 ટકા સેમ્પલ નાપાસ થયા હતા. મેડિકલ ઓફિસરે કહ્યું- આ વિશે હું કશું કહી શકીશ નહિફૂડ વિભાગના એડિ. હેલ્થ મેડિકલ ઓફિસર ડો. ભાવિન જોષીનો સંપર્ક કરતા તેમણે કહ્યુંં કે, આ વિશે હું કશું કહી નહિ શકું, મારી પાસે આંકડા નથી. ત્યાર બાદ વારંવાર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પણ તેઓ મળ્યા ન હતા. કયા વિસ્તારમાં કેટલા સેમ્પલ ફેલ થયાં
ખંટબાની મહિલાને પ્રસુતી માટે ખોડીયારનગર ચાર રસ્તા પાસે સાયુજ પ્રસુતિ ગૃહ એન્ડ લેબોરેટરીમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાના ગર્ભમાં જ નવજાતનું મૃત્યુ થયું હતું જ્યારે મહિલાને આઇસીયુમાં દાખલ કરવા અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા બાદ મહિલાનું પણ મોત નિપજ્યું હતું. પરિવારે આક્ષેપ કર્યા હતા કે, ‘પ્રસુતિ સમયે તબીબ હજાર ન રહેતા બાળકનું ગર્ભમાં જ મોત થયું હતું. લોહી વધુ વહી ગયું હતું. મહિલાના ગર્ભાશયની કોથળી ફાટી જતા ઓપરેશન કરી તેને અન્ય હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં પ્રસુતાનું પણ મોત થયું હતું.’ બાપોદ પોલીસને જાણ કરાતાં તપાસ હાથ ધરી હતી. પરિવારે આક્ષેપ કર્યા હતા કે, ખંટબા ખાતે રહેતા 27 વર્ષીય મિત્તલબહેન ભાલીયાના લગ્ન સિંકદરપુરા થયા હતા. શુક્રવારે સાંજે પ્રસુતિની પીડા ઉપડતાં ખોડીયાર નગર ચાર રસ્તા પાસે આવેલા સાયુજ પ્રસુતિ ગૃહ એન્ડ લેબોરેટરીમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોડી સાંજે પીડા વધતાં પરિવારે તબીબને સિઝર કરીને પ્રસુતિ કરવા જણાવ્યું હતું. તબીબે જણાવ્યું હતું કે, સવારે પ્રસુતાની નોર્મલ ડિલિવરી કરીશું. સવારે પ્રસુતિ સમયે તબીબ ન આવતાં બાળકનું ગર્ભમાં મોત થયું હતું. મિત્તલબેનને રક્ત સ્ત્રાવ બંધ ન થતાં તપાસ કરતા ગર્ભાશયની કોથળી ફાટી ગયાનું જણાતાં ઓપરેશન કર્યું હતું. બાદમાં આઈસીયુની જરૂર પડતા નજીક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. પોલીસે મૃતદેહ કબ્જામાં લઈને તપાસ હાથ ધરી હતી. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલાની પોસ્ટમોર્ટમ નોટના આધારે વધુ તપાસ કરીશું. 1 કલાકની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યોમિત્તલબેનના પિતા વિક્રમ ઠાકરડાએ જણાવ્યું કે, મારા ભાભીએ રાત્રે જણાવ્યું હતું કે, દીકરીને પીડા થાય છે, તમે તબીબને બોલાવો, ત્રણ વાર ફોન કર્યા તેમ છતાં તબીબ આવ્યા નહોતા. જેના કારણે બાળક અને મારી દીકરીનું મોત થયું છે. જ્યાં સુધી લેખિતમાં ફરિયાદ નહીં લે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. આ ઘટનામાં તબીબની ભુલ છે. આજે મારી દીકરી હતી, કાલે કોઈ બીજાની દીકરી સાથે આવું થશે. ઉલ્લેખનીય છે કે, મિત્તલના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ બપોરે 1 વાગ્યાના અરસામાં થયું હતું. પોલીસ દ્વારા પરિવારને 1 કલાક સમજાવવામાં આવ્યો હતો. જે બાદ તેઓએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. મહિલા અમારે ત્યાં સ્ટેબલ હતી, આઇસીયુની જરૂર પડતાં અન્યત્ર ખસેડી હતીમહિલાની પહેલી ડિલિવેરી નોર્મલ થઈ હતી, જેથી પરિવારની પણ ઈચ્છા હતી કે બીજી ડિલિવરી નોર્મલ થાય. પ્રસુતિમાં કેટલીક દુવિધાઓ ઊભી થતાં બાળકનું મોત થયું હતું. હું હોસ્પિટલમાં ગયો હતો ઉપરાંત કેટલાક વધુ તજજ્ઞ તબીબોની જરૂર પડતા અન્ય તબીબોને પણ બોલાવી લેવામાં આવ્યા હતા. ઓપરેશન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. મહિલાને આઈસીયુની જરૂર હોવાને કારણે અન્ય તબીબોની સલાહ મુજબ દર્દીને અન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. મારે ત્યાંથી દર્દી ગયા ત્યારે તે સ્ટેબલ હતા. > ડો.સાયુજ ફળદુ, સાયુજ હોસ્પિટલ
શિક્ષણ વિભાગે રાજ્ય પરીક્ષા બોર્ડે કરેલી દરખાસ્ત મુજબ વર્ષ 2011ના ઠરાવમાં દર્શાવેલા કોર્સના મુદ્દાઓમાં રચનાત્મક અને સ્તરીય ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ ફેરફારમાં પરીક્ષાના પાયાગત માળખામાં કોઈપણ ફેરફાર કરાયો નથી, પરંતુ ટેટ-1 અને ટેટ-2ના કોર્સને વધુ સ્પષ્ટ વિવરણાત્મક બનાવ્યો છે. જાણકારોના મતે આ કોર્સને સીટીઈટી (સેન્ટ્રલ ટીચર્સ અેલિજિબિલીટી) ટેસ્ટને સુસંગત કરાયો છે, જેના કારણે ટેટની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સીટીઈટીની તૈયારી કરવામાં સરળતા રહેશે. શિક્ષણશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે ધોરણ 1થી 5માં પ્રાથમિક શિક્ષક અભિયોગ્યતા કસોટી (ટેટ-1) અને ધોરણ 6થી 8માં પ્રાથમિક અભિયોગ્યતા કસોટીને લગતી જોગવાઈઓમાં ફેરફાર કરાયા છે. આ કોર્સની જાહેરાત અંતર્ગત વિભાગ દીઠ મુદ્દાઓ અને પેટા મુદ્દાઓ સ્પષ્ટ રીતે મળી ગયા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રને સંતુલિત રીતે ચકાસી શકશે. પ્રશ્નપત્રની બ્લુ પ્રિન્ટ વધુ સંતુલિત અને અસરકારક બનશે. ટેટની પરીક્ષાના પાયાગત માળખામાં કોઈ ફેરફાર નથી • ટેટ-1- 2નો કોર્સને વધુ સ્પષ્ટ અને વિવિરણાત્મક બનાવાયો છે. • ટેટ-1ના કોર્સમાં 5 વિભાગ અને ટેટ-2ના 2 વિભાગને યથાયોગ્ય રખાયો છે. • પરીક્ષાના પાયાગત માળખામાં કોઈ ફેરફાર કરાયો નથી. • વિભાગ 1માં બાળ વિકાસ અને બાળ મનોવિજ્ઞાનના ઘટકો સ્પષ્ટ રીતે દર્શાવીને વિશિષ્ટ જરુરિયા ઘરાવતા બાળકોના શિક્ષણના પાંચ ગુણના પ્રશ્નો જોડાયા. • અધ્યયન- શૈક્ષણિક શાસ્ત્રના 10 ગુણના પ્રશ્નોના મુદ્દા સ્પષ્ટ રીતે દર્શાવાયા.
યુવક ઉપર હુમલો:નાણાંની લેતી-દેતીમાં વૃંદાવન ટાઉનશિપમાં ખંજર-તલવાર સાથે 2નો યુવક ઉપર હુમલો
હરણી રોડ ખાતેની વૃન્દાવન ટાઉનશીપમાં મજૂરી કામ બાબતે પૈસાની લેતી-દેતીમાં થયેલા ઝઘડાની અદાવતે બે શખસે યુવક પર ખંજરથી હુમલો કર્યો હતો. યુવક જીવ બચાવી દોડતો હોવાના સીસીટીવી વાયરલ થયા હતા. ત્યારે વારસીયા પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ રોડ દરબાર રેસિડેન્સીમાં રહેતો 22 વર્ષિય ઉવેષ ઝાકિર શેખ મજૂરી કરે છે. શનિવારે તે હરણી રોડની વૃન્દાવન ટાઉનશીપ નજીકની મિત્ર બદરૂદ્દીનની ઈસામ તાલા-ચાવીવાલા નામની દુકાને ગયો હતો. બપોરે દોઢ વાગ્યા આસપાસ ફરદીન યાસીન દિવાન અને શરફુદીન ઉર્ફે શેકુ મુસ્તાક્શા દિવાન (બંને રહે, કુંભારવાડા) આવ્યા હતા. ફરદીને બુમ પાડીને ઉવેષને આશીષ હોટલ પાસે બોલાવ્યો હતો. જેથી ઉવેષ ત્યાં જતા ફરદીન અપશબ્દો બોલવા લાગ્યો હતો. તે કહેતો હતો કે, તને ચરબી આવી ગઈ છે, તને ભાઈ બનવાનો શોખ છે. જેથી ઉવેષે અપશબ્દો બોલવાની ના પાડતા ફરદીન ઉશ્કેરાઈ ગયો હતો અને હું તને જોઈ લઈશ તેમ કહી જતો રહ્યો હતો. થોડીવારમાં ફરી બંને પરત આવ્યા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ વખતે ફરદીન તલવાર લઈને ઉવેષને મારવા જતા તેણે સ્વબચાવમાં ફરદીનના હાથમાં જ તલવાર વાળી દીધી હતી. જોકે આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. જેથી ફરદીન અને શરફુદીન ત્યાંથી ભાગી ગયા હતા. થોડીવાર પછી ફરી બંને આવી ગયા હતા અને ફરદીને ખંજર કાઢીને મારવા જતા ઉવેષના હાથે તે ખંજર વાગી ગયું હતું. ત્યારબાદ બંને ઉવેષને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. આ ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા. જેમાં યુવક પોતાનો જીવ બચાવી ભાગતો દેખાઈ છે અને તેની પાછળ યુવકો ખંજર લઈને દોડે છે. ઘટના સામે આવ્યા બાદ વારસીયા પોલીસે આ મામલે ગુનો નોંધીને બંને યુવકને પકડી પાડ્યા હતા અને તેમની સામે ગુનો નોંધીને કાન પકડાવી માફી મગાવી હતી. જૂની અદાવતે યુવક ઉપર હુમલો કરાયોત્રણેય મિત્રો જ છે અને સાથે હાથીખાનામાં મજુરી કામ કરતા હતા. અગાઉ તેમને મજુરી બાબતે પૈસાની લેતી-દેતીનો ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને હુમલો કરાયો હતો. ઘટનામાં ગુનો નોંધીને બે સામે કાર્યવાહી કરી છે. > એસ.એમ. વસાવા, પીઆઈ, વારસિયા પોલીસ સ્ટેશન
સ્પેશિયલ એજ્યુકેટર્સની નિમણૂક માટે પરિક્ષા:સ્પેશિયલ ટેટ-1માં 79.69, ટેટ-2માં 84.33 ટકા હાજરી નોંધાઈ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યની 30 હજાર સરકારી અને અનુદાનિત સ્કૂલો પૈકી જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ ભણતા હોય તેવી શાળાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એજ્યુકેટર્સની નિમણૂક માટે સ્પેશિયલ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા રવિવારે બે શિફ્ટમાં યોજાઈ હતી. જેમાં સવારે 11થી 1માં ટેટ-1 ( પ્રાથમિક શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પે.શિક્ષક ધો.1-5)ની પરીક્ષા માટે નોંધાયેલા 2206 વિદ્યાર્થીઓ પૈકી 1578 ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 448 વિદ્યાર્થી ગેરહાજર હતા. જેથી 79.69 ટકા હાજરી નોંધાઈ હતી. જ્યારે બપોરની શિફ્ટની ટેટ-2 (પ્રા.શાળાના ધો.6-8માં દિવ્યાંગ વિદ્યાર્થીઓના સ્પે.શિક્ષકની) પરીક્ષા 3-5 દરમ્યાન યોજાઈ હતી. જેમાં નોંધાયેલા 1933 વિદ્યાર્થીઓ પૈકી 1632 ઉપસ્થિત રહેતા 84.33 ટકા હાજરી નોંધાઈ હતી. અમદાવાદ (શહેર), રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરમાં ટેટ 1-2નું આયોજન કરાયું હતું. પરીક્ષા અંગેની તમામ માહિતી http;//www.sebexam.org વેબસાઈટ પર જોવા મળશે. પરીક્ષાનું પરિણામ 1 નવેમ્બર આસપાસ જાહેર થશે. સ્પેશિયલ ટેટ-1 હાજરી રિપોર્ટ સ્પેશિયલ ટેટ-2 હાજરી રિપોર્ટ
શહેરની શાળાઓના સ્પોર્ટ્સ ક્ષેત્રના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓના માનસિક સ્વાસ્થની સાથે સાથે દાંતના સ્વાસ્થ્ય (ડેન્ટલ હેલ્થ ઓરલ હાઇજિન)ની જાળવણી પણ મહત્ત્વની છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી દિવાળી પછી શહેરની 1800 સ્કૂલના 5 લાખ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ‘ક્રીડા દંત સુરક્ષા -બાળ મુસ્કાન અભિયાન’ અંતર્ગત પ્રત્યક્ષ ડેમોસ્ટ્રેશન થકી માર્ગદર્શન હાથ ધરાશે. જેના ભાગરુપે સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ડેન્ટલ ઈન્જરી રોકવા અને આ સમસ્યા થાય તો શું કરવું, પેઢાના રોગથી થતા નુકસાનને બચાવવા ઓરલ હાઈજીનની જાળવણી સહિતની ડેન્ટલ હેલ્થની જાળવણીને લગતા તમામ પ્રકારના પાસાઓથી અવગત કરાશે. આ માટે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા વિવિધ બોર્ડની, સરકારી-ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં ડો. કુંજલ જૈમિન પટેલ અને તેમની ટીમની અનુકૂળતા મુજબ શાળા કક્ષાએ કાર્યક્રમ કરશે. હાલના આધુનિક સમયમાં યુવા પેઢીમાં ફાસ્ટ ફૂડ - ઝંક ફૂડ, આઈસક્રીમનું સેવન વધી ગયું છે, બીજી તરફ દાંતની પ્રોપર સફાઈ ના થવાના કારણે દાંત- પેઢાના રોગોની સમસ્યા સર્જાઈ છે. આ ઉપરાંત સ્કૂલમાં વિવિધ સ્પોર્ટસ રમતી વખતે ખેલાડીઓના દાત તૂટી જતા હોય છે. આમ ડેન્ટલની સમસ્યાનુ નિવારણ લાવવા માટે આ સમગ્ર ઉપક્રમ હાથ ધરાયો છે. દાંતની ઈજાને રોકવા, તેની સારવાર માટે માર્ગદર્શન અપાશેશહેર ડીઈઓના સંકલનમાં શહેરની વિવિધ સ્કૂલોમાં રમતવીરો અને બાળકોને થતી દાંતની ઈજા ના થાય તે માટેના સાવચેતીના પગલા અને જો ડેન્ટલ ઈન્જરી થઈ હોય તો તેની તાત્કાલિક સારવાર માટે કેવા પ્રકારના પગલાઓ લેવાવા જોઈએ જેની સ્કૂલના રમતવીરો- વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટી કર્મચારીઓને નિ:શુલ્ક તબીબી માર્ગદર્શન હેઠળ સેમિનારના માધ્યમથી તમામ આવશ્યક માહિતી નિ:શુલ્ક અપાશે. આની સાથે ઓરલ હેલ્થની જાળવણી માટેનુ તમામ પ્રકારનુ માર્ગદર્શન અપાશે. -ડો કુંજલ જૈમિન પટેલ, 32 પર્લ એથ્લિડેન્ટ સ્પોર્ટ્સ ડેન્ટિસ્ટ્રી તબક્કાવાર શહેરની તમામ સ્કૂલોને આવરી લેવાશેહું સ્પોર્ટ્સ બેક ગ્રાઉન્ડમાંથી આવું છું , જેના કારણે સ્કૂલના બાળકોને મેદાનમાં થતી ડેન્ટલની ઈન્જરી તેમ જ દાંત અને પેઢાની સમસ્યાથી સુપેરે પરિચિત છું, આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ સારથી અંતર્ગત ક્રીડા દંત સુરક્ષા- બાળ મુસ્કાન વિના મૂલ્યે અભિયાનનો પ્રારંભ કર્યો છે, જેમાં બાળકોના ડેન્ટલ હેલ્થ-ઓરલ હાઈજીન સહિતની બાબતોને કેન્દ્રમાં રાખીને સ્કૂલોને તબક્કાવાર આવરી લેવાશે. સ્કૂલો સ્વૈચ્છિક રીતે અથવા તો ડીઈઓ ઓફિસના સંકલનથી આ અભિયાનને આગળ ધપાવી શકશે. -રોહિત ચૌધરી, શહેર જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ શહેર આ બાબતોને આવરી લેવાશે • ‘ક્રીડા દંત સુરક્ષા- બાળ મુસ્કાન અભિયાન’ અંતર્ગત 45 મિનીટના કાર્યક્રમમાં દાત-પેઢા અને મ્હોના આરોગ્યની પણ સમજણ અપાશે. • ડેન્ટલ હેલ્થની જાળવણીને લગતી બાબતોની પીપીટી- ડેન્ચરના સ્ટ્રક્ચર- મોડેલ્સ દ્વારા સમજણ અપાશે. • સ્કૂલમાં મેદાનમાં રમતી વખતે, સ્કૂલમાં ક્લાસરુમમાં બાળકને ડેન્ટલની કે પેઢાની ઈન્જરી થાય ત્યારે શું પગલાં લેવાં? • આ પ્રકારની ઈન્જરીને રોકવા માટે કેવા કેવા પ્રકારનાં પગલાં ભરવા જોઈએ? • સ્કૂલમાં મેદાનમાં રમત રમતી વખતે ક્લાસ રૂમમાં બાળકને ડેન્ટલની કે પેઢાની ઈન્જરી થાય તો શું કરવુ તેનું જ્ઞાન અપાશે.
પાલિકાના ચારેય ઝોનમાં કાર્યરત સિક્યુરિટી એજન્સીઓને નોટિસ ફટકારાઈ છે. પાલિકાએ સિક્યોરિટી એન્જન્સીઓને ગાર્ડની બેદરકારી, પીસીસી સર્ટિફિકેટ, ગેરહાજરી સહિતની નિષ્કાળજી માટે 262 નોટિસો આપી છે. 35 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ આપવા છતાં સિક્યોરિટી એન્જન્સીઓના કામ સામે પગલાં ભરવામાં પાલિકા નિષ્ફળ ગઇ છે. કોર્પોરેશનના ચારેય ઝોનમાં કાર્યરત સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ટેન્ડરની શરતોનો વારંવાર ભંગ કરાતાં દબાણ શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચારેય ઝોનમાં સેવા આપતી એજન્સીઓને લાખોનો દંડ ફટકારાયો છે. 2 એજન્સીને બ્લેકલિસ્ટ કરવા નોટિસ પાઠવી છે. વાર્ષિક ઇજારાના ધોરણે ઉત્તર અને પૂર્વ ઝોનમાં પેન્થર સિક્યોર સોલ્યુશન પ્રા.લિ., દક્ષિણ ઝોનમાં શિવ સિક્યુરિટી સર્વિસ તથા પશ્ચિમ ઝોનમાં સૈનિક ઈન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી પ્રા.લિ.ને કોન્ટ્રાક્ટ અપાયો હતો. સામાજિક કાર્યકર પંકજ પાટીલે આરટીઇમાં મેળવેલી માહિતીમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સામાજિક કાર્યકરે સિટી એન્જિનિયરને કરેલી ફરિયાદ બાદ સિક્યોરિટી એજન્સી સામે પગલાં લેવાં અને પેનલ્ટી વસૂલવાની સૂચના આપી છે. પેન્થર સિક્યોર સોલ્યુશન પ્રા.લિ.ને રૂા.11.94 લાખ, શિવ સિક્યુરિટી સર્વિસને રૂા.2.33 લાખ અને સૈનિક ઈન્ટેલિજન્સ પ્રા.લિ.ને રૂા.7.97 લાખનો દંડ ફટકારાયો હતો. પેન્થર સિક્યોરિટી, જેની પાસે ઉત્તર અને પૂર્વ ઝોનનો ઇજારો છે તેને 135, દક્ષિણ ઝોનમાં શિવ સિક્યુરિટીને 53 અને પશ્ચિમ ઝોનમાં સૈનિક ઈન્ટેલિજન્સને 56 નોટિસ આપી છે. જોકે એજન્સીઓને નોટિસ આપી કોઇ કાર્યવાહી કરાઈ રહી ન હોવાના આક્ષેપો થયા છે. કયા પ્રકારની નિષ્કાળજી બહાર આવી 4 ઝોનમાં 35 કરોડથી વધુ રકમના નવા કોન્ટ્રાક્ટની જાહેરાત
તહેવારો અને રોજબરોજની જિંદગીમાં ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ હોય છે, પરંતુ દિવાળી આવતાં જ ભદ્ર અને ત્રણ દરવાજામાં લાખોની સંખ્યામાં અમદાવાદીઓ ‘ઓફલાઇન’ ખરીદી કરવા નીકળી પડે છે. દિવાળીના તહેવારો પહેલાંના છેલ્લા રવિવારે ભદ્ર, લો ગાર્ડન અને સીજી રોડ જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઊમટી પડ્યા હતા. ભદ્રથી પાનકોર નાકા સુધીના વિસ્તારમાં અંદાજે 75 હજારથી વધુ લોકોએ ખરીદી કરી હતી. લો ગાર્ડનમાં પણ આશરે 25 હજાર જેટલા લોકોએ કપડાં, જ્વેલરી, ઓર્નામેન્ટ્સ અને તહેવારી સજાવટની વસ્તુઓની ધૂમ ખરીદી કરી હતી. સીજી રોડના શોરૂમોમાં પણ તહેવાર પૂર્વેની ખરીદી માટે ભારે ધસારો હતો. નવરાત્રિ પછી હવે દિવાળીના તહેવાર માટે લોકો ધડાધડ શોપિંગ કરી રહ્યા છે. ભીડમાં લોકોની સુરક્ષા માટે પોલીસે પણ બંદોબસ્ત ગોઠવીને પેટ્રોલિંગ વધારી દીધું છે. હજુ પણ આ અઠવાડિયું ભદ્ર, ત્રણ દરવાજા અને લો ગાર્ડનના બજારમાં ખરીદી માટેની ભીડ રહેશે. ભાસ્કર નોલેજભદ્ર બજારની રોજ સરેરાશ 1 લાખ લોકો મુલાકાત લે છે: રિસર્ચતહેવારમાં ભદ્ર બજાર રાજ્યનાં અનેક ગામડાં-શહેરના લોકોની પસંદગી છે. સેવા અને વીઈગો સંસ્થાએ કરેલા રિસર્ચ મુજબ, અહીં સામાન્ય દિવસોમાં સરેરાશ 50 હજાર લોકો આવે છે. તહેવારોમાં આ આંકડો 1 લાખને પાર કરી જાય છે. ભદ્રના કિલ્લાથી લઈ ત્રણ દરવાજા, માણેકચોક સુધી 5 હજારથી વધુ ફેરિયાનું બજાર છે.
હડતાળ:પડતર માગણીઓના મુદ્દે સફાઈ કર્મચારીઓની મંગળવારે હડતાળ
દિવાળી પહેલા જ કોર્પોરેશનમાં સ્વચ્છતા જાળવવાની કામગીરી કરતાં સફાઇ કામદારો મંગળવારે હડતાલ કરશે. નોકર મંડળનાં જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણાએ જાહેરાત કરી હતી કે આઉટ સોર્સિંગ બંધ કરવા સહિતની માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓ સફાઇ કાર્યથી અળગા રહેશે. મ્યુનિ.માં સફાઇ કામદારો, ફાયર બ્રિગેડ, એએમટીએસ, હોસ્પિટલો, મશીન હોલ કામદારો અને ચોથા વર્ગનાં કર્મચારીઓના સંગઠન નોકર મંડળે પડતર પ્રશ્નોને લઇ મ્યુનિ. કમિશનરને સપ્ટેમ્બરમાં આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ 18 સપ્ટેમ્બરે સારંગપુરથી મ્યુનિ. ઓફિસ સુધી સુધી રેલી યોજીને દેખાવો કર્યા હતા. તેમ છતાં તેઓની માંગણી પર કોઇ કાર્યવાહી કરાઇ નથી. જેથી મંગળવારે હડતાળ પાડવાનું નક્કી કર્યું છે. નોકર મંડળનાં જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણાએ જણાવ્યું હતું કે, નોકર મંડળની માંગણીઓ ન સ્વિકારાતા 23 સપ્ટેમ્બરથી મ્યુનિ.કચેરીમાં પ્રતિક ધરણા શરૂ કર્યા છે અને તેમાં દરરોજ જુદા જુદા વિભાગનાં કર્મચારીઓ ધરણા ઉપર બેસે છે.
રિસ્ટોરેશન:હેરિટેજ પદ્ધતિથી 50 પોળના દરવાજાનું રિસ્ટોરેશન કરાશે
અમદાવાદના ઇતિહાસ સાથે જોડાયેલી કોટ વિસ્તારની 50થી વધુ પોળોના દરવાજાને રિસ્ટોરેશન કરાશે. કોર્પોરેશનમાં રિક્રેએશનલ, કલ્ચર અને હેરિટેજ કમિટીમાં 41.31 લાખના ખર્ચે કામ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. શહેરના વારસાને જાળવવો જરૂરી છે.લોકોને રજૂઆતોને ધ્યાનમાં રાખીને પોળમાં આવેલા દરેક દરવાજાઓનું રિસ્ટોરેશન કરવામાં આવશે. આ પદ્ધતિથી રિસ્ટોરેશનકોટ વિસ્તારની પોળમાં હેરિટેજ પ્રકારના નોટિફાઇડ ગ્રેડ વાળા ગેટ જેમાં લાકડા, સેન્ડ સ્ટોન, હેરિટેજ બ્રિક વર્ક, લાઇમ પ્લાસ્ટર વગેરેના ઉપયોગથી તૈયાર કરેલા ગેટ જોવા મળી રહ્યાં છે. જેમાંથી ઘણા ગેટની સ્થિતિ જર્જરિત છે. તેને રિસ્ટોર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ ગેટને પ્રોપર હેરિટેજ પદ્ધતિથી લાકડા, સેન્ડ સ્ટોન તથા લાઇમ મોટારના ચણતર તથા પ્લાસ્ટરથી યથાવત સ્થિતિમાં રિપેર કરાશે.
કેવડિયામાં રજવાડાનું મ્યૂઝિયમ બનાવવાની રાજપૂત સમાજની લાંબા સમયથી ચાલી આવતી માંગનો 30-31 ઓક્ટોબરે અંત આવશે. એકતા દિવસની ઉજવણી માટે વડાપ્રધાન મોદી આવી રહ્યાં છે ત્યારે તેઓ કેવડિયામાં 3 મ્યૂઝિયમનું ખાતમુહૂર્ત કરી શકે છે. જેમાંથી એક મ્યૂઝિયમ રજવાડાનું હશે. આ મ્યૂઝિયમ ક્યાં બનશે, કેવું હશે, તેમાં શું-શું હશે, તેની પાછળ કેટલો ખર્ચ થશે, પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે એ અંગે દિવ્ય ભાસ્કરને એક્સક્લૂસિવ માહિતી મળી છે. ગાંધીનગરના ઉચ્ચ સરકારી સૂત્રોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. કયા-કયા મ્યૂઝિયમનું ખાતમુહૂર્ત થશે?કેવડિયામાં વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલનું સ્ટેચ્યૂ બનાવાયું ત્યાર પછી રાજપૂત સમાજે કેવડિયામાં રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવાની માંગ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 વર્ષ પહેલાં કેવડિયામાં જ એવી જાહેરાત કરી હતી કે અહીં રજવાડાનું મ્યૂઝિયમ બનશે. જો કે એ પછી કોઇ કાર્યવાહી થઇ નહોતી. PM મોદી 30મી ઓક્ટોબરે કેવડિયા આવી રહ્યાં છે. પોતાની આ મુલાકાતમાં તેઓ કુલ 681 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરશે જ્યારે 282 કરોડના કામોનું લોકાર્પણ કરશે. આ દરમિયાન તેઓ 3 મ્યૂઝિયમનું પણ ખાતમુહૂર્ત કરશે. આ ત્રણ મ્યુઝિયમ એટલે ગુજરાત વંદના મ્યૂઝિયમ, વીર બાળ ઉદ્યાન મ્યૂઝિયમ અને મ્યૂઝિયમ ઓફ રોયલ કિંગ્ડમ ઓફ ઇન્ડિયા (જેને મોરકી મ્યૂઝિયમ તરીકે ઓળખવામાં આવશે.) રજવાડાનું મ્યૂઝિયમ 5.5 એકરમાં બનશેઆ મોરકી મ્યૂઝિયમ એટલે કે રજવાડાનું મ્યૂઝિયમ કેવડિયાના લીંબડી નામના ગામમાં આવેલી 5.5 એકર જમીન પર બનશે. જ્યાંથી સરદાર પટેલનું સ્ટેચ્યૂ સ્પષ્ટપણે જોઇ શકાશે. આ મ્યુઝિયમમાં રજવાડાઓ અને તેમના શાહી વારસાનો પરિચય હશે. રજવાડાઓના એકીકરણની વાત અને તેમાં સરદાર પટેલની ભૂમિકા અંગે પ્રદર્શન હશે.'હોલ ઓફ યુનિટી' દ્વારા અગાઉના રજવાડાઓનું યોગદાન પણ બતાવવામાં આવશે. 5 ગેલેરીમાં રજવાડાની માહિતીથી માંડીને કેફે હશેમ્યૂઝિયમમાં કુલ 5 ગેલેરી હશે. આ 5 ગેલેરીમાંથી 4 ગેલેરી કાયમી હશે. જ્યારે એક ગેલેરી ટેમ્પરરી હશે. આ ગેલેરીનો વિસ્તાર 3077 ચોરસ મીટર હશે. જો ગેલેરી પ્રમાણે સમજીએ તો પહેલી ગેલેરીમાં રજવાડા વિશેની માહિતી અને વર્ગીકરણ હશે. બીજી ગેલેરીમાં રાજાઓનું જીવન અને તેમના રીત રિવાજો અને રાજ્ય સંરક્ષણ હશે. ત્રીજી ગેલેરીમાં ભારતના એકીકરણનો ઇતિહાસ, બ્રિટિશરોનું સામ્રાજ્ય, સરદાર વલ્લભભાઇ પટેલનું યોગદાન હશે. જ્યારે ચોથી ગેલેરીમાં રજવાડાના બલિદાનની કહાનીઓ, મ્યૂઝિયમમાં યોગદાન આપનારા લોકોનો ઉલ્લેખ હશે. પાંચમી ગેલેરી રિસેપ્શન અને લોબી સાથે કનેક્ટેડ હશે. તેને ચિલ્ડ્રન ગેલેરી નામ અપાશે. પાંચમી ગેલેરી પાસે મ્યૂઝિયમ શોપ અને મ્યૂઝિયમ કેફે પણ હશે. 250 વર્ષોનો ઇતિહાસ હશેમ્યૂઝિયમમાં વર્ષ 1700 થી લઇને 1950 સુધીના રાજવી પરિવારોના અને રજવાડાઓના એકત્રીકરણના ઇતિહાસને વર્ણવવામાં આવશે સાથે જ સરદાર પટેલે રજવાડાઓને એક કરવામાં ભજવેલી ભૂમિકા પણ હશે.એકીકરણ વખતે રજવાડાઓએ સરકારને જે-જે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા તે ઓરિજનલ ડોક્યુમેન્ટ્સનું ડિજિટલ સ્વરૂપે પ્રેઝન્ટેશન પણ હશે. મ્યુઝિયમના પ્રોજેક્ટ દરમિયાન સરકારી અધિકારીઓએ મોટાભાગના રાજવી પરિવારો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મ્યૂઝિયમમાં શું-શું હોવું જોઇએ તેનો અભિપ્રાય પણ રાજવી પરિવારો પાસેથી મગાયો હતો. ઉપરાંત મ્યૂઝિયમમાં રાખવા માટે રાજવી પરિવારો કઇ-કઇ વસ્તુઓ આપી શકે છે તે જાણકારી પણ મેળવી હતી. 2027માં પ્રોજેક્ટ પૂરો થશેરજવાડાઓના ઇતિહાસ અને મહાનતાને દર્શાવતું આ મ્યૂઝિયમ કુલ 367 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર, 2027 પહેલાં પૂરો કરવામાં આવશે. પ્રોજેક્ટ માટે આર્કિટેક્ચર કામ રતનજીવ બાટલી બોય નામની કંપની કરશે. જ્યારે મ્યૂઝિયમમાં મુકાનારા કન્ટેન્ટનો પ્રોજેક્ટ બકુલ રાજ મહેતા એસોસિયેટ્સને સોંપાયો છે. પ્રોજેક્ટના મેનેજમેન્ટનું કામ ini ડિઝાઇન સ્ટુડિયોને સોંપવામાં આવ્યું છે. મ્યૂઝિયમની વિઝિટ ફી અંગે હજુ સુધી કંઇ નક્કી કરવામાં આવ્યું નથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજપૂત સમાજના આગેવાન શંકરસિંહ વાઘેલાએ સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, રજવાડા ન હોત તો સરદાર પટેલનું આટલું મહાન નામ ન હોત. આપણા રજવાડાઓએ ત્યાગ ન કર્યો હોત તો સરદાર વલ્લભભાઇ લોખંડી ન હોત. આમ કહીને તેમણે સરદાર પટેલની પ્રતિમાની બાજુમાં રાજા-મહારાજાઓની 10-12 ફૂટની પ્રતિમા મુકવાની પણ માંગ કરી હતી એટલે દિવ્ય ભાસ્કરે શંકરસિંહ વાઘેલા સાથે ખાસ વાતચીત કરી છે. ભાવનગર ગયો અને રજવાડાના મ્યૂઝિયમનો વિચાર આવ્યોઃ શંકરસિંહરજવાડાઓના મ્યૂઝિયમની માંગ કેવી રીતે શરૂ થઇ? તે વિશે શંકરસિંહે કહ્યું કે,6-7 વર્ષ પહેલા હું ઓક્ટોબર મહિનામાં ભાવનગરના નિલમબાગ પેલેસ ગયો હતો. જ્યાં મહારાજા કૃષ્ણકુમારસિંહનો ફોટો હતો. હું તેમને પગે લાગ્યો. તેમણે રજવાડા અર્પણ કરવાની સૌ પ્રથમ શરૂઆત કરી હતી. એ દરમિયાન જ કેવડિયામાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની જાહેરાત થઇ હતી. તે સમયે મેં વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો અને આ માંગ કરી હતી. 'મેં પત્રમાં એ પણ લખ્યું કે સરદાર પટેલની પ્રતિમા તમે ગમે તેટલી મોટી બનાવો તેની સામે કોઇ વાંધો નથી. એન્ટી સરદારની વાત કોઇના મનમાં હોય તો કાઢી નાખવી જોઇએ કારણ કે સરદારનું નામ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે અમે જ જોડ્યું હતું.' ...તો સૌરાષ્ટ્રના રજવાડાઓનું યુનિયન બન્યું હોતઃશંકરસિંહશંકરસિંહે કહ્યું, સરદાર લોખંડી પુરૂષ કહેવાયા, તેમના હાથ મજબૂત એટલે થયા કેમ કે રાજવી પરિવારોએ પણ ફટાફટ રજવાડાઓ અર્પણ કરી દીધા. જેની પહેલ ભાવનગરે કરી. આખું રજવાડુ આપી દેવું કંઇ સહેલું નહોતું. જો આ કામમાં થોડું મોડું થયું હોત તો યુરોપિયન યુનિયન જેવું સૌરાષ્ટ્રના રજવાડાઓનું યુનિયન બન્યું હોત અને આપણે રાજકોટ કે ભાવનગર જવા વિઝા લેવાની જરૂર પડતી હોત. આ બધું કૃષ્ણકુમારસિંહની પહેલને આભારી છે. એટલે મેં કહ્યું કે એકીકરણના પાયામાં રહેલા રજવાડાઓ માટે પણ ત્યાં મ્યૂઝિયમ બનાવવું જોઇએ. પોતાના મનમાં રહેલી મ્યૂઝિયમની કલ્પના અંગે વાત કરતા તેઓ કહે છે કે, મારા માટે મ્યૂઝિયમની વ્યાખ્યા એટલે તલવાર અને ભાલા નથી. સરદાર પટેલની પ્રતિમા જે જગ્યાએ છે તે ખૂબ વિશાળ જગ્યાએ છે. તે જગ્યાએ 15-20 ફૂટની કૃષ્ણકુમારસિંહની પ્રતિમા મુકાય. આ ઉપરાંત તેમણે રજવાડું આપ્યું તેના કાગળ, કેટલા પાદરના ધણી હતા. પાદર એટલે શું? આ બધી વિગતો હોય. આ સાથે ત્યાં ભાવનગરની વિશેષતાઓ અને ભાવનગરના રજવાડાની એન્ટિક વસ્તુઓ પણ રાખવામાં આવે. આ પ્રકારનું બધા રજવાડાનું પ્રદર્શન હોવું જોઇએ. 'રજવાડું નાનું હોય કે મોટું દરેકની પ્રતિમા એકસરખી મૂકાય, દરેકનો ઇતિહાસ લખાય અને પ્રદર્શિત કરવા જેવી વસ્તુઓ હોય તો તે મૂકવામાં આવે. આવું મ્યૂઝિયમ હોવું જોઇએ અને તેનું યોગ્ય રીતે મેઇન્ટેનન્સ થવું જોઇએ.' માંગનારામાં દમ હોવો જોઇએઃ શંકરસિંહમ્યૂઝિયમ બનાવવામાં વિલંબ અંગે શંકરસિંહે કહ્યું કે, માંગનારામાં એવો દમ હોવો જોઇએ કે આવેદન લેનારો સામે આવે. રજવાડાઓમાં એવો દમ હોવો જોઇએ કે સરકાર તરત કોઇપણ માંગ સ્વીકારે. જો રજવાડાઓ જ જીહજૂરી અને સાષ્ટાંગ દંડવત કરતા હોય તો પછી કંઇ કહી શકાય નહીં. મોટાભાગના રજવાડાઓની કરોડરજજૂ નમી ગયેલી છે, સીધી નથી એટલે કંઇ કહી ન શકો. શંકરસિંહ કહે છે કે, સમાજે પોતાનો DNA યાદ રાખવો જોઇએ.જે-તે સમયે રજવાડા એમને એમ નથી બન્યા. રજવાડાએ છાતી ઠોકીને કહેવું જોઇએ કે અમે ન હોત તો વલ્લભભાઇ પટેલ સરદાર નહોત. આપણી કરોડરજ્જૂ એટલી બધી ઝૂકી ન હોવી જોઇએ, કરોડરજજૂ તૂટી જાય તો વાંધો નહીં પરંતુ ઝૂકવી ન જોઇએ કારણ કે ઝૂકેલો ક્ષત્રિય મને ગમતો નથી.
સાઈબર ગઠિયાઓ દ્વારા ઠગાઈ:શેર બજારમાં વધુ નફાની લાલચમાં સિનિયર સિટીઝને 35 લાખ ગુમાવ્યા
બોડકદેવમાં રહેતા એક સિનિયર સિટીઝનને શેરમાર્કેટ અને આઈપીઓમાં રોકાણ કરી વધુ નફો કરી આપવાની લાલચ આપીને સાઈબર ગઠિયાઓએ રૂ.35.75 લાખ પડાવી લીધા હતા. રોકાણ સામે શરૂઆતમાં બે વખત રૂ.1 -1 લાખ અને ત્યારબાદ એક વખત રૂ.1.34 લાખ વિડ્રો કરવા દીધા હતા. જ્યારે બાકીના રૂ.35.75 લાખ વિડ્રો ન કરવા દઈ છેતરપિંડી કરી હતી. બોડકદેવ વિનસ એપાર્ટમેન્ટમાં રહેતા શ્યામસુંદર માલપાની(77) ને જુલાઈ 2025માં વોટસએપમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં સામે નિરાલી સિંઘ વાત કરી રહી હતી. તેણે શ્યામસુંદરને મેસેજ કર્યો હતો કે, હેલો, વેલકમ ટુ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ ગ્રૂપ. આર યુ ઓલ્સો અ સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટર. તેવું કહીને એક ફોર્મ મોકલ્યું હતું. શ્યામસુંદરે તે ફોર્મ ઓપન કરીને તેમાં જણાવ્યા પ્રમાણે આધાર કાર્ડ, બેન્કની ડિટેઈલ ભરી દેતા તેઓ એક વોટસએપ ગ્રૂપમાં એડ થઈ ગયા હતા. તે ગ્રૂપમાં એડમિન તરીકે નિરાલી અને તનુશ્રી હતા. આ બંનેના કહેવાથી ગ્રૂપ મેમ્બરો શેરબજાર અને આઈપીઓમાં રોકાણ કરતા હતા. જેથી વિશ્વાસમાં આવીને નિરાલીના કહેવાથી શ્યામસુંદરે 29.75 લાખ અને તનુશ્રીના કહેવાથી 6 લાખનું રોકાણ કર્યું હતું. સમાચારથી શીખલાલચ આપનારી ઓફર પર વિશ્વાસ ન કરવોશેરબજારમાં ઝડપથી નફો મળશે એવો ભ્રમ પેદા કરીને સાઈબર ઠગો રૂપિયા પડાવી લે છે. સિનિયર સિટીઝન સહિત કોઈએ રોકાણ કરતા પહેલાં કંપની, એજન્ટ, પ્લેટફોર્મ વિશે માહિતી મેળવવી જરૂરી છે. અજાણ્યા મેસેજ, વોટ્સએપ ગ્રૂપ કે લાલચ આપનારી ઓફર પર વિશ્વાસ ન કરવો. ઓછા સમયમાં વધારે નફો આપવાના વાયદા ઠગાઈના સંકેત છે.
મેયર અને અધ્યક્ષની ગેરહાજર:વિકાસ સપ્તાહના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેયર અને સ્થાયી અધ્યક્ષની ગેરહાજરી
રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત રવિવારે અકોટા સ્ટેડિયમ ખાતે સાંજે 7થી 10 વાગ્યાના સમયમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જોકે આ કાર્યક્રમમાં મેયર અને સ્થાયી અધ્યક્ષની ગેરહાજરી જોવા મળી હતી. મેયર અને સ્થાયી અધ્યક્ષ સાંસદના કાર્યક્રમમાંથી નીકળ્યા હતા, પણ આ કાર્યક્રમમાં ન પહોંચતા ભાજપના જ કેટલાક નેતા આશ્ચર્ય પામ્યા હતા. આ કાર્યક્રમને લઇને વિવાદ ઉભો થયો છે જેમાં કોર્પોરેશનના પદાધિકારીઓને પૂછવામાં આવી ના રહ્યું હોવાના પગલે તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા ના હોવાનું કહેવાઇ રહ્યું છે. વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ગાયક કલાકાર હરિઓમ ગઢવી, પૂર્વા મંત્રીએ ગીત સંગીતની પ્રસ્તુતિ રજૂ કરી હતી. વિકાસ વર્ષ 2025ની ઉજવણી રાજયમાં કરાઈ રહી છે જેમાં વડોદરા કોર્પોરેશને વિકાસ સપ્તાહ અંતર્ગત હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી અભિયાન હેઠળ જેલ રોડ ખાતે શોપિંગ ફેસ્ટીવલનું પણ 18 ઓક્ટોબર સુધી આયોજનકર્યું છે.
લોકો ધૂળથી ત્રસ્ત:હરણી-વારસિયા રિંગ રોડ પર દિવાળી ટાણે પણ રસ્તાનું પેચવર્ક નહીં
શહેરમાં એક તરફ દિવાળીને લઈને શણગાર કરવામાં આવી રહ્યો છે. જોકે શહેરના ઘણા એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ પેચવર્ક ન થવાને કારણે વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હરણી-વારસિયા રીંગ રોડ પર આવેલા બેન્કર્સ હોસ્પિટલથી મોતી નગર સુધી 20-20 ફૂટના અંતરે પેચવર્ક કરવામાં આવ્યું નથી. જેના કારણે રોડ પર ધૂળ પણ ઊડી રહી છે. દિવાળીના સમયે જ્યારે આખા શહેરમાં શણગાર ચાલી રહ્યા છે, ત્યારે આ વિસ્તારના લોકો વ્યવસ્થિત પેચવર્કની રાહ જોઈ રહ્યા છે. મ્યુન્સિપલ કમિશનર અરુણ બાબુએ સુચન કરી હતી કે, શહેરને દિવાળી પહેલા ખાડા મુક્ત કરવામાં આવે. ઉપરાંત શનિવારે ખાડાથી એક વુદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમ છતાં શહેરના કેટલાક વિસ્તારો એવા છે કે, ત્યાં ખાડાની સમસ્યા જતને તસ છે. ખાડા પૂરી દેવામાં આવે છે પણ યોગ્ય રીસર્ફેસિંગ ન કરવામાં આવતા તકલીફ એવીને એવી જ રહે છે. હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી બેન્કર્સ હોસ્પિટલથી લઈને આગળ મોતી નગર સુધી 20-20 ફૂટના અંતરે ખાડા ખોદી નાંખવામાં આવ્યા હતા. જે બાદ તેનું વ્યવસ્થિત રીસર્ફેસિંગ કરવામાં આવ્યું નથી. જેના કારણે રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે. આ સાથે ધૂળ પણ એટલી જ ઉડે છે જેના કારણે આસપાસના રહીશોને પણ તકલીફ પડે છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર દિવાળી પહેલાં કામગીરી પૂર્ણ કરી દેવાશેગટર લાઈનની કામગીરી માટે ખોદવામાં આવ્યું હતું. હાલમાં રીસર્ફેસિંગ બાકી છે. મ્યુનિ. કમિશનરની સુચના છે કે, દિવાળી પહેલા તમામ ખાડા પૂરી દેવા, એટલે 3 દિવસમાં આ કામગીરી પૂર્ણ થાય તે રીતે કામગીરી કરવામાં આવશે. > અજિત દધીચ, કોર્પોરેટર, વોર્ડ નં- 4
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
જાપાનની 15 અર્બન પ્લાનિંગની એક્સપર્ટ ટીમ સાથે અમારા અર્બન પ્લાનિંગ વિભાગના અધિકારીઓનો એક સેમિનાર યોજાયો હતો. બુલેટ ટ્રેનના સ્ટેશનની આસપાસ કેવા પ્રકારનું ડેવલપ થવું જોઇએ, જેથી લોકોને મુસાફરીમાં સરળતા અને સમયનો પણ બચાવ થાય. તેમાં બુલેટ ટ્રેનના સ્ટેશનની આસપાસના વિસ્તારના ડેવલપ કરવાનું ખાસ પ્લાનિંગ કરાયું છે, જેમાં લોકોની સુવિધા અને આસપાસના વિસ્તારોમાં થનારા ડેવલપમેન્ટને કારણે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે. બુલેટ ટ્રેનના દરેક સ્ટેશનની આસપાસ દોઢથી 2 કિલોમીટરના વિસ્તારને ડેવલપ કરવાનું પ્લાનિંગ કરાયું છે. તેમાં હોટેલ, મોલ, બિઝનેસ સેન્ટર હશે. રાજ્યનાં 8 સ્ટેશનની આસપાસના વિસ્તારોને આ રીતે વિકસિત કરાશે. સુરતમાં ખાસ ગ્રીન ફિલ્ડ સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે. જે લોકો બુલેટ ટ્રેનથી અમદાવાદ કે અન્ય કોઈ પણ શહેરમાં પહોંચશે તો તેઓને સ્ટેશનની આસપાસ જ મીટિંગ કે રહેવા કે બિઝનેસ માટેની સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરાશે. સાબરમતી સ્ટેશનની આસપાસના વિસ્તારને ડેવલપ કરવા ખાસ પ્લાન તૈયાર કરાયો છે. દરેક સ્ટેશનની આસપાસના પેડેસ્ટ્રિયન માટે સુવિધા રહેશે. ખાસ કરીને સ્ટેશન સુધી પહોંચવા માટે વાહન વ્યવહારને કારણે ચાલીને આવતા મુસાફરોને કોઈ મુશ્કેલી ન આવે તેવા પ્રકારનું ડેવલપમેન્ટ કરાશે. હાલ સાબરમતી સ્ટેશનની આસપાસ મોટાભાગના વિસ્તારમાં બાંધકામ થઇ ચૂક્યાં છે, પરંતુ આ વિસ્તારને પણ ડેવલપ કરવા માટે અમારું આયોજન રહેશે. (અનિરુદ્ધસિંહ પરમાર સાથેની વાતચીતને આધારે)
ઢગલામાં આગ:સમા-સાવલી રોડ પર મેદાનમાં લાકડા-ઘાસના ઢગલામાં આગ
સમા-સાવલી રોડથી વેમાલી તરફ જવાના રસ્તે મેદાનમાં શનિવારે રાત્રે આગ ભભૂકી ઊઠી હતી. જેને પગલે આસપાસના ફ્લેટ્સના રહીશોએ પાણીની ડોલ વડે આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો. કોઇ હવાઇ-રોકેટ પડવાથી આગ લાગી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સમા-સાવલી રોડની સર્વમંગલ સ્કૂલ પાસે મેદાનમાં લાકડાના જૂના ટુકડા, પરચૂરણ ચીજો અને ઘાસનો જથ્થો હતો. શનિવારે રાત્રે 11 વાગ્યાના સુમારે હવાઇ-રોકેટ પડતાં તેમાં આગ લાગી હતી. જેમાં વીજ થાંભલાના વાયરો આવી ગયા હતા. બનાવને પગલે આશીર્વાદ રેસિડેન્સી, સન્મતિ પાર્ક સહિતના રહીશોએ ડોલથી પાણી છાંટી આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. આખરે ફાયરબ્રિગેડે આગ બૂઝાવી હતી. સંગમ ચાર રસ્તા પાસેની ઢોસાની દુકાનમાં આગસંગમ ચાર રસ્તા પાસે આકાશદીપ શોપિંગ સેન્ટરમાં ઢોસાની દુકાનમાં આગ લાગી હતી. ગેસ બોટલમાં લીકેજથી ઘટના બની હોવાનું ચૂલા ઢોસાના સંચાલકે જણાવ્યું હતું. આગમાં દુકાન ભસ્મ થઇ ગઇ હતી. કર્મીનો બચાવ થયો હતો.
દિવાળીને આડે 4 દિવસ બાકી છે ત્યારે ફટાકડાની હંગામી દુકાનોના વેપારી ફાયરબ્રિગેડની મંજૂરીની કાગડોળે રાહ જુએ છે. રવિવારે રજા હોવાથી વધુ એક દિવસ રાહ જોવી પડશે. શનિવાર સાંજ સુધી મોટા પ્લોટમાં સમૂહમાં જોવા મળતી ફટાકડાની દુકાનના 15 કોમ્પ્લેક્સને મંજૂરી મળી હતી. હંગામી સ્ટ્રક્ચરમાં ધંધો કરતી દુકાન પર 15 હજારનું ભારણ આવી રહ્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ આગનો બનાવ બને તો અગમચેતીના ભાગ રૂપે ગૃહ વિભાગે નવી મંજૂરીનું રોકેટ છોડ્યું છે. જ્યારે ફાયર વિભાગનો ઓપિનિયન ન આવ્યો હોવાથી વેપારી દુકાનો ખોલી શક્યા નથી. વેપારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, અમારી જગ્યામાં વધુ સાધનો લગાવવાનાં હોવાથી 50 હજાર ખર્ચ માત્ર સાધનો માટે જ થયો છે. દુકાન માંડ 200 ચો.ફૂટની હોય તો પણ 30 ફૂટની હોઝ રીલ વસાવવાનો આગ્રહ વધારે પડતો છે. રસ્તા પર ફટાકડાનાં પાથરણાંમાં 9 ફૂટનો નિયમ પળાતો નથી. ફાયર વિભાગની ડિમાન્ડનું બજેટ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે, શહેરમાં ફટાકડાની દુકાનો માટેની અંતિમ મંજૂરી પોલીસ વિભાગ દ્વારા જ આપવામાં આવે છે. જ્યારે ફાયર વિભાગે તો સ્થળ તપાસ કરીને માત્ર અભિપ્રાય જ આપવાનો હોય છે. ફાયર વિભાગના ઇન્સ્પેક્શન બાદની કાર્યવાહી પોલીસ વિભાગ કરે છે.
પશુપાલકો ઢોર છોડાવી ગયા:ઢોર પાર્ટીના સિક્યુરિટી કર્મીને લાકડી મારી 2 પશુપાલક ગાય છોડાવી ગયા
આજવા રોડ પર ઢોર પાર્ટીએ પકડેલી ગાય છોડાવવા પશુપાલકોએ બોલાચાલી કરી હતી. જ્યારે કર્મચારીને લાકડી મારી ગાય છોડાવી ગયા હતા. આ અંગે બાપોદ પોલીસે બે સામે ગુનો નોંધ્યો હતો. ચોખંડી વણકર વાસમાં રહેતા રમેશચંદ્ર પરમાર પાલિકામાં દબાણ અને સિક્યુરિટીની ઢોર પાર્ટીમાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ છે. ટીમને શનિવારે બપોરે 1-30 વાગ્યે આજવા રોડ કમલાનગર તળાવ પાસે રોડ પર બેઠેલી ગાય મળી હતી. જેથી ઢોર પાર્ટીના કર્મીઓએ તેને પકડીને ટ્રોલીમાં ચડાવવા જતા હતા. આ વખતે ઈકડે નામના શખ્સે ગાયને છોડાવવા ઢોર પાર્ટીના કર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. તે કહેતો કે, ગાય નહીં લઈ જવા દઉં, લઈ જશો તો મારી નાખીશ. જ્યારે ઈકડેનું ઉપરાણું લઈ અન્ય શખ્સે અપશબ્દો બોલી સિક્યુરિટી ગાર્ડને લાકડી મારી હતી અને બળજબરીપૂર્વક ગાય છોડાવી ગયો હતો. કર્મીઓને જાણવા મળ્યું કે, ગાય છોડાવનાર વિપુલ ઉર્ફે ઈકડે રાઘુભાઈ ભરવાડ તથા ભવન ઉર્ફે ભાવેશ ધુડાભાઈ ભરવાડ (કમલાનગર સ્ટેન્ડ પાછળ, આજવા રોડ) હોવાનું જાણવા મળ્યું હતું.
પાણી આપવા સૂચના:મ્યુ.કમિશનર નાવડીમાં બેસી રાયકા ફ્રેન્ચવેલ ગયા, ઇન્ટરલિંક કરીને પાણી આપવા સૂચના
શહેરના ઉત્તર ઝોન સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો પાડતા રાયકા ફ્રેન્ચવેલ ખાતે મ્યુ. કમિશનરે મુલાકાત કરી હતી. તેમણે ફ્રેન્ચવેલમાં ઇન્ટરલિંક કરીને પાણી આપવા માટેની સૂચના આપી છે. જ્યારે નવેમ્બરમાં વેલના રિપેરિંગની કામગીરી કરાશે. ફાજલપુર અને રાયકા પાણીના સ્ત્રોત ખાતે નદીમાં રહેલ રેડિયલ પર સિલ્ટિંગ થવાથી ફ્રેંચવેલમાં પાણીની ઓછી આવક થઈ રહી છે, જેથી હાલમાં ઓછા પંપથી પાણી અપાઈ રહ્યું છે. મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુ તથા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ દિવાળીમાં પૂરતું પાણી મળી રહે તે માટે મહીસાગર પાણીના સ્ત્રોતો પર મુલાકાત કરી હતી. આ સ્ત્રોતોના ઇન્ટરલિકિંગ અને ટ્યૂબવેલના ઉપયોગથી પાણીની ઘટ સરભર કરવાનો નિર્ણય લેવાયો છે. ચોમાસામાં પાણી સાથે રેતી આવતાં પાણી ખેંચવું મુશ્કેલચોમાસામાં દર વર્ષે મહીસાગરમાં નવા પાણીની આવક થાય છે, જેની સાથે રેતી પણ આવતી હોય છે, જે ફ્રેન્ચવેલમાં જમા થતી હોય છે. જેને કારણે પંપનો ઉપયોગ કરવો પડે છે. દર વર્ષે કાંપ અને રેતીને પગલે આ સમસ્યા સર્જાય છે.
મંડે પોઝિટિવ:2 હજાર ગૃહ ઉદ્યોગમાં 45 હજાર મહિલા, યુકે, દુબઈથી 500 કિલો મઠિયાંના ઓર્ડર
દિવાળીના સમયમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સખી મંડળની 150થી વધુ મહિલા સહિત વડોદરાના 2 હજાર જેટલા નાના-મોટા ગૃહ ઉદ્યોગોમાં કામ કરતી 45 હજાર મહિલાઓ વડોદરા તેમજ અમેરિકા, યુકે અને દુબઈ સુધી લોકોને 500-500 કિલો મઠિયાં-ચોળાફળી ખવડાવે છે. 4 મહિના માટે ચાલતા મઠિયા-ચોળાફળીના વેપારમાં મહિલાઓ સમગ્ર વર્ષ જેટલી કમાણી કરી લેતી હોય છે. હાલ વોકલ ફોર લોકલ સૂત્રને અનુસરીને વેપારીઓ દ્વારા પણ ગૃહ ઉદ્યોગો અને સ્થાનિક વેપારીઓ પાસેથી વડોદરામાં બનેલી વસ્તુઓ ખરીદવા આગ્રહ રખાયો છે. શહેર-જિલ્લામાં સરકારી સહાય મેળવીને મઠિયાં-ચોળાફળી બનાવવા માટેનાં ઓટોમેટિક મશીન ખરીદીને મહિલાઓ નાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરી રહી છે. જેમાં નાના પાયે 10 મહિલાઓ અને મોટા ગૃહ ઉદ્યોગોમાં 45 થી 50 મહિલાઓને રોજગારી મળી રહી છે. તેવામાં નાના ગૃહ ઉદ્યોગો સ્થાપી મહિલાઓ આંતરપ્રિન્યોર બનવા તરફ ડગલું માંડી રહી છે. આ અંગે વીસીસીઆઇના સેક્રેટરી જલેન્દુ પાઠકે કહ્યું કે, શહેરમાં નાના-મોટા 10 હજારથી વધુ ગૃહ ઉદ્યોગોમાંથી દિવાળીના સમયે મઠિયાં, ચોળાફળી, પાપડ, સૂકા નાસ્તા અને હેન્ડી ક્રાફ્ટ જેવી વસ્તુઓનું એક્સપોર્ટ થાય છે. આ ઉપરાંત મહિલાઓ ગૃહ ઉદ્યોગ થકી કોડિયાં બનાવીને તેનું પણ વેચાણ કરી રહી છે. દિવાળીમાં 700 કિલો મઠિયાં-ચોળાફળી વેચાવાની શક્યતાજેઠાણી જ્યોતિ ઉપાધ્યાય સાથે મળીને 2022થી દેરાણી-જેઠાણી બ્રાન્ડથી પાપડ, મઠિયાં અને ચોળાફળી બનાવવાનું શરૂ કર્યું હતું. 2024માં દિવાળીમાં 400 કિલો મઠિયાં અને ચોળાફળીનું વેચાણ કરાયું હતું. જ્યારે 2025ના વર્ષની દિવાળીમાં લગભગ 700 કિલો મઠિયાં, ચોળાફળીના વેચાણની શક્યતા છે. જ્યારે મઠિયાં, ચોળાફળી અમેરિકા, યુકે ઉપરાંત દુબઈમાં પણ મોકલવામાં આવે છે. ગત વર્ષે દુબઈમાં 200 કિલો મઠિયાં-ચોળાફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. > ગાયત્રી ઉપાધ્યાય, ગૃહ ઉદ્યોગ સંચાલક શહેર-જિલ્લામાં વિવિધ ઉદ્યોગોની સંખ્યા 104 સખી મંડળ મઠિયાં અને ચોળાફળી બનાવે છે તાલુકો સખી મંડળની સંખ્યા ગૃહ ઉદ્યોગ થકી 20થી વધુ મહિલાને રોજગારી આપું છુંવાસણા રોડ પર મકાનમાં ઘરનો નાસ્તો નામથી 7 વર્ષથી ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો. ગૃહ ઉદ્યોગમાં 20થી વધુ મહિલાને રોજગારી પૂરી પાડું છું. દિવાળી જ નહી, પરંતુ સમગ્ર વર્ષ ઘૂઘરા, સુવાળી, ચકરી સહિતનો નાસ્તો બનાવી આપું છે. માતા-પિતા વિદેશમાં રહેતાં બાળકોને પણ ગૃહ ઉદ્યોગનો નાસ્તો મોકલાવે છે. > હેતલબેન પંડ્યા, ઘરનો નાસ્તો ગૃહ ઉદ્યોગ, વાસણા રોડ
મ. સ. યુનિવર્સિટીની ઐતિહાસિક ધરોહરના રિસ્ટોરેશન માટે 15 કરોડની ગ્રાન્ટ સરકાર પાસે માગી છે. ફાઇન આર્ટ્સ, એજ્યુકેશન સાઇકોલોજી, સહિતની ઇમારતોનું સમારકામ કરાશે. મ.સ. યુનિવર્સિટીની ઐતિહાસિક આર્ટ્સ ફેકલ્ટીની ઈમારતનું રિસ્ટોરેશન પૂરું થવાના આરે છે, જેની પાછળ 5 કરોડનો ખર્ચ થયો છે. જોકે યુનિવર્સિટીની અન્ય કેટલીક જૂની ઇમારતોમાં પણ સમારકામની જરૂર છે. જેમાં ફેકલ્ટી એજ્યુકેશન સાઇકોલોજી અને ફાઇન આર્ટ્સની ઇમારતનો સમાવેશ થાય છે, જેના માટે 15 કરોડની જરૂર પડે તેવો અંદાજ છે. ફાઇન આર્ટસનું અગાઉ પણ સમારકામ થયેલું છે. જોકે તે પછી ઈમારતની ઉપેક્ષા થતાં ફરી જર્જરિત બની છે. જ્યારે એજ્યુકેશન સાઇકોલોજી ફેકલ્ટીની ઈમારતમાં ડીનની ઓફિસ સહિતનો એક હિસ્સો તો હવે ઉપયોગમાં પણ લેવાતો નથી. ત્યાં ચારે તરફ કાટમાળ પડેલો છે. પર્ફોર્મિંગ આર્ટ્સની ઇમારતમાં લાકડાં બદલવાની જરૂરિયાતમ.સ. યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની ઈમારતમાં લાકડાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવેલો છે. જોકે હવે તેની જગ્યાએ નવેસરથી લાકડાંનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. નોંધનીય છે કે, આર્ટ્સ ફેકલ્ટીના ગુંજબનું રિસ્ટોરેશન હજુ સુધી પૂરું થયું નથી.
ટોરેન્ટ ગ્રૂપના યુએનએમ ફાઉન્ડેશને અમદાવાદમાં રવિવારે ન્યુરોલોજિકલ રોગથી પીડાતા લોકોની તપાસ અને સારવાર માટે અદ્યતન સર્વાંગી ન્યુરો-પુનર્વસન સેન્ટર ‘સંકલન’ શરૂ કર્યું છે. આ સેન્ટર વિજ્ઞાન, કરુણા અને ટેક્નોલોજીનો સમન્વય કરીને સેન્ટર ન્યુરોલોજિકલ પડકારોનો સામનો કરી રહેલી વ્યક્તિઓને સ્વતંત્રતા અને ગૌરવ પુન: પ્રાપ્ત કરવામાં મદદ કરશે. એટલું જ નહિ, યુએનએમ ફાઉન્ડેશન દ્વારા સેન્ટરમાં આવનારા બીપીએલ, આયુષ્યમાન કાર્ડધારકોની નિ:શુલ્ક તપાસ અને સારવાર કરાશે. 30 હજાર ચોરસ ફૂટમાં નવનિર્મિત આ સેન્ટરનું ઉદ્દઘાટન ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા અને જાણીતા ન્યુરોલોજિસ્ટ્સ અને ન્યુરો-રિહેબ સ્પેશિયાલિસ્ટ્સની ઉપસ્થિતિમાં યોજાયું હતું. ગ્રૂપ ડિરેક્ટર જિનલ મહેતાએ જણાવ્યું કે, આ અદ્યતન હોલિસ્ટિક ન્યુરો રિહેબિલિટેશન સેન્ટર, ન્યુરો રિહેબિલિટેશનના ક્ષેત્રમાં અમે જે કરવા માગીએ છીએ તેનો આ પાઇલટ પ્રોજેક્ટ છે. યુએનએમ ફાઉન્ડેશનના હેલ્થકેર ઇનિશિયેટિવ્સના વડા ડો. ચૈતન્ય દત્તે જણાવ્યું કે, આ કેન્દ્રનું નામ-સંકલન, એક સહિયારા ઉદ્દેશ તરફ એક સાથે કામ કરતી વિવિધ શાખાના સમૂહને દર્શાવે છે. સંકલન સેન્ટરમાં લેટેસ્ટ ટેક્નોલોજી, આ રીતે કામ કરાશે 1. ફંક્શનલ નિયર ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમેટ્રી: મગજની કાર્યક્ષમતા બતાવતું આ મશીન પોર્ટેબલ અને નોન-ઇન્વેસિવ છે. જે મગજમાં રક્તપ્રવાહ, ઓક્સિજન લેવલ માપવાની સિસ્ટમ છે, જે ન્યુરલ એક્ટિવિટી મોનિટર કરી મગજના પ્રતિભાવને રિયલ ટાઇમમાં ચેક કરે છે. 2. નોન ઇન્વેસિવ બ્રેઇન સ્ટીમ્યુલેશન- વિદ્યુત અથવા ચુંબકીય પ્રવાહ વડે મગજના ભાગોને ઉત્તેજિત કરવાની અદ્યતન ટેક્નિક છે, જે ખાસ કરીને સ્ટ્રોક કે પાર્કિન્સન્સ જેવા દર્દીમાં મગજની રિકવરી ઝડપી કરવામાં મદદ કરે છે. 3. ઇસોગ્લોવ- આ એક રોબોટિક હેન્ડ ગ્લોવ છે, જે સોફ્ટ મિકેનિકલ ટેક્નોલોજીથી બનેલું છે, જે હાથની મૂવમેન્ટ ગુમાવનાર દર્દીઓને આંગળીઓને મૂવમેન્ટ આપવા ઉપયોગી છે તેમ જ વજનમાં હળવું અને પહેરી શકાય એવું છે. 4. ઇ-હેલ્પર એક્સોસ્કેલેટોન- સ્માર્ટ રોબોટિક એક્સોસ્કેલેટન, જે શરીરના ભાગોને ફિઝિકલ સપોર્ટ આપીને ચાલવામાં અશક્ત દર્દીને ચાલવામાં મદદ કરે છે. 5. ન્યુરો ઓડિયો- બ્રેઇન સ્ટિમ્યુલેશનની સાઉન્ડ-બેઝ્ડ ન્યુરોલોજિકલ થેરાપી સિસ્ટમ છે, જે ધ્વનિ તરંગોથી નર્વ સિગ્નલનું સમન્વય સુધારવામાં મદદરૂપ છે.
અબોલ જીવો પ્રત્યે કરુણા:મોરબીમાં 1962 હેલ્પલાઇનથી આઠ વર્ષમાં 21,000 પશુને મળી સમયસર સારવાર
આકસ્મિક ઘટનામાં જે રીતે માણસને તાત્કાલિક સારવાર મળે અને તેમનો જીવ બચે તે માટે 108 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ છે અને જેના થકી અસંખ્ય લોકોને સારવાર થકી નવું જીવન મળ્યું હતું, તેવી રીતે 2017માં રાજ્ય સરકાર દ્વારા અબોલ જીવને પણ બીમારી કે અન્ય દુર્ઘટના વખતે સારવાર મળે અને તેમને નવજીવન મળે તે માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવાની શરુઆત કરવામાં આવી હતી. આ સેવા શહેરી વિસ્તાર અને ગ્રામ્ય બન્ને વિસ્તારમાં અબોલ જીવની સારવાર માટે સંજીવની સાબિત થઇ હતી. મોરબી જિલ્લાની સ્થિતિ જોઈએ તો 8 વર્ષના ગાળામાં 21 હજાર જેટલા અબોલ જીવને સારવાર આપી તેમને નવજીવન આપવામાં આ સેવા સફળ બની છે. સરકાર દ્વારા શરુઆતમાં પાઈલોટ પ્રોજેક્ટ પર સેવા કર્યા બાદ સમયાંતરે તેમાં એમ્બ્યુલન્સ અને તબીબ સ્ટાફ અને તેમાં જરૂરી ઇક્વિપમેન્ટ વધારો કરી રહ્યું છે તેના કારણે આ સેવા અબોલ જીવનના જીવન બચાવવામાં સુવિધા રૂપ બની છે. મોરબી જિલ્લામાં ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962' પશુ-પક્ષીઓ માટે દેવદૂત સમાન સાબિત થયો છે. છેલ્લા આઠ વર્ષથી કાર્યરત આ હેલ્પલાઇન થકી 21 હજારથી વધુ પશુ પક્ષીઓને નવજીવન મળ્યું છે. 2017થી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ સેવાએ તાજેતરમાં સફળતાપૂર્વક 08વર્ષ પૂર્ણ કર્યા છે. EMRI GHS અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવા 08 વર્ષના ગાળામાં મોરબી જિલ્લામાં અનેક ઇજાગ્રસ્ત અને બીમાર પશુ-પક્ષીઓની સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કોઇ પણ સ્થળે ઇજાગ્રસ્ત પશુઓ મળે તો જાણ કરવા અપીલકરુણા હેલ્પલાઈનના ડો.વિપુલભાઈ કાનાણીએ જણાવેલી વિગતો અનુસાર પશુ પક્ષીઓની હર હંમેશ દરકાર માટેની આ સંવેદનશીલ સેવાના માધ્યમથી મોરબીમાં છેલ્લા 08 વર્ષમાં કુલ 21,836 પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં 17,295 શ્વાન, 3,062 ગાય, 628 બિલાડી, કબૂતર સહિત સુરખાબ, ચકલી, પોપટ, બકરી, કાગડા, સસલા અને ઊંટ જેવા વિવિધ જીવોનો સમાવેશ થાય છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ની દરેક વાન તમામ દવાઓ અને અધ્યતન સાધન સામગ્રીથી સજ્જ છે જેમાં એક તાલીમબદ્ધ વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે.કરુણા એનિમલ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર ડો. મોહમ્મદ સોયબ ખાન દ્વારા નગરના લોકોને શહેરના કોઈ પણ સ્થળે ઇજાગ્રસ્ત કે બીમાર હાલતમાં પશુ-પક્ષી જોવા મળે તો તુરંત જ 1962 હેલ્પલાઇન નંબર પર ફોન કરી આ સરકારી વિનામૂલ્યે સેવાનો લાભ લેવા અને મૂંગા જીવોને મદદરૂપ થવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હડકાયા શ્વાનનો કહેર:મોરબીમાં પાંચ અને જેતપુરના ડેડરવામાં 15 લોકોને બચકાં ભરી લીધાં
મોરબીમાં રામ ઓર શ્યામ પાર્કનામની સોસાયટી વિસ્તારમાંરવિવારે રખડતા શ્વાને એક મહિલા, બાળક, વૃદ્ધ સહિત 5ને બચકું ભરીલેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલખસેડવા પડ્યા હતા, જો કેસ્થાનિકોનો દાવો છે કે આ શ્વાનનેહડકવા ઉપડ્યો હતો અને તેના કારણેજે સામે આવે તેને બટકું ભરી લેતાંનાસભાગ મચી જવા પામી હતી બીજી તરફ મોડી સાંજ સુધીપાલિકાએ શ્વાનને પકડવા કોઇકાર્યવાહી ન કરતાં ભય બમણો થઇગયો હતો.મોરબીમાં શ્વાનના ખસીકરણનીવ્યવસ્થા ન હોવાના કારણે આસમસ્યા સતત વધી રહી છે. રવિવારેસવારે નવલખી રોડ વિસ્તારમાંઆવેલી રામ ઔર શ્યામસોસાયટીમાં એક શ્વાન હડકાયું થયુંહતું. દવા-રસીનો પૂરતો સ્ટોકમોરબી સિવિલ હોસ્પિટલમાં રેબિઝકેસ અને ડોગ બાઇટના સામાન્યકેસમાં જરૂરી એવી તમામ દવાઓ,વેક્સિનનો પુરતો સ્ટોક સિવિલમાંઉપલબ્ધ છે અને પાંચ જ કેસ સામેઆવ્યા છે, તેમાં કોઇ વધારો થયોનથી. અમે આગોતરા આયોજનથીચાલીએ છીએ એટલે દવાઓ કેવેક્સિનની અછતનો કોઇ જ સવાલનથી.તમામ દર્દીઓ ભયમુક્ત છે.> ડો. પી. કે. દૂધરેજિયા , સર્જન,મોરબી સિવિલ હોસ્પિટલ ડેડરવામાં શ્વાને લોકોને ઘરે રહેવા મજબૂર કર્યાજેતપુર તાલુકાના ડેડરવા ગામે એક હડકાયા શ્વાને કહેર વરતાવ્યો હતોઅને વહેલી સવારથી બપોર સુધીમાં નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીગામનાં 15 લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કરતા તમામને સારવાર માટેસરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, શ્વાનને પકડવામાં ન આવતાંલોકો બીકના માર્યા ઘરની બહાર નીકળી શકતા ન હતા અને લોકડાઉનજેવી સ્થિતિ બની હતી. ડેડરવામાં વહેલી સવારે કુદરતી હાજતે જતારૂડીબેનને પાછળથી આવી શ્વાને પગની એડીમાં બચકું ભરી લીધું તોસ્વાતિ નામની બાળકી તેની માતા સાથે કપડાં ધોવા માટે નદીએ ગઇત્યારે તેનો કાન કરડી ખાધો હતો, પંજાબથી આવેલ હરજીતસિંઘ નામનોએક ટ્રક ડ્રાઇવર ટ્રકની બહાર સૂતો હતો ત્યાં શ્વાને આવી તેને હોઠ પરબચકું ભરી લીધું હતું. આ રીતે 15 લોકો જેતપુરની સરકારી હોસ્પિટલેસારવાર લેવા દોડ્યા હતા જેના પગલે સિવિલ તંત્ર પણ દોડતું થયું હતું.
ગ્લોબલ વોર્મિંગની ઘાતક અસરો આપણે સહુ વધતા ઓછા અંશે ભોગવી જ રહ્યા છીએ. પર્યાવરણ જતન માટે, વૃક્ષો વધુને વધુ વાવવા પર ભાર મૂકવા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે કાગળ કે એક દિવસ પુરતી સિમિત ન રહે તે માટે સરકારની સાથે અમુક શાળાઓ પણ યથાયોગ્ય મહેનત કરી રહી છે.જેનું તાજું ઉદાહરણ ધોરાજીમાંથી સાંપડ્યું છે અહીં વન વિભાગના સહયોગથી ખાનગી શાળા એક બે નહીં, ત્રણ વર્ષથી સફૂરા નદી કાંઠાની બિનઉપયોગી પડેલી જગ્યા પર વૃક્ષારોપણ કામગીરી કરી રહી છે અને તેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાઇ રહ્યા છે. આવનારા વર્ષોમાં અહીં હરિયાળી છવાશે તેમાં બે મત નથી. ધોરાજીની ઈમ્પિરિયલ સાયન્સ સ્કૂલ દ્વારા વન વિભાગનાં સહયોગથી સફુરા નદીને કાંઠે છેલ્લા ત્રણ વર્ષથી આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ શાળા તેમજ વન વિભાગના સહયોગથી સફુરા નદીનો કાંઠો હરિયાળો બનાવવાની નેમ સાથે આ અભિયાન છેડવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત વુક્ષો વાવવામાં આવે છે, વર્ષ૨૦૨૩-૨૪માં ર૬૦૦ વૃક્ષ વર્ષ ૨૦૨૪-રપમાં ૧૧૦૦ વૃક્ષ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૧૦૦ વૃક્ષ વાવી વન કવચમાં યોગદાન આપવામાં આવ્યું છે. વૃક્ષના જતન, ઉછેરની જવાબદારી સ્વીકારાઈ માત્ર વાવેતર કરીને અટકી જવાને બદલે શાળા સંચાલકો અને વન વિભાગના સહકારથી વૃક્ષ ફરતે ફેન્સિંગ કરાઇ રહ્યું છે જેથી કરીને પશુઓનો ચારો ન બની જાય, નદી કાંઠો હોવા છતાં પાણી, ખાતર અપાઇ રહ્યું છે. વધારાનું નિંદામણ સમયાંતરે દૂર કરવામાં આવે છે. આ સમગ્ર કામગીરી સ્કૂલના ટ્રસ્ટીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી આવી રહી છે. જામકંડોરણાના સફૂરા નદી પૂલથી ભદ્રકાળી મંદિર પૂલ સૂધી વૃક્ષારોપણની સારી કામગીરી હાથ ધરવામાં આવતાં નદી કાંઠો રળિયામણો બની રહ્યો છે અને મોટી સંખ્યામાં અવનવાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવતાં આ વિસ્તાર આવનારા સમયમાં મહત્વનો ગ્રીન બેલ્ટ બની રહેશે તેમાં બે મત નથી. ગંદકીની જગ્યા હરિયાળીએ લીધી લોકોએ વન વિભાગ અને શાળાના આ પ્રયત્નને બીરદાવીને કહ્યું હતું કે નદી કાંઠે સામાન્ય રીતે ગંદકી ફેલાયેલી રહેતી હતી અને જગ્યાનો દુરુપયોગ થઇ રહ્યો હતો. હવે ત્રણ વર્ષથી અહીં વૃક્ષારોપણ કરવામાં આવતાં અનેક વૃક્ષો મોટા થઇ ગયા છે , અનેક થઇ રહ્યા છે. આથી ગંદકી હટી જતાં આખો વિસ્તાર રળિયામણો બની ગયો છે અને આગામી સમયમાં તો અહીં વન લહેરાઇ ઉઠશે તેમાં બે મત નથી.
ઓઝોન પોલ્યુશન : દેશમાં ફેલાઈ રહી છે નવી ક્લાઈમેટ ક્રાઈસિસ
નાઈટ્રોજન ઓક્સાઈડ અને કાર્બનડાયોક્સાઈડ સાથે સૂર્યનો અસહ્ય તાપ ભળીને લોકોના શ્વાસ રૂંધી રહ્યો છે - ૨૦૨૦માં આવેલા આંકડામાં મિડલ ઈસ્ટ અને સાઉથ એશિયાના દેશો તથા ઈસ્ટ એશિયામાં સાઉથ કોરિયામાં સૌથી વધારે ઓઝોન પોલ્યુશન હતું. તે ઉપરાંત ૨૦૨૧માં દુનિયાના ૭૯ ટકા દેશોમાં ઓઝોન પ્રદૂષણનું પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીના સ્તરે પહોંચી ગયું હતું : આ પ્રદુષિત ગેસ જ્યારે શરીરમાં પ્રવેશે છે ત્યારે શ્વાસનળીમાં બળતરા થવી, ખાંસી થવી, શ્વાસ ચડવો, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ થવા લાગે છે. જાણકારોના મતે મોટા શહેરોમાં આ સમસ્યા વધી રહી છે : જાણકારોના મતે ઓઝોન પ્રદૂષણને કારણે વિશ્વમાં ૪.૮૯ લાખ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત વૃદ્ધો અને નવજાત બાળકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ રહી છે.
સુરતમાં વેટરન્સ સ્પોર્ટસ અને ગેમ્સ નેશનલ ફાઉન્ડેશન દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચોથી નેશનલ માસ્ટર સ્પોર્ટ્સ એન્ડ ગેમ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં દેશના 25 રાજ્યોના 1 હજારથી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટની વિશેષતા એ હતી કે, 30 થી 95 વર્ષના ખેલાડીઓએ સ્વિમિંગ, રનિંગ, શોટપુટ, હાઈઝમ્પ, લોંગઝમ્પ, ટ્રિપલ જમ્પ અને રિલે જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો. ખેલાડીઓએ માત્ર સ્પર્ધા જ નહીં, પરંતુ પોતાનો પ્રતિબદ્ધતા, શારીરિક શક્તિ અને ઉમંગ દર્શાવ્યો. ઈવેન્ટમાં વૃદ્ધો, મહિલા અને વયસ્ક ખેલાડીઓએ પ્રેરણાદાયક વાતાવરણ ઊભું કર્યું અને સૌને દાયકાઓની મહેનત અને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરણા આપી. 72 વર્ષના જગરામ જાટે લાંબી કૂદમાં દેશ વિદેશમાં મેડલ મેળવ્યાં72 વર્ષના જગરામ જાટે કહ્યું હતું કે, હું ખેડૂત છું. નાનપણથી હું ખેતી કામ કરી રહ્યો છું. ત્યારે પગદંડી હોય તેમાં કુદકા મારતો હતો. ત્યાર બાદ કોલેજમાં લોન્ગજમ્પ સહિતની અન્ય સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લેતો હતો. ત્યારથી જ મારી સ્પોર્ટ્સ કરિયરની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ મેં મલેશિયા, એશિયન એથ્લેટિકમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. 90 વર્ષનાં મણીબેન આજે પણ દરરોજ 5 કિલોમીટર ચાલે છે90 વર્ષના મણીબેનેે કહ્યું હતું કે, જામનગરથી આવી છું. 80 વર્ષની થઈ ત્યારે સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યુ. દોડ સૌથી ફેવરિટ ગેમ્સ છે. મારો દિકરો સ્પોર્ટ્સ પર્સન છે એટલા તેણે મને સ્પોર્ટ્સ ઈવેન્ટમાં પ્રેરણા આપી હતી. હું રોજ પાંચ કિલોમીટર ચાલું છું. જે પણ શહેરમાં મારી ગેમ્સ હોય ત્યાં મને મારો દિકરો લઈ જાય છે. 80 વર્ષની ઉંમરે મને એવું લાગે છે મને કોઈ બીમારી નથી80 વર્ષના અંજલી બેને કહ્યું કે, હું પશ્ચિમ બંગાળથી આવી છું. હું દોડ, રિલે રેસ, જેવલિન થ્રો અને ડિસ્ક થ્રો ઈવેન્ટમાં ભાગ લઉ છું. 75 વર્ષની ઉંમરની હતી ત્યારે મને અનેક બીમારીઓ થઈ હતી, ત્યાર બાદ મારી દીકરીની પ્રેરણાથી સ્પોર્ટ્સ એક્ટિવિટીઓ શરૂ કરી. આજે મને એવું લાગે છે કે, મને એક પણ બીમારી નથી. 78 વર્ષના પરશોતમ ભાયાણીએ રિલેમાં ભાગ લઈ સ્વાસ્થ્ય સુધાર્યું78 વર્ષના પરશોત્તમભાઈ ભાયાણીએ કહ્યું હતું કે, હું જ્યારે 60 વર્ષનો થયો ત્યારે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. સ્વાસ્થયને સુધારવા માટે સ્પોર્ટસ એક્ટિવિટીમાં ભાગ લીધો. યોગા પણ કરતો હતો. આજે મને બ્લડ પ્રેશર કે, સુગર જેવી અન્ય કોઈ બિમારી નથી. હું શોટપુટ રિલે રેસ અને હાઈજમ્પ અને રેસિંગ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યો છું.
મંડે પોઝિટીવ:શહેરના બાળકોને ટ્રેક્ટર અને બળદગાડામાં બેસાડી ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડાવાની પહેલ
અમદાવાદ સ્થિત ઉત્તર ગુજરાત લેઉવા પાટીદાર સમાજ દ્વારા ‘ગામડાંની મોજ’ નામે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ધોરણ 4 થી 10માં અભ્યાસ કરતાં 9 થી 15 વર્ષનાં બાળકોને ગામડાંની ટૂર કરાવવામાં આવે છે. જેમાં બાળકો આખો દિવસ ગામડાંમાં જ વીતાવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં જન્મેલાં બાળકો ગામડાં સાથે જોડાયેલા રહે, પૂર્વજોની માતૃભૂમિ અને રહેણી કરણીથી પરિચિત થાય, સાથે સાથે વતન પ્રત્યે અહોભાવ જાગે.તાજેતરમાં દોઢસોથી વધુ બાળકોને ઐઠોર, તરભ, ઊંઝા, સિદ્ધપુર અને મકતુપુર ગામનો પ્રવાસ કરાવ્યો હતો. પ્રવાસ બાદ ઉત્સાહિત બાળકોએ સ્વૈચ્છિક રીતે દર વર્ષે ઓછામાં ઓછા એક વખત ‘ગામડે જઈશું જ’ નો સંકલ્પ કર્યો હતો. પ્રગતિ મંડળના સહમંત્રી અલ્પેશભાઈ પટેલે જણાવ્યું કે, આ પ્રવાસમાં જોડાયેલા બાળકો મોબાઇલ, કેમેરા કે અન્ય કોઈપણ ઇલેક્ટ્રોનિકઉપકરણ પોતાની સાથે રાખી શકતાં નથી. એનું કારણ બાળકો મોબાઇલથી દૂર રહે અને ગામડામાં આનંદ અને મસ્તી સાથે ગ્રામ્ય સંસ્કૃતિનો પૂરો આનંદ માણે તેવો છે. પ્રવાસ દરમિયાન બાળકોને ધર્મસ્થાનોએ લઈ જઈ આપણી સાંસ્કૃતિક ધરોહર તેમજ ટ્રેક્ટર કે બળદગાડામાં બેસાડી ખેતરની સહેલગાહ કરાવી જુદા જુદા પાક અને વનસ્પતિની ઓળખ કરાવાય છે. બાળકોને જુદી જુદી રમતો રમાડાય છે . બાળકો પ્રવાસનાં અનુભવો રજૂ કરે છે. છેલ્લે, બાળકો પરિવાર સાથે વર્ષમાં ઓછામાં ઓછો એક વાર વતનના ગામમાં રાતવાસો કરશે તેવો સંકલ્પ કરાવાય છે. ‘પૌત્ર હવે વેકેશનમાં ગામડે જવાનું કહે છે’રમેશભાઈ પટેલ નામના વાલીએ કહ્યું કે, પૌત્ર આ વર્ષે જ્યારથી પ્રવાસમાં જઈને આવ્યો છે ત્યારથી વેકેશનમાં ગામડે જવાનું વારંવાર કહે છે. આ એક ખૂબ મોટી પોઝિટિવ બાબત છે. બાળકોમાં ગામ પ્રત્યે ભાવનાત્મક જોડાણ થાય છેપ્રવાસમાં જોડાયેલા બાળકના વાલીએ કહ્યું કે, ગામડાંની મોજ પ્રવાસથી બાળકો એકબીજા સાથે આખો દિવસ વીતાવે છે એટલે તેનામાં શિસ્ત, ઉત્સાહ અને ગામ પ્રત્યે ભાવનાત્મક જોડાણ કેળવાય છે. મોબાઇલથી પણ આખો દિવસ દૂર રહે છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર જેમ માણસોની જાતિ મુજબ વસ્તી ગણતરીનો ઓનલાઇન ડેટા રાખે છે દેશભરમાં ચાલી રહેલી ગૌશાળાઓ હવે ટેકનોલોજી સાથે જોડાશે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવ સ્વામીએ એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ હેઠળ “સ્માર્ટ ગૌશાળા” એપ્લિકેશન વિકસાવી છે, જેના માધ્યમથી હવે 9,000થી વધુ ગૌશાળાની તમામ વિગતો એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. હાલમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં લગભગ 1,200 લોકો આ એપ સાથે જોડાવા માટે તૈયારી દર્શાવી ચૂક્યા છે. એપ્લિકેશનમાં દરેક ગાયની જાત, વય, આરોગ્ય, બીમારીનો ઇતિહાસ, લેબ ટેસ્ટ, સારવાર અને મેટિંગનો સમય જેવી વિગતો એપ્લિકેશનમાં એલર્ટ મોડ દર્શાવવામાં આવશે, જેથી ગોપાલકો સમયસર પગલા લઈ શકે. આ પહેલ ગૌપાલન ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆતઆ પહેલ ભારતના ગૌપાલન ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત સૂચવે છે જ્યાં પરંપરા અને ટેક્નોલોજીનું યથાર્થ સમન્વય છે. ઘેરબેઠાં શુદ્ધ દૂધ, ઘી, દહીં, પનીર મળશે 2014માં વિચાર આવ્યો અને 11 વર્ષે એપ તૈયાર થઈ 2014માં વિચાર આવ્યો હતો એક સમર્પિત ગૌભક્ત મળ્યા અને 11 વર્ષના પ્રયત્નો બાદ આ એપ તૈયાર કરવામાં સફળતા મળી છે. > માધવ સ્વામી, સંચાલક, સ્વામિનારાયણ ગૌશાળા, ગાંધીનગર ગૌશાળા સંચાલનમાં પારદર્શિતા આવશેભેળસેળના વધતા કિસ્સાઓ વચ્ચે આ એપ લોકોને આરોગ્યપ્રદ અને શ્રદ્ધાપૂર્વક બનાવેલા ઉત્પાદનો દૂર સુધી સીધી રીતે પહોંચશે. ગુજરાત દેશમાં ચોથા ક્રમે
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બિહાર ચૂંટણી માટે NDAની બેઠકોની વહેંચણીને લગતા હતા. ભાજપ અને JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે. બીજા મોટા સમાચાર મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિવાદાસ્પદ નિવેદનને લગતા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગાઝા પીસ સમિટ ઇજિપ્તમાં યોજાશે. અમેરિકા સહિત 20થી વધુ દેશો ભાગ લેશે. 2. શિમલામાં પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની 9 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આ કાર્યક્રમમાં હાજરી આપશે. કાલના મોટા સમાચારો 1. બિહારમાં NDAએ સીટ શેરિંગની જાહેરાત કરી:ભાજપ-101, જેડીયુ- 101, ચિરાગ- 29, ઉપેન્દ્ર કુશવાહા-માંઝી 6-6 બેઠકો પર ચૂંટણી લડશે રવિવારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAએ પોતાની બેઠકોની વહેંચણીની જાહેરાત કરી. ભાજપ 101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે JDU 101 બેઠકો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની LJP (R) 29 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. જીતન રામ માંઝીના હિન્દુસ્તાન અવમ મોરચા (HAM)ને છ બેઠકો ફાળવવામાં આવી છે, અને ઉપેન્દ્ર કુશવાહાના RLMને છ બેઠકો ફાળવવામાં આવી છે. બેઠક વહેંચણી કરાર બાદ, NDAએ આવતીકાલે, સોમવારે પટનામાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. જીતન રામ માંઝી, જેમણે શરૂઆતમાં ચિરાગના બેઠક વહેંચણીના આગ્રહ પહેલા 40 બેઠકોની માગ કરી હતી, તેમણે કહ્યું, હું છ બેઠકોથી સંતુષ્ટ છું. સંપૂર્ણ સમાચાર વાંચો 2. 'છોકરીઓએ રાતે બહાર ન ફરવું જોઈએ':ગેંગરેપ પછી મમતાનું ચોંકાવનારું નિવેદન, જવાબદારીમાંથી હાથ ખંખેર્યા; કહ્યું- કોલેજો વિદ્યાર્થિનીઓની સુરક્ષાની જવાબદારી લે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે દુર્ગાપુરમાં મેડિકલની વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થિનીઓએ રાત્રે બહાર ફરવું જોઈએ નહીં અને ખાસ કરીને નિર્જન વિસ્તારોમાં સતર્ક રહેવું જોઈએ. ગેંગ રેપની ઘટના બાદ, સીએમ મમતા બેનર્જીએ એક વિવાદીત ટિપ્પણી કરી અને વિદ્યાર્થિનીઓની સુરક્ષાની જવાબદારી ખાનગી કોલેજો પર ઢોળવાનો પ્રયાસ કર્યો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યો છે કે 23 વર્ષીય વિદ્યાર્થિની મોડી રાત્રે કેમ્પસમાંથી કેવી રીતે બહાર આવી. સંપૂર્ણ સમાચાર વાંચો 3. 'ઓપરેશન બ્લુ સ્ટાર મોટી ભૂલ હતી':પી ચિદમ્બરમે કહ્યું- ઈન્દિરાજીએ તે ભૂલની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવી; એ નિર્ણય ફક્ત તેમનો નહોતો ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે કહ્યું, જૂન 1984માં અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી ઉગ્રવાદીઓને બહાર કાઢવા માટે શરૂ કરાયેલ ઓપરેશન બ્લુ સ્ટાર 'મોટી ભૂલ' હતી. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ ભૂલની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવી હતી. જોકે, આ નિર્ણય એકલા ઇન્દિરા ગાંધીનો નહોતો. છેલ્લા છ મહિનામાં ઓપરેશન બ્લુ સ્ટાર પર આ બીજું મોટું નિવેદન છે. આ પહેલા, 4 મેના રોજ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં, તેઓ કહેતા જોવા મળ્યા હતા કે 1984નું ઓપરેશન બ્લુ સ્ટાર એક ભૂલ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. અફઘાનિસ્તાને 58 PAK સૈનિકોનો ખાતમો બોલાવ્યો:25 ચોકીઓ કબજે કરી હોવાનો દાવો; કહ્યું- ISISના આતંકીઓને આશ્રય આપી રહ્યું છે પાકિસ્તાન અફઘાનિસ્તાનનો દાવો છે કે શનિવારે રાત્રે પાકિસ્તાન સરહદ પર થયેલી અથડામણમાં તેની સેનાએ 58 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હતા. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, અફઘાન સુરક્ષા દળોએ 25 પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર કબજો કર્યો હતો. આ કાર્યવાહીમાં 58 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને 30 અન્ય ઘાયલ થયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 5. અફઘાન વિદેશમંત્રીની પ્રેસ કોન્ફરન્સ, મહિલા પત્રકારો પહેલી લાઇનમાં બેઠી:મુત્તાકીએ કહ્યું- ગઈ વખતે સમય ઓછો હતો, તેથી બધાને ન બોલાવ્યા અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ રવિવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહિલા પત્રકારો પ્રથમ હરોળમાં બેઠા હતા. અગાઉ, શુક્રવારે, મહિલા પત્રકારોને પ્રેસ કોન્ફરન્સમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે વિવાદ થયો હતો. મુત્તાકીએ ગઈ વખતે મહિલા પત્રકારોને આમંત્રણ ન આપવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું. સંપૂર્ણ સમાચાર વાંચો 6. બોટાદમાં AAPની ખેડૂત મહાપંચાયતમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ:પથ્થરમારામાં 3 પોલીસકર્મી ઘાયલ, DySPનો હાથ ભાંગ્યો, 20 ડિટેઈન; ઈસુદાન પહોંચે પહેલા જ અટકાયત બોટાદ APMCમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ચલાવાતી લૂંટને લઈને ચાલતો વિવાદ આજે વકર્યો હતો. પોલીસ દ્વારા મંજૂરી નકારાઈ હોવા છતાં, બોટાદના હડદડ ગામે ખેડૂતોની એક પંચાયત યોજાઈ હતી, જે દરમિયાન પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હડદડ ગામે ખેડૂત પંચાયત માટે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. પોલીસે અહીં એકઠા થયેલા લોકોને વિખેરવાનો પ્રયાસ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. બબાલ દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 7. એક્ટિવા ચાલક ઘટનાસ્થળે જ ભડથું, VIDEO:ડમ્પરની ટક્કરથી મોપેડની ટાંકી લીક થતાં આગ લાગી, અમદાવાદના SP રિંગ રોડની ઘટના અમદાવાદના SP રિંગ રોડ પર સરદાર ધામ નજીક સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં એક્ટિવાચાલકનું મોત નિપજ્યું છે. રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા ડમ્પર અને એક્ટિવા વચ્ચે ટક્કર થયા બાદ એક્ટિવાની પેટ્રોલની ટાંકી લીંક થતા અને સ્પાર્ક થતા આગ ફાટી નીકળી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક્ટિવા અને ડમ્પર આગની ચપેટમાં આવી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે એક્ટિવાચાલક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો હતો. ફાયરબ્રિગેડે પાણીનો મારી ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. એન્ટરટેઇનમેન્ટઃ પૂર્વ કેનેડિયન પીએમ અને અમેરિકન પોપ સ્ટારનો મધદરિયે રોમાંસ:જસ્ટિન ટ્રુડો કેટી પેરીને કિસ કરતા હોવાના ફોટો વાઇરલ; લાંબા સમયથી ડેટિંગની ચર્ચા (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. નેશનલઃ DGCA એ ઇન્ડિગો પર 40 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો:કેટેગરી C એરપોર્ટ પર નિયમો મુજબ પાઇલટ ટ્રેનિંગ સિમ્યુલેટરનો ઉપયોગ ન કરવા બદલ કાર્યવાહી (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. વિદેશઃ ગાઝા બંધકોની મુક્તિ આજથી શરૂ થશે:20 જીવીત, 28 મૃતદેહો સોંપશે; હમાસ નેતાએ કહ્યું- ટ્રમ્પની યોજનાના કેટલાક મુદ્દાઓ સાથે અસંમત (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. હવામાનઃ ઉત્તરાખંડથી આવતા ઠંડા પવનોને કારણે ઉત્તર ભારતમાં પારો ગગડ્યો:પર્વતીય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ; સવાર- સાંજ ઠંડીમાં વધારો (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. શેરમાર્કેટઃ મિડવેસ્ટ લિમિટેડનો IPO 15 ઓક્ટોબરે ખુલશે:કંપની ઇશ્યૂમાંથી ₹451 કરોડ એકત્ર કરશે, 17 ઓક્ટોબર સુધી રોકાણની તક; મિનિમમ રોકાણ ₹14,910 (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન ખબર હટકે પુત્રની ગર્લફ્રેન્ડને થપ્પડ મારનારને ઈનામની જાહેરાત થાઈ ઉદ્યોગપતિ આર્નોને તેમના પુત્રની ગર્લફ્રેન્ડને 10 વાર થપ્પડ મારનારને 81000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પોલીસને દંડ ભરશે. બાદમાં, વિવાદ વધતાં, તેમણે પોસ્ટ હટાવી દીધી અને જાહેરાત કરી કે તેઓ તેમના પુત્ર સાથેના બધા સંબંધો તોડવાની વાત કરી. હકીકતમાં, તેમનો પુત્રએ તેની પત્ની અને બાળકોને છોડીને ગર્લફ્રેન્ડ સાથે રહેવા લાગ્યો હતો. આર્નોન એક પ્રખ્યાત થાઈ ઉદ્યોગપતિ છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. મિત્રોને દિવાળીની શુભકામના આપી ને ત્રણ ઢીમ ઢળ્યા:સાણંદની ઘટનામાં સંબંધોના તાણાંવાણાં, મર્યા તે પતિ-પત્ની નહોતાં!; પરિવારને હત્યા થયાની આશંકા 2. અમિતાભની ફિલ્મના પ્રોડ્યુસરનું કિડનેપિંગ થયું:ધોળે દહાડે ટ્રાફિકમાંથી ઉઠાવી લીધા, 25 લાખની ખંડણી માગી, કિડનેપર અમદાવાદમાં છુપાઇ ગયો 3. મંત્રીમંડળ બદલવા આ સાતમાંથી કોઈ ફોર્મ્યુલા અપનાવી શકે છે ભાજપ:ગુજરાતમાં રાજસ્થાનવાળી થવાની પણ ચર્ચા, 11 વર્ષમાં 5 બોલ્ડ નિર્ણય લઈને ચોંકાવવાનો રેકોર્ડ 4. ગુજરાતભરમાં એક્ટિવ હનીટ્રેપ ગેંગ ટાર્ગેટ કેવી રીતે શોધે છે?:‘લિફ્ટ આપો, ચા પીવા ચાલો, બીમાર છું દવાખાને મૂકી જાઓ’ કહીને યુવતીઓએ ફસાવ્યા, લાખો રૂપિયા ખંખેરી લીધા 5. સંડે જઝબાત: 8 વર્ષના દિયર સાથે લગ્ન નક્કી:સૈનિકની 22 વર્ષની વિધવાએ રડતાં-રડતાં ઘટના જણાવી; હું સેનામાં ડોક્ટર હતી, સાંભળીને ધ્રૂજી ગઈ 6. ઇઝરાયલે નસરાલ્લાહને મારીને હિઝબુલ્લાહને ખતમ કર્યું?:આતંકવાદી સંગઠનના કમાન્ડરે ભાસ્કરને કહ્યું, અમે હજુ જીવીએ છીએ, ડ્રોન અને મિસાઇલો તૈયાર છે 7. આજનું એક્સપ્લેનર:ભારત મુત્તાકીના સ્વાગતમાં આટલું વ્યસ્ત કેમ? અસલી ગેમ સમજો; તાલિબાન સાથે દોસ્તીના ફાયદા-નુકસાન કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મિથુન જાતકોને પોલિસી વગેરેમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે;સિંહ જાતકોને મહત્ત્વના લોકો સાથે મુલાકાત લાભદાયક રહેશે (વાંચો સંપૂર્ણ રાશિફળ)
શૈક્ષણિક પ્રવાસનું આયોજન:ભરૂચના 50થી વધુ ખેડૂતે વાઇબ્રન્ટ ગુજરાતની કોન્ફરન્સમાં ભાગ લીધો
ભરૂચ જિલ્લા બાગાયત વિભાગે ખેડૂતો માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 વધુ બાગાયત ખેતી કરતાં ખેડૂતોને બાગાયતી ક્ષેત્રની નવીનતમ તકનીક થી વાકેફ કરવાના હેતુથી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની મુલાકાત માટે ભરૂચ જિલ્લાના સામાન્ય, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેડૂતોના આ પ્રતિનિધિ મંડળે ગણપત યુનિવર્સિટી, મહેસાણામાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. વિવિધ સ્ટોલ પર ખેડૂતોએ અત્યાધુનિક ફાર્મ મીકેનાઇઝેશન ખેતીનું યાંત્રિકીકરણ અને પ્રોસેસિંગ પ્રક્રિયાકરણ જેવા વિષયો અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ મુલાકાતથી ખેડૂતોને ખેતીમાં ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા માટે આધુનિક સાધનોના ઉપયોગ વિશે માર્ગદર્શન મળ્યું હતું. સાથે કોલેજ ઓફ હોર્ટિકલ્ચર, જગુદણ અને મસાલા સંશોધન કેન્દ્ર જેવા 3 સંશોધન કેન્દ્રોની પણ મુલાકાત લીધી હતી. સંશોધન કેન્દ્રોના નિષ્ણાતોએ તેમને વિવિધ બાગાયતી પાકો અને મસાલાના પાકોના સંશોધન, ગુણવત્તા સુધારણા તેમજ રોગમુક્ત બિયારણ અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.
જૈન મુનિ નિલેશચંદ્રએ શાંતિદૂત જનકલ્યાણ પક્ષની ઘોષણા કરીને રાજકારણમાં પ્રવેશ કર્યો છે. પક્ષનું પ્રતિક શાંતિદૂત કબૂતર રાખવામાં આવ્યું છે અને આ પક્ષ મુંબઈ મનપા ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે એવી ઘોષણા કરી ત્યારે રવિવારે મનસે પ્રમુખ રાજ ઠાકરે અચાનક પરિવાર સાથે ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી બંગલો પર પહોંચી ગયા હતા. મહાપાલિકાની ચૂંટણી નજીકમાં છે ત્યારે આ મુલાકાત અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજ ઠાકરેની આ અચાનક મુલાકાતને લીધે રાજકીય વર્તુળમાં જોરદાર ચર્ચા શરૂ થઈ છે. બંને ભાઈઓમાં ફક્ત કૌટુંબિક નહીં પણ રાજકીય મુદ્દા પર પણ ચર્ચા થઈ હોઈ શકે એવા તર્કવિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. આથી શિવસેના ઠાકરે જૂથ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ફરી એકત્ર આવીને મહાપાલિકાની ચૂંટણીનો સામનો કરશે કે કેમ તે વિશે અટકળો બાંધવામાં આવી રહી છે. બીજી બાજુ રાજ ઠાકરેએ જણાવ્યું કે હું મારા કુટુંબ સાથે માતોશ્રીમાં આવ્યો. મારી માતા પણ મારી સાથે હતી. આ કૌટુંબિક મુલાકાત છે. જોકે રાજકીય નિરીક્ષકો જણાવે છે કે રાજની માતોશ્રી પર વધેલી ફેરીઓ મનસે અને ઠાકરે જૂથ આગામી ચૂંટણીમાં એકત્ર આવવાના સંકેત હોઈ શકે છે. એકત્ર રહેવા માટે જોડે આવ્યા છીએ એમ ઉદ્ધવે જણાવ્યું હતું, જ્યારે રાજે મરાઠીના મુદ્દા પર બધું બાજુમાં રાખીને એકત્ર આવવું જોઈએ એમ સ્પષ્ટ કર્યું હતું. આથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં નવી યુતિ થશે કે કેમ એવી ચર્ચા છે. દરમિયાન 14 ઓક્ટોબરે મહાવિકાસ આઘાડીનું શિષ્ટમંડળ ચૂંટણી પંચની મુલાકાત લેવાનું છે. હજુ રાજ મહાઆઘાડીમાં નહીં હોવા છતાં તેઓ આ શિષ્ટમંડળ સાથે ચૂંટણી પંચની મુલાકાત લેવાના હોવાથી હવે ઠાકરે બંધુની યુતિ પર એક રીતે મહોર લાગી ચૂકી છે એવી પણ ચર્ચા છે. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ- શિંદે જૂથ- અજિત પવાર જૂથની મહાયુતિએ રાજને પોતાની બાજુમાં કરી લીધા હતા. જોકે આ ચૂંટણીમાં મહાયુતિની જોરદાર પછડાટ થઈ હતી. રાજ ઠાકરે મહાયુતિથી નારાજ કેમ? આ પછી વિધાનસભાની ચૂંટણીમાં રાજે પોતાના પુત્ર અમિતને માહિમ મતવિસ્તારમાંથી ઊભો રાખ્યો, પરંતુ શિંદે જૂથના સદા સરવણકરે આ બેઠક છોડવાનો ઈનકાર કર્યો અને તેઓ પણ ઊભા રહ્યા. આ બે વચ્ચે લડાઈમાં ઠાકરે જૂથે બેઠક જીતી, જેને કારણે રાજ નારાજ થયા હતા, જેથી પણ મહાપાલિકામાં મહાયુતિને પાઠ ભણાવવા રાજ દ્વારા ઉદ્ધવ સાથે ચૂંટણી લડવામાં આવી શકે એમ કહેવાય છે.
માર્ગોનું સમારકામ:ભરૂચ શહેરમાં ચોમાસામાં બિસ્માર બનેલા તમામ માર્ગોનું દિવાળી પૂર્વે સમારકામ શરૂ
ભરૂચ નગરપાલિકા દ્વારા વાહનચાલકો માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસામાં બિસ્માર બનેલા મોટાભાગના તમામ માર્ગોનું દિવાળી પૂર્વે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભરૂચ શહેરના વાહનચાલકો માટે રાહતભર્યા સમાચાર છે. લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે. ચોમાસું વિદાય લેતા જ તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગોનું પુનઃનિર્માણ અને રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે દિવાળી પૂર્વે શહેરના મોટા ભાગના માર્ગોનું સમારકામ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.ખાસ કરીને કસક સર્કલથી કસક ગરનાળુ અને ધોળીકુઈને જોડતો માર્ગ, પાંચબત્તીથી ઢાલ તથા શક્તિનાથ સર્કલ, તેમજ શક્તિનાથ સર્કલથી ભૃગુઋષિ ઓવરબ્રિજ સુધીના માર્ગોનું સમારકામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે.ચોમાસા દરમ્યાન ભારે વરસાદને કારણે માર્ગો પર ખાડા પડી ગયા હતા અને ધૂળિયા માર્ગોના કારણે વાહનચાલકોને મુસાફરીમાં ભારે તકલીફોનો સામનો કરવો પડતો હતો.
આરોપી ઝડપાયો:દહેજનો 24 વર્ષનો વોન્ટેડ આરોપી પંજાબથી ઝડપાયો
ભરૂચના દહેજ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો 24 વર્ષ અગાઉ નોંધાયો હતો. આ ગુનામાં છેલ્લા ચોવીસ વર્ષથી નાસતો-ફરતો આરોપી ભગવાન કબીરપુર જી.કપુરતલા પંજાબની ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે આરોપી સુલતાનપુર લોઢી ખાતે હોવાની માહિતી પોલીસને મળી હતી. દહેજ પોલીસની એક ટીમ પંજાબના લોઢી ખાતે રવાના કરવામાં આવી હતી સ્કૂલમાં બસ ડ્રાઇવર તરીકે કામ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીને દહેજ લાવી કાર્યવાહી હાથ ધરી છે.
સિદ્ધિ:શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
ધર્મ અને સંસ્કારના પ્રચાર–પ્રસાર ક્ષેત્રે અગ્રણી શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘને “બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ લંડન તરફથી ‘બેસ્ટ સંસ્થા’નો એવોર્ડ ડૉ. અવિનાશ સકુંડે, સ્થાપક ચેરમેન, તેમના હાથે આપવામાં આવ્યો છે. આ સાથે જૈન ધર્મના શાશ્વત સિદ્ધાંતોના પ્રસાર અને પાઠશાળાઓની અમૂલ્ય ભૂમિકા બદલ સંસ્થાના અગ્રણી પદાધિકારીઓને અમેરિકન યુનિવર્સિટી દ્વારા ગૌરવપૂર્ણ માનદ ડોક્ટરેટની ઉપાધિ સંજયભાઈ જીવનલાલ શાહ સંસ્થાના ઉપાધ્યક્ષ, અશોક નરસી ચરલા ટ્રસ્ટી, અલ્પાબેન સંજયભાઈ શાહ મહિલા વિભાગ સંસ્થાના ઉપાધ્યક્ષાને એનાયત કરવામાં આવી અને સંસ્થા દ્વારા પદાધિકારીઓનું બહુમાન કરવામાં આવ્યુંય શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘે ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે અને રાષ્ટ્રીય સ્તરે એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે દેશભરમાં 655 જૈન પાઠશાળાઓનું સફળ સંચાલન દ્વારા જૈન ધર્મ અને સંસ્કૃતિનું જ્ઞાન 75,000થી વધુ બાળકો મેળવી રહ્યા છે દર વર્ષે 25,000થી વધુ વિદ્યાર્થીઓ ધાર્મિક પરીક્ષા આપે છે. આ સિદ્ધિઓ સમાજમાં ધર્મ પ્રત્યે વધતા આકર્ષણ અને શ્રી સંઘની મજબૂત કાર્યશૈલીનો પુરાવો છે આ એવોર્ડ સંસ્થાની આપણી સંસ્કૃતિના આ પાયાના સિદ્ધાંતોનું જતન જૂની દાયકાઓ ની ધાર્મિક સેવા અને ભવિષ્યમાં ધાર્મિક શિક્ષણના વિસ્તરણના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. આ અવસરે શ્રી નેમિસૂરી સમાજના આચાર્ય પ.પૂ. શ્રી ચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા સાધુ–સાધ્વીજી ની નિશ્રા ને કારણે સમગ્ર કાર્યક્રમમાં આધ્યાત્મિક ઉર્જાનો માહોલ સર્જાયો હતો.શ્રી સંઘ દ્વારા 3 થી 11 વર્ષની વયના નાના બાળકોના જ્ઞાન અને તપના પુરુષાર્થને સન્માન આપવા માટે બાબૂલનાથ ખાતે શ્રી સહસ્ત્ર ફણા શ્વેતાંબર મૂર્તિપુજક તપાઞ્છ સંઘમાં એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે 150 બાળકોને ધાર્મિક જ્ઞાન માટે વિશેષ ઇનામો અને પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં અફસર કુરૈશી, મંધા શિંદે, રાજેશકુમાર ઉપાધ્યાય, ડૉ. અવિનાશ સાકુંડે, ડૉ. યતિન દેવધર, બાબુભાઈ ભવાનજી, પ્રદીપભાઈ ચૌક્સી, વિક્રમભાઈ એન શાહ, ધીરેન્દ્રભાઈ જવેરી, રાજેશભાઈ દોશી, શિરીન જરીવાલા, શાંતિભાઈ સંઘવી અને અનેક સંસ્થાઓના ટ્રસ્ટીગણને પણ શ્રી ધાર્મિક શિક્ષણ સંઘ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાઇબર ઠગ ઝડપાયા:જામતારાના સાઇબર ઠગના ચાર બેેંક ખાતાની તપાસમાં 27 ફરિયાદો મળી
દેશભરના 2 હજાર કરતાં વધારે લોકોના ખાતાઓમાંથી પૈસા ચાઉ કરી જનારા જામતારાના સાયબર ઠગના ચાર બેંક ખાતાઓની પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી સામે નોંધાયેલી ફરિયાદો પૈકી 27 ફરિયાદમાં આ ચાર બેંક ખાતાનો ઉલ્લેખ જોવા મળી રહયો છે. પોલીસ આરોપીના સાગરિતો વિશે માહિતી મેળવી રહી છે. દેશભરના મોબાઇલધારકોને કેવાયસી અપડેટના નામે એપીકે ફાઇલ મોકલી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકીના મુખ્ય સાગરિતને ભરૂચ પોલીસે ઝારખંડના જામતારાથી ઝડપી પાડયો છે. આરોપીએ અત્યાર સુધીમાં એક મોબાઇલમાં એક જ કંપનીના 1980 સીમકાર્ડનો ઉપયોગ કરી લોકો સાથે ઠગાઇ કરી છે. આરોપી જે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો હતો તેની સામે એનસીસીપીઆર અને સમન્વય પોર્ટલ ઉપર 2018 ફરિયાદ નોંધાયેલી છે.અઢી મહિનામાં 2,200 ફોન કોલના વિશ્લેષણ બાદ આરોપીનું પગેરૂ મળ્યું હતું. ભરૂચ પોલીસે ઝારખંડના જામતારા જિલ્લાના દુધાની ગામના રહેવાસી એવા 24 વર્ષીય રાજેશ મંડલની ધરપકડ કરી છે. આરોપી બે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો હતો. તેણે એક જ કંપનીના 1980 સીમકાર્ડનો ઉપયોગ કરી લોકો સાથે ઠગાઇ કરી છે. આરોપીના ચાર બેંક ખાતાઓના નંબર પોલીસના હાથે લાગ્યાં છે. આ ખાતાઓની તપાસ દરમિયાન ઠગાઇના 27 કિસ્સામાં આ ચાર બેંક ખાતાનો ઉપયોગ થયો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે 4 દિવસ માટે વોચ ગોઠવી હતીજામતારા જિલ્લો સાઇબર ઠગો માટે કુખ્યાત છે .ભરૂચના 5 પોલીસ કર્મચારીઓ સહીત દેશભરના 2000થી વધુ લોકો સાથે થનાર કરાવનારી ગેંગ પર ભરૂચ પોલીસ તથા સાયબર સેલની ટીમે સતત વોચ ગોઠવી હતી.મોબાઈલ ફોનના કોલ રેકોર્ડ અને લોકેશનના આધારે મુખ્ય આરોપીનું પગેરું મળ્યું હતું.આરોપી ગુનો આચરવા માટે જંગલમાં જતો રહેતો હોવાથી પોલીસે 4 દિવસ સુધી વોચ ગોઠવી હતી.
બાન્દરા-ધારાવી ફ્લાયઓવરની કામગીરી:બાન્દરા-ધારાવી ફ્લાયઓવરનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં પૂરો
મુંબઈમાં ટ્રાફિકજામના ઉકેલ માટે મુંબઈ મહાપાલિકા તરફથી બાન્દરા-ધારાવી ફ્લાયઓવરને મીઠી નદી પરથી જોડવાનો મહત્વનો પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો હતો. આ પ્રકલ્પનો પહેલો તબક્કો હવે પૂરો થવામાં છે. 30 નવેમ્બર સુધી આ તબક્કાનું કામ પૂરું થઈ જશે. સંપૂર્ણ પ્રકલ્પ ડિસેમ્બર 2027 સુધી પૂરો થશે એવી માહિતી મહાપાલિકા તરફથી આપવામાં આવી છે. આ પુલના લીધે બાન્દરા અને ધારાવી દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા મોટા પ્રમાણમાં ઓછી થશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે. નવેમ્બરના અંત સુધી પુલનો પશ્ચિમ તરફનો ભાગ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાની તૈયારી ચાલુ છે. મીઠી નદીના વિસ્તરણના ઉપક્રમના એક ભાગ તરીકે બાન્દરા અને ધારાવીને જોડતા પુલને નવેસરથી બાંધવામાં આવી રહ્યો છે. આ પુલ જિયો વર્લ્ડ ડ્રાઈવ રોડ જંકશન નજીક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ચાલુ થાય છે અને ધારાવીની દિશામાં જાય છે. અત્યારનો પુલ મીઠી નદીથી લગભગ 110 મીટર દક્ષિણે છે. આ પુલની પુનર્બાંધણી બે તબક્કામાં કરવામાં આવશે.
રાજ્ય સરકારે રજૂ કરી નવી નિયમાવલી:એપ આધારિત સેવામાં પારદર્શીતા, સુરક્ષા મુદ્દે નવી નિયમાવલી જાહેર
રાજ્યની એપ આધારિત ઓલા, ઉબર, રેપિડો જેવી પ્રવાસી પરિવહન સેવાઓ માટે વધુ શિસ્તબદ્ધતા, પારદર્શકતા અને પ્રવાસી સુરક્ષા માટે રાજ્ય સરકારે નવી નિયમાવલીનો મુસદ્દો જાહેર કર્યો છે. એના પર 17 ઓક્ટોબર સુધી વાંધા અને સૂચના નોંધાવી શકાશે. એના પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે એવી માહિતી પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આપી હતી. આ નવા નિયમોના લીધે એગ્રીગેટર કંપનીઓ, ચાલક અને પ્રવાસી વચ્ચેનો સંબંધ વધુ પારદર્શક થશે. તેમ જ ભાડું, સેવા ગુણવત્તા, ચાલકોના હક અને પ્રવાસી સુરક્ષાની દષ્ટિએ મહત્વના ફેરફાર થશે. આ નિયમ ઈ-રિક્ષા સહિત તમામ પ્રવાસી પરિવહન વાહનોના એગ્રીગેટરને લાગુ થશે. એટલે કે ઓલા, ઉબર જેવી કેબ સેવા સાથે ઈ-રિક્ષાનો પણ એમાં સમાવેશ થશે. તેમ જ બાઈકટેક્સી સેવા માટે સ્વતંત્ર મહારાષ્ટ્ર બાઈકટેક્સી નિયમ લાગુ રહેશે અને એના માટે જુદું લાયસંસ લેવું પડશે એમ સરનાઈકે સ્પષ્ટ કર્યું હતું. માગ વધે તો ભાડું વધારવાની ઓલા, ઉબરને છૂટ આપવામાં આવી છે. એ અનુસાર ભાડામાં વધારો આરટીઓએ નક્કી કરેલા મૂળ ભાડાના દોઢ ગણા કરતા વધુ ન હોવું જોઈએ. તેમ જ માગ ઓછી થાય તો ભાડું મૂળ દરના 25 ટકા કરતા ઓછું કરી શકાશે નહીં. ચાલક એક દિવસમાં વધુમાં વધુ 12 કલાક એપ પર લોગઈન રહી શકે છે. એ પછી ઓછામાં ઓછા 10 કલાક આરામ કરવાનો રહેશે. એગ્રીગેટર પાસે જોડવા પહેલાં ચાલકોને 30 કલાકનો પ્રેરણા પ્રશિક્ષણ કાર્યક્રમ પૂરો કરવો પડશે. પ્રવાસીઓને 5 લાખ રૂપિયા સુધીનો પ્રવાસ વીમો લેવાનો વિકલ્પ એપમાં અનિવાર્ય રીતે ઉપલબ્ધ હોવો જોઈએ. ઓટોરિક્ષા અને મોટરકેબ નોંધણીથી 9 વર્ષ કરતા વધુ જૂની ન હોવી જોઈએ. એપ મરાઠી, હિંદી અને અગ્રેજી ભાષામાં ઉપલબ્ધ હોવું જોઈએ. ચાલકને રાઈડ સ્વીકરવા પહેલાં પ્રવાસીનું જવાનું ઠેકાણું દેખાય નહીં એ પ્રમાણે એપ ડીઝાઈન કરેલું હોવું જોઈએ. પ્રવાસીના લાઈલ લોકેશન શેરિંગ અને પ્રવાસ સ્થિતિ જોવાની સુવિધા એપ પર હોવી જોઈએ. દિવ્યાંગ પ્રવાસીઓ માટે વિશેષ સુવિધા અનિવાર્ય હોવી જોઈએ જેવા અનેક નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્વોલિટી સુધરવાની અપેક્ષાઆ નિયમોના લીધે રાજ્યની એપ આધારિત ટેક્સી સેવામાં પ્રવાસીઓમાં વિશ્વાસ, સુરક્ષિતતા અને સેવાનો દરજ્જો સુધરવાની અપેક્ષા છે. તેમ જ ચાલકોના કામકાજ માટે નક્કર મર્યાદા અને કલ્યાણકારી જોગવાઈ લાગુ થવાથી ચાલકોનો પણ શોષણથી બચાવ થશે એમ સરનાઈકે ઉમેર્યું હતું.
સિદ્ધિ:ફનસ્કીલને ટોય કન્ટેસ્ટમાં ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડસ
ફનસ્કૂલ ઈન્ડિયાને ધ ઓલ ઈન્ડિયા ટોય મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા ટોય સ્પર્ધામાં ત્રણ શ્રેણી હેઠળ પ્રતિષ્ઠિત એવોર્ડસ મળ્યા છે. સેન્ડ આર્ટ સીઝન્સે આર્ટસ અને ક્રાફ્ટસ શ્રેણીમાં, જમ્પિન મેલડીઝ કીબોર્ડે ઈલેક્ટ્રોનિક ટોયઝ શ્રેણીમાં અને પેગ પિક્સેલ વેહિકલ્સ અને બેશ એન પોપ સ્લાઈડ ટાવરે જનરલ એક્ટિવિટી ટોયઝ શ્રેણીમાં એવોર્ડ જીત્યા છે. સીઈઓ કે એ શબીરે જણાવ્યું કે આ સન્માન રમકડાના ઉત્પાદનમાં ઈનોવેશન અને એક્સલન્સ પ્રત્યે અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે. દરેક એવોર્ડ વિજેતા રમકજું શીખવા સાથે મોજમસ્તીને જોડવાનો અમારો ધ્યેય પ્રદર્શિત કરે છે, જે દરેક ફનસ્કૂલ રમકડું ક્રિયેટિવિટીને પ્રોત્સાહન આપે છે અને નાના ડ્રીમર્સને ખોજ, કલ્પના અને રમત થકી વૃદ્ધિ કરવા માટે પ્રેરિત કરે છે.
મંડે પોઝિટીવ:ભરૂચ શહેરમાં સ્વચ્છતા તેમજ પર્યાવરણની જાગૃતિ માટે 4 હજાર નાગરિકોએ દોડ લગાવી
ભરૂચમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે ભરૂચ મેરેથોન 2025નું ભવ્ય આયોજન ભરૂચ રનિંગ ક્લબ તથા રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.આ મેરેથોનમાં નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી કુલ 4000થી વધુ દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મેરેથોનની શરૂઆત ભરૂચની જે.પી. કોલેજ પરથી કરવામાં આવી હતી,જેમાં 3 કિમી, 5 કિમી,10 કિમી તથા 21 કિમી જેવી વિવિધ કેટેગરીમાં દોડ યોજાઈ હતી. દોડ દરમિયાન દોડવીરોએ પ્લાસ્ટિક મુક્ત ભારતઅને સ્વચ્છ ભરૂચ સ્વસ્થ ભરૂચ જેવા સૂત્રો સાથે બેનરો અને પ્લેકાર્ડ મારફતે જનજાગૃતિ ફેલાવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ શહેરના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સતત ચોથા વર્ષે યોજાતી આ મેરેથોન ભરૂચમાં સ્વાસ્થ્યપ્રેમી સંસ્કૃતિ અને પર્યાવરણ જાગૃતિનું પ્રતિક બની રહી છે.