SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

બગવાડા ટોલ પ્લાઝા પર સ્વિફ્ટ કારમાં આગ:શોર્ટ સર્કિટથી કાર બળીને ખાખ, ટ્રાફિક જામ થયો

પારડી નજીક બગવાડા હાઈવે ટોલ પ્લાઝા પર એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાને કારણે ટોલ પ્લાઝા પર થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામ થયો હતો. મળતી માહિતી મુજબ, આ સ્વિફ્ટ કાર નવસારી પાસિંગની હતી. કારમાં શોર્ટ સર્કિટ થતાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આખી કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 9:19 pm

24 કલાકમાં કાપોદ્રા અને ડીંડોલી બાદ ઉત્રાણમાં યુવકની હત્યા:સમાધાન કરાવવા ગયેલા સાહિલ પર મિત્રના સાળાનો હુમલો, 8 ઘા ઝીંકી પતાવી દીધો; ત્રણ આરોપીઓ પકડાયા

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છેલ્લા 24 કલાકમાં જ હત્યાના ત્રણ અલગ-અલગ બનાવોએ શહેરને બન્યા છે. ડિંડોલી અને કાપોદ્રામાં થયેલી હત્યા બાદ ઉત્રાણ વિસ્તારમાં પણ લોહિયાળ ખેલ ખેલાયો હતો, જ્યાં મિત્રો વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા 24 વર્ષીય સાહિલ નામના યુવકને ટાર્ગેટ બનાવી તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે ત્રણ આરોપીઓની અને કાપોદ્રા પોલીસે હત્યાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, ડિંડોલી વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ઉત્રાણમાં સમાધાન કરાવવું ભારે પડ્યુંસુરતના ઉત્રાણ મોટા વરાછા વિસ્તારમાં 9 જાન્યુઆરીની રાત્રે સાડા દશ વાગ્યાના અરસામાં એ.આર. મોલ પાસે હત્યાની ઘટના બની હતી. 24 વર્ષીય સાહિલ ઉર્ફે સાહિલ ઘોદો તેના મિત્ર સુનીલ ઉર્ફે ડેન્જર અને આરોપી ઉત્તમ જેના વચ્ચે બાઇક સ્પીડમાં ચલાવવા બાબતે થયેલા ઝઘડાનું સમાધાન કરાવવા વચ્ચે પડ્યો હતો. પનવેલ પોઇન્ટ પાસે સમાધાનની વાતચીત દરમિયાન સાહિલે માફી માંગવાનો ઇનકાર કરતા મામલો બીચક્યો હતો. ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી ઉત્તમ જેના અને તેના સાળા ગણેશ ઉર્ફે ગણીયો નાયકે સાહિલ પર હુમલો કર્યો હતો. ઉત્તમે સાહિલને પકડી રાખ્યો હતો, જ્યારે ગણેશે તેની પાસેના છરા વડે સાહિલની છાતી, પીઠ અને સાથળના ભાગે ઉપરાછાપરી 8 ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા સાહિલનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ડીંડોલીમાં મિત્રતા લોહીમાં ખરડાઈડીંડોલી વિસ્તારની માનસી રેસિડેન્સી પાસે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મિત્રતાના સંબંધોનો કરુણ અંત આવ્યો છે. લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ઉમાશંકરસિંઘ પાંડે તેના મિત્રો આશુ અને દિલ્લુ યાદવ સાથે મેદાનમાં બેઠા હતા. વાતવાતમાં ઉમાશંકરે આશુની પત્ની વિશે અભદ્ર ટિપ્પણી કરતા આશુ ઉશ્કેરાઈ ગયો હતો અને મિત્ર જ મિત્રનો કાળ બન્યો હતો. હત્યા પહેલા રાત્રે 1:30 વાગ્યે ઉમાશંકરની પત્ની રુચિસિંઘનો ફોન આવ્યો હતો, ત્યારે ઉમાશંકરે કહ્યું હતું કે, હું મિત્રો આશુ અને દિલ્લુ સાથે બેઠો છું અને એક મેટરમાં ઝઘડો ચાલી રહ્યો છે. પત્નીને કલ્પના પણ નહોતી કે આ તેનો પતિનો છેલ્લો અવાજ હશે. આરોપીઓએ તેને ઢીકા-મુક્કી અને બોથડ પદાર્થ વડે એટલો ઢોર માર માર્યો કે તેનું હોસ્પિટલમાં મોત થયું. ડીંડોલી પોલીસ હાલ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે. કાપોદ્રા ચાર રસ્તા પાસે જૂની અદાવતનો ખેલત્રીજી ઘટના કાપોદ્રામાં બની હતી, જ્યાં જૂની અદાવતને લીધે મંગલ ઉર્ફે બારીક યાદવની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. કાપોદ્રા ચાર રસ્તા પાસે ચાર શખ્સોએ મંગલને ઘેરી લીધો હતો અને તારી બહુ ચરબી વધી ગઈ છે તેમ કહી તેના પર ચપ્પુ વડે તૂટી પડ્યા હતા. મંગલને બચાવવા ગયેલા તેના અન્ય બે મિત્રો પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. કાપોદ્રા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને સુરતથી અને અન્ય બે આરોપીઓ જે ભાગીને સુરેન્દ્રનગર પહોંચી ગયા હતા, તેમને ત્યાંથી ઝડપી પાડ્યા હતા. મૃતક મંગલ યાદવ અને હુમલાખોરો બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 9:18 pm

મકર સંક્રાંતિ પહેલા વલસાડ પોલીસની કાર્યવાહી:ચાઈનીઝ માંજા વેચનારાઓ સામે કડક પગલાં, દોરી પાવતા સ્થળોએ પણ ચેકિંગ

મકર સંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને વલસાડ પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક વલણ અપનાવ્યું છે. વલસાડ સિટી પોલીસે ચાઈનીઝ માંજા (દોરી)ના વેચાણ પરના પ્રતિબંધનો અસરકારક અમલ કરવા માટે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું.આ અભિયાન અંતર્ગત વલસાડ શહેરના બજારમાં પતંગ અને દોરીનું વેચાણ કરતા સ્ટોલ અને દુકાનોમાં ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ટીમે પતંગ અને માંજા વેચતી વિવિધ દુકાનોમાં જઈ સઘન તપાસ કરી હતી.તપાસ દરમિયાન દુકાનોમાં રહેલા માંજાની ગુણવત્તા, પ્રકાર અને કાયદેસરતા ચકાસવામાં આવી હતી. ક્યાંય પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો સંગ્રહ કે વેચાણ તો થતું નથી ને તેની ખાતરી કરવામાં આવી હતી.પોલીસ અધિકારીઓએ દુકાનદારોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો કોઈ દુકાન પરથી ચાઈનીઝ માંજા મળશે કે તેનું વેચાણ કરતા ઝડપાશે, તો સંબંધિત દુકાનદાર સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે ચાઈનીઝ માંજા ગેરકાયદેસર હોવા ઉપરાંત સામાન્ય નાગરિકો, વાહનચાલકો, બાળકો અને પક્ષીઓ માટે ગંભીર જોખમરૂપ છે. દર વર્ષે સંક્રાંતિ દરમિયાન ચાઈનીઝ માંજાના કારણે ગંભીર અકસ્માતો અને પક્ષીઓના મૃત્યુના બનાવો સામે આવે છે.વલસાડ સિટી PI દિનેશ પરમારના નેતૃત્વમાં અને PSI અનિરુદ્ધસિંહ ગોહિલ સહિત વલસાડ સિટી પોલીસની ટીમ દ્વારા શહેરની દુકાનો અને લારીઓમાં કડકાઈથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે દુકાનદારોને સહકાર આપવા અને માત્ર કાયદેસર તથા સુરક્ષિત માંજા વેચવા અપીલ કરી હતી.વલસાડ પોલીસે જનતાને પણ અપીલ કરી છે કે ચાઈનીઝ માંજાનો ઉપયોગ ન કરે અને તેની ગેરકાયદેસર વેચાણની જાણ થાય તો તાત્કાલિક પોલીસને માહિતી આપે. સંક્રાંતિ પર્વને સુરક્ષિત અને આનંદમય બનાવવા માટે આવા અભિયાન આગળ પણ ચાલુ રહેશે તેમ પોલીસ પ્રશાસને જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 9:17 pm

₹42 લાખની શેરબજાર છેતરપિંડી:મુખ્ય સૂત્રધાર ગોવાથી ઝડપાયો, 3 દિવસના રિમાન્ડ

નવસારી પોલીસે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ₹42.19 લાખની છેતરપિંડી કરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર પિયુષ પારેખને ગોવાથી ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારીના શાહુગામના 47 વર્ષીય રજનીકાંત ભીખુભાઈ પરમાર ગત 5 નવેમ્બર 2024ના રોજ પોતાના ફાર્મ હાઉસ પર સોશિયલ મીડિયા સર્ફિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને 'BK-FYRS' નામની એક જાહેરાત જોવા મળી હતી. લિંક ઓપન કરતા જ આરોહી શર્મા નામની વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો હતો અને શેરબજારમાં રોકાણ કરી મોટું વળતર મેળવવાની લાલચ આપી હતી. રજનીકાંતભાઈએ વિશ્વાસમાં આવી ઓનલાઈન ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને ટુકડે-ટુકડે કુલ ₹42,19,800 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જોકે, વળતર કે મુદ્દલ પરત ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ નવસારી રૂરલ પોલીસને સોંપવામાં આવી હતી. અગાઉ પોલીસે આ કેસમાં મ્યુલ એકાઉન્ટ ધરાવનાર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં રાજકોટનો પિયુષ પારેખ આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવતો હોવાનું બહાર આવ્યું હતું. પિયુષ પારેખ એકાઉન્ટ ધારક અને રૂપિયા ઉપાડનાર વ્યક્તિ વચ્ચે કડી સમાન હતો. તે ઠગાઈના નાણાં દિલ્હીના ફરીદ નામના શખ્સને આંગણિયા મારફતે પહોંચાડવામાં પણ સંડોવાયેલો હતો. છેલ્લા કેટલાય સમયથી પોલીસને થાપ આપી ભાગતા ફરતા પિયુષ પારેખ ગોવામાં સંતાયો હોવાની બાતમી મળતા નવસારી પોલીસની ટીમે ત્યાં પહોંચી ઓપરેશન પાર પાડ્યું હતું. 8મી તારીખની મોડી રાત્રે 11 વાગ્યાના અરસામાં તેની ધરપકડ કરી શુક્રવારે સાંજે કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે આ રેકેટના અન્ય તાર કયા રાજ્યો કે વ્યક્તિઓ સાથે જોડાયેલા છે તેની તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 9:14 pm

પતંગની દોરીની લપેટમાં આવતા બે બાઇકચાલકો ઈજાગ્રસ્ત:પિપલોદ પોલીસ લાઈનમાં મહિલા કોન્સ્ટેબલની પુત્રીનો આપઘાત, 15 વર્ષીય કિશોરે એકતરફી પ્રેમમાં ફાંસો ખાઈ જીવ ખોયો

સુરતમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં આપઘાતની ઘટનાઓ સામે આવી છે, જેમાં એક મહિલા પોલીસ કર્મચારીની પુત્રી, એક 15 વર્ષીય કિશોર અને એક શ્રમિક યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઉપરાંત, ઉતરાયણ પૂર્વે જ ઘાતક પતંગની દોરી રસ્તા પર યમદૂત બનીને આવી રહી હોય તેમ બે બાઇક સવાર યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ લાઈનમાં યુવતીનો આપઘાતપિપલોદ વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 21 વર્ષીય નિતીક્ષા વસાવાએ શુક્રવારે બપોરે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. નિતીક્ષાના માતા રેખાબેન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અભ્યાસમાં તેજસ્વી એવી યુવતીએ કયા સંજોગોમાં આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી, જેના કારણે પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે. કિશોર અવસ્થામાં પ્રેમ પ્રકરણનો કરુણ અંતબીજી ઘટના સચિન પાલીગામની સાંઈનાથ સોસાયટીમાં બની હતી, જ્યાં મૂળ યુપીનો અને હેલ્પર તરીકે કામ કરતો 15 વર્ષીય કિશોર મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કિશોર કોઈ કિશોરીના એકતરફી પ્રેમમાં હતો. કિશોરીએ તેની સાથે વાત કરવાની મનાઈ કરી દેતા માનસિક તણાવમાં આવી જઈ તેણે શનિવારે સવારે ફાંસો ખાઈ લીધો હતો. શ્રમિક યુવકનો આપઘાતનું કારણ અકબંધઆપઘાતનો ત્રીજો કિસ્સો ગોડાદરા વિસ્તારમાં નોંધાયો છે. ગોડાદરા સુડા આવાસમાં રહેતા 18 વર્ષીય હર્ષ પરાતેએ શુક્રવારે બપોરે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. હર્ષ કાપડ માર્કેટમાં સાડી પેકિંગનું કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો. આ કિસ્સામાં પણ આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે આ ત્રણેય કેસોમાં અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિંગરોડ બ્રિજ પર પતંગની દોરીએ લીધો ભોગઉતરાયણનો તહેવાર નજીક આવતા જ જીવલેણ દોરીના કિસ્સાઓ વધવા લાગ્યા છે. પાલ વિસ્તારમાં રહેતા અને સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા સચિનભાઈ મહેતા શુક્રવારે રાત્રે જ્યારે રિંગરોડ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સિવિલ હોસ્પિટલની સામે અચાનક પતંગની દોરી તેમના હાથમાં આવી ગઈ હતી. દોરીના ઘસરકાને કારણે તેમને જમણા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોઢાના ભાગે ઈજા છતાં યુવકનો આબાદ બચાવપતંગની દોરીની બીજી એક ઘટના ડિંડોલી વિસ્તારના નંદકિશોર પાટીલ સાથે બની હતી. નંદકિશોર શુક્રવારે રાત્રે કરાડવા ગામ જઈ રહ્યો હતો ત્યારે અચાનક દોરી તેના મોઢાના ભાગે ભરાઈ ગઈ હતી. બાઇકની ગતિ મર્યાદિત હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ તેને મોઢા પર ઈજાઓ પહોંચી હતી. તેને પણ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 9:13 pm

મોટી દુર્ઘટના ટળી, કોઈ શ્રમિકને ઇજા નહીં:વલસાડમાં કલ્યાણબાગ ખાતે નવી પાણીની ટાંકીના નિર્માણ દરમ્યાન લિફ્ટની બ્રેક ફેલ

વલસાડના કલ્યાણ બાગ વિસ્તારમાં નિર્માણાધીન પાણીની ટાંકી પર લિફ્ટની બ્રેક ફેલ થતાં તે નીચે પટકાઈ હતી. આ ઘટનામાં કોઈ શ્રમિકને ઈજા થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે. છેલ્લા ૧૫ દિવસથી કલ્યાણ બાગ પાસે નવી પાણીની ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આજે સાંજે કોંક્રિટ ભરવાનું કામ પૂર્ણ થયા બાદ લિફ્ટ નીચે ઉતરી રહી હતી. તે સમયે ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને તે ધડાકાભેર નીચે પડી હતી. નિર્માણ કાર્યમાં જોડાયેલા શ્રમિક દર્પણ ચૌધરીના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ ૫:૦૦ વાગ્યે સિમેન્ટ કોંક્રિટનો છેલ્લો લોટ ઉપર ચઢાવવામાં આવ્યો હતો. માલ ઉતાર્યા બાદ લિફ્ટ નીચે ઉતારતી વખતે અચાનક બ્રેક ફેલ થતાં લિફ્ટ સીધી નીચે પટકાઈ હતી. સદનસીબે, લિફ્ટ નીચે પટકાઈ ત્યારે તેની નીચે કોઈ શ્રમિક હાજર ન હતો. ઉપરાંત, તમામ શ્રમિકો હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ જેવા સુરક્ષા સાધનોથી સજ્જ હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. લિફ્ટ ધડાકાભેર નીચે પટકાતા આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના બાદ નિર્માણ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા અંગે ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 9:12 pm

ATMમાં લોડ કરવાના રૂ.10 લાખ કર્મચારી ઓળવી ગયો:નોકરીના 20માં જ દિવસે કર્મચારીએ બેંકમાં 1.01 કરોડના બદલે રૂ.91 લાખ જ જમા કરાવ્યા

રાજકોટ શહેરની બેંકોના એટીએમમાં રૂપિયા લોડ કરવાનું અને લોડ થયેલા રૂપિયા ઉપાડી બેંકમાં જમા કરાવવાનું કામ કરતી CMC ઇન્‍ફો સીસ્‍ટમ નામની કંપનીમાં 20 દિવસ પહેલા જ કસ્‍ટોડીયલ તરીકે નોકરીમાં જોડાયેલો હાલ રાજકોટ ઓમનગરમાં મામા સાથે રહેતો મુળ સોમનાથ વેરાવળનો શખ્‍સ પોતાની ફરજ દરમિયાન કંપનીના વાહનમાં રૂ.1,30,00,000 લઇ એટીએમ ખાતે જઇ 29 લાખ જમા કરાવી બાકીના 1,10,00,000 પરત કંપનીમાં જમા કરાવવાને બદલે તેમાંથી 10 લાખ બારોબાર ઓળવી જઇ ગાયબ થઇ જતાં પોલીસને જાણ કરવામાં આવી છે. જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટીમાં રહેતાં અને CMC ઇન્‍ફો સિસ્‍ટમ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ગોપાલસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (ઉ.વ.41)એ ઓમનગર શેરી નં.6 ખોડલ હોટલ પાસે પોતાના મામાના મકાનમાં રહેતાં અને મુળ વેરાવળ સોમનાથના રામ મંદિર પાછળ રહેતાં સાગર પરષોત્તમભાઇ દેવળીયા વિરૂધ્‍ધ રૂ.10 લાખની ઠગાઇ-ઉચાપતની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં ગોપાલસિંહે જણાવ્યું હતું કે, અમારી ઓફિસમાં 90 લોકોનો સ્‍ટાફ છે. જેમાં ડ્રાઇવરથી માંડી ગનમેન કસ્‍ટોડીયલ પણ સામેલ છે. અમારી કંપનીમાં સાગર દેવળીયા 20 દિવસથી અને સાહિલ જયેશભાઇ ઘાચી 6 મહિનાથી મહેસાણા બ્રાંચમાં કસ્‍ટોડીયલ તરીકે નોકરી કરે છે જેનો માસિક પગાર 11,500 છે. તા.02.01.2026ના રોજ SBI મેઇન બ્રાંચમાંથી રૂ.4 કરોડ આશરે 3.45 વાગ્‍યે મેળવેલ હતાં ત્‍યારે SBIમાં નાણા સ્‍વીકારનારા પૃથ્‍વીરાજ હમસુખભાઇ બારોટ અને સાહીલ જયેશભાઇ ઘાંચીની સહી કરી હતી. બાદમાં SBIના પાર્કિંગમાં રૂપિયાના ભાગ પાડયા હતાં જેમાં એક ભાગના રૂપિયા આ બંને લઇ SBIના અલગ અલગ ATMમાં લોડ કરવા નીકળ્‍યા હતાં. જે પૈકી 1 કરોડ 30 લાખ અલગ અલગ ATMમાં લોડ કરવાના હતાં. કસ્‍ટોડીયન તરીકે રહેલા સાગર દેવળીયા અને સાહિલ ઘાંચીની જવાબદારી એક વાહનમાંથી બીજા વાહનમાં રૂપિયા ટ્રાન્‍સફર કરવાની હતી. બાદમાં બીજી ગાડી લઇ આ લોકો SBIની યાદી મુજબના 14 એટીએમમાં રૂપિયા જમા કરવા ગયા હતાં. જંકશન પ્‍લોટમાં રેલ્‍વે ગાર્ડ રેસ્‍ટ રૂમ સામે એટીએમમાં 13 લાખ અને 16 લાખ મળી કુલ 29 લાખ લોડ કર્યા હતાં. બાદમાં આ વાહનમાં બાકી રહેલા 1 કરોડ 91 લાખ રૂપિયા સાગર દેવાળીયાએ અમારી ઓફિસમાં જમા કરાવ્‍યા હતાં. બાકીના 10 લાખ જમા કરાવ્‍યા ન હતા. બીજા દિવસે તા.03.01.2026ના રોજ ઓફિસમાં ગણતરી વખતે રૂ.10 લાખની ઘટ આવી હતી તપાસ કરતાં સાગર દેવળીયાએ રકમ ઓછી જમા કરાવી 10 લાખ પોતે ઓળવી ગયાનું ધ્‍યાને આવ્‍યું હતું. આથી કંપનીએ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. હાલ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 9:09 pm

4 વાહનો ઝડપાયા, ₹60 લાખનો મુદ્દામાલ જપ્ત:પંચમહાલમાં ખનીજ ચોરી સામે તંત્રના દરોડા

પંચમહાલ જિલ્લામાં ખનીજ ચોરી અને ઓવરલોડ વહન સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. શહેરા અને ગોધરા પંથકમાં આકસ્મિક દરોડા પાડી કુલ ચાર વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં શહેરામાંથી બિનઅધિકૃત રીતે સાદી રેતીની હેરાફેરી કરતા બે ટ્રેક્ટર જપ્ત કરાયા હતા. જ્યારે ગોધરા તાલુકાના ગોઠડા નજીક ક્ષમતા કરતા વધુ ખનીજ ભરીને જતા બે ડમ્પરને ડિટેઈન કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા વાહનો અને ખનીજની અંદાજિત કિંમત ₹60 લાખથી વધુ આંકવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગે તમામ વાહનો કબજે લઈ તેના માલિકો વિરુદ્ધ દંડકીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ ચોરી અને ઓવરલોડ વહન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 9:09 pm

હિંમતનગર બેંકના 13 ડિરેક્ટર્સ માટે આજે મતદાન:42 ઉમેદવારો મેદાનમાં, 25 મથકો પર 2 EVM સાથે તૈયારી

હિંમતનગર નાગરિક સહકારી બેંકના 13 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે આજે મતદાન યોજાશે. કુલ 42 ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાવિનો નિર્ણય 32,661 મતદારો કરશે. મતદાન પ્રક્રિયા સવારે 8 વાગ્યાથી હિંમત હાઈસ્કૂલમાં શરૂ થશે. ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હિંમત હાઈસ્કૂલમાં 25 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જે સીસીટીવી કેમેરાથી સજ્જ છે. દરેક મતદાન મથકમાં બે EVM રાખવામાં આવ્યા છે. આ મતદાન પ્રક્રિયામાં 200થી વધુ કર્મચારીઓ જોડાશે. હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચૂંટણી અધિકારી પરીક્ષિત વખારિયાએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. કેટલાક ઉમેદવારી પત્રો રદ થયા અને કેટલાક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, ત્યારબાદ 42 ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું. આ 42 ઉમેદવારોમાં સામાન્ય વિભાગમાં 29, મહિલા વિભાગમાં 5 અને SC/ST વિભાગમાં 8 ઉમેદવારોનો સમાવેશ થાય છે. મતદાન સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન પૂર્ણ થયા બાદ હિંમત હાઈસ્કૂલના સેન્ટ્રલ હોલમાં મતગણતરી શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 9:01 pm

ફિરોજ ક્યાં છે? કહી હળવદમાં તબેલાની ઓરડી પર ફાયરિંગ:પલ્સર પર 2 અજાણ્યા બુકાનીધારી ત્રાટક્યા, અરજી પાછી ખેંચવા નહીં ખેંચે તો જાનથી મારવા ધમકી

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક ઓરડીના દરવાજા પર બંદૂકમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે અજાણ્યા બુકાનીધારી શખ્સો 'ફિરોજ ક્યાં છે?' તેમ પૂછીને આવ્યા હતા અને ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટના શુક્રવારે રાત્રિના લગભગ દસ વાગ્યાના અરસામાં બની હતી. ધાંગધ્રા દરવાજા પાસે રાવલફળીમાં રહેતા માજીદભાઈ યુનુસભાઈ સંધિ (ઉં.વ. 35)એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, બે શખ્સો પલ્સર બાઈક પર આવ્યા હતા અને તેમના મોઢા પર બુકાની બાંધેલી હતી. ત્યાં હાજર વ્યક્તિને તેમણે 'ફિરોજ ક્યાં છે?' તેમ પૂછ્યું હતું. હાજર વ્યક્તિએ 'મને ખબર નથી, તમે જોઈ લો' તેમ જવાબ આપતા, શખ્સોએ ઓરડીનો દરવાજો અને બારી ખોલીને તપાસ કરી હતી. ઓરડીમાં કોઈ હાજર ન હોવાથી, તેમણે દરવાજા પર બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતી વખતે, તેમણે 'માજીદ અને ફિરોજને કહી દેજો કે અમારા પર કરેલી ફરિયાદ પાછી ખેંચી લે, નહીં તો ફાયરિંગ કરીને પતાવી દઈશું' તેવી ધમકી આપી હતી અને બાઈક પર ફરાર થઈ ગયા હતા. ફરિયાદી માજીદભાઈએ શંકા વ્યક્ત કરી છે કે, આશરે પંદર દિવસ પહેલા ધાંગધ્રા ગામના હાજી સંધિ અને અનશ સંધીએ ફોન કરીને પૈસાની માંગણી કરી ધમકી આપી હતી. આ અંગે ગત તા. 30/12/2023 ના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અગાઉની ફરિયાદનો ખાર રાખીને તેમને અને તેમના ભાઈ ફિરોજને મારી નાખવાના ઇરાદે આ ફાયરિંગ કરવામાં આવ્યું હોઈ શકે છે. મોરબીના ડીવાયએસપી જે.એમ. આલે પત્રકાર પરિષદમાં આ ઘટનાની વિગતો આપી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ ગંભીરતાથી કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આશરે 15 દિવસ પહેલા ધાંગધ્રા ગામના હાજી સંધિ અને અનશ સંધીએ ફોન કરીને પૈસાની માંગણી કરી ધમકી આપેલ હતી જેથી તે અંગેની ગત તા 30/12/25 ના રોજ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરેલ હતી જેથી હાલના ફરિયાદી તથા તેના ભાઈ ફિરોજ ને મારી નાખવા માટે તેઓની ઓરડીના દરવાજા ઉપર બંદૂકમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની શંકા ફરિયાદીએ વ્યક્ત કરી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 8:57 pm

ગાંધીનગરમાં ટાઈફોઈડનો કાળો કેર યથાવત, વધુ 13 કેસ નોંધાયા:દૂષિત પાણીએ લીધો બાળકીનો ભોગ, ‘આપ’નો પુરાવા સાથે દાવો

ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ફાટી નીકળેલા ટાઈફોઈડના રોગચાળાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 10 દિવસથી તંત્ર આ રોગચાળાને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે, ત્યારે આદિવાડા વિસ્તારની 8 વર્ષની બાળકી કાજલ ધોબીના મોતને લઈને આમ આદમી પાર્ટીએ મેડિકલ પુરાવા સાથે કરેલા દાવાએ વહીવટી તંત્રને ઉઘાડું પાડી દીધું છે. શનિવારે વધુ નવા 13 કેસ પોઝિટિવ નોંધાયાશહેરમાં રોગચાળાની સ્થિતિ દિન-પ્રતિદિન સ્ફોટક બની રહી છે. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ, આજે શનિવારે વધુ નવા 13 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 15 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલમાં કુલ 74 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. જોકે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાઓમાં પણ વિસંગતતા જોવા મળી રહી છે. સિવિલમાં બે બાળકોના મોતશુક્રવારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 75 હતી. કરોડોના તોતિંગ ખર્ચે નખાયેલી પાણીની નવી પાઈપલાઈનોમાં વારંવાર થતા લિકેજ અને તંત્રની આંખ આડા કાન કરવાની નીતિને કારણે નિર્દોષ બાળકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં સિવિલમાં બે બાળકોના મોત નીપજી ચૂક્યા છે. જ્યારે ખાનગી તબીબો પણ ચેતવણી આપી રહ્યા છે કે જો આ ઢાંકપીછોડો ચાલુ રહેશે તો સ્થિતિ વધુ વણસી શકે છે. બાળકીના મોત મામલે ‘આપ’નો પુરાવા સાથે દાવોત્યારે ‘આપ’ના કાઉન્સિલર તુષાર પરીખે સિવિલમાં સારવાર દરમિયાન મોતને ભેટેલી બાળકીની મેડિકલ ફાઈલના આધારે દાવો કર્યો છે કે, 2 જાન્યુઆરીના રોજ તેનો વિડાલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 5 જાન્યુઆરીએ મોત થયું. તે પહેલા 4 જાન્યુઆરીનો ટેસ્ટ પણ ટાઈફોઈડની પુષ્ટિ કરતો હતો. આમ છતાં, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ મોતનું સાચું કારણ છુપાવી રહ્યા છે. 'તંત્ર આંકડાની હેરફેરમાં વ્યસ્ત'‘આપ’ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક તંત્ર મોત માટે જવાબદાર છે, બીજું તંત્ર આંકડાની હેરફેરમાં વ્યસ્ત છે અને ત્રીજું તંત્ર સત્ય છુપાવવામાં માહિર છે. પાર્ટીએ માંગણી કરી છે કે મૃતક કાજલના પરિવારને તાત્કાલિક આર્થિક રાહત આપવામાં આવે અને જે જવાબદાર અધિકારીઓની બેદરકારીથી આ ઘટના બની છે, તેમની સામે ‘માનવ વધ’નો ગુનો દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો સરકાર દ્વારા જવાબદાર અધિકારીઓના રાજીનામા લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી ઉપવાસ આંદોલન છેડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 8:38 pm

મોરબીની સંસ્થામાં 2 મનોદિવ્યાંગ મહિલા પર દુષ્કર્મનો કેસ:રૂમમાં બાકોરું પાડી અંદર ઘૂસી રેપ કરનાર 2 આરોપીને દબોચી લીધા, બંને સોમવાર સુધી રિમાન્ડ પર

મોરબીમાં માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે, જેમાં એક સંસ્થામાં આશ્રય લઈ રહેલી 2 મનોદિવ્યાંગ મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગંભીર ગુનામાં મોરબી એ-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 2 શખસની ધરપકડ કરી છે. કોર્ટે બંને આરોપીઓને સોમવાર સુધી એટલે કે 2 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. આખો બનાવ કેવી રીતે સામે આવ્યો?પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ શરમજનક ઘટના 7 જાન્યુઆરીની રાત્રે બની હતી. મોરબીની એક સંસ્થામાં જ્યાં મનોદિવ્યાંગ મહિલાઓ નિવાસ કરે છે, ત્યાં આરોપીઓએ પાછળની દીવાલમાં બાકોરું પાડ્યું હતું. આ બાકોરા વાટે અંદર પ્રવેશ કરી બે નરાધમોએ ત્યાં રહેલી 2 અસહાય મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ કાર્યવાહી અને ધરપકડબનાવની ગંભીરતાને જોતા DySPની સૂચના હેઠળ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI આર.એસ. પટેલ અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના નામ કોર્ટ કાર્યવાહી ધરપકડ બાદ પોલીસે બંને શખસને રિમાન્ડની માંગણી સાથે મોરબી કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને ઘટનાનું પુનઃનિર્માણ (રિકન્સ્ટ્ર્ક્શન) કરવા માટે આરોપીઓની કસ્ટડી જરૂરી છે. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી આગળની તપાસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 8:25 pm

રાજકોટમાં આપઘાતના ત્રણ બનાવ:છૂટાછેડા બાદ મૈત્રી કરારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ, શ્રમિક યુવકે અને આશ્રમમાં વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં છૂટાછેડા બાદ મૈત્રી કરારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. નયનાબેન ગત તા.26 ડિસેમ્બરે રાજેશ સાથે છૂટાછેડા લીધા હતા હાલ વિશાલ વલ્લભભાઈ કુબાવત નામના યુવક સાથે મૈત્રી કરાર કરી રહેતી હતી. નયનાએ ગઈકાલે સાંજે 5.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો જેની જાણ થતા વિશાલ કુબાવતએ તુરંત નયનાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. ડોક્ટરે નયનાને મૃત જાહેર કરી હતી. નયનાને રાજેશ સાથેના લગ્નજીવન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો. હાલ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ વધુ હાથ ધરી છે. ગળેફાંસો ખાઈ શ્રમિક યુવાને આપઘાત કર્યોવિપુલ કાંતિભાઈ ઠાકોર (ઉં.વ.30) આજે સવારે 9.30 વાગ્યે ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ જતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવતા તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. વિપુલના પત્ની કૈલાસબેન પોતાના બહેનના ઘરે ગયા હતા ત્યારે ઘરે એકલા રહેલ વિપુલે આત્મઘાતી પગલું ભરી લીધું હતું દરમિયાન પત્ની ઘરે આવતા પતિએ દરવાજો ન ખોલતા દરવાજો તોડી જોતા વિપુલ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. મૃતક કારખાનામાં કામ કરતો અને તેને સંતાનમાં બે દીકરા છે. તેમનું મૂળ વતન મહેસાણાનું વિસનગર પંથક છે. યુવકના મોતથી બે સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. આશ્રમમાં ગળેફાંસો ખાઈ વૃદ્ધે આપઘાત કર્યોરાજકોટ નજીક કણકોટ ગામે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા અલખધણી આશ્રમમાં આજે રણછોડભાઈ ગોરધનભાઈ મોરડીયા (ઉં.વ.67)એ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. રણછોડભાઈ આશ્રમમાં જ રહેતા અને ચારેક વર્ષથી અહીં ગાયોની સારસંભાળ અને સેવા કરતા. તેઓએ પશુ માટે નીરણ રાખવાનું ગોડાઉન હોય ત્યાં લોખંડના એંગલમાં પશુ બાંધવાની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતા તાલુકા પેલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રણછોડભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરિવારજનો પણ આપઘાત અંગે કારણ જાણતા ન હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. કુવામાં પડી જતા યુવાનનું મોતરાજકોટના ખીજડિયા ગામે ધમલપર રોડ પર રહેતાં કુશાલસિંહ બલદેવસિંહ ભાટી (ઉ.વ.40) ગઈકાલે ધમલપર ગામની સીમમાં આવેલ કૂવામાં કામ કરતાં હતા ત્યારે અચાનક જ તેઓ કુવાની અંદર પટકાતા તેઓને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચી હતી તેમને કુવાડવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જો કે, તેમને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દેતાં પરીવારમાં આક્રંદ છવાયો હતો. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 7:59 pm

શ્રીલંકા ડુંગળી મોકલી સુરતના વેપારીઓએ 37.13 લાખ ગુમાવ્યા:ટ્રાવેલ કંપનીએ 44 મુસાફરોને અયોધ્યા-નેપાળ બોર્ડર પર રઝળતા મૂક્યા, કારમાં આવીને સોનાની ચેઈન તોડતી ગેંગ સક્રિય

સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી ત્રણ મોટી ઘટનાઓએ પોલીસ તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સના નામે લાખોની છેતરપિંડી, ફોરવીલ કારમાં ચેઈન સ્નેચિંગ અને આંતરરાષ્ટ્રીય વેપારના બહાને થયેલી ઉચાપત એ સાબિત કરે છે કે હવે ગુનેગારો વધુ હાઈટેક અને આયોજનબદ્ધ બન્યા છે. આ ઘટનાઓ માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે. 44 મુસાફરોને અયોધ્યા-નેપાળ બોર્ડર પર રઝળતા મૂક્યાસુરતના અલથાણ સ્થિત 'આદીદેવ હોલીડે ટૂર એન્ડ ટ્રાવેલ્સ' દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડીની ઘટના અત્યંત આઘાતજનક છે. અડાજણના એક પરિવારે પોતાના 44 સભ્યો સાથે 13 દિવસના ધાર્મિક પ્રવાસનું આયોજન કર્યું હતું, જેના માટે 10.2 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ટ્રાવેલ સંચાલક યુવરાજ જરીવાલાએ પ્રવાસ પૂરો કરાવવાની ખાતરી આપી હતી, પરંતુ વાસ્તવિકતામાં મુસાફરોને અયોધ્યા અને નેપાળ સરહદે રઝળતા મૂકી દેવામાં આવ્યા હતા. સંચાલકની માતા અને મેનેજર પણ અધવચ્ચેથી ગાયબ થઈ જતાં, મુસાફરોએ પોતે વધારાનો ખર્ચ કરીને સુરત પરત ફરવું પડ્યું હતું. ફરિયાદ નોંધાઈ, સંચાલકની અટકાયતના ચક્રો ગતિમાનચોકબજાર પોલીસ સ્ટેશનમાં સંજયભાઈ જોશી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, સંચાલક યુવરાજે છેતરપિંડીની કબૂલાત કરી 5.28 લાખ રૂપિયા પરત આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ લાંબો સમય વીતવા છતાં નાણાં પરત ન મળતા આખરે કાયદાકીય પગલાં લેવાયા છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે કે આ સંચાલકે અગાઉ અન્ય કેટલા લોકો સાથે આવી રીતે ઠગાઈ કરી છે. મુસાફરો માટે આર્થિક ફટકા સાથે માનસિક ત્રાસ પણ આ પ્રવાસમાં ભારોભાર રહ્યો હતો. કારમાં આવીને સોનાની ચેઈન તોડતી ગેંગ સક્રિયપરંપરાગત રીતે ચેઈન સ્નેચરો મોટરસાઈકલનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સરથાણાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. અહીં 62 વર્ષીય વૃદ્ધ ધીરુભાઈ ગેલાણીને નિશાન બનાવવા માટે તસ્કરો સફેદ રંગની ફોરવ્હિલ કારમાં આવ્યા હતા. સ્નેચરોએ કારમાંથી જ એવી નવી તરકીબ અજમાવી કે વૃદ્ધને કંઈ સમજાય તે પહેલાં તેમના ગળામાંથી 1.60 લાખની સોનાની ચેઈન ખેંચી લેવામાં આવી હતી. આ કિસ્સો દર્શાવે છે કે ગુનેગારો હવે પોલીસના સીસીટીવી કે નાકાબંધીથી બચવા માટે કાર જેવા વાહનોનો આશરો લઈ રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા પર સવાલો: પોલીસની કામગીરીમાં ક્યાં કચાશ?શહેરમાં દરરોજ બનતી મોબાઈલ અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓને પગલે પોલીસની પેટ્રોલીંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સરથાણા પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો તો નોંધ્યો છે, પરંતુ ગુનેગારોનું અપડેટ થવું અને કારમાં આવીને ગુના આચરવા એ સામાન્ય નાગરિકો માટે મોટું જોખમ છે. પોલીસ આવા અસામાજિક તત્વોને ઝડપવામાં નિષ્ફળ જઈ રહી હોવાની લોકચર્ચાએ વેગ પકડ્યો છે, જેના કારણે જાહેર રસ્તાઓ પર હવે વૃદ્ધો અને મહિલાઓની સલામતી જોખમાઈ છે. સુરતના વેપારીઓએ 37.13 લાખ ગુમાવ્યાત્રીજી મહત્વની ઘટના ઉત્રાણ વિસ્તારની છે, જ્યાં સત્યમેવ ઈન્ટરનેશનલના સંચાલકે વેપારીઓને વિદેશી વેપારના સપના બતાવીને 37.13 લાખની ઠગાઈ કરી છે. જેનીશ કાકડીયા નામના શખ્સે ઈમ્પોર્ટ-એક્ષપોર્ટના ક્લાસ ચલાવવાના બહાને નવા વેપારીઓનો સંપર્ક કર્યો હતો. તેણે મહારાષ્ટ્રના કિરણ અન્નદાતે અને શ્રીલંકાના કસુન રાણાતુંગા સાથે મીટિંગ કરાવીને સુરતના વેપારીઓ પાસેથી ડુંગળી અને દ્રાક્ષનો માલ શ્રીલંકા નિકાસ કરાવ્યો હતો. માલ તો પહોંચી ગયો પણ તેના નાણાં વેપારીઓના ખાતામાં ક્યારેય જમા થયા નહીં. મહારાષ્ટ્રથી શ્રીલંકા સુધીના તારઆ છેતરપિંડીના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા હોવાથી તપાસ જટિલ બની છે. 21 વર્ષીય મીત માવાણી જેવા યુવાન વેપારીઓ કે જેઓ પોતાનો વ્યવસાય વિસ્તારવા માંગતા હતા, તેઓ આ ટોળકીનો શિકાર બન્યા છે. આરોપીઓએ વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે ફેન્સી ઓફિસો અને મોટા ડોક્યુમેન્ટ્સનો સહારો લીધો હતો. ઉત્રાણ પોલીસે આ મામલે ગુનો નોંધીને બેંક ટ્રાન્ઝેક્શન અને શિપિંગ ડોક્યુમેન્ટ્સની તપાસ હાથ ધરી છે જેથી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાય.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 7:51 pm

ગોધરામાં શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપાયો:પોલીસ અને ગૌરક્ષક સ્ક્વોડે બાઈક પર લઈ જવાતો 30 કિલો જથ્થો પકડ્યો

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ અને ગૌરક્ષક સ્ક્વોડે દારૂણિયા રોડ પરથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો છે. મુસા મસ્જિદ સામેના ગોડાઉન પાસેથી બાઈક પર લઈ જવાતો આ જથ્થો પોલીસે કબજે કર્યો હતો. જોકે, બાઈકચાલક માંસ અને બાઈક મૂકીને ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 9 જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં ગોધરા શહેર બી ડિવિઝન અને ગૌરક્ષક સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ભામૈયા ચોકડીથી આગળ દારૂણિયા રોડ પરથી એક બાઈક પર બે ઈસમ શંકાસ્પદ માંસનો જથ્થો લઈને આવી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મુસા મસ્જિદ પાસેના ગોડાઉન નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબનો બાઈકચાલક આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, બાઈકચાલકે થોડે દૂર બાઈક ઊભી રાખીને તેના પર સવાર બંને ઈસમ નાસી છૂટ્યા હતા. પોલીસે બાઈક નજીક જઈને તપાસ કરતા તેના પરના બોક્સમાંથી 30 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે માંસનો જથ્થો અને બાઈક મળીને કુલ રૂપિયા 36 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ માંસ ગૌમાંસ હોવાની આશંકાએ તેને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું છે. ફરાર થયેલા ઈસમોની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 7:31 pm

UGVCL ઇન્ટર સર્કલ ક્રિકેટમાં હિંમતનગર ચેમ્પિયન:18મી ત્રિદિવસીય ટુર્નામેન્ટમાં પાલનપુરને હરાવી ખિતાબ જીત્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં UGVCL દ્વારા આયોજિત 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિંમતનગર સર્કલ ચેમ્પિયન બન્યું છે. ધ ગેલેક્સી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી 40 ઓવરની ફાઇનલ મેચમાં હિંમતનગર સર્કલે પાલનપુર સર્કલને હરાવ્યું હતું. આ ત્રિદિવસીય ટુર્નામેન્ટનો પ્રારંભ 8 જાન્યુઆરી, 2026ના રોજ થયો હતો. પ્રથમ બે દિવસ નોકઆઉટ મેચો પાંચ ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાંથી હિંમતનગર સર્કલ અને પાલનપુર સર્કલની ટીમો ફાઇનલમાં પહોંચી હતી. શનિવારે સવારે 9:30 કલાકે શરૂ થયેલી ફાઇનલ મેચમાં પાલનપુર સર્કલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાલનપુરની ટીમ 28.3 ઓવરમાં 82 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં, હિંમતનગર સર્કલની ટીમે 11.2 ઓવરમાં 4 વિકેટે 84 રન બનાવીને મેચ જીતી લીધી હતી અને ચેમ્પિયન બની હતી. UGVCL દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલી હિંમતનગર સર્કલ ટીમને અને રનર-અપ પાલનપુર સર્કલ ટીમને શિલ્ડ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વિજેતા ટીમે ધ ગેલેક્સી ક્રિકેટ ગ્રાઉન્ડ પર અનોખી રીતે ચેમ્પિયનશીપનો વિજયોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે IRO પ્રણવ બ્રહ્મભટ્ટ, મહેસાણા કોર્પોરેટના એડિશનલ ચીફ એન્જિનિયર જી.જે. ધનુલા, હિંમતનગર સર્કલના AGM વી.એચ. અસારી, સહાયક સચિવ ડી.વી. પાંડોર, ટીમ સિલેક્ટર રીપલ જોશી સહિતના મહેમાનો, અધિકારીઓ અને UGVCLના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ રોમાંચક ફાઇનલ મેચ નિહાળી હતી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 7:11 pm

ગાંધીનગર કોમર્સ કોલેજમાં બીઝફેસ્ટનું આયોજન:વિદ્યાર્થીઓએ સ્ટોલ લગાવી વ્યવસાયિક જ્ઞાન મેળવ્યું

ગાંધીનગરના સેક્ટર 15 સ્થિત સરકારી વાણિજ્ય કોલેજમાં 'બીઝફેસ્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પોસ્ટર્સ અને વાનગીઓના 40 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્યના સહયોગ તથા પ્રોત્સાહનથી આ કાર્યક્રમ યોજાયો હતો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સ્ટોલની મુલાકાત લઈ નવીન વિગતો મેળવી હતી અને વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. સરકારી વાણિજ્ય કોલેજ, સેક્ટર 15, ગાંધીનગર દ્વારા આયોજિત આ 'બીઝફેસ્ટ 2026'નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વ્યવસાયિક જ્ઞાન પ્રદાન કરવાનો હતો. આ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ સ્વયં કાર્યક્રમનું આયોજન કરે છે અને વિવિધ વાનગીઓ બનાવીને મહેમાનોને વેચે છે. કોલેજના અધ્યાપકો અને પૂર્વ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, આનાથી વિદ્યાર્થીઓને વિવિધ વ્યવસાયોનું પ્રાયોગિક જ્ઞાન મળે છે. એલ્યુમિનિ એસોસિયેશને પણ આ ફેસ્ટિવલમાં સક્રિય ભાગ લીધો હતો અને આર્થિક ફાળો આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓએ સ્વયં તૈયાર કરેલી ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તસવીરો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગાંધીનગર વાણિજ્ય કોલેજ દ્વારા આયોજિત આ કાર્યક્રમના પ્રારંભે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 7:09 pm

બોડેલી પાસે કાર-બાઇકનો અકસ્માત:દારૂની બોટલો રસ્તા પર ફંગોળાઈ, ખેપિયો ઝડપાયો, કારમાં પરિવાર લગ્નપ્રસંગમાં જતો હતો

બોડેલી નજીક અલ્હાદપુરા નર્મદા કેનાલ પાસે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક પર લઈ જવાતી દારૂની બોટલો રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દારૂના ખેપિયાને ઝડપી પાડ્યો હતો. આજે બપોરના સમયે વડોદરાનો એક પટેલ પરિવાર પોતાની કારમાં કોસીન્દ્રા ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. અલ્હાદપુરા કેનાલના રસ્તેથી પસાર થતી વખતે સામેથી પૂરઝડપે આવતી બાઇક સાથે તેમની કારનો અકસ્માત થયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના બોનેટને નુકસાન થયું હતું. કારમાં સવાર પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. જોકે, બાઇક ચાલક દારૂની હેરાફેરી કરી રહ્યો હતો, જેના કારણે અકસ્માત થતાં દારૂની બોટલો રસ્તા પર ફંગોળાઈ ગઈ અને દારૂની રેલમછેલ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી બાઇક ચાલકને વિદેશી દારૂ અને બાઇક સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 7:08 pm

ગાંધીનગરમાં ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ:ઉવારસદમાં વહેલી પરોઢિયે પોલીસ ત્રાટકી, પાન પાર્લરની આડમાં ચાલતું રેકેટ; 20 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર નજીક આવેલા ઉવારસદ ગામમાં પાન પાર્લરની આડમાં ચાલતા ડીઝલ ચોરીના એક વ્યવસ્થિત નેટવર્કનો અડાલજ પોલીસે આજે વહેલી પરોઢિયે પર્દાફાશ કરી રૂ. 20.16 લાખનો મુદ્દામાલ સાથે બે શખસોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસને જોઈ મુખ્ય સૂત્રધાર અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. અડાલજ પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતીગાંધીનગરના ઉવારસદ ગામમાં પાન પાર્લરની આડમાં ચાલતા ડીઝલ ચોરીના કાળા કારોબાર પર અડાલજ પોલીસ વહેલી પરોઢિયે ત્રાટકી હતી. અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.ડી.ઓડેદરાની ટીમ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, ઉવારસદ-શેરથા રોડ પર આવેલા સુંદર પાન પાર્લરનો માલિક જયેશ વિહાજી ઠાકોર ડમ્પર ચાલકો સાથે મળીને ડીઝલ ચોરીનું રેકેટ ચલાવી રહ્યો છે. ડમ્પરની લાઈટ ચાલુ જોતા પોલીસે રેડ પાડીજે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા એક આઈવા ડમ્પરની પાર્કિંગ લાઈટ ચાલુ હતી. એ વખતે પોલીસને જોઈને પાન પાર્લરનો માલિક જયેશ ઠાકોર અંધારાનો લાભ લઈ ખેતરોમાં ભાગી ગયો હતો, પરંતુ પોલીસે ડમ્પર પાસે ઉભેલા ડ્રાઈવર મુકેશજી ગલાજી ઠાકોર અને દિલીપ કડવાજી ઠાકોર (બંને રહે. ગંગેટ, પાટણ) ને કોર્ડન કરી ઝડપી લીધા હતા. કેરબામાં ડીઝલ કાઢવાનો ગોરખધંધોબાદમાં પોલીસે વધુ તપાસ કરતા ડમ્પરની ડીઝલ ટાંકી ખુલ્લી મળી આવી હતી. જેમાં કેસરી રંગની પાઈપ નાખીને કેરબામાં ડીઝલ કાઢવાનો ગોરખધંધો ચાલુ હતો. ત્યારે પકડાયેલા શખસોની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે ડ્રાઈવર મુકેશજી છેલ્લા બે મહિનાથી જયેશ ઠાકોરને ડમ્પરની ટાંકીમાંથી ડીઝલ કાઢી આપતો હતો. જયેશ તેની પાસેથી માત્ર 70 રૂપિયા પ્રતિ લિટરના ભાવે આ ડીઝલ ખરીદીને સંગ્રહ કરતો હતો. 100 લિટર ડીઝલ ભરેલા બે મોટા કેરબા મળ્યાપોલીસે જ્યારે પાર્લરની આસપાસ તપાસ કરી તો ત્યાં પડેલી એક સફેદ ઈકો ગાડીમાંથી પણ 100 લિટર ડીઝલ ભરેલા બે મોટા કેરબા મળી આવ્યા હતા. આ ઉપરાંત પાર્લરની બાજુમાં કપડાની આડમાં છુપાવીને રાખેલા 25 જેટલા ખાલી કેરબા પણ મળી આવ્યા હતા. જેનો ઉપયોગ ડીઝલના સંગ્રહ માટે કરવામાં આવતો હતો. પોલીસે 20.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઆ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 18 લાખની કિંમતનું આઈવા ડમ્પર, 2 લાખની કિંમતની ઈકો ગાડી, 120 લિટર ડીઝલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 20.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી જયેશ ઠાકોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 7:08 pm

PSI-LRDની શારીરિક પરીક્ષાના કોલલેટર 12 જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકાશે:9મી જાહેર થવાના હતા પણ ટેક્નિકલ કારણોસર થયા નહોતા

ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે. ભરતી બોર્ડે આ જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર કરી દીધી છે. ભરતી બોર્ડ દ્વારા પહેલા કોલ લેટર માટે 9 તારીખ નક્કી કરવામાં આવી હતી પરંતુ ટેક્નિકલ કારણોસર હવે 12 તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. ફિઝિકલ ટેસ્ટ 21 જાન્યુઆરીએ બપોરે 2 વાગે શરૂ થશેભરતી બોર્ડની જાહેરાત અનુસાર, PSIઅને LRD માટેની ફિઝિકલ ટેસ્ટ આગામી 21 જાન્યુઆરીએ બપોરે 2 વાગે શરૂ થશે. રાજ્યના વિવિધ કેન્દ્રો પર ઉમેદવારોની દોડ, ઉંચાઈ-છાતી માપ તેમજ અન્ય શારીરિક કસોટીઓનું આયોજન કરવામાં આવશે. લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સમાચાર રાહતરૂપ સાબિત થયા છે. 12 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશોભરતી બોર્ડે વધુમાં જણાવ્યું છે કે, શારીરિક કસોટી માટેના કોલ લેટર 12 જાન્યુઆરીથી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. કોલ લેટરમાં ઉમેદવારની પરીક્ષા તારીખ, સમય, કેન્દ્ર તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. લાખો ઉમેદવારો ભાગ લેશેPSI અને LRD ભરતી માટે રાજ્યભરમાંથી લાખો યુવાનો અરજી કરી ચૂક્યા છે. આ ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ દળમાં જોડાઈને રાજ્યસેવા કરવાનો અવસર મળતા યુવાનો લાંબા સમયથી તૈયારીમાં જોડાયેલા હતા. ભરતી બોર્ડની અપીલગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને અપીલ કરી છે કે, કોલ લેટરમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરે અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહે. શારીરિક કસોટી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 7:07 pm

ચંદ્રુમાણામાં યુવક મંડળ દ્વારા અબોલ શ્વાનોને ભોજન:દિવંગત સ્વજનોની યાદમાં તિથિ ભોજન અપાયું

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે યુવક મંડળ દ્વારા શિયાળામાં અબોલ શ્વાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પટેલ વાડીમાં શીરો અને ખીચડી બનાવીને પીરસવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં દિવંગત સ્વજનોના સ્મરણાર્થે તિથિ ભોજન પણ આપવામાં આવે છે. તાજેતરમાં, સ્વ. નાગજી દેસાઈ ખટાણાની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારે શીરાનું દાન કર્યું હતું. યુવક મંડળના જણાવ્યા અનુસાર, દાતા પરિવારે 25 કિલો ભૈડણ, 8 કિલો ગોળ અને એક ડબ્બો તેલનું દાન આપ્યું હતું. અગાઉ પણ અનેક પરિવારોએ આ પ્રવૃત્તિમાં યોગદાન આપ્યું છે. જેમાં સ્વ. વીમુભાઈ જાનીની પુણ્યતિથિ નિમિત્તે નિલેશભાઈ જાની, સ્વ. ધ્રુવભાઈ પટેલ અને સ્વ. પ્રાચીબેન પટેલની પુણ્યતિથિ નિમિત્તે નવીનભાઈ ભીખુભાઈ, તેમજ સ્વ. દિલીપભાઈ વ્યાસ, સ્વ. કુબેરભાઈ પટેલ, સ્વ. બબીબેન પટેલ અને સ્વ. વિરચંદભાઈ પટેલના પરિવારજનો દ્વારા અબોલ શ્વાનોને શીરો અને ખીચડીનું ભોજન પીરસવામાં આવ્યું હતું. યુવક મંડળે વોટ્સએપ ગ્રુપ દ્વારા જાહેરાત કરી છે કે આ પ્રવૃત્તિ માટે જરૂરી ભંડોળ એકત્રિત થઈ ગયું છે, તેથી હાલ વધુ દાનની જરૂર નથી. આ ઉપરાંત, ગામના લીમડી ચોકમાં ગં.સ્વ. સવિતાબા અને મહોલ્લાની અન્ય બહેનો દ્વારા પણ નિયમિતપણે રોટલા બનાવીને શ્વાનોને ખવડાવવાની પ્રવૃત્તિ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 7:03 pm

આર્ચરીની પ્રેક્ટિસ માટે ખેલાડીઓએ ખેતરને મેદાન બનાવ્યું:પંચમહાલ SPની નજર તીરંદાજી કરનાર પર પડી, કાફલો રોકી બંનેને મળ્યાં, જુસ્સાને સલામ કરી

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના શામળકુવા ગામની 23 વર્ષીય અમિતા રાઠવા અને છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીના 26 વર્ષીય સર્જન રાઠવાએ રમતગમત પ્રત્યે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રેજ્યુએટ થયેલા આ બંને યુવાનો સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. અમિતાના પિતા ખેતી કરે છે, જ્યારે સર્જનના પિતા કડિયાકામ સાથે સંકળાયેલા છે. સાધનો અને સુવિધાઓના અભાવે હાર માનવાને બદલે, આ ખેલાડીઓએ ઘોઘંબા નજીક પોતાના ખેતરમાં જ આર્ચરી (તીરંદાજી)ની પ્રેક્ટિસ માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરી છે. તેમની આ મહેનત અને આત્મવિશ્વાસ સાચા ખેલાડીની ઓળખ આપે છે. કાફલો રોકી પોલીસ વડાએ મુલાકાત કરી પંચમહાલ પોલીસ અધીક્ષક હરેશ દુધાત રાજગઢ તરફ જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં ખેતરમાં પ્રેક્ટિસ કરી રહેલા આ બંને ખેલાડીઓ પર તેમની નજર પડી હતી. ઉચ્ચ પોલીસ અધિકારી હોવા છતાં, તેમણે રમત પ્રત્યેનો ઉત્સાહ જોઈ પોતાનો કાફલો થોભાવ્યો હતો. સહાયની ખાતરી અને પ્રોત્સાહનહરેશ દુધાતે રૂબરૂ ખેતરમાં જઈ બંને ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે ખેલાડીઓની રુચિ અને સમર્પણને બિરદાવ્યા હતા. ભવિષ્યમાં રમતને લગતી કોઈપણ પ્રકારની સહાયની જરૂર હોય તો નિઃસંકોચ સંપર્ક કરવા માટે તેમણે પોતાનો મોબાઈલ નંબર આપી બંને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 6:54 pm

સોનુ સૂદે વારાહી ગૌશાળાની મુલાકાત લીધી:બોલિવૂડ એક્ટરે ₹11 લાખનું દાન આપ્યું, 6000 ગૌમાતાની સેવા કરતી સંસ્થામાં ગૌપૂજન કર્યું

બોલીવુડ અભિનેતા સોનુ સૂદે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌસેવા અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન આ સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને અભિનેતાએ ગૌશાળાના વિકાસ અને ઘાસચારા માટે ₹11 લાખનું દાન જાહેર કર્યું હતું. ફિલ્મી જગતના જાણીતા અભિનેતા સોનુ સૂદની વારાહી ખાતેની મુલાકાતને પગલે સ્થાનિકો અને ગૌપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સોનુ સૂદે ગૌશાળાની રૂબરૂ મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલી ગૌસેવાની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ગૌશાળામાં હાલમાં અંદાજે 6000 જેટલી ગૌમાતાનું પાલન-પોષણ અને સેવા કરવામાં આવી રહી છે. મુલાકાત દરમિયાન સોનુ સૂદે ગૌમાતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે સંસ્થાના વ્યવસ્થાપકો સાથે ગૌસેવા અંગે ચર્ચા કરી હતી અને ગૌશાળાના વિશાળ સંકુલમાં ગૌવંશ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સોનુ સૂદ દ્વારા ગૌશાળાના લાભાર્થે ₹11 લાખના દાનની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મી સિતારાની આ મુલાકાતથી ગૌસેવાના કાર્યને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌશાળાના સ્વયંસેવકો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 6:30 pm

PMના આગમન પૂર્વે અમદાવાદમાં સુરક્ષાનુ ગ્રાન્ડ રિહર્સલ, VIDEO:વેજના ઓર્ડર પર નોનવેજ પીરસનારી રેસ્ટોરન્ટને 25 હજાર ચૂકવવા હુકમ, એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 6:30 pm

ધરોઈ રેન્જમાં શાહુડીનો શિકાર કરનારા બે શખ્સ ઝડપાયા:તારંગાના જંગલમાંથી શિડ્યુલ-1 આરક્ષિત પ્રાણીનો શિકાર કર્યો'તો, કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

ધરોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યજીવોના શિકાર સામે લાલ આંખ કરવામાં આવી છે. સતલાસણા તાલુકાના ભીમપુર ગામ નજીક આવેલા તારંગાના જંગલ વિસ્તારમાં શાહુડી નામના આરક્ષિત વન્ય પ્રાણીનો શિકાર કરનાર બે શખ્સોને વન વિભાગની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. શિકાર કરાયેલું પ્રાણી ઘરમાંથી મળી આવ્યુંમળતી માહિતી મુજબ ભીમપુર ગામના રહેવાસી ઠાકોર પ્રતાપજી ભીખાજી અને ઠાકોર વિષ્ણુજી હીરાજી નામના બે શખ્સોએ તારંગાના જંગલમાંથી શાહુડીનો શિકાર કર્યો હોવાની ચોક્કસ માહિતી વન વિભાગને મળી હતી. આ માહિતીના આધારે ધરોઈ રેન્જ ફોરેસ્ટના અધિકારીઓએ ભીમપુર રેલવે ફાટક પાસે આવેલા તેમના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન શિકાર કરાયેલું પ્રાણી મળી આવતા વન વિભાગે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાઝડપાયેલા બંને આરોપીઓને સતલાસણા સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. જ્યાં નામદાર કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા અને તેમને 14 દિવસ માટે વડનગર સબ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. 'શાહુડી એ શિડ્યુલ-1માં આવતું આરક્ષિત પ્રાણી'આ અંગે માહિતી આપતા ધરોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સંદીપભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, શાહુડી એ વાઇલ્ડ લાઈફ વન્ય પ્રાણી અધિનિયમ-1972 હેઠળ શિડ્યુલ-1માં આવતું આરક્ષિત પ્રાણી છે. અંધશ્રદ્ધા કે મોજશોખ ખાતર આવા આરક્ષિત પ્રાણીઓનો શિકાર કરવો એ ગંભીર ગુનો બને છે. 3થી 7 વર્ષ સુધીની જેલ અને 1 લાખ સુધીના દંડની જોગવાઈતેને વધુમા કહ્યું કે, આ કાયદા અંતર્ગત ગુનાની ગંભીરતા મુજબ 3થી 7 વર્ષ સુધીની જેલની સજા અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. વન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ વન્ય જીવોના રક્ષણ માટે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 6:09 pm

દેશભરની પોલીસને હંફાવનાર ભોપાલનો ‘રહેમાન ડકેત’ સુરતથી દબોચાયો:14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કનો સરદાર, 20 વર્ષનો આતંક; અરબી ઘોડાથી લઈને લક્ઝરી કારનો શોખીન ‘ડકેત’

સુરત ક્રાઇમ બ્રાન્ચે દેશભરની પોલીસને 20 વર્ષથી હંફાવી રહેલા કુખ્યાત ‘ઇરાની ડેરા’ના માસ્ટરમાઇન્ડ અને આંતરરાજ્ય ગેંગના સરદાર આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેતને લાલગેટ વિસ્તારમાંથી ગુપ્ત ઓપરેશનમાં ઝડપી પાડ્યો છે. 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો રાજુ ઈરાની એ નકલી CBI અધિકારી, સાધુ-બાવાના વેશમાં લૂંટ, જીવતા સળગાવવાના પ્રયાસ અને MCOCA જેવા કડક કાયદા હેઠળના ગુનાઓ સાથે 20 વર્ષથી વધુ સમયથી પોલીસને ચકમા આપી રહ્યો હતો. ભોપાલના ‘ઇરાની ડેરા’માંથી ગેંગને ઓપરેટ કરતો આ ડકેત લૂંટના પૈસાથી લક્ઝરી કારો, મોંઘી સ્પોર્ટ્સ બાઇક અને અરબી ઘોડાનો શોખ પૂરો કરતો હતો. સુરત પોલીસે પૂર્વ બાતમીના આધારે આ ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગારને કોઈ ગોળીબાર વગર દબોચી લીધો છે, જેનાથી દેશભરમાં ફેલાયેલા આ ખતરનાક ગેંગની કમર તૂટી ગઈ છે અને અનેક વર્ષોથી વણઉકેલાયેલા ગુનાઓના રહસ્યો ખુલવાની શરૂઆત થઈ છે. કોણ છે આબીદ અલી ઉર્ફે રાજુ ઈરાની?આરોપીનું આખું નામ આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેત અસમત અલી ઈરાની છે. તે ભોપાલના કરોંદ વિસ્તારમાં આવેલી શિયા મસ્જિદ પાસેની અમન કોલોનીનો રહેવાસી છે. પોલીસ રેકોર્ડ પર તે માત્ર એક ચોર કે લૂંટારો નથી પણ એક ‘ગેંગ લોર્ડ’છે, જે અનેક રાજ્યોમાં સક્રિય અનેક પેટા-ગેંગોનું સંચાલન કરતો હતો. તેની ધરપકડ બાદ પોલીસને જાણવા મળ્યું છે કે, તે ગુનાખોરીની દુનિયામાં એક ચોક્કસ હાયરાર્કી જાળવતો હતો. પોલીસથી બચવા માટે તે સુરતના લાલ ગેટ પાસે આવ્યો હતો. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી લીધી હતી. વૃદ્ધો અને એકલા ફરતા નાગરિકોને CBI અધિકારીનો રૌફ આપીને લૂંટફાટ કરતાઆ ગેંગની સૌથી મોટી ખાસિયત તેમની નકલ કરવાની ક્ષમતા છે. તેઓ મોટાભાગે સફારી સૂટ પહેરીને ફરે છે અને પોતાની ઓળખ CBI અધિકારી કે ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે આપે છે. વૃદ્ધો અને એકલા જતા નાગરિકોને ટાર્ગેટ કરી તેઓ ‘પોલીસ’ હોવાનો રોફ જમાવે છે. આગળ ચેકિંગ ચાલુ છે, તમે સોનાના દાગીના પહેરીને કેમ ફરો છો? એવું કહીને તેઓ લોકોના ઘરેણાં કઢાવે છે અને રૂમાલમાં લપેટીને આપવાના બહાને નજર ચૂકવી અસલી ઘરેણાંની ચોરી કરી લે છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 6:07 pm

આજથી PM મોદી ગુજરાતની મુલાકાતે:'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'માં સહભાગી થશે, મહિલાએ 12 જ્વેલર્સને લાખોનો ચુનો લગાવ્યો, ગુજરાતમાં દેશનું પહેલું 'ગૌભ્યારણ' બનશે

આજથી 12 જાન્યુઆરી સુધી PM મોદી ગુજરાતની મુલાકાતે આજથી થી 12 જાન્યુઆરી PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે.આજે PM દિલ્હીથી રાજકોટ અને ત્યાંથી સોમનાથ પહોંચશે. સાંજે તેઓ 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'માં સહભાગી થશે. PMના સ્વાગતમાં 100 આહીરાણી મહારાસ કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વાઇબ્રન્ટ સમિટના સ્થળે જ ઉભુ કરાશે ફાયર સ્ટેશન રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગ જેવી ઘટનાને પહોંચી વળવા માટે સ્થળ પર જ 'મિની ફાયર સ્ટેશન' કાર્યરત કરાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટ અને સુરતમાં કાઇટ ફેસ્ટીવલનો પ્રારંભ રાજકોટ અને સુરતમાં કાઇટ ફેસ્ટીવલનો પ્રારંભ થયો છે. રાજકોટમાં પતંગ ચગાવવાની સાથે વિદેશી પતંગબાજો ગરબે ઘૂમ્યા.પરસોતમ રૂપાલાએ ઓપરેશન સિંદૂરની પતંગ ચગાવી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ન્યુઝીલેન્ડના ક્રિકેટર્સ વડોદરાના રસ્તાઓ પર ચાલતા જોવા મળ્યા આવતીકાલે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ વન ડે ઇન્ટરનેશનલ મેચ રમાશે. જે પહેલા આજે ક્રિકેટરોએ બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. બીજી તરફ ન્યુઝીલેન્ડના ક્રિકેટર્સ વડોદરાના રસ્તાઓ પર ચાલતા જોવા મળ્યા. તેઓ નાસ્તો કરવા માટે કાફેમાં ગયા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શાતિર મહિલાએ 12 જ્વેલર્સને લાખોનો ચુનો લગાવ્યો અમદાવાદમાં એક શાતિર મહિલાએ 12 જ્વેલર્સને લાખોનો ચુનો લગાવ્યો. આ મહિલા દાગીના જોવાના બહાને જ્વેલર્સ શોપમાં ચોરી કરતી હતી. તે સોનાની વીંટીઓ લઈ બગસરાની વીંટીઓ પધરાવી દેતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભાગેડુ નીરવ મોદીની બંધ કંપનીમાં આગ લાગી સુરતના સચિન વિસ્તારમાં આવેલી ભાગેડુ નીરવ મોદીની બંધ કંપનીમાં આગ લાગી. કંપનીને વર્ષોથી EDએ સીલ કરેલી છે. અને ત્યાં વીજ કનેક્શન પણ નથી. માટે આ આગની ઘટનાએ અનેક શંકાઓ ઉપજાવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ફ્લેટ-સોસાયટીમાં પીજી ચલાવવા માટે NOC ફરજિયાત અમદાવાદમાં ફ્લેટ કે સોસાયટીમાં પીજી-હોસ્ટેલ ચલાવવામાં માટે પોલીસ, ફાયર અને સોસાયટીનું NOC ફરજિયાત મેળવવાનું રહેશે. NOC વગરના પીજી-હોસ્ટેલ સીલ કરાશે.કાર્યવાહીના ભાગરૂપે આજે મેમનગરમાં ત્રણ પીજી મકાનો સીલ કરાયા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ચોરી કરવા આવેલા ચોરને સિક્યુરિટી ગાર્ડે ગોળી ધરબી વડોદરાના કરજણમાં વીજ કંપનીની કચેરીમાં ચોરોએ ચોરીનો પ્રયાસ કરતા ચોરો અને સિક્યુરિટી જવાન વચ્ચે ભારે અથડામણ થઈ.ચોરોએ પથ્થરમારો કરતાં સિક્યુરિટી ગાર્ડે આત્મરક્ષામાં ફાયરિંગ કરતા એક ચોરને હાથમાં ગોળી વાગી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બનાસકાંઠામાં દેશનું પહેલું 'ગૌભ્યારણ' બનશે બનાસકાંઠાના ‎સુઈગામથી 30 કિ.મી. દૂર આવેલા ‎‎ગોલપ નેસડા ગામે 20 કરોડના ખર્ચે દેશનું પહેલું 'ગૌભ્યારણ' બનશે. જેના લાભાર્થે આજે રાત્રે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં બોલીવુડ એક્ટર સોનુ સુદની હાજરીમાં કિર્તિદાન અને રાજભા ગઢવી ધૂમ મચાવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઠંડીના ચમકારા વચ્ચે તાપમાનનો પારો ઉંચકાયો રાજયમાં ઠંડીના ચમકારા વચ્ચે તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઉંચકાયો. સૌથી ઓછું નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું.આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ શુષ્ક રહેશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 5:53 pm

મહીસાગર BOB RSETIમાં મોબાઈલ રિપેરિંગ તાલીમ:20થી વધુ યુવાનોને સ્વરોજગાર માટે નિઃશુલ્ક તાલીમ અપાઈ

મહીસાગર જિલ્લામાં બેંક ઓફ બરોડા પ્રાયોજિત BOB RSETI (ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન) દ્વારા મોબાઈલ રિપેરિંગ અને સર્વિસની એક મહિનાની નિઃશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં 20થી વધુ યુવાનો જોડાયા હતા, જેનો મુખ્ય હેતુ તેમને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાનો છે. આ તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, જેમાં તાલીમાર્થીઓને રહેવા, જમવા અને તાલીમ સામગ્રી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તાલીમના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના નિર્દેશક ભાનુ પ્રકાશસિંઘ, માસ્ટર ટ્રેનર પ્રશાંત મિશ્રા અને ફેકલ્ટી નૈમેષભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાલીમાર્થીઓને મોબાઈલ રિપેરિંગ ક્ષેત્રમાં રોજગારની તકો અને વ્યવસાય શરૂ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમાર્થી પીરજાદા મોહમ્મદ રબ્બાની, જે ખાનપુર તાલુકાના કારંટા ગામના રહેવાસી છે, તેમણે પોતાનો અનુભવ જણાવ્યો. તેમણે કહ્યું કે તેમને મોબાઈલ લાઈનમાં ત્રણ વર્ષનો અનુભવ હતો, પરંતુ સંપૂર્ણ રિપેરિંગ આવડતું ન હતું. RSETI માં એક મહિનાની તાલીમ દરમિયાન તેમને પ્રેક્ટિકલ અને થિયરી બંને રીતે ખૂબ સારી રીતે શીખવવામાં આવ્યું. હવે તેઓ પોતાનો મોબાઈલ રિપેરિંગનો વ્યવસાય શરૂ કરવાની તૈયારીમાં છે. મોબાઈલ રિપેરિંગ તાલીમ આપતા પ્રશાંત મિશ્રાએ જણાવ્યું કે BOB RSETI મહીસાગર ખાતે વિવિધ પ્રકારની સ્વરોજગારલક્ષી તાલીમો આપવામાં આવે છે. હાલની મોબાઈલ રિપેરિંગ બેચમાં 20 જેટલા તાલીમાર્થીઓ છે. તાલીમ પૂર્ણ થયા બાદ તેમને NCVET (ITI કક્ષાનું) અને બેંક ઓફ બરોડાનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. મિશ્રાએ વધુમાં જણાવ્યું કે સંસ્થામાં ભાઈઓ અને બહેનો માટે સીવણકામ, બ્યુટી પાર્લર, આચાર-પાપડ બનાવટ, ઇલેક્ટ્રિક (હાઉસ વાયરિંગ, CCTV ફિટિંગ), AC-ફ્રિજ રિપેરિંગ જેવી અનેક તાલીમો ઉપલબ્ધ છે. તેમણે વધુમાં વધુ લોકોને આ તકનો લાભ લઈ આત્મનિર્ભર બનવા અપીલ કરી હતી. આ સંસ્થામાં નિઃશુલ્ક તાલીમ મેળવવા માટે ઈચ્છુક વ્યક્તિઓ સોમવારથી શનિવાર સવારે 10:00 થી સાંજના 05:00 કલાક સુધી સંપર્ક કરી શકે છે. વધુ માહિતી માટે તેમની વેબસાઇટ www.bsvsmahisagar.com ની મુલાકાત લઈ શકાય છે અથવા રૂબરૂમાં એસ.કે. હાઇસ્કુલની પાછળ, ચરેલ રોડ, લુણાવાડા, મહીસાગર ખાતે સંસ્થાની મુલાકાત લઈ શકાય છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 5:50 pm

સુરતમાં રોકાણના નામે MLM સ્કીમ ચલાવતું 24X7 ક્લબ ઝડપાયું:10% માસિક રિટર્નની લાલચ આપીને 4 હજારથી વધુ લોકોને ફસાવ્યા, RBI-SEBI લાયસન્સ વગર જ ધમધમતું હતું

સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં કાર્યરત '24X7 Club' નામની કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપની દ્વારા સામાન્ય નાગરિકોને દર મહિને 10% રિટર્ન અને રોકાણના ત્રણ ગણા વળતરની લાલચ આપી રોકાણ કરાવવામાં આવતું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે, આ કંપની પાસે થાપણો સ્વીકારવા માટે RBI કે SEBIનું કોઈ જ લાયસન્સ નહોતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી મુખ્ય આરોપીના સાગરીતો એવા બે શખસોની ધરપકડ કરી છે. રોકાણના બદલામાં 90 રૂપિયાના ભાવવાળા 'ડિજિટલ પોઈન્ટ્સ' જમા કરવામાં આવતાઆ ઠગ ટોળકીની કામ કરવાની પદ્ધતિ અત્યંત ચતુરાઈભરી હતી. તેઓ 24x7club.com નામની વેબસાઇટ દ્વારા મલ્ટી લેવલ માર્કેટિંગ (MLM) ચેઇન ચલાવતા હતા. રોકાણકારો પાસેથી પૈસા મેળવી તેમને રોકડના બદલે વેબસાઇટ પર આઈ.ડી. બનાવી આપવામાં આવતા હતા. આ આઈ.ડી.માં રોકાણના બદલામાં 90 રૂપિયાના ભાવવાળા 'ડિજિટલ પોઈન્ટ્સ' જમા કરવામાં આવતા હતા. રોકાણકારોને એવી માયાજાળમાં ફસાવવામાં આવતા કે તેઓ જેટલા વધુ લોકોને જોડશે એટલું વધુ કમિશન મળશે, જેના કારણે આ છેતરપિંડીનો વ્યાપ ઝડપથી વધ્યો હતો. 3000થી વધુ લોકોના આઈ.ડી. બનાવી રોકાણ કરાવ્યું હતુંઆરોપી દીપક ડોબરીયા મૂળ ભાવનગરના ગારીયાધરનો વતની છે અને હાલ નાના વરાછા વિસ્તારમાં રહે છે. આ ગુનામાં તેની ભૂમિકા અત્યંત મહત્વની હતી. તે નાસતા ફરતા મુખ્ય આરોપી સાથે મળીને લોકોના આઈ.ડી. બનાવતો હતો અને રોકાણકારોના પૈસા મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, દીપકે અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોના આઈ.ડી. બનાવી રોકાણ કરાવ્યું હતું, જેના બદલામાં તેને દર મહિને આશરે 4,00,000 રૂપિયા જેટલું જંગી કમિશન મળતું હતું. શૈલેષે પોતાની વગનો ઉપયોગ કરીને 1500થી વધુ લોકો પાસે કરોડોનું રોકાણ કરાવ્યુંબીજો આરોપી શૈલેષ ધામેલીયા વ્યવસાયે ડોક્ટર છે અને તે મોટા વરાછા વિસ્તારમાં રહે છે. તે દીપક ડોબરીયાની નીચે પોતાની આઈ.ડી. બનાવીને આ કૌભાંડમાં જોડાયો હતો. શૈલેષે પોતાની વગનો ઉપયોગ કરી જુદા જુદા 1500થી વધુ લોકોના આઈ.ડી. બનાવી તેમાં કરોડોનું રોકાણ કરાવ્યું હતું. લોકોને રોકાણ ત્રણ ગણું કરવાની લાલચ આપી તે પૈસા ઉઘરાવી ડિજિટલ પોઈન્ટ્સ આપતો હતો. આ કામગીરી માટે તેને દર મહિને આશરે 2,00,000 રૂપિયાનું કમિશન મળતું હતું. મોબાઈલ, લેપટોપ અને દસ્તાવેજો મળીને 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યોપોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન, 1 લેપટોપ, રોકાણકારોની વિગતો દર્શાવતી 10 ડાયરીઓ અને અનેક દસ્તાવેજી કાગળો મળી કુલ 1,47,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડાયરીઓમાં થયેલા હિસાબો પરથી જણાય છે કે આ કૌભાંડનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે. હાલ પોલીસ આ ડેટાના આધારે કેટલા લોકો ભોગ બન્યા છે તેની ચોક્કસ વિગતો મેળવી રહી છે. MLM જેવી સ્કીમોમાં રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકેસાયબર સેલના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, આ ઠગાઈમાં મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે, જે આ સમગ્ર નેટવર્કનું સંચાલન કરતો હતો. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ પાસેથી મળતી વિગતોના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમોએ મુખ્ય સૂત્રધારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને આશંકા છે કે આ નેટવર્કના તાર અન્ય શહેરો સુધી પણ જોડાયેલા હોઈ શકે છે. સુરત સાયબર ક્રાઇમ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ આર્થિક રોકાણ કરતા પહેલા તે કંપની પાસે RBI કે SEBIની મંજૂરી છે કે નહીં તેની તપાસ કરવી. વધુ વળતરની લાલચમાં આવીને MLM જેવી સ્કીમોમાં રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે. જો કોઈ નાગરિક આ 24X7 Clubનો ભોગ બન્યો હોય તો તેઓએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 5:43 pm

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રાણીઓ-પક્ષીઓને ઠંડીથી રક્ષણ:સિંહ-વાઘને કંતાન, ચિતલ-કાળીયારને સૂકા ઘાસની પથારી, પક્ષીઓ માટે આર્ટિસ્ટિક ઘર

રાજકોટમાં શિયાળામાં પવન સાથે પડી રહેલી ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે શહેરના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ અહીં વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સિંહ, વાઘ, દિપડા, રીંછ જેવા મોટા પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠા, ચિતલ અને કાળીયાર માટે સૂકા ઘાસની પથારી તો પક્ષીઓ માટે આર્ટિસ્ટિક ઘર બનાવવામાં આવ્યા છે, જેથી તેઓ ઠંડીથી રક્ષણ મેળવી શકે છે. શિયાળમાં પ્રાણીઓના ખોરાકમાં 15 ટકાનો વધારો પણ કરવામાં આવ્યો છે. વર્ષે 7 લાખ લોકો ઝૂની મુલાકાત લેશે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયો છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. ઝૂમાં 69 પ્રજાતિનાં 595 પ્રાણી-પક્ષીઓહાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 69 પ્રજાતિઓનાં કુલ 595 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય, છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ વધેલ છે, જેથી ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓ માટે તેઓની પ્રકૃતી અનુસાર ઠંડીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તૃણાહારી પ્રાણીઓ માટે સૂકા ઘાસની પથારી સિંહ, વાઘ, દિપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે, જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય. ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે, જેથી રાત્રી દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હુફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે. સરિસૃપ માટે માટલાની અંદર ઇલેક્ટ્રીક લેમ્પ ગોઠવાયોસરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેક્ટ્રીક લેમ્પ ગોઠવવામાં આવ્યો છે, જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટાઇ જાય છે. જ્યારે માર્શ મગર અને ઘરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડમાં રાત્રિ દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે. પક્ષીઓના પાંજરા ફરતે ગ્રીન નેટ-સૂકા ઘાસનું કવચઅહીં તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવી છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવ્યાં છે. નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવી છે અને બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવી છે. જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાંથરવામાં આવ્યું છે. આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રિ દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક ઘર, લાકડાના બોક્ષ તથા માટલા ગોઠવવામાં આવ્યાં છે. જેની અંદર લાકડાનો છોલ્લ તથા સૂકુ જીણું ઘાસ પાથરવામાં આવ્યું છે, જેનો પક્ષીઓ બ્રિડિંગમાં પણ ઉપયોગ કરે છે. પ્રાણીઓના ખોરાકમાં વધારો કરાયો આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં 10થી 15 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લિલોચારો ઉપરાંત સૂકુ ઘાસ આપવામાં આવે છે. ઉપરાંત મગર, ઘરીયલ, સાપ વિગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયેલ છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 5:41 pm

નવનીત બાલધિયા પર થયેલ હુમલા મામલે કોળી સમાજમાં રોષ:100થી વધુ કારના કાફલા સાથે દિવ્યેશભાઈ સોલંકી નવનીતભાઈ ના બગદાણા ખબર અંતર પૂછવા રવાના

તાજેતરમાં નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના પગલે કોળી સમાજમાં ભારે પડઘા પડ્યા છે, જેના ભાગરૂપે આજે કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી અધેવાડા શિવકુંજ આશ્રમથી 100થી વધુ કારના કાફલા સાથે બગદાણા મુકામે નવનીતભાઈ ના ઘરે જવા રવાના થયા હતા, દિવ્યેશભાઈ અને કોળી સમાજના અનેક આગેવાનો તેમજ કાર્યકરોએ બગદાણા સ્થિત નવાગામ રોડ, હજીરા પાસે આવેલા નવનીતભાઈના નિવાસ્થાને મુલાકાત લેશે, આ મુલાકાત દરમિયાન તેમણે નવનીતભાઈના ખબર-અંતર પૂછશે અને આ ઘટનાને લઈ આગામી સમયમાં સમાજહિત, એકતા અને ન્યાય મેળવવા બાબતે ગહન ચર્ચા કરશે, આ વિશાળ કાફલાએ સમાજની એકતાનું પ્રદર્શન કર્યું હતું. આ અંગે દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે,અમારા સમાજનો દીકરો છે અને પુરુષોત્તમભાઈની એક એવી ઈચ્છા હંમેશાથી રહી છે, સમાજના કોઈ પણ દીકરા પર એવું ક્યારેય પણ થાય તો હીરાભાઈ સોલંકીએ પણ એમની મુલાકાત લીધી હતી એના પછી સમાજના તમામ આગેવાનોએ મુલાકાત લીધી હતી, ​આજે સમસ્ત કોળી સમાજના બધા મુખ્ય-મુખ્ય આગેવાનો જે આજુબાજુના જિલ્લાના છે, ભાવનગર શહેરના છે, બધા આગેવાનો સહિત અમે ખાલી એક શુભેચ્છા મુલાકાત લેવા જઈ રહ્યા છે એ એમના ઘરે જાય અને આજુબાજુના અમારા વિસ્તારમાં અમારા સમાજને કોઈ પણ આવી રીતે ભયમુક્ત ન કરી શકે, એની માટે એક મુલાકાત લેવા જાય છે એમના ખબર-અંતર લેવા.​ હું એ સમયે CM સાથે રજૂઆત કરવા ગયો હતો, સમાજના એક યુવા પ્રમુખ તરીકે મૌર્ય મંડળ સાથે CM ખૂબ પોઝિટિવ છે અને સરકાર ક્યારેય પણ... મેં ફરીવાર હું કહું છું, આવા કોઈ પણ અસામાજિક તત્વોને સરકારે કોઈ દિવસ છાવરવાની નથી રાખી. હંમેશા એના પર કડક પગલાં લીધા છે અને અમને વિશ્વાસ છે કે કડક પગલાં લેશે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 5:36 pm

એમ.એસ. યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ સેમિનાર:પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર અધ્યક્ષસ્થાને યોજાયો , નશામુક્ત જીવનનો સંદેશ અપાયો

વડોદરા એમ.એસ. યુનિવર્સિટીની સોશિયલ ફેકલ્ટી ખાતે ડ્રગ્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સંભવ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.આ સેમિનાર વડોદરાના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને નશામુક્ત જીવન તરફ પ્રેરિત કરવાનો અને નશા સામે જાગૃતિ ફેલાવવાનો હતો. સેમિનારમાં નશાની લતના ગંભીર દૂષણો, તેની શારીરિક, માનસિક અને સામાજિક અસરો તેમજ ડ્રગ્સ સંબંધિત કાનૂની જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી. યુવાનોને નશાથી દૂર રહી, સકારાત્મક જીવનશૈલી અપનાવી અને સમાજને નશામુક્ત બનાવવામાં યોગદાન આપવા પ્રેરણા આપવામાં આવી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ નશા સામે જાગૃતિ ફેલાવી યુવાનોને સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી જવાના સંદેશ પર ભાર મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 5:22 pm

'વેપારીઓ ડ્રગ્સ નથી વેચતા તો ડરે છે કેમ?':ગોપાલ ઇટાલિયા સુરત કાપડ માર્કેટમાં, વડોદરા MLAના પત્ર મુદ્દે કહ્યું, આખી સરકાર 'ડામાડોળ'

આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે સુરતના મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ આગામી રાજ્ય બજેટમાં વેપારીઓની અપેક્ષાઓ અને તેમની વાસ્તવિક સમસ્યાઓને સમજવાનો હતો. નોંધનીય છે કે, આ મુલાકાત દરમિયાન તેઓએ વડોદરાના 5 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રનો ઉલ્લેખ કરી સરકાર પર નિશાન સાધ્યું હતું કે જ્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્યોના કામ અધિકારીઓ નથી કરતા, ત્યારે સામાન્ય જનતાની સ્થિતિ અત્યંત દયનીય હશે. દુકાને રૂબરૂ જઈને બજેટલક્ષી મુદ્દાઓ પર ચર્ચા ગોપાલ ઇટાલિયાએ મિલેનિયમ માર્કેટના વિવિધ વેપારીઓની દુકાને રૂબરૂ જઈને બજેટલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વેપારીઓએ આગામી બજેટમાં કાપડ ઉદ્યોગ માટે વિશેષ રાહતો, જીએસટીના જટિલ નિયમોમાં સરળીકરણ અને સુરતના ટેક્સટાઇલ હબને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન મળે તેવી જોગવાઈઓ કરવાની માંગ કરી હતી. ઇટાલિયાએ આ તમામ મુદ્દાઓને સરકાર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી. 'ઈમાનદાર વેપારીઓને તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે'મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા ઇટાલિયાએ જણાવ્યું હતું કે, સુરતના વેપારીઓમાં એક અજ્ઞાત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓએ સવાલ કર્યો હતો કે, કાપડના વેપારીઓ કોઈ દારૂ કે ડ્રગ્સનો ગેરકાયદે વેપાર નથી કરતા, તો પછી તેઓએ ડરવાની શું જરૂર છે? તેમણે આક્ષેપ કર્યો કે, જેઓ ખરેખર નશાનો કારોબાર કરે છે તે ખુલ્લેઆમ ફરે છે, જ્યારે ઈમાનદાર વેપારીઓને તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન શરૂ કરવા રજૂઆતવેપારીઓએ ધારાસભ્યને જણાવ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં છેતરપિંડીના કિસ્સાઓ રોકવા માટે એક સમર્પિત પોલીસ સ્ટેશનની જરૂર છે. વર્ષોથી આ માંગણી પેન્ડિંગ છે. આ સાંભળી ઇટાલિયાએ કહ્યું કે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને તાત્કાલિક અસરથી ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન શરૂ કરવા અને વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા રજૂઆત કરશે. ઈટાલિયાની કૈલાશ હકીમ સાથે ટેલિફોનિક વાતબજેટમાં વેપારીઓની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે ઇટાલિયા ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA) ની ઓફિસે પણ પહોંચ્યા હતા. જોકે, ત્યાં કોઈ ડિરેક્ટર હાજર ન હોવાથી તેમણે કૈલાશ હકીમ સાથે ટેલિફોનિક વાત કરી હતી. રસપ્રદ વાત એ રહી કે એકતરફ વેપારીઓ અનેક મુશ્કેલીઓ ગણાવી રહ્યા હતા, જ્યારે બીજી તરફ કૈલાશ હકીમે ફોન પર જણાવ્યું હતું કે વેપારીઓને કોઈ જ સમસ્યા નથી. 'આખી સરકાર 'ડામાડોળ' અને વહીવટી તંત્ર પર કોઈનો કાબૂ નથી'વડોદરાના ધારાસભ્યોની અધિકારીઓ સામેની નારાજગી અંગે ઇટાલિયાએ તંત્ર પર પ્રહારો ચાલુ રાખતા કહ્યું કે, જો ધારાસભ્યોના પત્રોની કિંમત નથી રહી, તો એનો અર્થ એ છે કે મુખ્યમંત્રી પણ લાચાર છે. તેમણે કટાક્ષ કર્યો કે કદાચ મુખ્યમંત્રી પોતે પણ પત્ર લખવા માંગતા હશે કે સચિવો તેમનું સાંભળતા નથી. આખી સરકાર 'ડામાડોળ' છે અને વહીવટી તંત્ર પર કોઈનો કાબૂ નથી. અંતમાં, ગોપાલ ઇટાલિયાએ વેપારીઓને આશ્વાસન આપ્યું હતું કે તેઓ ગમે તે પક્ષ સાથે જોડાયેલા હોય, પરંતુ એક ધારાસભ્ય તરીકે તેઓ વેપારીઓના પડખે ઉભા રહેશે. પેમેન્ટ ફ્રોડ, જીએસટીની પજવણી અને બજેટમાં અન્યાય જેવા મુદ્દાઓ પર તેઓ સતત અવાજ ઉઠાવતા રહેશે તેવી તેમણે જાહેરાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 5:19 pm

ચોટીલામાં ₹105 કરોડની 17 એકર સરકારી જમીન ખુલ્લી કરાઈ:ડુંગર તળેટીમાં દબાણ હટાવી યાત્રાળુઓ માટે રસ્તો મોકળો કરાયો

ચોટીલા ડુંગર તળેટીમાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આશરે 17 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે ₹105 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ચોટીલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. યાત્રાળુઓને અવરજવરમાં કોઈ અગવડ ન પડે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ડુંગર તરફ જતા 40 ફૂટ પહોળા રસ્તા પર દુકાનદારો દ્વારા આશરે 10-10 ફૂટનું દબાણ કરીને રસ્તો 20 ફૂટ જેટલો સાંકડો કરી દેવાયો હતો. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનના પી.આઈ. સાથે મળીને આ ઝુંબેશ હાથ ધરાઈ હતી. નેશનલ હાઈવેથી ડુંગર તરફ જવાના રસ્તાની બંને બાજુએ આવેલી આશરે 400 થી 450 દુકાનો દ્વારા પતરાના શેડ અને સ્ટોલ ઊભા કરીને દબાણ કરવામાં આવ્યું હતું. દુકાનદારોને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. જોકે, દબાણ દૂર ન થતાં સવારે 10 કલાકે નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઝુંબેશમાં મોજે નાના પાળીયાદ અને ચોટીલાની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા હતા. મફતિયાપરા તરફ જવાના રસ્તાની જમણી બાજુએ આવેલા નવગ્રહ મંદિરના કંપાઉન્ડમાં આવેલું ત્રણ માળનું ખાનગી ગેસ્ટ હાઉસ પણ આ કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવી રહ્યું છે. ખુલ્લી કરાયેલી જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ કરવામાં આવશે અને રસ્તાને વિકાસ પથ/સુવિધા પથ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સરકારી જમીનની જાળવણી માટે વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 5:11 pm

મોડાસા જિલ્લા પુસ્તકાલય વાંચનપ્રેમીઓને અર્પણ:મુખ્યમંત્રીએ શામળાજી મહોત્સવ 2025-26 અંતર્ગત નવીન ભવનનું ઇ-લોકાર્પણ કર્યું

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયના નવીન ભવનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. શામળાજી મહોત્સવ 2025-26 અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. લોકાર્પણ બાદ ઉપસ્થિત મહેમાનોએ નવીન ગ્રંથાલય ભવનની મુલાકાત લીધી હતી. તેમણે પુસ્તક પ્રદર્શન અને વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાંચનપ્રેમી જનતા ઉપરાંત વાડીલાલ હીરાલાલ ગાંધી બહેરા-મૂંગા શાળા, મોડાસાની બાળાઓ પણ હાજર રહી હતી. મહેમાનોએ ગ્રંથાલયમાં ઉપલબ્ધ સુવિધાઓની પ્રશંસા કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ ગ્રંથાલય નિયામક, ડૉ. પંકજભાઈ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમના સૂચનો અને તમામ સ્ટાફગણની મહેનતથી આયોજન સફળ રહ્યું.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 5:09 pm

મંદી વચ્ચે નવસારી મેગા ટ્રેડ ફેર સફળ:100 સ્ટોલ્સ પર 45,000થી વધુ મુલાકાતીઓ ઉમટ્યા

નવસારીમાં છેલ્લા 17 વર્ષથી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 'મેગા ટ્રેડ ફેર'નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ટ્રેડ ફેર ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્તમાન ઔદ્યોગિક મંદીના માહોલ વચ્ચે પણ આ ફેરે નાના ઉદ્યોગ સાહસિકો માટે આશાનું કિરણ જગાવ્યું છે. અત્યાર સુધીમાં 45,000થી વધુ નાગરિકોએ આ મેળાની મુલાકાત લીધી છે. આ ટ્રેડ ફેરમાં અંદાજિત 100 જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં ગ્રાહકોને એક જ છત નીચે વિવિધ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ બની રહી છે. તેમાં ઘર વપરાશની વસ્તુઓ જેવી કે કિચન વેર અને હોમ ડેકોર, લેટેસ્ટ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને હોમ એપ્લાયન્સીસ, પર્યાવરણને અનુકૂળ ઈ-બાઈક્સનું પ્રદર્શન, ટ્રેન્ડી કપડાં અને એસેસરીઝનો સમાવેશ થાય છે. મુલાકાતીઓ માટે લિજ્જતદાર વાનગીઓના ફૂડ કોર્ટ સ્ટોલ્સ પણ ઉપલબ્ધ છે. નવસારી ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા અનુસાર, આ મેગા ટ્રેડ ફેર યોજવા પાછળનો મુખ્ય હેતુ શહેરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને એક મંચ પૂરો પાડવાનો છે. મંદીના વાતાવરણમાં પણ ગ્રાહકોને સ્ટોલ સુધી ખેંચી લાવવામાં આ પ્રદર્શન ખૂબ જ સફળ રહ્યું છે, જે સ્થાનિક વેપાર માટે સકારાત્મક સંકેત આપે છે. વેપારી કૃણાલ ચાવડા જણાવે છે કે મેગા ટ્રેડ ફેર માં એ ફાયદો છે કે તે વર્ષમાં એક જ વાર અહીં આવે છે, અને એક જ છત નીચે તમને 100 થી વધુ સ્ટોલ જોવા મળે છે. આવા સ્ટોલ સામાન્ય રીતે કોઈ એસી મોલમાં જ જોવા મળે, જ્યાં એક સામાન્ય વ્યક્તિ સરળતાથી જઈ શકતી નથી. પરંતુ, આ એક એવી ખુલ્લી જગ્યા છે જ્યાં ટિકિટ વગરના પ્રવેશ સાથે, તમે એક જ સ્થળે કન્ઝ્યુમર આઈટમ્સથી લઈને ઘરવખરીના સામાન સુધીની અનેક પ્રોડક્ટ્સ જોઈ શકો છો. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે, જેનાથી અમારા વ્યવસાયમાં 70% જેટલો વધારાનો વેગ મળે છે. હાલમાં બજારમાં ભલે મંદી હોય, પણ અમને અહીં મંદી જેવું લાગતું નથી. દર વખતે અમે અહીંથી પ્રોત્સાહિત થઈને જઈએ છીએ અને અમારી પાસે 300 થી 500 ગ્રાહકોનો એક કાયમી બેઝ બનેલો રહે છે.જોવા જઈએ તો, વર્ષોવર્ષ જ્યારે અમે અહીં આવતા હોઈએ છીએ, ત્યારે બીજા કે ત્રીજા વર્ષે એ જ જૂના ગ્રાહકો અમને વારંવાર મળે છે, તેથી બિઝનેસમાં ગ્રોથનું પ્રમાણ પણ વધતું રહે છે. અમને દર વખતે 30% થી 70% જેટલો બિઝનેસ બુસ્ટ અહીં જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 5:08 pm

આણંદમાં મોબાઈલ ચોરીનો આરોપી ઝડપાયો:વડતાલ-જોળ રોડ પરથી 9 મોબાઈલ ચોરનાર LCBની પકડમાં

આણંદ LCBએ ચોરીના ૯ મોબાઈલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી આરીફ યુસુફભાઈ વ્હોરાએ વડતાલ-જોળ રોડ પરની એક દુકાનમાંથી મોબાઈલ ચોર્યાની કબૂલાત કરી છે. LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે આરીફ વ્હોરા ચોરીના મોબાઈલ વેચવા માટે આણંદના શાસ્ત્રી મેદાન નજીક આવવાનો છે. બાતમીના આધારે વોચ ગોઠવી આરીફને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સ્કૂલ બેગમાંથી અલગ અલગ કંપનીના ૯ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૨,૧૨,૯૯૧/- આંકવામાં આવી છે. મોબાઈલ ફોન અંગે બિલ કે માલિકીના પુરાવા માંગતા આરીફે ગલ્લાંતલ્લાં કર્યા હતા. બાદમાં સઘન પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે તેના અન્ય બે સાથીદારો સાથે મળીને વડતાલ-જોળ રોડ પર આવેલી એક દુકાનનું શટર તોડી આ મોબાઈલ ચોર્યા હતા. LCBએ BNS S કલમ-૧૦૬ હેઠળ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી આરીફ વ્હોરાને વધુ તપાસ માટે તેને વડતાલ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 5:07 pm

વલસાડમાં દિવ્યાંગ બાળકોને 40 લાખના સાધનો અપાયા:બીઆરસી ભવન ખાતે ત્રણ દિવસીય સહાય વિતરણ કેમ્પ યોજાયો

વલસાડના બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે ત્રણ દિવસીય સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત સમાવેશી શિક્ષણ શાખા અંતર્ગત સમગ્ર શિક્ષા વલસાડ અને એલીમ્ફોના સંયુક્ત ઉપક્રમે ૮ થી ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન આ કેમ્પ ધરમપુર, વાપી અને વલસાડના બીઆરસી ભવન ખાતે યોજાયો હતો. આ ત્રણ દિવસીય કેમ્પમાં અંદાજે ૩૮૩ દિવ્યાંગ બાળકો હાજર રહ્યા હતા. તેમને આશરે રૂપિયા ૪૦ લાખની કિંમતના વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધનો બાળકોના શૈક્ષણિક અને દૈનિક જીવનમાં નોંધપાત્ર મદદરૂપ થશે. આ પ્રસંગે RMSA શાળાઓના નાયબ નિયામક અને સ્ટેટ આઈઈડી કો-ઓર્ડિનેટર શ્રીમતી અર્ચનાબેન ચૌધરી વર્ચ્યુઅલ માધ્યમથી કેમ્પમાં જોડાયા હતા. તેમણે બાળકો, વાલીઓ અને સમગ્ર શિક્ષા વલસાડના કર્મચારીઓને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી. આ કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવા અને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કેમ્પમાં આઈઈડી કો-ઓર્ડિનેટર અમિતકુમાર રાવલ, બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશકુમાર પટેલ અને બીપીનભાઈ પટેલ, બીટ નિરીક્ષક હરેશભાઈ તેમજ નિવૃત્ત બેંક કર્મચારી ભરતભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિક્ષાના સ્પેશિયલ એજ્યુકેટર અને સ્પેશિયલ ટીચર્સના સહયોગથી આ સમગ્ર આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 5:04 pm

મહેસાણાથી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી:નગરપાલિકાએ વળતર ચૂકવી જમીન લીધી પણ રોડ પહોળો ન કર્યો, ફરી દબાણ થયું; હાઇકોર્ટે મહેસાણા ન.પા. પાસે જવાબ માગ્યો

ગુજરાત હાઈકોર્ટમાં મહેસાણાથી એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં TP સ્કીમના અમલની માગ કરાઈ છે. જે મુજબ મહેસાણા નગરપાલિકાએ વર્ષ 2002માં રોડ પહોળો કરવા વળતર ચૂકવીને જમીન લીધી હતી, પણ રોડ પહોળો થયો નથી. સાંકડા રોડ ઉપર અકસ્માતો થાય છે અને ત્યાં ફરી દબાણ થઈ ચૂક્યા છે. દુકાનો બનાવી જાહેર જગ્યા ઉપર દબાણ સર્જાયુંમહેસાણા શહેરમાં આ રોડ ક્રિષ્ના શોપિંગ સેન્ટરથી ભમ્મરીયા નાળા તરફનો રોડ છે. જેની પાસેથી આ જમીન નગરપાલિકાએ લીધી હતી તે જમીન ધારકો મોટા ધંધાદારીઓ છે. જેઓએ ફરીથી આ જમીન ઉપર કબજો જમાવી દીધો છે. ત્યાં દુકાનો બનાવી તેને આગળ વધારી છે. જેનાથી જાહેર જગ્યા ઉપર દબાણ સર્જાયું છે. મહેસાણા શહેરમાં ભારે ટ્રાફિક સર્જાય છે. હાઇકોર્ટે મહેસાણા નગરપાલિકા પાસે જવાબ માગ્યોહાઇકોર્ટ સમક્ષ અરજદારે મહેસાણા નગરપાલિકાને યોગ્ય પગલા લે તેવી માગ કરી છે. રોડ પહોળો કરવા માંગ કરાઈ છે. હાઇકોર્ટે મહેસાણા નગરપાલિકા પાસે જવાબ માગ્યો છે કે જે દબાણ ઉપરોક્ત જમીન ઉપર થયું છે, તેને દૂર કરવા શું કર્યું ? આ અંગે વધુ સુનાવણી 30 જાન્યુઆરીએ રાખવામાં આવેલ છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:55 pm

ઊંઘમાં બીડી પીવાની આદતે 45 વર્ષીય યુવકનો જીવ લીધો:સળગતી દીવાસળી ગોદડામાં પડીને આગ ભભૂકી ઉઠી, દાઝી ગયેલા યુવકનું સારવાર દરમિયાન મોત

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નરસિંહપુરા ગામમાં એક 45 વર્ષીય યુવકનું ઊંઘતા-ઊંઘતા બીડી પીવાના કારણે લાગેલી આગમાં દાઝી જવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે તેમનું મોત થયું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સળગતી દીવાસળી ફેંકતા તે ગોદડામાં પડી ને આગ ભભૂકીમળતી માહિતી અનુસાર નરસિંહપુરા ગામના રહેવાસી આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હતા અને તેમને બીડી પીવાની આદત હતી. ગત તા. 7 જાન્યુઆરીએ વહેલી સવારે લગભગ 5 વાગ્યે તેઓ ઊંઘમાંથી જાગ્યા અને બીડી સળગાવવા માટે માચીસ સળગાવી હતી. સળગતી દીવાસળી ફેંકતા તે ગોદડામાં પડી ગઈ હતી. જેના પરિણામે ગોદડામાં આગ ભભૂકી ઉઠી હતી અને યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેમને પ્રાથમિક સારવાર માટે વડુ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યુંત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું સારવાર દરમ્યાન આજે મૃત્યુ થયું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:41 pm

વૃદ્ધ મહિલાને એડ્રેસ પૂછવાને બહાને દાગીના ઉતારી લીધા:મંદિરનું એડ્રેસ પૂછી ભૂવો હોવાનું જણાવી હિપ્નોટાઇઝ કરી 1 લાખના દાગીના પડાવનાર ઝડપ્યો

અમદાવાદના વેજલપુરમાં એક મહિલાને રસ્તામાં બે બાઈક ચાલકોએ ઊભા રાખીને મંદિરનું એડ્રેસ પૂછ્યું હતું. જે બાદ મહિલાને બાઇક ચાલકે પોતે ભૂવો હોવાનું કહીને 1 રૂપિયાની સામે 100 રૂપિયા આપ્યા હતા. મહિલાને વાતોમાં રાખી હિપ્નોટાઇઝ કરીને બાઈકચાલકે મહિલાના હાથમાં પહેરેલા દાગીના ઉતારી લીધા હતા. પોલીસે મહિલાના દાગીના ઉતારી લેનાર આરોપીની ધરપકડ કરી છે. મહિલાને વિશ્વાસમાં લઈને હિપ્નોટાઇઝ કરીને હાથમાં પહેરેલા સોનાની બંગડીઓ લઈને ફરાર23 નવેમ્બરના રોજ વેજલપુરમાં એક વૃદ્ધ મહિલા મંદિર દર્શન કરવા જતા હતા ત્યારે એક બાઇક પર બે શખસો આવ્યા હતા, જેમણે મહિલાને ખોડિયાર માતાના મંદિરનું એડ્રેસ પૂછ્યું હતું. જે બાદ મહિલાને વાતોમાં રાખીને મહિલા પાસે એક રૂપિયો માંગ્યો હતો. મહિલાએ એક રૂપિયો આપતા મહિલાને સામે 100 રૂપિયા આપ્યા હતા, જે બાદ મહિલાને વિશ્વાસમાં લઈને હિપ્નોટાઇઝ કરીને તેના હાથમાં પહેરેલા સોનાની બંગડીઓ લઈને બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આરોપી વિરુદ્ધ જુદા-જુદા શહેરોમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છેમહિલાને ઘરે જઈને જાણ થઈ હતી કે, તેમની સાથે આ બનાવ બન્યો છે. જેથી, તેણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઝોન-7 DCPના LCB સ્કોડના પી.આઇ. વાય.પી જાડેજાની ટીમે બાતમીના આધારે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સોનાના દાગીના સાથે સુનિલ ચૌહાણ નામના એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીના વિરુદ્ધમાં અમરેલી, મહેસાણા, ગીર-સોમનાથ, દહેગામ સહિત અલગ-અલગ જગ્યાએ ગુના નોંધાઈ ચૂક્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:31 pm

પોલીસે કન્ટેનર ખોલીને જોતા ચોંકી ઉઠી:દારૂ છુપાવવા ગજબનું ચોરખાનું બનાવ્યું; NH48 પરથી 34 લાખના દારૂ સાથે એકની ધરપકડ

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ હોટેલ કમ્ફર્ટ ઇન અને નાયરા પેટ્રોલ પંપ વચ્ચેના ટ્રક પાર્કિંગમાંથી એક આઇસર કન્ટેનરમાંથી વડોદરા શહેર પીસીબીની ટીમે 33.74 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. PCBએ તપાસ કરતા ચોરખાનું મળી આવ્યુંવડોદરા પીસીબીને મળેલી બાતમી અનુસાર, આ કન્ટેનરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભોર્યો હતો અને તેમાં એક ડ્રાઇવર હાજર હતો. આ માહિતીના આધારે ટીમે સ્થળ પર રેડ કરી હતી અને તપાસ કરતાં કન્ટેનરમાં ચોરખાનું બનાવીને સંતાડી રાખેલી ભારતીય બનાવટની વ્હિસ્કી તથા બીયરની 3564 બોટલ મળી આવી હતી. જેને પગલે PCBની ટીમ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપીની વિગત રમેશકુમાર ઉર્ફે કાલુરામ ગીરધારીરામ ખીંચડ (બિશ્નોઇ), રહેવાસી- આદુરામ જાનીની શાળા પાસે, કરવાડા, તા. રાણીવાડા, જિ. ઝાલોર, રાજસ્થાન. આરોપી સામે અગાઉ આણંદ પકડાયેલા આરોપી રમેશકુમાર ઉર્ફે કાલુરામ ગીરધારીરામ ખીંચડ સામે અગાઉ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત બે ગુના નોંધાયેલા છે, જેમાં એક ગુનો આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન અને બીજો ગુનો અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. વોન્ટેડ આરોપીનું નામફૌજી નામનો ઈસમ (જેણે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો) કબજે કરાયેલ મુદ્દામાલ અને કિંમત

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:27 pm

પાટણમાં પાણી ઢોળવા બાબતે પાડોશીઓ વચ્ચે હિંસક અથડામણ:બંને પક્ષોએ એકબીજા પર તલવાર, લાકડાના ધોકા અને પથ્થરો વડે હુમલો કર્યો, 11 સામે ગુનો

પાટણ શહેરની શીવનગર સોસાયટીમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અગાઉની બોલાચાલીનું મનદુઃખ રાખી બંને પક્ષોએ એકબીજા પર તલવાર, લાકડાના ધોકા અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં બંને પક્ષના અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાટણ સીટી એ-ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ 11 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ પક્ષનો આરોપ : લાકડી-ધોકા વડે હુમલો કર્યોપ્રથમ પક્ષે, પ્રકાશભાઈ રામાભાઈ પટણીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘર આગળ પાણી ઢોળવા બાબતે સોનાબેન પટણી સાથે બોલાચાલી થઈ હતી. સમાધાન થયા બાદ બીજા દિવસે તેમનો દીકરો ચિરાગ ઘરે આવતા આરોપીઓએ પથ્થરમારો કર્યો હતો. આરોપી સુનીલે લાકડાની ઈશ વડે પ્રકાશભાઈના માથા અને આંખ પાસે ગંભીર ઈજા પહોંચાડી હતી. અન્ય આરોપીઓ વિજય, વિશાલ, ક્રીશ અને સાગરે લાકડી-ધોકા વડે માર માર્યો હતો. આ હુમલામાં વચ્ચે પડેલા સુજલને આરોપી વિજયે તલવાર વડે અને વિશાલે ઈંટ વડે માથામાં ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે વિજયભાઈ બાબુભાઈ પટણી, વિશાલભાઈ, ક્રીશભાઈ, સુનિલભાઈ, સાગરભાઈ અને સોનાબેન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બીજા પક્ષનો આરોપ : તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યોસામા પક્ષે, વિજયભાઈ બાબુભાઈ પટણીએ વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતા કલાબેન પટણીએ પાણી ઢોળતા થયેલી બોલાચાલીની અદાવતમાં આ હુમલો થયો હતો. ફરિયાદ મુજબ, ચિરાગ પ્રકાશભાઈ પટણી ગાળો બોલતો હોવાથી તેને સમજાવવા ગયેલા ક્રીશ પર ચિરાગ અને સુજલે તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરોએ પથ્થરમારો કરી વિજયભાઈના પત્ની અને માતાને પણ ઈજા પહોંચાડી હતી. આરોપી પ્રકાશભાઈએ લાકડાના ધોકા વડે વિજયભાઈના કપાળ અને કાંડા પર માર મારી ઈજા પહોંચાડી હતી. પોલીસે આ ફરિયાદના આધારે પ્રકાશભાઈ રામાભાઈ પટણી, સુજલભાઈ, ચિરાગભાઈ, કલાબેન અને ખુશીબેન વિરુદ્ધ રાયોટીંગ અને હુમલા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:27 pm

'વર્લ્ડ કપ જીતીને આવ્યા હોય તેવો એરપોર્ટ પર પ્રેમ મળ્યો':ગિલે કહ્યું- 'રોહિત-વિરાટની હાજરીથી કામ સરળ બને છે, કિવી પ્લેયર્સ વડોદરામાં મોર્નિગ વોક પર નીકળ્યા, રાહુલે ફેન્સે ઓટોગ્રાફ આપ્યા

વડોદરાના નવનિર્મિત કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ વન-ડે મેચ પૂર્વે ક્રિકેટ ફીવર ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં આજે ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ટીમની તૈયારીઓ અને વર્લ્ડ કપના લક્ષ્યાંક વિશે મહત્વની વાતો કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજોએ મેદાન પર બેટિંગ પ્રેક્ટિસ કરીને પરસેવો પાડ્યો હતો, તો બીજી તરફ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ વડોદરાના રસ્તાઓ પર લટાર મારતા અને કાફેમાં નાસ્તો કરતા જોવા મળતા ક્રિકેટપ્રેમીઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. કેપ્ટન ગિલે સ્ટેડિયમની અત્યાધુનિક સુવિધાઓ અને વડોદરાની જનતાના અભૂતપૂર્વ પ્રેમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રોહિત-વિરાટ જેવા અનુભવી ખેલાડીઓની હાજરીથી તેમનું કામ સરળ બની જાય છે અને ટીમ ઇન્ડિયા આ સિરીઝમાં શ્રેષ્ઠ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરવા સજ્જ છે. 'ICC ટુર્નામેન્ટ જીતવા માટે ઘણી સતત મહેનત અને મજબૂત નિશ્ચયની જરૂર'ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે કોઈ પણ ફોર્મેટ તેના મૂળ સ્વરૂપમાં સરળ હોય છે. જો તમે જોશો તો, ભારતીય ટીમે 2011 પછી વર્લ્ડ કપ નથી જીત્યો. જો તે આટલું જ સરળ હોત, તો આપણે દર બીજા વર્ષે વર્લ્ડ કપ જીતતા હોત. કહેવું સરળ છે, પણ કોઈ પણ ફોર્મેટ સહેલું નથી હોતું. મોટી ICC ટુર્નામેન્ટ જીતવા માટે ઘણી સતત મહેનત અને મજબૂત નિશ્ચયની જરૂર હોય છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને દરેક સિરીઝ ખૂબ જ મહત્વની: ગીલઅમે કોઈ પણ સિરીઝ રમીએ, તેની પાછળ હંમેશા એક ચોક્કસ ધ્યેય કે લક્ષ્ય હોય છે. અત્યારે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને દરેક સિરીઝ ખૂબ જ મહત્વની છે. ટીમ કોમ્બિનેશન ચકાસવા માટે અને કયો ખેલાડી કઈ પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકે છે તે જાણવા માટે આ શ્રેણી અગત્યની છે. મેં મારી કારકિર્દીમાં અત્યાર સુધી પાંચ વનડે મેચોની સિરીઝ બહુ રમી નથી, સામાન્ય રીતે અમને ત્રણ મેચોની સિરીઝ જ રમવા મળે છે. તેથી, આ ઓછી તકોમાં શ્રેષ્ઠ કોમ્બિનેશન શોધી કાઢવું એ અમારો મુખ્ય પ્રયાસ રહે છે. 'મારી ન્યુઝીલેન્ડ સામે રમવાની યાદો હંમેશા ખાસ રહી છે'​મારો એવો વિશ્વાસ છે કે, હું અત્યારે જીવનમાં ત્યાં જ છું જ્યાં મારે હોવું જોઈએ. જે મારા નસીબમાં લખેલું છે તે કોઈ છીનવી શકતું નથી. હા, એક ખેલાડી તરીકે ચોક્કસ એવું મનમાં હોય કે હું પણ વર્લ્ડ કપ રમીને દેશને જીતાડું, પરંતુ હું પસંદગીકારોના નિર્ણયનું સન્માન કરું છું. હું ટી-20 ટીમને ઘણી બધી શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે તેઓ આપણા માટે વર્લ્ડ કપ જીતીને લાવે. ન્યુઝીલેન્ડ સામે રમવાની યાદો હંમેશા ખાસ રહી છે. મારો ડેબ્યુ પણ તેમની સામે જ થયો હતો અને અંડર-19માં પણ અમે ત્યાં રમવા ગયા હતા. ન્યુઝીલેન્ડ એક મજબૂત ટીમ છે અને તેમની સામે રમવા માટે હું હંમેશા ઉત્સાહિત રહું છું. રોહિત અને કહોલી જેવા દિગ્ગજ બેટ્સમેનો સાથે રમવાની તક ખૂબ અમુલ્યરોહિત અને વિરાટ જેવા ખેલાડીઓ ટીમમાં હોય ત્યારે કામ ઘણું સરળ થઈ જાય છે. રોહિત વન-ડે ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓપનર્સમાંથી એક છે અને વિરાટ પણ વન-ડેના દિગ્ગજ બેટ્સમેન છે. જ્યારે પણ ટીમ કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય ત્યારે તેમની પાસે જઈને સલાહ લેવી ખૂબ જ મદદરૂપ થાય છે. એક કેપ્ટન તરીકે તેમની અનુભવી વાતો મારા માટે અમૂલ્ય છે. ભારતમાં બીજી ઇનિંગમાં ઝાકળના કારણે બોલિંગ થોડી મુશ્કેલઅમે કોઈ પણ હરીફ ટીમને નબળી રીતે જોતા નથી, પછી ભલે તેઓ ગમે તે સ્થિતિમાં હોય. અમારો મુખ્ય ઉદ્દેશ્ય અમારી પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો હોય છે. ભારતમાં રમાતી મેચોમાં, ખાસ કરીને બીજી ઇનિંગમાં જ્યારે બોલિંગ કરવાની હોય છે, ત્યારે ઝાકળને કારણે બોલિંગ કરવી થોડી અઘરી બની શકે છે. તેથી, અમે એવી પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા માગીએ છીએ જ્યાં અમારા બોલરો આવી સ્થિતિમાં પણ સારું પ્રદર્શન કરી શકે. જો અમે મેચમાં કોઈ પણ દબાણ હેઠળ રન ચેઝ કરી શકીએ, તો એક ટીમ તરીકે અમારો આત્મવિશ્વાસ વધશે. 'એરપોર્ટ પર આવ્યા ત્યારે વર્લ્ડ કપ જીતીને આવ્યા હોઈએ એવું લાગ્યું' અમારા ચાહકો માટે મારો એ જ સંદેશ છે કે, હું પ્રથમ વખત આ સ્ટેડિયમમાં રમી રહ્યો છું અને આ ખૂબ જ શાનદાર સ્ટેડિયમ છે. જે રીતે ચાહકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે અમે વડોદરા એરપોર્ટ પર આવ્યા ત્યારે તો એવું લાગ્યું હતું કે જાણે અમે વર્લ્ડ કપ જીતીને આવ્યા હોઈએ!. સ્ટેડિયમ હોય, પ્રેક્ટિસ સેશન હોય કે હોટલની બહાર, ચાહકોનો જે પ્રેમ મળી રહ્યો છે તે અદભૂત છે. અમારી પણ એ જ કોશિશ રહેશે કે અમે મેચમાં સારું પ્રદર્શન કરીને તેમને ઘણી બધી યાદગાર ક્ષણો આપી શકીએ. ​ખૂબ જ સરસ ગ્રાઉન્ડ છે અને સુવિધાઓ પણ ઉત્તમ છે. ખાસ કરીને અહીં રિકવરી રૂમ અને અન્ય સવલતો જે રીતે તૈયાર કરવામાં આવી છે, તે સામાન્ય રીતે દરેક સ્ટેડિયમમાં જોવા નથી મળતી. ગ્રાઉન્ડ અને પ્રેક્ટિસ વિકેટ્સ પણ ખૂબ જ સારી છે, જેના પર પ્રેક્ટિસ કરવાની મજા આવી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:26 pm

બનાસકાંઠામાં મતદાર યાદી સુધારણા: 40,125 ફોર્મ મળ્યા:9 વિધાનસભા વિસ્તારોમાંથી ફોર્મ 6, 7 અને 8 હેઠળ અરજીઓ પ્રાપ્ત

બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત કુલ 40,125 ફોર્મ પ્રાપ્ત થયા છે. આ ફોર્મ જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોમાંથી 8 જાન્યુઆરી, 2026 સુધીમાં મળ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના નેતૃત્વ હેઠળ ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ 19 ડિસેમ્બર, 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. SIR કાર્યક્રમ હેઠળ 19 ડિસેમ્બર, 2025 થી 18 જાન્યુઆરી, 2026 સુધી હકક દાવા અને વાંધા-અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. 8 જાન્યુઆરી, 2026 સુધીમાં પ્રાપ્ત થયેલી અરજીઓ મુજબ, ફોર્મ નંબર 6 (નવું નામ ઉમેરવા) હેઠળ 23,003 અરજીઓ, ફોર્મ નંબર 7 (નામ કાઢવા અથવા વાંધા માટે) હેઠળ 2,582 અરજીઓ અને ફોર્મ નંબર 8 (નામ, સરનામું કે અન્ય વિગતોમાં સુધારા) હેઠળ 14,540 અરજીઓ રજૂ કરવામાં આવી છે. બનાસકાંઠાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્રતા ધરાવતો મતદાર યાદીમાંથી બાકાત ન રહે અને કોઈ પણ અપાત્ર વ્યક્તિનો સમાવેશ ન થાય.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:25 pm

સિધાડા ગામે રસ્તાના બ્લોક વિવાદે હુમલો:ચાર શખ્સોએ લાકડીઓ વડે બે ભાઈઓને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિધાડા ગામે રસ્તામાં બ્લોક નાખવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈને ચાર શખ્સોએ એક જ પરિવારના બે ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ફરિયાદીએ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ, સિધાડા ગામમાં રહેતા રમઝાનભાઈ ઉમેદખાન અલીખાન થેબા તારીખ 10/01/2026ના રોજ સવારે આશરે 06:00 વાગ્યે તેમના ભાઈ અનવર સાથે ઘરની બહાર મોઢું ધોઈ રહ્યા હતા. તે સમયે તે જ ગામના સુલેમાન ઈબ્રાહીમ જેઠાજી થેબા, નસરતખાન સુલેમાન થેબા, હનીફ ઉર્ફે દલો સુલેમાન થેબા અને ઈમરાન સુલેમાન થેબા મોટર સાયકલ લઈને ત્યાં આવ્યા હતા. આ શખ્સોએ રસ્તામાં નાખેલા બ્લોક બાબતે બોલાચાલી શરૂ કરી હતી અને જણાવ્યું હતું કે બ્લોક અહીં જ નાખવાના છે, તારાથી થાય તે કરી લેજે. તકરાર વધતા સુલેમાન ઈબ્રાહીમ થેબાએ ઉશ્કેરાઈને લાકડી વડે રમઝાનભાઈના પેટના ભાગે ફટકો માર્યો હતો, જ્યારે નસરતખાન થેબાએ તેમની પીઠના ભાગે લાકડી મારતા તેઓ નીચે પડી ગયા હતા. રમઝાનભાઈને છોડાવવા વચ્ચે પડેલા તેમના ભાઈ અનવરને પણ સુલેમાન થેબાએ ડાબા પગના સાથળના ભાગે લાકડી મારી હતી. ત્યારબાદ હનીફ અને ઈમરાન થેબાએ પણ રમઝાનભાઈને બંને પગમાં લાકડીઓ મારી ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન બૂમાબૂમ થતા આજુબાજુમાંથી આદમ હુશેન થેબા અને સૌરાબખાન થેબા દોડી આવતા હુમલાખોરો માર મારતા અટક્યા હતા. જતી વખતે આરોપીઓએ એવી ધમકી આપી હતી કે તમો પોલીસને ચોરી અને લૂંટના ગુનાઓની માહિતી આપો છો, આજે તો બચી ગયા પણ ફરી વાર હાથમાં આવશો તો જાનથી મારી નાખીશું. આ સાથે આરોપીઓએ બિભત્સ ગાળો બોલી GJ-24-AB-8229 નંબરના મોટર સાયકલ પર ફરાર થઈ ગયા હતા. સાંતલપુર પોલીસે આ અંગે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ (GP) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:17 pm

PM મોદીના ગાંધીનગર પ્રવાસને લઈને આ રસ્તા બંધ:આવતીકાલથી પાટનગર બે દિવસ પોલીસ છાવણીમાં ફેરવાશે, 10 IPS સહિત 1800ની ફૌજનો લોખંડી બંદોબસ્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહેમાન બનવાના છે. આ પ્રવાસને લઈને ગાંધીનગર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને લઈ આવતીકાલથી બે દિવસ માટે પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ જશે. જેમાં 10 IPS સહિત 1800ની ફૌજનો લોખંડી પોલીસ બંદોબસ્ત રહેશે. આવતીકાલે ગાંધીનગરવાસીઓને મેટ્રોની ભેટ મળશેPMના બે દિવસીય પ્રવાસ અન્વયે આવતીકાલે પ્રથમ દિવસે એટલે કે 11 જાન્યુઆરીની સાંજે ગાંધીનગરવાસીઓને મેટ્રોની ભેટ મળશે. પીએમ મોદીના હસ્તે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ 12 જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મન પ્રતિનિધિ મંડળ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં દ્વિપક્ષીય સંબંધો અને રોકાણ અંગે ચર્ચાઓ થવાની શક્યતા છે. 10 IPS સહિત 1800ની ફૌજનો લોખંડી બંદોબસ્તવડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે ગાંધીનગર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, વડાપ્રધાનના આગમનને લઈ 10થી વધુ આઈપીએસ, 20 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે. આ ઉપરાંત ગ્રાઉન્ડ ફોર્સમાં 50પીઆઈ, 100થી વધુ પીએસઆઈ અને આશરે 1800 પોલીસ કોન્સ્ટેબલ્સ ખડેપગે રહેશે. મેટ્રો સ્ટેશનની નીચે સામાન્ય જનતા પણ આ આધુનિક સુવિધા નિહાળી શકે તે માટે મનપા અને પોલીસના સંકલનથી ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન ત્યારે પીએમના રૂટ અને કાર્યક્રમના સ્થળોને ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવશે. નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જાહેર કરવામાં આવેલા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરે જેથી કોઈ મુશ્કેલી ન પડે. પીએમના આગમનને લઈને આ રસ્તા બંધજે અન્વયે 11 જાન્યુઆરી બપોરે 2થી 12 જાન્યુઆરી સવારે 10 સુધી 'ચ-0' સર્કલથી સેક્ટર-30 સર્કલ સુધીનો 'જ' રોડ સંપૂર્ણ બંધ રહેશે.ઉપરાંત 12 જાન્યુઆરી સવારે 6થી સાંજે 4 કલાક સુધી 'ક' રોડ હોટલ લીલાથી સેક્ટર-13 રેલવે સ્ટેશન ચોકડી સુધીનો માર્ગ બંધ રહેશે. એજ રીતે 12 જાન્યુઆરી સવારે 6થી સાંજે 4 કલાક સુધી ખ-3 સર્કલથી સાંઈ ચાર રસ્તા મહાત્મા મંદિર સુધીનો મુખ્ય રોડ પ્રતિબંધિત રહેશે. આ વિસ્તારમાં નો-પાર્કિંગ ઝોનતદુપરાંત શહેરના મહત્વના સર્કલો અને સર્વિસ રોડ પર પાર્કિંગ પર પાબંદી લાદવામાં આવી છે. જે મુજબ અપોલો સર્કલથી અક્ષરધામના મુખ્ય માર્ગ અને સર્વિસ રોડના 50 મીટર સુધીના વિસ્તારમાં વાહન પાર્ક કરી શકાશે નહીં. તેમજ સેન્ટ્રલ વિસ્ટા રોડ મહાત્મા મંદિરથી ટાઉનહોલ અને ઉદ્યોગભવન થઈ અપોલો સર્કલ સુધીના માર્ગો પર પાર્કિંગ સખત મનાઈ છે. ભારે વાહનો પ્રવેશી શકશે નહીંઆવતીકાલે 11 જાન્યુઆરી બપોરે 2 વાગ્યાથી 12 જાન્યુઆરી સાંજે 4 વાગ્યા સુધી અપોલો સર્કલ, કોબા સર્કલ અને ચ-0 થી સેક્ટર-30 સુધી ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. વૈકલ્પિક માર્ગો તરીકે વાહનચાલકો ચ-રોડ, રોડ નંબર-7, વાવોલ ગામ અને ઉવારસદ માર્ગનો ઉપયોગ કરી શકશે.જોકે રેલવે મુસાફરોને જરૂરી પુરાવા બતાવવા પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ધ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને ઇમરજન્સી સેવાઓ અને એમ્બ્યુલન્સને આ પ્રતિબંધોમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:15 pm

'માત્ર નામ જ નહીં બદલ્યું, ગરીબ કલ્યાણ માટે ક્રાંતિકારી સુધારો':પાટીલે કહ્યું- 'જી રામજી' યોજનામાં વેતન અને રોજગારી વધી, બજેટ 35,000 કરોડથી વધારીને 95,000 કરોડ કર્યું

સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે 'વિકસિત ભારત જી રામજી' યોજનાને ગરીબ કલ્યાણના ક્ષેત્રે ક્રાંતિકારી સુધારો ગણાવીને તેની મહત્વપૂર્ણ વિગતો શેર કરી હતી. તેમણે ઇતિહાસ વાગોળતા કહ્યું કે, 1980માં શરૂ થયેલી આ યોજનાના નામ અનેક વખત બદલાયા પરંતુ, મૂળ હેતુ જળવાયો નહોતો અને ભ્રષ્ટાચારના કારણે લાભાર્થીઓ સુધી માત્ર 15 પૈસા જ પહોંચતા હતા, જ્યારે મોદી સરકારે પારદર્શક સિસ્ટમ દ્વારા દરેક રૂપિયો સીધો લાભાર્થીના એકાઉન્ટમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. સરકારે હવે આ યોજનાને નવું કૌશલ્ય અને આધુનિક ઓપ આપીને રજૂ કરી છે, જેમાં માત્ર માટીકામ જ નહીં પણ ટેલેન્ટ અને કૌશલ્ય ધરાવતા લોકોને પણ રોજગારીની તક મળશે. જી રામજી યોજનામાં ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નથી પાટીલે કોંગ્રેસ શાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ સ્વીકાર્યું હતું કે દિલ્હીથી મોકલેલા 1 રૂપિયામાંથી માત્ર 15 પૈસા જ લોકો સુધી પહોંચતા હતા, જ્યારે બાકીના 85 પૈસા વચેટીયાઓ ખાઈ જતા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પારદર્શક સિસ્ટમને કારણે નાણાં સીધા જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. જી રામજી યોજનામાં ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નથી અને દરેક રૂપિયો સીધો જરૂરિયાતમંદના હાથમાં જાય છે તેવી ખાતરી તેમણે આપી હતી. સરકારી યોજનાનું બજેટ પણ 95,000 કરોડ કરવામાં આવ્યું મંત્રીએ કોંગ્રેસ શાસન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, જૂની મનરેગા યોજનામાં 100 દિવસનું કામ અને 15 દિવસે મજૂરી મળતી હતી, જેને હવે જી રામજી યોજના હેઠળ 125 દિવસનું કામ અને માત્ર 7 દિવસમાં ચુકવણીની સુવિધા આપવામાં આવી છે, જ્યારે બજેટ પણ 35,000 કરોડથી વધારીને 95,000 કરોડ કરવામાં આવ્યું છે. સરકાર અનેક યોજનાઓ પર પાયાનું કામ કરી રહી છેવધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત બનાવવાની કલ્પના કરી છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે આયુષ્માન કાર્ડ, ઉજ્વલા યોજના, મુદ્રા લોન અને જનધન ખાતા જેવી યોજનાઓ પાયાનું કામ કરી રહી છે. ખાસ કરીને 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ભલે 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા હોય, પરંતુ તેમની સ્થિતિ બીમારીમાંથી ઉઠેલા વ્યક્તિ જેવી છે જેમને હજુ સરકારના ટેકા અને પૌષ્ટિક આહારની જરૂર છે. વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આ યોજનાઓને લોકો સુધી પહોંચાડવી અંતમાં સી.આર. પાટીલે લોકોને અપીલ કરી હતી કે, આ યોજનાઓનો મહત્તમ લાભ લેવામાં આવે. જેથી, દેશનો દરેક નાગરિક આર્થિક રીતે સશક્ત બને. જી રામજી યોજના માત્ર રોજગારી આપવાનું સાધન નથી પરંતુ, જળ સંચય અને જળ શક્તિના કામો દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાનું પણ એક માધ્યમ છે. 2047 સુધીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આ યોજનાઓને લોકો સુધી પહોંચાડવી એ આપણી સામૂહિક જવાબદારી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:15 pm

સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2026:હેરિટેજ હવેલી ને પોળના સ્થાપત્યની થીમ, 1000 પતંગબાજો પેચ લડાવશે; નાઈટ ફ્લાઈંગ અને કિંજલ દવે લોકોને ડોલાવશે

ગુજરાતની ઓળખ સમાન ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2026નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ આ ભવ્ય ફેસ્ટિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2026 માટે અત્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હેરિટેજ હવેલી અને પોળના સ્થાપત્યની થીમ પર તૈયાર કરાયેલા સ્ટોલ, પંતગ મ્યુઝિયમ, ફોટો વોલ, ફૂડ સ્ટોલ અને હેન્ડક્રાફ્ટિંગ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. 12થી 14 જાન્યુઆરીએ યોજાશે કાઈટ ફેસ્ટિવલઆ કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ધાટન PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે, જ્યારે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વિશેષ અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજરી આપશે. 12 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ કાઈટ ફેસ્ટિવલમાં માત્ર રંગબેરંગી પતંગો જ નહીં પરંતુ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની પણ ઝલક જોવા મળશે. હેરિટેજ હવેલી અને પોળના સ્થાપત્યની થીમ પર તૈયાર કરાયેલા સ્ટોલ્સ, પતંગ મ્યુઝિયમ અને ફોટો વોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. દેશ-વિદેશના 1,071 પતંગરસિકો પેચ લડાવશેકાઈટ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના મોટી સંખ્યામાં પતંગબાજો ભાગ લેશે. 50 દેશના 135 ઇન્ટરનેશનલ પતંગબાજો, ભારતના 13 રાજ્યના 65 પતંગબાજ અને ગુજરાતના 16 જિલ્લાના 871 પતંગબાજ આ કાઈટ ફેસ્ટિવલમાં સહભાગી થશે. આ રીતે કુલ અંદાજે 1,071 પતંગરસિકો આકાશમાં પેચ લડાવશે. નાઈટ ફ્લાઈંગ અને કિંજલ દવે લોકોને ડોલાવશેમહોત્સવના મુખ્ય આકર્ષણોમાં 13 જાન્યુઆરીની રાત્રિ નાઈટ ફાઈટ ફ્લાઈંગ, દરરોજ સાંજે 7 વાગ્યે સાંસ્કૃતિક સંધ્યા અને લોકપ્રિય ગાયિકા કિંજલ દવે લોકોને ડોલાવશે. આ ઉપરાંત 25 હસ્તકલા સ્ટોલ અને 15 ફૂડ સ્ટોલ દ્વારા સ્થાનિક કલા, હસ્તકલા અને પરંપરાગત વ્યંજનોને પ્રોત્સાહન આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:14 pm

જૂનાગઢમાં ઊંલટી ગંગા વહી! કૂવાથી નરસિંહ મહેતા તળાવ ભરવાનું શરૂ:16મી CM હસ્તે લોકાર્પણને લઈ તંત્ર બોખલાયું; એજન્સીના પાણી ભરવા મુદ્દે વોટર વર્ક શાખાનું નરોવા કુંજરવા

​ગુજરાતીમાં એક બહુ જાણીતી કહેવત છે કે, ‘કૂવામાં હોય તો હવાડામાં આવે’. જેનો અર્થ એ થાય કે મુખ્ય સ્ત્રોતમાં કઈ હોય તો આગળ પહોંચે. પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાએ આ કહેવતને જાણે ઊંધી સાબિત કરવાનું બીડું ઝડપ્યું હોય તેમ લાગે છે. ઐતિહાસિક નરસિંહ મહેતા તળાવ, જેના બ્યુટીફિકેશન પાછળ સરકારે આશરે 60 કરોડની માતબર રકમનો ખર્ચ કર્યો છે, તેને ભરવા માટે હવે મનપા ‘કૂવા’ના શરણે ગઈ છે. આગામી 16 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે આ તળાવનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે, ત્યારે કામગીરી કાગળ પર અને મુખ્યમંત્રીની નજરમાં શુદ્ધ દેખાય તે માટે તંત્ર બોખલાયું છે અને ઉતાવળે કૂવાના પાણીથી તળાવ ભરવાની વિચિત્ર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ‘કુવામાંથી કેમ તળાવ ભરવામાં આવે છે તે એક સવાલ’આ મામલે જુનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું કે, હાલમાં મુખ્યમંત્રી 16 જાન્યુઆરીએ લોકાર્પણ કરશે તેવી જાહેરાત થઈ છે, ત્યારે જૂનાગઢના શાસકો દ્વારા કૂવામાં મોટર ઉતારીને તળાવ ભરવામાં આવી રહ્યું છે. આ તો એક અદભૂત ટેક્નોલોજી કહેવાય કે, કુવામાંથી તળાવ ભરવામાં આવે! તળાવ ભરવા માટે અહીંયા મોટો પ્લાન્ટ બનાવાયો છે, જેમાં આવતું ગટરનું પાણી શુદ્ધ કરીને તળાવમાં નાખવાનું હતું. આ પ્લાન્ટ આમ તો ચાલુ છે, પરંતુ એમાંથી કેટલું પાણી ફિલ્ટર થાય છે, એ હજી સુધી કોઈને ખબર નથી. ​તળાવના બ્યુટીફિકેશન, આ ફિલ્ટર પ્લાન્ટ અને ગટરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, છતાં પણ ગટરનું પાણી શુદ્ધ થઈને કેમ તળાવમાં નથી જતું એ મોટો પ્રશ્ન છે. ‘મશીનરીનો યોગ્ય ઉપયોગ કરીને તળાવ ભરવું જોઈએ’તળાવનું લાઇન લેવલ વિખાઈ ગયું છે, ગટર આડો પાળો કરવામાં આવ્યો છે, જેથી ગટરનું પાણી તળાવમાં ન આવે. આવડો મોટો પ્લાન્ટ અને કરોડો રૂપિયા જો ખર્ચ્યા હોય તો કુવામાંથી તળાવ ભરવાનો વારો જ ન આવે. ​આ ખરેખર વિશ્વની પહેલી મહાનગરપાલિકા હશે જે કુવામાંથી તળાવ ભરે છે. એટલે આવી જે કામગીરી છે એ ન થવી જોઈએ. કારણ કે, આ લોકોના ટેક્સના પૈસા છે અને તે બરબાદ થઈ રહ્યા છે. લાખો રૂપિયાની મશીનરી ધૂળ ખાઈ રહી છે અને ઇલેક્ટ્રિક પાવર બાળીને આવડું મોટું બિલ કોના શિરે આવે? એ તો જનતાના ટેક્સના પૈસામાંથી જ થવાનું. એટલે ખરેખર યોગ્ય નીતિથી અને સારી રીતે કામગીરી કરવામાં આવે અને મશીનરીનો યોગ્ય ઉપયોગ કરીને તળાવ ભરવું જોઈએ. તળાવ ભરવા માટે અઢી એમએલડીનો પ્લાટ કાર્યરતઃ અધિકારીઆ સમગ્ર વિવાદ મામલે વોટર વર્ક્સ શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ જણાવ્યું કે, અહીં હકીકત એવી છે કે નર્મદા વોકળાને લઈ આજુબાજુના રહીશોની ગટર, પાઈપલાઈ અને પંપીગની વ્યવસ્થા કરેલી તેમાં હજુ બિલ્ડિંગોના કનેક્શનની કામગીરી હજુ બાકી છે. વોકળામાં ગટરનું પાણી અને પ્લાસ્ટીક-કચરો નાખવામાં આવતા ન્યુસન્સ વધતું હતું. આ બાબતની રજૂઆત મ્યુનિસિપલ કમિશનર, સ્થાનિક કોર્પોરેશન અને પદાધિકારીઓને મળી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈને હાલ નર્મદા વોકળામાં ગટરનું પાણી ન ભળે અને તળાવમાં ન ભળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ વોકળાની સફાઈ પણ હાથ ધરવામાં આવી છે. ઓલરેડી તળાવ ભરવા માટે રિસાયકલિંગ પ્લાટ અઢી એમએલડીનો પ્લાટ અહીં કાર્યરત છે. પાણીને રિસાયકલિંગ કરીને જ પાણી ભરાવામાં આવે છે. અધિકારીએ નિવેદન બદલતા કહ્યું- એજન્સીએ કરેલી ગોઠવણ સરાહનીયકૂવાના પાણીથી તળાવ ભરવા મામલે પોતાનું અગાઉના નિવેદનના વિરોધા ભાષમાં જણાવ્યું કે, તળાવની એજેન્સીએ પોતાના પાવર અને ખર્ચે બાજુની જગ્યામાં પ્રાઈવેટ કૂવો છે તેમાંથી સમજૂતીથી તળાવ ભરવાનું શરૂ કર્યું છે. એજન્સીએ કરેલી આ ગોઠવણ છે અને તેઓનો આ પ્રયાસ સરાહનીય છે. ગટરનું પાણી તળાવમાં જાય તેના કરતા કૂવાનું શુદ્ધ પાણી જાય તે સારી બાબત છે. કોન્ટ્રાક્ટર દ્વારા પરમિશન લેવાની જરૂર નથી. સારા કામ પરમિશનની જરૂર નથી. લોકાર્પણની તારીખ નજીક આવતા જ તંત્રની દોડધામ વધીનરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટ હેઠળ તળાવના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ખર્ચાયા છે. આ માટે તળાવની નજીક જ અઢી MLDની ક્ષમતા ધરાવતો આધુનિક રિસાયક્લિંગ વોટર પ્લાન્ટ પણ સ્થાપવામાં આવ્યો છે, જેનો હેતુ ગટરના પાણીને શુદ્ધ કરી તળાવમાં ઠાલવવાનો હતો, પરંતુ લોકાર્પણની તારીખ નજીક આવતા જ તંત્રની દોડધામ વધી ગઈ છે. હાલમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે, એજન્સી દ્વારા ગટરના ડાઈવર્ઝનનું કામ ચાલુ છે અને તે દરમિયાન પાણી પોતાની રીતે તળાવમાં નાખવામાં આવતું હોવાની આશંકા છે. આ બધાની વચ્ચે સૌથી હાસ્યાસ્પદ વાત એ છે કે, આટલા વિશાળ તળાવને ભરવા માટે હવે કૂવાના પાણીનો સહારો લેવાઈ રહ્યો છે. એજન્સી ગટરનું ગંદુ પાણી સીધું જ તળાવમાં ઠાલવતી હોવાની શંકાસ્થાનિક સ્તરે કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. એજન્સી દ્વારા હાલમાં ગટરના પાણીના ડાયવર્ઝનનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન એવી શંકા જન્મી છે કે એજન્સી પોતાની મનમાની કરીને ગટરનું ગંદુ પાણી સીધું જ તળાવમાં ઠાલવી રહી છે. જ્યારે આ બાબતે તંત્રના જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું, ત્યારે તેમનો જવાબ આશ્ચર્ય પમાડે તેવો હતો. વોટર વર્ક્સ શાખાના ઉચ્ચ અધિકારીએ ખુદ કબૂલાત કરી છે કે એજન્સી દ્વારા કરવામાં આવતી કામગીરી દરમિયાન પાણી તળાવમાં જઈ રહ્યું છે. ​તંત્રની કામગીરી સામે શંકાની સોયઆ મામલે તંત્રની શિથિલતા પણ જોવા મળી રહી છે. એક તરફ પર્યાવરણ અને જળ શુદ્ધિકરણની વાતો કરવામાં આવે છે, બીજી તરફ એજન્સીને ગમે તે રીતે તળાવ ભરવાની છૂટ આપી દેવામાં આવી હોય તેવું જણાય છે. સ્વખર્ચનો જે તર્ક અધિકારી આપી રહ્યા છે, તે સરકારી પ્રોટોકોલ અને કાર્યપદ્ધતિની વિરુદ્ધ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શું એજન્સી ગટરનું પાણી ઠાલવીને પોતાની કામગીરી ટૂંકાવી રહી છે? અને શું તંત્રના અધિકારીઓ જાણીજોઈને આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે? ​હાલ તો આ મામલો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જો ખરેખર કૂવાના પાણીના બહાને ગટરનું પાણી તળાવમાં નાખવામાં આવતું હશે, તો તેનાથી ભવિષ્યમાં જળ પ્રદૂષણ અને રોગચાળાનો ખતરો વધી શકે છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે કોઈ તપાસના આદેશ આપે છે કે પછી સ્વખર્ચ ના નામે એજન્સીની આ મનમાની ચાલુ જ રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:08 pm

સાંતલપુર પેટ્રોલ પંપ પર ગેસ ભરાવવા બાબતે બોલાચાલી:છ શખ્સોએ ફીલર મેન પર હુમલો કરી માર માર્યો, ધમકી આપી

સાંતલપુરના હરશક્તિ પેટ્રોલ પંપ પર ગેસ ભરાવવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. લાઇનમાં ઊભા રહેવા જેવી સામાન્ય બાબતે છ શખ્સોએ પંપના ફીલર મેન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ કર્મચારીને લાકડીઓ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે સાંતલપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના 9 જાન્યુઆરી, 2026ના રોજ બપોરના આશરે 12 વાગ્યે બની હતી. હરશક્તિ પેટ્રોલ પંપ પર ફીલર મેન તરીકે ફરજ બજાવતા પચાણભાઈ શીવાભાઈ રબારીએ સફેદ રંગની ઇક્કો ગાડી (નંબર GJ-05-RK-0434)ના ચાલકને લાઇનમાં ઊભા રહેવા જણાવ્યું હતું. અન્ય વાહનો લાઇનમાં હોવા છતાં ચાલકે પોતાની ગાડી વચ્ચે ઘુસાડી દીધી હતી. આ બાબતે ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. પંપના મેનેજરે દરમિયાનગીરી કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મામલો વધુ બિચકતા મેનેજરે ગેસનું વેચાણ બંધ કરી દીધું હતું. ઉશ્કેરાયેલા ઇક્કો ગાડીના ચાલકે પચાણભાઈને થપ્પડ મારી હતી. ત્યારબાદ ગાડીમાં બેઠેલા અન્ય શખ્સો પણ લાકડીઓ જેવા હથિયારો સાથે નીચે ઉતરી આવ્યા હતા. તેમણે પચાણભાઈ અને અન્ય કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તમે અમને ઓળખતા નથી, જો ગેસ નહીં ભરી આપો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આરોપીઓની અટકાયત કરી હતી. પચાણભાઈ રબારીની ફરિયાદના આધારે સાંતલપુર પોલીસે સાંચોરના અમજદખાન આદમખાન જેરડીયા, લિયાકતખાન સુલ્તાનખાન જેરડીયા, સાજિદખાન સુલ્તાનખાન જેરડીયા, શરીફખાન દરિયાખાન જેરડીયા, રણજીતખાન સલીમખાન જેરડીયા અને ધાનેરાના ઇરફાનખાન અયુબખાન સિંધી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.જે. પંચાલ આ કેસની તપાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:01 pm

હણોલ બનશે આત્મનિર્ભરતાનું પ્રતીક:13 જાન્યુઆરીથી ત્રિ-દિવસીય ભવ્ય મહોત્સવ, રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રીઓ આપશે હાજરી

ભાવનગર જિલ્લાના પાલિતણા તાલુકાનું હણોલ ગામ આગામી 13 થી 15 જાન્યુઆરી દરમિયાન એક ઐતિહાસિક પળનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ગ્રામીણ વિકાસ અને સ્વાવલંબનના ઉમદા હેતુ સાથે અહીં 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશના દિગ્ગજ નેતાઓ, ખેલજગતના સિતારા અને ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિ ગ્રામીણ ભારતને નવી ઊંચાઈ બક્ષશે. મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ભારત સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમજ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી. ટી. ઉષા, રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને શ્રમ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ મહોત્સવની શોભા વધારશે. આ મહોત્સવની સૌથી મોટી વિશેષતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ છે. તેઓ હણોલ ગામે રાત્રિ રોકાણ કરીને ગ્રામીણ જીવન સાથે એકાત્મતા સાધશે. રાજ્યપાલશ્રી દ્વારા ખેડૂતો માટે 'પ્રાકૃતિક ખેતી' વિષય પર ખાસ પરિસંવાદ યોજાશે. વધુમાં, તેઓ ગ્રામજનો સાથે પ્રભાત ફેરી અને સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાનો સંદેશ ફેલાવશે. મહોત્સવના અન્ય દિવસોમાં પણ અનેક નામી હસ્તીઓ જોડાશે શ્રીધર વેમ્બુ: 'મેડ ઇન ઇન્ડિયા'ના પ્રણેતા અને ઝોહો (Zoho) ના સ્થાપક. કપિલ દેવ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન. અરુણ ગોવિલ: રામાયણના 'રામ' તરીકે જાણીતા અભિનેતા અને સાંસદ. આ ત્રણ દિવસ દરમિયાન કૃષિ, ટેકનોલોજી, રોજગાર અને સંસ્કૃતિને વણી લેતા વિવિધ કાર્યક્રમો, પ્રદર્શનો અને લોકાર્પણો યોજાશે. આ મંચ દ્વારા મહિલા સ્વ-સહાય જૂથો અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળશે. આયોજકો દ્વારા આ અનોખા ઉત્સવમાં ભાગ લેવા આસપાસના ગ્રામજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 4:01 pm

વૈશ્વિક ફલક પર રાજકોટ ચમક્યું:ચાંદી ઉદ્યોગની 'વાઇબ્રન્ટ' ચમક; ઇનોવેશન અને ગુણવત્તામાં દેશમાં પ્રથમ

પ્રાચીન કાળથી સોનું અને ચાંદી ભારતીય સંસ્કૃતિમાં માન-મોભાના પ્રતીક રહ્યા છે. આજે આધુનિક યુગમાં પણ રાજકોટનો ચાંદી ઉદ્યોગ પોતાની અદભૂત કલાત્મકતા અને ઉત્તમ ફિનિશિંગને કારણે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યો છે. ઇનોવેટિવ ડિઝાઇન અને વેરાયટી ધરાવતા દાગીના બનાવવામાં રાજકોટ આજે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, જે પ્રત્યેક રાજકોટવાસી માટે ગૌરવની બાબત છે. રાજકોટમાં સોના-ચાંદીનો વ્યવસાય આઝાદી પૂર્વેથી, એટલે કે 100 થી વધુ વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. ખાસ કરીને વર્ષ 1990 બાદ આ ઉદ્યોગે નિકાસ ક્ષેત્રે મોટી હરણફાળ ભરી છે. પરંપરાગત ઘરેણાં જેવા કે પાયલ, વિંછીયા અને કંદોરાની સાથે હવે અહીં ઇટાલિયન ટેકનોલોજી અને વેક્યુમ કાસ્ટિંગ પ્રોસેસથી આધુનિક આભૂષણો તૈયાર થાય છે. હાલમાં મહિલાઓમાં 'લાઇટ વેઇટ ડેલિકેટ' જ્વેલરીનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશન (ઊપલાકાંઠા) ના જણાવ્યા અનુસાર, એસોસિએશનમાં આશરે 1200 જેટલા યુનિટ નોંધાયેલા છે. આ ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે 2 લાખથી 2.50 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. આ ઉદ્યોગની સૌથી મોટી વિશેષતા એ છે કે તે આજુબાજુના 20 કિલોમીટરના વિસ્તારની મહિલાઓને ઘરે બેઠા કામ આપી આર્થિક રીતે સ્વનિર્ભર બનાવે છે. ઉત્પાદન અને વૈશ્વિક નિકાસના આંકડા પર એક નજર કરીએ તો અહીં દરરોજ સરેરાશ 2000 થી 3000 કિલોગ્રામ ચાંદીમાંથી ઘરેણાંનું નિર્માણ થાય છે. રાજકોટની જ્વેલરી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મુંબઈ, દિલ્હી અને દક્ષિણ ભારત સુધી પહોંચે છે. ભારત ઉપરાંત ગલ્ફ કન્ટ્રીઝ, આફ્રિકા અને મેક્સિકો જેવા દેશોમાં પણ રાજકોટની ચાંદીની ભારે માંગ છે. માત્ર રાજકોટમાં જ બનતી 'ખુશ્બુ' પાયલ ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. ઉદ્યોગકારોના મતે, 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ'ને કારણે અત્યાધુનિક મશીનરીઓ વસાવવી સરળ બની છે, જેનાથી ઉત્પાદન ક્ષમતા વધી છે. ઉપરાંત, GST અમલી બનતા બિલિંગ પ્રક્રિયા પારદર્શક બની છે, જેનાથી માલની હેરફેર સુરક્ષિત થઈ છે અને વેપારમાં રિસ્ક ફેક્ટર ઘટ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી આ ઉદ્યોગ આજે વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહ્યો છે. રાજકોટના કુશળ કારીગરો, જેઓ પોતાની કલા દ્વારા 'મેક ઇન ઇન્ડિયા'ના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે, તેમની મહેનતને કારણે જ આજે હેર પિનથી લઈને ચાંદીની મોજડી સુધીની તમામ વસ્તુઓ વિશ્વભરના બજારમાં ધૂમ મચાવી રહી છે. આગામી 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' આ ઉદ્યોગને વધુ નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવો આશાવાદ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 3:49 pm

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહિલા જાગૃતિ સંકલ્પ:લવકુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટનો પતંગ મહોત્સવ સંપન્ન

લવકુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહિલા જાગૃતિનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. મહોત્સવ દરમિયાન મહિલાઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને એકબીજા સાથે સેલ્ફી પણ લીધી હતી. આ કાર્યક્રમમાં તેજ આઈ સેન્ટર દ્વારા તમામ મહિલાઓનું મફત આંખ તપાસ શિબિર પણ યોજવામાં આવ્યું હતું, જેનો લાભ અનેક મહિલાઓએ લીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદના એસ.કે. પટેલ, જેઓ હાઈકોર્ટ એડવોકેટ છે, અને દિલીપભાઈ ત્રિવેદી, એડવોકેટ, દ્વારા હિન્દુ જાગૃતિ વિષય પર પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમના પ્રવચનોથી મહિલાઓમાં ઉત્સાહ વધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 3:49 pm

વડોદરાના ખાનગી અને સરકારી એકમો માટે મહત્ત્વની જાહેરાત:31 જાન્યુઆરી સુધીમાં રોજગાર રીટર્ન જમા કરાવવું ફરજિયાત

વડોદરા જિલ્લા અને શહેરમાં કાર્યરત તમામ સરકારી અને ખાનગી એકમો માટે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, તરસાલી દ્વારા એક મહત્વની યાદી જાહેર કરવામાં આવી છે. રોજગાર વિનિમય કચેરી (CNV) એક્ટ-1959 અંતર્ગત, તમામ સંસ્થાઓએ તારીખ 31-12-2025 ના રોજ પૂરા થતા ત્રિમાસિક અને છ-માસિક રોજગારલક્ષી રીટર્ન તારીખ 31-01-2026 સુધીમાં જમા કરાવવાના રહેશે. આ સૂચના મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, બોર્ડ, નિગમો, બેંકો તેમજ ખાનગી ક્ષેત્રના ઉત્પાદન, સેવા અને વેપાર સાથે સંકળાયેલા એકમો જેવા કે કારખાના, શાળાઓ, હોસ્પિટલો, હોટેલ્સ, આઉટસોર્સિંગ એજન્સીઓ અને NGO માટે આ પ્રક્રિયા ફરજિયાત છે. ઉત્પાદનલક્ષી એકમોએ ખાસ કરીને 85% સ્થાનિક ઉમેદવારોની ભરતી અંગેનું છ-માસિક પત્રક પણ રજૂ કરવાનું રહેશે. સંસ્થાઓ આ વિગતો ઓનલાઈન પોર્ટલ, ઈમેલ, ટપાલ અથવા રૂબરૂમાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ITI કેમ્પસ, તરસાલી ખાતે મોકલી શકે છે. આ ઉપરાંત, જો કોઈ એકમે રોજગાર કચેરી સિવાય અન્ય માધ્યમથી ભરતી કરી હોય, તો તેની જાણકારી પણ આપવી આવશ્યક છે. જે એકમોને લાયક ઉમેદવારો શોધવામાં મુશ્કેલી પડતી હોય, તેમને ગુજરાત સરકારના Anubandham પોર્ટલ અથવા ભારત સરકારના NCS પોર્ટલ પર 'જોબ પ્રોવાઈડર' તરીકે નોંધણી કરવા અનુરોધ કરાયો છે. રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળા અને એપ્રેન્ટિસ મેળાનો લાભ પણ વિનામૂલ્યે લઈ શકાશે. નિયત સમયમર્યાદામાં રીટર્ન ભરી વહીવટી પ્રક્રિયામાં સહકાર આપવા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 3:32 pm

પાટણ સાંસદે આદર્શ ગ્રામ યોજના હેઠળ 8 ગામ દત્તક લીધા:SAGY અંતર્ગત વિકાસ કાર્યોને વેગ અપાશે, કલેક્ટરને પત્ર લખ્યો

પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહજી ડાભીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) અંતર્ગત તેમના સંસદીય મતવિસ્તારના 8 ગામોને દત્તક લેવાની જાહેરાત કરી છે. તેમણે આ અંગે પાટણ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને જાણ કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પસંદ કરાયેલા ગામોમાં આયોજનબદ્ધ વિકાસ, સંકલન અને વિવિધ સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ કરવાનો છે. પસંદ કરાયેલા ગામોમાં ખેરાલુ વિધાનસભાના મલેકપુર (ખે.) અને સરણા, કાંકરેજ વિધાનસભાનું ટોટાણા, ચાણસ્મા વિધાનસભાનું ભાટસર, પાટણ વિધાનસભાનું નોરતા, રાધનપુર વિધાનસભાનું જજામ, સિદ્ધપુર વિધાનસભાનું નિણ્ઢોડા અને વડગામ વિધાનસભાના સીસરાણા ગામનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં માર્ગો, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, આરોગ્ય સુવિધા, શિક્ષણ તેમજ સામાજિક અને આર્થિક વિકાસના કાર્યોને અગ્રતા આપવામાં આવશે. સાંસદે સંબંધિત વિભાગોને આ ગામોમાં વિકાસના કામો અસરકારક રીતે હાથ ધરવા અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના આપી છે. યોજના હેઠળ ગામોના સર્વાંગી વિકાસ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણને પણ નકલ રવાના કરવામાં આવી છે જેથી કામગીરીનું સીધું નિરીક્ષણ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 3:32 pm

SIRની નોટિસ સામે ધારાસભ્ય અનંત પટેલનો આક્રોશ:ભારતમાં જન્મેલાને નાગરિકતા મળવી જોઈએ, બંધારણના પાઠ ભણાવ્યા

વલસાડ જિલ્લા સહિત રાજ્યભરમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) હેઠળ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કામગીરી સામે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે વહીવટી તંત્ર અને ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મતદારોને વર્ષ 2002ના તેમના પરિવારના સભ્યોના મતદાર યાદીમાં નામ સહિતના પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવવામાં આવી રહી છે. આ નોટિસ 2026ની મતદાર યાદીની તૈયારીના ભાગરૂપે આપવામાં આવી છે. પારડી ખાતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, નોટિસ આપનાર અધિકારીઓએ ભારતનું બંધારણ વાંચ્યું છે કે નહીં? ભારતમાં જન્મેલા કોઈપણ વ્યક્તિ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે તેને નાગરિકત્વનો દરજ્જો મળવો જ જોઈએ, તે બંધારણીય હક છે. તેમણે ઉમેર્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ 18 વર્ષની થાય અને પોતાનો જન્મનો પુરાવો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) રજૂ કરે, ત્યારે તે આપોઆપ ભારતનો મતદાર બની જાય છે. આ અધિકાર ભારતના બંધારણે આપ્યો છે. અનંત પટેલે આક્ષેપ કર્યો હતો કે, વહીવટી તંત્ર દ્વારા 2002ના સમયના માતા-પિતા કે દાદા-દાદીના પુરાવાઓ માંગવામાં આવી રહ્યા છે, જે બંધારણીય રીતે અયોગ્ય છે. તેમણે કહ્યું કે, આવી નોટિસ ભારતના બંધારણને બદલવા સમાન છે અને તે તદ્દન પાયાવિહોણી છે. આ મામલે અનંત પટેલે પ્રાંત અધિકારી, કલેક્ટર અને ચૂંટણી પંચને પણ રજૂઆત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિકોના બંધારણીય અધિકારોનું હનન કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 3:27 pm

વલસાડમાં નશીલા પદાર્થો સામે પોલીસની કડક કાર્યવાહી:ગોરગામમાં મહિલા, વાપીમાંથી બે આરોપી ગાંજા સાથે ઝડપાયા

વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેચાણ અને સંગ્રહ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. ડુંગરી પોલીસ અને SOG વલસાડની ટીમે અલગ-અલગ દરોડા પાડી ગાંજાના જથ્થા સાથે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર છે. વલસાડ તાલુકાના ગોરગામ ગામના અરવાડા મંદિર ફળીયા વિસ્તારમાં ડુંગરી પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે સંગીતાબેન પ્રવિણભાઈ બાબુભાઈ પટેલના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ઘરના હોલમાં પેટી પલંગના ગાદલા નીચે છુપાવેલો 61.9 ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 3,095/- થાય છે. પોલીસે સંગીતાબેનને ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગાંજો સુરતમાં રહેતા કાલુ નામના વ્યક્તિ પાસેથી લાવવામાં આવ્યો હતો, જે હાલ ફરાર છે. બીજી તરફ, વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં SOGની ટીમે મોટી કાર્યવાહી કરી છે. મચ્છી માર્કેટ પાછળ આવેલા સમર્થ પાર્ક બિલ્ડીંગના ફ્લેટમાંથી બે આરોપી સંતોષ પ્રકાશ કનોજીયા અને દિપેન મનોજ પરીહારને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી 30.48 લાખ રૂપિયાની કિંમતના 0.871 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રોકડા રૂ. 1.35 લાખ, એક મોપેડ અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 34.03 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. બંને કેસોમાં આરોપીઓ સામે NDPS એક્ટ, ૧૯૮૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે નશીલા પદાર્થોના નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ તેજ બનાવી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 3:21 pm

સોમનાથ સ્વાભિમાન પર્વ:વડોદરાના વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા જ્યોતિર્લિંગના સાનિધ્યમાં વિશેષ આધ્યાત્મિક યાત્રા

ભારતીય સંસ્કૃતિના અતૂટ શ્રદ્ધા કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવના મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતા, દેશભરમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વના ભાગરૂપે, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, વડોદરા દ્વારા એક વિશેષ આધ્યાત્મિક યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને સંસ્થાના પ્રમુખ ડૉ. વિજય શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાની સાથે રાષ્ટ્રીય ગૌરવને ઉજાગર કરવાનો છે. ઇતિહાસમાં સોમનાથ મંદિર પર અનેક હુમલાઓ થયા, પરંતુ અનેક શૂરવીરો અને ભક્તોના બલિદાનના પરિણામે આજે આ મંદિર ભારતના અજેય સ્વાભિમાનનું પ્રતીક બનીને ઊભું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાઈ રહેલા આ પર્વ અંતર્ગત, વડોદરાનો વણિક પરિવાર ડૉ. વિજય શાહના નેતૃત્વમાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવશે. આ યાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ ભક્તિ, સંસ્કાર અને રાષ્ટ્રીય ચેતનાને સમાજમાં વધુ દ્રઢ બનાવવાનો એક સરાહનીય પ્રયાસ છે. આ આયોજન દ્વારા નવી પેઢીને ભારતીય સંસ્કૃતિના સંઘર્ષ અને ભવ્ય વિજયની ગાથાથી માહિતગાર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 3:20 pm

મોરબી LE કોલેજની પ્લેટિનમ જ્યુબિલી ઉજવાઈ:કેબિનેટ મંત્રી મોઢવાડિયા સહિત 2500 પૂર્વ વિદ્યાર્થીઓ હાજર, 8ને ગોલ્ડ મેડલ

મોરબીમાં આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજ (એલ.ઇ. કોલેજ) દ્વારા 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી. લેંકો એલ્યુમની એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અને કોલેજના પૂર્વ વિદ્યાર્થી અર્જુન મોઢવાડિયા સહિત અંદાજે 2500 પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ટેકનિકલ અને ઇજનેરી શિક્ષણ પૂરું પાડવાના હેતુથી મોરબીના રાજા લખધીરસિંહજી જાડેજાએ વર્ષો પહેલા પોતાનો રાજમહેલ એલ.ઇ. કોલેજ બનાવવા માટે અર્પણ કર્યો હતો. છેલ્લા 75 વર્ષમાં આ કોલેજે હજારો ઇજનેરો સમાજને આપ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ વિદ્યાર્થીઓએ તેમના કોલેજકાળના દિવસો અને સંઘર્ષમય સમયને યાદ કર્યા હતા. તેમણે ગુજરાત અને દેશના વિકાસમાં ઇજનેરોના યોગદાન અંગે પણ ચર્ચા કરી હતી. કાર્યક્રમ દરમિયાન 15મા ગોલ્ડ મેડલ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, કોલેજના વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 3:20 pm

આવતું ભવિષ્ય મેડિકલ ક્ષેત્રમાં હોમિયોપેથીનું છે:ભારતના ખ્યાતનામ 'ટીચર્સ ઓફ ધ ટીચર્સ' ડો.સુભાસ સિંહ દ્વારા વિદ્યાર્થીઓને 'ઓર્ગેનન ઓફ ફિલોસોફી' પર અપાયું માર્ગદર્શન

સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજની રજત જયંતી નિમિત્તે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન શહેરની પ્રતિષ્ઠિત સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે એક 'રાષ્ટ્રીય હોમિયોપેથિક સંવાદ'નું આયોજન કરવામાં આવ્યું હતું, આ સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનના અવસરે દેશભરમાંથી હોમિયોપેથી ક્ષેત્રના નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા, આ અંગે ડો.સુભાસ સિંહની ઉપસ્થિતિ​આ સેમિનારના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય હોમિયોપેથિક સંસ્થાન, કોલકાતાના પૂર્વ ડાયરેક્ટર અને સમગ્ર ભારતમાં 'Teachers of the Teachers' તરીકે જાણીતા એવા ડો.સુભાસ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સેમિનારમાં હાજર રહેલા સંશોધનકારો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓને હોમિયોપેથીના ગહન સિદ્ધાંતો વિશે માર્ગદર્શન આપ્યું હતું, ​આ કાર્યક્રમનો મુખ્ય વિષય 'ઓર્ગેનન ઓફ ફિલોસોફી' રાખવામાં આવ્યો હતો, વિદ્યાર્થીઓને હોમિયોપેથીના ક્ષેત્રમાં કારકિર્દી કેવી રીતે બનાવવી તેનું સચોટ શિક્ષણ આપવું., હોમિયોપેથિક વિજ્ઞાન દ્વારા અસાધ્ય રોગોમાં કેવી રીતે ચમત્કારિક પરિણામો લાવી શકાય અને દર્દીઓને સાજા કરી શકાય તેનું જ્ઞાન આપવું, 25 વર્ષની સંસ્થાની સફળ સફરને આગળ વધારવા માટે વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જગાડવો, 25 વર્ષની મંજિલ પૂર્ણ થયા બાદ આ પ્રકારના રાષ્ટ્રીય સ્તરના સેમિનારથી વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું એક્સપોઝર મળે છે આ સેમિનાર આગામી પેઢીના હોમિયોપેથિક તબીબો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહેશે, નેશનલ હોમિયોપેથી કમિશનના મેમ્બર આનંદ કુમાર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સિલ્વર જ્યુબિલી ફંક્શનમાં ઉપસ્થિત છીએ અને મારી તરફથી તમામ ઓર્ગેનાઈઝર્સ, વિદ્યાર્થીઓ અને દરેકને અભિનંદન કે તેમણે પોતાના 25 વર્ષ પૂરા કર્યા, આ દરમિયાન જે રીતે તેમણે સંઘર્ષ દ્વારા હોમિયોપેથીને આગળ વધારી છે, તે પ્રયાસ સરાહનીય છે, ​અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે ખૂબ જ જલ્દી આ પોસ્ટ ગ્રેજ્યુએટ હોમિયોપેથિક કોલેજ બને. હોમિયોપેથીમાં આ કોલેજની ખૂબ જ સારી પ્રતિષ્ઠા છે અને ખાસ કરીને ગુજરાતમાં હોમિયોપેથી અત્યારે ઘણી આગળ વધી રહી છે, ઇન્ડોર અને આઉટડોર એમ બંનેમાં દર્દીઓ જોવામાં આવી રહ્યા છે, નેશનલ કમિશન ફોર હોમિયોપેથીના પૂર્વ ચેરમેન ડો.પિનાકિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ​આજે જે સેમિનાર છે એ એક્યુટ ડિસીઝનું હોમિયોપેથીથી કઈ રીતે મેનેજમેન્ટ થઈ શકે એ વિષયની ચર્ચા છે,​હોમિયોપેથી એ વિશિષ્ટ પ્રકારની ટ્રીટમેન્ટ પદ્ધતિ છે કે જેમાં એક્યુટ, ક્રોનિક, સબ-એક્યુટ દરેક પ્રકારની સાયકોસોમેટિક કન્ડિશન, દરેક પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ છે ​અને આજકાલ જ્યારે માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ ડેવલપ થઈ રહ્યા છે એવા સંજોગોમાં હોમિયોપેથી એ પ્રાથમિક અને પ્રિવેન્ટિવ તબીબી પદ્ધતિ તરીકે ખૂબ જ આગળ વધવાની છે ​આવતું ભવિષ્ય મેડિકલ ક્ષેત્રમાં હોમિયોપેથીનું છે એવું બિલકુલ જણાઈ રહ્યું છે. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી મેડિકલ કોલેજના ડો.ગીરીશભાઈ વાઘાણી, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરના ડીન ડો.ચિન્મય શાહ, ડો.કાનાણી, યુનિવર્સિટીના સભ્યો તેમ જ ભારતભરની વિવિધ કોલેજના અગ્રણીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 3:19 pm

ઉદય કોરડેની અનોખી કલાત્મક શૈલી:વડોદરાના કલાકારે કોફીથી બનાવ્યા વિરાટ-રોહિતના પોટ્રેટ

વડોદરાના કલાકાર ઉદય કોરડેએ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માના અદભૂત પોટ્રેટ કોફી અને પાણીના મિશ્રણથી તૈયાર કર્યા છે. તેમની આ અનોખી કલાત્મક શૈલી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે ચિત્રકામ માટે રંગો, પેન્સિલ કે બ્રશનો ઉપયોગ થતો હોય છે, ત્યારે ઉદય કોરડેએ કોફીને પોતાનું માધ્યમ બનાવીને સર્જનાત્મકતા રજૂ કરી છે. તેમણે કોફીને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં મિશ્રિત કરીને વિવિધ શેડ્સ બનાવ્યા હતા. કોફીના હળવા અને ગાઢ રંગોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને, વિરાટ કોહલીની આત્મવિશ્વાસભરી નજર અને રોહિત શર્માના શાંત છતાં દૃઢ વ્યક્તિત્વને કાગળ પર જીવંત કરવામાં આવ્યા છે. આ તસવીરોમાં ચહેરાની અભિવ્યક્તિ, આંખોની ઊંડાણ અને ભાવનાત્મક તીવ્રતા સ્પષ્ટપણે દેખાય છે, જે કલા જગતમાં એક નવી દિશા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 3:10 pm

ઓઇલ કંપનીઓએ ટ્રમ્પના ઇરાદાઓ પર પાણી ફેરવ્યું! કહ્યું-વેનેઝુએલા રોકાણ લાયક જગ્યા નથી

US Companies On Venezuela Oil Industry: ટ્રમ્પ સરકારે વેનેઝુએલાના સૌથી મૂલ્યવાન સંસાધન ઓઇલ ઉદ્યોગ પર નિયંત્રણ મેળવવા માટે એક મોટી અને સ્પષ્ટ રણનીતિની જાહેરાત કરી હતી. અમેરિકાના ઊર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે, અમેરિકા હવે વેનેઝુએલાના ઓઇલના ભવિષ્યના તમામ વેચાણને નિયંત્રિત કરશે અને તેમાંથી થતી આવકનો હિસાબ પણ અમેરિકા જ રાખશે. આ યોજના એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ સરકાર અમેરિકાની ઊર્જા કંપનીઓને વેનેઝુએલાના નષ્ટ થઈ રહેલા ઓઇલના માળખાને પુનઃજીવત કરવા અને તેના ઘટતા ઉત્પાદનને પુનર્જીવિત કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જોકે, હવે ઓઇલ કંપનીઓએ ટ્રમ્પના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. વેનેઝુએલા રોકાણ લાયક જગ્યા નથી

ગુજરાત સમાચાર 10 Jan 2026 2:42 pm

NDPS ગુનાનો ફરાર આરોપી ઝડપાયો:પોશીના પોલીસે દેલવાડા બજારમાંથી પકડ્યો, ખેરોજ પોલીસને સોંપાયો

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે દેલવાડા બજારમાંથી NDPS ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ખેરોજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોશીના પોલીસ સ્ટેશનના PI એલ.જે. વાળાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પરેશકુમાર અને દીપકભાઈને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ખેરોજ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં નાસતા ફરતા આરોપી અજીતભાઈ પોપટભાઈ ગમાર (ઉ.વ. 38, રહે. સેબલિયા (વડીખાણ ફળો), તા. પોશીના, જિ. સાબરકાંઠા)ને દેલવાડા બજારમાં રોડ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને પકડી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખેરોજ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 2:42 pm

દૂધારામપુરામાં દારૂબંધી માટે ગ્રામજનોની રજૂઆત:ધારાસભ્ય કિરીટ પટેલ સમક્ષ દેશી-વિદેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માંગ

પાટણ જિલ્લાના દૂધારામપુરા ગામમાં લાંબા સમયથી દારૂના દૂષણને કારણે ગ્રામજનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ગામની મુલાકાતે આવેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સમક્ષ ગ્રામજનોએ દારૂબંધીના કડક અમલ માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગામમાં દેશી અને વિદેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, જેના કારણે ગામનું સામાજિક માળખું ખોરવાઈ રહ્યું છે. ગામના વક્તાઓએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે દારૂના આ દૂષણને કારણે ગામની અનેક નાની ઉંમરની બહેનો વિધવા બની છે અને ઘણા યુવાનો અકાળે મૃત્યુ પામ્યા છે. વર્ષોથી આ સમસ્યા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાથી ગ્રામજનોએ ધારાસભ્યને આ બાબતે મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી. ગ્રામજનો વતી એવી માંગ કરવામાં આવી હતી કે દૂધારામપુરા ગામમાંથી દેશી અને વિદેશી દારૂના તમામ અડ્ડાઓ કાયમી ધોરણે સજ્જડ બંધ કરાવવામાં આવે. આ પગલાં દ્વારા ગામના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય અને ગામમાં શાંતિ સ્થાપી શકાય. વધુમાં, ગ્રામજનોએ ધારાસભ્યને જણાવ્યું હતું કે ગામના વિકાસ અને શાંતિ માટે દારૂનું આ દૂષણ દૂર કરવું અત્યંત જરૂરી છે. વર્ષોની આ સમસ્યાનો અંત લાવવા માટે પોલીસ પ્રશાસન અને જવાબદાર તંત્રો પાસે કડક કાર્યવાહી કરાવવાની ખાતરી ગ્રામજનોએ માંગી હતી. ધારાસભ્યની આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને સૌએ એકસૂરે ગામને વ્યસનમુક્ત બનાવવાની માંગણી દોહરાવી હતી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 2:40 pm

કોંગ્રેસનું 'મનરેગા બચાવો આંદોલન' રાજ્યભરમાં વિસ્તરશે:ભાજપ સરકાર પર યોજના નબળી પાડવાનો આરોપ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મનરેગા યોજનાને નબળી પાડવાના પ્રયાસો સામે રાજ્યભરમાં 'મનરેગા બચાવો આંદોલન' શરૂ કરવાની જાહેરાત કરી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં આ માહિતી આપવામાં આવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર બજેટમાં કાપ મૂકીને, ચૂકવણીમાં વિલંબ કરીને અને કામના દિવસો ઘટાડીને મનરેગાને નિષ્ક્રિય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પૂરતા ભંડોળના અભાવે અનેક રાજ્યોમાં મજૂરોને સમયસર વેતન મળતું નથી, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને 100 દિવસના કામનો અધિકાર માત્ર કાગળ પર રહી ગયો છે. આ આંદોલન પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે વ્યાપક રીતે ચલાવવામાં આવશે. પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, મનરેગા એ કોઈ દાન નથી, પરંતુ ગ્રામીણ ભારતના ગરીબ, શ્રમિક, ખેડૂત, મહિલાઓ, દલિત અને આદિવાસી સમુદાય માટેનો કાનૂની અધિકાર છે. ભરૂચ ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત ઉપરાંત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી અને જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફડવાલા ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે 'મનરેગા બચાવો આંદોલન' માત્ર ગુજરાત પૂરતું સીમિત નહીં રહે, પરંતુ દિલ્હી સહિત સમગ્ર દેશમાં જમીનસ્તર પર ચલાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 2:39 pm

દિવ્યાંગ-કેન્સર દર્દીઓ માટે ટુર્નામેન્ટ:નિસ્વાર્થ સેવા સંગઠનના કાર્યક્રમમાં એસપી પ્રશાંત શુંબેની ઉપસ્થિતિ

પાલનપુરના જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા દિવ્યાંગ અને બ્લડ કેન્સરના દર્દીઓની મદદ માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનના પ્રમુખ નીતિન ઠાકોરના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) પ્રશાંત શુંબે, ડીવાયએસપી ડો. જીગ્નેશ ગામીત, પૂર્વ પોલીસ સ્ટેશન પીઆઈ પટણીજી, ગોપાલ સેના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, ડો. વિશાલ ગઢવી, કનુભાઈ અગ્રવાલ, ડો. ભૌમિક વાર્ડે, ડો. વિવેક ચૌધરી અને જયેશદાન ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટમાં ગોપાલ સેના અને પાલનપુરના પત્રકાર મિત્રોની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પીડિત લોકોને મદદરૂપ થવાનો હતો. આ સાથે, ભારતના વડાપ્રધાનના 'ફિટ ઇન્ડિયા' સ્લોગનને પણ આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 2:29 pm

જામનગરમાં 47 વર્ષ જૂનો જર્જરિત પુલ તૂટશે:મકરસંક્રાતિ બાદ ડિમોલેશન, ₹19.48 કરોડના ખર્ચે બનશે 4 માર્ગીય નવો પુલ

જામનગરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી પરનો 47 વર્ષ જૂનો જર્જરિત પુલ મકરસંક્રાંતિના તહેવાર બાદ તોડી પાડવામાં આવશે. આ પુલના સ્થાને ₹19.48 કરોડના ખર્ચે ચાર માર્ગીય નવો પુલ બનાવવામાં આવશે. તંત્ર દ્વારા ડિમોલેશન પહેલાં વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન તૈયાર કરી લેવાયું છે. કાલાવડ નાકા બહાર અમન-ચમન, રંગમતી, તારમામદ, મકવાણા, નેશનલ પાર્ક, ગેલેક્સી, સિલ્વર-ગ્રીન, રબ્બાની પાર્ક, કલ્યાણ ચોક અને મોરકંડા રોડ જેવા વિસ્તારોમાં હજારો લોકો વસવાટ કરે છે. શહેર સાથે તેમને જોડતો આ એકમાત્ર મહત્વનો પુલ હતો. આ જર્જરિત પુલ અંગે સ્થાનિક અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. મોરબીના ઝૂલતા પુલ અને ગંભીરા પુલની દુર્ઘટનાઓ બાદ આ પુલ બદલવાની માંગણી વધુ પ્રબળ બની હતી. ત્યારબાદ ₹19.48 કરોડના ખર્ચે ચાર માર્ગીય નવો પુલ બનાવવાનો નિર્ણય લેવાયો. જામનગર મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર પણ ફાળવી દેવાયો છે. પુલ તોડવાની કામગીરી શરૂ થાય તે પહેલાં મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીમાં ડાયવર્ઝન તૈયાર કરાયું છે. કાલાવડ તરફથી આવતા વાહનવ્યવહાર માટે ડાબી બાજુએ અને શહેરમાંથી આવતા વાહનવ્યવહાર માટે જમણી બાજુએ ગુજરાતી સિપાઈ જમાતખાના અને ધનસેરિયા હનુમાન મંદિર પાસેથી રસ્તો કાઢીને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. તેના પર કપચી પાથરીને સલામત માર્ગ બનાવ્યા બાદ મકરસંક્રાંતિ પછી પુલ તોડવાનું કામ શરૂ થશે. જામનગર મહાનગરપાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી ચોમાસામાં નદીમાં પાણી આવે તે પહેલાં નવા પુલનો અમુક સુરક્ષિત હિસ્સો તૈયાર કરીને ટુ-વ્હીલર્સ સરળતાથી પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવાનું તંત્રનું લક્ષ્ય છે. આનાથી કાલાવડ નાકા બહારની સોસાયટીઓના હજારો રહીશોને દૈનિક ટ્રાફિક જામ અને જોખમી પુલની સમસ્યામાંથી મુક્તિ મળશે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 2:17 pm

પંચમહાલ LCB એક્સપ્રેસવે પરથી દારૂ ઝડપ્યો:₹8.07 લાખનો વિદેશી દારૂ અને કાર જપ્ત, ચાલક ફરાર

પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ કંકુથાંભલાથી વાઘજીપુર જતા રોડ પર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના બ્રિજ નીચેથી ₹8,07,336/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 1788 નંગ દારૂના ક્વાર્ટરિયા અને બિયર ટીન સાથે એક સ્વિફ્ટ ડિઝાયર કાર કબજે કરી છે. પોલીસને બાતમી મળી હતી કે GJ-18 BL 7855 નંબરની સફેદ સ્વિફ્ટ ડિઝાયર કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને લીમખેડા તરફથી નવા બની રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર થઈ ગોધરા તરફ આવવાનો છે. જે બાદ પોલીસે કંકુથાંભલાથી વાઘજીપુર જતા રોડ પર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના બ્રિજ નીચે નાકાબંધી ગોઠવી હતી. પોલીસની નાકાબંધી જોઈને કાર ચાલકે બ્રિજ નજીક કાર ઊભી રાખી અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કારની તપાસ કરતા તેમાંથી કુલ ₹5,07,336/-ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વ્હિસ્કીના 1000 ક્વાર્ટરિયા (કિ.રૂ. 2,23,000), રોયલ સ્ટેગ સુપિરિયર વ્હિસ્કીના 480 ક્વાર્ટરિયા (કિ.રૂ. 1,97,760), કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ બિયરના 119 ટીન (કિ.રૂ. 46,886) અને બડવાઇઝર મેગ્નમ બિયરના 189 ટીન (કિ.રૂ. 39,690)નો સમાવેશ થાય છે. દારૂ ઉપરાંત, પોલીસે ₹3,00,000/-ની કિંમતની સ્વિફ્ટ ડિઝાયર કાર (નંબર GJ-18 BL 7855) અને GJ-16 CH 8839 નંબરની બે પ્લેટો પણ કબજે કરી છે. આમ, કુલ ₹8,07,336/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 2:13 pm

પંચમહાલ LCBએ દારૂનો જથ્થો જપ્ત કર્યો:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરથી કાર સહિત ₹7.22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, બે ફરાર

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગોધરાએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરથી વિદેશી દારૂ અને એક કાર સહિત કુલ ₹7.22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી કંકુથાંભલાથી વાઘજીપુર જતા રોડ પર નાકાબંધી દરમિયાન કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે, GJ-17-CA-2448 નંબરની સફેદ i20 કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરથી કંકુથાંભલા થઈ ગોધરા તરફ આવવાનો છે. જે બાદ પોલીસે કંકુથાંભલાથી વાઘજીપુર જતા રોડ પર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના બ્રિજ નીચે નાકાબંધી ગોઠવી હતી. પોલીસને જોઈને કારચાલકે વાઘજીપુર તરફ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી હતી. પોલીસે પીછો કરતા, i20 કારનું ડ્રાઈવર સાઈડનું ટાયર ફાટતા તે ઝાડ સાથે અથડાઈને રોડની સાઈડમાં આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી. કાર ખાડામાં ઉતરી જતાં, ચાલક અને તેની બાજુમાં બેઠેલો ઈસમ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી નીચે મુજબનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો: રોયલ સ્ટેગ ડીલક્સ વ્હિસ્કીની 58 બોટલો (કિંમત ₹75,400), રોયલ સ્ટેગ વ્હિસ્કીના 480 ક્વાર્ટરિયા (કિંમત ₹1,61,760), કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના 115 ટીન (કિંમત ₹20,700), રોયલ ચેલેન્જ વ્હિસ્કીના 240 ક્વાર્ટરિયા (કિંમત ₹80,880), ઓલ સીઝન વ્હિસ્કીના 96 ક્વાર્ટરિયા (કિંમત ₹32,352), મેકડોવેલ્સ નં.01 કલેક્શન રમ ક્વાર્ટરિયાના 336 નંગ (કિંમત ₹82,656), મેકડોવેલ્સ નં.01 ડીલક્સ વ્હિસ્કી ક્વાર્ટરિયાના 240 નંગ (કિંમત ₹69,120). આ ઉપરાંત, GJ-17-CA-2448 નંબરની i20 કાર પણ જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત ₹2,00,000 આંકવામાં આવી છે. આમ, કુલ ₹7,22,868/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 2:08 pm

મહેસાણામાં એસીબીની સફળ ટ્રેપ:BND એનર્જી ફિટનેસ સેન્ટરનો ડેટા એન્ટ્રી ઓપરેટર રૂ. 500ની લાંચ લેતા ઝડપાયો

મહેસાણા એસીબી દ્વારા લાંચિયા કર્મચારીઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં આવેલ BND એનર્જી ફિટનેસ સેન્ટરના એક ડેટા એન્ટ્રી ઓપરેટરને લોડિંગ રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટના કામ પેટે 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. લોડિંગ રિક્ષાના રી-પાસિંગ માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવવા અરજી કરી હતીએક જાગૃત નાગરિકે પોતાની લોડિંગ રિક્ષાનું રી-પાર્સિંગ કરાવવા માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા ઓનલાઇન અરજી કરી હતી. આ કામગીરી માટે તેઓ BND એનર્જી ફિટનેસ સેન્ટર ખાતે ફરજ બજાવતા ડેટા એન્ટ્રી ઓપરેટર અમિતકુમાર પ્રહલાદભાઇ પટેલને મળ્યા હતા. અમિતકુમારે આ કામ કરી આપવા માટે કાયદેસરની ફી ઉપરાંત વધારાના 500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. એસીબીએ ટ્રેપ ગોઠવી ડેટા એન્ટ્રી ઓપરેન્ટરને લાંચ લેતા ઝડપી પાડ્યોફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે ગત રોજ એટલે કે 9 જાન્યુઆરી 2026ના રોજ છટકું ગોઠવ્યું હતું. મહેસાણામાં સેન્ધણી પાર્લર પાસે જ્યારે આરોપી અમિતકુમાર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના 500 રૂપિયા સ્વીકાર્યા, ત્યારે જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીની ટીમે તેને રંગેહાથ પકડી પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 2:05 pm

હિંમતનગરમાં બહેરા-મૂંગા વિભાગની 14મી રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધા શરૂ:ધારાસભ્યએ પ્રારંભ કરાવ્યો, 14 જિલ્લાની 29 ટીમો ભાગ લેશે

હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલા સાબર ઇન્ડોર સ્ટેડિયમમાં બહેરા-મૂંગા વિભાગની 14મી રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ સ્પર્ધા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સ્પર્ધાનું આયોજન ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ યજમાન તરીકે સેવા આપી રહ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ હિતેષભાઈ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી ત્રિવેણીબેન સરવૈયા, સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ દીપકભાઈ શાહ, મંત્રી વીરભદ્રસિંહ રાઠોડ, ટ્રસ્ટી કેતનભાઈ શાહ, આયોજનમાં સહયોગી કેવલભાઈ શાહ, રેફરી કે.સી. વાઘેલા, વ્યાયામ શિક્ષકો નટુભાઈ સદાત અને જીગ્નેશભાઈ, તેમજ કન્વીનર નિકુંજભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વોલીબોલ ટુર્નામેન્ટમાં રાજ્યના 14 જિલ્લામાંથી કુલ 275 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં 185 ભાઈઓ અને 90 બહેનોનો સમાવેશ થાય છે. સાબરકાંઠા દિવ્યાંગ સેવા ટ્રસ્ટના પ્રમુખ ઋત્વિકભાઈ સિંધીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વોલીબોલ સ્પર્ધામાં ત્રણ મુખ્ય કેટેગરી છે. જેમાં 18 વર્ષથી નીચેના ભાઈઓની 5 અને બહેનોની 3 ટીમો, 18 વર્ષથી ઉપરના ભાઈઓની 9 અને બહેનોની 4 ટીમો, તેમજ 16 વર્ષથી નીચેના ભાઈઓની 5 અને બહેનોની 3 ટીમો મળીને કુલ 29 ટીમો ભાગ લઈ રહી છે. આજે દિવસ દરમિયાન લીગ મેચો રમાશે, જ્યારે આવતીકાલે નોકઆઉટ અને ફાઇનલ મેચો યોજાશે. આ સ્પર્ધામાં વિજેતા બનનારી ત્રણેય કેટેગરીની ટીમો જૂન 2026માં બેંગલોર ખાતે યોજાનારી નેશનલ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 2:05 pm

શાકાહારી બ્રાહ્મણ પરિવારને વેજ મખ્ખનવાલાની જગ્યાએ મુર્ગ મખ્ખનવાલા પીરસાયું!:ક્લબ ઓ સેવનમાં આવેલી રેસ્ટોરન્ટને 25 હજાર ચૂકવવા ગ્રાહક ફોરમનો હુકમ

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા શુદ્ધ શાકાહારી પરિવારને વેજીટેરિયન ભોજનની જગ્યાએ નોન વેજીટેરિયન ભોજન પીરસી દેવાતા ગ્રાહકે, ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. ગ્રાહક તકરાર નિવારણ કમિશને રેસ્ટોરન્ટને ગ્રાહક તરફે 25 હજાર રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. ઓર્ડર કર્યો વેજ મખ્ખનવાલાનો અને પીરસી દેવાયું મુર્ગ મખ્ખનવાલાઅમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા સામજિક કાર્યકર ગૌરાંગ રાવલે એડવોકેટ કુંતલ જોશી મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદમાં શેલા ખાતે આવેલ ક્લબ ઓ સેવનની ક્યૂબ લોન્જ સામે 30 લાખ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો. ક્યૂબ લોન્જ રેસ્ટોરન્ટ વ્યાંધમ ગ્રુપ દ્વારા મેનેજ કરવામાં આવે છે. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે પોતાના બહેન અને બનેવી સાથે 7 માર્ચના રોજ ઉપરોક્ત રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. જ્યાં તેમને વેઇટરને 1 વેજ મખ્ખનવાલા, 3 બટર રોટી, 1 દાલફ્રાય, 2 ફ્રાય પાપડ અને 2 છાશનો ઓર્ડર કર્યો હતો. 15 મિનિટ બાદ વેઇટરે ઓર્ડર સર્વ કર્યો હતો. પરંતુ તેમાં વેજ મખ્ખનવાલાનું શાક દેખીતી રીતે હોવું જોઈએ તેવું લાગતું નહોતું. આથી ગ્રાહકે વેઇટરને અને શૅફને પૂછતાં તેમને જણાવ્યું હતું કે આ શાક વેજ મખ્ખનવાલા જ છે. આથી ગ્રાહકે પોતાના બહેન અને બનેવી સાથે ખાવાનું શરૂ કરતાં તેને કાઈ અજુગતું લાગ્યું હતું. તેને એવો અંદેશો આવી ગયો હતો કે આ માંસાહારી ખોરાક છે. તેને વેઇટર અને શૅફને આ અંગે પૂછતાં તેઓ તે વાત માનવા તૈયાર નહોતા. જો કે પાછળથી એક શેફે સ્વીકાર્યું હતું કે આ વેજ મખ્ખનવાલા નહિ પણ મુર્ગ મખ્ખનવાલા છે, એટલે કે ચિકનની માંસાહારી વસ્તુ છે. ગ્રાહક અને તેના બહેન બનેવી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તેમજ ચુસ્ત શાકાહારી છે. તેમને જીવનમાં કદી માંસાહાર કર્યો નથી. ગ્રાહકની ફરિયાદ બાદ પણ વેઈટર ભૂલ સ્વીકારવા તૈયાર નહોતોહકીકત ખબર પડતાં અરજદારની બહેનને આઘાત લાગ્યો હતો અને તે રડવા લાગી હતી. વેઇટર પણ ભૂલ સ્વીકારવા તૈયાર નહોતો અને કહ્યું હતું કે ગ્રાહકે માંસાહારી ડીશ માંગી હતી. જ્યારે ગ્રાહકે લખાવેલ ઓર્ડર ચિઠ્ઠી જોઈ ત્યારે ખબર પડી કે વેઇટર ખોટો હતો. આખરે વેઇટરે લેખિતમાં માફી માંગી હતી. જેનો ગ્રાહકે અસ્વીકાર કર્યો હતો. આ સંદર્ભે રેસ્ટોરન્ટ મેનેજ કરતા વ્યાંધમના વાઇસ પ્રેસિડન્ટને રજૂઆત કરતા તેમને મેનેજર સાથે વાત કરવા જણાવ્યું હતું. મેનેજરને રજૂઆત કરતા તેમને ગ્રાહકની તકલીફ સમજવાની જગ્યાએ મફતમાં લંચ ઓફર કર્યું હતું. જેથી ગ્રાહકને આશ્ચર્ય અને આઘાત લાગ્યો હતો. તેઓ પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં બહાર નીકળી ગયા હતા. ગ્રાહકનું ઘર શેલાથી નજીક હોવાથી અને આ રેસ્ટોરન્ટમાં અગાઉ પણ આવી ચૂક્યા હોવાથી અહીં બહારથી આવેલા પોતાના બહેન બનેવી ફોર્સ કરીને સાથે ભોજન કરવા લાવ્યો હતો. જો કે આ ઘટના બાદ તેઓ ઘરે પહોંચતા ગ્રાહકની બહેનની તબિયત બગડી હતી અને ઊલ્ટી કરી હતી. બહેને ભાઈને ઠપકો આપીને તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. રેસ્ટોરન્ટને રૂ. 25 હજારનું વળતર ચૂકવવા ગ્રાહક ફોરમનો આદેશઆ ઘટના અંગે 30 લાખ રૂપિયાનું વળતર મેળવવા અને જાહેરમાં માફી માંગવા ગ્રાહકે રેસ્ટોરન્ટને લીગલ નોટિસ મોકલી હતી. જેમાં જણાવાયું હતું કે 15 દિવસમાં જો તે આ નોટીસ સંદર્ભે કાર્યવાહી નહિ કરે તો ગ્રાહક રેસ્ટોરન્ટ સામે કેસ કરશે. તેમજ AMC, FSSAI અને હેલ્થ વિભાગમાં પણ ફરિયાદ કરશે. આ સાથે ગ્રાહકે 25 હજારનો નોટિસ મોકલવાનો લીગલ ખર્ચ પણ માંગ્યો હતો. જો કે 20 દિવસ ઉપરનો સમય વિતી ગયો હોવા છત્તા રેસ્ટોરન્ટ તરફથી કોઈ જવાબ ના મળતા ગ્રાહકે અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રેસ્ટોરન્ટ સામે 30 લાખ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો. જેમાં 10 લાખ રૂપિયા માનસિક પીડાના, 10 લાખ રૂપિયા પારિવારિક સંબંધ બગાડવાના અને 10 લાખ રૂપિયા મૂળભૂત હક્કોના ભંગ બદલ વળતર સ્વરૂપે માંગવામાં આવ્યા છે. તો 50 હજાર રૂપિયા કમિશનમાં કેસ દાખલ કરવાના કાનૂની ખર્ચના માંગવામાં આવ્યો હતો. સામે પક્ષે રેસ્ટોરન્ટ તરફે રજૂઆત થઈ હતી કે વેઇટર દ્વારા ઓર્ડર લેવામાં ભૂલ થવી તે એક માનવીય ભૂલ છે. જાણી જોઈને તેમનો ઈરાદો કોઈની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો નહોતો. શુદ્ધ શાકાહારી વ્યક્તિએ ફક્ત શાકાહારી રેસ્ટોરન્ટમાં જમવા જવાનું પસંદ કરવું જોઈએ. જો કે ગ્રાહક કમિશનને આ દલીલ નકારી નાખી નોંધ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડીને ફક્ત માફી માંગી લેવાથી કામ પતી જતું નથી. આથી ગ્રાહકને 20 હજાર રૂપિયા વળતર અને 05 હજાર રૂપિયા કેસનો ખર્ચ ચૂકવવામાં આવે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 1:56 pm

એઆરટીઓ બોટાદે રિક્ષા ચાલકો માટે કાર્યક્રમ યોજ્યો:સાળંગપુર મંદિર પરિસર પાસે માર્ગ સલામતી જાગૃતિ અપાઈ

માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી એઆરટીઓ બોટાદ દ્વારા સાળંગપુર મંદિર પરિસરમાં એક વિશેષ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાસ કરીને રિક્ષા ચાલકો માટે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન, રિક્ષા ચાલકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા, સલામત ડ્રાઈવિંગ પદ્ધતિઓ અપનાવવા અને માર્ગ પર સંયમિત તથા જવાબદાર વર્તન રાખવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. ખાસ કરીને, તેમને ઓવરલોડિંગ ટાળવા, વાહનની યોગ્ય ઝડપ જાળવવા, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવા તેમજ મુસાફરોની સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ રહેવા બાબતે સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, માર્ગ સલામતી અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવા માટે રિક્ષા ચાલકોને માહિતીપ્રદ પેમ્ફ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય એ છે કે તેઓ રોજિંદા માર્ગ વ્યવહારમાં સલામતીના નિયમોનું અમલીકરણ કરી શકે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 1:53 pm

પ્રયાસ સંસ્થા દ્વારા ગોધરા સબજેલમાં રમતગમતના સાધનોનું વિતરણ:બંદીવાનોના માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે કાર્યક્રમ યોજાયો

ગોધરા સબજેલ ખાતે બંદીવાનોના માનસિક સ્વાસ્થ્ય અને સકારાત્મક વિચારધારાના વિકાસ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલોના વડા ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ ભરૂચની પ્રયાસ સંસ્થા દ્વારા આ પ્રસંગે જેલના બંદીવાનોને ઇનડોર તથા આઉટડોર રમતોના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા બંદીવાનો જેલમાં પોતાનો સમય સકારાત્મક રીતે વ્યતીત કરે અને નકારાત્મક વિચારોથી દૂર રહી માનસિક રીતે સુદૃઢ બને તેવા ઉમદા હેતુથી ૫ નંગ કેરમ બોર્ડ, કુકરી, સ્ટ્રાઈકર અને પાવડર સહિત ૫ સેટ ચેસ, ૫ સેટ લુડો તેમજ વોલીબોલ, ક્રિકેટ બેટ, સ્ટમ્પ અને બોલ જેવી રમતગમતની સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જેલમાં રહેલી મહિલા કેદીઓ અને તેમની સાથે રહેતા બાળકોના મનોરંજન માટે ખાસ રમકડાંઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રયાસ સંસ્થાના કો-ઓર્ડિનેટર અનિલભાઈ વસાવા, સોશિયલ વર્કર આશિષભાઈ, નીતાબેન તેમજ સી.ઓ.પી. વર્કર દિવ્યાબેન પરમાર દ્વારા બંદીવાનોને પ્રેરણાદાયી ઉદબોધન આપી જીવનમાં હકારાત્મકતા લાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાધનોના વિતરણ બાદ જેલમાં જ ઇનડોર ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં બંદીવાનોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી હતી. આ સમગ્ર આયોજન દરમિયાન જેલ અધિક્ષક આર.બી. મકવાણા, સુબેદાર રણવીરસિંહ સિસોદિયા, હવાલદાર રાજુભાઈ ભરવાડ સહિત જેલના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના આ માનવીય અભિગમને બિરદાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 1:51 pm

વિદેશી પતંગબાજો ગરબાના તાલે ઝૂમ્યા, રૂપાલાએ ઓપરેશન સિંદૂરની પતંગ ઉડાવી:21 દેશના પતંગબાજોની રંગબેરંગી પતંગોથી આકાશ દિપી ઉઠ્યું, રાજકોટમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલનો પ્રારંભ

રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશનાં અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પતંગ રસિયાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને અવનવી પતંગો ચગાવતા આકાશ પણ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વિદેશીઓ રાજકોટમાં ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ તકે રાજકોટનાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ઓપરેશન સિંદૂરની પતંગ ઉડાવી હતી. જે પતંગ મૂળ રાજસ્થાનના પતંગવીરની હતી અને તેણે દેશનું ગૌરવ વધારતી આ ક્ષણને યાદ કરી આવી જ રીતે આગળ દેશ વધતું રહે તે માટેના સંદેશ સાથે આજે ભારતના ફ્લેગ તેમજ ઓપરેશન સિંદૂરની થીમ સાથે પતંગ ઉડાવી હતી. વિદેશી પતંગબાજોએ ગરબા રમી મોજ માણીરાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આવેલા વિદેશી પતંગવીરોએ કાર્યક્રમના પ્રારંભે રાસગરબાની મોજ માણી હતી. ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પર સ્થાનિક કલાકારો વિવિધ લોકગીતો પર રાસ લઈ રહ્યા હતાં. ત્યારે વિવિધ દેશોમાંથી પધારેલા પતંગબાજો પણ તેમાં જોડાયા હતાં. ઓપરેશન સિંદૂર, સેવ અર્થ સહિતના પતંગો આકર્ષણનું કેન્દ્ર બની આ તકે વિદેશીઓ પણ અહીંની સંસ્કૃતિથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પોલેન્ડ, મોરોક્કો, ઈન્ડોનેશિયા, ઇઝરાયેલ, મલેશિયા, ફિલિપાઇન્સ સહિતના 21 દેશો તેમજ ભારતના અલગ-અલગ 7 રાજ્યોના પતંગવીરોએ ભાગ લીધો હતો. પતંગવીરો દ્વારા ઉડાડવામાં આવેલા પતંગોમાં ઓપરેશન સિંદૂર, ઇન્ડિયન ફ્લેગ, સેવ અર્થ, બેટી બચાવો બેટી પઢાવો, કોબ્રા, રીંગ કાઈટ, સહિતના સંદેશાત્મક પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી. '6 મીટરની ભારતીય તિરંગાની પતંગ ઉડાવી રહ્યો છું'રાજસ્થાનથી આવેલા વી.પી શર્માએ જણાવ્યું હતું કે, હું રાજસ્થાનથી આવ્યો છું અને વર્ષોથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઉં છું. આજે 6 મીટરની ભારતીય તિરંગાની પતંગ ઉડાવી રહ્યો છું, જેમાં સાથે મેં ઓપરેશન સિંદૂર થીમ જોડી છે. આપણી ભારતની બે દીકરીઓ કે જેને ઓપરેશન સિંદૂરની જવાબદારી સોંપવામાં આવી હતી. પાકિસ્તાનને ધૂળ ચટાવી દેનારી આ ગૌરવપૂર્ણ ક્ષણ છે આ ક્ષણને યાદ કરી ઓપરેશન સિંદૂર થીમ વાળી પતંગ ઉડાવી રહ્યો છું. વાતાવરણ પણ ખુબ સારું છે અને પવન પણ સારો છે, જેથી પતંગ ઉડાવવાની મજા આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 1:47 pm

વડાપ્રધાન મોદી સોમનાથમાં શૌર્ય સભાને સંબોધશે:ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત કાર્યક્રમ યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથના પ્રભાસતીર્થમાં ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાનારી શૌર્ય સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો હાજરી આપશે તેવી ધારણા છે. વડાપ્રધાનના આગમન અને શૌર્ય સભાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સભા માટે ત્રણ વિશાળ અને આધુનિક ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જનસભાના મુખ્ય ડોમમાં 22થી વધુ મોટી LCD સ્ક્રીન લગાવવામાં આવી છે, જેથી અંતિમ હરોળમાં બેઠેલા લોકો પણ પ્રધાનમંત્રીના સંબોધનને સ્પષ્ટ રીતે જોઈ અને સાંભળી શકે. સમગ્ર સભા સ્થળે આધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા અને અન્ય જનસુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વિશાળ સ્ટેજ પર “અખંડ ભારત – અખંડ સોમનાથ” સૂત્રને કેન્દ્રમાં રાખીને સજાવટ કરવામાં આવી છે, જે દેશની એકતા અને સોમનાથના ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. વડાપ્રધાનની શૌર્ય યાત્રા અને જાહેર સભાને લઈને સોમનાથમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા ગુજરાત પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ રહેશે. સુરક્ષા માટે 3 IG, 3 DIG, 15થી વધુ SP, અંદાજે 50 DYSP, 100 જેટલા PI, 150 PSI ઉપરાંત 2000થી વધુ પોલીસ જવાનો ફરજ પર તૈનાત રહેશે. આ ઉપરાંત SRPની 3 કંપનીઓ અને સ્પેશિયલ સ્ટ્રાઈકિંગ ફોર્સને પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવામાં આવી છે. વડાપ્રધાનના રોડ શો, સભા સ્થળ અને સમગ્ર રૂટ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. શૌર્ય સભા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે. મુખ્યમંત્રી વડાપ્રધાનને શૌર્ય પાઘડી પહેરાવશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી શિવનામી અર્પણ કરી અભિવાદન કરશે. આ પછી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સંયુક્ત રીતે વડાપ્રધાનને વિશેષ સ્મૃતિચિહ્ન રૂપે સોમનાથ ભગવાન સાથેની એક ફોટો ફ્રેમ અર્પણ કરશે. આ ફ્રેમમાં રાણી અહલ્યાબાઈ હોલકર, સરદાર વલ્લભભાઈ પટેલ તથા સોમનાથ સ્વાભિમાન પર્વનો લોગો સમાવિષ્ટ રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 1:46 pm

ગોધરામાં મકરસંક્રાંતિ પર્વે ધાબળા, પતંગ-દોરાનું વિતરણ:શ્રી સેવા ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયા-યુએસએ દ્વારા અનાજ કીટનું પણ વિતરણ

ગોધરામાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી સેવા ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયા અને યુએસએ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા, પતંગ-દોરા અને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકાર્ય સંસ્થાના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર યોગેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. શિયાળાની ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, જરૂરિયાતમંદ બાળકોને પતંગ, દોરા, તલ સાંકળી અને પીપૂડા આપવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ વિધવા બહેનોને અનાજની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્ય શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાના પ્રમુખ પ્રદીપ સોની અને સામાજિક કાર્યકર હેમંતભાઈ વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને નિરાધાર લોકોને પોષણયુક્ત આહાર અને શિયાળામાં હૂંફ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. સંસ્થા સમાજના દરેક વર્ગને મદદરૂપ થવાની જવાબદારી નિભાવે છે. ભૂતકાળમાં પણ સંસ્થાએ સમૂહ લગ્નનું આયોજન કરીને આઠ દંપતિઓને લગ્નગ્રંથિથી જોડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 1:34 pm

આસિસ્ટન્ટ સ્ટોરમેને જ તિજોરી 'સાફ' કરી, CCTV:બેંકમાં રૂપિયા જમા કરાવવાને બહાને રૂ. 3.51 લાખની ઉચાપત કરી, તબિયત ખરાબ હોવાનો મેસેજ કરી પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો

સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ જાણીતા 'શુભમ કે માર્ટ'માં ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માર્ટમાં આસિસ્ટન્ટ સ્ટોરમેન તરીકે ફરજ બજાવતા દિવ્યેશ ધરમણભાઈ હેરભા નામના કર્મચારીએ સંસ્થા સાથે વિશ્વાસઘાત કરી કુલ 3,51,099 ની રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સ્ટોર મેનેજર વિવેક રાજારામ માનાપુરે દ્વારા સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બેંકમાં નાણાં જમા ન કરાવી અંગત ઉપયોગ માટે રાખી લીધાચોરીની આ ઘટનાની શરૂઆત ગત 24/12/2025 ના રોજ થઈ હતી. આરોપી દિવ્યેશ હેરભાએ હેડ કેશિયર આકાશ પ્રસાદને પંજાબ નેશનલ બેંકમાં નાણાં જમા કરાવવા મોકલ્યા હતા. જોકે, બેંકની રસીદ તપાસતા તેમાં 50,000 ની રકમ ઓછી માલુમ પડી હતી. આ શંકાસ્પદ તફાવત બાદ જ્યારે મેનેજમેન્ટ દ્વારા ડેઇલી સેલ્સ રિપોર્ટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે અગાઉની તારીખના 1,91,729 પણ બેંકમાં જમા થયા નહોતા. તિજોરીની તપાસ કરવામાં આવી તો રૂ. 1.08 લાખ ઓછા મળ્યાસ્ટોર મેનેજરે જ્યારે માર્ટની મુખ્ય તિજોરીની તપાસ કરી ત્યારે તેમાં બીજા 1,09,370 પણ ગાયબ હતા. આમ, અલગ-અલગ રીતે કુલ 3.51 લાખથી વધુની રકમ આરોપીએ સેરવી લીધી હોવાનું સપાટી પર આવ્યું હતું. આ દરમિયાન આરોપી દિવ્યેશે પોતાની તબિયત ખરાબ હોવાનો મેસેજ કરી પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. માર્ટના અધિકારીઓએ આરોપીની પત્નીનો સંપર્ક કરતા તેણીએ પણ દિવ્યેશ ક્યાં છે તેની જાણ ન હોવાનું જણાવ્યું હતું. સીસીટીવી ચેક કરતા ભાંડો ફૂટ્યોઆ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે, જેમાં આરોપીની શંકાસ્પદ હિલચાલ કેદ થઈ હોવાનું મનાય છે. CCTVના આધારે પોલીસ આરોપીના લોકેશન અને તેના ભાગવાના રૂટની તપાસ કરી રહી છે. કંપનીના CCTV કેમેરામાં કેદ થયેલા પુરાવાઓ આરોપી વિરુદ્ધ મજબૂત કડી સાબિત થઈ શકે તેમ છે. સિંગણપોર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 176 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. પિન્ટુભાઈ હેમંતભાઈને સોંપી છે. હાલમાં પોલીસ આરોપી દિવ્યેશ હેરભાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તેના મૂળ વતન જૂનાગઢ સહિતના સંભવિત સ્થળોએ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 1:29 pm

PM મોદી અને જર્મન ચાન્સેલરના બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ:અમદાવાદ એરપોર્ટથી રાજભવન, ગાંધી આશ્રમ અને રિવરફ્રન્ટ પર SPG સાથે ઓન ટાઇમ રિહર્સલ યોજાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર સોમવારે ગુજરાતની મુલાકાતે આવવાના છે, જેને લઈને અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા SPG સાથે મળીને મોદી અને જર્મન ચાન્સેલરના રૂટ પર ઓન ટાઇમ રિહર્સલ કરવામાં આવ્યું છે. તમામ કાર્યક્રમમાં સ્થળે અને રૂટ પર પોલીસ બંદોબસ્ત સાથે રિહર્સલ કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિરના કાર્યક્રમમાં પણ હાજરી આપશે12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે આવવાના છે. ત્યાંથી ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં બંને મહાનુભાવો હાજરી આપવાના છે. આ ઉપરાંત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પણ કાર્યક્રમમાં બંને હાજર રહેવાના છે, જેથી પોલીસ દ્વારા એસપીજી સાથે મળીને કાર્યક્રમના સ્થળો અને રોડ ઉપર ઓન ટાઈમ એટલે કે, જે સમયે બંને મહાનુભાવો આવવાના છે તે સમય પર રિહર્સલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત કાર્યક્રમ સ્થળ અને રૂટ પર પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. PM બન્યા બાદ મોદી 19 ગ્લોબલ લીડરને ગુજરાત લાવ્યા, જર્મન ચાન્સેલર અમદાવાદના અતિથિ બનશે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ 12-13 જાન્યુઆરીએ ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે, જોકે દિલ્હીને બદલે તેઓ સીધા અમદાવાદ આવશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. અમદાવાદ પછી જર્મન નેતા બેંગલુરુ જવાના છે. આ મુલાકાત સાથે જર્મન ચાન્સેલર પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન અમદાવાદની મુલાકાત લેનારા વૈશ્વિક નેતાઓની યાદીમાં જોડાશે. મેર્ઝ પહેલાં અને મોદી વડાપ્રધાન બન્યા પછી 19 ગ્લોબલ લીડર ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે, જેમાં સૌપ્રથમ મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે લીધી હતી.(સંપૂર્ણ અહેવાલ વાંચવા ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 1:11 pm

શિક્ષાપત્રી મંથન:સાધુ પ્રેમવત્સલદાસજીએ સુખી થવાનું સૂત્ર આપ્યું- 'કમ ખાવ, ગમ ખાવ, નમ જાઓ'

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ સુખી જીવન જીવવા માટે એક સરળ સૂત્ર આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આજના સમયમાં દરેક વ્યક્તિ સુખી થવા ઈચ્છે છે, પરંતુ ઇન્દ્રિયો પર સંયમ ન હોવાને કારણે દુઃખી થાય છે. કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી પણ ઘણીવાર તેમની દિવ્યવાણીમાં કહેતા હતા કે, જીવનમાં સુખી થવું હોય તો 'કમ ખાવ, ગમ ખાવ અને નમ જાઓ'ના સિદ્ધાંતને અપનાવવો જોઈએ. 'કમ ખાવ' એટલે ભૂખ હોય તેના કરતાં ઓછું ખાવું. આપણી પાસે જે કંઈ હોય તે બધું જ ખાઈ ન લેવું જોઈએ, પરંતુ શરીરની જરૂરિયાત મુજબ જ આહાર લેવો જોઈએ. 'ગમ ખાવ' એટલે કોઈ વ્યક્તિ વગર જોઈતું બોલી જાય તો પણ સહન કરવું. જીવનમાં આવતી મુશ્કેલીઓ અને કડવા અનુભવોને શાંતિથી સ્વીકારવા. 'નમ જાઓ' એટલે આપણી ભૂલ ન હોય તો પણ નમી જવું અને 'લેટ ગો' કરવું. આત્મસન્માન જાળવીને પણ વિનમ્રતા દાખવવી એ સુખી જીવનની ચાવી છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે આ બધી જ વાતો શિક્ષાપત્રીના જુદા જુદા શ્લોકોમાં શીખવી છે. તેમના સંદેશાને જીવનમાં જેટલો વધુ ઉતારીશું, તેટલા વધુ સુખી થઈશું. તેમણે એક દ્રષ્ટાંત આપતા કહ્યું કે, કઢીની આસક્તિના કારણે એક પરિવાર કેવી રીતે દુઃખી થયો હતો. આ ઉદાહરણ દ્વારા તેમણે આ સૂત્રનું મહત્વ સમજાવ્યું.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 1:06 pm

નસવાડીના તલાવમાં પ્રસૂતાને સ્ટ્રેચરમાં 108 સુધી લઈ જવાઈ:રસ્તાના અભાવે અડધો કિલોમીટર સુધી પરિવારજનોએ ઉચકી, ગામમાં આઝાદીના 78 વર્ષે પણ રોડ-રસ્તા નહીં

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ તલાવ ગામમાં રસ્તાના અભાવે એક પ્રસૂતાને સ્ટ્રેચર પર ઉચકીને અડધો કિલોમીટર દૂર ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ફરજ પડી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આઝાદીના 78 વર્ષ પછી પણ છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ, ખાસ કરીને રસ્તા અને આરોગ્યની સુવિધાનો અભાવ જોવા મળે છે. જેના કારણે પ્રસૂતા મહિલાઓને ઝોળી કે સ્ટ્રેચરમાં ઉચકીને લઈ જવાના કિસ્સાઓ વારંવાર સામે આવે છે. તલાવ ગામની એક પ્રસૂતાને પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા, કારણ કે ગામ સુધી વાહન પહોંચી શકે તેવો પાકો રસ્તો નથી. જોકે, આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા જ ગામમાં સ્ટ્રેચર આપવામાં આવ્યા હતા. પરિવારજનો અને ગ્રામજનોએ તે સ્ટ્રેચરનો ઉપયોગ કરીને પ્રસૂતાને ઉચકીને કાચા રસ્તા પરથી પસાર થઈ પાકા રસ્તા સુધી પહોંચાડ્યા હતા. મહિલાને દુખાવો હોવા છતાં, પૂરતા પુરુષો ન હોવાથી કેટલીક મહિલાઓને પણ સ્ટ્રેચર ઊંચકવામાં મદદ કરવી પડી હતી. લગભગ અડધો કિલોમીટર સુધી ચાલીને તેઓ પાકા રસ્તા પર ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા. સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરી રહી છે, પરંતુ આવી ઘટનાઓ દર્શાવે છે કે અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ પૂરતી સુવિધાઓ પહોંચી નથી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 1:01 pm

વલસાડમાં કરુણા અભિયાન શરૂ:અબોલ પક્ષીઓના જીવ બચાવવા ધારાસભ્યની અપીલ

વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે આ અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાન 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ચાલશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવાનો છે. વન વિભાગના સહયોગથી વલસાડ જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે આ કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દર વર્ષે ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને સંરક્ષણ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ પ્રસંગે ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, કરુણા અભિયાનના કારણે છેલ્લા દસ વર્ષમાં અનેક અબોલ પક્ષીઓના જીવ બચાવવામાં સફળતા મળી છે, જે સમાજ માટે ગૌરવની બાબત છે.ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને વન વિભાગની ટીમે પતંગ રસિકોને અપીલ કરી હતી કે, પક્ષીઓના ઉડાનના સમયમાં પતંગ ન ઉડાવે અને પતંગ ચગાવતી વખતે જરૂરી તકેદારીઓ રાખે. આ ઉપરાંત, વલસાડમાં ચાઈનીઝ દોરીનું ચોરીછુપે વેચાણ કરતા વેપારીઓ અંગેની માહિતી નજીકના પોલીસ મથકે આપવા પણ અપીલ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 1:00 pm

જે.ઝેડ. શાહ કોલેજમાં વિદ્યાર્થીઓને 'દાદાગીરી' ભારે પડી:પાઈપથી વિદ્યાર્થીને ફટકારનાર પૂર્વ વિદ્યાર્થી સહિત ત્રણની ધરપકડ; પોલીસે કેમ્પસમાં કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી

સુરતની જે.ઝેડ. શાહ કોલેજમાં ભયનું વાતાવરણ ફેલાવનાર વિદ્યાર્થીઓ સામે અમરોલી પોલીસે કડક કાર્યવાહી કરી છે. કોલેજ કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થી પર હુમલો કરનાર બે વિધાર્થી અને એક પૂર્વ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં આરોપીઓ ધોળા દિવસે પાઈપ વડે એક વિદ્યાર્થીને નિર્દયતાથી ફટકારી રહ્યા હતા. વીડિયોમાં દેખાતી આ દાદાગીરીને પગલે પોલીસ હરકતમાં આવી હતી. 3 વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસની અંદર ઘૂસીને અન્ય વિદ્યાર્થી પર તૂટી પડ્યાવાઇરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બે વર્તમાન વિદ્યાર્થીઓ અને એક પૂર્વ વિદ્યાર્થી કોલેજ કેમ્પસની અંદર ઘૂસીને અન્ય વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ પાઈપ જેવા હથિયારોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને બેરહેમીથી માર માર્યો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે, ભોગ બનનાર વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. જ્યાં તેને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. 'જાણકારી કેમ આપી નહીં' તેવી બાબતે બે જૂથો વચ્ચે વિવાદ સર્જાયો હતોઆ હિંસક ઘટના પાછળનું કારણ માત્ર એક સામાન્ય પૂછપરછ હોવાનું બહાર આવ્યું છે. આગામી 20 જાન્યુઆરીના રોજ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે જાણકારી કેમ આપવામાં આવી નથી, તેટલી નજીવી બાબતે બે જૂથો વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પૂર્વ વિદ્યાર્થી રીંકલ રબારી અને અન્ય બે આરોપીઓએ પોતાની 'ભાઈગીરી' બતાવવા માટે હુમલો કર્યો હતો, જેનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો. વીડિયો પુરાવાને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેયને દબોચ્યા અમરોલી પોલીસે આ ગુનામાં પૂર્વ વિદ્યાર્થી રીંકલ રબારી, તેમજ હાલ કોલેજમાં અભ્યાસ કરતા આદિત્ય રબારી અને આર્યન રબારીની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોના પુરાવાને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેયને દબોચી લીધા હતા. પોલીસે માત્ર ધરપકડ જ નથી કરી, પરંતુ આવા લુખ્ખા તત્વોમાં કાયદાનો ડર પેદા થાય તે માટે જે-તે સ્થળે લઈ જઈને કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ આરોપીઓના કાન પકડાવી શાન ઠેકાણી લાવીપોલીસ કાર્યવાહીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ત્રણેય આરોપીઓ કોલેજ કેમ્પસમાં કાન પકડીને ઉઠક-બેઠક કરતા નજરે પડે છે. જે કેમ્પસમાં તેઓ દાદાગીરી કરી રહ્યા હતા, ત્યાં જ પોલીસે તેમની શાન ઠેકાણે લાવી દીધી હતી. જાહેરમાં માફી મંગાવી હતી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:54 pm

ચોટીલા આશ્રમમાં સામાજિક સમરસતા શિબિર યોજાઈ:11 નવયુગલોના સમૂહ લગ્નના આયોજન પર ચર્ચા

ચોટીલાના રામેશ્વર આશ્રમ ખાતે સામાજિક સમરસતા શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિર આગામી સમયમાં યોજાનાર ૧૧ નવયુગલોના સમૂહ લગ્નના આયોજનના ભાગરૂપે યોજાઈ હતી. આ શિબિર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકે હાજરી આપીને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. શિબિરમાં શિક્ષણ ક્ષેત્રે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મળતી શિષ્યવૃત્તિ અને અન્ય પ્રોત્સાહક યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. આ સાથે, સમૂહ લગ્નમાં જોડાનાર લાભાર્થીઓને સરકાર તરફથી મળતી સહાયની વિગતો પણ સમજાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 'પાર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-સણોસરા' ના પ્રતિનિધિઓ, તેમજ ચોટીલા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકના સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિબિરના અંતે, તમામ આગેવાનોએ આગામી સમૂહ લગ્ન પ્રસંગને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટેની વ્યૂહરચના અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી. આ શિબિરે સામાજિક સમરસતા અને એકતા પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:46 pm

હિંમતનગરમાં 72 કલાક અખંડ ઓમકાર જાપ શરૂ:ધારાસભ્ય વી.ડી. ઝાલાએ બદ્રીકેદારેશ્વર મંદિરે પૂજા કરી

હિંમતનગરમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપ અભિયાનનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ટાવર ચોક સ્થિત બદ્રીકેદારેશ્વર મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. આ જાપ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે દેશભરમાં ચાલી રહ્યા છે. શનિવારે ધારાસભ્ય ઝાલાએ મહાદેવ મંદિરે દર્શન કર્યા બાદ હનુમાનજી દાદાને માલ્ય અર્પણ કર્યું હતું. તેમણે મંત્રોચ્ચાર સાથે મહાદેવની આરાધના કરી અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમની સાથે હિંમતનગર તાલુકા ભાજપના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:43 pm

ગાંધીધામ ITI માં ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન ટેકનીશીયનનો નવો કોર્સ:પેટ્રોલ - ડિઝલના વિકલ્પરૂપ પ્રદૂષણમુક્ત ઇંધણ ઉત્પાદનના પ્લાન્ટ રોજગારીની નવી તકો સર્જશે

સૌરાષ્ટ્ર - કચ્છ રિજનલ કચેરી રાજકોટ વિભાગ હેઠળની ગાંધીધામ ITI દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન ટેકનીશીયન નામનો નવો કોર્સ શરૂ કરવા માટે મંજૂરી મળી ચૂકી છે. જે માટે રૂ.40 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ છે. કંડલા દિનદયાળ પોર્ટ દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટની મદદથી પ્રાથમિક તબક્કે 20 સીટ સાથે આ કોર્સ શરૂ કરવામાં આવશે. આ કોર્સમાં ટ્રેનિંગ મેળવતા યુવાનો પેટ્રોલ અને ડીઝલના ભવિષ્યના ઇંધણ તરીકે ઉપયોગમાં આવનાર ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટમાં રોજગારી મેળવી શકશે. રાજકોટ સ્થિત નાયબ નિયામક (તાલીમ) રોજગાર પડે તાલીમની પ્રાદેશિક કચેરી કે જે સૌરાષ્ટ્ર - કચ્છની ITI ની રિજનલ ઓફિસ ગણવામાં આવે છે તેના નાયબ નિયામક કૌશિક કણઝારીયાએ જણાવ્યુ હતુ કે, કચ્છના ગાંધીધામની ITI અને કંડલાના દિનદયાળ પોર્ટ વચ્ચે MoU થયા છે. જે અંતર્ગત ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન ટેકનીશીયન નામનો નવો કોર્સ શરૂ કરવામાં આવશે. જે માટે રૂ.40 લાખ મંજૂર થયા છે. પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે પ્રદૂષણ મુક્ત ઈંધણ ગણાતા ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટેના પ્લાન્ટથી રોજગારીની વિપુલ તકો ઉભી થશે. ગાંધીધામ આઈટીઆઈના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચિરાગ દાવડાએ જણાવ્યુ હતુ કે, ભારત દેશમાં ગ્રીન હાઈડ્રોજન હબ જાહેર કરવામાં આવેલું છે. જેમાંનું એક જ સ્થાન કંડલા છે. જે ગાંધીધામ ઔદ્યોગિક સંસ્થાથી નજીકનું સ્થળ છે. જ્યાં ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે. જે પૂર્ણ થતા ત્યાં વિપુલ પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ રોજગારીના સર્જનને પહોંચી વળવા માટે ગાંધીધામ આઈટીઆઈ ખાતે ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન ટેકનીશીયન નામનો કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી સરકાર દ્વારા મળતા આગામી શૈક્ષણિક વર્ષથી આ કોર્સ શરૂ થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કોર્સ કરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવી છે. જે કોર્સ એક વર્ષનો રહેશે. જે ટ્રેડ દિનદયાળ પોર્ટ ઓથોરિટીના સહયોગથી શરૂ કરવામાં આવશે. આ કોર્સની તાલીમ મેળવેલા ઉમેદવારો ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શનના કોઈપણ પ્લાન્ટને ઓપરેશનલ અથવા મેન્ટેનન્સ કરવા માટે સક્ષમ રહેશે. ગ્રીન હાઈડ્રોજન એ ભવિષ્યનું ઇંધણ છે. જેથી તે પેટ્રોલ અને ડીઝલનું સ્થાન લેશે. ગ્રીન હાઈડ્રોજન એ પ્રદૂષણ મુક્ત ફયુલ છે. જેથી તેનાથી પર્યાવરણને પણ નુકસાન નહીં થાય.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:26 pm

વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે સોમનાથ મંદિર પુષ્પસજ્જાથી ઝળહળ્યું:100થી વધુ કારીગરોએ મંદિરને ફૂલોથી સજાવ્યું, ભક્તિમય માહોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ આગમન પૂર્વે સોમનાથ મહાદેવ મંદિર અને તેના પરિસરને ભવ્ય પુષ્પસજ્જાથી શણગારવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન માર્ગને પણ વિશેષ રીતે સુશોભિત કરવામાં આવ્યો છે. સોમનાથ મહાદેવ મંદિરને સફેદ, કેસરી અને પીળા રંગના તાજા પુષ્પોથી સજાવવામાં આવ્યું છે. મંદિરના શિખર, પ્રવેશદ્વાર, સભામંડપ, પરિક્રમા માર્ગ અને આસપાસના વિસ્તારોમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના સોમનાથ મહાદેવ મંદિર પહોંચવાના માર્ગને પણ વિશેષ રીતે સુશોભિત કરાયો છે. રસ્તાની બંને બાજુએ ફૂલોના તોરણો અને કલાત્મક પુષ્પલડીઓથી સજાવટ કરવામાં આવી છે. આ પુષ્પસજ્જા માટે 100થી વધુ કુશળ કારીગરોએ દિવસ-રાત કાર્ય કર્યું છે. કારીગરોએ પરંપરાગત અને આધુનિક શૈલીનો સમન્વય કરીને મંદિર અને માર્ગને આકર્ષક બનાવ્યા છે. વડાપ્રધાનના આગમનને લઈને સોમનાથમાં શિવભક્તો અને યાત્રાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 'જય સોમનાથ' અને 'હર હર મહાદેવ'ના નાદથી પ્રભાસતીર્થ ગુંજી ઉઠ્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનથી સોમનાથ ધામ ફરી એકવાર રાષ્ટ્રીય અને આધ્યાત્મિક મહત્વનું કેન્દ્ર બન્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:24 pm

મોરબીમાં બે મનોદિવ્યાંગ મહિલાઓ પર દુષ્કર્મનો મામલો:દીવાલમાં બાકોરું કરી મહિલાઓની લાજ લૂંટનાર બે નરાધમોને પોલીસે ઝડપી લીધા

મોરબીમાં એક સેવાભાવી સંસ્થામાં બે મનોદિવ્યાંગ મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીઓએ રાત્રિ દરમિયાન સંસ્થાની દીવાલ પર લગાવેલા કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મહિલાઓને રાખવામાં આવેલી રૂમની દીવાલમાં બાકોરું પાડીને તેઓએ આ કૃત્ય આચર્યું હતું. આ ગંભીર બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ. પટેલ અને તેમની ટીમે ડાયા ખાનાભાઈ ચૌહાણ (ઉંમર 32, રહે. મનહર નળિયાના કારખાનામાં, લીલાપર રોડ, મોરબી) અને હરેશ જીવાભાઈ સોલંકી (ઉંમર 30, રહે. વાંકડા, તા. મોરબી) નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:24 pm

અમરેલીમાં ઉત્તરાયણ પહેલા પતંગ-દોરીના ભાવ 35% વધ્યા:ખરીદીમાં મંદીનો માહોલ, વેપારીઓ અને પતંગ રસિયા ચિંતિત

અમરેલી જિલ્લામાં ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ અને દોરીના વેપારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પતંગ-દોરીના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે, જેના કારણે પતંગ રસિયાઓ અને વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. ભાવ વધારાની વાત કરીએ તો, ગયા વર્ષે જે રીલ ₹100માં મળતી હતી તે આ વર્ષે ₹130 થી ₹150માં વેચાઈ રહી છે. તેવી જ રીતે, ₹200ની રીલના ભાવ ₹240 થી ₹260 સુધી પહોંચી ગયા છે. પતંગના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે; ₹10નો પતંગ ₹15માં અને ₹7નો પતંગ ₹15 થી ₹20માં મળી રહ્યો છે. આ ભાવ વધારાને કારણે પતંગ-દોરીનું વેચાણ ઘટ્યું છે. વેપારી વિપુલભાઈ, જેઓ 20 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે જણાવ્યું કે, આ વર્ષે મોંઘવારી અને મંદી બંનેની અસર ખૂબ જ જોવા મળી રહી છે. જે રીલ ₹100માં આવતી હતી તેના ₹130 થઈ ગયા છે, જેના કારણે વેપાર પર અસર પડી છે. બજારમાં એકદમ મંદીનો માહોલ છે. અત્યારે વાત કરવાનો સમય ન હોય એના બદલે સાવ નવરા બેઠા છીએ. ગ્રાહક જયદેવભાઈએ પણ મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ગયા વર્ષ કરતા મોંઘવારી વધી ગઈ છે. પહેલા ₹200ની રીલ ₹250માં અને ₹300ની રીલ ₹350માં મળે છે. પતંગના ભાવ પણ એવા જ છે; જે ₹10નો પતંગ આવતો તે ₹20નો આવે છે. એટલે થોડી મોંઘવારી વધારે લાગે છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પતંગ ખરીદવા આવતા ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોંઘવારીના કારણે ખરીદી ઓછી કરી છે. આ મંદીની અસર વેપારીઓની સાથે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને પણ વધુ નડી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Jan 2026 12:22 pm