SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

ગુજરાતમાં પુષ્પા સ્ટાઈલમાં દારૂની હેરાફેરી, VIDEO:બુટલેગરે પોલીસને ગોથે ચડાવી, કન્ટેનરમાંથી માંડ ચોરખાનું શોધ્યું; દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પરથી 94 લાખનો જથ્થો જપ્ત

વડોદરા ગ્રામ્ય LCBની ટીમે છેલ્લા એક અઠવાડિયામાં અલગ અલગ જગ્યાએથી 3 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરમિયાન ગઈકાલે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા પાસે એક કન્ટેનરમાં બનાવેલા ચોરખાનામાંથી 94 લાખની વિદેશી દારૂની 16,620 બોટલો જપ્ત કરી છે. એક કન્ટેનર, 3 મોબાઈલ ફોન સહિત કુલ 1.09 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આદારે LCB ટીમે વોચ ગોઠવીવડોદરા ગ્રામ્ય LCBની ટીમને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, RJ-05-GB-2930 નંબરનું કન્ટેનર ભરૂચથી વડોદરા તરફ આવી રહ્યું છે, જેમાં વિદેશી દારૂ ભરેલો છે. જેથી LCBની ટીમે લક્ષ્મીપુરા ગામ પાસે પાદરા જવાના કટ નજીક હાઇવે પર કન્ટેનર માટે વોચ ગોઠવી હતી. કન્ટેનર આવતાં જ તેને કોર્ડન કરી લીધું હતું. દરવાજો ખોલતા જ કન્ટેનરમાં કંઈ ન મળ્યુંદારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવી રહ્યા છે. પોલીસે જ્યારે કન્ટેનરને ઉભું રાખ્યું અને દરવાજો ખોલ્યો તો દારૂ દેખાયો નહોતો. પરંતુ પોલીસે ચોક્કસ બાતમીને કારણે વધુ તપાસ કરતા બુટલેગરે દારૂ છુપાવવા માટે કન્ટેનરમાં આગળના ભાગમાં ચોરખાનું બનાવ્યું હતું. પોલીસે ગ્રાઈન્ડર મશીન દ્વારા કન્ટેનરનું પતરું કાપતા ચોખાનામાંથી 94 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કન્ટેનરમાંથી 710 પેટીઓમાં વિદેશી દારૂની 16,620 બોટલ મળીકન્ટેનરમાંથી ડ્રાઇવર ગોકલારામ પદમારામ જાટ, (રહે. માનસીંગ કી બેરી ખારી, તા. ધોરીમન્ના, જિ. બારમેર (રાજસ્થાન) મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનરના ખાનામાંથી 710 પેટીઓમાં વિદેશી દારૂની 16,620 બોટલો મળી આવી હતી. આ ઉપરાંત 3 મોબાઇલ ફોન, રજિસ્ટ્રેશન કાગળો વગેરે પણ જપ્ત કર્યા છે. રાજસ્થાનના શખસે પંજાબથી ગુજરાતમાં દારૂ મગાવ્યો હતોડ્રાઇવરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સોહનલાલ બેધરામ બિશ્નોઈ (રહે. નરવતો કા ગોલીયા ખારી, તા. ધોરીમન્ના, જિ. બારમેર, રાજસ્થાન) દ્વારા પંજાબથી ગુજરાતમાં દારૂના ફેરા માટે આ કામગીરી સોંપવામાં આવી હતી. રાજપુરા (લુધિયાણા રોડ) ખાતે કન્ટેનર ભરાયું હતું અને અમદાવાદ તરફ લઈ જવાનું હતું. આ મામલે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 4:27 pm

મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલા BK બોરીચાનું સરઘસ:DYSPની હાજરીમાં કાર્યવાહી, પોલીસનો કાયદામાં રહેવાનો સ્પષ્ટ સંદેશ

મોરબીમાં વ્યાજખોરી, દારૂ અને જમીન પચાવી પાડવા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બી.કે. બોરીચાનું આજે સનાળા રોડ પર ડીવાયએસપીની હાજરીમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા મોરબીના જેલ રોડ પર આવેલા બોરીચાવાસ વિસ્તારમાં બી.કે. બોરીચાના ઘરે પોલીસે તપાસ કરી હતી. આ દરમિયાન ઘરમાંથી બિયરના 22ટીન મળી આવ્યા હતા, જેના પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. હાલમાં બી.કે. બોરીચાને રિમાન્ડ પર લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોરીચાના ઘરમાંથી કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જે અંગે ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. રવિવારે બપોરે આશરે દોઢ વાગ્યાના સુમારે મોરબીના સનાળા રોડ પર બી.કે. બોરીચાનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે મોરબીના ડીવાયએસપી જે.એમ. આલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, બી.કે. બોરીચા સામે અગાઉ વ્યાજખોરી, દારૂ અને જમીન પચાવી પાડવા જેવા ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓમાં તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેના ઘરમાંથી મળેલા દસ્તાવેજોના આધારે પણ તપાસ ચાલુ છે અને જે લોકો બી.કે. બોરીચાનો ભોગ બન્યા હોય, તેઓએ ફરિયાદ નોંધાવવી જોઈએ. મોરબી પોલીસ ભોગ બનેલા લોકોની સાથે જ છે તેવી ખાતરી પણ ડીવાયએસપી દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 4:23 pm

ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન:AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન નવદંપતિઓને આપ્યા આશીર્વાદ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોળી સમાજ વિવિધ પુણ્ય કાર્યોમાં હંમેશા આગળ હોય છે - અરવિંદ કેજરીવાલ આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબની આપ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા, આ પ્રસંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ જણાવ્યું હતું કે, આજે ખૂબ જ શુભ દિવસ છે જ્યારે 151 યુગલો એક સાથે લગ્ન કરી રહ્યા છે, અને ચારે બાજુ આનંદનું વાતાવરણ છે હું આમ આદમી પાર્ટીના નેશનલ જૉઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને પ્રદેશ યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી બંનેને અભિનંદન પાઠવું છું, જે આવું પુણ્ય કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે વીર માંધાતા સંગઠનને પણ અભિનંદન પાઠવું છું રાજુભાઈએ છેલ્લા 12 વર્ષમાં 2000થી વધુ જોડીઓના લગ્ન કરાવીને આ પુણ્ય કાર્ય કર્યું છે હું તમામ નવદંપતિઓને પણ અભિનંદન પાઠવું છું, જે પોતાના જીવનમાં નવી દિશામાં આગળ વધી રહ્યા છે હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે તેઓ તમને ખૂબ ખુશીઓ આપે અને તમે સૌ ખૂબ પ્રગતિ કરો. અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, આજનો આ કાર્યક્રમ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત છે આજે દિલ્હીથી અખિલ ભારતીય કોળી સમાજના મહિલા અધ્યક્ષા અહીં હાજર છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોળી સમાજ વિવિધ પુણ્ય કાર્યોમાં હંમેશા આગળ રહે છે. ગુજરાતના વિકાસમાં કોળી સમાજનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે કોળી સમાજના બાળકો ખૂબ પ્રતિભાશાળી, મહેનતુ અને દેશભક્ત છે, તેથી જો કોળી સમાજના બાળકોને યોગ્ય શિક્ષણ, યોગ્ય સ્કિલ અને સારા અવસર મળે તો તેઓ વધુ પ્રગતિ કરી શકે. જેમ અહીં જણાવાયું કે, લોકપ્રિય ક્રિકેટ ખેલાડી પણ કોળી સમાજમાંથી આવે છે અને સમગ્ર દેશનું નામ વિશ્વમાં રોશન કરી રહ્યા છે આજે અહીં ઉપસ્થિત તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું અને અહીં આશીર્વાદ આપવા આવેલા તમામ સાધુ-સંતોને પણ અભિનંદન પાઠવું છું. આવનારા સમયમાં ગુજરાતમાં આવા વધુ સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો યોજાશે તેમાં હું હાજરી આપતો રહીશ. આ પ્રસંગે પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન જણાવ્યું કે, વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા આજે 12મો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો છે આજે તેમાં 151 જોડીઓના લગ્ન થયા છે અને અમે તેમને આશીર્વાદ આપવા માટે હાજર રહ્યા છીએ. આ અવસરે હું વીર માંધાતા કોળી સમાજ તેમજ રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકીને અભિનંદન પાઠવું છું, જેમણે આ પુણ્ય કાર્ય કર્યું અને આ પ્રસંગે અમને પણ યાદ કર્યા, લોકોની ભલાઈ થાય તેવા સામાજિક કાર્યક્રમો થવા જોઈએ. આવનારા સમયમાં ગુજરાતમાં એવો કોઈપણ કાર્યક્રમ હશે જેમાં સમાજ અને લોકોની ભલાઈ થાય, તે રાજકીય હોય, સામાજિક હોય કે ધાર્મિક હોય, એવા કાર્યક્રમોમાં અમે ચોક્કસ હાજરી આપીશું, વીર માંધાતા સંગઠનના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના નેશનલ જૉઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી તેમજ સમગ્ર વીર માંધાતા સંગઠને આ સામૂહિક લગ્ન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને ધારાસભ્ય સુધીર વાઘાણી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 4:11 pm

ધોલેરા મંદિરમાં 200 વર્ષ પૂર્ણ; 7 દેશોમાં મહારક્તદાન કેમ્પ:સ્વામિનારાયણ સંપ્રદાયે શ્રી મદનમોહનજી મહારાજની સ્થાપનાના દ્વિશતાબ્દી વર્ષે વૈશ્વિક માનવસેવા ઉજાગર કરી

ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા ખાતે બિરાજમાન શ્રી મદનમોહનજી મહારાજની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થયા છે. આ દ્વિશતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે વડતાલ ગાદી શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધિશ્વર આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી વૈશ્વિક સ્તરે માનવસેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે દેશ-વિદેશમાં વસતા હરિભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, 22 ફેબ્રુઆરી, 2026, રવિવારના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ’નું આયોજન કરાયું. આ કેમ્પ ભારત સહિત વિશ્વના સાત દેશોમાં એક જ દિવસે, એક જ સમયગાળા દરમિયાન વિવિધ ગામો અને શહેરોમાં યોજાયો હતો. વેરાવળ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર વેરાવળના લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના પ્રમુખ હાર્દિકભાઈ કકકડે જણાવ્યું કે, આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તેમજ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી સમગ્ર ભારત સહિત સાત દેશોમાં કુલ 108 સ્થળોએ આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ ખાસ કરીને કેન્સર અને થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે ઉપયોગી થશે. રક્તદાન દ્વારા અનેક દર્દીઓને જીવનરક્ષક રક્ત મળી રહેશે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, તાલાળા, સાસણ, કોડીનાર, ઉના અને માંગરોળ ખાતે કેમ્પો યોજાયા હતા. દરેક સ્થળે હરિભક્તો અને યુવાનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ જોવા મળ્યો. હાલ સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 300 યુનિટથી વધુ રક્ત એકત્ર થયું હોવાનો અંદાજ છે, અને રક્તદાનનો પ્રવાહ ચાલુ રહ્યો છે. અનેક યુવાનો સ્વપ્રેરિત રીતે આગળ આવી રક્તદાન કરીને 'સેવા પરમો ધર્મ:'ના સિદ્ધાંતને સાર્થક કરી રહ્યા છે. લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ અને લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. દ્વિશતાબ્દી વર્ષના આ અવસરે ધાર્મિક ભાવના સાથે માનવસેવાનું આ સંકલન સમાજ માટે પ્રેરણાદાયી બન્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 4:04 pm

પાટણમાં ફુદેડા ગોપી મહિલા મંડળનું આગમન:પદ્મનાભ વાડી પરિસરમાં ભજન-કીર્તન સાથે સમૂહ ભોજન પ્રસાદ લીધો

પાટણના શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં આવેલા શ્રી કબીરજી-જીવણજી મહારાજના સાનિધ્યમાં રવિવારના પવિત્ર દિવસે વીજાપુર પંથકના ફુદેડા ગામના કબીરપંથી ઉદાભક્ત પરિવારનું ગોપી ગરબા મંડળ પધાર્યું હતું. મંડળની બહેનોએ ભક્તિમય માહોલમાં ભક્તિમય સંગીત સાથે ભજન-ભક્તિ અને ગરબાની રમઝટ બોલાવી હતી. આ પવિત્ર પ્રસંગે શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, ઉદાભગત કનુભાઈ પટેલ સહિતના સેવાભાવી કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વાડી પરિસરમાં ગોપી ગરબા મંડળની બહેનોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. ગોપી મંડળની બહેનો સહિત ઉદાભક્તોએ શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી સહિત ટ્રસ્ટી મંડળ અને સેવકગણનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સૌએ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ભગવાન શ્રી પદ્મનાભજી અને શ્રી જીવણજી-કબીરજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 4:04 pm

વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક, VIDEO:દંડા સાથે ડેકોરેશનની દુકાનમાં ઘૂસી તોડફોડ કરી, કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી

શહેરના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.યુવકે દુકાનમાં ઘૂસીને દંડા વડે તોડફોડ કરી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે.આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.આરોપીએ છેલ્લા 10 વર્ષમાં અનેક વખત તોડફોડ કરી હોવાનો આક્ષેપ છે. 'તારા શેઠ ક્યાં છે' કહી દુકાનમાં તોડફોડ શરૂ કરીવસ્ત્રાલમાં રહેતા નાથા તાવડીયા નામના યુવકે ફરિયાદ નોંધાવી છે કે, તે વસ્ત્રાલમાં અર્બુદા ડેકોરેશનની દુકાનમાં નોકરી કરે છે અને ત્યાં જ રહે છે. તે દુકાનમાં હાજર હતા ત્યારે એક વ્યક્તિ ગાડી લઈને આવ્યો હતો.આ વ્યક્તિએ ગાડીમાંથી નીચે ઉતરી હાથમાં લાકડાનો ડંડો સાથે લઈને દુકાનમાં આવીને કહ્યું હતું કે તારા શેઠ ક્યાં છે તેમ કહીને ગાળો આપવા લાગ્યો હતો. નાથાએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી. આરોપીએ ભૂતકાળમાં પણ તોડફોડ કરી હોવાનો આક્ષેપદુકાનમાં કાચ તોડી નાખ્યા હતા એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.દુકાનમાં તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.નાથાએ આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.આરોપીએ અગાઉ પણ 3 થી 4 વખત તોડફોડ અને મારામારી કરી હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 3:48 pm

નિયમ પાલનની શરૂઆત પોતાના ઘરથી:મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીઓની ખાનગી ગાડીઓ સામે સ્પેશિયલ ડ્રાઇવ, 30થી વધુ વાહન સામે દંડાત્મક કાર્યવાહી

મહેસાણા જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ એક પ્રેરણાદાયી અને કડક અભિગમ અપનાવ્યો છે. નિયમ પાલનની શરૂઆત પોતાના ઘરથી એ સૂત્રને સાર્થક કરતા આજે મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં જ પોલીસકર્મીઓની ખાનગી ગાડીઓ સામે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ તપાસને પગલે પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ કર્મીઓની ખાનગી ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું​શહેરમાં સામાન્ય જનતા પાસે ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા પહેલા પોલીસ પોતે આદર્શ બને એવા હેતુથી એસ.પી. હિમાંશુ સોલંકીએ કડક આદેશો આપ્યા હતા. જેના પગલે હેડક્વાર્ટરમાં ઉભી રહેલી તેમજ અવરજવર કરતી પોલીસ કર્મીઓની ખાનગી ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.આ કાર્યવાહી દરમિયાન જે ગાડીઓના કાચ પર પ્રતિબંધિત કાળી ફિલ્મ લગાવેલી હતી. તેને પોલીસની હાજરીમાં જ સ્થળ પર ઉતારી દેવામાં આવી હતી.આ ઉપરાંત નંબર પ્લેટ વગરની અથવા એચ.એસ.આર.પી. વગરની ફેન્સી નંબર પ્લેટ ધરાવતી ગાડીઓ સામે પણ આકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં અંદાજે 30 જેટલી ગાડીઓ ઝપેટમાં આવી હતી​પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશમાં અંદાજે 30 જેટલી ગાડીઓ ઝપેટમાં આવી હતી. જે તમામ સામે દંડની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ આકરી કાર્યવાહીથી એ સંદેશ સ્પષ્ટ થયો છે કે, કાયદો તોડનાર ભલે ગમે તેટલો વગદાર હોય કે ખુદ પોલીસ વિભાગનો હોય તેને છોડવામાં આવશે નહીં.. કાળા કાચ અને નંબર પ્લેટ વગર ફરતા વાહનો સામે પોલીસની કડક કાર્યવાહી​મહેસાણા શહેરમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગર ફરતા વાહનો સામે અત્યારે પોલીસ સખત વલણ અપનાવી રહી છે ત્યારે ખુદ પોલીસ હેડક્વાર્ટરથી થયેલી આ નિષ્પક્ષ કામગીરીની શહેરભરમાં ભારે પ્રશંસા થઈ રહી છે. પોલીસના આ કડક વલણને કારણે હવે સામાન્ય નાગરિકોમાં પણ ટ્રાફિક શિસ્ત બાબતે સકારાત્મક જાગૃતિ જોવા મળશે એવું મનાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 3:39 pm

જેઠના દીકરાની પરિણીતાને ધમકી:વાસણાની કૌટુંબિક ઝઘડામાં ઈન્સ્ટાગ્રામમાં વીડિયો મોકલી ફોન ઉપર બિભત્સ શબ્દો કહ્યાં

શહેરના વાસણા વિસ્તારમાં રહેતી પરિણીતાને જેઠના દીકરા દ્વારા ઈન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કરવામાં આવ્યો હતો અને વીડિયો મોકલવામાં આવ્યો હતો. પરિણીતાને દીયરે યુવકને ફોન કરીને સમજાવ્યું હતું કે, આવા વીડિયો ન મૂકો, સમાજમાં બદનામી થાય છે. છતાં પણ તેણે કહ્યું હતું કે, હું વીડિયો મુકીશ, જેથી આ મામલે પરિણીતાએ જેઠના દીકરા વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વીડિયો ન મુકવાનું કહેતા બિભત્સ શબ્દો કહ્યાંવાસણા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાના જેઠના દીકરાને ફોન કરીને તેમના પરિવારની એક મહિલા જતી રહી હતી, તે બાબતે સમજાવવા માટે ફોન કર્યો હતો, પરંતુ સરખો જવાબ આપ્યો નહોતો. બાદમાં ઈન્સ્ટાગ્રામ આઈડી પર બંનેના વીડિયો મોકલવામાં આવ્યા હતા, જે બીજી રિક્વેસ્ટ પણ મોકલી હતી. જે વીડિયો તેના દીયરને બતાવ્યો હતો અને તેમણે ફોન કરી જણાવ્યું હતું કે, જે વીડિયો મૂકવામાં આવ્યો છે, તેમાં સમાજની બદનામી થાય છે. આવા વીડિયો ન મૂકો. જેથી સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે, વીડિયો તો મુકીશ અને પરિણીતાએ ફોન ઉપર વાત કરતા ગાળો બોલી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરીવધુમાં તેણે કહ્યું હતું કે, જેમ મહિલાને લઈ ગયો છું, તેમ તને પણ લઈ જઈશ. પરિણીતાએ જ્યારે તેના જેઠને ફોન કરીને તમારો દીકરો આ રીતે મારી સાથે વાત કરે છે, એવું કહ્યું હતું. જેથી જેઠે પણ ફોન કાપી નાખ્યો હતો. આ મામલે પરિણીતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 3:38 pm

પાટણના ડેર ગામેથી સગીરાનું અપહરણ:ખેતરમાં મજૂરી કરતા પરિવારની 14 વર્ષની દીકરીને અજાણ્યો શખ્સ લાલચ આપી ભગાડી ગયો

પાટણ જિલ્લાના બાલીસણા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ડેર ગામની સીમમાં ખેતરમાં કામ કરી રહેલા શ્રમિક પરિવારની સગીર દીકરીનું અપહરણ થયું છે. આ મામલે સગીરાના પિતાએ બાલીસણા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 14 વર્ષ અને 11 માસની સગીર વયની દીકરી ખેતરના શેઢે હતી, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેને લગ્નની લાલચ આપી અથવા ફોસલાવીને વાલીપણામાંથી ભગાડી ગયો હતો. ઘટના સમયે પરિવાર ખેતરમાં મજૂરી કામ કરી રહ્યો હતો. દીકરી ન મળી આવતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 મુજબ પ્રથમ માહિતી અહેવાલ (FIR) નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ સંદર્ભે પોલીસે બી.એન.એસની કલમ 137(2) મુજબ ગુનો દાખલ કરી અજાણ્યા આરોપીને ઝડપી પાડવા અને સગીરાની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ભારતીબેન ફૂલજીભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 3:38 pm

લસકાણામાં માટીના વેપારી સાથે 2 લાખની છેતરપિંડી:અજાણ્યા આરોપીઓએ બિલ્ડરના નામે સાઈટ પર 56 ગાડી માટી નખાવી, અસલ માલિક પાસેથી પૈસા લઈ ફરાર

સુરત શહેરમાં છેતરપિંડીના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે લસકાણા પોલીસ સ્ટેશનની હદમાં એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ બિલ્ડર અને માટીના વેપારી હોવાનો ખોટો ડોળ કરી એક વ્યક્તિ સાથે 2 લાખની છેતરપિંડી આચરી છે. કેવી રીતે કરી છેતરપિંડી?મળતી માહિતી મુજબ ફરિયાદી મુકેશભાઈ આપુજી વણઝારા ઉં.વ. 48, જેઓ સુરતના સિંગણપોર વિસ્તારમાં રહે છે અને કાર્ટિંગનો વ્યવસાય કરે છે. તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ એક બિલ્ડર તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે, તેમને સાઈટ પર માટીની જરૂર છે. આ ઠગબાજોએ મુકેશભાઈને વિશ્વાસમાં લઈ, ભાડા ગામ પાસે આવેલી શ્યામ યમુના એબ્રો પાર્ક સોસાયટીમાં માટી નાખવાનું કામ સોંપ્યું હતું. આરોપીઓએ મુકેશભાઈ પાસે કુલ 56 ગાડી માટી સાઈટ પર નખાવી દીધી હતી. આરોપી ડબલ ગેમ રમ્યોઆરોપીઓએ માત્ર મુકેશભાઈને જ નહીં, પરંતુ સાઈટના અસલી માલિક અશોકભાઈ જીરાણીને પણ અંધારામાં રાખ્યા હતા. આરોપીએ અશોકભાઈને ફોન કરીને પોતે માટીવાળો હોવાની ઓળખ આપી હતી. જ્યારે માટી નાખવાનું કામ પૂરું થયું ત્યારે કુલ માટીની કિંમત 2,66,400 જેટલી થતી હતી. જોકે, આરોપીએ માલિક અશોકભાઈ પાસે પોતાના માણસને મોકલી 2,00,000 બારોબાર પડાવી લીધા હતા. ત્યારબાદ મુકેશભાઈને ખબર પડી કે તેમની મહેનતના પૈસા કોઈ ત્રીજી જ વ્યક્તિ લઈ ગઈ છે. મુકેશ ભાઈને છેતરપિંડી થઈ હોવનો અહેસાસ થતા લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BNSની વિવિધ કલમો દાખલ કરી કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલમાં જે મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો તેની ડિટેલ્સ અને લોકેશનના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 3:33 pm

જામનગરમાં PGVCL-પોલીસનું મેગા ઓપરેશન: 8 વીજચોર ઝડપાયા:₹7.76 લાખનો દંડ, વીજ જોડાણો સ્થળ પર કપાયા

જામનગરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ અને PGVCL દ્વારા સંયુક્ત 'કોમ્બિંગ ઓપરેશન' હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 8 વીજચોરીના કેસો પકડી પાડી કુલ ₹7,76,603/- નો દંડ ફટકારવામાં આવ્યો છે. જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS)ની સૂચના અને DYSP જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એ-ડિવિઝન, LCB, SOG અને પેરોલ સ્કોડના કાફલાએ PGVCL ના એન્જિનિયરો સાથે મળીને આ કાર્યવાહી કરી હતી. પટણીવાડ, સુમરાચાલી, ટીટોડીવાડી અને ખોજાનાકા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડાયરેક્ટ લંગર અને મીટરમાં ચેડાં કરીને વીજચોરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. રેહાન ઇકબાલ બેલીમ (પટણીવાડ) ને ₹2,06,313.67, જુનેદ અબ્દુલરજાકભાઇ પટણી (પટણીવાડ) ને ₹2,49,440.25, શહેનાઝ ફારૂકહુશેન શેખ (પટણીવાડ) ને ₹1,03,168.02, નુરમામદ હાસમભાઇ ખફી (કિશાન ચોક) ને ₹1,00,000.00, અખતર હસનભાઇ કોઠારી (પટણીવાડ) ને ₹90,123.43, અબ્દુલગની ઉમરભાઇ બસર (મચ્છીપીઠ) ને ₹20,000.00, હુસેન ઓસમાણ મુરીમા (ટીટોડીવાડી) ને ₹5,034.63 અને હનીફભાઇ ઉમરભાઇ પંજા (પટણીવાડ) ને ₹2,523.50 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, કુલ 4 કેસ ડાયરેક્ટ લંગર દ્વારા અને 4 કેસ મીટર હોવા છતાં પાવર ચોરીના નોંધાયા છે. તમામ વીજચોરોના જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. આ કોમ્બિંગ ઓપરેશનનો મુખ્ય હેતુ માત્ર વીજચોરી પકડવાનો જ નહોતો, પરંતુ ગત 21/02/2026 ના રોજ પાંચહાટડી સૈફી હોસ્પિટલ પાસે થયેલી મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવાનો પણ હતો. પોલીસ દ્વારા રેહાન ઇકબાલ બેલીમ, સદામ ઉર્ફે ઇંડો શેખ અને રઉફ બેલીમ સહિતના અન્ય આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશનમાં સીટી એ-ડિવિઝન PI એન.એ.ચાવડા, LCB PI વી.એમ.લગારીયા, SOG PI બી.એન.ચૌધરી તથા PGVCL ના ડેપ્યુટી એન્જીનીયર એસ.આર.પરમાર અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 3:32 pm

BJP રાષ્ટ્રીય અધ્યક્ષ હેરિટેજ સિટીની મુલાકાતે:હવેલી જેવા મકાનો જોયાને કાર્યકર્તાઓ સાથે વાત કરી; કહ્યું-બુથ મજબૂત કરવું હોય તો ટિફિન બેઠક કરવી પડશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતની ત્રણ દિવસ મુલાકાતે છે. આજે 22 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદના હેરિટેજ વિસ્તાર એવા ખાડિયાની દેસાઈની પોળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા શહેરના હેરિટેજ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. ખાડિયા વિસ્તારમાં પ્રખ્યાત એવા ચમત્કારી હનુમાનજીના મંદિરે દર્શન પણ કર્યા હતા. જુના જમાનામાં બનાવવામાં આવેલા મકાનો જોયા હતા અને સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. રાયપુરના પ્રખ્યાત ભજીયા, શ્રીરામના ખમણ અને ચંદ્રવિલાસના ફાફડા સહિતનો નાસ્તો પણ કાર્યકર્તાઓ સાથે કર્યો હતો. બાજુની ખુરશીમાં બુથ અને વોર્ડના પ્રમુખને બેસાડ્યાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા ઉચ્ચપ્રમુખ અને વડપ્રમુખને બાજુમાં બેસાડ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા નિયમ કરાવ્યો છે કે, હું જ્યાં રાજ્ય અને જિલ્લા અને વોર્ડમાં જઈશ ત્યાં મારી બાજુની ખુરશીમાં બુથ અને વોર્ડનો પ્રમુખ જ બેસી શકશે. એ નિયમ પ્રમાણે અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળના બુથ પ્રમુખ રાકેશ ભાવસાર અને વોર્ડ પ્રમુખ જયેશ રામીને બાજુમાં બેસાડ્યા હતા. ‘રવિન્દ્રનાથ ટાગોર સાથે ગાંધીજી અહીંયા આવીને ગરબા જોતા હતા’રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી હું ગુજરાતમાં છું. ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠો અને હેરીટેજ સિટીની મુલાકાત લીધી છે. મારું સૌભાગ્ય છે કે, 131માં એપિસોડમાં હું સહભાગી થયો છે. રવિન્દ્રનાથ ટાગોર સાથે ગાંધીજી અહીંયા આવીને ગરબા જોતા હતા. ઘણી ઐતિહાસિક બાબતો અહીંયા જોડાયેલી છે હવે આગળ પણ હું અન્ય સ્થળોએ પણ હેરિટેજ સ્થળો પર જ જઈને સાંભળીશ. ત્રણ દિવસથી ગુજરાતી સાંભળી રહ્યો છું, ભાષા ભાવથી સમજાય છે. ‘બુથ મજબૂત કરવું હોય તો ટિફિન બેઠક કરવી પડશે’ટિફિન બેઠક કરવાની પરંપરા કરવી જરૂરી છે, જેમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ થાય છે. PMનો આગ્રહ રહે છે કે મન કી બાત સાથે લોકો સાથે મળી નાસ્તો કરવો જોઈએ. બુથ મજબૂત કરવું હોય તો ટિફિન બેઠક કરવી પડશે. ટિફિન લઈને આવીશું અને મળીશું વાત કરીશું. ટિફિન બેઠક પાર્ટીને મજબૂત બનાવશે. હજુ લાંબી સફર તય કરવાની છે. આવનારી પેઢીને વટવૃક્ષ આપવાનો છે. મહેનત કરવાની છે. પ્રદેશ અધ્યક્ષ અને એમની ટીમનો વિશેષ આભાર વ્યક્ત કરું છુ. ફકત સંગઠન નહીં પણ તમામ આયામો સાથે રૂબરૂ થયો છું. 2047નું વિઝન છે, એને લઈને આગળ વધવાનું છે અને સંઘર્ષ કરવાનો છે. અખા ભગત ચોક ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ કરીભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીના ગુજરાત પ્રવાસનો ત્રીજા અને છેલ્લા દિવસે નીતિન નબીનજીએ ખાડિયામા દેસાઈની પોળ ખાતે અચ્યુતભાઈની ચેતના હવેલી ખાતે મન કી બાતનો 131મો એપિસોડ સાંભળ્યો હતો. અખા ભગત ચોક ખાતે અખા ભગતની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, શહેર પ્રમુખ પ્રેરક શાહ, સાંસદ દિનેશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, ધારાસભ્યો અને કોર્પોરેટરો સહિત કાર્યકરો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 3:31 pm

'આ કેવો દોર છે, નેતા ચોર છે':રાજકોટમાં લોકોએ ભારે હૈયે પોતાના જ ઘરો તોડ્યા,કહ્યું-રમઝાન માસ બાદ થયું હોત તો સારૂં હતું, જસ્ટિસ ફોર જંગલેશ્વર સોંગ વાઇરલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 23 ફેબ્રુઆરીએ જંગલેશ્વર વિસ્તારમાં 1489 મકાનનું ડિમોલિશન કરવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આખા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જંગલેશ્વરમાં પોતાનું મકાન ગુમાવનાર રેપર ચાંદમિયાએ એક રેપ સોંગ બનાવી પોતાનો રોષ વ્યકત કર્યો છે. જેના શબ્દો છે કે, આ કેવો દોર છે, નેતા ચોર છે, ગરીબના ઘર માથે જ કેમ નીકળે રોડ છે. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં ચાંદમિયાએ કહ્યું કે, રમઝાનમાં ઘરે ઘરે માતમ છે, મારૂ સોંગ સાંભળીને કોઈ નેતા ઘર ન આપો તો કાંઈ નહીં સમય આપે તેવી મારી વિનંતી છે. આ ડિમોલિશનને લઈ દિવ્યભાસ્કરની ટીમે આજે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. અત્યાર સુધી અહીંનાં લોકોમાં તંત્રના ડિમોલિશનનાં નિર્ણયને લઈને રોષ જોવા મળ્યો હતો. જોકે આજે જાણે લોકોએ પણ આ નિર્ણયને મને-કમને સ્વીકારી લીધું હોય તેવું લાગતું હતું. અને અનેક લોકો ભારે હૈયે જાતે જ પોતાના મકાન અને દુકાનને હાથોડા તેમજ ડ્રિલિંગ મશીનથી તોડતા અને પાડતા જોવા મળ્યા હતાં. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં લોકોએ જણાવ્યું હતું કે, તંત્રને અમારો સહયોગ છે, પણ રમઝાન માસ બાદ થયું હોત તો સારૂ હતું. આ ડિમોલિશન માટે 7 રૂટમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ગઈકાલથી જ જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશાળ સ્તરે તબક્કાવાર કામગીરીનો પ્રારંભ કરી દેવાયો હતો. જેમાં સાંજ(21 ફેબ્રુઆરીની) સુધીમાં 224થી વધારે રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે ઘર ખાલી કર્યા હતા. આજરોજ દિવ્યભાસ્કરની ટીમ જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી ત્યારે દરેક ચોકમાં પોલીસ અને મહાપાલિકાનાં અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. તો સાથે જ 500 કરતા વધુ લોકો હાથોડા અને ડ્રિલ જેવા સાધનો વડે જાતે જ પોતાના મકાનો તોડતા અને પાડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકો સ્વેચ્છાએ આ કામગીરી કરતા હતા ત્યાં પણ પોલીસ તેમજ ફાયરનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. ઘરના નાના મોટા સભ્યો હથોડી સહિતના હથિયારો વડે પોતાના ઘરને તોડી રહ્યા હતા. અને દિવસભર આ કામગીરી ચાલુ રહે તેવી શક્યતા છે. આ કામગીરીમાં કાટમાળ ખસેડવા માટે મનપા તંત્ર દ્વારા ટ્રેક્ટર સહિતના સાધનો ઉપલબ્ધ કરાયા છે. જોકે જાતે પોતાના મકાનો દૂર કરતા હતા ત્યારે આ કાર્યવાહી રમઝાન મહિનામાં થતી હોવાનો વસવસો સ્પષ્ટ જોવા મળ્યો હતો. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં અયુબભાઈ ઉમરેઠિયાએ જણાવ્યું કે, પોલીસ અને સરકારે અમને સારો સપોર્ટ આપ્યો છે. અમને એમ કહેવામાં આવ્યું કે જો તમે હાથે જ દબાણ દૂર કરી નાખો તો બુલડોઝર ચલાવવામાં નહીં આવે. તમે જોઈ શકો છો કે અમે આખા લતાવાળાઓએ ભેગા મળીને અમારા હાથે જ દબાણ દૂર કરી રહ્યા છીએ. પોલીસ તંત્ર અને અમે એકબીજાને સપોર્ટ આપ્યો છે જેથી અહીં જંગલેશ્વરમાં બુલડોઝર ફેરવવામાં નહીં આવે. જોકે અમને અફસોસ એ વાતનો છે કે અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને બધાના ધંધા જાય છે. જો તંત્રએ અમને 1 મહિનો આપ્યો હોત તો ઘણું સારું રહેત. આ ચિસ્તીયા ચોક છે અને મેઈન રોડ પર અહીં 1000 જેટલી દુકાનો જાય છે. હવે તંત્ર પાસે કોઈ માંગણી નથી કારણ કે જે થવાનું હતું એ તો થઈ ગયું છે. તંત્રએ અમને સાથ આપ્યો છે અને અમે પણ તેમને પૂરો સહકાર આપ્યો છે. ઈસ્માઈલભાઈએ જણાવ્યું કે, આ સરકારી જગ્યા છે, અમે જાતે જ અમારી સંસ્થાએ જેટલું પડે એટલું અમે કોશિશ કરી છીએ અને સહકાર આપી છીએ, અમે તંત્રને સહકાર આપી છીએ અને અમે પાડી નાખશું જેટલું પડે એટલું કોશિશ કરી છીએ ચાલુ છે અમારી. અમને દુખ તો છે જ, પણ સરકારી જગ્યા છે શું કરી? 35 વર્ષથી અહીં રહી છીએ સાહેબ.તંત્ર પાસે માંગ છે કે અહીં નાના માણસો રહે, જેમ બને તેમ આવાસની યોજનાનું કંઈક ગોઠવે તંત્ર તો માણસને થોડીક રાહત થાય, બાકી તો આપણો તંત્રનો કોઈ વિરોધ નથી. આ સરકારી જગ્યા છે એ 100% અમે માનીએ જ છીએ, આટલા વર્ષો અહીં રહ્યા છીએ. દિવ્યભાસ્કર સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા ફાતમાબેન બુખારીએ જણાવ્યું હતું કે, તેમના પતિનું અવસાન વર્ષ 2005માં થયું હતું અને તેમણે મજૂરી કામ કરીને તેના દીકરાને મોટો કર્યો છે. સરકારે અગાઉ વચન આપ્યું હતું કે મકાન તોડ્યા બાદ તેમને રહેવા માટે વૈકલ્પિક આવાસ (ક્વાર્ટર) આપવામાં આવશે. પરંતુ હવે સરકાર આ વચન પૂરું કરવા તૈયાર નથી. જંગલેશ્વર વિસ્તારમાં મકાનો પર ડિમોલિશન કરવાનું બોર્ડ મારી દેવામાં આવતા સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા છે. ગરીબ લોકો ક્યાં જાય? જે લોકો પાસે પૈસા છે તે તો વ્યવસ્થા કરી શકે છે, પરંતુ મારી જેમ એકલવાયું જીવન જીવતા અને મજૂરી કરતા લોકો માટે આ પરિસ્થિતિ અસહ્ય બની છે. અમારી એક જ માંગ છે કે જો મકાન તોડવામાં આવે તો તેના બદલામાં સરકાર દ્વારા આવાસ પૂરા પાડવામાં આવે, જેથી તેઓ પોતાના પરિવાર સાથે સલામત રહી શકે. બીજી તરફ જંગલેશ્વરમાં રહેતા અને ઉભરતા રેપર ચાંદમિયા ફકીરે પોતાના અનોખા અંદાજમાં સરકાર સામે મોરચો માંડ્યો છે. ચાંદમિયાએ ‘જસ્ટિસ ફોર જંગલેશ્વર’ નામનું એક રેપ સોંગ બનાવ્યું છે. જેમાં તેમણે અત્યંત લાગણીશીલ અને આક્રમક રીતે રજૂઆત કરી છે કે, જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 50 થી 60 વર્ષથી 40,000 થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. આ લોકો નિયમિત રીતે મકાન વેરો અને લાઈટ બિલ ભરે છે, છતાં અચાનક નોટિસો આપીને તેમના ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે. ચાંદમિયાએ સરકારને સવાલ કર્યો છે કે શું આ જનતા સરકારની નથી? શું સરકાર ફક્ત મોટા ઉદ્યોગપતિઓ માટે જ છે? તેણે ગીતના માધ્યમથી નેતાઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “આ કેવો દોર છે, નેતા ચોર છે, ગરીબના ઘર માથે જ કેમ નિકળે રોડ છે.” દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં રેપર ચાંદમિયાએ જણાવ્યું કે હાલમાં રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. જેમાં લોકોમાં ખુશી અને ઉમંગ હોવો જોઈએ, તેના બદલે ડિમોલિશનને કારણે આખા વિસ્તારમાં માતમ જેવો માહોલ છવાઈ ગયો છે. લોકો પોતાના ઘર-બાર ગુમાવી રહ્યા છે અને સામાન લઈને રસ્તા પર આવી ગયા છે. આ સ્થિતિમાં લોકો જીવતે જીવ મરી રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. તેણે સરકારને કરબદ્ધ વિનંતી કરી છે કે વિકાસના નામે ગરીબોને બેઘર ન કરવા જોઈએ. જો રોડ બનાવવો અનિવાર્ય હોય, તો પહેલા આ ગરીબ પરિવારોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ. અને તે પણ ન થાય તો કમસે કામ સમય તો આપવો જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે, હું જન્મથી જ જંગલેશ્વરમાં મારા માતા-પિતા સહિત 7 લોકોના પરિવાર સાથે રહુ છું. છેલ્લા 5 વર્ષથી વિવિધ મુદ્દે રેપસોંગ બનાવું છું. હાલમાં પોતે નીલકંઠ સદ્દગુરુ સોડા શોપમાં નોકરી કરીને પોતાના પરિવારના સભ્યોનું ભરણપોષણ કરે છે. અતિ સામાન્ય આર્થિક પરિસ્થિતિ હોવા છતાં, તેણે પોતાના વિસ્તારના લોકોની પીડાને વાચા આપવા માટે આ ગીત બનાવ્યું છે. તેણે અપીલ પણ કરી છે કે કોઈ સંવેદનશીલ નેતાએ જંગલેશ્વરની રૂબરૂ મુલાકાત લેવી જોઈએ અને ગરીબો કેવી કપરી સ્થિતિમાં છે તે જોઈને તેમના પર દયા કરી ન્યાય અપાવવો જોઈએ. રાજકોટ મનપાનાં કમિશ્નર તુષાર સુમેરાએ ગઈકાલે જ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તરમાં નદીકાંઠા વિસ્તારના અને મનપાના ટીપી રોડ પર આવતા દબાણગ્રસ્ત 1489 જેટલી મિલ્કત ઉપર ડિમોલિશન માટે પ્રક્રિયા શરૂ કટવામાં આવી છે. મનપાના અધિકરીઓ કમર્ચારીઓ અને પોલીસના આ કર્મચારીઓ આજે વિસ્તારમાં પહોંચી લોકોને સમજાવી સ્વૈચ્છિક ખાલી કરવા જાણ કરવામાં આવી રહી છે. ઘણા લોકો પ્રેમથી ખાલી કરી રહ્યા છે અમે તેમને અમારા સાધનો પણ આપી રહ્યા છીએ. કુલ 1489 પૈકી મોટા ભાગના એવા મકાનો છે જે આખા તોડી પાડવામાં આવશે. નિયમ મુજબ ડિમોલિશન પ્રક્રિયા કરવામાં આવશે અને કંટ્રોલરૂમમાં બેસીને હું જાતે આ કામગીરીનું નિરીક્ષણ કરીશ. ઉલ્લેખનીય છે કે, મનપા તંત્ર દ્વારા આવતીકાલથી જંગલેશ્વરમાં ડિમોલિશન કરવામાં આવનાર છે. જોકે અહીંના લોકોએ આ હકીકત સ્વીકારી લીધી હોય તેમ આજથી જ પોતાના મકાનો જાતે તોડવાનું શરૂ કરતાં જાણે ડિમોલિશન શરૂ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ એકતરફ રમઝાન મહિનો ચાલી રહ્યો છે, જ્યારે બીજીતરફ લોકોને પોતાના મકાનો અને દુકાનો તોડવાની ફરજ પડી છે. જેને લઈને લોકોમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે. પરંતુ લોકોએ તંત્રના નિર્ણયને સ્વીકારી લીધો હોય તેવું લાગી રહ્યું હોવાથી હાલ ઘર્ષણ થવાની શક્યતા નહીંવત લાગી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 3:26 pm

સરસાણાના જમીન દલાલે મિત્રને મદદ કરવામાં 23.89 લાખ ગુમાવ્યા:માર્બલનો વેપારી ધંધાના બહાને લાખો રૂપિયા ઉછીના લઈને રાજસ્થાન ફરાર, મિત્રએ ઊઘરાણી કરતાં મોબાઈલ બ્લોક કર્યો

સુરત શહેરના સરસાણા વિસ્તારમાં રહેતા એક જમીન દલાલને પોતાના મિત્ર પર ભરોસો કરવો ભારે પડ્યો છે. માર્બલના વેપારી મિત્રએ ધંધાના બહાને લાખો રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ધંધામાં મદદના નામે 42.45 લાખ મેળવ્યાવિગતો મુજબ સરસાણામાં રહેતા જમીન દલાલનો સંપર્ક માર્બલનો વ્યવસાય કરતા એક શખ્સ સાથે હતો. મિત્રતાના દાવે આરોપીએ ધંધામાં નાણાંની જરૂર હોવાનું જણાવી ટુકડે-ટુકડે કુલ 42.45 લાખ ઉછીના લીધા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું અને મિત્ર હોવાના નાતે જમીન દલાલે પણ કોઈ શંકા કરી ન હતી. અડધા પૈસા પરત કર્યા, બાકીની રકમમાં ખેલ પાડ્યોસમય જતાં માર્બલના વેપારીએ ઉછીના લીધેલા નાણાંમાંથી 18.56 લાખ પરત કરી દીધા હતા. જોકે, બાકી રહેતા 23.89 લાખ આપવાના સમયે તેની દાનત બગડી હતી. વારંવારની ઉઘરાણી કરવા છતાં તે વાયદાઓ કરતો રહ્યો હતો અને અંતે પૈસા આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. મોબાઈલ બ્લોક કરી આરોપી રાજસ્થાન ફરારજ્યારે જમીન દલાલે કડકાઈથી પોતાના પૈસા માંગ્યા, ત્યારે આરોપીએ સંપર્ક તોડી નાખવા માટે મિત્રનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી સુરત છોડીને રાજસ્થાન ભાગી ગયો છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા જમીન દલાલે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ સરસાણાના માસ્ટર મહોલ્લામાં રહેતા 47 વર્ષીય જમીન દલાલ હેમંતભાઈ બાલુભાઈ પટેલની મિત્રતા અડાજણમાં રહેતા લેખરાજભાઈ રામઅવતાર યાદવ (રહે. શાંતિકુંજ રેસીડન્સી) સાથે હતી. લેખરાજ માર્બલનો વેપાર કરતો હોય, તેણે ધંધાકીય જરૂરિયાત માટે હેમંતભાઈ પાસે મદદ માંગી હતી. મિત્રતાના દાવે હેમંતભાઈએ નવેમ્બર-ડિસેમ્બર 2024 દરમિયાન કુલ 42.45 લાખ લેખરાજને ઉછીના આપ્યા હતા. પરત માંગતા 18.56 લાખ આપી વાયદા શરૂ કર્યાથોડા સમય બાદ જ્યારે હેમંતભાઈએ પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે લેખરાજે ટુકડે-ટુકડે 18.56 લાખ પરત કર્યા હતા. જોકે, બાકી નીકળતા 23.89 લાખ આપવા માટે તે સતત વાયદાઓ કરતો રહ્યો હતો. પૈસા પરત ન આપવા પડે તે માટે આરોપીએ હેમંતભાઈને વિશ્વાસમાં લેવા ત્રાહિત વ્યક્તિના કોરા ચેક પણ આપ્યા હતા, જે માત્ર સમય પસાર કરવાની યુક્તિ સાબિત થઈ હતી. છેવટે નંબર બ્લોક કરી આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયોલાંબા સમય સુધી ઉઘરાણી કરવા છતાં બાકી રકમ પરત ન મળતા હેમંતભાઈએ દબાણ કર્યું હતું. આથી, લેખરાજે હેમંતભાઈનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો અને સંપર્ક તોડી નાખ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપી લેખરાજ યાદવ સુરત છોડીને રાજસ્થાન ભાગી ગયો છે. મિત્ર દ્વારા જ આર્થિક છેતરપિંડી થતા હેમંતભાઈએ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. અલથાણ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાઆ મામલે અલથાણ પોલીસે જમીન દલાલની ફરિયાદના આધારે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે અને એક ટીમ રાજસ્થાન રવાના કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 3:22 pm

કાપોદ્રામાં 15 વર્ષીય સગીરા પર 4 મહિનાથી વારંવાર દુષ્કર્મ:ચેતન ઉર્ફે કાનો હડતરા વિરુદ્ધ POCSO અને BNS હેઠળ ગુનો દાખલ, પોલીસે ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવકે 15 વર્ષની સગીરાને ફોસલાવી તેની પર છેલ્લા ચાર મહિનાથી અનેકવાર દુષ્કર્મ આચાર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ અંગે BNS અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મિત્રના રૂમ પર લઈ જઈ આચર્યું દુષ્કર્મમળતી માહિતી મુજબ ભોગ બનનાર સગીરાની ઉંમર 15 વર્ષની છે. આરોપી ચેતન ઉર્ફે કાનો રમેશભાઈ હડતરા જે રામ કૃપા સોસાયટી, માતૃશક્તિ રોડ, કાપોદ્રાનો રહેવાસી છે. તેણે આ સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી સગીરાને તેને લલચાવી-ફોસલાવી કાપોદ્રા પાસે આવેલી એક સ્કૂલની સામે તેના મિત્રના રૂમ પર લઈ ગયો હતો. આ ઉપરાંત, આરોપી સગીરાને સોસાયટીના ગેટ પાસે આવેલ એક ખાતાના ત્રીજા માળે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સિલસિલો છેલ્લા ચાર મહિનાથી ચાલતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત પોલીસના મદદનીશ પોલીસ કમિશનર A ડિવિઝન વી.આર. પટેલ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-1 આલોક કુમારએ રૂબરૂ મુલાકાત લઈ તપાસનું માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લઈ પંચનામું કરવામાં આવ્યું છે અને ભોગ બનનાર તેમજ આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 3:15 pm

નવસારીમાં દશેરા ટેકરી વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો:LCBએ હત્યારા પિતા-પુત્રની ધરપકડ કરી, સાલેજ ગામે એક વાડીમાં સંતાયા હતા

નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. જૂના ઝઘડાના સમાધાન માટે ગયેલા યુવક પર પિતા-પુત્ર અને એક સગીરે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ નવસારી LCB પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય બે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ મૃતક ચેતન ઉર્ફે ચિન્ટુ જીવણભાઈ રાઠોડ અને તેના મિત્ર પંકજ રાઠોડ વચ્ચે દશેરા ટેકરીના રાહુલ હેમંતભાઈ રાઠોડ અને હેમંતભાઈ નારણભાઈ રાઠોડ સાથે અગાઉ બોલાચાલી થઈ હતી. આ જૂના ઝઘડાનું શાંતિપૂર્ણ સમાધાન કરવા માટે ચેતન અને પંકજ દશેરા ટેકરી પાસે આવેલા સાઈબાબા મંદિર અને બાલાપીરની દરગાહ નજીક ગયા હતા. જોકે, સમાધાન થવાને બદલે મામલો વધુ બિચક્યો હતો. આરોપી રાહુલ, તેના પિતા હેમંત અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે એકસંપ થઈ ચેતન પર હુમલો કર્યો હતો. રાહુલ અને સગીરે છરી વડે ચેતનના શરીર પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે ગંભીર ઈજાઓ થતા ચેતનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આરોપીઓ ફરિયાદીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલે તાત્કાલિક LCB અને ટાઉન પોલીસની ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા આદેશ આપ્યા હતા. LCBના સિનિયર પીઆઈ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકરભાઈ, વિજયભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ લાલુસિંગને સચોટ બાતમી મળી હતી કે આરોપીઓ ગણદેવી તાલુકાના સાલેજ ગામે એક વાડીમાં સંતાયા છે. પોલીસે તુરંત દરોડો પાડી પિતા-પુત્રને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રાહુલ હેમંતભાઈ રાઠોડ (ઉં.વ. 26) અને હેમંતભાઈ નારણભાઈ રાઠોડ (ઉં.વ. 46)નો સમાવેશ થાય છે, જેઓ દશેરા ટેકરી, નવસારીના રહેવાસી છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 103 (1) [હત્યા], 351 (3), 54 અને જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં સિનિયર પીઆઈ વી.જે. જાડેજા, પીઆઈ એસ.વી. આહિર, પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામીત તથા LCB નવસારીનો સ્ટાફ જોડાયો હતો.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 3:14 pm

ટેટોડા રાજારામ ગૌ શાળા આશ્રમે ખાતે કૃષિ મેળો:પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા, મંત્રી માળીએ કહ્યું- પ્રાકૃતિક ખેતી કેન્સર જેવા રોગોથી બચાવે છે

રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં રાજારામ ગૌ શાળા આશ્રમ, ટેટોડા ખાતે કૃષિ મેળો, પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા અને મહાનુભાવોના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી પ્રવીણ માળીએ રાજારામ ગૌ શાળા આશ્રમ, ટેટોડા ખાતે પ્રાકૃતિક કૃષિના મોડલ સ્ટોલોની મુલાકાત લીધી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડલો, દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિઓ જેવી કે જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે સંવાદ સાધી પ્રાકૃતિક ખેતી અપનાવવાના લાભો સમજાવ્યા હતા. મંત્રી પ્રવીણભાઈ માળીએ ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો અને રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અપીલ કરી હતી. તેમણે રાસાયણિક ખેતીને રોગનું ઘર ગણાવી, તેને વહેલી તકે છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. મંત્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી હવે માત્ર એક વિકલ્પ નથી, પરંતુ એક ફરજ બની ગઈ છે. રાસાયણિક ખેતી માનવજીવન માટે ગંભીર રીતે નુકસાનકારક હોવાથી પ્રાકૃતિક ખેતીની માંગ દિવસેને દિવસે વધી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીની મુહિમ વ્યાપક સ્તરે આગળ વધી રહી છે. રાજ્ય સરકાર ખેતી ખર્ચ ઘટાડવા અને પાણીની સમસ્યા અંગે ચિંતિત છે, જેના પરિણામે ઉત્તર ગુજરાતમાં નર્મદાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. મંત્રીએ ભવિષ્યની પેઢીઓને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અને પાણીનું સંરક્ષણ કરવા પર ભાર મૂક્યો. આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, સ્થાનિક આગેવાનો, આસપાસના ગામોના સરપંચો, મહંતો, કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, ગૌશાળા સંચાલકો, પ્રગતિશીલ ખેડૂતો તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક માર્ગદર્શન, તાલીમ અને પ્રદર્શન દ્વારા ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 3:13 pm

ભાગેડુ લગ્ન મામલે મહેસાણાથી ઊંઝા સુધીની પદયાત્રા:લગ્નની નોંધણી ગામમાં જ કરવા, લોહીના સંબંધ ધરાવતા સાક્ષીઓની સહી ફરજિયાત સહિતની માગ

ભાગેડુ પ્રેમ લગ્નોને કારણે પરિવારોમાં સર્જાતી સમસ્યાઓ રોકવા માટે મહેસાણાથી ઊંઝા સુધી એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સેના અને સર્વ સમાજના આગેવાનો દ્વારા આયોજિત આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમ લગ્ન અંગેના વર્તમાન કાયદામાં રહેલી છટકબારીઓ દૂર કરી તેને વધુ મજબૂત અને કડક બનાવવાની સરકાર પાસે માંગ કરવાનો છે. પદયાત્રા દ્વારા મુખ્ય 4 માંગણીઓ રજૂ કરાઈપદયાત્રાના આગેવાનો સતીશ અને સુરેશ ઠાકરેના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં માતા-પિતાની સંમતિ વિના થતા ભાગેડુ લગ્નો સામાજિક માળખાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ પદયાત્રા દ્વારા મુખ્ય 4 માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વની માગ એ છે કે, લગ્નની નોંધણી જે તે ગામમાં જ થવી જોઈએ, જ્યાં માતા-પિતાનું કાયમી રહેઠાણ હોય. આ ઉપરાંત લગ્નની નોંધણી સમયે લોહીના સંબંધ ધરાવતા સાક્ષીઓની સહી ફરજિયાત બનાવવી જોઈએ, જેથી કરીને કોઈપણ પ્રકારની છેતરપિંડી કે ગુપ્ત રીતે થતા લગ્નો પર રોક લગાવી શકાય. માગ ન સ્વીકારાય તો આંદોલનની ચીમકીરાજ્ય સરકાર દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાની દિશામાં લેવાયેલા પગલાંને સમાજે આવકાર્યા છે. જોકે આગેવાનોનું માનવું છે કે, જ્યાં સુધી કાયદો સંપૂર્ણપણે સચોટ અને છટકબારી રહિત નહીં બને ત્યાં સુધી આ સમસ્યાનું કાયમી નિરાકરણ શક્ય નથી. પદયાત્રાના અંતે ઊંઝા ઉમિયા ધામ ખાતે માતાજીના ચરણોમાં હૂંડી અર્પણ કરવામાં આવશે અને સરકારને આ દિશામાં 182 ધારાસભ્યોનું સમર્થન મળે તેવી પ્રાર્થના કરવામાં આવશે. આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની આ મુખ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જનસમર્થન મેળવવા માટે આવી વધુ રેલીઓ અને આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 3:00 pm

ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડો. ભરત જગદેવ જામનગર પહોંચ્યા:રિલાયન્સના 'વનતારા' પ્રોજેક્ટની મુલાકાત લઈ દિલ્હી રવાના

ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડો. ભરત જગદેવ આજે જામનગરની ટૂંકી પણ મહત્વની મુલાકાતે આવ્યા હતા. તેમણે રિલાયન્સ દ્વારા નિર્મિત વિશ્વવિખ્યાત વન્યજીવ સંરક્ષણ પ્રોજેક્ટ 'વનતારા'ની વિશેષ મુલાકાત લીધી હતી. જામનગર પહોંચતા પહેલા, ડો. જગદેવે ગઈકાલે સવારે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ સીધા જામનગર આવ્યા હતા, જ્યાં તેમણે વન્યજીવોના સંરક્ષણ અને પુનઃસ્થાપનની કામગીરી નિહાળી હતી. 'વનતારા'ની મુલાકાત પૂર્ણ કર્યા બાદ, ડો. જગદેવ જામનગર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા. આ પ્રસંગે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી. આ સમયે જામનગરના મેયર વિનોદ ખીમસૂર્યા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા પોલીસ વડા (SP) ડો. રવિ મોહન સૈની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતથી જામનગરના 'વનતારા' પ્રોજેક્ટની વૈશ્વિક સ્તરે ખ્યાતિ વધુ મજબૂત બની છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 2:52 pm

ચોટીલાના નાયબ કલેક્ટરે મોડેલ સ્કૂલની મુલાકાત લીધી:વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા તાલુકાના નાવા ગામમાં આવેલી મોડેલ સ્કૂલના વાર્ષિક ઉત્સવ અને શુભેચ્છા સમારંભમાં હાજરી આપી હતી. તેમણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષા અને ઉજ્જવળ કારકિર્દી માટે પ્રેરણા આપી હતી. નાયબ કલેક્ટરે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધવા અને IIM, IIT, ISRO જેવી ટોચની સંસ્થાઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે, અલગ અલગ ધોરણોમાં પ્રથમથી તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. નાયબ કલેક્ટરે વિદ્યાર્થીઓને હંમેશા આવી જ રીતે આગળ વધતા રહેવા માટે શુભકામનાઓ આપી હતી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 2:50 pm

મોરબી બોયઝ હાઈસ્કૂલમાં કવિ સંમેલન યોજાયું:વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ઉજવણી કરાઈ

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે, 21 ફેબ્રુઆરીના રોજ મોરબીની રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શાળાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષાના મહિમાગાન માટે આ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા અને ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. અતુલ કે. ધ્રુવએ સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે ભૂમિકા ભજવી હતી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ભેટસ્વરૂપ પુસ્તકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો શુભારંભ થયો હતો. રાજકોટથી કવિ રાકેશ હાંસલીયા અને દિનેશ કાનાણી, તેમજ મોરબીના ડૉ. રામ વારોતરીયાએ ઉપસ્થિત રહી સ્વરચિત ગઝલો અને કાવ્યોનું પઠન કર્યું હતું. કવિઓની રજૂઆતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રા. કે. આર. દંગીએ આભાર વિધિ થકી કરી હતી. આ સંમેલનમાં મોરબીના બહોળી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ હાજર રહ્યા હતા. ડૉ. કવિતાબા ઝાલાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હરજીવનભાઈ ચનિયારા અને સમગ્ર સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 2:47 pm

મોરબી મહાનગરપાલિકાનું નવું કાર્યાલય ₹4.42 કરોડના ખર્ચે નિર્માણાધીન:ગાંધીચોક ખાતે આધુનિક સુવિધાઓ સાથે કામગીરી પ્રગતિમાં

મોરબી મહાનગરપાલિકાનું નવું કાર્યાલય ગાંધીચોક ખાતે ₹4.42 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણાધીન છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 1 જાન્યુઆરી, 2025ના રોજ નગરપાલિકા અને આસપાસની 9 ગ્રામ પંચાયતોને ભેળવીને મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મુખ્ય ઓફિસ બિલ્ડિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા ₹4.42 કરોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. હાલ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગુણવત્તાયુક્ત અને સમયસર કામગીરી પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકાની બિલ્ડિંગ શાખાના નાયબ ઇજનેર દ્વારા તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. નવા કાર્યાલયમાં સુચારુ વ્યવસ્થાઓ, આધુનિક ફર્નિચર અને અંદાજિત 30 જેટલા વિભાગો માટેની ગોઠવણનો સમાવેશ થાય છે. અધિકારીઓ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની બેઠક વ્યવસ્થા, મીટિંગ હોલ અને સ્ટેન્ડિંગ હોલ પણ બનાવવામાં આવશે. ભવિષ્યમાં મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ માટે અલગ-અલગ ચેમ્બરની પણ વ્યવસ્થા કરાશે. મોરબી શહેરના નાગરિકોને સુવિધાજનક અને આધુનિક કચેરીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર આ કાર્ય ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકાની બિલ્ડિંગ શાખાના નાયબ ઇજનેર દ્વારા એક યાદીમાં આ માહિતી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 2:45 pm

'કેન્સર જાગૃતિ વોકાથોન'નું આયોજન:500થી વધુ લોકોએ ભાગ લીધો, 40થી વધુ વર્ષની મહિલાએ નિયમિત રીતે મેમોગ્રામ કરાવવા અપીલ

કેન્સર સામેની જાગૃતિ માટે અને મેયર પ્રતિભા જૈનની હાજરીમાં સ્ટર્લિંગ હોસ્પિટલ અને રોટરી ક્લબના સહયોગથી એક વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલું નિદાન, વહેલી સારવાર કરાવવાના સંદેશ સાથે આ વોકેથોનમાં લગભગ 500 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ રેલીમાં માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ હેલ્થકેર નિષ્ણાંતો, રોટરી ક્લબના સભ્યો અને ખાસ કરીને કેન્સર સર્વાઇવર્સ પણ જોડાયા હતા, જેમણે સાબિત કર્યું કે સમયસર સારવારથી કેન્સર પર જીત મેળવી શકાય છે. આ વોકેથોન કેન્સરના શરૂઆતના લક્ષણો ઓળખવા માટે અને નિયમિત હેલ્થ ચેકઅપની જરૂરિયાત પરખાસ ધ્યાન રાખવા બાબતે જણાવવામાં આવ્યું હતું. તબીબે કહ્યું- ‘વહેલા નિદાનથી જટિલ સારવારની જરુરિયાત ઘટે છે’ડૉ. પૂજા નંદવાણી પટેલ ડિરેક્ટર, રેડિયેશન ઑન્કોલોજી એ જણાવ્યું હતું કે, વહેલા નિદાનથી જટિલ સારવારની જરૂરિયાત ઘટે છે અને દર્દીની જીવનશૈલીમાં સુધારો થાય છે. અસામાન્ય ગાંઠ કે રક્તસ્ત્રાવ, વજનમાં અચાનક ઘટાડો, લાંબા સમયની ખાંસી કે સતત અસ્વસ્થતા જેવું જણાય તો તાત્કાલિક નજીક ના હોસ્પિટલમાં ચેક કરાવવું જોઈએ. સ્ત્રીઓમાં થતું સ્તન કેન્સર માટે પણ સ્ત્રીઓ સેલ્ફ ચેકઅપ કેવી રીતે કરી શકે અને મેમોગ્રાફી કેવી રીતે કરી શકાય તેને લઈને તેઓએ લોકોને માહિતી આપી હતી. ‘40થી વધુની ઉંમરની મહિલાઓએ નિયમિત મેમોગ્રામ કરાવવો જોઈએ’ડૉ. રમણ ભાસ્કરએ જણાવ્યું હતું કે, કેન્સર એ એક ગંભીર બીમારી છે, પરંતુ જો તેને સમયસર ઓળખી લેવામાં આવે તો તેની સારવાર શક્ય છે. હાલમાં જ હોસ્પિટલ્સ દ્વારા કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે એક વૉકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સરથી ડરવાની જરૂર નથી પણ તેની સામે લડવા માટે જાગૃત થવાની જરૂર છે. 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ નિયમિતપણે મેમોગ્રામ કરાવવો જોઈએ. તે જ રીતે, પુરુષોએ 40 વર્ષ પછી પ્રોસ્ટેટ કેન્સરના નિદાન માટે PSA ટેસ્ટ કરાવવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 2:38 pm

ઘેડ માટેના 1500 કરોડ ક્યાં ગયા?:કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાના સવાલો, સરકાર પાસે જાહેર રિપોર્ટની માંગ

રાજ્યના બજેટમાં એક વર્ષ પહેલાં ઘેડ વિસ્તારના વિકાસ અને કાયમી નિરાકરણ માટે 1500 કરોડ રૂપિયાની ફાળવણી જાહેર કરવામાં આવી હતી. એક વર્ષ પૂર્ણ થવા છતાં હકીકતમાં કેટલો ખર્ચ થયો અને કેટલા કામો પૂર્ણ થયા તેની સ્પષ્ટ માહિતી જાહેર ન થતા કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સરકાર સામે તીખી પ્રતિક્રિયા આપી છે. ઘેડના વિકાસ માટે જાહેર કરાયેલા 1500 કરોડનો હિસાબ આપો- પાલ આંબલિયાપાલ આંબલિયાએ જણાવ્યું કે 1500 કરોડમાંથી કેટલા રૂપિયા વપરાયા, કેટલા રૂપિયાની સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી અપાઈ, કેટલા કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ અને ગયા વર્ષે કેટલા કામો જમીન પર પૂર્ણ થયા તેની વિગત જાહેર કરવી જોઈએ. તેમણે વધુમાં પૂછ્યું કે ગયા વર્ષે શરૂ કરાયેલા કામોમાંથી કેટલા કામો આ વર્ષે પણ ચાલુ છે, ચાલુ વર્ષે કેટલા નવા કામો શરૂ કરાયા અને બાકી રહેલા કામો ક્યાં સુધી પૂર્ણ થશે. 'માત્ર બજેટની જાહેરાતથી લોકોના પ્રશ્ન હલ થતા નથી'તેમણે કહ્યું કે ઘેડ વિસ્તારનો પ્રાણ પ્રશ્ન વર્ષોથી યથાવત છે અને માત્ર બજેટની જાહેરાતોથી લોકોના પ્રશ્નો હલ થતા નથી. “એક વર્ષ બાદ ઘેડવાસીઓ જાણવા માંગે છે કે તેમને મળ્યું શું?” એમ કહી તેમણે સરકારને વિગતવાર પ્રગતિ અહેવાલ જાહેર કરવાની માંગ કરી. હવે સરકાર તરફથી આ મુદ્દે શું સ્પષ્ટતા આવે છે તે પર સૌની નજર રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 2:26 pm

મોરબીમાં 58 મિલકતો સીલ કરાઈ:મહાનગરપાલિકાએ બાકી વેરા વસૂલવા કાર્યવાહી કરી

મોરબી મહાનગરપાલિકાએ બાકી મિલકત વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાની હદમાં આવતી મિલકતોના બાકીદારો પાસેથી વર્ષ 2025-26ના વિવિધ પ્રકારના ટેક્સની વસૂલાત માટે મિલકત વેરા શાખા સક્રિય બની છે. આ કાર્યવાહી અંતર્ગત, મિલકત વેરા શાખા દ્વારા અત્યાર સુધીમાં કુલ 376 મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે. શહેરી વિસ્તારમાંથી રૂ. 25,75,07,750 (25.75 કરોડ) અને જુદા-જુદા ક્લસ્ટર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી રૂ. 2,45,54,662 (2.45 કરોડ)ની આવક થઈ છે. નોટિસ બજવણી અને સીલિંગ કામગીરી દરમિયાન, હાલ 58 મિલકતધારકોની મિલકતો સીલ કરવામાં આવી છે. જોકે, 18 બાકીદારોએ વેરાની રકમ ભરપાઈ કરતા તેમની મિલકતોના સીલ ખોલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બે રહેણાંક મિલકતોનો વેરો બાકી હોવાથી તેમના નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. આગામી સમયમાં, જે રહેણાંક મિલકતોનો રૂ. 10,000થી વધુ મિલકત વેરો બાકી છે, તેમને વોરંટ રૂબરૂ અને મોબાઈલ દ્વારા આપવામાં આવશે. જો આવા મિલકતધારકો દ્વારા ટેક્સ ભરપાઈ કરવામાં નહીં આવે, તો તેમની રહેણાંક મિલકતોના નળ અને ડ્રેનેજ કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. મિલકત વેરા શાખા દ્વારા વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે. આ ટેક્સ વસૂલાત પ્રક્રિયા 31 માર્ચ, 2026 સુધી યથાવત રહેશે, જેની તમામ બાકીદારોએ નોંધ લેવી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 2:19 pm

16 લાખ મોકલો નહીં તો પોલીસ ઉઠાવી જશે:538 કરોડના મની લોન્ડરિંગ કેસના નામે સિનિયર સિટીઝનને 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખ્યા, બેંકમાં પૈસા ઉપાડવા જતા ભાંડો ફૂટ્યો

વડોદરા તાલુકા પોલીસે એક નિવૃત્ત સિનિયર સિટીઝનને મોટા સાયબર ફ્રોડથી બચાવ્યા છે. સાયબર ઠગોએ સિનિયર સિટીઝનને ખોટા મની લોન્ડરિંગ કેસના નામે વ્યક્તિને 5 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા હતા અને માનસિક રીતે તોડી નાખીને 16 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સિનિયર સિટીઝન બેંકમાં 20 લાખ રૂપિયાની FD તોડાવવા ગયા હતા, ત્યારે બેંક મેનેજરને શંકા જતા તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે સિનિયર સિટીઝન સાથે ફ્રોડ થતું બચાવી લીધું હતું. જેથી સિનિયર સિટીઝનની દીકરીએ પોલીસનો આભાર માન્યો હતો. જેટ એરવેઝના નરેશ ગોયલના ઘરેથી મળેલા ATM કાર્ડમાંથી તમારું કાર્ડ મળ્યું16 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે આ સિનિયર સિટીઝનને TRAI દિલ્હી તરફથી રામ મિશ્રા નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો. તેમણે પૂછ્યું કે તમારા નામે કેટલા સિમ કાર્ડ છે, અને તમારા સિમ કાર્ડનો ખોટો ઉપયોગ થયો છે. ત્યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે સંદીપ રાવ નામના ઓફિસરે વોટ્સએપ વીડિયો કોલ કરીને જણાવ્યું હતું કે, જેટ એરવેઝના CEO નરેશ ગોયલ પર 538 કરોડના મની લોન્ડરિંગનો કેસ છે. તેમના ઘરેથી મળેલા ATM કાર્ડમાંથી તમારું કેનેરા બેંકનું એક કાર્ડ મળ્યું છે, જેમાંથી 20 લાખ રૂપિયા તમારા ખાતામાં કમિશન તરીકે જમા થયા છે. ‘16 લાખ રૂપિયા તાત્કાલિક RTGS કરો’ઠગોએ બનાવટી સુપ્રીમ કોર્ટ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના દસ્તાવેજોના ફોટા મોકલીને વ્યક્તિને માનસિક રીતે ત્રાસ આપ્યો હતો અને 5 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા હતા. તેમને કહ્યું હતું કે, જો મની લોન્ડરિંગ કેસમાંથી બચવું હોય તો 16 લાખ રૂપિયા તાત્કાલિક RTGS દ્વારા આનંદ ફાઇનાન્સ બેંક, ગુડગાંવના ખાતામાં મોકલી દો. નહીં તો ઘરે પોલીસ મોકલીને અરેસ્ટ કરી જેલમાં ધકેલી દેવાશે તેવી ધમકીઓ આપી હતી. FD તોડાવવા જતા બેંક મેનેજરને શંકા પડી ને પોલીસને જાણ કરીઆ દરમિયાન ઠગોએ સતત વીડિયો કોલ અને ફોન ચાલુ રાખ્યા હતા. તેઓએ સિનિયર સિટીઝનને ઇન્ડસઇન્ડ બેંક, ભાયલી બ્રાન્ચમાં તેમની 20 લાખની રૂપિયાની FD તોડાવવા મોકલ્યા હતા અને તેમાંથી 16 લાખ ટ્રાન્સફર કરાવવાનું કહ્યું હતું. બેંક મેનેજરે આટલી મોટી રકમ એકસાથે ટ્રાન્સફર કરવાનું જોઈને શંકા કરી હતી અને વ્યક્તિને પૂછતા તેઓ ગભરાયેલા અને વીડિયો કોલ પર સતત વાત કરતા જોવા મળ્યા હતા. મેનેજરે તાત્કાલિક વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. RTGS ટ્રાન્સફરને અટકાવી ઠગોના ખાતામાં પૈસા જતા અટકાવ્યાવડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ. ટાંકના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સ્ટાફ મોકલીને સિનિયર સિટીઝનને બેંકમાંથી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. તપાસમાં હકીકત જાણતા પોલીસે તેમને સાયબર ફ્રોડના ભોગ બનતા અટકાવ્યા હતા અને 16 લાખ રૂપિયાના RTGS ટ્રાન્સફરને અટકાવી ઠગોના ખાતામાં પૈસા જતા અટકાવ્યા હતા. આમ, વ્યક્તિને આર્થિક નુકસાનથી બચાવી લેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના લેટર હેડ સહિતના દસ્તાવેજો મોકલ્યાપીડિત સિનિયર સિટીઝનની પુત્રીએ જણાવ્યું હતું કે, મારે સૌને જણાવવું છે કે, છેલ્લા પાંચ દિવસથી મારા પિતા 'ડિજિટલી એરેસ્ટ' હતા. આ બધું 16 તારીખે શરૂ થયું જ્યારે તેમને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. સામેવાળી વ્યક્તિએ એવું કહ્યું કે તે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલે છે. તેમણે મારા પિતાને ડરાવ્યા કે મની લોન્ડરિંગના એક કેસમાં તેમનું નામ આવ્યું છે. તેમણે પિતાને ઘણા બધા નકલી દસ્તાવેજો મોકલ્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટના લેટર હેડ અને અન્ય સરકારી કાગળો જેવી છેતરપિંડીયુક્ત વસ્તુઓ હતી. આ બધું બતાવીને તેમણે પિતાનો વિશ્વાસ જીતી લીધો અને તેમને માનસિક રીતે દબાવમાં લાવી દીધા. પાંચ દિવસ સુધી સતત મોનિટર કરતા રહ્યા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એ લોકોએ પિતાને કન્વિન્સ કર્યા હતા કે તેઓ સતત વિડીયો કોલ ચાલુ રાખે. પાંચ દિવસ સુધી તેઓ પિતાને મોનિટર કરતા રહ્યા હતા. પિતા કોઈની પણ સાથે વાત નહોતા કરી શકતા, અમારી સાથે પણ તેમણે પાંચ દિવસથી કોઈ વાત કરી નહોતી. 18 તારીખે તેમણે પિતા પર દબાણ કર્યું કે તેઓ પોતાની 16 લાખ રૂપિયાની FD તોડી નાખે, જ્યારે પિતા ભાયલી ખાતેની ઇન્ડસઇન્ડ (IndusInd) બેંકમાં ગયા, ત્યારે ત્યાંના બ્રાન્ચ મેનેજરને પિતાની વર્તણૂક પર શંકા ગઈ હતી. તેમણે તરત જ વડોદરા તાલુકાના ભાયલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બે પોલીસ અધિકારીઓ તાત્કાલિક બેંક પહોંચ્યા અને મારા પિતાને સમજાવ્યું કે તેમની સાથે (છેતરપિંડી થઈ રહી છે. પોલીસ અધિકારીએ સ્કેમરને ફોન પર કડક શબ્દોમાં ધમકાવ્યોતેઓએ કહ્યું કે, પોલીસ અધિકારીએ પેલા સ્કેમરને ફોન પર કડક શબ્દોમાં ધમકાવ્યો હતો અને મારા પિતા બચી ગયા હતા. હું બધાને વિનંતી કરું છું કે આવા કોઈ પણ ફોન કોલ્સથી ડરશો નહીં, સાવચેત રહો અને આવા સ્કેમમાં ફસાતા નહીં. વડોદરા ગ્રામ્ય પોલીસનો આભાર કે તેમણે સમયસર મદદ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 2:15 pm

મહીસાગર LCBએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો:બાલાસિનોર નજીક ટ્રકમાં ખાતરની આડમાં લઈ જવાતો ₹60.47 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો

મહીસાગર LCBએ બાલાસિનોર નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક ટ્રકમાંથી ₹45.40 લાખથી વધુનો દારૂ અને બિયર સહિત કુલ ₹60.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને I/C પોલીસ અધિક્ષક વિકાસ યાદવની સૂચના હેઠળ, LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પ્રોહિબિશનની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન LCB પીઆઈને બાતમી મળી હતી કે, એક ટાટા કંપનીના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ઇન્દોર-અમદાવાદ હાઈવે થઈને અમદાવાદ તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે, LCB સ્ટાફ અને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે હોટલ ગ્રીન નજીક નાકાબંધી ગોઠવી હતી. બાતમી મુજબનો ટ્રક આવતા તેને રોકવામાં આવ્યો અને તેમાં બેઠેલા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો. ટ્રકની તપાસ કરતા, તેમાં ખાતરની ગુણોની આડમાં વિદેશી દારૂની પેટીઓ છુપાવેલી મળી આવી હતી. ટ્રકને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો, જ્યાં વધુ તપાસ કરતા 20,640 નંગ બિયર ટીન સહિત ₹45,40,800ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો. અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹60,47,000નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીનું નામ સુલતાનખાન મહેબુબખાન (ઉંમર 33) છે. તે ઇન્દોર, મધ્યપ્રદેશના ચંદનનગર, ગંગવાલ બસ સ્ટેશન પાસે રહે છે અને મૂળ માંગલિયા, દેવાસ, ઇન્દોરનો વતની છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 2:13 pm

ભરૂચમાં નકલી પોલીસ બની ધમકાવતા 4 ઝડપાયા:2 દિવસ પહેલાં ધમકીથી હાર્ટ એટેક આવતાં એકનું મોત થયું હતું; નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા આરોપીઓની ગાડીઓમાં જ નંબર પ્લેટ નહીં

ભરૂચમાં નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા પડાવતા ચાર આરોપીને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી એક વ્યક્તિને ધમકાવ્યો હતો, જેના કારણે તેને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. ભરૂચના ભોલાવ વિસ્તારના 43 વર્ષીય ઉર્વીશ બીપીન મોદી 20 ફેબ્રુઆરીના રોજ તેમની પત્ની સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા. રહાડપોર રોડ પર કેટલાક શખ્સોએ તેમને રોક્યા હતા. આ શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી, વાહનમાં નંબર પ્લેટ ન હોવાનું કહી, પૈસા આપવા માટે ધમકાવવાનું શરૂ કર્યું હતું. નકલી પોલીસની ધમકી અને દાદાગીરીથી ઉર્વીશ મોદી ગભરાઈ ગયા હતા. તેમને રસ્તા પર જ હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના પતિનું મોત આરોપીઓની ધમકીના કારણે થયું છે. ફરિયાદના આધારે, એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરીને યોગેશ સંતોષભાઈ બેલેરાવ, સંજુ રામધ્યાનભાઈ વસાવા, પ્રિતેશ ભરતભાઈ રાણા અને ભાવેશ વસાવા (તમામ ભરૂચના રહેવાસી)ને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે, જે આરોપીઓ અન્ય વાહનચાલકોને નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા હતા, તેમની પોતાની ગાડીઓમાં પણ નંબર પ્લેટ ન હતી. પોલીસે આરોપીઓના બંને વાહનો કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં ચારેય આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ આ મામલે વધુ પૂછપરછ અને તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 2:11 pm

રાષ્ટ્રીય પ્રમુખની મુલાકાત સમયે જ અમદાવાદ ભાજપમાં ભડકો:પૂર્વ મહામંત્રી અહેમદ પટેલે કહ્યું- 'જે ગુનેગાર છે અને ગુજરાતી નથી આવડતું તેને લઘુમતી મોર્ચાના પ્રમુખ બનાવ્યા'

શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના હોદેદારો હવે ખુલ્લીને જાહેરમાં અને સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યકત કરતા થયા છે. ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની ગુજરાત મુલાકાત સમયે જ અમદાવાદ શહેર ભાજપ લઘુમતી મોર્ચાનો વિવાદ સપાટી પર આવ્યો છે. જેને ગુજરાતી વાચતા-લખતા નથી આવડતું અને ગુનેગાર છે એવી વ્યકિતને લઘુમતી મોર્ચાના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ હોવાનો આક્ષેપ પૂર્વ મહામંત્રી અહેમદ પટેલ દ્વારા કરાયો છે. અહેમદ પટેલે આ મામલે રાષ્ટ્રીય અધ્યક્ષને ઈ-મેઈલથી ફરિયાદ પણ કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને ઈમેઈલ કરી ફરિયાદ કરાઈઅમદાવાદ શહેર લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી અહેમદ પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને ઈમેલ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભાજપની વિચારધારાથી વિપરીત અને જેમણે સંગઠનની ક્યારેય કામગીરી કરી નથી. પેજ સમિતિ અને બુથ સમિતિ તેમજ પ્રાથમિક સદસ્યતા અભિયાન શું છે? એની ખબર ન હોય એવા બંગાળી ભાષી તેમજ ગુજરાતી ભાષા સમજી ન શકનાર અને ગુનેગારને કર્ણાવતી મહાનગર અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ તેમની નિમણૂકથી નારાજ છે. રઉફ શેખની નિમણૂક રદ કરવા મેં રાષ્ટ્રીય અધ્યક્ષને ઈમેઈલ કર્યો છે- અહેમદ પટેલપૂર્વ મહામંત્રી અહેમદ પટેલની દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેર ભાજપમાં લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે રઉફ શેખની નિમણૂક કરવામાં આવી છે. જેને રદ કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષને ઈમેલ કર્યો છે તેમજ પ્રેરક શાહને વોટ્સએપ મારફતે લેખિતમાં અને ટેલિફોનિક જાણ કરી છે. વર્ષોથી ભાજપની સાથે જોડાયેલા અને પાયાના કાર્યકર્તાઓ જે કામ કરે છે પરંતુ જે વ્યક્તિ ને પેજ સમિતિ અને બુથ સમિતિ વિશે ખબર નથી, સંગઠનના કામ અંગે જાણ નથી એવા વ્યક્તિની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પદ અને પ્રતિષ્ઠા માટે મારે કોઈ માંગ નથી પરંતુ જે ભાજપમાં કાર્યકર્તા પેજ સમિતિથી બુથ સમિતિ લઈને સંગઠન સુધી કામ કરે છે એવા લોકોને ધ્યાન પર નહીં લેતા જેને ગુજરાતી પણ બોલતા નથી આવડતું એવા વ્યક્તિને પ્રમુખ બનાવી દેવામાં આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ બાબતે મેં રાષ્ટ્રીય અધ્યક્ષથી લઇ અને ઉપરના નેતાઓ સુધી ફરિયાદ કરી છે. જુઓ આ નિમણૂક રદ નહીં કરવામાં આવે તો હું લોકશાહી ઢબે આ મામલે આગળ સુધી રજૂઆત કરીશ. વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ કામ કરે છે પરંતુ જે વ્યક્તિ ગુજરાતી બોલતા અને લખતા ન આવડતું હોય એવા વ્યક્તિને આખા શહેરની જવાબદારી સોંપી દેવામાં આવી છે જેને લઈને આ રજૂઆત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 2:11 pm

ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં ટ્વિસ્ટ, બંને દેશો વચ્ચેની મહત્ત્વની બેઠક ટળી, જાણો કારણ

India US Trade Deal Big Update : ભારત અને અમેરિકા વચ્ચે સૂચિત વચગાળાના વેપાર કરાર (Interim Trade Deal) ને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલની અંતિમ વિગતો નક્કી કરવા માટે વોશિંગ્ટનમાં યોજાનારી ચીફ નેગોશિયેટર્સ (મુખ્ય વાટાઘાટકારો) ની બેઠક હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. ભારતીય ટીમ 23 ફેબ્રુઆરીથી ત્રણ દિવસની બેઠક શરૂ કરવાની હતી, પરંતુ હવે તેને 'રિશેડ્યૂલ' કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શા માટે ભારત-US બેઠક ટાળવામાં આવી? પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, આ મામલે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે બંને દેશોના પ્રતિનિધિઓ માને છે કે નવીનતમ વૈશ્વિક વિકાસ અને તેની અસરોને સમજવા માટે થોડા વધુ સમયની જરૂર છે.

ગુજરાત સમાચાર 22 Feb 2026 2:09 pm

સુરત લૂંટ કેસનો આરોપી આણંદથી ઝડપાયો:મારામારી કરીને 2 કરોડની લૂંટ કરવાના કેસમાં 4 વર્ષથી ફરાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આણંદની દબોચ્યો, વધુ તપાસ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો

સુરતમાં વર્ષ 2022માં બે કરોડ રૂપિયાની લૂંટના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આણંદમાંથી શોધી કાઢીને ધરપકડ કરી છે. આરોપી સમીર યુનુસભાઈ વોરા (ઉં. 42, રહે. સરસ્વતી કોમ્પ્લેક્સ, સુપર બેકરી સામે, આજવા રોડ, વડોદરા, હાલ રહે.કિસ્મત સોસાયટી, સલાટીયા રોડ, આણંદ)ને સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે. આ મામલે સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયેલા લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલા આરોપી સમીર યુનુસભાઈ વોરાને સુરત શહેર પોલીસે જાહેર કર્યો હતો. આ ગુનો થયા બાદ આરોપી ધરપકડ ટાળવા માટે ફરાર થઈ ગયો હતો અને સુરત પોલીસને પણ તે મળ્યો ન હતો. ત્યારબાદ તેને નાસતો ફરતો જાહેર કરવામાં આવ્યો હતો. આરોપી વડોદરાનો રહેવાસી હોવાની માહિતી મળતાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગુનો થયા બાદ આરોપી વડોદરાનું ઘર છોડીને આણંદમાં રહેવા ગયો છે અને હાલ ત્યાં જ રહે છે. માહિતીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આણંદમાં ખાનગી રીતે સતત ખાતરી તપાસ કરી હતી. આણંદના 100 ફૂટ રોડ, દીયા સિનેમા કોમ્પ્લેક્સ ખાતેથી આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સંડોવણી હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારબાદ સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી અને ખાતરી તપાસ પછી આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોંપવામાં આવ્યો હતો. આ ગુનાની ટૂંકી વિગતો અનુસાર, ફરિયાદી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માગતો હતો. આરોપીઓએ તેને મોટો નફો થશે તેવી લાલચ આપી અને પૂર્વ આયોજિત કાવતરા હેઠળ તા. 4 ફેબ્રુઆરી 2022ના રોજ બપોરે 12:30થી 2 વાગ્યાની વચ્ચે સુરતના વરાછા વિસ્તારમાં સેન્ટ્રલ બજાર ખાતેની શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં ફરિયાદીએ બે કરોડ રૂપિયા રોકડમાં આપ્યા હતા. જોકે આરોપીઓએ રકમ ટ્રાન્સફર ન કરી અને મારામારી કરીને રોકડ લૂંટી લીધી હતી. આ ગુનાની તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી અને આરોપી ચાર વર્ષથી ફરાર હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની સફળતાથી આ નાસતા ફરતા આરોપીને ઝડપીને સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 1:44 pm

સસરાને બચાવવા જતાં પુત્રવધૂનું કરંટથી મોત:પંચમહાલના ઉમરપુર ગામે હાઈ-ટેન્શન વાયરને અડકી જતાં સર્જાઈ દુર્ઘટના; 40 વર્ષીય સુશીલાબેનનું મૃત્યુ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર ગામમાં એક દુર્ઘટના બની છે. સસરાને વીજ કરંટ લાગતા તેમને બચાવવાના પ્રયાસમાં પુત્રવધૂ સુશીલાબેન દિલીપભાઈ રાઠોડનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. આ ઘટના બારીયા ફળિયામાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 40 વર્ષીય સુશીલાબેન રાઠોડ પોતાના ઘરે હાજર હતા. તે સમયે તેમના સસરા રાયજીભાઈ રાઠોડ ઘર પાસેના ઝાડ પરથી લોખંડના સળિયા વડે દાતણ તોડી રહ્યા હતા. દાતણ તોડતી વખતે અકસ્માતે લોખંડનો સળિયો નજીકથી પસાર થતી હાઈ-ટેન્શન વીજ લાઇનના વાયરને અડી ગયો હતો. સળિયો વીજ વાયરને અડકતા રાયજીભાઈને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. તેમને કરંટથી તરફડતા જોઈ પુત્રવધૂ સુશીલાબેન તેમને બચાવવા માટે દોડી ગયા હતા. સસરાને બચાવવાના પ્રયાસમાં તેઓ પોતે પણ વીજ કરંટના સંપર્કમાં આવી ગયા. વીજ કરંટ એટલો શક્તિશાળી હતો કે સુશીલાબેન ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયા હતા. બનાવને પગલે પરિવારજનો અને આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા. સુશીલાબેનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના સસરા રાયજીભાઈ રાઠોડને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે ઉમરપુર ગામ સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 1:26 pm

આઇસક્રીમની આડમાં દારૂની હેરાફેરી:અમદાવાદથી આઇસ્ક્રીમ ભરી રાજસ્થાન લઈ ગયા, રિટર્ન થતાં કેરેટમાં દારૂ ભરીને લાવ્યા, 3ની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બુટલેગરોની દારૂ મંગાવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદથી બુટલેગર આઈસ્ક્રીમ ભરેલી ટ્રક લઈને રાજસ્થાન ડિલિવરી માટે જતા રિટર્નમાં એ જ આઈસ્ક્રીમના ખાલી કેરેટમાં દારૂનો જથ્થો લઈને અમદાવાદ આવતા હતા. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે નાના ચિલોડા પાસેથી આઈસ્ક્રીમના કેરેટમાં લાવવામાં આવેલો 2.19 લાખ રૂપિયાના દારૂ સાથે બુટલેગર અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ આઈ.એન ઘાસુરા અને તેમની ટીમને બાતમી મળી હતી. જેના આધારે નાના ચિલોડા સર્કલ પાસેના એસપી રીંગ રોડ પર એક બંધ બોડીની આઈસ્ક્રીમની ટ્રક રોકી હતી. આ ટ્રકની તપાસ કરતા આઈસ્ક્રીમના કેટલાક ખાલી કેરેટમાંથી 145 દારૂની બોટલ અને 360 બિયરના ટીન એમ કુલ 2.19 લાખ રૂપિયા નો દારૂ મળી આવ્યો હતો.દારૂના જથ્થા સાથે પોલીસે જવાનસિંઘ રાવત,કાનસિંગ રાવત અને પ્રેમકુમાર ભાંડ નામના આરોપીઓની ધરપકડ કરી છે. આઇસ્ક્રિમની ડિલિવરી કરતા સંબંધી સાથે મળીને દારૂ અમદાવાદ લાવ્યાપોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કૃષ્ણનગરમાં રહેતા જવાનસિંઘ રાવતે આઈસ્ક્રીમની ડિલિવરી કરતા તેના સંબંધી સાથે મળીને રાજસ્થાનમાં ડિલિવરી કર્યા બાદ આઈસ્ક્રીમના ખાલી કેરેટમાં ત્યાંથી દારૂ ભરીને અમદાવાદ લાવ્યા હતા.જવાનસિંઘ અમદાવાદમાં આ દારૂનો જથ્થ છૂટક વેચવાનો હતો. બનાકસાંઠા બોર્ડર પરની પોલીસ ઉંઘતી રહીને દારૂ અમદાવાદમાં ઘુસી ગયોમહત્વનું છે કે રાજસ્થાનથી દારૂ ભરેલી ટ્રક આવી છતાં રાજ્યની ચેક પોસ્ટ પર ચેકીંગ બાદ પણ દારૂ મળી આવ્યો નહોતો.આ દારૂ ભરેલી ટ્રક બનાસકાંઠા બોર્ડરથી આવી હતી છતાં બોર્ડર ચેક પોસ્ટ પર પોલીસના નાક નીચેથી ટ્રક અમદાવાદ સુધી પહોંચી હતી. રાજ્યમાં રોજ લાખો રૂપિયાનો દારૂ પકડાય છે તે પણ પડોશી રાજ્યમાંથી જ આવે છે તો સરહદી જિલ્લાની પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થાય છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 1:23 pm

ગોધરા નજીક ટ્રેનની અડફેટે આધેડનું મોત:ખરસાલીયા સ્ટેશન પાસે દુર્ઘટના, રેલવે પોલીસે તપાસ શરૂ કરી

ગોધરા નજીક આવેલા ખરસાલીયા રેલવે સ્ટેશન પાસે એક દુર્ઘટનામાં 65 વર્ષીય આધેડનું ટ્રેનની અડફેટે મોત થયું છે. આ ઘટના ડાઉન ટ્રેક પર બની હતી, જ્યાં આધેડ પૂરઝડપે પસાર થઈ રહેલી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. મૃતક ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના હડમતીયા ગામના વતની મુળજીભાઈ હીરાભાઈ બામણીયા (ઉર્ફે સાધુ) હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ખરસાલીયા રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દુરંતો એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતક પાસેથી એક આધાર કાર્ડ મળી આવ્યું હતું. આ આધાર કાર્ડના આધારે તેમની ઓળખ શક્ય બની હતી અને તેમના પરિવારજનોને આ દુખદ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 1:09 pm

કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ:યુટ્યુબર પર હવે બરાબરનો કાયદાનો ગાળિયો કસાશે, જૂનાગઢમાં 7 દિવસમાં ત્રણ પોલીસ ફરિયાદ થઈ

વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલની રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. તેને લઈને પોલીસ ગુજરાત આવવા રવાના થઈ છે. જૂનાગઢમાં સાત દિવસમાં તેની સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 21 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જૂનાગઢના યુ ટ્યૂબર યુવકે કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઈલ પી લેતાં કીર્તિ, દિવ્યા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. કીર્તિ પટેલના ત્રાસથી યુ ટ્યૂબર 'જિદ્દી બોય'એ ફિનાઇલ પીધુંમૃગીકુંડમાં સ્નાન કરી કીર્તિ પટેલે વિવાદ સર્જતાં જૂનાગઢના યુ ટ્યૂબર અબજલ સીડાએ યુ ટ્યૂબ પર લાઈવ કર્યું હતું, જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે રૂપિયા 20 લાખની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે અબજલ સીડા(જિદ્દી બોય)એ બેવાર ફિનાઈલ ગટગટાવી લેતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે કીર્તિ પટેલ સામે છેલ્લા સાત દિવસમાં જૂનાગઢમાં આ ત્રીજો ગુનો નોંધાયો હતો. દિવ્યા સામે ફરિયાદ નોંધાયાના 12 કલાક બાદ દિવ્યા મીડિયા સમક્ષ આવી હતી અને પોતાની વાત રજૂ કરી હતી. ત્યારબાદ પોતે પણ ફિનાઈલ પી લીધી હતી અને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. દિવ્યા સાવલાણીએ પણ ફીનાઇલ પી આત્મહત્યા કરવાની કરી કોશિશદિવ્યા સાવલાણીએ ફિનાઈલ પીધા પહેલાં વીડિયો બનાવી જણાવ્યું કે, જિદ્દી બોય (અબજલ સીડા) દ્વારા જે રીતે મને માનસિક ટોર્ચર કરવામાં આવે છે. મેં એને કઈ કીધુ પણ નથી છતાં પણ મારા પર જે પોલીસ તંત્ર દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે, તો કયા બેજ પર મારા પર ગુનો નોંધવામાં આવ્યો છે? હું અને કીર્તિ જ તમને દેખાઈ? જિદ્દીએ ફિનાઈલ શું કામ પીધી અને શું પુરાવા છે કે મારા પર ગુનો નોંધવામાં આવ્યો છે. એની આગળપાછળ ભલે કોઈ ન હોય પણ મારી પાછળ તો મારો પરિવાર, મારા બે બાળકો અને ઘણા લોકો છે. એટલે આવી જ રીતે જો સ્ત્રી ઉપર અત્યાચાર થાય તો આ દુનિયામાં જીવીને કઈ ફાયદો નથી. જિદ્દીએ દવા પીધીને...! ફીનાઈલની બોટલ બતાવી કહ્યું, આ ઓરિજનલ દવા કહેવાય, હવે હું પણ પી જાવ છું. મરી ભલે જાય પણ યાદ તો કરશો... અને ફિનાઈલ ગટગટાવી લે છે. ​શું છે સમગ્ર વિવાદનું મૂળ?​ફરિયાદી અબજલ સીડા, જે પોતે એક યુ ટ્યૂબર (ZIDI_boy_4848) છે, તેણે પોલીસ સમક્ષ લખાવેલી વિગતો મુજબ તાજેતરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા મહાશિવરાત્રિ મેળામાં કીર્તિ પટેલે સાધુના વેશમાં મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ છેડાયો હતો. અબજલના જણાવ્યા અનુસાર, કીર્તિ પટેલે ત્યાર બાદ સાધુ-સંતો અને સનાતન ધર્મ વિરુદ્ધ વાંધાજનક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યા હતા. ફરિયાદી મુસ્લિમ હોવા છતાં સનાતન ધર્મમાં અતૂટ આસ્થા ધરાવતો હોવાથી તેણે કીર્તિ પટેલના આ વીડિયોનો વિરોધ કરતાં વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. કીર્તિ પટેલે ​વ્યૂઅર્સ ઘટતાં 20 લાખની ખંડણી માગ્યાનો આક્ષેપ​અબજલે આક્ષેપ કર્યો છે કે તેના વિરોધપ્રદર્શનવાળા વીડિયોને કારણે કીર્તિ પટેલના વ્યૂઅર્સમાં મોટો ઘટાડો થયો હતો, આથી કીર્તી પટેલ અને તેના સાગરીતો—જૂનાગઢની દિવ્યા સાવલાણી, તેનો બોયફ્રેન્ડ જશપાલસિંહ, અને સુરતના હનુ રાણાભાઈ ચાવડા તથા વિરમ ચોથાભાઈ મેવાડાએ એકસંપ થઈને અબજલને ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પર કોલ કરી ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેમણે અબજલને કહ્યું હતું કે તારા વીડિયોના કારણે અમારા વ્યૂઅર્સ ઘટી ગયા છે એટલે તારે કીર્તિ પટેલને 20 લાખ રૂપિયા આપવા પડશે. ​બળાત્કારના કેસમાં ફસાવવાની અને જાનથી મારવાની ધમકી​ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દિવ્યા સાવલાણી અને જશપાલસિંહે અબજલને વ્હોટ્સએપ કોલ કરીને ગંદી ગાળો આપી હતી અને ધમકી આપી હતી કે જો તે વીડિયો ડિલિટ નહીં કરે અને 20 લાખ રૂપિયા નહીં આપે તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવામાં આવશે. ફક્ત એટલું જ નહીં, આરોપીઓએ અમે તારા ઘરે આવીએ છીએ, તું તૈયાર રહેજે એવી ધમકી આપતાં અબજલ માનસિક રીતે ભાંગી પડ્યો હતો. ​બીકના માર્યા યુ ટ્યુબરે બેવાર ફિનાઈલ પીધું​આરોપીઓ માથાભારે હોવાથી અને અગાઉ પણ અનેક ઝઘડાઓમાં સંડોવાયેલા હોવાથી અબજલને ડર લાગ્યો હતો કે તેની આખી જિંદગી જેલમાં બરબાદ થઈ જશે. 20 ફેબ્રુઆરીની સાંજે જ્યારે જશપાલસિંહ અને દિવ્યાએ કોન્ફરન્સ કોલ પર ધમકી આપી ત્યારે ગભરાઈ ગયેલા અબજલે પોતાના ઘરે જ બાથરૂમમાં રાખેલું ફિનાઈલ પી લીધું હતું. ત્યાર બાદ તે ઘરેથી નીકળીને જેતપુર નવાગઢ પાસે ભાદર નદીના રેલવે પુલ પાસે ગયો અને ત્યાં ફરીથી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ​108 મારફત હોસ્પિટલ ખસેડાયો​ઘટનાસ્થળેથી પસાર થતી એક મહિલાએ અબજલને પીડામાં જોતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના કારણે તેને જેતપુર સરકારી હોસ્પિટલમાં સમયસર સારવાર મળી શકી હતી. હોસ્પિટલના બિછાનેથી અબજલે પોલીસને આપેલા નિવેદનમાં કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી (જૂનાગઢ), જશપાલસિંહ (દિવ્યાનો બોયફ્રેન્ડ), હનુ રાણાભાઈ ચાવડા (સુરત) અને વિરમ ચોથાભાઈ મેવાડા (સુરત)નાં નામ આપ્યાં છે અને તેમની સામે કડક કાર્યવાહીની માગ કરી છે. કીર્તિ પટેલ કોઈના ચોપડા ન ખોલે તે માટે તેને રોકવાના કાવતરા છે- દિવ્યાઅબજલ સીડા દ્વારા જે પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે તે પૈકીની એક આરોપી દિવ્યા સાવલાણીએ કહ્યું હતું કે, હું અબજલને ઓળખતી પણ નથી. આ બધું કીર્તિ પટેલના વિવાદ અને ટીઆરપી (TRP) મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે. તેણે કીર્તિ પટેલને લાઈવમાં અપશબ્દો બોલ્યા હતા, જે એક હિન્દુ સમાજની દીકરી હોવાના નાતે સહન કરી શકાય તેમ નથી. મેં તેને માત્ર એટલું જ કહ્યું હતું કે તારે આ બધું બંધ કરવું જોઈએ. તે વ્યક્તિ અગાઉ પણ અનેક લોકો સાથે આ રીતે કરી ચૂક્યો છે અને વારંવાર પૈસાની માંગણી પણ કરતો રહ્યો છે. કાલે જ્યારે તે લાઈવ હતો ત્યારે સુરતના ભુવાજી પણ તેમાં સામેલ હતા. તે વારંવાર કહે છે કે ઇન્દ્રભારતી બાપુ તેના પિતા સમાન છે, પરંતુ આ બધું તેની પાસે કરાવવામાં આવ્યું છે. તે વ્યક્તિનો મને ઘણો સમય પહેલા વૉટ્સએપ (WhatsApp) પર વીડિયો કોલ આવ્યો હતો. ત્યારે તેણે કીર્તિ પટેલને પોતાની બહેન ગણાવી હતી અને વાત કરાવવા વિનંતી કરી હતી. પરંતુ કીર્તિએ તેને મચક નહોતી આપી અને આવા લોકો સાથે વાત કરવાથી ઇનકાર કર્યો હતો. આ બધું કાવતરું કીર્તિ પટેલને રોકવા માટે કરવામાં આવી રહ્યું છે. દિવ્યાએ કહ્યું કે, ભવિષ્યમાં કીર્તિ પટેલ કોઈ મોટા સાધુ-સંતો કે ઇન્દ્રભારતી જેવા લોકોના અસલી રહસ્યો ન ખોલે તે માટે આ બધું પ્રપંચ રચવામાં આવ્યું છે. ખંડણી માંગવાના આક્ષેપો પર કહ્યું હતું કે, હું સિંધી છું અને મારી પર લાલ સાંઈની કૃપા છે. મારે આવા લોકો પાસે ખંડણી માંગવાની કોઈ જરૂર નથી, જેમની ઔકાત પણ ન હોય. મેં વીડિયો ડિલિટ કરવાની ના પાડી એટલે મને ધમકી આપી 20 લાખની ખંડણી માગી- અબજલમને જશપાલસિંહ પાજીનો ફોન આવ્યો હતો. તેને કહ્યું ક્યાં છો?, મેં કહ્યું હતું મારા ઘરે છું. તો તે કહે ઘરે જ રહેજે. તેને કહ્યું- તું અમારા સનાતન ધર્મ વિશે વીડિયો કેમ બનાવે છે. તો મેં કહ્યું કે- હું ન તો હિન્દુ છું, ન તો મુસ્લિમ છું. હમ સબ એક હૈ, મેરા ભારત મહાન. મને કહ્યું- ઈન્દ્રભારતી બાપુ તારા શું થાય? તો મેં કહ્યું મારા બાપ સમાન છે. તેને મને વીડિયો ડિલિટ કરવા કહ્યું- પણ મેં ડિલિટ કરવાની ના પાડી. જશપાલસિંહ, અનુભાઈ, વિક્રમ, કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી પાંચ જણા કોન્ફરન્સમાં હતા. તેને કહ્યું- તારે વીડિયો ડિલિટ ન કરવા હોય તો 20 લાખ રૂપિયા આપી દે. મેં ડરના કારણે ફિનાઈલ પી લીધી. પોલીસે મોબાઈલ લોકેશન અને વ્હોટ્સએપ કોલ રેકોર્ડિંગના આધારે વધુ તપાસ શરૂ કરી ​જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ઝીરો નંબરથી એન્ટ્રી કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને પૈસા ખંખેરવા માટે રચાતા આ માયાજાળમાં કીર્તિ પટેલ ગેંગની સંડોવણીથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે મોબાઈલ લોકેશન અને વ્હોટ્સએપ કોલ રેકોર્ડિંગના આધારે વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો બજરંગદાસ બાપુ કીર્તિ પર બરાબરના બગડ્યા: કહ્યું- 'અખાડાઓનું શાહી સ્નાન બંધ કરાવી ભગવાધારી સંસારીઓનું સ્નાન કરાવો', લાગણી દુભાતાં ફરિયાદ નોંધાવી જૂનાગઢના સુપ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવાના મામલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓ હવે બેવડાઈ છે. ગઈકાલે પોલીસની ફરજમાં રુકાવટ કરવા બદલ ગુનો નોંધાયા બાદ આજે ફરી એકવાર કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ ભાલકાતીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુ દ્વારા નોંધાવવામાં આવી (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો મહિલા PIની કીર્તિ સામે FIR, ભવનાથના મેળામાં તોછડાઈ કરી હતી:'ઈન્દ્રભારતીની સચ્ચાઈ પ્રૂફ સાથે કહીશ, ભગવા પાછળનાં બધાં રહસ્ય જાણું છું', યુટ્યૂબરની ઇન્સ્ટા પોસ્ટ ગિરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રિના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો ઊમટી પડે છે, જોકે આ વર્ષે શિવરાત્રિની મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે મૃગીકુંડમાં ડૂબકી લગાવતાં મોટો વિવાદ ઊભો થયો છે. મહિલા પીઆઈ કે.જે.મોડે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહાશિવરાત્રી મેળા દરમિયાન ફરજ પરના મહિલા પોલીસ અધિકારી કે.જે.મોડ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ કરવા બદલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો કીર્તિ પટેલની મૃગીકુંડમાં ડૂબકી મામલે સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલઘુમ:'જે પોતાને રીલ્સની હિરોઈન ગણાવે છે, તેને કરેલ નિંદનીય કૃત્ય સનાતન પરંપરા અને સંતોની પવિત્રતા સાથેની મજાક છે' શિવરાત્રિની મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે ગિરનારના મૃગીકુંડમાં ડૂબકી લગાવતાં મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જ્યોતિર્નાથ મહારાજ લાલઘુમ થયા છે અને કહ્યું છે કે, મારી સ્પષ્ટ માંગ છે કે આ બાબતે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ. આ ગુનો ક્ષમ્ય નથી, કારણ કે, આ લોકોની આસ્થા અને સંતોની પવિત્રતા સાથેનો ખેલ છે (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો 'એના બાપનો કુંડ હોય એમ પાછળ ફરે છે', કીર્તિ પટેલે PIને ધમકાવ્યા:, હોઠ ભીંસી આંખો કાઢી, મૃગીકુંડમાં સાધુઓ વચ્ચે ઘૂસી ડૂબકી મારી મહિલા PI સામે આંખો કાઢી અને હોઠ ભીંસી તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું.ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચી વિવાદ સર્જયો છે. મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી. સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી ‘હર હર મહાદેવ’નો નાદ કરતી જોવા મળી હતી, જેની જાણ તંત્રને થતાં તેને તાત્કાલિક દૂર કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે સાધુ-સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે. જો કોઈ ગેરકાયદે કે ધાર્મિક લાગણી દુભાય એવું કૃત્ય થયું હશે તો કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરાશે. મૃગીકુંડમાં ઘૂસીને વિવાદ કરનારી કીર્તિ પટેલનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. આ વીડિયોમાં કીર્તિ પટેલ સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત બે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાથે દાદાગીરી કરતી અને અપશબ્દો બોલતી નજરે પડે છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. કીર્તિના આ કાંડને લઈ જૂનાગઢ એસપીએ તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે કીર્તિ ઉપરાંત પીઆઈ જે. પી. વરિયાએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જોકે આ મામલે કોઈપણ કંઈ બોલવા તૈયાર નથી.(વાંચો સંપૂર્ણ સમાચાર) કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10 ગુના નોંધાયેલાહંમેશાં કોઈ ને કોઈ વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10 ગુના નોંધાયેલા છે. ડિસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવાઈ હતી. એક મહિનો સુધી જેલમાં રહ્યા બાદ તેનો છુટકારો થતાં જેલની બહાર આવી ધુરંધર મૂવીના સોંગ પર રીલ બનાવી હતી. ‘કીર્તિ પટેલે ભાડે લઈ ફ્લેટ પચાવ્યો, હપતા હું ભરું છું, સાહેબ... બે હાથ જોડી વિનંતી છે કે અમારો ફ્લેટ અપાવો’સુરતના પરવત પાટિયા વિસ્તારમાં મૂળ મહેસાણાના કીર્તિભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. તેમનાં પત્ની મંજુલાબેનના નામે સંતાનોના સારા ભવિષ્ય માટે 2016માં પુણાગામ વિસ્તારમાં આવેલી કુશલ દર્શન વાટિકા સોસાયટીમાં 203 નંબરનો ફ્લેટ લીધો હતો, જેની કિંમત 20 લાખથી વધુ થાય છે. આ સાથે જ તેના પર હાઉસિંગ લોન પણ લીધેલી. 2019માં આ ફ્લેટ કીર્તિ પટેલને ભાડે રહેવા માટે આપ્યો હતો. કીર્તિ પટેલે છેલ્લાં 6 વર્ષથી આ દંપતીનો ફ્લેટ પચાવી પાડ્યો હોવાનો દંપતીએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ દંપતીએ કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે હાથ જોડીને ન્યાય અપાવવાની અપીલ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) અમદાવાદના ભારતી આશ્રમમાં ઋષિભારતીના રૂમમાં ઘૂસીગત વર્ષે અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ સામે આવ્યો હતો. આશ્રમમાં હરિહરાનંદ બાપુએ કમાન સંભાળી બન્ને શિષ્યોને પદ પરથી હટાવતાં આમનેસામને ચોંકાવનારા આરોપ-પ્રતિઆરોપ કરાયા હતા. આ બધાની વચ્ચે વિવાદિત સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલે ઋષિભારતીના રૂમમાં ઘૂસીને અંગત સામાન ફંફોસી વીડિયો બનાવ્યો હતો. 'રોયલ રાજાની મૂછ અને વાળ સારા નથી લાગતા, કાપી નાખો' કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નામના યુટ્યૂબર્સ વચ્ચે થોડા સમય પહેલાં કોઈ મુદ્દાને લઈ માથાકૂટ થઈ હતી. આ પ્રકરણમાં દિનેશ સોલંકીએ પોતાની ચેનલ પર ખજૂરભાઈની ફેવર અને કીર્તિ પટેલના વિરોધમાં આપત્તિજનક વીડિયો અને પોસ્ટ મૂકતો હતો. આ પોસ્ટને લઈ યુટ્યૂબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી ચર્ચામાં આવ્યો હતો. દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. એ બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં તેનાં કપડાં ઉતારી નગ્ન કરી ઊંધો સૂવડાવી ઢોરમાર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ કીર્તિ પટેલને વીડિયો કૉલ કર્યો હતો. આ વીડિયો કોલમાં કીર્તિએ કહ્યું કે રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાખો. કીર્તિના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂછ અને વાળ કાપી નાખ્યાં હતાં. આ વિવાદ ખૂબ ચગ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પદ્મિનીબા વાળાના ચાળા પડ્યા હતા એપ્રિલ 2024માં કીર્તિ પટેલ ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાના ચાળા પાડતી દેખાઈ રહી છે, જેમાં તેણે આબેહૂબ પદ્મિનીબા વાળા જેવો લુક ધારણ કર્યો છે. માથા પર પલ્લું ઓઢ્યું છે. તો ગીતના બેકગ્રાઉન્ડમાં ‘નાયક નહિ, ખલનાયક હૈ તૂ...’ ગીત વાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 1:07 pm

બોર્ડના વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો ST બસમાં રવાના:રાજકોટથી સૌરાષ્ટ્ર - કચ્છના ધો.10 ના 2.52 લાખ વિદ્યાર્થીઓના પેપરો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોકલાયા, GPS થી બસને ટ્રેક કરાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી પરીક્ષામાં સૌરાષ્ટ્ર - કચ્છમાં ધોરણ 10 અને 12 ના 4,17,920 વિદ્યાર્થીઓ છે. જેમાં ધો.10 માં 2,52,092 ધો.12 સામાન્ય પ્રવાહમાં 1,38,431 અને વિજ્ઞાન પ્રવાહમાં 28397 વિદ્યાર્થીઓ છે. દરમિયાન આજે રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ પરથી ધો.10 ના 2.52 લાખ વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો એસટી બસમાં રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા 22 અને 23 ફેબ્રુઆરી એમ બે દિવસ ચાલશે. એસટી બસમાં વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે તેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બસને બોર્ડના અધિકારીઓ દ્વારા GPS સિસ્ટમથી ટ્રેક કરવામાં આવી રહી છે. જેથી સુરક્ષિત રીતે પેપરો જે તે જિલ્લાના ઝોન સુધી પહોંચી જાય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ ધનસુખ ભેંસણીયાએ જણાવ્યું હતું કે, રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતે સ્ટેટ ઝોન પરથી ધોરણ 10 ના 18 ઝોનના પ્રશ્નપત્રો રવાના કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ અને જામનગર જિલ્લાના પ્રશ્નપત્રો 23 મી ફેબ્રુઆરીએ મોકલવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 18 બસ રવાના કરવામાં આવી છે. જેમાં ઝોનલ અધિકારી અને તેનો સ્ટાફ પણ સાથે રહેશે. આ બસમાં GPS સિસ્ટમ હોવાથી બોર્ડના અધિકારીઓ તેને ટ્રેક કરી નિગરાની રાખી શકે છે. 22 મી ફેબ્રુઆરીએ આટલા ઝોનના પ્રશ્નપત્રો રવાના ભાવનગર અને ત્યાંનું મહુવા તેમજ કૃષ્ણનગર, જામ ખંભાળિયા, ઉના, સુરેન્દ્રનગર, વઢવાણ, જૂનાગઢ, કેશોદ, પોરબંદર, વેરાવળ, અમરેલી, સાવરકુંડલા, બોટાદ, મોરબી, કચ્છનું ભુજ, ગાંધીધામ અને નખત્રાણા. 23 મી ફેબ્રુઆરીએ આટલા ઝોનના પ્રશ્નપત્રો રવાના થશે રાજકોટનું સદર, મવડી,ધોરાજી, જસદણ, બેડીપરા જામનગર શહેર અને ત્યાંના દિગ્વિજય સેન્ટર સુધી એસટી બસ મારફત પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર - કચ્છમાં ધો.10 ના વિદ્યાર્થીઓ જિલ્લો - વિદ્યાર્થીઓ રાજકોટ - 46705ભાવનગર - 37501કચ્છ - 27305જૂનાગઢ - 24823સુરેન્દ્રનગર - 20014અમરેલી - 19567ગીર સોમનાથ - 18355જામનગર - 17343મોરબી - 14014બોટાદ - 10082દેવભૂમિ દ્વારકા - 9125પોરબંદર - 7258કુલ - 2,52,092 સૌરાષ્ટ્ર - કચ્છમાં ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ રાજકોટ - 7927ભાવનગર - 6292જૂનાગઢ - 2754જામનગર - 1905મોરબી - 1888અમરેલી - 1635કચ્છ - 1567ગીર સોમનાથ - 1484સુરેન્દ્રનગર - 1271બોટાદ - 930પોરબંદર - 413દેવભૂમિ દ્વારકા - 331કુલ - 28397 સૌરાષ્ટ્ર - કચ્છમાં ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જિલ્લો - વિદ્યાર્થીઓ રાજકોટ - 25875ભાવનગર - 18868કચ્છ (ભુજ) - 15420જૂનાગઢ - 11772સુરેન્દ્રનગર - 10923અમરેલી - 10472ગીર સોમનાથ - 9672જામનગર - 9169મોરબી - 6926બોટાદ - 5542દેવભૂમિ દ્વારકા - 3936પોરબંદર - 3883કુલ - 1,38,431

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 1:00 pm

વેરાવળમાં બાલિકા પંચાયત તાલીમનું આયોજન:સાગરપુત્ર ફાઉન્ડેશન ખાતે યોજાઈ 3 દિવસીય તાલીમ; બાલિકાઓને પંચાયતી રાજ અને કાયદાકીય અધિકારોનું માર્ગદર્શન અપાયું

વેરાવળના સાગરપુત્ર ફાઉન્ડેશન ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના હેઠળ ત્રિ-દિવસીય બાલિકા પંચાયત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાલિકાઓને સામાજિક રીતે સશક્ત અને નેતૃત્વક્ષમ બનાવવાનો હતો. કાર્યક્રમનો શુભારંભ જનરલ મેનેજર નરેન્દ્રસિંહ હેરમા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી એમ.જી. વારસુર, આસિસ્ટન્ટ કમિશનર હાર્દિક વાઘેલા અને દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીના હસ્તે થયો હતો. આ પ્રસંગે DHEW ટીમ, OSC ટીમ, પૂર્ણા કન્સલ્ટ, મુખ્ય સેવિકા, ફિમેલ હેલ્થ વર્કર, BRC શિક્ષકો અને તાલુકા લાઇવલીહુડ મેનેજર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસીય તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનરો દ્વારા બાલિકા પંચાયતના સભ્યોને વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વ્યાપક માર્ગદર્શન અપાયું. જેમાં બાલિકા પંચાયતનો પરિચય, સભ્યની નિમણૂક અને જવાબદારીઓ, બાળ અધિકારો, જેન્ડર આધારિત ભેદભાવ અને સ્ત્રી-પુરુષ સમાનતા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જેન્ડર આધારિત અત્યાચાર, બાલિકા સલામતી, સંરક્ષણ કાયદાઓ, જીવન કૌશલ્ય, નેતૃત્વ વિકાસ, પોષણ, પંચાયતી રાજ વ્યવસ્થા, ડિજિટલ સલામતી અને વ્યસનમુક્તિ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તાલીમમાં માત્ર વ્યાખ્યાનો જ નહીં, પરંતુ ગ્રુપ ડિસ્કશન, પ્રશ્નોત્તરી અને પ્રાયોગિક પ્રવૃત્તિઓ દ્વારા બાલિકાઓને સક્રિય રીતે જોડવામાં આવી હતી. આનાથી તેઓએ ખુલ્લા મનથી પોતાના વિચારો વ્યક્ત કર્યા અને સમાજમાં રહેલી અસમાનતા તથા પડકારો અંગે ચર્ચા કરી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી એમ.જી. વારસુરએ જણાવ્યું હતું કે, “બાલિકા પંચાયત માત્ર એક મંચ નથી, પરંતુ બાલિકાઓને નેતૃત્વ અને નિર્ણયક્ષમતા તરફ આગળ વધારતું શક્તિશાળી સાધન છે.” જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની આ પહેલથી બાલિકાઓમાં આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય અને સામાજિક જવાબદારીની ભાવના મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. આ ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમ બાલિકાઓના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યો છે, જે ભવિષ્યમાં સમાનતા, સુરક્ષા અને સશક્ત સમાજની રચનામાં યોગદાન આપશે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 1:00 pm

પોરબંદર દરિયામાં કોસ્ટગાર્ડે ઈરાની બોટ ઝડપી:કરોડોના વિદેશી સિગારેટ જથ્થા સાથે 4 ક્રૂ મેમ્બરની ધરપકડ

ભારતીય કોસ્ટગાર્ડે પોરબંદર નજીક અરબી સમુદ્રમાં એક સફળ ઓપરેશન હાથ ધરીને કરોડો રૂપિયાના વિદેશી સિગારેટના જથ્થા સાથે એક ઈરાની બોટ ઝડપી પાડી છે. દ્વારકાથી આશરે 115 નોટિકલ માઈલ દૂર મધદરિયેથી 'અલ મુખ્તાર' નામની આ શંકાસ્પદ બોટને પકડી પાડવામાં આવી હતી. બોટ પર સવાર ચાર ઈરાની ક્રૂ મેમ્બરોની પણ અટકાયત કરવામાં આવી છે. કોસ્ટગાર્ડને મળેલી ગુપ્ત બાતમીના આધારે સમુદ્રમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ 'અલ મુખ્તાર' જહાજને અટકાવીને તેની તલાશી લેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ જહાજના હોલ્ડમાં ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવેલા વિદેશી બ્રાન્ડની સિગારેટના આશરે 200 જેટલા કાર્ટન શોધી કાઢ્યા હતા. જપ્ત કરાયેલા સિગારેટના જથ્થામાં આશરે 1 લાખ પેકેટનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત ₹2.5 કરોડથી ₹5 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. ગુજરાતના દરિયાકાંઠે નશીલા પદાર્થો અને પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી રોકવા માટે કોસ્ટગાર્ડ સતર્ક છે. ઝડપાયેલા ઈરાની શખ્સો અને 'અલ મુખ્તાર' જહાજને વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે પોરબંદર જેટી પર લાવવામાં આવશે. આ સિગારેટનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને તેની પાછળ કયા મોટા માથાઓ સંડોવાયેલા છે, તે અંગે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 12:54 pm

રતનપર દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો,રસોઈ મહોત્સવ:ફ્રૂટ ફન ફેર યોજાયો, DEO સહિત વાલીઓએ મુલાકાત લીધી

સુરેન્દ્રનગરના રતનપર સ્થિત દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો, રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેર સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન મેળામાં કુલ 366 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ 192થી વધુ પ્રકારની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમની વૈજ્ઞાનિક સમજ અને સર્જનાત્મકતા પ્રદર્શિત થઈ હતી. રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેરમાં 146થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિજ્ઞાન મેળામાં રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ તેમજ અન્ય કાર્યક્રમોને નિહાળ્યા હતા. વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી એ.એમ. ઓઝા, શાળાના શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 12:41 pm

અમદાવાદ સિવિલમાં શાહરૂખને ટોઇલેટ કરાવ્યું ને 21 લાખનું સોનું નીકળ્યું:અબુ ધાબીથી આવેલા પેસેન્જરના શરીરમાંથી 135 ગ્રામ સોનાની ત્રણ કેપ્સ્યુલ મળી

અબુ ધાબીથી અમદાવાદ આવેલી એર અરેબિયા ફ્લાઇટમાં આવેલા શાહરૂખ નામના પેસેન્જરના શરીરમાંથી 21 લાખથી વધુની કિંમતની સોનાની કેપ્સ્યુલ કસ્ટમ વિભાગના એર ઇન્ટલિજન્ટ યુનિટ દ્વારા કબજે કરવામાં આવી છે. આ અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાવેલી હેરોઇન ભરેલી 79 કેપ્સ્યુલ કબજે કરવામાં આવી હતી. આ કેસમાં તાજેતરમાં જ કોર્ટ દ્વારા મહિલા આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાં વળી આવો જ કેસ કસ્ટમ વિભાગના અધિકારીઓએ પકડી પાડ્યો છે. કસ્ટમના અધિકારીઓ સામે સોનું ગળ્યું હોવાનું સ્વીકાર્યું19 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ કસ્ટમ્સના AIU અધિકારીઓએ પ્રોફાઇલિંગના આધારે ભારતીય પાસપોર્ટ ધરાવતા અને એર અરેબિયા ફ્લાઇટ નં. 3L 111 દ્વારા અબુ ધાબીથી અમદાવાદ આવી રહેલા શાહરૂખ નામના એક પેસેન્જરને અટકાવ્યો હતો. તેની પૂછપરછમાં પેસેન્જરે કબૂલ્યું છે કે તેણે ગળીને તેના શરીરમાં સોનાને કેપસ્યુલ છુપાવી હતી. સોનું કાઢવા મુસાફરને સિવિલ લઈ જવાયોત્યારબાદ તેને 19મી ફેબ્રુઆરીના રોજ જ અમદાવાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ શરીરમાં છુપાયેલા પદાર્થો શોધી શકાય તે માટે મુસાફરને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલમાં ટોઈલેટ કરાવતી વખતે 3 નળાકાર અને 1 ગોળાકાર કેપ્સ્યુલ નીકળીસિવિલ હોસ્પિટલમાં, મળ પસાર કરાવતી વખતે ડૉક્ટરને મુસાફરના શરીરમાંથી પીળા રંગની 3 નળાકાર કેપ્સ્યુલ અને 1 ગોળાકાર આકારના સ્ટીલ કલરનો બોલ છુપાવેલો જોવા મળ્યો. સિવિલ હોસ્પિટલ, અમદાવાદે 21 ફેબ્રુઆરીના રોજ મેડિકલ રિપોર્ટ દ્વારા આ છુપાવેલા માલની માહિતી આપી અને મુસાફરને ડિસ્ચાર્જ કર્યો હતો. 3 નળાકાર કેપ્સ્યુલમાંથી 135 ગ્રામ સોનું નીકળ્યુંત્યાર બાદ પેસેન્જરના શરીરમાંથી મલેલા માલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને પ્રમાણપત્ર રજૂ કર્યું. જેમાં પ્રમાણિત કરવામાં આવ્યું કે 3 ત્રણ નળાકાર આકારના કેપ્સ્યુલની ધાતુ 135.200 ગ્રામ વજનની સોનાની છે, જેની શુદ્ધતા 999.0 /24 કેરટની છે, તેની બજાર કિંમત રૂ. 21 લાખ 89 હજાર 564 થાય છે અને ટેરિફ મૂલ્ય રૂ. 20 લાખ 17 હજાર 801 છે. જ્યારે ચોથી ગોળાકાર કેપ્સ્યુલ ફેરસ ધાતુનું બનેલી હોવાનું જાણવા મળ્યું હતું. તેથી, કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તેને જપ્ત કરવામાં આવ્યું હતું કારણ કે તેને કસ્ટમ્સને જાહેર કર્યા વિના શરીરમાં છુપાવીને ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની વધુ તપાસ ચાલુ છે. આ અન્ડરવેર સોનાનું છે, નીકળ્યું 45 લાખનું સોનું9 ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખસ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું હતું. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું, જે જોતાં પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું, પરંતુ કસ્ટમ્સ વિભાગને એરપોર્ટ પર શખસની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતાં આ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો અને અધિકારીઓ પણ સોનાને છુપાવવાની આ પદ્ધતિ અને સંપૂર્ણ સોનાનું અંડરવેર જોઈને દંગ રહી ગયા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વિદેશથી કેટલું સોનું, મોબાઇલ, દારૂ, રોકડ લાવી શકાય?એરપોર્ટ પર સોનું, ચાંદી, હીરા જેવી કીમતી વસ્તુ અને મોંઘા મોબાઈલ જેવાં ગેજેટ્સ સાથે મુસાફર પકડાઈ જવાના ઘણા કિસ્સા સામે આવતા હોય છે. વળી, વિદેશમાં રહેતા સંબંધી વતન આવે તો મોબાઇલ, લેપટોપ જેવી વસ્તુઓ મગાવવાની પણ ઘણા લોકોની ઇચ્છા હોય, પરંતુ સામાન્ય મુસાફરના મનમાં પણ સવાલો ઊઠે કે વિદેશથી કંઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લવાય, કેટલી રોકડ લાવી શકાય અને કેટલું લઈ જઈ શકાય? જો સોના-ચાંદીનાં ઘરેણાં પહેરીને વિદેશ જઈએ તો પરત આવતા સમયે એરપોર્ટ પર કોઈ રોકે તો શું કરવું? (વાંચો સંપૂર્ણ સમાચાર) 4 ઓક્ટોબર 2025ના અમદાવાદમાં પેન્ટમાં છુપાવેલી 491 ગ્રામ સોનાની પેસ્ટ ઝડપાઈઅમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દાણચોરી કરી લાવવામાં આવતું ગોલ્ડ ઝડપાવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અમદાવાદ કસ્ટમ દ્વારા દુબથી આવેલા એક ભારતીય નાગરિક પાસેથી રૂપિયા 59 લાખ રૂપિયાનું ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર ચેકિંગમાં ઝડપાય નહીં એ માટે યુવક દ્વારા ગોલ્ડનો પાઉડર અને પેસ્ટ બનાવી જીન્સ પેન્ટના નીચેના ભાગે કાપડના બે સ્તર વચ્ચે છુપાવ્યું હતું, જોકે ડીઆરઆઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે યુવક એરપોર્ટ પર ઊતરતાં જ તેની તલાશી લઈ ઝડપી પાડ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) ભેજાબાજ ટ્રોલીબેગના વ્હીલમાં સોનું છુપાડી લાવતો ઝડપાયોઅમદાવાદ એરપોર્ટ પરથી સતત ત્રીજા દિવસે સોનું મળવાની આજે ત્રીજી ઘટના સામે આવી છે. કસ્ટમ વિભાગે દુબઈથી આવતા એક મુસાફર પાસેથી 24 કેરેટનું 16 લાખની કિંમતનું 152 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. આરોપી 24 કેરેટના 152 ગ્રામ સોનાના નળાકાર ટુકડાઓ ટ્રોલી બેગના વ્હીલમાં છુપાવી આવ્યો હતો, જેને કસ્ટમ વિભાગે ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) દુબઇથી ઇન્ડિગો ફ્લાઈટમાં 2.65 કિલો સોનાની પેસ્ટ મોજાંમાં છુપાવી અમદાવાદ લાવ્યાઅમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 2.56 કરોડનું 2.65 કિ.ગ્રા સોનું જપ્ત કર્યું છે. દુબઇથી ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરો સોનાની પેસ્ટનાં 6 સિલ્વર કલરનાં પાઉચને મોજાંમાં છુપાવી અમદાવાદ લાવ્યા હતા. કસ્ટમ વિભાગે એક પુરુષ અને બે મહિલા સહિત કુલ 3 મુસાફરની ધરપકડ કરી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 12:40 pm

ગઢડાના સુખદેવ ધામેલીયાને દુલાભાયા કાગ એવોર્ડ:મોરારિબાપુના હસ્તે કાગધામ મજાદરમાં સન્માનિત કરાતાં જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી

બોટાદ જિલ્લાના ગઢડાના જાણીતા હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયાને પ્રતિષ્ઠિત દુલાભાયા કાગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માનથી ગઢડા સહિત સમગ્ર બોટાદ જિલ્લામાં ગૌરવની લાગણી વ્યાપી છે. સાહિત્ય અને કલા ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન બદલ તેમને આ એવોર્ડ એનાયત કરાયો છે. વિશ્વવંદનીય સંત મોરારીબાપુના વરદહસ્તે આ ગૌરવસભર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. સન્માન સમારોહ કાગધામ મજાદર ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે અનેક સાહિત્યપ્રેમીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની હાજરીમાં સુખદેવ ધામેલીયાનું સન્માન કરાયું. સુખદેવ ધામેલીયા ગઢડાના સ્વર્ગસ્થ જાદવજીબાપા (મોજડીવાળા)ના પુત્ર છે. જાદવજીબાપાએ પણ સાહિત્ય અને કલા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના પુત્ર દ્વારા આ પરંપરાને આગળ ધપાવવામાં આવી રહી છે, જે ગઢડા અને બોટાદ જિલ્લા માટે ગૌરવની વાત છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 12:37 pm

પ્રજા માટે જાગતા MLA કાનાણી ‘મન કી બાત’માં ઊંઘી ગયાં:CM ભૂપેન્દ્ર પટેલ પણ પહેલી હરોળની ત્રીજી સીટમાં બેઠા હતાં; સુરતમાં રાષ્ટ્રીય પુસ્તક મેળો-ફ્લાવર શો ખુલ્લો મુકાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 22 ફેબ્રુઆરીને રવિવારે સુરતની મુલાકાતે છે. તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ને જીવંત નિહાળ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મન કી બાત બાદ મુખ્યમંત્રીના હસ્તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય પુસ્તક મેળો, ફ્લાવર શો અને હોર્ટિકલ્ચર મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હંમેશા જનતા માટે જાગતા એવા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કાર્યક્રમ ઊંઘતા નજરે પડ્યાં હતાં. ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળતી વખતે કાનાણીને ઝોલા આવવા લાગ્યાં હતાં. પહેલી હરોળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી ત્રીજી જ સીટમાં કુમાર કાનાણી બેઠેલા હતાં. યુનિવર્સિટીના હોલમાં PMના વિચારો સાંભળ્યામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત પહોંચતાની સાથે જ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમમાં હાજરી આપી હતી. VNSGUના સેમિનાર હોલમાં સવારે 11:00 વાગ્યે તેમણે અન્ય મહાનુભાવો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે બેસીને વડાપ્રધાનના સંબોધનને લાઈવ સાંભળ્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના રાષ્ટ્રનિર્માણના વિઝનને બિરદાવ્યું હતું અને આ કાર્યક્રમને જનચેતનાનું માધ્યમ ગણાવ્યું હતું. CMના હસ્તે ત્રિવેણી સંગમનું ઉદ્ઘાટનમન કી બાત કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રી સીધા મેળાના મેદાનમાં પહોંચ્યા હતા. અહીં તેમણે રિબન કાપીને ‘સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો’, ‘હોર્ટિકલ્ચર મેળો’ અને ‘ફ્લાવર શો’નું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, સુરત હવે માત્ર ડાયમંડ અને ટેક્સટાઈલ જ નહીં, પણ સાહિત્ય અને સંસ્કૃતિનું પણ મોટું કેન્દ્ર બની રહ્યું છે. મુખ્યમંત્રીની હાજરીમાં કુમાર કાનાણી ઊંઘતા ઝડપાયાએકતરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમને અત્યંત એકાગ્રતાથી સાંભળી રહ્યા હતા, ત્યારે બીજી તરફ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કેમેરામાં ઊંઘતા ઝડપાયા હતા. યુનિવર્સિટીના હોલમાં જ્યારે ગંભીરતાપૂર્વક મન કી બાતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે ધારાસભ્યને ગાઢ નિદ્રામાં જોઈને ત્યાં હાજર લોકોમાં ગણગણાટ શરૂ થયો હતો. આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે કે એક તરફ મુખ્યમંત્રી જાગૃત અવસ્થામાં રાષ્ટ્રજોગ સંદેશ સાંભળી રહ્યા છે અને બીજી તરફ તેમના જ પક્ષના ધારાસભ્ય સાર્વજનિક કાર્યક્રમમાં ઝોલા ખાઈ રહ્યા છે. 'નમો પેવેલિયન' મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્રપુસ્તક મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક ભવ્ય થીમ પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ પેવેલિયનની મુલાકાત લીધી હતી, જ્યાં PM મોદી દ્વારા લખાયેલા પુસ્તકો અને તેમના સુશાસન પરના સાહિત્યનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. અહીં ખાસ તૈયાર કરાયેલા ‘નમો રીડિંગ કોર્નર’માં બેસીને યુવાઓ વડાપ્રધાનના જીવનમાંથી પ્રેરણા લઈ શકશે. 11 ડોમમાં 63થી વધુ બુક સ્ટોલ્સવાંચન પ્રેમીઓ માટે આ મેળો જ્ઞાનનો ભંડાર સાબિત થશે. કુલ 11 વિશાળ ડોમમાં આયોજન કરાયું છે, જેમાં બુક ફેર માટેના 5 ડોમમાં 63થી વધુ સ્ટોલ્સ છે. મુખ્યમંત્રીએ સ્ટોલ્સ પર જઈને પ્રકાશકો સાથે વાતચીત કરી હતી. તેમણે નવી પેઢીને મોબાઈલ છોડી પુસ્તકો તરફ વળવા માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ ગણાવ્યું હતું. 800 ચોરસ મીટરમાં પથરાયો રંગબેરંગી ફ્લાવર શોપ્રકૃતિ પ્રેમીઓ માટે 800 ચોરસ મીટર વિસ્તારમાં ફ્લાવર શોનું નિર્માણ કરાયું છે. જેમાં ‘પીએમ સૂર્યઘર’ અને ‘જલશક્તિ અભિયાન’ જેવી કેન્દ્ર સરકારની યોજનાઓને ફૂલોના માધ્યમથી દર્શાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ ફૂલોની કલાત્મક પ્રતિકૃતિઓ નિહાળી હતી. હોર્ટિકલ્ચર મેળામાં ગુજરાત-મહારાષ્ટ્રની 40થી વધુ નર્સરીઓ ભાગ લઈ રહી છે. શિલ્પગ્રામ થકી લુપ્ત થતી કળાને પ્લેટફોર્મ મળ્યુંમેળામાં 1 ડોમમાં 44 સ્ટોલ્સ સાથે શિલ્પગ્રામ બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ અહીં કચ્છી જ્વેલરી, શંખની વસ્તુઓ અને એમ્બ્રોઇડરી વર્કનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી. આ વિભાગ મુલાકાતીઓને ગુજરાતની પ્રાચીન વિરાસતનો પરિચય કરાવશે. સુરતીઓ માટે 36 સ્ટોલ્સનો ફૂડ ઝોનસ્વાદના શોખીન સુરતીઓ માટે 36 સ્ટોલ્સ સાથેનો વિશાળ ફૂડ ઝોન તૈયાર કરાયો છે. મુખ્યમંત્રીએ ફૂડ ઝોનની મુલાકાત લઈને આયોજનની સમીક્ષા કરી હતી. પુસ્તકો અને ફૂલોની દુનિયામાં ફર્યા બાદ મુલાકાતીઓ અહીં વિવિધ વાનગીઓની મજા માણી શકશે. 26 વર્ષની ગૌરવશાળી પરંપરા અકબંધસુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2000 થી શરૂ થયેલી પુસ્તક મેળાની આ પરંપરા આજે 26મા વર્ષમાં પ્રવેશી છે. 22 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં લાખો મુલાકાતીઓ ઉમટી પડે તેવું આયોજન છે. મુખ્યમંત્રીની મુલાકાતથી આ આયોજનમાં એક નવો ઉત્સાહ ઉમેરાયો છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 12:26 pm

ગુનાખોરીના કારણે બદનામ રાજકોટના જંગલેશ્વર વિસ્તારની ક્રાઈમ કુંડળી:ડ્રગ્સ પેડલરોનો વસવાટ, છેલ્લા 10 વર્ષમાં 4 હત્યા, 3 હત્યાની કોશિશ; 61 ગેરકાયદે હથિયારો મળ્યા

રાજકોટમાં ગુનાખોરીના કારણે બદનામ જંગલેશ્વર વિસ્તાર છેલ્લા કેટલાક દિવસોથી મેગા ડીમોલીશન કામગીરીને લઈ ચર્ચામાં આવ્યો છે. શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી નદીના કાંઠે આવેલ જંગલેશ્વર વિસ્તાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. જંગલેશ્વર વિસ્તારને રાજકોટમાં અતિ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે અને આ વિસ્તાર હિસ્ટ્રીસીટરોનું હબ પણ માનવામાં આવે છે. આ વિસ્તારમાં સારા લોકો પણ વસવાટ કરે છે પરંતુ કુખ્યાત હિસ્ટ્રીસીટરોના કારણે આ વિસ્તાર બદનામ થઈ ચૂક્યો છે.હાલમાં આ વિસ્તારમાં તંત્ર દ્વારા 1489 જેટલા દબાણો દૂર કરી મેગાડીમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે દિવ્યભાસ્કર ખાસ અહીંયાના હિસ્ટ્રીસીટરોના કારણે બદનામ થયેલ વિસ્તારની ક્રાઇમ કુંડળી તપાસતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દારુ-જુગારથી લઈ હત્યા, હત્યાનો પ્રયાસ અને ગેરકાયદે હથિયાર મળવાના ગુનાઆ વિસ્તારમાં ગાંજો, ચરસ, અફીણ અને ડ્રગ્સના મુખ્ય પેડલરો વસવાટ કરે છે જયારે આ વિસ્તારમાં છેલ્લા એક દાયકા એટલે કે 10 વર્ષની અંદર દારૂના 276, ઘોડી-પાસના 65, 4 હત્યા અને 3 હત્યાની કોશિશના કેસ નોંધાઈ ચુક્યા છે એટલું જ નહિ છેલ્લા એક દાયકામાં અહિયાંથી 61 ગેરકાયદે હથિયારો મળી આવ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત મૂર્ઘા ગેંગના 21 શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે આ ગેંગ દ્વારા છેલ્લા 10 વર્ષમાં દારૂ જુગાર સિવાયના 36 ગંભીર ગુના નોંધાયેલા છે. ડ્રગ્સ પેડલરોના રહેઠાણના કારણે ગાંજો, ચરસ અને હેરોઈનના કેસ રાજકોટ પોલીસમાં સતાવાર ચોપડે નોંધાયેલ કેસ મુજબ છેલ્લા 8 વર્ષમાં 40.65 લાખની કિંમતનો 472 કિલોગ્રામ ગાંજો, 8.13 લાખની કિંમતનું ચરસ, 5170 કિંમતના 33 ગ્રામ પોસ ડોડા, અને 3.30 લાખ કિંમતનું 33 ગ્રામ હેરોઇન મળી કુલ 52.13 લાખના માદક પદાર્થ સાથે કુલ 53 આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે જયારે પ્રોહિબિશન હેઠળ દેશી તથા વિદેશી દારૂના 276 કેસ કરી 33.18 લાખ કિંમતનો મુદામાલ કબ્જે કરી 300 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી 61 ગેરકાયદેસર હથિયારો અને કાર્ટીસ સાથે કુલ 64 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત ચોરી, ઘરફોડ ચોરી, લૂંટના કુલ 37 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં 72 આરોપીઓની ધરપકડ કરી 19.09 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હત્યાના કુલ 4 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હત્યાની કોશિશના કુલ 3 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સામાન્ય મારામારીના કુલ 38 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં 66 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ અને દુષ્કર્મના કુલ 15 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં 19 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદે મંડળી રચી ગુનો આચરવાના કુલ 12 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં 79 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વારંવાર ગુના આચરવાની ટેવ ધરાવતા આરોપીઓ સામે વર્ષ 2016થી 2023 સુધીમાં કુલ 58 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં સૌથી વધુ વર્ષ 2019માં 15 શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારની કુખ્યાત સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમીર ઉર્ફે મૂર્ઘો પઠાણ સહીત 21 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગના 21 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં 36 ગુના નોંધાઈ ચુક્યા છે. આ 36 ગુનામાં ચોરી, જુગાર કે પ્રોહિબિશનના ગુના ધ્યાન પર લેવામાં આવ્યા નથી. આ ગેંગ ઉપર હત્યા અને હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ, આર્મ્સ એક્ટ, NDPS, તેમજ મિલ્કત સંબંધિત ગુના નોંધાઈ ચુક્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 12:22 pm

2માર્ચે સોમનાથમાં અનોખું હોલિકા દહન:વૈદિક પરંપરા સાથે પર્યાવરણનો સંદેશ; હવે ઘરે બેઠા હોલિકાઆહુતિ; સોમનાથ ટ્રસ્ટની અનોખી ડિજિટલ ભક્તિ પહેલ

હોળી પર્વની પાવન સંધ્યાએ તા. 2 માર્ચ 2026ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના સાનિધ્યમાં વૈદિક પરંપરાનું અનોખું દૃશ્ય સર્જાવાનું છે. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંજે 8:00 કલાકે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવશે. આ આયોજન માત્ર ધાર્મિક વિધિ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ પર્યાવરણ સંરક્ષણનો શક્તિશાળી સંદેશ પણ આપશે. દેશભરમાં સામાન્ય રીતે લાકડાના ઢગલાઓથી હોલિકા દહન કરવામાં આવે છે,જ્યારે સોમનાથ ટ્રસ્ટે પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ગૌશાળાની ગૌમાતાના સુકેલા છાણ, ગીર ગાયનું શુદ્ધ ઘી, સમિધ કાષ્ટ, સાત પ્રકારના અનાજ,કપૂર અને ઔષધિઓ વડે વૈદિક હોલિકા દહન કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલ પ્રધાનમંત્રીના લાઈફ સ્ટાઇલ ફોર એન્વાર્યમેન્ટ (LiFE) અભિગમ સાથે સંકળાયેલી છે,જે જીવનશૈલીમાં પર્યાવરણમૈત્રી બદલાવ લાવવાનો સંદેશ આપે છે. શાસ્ત્રોક્ત અને આયુર્વેદિક દૃષ્ટિએ ગૌમય તથા ઔષધિઓનું દહન વાતાવરણ શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. વાત, પિત્ત અને કફ જેવા દોષોના નિવારણ માટે પણ આ પદ્ધતિને લાભદાયી માનવામાં આવે છે. હવે ઘરે બેઠા હોલિકામાં આહુતિ: સોમનાથ ટ્રસ્ટની અનોખી ડિજિટલભક્તિ પહેલ હોળી પર્વને આધ્યાત્મિકતા સાથે આધુનિક ટેક્નોલોજીનો સ્પર્શ આપતી અનોખી પહેલ તરીકે સોમનાથ મંદિર ટ્રસ્ટએ ભક્તો માટે વિશેષ ઓનલાઈન સુવિધા શરૂ કરી છે.હવે દેશ-વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓ પણ ઘરે બેઠા પવિત્ર હોલિકા દહનમાં પોતાની આહુતિ અર્પણ કરી શકશે. મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. 2માર્ચે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે યોજાનાર વૈદિક હોલિકા દહન પ્રસંગે ભક્તો માત્ર ₹21 ન્યોછાવર કરીને Somnath.org મારફતે હોલિકામાં ગૌમય છાણ,ગીર ગાયનું ઘી,સમિધ કાષ્ટ,સાત પ્રકારના અનાજ,કપૂર અને ઔષધિઓ જેવી પવિત્ર સામગ્રીની આહુતિ અર્પણ કરી શકશે.આ પહેલ ભક્તિભાવને ડિજિટલ યુગ સાથે જોડતી અનોખી કડી બની રહી છે. ટ્રસ્ટના આ નિર્ણયથી તે ભક્તોને વિશેષ લાભ મળશે,જેઓ કોઈ કારણસર સોમનાથ પહોંચી શકતા નથી.ઓનલાઈન સુવિધા દ્વારા તેઓ હોલિકા દહનના લાઈવ દર્શનનો પણ લાભ લઈ શકશે, જેથી ભક્તિનો ભાવ અને જોડાણ અખંડિત રહેશે. સાથે જ, પ્રત્યક્ષ ઉપસ્થિત ભક્તો માટે પણ ગોમય યુક્ત આહુતિ અર્પણ કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અગ્નિ દેવતાને વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આહુતિ અર્પણ કરવાનો અવસર ભક્તોને મળશે. આ પહેલ માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી નથી, પરંતુ પર્યાવરણ જાગૃતિ અને વૈદિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. પરંપરા અને ટેક્નોલોજીનું આ સુમેળ સોમનાથથી વિશ્વ સુધી ભક્તિનો પ્રસાર કરશે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 12:20 pm

વલસાડના સુરવાળા બીચ પર ડોલ્ફિનનું હાડપિંજર મળ્યું:સાથે ઝેરી દરિયાઈ સાપ મળતાં વન વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો

વલસાડના સુરવાળા બીચ પર ડોલ્ફિનનું હાડપિંજર અને ઝેરી દરિયાઈ સાપ મળી આવતા પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. પ્રહરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંકેત દેસાઈએ વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. આ ઘટના 21 ફેબ્રુઆરીની સવારે લગભગ 8:30 કલાકે બની હતી. સંકેત દેસાઈ મોર્નિંગ વોક દરમિયાન બીચ પર ડોલ્ફિનના હાડપિંજર અને 'માલાબાર સી સ્નેક' તરીકે ઓળખાતા ઝેરી દરિયાઈ સાપને જોયા હતા. આ બંને દરિયાઈ જીવો વન્યજીવ કાયદા હેઠળ રક્ષિત પ્રજાતિઓ છે અને દરિયાઈ પરિસ્થિતિ તંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દેસાઈએ જણાવ્યું હતું કે, દરિયાકાંઠે આવા દુર્લભ જીવોના સંરક્ષણ અને યોગ્ય નિકાલ માટે વન વિભાગ દ્વારા વધુ સતર્કતા દાખવવી જરૂરી છે. તેમની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. સુરવાળા બીચ પ્રખ્યાત તિથલ બીચની નજીક આવેલો હોવાથી અહીં સહેલાણીઓની અવરજવર રહે છે. આવા મૃત કે ઝેરી દરિયાઈ જીવો બીચ પર પડ્યા રહેવાથી પ્રવાસીઓ માટે જોખમ ઊભું થઈ શકે છે. સ્થાનિકોની માંગ છે કે વન વિભાગ બીચ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારે, મૃત દરિયાઈ જીવોનો તાત્કાલિક અને વૈજ્ઞાનિક નિકાલ કરે, અને જોખમી વિસ્તારોમાં ચેતવણી બોર્ડ લગાવે. સંકેત દેસાઈએ સૂચવ્યું કે જો ડોલ્ફિન, વ્હેલ કે કાચબા જેવા દરિયાઈ જીવોના અવશેષોને વૈજ્ઞાનિક રીતે સાચવીને મ્યુઝિયમ અથવા અભ્યાસ કેન્દ્ર બનાવવામાં આવે, તો તે વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આનાથી દરિયાઈ જૈવવિવિધતા પ્રત્યે જાગૃતિ ફેલાશે અને સંરક્ષણ માટે પ્રેરણા મળશે. દરિયાકાંઠે મળી આવતા દરિયાઈ જીવો અંગે તાત્કાલિક પગલાં લેવાની જવાબદારી વન વિભાગની છે. સ્થાનિક નાગરિકો માને છે કે સમયસર કાર્યવાહી દ્વારા પર્યાવરણ સંરક્ષણ સાથે માનવ સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 12:08 pm

3 મિનિટ સુધી દીવાલ પર લટક્યા બાદ પટકાતા મોત, VIDEO:એક વ્યકિતએ હાથ પકડી બચાવવાનો પ્રયાસ કર્યો પણ ન બચ્યો, વડોદરાની હચમચાવી નાખતી ઘટના

વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અગોરા સિટી સેન્ટરમાં યુવકના થયેલા મોતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સેન્ટરના બીજા માળની દીવાલ પર એક યુવક ટીંગાયેલો જોવા મળી રહ્યો છે જ્યારે નીચે કેટલાક લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. તો બીજી તરફ એક વ્યકિત યુવકનો હાથ પકડી તેને બચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, ત્રણેક મિનિટ સુધી હાથ પકડી રાખ્યા બાદ છૂટી જતા યુવક નીચે પટકાયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. પરિવારજનોએ આ બનાવને લઈ આશંકા વ્યકત કરી છે અને તપાસની માગ કરી છે. મોતનું કારણ જાણવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરીઆ ઘટનામાં મૃતકની ઓળખ હિતેન્દ્ર પરમાર (ઉંમર 35 વર્ષ) તરીકે થઈ છે, જે નવી નગરી, સમા વિસ્તારનો રહેવાસી હતો. આ યુવક સમા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે પણ નોકરી કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત થઈ રહી છે કે, હિતેન્દ્ર ચોરીના ઈરાદાથી આ સાઇટમાં પ્રવેશ કર્યો હતો. સ્થળ પર લોકોની હલચલ અને અવાજો સાંભળતાં તે ગભરાઈને ભાગવા માગતો હતો અને તે દરમિયાન ચોથા માળેથી કૂદી ગયો હોવાની શક્યતા છે. ઘટના બાદ મૃતદેહને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોએ કહ્યું- 'હિતેન્દ્ર ચોરી કરવા નહીં બાકી પૈસા લેવા ગયો હતો'મૃતક યુવકના ભાઈ અજીતસિંહએ જણાવ્યું હતું કે,કોન્ટ્રાકટર છેલ્લા ઘણા સમયથી મૃતક હિતેન્દ્રને કામના પૈસા અપાતો નહોતો. ગતરોજ પૈસા લેવા માટે હિતેન્દ્ર અગોરા સિટી સેન્ટરમાં પહોંચ્યો હતો. સાંજે 5 વાગ્યા આસપાસ અમને આ ઘટનાની જાણ થઈ હતી.ઘટનાની જાણ થતા અમે લોકો સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર જોયું તો મારો ભાઈ મૃત હાલતમાં નીચે પડેલો હતો. પોલીસે અમને એક વીડિયો બતાવ્યો છે, જેમાં મારા ભાઈ હિતેન્દ્રને એક બાઉન્સર પકડી રાખ્યો હોય તેવું દેખાય છે. બાદમાં મારો ભાઈ ત્યાંથી નીચે પટકાય છે. અમારી માંગ છે કે આ મામલામાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, પોલીસેઅમને બતાવેલા વીડિયોમાં મારા ભાઈને બાઉન્સર પકડી રાખે છે અને છોડી દે છે. મારો ભાઈ ઉપર ચડવા પ્રયત્ન કરતો હતો પરંતુ પેલા ભાઈએ હાથ છોડી મૂક્યો હતો. પોલીસ મથકમાં એવું લખાવે છે કે હાથ છૂટી ગયો છે. મારા ભાઈને નાના નાના બાળકો છે. શું દેખાઈ રહ્યું છે CCTVમાં?ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં અગોસા સિટી સેન્ટરના બીજા માળે લટકાતો જોવા મળી રહ્યો છે. બૂમાબૂમ થતા એક વ્યકિત તેની પાસે આવીને હાથ પકડી લે છે. તો બીજી તરફ નીચે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જાય છે. પરંતુ, તમામ લાચાર જોવા મળે છે. 3 મિનિટ સુધી દીવાલ અને અન્ય વ્યકિતના હાથના સહારે લટકી રહેલો હિતેન્દ્ર અચાનક જ ધડાકાભેર નીચે ખાબકે છે. આ સમયે હાજર લોકોની ચીંસ ફાટી નીકળે છે અને નાસભાગ મચી જાય છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 12:05 pm

પાવાગઢ રોપ-વે સેવા ફરી શરૂ:6 દિવસના મેઇન્ટેનન્સ બાદ યાત્રિકો માટે ખુલ્લો

પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વે સેવા 6 દિવસના મેઇન્ટેનન્સ બાદ આજે 22 ફેબ્રુઆરીથી ફરી શરૂ કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા અને ટેક્નિકલ સુવિધાઓની નિયમિત તપાસ માટે 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી. રોપ-વેનું સંચાલન કરતી કંપની Usha Breco Limited દ્વારા આ સમયગાળા દરમિયાન જરૂરી મેઇન્ટેનન્સ કામગીરી, સાધનોની ચકાસણી અને સુરક્ષા સંબંધિત તમામ માપદંડોની તપાસ હાથ ધરવામાં આવી હતી. રોપ-વે સેવા ફરી શરૂ થતા ભક્તોને હવે પગથિયાં ચડવા નહિ પડે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે આ સુવિધા આશીર્વાદ સમાન છે, કારણ કે તેનાથી પર્વત ઉપરના મંદિરે પહોંચવું સરળ બની રહે છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 11:33 am

વલસાડના ધરમપુરમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું:સંઘના 100 વર્ષ પૂર્ણ થતાં સમાજ પરિવર્તન પર ભાર મુકાયો

વલસાડ જિલ્લાના ધરમપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ‘વિરાટ હિન્દુ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સમાજની એકતા અને સનાતન ધર્મના સંરક્ષણનો હતો, જેમાં સંઘના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમાજ પરિવર્તન પર ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત કૃણાલ હરીશભાઈ કંસારાએ જણાવ્યું કે, સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે હવે સંઘનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની અંદર જઈને કામ કરવાનો છે. તેમણે સમાજ દ્વારા જ સમાજનો ઉદ્ધારના મંત્ર સાથે પરિવર્તન લાવવાની નેમ વ્યક્ત કરી. આ માટે પાંચ મુખ્ય સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે: કુટુંબ પ્રબોધન (પરિવારના સંસ્કારો), સામાજિક સમરસતા (ઊંચ-નીચના ભેદભાવની નાબૂદી), નાગરિક કર્તવ્ય, પર્યાવરણ અને સ્વદેશી (ભારતીય સંસ્કૃતિ અને વસ્તુઓનો આગ્રહ). ગુજરાત પ્રાંત સહ-કાર્યવાહ અખિલેશજી પાંડેએ કુટુંબ પ્રબોધન પર ભાર મુકતા કહ્યું કે, આજના સમયમાં પરિવારના સભ્યો વચ્ચે સંવાદ ઘટ્યો છે. તેમણે માતા-પિતાને બાળકો સાથે દિવસમાં એકવાર ભોજન લેવા અને તેમની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવા જણાવ્યું, જેથી બાળકો કોઈ પણ ભૂલ કે સમસ્યા નિઃસંકોચ જણાવી શકે. નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી કમલેશભાઈ ચોલકરે જણાવ્યું કે, ભારત આદિકાળથી જ હિન્દુ રાષ્ટ્ર અને આર્યાવર્ત તરીકે ઓળખાય છે. તેમણે ઉમેર્યું કે ભારતમાં રહેતો દરેક વ્યક્તિ ભારતીય છે અને દેશ પ્રત્યેનું કર્તવ્ય નિભાવવું એ જ સાચો ધર્મ છે. આવા 1 લાખ જેટલા સંમેલનો સમગ્ર ભારતમાં યોજવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સંમેલનનો મુખ્ય સૂર એ હતો કે હિન્દુ સમાજનું સંગઠન અને સનાતન સંસ્કૃતિનું જતન એ જ આપણી તાકાત છે. પરદેશી સંસ્કારો અને વેશભૂષા છોડીને સ્વદેશી જીવનશૈલી અપનાવવી અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 11:31 am

મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા પકડાયા:ગૌરક્ષકોએ બોલેરો ઝડપી, પાયલોટિંગ કરતી ગાડી સહિત 10.80 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી નજીક લક્ષ્મીનગર ગામના બસ સ્ટેશન પાસેથી ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગાડી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પાડા ભરેલી બોલેરો અને તેનું પાયલોટિંગ કરતી અન્ય એક બોલેરો ગાડી સહિત કુલ રૂ. 10.80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક બાળકિશોરનો પણ સમાવેશ થાય છે. પોલીસે બે આરોપીઓને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના વેરાઈ શેરીમાં રહેતા ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયા (ઉંમર 32) એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં શનાવલા સોજમામદ મલીક (ઉંમર 33, રહે. મોટા સરાડા, ભુજ), અબ્બાસભાઈ રહેમાનભાઈ લાખા (ઉંમર 43, રહે. લક્ષ્મીપરા, વાંકાનેર) અને એક બાળકિશોરના નામનો ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ, મોરબી-માળિયા હાઈવે રોડ પર લક્ષ્મીનગર ગામના બસ સ્ટેશન સામેથી બોલેરો પીકઅપ ગાડી (નંબર GJ 12 CT 8399) પસાર થઈ રહી હતી. તેને રોકીને તપાસ કરતા તેમાં ક્રૂરતાપૂર્વક બાંધેલા 15 પાડા મળી આવ્યા હતા. પોલીસે રૂ. 30,000 ની કિંમતના પાડા, રૂ. 5 લાખની બોલેરો ગાડી અને પાડા પહોંચાડવા માટે પાયલોટિંગ કરી રહેલી રૂ. 5.50 લાખની બોલેરો ગાડી (નંબર GJ 3 Z 7805) સહિત કુલ રૂ. 10,80,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 11:30 am

₹3.27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:અમૂલ પ્રોડક્ટની આડમાં સેલવાસથી સુરત જતો જથ્થો જપ્ત

વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ પ્રોહિબિશનના ગુનાઓને ડામવા માટે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. ભિલાડ તલાવપાડા રોડ પરથી અમૂલ ડેરી પ્રોડક્ટની આડમાં લઈ જવાતો ₹3.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બોલેરો પીકઅપ સહિત કુલ ₹6.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે સેલવાસ તરફથી એક સફેદ બોલેરો પીકઅપ (નંબર GJ-16-AY-2643) દારૂ ભરીને સુરત તરફ જવાની છે. આ બાતમીના આધારે LCBના PI ઉત્સવ બારોટના નેતૃત્વમાં ભિલાડ-નરોલી રોડ પર તળાવની બાજુમાં વોચ ગોઠવવામાં આવી હતી. LCB PSI જીવન વસાવાના નેતૃત્વમાં પોલીસ ટીમે શંકાસ્પદ વાહનને અટકાવ્યું હતું. વાહનચાલક રાજ દિનેશભાઈ કાકુલાડે (ઉં.વ. 27, રહે. પાંડેસરા, સુરત / મૂળ મહારાષ્ટ્ર) પ્રાથમિક પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે બંધ કેબિનનું સિલ ખોલી તપાસ કરતા તેમાંથી દારૂના 70 બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાં કુલ 1980 બોટલ વિદેશી દારૂનો જથ્થો હતો, જેની કિંમત ₹3,27,600 આંકવામાં આવી છે. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને બોલેરો પીકઅપ સહિત કુલ ₹6,32,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપી રાજ દિનેશભાઈ કાકુલાડેની ધરપકડ કરી છે. આ દારૂ ભરેલી પીકઅપ ગાડી આપનાર મનોજભાઈ મારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB ટીમે આ કાર્યવાહી કરી હતી. હાલ ભિલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 11:08 am

જામનગરમાં દારૂના ધંધાર્થી સામે પાસા હેઠળ કાર્યવાહી:બે કેસ નોંધાતાં વડોદરા જેલમાં મોકલાયો

જામનગરમાં દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સાહિલ ફિરોજભાઈ પિંજારા સામે પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. નંદનવન સોસાયટી પાસે પિંજારાવાસના રહેવાસી સાહિલ પિંજારા સામે તાજેતરમાં ઇંગ્લીશ દારૂ સંબંધિત બે કેસ નોંધાયા હતા, જેના પગલે તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ કેસોને ધ્યાનમાં રાખીને, એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે સાહિલ પિંજારા સામે પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા કલેક્ટર સમક્ષ મોકલવામાં આવી હતી, જેને મંજૂરી મળી ગઈ હતી. મંજૂરી મળ્યા બાદ, એલસીબીની ટીમે ગઈકાલે મોડી સાંજે આરોપી સાહિલ પિંજારાની અટકાયત કરી હતી. ત્યારબાદ તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 11:01 am

વડોદરામાં બેફામ ડમ્પરે આધેડને કચડ્યા, સ્થળે જ મોત:એક્ટિવા ચાલક ડમ્પરના આગળના વ્હીલ નીચે આવી ગયા; ફસાયેલા મોપેડને મહામુસીબતે બહાર કાઢ્યું

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આજે (22 ફેબ્રુઆરી) એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. તરસાલી બળીયાદેવ મંદિર નજીક પૂરપાટ ઝડપે દોડતા એક ડમ્પરના ચાલકે એક્ટિવા સવારને 55 વર્ષીય દોલતરામ લુહારને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં જામ્બુવાના દોલતરામ લુહારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે રોડ પર ભારે ટ્રાફિકજાન સર્જાયો હતો. પોલીસે સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ડમ્પરનું ટાયર આધેડ પર ફરી વળતા મોતમળતી માહિતી મુજબ, તરસાલી બળીયાદેવ મંદિર પાસેના માર્ગ પરથી દોલતરામ લુહાર એક્ટિવા લઈને પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે પાછળથી આવતા બેફામ ડમ્પરના ચાલકે તેઓને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, એક્ટિવા ચાલક સીધો ડમ્પરના આગળના વ્હીલ નીચે આવી ગયો હતો. ડમ્પરનું ટાયર યુવક પર ફરી વળતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને જોતજોતામાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. તો બીજી તરફ દોલતરામ લુહારનું એક્ટિવા પણ ડમ્પરના આગળના વ્હીલમાં ફસાઈ જતાં હાજર લોકોએ મહામુસીબતે બહાર કાઢ્યું હતું. બેફામ દોડતા ભારે વાહનોને કારણે લોકોમાં રોષઅકસ્માતને પગલે આસપાસના રહીશો અને રસ્તા પરથી પસાર થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. બેફામ દોડતા ભારે વાહનોને કારણે સર્જાતા અકસ્માતોને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધ્યોપોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. અકસ્માત સર્જી ભાગવા જતાં ડમ્પરચાલક સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરચક વિસ્તારમાં બેફામ ડમ્પર ચલાવનારા ચાલકે એક નિર્દોષનો જીવ લેતા મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 10:58 am

ટાંકલ સબ ડિવિઝનમાં 8,160 મીટર વીજતારની ચોરી:22 ગામમાં ₹3.34 લાખના તાર ચોરાયા, DGVCLએ ફરિયાદ નોંધાવી

નવસારી જિલ્લાના ચીખલી તાલુકા હેઠળના ટાંકલ સબ ડિવિઝન વિસ્તારમાં વીજતાર ચોરીની ઘટનાઓ સામે આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં ખેતીવાડી લાઇનમાંથી આશરે 8,160 મીટર એલ્યુમિનિયમનો વીજતાર ચોરાઈ ગયો છે, જેની કિંમત ₹3.34 લાખ આંકવામાં આવી છે. આ મામલે DGVCLના નાયબ ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. DGVCLના નાયબ ઈજનેર મુકેશકુમાર અમ્રતભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગણદેવા થી રાનવેરી કલ્લા અને કલવાચ થી મટવાડ સુધીના 22 ગામો તેમના કાર્યક્ષેત્રમાં આવે છે. 27 ઓક્ટોબર, 2025 થી 6 જાન્યુઆરી, 2026 દરમિયાન તસ્કરોએ ખેતીની જમીન પરથી પસાર થતી 8 કલાકની વીજ લાઇનને નિશાન બનાવી હતી. ચોરીની વિગતો અનુસાર, 27 ઓક્ટોબર, 2025ના રોજ વાંઝણા ગામે ખેડૂત મુકેશભાઈ નાથુભાઈ પટેલની જમીનમાંથી 1,080 મીટર તાર (કિંમત ₹44,298) ચોરાયો હતો. ત્યાર બાદ, 29 ઓક્ટોબર, 2025ના રોજ ચાસા કુંભારિયા રોડ પર જગદીશભાઈ પટેલની જમીનમાંથી 3,120 મીટર તાર (કિંમત ₹1,27,972) ની ચોરી થઈ હતી. વધુમાં, 13 ડિસેમ્બર, 2025ના રોજ ઉઢવણ (રેઠવાણીયા) ગામે ધીરુભાઈ પટેલની જમીનમાંથી 840 મીટર તાર (કિંમત ₹34,454) અને ચાસા ગામે બચુભાઈ પટેલની જમીનમાંથી 2,280 મીટર તાર (કિંમત ₹93,518) ચોરાયા હતા. છેલ્લે, 6 જાન્યુઆરી, 2026ના રોજ વાંઝણા ગામે છોટુભાઈ ઉકાભાઈ પટેલની જમીનમાંથી 840 મીટર તાર (કિંમત ₹34,454) ની ચોરી નોંધાઈ હતી. સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, તસ્કરોએ કોઈ અણીદાર સાધન વડે વીજતાર કાપીને ચોરી કરી છે. કુલ 8,160 મીટર લાંબો અને ₹3,34,696ની કિંમતનો સરકારી માલ-સામાન ચોરાતા DGVCL તંત્ર સક્રિય બન્યું છે. નાયબ ઈજનેરે આ બાબતે સ્થળ તપાસના રિપોર્ટ અને સાક્ષીઓની વિગતો સાથે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 10:58 am

NRI પત્ની સાથે વિશ્વાસઘાત:ગાંધીનગર કોર્ટના છૂટાછેડાના ફેક ડોક્યુમેન્ટથી પતિએ બીજા લગ્ન કર્યા, કરોડોની મિલકત બીજી પત્ની-પુત્રી નામે વારસાઈ કરાવી દીધી

અમેરિકાની નાગરિકતા ધરાવતા અને મૂળ કલોલના મોખાસણ ગામના મહિલા બાળકો સાથે અમેરિકા હોવાનો ફાયદો ઉઠાવી પતિએ ગાંધીનગર સિવિલ કોર્ટના છુટાછેડાના ખોટા કાગળો બનાવી બીજી પત્ની અને તેની દીકરીના નામ કરોડોની મિલકતમાં ચડાવી દેવાતા કલોલ તાલુકા પોલીસ મથકે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધની જાણ થતાં છોડી દીધોમૂળ કલોલના મોખાસણ ગામના હાલમાં અમેરિકાની નાગરિકતા ધરાવતા સુધાબેન પટેલના લગ્ન અશોક પટેલ સાથે 1985માં થયા હતા. 1991માં અશોક ધંધા-રોજગાર માટે અમેરિકા જતા 1995માં સુધાબેન પણ ત્યાં ગયા હતા. જોકે, પતિને અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સબંધો હોવાની જાણ થતા સુધાબેન બે બાળકને લઈ અમેરિકામાં તેમના સગા-સંબંધીઓ સાથે રહેવા લાગ્યા હતા. સાસુએ વડિલોપાર્જિત જમીન ફરિયાદીના નામે લખી આપી2008માં તેમને ગ્રીનકાર્ડ મળી ગયું હતું, જેથી તેઓ ઇન્ડિયા આવતા જતા હતાં. બાદમાં સુધાબેન પોતાના સાસુ મેનાબેનને પણ અમેરિકા લઇ ગયા હતા. એ વખતે સાસુએ ડાંગરવા ખાતેની સાસરી પક્ષની વડિલોપાર્જિત જમીન સુધાબેનના નામે લખી આપી હતી. ત્યારે 2025માં સુધાબેન ભાઈના ત્યાં લગ્ન પ્રસંગે આવ્યા હતા, ત્યારે ડાંગરવા ગામના બે મકાનનો વેરો ભરવા તેમજ બન્ને બાળકોનું નામ ચડાવવા માટે તલાટીને મળ્યા હતા. આ સમયે માલુમ પડ્યું કે, અમેરિકન ગ્રીન કાર્ડ હોલ્ડર પતિ અશોકે આ મિલકમાં પત્ની દેવ્યાનીબેન તથા તેમનાથી જન્મેલી દીકરીનું નામ 30 મે, 2025 રોજ દાખલ કરાવી દીધું છે. તેમની અરજી આધારે નામ વારસાઈમાં ચડાવી દેવાયા છે. આરોપીએ રજૂ કરેલા ડોક્યુમેન્ટ કોર્ટના રેકોર્ડમાં જ નહોંતાઉપરાંત તલાટી સમક્ષ અશોકે 1996-97માં છૂટાછેડા થઈ ગયા હોવાના ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. બાદમાં સુધાબેને આ બાબતે ગાંધીનગર અને અમદાવાદ કોર્ટમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, જે ડિક્રી નંબર (H.M.P No 117/1996) દર્શાવવામાં આવ્યો છે, તેવો કોઈ હુકમ કોર્ટના રેકોર્ડમાં અસ્તિત્વમાં જ નથી. જે સમયે છૂટાછેડા લીધા હોવાનો દાવો કરાયો છે તે સમયે સુધાબેન ભારતમાં હાજર જ નહોતા. કલોક પોલીસમાં ફરિયાદ નોંધાઈપતિ અશોકે માત્ર બીજા લગ્ન જ કરી કાયદેસરના પુત્રનું નામ પણ પેઢીનામામાંથી જાણીજોઈને કમી કરાવવા સરકારી કચેરીઓમાં ખોટા દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરી મિલકત પચાવવાનો પ્રયાસ કરાયો હોવાથી કલોલ તાલુકા પોલીસ મથકે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 10:52 am

એક વર્ષ જૂની અદાવતે હુમલો:ભાવનગરના નેસવડ ગામે ડીજે બંધ કરાવવા મામલે યુવાન પર જીવલેણ હુમલો

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નેસવડ ગામે એક વર્ષ પેહલાં 'ડીજે' બંધ કરાવવાની અદાવતમાં બે શખ્સોએ એક યુવાન પર લાકડી અને લોખંડની સોટી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત યુવાનને હાથની આંગળીમાં ફેક્ચર અને શરીરે મુઢ માર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં સારવાર બાદ તેણે વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​નેસવડ ગામમાં રહેતા અને ખેતી તથા શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વિજય જગાભાઈ ડાભી ઉ.વ.40 એ પોલીસ ફરિયાદ હતી કે, આજથી એક વર્ષ પહેલા વિજયના કાકાના દીકરા આકાશના લગ્નમાં ગામના જ લાલજી વલ્લભભાઈ ડાભીએ 100 નંબર પર ફોન કરી ડીજે બંધ કરાવ્યું હતું, ​જેની અદાવતમાં, ગત તા.4/1/26 ના રોજ જ્યારે લાલજીના ભાઈના લગ્ન હતા, ત્યારે વિજયના પરિવાર તરફથી 112 નંબર પર ફોન કરી ડીજે બંધ કરાવવામાં આવ્યું હતું, આ બાબતે બંને પરિવારો વચ્ચે એકબીજા ના પ્રસંગોમાં ડીજે બંધ કરાવતા તણાવ ઉભો થયો હતો, જે બાદ ગતરોજ સમાધાનના પ્રયાસો કર્યા હતા પણ સમાધાન થયું ન હતું, વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં વિજય જ્યારે અન્ય ગ્રામજનો સાથે લોડિંગ વાહનમાં શાકભાજી ભરીને ચિત્રા યાર્ડ જઈ રહ્યા હતા, ત્યારે દરિયાઈ વેણ વાળા નાળા પાસે લાલજી વલ્લભભાઈ ડાભી અને તેના કાકા ડીગા નારણભાઈ ડાભીએ મોટરસાયકલ આડું નાખી વાહન રોકી લાકડી અને લોખંડની સોટી વડે ગાડીના કાચ ફોડી વિજયને આડેધડ માર મારવા લાગ્યા હતા અને ડાબા હાથની ટચલી આંગળીમાં ફેક્ચર થયું છે અને પગ તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે હુમલો કર્યા બાદ બંને શખ્સોએ હવે પછી કઈ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા, આ અંગે વિજયએ વરતેજ પોલીસ મથકે લાલજી અને ડીગા વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 117(2), 115(2), 351(3), 352, 54 તથા જીપીએક્ટ 135 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 10:47 am

બે દેહવ્યાપારના ગુનામાં વર્ષથી વોન્ટેડ શેખર સાળુંકે ઝડપાયો:11 વર્ષમાં ચોરી-સ્નેચિંગ, પોલીસ પર હુમલા સહિતના 15 ગંભીર ગુનાનો આરોપી આખરે જેલના સળિયા પાછળ

સુરત શહેર ક્રાઈમ બ્રાંચના નાસતા ફરતા સ્કોડએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહવ્યાપારના 2 ગંભીર ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી ફરતા મુખ્ય આરોપી શેખર ચુડામણ સાળુંકેને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી માત્ર દેહવ્યાપાર જ નહીં, પણ વાહનચોરી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, રાયોટિંગમાં પોલીસ પર હુમલો અને ડ્રીંક એન્ડ ડ્રાઈવ જેવા કુલ 15 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. રાંદેર પાલનપુર પાટીયા પાસેથી બાતમીના આધારે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભંગારના વેપારની આડમાં ગુનાખોરીનું સામ્રાજ્યઆરોપી શેખર સાળુંકે સમાજમાં પોતાની છબી એક સામાન્ય ભંગારના વેપારી તરીકે ઉભી કરી હતી. તે રાંદેર રોડ પર સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહીને પાલનપુર પાટીયા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતો હતો. જોકે, આ ભંગારનો વ્યવસાય માત્ર એક મહોરું હતું. આ વ્યવસાયની આડમાં તે આખા શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતો હતો. ભંગાર લેવા-વેચવાના બહાને તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેકી કરતો અને પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો. સ્પાના નામે દેહવ્યાપારના નાણાં વસૂલતોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શેખર અત્યંત શાતિર રીતે નાણાકીય વ્યવહારો કરતો હતો. તેણે બેંક પાસેથી ઓનલાઈન પેમેન્ટ માટેનું સ્કેનર મેળવવા માટે પોતે 'સ્પા'નો ધંધો કરતો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. મહિધરપુરામાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર આવતા ગ્રાહકો પાસેથી તે આ સ્કેનર દ્વારા જ પેમેન્ટ લેતો હતો. આ રીતે તે દેહવ્યાપારમાંથી થતી ગેરકાયદેસર આવકને સ્પાના ધંધાની કાયદેસરની આવક તરીકે દર્શાવવાનો પ્રયાસ કરતો હતો. મહિધરપુરામાં પોલીસે રેડ કરી 6 મહિલાનું રેસ્ક્યૂ કર્યું હતુંઘટનાની વિગત મુજબ, 26, માર્ચ, 2025 અને 31, ઓગસ્ટ, 2025ના રોજ મહિધરપુરા પોલીસ અને AHTU સેલે સંયુક્ત રીતે બુરહાનીપુરા વિસ્તારમાં એક મકાનના બીજા માળે રેડ કરી હતી. આ સ્થળે મહિલાઓ પાસે પરાણે દેહવ્યાપાર કરાવી આર્થિક લાભ મેળવવામાં આવતો હતો. પોલીસે તે સમયે કુલ 6 મહિલાઓને નરકમાંથી આઝાદ કરાવી રેસ્ક્યૂ કરી હતી. આ બંને ગુનાઓમાં શેખર સાળુંકે મુખ્ય સંચાલક તરીકે વોન્ટેડ જાહેર થયો હતો. 2014થી શરૂ થયેલી ગુનાખોરીની હિસ્ટ્રીઆરોપી શેખરનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો અને ચોંકાવનારો છે. તેના પર સૌ પ્રથમ વર્ષ 2014માં વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ખટોદરા, ઉમરા અને અડાજણ પોલીસ મથકોમાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના અનેક કેસો નોંધાયા હતા. 2015માં જ તેણે એક પછી એક ચારથી વધુ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હતો. તેની સતત વધતી જતી ગુનાખોરીએ પોલીસ માટે મોટો પડકાર ઉભો કર્યો હતો. પોલીસ પર હુમલો અને જાહેરમાં રાયોટિંગશેખર માત્ર ચોરી કે દેહવ્યાપારમાં જ મર્યાદિત નહોતો, તે હિંસક મિજાજ પણ ધરાવતો હતો. 2019માં નવસારીના મરોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે રાયોટિંગ અને સરકારી કર્મચારી પર હુમલો કરવાનો ગુનો નોંધાયો હતો. પોલીસ જ્યારે તેને પકડવા અથવા અટકાવવા જતી, ત્યારે તે કાયદો હાથમાં લેતા પણ અચકાતો નહોતો. આ ઉપરાંત સચીન અને અડાજણ વિસ્તારમાં તેની સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસો પણ નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાંચની વોચ અને અંતે ધરપકડછેલ્લા 1 વર્ષથી ફરાર શેખર સાળુંકેને પકડવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમ સતત વોચમાં હતી. બાતમી મળી હતી કે તે પાલનપુર પાટીયા ત્રણ રસ્તા પાસે આવવાનો છે. પોલીસે ગત રાત્રે ચોક્કસ પ્લાનિંગ સાથે તેને ચારેય બાજુથી ઘેરી લીધો હતો અને નાસવાની તક આપી નહોતી. તેની ધરપકડ બાદ હવે પોલીસ તપાસ કરી રહી છે કે તેના આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સામેલ છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 10:37 am

હિંમતનગરના આંબાવાડી અન્ડરપાસની રાત્રિ સફાઈ ઝુંબેશ:ફાયર વિભાગે 3.5 કલાક પાણીનો મારો ચલાવી મુખ્ય માર્ગને ગંદકીમુક્ત બનાવ્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મહાવીરનગરથી પોલોગ્રાઉન્ડ અને બગીચા વિસ્તારને જોડતા આંબાવાડી રેલવે અન્ડરપાસની પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી છે. ગત રાત્રિએ સાડા ત્રણ કલાકની કામગીરીમાં અન્ડરપાસને સ્વચ્છ કરવામાં આવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે બાંધકામ સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં આ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. શનિવારે રાત્રે ૧૧:૩૦ વાગ્યાથી ૨:૪૫ વાગ્યા સુધી પાણીનો મારો ચલાવીને અન્ડરપાસ પરની ગંદકી અને લખાણો દૂર કરવામાં આવ્યા હતા. આ અન્ડરપાસ શહેરમાં ખૂબ જ અવરજવર ધરાવતો મુખ્ય માર્ગ છે. આ અંગે હિંમતનગર નગરપાલિકાના બાંધકામ વિભાગના ચેરમેન ડિકુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અન્ડરપાસમાં વિવિધ લખાણો અને ગંદકી જોવા મળી હતી, જેને કારણે સફાઈ જરૂરી બની હતી. તેમણે ઉમેર્યું હતું કે આ અગાઉ પણ આ અન્ડરપાસની બે વખત સફાઈ કરવામાં આવી હતી. ચેરમેન ગાંધીએ શહેરીજનો અને સ્થાનિકોને અપીલ કરી છે કે કચરો કચરાપેટીમાં નાખે અને દીવાલો પર ખોટા લખાણ ન લખે, જેથી જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવી શકાય.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 10:33 am

8 PG સંચાલકોએ લેખિતમાં બાંહેધરી આપતા AMCએ સીલ ખોલી આપ્યા:વિદ્યાર્થીઓની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી કામચલાઉ રાહત આપી, PG સંચાલકે કહ્યું- 'એક લાખ લોકો રોડ પર આવી જશે'

શહેરમાં ખાનગી સોસાયટીમાં આવેલા ફ્લેટ અને મકાનોમાં વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકોને રહેવા માટે પીજી તરીકે ભાડે આપવામાં આવતા મકાનો સીલ કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. બોડકદેવ વોર્ડમાં આવેલા પ્રેમચંદનગર સોસાયટીમાં PG મકાનો સીલ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ સોસાયટીના રહીશો દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં લઈને સીલ ખોલી આપવા માટે કરેલી રજુઆતને ધ્યાનમાં લઈને ભવિષ્યમાં PG તરીકે ઉપયોગમાં નહીં લેવામાં આવે તેવી રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર બાહેંધરી લઈને 8 મકાનોના સીલ ખોલી આપવામાં આવ્યા છે. AMC દ્વારા દંડ વસૂલ કરીને આ સીલ ખોલી આપવામાં આવ્યા છે. AMCએ PGના સીલ ખોલી આપતા સ્થાનિકોનો વિરોધબીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રેમચંદ નગરમાં મકાનો ખોલી આપવામાં આવ્યા હતા જેને લઈને સ્થાનિક લોકોએ પણ વિરોધ કર્યો હતો. ઢોલ નગારા વગાડી અને સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે પીજીના સંચાલકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મળીને સીલ ન કરવાની કાર્યવાહી અંગેની રજૂઆત કરી હતી જોકે નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી કરાશે એવું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ જણાવી દીધું હતું. જો આ રીતે પીજી સીલ કરાશે તો એક લાખ લોકો રોડ પર આવી જશે- સોહમ પંડ્યાપીજી સંચાલકો દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત કરવામાં આવી હતી. પીજી સંચાલક સોહમ પંડ્યાએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે હાલમાં પીજી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે જે હોસ્ટેલના નિયમો પ્રમાણેની કાર્યવાહી કરાય છે. જો પીજી સીલ કરવામાં આવશે તો એક લાખ લોકો રોડ પર આવી જશે. જો પીજીના કારણે ક્યાંક ન્યુસન્સ થતું હોય તો તે પીજી સીલ કરવા જોઈએ પરંતુ બધા જ પીજીને આ રીતે સીલ ન મારવા માટે સંચાલકો દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. PGને લઈ નવા કાયદા બનાવવાની માગપીજી સંચાલકો દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલને રજૂઆત કરવામાં આવી હતી કે, પીજીને લઈને નવા કાયદા બનાવવામાં આવે કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હોસ્ટેલ, લૉજ અને બોર્ડિંગને જ પીજી માન્ય ગણવામાં આવશે અને આ પ્રકારના કાયદાનું અમલ ન કરવામાં આવે તો આગામી સમયમાં પણ રહેણાંક મકાનમાં ચાલતા પીજીને સીલ મારવાની કાર્યવાહી શરૂ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 10:32 am

'અરે આ તો ફૂલ પીધેલો છે! પોલીસને બોલાવો':વડોદરામાં નશામાં ધૂત કારચાલકે ડીવાઈડરમાં અથડાવી અન્ય કારને ટક્કર મારી, એક યુવકે કહ્યું- 'હું માંડ માંડ બચ્યો છું'

વડોદરા નજીક ગુજરાત રીફાયનરી રોડ પર બોલેરો કેમ્પરના ચાલકે દારૂના નશામાં ધૂત થઇને બેફામ રીતે કાર ચલાવી હતી અને કારને ડીવાઈડર સાથે અથડાઈ હતી. એક કારને પણ ટક્કર મારી હતી જ્યારે એક બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં નશામાં ધૂત કારનો ડ્રાઈવર પણ લોહીલુહાણ થઈ ગયો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ જવાહરનગર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પીધેલી હાલતમાં કાર દોડાવી અકસ્માત સર્જયોજવાહરનગર પોલીસને વર્ધી મળી હતી કે, ગુજરાત રીફાઈનરી રોડ, ગંગાનગર સોસાયટીના નાકે કોયલી ખાતે એક સફેદ કલરની બોલેરો કેમ્પર ગાડીનો ચાલક પીધેલ હાલતમાં છે અને ગાડી ડીવાઈડર સાથે ટક્કર મારી છે. જેથી તુરંત જ જવાહરનગર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં જઈને જોયું તો કાર ચાલકે ડીવાઈડરને ટક્કર મારી હતી અને કાર અથડાઇને ત્યાં ઊભી હતી અને કાર ચાલક પીધેલી હાલતમાં હતો. પોલીસ પૂછપરછ આરોપી અજય રાજેન્દ્રભાઈ ગોહિલ (ઉંમર 20 વર્ષ, બળીયાદેવ નગર રામપુરા ગામ તા.જી.વડોદરા) હોવાનું ખુલ્યું હતું. તે ડ્રાઈવિંગનો વ્યવસાય છે. બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ દરમિયાન તેના શરીરમાં 53 mg આલ્કોહોલનું પ્રમાણ નોંધાયું હતું. જેને પગલે જવાહરનગર પોલીસે અજય રાજેન્દ્રભાઈ ગોહિલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. નશામાં ધૂત ડ્રાઈવર અને લોકો વચ્ચેનો સંવાદ લોકો: (ગાડી ઉભી રખાવીને) તું દારૂ પીધેલો છે ને? લોકો: અરે આ તો ફૂલ પીધેલો છે! બોલાવો પોલીસને. ક્યાંથી પીને આવ્યો છે? લોકો: ગાડી ચાલુ કેમ કરે છે. ગાડીની ચાવી લઈ લો એની પાસેથી. જો તો ખરો, આ કેવી રીતે ગાડી ચલાવે છે! લોકો: જો આને, ચાલુ ગાડીએ દારૂ પીવે છે. તારા મોઢા પર તો જો, આ બધું શું છે? ડ્રાઈવર: (હાથ હલાવીને ના પાડતા) ના ભાઈ, એવું નથી... મારવાની વાત ન કરો. લોકો: અરે તું પીધેલો છે કે નહીં? અત્યારે જો કોઈ મરી ગયું હોત તો? કોઈને કંઈ થઈ ગયું હોત તો તું શું કરત? કેટલી સ્પીડમાં ગાડી હતી તારી? તું પીધેલો છે કે નહીં? ડ્રાઈવર: કશું જ નહીં. લોકો; પીધેલો જ છે આ, પોલીસને બોલાવો. 100 નંબર પર ફોન કરો. લોકો: હું બાઈક લઈને જતો હતો, માંડ માંડ બચી ગયો છું.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 10:29 am

VNSGUનો મોટો નિર્ણય, નવા એડમિશન પર રોક લાગશે:શરતો પૂરી ન કરનાર 11 ગ્રાન્ટેડ કોલેજના સેલ્ફ ફાઈનાન્સ કોર્સ બંધ કરવા પત્ર

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 11 જેટલી ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઈનાન્સના વર્ગો હવે ક્રમશ: બંધ કરવા માટે યુનિવર્સિટી દ્વારા સત્તાવાર સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોમાં સેલ્ફ ફાઈનાન્સના વર્ગો ચલાવવા માટે કેટલીક શરતી મંજૂરી આપવામાં આવી હતી. આ શરતો મુજબ, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ વિભાગમાં અલગ-અલગ આચાર્યો તેમજ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની નિમણૂક કરવાની અનિવાર્યતા હતી, જેનું પાલન કરવામાં કોલેજો નિષ્ફળ રહી છે. શિક્ષણ વિભાગનો યુનિવર્સિટીને કડક શબ્દોમાં પત્રછેલ્લા કેટલાક વર્ષોથી આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો આ બાબતે આંખ આડા કાન કરીને બેઠા હતા. ગ્રાન્ટેડ કોલેજોમાં નિયમ વિરુદ્ધ ચાલતી આ પ્રવૃત્તિઓ સરકારના ધ્યાને આવતા, શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીને કડક શબ્દોમાં પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઈનાન્સ કોર્સ હવે વધુ સમય ચલાવી શકાય નહીં અને તેને તબક્કાવાર બંધ કરવા જોઈએ, જેના પગલે નર્મદ યુનિવર્સિટીએ 11 કોલેજને નોટિસ ફટકારી છે. કોલેજ સંચાલકો દ્વારા બેઠકોની ગોઠવણના આક્ષેપોઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક વર્ષોથી ગ્રાન્ટેડ કોલેજોમાં એક વિચિત્ર સ્થિતિ જોવા મળતી હતી. કોલેજોમાં ગ્રાન્ટેડ વિભાગની બેઠકો ખાલી રહેતી હતી, જ્યારે તે જ કોલેજના સેલ્ફ ફાઈનાન્સ વર્ગોની બેઠકો ખૂબ જ ઝડપથી ભરાઈ જતી હતી. આક્ષેપ છે કે, ‘કોલેજ માફિયાઓ' જાણીજોઈને એવી પરિસ્થિતિ ઊભી કરતા હતા કે જેથી વિદ્યાર્થીઓને સસ્તા દરની ગ્રાન્ટેડ બેઠકો ન મળે અને તેમને ફરજિયાતપણે મોંઘીદાટ સેલ્ફ-ફાઈનાન્સ બેઠકો પર પ્રવેશ લેવો પડે. અનૈતિક ફી વસૂલાત પર કાયમી રોક લાગશે કોલેજ સંચાલકો સામેના ગંભીર આક્ષેપો મુજબ, તેઓ એક તરફ સરકાર પાસેથી મસમોટી ગ્રાન્ટ મેળવતા હતા અને બીજી તરફ સેલ્ફ ફાઈનાન્સ વર્ગોના નામે વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી વસૂલીને બેવડી આવક ઊભી કરતા હતા. લાંબા સમયથી ચાલી રહેલા આ આર્થિક ખેલને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પર મોટું આર્થિક ભારણ આવતું હતું. સરકારના નવા પરિપત્ર અને યુનિવર્સિટીની કાર્યવાહી બાદ હવે આ અનૈતિક ફી વસૂલાત પર કાયમી રોક લાગશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષથી નવા એડમિશન પર રોક લાગશેઃ કિશોરસિંહ ચાવડાવિદ્યાર્થીઓના હિતમાં તબક્કાવાર અમલીકરણ કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આ નિર્ણયનો અમલ 'ક્રમશ:' એટલે કે તબક્કાવાર કરવામાં આવશે. હાલમાં જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઈનાન્સ કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે, તેમને કોઈ શૈક્ષણિક નુકસાન ન થાય તે રીતે વર્ગો બંધ કરવામાં આવશે. આ વર્ષથી નવા એડમિશન પર રોક લાગશે અને આગામી સમયમાં કોઈપણ ગ્રાન્ટેડ કોલેજને નવા સેલ્ફ ફાઈનાન્સ કોર્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિર્ણયથી ગ્રાન્ટેડ કોલેજોમાં ફરીથી સરકારી ફી વાળી બેઠકો ભરાશે અને શિક્ષણમાં પારદર્શિતા આવશે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 10:25 am

હિંમતનગરની બેરણા પ્રાથમિક શાળામાંપ્રેરણાદાયી કાર્યક્રમ:344 વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિથી માતા-પિતાનું પૂજન કરી સનાતન સંસ્કૃતિના સંસ્કારો ઉજાગર કર્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામની પ્રાથમિક શાળામાં એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. બાલવાટિકાથી ધોરણ 8 સુધીના કુલ 344 વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવાનો હતો. આ માતૃ-પિતૃ વંદન કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કિરીટભાઈ અસારી, સરપંચ હસમુખભાઈ પટેલ, બેરણા નૂતન કેળવણી મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલ, પૂર્વ સરપંચ વસંતભાઈ નાયી, SMC કમિટીના અધ્યક્ષ પોપટભાઈ પટેલ, શિક્ષણવિદ જગતસિંહ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા તેમના માતા-પિતાને કંકુ-ચોખા અને પુષ્પ અર્પણ કરીને આરતી ઉતારવામાં આવી હતી. સનાતન સંસ્કૃતિની વિરાસત જાળવી રાખવા માટે આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહથી યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનોએ બાળકોને શિક્ષણ સાથે સંસ્કારના સિંચન બદલ આશીર્વચન પાઠવી શાળાને અભિનંદન આપ્યા હતા. આ અંગે બેરણા પ્રાથમિક શાળાના આચાર્ય ધવલભાઈ ચીમનભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાલવાટિકાથી ધોરણ 8 સુધીના 344 વિદ્યાર્થીઓએ એકસાથે માતા-પિતાનું પૂજન-અર્ચન કરી આરતી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ સઘન જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 10:24 am

ભીમડાદમાં મહિલાને માર માર્યો:બાળમંદિર પાસે કચરાની બાબતે બોલાચાલી બાદ ફરિયાદ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામે બાળમંદિર નજીક કચરો સાફ કરવાની નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ એક મહિલાને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભીમડાદ ગામમાં રહેતી ૩૬ વર્ષીય ઇલાબેન અણીયાળીયાએ તેમના પાડોશીઓ વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે. ઇલાબેનનો આક્ષેપ છે કે રંજનબેન ધીરૂભાઈ જમોડ અને તેમના દીકરા હસમુખભાઈ ધીરૂભાઈ જમોડે લાકડી વડે તેમને માર માર્યો હતો. ફરિયાદ અનુસાર, બાળમંદિર નજીક કચરો સાફ કરવાની બાબતે બોલાચાલી થઈ હતી. ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ઇલાબેનને લાકડી વડે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ઈજાગ્રસ્ત ઇલાબેનને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બોટાદની સબિહા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 10:22 am

રાજકોટ ભાજપનો અઢી વર્ષનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો:મેયરનો મહાકુંભ પ્રવાસ, પતિનું ગેરકાયદે બાંધકામ; આવાસ કૌભાંડમાં બે નગરસેવક સસ્પેન્ડ, શિસ્ત-સંસ્કારી પાર્ટીના જૂથવાદે લીરા ઉડાવ્યાં

અનુશાસન, પ્રતિષ્ઠા, શિસ્ત અને સંસ્કાર સાથે એકજૂથ થઈને કામ કરવાની નીતિની છાપ ધરાવતી ભાજપ પાર્ટીની સ્થિતિ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કંઈક અલગ જ જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના અઢી વર્ષના કાર્યકાળમાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર સૌથી વધુ વિવાદોમાં રહ્યા છે, જે અંગે તેમણે પોતે પણ પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરી હતી. મહિલા મેયર નયનાબેન પેઢડિયાને આંતરિક જૂથવાદ વધુ નડ્યો હોય તેમ જણાય છે, પછી ભલે તે તેમનો મહાકુંભનો પ્રવાસ હોય કે તેમના પતિ દ્વારા થયેલું ગેરકાયદે બાંધકામ. રાજકોટ ભાજપમાં વ્યાપેલો આ આંતરિક જૂથવાદ આગામી ચૂંટણીમાં પાર્ટીને કેટલો ભારે પડશે, તે તો સમય જ કહેશે! શાસકોનો અઢી વર્ષનો કાર્યકાળ વિવાદોના વમળમાંરાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભાજપના વર્તમાન શાસકોનો કાર્યકાળ 11 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે, છેલ્લા અઢી વર્ષ દરમિયાન મેયર નયના પેઢડિયા સહિતના મહિલા કોર્પોરેટરો સતત વિવાદોમાં રહ્યા છે. ખાસ કરીને મેયરનો મહાકુંભ પ્રવાસ અને તેમના પતિ દ્વારા થયેલું ગેરકાયદે બાંધકામ છેલ્લે સુધી ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. તાજેતરમાં મળેલી સંકલન બેઠકમાં મેયર નયનાબેન પેઢડિયાએ માત્ર મહિલા કોર્પોરેટરોનો આભાર માનતા પુરુષ કોર્પોરેટરો રોષે ભરાયા હતા. જોકે ત્યાં દિગ્ગજોની હાજરીના કારણે વધુ એક વિવાદ અટક્યો હતો. આ સિવાય શાસક પક્ષના નેતાએ કરેલી દ્વારિકા અને સોમનાથ જાત્રા પણ વિવાદમાં આવતા લીલુબેન મીડિયા સમક્ષ ભાવુક થયા હતા. તો વજીબેન ગોલતર અને દેવુબેન જાદવના પતિદેવોએ આવાસ ફાળવણીમાં કૌભાંડ કર્યાનું ખુલતા બંને નગરસેવકોને તો પક્ષે સસ્પેન્ડ કરવા પડ્યા હતા. મેયર નયનાબેન મહાકુંભ પ્રવાસ સરકારી ગાડી લઈ ગયાં હતાંરાજકોટ મહાપાલિકામાં સૌથી ઊંચો હોદ્દો ધરાવતા મેયર નયનાબેન પેઢડિયા વિવાદમાં પણ સૌથી વધુ આગળ રહ્યા છે. સૌપ્રથમ વખત તે મહાકુંભ પ્રવાસને લઈ વિવાદમાં આવ્યા હતા, જેમાં મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલી સરકારી ગાડીનો દુરપયોગ કરી બે રૂપિયા પ્રતિ કિલોમીટર મુજબના ભાવે પતિ વિનુ પેઢડિયા અને સગા-સંબંધી સાથે પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ગયા હતા. સરકારી ગાડી પર કપડાં સૂકવવાની તસવીરો તેમજ વીડિયો વાઇરલ થયા હતાં. આ મુદ્દે ભાજપનાં શાસકોએ વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો. પ્રયાગરાજથી પરત આવ્યા બાદ તેમણે પોતે કમિશનરની મંજૂરી લઈને ગયાં હોવાનું અને બે રૂપિયા નહીં પણ નિયમ મુજબ પ્રતિ કિલોમીટર દસ રૂપિયા ભાડું આપ્યાનું કહ્યું હતું. પોતાની બદનામી‌ કરવાં બદલ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની તૈયારી પણ બતાવી હતી. સંત કબીર રોડ પર મેયરના પતિનું ગેરકાયદે બાંધકામનો વિવાદકાર્યકાળનાં અંતમાં 18 ફેબ્રુઆરીનાં રોજ મેયર નયના પેઢડિયાનાં પતિ વિનુ પેઢડિયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાયું હોવાનો વિવાદ સર્જાયો હતો. રાજકોટ સંત કબીર રોડ પર આવેલી નંદુ બાગ (શિવશક્તિ સોસાયટી) ખાતે મેયરનાં પતિ દ્વારા સૂચિતનાં પ્લોટમાં બે માળનાં કોમર્શિયલ કોમ્પ્લેક્સનું બાંધકામ કરાઈ રહ્યાનું સામે આવ્યું હતું. જ્યાં વર્ષોથી નવા બાંધકામ પર પ્રતિબંધ હોવા છતાં, કોઈ પણ પ્રકારના માર્જિન છોડ્યા વગર બાંધકામ કરાતું હોવાનું ખુલતા મેયર પણ વિવાદમાં આવ્યા હતા. જોકે તેમણે નિયમ મુજબ બાંધકામ થતું હોવાનો લૂલો બચાવ કર્યો હતો. છતાં મામલો મીડિયામાં આવતા ટીપી શાખા દ્વારા 260-1ની નોટિસ આપી આ બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું. મેયરે માત્ર મહિલા કોર્પોરેટરોનો આભાર માનતા પુરૂષોમાં રોષ ભભૂક્યો હતો18 ફેબ્રુઆરી, 2026નાં રોજ મળેલી જનરલ બોર્ડની બેઠક પૂર્વેની સંકલન બેઠકમાં પણ વિવાદ થતા સહેજમાં અટક્યો હતો. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવાના આરે છે, ત્યારે મેયર નયના પેઢડિયાએ માત્ર મહિલા કોર્પોરેટરોનો આભાર માનતા વિવાદ સર્જાયો હતો. બેઠક દરમિયાન મેયરે મહિલા સભ્યોએ આપેલા સહકારની પ્રશંસા કરી હતી, પરંતુ પુરૂષ સભ્યોનો ઉલ્લેખ ન કરતા વાતાવરણ તંગ બન્યું હતું. તેમના આ નિવેદનથી પુરૂષ કોર્પોરેટરો ઉકળી ઉઠ્યા હતા અને આડકતરી રીતે તેમને અવગણવામાં આવ્યા હોવાની લાગણી વ્યાપી હતી. તો 2-3 કોર્પોરેટરોએ તો મેયરને સીધો સવાલ પણ કર્યો હતો કે, તેઓ પુરૂષ સભ્યો વિશે શું કહેવા માંગે છે? દરમિયાન જૂના વિવાદો પણ ફરી સપાટી પર આવ્યા હતા. જોકે, મામલો વધુ બિચકે તે પહેલા સિનિયર નેતાઓએ તરત જ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. લીલુબેન જાદવની ગાંધીનગર મુલાકાતના નામે દ્વારકા, અંબાજી, સોમનાથની યાત્રામનપામાં શાસક પક્ષના નેતાનો મહત્વનો હોદ્દો ધરાવતા લીલુબેન જાદવ પણ પોતાની જાત્રાને લઈને વિવાદમાં આવ્યા હતા. લીલુબેન જાદવ ગાંધીનગર મુલાકાતના નામે દ્વારકા, અંબાજી, સોમનાથ યાત્રાએ ગયા હોવાનો વિવાદ પણ ચગ્યો હતો. આ વિવાદ બાદ લીલુબેનનાં ડ્રાઇવર પણ બદલી નંખાયા હતા, જેને પગલે લીલુબેને લાંબો સમય કચેરીએ આવવાનું અને જાહેર સમારંભમાં જવાનું બંધ કરી દીધું હતું. આ અંગે મીડિયા સાથે કરેલી વાતચીત દરમિયાન તેઓ ભાવુક પણ થયા હતા. દિગ્ગજ નેતાઓની હાજરીમાં ‘હાલતીનો થા, તું હાલતીની થા’ શબ્દોનો પ્રયોગ આ ઉપરાંત મહાપાલિકામાં શાસક પક્ષ કચેરીમાં બાજુ-બાજુમાં બેસતા શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષ રાડિયા વચ્ચે પણ એક કાર્યક્રમમાં હોદ્દાની રૂએ આગળ બેસવા મુદ્દે ઝગડો થયો હતો. જેના સમાધાન માટે ભેગા થયા બાદ પણ દિગ્ગજ નેતાઓની હાજરીમાં હાલતીનો થા અને તું હાલતીની થા જેવી ભાષાઓનો પ્રયોગ થયો હોવાની ચર્ચાઓ ઉઠી હતી. બે મહિલા કોર્પોરેટરના પતિદેવોએ સગા-સંબંધીઓને 23 જેટલા આવાસો અપાવ્યાંપ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજના હેઠળ નાણાંકિય લાભ મેળવી 2024માં વોર્ડ નં.-5નાં મહિલા કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નં.6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પતિદેવોએ પોતાના સગા-સંબંધીઓને 23 જેટલા આવાસો ગેરકાયદેસર રીતે અપાવ્યાં હતાં. આ પ્રકરણમાં શહેર ભાજપ દ્વારા બન્ને મહિલા કોર્પોરેટર અને તેમના પતિદેવોને ભાજપના સભ્યપદેથી છ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા હતા. હાલમાં બન્ને મહિલા કોર્પોરેટર અપક્ષ તરીકે જનરલ બોર્ડમાં બેસે છે. ફડાકા કાંડમાં મેયરના પતિ અને સ્ટે. ચેરમેન સામસામે આવી ગયા હતાંઆ ઉપરાંત એકાદ મહિના પહેલા આસિસ્ટન્ટ ઈજનેરને એજન્સીના કર્મચારીએ ફડાકો મારવાનાં કિસ્સામાં પણ એજન્સી મેયર પતિના જાણિતા હોવા મુદ્દે મેયર બંગલે માથાકૂટ થઈ હતી. ‘આપણે કંઈ બંગડીઓ પહેરી નથી’ એવું નિવેદન આપી એજન્સીને 48 કલાકમાં બ્લેક લિસ્ટ કરવાની ખાતરી આપનારા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર કંઈ પગલાં લઈ શક્યા નહોતા. આ બાબતે મેયર બંગલે મળેલી બેઠકમાં પણ મેયરના પતિ વિનુ પેઢડિયા અને સ્ટે. ચેરમેન જયમીન ઠાકર સામસામે આવી ગયા હોવાનું ચર્ચાયું હતું. નેહલ શુક્લએ પ્રજાકીય મુદ્દે સ્ટે. ચેરમેન સામે બાંયો ચડાવતા વિવાદવોર્ડ નંબર 7ના આખાં બોલા કોર્પોરેટર નેહલ શુક્લ પણ તાજેતરમાં વિવાદમાં આવ્યા હતા. શુક્લની જનરલ બોર્ડમાં સતત ત્રણ વખત ગેરહાજરી મુદ્દે સભ્યપદેથી ગેરલાયક ઠેરવવા ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયાએ કમિશનરને પત્ર લખીને અભિપ્રાય માંગતા પણ વિવાદ સર્જાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલ શુક્લએ અવારનવાર પ્રજાકીય મુદ્દે સ્ટે. ચેરમેન જયમીન ઠાકર સામે બાંયો ચડાવી છે.‌ જનરલ બોર્ડની બેઠકમાં પણ ભાજપ કોર્પોરેટરો દ્વારા ઠરાવ કે દરખાસ્તની ચર્ચા વગર મંજૂર કરી દેવાની નીતિ સામે વિરોધ નોંધાવ્યો છે.‌ બજેટ રિવ્યૂ બેઠકમાં તેઓએ કેટલાક મુદ્દાઓ પર વિરોધ નોંધાવતા અનેક કોર્પોરેટરોને તેઓ આંખના કણાની જેમ ખૂંચતા હતાં. જેને લઈને કાર્યકાળ પૂરો થવામાં માંડ સવા મહિનો બાકી હતો ત્યારે આ વિવાદ સર્જવામાં આવ્યો હતો. જોકે અચાનક જ છંછેડાયેલા વિવાદ બાદ પદાધિકારીઓએ કહેવું પડ્યું કે, ભાજપમાં કોઈ આંતરિક વિવાદ નથી, તેમજ બધાં જ કોર્પોરેટરો નેહલભાઈની સાથે છે. ‘આજે પણ અને ભવિષ્યમાં પણ પ્રજાકિય પ્રશ્ને અવાજ ઉઠાવીશ’કોર્પોરેટર નેહલ શુક્લએ તેમને ગેરલાયક ઠેરવવા મુદ્દે ઉભા થયેલા વિવાદ બાદ જણાવ્યું હતું કે, મેં હંમેશા પ્રજાકિય પ્રશ્ને અવાજ ઉઠાવ્યો છે. મારા માટે પ્રજાનાં પ્રશ્નો અગ્રતા ક્રમે છે. પ્રજાનો સેવક છું, એટલે આજે પણ અને ભવિષ્યમાં પણ પ્રજાકિય પ્રશ્ને અવાજ ઉઠાવીશ. કાયદામાં માત્ર 'સામાન્ય સભા' એવો ઉલ્લેખ નથી, પરંતુ છ મહિનામાં એકપણ બેઠકમાં હાજર ન હોય તો જ સભ્યપદ રદ થઈ શકે. ઓક્ટોબરમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાજરી આપી છે અને તેની નોંધ રેકોર્ડ ઉપર પણ છે. આમ કમિટીની કામગીરીમાં મારી હાજરી હોવાથી સભ્યપદ રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સ્ટે. ચેરમેને ભાજપમાં કોઈ આંતરિક વિવાદ ન હોવાનું ગાણુ ગાયું હતુંવિવાદ વકર્યા બાદ સ્ટે. ચેરમેન જયમીન ઠાકર મીડિયા સામે આવી જણાવ્યું કે, ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયાએ પોતાનું કામ કર્યું છે. હવે આ મામલે ભાજપ દ્વારા કાનૂની અભિપ્રાય લેવામાં આવશે. તેમજ ભાજપના તમામ કોર્પોરેટરો નેહલભાઈની સાથે છે. જે ત્રણ બોર્ડમાં તેઓ ગેરહાજર રહ્યા છે તે ત્રણ પૈકી એક બોર્ડમાં તેમનો રજા રિપોર્ટ પણ હોવાથી તેમના બરતરફ થવાની શક્યતા નથી. આમ કહીને વિવાદ શાંત પાડ્યો હતો. તેમજ ભાજપમાં કોઈ આંતરિક વિવાદ ન હોવાનું ગાણુ ગાયું હતું. શાસકોનો કાર્યકાળ પૂરો થવાના આડે ગણતરીના દિવસો જ બાકીઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ ભાજપની વર્તમાન બોડીએ સતા ગ્રહણ કર્યા બાદ અવારનવાર કોઈને કોઈ વિવાદમાં ફસાતી રહી છે. હવે શાસકોનો કાર્યકાળ પૂરો થવા આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પણ મેયરનાં પતિ દ્વારા સંતકબીર રોડ ખાતે સૂચિત પ્લોટમાં જ કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનો વિવાદ હજુ સળગી રહ્યો છે. જોકે મનપા દ્વારા હાલમાં તો નોટિસ આપી બાંધકામ અટકવાયું છે. પણ ખરેખર આ બાંધકામ અટકશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે. તેમજ વર્તમાન શાસકોના વિવાદોની સાક્ષી રહેલી પ્રજા આવનારી ચૂંટણીઓમાં ભાજપને આ વિવાદોનો જવાબ આપશે કે નહીં તે સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 9:51 am

વેરાવળમાં રહેણાંક વિસ્તારમાં ચાર સિંહો દેખાયા:સાંઈબાબા મંદિર પાછળ ડારી રોડ પર સિંહણ અને બચ્ચા ફરતા જોવા મળ્યા

વેરાવળ શહેરમાં ફરી એકવાર સિંહોની હાજરીએ ચકચાર જગાવી છે. શહેરની ભાગોળે આવેલા સાંઈબાબા મંદિર પાછળના ડારી રોડ વિસ્તારમાં મોડી રાત્રે ચાર સિંહો નિર્ભય રીતે આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. એક બાઈક ચાલકે આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ, બે સિંહણ અને બે બાળ સિંહો મુખ્ય માર્ગ પર બિન્દાસ દોડાદોડી કરતા નજરે પડ્યા હતા. આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. સાંઈબાબા મંદિર પાછળનો આ વિસ્તાર ગીચ રહેણાંક ધરાવે છે. રાત્રિના સમયે અચાનક સિંહો દેખાતા સ્થાનિક રહીશો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા હતા. કેટલાક લોકોએ ઘરની છત અને બારણાંમાંથી સિંહોની હલચલ નિહાળી હતી, જ્યારે અન્યોએ તરત જ વનવિભાગને જાણ કરી હતી. સદનસીબે, કોઈ માનવજીવ સાથે ઘર્ષણની ઘટના સામે આવી નથી. જોકે, શહેરની અંદર સિંહોનું વારંવાર આગમન હવે ચિંતાનો વિષય બની રહ્યું છે. વનવિભાગના સૂત્રો જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની સંખ્યા વધવા અને તેમના વિસ્તરણ ક્ષેત્રમાં વધારો થવાને કારણે તેઓ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો તરફ પણ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે તેઓ ખોરાક અને પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને નજીકના ગામો અને શહેરોની સીમાઓ સુધી આવી પહોંચે છે. વેરાવળ શહેર ગીર જંગલ વિસ્તારમાંથી બહુ દૂર નથી, જેના કારણે આવી ઘટનાઓ વારંવાર નોંધાઈ રહી છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને સિંહોની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. રહીશોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, બાળકોને બહાર ન મોકલવા અને કોઈ પણ શંકાસ્પદ હરકત જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે. વેરાવળ શહેરમાં સિંહોની વધતી આવનજાવન હવે માનવ અને વન્યજીવન વચ્ચેના વધતા સંસર્ગનું જીવંત ઉદાહરણ બની રહી છે. સુરક્ષા અને સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવું હવે તંત્ર માટે એક મોટી પડકારરૂપ બાબત બની છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 9:27 am

અમદાવાદમાં 19 વર્ષીય યુવકની હત્યા:અજાણ્યા શખસે તીક્ષણ હથિયારના ઘા મારી ઢીમ ઢાળી દીધું, CCTVના આધારે તપાસ શરૂ

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ગતરાત્રિએ અજાણ્યા શખસ દ્વારા એક યુવકની સરાજાહેર હત્યા નિપજાવી દેવામાં આવી છે. બાઈક પર જઈ રહેલા યુવક પર તિક્ષણ હથિયારો વડે હુમલો કરાતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. હત્યારો હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હોય પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરી હત્યારાનું પગેરુ્ં મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. પેટ અને શરીરના અન્ય ભાગો પર તિક્ષણ હથિયારથી હુમલો કરાયોબહેરામપુરામાં રહેતો 19 વર્ષીય હિમેશ પરમાર ગઈકાલે રાત્રે તેનું બાઈક લઈને બહેરામપુરાના હીરાલક્ષ્મી ફ્લેટ પાસેથી જઈ રહ્યો હતો.આ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ હિમેશ સાથે તકરાર કરીને હિમેશને પેટના હાથના અને શરીરના અલગ અલગ ભાગ ઉપર શિક્ષણ હથિયાર વડે ઈજા પહોંચાડી હતી.અજાણ્યો વ્યક્તિ હિમેશને તીક્ષ્ણ હથિયાર મારીને નાસી ગયો હતો જે બાદ લોહીલુહાણ હાલતમાં હિમેશ જાહેરમાં પડ્યો હતો.જેને આસપાસના લોકોએ સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ અને હિમેશના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી હિમેશના પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સારવાર દરમિયાન જ હિમેશનું મોત થયું હતું.કાગડાપીઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ઘટના સ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે. હત્યારાની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે હત્યા કોણે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.મૃતકના પરિવારના સભ્યો અને મિત્રોના નિવેદન લેવામાં આવ્યા છે.હાલ જે શંકાસ્પદ લાગી રહ્યું છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.જોકે અત્યાર સુધી હત્યા કોણે કરી તે જાણવા મળ્યું નથી. આ સમાચાર પણ વાંચોઃઅમદાવાદમાં ચાકુના ઘા મારી યુવકની હત્યા:મહિલાના પૂર્વ પતિએ હાલના પતિને તેના ઘર બહાર જ પતાવી દીધો અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, જેમાં સરખેજ ફતેહવાડી કેનાલ RCC રોડ પર આવેલી હમીદાનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય આમિર મુકીમ નામની વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ચાકુના ઘા મારી યુવકની પતાવી દીધો છે. બાળકને મારવાનો પૂર્વ પતિને કોઈએ મેસેજ કર્યો ને બબાલ થઈ હતી. અફસાના બાનુના પૂર્વ પતિ દ્વારા હાલના પતિની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 9:13 am

પાટણમાં આયુષ્માન ભારત યોજનામાં કરોડોનો ખર્ચ:8.13 લાખ લોકોનું એનરોલમેન્ટ, 24570 ક્લેઈમ મંજૂર

પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું સંચાલન થાય છે. આયુષ્માન ભારત, મુખ્યમંત્રી અમૃતમ (MA) અને મા વાત્સલ્ય યોજના હેઠળ ગંભીર બીમારીઓ માટે પરિવાર દીઠ ₹10 લાખ સુધીની મફત સારવાર અપાય છે. ડિસેમ્બર 2025 સુધીમાં જિલ્લામાં 8,12,892 લોકોનું એનરોલમેન્ટ થયું છે. ઓક્ટોબર 2025 સુધીમાં 24,570 ક્લેઈમ મંજૂર થયા હતા, જે પાછળ ₹48,39,14,008નો ખર્ચ થયો છે. મહિલાઓ માટે જનની સુરક્ષા યોજના, નમોશ્રી યોજના અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના જેવી મહત્વની આરોગ્ય સેવાઓ અમલમાં છે. વર્ષ 2005થી કાર્યરત જનની સુરક્ષા યોજનાને 2024-25થી નમોશ્રી યોજના સાથે ભેળવી દેવાઈ છે. હવે પ્રથમ પ્રસૂતિ પછીની બીજી પ્રસૂતિ માટે જ જનની સુરક્ષાનો લાભ મળે છે. આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ₹700 અને શહેરી વિસ્તારમાં ₹600ની સહાય સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનામાં ચૂકવાય છે. ડિસેમ્બર 2025 સુધીમાં 5,000ના લક્ષ્યાંક સામે 2,968 લાભાર્થીઓને ₹16.95 લાખની નાણાકીય સહાય અપાઈ છે. નમોશ્રી યોજના હેઠળ પાટણ જિલ્લામાં પ્રસૂતા મહિલાઓને ₹12,000ની સહાય ચાર હપ્તામાં ચૂકવાય છે. જિલ્લામાં 9,050ના લક્ષ્યાંક સામે 6,335 લાભાર્થીઓને ₹684.6 લાખની સહાય આપવામાં આવી છે. પાટણ તાલુકામાં સૌથી વધુ 1,346 લાભાર્થીઓને ₹130.4 લાખ અને શંખેશ્વર તાલુકામાં સૌથી ઓછા 262 લાભાર્થીઓને ₹32.4 લાખની ચુકવણી થઈ છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત સરકારી કે જાહેર સાહસમાં ફરજ બજાવતી મહિલાઓ સિવાયની તમામ સગર્ભા માતાઓને પ્રથમ બાળકના જન્મ સમયે ₹5,000 બે હપ્તામાં અપાય છે. જો બીજું બાળક છોકરી હોય, તો ₹6,000 એક હપ્તામાં મળે છે. પાટણ જિલ્લામાં 7,904ના લક્ષ્યાંક સામે 5,997 લાભાર્થીઓને ₹1,95,40,000 ચૂકવાયા છે. સરસ્વતી તાલુકામાં સૌથી વધુ ₹38.20 લાખ અને સમી તાલુકામાં સૌથી ઓછી ₹11.50 લાખની સહાય અપાઈ છે. અતિ જોખમી પ્રસૂતિ ધરાવતી માતાઓ માટે જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. ડિસેમ્બર 2025 સુધીમાં આવી 1,030 પ્રસૂતિઓ નોંધાઈ હતી, જેમાં કુલ ₹52.90 લાખનો ખર્ચ થયો છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 9:11 am

ભરૂચ GIDCમાં તુષાર ટ્રાન્સ કંપનીમાં આગ:ફાયર ટીમોએ તાત્કાલિક પહોંચી કાબુ મેળવ્યો

ભરૂચ GIDC વિસ્તારમાં આવેલી તુષાર ટ્રાન્સ ઇકવ્યુટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ યુનિટ 2 કંપનીમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ પાલિકા ફાયર બ્રિગેડ અને GNFC ટીમના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને તંત્ર દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાને કારણે GIDC વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 8:48 am

અમરેલીમાં લગ્ન પ્રસંગે મારામારી: કારનો કાચ ફૂટ્યો:જેસીંગપરામાં સ્થાનિકો અને આયોજકો વચ્ચે હાથાપાઈ

અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન મારામારી થઈ હતી. એક કારનો કાચ તૂટવાને કારણે સ્થાનિકો અને લગ્ન આયોજકો વચ્ચે બોલાચાલી થઈ, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ સિટી પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જેસીંગપરામાં આવેલી સમાજવાડી ખાતે લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો. આ દરમિયાન, નજીકની સોસાયટીમાં પાર્ક કરેલી એક કારનો કાચ તૂટ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓ અને લગ્ન પ્રસંગના આયોજકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ, જે ઝડપથી હાથાપાઈમાં પરિણમી હતી. આ મારામારી સમાજવાડીના ગેટ પાસે જાહેરમાં થઈ હતી, જેના કારણે લગ્નમાં હાજર મહેમાનોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મારામારીની જાણ થતાં જ અમરેલી સિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને પક્ષોને સમજાવી પરિસ્થિતિને કાબૂમાં લીધી અને મામલો શાંત પાડ્યો. હાલ પોલીસે આ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે. પોલીસ ઘટનામાં સામેલ વ્યક્તિઓની ઓળખ કરી પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં લગ્ન પ્રસંગ દરમિયાન મારામારીની આ બીજી ઘટના છે. અગાઉ ધારીમાં પણ એક લગ્ન પ્રસંગમાં બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના બાદ ફરી એકવાર અમરેલીમાં લગ્ન પ્રસંગમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 8:48 am

વેધર રિપોર્ટ:ભાવનગરમાં તાપમાન 33.4 ડિગ્રી થતા ઉનાળાના આરંભની ગરમી

ભાવનગર શહેરમાં આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તેની અસર હેઠળ મહત્તમ તાપમાન વધીને 33.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ગરમીનું પ્રમાણ વધ્યું હતુ. શહેરમાં હવે શિયાળાની વિદાઇનો તબક્કો આવી ગયો છે. મધ્ય ઉત્તર પ્રદેશથી પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી ટ્રફ (ભેજની પટ્ટી)ની સિસ્ટમ સક્રિય છે, જેની અસરોથી લોકોએ બપોર પછી ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હતુ તે આજે 2.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 33.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જેથી બપોરના સમયે થોડી ગરમીનો અનુભવ શહેરીજનોને થયો હતો. 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 22.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને 21 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. ભાવનગર શહેરમાં આજે સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા હતુ તે આજે સાંજે 37 ટકા થઇ ગયું હતુ. આજે સવારે પવનની ઝડપ 10 કિલોમીટર હતી તે ઝડપ સાંજે ઘટીને 8 કિલોમીટર જેવી નોંધાઇ હતી. જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે, ત્યારે ગરમી વધે છે અને પસાર થયા બાદ ઠંડકમાં વધારો થાય છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 7:00 am

હુમલો:શાક માર્કેટમાં સામુ જોવા જેવી નજીવી બાબતે ધોકા વડે હુમલો

ભાવનગર શહેરના રેલવે મેડિકલ કોલોની પાસે દેસાઈ નગરમાં રહેતા રાજભાઈ રાજેશકુમાર રાજ્યગુરૂએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ તા. 19/2 ના રોજ પોતાના મોટાભાઈ સાથે શાક માર્કેટમાં ગયા હતા જ્યાં બે શખ્સોએ માત્ર સામું જોવા જેવી નજીવી બાબતે ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંગાજળિયા પોલીસ સ્ટેશન માં નોંધાયેલી ફરિયાદ માં જણાવ્યા અનુસાર રાજભાઈ રાજેશકુમાર રાજ્યગુરુ પોતાના મોટાભાઈ જય ભાઈ સાથે પોતાનું સ્કૂટર લઈ તળાવમાં આવેલા શાક માર્કેટમાં શાક બકાલુ લેવા ગયા હતા કૈલાશ લસ્સી ની દુકાન પાસે પોતાનું સ્કૂટર રાખી ઉભા હતા અને તેના ભાઈ શાક બકાલુ લેવા ગયા હતા. તે વેળાએ તેના સ્કૂટરની સામેની બાજુ ઉભેલા એક શખ્સ સામે ભૂલથી જોવાય જતા તે શખ્સ અને તેની સાથે આવેલો શખ્સ બંનેએ રાજ ભાઈનો કાઠલો પકડી સામે કેમ જોવે છો તેમ કહી ગાળો બોલવા લાગેલ. ત્યારે બંને શખ્સો એકબીજાનું નામ આસીબ અને ઇમરાન નામે બોલાવતા હતા અને ધોકા વડે રાજ ભાઈના હાથ અને માથાના ભાગે મારતા લોહી નીકળવા લાગ્યું હતું જ્યાં દેકારો થતાં લોકો ભેગા થઈ ગયા હતા. આ આસિબ અને ઇમરાન બંને ભાગી ગયા હતા જેથી જય ભાઈને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં પોલીસે શાક માર્કેટમાં થયેલા હુમલાની ઘટનાને લઇ પોલીસ ફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 7:00 am

ભરતી મેળાનું આયોજન કરાયું:યુનિ. રોજગાર કેન્દ્ર દ્વારા તારીખ 24 ફેબ્રુઆરીએ ભરતી મેળાનું આયોજન

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા ૨૪ ફેબ્રુઆરીએ ભરતી મેળાનું આયોજન કરાયું છે. એન્જીનીંયર, ક્યુ.સી એન્જીનીંયર, પ્લાન એન્જીનીંયર બનવાની ઉમદા તક છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રનો સંપર્ક કરવો. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા.24 ફેબ્રુઆરીને મંગળવારે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ 4/6, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત 5 એકમમાં એન્જીનીંયર, ક્યુ.સી એન્જીનીંયર, પ્લાન એન્જીનીંયર, સુપરવાઈઝર, એસ.આર, એકાઉન્ટન, એકાઉન્ટન આસી.ફિલ્ડ સેલ્સ ઓફિસર, બ્રાંચ ડેવલોપર, ડ્રાફટ્મેન મીકેનિકલ, પેટર્ન શોપ સુપરવાઈઝર, એક્ઝિક્યુટિવની જગ્યા ભરવાની છે. જેમાં બી.ઈ મીકેનીકલ, બી.ઈ પ્રોડક્શન, એમ.કોમ, એમ.બી.એ, એમ.એસ.એસ.ડબલ્યુ, બી.કોમ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા એગ્રીકલસર, ડીપ્લોમા એન્જીનીંયર, ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ 4/6, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે ૫ રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું,તેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર દ્વારા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:58 am

બોર્ડની પરીક્ષા:ભાવનગરમાં બોર્ડની પરીક્ષામાં કુલ 123 રાઇટરને મંજૂરી આપવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આરંભ 26 ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે ત્યારે આજે ભાવનગર શહેરમાં કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા વિદ્યાનગર ખાતે દિવ્યાંગ અને વિકલાંગ પરીક્ષાાર્થીઓ માટે લઈ આ એટલે કે રાઇટર અને વાચકની મંજૂરી માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના કુલ મળીને 123 રાઇટરને પૂર્ણપણે તબીબી ચકાસણી કરીને મંજૂરી આપવામાં આવી હતી. આજે અંધ ઉદ્યોગ શાળા ખાતે રાઇટર માટે કેમ્પ યોજાયો તેમાં દ્રષ્ટિક્ષતિવાળા 54, બૌદ્ધિક અસમર્થતાવાળા 39, લર્નિંગ ડિસેબીલીટી ધરાવતા 10, બહુ વીકલાંગતા ધરાવતા 8, હલનચલનની અક્ષમતાવાળા 4, અકસ્માત, ઇજા કે ફ્રેકચરવાળા 2 અને સેરેબ્રલ પાલ્સીના 6 પરીક્ષાર્થી મળીને કુલ 123 પરીક્ષાર્થીને રાઇટરની સુવિધા આપવામાં આવી છે. આ વર્ષથી રાઇટર સાથેના પરીક્ષાર્થીને દર એક કલાકની પરીક્ષામાં 20 મિનિટ એટલે કે 3 કલાકની બોર્ડની પરીક્ષામાં એક કલાક વધુ મળશે. આજે ભાવનગરની રસ તખ્તસિંહજી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.મુકેશભાઇ શાહની ડોકટરની ટીમમાં ડો.રસિક શિયાળ, ડો.જિનેશ પરમાર, ડો.સચિન મહેતા, ડો.પૂજા ગોહેલ, ડો.પૂર્ણિમા અને ડો.અધિશભાઇ ત્રિવેદીએ સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી દિવ્યાંગ વિદ્યાર્થીઓની તપાસ કરી કામગીરી બજાવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના દિલીપભાઇ સોલંકી અને વિક્રમસિંહ પરમાર તેમજ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે આજના કેમ્પ દરમિયાન કુલ 123 રાઇટરને મંજૂરી આપી હતી. દિવ્યાંગો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થાદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો ખાતે કેટલીક વિશેષ સુવિધાઓ આપવામાં આવશે જેમાં દિવ્યાંગ પરીક્ષાર્થી નજીક હોય તેવું પરીક્ષા સેન્ટર ફાળવાશે અને તે માટે વ્યવસ્થા કરાશે ઉપરાંત દિવ્યાંગ પરીક્ષાથી માટે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે, દિવ્યાંગ પરીક્ષાર્થીને અનુરૂપ ફર્નિચર જેમકે બેક ચેર ડેસ્ક ટેબલ વગેરે તેમજ સુગમ્ય શૌચાલય યુક્ત સુવિધા વાળું કેન્દ્ર હોય તેની કાળજી રાખવામાં આવશે જેથી જિલ્લામાં ભૌતિક સુવિધા ધરાવતી કાર્યરત વિશિષ્ટ શાળાઓને પણ પરીક્ષા કેન્દ્ર તરીકે રાખી શકાશે અને વિશિષ્ટ શિક્ષકોને સાંકળીને જવાબદારી સોંપી શકાશે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:58 am

મંદિરમાં ચોરી:સણોસરામાં એક જ રાતે બે મંદિરોની દાનપેટી તૂટી, રૂપિયા 22 હજારની ચોરીથી ખળભળાટ

ભાવનગર જિલ્લાના સણોસરા ગામે એક જ રાત્રી દરમિયાન બે મંદિરોની દાનપેટીના તાળા તોડી અજાણ્યા તસ્કરો દ્વારા કુલ રૂ. 22 હજારની ચોરી કરાતા ગામમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ધાર્મિક આસ્થાના કેન્દ્રસ્થાનોમાં થયેલી આ ઘટનાથી ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે અને પોલીસ તંત્રએ સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. સણોસરા લોકભારતી રોડ, જલારામ નગર ખાતે રહેતા નાગજીભાઈ ખોડાભાઈ ડાભીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ જણાવ્યું હતું કે ગામમાં આવેલા રામદેવપીર મંદિર ખાતે રામામંડળ કાર્યરત છે, જ્યાં મંદિરની આવક તથા આખ્યાનના રૂપિયા આવતાં હોય છે અને તેનો વહીવટ નાગજીભાઈ તથા ઉકાભાઈ કરસનભાઈ ચૌહાણ સંભાળે છે. મંદિરના ગર્ભગૃહની બહાર નાની દાનપેટી મુકવામાં આવી છે. તા. 19/02/2026ના રોજ મંદિરે રામદેવપીરની દેગ પ્રસંગે રાત્રે પોણા એક વાગ્યા સુધી આશરે 300 જેટલા શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા, ત્યારબાદ સૌ પોતાના ઘરે પરત ફરી ગયા હતા. વહેલી સવારે ઉકાભાઈએ નાગજીભાઈને જાણ કરી કે મંદિરમાં ચોરી થઈ છે. મંદિર ખાતે પહોંચતા જાણવા મળ્યું કે કચરા-પોતા કરવા આવતા બહેનએ મંદિરનું પ્રવેશ તાજ દાનપેટી તૂટેલી હાલતમાં જોઈ હતી અને સિક્કા વેરવિખેર પડેલા હતા. તરત જ વહીવટદારોને જાણ કરવામાં આવી હતી. મંદિરના સીસીટીવી કેમેરાની તપાસ કરતા બે અજાણ્યા ઇસમો દાનપેટીમાંથી અંદાજે રૂ. 20 હજાર લઈ જતા દેખાયા હતા. ગામમાં આવેલા ખોડીયાર માતા મંદિરની દાનપેટી તોડી તેમાં રહેલા 2 હજારની ચોરી કરાયાનું ગામના ગોબરભાઈ રાણાભાઈ સાંબટે જણાવ્યું હતું. એક જ ગામમાં એક જ રાત્રે બનેલી આ બે ચોરીની ઘટનાઓને લઈ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. નાગજીભાઈ તથા ગોબરભાઈએ સણોસરા પોલીસ સ્ટેશનમાં બંને મંદિરોમાંથી રૂ. 22 હજારની ચોરીની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ તંત્રએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે તપાસનો ધમધમતો ચક્ર ગતિમાન કરી ચોરો ને ઝડપવા ગામજનો એ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:57 am

જુગારીઓ રંગે હાથ ઝડપાયા:રાણપરડા ગામ પાસેથી પાંચ જુગારીઓ ઝડપાઈ ગયા

મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં LCB ના પોલીસ કર્મચારીઓ પોલીસ પેટ્રોલિંગમાં હતા તે વેળાએ ખાનગી રહે બાતમી મળી હતી કે મહુવા તાલુકાના રાણપરડા ગામે હાઇવે ઉપર આવેલ મીના હોટલ ની બાજુમાં બકાભાઇની વાડીમાં ઓરડીની પાછળ ખુલી જગ્યામાં અમુક લોકો કુંડાળો વળી હાર જીતનો પૈસાનો જુગાર રમતા હોય તેથી પોલીસે ત્યાં દરોડા પાડયા હતા. આ દરોડામાં મુનેશ નસરુભાઈ વસાઈ, સોહીલ બાબુભાઈ માવાણી, મુસ્તાક હબીબભાઈ નુરાણી, અબ્દુલ રજાકભાઈ કાળવાતર, અને રિયાઝ સલીમભાઈ ચારણીયા ને ઝડપી પાડી સ્કૂલ 17,200 ની રકમ સાથે ઝડપી પાડી પાંચે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:56 am

જાહેરનામું પ્રસિદ્ધ કરાયું:પચ્છેગામના કાર્યક્રમોને લઈ ટ્રાફિક નિયંત્રણનું જાહેરનામું

વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે શ્રી મુરલીધર ભગવાનના નીજ મંદિરમાં ભાગવત કથા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા.26મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 સુધી 551 કુંડી મહા વિષ્ણુયાજ્ઞ, આગામી તા.22મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 દરમ્યાન પચ્છેગામ ખાતે શ્રી મુરલીધર ભગવાનના નીજ મંદિરમાં ભાગવત કથા તથા તા.26મી ફેબ્રુઆરી-2026ના પચ્છેગામ પધારનાર સંત લાલબાપુની નગર યાત્રા અને ભગવાનશ્રી મુરલીધર દાદાની નગર ચર્ચાના કાર્યક્રમોને લઈ ટ્રાફિક નિયંત્રણના ભાગરૂપે તા.22મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ટ્રાફિક નિયંત્રણના ભાગરૂપે તા.22મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 સુધી લાગુ કરાયેલા જાહેરનામા અનુસાર વલભીપુરથી પચ્છેગામથી કંથારીયા તરફ જતા વાહનોને પ્રવેશ રહેશે. તેમજ સામેથી આવતા વાહનોને કંથારીયાથી પ્રવેશ પ્રતિબંધ રહેશે. તેમજ ડાયવર્ઝન રૂટમાં કંથારીયાથી વલભીપુર જવા માટે રાજપરા-જાળીયા-નવાણીયા-કાનપર ગામ થઈને અમદાવાદ હાઈવેથી વલભીપુર જવાનું રહેશે. પચ્છેગામથી વલભીપુર જવા ટુ વ્હિલ અને ફોર વ્હિલોને ખેતરના (ખેતર માર્ગ કાચો રસ્તો) 3 કી.મી રસ્તા પરથી થઈને લાખણકા ગામના પાટિયા પાસે અમદાવાદ હાઈવેથી વલભીપુર જવાનું રહેશે. પચ્છેગામ કથામાં આવતા હેવી વાહનોમાં પચ્છેગામથી વલભીપુર જવા માટે કંથારીયા-રાજપરા-જાળીયા-નવાણીયા-કાનપર ગામ થઈને અમદાવાદ હાઈવેથી વલભીપુર જવાનું રહેશે. આ ઉપરાંત લીમડા ગામના ઢાળથી કંથારીયા તરફ જતા વાહનોને પ્રવેશ રહેશે અને સામેથી આવતા વાહનોને લીમડા ગામના ઢાળ તરફ પ્રવેશ કરવો નહિ. ડાયવર્ઝન રૂટમાં ટુ વ્હિલ અને ફોર વ્હિલોને નહેર (નહેર માર્ગ કાચો રસ્તો )નો 3 કી.મી રસ્તા પર થઈને સાલપરા ગામના પાટિયા પાસે અમદાવાદ હાઈવેથી વલભીપુર જવાનું રહેશે. ઉમરાળાથી વલભીપુર હાઇવે પર રાજસ્થળી ગામના પાટીયેથી વાવડી ગામ થઈને હળીયાદ ચોકડી થઈને પચ્છેગામ તરફ જતા વાહનોને પ્રવેશ રહેશે અને પચ્છેગામ તરફથી આવતા વાહનો તેમજ વાવડી થઈને ઉમરાળાથી વલભીપુર હાઇવે થઈને જતા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. તેમજ ડાયવર્ઝન રૂટમાં ટુ વ્હિલ અને ફોર વ્હિલોને કંથારીયા-ખેતાટીંબી-નવાગામ-હળીયાદ ચોકડી-વડોદ ગામ થઈ બોટાદ હાઈવેથી જવું પડશે. ઉપરાંત ટુ વ્હિલ અને ફોર વ્હિલ માટે તથા રૂટના હેવી વાહનો માટે કંથારીયા-રાજપરા-જુનારતનપર- કાળાતળાવ-દરેડ થઈ બોટાદ હાઈવેથી જવાનું રહેશે. આ જાહેરનામામાં થી સરકારી ફરજ માટે વાહનો, ફાયર બ્રીગેડ અને એમ્બ્યુલન્સને મુક્તિ અપાઈ છે. ધાર્મિક કાર્યક્રમને લઈને એસ.ટી.બસ સુવિધાવલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે શ્રી મોરલીધર દાદા ના નિજ મંદિર પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો માટે ભાવનગર એસ.ટી વિભાગ દ્વારા ખાસ વધારાની એસ.ટી.બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં પ્રવેશોત્સવ દરમિયાન તા.22મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 સુધી દરમિયાન કાળિયાબીડ, ભાવનગર એસ.ટી. ડેપો, તળાજા એસ.ટી. ડેપો અને મહુવા એસ.ટી. ડેપોથી ખાસ વધારાની એસ.ટી.બસ ફાળવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:55 am

રાજકારણ ગરમાયું:વાઘાવાડી રોડ પરથી આપના બોર્ડ બેનર હટાવતા વિવાદ

ભાવનગર ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અને પચ્છેગામ ખાતે ધાર્મિક કાર્યક્રમ માટે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય આગેવાનોના લગાવેલા હોર્ડિંગ અને બેનર કોર્પો. દ્વારા વાઘાવાડી રોડ પરથી હટાવતા વિવાદ સર્જાયો હતો અને સ્થળ પર આપના ધારાસભ્યએ જઈ ચડી કર્મચારીઓનો ઉધડો લીધો હતો. આવતીકાલ રવિવારે જવાહર મેદાનમાં યોજાનાર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અને વલભીપુર પચ્છેગામ ખાતે યોજાનાર મુરલીધરજી ભગવાનના નિજ મંદિર પ્રવેશોત્સવના સમારોહમાં ઉપસ્થિતિ માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આજે ભાવનગર આવ્યા છે. તેઓના આવકાર માટે શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સ્થળો અને માર્ગો પર આપના નેતાના ફોટા સાથેના બોર્ડ બેનર લગાવ્યા છે. મંજૂરી વગરના લગાવેલા બોર્ડ બેનર મોડી સાંજે કોર્પો. દ્વારા શહેરના વાઘાવાડી રોડ પરથી હટાવતા વિવાદ થયો હતો. વાઘાવાડી રોડ પર આપ દ્વારા લગાવેલ બેનર હટાવતા સ્થળ પર આપના ધારાસભ્ય અને રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલીયા દોડી ગયા હતા. જ્યાં ભાજપની તાનાશાહી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બોર્ડ બેનર ઉતારતા કર્મચારીઓનો ઉધડો લીધો હતો.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:35 am

ભાવનગરના મુખ્ય શિક્ષકોને હુકમ:બોર્ડની પરીક્ષાલક્ષી કામગીરીમાં HTAT મુખ્ય શિક્ષકોને જવાબદારીમાં રાજ્યમાં બેવડા ધોરણ

બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા નિત નવા પ્રયોગો કરવામાં આવતા હોય છે અને તેની માટે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં પણ રાજ્યમાં જુદા જુદા જિલ્લા શિક્ષણાધિકારીઓની મનમાની મુજબના નિર્ણયો લેવામાં આવતા હોય છે. દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગરમાં HTAT ના મુખ્ય શિક્ષકોને બોર્ડની પરીક્ષાલક્ષી કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે જ્યારે ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાના 146 મુખ્ય શિક્ષકોને જવાબદારીના હુકમ કરાયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી એચએસસી અને એસએસસી બોર્ડ પરીક્ષામાં સામાન્ય રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકોને જવાબદારી સોપવામાં આવે તે યોગ્ય છે. જો તેમાં સ્ટાફની ઘટ હોય તો નગર પ્રાથમિક અને જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષકોને જવાબદારી સોપે તે પણ સ્વીકાર્ય છે. પરંતુ હવે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારીમાં પુરતી ભરતી થઈ ગયેલ છે અને વર્ગ-2 ની જગ્યા પણ તમામ ભરેલ હોવા છતાં ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીએ કોર્પોરેશનની પ્રાથમિક શાળામાંથી 44 મુખ્ય શિક્ષક (HTAT) અને જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળામાંથી 102 મુખ્ય શિક્ષક (HTAT)ને આગામી બોર્ડની પરીક્ષા માટે સરકારી પ્રતિનિધિ તરીકે નિમણૂકના ઓર્ડર કર્યા છે. અગાઉ પણ શિક્ષક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરી હતી. તેમ છતાં રજૂઆતને ધ્યાને લીધા વગર હુકમો કરવામાં આવ્યા છે. પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોને સરકારી પ્રતિનિધિની જવાબદારી સોંપવાને કારણે શાળાનો રોજિંદો વહીવટ ખોરવાઈ શકે છે, નાણાકીય અને શૈક્ષણિક નિર્ણયો તેમજ કામગીરીમાં વિલંબ થઈ શકે છે. જે બાબતે ગાંધીનગર અને દેવભૂમિ દ્વારકામાં રજૂઆતને લઈ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોને સરકારી પ્રતિનિધિ માંથી મુક્તિ આપવામાં આવી છે. ભાવનગરમાં મુખ્ય શિક્ષકોને મુક્તિ માટે નિર્ણય લેવાયો નથી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:33 am

હુમલો:દિવાલના પ્લાસ્ટર મુદ્દે એક પાડોશીનો બીજા પાડોશી પર કરાયેલો હુમલો

મહુવા તાલુકાના કતપર ગામમાં પડોશી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક પરિવાર પર સામૂહિક હુમલો થયાની ઘટના સામે આવી હતી. પ્લાસ્ટર કામને લઈ થયેલી બોલાચાલી પળવારમાં અથડામણમાં ફેરવાઈ ગઈ હતી અને લોખંડના પાઇપ, લાકડાના ધોકા તેમજ ઈંટ-પથ્થરોથી પ્રહાર કરવામાં આવ્યા હતા, જેમાં એક જ પરિવારના સભ્યોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી અનુસાર કતપર ગામમાં રહેતા પરેશભાઈ કાળુભાઈ શિયાળ સવારના સમયે પોતાના ઘરે પરિવાર સાથે હાજર હતા, ત્યારે પાડોશમાં રહેતા ભરતભાઈ સુખાભાઈ બારૈયા તથા તેમના પરિવારજનો ઘર પાછળ આવેલી દીવાલ પર પ્લાસ્ટર કરાવવાના મુદ્દે તેમના ફળિયામાં આવ્યા હતા. પ્લાસ્ટર તો કરાવવાનું જ છે, થાય તે કરી લેજો જેવી ધમકીભરી ભાષા વાપરતાં વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. પરેશભાઈએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરત સુખાભાઈ બારૈયા, જયાબેન ભરતભાઈ બારૈયા, વિપુલ ભરતભાઈ બારૈયા તથા ધનજી ભરતભાઈ બારૈયાએ એકજૂથ થઈ હુમલો કરી પરેશભાઈ તથા તેમના પરિવારજનોને ઇજાગ્રસ્ત કર્યા હતા. જેથી તેઓને સારવાર અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસે આ બનાવની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:31 am

લાલબત્તી સમાન કિસ્સા:ફટાકડાથી એક મહિનામાં ચારને એક આંખે અંધાપો

આજકાલ લગ્ન પ્રસંગમાં શાન-શૌકત બતાવવા માટે ભારે અવાજવાળા અને આગવાળા ફટાકડાનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવારોની માફક લગ્નસરાની સિઝનમાં ફટાકડાથી સર્જાતી દુર્ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે તાજેતરમાં લગ્નસરાની સિઝનમાં ફટાકડાથી સર્જાયેલી દુર્ઘટનાઓમાં છેલ્લા એક મહિનામાં ચાર લોકોને પોતાની એક આંખ ગુમાવવી પડી છે. લગ્નસરાની સિઝનમાં ફટાકડાથી સર્જાતી દુર્ઘટનાઓના સિલસિલામાં ગઈકાલે તા.20મીને શુક્રવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં ચિત્રા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં દાંડિયારાસનું આયોજન કરાયું હતું. દાંડિયારાસની રમઝટ સાથે ફટાકડા ફોડી કરાતી આતશબાજીમાં દુર્ઘટના બની હતી. જેમાં આકાશમાં ફૂટતાં સ્કાય શોટ નીચે જ ફૂટી જતા દાંડિયારાસનો આનંદ માણી રહેલા લોકો લપેટમાં આવ્યા હતા. જેમાં 10 વર્ષના માસુમ બાળકની ડાબી આંખ ફૂટી જતા લોહીની ધારાવાડી સાથે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર્થે ખસેડાયો હતો. તબીબોના અથાગ પ્રયાસો બાદ પણ માસુમની આંખને બચાવી શકાય ન હતી ત્યારે એક ભૂલને કારણે નિર્દોષ બાળકને એક આંખે જીંદગીભર અંધાપો આવી આવી ગયો છે. ચિત્રા વિસ્તારની ઘટના સહિત છેલ્લા એક મહિનામાં લગ્નમાં ફટાકડાથી સર્જાયેલી દુર્ઘટનાના 4 કિસ્સામાં 10 વર્ષના બાળક ઉપરાંત 20થી 28 વર્ષની વયના 3 યુવાનોએ પોતાની એક આંખ ગુમાવી છે. આંખની તત્કાલ સારવાર કરવી ખુબ જરૂરી છેદિવાળીના તહેવારોની માફક છેલ્લા બે-ત્રણ વર્ષથી શહેરમાં લગ્નસરાની સિઝનમાં પણ ફટાકડાઓથી આંખને નુકસાન થવાના કિસ્સાઓ પણ વધી ગયા છે. ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહમાં 2 સહિત મહિનામાં 4 કિસ્સામાં ફટાકડાને કારણે દુર્ઘટનાગ્રસ્ત લોકોએ પોતાની આંખ ગુમાવી છે ત્યારે ફટાકડાથી થતા અકસ્માતમાં આંખની તત્કાલ સારવાર કરવી ખુબ જરૂરી છે. - ડો.ઋજુ ઉનડકટ, આંખના પ્લાસ્ટિક સર્જન સમાચારથી શીખ : જવાબદારી આપણી પણલોકોએ લગ્ન પ્રસંગમાં ફટાકડાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેમજ સુરક્ષિત અને નિયમિત રીતે મંજૂર કરાયેલા ફટાકડા જ વાપરવાની સાથે તથા ફટાકડા ફોડવા સમયે ચશ્મા પહેરવા, આગ બુઝાવવાના સાધનો ઉપરાંત દાઝી જવાના કિસ્સામાં જરૂરી મેડિકલ કીટની વ્યવસ્થા રાખવી જરૂરી છે. આ બાબતે લગ્નસરાની સિઝનમાં આયોજકો અને પરિવારે સુરક્ષા નિયમોનું કડક પાલન કરવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:27 am

વેપારીઓને કરવામાં આવતી હેરાનગતિ ચરમસીમાએ:CGST સામે ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ કેન્દ્રમાંથી તપાસ

ભાવનગર સીજીએસટી કચેરી દ્વારા વ્યવસાયકારો, ઉદ્યોગકારોને નોટિસો પાઠવી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવા અંગે અલંગના અગ્રણી શિપ બ્રેકરોના સમૂહે શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના લેટરહેડ તળે સભ્યોની સહી સાથે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો, તે પત્ર અન્ય માધ્યમથી વડાપ્રધાન કાર્યાલય, સીબીઆઇ, જીએસટી કાઉન્સિલ, સીબીઆઇસી સહિતનાને મળતાની સાથે જ ગુપ્તરાહે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, અને આગામી દિવસોમાં મોટા પગલાના ભણકારા વાગી રહ્યા છે. દરમિયાન ભ્રષ્ટ અધિકારીઓ પોતાના વચેટીયાઓને મોબાઇલમાંથી ડેટા, હિસ્ટ્રી નાબૂદ કરાવી રહ્યા છે. સીજીએસટી ભાવનગર કચેરીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલા બેફામ ભ્રષ્ટાચાર અંગે નવયુગ શિપબ્રેકર્સના વી.બી.તાયલે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ની જનરલ બોડીની મીટિંગ જાન્યુ.માં મળી હતી અને તેમાં સીજીએસટીના અધિકારીઓના અસહ્ય ભ્રષ્ટાચાર અંગે વડાપ્રધાનને ફરિયાદ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. આ મીટિંગમાં 27 સભ્યો હાજર હતા અને 23 સભ્યોએ ફરિયાદપત્ર પર પેઢીના નામ, મોબાઇલ નંબર સાથે સિક્કા સાથે સહી પણ કરી હતી. તંત્રના ભ્રષ્ટાચાર અંગે હું મારી વાત ઉપર અડગ છું અને કોર્ટમાં એફિડેવિટ પણ કરવા માટે તૈયાર છું. દરમિયાન એસો.ના પ્રમુખ વિશ્નુકુમાર ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, એસો. દ્વારા ફરિયાદ કરવામાં આવી નથી. એસો.ના લેટરહેડ તળે કરવામાં આવેલી ફરિયાદમાં તા.15મી થી 31મી ડિસેમ્બર 2025 દરમિયાનના ભાવનગર કમિશનર સીજીએસટી કચેરીના તમામ સીસીટીવી ફૂટેજ સલામત રીતે સાંચવી રાખવા અપીલ કરવામાં આવી છે, આ સમયગાળામાં કચેરીમાં કઇંક ભેદી હિલચાલ થઇ હોવાની શંકાઓ પણ બળવત્તર બની છે. શનિવારે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ તપાસનો દોર સંભાળી અને ગુજરાતમાં ગુપ્તરાહે તપાસ શરૂ કરી છે. શનિવારે દિવસ દરમિયાન આખા ગુજરાતના જીએસટી કર્મચારીઓમાં ભાવનગરમાં બનેલી ઘટનાની તિવ્ર ચર્ચાઓ ફેલાઇ હતી. જે વેપારીઓને નોટિસો ફટકારાઇ છે તે પૈકીના મોટાભાગના વેપારીઓ પાસે ઇન્વોઇસ, બીલ-ટી, ઇ-વે બિલ, વજન કાંટા ચીઠ્ઠી, બેંક ખાતાના ઉતારા જેમાં વેચાણની રકમ જમા આવી હોય, તે રજૂ કર્યા હતા છતા અધિકારીઓ સાચા કિસ્સામાં પણ વેપારીઓની હેરાનગતિ કરી રહ્યા છે. જ્યારે કે સીજીએસટી તંત્રના કોમ્પ્યુટરમાં 5 વર્ષ દરમિયાન ક્યારે, કઇ ટ્રક નીકળી, ક્યાં ગઇ આવા ટ્રાન્સપોર્ટ ટ્રેક હિસ્ટ્રી રેકોર્ડ હોય જ છે છતા પોતાના રેકોર્ડની ચકાસણી કર્યા વિના છેલ્લા 6 માસથી ભાવનગરના વેપારીઓને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. ભાવનગર સાથે તંત્રના સાવકા વ્યવહારનો આક્ષેપસીજીએસટીના કાયદા સમગ્ર દેશમાં અને ગુજરાતમાં એક સરખા લાગુ પડે છે, તો માત્ર ભાવનગરમાં જ વ્યાવસાયિક પેઢીઓના નામમાં તબદીલીઓ આવવી, ભાગીદાર બદલાવા, પ્રોપરાઇટરમાંથી પ્રાયવેટ લિમિટેડ કંપની થવાના કિસ્સામાં પેઢીના પરમેનન્ટ એકાઉન્ટ નંબર નવા લેવામાં આવ્યા હોય છે. વેપારીઓ વચ્ચે જુના નંબરથી લેવડ-દેવડ, વેપાર થયેલો હોય તો જેને વેચાણ આપવામાં આવ્યુ હોય છે તેવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી કાર્યવાહી ગુજરાતના એકપણ શહેરોમાં કરવામાં આવતી નથી, માત્ર ભાવનગરમાં જ શા માટે, અને કોના ઇશારે, કેવા અવાંતર હેતુથી આવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. એસો.ના હોદ્દેદારને અધિકારીઓએ સાચવી લીધાશિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના એક હોદ્દેદારનો પણ રૂપિયા 5.25 કરોડનો ડિમાન્ડ ઓર્ડર નિકળ્યો હતો, અને સીજીએસટીના અધિકારીઓએ 4.25 કરોડની ડિમાન્ડ વીથડ્રો કરાવી નાંખી હતી, બદલામાં એસોસિએશન દ્વારા સભ્યોની કોઇ આગેવાની લેવામાં ન આવે તેવી આડકતરી ચીમકી પણ આપવામાં આવી હતી. આ બાબતે એસોસિએશનના મોટાભાગના સભ્યોમાં પણ અસંતોષ ફાટી નિકળ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:25 am

ત્રિદિવસીય ‘સીટેક્ષ 2026’નું ઉદ્દઘાટન કરાયું:ટેક્સટાઈલ ઉદ્યોગના AI સાથેના જોડાણથી ક્ષમતા અને સ્પિડ વધશે

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 21થી 23મી ફેબ્રુઆરી સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્ષ્પો–2026’નું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબીશનના ઉદ્દઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને વાડીલાલના ચેરમેન રાજેશ ગાંધીએ કહ્યું હતું કે, ‘આ પ્રદર્શન માત્ર ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસ માટે જ નહીં, પરંતુ શહેરના સર્વાંગી વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. યુરોપિયન કે જાપાનીઝ ટેકનોલોજી આધારિત મશીનરીનું ઉત્પાદન ભારતમાં જ લગભગ 80થી 90 ટકા સુધી શકય છે. ટેક્ષ્ટાઇલ મશીનરીના ક્ષેત્રમાં પણ ભારત વિશ્વ કક્ષાનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી શકે છે. ટેક્સટાઈલ ઉદ્યોગને AI સાથે સાંકળવાની દિશામાં કેટલાક પડકારો હોવા છતાં તેનો અમલ કરવામાં આવે તો ઉત્પાદનમાં એફિશિયન્સી અને સ્પીડમાં નોંધપાત્ર વધારો થશે. AIના ઉપયોગ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોથી ટેક્સટાઈલની નિકાસમાં પણ મોટો વધારો કરી શકાય છે. એક્ષ્પોમાં અદ્યતન મશીનોની શ્રેણી રજૂ કરવામાં આવી છે‘ચેમ્બર દ્વારા સીટેક્ષ એક્ઝિબિશનની 13મી આવૃત્તિ રજૂ કરાઇ છે. જેમાં વિશ્વમાં પ્રથમ વખત ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. સાથે જ હાઇસ્પીડ એરજેટનો પણ ડેમો રજૂ કરાયો હતો. નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી અને પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ એક્ષ્પોમાં સકર્યુલર નિટિંગ મશીનની અદ્યતન શ્રેણી પણ રજૂ કરાઇ છે. > નિખિલ મદ્રાસી, ચેમ્બરના પ્રમુખ

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:17 am

ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો:SRKના 12માં સમૂહ લગ્નોત્સવમાં 75 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

શહેરમાં સામાજિક સેવાનો પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેલ ‘પ્યોર વિવાહ - સમૂહ લગ્નોત્સવ 2026” 21મી ફેબ્રુઆરી 2026, શનિવારના રોજ મોટા વરાછામાં ભવ્ય રીતે સંપન્ન થયો. રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK) ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) અને રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં 75 દીકરીઓના લગ્ન માનભેર કરાવવામાં આવ્યા. ‘પ્યોર વિવાહ’ શ્રેણીનો આ 12મો સમારોહ હતો જેના સાક્ષી 15000થી પણ વધુ લોકો બન્યા હતા. 2015થી શરૂ કરવામાં આવેલા પ્યોર વિવાહમાં અત્યાર સુધીમાં 1000 થી પણ વધુ યુગલોના લગ્ન આ મંચ પરથી સંપન્ન કરાવવામાં આવ્યા છે, જે સમાજ માટે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાઈ રહી છે. આ સમૂહ લગ્નોત્સવ પાછળની ભાવનાનું પ્રેરણાસ્રોત SRK અને SRKKFના ફાઉન્ડર ચેરમેન એમીરીટસ ગોવિંદભાઈ ધોળકિયાનું વિચાર છે. તેઓનો વિશ્વાસ છે કે, “તમારી સંપતિનો સદુપયોગ કરવો હોય તો સાચી જરૂરિયાતવાળા લોકો તમારી આજુબાજુ તમારી સામે જ છે અને તેમના માટે કંઈક સારા કામ કરીએ એ જ સાચી સેવા છે.” ‘પ્યોર વિવાહ’ની આખી સંકલ્પના આ વિચાર પર આધારિત છે. તેઓ દરેક દીકરીને SRK પરિવારની દીકરી સમાન માને છે અને તેમને માન, આનંદ અને આત્મીયતા સાથે વિદાય આપવાની ભાવનાથી આ સમારોહ આયોજિત કરવામાં આવે છે. દીકરીઓને 3 લાખથી વધુનો કરિયાવર ભેટમાં અપાયોસમારોહમાં તમામ ધાર્મિક વિધિઓ પરંપરાગત રીતે સંપન્ન થઇ હતી. SRK તરફથી દીકરીઓને 3 લાખથી પણ વધુનો કરિયાવર આપવામાં આવ્યો હતો. સમારોહના ઉદ્ઘાટક તરીકે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, લો અને જસ્ટિસ મિનિસ્ટર અર્જુનરામ મેઘવાલે હાજરી આપી હતી. મુખ્ય મહેમાન તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. મેયર દક્ષેશ માવાણી, કલેક્ટર સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, નેવીના કેપ્ટન શ્યામકુમાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:17 am

ગાંજો મળી આવ્યો:નિયોલ ચેકપોસ્ટ નજીક ઓરિસ્સાવાસી પાસેથી કોથળામાંથી 7 લાખનો 13 કિલો ગાંજો મળ્યો,મંગાવનાર સહિત 2 વોન્ટેડ

સારોલી પોલીસે બાતમીના આધારે સુરત કડોદરા રોડ પર નિયોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવીને રૂ.7.03 લાખની કિંમતના 13.868 કિલોગ્રામ ગાંજા સાથે એક ઓરિસ્સાવાસીને પકડી કાઢ્યો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સારોલી પોલીસને બાતમી મળી હતીકે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાનો મોટો જથ્થો પસાર થનાર છે. બાતમીના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં રાત્રે દોઢ વાગ્યાના અરસામાં સાબરગામ ત્રણ રસ્તા નિયોલ ચેકપોસ્ટ પાસે આવી પહોંચેલા મંગલુ દિવાકર સેઠી (રહે,કૃષ્ણનગર ચીકુવાડી ચાર રસ્તા પાંડેસરા મુળ રહેત,સુનમ સોસાયટી આસ્કા શહેર જી.ગંજામ ઓરિસ્સા)ને પકડી પાડી તેની પાસેના કોથળાની તપાસ કરતા અંદરથી રૂ.6,93,400ની કિંમતનો 13,868 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો કબજે લઇને મંગલુની ધરપકડ કરી છે. જ્યારે આ ગાંજો મોકલનાર ગંજામના રહેવાસી સંતોષ અને મંગાવનાર રંજન (રહે,સુરત)ને વોન્ટેડ જાહેર કર્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:15 am

જિલ્લા સંકલન:સરકારી જમીન-GIDCની ખાડીના દબાણો,અશાંત ધારા મુદ્દે ધારાસભ્યોએ ફરિયાદ કરી

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ધારાસભ્ય મુકેશ પટેલે ઓલપાડમાં સરકારી જમીનો પર દબાણો દૂર કરવા, અરવિંદ રાણાએ મહિલા પોસ્ટ ઓફિસ બંધ ન કરવા, મનુ પટેલે જીઆઈડીસી વિસ્તારમાં ખાડીના દબાણો દૂર કરવા, સંદિપ દેસાઈએ ડીંડોલીથી કરાડવા રોડ પર ગંદકી દૂર કરી રોડ રિકાર્પેટ કરવા અને સંગીતા પાટીલે સરકારી કોલેજની જમીન અંગે રજૂઆત કરી હતી. મેયર દક્ષેશ માવાણીએ ચોમાસા દરમિયાન શહેરમાં ખાડી પુરની સ્થિતિ પુનઃ ન સર્જાય તે માટે થયેલી કાર્યવાહી અંગે રજૂઆત કરી હતી. કલેકટરે ડ્રેનેજ અને પાલિકા અને કમ્બાઇન્ડ દરખાસ્ત પ્રાયોરીટીના ધોરણે કરવા જણાવી, ઝીંગા તળાવો દૂર કરવામાં આવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂઆત કરી હતી કે, ઝાંપાબજાર ખાતેની મહિલા કર્મચારીઓથી કાર્યરત ગુજરાતની એકમાત્ર વુમન પોસ્ટ ઓફીસ બંધ કરવામાં ન આવે. અશાંતધારા હેઠળ મિલ્કત ખોટી રીતે તબદીલ ન થાય તે જરૂરી છે. આ બાબતે કલેક્ટરે કહ્યું હતું કે, ‘પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ધારાસભ્ય મુકેશ પટેલે રજૂઆત કરી હતી કે, ‘બરબોધનમાં તળાવ પાસે અને ઓલપાડમાં સરકારી જમીનો પર દબાણો દૂર કરવામાં આવે. ઓલપાડની પ્રાથમિક શાળાઓના બાંધકામ મંજુરી છતાં ઘણા સમયથી થતાં નથી, તેવી રજુઆત કરી હતી. કલેક્ટરે કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવા અધિકારીને તાકીદ કરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:14 am

જમીન પચાવવાનુ રેકેટ:એક જ સાટાખત પર ખેલ, સ્ટેમ્પ વેન્ડરોની પણ ગુનાઇત ભૂમિકા

વેસુની નવા બ્લોક નંબર 311-2ની અંદાજે 200 થી 300 કરોડની જગ્યા પચાવી પાડવામાં પોલીસ ગિરફ્તમા આવેલા આરોપી વિનુ માલવિયાના સાથીદાર પ્રતુલ પટેલની પણ બેંગ્લોર એરપોર્ટ પરથી ધરપકડ કરાઇ હતી. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 24મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. મૂળ ફરિયાદી તરફે એડવોકેટ શૈલેષ પટેલ હાજર રહ્યા હતા. રિમાન્ડના મુદ્દામાં ઉલ્લેખ કરાયો હતો કે આરોપી અમેરિકન સિટિઝન છે અને ખૂબ ચાલાક છે. રજી નં.5062વાળા એક જ સ્ટેમ્પ પેપર ઉપર જુદી જુદી તારીખથી જુદા જુદા સાટાખતો જે હાલના આરોપીના નામે હોય જે સ્ટેમ્પ ખરીદી કયાથી કરી તેની પણ તપાસ કરવાની છે. અસલ સાટાખત હજી પોલીસને મળ્યા નથી: રિમાન્ડના મુદ્દા

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:14 am

હવે ગામડાના વિદ્યાર્થીઓને ડિગ્રી માટે દૂર નહીં જવું પડે:અરેઠ અને અંબિકા સહિત દક્ષિણ ગુજરાતની 4 નવી સરકારી કોલેજને મંજૂરી

દ. ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં જ્ઞાનના નવા સરકારી દ્વાર ખુલવા જઈ રહ્યા છે. વર્ષોની રજૂઆતો બાદ હવે શિક્ષણ વિભાગે સુરતની બે સહિત 4 નવી સરકારી કોલેજોને મંજૂરી આપી છે.અરેઠ, અંબિકા, નાના પોંઢા અને ખેરગામમાં સાયન્સ, કોમર્સ અને લો જેવા પ્રવાહો શરૂ થશે. નવા સત્રથી વિધાર્થીઓ પ્રવેશની શક્યતા છે. આદિજાતિ વિસ્તારની કોલેજોમાં મળનારી સુવિધાઓ આ આદિજાતિ વિસ્તારોમાં નવી કોલેજો શરૂ થશે નોંધ: વિદ્યાર્થીઓ માટે રૂ. 900 અને વિદ્યાર્થિનીઓ માટે માત્ર રૂ. 315 ફી રહેશે વાંસદા કોલેજને બીએસસીની મંજૂરી વાંસદાની સરકારી કોલેજમાં હાલમાં માત્ર B.A. અને B.Com. છે, પરંતુ હવે ત્યાં B.Sc. શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. યુનિવર્સિટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ નવા સત્રથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:13 am

નોકરી ન્યુઝ:SVNITમાં AI સહિત 10 વિભાગમાં દેશના 100 વિધાર્થીને રિસર્ચની તક, મહિને 5 હજાર સ્ટાઇપેન્ડ

SVNIT દ્વારા વર્ષ 2026 માટે સમર ઇન્ટર્નશિપ પ્રોગ્રામ જાહેર કરાયો છે. જેમાં દેશની વિવિધ કોલેજોના 100 વિદ્યાર્થીઓને બે મહિના સુધી નિષ્ણાત પ્રોફેસરોની દેખરેખ હેઠળ રિસર્ચની તક મળશે. પસંદ થયેલા ઇન્ટર્ન્સને મહિને રૂ. 5 હજારનું સ્ટાઇપેન્ડ ચૂકવાશે. જે વિદ્યાર્થીઓ B.E. કે B.Tech કરી રહ્યા છે અને ઓછામાં ઓછી 5મા સેમેસ્ટરની પરીક્ષા આપી છે તેઓ અરજી કરી શકશે.ઉપરાંત, 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ M.Sc.ના વિદ્યાર્થીઓ કે જેઓ 5મા સેમેસ્ટર પછીના અભ્યાસક્રમમાં છે, તેઓ પણ આ સુવર્ણ તકનો લાભ લઈ શકશે. શૈક્ષણિક રેકોર્ડ સારો હોવો ફરજિયાત છે. ઇન્ટર્ન્સને SVNIT કેમ્પસની હોસ્ટેલમાં રહેવાની સુવિધા ચૂકવણીના ધોરણે પૂરી પાડવામાં આવશે. જ્યારે મેસ અને કેન્ટીનનો જમવાનો ખર્ચ વિદ્યાર્થીઓએ પોતે ભોગવવાનો રહેશે. આ વિભાગોમાં રિસર્ચ થશેવિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (DoAI), કોમ્પ્યુટર સાયન્સ (DoCSE), સિવિલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, મેકેનિકલ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને ફિઝિક્સ એમ કુલ 10 વિભાગોમાં અરજી કરી શકશે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:11 am

નવી કોર્ટનું નવું ઠેકાણું:મગદલ્લા, સિવિલ, ક્રિમિનલ, કન્ઝ્યુમર બધી જ કોર્ટ એક સાથે

મગદલ્લા સ્થિત વીઆરમોલની પાછળ આવેલી મગદલ્લાની જમીન નવી કોર્ટ બિલ્ડિંગ માટે ફાઇનલ કરાશે. આજે હાઇકોર્ટ જસ્ટીસ, સુરત બાર અને સિટી એસો. મળી તમામે આ જગ્યા માટે સહમતિ દર્શાવી છે. હવે અંતિમ નિર્ણય હાઇકોર્ટ દ્વારા લેવામાં આવશે અને ત્યારબાદ જમીન કોર્ટ માટે ટ્રાન્સફર કરવામાં આવશે. સિવિલ-ક્રિમિનલ, ફેમિલિ,કન્ઝ્યુમર સહિતની તમામ કોર્ટ એક જ સ્થળે ચાલી શકશે. 1.15 લાખ ચોરસ મીટર જગ્યા, 50 વર્ષનું આયોજનઆગામી 50 વર્ષ સુધી કોર્ટની જગયા બદલવી ન પડે એ માટેની જગ્યા શોધવાની કવાયત હતી. 50 હજાર ચોરસ મીટરની જરૂર હતી. પરંતુ મગદલ્લા ખાતે બે ટુકડામાં 1.15 લાખ ચોરસ મીટરની જગ્યા છે. એક હિસ્સો 92 હજાર ચોરસ મીટર છે. હાલની કોર્ટ અને બીજી તમામ કોર્ટ અહીં આવી શકે છે. ભાસ્કર ઇનસાઇટનવી કોર્ટ માટે અત્યાર સુધી આ જગ્યાઓ જોવાઈપહેલા કોર્ટની બાજુની જગ્યા ન મળી, બાદમાં જીઆવ બુડિયા ખાતેની જગ્યા પોલ્યુશનના લીધે નકારી કાઢવામાં આવ્યા બાદ મરઘા કેન્દ્રની જગ્યા પર ચર્ચા શરૂ થઈ હતી. જોકે, આ જગ્યામાં એન્ટ્રન્સને લઇને વિવાદ થતાં તેની પર પણ ચોકડી લાગી ગઈ હતી. બાદમાં પાલ નજીકની જગ્યા પર પણ બાંધકામને લઇને મંજૂરી મળે એમ નહોય આ જગ્યા પણ કેન્સલ થઈ હતી.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:00 am

ધોરણ 12માં એકાઉન્ટ-આંકડાશાસ્ત્ર 100 માંથી 100 માર્ક લેવા શું કરશો?:બંને વિષય ઓછા ફાવે છે તે વિદ્યાર્થીઓએ પણ ચિંતા કરવાની જરુર નથી, પરીક્ષા પહેલા સફળતાનો ગુરુમંત્ર

26મી ફેબ્રુઆરીથી ધોરણ 12 કોમર્સની પરીક્ષા શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓ હાલ રિવિઝન કરવામાં લાગી ગયા છે.ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર સ્કોરીંગ માટે મહત્વના સબ્જેક્ટ ગણવામાં આવે છે. અનેક વિદ્યાર્થીઓ આ બંને વિષયમાં 100માંથી 100 ગુણ મેળવતા હોય છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ માટે આ જ બંને વિષય મુશ્કેલી સર્જતા હોય છે. ત્યારે ટૂંકા સમયમાં આ બંને વિષયોમાં સફળ થવા માટે અને 80થી વધુ માર્ક લેવા માટે કઈ રીતે તૈયારી કરવી તે જાણવા દિવ્ય ભાસ્કરે વિષય નિષ્ણાંતો સાથે વાત કરી હતી. એકાઉન્ટમાં 80 પ્લસ માર્ક મેળવવા શું કરશો?એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્ત્વો અંગે વિષય નિષ્ણાંત કુંતલ શાહે જણાવ્યું હતું કે, આપણે હોંશિયાર વિદ્યાર્થીની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાની અંદર તેઓએ સ્વાધ્યાયના ભાગ- 1અને ભાગ-2, બધા જ ચેપ્ટરના વિકલ્પો અને એક-એક વાક્યના કે જે ચોપડીની પાછળ આપ્યા છે તે તમામ તૈયાર કરી લેવાના અને વિભાગ 'E' કે જે પ્રવેશ, નિવૃત્તિ, શેરમૂડી. આ ત્રણ ચેપ્ટર એના સ્વાધ્યાયના દાખલા ખાસ ગણી લેવા જેથી આરામથી 80 પ્લસ માર્ક મેળવી શકાય છે. જે વિધાર્થીએ પુરે પૂરા માર્ક્સ જોઈતા હોય તે આ ત્રણ ચેપ્ટરની સાથે સાથે ભાગીદારીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો એ પણ સ્વાધ્યાયના દાખલા ખાસ ગણી નાખે તો એમના માટે પૂરેપૂરો માર્ક્સ મેળવી શકશે. એકાઉન્ટ વિષયની તૈયારી કરતી સમયે આટલી બાબતનું ધ્યાન રાખોવધુમાં કહ્યું કે, બોર્ડની પરીક્ષાની અંદર મોટાભાગનું આખું પેપર માર્ચ 2026માં ચોપડીમાંથી જ પુછાવવાનું છે. એક-એક વાક્યના હોય કે વિકલ્પો હોય તે ચોપડીની સ્વાધ્યાયમાં ખૂબ જ ધ્યાન આપે અને જોડે જોડે જે વિભાગ 'E' છે એના માટે ઉદાહરણના દાખલા પણ ખાસ જોઈ જાય, તો આ વર્ષે ઉદાહરણના દાખલા પૂછાવાના પૂરા ચાન્સ છે. તો બોર્ડની પરીક્ષાની આગળ જે લોકોને એકાઉન્ટનું પેપર છે આગળ ચાર રજાઓ છે. તો ચાર રજાઓનો ઉપયોગ એ જ રીતે કરે કે પહેલી બે રજાઓ છે એની અંદર વિભાગ 'E' ના ત્રણે ત્રણ ચેપ્ટરના દાખલા ગણી નાખે અને એ જ દિવસે તેઓ વિભાગ 'F' માં જે છેલ્લા બે ચેપ્ટર હોય છે 11-11 માર્કના એનું પૂરું કરી દે અને એના પછીના જે બે દિવસ રહે છે એ થિયરી માટે રાખે અને છેલ્લા દિવસોમાં ક્યારેય રાત્રે વધારે ઉજાગરો કરશો નહીં, તો આપણે પેપર એકદમ શાંતિથી અને સરળતાથી આપી શકીશું. આ પાંચ ચેપ્ટર કરશો તો આરામથી 50 ઉપર માર્ક આવી જશે- શિક્ષકવધુમાં કહ્યું કે, જે નબળા વિદ્યાર્થીઓ છે, તે ભાગ-1ની અંદર ત્રીજું, ચોથું અને સાતમું ચેપ્ટર અને જોડે જોડે જો થાય તો પહેલું ચેપ્ટર જે 3 માર્કનું સાથે ભાગ-2ની અંદર ચોથું ચેપ્ટર કરવામાં આવે તો આરામથી વિદ્યાર્થી 35 થી 40 માર્ક દાખલામાં બેઠ્ઠા આવી જશે અને જોડે જોડે સ્વાધ્યાયના વિકલ્પો અને એક-એક વાક્યના કરશે તો એ 30 માર્ક સ્કોર કરશે તો એ પણ 60 માર્ક રમતા રમતા લઈ આવશે. એકાઉન્ટમાં ફેલ થવાની જરાય ચિંતા ના કરશો. ખાલી આ પાંચ ચેપ્ટર પૂરા કરશો તો આરામથી તમે 50 ની ઉપર માર્ક લઈ આવશો. આંકડાશાસ્ત્રમાં નાપાસ થવું હવે લગભગ અશક્ય- વિપુલ જોશીઆંકડાશાસ્ત્રની તૈયારી અંગે દિવ્ય ભાસ્કરે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરાવતા શિક્ષક વિપુલ જોશ સાથે વાતચીત કરી હતી. જેઓએ જણાવ્યું હતું કે, સૌથી પહેલાં તો હોશિયાર કે નબળા બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે એક સામાન્ય બાબત એ છે કે, 30 માર્ક્સ જે MCQ (વિકલ્પવાળા પ્રશ્નો) અને SQ (એક વાક્યમાં પ્રશ્નો) છે, તે માટે દરેક પ્રકરણના અંતે આપેલા વિભાગ A અને B ની તૈયારી કરો. જો હોશિયાર વિદ્યાર્થી આ 30 માંથી 30 ગુણ મેળવે તો 100 ગુણ આવવાની શક્યતા વધી જાય છે. વધુમાં કહ્યું કે, નબળા વિદ્યાર્થીઓ માટે જો 25 ગુણ પણ આ વિભાગમાંથી આવે તો પાસ થવા માટે માત્ર 10-15 ગુણ જ ખૂટે છે. તેમના માટે માત્ર બે પ્રકરણો તૈયાર કરવા પૂરતા છે: ભાગ-1 નું પ્રકરણ-2 અને પ્રકરણ-4 આ બંને પ્રકરણો વિકલ્પ સાથે કુલ 36 ગુણના હોય છે. વિભાગ Fના ચારેય દાખલાઓ આ બે પ્રકરણોમાંથી મળી રહેશે. જો આમાં 20 ગુણ અને વિભાગ A-B માંથી 30 ગુણ આવે તો કુલ 50 ગુણ આરામથી આવી શકે છે. એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આ પ્રકરણો તૈયાર કરો અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે વિભાગ E પર ધ્યાન આપવું પણ જરૂરી છે જે 12 ગુણનો હોય છે. 'અન્ય સાહિત્ય વાપર્યા વગર માત્ર પાઠ્યપુસ્તક પર ધ્યાન આપો'વધુમાં કહ્યું કે, ચોપડીની બહારનું કશું જ પૂછાતું નથી, રકમ પણ બેઠી જ હોય છે. તેથી કોઈ પણ અન્ય સાહિત્ય વાપર્યા વગર માત્ર પાઠ્યપુસ્તક પર જ ધ્યાન આપવું જોઈએ. પરીક્ષામાં જે વિભાગ સૌથી સહેલો લાગે તે સૌથી પહેલા લખો જેથી આત્મવિશ્વાસ વધશે. આંકડાશાસ્ત્રમાં નાપાસ થવું હવે લગભગ અશક્ય છે. હોશિયાર વિદ્યાર્થી માટે સેક્શન E 12 માર્કસનું હોય છે જે ત્રણ ચેપ્ટરમાંથી પૂછાય છે જેના પર ધ્યાન આપવામાં આવે તો પૂરેપૂરો માર્ક્સ લાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:00 am

ગયા વર્ષે પાસ, આ વર્ષે નાપાસ!:પોલીસ ભરતીમાં કેટલાક ઉમેદવારોની હાઇટ ઘટી ગઇ, 3 વાર માપી તો ત્રણેય વાર અલગ માપ

વર્ષોની સખત મહેનત, ગ્રાઉન્ડ પર પરસેવો પાડ્યો અને જ્યારે ખાખી પહેરવાના સપનાંની નજીક પહોંચ્યાં એટલે કે ઉમેદવારો ફિઝિકલ પરીક્ષા માટે ગયા ત્યારે કેટલાક ઉમેદવારોને હાઇટના કારણે બહારનો રસ્તો બતાવી દેવાયો. આવી ઘટના કદાચ જો કોઇ ઉમેદવાર પહેલીવાર ફિઝિકલ પરીક્ષા આપતો હોય અને તેની સાથે બને તો એક સમયે માની શકાય પણ ટેક્નોલોજી અને સઘન વ્યવસ્થા વચ્ચે લેવામાં આવેલી પોલીસ ભરતીની પરીક્ષામાં ઊંચાઇના માપદંડો અંગે મોટો વિવાદ છેડાયો છે.જેથી મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. આવા કિસ્સાઓ સામે આવ્યા બાદ દિવ્ય ભાસ્કરે હાઇટમાં ફેલ થયેલા ઉમેદવારો સાથે વાતચીત કરીને ખરેખર પરીક્ષા દરમિયાન શું-શું બન્યું અને કયા કારણથી ફેલ કરવામાં આવ્યાં હોવાનું કહેવાયું હતું તે જાણ્યું હતું. સાથે જ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરનારા પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સાથે વાતચીત કરી હતી. ઊંચાઇ માટે શું નિયમ છે?ગુજરાતમાં PSI અને LRDની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાયેલી ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારોએ અરજી કરી હતી. આ પરીક્ષામાં પુરૂષ ઉમેદવાર માટે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હાઇટ હોવી જરૂરી છે. જ્યારે મહિલા ઉમેદવાર માટે 155 સેન્ટીમીટર હાઇટ જરૂરી છે પણ 2019થી 2025ના વર્ષ દરમિયાન BSFથી માંડીને પોલીસ ભરતીમાં ફિઝિકલ એક્ઝામ પાસ કરીને હાઇટમાં પાસ થનારા ઉમેદવારોને 2026માં ઓછી હાઇટ નોંધાઇ હોવાથી બહાર કરાયા છે. ગયા વર્ષે પાસ, આ વર્ષે નાપાસ!મૂળ થરાદના વતની અને હાલમાં પાટણમાં રહીને કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરનાર મહિલા ઉમેદવાર પૂજા ઠાકોરે પણ ગત વર્ષે અને આ વર્ષે યોજાયેલી પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષા આપી હતી પરંતુ તેમને હાઇટ ઓછી છે તેમ કહેવામાં આવ્યું હતું. ગયા વર્ષે તેણે ગાંધીનગર સેક્ટર-27માં ફિઝિકલ એક્ઝામ આપી હતી. આ વખતે પણ તેનો ત્યાં જ નંબર આવ્યો હતો. આ વખતે જ્યારે તેની હાઇટ માપવામાં આવી તો દરેક વખતે અલગ અલગ માપ આવ્યા હતા. રજૂઆત બાદ 3 વાર ઊંચાઇ માપીપૂજા ઠાકોરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, જે ઉમેદવાર 2-2 વાર પાસ થયા હતા તેમને પણ આ વખતે હાઇટમાં ફેલ કર્યા છે. મેં રજૂઆત કરી એ પછી મારી હાઇટ 3 વાર માપવામાં આવી હતી. જેમાં ત્રણેય વાર અલગ અલગ મેજરમેન્ટ આવતા હતા. કોઇ વાર 154.3 સેન્ટીમીટર માપ આવ્યું તો કોઇ વાર 154 સેન્ટીમીટર માપ આવ્યું હતું. આના પછી પૂજાએ સિવિલ હોસ્પિટલમાં હાઇટ મપાવી હતી. પૂજાએ કહ્યું કે,ગ્રાઉન્ડમાં મારી હાઇટનો પ્રોબ્લેમ આવ્યો એ પછી હું સિવિલ હોસ્પિટલમાં હાઇટ ચેક કરવા માટે ગઇ હતી. જ્યાં મારી હાઇટ ઓકે બતાવતાં હતા. મેં તેમને સર્ટિફિકેટ આપવા માટે કહ્યું તો ત્યાંથી એવો જવાબ મળ્યો કે અમે અહીંયાથી કોઇને હાઇટ બાબતનું સર્ટિફિકેટ ન આપી શકીએ. જ્યારે મેં પૂછ્યું કે કેમ ન મળે ત્યારે ત્યાંથી એવો જવાબ મળ્યો કે અમે કોઇને આપતાં જ નથી અને આપીશું પણ નહીં. આ ઘટના બાદ પૂજાએ પોલીસ ભરતી બોર્ડમાં અરજી કરી છે અને કલેક્ટર કચેરીમાં પણ આવેદનપત્ર આપ્યું છે. જો કે તેને આજ સુધી કોઇ જવાબ મળ્યો નથી. મારા ભવિષ્યનો સવાલ હતોઃ પૂજાપૂજાએ વસવસો વ્યક્ત કરતાં કહ્યું કે, આ ભરતી મારા ભવિષ્યનો સવાલ હતો. ગયા વર્ષે પાસ થઇ હતી પણ પછી રહી ગઇ હતી એટલે આ વખતે એક આશા હતી પણ હાઇટમાં જ ફેલ કરવામાં આવી. BSF અને અગાઉની પોલીસ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારનો કિસ્સોઅન્ય એક ઉમેદવાર રામદેવસિંહ ગોહિલનો કિસ્સો તો ખૂબ નવાઇ પમાડે તેવો છે. રામદેવસિંહ ભાવનગરના શેવડીવદર ગામના વતની છે. તેઓ હાલમાં BAનો અભ્યાસ કરી રહ્યાં છે અને છેલ્લાં 3 વર્ષથી આર્મી અને પોલીસમાં ભરતી થવા માટેની પરીક્ષાઓની તૈયારી પણ કરી રહ્યાં છે. 2024 માં BSFની ભરતી અને 2025માં લેવાયેલી પોલીસ કોસ્ટેબલની ભરતીની પ્રક્રિયામાં તેમની હાઇટ બરાબર હતી પણ આ વર્ષ હાઇટમાં તેમને ફેલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે અને આ વર્ષે સેન્ટર એક જ હતુંરામદેવસિંહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, જ્યારે મેં 2025ની કોન્સ્ટેબલ માટેની પરીક્ષા આપી ત્યારે મારું સેન્ટર જૂનાગઢમાં આવ્યું હતું. જ્યાં મેં 19 મિનિટને 36 સેકન્ડમાં પરીક્ષા પાસ કરી હતી. જ્યારે મારી હાઇટ 165.9 સેન્ટીમીટર મપાઇ હતી. હાલમાં મેં જે પરીક્ષા આપી તે પણ આ જ સેન્ટર પર આપી હતી. જેમાં મેં 19 મિનિટમાં ગ્રાઉન્ડ ક્લિયર કર્યું. જેના પછી મારી હાઇટ માપવામાં આવી તો તેમાં ગયા વર્ષ કરતાં એક ઇંચ જેટલો ઘટાડો આવ્યો હતો અને મને ફેલ કરવામાં આવ્યો હતો. ફેલ કરાયા બાદ રામદેવસિંહે રજૂઆત કરી હતી કે અગાઉ જો હું આમાં પાસ થયો હોઉં તો આ વખતે કઇ રીતે મારી હાઇટ ઓછી થઇ ગઇ? આના પછી 3 વખત તેમની હાઇટ માપવામાં આવી હતી જેમાં તેમને કહેવાયું હતું કે તમારી હાઇટ નિયમ કરતાં ઓછી છે. સિવિલમાં હાઇટ માપી તો 166 સેન્ટીમીટર થઇરામદેવસિંહે દાવો કર્યો કે, મને હાઇટમાં ફેલ કરવામાં આવ્યો એ પછી હું સિવિલ હોસ્પિટલમાં હાઇટ મપાવા માટે ગયો હતો. ત્યાં મારી હાઇટ 166 સેન્ટીમીટર નોંધાઇ હતી. મને સિવિલમાંથી સર્ટિફિકેટ નથી આપ્યું. મેં માંગ્યું તો એવું કહ્યું કે જો પોલીસ ભરતી બોર્ડમાંથી માંગવામાં આવશે તો આપીશું. રામદેવસિંહે એવો પણ દાવો કર્યો કે, જ્યાં અમારી હાઇટ માપવામાં આવી ત્યાં મોટાભાગના લોકોની હાઇટમાં 2-2 ઇંચનો તફાવત આવ્યો હતો. જ્યારે સિવિલમાં હાઇટ માપવામાં આવી ત્યારે બરાબર આવતી હતી. આ બન્ને ઉમેદવારો બાદ દિવ્ય ભાસ્કરે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સાથે વાતચીત કરી હતી. બાંભણિયાએ પોલીસ ભરતીમાં ઉમેદવારોની હાઇટ માપવામાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ સરકારને કરી છે. દિનેશ બાંભણિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ગુજરાત સરકારના પોલીસ ભરતી બોર્ડમાં વારંવાર પ્રશ્નો ઊભા થતાં હોય છે. 2019થી 2025 દરમિયાન લેવાયેલી પરીક્ષા દરમિયાન પુરૂષ ઉમેદવારો માટે 165 સેન્ટીમીટર અને મહિલા ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર ઊંચાઇનો નિયમ હતો. આ જ નિયમ આ વખતે પણ છે. તેમ છતાં અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને આ વખતે ફેલ કરવામાં આવ્યાં છે. પોલીસ ભરતી બોર્ડમાં અપીલ કર્યાં પછી નવેક જેટલા ઉમેદવારોએ બાંભણિયાને રજૂઆત કરી હતી. બાંભણિયાએ કહ્યું કે, મારી પાસે આવેલા કિસ્સાઓમાંથી 2-3 મુખ્ય કિસ્સાઓ ખૂબ જ ગંભીર હતા. જેમાં તે વિદ્યાર્થીઓ અગાઉની પરીક્ષામાં હાઇટમાં પાસ થયા હતા પણ આ વખતે તેમને ફેલ કરવામાં આવ્યાં છે. બાંભણિયાએ સુરતના ઉમેદવારનો કિસ્સો કહ્યો. સુરતના ઉમેદવારે હિંમતનગર ખાતે પરીક્ષા આપી હતી. તે 2019 અને 2025માં ફિઝિકલ પરીક્ષામાં પાસ થયો હતો પણ 2026ની પરીક્ષામાં હાઇટમાં તેને ફેલ કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓનું એટલું જ કહેવું છે કે અગાઉ પાસ હોઇએ તો આ વખતે કેવી રીતે નાપાસ થઇ શકીએ? હાઇટ કેવી રીતે ઘટી શકે?: બાંભણિયાબાંભણિયાએ સવાલ ઉઠાવ્યો કે જો કદાચ ટેક્નોલોજી બદલાઇ હોય પણ હાઇટમાં વધઘટ થવાનો પ્રશ્ન જ નથી આવતો. માણસનું વજન ઘટી શકે અને વધી શકે, રનિંગમાં કોઇની સ્પીડ વધી કે ઘટી શકે, પેપરમાં લખવાની સ્પીડમાં વધારો કે ઘટાડો નોંધાઇ શકે પણ હાઇટ વધધટનો પ્રશ્ન આ ઉંમરમાં બને એ શક્ય નથી. આવું થવા પાછળ બાંભણિયાએ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા.તેમના મતે, સરકારનો અભિગમ તો સ્પષ્ટ જ છે કે પારદર્શક પરીક્ષા લેવામાં આવે પણ અમૂક અધિકારીઓના લીધે સરકાર બદનામ થઇ રહી છે અને સિસ્ટમ પણ બદનામ થઇ રહી છે. જેથી વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, આ ભરતી પ્રક્રિયામાં ઘણી બધી જગ્યાએથી એવી પણ ફરિયાદો આવી છે જેમાં દીકરી પોતાની હાઇટ બાબતે ફેલ થાય અને પછી અપીલ કરે તો 3થી 4 વાર તેની હાઇટ માપવામાં આવે છે. દરેક વખતે અલગ અલગ માપ આવે છે. આ બાબતે મેં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી કે.એન.એલ રાવ અને ચેરમેન નિરજા ગોટરૂની મુલાકાત લઇને તેમને રજૂઆત કરી હતી કે જે વિદ્યાર્થીઓ અગાઉની બે પરીક્ષામાં પાસ હોય તેમને ફરી બોલાવીને તેમની હાઇટ માપવામાં આવે. તેમણે આંદોલનનો રસ્તો અપનાવીને પરીક્ષા નહીં લેવા દઇએ તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. મામલો હાઇકોર્ટમાં પહોંચ્યોઊંચાઇના મુદ્દે કેટલાક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઇકોર્ટે દરેક અરજદારને કોર્ટ રજિસ્ટ્રીમાં 10 હજાર રૂપિયા જમા કરાવવાનો અને 19મી તારીખે સોલા સિવિલ હોસ્પિટલમાં ઊંચાઇ મપાવવાનો આદેશ કર્યો હતો. ઉમેદવારની ઊંચાઇનો રિપોર્ટ 23મી ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો ઉમેદવારનો દાવો યોગ્ય હશે તો તેને 10 હજાર રૂપિયા પરત મળશે.

દિવ્ય ભાસ્કર 22 Feb 2026 6:00 am