SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
...

ગાંધીનગર જિલ્લા પંચાયતનું 111 કરોડનું બજેટ મંજૂર:વિકાસ કાર્યો માટે 56.37 કરોડની પુરાંત રખાઈ, પશુપાલક વિધવા બહેનોને સહાય માટે 50 લાખની નવી જોગવાઈ

ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પ્રમુખ શિલ્પાબેન જયેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં પ્રમુખ દ્વારા વર્ષ 2026-27 માટેનું રૂ. 111.85 કરોડનું સ્વભંડોળનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સભાએ સર્વાનુમતે મંજૂરી આપી છે. બજેટમાં રૂ. 55.48 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જ્યારે રૂ. 56.37 કરોડની માતબર પુરાંત રાખવામાં આવી છે. આ બજેટમાં ગ્રામીણ વિકાસ, શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના ક્ષેત્રોમાં ગત વર્ષની સરખામણીએ મોટો વધારો કરી વિકાસલક્ષી અભિગમ અપનાવવામાં આવ્યો છે. પશુપાલક મહિલાઓ અને ભૂમિપુત્રો માટે મહત્વની કલ્યાણકારી યોજનાઓઆ વર્ષના બજેટમાં પશુપાલન ક્ષેત્રે એક નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં પશુપાલન સાથે સંકળાયેલી વિધવા બહેનોને પશુઓના ખાણદાણની ખરીદી પર આર્થિક ટેકો આપવા માટે રૂ. 50 લાખની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, ખેતીવાડી ક્ષેત્રના બજેટમાં ગત વર્ષના રૂ. 58.06 લાખ સામે આ વર્ષે સીધો 54.29 લાખનો વધારો કરી કુલ રૂ. 112.35 લાખની ફાળવણી કરાઈ છે. આ ભંડોળનો ઉપયોગ ખેતીલક્ષી પ્રવૃત્તિઓ અને ખેડૂતના અકસ્માતે મૃત્યુના કિસ્સામાં પરિવારને મદદ કરવા માટે કરવામાં આવશે. સિંચાઈ અને ખેતીવાડીમાં પાણીની સુવિધા માટે ગ્રામ પંચાયતોને મદદરૂપ થવા વધુ રૂ. 543.06 લાખ ફાળવવામાં આવ્યા છે. બાળવિકાસ ક્ષેત્રે રૂ. 191.15 લાખ ફાળવાયાજ્યારે શિક્ષણ ક્ષેત્રે જિલ્લા પંચાયતે ઉદાર હાથે ફાળવણી કરી છે. ગત વર્ષના રૂ. 289.95 લાખના બજેટમાં રૂ. 130.75 લાખનો તોતિંગ વધારો કરીને વર્ષ 2026-27 માટે રૂ. 420.70 લાખ મંજૂર કરાયા છે. આ રકમનો ઉપયોગ શાળાઓને હાઈટેક અને ડિજિટલ બનાવવા, રમતગમત, કન્યા કેળવણી અને હાઈજીન પાછળ થશે. ખાસ કરીને પ્રમુખે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લાની બાલવાટિકાઓમાં ભણતા 11 હજાર બાળકોને નિઃશુલ્ક સ્કૂલ યુનિફોર્મ આપવા માટે રૂ. 50 લાખની અલગ જોગવાઈ જાહેર કરી છે. આંગણવાડીઓના રિપેરિંગ અને નવા બાંધકામ માટે બાળવિકાસ ક્ષેત્રે પણ રૂ. 191.15 લાખ ફાળવાયા છે. જાહેર બાંધકામ ક્ષેત્રે રૂ. 800.25 લાખ ખર્ચવામાં આવશેજિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે આરોગ્ય બજેટમાં રૂ. 26.45 લાખનો વધારો કરી કુલ રૂ. 96.20 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત PHC કેન્દ્રોનું રિનોવેશન, સીસીટીવી કેમેરા લગાવવા, ફોગીંગ કામગીરી અને વિવિધ આરોગ્ય કેમ્પનું આયોજન થશે. ગામડાઓના માળખાગત વિકાસ અને સુધારાવાદી કાર્યો માટે પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ. 2413.35 લાખ જેવી મોટી રકમ ફાળવવામાં આવી છે. જાહેર બાંધકામ ક્ષેત્રે નવા રસ્તાઓ, મકાનોની જાળવણી અને ફાયટરની ખરીદી માટે રૂ. 800.25 લાખ ખર્ચવામાં આવશે. સમાજ કલ્યાણ ક્ષેત્રે ગત વર્ષ કરતા રૂ. 38 લાખનો વધારો મંજૂરએક તરફ વિકાસના કાર્યોમાં વધારો કરાયો છે તો બીજી તરફ વહીવટી ખર્ચમાં કરકસરનો અભિગમ જોવા મળ્યો છે. સામાન્ય વહીવટના ખર્ચમાં ગત વર્ષની સરખામણીએ રૂ. 40 હજારનો ઘટાડો કરી તેને રૂ. 157.98 લાખ રાખવામાં આવ્યો છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચના વિસ્તારોમાં વિકાસ કામો વેગવંતા બનાવવા માટે ગત વર્ષ કરતા રૂ. 38 લાખનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે, જેનાથી છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનું લક્ષ્ય છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 10:14 pm

ગજેરા બંધુઓને સુપ્રીમ કોર્ટની મોટી રાહત:ક્વોશિંગ પિટિશન માટે બે અઠવાડિયાનો સમય આપ્યો, હાલ ધરપકડ પર રોક લગાવી

સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓને કરોડો રૂપિયાના ફોર્જરી કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગજેરા બંધુઓ સામે ફરિયાદ દાખલ કરવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ પિટિશન ગ્રાહ્ય રાખીને નિર્દેશ આપ્યો છે કે, આગામી 2 અઠવાડિયા સુધી પોલીસ આરોપીઓ સામે કોઈ પણ પ્રકારના વિશેષ કે કડક પગલાં લઈ શકશે નહીં. હાઈકોર્ટની સિંગલ બેન્ચે આ મામલે ગંભીરતા દાખવીઆ કેસની વિગત મુજબ 'શાંતિ રેસિડેન્સી પ્રા. લી.' ના સંચાલકો અશોક ગજેરા, વસંત ગજેરા, ચુની ગજેરા અને રાકેશ ગજેરા સામે મની લોન્ડરિંગ અને છેતરપિંડીના ગંભીર આક્ષેપો છે. ફરિયાદી પ્રવિણ અગ્રવાલે આક્ષેપ કર્યો હતો કે, શહેર પોલીસ આ મામલે ફરિયાદ નોંધતી નહોતી, જેના કારણે તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટની સિંગલ બેન્ચે આ મામલે ગંભીરતા દાખવી આરોપીઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો. નીચલી અદાલતે કેસના મહત્વના પાસાઓને ધ્યાને લીધા નથીહાઈકોર્ટના આ આદેશ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગજેરા બંધુઓ સામે રૂપિયા 147 કરોડની છેતરપિંડી અને મની લોન્ડરિંગની કલમો હેઠળ FIR દાખલ કરી હતી. પોલીસ કાર્યવાહીથી બચવા માટે ગજેરા બંધુઓએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી. આ સુનાવણી દરમિયાન આરોપીઓ વતી દેશના દિગ્ગજ એડવોકેટ્સ અભિષેક મનુ સિંઘવી અને મુકુલ રોહતગી દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, નીચલી અદાલતે કેસના મહત્વના પાસાઓને ધ્યાને લીધા નથી. 2 અઠવાડિયામાં હાઈકોર્ટમાં 'ક્વોશિંગ' (FIR રદ કરવાની અરજી) દાખલ કરી શકેસુપ્રીમ કોર્ટે આરોપીઓને પોતાની રજૂઆત કરવા માટે સમય આપતા જણાવ્યું છે કે, તેઓ આગામી 2 અઠવાડિયામાં હાઈકોર્ટમાં 'ક્વોશિંગ' (FIR રદ કરવાની અરજી) દાખલ કરી શકે છે. આ 2 અઠવાડિયાના સમયગાળા દરમિયાન આરોપીઓને ધરપકડ સામે સુરક્ષા આપવામાં આવી છે, જેથી તેઓ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી શકે. આ ચુકાદાથી ગજેરા પરિવારને હાલ પૂરતી મોટી શાંતિ મળી છે. સ્થાનિક સ્તરે એડવોકેટ કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ નિર્ધારિત સમય મર્યાદામાં જ હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટમાં થનારી આ આગામી સુનાવણીમાં પોલીસ અને ફરિયાદી પક્ષ દ્વારા શું વલણ અપનાવવામાં આવે છે અને ગજેરા બંધુઓની મુશ્કેલીઓમાં ઘટાડો થાય છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 10:10 pm

હાઈકોર્ટે કેમ્પસમાં નવા આર્બીટ્રેશન સેન્ટરનો શિલાન્યાસ સમારોહ યોજાશે:દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વગેરે ઉપસ્થિત રહેશે

ગુજરાત હાઈકોર્ટ કેમ્પસમાં નવા અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટર ભવનનો શિલાન્યાસ સમારોહ 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાનાર છે. આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્ય કાંત, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ અરવિંદ કુમાર, જસ્ટિસ એન.વી. અંજારીયા અને જસ્ટિસ વિપુલ એમ.પંચોલી ઉપસ્થિત રહેશે. સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કાયદા અને ન્યાય મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને આર્બિટ્રેશન સેન્ટરના પેટ્રન-ઈન-ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા વગેરે ઉપસ્થિત રહેશે. અત્યાધુનિક ઓનલાઇન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમગુજરાત હાઈકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરનું આ નવું અત્યાધુનિક ભવન આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરના વિવાદોના નિવારણ માટે સજ્જ હશે. જેમાં 16 આર્બિટ્રેશન કોન્ફરન્સ રૂમ, જેમાં દરેક સાથે બે બ્રેક-આઉટ રૂમની વ્યવસ્થા હશે. 7 મીડિયેશન રૂમ અને અત્યાધુનિક ઓનલાઇન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ હશે. બે દિવસીય કોન્ફરન્સનું આયોજનજેને લઈને ગુજરાત હાઇકોર્ટ આરબીટ્રેશન સેન્ટર અને ગુજરાત રાજ્ય કાયદાકીય સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના ના રોજ Institutional Arbitration at Crossroads: Challenges and the Way Forward વિષય પર બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યના હાઇબ્રિડ મોડલ્સ પર ચર્ચા-વિચારણાઆ કોન્ફરન્સમાં આર્બિટ્રેટર્સ, એડવોકેટ્સ અને અન્ય હિતધારકો ભેગા મળીને સંસ્થાકીય આર્બિટ્રેશનનું માળખું, એડ-હોક આર્બિટ્રેશન સાથે તેની તુલના, નૈતિક વિવાદ નિવારણ, અને ભવિષ્યના હાઇબ્રિડ મોડલ્સ પર ચર્ચા-વિચારણા કરશે. તેનો મુખ્ય હેતુ રાજ્યની ઓલ્ટરનેટ ડિસ્પોટ રિઝર્વેશન ઇકોસિસ્ટમને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 10:10 pm

13 વર્ષ અને 9 મહિનાની સગીરા સાથે દુષ્કર્મ કેસ:આરોપીને 20 વર્ષની કેદ, સગીરાને અજમેર લઈ જઈને દુષ્કર્મ આચર્યું

વર્ષ 2022માં 28 વર્ષીય આરોપી ફૈઝાન ચૌધરી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ કે.જી.જૈન અને દિલીપસિંહ ઠાકોરની દલીલોને ધ્યાને રાખીને આરોપીને 20 વર્ષની સખત કેદ અને 55 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 13 વર્ષ અને 9 મહિનાની સગીર દીકરીને કામના સ્થળે બોલાવીકોર્ટે આ કેસમાં 15 સાહેદ અને 22 પુરાવા તપાસ્યા હતા. તેમ જ સગીરાને કુલ 4.50 લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ હુકમ કર્યો હતો. કેસને વિગતે જોતા ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદ આપી હતી કે તેણે પોતાના કામના સ્થળે પોતાની 13 વર્ષ અને 9 મહિનાની સગીર દીકરીને કામના સ્થળે બોલાવી હતી, પરંતુ તે આવી નહોતી. રાત્રેથી કામના સ્થળેથી માતા પરત ફરતા દીકરી ઘરે નહોતી. આસપાસ બહુ શોધી છત્તા દિકરી મળી નહીં આવતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. સગીર દીકરી અને આરોપીને શોધી નાખ્યા હતાપોલીસે ફરિયાદના આધારે સગીર દીકરી અને આરોપીને શોધી નાખ્યા હતા. ત્યારબાદ આરોપી સામે કોર્ટમાં કેસ દાખલ કરીને ચાર્જશીટ કરવામાં આવી હતી. સગીરાનુ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યું હતું. કેસમાં સામે આવ્યું હતું કે આરોપી પોતે પરિણીત અને બે સંતાનોનો પિતા છે. જે સગીરાને ધમકી આપીને ઘરેથી ભગાડીને અજમેર લઈ ગયો હતો અને ત્યાં હોટલમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 9:58 pm

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી:પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લીધી

નવગુજરાત ગ્રુપ ઓફ કોલેજિસની સેન્ટ્રલ લાઇબ્રેરીના સહયોગથી પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ, નવગુજરાત કેમ્પસ, આશ્રમ રોડ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ, ગૌરવ અને જાગૃતિ વધારવાનો હતો. આ અવસરે સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા ગુજરાતી પુસ્તકોનું વિશેષ પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સાહિત્ય, કાવ્ય, નવલકથા, જીવનચરિત્ર અને વિવિધ વિષયક પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લઈ ગુજરાતી સાહિત્ય પ્રત્યે રસ દર્શાવ્યો. કાર્યક્રમ દરમિયાન માતૃભાષાના મહત્વ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં ગુજરાતી ભાષાનો વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ સફળ અને પ્રેરણાદાયક રહ્યો.આ કાર્યક્રમ પ્રિ. ડો એન ડી શાહ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 9:39 pm

જામનગરના નવનાલા ટ્રેક પર ચાર જેટલા લોકો ટ્રેનની અડફેટમાં આવ્યાં:એકનું મોત, ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો; અન્ય ત્રણની શોધખોળ

જામનગર શહેરના ધરાનગર વિસ્તારમાં આવેલા નવનાલા રેલવે ટ્રેક પર આજે એક દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, એક ટ્રેનની અડફેટે ચાર જેટલા લોકો આવી ગયા હોવાની આશંકા છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળેથી એક વ્યક્તિનો અત્યંત ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેનની અડફેટે આવેલા અન્ય ત્રણ લોકો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ તેઓ પણ અકસ્માતનો ભોગ બન્યા હોવાની પ્રબળ શક્યતા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મૃતક શખ્સની ઓળખ વિધિ હાથ ધરવામાં આવી છે. ટ્રેનની અડફેટે આવ્યા હોવાની શક્યતા ધરાવતા અન્ય લોકોની શોધખોળ માટે રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. રેલવે પોલીસ આ શખ્સો ટ્રેક પર કેવી રીતે પહોંચ્યા અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 9:27 pm

ઘરેલું હિંસામાં પતિ અને નણંદોને 3 વર્ષની કેદ:પત્ની 29 વર્ષ કોર્ટના પગથિયા ઘસી 2025માં મૃત્યુ પામી, જે દીકરાની દવા સાસરિયા કરાવતા નહોતા તે વકીલ બન્યો

વર્ષ 1996માં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં એક પત્નીએ પોતાના પતિ અને સાસરીયાઓ સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. જેમાં 29 વર્ષે ચુકાદો આવતા પતિ અને બે નણંદોને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે 3 વર્ષ કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, પત્નીએ 29 વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાધા હતા. જેનું મૃત્યુ વર્ષ 2025માં થયું હતું. જ્યારે પત્ની પોતાના માતા પિતા સાથે પોતાના એકના એક પુત્રનો ઉછેર કરીને તેને વકીલ બનાવ્યો હતો. ફરિયાદી પત્ની એક કો ઓપરેટિવ બેંકમાં નોકરી કરતીઆ કેસમાં ફરિયાદી પત્ની અને આરોપી પતિના લગ્ન વર્ષ 1993માં થયા હતા. ફરિયાદી પત્ની એક કો ઓપરેટિવ બેંકમાં નોકરી કરતી હતી. ફરિયાદીના સાસરીયાઓ તેને પૂરો પગાર ઘરમાં આપવા માટે દબાણ કરીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. ફરિયાદીનો બે વર્ષીય પુત્ર જ્યારે બીમાર થતો, ત્યારે તેને દવાના પૈસા પણ આપતા નહીં અને સરકારી દવાખાનામાં દવા કરાવવાનું કહેતા હતા. પત્નીનો કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસઆ સંદર્ભે પત્ની પોલીસ કેસ પણ દાખલ કર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફરિયાદ પક્ષે 6 સાહેદ અને 5 પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. પત્નીને લગ્નની રાત્રે જ પતિએ પત્નીના પિતા દ્વારા અપાયેલ સોનાના સેટ વિશે પૂછવામાં આવ્યું હતું. પતિ અને સાસરીયા પત્નીને સંતાનની કોઈ જરૂર નહીં હોવાનું કહેતા હતા. એક વખત સાસરીયાઓના ત્રાસથી પત્નીએ કેરોસીન છાંટીને આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પત્નીના એક વખત ગર્ભપાત પણ કરાવ્યોપતિ આટલેથી ન અટકતા પત્નીના એક વખત ગર્ભપાત પણ કરાવ્યો હતો. સસરા પણ વહુ ઉપર ખરાબ નજર નાખીને તેનો હાથ પકડ્યો હતો. જે સંદર્ભે પત્નીએ પતિને ફરિયાદ કરતા પતિએ પોતાના પિતાનું સમર્થન જ કર્યું હતું. પતિ AMTS માં હેલ્પર કમ ડ્રાઇવરની નોકરી કરતા હતા. પત્નીના પિયરિયા તરફથી સમાધાનની કોશિશ કરાતા પત્નીના સાસરિયા તેઓને ગાળો આપતા હતા. મહિલા 29 વર્ષ સુધી કોર્ટના ચક્કર કાપતી રહીએક વખત સાસરિયાંઓએ પત્નીને માર મારતા તે બેભાન થઈ ગઈ હતી. જેની સારવારના મેડિકલ પુરાવા પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે ઘરેલુ હિંસાના કેસોમાં મહિલાઓ ચૂપ રહે છે, ત્યારે ફરિયાદી મહિલા 29 વર્ષ સુધી કોર્ટના ચક્કર કાપતી રહી. સાસરીમાં થતા હિંસાના પુરાવા પણ એકત્ર કરવા અઘરા હોય છે. ત્યારે સમાજમાં દાખલો બેસે તેવી સજા આરોપીઓને કરવી જોઈએ. પતિ અને બે નણંદોને કુલ 3 વર્ષની સાદી કેદટ્રાયલ દરમિયાન ફરિયાદીના સાસુ સસરાનું મૃત્યુ થયું હતું. જેથી ફરિયાદીના પતિ અને બે નણંદોને કુલ 3 વર્ષની સાદી કેદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પતિએ બીજા લગ્ન પણ કરી લીધા હતા, જેનાથી તેને બે પુત્રો છે. ત્યારે ફરિયાદી પત્નીએ પોતાના માતા પિતાના ઘરે રહીને પોતાના એકના એક સંતાનનો ઉછેર કરી તેને વકીલ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 9:24 pm

બોટાદમાં વિદ્યાર્થીઓ માટે મફત રીક્ષા સેવા:ધોરણ 10-12ની પરીક્ષા માટે કેન્દ્રો સુધી પહોંચાડવા રિક્ષા એસોસિએશનની પહેલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. બોટાદ જિલ્લામાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચાડવા માટે બોટાદ જિલ્લા રીક્ષા એસોસિએશન દ્વારા મફત રીક્ષા સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અને પરીક્ષા કેન્દ્રથી અજાણ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે. રીક્ષા એસોસિએશનના સભ્યો વિદ્યાર્થીઓને તેમની રીક્ષામાં બેસાડીને સંબંધિત શાળા અને વર્ગખંડ સુધી પહોંચાડે છે. આ મફત સેવા પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી અવિરત ચાલુ રહેશે. સમયસર પરીક્ષા કેન્દ્ર પર ન પહોંચી શકવાને કારણે વિદ્યાર્થીઓની આખા વર્ષની મહેનત નિષ્ફળ ન જાય તે સુનિશ્ચિત કરવા માટે આ પહેલ કરવામાં આવી છે. શિક્ષણના મહત્વને સમજીને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી આ સેવા શરૂ કરાઈ છે. બોટાદ શહેરની જાગૃત જનતા દ્વારા આ સેવાને બિરદાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 9:22 pm

વેરાવળ પાલીકાની બેઠકમાં રાજકીય તણાવ ચરમસીમાએ!:125 કરોડનું વિકાસલક્ષી બજેટ બહુમતીથી મંજૂર, વિપક્ષનો વોકઆઉટ; દુર કરાયેલા સેક્રેટરીએ બેઠક સંચાલન કરતા વિવાદ

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની વર્ષ 2026-27ની બજેટ બેઠક રાજકીય ગરમાહટ વચ્ચે પૂર્ણ થઈ હતી. પ્રમુખ પલ્લવીબેન જાની, ઉપપ્રમુખ જયેશ માલમડી, ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરિયા, દિક્ષીતાબેન અઢીયા, બાદલ હુંબલ, નિલેશ વિઠલાણી તથા વિપક્ષી નેતા અફઝલ પંજા અને ગુલામખાન સહિતના નગરસેવકો હાજર રહ્યા હતા. બેઠકમાં પાલીકાનું રૂ. 125 કરોડ (સવા અબજ)નું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટના વિવિધ મુદ્દાઓ પર સતાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી. વિપક્ષે કેટલાક પ્રશ્નોના યોગ્ય જવાબ ન મળ્યાના આક્ષેપ સાથે બજેટ કોપી ફાડી વિરોધ નોંધાવ્યો અને વોકઆઉટ કર્યું. જોકે, સત્તાધારી ભાજપે બહુમતીના બળે બજેટ મંજૂર કરાવ્યું. બજેટના મુખ્ય મુદ્દા ચીફ ઓફિસર દેવીબેન ચાવડાના જણાવ્યા મુજબ: રૂ.10 કરોડ રોડ-રસ્તા અને વિકાસ કામો માટે રૂ.8 કરોડ પ્રાથમિક સુવિધાઓ વધારવા બાકીની રકમ રૂટીન ખર્ચ અને અન્ય આયોજન માટે ફાળવાઈ છે બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન બાદલ હુંબલે બાંધકામ પરવાનગીની સત્તા પરત લેવામાં આવતા પાલીકાને વાર્ષિક રૂ. 4 કરોડની આવકમાં નુકસાન અને નાગરિકોને હાડમારી વધ્યાની રજુઆત કરી. આ મુદ્દે સર્વાનુમતે ઠરાવ પસાર કરી રાજ્ય સરકાર સમક્ષ સત્તા પરત આપવાની માંગ કરવાનું નક્કી થયું. વિપક્ષના આક્ષેપોવિપક્ષી નેતા અફઝલ પંજાએ આક્ષેપ કર્યો કે બેઠક શરૂ થયા બાદ લાંબા સમય સુધી સભ્યોને બજેટ બુક આપવામાં આવી નહોતી. તેમણે પાલીકામાં લોલંલોલ વહીવટ અને વિકાસકામોમાં ગેરવ્યવસ્થા હોવાનો આરોપ લગાવ્યો. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દાયકામાં હજારો કરોડના વિકાસનિધિ મળ્યા હોવા છતાં શહેરમાં ગંદકી અને અસુવિધા યથાવત હોવાનો ઉલ્લેખ કર્યો. દુર કરાયેલા સેક્રેટરીએ બેઠક સંચાલન કરતા વિવાદટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ભરતી થયેલા દિગંત દવે લાંબા સમયથી સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળી રહ્યા હતા. ગેરશિસ્ત અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ઓફિસ બાબતે ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ તા. 3 ફેબ્રુઆરીએ તેમને પદ પરથી દૂર કરવાનો આદેશ કર્યો હતો. છતાં બજેટ બેઠકનું સંચાલન તેમણે જ કરતા વિપક્ષે કડક વાંધો ઉઠાવ્યો. અફઝલ પંજાએ પ્રશ્ન કર્યો કે આદેશનું પાલન કેમ ન થયું? યોગ્ય પગલાં ન ભરાય તો ગાંધી ચીંધ્ય માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી. ચીફ ઓફિસર ચાવડાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે તેમના આદેશની અમલવારી તાત્કાલિક કરવામાં આવશે અને દિગંત દવે તેમની મૂળ ટેક્નિકલ આસિસ્ટન્ટ પદ પર પરત ફરશે. આ રીતે રાજકીય તણાવ વચ્ચે સવા અબજનું બજેટ મંજૂર થયું, પરંતુ પાલીકાની કાર્યપદ્ધતિ અને વહીવટ અંગેના પ્રશ્નો હજી પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 9:09 pm

EDનો અમદાવાદમાં સપાટો, અંદાજે 6 કરોડની માલમત્તા કબ્જે કરી:ટોબેકાના ધંધા સાથે સંકળાયેલાં ગ્રુપ પર EDના દરોડા; સોનું, ચાંદી, રોકડ તથા વિદેશી ચલણ કબ્જે કર્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) એ અનસ ગ્રૃપના ભાગીદારોને ત્યાં દરોડા પાડીને એક કરોડ રુપિયા રોકડા તથા 33 લાખની વિદેશી કરન્સી તેમ જ અઢી કરોડનું સોનું અને બે કરોડની ચાંદી જપ્ત કરીને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વાંધાજનક દસ્તાવેજો કબ્જે કર્યા છે. EDને વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે આ દરોડા પાડયાં હતા. નાગરિયા પરિવાર (અનસ ગ્રૃપ તથા તેના ભાગીદારો) દુબઇના પોશ વિસ્તારોમાં અને દુબઇના વિવિધ વ્યવસાયોમાં રોકાણો સહિત અનેક વિદેશી સંપત્તિઓ હોવાની વિગતો EDને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અમદાવાદમાં 9 સ્થળોએ અનસ ગ્રુપ અને ભાગીદારોના પરિસરમાં દરોડાઅમદાવાદ ઝોનલ ઓફિસના અમલીકરણ નિર્દેશાલય (ED) એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA), 1999ની જોગવાઈઓ હેઠળ અમદાવાદમાં 9 સ્થળોએ અનસ ગ્રુપ અને તેના ભાગીદારોના પરિસરમાં દરોડા પાડ્યા હતા. જે એમ્બર ટોબેકો, ઉમદા ટોબેકો, સમા ફિલ્ટર ખૈની બ્રાન્ડ નામો હેઠળ તમાકુ પ્રોસેસિંગ, પેકેજિંગ અને ઉત્પાદનમાં રોકાયેલા છે. આ દરોડામાં 1.1 કરોડની ભારતીય ચલણ તેમ જ 33.34 લાખ રૂપિયાની વિદેશી ચલણ, 1.6 કિલોગ્રામ (આશરે 2.5 કરોડની બજાર કિંમત) ના વિદેશી ચિહ્નવાળા 16 સોનાના બાર અને 80 કિલોગ્રામ (આશરે 2 કરોડ રૂપિયાનું બજાર મૂલ્ય)ના 168 ચાંદીના બાર જપ્ત કર્યા છે. અનસ ગ્રુપના ભાગીદારો અને પરિવારના સભ્યો સાથે સંકળાયેલી દુબઈમાં વિદેશી મિલકતોનો ખુલાસો કરતા વિવિધ વાંધાજનક દસ્તાવેજો અને રેકોર્ડનો સમાવેશ થાય છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA), 1999 ની જોગવાઈઓ હેઠળ અમદાવાદમાં નવ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા બાદ આ મિલકતો જપ્ત કરવામાં આવી હતી. જે અનસ ગ્રુપ અને તેના ભાગીદારોના પરિસરને આવરી લે છે, જે એમ્બર ટોબેકો, ઉમદા ટોબેકો, સમા ફિલ્ટર ખૈની બ્રાન્ડ નામો હેઠળ તમાકુ પ્રક્રિયા, પેકેજિંગ અને ઉત્પાદનમાં રોકાયેલા છે. દુબઈના વિવિધ વ્યવસાયોમાં રોકાણો સહિત અનેક વિદેશી સંપત્તિઓવિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા કે નાગરિયા પરિવાર (અનસ ગ્રુપ અને તેના ભાગીદારો) ના સભ્યો પાસે દુબઈના પોશ વિસ્તારોમાં અને દુબઈના વિવિધ વ્યવસાયોમાં રોકાણો સહિત અનેક વિદેશી સંપત્તિઓ છે, જેના માટે ભંડોળ હવાલા/ગેરકાયદેસર ચેનલો અને અનધિકૃત બેંકિંગ ચેનલો દ્વારા વિદેશમાં મોકલવામાં આવ્યું હતું. દરોડાના પરિણામે, 1.01 કરોડ રૂપિયાનું ભારતીય ચલણ, આશરે 33.34 લાખ રૂપિયાનું વિદેશી ચલણ, 1.6 કિલોગ્રામના વિદેશી ચિહ્નવાળા 16 સોનાના બાર અને આશરે 80 કિલોગ્રામ વજનવાળા 168 ચાંદીના બાર (આશરે 2 કરોડ રૂપિયાનું બજાર મૂલ્ય) જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ અનસ ગ્રુપના ભાગીદારો/પરિવારના સભ્યો સાથે સંકળાયેલી દુબઈમાં વિદેશી મિલકતો જાહેર કરતા વિવિધ ગુનાહિત દસ્તાવેજો/રેકોર્ડ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 9:04 pm

સ્કૂલ માટેનો પ્લોટ વેચાશે:ચાંદખેડામાં સ્કૂલ બનાવવા માટેના પ્લોટનું વેચાણ કરી 18 કરોડથી વધુની આવક મેળવશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી સ્કીમ અંતર્ગત મળવા પાત્ર વિવિધ હેતુના પ્લોટના વેચાણ કરી આવક ઊભી કરવામાં આવે છે ત્યારે હવે સ્કૂલ હેતુના પ્લોટનું પણ વેચાણ કરવા માટેનો નિર્ણય આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. પ્લેગ્રાઉન્ડ અને સ્કૂલના હેતુ માટેના પ્લોટ પ્રતિ ચોરસ મીટરની કિંમત કરતાં 50 ટકા ભાવે આપવામાં આવે છે. પ્લોટના વેચાણથી 18 કરોડથી વધુની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં માળખાકીય સુવિધા પૂરી પાડવા માટે મ્યુનિ.ને જુદા-જુદા હેતુનાં રિઝર્વ પ્લોટ પ્રાપ્ત થાય છે. જેમાં સેલ ફોર રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને સ્કૂલનાં હેતુ ધરાવતાં પ્લોટનો સમાવેશ થાય છે. આ પ્લોટની તળીયાની કિંમત નક્કી થાય ત્યારબાદ તેની હરાજી યોજવામાં આવે છે અને તેમાંથી મળતી આવક માળખાકીય સુવિધા તેમજ વિકાસકાર્યો પાછળ ખર્ચવામાં આવતી હોય છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં વિવિધ હેતુવાળા 14 પ્લોટનુ વેલ્યુએશન કરવા માટે ઔડાને દરખાસ્ત પાઠવવામાં આવી હતી. તેમાંથી સ્કૂલનાં હેતુવાળા 3 પ્લોટનાં વેલ્યુએશન માટે દરખાસ્ત કરવામાં આવી હતી, તૈ પૈકી ચાંદખેડા ટીપી સ્કીમ 22નાં ફાઇનલ પ્લોટની તળીયાની કિંમત 1.70 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટર નક્કી થઇ હતી, પરંતુ સ્કૂલનાં હેતુ માટે તળીયાની કિંમતનાં 50 ટકાનાં ભાવે પ્લોટ વેચાણ આપવાનો હોય છે. તે મુજબ ચાંદખેડાના પ્લોટની તળીયાની કિંમત 85 હજાર નક્કી કરવામાં આવી છે. સ્કૂલ અને પ્લેગ્રાઉન્ડનાં હેતુ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે, આગામી કોમનવેલ્થ ગેમ્સનાં આયોજન તેમજ દરેક વોર્ડમાં પ્લે ગ્રાઉન્ડની સુવિધા પૂરી પાડવાનાં નિર્ણયનાં ભાગરૂપે 4408 ચોરસ મીટરનાં પ્લોટનાં બે ભાગ પાડીને એક ભાગમાં પ્લે ગ્રાઉન્ડ અને બીજા ભાગમાં સ્કૂલના હેતુ માટેનો પ્લોટ નક્કી કરવામાં આવ્યો છે. તેમાં રોડ સાઇડનાં પ્લોટને પ્લે ગ્રાઉન્ડ માટે સૂચિત કરવામાં આવ્યો છે, જેનો જાહેર જનતા ઉપયોગ કરી શકશે. તદઉપરાંત સ્કૂલ માટેનાં પ્લોટમાં આવવા જવાનો રસ્તો પણ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 9:00 pm

બોરતળાવમાં સ્કૂલ વાન અને બાઈક વચ્ચે અકસ્માત, CCTV:પૂરપાટ ઝડપે જતા ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આજે સવારે ગંભીર વાહન અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. સ્કૂલ મેજીક વાન અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ ત્રણેય યુવકો એક જ ટુ-વ્હીલર પર પુરઝડપે જઈ રહ્યા હતા, તે દરમિયાન રોડ ક્રોસ કરતી સ્કૂલ વાન સાથે ધડાકાભેર અથડામણ સર્જાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે. સમગ્ર ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ત્રણેય યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાઆ બનાવ અંગે સર ટી હોસ્પિટલ પોલીસ ચોકી પાસેથી મળેલી માહિતી મુજબ વિશાલ ધીરુભાઈ મકવાણા (ઉ.વ. 25), વૈભવ મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. 23) અને જયદીપ રાજુભાઈ પઢીયાર (ઉ.વ. 19) આજે સવારે લગભગ 9 વાગ્યાના આસપાસ ભાવનગર શહેરના બોરતળાવના નાકા પાસે થયેલા વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ત્રણેય યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત અંગે તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:56 pm

ગોધરામાં વાવડી બુઝર્ગ રોડ પર 20 વર્ષીય યુવતીનો આપઘાત:ઉત્સવ બેંગલોઝમાં ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાવડી બુઝર્ગ રોડ સ્થિત ઉત્સવ બેંગલોઝમાં એક 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવતીની ઓળખ 20 વર્ષીય ધ્રુવી જગદીશચંદ્ર હઠીલા તરીકે થઈ છે. તેણે પોતાના નિવાસસ્થાને જ આત્મહત્યા કરી હતી. યુવતીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:56 pm

જામનગર-લાખાબાવળ રેલ સેક્શન ડબલિંગનું નિરીક્ષણ પૂર્ણ:120 કિમી/કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ, ટ્રેન સેવાઓ ટૂંક સમયમાં શરૂ થશે

રાજકોટ-કનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ હેઠળ જામનગર-લાખાબાવળ (આશરે 10 કિમી) સેક્શન વચ્ચે નવી બનેલી અપ અને ડાઉન મેઈન લાઇનનું સલામતી નિરીક્ષણ રેલવે સલામતી કમિશનર ઇ. શ્રીનિવાસ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. પશ્ચિમ રેલવેએ રેલ સલામતી અને સંચાલન કાર્યક્ષમતાને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ પ્રસંગે મુખ્ય વહીવટી અધિકારી (બાંધકામ) પ્રદીપ ગુપ્તા, રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર ગિરિરાજ કુમાર મીણા, બાંધકામ સંગઠન અને વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સલામતી નિરીક્ષણ દરમિયાન, નવી રેલ લાઇનની સલામતી, સ્થિરતા અને તકનીકી ધોરણોનું મૂલ્યાંકન કરવા માટે અપ અને ડાઉન બંને લાઇન પર 120 કિમી/કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા. મોટર ટ્રોલી દ્વારા પણ વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ નવી લાઇન પર સલામત અને હાઇ-સ્પીડ ટ્રેન કામગીરી સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. સુરક્ષા નિરીક્ષણ સફળ થયા પછી, આ વિભાગ પર બંને લાઇન પર 110 કિમી/કલાકની ઝડપે નિયમિત ટ્રેન સેવાઓ શરૂ થવાની અપેક્ષા છે. આનાથી ટ્રેન સંચાલન વધુ સરળ, સલામત અને કાર્યક્ષમ બનશે અને મુસાફરોને વધુ સારી અને ઝડપી મુસાફરી સુવિધાઓ મળશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મુસાફરો અને માલવાહક ટ્રેન સંચાલન માટે લાઇન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આનાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ઔદ્યોગિક, વાણિજ્યિક અને પ્રવાસન પ્રવૃત્તિઓને નવી ગતિ પ્રદાન થશે તેવી અપેક્ષા છે. બાંધકામ સંગઠન અને રાજકોટ ડિવિઝન ટીમોના સમર્પિત, સંકલિત અને અથાક પ્રયાસોને કારણે આ નોંધપાત્ર સિદ્ધિ શક્ય બની છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:52 pm

જોડિયાના તારાણા પાસે LCBનો દરોડો:બ્રેઝા કારમાંથી 245 બોટલ દારૂ સાથે એક ઝડપાયો, 7.02 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર એલસીબીએ જોડિયા તાલુકાના તારાણા ગામ નજીક હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે સફેદ કલરની બ્રેઝા કારમાંથી 245 બોટલ વિદેશી દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂ. 7.02 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી સ્ટાફના મયુરસિંહ પરમાર, હીતેન્દ્રસિંહ જાડેજા અને રૂષીરાજસિંહ વાળાને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસ ટીમે તારાણા ગામથી માળીયા તરફ જતા રોડ પર આવેલા એચ.પી. પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી મારુતિ સુઝુકી બ્રેઝા કાર (નંબર: GJ-10-DR-5842) ને અટકાવી તલાશી લેવામાં આવી હતી. કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે સુમીત સુનીલ મંદિયાણી (ઉ.વ. 21, રહે. જામનગર) નામના શખ્સને અટકાયતમાં લીધો હતો. પકડાયેલા આરોપી સુમીતની પૂછપરછમાં સામે આવ્યું કે, આ દારૂનો જથ્થો હીરેન ઉર્ફે ભાવેશ રામજી ચૌહાણ (રહે. દરેડ, જામનગર) સાથે મળીને ગોવા રેલ્વે સ્ટેશન પાસે આવેલી વાઇન શોપમાંથી લાવવામાં આવ્યો હતો. ભાવેશ ચૌહાણ હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી 245 નંગ વિદેશી દારૂની નાની-મોટી બોટલો જેની કિંમત રૂ. 97,600, સફેદ કલરની બ્રેઝા કાર કિંમત રૂ. 6,00,000 અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 7,02,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સફળ કામગીરી પીએસઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા એલસીબી સ્ટાફના ભરતભાઈ પટેલ અને અન્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. આ મામલે કોન્સ્ટેબલ મયુરસિંહ પરમારની ફરિયાદના આધારે હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:50 pm

સાબરમતી નદી પર પ્રથમ વખત Eco-friendly ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ:બે વર્ષમાં AMCની તમામ બિલ્ડીંગો પર સોલર પેનલ લગાવાશે, બે કન્સલ્ટન્ટની નિમણૂકને મંજૂરી

દેશમાં રીન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વર્ષ 2028 સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ બિલ્ડીંગો પર સોલાર એનર્જી લગાવવામાં આવશે. જેનાથી વાર્ષિક 3500 રોડથી વધુની બચત થશે. શહેરના તળાવો તથા સાબરમતી નદી પર પ્રથમ વખત Eco-friendly ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અમલમાં મૂકવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવા અંગેની આજે મળેલી કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. સોલાર પેનલ લગાવવા બે કન્સલ્ટન્ટની નિમણૂકને મંજૂરીસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2026-27ના અંદાજપત્રમાં સમાવેશ કરાયેલા નેટ ઝીરો હાંસલ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનની વીજ ખપતને 100 ટકા રિન્યુએબલ એનર્જી થકી મેળવવા માટે તેમજ અમદાવાદ મુકામે વર્ષ 2030માં થનાર કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવવામાં આવનાર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વીજ માંગને પહોંચી વળવા માટેના આયોજનના ભાગરૂપે માટે રિન્યુએબલ એનર્જીના ગ્રુપ કેપ્ટીવ પ્રોજેક્ટ માટે GERMI રિન્યુએબલ પ્રોજેક્ટના અનુભવી અને જાણકાર કન્સલ્ટન્ટ તરીકે કામગીરી કરાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક આપવામાં આવી છે. સાબરમતી નદી પર Eco-friendly ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટવધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરના તળાવો તથા સાબરમતી નદી પર પ્રથમ વખત Eco-friendly ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે. અત્યાર સુધી અમદાવાદમાં સોલાર પ્રોજેક્ટ્સ જમીન આધારિત અથવા છત પર સ્થાપિત થતા આવ્યા છે. જ્યારે આ પહેલ દ્વારા ખુલ્લા જળાશયો પર નવિકરણીય ઊર્જા ઉત્પાદનનો પ્રથમ પ્રયાસ થશે. આ પહેલ AMCને ઊર્જા સ્વાવલંબનતરફ આગળ વધારશે તેમજ અમદાવાદને નવિકરણીય અને ટકાઉ ઊર્જા ક્ષેત્રે અગ્રણી શહેર તરીકે સ્થાપિત કરશે. આ કામગીરી કરવા માટે હાલમાં અનુભવી અને જાણકાર કન્સલ્ટન્ટની આજે મળેલી કમિટીમાં નિમણૂક કરવામાં આવ છે. જેઓ દ્વારા ફ્લોટિંગ સોલાર એનર્જીનું ફીઝીબીલીટી સ્ટડી કરી તે અંગેનું આયોજન હાથ ધરવામાં મદદરૂપ થશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:48 pm

વાંસદામાં સાંસદ ધવલ પટેલનો લોકદરબાર:ત્રણ તાલુકાના પ્રશ્નો સાંભળી, અધિકારીઓને સૂચના આપી

વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે વાંસદા સ્થિત જનસંપર્ક કાર્યાલય ખાતે 'લોકદરબાર'નું આયોજન કર્યું હતું. આ લોકદરબારમાં મોટી સંખ્યામાં લોકો પોતાની રજૂઆતો સાથે ઉમટી પડ્યા હતા, જ્યાં સાંસદે સ્થળ પર જ પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી તંત્રને જરૂરી આદેશો આપ્યા હતા. સાંસદ ધવલ પટેલે વાંસદા કાર્યાલય પર હાજર રહીને લોકોની વ્યક્તિગત અને સામુદાયિક રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે દરેક રજૂઆતને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગોને પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કડક સૂચનાઓ આપી હતી. આ લોકદરબારમાં મુખ્યત્વે વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રશ્નોનું સ્થળ પર જ ટેકનિકલ અને વહીવટી નિરાકરણ લાવી શકાય તે હેતુથી વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ તબક્કે હાજર રહ્યા હતા. આ લોકદરબારમાં વાંસદા તાલુકા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા. સાંસદની આ સક્રિય કાર્યશૈલી જોઈને લોકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી અને તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. લોકદરબારના અંતે સાંસદ ધવલ પટેલે સંગઠનાત્મક બેઠક યોજી હતી. તેમણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (તાલુકા અને જિલ્લા પંચાયત) માટે અત્યારથી જ 'માઇક્રો પ્લાનિંગ' શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કાર્યકરોને દરેક સીટ પર ભવ્ય વિજય મેળવવાના લક્ષ્યાંક સાથે જન-જન સુધી પહોંચવા આહવાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:45 pm

ફર્નિચર કામ કરવા આવેલા પિતાપુત્રએ જાળ બિછાવી:દીકરાને યુકેના વિઝા અપાવવાના નામે ઠગે સરગાસણના રિક્ષાચાલકના 8.14 લાખ પડાવ્યા

ગાંધીનગરના સરગાસણ ગામમાં રહેતા અને રિક્ષા ચાલકના પુત્રને યુકેના વર્ક પરમીટ વિઝા અપાવી દેવાની લોભામણી લાલચ આપી ઘરે ફર્નિચર નું કામ કરવા આવેલા પિતા-પુત્ર સહિત ત્રણ શખસોએ 8.14 લાખની ઠગાઈ આચરતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 25 લાખના બદલે માત્ર 16 લાખમાં વર્ક પરમિટના વિઝા કરાવી આપશે એવો વાયદો કર્યોસરગાસણના રોહિતવાસમાં રહેતા ભરતકુમાર જેઠાભાઈ પરમારે નોંધાવેલી વિગતો મુજબ ત્રણ વર્ષ અગાઉ તેમણે પોતાના ઘરના ફર્નિચરનું કામ સેક્ટર-4/એમાં રહેતા મેહુલભાઈ રેવંતભાઈ પરમારને આપ્યું હતું. આ કામ દરમિયાન મેહુલભાઈ અને તેમના પુત્ર હર્ષિલને જાણ થઈ હતી કે, ભરતકુમારનો દીકરો ચિરાગ યુ.કે. જવા ઈચ્છે છે. આ તકનો લાભ ઉઠાવી મેહુલભાઈએ જણાવ્યું હતું કે, તેમના સાળા મૌલિક મહેન્દ્રભાઈ સોલંકી (રહે. ચાંદખેડા) યુ.કે.માં રહે છે અને વિઝાનું કામ કરે છે. જે અંગે મૌલિક સોલંકીએ ટેલિફોનિક વાતચીતમાં ભરતકુમારને વિશ્વાસમાં લીધા હતા અને ઓળખાણના નાતે 25 લાખના બદલે માત્ર 16 લાખમાં વર્ક પરમિટના વિઝા કરાવી આપશે તેવો વાયદો કર્યો હતો. 2023માં મૌલિકે વિઝાનું કામ ચાલુ હોવાનું કહી વધુ 10 લાખની માંગણી કરીઆમ વિશ્વાસમાં આવીને ભરતકુમારે 29 માર્ચ, 2026ના રોજ અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી કુલ 4.64 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે 1 લાખ રોકડા મેહુલભાઈને ઘરે આપ્યા હતા. બાદમાં સપ્ટેમ્બર 2023માં મૌલિકે વિઝાનું કામ ચાલુ હોવાનું કહી વધુ 10 લાખની માંગણી કરી હતી. ખોટા વાયદાઓ કરી હાથ ઊંચા કરી દીધા હતાઆથી, ભરતકુમારે ઘર માટે લીધેલી લોનના 10 લાખ રૂપિયા દીકરા ચિરાગ સાથે મોકલી ચાંદખેડા ખાતે મૌલિકના પિતા મહેન્દ્રભાઈ સોલંકીને અપાવ્યા હતા. આમ કુલ 15,64,236 ચૂકવ્યા બાદ પણ એક મહિનામાં વિઝા મળ્યા ન હતા. જેનો પણ ઘણો સમય વીતવા છતાં વિઝા ન મળતા ભરતકુમારે રૂપિયા પરત માંગ્યા હતા એટલે મૌલિક સોલંકીએ ડિસેમ્બર, 2024માં 7.50 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના 8,14,236 માટે મેહુલભાઈ, હર્ષિલ અને મૌલિકે ખોટા વાયદાઓ કરી હાથ ઊંચા કરી દીધા હતા. અંતે કોઈ રસ્તો ન જણાતા ભરતકુમારે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:42 pm

મોરબી સિરામિકના વિવિધ ઉદ્યોગોએ 122 કરોડ ચૂકવવાના:પર્યાવરણીય નુકસાનના વળતર અંગે ટ્રિબ્યુનલ દ્વારા સિરામિક ઉધોગોની અપીલો ફગાવી દેવાઈ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વેસ્ટ ઝોને મોરબી વિસ્તારમાં કોલ ગેસિફાયરના સંચાલનને કારણે પર્યાવરણીય નુકસાન વળતરની ચુકવણી અંગે મેસર્સ વિક્ટરી ફ્લોર ટાઇલ્સ પ્રા. લિ. અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલોને ફગાવી દીધી છે. પર્યાવરણ અને સ્વાસ્થ્યને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યુંટ્રિબ્યુનલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નિષ્ણાત સમિતિના તારણોને માન્ય રાખ્યા હતા. આ સમિતિએ કોલ ગેસિફાયરનો ઉપયોગ કરતા સિરામિક ઉદ્યોગો દ્વારા પર્યાવરણ અને સ્વાસ્થ્યને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું હતું. વળતરની ગણતરીમાં હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ તેમજ જાહેર આરોગ્ય પર થતી અસરોને ધ્યાનમાં લેવામાં આવી હતી, અને દરેક ઉદ્યોગના કદ મુજબ તેની વહેંચણી કરવામાં આવી હતી. ઉદ્યોગને યોગ્ય નોટિસ આપવામાં આવી હતીજસ્ટિસ દિનેશ કુમાર સિંહ અને ડો. સુજીત કુમાર બાજપેયીની બનેલી ટ્રિબ્યુનલ બેન્ચે અવલોકન કર્યું હતું કે પર્યાવરણીય નુકશાન વળતરની ગણતરી માટે નિષ્ણાત સમિતિનું સૂત્ર માન્ય અને ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યું હતું. ઉદ્યોગને યોગ્ય નોટિસ આપવામાં આવી હતી અને જવાબ આપવાની પૂરતી તક પણ આપવામાં આવી હતી. ઉદ્યોગના કદ અને કાર્યકાળના આધારે વળતરની વહેંચણીનો સિદ્ધાંત ન્યાયી હતો. આદેશનું પાલન ન કરવાના કિસ્સામાં એકમ બંધતમામ કસૂરવાર ઉદ્યોગો માટે નિર્ધારિત કરવામાં આવેલ કુલ પર્યાવરણીય નુકસાન વળતરની રકમ 122.05 કરોડ રૂપિયા હતી, જેમાં મેસર્સ વિક્ટરી ફ્લોર ટાઇલ્સ પ્રા. લિ. એ તેમનો પ્રમાણસર હિસ્સો ચૂકવવો પડશે. ટ્રિબ્યુનલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આદેશનું પાલન ન કરવાના કિસ્સામાં એકમ બંધ કરવા સહિતના કડક પગલાં લેવામાં આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:41 pm

ભરૂચમાં રસ્તા પર યુવક ટ્રક નીચે સૂઈ ગયો, CCTV:આગળના ટાયર ફરી વળતાં સેકન્ડોમાં જ જીવ ગયો, આપઘાતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ અને કડોદ વચ્ચેના માર્ગ પર એક યુવાન હાઈવા ટ્રક નીચે સૂઈ ગયો હતો. ડ્રાઈવર કઈ સમજે તે પહેલા જ ટ્રકના ટાયર ફરી વળતાં સેકન્ડોમાં જ યુવકનો જીવ ગયો હતો. યુવકે શાં કારણે આપઘાત કર્યો છે. જે અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. શુકલતીર્થ આઉટપોસ્ટ પોલીસને શુકલતીર્થ-કડોદ માર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ સામે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિના મૃત્યુની જાણ થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે, કરમાડ ગામના નિલેશ રતિલાલ વસાવા નામના યુવાને જાતે જ હાઈવા ટ્રક સામે કૂદીને આપઘાત કર્યો હતો. આ ઘટના નજીકના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં યુવાન ટ્રક તરફ દોડીને તેની નીચે કૂદતો સ્પષ્ટ દેખાય છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. નબીપુર પોલીસ નિલેશે આત્મહત્યા શા માટે કરી તે જાણવા માટે વધુ તપાસ કરી રહી છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માતની અન્ય ઘટનાઓ પણ વાંચો યુવક ટ્રક નીચે સૂઈ ગયો, ટ્રક નજીક આવતાં જ ટાયરમાં જતો રહ્યો: ખૌફનાક CCTV મહેસાણાની રાધનપુર ચોકડી પર 18 ફેબ્રુઆરીને બુધવારે રાત્રે 10 વાગ્યાના સુમારે બનેલી અકસ્માતની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં જે અકસ્માત અને યુવકનું મોત ટ્રેલરની ટક્કરે ગણાતું હતું એ ખરેખર આત્મહત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરતાં સામે આવ્યું કે યુવક રોડ વચ્ચોવચ ચાલીને આવી રહ્યો હતો અને ટ્રેલર નજીક આવતાંની સાથે જ તે ટાયરની નીચે જતો રહ્યો હતો. આ અકસ્માતમાં યુવકના પેટના ભાગનો છૂંદો થઈ ગયો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)આંખના પલકારે યુવકે ટ્રક નીચે પડતું મૂક્યું, પાછળનું ટાયર ફરી વળતાં મોત આજથી 7 મહિના પહેલા સુરતના પુણાગામમાં ખેતલાઆપા ટી-સ્ટોલની પાસે યુવકે બહેનના સસરાને માવો લેવા મોકલી આઈસર ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ટ્રકનું પાછળનું ટાયર ફરી વળતાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડતાં ફરજ પરતના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)અમદાવાદમાં યુવકની 3 સેકન્ડમાં આત્મહત્યા: CCTV અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક યુવકે ટ્રક નીચે આવીને આત્મહત્યા કરી હતી. અજાણ્યા યુવકે પાર્ક કરેલી ટ્રક જોઈ હતી. ત્યાર બાદ એ ટ્રક ચાલુ થવાની રાહ જોઇને ઊભો રહ્યો. થોડીવારમાં જ ટ્રક ચાલુ થઈ એટલે તે પણ ટ્રકના ટાયર નીચે સૂવા જવા માટે ચાલતો થયો. ટ્રક ચાલુ થતાં જ ટ્રક નીચે સૂઈ ગયો હતો. એ બાદ યુવક પરથી ટ્રક પસાર થતાં જ ત્રણ સેકન્ડમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:35 pm

સામાન્ય ટક્કર બાદ બાઇક સવારની દાદાગીરી, CCTV:ભેસ્તાન વિસ્તારમાં બાઇક સવારે બહેનની દવા લેવા નીકળેલી યુવતીને મુક્કો માર્યો, ખરાબ વર્તન અને ગાળાગાળી શરૂ કરી દીધી

સુરતના ભેસ્તાન વિસ્તારમાં પ્રમુખ પાર્ક પાસે મહિલા સાથે અમાનવીય વ્યવહાર અને દાદાગીરીની ઘટના સામે આવી છે. પૂજા તુષાર સિંન્ડે નામની યુવતી, જે સેવા હોસ્પિટલમાં ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે, તે ગુરુવારે સવારે 10 વાગ્યે પોતાની બહેન સાથે મોપેડ પર જઈ રહી હતી. તેની બહેનને અચાનક ચક્કર આવતા હોવાથી તે તાત્કાલિક મેડિકલ સ્ટોર પર દવા લેવા જઈ રહી હતી ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. સામાન્ય ટક્કર બાદ બાઇક સવારની દાદાગીરીમેડિકલ સ્ટોર નજીક હોવાથી પૂજા રોંગ સાઈડમાં જઈ રહી હતી ત્યારે અચાનક એક ટેમ્પોની પાછળથી આવેલા બાઇક સવાર સાથે તેની સામાન્ય ટક્કર થઈ હતી. અકસ્માત ખૂબ જ સામાન્ય હતો અને કોઈને ઈજા થઈ નહોતી તેમછતાં બાઇક સવારે પૂજા સાથે અત્યંત ખરાબ વર્તન અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. જાહેરમાં મહિલા પર હિંસક હુમલોજ્યારે પૂજાએ સામે પક્ષે થતા ગેરવર્તનનો વિરોધ કર્યો અને ટકોર કરી ત્યારે મામલો વધુ બિચક્યો હતો. વિવાદ પૂર્ણ થતાં પૂજા ત્યાંથી નીકળી ગઈ હતી. પૂજા મેડિકલ સ્ટોર પર પહોંચી ગઈ હતી અને તેની બહેન દવા ખરીદી રહી હતી પરંતુ, બાઇક સવાર બદલો લેવાની ભાવના સાથે ત્યાં પરત આવ્યો હતો. તેણે જાહેરમાં તમામ મર્યાદાઓ ઓળંગીને પૂજાના મોઢા પર જોરદાર મુક્કો મારી દીધો હતો. CCTV કેમેરામાં કેદ થઈ આરોપીની કરતૂતઆ સમગ્ર હિંસક ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીળા રંગની ટી-શર્ટ પહેરેલો શખ્સ બાઇક પર આવે છે અને ઉભેલી યુવતી પર ઓચિંતા હુમલો કરીને ત્યાંથી નાસી જાય છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સદનસીબે યુવતીની આંખ બચી ગઈબાઇક સવાર દ્વારા મારવામાં આવેલો મુક્કો એટલો જોરદાર હતો કે, પૂજાના ચહેરા પર ઈજાઓ થઈ હતી. સદનસીબે મુક્કો આંખના ભાગે સહેજ રહી ગયો હતો નહિતર યુવતીએ પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો હોત. ધોળા દિવસે મહિલા પર થયેલા આ હુમલાએ સ્થાનિક મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદપીડિત યુવતી પૂજાએ આ અત્યાચાર સામે હિંમત દાખવીને ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોલીસને સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યા છે, જેમાં આરોપીનો ચહેરો અને બાઇક સ્પષ્ટ દેખાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને મહિલા પર હુમલો કરનાર શખસની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:33 pm

પૂર્વ કર્મચારીએ ઠગાઈ કરી:લોનની સાથે ગ્રાહકોને ખાણીપીણીના મસાલા અને સ્વેટર વેચવાનું કહી 1.11 કરોડનો ચૂનો લગાવ્યો

અમદાવાદ શહેરમાં લોન આપતી કંપનીમાં કામ કરતા પૂર્વ કર્મચારીએ માલિકને લોનની સાથે મસાલા અને હાથવણાટના સ્વેટર વેચી વધુ વળતરની આપવાની લાલચ આપીને વેપારીઓને આપવાના બહાને 1.11 કરોડ લીધા હતા જે બાદ પૈસા ખુદ વાપરી નાખ્યા હતા.જે અંગે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અલગ-અલગ પાર્ટીઓને ટ્રાન્સફર કરાવેલા 1.11 કરોડ પોતે વાપરી નાખ્યાબોડકદેવમાં રહેતા 46 વર્ષીય વેપારી હેમન્દ્રસિંહે તેમણે ત્યાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કામ કરતા એસ સિદ્ધાર્થ સામે છેતરપિંડીની ફરિયાદ કરી છે. સિદ્ધાર્થ જૂન-2024થી કંપનીમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે મહિને 3.75 લાખ રૂપિયાના પગારમાં નોકરી કરતો હતો. તેણે વિશ્વાસ જીતીને કસ્ટમરને મસાલા અને સ્વેટર આપવાની સ્કીમ આપી હતી અને કંપનીને 7થી 10% માર્જિન અપાવવાનું કહી અલગ-અલગ પાર્ટીઓને ટ્રાન્સફર કરાવેલા 1.11 કરોડ પોતે જ વાપરી નાખ્યા હતા. પોલીસે તપાસ હાથ ધરીઆરોપીએ ઘરની લોન ભરવા માટે પણ વેપારી પાસેથી 22 લાખ ઉછીના લીધા હતા. આમ ઘણા સમય સુધી માલ-સામાન અને પૈસા પાછા ના મળતા.વેપારીએ તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એસ સિદ્ધાર્થે અન્ય વેપારીઓ પાસેથી જાણ બહાર રૂપિયા પાછા લઈ લીધા હતાં. આ પછી તેણે લેખિતમાં કબૂલાત કરી હતી પરંતુ માત્ર 50 હજાર રૂપિયા પાછા આપ્યા અને બાકીના 1.11 કરોડ રૂપિયાથી વધુની ખુદ વાપરી ગયો હોવાનું કહ્યું હતું. આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:17 pm

ગોધરામાં નકલી મરણ પ્રમાણપત્રનો મામલો:તલાટી કમ મંત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી

ગોધરા તાલુકાના વણાંકપુર-1 ગ્રામ પંચાયત સાથે સંકળાયેલા મરણ પ્રમાણપત્ર મામલે ગંભીર અનિયમિતતાનો આક્ષેપ સામે આવ્યો છે. હાલ દરૂણીયા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી તુષારકુમાર રણછોડભાઈ સોલંકીએ ગોધરા તાલુકા પોલીસમથકે લેખિત ફરિયાદ નોંધાવી કાયદેસરની તપાસની માંગણી કરી છે. આર.ટી.એસ. રીવિઝન અરજીના અરજદાર ગંગાબેન રાયસિંગ ભગાની દીકરીએ બેનીબેન રાયસિંગ ભગાનું મરણ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. આ પ્રમાણપત્ર 09/08/2023ના રોજ ગોધરા તાલુકાની ગ્રામ પંચાયત વણાંકપુર-1ના નામે ઇસ્યુ થયેલ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે, તલાટી કમ મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે સંબંધિત મરણ પ્રમાણપત્ર તેમના દ્વારા જારી કરાયેલ નથી અને તેમાં કરાયેલ સહી પણ તેમની નથી. વધુમાં, પ્રમાણપત્ર પર લગાવવામાં આવેલ ગોળ સિક્કો અને હોદ્દાનો સિક્કો તેઓ વાપરતા નથી, તેમજ હાથથી લખાયેલ લખાણ પણ તેમના હસ્તાક્ષર સાથે મેળ ખાતું નથી. અગાઉ 06/12/2023ના રોજ એક અરજદાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ સને 1979ના મરણ નોંધણી રેકોર્ડ અંગે માહિતી માંગવામાં આવી હતી. તપાસ દરમિયાન 1979નું જન્મ-મરણ રજીસ્ટર ઉપલબ્ધ ન હોવાનું જણાતા, 29/10/2024ના રોજ લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે સંબંધિત રેકોર્ડ મળ્યો નથી અને કોઈ મરણ પ્રમાણપત્ર ઇસ્યુ કરાયેલ નથી. આ પ્રકરણ સંદર્ભે ગોધરા તાલુકા વિકાસ અધિકારીએ પત્ર દ્વારા નિયમોનુસાર કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. તલાટી કમ મંત્રીએ આક્ષેપ કર્યો છે કે અજાણ્યા વ્યક્તિ દ્વારા ખોટી રીતે મરણ પ્રમાણપત્ર તૈયાર કરી તેમની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરીને સત્તાવાર દસ્તાવેજ તરીકે રજૂ કરવામાં આવ્યો છે, જે ગંભીર ગુનાહિત કૃત્ય છે. સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:07 pm

સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:કડી-ફુલેત્રા રોડ પર 2023માં યુવકની ઘાતકી હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદની સજા, 10 હજારનો દંડ ફટકાર્યો

કડીના ફુલેત્રા રોડ પર વર્ષ 2023માં થયેલી એક યુવકની ઘાતકી હત્યાના કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીની પત્ની સાથે ફોન પર વાત કરવાની અદાવત રાખીને મોતને ઘાટ ઉતાર્યોવર્ષ 2023માં કડીના ફુલેત્રા રોડ પર 21 વર્ષીય પાર્થ નાયક નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપીની પત્ની સાથે ફોન પર વાત કરવાની અદાવત રાખીને આ હત્યાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. આરોપી કરણ ઠાકોર અને નીરવ ઠાકોરે પાર્થ નાયકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. કોર્ટ સમક્ષ 70 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતાઆ કેસ મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારી વકીલ ભરતકુમાર જી. પટેલે ધારદાર દલીલો રજૂ કરી હતી. પ્રિપ્લાન મર્ડર સાબિત કરવા માટે કોર્ટ સમક્ષ 70 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને કુલ 31 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યોબંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને મહેસાણાના સેશન્સ જજ એ.એલ. વ્યાસે આરોપી કરણ ઠાકોર અને નીરવ ઠાકોરને IPCની કલમ-302 હેઠળ ગુનેગાર ઠેરવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:06 pm

વિજ બિલ ન ભરતા 30,857 ગ્રાહકોના કનેક્શન કટ:PGVCL એ માર્ચ એન્ડિંગ પૂર્વે ડીસ કનેક્શન ડ્રાઈવમાં રૂ.86.94 કરોડની વસૂલાત કરી

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છમાં વિજ બિલ ન ભરનારાઓ સામે લાલ આંખ કરી હોય તેમ ડીસ કનેક્શન ડ્રાઈવ રાખવામાં આવી હતી જમા એક જ દિવસમાં 30857 ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. જ્યારે 25104 ગ્રાહકોએ પોતાના ઘર, દુકાન કે ખેતીવાડીનું વીજ કનેક્શન કપાય તે પહેલા જ નાણાં ભરપાઈ કરી દીધા હતા અને તેના થકી માર્ચ એન્ડિંગ પહેલા જ PGVCL ને રૂ.86.94 કરોડની આવક થઈ છે. PGVCL દ્વારા 25 ફેબ્રુઆરીએ ડીસ કનેક્શન ડ્રાઈવ કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર - કચ્છમાં કુલ 2951 ટીમોએ ફિલ્ડમાં રહીને બાકી વીજ બીલો વાળા કનેક્શનને કાપી નાખ્યા હતા. 78635 જેટલા ડીફોલ્ટર ગ્રાહકો કે જેમની બાકી રકમ રૂ.78 કરોડ હોય તેના વીજ જોડાણો કાપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડ્રાઈવ દરમ્યાન 30857 કનેક્શન કે જેમની બાકી રકમ 22.48 કરોડ થાય છે તેમના કનેક્શન ડીસ-કનેક્ટ કરવામાં આવ્યા. ડીસ-કનેક્શનની કામગીરી થાય તે પહેલા જ 25,104 ગ્રાહકોએ રૂ.20.14 કરોડ જમા કરાવી આપ્યા હતા. આ ઉપરાંત કનેક્શન કપાઈ ગયેલ હોય તેવા ગ્રાહકોમાંથી 18950 ગ્રાહકોએ ગઈકાલે જ કનેક્શન રી-ક્નેકટ કરવાની પ્રકિયા કરી રૂ.29 લાખનો ચાર્જ ભરપાઈ કરી આપ્યો હતો. વસૂલાતના આંકડાઓ પર નજર કરીએ તો, રાજકોટ સિટી સર્કલમાં સૌથી વધુ રૂ.930.98 લાખ અને જામનગર (JMN) સર્કલમાં રૂ.704.82 લાખની વસૂલાત થઈ છે. આ ઉપરાંત અનેક ગ્રાહકોએ વીજ જોડાણ કપાય તે પહેલાં જ પેમેન્ટ કરી દીધું હતુ. જેની રકમ આશરે રૂ.2014 લાખ જેટલી થાય છે. સુરેન્દ્રનગર સર્કલમાં પણ નોંધપાત્ર કામગીરી જોવા મળી હતી, જ્યાં 1031 જોડાણો કાપવામાં આવ્યા હતા અને કુલ રૂ.450.80 લાખની વસૂલાત કરવામાં આવી હતી. આ દરમિયાન નગરપાલિકાઓ દ્વારા જે વીજબીલ ભરવાનું બાકી હતું તેમાં પણ વસૂલાત થઈ છે. અમરેલી સર્કલમાં નગરપાલિકા દ્વારા સૌથી વધુ રૂ.2656 લાખની ચુકવણી કરવામાં આવી હતી. જે આ મેગા ડ્રાઈવનો મોટો હિસ્સો છે. જૂનાગઢ, મોરબી અને પોરબંદર જેવા અન્ય વિસ્તારોમાં પણ હજારોની સંખ્યામાં જોડાણો કાપીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન 18950 જોડાણો માટે રિકનેક્શન ચાર્જ પેટે પણ રૂ.29.74 લાખની આવક થઈ હતી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:05 pm

ગોધરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કાર્યવાહી:15 કિલો પ્લાસ્ટિક જપ્ત, વેપારીઓને દંડ ફટકારાયો

ગોધરા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નંબર 5 ના ઝોન નંબર 3 માં આવેલા નીચવાસ બજાર અને પટેલ વાળા વિસ્તારમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમે ચકાસણી અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન દરમિયાન, ટીમે વેપારીઓ અને સ્થાનિક નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે કડક સૂચના આપી હતી. ઉપરાંત, જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા અને સ્વચ્છતા જાળવવા પણ તાકીદ કરવામાં આવી હતી. પાલિકાની ટીમે દુકાનદારોને સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના સરકારી પ્રતિબંધ અને તેના પર્યાવરણ તથા માનવ આરોગ્ય પરના હાનિકારક પ્રભાવ વિશે સમજાવ્યું હતું. ચકાસણી દરમિયાન, કુલ 15 કિલોગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. નિયમોના ભંગ બદલ વેપારીઓ પાસેથી વહીવટી દંડ રૂપે કુલ રૂપિયા 1,300 વસૂલ કરવામાં આવ્યા હતા. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાના અધિકારીઓએ નાગરિકોને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત ગોધરા બનાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી, અને જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે નાગરિકોની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:04 pm

વાંકાનેર-મોરબી સેક્શનની અનેક ટ્રેનો રદ:​ મોરબીમાં મચ્છુ નદી પર પાડાપુલના સમારકામ અને ઓવરબ્રિજની કામગીરીને કારણે લીધે નિર્ણય

મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને માળખાગત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે હાલ મહત્વના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. મચ્છુ નદી પર આવેલા ઐતિહાસિક જૂના પાડાપુલના સમારકામની કામગીરી અને નટરાજ ફાટક પાસે નિર્માણાધીન નવા ઓવરબ્રિજના કાર્યને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન માર્ગ પર વાહનોનું ભારણ વધવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને રેલવે વ્યવહારમાં ફેરફાર કરાયો છે. વહીવટી તંત્રનો નિર્ણય: 6 ડેમુ ટ્રેનો 12 માર્ચ સુધી રદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના ખાસ અનુરોધ બાદ રેલવે પ્રશાસન દ્વારા વાંકાનેર-મોરબી સેક્શન પર દોડતી 6 ડેમુ ટ્રેનોને અસ્થાયી રૂપે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રેલવે ફાટક વારંવાર બંધ થવાને કારણે શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જે સામાન્ય જનતા માટે મુશ્કેલીરૂપ બની શકે છે. આ મુશ્કેલી નિવારવા અને જનસુવિધા જાળવી રાખવા માટે 27 ફેબ્રુઆરી થી 12 માર્ચ, 2026 સુધી ટ્રેન વ્યવહાર બંધ રહેશે. રદ કરાયેલી ટ્રેનોની વિગતવાર યાદી રેલવે વિભાગ દ્વારા નીચે મુજબની ટ્રેનોના સંચાલનને અટકાવવામાં આવ્યું છે: ટ્રેન સંખ્યા 79454 મોરબી–વાંકાનેર ટ્રેન સંખ્યા 79453 વાંકાનેર–મોરબી ટ્રેન સંખ્યા 79444 મોરબી–વાંકાનેર ટ્રેન સંખ્યા 79445 વાંકાનેર–મોરબી ટ્રેન સંખ્યા 79446 મોરબી–વાંકાનેર ટ્રેન સંખ્યા 79447 વાંકાનેર–મોરબી મુસાફરો માટે સૂચના રેલ પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ ફેરફારની નોંધ લઈને પોતાની મુસાફરીનું આગોતરું આયોજન કરે. મુસાફરો ટ્રેનોના સંચાલન અંગેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. સમારકામ પૂર્ણ થયા બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 8:02 pm

મહીસાગર જિલ્લામાં ડેન્ગ્યુના બે કેસ પોઝિટિવ:લુણાવાડામાં આરોગ્ય વિભાગે ફોગિંગ, દવા છંટકાવ કરી રોગ અટકાયતી કામગીરી હાથ ધરી

મહીસાગર જિલ્લામાં ડેન્ગ્યુના બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. લુણાવાડા શહેરમાં આ કેસ સામે આવતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અસ્થાના બજાર વિસ્તારમાં એક મહિલાનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે લુણેશ્વર ચોકડી નજીકના વિસ્તારમાં એક પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ નોંધાયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, એક કેસ સ્થાનિક (અસ્થાના બજાર, 30 વર્ષીય મહિલા) છે અને બીજો કેસ વિસનગરથી આવેલા 38 વર્ષીય પુરુષનો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લુણાવાડા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટીમો દ્વારા દર્દીઓના વિસ્તારોની મુલાકાત લઈ ફોગિંગ, દવા છંટકાવ અને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ આરોગ્ય શિક્ષણ અને પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે. હાલમાં બંને દર્દીઓની તબિયત સ્થિર છે અને તેઓ પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. આ બંને વિસ્તારોમાંથી અન્ય કોઈ ડેન્ગ્યુનો કેસ નોંધાયો નથી. આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવા, પાણીના પાત્રો ઢાંકીને રાખવા, મચ્છરદાની અને લીમડાના ધુમાડાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત, સૂર્યાસ્ત સમયે બારી-બારણા બંધ રાખવા, ટાંકીઓ નિયમિત સાફ કરવા અને તાવ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા પણ જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 7:58 pm

પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવક પર પાઇપ વડે જીવલેણ હુમલો:ત્રણ શખસોએ લોખંડની પાઇપથી યુવકને ફટકાર્યો, 10 દિવસ પહેલા પ્રેમિકા સાથે ભાગી ગયો હતો

મહેસાણા શહેરના શોભાસણ રોડ પર આવેલી બાબા મસ્તાન સોસાયટી પાસે પ્રેમ પ્રકરણની જૂની અદાવત રાખીને એક યુવક પર ત્રણ શખસોએ લોખંડની પાઇપ અને ટી-પાના વડે ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે આ અંગે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 10 દિવસ પહેલા બંને ભાગી ગયા હતામહેસાણાની શાલીમાર સોસાયટીમાં રહેતા સદ્દામહુસેન અંસારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો નાનો ભાઈ ઇર્શાદહુસેન અંસારી અને આરોપી નાહીદ ઉર્ફે છોટુ શેખની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ હતો. આશરે 10 દિવસ પહેલા બંને ભાગી ગયા હતા, જેમને બાદમાં સમજાવટથી પરત લાવી સામાજિક રીતે સમાધાન કરવામાં આવ્યું હતું. જોકે, આ બાબતની અદાવત રાખીને ગત 25 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે એક વાગ્યાના સુમારે હુમલો કરવામાં આવ્યો હતો. લોખંડના ટી-પાના વડે ઇર્શાદના માથામાં બે-ત્રણ ઘા ઝીંકી દીધાઇર્શાદહુસેન તેના મિત્ર શેખ વસીમ સાથે મોટરસાયકલ પર શોભાસણ ગામ તરફથી પરત આવી રહ્યો હતો ત્યારે બાબા મસ્તાન સોસાયટી પાસે આરોપી નાહીદ ઉર્ફે છોટુએ પોતાની વેગેનાર ગાડી અચાનક સામે લાવી બાઇકને ટક્કર મારી પાડી દીધું હતું. ત્યારબાદ નાહીદ અને તેની પત્નીએ ગાડીમાંથી ઉતરી લોખંડની પાઇપ અને ગડદાપાટુ વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન નાહીદનો પુત્ર સમીર ઉર્ફે ખોસાબ પણ મોટરસાયકલ પર ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે લોખંડના ટી-પાના વડે ઇર્શાદના માથામાં બે-ત્રણ ઘા ઝીંકી દીધા હતા. મૃતક યુવક મોબાઈલની દુકાનમાં નોકરી કરીને પરિવારને મદદરૂપ થતોહુમલા બાદ ગંભીર રીતે લોહીલુહાણ થયેલા ઇર્શાદને તાત્કાલિક મહેસાણા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વાયબ્રન્ટ હોસ્પિટલના ICU વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાને કારણે યુવકની સ્થિતિ અત્યંત નાજુક હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર આજે સવારે સારવાર દરમિયાન ઇર્શાદનું મોત નીપજ્યું છે. મૃતક યુવક મોબાઈલની દુકાનમાં નોકરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો. સમગ્ર કેસમાં પોલીસે નાહીદ ઉર્ફે છોટુ મહંમદ ફારુક શેખ,સમીર ઉર્ફે ખોસાબ અને નાહીદની પત્ની વિરુદ્ધ જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. યુવકના મોત બાદ હવે આ કેસમાં હત્યાની કલમો ઉમેરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 7:55 pm

EDITOR'S VIEW: ભીખમંગુ પાકિસ્તાન અને ભભકતું કાશ્મીર:ભારતની દિકરીએ પાકિસ્તાન ધુણાવ્યું, આતંકીઓ જ બન્યા દુશ્મન? તાલિબાનના ભસ્માસુરનો ભયાનાક ખેલ

જ્યારે કોઈ દેશ પોતાને બચાવવા માટે IMF સામે ઝોળી ફેલાવી ભીખ માગે અને તેની સામે પાડોશી દેશનો નાનકડો વિસ્તાર તેનાથી બમણું બજેટવાળો હોય ત્યારે સમજવું જોઈએ કે પવનની દિશા બદલાઈ ગઈ છે. વાત છે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની. થયું કંઈક એવું છે કે યુનાઈટેડ નેશન્સમાં ભારતની ડિપ્લોમેટ દીકરીએ ગર્જના કરી છે અને પાકિસ્તાનના લોકશાહીના મહોરાને ઉભેઉભું ચીરી નાખ્યું છે. વાત ખાલી અહીં જ નથી અટકી, પાકિસ્તાનના જ ઈસ્લામિક ભાઈ અને પાડોશી દેશ અફઘાનિસ્તાને હવે તેની સામે મોરચો માંડીને બોમ્બ ફેંકી લોહી રેડાવ્યું છે. આ એ જ આતંકવાદી સંગઠન તાલિબાન છે જેણે પાકિસ્તાનને પોતાનું હથિયાર બનાવ્યું હતું પણ આજે? તે જ તાલિબાન પાકિસ્તાન માટે ભસ્માસુર સાબિત થઈ ગયું છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનીઓની લાજશરમ વગર હકાલપટ્ટી કરી અને બંનેની બોર્ડર પરની ડ્યુરન્ડ લાઈન પર લોહિયાળ રક્તપાત શરૂ થયો. શા માટે ભારત અને પાકિસ્તાનના ઈસ્લામિક ભાઈ અફઘાનિસ્તાન તેને ગણકારતું નથી? શું ભારતની તાકાત અફઘાનિસ્તાનની પહાડીઓમાં ગુંજી રહી છે? શું પાકિસ્તાન પોતાની જ ખોદેલી ખાઈમાં દટાઈ જશે? આજે જાણીએ કે તેનાથી આપણને શું અસર... નમસ્કાર... હમણા જ યુનાઈટેડ નેશન્સની સ્વિટ્ઝર્લેન્ડમાં એક બેઠક યોજાઈ. જેમાં દેશો પોતાના દેશમાં લોકોને ફાયદો થયો હોય તેવા કામો કહેતા હોય છે અને બીજા દેશ તેમાં વાંધો ઉભો કરતા હોય તો તેની સામે અવાજ ઉઠાવતા હોય છે. આ એ જ બેઠક છે જેમાં પાકિસ્તાન વારંવાર કાશ્મીર પર વિવાદ ઉભો કરે છે અને ભારત તેની ધોલાઈ કરી દે છે. હમણાની જ બેઠકમાં પાકિસ્તાને કહ્યું કે, પાકે. ભારતને ઉશ્કેર્યું આટલા મોટા સ્ટેજ પર ભારત ક્યારેય સામે ચાલીને પાકિસ્તાનનો ઉલ્લેખ નથી કરતું પણ પાકિસ્તાને ભારત પર કાદવ ઉછાલ્યો ત્યારે ભારતે જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કર્યો. ભારતના ડિપ્લોમેટ અનુપમા સિંઘે માઈક સંભાળ્યું અને એવી ગર્જના કરી કે પાકિસ્તાનના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું. અનુપમા સિંઘે કહ્યું, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શું ધમાસાણ ચાલી રહી છે તે જાણતા પહેલા આપણે વાત કરી લઈએ એ ભારતની દીકરીની જેણે દુનિયાની સામે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું. અનુપમા સિંઘે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એટલું નીચું દેખાડ્યું કે પાકિસ્તાની ડિપ્લોમેટ્સ પાસે કોઈ જવાબ નહોતો. ખાસ કરીને બજેટની સરખામણીએ પાકિસ્તાનની આર્થિક પાયમાલીને દુનિયા સામે ખુલ્લી પાડી દીધી. અનુપમા સિંઘે દુનિયાને કહ્યું કે કેવી રીતે પાકિસ્તાને 1971માં બાંગ્લાદેશમાં નરસંહાર કર્યો હતો અને 9/11ના હુમલાખોર અને અલકાયદા ચીફ બિન લાદેનને આશરો આપ્યો હતો. પાકિસ્તાન વર્ષોથી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF પાસેથી લોન લઈને નભે છે અને હજુ પણ લોન માટે રીતસરનું કરગરે છે. હવે ભારતના નાના એવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને આખેઆખા પાકિસ્તાનની આર્થિક સરખામણી કરીએ... કહાં રાજા ભોજ ઔર કહાં ગંગુ તૈલી પાકિસ્તાન કહેતું હોય કે કાશ્મીરની હાલત ખરાબ છે તો આ આંકડાઓ તો કંઈક બીજુ જ ચિત્ર દેખાડી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં નવા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે અને ટુરિઝમ વધી રહ્યું છે. ત્યારે પાકિસ્તાનમાં લોકો લોટ અને વીજળી માટે ફાંફાં મારે છે. તાલિબાન સરકાર આવી ને પાકમાં પેંડા વેંચાયા! હવે પાકિસ્તાનની અંદરની અને પાડોશી દેશ અફઘાનિસ્તાન સાથે થઈ રહેલા ડખાની પણ વાત કરીએ. અફઘાનિસ્તાનની જેમ પાકિસ્તાને પણ તાલિબાનને પાળી-પોષીને મોટા કર્યા. ઓગસ્ટ 2021માં કાબુલ પર તાલિબાની ધજા લહેરાઈ ત્યારે પાકિસ્તાની સેનાએ ઠેકડાઓ મારીને ઉજવણી કરી હતી. પણ એ જ તાલિબાને હવે પાકિસ્તાની સેનાને ઠેંગો બતાવ્યો છે. સવાલ થાય કે 2021થી અત્યાર સુધીમાં એવું તો શું થયું કે જે તાલિબાન પાકિસ્તાનના પ્રેમમાં હતું તે હવે બેવફા થઈ ગયું? બધુ જ જાણીશું પણ પહેલા જે બંને દેશોની વાત કરીએ છીએ તેના વિશે થોડું જાણી લઈએ. અને હવે અફઘાનિસ્તાન વિશે પણ થોડું જાણી લઈએ. આ બંને દેશો વચ્ચે હાલ 3 પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે. ડ્યુરન્ડ લાઈનનો સરહદી વિવાદ, આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને અફઘાનિસ્તાનનો આશ્રય અને TTPના પાક સૈન્ય પર હુમલા, પાકિસ્તાને લાખો અફઘાનિસ્તાની શરણાર્થીઓની હકાલપટ્ટી કરી. હવે આપણે વિવાદની ટાઈમલાઈન પણ જોઈ લઈએ. ડ્યુરન્ડ લાઈન પાકિસ્તાન માટે કેંસર 1893માં બ્રિટિશર્સે અને અફઘાનિસ્તાનના અમીર વચ્ચે કરાર થયો હતો. જે મુજબ બંને દેશો વચ્ચે 2,640 કિલોમીટરની ડ્યુરન્ડ લાઈન નક્કી કરવામાં આવી હતી. પાકિસ્તાન ડુયરન્ડ લાઈનને સત્તાવાર આતરરાષ્ટ્રીય સરહદ માને છે પણ અફઘાનિસ્તાન સરકાર આ લાઈનને નથી માનતું. ડ્યુરન્ડ લાઈનથી અફઘાનિસ્તાનને વાંધો એ છે કે તે પશ્તુન આદિવાસીઓની સંસ્કૃતિને બે દેશ વચ્ચે વહેંચે છે. તાલિબાનનું માનવું છે કે આ લાઈનથી આદિવાસી સમાજ અલગ થઈ જાય છે. તાલિબાની નેતાઓ ખુલ્લે આમ કહી રહ્યા છે કે આ સરહદ નકલી છે. પાકિસ્તાન જ્યારે સરહદ પર વાડ બનાવવા જાય છે તો તાલિબાનીઓ તેને તોડી પાડે છે અને બંને દેશ વચ્ચે લોહિયાળ ઘર્ષણ થાય છે. તાલિબાનીઓનું સપનું છે બૃહદ પશ્તુનિસ્તાન, જેની વચ્ચે ડ્યુરન્ડ લાઈન નામની કાંટાળી વાડ આવી જાય છે. તાલિબાનને પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે બૃહદ પાકિસ્તાન જરૂરી છે અને એટલા માટે જ ડ્યુરન્ડ લાઈન પાકિસ્તાન માટે કેન્સર બની ગઈ છે. જેને દૂધ પાયું તે જ પાકિસ્તાનને ડસ્યું હવે વાત કરીએ આતંકવાદની, કારણ કે જે પાકિસ્તાને TTPને ભારત સામે આતંકવાદ ઉભું કરવા દૂધ પાયું હતું તે જ આતંકી સંગઠન TTP આજે મોટો સાંપ બનીને પાકિસ્તાનને જ ડંસી રહ્યું છે. TTP હાલ પાકિસ્તાની સૈન્ય માટે એક મોટો દુશ્મન બની ગયું છે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાન તાલિબાન TTPને આશરો અને હથિયાર આપે છે. TTPના જ કારણે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓનો અનેકગણો ઉછાળો આવ્યો છે. ઓક્ટોબર 2025માં પાકિસ્તાને જ્યારે ઓપરેશન ખૈબર સ્ટોર્મ ચલાવીને અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી ત્યારે તાલિબાનીઓએ વળતો પ્રહાર કર્યો અને પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર જ કબજો જમાવી લીધો. આનાથી પાકિસ્તાન સૈન્યનો ઈગો પણ હર્ટ થયો અને તે કેટલું નબળું છે તે પણ દુનિયા સામે ખુલ્લુ પડી ગયું. પાકિસ્તાન અર્થતંત્ર, ભુખ, ફંડ, અફઘાનિસ્તાન, આતંકવાદ સહિત અનેક મોરચે લડી રહ્યું છે. અફઘાનિસ્તાન કેમ પાકિસ્તાનનું દુશ્મન બન્યું? હવે વાત કરીએ 2021માં પાકિસ્તાનનું દોસ્ત રહેલું અફઘાનિસ્તાન અચાનક કેમ દુશ્મન બની ગયું તેની. વાત જાણે એમ છે કે નવેમ્બર 2023માં પાકિસ્તાને અંદાજે 17થી 20 લાખ જેટલા ગેરકાયદેસર અફઘાન શરણાર્થીઓને દેશ છોડી દેવા આદેશ આપ્યો હતો. તેમનો આશય પોતાના દેશ માટે સારું કરવાનો હતો પણ અફઘાનિસ્તાનને આ વાતનું દિલ પર લાગી આવ્યું. ઉપરથી યુનાઈટેડ નેશન્સ અને હ્યુમન રાઈટ વોચે અફઘાનિસ્તાની શરણાર્થીઓની હકાલપટ્ટીના પાકિસ્તાનના નિર્ણય પર આકરી ટીકા કરી. જે અફઘાનીઓ દાયકાઓથી પાકિસ્તાનમાં રહેતા હતા, ત્યાં જ જન્મ્યા હતાં તેમનો રાતોરાત દેશનિકાલો કરવો એ માનવીય મુદ્દો હતો. આવું કરવાનો પાકિસ્તાન સેનાનો પ્લાન તાલિબાન સરકાર અને TTPને દાબમાં રાખવાનો હતો પણ પાકિસ્તાન કરવા ગયું કંસાર અને થઈ ગઈ થૂલી. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન પ્રત્યે નફરતની જ્વાળા ફાટી નીકળી. પાકિસ્તાને પોતાના જ ઈસ્લામિક ભાઈ સાથે ભાઈબંધી રાખવાના બદલે દુશ્મની વહોરી લીધી.. પાકિસ્તાને બોંબ ફેંક્યા, ભારતે દોસ્તી વધારી જ્યારે પાકિસ્તાન પોતાની પશ્ચિમી સરહદે બોમ્બ ફેંકી રહ્યું છે અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને હાંકી રહ્યું હતું ત્યારે ભારત એકદમ ચપળતાથી અફઘાનિસ્તાનમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું હતું. 2021માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર આવી ત્યારે ભારત થોડું સાવચેત હતું પણ પરિસ્થિતિઓ હવે કન્ટ્રોલમાં આવી ગઈ છે. ઓક્ટોબર 2025માં જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમીર ખાન મુત્તકી દિલ્લી આવ્યા ત્યારે ભારતે તેમનું સ્વાગત કર્યું હતું. મુત્તકીએ ઉત્તર પ્રદેશમાં દારુલ ઉલૂમ દેઓબંદની મુલાકાત લીધી ત્યારે પાકિસ્તાનની ઉંઘ ખરાબ થઈ હતી કારણ કે ભારત તાલિબાન સરકાર સાથે સંબંધો વધારી રહ્યું હતું. પાકિસ્તાને રસ્તાઓ બંધ કર્યા ત્યારે ભારતે કાબુલમાં ઘઉં મોકલ્યા, હોસ્પિટલ્સ બનાવડાવી અને એમ્બ્યુલન્સ ભેટ આપી. આજે અફઘાનિસ્તાન ભારતને દોસ્ત અને પાકિસ્તાનને દુશ્મન કહે છે. પાકિસ્તાનનું ઈસ્લામિક કાર્ડ ન ચાલ્યુંપાકિસ્તાન અત્યારે ઈતિહાસના સૌથી અઘરા અને અંધકારમય સમયથી પસાર થઈ રહ્યું છે. એક બાજુ આર્થિક રીતે દેવાળિયું થઈ રહ્યું છે અને બીજી બાજુ IMF લોન આપવામાં લબડાવે છે. જ્યારે આ બધુ થઈ રહ્યું છે ત્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સરહદો ગરમ છે. પાકિસ્તાને ઈસ્લામિક કાર્ડથી અફઘાનિસ્તાન પડાવવાનો પ્રયાસ કર્યો પણ તે જ પટકાઈ ગયું. વિકાસની ગર્જના અને ખાલી જઠરનો અવાજ આજે દુનિયા સામે બે મોડલ છે. એક પાકિસ્તાનનું અને બીજુ ભારત સહિત જમ્મુ કાશ્મીરનું. શાંત થયેલા કાશ્મીર પાસે 1.13 લાખ કરોડનું બજેટ છે, વિકાસ થઈ રહ્યો છે અને ઘાટીમાં શાંતિ છવાઈ રહી છે. બીજી બાજુ પાકિસ્તાન આતંકવાદ, દેવું અને પાડોશીઓથી દુશ્મની કરીને બેઠું છે. ભારતની સારી વાત એ છે કે તેણે IIT, IIM, AIIMS સહિતના વિકાસ પર ધ્યાન આપ્યું અને પાકિસ્તાને આતંકવાદનો સહારો લીધો. જો પાકિસ્તાન આવી જ રીતે રહેશે તો ભવિષ્યમાં ન તો તેની પાસે આર્થિક શક્તિ હશે ન તો નૈતિક અને ન તો દુનિયા સામે સારી છાપ હશે. દક્ષિણ એશિયામાં એક બાજુ વિકાસની ગર્જના સંભળાઈ રહી છે અને બીજી બાજુ ખાલી જઠરમાંથી થઈ રહેલો અવાજ. અને છેલ્લે... હમણા જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદમાં સ્ટેટ ઓફ ધ યુનિયનનું ભાષણ આપ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે હું ન હોત તો શરીફ જીવતા ન હોત. સાડા ત્રણ કરોડ લોકોના જીવ જતા રહ્યા હોત. માત્ર આટલું જ નહીં... પાકિસ્તાનની ખરી આંતરરાષ્ટ્રીય ફજેતી તો ત્યારે થઈ જ્યારે ટ્રમ્પે આંગળીના ઈશારે પાકિસ્તાનના શાહબાજ શરીફને ઉભા થવા કહ્યું અને તે ટ્રમ્પ સામે હાથ જોડીને ઉભા થઈ ગયા. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ.આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 7:55 pm

રાજેશ આલે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રજાના પ્રશ્નો સાંભળ્યા:દબાણ, કૃષિ સહાય, છેતરપિંડી સહિતના પ્રશ્નો પર સમયમર્યાદામાં ઉકેલની સૂચના

ઈણાજ સ્થિત જિલ્લા સેવા સદનના વી.સી. હોલમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રજાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. અધિક કલેક્ટરે સંબંધિત વિભાગોને સમયમર્યાદામાં યોગ્ય ઉકેલ લાવવા કડક સૂચનાઓ આપી હતી. કાર્યક્રમ દરમિયાન, અરજદારો દ્વારા જાહેર રસ્તાઓ પરના દબાણ દૂર કરવા, જમીન સંબંધિત વિવાદો, છેતરપિંડીના કેસ, કૃષિ રાહત પેકેજ હેઠળ સહાયની માંગણી, નડતરરૂપ અવરોધો દૂર કરવા અને ખેતર વચ્ચે રસ્તો બનાવવા જેવા વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રશ્નો રજૂ કરાયા હતા. કેટલાક નાગરિકોએ લાંબા સમયથી ઉકેલ ન મળેલા પ્રશ્નો પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલએ દરેક અરજને ગંભીરતાથી લેવા અને પ્રજાના પ્રશ્નોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અધિકારીઓને જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે સ્વાગત કાર્યક્રમ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ પરિણામલક્ષી કામગીરી માટેનું મંચ છે. તેમણે વિભાગીય અધિકારીઓને અરજદારોને સમયસર લેખિત જવાબ અને કાર્યવાહી અંગેની જાણ કરવા પણ માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં ઉના પ્રાંત અધિકારી કે.આર. પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અજય શામળા તેમજ આરોગ્ય, જેટકો, માર્ગ અને મકાન વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંબંધિત વિભાગોએ કેટલીક અરજીઓમાં તાત્કાલિક તપાસ હાથ ધરવાની ખાતરી આપી હતી. જિલ્લા તંત્ર દ્વારા આયોજિત આવા સ્વાગત કાર્યક્રમો પ્રજા અને શાસન વચ્ચે સંવાદનો સેતુ બની રહ્યા છે. આનાથી પ્રજાને સીધી રજૂઆત કરવાની તક મળે છે, જે પારદર્શિતા અને વિશ્વાસ વધારવામાં મદદરૂપ થાય છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 7:46 pm

વેરાવળમાં PM પોષણ યોજનાના માનદ સેવકોની રેલી:ખાનગીકરણ રોકવા અને વેતન વધારાની માંગ સાથે આવેદનપત્ર

વેરાવળ શહેરમાં બુધવારે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના માનદ સેવકોએ વિશાળ રેલી યોજી હતી. ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતા. તેમણે કલેક્ટર કચેરી સુધી કૂચ કરી ડેપ્યુટી કલેક્ટર મારફતે પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. પ્રદેશ મંત્રી નાના ગિરધર પાટીલે જણાવ્યું હતું કે, રાજ્યની આશરે 32 હજાર શાળાઓમાં વર્ષોથી સ્થાનિક સ્તરે તાજું અને ગરમ ભોજન તૈયાર થાય છે, જેના કારણે ગુજરાત અમલવારીમાં અગ્રેસર છે. તેમ છતાં, કેન્દ્રીય રસોડા પ્રોજેક્ટ દ્વારા ખાનગીકરણ લાવવાના પ્રયાસો સામે માનદ સેવકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમણે ચેતવણી આપી કે 40-50 કિલોમીટર દૂર બનેલું ભોજન બીજા દિવસે પીરસવાથી બાળકોના આરોગ્ય પર વિપરીત અસર થઈ શકે છે. કર્મચારીઓએ યોજનાના ખાનગીકરણને તાત્કાલિક રોકવાની, બહારની સંસ્થાઓને ફાળવાયેલા ટેન્ડર રદ કરવાની અને શાળા કક્ષાએ જ ભોજન બનાવવાની પદ્ધતિ યથાવત રાખવાની માંગ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે ચાર પોષણ યોજનાઓનું કામ એક જ નિશ્ચિત માનદ વેતનમાં કરાવવામાં આવે છે, જે અત્યંત અયોગ્ય છે. આ ઉપરાંત, 2026-27ના બજેટમાં વેતન વધારો જાહેર કરવાની પણ જોરદાર માંગણી કરવામાં આવી હતી. અન્ય માંગણીઓમાં સમયસર કાચી સામગ્રી પૂરી પાડવી, સંચાલકોને શાળા સહાયકનો દરજ્જો આપવો, ગ્રામ્ય રસોઈયાઓ માટે સમાન અને યોગ્ય વેતન આપવું, આકસ્મિક ઘટનામાં વળતર અને સંપૂર્ણ સારવાર પૂરી પાડવી તેમજ શ્રમ કાયદા મુજબના તમામ લાભો આપવાનો સમાવેશ થાય છે. આંદોલનકારીઓએ ભારપૂર્વક જણાવ્યું કે અનેક અડચણો છતાં તેઓ બાળકોને ભૂખ્યા ન રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર તેમની આ માંગણીઓ પર શું નિર્ણય લે છે, તે તરફ સૌની નજર રહેશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 7:43 pm

ફતેપુરામાં બાઈક પાર્કિંગના સામાન્ય વિવાદે આધેડની હત્યા:એક જ પરિવારના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી, પોલીસે બે આરોપીની ધરપકડ કરી, મહિલા ફરાર

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ગણાતા બલૈયા ક્રોસિંગ ત્રણ રસ્તા પાસે ગ્રાહકની મોટરસાયકલ પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે અગ્રવાલ પરિવારના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી થઈ હતી. આ લોહિયાળ સંઘર્ષમાં 55 વર્ષીય મુકેશ અગ્રવાલ પર જીવલેણ હુમલો કરવામાં આવતા, છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પૂર્વે જ મુકેશનું કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી છે અને લાશને ફોરેન્સિક પીએમ માટે દાહોદ ખસેડી છે. બાઈક પાર્કિંગનો વિવાદ અને ઉગ્ર બોલાચાલીફતેપુરાના બલૈયા ચોકડી પાસે આવેલી 'બાલાજી ટેલિકોમ' નામની દુકાન પાસે ગ્રાહકે બાઈક પાર્ક કરી હતી. આ નજીવી બાબતે પડોશમાં જ રહેતા અને સગા થતા પરિવારના સભ્યો વચ્ચે તકરાર શરૂ થઈ હતી. મયુર અગ્રવાલ, વિકેશ અગ્રવાલ અને રંજનાબેન અગ્રવાલે ભેગા મળી મુકેશ અગ્રવાલ સાથે ઝઘડો કરી અપશબ્દો બોલ્યા હતા. આધેડને છાતીના ભાગે ગડદાપાટુનો માર માર્યોઝઘડો ઉગ્ર બનતા આરોપી મયુર અગ્રવાલ આવેશમાં આવી ગયો હતો. તેણે મુકેશને ગળેથી પકડીને જમીન પર પાડી દીધા હતા અને છાતીના ભાગે નિર્મમ રીતે ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલો એટલો ગંભીર હતો કે, મુકેશ ત્યાં જ ઢળી પડ્યો હતો. પાઇપ અને પથ્થરો વડે માર મરાયોઆ હુમલામાં મયુરની મદદે તેના પિતા વિકેશ અગ્રવાલ પણ જોડાયા હતા અને પ્લાસ્ટિકની પાઇપ વડે મુકેશને માર માર્યો હતો. જ્યારે રંજનાબેન અગ્રવાલે અપશબ્દો બોલી ઉશ્કેરણી કરી હતી અને દુકાનના શટર પર છૂટા પથ્થરો મારીને દહેશતનો માહોલ સર્જ્યો હતો. સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો મુકેશને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે રિપોર્ટ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર ફેલાતા જ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે બાપ-બેટાની ધરપકડ કરી, મહિલા ફરારમૃતકના પુત્ર સંદીપકુમાર અગ્રવાલની ફરિયાદને આધારે ફતેપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મુખ્ય આરોપી મયુર વિકેશ અગ્રવાલ અને તેના પિતા વિકેશ ગિરધારીલાલ અગ્રવાલની ધરપકડ કરી લીધી છે, જ્યારે મહિલા આરોપી રંજનાબેન હાલ પોલીસ પકડથી દૂર છે. ફોરેન્સિક પીએમ બાદ આગળની કાર્યવાહીફતેપુરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ ગુનો નોંધી લાશને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ બહાર આવશે, હાલ પોલીસ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે. મૃતકના સંબંધી દિલીપ અગ્રવાલ એ જણાવ્યું હતું કે, “તારીખ-25/2/2026 ના રોજ બપોરે બલૈયા ચોકડી પર બાઈક પાર્કિંગ બાબતે ઝઘડો થતા સામસામે ઝપાઝપી અને પથ્થરમારો થયો હતો. મયુર અગ્રવાલે મુકેશનું ગળું પકડી પાડી દઈને છાતીના ભાગે ગડદાપાટુનો માર માર્યો હતો. તેમને છાતીમાં દુખાવો ઉપડતા સરકારી હોસ્પિટલમાં મૃત જાહેર કર્યા હતા. અમે પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે અને મોતનું સાચું કારણ જાણવા માટે પેનલ ડોક્ટરો તથા વીડિયોગ્રાફી સાથે ફોરેન્સિક પીએમની માંગણી કરી હતી.” પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.ખાંટે જણાવ્યું હતું કે, “બલૈયા ત્રણ રસ્તા ખાતે ગ્રાહકોની બાઈક પાર્કિંગ બાબતે મરણ જનાર મુકેશ અગ્રવાલ અને આરોપીઓ વચ્ચે મારામારી થયેલ હતી. જેમાં ત્રણ આરોપીઓના મેળાપીપણામાં મુકેશભાઈને ગડદાપાટુનો માર મારતા તેમને છાતીમાં દુખાવો થયો હતો અને હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કરેલ છે. આ મામલે BNSS ની કલમ 105, 115(2), 296(બી) અને 54 મુજબ ફરિયાદ દાખલ કરી છે. હાલ પિતા અને પુત્રની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે.”

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 7:28 pm

આહવામાં ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ:ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળી ભવ્ય શોભાયાત્રા, આદિવાસી નૃત્યો - ઢોલ નગારાએ આકર્ષણ જમાવ્યું

આહવા ખાતે ઐતિહાસિક લોકમેળા ડાંગ દરબારનો દબદબાભેર પ્રારંભ થયો છે. ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી જયરામ ગામીત સહિતના મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ડાંગના રાજવીઓના શૌર્ય અને રાષ્ટ્રભક્તિને બિરદાવ્યા હતા. મંત્રી જયરામ ગામીતે જણાવ્યું કે, ‘ડાંગ દરબાર’ માત્ર એક મેળો નથી, પરંતુ આદિવાસી ગૌરવ, પરંપરા અને દેશભક્તિનું પ્રતીક છે. પ્રભારી મંત્રીએ ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને રાજવીઓને અપાતી સાલિયાણાની પ્રણાલી વિશે માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું કે, પરંપરા મુજબ આગામી ૨ માર્ચે રાજ્યપાલ આહવા આવી રાજવીઓનું સન્માન કરશે. મેળા દરમિયાન વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. લોકસભાના નાયબ દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે ડાંગ સહિત રાજ્ય અને દેશના વિકાસકાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ડાંગ દરબારને વધુ ભવ્ય બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને વડાપ્રધાનના “અતુલ્ય ભારત”ના વિઝનને આગળ વધારવાની વાત કરી. ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે જિલ્લાની વિકાસયાત્રા અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે વિચારાધીન પ્રકલ્પો વિશે માહિતી આપી હતી. રાજવી પરિવાર વતી વાસુર્ણાના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ વન અને પર્યાવરણ સંરક્ષણ માટે અપીલ કરી હતી. તેમણે પ્રજાજનોને હોળી-ધૂળેટી (સિમગા ઉત્સવ)ની શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમની શરૂઆતમાં કલેક્ટર શાલિની દુહાને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ડાંગી નૃત્યો સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી. ઉદ્ઘાટન પહેલાં જિલ્લા સેવા સદનથી રાજવીઓની ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. શણગારેલી બગીઓમાં બિરાજમાન રાજવીઓએ પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. કાર્યક્રમના અંતે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. વસાવાએ આભારવિધિ કરી હતી. આ ઐતિહાસિક ડાંગ દરબાર પ્રસંગે રાજવીઓ, નાયકો અને ભાઉબંધોને પરંપરાગત રીતે પાનસોપારી, શાલ અને સ્મૃતિભેટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 7:28 pm

બોર્ડની પરીક્ષામાં ધો.10ના વિદ્યાર્થીઓની મહિલા સુપરવાઈઝર પર અભદ્ર કોમેન્ટ:વિદ્યાર્થીએ કહ્યું- સ્કૂલ-સુપરવાઇઝરની લાપરવહીથી પેપર છૂટી ગયું; નિરીક્ષકે હોલ ટિકિટમાં સહી ન કરતા DEOને ફરિયાદ

રાજકોટમાં બોર્ડની પરીક્ષા દરમિયાન ઉત્કર્ષ સ્કૂલ વિવાદમાં આવી છે. અહીં પરીક્ષા આપી રહેલા ધોરણ 10ના વિદ્યાર્થીની હોલ ટિકિટમાં નિરીક્ષક દ્વારા સહી કરવામાં આવી નથી. જેનું કારણ વિદ્યાર્થી દ્વારા એ આપવામાં આવી રહ્યું છે કે, અહીં પરીક્ષા આપતા અન્ય માથાભારે વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ પરીક્ષાએ અંદરો અંદર વાતચીત કરવામાં આવતી હતી અને મહિલા નિરીક્ષક અંગે અભદ્ર કોમેન્ટ કરવામાં આવતી હતી. સ્કૂલના પ્રિન્સિપાલ કે નિરીક્ષકના કંટ્રોલમાં તે વિદ્યાર્થીઓ ન હતા અને તેને કારણે મારું પેપર લખવાનું છૂટી ગયું અને નિરીક્ષક દ્વારા મારી હોલ ટિકિટમાં સહી પણ કરવામાં નથી આવી. જેથી આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે અને જરૂર પડશે તો પોલીસ ફરિયાદ પણ થશે. પરીક્ષા આપતા અન્ય વિદ્યાર્થીઓ ગાળો બોલતા હતામોદી સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, આજે મારું પ્રથમ ગુજરાતીનું પેપર હતું અને મારે પરીક્ષા કેન્દ્ર ઉત્કર્ષ સ્કૂલ ફાળવવામાં આવ્યું છે જેથી ત્યાં પરીક્ષા આપવા માટે ગયો હતો. સ્કૂલ અને સુપરવાઇઝરની લાપરવહીના કારણે પેપર છૂટી ગયું. આ સ્કૂલમાં જે અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા તેઓ ગાળો બોલતા હતા અને અવાજ કરતા હતા. ત્યાંના મેડમ અંગે કોમેન્ટ કરતા હતા. અહીં મહિલા સુપરવાઇઝર હતા તે કંઈ બોલી શક્યા ન હતા. જેથી તે મહિલા સુપરવાઇઝર દ્વારા મારી હોલ ટિકિટમાં સહી કરવામાં આવી નથી. જેથી આ બાબતે સ્કૂલ અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી માગ છે. સ્કૂલ દ્વારા પોલીસને શા માટે જાણ કરવામાં ન આવી?વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે, મારો પુત્ર જ્યારે ધોરણ 10માં ગુજરાતીનું પેપર આપી અને ઉત્કર્ષ સ્કૂલમાંથી બહાર નીકળ્યો ત્યારે મેં પૂછ્યું કે શું તકલીફ પડી, ત્યારે મારા પુત્રએ કહ્યું કે અમારા ક્લાસમાં અમુક માથાભારે બાળકો અંદરોઅંદર વાતચીત કરતા હતા અને તેને કારણે મારે પેપર અધૂરું રહી ગયું. જ્યાં તેમના પર નિરીક્ષક કે પ્રિન્સિપાલનો કંટ્રોલ નહોતો તો મારો સવાલ એ છે કે સ્કૂલ દ્વારા પોલીસને શા માટે જાણ કરવામાં ન આવી? અમે નિરીક્ષક અને પ્રિન્સિપાલ સામે પોલીસ ફરિયાદ કરશુંઅમારા બાળકની હોલ ટિકિટમાં નિરીક્ષક દ્વારા સહી કરવામાં નથી આવી તેથી આ બાબતે અમે નિરીક્ષક અને પ્રિન્સિપાલ સામે પોલીસ ફરિયાદ કરશું. મારા બાળકની હોલ ટિકિટમાં નિરીક્ષકની સહી કરવામાં આવે તેવી માગણી છે. મારા બાળકની જેમ 30 વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં નિરીક્ષક દ્વારા સહી કરવામાં આવી નથી તો હવે આનું શું કરશું. એક પણ વિદ્યાર્થીની ફરિયાદ આવી નથીઆ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્કર્ષ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના વાલીની ફરિયાદ આવી છે. જોકે, અહીં 7 બ્લોકમાં 200 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા તેમાંથી એક પણ વિદ્યાર્થીની ફરિયાદ આવી નથી. તમામ બ્લોકના સીસીટીવી તપાસવામાં આવશેજોકે એક વિદ્યાર્થીની ફરિયાદ આવતા સૌપ્રથમ તો તમામ બ્લોકના સીસીટીવી તપાસવામાં આવશે. શરત ચૂકથી વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં સહી કરવાનું રહી ગયું હશે તો આવતીકાલે બીજા પેપરમાં નિરીક્ષક દ્વારા સહી કરી દેવામાં આવશે, પરંતુ જો વિદ્યાર્થીઓ વાતચીત કરતા હશે અને અન્ય કોઈપણ બાબત હશે. બોર્ડના નિયમ મુજબ તેમની સામે પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 7:14 pm

જૂનાગઢ કલેક્ટર કચેરીમાં પ્રાકૃતિક ખેતીનો મહોત્સવ:ખેડૂતોને મળ્યા આધુનિક ફોલ્ડિંગ ટેન્ટ સ્ટોલ, ખેતપેદાશોનું સીધું વેચાણ કરી આર્થિક સદ્ધરતા મેળવશે

કૃષિ પ્રધાન ભારતમાં જ્યારે રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રે ખેડૂતોના આત્મગૌરવને વધારતું એક પ્રશંસનીય પગલું ભર્યું છે. જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં છેલ્લા 1 વર્ષથી કાર્યરત 'પ્રાકૃતિક કૃષિ હાટ' હવે નવા રંગરૂપ અને સુવિધાઓ સાથે સજ્જ બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટની કચેરીના સંયુક્ત પ્રયાસોથી આ હાટમાં એક નવો આયામ ઉમેરાયો છે, જેનાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રાહકો બંનેમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કલેક્ટર દ્વારા નવીન સુવિધાઓનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ તાજેતરમાં આ નવિનતા પામેલા પ્રાકૃતિક કૃષિ હાટને વિધિવત રીતે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે તેમણે માત્ર રિબન કાપીને સંતોષ ન માનતા, દરેક સ્ટોલ ધારક ખેડૂતો સાથે વ્યક્તિગત સંવાદ સાધ્યો હતો. તેમણે ખેડૂતોના અનુભવો જાણ્યા અને ગ્રાહકો સાથે વાતચીત કરી તેમના પ્રતિભાવો પણ મેળવ્યા હતા. કલેક્ટરે જણાવ્યું હતું કે, આ આધુનિક ફોલ્ડિંગ ટેન્ટ સ્ટોલ મળવાથી ખેડૂતો વધુ સુવ્યવસ્થિત રીતે અને આત્મગૌરવ સાથે પોતાની પેદાશોનું વેચાણ કરી શકશે. દર ગુરુવારે ભરાતા હાટમાં આધુનિકતાનો સ્પર્શ ઉલ્લેખનીય છે કે, જિલ્લા સેવાસદન ખાતે દર ગુરુવારે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. અગાઉ ખેડૂતો સામાન્ય રીતે બેસીને વેચાણ કરતા હતા, પરંતુ હવે તેમને આકર્ષક ફોલ્ડિંગ ટેન્ટ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. આ સુવિધાને કારણે હાટ વધુ સુંદર અને વ્યવસ્થિત દેખાય છે, જે ગ્રાહકોને પણ આકર્ષી રહી છે. ખેડૂતો હવે તડકા કે અન્ય અવરોધો વગર પોતાની શુદ્ધ ખેતપેદાશો જેવી કે શાકભાજી, અનાજ અને અન્ય વસ્તુઓ ગ્રાહકો સુધી સીધી પહોંચાડી શકશે. પ્રાકૃતિક ખેતીનો વધતો વ્યાપ અને આંકડાકીય સિદ્ધિ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન વેગ પકડી રહ્યું છે. આ સંદર્ભમાં જૂનાગઢ જિલ્લો અગ્રેસર રહ્યો છે. કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે જૂનાગઢ જિલ્લામાં અંદાજે 21000 થી પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવી ચૂક્યા છે. આ આંકડો દર્શાવે છે કે ધરતીપુત્રો હવે પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. છેલ્લા 1 વર્ષથી આ હાટમાં પોતાની પેદાશો વેચવા આવતા ખેડૂત રમેશભાઈ સાવલિયાએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ ફોલ્ડિંગ ટેન્ટ સ્ટોલ મળવાથી અમારા ઉત્સાહમાં અનેકગણો વધારો થયો છે. હવે અમે અમારી વસ્તુઓને વધુ આકર્ષક અને સુવ્યવસ્થિત રીતે ગોઠવી શકીએ છીએ. તેમણે આ પ્રોત્સાહન બદલ રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પર ભાર આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રચાર-પ્રસાર અને મજબૂત બ્રાન્ડિંગ કરવાનો છે. જ્યારે ખેડૂતોને સીધું પ્લેટફોર્મ મળે છે, ત્યારે વચેટિયાઓ દૂર થાય છે અને ખેડૂતને તેના પરસેવાનું પૂરું વળતર મળે છે. આ હાટ માત્ર વેચાણ કેન્દ્ર નથી, પરંતુ પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી આપતું એક કેન્દ્ર પણ બની ગયું છે, જ્યાંથી અન્ય ખેડૂતો પણ આ પદ્ધતિ અપનાવવા પ્રેરિત થાય છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર દીપક રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ સહિત અન્ય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહી ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 7:14 pm

હોળી ધુળેટી પર્વને લઇ પોલીસ કમિશનરનું જાહેરનામું:કોર્ટ મુદ્દત વખતે પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કરોડોની ઠગાઈનો આરોપી પ્રદીપ ડાવેરા ઝડપાયો

રાજકોટનો પ્રદિપ ખોડાભાઈ ડાવેરા વર્ષ 2017થી આશીપ ક્રેડીટ કો.ઓપરેટીવ તથા સમય ટ્રેડીંગ નામથી સહકારી મંડળી ચલાવતો અને આ મંડળીમા રોકાણ કરવા અને તે રોકાણ ઉપર મસ મોટુ વળતર આપવાની લાલચ આપી સામાન્ય નાગરીકોને લલચાવી સામાન્ય નાગરીકો દ્રારા આરોપીની મંડળીમાં કરવામા આવેલ કરોડોની રકમ પુર્વ આયોજીત કાવતરૂ રચી ઓળવી જઇ રાજકોટ શહેર, જુનાગઢ, ગોંડલ, ઓખા તથા વાંકાનેરના રોકાણકારો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી હતી જેથી તેના વિરૂધ્ધ રાજકોટ શહેર ગાંધીગ્રામ-2, પ્રધ્યુમનનગર, જામનગર બી ડીવીઝન પોલીસમાં 4 ગુના નોંધાયા હતા. તેમજ પેઢીમા રોકાણ કરનાર રોકાણકારો દ્રારા પ્રદીપ વિરૂધ્ધ જામનગર કોર્ટમા નેગોશીયેબલના 20 કેસ તથા રાજકોટ કોર્ટમા નેગોશીયેબલના 60 કેસ તથા ગોંડલ કોર્ટમા નેગોશીયેબલના 4 કેસ તથા વાંકાનેર કોર્ટમા નેગોશીયેબલના 20 કેસ તથા ઓખા કોર્ટમા નેગોશીયેબલના 6 કેસnતથા જુનાગઢ કોર્ટમા નેગોશીયેબલના 2 કેસ મળી નેગોશીયેબલના કુલ 112 કેસ દાખલ થયેલ છે. પ્રદિપ ખોડાભાઇ ડાવેરાની ગોંડલ કોર્ટમાં મુદતે લઇ મુદત પુરી થયા બાદ મુદતેથી પરત ફરતા સમયે રસ્તામા ભરુડી ટોલનાકા પાસે આવેલ રામાઘણી હોટલ ખાતે જમવા રોકાયેલ તે વખતે કેદી પ્રદીપ ડવેરાને તેનો ભાઈ સંદીપ ત્યા મળેલ અને તે દરમ્યાન ત્યાથી નંબર પ્લેટ વગરની સ્વીફટ કારમાં પ્રદીપ ડાવેરા ફરાર થઇ ગયો હતો. જે અંગે ગોંડલ તાલુકા પોલીસમાં તા.07.02.2026ના રોજ ગુનો દાખલ કરી ફરાર પ્રદીપ ડાવેરા પુનામાં છુપાયો હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે મહારાષ્ટ્ર રાજયના પુના ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોળી ધુળેટી પર્વને લઇ પોલીસ કમિશનરનું જાહેરનામું આગામી હોળી તથા ધુળેટી પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઝળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જાહેર રસ્તાઓ તેમજ જાહેર જગ્યાએ જતાં આવતાં લોકો ઉપર રંગ, પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ કાદવ, અથવા તૈલી પદાર્થો, કે તૈલી વસ્તુઓ ફેંકવા બદલ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી તારીખ 02.03.2026થી તારીખ 04.03.2026 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હોળી ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા પર તેમજ બીજા કોઈ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર આવતાં જતાં રાહદારીઓને તથા વાહનોને રોકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મારામારી-ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલા લોધિકાના શખ્સની પાસા હેઠળ અટકાયત કરાઇ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જરે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા, મારામારી તથા મિલકત સંબંધી ગુનાઓ આચરતા શખસો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અંતર્ગત એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ સ્ટાફે શાપર વેરાવળ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સ યોગેશ ઉર્ફે બાલો મુકેશભાઈ સિંગલ (ઉં.વ.21)ને અટકાયતમાં લઇ તેના વિરુદ્ધ પાસા વોરંટની દરખાસ્ત તૈયાર કરી રાજકોટના જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી જે દરખાસ્ત પર મંજૂરી મળતા શાપર વેરાવળ પોલીસે આરોપીને પકડી કાર્યવાહી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો. પાંચમાં માળેથી પટકાયેલા બે શ્રમિક પૈકી એકનું મોત, એકની હાલત ગંભીર રાજકોટના નવા 150 ફૂટ રીંગરોડ પર પ્રધુમનપ્રાઈડ કોકોનેટ પાર્ટી પ્લોટની બાજુમાં પ્રદ્યુમન પ્રાઇડ નામની બાંધકામ સાઈટ ચાલુ હતું જેમાં પાંચમા માળે કડીયા કામ કરતી વખતે બે મજૂર પ્યારેલાલ બરાસન રામ (ઉ.વ.37) તથા યોગન્દ્ર રામ (ઉ.વ.34) પડી જતા બનેને ઇજા થતા ખાનગી હોસ્પિટલમા સારવાર માટે લઇ જવાયા હતા જેમાં પ્યારેલાલ રામનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. તેને પાંચમા માળેથી પટકાવાના કારણે મગજમાં, પેટમા, પગમા ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 7:00 pm

કીર્તિ પટેલના મૃગી કુંડમાં સ્નાનનો વિવાદ::પોલીસ સમક્ષ હાજરી બાદ ધરપકડનું જોખમ ટળ્યું, કીર્તિ પટેલ પોલીસ સમક્ષ હાજર, વકીલે કહ્યું- 'હવે ધરપકડનો પ્રશ્ન નથી, 7 વર્ષથી ઓછી સજાના ગુનામાં કાયદાકીય રાહત'

​જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગી કુંડમાં સ્નાન કરવા બાબતે સર્જાયેલા વિવાદમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં આંશિક રાહત મળી છે. પોલીસની ફરજમાં રુકાવટ લાવવાના કેસમાં કીર્તિ પટેલ આજે તેમના વકીલ સુરેશ પરમાર સાથે જૂનાગઢ પોલીસ સમક્ષ હાજર થયા હતા. કલાકો સુધી ચાલેલી પૂછપરછ બાદ વકીલે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે હવે આ કેસમાં કીર્તિ પટેલની ધરપકડનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ​કીર્તિ પટેલના વકીલ સુરેશ પરમારે જણાવ્યું હતું કે, સરકારી ફરજમાં રુકાવટ લાવવાના કેસના સંદર્ભમાં પોલીસ દ્વારા મારા અસીલને રૂબરૂ હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી. તપાસમાં સહકાર આપવાના ભાગરૂપે આજે અમે પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસે કીર્તિ પટેલની વિગતવાર પૂછપરછ કરી છે અને હાલ પૂરતી આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે પોલીસ પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે, જેનો જવાબ અમે કોર્ટમાં આપીશું. ​વકીલે કાયદાકીય જોગવાઈઓ સમજાવતા ઉમેર્યું કે, આ કેસમાં કીર્તિ પટેલની ધરપકડની હવે કોઈ શક્યતા નથી. જે ગુનામાં 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય અને તે જ પ્રકારના અન્ય ગુનામાં આરોપી પહેલાથી જ જામીન પર હોય, ત્યારે પોલીસ તેને સીધી ધરપકડ કરવાને બદલે નોટિસ આપી પૂછપરછ કરી શકે છે અને બાદમાં કોર્ટના સમન્સ મુજબ આરોપીએ હાજર થવાનું રહે છે. આ કાયદાકીય વ્યવસ્થા હેઠળ જ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. ​મહાશિવરાત્રીના મેળા દરમિયાન જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે આવેલા પવિત્ર મૃગી કુંડમાં સ્નાન કરવાની પરંપરા માત્ર સાધુ-સંતો માટે જ હોય છે. આ દરમિયાન કીર્તિ પટેલે આ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હોવાના અને પોલીસ તેમજ વહીવટી તંત્ર સાથે ઘર્ષણ કર્યું હોવાના આક્ષેપો થયા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સાધુ સમાજમાં રોષ જોવા મળ્યો હતો.​ ​વકીલ સુરેશ પરમારના જણાવ્યા મુજબ, બાકીના બે કેસમાં પણ હવે ધરપકડની કોઈ સંભાવના નથી. પોલીસ હવે આ કેસમાં જરૂરી તથ્યોની તપાસ કરશે અને જો પૂરતા પુરાવા મળશે તો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. જ્યારે પણ કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવશે, ત્યારે કીર્તિ પટેલે કાયદાકીય પ્રક્રિયા મુજબ કોર્ટમાં હાજર રહી પોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 6:54 pm

ભારતીય મજદુર સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:સુરેન્દ્રનગરમાં શ્રમ કાયદા સુધારા સહિત 8 મુદ્દે રજૂઆત કરી

અખિલ ભારતીય મજદુર સંઘ દ્વારા દેશવ્યાપી આવેદનપત્ર આપવાના કાર્યક્રમના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ રજૂઆતમાં શ્રમ કાયદાઓના સાર્વત્રિક અમલીકરણ સહિત 8 મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી વિપુલભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા મંત્રી વિજય પાઠકની અધ્યક્ષતામાં ભારતીય મજદુર સંઘ સાથે જોડાયેલા મધ્યાહન ભોજનના જિલ્લા પ્રમુખ ડાયાલાલ, પોસ્ટ, વિદ્યુત, પરિવહન, મહાનગરપાલિકા, આંગણવાડી સહિતના વિવિધ ક્ષેત્રના હોદ્દેદારોએ હાજરી આપી હતી. આવેદનપત્રમાં મુખ્યત્વે આઠ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જે કામદારોના કલ્યાણ અને શ્રમ અધિકારો સાથે સંબંધિત છે. પ્રથમ માંગણી 'અંત્યોદય'ની સાચી ભાવના સાથે, અપવાદ વિના તમામ ક્ષેત્રો અને કામદારોના તમામ વર્ગો માટે શ્રમ કાયદાઓના સાર્વત્રિક અમલીકરણની હતી. બીજી માંગણી 'ઔદ્યોગિક સંબંધો સંહિતા, 2020' અને 'વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ સંહિતા, 2020' માં કામદારોની ચિંતાઓનું નિરાકરણ લાવવાની હતી. ત્રીજી માંગણી ત્રિપક્ષીય મિકેનિઝમનું પુનરુત્થાન અને મજબૂતીકરણ, 'ભારતીય શ્રમ પરિષદ' (ILC) તાત્કાલિક બોલાવવી અને વિવિધ ત્રિપક્ષીય સમિતિઓની પુનર્રચના કરવાની હતી. ચોથી માંગણી EPS-95 હેઠળ લઘુત્તમ પેન્શન 1,000 થી વધારીને 7,500 કરવાની સાથે મોંઘવારી રાહત (Dearness Relief) આપવાની હતી. પાંચમી માંગણી ESI અને EPF હેઠળ કવરેજ માટેની મર્યાદામાં તાત્કાલિક વધારો કરવાની હતી. છઠ્ઠી માંગણી પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, 1965 હેઠળ બોનસ માટેની પાત્રતા મર્યાદામાં વધારો કરવાની હતી. સાતમી માંગણી ભારતના બંધારણની કલમ 14, 15, 16 અને 21ની સાચી ભાવના મુજબ યોજના કામદારો (Scheme Workers) અને કોન્ટ્રાક્ટ કામદારોનું નિયમિતકરણ કરવાની હતી. આઠમી અને અંતિમ માંગણી સામાન્ય ભરતી પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવવા અને નોકરીમાં અનિશ્ચિતતા વગર ગેરંટીયુક્ત રોજગારની ખાતરી આપવાની હતી. આ આઠ મુદ્દાઓ પર લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 6:49 pm

ગોધરા રેલવે સ્ટેશન પાસે ડ્રેનેજ લાઇન રિપેર:પાલિકાએ સમાચાર અહેવાલ બાદ તાત્કાલિક સમારકામ કર્યું

ગોધરા રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે લીકેજ થયેલી ડ્રેનેજ લાઇનનું ગોધરા નગરપાલિકા દ્વારા સમારકામ કરવામાં આવ્યું છે. સમાચાર માધ્યમોમાં આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પાલિકા સફાળી જાગી હતી અને તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી રેલવે સ્ટેશનના મેઈન ગેટ પાસે આવેલા જાહેર શૌચાલયની ગટર લાઇન લીકેજ થતી હતી. જેના કારણે ગંદુ પાણી અને મળમૂત્ર જાહેર રસ્તા પર રેલાતા હતા. આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ હતી, જેનાથી મુસાફરો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ ગંભીર સમસ્યા અંગે સમાચાર માધ્યમોમાં અહેવાલો પ્રકાશિત થતાં જ પાલિકા તંત્ર સક્રિય બન્યું હતું. પાલિકાની એજન્સી દ્વારા યુદ્ધના ધોરણે લીકેજ લાઇનનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગંદકી અને દુર્ગંધની સમસ્યામાંથી મુક્તિ મળતા સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓએ રાહત અનુભવી છે. તેમણે આ સમસ્યાને ઉજાગર કરવા બદલ મીડિયાનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 6:42 pm

પોરબંદરમાં જુગાર પર પોલીસનો દરોડો:બોખીરા આવાસ કોલોનીમાંથી એક પુરુષ અને પાંચ મહિલાઓ સહિત છ ઝડપાયા

પોરબંદરના બોખીરા તુંબડા આવાસ કોલોની વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં એક પુરુષ અને પાંચ મહિલાઓ સહિત કુલ છ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને બ્લોક નં. ૪૯, રૂમ નં. ૨૯ સામે આવેલા ખુલ્લા ચોકમાં લાઇટના અજવાળે જુગાર રમાતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. પોલીસે ઝડપેલા આરોપીઓમાં વિષ્ણુ રાહાભાઇ શિયાળ, દક્ષાબેન નિલેશભાઇ લોઢારી, શાંતાબેન ધનજીભાઇ ઝેબર, રતનબેન મુળજીભાઇ પાવનિયા, જયશ્રી નરેન્દ્રભાઇ કોટીયા અને લક્ષ્મી નરેશભાઇ માલમનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી જુગાર રમવા માટે વપરાતું સાહિત્ય અને રોકડ રૂ. ૧૯,૭૩૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે નાગરિકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 6:40 pm

લાકડાનો વપરાશ ઘટાડવા મેયરની નવતર પહેલ:11 વોર્ડમાં 270થી વધુ પર્યાવરણલક્ષી વૈદિક હોળીની સ્પેશિયલ કીટનું વિતરણ કરાશે

ગાંધીનગરમાં આગામી હોળીના પર્વને પર્યાવરણલક્ષી અને સાચા અર્થમાં પવિત્ર બનાવવા માટે ગાંધીનગર મહા નગરપાલિકાએ કમર કસી છે. શહેરના તમામ 11 વોર્ડમાં અંદાજિત 270થી વધૂ વૈદિક હોળી કીટનું વિતરણ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિના જતન અને પ્રદૂષણમુક્ત ઉજવણીના ઉમદા હેતુ સાથે મહાનગરપાલિકાના તમામ કાઉન્સિલરો પોતપોતાના વિસ્તારમાં આ વિશેષ કીટ ઉપલબ્ધ કરાવશે. 11 વોર્ડમાં 270થી વધુ વૈદિક હોળી કીટનું વિતરણ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યોગાંધીનગર શહેરના તમામ 11 વોર્ડમાં 270થી વધુ વૈદિક હોળી કીટનું વિતરણ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોળીમાં પરંપરાગત રીતે થતા લાકડાના અતિરેક વપરાશને રોકવા માટે આ કીટ તૈયાર કરવામાં આવી છે. આ એક સંપૂર્ણ વૈદિક કીટમાં લાકડાના વિકલ્પ તરીકે 200 કિલો છાણા, સાત પ્રકારના પવિત્ર ધાન્ય જે આહુતિ તરીકે અર્પણ કરવામાં આવશે. જ્યારે ગાયનું શુદ્ધ ઘી અને કપૂર જે અગ્નિ પ્રગટાવવા અને વાતાવરણને શુદ્ધ કરવા માટે ઉપયોગી છે. હવન સામગ્રી કે જે વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવાથી હવામાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને ઓક્સિજનનું પ્રમાણ વધે છે. વૈદિક હોળી દ્વારા સ્વચ્છ અને સુરક્ષિત ઉજવણી કરી સમાજમાં સકારાત્મક સંદેશ આપેઆ અભિયાન અંગે વિગતો આપતા ગાંધીનગરના મેયર મીરાબેન પટેલએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા હંમેશા પરંપરા અને પર્યાવરણના સંતુલન માટે કાર્યરત છે. આ વૈદિક હોળી કીટ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને પરંપરાગત પદ્ધતિથી જોડી રાખવાનો અને લાકડાના કાપણીને ઘટાડવાનો છે. હું તમામ શહેરવાસીઓને અપીલ કરું છું કે, તેઓ આ વૈદિક હોળી દ્વારા સ્વચ્છ અને સુરક્ષિત ઉજવણી કરી સમાજમાં સકારાત્મક સંદેશ આપે. વૈદિક પરંપરાઓને પુનર્જીવિત કરવાની દિશામાં પણ એક મહત્વનું પગલુંમહત્વનું છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સતત બીજા વર્ષે આ પ્રશંસનીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં દરેક વોર્ડના કાઉન્સિલરો મારફતે સમયસર વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. આ પહેલથી માત્ર પર્યાવરણનું સંરક્ષણ જ નહીં પરંતુ, વૈદિક પરંપરાઓને પુનર્જીવિત કરવાની દિશામાં પણ એક મહત્વનું પગલું ગણાય છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 6:33 pm

રોડ-ડ્રેનેજની કામગીરી ત્વરિત પૂર્ણ કરવા સૂચના:મ્યુ. કમિશનરની અધિકારીઓ સાથે બેઠક, નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે રોડ ઝડપથી ખુલ્લા કરવા સૂચના અપાઈ

વડોદરા શહેરમાં હાલમાં ડ્રેનેજ લાઈન તેમજ વરસાદી ગટર નાખવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે 50થી વધુ માર્ગ બંધ અથવા તો એક તરફ વાહન વ્યવહાર માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારે આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોને મુશ્કેલી ન પડે તેવી સૂચના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આપવામાં આવી છે. અધિકારીઓ સાથે સતત બેઠકનો દોરમહાનગરપાલિકાના સભાખંડ ખાતે ડ્રેનેજ લાઈન, પાણી પુરવઠા, વરસાદી ગટર, પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક માર્ગો ઉપર ઝડપથી કામગીરી કેવી રીતે કરી શકાય તે અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ અધિકારીઓને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. રાત દિવસ કામગીરી કરોમ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે જો જરૂર પડે તો રાત - દિવસ કામગીરી કરો અને બને તેટલી વહેલી તકે રોડ ખુલ્લા કરો. કેટલાક રોડ એક એક મહિના માટે બંધ કરવામાં આવ્યા છે તેને પણ ઝડપથી ખુલ્લા કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. એક ડઝન કરતા વધુ મુખ્ય માર્ગો બંધશહેરમાં હાલમાં અંદાજે એક ડઝન જેટલા મુખ્ય માર્ગો સંપૂર્ણ બંધ અથવા તો એક તરફ જ વાહનવ્યવહાર માટે ખુલ્લા છે. હાલમાં શહેરમાં પરીક્ષાઓ શરુ થઇ છે ત્યારે માર્ગ બંધ હોવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા જોવા મળે છે. પીક અવર્સમાં ભારે ટ્રાફિક જોવા મળે છે તો બીજી તરફ મુખ્ય માર્ગ ઉપર ધૂળ ઉડવાના કારણે પણ વાહનચાલકો પરેશાન થઇ ઉઠ્યા છે. ત્યારે આ કામ ઝડપથી પૂર્ણ થાય તેમ લોકો પણ માગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 6:30 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પાકિસ્તાન બોર્ડરથી હથિયાર અને ડ્રગ્સની હેરાફેરી કરનાર અમદાવાદમાંથી ઝડપાયો, ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળી

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 6:30 pm

સુરત પોલીસની બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ 2026 યોજાઈ:AI અને ડ્રોન ટેકનોલોજીથી શહેરને વધુ સુરક્ષિત બનાવવાના કરાશે પ્રયાસ

સુરત શહેર પોલીસ દ્વારા બે દિવસીય પોલીસ કોન્ફરન્સ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડીજી કોન્ફરન્સની સૂચનાઓ અને ગુજરાત પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સુરત પોલીસના 200થી વધુ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. પોલીસ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરશેઆ કોન્ફરન્સ અંગે માહિતી આપતા સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, બદલાતા સમય સાથે ગુનાખોરીની પદ્ધતિઓ પણ બદલાઈ રહી છે. આ પડકારોને પહોંચી વળવા માટે સુરત પોલીસ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરશે. AI ની મદદથી ગુનાહિત પ્રવૃત્તિઓનું પૂર્વાનુમાન અને ડ્રોન દ્વારા ભીડભાડ વાળા વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી વધુ સચોટ બનાવવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સ્પેસિફિક પ્લાનિંગનો સમાવેશઆ બે દિવસ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા 10 મુખ્ય વિષયો પર પ્રેઝન્ટેશન અને ઊંડી ચર્ચા કરવામાં આવશે. જેમાં વધતા જતા ઓનલાઈન ફ્રોડ અને આર્થિક ગુનાઓને ડામવા માટે નવી વ્યૂહરચના તેમ જ હિસ્ટ્રીશીટરો અને ગુનેગારો પર 24 કલાક વોચ રાખવા માટેનું આયોજન સાથે પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત કરી લોકોની રોજબરોજની સમસ્યાઓનું નિરાકરણ લાવવું અને સુરતના વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સ્પેસિફિક પ્લાનિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આધુનિક પોલીસિંગ માટે વિશેષ બે દિવસની પોલીસ કોન્ફરન્સનું આયોજન કર્યું છેસુરત શહેર પોલીસે આગામી દિવસોમાં વધુ અસરકારક અને આધુનિક પોલીસિંગ માટે વિશેષ બે દિવસની પોલીસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની ડીજી કોન્ફરન્સમાં આપેલી સૂચના અને ડીજી સાહેબના નિર્દેશ મુજબ દરેક જિલ્લામાં આ પ્રકારની કોન્ફરન્સ યોજવાની છે. આ કોન્ફરન્સમાં લગભગ 200 અધિકારીઓ, કોન્સ્ટેબલ્સ, PSI અને અન્ય સિનિયર અધિકારીઓ ભાગ લેશે. ટ્રાફિક વ્યવસ્થા જેવા 10 મુખ્ય ટોપિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશેકોન્ફરન્સમાં ફ્યુચર પોલીસિંગ પ્લાનિંગ પર ચર્ચા થશે, જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોનનો મહત્તમ ઉપયોગ, સાયબર ક્રાઈમ, કોમ્યુનિટી પોલીસિંગ, વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઈવ, હિસ્ટ્રીશીટરો પર નજર રાખવી, ઈકોનોમિક ક્રાઈમ્સ તેમજ લો એન્ડ ઓર્ડર અને ટ્રાફિક વ્યવસ્થા જેવા 10 મુખ્ય ટોપિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પોલીસિંગ વધુ અસરકારક અને ટેક્નોલોજી આધારિત બનશે એવી અપેક્ષાછેલ્લા 15 દિવસથી તૈયારી ચાલી રહી છે, જેમાં DCP, PI, ACP અને ટીમો દ્વારા પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. કોન્ફરન્સમાં ચર્ચા બાદ યુનિફોર્મિટી સાથે સુરતને વધુ સુરક્ષિત બનાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. આ પહેલથી સુરતમાં પોલીસિંગ વધુ અસરકારક અને ટેક્નોલોજી આધારિત બનશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 6:23 pm

રાજકોટ જિ. પંચાયતની અંતિમ સામાન્ય સભા તોફાની બનશે:પ્રશ્નોત્તરી કાળમાં શાસક-વિપક્ષ સામસામે આવી જવાની શક્યતા હોય તડાફડીના એંધાણ, બજેટ મંજૂર કરવાની સાથે રક્તદાન કેમ્પનું આયોજન

રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મની મુદત 16મી માર્ચે પૂર્ણ થઈ રહી છે, તે પૂર્વે આવતીકાલે વર્ષની છેલ્લી અને મહત્વની ખાસ સામાન્ય સભા યોજાનાર છે. આ બેઠક મુખ્યત્વે નવા નાણાંકીય વર્ષનું બજેટ મંજૂર કરવા માટે બોલાવવામાં આવી છે. સામાન્ય રીતે ખાસ સભામાં પ્રશ્નોત્તરી હોતી નથી, પરંતુ સભ્યોની રજૂઆતોને ધ્યાને રાખીને શાસકોએ પ્રશ્નોત્તરીની છૂટ આપી છે. જેને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને વિપક્ષ દ્વારા શાસક પક્ષને વિવિધ મુદ્દે ઘેરવાની પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ પ્રશ્નોત્તરી કાળમાં કુલ 32 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમાં શાસક પક્ષના વિરલ પનારાના 5 અને કારોબારી ચેરમેન પી.જી.કીયાડાના 8 પ્રશ્નો છે. જ્યારે વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 19 ધગધગતા પ્રશ્નો રજૂ કર્યા છે. જોકે, ક્રમ મુજબ પ્રથમ 13 પ્રશ્નો શાસક પક્ષના હોવાથી 1 કલાકનો પ્રશ્નોત્તરી સમય તેમાં જ પૂર્ણ કરી દેવાનો વ્યૂહ હોવાની ચર્ચા છે. વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે કે જો તેમના પ્રશ્નોનો વારો લેવામાં નહીં આવે તો સભામાં ભારે તડાફડી સર્જાશે. ખાસ કરીને જિલ્લા પંચાયતના રૂ. 84 લાખના સ્થળાંતર ખર્ચ અને સફાઈના મોટા ટેન્ડરોમાં થયેલી ગેરરીતિઓ અંગે વિપક્ષ આક્રમક મૂડમાં છે. આ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણા રંગાણીના નિવાસસ્થાને સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પ પણ યોજાશે. જેમાં પંચાયતના સભ્યો, આગેવાનો અને અધિકારીઓ રક્તદાન કરશે. આમ કાલની અંતિમ સામાન્ય સભા બજેટ, વિરોધ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન બની રહેશે. રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડીમોલિશનનો કાટમાળ હટાવવાનું કામ પુરજોશમાંરાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા અને ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. હાલ કાટમાળ દૂર કરવાની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. આજે બપોરે સુધીના અહેવાલ મુજબ, અત્યાર સુધી વિસ્તારમાંથી હજારો ટન બાંધકામ વેસ્ટ (કાટમાળ) ખસેડી લેવામાં આવ્યો છે. જેમાં ગઈકાલે ડમ્પરના 483 અને ટ્રેક્ટરના 592 મળી કુલ 1,075 ફેરા કરવામાં આવ્યા હતા, જ્યારે આજે સવારથી બપોર સુધીમાં વધુ 591 ફેરા દ્વારા કાટમાળ દૂર કરાયો છે. ડિમોલિશન માટે નક્કી કરેલા 7 ઝોન પૈકી ઝોન 1, 2 અને 3ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હાલમાં બ્લોક નંબર 4, 5, 6 અને 7માં કામગીરી પ્રગતિમાં છે. બ્લોક નંબર 6માં 19 ડમ્પર અને 10 ટ્રેક્ટર સાથે 5 ટીમો કાર્યરત છે, જેની કામગીરી આજે પૂર્ણ થવાનો અંદાજ છે. તેવી જ રીતે, બ્લોક નંબર 7માં 50 માણસોનો સ્ટાફ, 11 ડમ્પર, 15 ટ્રેક્ટર અને 13 જેસીબી જેવા મશીનો સાથે 70% કામગીરી પૂર્ણ થઈ છે. તંત્ર દ્વારા ટી.પી. રોડના કાટમાળને હટાવવાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રૂડાની 6 આવાસ યોજનામાં 9 ક્વાર્ટરની ફાળવણી રદ, દસ્તાવેજ-ભાડાકરાર ન કરાતા લેવાયા કડક પગલાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા પીએમ આવાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલા આવાસ ધારકો સામે લાલ આંખ કરવામાં આવી છે. લાંબા સમયથી પોતાના આવાસના દસ્તાવેજ અથવા ભાડા કરાર ન કરાવનારા 9 લાભાર્થીની ફાળવણી તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. રૂડા કચેરી દ્વારા આ લાભાર્થીઓને વારંવાર નોટિસ પાઠવી જાણ કરવામાં આવી હોવા છતાં, તેઓ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં ન આવતા આખરે બોર્ડ બેઠકના ઠરાવ મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતવાર જોઈએ તો, ટીપી 17માં આદિત્ય-79 હાઉસિંગ સોસાયટીના 3 આવાસ (બી-106, બી-1403, બી-1202), પરિવાર હાઉસિંગ સોસાયટીના 2 આવાસ (બી-902, ડી-504), વૃંદાવન હાઉસિંગમાં ડી-504, ગોકુલમ હાઉસિંગમાં ડી-303, પરિશ્રમ હાઉસિંગમાં એચ-308 અને ટીપી 10ની આદર્શ હાઉસિંગ સોસાયટીમાં ડી-1103 ફ્લેટની ફાળવણી રદ કરાઈ છે. જો આ બાબતે કોઈ પણ આવાસધારકને વાંધો હોય, તો તેમણે 7 દિવસમાં રૂડા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. રાજકોટમાં મચ્છરોનો આતંક, તંત્રની બેદરકારી સામે વિપક્ષના આકરા પ્રહાર રાજકોટના આજી નદી કાંઠાના વિસ્તારોમાં મચ્છરોનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે. હાલ શહેરમાં મચ્છરજન્ય કેસોની સંખ્યા 350 પર પહોંચી છે, જેમાં મેલેરિયાના 110, ડેન્ગ્યુના 165 અને ચિકનગુનિયાના 75 કેસ નોંધાયા છે. ખાસ કરીને વોર્ડ નંબર 4, 5, 6, 14, 15 અને 16માં સ્થિતિ ગંભીર બની છે. નદીમાં જામી ગયેલી ગાંડી વેલ અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા અને અન્ય કોર્પોરેટરોએ કમિશનરને પત્ર લખી આક્ષેપ કર્યો છે કે મેલેરિયા વિભાગે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બે વાર જેસીબીની માંગણી કરવા છતાં બાંધકામ વિભાગે ફાળવણી કરી નથી. શાસકો પર ‘ભેગું કરવાની’ પેરવીમાં હોવાનો ગંભીર આરોપ લગાવતા વિપક્ષે ચીમકી આપી છે કે જો 2-3 દિવસમાં નદીની સફાઈ અને ફોગિંગ દ્વારા મચ્છરોનો નિકાલ નહીં આવે તો કમિશનરનો ઘેરાવ કરવામાં આવશે. આરોગ્ય અધિકારીએ હાલ 3 મશીનો દ્વારા ફોગિંગ ચાલુ હોવાનું આશ્વાસન આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 6:20 pm

60 વર્ષે પ્રોફેસરે મેળવી પીએચડી ડિગ્રી:વ્યારાના વસંતભાઈએ ગામીત સંસ્કૃતિ અને લોકબોલી પર કરેલું સંશોધન સમાજ માટે ભેટ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના 58મા પદવીદાન સમારોહમાં એક પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વ્યારાની કોલેજમાં છેલ્લા 35 વર્ષથી ગુજરાતીના પ્રોફેસર અને વાઈસ પ્રિન્સીપાલ તરીકે સેવા આપતા 60 વર્ષીય વસંતભાઈ ગામીતે પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે સાબિત કરી દીધું છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને એક સાચો શિક્ષક હંમેશા પ્રથમ વિદ્યાર્થી હોય છે. કોરોનાકાળમાં સ્ફૂર્યો સંશોધનનો વિચાર વસંતભાઈ હાલ VNSGU ના ગુજરાતી બોર્ડના ચેરમેન તરીકે પણ કાર્યરત છે. તેમને સંશોધન કરવાનો વિચાર કોરોના મહામારીના ફુરસદના સમય દરમિયાન આવ્યો હતો. આ વિચારને તેમણે મક્કમ નિર્ધાર સાથે પરિણામમાં બદલ્યો અને આજે તેઓ ડોક્ટરેટની પદવીથી સન્માનિત થયા છે. ગામીત સંસ્કૃતિનું અમૂલ્ય દસ્તાવેજીકરણ તેમના સંશોધનનો વિષય ‘ગામીત જાતિનું લોકસાહિત્ય-સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અને લોકબોલીના સંદર્ભે’ હતો. આ કાર્ય દ્વારા તેમણે વર્ષો જૂની આદિજાતિ પરંપરાઓનું દસ્તાવેજીકરણ કર્યું છે. વસંતભાઈના મતે, આ સંશોધન માત્ર આવનારી પેઢી માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક અનમોલ ભેટ સમાન સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 6:07 pm

ખેલે સાણંદ સીઝન 3:મોતીપુરા અને તાજપુરાની ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી, ગ્રામીણ ખેલાડીઓએ બતાવ્યું અદભૂત કૌશલ્ય

સાણંદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. 'વિજયી ભારત ફાઉન્ડેશન' દ્વારા આયોજિત 'ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ સીઝન 3' ના સુપર લીગ રાઉન્ડના મુકાબલાઓ 24 ફેબ્રુઆરી, 2026ના રોજ ચાંગોદર ખાતે અત્યંત રોમાંચક માહોલમાં યોજાયા હતા. આ ટુર્નામેન્ટ માત્ર રમત નથી, પરંતુ ગ્રામીણ યુવા પ્રતિભાઓ માટે એક સક્ષમ મંચ સાબિત થઈ રહી છે. કબડ્ડી અને ખો-ખોમાં કાંટાની ટક્કર ચાંગોદરના મેદાન પર અંડર-14 ગર્લ્સ ખો-ખો અને બોયઝ કબડ્ડીની મેચો રમાઈ હતી. આ સ્પર્ધામાં કુલ 7 ગામોની 11 ટીમોએ ભાગ લીધો હતો, જેમના વચ્ચે 19 જેટલા હાઈ-વોલ્ટેજ મુકાબલા જોવા મળ્યા હતા. ખેલાડીઓએ મેદાન પર જે પ્રકારનું ટીમ વર્ક અને આક્રમક કૌશલ્ય બતાવ્યું, તેણે હાજર રહેલા તમામ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચાંગોદર ઉપરાંત ચરલ ખાતે પણ મેચોનું આયોજન થયું હતું, જેમાં માણકોલની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલનું ગણિત અને વ્યવસ્થાપન ટીમોના શ્રેષ્ઠ પ્રદર્શનને આધારે ક્વાર્ટર ફાઇનલનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અંડર-14 બોયઝ કબડ્ડીમાં પૂલ B માંથી મોતીપુરાની ટીમ અને અંડર-14 ગર્લ્સ ખો-ખોમાં પૂલ B માંથી તાજપુરાની ટીમ ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થઈ છે. આ આખા કાર્યક્રમની સફળતા પાછળ ચાંગોદર ગામના સરપંચ બહાદુર સંસ્કારભાઈ ઠાકોર અને સ્થાનિક સ્વયંસેવકોનો મોટો હાથ રહ્યો છે. તેમણે ખેલાડીઓ માટે ભોજન અને અન્ય સુવિધાઓનું ઉત્તમ આયોજન કર્યું હતું. ભવિષ્યના સ્પોર્ટ્સ સ્ટાર્સ તૈયાર કરવાનું લક્ષ્ય 'ટીમ ખેલે સાણંદ' ના સભ્યોએ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, ગ્રામીણ ભારતની આ પ્રતિભાઓ આવનારા સમયમાં રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરશે. આ અભિયાન સામુદાયિક ભાવનાને મજબૂત કરવાની સાથે શારીરિક ક્ષમતા વધારવામાં પણ મદદરૂપ થઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 6:05 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:હજીરાની સ્ટીલ કંપનીમાં હજારો કામદાર વિફરતા તોડફોડ કરી અનેક વાહનો આગને હવાલે કરી દીધા, બે દિવસીય પોલીસ કોન્ફરન્સનો પ્રારંભ

દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 6:04 pm

નર્મદ યુનિવર્સિટીનો 58મો ભવ્ય પદવીદાન સમારોહ:8,725 યુવાઓને પદવી એનાયત, સાંસદ ગોવિંદ ધોળકિયા રહ્યા હાજર

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે તાજેતરમાં 58મો પદવીદાન સમારોહ અત્યંત હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરા મુજબ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા કરવામાં આવેલા શંખનાદ અને ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચારથી કરવામાં આવી હતી, જેણે સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને ગૌરવવંતું બનાવી દીધું હતું. વિવિધ વિદ્યાશાખાઓના હજારો છાત્રોને ડિગ્રી એનાયત આ પદવીદાન સમારોહમાં કુલ 12 વિદ્યાશાખાઓના 99 જેટલા વિવિધ અભ્યાસક્રમોના 8,725 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉચ્ચ શૈક્ષણિક સંશોધન ક્ષેત્રે 149 વિદ્યાર્થીઓને Ph.D. અને 1 વિદ્યાર્થીને M.Phil.ની પદવી મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફની સુવિધા માટે એક વિશેષ 'એક્ઝામિનેશન મેન્યુઅલ'નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં પરીક્ષાલક્ષી તમામ મહત્વની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જીવનના પડકારોને તકમાં બદલવા ગોવિંદભાઈ ધોળકિયાનું આહ્વાન દીક્ષાંત પ્રવચન આપતા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આ પદવી એ માત્ર એક કાગળનો ટુકડો નથી, પરંતુ તમારા જીવનભરનું સંભારણું છે. તેમણે યુવાધનને શીખ આપી હતી કે જીવનમાં પ્રામાણિકતા અને સતત જ્ઞાન મેળવવાની વૃત્તિને વણી લેવી જોઈએ. આ સફળતા એ તમારા અને તમારા પરિવાર માટે ગૌરવની ક્ષણ છે, જે તમારા મુખ્ય ધ્યેય તરફનું પ્રથમ સોપાન છે. તેમણે પોતાના અંગત અનુભવો વર્ણવતા કહ્યું કે, તમારી સાચી ઓળખ અને કારકિર્દી ભવિષ્યમાં તમારા દ્વારા કરવામાં આવેલા ઉમદા કાર્યો દ્વારા જ નક્કી થશે. તેમણે યુવાનોને વ્યવસાયિક જીવનમાં નિયમિત મહેનત કરવા અને આર્થિક તથા સામાજિક રીતે સક્ષમ બની સમાજ ઉપયોગી કાર્યો કરવા પ્રેરણા આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જીવનના દરેક પડકારને તકમાં રૂપાંતરિત કરવા માટે સત્ય, નિષ્ઠા અને પરિશ્રમ એ જ સાચો માર્ગ છે. શિક્ષણ ક્ષેત્રે VNSGUની રાષ્ટ્રીય સિદ્ધિઓ યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા યુનિવર્સિટીની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે નર્મદ યુનિવર્સિટીએ પારદર્શી મેનેજમેન્ટ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા દેશભરમાં આગવી ઓળખ બનાવી છે. આ યુનિવર્સિટી 'એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ' (ABC) આઈડી બનાવવામાં અને સૌથી વધુ ક્રેડિટ મેળવવામાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે રહી છે. વધુમાં, પીએમ ઉષા યોજના અંતર્ગત યુનિવર્સિટીને 100 કરોડની ગ્રાન્ટ મળી છે, જેમાંથી 60 કરોડના વિકાસકામો અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યા છે. ડિજીલોકરના માધ્યમથી પદવીઓનું ડિજિટલ વિતરણ ટેકનોલોજીના યુગમાં યુનિવર્સિટીએ એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે. આ સમારોહમાં એનાયત થયેલી તમામ 8,725 ડિગ્રીઓ હવે વિદ્યાર્થીઓના ડિજીલોકરમાં ડિજિટલી ઉપલબ્ધ રહેશે. મહાનુભાવોએ રિમોટ બટન દબાવીને તમામ પદવીઓને 'નેશનલ એકેડેમિક ડિપોઝીટરી'માં અપલોડ કરી હતી. વિદ્યાર્થીઓ પોતાના પર્સનલ લોગઈન આઈડી દ્વારા આ ડિજિટલ ડિગ્રી ગમે ત્યાંથી એક્સેસ કરી શકશે. આ ભવ્ય સમારોહમાં કુલસચિવ આર.સી. ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, વિવિધ વિભાગીય વડાઓ, કોલેજોના આચાર્યો અને મોટી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 6:03 pm

ઈડરમાં ઝડપાયેલા કોલ સેન્ટરનો મામલો:કોર્ટે 10 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ઝડપાયેલા કોલ સેન્ટર કેસમાં 10 આરોપીઓને ઈડર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હિંમતનગર DYSPની અધ્યક્ષતામાં રચાયેલી SIT દ્વારા SOGએ ગઈકાલે રાત્રે આરોપીઓને ઈડર કોર્ટમાં રજૂ કર્યા હતા. ચાર દિવસ પહેલા સાબરકાંઠાના ઈડરમાં બરવાવ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડીને આ કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. SMCએ ઈડર પોલીસ સ્ટેશનમાં લેપટોપ, માઉસ, મોબાઈલ, કાર અને રોકડ સહિત કુલ 20.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં કુલ 21 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 11 ફરાર છે. ફરિયાદ નોંધાયા બાદ આ કેસની તપાસ SOGને સોંપવામાં આવી હતી. ઝડપાયેલા 10 આરોપીઓમાં ગુલામગોશ ઉર્ફે રાઈડર સાબીરભાઈ કુરેશી (શાહપુર, અમદાવાદ), મોહમ્મદમુજાહિદ ઉર્ફે રોમન ઈનાયતહુસેન મલેક (મિરઝાપુર, અમદાવાદ), સાહીરખાન ઉર્ફે એલેક્ષ બીસ્મીલ્લાખાન પઠાણ (શાહીબાગ, અમદાવાદ), શાહરૂખ ઉર્ફે જેસન મુજીબરહેમાન શેખ (સરખેજ, અમદાવાદ), ફરહાજ ઉર્ફે ગાર્સિયા જીયાઉદ્દીન શેખ (વેજલપુર, અમદાવાદ), પાર્થ ઉર્ફે સોન ભરતભાઈ ચૌહાણ (હાથીજણ, અમદાવાદ), અઝહર ઉર્ફે રોય ગફુરખાન પઠાણ (શાહખાલમ, અમદાવાદ), રાજેશ ઉર્ફે ડેનિયલ ઠાકુરદાસ ભાવનાની (સાબરમતી, અમદાવાદ), નિકુંજ ખોડાભાઈ પટેલ (સરસપુર, અમદાવાદ) અને નિસર્ગ અજયભાઈ બારોટ (કૃષ્ણનગર, અમદાવાદ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફરાર થયેલા 11 આરોપીઓમાં બાબા, પેટ્રિક, જેકની ટીમ, વોલ્ટર અને રમીઝ મલિક (અમેરિકન નાગરિકોના ડેટા પૂરા પાડનારા), સની, ડેન અને યોરી (એપલ ગિફ્ટ કાર્ડ અને વોલમાર્ટ ગિફ્ટ કાર્ડને યુએસડીટીમાં કન્વર્ટ કરનારા), એલેક્સ અને જહોન ફેનરિચ (યુએસડીટી એક્સચેન્જર અને આંગડિયા પેઢીમાં નાણાં મોકલનારા) તેમજ સાદિક ઉર્ફે રાજા કુરેશી (મિરજાપુર, અમદાવાદ)નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:56 pm

સુરેન્દ્રનગર કલેક્ટરે બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી:આજથી શરૂ થયેલી ધોરણ 10-12ની પરીક્ષા માટે પ્રોત્સાહન કર્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓનું મનોબળ વધારી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટરએ જણાવ્યું હતું કે, જિલ્લામાં પરીક્ષાના સુચારુ સંચાલન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. જિલ્લામાં કુલ 127 પરીક્ષા કેન્દ્રો પર 1078 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. આ વર્ષે જિલ્લાના અંદાજે 32,708 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. કલેક્ટરએ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા નોંધ્યું કે, વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, પરીક્ષાના પ્રથમ દિવસે થોડો તણાવ હોવો સ્વાભાવિક છે, પરંતુ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું કે, જિલ્લા વહીવટી તંત્ર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પરીક્ષા કેન્દ્રો પર હાજર છે, જેથી તેઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે. કલેક્ટરએ તમામ પરીક્ષાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું કે, મહેનત અને આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહીને પેપર લખવા અને ઉત્કૃષ્ટ પરિણામ મેળવી જિલ્લાનું નામ રોશન કરવા માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:56 pm

સેક્ટર-24માં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ફફડાટ:બિનવારસી ઈંડાની લારીમાં ધડાકાભેર આગ લાગી, સિલિન્ડર ઉછળીને વિવાદિત મકાનના ધાબા પર પડતા ત્યાં પણ આગ ભભૂકી

ગાંધીનગરના સેક્ટર-24 સ્થિત આદર્શનગર સોસાયટીમાં આજે બપોરે કાળઝાળ ગરમી વચ્ચે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. વિવાદિત મકાન નંબર 713ની સામે ઉભી રાખવામાં આવેલી એક બિનવારસી ઈંડાની લારીમાં અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થતા આસપાસના રહીશો ફફડી ઉઠ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીથી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બિનવારસી ઈંડાની લારીમાં અચાનક ધડાકાભેર બ્લાસ્ટગાંધીનગરના સેક્ટર-24 સ્થિત આદર્શનગર સોસાયટીમાં વિવાદિત મકાન નંબર 713ની સામે ઝાડીમાં ખુલ્લી જગ્યામાં ઉભી રાખવામાં આવેલી એક બિનવારસી ઈંડાની લારીમાં અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થતા આસપાસના રહીશો ફફડી ઉઠ્યા હતા. આજે બપોરના સમયે કાળઝાળ ગરમીના લીધે ઈંડાની લારીમાં રાખેલો ગેસનો બાટલો અચાનક ફાટ્યો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, ગેસનો બાટલો હવામાં ઉછળીને સામે આવેલા વિવાદિત બંધ મકાનના ધાબા પર જઈ પડ્યો હતો. જ્યાં ધાબા પર પડેલા કચરામાં બાટલાના કારણે તુરંત આગ લાગી હતી. કોર્પોરેટરે સમયસૂચકતા વાપરી તુરંત ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યોબીજી તરફ લારીમાં રહેલ તેલ, ઈંડા અને અન્ય જ્વલનશીલ સામગ્રીના કારણે લારી પણ આગની લપેટમાં આવી ગઈ હતી.આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ વિસ્તારના કોર્પોરેટર અંકિત બારોટને ફોન કર્યો હતો. કોર્પોરેટરે સમયસૂચકતા વાપરી તુરંત ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો અને પોતે પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જેના પગલે ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર જઈ ભારે જેહમત બાદ લારી અને મકાનના ધાબા પર લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાના પગલે કાઉન્સિલર અંકિત બારોટે ફાયર અધિકારીઓને કડક સૂચના આપી હતી કે, આ બિનવારસી લારીના માલિકને શોધી કાઢવામાં આવે અને તેની બેદરકારી બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. બ્લાસ્ટે સ્થાનિકોની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યાઉલ્લેખનીય છે કે, હાઉસિંગ બોર્ડ દ્વારા ઉક્ત વિવાદિત મકાનનું મોટું દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અહીં એક ગેરકાયદેસર હોસ્ટેલ ચાલતી હતી. જેનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. હોસ્ટેલ બંધ થયા બાદ પણ સંચાલકોએ ઉપરના માળે ગેરકાયદેસર ઓરડા બનાવી ભાડે આપવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી, જેને તંત્રએ તોડી પાડ્યું હતું. આજે ફરી આ જ વિસ્તારમાં બિનવારસી લારીમાં થયેલા બ્લાસ્ટે સ્થાનિકોની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:53 pm

આજથી ધો. 10-12ની પરીક્ષાનો પ્રારંભ:5000 કોન્ટ્રાક્ટ કર્મીનું પ્રદર્શન, કોંગ્રેસનુ વોકઆઉટ, નગરદેવી ભદ્રકાળીની યાત્રા સંપન્ન

રાજ્યભરમાં ધો. 10-12ની પરીક્ષાની શરૂઆત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ધોરણ 10માં ગુજરાતીનું પેપર ખૂબ જ સરળ રહેતા વિદ્યાર્થી ખુશ જોવા મળ્યા તો બપોરે 3 વાગ્યાથી ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નગરદેવી ભદ્રકાળીની યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ અમદાવાદના 615મા સ્થાપના દિવસે નીકળેલી નગરદેવી માઁ ભદ્રકાળીની 6.25 કિ.મી. લાંબી નગરયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ... માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ આકર્ષણનુ કેન્દ્ર રહ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 5 હજાર કોન્ટ્રાક્ટ કર્મીઓ તોફાને ચડ્યા સુરતના હજીરાની આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલ કંપનીમાં પગાર વધારાની માંગ સાથે શ્રમિકોએ ભારે તોડફોડ અને હિંસક વિરોધ પ્રદર્શન કર્યું છે.... પાણીપતમાં એક કર્મચારીના મોતનો વીડિયો વાયરલ થયા બાદ હજીરા પ્લાન્ટના શ્રમિકોમાં ઉશ્કેરાટ ફેલાયો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિધાનસભામાં કોંગ્રેસના સૂત્રોચ્ચાર વિધાનસભા સત્રની આજની કાર્યવાહી શરુ થતા પહેલા જ કોંગ્રેસે અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા.. સાથે ST, SC અને OBC નિગમને આપવામાં આવતી રકમ મુદ્દે ચાલતી ચર્ચામાં વોકઆઉટ કર્યુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મંત્રી-MLAનું માન-સન્માન ન જાળવનારા સામે કાર્યવાહી ગુજરાત સરકારના નવા પરિપત્ર મુજબ સરકારી અધિકારી ધારાસભ્ય કે મંત્રી સાથે અયોગ્ય વર્તન બદલ શિસ્તભંગના પગલાં લેવાશે .જે મુજબ લોકપ્રતિનિધિઓને કચેરીમાં જરૂરી પ્રાથમિકતા આપવામાં આવે. તેમના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળવામાં આવે. શિષ્ટ ભાષાનો ઉપયોગ કરવામાં આવેઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગૌરક્ષક પર હુમલો, પોલીસના હાથ-પગ તોડ્યા માંગરોળમાં ગૌહત્યા રોકવા ગયેલી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો ... ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને માથામાં તલવારના ઘા વાગ્યા તો પોલીસકર્મીના પણ હાથ-પગ તોડી નાખવામાં આવ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આગમાં ગૂંગળામણથી માતા-પુત્રનું મોત રાજકોટના મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે લાગેલી આગમાં સૂતેલા વૃદ્ધ માતા અને પુત્રનું ગૂંગળામણના કારણે મોત નીપજ્યું ... પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શાહરૂખ બાદ ફખરુદ્દીનના પેટમાંથી સોનું નીકળ્યું અમદાવાદ એરપોર્ટ પર એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા ફખરુદ્દીન નામના પેસેન્જરના શરીરમાંથી 37 ગ્રામ વજનની સોનાની ત્રણ કેપ્સુલ મળી આવી.. ચાર દિવસ પહેલા પણ શાહરુખના પેટમાંથી પણ આ રીતે જ 21 લાખની કિંમતનું સોનું મળ્યુ હતુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દારૂના જથ્થા પર ફર્યું રોડરોલર સિદ્ધપુરમાં પોલીસે વિવિધ ગુનામાં જપ્ત કરેલા 1.87 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો આશરે 32 હજાર જેટલી વિદેશી દારૂની બોટલ પર રોડરોલર ફેરવી દેવાયું.. કાર્યવાહી દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની સમિતિ હાજર રહી.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એડમિશન રદ કરવાના નિર્ણય પર કુલપતિની પલટી યુનિ.માં આરએસએસના કાર્યક્રમનો વિરોધ કરનાર NSUIના કાર્યકર્તાઓના એડમિશન રદ કરવા મામલે કુલપતિએ પલટી મારી.. કહ્યું એડમિશન રદ કરવાનો ફકરો વધારે લખાઈ ગયો.આ તરફ એનએસયુઆઈએ વિરોધ કરી પોલીસ ફરિયાદ પરત ખેંચવા માગ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:53 pm

બનાસકાંઠા LCB એ દારૂની 3384 બોટલો ઝડપી:ડીસા નજીકથી રૂ. 18.25 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી પકડાયા

બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાચરવા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 3384 બોટલો ઝડપી પાડી છે. પોલીસે ટોયોટા ફોર્ચ્યુનર ગાડી અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 18,25,357/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 8,05,357/- ની કિંમતની 3384 દારૂની બોટલો, રૂ. 10,00,000/- ની કિંમતની ટોયોટા ફોર્ચ્યુનર ગાડી (નંબર: GJ12BR8998) અને રૂ. 20,000/- ની કિંમતના બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ, જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સૂચનાના અનુસંધાનમાં LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB ટીમ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ભાચરવા ગામની સીમમાં વોચ ગોઠવીને હિરસિંહ ચંદનસિંહ સોઢા (ઉં.વ. 32, રહે. ખારીયા, બાડમેર, રાજસ્થાન) અને ઇન્દ્રજીતસિંહ મૂલતાનસિંહ રાઠોડ (ઉં.વ. 29, રહે. નવાવાસ, રવાપર, કચ્છ) નામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓ તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:42 pm

રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, કૃષિ... PM મોદી અને નેતન્યાહૂની બેઠકમાં MoU પર હસ્તાક્ષર

India-Israel MoU : ઈઝરાયેલ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે બેઠક યોજાઈને અનેક મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને નેતાઓ વચ્ચે આજે (26 ફેબ્રુઆરી) મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, કૃષિ સહિત અનેક સેક્ટરોમાં સહયોગ વધારવા મુદ્દે વાતચીત કરવામાં આવી છે. ત્યારબાદ બંને નેતાઓએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સમજૂતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું છે. PM મોદીએ નેતન્યાહૂને મિત્ર કહીને સંબોધનની શરૂઆત કરી

ગુજરાત સમાચાર 26 Feb 2026 5:38 pm

મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજનો 15મો સમૂહ લગ્નોત્સવ:પાંચ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, 79થી વધુ ભેટ અપાઈ

મોરબીના રામધન આશ્રમ ખાતે શ્રી દશનામ ગોસ્વામી સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ 15મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ગોસ્વામી પ્રવીણભારતી ચંદ્રકાંતભારતી ટીમ દ્વારા આયોજિત આ ઉત્સવમાં પાંચ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ સમૂહ લગ્નમાં નવદંપતીઓને સોના-ચાંદીના દાગીના, ફ્રિજ સહિત 79થી વધુ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ કર્યાવરમાં ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે સંતો-મહંતો તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન અને રતનેશ્વરીદેવીજીએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમણે યુગલોને વેર, વહેમ અને વ્યસનથી દૂર રહેવાની સલાહ આપી હતી. સંતોએ લગ્નમાં થતા બિનજરૂરી ખર્ચાઓ ટાળીને સમૂહ લગ્નમાં જોડાવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, આનાથી સમાજમાં એકતા અને સંગઠન મજબૂત બને છે.સંતોએ નાના બાળકોમાં મોબાઈલના વધુ પડતા ઉપયોગને ટાળીને તેમને શિક્ષણ, ધર્મ અને સંસ્કાર આપવા પર પણ ભાર મૂક્યો હતો. સુરેશભાઈ ગોસ્વામીએ નવદંપતીઓ અને તેમના વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, નાની બાબતોમાં ભૂલો થાય તો એકબીજાને માફ કરવાની ભાવના રાખવી જોઈએ. તેમણે દીકરીને વહુ નહીં પણ દીકરી તરીકે સ્વીકારવાથી પારિવારિક ઝઘડા અને છૂટાછેડાના પ્રશ્નો ટાળી શકાય છે તેમ ઉમેર્યું હતું. સુરેશભાઈ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, સમૂહ લગ્ન માત્ર લગ્નવિધિ નથી, પરંતુ સમાજમાં પ્રેમ, સહયોગ અને સંસ્કારનું વાવેતર કરતો ઉત્સવ છે. સમૂહ લગ્ન એકતામાં શક્તિનો સંદેશ આપે છે અને સમાજને એક મંચ પર લાવી ભાઈચારો મજબૂત બનાવે છે. દશનામ ગોસ્વામી સમાજનો આ પ્રયાસ નવી પેઢી માટે પ્રેરણારૂપ અને સમાજ સેવાના ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રસંગે જાણીતા ભજનીક અને લોકગાયિકા રીટાબેન ગોસ્વામી અને રમીલાબેન ગોસ્વામીએ દીકરી વિશે 'ઓ મેરી લાડકી' ગીત ગાઈને વાતાવરણને ભાવવિભોર બનાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:27 pm

પાળીયાદમાં ચામુંડા માતાજીના મઢના ગેટનું ઉદ્ઘાટન:નિર્મળા બાના હસ્તે, મોકાણી પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત

પાળીયાદ ખાતે ચામુંડા માતાજીના મઢ તરફથી નિર્મિત ગેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળા બાના હસ્તે 24 ફેબ્રુઆરી, 2026ના રોજ આ ગેટ ખુલ્લો મુકાયો હતો. આ ગેટનું નિર્માણ સમસ્ત મોકાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. એક મહિના અગાઉ નિર્મળા બાના હસ્તે જ આ ગેટનું ખાતમુહૂર્ત થયું હતું, અને ટૂંકા ગાળામાં તેનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાળીયાદ સમસ્ત મોકાણી પરિવારના સભ્યો, ગામના દરેક સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ગેટને ગામના વિકાસમાં એક નવી સિદ્ધિ તરીકે જોવામાં આવે છે. ઉદ્ઘાટન બાદ ગ્રામજનોએ પૂજ્ય નિર્મળા બાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સૌએ ગામના સતત વિકાસ માટે પ્રાર્થના કરી હતી, જે આ નવા ગેટના નિર્માણ દ્વારા પ્રતીકાત્મક રીતે રજૂ કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:22 pm

મહીસાગરમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો:લગ્નના બહાને યુવક સાથે 2.70 લાખની છેતરપિંડી, પોલીસ ફરિયાદ નોંધાઈ

મહીસાગર જિલ્લામાં લૂંટેરી દુલ્હન દ્વારા છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. લુણાવાડા તાલુકાના કોલવણ ગામના ભરતભાઈ પટેલ સાથે ખોટી લગ્નવિધિ કરીને અંદાજે રૂ. 2.70 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, ભરતભાઈ પટેલ લગ્ન માટે કન્યાની શોધમાં હતા ત્યારે તેમના મામા ડાયાભાઈ પટેલે ગોધરાની કોકિલા નામની યુવતી વિશે માહિતી આપી હતી. પરિવારે ગોધરા જઈ મહાદેવ મંદિરે યુવતીને મળીને પસંદગી કર્યા બાદ લગ્ન નક્કી કર્યા હતા. આરોપી કોકિલાબેન સાથે રેખાબેન, ડાહ્યાભાઈ, ઉદાભાઈ અને જયેશભાઈ સહિત પાંચ લોકોએ લુણાવાડા ખાતે સોગંદનામું કર્યું હતું. ત્યારબાદ દેગમડા મંદિર ખાતે ફૂલહાર વિધિ કરીને લગ્ન સંપન્ન કરાયા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે લગ્ન પ્રસંગે રૂ. 1,45,000 ગુગલ પે દ્વારા, રૂ. 55,000 રોકડા, ચાંદીના દાગીના, કપડાં અને અન્ય ખર્ચ મળીને કુલ રૂ. 2,70,000 જેટલો ખર્ચ થયો હતો. લગ્ન બાદ કોકિલા કોલવણ ગામે થોડા દિવસ રોકાઈ હતી. ત્યારબાદ પિયરમાં કામ હોવાનું જણાવી તે ગોધરા ગઈ. દિવાળીના તહેવાર દરમિયાન પણ પરત ન આવતા ભરતભાઈએ વારંવાર ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, કોકિલા બહાના બનાવતી રહી અને અંતે તેણે પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો. ત્યારબાદ ભરતભાઈએ વચેટિયાઓનો સંપર્ક કર્યો, પરંતુ તેઓએ પણ મદદ કરવાની ના પાડી દીધી. આરોપીઓ દ્વારા નોટરી એફિડેવિટ કરીને 10 દિવસમાં રકમ પરત આપવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, આજદિન સુધી કોઈ રકમ પરત ન મળતા ભરતભાઈએ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે. ટાઉન પીઆઈ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં લગ્નના બહાને છેતરપિંડીના વધતા કિસ્સાઓને કારણે લોકોમાં ચિંતા ફેલાઈ છે. પોલીસે લગ્ન પહેલા સંપૂર્ણ તપાસ અને વિશ્વસનીય માહિતી મેળવવાની અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:21 pm

આગના બનાવો વધે તે પહેલા કવાયત:ફાયર વિભાગે ત્રણ હાઈડ્રોલિક પ્લેટફોર્મ વ્હીકલ્સ દ્વારા 81 મીટર ઊંચાઈએ કઈ રીતે કામગીરી કરવી તેનો અભ્યાસ કરાયો

વડોદરા શહેરના નવલખી મેદાનમાં આજે વડોદરા ફાયર વિભાગ દ્વારા હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે કઈ રીતે કામગીરી કરવી તે અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સાથે નવા સ્ટાફને ટ્રેનિગ પણ આપવામાં આવી હતી. ત્રણ અત્યાધુનિક હાઈડ્રોલિક પ્લેટફોર્મ વ્હીકલ્સનો ઉપયોગ કરવામાં આવશેઆ અંગે ફાયર અધિકારી જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, આવનારા માર્ચ અને એપ્રિલ મહિનામાં ફાયર કોલમાં વધારો થવાની સંભાવના છે. આ બાબતે વડોદરા ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું હતું કે, હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આગના બનાવો વધુ બને છે ત્યારે ત્રણ અત્યાધુનિક હાઈડ્રોલિક પ્લેટફોર્મ વ્હીકલ્સનો ઉપયોગ કરવામાં આવશે. હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આગ બુઝાવવા ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છેઅધિકારીએ કહ્યું કે, શહેરમાં હાલ ત્રણ હાઈડ્રોલિક પ્લેટફોર્મ વ્હીકલ્સ તૈનાત છે – 30 મીટર, 44 મીટર અને 81 મીટરની ઊંચાઈવાળા છે. આ વ્હીકલ્સ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આગ બુઝાવવા તથા રેસ્ક્યુ ઓપરેશન માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. અમે રૂટિન વર્ક તરીકે વેટ ડ્રીલ્સ કરીએ છીએ અને નવા રિક્રુટ સ્ટાફને હાઈડ્રોલિક પ્લેટફોર્મનું ઓપરેશન તથા રેસ્ક્યુ કાર્યની ટ્રેનિંગ આપી રહ્યા છીએ. ઓપરેટર સહિત 7થી 8 વ્યક્તિઓને એકસાથે સુરક્ષિત રીતે નીચે લાવી શકાયવધુમાં કહ્યું કે, હાઈડ્રોલિક પ્લેટફોર્મની કેજ કેપેસિટી 500 કિલો સુધી છે. તેનાથી ઓપરેટર સહિત 7થી 8 વ્યક્તિઓને એકસાથે સુરક્ષિત રીતે નીચે લાવી શકાય છે. એ જ ઊંચાઈએથી 5000 થી 6000 લીટર પાણીનો મારો એકસાથે ચલાવીને આગ પર કાબુ મેળવી શકાય છે. ખાસ કરીને 81 મીટરના વ્હીકલથી આ કાર્ય અત્યંત અસરકારક રીતે કરી શકાય છે. વ્હીકલ્સમાં કોઈ ખામી નથી અને તેઓ સંપૂર્ણ કાર્યક્ષમ અવસ્થામાં છેઆગામી માર્ચ અને એપ્રિલમાં વીજ વપરાશ વધે છે. ખાસ કરીને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં એરકન્ડિશનરના કારણે ઇલેક્ટ્રિક લોડ વધે છે અને આગના બનાવો વધુ બને છે. તેથી, અમે આ ત્રણેય વ્હીકલ્સને સ્ટેન્ડબાય મોડ પર રાખીએ છીએ. વ્હીકલ્સમાં કોઈ ખામી નથી અને તેઓ સંપૂર્ણ કાર્યક્ષમ અવસ્થામાં છે. આ ટ્રેનિંગ અને મોક ડ્રીલ એટલા માટે જ કરવામાં આવી રહ્યા છે કે કોઈપણ આપત્તિ વખતે તરત જ કાર્યવાહી થઈ શકે. આ હેવી વાહન માટે વ્હીકલને પિચિંગ (સ્થિર કરવું) માટે જમીનની સપાટી મજબૂત હોવી જરૂરી છે. ઢાળવાળી જગ્યાએ થોડો સમય લાગે છે, પરંતુ એકવાર સર્ફેસ મજબૂત મળી ગયા પછી ગણતરીની મિનિટોમાં વ્હીકલ 81 મીટર સુધી પહોંચીને રેસ્ક્યુ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:15 pm

કચ્છમાં 9.41 કરોડના અફીણના ડોડાનું વાવેતર ઝડપાયું:ભીમાસરની સીમમાં 2 એકરમાં ફેલાયેલી નશાની ખેતીનો પર્દાફાશ; 6273 કિલો જથ્થો જપ્ત; 3 શખ્સો જેલહવાલે

કચ્છના ભીમાસર (ભુટકિયા) ગામની સીમમાં પોલીસ ત્રાટકીને નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. અંદાજે 2 એકર જમીનમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલું અફીણ ડોડાનું વિશાળ વાવેતર પોલીસે ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે 9.41 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. રેન્જ આઈ.જી. એ પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતીપાલનપુર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રેન્જ આઈ.જી. ચિરાગ કોરડીયાએ આ સફળ કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, સાયબર સેલના પી.આઈ. બોડાણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસની ટીમ પણ 2 એકર જમીનમાં લહેરાતી અફીણની ખેતી જોઈને ચોંકી ઉઠી હતી. કરોડોની કિંમતનો મુદ્દામાલ અને ધરપકડપોલીસે ખેતરમાંથી કુલ 6,273.349 કિલોગ્રામ અફીણ ડોડાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 9 કરોડ 41 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. આ ગેરકાયદેસર વાવેતર કરવા બદલ પોલીસે ભીમાસર ગામના પ્રભુ સોઢા, કિશોર ગોયલ અને મનસુખ ગોયલ એમ ત્રણ શખ્સોની અટકાયત કરી છે વધુ તપાસ તેજઆટલી મોટી માત્રામાં અફીણનું વાવેતર કોના કહેવાથી કરવામાં આવ્યું હતું અને આ માલ ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સરહદી જિલ્લામાં નશાની આટલી મોટી ખેતી પકડાવતા સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:14 pm

વીરપુરૂષોના પોસ્ટર ફાડ્યાની ગુજરાત યુનિ.ની ફરિયાદ મુદ્દે NSUIનો વિરોધ:પોલીસ સાથે ઝપાઝપી કરી અંદર ઘૂસ્યા, ફરિયાદ પરત ખેંચવા માગ; એડમિશન રદના નિર્ણય મુદ્દે કુલપતિએ પલટી મારી

ગુજરાત યુનિવર્સિટીમાં RSSના કાર્યક્રમ દરમિયાન NSUIના કાર્યકર્તાઓએ પોસ્ટર ફાડી વિરોધ કરતા વિવાદ વધુ વકર્યો છે. પોસ્ટર ફાડી વિરોધ કરતા ગુજરાત યુનિવર્સિટીએ NSUIના કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ ગુજરાત યુનિ.એ આક્ષેપ કર્યો હતો કે, NSUIના કાર્યકર્તાઓએ પોસ્ટર ફાડીને વીરપુરૂષોનું અપમાન કર્યું હતું. જોકે, તેને લઈને NSUIના કાર્યકર્તાઓએ ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલના પોસ્ટરને હાર પહેરાવીને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ ખોટી ફરિયાદ નોંધી હોવાનો NSUI દ્વારા દાવો કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ ફરિયાદ પરત ખેંચે તેવી કુલપતિને માગ કરી હતી. જોકે, વિવાદ વધારે થતા જ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પરિપત્ર જાણ બહાર થયો હોવાનું કહી ફેરવી તોળ્યું હતું. NSUIના કાર્યકર્તાઓએ અટલ કલામ સેન્ટરમાં પોસ્ટર ફાડ્યા23મીએ ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ સેન્ટરમાં ભારત શોધ સંસ્થાન અને ભારતીય વિચાર મંચના સહયોગથી પ્રમાણભૂત સંશોધન દસ્તાવેજોના પેનલની એક પ્રદર્શની મૂકવામાં આવી હતી. જેનો વિરોધ દર્શાવી NSUIના કાર્યકર્તાઓએ અટલ કલામ સેન્ટરમાં પોસ્ટર ફાડ્યા હતા. જેથી ગુજરાત યુનિવર્સિટીએ NSUIના કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ NSUIના કાર્યકર્તાઓની કેમ્પસમાં પ્રવેશબંધી અને એડમિશન રદ કરવાનો પરિપત્ર કરી નિર્ણય કર્યો હતો. જેથી NSUI અને કોંગ્રેસ આક્રમક બની ગયું હતું. યુનિવર્સિટીએ ખોટી ફરિયાદ નોંધાવી હોવાના NSUIનો દાવોજેને લઈને NSUIના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટીમાં ભારે હોબાળો કર્યો હતો. ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના પોસ્ટર લઈને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ ખોટી રીતે ફરિયાદ નોંધાવી હોવાના દાવા સાથે NSUIએ કુલપતિ હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. હિન્દુ વિરોધી ન હોવાના દાવા સાથે NSUIના કાર્યકર્તાઓએ વિરપુરુષોના પોસ્ટરને હાર પહેરાવી દેખાવો કર્યો હતો. પોલીસ સાથે ઝપાઝપી કરી કુલપતિની ઓફિસમાં ઘૂસ્યાજોકે, NSUIના કાર્યકર્તાઓને કુલપતિની ઓફિસમાં જતા પોલીસે રોક્યા હતા. પરંતુ તે બાદ પણ NSUIના કાર્યકર્તાઓએ પોલીસ સાથે ઝપાઝપી કરીને કુલપતિની ઓફિસમાં ઘૂસી ગયા હતા. RSS અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દબાણથી કુલપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનો NSUIએ દાવો કર્યો હતો. તેમજ જે વિદ્યાર્થીઓ વિરોધમાં હાજર ન હતા તેમના નામ પણ ABVPના કહેવાથી લખવામાં આવ્યા હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે. 'કોઈપણ મહાપુરુષોનું ક્યારેય પણ અમે અપમાન કર્યું નથી'ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં દેશના ખોટા ઇતિહાસને પ્રસ્તુત કરવાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમનો NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ કુલપતિ RSSનો હાથો બનીને ખોટી રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમે તો એ પાર્ટીમાંથી આવનાર માણસો છીએ જે પાર્ટીમાંથી મહાપુરુષો આવ્યા હતા. કોઈપણ મહાપુરુષોનું ક્યારેય પણ અમે અપમાન કર્યું નથી. તેમજ કુલપતિએ વિદ્યાર્થીઓ પર ખોટી રીતે ફરમાન લગાવ્યું છે તે બદલ કુલપતિ માફી માગે તેવી અમારી માંગણી છે. કોંગ્રેસ નેતાના દબાણના કારણે જૂનો પરિપત્ર રદ કરી નવો પરિપત્ર જાહેર કર્યોઉલ્લેખનીય છે કે, હાલ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ કોંગ્રેસના નેતાના દબાણના કારણે જૂનો પરિપત્ર રદ કરી નવો પરિપત્ર જાહેર કર્યો હતો. કોંગ્રેસના દબાણના કારણે કુલપતિએ પોતાનો બચાવ કરવા માટે ફેરવી તોળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીનો એડમિશન રદ કરવાનો પરિપત્ર હોવા છતાં કહ્યું કે મારી જાણ બહાર પરિપત્ર કરવામાં આવ્યો હતો. પટનાથી પરત આવ્યા બાદ લેટર જોયો ત્યારે ખબર પડી કે એડમિશન રદ કરવાનો ફકરો વધાર લખાઈ ગયો છે. પરિપત્રમાં એડમિશન રદ કરવાનો નિર્ણય કોને લીધો હતો?પરંતુ જૂનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો ત્યારે તેમાં સ્પષ્ટ લખેલું હતું કે, વીડિયોમાં દેખાતા વિદ્યાર્થીઓની એડમિશન રદ કરવામાં આવે અને તેમનું આઇડેન્ટીકાર્ડ સિવાય કોઈ પણ અન્ય અજાણ્યા માણસને પ્રવેશબંધી કુલપતિના આદેશાનુસાર કરવામાં આવે છે. જો કુલપતિએ સૂચના જ આપી નહતી તો પછી પહેલા પરિપત્રમાં એડમિશન રદ કરવાનો નિર્ણય કોને લીધો હતો તે પણ સૌથી મોટો સવાલ છે. જોકે, વધારે વિવાદ થયા બાદ અને એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસના એક નેતાના દબાણના કારણે જૂનો પરિપત્ર રદ કરી નવો પરિપત્ર કરવો પડ્યો હતો. '23મીએ NSUI દ્વારા ઘણી બધી તોડફોડ કરવામાં આવી હતી'ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, 23મીએ NSUI દ્વારા ઘણી બધી તોડફોડ કરવામાં આવી હતી. જે પણ પ્રદર્શની લગાવવામાં આવી હતી તે તમામ ઓથેન્ટિક હતી. હરિજન ન્યૂઝ પેપરનું કટીંગ હતું. સરદાર પટેલ, આંબેડકરના લેટરની કોપી હતી. કોઈ પોસ્ટર, લખાણ ન હતું. 16 તારીખે આ પોસ્ટર એક કાર્યક્રમ દરમિયાન લગાવામાં આવ્યા હતા. 16 થી 23 સુધી કોઈ વિદ્યાર્થીઓ, સંગઠન દ્વારા વિરોધ કરવામાં ન આવ્યો હતો. જે બાદ અચાનક વિરોધ કરવામાં આવ્યો, જેથી કહી શકાય છે કે આ શું નીયોજિત કાર્ય હતું અને સમજી વિચારીને તોડફોડ કરવામાં આવી હતી. આ પ્રકારના કૃત્યથી યુનિવર્સિટીની છબીને હાનિ પહોંચી હતીવધુમાં નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, જે તોડફોડ કરવામાં આવી તે NSUIએ કરી હતી. જે લોકો CCTVમાં આવ્યા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈપણ સૂચના વગર તોડફોડ કરવામાં આવી હતી અને જે પ્રકારનું કૃત્ય હતું તેનાથી યુનિવર્સિટીની છબીને હાનિ પહોંચી હતી. જે વીડિયો NSUIના નેતાઓએ વાઇરલ કર્યા તેમાં તેમને હિન્દુ ધર્મ પર વાર કર્યા હતા. જેથી અમે કડક પગલા લીધા હતાં. તેમજ ફરિયાદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના હિતમાં અમે પ્રવેશ રદ કરવાનો નિર્ણય પરત લીધોકુલપતિએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, ઘટના બની ત્યારે હું પટના ગઈ હતી. જે બાદ પરત આવી ત્યારે મારી સામે શિસ્તવાળો પરિપત્ર મૂકવામાં આવ્યો હતો. કોઈપણ કોંગ્રેસ નેતાઓના ફોન વગર જ અમે એડમિશન રદ કરવાનો નિર્ણય પરત લીધો છે. વિદ્યાર્થીઓના હિતમાં અમે પ્રવેશ રદ કરવાનો નિર્ણય પરત લીધો હતો. પરીક્ષા પૂરતા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે અન્ય કોઈપણ જગ્યાએ વિદ્યાર્થીઓ જઈ શકશે નહીં. અમારી સિક્યુરિટી એજન્સીની ખામીઓ સામે આવીવધુમાં કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગઈકાલે મારી સહીથી નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ફરિયાદ થઈ છે તેમ પોલીસ તપાસ કરશે. પોલીસે અને સરકાર પગલા ભરે તેવી અમે માંગ કરી રહ્યા છે. અમારી સિક્યુરિટી એજન્સીની ખામીઓ સામે આવી હતી. તેમને શો કોઝ નોટિસ આપીને કડક પગલાં ભરવાની તૈયારી કરી રહ્યા છીએ. એક બે મોટા પગલાં પણ ભરવામાં આવશે. શિસ્ત સમિતિ બેઠક બોલાવાઈ હતી. સિકયુરિટીની બેદરકારી આવતા શો કોઝ નોટિસ અપાઈ છે. મહાપુરુષોના લખાણ અને પત્ર ફાડવામાં આવ્યા હતાઆગામી સમયમાં વધુ આકરા પગલાં લેવાશે. મહાપુરુષોના લખાણ અને પત્ર ફાડવામાં આવ્યા હતા. પ્રદર્શનની કોઈપણ વિચારધારા માટે લગાવવામાં આવી નહતી. ફરિયાદ કરવાની હતી તે માટે એક લેટર પોલીસમાં આપવામાં આવતો હતો. હું અને કુલસચિવ બંને સતત સંપર્કમાં હતા. જેથી જે માહિતી મળતી હતી જેથી પ્રવેશ રદ કરવા માટેનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. વધુ તપાસ આગળ વધી તેથી સામે આવ્યું કે પ્રવેશ રદ કરવામાં આવ્યા છે તે પહેલી વખત આ પ્રકારની પ્રવૃત્તિમાં સામે આવ્યા છે. જેથી તેને ચેન્જ કરવામાં આવ્યો હતો. ત્રીજી વખત સિક્યુરિટીને નોટિસ આપવામાં આવી છેવધુમાં નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ABVP દ્વારા તોડફોડ કરવામાં આવી છે. એવા એક પણ વીડિયો મારી સામે આવ્યા નથી. જે કોઈપણ વિદ્યાર્થી યુનિવર્સિટીની સંપત્તિને નુકસાન પહોંચાડતો પકડાશે તો અમે તેની સામે કાર્યવાહી કરીશું. જો કોઈ નામ ખોટા લખાયા છે તો અમે તેમના નામ રદ કરીશું. પોલીસ ફરિયાદ થઈ ગઈ છે અને જાહેરમાં તોડફોડ કરી છે. દેશદ્રોહ સુધીની ઘટના સમજી શકાય છે. ત્રીજી વખત સિક્યુરિટીને નોટિસ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:09 pm

શિહોર ITIમાં મેગા પ્લેસમેન્ટ:નામાંકિત કંપનીઓની ઉપસ્થિતિ રહી હાજર, 127ની પસંદગી

તારીખ 24-02-2026 ના રોજ શિહોર આઈ.ટી.આઈ. ખાતે ભવ્ય રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય જે. પી. પરમાર દ્વારા ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે અમૂલ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. નામાંકિત કંપનીઓની ઉપસ્થિતિ આ ભરતી મેળામાં દેશની ટોચની બહુરાષ્ટ્રીય કંપનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં Tata, Reliance, Nestle India અને MRF જેવી પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓએ હાજર રહીને કુશળ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી. સફળતાના આંકડા: તાલીમાર્થીઓમાં અનેરો ઉત્સાહ ભરતી મેળાનું પરિણામ ખૂબ જ પ્રોત્સાહક રહ્યું હતું. તાલીમ પૂર્ણ કરી ચૂકેલા કુલ 60 તાલીમાર્થીઓમાંથી 52 ઉમેદવારોનું પ્રાથમિક સિલેક્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આઈ.ટી.આઈ.ના વર્તમાન વિદ્યાર્થીઓ માટે પણ આ તક વરદાન સાબિત થઈ હતી. હાલમાં તાલીમ લઈ રહેલા 90 જેટલા તાલીમાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા, જેમાંથી 75 ઉમેદવારોને તો તાલીમ પૂર્ણ થાય તે પહેલા જ પસંદ કરી લેવામાં આવ્યા હતા અને તેઓને સ્થળ પર જ 'પ્રોવિઝનલ ઓફર લેટર' એનાયત કરવામાં આવ્યા હતા. આમ, શિહોર આઈ.ટી.આઈ.ના માધ્યમથી મોટી સંખ્યામાં યુવાનોને અભ્યાસની સાથે જ આધુનિક ઉદ્યોગોમાં રોજગારીની તક સાંપડી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:06 pm

અમદાવાદ ICAIના ચેરમેન પદે રિન્કેશ શાહ:અમદાવાદ ICAIના નવા સુકાની તરીકે રિન્કેશ શાહની વરણી, ગ્લોબલ એક્સપોઝર પર રહેશે ભાર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ની અમદાવાદ શાખા (WIRC) દ્વારા વર્ષ 2026 ના નવા કાર્યકાળ માટે હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાના નવા ચેરમેન તરીકે રિન્કેશ શાહની નિયુક્તિ કરવામાં આવી છે. આ નવી ટીમ વ્યાવસાયિક શ્રેષ્ઠતા, ટેકનોલોજી આધારિત વિકાસ અને સભ્યો તેમજ વિદ્યાર્થીઓના સશક્તિકરણના વિઝન સાથે કાર્ય કરશે. નવી ટીમ અને નેતૃત્વ ચેરમેન: રિન્કેશ શાહ વાઇસ-ચેરમેન: સમીર ચૌધરી સેક્રેટરી: ચેતન જગેતિયા ટ્રેઝરર: શિખા અગરવાલ WICASA ચેરમેન (અમદાવાદ બ્રાન્ચ): સાહિલ ગાલા વૈશ્વિક પ્લેટફોર્મ અને નૈતિકતા પર ભાર નિયુક્તિ બાદ રિન્કેશ શાહ જણાવ્યું હતું કે, આજના પરિવર્તનશીલ આર્થિક યુગમાં આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે તાલ મિલાવવો અનિવાર્ય છે. સભ્યોને વૈશ્વિક વ્યાવસાયિક તકો મળે અને તેમની નૈતિકતા આધારિત પ્રેક્ટિસ વધુ મજબૂત બને તે માટે અમદાવાદ શાખા સતત પ્રયત્નશીલ રહેશે. ખાસ કરીને ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહકારને વધુ ગાઢ બનાવવાની નેમ તેમણે વ્યક્ત કરી છે. આગામી વર્ષનું રોડમેપ અને લક્ષ્યાંકો નવી ટીમ દ્વારા આગામી સમય માટે કેટલાક મહત્વના ક્ષેત્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે: ટેકનોલોજીકલ અપગ્રેડેશન: ડેટા એનાલિટિક્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે વિશેષ વર્કશોપનું આયોજન. વ્યાવસાયિક વિકાસ: સભ્યો માટે અદ્યતન સેમિનાર અને ટેકનિકલ સત્રો. MSME અને સ્ટાર્ટઅપ: ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાણ કરીને નવી વ્યવસાયિક દિશાઓ ખોલવી. વિદ્યાર્થી કલ્યાણ: ભાવિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે કારકિર્દી માર્ગદર્શન અને લીડરશિપ પ્રોગ્રામ્સ. આ નવી ટીમ વિવિધ અનુભવોના ભાથા સાથે શાખાની પ્રવૃત્તિઓને વેગ આપશે, જેનાથી અર્થવ્યવસ્થામાં સીએની ભૂમિકા વધુ રચનાત્મક અને પ્રબળ બનશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:04 pm

લો... બોલો... એક જ નંબર પ્લેટ વાળી બે કાર:વડોદરામાં સરખા નંબર સાથે દોડતી બે બોલેરો પિકઅપ ઝડપાઈ, SOGએ આરોપીની ધરપકડ કરી, શું ઇરાદો હતો તેની તપાસ શરૂ

વડોદરા શહેરમાં યાકુતપુરા વિસ્તારમાંથી એક જ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી બે શંકાસ્પદ બોલેરો પિકઅપ ગાડીઓ SOG પોલીસે જપ્ત કરી છે અને એક શખ્સની અટકાયત કરી છે. SOG પોલીસે આરોપીને સિટી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીનો શું ઇરાદો હતો, તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. શું હતો સમગ્ર મામલો? SOGના પીઆઇ જી.આર.ગામીત અને તેમની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે હેડ કોન્સ્ટેબલ સદ્દામભાઈ હુસેનભાઈને અંગત બાતમી મળી હતી કે, યાકુતપુરા વિસ્તારમાં સરસીયા તળાવ રોડ પર જી.મદાર દરગાહ પાસે શેરખાન ખલીલખાન પઠાણ(રહે. યાકુતપુરા, વડોદરા) નામનો વ્યક્તિ બે બોલેરો પિકઅપ ગાડીઓ રાખે છે, જે બંનેના રજિસ્ટ્રેશન નંબર એક સમાન છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા સ્થળ પરથી બે બોલેરો પિકઅપ મળી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, બંને ગાડીઓની નંબર પ્લેટ (GJ-06-AZ-0652) એક સમાન હતી, પરંતુ જ્યારે એન્જિન નંબર અને ચેસીસ નંબરની ચકાસણી કરવામાં આવી, ત્યારે તે બંને ગાડીઓના અલગ-અલગ મળી આવ્યા હતા. ગાડીના માલિક શેરખાન પઠાણ પાસે આ બાબતે કોઈ યોગ્ય ખુલાસો કે આધાર-પુરાવા ન હોવાથી પોલીસે છેતરપિંડીના ઇરાદે આ કૃત્ય કર્યું હોવાનું માની બંને ગાડીઓ કબજે કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કબજે કરેલ મુદ્દામાલ: અંદાજે 4 લાખ રૂપિયાની કિંમતની બે બોલેરો પિકઅપ ગાડી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:52 pm

પાક.બોર્ડરથી પંજાબમાં હેરોઇન-હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ સપ્લાય કરતો શખ્સ ઝડપાયો:પંજાબમાં હથિયારો પૂરા પાડતો હતો, ગુજરાત ATSએ અમદાવાદના રખિયાલમાંથી દબોચ્યો

ગુજરાત ATSએ પાકિસ્તાન બોર્ડરથી હેરોઇન અને હેન્ડ ગ્રેનેડ તથા પિસ્તોલ પંજાબમાં સપ્લાય કરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી અમૃતસરના કેસમાં એક મહિનાથી ફરાર થઈ ગયો હતો. તે બિહાર થઈને અમદાવાદ આવી ગયો હતો. આરોપી અમદાવાદના રખિયાલમાં રોકાયો હતો અને એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરવાનો હતો. ATSએ આરોપીની ધરપકડ કરી પંજાબ પોલીસન સોંપવા તજવીજ હાથ ધરી છે. ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાસી પોલીસ સ્ટેશનના હેરોઇન, ગ્રેનેડ અને પિસ્તોલ સ્મગલિંગ કેસનો વોન્ટેડ આરોપી રહેમત અલી શેખ પંજાબથી ભાગીને બિહાર થઈને અમદાવાદમાં આવ્યો છે.જેના આધારે તપાસ કરીને એટીએસએ રખિયાલ ખાતેથી રહેમત અલી શેખની એમ્બ્રોડરીના કારખાનામાંથી ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે રહેમત અલી મોટા નાર્કોટિક્સ અને ગ્રેનેડ પિસ્તોલ નેટવર્કનો એક ભાગ છે.આરોપીએ જાન્યુઆરીમાં હેરોઇન તેમજ હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલના કન્સાઇનમેન્ટ પાકિસ્તાનની પંજાબ બોર્ડરથી લઈને પંજાબના અન્ય વ્યક્તિઓને આપ્યા હતા. જે અંગે અમૃતસર જિલ્લાના રાજા સાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી.જેમની પાસેથી 42 કિલો હેરોઇન,ચાર હેન્ડ ગ્રેનેડ,એક સ્ટાર માર્ક પિસ્તોલ અને 46 કારતૂસ મળી આવ્યા હતા. બે આરોપી પકડાતા રહેમત અલી પંજાબથી નાસી ગયો હતો.આરોપી પંજાબથી ભાગીને નેપાળમાં જતો રહ્યો હતો. ત્યારબાદ બિહાર થઈ ગુજરાતના અમદાવાદમાં આવ્યો હતો. આરોપી છેલ્લા કેટલાક સમયથી રખિયાલ વિસ્તારમાં રોકાયો હતો.રખિયાલના એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરવા માટે આવ્યો હોવાથી આરોપી રખિયાલના કારખાનામાં જ રોકાયો હતો.એટીએસ દ્વારા આરોપીની કોણે મદદ કરી છે તે તપાસ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત આરોપીને પંજાબ પોલીસને સોંપવા માટેની પણ તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:48 pm

ADG મેજર જનરલ મોંગાએ CVM યુનિવર્સિટીની મુલાકાત લીધી:2 વર્ષમાં 41 NCC કેડેટ્સની આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગીને બિરદાવી

ગુજરાત NCC ડાયરેક્ટોરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) મેજર જનરલ બિમલ મોંગાએ ગુરુવારે CVM યુનિવર્સિટીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમની સાથે વલ્લભ વિદ્યાનગરના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી.એસ. અરોરા અને 38 ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ અખિલ મેહંદે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન યુનિવર્સિટી અને NCC વચ્ચેના સંકલનને વધુ મજબૂત કરવા તેમજ યુવા નેતૃત્વ ખીલવવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. મેજર જનરલ મોંગાએ ચારુતર વિદ્યા મંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલ સાથે બેઠક યોજી હતી. યુનિવર્સિટીના પદાધિકારીઓએ ADGને માહિતી આપી હતી કે, નવી શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત NCCને 'વૅલ્યુ એડેડ કોર્સ' તરીકે સામેલ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી એવું સુવ્યવસ્થિત આયોજન કરે છે કે જેથી કેડેટ્સ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કેમ્પમાં ભાગ લે ત્યારે તેમનો અભ્યાસ બગડે નહીં. છેલ્લા બે વર્ષમાં CVM યુનિવર્સિટીના 41 કેડેટ્સ 'ઇન્ટરનેશનલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ'માં પસંદગી પામ્યા છે. આ ઉપરાંત, અનેક કેડેટ્સ 26 જાન્યુઆરીની રિપબ્લિક ડે પરેડમાં પણ પસંદગી પામી સંસ્થા અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મેજર જનરલે આ વિશિષ્ટ સિદ્ધિઓની પ્રશંસા કરી હતી અને શિસ્તબદ્ધ નાગરિકો તૈયાર કરવાની યુનિવર્સિટીની કામગીરીને બિરદાવી હતી. CVM યુનિવર્સિટીએ પણ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં NCCના માધ્યમથી યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:44 pm

સૌરાષ્ટ્રમાં હોળી-ધૂળેટી પહેલા દારૂની રેલમછેલ:SMCએ રાજુલા-વીરપુરથી 98 લાખનો દારુ ઝડપ્યો, દારૂના બોક્સથી પોલીસ સ્ટેશન છલોછલ, 6 શખ્સોની ધરપકડ, 11 ફરાર

હોળી-ધૂળેટીના તહેવાર પહેલા સૌરાષ્ટ્રમાં બૂટલેગરો એક્ટિવ થઈ ગયા છે. દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. જોકે, બુટલેગરોની સાથે સાથે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) પણ એક્ટિવ થઈ સતત દરોડા પાડી રહી છે. આજે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એક જ દિવસમાં રાજકોટ અને અમરેલી જિલ્લામાંથી 98 લાખથી વધુનો દારુ ઝડપી પાડ્યો હતો. તેમજ બન્ને સ્થળોએથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 11 આરોપીઓ ફરાર છે. પોલીસે કૂલ 1.54 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે. સૌથી પહેલા જોઈએ અમરેલી જિલ્લામાં ઝડપાયેલા દારુ વિશેSMC ટીમના પી.આઈ. આર.કે. કરમટાની ટીમે અમરેલી જિલ્લાના પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજુલાના ભચાદર ગામથી વડ તરફ જતા રસ્તા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દારુ ભરેલી એક ટ્રક ઝડપી પાડી હતી. ટ્રક ડ્રાઈવર વિજય વગોરા (રહે. દ્વારકા જિલ્લો)ને ઝડપ્યો હતો. જોકે, અન્ય આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ડ્રાઈવરની પૂછપરછમાં આઠ આરોપીના નામ ખુલ્યાડ્રાઈવરની પૂછપરછમાં આઠ જેટલા આરોપીઓના નામ ખુલ્યા છે. તેમાં વાડી માલિક દડુ સુરંગ ધાખડા (રહે. ભચાદર), દારૂના જથ્થાની વ્યવસ્થા કરનાર વસીમ યુસુફ મકરાણી (રહે. જામનગર), દારૂનો જથ્થો મંગાવનાર શેલાર ધાખડા (રહે. રાજુલા) અને અજય ખુમાણ (રહે. વડ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટ્રક નંબર GJ-36-T-6675નો માલિક, બોલેરો પીકઅપ GJ-32-T-4179નો માલિક, બોલેરો પીકઅપનો ડ્રાઈવર તોસિફ મુરાદ જોખિયા (રહે. ઉમેજ, ગીર સોમનાથ) અને દમણથી દારૂ-બિયરનો જથ્થો ભરી આપનાર વ્યક્તિ પણ ફરાર છે. રાજુલામાં પોલીસે રૂ. 68.65 લાખનો મુદ્દામલ જપ્ત કર્યોદરોડા દરમિયાન કુલ 15,178 બોટલ અને બિયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 46,88,675 આંકવામાં આવી છે. આ ઉપરાંત રૂ. 20,00,000ની કિંમતના બે વાહન (એક ટ્રક અને એક બોલેરો પીકઅપ), રૂ. 12,060 રોકડા, રૂ. 5,000નો મોબાઈલ ફોન અને રૂ. 1,59,975ની કિંમતના 237 કવરિંગ કરેલા ચોકરા કટા બાચકા જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મળીને રૂ. 68,65,710નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂના બોક્સથી પોલીસ સ્ટેશન પણ છલોછલ ભરાયું હતું. ભાવનગર રેન્જમાં 10 દિવસમાં ત્રીજી મોટી રેડપ્રાથમિક માહિતી અનુસાર, આ દારૂનો જથ્થો ધુળેટીના તહેવાર માટે મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ભાવનગર રેન્જમાં છેલ્લા 10 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બોટાદ બાદ અમરેલીમાં આ ત્રીજી મોટી રેડ છે. હવે જોઈએ રાજકોટ જિલ્લામાં ઝડપાયેલા દારુ વિશેસ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે રાજકોટ જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઠડીયા ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તપાસ કરતા આરોપીઓના કબ્જામાંથી કુલ 25,920 બોટલ વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની મળી આવી હતી, જેની કિંમત 51.90 લાખ થાય છે. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ તેમજ બે વાહન મળી કુલ 86.33 લાખનો મુદામાલ કબ્જે કરી વીરપુર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. રાજસ્થાનના નૌષદ, હરિયાણાના ખલીન, કચ્છ ગાંધીધામના હર્ષવર્ધન શેખાવત અને મનીષ પારગી તેમજ પડધરીના નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો બલભદ્રસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર મુખ્ય સપ્લાયર બુટલેગર શિવરાજસિંહ શેખાવત, ટ્રક માલિક મોહમ્મદ જાફર, અને જેતપુરના રીસીવરની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલો આરોપી હર્ષવર્ધન શેખાવત સપ્લાયર ફરાર બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવતનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં દારૂની પ્રવૃત્તિઓ વધી રહી હોવા છતાં બુટલેગરો બેફામ રીતે દારૂ ઘુસાડી રહ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલના આ સતત દરોડાને કારણે સ્થાનિક પોલીસ તંત્રમાં સન્નાટો વ્યાપી ગયો છે અને તેમની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:36 pm

SP યુનિવર્સિટીમાં સ્ટેટિસ્ટિક્સ એક્સ્પો:એમ.બી. પટેલ સાયન્સ કોલેજના 28 વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રના પ્રાયોગિક ઉપયોગો સમજ્યા

વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગ દ્વારા 'સ્ટેટિસ્ટિક્સ એક્સ્પો'નું આયોજન કરવામાં આવ્યું હતું. એમ.બી. પટેલ સાયન્સ કોલેજના 28 વિદ્યાર્થીઓએ આ શૈક્ષણિક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર વિષયના વિવિધ ચાર્ટ્સ, મોડલ્સ અને ટેકનોલોજી દ્વારા તેના વાસ્તવિક અને પ્રાયોગિક ઉપયોગો વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી. એક્સ્પોની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપકો અને આયોજનકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. પ્રશ્નોત્તરી સત્રમાં ભાગ લઈને તેમણે આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં રહેલી ભવિષ્યની તકો અને જટિલ ડેટા એનાલિસિસની પદ્ધતિઓ વિશે જ્ઞાન મેળવ્યું. આ મુલાકાતથી વિદ્યાર્થીઓની વિષય પ્રત્યેની સમજ વધુ સ્પષ્ટ બની. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે પ્રાયોગિક સમજ પૂરી પાડવાનો હતો. કોલેજના શૈક્ષણિક સ્ટાફના માર્ગદર્શન હેઠળ આ મુલાકાત સફળતાપૂર્વક સંપન્ન થઈ. આવા એક્સ્પો વિદ્યાર્થીઓમાં સંશોધન અને વિશ્લેષણની ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:35 pm

દાડમની બાગાયત ખેતીથી ખેડૂતોને વધુ આવક:દાડમની આધુનિક ખેતી અંગે ધાંગધ્રામાં સેમિનાર, સરકારી સબસિડી અંગે માર્ગદર્શન

ધાંગધ્રા તાલુકાના વાધગઢ ગામે વર્લ્ડ ગ્રીન એગ્રો કંપની લિમિટેડ દ્વારા દાડમની આધુનિક ખેતી અંગે એક વિશાળ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ઝાલાવાડ પંથકના 2,000 થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દાડમની બાગાયત ખેતી દ્વારા ખેડૂતોની આવક વધારવા અને સરકારી સબસિડી અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે ધાંગધ્રાના વાધગઢ અને રણમલપુર ગામના પ્રગતિશીલ ખેડૂત ચંદ્રકાંતભાઈ ઈશ્વરભાઈ પટેલે પોતાની સફળતાની ગાથા રજૂ કરી હતી. તેમણે પોતાની જમીનમાં દાડમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરીને અને આંતરપાક પદ્ધતિ અપનાવીને ઉત્તમ ઉત્પાદન મેળવ્યું છે. તેમની આ સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. સેમિનારમાં વર્લ્ડ ગ્રીન એગ્રો કંપનીના અધિકારી અતુલ રૂપાલા દ્વારા દાડમની બાગાયત ખેતી, યોગ્ય જમીન તૈયાર કરવાની રીત, ડ્રિપ સિંચાઈ પદ્ધતિ, રોગ-કીટ નિયંત્રણ અને ઉત્પાદન વધારવાના વૈજ્ઞાનિક ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને, ખેડૂતોને સરકાર દ્વારા બાગાયત ખેતી માટે અપાતી સબસિડી અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. દાડમ જેવા બાગાયતી પાકોમાં ડ્રિપ સિંચાઈ, પ્લાસ્ટિક મલ્ચિંગ, નેટહાઉસ અને વિવિધ યોજનાઓ હેઠળ સરકાર તરફથી સહાય મળતી હોવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની તક મળે છે. આ વ્યાપક આયોજન અને મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિને કારણે આ સેમિનાર જ્ઞાનવર્ધક સાબિત થયો હતો. દાડમની ખેતી આજના સમયમાં વધુ નફાકારક અને નિકાસલક્ષી પાક તરીકે ઉભરી રહી છે, જે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. ઝાલાવાડ પંથકમાં બાગાયત ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતો આધુનિક ટેક્નોલોજી અપનાવી સમૃદ્ધિ તરફ આગળ વધે તેવો સંદેશ આ સેમિનાર દ્વારા આપવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:34 pm

સીવીએમ યુનિવર્સિટીમાં માતૃભાષા મહોત્સવ ઉજવાયો:કવિતા, વાચીકમ અને સંગીત કાર્યક્રમનું આયોજન

વિશ્વ માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ સીવીએમ યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સંયુક્ત રીતે 'માતૃભાષા મહોત્સવ'નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ સીવીએમ કોલેજ ઓફ ફાઈન આર્ટસના પ્રાંગણમાં યોજાયો હતો. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભિખુભાઈ પટેલની પ્રેરણા અને પ્રોવોસ્ટ ડો. ઇન્દ્રજિત પટેલના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાનો સંદેશ રજૂ કરાયો, જેમાં માતૃભાષાના સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરાયું હતું. મહોત્સવમાં જાણીતા કવિઓ હરીશ મીનાશ્રુ, ડો. જયેન્દ્ર શેખડીવાલા અને અશોકપુરી ગોસ્વામીએ પોતાની કાવ્યરચનાઓ રજૂ કરી હતી. તેમની કવિતાઓમાં ગુજરાતી સંસ્કૃતિ અને સંવેદનાનો સમન્વય જોવા મળ્યો હતો. સાહિત્યિક રજૂઆતોમાં કનુ પટેલ અને વેદકુમારીએ ‘કલાબત્રીસી’ના અંશોનું વાચીકમ કર્યું. ગાયક રાણા કરણસિંહે ગુજરાતી ગીતો રજૂ કરીને વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું. રજિસ્ટ્રાર ડો. સંદીપ વાલિયાના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ દ્વારા માતૃભાષા પ્રત્યે જાગૃતિ અને આત્મીયતાનો સંદેશ આપવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:31 pm

જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજની સિદ્ધિ:મેડિકલ રિસર્ચ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 4 બેચ સફળતાપૂર્વક પૂર્ણ

જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજે સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કોલેજ દ્વારા 'મેડિકલ રિસર્ચ ડેવલપમેન્ટ પ્રોગ્રામ' (MRDP) અંતર્ગત રિસર્ચ મેથોડોલોજીના બેઝિક કોર્સની ચાર બેચનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તબીબી ક્ષેત્રે સંશોધન કાર્યને વધુ સચોટ, ગુણવત્તાયુક્ત અને અસરકારક બનાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ સ્ટેટ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર (SHSRC) ના માર્ગદર્શન હેઠળ કુલ ૧૩૦ તબીબી શિક્ષકોએ સંશોધન કૌશલ્યની તાલીમ મેળવી હતી. આ તાલીમ કાર્યક્રમનું નેતૃત્વ પી.એસ.એમ. વિભાગના એસોસિએટ પ્રોફેસર અને IRIC ના મેમ્બર સેક્રેટરી ડો. નરેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન નોડલ ઓફિસર અને ઓબ્ઝર્વર તરીકે ભૂમિકા ભજવી હતી. કાર્યશાળામાં નિષ્ણાત રિસોર્સ પર્સન્સ તરીકે ડો. નલિની આનંદ (પ્રોફેસર અને હેડ, ગાયનેક વિભાગ), ડો. રાધા દાસ (એસોસિએટ પ્રોફેસર, ઓપ્થલમોલોજી) અને ડો. સુમિત ઉનડકટ (એસોસિએટ પ્રોફેસર, પી.એસ.એમ.) એ રિસર્ચ મેથોડોલોજીના વિવિધ ટેકનિકલ પાસાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ શૈક્ષણિક પહેલમાં જામનગરની કોલેજ ઉપરાંત GMERS મેડિકલ કોલેજ, પોરબંદરના 9 તબીબી શિક્ષકોએ પણ ભાગ લીધો હતો. મેડિકલના અભ્યાસકાળથી જ સંશોધન પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી MBBS ના ત્રીજા વર્ષના 9 વિદ્યાર્થીઓને પણ આ વર્કશોપમાં સાંકળવામાં આવ્યા હતા. આ પગલું ગુજરાતભરમાં મેડિકલ સંશોધન સંસ્કૃતિને વેગ આપવા માટે મહત્વપૂર્ણ છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:26 pm

વાપીમાં નવા બનેલા રસ્તાઓ પર ડામર પીગળ્યો:વાહનચાલકો મુશ્કેલીમાં, ભ્રષ્ટાચારના આક્ષેપ; અકસ્માતનો ભય

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલા નવા રસ્તાઓ પર ડામર પીગળવા લાગ્યો છે. ગરમીના કારણે ડામર ઓગળી રહ્યો હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના કામના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તાઓ બન્યાના ગણતરીના દિવસોમાં જ ડામર ઉખડવા લાગ્યો છે અને રસ્તાઓ ચીકણા બની ગયા છે. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં 'વિકાસ'ના નામે થયેલા કામોની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. આ પીગળેલા રસ્તાઓ પરથી પસાર થવું જોખમી બન્યું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. વાહનોના ટાયર સાથે ડામર ચોંટી જવાથી વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક અગ્રણી ફરહાન બોગાએ આ બાબતે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓની મિલીભગત અને સત્તાના દુરુપયોગને કારણે જનતાના ટેક્સના પૈસાનું ધોવાણ થઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે પ્રોપર પ્લાનિંગ વગર માત્ર ઉતાવળમાં રિબન કાપવા માટે કરવામાં આવેલા કામો હવે લોકો માટે માથાનો દુખાવો બન્યા છે. બોગાએ જિલ્લા કલેક્ટરને વિનંતી કરી છે કે આ ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમણે ચેતવણી આપી કે જો અત્યારે પગલાં નહીં લેવાય તો આ પ્રકારનો ભ્રષ્ટાચાર વધતો જ રહેશે. વાપીના કબ્રસ્તાન રોડ પર પાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવવામાં આવેલો રસ્તો ઓગળવા લાગતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના અંડરપાસ અને અન્ય માર્ગો પર પણ નબળા આયોજન અને ખાડાઓને કારણે જનતા પરેશાન છે. તંત્ર માત્ર રિબન કાપવામાં વ્યસ્ત છે પરંતુ કામની ગુણવત્તા પર ધ્યાન આપતું નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:24 pm

MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીને 8 વર્ષની સજા:2023માં રામોલ ડી માર્ટ પાસેથી 40 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયો હતો, નાગોરથી વેચાણ માટે લાવ્યો હતો

માર્ચ, 2023માં નાગોરના રહેવાસી જાવેદ અન્સારી સામે અમદાવાદના DCB પોલીસ મથકે NDPS એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવલી NDPS ની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ વી.બી.રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાક્ષીઓ અને પુરાવાને ધ્યાને લઈને આરોપીને 8 વર્ષ કેદની સજા ફટકારી છે. 40 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપાયો હતોઆ કેસમાં SOG ક્રાઇમને બાતમી મળી હતી કે નાગોરનો રહેવાસી આરોપી પોતાની સાથે વગર પાસ પરમીટનો ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે રામોલના ડી માર્ટ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. જેના ખિસ્સામાંથી 40 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીને આઠ વર્ષની કેદ અને એક લાખનો દંડઆ ડ્રગ્સ તે અન્ય એક સહ આરોપી પાસેથી વેચાણ અર્થે નાગોરથી લાવ્યો હતો. જો કે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ ડ્રગ્સની બજાર કિંમત 4 લાખ રૂપિયા થવા જાય છે. કોર્ટે આરોપીને 8 વર્ષની કેદ ઉપરાંત 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:23 pm

ધોરણ 12 બોર્ડ પરીક્ષા શરૂ:હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ગુલાબ આપી પ્રવેશ

રાજ્યભરમાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ કર્યો હતો. જિલ્લામાં સામાન્ય પ્રવાહના 21 કેન્દ્રોની 45 બિલ્ડીંગના 440 બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે 6 કેન્દ્રોની 18 બિલ્ડીંગના 153 બ્લોક ફાળવવામાં આવ્યા છે. હિંમતનગરના ટાવર ચોક સ્થિત હિંમત હાઈસ્કૂલમાં ગુરુવારે બપોરના સેશનમાં વિદ્યાર્થીઓને વિશેષ રીતે પ્રવેશ અપાયો હતો. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંદુ અને જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ વિદ્યાર્થીઓને 'બેસ્ટ ઓફ લક' કહી ગુલાબનું ફૂલ આપી પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે હિંમત હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ અને શાળાનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી મોં મીઠું કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:19 pm

ADIT ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું અમદાવાદમાં સ્નેહમિલન:વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ માટે કંપનીઓ સાથે MOU કરાયા

સીવીએમ યુનિવર્સિટી સંચાલિત એ. ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ADIT) દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે 'એલ્યુમની મીટ'નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વિવિધ બેચના એન્જિનિયરિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજ કાળના સંસ્મરણો તાજા કર્યા હતા. કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડૉ. વિશાલ સિંઘ સહિત વિવિધ વિભાગના વડાઓ અને ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા. આ મીટિંગમાં વર્તમાન વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા. એલ્યુમની કોર્ડીનેટર ડૉ. હાર્દિક શાહના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ, પ્રોજેક્ટ્સ અને એક્સપર્ટ ટોક જેવી સુવિધાઓ મળી રહે તે હેતુથી જાણીતી કંપનીઓ સાથે એમ.ઓ.યુ. (MOU) કરવામાં આવ્યા હતા. આ કરારોમાં કાલ્ડેન એન્જીમેક, અનમોલ એન્જીમેક અને ટ્રિક્સહીટ પાવર પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ કરારથી વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતનો સીધો અનુભવ મળશે અને તેમની કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થશે. પ્રિન્સિપાલ ડૉ. વિશાલ સિંઘે 'એડીઆઈટી એલ્યુમની અમદાવાદ ચેપ્ટર' શરૂ કરવાનું આહવાન કર્યું હતું, જેથી ભવિષ્યમાં પણ નેટવર્કિંગ અને માર્ગદર્શન માટે આવા કાર્યક્રમો યોજી શકાય. સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલે આ આયોજન બદલ કોલેજ પરિવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:19 pm

વડોદરા જિલ્લાના વાઘોડિયામાં આપઘાતના બે બનાવ:પતિ ઘરે મોડો આવતા પત્નીએ ઝઘડો કરી ગુસ્સામાં પોતે આપઘાત કર્યો, ખાનગી યુનિવર્સિટીમાં આંધ્રપ્રદેશના વિધાર્થીના આપઘાતથી ખળભળાટ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં સ્નેહલ પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને થોડાક દિવસો અગાઉ લગ્ન કરી પતિ સાથે રહેતી 18 વર્ષીય માનસીબેન રિતેશભાઇ પરમારે પોતાના પતિના મોડા આવવા બાબતે આવેશમાં આવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રથમ બનાવમાં મૃતક માનસીબેનના પતિ રિતેશકુમાર ટીનુભાઇ પરમાર (ઉંમર 23 વર્ષ, વ્યવસાય: મજૂરી) એ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે તેઓ મોડા ઘરે આવ્યા હતા. આ બાબતે ગુસ્સે થયેલી માનસીબેને તેઓ સાથે ઝઘડો કર્યો હતો. દરમ્યાન પતિ સોસાયટીમાં આવેલી દુકાન પર સેવનું પેકેટ લેવા ગયા હતા. પરત આવ્યા ત્યારે જોયું તો તેમની પત્નીએ આગળના રૂમમાં બેડ પર પ્લાસ્ટિકની ખુરશી મૂકી, છતના સીલીંગ ફેન સાથે કાપડની ઓઢણી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. તેઓએ આજ મહિનામાં લવ મેરેજ કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે. બીજા બનાવમાં જિલ્લાના વાઘોડિયા ખાતે આવેલી એક ખાનગી યુનિવર્સિટીના હોસ્ટેલમાં બીજા વર્ષના બી.ટેક વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતો. આ ઘટનાથી સમગ્ર કેમ્પસમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક વિદ્યાર્થી મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી હતો અને યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં બી.ટેકનો અભ્યાસ કરતો હતો. તેણે પોતાના હોસ્ટેલ રૂમમાં આપઘાત કર્યો હતો. વાઘોડિયા પોલીસે મૃતકનો મોબાઇલ ફોન કબ્જે લઈને તપાસ શરૂ કરી છે અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:16 pm

દાહોદના છાપરીમાં IOCL પાઇપલાઇન લીકેજ મોકડ્રિલ યોજાઈ:ભંગાણ બાદ આગ પર કાબૂ મેળવવા તંત્રનું સફળ રિહર્સલ

દાહોદના છાપરી વિસ્તારમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા પાઇપલાઇન લીકેજ અને આગની ઘટનાને પહોંચી વળવા માટે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કોયલી (વડોદરા) સ્થિત IOCL વિભાગ દ્વારા આયોજિત આ કવાયતનો હેતુ ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના સર્જાય તો સુરક્ષા વ્યવસ્થા અને ત્વરિત પ્રતિસાદની ક્ષમતા ચકાસવાનો હતો. મોકડ્રિલ દરમિયાન, પાઇપલાઇન પર અજાણ્યા શખ્સો દ્વારા ખોદકામ કરવાથી લાઇન લીકેજ થઈ હોવાનું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ કરી રહેલા ગાર્ડને આ ક્ષતિની જાણ થતાં તેણે તાત્કાલિક કોયલી સ્ટેશન ખાતે જાણ કરી અને મેન્ટેનન્સ સ્ટાફને બોલાવ્યો. જોકે, સમારકામ દરમિયાન અચાનક આગ ફાટી નીકળી અને કેટલાક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. સ્થાનિક સ્તરે આગ કાબૂમાં ન આવતા, જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલ રૂમની મદદ લેવામાં આવી. કંટ્રોલ રૂમની સૂચના મળતા જ દાહોદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો અને પાઇપલાઇનની રિપેરિંગ કામગીરી પૂર્ણ કરાવી. આ સફળ મોકડ્રિલ દરમિયાન દાહોદ પ્રાંત અધિકારી મિલિન્દ દવે, મામલતદાર પી.બી. ગોહિલ, ડિઝાસ્ટર મામલતદાર એમ.ડી. લુહાર, GSDMA DPO જે.જી. લહાર સહિત આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને ઇન્ડિયન ઓઇલ રિફાઇનરીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. તમામ વિભાગોના સુચારુ સંકલનથી આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:13 pm

આચારસંહિતા પૂર્વે લોકાર્પણની શક્યતા:રાજકોટમાં રૂ. 74 કરોડનાં ખર્ચે બનતા ફોરલેન સાંઢીયા પુલની કામગીરી અંતિમ તબક્કામાં, બ્રીજ ખુલ્લો મુકાતા લાખો વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે. જામનગર રોડ પર વર્ષો જૂના અને સાંકડા સાંઢીયા પુલને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાથી લાખો વાહનચાલકોને મુક્તિ અપાવવા માટે રૂ. 74.32 કરોડના ખર્ચે નવો ફોર-લેન ફ્લાયઓવરબ્રિજ બનાવાની કામગીરી હાલમાં અંતિમ તબક્કામાં છે. આ પ્રોજેક્ટની 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોય આચારસંહિતા પહેલા બ્રીજનું લોકાર્પણ થાય તે માટે બાકીની 10% કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં આ પ્રોજેક્ટનો સારો લાભ મળે તેમ હોવાથી લોકાર્પણ માટે સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. રેલ્વે ટ્રેક પર સ્ટીલ ગર્ડરનું સફળ સ્થાપન રાજકોટ મનપાનાં સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યા મુજબ, પ્રોજેક્ટનો સૌથી પડકારજનક અને મહત્વપૂર્ણ તબક્કો રેલ્વે લાઈન પર ગર્ડર બેસાડવાનો હતો. ગઈકાલે મોડી રાત્રિના સમયે રેલ્વે વિભાગ સાથે યોગ્ય સંકલન સાધીને સેન્ટ્રલ સ્પાનના 7-સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા છે. રેલ્વે ટ્રેક પર કામ કરવાનું હોવાથી આ માટે ખાસ બ્લોક લેવામાં આવ્યો હતો અને તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું. હજુ આગામી બે દિવસ સુધી રાત્રિના સમયે રેલ્વેના બ્લોક દરમિયાન ક્રોસ ગર્ડર અને પ્રેસીંગ વગેરેની આનુષંગિક કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતા જ બ્રિજના મુખ્ય માળખાનું કામ પૂરું થઈ જશે. પ્રોજેક્ટની ટેકનિકલ વિશેષતાઓ અને માળખું SJMMSVY યોજના હેઠળ બની રહેલો આ આધુનિક બ્રિજ એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ બ્રિજની કુલ લંબાઈ 602.00 રનિંગ મીટર છે અને તેની પહોળાઈ 16.40 મીટર રાખવામાં આવી છે, જે તેને ફોર-લેન ટ્રાફિક માટે સક્ષમ બનાવે છે. બ્રિજના આખા માળખામાં કુલ 21 સ્પાન છે, જેમાં 20 સામાન્ય સ્પાન અને રેલ્વે ટ્રેક ઉપરનો 36.00 રનિંગ મીટરનો 1 સેન્ટ્રલ સ્પાન સામેલ છે. હાલમાં પિયર, ગર્ડર અને સ્લેબ વર્ક મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે. હવે મુખ્યત્વે ફિનિશિંગ કામગીરી, એપ્રોચ રોડનું નિર્માણ અને બ્રિજ પરના ડામર કામ બાકી છે. બ્રિજના બાંધકામની મહત્વની જાણકારી * ફાઉન્ડેશન: કુલ 20 ફૂટિંગ્સ અને 40 પિયર (થાંભલા) ઊભા કરવામાં આવ્યા છે.* સુપરસ્ટ્રક્ચર: 20 પિયર કેપ અને 120 PSC ગર્ડરનું કામ પૂર્ણ કરી લેવાયું છે.* રેલ્વે સાઈડ: રેલ્વે ટ્રેકની બંને બાજુ 2 ફાઉન્ડેશન અને પિયર બનાવવામાં આવ્યા છે, જેના પર સ્ટીલ ગર્ડર સ્થાપિત કરવામાં આવ્યા છે.* પાણી નિકાલ: ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે 2-RCC બોક્સ કલ્વર્ટ અને અંદાજીત 168 રનિંગ મીટરની RCC વોલ બનાવવામાં આવી છે. સર્વિસ રોડ અને અન્ય સુવિધાઓ બ્રિજની ઉપરના ટ્રાફિકની સાથે સાથે નીચેના ભાગે અને સ્થાનિક રહીશો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજની બંને બાજુ 7.50 મીટરની પહોળાઈ ધરાવતા સર્વિસ રોડ બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પગપાળા ચાલતા નાગરિકો માટે સુવિધાસભર ફૂટપાથની વ્યવસ્થા પણ પ્રોજેક્ટમાં સામેલ છે. હાલમાં સર્વિસ રોડની કામગીરી અને બાકી રહેલી 30 મીટરની RCC વોલનું કામ પ્રગતિ હેઠળ છે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અને નાગરિકોને લાભ * ટ્રાફિક સમસ્યાનું નિવારણ: જામનગર રોડ એ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર હોવાથી ત્યાં સતત ટ્રાફિક રહે છે. 4-લેન બ્રિજ બનવાથી ટ્રાફિકનું સંચાલન સરળ બનશે.* સમય અને ઈંધણની બચત: અગાઉ જૂના અને સાંકડા પુલ પર વાહનોની લાંબી કતારો લાગતી હતી, જે હવે ભૂતકાળ બની જશે.* રેલ્વે ફાટક મુક્ત મુસાફરી: રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતા આ બ્રિજને કારણે ટ્રેનની અવરજવર વખતે થતા વિલંબમાંથી લોકોને મુક્તિ મળશે.* ભવિષ્યનું આયોજન: રાજકોટ જે રીતે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને આગામી 25-30 વર્ષના ટ્રાફિક લોડને ખમી શકે તેવું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં પિયર, ગર્ડર અને સ્લેબ વર્ક મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે. હવે મુખ્યત્વે ફિનિશિંગ કામગીરી, એપ્રોચ રોડનું નિર્માણ અને બ્રિજ પરના ડામર કામ બાકી છે. બાકી રહેલી 10% કામગીરીઓ પણ ટૂંક સમયમમાં પૂર્ણ કરવામાં આવશે. અને શક્ય તેટલું ઝડપી નવા ફોરલેન બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે. આ પુલ શરૂ થવાથી માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક સુધીની અવરજવર અત્યંત ઝડપી અને સરળ બની જશે. તેમજ બંને તરફનાં લાખો વાહન ચાલકોને તેનો લાભ મળશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:08 pm

ચાસવડ દૂધ મંડળીના સભાસદોનો કમિટી સામે અસંતોષ:તાત્કાલિક ચૂંટણીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વહીવટ સામે સભાસદોમાં અસંતોષ જોવા મળ્યો છે. મંડળીના શેર સભાસદોએ કસ્ટોડિયન કમિટી પર ગંભીર આક્ષેપો કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સભાસદોએ તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી છે. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે વર્તમાન કમિટી દૂધના યોગ્ય અને સ્પર્ધાત્મક ભાવ આપતી નથી. આસપાસની અન્ય દૂધ મંડળીઓની સરખામણીમાં ઓછા ભાવ મળવાથી ગરીબ આદિવાસી પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સભાસદોએ આક્ષેપ કર્યો છે કે કોઈપણ પૂર્વ સૂચના વિના કેટલાક દૂધ સેન્ટરો અને વાહન સેવાઓ બંધ કરી દેવાઈ છે. સભાસદોની મંજૂરી વગર લેવાતા નિર્ણયો લોકશાહી વહીવટ માટે યોગ્ય નથી. આવેદનપત્રમાં સભાસદોએ જણાવ્યું છે કે મંડળીમાં રાજકીય કિન્નાખોરીના આધારે કામગીરી થઈ રહી છે. તેના પરિણામે દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મંડળીની પાંચ વર્ષની મુદત 23 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી નવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. પારદર્શક અને લોકશાહી આધારિત વહીવટ સુનિશ્ચિત કરવા તમામ શેર સભાસદોએ તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:08 pm

ગાંધીનગર સચિવાલયમાં RTIના નામે ખેલ:અમદાવાદના નિવૃત્ત શિક્ષિકાની ખોટી સહી કરી કૃષિ વિભાગમાંથી માહિતી કઢાવવાનું કૌભાંડ, પોલીસ તપાસનો ધમધમાટ

પાટનગર ગાંધીનગરમાં સચિવાલયના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા 69 વર્ષીય નિવૃત્ત શિક્ષિકાના નામે કોઈ અજાણ્યા શખસે ખોટી સહી કરી આર.ટી.આઈ કરી માહિતી માંગવામાં આવી હોવાનું બહાર આવતા આ મામલે સેકટર 7 પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 24 એપ્રિલ 2025ના નિવૃત્ત શિક્ષિકાના નામે RTI કરાઈઅમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા નિવૃત શિક્ષિકા સરોજબેન ભગતને ગત તા. 6 મે 2025 બાયપોસ્ટ એક ટપાલ આવી હતી. આ પત્ર ગાંધીનગરના સચિવાલયમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ તરફથી હતો. જેમાં જણાવાયું હતું કે, ગત 24 એપ્રિલ 2025ના રોજ સરોજબેનના નામે એક RTI અરજી કરવામાં આવી છે અને માંગેલી નકલો તૈયાર હોવાથી તે મેળવી લેવી. નિવૃત્ત શિક્ષિકા 9 મે 2025ના રૂબરૂ સચિવાલય પહોંચ્યાજોકે, સરોજબેન કે તેમના પરિવારે આવી કોઈ જ માહિતી મંગાવી ન હોવાથી તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા. જે અંગે તપાસ કરવા સરોજબેન તેમના પુત્ર ફાલ્ગુન સાથે 9 મે 2025ના રોજ રૂબરૂ સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં RTI વિભાગમાં તપાસ કરતા અધિકારીઓએ નકલો આપવા માટે રૂ. 296 ની ફી ભરવા જણાવ્યું હતું. અરજીમાં સરોજબેનના નામ અને ખોટી સહીનો ઉપયોગજેના પગલે સરોજબેને આ રકમ જમા કરાવીને જ્યારે અરજીની મૂળ નકલ જોઈ તો ચોંકી ઉઠ્યા હતા. કેમકે અરજીમાં સરોજબેનના નામનો ઉપયોગ થયો હતો, પરંતુ સહી તદ્દન અલગ અને મળતી ભળતી કોઈ અજાણ્યા શખસે કરી હતી. જ્યારે અરજીમાં લખાયેલો મોબાઈલ ગિરીશ મીર નામના શખસનો હતો. બાદમાં સરોજબેને RTI અરજીની ઉંડાણપૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, તેમાં દર્શાવેલા મોબાઈલ નંબરનો ધારક ગિરીશભાઇ બચુભાઈ મીર (રહે. એનબી સ્કાય, કઠવાડા, બળિયાદેવ મંદિર પાસે) છે. ગિરીશ મીર સામે સેકટર 7 પોલીસે ગુનો નોંધ્યોઆ શખસે સચિવાલયના કૃષિ વિભાગમાંથી કેસ નંબર 95/2021નો રિવિઝન મેમો, સ્ટે અરજી, ડોક્યુમેન્ટ લિસ્ટ અને ચુકાદાની નકલો મેળવવા માટે સરોજબેનના નામે કારસો રચ્યો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે એક શિક્ષિકા તરીકે નિવૃત્ત થયેલા સરોજબેને પોતાની ઓળખનો દુરુપયોગ કરી સરકારી રેકોર્ડ સાથે છેડા કરનાર ગિરીશ મીર સામે ફરિયાદ આપતા સેકટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:06 pm

સાણંદમાં માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે ગેમચેન્જર:SSD અને રેમનું થશે ઉત્પાદન, 5000 લોકોને મળશે રોજગારી, AI ક્ષેત્રે ભારતનો ડંકો

ભારત હવે સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદનના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે પોતાની મજબૂત ઓળખ બનાવવા માટે સજ્જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ગુજરાતનું સાણંદ આ ક્રાંતિનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ પાછળ 22,516 કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે, જે ભારતના ટેકનોલોજીકલ ઇતિહાસમાં એક નવો અધ્યાય લખશે. ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સઘન પ્રયાસો અને રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓના પરિણામે સાણંદમાં માઇક્રોનનો આ પ્લાન્ટ નિર્ધારિત સમય મર્યાદામાં તૈયાર થઈ ગયો છે. આ સુવિધા માત્ર એક ફેક્ટરી નથી, પરંતુ સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતના પ્રભુત્વનું પ્રતીક છે. આ પ્લાન્ટમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ) જેવી આધુનિક સ્ટોરેજ ડિવાઇસ અને DRAM તથા NAND પ્રકારની મેમરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવશે. રોજગારીની વિપુલ તકો અને સામાજિક સમાવેશ આ મેગા પ્લાન્ટ આર્થિક રીતે જ નહીં, પણ સામાજિક રીતે પણ પરિવર્તન લાવનારો સાબિત થશે. હાલમાં અહીં 2000 લોકોની ટીમ કાર્યરત છે, જે આગામી સમયમાં વધીને 5000 સુધી પહોંચશે. આ પ્રોજેક્ટની સૌથી વિશેષ બાબત એ છે કે અહીં દિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની સમાન તકો રાખવામાં આવી છે. હાલમાં પણ અનેક દિવ્યાંગો ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે પોતાની કુશળતા બતાવી રહ્યા છે. AI ટેક્નોલોજી માટે મેમરી અને સ્ટોરેજનું મહત્વ આજની દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તરફ ઝડપથી આગળ વધી રહી છે. માઇક્રોન ટેક્નોલોજીના પ્રમુખ અને સીઇઓ, સંજય મેહરોત્રાના જણાવ્યા મુજબ, AI પ્રણાલીઓને સફળતાપૂર્વક ચલાવવા માટે અત્યંત ઝડપી મેમરી અને વિશાળ સ્ટોરેજ સપોર્ટ અનિવાર્ય છે. સાણંદમાં બનનારા ઉત્પાદનો આ વૈશ્વિક જરૂરિયાતને પૂરી કરશે. જેમ જેમ AI વધુ રિયલ-ટાઇમ રિસ્પોન્સ આપશે, તેમ તેમ સાણંદમાં બનેલી ચિપ્સની માંગ વૈશ્વિક સ્તરે વધશે. કેવી રીતે થાય છે ચિપનું નિર્માણ? સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની પ્રક્રિયા અત્યંત જટિલ અને રસપ્રદ છે. તે સામાન્ય રેતી (Sand) માંથી પ્યોર સિલિકોન અલગ કરીને શરૂ થાય છે. આ સિલિકોનને ઓગાળીને તેમાંથી 'ઇનગોટ' નામના સિલિન્ડર બનાવવામાં આવે છે, જેને કાપીને પાતળી 'વેફર્સ' તૈયાર થાય છે. ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ફોટોલિથોગ્રાફી દ્વારા ઇલેક્ટ્રિક પેટર્ન પ્રિન્ટ કરી અબજો ટ્રાન્ઝિસ્ટર્સ બનાવવામાં આવે છે. ત્યારબાદ આ વેફર્સને કાપીને નાની મેમરી ચિપ્સ તૈયાર કરવામાં આવે છે. ATMP પ્લાન્ટની ભૂમિકા સાણંદ સ્થિત આ પ્લાન્ટ એક ATMP યુનિટ છે. અહીં અન્ય ફેક્ટરીઓમાંથી આવેલી વેફર ચિપ્સ પર પ્રક્રિયા કરવામાં આવે છે. એસેમ્બલી: ચિપ્સને યોગ્ય સર્કિટમાં ગોઠવવી.ટેસ્ટિંગ: તેની સ્પીડ અને ક્ષમતાની ચોકસાઈપૂર્વક તપાસ કરવી. માર્કિંગ અને પેકેજિંગ: અંતિમ ઉત્પાદન તૈયાર કરીને તેને વૈશ્વિક બજાર માટે પેક કરવું. સાણંદ પ્લાન્ટમાં નિર્મિત ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ અને મોડ્યુલ્સ વિશ્વભરના માર્કેટમાં સપ્લાય કરવામાં આવશે. આ સુવિધા ભારતને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 3:59 pm

વડોદરામાં આર્કેલનો 100 કરોડનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ:સાવલીમાં લિફ્ટ કંટ્રોલ સિસ્ટમનું ઉત્પાદન શરૂ થતા સ્થાનિકોને મોટી સંખ્યામાં રોજગારી મળશે

ભારત સરકારના 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વેગ આપવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે વડોદરા જિલ્લામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. સાવલી-મંજુસર GIDC ખાતે આર્કેલ ઇન્ડિયાએ તેના પ્રથમ તબક્કા (ફેઝ 1) હેઠળ અંદાજિત 100 કરોડના રોકાણ સાથે અત્યાધુનિક લિફ્ટ કંટ્રોલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી કાર્યરત કરી છે. આ પ્લાન્ટ દ્વારા ભારત હવે લિફ્ટ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સના ક્ષેત્રમાં સ્વનિર્ભરતા તરફ આગળ વધશે. સ્વદેશી ઉત્પાદન અને વૈશ્વિક ધોરણોનો સમન્વય આર્કેલ ઇન્ડિયા હાલમાં દેશમાં એકમાત્ર એવું લોકલ મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ સપ્લાયર છે જે લિફ્ટના નવા નિર્ધારિત સ્ટાન્ડર્ડ્સને પૂર્ણ કરે છે. આ નવી ફેસિલિટીમાં હાઈ-ક્વોલિટી લિફ્ટ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ બનાવવામાં આવશે, જે અત્યાર સુધી મોટાભાગે વિદેશથી આયાત કરવામાં આવતી હતી. આ પ્લાન્ટ 1,35,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે અને તેની ઉત્પાદન ક્ષમતા એક જ શિફ્ટમાં વાર્ષિક 36,000 યુનિટ્સની છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મળશે મજબૂત ટેકો આ મેન્યુફેક્ચરિંગ યુનિટ માત્ર ખાનગી બિલ્ડિંગો જ નહીં, પરંતુ રાષ્ટ્રીય કક્ષાના મહત્વના પ્રોજેક્ટ્સમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, સ્માર્ટ સિટીઝ અને અર્બન રિ-ડેવલપમેન્ટ જેવા પ્રોજેક્ટ્સમાં આર્કેલની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત હાઈરાઈઝ હાઉસીંગ અને કમર્શિયલ બિલ્ડિંગો માટે સુરક્ષિત અને ભરોસાપાત્ર વર્ટીકલ મોબિલિટી પૂરી પાડવામાં આવશે. સ્થાનિક રોજગારી અને કૌશલ્ય વિકાસ પર ભાર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વદિરાજ કટ્ટીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં ગુજરાત સરકારનો ખૂબ જ સકારાત્મક સહયોગ મળ્યો છે. આ પ્લાન્ટ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મોટી સંખ્યામાં રોજગારીની તકો ઊભી થશે. કંપની સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે ITI, પોલીટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજો સાથે જોડાણ કરશે. આ સાથે જ ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમેશન ક્ષેત્રે યુવાનોને એપ્રેન્ટિસશીપ અને અપસ્કિલિંગની સુવિધા પણ આપવામાં આવશે. વદિરાજ કટ્ટીના જણાવ્યા અનુસાર, ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા એલિવેટર માર્કેટ્સમાંનું એક છે, જ્યાં વાર્ષિક 1,00,000 થી વધુ યુનિટ્સની માંગ છે. AMRUT અને PMAY જેવા સરકારી પ્રોજેક્ટ્સને કારણે આ માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, ઇનોવાલિફ્ટ AB ના સીઈઓ એન્ડ્રીયા વેજિયન અને આર્કેલ ગ્લોબલના સીઈઓ મેટિન સેન્ક સિલૅને આ પ્રોજેક્ટને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં એક વ્યૂહાત્મક માઇલસ્ટોન ગણાવ્યો છે, જે ભારતના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 3:56 pm

અમદાવાદ રેડ ક્રોસ સ્ટાફનું સન્માન:અમદાવાદના સ્થાપના દિવસે 143 શતકવીર રક્તદાતાઓએ રેડ ક્રોસ સ્ટાફની સમર્પિત સેવાને બિરદાવી

સામાન્ય રીતે અમદાવાદીઓ આર્થિક બાબતોમાં કરકસરિયા ગણાય છે, પરંતુ જ્યારે રક્તદાનની વાત આવે ત્યારે તેમની ઉદારતાની કોઈ સીમા નથી. આ જ સેવાભાવને કારણે આજે અમદાવાદને 'રક્તદાનની રાજધાની' તરીકે ઓળખવામાં આવે છે. આ ગૌરવવંતી સિદ્ધિને જાળવી રાખવામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ જિલ્લા શાખાનો ફાળો અતુલ્ય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ વિશ્વનું એકમાત્ર એવું શહેર છે જ્યાં અત્યારે 143 શતકવીર (100થી વધુ વાર રક્તદાન કરનાર) રક્તદાતાઓ મોજૂદ છે. વર્ષ 2025માં 72,000 બોટલ રક્ત એકત્ર કરવાનો રેકોર્ડ કોઈપણ મોટી સફળતા પાછળ આખી ટીમની મહેનત છુપાયેલી હોય છે. વર્ષ 2025માં અમદાવાદ જિલ્લા શાખાએ અત્યાર સુધીનું સૌથી વધુ 72,000 બોટલ રક્તદાન એકત્રિત કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે રેડ ક્રોસના દરેક સભ્યએ પ્રશંસાની અપેક્ષા રાખ્યા વિના અથાક પરિશ્રમ કર્યો છે. આ કર્મચારીઓની નિઃસ્વાર્થ સેવાને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા માટે સેન્ચુરિયન બ્લડ ડોનર્સ ક્લબ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. અમદાવાદના જન્મદિવસ પર 'રીયલ હીરોઝ'નું સન્માન 26 ફેબ્રુઆરી એટલે કે અમદાવાદના સ્થાપના દિવસના અવસરે, સેન્ચુરિયન બ્લડ ડોનર્સ ક્લબ દ્વારા રેડ ક્રોસના સ્ટાફ માટે એક ખાસ સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રેડ ક્રોસના ચેરમેન અજયભાઈ પટેલ, અમદાવાદ રેડ ક્રોસના ચેરમેન અમિત દોશી, મુકેશભાઈ પટેલ અને સેક્રેટરી ડો. વિશ્વાસ અમીન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શતકવીર રક્તદાતાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ પ્રકારનું અભિવાદન સ્ટાફના સભ્યો માટે નવી ઊર્જા અને પ્રેરણાનું સ્રોત બનશે. કમિટી મેમ્બર્સ અને સંસ્થાનું બહુમાન આ પ્રસંગે માત્ર ગ્રાઉન્ડ સ્ટાફ જ નહીં, પરંતુ રક્તદાતાઓ દ્વારા રેડ ક્રોસના દરેક કમિટી મેમ્બરને પણ સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ યાદગાર ક્ષણને કાયમી બનાવવા માટે રેડ ક્રોસ સોસાયટીને એક સુંદર ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. આમ, જે નાયકો પડદા પાછળ રહીને સમાજની સેવા કરે છે, તેમને આજે રક્તદાતાઓએ જાતે આગળ આવીને બિરદાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 3:50 pm

‘કોર્ટરૂમ’ બતાવી 80 વર્ષીય સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કર્યા:મુંબઈના નરેશ ગોયલ ઇન્ટરનેશનલ ફ્રોડ કેસમાં સંડોવણી બતાવી 55 લાખ ખંખેર્યા

અમદાવાદ શહેરના વધુ એક ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. મુંબઈના નરેશ ગોયલ ઇન્ટરનેશનલ ફ્રોડ કેસમાં સંડોવણી બતાવી ‘ડિજિટલ એરેસ્ટ’ની ધમકી આપીને ઠગોએ 55 લાખ રૂપિયા પડાવી લીધા હતા. લાંબા સમય સુધી જેલમાં રહેવાની અને જુદા-જુદા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપીને વડીલ પાસેથી ટુકડે-ટુકડે રકમ પડાવવામાં આવી હતી. બાદમાં પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેમણે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઇન્ટરનેશનલ ફ્રોડ કેસમાં તમારી સંડોવણી સામે આવી છેવસ્ત્રાપુર હિમાલય મોલ પાસે ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં રહેતા જયેન્દ્રભાઈ મહેતા (80) નિવૃત્ત જીવન જીવે છે અને શહેરની વિવિધ બેંકોમાં તેમના એકાઉન્ટ છે. 1લી જાન્યુઆરીએ તેમના મોબાઇલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાને મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારી રણવીરસિંહ તરીકે ઓળખાણ આપીને જયેન્દ્રભાઈને જણાવ્યું કે, નરેશ ગોયલ ઇન્ટરનેશનલ ફ્રોડ કેસમાં તેમની સંડોવણી સામે આવી રહી છે અને તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને કુલ 55 લાખ ઠગાઈથી વસૂલવામાં આવ્યાબીજા દિવસે વીડિયો કોલ દ્વારા કોર્ટરૂમનું દૃશ્ય બતાવી ‘જજ’ અને ‘સિનિયર પોલીસ અધિકારી’ હાજર હોવાનું દર્શાવાયું હતું. પોતાને નિર્દોષ સાબિત કરવા માટે 15 લાખ જમા કરાવવા કહેવામાં આવ્યું. ભયભીત થયેલા જયેન્દ્રભાઈએ 15 લાખ ટ્રાન્સફર કર્યા. ત્યારબાદ સોના-ચાંદીના દાગીના ગીરવે મુકાવી ગોલ્ડ લોન લઈ તેની રકમ પણ પડાવી લેવાઈ. અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને કુલ 55 લાખ ઠગાઈથી વસૂલવામાં આવ્યા. ખોટી ઓળખ અને સરકારી દસ્તાવેજોની નકલી નકલ મોકલી વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. જયેન્દ્રભાઈએ ફ્રોડ થયાની જાણ થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 3:50 pm

પાટણ સમરસ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા નબળી હોવાની રાવ:અધકચરા ભોજનથી વિદ્યાર્થીઓ બીમાર પડતાં હોવાના આક્ષેપ, તંત્ર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી

પાટણ શહેરની સરકારી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનની ગુણવત્તા અત્યંત નબળી હોવાની ફરિયાદો ઉઠી હતી. રસોડામાં રાંધવામાં આવતી રસોઈ કાચી અને અધકચરી હોવાથી કેટલાક વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી હોવાના પણ આક્ષેપો થયા છે. આ મામલે વિદ્યાર્થીઓએ તંત્ર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે. જોકે, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકે વિદ્યાર્થીઓને ખાતરી આપતા હાલ મામલો શાંત પડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાક સમયથી મેસના સંચાલકો દ્વારા ભોજનની ગુણવત્તામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા શાકભાજી, દાળ, ભાત અને રોટલી યોગ્ય રીતે રાંધેલા હોતા નથી. આ પ્રકારનું અખાદ્ય અને અધકચરું ભોજન ખાવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો, ઊલ્ટી અને પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપ થયા છે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે, આ ગંભીર બાબતે અગાઉ અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હોસ્ટેલ પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. વારંવારની રજૂઆતો છતાં ભોજનની ગુણવત્તામાં સુધારો ન આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની માંગ છે કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે રસોડાની વ્યવસ્થા, રસોઈયાની કામગીરી અને ભોજનની ગુણવત્તાની ઓચિંતી તપાસ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, રાત્રે NSUIની ટીમ પણ સમરસ હોસ્ટેલ પહોંચી હતી અને તપાસ કરી હતી. તેમજ નિયામક પણ ત્યા પહોંચ્યાં હતા. વિદ્યાર્થીઓને સારૂ ભોજન મળવાની ખાતરી મળતા સમાધાન થયું હતું. એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ મહિનાથી રોટલી કાચી હોય છે અને ઘણા વિદ્યાર્થીઓને ખાધા પછી પેટમાં દુખાવો થાય છે. શાક પાણી જેવું હોય છે. સવારના નાસ્તામાં અપાતી ચામાં 90% પાણી હોય છે. વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે, અધિકારીઓને ફરિયાદ કરતા તેમને ઉપરથી ટેન્ડરધારકો માનતા ન હોવાનું કહેવામાં આવે છે. જો આગામી દિવસોમાં ભોજનની સ્થિતિમાં સુધારો નહીં થાય તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ મામલે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક પાર્થ પટેલે વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી. તેમણે કડક સૂચનાઓ આપી અને પ્રમુખ એજન્સીને નોટિસ આપવાનું જણાવતા મામલો શાંત પડ્યો હતો અને અંતે વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 3:48 pm

જૂનાગઢના MLA સંજય કોરડીયા સાથે 7 લાખની છેતરપિંડી:ઈરાન યુદ્ધને કારણે ફ્લાઈટ રદ થઈ છતાં અમદાવાદની ટ્રાવેલ કંપનીએ રૂપિયા રિફન્ડ ન આપ્યા, ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ-86 વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તેમના પરિવાર સાથે વિદેશ પ્રવાસના બુકિંગ મામલે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદની એક જાણીતી ટ્રાવેલ કંપનીએ પ્રવાસ રદ થયો હોવા છતાં બુકિંગની 7.15 લાખની રકમ પરત ન કરી વિશ્વાસઘાત કરતા આ મામલે જૂનાગઢના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના પી.એ. હર્ષ લાલજીભાઈ ગોઠીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, જૂન-2025માં ધારાસભ્ય પોતાના પરિવાર સાથે જોર્જીયા દેશમાં પ્રવાસે જવાનું આયોજન કર્યું હતું. આ માટે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સટાબજારની સામે, સેન્ટોરીની સ્કવેરમાં આવેલી “સ્પાર્કલ હોલીડેસ પ્રાઇવેટ લીમીટેડ” નામની કંપનીમાં બુકિંગ કરાવ્યું હતું. તા. 15 જૂન 2025થી 22 જૂન 2025 દરમિયાન જોર્જીયાના બિલિસી સિટીમાં હોટલ સ્ટે અને ફ્લાઈટ ટિકિટ પેટે કુલ રૂ. 7,15,800 ની રકમ એડવાન્સમાં ચૂકવી દેવામાં આવી હતી. ​​યુદ્ધના કારણે ફ્લાઈટ રદ થઈ પણ રૂપિયા ન મળ્યા​નિર્ધારિત સમયે ધારાસભ્ય અને તેમનો પરિવાર એરપોર્ટ પર પહોંચી ગયા હતા. પરંતુ, તે સમયે ઈરાન અને અન્ય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે ફ્લાઈટ રદ કરવામાં આવી હતી, જેના કારણે તેઓ પ્રવાસે જઈ શક્યા ન હતા. પ્રવાસ રદ થતા ધારાસભ્યના સ્ટાફ દ્વારા ટ્રાવેલ કંપની પાસે રિફન્ડની માંગણી કરવામાં આવી હતી. ટેલિફોનિક સંપર્ક કરવા છતાં કંપની દ્વારા ઉડાઉ જવાબોશરૂઆતમાં કંપનીના ભાગીદારો અને કર્મચારીઓએ રિફન્ડ આપવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ લાંબો સમય વીતવા છતાં રૂપિયા પરત કર્યા ન હતા. વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવા છતાં કંપની દ્વારા ઉડાઉ જવાબો આપવામાં આવતા હતા. અંતે, કોઈ રસ્તો ન જણાતા ધારાસભ્યની સૂચનાથી તેમના પી.એ. દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ​પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી​જૂનાગઢ 'બી' ડિવિઝન પોલીસે સ્પાર્કલ હોલીડેસ પ્રાઇવેટ લીમીટેડના ભાગીદારો અને કર્મચારીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પી.એસ.આઈ. એસ.એ. સાંગાણી વધુ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસ તપાસમાં જે અન્ય વ્યક્તિઓના નામ ખુલશે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 3:44 pm

દબાણ હટાવવા કોર્પોરેટરોની રજૂઆત:વોર્ડ મહામંત્રીની દુકાન બહાર મેમો બાદ ચાર ટ્રાફિક અને દબાણ મુદ્દે વોર્ડ-14ના સભ્યો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત

વડોદરામાં થોડા દિવસો અગાઉ ચાર દરવાજા વિસ્તારમાં વોર્ડ મહામંત્રીની દુકાન ભાર પાર્ક કરેલી ગાડીને મેમો આપવાના મુદ્દે વોર્ડ નંબર 14ના કાઉન્સિલર અને ટ્રાફિક પોલીસ સામસામે આવી ગયા હતા. આ અંગે ટ્રાફિક DCPને રજૂઆત કર્યા બાદ વોર્ડ નંબર 14ના કોર્પોરેટરો મ્યુનિસિપલ કમિશનરને મળવા પહોંચ્યા હતા. તેઓએ આ વિસ્તારમાં દબાણ હટાવવા તેમજ ટ્રાફિક નિયમન અંગે પોલીસ સાથે સંકલન કરવા માટેની રજૂઆત કરી હતી. પાર્કિંગ મામલે નેતાજી અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતીશહેરના ચાર દરવાજા વિસ્તારમાં વોર્ડ મહામંત્રી દ્વારા પોતાની ગાડી પાર્ક કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક પોલીસે ફોટો પાડી મેમો આપ્યો હતો. આ મામલામાં સ્થાનિક કોર્પોરેટર સચિન પાટડિયા ત્યાં દોડી આવ્યા હતા અને ટ્રાફિક પી.આઈ. સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસ વિભાગ દ્વારા તુમાખીભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક DCPને મળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરને મળ્યાવોર્ડ 14ના કોર્પોરેટરો અને આગેવાનો દ્વારા અગાઉ ટ્રાફિક DCP સાથે મુલાકાત કરવામાં આવી હતી અને આ વિસ્તારમાં દબાણો દૂર કરી ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા માટે રજૂઆત કરી હતી. દબાણ હટાવવા અંગે પોલીસ અને કોર્પોરેશન વચ્ચે સંકલન થાય એવી રજૂઆત કરવા માટે વોર્ડ નંબર 14ના કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. વર્ષોથી સમસ્યાનો ઉકેલ નથી આવ્યોઆ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે. ખાસ કરીને સાંજના સમયે ભારે ટ્રાફિક હોય છે. કેટલાય દબાણો ઊભા થઈ ગયા છે. સ્થાનિક કોર્પોરેટર જેલમ ચોકસીના જણાવ્યા અનુસાર અહીં વર્ષોથી દબાણો છે, જે અંગેની વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં તેનો નિકાલ આવ્યો નથી ત્યારે લોકોની સુખાકારી માટે આ સમસ્યાનો હલ લાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 3:43 pm

હિંમતનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં જીલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો:17 પ્રશ્નોની રજૂઆત કરાઈ; કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ ઝડપી નિકાલના આપ્યા આદેશ

હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા કુલ 17 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે નિરંતર ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ નાગરિકો માટે એક આધારસ્તંભ બની ગયો છે. કાર્યક્રમ દરમિયાન જમીનમાં દબાણ, ગામતળમાં પ્લોટ ફાળવણી અને જમીનના 7/12 ઉતારામાં નામ સુધારા સહિતના વિવિધ વિષયો પર પ્રશ્નો રજૂ કરાયા હતા. કલેક્ટરે અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા પણ સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ડીવાયએસપી, તાલુકા વિકાસ અધિકારીઓ, અન્ય અમલીકરણ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 3:36 pm

LCBએ ગાંભોઈ નજીકથી દારૂ ભરેલી ટ્રક પકડી:કેબલ વાયરના ડ્રમમાંથી 471 પેટી વિદેશી દારૂ સાથે 88 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ગાંભોઈ પાસે LCB ટીમે બાતમીના આધારે નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કેબલ વાયરના ડ્રમમાં છુપાવેલી 471 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત 68 લાખ રૂપિયાથી વધુ છે. ટ્રક સહિત કુલ 88.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. LCB ટીમ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન PI ડી.સી. સાકરીયા અને અમરતભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે, RJ-37-GA-2751 નંબરની એક ટ્રકમાં કેબલ વાયરના રોલના ખાના બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરી શામળાજી તરફથી અમદાવાદ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે શામળાજી-અમદાવાદ હાઈવે રોડ પર ગાંભોઈ નજીક નાકાબંધી કરવામાં આવી હતી. બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકવામાં આવી હતી. ટ્રકના ચાલકની પૂછપરછ કરતા તેણે ગાડીમાં કેબલના રોલ ભરેલા હોવાનું જણાવ્યું અને બિલ્ટી બતાવી હતી. ટ્રકની તપાસ કરતા કેબલના ત્રણ રોલ બોડી સાથે ફીટ કરેલા હતા. આ ત્રણેય રોલના ઉપરના ભાગે એલ એન્ડ કી બોલ્ટ લગાવેલા હતા. બોલ્ટ ખોલીને જોતા ઉપર ફીટ કરેલા લાકડાના પાટિયા પૈકી એક નાનો દરવાજો અલગ થઈ ગયો હતો. તેની નીચે કાળી પાઈપો ફીટ કરેલી હતી, જે લાકડાના દરવાજા જેટલી કાપેલી હતી. તેને ખોલીને જોતા અંદર પતરાનો ટુકડો મૂકેલો હતો. આ ટુકડો હટાવતા અંદરથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 471 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 7272 બોટલ હતી. ઝડપાયેલા દારૂની કિંમત 68,77,020 રૂપિયા અને ટ્રક તથા અન્ય સરસામાન મળી કુલ 88,82,020 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલક પાંચારામ ખેતારામ પરભુરામ ગોદારા (જાટ), ઉ.વ. 30, રહે. હિન્દુઆનીયો કી ધાણી, રામદેવ મંદિર, (ચાડાર) તા. રામસર જી. બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, દારૂ ભરી આપનાર મહેશ ચૌધરી, રહે. ઇસરોલ તા. ચૌટાન જી. બાડમેર (રાજસ્થાન), હાલ રહે. બાડમેર શહેર (જેનું પૂરું નામ સરનામું મળેલ નથી) સામે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 3:33 pm