ચંદ્રુમાણામાં બહેનો માટે સીવણ ક્લાસ શરૂ:સરપંચના પ્રયાસોથી 48 બહેનો સ્વરોજગાર તાલીમ મેળવશે
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે બુધવારે બહેનો માટેના સીવણ ક્લાસનો શુભારંભ થયો હતો. પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્રમાં ૩૦ જેટલી બહેનો ઉપસ્થિત રહી હતી.આ ક્લાસ સરપંચ કાજલબેન વ્યાસના પ્રયાસો અને ગ્રામ પંચાયતના સહયોગથી યુથ રીચ એનજીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. કુલ 48 બહેનોએ આ તાલીમ માટે નામ નોંધાવ્યા છે, જેમની તાલીમ ગુરુવારથી શરૂ થશે. સરપંચ કાજલબેન વ્યાસે જણાવ્યું હતું કે, વધુને વધુ બહેનો સીવણની તાલીમ મેળવી સ્વરોજગારલક્ષી ઉદ્યમ ક્ષમતા કેળવે. તેમણે આસપાસની અન્ય બહેનોને પણ આ ક્લાસમાં જોડાવવા અનુરોધ કર્યો હતો.તાલીમ દરમિયાન ટ્રેનર દ્વારા અલગ અલગ પાળીઓ નક્કી કરીને બહેનોને માર્ગદર્શન આપવામાં આવશે. એનજીઓના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર વૃત્તિબેન અને ટ્રેનર પાયલબેન પટેલ દ્વારા પણ બહેનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
નવી શિક્ષણ નીતિ-2020ને અનુરૂપ તૈયાર કરાયેલો નવો પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ ‘આધારશિલા’ રાજ્યની તમામ આંગણવાડીઓમાં જૂન 2026-27ના શૈક્ષણિક વર્ષથી અમલી બનાવાશે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ ECCE કાઉન્સિલની બેઠકમાં આ અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી છે. દરરોજ 4 કલાકના સમયપત્રક મુજબ રમત-ગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણમંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, ‘આધારશિલા’ અભ્યાસક્રમ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. આ સાથે બાળકોના વિકાસનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવા માટે તૈયાર કરાયેલી પુસ્તિકા ‘મારી વિકાસ યાત્રા’ ને પણ કાઉન્સિલની મંજૂરી મળી છે. નવા અભ્યાસક્રમ અંતર્ગત આંગણવાડીમાં બાળકોને દરરોજ 4 કલાકના સમયપત્રક મુજબ રમત-ગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. બાળકો માટે ઉંમર મુજબની ‘પ્રવૃત્તિ પુસ્તિકા’ અને આંગણવાડી કાર્યકરો માટે ‘એક્ટિવિટી બેંક’ તૈયાર કરવામાં આવી છે, જેના આધારે અભ્યાસક્રમ અમલમાં મૂકવામાં આવશે. નવા અભ્યાસક્રમ મુજબ બાળકોને તૈયાર કરવા માટે સઘન તાલીમ અપાશેમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સ્ટેટ કાઉન્સિલની મંજૂરી બાદ હવે રાજ્યની આંગણવાડી કાર્યકરોને નવા અભ્યાસક્રમ મુજબ બાળકોને તૈયાર કરવા માટે સઘન તાલીમ આપવામાં આવશે. અભ્યાસક્રમમાં બાળકોના શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016ના જૂના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020, રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું-2022 અને ‘આંગણવાડી પ્રોટોકોલ ફોર દિવ્યાંગ ચિલ્ડ્રન-2023’ને ધ્યાનમાં રાખીને જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. નવા અભ્યાસક્રમમાં ‘પંચ કોષ’ની સંકલ્પના, સમાવેશી શિક્ષણ (Inclusive Education) અને દિવ્યાંગ બાળકો માટે અનુકૂળ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર મહિનાના ત્રીજા મંગળવારે ‘બાળ દિવસ’ની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશેયુનિસેફ ગુજરાતના સહયોગથી આયોજિત 7 કાર્યશાળાઓ મારફતે આ અભ્યાસક્રમ તૈયાર થયો છે. જેમાં GCERT, સમગ્ર શિક્ષા, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, દક્ષિણામૂર્તિ બલાધ્યાપણ મંદિર ભાવનગર, કચ્છ કલ્યાણ સંઘ અને આગાખાન એજ્યુકેશન સર્વિસ સહિતની સંસ્થાઓના નિષ્ણાતોએ યોગદાન આપ્યું છે. વાલીઓની ભાગીદારી વધારવા માટે દર અઠવાડિયાના અંતે હોમ લર્નિંગ પ્રવૃત્તિઓ તેમજ દર મહિનાના ત્રીજા મંગળવારે ‘બાળ દિવસ’ની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી લાખો બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણનો પાયો વધુ મજબૂત બનશે અને ભવિષ્યના શિક્ષણ માટે દૃઢ આધાર તૈયાર થશે.
શહેરના ખાડિયા વિસ્તારમાં બુલિયનના વ્યવસાયની આડમાં ચાલી રહેલા ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદે કૌભાંડનો ખાડિયા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે મુખ્ય સંચાલક સહિત પાંચ શખસો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, જેમાંથી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. ખાડિયા પોલીસે દુકાનમાં રેડ કરી હતીખાડિયાની ગુસા પારેખની પોળમાં આવેલી ‘પાર્શ્વનાથ બુલિયન’ નામની દુકાનમાં શેરબજારના ગેરકાયદે સોદા થતી હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે ખાડિયા પોલીસે દુકાનમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ત્યાં ભુપેશ શાહ કર્મચારી તરીકે હાજર મળી આવ્યો હતો. બાદમાં દુકાનના માલિક પંકજ શાહ, રહે. શિલ્પ શાલીગ્રામ ફ્લેટ, વસ્ત્રાપુરને પણ પોલીસે ઝડપી લીધો હતો. ડબ્બા ટ્રેડિંગ માટે ઉપયોગમાં લેવાતા બે આઇડી મળી આવ્યા પોલીસે બંનેના મોબાઇલ ફોન કબ્જે લઈ તપાસ કરતાં MCXના ગેરકાયદે સોદાઓની વિગતો મળી આવી હતી. વધુ તપાસ દરમિયાન ઓફિસમાંથી બે મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા, જેમાં ડબ્બા ટ્રેડિંગ માટે ઉપયોગમાં લેવાતા બે આઇડી મળી આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને આઇડી અનિલ મહેતા અને શૈલેષ સોની પાસેથી ગેરકાયદે રીતે ખરીદવામાં આવ્યા હતા. કરોડો રુપિયાના ટ્રાન્ઝેક્શન થયાનો પોલીસ તપાસમાં ખુલાસોઆ પૈકી એક આઇડી નારાયણ બુલિયનના દિનેશ પટેલ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો હોવાનું પણ બહાર આવ્યું છે. બંને આઇડી મારફતે કરોડો રૂપિયાના ગેરકાયદે આર્થિક વ્યવહારો થયા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. આ ઉપરાંત, ડબ્બા ટ્રેડિંગમાં સંકળાયેલા કેટલાક ગ્રાહકોના નામ પણ પોલીસના હાથ લાગ્યા છે. હાલ ખાડિયા પોલીસે ભુપેશ શાહ અને પંકજ શાહની ધરપકડ કરી છે, જ્યારે દિનેશ પટેલ, શૈલેષ સોની અને અનિલ મહેતાની શોધખોળ તેજ કરી છે. પોલીસે સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે.
પાલિકા પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ શહેરમાં પુસ્તક મેળાનું આયોજન કરીને 'વાંચે ગુજરાત'ના અભિયાનને વેગ આપી રહી છે, જે સાહિત્ય પ્રેમીઓ માટે હર્ષની વાત છે પરંતુ, બીજી તરફ શહેરના આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સમાં ઇજારદારોની પસંદગીમાં પારદર્શિતાના અભાવે વિવાદો વકર્યા છે. વહીવટમાં પારદર્શિતાના દાવા વચ્ચે ઉત્રાણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંચાલનમાં થયેલી કથિત ગોલમાલે પાલિકાની છબી પર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યા છે. કોરોનાકાળ અને અન્ય ટેકનિકલ કારણોસર લાંબા સમયથી બંધ રહેલો સુરત મહાનગરપાલિકા સંચાલિત પુસ્તક મેળો આખરે 20 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. પાંચ દિવસીય આ મેળામાં દેશભરના નામી પ્રકાશકો અને લેખકોના પુસ્તકો એક જ છત નીચે ઉપલબ્ધ થશે. પ્રથમવાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિશાળ ગ્રાઉન્ડ પર આ મેળાનું આયોજન કર્યુંજોકે, આ વખતે સુરતીઓએ મેળામાં જવા માટે ઉધના-મગદલ્લા રોડ તરફ જવું પડશે. મેટ્રો રેલની કામગીરીને કારણે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની બહાર ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યા હોવાથી, પાલિકાએ ઇતિહાસમાં પ્રથમવાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિશાળ ગ્રાઉન્ડ પર આ મેળાનું આયોજન કર્યું છે. યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર વિશાળ સ્પેસ હોવાથી મુલાકાતીઓને પાર્કિંગ અને ભીડની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. ઉત્રાણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇજારામાં ગોલમાલના આક્ષેપએક તરફ જ્યારે જ્ઞાનનો પ્રસાર થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ઉત્રાણ ખાતેના નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન વિવાદમાં સપડાયું છે. અગાઉ પુણા વિસ્તારમાં પે-એન્ડ-પાર્કનો ઇજારો મેળવી કામ ન કરનાર અને પાલિકાની તિજોરીને લાખોનું નુકસાન કરાવનાર ઇજારદારને જ ફરીથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સોંપાતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. આક્ષેપકર્તાઓના મતે આ ઇજારદાર પાસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંચાલનનો કોઈ અનુભવ નથી તેમછતાં અધિકારીઓની રહેમનજર હેઠળ તેને આ પ્રોજેક્ટ ભેટમાં અપાયો છે. હાલમાં આ મામલે વિરોધ પક્ષો અને પૂર્વ શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા વિજિલન્સ તપાસની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે. કતારગામની સુમન સ્કૂલના જમીન વિવાદમાં ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુંસુરતના કતારગામ વિસ્તારમાં મંજૂર થયેલી સુમન સ્કૂલને નિયમોને નેવે મૂકીને ડભોલીમાં ખસેડવાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી કમિટીમાં ભારે ડ્રામા જોવા મળ્યો હતો. મૂળભૂત રીતે વોર્ડ નં. 7 માં મંજૂર થયેલી આ શાળાનું બાંધકામ કોઈપણ મંજૂરી વગર વોર્ડ નં. 8 ની 'સેલ ફોર કોમર્શિયલ' જમીન પર શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ જમીનને શૈક્ષણિક હેતુમાં ફેરવવા માટે મળેલી ટીપી કમિટીની બેઠકમાં ચેરમેન નાગર પટેલે મંગળવારે પહેલા દરખાસ્ત મંજૂર કરી અને ગણતરીના કલાકોમાં જ આંતરિક વિરોધને પગલે તેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો, જેનાથી પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જોકે, આ વિવાદ ગાંધીનગર સુધી પહોંચતા અને ઉધના 'કમલમ' (ભાજપ કાર્યાલય) થી કડક સૂચના મળતા આખરે ટીપી કમિટીએ નમતું જોખવું પડ્યું હતું. બુધવારે બપોરે પક્ષના ઉચ્ચ સ્તરીય દબાણ બાદ, ચેરમેન સાથે સંકલન સાધ્યા વગર જ પક્ષના હોદ્દેદારોએ સીધો સેક્રેટરી વિભાગ સાથે સંપર્ક કરીને દરખાસ્ત મંજૂર કરાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમે શાસક પક્ષમાં આંતરિક સંકલનનો અભાવ અને સમિતિના ચેરમેનો પર પક્ષના વર્ચસ્વને ફરી એકવાર સપાટી પર લાવી દીધું છે, પરિણામે વિવાદિત ડભોલીની જમીન હવે સત્તાવાર રીતે શૈક્ષણિક હેતુ માટે ફાળવી દેવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ધાર્મિક લાગણી દુભાવવા અને હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી વાંધાજનક પોસ્ટ વાયરલ કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કોડીનાર પોલીસે તેનું સરઘસ કાઢ્યું હતું અને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી મંગાવી હતી. ફેક આઇડી બનાવી પોસ્ટ વાઈરલ કરી હતીજિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાની સૂચના મુજબ સોશિયલ મીડિયા પર સતત વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે. વણારકાની રાહબરીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ પર 'firoj68971' (Firoj kharai) નામના આઇડી પરથી બે કોમ વચ્ચે તણાવ ઉભો થાય તેવી પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ મામલાની ગંભીરતા જોઈ પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની ઓળખ થઈપોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ, આઇટી એક્સપર્ટ વિશાલભાઈ વાળા અને દર્શિતભાઈની મદદથી CDR, SDR અને IPD ડેટાની તપાસ કરવામાં આવી હતી. જેમાં બહાર આવ્યું હતું કે મૂળ દ્વારકાના રહેવાસી અજગર અનવર ખરાઈએ અન્ય વ્યક્તિના ખોવાયેલા સિમકાર્ડનો ઉપયોગ કરી ફેક આઇડી બનાવ્યું હતું અને તેમાંથી ઉશ્કેરણીજનક સામગ્રી વાયરલ કરી હતી. પોલીસે કાયદાનું ભાન કરાવ્યુંઆરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 196(1)(A), 196(1)(B), 299, 353(1)(B), 353(1)(C), 353(2) તથા આઇટી એક્ટની કલમ 66(C) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ધરપકડ બાદ પોલીસે મૂળ દ્વારકામાં આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન આરોપીએ કરેલી ભૂલ બદલ ઉઠક-બેઠક કરી જાહેરમાં માફી માંગી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગીર સોમનાથ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર અફવા કે કોમી ઉશ્કેરણી ફેલાવનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં.
‘વાતચીત કરો અથવા ભયાનક હુમલા માટે તૈયાર રહો’ ટ્રમ્પનું ખામેનેઈને અલ્ટીમેટમ, ઈરાને પણ આપ્યો વળતો જવાબ
US-Iran War Tension : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવતા તેને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન કાં તો શાંતિથી વાતચીતની ટેબલ પર આવી જાય અથવા તો 'ઓપરેશન મિડનાઈટ હેમર' કરતા પણ વધુ વિનાશક સૈન્ય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે. બીજી તરફ, ઈરાને પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે, ‘અમે કોઈની ધાક-ધમકીમાં આવીશું નહીં અને જરૂર પડશે તો એવો જવાબ આપીશું, જે વિશ્વએ પહેલા ક્યારેય જોયો નથી.’ અમારો નૌકાદળ કાફલો આગળ વધી રહ્યો છે : ટ્રમ્પની ધમકી ટ્રમ્પે (US President Donald Trump) જાહેરમાં ધમકી આપી છે કે, ‘ઈરાન તરફ એક વિશાળ નૌકાદળ કાફલો અત્યંત તાકાત, ઉત્સાહ અને સ્પષ્ટ હેતુ સાથે આગળ વધી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલને રૂ. 185 કરોડના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. જોકે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સામાન્ય સભામાં હોસ્પિટલમાં નવમા માળે બનાવવામાં આવી રહેલા ICU વોર્ડને લઈને સવાલો ઊભા કર્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ રિવાઇસ ટેન્ડર કરી નવમા માળે આઈસીયુ બનાવવા માટે વધારાનો ખર્ચ કર્યો છે. આ બાબતે કેમ ભાજપના સત્તાધિશો અને અધિકારીઓએ ધ્યાનમાં આપ્યું તેમ તેમણે જણાવ્યું હતું. AMC દ્વારા 185 કરોડના ખર્ચે એલજી હોસ્પિટલ ઉભી કરાશેનવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, આઇસીયુ વોર્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવો જોઈએ તેવો આદેશ આપવામાં આવ્યો હતો, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 185 કરોડના ખર્ચે એલજી હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે. વિપક્ષના નેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇકોર્ટના આદેશને જાણે ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 185 કરોડના ખર્ચે નવી એલજી હોસ્પિટલની બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવ્યું છે જેમાં નવમા માળે આઈસીયુ વોર્ડ અને બર્ન વોર્ડ બાંધકામ કરાયું છે. આરઆઈસી વોર્ડ નવમા માળે ખસેડવામાં આવ્યોજોકે, પહેલા જ્યારે નવી હોસ્પિટલ બનાવવાની હતી, ત્યારે એલજી હોસ્પિટલના બાંધકામના લેઆઉટ પ્લાનમાં ત્રીજા માળે આઈસીયુ અને બર્ન વોર્ડ, આરઆઈસીયુ આઈવીએફ ઓપરેશન થિયેટર અન્ય ઓપરેશન થિયેટરનું પ્લાનિંગ કરાયું હતું. પરંતુ પછી બાંધકામમાં પ્લાનમાં ફેરફાર કરીને બર્ન વોર્ડ અને આરઆઈસી વોર્ડ નવમા માળે ખસેડવામાં આવ્યો છે. જેનો ખર્ચ પણ ચાર કરોડ વધી ગયો છે. જેથી આ પ્લાનમાં ફેરફાર કરી આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવવા માટે વિપક્ષના નેતાએ માંગણી કરી હતી. ગાઇડલાઇન પ્રમાણે હોસ્પિટલનું બાંધકામ કરાયું: દેવાંગ દાણીવિપક્ષના નેતાના આક્ષેપ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવી બનેલી એલજી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ટ્રોમા સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેથી અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓને તરત જ સારવાર મળી રહે તેને ધ્યાનમાં રાખીને નવી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તૈયાર કરવામાં આવ્યું છે. ગાઇડલાઇન પ્રમાણે જ હોસ્પિટલમાં બાંધકામ કરવામાં આવ્યું છે.
સુરત શહેરમાં પ્રતિબંધિત નશાકારક પદાર્થો અને ઈ-સિગારેટ વિરુદ્ધ લાલ આંખ કરતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. લાલગેટ વિસ્તારમાં મોબાઈલ પાર્ટસના ધંધાની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરતા એક વેપારીને પોલીસે રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવીપ્રાપ્ત વિગતો અનુસાર, એસઓજી પોલીસના ASI જલુભાઈને એક ચોક્કસ બાતમી મળી હતી કે, રાણીતળાવ મેઈન રોડ પાસે એક શખસ પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે હેરફેર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે લાલગેટ રાણીતળાવ પાસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. 1 લાખની કિંમતની 20 નંગ ઈ-સિગારેટ જપ્તવોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા જેસારામ કાલારામ ચૌધરી (રહે. વર્ધમાન એપાર્ટમેન્ટ, ગોપીપુરા) ને પોલીસે અટકાવી તેની તપાસ કરી હતી. તલાશી લેતા તેની પાસેથી પ્રતિબંધિત ઈ-સિગારેટના 20 નંગ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 1 લાખ જેટલી થાય છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. મોબાઈલ પાર્ટસના ધંધાની આડમાં કાળો કારોબારપોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી જેસારામ રાણીતળાવ વિસ્તારમાં મોબાઈલ ફોનના સ્પેરપાર્ટસ વેચવાનો વ્યવસાય કરે છે. જોકે, આ કાયદેસરના ધંધાની આડમાં તે છેલ્લા ત્રણ વર્ષથી મુંબઈથી પ્રતિબંધિત ઈ-સિગારેટ મંગાવી સુરતના શોખીન ગ્રાહકોને ઊંચા ભાવે વેચતો હતો.
ઉમરગામ CHCમાં ડોક્ટરોની ભારે અછત:ઔદ્યોગિક તાલુકામાં આરોગ્ય સેવાઓ કથળી, દર્દીઓ પરેશાન
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઔદ્યોગિક વિકાસ થયો હોવા છતાં, અહીંની આરોગ્ય સેવાઓ કથળી રહી છે. તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ભારે અછત જોવા મળી રહી છે, જેના કારણે હજારો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉમરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુપ્રિટેન્ડન્ટ, સર્જન, બાળરોગ નિષ્ણાત, હાડકાંના ડોક્ટર અને દાંતના ડોક્ટર સહિતની તમામ મહત્વની પોસ્ટ ખાલી પડી છે. હાલમાં, માત્ર અગિયાર માસના કરાર આધારિત બે મેડિકલ ઓફિસર દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે, જે આટલી મોટી વસતિ માટે અપૂરતા છે.ડોક્ટરોની અછતના કારણે ઇમરજન્સીના સમયે દર્દીઓને વાપી કે વલસાડ રિફર કરવાની ફરજ પડે છે. તેવી જ રીતે, પ્રસૂતિ માટે મહિલાઓને ભીલાડ અથવા વલસાડ મોકલવી પડે છે. કેન્દ્રમાં રોજિંદા ચારસોથી વધુ OPD નોંધાતી હોવા છતાં, દર્દીઓને માત્ર પ્રાથમિક સારવાર અને દવાઓ આપીને સંતોષ માનવો પડે છે.ઉમરગામ તાલુકો બે મોટા ઔદ્યોગિક વિસ્તારો, બે હજારથી વધુ ઔદ્યોગિક એકમો અને બાવન ગામો ધરાવે છે. એક તરફ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની વાતો થાય છે, ત્યારે બીજી તરફ મૂળભૂત આરોગ્ય સુવિધાઓનો અભાવ ચિંતાનો વિષય બન્યો છે. આ પરિસ્થિતિને જોતા, ઉમરગામના નાગરિકો અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે તમામ ખાલી ડોક્ટર પોસ્ટ ભરવા અને તાલુકાના આરોગ્ય તંત્રને મજબૂત બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે, જેથી સાચા અર્થમાં સર્વાંગી વિકાસ થઈ શકે.
ડાયમંડ સિટી અને સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરત મહાનગરના વહીવટી વડા તરીકે 2006 બેચના તેજસ્વી IAS અધિકારી નાગરાજન એમ. એ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા તાજેતરના વહીવટી ફેરબદલમાં સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલની બદલી GUVNL વડોદરાના MD તરીકે કરવામાં આવી છે, જ્યારે GSRTC ના MD તરીકે ફરજ બજાવતા નાગરાજન એમ. ને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે. સુરત સાથેનો જૂનો નાતો અને સ્માર્ટ સિટી મિશનનાગરાજન એમ. માટે સુરત નવું નથી. અગાઉ તેઓ સુરતમાં ડેપ્યુટી કમિશનર તરીકે સફળ સેવાઓ આપી ચુક્યા છે. ખાસ કરીને સુરત સ્માર્ટ સિટી મિશનના પાયાના વર્ષોમાં તેમણે CEO તરીકે જે કામગીરી કરી હતી, તેના કારણે સુરતને દેશભરમાં પ્રથમ ક્રમે પહોંચવામાં મોટી મદદ મળી હતી. આઈટી (IT) વિભાગ અને ડિજિટલ ગવર્નન્સમાં તેમની નિપુણતાને કારણે સુરત મનપાના વહીવટમાં પારદર્શિતા આવી હતી. તેમના આ બહોળા અનુભવનો લાભ હવે શહેરને કમિશનર તરીકે મળશે. નવા કમિશનરે પદભાર સંભાળ્યાની મિનિટોમાં જ મનપાના તમામ ઝોનલ ચીફ અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, શહેરના પડતર પ્રશ્નો અને વિકાસના કાર્યોમાં જરા પણ વિલંબ ચલાવી લેવામાં આવશે નહીં. શહેરની સુખાકારી પર ભારનાગરાજન એમ. એ તેમની કાર્યપદ્ધતિ અને લક્ષ્યાંકો અંગે જણાવ્યું હતું કે, ડ્રેનેજ, શુદ્ધ પીવાનું પાણી અને મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.મેટ્રો કામગીરી અને વધતા વાહનોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પોલીસ વિભાગ સાથે સંકલન સાધી ટેક્નિકલ સોલ્યુશન્સ લાવવામાં આવશે.મનપા સંચાલિત શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને આરોગ્ય કેન્દ્રોને વધુ આધુનિક બનાવવા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.સુરત જે રીતે સ્વચ્છતામાં દેશમાં અગ્રેસર રહ્યું છે, તે સ્થાન જાળવી રાખવા માટે 'ઝીરો વેસ્ટ' મોડલ પર કામ કરવામાં આવશે.
હીરાનગરી અને ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું સુરત હવે ઉડ્ડયન ક્ષેત્રે પણ નવા શિખરો સર કરી રહ્યું છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (STV) માટે વર્ષ 2025 એક 'લેન્ડમાર્ક' વર્ષ સાબિત થયું છે. એરપોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ કેલેન્ડર વર્ષમાં મુસાફરોની સંખ્યાએ 18 લાખનો આંકડો પાર કરીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. મુસાફરોની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ મુજબ, વર્ષ 2025માં કુલ 18,10,513 મુસાફરોએ સુરત એરપોર્ટ પરથી અવરજવર કરી હતી. નવેમ્બર 2025માં શરૂ થયેલો રેકોર્ડબ્રેક સિલસિલો ડિસેમ્બરના અંત સુધી જારી રહ્યો હતો, જેના કારણે 2024ના કુલ ટ્રાફિકનો રેકોર્ડ વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ તૂટી ગયો હતો. માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં પણ સુરતે કાઠું કાઢ્યું છે. વર્ષ 2025માં કુલ 2,06,404 આંતરરાષ્ટ્રીય મુસાફરો નોંધાયા હતા. માત્ર ડિસેમ્બર 2025માં જ 21,465 આંતરરાષ્ટ્રીય મુસાફરોએ મુસાફરી કરી, જે સુરત એરપોર્ટ માટે અત્યાર સુધીનો સૌથી મોટો માસિક આંકડો છે. મર્યાદિત કનેક્ટિવિટી છતાં મોટી સફળતા આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે સુરત એરપોર્ટ પાસે હજુ પણ અન્ય મેટ્રો શહેરોની સરખામણીએ મર્યાદિત ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. તેમ છતાં, વતનની મુલાકાતે આવતા લોકોની સંખ્યા, સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓની અવરજવર, સુરતમાં વસતા અન્ય રાજ્યોના લોકો દ્વારા થતો હવાઈ મુસાફરીના ઉપયોગથી મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. ભવિષ્યની ઉજળી તકો આ આંકડા સાબિત કરે છે કે સુરતમાં હવાઈ મુસાફરીની પ્રબળ માંગ છે. એરપોર્ટના નિષ્ણાતોનું માનવું છે કે જો આગામી સમયમાં કનેક્ટિવિટી વધારવામાં આવે અને વધુ એરલાઇન્સ સુરતથી કાર્યરત થાય, તો આ આંકડો આગામી વર્ષોમાં 25 લાખને પણ પાર કરી શકે છે. ધ રનવે અહેડ ઈઝ લોન્ગ ના સૂત્ર સાથે સુરત એરપોર્ટ હવે ઉડ્ડયન નકશા પર મજબૂત રીતે ઉભરી રહ્યું છે.
સુરેન્દ્રનગર શહેરના બહુચર ચોક વિસ્તારમાં એક CNG રિક્ષાનું આગળનું ટાયર અચાનક નીકળી ગયું હતું. આ ઘટના બનતા જ ફરજ પર હાજર ટ્રાફિક પોલીસે તુરંત મદદ માટે દોડી જઈ રિક્ષાને સલામત રીતે રસ્તાની એક તરફ ખસેડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. રિક્ષાનું ટાયર નીકળી જતાં ટ્રાફિક જામ થવાની શક્યતા હતી. ત્યારે ટ્રાફિક પોલીસકર્મીએ માનવતા દાખવીને પરિસ્થિતિને સંભાળી હતી. તેમણે ગભરાયેલા રિક્ષાચાલકને સાંત્વના આપી હતી અને ટ્રાફિકને સરળ બનાવવામાં મદદ કરી હતી. પોલીસની આ સરાહનીય કામગીરી જોઈને ત્યાં હાજર લોકોમાં પોલીસ પ્રત્યેની ભાવના અને વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટ્રાફિકને સરળ બનાવવામાં તાલીમબદ્ધ પોલીસકર્મીઓની સક્રિયતા જોવા મળી હતી.આ પ્રકારની કામગીરી પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ વધારે છે. 'પોલીસ પ્રજાનો મિત્ર છે' તે સૂત્ર આ ઘટના દ્વારા ફરી એકવાર સાર્થક થયું હતું.
કુંતલપુર વાડી વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સમાં બાળ જન્મ:મધરાતે સગર્ભાને પીડા થતા ટીમે સફળ ડિલિવરી કરાવી
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના કુંતલપુર ગામના અંતરિયાળ વાડી વિસ્તારમાં 108 ઇમરજન્સી સેવાએ ફરી એકવાર પોતાની કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મધરાતે એક 19 વર્ષીય સગર્ભા માતાને પ્રસૂતિ પીડા ઉપડતા, 108 ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. કુંતલપુર વાડી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય સપનાબેન નાયકાને મધરાતે પ્રસૂતિ પીડા શરૂ થઈ હતી. તેમની સ્થિતિ નાજુક હોવાથી હોસ્પિટલ પહોંચવું જોખમી હતું. 108ની ટીમે તાત્કાલિક પ્રતિસાદ આપ્યો. સમયસર હોસ્પિટલ પહોંચવું શક્ય ન જણાતા, 108 ટીમે એમ્બ્યુલન્સને જ 'મોબાઈલ લેબર રૂમ'માં રૂપાંતરિત કરી. ઈ.એમ.ટી. છોટાભાઈ અને પાયલોટ હરપાલસિંહે ઉપલબ્ધ સુવિધાઓ અને તેમની તાલીમનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક ડિલિવરી કરાવી. સફળ ડિલિવરી બાદ માતા અને નવજાત શિશુને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 108ની ટીમે મધરાતે અંતરિયાળ વિસ્તારમાં પહોંચીને માતા અને બાળકના જીવ બચાવ્યા. સપનાબેનના પરિવારે 108 ટીમ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો.
સુરત શહેરના પાલ વિસ્તારમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા તરાપ મારવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલ ગામમાં કાસા રીવેરા રેસીડેન્સીની પાછળ આવેલી સુરત મહાનગરપાલિકાની માલિકીના પ્લોટમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી માટીની ચોરી કરવામાં આવી રહી હતી. આ મામલે અડાજણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે. પાલિકાની મિલકત પર આ રીતે ખુલ્લેઆમ ચોરી થતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. 1.60 કરોડનો મુ્દામાલ કબજે કરવામાં આવ્યોઆ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર સિધ્ધરાજસિંહ ભાભોરને 26-1-2026ના રોજ ડેપ્યુટી એન્જિનિયર પ્રકાશ રાણા દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળી હતી કે પાલ ગામની પાલિકાની જમીન પર કેટલાક શખ્સો જેસીબી મશીનો વડે ખોદકામ કરી રહ્યા છે. બીજા દિવસે જ્યારે પાલિકાની ટીમ સ્થળ પર તપાસ કરવા પહોંચી, ત્યારે ત્યાં મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું માલૂમ પડ્યું હતું. સ્થળ પર 2 જેસીબી દ્વારા માટી કાઢવામાં આવી રહી હતી અને હાઇવા ટ્રકોમાં ભરીને તેને બહાર મોકલવામાં આવી રહી હતી. અડાજણ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી 2 જેસીબી, માટી ભરેલી 2 ટ્રકો અને અન્ય 3 ખાલી ટ્રકો મળી કુલ 1.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કચરો હટાવવાના બહાને માટીની ચોરીપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર ખેલ ખૂબ જ ચતુરાઈથી રચવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દીપ સુભાષ ડોબરિયાએ પાલિકાના પ્લોટ પર આરસીસી વેસ્ટ (બાંધકામનો કચરો) નાખ્યો હતો. આ કચરો હટાવવા માટે 'જય શ્રી ચામુંડા કાર્ટિંગ'ના માલિકો દીપક જગદીશ વણજારા અને કમલેશ ભુવાજી વણજારાને કામ સોંપવામાં આવ્યું હતું. આ બંને શખ્સોએ કચરો ઉઠાવવાની આડમાં જમીનનું ઊંડું ખોદકામ શરૂ કરી દીધું હતું. તેઓએ અંદાજે 1.25 લાખની કિંમતની 626 ટન માટીની ચોરી કરી હતી. કચરો સાફ કરવાના નામે તેઓએ પાલિકાની સંપત્તિની લૂંટ ચલાવી હતી. ચોરીની માટી ઓલપાડના માસમામાં વેચીપોલીસના જણાવ્યા પ્રમાણે, પકડાયેલા આરોપીઓ દીપક વણજારા અને કમલેશ વણજારા જ્યારે આરસીસી વેસ્ટ ઉઠાવવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે તેમને માટીનો ઓર્ડર મળ્યો હતો. નફાની લાલચમાં આવીને તેઓએ પાલિકાની જમીન પર ગેરકાયદેસર ખોદકામ શરૂ કર્યું. ચોરી કરેલી આ માટી તેઓ ઓલપાડના માસમા વિસ્તારમાં ચાલી રહેલી બાંધકામ સાઇટ પર વેચતા હતા. એક ટ્રક દીઠ તેઓ 3 થી 5 હજાર રૂપિયા વસૂલતા હતા. આ રીતે ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવા માટે તેઓએ સરકારી મિલકતને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરીઅડાજણ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પાલિકાના એન્જિનિયરની ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ પાલિકાના પ્લોટની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામકની બે માસના ટૂંકા ગાળામાં જ બદલી કરવામાં આવી છે. અહીંના વિભાગીય નિયામક હિમાંશુ જોશીની રાજપીપળા એસટી ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં GSRTC અંતર્ગતની એસટી બસની સેવાને ડેવલપ કરવા માટે તેમની ત્યાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે રાજકોટ એસટીના નવા વિભાગીય નિયામક તરીકે મનીષ રાજને મૂકવામાં આવ્યા છે જેઓ 30 જાન્યુઆરીના શુક્રવારે ચાર્જ સંભાળશે. 2 માસ અને 4 દિવસના ટૂંકા ગાળામાં બદલીમળતી વિગતો મુજબ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી બસનું સંચાલન જ્યાંથી થાય છે તેવા રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જોશીની નવેમ્બર 2025 ના નિમણૂક થઈ હતી. જે અગાઉ જે. બી. કલોતરા 4 વર્ષથી વધુ સમય ફરજ બજાવી ચૂક્યા હતા. 2 માસ અને 4 દિવસના ટૂંકા ગાળામાં બદલી કરી નાખવામાં આવતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. રાજકોટ એસટીના નવા વિભાગીય નિયામક મનીષ રાજજોકે ટ્રાફિક વિભાગમાંથી આવતા જોશીની બદલી પાછળનું કારણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં GSRTC હેઠળ ચાલતી બસ સેવાને ડેવલપ કરવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે રાજપીપળાના એસટી વિભાગીય નિયામક મનીષ રાજ કે જેઓ મિકેનિકલ વિભાગના છે તેમને રાજકોટ મુકાયા છે. દરેક મેટ્રો સિટીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની લકઝરીયસ બસ શરૂ થાય તેમજ પોલિટિકલ લોકો અને મહાનુભાવોની અવરજવરવાળા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક કક્ષાએ એસટી બસ સેવાને ડેવલપ કરવા માટે બદલી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ખોદકામ દરમિયાન પાણીની મેઈન લાઈન તૂટી:જોરાવરનગરમાં જળબંબાકાર, સ્થાનિકોને હાલાકી
સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ખોદકામ દરમિયાન પાણીની મેઈન લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાની ઋતુમાં મુખ્ય વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી હતી. આ ઘટનાને કારણે તંત્રની કામગીરી સામે જોરાવરનગરના નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી. તાજેતરમાં સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. જોકે, સ્થાનિકોનો આરોપ છે કે સુવિધાઓમાં વધારો થવાને બદલે નગરજનોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ હાલમાં તંત્ર દ્વારા ઠેર ઠેર ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેનાથી લોકો પરેશાન છે. બીજી તરફ, જોરાવરનગરમાં લાઈન તૂટવાની જાણ થતાં જ વિસ્તારના રહીશો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા તાકીદે રિપેરિંગ કામ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં આજી રિવરફ્રન્ટ અને આજી રિ ડેવલપમેન્ટ માટે શહેરના જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણરૂપ 1358 મિલકત ધારકોને કલમ 202 હેઠળ નોટિસ બાદ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. કારણકે 25000 જેટલા લોકો બેઘર થવાના છે, ત્યારે 400 કરોડની સરકારી જમીન પર 50 વર્ષથી વધુ સમયથી રહેતા સ્થાનિક લોકો આજે પૂર્વ વિભાગના મામલતદાર સમક્ષ પહોંચ્યા હતા અને વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે આવાસની માંગણી તેમજ દબાણ હટાવવા માટે થોડો સમય આપવાની માગ કરી હતી. જોકે આવાસ ફાળવવાનું કામ કોર્પોરેશનનું હોવાનો જવાબ મળતા સ્થાનિકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. 1358 દબાણકર્તાઓને આખરી નોટિસજંગલેશ્વરમાં કિંમતી સરકારી જમીન પર દબાણ પ્રકરણમાં જિલ્લા કલેક્ટરની સુચના મુજબ રાજકોટ શહેર પૂર્વ મામલતદાર એન.પી. અજમેરા અને તેની ટીમો દ્વારા 1358 જેટલા દબાણકર્તાઓને દબાણ હટાવવા માટેની કલમ 202 હેઠળની આખરી નોટિસ ફટકારી હતી અને દબાણકર્તાઓને સ્વૈચ્છીક રીતે દબાણ હટાવવાની સાત દિવસની મુદત અપાઇ છે અને હવે ગમે ત્યારે ડિમોલીશન તોળાઇ રહ્યું છે. વિકલ્પ રૂપે સરકારી આવાસ ફાળવવા મામલતદારને રજૂઆતજેથી જંગલેશ્વર વિસ્તારના દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. જેને કારણે આજે 28 જાન્યુઆરીએ જંગલેશ્વર વિસ્તારના અનેક દબાણકર્તાઓ ફરી એકવાર પૂર્વ મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને મામલતદાર સમક્ષ વિકલ્પ રૂપે સરકારી આવાસ ફાળવવા તેમજ દબાણો ખાલી કરવા માટે થોડો સમય આપવા રજૂઆત કરી હતી.
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા આજે નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઉપપ્રમુખ તરીકે લોધિકાના કાજલબેન ગોંડલીયા, ગોંડલના રીનાબેન ભોજાણી, ધોરાજીના રેખાબેન ડાભી, ગોંડલના પ્રફુલભાઇ ટોળીયા, જામકંડોરણાના સુરેન્દ્રસિંહ વાળા, ઉપલેટાના જયેશભાઇ ત્રિવેદી, લોધિકાના મનોજભાઈ રાઠોડ, અને ધોરાજીના રાજુભાઈ બાલધાની નિમણુંક કરવામાં આવી છે જયારે મહામંત્રી તરીકે રાજકોટ તાલુકાના નરેન્દ્રસિંહ જાડેજા, જસદણ તાલુકાના હરેશભાઇ હેરભા અને ઉપલેટાના રવિભાઈ માંકડિયાની નીમજુક કરવામાં આવી છે. આ ઉપરાંત મંત્રી તરીકે ભારતીબેન સાંકળિયા, સતિષભાઈ ભીમજીયાણી, મુકેશભાઈ મેર, પ્રવીણભાઈ હેરમાં, સુધાબેન ગોહેલ, મનીષાબેન સંચાણીયા, અનિતાબેન ચૌહાણ અને શૈલેષ અજાણીની નિમણુંક કરવામાં આવી છે. પ્રદેશ નેતાની ભલામણથી પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાને યથાવત રખાયાની ચર્ચાઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાઓને બદલી દેવામાં આવશે તેવી ચર્ચા છેલ્લા બે દિવસથી રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઈ રહી હતી. પરંતુ આ ચર્ચા બાદ ઢોલરીયાએ પ્રદેશ સંગઠનના હોદેદાર સમક્ષ રજુઆત કરી લોબિંગ કરાવતા આખરે પ્રદેશ મવડી મંડળ દ્વારા આ ભલામણ માન્ય રાખી અલ્પેશ ઢોલરિયાને યથાવત રાખવા નિર્ણય કર્યો છે અને છેલ્લી ઘડીએ તેમને યથાવત રાખી બાકીના સંગઠન માળખાની આજે જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે રાજકોટ શહેરના પ્રમુખ સહીત સંગઠનમાં બદલાવ માટેની ચર્ચા વચ્ચે શહેરનું નવું માળખું ક્યારે જાહેર થશે અને તેમાં કોનો સમાવેશ થશે તેના પર સૌકોઇની મીટ મંડાયેલી છે.
ભાવનગર ઘોઘારોડ પોલીસે આડોડીયાવાસમાં રેડ દરમિયાન ઇંગ્લિશ દારૂના ચપટા અને બોટલો મળી કુલ રૂ.40,590 નો મુદામાલ જપ્ત કર્યો છે. રેડ સમયે આરોપી મહિલા હાજર ન મળતાં મહિલા વિરુદ્ધ પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે મહિલાના ઘરે રેડ પાડીઆ અંગે ઘોઘારોડ પોલિસ મથકેથી મળતી માહિતી મુજબ ઘોધારોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી કે આડોડીયાવાસમાં રહેતી મહિલાએ પોતાના રહેણાંક મકાને ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ અર્થ ઉતાર્યો છે. બાતમીની જગ્યા તપાસ કરતા મહિલા હાજર મળી આવી નહી અને તેના રહેણાંક મકાનની સામે છાપરામાં તપાસ કરતા એક પ્લાસ્ટીકની મોટી થેલી તથા એક કાપડનો થેલો મળી આવ્યો હતો. જેમાં ઈંગ્લીશ દારૂના ચપટા તથા ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. ઇંગ્લિશ દારૂનો 40 હજારનો મુદામાલ જપ્ત કર્યોઆ મામલે ઘોઘારોડ પોલીસે ઇંગ્લિશ દારૂના અલગ-અંલગ કંપનીના ચપટા 115 નંગ કિંમત 34,090 તથા ઈગ્લીશ દારૂની બોટલ 5 નંગ જેની કિંમત 6500 મળી કુલ 40,590 નો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરી મહિલાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
મોરબીમાં બે અલગ-અલગ ઘટનામાં બેના મોત:વીજપોલ પર શોર્ટ લાગતા યુવાન, તળાવમાં ડૂબી બાળકનું મૃત્યુ
મોરબી જિલ્લામાં અપમૃત્યુના બે અલગ-અલગ બનાવો નોંધાયા છે. આમરણ ગામ પાસે વીજપોલ પર કામ કરતી વખતે શોર્ટ લાગવાથી એક યુવાનનું મોત થયું હતું, જ્યારે નાગડાવાસ ગામે તળાવમાં ડૂબી જવાથી એક માસૂમ બાળકનું મૃત્યુ થયું હતું. બંને ઘટનાઓની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ આમરણ ગામ પાસે બન્યો હતો. મૂળ ઝારખંડનો વતની અને હાલ આમરણમાં રહેતો સુખદેવ ચુનિયાભાઈ લોહરા (ઉં.વ. ૧૯) નામનો યુવાન વીજપોલ પર કામ કરી રહ્યો હતો. કામ દરમિયાન તેને અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજો બનાવ નાગડાવાસ ગામે બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાનો વતની અને હાલ નાગડાવાસમાં વાડીમાં મજૂરી કરતો અનુભાઈ પરમારનો ચાર વર્ષનો દીકરો પિયુષ પરમાર રમતા રમતા વાડીની બાજુમાં આવેલા તળાવના પાણીમાં ડૂબી ગયો હતો. પાણીમાં ડૂબી જવાથી બાળક પિયુષનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પણ મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્ર ચે દાદા ગેલે... મહારાષ્ટ્રના અજિત દાદાની વિદાય... આ સમાચાર માત્ર મહારાષ્ટ્ર માટે જ નહિ, દેશ માટે આઘાતજનક છે. પોતાના જ વિધાનસભા વિસ્તાર બારામતીના એરપોર્ટ પાસે રન-વે પર પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેની સાથે રહેલા સ્ટાફ મળીને 5નાં આ દુર્ઘટનામાં મોત થયાં છે. આ એક ઘટનાથી ભલભલાના મગજ સુન્ન થઈ ગયાં છે. એક વાત તો નક્કી છે કે મહારાષ્ટ્રના કદાવર નેતા અજિત દાદા પવારના નિધનથી આવનારા સમયમાં મહારાષ્ટ્રના રાજકારણની ધરી 360 ડિગ્રી બદલાઈ જવાની છે. મમતા બેનર્જીએ આ ઘટના સામે સવાલો ઉઠાવ્યા છે. નમસ્કાર, મહારાષ્ટ્રમાં લોકલ બોડીની ચૂંટણીઓ ચાલી રહી છે. નગર પાલિકાની ચૂંટણીઓ પૂરી થઈ, હવે જિલ્લા પંચાયતોની ચૂંટણી થવાની છે. એના જ પ્રચારમાં અજિત પવાર બારામતી જઈ રહ્યા હતા. આ ચૂંટણીઓ સ્થાનિક કક્ષાની છે છતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઉકળતો ચરુ હતો. એ એટલા માટે કે અજિત પવાર તેના કાકા શરદ પવારની નજીક જઈ રહ્યા હતા અને બંને NCP એક મંચ પર આવવાની હતી. રાજકીય વિશ્લેષકો તો એવું કહે છે કે અજિત દાદા ફરીવાર શરદ પવાર કેમ્પમાં પાછા ફર્યા, તેની જાહેરાત જ થવાની બાકી હતી ને આ દુર્ઘટના થઈ. મહારાષ્ટ્રના રાજકારણની સંભાવનાઓ વિશે વાત કરીએ તે પહેલાં પ્લેન ક્રેશની દુર્ઘટના વિશે જાણી લઈએ… અજિત પવારનું પ્લેન ક્યારે, કેવી રીતે ક્રેશ થયું? મુંબઈથી સવારે 8 વાગ્યે અજિત પવાર તેના પર્સનલ સેક્રેટરી વિદીપ જાધવ, પાયલટ કેપ્ટન સુમિત કપૂર, કેપ્ટન સાંભવી પાઠક અને ફ્લાઈટ એટેન્ડન્ટ પિન્કી માળી સાથે ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને બારામતી જવા ઊડ્યા. મિડ સાઈઝ બિઝનેસ ચાર્ટર્ડ જેટ લિયરજેટ-45 પ્લેન બારામતી તરફ આગળ વધી રહ્યું હતું. અજિત પવાર જે લિયરજેટ-45 પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા, તેને પ્રાઈવેટ જેટ અને ચાર્ટર્ડ ફ્લાઈટ પૂરી પાડતી દિલ્હીની VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ઓપરેટ કરે છે. આ પ્લેન 16 વર્ષ જૂનું હતું. આ પ્લેન મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 8:10 વાગ્યે નીકળ્યું અને 8:40 વાગ્યે રડાર પરથી ગાયબ થઈ ગયું. (અહીં પ્લેનનો રૂટ બતાવાયો છે તે મેપ મૂકવો) મુંબઈથી બારામતીનું અંતર 250 કિમી છે. પ્લેનથી આ સફર કરવામાં 1 કલાક લાગે છે. આ પહાડોથી ભરેલો વિસ્તાર છે. અહીં ધુમ્મસ વધારે હોવાથી વિઝિબિલિટી ઓછી હતી. બારામતી એરપોર્ટના રન-વે પર ઉતરતાં પહેલાં આ પ્લેને આકાશમાં ચક્કર માર્યું હતું. એકવાર ઉતરવાની કોશિશ કરી પણ મેળ પડ્યો નહિ એટલે આંટો મારીને બીજીવાર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જ પ્લેન ક્રેશ થઈ ગયું. લેન્ડિંગ સમયે વિમાનમાંથી વિચિત્ર અવાજ આવતો. વિમાને ઉતરવાનો પ્રયાસ કર્યો પણ રનવે પરથી લપસી ગયું અને પછી જોરદાર વિસ્ફોટ થયો. અંદર બેઠેલા અજિત પવાર સહિત પાંચેયના મોત થયાં. લાશ ઓળખાય નહિ, એવી હાલત થઈ ગઈ. પ્લેન ક્રેશ થવાના કારણો ક્યા હોઈ શકે? (અહીં પ્લેનની માહિતી આપી છે તે ગ્રાફિક મૂકવું) મમતા બેનર્જી બોલ્યાં, અજિત પવાર ભાજપ છોડવાના હતા ને આ ઘટના બની પ્લેન ક્રેશમાં અજિત પવારના મૃત્યુ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અજિત પવારની પ્લેન ક્રેશની દુર્ઘટનાને ષડયંત્ર ગણાવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે આ માત્ર એક અકસ્માત ન હોઈ શકે. સમગ્ર ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થાય. અમને કોઈ કેન્દ્રીય એજન્સી પર વિશ્વાસ નથી. આ રીતે એક વર્તમાન નાયબ મુખ્યમંત્રીના વિમાનનો ક્રેશ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સત્ય બહાર આવવું જ જોઈએ. મમતાએ કહ્યું કે અજિત પવાર મહાયુતિ ગઠબંધન (NDA)થી નાખુશ હતા. તે ભાજપ છોડવાના હતા અને ખૂબ જ ટૂંક સમયમાં એક મોટો રાજકીય નિર્ણય લેવાના હતા. તે પહેલાં જ આ દુર્ઘટના શંકા ઊપજાવે તેવી છે. હુગલીના સિંગુરમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં મમતા બેનર્જીએ કહ્યું, મને માહિતી મળી હતી કે અજિત પવાર ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનથી પોતાને દૂર કરી રહ્યા છે. તેઓ વિપક્ષી ગઠબંધન 'INDIA' બ્લોકમાં પાછા ફરવાની યોજના બનાવી રહ્યા હતા. મમતાએ સંકેત આપ્યો કે તેઓ તેમના કાકા શરદ પવાર સાથે ફરી હાથ મિલાવવા અને મહારાષ્ટ્રમાં નવી રાજકીય ઇનિંગ શરૂ કરવા માટે વાતચીત કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ આ ઘટનાની ટ્રાન્સપેરન્ટ તપાસની માગણી કરી છે. હવે વાત, મહારાષ્ટ્રના રાજકારણની જેની સૌથી વધારે ચર્ચા છે... અજિત પવારે વહેલી સવારે સાડા પાંચે શપથ લીધા અજિત પવારના જવાથી મહારાષ્ટ્રના રાજકારણની ધરી બદલાઈ જશે એ નક્કી. અજિત પવારને તેના કાકા શરદ પવારના ઉત્તરાધિકારી તરીકે જોવાતા હતા. છેલ્લા કેટલાક સમયથી શરદ પવાર અને અજિત પવાર વચ્ચે ફાટફૂટ થઈ. અજિત પવાર સામે ભ્રષ્ટાચારના ઘણા કેસ હતા અને તેમાંથી સાંગોપાંગ બહાર નીકળવા માગતા હતા. તેમને લાગતું હતું કે જો તે ભાજપની પડખે ઊભા રહેશે તો આ કેસમાંથી મુક્તિ મળી જશે. 2019માં મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નહોતી મળી ત્યારે શિવસેના અને ભાજપ વચ્ચે મતભેદ પેદા થયા હતા. એ પછી લાંબો સમય મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન રહ્યું હતું. પછી એક દિવસે સમાચાર આવે છે કે અજિત પવાર તેના કાકા શરદ પવારથી અલગ થઈને 23 નવેમ્બર 2024ના દિવસે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે દેવેન્દ્ર ફડણવીસને મળે છે ને નાયબ મુખ્યમંત્રી તરીકે તરત શપથ લઈ લે છે. ત્યારે શરદ પવાર જેવા કદાવર નેતાએ પણ એવું કહ્યું હતું કે આ બધું મારી જાણ બહાર થયું છે. મને કાંઈ ખબર નથી. (અહીં અજિત પવારનો યુવાનીનો ફોટો મૂકવો) સુબહ કા ભુલા શામ કો ઘર આયા... અજિત પવાર રાજનીતિનો એકડો કાકા શરદ પવાર પાસેથી શિખ્યા છે. આગલા દિવસ સુધી શરદ પવાર સાથે મિટિંગમાં હાજર હતા. એ વખતે NCPની મિટિંગ ચાલી રહી હતી ત્યારે અજિત પવારના ફોનમાં એક મેસેજ આવે છે. ચાલુ મિટિંગે તે મેસેજ વાંચે છે. પછી એકાએક ઊભા થઈને કહે છે કે, તમે મિટિંગ ચાલુ રાખો હું વોશરૂમ જઈને આવું છું. અજિત દાદા વોશરૂમમાં ગયા. ત્યાં દસ મિનિટ સુધી કોઈ સાથે ફોનમાં વાત થાય છે. બધા રાહ જુએ છે કે અજિત દાદા વોશરૂમમાંથી આવ્યા કેમ નહિ... થોડીવારમાં તે મિટિંગ હોલમાં ફરી દાખલ થયા ત્યારે તેમના ચહેરાના હાવભાવ બદલાયેલા હતા. પણ ત્યારે કોઈને અણસાર આવ્યો નહિ કે અજિત દાદા સાંજે પાંચ વાગ્યે અહિ બેઠા છે ને સવારે પાંચ વાગ્યે ખેલ પાડી દેશે. અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પણ એ સરકાર 80 કલાકે ય ન ટકી. અજિત પવારને શરમ અનુભવાઈ. પણ પિતરાઈ બહેન સુપ્રીયા સુલે પિતરાઈ ભાઈ અજિતને મળવા પહોંચ્યાં. તેમણે સમજાવ્યા ને અજિત પવાર ફરી એકવાર કાકા શરદ પવાર પાસે પાછા ફર્યા. એકનાથ શિંદેએ શિવસેનામાં ભાગલા પાડતાં જ અજિત દાદા એક્ટિવ થયા એ પછી શિવસેનામાં એકનાથ શિંદેએ તડાં પાડ્યાં. એકનાથ શિંદેની નવી શિવસેના બની ત્યારે અજિત પવારે ફરી કાકા શરદ પવાર સાથે છેડો ફાડીને પોતાની અલગ NCP બનાવી. કાકા પાસેથી પાર્ટીનું નિશાન ઘડિયાળ પણ છીનવી લીધું. અજિત પવારે અલગ NCP બનાવતાં શરદ પવારની મૂળ NCP નબળી પડી. અજિત પવારે ભાજપને ટેકો આપ્યો. 2024ની લોકસભાની ચૂંટણી અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં તે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા. મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ફરી એકવાર અજિત અને શરદ પવાર નજીક આવે તેવી સંભાવના જણાતી હતી. કારણ કે પૂણે અને ચિંચવડમાં અજિત પવારે તેમના કાકા શરદ પવારે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. એવું કહેવાય છે કે ચાચા-ભતીજા ફરી એકસાથે છે, તેની જાહેરાત જ બાકી હતી. (અહીં પવાર, શિંદે, ફડણવીસની ત્રિપુટીનો ફોટો મૂકવો) અજિત પવારની NCPનું હવે શું થશે? અજિત પવારના ગયા પછી તેની જે અલગ NCP છે તેનું શું થશે, તે કહેવું મુશ્કેલ છે. NCP અત્યારે અવસાદની સ્થિતિમાં છે. અજિત પવારની NCP એક વ્યક્તિ આસપાસ જ રચાયેલી હતી અને અજિત પવારના ખભે આખી પાર્ટી ઊભી હતી. એક વ્યક્તિના જવાથી આખી પાર્ટીનું ભવિષ્ય ધૂંધળું પડી ગયું છે. પાર્ટી અનાથ બની ગઈ છે. બની શકે કે અજિત પવારની NCP હવે આગળ જતાં શરદ પવારની NCP સાથે ભળી જાય. અત્યારે કાંઈપણ કહેવું મુશ્કેલ છે કારણ કે ઘટનાક્રમ એકદમ જલ્દી બદલાતા રહેશે. અજિત પવારની NCP પાર્ટી સંપૂર્ણ રીતે તેના પર જ ડિપેન્ડન્ટ હતી. અજિત પવાર પાસે ધારાસભ્યો અને સાંસદોનું સંખ્યાબળ પણ સારું હતું. અજિત પવારની NCP કોણ ચલાવશે તે કહેવું મુશ્કેલ છે. અજિત પવારના બે દીકરા છે. પાર્થ અને જય. આ બેમાંથી કોઈ એક દીકરો આગળ આવીને સંભાળશે કે કેમ, તે સવાલ છે. પણ સંભાવના એવી વધારે લાગે છે કે શરદ પવારની NCP સાથે અજિત પવારની NCP મર્જ થઈ જશે. જો આવું થાય છે તો શરદ પવાર ભાજપને સમર્થન આપશે કે નહિ આપે, તે મોટો સવાલ છે. કારણ કે શરદ પવાર અગાઉ કહી ચૂક્યા છે કે ઉંમરના આ પડાવે પહોંચ્યા પછી હું ભાજપ સાથે ન જઈ શકું, તેને સમર્થન પણ ન આપી શકું. હવે અજિત પવાર રહ્યા નથી ત્યારે અજિત દાદાની NCPના નેતાઓ જો શરદ પવાર સાથે જાય છે તો મહારાષ્ટ્રની રાજનીતિમાં નવું સમીકરણ ઊભરી આવશે. શરદ પવાર સાથે તેની જ ચાલ ચાલ્યા હતા અજિત પવાર જેમ ગણપતિએ વેદ વ્યાસ મુનિને આખેઆખા મહાભારતનો ગ્રંથ લખાવ્યો હતો તે જ રીતે શરદ પવારે અજિત પવારને રાજનીતિનો કક્કો શીખવ્યો. રાજનીતિના બાવન પત્તાંની રમત પણ શીખવી. એ પણ શીખવ્યું કે રાજનીતિમાં બાવન પત્તાં નહિ, ત્રેપનમું પત્તું પણ હોય છે. અજિત પવારમાં એ તમામ ગુણ હતા જે શરદ પવારમાં હતા. શરદ પવારે 1977માં રાજનીતિની શરૂઆત કરી હતી તે પહેલાં વસંત દાદા પાટીલ તેમના ગુરૂ હતા. શરદ પવારે તેના ગુરૂની જ પાર્ટીને તોડી ને 36 વર્ષની ઉંમરે પોતાની પાર્ટી બનાવી ને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. એવી જ રીતે અજિત પવારે તેના કાકા અને ગુરૂ શરદ પવારની પાર્ટીને તોડી, તેની સામે બળવો કર્યો ને મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી બની ગયા. અજિત પવાર સમજી ગયા હતા કે જો લાંબો સમય કાકાની આંગળી પકડીને ચાલ્યા કરશે તો તેની સામેના ભ્રષ્ટાચારના કેસ આગળ ચાલશે ને જેલમાં પણ જવું પડશે એટલે તેમણે ચતુરાઈ વાપરીને કાકા શરદ પવાર સાથે છેડો ફાડ્યો ને ભાજપની પડખે ઊભા રહ્યા હતા. શરદ પવારની દીકરી સામે પોતાનાં પત્નીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં મહારાષ્ટ્રની રાજનીતિમાં બેતાજ બાદશાહ મનાતા અજિત પવાર 8 વાર ધારાસભ્ય અને છ વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા. એટલું જ નહિ, મહારાષ્ટ્રમાં સૌથી વધારે વખત બજેટ રજૂ કરનારા નાણામંત્રી પણ રહ્યા. મહારાષ્ટ્રથી દિલ્હી સુધી અજિત પવારની ધાક હતી. અજિત પવારની NCPના ચાર સાંસદો છે. જેમાં સુનીલ તટકરે દત્તાત્રેય લોકસભામાં સાંસદ છે, તો ત્રણ સાંસદો રાજ્યસભામાં છે- પ્રફુલ્લ પટેલ, સુનેત્રા પવાર અને નીતિન જાદવ. અજિત પવારની NCP મોદી સરકારને સમર્થન આપે છે. દિલ્હી કરતાં પણ અજિત પવારનું કદ મહારાષ્ટ્રની વિધાનસભામાં વધારે છે. 2024માં અજિત પવારની NCPના 41 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. અજિત પવારના નિધન પછી હવે આ સંખ્યા 40 થઈ ગઈ છે. (અહીં ઘડિયાળમાં ફ્લાઈટનું કાર્ટૂન છે તે ફોટો મૂકવો) 2024માં લોકસભા ચૂંટણીમાં બારામતીમાં શરદ પવારની દીકરી સુપ્રિયા સુલે સામે અજિત પવારે તેમનાં પત્ની સુનેત્રા પવારને ચૂંટણીમાં ઉતારી દીધા હતા. આ રીતે નણંદ-ભાભી વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. તેમાં સુપ્રિયા સુલેની જીત થઈ હતી અને સુનેત્રા પવારની હાર થઈ હતી. આ હાર અજિત પવાર માટે પણ ઝટકો હતી. માત્ર વિધાનસભા જ નહિ, વિધાન પરિષદ અને સ્થાનિક ચૂંટણીઓમાં પણ અજિત પવારનો દબદબો રહ્યો હતો. અજિત પવારે તેના સાંસદો અને ધારાસભ્યોના જોરે પોલિટિકલ પાવર બનાવી રાખ્યો હતો. કેન્દ્રમાં મોદી સરકારને સમર્થન આપ્યું હતું અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારને સમર્થન આપ્યું હતું. ભાજપે અજિત પવારના જોરે મહારાષ્ટ્રની ખુરશી મેળવી. અજિત પવારને નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી બનાવાયા હતા. અજિત પવારની પોલિટિકલ સફર દુ:ખની વાત એ છે કે અજિત પવાર છેક સુધી CM ઈન વેઈટિંગ રહ્યા (અહીં અજિત પવારના પરિવારનું ગ્રાફિક મૂકવું) શરદ પવારે કહેલું- અજિત પવારનું મુખ્યમંત્રી બનવાનું સપનું, સપનું જ રહેશે જ્યારે કાકા શરદ પવાર સાથે છેડો ફાડીને અજિત પવારે પોતાની અલગ NCP (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) બનાવી ત્યારે શરદ પવાર અને અજિત પવાર એકબીજાની વિરુદ્ધ જાતજાતના નિવેદનો કરતા હતા. અજિત પવાર શિંદે અને ભાજપ સાથે ગઠબંધનમાં જોડાયા તેના 100 દિવસ પૂરા કર્યા. એ વખતે અજિત પવારે જનતાને સંબોધીને એક પત્ર લખ્યો હતો. તેમાં તેમણે લોકોને જ્યોતિબા ફુલે, શાહુ મહારાજ અને ડો. આંબેડકરના વિચારો અને યશવંતરાવ ચવ્હાણની લોકકલ્યાણની નીતિનો વારસો જાળવી રાખવાની ખાતરી આપી હતી. રસપ્રદ વાત એ છે, કે આ પત્રમાં તેમણે પોતાને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે દર્શાવ્યા હતા. શરદ પવારે તેમની આકરી ટીકા કરી હતી. શરદ પવારે કહેલું કે, અજિત પવારનું મુખ્ય મંત્રી બનવાનું સપનું, સપનું જ રહેશે. દુર્ભાગ્યે, આજે શરદ પવારના શબ્દો સાચા પડ્યા છે. (અહીં શરદ પવાર એકલા બેઠા છે અને બાજુમાં ખાલી ખુરશી છે તે ફોટો મૂકવો) અગાઉ પણ પ્લેન ક્રેશમાં મહાનુભાવોએ જીવ ગુમાવ્યા છે બળવંતરાય મહેતા: 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ભુજ સરહદ નજીક ગુજરાતના સીએમ બળવંતરાય મહેતાનું વિમાન પાકિસ્તાને તોડી પાડ્યું હતું. સીએમ સહિત 7 લોકોનાં અકસ્માતમાં મોત થયા હતા. સંજય ગાંધી: ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી એક નેતા અને પાયલટ હતા. 1980માં દિલ્હીના સફદરજંગ એરપોર્ટ નજીક એક નાનું વિમાન ઉડાવતી વખતે તેમનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં સંજયનું નિધન થયું હતું. માધવરાવ સિંધિયા: કોંગ્રેસના દિગ્ગજ નેતા સિંઘિયાનું ખાનગી વિમાન 2001માં ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ક્રેશ થયું હતું. તેમની સાથે 4 પત્રકારોનાં પણ મોત થયા હતાં. જી.એમ.સી. બાલયોગી: 2002માં જ્યારે તત્કાલીન લોકસભા અધ્યક્ષ બાલયોગીનું આંધ્ર પ્રદેશમાં હેલિકોપ્ટર ક્રેશમાં અવસાન થયું. વાયએસઆર રેડ્ડી: 2009માં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદ પર હતા ત્યારે વાયએસઆર રેડ્ડીનું પ્લેન જંગલમાં ક્રેશ થઈ ગયું હતું. ક્રેશનું કારણ ખરાબ હવામાન હતું. 27 કલાક પછી તેમનો મૃતદેહ મળી શક્યો હતો. દોરજી ખાંડુ: 2011માં અરુણાચલના મુખ્યમંત્રી દોરજી ખાંડુ પોતાના જેટથી ઇટાનગર જઈ રહ્યા હતા. 13 હજાર ફૂટની ઊંચાઈએ તેમના વિમાનનો સંપર્ક તૂટી ગયો. 5 દિવસ પછી તેમનો મૃતદેહ અને હેલિકોપ્ટરના ભાગો મળી આવ્યા. બિપિન રાવત: પૂર્વ CDS બિપિન રાવતનું 8 ડિસેમ્બર 2021ના રોજ પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ પત્ની સાથે એરફોર્સના વિમાનમાં તમિલનાડુના કુન્નૂર જઈ રહ્યા હતા. એરફોર્સની તપાસમાં આ અકસ્માતનું કારણ ‘પાયલટ એરર’ જણાવવામાં આવ્યું હતું. વિજય રૂપાણી: 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. તેમાં 260 લોકોનાં મોત થયાં હતા. આમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ હતા. છેલ્લે, અજિત પવારની પાર્ટી NCPનું નિશાન ઘડિયાળ છે. કરુણતા એ છે કે પ્લેન ક્રેશ પછી જ્યારે મૃતદેહોની ઓળખ થઈ રહી હતી ત્યારે અજિત પવારનો મૃતદેહ તેની ઘડિયાળ પરથી જ ઓળખાયો. અત્યારે તો અજિત દાદાની વિદાયથી NCPની ઘડિયાળમાં સમય થંભી ગયો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
મે, 2025 માં ભરૂચના A ડિવિઝન પોલીસ મથકે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ નુકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધાભાઈ સભાડ અને તપાસમાં મળી આવે તેવા સરકારી કર્મચારીઓ સામે એક સરકારી કર્મચારીએ જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના હાર્દ મુજબ ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત બનેલા રસ્તાઓમાં ટેકનિકાલિટી મુજબ કામ થયા નહોતા અને મટીરીયલના ખોટા બિલો બનાવીને 19.64 કરોડ રૂપિયા સરકાર પાસેથી લઈ લેવામાં આવ્યા હતા. જેમાં 7.30 કરોડ રૂપિયા ખોટી રીતે મેળવવામાં આવ્યા હતા. આ મેળાપીપણામાં સરકારી કર્મચારીઓ પણ સામેલ હતા. મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા અને તેમના પુત્રનું નામ સામે આવ્યુંભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ થયું હોવાનું અને તેમાં ટેન્ડરમાં દર્શાવેલ શરતો મુજબ મટીરીયલ નહીં વપરાયું હોવાનો પત્ર જિલ્લા વિકાસ અધિકારીને મળ્યો હતો. ભરૂચના જંબુસર, આમોદ અને હાંસોટ જેવા તાલુકાઓમાં રસ્તા બનાવવામાં ટેકનિકાલિટી મુજબ મટીરીયલ નહીં વાપરી, ખોટા બિલો રજૂ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા, બે તાલુકા વિકાસ અધિકારીઓ વગેરેના નામ સામે આવ્યા હતા. જો કે આરોપીઓને મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી 8 ઓક્ટોબર, 2025 ના રોજ જામીન મળી ગયા હતા. મેજિસ્ટ્રેટ કોર્ટે હુકમમાં નોંધ્યું હતું કે આરોપીઓ ઉપર હજુ સુધી ગુનો સાબિત થયો નથી. તેમને દોષિત ઠરાવ્યા પહેલા ગુનાની સજા આપી શકાય નહીં. આરોપીઓએ શ્રમિકોના ભાગના હકો ઉપર તરાપ મારીસરકારે મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમ સામે ભરૂચની સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરતા ભરૂચની સેશન્સ કોર્ટે સરકારની અરજી ગ્રાહ્ય રાખીને મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમને રદ્દ કર્યો હતો. તેમજ આરોપીઓને કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા માટે હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે કૌભાંડના મુખ્ય સૂત્રધાર હીરા જોટવા અને તેમનો પુત્ર દિગ્વિજય જોટવા છે. કેસમાં માત્ર ચાર્જશીટ દાખલ થવાથી સંજોગો બદલાતા નથી. આરોપીઓએ સરકાર સાથે છેતરપિંડી કરી જ છે, પરંતુ સાથે જ શ્રમિકોના ભાગનું વળતર પણ લઈને તેમના હકો ઉપર તરાપ મારી છે. સાહેદો શ્રમિક હોવાથી, વગદાર આરોપીઓને જામીન મળતા તેઓ તેમને તોડી શકે છે. આ કેસમાં હજુ પણ કેટલાક રસ્તાની તપાસ કરવાની બાકી છે. ત્યારે આરોપીઓને મળેલ જામીન રદ કરવા જોઈએ. આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતીભરૂચની સેશન્સ કોર્ટે આરોપીઓને 12 ડિસેમ્બરના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમને રદ કરી નાખ્યો હતો અને આરોપીઓને 13 ડિસેમ્બરના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા માટે હુકમ કર્યો હતો. જો કે આરોપીઓએ સેશન્સ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટ દ્વારા આરોપીઓને સરેન્ડર સમયમાં એક્સટેન્શન અપાતા આરોપીઓ જેલ બહાર જ રહ્યા હતા. ગુજરાત હાઇકોર્ટમાં આરોપીઓ વતી રજૂઆત કરવામાં આવી હતી કે રાજકીય ષડયંત્રના ભાગરૂપે તેમને ફસાવવામાં આવી રહ્યા છે. મોટાભાગના રસ્તાઓનું ચેકિંગ હજી સુધી થયું નથી. સરકારી અધિકારીઓએ ટેકનિકાલિટી મુજબ જ કામ કરાવ્યું છે. તેનું ચેકિંગ પણ ઘણા લેયરે થતું હોય છે. આરોપીઓને સરેન્ડર કરવા 16 ફેબ્રુઆરી સુધીનો સમયહાઇકોર્ટમાં સેશન્સ કોર્ટના સરેન્ડર થવાના હુકમ સામે કરાયેલી રિવિઝન અરજીમાં હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી મહેશકુમાર પરમાર અને મોહમ્મદ સોહલ ઇસ્માઈલ પટેલનો પણ સમાવેશ થતો હતો. ગુજરાત હાઇકોર્ટે 29 જાન્યુઆરી સુધી તેમને સરેન્ડર કરવાનો સમય વધારી આપ્યો હતો. જો કે અરજી ફગાવ્યા બાદ આરોપીના વકીલે કાનૂની હક્ક મુજબ આગળ કાર્યવાહી કરવા માટે સમયની માગ કરતા તેમને સરેન્ડર થવા માટે 16 ફેબ્રુઆરી, 2026 સુધી સમય વધારી આપવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં રિવિઝન અરજી કરનાર આરોપીઓ
હિંમતનગરના કેનાલ ફ્રન્ટ પર શક્તિનગર ખાતે આવેલા નૂતન જીર્ણોદ્ધાર શ્રી મહાકાલી માતાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ બુધવારે યોજાયો હતો. આ પ્રસંગે મંદિરમાં નવચંડી હવન, અન્નકૂટ અર્પણ અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પાટોત્સવની ઉજવણી બુધવારે બપોરના સમયે યજમાનના હસ્તે નવચંડી હવનના પ્રારંભ સાથે થઈ હતી. શ્રીફળ હોમ સાથે હવનની પૂર્ણાહુતિ થઈ હતી, ત્યારબાદ આરતી કરવામાં આવી હતી અને સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિરના નૂતન જીર્ણોદ્ધાર બાદ આ પ્રથમ પાટોત્સવ હતો, જે 33મા પાટોત્સવ નિમિત્તે યોજાયો હતો. આ અવસરે માતાજીને ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિરને ફુગ્ગા અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ પાટોત્સવમાં માતાજીના ભક્તો, શ્રદ્ધાળુઓ, મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લીંબોદરા ગામેથી મામલતદારે ગેરકાયદેસર ખનીજ ભરેલું એક ટ્રેક્ટર ઝડપ્યું હતું. આ ટ્રેક્ટર સરપંચની કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ ખનીજ માફિયાઓ તેને ભગાડી ગયા હતા. શહેરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ ટ્રેક્ટરને ફરીથી ઝડપી પાડ્યું છે. ગત 20 ડિસેમ્બરના રોજ શહેરા મામલતદાર દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગેરકાયદેસર ખનીજ વહન કરતા બે ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા હતા. નિયમ મુજબ, આ ઝડપાયેલા ટ્રેક્ટરોને લીંબોદરા ગામના સરપંચની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા. જોકે, ખનીજ માફિયાઓએ કાયદાની અવગણના કરીને સરપંચની કસ્ટડીમાંથી એક ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી નીરજ ગામિત દ્વારા શહેરા પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. આ અરજીના આધારે શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ચૌધરી અને તેમની ટીમે બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી ટ્રેક્ટર શોધી કાઢ્યું હતું. ત્યારબાદ ટ્રેક્ટર ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યું છે. આ સંયુક્ત કાર્યવાહીને પગલે પંથકના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગાંધીનગરના અંબાપુર ગામમાં રહેતા એક યુવકને ભાડે ગાડી કરવાના બહાને રાયસણ શાહી સિગડી રેસ્ટોરન્ટ પાસે બોલાવી તેને માર મારી બંધક બનાવી તેની પત્નીનું ઘરે જઈને ધોળા દિવસે અપહરણ કરાયાની ઘટના પ્રકાશમાં આવી છે. તાજેતરમાં જ યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યાં હોવાથી તેની અદાવતમાં જ અપહરણ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ મામલે અડાલજ પોલીસે રાફેલ નામના શખ્સ સહિત 9 સામે ફરિયાદ નોધી એક ટીમને રાજસ્થાન રવાના કરાઈ છે. બનાવ પાછળ પ્રેમલગ્ન કારણભૂતગાંધીનગરના અંબાપુર ગામમાં બ્રિજ રેસિડેન્સીમાં બંગલા નંબર 8માં રહેતો અને ઓલા-ઉબરમાં ટેક્સી ચલાવતો અમન શંભુકુમારસિંહ ચૌહાણ એકાદ વર્ષે અગાઉ સરગાસણ નેનો સિટીમાં રહેતો હતો. તે વખતે સોસાયટીમાં રહેતી મુળ રાજસ્થાન ભીલમાલની ડિવોર્સી ભાવના નાથુરામ દરજી સાથે આંખો મળી હતી. બંનેને લગ્ન કરવા હતા પણ ભાવનાના પરિવારજનો એ વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં બંનેએ 16 જાન્યુઆરી 2026 ના રોજ દહેગામ પ્રમુખ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે પ્રેમલગ્ન કરી લીધા હતા. દરમિયાન ગત તા.27 જાન્યુઆરીના રોજ સાંજે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને મનીષ નામના વ્યક્તિએ હાથીજણ જવા માટે ભાડું નક્કી કરી અમનને રાયસણ પીડીપીયું રોડ પરની શાહી સીગડી રેસ્ટોરન્ટ ખાતે બોલાવ્યો હતો. અમન ત્યાં પહોંચતા જ એક સફેદ સ્વીફ્ટમાં આવેલા ચાર શખ્સોએ તેની ગાડીની ચાવી ઝૂંટવી લીધી હતી અને તેને બળજબરીથી પોતાની ગાડીમાં બેસાડી દીધો હતો. પરિણીતાનું બળજબરી પૂર્વક અપહરણ કરી ગયાઆ અપહરણકારોએ અમનને તેની પત્ની ભાવના વિશે પૂછપરછ કરી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેને લઈને અંબાપુર તેના ઘરે જવા રવાના થયા હતા. જ્યાં રસ્તામાં રાજધાની હોટલ પાસે અન્ય એક સફેદ બ્રેઝા ગાડી પણ આ ટોળકી સાથે જોડાઈ હતી. બાદમાં સાંજે આશરે સાડા પાંચ વાગ્યાના સુમારે બંને ગાડીઓ અમનના ઘરે પહોંચી હતી. આરોપીઓએ અમનની 27 વર્ષીય પત્ની ભાવનાબેનને જબરદસ્તીથી સાથે ચાલવા દબાણ કર્યું હતું. જોકે ભાવનાએ ઘસીને ના પાડી દેતા અને સાસરીયાએ પણ વિરોધ કરતા અપહરણકારોએ ઝપાઝપી કરી હતી અને ભાવનાને ટીંગાટોળી કરી સફેદ બ્રેઝા ગાડીમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના પછી અમનના મિત્ર રિઝવાન શેખ પર રાફેલ નામના યુવકનો ફોન આવ્યો હતો જેણે સ્વીકાર્યું હતું કે ભાવના હાલ તેના પરિવાર સાથે છે અને બે-ત્રણ દિવસમાં પરત આવી જશે. ત્યારે પ્રેમલગ્નની અદાવતમાં જ અપહરણ થયું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. આ અંગે અડાલજ પીઆઇ એલ.ડી.ઓડેદરાએ કહ્યું કે,રાફેલ સહિત નવ શખ્સો વિરુધ ગુનો દાખલ કરી એક ટીમને રાજસ્થાન રવાના કરાઈ છે. જ્યારે એક ઇસમની અટકાયત કરી પૂછતાછ ચાલી રહી છે.
પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ અને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત માત્ર દીકરી ધરાવતા દંપતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 'મિશન શક્તિ' યોજના હેઠળ જિલ્લામાં મહિલા સશક્તિકરણ માટે ચાલી રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર, રાજ્ય સ્તરે ‘સ્ટેટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન’ (SHEW) અને જિલ્લા કક્ષાએ ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન’ (DHEW) કાર્યરત કરાયા છે. પાટણ જિલ્લા કલેક્ટર આ DHEW યોજનાના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા, તેમને સુરક્ષા પૂરી પાડવી, લિંગ આધારિત અસમાનતા દૂર કરવી અને કાયદાકીય સમજ આપવાનો છે. નવી કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લાભાર્થીઓને દીકરી વધામણા કીટ તેમજ સ્ટડી કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. DHEW, BBBP અને OSC જેવી વિવિધ યોજનાઓની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા 'વહાલી દીકરી યોજના'ના અમલીકરણમાં સહયોગ આપવા વિનંતી કરવામાં આવી હતી, જેના પર વહીવટી તંત્ર દ્વારા સહમતિ દર્શાવવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના પ્રતિનિધિ, રોજગાર અધિકારી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર (ICDS), દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી તેમજ DHEW અને OSC સ્ટાફ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે SOG પોલીસની ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર ધ્રુવ મકવાણાએ સીમાડા ગામ વિસ્તારમાં આવેલા એક ટ્રેડિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા. આ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવી છે. 629 કિલો શંકાસ્પદ જથ્થો કબ્જે લેવાયોસીમાડા ગામ, વાલમ નગર સોસાયટી વિભાગ-1 ના પ્લોટ નંબર 8 માં આવેલી 'ગુરુકૃપા ટ્રેડિંગ' નામની દુકાનમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. SOG ને તપાસમાં 540 કિલો નોન-બ્રાન્ડેડ ચીઝ એનાલોગ (જેને પનીર તરીકે ખપાવવામાં આવતું હતું) અને 89 કિલો દૂધનો માવો મળી આવ્યો હતો. આમ, કુલ 629 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી તેના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. કામરેજના વેપારીની અટકાયત અને તપાસઆ મામલે SOG એ દુકાન માલિક ચંદુભાઈ બાબુભાઈ સાવલીયા (ઉંમર 51 વર્ષ)ની પૂછપરછ હાથ ધરી છે. આરોપી વેપારી મૂળ જૂનાગઢ જિલ્લાના બંધાળા ગામના વતની છે અને હાલ કામરેજમાં બાપા સીતારામ ચોક પાસે ઘર નંબર 23, અતિથિ બંગલોમાં રહે છે. SOG પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં શંકાસ્પદ પનીર અને માવો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વેપારીના સંપર્ક માટે બે મોબાઈલ નંબરોની વિગતો પણ સામે આવી છે.
શહેરના શાહપુર વિસ્તારમાં રહેતી મુમતાઝબાનુને તેના પતિએ ફોન પર જ તલાક આપી દીધા હોવાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુમતાઝબાનુ તેના ભાઈના લગ્ન હોવાથી પિયર ગઈ હતી. જેથી સાસુ અને પતિ માટે જમવાનું ટિફિનમાં મોકલી આપ્યું હતું. જમવાના ટિફિનમાં ભોજન ઓછું હોવાથી ઉશ્કેરાયેલા પતિ મુનાફ શેખે તેની પત્ની મુમતાજબાનુને ફોન પર જ ત્રણ તલાક આપી દીધા હતા. મુમતાઝબાનુએ પતિ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતા ભાઈના લગ્ન હોવાથી પિયર ગઈ હતીશાહપુરમાં રહેતી યુવતીના લગ્ન મેઘાણીનગરના રહેતા મુનાફ શેખ સાથે થયા હતા. બંને સમાજના રીત રિવાજ મુજબ જ લગ્ન કર્યા હતા. જે બાદ યુવતીએ ત્રણ જેટલા બાળકોને જન્મ પણ આપ્યો હતો. જાન્યુઆરી 2026માં મુમતાઝબાનુ સગા ભાઈના લગ્ન હોવાથી તે પિયર ગઈ હતી. તેના સસરા એક મહિના પહેલા મૃત્યુ પામ્યા હોવાથી પતિની મંજૂરી લઈને પિયર ગઈ હતી. ત્રણ બાળકોને લઈને મુમતાઝબાનુ લગ્ન માટે આવી હતી. 18 જાન્યુઆરીએ બપોરે જમણવાર રાખ્યો હોવાથી મુમતાઝબાનુએ તેના સાસુ અને પતિ માટે ટિફિન ભર્યું હતું. ટિફિન ઓછું આવતા પતિએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો આપીટિફિન મુમતાઝબાનુએ સાસરિયામાં મોકલી આપ્યું હતું. જે બાદ રાત્રે મુમતાઝબાનુના પતિનો ફોન આવ્યો હતો. ફોન કરીને મુનાફ શેખ તેની પત્ની મુમતાઝબાનુ પર ઉશ્કેરાઈ ગયો હતો. તારી સાસરીમાં એક પ્લેટ જેટલું ખાવાનું મોકલે છે, આટલું તો હું રોજ ભિખારીઓને ભીખમાં આપું છું. પત્નીએ જ્યારે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પતિએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો આપી હોવાની મુમતાઝબાનુએ આક્ષેપ કર્યો છે. જો કે મુમતાઝબાનુએ તેના ભાઈના લગ્ન હોવાથી બધું સહન કરી લીધું હતું. પરિણીતાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવીમુમતાઝબાનુએ તેના પતિ મુનાફ શેખને અનેક વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉશ્કેરાયેલા પતિએ ટિફિન મોકલવા જેવી બાબતે પત્નીને તલાક આપવાનું નક્કી કરી દીધું હતું. ફોન પર જ મુનાફ શેખે પત્ની મુમતાઝબાનુને ત્રણ વખત તલાક આપું છું કહીને તલાક આપી દીધા હતા. જેથી મુમતાઝબાનુ ગભરાઈ જતા તેને પરિવારને જાણ કરી હતી. જે બાદ તેને મુનાફ શેખ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ... હવે કોણ સંભાળશે અજિત પવારની NCP?
તસ્વીરમાં પ્રથમ છગન ભુજબળ, પ્રફુલ્લ પટેલ, શરદ પવાર, પાર્થ પવાર, સુનેત્રા પવાર Ajit Pawar Successor NCP : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારનું 66 વર્ષની ઉંમરે બુધવારે (28 જાન્યુઆરી) સવારે એક પ્લેન અકસ્માતમાં નિધન થયું છે. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે 11 વાગ્યે બારામતી ખાતે કરવામાં આવશે.
સુરતમાં ગુનેગારો પર લગામ કસવા માટે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં લઘુશંકા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરનાર છ રીઢા ગુનેગારોને પોલીસે દબોચી લીધા છે. આ કેસમાં સૌથી વધુ ચર્ચા આરોપીઓના દેખાવની થઈ રહી છે કારણ કે, પકડાયેલા તમામ છ આરોપીઓ ‘ટકલા’ અવસ્થામાં જોવા મળ્યા હતા. પોલીસે આ તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગુનેગારોમાં કાયદાનો ભય રહે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. લઘુશંકા બાબતે થયેલી જૂની અદાવત લોહીયાળ બનીઆ ઘટનાની વિગત મુજબ લિંબાયત વિસ્તારમાં એક રિક્ષાચાલક લઘુશંકા કરવા માટે ઉભો હતો, તે સમયે આરોપીઓ સાથે ઘર્ષણ થયું હતું. આ વિવાદ માત્ર સામાન્ય બોલાચાલી પૂરતો મર્યાદિત ન રહેતા, 15 દિવસ પહેલાની અંગત અદાવતનું સ્વરૂપ ધારણ કરી ગયો હતો. અકરમ અંસારીના ઘર પાસે આવેલી ચાની દુકાન નજીક આરોપીઓએ ફરિયાદીને આંતરી ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ ચપ્પુ જેવા ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. ફરિયાદીના માથાના પાછળના ભાગે, સાથળ અને એડીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો આવા ટકલા થશો”જ્યારે લિંબાયત પોલીસે આ ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની ધરપકડ કરી ત્યારે એક વિચિત્ર સંયોગ જોવા મળ્યો હતો. પકડાયેલા તમામ છ આરોપીઓના માથા મુંડાવેલા એટલે કે 'ટકલા' હતા. જ્યારે આ તમામ લાઈનબદ્ધ ઉભા રહ્યા ત્યારે એકસાથે છ ટકલા આરોપીઓને જોઈને સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું હતું. સોશિયલ મીડિયા અને સ્થાનિક વિસ્તારોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો આવા ટકલા થશો. પોલીસે તાત્કાલિક એક્શન લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતુંગુનાની ગંભીરતાને જોતા લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે.કામળિયા અને તેમની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેમને અનવરનગર બ્રિજ પાસેના ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જેથી સંયોગી પુરાવા એકત્રિત કરી શકાય. આ દરમિયાન જાહેરમાં પોલીસનો રૂઆબ જોઈ અને પોતાની ધરપકડ થતા તમામ છ આરોપીઓ નરમ પડ્યા હતા અને લોકોની હાજરીમાં હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા હતા. કાયદો હાથમાં લેનાર કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીંલિંબાયત પોલીસે જે છ શખ્સોની ધરપકડ કરી છે તેમાં (1) રેહાન ઉર્ફે લક્કી મોહંમદ પઠાન, (2) મોહસીનખાન ઉર્ફે બાબા કાલીયા, (3) સોએબ ઉર્ફે કુરેશી હસન શેખ, (4) સાબીર ઉર્ફે માનશીક અનવર મીરઝા, (5) ઇબ્રાહીમ ઉર્ફે જાવીદ ભીખન પઠાન અને (6) આસીફ રમઝાન શાહનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ લિંબાયતના મીઠીખાડી અને કમરૂનગર વિસ્તારના રહેવાસી છે અને મજૂરીકામ સાથે સંકળાયેલા છે. આ ટોળકી વિસ્તારમાં રાયોટીંગ અને મારામારી કરીને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરતી હતી. લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.કામળિયાએ આ કામગીરી દ્વારા ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં શાંતિ ભંગ કરનાર કે કાયદો હાથમાં લેનાર કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં. આરોપીઓને કડકમાં કડક સજા મળે તે માટે પોલીસે તમામ વૈજ્ઞાનિક અને પ્રત્યક્ષ પુરાવાઓ એકત્ર કર્યા છે.
હીરા નગરી સુરતમાં રત્નકલાકારોની આર્થિક અને માનસિક સ્થિતિ ઘણીવાર ચર્ચાનો વિષય બનતી હોય છે, ત્યારે વધુ એક રત્નકલાકારે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. વતનમાં લગ્નના પ્રસંગે જવાની તૈયારીઓ કરી રહેલા પરિવારમાં માતમ છવાઈ ગયો છે, જ્યારે 23 વર્ષીય રત્નકલાકાર યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. કારખાનેથી ઘરે આવ્યા બાદ આપઘાત કરી લીધોમળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના બાબરીયાધાર ગામના વતની અને હાલ વરાછાના હીરાબાગ સ્થિત સંતલાલ સોસાયટી (વિભાગ-6) માં રહેતા અનીલ વિરજીભાઈ બારૈયા (ઉં.વ. 23) હીરાના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક ટેકો આપતા હતા. ગઈકાલે સવારે 10 વાગ્યે અનીલ રાબેતા મુજબ કારખાનેથી કામ પતાવીને ઘરે આવ્યો હતો. ઘરે આવ્યાના થોડા જ સમય બાદ બપોરે 12 વાગ્યાની આસપાસ કોઈ અકળ કારણોસર તેણે અનાજમાં નાખવાની સેલફોસ નામની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર દરમિયાન તોડ્યો દમયુવાને ઝેર પીધું હોવાની જાણ થતા જ તેના ભાભી વર્ષાબેન અને અન્ય પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે મંગલદીપ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. અનીલની તબિયત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં તેને બચાવી શકાયો નહોતો અને ટૂંકી સારવારના અંતે રાત્રે તેનું કરુણ મોત નીપજ્યું હતું. ખુશીનો માહોલ શોકમાં ફેરવાયોઆ ઘટના પાછળનું સૌથી દુખદ પાસું એ છે કે અનીલનો પરિવાર વતનમાં સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં જવાની તૈયારીઓ કરી રહ્યો હતો. પરિવારના તમામ સભ્યો આજે જ ગામડે જવાના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અનીલની સગાઈ તેની ભાભીની નાની બહેન સાથે કરવા માટેની વાટાઘાટો પણ ચાલી રહી હતી. એક બાજુ ઘરમાં ખુશીઓ આવવાની હતી અને બીજી બાજુ યુવાનના મોતના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આત્મહત્યાનું કારણ અકબંધ23 વર્ષીય આશાસ્પદ યુવાને આટલું આત્મઘાતી પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. શું કામનું ભારણ હતું, કોઈ અંગત વિવાદ હતો કે અન્ય કોઈ આર્થિક કારણ, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
બોટાદ LCB એ CEIR પોર્ટલથી મોબાઇલ શોધી કાઢ્યો:₹10,000નો ખોવાયેલો મોબાઇલ તેના માલિકને પરત સોંપાયો
બોટાદ LCB પોલીસે CEIR પોર્ટલની મદદથી ₹10,000ની કિંમતનો ખોવાયેલો મોબાઇલ શોધી કાઢ્યો છે. આ મોબાઇલ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. નવા નાવડાના રહેવાસી ઘનશ્યામ મીઠાપરાનો IQOO કંપનીનો 29X મોડલનો મોબાઇલ ફોન 03/07/2025 ના રોજ બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેન્ક ઓફ બરોડાથી મામલતદાર કચેરી સુધીના માર્ગમાં ક્યાંક ખોવાઈ ગયો હતો. CEIR પોર્ટલના આધારે આ મોબાઇલ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યો અને 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ અરજદારને પરત કરવામાં આવ્યો.
ખેડૂતનું વોટ્સએપ હેક કરી છેતરપિંડી:વિસનગરના ખેડૂતના બેંક એકાઉન્ટમાંથી ગઠિયાએ 11 લાખની રકમ ઉપાડી લીધી
વિસનગર તાલુકાના વીરપુર જેતલવાસણા ગામના એક વૃદ્ધ ખેડૂત સાથે લાખોની છેતરપિંડીની ઘટના સામે આવી છે. ખેડૂત પ્રસંગોપાત અંબાજી ગયા હતા તે દરમિયાન અજાણ્યા શખસોએ તેમનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરી બેંક ખાતામાંથી માત્ર થોડા જ કલાકોમાં 18 ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂ.11,63,663 ની રકમ ઉપાડી લીધી હતી. સંબંધી સાથે ખેડૂત અંબાજી સગાઈ પ્રસંગમાં જવા નીકળ્યા હતાવિસનગર તાલુકાના વીરપુર જેતલવાસણા ગામે રહેતા અને ખેતીકામ કરતા 58 વર્ષીય પ્રહલાદભાઈ હરગોવનદાસ પટેલ ગત 25 જાન્યુઆરીના રોજ સવારે છ વાગ્યાના અરસામાં બસમાં તેમના સંબંધી સાથે અંબાજી મુકામે સગાઈના પ્રસંગમાં જવા નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન નેટવર્કની સમસ્યા હોવાથી તેમણે પોતાનો મોબાઈલ ચેક કર્યો ન હતો. જોકે બપોરે 12 વાગ્યાના સુમારે નેટવર્ક આવતા જ્યારે તેમણે મોબાઈલ જોયો તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમના મોબાઈલ પર અનેક ઓટીપી અને બેંકમાંથી નાણાં કપાયા હોવાના મેસેજ હતા. 18 ટ્રાન્જેક્શનથી 11.63 લાખથી વધુની રકમ સેરવી લીધીગભરાયેલા પ્રહલાદભાઈએ તાત્કાલિક તેમના પુત્ર સત્યમને જાણ કરતા તેણે બેંકમાં તપાસ કરી હતી. બેંકની પાસબુકમાં એન્ટ્રી પડાવતા માલુમ પડ્યું હતું કે, ગઠિયાઓએ અલગ-અલગ 18 ટ્રાન્જેક્શન મારફતે રૂ.11.63 લાખથી વધુની રકમ સેરવી લીધી હતી. ભોગ બનનાર ખેડૂતે સમયસૂચકતા વાપરી એસબીઆઈના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી પોતાનું ખાતું ફ્રીજ કરાવી દીધું હતું, જેના કારણે ખાતામાં રહેલા બાકીના 21.28 લાખ રૂપિયા બચી ગયા હતા. મહેસાણા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂઆ મામલે ભોગ બનનારે તુરંત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વોટ્સએપ હેક કરીને આટલી મોટી રકમ કેવી રીતે ઉપાડી લેવામાં આવી તે દિશામાં પોલીસે વધુ તપાસ આદરી છે.
રાજકોટ શહેરમાં ચોમાસા બાદ રસ્તાઓની હાલત ખૂબ દયનીય બની છે અને મુખ્ય માર્ગોથી લઈને સોસાયટીના રસ્તાઓ સુધી સર્વત્ર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સત્તાવાર આંકડાઓ મુજબ, રાજકોટમાં 126 કિલોમીટર લંબાઈના 48 રસ્તાઓ હજુ ભંગાર હાલતમાં છે, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કહ્યું કે, જાગનાથ સહિતના વિસ્તારોમાં રહેતા લોકો માટે વાહન લઈ નિકળવું મુશ્કેલ બન્યું છે. ભાજપનાં શાસનમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આરોપ પણ તેમણે લગાવ્યો છે. રાજદીપસિંહ જાડેજાએ ભાજપ શાસિત મહાપાલિકા ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોન્ટ્રાક્ટર, અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે ભ્રષ્ટાચારની ગંગોત્રી વહે છે. તેમની મિલીભગતના કારણે રસ્તાના કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવે છે, જેના પરિણામે પ્રજાના પૈસાનું પાણી થાય છે અને રસ્તાઓ ટૂંકા ગાળામાં જ બિસ્માર થઈ જાય છે. રાજકોટની જનતા હવે જાગી ગઈ છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ભ્રષ્ટાચારનો જડબાતોડ જવાબ આપશે. સમગ્ર મામલે મહાપાલિકાની સત્તાવાર વિગતો અનુસાર રાજકોટમાં કુલ 126 કિલોમીટરના ખરાબ રસ્તાઓ પૈકી 33 કિલોમીટરના 19 રસ્તાઓ સંપૂર્ણપણે નવા બનાવવા જરૂર હોવાથી ત્યાં નવા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવશે. તો 93 કિલોમીટરના 29 રસ્તાઓ પર રિ-કાર્પેટ એટલે કે જૂના ડામર પર નવો ડામર પાથરીને સમારકામ કરવામાં આવશે. સૌથી વધુ ખરાબ રસ્તાઓ વોર્ડ નંબર 8 માં હોવાનું સામે આવ્યું છે. અનેક રસ્તાઓ એવા છે જ્યાં ગત વર્ષે જ કામગીરી કરવામાં આવી હતી, છતાં એક જ વર્ષમાં ડામર ઉખડી જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વૉર્ડ મુજબ નવા બનનારા મુખ્ય રસ્તાઓની વાત કરીએ તો વોર્ડ નંબર 11 માં નાનામવા સીસી રોડથી ભીમનગર સુધી અને બાપા સીતારામ ચોકથી શાકમાર્કેટ રોડ સુધી 1090 મીટરનો રસ્તો બનશે. વોર્ડ નંબર 1 માં નાગેશ્વર અને વર્ધમાનનગરના 7950 મીટરના રસ્તાઓ, જ્યારે વોર્ડ નંબર 18 માં સીતારામ સોસાયટી, શુભમ પાર્ક, નારાયણનગર વિસ્તારમાં 6300 મીટર અને સોલવન્ટ વિસ્તારની સોસાયટીઓમાં 4400 મીટરના રસ્તાઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નંબર 5 માં નવાગામ આવાસ યોજના પાસે 1800 મીટર, વોર્ડ નંબર 1 માં રૈયાધાર બંસીધર પાર્ક લાગુ ટીપી રસ્તો 1600 મીટર અને વોર્ડ નંબર 4 માં સોખડા ચોકડીથી ફુવાડવા રોડ સુધી 1500 મીટરના રસ્તાઓ નવા બનાવવાનું આયોજન છે. રાજદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે શહેરના તમામ 18 વોર્ડમાં રસ્તાઓ ખોદીને મૂકી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પાણીની પાઈપલાઈન નાખવાનું બહાનું આગળ ધરીને રસ્તાઓ તોડી નાખવામાં આવે છે, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાઓને યોગ્ય રીતે સરખા કરવામાં આવતા નથી. આના કારણે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલી પડે છે. સાઈબાબા મંદિર પાસે અને જાગનાથ જેવા વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. અને રસ્તાઓની સાથે ગંદા પાણીની ફરિયાદોમાં પણ વધારો થયો છે, જેના ઉપર મનપાએ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ચાલુવર્ષે રેકોર્ડબ્રેક 337 કરોડ રૂપિયા રસ્તાના કામો મંજુર કરવાનો દાવો તંત્રએ કર્યો છે. જોકે હકીકતમાં ડીઆઈ પાઇપલાઇનનાં કામને લઈ શહેરના લગભગ તમામ વિસ્તારોમાં રસ્તાની હાલત ખરાબ હોવાથી આટલી મોટી રકમના કામો મંજુર કરવા પડ્યા છે. જોકે તંત્ર દ્વારા માત્ર મેઈન રસ્તાઓ ઉપર જ ડામર કામ કરવામાં આવે છે, અંદરની શેરી-ગલીઓમાં ધ્યાન આપવામાં આવતું નહીં હોવાનું પણ શહેર કોંગ્રેસ પ્રમુખએ જણાવ્યું છે. અને આ મામલે આગામી સમયમાં મનપા કમિશ્નરને રજુઆત કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે. ત્યારે મહાપાલિકા આ કામગીરી ક્યારે પૂર્ણ કરે છે તે આવનારો સમય જ બતાવશે.
ગોધરા શહેરમાં ઓરી (મીઝલ્સ) ના કેસોમાં વધારો થતાં જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને 'મીઝલ્સ આઉટબ્રેક સંકલન સમિતિ'ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રોગચાળાને નિયંત્રિત કરવા અને રસીકરણ અભિયાન અંગે નિર્ણયો લેવાયા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, બાળકોના આરોગ્ય અને સુરક્ષા માટે રસીકરણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તેમણે ગોધરા શહેરના તમામ નાગરિકોને આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા અને પાત્રતા ધરાવતા બાળકોને MR રસી અપાવવા વિનંતી કરી હતી. સામાજિક અને ધાર્મિક આગેવાનોએ પણ આ ઝુંબેશને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ, 9મહિનાથી 5વર્ષના બાળકો માટે MR (મેઝલ્સ-રુબેલા) રસીનો વધારાનો ડોઝ આપવાનો નિર્ણય લેવાયો છે. આ માટે એક વિશેષ રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ રસીકરણ કાર્યક્રમ તારીખ 29થી 31જાન્યુઆરી સુધી સમગ્ર જિલ્લામાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને તેના બુથો પર સવારે 9 કલાકથી સાંજના 5કલાક દરમિયાન યોજાશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) દ્વારા આયોજિત આ બેઠકમાં મીઝલ્સના લક્ષણો, તેની ઓળખ અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે આરોગ્ય વિભાગ તથા સામાજિક સંસ્થાઓ વચ્ચેના સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં GMERS મેડિકલ કોલેજના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, પીડિયાટ્રિશિયન, IMA સચિવ, જિલ્લા આરોગ્ય સ્ટાફ તેમજ ઉજ્જવલ વેલફેર ટ્રસ્ટ, તન્ઝીમુલ મુસ્લિમ ઉલમા-એ-કિરામ, ગોધરા મુસ્લિમ ગાંચી સમાજ અને પાનસુરા સુરા કમિટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
સુરતના ચકચારી 1500 કરોડથી વધુના સાયબર ફ્રોડ અને બેંક એકાઉન્ટ ભાડે આપવાના કૌભાંડમાં ઉધના SITને મોટી સફળતા મળી છે. છેલ્લા 8 મહિનાથી ધરપકડ ટાળવા માટે દુબઈમાં આશરો લઈ રહેલા મુખ્ય આરોપી દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણીને સુરત એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉ લુક-આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી, જેના આધારે તે શારજાહથી સુરત પરત ફરતા જ સુરત એરપોર્ટ પર ઝડપાઈ ગયો હતો. આ કૌભાંડમાં આરોપીઓની કામ કરવાની પદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ગુનાહિત કાવતરાથી ભરેલી હતી. આરોપીઓ આર્થિક રીતે નબળા અથવા સામાન્ય નાગરિકોને રૂપિયાની લાલચ આપી હતી. આ લોકો પાસેથી તેમના અસલ પાનકાર્ડ અને આધારકાર્ડ મેળવી લેવામાં આવતા હતા. દસ્તાવેજોના આધારે ખોટી દુકાનો કે વ્યવસાયના સેટઅપ બતાવીને બેંકોમાં 'કરંટ એકાઉન્ટ' ખોલાવવામાં આવતા હતા. એકવાર બેંક એકાઉન્ટ ખૂલી જાય એટલે તેની વેલકમ કિટ, ચેકબુક, ડેબિટ કાર્ડ અને બેંકમાં રજિસ્ટર્ડ થયેલું મોબાઈલ સીમકાર્ડ આરોપીઓ પોતાની પાસે રાખી લેતા હતા. આ એકાઉન્ટ્સના યુઝરનેમ અને પાસવર્ડ બદલીને, ખોટા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો ઉભા કરી આ સંપૂર્ણ કિટ્સ સાયબર ફ્રોડ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઈનીઝ ગેંગને ઊંચા કમિશનથી વેચી દેવામાં આવતી હતી. 1518 કરોડનું મસમોટું ટ્રાન્ઝેક્શનઆ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ 21 મે 2025 ના રોજ ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન થયો હતો. એક શંકાસ્પદ એક્ટિવા ચાલક (રજીસ્ટર નં- GJ-05 TD-7745) ની પૂછપરછમાં બેંક એકાઉન્ટ્સનો આ મોટો ખેલ સામે આવ્યો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ભાડે આપેલા એકાઉન્ટ્સ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 1518,05,13,682નું સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયેલું હોવાનું જાણવા મળ્યું છે. આ નાણાં ઇન્ટરનેશનલ ગેંગ દ્વારા વિવિધ સાયબર ગુનાઓ આચરીને આ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એરપોર્ટ પરથી નાટકીય ધરપકડમુખ્ય આરોપી દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી (ઉ.વ. 26, ધંધો- ટેક્સટાઈલ્સ, રહે- 13, લક્ષ્મીનગર સોસાયટી, એ.કે.રોડ, સુરત; મૂળ દેવળીયા, અમરેલી) આ ગુનામાં પોલીસની પકડથી બચવા છેલ્લા 8 મહિનાથી દુબઈ નાસી ગયો હતો. સુરત પોલીસે તેની સામે લુક-આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો. જેવો દિવ્યેશ શારજાહની ફ્લાઈટ પકડી સુરત એરપોર્ટ પર ઉતર્યો, કે તુરંત જ ઈમિગ્રેશન અને ઉધના SIT ની ટીમે તેની અટકાયત કરી લીધી હતી. SITની અત્યાર સુધીની કાર્યવાહીઉધના SIT એ આ કેસમાં અત્યંત ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. દિવ્યેશની ધરપકડ સાથે આ કેસમાં કુલ આરોપીઓનો આંકડો 30 પર પહોંચ્યો છે. અગાઉ પકડાયેલા 25 આરોપીઓ વિરુદ્ધ પોલીસ 1,50,000 (દોઢ લાખ) પાનાનું વિશાળ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી ચૂકી છે. મની ટ્રેલના આધારે તપાસ કરી પોલીસે અગાઉ અન્ય 4 આરોપીઓ પાસેથી રૂ. 2,60,32,214ની મત્તાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 164 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે થતો હતો. આ ઓપરેશન દ્વારા સુરત પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓને મોટો ફટકો આપ્યો છે. હાલ પોલીસ દિવ્યેશની પૂછપરછ કરી રહી છે, જેમાં ચાઈનીઝ ગેંગ સાથેના તેના સીધા સંપર્કો અને અન્ય કેટલા લોકો આ જાળમાં સામેલ છે તેની વિગતો બહાર આવવાની શક્યતા છે. આ પણ વાંચો: ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડમાં 2050 કરોડનાં ટ્રાન્ઝેક્શન, 164માંથી RBL બેંકનાં 119 એકાઉન્ટ કિરાત અને દિવ્યેશ ટેક્સટાઇલના ધંધામાં ભાગીદાર હતાડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, ઉધના પોલીસ સ્ટેશનમાં 1550 કરોડની સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસનો મુખ્ય આરોપી કિરાત જાદવાણી છે, જેમાં તેની બહેન વૃંદા જાદવાણી અને સહયોગી દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી (26 વર્ષ) પણ સામેલ છે. અગાઉ કિરાત અને દિવ્યેશ ટેક્સટાઇલના વ્યવસાયમાં ભાગીદાર હતા, પરંતુ તેમાં નુકસાન થતાં તેઓ સાયબર ફ્રોડ તરફ વળ્યા હતા. આરોપીઓ અન્ય લોકોના KYC દસ્તાવેજો મેળવી તેમના નામે બેંક ખાતા ખોલાવતા અને તે ખાતાઓનો ઉપયોગ છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે કરતા હતા. અત્યાર સુધીમાં 30 લોકોની ધરપકડ કરાઈદિવ્યેશ બેંક અને ખાતાધારકો વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરતો હતો. ગુનો નોંધાયા બાદ તે દુબઈ અને શારજાહ ભાગી ગયો હતો, જેના કારણે તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર ઉતરતા જ તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને દિવ્યેશ આ કેસનો 30મો આરોપી છે. છેતરપિંડીના નાણાંમાં તેને આશરે 20-25% કમિશન મળતું હતું. તેણે અત્યાર સુધીમાં 200થી વધુ કરન્ટ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરી હોવાનું પણ સામે આવ્યું છે.
મહેસાણામાં આયોજિત એક સ્વાસ્થ્ય પરિષદમાં હાજરી આપવા આવેલા ધારાસભ્ય મુકેશ પટેલ અને એક ખાનગી હોટલના સ્ટાફ વચ્ચે વોશરૂમ વાપરવા બાબતે ભારે હોબાળો થયો હતો. વોશરૂમ પર તાળું જોઈને ધારાસભ્ય લાલઘૂમ થયા હતા. હોટલ સ્ટાફે નિયમોનું ગાણું ગાઈને તેમને બહાર જવાનું કહેતા મામલો બિચક્યો હતો. બુકિંગ હોલનું વોશરૂમ બહાર છે, આ નહીં ખુલે,તમે બહાર જાઓસ્વાસ્થ્ય પરિષદ દરમિયાન ધારાસભ્ય મુકેશ પટેલને વોશરૂમ જવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જોકે હોટલના વોશરૂમ પર તાળું મારેલું હતું.જ્યારે ધારાસભ્યએ તાળું ખોલવા કહ્યું, ત્યારે સ્ટાફે ઉદ્ધત વર્તન કરતા જણાવ્યું હતું કે, બુકિંગ હોલનું વોશરૂમ બહાર છે, આ નહીં ખુલે,તમે બહાર જાઓ. આ સાંભળીને ધારાસભ્યનો પિત્તો ગયો હતો. તેમણે સ્ટાફને આડે હાથ લેતા કહ્યું કે, જો તમે અમારી સાથે આવું વર્તન કરો છો, તો સામાન્ય જનતા સાથે કેવું કરતા હશો? ધારાસભ્યએ માત્ર રોષ જ ન વ્યક્ત કર્યો પરંતુ હોટલ સ્ટાફ અને માલિકને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું. તેમણે નિયમ સમજાવતા જણાવ્યું કે,કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટ કોઈ પણ નાગરિકને વોશરૂમ વાપરવા કે પીવાનું પાણી આપવા માટે મનાઈ કરી શકે નહીં. સ્ટાફના ગેરવર્તનને પગલે ધારાસભ્યએ હોટલ માલિકનો પણ ક્લાસ લીધો હતો. મામલો ગરમાતા અને ધારાસભ્ય આક્રમક મૂડમાં જણાતા હોટલ માલિક દોડી આવ્યા હતા. પોતાની ભૂલ સ્વીકારીને અને સ્ટાફના ગેરવર્તન બદલ હોટલ માલિકે ધારાસભ્ય મુકેશ પટેલની દિલગીરી વ્યક્ત કરી લેખિત કે મૌખિક માફી માંગતા અંતે મામલો થાળે પડ્યો હતો. આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
ગોધરા તાલુકાના છાવડ ખાતે કિસાન છાત્રાલયમાં વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકાર્ય ધારાસભ્ય સી.કે. રાઉલજીની અધ્યક્ષતામાં વલ્લભ યુથ ફાઉન્ડેશન, વડોદરાના સહયોગથી યોજાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગોધરા તાલુકાના છાવડ અને પીપળીયા પૂર્વ ગામની 310 જેટલી વિધવા બહેનોને ઠંડીથી રક્ષણ આપવા માટે ધાબળાનું વિતરણ કરાયું હતું. આ વિતરણ અતુલ પટેલના સહકારથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, વડોદરાની VYO Women's Wings દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ સંસ્થાના સેવાકાર્યને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે તેઓ વિધવા બહેનોને વિધવા સહાયમાં વધારો મળે તે માટે સરકારને ભલામણ કરશે. તેમણે વિધવા બહેનોને સરકારી યોજનાઓમાં સહાય મેળવવામાં કોઈ મુશ્કેલી હોય તો વિના સંકોચે જાણ કરવા પણ જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને ઓરવાડા જિલ્લા પંચાયત સભ્ય અરવિંદસિંહ પરમારે ધારાસભ્ય અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિનું સ્વાગત કરી તમામ બહેનો વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ગોધરા તાલુકા ભાજપ પ્રમુખ સંજય પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અર્જુન , એપીએમસી ડિરેક્ટર રમેશ બારીઆ, તાલુકા પંચાયત સભ્ય સાગર, તેમજ ગ્રામ પંચાયતના સરપંચો, માજી સરપંચો, સભ્યો અને અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિજયનગર હત્યા કેસ, બે આરોપીને આજીવન કેદ:ઈડર કોર્ટે મૃતકના પરિવારને 1 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો
વિજયનગર તાલુકાના કાથરોટી ગામે ચાર વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં ઈડર કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. બુધવારે ન્યાયાધીશે આ ચુકાદો આપ્યો હતો, જેમાં મૃતકના પરિવારને ₹1 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો છે. સરકારી વકીલ એન.એન. બારોટે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચાર વર્ષ અગાઉ કાથરોટી ગામના જશુભાઈ નાગજીભાઈ ગામેતીને ગામના ઈશ્વર ડાહ્યાભાઈ કટારા અને રઈલેશ ડાહ્યાભાઈ કટારાએ ફોન કરીને ઘરે વાત કરવા બોલાવ્યા હતા. જશુભાઈએ વાત કરવાની ના પાડતા, અદાવત રાખી બંને આરોપીઓએ કુહાડી વડે હુમલો કર્યો હતો. રઈલેશ કટારાએ જશુભાઈના માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી, જ્યારે ઈશ્વર કટારાએ પણ કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજા થવાથી જશુભાઈ ગામેતીનું મોત થયું હતું. આ ઘટના બાદ, કાથરોટી ગામના સુરમાભાઈ નાગજીભાઈ ગામેતીએ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની તપાસ પૂર્ણ કરી ઈડર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બુધવારે, 28 જાન્યુઆરીના રોજ ન્યાયાધીશ એમ.વાય. રાધનપુરવાલાની કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ન્યાયાધીશે સરકારી વકીલ એન.એન. બારોટની દલીલો અને રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને ઈશ્વર કટારા અને રઈલેશ કટારાને જશુભાઈ ગામેતીની હત્યા માટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા અને પ્રત્યેકને ₹50,000નો દંડ ફટકાર્યો છે. ચુકાદામાં એમ પણ જણાવાયું છે કે, દંડની કુલ ₹1 લાખની રકમ મૃતક જશુભાઈ ગામેતીના પરિવારને વળતર તરીકે ચૂકવવામાં આવે.
ભાવનગરમાં ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ માટે સુરક્ષા સેમિનાર યોજાયો, 260 થી વધુ કર્મચારીઓએ તાલીમ લીધી ભાવનગર ખાતે આજે જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાં કાર્યરત કર્મચારીઓ માટે એક વિશેષ 'સેફ્ટી સેમીનાર'નું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન નિરમા લિમિટેડ, એગ્રોસેલ અને સુમિટોમો કેમીકલ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક ક્ષેત્રે સુરક્ષાના ધોરણો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજકોટ રીજીયોનના ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર એચ.એસ. પટેલ તથા ભાવનગરના આસી. ડાયરેક્ટર મેણાત ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ નિરમા લિમિટેડના વાઈસ પ્રેસિડેન્ટ ડી.જી. જાખડે, એગ્રોસેલના સુમીત કક્કર અને સુમીટોમો કેમીકલ લિ.ના વિશાલભાઈ શ્રોફ પણ ઉપસ્થિત રહી કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા, સેમિનાર દરમિયાન સુરક્ષા વિષયક માર્ગદર્શન આપનાર ફેકલ્ટી મેમ્બર્સનું મહાનુભાવોના વરદ હસ્તે મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં ભાવનગર જિલ્લાના વિવિધ ઉદ્યોગોના અંદાજે 260 જેટલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સુરક્ષા સંબંધિત આધુનિક પદ્ધતિઓની જાણકારી મેળવી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ નિરમા લિમિટેડના શક્તિદાન રોહડિયા દ્વારા કરવામાં આવી હતી, આ સેમિનારને સફળ બનાવવામાં એગ્રોસેલના મયુરભાઈ ભટ્ટી, સુમિટોમો કેમીકલના ભદ્રેશભાઈ ત્રિવેદી અને નિરમા લિમિટેડના શક્તિદાન રોહડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.
ગોધરાની પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં 28મી જાન્યુઆરીના રોજ સાયબર સેફ્ટી અને ડિજિટલ વેલબીઇંગ પર ઇન્ટરએક્ટિવ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓ પ્રત્યે જાગૃત કરી ડિજિટલ માધ્યમોના સુરક્ષિત અને સંતુલિત ઉપયોગની સમજ આપવાનો હતો. આ વર્કશોપમાં સાયબર ક્રાઇમ વિભાગના પીએસઆઈ એસ. બી. પરમાર અને પીસી દેવસિંહ સોલંકી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્ર બારિયાના સંકલન હેઠળ યોજાયેલા આ સત્રમાં પીએસઆઈ પરમારે સોશિયલ મીડિયાના સુરક્ષિત વપરાશ, ઓનલાઇન ફ્રોડથી બચાવ, પાસવર્ડ સુરક્ષા અને સાયબર બુલિંગ જેવા મહત્વના વિષયો પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ સાયબર સુરક્ષા અંગે પૂછેલા વિવિધ પ્રશ્નોનું અધિકારીઓ દ્વારા વ્યવહારિક ઉદાહરણો સાથે નિરાકરણ લાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ ધોરણ 9ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલું સાયબર જાગૃતિ અંગેનું નાટક હતું. આ નાટકમાં ઓનલાઇન ગેમ્સમાં અજાણી લિંક કે URL દ્વારા થતી છેતરપિંડીનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. ફ્રી રિવોર્ડ કે ગેમ ઓફર્સની લાલચમાં આવ્યા વગર વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવા અંગે નાટક દ્વારા અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળા પરિવારે ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ધનસુરા તાલુકાના પોયડા ગામ નજીક આવેલી શ્રદ્ધા કોલેજમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અંતર્ગત ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ધનસુરા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમમાં ધનસુરા ટ્રાફિક ઇન્ચાર્જ બાપુસિંહ અને જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોલેજના યુવાનોને ટ્રાફિક નિયમો, માર્ગ સલામતીના મહત્વ અને અકસ્માતો ટાળવા અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કર્યા હતા.
મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે દેવી અહિલ્યા હોર્સ સોસાયટી દ્વારા આયોજિત 'સેન્ટ્રલ ઈન્ડિયા હોર્સ શો'માં અમદાવાદના હાથીજણ ગામના અશ્વોએ મેદાન માર્યું છે. ઓલ ઈન્ડિયા હોર્સ કોમ્પિટિશનમાં વિવિધ રાજ્યોના ઉત્કૃષ્ટ અશ્વો વચ્ચે અમદાવાદના 'એચ. કે. સ્ટડ ફાર્મ'ના અશ્વોએ પોતાની સુંદરતા અને નસલનો જાદુ પાથર્યો હતો. વારસાગત અશ્વ પ્રેમ લાવ્યો રંગ હાથીજણના રહેવાસી કૌશિકભાઈ હરજીભાઈ દેસાઈને અશ્વ પાલનનો શોખ વારસાગત મળ્યો છે. આ સ્પર્ધામાં તેમણે પોતાની બે 'મિલ્ક ટીથ' (દૂધના દાંતવાળી) ઘોડીઓ સાથે ભાગ લીધો હતો. 'બ્યુટી હોર્સ' તરીકે જાણીતી તેમની 16 મહિનાની ઘોડી 'રુક્ષ્મણી'એ સમગ્ર સ્પર્ધામાં બીજો (2) ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે 18 મહિનાની ઘોડી 'કલ્યાણી'એ ચોથો (4) ક્રમ મેળવી ગુજરાતની શાન વધારી છે. આ આંતરરાજ્ય સ્પર્ધામાં દેશભરમાંથી અલગ-અલગ પ્રજાતિના અશ્વો આવ્યા હતા, જેની વચ્ચે હાથીજણના આ અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
સુરેન્દ્રનગર યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાશે:29 જાન્યુઆરીએ રોટરી હોલ ખાતે બેઠકનું આયોજન કરાયું
સુરેન્દ્રનગરમાં જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક 29 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 3:00 કલાકે રોટરી હોલ, એન.ટી.એમ. સ્કૂલ પાસે યોજાશે. યુવા શક્તિના સંગઠિત અવાજ, વિચાર, સંકલ્પ અને શક્તિના ઉદ્દેશ્ય સાથે આ બેઠક બોલાવવામાં આવી છે. આ કારોબારી બેઠકમાં યુવાનોની ભૂમિકા, સંગઠનની મજબૂતી અને આગામી કાર્યયોજનાઓ અંગે મહત્વપૂર્ણ વિચાર-વિમર્શ કરવામાં આવશે. સંગઠનની કરોડરજ્જુ સમાન યુવા શક્તિને યોગ્ય દિશા, ગતિ અને એકતા આપવા માટે આ મંચ તૈયાર કરવામાં આવ્યો છે. બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ડૉ. પ્રવીણસિંહ વણોલ, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી નિખિલ દ્રિવેદી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશી અને સુરેન્દ્રનગર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રભારી શક્તિપાલસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગર જિલ્લા યુથ કોંગ્રેસના નવનિયુક્ત પદાધિકારીઓ, જિલ્લા ઉપપ્રમુખઓ, મહામંત્રીઓ, વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખઓ અને તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખઓ સહિત તમામ યુવાનો અને કાર્યકર્તાઓને આ બેઠકમાં હાજર રહેવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ પરમાર, વઢવાણ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ભગીરથસિંહ પરમાર, લીંબડી વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ સંજયભાઈ ગોલાણી, ધાંગધ્રા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ જીગ્નેશભાઈ પીપળીયા, ચોટીલા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ જયપાલભાઈ અલગોતર અને દસાડા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન પટેલ પણ ઉપસ્થિત રહેશે.
ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં વન્યજીવોનું રહેણાંક વિસ્તારોમાં આગમન હવે સામાન્ય બનતું જાય છે. ગત મોડી રાત્રે જૂનાગઢના બિલખા રોડ નજીક આવેલા રાજીવ નગર વિસ્તારમાં એક સિંહણ શિકારની શોધમાં આવી ચઢી હતી. આ સિંહણે ભરચક રહેણાંક વિસ્તારની વચ્ચે એક પશુનું મારણ કરી મિજબાની માણી હતી. સિંહણ દ્વારા કરવામાં આવેલા આ શિકારના લાઈવ દ્રશ્યો સ્થાનિક રહીશોએ પોતાના ઘરની બારી કે અગાશી પરથી મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા, જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. સિંહણે કરેલા આ શિકારથી સમગ્ર રાજીવ નગર અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે પશુઓના કરુણ અવાજ અને સિંહણની ગર્જના સાંભળી લોકો જાગી ગયા હતા. જ્યારે લોકોએ બહાર જોયું ત્યારે એક સિંહણ ખુલ્લેઆમ શિકાર કરી રહી હતી. આ દ્રશ્યો જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. વારંવાર રહેણાંક વિસ્તારોમાં સિંહો આવી ચઢતા હોવાથી હવે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. ગિરનારના જંગલ વિસ્તારને અડીને આવેલા ગામડાઓ અને રહેણાંક વિસ્તારોમાં સિંહોનું વિચરણ સતત વધી રહ્યું છે. અવારનવાર સિંહો જંગલ છોડીને શિકારની શોધમાં ડુંગરપુર, વિજાપુર, પ્લાસવા અને બિલખા રોડના રેવન્યુ વિસ્તારોમાં આવી ચઢે છે. વર્ષ 2025 ની સિંહ વસ્તી ગણતરી મુજબ ગિરનાર જંગલમાં અંદાજે 54 થી વધુ સિંહોનો વસવાટ નોંધાયો છે. સિંહોની સંખ્યામાં થયેલા વધારાને કારણે હવે સિંહોના ગ્રુપ ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ વળી રહ્યા છે. જ્યારે પણ સિંહો રહેણાંક વિસ્તારમાં હોવાની જાણ થાય છે, ત્યારે વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જાય છે. વન કર્મચારીઓ દ્વારા સિંહોને ટ્રેક કરીને તેમને માનવ વસાહતથી દૂર સલામત જંગલ વિસ્તારમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જોકે, વન વિભાગની સતર્કતા છતાં, સિંહો વારંવાર એક જ વિસ્તારોમાં પરત ફરતા હોવાથી કાયમી ઉકેલની માંગ ઉઠી છે. વન વિભાગ દ્વારા લોકોને રાત્રિના સમયે સાવચેત રહેવા અને પશુધનને સુરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી છે. અત્યારે તો રાજીવ નગર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહણના આ વાયરલ વીડિયોએ ચર્ચા જગાવી છે. એક તરફ સિંહ દર્શનનો રોમાંચ છે, તો બીજી તરફ જાનમાલના નુકસાનનો ડર પણ સતાવી રહ્યો છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો સિંહો આ રીતે જ ખુલ્લેઆમ સોસાયટીઓમાં ફરતા રહેશે, તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે. આથી વન વિભાગ આ બાબતે વધુ સઘન પેટ્રોલિંગ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢના પ્રવાસ દરમિયાન ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરના ₹68 કરોડના બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ કર્યું. આ સાથે જ તેમણે શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને નવા ફાયર સેફ્ટી વાહનોને લીલી ઝંડી આપી. પીટીસી હેલિપેડ પર ભવ્ય સ્વાગત બાદ સરોવરની મુલાકાત લઈ તેમણે કામગીરીનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં કુલ ₹220 કરોડના 26 જનહિતકારી વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરી જિલ્લાને મોટી ભેટ આપી, જેમાં પાણી પુરવઠો, રોડ, શિક્ષણ, આરોગ્ય, રમતગમત સંકુલ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમણે સરોવરની જાળવણી માટે નાગરિકોને સ્વચ્છતા અને લોકભાગીદારીની અપીલ કરી હતી. શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અને ફાયર વાહનોનું લોકાર્પણનરસિંહ મહેતા સરોવર ખાતે આવેલા શહીદ સ્મારક પર મુખ્યમંત્રીએ તકતી અનાવરણ કરી નરસિંહ મહેતાની મૂર્તિ લોકોને દર્શન માટે ખુલ્લી મૂકી હતી.તેમજ શહીદ સ્મારકે પુષ્પ ચડાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે તેમણે જૂનાગઢ મહાનગરપાલિકાના નવા ફાયર સેફ્ટી વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી લોકાર્પણ કર્યું હતું. 220 કરોડના 26 જેટલા જનસુખાકારી અને વિકાસ કાર્યોની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એક જ દિવસમાં જુનાગઢ શહેર તેમજ અલગ-અલગ તાલુકાઓના 220 કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું.આ કામોમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. પદ્મશ્રી વિજેતા હાજી રમકડુંનું મુખ્યમંત્રીના હસ્તે બહુમાનજૂનાગઢ ખાતે આયોજિત વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે એક વિશેષ ક્ષણ જોવા મળી હતી. તાજેતરમાં જેમના નામની પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે, તેવા જૂનાગઢના જાણીતા કલાકાર હાજી રમકડું (મીર હાજી કાસમ)નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેજ પર ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. હાજી રમકડુંએ આ સન્માન સ્વીકારતા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. નરસિંહ મહેતા સરોવરની જાળવણી માટે અપીલનવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવર અંગે વાત કરતા તેમણે કહ્યું કે, સરકારે 68 કરોડના ખર્ચે આ સરોવરને નવું રૂપ આપ્યું છે, પરંતુ હવે તેમાં સ્વચ્છતા જાળવવા માટે જૂનાગઢના નાગરિકોએ ભાવના દાખવવી પડશે. લોકભાગીદારી અને જાગૃતિ દ્વારા જ આ સરોવરની સુંદરતા લાંબો સમય ટકી રહેશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. એક સમયે જ્યાં લાખોના કામ થતા ત્યાં આજે કરોડોના વિકાસ કાર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યોના સંદર્ભમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે જૂનાગઢ શહેર અને જિલ્લા માટે ગૌરવનો દિવસ છે કારણ કે 220 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો. જેના પરિણામે એક સમયે જ્યાં માત્ર લાખોના કામ થતા હતા ત્યાં આજે કરોડો રૂપિયાના વિકાસ કાર્યો થઈ રહ્યા છે. શહેરી વિકાસ વર્ષની ઉજવણી અને બજેટમાં થયેલા વધારાને કારણે આજે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે 30 હજાર કરોડનું બજેટ ઉપલબ્ધ છે. હજુ 5થી 7 કરોડની જરૂર હોય તો તંત્રને વહેલી તકે દરખાસ્ત મોકલવા સૂચના શહેરની સુંદરતા અને સુખાકારી અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે નરસિંહ મહેતા સરોવર જૂનાગઢ માટે એક અનમોલ નજરાણું છે અને તેને સાચવવાની નૈતિક જવાબદારી નાગરિકોની છે. સ્વચ્છતા એ માત્ર સરકારી કાર્યક્રમ ન રહેતા લોક-સ્વભાવ બનવો જોઈએ. જૂનાગઢ એવું શહેર છે જ્યાં દેશ-દુનિયામાંથી પ્રવાસીઓ આવે છે, તેથી અહીં સ્વચ્છતા હોવી અનિવાર્ય છે. સરોવરના બાકી રહેલા કામો માટે હજુ 5થી 7 કરોડની જરૂર હોય તો તંત્રને વહેલી તકે દરખાસ્ત મોકલવા સૂચના આપી છે, જેથી રાજ્ય સરકાર ત્વરિત રકમ ફાળવી શકે. પાણીનો બગાડ અટકાવવો અને વરસાદી પાણીનો સંગ્રહ કરવો જળ સંચય અને ભાવિ આયોજન પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, વિકાસ કાર્યોથી પાણીની સુવિધામાં વધારો થયો છે પરંતુ, પાણીનો બગાડ અટકાવવો અને વરસાદી પાણીનો સંગ્રહ કરવો એ સમયની માંગ છે. જો કોઈ વિસ્તારમાં જળ સંચયના કામોની જરૂર હોય તો સ્થાનિક ધારાસભ્યો સાથે મળીને સરકારની ઝુંબેશમાં જોડાવવું જોઈએ. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણે આયોજનબદ્ધ રીતે આગળ વધવું પડશે. આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે તેમણે અપીલ કરી હતી કે, નાની ઉંમરે થતા રોગોથી બચવા માટે આપણે ફરીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યા સામે લડવા માટે ગ્રીન કવર વધારવું જરૂરી છે. 'એક પેડ માઁ કે નામ' મુહીમમાં સહભાગી થવા તેમણે આહવાન કર્યું હતું, જેમાં કોઈ આર્થિક ભારણ નથી છતાં તે પર્યાવરણ માટે મોટું યોગદાન બની શકે છે. છેવાડાના માનવીને રોજગાર મળે તે દિશામાં સરકાર કટિબદ્ધ અંતમાં તેમણે નાના માણસોની આજીવિકા માટે બનાવાયેલા હોકર્સ ઝોનના પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે, છેવાડાના માનવીને રોજગાર મળે તે દિશામાં સરકાર કટિબદ્ધ છે. આપણે સૌ સાથે મળીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ અને આ વિકાસ યાત્રામાં સહભાગી થઈએ. લોકો માટે ફરવાનું સ્થળ બની શકે એ પ્રકારનું સરોવર કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને જનતા માટે નરસિંહ મહેતા સરોવર દરેક લોકો માટે ફરવાનું સ્થળ બની શકે એ પ્રકારનું સરોવર બનાવ્યું છે અને આ વિસ્તારની ઘણા સમયની માંગ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ સંકુલ એ આ વિસ્તારને મળે એના માટે ₹13 કરોડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. 200 કરોડ કરતા વધારે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે અને જે રીતે સરોવરનું લોકાર્પણ કર્યું જનતા સારી રીતે એમાં વોકિંગ પણ કરી શકે અને સારી રીતે પર્યાવરણ સાથે ફરી શકે એ પ્રકારના વિકાસના કાર્યોની ભેટ આપવામાં આવી છે. કૃષિ યુનિવર્સિટીમાં સભા બાદ સાસણ જવા માટે રવાના કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી જિલ્લાના વિવિધ વિકાસકામોની તકતીઓનું અનાવરણ કરશે. સભા સ્થળ પર મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોની હાજરી જોવા મળી રહી છે. આ મુખ્ય કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સાસણ જવા માટે રવાના થયા.
બનાસકાંઠામાં બટાકાના ભાવ ગગડ્યા:ખેડૂતો પાયમાલ થવાના આરે, સરકાર પાસે સબસિડીની માંગ
બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવમાં અચાનક થયેલા મોટા ઘટાડાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વર્ષે સારા ઉત્પાદન છતાં, વાવેતરનો ખર્ચ પણ નીકળતો ન હોવાથી ખેડૂતો સરકાર પાસે સબસિડી અથવા ટેકાના ભાવે ખરીદીની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ડીસા અમીરગઢ અને વડગામ પંથકમાં દર વર્ષે મોટા પાયે બટાકાનું વાવેતર થાય છે. ગત વર્ષે સારા ભાવ મળતાં આ વર્ષે ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને વધુ વાવેતર કર્યું હતું, જેના પરિણામે ઉત્પાદન પણ પુષ્કળ થયું. જોકે, ખેતરોમાંથી બટાકા કાઢવાની શરૂઆત થતાં જ ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો. ગત વર્ષે ખેડૂતોને એક મણ (20 કિલો) બટાકાના રૂ. 230 થી 250 મળતા હતા, જ્યારે આ વર્ષે હાલ રૂ. 90 થી 150 જ મળી રહ્યા છે. આ ભાવ ખેડૂતોને વાવેતર ખર્ચ પણ પૂરો પાડી શકતા નથી. ખેડૂતોના મતે, તેમણે રૂ. 1500ના મોંઘા બિયારણ, ખાતર અને ખેડાઈ પાછળ રાત-દિવસ મહેનત કરી હતી. ખેડૂતો જણાવી રહ્યા છે કે તેમને પ્રતિ વીઘે રૂ. 30 થી 35 હજારનો ખર્ચ થયો છે, જે પણ વસૂલ થતો નથી. જો સરકાર સબસિડી નહીં આપે અથવા ભાવમાં વધારો નહીં કરે તો તેઓ દેવાદાર બની જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ અંગે ખેડૂત પ્રકાશભાઈએ જણાવ્યું કે, દર સાલ બટાકાની ખેતી વાવેતર ચાલુ જ છે. આ સાલ ભાવ એકદમ નીચા છે, ગઈ સાલ 18-20 રૂપિયા ઊંચા ભાવે વેચાતું બટાકું આ સાલ એની સરખામણીમાં જોવા જઈએ તો એકદમ નીચા ભાવે છે. 7થી 8 રૂપિયે બટાકું અત્યારે વેચાય છે અને ડીએપી (DAP)ના ભાવ પણ ઊંચા છે, એટલે ખેડૂતોને નુકસાન જવાનો વારો છે. અમે વાવ્યું તું 30-35 વીઘા, અમારી માંગ છે કે સરકાર કઇક વિચારે તો સારુ.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ભરૂચ મહિલા પોલીસ આપઘાત કેસમાં નવો વળાંક:સહકર્મી પોલીસકર્મીની ધરપકડ, દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં એક સહકર્મી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે.લગ્નના વચનોથી બંધાયેલા પ્રેમમાં લગ્ન નહી થતા હોવાના કારણે મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ એસપી કચેરીની એલઆઇબી કચેરીમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ પરમારે 21 જાન્યુઆરીની રાત્રે પોલીસ હેડક્વાર્ટર્સ સ્થિત પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે પ્રીતિના સહકર્મીઓ, પરિચિતો અને તેના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે પ્રીતિ પરમારનો ભરૂચ પોલીસમાં જ ફરજ બજાવતા સંદીપ ગોહિલ નામના પોલીસકર્મી સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે લગ્ન કરવાની વાતો થતી હતી અને સંદીપે પ્રીતિને લગ્નના વચનો પણ આપ્યા હતા. જોકે, બંનેના સમાજ અલગ હોવાને કારણે લગ્ન શક્ય ન હોવાનું સ્પષ્ટ થતાં પ્રીતિ માનસિક રીતે ભાંગી પડી હતી. લગ્નના સપના તૂટવા અને પ્રેમ સંબંધમાં નિરાશા મળવાને કારણે તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે બી ડિવિઝન પોલીસે સંદીપ ગોહિલ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
નવસારી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી સામે ભૂસ્તર વિભાગે કડક કાર્યવાહી કરી છે. જલાલપોર તાલુકાના બોદાલી ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભૂસ્તર અધિકારી પી.આર. ખાંભલાના માર્ગદર્શન હેઠળ વિભાગની ટીમે બોદાલી ગામે પૂર્ણા નદીના પટમાં તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી રેતી ભરેલા પાંચ હાઈવા ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા વાહનો અને ખનીજની અંદાજિત કિંમત ₹1 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાએ જાન્યુઆરી-2026 દરમિયાન ખનીજ ચોરી રોકવા માટે સઘન ઝુંબેશ ચલાવી હતી. આ સમયગાળામાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કુલ 41 કેસ નોંધાયા હતા. આ ઝુંબેશ દરમિયાન એક્ષકેવેટર મશીનો, ટ્રક, ડમ્પર, ટેમ્પો અને યાંત્રિક નાવડીઓ સહિતના વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી મહિનામાં કુલ ₹26.70 લાખની દંડકીય વસૂલાત કરવામાં આવી હતી. ગાંધીનગર કમિશનર કચેરીના 3 જાન્યુઆરી, 2026ના તાજેતરના પરિપત્ર મુજબ, રોયલ્ટી વગર સાદી રેતીનું વહન કરતી નવ ગાડીઓને 30 દિવસ માટે સીઝ કરવામાં આવી છે. ગુજરાત મીનરલ્સ રૂલ્સ-2017 હેઠળ કસૂરવારો વિરુદ્ધ કડક દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નવસારીમાં ATSએ આતંકી ષડયંત્રના આરોપી ફૈઝાનને પકડ્યો:મકાન માલિક સામે પણ નિયમભંગનો ગુનો નોંધાયો
ગુજરાત એટીએસ (ATS) દ્વારા રાજ્યમાં આતંકી ગતિવિધિઓ રોકવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી આતંકી ષડયંત્રના શંકાસ્પદ આરોપી ફૈઝાન શેખની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે ભાડુઆતની વિગતો છુપાવવા બદલ મકાન માલિક સામે પણ ગુનો નોંધ્યો છે. ગત 25 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાત એટીએસ દ્વારા નવસારીના ઝારાવાડમાં દરોડા પાડી ફૈઝાન શેખને પકડવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના નરપત નગરનો રહેવાસી છે અને છેલ્લા 2-4 વર્ષથી નવસારીમાં ટેલરિંગનું કામ કરતો હતો. તે જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકી સંગઠનોની વિચારધારાથી પ્રભાવિત થઈ કટ્ટરપંથી બન્યો હોવાની શંકા છે. ધરપકડ દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટક દારૂગોળો મળી આવ્યો છે. પોલીસને આશંકા છે કે તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવા અથવા પસંદગીના વ્યક્તિઓની હત્યા (ટાર્ગેટ કિલિંગ) કરવાના ઇરાદામાં હતો. આ કેસમાં આતંકી કનેક્શન ઉપરાંત સ્થાનિક સ્તરે કાયદાના ભંગનો મામલો પણ સામે આવ્યો છે. ઝારાવાડ વિસ્તારમાં મોટા પાયે ટેલરિંગનું કામ ચાલે છે, જ્યાં ઉત્તર પ્રદેશથી કારીગરો કામ કરવા આવે છે. મકાન માલિક ઇસ્લામુદ્દીન અલાઉદ્દીન શેખે પોતાના મકાનમાં ઉત્તર પ્રદેશના આશરે 10 જેટલા કારીગરોને રાખ્યા હતા, પરંતુ તેની જાણ સ્થાનિક પોલીસ મથકે કરી નહોતી. નવસારી ટાઉન પોલીસે ભાડુઆતોના દસ્તાવેજોની ચકાસણી કે પોલીસ વેરિફિકેશન કરાવ્યા વગર તેમને રાખવા બદલ મકાન માલિક વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં એટીએસ દ્વારા ફૈઝાન સાથે કામ કરતા અન્ય 10 જેટલા કર્મચારીઓની પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી શકે છે. પોલીસ તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિને મકાન ભાડે આપતા પહેલા અથવા કામ પર રાખતા પહેલા તેના કાયદેસરના દસ્તાવેજો મેળવી તેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવી ફરજિયાત છે. આ નિયમનું પાલન ન કરનારા મકાન માલિકો સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે.
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલા તાજેતરના મુક્ત વ્યાપાર કરાર (FTA) એ સુરતના ઔદ્યોગિક જગતમાં એક નવી ઊર્જા ફૂંકી છે. આ કરાર એવા સમયે આવ્યો છે. જ્યારે વૈશ્વિક મંદી અને ભૌગોલિક તણાવને કારણે નિકાસ ક્ષેત્ર પડકારોનો સામનો કરી રહ્યું હતું. સુરતના હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે આ સમજૂતી માત્ર વ્યાપારી સોદો નથી. પરંતુ વૈશ્વિક બજારમાં પોતાની પકડ મજબૂત કરવાની એક સુવર્ણ તક છે. ભારતના નિકાસ ક્ષેત્રમાં એક ઐતિહાસિક વળાંક આવ્યો છે. ભારત અને યુરોપિયન યુનિયન (EU)વચ્ચે થયેલા તાજેતરના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ને સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ માટે 'સંજીવની' માનવામાં આવે છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલી આકરી જકાત અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશો સાથેની સ્પર્ધા વચ્ચે, આ સમજૂતીથી 27 યુરોપિયન દેશોના વિશાળ બજારના દ્વાર ભારત માટે ખુલી ગયા છે. સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફને કારણે મુશ્કેલીમાં હતો. જાણીતા હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કટ અને પોલિશ્ડ હીરાની સીધી નિકાસ લગભગ 35% જેટલી હતી, પરંતુ ટેરિફને કારણે તેમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ કરાર જેમ્સ એન્ડ જ્વેલરી માટે ગેમ-ચેન્જર સાબિત થશે ટેરિફ નાબૂદી: અગાઉ હીરા પર 2.5% થી 4% અને મોતી જેવી વસ્તુઓ પર 20% જેટલી જકાત હતી, જે હવે શૂન્ય થઈ જશે. બજારનું વિસ્તરણ: યુરોપના 27 દેશોમાં ટેરિફ મુક્ત પ્રવેશ મળતા, અમેરિકામાં થયેલા નિકાસના ઘટાડાની ભરપાઈ હવે યુરોપિયન માર્કેટ દ્વારા થશે. બાંગ્લાદેશને ટક્કર આપશેભારતીય કાપડ ઉદ્યોગ માટે અત્યાર સુધી સૌથી મોટો પડકાર બાંગ્લાદેશ હતું, જેને યુરોપમાં ડ્યુટી-ફ્રી એક્સેસ મળતું હતું. હવે ભારતને પણ આ જ લાભ મળતા સુરતનું ટેક્સટાઈલ માર્કેટ વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે. આ સમજૂતી માત્ર માલ-સામાનની હેરફેર પૂરતી મર્યાદિત નથી. યુરોપિયન દેશો ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યંત અદ્યતન છે. આ સમજૂતી બાદ ભારત અને યુરોપ વચ્ચે ટેકનોલોજીનું આદાન-પ્રદાન વધશે, જે સુરતના એકમોને આધુનિક બનાવવામાં મદદ કરશે. તેની સાથે સાથે વૈશ્વિક સ્તરે 'ચાઈના પ્લસ વન'ની જે નીતિ ચાલી રહી છે, તેમાં આ એગ્રીમેન્ટ ભારતને ચીનના મજબૂત વિકલ્પ તરીકે સ્થાપિત કરશે. ખાસ કરીને કાપડ ક્ષેત્રે ભારતની ગુણવત્તા અને હવે મળેલી કિંમતની સ્પર્ધાત્મકતા તેને ચીન કરતા ચડિયાતું બનાવશે. 27 દેશોમાં અમારા માટે નવું બજાર ખુલશે: હીરા ઉદ્યોગપતિહીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડિયા જણાવે છે કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે, સુરતના કટ અને પોલિશ્ડ હીરાની અમેરિકામાં સીધી નિકાસ 35% જેટલી હતી. આ ટેરિફના કારણે હવે આ નિકાસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ, જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે મોટો ફાયદો દેખાઈ રહ્યો છે. અગાઉ જે ટેરિફ 2.5% થી 4% (અને મોતી જેવી વસ્તુઓ પર 20% જેટલો ઊંચો) હતો, તે હવે શૂન્ય થઈ જશે. આનાથી યુરોપિયન યુનિયનના તમામ 27 દેશોમાં અમારા માટે નવું બજાર ખુલશે.આ નવા બજાર અને ટેરિફ નાબૂદ થવાને કારણે, અમેરિકામાં નિકાસમાં જે ઘટાડો થયો છે તેની રિકવરી ચોક્કસપણે યુરોપિયન યુનિયન દ્વારા જોવા મળશે. 'આપણું કાપડ સ્પર્ધાત્મક રીતે સસ્તું પડશે'ફેડરેશન ઓફ ટેક્ષ્ટાઈલ ટ્રેડર્સ એસોસિયેશનના ડાયરેકટર કૈલાશ હકીમે જણાવ્યું હતું કે,કારણ કે મેં કહ્યું તેમ, આપણા જે વેલ્યુ-એડેડ ગાર્મેન્ટ્સ છે તેની ઘણી બધી માંગ બાંગ્લાદેશમાં હતી. હવે ભારતમાં સુરત તેને ઝડપથી વધારી રહ્યું છે, તેથી જો નિકાસ થશે તો આપણા દેશને એક આવક મળશે. આપણી સરકાર વારંવાર ઈચ્છે છે કે નિકાસ ક્ષેત્રે ભારત હવે માત્ર સ્થાનિક બજાર પર નિર્ભર ન રહે. જે રીતે વડાપ્રધાન મોદીનું સપનું છે કે આપણે સમગ્ર વિશ્વમાં વ્યાપાર કરવો છે, અને આપણા દેશની નીતિ રહી છે ‘વસુધૈવ કુટુંબકમ’.આપણે આખા વિશ્વને પરિવાર માનીએ છીએ. તેથી આપણે તે જ રીતે સમગ્ર વિશ્વમાં વ્યાપાર પણ કરીએ. તેવી જ રીતે, જો યુરોપના દેશો સાથે મુક્ત વ્યાપાર થાય છે, તો આપણું કાપડ સ્પર્ધાત્મક રીતે સસ્તું પડશે અને ઉદ્યોગને વેગ મળશે. યુરોપના દેશો ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણા અદ્યતન છે, તેથી ટેકનોલોજીના આદાન-પ્રદાનમાં પણ ભારત અને યુરોપના દેશો વચ્ચે એક સારા સંબંધો સ્થાપિત થશે. રોજગારીની નવી તકોઆ કરારથી માત્ર ઉદ્યોગપતિઓને જ નહીં, પણ લાખો કારીગરોને પણ ફાયદો થશે. જ્યારે નિકાસ વધે છે ત્યારે ઉત્પાદન એકમોમાં તેજી આવે છે. જેનાથી સુરત અને આસપાસના વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઉભી થશે. ભારત સરકારનું લક્ષ્ય નિકાસ આધારિત અર્થતંત્ર બનાવવાનું છે, અને આ દિશામાં EU ડીલ એક મોટું કદમ છે.
સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આજે બપોરે એક ડાઈંગ-પ્રિન્ટિંગના ખાતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. આ દુર્ઘટનામાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યો હતો. ફાયર વિભાગે સમયસૂચકતા વાપરી અંદર ફસાયેલા 3 શ્રમિકોનું રેસ્ક્યૂ કર્યું હતું, જ્યારે 2 શ્રમિકો દાઝી જતાં સારવાર અર્થે ખસેડાયા છે. 12 સિલિન્ડર બહાર કઢાયા, મોટી દુર્ઘટના ટળીફાયર વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આગ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારખાનામાં કુલ 12 ગેસના સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરોએ આગની જ્વાળાઓ વચ્ચે જઈને આ 12 બાટલા સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જોકે ફાયર વિભાગની કામગીરી દરમિયાન એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો ત્યારબાદ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. બે દાઝી ગયા અને ત્રણને રેસ્ક્યુ કરાયાખાતામાં ઉપરના માળે ફસાયેલા 3 લોકોને સીડી વાટે સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા. 2 શ્રમિકોને સામાન્ય ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. 5 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓએ સતત 1 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગેસના બાટલાનો આટલો મોટો જથ્થો કારખાનામાં શા માટે રખાયો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. ગેસ સિલિન્ડર અને કેમિકલના કારણે આગ વિકરાળ બનીખાતામાં કેમિકલ અને ગેસ સિલિન્ડર હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. હાલ આગ સંપૂર્ણ કાબૂમાં છે અને ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે જેથી કાટમાળ નીચે દબાયેલી કોઈ વસ્તુ ફરી સળગી ન ઉઠે. હાલ તો સંપૂર્ણ આગ કાબુમાં આવી ગઈ છે જોકે ખાતાની અંદર રહેલી મશીનરી, પ્રિન્ટિંગનો જથ્થો, ફર્નિચર સહિતનું બળીને ખાખ થઈ ગયું છે. કૃષ્ણા મોઢ (ડિવિઝનલ ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, પાંડેસરા વિસ્તારમાં આવેલા મિલન પોઈન્ટ પાસેના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આ આગ લાગી હતી. બિલ્ડિંગના ઉપરના માળે આવેલી ડાઈંગ-પ્રિન્ટિંગ અને તપેલા ડાઈંગના ખાતામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. શરૂઆતમાં 4 થી 5 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ બાદમાં સ્થિતિને જોતા કુલ 10થી 12 ગાડીઓ દ્વારા ફાયર ફાઈટિંગની કામગીરી કરવામાં આવી હતી. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબુમાં છે. અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સંસ્કારી નગરી વડોદરામાં આગામી 1 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાનારી 'MG વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન પાવર્ડ બાય ચાર્જઝોન' માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મેરેથોનના પૂર્વે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ (BAGH) ખાતે આજથી ત્રણ દિવસીય 'VM કિટ એક્સ્પો'નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. 28 થી 30 જાન્યુઆરી દરમિયાન સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ચાલનારા આ એક્સ્પોમાં દોડવીરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પ્રથમ દિવસે 1200થી વધુ દોડવીરોની હાજરી એક્સ્પોના પહેલા જ દિવસે દોડવીરોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. અંદાજે 1,200થી વધુ સ્પર્ધકોએ પોતાની રેસ કિટ, બિબ નંબર અને મેરેથોન ટી-શર્ટ મેળવી લીધા હતા. આ આંકડો વડોદરાવાસીઓમાં દોડ પ્રત્યેના આકર્ષણને સ્પષ્ટપણે દર્શાવે છે. આ એક્સ્પો માત્ર કિટ વિતરણનું કેન્દ્ર નથી, પરંતુ દોડવીરો માટે રેસ રૂટ મેપ, પાર્કિંગ વ્યવસ્થા અને મેરેથોનના નિયમો જાણવાનું પણ એક મહત્વપૂર્ણ માહિતી કેન્દ્ર બન્યું છે. આરોગ્ય તપાસ અને વિવિધ સ્ટોલ્સનું આકર્ષણ દોડવીરોની સલામતીને ધ્યાનમાં રાખીને ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે હેલ્થ ચેકઅપની સુવિધા આપવામાં આવી છે. મેરેથોન પહેલાં દોડવીરો પોતાના પ્રાથમિક સ્વાસ્થ્ય પેરામીટર્સ તપાસી શકે તેવો ઉમદા અભિગમ અહીં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, એક્સ્પોમાં ડીકેથેલોન દ્વારા સ્પોર્ટ્સ એસેસરીઝ અને ઇકોમેન્ડ સોલ્યુશન્સ દ્વારા પર્યાવરણપ્રેમી કુદરતી કમ્પોસ્ટના સ્ટોલ પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આગામી બે દિવસ સુધી ચાલનારો આ એક્સ્પો મેરેથોન પૂર્વે દોડવીરો માટે તૈયારી અને સમુદાયિક જોડાણનું સબળ માધ્યમ બની રહેશે.
અમદાવાદ-મહેસાણા હાઈવે બનશે ફોર લેનનો અમદાવાદ- મહેસાણા હાઈવે ફોર લેનનો બનાવવામાં આવશે. તો SIR પ્રક્રિયા ચાલુ હોવાના કારણે રાજ્યમાં સહકારી મંડળીઓની ચૂંટણી 6 મહિના માટે મુલતવી રખાશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૈન્યની તોપ સાથેની ટ્રક પલટી, 9 જવાન ઘાયલ સાપુતારા ઘાટમાં સૈન્યની તોપ સાથેની ટ્રક પલટી ખાઈ ગઈ..અકસ્માતમાં 9 જવાનો ઘાયલ થયા છે.. નાસિકીથી જોધપુર જતી સૈન્યની ગાડીએ વળાંક ઊતરતી વખતે કાબૂ ગૂમાવતા અકસ્માત સર્જાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એરપોર્ટ અને ગ્રામ્ય કોર્ટને ઉડાવી દેવાની ધમકી આજે સવારે અમદાવાદ એરપોર્ટ અને ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.સુરક્ષા એજન્સીઓઓએ તપાસ હાથ ધરી. જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.. 25 દિવસમાં બીજી વાર ગ્રામ્ય કોર્ટને ધમકી મળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉદ્યોગપતિ ગજેરા પરિવારના લક્ષ્મી ગૃપ પર IT રેડ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારના લક્ષ્મી ગૃપ પર આજે આઈટી વિભાગે રેડ પાડી..હવાલા નેટવર્ક-રિયલ એસ્ટેટ સોદાઓ અંગ 150 અધિકારીઓની ટીમે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શિક્ષણનું ધામ કે દારુનો અડ્ડો? ગુજરાત યુનિવર્સિટીમાંથી મળી દારુની બોટલ્સ.. હોસ્ટેલના ડી-બ્લોકમાંથી 10 અને બાદમાં પાછળના ભાગમાંથી 100 જેટલી દારુની બોટલ્સ મળી.. આ પહેલા પણ સ્વચ્છતા અભિયાન દરમિયાન ઋષિકેશ પટેલને દારુની બોટલ મળી હતી, તેની પહેલા ગાંજાની ખેતી પણ ઝડપાઈ હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાલુ કામગીરીમાં કરંટ લાગતા વીજકર્મી ફસાયો વડોદરામાં વીજપોલની મરમ્મત માટે ચડેલો વીજકર્મી કરંટ લાગતા ફસાઈ ગયો. એમજીવીસીએલના સ્ટાફે રેસ્ક્યુ કરી, ગંભીર રીતે દાઝેલા વીજકર્મીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 30 વર્ષની ગેરંટી વાળો રોડ 7 મહિનામાં તૂટ્યો સુરતમાં પાલનપુર કેનાલ રોડ પર 30 વર્ષની ગેરંટી આપીને બનાવેલા રોડમાં 6-7 મહિનામાં જ તિરાડો દેખાવા લાગી.સ્થાનિકોએ કહ્યું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મિલીભગત કરી પ્રજાના પૈસાનું આંધણ કર્યુ્. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્નીના પૂર્વ પતિની છરીના ઘા મારી હત્યા કરી વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પતિએ પત્નીના પૂર્વ પતિની જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરી નાખી.પોલીસે મોડી રાત્રે જ આરોપીની ધરપકડ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મનોદિવ્યાંગ સગીરા પર દુષ્કર્મની ઘટના સુરેન્દ્રનગરના પાટડીમાં મનોદિવ્યાંગ સગીરા પર અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું.. 16 વર્ષની સગીરાને 9 માસનો ગર્ભ છે.. વિધવા માતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાઈકને ટક્કર મારી કાર ખેતરમાં પલટી ખાઈ ગઈ વડોદરાના નેશનલ હાઈવે 48 પર ફૂલસ્પીડમાં આવતી કારે બાઈકને ફંગોળી ખેતરમાં પલટી ખાઈ ગઈ.બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું..કારચાલક દીકરીના લગ્નની કંકોત્રી આપવા નીકળ્યો હતો અને અકસ્માત સર્જ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
SP યુનિવર્સિટીમાં કર્મચારીએ ધ્વજવંદન કર્યું:કુલપતિને બદલે રવજીભાઈએ તિરંગો લહેરાવી શ્રમની ગરિમા વધારી
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે ધ્વજવંદન માટે એક અલગ પરંપરા અપનાવી હતી. કુલપતિએ યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગના કર્મચારી રવજીભાઈના હસ્તે મુખ્ય ધ્વજવંદન કરાવ્યું હતું. સામાન્ય રીતે ઉચ્ચ હોદ્દેદારો દ્વારા થતા ધ્વજવંદનને બદલે એક પાયાના કર્મચારી દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. 26મી જાન્યુઆરીના રોજ રવજીભાઈએ તિરંગો લહેરાવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીતના સૂર સાથે ધ્વજને સલામી આપી હતી. કુલપતિનો આ નિર્ણય સંસ્થાના પાયાના કર્મચારીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી લેવાયો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલ અને રજીસ્ટ્રાર ડૉ. ભાઈલાલભાઈ પટેલ સહિત વિવિધ અનુસ્નાતક તથા વહીવટી વિભાગના વડાઓ, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખંભાળીયા તાલુકાના મોવાણ ગામના પાટીયા પાસે એક મહિના પૂર્વે રામાપીરના થંભના ધાર્મિક કાર્યક્રમમાં થયેલી સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. દેવભૂમિ દ્વારકા એલસીબીએ રાજકોટની દાતનીયા ગેંગના ચાર મહિલા અને એક પુરુષ સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુ મહિલાઓના ગળામાંથી સોનાના ચેન અને માળાઓની ચોરી થઈ હતી. આ અંગે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. સરવૈયાને તપાસ માટે સૂચના આપી હતી. પો.સ.ઈ. બી.એમ. દેવમુરારી અને એલસીબી ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન, એલસીબીના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ જેશલસિંહ જાડેજા, લાખાભાઈ પીંડારીયા અને પીસી પ્રકાશભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરાઈ. ખંભાળીયાના ખામનાથ પુલ પાસેથી રાજકોટની દાતનીયા ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં લાભુબેન પોલાભાઈ કાંજીયા, પ્રભાબેન કિશનભાઈ સોલંકી, મીના જીવનભાઈ કાવઠીયા, જનાબેન અજિતભાઈ સોલંકી (તમામ રહે. કુબલીયા પરા, રાજકોટ) અને બબલુ ધીરુભાઈ ઉઘરેજીયા (રહે. કુબલીયા પરા, રાજકોટ) નો સમાવેશ થાય છે.આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ સોનાના ચેન સહિત કુલ રૂપિયા 7,67,000/- કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પો.ઇ. બી.જે. સરવૈયા દ્વારા પાંચેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેમને આગળની કાર્યવાહી માટે ખંભાળીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે 'વિકસિત ભારત - શ્રી રામજી જનજાગરણ અભિયાન' અંતર્ગત એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં આગામી જનજાગૃતિના કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈએ ઉપસ્થિત કાર્યકરો અને હોદ્દેદારોને સંબોધ્યા હતા. તેમણે અભિયાનની રૂપરેખા આપી અને રામજી જનજાગરણ અભિયાનને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં જિલ્લાના વિવિધ પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની 'વિકસિત ભારત'ની સંકલ્પના અને સાંસ્કૃતિક ચેતનાને જન-જન સુધી પહોંચાડવાનો હતો.
પોરબંદરમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા માછીમારો માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત મત્સ્યઉદ્યોગ અધિનિયમ-૨૦૦૩ અને ૨૦૨૪માં થયેલા સુધારાઓ અંગે દરિયાકાંઠાના માછીમારોને માહિતગાર કરવાનો હતો. સુભાષનગર વિસ્તારમાં આવેલા હનુમાનચોક સ્થિત પ્રાર્થના હોલ ખાતે યોજાયેલા આ સેમિનારમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક બોટ એસોસિએશનના આગેવાનો, ફીશરમેન વોચગ્રુપના સભ્યો, એસ.આર.ડી.ના સભ્યો સહિત અંદાજે 80થી 90જેટલા સ્થાનિક માછીમારોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન માછીમારી કરતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને, 18વર્ષથી ઓછી વયના બાળકોને માછીમારી માટે બોટમાં ન લઈ જવા કડક સૂચના અપાઈ હતી. ફીશરીઝ વિભાગ દ્વારા અપાતા ટોકનમાં માછીમારો અને ટંડેલની સાચી અને સંપૂર્ણ માહિતી આપવા તેમજ ટોકનમાં દર્શાવેલ નામવાળા માછીમારો જ બોટમાં જાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. માછીમારી દરમિયાન ટોકન અને આધારકાર્ડ ફરજિયાત સાથે રાખવા પણ સમજાવવામાં આવ્યું હતું. ગુજરાત મત્સ્યઉદ્યોગ અધિનિયમ-2003માં 2024માં કરાયેલા સુધારા મુજબ, લાઇન ફીશિંગ અને લાઇટ ફીશિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવા ગેરકાયદેસર ફીશિંગ કરનાર બોટ સામે કાયદેસર કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી અપાઈ હતી. આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ બાઉન્ડ્રી (I.M.D.) ન ઓળંગવા અને I.M.D. નજીક માછીમારી કરતી વખતે સમૂહમાં રહેવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને, આતંકી હુમલા જેવા બનાવો અટકાવવા માટે માછીમારોને સાવચેત કરાયા હતા. નજીકના કારખાનાઓ, માછીમારીના દંગા કે બોટોમાં કોઈ બાંગ્લાદેશી ઘુસણખોર અથવા શંકાસ્પદ અજાણી વ્યક્તિ નજરે પડે તો તરત સ્થાનિક આગેવાનો, સુરક્ષા એજન્સીઓ અથવા પોલીસને જાણ કરવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, સોશિયલ મીડિયા દ્વારા કોઈ અજાણી વ્યક્તિ કે મહિલા તરફથી લોભ-લાલચ આપીને દેશની સુરક્ષા સંબંધિત માહિતી, ફોટો કે વીડિયો માંગવામાં આવે તો તેવી માહિતી ન આપવા અને હની ટ્રેપ જેવા કાવતરામાં ન ફસાવા અંગે ખાસ ચેતવણી આપવામાં આવી હતી.
અમદાવાદના ધમધમતા ઈસ્કોન સર્કલ પર જ્યારે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એક ગરીબ ફેરિયાના આંસુ લંડન બેઠેલા એક NRI પરિવારને ભારત ખેંચી લાવશે. આ વાર્તા છે માનવતાના અતૂટ સંબંધની, જ્યાં લોહીનો સંબંધ ન હોવા છતાં એક પરિવારે બીજા પરિવારનો હાથ પકડ્યો છે. એક આકસ્મિક મુલાકાત અને કરુણ દ્રશ્ય વાત ગત વર્ષની છે, જ્યારે મૂળ ગુજરાતી અને હાલ લંડન સ્થાયી થયેલા શૈલેષભાઈ રાજા પોતાની પત્ની નીતાબેન સાથે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ઈસ્કોન સર્કલ પાસે તેઓ વિજયભાઈ દેવીપૂજકની લારી પર ફ્રૂટ જ્યૂસ પી રહ્યા હતા. બરાબર એ જ સમયે AMCની એસ્ટેટ વિભાગની ટીમ ત્રાટકી. નાસભાગ મચી ગઈ અને મહેસાણાના વિસનગર તાલુકાના પાલડી હશનપુર ગામના વતની એવા વિજયભાઈની લારી જપ્ત કરી લેવામાં આવી. પોતાના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન છીનવાઈ જતાં વિજયભાઈ હૈયાફાટ રુદન કરવા લાગ્યા. વચન જે સાત સમંદર પાર પણ યાદ રહ્યું ગરીબ વિજયભાઈની લાચારી જોઈને શૈલેષભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે એ જ સમયે વિજયભાઈને આશ્વાસન આપ્યું અને નવી લારી અપાવી. જોકે, વાત અહીં પૂરી નહોતી થઈ. શૈલેષભાઈએ જ્યારે જાણ્યું કે લારીના કામમાં 4 સભ્યોના પરિવારનું ગુજરાન માંડ માંડ ચાલે છે, ત્યારે તેમણે વચન આપ્યું કે, હું ફરી જ્યારે લંડનથી ભારત આવીશ, ત્યારે તને પેસેન્જર રિક્ષા અપાવીશ. વિજયભાઈ માટે આ કદાચ આશ્વાસન માત્ર હતું, પણ શૈલેષભાઈ માટે તે એક સંકલ્પ હતો. મિત્ર વિક્રમ લાબડિયા બન્યા કડી લંડન પરત ફર્યા પછી પણ શૈલેષભાઈ આ વચન ભૂલ્યા નહીં. તેમણે ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક વિક્રમ લાબડિયાનો સંપર્ક કર્યો અને વિજયભાઈના પરિવારને મદદરૂપ થવા માટે સંકલન કરવા વિનંતી કરી. શૈલેષભાઈ સતત વિજયભાઈના સંપર્કમાં રહ્યા અને તેમને રિક્ષા ચલાવવા માટેનું લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે પ્રોત્સાહિત કર્યા. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં લાયસન્સ આવી જતાં, શૈલેષભાઈ ખાસ લંડનથી અમદાવાદ પધાર્યા. સપનું હકીકત બન્યું: નવી રિક્ષાની ભેટ શૈલેષભાઈએ નારોલના શો-રૂમમાંથી નવી નક્કોર પેસેન્જર રિક્ષા ખરીદી અને તેના કાગળો તથા બિલ વિજયભાઈ દેવીપૂજકના નામે બનાવડાવ્યા. જ્યારે રિક્ષાની ચાવી સોંપવામાં આવી, ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. વિજયભાઈની પત્ની શૈલેષભાઈના પત્ની નીતાબેનને ભેટીને રડી પડી હતી. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ હતી. પ્રથમ મુસાફર બન્યા NRI દંપતી રિક્ષા પર કુમકુમ તિલક કરી પૂજા કરવામાં આવી. વિશેષ વાત એ હતી કે વિજયભાઈની આ નવી રિક્ષાના પ્રથમ પેસેન્જર પણ શૈલેષભાઈ અને નીતાબેન જ બન્યા. લંડનમાં વૃદ્ધો માટે નર્સિંગ હોમ ચલાવતા અને સેવાની સરવાણી વહાવતા આ NRI દંપતીએ એક ગરીબ પરિવારને પગભર કરીને સાચા અર્થમાં માનવ ધર્મ બજાવ્યો છે. આજે વિજયભાઈ પાસે રોજગારીનું સન્માનજનક સાધન છે અને તેમના ચહેરા પર ફરી સ્મિત છે.
જામનગર ભાજપના નવા સંગઠનની જાહેરાત:42 હોદ્દેદારના નામ જાહેર, જેમાં 3 મહામંત્રી અને 8 ઉપપ્રમુખ
જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનાત્મક માળખાની જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ આ યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી 27 જાન્યુઆરીના રોજ જાહેર કરાઈ હતી, જે 28 જાન્યુઆરીના રોજ મીડિયા સમક્ષ પહોંચી છે. નવી ટીમમાં કુલ 42 હોદ્દેદારોના નામ જાહેર કરાયા છે. જેમાં મહામંત્રી તરીકે વિજયસિંહ દોલતસિંહ જેઠવા (જેમને ફરીથી રિપીટ કરાયા છે), મૃગેશ જગદીશચંદ્ર દવે અને ભાવેશ વિઠ્ઠલભાઇ ઠુમ્મરની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ ગોરી, નિશાંતભાઈ અગારા, દયાબેન પરમાર, વનિતાબેન કાલાવડિયા, હેમલભાઈ ચોટાઈ, સંજયભાઈ મુંગરા, રીટાબેન જોટંગીયા અને વિજયભાઈ પરમારનો સમાવેશ થાય છે. મંત્રી પદે રાજપાલભાઈ ગઢવી, નિતાબેન પરમાર, લાખાભાઈ પિંડારીયા, રાજેશભાઈ નાનાણી, વેલજીભાઈ નકુમ, માલતિબેન પારેખ, ધારાબેન જેઠવા અને પતિન પંડ્યાને જવાબદારી સોંપાઈ છે. કોષાધ્યક્ષ તરીકે ચંદ્રવદન ત્રિવેદી અને કાર્યાલય મંત્રી તરીકે દિલીપભાઈ જોઇસર સેવા આપશે. આ ઉપરાંત, આઈ.ટી. ઈન્ચાર્જ તરીકે ગુજ કારીયા, સોશીયલ મિડીયા ઇન્ચાર્જ તરીકે ધવલ નાખવા અને મીડિયા ઇન્ચાર્જ તરીકે ભાર્ગવ ઠાકરની નિમણુક કરવામાં આવી છે. વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની પણ જાહેરાત કરાઈ છે. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર યુવા મોરચાના પ્રમુખ તરીકે સહદેવ ડાભી અને મહામંત્રી તરીકે કેતનભાઈ કોટક તથા દુષ્યંતભાઈ સોલંકીની વરણી થઈ છે. જામનગર શહેર ભાજપ બક્ષીપંચ (OBC) મોરચા પ્રમુખ પદે વિરલભાઇ બારડ અને મહામંત્રી તરીકે મયુર સિંધવ તથા મોહન ગઢવીની વરણી કરવામાં આવી છે. જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા પ્રમુખ તરીકે દક્ષાબેન અગ્રાવત અને મહામંત્રી તરીકે નિકીતાબેન કુંવરીયા તથા અવનીબેન ત્રિવેદીની નિમણૂક થઈ છે. કિસાન મોરચોના પ્રમુખ તરીકે હસમુખ પેઢીડીયા અને મહામંત્રી તરીકે ચંદ્રસિંહવાળા તથા હિતેષભાઈ કણઝરીયાની વરણી કરવામાં આવી છે. જામનગર શહેર ભાજપ અનુસૂચિત જાતિ (SC) મોરચા પ્રમુખ તરીકે દિપકભાઇ શ્રીમાળી અને મહામંત્રી તરીકે કિરણભાઈ ગડણ તથા ચંદ્રગુપ્ત રાઠોડની નિમણુક થઈ છે. લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ઉમરભાઇ બલોચ અને મહામંત્રી તરીકે હારૂનભાઈ સુલેખાન પટેલ (અલૂ પટેલ) તથા સંધી સમાજના આગેવાન કાદર બાપુ જુણેજાની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકની નકલ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના મોવડી મંડળને મોકલી આપવામાં આવી છે. આગામી સમયમાં બીનાબેન કોઠારીની આગેવાની હેઠળ આ નવી ટીમ શહેર ભાજપની ધુરા સંભાળશે.
બનાસકાંઠા LCBએ દારૂનો મોટો જથ્થો ઝડપ્યો:ક્રેટા કારમાંથી ₹8.93 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર
બનાસકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ક્રેટા ગાડીમાંથી કુલ 8,93,897 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, ગાડીનો ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી જિલ્લામાં દારૂ અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે LCB દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ, LCB સ્ટાફ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક ક્રેટા ગાડીમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે, પોલીસે આલવાડા ગામ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ક્રેટા ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, ગાડીના ચાલકે ગાડીને રાજોડા ગામ તરફ ભગાવી હતી અને રાજોડા ગામની સીમમાં નદીના પટમાં ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 387 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત 93,897 રૂપિયા આંકવામાં આવી છે. દારૂની હેરાફેરીમાં વપરાયેલી ક્રેટા ગાડી (નંબર GJ 08 BN 9001) સહિત કુલ 8,93,897 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફરાર થયેલા ગાડી ચાલક વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા અને જાણીતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલના ગુમ થવાના મામલે દુ:ખદ વળાંક આવ્યો છે. ગત 25 જાન્યુઆરીના રોજ રહસ્યમય રીતે ગુમ થયેલા 25 વર્ષીય યુવકની લાશ આજે કડી પોલીસ મથકની હદમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પટેલ પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઋષભ પટેલના 12 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા. 25 જાન્યુઆરીએ ઘરેથી નીકળ્યા બાદ યુવક ગુમગાંધીનગરના સુઘડ ખાતે એપોલો હોસ્પિટલ નજીક આવેલા શિખર બંગલોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલ (ઉ.વ. 25) ગત 25 જાન્યુઆરીએ પોતાની સાઈટ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાયપુર ગામની સીમમાં આવેલા બહુચર પાન પાર્લર પાસે ઋષભની ગાડી બિનવારસી મળી આવી હતી. બિનવારસી કારમાંથી મોબાઈલ અને સુસાઈડ નોટ મળીઆ અંગે તેના નાના ભાઈ આર્યન પ્રવીણભાઈ પટેલે 25 જાન્યુઆરીના રોજ ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. જેની બિનવારસી કારમાંથી દાગીના, મોબાઈલ, રોકડ રકમ તેમજ એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેને પગલે પોલીસે જે તે સમયે કેનાલમાં શોધખોળ પણ હાથ ધરી હતી, પરંતુ ઋષભનો ક્યાંય પતો લાગ્યો નહોતો. પાંચ દિવસની શોધખોળના અંતે કડીમાંથી યુવકનો મૃતદેહ મળ્યોપાંચ દિવસની સઘન શોધખોળ બાદ આજે કડી પોલીસ સ્ટેશનની હદમાં એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ ઋષભ પટેલ તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઋષભના પિતા પ્રવીણભાઈ પટેલ જાણીતા બિલ્ડર છે અને ઋષભ પણ પિતા સાથે કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં સંકળાયેલો હતો. ઋષભના લગ્ન 13 દિવસ અગાઉ થયા હતા એટલે કે 12 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા. 50 લાખની લેતીદેતીમાં કેટલાક શખસોએ માર માર્યોસુસાઈડ નોટમાં 50 લાખની લેતીદેતીમાં તેને કેટલાક શખસોએ માર માર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ કડી પોલીસે ઋષભની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. જેના રિપોર્ટ બાદ જ મોતનું સાચુ કારણ બહાર આવશે. રાયપુર પાસે ગાડી મળી આવવી અને ત્યાર બાદ કડી વિસ્તારમાં મૃતદેહ મળવો આ બંને ઘટનાઓ વચ્ચે કડીઓ જોડવા પોલીસ સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઈલ્સની પણ તપાસ કરી રહી છે. આર્યને ફોન કરતા ઋષભે કહ્યું તે સીધો લગ્નપ્રસંગમાં પહોંચશેઋષભના નાના ભાઈ આર્યન પટેલે ગુમ થયાની નોંધાવેલી ફરિયાદ મુજબ, 25 જાન્યુઆરીના રોજ બપોરે 12:30 વાગ્યે ઋષભ કરાઈ ખાતે આવેલી પોતાની કન્સ્ટ્રક્શન સાઈટ પર જવા માટે ઘરેથી નીકળ્યો હતો. સાંજે સાડા ચાર વાગ્યે તેણે તેની કાર સર્વિસમાં આપી હતી તે પરત લેવા જવાની હતી. આર્યને જ્યારે સાંજે ફોન કર્યો ત્યારે ઋષભે જણાવ્યું હતું કે, તે સીધો લગ્નપ્રસંગમાં પહોંચશે. રાયપુર ગામની સીમમાં ક્રેટા કાર અને મોબાઈલ ફોન મળ્યોજોકે સાંજે સાડા છ વાગ્યા બાદ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને તે ઘરે પરત ફર્યો નહોતો. બાદમાં તેની શોધખોળ દરમિયાન રાયપુર ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી ઋષભની હ્યુન્ડાઈ ક્રેટા કાર અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પાન પાર્લરના સંચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આગલી રાત્રે આશરે સાડા આઠ વાગ્યે ઋષભ તેની કાર લઈને કેનાલ તરફ જતો જોવા મળ્યો હતો. ઋષભની લાશ મળતા પરિવાર પર આભ ફાટી પડ્યુંબહિયલના તરવૈયાઓ દ્વારા કેનાલમાં સઘન તપાસ કરવા છતાં તે સમયે તેની કોઈ ભાળ મળી નહોતી. ત્યારે આજે કડી પોલીસ મથકની હદમાંથી ઋષભની લાશ મળી આવતા જ તેના પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની ખાલી પડેલી જગ્યા ભરવા માટે પાર્ટી દ્વારા આજે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લા ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિને ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે પસંદગી થતાં જિલ્લા પ્રમુખનું પદ ખાલી પડ્યું છે. આ પદ માટે નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જિલ્લા ભાજપમાં કોઈ જૂથબંધી નથી આજે જિલ્લા સર્કિટ હાઉસ ખાતે ભાજપના ત્રણ નિરીક્ષકોની ટીમે વડોદરા જિલ્લાના ધારાસભ્યો પાસેથી અભિપ્રાય લીધા છે. આ નિરીક્ષકોમાં શશીકાંત પંડ્યા, વર્ષાબેન દોશી અને રમેશભાઈ દોશીનો સમાવેશ થાય છે. જિલ્લાના ધારાસભ્યોએ જિલ્લા ભાજપ સંગઠનને સાથે રાખીને ચલાવી શકે એવા કાર્યક્ષમ અને સમાવેશી પ્રમુખની પસંદગી કરવાની માંગણી કરી છે. તેમણે ભાર મૂક્યો છે કે, જિલ્લા ભાજપમાં કોઈ જૂથબંધી નથી અને પાર્ટી એકજૂટ રહીને આગળ વધી રહી છે. અમે અમારો અભિપ્રાય આપ્યો છે અને પાર્ટીના નિર્ણયને સ્વીકારીશુંધારાસભ્યોએ કહ્યું કે, જિલ્લા ભાજપ પ્રમુખનું નામ મોવડી મંડળ (પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ) નક્કી કરશે. અમે અમારો અભિપ્રાય આપ્યો છે અને પાર્ટીના નિર્ણયને સ્વીકારીશું. મળતી માહિતી મુજબ આગામી નવ મહિનાના ગાળામાં જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળી શકે છે. કેટલાક વર્તુળોમાં ચર્ચા છે કે જાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદગી થઈ શકે છે.
રાજકોટ જામનગર રોડ પર આવેલ એઇમ્સ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે હોસ્ટેલમાંથી ભેદી રીતે MBBSમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા એઇમ્સ હોયપિટલ ચર્ચામાં આવી છે. એઇમ્સના સંચાલકો દ્વારા બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે મોબાઈલ લોકેશન તેમજ CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે જેમાં છેલ્લું લોકેશન જામનગર હાઇવે પર પરા પીપળીયાનું નોંધાઈ રહ્યું છે આ પછી મોબાઈલ સ્વીચ ઓફ થતા લોકેશન મળેલ નથી. રાજકોટ એઇમ્સ હોસ્પિટલની મેડીકલ કોલેજની હોસ્ટેલ માંથી ગઈકાલે રાત્રે MBBSમા અભ્યાસ કરતો વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલ (ઉ.વ.25) ભેદી રીતે ગુમ થઇ જતા સંચાલકો દ્વારા બનાવ અંગે જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવી છે જેને લઇ આજે સવારથી ગાંધીગ્રામ પોલીસ ટિમ એઇમ્સ હોસ્પિટલ ખાતે હોસ્ટેલ તેમજ આસપાસના તમામ CCTV ફૂટેજ આધારે અને મોબાઈલ લોકેશન મેળવવા તપાસ શરૂ કરી છે આ ઉપરાંત તેમની સાથેના વિદ્યાર્થીઓની પુછપરછ તેમજ કોલ ડીટેઇલ સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં છેલ્લું લોકેશન જામનગર હાઇવે પર પરા પીપળીયાનું નોંધાઈ રહ્યું છે આ પછી મોબાઈલ સ્વીચ ઓફ થતા લોકેશન મળેલ નથી. આ ઉપરાંત પોલીસ દ્વારા હોસ્ટેલમાં વિદ્યાર્થીના રૂમ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે જ્યાંથી પોલીસને કોઈ ચિઠ્ઠી કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળે છે કે કેમ તે પણ હાલ તપાસ થઇ રહી છે જો કે આ વિદ્યાર્થી ગુમ ક્યાં કારણે થયો એ અંગે સંચાલકો પણ અજાણ છે. ત્યારે વિદ્યાર્થીના ભેદી રીતે ગુમ થવા ઘટનામાં શું સામે આવશે તે જોવું મહત્વનું રહેશે.
સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે 27 જાન્યુઆરી, 2026ના રોજ રાજ્યસ્તરીય ટેકનોવેશન 2026 સાયન્સ ટુ સિસ્ટમ હેકાથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અને 'વિકસિત ભારત'ના દ્રષ્ટિકોણ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. નિરંજનભાઈ પી. પટેલના અધ્યક્ષસ્થાને આ હેકાથોનનું આયોજન અનુસ્નાતક ઇલેક્ટ્રોનિક વિભાગ, એસ.પી.યુ-એસ.એસ.આઈ.પી-નવધારા, સરદાર પટેલ સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ, GUJCOST દ્વારા પ્રાયોજિત આણંદ જિલ્લા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ (IIC) દ્વારા કરવામાં આવ્યું હતું. આ હેકાથોનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સાયન્સ અને એન્જિનિયરિંગ સંસ્થાઓની કુલ 30 ટીમોના 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સહભાગી સંસ્થાઓમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, ચારુસત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, વિશ્વકર્મા એન્જિનિયરિંગ યુનિવર્સિટી, GCET, BVM, નિરમા યુનિવર્સિટી, સરકારી એન્જિનિયરિંગ કૉલેજ - દાહોદ, GTU, MBIT અને નવયુગ સાયન્સ કૉલેજ, સુરત જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ હેકાથોનમાં નવીનતાની વિચારસરણી માત્ર કોલેજ સ્તર સુધી સીમિત ન રહેતા, ભરૂચની સંસ્કાર વિદ્યાભવન શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓની એક ટીમે પણ ભાગ લઈને તેમની નવીન ક્ષમતાનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અનુસ્નાતક વિભાગ કોમ્પ્યુટર સાયન્સના ડીન અને સાયન્સ ફેકલ્ટી પ્રો. દર્શન ચોક્સી તથા અતિથિ વિશેષ તરીકે એસ્ટ્રો ફિઝિસિસ્ટ ડૉ. એકતા શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને હિંમતભેર અને રાષ્ટ્રીય સ્તરે વિચારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે તેજસ વાઘેલા, સિનિયર ડિરેક્ટર અને સીટીઓ - એસએલએસ, સીઓઓ અને ડિરેક્ટર - વર્ડેમોબિલિટી, ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને તેમના પ્રોટોટાઇપ બનાવવા અને વાસ્તવિક દુનિયામાં પ્રવેશવા માટે જરૂરી મદદ આપવા જણાવ્યું હતું. દિવસ દરમિયાન વિવિધ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓના 8 જ્યુરી સભ્યોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી મૂલ્યાંકન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સમાજ અને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતોને સ્પર્શે તેવી 9 મહત્વપૂર્ણ અને ભવિષ્યલક્ષી થીમ્સ પર કાર્ય કર્યું હતું. સ્પર્ધાના અંતે જી.એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીની 'GECT Innovators' ટીમ, સરદાર પટેલ યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગની 'Pure Flow' ટીમ અને BVMની 'Fault Shield' ટીમ વિજેતા બની હતી. આ કાર્યક્રમ દ્વારા યુવા શક્તિ, ટેકનોલોજી અને રાષ્ટ્રનિર્માણ વચ્ચે મજબૂત જોડાણ સ્થાપિત થયું, જે સરદાર વલ્લભભાઈ પટેલના એકતા અને સામૂહિક શક્તિના વિચારને આજના યુગમાં સાકાર કરે છે.
હિંમતનગરના દેસાસણ ગામે જી-રામજી યોજના અંતર્ગત ગુજરાત સરકારની જનકલ્યાણકારી યોજનાઓને જમીની સ્તરે પહોંચાડવાના હેતુસર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ દરમિયાન ધારાસભ્ય વી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીના મજબૂત નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ગ્રામ્ય વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. તેમણે ઉમેર્યું કે, જી-રામજી જેવી યોજનાઓ ગામડાંને આત્મનિર્ભર બનાવવાનું એક સશક્ત માધ્યમ છે અને આ યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સરકાર સતત નજર રાખશે. આ કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા મંડળ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, ભગીરથસિંહ ઝાલા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી જયેશભાઈ બારોટ, આગિયોલના સરપંચ સુજાનભાઈ ગૌસ્વામી, પીપલોદીના સરપંચ વિષ્ણુસિંહ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ ચંદનસિંહ રહેવર, પૂર્વ સરપંચ તથા પૂર્વ સદસ્ય અંકિતભાઈ પટેલ, સરપંચ એસોસિએશનના પ્રમુખ નરસિંહભાઈ પટેલ, રાજુભાઈ દેસાઈ, ગામના સરપંચ ભાવિકભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બામણા ગામે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બામણા માટે રૂ. 40 લાખના ખર્ચે ફાળવવામાં આવેલી 108 એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં પણ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેસાસણ ગામે ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે નવીન પંચાયત મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ મકાન રૂ. 25 લાખના ખર્ચે નિર્માણ પામશે. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિકાસ અને મજબૂત પંચાયતી રાજ વ્યવસ્થાને વિશેષ પ્રાથમિકતા આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, સરકાર છેવાડાના ગામડાઓ સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, આ નવીન પંચાયત મકાન ગ્રામજનોના વહીવટી કાર્યોમાં સુવિધાજનક સાબિત થશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં યુવા સરપંચ ભાવિકભાઈ દેસાઈ, હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, ભવરસિંહ ચૌહાણ, ભગીરથસિંહ ઝાલા, જયેશભાઈ બારોટ, આગિયોલ અને પીપલોદી ગામના સરપંચો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી પાલિકામાં કર્મચારીઓ માટે યુનિફોર્મ ફરજિયાત:HOD થી પટાવાળા સુધી 177 કર્મચારીઓને ગણવેશ અપાયા
નવસારી મહાનગરપાલિકા કચેરી દ્વારા વહીવટી પારદર્શિતા અને શિસ્ત લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કર્મચારીઓ માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યા છે. હવેથી કચેરીના ઉચ્ચ અધિકારીઓ (HOD) થી લઈને પટાવાળા સુધીના તમામ 177 કર્મચારીઓ નિર્ધારિત ગણવેશમાં ફરજ બજાવશે. અત્યાર સુધી મહાનગરપાલિકાના કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં કામ કરતા હતા. જાહેર સ્થળોએ અથવા ફિલ્ડમાં ફરજ દરમિયાન નાગરિકો માટે પાલિકાના સ્ટાફને ઓળખવા મુશ્કેલ બનતા હતા. ઓળખના અભાવે ઘણીવાર નાગરિકો અને સ્ટાફ વચ્ચે બોલાચાલી કે ઘર્ષણના કિસ્સાઓ બનતા હતા. યુનિફોર્મ અમલી બનતા કર્મચારીઓની ઓળખ સુનિશ્ચિત થશે અને કામગીરીમાં સરળતા રહેશે. પાલિકા તંત્ર દ્વારા કુલ 177 કર્મચારીઓને યુનિફોર્મની ફાળવણી કરવામાં આવી છે. આ વ્યવસ્થામાં હોદ્દા મુજબ ગણવેશના રંગોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેથી પદની ગરિમા અને ઓળખ જળવાઈ રહે. આ વિતરણમાં, અધિકારી શ્રેણીમાં આવતા 11 HOD (વિભાગીય વડા) ને અલગ ગણવેશ અપાયો છે. ક્લાસ-2 અને અન્ય 145 કર્મચારીઓને પણ અલગ રંગના યુનિફોર્મ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, 21 પટાવાળા માટે પણ અલાયદા યુનિફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નવી પહેલથી મહાનગરપાલિકાની કાર્યશૈલીમાં વધુ વ્યાવસાયિકતા આવશે અને કચેરીની શિસ્તબદ્ધ છબી ઊભી થશે. આનાથી નાગરિકો સાથેના વ્યવહારમાં પણ સુધારો જોવા મળશે.
કરમસદ-આણંદમાં 20 દુકાનો તોડી પડાઈ:ટીપી સ્કીમ 1 માં દબાણ હટાવીને ટ્રાફિક સમસ્યા હલ કરાઈ
આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાના નિર્દેશ મુજબ, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે ટીપી સ્કીમ 1 માં દબાણ હટાવવાની કાર્યવાહી કરી છે. મહાત્મા ગાંધી સર્કલથી ટૂંકી ગલીના નાકા સુધીના રસ્તા પર આવેલી 20 જેટલી દુકાનો તોડી પાડીને રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ટીપી સ્કીમ 1 ના ફાઇનલ પ્લોટ નંબર 109/1, 109/2 અને 108 પૈકી રોડની કપાતમાં આવેલા બાંધકામ પર કરવામાં આવી હતી. આ રસ્તો 15.24 મીટર (50 ફૂટ) પહોળો કરવાનો હતો, જેના પર દબાણ હતું. ઉલ્લેખનીય છે કે, ટીપી સ્કીમ નંબર 1 માંથી પસાર થતા 15.24 કિલોમીટરના ટીપી રોડ પર દુકાનદારો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ દબાણ દૂર કરવા માટે ગુજરાત પ્રોવિનશિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા ગત 18 ડિસેમ્બરના રોજ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. નોટિસની સમય મર્યાદા પૂર્ણ થતાં, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટરની ટીમે સ્થળ પર પહોંચીને દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી.
આણંદ જિલ્લા વહીવટી તંત્રએ ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 'પરીક્ષા સારથી' હેલ્પલાઇન શરૂ કરી છે. પરીક્ષાના તણાવ અને મૂંઝવણને દૂર કરવા આ પહેલ કરવામાં આવી છે. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ 27 જાન્યુઆરીના રોજ આ વિશેષ સેવાનું લોન્ચિંગ કર્યું હતું. આ હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. 11 કાઉન્સિલરોના નંબર જાહેર કરાયા છે, જેઓ 18 માર્ચ સુધી સતત કાર્યરત રહેશે. આ સેવા ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનારી બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરાઈ છે. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓમાં મનોશારીરિક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. આવા સમયે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આણંદ વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગે સંયુક્ત રીતે આ પહેલ કરી છે. વાલીઓ પણ પોતાના બાળકોની કારકિર્દી અંગે કોઈ મૂંઝવણ હોય તો આ નિષ્ણાતો સાથે વાત કરી શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીના જણાવ્યા મુજબ, આ ટીમમાં પ્રોફેસરોથી લઈને આચાર્યોનો સમાવેશ થાય છે. હેલ્પલાઇન માટે નિયુક્ત કરાયેલા નિષ્ણાત કાઉન્સિલરોમાં પ્રોફેસર સમીર પટેલ (98250 25994), પ્રોફેસર પંકજ સુવેરા (94273 81952), પ્રોફેસર ડો. પલ્લવી ત્રિવેદી (94284 91288), પ્રોફેસર ડો. જીગર જાની (94260 09495), પ્રોફેસર ડો. હસમુખ ચાવડા (95370 63325), પ્રોફેસર ડો. મોહસીન (97371 63086), પ્રોફેસર ડો. સતીશ હંસપરા (99046 50128), આચાર્ય અલ્પેશ ભટ્ટ (94275 76515), વર્ગ-2 અધિકારી રાકેશભાઈ પટેલ (94292 97770), શિક્ષક સોનલબેન ત્રિવેદી (99251 06220) અને શિક્ષક બી.બી. મહિડા (97234 72685)નો સમાવેશ થાય છે.
મોરબી વાસ્મો કચેરીના યુનિટ મેનેજરને જળ જીવન મિશન હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યકક્ષાના 'બેસ્ટ યુનિટ મેનેજર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યવ્યાપી ઉજવણીના અવસરે ગાંધીનગર ખાતે પાણી પુરવઠા વડી કચેરી દ્વારા આયોજિત સમારોહમાં કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC) ની બેઠકમાં આ સિદ્ધિની નોંધ લેવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાસ્મો ટીમને વિશેષ બહુમાન આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં યુનિટ મેનેજરને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ 'બેસ્ટ યુનિટ મેનેજર' તરીકેનું પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ વહીવટી તંત્ર વતી વાસ્મો ટીમને અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાની શ્રેષ્ઠ કામગીરીનું પ્રદર્શન કરવા બદલ સન્માનિત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લાના જળ વ્યવસ્થાપન અને સ્વચ્છતા માટે પાણી પુરવઠા બોર્ડ હેઠળના રિજુવીનેશન કાર્યક્રમના કામોની સૈદ્ધાંતિક મંજૂરી, જલ અર્પણ કાર્યક્રમ, ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની નિભાવણી, પાણીવેરાની વસૂલાત અને પ્રોત્સાહન યોજના તેમજ પાણી પુરવઠા સંબંધિત ફરિયાદોના ત્વરિત નિકાલ સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વાસ્મોના યુનિટ મેનેજર અને જિલ્લા પાણી પુરવઠા અધિકારી એમ.એસ. દામાએ આ સફળતાનો શ્રેય જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સતત માર્ગદર્શન તથા સમગ્ર ટીમની મહેનતને આપ્યો હતો.
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ અત્યંત ભવ્ય અને ઐતિહાસિક રીતે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ વડોદરાના અટલાદરા ખાતે યોજાશે. આ મહોત્સવમાં બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ સ્થાપિત થવાની શક્યતા છે, જ્યારે અંદાજે બે લાખથી વધુ હરિભક્તો તેમજ 14 દેશોમાંથી 13 હજારથી વધુ NRI ભક્તો ઉપસ્થિત રહેશે. આખા મેદાનમાં 14 હજાર સ્વયંસેવકો ખડેપગે તૈયારીઓમાં જોડાયા છે. મહંત સ્વામી મહારાજને બે વિશેષ બહુમાનપત્રો અર્પણ કરાશેઆ અવસરે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા મહંત સ્વામી મહારાજને બે વિશેષ બહુમાનપત્રો અર્પણ કરવામાં આવશે. ઈંગ્લેન્ડથી આવેલા ગિનિસના અધિકારીઓ દ્વારા આ બહુમાન આપશે. જેમાં પ્રથમ બહુમાન 15000થી વધુ બાળકો દ્વારા સત્સંગદીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોના સંપૂર્ણ મુખપાઠ બદલ આપવામાં આવશે. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ બાળકોએ 315 શ્લોકો ધરાવતા આ ગ્રંથનું પૂર્ણ મુખપાઠ કર્યું છે, જે ઉન્નત જીવનની પ્રેરણા આપે છે. બે લાખથી વધુ ભક્તો હાજરી આપશેઆ સાથે અન્ય એક એવોર્ડ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોના નિર્માણમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળ દરમિયાન 1200 મંદિરોનું નિર્માણ થયું હતું અને મહંત સ્વામી મહારાજ તેમના અનુગામી તરીકે આ વારસાને આગળ વધારી રહ્યા છે. આ બહુમાન તેઓ સ્વીકારશે. મહોત્સવ સ્થળે અંદાજે 350 એકર જમીનમાં 14,000 જેટલા સ્વયંસેવકો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. અંદાજિત બે લાખથી વધુ હરિભક્તો તેમજ દેશ-વિદેશના લાખો ભક્તો હાજર રહેશે. વિશ્વભરમાં 1800થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે BAPSના વૈશ્વિક સેવાકાર્યોનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ વિશ્વભરમાં 1800થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે. ખાસ કરીને અમેરિકાના રોબિન્સવિલમાં સ્વામિનારાયણ અક્ષરધામ અને અબુ ધાબીમાં પરંપરાગત BAPS હિન્દુ મંદિર જેવા મહત્વના મંદિરોનું નિર્માણ તેમના નેતૃત્વમાં થયું છે. એક લાખથી વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈને ભાવિકોને મહોત્સવમાં જોડાવા આમંત્રણ જન્મજયંતી ઉપલક્ષે અનેક વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં લાભ પાંચમના દિવસે 140 ઔદ્યોગિક એકમોમાં મહાપૂજા, સુરસાગર તળાવ ખાતે 1292 બાળ-બાલિકાઓ દ્વારા 292 કુંડ પર વિશ્વશાંતિ યજ્ઞ, જબલપુરથી વડોદરા સુધી 92 યુવાનો દ્વારા મશાલયાત્રા, મહારક્તદાન કેમ્પ તેમજ 7200 જેટલી મહિલા પ્રેરણા સભાઓનું આયોજન થયું હતું. શહેરમાં હરિભક્તોએ એક લાખથી વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈને ભાવિકોને મહોત્સવમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.આ ભવ્ય મહોત્સવ BAPS સંસ્થાના આધ્યાત્મિક અને સેવાકાર્યોની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત કરશે. નવ વર્ષમાં દર છઠ્ઠા દિવસે એક મંદિર અને નવમા દિવસે એક સંતની ભેટ આ બાબતે ડો જ્ઞાનવત્સલ્ય સ્વામીએ જણાવ્યું હતું કે, આ આપના વડોદરાના આંગણે ભવ્ય મહોત્સવ થવા જઈ રહ્યો છે. મહંત સ્વામીએ 92 વર્ષના જીવન કાળમાં જે કઈ આપ્યું છે જેને લઈ આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. મહંત સ્વામી મહારાજ ગુરુ પાડે આવ્યા ત્યારે છેલ્લા નવ વર્ષમાં દર છઠ્ઠા દિવસે એક મંદિર અને નવમા દિવસે એક સંતની ભેટ આપી છે. આટલું બધું રીતે સમાજને આપ્યુ છે જેથી સમાજ અને ભક્તોનો ભક્તિભાવ છે કે તેઓના જન્મ દિવસે તેઓને અભિનદન પાઠવવા અને આભાર માનવો. આ કાર્યક્રમમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત થવાના છે. વધુમાં કહ્યું કે, બે રાજ્યના મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્ય પ્રદેશ કે જ્યાં મહંત સ્વામીનું જન્મસ્થાન હે જબલપુર ડો મોહન યાદવની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં બે લાખથી વધુ ભક્તો અને દુનિયાના 14 દેશોના 13 હજારથી વધુ ભક્તો NRI પધારશે.
સાઠંબામાં યુવક પર હુમલો કરનાર ચાર આરોપીનું સરઘસ:નશાની હાલતમાં માર મારતાં પોલીસે ધરપકડ કરી
સાઠંબા તાલુકા મથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાઠંબા હાઈસ્કૂલ પાછળ દારૂ પીવા બેઠેલા ચાર શખ્સોએ ભેંસો ચરાવી રહેલા એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સાઠંબા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી હતી અને આજે તેમનું જાહેર સરઘસ કાઢી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સાઠંબા ગામના પ્રવિણસિંહ પરમાર હાઈસ્કૂલ પાછળના ખેતરમાં ભેંસો ચરાવી રહ્યા હતા. તે સમયે દારૂ પીવા બેઠેલા રાહુલસિંહ ઉદેસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ ભુપતસિંહ સોલંકી, રાજ બહાદુરસિંહ દિલીપસિંહ સોલંકી (તમામ રહે. કાશીયાવત, તા. સાઠંબા) અને કાર્તિકકુમાર લક્ષ્મણભાઈ ઠાકોર (રહે. આસપુર, તા. વિરપુર) નામના ચાર શખ્સોએ પ્રવિણસિંહને 'તું અહીં અમને જોવા કેમ આવ્યો' કહી બિભત્સ શબ્દો બોલી ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ તેમણે પ્રવિણસિંહ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રવિણસિંહ પરમારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે વાત્રક ખસેડવામાં આવ્યા હતા. આ જીવલેણ હુમલાથી પ્રવિણસિંહના પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પ્રવિણસિંહ (ગબાભાઈ) પરમારે આ મામલે સાઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાઠંબા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઉપરોક્ત ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા હતા. આજે પોલીસે તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઉપરાંત, આરોપીઓનું સાઠંબા બજારમાં જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું, જેની ગ્રામજનોએ પ્રશંસા કરી હતી.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે રૂ. ૫ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મંત્રી રમેશ કટારા અને સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે આરોગ્ય સેવાઓ દરેક નાગરિકની પ્રાથમિક જરૂરિયાત છે. રાજ્ય સરકાર દ્વારા વિસ્તાર મુજબ આધુનિક સુવિધાઓ સાથેના સામૂહિક આરોગ્ય કેન્દ્રોની સ્થાપના કરીને લોકોને તેમના જ વિસ્તારમાં ઉત્તમ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે જેસાવાડા અને આસપાસના વિસ્તારના નાગરિકોને હવે ઘરઆંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ નાગરિકો સુધી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે સતત મજબૂત માળખું ઊભું કરી રહી છે. તેમણે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેના માધ્યમથી દેશભરના લાખો જરૂરતમંદ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી રહી છે, જેના કારણે ગંભીર બીમારીઓના ઈલાજનો આર્થિક ભારણ દર્દીઓ અને તેમના પરિવારજનો પર નોંધપાત્ર રીતે ઘટ્યું છે. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવટ, સરપંચો, અગ્રણી આગેવાનો, આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી: શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય બ્લોકના નિર્માણ કાર્યને નવસારી નગરપાલિકા (NMC) દ્વારા અટકાવવામાં આવ્યું છે. પાલિકાએ દબાણનો આક્ષેપ કર્યો છે, જ્યારે શાળા સંચાલકોએ પાલિકાના સ્ટાફ દ્વારા ભયનું વાતાવરણ ઉભું કરવાનો આરોપ લગાવ્યો છે. આજે બપોરે, NMCના દબાણ વિભાગનો સ્ટાફ શાળા પરિસરમાં પહોંચ્યો હતો અને ચાલી રહેલું કામ અટકાવ્યું હતું. સ્ટાફે બાંધકામનો સામાન પણ ભરી જવાની તૈયારી કરતા મામલો ગરમાયો હતો. શાળામાં અચાનક પાલિકાના કર્મચારીઓ અને પોલીસની હાજરીથી વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. શાળા સંચાલકોના જણાવ્યા અનુસાર, 4000 વિદ્યાર્થીઓ (2000 દીકરીઓ અને 2000 દીકરાઓ) માટે હાલના શૌચાલય બ્લોક અપૂરતા હોવાથી નવા શૌચાલય બ્લોક બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી ફક્ત પાયા ખોદવા સુધી જ પહોંચી હતી. સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે પાલિકાના અધિકારીઓએ કોઈપણ લેખિત સૂચના વિના, માત્ર કમિશનરના મૌખિક આદેશના નામે શાળામાં આવીને કામ અટકાવ્યું. ડેપ્યુટી કમિશનરે ખુલાસો કર્યો છે કે તેમને આ બાંધકામ અંગે લેખિત ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે પાલિકાએ કાર્યવાહી કરી હતી. શાળા સંચાલકોએ જણાવ્યું કે લગભગ 25 જેટલા માણસો ભારે વાહનો સાથે શાળામાં ધસી આવ્યા હતા, જેનાથી બાળકો અને શાળાના વાતાવરણમાં ડર ફેલાયો હતો. શાળાના પ્રિન્સિપાલ અતુલ ગજેરા નો દાવો છે કે પાલિકા પાસે કોઈ લેખિત નોટિસ કે આદેશ નહોતો. માત્ર કમિશનરના મૌખિક આદેશનો હવાલો આપીને કામગીરી રોકવાનો પ્રયાસ કરાયો છે. પાછળ આવેલા એપાર્ટમેન્ટના 3-4 રહીશોની ફરિયાદને આધારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સંચાલકોએ જણાવ્યું કે ખાનગી જગ્યામાં ક્યાં બાંધકામ કરવું તે અમારો અધિકાર છે, છતાં અમને જગ્યા બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.શાળાના ટ્રસ્ટીઓએ સ્પષ્ટ કર્યું છે કે અમે સરકારી કાયદાઓનું પાલન કરવા બંધાયેલા છીએ અને વહીવટી તંત્રને સહયોગ આપવા પણ તૈયાર છીએ. પરંતુ જે રીતે મૌખિક આદેશથી આ કામ અટકાવવામાં આવ્યું છે, તે અંગે અમે જરૂરી પરવાનગીઓ અને કાયદાકીય પાસાઓની તપાસ કરી આગળની કાર્યવાહી કરીશું. આ મામલે નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરવ વસાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ બાંધકામ અંગે અમને લેખિતમાં અરજી મળી હતી જેના અંદુસાર ધંધાને અમે શાળામાં જઈ કામગીરી અટકાવવા માટે સૂચના આપી હતી તેમ છતાં પણ શાળા સંચાલક મંડળ દ્વારા કામગીરી શરૂ રાખવામાં આવતા આજે અમારા દબાણ વિભાગ નો સ્ટાફ મોકલીને કામગીરી અટકાવવામાં આવી છે જો શાળા સંચાલક મંડળ કાયદેસરની પરવાનગી મેળવતી અરજી કરશે તો તે અંગે અમે પરવાનગી આપવા બંધાયેલા છીએ.
બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયાએ વોર્ડ નંબર ૬માં સિદ્ધનાથ હોસ્પિટલથી ટાવર રોડ સુધી બની રહેલા નવા સી.સી. રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો, જેના નવીનીકરણથી સ્થાનિકોને રાહત મળશે. નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રયાસો ચાલી રહ્યા છે. આ અંતર્ગત વોર્ડ નંબર ૬માં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયાએ સ્થળ પર જઈને કામગીરીની પ્રગતિનો તાગ મેળવ્યો હતો. આ વિસ્તારના નાગરિકો અને વોર્ડના ચૂંટાયેલા સભ્યો દ્વારા રોડના સમારકામ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિકોની માંગણીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ વિકાસ કાર્યને મંજૂરી આપવામાં આવી હતી અને હાલ તેનું કામ ચાલી રહ્યું છે. નિરીક્ષણ દરમિયાન પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયાએ જણાવ્યું હતું કે, “ઘણા વર્ષોથી આ રોડ બિસ્માર હતો, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડતી હતી. અમારા કાર્યકાળ દરમિયાન આ રોડ મંજૂર કરીને જનતાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું છે.” આ નવો સી.સી. રોડ તૈયાર થવાથી સ્થાનિક નાગરિકોની દૈનિક અવરજવરમાં સુવિધા વધશે. બોટાદ નગરપાલિકા શહેરના દરેક વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત રાજ્યસ્તરની પ્રતિષ્ઠિત સ્પર્ધા 'ROBOFEST–GUJARAT 5.0' ના લેવલ-II (આઈડિયેશન સ્ટેજ) માં CVM યુનિવર્સિટીની કુલ 7 ટીમો વિજેતા બની છે. આ વિજેતા ટીમોને કુલ ₹13 લાખની પ્રોત્સાહક ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની જાણીતી STEM સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં CVM યુનિવર્સિટી સંચાલિત જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (GCET) ની 5 ટીમો અને મધુબેન અને ભાનુભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT)ની 2 ટીમોએ પોતાના સંશોધનો દ્વારા નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક રોબોટિક્સ ક્ષેત્રે પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. તેમાં માઈનફિલ્ડ નેવિગેશન માટે ડ્રોન ટેકનોલોજી આધારિત એરિયલ રોબોટિક્સ, પાણીની અંદર કાર્ય કરી શકે તેવા ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ (AUV), જટિલ રસ્તાઓ જાતે શોધી શકતા મેઝ સોલ્વર અને જમીન પર ચાલતા આધુનિક ગ્રાઉન્ડ વ્હીકલ રોબોટિક સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીની આ સિદ્ધિ ઉપરાંત, GCET, ADIT અને MBIT ના ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓએ શાળા કક્ષાના (જુનિયર લેવલ) વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેના પરિણામે અનેક સ્કૂલની ટીમો પણ આ સ્પર્ધામાં વિજેતા બની હતી. CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે, આ સિદ્ધિ CVM યુનિવર્સિટીની 'હેન્ડ્સ-ઓન લર્નિંગ' અને નવીનતા આધારિત શૈક્ષણિક સંસ્કૃતિનું પરિણામ છે. અમારા વિદ્યાર્થીઓએ ટેકનોલોજીના માધ્યમથી સામાજિક પ્રશ્નોના ઉકેલ લાવવાની ક્ષમતા દર્શાવી છે. આ સફળતા બદલ CVM યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ભીખુભાઈ પટેલ, ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ, માનદ મંત્રી એસ. જી. પટેલ, સહમંત્રી મેહુલભાઈ પટેલ, સહમંત્રી વિશાલભાઈ પટેલ તેમજ પ્રોવોસ્ટ ઇન્દ્રજિત પટેલ અને રજિસ્ટ્રાર સંદીપ વાલિયાએ વિદ્યાર્થીઓ અને તેમના મેન્ટર્સને અભિનંદન પાઠવ્યા હતા.
ગોધરાના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સિકલીગર લોહાર સમાજ દ્વારા આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 28મી જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી 24 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત દેવાસ, ભવાની મંડી, સુરજના, આગરા, ઇન્દોર, રતલામ, જોધપુર, ભોપાલ, નીમચ, ફતેપુરા, મન્સોર, સંતરોડ, બાસવાડા અને સીતામરુ જેવા વિસ્તારોની ટીમોએ ભાગ લીધો હતો. સિકલીગર લોહાર સમાજના યુવા ખેલાડીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે અને સમાજમાં એકતાની ભાવના મજબૂત થાય તેવા ઉમદા હેતુથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભથી જ મેદાન પર યુવા ખેલાડીઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ ટીમોએ ખેલદિલીપૂર્વક પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેન્ટને જોવા માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બરોડા ખાતે આયોજિત ઓપન બરોડા બેડમિન્ટન ચેમ્પિયનશિપ–2026માં ધાંગધ્રાની આઈમન મુલતાનીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં આઈમને સિંગલ્સ અને ડબલ્સ બંને ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ધાંગધ્રા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં સમગ્ર ભારતમાંથી ગર્લ્સ અને બોયઝ કેટેગરીના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આઈમન મુલતાની ઝાલાવાડ મુલતાની જમાતના સેક્રેટરી જનાબ ઇલિયાસભાઈ વાકાણીની દીકરી છે. તેણે પોતાની રમતથી સૌને પ્રભાવિત કર્યા હતા. આઈમનની આ સિદ્ધિથી તેના પરિવાર ઉપરાંત સમગ્ર ધાંગધ્રા તાલુકાનું નામ રોશન થયું છે. રમતપ્રેમીઓમાં ચર્ચા છે કે આઈમને કઠોર મહેનત, શિસ્તબદ્ધ અભ્યાસ અને અડગ આત્મવિશ્વાસના બળે આ સફળતા હાંસલ કરી છે. તેની આ સિદ્ધિ બદલ સમાજના અગ્રણીઓ, સગાસંબંધીઓ અને રમતપ્રેમી નાગરિકોએ તેને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આઈમનની આ સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને ભવિષ્યમાં તે વધુ ઊંચા મુકામ સુધી પહોંચે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
સુરત શહેરના કતારગામ અને અમરોલીને જોડતો રત્નમાલા બ્રિજ છેલ્લા કેટલાક સમયથી વાહનચાલકોની બેદરકારીને કારણે ચર્ચામાં રહ્યો છે. શોર્ટકટ લેવાની લાયમાં અનેક વાહનચાલકો જીવના જોખમે રોંગ સાઈડમાં વાહનો હંકારી રહ્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું છે. હવે આ બ્રિજ પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની ખેર રહેશે નહીં. તંત્ર દ્વારા લેવાયા કડક પગલાંબ્રિજ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા અને અકસ્માતના ભયને જોતા સુરત પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક બ્રિજ પર રોંગ સાઈડ આવતા વાહનચાલકોને અટકાવવા માટે પોલીસ જવાનો અને TRB (ટ્રાફિક બ્રિગેડ) ના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. જે પોઈન્ટ્સ પરથી વાહનચાલકો રોંગ સાઈડમાં ઘૂસી જતા હતા, ત્યાં લોખંડના બેરીકેડ્સ મૂકીને રસ્તો કાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. નિયમ તોડનારા વાહનચાલકો સામે મેમો ફાડવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. લોકોની ઉતાવળ તંત્ર માટે માથાનો દુ:ખાવોરત્નમાલા બ્રિજ પર વાહનચાલકો થોડો સમય બચાવવા માટે ટ્રાફિકના નિયમોને નેવે મૂકી રહ્યા હતા. સામેથી આવતા ભારે વાહનો સાથે અથડાવાના અનેક કિસ્સાઓ બનતા રહી ગયા છે. ટ્રાફિક પોલીસની ગેરહાજરીમાં રસ્તો વન-વે હોવા છતાં ટુ-વે જેવી સ્થિતિ સર્જાતી હતી. તંત્ર દ્વારા પહેલા કોઈ કાર્યવાહી ન કરતા હવે કડકાઈ વાપરવાની ફરજ પડી છે. શોર્ટકટ લેવાને બદલે નિયત રસ્તાનો જ ઉપયોગ કરવા અપીલઉતાવળ એ અકસ્માતને નિમંત્રણ છે આ વાત રત્નમાલા બ્રિજ પર સાર્થક થતી દેખાતી હતી. પરંતુ હવે બેરીકેડિંગ અને પોલીસ જવાનોની હાજરીને કારણે અહીં ટ્રાફિક વ્યવસ્થા સુધરશે તેવી આશા છે. સુરત પોલીસ દ્વારા જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે શોર્ટકટ લેવાને બદલે નિયત રસ્તાનો જ ઉપયોગ કરે જેથી સુરક્ષિત રહી શકાય.
રાણાવાવમાં બે ગુંડા તત્વોના ગેરકાયદેસર મકાનો તોડાયા:પોલીસ વિભાગે દબાણ હટાવવા કડક કાર્યવાહી કરી
રાણાવાવ વિસ્તારમાં અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ગેરકાયદેસર દબાણ અને મિલકતો અંગે સતત તપાસ ચાલી રહી હતી. આ તપાસ દરમિયાન રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના બે અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતો પોલીસના ધ્યાને આવી હતી. પ્રાથમિક તપાસમાં આ મિલકતો જાહેર જમીન પર દબાણ કરીને બનાવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યવાહી રાણાવાવ ડિવિઝનના નાયબ પોલીસ અધિકારી ધ્રુવલ સી. સુતરિયાના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકવામાં આવી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી. મોરી, એસ.એમ. કણઝરિયા અને પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમોએ મામલતદાર કચેરીના સ્ટાફ સાથે સંયુક્ત કામગીરી કરી હતી. આ ડિમોલિશન કામગીરી દરમિયાન રાણાવાવ તાલુકાના ગંડિયાવાળાનેશમાં રહેતા કરશન કાનાભાઈ કોડિયાતર અને રાણાવાવ તાલુકાના આસિયાપાટ ગામના વાડી વિસ્તારમાં રહેતા સંજય બાબુભાઈ ગોરાણિયાના ગેરકાયદેસર બાંધકામવાળા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી માત્ર શરૂઆત છે. વિસ્તારમાં અન્ય અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો અંગે તપાસ ચાલુ છે. આગામી સમયમાં પણ કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ અને વ્યાજબી ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ન્યૂનતમ ટેકાના ભાવે (MSP) કમિટીની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2026-27 માટે વિવિધ રવિ અને ખરીફ પાકોના ટેકેના ભાવ નક્કી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ટેકાના ભાવની ભલામણ કેન્દ્ર સરકારને મોકલાશેબેઠક દરમિયાન ખેતીના વધતા જતા ઉત્પાદન ખર્ચ, બજારની હાલની સ્થિતિ અને ખેડૂતોની આર્થિક સુખાકારીને ધ્યાનમાં રાખીને ભાવોની દરખાસ્ત તૈયાર કરવામાં આવી. મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોની આવક વધારવાના સંકલ્પ સાથે કાર્યરત છે અને વર્ષ 2026-27 માટે જીરૂં, ઘઉં, રાયડો તેમજ અન્ય તેલીબિયાં અને દાળવર્ગના પાકો માટે વ્યાજબી ટેકાના ભાવની ભલામણ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. ખેડૂતોને નુકસાન ન થાય તે રીતે ભલામણો તૈયાર કરવા ખાતરીઆ બેઠકમાં કૃષિ અને સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. કિસાન સંઘ દ્વારા બિયારણ, ખાતર, મજૂરી અને અન્ય ખેતી ખર્ચમાં થયેલા વધારાની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ મુદ્દાઓને ગંભીરતાથી લઈને ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે રીતે ભાવ ભલામણો તૈયાર કરવાની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર આગામી સીઝન માટે દેશવ્યાપી MSP જાહેર કરશેરાજ્ય સ્તરે તૈયાર થયેલા રિપોર્ટ કેન્દ્રના કૃષિ મંત્રાલય તેમજ ‘કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસિસ (CACP)’ને મોકલવામાં આવશે, જેના આધારે કેન્દ્ર સરકાર આગામી સીઝન માટે દેશવ્યાપી MSP જાહેર કરશે. 2026-27માં ગત વર્ષ કરતાં વધુ લાભદાયી ભાવ મળશેઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે રાજ્યમાં મગફળી, સોયાબીન અને અડદ સહિતના પાકોની મોટા પાયે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી, જેના કારણે લાખો ખેડૂતોને સીધો લાભ થયો હતો. બેઠક બાદ ખેડૂતોમાં આશા જાગી છે કે વર્ષ 2026-27માં પણ ગત વર્ષ કરતાં વધુ લાભદાયી ભાવ મળશે.
ડૉ. હેમરાજ રાણાની ભાજપ કારોબારીમાં નિમણૂક:અમીરગઢ APMC ખાતે તાલુકાના આગેવાનોએ સ્વાગત કર્યું
ડૉ. હેમરાજ રાણાની ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક થતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમીરગઢ તાલુકા ભાજપના આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક લોકો દ્વારા આજે અમીરગઢ APMC ખાતે તેમનું સ્વાગત કરાયું. આ સ્વાગત સમારોહમાં તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં APMC ચેરમેન પ્રવિણભાઈ પ્રજાપતિ, તાલુકા મહામંત્રી ભમરસિંહ ડાભી, તેમજ ગંગારસિંહ દેવડા, ઉત્તમસિંહ ડાભી, બાબુસિંહ ડાભી, રાજેન્દ્રસિંહ ડાભી, લલિતભાઈ મોદી, મોહનભાઈ નાઈ, સ્વરૂપાજી રબારી, મુકેશભાઈ પટેલ અને ભુપેન્દ્રભાઈ મોદી સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજસ્થાનના સિરોહી જિલ્લા ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હેમેન્દ્રસિંહ દેવડા અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા પણ ડૉ. હેમરાજ રાણાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર મહેસાણા ખાતે જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી ભરત સોલંકીના જણાવ્યા અનુસાર આ મહત્વપૂર્ણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પરિષદમાં રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના આરોગ્યલક્ષી પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કડી તાલુકામાં માતા મરણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધુઆ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય મહેસાણા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણના દરમાં ઘટાડો લાવવાનો છે. આ ઉપરાંત જિલ્લામાં ન્યુટ્રીશન એટલે કે પોષણની સ્થિતિ સુધારવા અને સતત ઘટતા જતા સેક્સ રેશિયો જાતિ પ્રમાણ જેવા પડકારજનક મુદ્દાઓ પર ગંભીરતાથી આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓની સમીક્ષા કરતા અધિકારીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે કડી તાલુકામાં માતા મરણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધુ જોવા મળ્યું છે, જ્યારે તેની સરખામણીએ વિસનગર તાલુકાની સ્થિતિ ઘણી સારી છે. નોંધનીય છે કે ગત વર્ષે વિસનગર તાલુકામાં એક પણ માતા મરણ નોંધાયું નહોતું. વર્ષ 2025-26 દરમિયાન અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 19 માતા મરણ નોંધાયાઆંકડાકીય વિગતો આપતા અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2025-26 દરમિયાન અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 19 માતા મરણ નોંધાયા છે. માતા મરણ પાછળના કારણો સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું કે ઘણી વખત પરિસ્થિતિ અને માતાની ગંભીર બીમારીઓ જવાબદાર હોય છે. ખાસ કરીને હૃદય કાર્ડિયાક અને કિડની સંબંધિત બીમારીઓ ધરાવતી જોખમી માતાઓના કિસ્સામાં મૃત્યુ રોકવું મુશ્કેલ હોય છે, પરંતુ જે કારણો અટકાવી શકાય તેવા છે. જિલ્લામાં 5થી 7 ટકા કુપોષિત બાળકોબાળકોમાં કુપોષણની સ્થિતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુપોષિત બાળકોની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે. જોકે હજુ પણ જિલ્લામાં 5થી 7 ટકા જેટલા બાળકો કુપોષણનો શિકાર છે. જેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં સઘન કામગીરી કરવામાં આવશે.
બોટાદની શ્રી લાઠીદડ કે.વ. શાળામાં શાળા સલામતી સપ્તાહ–2026 અંતર્ગત ફાયર સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના કુલ 541 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ નિવારણ તથા ઈમરજન્સી અંગે તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આગથી બચાવ અને ઈમરજન્સી પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ અંગે જાગૃતિ લાવવાનો હતો. ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગ લાગવાની પરિસ્થિતિમાં રાખવાની જરૂરી સાવધાની અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત, આગ બુઝાવવાની પ્રાથમિક તાલીમ, ઈમરજન્સી સમયે અપનાવવાની સાવચેતીઓ, રેસ્ક્યુ કામગીરીની પ્રક્રિયા તથા આગના સમયે જીવ બચાવવા માટેના ઉપાયો અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા ઈમરજન્સી નંબર, ફાયર સેફટી માટેના વિવિધ સાધનો અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રકારના જાગૃતિસભર કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં સલામતી અંગેની સમજ વધે તેમજ કોઈપણ આપત્તિ સમયે યોગ્ય રીતે પ્રતિસાદ આપી શકાય તે દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે હવે પાર્કિંગ નિયમનો કડક અમલ કરવામાં આવશે. તાજેતરમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક વાહનચાલકો એરપોર્ટ તરફ જતા એપ્રોચ રોડ પર આડેધડ વાહન પાર્ક કરી ચાલ્યા જાય છે. જેને લીધે અકસ્માતનો ગંભીર ખતરો રહે છે ત્યારે હવે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમનો અમલ કરતા નો પાર્કિંગ પેનલ્ટી રૂ.500 જાહેર કરવામાં આવી છે. આડેધડ ઉઘરાણા કરવા બદલ VIP એજન્સીને કેમ દંડ ના કર્યો?આ પેનલ્ટીના લીધે રાજકોટ એરપોર્ટ પરથી ફ્લાઈટમાં અવરજવર કરતા 5000 હવાઈ મુસાફરોના પરિવારજનોને અસર પહોંચશે. જોકે અહીં મહત્વની વાત એ છે કે અગાઉ એરપોર્ટમાં પાર્કિંગના નામે હવાઈ મુસાફરોના પરિવારજનો પાસેથી આડેધડ ઉઘરાણા કરવામાં આવ્યા તે બદલ VIP એજન્સીને એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ દંડ શા માટે ન કરવામાં આવ્યો? નો પાર્કિંગ વાહન પાર્ક કરનાર સામે કડક કાર્યવાહીરાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે, જાહેર સલામતીને પ્રાથમિકતા આપતા એરપોર્ટ ઓથોરિટીએ હવેથી એરપોર્ટ પરિસરમાં, એપ્રોચ રોડ સહિત કર્બ સાઈડ અને શહેર સાઈડ પર નો પાર્કિંગ વિસ્તારમાં વાહનો પાર્ક કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જેની કડક અમલવારી કરાવવામાં આવશે અને જો કોઈ પણ વાહન ચાલક દ્વારા તેનો ભંગ કરવામાં આવશે તો રૂ.500 નો દંડ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020 ના એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 19 ઓક્ટોબર રોજ પ્રકાશિત એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એરપોર્ટ મેનેજમેન્ટ) બીજા સુધારા નિયમો-2020 મુજબ આપવામાં આવેલી સત્તાઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવશે. ગેઝેટ સૂચના (CG-DL-E-19102020-222552) અનુસાર, નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કાયદાની કલમ 42ની પેટા-કલમ (3) હેઠળ દંડને પાત્ર બનશે.
મોરબી હોસ્પિટલમાં આગનો કોલ મળ્યો:ફાયર બ્રિગેડે બે વ્યક્તિને બચાવ્યા, મોકડ્રિલ જાહેર કરાઈ
મોરબીની માળિયા ફાટક પાસે આવેલી સમર્પણ હોસ્પિટલમાંથી આગ અને બે વ્યક્તિ ફસાયા હોવાનો કોલ ફાયર એન્ડ ઈમરજન્સી શાખાને મળ્યો હતો. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે આગ પર કાબૂ મેળવી હોસ્પિટલના બીજા માળે ફસાયેલા બે વ્યક્તિને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ મારફત અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી દ્વારા આયોજિત મોકડ્રિલનો ભાગ હતી. મોકડ્રિલ જાહેર થતાં જ હોસ્પિટલ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને ત્યારે કેઝ્યુઅલ્ટીને કઈ રીતે બચાવવી તેની તૈયારી ચકાસવાનો હતો. આ રેસ્ક્યુ કામગીરીએ ફાયર બ્રિગેડની સજ્જતા અને આધુનિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રકારની મોકડ્રિલ શહેરીજનોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવામાં અને ઈમરજન્સી પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ આપવામાં મદદરૂપ થશે.
ગાંધીનગરના ગિફ્ટ સિટી નજીકના વલાદ ગામે વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મધરાતે ત્રાટકી વાયરના ડ્રમની આમાં છુપાવેલ રૂપિયા 2.98 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખસોને દબોચી લઈ ડભોડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. આ સમગ્ર ખેલ રેલવે પાર્સલ દ્વારા ખેલાતો હોવાનું લોકલ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ગાંધીનગર પોલીસે રાત્રે પોણા બે વાગ્યે દરોડો પાડ્યોગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.પી. પરમારની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે વલાદ ગામના શક્તિનગર વિસ્તારમાં રહેતા નિર્મલ ઉર્ફે મોન્ટુ પટેલના ઘરે વિદેશી દારૂનું મોટાપાયે કટિંગ ચાલી રહ્યું છે. જેના પગલે પોલીસે રાત્રે પોણા બે વાગ્યે દરોડો પાડતા ઘરના કમ્પાઉન્ડમાં એક લોડિંગ રિક્ષા અને બે એક્ટિવા પાસે કેટલાક શખસો સામાન ઉતારતા નજરે પડ્યા હતા. દારૂનું કટિંગ કરતા બે શખસોને પોલીસે ઝડપી પાડ્યાજોકે પોલીસને જોતા જ આરોપીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જેમાંથી જયેશ ઉર્ફે જીગો સોલંકી (રહે. અરવિંદ પટેલની ચાલી, નરોડા) અને અનિલ ફતેલાલ પાલીવાલ (રહે. દરજીની ચાલી, અમદુપુરા) નામના બે શખસોને પોલીસે કોર્ડન કરીને પકડી લીધા હતા. બાદમાં પોલીસે સ્થળ પર તપાસ કરી તો વાયરના 12 ડ્રમ મળી આવ્યા હતા. 12 ડ્રમમાંથી 1090 નંદ દારૂ-બિયરનો જથ્થો મળ્યોબાદમાં પોલીસે ડ્રમમાં લપેટેલા વાયરોને ખેંચતા જ વિદેશી દારૂની બોટલો ટપોટપ નીચે પડવા માંડી હતી. આ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આમ એક પછી એક 12 ડ્રમ ચેક કરવામાં આવતા કુલ 1090 નંગ દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે અનિલ પાલીવાલની અંગઝડતી લેતા તેની પાસેથી ભારતીય રેલવેની એક ડિલિવરી રિસીપ્ટ મળી આવી હતી. દારૂ મંગાવનાર હર્ષ શર્મા સ્થળ પરથી ભાગી છૂટ્યોજેમાં ઉદયપુરથી અસારવા જંકશન સુધી પાર્સલ મોકલવામાં આવ્યું હોવાની વિગત હતી. જેની પૂછપરછમાં બહાર આવ્યું કે, નરોડાનો હર્ષ શર્મા (રહે.મહાકાલી પેટ્રોલ પંપ નજીક, દાસ્તાન સર્કલ નરોડા) રાજસ્થાનના રાહુલ નામના શખસ પાસેથી રેલવે પાર્સલ દ્વારા દારૂ મંગાવતો હતો અને ત્યાંથી લોડીંગ રિક્ષામાં દારૂનો જથ્થો વલાદ લાવીને તેનું કટીંગ કરવામાં આવતું હતું. આ રેઇડ દરમિયાન ઘરનો માલિક નિર્મલ ઉર્ફે મોન્ટુ પટેલ અને દારૂ મંગાવનાર હર્ષ શર્મા સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. મોબાઈલ-રોકડ સહિત રૂ.5.78 લાખનો મુદ્દામાલ જપ્તલોકલ ક્રાઈમ બ્રાન્ચે હાલમાં આ બંને સહિત કુલ 5થી 6 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી દારૂ બિયરનો જથ્થો, લોડીંગ રિક્ષા, ત્રણ મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.5.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અંગેનો છ દિવસીય પ્રાદેશિક તાલીમ કાર્યક્રમ સંપન્ન થયો છે. કુલપતિ કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ પ્રસાર શિક્ષણ ભવન દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જમીનની ફળદ્રુપતા અને લોકોના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રાદેશિક તાલીમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના કુલ 25 કૃષિ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ અધિકારીઓને પ્રાકૃતિક ખેતીના પાયાના અને વ્યવહારુ પાસાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા વિવિધ મહત્વના મુદ્દાઓ આવરી લેવાયા હતા. જેમાં જમીનના જૈવિક ગુણોને જાળવી રાખવાની સમજ, રાસાયણિક દવાઓ વગર પ્રાકૃતિક પદ્ધતિથી જીવાત અને નિંદામણ નિયંત્રણ, ખેતીમાં ઉપયોગી સૂક્ષ્મજીવોનું મહત્વ, તેમજ પ્રાકૃતિક ઉત્પાદનોના માર્કેટિંગ અને સર્ટિફિકેશન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તાલીમની અસરકારકતા વધારવા માટે પ્રત્યક્ષ નિદર્શન અને મુલાકાતોનું આયોજન કરાયું હતું. તાલીમાર્થીઓએ સરદાર પટેલ કૃષિ શૈક્ષણિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, યુનિવર્સિટીના પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મ પર જીવંત નિદર્શન નિહાળ્યું હતું અને પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને વ્યવહારુ પડકારો અને તેના ઉકેલો વિશે જાણકારી મેળવી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કે.બી. કથીરીયાએ જણાવ્યું હતું કે, આ તાલીમ દ્વારા પ્રાપ્ત જ્ઞાન અધિકારીઓ પોતાના રાજ્યના ખેડૂતો સુધી પહોંચાડશે, જે જમીન અને સ્વાસ્થ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કાર્યક્રમના અંતે, કુલપતિ અને EEI ના ડાયરેક્ટર જે. કે. પટેલે તાલીમાર્થીઓ સાથે સંવાદ કરીને તેમના પ્રતિભાવો મેળવ્યા હતા અને આ અભિયાનને વેગ આપવા પ્રોત્સાહિત કર્યા હતા.

24 C