નવસારીના વિજલપોર સ્થિત ઐતિહાસિક વિઠ્ઠલ રૂક્ષ્મણી મંદિરમાં 43 વર્ષથી અવિરત અખંડ હરિનામ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ભક્તિમય માહોલમાં યોજાતા આ મહોત્સવના આજે આઠમા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આવતીકાલે કાળાના કીર્તન સાથે આ ભક્તિમય મહોત્સવની પૂર્ણાહુતિ થશે. આ પ્રસંગે હજારો ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે. આ આયોજન પાછળના ઉદ્દેશ્ય અંગે માહિતી આપતા આયોજક સુરેશ નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પરંપરાનો મુખ્ય હેતુ સમાજમાંથી વ્યસનોને દૂર કરવાનો છે. ખાસ કરીને યુવા પેઢી દારૂ અને તમાકુ જેવા દૂષણોથી મુક્ત બને તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રથી પધારેલા સંતો દ્વારા યુવાનોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ કાર્યમાં તરુણ અને યુવા મંડળના સભ્યો ખભેખભા મિલાવીને સેવા આપી રહ્યા છે. સમાજમાં સંસ્કારોનું સિંચન કરવા માટે એક નવતર પ્રયોગ પણ શરૂ કરવામાં આવ્યો છે. આગામી શ્રાવણ માસ દરમિયાન 50 જેટલા બાળકોને વારકરી સંપ્રદાયની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ સવાર-સાંજ બે કલાક ચાલશે, જેમાં ભજન, કીર્તન અને સંપ્રદાયની પરંપરાઓ શીખવવામાં આવશે. રસ ધરાવતા વાલીઓ અને બાળકોને વિઠ્ઠલ મંદિરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. સુરેશ ચૌધરીએ જણાવ્યું કે, આજે આપણા વિજલપોરની અંદર વિઠ્ઠલ રૂક્ષ્મણી મંદિર ખાતે અખંડ હરિનામ સપ્તાહનો આઠમો દિવસ છે અને કાલે સવારે કાળાનું કીર્તન થશે, ત્યારે બધાને મહાપ્રસાદ મળશે. આ એક ઉમદા હેતુ છે. આ કાર્યક્રમ લગભગ 43 વર્ષથી પરંપરાગત રીતે ચાલી રહ્યો છે. આ પરંપરામાં અમારું તરુણ મંડળ અને યંગ મંડળ ખૂબ જ સક્રિય છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય બધાને વ્યસનમુક્તિ, દારૂબંધી અને તમાકુમુક્તિ માટે જાગૃત કરવાનો છે. મહારાષ્ટ્રથી પધારેલા સંતો પણ લોકોને વ્યસન કેવી રીતે છોડવું અને ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરવા તે અંગે માર્ગદર્શન આપે છે. વારકરી સંપ્રદાયની આ પરંપરા છેલ્લા 43 વર્ષથી વિજલપોરમાં અવિરત ચાલી રહી છે. હવે અમે એક નવો સંકલ્પ લીધો છે કે શ્રાવણ મહિનામાં 50 જેટલા છોકરા-છોકરીઓને સવાર-સાંજ બે કલાક વારકરી સંપ્રદાયની ટ્રેનિંગ આપવામાં આવશે. જે ભાઈ-બહેનોને આમાં જોડાવાની ઈચ્છા હોય તેઓ વિઠ્ઠલ મંદિરનો સંપર્ક કરી શકે છે.
વડોદરા-હાલોલ હાઈવે પર 22 ફેબ્રુઆરીની મોડીરાત્રે એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો. રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં બાઈક સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે સવાર અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો છે. મૃતક યુવકને ગંભીર ઇજાઓને લઈ રોડ પર લોહી વહેવા લાગ્યું હતું. રોડ પર પરિવારજનોની રોકકળથી માહોલ તંગ બન્યો હતો. આ અસ્માત કેવી રીતે થયો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. વધારે લોહી વહી જતાં યુવકનું સ્થળે જ મોતપ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા-હાલોલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક મોટરસાયકલને કોઈ અજાણ્યા કારચાલકે જોરદાર ટક્કર મારી હોવાની આશંકા સેવાઈ રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક રોડ પર પટકાયો હતો અને તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ લોહીનો રેલો વહ્યો હતો અને યુવકે ત્યાં જ દમ તોડી દીધો હતો. બાઈકસવાર અન્ય યુવકને નાની-મોટી ઈજાબાઈક પર સવાર બે લોકોમાંથી એક યુવકનું મૃત્યુ થયું છે, જ્યારે તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવક અકસ્માત સ્થળની નજીકના જ કોઈ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જરોદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઅકસ્માતની જાણ થતા જ જરોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મધરાતે સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે ટક્કર મારી ફરાર થઈ ગયેલા વાહનચાલકની શોધખોળ કરી રહી છે. ગઈકાલે તરસાલી બળીયાદેવ મંદિર નજીક ડમ્પરે આધેડને કચડી નાખ્યાં હતાં વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં 22 ફેબ્રુઆરીએ એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી હતી. તરસાલી બળીયાદેવ મંદિર નજીક પૂરપાટ ઝડપે દોડતા એક ડમ્પરના ચાલકે એક્ટિવા સવાર 55 વર્ષીય દોલતરામ લુહારને અડફેટે લઈ કચડી નાખ્યાં હતાં. આ અકસ્માતમાં જામ્બુવામાં રહેતાં દોલતરામ લુહારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે રોડ પર ભારે ટ્રાફિકજાન સર્જાયો હતો. પોલીસે સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ:ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, કપાસ-તુવેર પાકને નુકસાનની ભીતિ
ભરૂચ શહેર સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ઠંડા પવન સાથે ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ અચાનક આવેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે મોસમી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને કપાસ, તુવેર અને મગના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મતે, પાક તૈયાર થવાની કગાર પર હોય ત્યારે પડેલો વરસાદ ઉપજ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. હવામાનમાં આવેલા આ અચાનક પલટાથી ખેડૂત વર્ગ ચિંતિત બન્યો છે.
20 ફેબ્રુઆરીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ આજે (23 ફેબ્રુઆરી) વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં અને ગાંધીનગરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમીધારે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કાપણી માટે તૈયાર ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં આગામી 3 કલાક એટલે કે, 11 વાગ્યા સુધી યેલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલીરાજ્યમાં બદલાતા હવામાન વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયા માટેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. જોકે, ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેનાથી ઠંડીનો અનુભવ થશે. જોકે આજે વહેલી સવારથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું છે. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. અનેક શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તાપમાનમાં કોઈ મોટો ઉછાળો નહિ જોવા મળેરાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં હાલમાં 34.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 33.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં તાપમાનનો પારો 34થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે ગાંધીનગરમાં 33થી 34 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે. એકંદરે આ શહેરોમાં તાપમાનમાં કોઈ મોટો ઉછાળો જોવા નહીં મળે અને વાતાવરણ સ્થિર રહેશે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં બદલાવ થઈ શકેહાલમાં ગુજરાત પર ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો પ્રભાવી છે. આ પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને સૂકા પવનો ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ રહશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની આ દિશા અને ગતિ આગામી પાંચ દિવસ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે. રાજ્યમાં હવે શિયાળાની જમાવટ ધીમે-ધીમે શરૂ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તાપમાનમાં ક્રમશઃ ઘટાડો અને ઉત્તરીય પવનોની અસરને કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં બદલાવ જોવા મળશે.
હિલપાર્ક ચોકડી પાસે DWIJA ફાઈનાન્સ્યલ સોલ્યુશન નામની ઓફીસ ખોલીને બે શખ્સોએ બૂચ માર્યા ભાવનગર શહેરના સીદસર રોડ પર દ્વિજા ફાઈનાન્સ્યલ સોલ્યુશન નામની ઓફીસ ખોલીને અનેક લોકોને 7 ટકા વળતર આપવાની રોકણ કરાવીને શીશા ના ઉતર્યા હતા બાદ રકમ પરત નહીં કરતા ઘટસ્ફોટ થયો હતો, 40થી વધુ લોકો પાસેથી 4.20 કરોડ જેટલી માતબર રકમ એકઠી કરી હતી, બે પૈકી એકને ભાવનગર સીઆઈડી ક્રાઈમએ વિવેક ને ઝડપી લઈ કોર્ટ માં રજૂ કરતા ત્રણ દિવસમાં રિમાન્ડ મંજુર થયા હતા, આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં રહેતા જીગર અશોકભાઈ ભટ્ટ તથા તેની માતા રેખાબેન થોડા સમય પહેલા વિવેક નાથાણી અને પ્રતિક ગળચર નામના શખ્સોના પરીચયમા આવ્યા હતા, આ બંને શખ્સોએ DWIJA ફાઈનાન્સ્યલ સોલ્યુશન નામની મની ઈન્વેસ્ટમાં રોકાણ કરી સારૂં એવું આર્થિક વળતર અપાવવાની લાલચ આપી હતી, દરમ્યાન માતા-પુત્ર એ આર્થિક રોકાણ કર્યાં ના ટૂંકા ગાળામાં સારૂં એવું આર્થિક પ્રોપિટ આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો, દરમ્યાન આ કંપનીમાં વધુ રોકાણ સાથે વધુ નફાની લાલચ આપી જીગર તથા તેની માતા રેખાબેન ને લોભામણી જાહેરાતો કરી ફસાવ્યા હતા, જેમાં માતા પુત્ર સહિત અન્ય 41 વ્યક્તિઓએ પણ કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું, DWIJA FINANACIAL SOLUTIONS પ્રેમ્ફલેટ બતાવી મંથલી 7 ટકા સુધીના વળતર આપવાની લોભામણી લલચામણી જાહેરાતો બતાવી તથા અન્ય 41 ભોગબનનાર/રોકાણકારો પાસેથી તે પૈકી આજદીન સુધી ફરી.ને રૂ.3,02,38,500 તથા બીજા રોકાણકારોની રૂ.1,17,92,273 મળી ફૂલ રૂ.4,20,30,773 જેટલી રકમ મેળવી રોકાણકારોને પાકતી મુદતે નાણાની ચુકવણી કરવામાં કપટપુર્વક કસુરવાર થઇ આજદીન સુધી આરોપીઓએ વાયદાના નાણા પરત કર્યા ન હતા, પરંતુ સમય વિત્યે નફો કે મુદ્દલ પરત ન મળતા રોકાણકારો એ રોકેલા રૂ.4.20 માતબર રકમ બંન્ને ગઠીયાઓ ઓળવી જતા રેખાબેન એ રાજકોટ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે વિવેક નાથાણી નામના ઠગની ધડપકડ કરી છે અને તપાસનો ધમધમાટ આદર્યો છે.
મોડાસા: લાયન્સ ક્લબ ઓફ મોડાસાએ તેની 61 વર્ષની સેવાયાત્રા નિમિત્તે બે લોકહિતકારી પ્રોજેક્ટનું અનાવરણ કર્યું છે. આ પ્રોજેક્ટમાં 'લિયો પિક અપ સ્ટેન્ડ'નું નવીનીકરણ અને 'લાયન્સ રોટરી અંતિમ વિસામા'નો સમાવેશ થાય છે. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરેન મેવાડા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2004માં પૂર્વ પ્રમુખ વિનોદભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા માલપુર રોડ પર નિર્મિત 'લિયો પિક અપ સ્ટેન્ડ'નું 22 વર્ષ બાદ આધુનિક રૂપમાં રિનોવેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મોડાસા-શામળાજી રોડ પર આવેલા 'લાયન્સ રોટરી અંતિમ વિસામા'ને પણ 2026માં નવી સુવિધાઓ સાથે સંસ્કારસભર અને સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યું છે. આ બંને પ્રોજેક્ટોના અનાવરણ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરેન મેવાડા, લાયન્સ ક્લબ ઓફ મોડાસાના પ્રમુખ નીરવભાઈ ચૌહાણ, લાયન કેબિનેટ સેક્રેટરી હેમેન્દ્ર શાહ, લાયન કેબિનેટ ટ્રેઝરર પિયુષ શાહ, રીજીયોન ચેરમેન ડોક્ટર કામેશ્વર પ્રસાદ, સિલેક્ટ સેકન્ડ વી ડી જી અતુલભાઇ જોશી, ઝોન ચેરમેન પરેશ શાહ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન પ્રવીણભાઈ ચૌહાણ, કમલેશભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ, વિનોદભાઈ પટેલ, મનુભાઈ પટેલ, મનોજભાઈ સહિત જિલ્લાભરની લાયન્સ ટીમ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાયન્સના વરિષ્ઠ સભ્યોએ ક્લબની 61 વર્ષની સેવાયાત્રા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે લાયન્સ ક્લબ ઓફ મોડાસાએ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને સામાજિક ક્ષેત્રે અનેક લોકહિતકારી કાર્યો કરીને સમાજમાં વિશ્વાસ અને માન્યતા ઊભી કરી છે. ક્લબ સેવાને માત્ર પ્રવૃત્તિ નહીં, પરંતુ જીવનશૈલી માને છે. લાયન્સ ક્લબ ઓફ મોડાસા ભવિષ્યમાં પણ સમાજને સુવિધા, સહારો અને સંદેશ આપવાના નવા સંકલ્પ સાથે આગળ વધી રહી છે.
વલસાડ-ખેરગામ રોડ પર સેગવા ગામ પાસે આજે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધરમપુર તાલુકાના મોહપાડા ગામના રસિકભાઈ કાશીનાથ કાકડનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, રસિકભાઈ કાકડ પોતાની બાઈક લઈને વલસાડ તરફ જઈ રહ્યા હતા. તે સમયે વલસાડથી ખેરગામ તરફ પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે સેગવા ગામના કટ પાસે તેમની બાઈકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રસિકભાઈ બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો અને સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મોહપાડા ગામના યુવાનના નિધનના સમાચારથી પરિવાર અને પંથકમાં શોક વ્યાપી ગયો છે.
વલસાડમાં હુમલો કરનાર એક આરોપી ઝડપાયો:ખડકીભાગડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જૂની અદાવતમાં હુમલો કર્યો હતો
વલસાડ શહેરના ખડકીભાગડા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક જૂની અદાવતને કારણે થયેલા હુમલા પ્રકરણમાં વલસાડ સીટી પોલીસે ઝડપી કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે. ક્રિકેટ સ્ટમ્પ વડે કરાયેલા આ હુમલા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે મોડી રાત્રે ખડકીભાગડા ગ્રાઉન્ડ પાસે બોલાચાલી થયા બાદ ત્રણ શખ્સોએ એક યુવક પર ક્રિકેટ સ્ટમ્પ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેને ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવ અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની કલમ 115(2), 351(3), 352 અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ASI હેમંતભાઈ વેણીલાલ અને તેમની ટીમે બાતમીના આધારે તા. 22/02/2026ના રોજ આરોપી હિમેશભાઈ મનીષભાઈ પટેલ (રહે. ખડકીભાગડા, વલસાડ)ની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કેસમાં પોતાની સંડોવણી અને અન્ય યુવકોની હાજરી તેમજ ઇજાગ્રસ્ત યુવકને માર માર્યો હોવાની કબૂલાત કરી હતી. વલસાડ સીટી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓ વિશાલ જીતુભાઈ રાઠોડ અને 'ડીલર' ઉપનામ ધરાવતા શખ્સની શોધખોળ તેજ કરી રહી છે. આ માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ ચલાવવામાં આવી રહી છે.
મોડાસા સ્કૂલના 2007 બેચનું 19 વર્ષે પુનર્મિલન:મિત્રોએ 'સમન્વય' ગેટ-ટુ-ગેધર યોજી જૂની યાદો તાજી કરી
મોડાસાની કે.એન. શાહ સ્કૂલના વર્ષ 2007ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું 19 વર્ષ બાદ પુનર્મિલન યોજાયું હતું. આ 'ગેટ-ટુ-ગેધર' કાર્યક્રમ સાકરીયા ચિરંજીવી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. લાંબા સમય બાદ એકબીજાને મળેલા સહપાઠીઓએ શાળાજીવનની જૂની યાદો તાજી કરી હતી. આ મેળાપ મિત્રો માટે વ્યસ્ત જીવનમાંથી વિરામ લઈ ભૂતકાળને યાદ કરવાનો અવસર બન્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં, સ્કૂલના સ્વર્ગસ્થ શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં પરસ્પર સંવાદ, જૂના પ્રસંગોની યાદો, ફોટોગ્રાફી, ગરબા, ડાન્સ અને વિવિધ રમતોનો સમાવેશ થતો હતો. આ પ્રવૃત્તિઓ દ્વારા મિત્રતાનું બંધન વધુ મજબૂત બન્યું હતું. આ મેળાપનું આયોજન 2007 બેચના ચિરાગ ડાભીના સંકલન અને પ્રયત્નોથી 'સમન્વય' નામ હેઠળ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા અને ગ્રુપ સંવાદ દ્વારા લાંબા સમયથી વિખૂટા પડેલા મિત્રો ફરી એકબીજા સાથે જોડાયા હતા. આ બેચના વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, વેપારી અને આર્કિટેક્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં સફળ થયા છે. કેટલાક મિત્રો દેશ-વિદેશમાં પણ કારકિર્દી બનાવી રહ્યા છે. જે મિત્રો ઉપસ્થિત રહી શક્યા ન હતા, તેમણે વીડિયો દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવી કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી હતી. કાર્યક્રમ દરમિયાન, પરિચય સત્ર યોજાયું હતું જેમાં દરેક સહપાઠીએ પોતાની વ્યવસાયિક અને પારિવારિક યાત્રા વિશે માહિતી આપી હતી. જૂની યાદો તાજી કરવામાં આવી હતી અને આ પળોને કેમેરામાં કેદ કરવામાં આવી હતી. મિત્રોએ ભવિષ્યમાં પણ આવા 'સમન્વય' કાર્યક્રમો યોજવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટીના NCC કેડેટ્સે નવી દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત રિપબ્લિક ડે કેમ્પ (RDC) 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમણે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ યુનિવર્સિટી દ્વારા કેડેટ્સ અને NCC ટીમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. RDC 2026 માટે ADIT કોલેજના કેડેટ રાઠોડ ગુરુરાજ સિંહ અને GCET કોલેજના કેડેટ લાધવાલા દેવની પસંદગી થઈ હતી. કેમ્પ દરમિયાન, આ કેડેટ્સને રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને ચીફ ઓફ આર્મી સ્ટાફ જેવા ઉચ્ચ મહાનુભાવો સાથે સંવાદ કરવાની અમૂલ્ય તક મળી હતી. કેડેટ લાધવાલા દેવને તેમની અસાધારણ કામગીરી માટે DG NCC દ્વારા પ્રતિષ્ઠિત 'કોમેન્ડેશન કાર્ડ' એનાયત કરાયું હતું. દિલ્હીથી પરત ફર્યા બાદ, બંને કેડેટ્સે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ રાજભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ADG ગુજરાત દ્વારા બંને કેડેટ્સને 'એપ્રીસીએશન મેડલિયન' આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલે કેડેટ્સની શિસ્ત અને સમર્પણને બિરદાવતા આ સિદ્ધિને શ્રેષ્ઠ માર્ગદર્શનનું પરિણામ ગણાવ્યું હતું. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. સંદીપ વાલિયાએ આ સફળતાને ટીમવર્કનું ઉદાહરણ ગણાવી 38 ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ અખિલ માંધે અને લેફ્ટનન્ટ કર્નલ અનિલ મેહરાના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ADITના પ્રિન્સિપાલ ડૉ. વિશાલ સિંહ, GCETના પ્રિન્સિપાલ ડૉ. કૌશિક નાથ અને NCC ઓફિસર ડૉ. શિવકુમાર સિંહ સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સિદ્ધિ આગામી સમયમાં અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરાઈ છે.
આમ તો વડોદરા શહેરમાં કોઈ એવો વિસ્તાર નથી, જ્યાં દારૂ ન મળતો હોય! આખા શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે અને વડોદરા પોલીસ દારૂની હેરાફેરીને રોકવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. આવા સમયે વડોદરા શહેરમાં પોલીસની નજરથી બચવા બુટલેગરે બ્યુટી પાર્લરની દુકાનમાં દારૂ છુપાવવા અનોખો કીમિયો અજમાવ્યો હતો. દુકાનમાં રહેલી POPની LED લાઇટ ખોલતા જ મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો નિકળ્યો હતો. POPમાં ચારકોરથી બોટલો નીકળવા લાગી હતી, જે જોઈને PCB પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. PCBએ હાઈપ્રોફાઈલ દારૂ નેટવર્કનો પર્દાફાશ કર્યોવડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા આપવામાં આવેલી કડક સૂચના આપી છે. તેમ છતાં વડોદરા શહેરમાં દારૂ બેરોકટોક વેચાય છે અને પીવાય પણ છે. આવા સમયે વડોદરા PCB પોલીસની ટીમે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં ચાલતા એક હાઈપ્રોફાઈલ દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રહેણાંક મકાનની સીલિંગ (POP) અને બ્યુટી પાર્લરની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. બે લાખ 73 હજારનો દારૂ-બિયરનો જથ્થો નીકળ્યોPCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કિશનવાડી વુડાના મકાન પાસે આવેલ પરશોત્તમનગર સોસાયટીના મકાન નં. સી-35માં હિતેશકુમાર રતિલાલ જયસ્વાલ દારૂનો વેપલો કરે છે. આ બાતમીના આધારે PCB પોલીસની ટીમે જ્યારે આ મકાનમાં દરોડો પાડ્યો, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ પોલીસથી બચવા માટે મકાનમાં POP અને ઘરમાં ચાલતા બ્યુટી પાર્લરના ખાનાઓમાં દારૂની બોટલો છુપાવી હતી. જ્યાંથી 2,73,820 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્થળ પરથી એકની ધરપકડ, એકની શોધખોળપોલીસે આરોપી હિતેશકુમાર રતિલાલ જયસ્વાલ (ઉં.વ. 45)ની ધરપકડ કરી છે અને દારૂનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર જીજ્ઞેશ ઉર્ફે જીગા પરમારને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરી પી.સી.બી.ના પી.આઈ. સી.બી. ટંડેલ અને તેમની ટીમે પાર પાડી હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં દારૂનું વેચાણ સતત વધી રહ્યું છે. બુટલેગરો પણ પોલીસને જાણે ચેલેન્જ આપી રહ્યા છે. આવા સમયે બુટલેગરો દારૂનું વેચાણ કરવા માટે પોલીસથી બચવાના પ્રયાસ કરે છે. બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે વિવિધ પ્રકારના કીમિયા અજમાવી રહ્યા છે. બુટલેગર પોલીસને લઈ બીજા બુટલેગરને ત્યાં પહોંચ્યો, ચાર પોલીસકર્મી સામે એક્ટિવામાં દારૂ લઈ ફરાર વડોદરા શહેરમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને બુટલેગરો વચ્ચેનો એક વિવાદિત વીડિયો 24 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. વાઇરલ વીડિયો મુજબ, બુટલેગર ગુરુ પ્રસાદ ઉર્ફે મુન્નો કનોજીયાને ત્યાં ચાર જેટલા પોલીસકર્મીએ રેડ કરતા આ બુટલેગરે અન્ય જગ્યાએ મોટી માત્રામાં દારૂનું વેચાણ થતું હોવાનું જણાવી ‘મને ધંધો કરવા દો નહીં તો બધું બંધ કરાવો' તેવું કહ્યું હતુ. બાદમાં ગુરુ પ્રસાદ પોલીસને લઈને બુટલેગર રોહિત કથીરિયાને ત્યાં પહોંચ્યો હતો. અહીં રોહિત કથીરિયા દારૂના જથ્થા સાથે પોલીસની સામે જ મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો. આ સમયે ગુરુ પ્રસાદ સહિતનાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે બુટલેગર રોહિત કથીરિયા ભગાવી દીધો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
સરદાર પટેલ યુનિવર્સિટીમાં રવિવારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન કાર્યક્રમ 'સંધાન-2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીની 1000 દીકરીઓને સર્વાઈકલ કેન્સરની રસી આપવાની જાહેરાત કરાઈ હતી, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તાત્કાલિક 500 દીકરીઓ માટે રસીના ડોઝની સહાય જાહેર કરી હતી. ઈપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલપતિ પ્રો. નિરંજન પટેલે પૂર્વ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીનો જીવંત વારસો ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ માત્ર ભૂતકાળ નથી, પણ યુનિવર્સિટીની વિસ્તરતી પરંપરા છે. આ સામાજિક પહેલ યુનિવર્સિટીની દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત IIM કોઝીકોડના પ્રોફેસર ડૉ. અભિલાષ નાયરે સંસ્થાના વિકાસમાં એલ્યુમનીની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ગવર્નન્સ, સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને ગ્લોબલ કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં પૂર્વ વિદ્યાર્થીઓના યોગદાનની ચર્ચા કરી. અતિથિ વિશેષ મહેશ પાઠકે મહેનત કરી ધન કમાવવા અને ઉદાર હાથે દાન આપવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે જીવરાજભાઈ ડંખરાએ સેમી કંડકટર ક્ષેત્રે મણીબેન પટેલના નામ પર ગોલ્ડ મેડલ આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીની પ્રથમ એલ્યુમની સ્મરણિકા ‘યોગત્વ’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા વૈશ્વિક સ્તરે નામના મેળવનાર પૂર્વ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરાયું હતું. જેમાં યુનાઈટેડ વુલ્ફ્રામના એમ.ડી. અભિષેક ગામી, સેબોટેકના સી.ઈ.ઓ. શ્વેતા પ્રજાપતિ, ઇસરોમાં કાર્યરત આર. જે. ભંડેરી અને સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત સુરેશ બાલદણિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમેરિકન એક્સપ્રેસના અબ્દુલ વાહિદ સૈયદ, વન વિભાગના ડૉ. મીનલ દીપકકુમાર જાની, પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા, પ્રોફેસર વિઠ્ઠલભાઈ પટેલ અને 23 ગ્લોબલ પેટન્ટ ધરાવતા ડૉ. યોગેન્દ્ર ચૌહાણને પણ બિરદાવવામાં આવ્યા હતા. મુખ્ય સમારોહ બાદ વિવિધ વિભાગોમાં વિભાગવાર મીટ યોજાઈ હતી, જ્યાં વિદ્યાર્થીઓએ પોતાના જૂના સહપાઠીઓ અને પ્રોફેસરો સાથે સંવાદ કરી સ્મૃતિઓ તાજી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અંકુર અમીને અને આભારવિધિ રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલભાઈ પટેલે કરી હતી.
રાજ્યભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાના આગમન સાથે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો હતો, ત્યારે ભરુચમાં ત્રણ દિવસ બાદ ફરી કાળાડિબાંગ વાદળો અને તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. આ માવઠાને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત આર્થિક પાયમાલીના ડરથી ફફડી રહ્યો છે. ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારીઆજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં અચાનક કમોસમી વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કાપણી માટે તૈયાર ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે. સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવનાબીજી તરફ રાજ્યમાં બદલાતા હવામાન વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયા માટેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. જોકે, ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેનાથી ઠંડીનો અનુભવ થશે. જોકે, આજે વહેલી સવારથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું છે. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને વિસિબિલિટી ઘટી જતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થવાની શક્યતાહવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, આગામી 2થી 3 દિવસોમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. આ તાપમાનમાં ઘટાડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરિયા કિનારાના શહેરોમાં પવનની ગતિ અને તાપમાનમાં થતા ફેરફારને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડકનો અનુભવ થશે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ તાપમાન 1થી 2 ડિગ્રી જેટલું નીચે જવાની શક્યતા છે, જોકે ત્યાં આ ફેરફાર ખૂબ જ સામાન્ય રહેશે. અમદાવાદમાં 34.3 ડિગ્રી તાપમાનરાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં હાલમાં 34.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 33.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં તાપમાનનો પારો 34થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે ગાંધીનગરમાં 33થી 34 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે. એકંદરે આ શહેરોમાં તાપમાનમાં કોઈ મોટો ઉછાળો જોવા નહીં મળે અને વાતાવરણ સ્થિર રહેશે. ભેજનું પ્રમાણ ઘટશે અને સૂકા પવનો ફૂંકાશેહાલમાં ગુજરાત પર ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો પ્રભાવી છે. આ પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને સૂકા પવનો ફૂંકાશે. દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ રહશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની આ દિશા અને ગતિ આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેવાની સંભાવના છે. જેને કારણે રાજ્યમાં વરસાદની કોઈ જ શક્યતા નથી અને ખેડૂતો માટે પણ આ સૂકું વાતાવરણ રાહતરૂપ સાબિત થઈ શકે છે. રાજ્યમાં હવે શિયાળાની જમાવટ ધીમે ધીમે શરૂ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તાપમાનમાં ક્રમશઃ ઘટાડો અને ઉત્તરીય પવનોની અસરને કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં બદલાવ જોવા મળશે.
ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ચારુસેટ કેમ્પસમાં 1 કરોડ રૂપિયાનું માતબર દાન આપનાર અમેરિકા સ્થિત દાતા મગનભાઈ પટેલ (પીપળાવ)ને ‘દાનભાસ્કર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. ચારુસેટ કેમ્પસમાં આયોજિત વિશેષ સમારોહમાં કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પ્રતિષ્ઠિત સન્માન અપાયું હતું. મગનભાઈ પટેલે આપેલા દાનના સહયોગથી યુનિવર્સિટીમાં અત્યાધુનિક ‘હેમલતાબેન મગનભાઈ પટેલ મોલેક્યુલર લેબોરેટરી’ની સ્થાપના કરવામાં આવી છે. આ લેબોરેટરી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપશે. મગનભાઈ પટેલનો જન્મ 1 મે, 1937ના રોજ પીપળાવમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધા બાદ તેમણે 1963માં બીવીએમ એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ 1965માં અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેનેસીમાંથી એમ.એસ. પૂર્ણ કર્યું. તેઓ પીપળાવ ગામમાંથી અમેરિકા જનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. તેમણે ન્યુયોર્ક સિટી ટ્રાન્ઝિટ સબવે સિસ્ટમમાં કન્સ્ટ્રક્શન એન્જિનિયર તરીકે 26 વર્ષ સુધી સેવા આપી હતી. નિવૃત્તિ બાદ તેઓ સામાજિક અને શૈક્ષણિક સેવાઓમાં સક્રિય રીતે જોડાયેલા છે અને વતન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, મગનભાઈ જેવા આધ્યાત્મિક અને ઉદારમન ધરાવતા દાતાઓના સહયોગથી જ યુનિવર્સિટીનો સતત વિકાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ, મંત્રી ડો. એમ.સી. પટેલ, દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા) સહિત કેળવણી મંડળના પદાધિકારીઓ અને વિવિધ કોલેજોના ડીન-પ્રિન્સિપાલો હાજર રહ્યા હતા. સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે પણ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. એવોર્ડ સ્વીકાર્યા બાદ મગનભાઈ પટેલે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જયશ્રી મહેતાએ કર્યું હતું.
વેરાવળના ઘનશ્યામ પ્લોટ વિસ્તારમાં આવેલા કામનાથ મંદિર નજીક સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા સમસ્ત હિન્દુ સમાજ આયોજન સમિતિના સહયોગથી 23 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં હિન્દુ સમાજની એકતા, સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને રાષ્ટ્રીય જાગૃતિનો સંદેશ ગુંજ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ મંગલાચારણ, ભારત માતાની છબી અને પવિત્ર ધર્મગ્રંથોને પુષ્પાંજલિ અર્પણ તેમજ દીપ પ્રજ્વલન સાથે વિધિવત રીતે થયો હતો. આમંત્રિત સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી કામનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. સંમેલનમાં જુના અખાડાના સંન્યાસી અને રોકડીયા હનુમાનજી આશ્રમ (ડેરી પીપળીયા, તા. બગસરા, જી. અમરેલી)ના મહંત પરમ પૂજ્ય શ્રી હંસગીરીજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આશીર્વચનમાં ધર્મ, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યોના સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે પરિવાર, સમાજ અને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી જ સંસ્કૃતિને જીવંત રાખી શકાય છે. આ પ્રસંગે વિખ્યાત કથાકાર કલ્પેશભાઈ મહેતા, દીપમાલા ગ્રુપના CEO જગદીશભાઈ ફોફંડી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સામાજિક સમરસતા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક જતીનભાઈ નાણાવટી મુખ્ય વક્તા તરીકે મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા જતીનભાઈ નાણાવટીએ પોતાના ઉદ્બોધનમાં હિન્દુ સમાજમાં સંગઠન, સમરસતા અને રાષ્ટ્રીય એકતાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે હિન્દુ ધર્મ વૈદિક સંસ્કૃતિમાં મૂળ ધરાવતો વિશ્વનો પ્રાચીન ધર્મ છે અને સનાતન ધર્મના મૂલ્યો સમાજને સંસ્કારિત બનાવે છે. તેમણે આવા સંમેલનોને સામાજિક પડકારોનો સામૂહિક રીતે સામનો કરવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. સંમેલન દરમિયાન ભક્તિમય ગીતો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને પ્રેરણાદાયી વ્યાખ્યાનો રજૂ કરાયા હતા, જેનાથી ઉપસ્થિતોમાં નવી ઊર્જાનો સંચાર થયો. સમાજમાં કર્તવ્યબોધ, સ્વદેશી વિચારધારા અને સંસ્કારોને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ દામજીભાઈ ફોફંડી, ખારવા સમાજના અધ્યક્ષ લખમભાઈ ભેંસલા સહિત શહેરના વિવિધ સમાજના આગેવાનો, સામાજિક અને સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળની કામનાથ વસ્તીમાં યોજાયેલું આ વિરાટ હિન્દુ સંમેલન સમાજને એકતા, સમરસતા અને સાંસ્કૃતિક ગૌરવના સૂત્રમાં બાંધનાર પ્રેરણાદાયી સમારંભ બન્યું. ઉપસ્થિતોએ હિન્દુ સમાજની શક્તિ અને સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
CET:પ્રથમ યાદીમાં 85 હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો
રાજ્ય પરીક્ષા બોર્ડે જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ, ટ્રાઈબલ સ્કૂલ્સ, રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટેની તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે 31 જાન્યુ્આરીએ લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2026નું પરિણામ જાહેર કર્યું છે. 5,89,640 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાં પ્રથમ હંગામી યાદીમાં 85 હજારનો સમાવેશ થયો હતો. 2025માં હંગામી યાદીમાં 76 હજારનો સમાવેશ હતો. વધુ 9000 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. જૂન-2026 સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અને સ્કોલરશિપની ફાળવણી કરાશે.ધોરણ 6થી12 સુધીના 30 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે. સાથે વિવિધ રેસિડેન્સિયલ સ્કૂલ્સમાં 22000 જગ્યામાં ધોરણ 6થી 12માં પ્રવેશ મળશે. કમિશ્નર ઓફ સ્કૂલ્સ અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સંયુક્તપણે આ પ્રક્રિયા હાથ ધરાશે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તા.31મી જાન્યુઆરીના રોજ આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. આ પરીક્ષાના પરિણામના આધારે સ્કોલરશીપ યોજના અને વર્ષ 2025-26થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ જેવી કે, એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ અને સૈનિક શાળાઓમાં પણ આદિજાતિ વિદ્યાર્થીઓને ધો.6માં પ્રવેશ ફાળવવામાં આવશે. પરિણામના મહત્વના અંશો
પાલિતાણા ખાતે રહેતા અને વેપારીએ વીસેક વર્ષ અગાઉ બિલ્ડીંગ ચણેલ જે બિલ્ડીંગમાં પાલિતાણાના મોટી રાજસ્થળી ગામે રહેતા પિતા-પુત્રને જગ્યા ભાડે આપેલ હતી. જે બાદ બિલ્ડીંગમાં રિનોવેશન કરવાનું હોય જેથી વેપારીએ પિતા-પુત્રને બિલ્ડીંગ ખાલી કરવાનું જણાવતા આજદિન સુધી ખાલી ન કરતા વેપારીએ મોટી રાજસ્થળી ગામે રહેતા પિતા-પુત્ર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગી નોંધાવી હતી. પાલિતાણાના લાતી બજારમાં રહેતા અને વેપારી હરેશકુમાર અનંતરાય મહેતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સે 2003માં ચાર ભાગીદારોએ મળી બિન ખેતી જમીન ખરીદી જમીનમાં ચાર માળનું બિલ્ડીંગ તૈયાર કર્યું હતું. જે બાદ તેમના મિત્ર અને પાલિતાણાના મોટી રાજસ્થળી ગામે રહેતા દુલાભાઇ કુરજીભાઇ કાકડીયા અને પુત્ર સુનીલ દુલાભાઇ કાકડીયાને ભાડે દુકાનો આપેલ હતી. જે મામલે આ બિલ્ડીંગ રિનોવેશન કરવાવાનું હોય જેથી પિતા-પુત્રને આ બિલ્ડીંગ ખાલી કરી દેવાનું જણાવેલ હતું પરંતુ આજદિન સુધી પિતા-પુત્રએ બિલ્ડીંગ ખાલી ન કરી, પચાવી પાડી, હિરાના કારખાના શરૂ કરી પચાવી પાડતા હરેશકુમાર મહેતાએ પિતા-પુત્ર વિરૂદ્ધ પ્રાંત કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલ જે અરજી મંજુર થઇ જતાં હરેશકુમાર અનંતરાય મહેતાએ દુલાભાઇ કુરજીભાઇ કાકડીયા અને સુનિલ દુલાભાઇ કાકડીયા વિરૂદ્ધ પાલિતાણા ટાઉન પોલીસમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી.
કરુણાંતિકા સર્જાઈ:પઢીયારકા ગામ નજીક બાઇક ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા કરૂણ મોત નિપજ્યું
રાજુલા તાલુકાના વીસળીયા ગામે રહેતા એક વૃદ્ધા ઘરેથી પઢીયારકા ગામે લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા. જે દરમિયાન રોડ ક્રોસ કરતી વેળાએ એક બાઇક ચાલક પુરપાટ ઝડપે બાઇક ચલાવી, વૃદ્ધા સાથે બાઇકનો ગમખ્વાર અકસ્માત કરતા વૃદ્ધાને શરીરીના ભાગો ઉપર ગંભીર ઇજા થવા પામી હતી. જે દરમિયાન વૃદ્ધાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજતા બાઇક ચાલક વિરૂદ્ધ મહુવા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી. રાજુલા તાલુકાના વીસળીયા ગામે રહેતા હિંમતભાઇ અરજણભાઇ શિયાળએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના માતા મંગુબેન અરજણભાઇ શિયાળ (ઉ.વ.65) ઘરેથી પઢીયારકા ગામે લગ્ન પ્રસંગમાં જવા માટે નિકળ્યા હતા. જે દરમિયાન મંગુબેન શિયાળ માઢીયા ગામ નજીક નેશનલ હાઇવે ઉપર ઉતરી પઢીયારકા ગામ જવા હાઇવે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે વેળાએ મહુવા તરફથી આવતા બાઇક નં. GJ 04 AG 2055ના ચાલકે પુરપાટ ઝડપે મોટર સાયકલ ચલાવી, મંગુબેન સાથે બાઇકનો ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતન ઘટના બાદ મંગુબેનને શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા જ્યાં મંગુબેનનું સારવાર દરમ્યાન મોત થતાં હિંમતભાઇ અરજણભાઇ શિયાળે મહુવા રૂરલ પોલીસમાં બાઇક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
હુમલો કરાયો:કફ સીરપમાં નામ ખોલાવાની દાઝ રાખી પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો
જિલ્લાના ઘોઘા તાલુકાના નેસવડ ગામે ત્રણ શખ્સોએ આરોપીનું નામ ખોલાવાની દાઝ રાખી ભરતનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ ઉપર લાકડી ધોકા વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજા કરી ફરાર થઇ જતાં કોન્સ્ટેબલને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયો હતો. ભાવનગરના નેસવડ ગામે રહેતા અને ભરતનગર પોલીસ મથકમાં કોન્સ્ટેબલમાં નોકરી કરતા લાલજીભાઇ વલ્લભભાઇ ડાભીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે માસ અગાઉ કફ શીરપમાં એક આરોપીની નામ ખુલવાની દાઝ રાખી નેસવડ ગામે રહેતા આકાશ વેલજીભાઇ ડાભી, લક્ષ્મણ વેલજીભાઇ ડાભી અને વીજય જગાભાઇ ડાભીએ લાલજીભાઇ પાસે આવી ઝઘડો કરી, લાકડી, લોખંડના પાઇપ લઇ આવી ત્રણેય શખ્સોએ લાલજીભાઇ ઉપર જીવલેણ હુમલો કરી, શરીરના ભાગો ઉપર ગંભીર મારમાર્યો હતો. જે બાદ લાલજીભાઇને સારવારમાં ખસેડાયા હતા જ્યાં લાલજીભાઇએ વરતેજ પોલીસ મથકમાં આકાશ વેલજીભાઇ ડાભી, લક્ષ્મણ વેલજીભાઇ ડાભી, વીજય જગાભાઇ ડાભી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ભાસ્કર એનાલિસિસ:ભાવનગરમાં છેલ્લા 4 વર્ષમાં આ વર્ષે ફેબ્રુઆરીનું પ્રથમ સપ્તાહ સૌથી ગરમ
ભાવનગર શહેરમાં હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના પ્રભાવે રાતનું ઉષ્ણતામાન ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ગત વર્ષેની તુલનામાં 3.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાતા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમા઼ જ ગરમી શરૂ થઇ ગઇ છે. ગત વર્ષે ભાવનગર શહેરમાં સરેરાશ લઘુત્તમ ઉષ્ણતામાન 15.9 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આ વર્ષે 3.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 15.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ છે. જેથી રાત્રે પણ ઠંડી ગયાબ થઇ ગઇ છે. આ સાથે જ ભાવનગર શહેરમાં છેલ્લાં ચાર વર્ષમાં આ વર્ષે રાતના સમયે સૌથી વધુ તાપમાન નોંધાયુ છે. ભાવનગર શહેરમાં હાલમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 10 ફેબ્રુઆરી સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે. જોકે રાહતના સમાચાર એ છે કે 8થી 11 ફેબ્રુઆરી દરમિયાન મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે અને તે 30 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના છે. હવે શિયાળાની ઠંડીના દિવસોની તુલનામાં ચોમાસા અને ઉનાળાના દિવસો વધ્યા છે. આગામી દિવસોમાં ભાવનગર સહિત સૌરાષ્ટ્રવાસીઓને આરંભની થોડી ગરમી રહેશે. ભાવનગરમાં આ વર્ષે ભર શિયાળે ચોમાસા બાદ હવે ગરમીમાં અકળાવાનો આરંભ બપોરના સમયે થઇ ગયો છે. આ માસમાં પલટાતા હવામાનની સ્થિતિ અંગે જોઈએ તો ફેબ્રુઆરી તારીખ 15થી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનોથી રાત્રે તાપમાન વધ્યુશહેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે. હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમીમાં વધારો થયો છે. એક સપ્તાહથી રાત્રે ઠંડીનો પારો 19 ડિગ્રીથી 20 ડિગ્રી ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે. જ્યારે દિવસે તો ગરમીનો પારો 32 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. 10 ફેબ્રુઆરી સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને હવામાન શુષ્ક રહેશે. હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. જો કે 11 ફેબ્રુઆરી આસપાસ મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે રહી શકે છે, જેને કારણે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. 4 વર્ષમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહનું તાપમાન ભાસ્કર એક્સપર્ટગત વર્ષે ઉત્તરના પવનની ઠંડી વધુ રહેલીગત વર્ષે પ્રથમ સપ્તાહમાં સતત ઉત્તર દિશાના હિમાલયના ઠંડા ઝડપી પવનને લીધે છેલ્લાં ત્રણ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ સરેરાશ ઠંડી રહી છે. 2024 ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં એવરેજ લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 19.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે આ ગત વર્ષે 2025માં ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ઘટીને સરેરાશ 15.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા 2025માં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લઘુત્તમ ઉષ્ણતામાન સરેરાશ 3.3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું રહેતા ઠંડીની તીવ્રતા વધુ રહી હતી. - ડો.બી.આર.પંડિત, હવામાનશાસ્ત્રી
સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:નાગરપોળના ડેલા અને દેરી રોડમાં કચરાના ઢગલાથી રોગચાળાની ભીતિ
ભાવનગર શહેરના હૃદયસ્થાને આવેલ નાગરપોળના ડેલા પાસેના ચોકમાં તથા ડોનની બાજુમાં દેરી રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર રોજબરોજ સેંકડો લોકો અવરજવર કરે છે. પરંતુ અહીં દર સવારે એટલો મોટા પાયે કચરો ફેલાયેલો જોવા મળે છે કે ત્યાંથી પસાર થતી વખતે નાક પર રૂમાલ દબાવીને જ નીકળવું પડે છે. આસપાસ દુર્ગંધ ફેલાય છે અને સમગ્ર વિસ્તાર અસ્વચ્છ દેખાય છે. ખાસ કરીને આ કચરામાં રહેલું પ્લાસ્ટિક વાતાવરણ માટે અત્યંત હાનિકારક છે. પ્લાસ્ટિકના ટુકડા ગાય જેવા નિર્દોષ પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થાય છે. અનેકવાર પ્રાણીઓ આ કચરો ખાઈ લેતા હોવાથી તેમના આરોગ્ય પર ગંભીર અસર પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અહીં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુકા અને ભીના કચરાની અલગ-અલગ બંધ પેટીઓ તાત્કાલિક મુકવામાં આવે તેવી માંગણી છે. સાથે સાથે, જેટલી જવાબદારી તંત્રની છે તેટલી જ જવાબદારી નાગરિકોની પણ છે કે તેઓ ખુલ્લામાં કચરો ન ફેંકવામાં અને સ્વચ્છતા જાળવવામાં લોકો દ્વારા સહકાર આપવો જોઈએ. -દેરી રોડના વાચક જયેશ ભટ્ટનો રિપોર્ટ ખુલ્લા કચરાને કારણે થતા આરોગ્યની મુખ્ય સમસ્યાકચરાથી ચેપી રોગો થાય છે, ખુલ્લા કચરાના ઢગલા માખી, મચ્છર અને ઉંદર જેવા રોગવાહકોનું ઘર બને છે, જેનાથી મેલેરિયા, ડેન્ગ્યુ, પ્લેગ અને કોલેરા ફેલાય છે. કચરો સળગાવવાથી પેદા થતા ઝેરી ધુમાડા(જેમ કે કાર્બન ડાયોક્સિન)ને કારણે અસ્થમા, બ્રોન્કાઈટિસ અને ટ્યુબરક્યુલોસિસ જેવી બીમારીઓ થાય છે. તબીબી અને રાસાયણિક કચરાના સીધા સંપર્કથી ચામડીના રોગો, એલર્જી અને આંખમાં બળતરા જેવી સમસ્યાઓ થાય છે. દૂષિત પાણીથી થતા રોગો: જમીનમાં દટાયેલો કચરો ભૂગર્ભ જળને ઝેરી બનાવે છે, જે પીવાથી ટાઈફોઈડ, કમળો અને ઝાડા-ઉલટી થાય છે. પ્લાસ્ટિક અને ઈ-કચરા (E-waste) માંથી નીકળતા કેડમિયમ અને સીસું (Lead) જેવા ભારે ધાતુઓ કેન્સર, કિડનીની બીમારી અને ચેતાતંત્રને નુકસાન પહોંચાડી શકે છે
28635 વૃક્ષોનું વાવેતર કરાયું:રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કરાયું
ભાવનગર : રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા તંબોલી કાસ્ટિંગ લિમિટેડની CSR પાર્ટનરશીપથી અકવાડા લેકની બાજુમાં જ આવેલ એક વિશાળ જગ્યામાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી એક મિયાવાકી ફોરેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. જાપાનીઝ બોટોનીસ્ટ અકીરા મિયાવાકી દ્વારા પ્રસ્થાપિત ટેક્નોલોજીથી એક ચોક્કસ જગ્યામાં એકબીજાથી ખૂબ જ નજીક નજીક નાના વૃક્ષોથી માંડીને વિશાળ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આ વૃક્ષો ત્રણથી પાંચ વર્ષમાં ખૂબ જ ઝડપથી વિકસી અને વનમાં રૂપાંતરિત થઈ જાય છે. રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા આ મિયાવાકી ફોરેસ્ટ પદ્ધતિથી 13000 સ્ક્વેર મીટર જગ્યામાં 28,635 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરીને ભાવનગર શહેરના પર્યાવરણનાં સંવર્ધન અને સંરક્ષણ માં એક મોટી પહેલ કરવામાં આવેલ છે. જે ટુંકા ગાળામાં ભાવનગર શહેરને એક ઓક્સિજન પાર્ક પૂરો પાડશે.
લૂંટનો મામલો આવ્યો સામે:વૃદ્ધાનો સોનાનો કાપ લૂંટી લેવાયો ઈજા કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા
ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકના વિસ્તારમાં એક લૂંટારૂએ મોઢે રૂમાલ બાંધીને આવી મચ્છીનો વેચાણ કરતા વૃદ્ધાના કાનમાંથી સોનાની કાપ ખેંચી લઇ, લોહીયાળ ઇજા કરી, કાપની લૂંટ કરી, લૂંટારૂ ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. જે ઘટના બાદ વૃદ્ધાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધાએ અજાણ્યા લૂંટારૂ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. ભાવનગર શહેરમાં ઇન્ચાર્જ અધિકારીથી ચાલતા નિલમબાગ પોલીસ મથકના વિસ્તારોમાં અસામાજીક તત્વો, તસ્કરો અને હવે લૂંટારૂઓ બેફામ બની રહ્યા છે. નિલમબાગ પોલીસનો અસામાજીક તત્વો અને બુટલેગરોમાં કોઇ ખોફ જ રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે. ભાવનગર શહેરના માઢીયા ફળી વડવા સપ્ટેશનવાળી શેરીમાં મચ્છીનો વેપાર કરતા નાનીબેન બાલાભાઇ ગુજરીયા પાસે એક લૂંટારૂ આવ્યો હતો અને અજાણ્યા લૂંટારૂએ નાનીબેનને છરી બતાવી મારી નાંખીશ તેમ કહી અજાણ્યા લૂંટારૂએ નાનીબેનના કાનમાં રહેલ એકાદ તોલાની સોનાની કાપ ખેંચી, લોહીયાળ ઇજા કરી, સોનાના કાપની સરાજાહેર લૂંટ કરી, લૂંટારૂ ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ લૂંટની ઘટના બાદ વૃદ્ધાને કાનમાં ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નાનીબેને અજાણ્યા લૂંટારૂ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટારૂની શોધખોળ શરૂ કરી છે.
ખોટી રીતે થતાં લગ્ન પર લાગશે બ્રેક:ભાવનગરમાં ભાગીને લગ્ન કરવાનો ક્રેઝ
પ્રેમની પરિભાષા બદલી માવતરની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરતા યુવાધનને રોકવા માટે ગુજરાત સરકારે લગ્ન નોંધણી પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે નિયમો સૂચિત કર્યા છે. જેમાં માતા-પિતાની સંમતિ અનિવાર્ય બનાવતા અપરિપક્વતાથી ભાગીને લગ્ન કરતા યુવક યુવતીઓ અને ખોટી રીતે લગ્ન કરાવતા એજન્ટોને પણ બ્રેક લાગશે. હાલના યુવક યુવતીઓમાં ભવિષ્યનો અને માતા પિતાનો કોઈ વિચાર કર્યા વગર ફિલ્મી સ્ટાઇલથી ભાગીને લગ્ન કરવાનો ચીલો વધ્યો છે. જે માતા પિતાએ નાનપણથી દીકરીને પોતાના જીવથી પણ વધુ સાચવીને મોટી કરી હોય તે દીકરી અણસમજણથી ટપોરી જેવા યુવાનો કે જે પરિવારનું ભરણ પોષણ કરવા પણ અસક્ષમ હોય તેવાના આકર્ષણમાં આવી ભાગીને લગ્ન કરી નાખતા હોય છે અને તેમાં અમુક વકીલો અને બનાવટી ગોર રૂપિયાની લાલચે લગ્ન રજીસ્ટ્રેશન કરાવતા હોય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે લગ્ન નોંધણી માટે નવા નિયમોની રૂપરેખા રજૂ કરી જેમાં માતા પિતાની સંમતિ અને લગ્ન નોંધણીની અરજી બાદ 30 દિવસ સુધી કોઈ વાંધા કે વિવાદ ન હોય ત્યારબાદ નોંધણી કરવાના નિયમો સૂચિત કર્યા છે. જોકે તેમાં ફેરફારની શક્યતા સાથે જ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. પરંતુ સરકાર દ્વારા ભાગીને લગ્ન કરતા યુવક યુવતીઓની ગંભીરતા સમજી છે. ભાવનગરમાં પણ છેલ્લા ઘણા સમયથી યુવક યુવતીઓ ભાગીને લગ્ન કરતા હોવાના કિસ્સાઓ વધ્યા છે. અને તેમાં માતા પિતા સાથેના અણબનાવ અને યુવક યુવતીઓ વચ્ચે સમજણ બાદના ગુન્હાના પણ બનાવો સામે આવતા હોય છે. ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી લગ્ન નોંધણી માટે સહકાર આપતા વકીલો અને ગોર પણ આ ગુન્હામાં તેટલા જ જવાબદાર છે અને ભૂતકાળમાં તેઓ પર પણ તપાસ થયેલી છે. શહેરમાં નિયમનું પાલન થશે તો ખોટી રીતે લગ્ન પર આગામી દિવસોમાં બ્રેક લાગશે. ભાવનગર કોર્પો.માં ક્યારે કેટલી નોંધણી શહેરમાં ચોક્કસ વ્યક્તિઓ યુવક-યુવતિઓને લઈ જઈ ચોક્કસ સ્થળે કરાવે છે પ્રેમલગ્નભાવનગર શહેરમાં ભાગીને લગ્ન કરતા યુવક યુવતીઓ માટે મોટાભાગે એકાદ બે ચોક્કસ સ્થળ છે. લગ્ન નોંધણી માટે તે સ્થળ પર લગ્ન થયાની પહોંચ રજૂ કરવામાં આવે છે. લગ્ન સ્થળ ના સંચાલકો દ્વારા ફક્ત એક પહોંચ આપે છે 900 રૂપિયાની જેમાં કોઈ રજીસ્ટ્રેશન નંબર પણ હોતું નથી. અને તે બાબતે વહીવટી તંત્ર દ્વારા પણ લગ્ન નોંધણી સમયે કોઈ ચકાસણી કરવામાં આવતી નથી. લવ મેરેજના મોટાભાગના કિસ્સાઓમાં એક ને એક સ્થળ અને એક ને એક ગોર હોવા છતાં તંત્રને કોઈ શંકા પણ આજ સુધી ઉપજી નથી અને તેની કોઈ તપાસ આવતી નથી. ઘણીવાર તો સાક્ષીઓ ના હોય તો હાઇકોર્ટ રોડ ઉપરથી કોઈપણને રૂપિયા આપી સાક્ષી બનાવી રાખે છે. જે ખરેખર સમાજ માટે લાલબત્તી સમાન છે.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ગાંધીનગરમાં IAS અધિકારીનું ઓફિસની મહિલા કર્મચારી સાથે ઈલુ ઈલુ!ગાંધીનગરમાં ફરજ બજાવતા એક IAS અધિકારીને તેની ઓફિસમાં ફરજ બજવતી એક મહિલા અધિકારી સાથે ઈલુ ઈલુ કરી રહ્યા છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, આ અધિકારી પોતાના પરિવારથી ત્રસ્ત છે. પત્ની સાથે અણબનાવ છે. દંપતી વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી એક ઘરમાં રહેવા છત્તા બોલવાના પણ સંબંધો નથી. પરિવારથી દુઃખી એવા આ સનદી અધિકારી ઓફિસના કામમા પણ પુરતું ધ્યાન આપી શકતા નથી. ટેન્ડરો સહિતની અનેક મહત્વની ફાઈલોમાં લોચા મારી રહ્યા છે. થોડો સમય પહેલા ફાઈલ ઉપર તેઓએ એવુ લખ્યું કે, ટેન્ડરની પ્રાઈઝ ઓપન કરવાની જરુર નથી. તેમજ ચોક્કસ કંપનીને ટેન્ડર એલોટ પણ કરી દીધુ હતુ. આ સંદર્ભમાં એક સિનિયર IAS અધિકારીએ એવુ કહ્યું કે, આમાં તેમણે કૌભાંડ કર્યુ હોય એવુ લાગતું નથી પણ તે માનસિક રીતે સ્વસ્થ નથી. આ સ્થિતિમાં તેમની સાથે ઓફિસની એક મહિલા અધિકારી નજીક આવી ગઈ છે. બન્ને વચ્ચે ઈલુ-ઈલુ ચાલી રહ્યુ હોવાનો ગણગણાટ છે. મહિલા અધિકારી સાહેબની કેબિનમાં કોઈની મંજૂરી વિના ગમે ત્યારે આવજા કરે છે. તેમજ સાહેબની સાથે બહાર ફરવા પણ જઈ રહી છે. સાત દિવસમાં ફાઈલ નિકાલનો CSનો આદેશ છતા 3 મહિનાથી પેમેન્ટની ઢગલાબંધ ફાઈલો પેન્ડિંગકેબિનેટ બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસે આ અગાઉ જ એવી ચેતવણી આપી હતી કે, કોઈપણ ફાઈલનો 7 દિવસમાં નિકાલ કરવાનો રહેશે. જે અધિકારી કે કર્મચારી પાસે 7 દિવસથી વધુ સમય સુધી ફાઈલ રહેશે તેનો જવાબ અને ખુલાસો આપવો પડશે. ગેરરીતિના કેસમાં જે તે અધિકારી સામે કડક પગલાં લેવાશે. મોટા સાહેબની આ ચેતવણીની અસર મોટાભાગના ટોચના અધિકારીઓ પર થઈ રહી છે.પરંતુ કેટલાક માથાભારે IAS અધિકારી તેમજ તેનાથી નીચેની કક્ષાના અધિકારીઓ સીએસની સૂચનાને ઘોળીને પી ગયા છે. ખાસ કરીને પેમેન્ટ ચૂકવવાની અનેક ફાઈલોનો બેથી ત્રણ મહીના પછી પણ નિકાલ કરાતો નથી. ભુતકાળમાં અનેક વખત સીએમ સમક્ષ તેમજ સીએમઓમાં ફરિયાદ આવી હતી કે, કામ સંપૂર્ણ કર્યા પછી પણ લાંબો સમય સુધી પેમેન્ટ નથી મળતું. પેમેન્ટ માટે બિલ મુકાયા બાદ મોટી 'પ્રસાદી'ની માગણી કરવામાં આવે છે. જેમાં ઘણી વખત માગણી અયોગ્ય હોય છે. જેથી કંપની કે એજન્સી આવી માગણીઓને સંતોષી શકતી નથી. જેથી આવી કંપની-એજન્સીઓની પેમેન્ટ માટેની ફાઈલોને ખોટી રીતે મુકી રાખવામાં આવે છે. ગ્રાન્ટ નથી એવા બહાના કાઢવામાં આવતા હોય છે.જો કોઈ ફરિયાદ કરે તો તેની ફાઈલોમાં ખોટા ખોટા કારણો મુકીને અધિકારીને ગેરમાર્ગે દોરવામાં આવે છે. હવે કંપની-એજન્સીઓ મુખ્ય સચિવ તરફ આશા રાખીને બેઠા છે કે, પેમેન્ટ માટેની ફાઈલોનો પણ સાત દિવસમાં નિકાલ થઈ જાય તો અમારું કલ્યાણ થઈ જાય. સિનિયર IASના પુત્રને ખાનગી કંપનીના માલિકે ઓટોમેટિક કાર ભેટમાં આપી! ગાંધીનગરમાં ફરજ બજાવી રહેલા એક સિનિયર IAS અધિકારીના પુત્રને એક કંપનીના માલિકે ખુશ થઈને થોડો સમય પહેલા ઓટોમેટિક કાર ભેટમાં આપી હતી. 15 લાખની આસપાસની કિંમતની આ કારનું આરટીઓમાં કંપનીના નામે જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેથી આરસી બુકમાં કંપનીના માલિકનુ નામ બોલી રહ્યુ છે. જ્યારે આ કાર સાહેબનો પુત્ર ફેરવી રહ્યો છે. સાહેબે એક ટેન્ડરમાં કંપનીને મદદ કરી હતી. તેમજ વહીવટ પણ કર્યો હતો. આમ છત્તા કંપનીના માલિકે મોટું મન રાખીને સાહેબ સાથેનો ઘરોબો વધારવા માટે સાહેબના પુત્રને લક્ઝુરીયસ કાર ભેટમાં ધરીને સાહેબના પરિવારને પણ ખુશ કરી દીધું હતું. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ વિધાનસભામાં પણ ગોગલ્સ પહેરી રાખ્યા, પુત્રીને રમાડતા રહ્યાક્રિકેટર રવીન્દ્ર જાડેજા ગત અઠવાડિયે પોતાની પુત્રી-પરિવાર સાથે ધર્મપત્ની અને રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાની વિધાનસભામાં ચાલી રહેલી કામગીરીને જોવા માટે આવ્યા હતા.તેઓ પોતાની પુત્રી અને પરિવાર સાથે ગૃહની કામગીરી જોવા માટે VIP ગેલેરીમાં બેઠા હતા. તેઓ આવ્યા ત્યારે પ્રશ્નોતરી ચાલી રહી હતી. પ્રાથમિક શિક્ષણના પ્રશ્નો પુછાતા હતા. જેના જવાબો આપવા માટે રીવાબા ઉભા થતા હતા. એ સમયે જાડેજાએ ખૂબજ રસથી મંત્રી ધર્મપત્નીને સાંભળ્યા હતા.જો કે, સૌને આશ્ચર્ય એ વાતનુ લાગ્યુ હતુ કે, ગૃહની અંદર તો એસી અને લાઈટો ચાલુ જ હોય છે. આમ છત્તા જાડેજાએ ગોગલ્સ પહેરીને જ રાખ્યા હતા. તેઓ પોતાની બાજુની જ ખુરશી પર બેઠેલી દીકરી સાથે પણ ગમ્મત કરી રહ્યા હતા તેમને રમાડતા હતા. તેઓએ સારો એવો સમય આ ગેલેરીમાં વિતાવ્યો હતો. તેઓ ગયા બાદ કેટલાક ધારસભ્યો ગોગલ્સ પહેરી રાખવાનુ રહસ્ય શું હોઈ શકે તેની ચર્ચા કરતા હતા. કોઈએ એવુ અનુમાન લગાવ્યુ કે, બાપુએ વિધાનસભામાં રીવાબાને પ્રથમવાર સાંભળ્યા છે. પત્ની આટલું બધુ સરસ બોલી શકતા હશે તેનો અંદાજ તેમને નહોતો. આથી તેમને સાંભળીને ક્રિકેટરની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. આ આંસુ કોઈ જોઈ ન જાય તે માટે તેઓએ ગોગલ્સ પહેરી રાખ્યા હતા. કેબિનેટ મંત્રીએ રાહ જોવડાવતા પૂર્વ મંત્રીનો બાટલો ફાટ્યોભુપેન્દ્ર પટેલની સરકારમાં મોટાભાગના મંત્રીઓ નવા અને અનુભવ વગરના છે. આમાંથી ઘણા મંત્રીઓ તો ભાજપના હાલના અને ભુતકાળના પૂર્વ નેતાઓ-મંત્રીઓને પણ સારી રીતે ઓળખતા નથી. એટલુ જ નહી, તેઓ તેમને મળવા જાય ત્યારે પણ તેમને અપમાનિત કરતા હોય છે. થોડા દિવસો પહેલા એક પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય વર્તમાન કેબિનેટ મંત્રીને મળવા તેમની ઓફિસમાં ગયા હતા. જો કે, મંત્રી કોઈ અધિકારી સાથે ચર્ચા કરતા હોવાથી થોડીવાર બહાર બેસવા માટે કહ્યું હંતુ. પૂર્વ મંત્રીએ 20 મિનિટ સુધી રાહ જોઈ હતી. ત્યારબાદ તેમની ધીરજ ખૂટી હતી.આથી તેઓએ ઉભા થઈને મંત્રીનો દરવાજો ખોલી અંદર ઘૂસી ગયા હતા. એટલુ જ નહી, પોતાના કામની વાત પણ કરી હતી અને મંત્રી પાસે જવાબ માગ્યો હતો. મંત્રીએ પણ તેની સ્ટાઈલમાં જ કહ્યું કે, તમારુ કામ હજુ થયુ નથી. હું જોવડાવી લઈશ. થોડો સમય લાગશે. આવુ સાંભળીને પૂર્વ મંત્રી ફટોફટ બહાર આવી ગયા હતા. જતા જતા તેઓ સ્ટાફ સાંભળે એ રીતે મંત્રી સામે બેફામ ઉચ્ચારણો કર્યા હતા. આ જોઈને ત્યાંનો સ્ટાફ પણ દંગ રહી ગયો હતો. ત્યારબાદ સ્ટાફ દ્રારા મંત્રીનુ ધ્યાન દોરાયુ હતુ. પૂર્વ મંત્રી કયા કામથી આવ્યા હતા અને વર્તમાન મંત્રીએ તેનુ કામ શા માટે અટકાવી રાખ્યુ છે તે પ્રશ્ન પણ મોટો છે. ગતિશીલ ગુજરાતની IT સંસ્થામાં કામની ગતિ ધીમી પડી!રાજ્યની આઈટી સંસ્થા Gujarat Informatics Limitedમાં ગત કેટલાક સપ્તાહથી ગતિ ધીમી પડ્યાની અંદરખાને ચર્ચા છે. સંસ્થાના વડા અરવિંદ વિજયન પાસે નાણાં વિભાગની વધારાની જવાબદારી હોવાને કારણે સમયનું સંતુલન બગડ્યું હોવાનું કહેવાય છે. બજેટ સીઝનમાં તો તેમની પ્રાથમિકતા નાણા વિભાગ તરફ વળી જતા જીઆઈએલમાં નિર્ણયો લંબાયા હોવાની ટિપ્પણીઓ થઈ રહી છે. સેવાઓ માટે આવતા પ્રતિનિધિઓને “આવતી કાલ”નો જવાબ વધુ મળ્યો હોવાની પણ ચર્ચા છે. હવે સૂચન થઈ રહ્યું છે કે આઈટી જેવી મહત્વની સંસ્થાને સંપૂર્ણ સમય આપનાર નેતૃત્વ જરૂરી છે. વિઘાનસભા ગૃહમાં ગર્જના, બહાર મિત્રતા!વિધાનસભાની અંદર સત્તા-વિપક્ષ વચ્ચે તીખી ટકરાવ જોવા મળે, પરંતુ બહારનું દ્રશ્ય સહજ અને હળવું રહે છે. ચર્ચા દરમિયાન તણાવ, અને વિરામ દરમિયાન સ્મિત—આ દ્વિધા રાજકારણના જાણકારોને નવાઈ પમાડતી નથી. મીડિયા બ્રિફિંગ વખતે પણ રસપ્રદ પરિસ્થિતિ સર્જાઈ. વિપક્ષ નિયમિત રીતે કેમેરા સામે આવતો રહ્યો, જ્યારે સત્તાપક્ષ થોડો સંકોચાતો દેખાયો. અંતે આંતરિક સૂચના બાદ સત્તાપક્ષના નેતાઓએ પણ બજેટની જોગવાઈઓ અને સરકારની કામગીરી રજૂ કરવા મીડિયા રૂમનો રસ્તો પકડ્યો. થોડા સમય માટે તો “બાઈટ આપવા માટે રાહ જોતા નેતાઓ”નું દ્રશ્ય જોવા મળ્યું. નિવૃત્તિ પછી પણ ચર્ચામાં બે પૂર્વ અધિકારીરાજ્યના બે નિવૃત્ત IAS અધિકારીઓ અલગ કારણોસર ચર્ચામાં છે. પૂર્વ અધિક મુખ્ય સચિવ કમલ દયાણીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાથી તેમના સંપર્કોને પૈસાની માંગણીના સંદેશા મોકલાયા હોવાનું બહાર આવ્યું. સાયબર ગુનાની ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી બાજુ, જે.પી. ગુપ્તા નિવૃત્તિ બાદ ફરી કોઈ જવાબદારી મળે તેવી અપેક્ષા રાખી રહ્યા હોવાની ચર્ચા છે. નિવૃત્તિ સમયે મળેલા સંકેતો હજી સુધી હકીકતમાં બદલાયા નથી. તેમ છતાં તેઓ વિધાનસભા સત્ર દરમિયાન સક્રિય હાજરી આપતા જોવા મળતા હોવાથી “વાપસીની તૈયારી?” જેવી અટકળો ઊઠી રહી છે. મોડું જાગેલું IAS ઓફિસર્સ એસોસિયેશનરાજ્યનું IAS Officers Association Gujarat લાંબા વિરામ બાદ સક્રિય બન્યું છે. નવા મુખ્ય સચિવ મનોજ દાસના સન્માનમાં કાર્યક્રમની તૈયારી થઈ રહી છે. કેટલાક વર્તુળોમાં પ્રશ્ન ઉઠ્યો કે આવું આયોજન થોડું વહેલું કેમ ન થયું? તેમ છતાં નિવૃત્ત અધિકારીઓને પણ સાથે સન્માનિત કરવાની વિચારણા પગલે કાર્યક્રમને વિશેષ રંગ મળવાની શક્યતા છે. “ડિજિટલ” દાવા અને જમીની હકીકતડિજિટલ પરિવર્તનના દાવાઓ વચ્ચે જૂના સચિવાલયમાં સ્થિત Directorate of Accounts and Treasury Gujarat અંગે અલગ જ ચર્ચા છે. ઉચ્ચતર પગાર અને અન્ય નાણાકીય પ્રક્રિયાઓ હજી પણ પરંપરાગત ફાઈલ પદ્ધતિથી ચાલે છે. નાની ત્રુટિએ ફાઈલ પરત, સ્થિતિ જાણવા વ્યક્તિગત હાજરી અને સમયમર્યાદાની અસ્પષ્ટતા, આ બધાથી કર્મચારીઓમાં અસંતોષ છે. વિલંબના કારણે અંતે બાકી ચૂકવણીનો ભાર પણ વધે છે.હવે સવાલ એ છે કે રાજ્ય જ્યારે ટેકનોલોજી આધારિત સેવાઓની વાત કરે છે ત્યારે આંતરિક નાણાકીય પ્રક્રિયાઓને પણ ઈ-ફાઈલિંગ, ઓનલાઈન ટ્રેકિંગ અને ઓટોમેટેડ સ્ક્રુટિની તરફ કેમ ન લઈ જવાય? ચર્ચાઓ ગરમ છે, અને નિર્ણયની રાહ પણ એટલી જ ઉત્સુકતાથી જોવાઈ રહી છે. રાષ્ટ્રીય નેતાના સ્વાગતમાં અમદાવાદના ધારાસભ્યો ભોંઠા પડ્યાભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા. જેમાં ગાંધીનગર અને અમદાવાદ ખાતેના કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદ ખાતેના એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય નેતાના સ્વાગતમાં અમદાવાદના ધારાસભ્યોને કેટલાંક ભોંઠા પડવાની સ્થિતિ સામે આવી હતી. રાષ્ટ્રીય નેતાનું સ્વાગત કરવા માટે ભાજપના ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં પાંચથી સાત ધારાસભ્યો સ્વાગત કરવા માટે સ્ટેજ ઉપર ગયા અને સ્વાગત વિધિ કરી હતી. બીજા નેતાના સ્વાગત માટે અન્ય ધારાસભ્યોને બોલાવવામાં આવનાર હતા, પરંતુ અચાનક જ સ્વાગત વિધી ટૂંકાવી દીધી હતી. જેથી બીજા ધારાસભ્યોને સ્ટેજ પર જવાનો મોકો મળ્યો નહોતો, પરંતુ ભાજપના પ્રદેશમાં એક હોદ્દો ભોગવી ચૂકેલા નેતા રાષ્ટ્રીય નેતાનું સ્વાગત કરવાનું ચૂકયા નહોતા ધારાસભ્યોએ સ્વાગત કર્યા બાદ પ્રદેશના પૂર્વ હોદ્દેદારે એકલાએ રાષ્ટ્રીય નેતાનું સ્વાગત કરી ફોટો પડાવી લીધો હતો. જે બીજા ધારાસભ્યો પણ જોતા રહી ગયા હતા. અમદાવાદના ધારાસભ્યો કરતા પ્રદેશના પૂર્વ હોદ્દેદાર ફાવી ગયા હતા. ભાજપના ધારાસભ્ય ન ગમતા કાર્યકર્તા કે નેતાને બોલાવતા જ નથીભાજપના એક ધારાસભ્ય હંમેશા વિવાદમાં જ રહ્યા છે. તાજેતરમાં જ ધારાસભ્યનો ખૂબ મોટો વિવાદ સામે આવ્યો હતો, ત્યારે ધારાસભ્યને જે ભાજપના કાર્યકર્તા કે નેતા ન ગમતા હોય એમને વધારે બોલાવતા નથી. ભાજપના ધારાસભ્યના મત વિસ્તારમાં આંતરિક વિખવાદના કારણે કેટલાક પ્રજાના કામો પણ અટકી જાય છે. એક સોસાયટીના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ભાજપના ધારાસભ્ય દ્વારા કરવાનો હતો. જોકે સોસાયટીનું કામ હવે મંજૂર હોવા છતાં પણ ન કરવાની સૂચના ધારાસભ્ય આપી હોવા અંગેની ચર્ચા છે. જે સોસાયટીનું કામ મંજૂર થયું છે એમાં ભાજપના એક યુવા હોદ્દેદાર રહે છે જેની સાથે ધારાસભ્ય અને બનતું નથી જેના કારણે આ કામ અટવાયુ હોવા અંગેની ચર્ચા હાલ જાગી છે. ભાજપના આ ધારાસભ્ય હંમેશા વિવાદમાં રહ્યા છે, પરંતુ પ્રદેશના મોવડી મંડળ કે શહેર પ્રમુખ ધારાસભ્યને પાર્ટીની છબી ન ખરાબ થાય તેવા વિવાદો ન કરવા બે શબ્દ પણ કહી શકતા નથી. પૂર્વ હોદ્દેદારનો જબરો વટ, હોદ્દો જતો રહ્યો પણ લક્ઝુરિયસ ગાડી પરથી નેમ પ્લેટ ના હટાવીભાજપના નેતાઓ સામાન્ય કાર્યકર હોવાની વાતો કરતા હોય છે. ભાજપમાં સામાન્ય કાર્યકર બનીને રહે છે, પરંતુ અમદાવાદના એક પૂર્વ હોદ્દેદાર પોતાના હોદ્દા દૂર થઈ ગયા છે, પરંતુ પોતાના હોદ્દાનું બોર્ડ ગાડીમાં લગાવીને હજી ફરી રહ્યા છે. લક્ઝુરિયસ ગાડી લઈને ફરતા ભાજપના પૂર્વ હોદ્દેદાર હજી પણ જે હોદ્દો ભોગવ્યો હતો તેના હોદ્દાવાળી નેમ પ્લેટ લગાવી અને ગાડી લઈને ફરી રહ્યા છે. આ બાબતે ભાજપના નેતાઓનું ધ્યાન હજી ગયું ન હોવાની ચર્ચા છે. ભૂતકાળમાં પણ પૂર્વ હોદ્દેદાર ખૂબ વિવાદમાં રહ્યા છે ત્યારે હજી પણ તેમના હોદ્દાનો મોહ છૂટતો નથી. મોટા સાહેબની આગળ પાછળ રહેવા યુવા મોરચાના પ્રમુખ પોતાના જ કાર્યક્રમમાં ગેરહાજરભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા, ત્યારે ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ ગળામાં ખેસ પહેર્યો હતો. પરંતુ અમદાવાદના એક યુવા નેતા ગળામાં ખેસ પહેર્યા વિના જ કાર્યક્રમમાં ફરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે ફોટો પણ ખેસ વિના પડાવી દીધો હતો. દિલ્હી ખાતે AI સમિટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતા અમદાવાદ શહેર ભાજપ યુવા મોરચા તાત્કાલિક કોંગ્રેસ વિરુદ્ધ રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ ગોઠવી દીધો હતો. નવા નવા બનેલા યુવા મોરચાના નેતાઓએ વિરોધ કાર્યક્રમ એલિસબ્રિજ ખાતે આવેલા ટાઉનહોલ ખાતે રાખી દીધો હતો. પરંતુ પાછળથી ભાજપ કાર્યાલયની નજીક જ એટલે કે રૂપાલી સિનેમા પાસેના વિક્ટોરિયા ગાર્ડન પાસે જ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરી દીધું હતું. એટલું જ નહીં યુવા મોરચાના પ્રમુખનો સૌથી પહેલો અમદાવાદમાં કાર્યક્રમ હતો, પરંતુ યુવા મોરચાના પ્રમુખ જ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. યુવા મોરચા મહામંત્રીઓએ કાર્યક્રમ કરવો પડ્યો. જોકે યુવા મોરચામાં હોદ્દો મેળવેલા નેતાઓની નોંધ લેવાય એની પહેલા તો મીડિયામાં ધારાસભ્યના પુત્ર જ છવાઈ ગયા હતા. યુવા પ્રમુખ કાર્યક્રમને મહત્વ આપવાની જગ્યાએ રાષ્ટ્રીય નેતાઓની સેવામાં લાગ્યા હતા. પ્રથમ વખત કાર્યક્રમ કરવા માટે આખા શહેરના યુવાઓના પ્રમુખ તરીકે હાજર રહેવાની જગ્યાએ મોટા સાહેબની આગળ પાછળ રહી સેવામાં વધુ રહેવું જોઈએ એવું માની અને કાર્યક્રમમાં આવ્યા નહીં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કામ કરવા મામલે નેતાઓને ટકોર કરવી પડીભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતના નેતાઓ સાથે તેમણે બેઠક કરી હતી. ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં ગુજરાતના ભાજપના નેતાઓના સોશિયલ મીડિયા વિભાગની કામગીરી નબળી હોવા અંગેની પોલ ખુલી ગઈ હતી. ચર્ચા મુજબ દિલ્હી ખાતે AI કમિટમાં થયેલા વિરોધ મામલે કેટલા નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી તે અંગે રાષ્ટ્રીય અધ્યક્ષએ પૂછતા 70 ટકા લોકોએ પોસ્ટ ન કરી હોવાનું સામે આવ્યું હતું. ચર્ચા એવી પણ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપના નેતાઓને ટકોર કરવી પડી હતી કે તમે પ્રભારી વાળા જિલ્લાઓમાં જઈને ન્યાયની વાત કરો છો, પરંતુ નેતાઓ પણ પોતાના વિસ્તારમાં પોતાના જ માણસો ગોઠવે છે જેથી આવું ન કરવા માટે પણ અધ્યક્ષે સૂચના આપી હતી. તમે જે હોદ્દા ઉપર છો એનાથી બે સ્ટેપ નીચે કામ કરશો તો સારું કામ થશે એવી પણ ટકોર કરી હતી. AMCની બજેટ સભા વચ્ચે ભાજપના કોર્પોરેટરની લક્ઝુરિયસ કાર ચર્ચામાં આવીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે દિવસથી બજેટ સભા દાણાપીઠમાં આવેલી મુખ્ય ઓફિસ ખાતે મળી હતી. બજેટ સભામાં કોર્પોરેટરો પોતાના વાહનો લઈને આવતા હતા જેમાં સૈજપુર બોઘા વોર્ડના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈની લક્ઝુરિયસ ગાડી ખૂબ ચર્ચામાં હતી. રૂ. 1.40 કરોડની લક્ઝુરીયસ કાર પરિસરમાં પાર્ક કરેલી હતી જેની કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓ અને કેટલાક નેતાઓ પણ ચર્ચા કરી રહ્યા હતા. ભાજપના કોર્પોરેટરની મોંઘી ગાડીમાં ભાજપના કેટલાક મહિલા કોર્પોરેટરોએ પણ બેસવાનો લાભ લઈ લીધો હતો.
વેધર રિપોર્ટ:પવન પડી જતા બપોરે 33.8 ડિગ્રીએ ગરમી
ભાવનગર શહેરમાં 33.8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉનાળાના આરંભની ગરમીનો અનુભવ આજે પણ નગરજનોને થયો હતો. સાથે સવારના સમયે 66 ટકા ભેજ હોય બપોરના સમયે બફારાનો અનુભવ થયો હતો. ભાવનગરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 33.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સામાન્ય કરતા બપોરના સમયે તાપમાન 2.0 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 20.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જે સામાન્ય કરતા 2.6 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતુ. શહેરમાં આજે સવારે હવામાં ભેજુનં પ્રમાણ 66 ટકા હતુ તે સાંજના સમયે પણ 55 ટકા હોય આખો બપોરના સમયે બફારો રહ્યો હતો. આજે સાંજના પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ટ્રફની સિસ્ટમ આગળ વધી ગઈ છે, જેની અસરથી ભાવનગરમાં બે દિવસથી ગરમીનો પારો ઊંચકાયો છે , જેને પગલે લોકોએ બપોર દરમિયાન ગરમીનો અનુભવ કર્યો હતો. આમ, બપોર દરમિયાન પવનનું જોર ઘટ્યું હતું. જેને કારણે શહેરમાં લોકોએ ઉનાળા જેવી ગરમીનો અનુભવ કર્યો હતો.
સામાન્ય પ્રવાહમાં અસામાન્ય વધારો:આ વર્ષે ધો.12 સા.પ્ર.માં 77,377 પરીક્ષાર્થી વધ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.26 ફેબ્રુઆરીને ગુરૂવારથી ધો.10 અને ધો.12ની બોર્ડની લેખિત પરીક્ષાનો આરંભ થવા જઇ રહ્યો છે ત્યારે આ વર્ષે એક મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે ધો.12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાર્થીઓની સંખ્યામાં 77,337નો સામાન્ય વધારો નોંધાયો છે. ગત વર્ષે પરીક્ષામાં કુલ 4,23,909 વિદ્યાર્થી હતા તે આ વર્ષે વધીને 5,01,286 થઇ ગયા છે. હવે સામાન્ય પ્રવાહ તરફ વિદ્યાર્થીઓની પસંદ વધી છે તેના મુખ્ય કારણોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અથવા તો પોતાના સ્ટાર્ટઅપ કે બિઝનેસ તરફ આગળ વધવા આર્ટસ અથવા કોમર્સ ફેકલ્ટીની પસંદગી તેમને લાભદાયક નીવડે છે. વિદ્યાર્થીઓમાં હાલમાં માત્ર થિયરી અભ્યાસ કરતા થિયરી અને પ્રેક્ટિકલ બંનેનું જ્ઞાન સાથે મેળવવા વિદ્યાર્થીઓ વધુ જાગૃત બની રહ્યા છે. વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહ તરફ વધારે રસ વધી રહ્યો છે, તેની પાછળ પાછળના મુખ્ય કારણો જોઈએ તો આર્ટસ અને કોમર્સ ના અભ્યાસ પછી વિવિધ અભ્યાસ ક્ષેત્રોમાં વધારે પસંદગી મળે છે. જેમાં B.A, B.Com, BBA, BCA ઉપરાંત ડિઝાઇનીંગ અને એની સાથે સાથે ઘણા બધા ડિપ્લોમા કોર્સિસ સેનેટરી સ્પેકટર(SI), હોટલ મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટ ,જેવા સર્ટિફિકેટ કોર્સ પણ કરી શકે છે. આ ઉપરાંત જે જે વિદ્યાર્થી પોતાનું નવું સ્ટાર્ટઅપ કે પોતાનો બિઝનેસ કરવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થી ખાસ સામાન્ય પ્રવાહ પસંદ કરે છે અને તે સારી રીતે પોતાનું નવું સ્ટાર્ટઅપ તૈયાર કરી શકે છે અને એમાં આગળ વધી રહ્યા છે. GPSC કે UPSCમાં આર્ટસ ફેકલ્ટી લાભદાયીકોમર્સના વિષયો સાથે અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ એકાઉન્ટ,બેન્કિંગ, માર્કેટિંગ ક્ષેત્રમાં કે CA કે CS ની પરીક્ષા ક્રેક કરી પોતાની કારકિર્દી તરફ એ આગળ વધી રહ્યો છે. ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ આર્ટસના વિષયો રાખીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આર્ટ્સના વિષયો સાથે સારી રીતે તૈયાર કરી શકે છે ઉપરાંત GPSC કે UPSC પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ખાસ આર્ટસના વિષયો પસંદ કરીને આર્ટ્સમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. જેમાં આર્ટસમાં મુખ્ય વિષય તરીકે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ભૂગોળ, અંગ્રેજી, ઇતિહાસ અને પોલિટિકલ સાયન્સ જેવા વિષયોની પસંદગી કરી કરી રહ્યા છે. તે વિદ્યાર્થીઓને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ લાભદાયી નીવડે છે. ડો.ભાવિક કામદાર, HOD, આર્ટ્સ ડિપાર્ટમેન્ટ, જ્ઞાનમંજરી યુનિ. આર્થિક ભારણ પણ એક મુખ્ય પરિબળ છેવિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11 અને 12 બંને વર્ષ અત્યંત મહેનત કરવી પડે છે અને એક જ બુકમાંથી વિદ્યાર્થીને બોર્ડની એક્ઝામ, ગુજકેટ, જેઇઇ મેઈન, જેઇઈ એડવાન્સ અથવા નીટ જેવી પરીક્ષાઓ આપવી પડે છે નેશનલ લેવલની પરીક્ષાઓ હોવાથી ખૂબ તૈયારી માંગી લે છે. ટ્યુશનનો ખર્ચ પણ સામાન્ય પ્રવાહની તુલનામાં ઘણો વધી જાય છે આ ઉપરાંત સાયન્સ પછી મેડિકલ કે ઇજનેરીમાં પણ અભ્યાસમાં ઘણું આર્થિક ભારણ વાલીને વધે છે આથી આર્થિક પરિબળો પણ સામાન્ય પ્રવાહ પસંદ કરવાનું એક પરિબળ બની રહે છે વળી હવે ડોક્ટર કે ઇજનેરીમાં નોકરીની તકો અને કારકિર્દી માટે સંઘર્ષ વધી ગયો છે મોટો ખર્ચો કર્યા પછી પણ યોગ્ય કેરિયરના સ્કોપના ડરથી સામાન્ય પ્રવાહ તરફ પસંદગી વધી છે. સરકારી નોકરીઓની ભરતી વધી છે આથી યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ ધ્યાન કેન્દ્રીત કરે છે આથી સા.પ્ર.ની પસંદગી પ્રથમ ક્રમે બની છે. પોતાનો વ્યવસાય શરૂ કરવો તે એક પસંદગી હોય વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહ લેતા થયા છે. મનહર રાઠોડ, જનરલ સેક્રેટરી, ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ફેડરેશન ધો.12 સા.પ્રા.ગત વર્ષે અને આ વર્ષે સંખ્યાની તુલના
સિટી એન્કર:ભાવનગરમાં ઘઉંના વાવેતરમાં 31.78 ટકાનો વધારો
ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયા બાદ માગશર સહિત શિયાળામાં માવઠા ન વરસતા તેમજ જિલ્લાના મુખ્ય 12 જળાશયોમાં પાણીનો સંગ્રહ હોય શિયાળુ વાવેતર વધ્યું છે જેમાં ખાસ કરીને આ વખતે ઘઉંના વાવેતરમાં 31.78 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ઘઉંનું શિયાળામાં વાવેતર 34,300 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે વધીને 45,200 હેકટર થઇ ગયુ છે. આ રીતે એક જ વર્ષમાં ઘઉંના વાવેતરમાં ભાવનગરમાં 10,900 હેકટરનો વધારો થયો છે. શેત્રુંજી ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થઇ જતાં આ વર્ષે હવે ગોહિલવાડ પંથકમાં ઘઉંનું વિક્રમી વાવેતર થયું છે. સાથે સારી ઠંડી પડતા ઘઉં માટે ઉત્પાદન માટે ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે. આજથી 7 વર્ષ પૂર્વે 2019માં સમગ્ર ભાવનગર જિલ્લામાં ઘઉંનું વાવેતર ઘટીને 5500 હેકટર થઇ ગયેલું તે આ વર્ષે સવા આઠ ગણું વધીને 45,200 હેકટરના આંકને આંબી ગયું છે. ભાવનગર જિલ્લામાં 2019ના વર્ષમાં રવિ પાકનું કુલ વાવેતર 35,300 હેકટરમાં થયેલું તે ગત વર્ષે વધીને 1,40,300 હેકટરમાં થયું હતુ .તે આ વર્ષે વધીને 1,62,400 હેકટર થઇ ગયું છે. આમ, 2019થી 2026ના 7 વર્ષમાં રવિ પાકમાં કુલ ચાડા ચાર ગણો વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં વર્ષોથી ડુંગળીનું સર્વાધિક વાવેતર અને ઉત્પાદન થાય છે. આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં ગુજરાતભરમાં ડુંગળીનું કુલ વાવેતર વધીને 94,800 હેકટર થયું છે અને તેની સામે ભાવનગર જિલ્લામાં વાવેતર 42,500 હેકટર થયું છે. એટલે કે રાજ્યના કુલ વાવેતરના 44.83 ટકા ડુંગળીનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ચણાના વાવેતરમાં 1 વર્ષમાં 11,700 હેકટરનો વધારોભાવનગર જિલ્લામાં આ વર્ષે ચણાના વાવેતરમાં 7,900 હેકટરનો વધારો નોંધાયો છે. અન્ય રાજયોમાં ચણાનું ઉત્પાદન આ વર્ષે ઓછું થયું હોય ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચણાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ચણાનું વાવેતર 21,800 હેકટર થયું હતુ તે આ વર્ષે 11,700 હેકટર વધીને 33,500 હેકટરના આંકને આંબી ગયું છે. 1 વર્ષમાં ડુંગળીના વાવેતરમાં 1,700 હેકટરનો વધારોઆ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 1,700 હેકટરનો વધારો થયો છે. તેમજ ટકાવારીની દ્રષ્ટિએ ગણીયે તો આ વર્ષે પણ ડુંગળીના વાવેતરમાં 4.17 ટકાનો વધારો થયો છે. અને ગત વર્ષે વાવેતર 40,800 હેકટર હતુ તે આ વર્ષે પણ વધીને 42,500 હેકટર થઇ ગયું છે. 2015થી 2026 સુધી ઘઉં વાવેતરની સ્થિતિ
મંડે પોઝિટીવ:ઈજનેર થયા પછી 3 વર્ષ નોકરી કરી અને 27 વર્ષની વયે કંપનીનો માલિક
યુવાનો 27 વર્ષની ઉંમરે કારકિર્દી બનાવવાની મથામણ કરતા હોય છે તો કેટલાક યુવાનો આ ઉંમરે જીવનની દિશા શોધતા હોય છે પરંતુ ભાવનગરના યુવાન દીક્ષિત ડાયાણીએ સુરતમાં પોતાની કંપની સ્થાપીને 40 માણસોને રોજગારી આપવા સાથે યુવાનોને નવી પ્રેરણા આપી છે. જન્મ અને અભ્યાસ ભાવનગરમાં થયા.પિતા શિક્ષક અને માતા ગૃહિણી. દિક્ષિતને ભણવામાં ખાસ રૂચી નહી, પરંતુ કુદરતે એક મોટી ભેટ આપેલી. તે બાળપણથી જ તેને ટેક્નોલોજીમાં ભારે રસ હતો. પિતા જ્યારે વિજ્ઞાન મેળો લઇને જતા તો સાથે જતો અને પિતાને ઘરે રાત્રે વિજ્ઞાન પ્રોજેક્ટમાં મદદ પણ કરતો. એ પછી એ જાતે જુના ભંગારમાંથી કઇંકને કઇંક બનાવતો, કઇંક બગડેલું રિપેર કરી નાંખતો અને ટેક્નોલોજીમાં એનો રસ વધતો ગયો. સુરતમાં આવીને ઇલેક્ટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટમાં એન્જીનિયર થયો. 2015માં સુરત આવ્યો ત્યારે હોસ્ટેલમાં રહીને ભણ્યો.નાની ઉંમરે જ ઘરે સોલાર સીસ્ટમ બનાવી દીધેલી.આજે સોલાર બિઝનેસનો જમાનો છે, પરંતુ દિક્ષિત જ્યારે નાનો હતો ત્યારે જ તેણે સુર્ય ફરે તેની સાથે સુર્યમુખીની જેમ ફરે તેવી સોલાર પેનલ બનાવેલી. સુરજના પ્રથમ કિરણ જ સૌર ઉર્જા મળતી થાય તેવું મિકેનિઝમ બનાવેલું. મા ત્ર 1.92 કિલો વોટ પર તે ઘર માટે 12થી 15 યુનિટ વીજળી રોજ મેળવતો. મતલબ કે સૌર ઉર્જાના ઉપયોગ વિશે તેને પહેલેથી નોલેજ હતું. તેણે સોલાર પેનલ બનાવી ત્યારે લગભગ 20 વર્ષની ઉંમર હતી. દીક્ષિતે પોતે ટેક્સટાઇલ મીલમાં ડ્રમ અને જેટની પેનલ ડિઝાઇન બનાવવાની નોકરી શરૂ કરી. એક વર્ષ નોકરી કરી પણ ખરી, પરંતુ અંદરથી મજા નહોતી આવતી એટલે દીક્ષિત હૈદ્રાબાદ જવાનું વિચારતો હતો એ સમયે એક મિત્ર સુરત આવ્યો અને ડાયમંડ ટેક્નોલોજી કંપનીમાં નોકરીએ લઇ ગયો. આ કંપનીમાં પણ લગભગ 2 વર્ષ કામ કર્યા પછી દીક્ષિતે માઇન્ડ્રોન નામની પોતાનીકંપની શરૂ કરી. એક મકાનમાં 10 બાય 10ની રૂમમાં તેણે કામ શરૂ કર્યું, સોફ્ટવેરથી માંડીને બધુ કામ આ રૂમમાં જ દીક્ષિત કરતો હતો. ધીમે ધીમે કરીને આજે સુમુલ ડેરી રોડ પર પોતાની ઓફિસ બનાવી છે અને 40 માણસોને રોજગારી આપે છે.તેમના કર્મચારીઑ એક પરિવારની જેમ રહે છે. ખોટ ખાઈને છેવટે સફળતા મેળવી..તે અનેક સંશોધનો કરવામાં ઉંડો ઉતરી જતો, પરંતુ અનેક વખત નિષ્ફળ પણ જતો. એક ડ્રોન પ્રોજેક્ટમાં તેને 2થી 3 લાખ રૂપિયાનું નુકશાન થયું, પરંતુ પરિવાર તેની સાથે ઉભો રહ્યો. પિતાએ કહ્યું કે, તારે જે કરવું હોય તે કર, નિરાશ નહીં થતો, ભલે નિષ્ફળ ગયો,પરંતુ આ અંત નથી. તારા માટે જરૂર હશે તો બીજા રૂપિયા લઇ આવીશ. પરિવાર અને પિતાનો સાથ મળ્યો અને ફરી પ્રયાસ કર્યો અને ડ્રોન બનાવવામાં સફળ થયો.
મહિલાએ જીવન ટૂંકાવ્યું:મોબાઇલ હેક થઈ ગયા હોવાની ફરિયાદો કરતી સરથાણાની મહિલાનો આપઘાત
સરથાણામાં છુટાછેડા બાદ યોગ્ય પાત્ર ન મળતા માનસીક તણાવમાં મહિલાએ જીવન ટુંકાવી લીધું હતું. દસ વર્ષ પહેલા છુટાછેડા થઈ જતા મહિલા માતા-પિતાના ઘરે રહેતી હતી. માનસિક અસ્વસ્થ મહિલા પરિવારના મોબાઈલ ફોન હેક થઈ ગયા હોવાનું રટણ પણ કરતી હતી. જુનાગઢના વિસાવદરના જીવાપરાના વતની અને સરથાણા મીરા એવન્યુની સામે વ્રજ એન્ટોનિયા ખાતે રહેતા દિક્ષીતા જયકાંત લાલાણીના દસ વર્ષ અગાઉ છુટાછેડા થઈ ગયા હતા અને હાલ તેઓ માતા-પિતા સાથે રહેતા હતા. અવાર નવાર પરિવારના મોબાઈલ ફોન હેક થઈ ગયા હોવાનું રટણ પણ કરતા હતા. દરમ્યાન શનિવારે મોડી સાંજે તેમણે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ટ્રાફિક સમસ્યા નાથવા પાલિકાનો પ્રયાસ:સચિનથી ગોથાણ સુધી રેલવે ટ્રેક નીચેથી ગરનાળા બનાવાશે
શહેરમાં દર વર્ષે વધતા જતા વાહનોની સંખ્યાની સરખામણીએ રોડ પહોળા કરવાની શક્યતા નહિવત્ હોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની રહી છે. આ સ્થિતિમાં હવે શહેરના એક છેડેથી બીજા છેડા સુધી પસાર થતા રેલવે ટ્રેક નીચેથી નવા ગરનાળા અને અન્ડર બ્રિજ બનાવી વૈકલ્પિક માર્ગો ઊભા કરવાની દિશામાં પાલિકા તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. આ પ્રક્રિયા અંતર્ગત સચિન રેલવે ટ્રેકથી સાયણ અને ગોથાણ સુધીના વિસ્તારમાં રેલવે ટ્રેક નીચે નવા માર્ગોની શક્યતા તપાસવા આગામી દિવસોમાં ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ હયાત ગરનાળા સાંકડા સાબિત થઇ રહ્યા હોવાથી ખુબ ઉપયોગી આ ગરનાળાને ડેવલપ કરવાની સાથે અન્ડર બ્રિજમાં રુપાંતર કરવાની પણ કવાયત શરુ કરાઇ છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય જિતેન્દ્ર સોલંકીએ મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે, ‘હાલથી જ નવા રસ્તાના વિકલ્પો શોધવા પગલાં નહીં લેવાય તો આગામી વર્ષોમાં ટ્રાફિકજામની સમસ્યા શહેરમાં વધુ ગંભીર બની શકે છે.’
અમેરિકાએ હીરા-જ્વેલરી પર ટેરિફ ઘટાડતાં ભારતીય નિકાસકારોને રાહત મળશે તેવી અપેક્ષા હતી. જો કે, હકીકતમાં અમેરિકના વેપારીઓ હવે વધુ ડિસ્કાઉન્ટ માંગી નવા દબાણ ઊભા કરવા માંડ્યા છે, જેથી સુરતના હીરા ઉદ્યોગમાં માર્જિન પર ફરી અસર થઈ શકે છે. ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, ટેરિફ ઘટાડાથી અમેરિકના બજારમાં ખરીદીમાં તેજી આવવાની ધારણા હતી, પરંતુ રિટેલ વેચાણ ધીમી ગતિએ વધતાં ત્યાંના હોલસેલર્સ અને જ્વેલરી ચેઇન્સ કિંમતોમાં ઘટાડાની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને પોલિશ્ડ ડાયમંડ અને સ્ટડેડ જ્વેલરીમાં 3થી 7 ટકાના વધારાના ડિસ્કાઉન્ટ માટે દબાણ થઈ રહ્યું છે. સુરતના નિકાસકારોએ એક તરફ ઓર્ડર જાળવવા ડિસ્કાઉન્ટ આપવું પડે છે, તો બીજી તરફ રફના ભાવ, મેન્યુફેક્ચરિંગ ખર્ચ અને ફાઇનાન્સ કૉસ્ટ ઊંચી હોવાથી નફો ઘટે છે. નાનાં અને મધ્યમ યુનિટોને સૌથી વધુ મુશ્કેલીઉદ્યોગકારો કહે છે કે, ‘ટેરિફ ઘટાડાનો વાસ્તવિક લાભ ત્યાંના વેપારીઓ જ લઈ રહ્યા છે.’ અમેરિકા ભારત માટે સૌથી મોટું બજાર હોવાથી નિકાસકારો માટે ઓર્ડર જાળવી રાખવા જરૂરી છે. જો કે, સતત ડિસ્કાઉન્ટના દબાણથી નાનાં-મધ્યમ યુનિટો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યાં છે. રિટેલ ડિમાન્ડ રિવાઈવ ન થાય ત્યાં સુધી મુશ્કેલી છે. આ સ્થિતિમાં સુરતના હીરા ઉદ્યોગ માટે કૉસ્ટ કંટ્રોલ, વેલ્યૂ એડિશન અને નવા બજારો એકમાત્ર ઉકેલ છે.
પાલિકાની ટર્મ 11 માર્ચે પૂરી થઈ રહી છે. ચૂંટણીની આચારસંહિતા લાગે તે પહેલાં શાસકો ડુમસ સી-ફેસ (ફેઝ-1) ખુલ્લો મૂકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7 કે 8 માર્ચે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા આવશે. પાલિકાએ આ માટે તૈયારી શરૂ કરી દીધી છે. પહેલા ચરણમાં આ મુખ્ય આકર્ષણોનો લાભ લઈ શકાશે હવે ઝોન 2, 3 અને 4નાં કામ થશે
અડાજણમાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ઇન્કમટેક્સ ભવનની સામે મણિયા હોસ્પિટલની સાઈટ પર ડાયાફ્રેમ વોલ ધસી પડતાં દોડધામ મચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. નિર્માણ કાર્ય માટે મંગાવેલું 100 ટન સ્ટીલ રોડ સાઈડની ડાયાફ્રેમ વોલની નજીક મૂકાયું હતું, જેથી.ભારે દબાણને કારણે દીવાલ તૂટી પડી હોવાની શક્યતા છે. અડાજણ ટીપી-31, એફ.પી-31 ખાતે 7 માળની હોસ્પિટલનું બાંધ ચાલી રહ્યું છે, જેમાં ત્રણ બેઝમેન્ટ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ દરમિયાન રવિવારે રોડ સાઈડની સુરક્ષા માટે બનાવાયેલી ડાયાફ્રેમ વોલ એકાએક ધરાશાયી થઈ ગઈ હતી.
વીજબિલની વસૂલાત કરવા DGVCLનું અભિયાન:વીજ બિલ મળ્યાના 10 દિવસમાં ચુકવણું ન થાય તો જોડાણ કપાશે
ડીજીવીસીએલ હવે બાકી વીજબિલની વસૂલાત કરવા માટે કડક અભિયાન શરૂ કરશે, જેમાં બિલ મળ્યાના 10 દિવસમાં ચુકવણી નહીં કરવામાં આવે તો જે તે ધારકનું જોડાણ કાપી નખાશે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં 465.49 કરોડના વિજ બિલ ભરાયાં નથી. કંપની પર નાણાકીય ભારણ વધતું જતાં હવે કડક કાર્યવાહી કરાશે. આ બાબતે ડીજીવીસીએએ સ્પષ્ટ કર્યું હતું કે, વીજળી આવશ્યક સેવા છે અને તેના ઉત્પાદન, ટ્રાન્સમિશન તથા વિતરણ માટે ભારે ખર્ચ થાય છે. અગાઉ ગ્રાહકોને અનુકૂળતા રહે તે માટે હપ્તા, સમયમર્યાદામાં છૂટછાટ અપાતી હતી છતાં ઘણાં ગ્રાહકો નિયમિત ચુકવણી કરતા નથી. હવે આવા ગ્રાહકોની યાદી તૈયાર કરી નોટિસ અપાશે. વીજ કંપનીએ તમામ ગ્રાહકોને સમયસર બિલની ચુકવણી કરવા અપીલ કરી છે જેથી કાર્યવાહીથી બચી શકાય. પેમેન્ટ કરવા ઓનલાઇન-ઓફલાઇન સહિતના વિકલ્પોકંપનીના અધિકારીએ કહ્યું કે, ‘આ અભિયાનનો હેતુ ગ્રાહકોને મુશ્કેલીમાં મૂકવાનો નથી, પરંતુ કંપનીની મુશ્કેલી ઓછી કરવાનો છે. ગ્રાહકોને સરળતા રહે તે માટે ડિજિટલ તથા ઓફલાઇન ચુકવણીના વિકલ્પો છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ, મોબાઇલ એપ, નેટ બેન્કિંગ, UPI, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એજન્સીઓ તેમજ અધિકૃત કલેકશન સેન્ટર મારફતે બિલ ભરવાની સુવિધા આપવામાં આવી જ રહી છે.’
વેધર રિપોર્ટ:પારો 1.4 ડિગ્રી ઘટીને 35.4 છતાં પવન ધીમા થતાં બફારો
શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી ઘટીને 35.4 ડિગ્રી થયું હતું . જો કે, પવનની ગતિ માત્ર 4 કિમી પ્રતિ કલાકની રહેતાં બપોરે ભારે બફારાનો અહેસાસ થયો હતો. બીજીતરફ, લઘુતમ તાપમાનમાં 1.3 ડિગ્રી ઘટી 19.2 થતાં રાત્રે હળવી ઠંડીનો અમુભવ થયો હતો. હવામાન વિભાગ મુજબ, શહેરમાં આવેલા તાપમાનના ઘટાડા પાછળ ઉત્તર દિશાથી ફૂંકાતા પ્રમાણમાં ઠંડા પવન મુખ્ય કારણ છે. આ સાથે જ શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. વહેલી સવારે ભેજનું પ્રમાણ 84 ટકા જેટલું ઊંચું નોંધાયું હતું, જે સાંજ થતા સુધીમાં 42 ટકા જેટલું સામાન્ય થઈ ગયું હતું. ભેજ અને પવનની દિશામાં થતા ફેરફારને કારણે આગામી બે દિવસ હજુ પણ મિશ્ર હવામાનની સ્થિતિ યથાવત રહેશે. આગાહી મુજબ બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 34 ડિગ્રી, જ્યારે લઘુતમ 20થી 22 ડિગ્રીની વચ્ચે રહેશે. આમ, સુરતીઓએ હજુ પણ વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનો સામનો કરવો પડશે.
પાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને પત્રકાર પરવાના પઠાણના 4 લાખના લાંચ કેસમાં ભ્રષ્ટાચારની ચોંકાવનારી બાબતો ખુલી રહી છે. કેટલાક અગ્રણી કોન્ટ્રાક્ટરોના જણાવ્યા પ્રમાણે, ગેરકાયદે બાંધકામોમાં તો ઉઘરાણા હતાજ, પરંતુ ઝોન લેવલના વિકાસ કામોનાં બિલ મંજૂર કરાવવા પણ ઇજારદારો પાસેથી 30 ટકા સુધી કટકી લેવાતી હતી. જે ઈજારદાર ‘કટ’ આપવાની ના પાડે તો તેના બિલો જાણી જોઈને દબાવી દઈ ધક્કા ખવડાવાતા હતા. 5-10 હજારના પરચૂરણ બિલમાં પણ અધિકારીઓ ‘રાજી’ થયા બાદ જ સહિ કરતા હતા. દોઢ વર્ષ પહેલાં પત્રકાર પરવાના પેશાબના બહાને પોલીસને ચકમો આપી ભાગ્યો હતો દોઢેક વર્ષ પહેલાં પત્રકાર પરવાના પોલીસને પેશાબ કરવાના બહાને ચકમો આપી ભાગી ગયો હતો. જો કે પોલીસે તરતજ પકડી પાડી પાસા હેઠળ કચ્છ-ભૂજની જેલમાં મોકલી આપ્યો હતો. અગાઉ મારામારીના કેસમાં પાસાની કાર્યવાહી થઈ હતી. હાલમાં એસીબી પોલીસની મદદે ઈજનેર વિપુલ ગણેશવાલા અને પત્રકાર પરવાનાને શોધી રહી છે. એસીબીએ પાલિકામાંથી વિપુલની માહિતી મંગાવી છે. અશાંતધારાની વાંધા અરજીઓની તપાસ થાય તો પરવાનાના 4 પન્ટરોના નામ મળે લિંબાયતમાં અશાંતધારા હેઠળની મિલકતોમાં 3 વર્ષથી ટોળકી લોકો પાસેથી ઉઘરાણા કરે છે. પરવાનાની આ ટોળકીમાં 4 પન્ટરો પોલીસથી લઈ સરકારી કચેરીઓમાં ‘સેટિંગ’ કરાવી વાંધા અરજીનો ઉકેલ લાવતા હતા. દરેક સભ્યનું પોતાનું નેટવર્ક છે, જેમાં બે શખ્સ પોલીસ સાથે સંપર્ક જાળવતા, જ્યારે અન્ય એક પાલિકામાં મિત્રતા કેળવતો. બાકીનો એક પન્ટર રાજકીય સંપર્કથી કામ સરળ કરાવતો હોવાની ચર્ચા છે. ભાસ્કર ઇનસાઇટઝોનલ ચીફ પાસે 5 લાખ સુધીના ‘તાકીદના કામ’ કરવાની સત્તાનો દુરુપયોગ, પોસ્ટિંગ મેળવવા ₹50-60 લાખનો ભાવઝોનના ચીફ પાસે 5 લાખ અને ઓફિસર પાસે 1 લાખની મર્યાદામાં ‘તાકીદના કામ’ કરાવવાની સત્તા છે, જેનો દુરુપયોગ કરી મોટા કામોના ટુકડા કરી ટેન્ડર વિના માનીતા ઇજારદારોને લ્હાણી કરાય છે. ગેરકાયદે બાંધકામોમાં લખલૂંટ કમાણી હોવાથી ઇજનેરો મલાઈદાર ઝોનમાં આવવા 50-60 લાખ આપવા તૈયાર થઈ જાય છે. ઝોનમાં પોસ્ટિંગ મેળવવા લાખોનો ભાવ ચર્ચામાં છે. નિષ્ફળ ઝોનલ ચીફની બદલી અને ખાતાકીય તપાસની માંગલિંબાયત ઝોનમાં લૂંટ રોકવામાં નિષ્ફળ ઝોનલ ચીફ નિલેશ પટેલ સામે વિરોધ ઊઠ્યો છે. તેમની સામે તાત્કાલિક તપાસ બેસાડી તેમની ભૂમિકા બદલ ACBમાં ગુનો દાખલ કરવાની વિપક્ષે ઉગ્ર માગણી કરી છે. ગણેશવાલાની સાથે ઝોનના અધિકારીઓની પણ સંડોવણીઆ ઉઘાડી લૂંટમાં ગણેશવાલા જ નહીં, ઝોનના અધિકારીઓની પણ સંડોવણી હતી. અગાઉ ડે. ઇજનેર સામે ફરિયાદ થઈ હતી. હવે ઇજારદારોમાં હિંમત આવી છે, જેથી આગામી દિવસોમાં વધુ મોટા માથાઓનાં નામ ખુલી શકે છે.
હાઇકોર્ટના સતત પોઝિટિવ પ્રયત્નો બાદ ચેક બાઉન્સના કેસોમાં પણ રૂપિયા ભરીને સમાધાનનો રસ્તો કાઢવામાં આવ્યો છે. આ માટે રાજ્યના આર્થિક પાર્ટનગર ગણાતા સુરતમાં એસબીઆઇનું સેન્ટર ઊભું કરાયું છે, જ્યાં પોર્ટલ પર ઓનલાઇન પેમેન્ટ કરીને તેની રસીદ મેળવીને પક્ષકાર કેસનો નિકાસ લાવી શકે છે. ઘણા કેસમાં એવું જોવાયું છે કે, ફરિયાદી ફરિયાદ કર્યા બાદ હાજર રહેતા ન હોય અને કેસ લંબાતો હોય કે કોઈક કારણોસર તારીખો પડતી હોય ત્યારે હવે આરોપી જાતે રૂપિયા ઓનલાઇન ભરીને પણ કેસનો સમાધાનપૂર્વક નિકાલ લાવી શકશે. અત્રે નોંધનીય છે કે, સુરતમાં હાલમાં અંદાજે 50 હજારથી વધુ કેસ છે અને અનેકવાર ફરિયાદી પણ કેસ દાખલ કરીને રેગ્યુલર કોર્ટમાં હાજર રહેતા નથી. આથી સામે પક્ષકારને હેરાન થવું પડતું હોય છે. તે સમાધાન ઇચ્છતો હોય તો પણ થતું નથી. હવે કેસ સુરતની કોર્ટમાં હોય અને આરોપી દેશના કોઈપણ ખૂણે હોય તો સમાધાન ચપટી વગાડતાં થશે. ભાસ્કર ઇનસાઇટસમન્સ પર જ લિંક અને ક્યુઆર કોડ અપાશેપેમેન્ટ માટે જે પોર્ટલ ઊભું કરવામાં આવ્યું છે તેમાં સમાધાન બાદ જે રકમ થતી હોય તે આરોપી ભરી કેસનો નિકાલ લાવી શકે છે. સુરતમાં એવા અનેક કેસ છે, જેમાં ટેક્સટાઇલ વેપારીઓ સંડોવાયેલા છે અને તેઓ દેશના ખૂણે-ખૂણેથી આવે છે. દર તારીખે આવ્યા વગર જો તેઓ ઓનલાઇન પેમેન્ટ કરી દેશે તો કેસનો નિકાલ આવી જશે. એડવોકેટ અશ્વિન જોગડિયા કહે છે કે ઘણીવાર સામેનો પક્ષકાર રૂપિયા ભરવા રાજી હોય પરંતુ ફરિયાદી સમાધાન કરવા જ ન માંગતો હોય તેવા કેસમાં આ સિસ્ટમ ઘણી જ લાભદાયી બનશે. ચેક બાઉન્સમાં હવે જે સમન્સ નિકળશે તેના પર પણ લિંક અને ક્યુઆરકોડ હશે જેનાથી પેમેન્ટ કરી શકાશે. ભાસ્કર એક્સપર્ટસજા અને વ્યાજથી પણ બચી શકાશેજો બંને પક્ષકારો રાજી હોય તો સમાધાન ઝડપી થાય છે પરંતુ કેટલીકવાર ખટરાગના લીધે શક્ય થતું નથી. હવે ઓનલાઇન પેમેન્ટ ભરીને તેનો નિવેડો આવી જશે. સામેનો પક્ષકાર રૂપિયા ભરીને અને કેસનો નિકાલ આવી જાય તો તે સજા અને 9 ટકા સુધીના વ્યાજથી પણ બચી શકે છે. કેમકે જેટલો સમય વધે તેટલું વ્યાજ પણ વધતું હોય છે. > હાર્દિક દેસાઈ, નિમેષ દલાલ, એડવોકેટ
ગમખ્વાર અકસ્માત સર્જાયો:ચા પીવા રોડ ક્રોસ કરતી વખતે કારે ઠોકરે લેતા ટ્રક ડ્રાઈવરનું મોત
રાજકોટ-અમદાવાદ હાઈવે પાસે આવેલા માલિયાસણ ગામે પેટ્રોલ પંપની નજીક ચાલીને રોડ ક્રોસ કરી રહેલા પ્રૌઢને કારના ચાલકે ઠોકરે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃત્યુ પામનાર પ્રૌઢ મૂળ તમિલનાડુના હતા. અહીં ઘણા વર્ષોથી માલિયાસણ ખાતે આવેલા ટ્રાન્સપોર્ટમાં ટ્રકમાં માલ-સામાન લાવવા લઇ જવાનું કામ કરતા હતા. બે દિવસ પૂર્વે જ તમિલનાડુથી સ્ટીલ ભરેલી ટ્રક હંકારીને માલિયાસણ ટ્રાન્સપોર્ટ ખાતે લાવ્યા હતા. ચા પીવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે દુર્ઘટનામાં મોત થયું હતું. અકસ્માત સર્જી નાસી જનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પાસે આવેલા માલિયાસણ ગામે પેટ્રોલ પંપની નજીક ચાલીને રોડ ક્રોસ કરી રહેલા પ્રૌઢને કારના ચાલકે ઠોકરે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે લોકોનું ટોળું ઊમટી પડ્યું હતું. પ્રૌઢને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામનાર તમિલનાડુના રહેવાસી હતા. તેમનું નામ મણીખંડન કાલિયાપન(ઉં.વ.48) છે. સિવિલ હોસ્પિટલના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બે દિવસ પૂર્વે તમિલનાડુથી સ્ટીલ ભરેલી ટ્રક હંકારીને રાજકોટ માલિયાસણ ખાતે આવ્યા હતા. ચા પીવા માટે રોડ ક્રોસ કરતી વખતે કારના ચાલકે ઠોકરે લેતા મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકના મિત્ર રઘુપતિ વેગડસ્વામી ચટ્ટીયારની ફરિયાદ પરથી સ્વિફ્ટ કાર જીજે-03-પીએ-2900ના ચાલકની શોધખોળ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા પરીક્ષાના મહાકુંભ માટે તંત્ર સજ્જ બન્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 4,17,920 વિદ્યાર્થીના ભવિષ્યનો નિર્ણય કરનારા પ્રશ્નપત્રો રાજકોટના ઝોન પર આવી ગયા છે. રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવેલા સ્ટેટ ઝોન પરથી ધોરણ-10ના 2.52 લાખ વિદ્યાર્થીના પ્રશ્નપત્રો 18 જેટલી એસ.ટી. બસમાં રવાના કરાયા હતા. આ પ્રક્રિયા અત્યંત ગોપનીય અને સુરક્ષિત રાખવા માટે દરેક બસને GPS સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે, જેથી બોર્ડના અધિકારીઓ દરેક પળનું ટ્રેકિંગ કરી શકે. પેપરોની સુરક્ષા માટે બસમાં ઝોનલ અધિકારી અને સ્ટાફની સાથે હથિયારધારી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. 18 ઝોનના પેપરો રવાના થયા બાદ, આજે એટલે કે 23મી ફેબ્રુઆરીએ રાજકોટ શહેર (સદર, મવડી, બેડીપરા), ધોરાજી, જસદણ તેમજ જામનગર શહેર અને દિગ્વિજય સેન્ટર માટે પેપરો રવાના કરવામાં આવશે. આમ, પેપર લીક જેવી ઘટનાઓ ન બને અને પરીક્ષાની ગરિમા જળવાય તે માટે બોર્ડ દ્વારા ટેક્નોલોજી અને સુરક્ષાનું અભેદ્ય કવચ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 10ના પેપરોની વહેંચણી ચાલી રહી છે, ત્યારે ધોરણ 12 (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ)ના પ્રશ્નપત્રો લેવા માટે ઝોનલ અધિકારીઓ ગાંધીનગર જશે. આ પેપરો આજે રાજકોટ પહોંચતા જ તેને કરણસિંહજી હાઈસ્કૂલના સ્ટ્રોંગરૂમમાં પોલીસ પહેરા હેઠળ સીલ કરવામાં આવશે. નોંધનીય છે કે, 25 ફેબ્રુઆરીથી કરણસિંહજી હાઈસ્કૂલમાં પરીક્ષા માટેનો સ્પેશિયલ કંટ્રોલરૂમ પણ કાર્યરત થઈ જશે.
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક નજીક ઓસ્કાર સ્કાય પાર્ક કો.ઓ. હાઉસિંગ સોસાયટી લિમિટેડ નામની સોસાયટી આવી છે અને તેમાં 480 જેટલા પરિવારો રહે છે ત્યારે આ એપાર્ટમેન્ટની પાસે જાહેરમાં ગંદકીના ગંજ ખડકાયા છે અને તેની બાજુમાં જ આવેલા કોર્પોરેશનના પ્લોટમાં ભંગારનો ડેલો, ચાની હોટેલ સહિતના દબાણો ખડકાઇ ગયા છે અને આમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ સફાઇ અને દબાણ દૂર કરવા મુદ્દે આંખ આડા કાન કરી રહ્યાની ફરિયાદો ઉઠી છે. સોસાયટીના રહીશોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ઓસ્કાર સોસાયટીમાં 2000થી વધુ લોકો રહે છે અને આમ છતાં સોસાયટીના ગેટ પાસે સફાઇ થતી ન હોય મોટાપ્રમાણમાં ગંદકીના ગંજ ઠલવાયેલા છે. આ રોડ પર અવર-જવર કરતા લોકો અહીં કચરો ઠલવી જાય છે. આથી કોર્પોરેશન દ્વારા જો પેવિંગ બ્લોક નાખવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં વાહનચાલકોની અવર-જવર વધુ રહેતી હોય ટીપીનો 40 મીટરનો રોડ મોટો કરવા પણ માંગણી કરાઇ છે. તેમજ આ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા કરવા રજૂઆત કરાઇ છે. આ ઉપરાંત ઓસ્કાર સ્કાય પાર્કના મુખ્ય ગેટ સામે આવેલા કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં ભંગારવાળા, ચાના હોટેલવાળા અને પંચરવાળાઓના દબાણને કારણે આ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો અડિંગો જમાવીને પડ્યા-પાથર્યા રહેતા હોવાની અને મહિલાઓની પજવણી કરતા હોવાની રજૂઆત કરી આ દબાણો તાત્કાલિક દૂર કરવા માંગ કરી છે. આ મુદ્દે કોર્પોરેટરને ફરિયાદ કરવા છતાં કોઇ નિરાકરણ ન આવતાં સોસાયટીના રહીશોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને છતાં પરિણામ ન મળે તો આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટના અરવિંદભાઇ મણિયાર ટ્રસ્ટના ઉપક્રમે અનેક સેવાના પ્રકલ્પો તેમજ સાંસ્કૃતિક ઉત્સવ, રાષ્ટ્રભાવના સંગીત નૃત્ય અને ભક્તિ સંગીતના કાર્યક્રમો કરાય છે. જે અંતર્ગત સાદગીના મૂર્તિ હંસિકાબેન અરવિંદભાઇ મણિયારના 86મા જન્મદિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા રાજકોટના નગરજનો માટે ‘સ્વરથી ઇશ્વર’ સંગીતમય કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ રાજ્યના ખ્યાતનામ કલાકાર સચિન લિમિયે અને આશિતા લિમિયે અને કલાવૃંદ દ્વારા લોકભોગ્ય ગીતો, ભજનો અને ગઝલો દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં મહાદેવને રિઝવતી સ્તુતિ અને મંત્રોના શુદ્ધ ઉચ્ચારણો કરાયા હતા. જીવંત પ્રસારણના માધ્યમથી દેશ-વિદેશના અનેક લોકોએ કાર્યક્રમ માણ્યો હતો. આ તકે શહેરના સામાજિક, ધાર્મિક, રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી. સાથે જ ટ્રસ્ટ દ્વારા એક નવો પ્રકલ્પ જૈનમ બાયોડેટાઅ મોબાઇલ એપનું લોકાર્પણ કરાયું હતું. જે સમસ્ત જૈન સમાજ માટે દેશ-વિદેશમાં કોઇપણ જાતના ચાર્જ લીધા વિના જ ઉપલબ્ધ રહેશે. કાર્યક્રમની સફળતા માટે ડો.વલ્લભભાઇ કથીરિયા, શિવુભાઇ દવે સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
રાજકોટની એક મહિલાને વર્ષ 2006માં બ્લડ કેન્સર આવ્યું તે સમયે તેમને દોઢ વર્ષનો પુત્ર હતો. આ માત્ર બીમારી નહોતી, પરંતુ આખા પરિવાર માટે આઘાત સમાન હતું. સુમિત્રાબેન ભૂતએ જણાવ્યું હતું કે, ટ્રીટમેન્ટ લાંબી અને કઠિન હતી, દવાઓની ભારે આડઅસરને કારણે શરીર તૂટી પડતું હતું, માનસિક રીતે પણ અનેક વાર હાર માની જાઉં એવી સ્થિતિ ઊભી થતી, પરંતુ આ જ સમય દરમિયાન જીવનમાં એક નવો રસ્તો મળ્યો – યોગ અને વિપશ્યનાનો. શરૂઆતમાં તેમણે ફક્ત પ્રાણાયામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સતત છ મહિના સુધી રોજ પ્રાણાયામનો અભ્યાસ કર્યો. અને દોઢ વર્ષ સુધી સતત યોગ સાધના કરી. સુમિત્રાબેન કહે છે કે, યોગ માત્ર વ્યાયામ નથી, તે મન અને શરીર વચ્ચેનો સેતુ છે. વિપશ્યના ધ્યાનથી મનની અશાંતિ દૂર થવા લાગી.ત્યારબાદ વિચાર્યું કે જો યોગ અને ધ્યાનથી મને નવું જીવન મળી શકે, તો અનેક બીમારીઓથી પીડાતા લોકોને પણ આ માર્ગથી લાભ મળી શકે. આ વિચાર સાથે તેમણે યોગા ક્લાસ શરૂ કર્યા. છેલ્લા છ વર્ષથી તેઓ ઇન્દ્રેશ્વર મંદિરે નિયમિત યોગ ક્લાસ ચલાવે છે. દર રવિવારે બાળકો માટે પણ વિનામૂલ્યે ધ્યાન સત્રક્લાસમાં હાલ 25થી વધુ બહેનો આવે છે જેમાં વિશેષ વાત એ છે કે, દર મહિને આવતી યોગાની રકમ દરેક બહેનો સાથે મળીને સેવાકીય પ્રવૃત્તિ કરે છે. જેમાં જરૂરિયાતમંદને દવા, અનાજની કિટ આપવી, બાળકોને ભણતરમાં કોઇ પણ વસ્તુની જરૂર હોય તો પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત દર રવિવારે બાળકો માટે પણ મફત ધ્યાન સત્ર યોજાય છે. બાળકોને જીવનમૂલ્યો સમજાવવામાં આવે છે જેમાં સત્ય બોલવું, હત્યા ન કરવી, ચોરી ન કરવી, દૂરાચાર ન કરવો અને વ્યસનથી દૂર રહેવું સહિતની સમજ આપવામાં આવે છે તેમજ કાળાસર(ચોટીલા) નજીક આવેલી આશ્રમશાળાની મુલાકાત લે છે. ત્યાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને આનાપાન ધ્યાન શીખવાડવામાં આવે છે, ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ નોટબુક, પેન જેવી જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. થાઈરોઈડની દવા, રિપોર્ટમાં સહાય પૂરી પાડે છે છેલ્લા 5 વર્ષથી મને થાઈરોઈડ આવ્યો હતો. જેમાં ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું, પરંતુ જ્યારે યોગના મહત્ત્વ વિશે જાણ થઇ ત્યારે 2 વર્ષથી યોગ કરવાનું શરૂ કર્યું. યોગા કરવાની મારી કોઇ ફી લેવામાં આવતી નથી ઉપરાંત દવા, રિપોર્ટ સહિતની દરેક પ્રકારે અહીંથી સહાય કરે છે. > જશુબેન જેઠવા, લાભાર્થી
મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત રાજ્ય સરકારની 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન ફરી એકવાર પીડિત યુવતી માટે જીવનદોરી સાબિત થઈ છે. અભ્યાસ કરીને આત્મનિર્ભર બનવાની જીદ રાખતી યુવતીને પરિવાર તરફથી લગ્ન માટે દબાણ અને માનસિક ત્રાસ આપવામાં આવતા ટીમે સમયસર પહોંચી રક્ષણ પૂરું પાડ્યું હતું. એક 20 વર્ષીય યુવતીએ હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું હતું કે, માતા-પિતા આગળ ભણવા દેતા નથી અને ઘરકામ કરાવી લગ્ન માટે દબાણ કરે છે. ટીમ તાત્કાલિક તેના ઘરે પહોંચી ત્યારે યુવતી રડતી અને ગભરાયેલી હાલતમાં મળીઆવી હતી. કાઉન્સેલિંગમાં યુવતીએ અભયમની ટીમને જણાવ્યું કે, પોતે ત્રણ બહેનમાં મોટી હોવાને કારણે તેની પાસે જ ઘરની જવાબદારી રાખવામાં આવે છે, જ્યારે નાની બહેનોને ભણાવવામાં આવે છે. પાર્લર ટ્રેનિંગ કરીને આત્મનિર્ભર બનવાની ઇચ્છા હોવા છતાં પિતાએ મનાઈ કરી હતી. પિતાનું પણ કાઉન્સેલિંગ થતા ઉકેલ ન આવતા ટીમ દ્વારા યુવતીની સુરક્ષા માટે તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રીફર કરવામાં આવી હતી. ત્યારબાદ બે-ત્રણ દિવસમાં માતા-પિતા સેન્ટર પર પહોંચ્યા હતા. દીકરીની વાત સાંભળ્યા બાદ તેમણે અભ્યાસ અને કોર્સ કરવાની મંજૂરી આપી તેમજ થોડા વર્ષ સુધી લગ્ન માટે દબાણ નહીં કરવાનો વિશ્વાસ આપતા સમાધાન થયું હતું. વધુમાં 181ના કર્મચારી બીનાબેન જણાવે છે કે, તેઓએ જ્યારે દીકરીનું કાઉન્સેલિંગ હાથ ધર્યું ત્યારે તેણીએ ટીમને જણાવ્યું હતું કે, તેણીએ ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે. તેનું સ્વપ્ન છે આગળ ભણી ગણીને પગભર થઇ માતા-પિતાનો સહારો બનવાનું, તે નાનપણથી પિતાને મજૂરી કામ કરતી જોતી આવે છે, તેણી કોલેજમાં અભ્યાસ કરવા માગે છે. ધોરણ-12 વાણિજ્ય પ્રવાહમાં તેણીએ ક્લાસમાં ટોપ કર્યું હતું તેવી વાત તેણીએ ટીમ સમક્ષ જણાવી હતી. ‘મોટી દીકરી પર જવાબદારીનો બોજ’ માનસિકતા હજુય જીવંતસમાજમાં અનેક પરિવારોમાં મોટી દીકરીને ઘરકામ અને જવાબદારી સાથે જોડવામાં આવે છે. પરિણામે શિક્ષણ અને કારકિર્દી પર અસર પડે છે. નિષ્ણાતોના મત મુજબ આ માનસિકતા યુવતીઓમાં આત્મવિશ્વાસ ઘટાડી માનસિક તણાવ વધારતી હોય છે. જેમ કોઈ પણ બાળકને વધારે પ્રમાણમાં ટોકવું ગેરવાજબી છે, તેની બાળકના ઉછેર ઉપર માઠી અસર થાય છે. તેવી જ રીતે કોઈ પણ બાળકને તેના ભાઈ-બહેનોની સમકક્ષ ઓછું કે વધારે ધ્યાન આપવામાં ત્યારે પણ તેના પર અનેક નકારાત્મક અસરો થતી જોવા મળે છે. ખાસ કરીને દીકરીઓની માનસિકતા પર તેની ઊંડી અસર થાય છે કેમ કે, સમાજના એક ચોક્કસ વર્ગના મત અનુસાર તેનું માવતરના ઘરે દીકરાની સમકક્ષ ઓછીવતી તોલવામાં આવે છે. ખરેખર આ માનસિકતા ગેરવાજબી છે.
25મીએ મેગા ડિસ્ક્નેક્શન ડ્રાઈવ:વીજબિલ ન ભરનાર સૌરાષ્ટ્રના 4.43 લાખ ગ્રાહકના કનેક્શન PGVCL કાપી નાખશે
પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ (PGVCL)એ બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક અભિગમ અપનાવ્યો છે. તા.25 ફેબ્રુઆરી, બુધવારના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના 12 સર્કલમાં એકસાથે ‘મેગા ડિસ્ક્નેક્શન ડ્રાઈવ’ હાથ ધરાશે, જેમાં જે ગ્રાહકોના વીજબિલ બાકી છે, તેમના જોડાણો કાપી નાખવામાં આવશે. સમગ્ર ઝોનમાં કુલ 4.43 લાખ ગ્રાહક એવા છે જેમણે બિલની ચૂકવણી કરી નથી. જેમાં રાજકોટ શહેરના 26325 વીજ ગ્રાહક પાસેથી અંદાજે રૂ.66 કરોડ વસુલવાના બાકી છે. જોડાણ કપાયા બાદ રિ-કનેક્શન ચાર્જ ચૂકવવો પડશેPGVCL દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ડિસ્ક્નેક્શન ડ્રાઈવ દરમિયાન સ્થળ પર વીજબિલના નાણાં સ્વીકારવામાં આવશે નહીં. ગ્રાહકોએ ફરજિયાતપણે પેટાવિભાગીય કચેરીએ જઈને 100% રકમ ભરપાઈ કરવી પડશે. એટલું જ નહીં, જોડાણ કપાયા બાદ નિયમ અનુસાર ‘રિ-કનેક્શન ચાર્જ’ વસૂલ્યા પછી જ પાવર સપ્લાય પુનઃ ચાલુ કરવામાં આવશે. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ચાલતી અન્ય કામગીરીને કારણે હાલ માત્ર બુધવારે જ આ ઝુંબેશ ચાલશે અને ત્યારબાદ તબક્કાવાર કાર્યવાહી થશે. મુશ્કેલીથી બચવા 25મી પહેલાં કેશલેસ પેમેન્ટનો આગ્રહ
રેલવેમાં મુસાફરી કરતા સામાન્ય વર્ગના મુસાફરો માટે પશ્ચિમ રેલવેએ રાહતના સમાચાર આપ્યા છે. રાજકોટ ડિવિઝન હેઠળ આવતી અને ઓખા તથા પોરબંદરથી દોડતી ચાર જોડી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનમાં હવેથી વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. આ ફેરફાર કોઈ ટૂંકા ગાળા માટે નહીં, પરંતુ કાયમી ધોરણે અમલી બનાવવામાં આવ્યો છે. કોચનો વધારો કરતા ટ્રેનમાં થતી ભીડમાં રાહત થશે અને મુસાફરોને જગ્યા મળી રહેશે. અત્યાર સુધી લાંબા અંતરની ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા મર્યાદિત હોવાને કારણે અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ ધરાવતા મુસાફરોને ભારે ભીડનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને તહેવારો અને વેકેશનના સમયમાં મુસાફરોએ દરવાજા પાસે ઊભા રહીને મુસાફરી કરવી પડતી હતી. રેલવેના આ નિર્ણયથી હવે સામાન્ય ટિકિટ પર મુસાફરી કરતા લોકોને ટ્રેનમાં બેસવા માટે પૂરતી જગ્યા મળી રહેશે અને તેમની મુસાફરી વધુ સુખદ અને સરળ બનશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અને ઓખા-પોરબંદરને જોડતી લાંબા અંતરની મુખ્ય ચાર જોડી ટ્રેનની કોચ સંરચનામાં સુધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો સીધો લાભ સૌરાષ્ટ્રના મુસાફરોને મળશે જેઓ રાજ્ય બહાર કે અન્ય લાંબા અંતરના રૂટ પર મુસાફરી કરે છે. રાજકોટ ડિવિઝન દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય મુસાફરોની સતત વધી રહેલી સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ ટ્રેનોમાં થશે કોચમાં વધારો 1. ઓખા-શાલિમાર-ઓખા એક્સપ્રેસ (22905/22906): આ ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 3થી વધારીને 4 કરાઈ છે. આ વ્યવસ્થા ઓખાથી 26 એપ્રિલ 2026 અને શાલિમારથી 28 એપ્રિલ 2026થી અમલી બનશે. 2. પોરબંદર-શાલિમાર-પોરબંદર એક્સપ્રેસ (12905/12906): આમાં પણ જનરલ કોચ 3થી વધીને 4 થશે. પોરબંદરથી 29 એપ્રિલ 2026 અને શાલિમારથી 01 મે 2026થી આ સુવિધા અમલી બનશે. 3. પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ (20968/20967): આ ટ્રેનમાં સામાન્ય શ્રેણીના કોચની સંખ્યા 3થી વધારીને 4 કરવામાં આવી રહી છે. આ ફેરફાર પોરબંદરથી 28 એપ્રિલ 2026 અને સિકંદરાબાદથી 29 એપ્રિલ 2026થી અમલી બનશે. 4. પોરબંદર-સાંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસ (12949/12950): આ ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 2થી વધારીને 4 કરવામાં આવી છે. આ સુવિધા પોરબંદરથી 1 મે અને સાંતરાગાછીથી 3 મેથી અમલી બનશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. પરીક્ષાની તારીખ નજીક આવતા જ વિદ્યાર્થીઓમાં એક અજાણ્યો ભય, ચિંતા અને તણાવ જોવા મળતો હોય છે. વિદ્યાર્થીઓના આ માનસિક ભારને હળવો કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન વિદ્યાર્થીઓ માટે મેન્ટલ ક્લિનિક બન્યું છે. અહીં નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓનું નિઃશુલ્ક કાઉન્સેલિંગ કરી તેમનો આત્મવિશ્વાસ વધારવામાં આવી રહ્યો છે. યાદશક્તિ વધે, ડર દૂર થાય તે માટે બોર્ડની પરીક્ષા પહેલા ટોક થેરાપી અને PQRST મેથડથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારે છે. મનોવિજ્ઞાન ભવનમાં આવતા વિદ્યાર્થીઓમાં મુખ્યત્વે પરીક્ષાની ચિંતા, માતા-પિતાનું અપેક્ષા રૂપી દબાણ, ચોક્કસ વિષયનો ફોબિયા અને ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. આ પડકારો સામે લડવા માટે ભવન દ્વારા આધુનિક સાઇકોલોજિકલ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, વાલીઓનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. વાલીઓને સમજાવવામાં આવે છે કે સાયન્સ, કોમર્સ કે આર્ટસ - તમામ ક્ષેત્રોનું પોતાનું મહત્ત્વ છે. સંતાનની રસ-રુચિ જાણીને તેને પ્રોત્સાહન આપવામાં આવે તો જ તે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ ‘સેલ્ફ એસેસમેન્ટ સ્ક્રીનિંગ કેમ્પ’ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સતત કાર્યરત રહેશે, જેથી કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષાના ડરને કારણે હારી ન જાય અને પોતાની પૂરેપૂરી ક્ષમતા સાથે પરીક્ષા આપી શકે. આ 5 પદ્ધતિ મનોબળ વધારે છે PQRST મેથડ | યાદશક્તિ વધારવા માટેનું બ્રહ્માસ્ત્ર વિદ્યાર્થીઓની સૌથી મોટી ફરિયાદ ‘વાંચેલું યાદ નથી રહેતું’ તેવી હોય છે. તેના ઉકેલ માટે મનોવિજ્ઞાન ભવન PQRST ટેક્નિક શીખવી રહ્યું છે. જેનો અર્થ થાય છે: ભાસ્કર એક્સપર્ટ એકાગ્રતાની કમી અને ‘બધું ભૂલી જવાનો ડર’ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે ખાસ કરીને વાલીઓની ઊંચી અપેક્ષાઓ અને અન્ય સાથેની સરખામણીથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો અભાવ અને ડર પેદા કરે છે. સતત વાંચવાને કારણે થતો માનસિક થાક, એકાગ્રતાની કમી અને ‘બધું ભૂલી જવાનો ડર’ તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે, જેના કારણે ક્યારેક ચીડિયાપણું કે અનિદ્રા જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં માત્ર મહેનત જ નહીં, પણ સકારાત્મક અભિગમ અને પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. - ડો. યોગેશ જોગસણ, પ્રોફેસર
રાજકોટનાં જંગલેશ્વરમાં આજે ડિમોલિશનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં 1489 મકાનનું ડિમોલિશન કરાશે. આ માટે ચુસ્ત બંદોબસ્ત અને આધુનિક સાધનો સાથે 7 ટીમો શેઠ હાઇસ્કૂલ ખાતેથી રવાના થશે. આ ઓપરેશન માટે જુદી-જુદી 7 ટીમો બનાવવામાં આવી છે, જેની અધ્યક્ષતા ચારેય સિટી ઇજનેરો સહિત 14 અધિકારીઓને સોંપવામાં આવી છે. મ્યુ. કમિશનર કંટ્રોલરૂમથી રાખશે બાજ નજરઅધિકારીઓ અલગ-અલગ 2 શિફ્ટ મુજબ આખા ઓપરેશનને પાર પાડશે. તેઓની સીધી દેખરેખ હેઠળ બુલડોઝર સહિતના સાધનો દ્વારા મેગા ડિમોલિશનની પ્રક્રિયા થોડી જ વારમાં શરૂ કરવામાં આવશે. મ્યુ. કમિશનર તુષાર સુમેરા નીલકંઠ ટોકીઝ સામે તૈયાર કરવામાં આવેલા કંટ્રોલરૂમ ખાતેથી સમગ્ર કામગીરી પર બાજ નજર રાખશે. મેગા ડિમોલિશનમાં અનેક લોકોના આશિયાના તૂટશેઆ ઉપરાંત, તંત્ર દ્વારા દર 2 કલાકે અપડેટ્સ સાથે ડ્રોન વીડિયો પણ જાહેર કરવામાં આવશે. આ વિશાળ અને મેગા ડિમોલિશનમાં 1489 જેટલી મિલકતો તોડવામાં આવનાર હોવાથી અનેક લોકોના આશિયાના તૂટશે. આ કામગીરી પૂર્ણ થવામાં અંદાજે 2 દિવસ જેટલો સમય લાગવાની શક્યતા છે. 500 કરતા વધુ લોકો હાથોડા-ડ્રીલથી મકાનો તોડ્યાઉલ્લેખનીય છે કે, 22 ફેબ્રુઆરીના રોજ દિવ્યભાસ્કરની ટીમ જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી હતી, ત્યારે દરેક ચોકમાં પોલીસ અને મહાપાલિકાનાં અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. તો સાથે જ 500 કરતા વધુ લોકો હાથોડા અને ડ્રિલ જેવા સાધનો વડે જાતે જ પોતાના મકાનો તોડતા અને પાડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકો સ્વેચ્છાએ આ કામગીરી કરતા હતા ત્યાં પણ પોલીસ તેમજ ફાયરનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ પણ વાંચો: 'આ કેવો દોર છે, નેતા ચોર છે':જસ્ટિસ ફોર જંગલેશ્વર સોંગ વાઇરલ આ પણ વાંચો: ગુનાખોરીના કારણે બદનામ રાજકોટના જંગલેશ્વર વિસ્તારની ક્રાઈમ કુંડળી આ પણ વાંચો: આશરો, આંસુ ને આક્રોશ, 'મારી નાખો, પછી મકાન પાડો'; '5000ની કમાણીમાં 10 ખાવાવાળા, ભાડા કેમ ભરી'?
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ધોરણ 12 સાયન્સમાં સૌથી અઘરા લાગતા વિષયો મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની કેવી રીતે તૈયારી કરવી એ અંગે દિવ્ય ભાસ્કરે વિષય નિષ્ણાત સાથે વાત કરી હતી. 12 સાયન્સના હેવી વેઇટ સબ્જેક્ટના નિષ્ણાત શિક્ષકોએ વીક વિદ્યાર્થીઓ માટે પાસ થવાથી લઈ હોશિયાર ગણાતા સ્ટુડન્ટ્સ માટે પૂરા માર્ક્સ કેવી રીતે લાવવા અને એકદમ ટૂંકા કેવી રીતે મેદાન મારી લેવું તેની ટિપ્સ આપી હતી. મેથ્સના MCQ બેહદ કાળજી રાખજોધોરણ 12 સાયન્સના ગણિત વિષયના નિષ્ણાત વિનોદ શાહે જણાવ્યું હતું કે, તમારો આત્મવિશ્વાસ જ તમારી સફળતા છે. મિત્રો આખું વર્ષ તમે ખૂબ સરસ મહેનત કરી છે તો ફળ તમને સરસ જ મળશે. હવે ખૂબ હોશિયાર વિદ્યાર્થી મિત્રો, MCQમાં ખૂબ કાળજી રાખજો. બિનજરૂરી ઉતાવળ ના કરો અને કોઈ એક પ્રશ્નમાં અટકી ના પડશો. જો કોઈ પ્રશ્નનો જવાબ નથી આવડતા તો એને છોડી દો બાદમાં સમય મળે ત્યારે તેની ગણતરી કરો. આટલું કામ કરશો તો પણ ખૂબ સરળતાથી પાસ થઈ શકશોઆ સાથે B પાર્ટના દાખલાઓમાં જો સમય બચતો હોય, તો એક-એક દાખલો એક્સ્ટ્રા લખજો, આ મારી અંગત સલાહ છે કે ભૂલથી પણ ક્યાંક ભૂલ થઈ હોય તો માર્ક્સ તમારા કવર થઈ જાય. ટેક્સ્ટ બુકને ખૂબ પ્રાધાન્ય આપો. ખૂબ વીક સ્ટુડન્ટ્સ હોય એને એવું થતું હોય કે મારી તૈયારી નથી, તો શ્રેણિક, નિશ્ચાયક, સદિશ, ત્રિપરિમાણીય ભૂમિતિ, સુરેખ આયોજન અને Inverse Trigonometric Functions, આ ખૂબ સરળ ચેપ્ટરો છે. આટલું કામ કરશો તો પણ તમે ખૂબ સરળતાથી પાસ થઈ શકશો. ‘બાયોલોજીમાં 50 માર્કની થીયરી તો આવડવી જ જોઈએ’બાયોલોજીના નિષ્ણાત શીતલ બારભાયાએ જણાવ્યું હતું કે, યુહીં હવા મેં તાશ કા મહલ નહીં બનતા, રોને સે બિગડા મુકદ્દર નહીં બનતા, પૂરી દુનિયા જીતને કા હૈસલા રખના હોગા, ક્યોંકી એક જીત સે કોઈ સિકંદર નહીં બનતા.” આપણે જીતવાનું છે અને પૂરેપૂરા માર્ક લાવવાના પણ છે. અહીંયા બ્લુ પ્રિન્ટ પ્રમાણે બે પાર્ટ છે. પાર્ટ-1માં 50 માર્કના MCQ છે અને પાર્ટ-2માં 50 માર્કની થીયરી છે. 1 થી 10 ધોરણમાં તમને થિયરી કરવાની ટેવ છે અને પચાસે પચાસ માર્કનું તો તમારું ખૂબ જ પાક્કું હશે અને હોવું જ જોઈએ અને તમને આવડવાનું જ છે. જો આટલું થઈ ગયો તો 100માંથી 100 લાવતા કોઈ નહીં રોકેવધુમાં કહ્યું કે, હોશિયાર છોકરાઓ માટે એવું કહેવા માંગીશ કે 50 માર્કના MCQ ખૂબ ખૂબ સાવચેતીથી એટેન્ડ કરજો. જો તમારા એમાં 50 આવી ગયા તો 100 માંથી 100 લાવતા કોઈ જ અટકાવી નહીં શકે. આ સાથે પાર્ટ-2 માટે એવું કહી શકું કે વિદ્યાર્થીઓ, ચેપ્ટર 1, 2, 4, 5, 7 અને 9 આ ચેપ્ટરમાંથી 52 માર્કનું પૂછાય છે. અને 11, 12 અને 13 ચેપ્ટર તો ઈકોલોજીના છે, એકદમ સરળ છે. એમાંથી લગભગ 18 માર્કનું એટલે કે 70 માર્કનું તો એમાંથી જ આવે છે. તો જો આ 70 માર્કની તૈયારી પણ કરી દીધી ને તો એવરેજ છોકરો હોય કે જેને પાસ થવાના પણ કદાચ પ્રિલિમ એક્ઝામમાં ફાંફા પડ્યા હોય, છતાં આટલું કરવાથી 50-60 માર્ક લઈ આવશે. નબળા વિદ્યાર્થીઓને ફિઝિક્સમાં પાર્ટ-2 સારી રીતે કરી લેઆ અંગે ફિઝિક્સના શિક્ષક દિવ્યેશ પટેલે જણાવ્યું હતું કે, ફિઝિક્સ વિષય એવો છે કે બધા વિદ્યાર્થીઓને એવું થાય કે ભાઈ આમાં મુશ્કેલી પડે છે. પણ હું થોડુંક તમને એવું કહેવા માંગુ છું કે વધારે પડતો બોજ લેવાની જરૂર નથી. નબળા વિદ્યાર્થીની વાત કરીએ તો ભાગ-2 એવો છે, ફિઝિક્સ પાર્ટ-2ની અંદર લગભગ ચેપ્ટર નંબર 11, 12, 13 અને 14 આ એવા છે કે જે સ્વતંત્ર ચેપ્ટર છે, જેમાંથી તમને 20 થી 22 માર્ક્સનું કન્ટેન્ટ મળી જશે. અહીં જનરલ ઓપ્શન છે એટલા માટે એ તો મળવાના જ છે. સાથે ભાગ-2 બહુ સારી રીતે બાકી રહેલા દિવસમાં કરી લેશો તો કોઈ તકલીફ નહીં પડે. લાસ્ટ મોમેન્ટનું રિવિઝન જેટલું બને એટલું કરવુંવધુમાં કહ્યું કે, મધ્યમ વિદ્યાર્થીઓ કે જેણે અભ્યાસ કર્યો છે પરંતુ તેઓને ડર છે કે મને યાદ આવશે કે નહીં આવે. તો એણે ભાગ-1માંથી જેટલા પણ ચેપ્ટર્સ એની પાસે છે, તો એનું બહુ સારી રીત રિવિઝન કરી લે અને પાર્ટ-2 તો એણે કંઠસ્થ કરવો જ પડશે. ગોખવાની કોઈ આવશ્યકતા નથી, જેટલું સમજીને કરો, જેટલું લખીને કરો એટલું સારું છે. રહી વાત સૌથી હોશિયારની જેમણે આખા વર્ષ દરમિયાન મહેનત કરી છે. પણ વાત એવી છે કે તે લાસ્ટ ટાઈમ ભૂલી જાય છે, પરીક્ષામાં જઈને ભૂલી જાય છે. તો તેને આ બાબત તકલીફ ના પડે એટલા માટે લાસ્ટ મોમેન્ટનું રિવિઝન જેટલું બને એટલું કરવું. વધુમાં કહ્યું કે, MCQની અંદર નાની નાની એકમોની ભૂલ બહુ હોય છે. ઓવરઓલ હું વાત કરું તો ફિઝિક્સ વિષય બધાને એવો ભારે લાગે છે પણ એટલું ડરવાની જરૂરિયાત રહેતી નથી. મારા માનવા પ્રમાણે તો ઓવરઓલ બધા વિદ્યાર્થીઓ જો આ પ્રમાણે પ્રિપરેશન કરે તો બહુ સારું પરિણામ લાવી શકશે, તમને કોઈ મુશ્કેલી નહીં જ પડે. કેમિસ્ટ્રીમાં આ ત્રણ ચેપ્ટરની તૈયારી કરો એટલે બેડો પારઆ સાથે કેમિસ્ટ્રીના નિષ્ણાત વિમલ શાહે જણાવ્યું હતું કે, જો તમારે વધુ માર્ક્સ લાવવા હોય તો હવે તમારે જે કંઈ થયું છે તેનું માત્ર રિવિઝન કરવું જોઈએ નવું કંઈ તૈયાર કરવું તે મુશ્કેલી ઊભી કરશે. કેમિસ્ટ્રીના પહેલા જે ત્રણ ચેપ્ટર છે દ્રાવણો, ઈલેક્ટ્રો કેમેસ્ટ્રી અને કેમિકલ કાઈનેટીક્સ આ ત્રણ ચેપ્ટરની તૈયારી તમે એવી રીતે કરો કે ચોપડીના જે ન્યુમેરીકલ્સ દાખલા છે તે વ્યવસ્થિત લખીને સાથે તૈયારી કરો જે અવશ્ય પૂછશે. એક પણ પેપરનું MCQ આની બહારનું પૂછાતું નથીવધુમાં કહ્યું કે, ચોથું ચેપ્ટર D અને F બ્લોક અને ઈલેક્ટ્રો કેમ સોરી કોર્ડીનેશન કેમેસ્ટ્રી, આજે ઈનઓર્ગેનિક કેમેસ્ટ્રીના ચેપ્ટર છે જે બેઠા ને બેઠા જ ક્વેશ્ચન ચોપડીમાંથી જ પૂછાશે. તમારે ગુજકેટમાં જોવું હોય તો ગુજકેટમાં જોઈ લેજો બોર્ડમાં જોવું હોય તો બોર્ડમાં જોઈ લો એક પણ પેપરનું MCQ પણ આની બહારનું પૂછાતું નથી. જો તમે આને ચોપડીમાંથી વ્યવસ્થિત કરી લેજો અને PYQ કરી લેજો તો તમને કોઈજ પ્રોબ્લેમ આવશે નહીં. એક કે બે ચેપ્ટર છોડી દેશો તો પણ તમે 50માંથી 50 માર્ક્સ લાવી શકો છોહવે પાર્ટ 2માં જે ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે, એમાં ઓવરઓલ જોવા જઈએ તો બધા મિત્રોને સમસ્યા ત્યાં આવે છે કે રિવિઝન બરાબર ના થયું હોય, લખીને તૈયાર ના કર્યું હોય તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં વિદ્યાર્થીઓ ને મિક્સ થઇ જવાનો પ્રોબ્લેમ રહે છે. તો એના પ્રોબ્લેમના સોલ્યુશન માટે તમારે ચેપ્ટર વાઇઝ કમ્પેરીઝન કરીને ઓર્ગેનિક કેમેસ્ટ્રીના જે પ્રક્રિયા વાળા જે પ્રશ્નો છે એ તમે લખી લખીને તૈયારી કરો. તો સબ્જેક્ટિવમાં તમારે જનરલ ઓપ્શન હોવાથી તમે એક કે બે ચેપ્ટર છોડી દેશોને તો પણ તમે 50માંથી 50 માર્ક્સ લાવી શકો છો. હવે વાત રહી 50 માર્કના MCQની તૈયારી કરવા માટે. તો જે વિદ્યાર્થીઓને પાસ થવું અઘરું છે , બરાબર તૈયારી નથી કરી તો એ છેલ્લા સબ્જેક્ટિવ પર વધારે ધ્યાન આપે અને છેલ્લા પાંચ વર્ષના પેપર કરી દેશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને આરામથી પાસ થઇ જશે. 100માંથી 100 માર્ક લાવવા હોય તો MCQ પર ભાર આપોવધુમાં કહ્યું કે, હવે હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે તેઓને એક બે માર્ક્સ કપાઈ જતા હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને ખાસ 100માંથી 100 માર્ક લાવવા હોય તો ખાસ કરીને MCQ પર ભાર આપવો જોઈએ. 90 ટકા પ્રશ્નો ચોપડીના હોય છે અને બાકીના 10 ટકા માટે તમારે મહેનત કરવાની છે. તમારે પેપર જોઈ ને ગભરાવાની કોઈ જરૂર નથી. પ્રશ્નો ચોપડીની બહારનું કશું પણ પરીક્ષામાં પૂછવાનું નથી. છેલ્લા કેટલાય વર્ થી ચોપડીની બહાર નું પૂછાતું પણ નથી. 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશેદરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહેશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાની 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે, બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ રહેવાનું રહેશે. બે વર્ષથી 15 દિવસ વહેલી પરીક્ષાઓગત વર્ષે 27 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ હતી. 27 ફેબ્રુઆરીથી શરૂ થઈને 10 માર્ચ સુધી પરીક્ષાઓ ચાલી હતી. જ્યારે આ વખતે પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચે પૂર્ણ થશે. 2025 પહેલાં બોર્ડની પરીક્ષા 15 માર્ચથી શરૂ થતી હતી, પરંતુ બે વર્ષથી 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમ, સતત 2 વર્ષથી 15 દિવસ વહેલી પરીક્ષા યોજવામાં આવે છે. 29 માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષાઆ સાથે જ ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં આગામી 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લાકક્ષાનાં કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી પુસ્તિકા બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમમાં આપી શકાશે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
કચ્છમાં આવેલા રોડ ટુ હેવન વિશે તમે ઘણું સાંભળ્યું હશે. કદાચ ત્યાં ગયા પણ હશો પરંતુ હવે તૈયાર થઇ જાઓ એક નવા જ અનુભવ માટે અને એ પણ રોડ ટુ હેવન જેવા જ. કચ્છના વાગડ વિસ્તારમાં આવેલો ખડીર બેટ અને તેને જે તાલુકો લાગુ પડે છે એ ભચાઉ વચ્ચે દરિયાનો મોટો પટ્ટો આવેલો છે. વર્ષો અગાઉ અહીં કાચા રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ સમય જતાં કોઇ કારણોસર તે ન રહ્યો પરંતુ હવે પાકો રસ્તો આકાર લઇ રહ્યો છે. જે રોડ ટુ હેવન જેવો જ લાગતો હોવાથી તેનું નામ રોડ ટુ ઇન્ફીનિટી પડી ગયું છે. જોકે હજુ સુધી મોટાભાગના પ્રવાસીઓ આ રસ્તાથી અજાણ છે. આ રોડની વિશેષતા શું છે? તે ક્યાંથી શરૂ થઇને ક્યાં પૂરો થાય છે? ત્યાં કેવી રીતે જવાય? નવો રોડ બનવાથી શું ફેર પડશે? આવા ઘણા સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે ત્યાંના સ્થાનિક વ્યક્તિ રામજીભાઇ મેરિયા અને જ્યાંથી રોડ શરૂ થાય છે એ મંદિરના મહંત યોગી દેવનાથ સાથે વાત કરી હતી. એકલ-બાંભણકાને જોડતો રસ્તોરોડ ટુ ઇન્ફીનિટી એકલ અને બાંભણકા નામના 2 ગામને જોડે છે. આ રોડ જ્યાંથી શરૂ થાય છે એ એકલધામ મંદિર જોવાલાયક છે ત્યાંથી આગળ વધતાં 14 કિલોમીટર પછી હનુમાન બેટ આવે છે. એ બેટ પર રણેશ્વર હનુમાન મંદિર આવેલું છે. હનુમાન બેટનો આકાર કાચીંડા જેવો દેખાતો હોવાથી તેને કાકીડા બેટ પણ કહે છે, ત્યાંથી આગળ જતાં ખડીર બેટ-બાંભણકા પહોંચી શકાય છે. બાંભણકાથી આગળ ધોળાવીરા જઇ શકાય છે. વર્ષો પહેલાં કાચી સડક હતીવર્ષો પહેલાં એકલધામ અને બાંભણકા વચ્ચે કાચી સડક હતી જ જ્યાંથી ખડીર બેટ પર જવાતું પરંતુ સમય સાથે એ રસ્તો પાણીમાં તણાઇ ગયો. એ દરમિયાન વર્ષ 1980થી 1985 વચ્ચે આ આખું રણ અભ્યારણમાં આવી ગયું હતું જેથી કોઇ ડેવલપમેન્ટ ન કરી શકાયું. ખડીર વિસ્તારની આસપાસ આવેલું અભ્યારણ ફ્લેમિંગો સિટી તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં શિયાળામાં ફ્લેમિંગોના ઝુંડ આવે છે અને લગભગ 5 મહિના રહે છે. રોડ ટુ ઇન્ફીનિટી પર ઊભા રહેવાથી દૂરથી આ ઝુંડ જોઇ શકાય છે. આ રોડ બન્યા બાદ આસપાસના ગામ અને ગ્રામજનો બંનેનો વિકાસ થશે ઉપરાંત રોડ શરૂ થઇ ગયા બાદ ત્યાં આકર્ષણના સ્થળો વધવાની સંભાવના છે. ખડીરથી ભચાઉનું અંતર ઘટી જશેખડીર ભચાઉ તાલુકામાં આવેલું છે. જો કોઇને ખડીરથી ભચાઉ જવું હોય તો પહેલાં અંદાજે 150 કિલોમીટરથી વધુનું અંતર થતું હતું પરંતુ હવે રોડ ટુ ઇન્ફીનિટી બની જવાથી આ અંતર ઘટીને 75થી 80 કિલોમીટર થઇ જશે. દેશની આઝાદીના 75 વર્ષ બાદ એક વિસ્તાર તેના તાલુકા સાથે સીધો જોડાવા જઇ રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે આ સ્થળની મુલાકાત લીધી હતી તે દરમિયાન આદિપુરથી આવેલા કાંતિ ડાંગર નામના એક મુલાકાતી પણ મળ્યાં. તેઓ અહીં નજીકમાં રવેચી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે, રવેચી માતાનું મંદિરે અમે પરિવાર સાથે દર્શને આવતા હોઇએ છીએ. મંદિરે દર્શને આવીએ એટલે અચૂક આ રોડ પર આવીએ જ છીએ. હું લગભગ અહીં ચોથી વાર આવ્યો છું. મને થોડા સમય પહેલાં ખબર પડી કે આ રસ્તાથી ખડીર-બાંભણકાને જોડવાની યોજના છે. 'પહેલા આવતો ત્યારે તો અહીં રણ જ હતું. હવે ખબર પડી કે આ રસ્તો કનેક્ટ કરે છે. આમ તો સાંજે આવીએ એટલે રણ જોવા જ આવતા હોઇએ પણ આ નવો અનુભવ છે. ભલે અત્યારે અહીં પાણી ભરેલું છે તેમ છતાં આગળ જાઓ ત્યારે રોડ ટુ હેવન જેવો અનુભવ થશે. ગયા વર્ષે હું આવ્યો ત્યારે મીઠાનો આખો પટ્ટો હતો. નજર દોડાવો ત્યાં સુધી સફેદ રણ જ હતું પણ આ વખતે વરસાદ મોડો હોવાના કારણે મીઠું હજુ નથી પાક્યું. એકાદ મહિનામાં એ પાકી જશે એટલે પ્રવાસીઓ આવશે.' કાંતિ ડાંગર અને તેના પરિવાર સિવાય અન્ય કેટલાક યુવાનો પણ ત્યાં પોતાની બાઇક ઉપર આવેલા હતા. જેમની સાથે વાત કરતાં તેમણે પોતે નજીકના ગામમાં જ રહેતા હોવાનું અને સમય મળે ત્યારે અહીં આવતાં હોવાનું કહ્યું હતું. મોડી સાંજે અન્ય એક કારમાં પણ કેટલાક યુવાનો આવ્યા હતા. જે સીધા હનુમાન બેટ તરફ જતાં હોય એમ લાગ્યું. જોકે એકલ દોકલ પ્રવાસીઓ સિવાય આ રોડ અંગે બીજા કોઇને જાણ નહીં હોય એમ પ્રવાસીઓની સંખ્યા પરથી લાગ્યું. ખડીર માટે સોનાનો સૂરજ ઉગશેચોબારી ગામના રહેવાસી અને આ રોડ માટે રજૂઆતો કરી ચૂકેલા રામજીભાઇ મેરિયા કહે છે કે, જે-તે સમયે ભચાઉ જવાનો આ રસ્તો ધોવાઇ ગયા પછી લોકો રાપર થઇને જાય એટલે 150 કિલોમીટર થતું. જ્યારે હવે એકલ આવવું હોય તો 75 કિલોમીટર જેટલો રસ્તો થઇ ગયો છે એટલે કે અડધો ફેર પડી ગયો છે. આ રસ્તો બનતા જ ખડીરવાસીઓના ધંધા રોજગાર વધશે. માનવ શક્તિ, સમય અને નાણાંનો વ્યય થતો હતો એ બધું જ અટકશે. આખું ખડીર વરસાદ પર આધારિત છે, ત્યાં વરસાદ પડે તો જ ખેતી થાય. આ રસ્તાને કારણે એવી ગતિવિધિ શરૂ થઇ છે કે અહીંયાથી પાણી પણ ખડીરને પહોંચશે. જેથી ખડીર માટે સોનાનો સૂરજ ઊગશે. એકલધામ મંદિરના મહંત યોગી દેવનાથને આશા છે કે રોડ ટુ ઇન્ફીનિટી બનવાથી ટુરિઝમનો પણ વિકાસ થશે. તેમણે કહ્યું કે, બાંભણકા ખડીર બેટ પર આવેલું છે. અગાઉ ખડીરના લોકોએ તાલુકા મથકે આવવું હોય તો 150 કિલોમીટર ફરવું પડતું પરંતુ એકલ-બાંભણકા રસ્તો બનવાથી તે અંતર ઘટી ગયું છે. આ રોડ બનવાથી ટૂરિઝમને મોટો વેગ મળવાનો છે. સ્થાનિક લોકોને રોજગારી મળશે. બોર્ડરનો રસ્તો હોવાથી સૈન્યને પણ ઉપયોગી થશે. તાલુકા સાથે જોડતો કોઇ રસ્તો નહોતોખડીર તરફ 10થી 12 નાના ગામો આવેલા છે. જેમાં 10 હજારથી 12 હજાર લોકોની વસતિ છે, ત્યાં ધોળાવીરા પણ આવેલું છે. ધોળાવીરા અને ખડીરનો તાલુકો ભચાઉ છે પણ તેને જોડતો રસ્તો નહોતો. 2014 પછી 140 કરોડ રૂપિયા મંજૂર થયારામજી મેરિયા કહે છે કે, આ રસ્તો બને એ માટે અમે ઘણા પ્રયત્નો કર્યા. એક વખત તો 40 કરોડ રૂપિયા મંજૂર પણ થઇ ગયા પરંતુ કેન્દ્ર અને રાજ્યમાં અલગ અલગ પક્ષોની સરકાર આવતાં ગ્રાન્ટ લેપ્સ થઇ ગઇ. 2014 પછી દિલ્હીમાં ભાજપ સરકાર આવી એ પછી રસ્તો બનાવવા 140 કરોડ રૂપિયા મંજૂર થયા હતા. યોગી આદિત્યનાથને સાથે રાખી રજૂઆત કરી હતીમહંત યોગી દેવનાથે યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશના હાલના મુખ્યમંત્રી અને તે સમયના સાંસદ)ને સાથે રાખીને એ સમયે કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરી હતી. મોદીએ કહ્યું હતું- આપણી સરકાર હશે ત્યારે જ રસ્તો બનશેમહંત દેવનાથે કહ્યું, જ્યારે યોગી આદિત્યનાથ સાંસદ હતા ત્યારે તેમને લઇને બે વાર દિલ્હીમાં તત્કાલીન કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જયરામ રમેશને પણ મળેલા. ઘણા બધા પ્રયત્ન કર્યા. જે-તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મને કહેલું કે બાપુ, આ રસ્તો કેન્દ્રમાં આપણી સરકાર હશે ત્યારે જ બનશે. વર્ષ 2014 બાદ અમે બધાએ ફરી મહેનત કરી પછી અમને NOC મળી ગઇ, એ પછી કામ મંજૂર થઇ ગયું. રસ્તો બનાવવાનું કામ ચાલુ છે. અત્યારે લગભગ 75% કામ થવા આવ્યું છે. રામજી મેરિયાએ આ રોડનું નામ રોડ ટુ ઇન્ફીનિટી પડવા પાછળનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે, આ લગભગ 20 થી 22 કિલોમીટર રણને ચીરતો રસ્તો છે, જે ધોળાવીરાને જોડે છે. આ રસ્તાની એક બાજુ એકલ નામનું નાનું ગામ છે. જ્યાં એકલ માતાનું મંદિર આવેલું છે. જ્યારે રસ્તાના બીજા છેડે ખડીર બેટ પર બાંભણકા ગામ આવેલું છે. જેથી આ રસ્તાનું નામ એકલ-બાંભણકા છે પરંતુ અનંત સુધી દેખાતો હોવાને કારણે લોકો તેને રોડ ટુ ઇન્ફીનિટી પણ કહે છે. હું માનું છું ત્યાં સુધી આ રસ્તો દેશનો સંભવિત પહેલો રસ્તો હશે જે જિલ્લા પંચાયતની આટલી મોટી ગ્રાન્ટમાંથી બન્યો હશે. રસ્તો મંજૂર થતાં 25 વર્ષ લાગ્યાતેમણે આગળ કહ્યું કે, આ રસ્તો મંજૂર થતાં 25 વર્ષ લાગ્યા છે. આ રસ્તો ડિફેન્સ અને ટુરિઝમ માટે પણ અગત્યનો છે. સૌથી વધુ અગત્યનો ત્યાંનાં લોકો માટે છે. અત્યાર સુધી લગભગ 14 કિલોમીટરનો રસ્તો બની ગયો છે અને હનુમાન બેટ પછી 6-7 કિલોમીટરનો રસ્તો બાકી છે. લગભગ એક વર્ષમાં આખો રસ્તો બની જશે. એક રોડ બનાવવા માટે 25 વર્ષ કેમ લાગ્યા તે અંગે યોગી દેવનાથ કહે છે કે જે-તે સમયે એવા કાયદા કાનૂન હતા સાથે સાથે આ 22 કિલોમીટરનું રણ છે, વચ્ચે બીજું કંઇ નથી. ફક્ત પાણી ભરાયેલું હોય છે. એ સૂકાય એટલે સફેદ રણ બની જાય. સરકારનું વલણ પણ પબ્લિક માટે હોવું જોઇએ તેવું નહોતું. આવી ઘણી સમસ્યાઓ હતા. જેથી આ રસ્તો વર્ષોથી નથી બન્યો. રસ્તો નહોતો ત્યારે ખડીરના સ્થાનિક લોકોએ રેશન કાર્ડ પણ બનાવવું હોય કે નામ ઉમેરવું હોય તો પણ તેને 2 દિવસ લાગતા હતા. સવારે ખડીરથી નીકળે, એસટીમાં બેસે. બપોર સુધીમાં પહોંચે, રાત્રે તાલુકા મથકે રોકાવું પડે. બીજા દિવસે સાંજે એ પોતાના ઘરે પહોંચે. જેથી ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ ઘણો મોટો થતો હતો. સ્થાનિક નેતાઓએ પણ રજૂઆત કરી હતીએકલ-બાંભણકા રોડ બનાવવા માટે સ્થાનિક નેતાઓએ પણ સરકારને ઘણી વખત રજૂઆત કરી હતી. કચ્છ જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખ જીવા શેઠે અંદાજે 17 વર્ષ પહેલાં પ્રપોઝલ તૈયાર કરી હતી. આ સિવાય પૂર્વ ધારાસભ્ય બાબુ મેઘજી શાહે પણ સરકારને અનેક વખત લેખિતમાં રજૂઆત કરી હતી.
48 કલાકમાં માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. ઓગણજ રહેતા 34 વર્ષીય ભંવરલાલ ગુર્જર ભંગારનું કામ કરતા હતા. 21મીએ સવારે મિત્રનું બાઇક લઈને ગોતા બરફ લેવા નીકળેલા ગુર્જરને લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલ પાસે કારચાલકે ટક્કર મારતાં તે ફંગોળાઈને પટકાયા હતા. તેમને હૉસ્પિટલ ખસેડાયા પણ ત્યાં સુધીમાં મૃત્યુ થયું હતું. આ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. બીજી ઘટનામાં ઓઢવના 51 વર્ષીય સુખેન્દ્રસિંહ રાઠૌર ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા હતા. 20મીએ રાત્રે તેઓ નોકરી પરથી પગપાળા ઘરે જતા હતા ત્યારે ઓઢવ રિંગરોડ પર ધ ગ્રાન્ડ ઠાકર હોટલ સામેથી રસ્તો પસાર કરતા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલા લોડિંગ ટેમ્પોના ચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજા થતાં હૉસ્પિટલમાં સુખેન્દ્રસિંહનું મોત નિપજ્યું હતું. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધ્યો છે. ત્રીજી ઘટનામાં ગીતામંદિર એસટી ડેપોની બાજુમાં રહેતા 39 વર્ષીય ચીમનભાઇ સંગાડા મજૂરીકામ કરતા હતા. 21મીએ તેઓ સાંજે નારોલથી ઘરે જતા હતા ત્યારે બ્રિજના છેડે પોલીસ સ્ટેશનની સામેથી પગપાળા રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે મહિન્દ્રા પીક અપ ગાડીએ ટક્કર મારી હતી. અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. ઓગણજ પાસે કારે ટુવ્હીલરને ટક્કર મારતાં ચાલક મૃત્યુ પામ્યો
મુસાફરોની સુવિધામાં થશે વધારો:અમદાવાદ થઈ જતી સૌરાષ્ટ્રની 4 ટ્રેનમાં જનરલ કોચ વધારાશે
પશ્ચિમ રેલવેએ અમદાવાદ થઈ દોડતી સૌરાષ્ટ્રની ચાર ટ્રેનોમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી કાયમી ધોરણે જનરલ કોચ વધારવાનો નિર્ણય કર્યો છે. ઓખા અને પોરબંદરથી દોડતી ચાર જોડી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો છે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રેન નં. 22905/06 ઓખા-શાલીમાર-ઓખા એક્સપ્રેસમાં જનરલ કોચ 3થી વધારીને 4 કરાતા 100 સીટનો વધારો થશે, જે ઓખાથી 26 એપ્રિલ, શાલીમારથી 28 એપ્રિલથી અમલી થશે. તેવી જ રીતે, ટ્રેન 12905/06 પોરબંદર-શાલીમાર-પોરબંદરમાં 100 સીટ વધારી પોરબંદરથી 29 એપ્રિલ, શાલીમારથી 1 મેથી અમલમાં આવશે. ટ્રેન નંબર 20968/67 પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર પોરબંદરથી 28 એપ્રિલ અને સિકંદરાબાદથી 29 એપ્રિલથી લાગુ થશે. જ્યારે ટ્રેન નંબર 12949/50 પોરબંદર-સાંતરાગાછી-પોરબંદરમાં 200 સીટનો વધારો પોરબંદરથી 1 મેથી લાગુ થશે. પેસેન્જરોને ભીડથી મુક્તિ અને કાયમી સુવિધા મળશે
શહેરમાં છેલ્લા લાંબા સમયથી રસ્તાઓ બાબતે ઊઠેલી ફરિયાદો બાદ મ્યુનિ. દ્વારા રસ્તાઓ બનાવવા માટે વિશેષ ધ્યાન આપવા નિર્દેશો અપાયા છે. આ સ્થિતિમાં છેલ્લા એક વર્ષમાં શહેરમાં 543 રસ્તાઓ પૈકી 315 જેટલા રસ્તાઓની કામગીરી પુર્ણ થઇ છે. જેમાં 197 કિ.મી.ના રસ્તા બની ગયા છે જ્યારે 148 કિ.મી.ના રસ્તા હાલ બની રહ્યા છે. સ્ટેન્ડીંગ કમિટિ ચૅરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે શહેરમાં કુલ 543 રોડ બનાવવા માટે 2239.17 કરોડની ફાળવણી કરાઇ હતી જે પૈકી 1949.87 કરોડની રકમ તો મ્યુનિ. દ્વારા વિવિધ રસ્તાઓ બનાવવા માટે ખર્ચ કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસા પછી શહેરમાં અનેક વિસ્તારમાં રસ્તા ખરાબ થઈ ગયા હતા. જોકે ચોમાસું લાંબું ખેંચાતાં રસ્તાઓની કામગીરી તે ઝડપભેર થઇ શકી ન હતી. દરમ્યાન શહેરમાં છેલ્લા એક વર્ષમાં 841 કરોડના ખર્ચે 315 રસ્તાઓ બની ગયા છે. જેની લંબાઇ 196 કિ.મી. જેટલી છે જ્યારે 1107 કરોડના ખર્ચે 143 રસ્તા હજુ બની રહ્યા છે. જે રસ્તાઓ 148 કિ.મી.ના બની રહ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌધી વધુ રસ્તા પૂર્ણ મ્યુનિ. દ્વારા ચાલતી રીસર્ફેસિંગની કામગીરી
NIDનું પરિણામ:NIDનાં 5 સેન્ટરની 475 બેઠકની B.DESનું એપ્રિલમાં પરિણામ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનનાં 5 સેન્ટરની બેચલર ઓફ ડિઝાઇન (B.DES)ની 475 બેઠક પર પ્રવેશ માટેની ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ એપ્રિલમાં જાહેર થશે. ત્યાર બાદ બીજા તબક્કામાં સ્ટુડિયો ટેસ્ટ એપ્રિલ-મેમાં યોજાશે. તે પછી એપ્રિલ-મેમાં ઇન્ટ્રાપર્સનલ ટેસ્ટ લેવાશે. અમદાવાદ સહિત દેશનાં 17 શહેરના 16 હજાર જેટલા વિદ્યાર્થીએ 21 ડિસેમ્બરે આ પરીક્ષા આપી હતી. તેમાં પ્રથમ તબક્કામાં ક્વૉલિફાય થનારા વિદ્યાર્થીઓની બીજા તબક્કામાં સ્ટુડિયો ટેસ્ટ થશે. https;//admissions.nid.edu વેબસાઇટ પરથી પરિણામ સહિતની વિગતો મેળવી શકાશે. અમદાવાદમાં બેચલર ઓફ ડિઝાઇનની બેઠકફેકલ્ટી ઓફ કોમ્યુનિકેશન ડિઝાઇન ડિસિપ્લિન - બેઠક ક્ષમતા ફેકલ્ટી ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફેકલ્ટી ઓફ ટેક્સટાઈલ, એપેરલ, લાઇફસ્ટાઇલ એન્ડ એસેસરી ડિઝાઇન દેશનાં 5 સેન્ટરની 575 બેઠક પર મેરિટથી પ્રવેશ અપાશે‘અમદાવાદ સહિત દેશનાં 5 સેન્ટરમાં પ્રવેશ પરીક્ષાના પરિણામ સહિત માપદંડના આધારે પ્રવેશ અપાશે. આ 5 સેન્ટરમાં અમદાવાદ (ગુજરાત),ભોપાલ (મધ્ય પ્રદેશ), કુરુક્ષેત્ર (હરિયાણા), અમરાવતી (આંધ્ર પ્રદેશ) અને જોરાટ (આસામ)નો સમાવેશ થાય છે. કુલ બેઠકના ચારગણા વિદ્યાર્થીને પ્રવેશમાં આવરી લેવાશે. વિદ્યાર્થીઓને મેરિટ આધારે પ્રવેશ અપાશે. જેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરાશે.’ - રૂપેશ કુમાર જિન્દાલ, ડેપ્યુટી રજિસ્ટ્રાર, એનઆઇડી
રામોલ-હાથીજણ વોર્ડમાં હાથીજણ, વિંઝોલ, ન્યૂ વટવા, વિનોબા ભાવેનગર, બચુભાઈનો કૂવો અને વિવેકાનંદનગર જેવા વિસ્તારોનો ઝડપથી વિકાસ થયો છે, પરંતુ સ્થાનિકો હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ, નિયમિત ટેક્સ ભરવા છતાં પૂરતી સુવિધાઓ મળતી નથી, જેના કારણે વિકસિત વિસ્તારમાં પણ ગામડાં જેવો અનુભવ થાય છે. મુખ્ય માર્ગો સિવાયના આંતરિક રસ્તાઓની હાલત અત્યંત દયનીય છે અને વિકાસના કામોમાં નિરીક્ષણના અભાવે કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. હાથીજણ સ્મશાનમાં માત્ર એક જ ચિતાની વ્યવસ્થા હોવાથી અંતિમવિધિ માટે લોકોને રસ્તા પર ઊભા રહેવું પડે છે. નવા સ્મશાનનું કામ સમયમર્યાદા વીતી જવા છતાં હજુ અધૂરું છે, જે ખાસ કરીને ચોમાસામાં મોટી હાલાકી સર્જે છે. આ ઉપરાંત હાઉસિંગની જમીનો પર થતા દબાણો અને ફાળવેલી જગ્યાનો અન્ય હેતુ માટે થતો ઉપયોગ પણ ચિંતાનો વિષય બન્યો છે. વિંઝોલ અને ન્યૂ વિંઝોલમાં રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક જરૂરિયાતોના અભાવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વટવા જીઆઈડીસીની આસપાસના વિસ્તારોમાં છાસવારે દુર્ગંધની સમસ્યાથી સ્થાનિકો ભારે હાલાકીનો સસામનો કરવો પડી રહ્યો છે. અધૂરાં કાર્યો તંત્ર તાકીદે પૂર્ણ કરે તેવી માગ લોકો કરી રહ્યા છે. હાથીજણ તળાવનું કામ પૂરું નહિ થાય તો ચોમાસામાં મુશ્કેલી સર્જાશે હાથીજણ તળાવ વિકાસનું કાર્ય ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. કામની ધીમી રફ્તાર જોઈને સ્થાનિકો ચિંતિત છે કે આ પ્રોજેક્ટ હજુ લાંબો ખેંચાશે. ચોમાસા પહેલા કામ પૂર્ણ નહીં થાય, તો પાણી ભરાવાથી કામ અટકી જવાની ભીતિ છે. હાથીજણમાં નવા સ્મશાનનું કામ હજુ પણ અધૂરુંઃ સ્થાનિકો હાથીજણમાં નવા સ્મશાનના નિર્માણની ગોકળગતિ અને તેના કારણે સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ ખરેખર ગંભીર વિષય છે. ખાસ કરીને જ્યારે અંતિમ સંસ્કાર જેવી બાબતમાં 'વેઈટિંગ' કરવું પડે છે. જેથી લોકોની મુશ્કેલી વધી છે. ટ્રાફિક રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા વકરી છે. ટ્રાફિક નિયમન ન થતાં ટ્રાફિક જામ થાય છે. રોંગસાઈડમાં વાહનોથી પણ ટ્રાફિક વધ્યો છે. અધૂરાં કામો બચુભાઈના કૂવા વિસ્તારમાં ઠેર ઠેર ખોદકામ થઈ રહ્યા છે. ખોદકામ બાદ પણ કામો અધૂરાં રહેતાં હોવાથી બિસમાર રસ્તા પર અકસ્માતના કિસ્સા બની રહ્યા છે. બિસમાર રસ્તા: વિંઝોલના વિસ્તારોમાં છેલ્લાં વર્ષોથી આંતરિક રસ્તાઓ યોગ્ય ન થતાં લોકો હેરાન છે. રોજ વાહનોની અવરજવરથી ધૂળની સમસ્યા વધી છે. AMTSની સુવિધા અનિયમિત, જાહેર શૌચાલયોની સુવિધા ઊભી કરાઈ નથી ભારતીબેન દીક્ષિત: વિવેકાનંદનગરમાં પાણી-ગટરની વ્યવસ્થા સારી છે. એએમટીએસની બસો અનિયમિત આવે છે. જાહેર શૌચાલયો જ વિસ્તારમાં નથી. પ્રકાશ શાહ: હાથીજણમાં વિકાસના કાર્યો ચાલુ છે, તળાવનું કામ તેમજ સ્મશાનનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ગામના આંતરિક રસ્તાઓ પણ સારા છે. નીતિન ગજ્જર: વિંઝોલમાં રસ્તાઓની હાલત ખરાબ છે. સ્ટ્રીટલાઇટ હવે કામ શરૂ થયું છે. જલ્દી રસ્તા બને અને પીવાના પાણી મળે તેવી વ્યવસ્થા કરાય. હેમંત મિશ્રા: બચુભાઈના કૂવા વિસ્તારમાં રસ્તા પર ખોદકામ બાદ કામ થતાં નથી. સફાઈની સાથે પાણી-ગટરની પણ સમસ્યાઓ છે પણ ઉકેલ આવતો નથી. સુરેશ ડાભી: રીંગ રોડ પરના ચાર રસ્તા પર ટ્રાફિકજામની સમસ્યા વધી છે. વોર્ડમાં અધૂરા કામોને પગલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નવા સ્મશાનનું કામ ઝડપી પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી છેસ્મશાન અંગે ચારેય કોર્પોરેટરો દ્વારા જલદી કામ પૂર્ણ કરવા રજૂઆત કરાઈ છે. આ મોટો વોર્ડ છે, વધારે કાર્યો માટે વધારે સમય જોઈએ. જ્યાં કામો ધીરે થઈ રહ્યા છે ત્યાં ઝડપી કાર્યો કરવા સૂચન અપાશે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સારું કામ વિસ્તારમાં થવું જોઈએ. આ પ્રાઈવેટ કાર્યો નથી, સરકારી કામકાજ અધિકારીઓના હાથમાં છે પ્રક્રિયા ચાલતી રહે છે. વિંઝોલમાં નવા રસ્તાઓ જલ્દી બનાવવા માટે ચોક્કસ ધ્યાન અપાશે, સ્ટ્રીટલાઈટોના કાર્યો ચાલુ છે. ખોદકામના કાર્યોમાં ડ્રેનેજ-પાણીના કામોથી થોડું મોડું થાય છે. એએમટીએસની બસો વધારવા માટે પણ ચોક્કસ રજૂઆત કરવામાં આવશે. — સુનિતાબેન ચૌહાણ, કોર્પોરેટર
ભાસ્કર એક્સક્લુસિવ:વિશ્વકર્મા એન્જિનિયરિંગ કૉલેજ 5 વર્ષમાં 1 હજાર યુવાનને આત્મનિર્ભર બનાવશે
ચાંદખેડાની વિશ્વકર્મા ઈજનેરી કૉલેજ (વીજીઈસી)એ 5 વર્ષ માટે આશરે 1000 યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે વીજીઈસીમાં વીજીઈસી-રાઈસ (રિયલાઇઝિંગ આઈડિયાસ ઈન ટુ સેલ્ફ એમ્પલોયમેન્ટ) સેન્ટરની સ્થાપના કરાઈ છે. જેના માધ્યમથી માર્ચ મહિનાથી કૉલેજના આર્થિક રીતે સક્ષમ અને ભારોભાર ઉદ્યોગ સાહસકિતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર ઉદ્યોગ સાહસિક બનાવવા માટે જરૂરી તમામ પ્રકારની તાલીમ અપાશે. પ્રથમ તબક્કામાં 100 વિદ્યાર્થીને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. કૉલેજના પ્લેસમેન્ટ ઑફિસર ડૉ. મેહુલ શાહ અને સ્ટાર્ટઅપ કન્વીનર ડૉ. ફેમિના પટેલે જણાવ્યું કે ‘કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જ્વળ હોવાથી તેમને સારા પગાર સાથેનું પ્લેસમેન્ટ તો મળી રહે છે પરંતુ, યુવાનો આત્મનિર્ભર વ્યાવસાયિકો-ઉદ્યોગ સાહસિકો બને તે માટેના પ્રયાસો કરાશે.’ વીજીઈસી-રાઇસ સેન્ટર આ રીતે કામ કરશે ત્વરિત આવકની જરૂર ના હોય તેવા વિદ્યાર્થીઓ માટે પ્રયાસ કરાશે‘આ અભિયાનમાં કૉલેજના જ જે વિદ્યાર્થીઓ કે જેમને તાત્કાલિક આવકની જરૂરિયાત ના હોય, સ્વરોજગાર, સ્ટાર્ટઅપ, નવીનતા આધારિત ઉદ્યોગો અને ટૅક્નોલોજી સેવાઓ તરફ આગળ વધે તે માટેના પ્રયાસો કરાશે. સાચું શિક્ષણ માત્ર નોકરીથી નહીં પરંતુ વિદ્યાર્થી અન્યો માટે રોજગારી ઊભી કરવાની ક્ષમતા મેળવે તે છે. સીધો તર્ક એ છે કે કૉલેજના ઇજનેરો સ્વતંત્રતાપૂર્વક વિચારીને, જવાબદારીપૂર્વક નવીન કાર્ય કરે અને આત્મનિર્ભરતામાં ફાળો આપે.’ - વિનય પુરાણી, પ્રિન્સિપાલ, વીજીઈસી, ચાંદખેડા
લાયસોસોમલ સ્ટોરેજ ડિસોર્ડર (LSD) એક એવો દુર્લભ અને ગંભીર રોગ છે જેમાં બાળક જન્મે ત્યારે એકદમ સામાન્ય અને તંદુરસ્ત લાગે છે, પણ ધીમે ધીમે તેની ઉંમર 1-2 વર્ષની થાય ત્યારે તે બોલવાનું, ચાલવાનું કે બેસવાનું પણ ભૂલી છે. કમનસીબી એ છે કે આ રોગમાં મોટા ભાગનાં બાળકો 5 વર્ષની ઉંમર સુધીમાં મૃત્યુ પામે છે. આ રોગ થવાનું કારણ ડીએનએમાં રહેલી કેટલીક ખામીઓ છે. માનવ શરીરના કોષોમાં લાયસોસોમલ નામનો એક ‘રિસાઇકલિંગ પ્લાન્ટ’ હોય છે, જે કચરો સાફ કરે છે, પણ આ બીમારી ધરાવતાં બાળકોમાં આ પ્લાન્ટ યોગ્ય રીતે કામ કરતો નથી, જેને કારણે શરીરમાં ઝેરી પદાર્થો જમા થવા લાગે છે અને મલ્ટિઓર્ગન ફેલ્યોર થાય છે. દેશમાં દર વર્ષે અંદાજે 12 હજાર બાળકો આ સમસ્યા સાથે જન્મે છે અને હાલ અંદાજે 2.5 લાખ બાળકો આ બીમારી સાથે જીવી રહ્યા છે. અત્યારે તેની દવાઓ અતિશય મોંઘી છે, જેનો વાર્ષિક ખર્ચ 1 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે. આ આર્થિક બોજ સામાન્ય પરિવાર માટે અસહ્ય છે. આ જ ગંભીર સ્થિતિનો ઉકેલ શોધવા અમદાવાદમાં એસજી હાઈવે પર ફ્રીજ ઇન્સ્ટિટ્યૂટમાં 22 વર્ષથી દેશની પ્રથમ ‘નેશનલ બાયોબેંક’ કાર્યરત છે. આ બાયો બેંકમાં 530 બાળકોનાં DNA, બ્લડ પ્લાઝમા અને ચામડીનાં સેમ્પલ્સને માઇનસ 20થી માઇનસ 80 ડિગ્રી તાપમાનમાં ફ્રીઝ રખાયાં છે. એલએસડીના કુલ 70થી વધુ વેરિઅન્ટ છે, જેમાંથી આ બાયોબેંકમાં અત્યારે 29 અલગ અલગ પ્રકારના રોગ ધરાવતા દર્દીઓનાં સેમ્પલ ઉપલબ્ધ છે. ખાસ કરીને ગુજરાતમાં કેટલીક ચોક્કસ જ્ઞાતિઓ અને સમુદાયોમાં 3 પ્રકારના રોગો સૌથી વધુ જોવા મળે છે. વર્ષોના સંશોધન પછી જાણવા મળ્યું કે, જો કોઈ બાળક અમુક ચોક્કસ વિસ્તાર કે સમાજમાંથી આવતું હોય તો તેમાં કયો રોગ હોવાની શક્યતા વધુ છે. આ માહિતીને કારણે હવે નિદાનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને સસ્તી બની ગઈ છે. હૈદરાબાદની સંસ્થા આ સેમ્પલ પરથી ટેસ્ટિંગ કિટ બનાવી રહી છેઅત્યાર સુધી અમે માત્ર સેમ્પલ્સ એકઠાં કરવાનું કામ કરતા હતા. આ મહિને જ અમે આ સેમ્પલ્સ દેશની ત્રણ મોટી સંસ્થાને રિસર્ચ માટે સોંપ્યા છે. હૈદરાબાદનું CDFD આ ડેટા પરથી નવી ટેસ્ટિંગ કિટ બનાવી રહ્યું છે જેથી બાળક જન્મે ત્યારે જ આ રોગ પકડાઈ જાય. બીજી તરફ બેંગલુરુની ઇનસ્ટેમ અને દિલ્હીની જેએનયુ આ સેમ્પલ્સ પરથી ભારતની પોતાની ‘જીન થેરાપી’ વિકસાવી રહ્યા છે. > ડો. હર્ષ શેઠ, ફાઉન્ડર, ફ્રીઝ ઇન્સ્ટિટ્યૂટ ડેટાના આધારે સસ્તી દવા શક્ય બનશેઆ બાયોબેંકનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેના ડેટાના આધારે હવે ભારતમાં જ સસ્તી દવાઓ બનાવવી શક્ય બનશે. અત્યાર સુધી આવી દવાઓ માટે વિદેશી કંપનીઓ પર નિર્ભર રહેવું પડે છે, પણ હવે ભારતમાં પોતાનો ડેટા હોવાથી આત્મનિર્ભર બની શકાશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ બાળકની જિંદગી માત્ર સારવારના ખર્ચને કારણે ન છીનવાય.
ગુજરાતનું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી હવે દેશની આર્થિક શક્તિનું નવું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા અંબાજી ખાતે અંદાજે ₹22,000 કરોડની કિંમતના તાંબુ, સીસું અને જસતના ખનિજ ભંડારને બહાર કાઢવા માટે ‘અંબાજી કોપર પ્રોજેક્ટ’ને વેગ આપવામાં આવ્યો છે. વર્ષ 1992થી એટલે કે છેલ્લા 34 વર્ષથી બંધ પડેલી આ ખાણોને પુનઃજીવિત કરવા માટે રાજ્ય સરકારે વર્ષ 2026-27ના બજેટમાં ₹613 કરોડની માતબર જોગવાઈ કરી છે. આ પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ અત્યાધુનિક અન્ડરગ્રાઉન્ડ માઇનિંગ પ્રોજેક્ટ હશે. નિષ્ણાતોના અનુમાન મુજબ, અહીં આશરે 1 કરોડ ટન ખનિજ જથ્થો ઉપલબ્ધ છે, જેમાંથી તાંબાનો હિસ્સો જ ₹18,000 કરોડ જેટલો જંગી છે. હાલમાં 24,000 મીટર ડ્રિલિંગના લક્ષ્યાંક સામે 9,300 મીટરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આગામી બે વર્ષમાં આ ખાણ સંપૂર્ણપણે કાર્યરત થતા જ બનાસકાંઠાના આર્થિક વિકાસને નવી પાંખો મળશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે 2,200થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે. અંબાજી કેમ બનશે ભારતનું ‘કોપર કેપિટલ’? પ્રોજેક્ટની હાઈલાઈટ્સ:
SVP હોસ્પિટલ ધોળા હાથી સમાન સાબિત થઈ:5 વર્ષમાં LGમાં 45 લાખ, SVPમાં 12 લાખ નાગરિકોએ સારવાર લીધી
મ્યુનિ.ની એસવીપી હોસ્પિટલ ધોળા હાથી સમાન સાબિત થઈ રહી છે, છેલ્લાં પાંચ વર્ષમાં એલજી હોસ્પિટલમાં 45 લાખ દર્દીઓ, શારદાબેન હોસ્પિટલમાં 32 લાખ દર્દીઓએ સારવાર લીધી છે ત્યાં આ સમયગાળા દરમિયાન આધુનિક સાધનોથી સજ્જ એસવીપી હોસ્પિટલમાં તેનાથી ત્રીજા ભાગના એટલે કે 12.37 લાખ દર્દીઓની સારવાર થઈ છે. તેમાં પણ ઇન્ડોર દર્દીની સંખ્યા તો માંડ 1 લાખ જ છે. મ્યુનિ. સંચાલિત એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલની સરખામણીએ તમામ સાધનો તથા તબીબોથી વધુ સજ્જ એવી એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની હજુ સુધી આકર્ષવામાં ઊણી ઊતરી છે. મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણના જણાવ્યાનુસાર, એસવીપી હોસ્પિટલમાં મોટી રકમનો ખર્ચ થઇ રહ્યો છે તેની સામે દર્દીઓની સંખ્યા અપેક્ષા પ્રમાણે આવી રહી નથી. એસવીપી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ માન્ય રાખતાં 2024ની સરખામણીએ 2025માં દર્દીઓની સંખ્યા વધી છે. જ્યાં 2024માં ઓપીડીમાં 2.82 લાખ અને ઇન્ડોરમાં 20755 જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી ત્યાં 2025માં 3.23 લાખ ઓપીડી અને 31333 દર્દીઓએ ઇન્ડોર દર્દી તરીકે સારવાર મેળવી છે. કઈ હોસ્પિટલમાં કેટલા દર્દીઓએ સારવાર લીધી
સાઈબર ઠગોએ 99 લાખ પડાવ્યા:ફરી નરેશ ગોયલના નામે શિક્ષિકા ડિજિટલ એરેસ્ટ
નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં નિવૃત્ત શિક્ષિકાનું નામ હોવાનું કહીને તેમને ડિજિટલ અરેસ્ટ કરીને સાઈબર ઠગોએ રૂ.99 લાખ પડાવી લીધા હતા. ગાંધીનગરમાં રહેતાં નિવૃત્ત શિક્ષિકા સપનાબહેન (ઉં.65, નામ બદલ્યું છે) 16 જાન્યુઆરીએ વતન વડનગર ગયા હતા ત્યારે બપોરે 3 વાગ્યે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામેવાળાએ પોતાની ઓળખાણ દૂરસંચાર વિભાગના અધિકારી તરીકે આપીને કહ્યું હતું કે, તમારા નામે બીજું સિમ કાર્ડ લેવામાં આવ્યું છે. તેનાથી લોકો સાથે બિભત્સ ભાષામાં વાત કરી ધમકી આપવામાં આવી છે, જેની ફરિયાદ થઈ છે. હું ક્રાઇમ બ્રાંચના અધિકારી સાથે તમને વાત કરાવું છું, તેવું કહીને ફોન ટ્રાન્સફર કરીને સૌરભ વર્માને ટ્રાન્સફર કર્યો હતો. ત્યાર બાદ વોટ્સએપ કોલ આવ્યો હતો, જેમાં સામેવાળાએ પોતાની ઓળખ સીબીઆઈ અધિકારી અજય ગુપ્તા તરીકે આપી કહ્યું કે, નરેશ ગોયલ કેસમાં તમારું નામ ખૂલ્યું છે. નરેશ ગોયલે કબૂલ્યું છે કે, તેણે તમારી પાસેથી કેનેરા બેંકનું એકાઉન્ટ 5 લાખમાં ખરીદ્યંુ હતું, જેમાં 2 કરોડ જમા થયા હતા, જેના 10 ટકા કમિશન લેખે તમને 20 લાખ મળ્યા છે. તેના ઘરે રેડ કરતા તમારા નામનું ડેબિટ કાર્ડ પણ મળેલું છે. આટલું કહી આ કેસમાં તમને મદદ કરીશું કહી સપનાબહેનનું સ્ટેટમેન્ટ મગાવ્યું હતું અને કહ્યું હતું કે, તમને બેંક એકાઉન્ટની ડિટેલ મોકલીએ છીએ. તેમાં પૈસા મોકલો વેરિફાઈ કરીને પૈસા પાછા મળી જશે. સપનાબહેને 4 ટ્રાન્ઝેક્શનથી રૂ.99 લાખ આપ્યા હતા. ત્યાર બાદ શંકા જતા સપનાબહેને સાઈબર હેલ્પલાઈન પર ફરિયાદ કરી હતી. નરેશ ગોયલના નામે છ વર્ષમાં 30 હજાર સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી થઈજેટ એરવેઝના માલિક નરેશ ગોયલે કેનેરા બેંક સાથે રૂ.536 કરોડની ઠગાઈ કરી હતી, જેમાં સીબીઆઈએ તેની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ કરી નરેશ ગોયલની ધરપકડ કરી હતી. જોકે તે વાતને 6 વર્ષ વીતી ગયા છે છતાં સાઇબર ગઠિયા જેટ એરવેઝના ગોટાળા અને નરેશ ગોયલ સાથે સાઠગાંઠ હોવાનું કહીને સિનિયર સિટીઝનોને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવી રહ્યા છે. 6 વર્ષમાં સાઈબર ગઠિયાએ ગુજરાતના 5 લાખથી વધુ લોકો પાસેથી 3 હજાર કરોડ પડાવી ગયા હતા. તેમાંથી 30 હજાર વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 1 હજાર કરોડ પડાવ્યા છે. આ તમામ કિસ્સાઓમાં નરેશ ગોયલ કેસમાં સંડોવણી હોવાનું કહીને વૃદ્ધોને ડરાવાયા હતા. પોલીસનું કહેવું છે કે નરેશ ગોયલ સ્કેમ કરતાં બે ગણા પૈસા સાઇબર ઠગોએ પડાવ્યા છે. શિક્ષિકાને કહ્યું, દર બે કલાકે અમને મેસેજ કરજો હું સેફ છુંજ્યારે સાઇબર ઠગોએ શિક્ષિકાને પહેલી વખત ફોન કર્યો ત્યારે તે વડનગર હતાં, જેથી સાઈબર ગઠિયાઓએ તેમને વીડિયોકૉલ કરીને સીબીઆઈના અધિકારી તરીકે ઓળખ આપીને વાત કરી હતી, જેમાં તેમને કહ્યું હતું કે તમને જીવનું જોખમ છે. એટલે તમારે દર 2 કલાકે અમને મેસેજ કરવો પડશે કે હું સેફ છું. આ સાથે કોઈ અજાણ્યા નંબર પરથી ફોન ઉપાડવાનો નહીં તેમ જ બીજા કોઈ સાથે આ વિશે વાત કરવી નહીં. આવું કહેતા શિક્ષિકા દર 2 કલાકે તેમને મેસેજ કરતાં હતાં. તેઓ વડનગરથી ગાંધીનગર પાછા આવ્યા ત્યાં સુધી દર 2 કલાકે હું સેફ છું, તેવો મેસેજ કરવો પડ્યો હતો.
હલકી ગુણવત્તાના ખાદ્ય પદાર્થોના કારણે ગંભીર બીમારીઓ થઈ રહી છે, પણ તેના કેસો ચલાવવામાં કોઈને રસ જ નથી. કલેક્ટર કચેરીએ 2012થી સમયસર સુનાવણી ન કરતાં હજુ પણ આવા કેસો પેન્ડિંગ છે. મ્યુનિ.એ વર્ષ 2012થી 2025 સુધીમાં કુલ 32,084 ફૂડ સેમ્પલ લીધાં હતાં અને તેમાંથી 2353 ફેલ થયા હતા. ફેલ થયેલા નમૂનામાંથી સબ સ્ટાન્ડર્ડ સેમ્પલના કેસ હાલ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પાસે અને અનસેફ કેટેગરીનાં સેમ્પલના કેસો એડિશનલ મેટ્રો કોર્ટમાં ચાલે છે. જોકે સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પાસે હાલ કુલ 2052 કેસ પેન્ડિંગ છે. 21 મે 2025થી રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડી ફેલ ફૂડ સેમ્પલના તમામ કેસ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને ચલાવવાની સત્તા સોંપવામાં આવી હતી, પરંતુ તેમણે પણ 10 મહિનાથી એક પણ કેસની સુનાવણી કરી નથી. મે 2025 પહેલા કેસોની સુનાવણી કરવાની સત્તા અધિક નિવાસી કલેક્ટર પાસે હતી. અમદાવાદ કલેક્ટર કચેરીના અધિક નિવાસી કલેક્ટર ભાવિન સાગર સમક્ષ વર્ષ 2012થી ફેલ ફૂડ સેમ્પલના કેસ પેન્ડિગ હતા, પરંતુ તેમણે કોઈ કાર્યવાહી કરી જ નહિ અને રજૂઆત કરી કે, પહેલેથી જ કામનું ભારણ વધારે હોવાના કારણે આ પ્રકારના કેસ અન્યત્ર જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે. મારી પાસે 3 જગ્યાની જવાબદારી, કેસોની કામગીરી પર ધ્યાન આપી શકાતું જ નથીમારી પાસે હાલ એક મુખ્ય પોસ્ટિંગ છે અને બે અન્ય જગ્યાની જવાબદારીનો ચાર્જ છે. ત્રણ જગ્યાની જવાબદારી હોવાથી આ પ્રકારના કેસ પર ધ્યાન આપી શકાતું નથી. મેં રજૂઆત કરી છે કે, કેસોને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે. હું તો હાલ ચાર્જમાં ચાલી રહ્યો છું એટલે મારી પાસે આ કામ માટે સમય નથી. સરકાર ટૂંક સમયમાં કાયમી રીતે એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની નિમણૂક કરે અને તે પ્રકારના કેસ ચલાવે. > વિમલ પટેલ, ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સાયન્સ સિટી કેસો માટે કાયમી અધિકારીની નિમણૂક જરૂરીમ્યુનિ.ના ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આ પ્રકારના કેસોનો નિકાલ કરવા માટે કાયમી ધોરણે એક અધિકારીની નિમણૂક કરવામાં આવે ત્યારે એક વર્ષમાં આ કામગીરી પૂર્ણ થઈ શકશે. જ્યારે રેવન્યુ વિભાગના અધિકારીઓ ઇચ્છે છે કે, આ પ્રકારના કેસ અન્યત્ર જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવે તો તેમનું ભારણ પણ ઘટી શકે. રાજ્યમાં ફૂડ સેફ્ટી ઓફિસરની મંજૂર 279માંથી 113 જગ્યા ખાલી છેફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ફૂડ સેફ્ટી ઓફિસરની મંજૂર 279 જગ્યા સામે 166 પદ ભરાયેલાં છે. 40 ટકા એટલે કે 113 ફૂ઼ડ સેફ્ટી ઓફિસરની જગ્યા ખાલી છે. ખોરાકમાં ભેળસેળના 4372 કેસ અને 515 ક્રિમિનલ કેસ પેન્ડિંગ ચાલી રહ્યા છે. એક વર્ષમાં 2 કરોડ રૂપિયા દંડ કરાયો છે. રાજ્યમાં માત્ર 21 હજાર ફૂડ બિઝનેસ ઓપરેટર પાસે જ લાઇસન્સ છે. 2012થી 2025 સુધીમાં 32,084 ફૂડ સેમ્પલ લેવાયાં, જેમાંથી 2353 નાપાસ
અમદાવાદનાં એડવોકેટ ઈલાબેન વોરાએ 2008માં બ્રેસ્ટ કેન્સરને હરાવી પોતાનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કરી દીધું. ઓપરેશન અને કીમોથેરાપી જેવી અત્યંત કઠિન અને લાંબી સારવારમાંથી પસાર થયા બાદ તેમણે હિંમત હાર્યા વગર કેન્સર સામે લડીને સંપૂર્ણપણે પૂર્વવત્ જીવન જીવવાનો દૃઢ નિશ્ચય કર્યો. પોતાની આ વ્યક્તિગત જીતને તેમણે એક મોટા સામાજિક ઉદ્દેશમાં ફેરવી અને વકીલાત જેવા સફળ વ્યવસાયને છોડીને પોતાનું જીવન કેન્સર પીડિતોની સેવા અને જાગૃતિ માટે સમર્પિત કરી દીધું. વર્ષ 2013થી તેઓ રાષ્ટ્રવ્યાપી સંસ્થા સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સાથે સક્રિય રીતે જોડાયેલાં છે અને હાલમાં સંસ્થાના અમદાવાદ કેન્દ્રનાં વડાં (કોર્ડિનેટર) તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી તેમણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધીમાં 30થી વધુ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું સફળ આયોજન કરાવ્યું છે. આ કેમ્પમાં પેપસ્મિયર અને મેમોગ્રાફી જેવી આધુનિક તપાસો દ્વારા અંદાજે 3 હજારથી વધુ મહિલાઓનું સ્ક્રીનિંગ કરાવ્યું છે, જેના થકી અનેક દર્દીઓની પ્રાથમિક તબક્કે સારવાર શક્ય બની છે. જાગૃતિના અભિયાનને વેગ આપવા માટે તેમણે તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીના જિયોલોજી વિભાગ અને ગાંધીનગરની પંડિત દીનદયાળ કોલેજમાં જાગૃતિ કાર્યક્રમો યોજ્યા હતા. આ સેમિનારો દ્વારા યુવતીઓને કેન્સરના પ્રાથમિક લક્ષણો, તંદુરસ્ત જીવનશૈલી અને ‘સેલ્ફ-એક્ઝામિનેશન’ (સ્વ-તપાસ) વિશે જ્ઞાન આપ્યું છે. વિવિધ NGO અને સામાજિક સંસ્થાઓના માધ્યમથી અત્યાર સુધીમાં તેઓ અંદાજે 3 લાખથી વધુ લોકો સુધી કેન્સર પ્રત્યે જાગૃતિ સંદેશ પહોંચાડવામાં સફળ રહ્યાં છે. તેઓ સિવિલ હોસ્પિટલની કેન્સર હોસ્પિટલની એથિક્સ અને લીગલ કમિટીમાં સભ્ય તરીકે સેવા આપે છે તથા ગોરજ સ્થિત કૈલાસ કેન્સર હોસ્પિટલમાં પણ દર્દીઓને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડે છે. સારવારનાં ત્રણ વર્ષમાં જ 28 દિવસની માનસરોવર યાત્રા કરીવર્ષ 2008માં જીવન અટકી ગયું હોય તેવું લાગ્યું હતું, પરંતુ સારવાર બાદ ડર સામે ઝૂકવાનું માંડી વાળ્યું. આ જ મક્કમતાને કારણે મેં 2011માં 16,500 ફૂટની ઊંચાઈએ 28 દિવસની કૈલાસ માનસરોવર યાત્રા પૂરી કરી અને 2012માં અમેરિકાના ગ્રાન્ડ કેન્યોનનું કઠિન ટ્રેકિંગ પણ કર્યું. બીમારી સામે લડવા દવાની સાથે માનસિક હૂંફ અને પરિવારનો સહકાર છે. > ઈલાબેન વોરા
વિપક્ષે આક્રમક મૂડ બતાવ્યો:આજથી બજેટ સત્રમાં સરકારને ભીંસમાં લેવા માટે વિપક્ષ પાસે ભરપૂર દારૂગોળો
રાજ્ય વિધાનમંડળના બજેટ સત્રનો સોમવારથી આરંભ થઈ રહ્યો છે ત્યારે શાસકોને ભીંસમાં લેવા માટે વિપક્ષે ભરપૂર દારૂગોળો જમા કર્યો છે. ખાસ કરીને શાસકની ચાપાનનો રવિવારે બહિષ્કાર કરીને આક્રમક મૂડ બતાવ્યો હતો. મહાવિકાસ આઘાડીએ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આયોજિત ચાપાનનો રવિવારે બહિષ્કાર કર્યો છે. શાસક પક્ષ બહુમતીનો આનંદ માણી રહ્યો છે અને લોકશાહી અને બંધારણ માટે કોઈ આદર રાખવામાં આવી રહ્યો નથી. અમે આવી 'બેશરમ' અને 'બેવડી માનસિકતા' ધરાવતી સરકારની ચારપાનમાં હાજરી આપીશું નહીં, એમ ઠાકરે જૂથના નેતા ભાસ્કર જાધવે જણાવ્યું હતું. ભાસ્કર જાધવે કહ્યું, અમને બધાને મુખ્ય મંત્રી તરફથી ચાપાન માટેનો વ્યક્તિગત પત્ર મળ્યો છે. પરંતુ, અમે નહીં જઈએ. મૂળભૂત રીતે, શાસક પક્ષનું વર્તન સભ્ય હોવું જોઈએ. જે વર્તન આપણા દેશના લોકશાહી અને બંધારણ, ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સન્માન કરે છે, તે પ્રકારનું શાસક પક્ષનું વર્તન હોવું જોઈએ. પરંતુ, પ્રચંડ બહુમતી મળ્યા પછી, શાસક પક્ષ મજાના મૂડમાં છે. અમે એવી જગ્યાએ ચાપાનમાં નહીં જઈએ જ્યાં કોઈ સન્માન, કોઈ સભ્યતા, કોઈ લોકશાહીનો આદર, કોઈ બંધારણનો આદર ન હોય, એમ ભાસ્કર જાધવે કહ્યું.તેમણે કહ્યું, રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અજિત પવારનું મૃત્યુ દુર્ઘટના હતી કે હત્યા? સમગ્ર મહારાષ્ટ્રના મનમાં આ બાબતે શંકા છે. સરકાર આ અંગે ક્યાંય સ્પષ્ટ નથી. જાધવે ખેડૂતોની આત્મહત્યા અને વીજળીના દરનો મુદ્દો પણ ઉઠાવ્યો. રાજ્યમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ આત્મહત્યાઓ રોકવા તૈયાર નથી. મુખ્ય મંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે અમે વીજળીના દર ઘટાડીશું. મુખ્ય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે અમે બળજબરીથી ઘરેલુ ડિજિટલ મીટર લગાવીશું નહીં. પવાર જૂથની ગેરહાજરી અંગે સ્પષ્ટતાઆ સમયે શરદ પવાર જૂથના કોઈ નેતા હાજર ન હોવાથી ચર્ચાઓ ગરમ થઈ હતી. આ વાત સમજાવતાં જાધવે કહ્યું, “અમારો ત્રીજો મૈત્રીપૂર્ણ પક્ષ પ્રેસ કોન્ફરન્સ સમાપ્ત થાય તે પહેલાં જ પહોંચશે. કામ અને વાતચીતના અંતરને કારણે, તેમને પહોંચવામાં સમય લાગી રહ્યો છે. પરંતુ અમે બધા સાથે છીએ.” શું મહારાષ્ટ્ર ‘ઉડતા પંજાબ’ બની રહ્યું છેજાધવે ડ્રગ્સની હેરાફેરીનો મુદ્દો ઉઠાવ્યો. “રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. શું આ રાજ્ય હવે ઉડતા પંજાબ બની રહ્યું છે? એવો ભય છે કે આવું થઈ રહ્યું છે, કારણ કે આ રાજ્યમાં ડ્રગ્સ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યું છે. રાજ્યના એક જવાબદાર મંત્રીના જિલ્લામાં ડ્રગ ફેક્ટરી મળી આવી હતી. આ અંગે સમગ્ર મહારાષ્ટ્રમાં ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
મલાડમાં સાફસફાઈ અભિયાન શરૂ કરાયું:દક્ષિણ મુંબઈની જેમ મલાડમાં પણ ડીપ ક્લીનિંગ અભિયાન
દક્ષિણ મુંબઈની જેમ સાફસફાઈનું મોડેલ મલાડમાં પણ લાગુ કરવામાં આવ્યું છે. મલાડ પશ્ચિમ, પી નોર્થ વોર્ડ-35 અંતર્ગત મિલાપ સિનેમા વિસ્તાર અને આસપાસના ક્ષેત્રમાં વ્યાપક ડીપ ક્લીનિંગ અભિયાન ચલાવવામાં આવ્યું. આ દરમિયાન જનપ્રતિનિધિઓ અને પ્રશાસનિક અધિકારીઓએ હાજરી આપી હતી. તાજેતરમાં જ મલાડ વિસ્તારમાં મોટે પાયે અતિક્રમણ હટાવો કાર્યવાહી કરવામાં આવી હતી. લાંબા સમયથી જાહેર સ્થળો પર અનધિકૃત રીતે કબજો કરનારા ફેરિયાઓ અને અન્ય અતિક્રમણો હટાવવામાં આવ્યાં હતાં. અતિક્રમણને કારણે ગંદકી, દુર્ગંધ, કચરાના ઢગલા, ઉંદરની સમસ્યાએ ગંભીર રૂપ લીધું હતું. સ્થા નિક નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી. આ સમયે સ્થાનિક નગરસેવક યોગેશ વર્મા, સ્થાયી સમિતિના સભ્ય, ભાજપના જૂથ નેતા ગણેશ ખણકર, ઉત્તર મુંબઈ ભાજપ અધ્યક્ષ દીપક તાવડે, પી નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર કુંદન વળવીએ મુખ્યત્વે આ સ્વચ્છતા કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિકો દ્વારા આ પહેલની સરાહના કરવામાં આવી રહી છે. લોકોનું માનવું છે કે જો આ જ રીતે નિયમિત રીતે સફાઈ અને નિગરાણી રાખવામાં આવે તો મલાડ ક્ષેત્રની સ્વચ્છતા અને સુવ્યવસ્થામાં સ્થાયી સુધારણા જોવા મળશે. આ અભિયન સ્વચ્છતાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું હોવા સાથે એ સંદેશ પણ આપે છે કે સાર્વજનિક સ્થળો પર અતિક્રમણ અને અવ્યવસ્થાને સહન કરવામાં આવશે નહીં. પ્રશાસન અને જનપ્રતિનિધિઓની સંયુક્ત કાર્યવાહીથી મલાડને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં નક્કર શરૂઆત થઈ ચૂકી છે.
વિદ્યાર્થીઓને હાલાકી:બીડમાં પરીક્ષા કેન્દ્રની અગાશી પર મંડપ બનાવી 10મા ધોરણની પરીક્ષા
શુક્રવારે, દસમા ધોરણની પરીક્ષાના પહેલા દિવસે, બીડ જિલ્લાના કુર્લામાં પરીક્ષા કેન્દ્રની અગાશી પર મંડપ બનાવીને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ પ્રકરણે આચાર્ય અભિષેક રાઉત સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા શિક્ષણ વિભાગને આ માહિતી આપવામાં આવી હતી. માધ્યમિક શિક્ષણ અધિકારીએ નોટિસ આપીને પૂછ્યું છે કે ૧૨મા ધોરણની પરીક્ષામાં ગુનો નોંધાયો હોવા છતાં પાંચ લોકોને સસ્પેન્ડ ન કરવા બદલ નવગણ શિક્ષણ સંસ્થાને સહ-આરોપી કેમ નહીં બનાવવી જોઈએ.શુક્રવારથી ૧૦મા ધોરણની પરીક્ષાઓ શરૂ થઈ હતી. બીડ તાલુકાના કુર્લામાં યશવંત વિદ્યાલયના કેન્દ્રમાં ૨૯૩ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. જોકે, અપૂરતા વર્ગખંડોને કારણે શાળાએ સીધા અગાશી પર મંડપ બનાવીને ચાર હોલ બનાવ્યા હતા. ૧૦૦ વિદ્યાર્થીઓએ મંડપમાં બેસીને પરીક્ષા આપી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, શિક્ષણ વિભાગે તપાસ કરીને બોર્ડને રિપોર્ટ મોકલ્યો હતો. સંસ્થાને શાળાના આચાર્ય અભિષેક રાઉત, જે આ કેન્દ્રના ડિરેક્ટર છે, તેમને સસ્પેન્ડ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. તેના આધારે, સંસ્થાએ શનિવારે રાઉતને સસ્પેન્ડ કરીને શિક્ષણ વિભાગને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો.બીજી તરફ, બીડ તાલુકાના ચૌસાલા કેન્દ્ર પર ધોરણ 12 ના પહેલા પેપર માટે થયેલા સામૂહિક નકલના કેસમાં 17 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાંથી અન્ય સંસ્થાઓના 12 કર્મચારીઓને સંસ્થાઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, નવગણ શિક્ષણ સંસ્થાએ તેના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા નહોતા. આથી સંસ્થાને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.ધોરણ ૧૨ ના પેપરમાં ૨ વિદ્યાર્થીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. શનિવારે ધોરણ ૧૨ના ગણિતનું પેપર લેવામાં આવ્યું હતું. આમાં, શિક્ષણ વિભાગે માહિતી આપી છે કે બીડ શહેરના મિલિયા વિદ્યાલયના પરીક્ષા કેન્દ્ર પર ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા નકલ કરતા મળી આવેલા ૨ વિદ્યાર્થીઓને હાંકી કાઢવા આવ્યા છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન સાથે જોડાયેલા રહ્યા. તેમણે કહ્યું કે દેશ પહેલેથી જ જાણે છે કે કોંગ્રેસવાળા નગ્ન છે. બીજા મોટા સમાચાર અમિતાભ બચ્ચનને પહેલો સાઉથ ફિલ્મફેર એવોર્ડ મળવા અંગેના રહ્યા હતા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટમાં સોનમ વાંગચુકની NSA (નેશનલ સિક્યુરિટી એક્ટ) હેઠળ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી થશે. 2. મેટા અને વોટ્સએપની પ્રાઈવેસી પોલિસી અને 213 કરોડના દંડ સાથે જોડાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. 'કોંગ્રેસી પહેલાથી નગ્ન, તો પછી કપડાં ઉતારવાની જરૂર કેમ પડી':કોંગ્રેસના શર્ટલેસ પ્રોટેસ્ટ પર મોદીનો પ્રહાર, 'PM બનવું હોય તો લોકોના દિલ જીતો'; મેરઠમાં રેપિડ-મેટ્રો રેલનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીએ મેરઠ મેટ્રો અને નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી હતી. તેમણે મેટ્રોમાં મુસાફરી કરી અને સ્કૂલના બાળકો અને ડોકટરો સાથે વાતચીત કરી. મોદીએ ₹12,930 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને મોહિઉદ્દીનપુરમાં એક જાહેર સભાને સંબોધી હતી. જાહેર સભામાં સંબોધન કરતા મોદીએ AI સમિટમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદર્શનની આકરી ટીકા કરી. મોદીએ કહ્યું- વિશ્વની સૌથી મોટી AI કોન્ફરન્સ ભારતમાં યોજાઈ હતી. આખો દેશ ગર્વ અનુભવતો હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટી અને તેના ઇકોસિસ્ટમે શું કર્યું? તેમણે વૈશ્વિક કાર્યક્રમને ગંદા અને નગ્ન રાજકારણનો અખાડો બનાવી દીધો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્રમ્પના રિસોર્ટમાં ગન લઈને ઘુસ્યો યુવક:હાથમાં ફ્યુઅલ કેન પણ હતું; સુરક્ષાકર્મીઓએ જોતાં જ ગોળી મારી, ઘટના સ્થળે મોત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં રવિવારે ઘૂસવાનો પ્રયાસ કરનાર એક યુવકને સુરક્ષાકર્મીઓએ ગોળી મારી દીધી. તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. ઘટના સમયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ રાજધાની વોશિંગ્ટનમાં હતા. રાષ્ટ્રપતિની સુરક્ષા કરતી એજન્સી સિક્રેટ સર્વિસે જણાવ્યું કે એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે તેણે સુરક્ષિત વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારે સિક્રેટ સર્વિસના એજન્ટે તેને ગોળી મારી દીધી. જાણકારી અનુસાર, યુવક શોટગન જેવી બંદૂક અને ફ્યુઅલ કેન લઈને આવ્યો હતો. તેની ઉંમર 20 વર્ષ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. T20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી હાર:સુપર-8માં સાઉથ આફ્રિકાએ 76 રને હરાવ્યું; સેમિફાઈનલમાં પહોંચવા માટે હવે બાકીની બંને મેચ જીતવી પડશે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે તેને સાઉથ આફ્રિકાએ ત્રીજી સુપર-8 મેચમાં 76 રનના અંતરથી હરાવ્યું છે. આની સાથે જ ટુર્નામેન્ટમાં ભારતની જીતનો સિલસિલો પણ અટકી ગયો છે. આ પહેલા ઈન્ડિયાએ સતત 12 મેચ જીતી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આફ્રિકી ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી. ટીમે 20 ઓવરમાં 7 વિકેટ પર 187 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 18.5 ઓવરમાં 111 રન પર ઓલઆઉટ થઈ ગઈ. માર્કો યાન્સેને 4 વિકેટ ઝડપી. કેશવ મહારાજે 3 વિકેટ લીધી. કોર્બિન બોશને 2 અને એડન માર્કરમને એક વિકેટ મળી. શિવમ દુબેએ સૌથી વધુ 42 રન બનાવ્યા. ડેવિડ મિલર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે 35 બોલમાં 63 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે ડેવાલ્ડ બ્રેવિસ સાથે મળીને 50 બોલમાં 97 રનની ભાગીદારી કરી હતી. શાનદાર પ્રદર્શન બદલ મિલરને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર… 4. ‘સ્લીપર સેલ’નો પર્દાફાશ:તમિલનાડુમાં છુપાયેલાં PAK આતંકીઓને દિલ્હી પોલીસે દબોચ્યા, દેશમાં મોટા ધડાકા કરવાનું પ્લાનિંગ હતું દિલ્હી પોલીસે રવિવારે 8 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 6ની તમિલનાડુ અને 2ની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISI અને બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનોના ઈશારે આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા હતા. શંકાસ્પદોમાં એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે. તેમની પાસેથી 12થી વધુ મોબાઇલ ફોન અને 16 સિમ કાર્ડ મળી આવ્યા હતા. તમિલનાડુના તિરુપુરમાં 6શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી: મિઝાનુર રહેમાન, મોહમ્મદ શબાત, ઓમર, મોહમ્મદ લિટન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ ઉજ્જલ. વાંચો સંપૂર્ણ સમાચાર… 5. અમિતાભ બચ્ચનને પહેલો સાઉથ ફિલ્મફેર એવોર્ડ મળ્યો:'કલ્કિ' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે સન્માનિત; અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'એ ધૂમ મચાવી 70મા 'સાઉથ ફિલ્મફેર એવોર્ડ્સ'નું આયોજન શનિવારે કેરળના કોચીમાં થયું હતું. આ દરમિયાન અમિતાભ બચ્ચનને ફિલ્મ 'કલ્કિ 2898 AD' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલ (તેલુગુ)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ તેમનો પહેલો 'સાઉથ ફિલ્મફેર એવોર્ડ' છે. પ્રભાસ સ્ટારર ફિલ્મમાં 'બિગ બી'એ અશ્વત્થામાનો રોલ ભજવ્યો હતો. ફિલ્મ 'કલ્કિ 2898 AD' 27 જૂન 2024 ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવીને દુનિયાભરમાં ₹1,000 કરોડથી વધુની કમાણી કરી હતી. ‘ફિલ્મફેર એવોર્ડ્સ સાઉથ (તેલુગુ) 2026’માં ફિલ્મે બે એવોર્ડ જીત્યા, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ) નો એવોર્ડ અમિતાભ બચ્ચને જીત્યો, જ્યારે બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનનો એવોર્ડ નિતિન જિયાની ચૌધરીને મળ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમદાવાદ સિવિલમાં શાહરૂખને ટોઇલેટ કરાવ્યું ને 21 લાખનું સોનું નીકળ્યું:અબુ ધાબીથી આવેલા પેસેન્જરના શરીરમાંથી 135 ગ્રામ સોનાની ત્રણ કેપ્સ્યુલ મળી અબુ ધાબીથી અમદાવાદ આવેલી એર અરેબિયા ફ્લાઇટમાં આવેલા શાહરૂખ નામના પેસેન્જરના શરીરમાંથી 21 લાખથી વધુની કિંમતની સોનાની કેપ્સ્યુલ કસ્ટમ વિભાગના એર ઇન્ટલિજન્ટ યુનિટ દ્વારા કબજે કરવામાં આવી છે. આ અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાવેલી હેરોઇન ભરેલી 79 કેપ્સ્યુલ કબજે કરવામાં આવી હતી. આ કેસમાં તાજેતરમાં જ કોર્ટ દ્વારા મહિલા આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાં વળી આવો જ કેસ કસ્ટમ વિભાગના અધિકારીઓએ પકડી પાડ્યો છે. 19 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ કસ્ટમ્સના AIU અધિકારીઓએ એર અરેબિયા ફ્લાઇટ નં. 3L 111 દ્વારા અબુ ધાબીથી અમદાવાદ આવી રહેલા શાહરૂખ નામના એક પેસેન્જરને અટકાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. મહેસાણામાં જાવેદે 'રાહુલ' બની યુવતીને બ્લેકમેલ કરી ગેસ્ટ હાઉસમાં બોલાવી:રંગેહાથ ઝપડાઈ જતાં ટોળાએ અધમૂઓ કરી નાખ્યો, પિતા વચ્ચે પડતાં તેઓને પણ માર્યા; દુષ્કર્મનો ગુનો દાખલ મહેસાણાના ખેરાલુ તાલુકાના એક ગામની 20 વર્ષીય યુવતી પર મોહમદ જાવેદ નામના યુવકે 'રાહુલ પટેલ' નામ ધારણ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આરોપીએ યુવતીના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. અહીં રંગેહાથ ઝડપાઈ જતાં ટોળાએ જાવેદને બેફામ માર મારી બેભાન કરી નાખ્યો હતો. વચ્ચે પડેલા તેના પિતાને પણ ટોળાએ ઢીક્કા-પાટુનો માર માર્યો હતો. આ મામલે યુવતીએ દુષ્કર્મની અને યુવકના ભાઈએ મારામારીની ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ધર્મગુરુ પર 'POCSO'નો ગાળિયો:અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ બાળકોના યૌન શોષણના મામલે FIR; શંકરાચાર્યએ કહ્યું- કેસ કરનાર હિસ્ટ્રીશીટર, સત્ય સામે આવશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક:એક જ પરિવારના 16 લોકોનાં મોત; PAKએ કહ્યું- TTPના સાત કેમ્પને ટાર્ગેટ કર્યા, આત્મઘાતી હુમલાનો બદલો લીધો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ:જૈશના 3 આતંકીઓ ઘેરાયા; 18 દિવસ પહેલા પણ એક આતંકવાદીને ઠાર કરાયો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટેરિફમાં ફેરફારથી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બેઠક ટળી:રિવ્યુ પછી નવી તારીખ નક્કી થશે, કરાર પર કાયદેસર મહોર લાગવાની હતી હવે વિલંબની શક્યતા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આ અઠવાડિયે બજાર માટે 3 મોટા ટ્રિગર:GDP ડેટા અને ટ્રમ્પ ટેરિફ પર નજર; નિફ્ટી માટે 25,900નું લેવલ પાર કરવું જરૂરી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T20 વર્લ્ડ કપમાં 12 મેચ જીત્યા બાદ ભારતની હાર:સુપર-8માં સાઉથ આફ્રિકાએ 76 રને હરાવ્યું; નંબર-1 રેન્કિંગ બેટર અભિષેક શર્મા ફરી નિષ્ફળ ગયો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મંગળ-શુક્રની યુતિ:હોળી પહેલાં 'ધનશક્તિ રાજયોગ' રચાશે; મિથુન-મકર સહિત ચાર રાશિઓ માટે ખુલશે કુબેરના ભંડાર વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ અન્ડરવેર લાવવા માટે 50 અધિકારીઓની ડ્યુટી પ્રયાગરાજમાં BSNLના ડાયરેક્ટર વિવેક બંજલની આગતાસ્વાગતા માટે 50 અધિકારીઓની ડ્યુટી લગાવવામાં આવી હતી. આ અધિકારીઓને બ્રેકફાસ્ટ અને લંચની સાથે-સાથે ડાયરેક્ટર માટે અન્ડરવેર સુધીની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જોકે, સોશિયલ મીડિયા પર લોકોની ટીકા અને વિરોધ બાદ આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક, તાલિબાને બદલો લેવાના સોગંદ ખાધા; જૂના સાથીઓમાં આટલી દુશ્મની કેવી રીતે થઈ? 2. સન્ડે બિગ સ્ટોરી : ગયા વર્ષે પાસ, આ વર્ષે નાપાસ!: પોલીસ ભરતીમાં કેટલાક ઉમેદવારોની હાઇટ ઘટી ગઇ, 3 વાર માપી તો ત્રણેય વાર અલગ માપ 3. ખાખી કવર : એક પેગ માટે જીવ લીધો, આજે દેશનો વ્હિસ્કી કિંગ છે!: 300 લોકોની સામે ગોળી મારી, છતાં ‘નો વન કિલ્ડ જેસિકા’, દારૂની બોટલ પર જેસિકાની બિંદી છે? 4. ભાસ્કર એક્સપ્લેનર : સગી માતાએ તરછોડ્યો, ત્યારે રમકડું બની ગયું 'મા': સોશિયલ મીડિયા પર વાઇરલ જાપાનના વાંદરા 'પંચ-કુન'ની દર્દભરી કહાની 5. જૈશની મહિલા જિહાદી બ્રિગેડ, ભારત માટે નવો ખતરો: ઓપરેશન સિંદૂર પછી મસુદ અઝહરે નિયમો બદલ્યા, દિલ્હી બ્લાસ્ટ પહેલું એસાઈન્ટમેન્ટ 6. સન્ડે જઝબાત: છોકરો સમજીને મહિલા ટોયલેટમાંથી ખેંચીને બહાર કાઢી: પહેલવાન છું, તૂટેલા કાન; કદ-કાઠી જોઈને લોકો કહે છે- 'છોકરા જેવી લાગે છે, લગ્ન નહીં થાય' કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: વૃષભ રાશિની નાણાકીય સ્થિતિ સુધરશે, કુંભ જાતકો માટે જમીનમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ
વાહનચાલકો માટે રાહતના સમાચાર:મુંબઈ-પુણે એક્સપ્રેસ પર ટ્રાફિકમાં અટવાયેલાને રિફંડ
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 3 ફેબ્રુઆરીના થયેલા અભૂતપૂર્વ ટ્રાફિકજામ પછી હવે વાહનચાલકોને રાહત મળવાની છે. 1.2 લાખ પ્રવાસીઓને લગભગ 5.16 કરોડ રૂપિયાનો ટોલ પાછો આપવાનો નિર્ણય લેવામાં આવ્યાની માહિતી અધિકારીએ આપી હતી. આ રિફંડ મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ મારફત આપવામાં આવશે. આગામી થોડા દિવસમાં સંબંધિત વાહનચાલકોના ફાસ્ટેગ ખાતામાં સીધા જમા કરવામાં આવશે. 3 ફેબ્રુઆરીના ખપોલી પરિસરમાં ગેસ ટેંકર પલટી થયું હતું. આ ઘટના પછી એક્સપ્રેસ વે પર અને નજીકના હાઈવે પર મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ થયો હતો. 32 કલાક કરતા વધુ સમય સુધી વાહનોની લાંબી લાઈન લાગી હતી. હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. અનેક જણને પાણી, ભોજન તેમ જ અન્ય મૂળભૂત સુવિધાઓનો અભાવ સહન કરવો પડ્યો હતો. અકસ્માત પછી પ્રશાસને તાત્કાલીક ટોલ વસૂલી રોકવાનો આદેશ આપ્યો હતો. જો કે ત્યાં સુધી ઘણાં વાહનધારકોના ફાસ્ટેગ ખાતામાંથી રૂપિયા બાદ થઈ ગયા હતા. આ જ વ્યવહારની માહિતી તપાસીને હવે એ રૂપિયા પાછા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમએસઆરડીસીના અધિકારીએ આપેલી માહિતી અનુસાર આદેશ આપ્યા પછી જે વાહનધારકો પાસેથી ટોલ વસૂલ થયો છે તેમને બધાને પૂરું રિફંડ ચુકવવામાં આવશે. રિફંડમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર તેમ જ પુણે-બેંગલુરુ હાઈવે પરના ટોલનો સમાવેશ હશે. ટોલ વસૂલી કરનાર કોન્ટ્રેક્ટર કંપની પાસેથી ફાસ્ટેગ વ્યવહારની વિગત માગવામાં આવી હતી.
મહારાષ્ટ્ર પોલીસ દળે મહત્વનો નિર્ણય લીધો:પોલીસને યુનિફોર્મમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ નાખવા પર બંધી
સોશિયલ મીડિયામાં વધી રહેલા રીલ્સ અને મિનીબ્લોગના ટ્રેન્ડ પર નિયંત્રણ માટે મહારાષ્ટ્ર પોલીસ દળે મહત્વનો નિર્ણય લીધો છે. યુનિફોર્મ પહેર્યો હોય ત્યારે કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારીઓ સોશિયલ મીડિયામાં વીડિયો તૈયાર કરીને પોસ્ટ કરવો નહીં એવો સખત નિર્દેશ આપવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનાર પર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે એવો સ્પષ્ટ ઈશારો આપવામાં આવ્યો છે. સ્પેશિયલ બ્રાન્ચના ઉપાયુક્ત દત્તાત્રય કાંબળેએ જારી કરેલા પરિપત્ર અનુસાર મહારાષ્ટ્ર પોલીસ દળના 51 હજાર પોલીસ કર્મચારીઓને આ આદેશ લાગુ થાય છે. તાજેતરના સમયમાં અનેક પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં રીલ્સ, મિનીબ્લોગ અથવા અન્ય પ્રકારની વીડિયો તૈયાર કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોવાનું જણાયું છે. પરિપત્રમાં કરેલી નોંધ પ્રમાણે આવા વીડિયોમાં અનેક વખત અજાણતા કાર્યાલય પરિસર, સરકારી વાહન, ઉપકરણો અથવા ફરજ સાથે સંબંધિત સંવેદનશીલ માહિતી દેખાય છે. તેથી પોલીસ વિભાગના ગોપનીયતા અને કાર્યાત્મક સુરક્ષાને જોખમ ઊભું થઈ શકે છે એવી ચિંતા વરિષ્ઠ અધિકારીઓએ વ્યક્ત કરી છે. હવેથી સોશિયલ મીડિયામાં આ પ્રકારના વીડિયો દેખાશે તો સંબંધિત અધિકારી કે કર્મચારી પર તરત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
થાણે જિલ્લામાં ગરીબ નિર્બળ મહિલાઓ પાસે અનધિકૃત રીતે વારંવાર અંડદાન કરાવવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાયું છે. આ પ્રકરણે પોલીસે ત્રણ જણની ધરપકડ કરી છે. ગરીબ મહિલાઓને અંડદાન માટે મનાવી લીધા પછી ચક્ર દીઠ રૂ. 25,000થી રૂ. 30,000 અપાતા હતા, જે પછી વારંવાર અંડદાતા તરીકે તેમનો ઉપયોગ કરાતો હતો. મહિલાઓને આઈવીએફ સેન્ટરોમાં લઈ જવાતી હતી, જ્યાં ચિકિત્સકીય રીતે ઈંડાં લેવાતાં હતાં અને તે લાખ્ખો રૂપિયામાં વેચી મારવામાં આવતાં હતાં. હમણાં સુધી કમસેકમ 20 મહિલાઓ આ કૌભાંડનો ભોગ બની હોવાનું બહાર આવ્યું છે. બદલાપુર પૂર્વમાં જોવેલી ખાતે નિવાસી એપાર્ટમેન્ટ અને સોનોગ્રાફી સેન્ટરમાંથી ચલાવવામાં આવતા આ અનધિકૃત વેપાર સાથે સંબંધમાં ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું. અંડદાન એ ફર્ટિલિટીની પ્રક્રિયા છે, જ્યાં મહિલા સામાન્ય રીતે આઈવીએફ (ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન) થકી ગર્ભાધાન થઈ શકે તે માટે અન્ય મહિલાને ઈંડાં પૂરાં પાડતી હતી. દાતા પર સૌપ્રથમ પરીક્ષણ અને હોર્મોન ઉપચાર કરાય છે. ઈંડાં કઢાય છે, ફળદ્રુપ કરાય છે અને પ્રાપ્તિકર્તામાં નિરૂપણ કરાય છે. આ પ્રકરણે ધરપકડ કરાયેલી આરોપીઓમાં સુલક્ષણા ગાડેકર (44), અશ્વિની ચાબુકસ્વાર (29) અને મંજૂષા વાનખેડે (46)નો સમાવેશ થતો હતો. થાણે પેટા જિલ્લા હોસ્પિટલના પ્રમુખ તબીબી અધિકારી ડો. જ્યોત્સ્ના સાવંતને એક પીડિતાએ આ અંગે ટિપ આપી હતી, જે પછી પોલીસને જાણ કરાતાં નેનો સિટી બિલ્ડિંગમાં ગાડેકરના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસની તપાસ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું કે અમે ગર્ભાધાન માટે ઉપયોગ કરાતાં ઈન્જેકશન્સના ફોટો, સોનોગ્રાફી રિપોર્ટસ, ખોટાં નામે એફિડેવિટો, નકલી દસ્તાવેજો અને મોબાઈલ ફોન પર આર્થિક વ્યવહારના પુરાવા મળી આવ્યા છે, જે અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આરોપીઓ જરૂરતમંદ મહિલાઓને લક્ષ્ય બનાવતી હતી. તેમને ચક્ર દીઠ રૂ. 25,000થી રૂ. 30,000 ચૂકવવામાં આવતા હતા. પીડિતાને પછી ઈંડાં નિર્મિતી વધારવા માટે હોર્મોનનાં ઈન્જેકશન અપાતાં હતાં અને દાતા તરીકે વારંવાર ઉપયોગ કરીને શારીરિક રીતે તેમનું શોષણ કરવામાં આવતું હતું. આ પ્રક્રિયામાં અંડ નિર્મિતી વધારવા માટે મહિલાને હોર્મોનનું ઈન્જેકશન અપાતું હતું. આ પછી તેની સોનોગ્રાફી કરાતી હતી. ઈંડાં તૈયાર થઈ ગયા પછી પીડિતાને આઈવીએફ સેન્ટરમાં મોકલવામાં આવતી હતી, જ્યાં ઈંડાં ચિકિત્સકીય રીતે કાઢવામાં આવતાં હતાં અને લાખ્ખો રૂપિયામાં વેચવામાં આવતાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું. આઈવીએફ સેન્ટર, ડોક્ટરોની સંડોવણીઉલ્હાસનગરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સચિન ગોરેએ જણાવ્યું કે આ કૌભાંડમાં 20થી વધુ મહિલાઓ ભોગ બની હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ કૌભાંડ ગાઉ વાંગણીમાં ચલાવવામાં આવતું હતું, જ્યાંથી બદલાપુરમાં ખસેડવામાં આવતું હતું. અમે આઈવીએફ સેન્ટરો, ડોક્ટરો અને હોસ્પિટલોની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છીએ. કરોડો રૂપિયાના આ અનધિકૃત વેપારમાં હાઈ- પ્રોફાઈલ નામો બહાર આવે તેવી શક્યતા છે, એમ તેમણે જણાવ્યું હતું. હાલમાં અમે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (રેગ્યુલેશન) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સિટી એન્કર:મધ્ય રેલવેના ઉપનગરીય સ્ટેશનોમાં આપત્કાલીન તબીબી કક્ષ
મધ્ય રેલવેએ મુંબઈ વિભાગના અનેક ઉપનગરીય રેલવે સ્ટેશનમાં આપત્કાલીન તબીબી કક્ષ ઊભા કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. 10 મહત્વના સ્ટેશન માટે ઈ-લીલામની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થઈ છે અને વધુ 8 સ્ટેશન માટે ટૂંક સમયમાં લીલામ પ્રક્રિયા પાર પડશે.આ તબીબી કક્ષનો ઉદ્દેશ સ્ટેશન પરિસરમાં જખમી, અચાનક બીમાર પડેલા અથવા આરોગ્ય સંબંધિત મુશ્કેલીમાં પડેલા પ્રવાસીઓને તરત પ્રાથમિક સારવાર અને ઝડપી મેડિકલ મદદ ઉપલબ્ધ કરી આપવાનો છે. મધ્ય રેલવેના અધિકારીએ આપેલી માહિતી અનુસાર જે 10 સ્ટેશન માટે ઈ-લીલામ પ્રક્રિયા પૂરી થઈ છે એમાં કલવા, ટીટવાલા, કર્જત, કુર્લા, થાણે, મુંબ્રા, ઘાટકોપર, ચેંબુર, માનખુર્દ અને લોકમાન્ય તિલક ટર્મિનસનો સમાવેશ છે. આ કક્ષ શરૂ થયા પછી દરેક ઠેકાણે મૂળભૂત લાઈફ સપોર્ટ ઉપકરણો, ઓક્સિજન સુવિધા, સ્ટ્રેચર, પ્રશિક્ષિત તબીબી કર્મચારી ઉપલબ્ધ હશે. ગિરદીના ઉપનગરીય માર્ગ પર અકસ્માત, હ્રદયરોગનો હુમલો, અચાનક ઊદભવતી બીમારીની ઘટનામાં પ્રતિસાદનો સમય ઓછો કરવામાં આ ઉપક્રમની ઘણી મદદ થશે. ઉપરાંત મધ્ય રેલવેએ વધુ 8 સ્ટેશન માટે વહેલાસર ઈ-લીલામ પ્રક્રિયા અમલમાં મૂકવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ સ્ટેશનમાં કસારા, દાદર, ડોંબિવલી, સાયન, વિક્રોલી, ભાંડુપ, દિવા અને ઈગતપુરીનો સમાવેશ છે. મુખ્ય માર્ગ તેમ જ વિસ્તારિત ઉપનગરીય વિભાગમાં ખાસ કરીને જ્યાં પ્રવાસીઓને લાંબો સમય રાહ જોવી પડે છે એવા જંકશન સ્ટેશનમાં તબીબી કક્ષ ઉપલબ્ધ કરવા આ સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે. એમ્બ્યુલન્સની રાહ જોવી નહીં પડેઆ ઉપક્રમ પ્રવાસી સુરક્ષિતતા અને કલ્યાણની વ્યાપક યોજનાનો ભાગ છે. મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર દરરોજ લગભગ 35 થી 40 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તેથી સ્ટેશનમાં તરત તબીબી સુવિધા ઉપલબ્ધ હોવી અત્યંત મહત્વની જરૂરિયાત ગણવામાં આવે છે. બંને તબક્કા પૂરા થયા પછી મધ્ય રેલવેના ઉપનગરીય માર્ગમાં મોટા ભાગના સ્ટેશનમાં જ આપત્કાલીન તબીબી પ્રતિસાદ સુવિધા ઉપલબ્ધ થશે. તેથી ગંભીર ઘટનાઓમાં પ્રવાસીનો જીવ બચવાની શક્યતા વધશે અને બહારની એમ્બ્યુલન્સ આવે એના પર આધાર રાખવાનું ઓછું થશે.
પડકારજનક કામ પાર પડ્યું:મેટ્રો-2બી રૂટનો મહત્વનો તબક્કો પાર
શહેરની પૂર્વ-પશ્ચિમને જોડતા મેટ્રો-2બી રૂટનો મહત્વનો તબક્કો પૂરો થયો હતો. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે કુર્લા પરિસરના હલાવ પુલ પર બે યુ ગર્ડરને સફળતાપૂર્વક ઊભા કર્યા છે. પુલ અને મેટ્રો ગર્ડર વચ્ચે ઓછા અંતરના કારણે આ કામ ઘણું પડકારજનક હતું. ડી.એન.નગર, બીકેસી, કુર્લા, ચેંબુર સહિત મંડાલે જેવા મુખ્ય ભાગોને જોડતા મેટ્રો-2બી રૂટને એમએમઆરડીએ તૈયાર કરે છે. મેટ્રોના કારણે બીકેસી સહિત કુર્લા-ચેંબુર પરિસરના લાખો પ્રવાસીઓને ઝડપી અને આરામદાયક પ્રવાસનો માર્ગ ખુલ્યો છે. મેટ્રો-2બી પર એસ.જી. બર્વે રોડ મેટ્રો સ્ટેશન એરપોર્ટના નિયમ અનુસાર એક જ સ્તરે ઊભું કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનના પાયા અને થાંભલાઓનું કામ સાથે જ પુલ નજીકનું કામ પણ પૂરું થયું છે. દરેક 20 મીટરના લાંબા એવા બે યુ ગર્ડર 500 મેટ્રીક ટન ક્ષમતાની ક્રેનની મદદથી ઊભા કરવામાં આવ્યા. હલાવ પુલ પરિસરમાં એરપોર્ટના કારણે ઉંચાઈ પર મર્યાદા છે. પરિણામે પુલ અને મેટ્રો રૂટ વચ્ચે ફક્ત 3.5 મીટર જેટલું જ અંતર હતું. આ ઠેકાણે યુ આકારના બે ગર્ડર ઊભા કરવા ટેકનિકલ દષ્ટિએ પડકારજનક કામ હતું. વાહનોની ગિરદીને ઓછામાં ઓછી બાધા થાય એ માટે રાતના સમયે કામ શરૂ કરવામાં આવ્યું. કામ દરમિયાન ભારે વાહનોને વૈકલ્પિક રસ્તે વાળવામાં આવ્યા. હલકા વાહનોને પુલનો ઉપયોગ કરવાની છૂટ હતી. શનિવારે પરોઢિયે ચાર વાગ્યાના સુમારે ગર્ડર ઊભા કરવાનું કામ પૂરું કરવામાં આવ્યું એમ એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યું હતું. ગર્ડર સફળતાપૂર્વક ઊભા કરવામાં આવ્યા પછી હવે મેટ્રો માટે પાટા બિછાવવાનું કામ હાથમાં લેવામાં આવ્યું છે. એ પછી ઈલેક્ટ્રીફિકેશન, દૂરસંચાર યંત્રણા અને અન્ય કામ કરવામાં આવશે. આ ગર્ડર નજીક એસ.જી. બર્વે મેટ્રો સ્ટેશન હશે. એરપોર્ટની ઉંચાઈની મર્યાદા ધ્યાનમાં લઈને ત્યાં સિંગલ લેવલ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે. આ સ્ટેશન માટે પાયો નાખવામાં આવ્યો છે અને હલાવ પુલની બંને તરફનું કામ પણ પૂરું થયું છે.
2800 કરોડના ખર્ચે બનશે લક્ઝરી ઇમારત:મરીન લાઈન્સ ખાતે સૌથી ઊંચી 74 માળની ઈમારત બનાવાશે
દક્ષિણ મુંબઈમાં મરીન લાઈન્સ ખાતે સૌથી ઊંચી 74 માળની ઈમારત આવી રહી છે. વાયએમ ઈન્ફ્રા અને અશ્વિન શેઠ ગ્રુપ દ્વારા ભાગીદારીમાં વન મરીના નામે પ્રકલ્પ 15 લાખ ચોરસફૂટના વિસ્તારમાં 2800 કરોડના રોકાણ સાથે સાકાર કરવામાં આવશે. ખાસ કરીને આ પ્રોજેક્ટમાં લક્ઝરી એપાર્ટમેન્ટ લેનારા રહેવાસીઓને અરબી સમુદ્ર દર્શન પ્રદાન થાય તેવું નિયોજન છે. આ પ્રોજેક્ટમાં 2, 3 અને 4 બીએચકે ઉપરાંત ડુપ્લેક્સ અને પેન્ટહાઉસ રહેશે. પહેલો માળ સમુદ્ર સપાટીથી 131 ફૂટ ઉપર હશે. ન્યૂ યોર્કના બિલિયોનેર્સ રોથી પ્રેરિત લક્ઝરી સુવિધાઓ 69મા અને 70મા માળ પર હશે, એમ વાયએમ ઈન્ફ્રા ગ્રુપના ચેરમેન સુહેલ યાકુબે જણાવ્યું હતું. એમડી અતિફ યાકુબે જણાવ્યું કે આ પ્રોજેક્ટ લાંબા ગાળાની મૂલ્ય સર્જન માટેની અમારી કટિબદ્ધતાનું પ્રતિબિંબ છે. વન મરીના મરીન લાઈન્સ ખાતે લેન્ડમાર્ક ડેવલપમેન્ટ્સ પર સતત એકાગ્રતા અને બ્યુમોંડ તથા સીનર્જી પછી દક્ષિણ મુંબઈમાં વાપસી છે, એમ કહેતાં અશ્વિન ગ્રુપના સીએમડી અશ્વિન એન શેઠે જણાવ્યું કે અમે ડિઝાઈનની અખંડિતતા, શિસ્તબદ્ધ અમલ અને લાંબા ગાળાના મૂલ્ય સર્જન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રોજેક્ટમાં 722 પાર્કિંગ સ્પેસ, આઠ પોડિયમ અને બે બેઝમેન્ટ લેવલ રહેશે. આર્કિટેક્ચરલ ડિઝાઈન આર્ક બાય રેઝા કાબુલ આર્કિટેક્ટ્સ દ્વારા કરવામાં આવી છે. લેન્ડસ્કેપ ડિઝાઈન સાઈટ કોન્સેપ્ટ્સ ઈન્ટરનેશનલની છે. સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ માહિમતુરા કન્સલ્ટન્ટ્સ અને એમઈપી કન્સલ્ટન્ટ્સ પીડીએ એસોસિયેટ્સ છે, એમ તેમણે જણાવ્યું હતું.
દક્ષિણ મુંબઈમાં ખાસ કરીને પરેલ, નાયગાવ, માટુંગા જેવા પરિસરમાં પાણીનું ગળતર મહાપાલિકા રોકશે. એના માટે વોટર એન્જિનિયરીંગ ડિપાર્ટમેંટ તરફથી એફ દક્ષિણ વોર્ડની પાઈપલાઈનના રિપેરીંગનું કામ કરવામાં આવશે. મહાપાલિકા આ પાઈપલાઈનના રિપેરીંગ અને મેઈનટેનન્સ પર 4 કરોડ રૂપિયા ખર્ચ કરશે. છેલ્લા થોડા સમયથી એફ દક્ષિણ વોર્ડમાંથી દૂષિત પાણી અને ગળતરની ફરિયાદ મહાપાલિકાને વારંવાર મળતી હતી. તેથી આગામી બે વર્ષ માટે આ વોર્ડની પાઈપલાઈન અને જળપુરવઠા વ્યવસ્થાનું રિપેરીંગ, મેઈનટેનન્સ અને પુનર્સ્થાપના કરવામાં આવશે. દક્ષિણ મુંબઈના અનેક ભાગમાં બ્રિટિશકાલીન પાઈપલાઈનનું જાળુ છે. એફ દક્ષિણ વોર્ડમાં જૂની અને જર્જરિત થયેલી પાઈપલાઈનના કારણે વારંવાર ગળતર થતા પાણીના દૂષિત થવાના પ્રમાણમાં વધારો થાય છે. આ પ્રકલ્પ અંતર્ગત પાઈપલાઈનનું રિપેરીંગ અથવા પુનર્સ્થાપના કરીને ગળતર પર નિયંત્રણ લાવવામાં આવશે. ઉપરાંત નવેસરથી થનારા બે વર્ષના મેઈનટેન્સ સમયગાળામાં કોન્ટ્રેક્ટરને ફરિયાદ મળ્યાથી 48 કલાકની અંદર પાણીનું ગળતર અથવા દૂષિત જળપુરવઠો યથાવત કરવો ફરજિયાત રહેશે. આ પ્રકલ્પ અંતર્ગત પરેલ, માટુંગા, નાયગાવ, ડિલાઈલ રોડ, અંબા પરિસર અને દક્ષિણ મુંબઈના આસપાસના ભાગનો સમાવેશ છે. ઉપરાંત કામમાં પાણી ગળતર રિપેરીંગ, નવી લાઈન જોડવી, જૂના જોડાણ કાપવા, દૂષિત પાણી પુરવઠો ટાળવા જૂની પાઈપલાઈન બદલવી, વિવિધ વ્યાસની (300 મિમી સુધી) પાઈપલાઈન નાખવી, નવા વાલ્વ, ફાયર હાઈડેન્ટ્ર અને બટરફ્લાય વાલ્વ લગાડવા તેમ જ ખોદકામ પછી રસ્તા, ડામર અને ફૂટપાથ પહેલાં જેવી સરખી કરવી જેવા કામનો સમાવેશ છે.
મુંબઈમાં વધતા પ્રદૂષણ પર અંકુશ મૂકવા મહાપાલિકા તરફથી વિવિધ ઉપાયયોજના કરવામાં આવે છે. ધુળ નિયંત્રણ માટે મહાપાલિકા તરફથી 24 વોર્ડના રસ્તા, ગિરદીવાળી ફૂટપાથ પાણીથી ધોવામાં આવે છે. પણ પહેલાંના પાણીના ટેંકરના કોન્ટ્રેક્ટર પૂરા થયા હોવાથી હવે મહાપાલિકાએ 125 ટેંકર ભાડે લેવાનો નિર્ણય લીધો છે. મુંબઈમાં અત્યારે અનેક વિકાસકામ ચાલુ છે. તેથી શહેરના રસ્તાઓ પર ધુળ ભેગી થઈને હવામાં ફેલાય છે. એના પર ઉપાય તરીકે ઉંચા દબાણથી પાણીનો ઉપયોગ કરીને આ રસ્તા ધુળમુક્ત કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો. 2 હજાર, 5 હજાર અને 10 હજાર લીટર ક્ષમતાના ટેંકર દ્વારા પાણી છાંટવામાં આવશે. ગલ્લીઓના રસ્તાઓની સફાઈ માટે એ ઉપયોગી થશે. આગામી પાંચ મહિના માટે આ ટેંકર ભાડે લેવામાં આવશે. એના માટે લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. ભાડાના ટેંકરમાં 5 હજાર લીટરની ક્ષમતાના દરેક ટેંકરની ફેરી માટે 4200થી 5 હજાર રૂપિયા તો 9 હજાર લીટરની ક્ષમતાના દરેક ટેંકરની ફેરી માટે 6500 થી 7200 રૂપિયા ખર્ચ થાય છે. ઉંચા દબાણના પાણીના ફૂવારાના લીધે રસ્તાઓ પર ધુળ વધુ અસરકારક રીતે સાફ થશે. શહેરની સ્વચ્છતા વધવા સાથે હવાની ગુણવત્તામાં પણ સુધારો થશે. વધતા બાંધકામના લીધે નિર્માણ થતું ધુળનું પ્રદૂષણ રોકવા આ ઉપાય મહત્વનો બનશે એમ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈમાં 2 હજાર 50 કિલોમીટરના રસ્તા છે. એ ધોવા માટે મળનિસરણ વિભાગની મદદથી મોટા પ્રમાણમાં ફેરપ્રક્રિયા કરેલા પાણીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પીવાના પાણીનો ઉપયોગ કરતા નથી એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.
મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે મરીનડ્રાઈવ રોડની કાયાપલટ કરવાનો નિર્ણય લીધો છે. એ અનુસાર નેતાજી સુભાષચંદ્ર માર્ગ નજીક સમુદ્રકિનારા પર 1.3 કિમી પટ્ટામાં મરીનડ્રાઈવને 18 મીટર પહોળો કરવામાં આવશે. આ કામના કારણે હાલનો છ લેનનો મરીનડ્રાઈવ રોડ પછી 12 લેનનો થશે. આ પ્રકલ્પની રૂપરેખા તૈયાર કરવામાં કામ ચાલુ છે અને ટૂંક સમયમાં રૂપરેખા અંતિમ કરીને આ પ્રકલ્પ માટે માન્યતા મેળવીને કામની શરૂઆત કરવાનું એમએમઆરડીએનું નિયોજન છે. ઈસ્ટર્ન ફ્રી વે પર અતિઝડપથી આવતા વાહનોએ ઓરેન્જ ગેટ ખાતે ટ્રાફિકજામમાં અટવાઈ જવું પડે છે. તેથી ઓરેન્જ ગેટ ખાતેનો ટ્રાફિકજામ દૂર કરવા એમએમઆરડીએએ 6.5 કિલોમીટર લાંબો ઓરેન્જ ગેટથી મરીનડ્રાઈવ સુધી ટ્વિન ટનલ બાંધવાનો નિર્ણય લઈને આ પ્રકલ્પના કામની શરૂઆત કરી છે. આ ટનલ 2028 સુધી વાહનવ્યવહાર માટે શરૂ કરવાનું એમએમઆરડીએનું નિયોજન છે. દરમિયાન આ ટનલ વાહનવ્યવહાર માટે શરૂ થયા બાદ મરીનડ્રાઈવ ખાતે ટ્રાફિકજામ થવાની શક્યતા છે. તેથી એમએમઆરડીએએ એનસીપીએથી કફ પરેડ દરમિયાન 1.77 કિલોમીટર લાંબો સીલિન્ક બાંધવાનો નિર્ણય લીધો છે. આ પુલ બનવા છતાં મરીનડ્રાઈવ ખાતે ભવિષ્યનો ટ્રાફિકજામ દૂર કરવા ઉપાયયોજના કરવી જરૂરી હતી. તેથી રાજ્ય સરકારે પ્રકલ્પમાં કેટલાક સુધારા સૂચવ્યા હતા. આ સુધારા અનુસાર એમએમઆરડીએએ મરીનડ્રાઈવ વિસ્તારીકરણ અંતર્ગત 12 લેનનો રોડ કરવાનો નિર્ણય લીધો છે. મરીનડ્રાઈવના વિસ્તારીકરણના લીધે ટનલમાંથી બહાર નીકળતા વાહનો માટે આગળ મુંબઈ કોસ્ટલ રોડ જવું સહેલુ થશે.
મંડે પોઝિટીવ:મહિલાઓમાં કાયદાકીય જનજાગૃતિ માટે મહિલા આયોગનો સક્ષમા ઉપક્રમ
મહિલા સંદર્ભના કાયદાઓ બાબતે સમાજમાં મોટા પ્રમાણમાં અજ્ઞાન છે. બાલવિવાહ, ગર્ભલિંગ નિદાન કાયદા સહિત નવા ભારતીય ન્યાય સંહિતામાં મહિલા સંદર્ભની જોગવાઈઓ વિશે જાગરૂકતા ન હોવાનું જણાયું છે. રાજ્ય મહિલા આયોગે એની ગંભીર નોંધ લીધી છે અને સમગ્ર રાજ્યમાં મહિલાઓમાં કાયદા સંદર્ભે જનજાગૃતિ કરવા સક્ષમા નામનો નવા ઉપક્રમની શરૂઆત કરી છે. રાજ્યમાં મહિલા સંદર્ભના કાયદા બાબતે અજ્ઞાન હોવાનું અનેક પ્રકરણમાંથી જાહેર થયું છે. એમાં કૌટુંબિક અત્યાચારની ઘટના, બાલવિવાહ, ગર્ભનિદાન અને કાર્યાલયમાં મહિલા પર અત્યાચારની ઘટના વધી રહી હોવાનું જણાયું છે. મહિલાઓમાં તેમના અધિકાર માટેના કાયદા બાબતે માહિતી ન હોવાની ગંભીર નોંધ રાજ્ય મહિલા આયોગે લીધી છે. એ અનુસાર થોડા દિવસ પહેલાં જ આયોગે સક્ષમા ઉપક્રમ શરૂ કર્યો છે. નાગપુરમાં ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના હસ્તે એનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નાગપુર અને કોલ્હાપુર પછી હવે આ ઉપક્રમ આખા રાજ્યમાં અમલમાં મૂકવાની તૈયારી રાજ્ય મહિલા આયોગે શરૂ કરી છે. એના અંતર્ગત રાજ્યમાં મહિલાઓમાં કાયદાકીય જનજાગૃતિ કરવા કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. એમાં સાઈબર નિષ્ણાતો સહિત કાયદા સંદર્ભે નિષ્ણાતો તરફથી બાલવિવાહ, દહેજમાં ભોગ, ગર્ભલિંગ નિદાન કાયદા બાબતે માર્ગદર્શન કરવામાં આવશે. કાર્યાલયમાં થતા જાતીય અત્યાચાર પ્રતિબંધ કાયદા સંદર્ભે પણ માર્ગદર્શન કરવામાં આવશે. રાજ્યની મહિલાઓને તેમના માટેના કાયદાઓની માહિતી આપવા સક્ષમા ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. નાગપુરથી એની શરૂઆત કરવામાં આવી છે. આગામી વર્ષમાં સંપૂર્ણ રાજ્યમાં પહેલાં જિલ્લાસ્તરે, એ પછી તાલુકા સ્તરે આ ઉપક્રમ અમલમાં મૂકવામાં આવશે. રાજ્યમાં મહિલાઓ માટેના કાયદાઓની અસરકારક અમલબજાવણી થાય એ માટે માર્ગદર્શન કરવા સક્ષમા ઉપક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે એમ રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા રુપાલી ચાકણકરે જણાવ્યું હતું. વિવિધ હેલ્પલાઈન બાબતે માર્ગદર્શન :રાજ્યમાં મહિલાઓ માટે કાર્યરત કાઉન્સેલિંગ સેંટરમાં પણ આ બાબતે માર્ગદર્શન કરવામાં આવશે. તાજેતરમાં સાઈબર ગુનેગારીનો વધતો ગ્રાફ ધ્યાનમાં લેતા સક્ષમા અંતર્ગત મહિલાઓ અને બાળકોની છેતરપિંડી રોકવા વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રાજ્યમાં સાઈબર ગુનેગારી, ચાઈલ્ડ લાઈન, વરિષ્ઠો માટે, કાયદાકીય સલાહ માટે અને પોલીસ મદદ માટે વિવિધ હેલ્પલાઈનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ હેલ્પલાઈન બાબતે પણ માર્ગદર્શન કરવામાં આવશે. અંધશ્રદ્ધામાંથી થતી મહિલાઓની છેતરપિંડી રોકવા આ ઉપક્રમમાં વિશેષ ભાર મૂકવામાં આવશે. વિવિધ મહામંડળોનો સાથ : આ ઉપક્રમ અંતર્ગત રાજ્યની કોલેજના વિદ્યાર્થીનીઓનું માર્ગદર્શન કરવામાં આવશે. ઔદ્યોગિક વિકાસ મહામંડળ સહિત બીજા મહામંડળોને સાથે લઈને જુદા જુદા ઘટક માટે કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવશે એવી માહિતી આપવામાં આવી છે.
સિટી એન્કર:વસઈ સન સિટી ખાતે ગાયત્રી પરિવારનો ભવ્ય પુસ્તક મેળો
ગાયત્રી પરિવાર દ્વારા વસઈના સન સિટી વિસ્તારમાં ભવ્ય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સ્થાનિક સાહિત્ય પ્રેમીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા રચિત અમૂલ્ય સાહિત્યના પ્રચાર-પ્રસારના હેતુથી યોજાયેલા અને રવિવાર સુધી ચાલેલા આ મેળામાં ખાસ કરીને તિરુમાલા બાલાજી મંદિર પાસે પુસ્તક પ્રેમીઓની ભારે ભીડ જોવા મળી હતી. આ પ્રદર્શનમાં યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલાં ૩૦૦૦થી વધુ પુસ્તકોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. ગાયત્રી પરિવારના સ્થાપક આચાર્યશ્રીએ માનવ જીવનનાં દરેક પાસાં પર માર્ગદર્શન પૂરું પાડતાં પુસ્તકો લખ્યાં છે. મેળામાં અધ્યાત્મ, વિજ્ઞાન, બાળ સાહિત્ય, આરોગ્ય, કુટુંબ વ્યવસ્થા અને સમાજ સુધારણા જેવા વિવિધ વિષયો પરનાં પુસ્તકો ઉપલબ્ધ હતા. મુલાકાતીઓએ આ સાહિત્યમાં ઊંડો રસ દાખવ્યો હતો. ગાયત્રી પરિવારના સક્રિય આજની ભાગદોડભરી જિંદગીમાં માનસિક શાંતિ અને સાચા માર્ગદર્શન માટે સાહિત્યની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. આ પુસ્તક મેળાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરી 'વિચાર ક્રાંતિ' લાવવાનો હતો. જીવન જીવવાનો સાચો નકશોમેળામાં આવતા લોકોએ આ સાહિત્ય આધુનિક સમયમાં જીવન જીવવાનો સાચો નકશો ગણાવ્યો હતો. ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓ દ્વારા મુલાકાતીઓને સાહિત્યના મહત્ત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. બે દિવસ ચાલેલા આ પુસ્તક મેળાનો શુભારંભ મનીષભાઈ, મુકેશભાઈ પૂજારા તેમ જ મુંબઈ ગાયત્રી પરિવારના પ્રમુખ પ્રહલાદભાઈ પંચાલના હસ્તે કરવામાં આવ્યું. આ મેળામાં વસઈ, વિરારની વિવિધ સંસ્થાઓ, મહિલા મંડળો, વરિષ્ઠ નાગરિક ક્લબે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બરવાળા તાલુકાના રેફડા ગામે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા દ્વારા ગ્રામ પંચાયત તેમજ આંગણવાડી કેન્દ્રની સમીક્ષા મુલાકાત લેવામાં આવી હતી. સ્ટાફ તથા આંગણવાડી કર્મચારીઓ સાથે વિવિધ વિકાસલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરી હતી. ડીડીઓ અક્ષય બુડાનીયાએ ગામમાં ચાલી રહેલી સરકારની યોજનાઓ, સ્વચ્છતા અભિયાન, પોષણ સંબંધિત કામગીરી તથા સ્થાનિક સ્તરે આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કામગીરીમાં ગુણવત્તા જાળવવા, સમયસર અમલીકરણ અને લાભાર્થીઓ સુધી યોજનાઓનો વધુ વ્યાપ વધે તે માટે તંત્રને સૂચનો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે અક્ષય બુડાનીયા જિલ્લામાં વહીવટી કામગીરી, તાલુકા પંચાયતોની કામગીરી અને વિવિધ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણની દેખરેખ રાખી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાતી સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકોમાં પણ તેઓ સક્રિય નેતૃત્વ આપી રહ્યા છે. આ સમીક્ષા મુલાકાતથી રેફડા ગામમાં ચાલી રહેલી વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ ગતિ મળશે તેમજ સ્થાનિક સ્તરે સેવા પ્રદાન વધુ અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરી છે.
ગામ ગામની વાત:સમઢીયાળાને ભાવનગરના મહારાજાએ નં-1નો ખિતાબ આપ્યો હતો
બોટાદ જિલ્લાનું સમઢીયાળા ગામ કે જે સુંદર ગામ તરીકે પ્રખ્યાત અને અહીંના માણસો હળી મળીને રહેતા હતા જેથી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સમઢીયાળા ગામને સમઢીયાળા નં-1 ગામની ઉપમા આપેલ આ સમઢીયાળા ગામનું તોરણ મેવાડા પરિવાર દ્વારા બાંધવામાં આવ્યું હતું અને આ ગામ સાબવા પરિવારનું ગામ કહેવામાં આવે છે. તેમ ગામના સરપંચ દિલીપભાઈ જણાવ્યું હતું. બોટાદથી નજીક આ ગામ આવેલ હોવાથી રાજકારણ પ્રવેશતાં ગામનો વિકાસ અટકી ગયો હતો. જુના સરપંચો દ્વારા ગામના વિકાસ માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ ગામ વેરવિખેર થઈ જતા સફળતા મળી નહીં. વહીવટદાર શાસનમાં અને પહેલાના પંચાયતી રાજમાં કોઈ વિકાસના કામો થયા નહીં આખરે 40 વર્ષ પછી સમઢીયાળા નં-1 ગામની પંચાયત સમરસ જાહેર થતાં આ ગામના સરપંચ તરીકે દિલીપભાઈ સાબવાએ પંચાયતની ઘુરા સંભાળી ગામના વિકાસ માટે પ્રયાસો હાથ ધરી માત્ર પાંચ માસના સમયગાળા દરમિયાન ગામના પાયાના પ્રશ્નો જેવા કે, ગટર, કચરો, સાફસફાઈની વ્યવસ્થા, તેમજ પોતાના સ્વખર્ચે ગામમાં સ્ટ્રીટલાઇટો નાખી કચરો ભરેલી ગ્રામ પંચાયતમાં આવતા પણ લોકો ડરતા તે પંચાયતનું રીનોવેશન પોતાના સ્વખર્ચે કરી સુંદર પંચાયતનું નિર્માણ કરેલ છે. આગામી દિવસોમાં સરકારની ગ્રાન્ટનો સદઉપયોગ કરી જરૂર પડયે પોતાના ખિસ્સાના પૈસા ખર્ચ કરી ગામને ગુજરાતનું મોડલ બનાવવા પ્રયાસ હાથ ધરેલ છે. આગામી દિવસોમાં ગામમાં પશુ દવાખાનું સરકારી હોસ્પિટલ લાઈબ્રેરી રોડ રસ્તાની સુવિધા તેમજ ધોરણ 9-10ની સુવિધા ગામમાં જ મળી રહે તેવી વ્યવસ્થાને લઈ તે દિશામાં કામ હાથ ધરાશે તેમ સરપંચે જણાવ્યું હતું. ગામની વિગતસમઢીયાળા-1 ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને હીરા ઉદ્યોગ છે. આ ગામમાં 3 તળાવ આવેલા છે. પ્રાથમિક શાળા ઉપરાંત 4 આંગણવાડી કેન્દ્ર ચાલે છે.ગામના ઝાપા પાસે બાણનાથ મહાદેવ અને ત્રણ સીમાડે ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે. ગામમાં રોડ રસ્તા, સ્ટ્રીટલાઇટો, શેરીઓમાં પેલર બ્લોક સહિતની સુવિધા ગામલોકોને મળી રહી છે. પીવાના પાણી માટે નળ કનેકશન છે. ઐતિહાસિક વારસો અને આધુનિક સુવિધાઓથી સજ્જ ગામભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જે ગામને 'નંબર-1'નું બિરુદ આપ્યું હતું, તે ગામ ફરી બેઠું થયું હતું. જનભાગીદારી અને સમરસતાથી ગામમાં વિકાસના દ્રાર ખૂલ્યા. ગામના લોકોએ રાજકારણથી પર રહીને ગામને સમરસ બનાવ્યું. સરપંચે સરકારી ગ્રાન્ટની રાહ જોયા વિના પોતાના ખર્ચે ગ્રામ પંચાયતનું નવીનીકરણ અને સ્ટ્રીટલાઈટ સહિતની અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉભી કરી. 40 વર્ષના લાંબા ગાળા બાદ સમઢીયાળા નં-1 ના લોકોને સુવિધાઓ મળતી થઇ છે.
5 કરોડના ખર્ચે બનશે નવી સમરસ કન્યા હોસ્ટેલ:ગાંધીનગરમાં નવી સમરસ કન્યા હોસ્ટેલનું નિર્માણ થશે
રાજ્ય સરકાર ગાંધીનગરમાં નવી સમરસ કન્યા હોસ્ટેલનું નિર્માણ કરાશે. આ પ્રોજેક્ટ માટે રૂ. 5 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી અંતર્ગત અમલમાં મુકાતી આ યોજના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને આધુનિક નિવાસ સુવિધા પૂરી પાડવાનો હેતુ ધરાવશે, જેનું નિર્માણ સેક્ટર 8માં થશે. સમરસ હોસ્ટેલ યોજના શિક્ષણને પ્રોત્સાહન આપે છે, જેમાં રાજ્યભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મફત અથવા ઓછા દરે રહેવાની સુવિધા, પૌષ્ટિક ભોજન અને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજ્યની રાજધાની ખાતે નિર્માણ પામતી આ નવી કન્યા હોસ્ટેલથી નોંધપાત્ર સંખ્યામાં લાભાર્થીઓને સુવિધા મળશે અને ગાંધીનગર જેવા શૈક્ષણિક કેન્દ્રોમાં હોસ્ટેલની વધતી માગને પહોંચી વળવામાં મદદ મળશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે હોસ્ટેલમાં સુરક્ષિત રૂમ, અભ્યાસ હોલ, ભોજનાલય અને મનોરંજન માટેની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ રાજ્યમાં બાળાઓના શિક્ષણ સશક્તિકરણ માટેની વ્યાપક પ્રતિબદ્ધતાનો ભાગ છે. અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં કાર્યરત સમરસ હોસ્ટેલોની શ્રેણીમાં હવે ગાંધીનગરનું નામ પણ જોડાશે.
વન વિભાગ દ્વારા નવીન પહેલ:અનામત વૃક્ષો કાપવાની પરવાનગી માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરાશે
ગુજરાત વન વિભાગે નાગરિકોની અરજીઓના ઢગલા થવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને અનામત વૃક્ષો જેવા કે સાગ,ટીક , સિસમ,ભાવડી, ખેર , ચંદન અને મહુડો,મહુઆ કાપવાની પરવાનગી માટે ઓનલાઈન અરજી લેવા માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. આ નિર્ણય ગયા અઠવાણિયા લેવામાં આવ્યા બાદ બે મહિનામાં અમલમાં મૂકવામાં આવશે, જેનાથી સામાન્ય અરજી માટેનો 4 દિવસનો સમય ઘટાડીને પ્રક્રિયા વધુ પારદર્શક અને સુલભ બનાવવામાં આવી છે. જેનાંથી ગાંધીનગરના સિટિઝનને પરેશાનીથી રાહત મળશે. અગાઉની ભૌતિક અરજીને કારણે થતા વિલંબને દૂર કરે છે. ગુજરાતમાં 2013થી 2017 સુધીમાં લગભગ 9.74 લાખ વૃક્ષ કાપવાની પરવાનગીઓ આપવામાં આવી હતી, જેમાંથી 6.51 લાખ વૃક્ષો કાપવામાં આવ્યા હતા, જેનાથી અરજીના ઢગલા થતા હતા. ગાંધીનગર, જે ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષ ઘનતા ધરાવાતા શહેરમાં આવે છે અને નોંધપાત્ર લીલોતરી ધરાવે છે, ત્યાં વિકાસ અને જાળવણી માટે વારંવાર અરજીઓ આવે છે. ગાંધીનગરના સામાન્ય નાગરિકો માટે આ ડિજિટલ પગલું મોટી રાહત આપશે. ઓનલાઈન અરજીથી વન કચેરીઓમાં જવાની જરૂર નહીં રહે, જેનાથી સમય અને મુસાફરીના ખર્ચમાં બચત થાય છે. ભારતમાં ઈ-ગવર્નન્સની સફળતાઓ અનુસાર ડિજિટલ સેવાઓએ નોકરશાહી વિલંબને 50 ટકા સુધી ઘટાડ્યો છે.
ગાંઘીનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ખેતીમાં નોંધપાત્ર ફેરબદલ જોવા મળી છે. રાજ્ય સરકારના જમીન અહેવાલ મુજબ કુલ જમીનમાંથી જંગલ વિસ્તાર 2,000 હેક્ટર છે. ઇમારતો અને રસ્તાઓ માટે બિન-ખેતી જમીન 25,100 હેક્ટરથી વધીને 29,200 હેક્ટર થઈ, એટલે કે 4,100 હેક્ટર કે 16% વધારો, જે ઝડપી શહેરી વિકાસ દર્શાવે છે. બિનઉપજાઉ જમીન 1,100 અને ચરોતર વિસ્તાર 10,200 હેક્ટર છે. ખેતીયોગ્ય બિનઉપયોગી જમીન 4,100 હેક્ટરથી ઘટીને 2,400 હેક્ટર થઈ, 41% ઘટાડો. એટલે વધુ જમીન ઉપયોગમાં આવી. પરંતુ પડતર ખાલી જમીન 2,700 હેક્ટરથી વધીને 12,000 હેક્ટર થઈ, 344% વધારો, જે પાણીની અછત અથવા બજારની રાહને દર્શાવે છે. મૂળ વાવેતર જમીન 1,65,000 હેક્ટરથી ઘટીને 1,53,400 હેક્ટર થઈ એટલે કે 7% ના ઘટાડો થયો છે. ખેડૂતોએ એક જ જમીન પર અનેક પાક લઈને પરિસ્થિતિનો સામનો કર્યો છે. વધારાનું વાવેતર 41,900 હેક્ટરથી વધીને 98,400 હેક્ટર થયું, જેમા 135% વધારો નોંધાયો છે. જેના કારણે કુલ પાક વિસ્તાર 2,07,000 હેક્ટરથી વધીને 2,51,800 હેક્ટર થયો. સિંચિત જમીન 1,86,100 હેક્ટરથી ઘટીને 1,73,600 હેક્ટર થઈ એટલે કે 7% ઘટાડો શહેરનો વિકાસ ખેતીની જમીન ઘટાડે છે. ગાંધીનગરના ઝડપી વિકાસને કારણે બિન-ખેતી જમીન 25,100 હેક્ટરથી વધીને 29,200 હેક્ટર થઈ (16% વધારો) છે. પડતર ખાલી જમીન પણ 2,700 થી 12,000 હેક્ટર થઈ (344% વધારો), જેના કારણે મૂળ વાવેતર જમીન 1,65,000 થી ઘટીને 1,53,400 હેક્ટર થઈ (7% ઘટાડો) છે. ખેડૂતોએ એક જ જમીન પર વધારાના પાક ઉગાડ્યા. આ વિસ્તાર 41,900 હેક્ટરથી વધીને 98,400 હેક્ટર થયો (135% વધારો). કુલ પાક વિસ્તાર 2,07,000 થી 2,51,800 હેક્ટર થયો (21% વધારો) છે. ગાંધીનગર આસપાસનો વિસ્તાર ખુબ ઝડપથી વિકસી રહ્યો છે અને ખેતીની જમીન ઘટી રહી છે. છતાં પણ ખેડૂતોએ કુશળતા વાપરી પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે. અન્ય જિલ્લાના ખેડૂતો માટે પણ આ પ્રેરણા આપનારુ કાર્ય છે. ઓછી જમીન અને પાણીના ઉંડા ઉતરતા સ્તર વચ્ચે પણ ખેડૂતો વધુ ઉત્પાદન કરતાં થયા છે. વર્ષે વર્ષે ખેતીની જમીન ઘટી રહી છે અને રસ્તા અને મકાનો જ નજરે પડી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં ખેતી માટે જમીન જ રહેશે નહીં તેવી ભીતિ પણ સેવાઇ રહી છે. સૂકા સમયમાં અનુકૂળ પાકની પસંદગીઘઉં 40,400 હેક્ટરથી વધીને 57,000 હેક્ટર થયો (41% વધારો), બાજરી 0 થી 41,800 હેક્ટર (નવો વધારો), ધાન 31,000 થી 31,100 હેક્ટર (0.3% વધારો), કપાસ 18,000 થી 19,200 હેક્ટર (7% વધારો), મગફળી 4,800 થી ઘટીને 3,100 હેક્ટર થઈ (35% ઘટાડો). બધા મુખ્ય પાકને સંપૂર્ણ સિંચાઈ મળી. સિંચાઈમાં બદલાવથી વાવેતરમાં વધારો થઇ શક્યોમૂળ સિંચિત વિસ્તાર 1,86,100 થી ઘટીને 1,73,600 હેક્ટર થયો (7% ઘટાડો) છે. પરંતુ કુલ સિંચિત પાક વિસ્તાર 2,22,700 થી વધીને 2,51,800 હેક્ટર થયો (13% વધારો) છે. સરકારી કેનાલો 6,100 થી 19,100 હેક્ટર થયા (213% વધારો) છે. જ્યારે ટ્યુબવેલ સિંચાઈ 1,80,000 થી ઘટીને 1,27,000 હેક્ટર થઈ (29% ઘટાડો) થયો છે. છતાં વાવેતરમાં વધારો થઇ શક્યો છે.
લિકર હેલ્થ પરમિટ:ગાંધીનગરમાં એક વર્ષમાં જ 478 લોકોને દારૂ પીવાનો પરવાનો અપાયો
સમગ્ર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં સત્તાવાર દારૂ પીવાની પરમીટ મેળવનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. રાજયનું પાટનગર પણ તેમાંથી બાકાત નથી. પાટનગરમાં વર્ષ 2024માં અપાયેલી પરવાની સામે વર્ષ 2025માં 12 ટકા વધુ પરમીટ આપવામાં આવી છે. વર્ષ 2025 દરમિયાન ગાંધીનગર જિલ્લામાં કુલ 478 લિકર હેલ્થ પરમિટ ઇશ્યુ કરવામાં આવી હતી. હાલ શહેરમાં 2 હજારથી વધુ લોકો લીકર પરમિટ ધરાવે છે. રાજ્યના નિયમો અનુસાર 40 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને નિર્ધારિત આવક ધરાવતા અરજદારોને તબીબી અભિપ્રાય બાદ મર્યાદિત જથ્થામાં દારૂ રાખવા અને વાપરવાની મંજૂરી આપવામાં આવે છે. પરમિટ માટે અરજી, ફી, દસ્તાવેજો અને મેડિકલ બોર્ડની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી મંજૂરી આપવામાં આવે છે અને ઉંમર મુજબ દર મહિને યુનિટની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આવક 25 હજારથી વધુ હોય તો જ પરમીટ મળેગાંધીનગર જિલ્લામાં આરોગ્ય આધારિત પરમિટ માટે અરજદારોને મુંબઇ વિદેશી દારૂ નિયમો,1953ના નિયમ 64 હેઠળ અરજી કરવાની રહે છે. અરજદારની ઉંમર 40 વર્ષ પૂર્ણ હોવી અને માસિક આવક રૂ. 25,000થી વધુ હોવી જરૂરી છે. સાથે સરકારી નોકરી અથવા સ્થાનિક સંસ્થા સાથે સંબંધિત હોય તો એનઓસી રજૂ કરવી પડે છે. માત્ર 4 હજારના ખર્ચમાં પરમીટ મળે છેઅરજી ફોર્મ જિલ્લા કચેરીએથી વિનામૂલ્યે મળે છે. અરજી પ્રોસેસ ફી રૂ. 2000 અને મેડિકલ તપાસણી ફી રૂ. 2000 ભરવાની રહે છે. રૂ. 3 ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી સબમિટ કરાય છે. અરજીને બાદમાં એરીયા મેડિકલ બોર્ડને મોકલાય છે અને કૌટુંબિક તબીબ(ફેમિલિ ડૉક્ટર)નું પ્રમાણપત્ર, ઉંમર, રહેઠાણ, આવક અને સારવારના દસ્તાવેજો આપવા પડે છે. તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ અંદાજે એક મહિનામાં અરજીનો નિકાલ થાય છે. પરમિટ મંજૂર થયા પછી દર વર્ષે રૂ. 2000 ફી લેવામાં આવે છે. ઉંમર વધે તેમ વધુ જથ્થામાં દારૂ મળે છે. 40થી 50 વર્ષ સુધીમાં 3 યુનિટ મળે છ. જ્યારે 50થી 65 વર્ષમાં 4 યુનિટ અને 65થી વધુને 5 યુનિટ મળે છે.
મંડે પોઝિટીવ:બંને હાથ વગર મજબુત મને રાજ્ય વેરા નિરીક્ષક બની સરકારી નોકરી સુધી પહોંચ્યા બિજલભાઈ
બન્ને હાથ ન હોવા છતાં લોહ બીજલભાઈ ગોકળભાઈએ રાજ્ય વેરા નિરીક્ષક (STI) પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમ મેળવી સરકારી નોકરી પ્રાપ્ત કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના નોલી ગામથી શરૂ થયેલી તેમની સફર આર્થિક સંકટ અને શારીરિક અશક્તતા વચ્ચે પણ અટકી નહીં અને આજે તેઓ અનેક યુવાનો માટે ઉદાહરણ બન્યા છે. લોહ બીજલભાઈ સાયલા તાલુકાના નોલી ગામના વતની છે. તેઓ સામાન્ય પરિવારમાં ઉછર્યા હતા. વર્ષ 2008માં કરંટ લાગવાની દુર્ઘટનામાં તેમણે બંને હાથ ગુમાવ્યા હતા. તે સમયે તેઓ ધોરણ 6માં અભ્યાસ કરતા હતા. સારવાર અને લાંબા સંઘર્ષ બાદ તેમણે ફરી અભ્યાસ શરૂ કર્યો. શરૂઆતમાં લખવામાં અને અભ્યાસમાં મુશ્કેલીઓ આવી, પરંતુ તેમણે વિકલ્પી રીતો અપનાવી આગળ વધવાનું ચાલુ રાખ્યું હતુ. ધોરણ 12 કોમર્સમાં 78.93 ટકા સાથે પાસ કર્યું હતું. ત્યારબાદ અમદાવાદમાં બી.કોમ અને પછી એમ.કોમ પૂર્ણ કર્યું હતું. સરકારી નોકરી માટે તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી. સતત અભ્યાસ અને નિયમિત પ્રયત્નોથી વર્ષ 2023માં જુનિયર ક્લાર્ક તરીકે પસંદગી મેળવી હતી. ત્યારબાદ STI પરીક્ષા આપી અને સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે. તેઓ કહે છે કે પરિસ્થિતિ મુશ્કેલ હોઈ શકે, પરંતુ મનોબળ મજબૂત હોય તો રસ્તો મળી રહે છે. તેમની સફળતા સમાજ અને યુવાનો માટે સંદેશ આપે છે કે હિંમત અને મહેનતથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન તેમણે ટેકનોલોજી અને ઓડિયો નોટ્સનો ઉપયોગ કર્યો હતો. લખાણમાં મર્યાદા હોવા છતાં મૌખિક અભ્યાસ પદ્ધતિ અપનાવી હતી. ગાંધીનગર જિલ્લાના રાયસણ ખાતે ચાલતી નિઃશુલ્ક તૈયારી સંસ્થામાં જોડાઈ માર્ગદર્શન મેળવ્યું હતુ. નિયમિત અભ્યાસ, સમયપાલન અને સતત પ્રયાસથી તેઓ આગળ વધ્યા અને અંતે STI તરીકે પસંદગી મેળવી હતી. પરિવારનો સહારો, સંઘર્ષની શક્તિલોહ બીજલભાઈના પિતા બકરીઓ ચરાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આર્થિક પરિસ્થિતિ સરળ નહોતી, છતાં પરિવારે શિક્ષણ છોડવા દીધું નહીં. માતા-પિતા અને ભાઈ-બહેનો સતત હિંમત આપતા રહ્યા. ત્રણ ભાઈ-બહેનમાં તેઓ મોટા છે. નાની બહેન ધોરણ 10 સુધી ભણેલી છે, જ્યારે નાનો ભાઈ બી.કોમ પૂર્ણ કરીને સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યો છે. તેઓ પરિવારના સહકારને પોતાની સૌથી મોટી શક્તિ ગણાવે છે અને સંઘર્ષને પોતાની શક્તિ.
સ્લેબ ધરાશાયી થયો:ખંભાતમાં શાકમાર્કેટના શોપિંગ સેન્ટરની દુકાનનો સ્લેબ ધરાશાયી
ખંભાત શહેરના મોસમપુરા વિસ્તારમાં આવેલા નગરપાલિકા સંચાલિત જર્જરિત શાકમાર્કેટ શોપિંગ સેન્ટરની એક દુકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં દુકાનમાં રાખેલા ફ્રીજ, ટેબલ અને ખુરશીઓને નુકસાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સતનામ ચાની હોટલ જે રામરાજભાઈ જયરામભાઈ ચુનારાની માલિકીની છે, તેનો આખો સ્લેબ દુકાન બંધ હતી તે સમયે ધડાકાભેર પડ્યો હતો. ઘટનાની જાણ થતાં દુકાનદાર અને આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. આ શાકમાર્કેટ શોપિંગ સેન્ટર વર્ષ 1980માં બનાવવામાં આવ્યું હતું અને તેમાં 70થી વધુ દુકાનો આવેલી છે. લાંબા સમયથી આ કોમ્પ્લેક્સ અત્યંત જર્જરિત હાલતમાં છે. દુકાનદાર રામરાજ જયરામભાઈ ચુનારાએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં આ જર્જરિત શોપિંગ સેન્ટરમાં 10 થી 12 દુકાનોના સ્લેબ ધરાશાયી થયા છે. આ પ્રકારની ઘટનાઓથી દુકાનદારોમાં જીવ જોખમાવવાની ભીતિ વ્યાપી છે.
સમસ્ત ગુજરાત તમાકુ કિસાન વેપારી સંઘ દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સમક્ષ તાજેતરના પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. તમાકુ ખેત ઉપજને સીન ગુડસની શ્રેણીમાંથી બાકાત કરવા તેમજ તમાકુની સાફસફાઈ કરી કૃષિ પેદાશને વેચાણ યોગ્ય બનાવતા ટોબેકો લિવ્સ ની શ્રેણી માં આવતા નાના વેપારીઓને ટોબેકો લિવ્સ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર ને મક્કમ રજૂઆત દ્વારા સાફસફાઈની કામગીરી કરતા વેપારી મિત્રોને ટોબેકો લિવ્સ બાબત ક્લેરિફિકેશન મળે અથવા નાના વેપારીની શ્રેણી માં કૃષિ ઉપજ સાથે સંકળાયેલા કારખાનેદારોને જીએસટી ની ઉચ્ચ શ્રેણીમાંથી રાહત મળે તે બાબત ચર્ચા અને રજૂઆત કરાઈ હતી. સમસ્ત ગુજરાત વેપારી કિસાન સંઘ અને ચરોતર તમાકુ વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રજૂઆત માટે સમસ્ત ગુજરાતભર માંથી ડીસા, પાટણ, ઊંઝા, વિજાપુર, મહેસાણા પાલનપુર ,વાવ, થરાદ તેમજ ચરોતર ના આણંદ ખેડા ના અગ્રણી ખેડૂતમિત્રો તેમજ વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, આણંદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તેમજ ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ કેશવભાઈ પટેલ, પાટણ ધારાસભ્ય કિરીટભાઈ ચીમનલાલ પટેલ પ્રતિનિધિ મંડળનું નિવેદન સ્વીકારી ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ ગાંધીનગર સચિવાલયના ગાર્ડન ખાતે વેપારી તેમજ ઉપસ્થિત અગ્રણીઓ ખેડૂત મિત્રોએ આગામી કાર્યો અંગે ચર્ચા અને વાટાઘાટો કરી હતી.
આપઘાત:ટ્રેન આવતી જોતાં જ યુવક-યુવતીએ રેલવેના પાટા પર માથું મુકી આપઘાત કરી લીધો
આણંદ રેલવે સ્ટેશનેથી વડોદરા તરફજતી નવજીવન ટ્રેનની આગળ શનિવારેરાત્રિના સમયે એક યુવક અને યુવતીએરેલવેના પાટા પર પોતાનું માથું મુકીઆપઘાત કરી લીધો હતો. આ અંગેનીજાણ રેલવે ડ્રાઈવર દ્વારા વાસદ રેલવેસ્ટેશને સ્ટેશન માસ્તરને કરતાં જપોલીસે ગુનો નોંધી બંનેના વાલી-વારસનેશોધવાની કવાયત હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારેરાત્રિના પોણા એક વાગ્યાના સમયેવાસદ અને અડાસ રેલવે સ્ટેશન પાસેઆ ઘટના બની હતી. જેમાં બંનેજણાએ રેલવે પાટા પર માથું મુકીદઈને આપઘાત કરી લીધો હતો. ટ્રેનઆણંદથી વડોદરા તરફ જતી હતી.આ અંગે વાસદ સ્ટેશન માસ્તરને આઅંગેની જાણ ટ્રેનના ડ્રાઈવરે કરતાં જએક ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.જ્યાં તપાસ કરતા મૃતક યુવક 35વયનો હોવાનું અને તેણે સફેદ રંગનીઆંખી બાયનું શર્ટ તથા ભુરા રંગનુંજીન્સ પેન્ટ પહેર્યું હતું. રંગે ઘઉં વર્ણનોછે, જેની ઉંચાઈ 5 ફૂટ 5 ઈંચ છે. જેમજબુત બાંધાનો છે. જ્યારે મૃતકયુવતી અંદાજિત 30 વર્ષની છે અનેતેણે લાલ રંગનું ગોળ ગળાવાળું આખીબાંયનું ટી શર્ટ તથા વાદળી રંગનું જીન્સપેન્ટ પહેર્યું છે. તે રંગે ઘઉં વર્ણની છેઅને તેની ઊંચાઈ પાંચ ફૂટ જેટલી છે.પોલીસે તેના વર્ણનના આધારે તેનાવાલી-વારસની શોધ હાથ ધરી છે. સંબંધમાં બંને ભાભી દિયર અનેમધ્યપ્રદેશના રહેવાસી હોવાની વકીપોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તેમની ઓળખ મેળવી શકાય તેમાટે પ્રયાસ કરાયા હતા. પરંતુ તેમની ઓળખ થાય તેવા કોઈઆધાર પુરાવા મળ્યા નહોતા. જોકે, એક મોબાઈલ મળી આવ્યોહતો, પરંતુ તેમાં પણ લોક હોય પોલીસ ગુંચવાઈ હતી. જોકે,મહત્વની વાત એ છે કે, પોલીસ તપાસ કરી રહી હતી ત્યારેઅચાનક બંને મૃતક પાસેથી મળેલા એક ફોન પર કોઈ વ્યક્તિનોકોલ આવ્યો હતો. જેણે બંને વ્યક્તિ સંબંધમાં ભાભી અને દિયરહોવાનું અને તેઓ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જણાવ્યું હતું.જોકે, હજુ પણ આ બંને વ્યક્તિઓ કોણ છે તે કહી ન શકાય. કેમકે બંનેની ખોપરી ફાટી ગઈ છે. ફોન કરનારી વ્યક્તિઓ આણંદઆવે એ પછી જ બંનેના સંબંધ અને તેમની ઓળખ થશે, એમપોલીસસૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દીપડો પાંજરે પુરાયો:શાંતિપુરા ગામના વાડી વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો
માળીયાહાટીના ના શાંતિપુરા ગામના પાટિયા નજીક થી દીપડો પાંજરે પુરાયો હતો જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શાંતિપરા ગામે પાટિયા નજીક નારણબાપા રામ ની વાડી હાઈવે નજીક આવેલ હોય ત્યાં ગત શનિવાર ની રાત્રે દીપડાએ વાછરડાનો શિકાર કર્યો હતો બાદમાં સરપંચ કાનભાઈ જોટવા, રાજા ભાઈ રામે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.
કેશોદ તાલુકામાં આવેલું પંચાળા ગામ આજે તેની પૌરાણિક ધરોહર અને આધુનિક વિકાસ વચ્ચે એક નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. અંદાજે 1200ની વસ્તી ધરાવતું આ ગામ જૂનાગઢથી 60 કિમી અને નેશનલ હાઈવેથી 20 કિમીના અંતરે આવેલું છે. ગામમાં સાક્ષરતાનો દર 50 ટકા જેટલો છે, સુવિધાઓથી સજ્જ ગામ પંચાળામાં પાકા રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર, નિયમિત પાણી અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો ઉપલબ્ધ છે. ગ્રામજનોને ટપાલ વ્યવહાર માટે પોસ્ટ ઓફિસ અને પરિવહન માટે બસ સેવાની સુવિધા પણ મળી રહે છે. આરોગ્ય ક્ષેત્રે ગામ બાલાગામના પેટા આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલું છે, તેમજ ગામને પોતાની એમ્બ્યુલન્સ પણ પ્રાપ્ત મળેલી છે, જે ઈમરજન્સી સમયે આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ ગામ રાજાશાહી વખતના ઇતિહાસને જીવંત રાખે છે. અહીંનું પૌરાણિક રાસ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. લોકવાયકા મુજબ, ભગવાન સ્વયં અહીં રાસ રમવા પધાર્યા હતા. આ ઉપરાંત, ગામમાં પીપળેશ્વર મહાદેવ, અર્જુનેશ્વર મહાદેવ, રામજી મંદિર અને સ્વામિનારાયણ મંદિર જેવા સ્થળો ગ્રામજનોની અતૂટ શ્રદ્ધાના પ્રતીક છે. ગોચરની જમીન વિકાસની હરણફાળ વચ્ચે પશુપાલકો માટે એક મોટી સમસ્યા છે. ગામના સરપંચ મસરીભાઈ પરમારના જણાવ્યા અનુસાર, વર્ષોથી ગામમાં ગોચરની જગ્યાનો પ્રશ્ન વિકટ છે. પશુઓને ચરવા માટે પૂરતી જમીન ન હોવાથી પશુપાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. સરકારમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ સચોટ નિરાકરણ આવ્યું નથી. ગામમાં તમામ ભૌતિક સુવિધાઓ હોવા છતાં, જો ગોચરનો આ જૂનો પ્રશ્ન ઉકેલાય તો પંચાળા ગામ આર્થિક અને સામાજિક રીતે વધુ સમૃદ્ધ બની શકે છે.

27 C