વડોદરા જિલ્લાના પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ(દિનુ મામા) પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે, ત્યારે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ મામલે દિનુ મામા આક્રમક મૂડમાં જોવા મળ્યા. તેઓએ જણાવ્યું હતું કે, અત્યારે વિરોધ પક્ષના નેતાઓ અને જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે કે, ડ્રગ્સ મીટાઓ, દારૂ મીટાઓ પણ ગુજરાતના કયા ગામડામાં દારૂ નથી મળતો ? પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા) એ જણાવ્યું હતું કે, અત્યારે વિપક્ષના નેતાઓ અને જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે કે, ડ્રગ્સ મીટાઓ દારૂ મિટાઓ, હું આપ સર્વેને પૂછું છું કે, ગુજરાતના કયા ગામડામાં દારૂ નથી મળતો? આ સામાજિક બદીને રોકવાની જવાબદારી માત્ર જીજ્ઞેશ મેવાણી, ગોપાલ ઈટાલિયા કે ચૈતર વસાવાની જ નથી, શું સાધુ-સંતોની જવાબદારી નથી? જો સાધુ-સંતો ધારે તો આ દૂષણને માત્ર એક મહિનામાં નિયંત્રિત કરી શકાય છે. મારી વાત કરવાની શૈલી હંમેશા આવી જ રહી છે. હું કોઈ પણ પ્રકારના તોડ-મરોડ કરેલા નિવેદનોને સ્વીકારતો નથી. આ પહેલા તાજેતરમાં જ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા) નો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓએ કહેતા જોવા મળ્યા હતા કે, હમણાં પ્રવીણસિંહભાઈએ કહ્યું કે, મુઝે પીને કા શોખ નહીં, ગમ ભુલાને કો પીતા હું. આ વાત બરોબર છે પણ જો મગજ જ બંધ થઈ જાય તો કામ કંઈ ન થાય. દારૂબંધી માટે ઋષિઓ, મુનિઓ, સંતો અને અક્ષર સ્વામી પણ ઘણું મોટું જ્ઞાન આપીને ગયા છે, પણ અહીં બેઠેલા 80 ટકા લોકો વ્યસનીઓ છે. એટલે 'મુખ મેં રામ ઔર બગલ મેં છુરી' વાળા લોકોનું ક્યારેય ભલું થતું નથી. દિનેશ પટેલ (દિનુ મામા) એ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે અપક્ષ ચૂંટણી લડીને મોરચો માંડ્યો હતો. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. આ ઉપરાંત તેઓ ભાજપ સામે અને ભાજપના ધારાસભ્ય અને નેતાઓ સામે નિવેદનો લઈને સતત ચર્ચામાં રહે છે.
ભરૂચમાં 2 અને 5 કિમી મેરેથોનનું આયોજન:435થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો, વિજેતાઓને ઇનામ અપાયા
ભરૂચના મકતમપુર ખાતે 27 ડિસેમ્બરના રોજ 2 અને 5 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રવણ વિદ્યામંદિર, હરિઓમ આશ્રમ, બટુકનાથ વ્યાસ શાળા અને જલારામ પાતરાના સહયોગથી આ દોડ યોજાઈ હતી. આ મેરેથોનમાં વિવિધ વય જૂથોના કુલ 435 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. મેરેથોન દોડનો પ્રારંભ મકતમપુર સ્થિત શ્રવણ વિદ્યામંદિરથી થયો હતો. આ દોડ બોરભાથા બેટ, નર્મદા બંગલો, દુબઈ ટેકરી, નિઝામવાડી અને ઝાડેશ્વર પંચાયત વિસ્તારમાંથી પસાર થઈ પરત શ્રવણ વિદ્યામંદિર ખાતે પૂર્ણ થઈ હતી. ગ્રુપ એકમાં ભાઈઓમાં હરેશ વસાવા પ્રથમ, કુશ વસાવા બીજા અને પિયુષ વસાવા ત્રીજા સ્થાને રહ્યા હતા. બહેનોમાં માનસી પ્રજાપતિ પ્રથમ, ઉતમવંશી સોલંકી બીજા અને પ્રિયાંશી વસાવા ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ બેમાં 103 ભાઈઓ અને 71 બહેનોએ ભાગ લીધો હતો. બહેનોમાં પ્રિશા વસાવા પ્રથમ, અંજલી સંગાડા બીજા અને તાનિયા પાટણવાડિયા ત્રીજા સ્થાને રહ્યા. ભાઈઓમાં વિકેશ સંગાડા પ્રથમ, અભી વસાવા બીજા અને સુમિત ભુરીયા ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ ત્રણમાં ભાઈઓમાં હર્ષિલ સોલંકી પ્રથમ, અર્થ રાણા બીજા અને વીર વસાવા ત્રીજા સ્થાને રહ્યા. બહેનોમાં સનાયા વસાવા પ્રથમ, માહી વસાવા બીજા અને પાવની પરમાર ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ ચારમાં કુલ 22 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. મોટા ભાઈઓમાં યોગી મહાવીર પ્રથમ, અક્ષત વસાવા બીજા અને ઇન્દ્ર ગોડ ત્રીજા સ્થાને રહ્યા. બહેનોમાં લીના બાંગડે પ્રથમ, મનીષા વસાવા બીજા અને ચેતના પવાર ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ પાંચમાં કુલ 27 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ભાઈઓમાં પ્રવિણ વસાવા પ્રથમ, દિનેશ વસાવા બીજા અને પ્રવિણ આહિર ત્રીજા સ્થાને રહ્યા. મહિલાઓમાં નરગીશ પરમાર પ્રથમ, જ્યોત્સના મોરી બીજા અને સુપ્રિયા પરમાર ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. 61 વર્ષથી ઉપરના વર્ગમાં કુલ 10 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભાઈઓમાં ભુલા વસાવા પ્રથમ, રસિક રાવલ બીજા અને બચુ પાનવાલા ત્રીજા સ્થાને રહ્યા. બહેનોમાં મંજુ પરમાર વિજેતા બન્યા હતા. કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,સેવાસદન પ્રમુખ વિભૂતિબા યાદવ,મારુતિસિંહ અટોદરીયા,હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી જીમીતભાઈ,કારમિલબેન, પંકજભાઈ,જગજીવનભાઈ,આરોગ્ય વિભાગના ડૉ. ઉન્નતિબેન અને ડૉ.સુનીલભાઈ,બટુકનાથ વ્યાસ, શાળા પ્રમુખ પિનાકી રાજપૂત તેમજ અર્જુન રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનો દ્વારા વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ભાજપ પ્રદેશ સંગઠનમાંથી નવસારીની બાદબાકી:સી.આર. પાટીલના ગઢમાંથી એક પણ કાર્યકરને નવી ટીમમાં તક નહીં
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમની નવી ટીમની જાહેરાત કરી છે. આ નવી ટીમમાં નવસારી જિલ્લાને સ્થાન ન મળતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. અગાઉની ટર્મમાં પ્રદેશ સ્તરે પ્રતિનિધિત્વ ધરાવતા નવસારીમાંથી આ વખતે એક પણ કાર્યકરને સંગઠનમાં સ્થાન મળ્યું નથી. નવસારી જિલ્લો પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ગઢ ગણાય છે. ગત ટર્મમાં નવસારીના શીતલ સોનીને પ્રદેશ સંગઠનમાં મંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ વખતે જાહેર થયેલી યાદીમાં નવસારીના એક પણ કાર્યકરનું નામ ન હોવાથી સ્થાનિક કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે. આસપાસના જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ અને તાપીમાંથી કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે, પરંતુ નવસારીને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યું છે. આ બાબત કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની છે. આ અંગે પૂર્વ પ્રદેશ મંત્રી શીતલબેન સોનીએ જણાવ્યું હતું કે, નવા પ્રદેશ પ્રમુખે તેમની રણનીતિ અને વિચારધારા મુજબ ટીમની પસંદગી કરી છે. આગામી સમયમાં ચૂંટણીલક્ષી રણનીતિ માટે નવી ટીમ ખૂબ જ જરૂરી છે. ગત ટર્મમાં મને તક મળી હતી, હવે નવા ચહેરાઓને તક મળી છે જે પક્ષના હિતમાં છે. કોઈ કાર્યકર નારાજ નથી, આ એક સંગઠન પ્રક્રિયાનો ભાગ છે. નવસારી જેવા ગઢ ગણાતા જિલ્લાની અવગણના થતા કાર્યકરોમાં આંતરિક ચર્ચાઓ તેજ બની છે.
સાપુતારામાં આંતરરાજ્ય ઘરફોડ ગેંગ ઝડપાઈ:20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે, ત્રણ આરોપી પકડાયા
સાપુતારા પોલીસે 31 ડિસેમ્બરની ડ્રાઇવ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સક્રિય આંતરરાજ્ય ઘરફોડ ચોર ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. સઘન વાહન ચેકિંગ દરમિયાન હુન્ડાઇ ક્રેટા કારમાં આવેલા શંકાસ્પદ ઇસમોને અટકાવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મહારાષ્ટ્ર તરફથી આવતી સફેદ રંગની હુન્ડાઇ ક્રેટા કાર (GJ-20-CB-2646)ને રોકવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન પોલીસને શંકા જતાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ સમયે એક ઇસમ પાસેથી ઘરફોડ માટે વપરાતું લોખંડનું ગણેશીયું મળી આવ્યું હતું. પોલીસની કાર્યવાહી દરમિયાન કાર ચાલક અને અન્ય બે ઇસમો વાહન લઈને ભાગી ગયા હતા. પોલીસે તાત્કાલિક પીછો કરીને માલેગામ નજીક કાર મૂકીને જંગલમાં ભાગેલા આરોપીઓમાંથી એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ. 20,36,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં રૂ. 5,13,180 રોકડ, બે ચાંદીની ચેન, એક જોડ ચાંદીના સાંકળા, હુન્ડાઇ ક્રેટા કાર, ત્રણ મોબાઇલ ફોન અને લોક તોડવાના સાધનોનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અકલુજ તાલુકામાં આવેલી એક કન્સ્ટ્રકશન ઓફિસમાં ઘરફોડ ચોરી કરી હતી. આ અંગે અકલુજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. પકડાયેલા આરોપીઓમાં અનિલભાઇ રેવાભાઇ ભાભોર, વકીલ તેરસિંગ ભાભોર અને મિથુનભાઇ મનુભાઇ ભાભોરનો સમાવેશ થાય છે. કમલેશભાઇ દિપાભાઇ ભાભોર અને કાંતી તેરસિંગ ભાભોરને વોન્ટેડ જાહેર કરાયા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગેંગના સભ્યો સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સાપુતારા પોલીસ સ્ટાફ દ્વારા તત્પરતા, સતર્કતા અને સંકલિત કાર્યવાહી દાખવીને આંતરરાજ્ય ચોર ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં માત્ર સિગરેટના પૈસા માંગવા જેવી નજીવી બાબતે જય અંબે ફાસ્ટ ફૂડની દુકાનમાં વિવાદ સર્જાયો હતો, જેમાં દુકાનદાર અને ગ્રાહક વચ્ચે સામસામે મારામારી થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ભાઈપુરાની વિશ્વાસ પાર્ક સોસાયટી પાસે થયેલા આ ઝઘડામાં દુકાનદારનો આક્ષેપ છે કે, મોન્ટુ કોસ્ટી નામના શખ્સે પૈસા માંગતા ઉશ્કેરાઈને તેમને લાફા માર્યા હતા અને પોલીસની હાજરીમાં તેમની દીકરી પર પણ હુમલો કર્યો હતો. સામા પક્ષે મોન્ટુએ વળતો આક્ષેપ કર્યો છે કે, દુકાનદારે ગાળો બોલી તેની સાથે ઝપાઝપી કરી હતી અને તેમની પત્નીએ ચપ્પુ વડે હુમલો કરતા તેને દાઢીના ભાગે ઈજા થઈ હતી. હાલ ખોખરા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની હાજરીમાં મોન્ટુએ દીકરી ઉપર હુમલો કર્યોખોખરાના ભાઈપુરા વિસ્તારમાં આવેલા વિશ્વાસ પાર્ક સોસાયટી પાસે જય અંબે ફાસ્ટ ફૂડની દુકાનમાં મોન્ટુ કોસ્ટી અને તેના બે મિત્રોએ શનિવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ આવીને દુકાન પર સિગરેટ માંગી હતી અને મસ્કાબનનો ઓર્ડર આપ્યો હતો. મોન્ટુ પાસે સિગરેટ ના રૂપિયા માંગતા તેણે કહ્યું કે, તું હમારે પાસ પૈસા માંગેગા? તેમ કહી એકદમથી ઉશ્કેરાઈને ગંદી બિભસ્ત ગાળો બોલી અને દુકાનદારને મોઢા ઉપર ત્રણ ચાર લાફા મારી દીધા હતા. આટલેથી ન અટકાઈ પોલીસની હાજરીમાં પણ મોન્ટુએ રાજેશભાઈની દીકરી ઉપર પણ હુમલો કર્યો હતો. બાદમાં પોલીસ મોન્ટુ તેના સાથે રાહુલ અને અન્ય સાગરીતોને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં પોલીસે રાજેશભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દુકાનદારની પત્નીએ ગાળો બોલી ચપ્પુ વડે હુમલો કર્યોઆ બનાવના સંદર્ભે સામે મોન્ટુએ પણ દુકાન માલિક રાજેશભાઈ સામે FIR દાખલ કરાવી છે. જેમાં ફરિયાદ અનુસાર લખાવ્યું છે કે, મેં તેમની દુકાન પર જઈને સિગરેટ અને મસ્કાબનનો ઓર્ડર આપ્યો હતો. ત્યાં રાજેશભાઈએ સિગરેટના રૂપિયા માંગતા મેં કહ્યું હતું કે, હજી તો હું ઉભો છું જતો નથી રહેવાનો પૈસા આપું છું. આવું કહેતા રાજેશ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગંદી ગાળો બોલીને ઝપાઝપી કરીને લાતો અને ફેટો મારી હતી. આ દરમિયાન તેમની પત્ની વચ્ચે આવી ગઈ હતી અને તે પણ ગંદી ગાળો બોલવા લાગી હતી. તેમની પત્નીએ રાજેશભાઈનું ઉપરાણું લઈને મને ગંદી ગાળો બોલી હતી અને મને ચપ્પુ કાઢીને મારવા જતા અમે હાથ ઊંચો કરીને બચાવ કર્યો હતો. જોકે દાઢીના ભાગે થોડો ઘસારો વાગી જતા આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા અને વચ્ચે પડીને મને છોડાવ્યો હતો. હાલમાં પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદના મિલેટ્રી રોડ પર પિકઅપ ગાડી પલટી:બોલેરો પિકઅપ પલટી, 23થી વધુ લોકો ઈજાગ્રસ્ત
બોટાદ શહેરના મિલેટ્રી રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરેલી બોલેરો પિકઅપ ગાડીનાસંતુલન ગુમાવી પલટી જતાં ઘટનાસ્થળે જ 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં 23થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. વાડીએ જમવા જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યોમળતી વિગતો અનુસાર, બોલેરો પિકઅપ ગાડીમાં કુલ 26થી 28 લોકો સવાર હતા. આ તમામ લોકો શહેરના હરણકુઈ વિસ્તારના એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના સભ્યો વાડીએ જમવાના પ્રોગ્રામ માટે જઈ રહ્યા હતા ત્યારે મિલેટ્રી રોડ પર ડ્રાઈવરે ગાડી પરનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.
ગાંધીનગર શહેર અને જિલ્લાના વિવિધ રાજપૂત સંગઠનોના સંયુક્ત ઉપક્રમે આજે રવિવારના રોજ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત શ્રી રાજપૂત સમાજ ભવન ખાતે યોજાશે. સમાજના ઉત્કર્ષ અને સંગઠનને મજબૂત કરવાના આશય સાથે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના અનેક દિગ્ગજ મહાનુભાવો હાજરી આપશે. શંકરસિંહ વાઘેલા સહિતના રાજકીય આગેવાનો હાજર રહેશેઆ સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર રહેશે.જ્યારે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂત, વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સમાજને માર્ગદર્શન પૂરું પાડશે.આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે વિવિધ રાજપૂત મંડળોના પ્રમુખો, આઈઆરએસ અને આઈએએસ અધિકારીઓ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ હાજર રહેશે. શ્રી રાજપૂત સમાજ ગાંધીનગર, રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, સમસ્ત રાજપૂત મહિલા સેવા ટ્રસ્ટ અને યુવા વિકાસ પરિષદ ગાંધીનગરના સંયુક્ત આયોજન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં સામાજિક વિકાસ માટે ચર્ચાઓ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે તમામ આમંત્રિતો માટે સ્વરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેના દાતા બલરામસિંહજી ભવાનસિંહજી ચાવડા છે.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ અમદાવાદ દ્વારા આજે 28 ડિસેમ્બરના રોજ નિકોલ ખાતે આવેલા ખોડલધામ ગ્રાઉન્ડમાં સમસ્ત લેઉવા પટેલ સમાજ અમદાવાદનું મહા સંમેલન અને નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ લેઉવા પટેલ સમાજના મંત્રીઓ સન્માન સમારોહ યોજાશે. મહાસંમેલન અને સન્માન સમારોહની સાથે મા ખોડલ - મા અન્નપૂર્ણાની ભવ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજ અમદાવાદના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ અને કૌશિક વેકરીયા ઉપસ્થિત રહેશે. મહાસંમેલનમાં 25000 લોકો ઉપસ્થિત રહેશેલેઉવા પટેલ સમાજ અમદાવાદ દ્વારા નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા સમસ્ત લેઉવા પટેલ સમાજના મહાસંમેલન કાર્યક્રમમાં અમદાવાદમાં રહેતા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત કુલ 25000 જેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે. લેઉવા પટેલ સમાજનો ખૂબ મોટો વર્ગ શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારમાં રહેલો છે. આગામી સમયમાં રાજકારણ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અમદાવાદના સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનું યોગદાન વધે તેને લઈને શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. કયા મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહેશે
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા અંદાજિત 2 વર્ષ પહેલાં શહેરમાં આવેલ બોરતળાવ અને સીદસરને જોડતો 2 કિ.મી. લાંબો આઈકોનીક બ્રિજ અંદાજે રૂા.100 કરોડના ખર્ચે સાકાર થવાની વાતો હતી. પરંતુ આજદિન સુધી આ પ્રોજેકટ માત્ર કાગળ ઉપર છે અને જો આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હોત તો સીદસર અને આજુબાજુના 20થી વધુ ગામોના લોકોના પરિવહન ને લાભ મળત પરંતુ આ પ્રોજેકટ માત્ર કાગળ પરજ રહેતા શાસક અને વિપક્ષ એકબીજાને પ્રહારો કરી રહ્યા છે. 100 કરોડના ખર્ચે બનનારો આઈકોનિક બ્રિજ કાગળ પર ભાવનગર શહેરમાં હાલ સુવિધાથી સજ્જ ધજ્જ કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા તેમજ પાલિકાના શાસકપક્ષ દ્વારા રોડરસ્તા,પાણી,ડ્રેનેજ જેવા વિકાસના કામો ચાલી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે બે વર્ષ પૂર્વ ઇસ્કોનથી બોરતળાવ સીદસર સુધી આઇકોનીક ઓવરબ્રિજ બનાવવા માટે શાસકપક્ષ દ્વારા આર્કિટેક પાસે આ આઇકોનીક બ્રિજ માટે સ્કેચ તૈયાર કરવા માટે રોકવામાં આવેલ જેમાં મોટી રકમ આ બાબતે ચુકવવામાં આવેલ તેમ છતાં આજદિન સુધી આ બ્રિજ માત્ર કાગળ પર જ રહેતા પાલિકાના વિરોધપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ શાસકપક્ષ દ્વારા આ બ્રિજ બાબતે નમતું જોખી અને આ બ્રિજ માટે થોડી નાની મોટી મુશ્કેલીઓ જે આવી રહી છે તેને દૂર કરવા માટે પ્રયાસો હાલ ચાલી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે આ બ્રિજ જો તૈયાર થઈ ગયો હોત તો ભાવનગરના આજુબાજુના ઘણાખરા ગામોને આ બ્રિજનો સીધો લાભ મળત. માત્ર ડીપીઆર તૈયાર કરી કન્સલ્ટન્ટને ફી ચૂકવાય છે, કામ થતું નથી- જયદીપસિંહ ગોહિલઆ અંગે મહાનગરપાલિકાના વિપક્ષ કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકામાં બે વર્ષ પહેલા બોરતળાવની અંદર ઇસ્કોન થી સીદસર સુધીનો પુલ બનાવવાની વાત હતી, જેમાં કન્સલ્ટ નિમ્યા. કન્સલ્ટને ફી વસુલ કરાવવવાની એટલે ખરેખર જે વસ્તુ કરવાની છે એ વસ્તુ કરતા નથી, છતાં તેને ઇસ્કોન થી સીદસર સુધી રોડ બનાવવાનું સૂજે છે. ખરેખર થાય તો અમે વિપક્ષ તરીકે એને વધાવશું, પણ આવા ડીપીઆર તૈયાર કરાવીને કન્સલ્ટને મોટી મોટી ફી ચૂકવાઈ છે. અમે સામાન્ય સભામાં કહ્યું કે કન્સલ્ટને ચૂકવવા માટે આ લોકો કંઈ પણ કરી શકે અને આ લોકો કાલ સવારે તખ્તેશ્વર થી સીધાજ ચંદ્રમાં જવાનો ડીપીઆર તૈયાર કરાવશે. કામ કરવું નથી, માત્ર ડીપીઆર તૈયાર કરાવી કન્સલ્ટને મોટી ફી ચુકવવામાં આવે છે. આ બોરતળાવની અંદર પુલ બનાવવાનો છે, પણ મારું એવું માનવું છે કે બોરતળાવની અંદર પ્રથમ બાંધકામની પરમિશન જ ન મળે. ખરેખર આવી પ્રાથમિકતા બધી પૂરી કરી ત્યારબાદ આવા ફતવા અને આયોજન કરવાની જરૂર છે. ન કરવાના કામ ખોટી વાહ વાહ, ચૂંટણી આવે એટલે ભાવનગરના શહેરીજનોને આવી ચોકલેટો આપશે, પછી ક્યારે ક્યાં પૂલ જશે, ક્યાં ભૂલ થશે એ ખબર નથી. એટલે હું નથી માનતો કે ભાવનગર મહાનગરપાલિકા 100 થી 150 કરોડ રૂપિયા ખર્ચી આવા પુલ બનાવી શકે. પગારના ફાફા છે, ક્યાંથી પૈસા કાઢશે. માત્ર વાતો કરી કન્સલ્ટને ચૂકવવાના અને આ ચૂંટણી લક્ષી જાહેરાત હમણાં આવશે એટલે કરશે, એવું ચોક્કસ અમારું માનવું છે. શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન?આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશ રાબડીયાએ જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર બોરતળાવ એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દેન છે.આ બોરતળાવ વિસ્તારમાં જે જૂનું બોરતળાવથી સીદસર ગામનો કેડો હતો, એના ઉપર આઇકોનિક બ્રિજ બનાવવા માટે અમે છેલ્લા બે વર્ષથી મથામણ કરી રહ્યા છીએ. આની અંદર આર્કિટેક રાખીને એનો કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવેલો હતો. તે કોન્સેપ્ટની અંદર મોટાભાગે બોર તળાવમાં પાણીનો પ્રવાહ છે, એ કેનાલ સ્વરૂપે રહે અને વધારાના ભાગનું પોસન છે, એ પુરાતો હોય એવું અમને લાગ્યું. એટલે એ કોન્સેપ્ટની અમે ના પાડી છે. આખો બ્રિજ બને એના માટેનો નવો કોન્સેપ્ટ કરાવવા માટેની અત્યારે કાર્યવાહી શરૂ છે. આગામી દિવસોમાં નવો કોન્સેપ્ટ સિલેક્શન કરી અને બોર તળાવના પાણીને ક્યાંય પણ અવરોધ ન થાય એ માટેની તૈયારીઓ થઈ રહી છે. આના માટેના જરૂરી NOC લેવાના હોય છે. એની પ્રોસેસ એકવાર કરી ચૂક્યા છીએ અને એમાં પર્યાવરણનું NOC લેવાનું હોય. આ NOC માટે થઈને આગળની ગતિવિધિ શરૂ છે અને આ બ્રિજથી આજુબાજુના 20 ગામડાઓને ફાયદો થવાનો છે. અને અમારો મક્કમ નિર્ધાર છે. આ બ્રિજ અમારે બનાવવો છે, પરંતુ ટેકનિકલ જે પ્રોસેસ કરવાની છે તે પ્રગતિમાં છે અને આગામી દિવસોમાં આ પુલ કરવામાં આવશે. અને અમે બ્રિજ માટે કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છીએ. એની માટે અલગથી રાજ્ય સરકારમાં બજેટની માંગણી કરી ચૂક્યા છીએ. પરંતુ કોન્સેપ્ટ તૈયાર થયા પછી આખી ડિઝાઇન બને અને ડીપીઆર બને પછી એનું બજેટ નક્કી કરી શકીએ. અગાઉ જે કન્સલ્ટ ફી ચૂકવવામાં આવી છે તે અંગે જણાવ્યું હતું કે કન્સલ્ટસી ફી ચૂકવવાનું જે કોન્સેપ્ટ તૈયાર કર્યો હોય એની ફી કાયમ માટે કોઈના કોઈ પ્રોજેક્ટ માટે કરવાની થતી હોય છે. ત્યારે જે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેની કોસ્ટ હોય, તેની ચુકવણી કરી હશે, પણ મને ખ્યાલ નથી. એ નીચેના વિભાગથી ચૂકવતી હોય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે લીંબડી ખાતે રૂ. 6.11 કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. ડેપો અને વર્કશોપનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ તકતીનું અનાવરણ કરીને વિકાસકાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ભૌગોલિક દ્રષ્ટિએ લીંબડી સૌરાષ્ટ્રનું અતિ મહત્વનું કેન્દ્ર અને પ્રવેશદ્વાર છે. આ અત્યાધુનિક વર્કશોપ 100 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ સુસજ્જ વર્કશોપ ન હોવાથી, આ વિસ્તારની બસોના મેઈન્ટેનન્સ અને જાળવણી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરતા કહ્યું કે, સમયસર ખાતમુહૂર્ત અને સમયસર લોકાર્પણ એ જ સરકારની કાર્યપદ્ધતિ છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એસ.ટી. નિગમનો કાયાકલ્પ થઈ રહ્યો છે. ખાસ કરીને અભ્યાસ અર્થે આવ-ગમન કરતી દીકરીઓ અને વિદ્યાર્થીઓને ફ્રી પાસની સુવિધા આપી સરકાર તેમના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી રહી છે. જૂની બસોના સ્થાને આજે રાજ્યમાં અત્યાધુનિક વોલ્વો બસો દોડી રહી છે, જે મુસાફરોની સુવિધા અને સલામતીમાં નોંધપાત્ર વધારો કરે છે. લીંબડીના ભૌગોલિક મહત્વ અંગે વાત કરતા સાંસદ ચંદુ શિહોરાએ જણાવ્યું હતું કે, લીંબડી નેશનલ હાઈવે પર સ્થિત 'સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર' હોવાથી અહીં વાહનવ્યવહારની સતત ભારે અવરજવર રહે છે. આ વિસ્તારની જરૂરિયાતોને સમજીને આ અત્યાધુનિક વર્કશોપનું નિર્માણ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં મુસાફરોની સુખાકારીમાં વધારો કરશે અને એસ.ટી. નિગમની કાર્યક્ષમતા માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને અઢળક ગ્રાન્ટ ફાળવીને રાજ્ય સરકાર વિકાસકાર્યોને નવી ગતિ આપી રહી છે. વધુમાં તેમણે રાજ્ય સરકારની ત્વરિત કાર્યપદ્ધતિની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં એક એવી નવી પ્રણાલી સ્થાપિત કરી છે કે જેમાં જે વિકાસકામનું ખાતમુહૂર્ત થાય છે, તેનું લોકાર્પણ પણ નિર્ધારિત સમયમર્યાદામાં જ પૂર્ણ કરવામાં આવે છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ત્વરિત નિર્ણયશક્તિને કારણે વિકાસકાર્યો ખૂબ જ ઝડપથી સાકાર થઈ રહ્યા છે, જેનો સીધો લાભ સામાન્ય જનતાને મળી રહ્યો છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સરકારની વિકાસલક્ષી નીતિઓની સરાહના કરતા જણાવ્યું હતું કે, અગાઉ નગરપાલિકાઓ આર્થિક તંગી અનુભવતી હતી, પરંતુ આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને અઢળક ગ્રાન્ટ ફાળવી વિકાસકાર્યોને નવી ગતિ આપવામાં આવી રહી છે. લીંબડીના વિકાસ માટે કરાયેલી રજૂઆતોનો હકારાત્મક પ્રતિસાદ મળતા જ આજે અહીં તમામ સુવિધાઓથી સજ્જ અદ્યતન બસ સ્ટેન્ડ અને વર્કશોપ સાકાર થઈ રહ્યા છે. માત્ર ગ્રાન્ટ મંજૂર કરવાના બદલે સમયમર્યાદામાં ખાતમૂહૂર્તથી લોકાર્પણ સુધીની કાર્યપદ્ધતિમાં સરકાર વિશ્વાસ ધરાવે છે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ વિભાગીય નિયામક એચ.એસ. જોષી દ્વારા શાબ્દિક સ્વાગત તેમજ લીંબડી ડેપો મેનેજર મનોજકુમાર મહંત દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. લીંબડી ડેપોના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મિશનના સ્વામી પ્રફુલકુમાર સ્વામી, પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, અગ્રણી હરપાલસિંહ રાણા, શંકરભાઈ દલવાડી સહિતના જિલ્લા- તાલુકા પંચાયતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતના અધિકારીઓ તેમજ વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. લીંબડી ડેપો વર્કશોપ: નવિન સુવિધાજનક બાંધકામની રૂપરેખારાજ્ય સરકાર તરફથી નિગમને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી રાજકોટ એસ.ટી. વિભાગના લીંબડી મુકામે બાંધવામાં આવનાર આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવિન ડેપો વર્કશોપમાં 35005.00 ચોરસ મીટર કુલ જમીન વિસ્તારમાં 6.11 કરોડ રૂપિયાની કુલ આખરી અંદાજિત કિંમતે વિવિધ સગવડતાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં 1368.98 ચોરસ મીટરના બાંધકામ વિસ્તારમાં 20.63 ચોરસ મીટરની ડેપો મેનેજર ઓફિસ, 27.0000 ચોરસ મીટરનો એડમીન રૂમ, 26.04 ચોરસ મીટરનો ટાયર રૂમ, 26.04 ચોરસ મીટરનો બેટરી રૂમ, 52.74 ચોરસ મીટરનો સ્ટોર રૂમ, 25.02 ચોરસ મીટરનો ઓઈલ રૂમ, 20.09 ચોરસ મીટરનો ઈલેક્ટ્રીક રૂમ, મેઈન્ટેનન્સ માટે 2 નંગ લોન્ગ પીટ તથા 1 નંગ યુ પીટ, 8.06 ચોરસ મીટરનો વોટર રૂમ અને સરક્યુલેશન વિસ્તારમાં 4830.85 ચોરસ મીટરનું સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ કરવામાં આવશે, તેમજ પ્રથમ માળ પર 52.74 ચોરસ મીટરનો વર્કર રૂમ, 18.66 ચોરસ મીટરનો રેકોર્ડ રૂમ, 18.88 ચોરસ મીટરનો લેડીઝ રેસ્ટ રૂમ અને 17.93 ચોરસ મીટરનો ડિસ્પેન્સરી રૂમ બનાવવામાં આવશે.
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ‘સોફ્ટ કમ્પ્યુટિંગ એન્ડ ઇટ્સ એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ’ વિષય પર 7મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ (icSoftComp2025) હનોઈ, વિયેતનામમાં યોજાઈ હતી. આ કોન્ફરન્સ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સંશોધકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને તેમના સંશોધન, જ્ઞાન, નવા વિચારો અને નવીનતાઓ રજૂ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડે છે. icSoftComp2025 ને સ્પ્રિંજર, યુ.એસ.એ. દ્વારા ટેકનિકલી સ્પોન્સર કરવામાં આવી હતી અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) દ્વારા ફાઈનાન્સિયલી કો-સ્પોન્સર કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં 43 દેશોના સંશોધકોએ 12 ટેકનિકલ સેશનમાં તેમના 114 સંશોધન પેપર્સ રજૂ કર્યા હતા. તેમાંથી પસંદ કરાયેલા અને રજૂ કરાયેલા સંશોધન પેપર્સ સ્પ્રિંજર, યુ.એસ.એ. દ્વારા તેમની પ્રતિષ્ઠિત કોમ્યુનિકેશન્સ ઈન કમ્પ્યુટર એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (CCIS) સીરીઝ, ISSN: 1865-0929 માં પ્રોસીડીંગ્સ તરીકે પ્રકાશિત કરવામાં આવશે. 354 થી વધુ પ્રતિનિધિઓ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સના જનરલ ચેર તરીકે ડૉ. અતુલ પટેલ (પ્રોવોસ્ટ, ચારુસેટ, ચાંગા), ડૉ. ડી. કે. પ્રતિહાર (IIT ખડગપુર, ભારત) અને ડૉ. પવન લિંગરાસ (પ્રોફેસર, સેન્ટ મેરી યુનિવર્સિટી, કેનેડા) હતા. ડૉ. કે. કે. પટેલ (ચારુસેટ, ચાંગા) આ કોન્ફરન્સના TPC ચેર હતા. ડૉ. આશિષ ઘોષ (ISI, કોલકત્તા, ભારત), ડૉ. કે. સી. સંતોષ (યુનિવર્સિટી ઓફ સાઉથ ડાકોટા, યુ.એસ.એ.), ડૉ. ગાયત્રી ડોક્ટર (CEPT યુનિવર્સિટી, અમદાવાદ), ડૉ. ગેબ્રિયલ ગોમ્સ ડી ઓલિવેરા (યુનિવર્સિટી ઓફ કેમ્પિનાસ, બ્રાઝિલ) અને ડૉ. આશિષ જલોટે પરમાર (NTNU, નોર્વે) આ કોન્ફરન્સના કો-ચેર્સ હતા. icSoftComp2025 માં અગ્રણી સંશોધકો અને ઉદ્યોગના નેતાઓના ઉચ્ચ ગુણવત્તાવાળા વિશેષ સત્રો, ત્રણ કી-નોટ લેકચર અને છ નિષ્ણાત વાર્તાલાપ યોજાયા હતા. મુખ્ય વક્તા ડૉ. હોંગ ન્હુંગ ન્ગુયેન (ગાચોન યુનિવર્સિટી, સિઓલ, દક્ષિણ કોરિયા) હતા. જ્યારે ડૉ. એડગર વેઈપલ (યુનિવર્સિટી ઓફ વિયેના, વિયેના, ઑસ્ટ્રિયા), ડૉ. માર્કો ડોરિગો (યુનિવર્સિટી લિબ્રે ડી બ્રુક્સેલ્સ, બ્રસેલ્સ, બેલ્જિયમ), ડૉ. અહમદ બાઝી (ન્યૂ યોર્ક યુનિવર્સિટી અબુ ધાબી, યુએઈ), ડૉ. તાતીઆના કાલગાનોવા (બ્રુનેલ યુનિવર્સિટી ઓફ લંડન, યુકે), ડૉ. ઉન્નતી શાહ (યુટિકા યુનિવર્સિટી, યુટિકા, એનવાય, યુએસએ), અને ડૉ. ડોનાટેલા ફિરમાની (સેપિએન્ઝા યુનિવર્સિટી ઓફ રોમ, ઇટાલી) દ્વારા નિષ્ણાત વાર્તાલાપ આપવામાં આવ્યા હતા.
વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અટકવાનું નામ લઈ રહ્યો નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આજે ફરી એકવાર ખોડિયાર નગર વિસ્તારમાં રખડતી ગાયે બે યુવકને અડફેટે લીધા હતા. જેમાંથી એક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં નાશભાગ મચી ગઈ હતી. વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલ પંચમ ઇલાઇટ ફ્લેટ પાસે રખડતી ઢોરે અચાનક તોફાન મચાવ્યું હતું. ગાયે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે નિર્દોષ નાગરિકોને અડફેટે લીધા હતા, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાયની અડફેટે આવતા બંને વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ભોગ બનેલા બે વ્યક્તિઓ પૈકી એકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. વધુ ઇજાગ્રસ્ત વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆતો છતાં કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળતા મળી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સામાજિક કાર્યકર અતુલ ગા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં રખડતી ગાયોના ત્રાસને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં રસ્તાઓ પર ગાયોનો ખતરો યથાવત છે. આજે ખોડિયાર નગર ચાર રસ્તા પાસે આવેલ પંચમ ઇલિઈટ પાસે એક ગાયની અડફેટે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પશુપાલકો ગાયોને રસ્તા પર રઝળતી મૂકી દે છે, જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે. મારી પશુપાલકોને વિનંતી કરી છે કે, જ્યારે ગાયોને બહાર કાઢવામાં આવે ત્યારે તેમની સાથે રહેવું જોઈએ. વડોદરા મહાનગરપાલિકાને પણ કડક કામગીરી કરવી જોઈએ અને રખડતા પશુઓને ડબ્બે પૂરી ટેગિંગ કરવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકો સુરક્ષિત રહી શકે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જેને કારણે અવારનવાર રખડતા ઢોરને કારણે લોકોના મોત પણ થાય છે, જોકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા વડોદરા વાસીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
દિવ્ય ભાસ્કર દ્વારા બનાસકાંઠા અને થરાદ-વાવ જિલ્લાના પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેનારા સરપંચોના સન્માન માટે પાલનપુર ખાતે 'દિવ્ય સરપંચ એવોર્ડ - 2025' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના એવા સરપંચોને નવાજવામાં આવ્યા જેમણે પંચાયતી રાજના માધ્યમથી ગામડાઓના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. કાર્યક્રમની શરૂઆતમાં દિવ્ય ભાસ્કર ગુજરાતના હેડ હિતેશ મોઢે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, દિવ્ય ભાસ્કર છેલ્લા 23 વર્ષથી લોકોની મરજીનું અખબાર બનીને ઉભર્યું છે. દૈનિક ભાસ્કર ગ્રુપ આજે 12 રાજ્યોમાં 55 લાખથી વધુ સર્ક્યુલેશન સાથે સત્ય અને સારી બાબતોને લોકો સમક્ષ લાવવાની મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. દિવ્ય ભાસ્કરના 'દિવ્ય સરપંચ એવોર્ડ' કાર્યક્રમમાં ઉપસ્થિત વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વાહનવ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ સરપંચોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સરપંચ એ ગામનો 'વડાપ્રધાન' છે અને તેમની જવાબદારી અત્યંત ગંભીર હોય છે. તેમણે આહવાન કર્યું હતું કે, સરપંચોએ કોઈપણ જાતના જાતિવાદ વગર તમામ ગ્રામજનોને સમાન ગણીને કાર્ય કરવું જોઈએ. મંત્રીએ ખાસ ભાર મૂક્યો હતો કે, ગામમાં વ્યક્તિગત કામો કરવાને બદલે સામે ચાલીને જનકલ્યાણના કામો કરવા જોઈએ. વિશેષ કરીને વૃદ્ધોની દરકાર લેવી અને વિધવા બહેનોને પેન્શન જેવી યોજનાઓનો લાભ અપાવવો એ સરપંચની નૈતિક જવાબદારી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ગામની સુવિધાઓ અને વંચિત વિસ્તારોની માહિતી મેળવીને સપનાનું ગામ સાકાર કરવા તેમણે સરપંચોને અનુરોધ કર્યો હતો. વધુમાં મંત્રીએ ગામને ભવિષ્યમાં આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે એક નવતર વિચાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, બધા સરપંચોએ ફોરેસ્ટ વિભાગનનો સંપર્ક કરી તંત્રના સહયોગથી પંચાયતની જમીન પર 20 થી 25 વર્ષના લાંબા ગાળાના આયોજન સાથે વૃક્ષોનો ઉછેર કરે, તો ભવિષ્યમાં તેના વેચાણની આવકમાંથી ગામના વિકાસકામો થઈ શકશે અને સરકારની ગ્રાન્ટ પર નિર્ભર નહીં રહેવું પડે. આ સંદર્ભે તેમણે દાંતા તાલુકાના એક ગામનું ઉદાહરણ આપ્યું હતું જ્યાં નીલગીરીના વાવેતરની આવકથી ગામનો વિકાસ થયો હતો. આ ઉપરાંત, ગ્રામજનોના આર્થિક ભારણને ઘટાડવા માટે દર વર્ષે 10 ગામોમાં 'અટલવાડી' (સામુહિક પ્રસંગ વાડી) બનાવવાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, લગ્ન પ્રસંગોમાં મંડપ પાછળ થતા મોટા ખર્ચને રોકવા આ એક મજબૂત વિકલ્પ બનશે. અંતમાં તેમણે આગામી પેઢીનું વિચારીને સંવેદનશીલતા સાથે ભગવાનની સેવા સમજી જનસેવા કરવા તમામ સરપંચોને પ્રેરણા આપી હતી. એડિશનલ કલેક્ટર ડી. બી. ટાંકે સરપંચોની કામગીરીને બિરદાવતા કહ્યું કે, ગ્રામ્ય સ્તરે સરકારની તમામ યોજનાઓ જેવી કે 'સ્વચ્છતા ઝુંબેશ' અને 'બેટી બચાવો, બેટી પઢાવો'ના અમલીકરણની મુખ્ય જવાબદારી સરપંચની છે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સરકારી યોજનાઓમાં થયેલા સુધારાઓ વિશે માર્ગદર્શન આપી સ્વચ્છતા પર ભાર મૂકવા વિનંતી કરી હતી. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, 2047ના વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગ્રામ પંચાયત એ પ્રથમ સોપાન છે. સરપંચોમાં જાગૃતિ આવે અને તેઓ વધુ ઉત્સાહથી કામ કરે તે માટે દિવ્ય ભાસ્કરનો આ પ્રયાસ પ્રશંસનીય છે. પંચાયતી રાજનો મુખ્ય હેતુ લોકો દ્વારા, લોકો માટેની સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન સરપંચોએ પોતાના સંવાદમાં ગામડાઓમાં કરેલા વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ, આધુનિક સુવિધા યુક્ત લાયબ્રેરીઓ, સોલર, નળ સે જળ યોજના, ગરીબોને આપેલા આવાસો, ગામમાં કરેલ ડિજિટલ સેવાઓ, સોલર સ્ટ્રીટ લાઈટો, નવી માધ્યમિક શાળાઓની મંજૂરી, નવા રોડ, સરકારી કોલેજની મંજૂરી, નર્મદાના પાણીથી કેનાલો ભરવાનું, આધુનિક પંચાયતોની મજૂરી, અંડર ગ્રાઉન્ડ લાઈટ, ખેતીમાં ડામરના રસ્તાઓની બનાવટ, જળ સંચયના જેવા ઘણાં વિકાસ કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ કાર્યક્રમે અન્ય સરપંચો માટે પણ પ્રેરણાસ્ત્રોત પૂરો પાડ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી પ્રવિણ માળી, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, એડિશનલ કલેક્ટર ડી. બી ટાંક, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શેખ સાહેબ, દિવ્ય ભાસ્કર ગુજરાતના હેડ હિતેશ મોઢ, દિયોદરના આગવી ગજેન્દ્ર વાઘેલા, તલાટીઓ, સરપંચો અને તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશનો આજે બીજો દિવસ છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના 1419 મતદાન મથકો પર 1419 બૂથ લેવલ ઓફિસર (BLO) સવારે 10 વાગ્યાથી મતદારોની મદદ માટે હાજર રહ્યા હતા. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ પણ આગિયોલ ગામના બૂથની મુલાકાત લીધી હતી. આ ઝુંબેશમાં મતદારોના નામ કમી કરવા, નવા નામ ઉમેરવા અને મતદારની અન્ય વિગતો સુધારવાની કામગીરી ચાલી રહી છે. ખાસ ઝુંબેશના પ્રથમ દિવસે, શનિવારે, કુલ 3428 મતદારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. ચૂંટણી વિભાગ દ્વારા જિલ્લામાં ડિસેમ્બર 2025માં 27મી શનિવાર અને 28મી રવિવારે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી આ ખાસ ઝુંબેશ ચાલુ રહેશે. આ ઉપરાંત, જાન્યુઆરી 2026માં 3જી શનિવાર અને 4થી રવિવારે પણ આવી જ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવશે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સ્થાનિક ભાજપના અગ્રણીઓ સાથે આગિયોલ ગામે પ્રાથમિક શાળામાં આવેલા ત્રણ બૂથની મુલાકાત લીધી હતી. તેમણે ચાલી રહેલી કામગીરી અંગે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન, ઘણા મતદારો SIR (સર્વે) બાદ પોતાના નામ યાદીમાં છે કે નહીં તે જોવા આવ્યા હતા, તેમજ નવા મતદારો પણ નામ નોંધાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં યુવકના આપઘાત કેસમાં સ્યૂસાઇટ નોટ મળી:માળીયા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત ત્રણ સામે ફરિયાદ
મોરબીમાં એક યુવકના આપઘાત કેસમાં સ્યૂસાઇટ નોટ મળી આવી છે. આ નોટના આધારે માળીયા (મી) તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. મૂળ મોરબીના લક્ષ્મીનગર ગામના અને હાલ ઉમા ટાઉનશિપમાં રહેતા હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા (49)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમણે આશિષભાઈ રમેશભાઈ પાડલીયા, હિતેશભાઈ વાસુદેવભાઈ દસાડીયા અને કમલેશભાઈ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાને હાથ ઉછીના રૂ.1.26 લાખ આપ્યા હતા. આ રૂપિયા આરોપીઓ પરત આપતા ન હોવાથી હર્ષદભાઈએ આ બાબતે તેમના સાળા વિપુલભાઈ વિડજા સાથે વાત કરી હતી. ત્યારબાદ હર્ષદભાઈ અને વિપુલભાઈએ આરોપીઓ પાસેથી રૂપિયા પરત માંગ્યા હતા. રૂપિયાની માંગણી આરોપીઓને પસંદ ન આવતા, તેમણે પૈસા પરત ન આપવા પડે તે માટે પોલીસમાં ખોટી ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, ત્રણેય આરોપીઓએ સાથે મળીને હર્ષદભાઈ અને તેમના સાળા વિપુલભાઈને ડરાવી-ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિપુલભાઈને રૂબરૂ અને ફોન પર પણ સતત ધમકીઓ આપી હેરાન કરવામાં આવતા હતા. આ હેરાનગતિ અને ધમકીઓના કારણે વિપુલભાઈ વિડજાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. તેમના મૃતદેહ પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી આવી હતી, જેમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ હતો. આ સ્યૂસાઇટ નોટના આધારે, મૃતક વિપુલભાઈના બનેવી હર્ષદભાઈ લીખીયાની ફરિયાદ લઈને પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ ચાલી રહી છે.
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરો માટે નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી નવું ટાઈમ-ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 108 જેટલી ટ્રેન નિર્ધારિત સમય કરતા 1થી 42 મિનિટ વહેલા અને 17 ટ્રેનો 2થી 20 મિનિટ મોડી કરવામાં આવી છે. નિર્ધારિત સમય કરતા ટ્રેન વહેલા ઉપડશેરાજકોટ રેલવે ડિવિઝનની યાદીમાં જણાવ્યા મુજબ મડગાંવ- હાપા એક્સપ્રેસ, દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો, તિરુવનંતપુરમ- વેરાવળ એકસપ્રેસ, એર્નાકુલમ- ઓખા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ- જામનગર હમસફર, રાજકોટ- વેરાવળ લોકલ અને દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ તેના નિર્ધારિત સમય કરતા 5 મિનિટ વહેલા ઉપડશે. જયારે રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ, પુરી-ઓખા એક્સપ્રેસ, દેહરાદુન-ઓખા, ઉતરાંચલ એક્સપ્રેસ, બિલાસપુર-ઓખા એક્સપ્રેસ, નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ, રાજકોટ-પોરબંદર એકસપ્રેસ, વેરાવળ-રાજકોટ લોકલ અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 10 થી 20 મીનિટ વહેલા ઉપડશે. આ ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી ઉપડશેજ્યારે માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એકસપ્રેસ અને માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ 27 મિનિટ વહેલા ઉપડશે. આજ રીતે પોરબંદર-રાજકોટ લોકલ, ઓખા-રામેશ્વરમ એકસપ્રેસ, ઓખા-શાલીમાર એકસપ્રેસ, પોરબંદર-શાલીમાર એકસપ્રેસ, પોરબંદર-સાંતરાગાછી એકસપ્રેસ અને પોરબંદર-રાજકોટ લોકલ નિર્ધારિત સમય કરતા 5-5 મિનિટ મોડી ઉપડશે. આ સ્ટેશનોમાં આવતી-જતી ટ્રેનના સમયમાં ફેરફાર રાજકોટ ડિવિઝનમાં ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે, મુસાફરોએ ટાઈમ-ટેબલ મુજબ મુસાફરી કરતી વખતે રેલવે પૂછપરછ 139 નંબર અથવા www.r.indianrailways.gov. in પર વિગતો ચકાસી શકશે. રાજકોટ સ્ટેશન પર આવતી-જતી ટ્રેનનું ટાઈમ ટેબલ ટ્રેન નામ. આગમન પ્રસ્થાન રામેશ્વર-ઓખા-રામેશ્વર 04.59 05.09 પુરી-ઓખા એક્સપ્રેસ 04.47 04.57 દેહરાદૂન-ઓખા (ઉત્તરાંચલ એક્સપ્રેસ) 07.20 07.30 મડગાંવ-હાપા એક્સપ્રેસ 07.57 08.07 દિલ્લી સરાઇ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ 07.50 મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો 08.30 08.40 તિરૂવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસ 11.00 11.10 ઓર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ 11.00 11.10 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર 11.56 12.06 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ 13.30 13.40 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ 13.30 13.40 વૈષ્ણવદેવી કટરા-હાપા એક્સપ્રેસ 16.15 16.25 વૈષ્ણવદેવી કટરા-જામનગર એક્સપ્રેસ 16.25 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 16.00 રાજકોટ-વેરાવળ લોકલ 07.50 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 10.20 દિલ્લી સરાઇ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ 07.50
મોરબીના 8 ઉદ્યોગકારો સાથે 1.62 કરોડની છેતરપિંડી:સરકારી યોજનાના વળતર ખોટા દસ્તાવેજોથી ઉપાડી લેવાયા
મોરબીના આઠ સિરામિક ઉદ્યોગકારોને ભારત સરકારની ICIGATE યોજના હેઠળ મળવાપાત્ર રૂ. 1,62,78,858નું વળતર ખોટા દસ્તાવેજોના આધારે ઉપાડી લેવામાં આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આઠ ઉદ્યોગકારોના ICIGATE યુઝર એકાઉન્ટમાં રકમ જમા થઈ હતીવિદેશમાં ચીજવસ્તુઓની નિકાસ કરતા ઉદ્યોગકારોને ભારત સરકાર દ્વારા ICIGATE સ્કીમ મારફતે નિકાસ કરેલા માલની રકમ આધારિત વળતર આપવામાં આવે છે. મોરબીના યુવા ઉદ્યોગપતિ સહિત કુલ આઠ ઉદ્યોગકારોના ICIGATE યુઝર એકાઉન્ટમાં આ રકમ જમા કરવામાં આવી હતી. ખોટા ઈ-મેલ આઈડી અને ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરીને છેતરપિંડીઅજાણ્યા ઠગબાજોએ ગુનાહિત કાવતરું રચીને ઉદ્યોગકારોની જાણ બહાર તેમના કીમતી દસ્તાવેજોનો ઇલેક્ટ્રોનિક માધ્યમથી દુરુપયોગ કર્યો હતો. તેમણે ખોટા દસ્તાવેજો બનાવી, ખોટા ઈ-મેલ આઈડી અને ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરીને ICIGATE પોર્ટલમાં યુઝર આઈડી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ખોટા યુઝર આઈડી દ્વારા અન્ય ICIGATE યુઝર આઈડીમાં ટ્રાન્સફર કરીને કુલ રૂ.1,62,78,858ની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધાઈમોરબીના પંચાસર રોડ પર આવેલા ધરતી પાર્ક, પ્રયાગ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા દીપકભાઈ વલમજીભાઈ પાંચોટિયા (ઉંમર 36) એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને સાક્ષીઓની પેઢીઓ તથા કંપનીઓ દ્વારા વિદેશમાં સિરામિક ચીજવસ્તુઓની નિકાસનો વ્યવસાય કરવામાં આવે છે. પોલીસે હવે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે.
રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરો અને આંખલાઓને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની સૂચનાથી નગરપાલિકા પ્રમુખ ચાંદ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીના માર્ગદર્શનમાં સુધરાઈ સ્ટાફે આ કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહી તાજેતરમાં રખડતા ઢોરના કારણે એક વ્યક્તિના મોત બાદ કરવામાં આવી છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં રખડતા ઢોરો અને આંખલાઓનો ત્રાસ વ્યાપક બન્યો હતો. આ ઢોરોની અડફેટે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઉપરાંત, રસ્તા પર બેસી જતા ઢોરો ટ્રાફિકમાં પણ અવરોધ ઉભો કરે છે. શહેરમાં આશરે 1500 જેટલા રખડતા ઢોરો અને આંખલાઓ છે, જેમાંથી અડધાથી વધુ માલિકીના હોવાનું જાણવા મળ્યું છે. દૂધ દોહ્યા બાદ માલિકો દ્વારા ઢોરોને રખડતા છોડી દેવામાં આવે છે. આ ઉપરાંત, ઘાસચારો વેચતા વેપારીઓ જાહેર રસ્તાઓ પર ઘાસચારો નાખતા ઢોરો ત્યાં એકઠા થાય છે અને બાખડે છે, જેના કારણે શાળા પાસે વિદ્યાર્થીઓ અને બજારમાં લોકો અડફેટે આવે છે. આથમણા નાકા, અયોધ્યાપુરી, તિરુપતિ નગર, સલારી નાકા, પ્રાગપર ચોકડી, બગીચા પાસે, પાવર હાઉસ, ગુરુકુળ રોડ અને રતનપર જેવા વિસ્તારોમાં માલિકીના ઢોરો મોટી સંખ્યામાં જોવા મળે છે. આજથી રાત્રે શરૂ કરાયેલી આ કામગીરીમાં ઢોરોને પકડવા માટે પીંજરા અને ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જ અનેક આંખલાઓને પકડીને પાંજરાપોળને હવાલે કરવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા અગાઉ પણ સમયાંતરે આવી કામગીરી કરવામાં આવતી રહી છે. પ્રમુખ ચાંદ ભીંડેએ જણાવ્યું હતું કે, માલિકીના ઢોરોના માલિકોને તેમના ઢોરોને બાંધી રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં જો માલિકીના ઢોરો પકડાશે તો દંડાત્મક કાર્યવાહી અને જાહેર અડચણ ઉભી કરવા બદલ ગુનો નોંધવામાં આવશે. ઘાસચારાના વેપારીઓને પણ ગામથી એક કિલોમીટર દૂર, કોઈને નડતરરૂપ ન થાય તેવા સ્થળે વેચાણ કરવા સૂચના અપાઈ છે. નગરપાલિકા રાપર શહેરને રખડતા ઢોરો અને આંખલામુક્ત બનાવવા કડક કાર્યવાહી કરશે.
ગુજરાતમાં બાળલગ્ન અને નાની ઉંમરે માતૃત્વની ગંભીર સમસ્યા ફરી એકવાર સામે આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર 2025 દરમિયાન કરાયેલા સત્તાવાર સર્વેમાં ખુલાસો થયો છે કે રાજ્યમાં 13થી 16 વર્ષની કુલ 1633 દીકરીઓ સગર્ભા છે. આ ચોંકાવનારા આંકડાઓએ મહિલા-બાળ સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણ તંત્રની કાર્યક્ષમતાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ઘણા જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં નાની ઉંમરની સગર્ભાવસ્થાસર્વે મુજબ વલસાડ જિલ્લામાં સૌથી વધુ 190 દીકરીઓ સગર્ભા હોવાનું નોંધાયું છે. ત્યારબાદ દાહોદ (133), જામનગર (90), મહેસાણા (78), સાબરકાંઠા (76), આણંદ અને ડાંગ (70-70), ખેડા (67) તથા અમદાવાદ શહેર (63) જેવા જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં નાની ઉંમરની સગર્ભાવસ્થાઓ નોંધાઈ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સગર્ભાવસ્થાઓ મોટા ભાગે બાળલગ્ન સાથે જોડાયેલી હોવાની શક્યતા છે, જે દીકરીઓ અને તેમના સંતાન માટે ગંભીર આરોગ્ય જોખમ ઉભું કરે છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા નારા જમીન પર નિષ્ફળઆ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, NFHS-5ના આંકડાઓ મુજબ રાજ્યમાં બાળલગ્નનો દર 21.8 ટકા છે અને કેટલાક જિલ્લાઓમાં આ પ્રમાણ 30થી 49 ટકા સુધી પહોંચ્યું છે. “બાળલગ્ન પ્રતિબંધક કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા નારા જમીન પર નિષ્ફળ સાબિત થયા છે,” તેમ તેમણે કહ્યું હતું. 1633 નાની ઉંમરની સગર્ભાવસ્થાઓ તંત્રની નબળાઈબીજી તરફ, બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મષ્ઠાબેન ગજ્જરે સરકારનો બચાવ કરતા જણાવ્યું હતું કે, જાહેર થયેલા આંકડાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે. 'દરેક કેસ બાળલગ્નનો જ છે કે કેમ તેની ખરાઈ કર્યા બાદ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં ‘બાળ વિવાહ મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ટ્રાયબલ અને પછાત વિસ્તારોમાં સતત જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે,” તેમ તેમણે જણાવ્યું. સામાજિક પ્રથાઓ, આર્થિક દબાણ અને કાયદાની અજ્ઞાનતા બાળલગ્નનું મુખ્ય કારણ છે. સરકાર દ્વારા સરપંચો, તલાટીઓ, સમાજના આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓને જોડીને બાળલગ્ન રોકવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક તરફ સરકાર કાર્યવાહી અને જાગૃતિની વાત કરે છે, તો બીજી તરફ 1633 નાની ઉંમરની સગર્ભાવસ્થાઓ તંત્રની નબળાઈ દર્શાવે છે. બાળલગ્ન અટકાવવા મહિલા-બાળ વિકાસ વિભાગ મારફતે સતત પ્રયાસોગજ્જરનું કહેવું છે કે, બાળલગ્ન અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ અને મહિલા-બાળ વિકાસ વિભાગ મારફતે સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ઘણા વિસ્તારોમાં માતા-પિતા પૈસાની લાલચ, સામાજિક રીવાજો અને પરંપરાઓ, તેમજ બાળલગ્ન પ્રતિબંધક કાયદાની પૂરતી જાણકારી ન હોવાના કારણે દીકરા-દીકરીઓના નાની ઉંમરે લગ્ન કરાવી દે છે. ખાસ કરીને ટ્રાયબલ અને શ્રમજીવી પરિવારોમાં આર્થિક તંગી અને સમાજના દબાણને કારણે બાળકોની ઇચ્છા વિરુદ્ધ પણ લગ્ન કરાવવાના બનાવો સામે આવી રહ્યા છે. ગજ્જરના જણાવ્યા મુજબ, જ્યાં સુધી માતા-પિતા અને સમાજમાં વ્યાપક જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી બાળલગ્ન પર સંપૂર્ણ રોક લગાવવી પડકારરૂપ રહેશે. હવે જોવાનું રહ્યું કે, આ ચોંકાવનારા આંકડાઓ બાદ સરકાર માત્ર તપાસ સુધી સીમિત રહેશે કે બાળલગ્ન સામે ખરેખર કડક કાર્યવાહી કરશે.
સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ-2025માં જાણીતી ગુજરાતી ગાયિકા ઈશાની દવેના કાર્યક્રમે સંગીતમય માહોલ સર્જ્યો હતો. તેમના મધુર અને શક્તિશાળી અવાજે લોક તથા આધુનિક સંગીતની અનોખી રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રવાસીઓ આનંદમાં ઝૂમી ઉઠ્યા હતા, જેનાથી ફેસ્ટિવલ યાદગાર બન્યો હતો. ઈશાની દવે ગુજરાતી લોક અને આધુનિક સંગીત ક્ષેત્રે જાણીતું નામ છે. તેઓ ગુજરાતી સંગીત ઉદ્યોગમાં પોતાની અનોખી ગાયકી અને સંગીત માટે વિશેષ ઓળખ ધરાવે છે. અમદાવાદ, ગુજરાતમાં જન્મેલા ઈશાની દવેએ બાળપણથી જ ગાવાની શરૂઆત કરી હતી અને આજે તેઓ ગુજરાતી સંગીત જગતમાં એક અગ્રણી ગાયિકા તરીકે સ્થાપિત થયા છે. નવરાત્રી દરમિયાન તેમના ગરબા અને લોકગીતો ખાસ લોકપ્રિય બને છે. કાનુડા જેવા ગીતો દ્વારા તેમણે શ્રોતાઓમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. પરંપરાગત ગુજરાતી લોકસંગીતને આધુનિક શૈલીમાં રજૂ કરવાની તેમની કળા યુવા પેઢીમાં ખૂબ આકર્ષણ જગાવે છે. સાપુતારા ફેસ્ટિવલમાં પણ તેમણે લોકગીતો અને ગરબાની પ્રસ્તુતિ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિવિધ લાઈવ સ્ટેજ શો અને ગરબા ઇવેન્ટ્સમાં તેમની ઊર્જાવાન રજૂઆત માટે ઈશાની દવે જાણીતા છે. તેમના કાર્યક્રમ દરમિયાન સમગ્ર મેદાન તાળીઓ અને નૃત્યથી ગુંજી ઉઠ્યું હતું. પ્રવાસીઓ, સ્થાનિક નાગરિકો અને સંગીતપ્રેમીઓએ એકસાથે સંગીતનો આનંદ માણ્યો હતો. સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં ઈશાની દવેની ઉપસ્થિતિએ કાર્યક્રમને નવી ઊંચાઈ બક્ષી હતી. સંગીત, નૃત્ય અને ઉત્સાહથી ભરપૂર આ સાંજ પ્રવાસીઓ માટે યાદગાર બની રહી હતી, જ્યાં ઈશાની દવેના મધુર સ્વરે સૌના દિલ જીતી લીધા.
બોટાદ સુધારણા યોજના હેઠળ બોટાદ તાલુકાના ઝમરાળા, રતનવાવ અને કેરિયા-૨ ગામોની પીવાના પાણીની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો અંત આવ્યો છે. આ ગામોમાં પાણી પુરવઠા વ્યવસ્થાનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા બોટાદ જિલ્લાની જનતાને સુનિશ્ચિત અને સતત પીવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ કરાવવાના હેતુથી બોટાદ સુધારણા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત કારિયાણી હેડવર્ક્સથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ઉપરોક્ત ત્રણેય ગામોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તીવ્ર અછત હતી. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ગ્રામજનોને પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેના કારણે દૈનિક જીવન પર અસર થતી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બોટાદ સુધારણા યોજના અંતર્ગત નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી. આ ઉપરાંત, જરૂરી ટેકનિકલ વ્યવસ્થાઓ અને પાણી પુરવઠા સંબંધિત માળખાકીય કામગીરી પણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી હતી. હાલમાં હાથ ધરવામાં આવેલું ટેસ્ટિંગ સંપૂર્ણપણે સફળ રહ્યું છે. આ સફળતા સાથે હવે ઝમરાળા, રતનવાવ અને કેરિયા-૨ ગામોને નિયમિત અને પૂરતો પીવાનો પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવશે, જેનાથી તેમની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સુરત શહેર કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને વિવાદો વકરતા પક્ષમાં મોટું ભંગાણ સર્જાયું છે. શહેર પ્રમુખની કાર્યશૈલી સામે વિરોધ નોંધાવી મહિલા મોરચાની 11 હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા ધરી દેતા કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગંભીર આક્ષેપો સાથે રાજીનામાનો દોરમહિલા કાર્યકર્તાઓએ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતા પટેલને ઉદ્દેશીને મોકલેલા રાજીનામામાં ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાની માનસિકતા મહિલા વિરોધી છે. કાર્યકર્તાઓ સાથે તેમનું વર્તન અસભ્ય અને અપમાનજનક રહેતું આવ્યું છે. તેમના દ્વારા સતત કરવામાં આવતા માનસિક ત્રાસ અને મનસ્વી નિર્ણયોથી કાર્યકર્તાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લાંબા સમયથી ચાલતો અસંતોષ સપાટી પર આવ્યોસૂત્રોના જણાવ્યા અનુસાર, વિપુલ ઉધનાવાલા જ્યારે શહેર પ્રમુખ બન્યા ત્યારથી જ પક્ષના જૂના અને વફાદાર કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળતો હતો. અગાઉ પણ અનેક કાર્યકર્તાઓએ તેમની મનમાની અને કાર્યશૈલી બાબતે પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે મહિલા કાર્યકર્તાઓએ આકરો નિર્ણય લીધો છે. ચૂંટણી ટાણે જ પક્ષની છબી ખરડાઈએક તરફ કોંગ્રેસ આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ સંગઠનના મુખ્ય સ્તંભ ગણાતી મહિલા પાંખમાં સર્જાયેલો આ બળવો પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 11 સભ્યોના એકસાથે રાજીનામા પડતા હાઈકમાન્ડ પણ દોડતું થયું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ સુરત કોંગ્રેસના આ આંતરિક વિખવાદને ડામવા માટે કેવા પગલાં ભરે છે અને વિપુલ ઉધનાવાલા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ.
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના માંકણજ ગામે સાંથલ પોલીસ દ્વારા ક્રૂડ ઓઇલની ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. વરચંદ અને તેમનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ટેન્કરમાંથી ઓઇલ કાઢી ટ્રકના ટાંકામાં ભરી રહ્યો હતો ને ઝડપાયોપોલીસને મળેલી બાતમી મુજબ માંકણજ ગામનો રહેવાસી શૈલેષસિંહ ઉર્ફે શલુભા નવલસિંહ ઝાલા,જે ઓ.એન.જી.સી.ના ક્રૂડ ઓઇલ ભરેલા ટેન્કરમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તે પોતાના ગામમાં ટેન્કર ઊભું રાખી તેમાંથી ઓઇલની ચોરી કરી રહ્યો હતો. આ શખ્સ પોતાના મળતીયાઓ સાથે મળીને ટેન્કરમાંથી ઓઇલ કાઢી ટ્રકમાં ગોઠવેલા ટાંકામાં ભરી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે માંકણજ ગામે દરોડો પાડ્યો હતો. 24 લાખનો મુદ્દામાલ જપ્તઆ રેઇડ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ચોરીનું 10,000 લિટર ક્રૂડ ઓઇલ ઝડપી પાડ્યું હતું, જેની કિંમત અંદાજે 4 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે 5 લાખની કિંમતની ટ્રક નંબર GJ-09-Y-8245 15 લાખની કિંમતનું ટેન્કર નંબર GJ-18-BW-3562 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 24,03,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક શખ્સ ઝડપાયો, વોન્ટેડ આરોપીઓની શોધખોળઆ કાર્યવાહીમાં પોલીસે નંદાસણના સૈયદવાસમાં રહેતા અસદુલ્લા મહંમદહુસૈન ગુલાબનબી સૈયદ નામના એક શખ્સની ધરપકડ કરી છે.જ્યારે મુખ્ય આરોપી શૈલેષસિંહ ઝાલા, મંડાલીનો ઇમરાન રહીમખાન પઠાણ અને નંદાસણનો અસલમ યુનુસભાઇ સૈયદ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નવસારીમાં પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા કાઈટ ફેસ્ટિવલ:10 થી 14 જાન્યુઆરી, વિજેતાઓને મળશે આકર્ષક ઇનામ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત 'કાઈટ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં પતંગ રસિયાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે તેવી અપેક્ષા છે. દક્ષિણ ગુજરાતની ઉત્સવપ્રિય જનતા માટે ઉતરાયણનો તહેવાર હંમેશા ખાસ રહ્યો છે. આ વર્ષે નવસારી મહાનગરપાલિકાએ આ મહોત્સવના માધ્યમથી શહેરના સાંસ્કૃતિક વારસા અને તહેવારોની રોશનીને નવી ઊંચાઈ આપવાનો પ્રયાસ કર્યો છે. આ આયોજનને લઈને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ મહોત્સવમાં સહભાગી થવા ઈચ્છુક પતંગબાજો માટે નવસારી મહાનગરપાલિકાએ ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરીજનોએ નિયત કરેલી લિંક પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ ફેસ્ટિવલમાં માત્ર પતંગ ચગાવવા જ નહીં, પરંતુ પોતાની કળા પ્રદર્શિત કરનાર પતંગબાજોને પ્રોત્સાહિત કરવા માટે પણ યોજના રાખવામાં આવી છે. શ્રેષ્ઠ દેખાવ કરનાર ટોપ-3 વિજેતાઓને આકર્ષક ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં ઉતરાયણનો ક્રેઝ જોતાં, નવસારીનો આ પ્રથમ કાઈટ ફેસ્ટિવલ સ્થાનિકો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે તેવી શક્યતા છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ 28 ડિસેમ્બરના રોજ ઉજવાયો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પક્ષના ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી અને ઝુબેર પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર, 1885ના રોજ મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં થઈ હતી. કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી પક્ષના પ્રથમ પ્રમુખ હતા, જ્યારે નિવૃત્ત અંગ્રેજ અધિકારી એ.ઓ. હ્યુમ સ્થાપક સભ્યોમાંના એક હતા. સ્થાપના દિવસ નિમિત્તે આગેવાનોએ દેશની આઝાદીમાં કોંગ્રેસના યોગદાનને યાદ કર્યું હતું અને લોકશાહી મૂલ્યોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પરંતુ સુરતની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં જે રીતે લોકોએ કાયદો હાથમાં લઈને દારૂના બે અડ્ડાઓ પર 'જનતા રેડ' કરી છે, તેણે પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. હાલમાં જ મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પતરાના શેડમાં ચારેતરફ પડદા બાંધીને રીતસરનું દારૂનું બાર બનાવવામાં આવ્યું છે. અહીં દારૂ, પાણી-શોડા, બાઈટિંગથી લઈને લોકોને પીવા માટેની સુવિધા આપવામાં આવી રહી છે. એક તરફ સુરત પોલીસ ડ્રોન ઉડાવીને કાયદો-વ્યવસ્થાને જાળવવાના તાયફાવો કરે છે, પરંતુ શહેરનું ધમધમતા દારૂનો અડ્ડાઓ નજરે નથી પડતાં! મહીધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એચ. બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આ વીડિયો હાલ જ મારા સુધી પહોંચ્યો છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકારના જુના વીડિયો પણ ફરતા હોય છે, જેથી તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી થશે. 3 દિવસમાં બે મોટી ‘જનતા રેડ’ કરી લોકોએ પોલીસની પોલ ખોલી31st પહેલા સુરતમાં પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂના વ્યવસાયની પોલ સામાન્ય જનતા ખોલી રહી છે. 23 ડિસેમ્બરના રોજ ભેસ્તાનના ભગવતીનગર વિસ્તારમાં લોકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, લોકોએ ગુનો પકડ્યો હોવા છતાં પોલીસ કર્મચારીએ જનતા રેડ કરનારાઓને જ ચોરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી, જે પોલીસ અને બુટલેગર વચ્ચેની મિલીભગત તરફ ઈશારો કરે છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 25 ડિસેમ્બર: પાલ પોલીસ સ્ટેશનની હદમાં બાળકો સાથે મહિલાઓની દારૂના અડ્ડા પર રેડસુરતના પાલનપુર ગામમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્ત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઊતરી ‘જનતા રેડ’ કરી બૂટલેગરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. મહાદેવ ફળિયામાં ચાલતા દેશી દારૂના અડ્ડાને કારણે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની ત્રાટકી હતી. બૂટલેગરે જ્યારે 'તમને શું નડે છે?' કહી ઉદ્ધતાઈ કરી ત્યારે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દઈ અડ્ડાનો સોથ વાળી દીધો હતો. કાખમાં માસૂમ બાળકને તેડીને પણ મહિલા આ સાહસિક અભિયાનમાં જોડાઈ હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) બુટલેગર યજ્ઞેશ સામે 3થી વધુ ગુના છતાં ધંધો ચાલુ!પાલ વિસ્તારમાં જનતા રેડ બાદ પોલીસે જ્યારે બુટલેગર યજ્ઞેશની અટકાયત કરી અને તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ બુટલેગર વિરુદ્ધ અગાઉ 3થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. સવાલ એ થાય છે કે રીઢો ગુનેગાર હોવા છતાં તે પોલીસની નાક નીચે કેવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યો હતો? મહિધરપુરાનો વીડિયો થયો વાઇરલહજુ આ ઘટનાઓ શાંત નથી થઈ ત્યાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વસ્તા દેવડી રોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં બુટલેગર કોઈપણ ડર વગર વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાનું સ્પષ્ટ નજરે આવી રહ્યું છે. ગ્રાહકો માટે ત્યાં જ બેસીને દારૂ પીવાની (સિટિંગ) સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. જાહેરમાં ચાલતી આ પ્રવૃત્તિ જોઈને લાગે છે કે બુટલેગરોને પોલીસ પ્રશાસનનો કોઈ જ ખોફ રહ્યો નથી. પોલીસની કામગીરી પર ઉઠતા સવાલો31 ડિસેમ્બરની ઉજવણી પહેલા જ સુરત પોલીસની આબરૂના લીરા ઉડી રહ્યા છે. જે કામ પોલીસે કરવાનું હોય છે, તે કામ હવે સામાન્ય જનતા અને મહિલાઓએ કરવું પડી રહ્યું છે. શું પોલીસ ખરેખર અજાણ છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરી રહી છે? શું ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારના જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેશે? સ્થાનિક લોકોનો આક્રોશ જણાવી રહ્યો છે કે જો પોલીસ કડક હાથે કામગીરી નહીં કરે, તો આગામી દિવસોમાં જનતા રેડના કિસ્સાઓ હજુ વધી શકે છે.
44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાત ટીમના ખેલાડી ભાઈઓ અને બહેનો આજ રોજ વડોદરા રેલવે સ્ટેશનથી બેંગલુરુ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થયા છે. AKFFGના જનરલ સેક્રેટરી, અશોક ગરુડ એ જણાવ્યું હતું કે, 44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે તા. 31-12-2025 થી 4-01-2026ના રોજ યોજાનાર છે, જેમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી 36 ટીમ આવવાની છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો ખેલાડીઓ ભાગ લેવાના છે, જે ખુબ આનંદની લાગણી અનુભવાય છે. જેમાં ગુજરાત રાજ્યના ભાઈઓ અને બહેનો ખેલાડી પણ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે. ગુજરાત રાજ્યના 30 ખેલાડી અને 2 કોચ, 2 મેનેજર, 1 ફિઝિયો ભાગ લેવા માટે વડોદરાથી રવાના થયા છે.
પીજીવીસીએલ દ્વારા આજરોજ તા.28.12.2025ના રોજ કુલ 15 કેન્દ્રો પર 7330 ઉમેદવારો માટે વિદ્યુત સહાયકની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રીઝર્વ કેટેગરીની ખાલી જગ્યાઓ માટે 3 કેડર કે જેમાં નાયબ અધિક્ષક વહીવટ, નાયબ અધિક્ષક હિસાબ તેમજ સીનીયર ટેકનીશીયનની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ લેવાઈ રહેલ પરીક્ષામાં કૌભાંડ થવાની આશંકા આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ પરીક્ષાના સંચાલન માટે પીજીવીસીએલનાં ક્લાસ 1 અને ક્લાસ 2 કક્ષાના કુલ 30 અધિકારીઓની ફાળવણી તમામ 15 કેન્દ્રો પર જરૂરી સુપરવિઝન અર્થે કરવામાં આવી છે. જેમાં ક્લાસ 1 અધિકારીઓને દરેક કેન્દ્રો પર મોનીટરીંગના હેતુસર ફલાયિંગ સ્કોડ તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. પરીક્ષાના દરેક કેન્દ્રો પર 2 SRPની ફાળવણી પણ કરવામાં આવી છે અને પરીક્ષા સી.સી.ટી.વી. ધરાવતા ક્લાસરૂમની અંદર આયોજિત કરવામાં આવી છે. પરીક્ષાર્થી પરેશ બારૈયાએ જણાવ્યું હતું કે, આજે PGVCL ની પરીક્ષા છે હું ઘણા સમયથી તૈયારી પણ કરી રહ્યો છું. જયારે કોલ લેટર લેવા ગયો ત્યારે મારો અકસ્માત થયો છે જેથી ડાબા હાથે ઇજા પહોંચી છે. નોકરીની જરૂરિયાત છે એટલે આજે કોઈ પણ રીતે પરીક્ષા આપવા માટે પહોંચ્યો છે. હું છેલ્લા 3-4 વર્ષથી દરેક સરકારી પરીક્ષા આપી રહ્યો છું. આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ભરતીમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી જે સાંભળી પોતાને પણ દુઃખ થયું છે કારણ કે આટલા સમયથી મહેનત કરતા હોય અને એવું થાય તો દુઃખ જરૂર થાય છે. સૌરાષ્ટ્રભરમાંથી આજે આ ભરતી માટે ઉમેદવારો પરીક્ષા આપવા આવી પહોંચ્યા હતા. 10 વાગ્યાથી પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ 11 વાગ્યાથી શરૂ કરી 1 વાગ્યા સુધી સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષા PGVCL દ્વારા એજન્સીને લેવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. જો કે આ પરીક્ષાઓમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવે છે તો ઉમેદવારો દ્વારા આ પરીક્ષા પણ ગૌણ સેવા આયોગ દ્વારા લેવામાં આવે તેવી અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ લેવાઈ રહેલ પરીક્ષામાં કૌભાંડ થવાની આશંકા આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે કેટલાક હિંદુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. 27 ડિસેમ્બરના રોજ શહેરના એસજી હાઇવે પર થલતેજ નજીક આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેના દ્વારા ડેકોરેશન તોડી નુકસાન કરી વિરોધ કરવા બદલ પાંચ લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ભગવા સેનાના કાર્યકર્તાઓ પેલેડિયમ મોલ ખાતે પહોંચી ગયા હતા અને મોલમાં લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રીને નીચે પાડી દેવામાં આવ્યા હતા. જેને લઈને સિક્યુરિટી ગાર્ડ અને અન્ય લોકો સાથે બોલાચાલી કરી હતી. એ બાદમાં ક્રિસમસ ટ્રીને નીચે પાડી નુકસાન કરતા પોલીસ આવી ગઈ હતી. આ મામલે પાંચ લોકો વિરુદ્ધ પેલેડિયમ મોલના સિક્યુરિટી સુપરવાઇઝર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: અમદાવાદમાં ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી ઉતારીને ફેંક્યાં, સૌથી મોટા પેલેડિયમ મોલમાં ઘૂસી ધમાલ મચાવી ભગવા સેનાના કાર્યકર્તાઓ પેલેડિયમ મોલમાં તોડફોડ કરીમળતી માહિતી મુજબ શહેરમાં 25 ડિસેમ્બરથી લઇ 31 ડિસેમ્બર સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને અલગ અલગ જગ્યાઓ મોલ પર ક્રિસ્મસ ટ્રી અને શાંતાક્લોઝ, લાઈટિંગ સહિતના શણગાર કરવામાં આવતા હોય છે. કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે 27 ડિસેમ્બર એસજી હાઇવે પર થલતેજ પાસે આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેનાના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા. મોલમાં જેટલા પણ ક્રિસમસ ટ્રી લગાવવામાં આવેલા હતા અને સાન્તાક્લોઝની ટોપી સહિત વગેરે જે ડેકોરેશન કરવામાં આવ્યું હતું. તેને નીચે પાડી દેવામાં આવ્યું હતું અને દૂર કરી દેવામાં આવ્યું હતું. ક્રિસ્મસ ટ્રીને નીચું પાડી દઈ 5 હજાર જેટલું નુકસાન પહોંચાડ્યું હતુંઆ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ તમામ કાર્યકરોની અટકાયત કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. મોલના સિક્યુરિટી સુપરવાઇઝર દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા અનુપસિંહ રાજપુત, રાહુલ વર્મા, ધ્રુવસિંહ રાજપુત, પ્રજ્વવલ ઝા અને બોબીસિંહ રાજપુત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાંચ શખ્Sસો પેલેડિયમ મોલમાં ત્રીજા અને ચોથા માળે જે ક્રિસ્મસ ટ્રી અને અન્ય ડેકોરેશન હતું તેને નીચે પાડી દીધું હતું અને 5000 રૂપિયાનું નુકસાન કર્યું હતું. સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરી બળ વાપર્યું હતું.
કલોલ તાલુકામાં એક 15 વર્ષની કિશોરીનો રસ્તો રોકી અશોભનીય ઈશારા કરી હેરાન કરતા પાડોશી યુવકને 181 અભયમ ટીમે કાયદાનું ભાન કરાવ્યું છે. વારંવાર સમજાવવા છતાં ન સુધરતા યુવક સામે પરિવારે અભયમની મદદ માંગી હતી. ટીમે સ્થળ પર પહોંચી યુવકને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ફરી આવી હરકત કરી તો સીધા જેલમાં જવું પડશે. અંતે યુવકે ભૂલ સ્વીકારી લેખિત ખાતરી આપતા બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું. સગીરાને રસ્તામાં રોકી અશોભનીય ઈશારા કરી હેરાન કરતો પાડોશીશાળાએ જતી દીકરીઓની સુરક્ષા માટે કાર્યરત 181 અભયમ હેલ્પલાઈન ફરી એકવાર વરદાન સાબિત થઈ છે. કલોલ તાલુકાની એક 15 વર્ષીય સગીરાને રસ્તામાં રોકી અશોભનીય ઈશારા કરી હેરાન કરતા પાડોશીના યુવકને અભયમ ટીમે કડક શબ્દોમાં સમજાવી કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપતા રોમિયોના હોશ ઉડી ગયા હતા. યુવકની હેરાનગતી ચાલુ રહેતા અંતે દીકરીએ હિંમત દાખવી કલોલ તાલુકાની 15 વર્ષની દીકરીએ અભયમ હેલ્પલાઈન પર કોલ કરીને પોતાની વ્યથા ઠાલવી હતી. તેણે જણાવ્યું હતું કે, જ્યારે તે સ્કૂલે જાય છે ત્યારે પાડોશમાં રહેતો એક યુવક વારંવાર તેનો રસ્તો રોકે છે અને તેની સાથે વાત કરવાની કોશિશ કરી ખોટી રીતે હેરાન કરે છે. આ બાબતે સગીરાના પરિવારે અગાઉ પાડોશીને જાણ કરી હતી, પરંતુ ઉકેલ આવવાને બદલે બંને પક્ષે ઝગડો થયો હતો. સમજાવટ છતાં યુવકની હેરાનગતી ચાલુ રહેતા અંતે દીકરીએ હિંમત દાખવી અભયમની મદદ માંગી હતી. અભયમ ટીમે યુવકને કડક ચેતવણી આપીઆ કોલ મળતાની સાથે જ અભયમ ટીમ તાત્કાલિક આપેલા સરનામે પહોંચી હતી. અને ટીમે પાડોશીના ઘરે જઈ યુવકને રૂબરૂમાં બોલાવ્યો હતો અને તેની કરતૂતો સામે કાયદાની ગંભીરતા સમજાવી હતી. અભયમ ટીમે કડક ચેતવણી આપી હતી કે જો હવે પછી દીકરીની પજવણી કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરી જેલ ભેગો કરી દેવામાં આવશે. 181 ટીમે માફી મંગાવી મામલો થાળે પાડ્યોત્યારે પોલીસ કાર્યવાહીના ડર અને અભયમ ટીમની સમજાવટ બાદ રોમિયો યુવક ફફડી ઉઠ્યો હતો. અને તેણે પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ મદદ માંગનાર દીકરી અને તેના માતા-પિતાએ ઉદારતા દાખવી યુવકનું ભવિષ્ય ન બગડે તે હેતુથી તેને સુધરવાનો એક મોકો આપવાનું નક્કી કર્યું હતું. અંતે અભયમ ટીમે બંને પક્ષોને યોગ્ય માર્ગદર્શન આપી આ મામલાનો સુખદ અંત લાવવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે 30 ડિસેમ્બર, 2025ના રોજ છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનર - ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર - સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ગુજરાતભરના જુનિયર સાહસવીર ભાઈઓ અને બહેનોને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવાનો છે. સ્પર્ધાનો પ્રારંભ સવારે 7 કલાકે થશે, જ્યારે વિજેતા ખેલાડીઓ માટે સવારે 10 કલાકે ચોટીલા તળેટી ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્યો શામજીભાઈ ચૌહાણ, પી. કે. પરમાર, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. સુરેન્દ્રનગર કલેકટર કે.એસ. યાજ્ઞિક અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું પણ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેશે. 30 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 7 કલાકે મહાનુભાવો દ્વારા સ્પર્ધકોને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ સવારે 10 કલાકે વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાના દિવસે, 30 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 6 થી 10 કલાક દરમિયાન ચોટીલા ડુંગર પર યાત્રાળુઓને ચડવા-ઉતરવા કે સ્પર્ધાના રૂટમાં આવતા પગથિયાઓ પર અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર અને આયોજકો દ્વારા ચોટીલા આવતા તમામ યાત્રાળુઓ, ભક્તજનો અને નાગરિકોને આ અંગે જાણ કરી સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.
અમરેલીમાં 31 ડિસેમ્બર માટે 31 ચેકપોસ્ટ ઊભી કરાશે:નશાખોરી રોકવા ફાર્મ હાઉસ, રિસોર્ટ પર પણ પોલીસની વોચ
અમરેલી જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ નશાખોરી રોકવા માટે સઘન વાહન ચેકિંગ અને ફાર્મ હાઉસ તેમજ રિસોર્ટ પર વોચ રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે, 31 ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને નશાખોરી અટકાવી શકાય તે માટે ખાસ બંદોબસ્ત યોજના બનાવવામાં આવી છે. આ અંતર્ગત સમગ્ર જિલ્લામાં 31 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વાહનચાલકો નશાની હાલતમાં છે કે કેમ, તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમરેલી સિટી પોલીસે પણ મોડી રાત્રે DYSP ચિરાગ દેસાઈ અને PI ડી.કે. વાઘેલાના નેતૃત્વ હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર ચેકિંગ શરૂ કર્યું છે. જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, અમરેલી જિલ્લાને દરિયાઈ અને જંગલ વિસ્તાર અડીને આવેલો છે, તેમજ નજીકમાં કેન્દ્રીય શાસિત પ્રદેશ પણ છે. આ કારણોસર 31 ડિસેમ્બરની ઉજવણીના બહાને કેફી પીણાં કે ડ્રગ્સનું સેવન વધવાની શક્યતા રહે છે, જેને રોકવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા હોટલ, ફાર્મ હાઉસ અને રિસોર્ટ પર SOG અને LCBની ટીમો દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પરિવાર સાથે શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરે, પરંતુ કેફી પીણાં કે ડ્રગ્સ જેવી બાબતોથી દૂર રહે. નશાખોરી કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચમાં અયૈપ્પા ભગવાનની 47મી વાર્ષિક શોભાયાત્રા યોજાઈ:કેરાલીયન સમાજના હજારો લોકો ભક્તિભાવથી જોડાયા
ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા કેરાલીયન સમાજ દ્વારા ભગવાન અયૈપ્પાના 47મા વાર્ષિક પૂજા મહોત્સવ અંતર્ગત શનિવારે સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સમાજના લોકો વાદ્યોના સંગીત સાથે ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. દર વર્ષે ડિસેમ્બરમાં યોજાતી આ પરંપરાગત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કેરાલીયન સમાજના ભક્તો ઉમટી પડે છે. આ વર્ષે શોભાયાત્રા શહેરના કસક સર્કલથી શરૂ થઈ હતી. જેમાં પરંપરાગત વાદ્યોનો નાદ, હાથી, તૈયમ, તાલાપોલી (પૂજાની થાળી) અને આકર્ષક લાઇટિંગ જેવી ભવ્ય વ્યવસ્થા સાથે ઝાડેશ્વર રોડ પર આવેલા અયૈપ્પા મંદિર સુધી પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં કેરાલીયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ભગવાન અયૈપ્પાના વિવિધ રૂપો ધારણ કરીને જોડાયા હતા. આનાથી સમગ્ર શહેરમાં ઉત્સવમય અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. શોભાયાત્રા મંદિર પહોંચ્યા બાદ ભજન, મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ પહેલા સવારે મંદિર પરિસરમાં ગણપતિ હોમ અને અભિષેક વિધિ પણ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સંપન્ન થઈ હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ મોરચાની નિમણૂકોમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા ખેડૂત નેતા હિરેન હીરપરાને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. હિરેન હીરપરાએ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેડૂત નેતા તરીકેની ઓળખ ઊભી કરી છે. તેમણે ખેડૂતોના પ્રશ્નોને સરકાર અને સંગઠન સમક્ષ સતત અને હકારાત્મક રીતે રજૂ કર્યા છે. રાજ્યભરમાં ખેડૂતોની મુલાકાત લઈ, વિવિધ ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળતા હતા. તેમની નિમણૂકથી ખેડૂતો અને કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામના વતની હિરેન કનુભાઈ હીરપરા એલ.એલ.બી. શિક્ષિત યુવાન છે અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓ સ્થાનિક સહકારી સહિત 6 જેટલી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેમની રાજકીય કારકિર્દી વર્ષ 2009માં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ધારી તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે શરૂ થઈ હતી. ત્યારબાદ, 2013માં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ, 2016માં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી, 2020માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અને 2021માં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે તેમણે સેવા આપી હતી. 2025ના અંતિમ દિવસોમાં તેમને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું છે. પાટીદાર સમાજમાંથી આવતા યુવા ચહેરા અને સંગઠનમાં તેમની સક્રિય કામગીરીને કારણે અગાઉ ધારી વિધાનસભા અને અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીઓમાં તેમનું નામ ચર્ચામાં રહ્યું હતું. ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકેની તેમની નિમણૂકને કાર્યકરો અને ખેડૂતોએ ઉમળકાભેર આવકારી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ હાલ ફરજ બજાવી શકતા નથી. તબીબી સલાહ અનુસાર તેઓ આરામ અને સારવાર હેઠળ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જવાબદારી તાત્કાલિક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે. તમામ જવાબદારી-નિર્ણય મુખ્યમંત્રી લેશેસરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગની રોજિંદી કામગીરી, મહત્વના નિર્ણય અને ચાલી રહેલી યોજનાઓ પર કોઈ અસર ન પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓ યથાવ્ રીતે ચાલુ રહેશે અને તમામ વહીવટી નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવશે. તબિયતમાં સુધારા બાદ ફરી પાનસેરિયા ફરજ સંભાળશેમંત્રી પ્રફુલ પાનસેરિયાની તબિયતમાં સુધારો આવ્યા બાદ તેઓ ફરી ફરજ સંભાળશે. ત્યાં સુધી આરોગ્ય વિભાગનું સંચાલન મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ રહેશે.
અમદાવાદના કાંકરિયા ખાતે યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલ 2025માં સહેલાણીઓની ભારે ભીડ વચ્ચે સુરક્ષાને લઈને પોલીસ સતર્ક બની છે, શરૂઆતના માત્ર ત્રણ જ દિવસમાં 52 જેટલા બાળકો ભીડમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. જોકે, અમદાવાદ પોલીસની સતર્કતા અને હાઈટેક સર્વેલન્સને કારણે ગણતરીના કલાકોમાં જ આ તમામ બાળકોને શોધી કાઢી તેમના માતા-પિતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. 6 અત્યાધુનિક ડ્રોન અને 3 હાઈ-ટેક કંટ્રોલ રૂમ દ્વારા થઈ રહેલા મોનિટરિંગને પગલે બાળકો જ નહીં, પરંતુ ખોવાયેલા કિંમતી વસ્તુ પણ મુલાકાતીઓને પરત અપાવવામાં આવી છે. મનપા અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ભારે ભીડમાં પોતાના બાળકો અને કિંમતી ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખે. ત્રણ દિવસમાં 52 બાળકો માતા-પિતાથી વિખૂટા પડ્યાકાંકરિયા કાર્નિવલમાં રોજના 50 હજારથી વધારે લોકો આવી રહ્યા છે. જેમાં 25 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બર સુધીના 3 દિવસમાં કાંકરિયા કાર્નિવલ ખાતે કુલ 52 જેટલા બાળકો વિખૂટા પડી ગયા હતા. ત્યારે માતા-પિતા દ્વારા કાંકરિયા કાર્નિવલ ખાતે શરૂ કરવામાં આવેલા પોલીસ કંટ્રોલરૂમમાં પોતાનું બાળક વિખૂટું પડી ગયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે કાંકરિયા પરિસર ખાતે હાજર મિસિંગ સેલના અને અન્ય પોલીસકર્મીઓ અને સીસીટીવી કેમેરાની મદદથી વિખૂટા થયેલા બાળકોને શોધીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. મુલાકાતીઓની કિંમતી ચીજ વસ્તુ પણ સુપરત કરાઈકાર્નિવલમાં ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવતી હોય છે. કાંકરિયા કાર્નિવલમાં કેટલાક લોકોની કિંમતી ચીજ વસ્તુઓ પણ ખોવાઈ ગઈ હતી. પોલીસની સતર્કતાને કારણે ભીડમાં ખોવાયેલા 1 કિંમતી આઇફોન (IPHONE) અને 2 પર્સ (જેમાં રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો હતા) મળી આવ્યા હતા. પોલીસે તેના અસલ માલિકોની શોધખોળ કરી અને ખાતરી કર્યા બાદ આ સામાન પરત સોંપ્યો હતો. 6 અત્યાધુનિક ડ્રોનથી આકાશમાંથી 350 ડિગ્રી સર્વેલન્સશહેર પોલીસની ઝોન 6ની પોલીસ અને મણીનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આખા પરિસરમાં ઠેર-ઠેર પોલીસ કર્મચારીઓ અને સહાયતા કેન્દ્ર મુકવામાં આવ્યા છે. 6 અત્યાધુનિક ડ્રોનથી આકાશમાંથી 350 ડિગ્રી સર્વેલન્સ દ્વારા ભીડ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. 3 હાઇ-ટેક કંટ્રોલ રૂમ: સી.સી.ટીવી કેમેરા નેટવર્ક દ્વારા સમગ્ર વિસ્તારનું સતત મોનિટરિંગ થાય છે. મુલાકાતીઓની ત્વરિત મદદ માટે 24 કલાક પોલીસ સહાયતા કેન્દ્ર કાર્યરત કરાયું છે. વિખૂટા પડેલા લોકોને શોધવા માટે ખાસ બે સમર્પિત ટીમોમહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાદા ડ્રેસમાં 11 શી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કાંકરિયા પરિસરમાં કરવામાં આવે છે. જ્યારે વિખૂટા પડેલા બાળકો અને વ્યક્તિઓને તાત્કાલિક શોધવા માટે ખાસ બે સમર્પિત ટીમોની રચના કરી છે. જે ખૂબ જ ભીડમાં નાના બાળકો પરિવારથી વિખૂટા થઈ જતા હોય છે. તેને પોલીસ દ્વારા શોધીને તેના માતા-પિતાને પરત આપવામાં મદદ કરે છે.
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા તાજેતરમાં ઇન્ટર હાઉસ ઓબ્સ્ટેકલ સ્પર્ધા 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા કેડેટ્સની શારીરિક સહનશક્તિ, ચપળતા, હિંમત અને ટીમવર્કનું પરીક્ષણ કરવા માટે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં પાંચ સિનિયર હાઉસના ધોરણ 9 થી 11ના કેડેટ્સે ભાગ લીધો હતો. કેડેટ્સે સ્ટ્રેટ બેલેન્સ, ગેટ વોલ્ટ, એલ્બો લિફ્ટ, ઝિગ-ઝેગ બેલેન્સ, ડબલ ડિચ, બર્મા બ્રિજ, એઇટ ફીટ વોલ, સ્ક્રેમ્બલ નેટ, મંકી રોપ, વર્ટિકલ રોપ, ક્રોલ અને રેમ્પ જેવા પડકારજનક અવરોધોનો સામનો કર્યો હતો. લગભગ તમામ કેડેટ્સે તેમની કઠોર તાલીમ અને શિસ્તને પ્રતિબિંબિત કરતા અવરોધોને સફળતાપૂર્વક પાર કર્યા. ખૂબ જ સ્પર્ધાત્મક ઇવેન્ટ પછી, શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ ઓબ્સ્ટેકલ કોમ્પિટિશન 2025-26માં વિજય પ્રાપ્ત કર્યો. તેમણે 17 મિનિટ અને 04 સેકન્ડના પ્રભાવશાળી સમયમાં કોર્સ પૂર્ણ કરીને ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી. આંગ્રે હાઉસે રનર્સ-અપ સ્થાન મેળવ્યું. વ્યક્તિગત કેટેગરીમાં, કેડેટ પંકજે પ્રથમ સ્થાન મેળવ્યું, ત્યારબાદ કેડેટ રુદ્ર બીજા સ્થાને અને કેડેટ સુજલે ત્રીજા સ્થાને રહ્યા. સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ વિજેતા હાઉસને ચેમ્પિયનશિપ ટ્રોફી આપી. આ પ્રસંગે, અધિકારીઓ અને સ્ટાફે વિજેતાઓને અભિનંદન આપ્યા અને તમામ કેડેટ્સના ઉત્સાહપૂર્ણ ભાગીદારી અને પ્રશંસનીય પ્રયાસોની પ્રશંસા કરી.
બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિર દ્વારા 175મો શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત આનંદ મેળાનું પણ આયોજન કરાયું છે, જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ નાગરિકો ઉમટી રહ્યા છે. આ મેળામાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ માટે મનોરંજનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. વિવિધ પ્રકારના ચકડોળ, ઝુલા અને રમતો લોકો માટે મુખ્ય આકર્ષણ બન્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે મેળામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ અને નાગરિકોએ આ મેળાનો ઉત્સાહભેર લાભ લીધો હતો. મેળામાં વિવિધ ખાણી-પીણીના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા છે, જ્યાં મુલાકાતીઓ પરિવાર સાથે વિવિધ વાનગીઓનો સ્વાદ માણી રહ્યા છે. બોટાદના નાગરિકોએ સ્વામીનારાયણ મંદિર દ્વારા આયોજિત આ કાર્યક્રમને સારો પ્રતિસાદ આપ્યો છે. મહોત્સવના આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડોદરા-દાહોદ મેમુ ટ્રેન ગોધરા સુધી આંશિક રદ:ડેરોલ યાર્ડમાં ROB ગર્ડર લોન્ચિંગ માટે ૩ કલાકનો બ્લોક
વડોદરા-દાહોદ મેમુ ટ્રેન આજે વડોદરા અને ગોધરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ડેરોલ યાર્ડમાં રોડ ઓવર બ્રિજ (ROB) ના ગર્ડર લોન્ચિંગના કામ માટે રેલવે દ્વારા ત્રણ કલાકનો બ્લોક લેવામાં આવશે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. વડોદરા રેલવે ડિવિઝન દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, ડેરોલ યાર્ડમાં લેવલ ક્રોસિંગ નંબર 32 પર બની રહેલા રોડ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગનું કાર્ય હાથ ધરાશે. આ માટે આજે બપોરે ૧:૩૦ થી ૪:૩૦ વાગ્યા સુધી અપ અને ડાઉન એમ બંને લાઇન પર ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ ત્રણ કલાકના બ્લોકની સીધી અસર ગાડી સંખ્યા 69117 વડોદરા – દાહોદ મેમુ ટ્રેન પર પડશે. આ ટ્રેન આજે વડોદરાથી ગોધરા વચ્ચે દોડશે નહીં, એટલે કે આ રૂટ પર તે આંશિક રીતે રદ રહેશે. રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ ટ્રેનના સમય અને સ્ટોપેજની નવીનતમ વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર તપાસ કરી લે. આનાથી મુસાફરીમાં થતી અગવડ ટાળી શકાય છે.
સુરત શહેરના રામપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી બાદ માઠું લાગી આવતા યુવકે ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે. દાનિશ કામ વગર અહીં-તહીં ફરતા પિતાએ ઠપકો આપ્યો હતોરામપુરા રામવાડી પાસે આવેલા 'હમ્દપાર્ક' બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. મળતી માહિતી મુજબ, દાનિશ અવારનવાર કામ વગર અહીં-તહીં ફરતો રહેતો હતો, જેને લઈને પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાની આ શિખામણ દાનિશને મન પર લાગી ગઈ હતી. સારવાર માટે ખસેડાયો પણ ન બચ્યો26 ડિસેમ્બરને શુક્રવારે રાત્રે દાનિશે આવેશમાં આવીને પોતાના બિલ્ડિંગના ચોથા માળેથી પડતું મૂક્યું હતું. તેને ગંભીર હાલતમાં તાત્કાલિક લોખાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. CCTVમાં કેદ થયા મોતના દૃશ્યોઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, દાનિશ ચોથા માળેથી નીચે કૂદે છે અને નીચે ઉભેલા એક 'છોટા હાથી' ટેમ્પાના પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાઈને જમીન પર પટકાય છે. અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ હેબતાઈ ગયા હતા અને તરત જ તેની મદદ માટે દોડી આવ્યા હતા. પરિવાર પર આભ ફાટ્યુંમૃતક દાનિશ તેના પિતાનો એકનો એક પુત્ર હતો અને તેને એક બહેન પણ છે. ઘરના વડીલે પુત્રના સારા ભવિષ્ય માટે આપેલો ઠપકો આટલો મોટો આઘાત આપશે તેવી કલ્પના પરિવારે કરી ન હતી. લાલગેટ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 27 ડિસેમ્બરે રાજકોટમાં યુવકે ઓવરબ્રિજ પરથી કૂદકો માર્યો હતો રાજકોટ શહેરના રૈયા ચોક ઓવરબ્રિજ પરથી એક યુવાને છલાંગ લગાવી આત્મહત્યાની કોશિશ કરી હતી. આ ઘટનામાં યુવકને માથાના અને પગના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવકનું નામ હરેશ જેઠવા (ઉં.વ.41) હોવાનું અને તે રૈયા રોડ પર આવેલ શ્યામનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું .છે તેને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે, પોતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવ્યો હતો. ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી બાદ માઠું લાગી આવતા યુવકે ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
કોડીનારના વેળવા ગામમાં ખેડૂત અને પોપટની અનોખી મિત્રતા:ખેડૂતના ખભે બેસી તેમની સાથે ફરે છે 'મીતુ' પોપટ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેળવા ગામમાં માનવતા અને પ્રેમનું અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે લોકો શ્વાન-બિલાડી કે પશુઓ સાથેની મિત્રતા જુએ છે, પરંતુ અહીં એક માનવી અને પોપટ વચ્ચે એવી આત્મીય દોસ્તી જોવા મળી છે કે જે સૌને આશ્ચર્યમાં મૂકી દે છે. વેળવા ગામના ખેડૂત નારણભાઈ સાર્દુલભાઈ સાવધરીયા અને ‘મીતુ’ નામના પોપટ વચ્ચેનો સંબંધ હવે આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે. નારણભાઈ પગપાળા ચાલે કે મોટરસાયકલ લઈને નીકળે, ત્યારે મીતુ તરત જ તેમના ખભા ઉપર આવી બેસી જાય છે. બંનેનું આ દ્રશ્ય જોતા લોકો થોભી જાય છે. આ અનોખી મિત્રતાની શરૂઆત આશરે છ માસ પહેલાં થઈ હતી. નારણભાઈની વાડીએ તેમને એક પોપટનું બચ્ચું મળ્યું હતું, જે કદાચ પોતાની માતાથી વિખૂટું પડી ગયું હતું. આસપાસ ઘણી શોધખોળ કરવા છતાં માતા પોપટ ન મળતાં, નારણભાઈએ માનવતાના દાવ સાથે તેને પોતાના ઘરે લઈ જઈ સાચવવાનું નક્કી કર્યું. નારણભાઈએ પોપટના બચ્ચાને ખોરાક આપ્યો, પાણી પાવડ્યું અને પોતાના સંતાન સમાન કાળજી લીધી. સમય જતાં આ લાગણી વધુ ગાઢ બની અને આજે મીતુ નારણભાઈ વિના એક ક્ષણ પણ રહી શકતું નથી. છ માસના સમયગાળામાં આ સંબંધ મજબૂત મિત્રતામાં પરિવર્તિત થયો છે. રાત્રિના સમયે નારણભાઈ મીતુને પાંજરામાં રાખે છે, જ્યારે દિવસ દરમિયાન તેને સંપૂર્ણપણે ખુલ્લું મૂકે છે. ખેતીના કામે જાય ત્યારે પણ મીતુ નારણભાઈ સાથે જ રહે છે. માણસ અને પોપટ વચ્ચેની આ નિસ્વાર્થ દોસ્તી આજે વેળવા ગામમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને માનવતા હજુ જીવંત છે તેવો સુંદર સંદેશ આપે છે.
ગુજરાતમાં 1 વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, પ્રતિ કલાકે જન્મતા બાળકોમાં 70 દીકરા, 64 દીકરી
Image: Freepik
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આયોજિત 'સરદાર@150 સ્વદેશી પદયાત્રા – 2025' તેના બીજા દિવસે, 27 ડિસેમ્બરે યાત્રાધામ કાગવડ પહોંચી હતી. રાજકોટથી શરૂ થયેલી આ પદયાત્રાએ 27 કલાકમાં 65 કિલોમીટરથી વધુનું અંતર કાપી સરદાર સાહેબના વિચારો લોકો સુધી પહોંચાડ્યા છે. 28 ડિસેમ્બર, રવિવારના રોજ સવારે કાગવડ ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ 'સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો' અને 'જય સરદાર'ના નારા સાથે પદયાત્રા ખોડલધામ મંદિર તરફ આગળ વધી હતી.
અમદાવાદના સોલા વિસ્તારમાં ભાગવત વિદ્યાપીઠના પરિસરમાં વિસરાતી વાનગીઓનો મહોત્સવ યોજાયો છે. આગામી 31 ડિસેમ્બર સુધી લુપ્ત થતી અલગ અલગ વાનગીઓનો સ્વાદ અમદાવાદીઓ લઈ શકશે. ખાવા માટેના શોખીન હોવ અને રોજ કંઈક નવું ટેસ્ટ કરવાની ઈચ્છા હોય તો ચોક્કસથી આ જગ્યા તમારા માટે પસંદગીની બની રહેવાની છે. વિસરાતી વાનગીઓમાં અનેક વાનગીઓ એવી હશે જેના નામ અત્યારની પેઢીએ તો સાંભળ્યા પણ નહીં હોય. શોખીનો માટે વિસરાતી વાનગીઓના મહોત્સવમાં જલસોઅત્યારના યુવાનો માટે રોજબરોજના જીવનમાં ઇન ઓર્ગેનિક પદાર્થો અને ફાસ્ટ ફૂડ ખાવા માટે ટેવાઈ ગયા છે. ફાસ્ટ ફૂડનો ટ્રેન્ડ એ પ્રકાર વધ્યો છે કે અમદાવાદમાં કોઈ નવી રેસ્ટોરન્ટ કે કાફે ખુલે અને યુવાનો તેમાં એક વખત જમવા માટે ન ગયા હોય તેવું ભાગ્યેજ બની શકે. કારણ કે નવો ટ્રેન્ડ યુવાનોને ખૂબ પસંદ આવી રહ્યો છે, કઈક અલગ વેરાયટી સાથે વાનગીઓ યુવાનો પસંદ કરી રહ્યા છે. જેથી હવે અમદાવાદીઓએ 31 ડિસેમ્બર સુધી શરીરની ચિંતા છોડી ટ્રેનિંગ વાનગીઓની મજા મળી શકશે. ટ્રેન્ડિંગ વાનગીઓ સાથે પોષણયુક્ત ખાવાના શોખીનો માટે વિસરાતી વાનગીઓના મહોત્સવમાં જલસો પડી જવાનો છે. આ પણ વાંચો: જરા હટકે ખાવાના શોખીન હોવ તો અમદાવાદમાં ચાલી રહેલા 'વીસરાતી વાનગી મહોત્સવ'માં પહોંચી જજો ટ્રેન્ડ સાથે પોષણયુક્ત બીટ રૂટ રોલ અને રતાળુ પેટીસ બનાવવામાં આવ્યાયુવાનોના અત્યાર પેઢીની પસંદને ધ્યાનમાં રાખીને ફાસ્ટ ફૂડમાં જે જે વાનગીઓ આવે છે તેમાં વિસરાતી વાનગીઓને કઈ રીતે જોડી શકાય તે પ્રયાસ વિસરાતી વાનગીઓના મહોત્સવમાં જોવા મળી રહ્યું છે. રગડા પેટીસ, આલુ ટિક્કીની દુકાન જોઈને ભલભલાનું મન તે ખાવા માટે આકર્ષાઈ જાય છે, પરંતુ તે શરીર માટે કેટલું સારું છે તે તરફ કોઈ ધ્યાન આપતું નથી. વિસરાતી વાનગીઓના મહોત્સવમાં તેને અલગ રીતે બનાવવામાં આવે છે. પ્રાચીબેને બીટ રૂટ રોલ અને રતાળુ પેટીસનો સ્ટોલ કર્યો છે. આલુ ટિક્કીમાં બટાકામાં એટલા પોષણયુક્ત તત્વો હોતા નથી. જેથી અત્યારના ટ્રેન્ડ સાથે પોષણયુક્ત બીટ રૂટ રોલ અને રતાળુ પેટીસ બનાવવામાં આવ્યા છે. વ્યસ્ત જીવનમાં શું ખાવું, શરીર માટે યોગ્ય છે તે લોકો વિચારતા નથીમેદાનો ઉપયોગ અત્યારે મોટા ભાગની તમામ વાનગીઓમાં થવા લાગ્યો છે. વ્યસ્ત જીવનમાં શું ખાવું, શરીર માટે યોગ્ય છે તે આપણે વિચારતા પણ નથી. મેંદો ખાવાથી કેટલું નુકસાન થાય છે તે વિચારવાનો પણ લોકો પાસે સમય નથી. કારણ કે નવી વાનગીઓ ખાવાના ઉત્સાહ સાથે શરીરની ચિંતા કરવાનું આપડે ભૂલી ગયા છીએ. જે વાનગીઓ ટ્રેડિંગ છે તે બજારમાં મેંદામાં બને છે તે વાનગીઓ અહીં પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા મિલેટ્સમાં બનાવવામાં આવી છે. કેક કે જે કોઈપણ વ્યક્તિનો જન્મ દિવસ તે જોવા મળતી હોય છે, પરંતુ વિસરાતી વાનગીઓના મહોત્સવમાં રાગી, જુવાર, મધ અને કેળા સાથે કેક બનાવવામાં આવી છે, કે જે યુવાનોને આકર્ષે છે અને ન્યુટ્રિશિયનની પણ ચિંતા કરે છે. પ્રાચીબેને વધુમાં જણાવ્યું હતું કે, વાનગીઓમાં અમે ઓર્ગેનિક કલર એડ કરીએ છીએ જેથી યુવાનો માટે આકર્ષણરૂપ બની રહે છે. આમાં અમે રતાળુ, બીટ રૂટ અને થોડા જ માત્રામાં બટાકા અને ઘરમાં બનાવવામાં આવેલું પનીર સાથે ચાટ બનાવીને અહીંયા આપીએ છીએ. બટાકામાં પૂરતા પોષણયુક્ત તત્વો હોતા નથી પરંતી બીટરૂટ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. હીમોગ્લોબિન પણ આના કારણે ઇન્ક્રિશ થાય છે. રુચિબેને વધુમાં જણાવ્યું હતું કે, જાવરુમાં અલગ અલગ મેટેસ્ટ એડ કરીને તેને વેજિટેબલ સાથે પીરસવામાં આવે છે. તેમજ આ વખતે રાગી પેનકેકનું નવું ઇનોવેશન બનાવવામાં આવ્યું છે. પેનકેકમાં 80 ટકા રાગી અને 20 ટકા જુવાર સાથે મધ અને કેળા સાથે બનાવવામાં આવે છે. અત્યારે મેદાને વધારે મહત્વ આપવામાં આવે છે. પરંતુ આપણી પાસે એવા ઘણા બધા મિલેટ્સ છે જે આપણે ઘણું બધું ન્યુટ્રિશિયન પણ પૂરા પાડે છે. અત્યારના સમયમાં લોકો મેદાથી દૂર થઈ મિલેટ્સ પર આકર્ષાય તેવો પ્રયાસ છે. ચંદ્રિકાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાગીનો ઉપયોગ કરીને દૂધથી બનાવવામાં આવે છે, જેથી આ ખાવાથી બાળકને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. બાળક મિલેટ્સ કેક ગમે એટલી ખાય પરંતુ તેનાથી શરીરને કોઈ નુકસાન થશે નહીં.
જૂનાગઢના આંગણે GEB એન્જિનિયર્સ એસોસિએશન (GEA)ના 27માં વાર્ષિક અધિવેશનનો 27 ડિસેમ્બરના રોજ ભવ્ય પ્રારંભ થયો છે. 27 અને 28 ડિસેમ્બર એમ બે દિવસીય ચાલનારા આ અધિવેશનના પ્રથમ દિવસે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ તકે સમગ્ર ગુજરાતમાંથી 3000થી વધુ ઈજનેરો અને તેમના પરિવાર મળી અંદાજે 5000થી વધુ લોકોની ઉપસ્થિતિથી જૂનાગઢમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. આજે ઋષિકેશ પટેલ અને ગોરધન ઝડફિયાની અધિવેશનમાં હજારી આપશે. અધિવેશનમાં નાઈટ શોમાં 'હની બેન્ડ'ની જમાવટ અધિવેશનના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાત્રિના સમયે ભુજના સુપ્રસિદ્ધ 'હની બેન્ડ' દ્વારા મ્યુઝિકલ નાઈટ શો યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઈજનેરો અને તેમના પરિવારો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. મંત્રી કૌશિક વેકરિયાએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી ઈજનેરોનો ઉત્સાહ વધાર્યો હતો. પારિવારિક માહોલ વચ્ચે યોજાયેલા આ સુંદર આયોજનને બિરદાવ્યું હતું. ત્રિ-વાર્ષિકને બદલે વાર્ષિક મિલન યોજોઃ વેકરિયારાજ્ય ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ ઈજનેરોને સંબોધતા જણાવ્યું હતું કે, GEB એન્જિનિયર એસોસિએશન દ્વારા જૂનાગઢમાં ખૂબ જ ભવ્ય અને પારિવારિક આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ ઉત્સવ દર ત્રણ વર્ષે યોજાતો હોય છે, પરંતુ મારી અપીલ છે કે ઈજનેરો વચ્ચે પારિવારિક સંબંધો જળવાઈ રહે તે માટે આ સ્નેહમિલન વાર્ષિક ધોરણે યોજવામાં આવે. તેમણે ગુજરાતના વિકાસમાં ઈજનેરોના ફાળાને બિરદાવી તેમને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી. આજે એસો.ના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશેઃ હરેશ વઘાસિયાએસોસિએશનના જનરલ સેક્રેટરી હરેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે તમામ કંપનીઓના એમડી (MDs), પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે (28 ડિસેમ્બર) અધિવેશનના બીજા દિવસે રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ જીબીઆ (GBA)ના પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા ખાસ ઉપસ્થિત રહેશે. આ સાથે આજે એસોસિએશનના આગામી ટર્મ માટેના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. ઈજનેરોએ સરકાર સાથે ખભેખભા મિલાવી રાજ્યના ઉર્જા ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ પણ આ તકે વ્યક્ત કર્યો હતો.
રૂ.1.06 કરોડના વીઝા કૌભાંડમાં:પકડાયેલા આરોપીની જામીન અરજી પાટણ કોર્ટે નામંજૂર કરી
પાટણ: રૂા. 1.06 કરોડના વીઝા કૌભાંડ કેસમાં પકડાયેલા આરોપી રવિન્દ્રગીરી હસમુખગીરી વૈરાગીની નિયમિત જામીન અરજી પાટણના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નૌશાદ પઠાણે નામંજૂર કરી છે. આ અગાઉ પણ તેની જામીન અરજીઓ નામંજૂર થઈ ચૂકી છે. ભૂજ-કચ્છ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાંચે આ કૌભાંડમાં મૂળ વિસનગરના વાલમના અને હાલ પાલનપુર રહેતા રવિન્દ્રગીરી વૈરાગી (ઉ.વ. 30)ની ધરપકડ કરી હતી. તેના પર પાટણના બે યુવાનો સહિત વિસનગર પંથકના કેટલાક યુવાનોને વિદેશ મોકલવા માટે વીઝા કઢાવી આપવાના બહાને રૂા. 1.06 કરોડની રકમ પડાવી લેવાનો આરોપ છે. આરોપી સામે બીએનએસ 54/316(2)/316(5)/333(3)/340(2) તથા વસવાટ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણની કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને જામીન અરજી નામંજૂર કરતા જણાવ્યું હતું કે, સરકારી વકીલ અને ચાર્જશીટના કાગળો મુજબ આરોપીએ સહઆરોપીઓ પાસેથી ફરિયાદી તથા અન્યોના વીઝા બનાવી આપવા પૈસા મેળવી સાચા વીઝા આપ્યા ન હતા અને ખોટા ઓફર લેટર બનાવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે આરોપી સામે પ્રથમદર્શીય પુરાવા છે અને સંજોગોમાં કોઈ ફેરફાર જણાઈ આવતો નથી. આ હકીકતોને ધ્યાને લેતા આરોપીની જામીન અરજી મંજૂર કરવી ન્યાયી અને વ્યાજબી જણાતી ન હોવાથી તેને નામંજૂર કરવામાં આવે છે. અગાઉ પણ પાટણની સેશન્સ કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી હતી, જે બાદ તેણે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી.
ગુજરાત ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર:અરવિંદ પટેલ ઉપપ્રમુખ, સોનલ સોલંકી મંત્રી બન્યા
ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જાહેરાત બાદ શનિવારે મોડી રાત્રે તેમની સંગઠન ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં કુલ 10 ઉપપ્રમુખોની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત, અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, પ્રદેશ ઉપપ્રમુખ પદે અનુભવી અને સંગઠનક્ષમ નેતાઓને સ્થાન અપાયું છે. મહામંત્રી અને મંત્રી પદે સંતુલિત તથા પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ રચીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે. કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી સંગઠન રચનામાં જ્ઞાતિ સમીકરણને વિશેષ ધ્યાનમાં લેવાયું છે. પ્રદેશ ઉપપ્રમુખ પદે ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ, આદિવાસી તેમજ ઓબીસી સમાજના પ્રતિનિધિઓને સ્થાન અપાયું છે. 2026ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ સમાજોને સાથે લઈને ચાલવાની સ્પષ્ટ રણનીતિ તરીકે આ નિમણૂકોને જોવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા માટે મહત્વપૂર્ણ રીતે, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત, વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ અને CWCના પૂર્વ ચેરપર્સન સોનલબેન સોલંકીને પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક અપાઈ છે. આ નિમણૂકોને પગલે વલસાડ જિલ્લામાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ચોટીલા નજીક નેશનલ હાઈવે પર આવેલી બે ગેરકાયદેસર હોટલો પર બુલડોઝર ફેરવી દીધું છે. આ કાર્યવાહીમાં આશરે 10 એકર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ હોટલો ગેરકાયદેસર બાંધકામ ઉપરાંત પ્રોહીબિશન અને કેમિકલ ચોરી જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ગંભીર ગુનાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકીએ ચોટીલા વિસ્તારમાં નેશનલ હાઈવે પરની હોટલો અને ધાબાઓની ખરાઈ કરી માહિતી એકત્રિત કરી હતી. જે હોટલોમાં અગાઉ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપાઈ હતી, તેવી હોટલોના માલિકો અને સંચાલકો પાસેથી આધાર-પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. નાની મોલડી ગામ પાસે આવેલી 'ન્યુ નાગરાજ હોટલ' અને 'જય વડવાળા હોટલ' દ્વારા કોઈ આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. આ બંને હોટલો મહેસૂલ વિભાગની મંજૂરી વિના સરકારી જમીનમાં આશરે 10 એકર જેટલું દબાણ કરીને ઊભી કરવામાં આવી હતી. 'જય વડવાળા હોટલ'ના સંચાલક સંજયભાઈ અનકભાઈ ખાચર પર ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય દારૂનો મોટો જથ્થો રાખી કટિંગ કરાવવાનો આરોપ હતો, જ્યાં રેડ દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે 'ન્યુ નાગરાજ હોટલ'માં અગાઉ ગેરકાયદેસર કેમિકલ/ડિઝલ ચોરી ઝડપાઈ હતી. આ બંને હોટલો ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં બાંધકામ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી હોવાનું જણાતા, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે કુલ 10 એકર સરકારી જમીન પરથી દબાણ દૂર કર્યું છે. આ કામગીરીમાં પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી અને પી.આઈ. જે.એન. સોલંકી સહિત ચોટીલા પોલીસ ટીમે ભાગ લીધો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં નવી નિમણૂક પામેલી આંગણવાડી કાર્યકર મહિલાઓ સાયબર છેતરપિંડીનો ભોગ બની છે. સાયબર ગઠિયાઓએ 'પગાર જમા થયો નથી' તેમ કહીને અનેક કાર્યકરોના બેંક ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હતા. આ મામલે ભોગ બનનાર કાર્યકરો દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગત 4 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યની 9,000 આંગણવાડી કાર્યકરો અને તેડાગર મહિલાઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નિમણૂક મળ્યાના એક મહિનાની અંદર જ દસાડા તાલુકાના શેડલા, કામલપુર અને મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોની નવી કાર્યકર મહિલાઓ આ છેતરપિંડીનો શિકાર બની છે. દસાડા તાલુકાના શેડલા ગામના આંગણવાડી મહિલા કાર્યકરને એક મોબાઈલ નંબર પરથી ગાંધીનગરથી બોલતા હોવાનું જણાવીને ફોન આવ્યો હતો. તેમને પગાર જમા ન થયો હોવાનું કહી, તેમના પરિવારના મોહીબખાન કરીમખાનના ખાતામાંથી રૂ. 3,700 ઉપાડી લેવામાં આવ્યા હતા. બાદમાં જ્યારે મહિલાએ ફોન કર્યો ત્યારે સામેથી ગાળો બોલવામાં આવી હતી. આવી જ રીતે, દસાડા તાલુકાના કામલપુર ગામની એક નવી આંગણવાડી કાર્યકરને પણ સાયબર ગઠિયાએ ફોન કરીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ સફળ ન થતાં, ગઠિયાએ તે જ ગામના એક લાભાર્થીને કોન્ફરન્સ કોલમાં લઈને તેમના ખાતામાંથી રૂ. 5,000 ઉપાડી લીધા હતા. આ કાર્યકરને પણ ફરી ફોન કરતા અપશબ્દો સાંભળવા મળ્યા હતા. મોટી મજેઠી ગામની નવી આંગણવાડી કાર્યકર સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી થઈ હતી. સાયબર ગઠિયાએ તેમને વાતોમાં ભોળવી, અમદાવાદમાં કારખાનામાં કામ કરતા તેમના દીકરાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. દીકરા સાથે વાત કરીને તેના ખાતામાંથી રૂ. 10,000 સેરવી લેવામાં આવ્યા હતા. દસાડા તાલુકાની અન્ય નવી આંગણવાડી કાર્યકરો પણ આ પ્રકારે સાયબર ક્રાઈમનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાઓને કારણે કાર્યકરોમાં ચિંતાનો માહોલ છે.
દીકરીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો:બોટાદ જિલ્લામાં દીકરીઓની સુરક્ષા તેમજ સ્વાવલંબન માટે મહા-અભિયાન
બોટાદ જિલ્લાના હડદડ ખાતે આવેલી કષ્ટભંજન વિદ્યા મંદિરમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાન હેઠળ એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને જાતીય ગુનાઓ અને ડિજિટલ યુગના જોખમો સામે સજ્જ કરવાનો હતો. ગુડ ટચ-બેડ ટચ અને કાર્યક્રમમાં ખાસ કરીને બાળકો સામેના જાતીય ગુનાઓ (POCSO Act-2012) અંગે સમજણ આપવામાં આવી હતી. અજાણી વ્યક્તિની લોભ-લાલચમાં ન આવવા અને શાળાએ આવતી-જતી વખતે સતર્ક રહેવા સૂચના અપાઈ, 'ગુડ ટચ' અને 'બેડ ટચ' વચ્ચેનો તફાવત સમજાવી, મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે તાત્કાલિક પગલાં લેવા તે અંગે માર્ગદર્શન અપાયું. આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના સુરક્ષિત ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ અને ઇન્ટરનેટના જોખમોથી બચવા માટે મહત્વપૂર્ણ ટિપ્સ આપવામાં આવી હતી. સરકારી યોજનાઓ અને હેલ્પલાઇનનો વ્યાપક પ્રચાર કાર્યક્રમમાં મહિલા અને બાળ સુરક્ષા માટે કાર્યરત વિવિધ સેવાઓ અને યોજનાઓની માહિતી અપાઈ હતી. આ તકે શાળાના પ્રમુખ વિનોદભાઈ કાલસરીયા, ટ્રસ્ટી જગદીશભાઈ કાલસરીયા અને આચાર્ય અરવિંદભાઈ બાવળીયા સહિતના સ્ટાફે મહિલા અભયમ અને સાયબર ક્રાઇમ ટીમની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
SOGની કાર્યવાહી:દુબઇના સાઇબર માફિયાના કહેવાથી આણંદના 5 એકાઉન્ટની બેંક કીટ લેવા આવેલા 2 ઝડપાયા
આણંદ એસઓજીની ટીમેશુક્રવારે મોડી રાત્રે બાતમી મુજબઆણંદ શહેરની સામરખા ચોકડીપાસે આવેલી કારને રોકી લઈ બેકારમાં સવાર બે શખસોને ઝડપીપાડ્યા હતા. પોલીસ પૂછપરછમાંડ્રાઇવિંગ કરનારો શખસ ઉમંગવિનોદ જોષી અને તે સાણંદનોરહેવાસી જ્યારે તેની બાજુમાં જયરોહિત ઠક્કર અને તે રાધનપુરનોરહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાતમીના આધારે કારમાંતપાસ કરતા અલગ અલગબેંકની પાસબુક, એટીએમ કાર્ડ,મોબાઈલ મળી આવ્યા હતા. જોકે,આ બાબતે પૂછપરછ કરતા બંનેકોઈ સંતોષકારક જવાબો આપીશક્યા ન હતા. જેથી તેમની સઘનપુછપરછ કરતાં કરતા ઉમંગછેલ્લાં ત્રણ વર્ષથી રૂપિયા 15હજારમાં મણીપ્રભુ એપાર્ટમેન્ટનવરંગ સ્કૂલની સામે નવરંગપુરાઅમદાવાદ ખાતે રહેતા જૈમીન ઉર્ફેગોલુ ઈશ્વરલાલ ઠક્કરને ત્યાંનોકરી કરતો હોવાનું જણાવ્યુંહતું. જયમીન ઉર્ફે ગોલું તેનોબનેવી થાય છે અને તે હાલમાંછેલ્લાં ચારેક વર્ષથી દુબઈ છે.જયમીનના કહેવાથી તે ચારવખત બેન્કની કીટો લઈ ગયોહોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેપાસેથી રૂપિયા 76 હજારનીકિંમતના 15 જેટલા અલગ અલગકંપનીના મોબાઈલ, બેન્કનીસામગ્રી તેમજ કાર મળી રૂપિયા10.76 લાખનો મુદ્દામાલ કબજેકરી બંનેની અટકાયત કરી હતી.જોકે, જયમીન ઠક્કર નામનોશખસ હાલ દુબઈમાં હોઈ વોન્ટેડછે. જોકે, પોલીસ દ્વારા કબજેકરાયેલી તમામ પાસબુકમાં કુલથયેલા નાણાકીય વ્યવહારોનેવેરીફાય કરવાની પ્રક્રિયા કરવામાંઆવી રહી છે. જેમાં પ્રાથમિકતબક્કે લાખો રૂપિયાની નાણાકીયવ્યવહાર થયાનું લાગી રહ્યું છે.જોકે, આ ગુનો જામીનપાત્ર હોયબંને શખસને કોર્ટમાં રજૂ કરાયા નહોવાનું પોલીસસૂત્રો દ્વારા જાણવામળ્યું છે. જોકે, આગામી સમયમાંજે પણ ખાતાધારકો છે તે તમામનેબોલાવીને તમામની પૂછપરછકરવામાં આવશે. જૈમીન ઠક્કરહાલમાં દુબઈમાં છે અને ત્યાંથી જતે સમગ્ર નેટવર્ક ચલાવતો હતો.તેનો સાળો ગુજરાતમાં રહીનેલોકોને કમિશનની લાલચઆપીને બેન્ક એકાઉન્ટની ડિટેઈલલઈને તેમાંથી તેમના જે મોબાઈલપર ઓટીપી આવે તે આપતો હતો. જય ઠક્કર ગુજરાતમાં રહેતો હોઈઅલગ-અલગ જિલ્લાઓમાંજઈને લોકો સાથે મળીને વાતચીતકરીને વિશ્વાસ જીતતો હતો. જુદીજુદી બેન્કની કીટ લઇ આવીનેખાતાઓમાં છેતરપિંડી કરીનેમેળવેલા ઓનલાઇન ફ્રોડ અનેગેમીંગના નાણાં જમા કરાવ્યાબાદ તેઓની બેંક કીટવાળામોબાઈલ ફોન પર ઓટીપીમેસેજમાં આવે તે ઓટીપી મેસેજપાસવર્ડ જૈમીનને મોકલી આપતોહતો.
સન્ડે ફોટો સ્ટોરી:બુલેટ ટ્રેન : ચરોતરમાં સ્લેબ બેલાસ્ટ લેસ સિસ્ટમથી ટ્રેક નાખવાનું શરૂ
નડિયાદ અને આણંદ વચ્ચે તૈયાર થઈ રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. માળખાકીય ઢાંચો તેમજ સ્ટીલ વર્ક કોન્સર્સ સ્લેબ અને ટ્રેક સ્લેબ નાખવાની પણ કામગીરી પૂર્ણ થયા બાદ હવે ટ્રેકની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વીજળીકરણ અને લિફ્ટની ફિનિશિંગની કામગીરી પણ પૂર્ણ થવા પર છે. 415 મીટર લાંબા પ્લેટફોર્મ અને 44,073 ચોરસ મીટરનો કુલ બિલ્ટઅપ વિસ્તાર સાથે ટ્રેક સ્લેબ સહિત હાઈ સ્પીડ રેલ માટે વિશિષ્ટ માળખાગત સુવિધાઓ હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. આણંદમાં એક વિશિષ્ટ ટ્રેક સ્લેબ ફેક્ટરી ટી - 3 પેકેજ માટે ફ્રી કાસ્ટ રી ઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ ટ્રેક સ્લેબનું ઉત્પાદન કરી રહી છે. રોજના 60 સ્લેબનું ઉત્પાદન કરી, આશરે 175 ટ્રેક કિલોમીટરના સમકક્ષ સ્લેબ તૈયાર થયા છે. આ પ્રોજેક્ટમાં જાપાનીઝ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્લેબ બેલાસ્ટ લેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં અહીં ટ્રેક ઇન્સ્ટોલેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બાંધકામ ક્ષેત્રે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA) અસ્તિત્વમાં આવ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી બાંધકામ સંબંધિત તમામ મંજૂરી પ્રક્રિયા સંપૂર્ણપણે અટકી પડી છે. આના કારણે બિલ્ડરો, ડેવલોપરો અને એસ્ટેટ બ્રોકરોનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે. આ મુદ્દે વેરાવળ ખાતે બિલ્ડરો, ડેવલોપરો અને એસ્ટેટ બ્રોકરોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરાર, ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા અને પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ માનસિંગ પરમાર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે દોઢ વર્ષથી મંજૂરી ન મળવાને કારણે આર્થિક સંકટ ઊભું થયું છે અને રોજગાર પર પણ તેની સીધી અસર પડી રહી છે. વેરાવળ સોમનાથ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ બાદલ હુંબલ અને ઉપપ્રમુખ અશોક ગદા સહિતના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ અંગે રાજ્ય સરકાર સાથે અનેક વખત બેઠકો યોજાઈ હોવા છતાં હજી સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. તેમણે આગામી સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સરકારી જનપ્રતિનિધિઓએ ફરી એકવાર હૈયાધારણ આપી હતી કે, આ મુદ્દે રાજ્ય સરકાર સાથે આગામી દિવસોમાં ફરી વાટાઘાટો કરવામાં આવશે અને યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે. સાંસદ અને પ્રદેશ ભાજપ મંત્રી સહિતના પ્રતિનિધિઓએ પણ સ્વીકાર્યું હતું કે, યોગ્ય નિર્ણયના અભાવે હાલ પરિસ્થિતિ વિકટ બની છે. ખાસ કરીને, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા દિશા-નિર્દેશ પરિપત્રથી વેરાવળ-સોમનાથને કોઈ ખાસ ફાયદો થતો નથી. પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરારે ખુદ જાહેર મંચ પરથી આ બાબત સ્વીકારી હતી, જેના કારણે સ્થાનિક બાંધકામ ક્ષેત્રમાં વધુ નિરાશા જોવા મળી રહી છે. હવે તમામની નજર રાજ્ય સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે. વહેલી તકે સ્પષ્ટ અને અસરકારક નિર્ણય લેવાય તો જ વેરાવળ-સોમનાથનું બાંધકામ ક્ષેત્ર ફરી ગતિ પકડી શકે, અન્યથા આ મુદ્દો આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે.
હુમલો:આમરોલમાં જમણવારમાં અથડાવવા બાબતે 2 ભાઇઓ પર સશસ્ત્ર હુમલો
આંકલાવ તાલુકાના આમરોલ ગામે રામપુરા રોડ સર્વોદય નગર વિસ્તારમાં રામદેવપીરના પાઠ દરમ્યાન રાખેલ જમણવારમાં અથડાવવા અને જમતી વખતે બોલાચાલી કેમ કરેલ તેમ કરી ત્રણ શખ્સોએ આસરમાં ગામના બે પિતરાઈ ભાઈઓને ચપ્પુ, લાકડી અને હાથમાં પહેરવાના કડાથી ઇજા કરી ધમકી આપ્યાની ફરિયાદ આંકલાવ પોલીસ મથકમાં નોંધાઈ છે. આંકલાવ તાલુકાના આસરમા ગામે રામપુરા સીમ સરકારી ટ્યુબેલ પાસે વિરેન્દ્રસિંહ મુકેશભાઈ પઢીયાર રહે છે. ગત ગુરુવારે નજીકમાં આવેલ આમરોલ ગામે સર્વોદય નગર સીમ વિસ્તારમાં રહેતા સંજયભાઈ ભાઈલાલભાઈ પરમારને ત્યાં રામદેવપીરનો પાઠ હોઈ અને જમવાનુ આમંત્રણ હોવાથી રાત્રે આઠ વાગે વિરેનદ્રસિંહ પોતાના પિતરાઈ હાર્દીકભાઈ સાથે આમરોલ ગામે પાઠમાં ગયા હતા. અને જમતા હતા ત્યારે હાર્દીકભાઈને જમતી વખતે આમરોલ ગામના જગદીશભાઈ, દીશાંગભાઈ અને અજયભાઈ સાથે અથડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. દરમ્યાન રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં વિરેન્દ્રસિંહ અને તેઓના પિતરાઈ હાર્દિકભાઈ પરત ઘરે જતા હતા ત્યારે આમરોલ ગામે રહેતા જગદીશભાઈ ઉર્ફે ફલુ લક્ષ્મણભાઇ પરમાર, દીશાંગ ગણપતભાઈ પરમાર અને અજય વિક્રમભાઈ ઠાકોરે ભેગા મળી આમરોલ રામપુરા રોડ સર્વોદય નગર વિસ્તાર પાસે હાર્દિકે જમતી વખતે અમારી સાથે કેમ બોલાચાલી કરી હતી તેમ કહી અપશબ્દો બોલતા વિરેન્દ્રસિંહે અપશબ્દો બોલવાની ના પાડતા જગદીશભાઈએ લાકડીની ઝાપોટ માથાની પાછળના ભાગે મારી તેમજ દીશાંગ પરમારે ચપ્પાથી ડાબી આંખ ઉપરની સાઈડે ઇજા કરી હતી. જ્યારે અજય ઠાકોરે હાથમાં પહેરવાના કડાથી હાર્દિકભાઈને માથાની પાછળના ભાગે તેમજ બરડામાં મારી ઇજા કરી હવે પછી અમારા ગામમાં આવશો તો હાથ પગ ભાંગી નાખીશું તેમ કહી ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે વિરેન્દ્રસિંહ મુકેશભાઈ પઢીયારની ફરિયાદ લઈ આંકલાવ પોલીસે જગદીશભાઈ ઉર્ફે ફલુ લક્ષ્મણભાઈ પરમાર સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કરમસદ આણંદ મનપા વિસ્તારો વ્યાપ વધી રહ્યો છે.તેની સાથે વસ્તી વધતાં વાહનોની અવરજવર વધી ગઇ છે. જેના કારણે કરમસદ ગામે સોજિત્રા રોડ પર આવેલી ચોકડી પર ટ્રાફિક સમસ્યા નગરજનો માટે માથાના દુ:ખાવા રૂપ બની ગઇ છે. હાલમાં પેટલાદ,સોજિત્રા અને તારાપુર તરફ આવતા નોકરિયાત વાહનો સવાર અને સાંજ મોટી સંખ્યામાં પસાર થાય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. વાહનચાલકો એક કલાક સુધી અટવાઇ જાય છે. શનિવાર સાંજના તો ટ્રાફિકમાં કરમસદ હોસ્પિટલમાં દર્દીને લઇને જતી 108 એમ્બ્યુલન્સ વાન ફસાઇ ગઇ હતી. મહા મહેનતે 20 મિનિટ બાદ બહાર નીકળી શકી હતી.જેને લઇને સ્થાનિકોએ તાત્કાલિક ચોકડી પર ટ્રાફિક પોઇન્ટ બનાવવાની માંગ કરી રહ્યાં છે. આણંદમાં મુખ્યત્વે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે તે બોરસદ ચોકડી, ગ્રીડ ચોકડી, ભાઈકાકા ચોકડી, ભાલેજ ચોકડી, કરમસદ ચોકડી, મોટા બજાર, ટાઉનહોલ વગેરે છે. ટીઆરબીના અને પોલીસના જવાનોના અપૂરતા બંદોબસ્તને લીધે સાંજના સમયે ખૂબ જ ટ્રાફિકજામ થઈ જાય છે અને આકસ્મિક સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ જવા માટે જગ્યા મળતી નથી. તો તંત્ર દ્વારા લોકોના સહયોગથી અને લોકજાગૃતિથી આનો ઉકેલ લાવે એવું પ્રજાજનો ઈચ્છે છે.
હત્યાનો મામલો:ખંભાતના વત્રામાં પરિણીતાની હત્યા કરેલી લાશ ખેતરમાંથી મળી,આડા સંબંધની શંકા
ખંભાત તાલુકના વત્રા ગામે દરબાર ફળિયામાં રહેતી 37 વર્ષની પરિણીતા શુક્રવાર રાતથી ગુમ થઇ હતી.શનિવાર સવારે ગામની સીમમાં આવેલા તમાકુના ખેતરમાંથી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.પોલીસ ઘટનાસ્થળે જઇને તપાસ કરતાં માથાના પાછળના ભાગે અને નાકે તીક્ષ્ણ હથિયારના ત્રણથી વઘુ ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકને ગામના જ શખ્સ સાથે આડા સંબંધ હોવાને લઇને પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાની શંકા સેવાઇ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક એસ બી કુંપાવતે જણાવ્યું હતું કે, વત્રા ગામમાં રહેતા ધર્મેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 45 ખેતી કરે છે. તેઓ પોતાની પત્ની સારિકા પટેલ ઉંમર વર્ષ 37 અને બે બાળકો સાથે ગામમાં રહે છે. તે દરમિયાન શુક્રવારના રોજ સાંજના સમયે ધર્મેન્દ્રભાઈ પટેલના પત્ની સારિકા પટેલ ઘરેથી નજીકમાં રહેતાં પાડોશીના ઘરે બેસીને આવું છું. તેમ કહીને નીકળ્યાં હતાં. ઘણો સમય થવા છતાં પરિણીતા સારિકા પટેલ ઘરે પરત ન આવતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતાં અને સારિકા પટેલની શોધખોળ કરવા છતાં ક્યાંય મળી આવી ન હતી. મોડી રાત થઇ જતાં સવારે તપાસ કરીશું કોઇ સબંધી ત્યાં ગઇ હશે. તે માની લીધુ હતું. તે દરમિયાન શનિવાર સવારના સમયે ખંભાતના વત્રા ખોડિયાકુવા નજીક સીમ વિસ્તારમાં આવેલા તમાકુનાં ખેતરમાંથી તેણીની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં પરિણીતા સારિકા પટેલના માથાના પાછળના ભાગે અને નાકના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારના ત્રણથી વઘુ ઘા ઝીંકી હત્યા કરી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં જણવા મળ્યું હતું. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.જેને લઇને પોલીસે સારિકા પટેલના મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. ખંભાત રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને એલસીબી સાથે મળીને ત્રણ ટીમો બનાવીને સારીકા પટેલના હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે.જે પોલીસે કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
પેટલાદ વિધાનસભામાં આવતા નાપા આણંદ બોરસદ રોડ ઉપર અંદાજીત રૂપિયા 45 લાખ ના ખર્ચે નવું બોક્સ કલવર્ટ બનાવવાના કામનું ખાતમુહૂર્ત નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલા ચોમાસામાં ગરનાળુ ધોવાઇ જતાં બેસી ગયું હતું. જેનું કામ અટકી ગયું હતું. જો કે પેટલાદના ધારાસભ્ય અને રાજ્યના મંત્ર કમલેશ પટેલે સરકાર રજૂઆત કરતાં બોકસ કલવર્ટ બનાવવા માટે મંજૂરી મળી હતી. આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત સભ્ય સાજીદભાઈ રાણા, આણંદ જિલ્લા ભાજપ સંગઠન ના પૂર્વ મહામંત્રી સુભાષભાઈ બારોટ, પૂર્વ તાલુકા અધ્યક્ષ હરમાનજી ઠાકોર, મહામંત્રી અનિલભાઈ ઠાકોર, આણંદ જિલ્લા લઘુમતી મોર્ચા પ્રમુખઈરફાનભાઈ, ગામના સરપંચ સાલીમભાઇ, સભ્યો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આગામી 31મી ડિસેમ્બરને લઇને આણંદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે શહેરમાં પ્રવેશના માર્ગો પર ઠેર ઠેર સધન ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચેકીંગ દરમિયાન કોઇ શંકાસ્પદ જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેર સહિત જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિતે વિદેશી દારૂની હેરાફેરી અટકવાવા માટે આણંદ શહેરની સામરખા ચોકડી, ચિખોદરા ચોકડી, બોરસદ ચોકડી સહિત જિલ્લા પ્રવેશદ્વારા પાસે પોલીસે નાકાબંધી કરીને શંકાસ્પદ વાહનોને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવે છે. શહેરમાં કોઇ દારૂ પીને ફરતા નથી તેની ચકાસણી માટે શંકા જાય તો શખ્સને ઉભા રાખીને મશીન ચેકીંગ કરવામાં આવે છે. સાથે આણંદ વિદ્યાનગર સહિત આસપાસના ફાર્મ હાઉસ પણ કોઇ હિચાલ થતી અટકાવવા માટે સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
લોકાર્પણ:50 લાખના ખર્ચે તૈયાર નરવાદાર પાટીદાર ભવનનું લોકાર્પણ
આણંદ જિલ્લાના ભરોડા ગામ ખાતે 50 લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત નરવાદાર પાટીદાર સમાજ ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ સમાજભવન સમાજ માટે મહત્વપૂર્ણ ઐતિહાસિક અને સામાજિક વારસો બનશે. આ ઉપરાંત નવનિર્મિત ભવનનો ઉપયોગ સમાજના લોકો સહિત ગામના તમામ નાગરિકો માટે શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ, કમ્પ્યુટર ક્લાસ, પુસ્તકાલય, યોગ તથા ધ્યાન શિબિરો તેમજ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કરવામાં આવશે. આ ભવનનું નિર્માણ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, પ્રફુલભાઈ પટેલ અને વર્ષાબેન પટેલના પિતા સ્વ. ભાઈલાલભાઈ પટેલના એકસોમાં જન્મદિવસ પૂર્ણ થવાના શતાબ્દી મહોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું હતું.
આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘની આણંદ ખાતે કારોબારી મિટિંગ યોજાઇ હતી. ત્યારે મિટિંગમાં સમાજની જાગૃતિ લાવવી, શિક્ષણ સુધારણા, વ્યસન મુક્તિ સહિત કુરિવાજો બંધ કરી દેવા સહિત જરૂરી નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. પ્રાપ્ત વિગત મુજબ આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સુધારક સંઘના પ્રમુખ પુરષોત્તમ દાસ, અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન કાંન્તિભાઇ શોઢા પરમાર સહિતના અગ્રીણયો અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં. કારોબારીમાં મિટિંગમાં સમાજલક્ષી ઠરાવો કરી અમલીકરણ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. જો કે સમાજના અગ્રણીયોએ આર્થિક રીતે સાથ સહકાર આપવા અંગે અનુરોધ કર્યો હતો.જો કે આગામી દિવસોમાં આણંદ-ખેડા જિલ્લામાં ક્ષત્રિય સુધારક સંઘનું અદ્યતન કાર્યાલય પોતાના મકાનમાં શરૂ કરવામાં આવશે.
ગોઝારો અકસ્માત સર્જાયો:વાસદ તારાપુર હાઇવે પર બોદાલના ગેટ સામે કારની ટકકરે યુવકનું મોત
બોરસદ તાલુકાના દાવોલ-બોદાલ ગામ નજીકથી પસાર થતા વાસદ તારાપુર સીક્સલેન હાઇવે ઉપર શુક્રવારે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરી રહેલા દાવોલ-બોદાલ ગામના યુવકને બોદાલ ગામના ગેટ સામે રોડ ઉપર પુરઝડપે આવી ચઢેલી કારના ચાલકે ટક્કર મારતા યુવકનું મોત નિપજ્યાની ફરિયાદ બોરસદ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે. બોરસદ તાલુકાના દાવોલ ગામે રહેતા મહેન્દ્રભાઈ છગનભાઈ ભીમાભાઇ ચાવડા શુક્રવારે બપોરના અઢી વાગ્યાના અરસામાં ભત્રીજા દીપકભાઈ સાથે બોદાલ ગામે ખેતમજૂરી કામ માટે ગયા હતા અને સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઘરની સામે બોદાલ ગામના ગેટ બાજુ વાસદ તારાપુર સીક્સલેન હાઇવે રોડ ઉપર તેઓનો ભત્રીજો દીપકભાઈ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરઝડપે આવી ચઢેલી એક કારના ચાલકે દીપકભાઈ ચાવડાને ટક્કર મારતા ગંભીર ઇજા થવાથી મોત થયુ હતું.
આણંદ અમૂલ ડેરી રોડ પર આવેલા શાકમાર્કેટમાં કેટલાંક વેપારીઓ દ્વારા ગેરકાયદે ઓટલા કારણેને 40 ફૂટના બંને બાજુના માર્ગ 15 ફૂટ બની ગયો હતો. જેથી ગ્રાહકો અને શાકભાજી લઇને આવતાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વખત આવતો હતો. જેને લઇને મનપાએ સૂચના પગલે ઓટલા દૂર કરીને બને બાજુના માર્ગ ખુલ્લા કરી દેવામાં આવ્યાં છે. હવે અવરજવર માટે એક બાજુથી પ્રવેશવાનો માર્ગઅને બીજી બાજુથી બહાર નીકળવાનો માટે રસ્તો ખુલ્લો કર્યો છે.તેમજ એક બાજુનો શેડ જર્જરીત હાલતમાં ફેરવાઇ ગયો હોવાથી રૂ 10 લાખના ખર્ચે નવો શેડ બનાવવામાં આવશે. તેમ એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મોટી શાકમાર્કેટમાં ભીડને માહોલ સર્જાતા રાહદારીઓ હાલાકીઓનો ભોગ બની રહ્યા હતા.ત્યારે એપીએમસીએ ફરીયાદોને પગલે નોટીસ ફટકારીને ગેરકાયદેસ દબાણોનો સફાયો બોલાવી દેવાયો છે.આણંદ મનપા મંજુરી મળવાથી એક તરફનો જર્જરીત થઇ ગયેલ શેડ તોડી નાંખવામાં આવશે.જેના પગલે શેડ નીચે બેસતા કુલ 21થી વધુ વેપારીઓને અન્ય જગ્યા ફાળવણી કરવામાં આવશે. જો કે રૂ.10 લાખ ઉપરાંત રકમના ખર્ચે શેડ તૈયાર કરવામાં આવનાર હોવાથી રાહદારીઓ ચોમાસામાં વરસાદ પડતા હાલાકીઓનો ભોગ બનવુ નહીં પડે.હાલમાં સામરખા ચોકડી શાકમાર્કેટ અને મોટી શાકમાર્કેટ દબાણો દુર કર્યા બાદ વેપારીઓને ઓટલા બહાર શાકભાજીનું વેચાણ નહીં કરવા માટે સુચનાઓ આપી દેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.
વિતરણ કેમ્પ યોજાયો:નિદાન-સારવાર અને ચશ્મા વિતરણના કેમ્પ યોજાઇ ગયા
ભાવનગરના નગરશ્રેષ્ઠી અને મહાજન ગણાતા પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ જ્યંતી નિમિતે પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું જેનો બહોળી સંખ્યા માં દર્દીઓ એ લાભ લીધો હતો. રેડક્રોસ ના પૂર્વ પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ.પ્રતાપભાઈ શાહની 102મી જન્મ તિથિ નિમિતે પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી ચાલતા રેડક્રોસ સાર્વજનિક દવાખાના,પ્લોટ ન.45, કે.પી.ઈ. એસ કોલેજ રોડ, ભગવતી સર્કલ પાસે, ચિન્મયાનંદ આશ્રમ ની બાજુમાં, કાળિયાબીડ, ભાવનગર ખાતે વિનામૂલ્યે સારવાર અને નિદાન કેમ્પ મેગા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ માં આંખો ના નંબર તપાસી ને 3 નંબર સુધી ના અને બેતાળા ચશ્મા વિતરણ,જનરલ હેલ્થ ચેક-અપ કેમ્પ, બી.પી તેમજ ડાયાબિટીસ તપાસ, હિમોગ્લોબીન તપાસ, હાડકા ની ધનતા માપવા માટે BMD ટેસ્ટ, તથા દર્દીઓ ને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવા માં આવી હતી. આ સાથે આસપાસ ની શાળાઓના વિધાર્થીઓ ભાઈઓ બહેનો ની હિમોગ્લોબીન ની તપાસ કરવા માં આવી હતી અને દરેક ને નાસ્તો આપવા માં આવ્યો હતો. રેડક્રોસના કાળિયાબીડ, ચાવડીગેટ, દીવાનપરા, ખારગેટ, ક.પરા અને વૃદ્ધાશ્રમ ખાતે ચાલતી ઓપીડી સેવાઓ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી, આ ઉપરાંત લાઠીદડ ગામ ખાતે થેલેસિમિયા પરીક્ષણ, નાની માજીરાજ શાળા ખાતે હિમોગ્લોબીન તપાસ કેમ્પ કરેલ. કેમ્પનુ દીપ પ્રાગટય મહેમાનો જીતુભાઇ ઉપાધ્યાય, તારકભાઈ શાહ, ગીરીશભાઈ શાહ, ડો.એમ.જી. દેસાઈ, કુલદીપસિંહ, ભરતભાઈ શાહ, મિતુલભાઈ શાહ, ધીરુભાઈ કરમટીયા, ડો.મિલનભાઈ, સુમિત ઠક્કર, વર્ષાબેન લાલાણી, રોહિતભાઈ ભંડેરી, પરેશભાઈ ભટ્ટી, ડો પ્રકાશભાઈ ભટ્ટ, બકુલભાઈ ચાતુર્વેદીની ઉપસ્થિતિમાં યોજાયો
શાકંભરી નવરાત્રિ:પોષ સુદ આઠમ એટલે દુર્ગાષ્ટમી સાથે શાકંભરી નવરાત્રીનો આજથી પ્રારંભ થશે
શાકંભરી નવરાત્રી 28 ડિસેમ્બર 2025 રવિવારથી શરૂ થશે અને શનિવાર 03 જાન્યુઆરી 2026એ સમાપ્ત થશે. આ નવરાત્રી શુક્લ અષ્ટમીથી પોષ મહિનાની પૂર્ણિમા સુધી ઉજવવામાં આવે છે, જેમાં દેવી શાકંભરીની પૂજા કરવામાં આવે છે. દેવી શાકંભરી એ મા આદિશક્તિ જગદંબાના સૌમ્ય અવતાર છે. તેને શાકંભરી નામ મળ્યું કારણ કે તેણે શાકભાજી આપીને દુકાળ અને ભૂખમરાથી વિશ્વને મુક્ત કર્યું. માતા શાકંભરીની ઉપાસનાથી જીવનમાં સમૃદ્ધિ, આરોગ્ય અને ઐશ્વર્ય આવે છે. શાકંભરી નવરાત્રી દરમિયાન, ભક્તો ખાસ કરીને દેવીને તાજા ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓ અર્પણ કરે છે, જે તેમના આશીર્વાદ મેળવવાનું એક માધ્યમ માનવામાં આવે છે. તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોશીએ જણાવ્યુ હતુ. આખા વર્ષમાં ચાર નવરાત્રી ગણવામાં આવે છે, અશ્વિન મહિનાના શુક્લ પક્ષમાં શારદીય નવરાત્રિ, ચૈત્ર શુક્લ પક્ષમાં આવતી ચૈત્ર નવરાત્રિ, ત્રીજી અને ચોથી નવરાત્રી માઘ અને અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે. પરંતુ તેની સિદ્ધિ માટે તંત્ર-મંત્રના સાધકો માટે વિશેષ ગણાતી શાકંભરી નવરાત્રી પોષ માસના શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થાય છે, જેનું સમાપન પોષ પૂર્ણિમાએ થાય છે. સમાપન દિવસે માતા શાકંભરી જયંતિ પણ ઉજવવામાં આવશે. શાકંભરી દેવીની પૂજા પોષ સુદ અષ્ટમીથી પોષી પૂર્ણિમા સુધી, દેવી ઉપાસના માટેનો શ્રેષ્ઠ સમય. માતાજીને શાકભાજીનો શણગાર કરાશે નેત્રોમાંથી અશ્રુ વરસાવી શાકંભરી દેવીએ શાકભાજી ઉત્પન્ન કરી વિશ્વનું પોષણ કર્યું હતું પોષ સુદ આઠમ એટલે દુર્ગાષ્ટમી સાથે શાકંભરી નવરાત્રીનો આજથી પ્રારંભ થશે. શાકંભરી નવરાત્રી દેવી ઉપાસના માટે ઉત્તમ અને શ્રેષ્ઠ ગણાય છે. જ્યારે શાકંભરી નવરાત્રી નિમિત્તે માતાજીને વિવિધ શાકભાજીનો શણગાર પણ કરવામાં આવશે. વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રીમાં શાકંભરી નવરાત્રી પણ ખુબ મહત્વ ધરાવે છે. આ ગુપ્ત નવરાત્રી અત્યંત લાભકારક માનવામાં આવે છે. જ્યારે ધરતી ઉપર દુકાળ પડ્યો, વરસાદ ન પડ્યો ત્યારે રૂષીમુનીઓએ માતાજીને પ્રાર્થના કરી ત્યારે સ્વયં શક્તિ સ્વરૂપા માતાજીએ શતાક્ષી રૂપ પ્રગટ કર્યું હતું. શરીર પરના 100 નેત્રોમાંથી આંસુ વરસાવીને શાકંભરી માતાજીએ સૃષ્ટિને પાણી આપ્યું અને પછી શાકંભરી દેવીએ શાકભાજી ઉત્પન્ન કરીને વિશ્વનું પોષણ કર્યું હતું. જેથી શાકંભરી નવરાત્રી માનવ જીવનના પોષણ માટે ખુબ મહત્વ ધરાવે છે. શાકંભરી દેવીની પુજા પોષ સુદ અષ્ટમી થી પોષી પુર્ણિમા સુધી રહેશે. શાકંભરી નવરાત્રી દરમિયાન બ્રાહ્મણ દ્વારા દુર્ગાસપ્તસદીનો પાઠ કરાવવો, શક્ય તેટલા નવાણમંત્રના જાપ કરવા જોઈએ, શક્રાદય સ્તૃતીનો પાઠ કરવો અને કુંવારીકાઓને ભોજન કરાવી શૃંગારની વસ્તુઓ દાન કરવી શુભ મનાય છે. આ સમય પર દેવીની આરાધના અને ઉપસના કરવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. આ સમયે દેવીની ભકિત અને સેવા કરવાથી વિશેષ ફળ આ સમયે પ્રાપ્ત થાય છે.
ભાવનગર કોર્પોરેશન ભૂતકાળમાં ન કર્યું હોય તેવા અખતરા કરવામાં પાવરધુ છે. કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ વેચાણથી આપ્યા હોવાના કોઈ દાખલા નથી ત્યારે સીદસર ટીપી સ્કીમ નંબર 5/એમાં પાર્કિંગ હેતુના રિઝર્વ ફાઇનલ પ્લોટની જમીનમાંથી એપ્રોચ આપવાના હેતુથી પ્રતિ ચોરસ મીટર રૂ.57000 ની કિંમતે 110.62 ચોરસ મીટર જમીન વેચાણથી આપવા માટે આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય થશે. કોર્પોરેશનના આઉટ ગ્રોથ એરીયાના વિકાસ માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે મુજબ ટીપી રસ્તાઓ ખોલી રોડ બનાવવામાં આવી રહ્યા છે. હિલ પાર્ક ચોકડીથી ઓજ તરફના માર્ગ પર આવાસ યોજનાની સામે ફાઇનલ ટીપી સ્કીમ નંબર 5/એ સિદસરના પાર્કિંગ હેતુના રિઝર્વ ફાઇનલ પ્લોટ નંબર 59 ની જમીન પાછળ સર્વે નંબર 84માં ખાનગી માલિકીની જમીન છે. વર્ષો પહેલા લે આઉટ મંજુર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષો બાદ હવે ખાનગી જમીનનો પ્લોટ દરેક બાજુથી ઘેરાયેલો હોય અને લેન્ડલોક થયેલ હોય તેવું ધ્યાનમાં આવ્યું અને કોર્પોરેશન પાસે પાર્કિંગ હેતુના રિઝર્વ ફાઇનલ પ્લોટમાંથી એપ્રોચ રસ્તાની જમીનની માગણી કરી. તેનો વિવાદ પણ લાંબા સમયથી શરૂ છે અંતે કોર્પોરેશનના શાસકોને પણ જમીન માલિકની માગણી વ્યાજબી લાગી હોય તેમ 110.62 ચોરસ મીટર જમીન એપ્રોચ રોડ તરીકે વેચાણથી આપવા નિર્ણય કરી રહ્યા છે. વેલ્યુએશન કમિટીએ 53000 પ્રતિ ચોરસ મીટર ભાવ નક્કી કર્યો હતો. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીએ 57,000 ભાવ નક્કી કર્યો અને 25% રકમ ડિપોઝિટ પેટે પણ ભરપાઈ કરાવરાવી. કોર્પોરેશનમાં કદાચિત પ્રથમવાર પાર્કિંગ હેતુના રિઝર્વ પ્લોટની જમીન વેચાણથી આપવામાં આવી રહી છે. સરકાર પણ રિઝર્વ પ્લોટ બાબતે ઘણી જ ગંભીર છે. જેથી જ ટકાવારી જળવાઈ રહે તે માટે ટીપીમાં વેરીએશન નહીં કરાવવા અને ટીપીના રિઝર્વેશનની ટકાવારી જાળવવા માટે કડકાઇ રાખે છે. જોકે, સ્ટેન્ડિંગની મંજૂરી બાદ સરકારમાં વેરીએશન માટે મોકલવામાં આવશે. પરંતુ સરકાર કઈ નિર્ણય લે તે પહેલા જ કોર્પોરેશન દ્વારા જમીન માલિક પાસેથી ૨૫ ટકા રકમ ડિપોઝિટ પેટે વસૂલ પણ કરી લીધી છે.
નવતર પહેલ:ડાયાબિટીક દર્દીઓની હવે જિલ્લા કક્ષાએથી દેખરેખ થશે
મેડિકલ ક્ષેત્રે એક સાઈલન્ટ કિલર રોગ ગણાતા ડાયાબિટીસના વધતા કેસો ચિંતાજનક વધારો થયો છે. પહેલા મોટાભાગે આધેડ વયના લોકોમાં જોવા મળતો ડાયાબિટીસનો રોગના દાયરામાં આજે નાની વયના બાળકોથી લઈને યુવા અને મોટી ઉંમરના લોકોને પણ સપડાઈ ગયા છે. જેમાં બાળકોને નાની ઉંમરમાં થતા જુવેનાઇલ ડાયાબિટીસના વધતા કેસો ચિંતાજનક બાબત છે ત્યારે રાજ્યમાં આરોગ્ય વિભાગે તાજેતરમાં શરૂ કરેલા જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમમાં હવે ડાયાબિટીસ પીડિત બાળ દર્દીઓની હવે ભાવનગર જિલ્લા કક્ષાએથી દેખરેખ રખાશે. ભાવનગર મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલના ઉપક્રમે તાજેતરમાં ટાઈપ-1 ડાયાબિટીસ (જુવેનાઈલ ડાયાબિટીસ) સારવાર અને નિયંત્રણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત ભાવનગર મેડિકલ કોલેજ દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસના બાળ દર્દીઓને સારવાર અને માર્ગદર્શન મળે તેવા આશયથી હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે. જુવેનાઇલ ડાયાબિટીસના બાળ દર્દીઓના માતા-પિતા ભાવનગર મેડિકલ કોલેજના હેલ્પ લાઈન નંબર ઉપરાંત જારી કરાયેલી ગૂગલ ફોર્મ લિંક મારફતે પણ માહિતી આપી શકે છે. જુવેનાઇલ ડાયાબિટીસ માટે ભાવનગર મેડિકલ કોલેજના હેલ્પ લાઈન નંબર તથા ગૂગલ ફોર્મ લિંક મારફતે આવેલ માહિતીનું એકત્રીકરણ કરી દર્દીઓને સારવાર અને માર્ગદર્શન આપવાની રણનીતિ નક્કી કરવામાં આવશે. જેમાં 0 થી 12 વર્ષ ઉંમરના ટાઈપ-1 ડાયાબિટીસ મ્લાઇટ્સ (જુવેનાઇલ ડાયાબિટીસ)ના દર્દીઓ માટે સર.ટી.ના બાળરોગ વિભાગના HOD પ્રોફેસર ડો.મેહુલ ગોસાઈ થતા 12 વર્ષથી વધુ ઉંમરના ટાઈપ-1 ડાયાબિટીસ મ્લાઇટ્સ ના દર્દીઓ માટે સર.ટી.ના મેડિસિન વિભાગના HOD પ્રોફેસર ડો. સુનિલ પંજવાણીનો રૂબરૂ સંપર્ક કરી શકશે. હેલ્પ લાઈન અને ગૂગલ ફોર્મથી માહિતી આપી શકાશેભાવનગર સરકારી મેડિકલ કોલેજ અને સર.ટી. હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા જુવેનાઇલ ડાયાબિટીસ સારવાર સેન્ટર મારફતે જુવેનાઇલ ડાયાબિટીસ પીડિત દર્દીઓની સલાહ અને સારવાર આપવામાં આવશે.જે માટે હેલ્પ નંબર : 95123-04381 પર તથા ગૂગલ ફોર્મનો નિ યત ક્યુ.આર. કોડ સ્કેન કરી જુવેનાઇલ ડાયાબિટીસના બાળ દર્દીઓના માતા-પિતા માહિતી આપી શકશે. જે માહિતીના આધારે દર્દીઓની ડાયાબિટીસ સારવાર સેન્ટર મારફતે દેખરેખ રાખી શકાશે ભાવનગર શહેર અને જિલ્લામાં સઘન કામગીરી કરાશેરાજ્યમાં આરોગ્ય વિભાગના જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત દર્દીઓને પૂરતા માર્ગદર્શન સાથે જરૂરી સારવાર મળે તે માટે ભાવનગર શહેર અને જિલ્લામાં સઘન કામગીરી કરાશે. - ડો.ચિન્મય શાહ ડીન, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર
ભાવનગર રેલવે ડિવિઝન તળેની 4 જોડી સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરોના મળી રહેલા અભૂતપૂર્વ આવકારને કારણે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા ફ્રિકવન્સી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવ. ડિવિઝનના સીનિયર ડીસીએમ અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 26 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, જે અગાઉ 25 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ - બોટાદ સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. ભાવ.-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. ભાવનગર-ધોળા સ્પેશિયલ અગાઉ 31 ડિસે. 2025 સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે 28 ફરવરી 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09529 ધોલા-ભાવનગર સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવાઈ છે. ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર પીટ લાઇનની મરામત માટે ચાલતા કામને લીધે ધોળા–ભાવ.ધોળા દૈનિક સ્પેશિયલ ટ્રેન 25 જાન્યુઆરી, 2026 સુધી રદ રખાઈ છે. આ કામ પૂર્ણ થયા બાદ ટ્રેનને 26 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી વિસ્તૃત કરાઈ છે. અભૂતપૂર્વ આવકાર છતા કટકે કટકે એક્સટેન્શનભાવનગર રેલવે ડિવિઝનની 0 નંબરથી શરૂ થતી સ્પેશિયલ ટ્રેનો જ્યારથી શરૂ કરવામાં આવી છે ત્યારથી અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે, અને રેલવેને પણ તેની નોંધપાત્ર આવક મળી રહી છે. પરંતુ આ સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી ત્રણ-ત્રણ મહિના માટે વધારવામાં આવે છે, કાયમી ધોરણે આ ટ્રેનો ફાળવવામાં આવે તો મુસાફરોના આયોજનો શક્ય બની શકે છે.
વેધર રિપોર્ટ:રાત્રે તાપમાન સામાન્યથી 3 ડિગ્રી વધુ
ભાવનગર શહેરમાં ડિસેમ્બરનો અંત ભાગ આવી ગયો છતાં કડકડકતી ઠંડી જામી નથી. શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે. શહેરમાં આજે રાતના સમયે સામાન્ય કરતા 3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતુ. જ્યારે મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. શહેરમાં પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. પવનની દિશા ઉત્તરની ન થતા અને બરફવર્ષાના પવનની અસર ભાવનગરમાં ન આવતા હજી કોલ્ડ વેવ સર્જાયો નથી. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 28.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે એક ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 16.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરના સમયે તાપમાન ઘટી રહ્યું છે પણ રાતના સમયે શિયાળાના મધ્ય જેવી ઠંડીનો અનુભવ થઇ રહ્યો નથી. શહેરમાં બે દિવસ હવાનું પ્રદૂષણ વધશેભાવનગરમા રવિવાર તથા સોમવારના રોજ સવારના 6થી9 ધુમ્મસવાળી સવાર લાગશે એટલે હવા ધુમ્મસ-ધુમાડો અથવા ધૂળથી ભરેલી રહેશે. જેના કારણે દૃશ્યતા ચારથી 6 કિલોમીટર સુધી ઘટી જવાની શકયતા છે વાતાવરણ અસ્પષ્ટ બનસે અને વસ્તુઓ ઝાંખી અથવા અસ્પષ્ટ દેખાશે વળી સૂર્ય વરાળના પડદામાંથી નિસ્તેજ ડિસ્ક જેવો દેખાશે. વસ્તુઓ ઓછી તીક્ષ્ણ અને વધુ અસ્પષ્ટ અને ઝાંખી દેખાશે. સવારનુ તાપમાન 15 ડિગ્રીથી 16 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે તેમજ ભેજ 65થી 70% રહેશે. હવાની ગુણવત્તા 140થી160 જેને બીનઆરોગ્યપદ ગણી શકાય. પવનની ઝડપ હળવી 5-7 કિમી/કલાક રહેશે. PM નુ સ્તર wHO ની માર્ગદર્શિકા કરતા 5થી 6 ગણુ વધારે રહેશે જે હાનિકારક બનશે [PM એટલે હવામા તરતા કણો] - બી.આર. પંડિત, હવામાનશાસ્ત્રી
ભાવનગર કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ મેજ ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે. આગામી વર્ષ મહાનગરપાલિકાની ચૂંટણીનું વર્ષ છે. અને વર્તમાન બોડીની મુદત પણ માર્ચ 2026 માં પૂર્ણ થાય છે. તેમ છતાં જાન્યુઆરી થી ડિસેમ્બર 2026 સુધીની કોર્પોરેશનની રૂ.6.80 લાખના ખર્ચે 2000 મેજ ડાયરી પ્રસિદ્ધ કરવાની સંપૂર્ણ તૈયારી છે. માર્ચ પછી નવી ચૂંટાઈને આવનાર બોડીને નવ મહિના જુના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓની પ્રસિદ્ધિ પચાવવી પડશે. ભાવનગર કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવતી મેજ ડાયરી માહિતી સભર હોય છે. તેમાં પ્રસિદ્ધ કરવામાં આવતા ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓના ફોટા અને એડ્રેસ સાથેના સંપર્ક નંબરો અને કોર્પોરેશનના તમામ વિભાગોના મુખ્ય જવાબદાર અધિકારીઓના સંપર્ક નંબરો તેમજ શહેરના અગત્યના સંપર્ક નંબરો પ્રજાજનો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. સાથોસાથ કોર્પોરેશનના જુદા જુદા વિભાગોની મુખ્ય કામગીરી સહિતની વિગતો પણ લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરીનું વર્ણન કરે છે. કોર્પોરેશનની મેજ ડાયરી ભૂતકાળમાં નાણાકીય વર્ષ પ્રમાણે માર્ચથી એપ્રિલ દરમિયાન બહાર પાડવામાં આવતી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી કેલેન્ડર વર્ષ મુજબ એટલે કે, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના પેઇઝ પ્રમાણે મેજ ડાયરી પ્રકાશિત કરવામાં આવી રહી છે. આગામી જાન્યુઆરીથી ડિસેમ્બર 2026 સુધીની મેજ ડાયરી પ્રસિદ્ધ કરવા માટે તંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારી પૂર્ણ થઈ છે. જેનો 6.80 લાખ ખર્ચ થવા જઈ રહ્યો છે. કોર્પોરેશનની વર્તમાન બોડીની ટર્મ આગામી માર્ચ 2026 માં પૂર્ણ થશે. અને ત્યારબાદ નવી ચૂંટાયેલી બોડી સત્તા પર રહેશે. પરંતુ નવા ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને 9 મહિના જુના નગરસેવકોના ફોટા અને કામગીરી જોવી પડશે. અને નવ મહિના સુધી જુના નગરસેવકોની વિગતો જ લોકો સમક્ષ રહેશે. એટલે કે, તેટલી વિગત અર્થવિહીન બની રહેશે.
સન્ડે બિગ સ્ટોરી:માફીયાઓએ 3 વર્ષમાં 28,175 મેટ્રિક ટન ખનીજની ચોરી કરી
શહેર જિલ્લામાં અસામાજીક તત્વો, દેશી વિદેશી દારૂના બૂટલેગરો, ડ્રગ્સ પેડલરો બાદ હવે ખનીજ ચોરો નો પણ આંતક સામે આવ્યો છે. જિલ્લામાં ખનિજ ચોરો દ્વારા ત્રણ જ વર્ષમાં 28175 મેટ્રિક ટન ખનીજ ની ઘોર ખોદી નાખી હોવાનું સામે આવ્યું છે જ્યારે ખાન ખનીજ વિભાગે ત્રણ વર્ષમાં 11.07 કરોડની દંડની વસૂલાત કરી છે. ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ સામે ભાવનગર ખાન ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષ માં રેતી, માટી, મોરમ, સોફ્ટ મોરમ, કપચી તથા ડુંગર ખનિજના ગેરકાયદે ખનનમાં ભારે વધારો નોંધાયો છે. ત્રણ વર્ષના ગાળામાં સૌથી વધુ માટી અને મોરમનું ખનન થતાં સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચ્યું છે. ભાવનગર જિલ્લામાં એક જ ખનિજ ચોર અનેક વખત ઝડપાયો હોવાની નોંધ પણ મળી છે. ખાસ કરીને ભાવનગર, ઘોઘા, તળાજા, સિહોર અને ગારિયાધાર પંથક ગેરકાયદે ખનનના હોટસ્પોટ બન્યા છે. એકજ ખનીજ ચોર અનેકવાર તસ્કરીમાં ઝડપાયા ખનન, વહન અને સંગ્રહના 801 કેસો કરાયાભાવનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ખનન, વહન અને સંગ્રહ ના 801 જેટલા કેસોમાં અનેક ખનિજ માફીયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે અને 11 કરોડ થી વધુનો દંડ ફટકાર્યો છે. આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. - જાલોનધ્રા ભૂસ્તર શાસ્ત્રી ભાવનગર
‘હું સુરતથી હરિભકત ગોપાલભાઈ છું, મારી દીકરીને ભાવનગરની સરકારી કોલેજમાં એડમિશન મળી ગયું છે, મેં ભગવાનને 51 ગ્રામ સોનું અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે’. જેથી અમે કાલે સવારે મંદિરે આવીશું, તમે હાર મગાવી રાખજો. તેવું કહી વાસણાના સ્વામિનારાયણ મંદિરમાં આવી રૂ.6.51 લાખનો ચેક આપી બહાર ગાડીમાં બેઠેલી પત્નીને હાર બતાવવાના બહાને બે ગઠિયા હાર લઈ ભાગી ગયા હતા. ક્રાઈમ બ્રાંચે બેમાંથી એક ગઠિયાને ઝડપી લીધો હતો. આ બંનેએ ગુજરાતના 14 સ્વામિનારાયણ મંદિરોને ટાર્ગેટ કરી અંદાજે 1 કરોડના હાર પડાવ્યા હતા. આરોપી શૈલેષે 9 વર્ષમાં પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, ભુજ, મહેસાણા અને વાસણા મળી 14 મંદિરમાં આ જ રીતે સોનાના રૂ.1 કરોડની કિંમતના 14 હારની ઠગાઈ કરી હતી. જ્યારે તેનો સાથી કલ્પેશ ફરાર છે. 9 વર્ષ પહેલાં શૈલેષની હિંમત ખુલીરાજકોટનો વતની શૈલેષ સ્વામિનારાયણ સત્સંગી હોવાથી ટીકો કરીને મંદિરોમાં અવરજવર કરતો હોવાથી ત્યાંના રીત-રિવાજને સારી રીતે જાણતો હતો. સંકલ્પ પૂરો થતા હરિભકતો મંદિરોમાં સોનાના દાગીનાની ભેટ આપતા હોવાની વાત તે સારી રીતે જાણતો હતો. તેથી તેણે 9 વર્ષ પહેલાં પોરબંદરના મંદિરને ટાર્ગેટ કરી હાર પડાવ્યો હતો. જેમાં સફળ થતા તેની હિંમત વધી ગઈ હતી. ગૂગલ પરથી મંદિરોના નામ-સરનામાં, કોઠારી સ્વામીના નામ-નંબર મેળવતો હતો. બધી જગાએ ખોટો ચેક પધરાવી સેટ પડાવ્યા હતા.
ગુજરાતની બધી યુનિવર્સિટીઓને તેમની યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતી માટે યુજીસી રેગ્યુલેશન સમાન રીતે લાગુ પડે છે. આ સંજોગોમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં ભરતી વખતે આવેલ અરજીઓ પૈકી અધ્યાપકોનો અનુભવ ક્યો માન્ય રાખવો તે સંદર્ભે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.નિદત બારોટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ફિક્સ પગારમાં અધ્યાપક સહાયક તરીકે જે અધ્યાપકોએ કામ કર્યું છે અને હવે યુનિવર્સિટીઓમાં એસોસિયેટ પ્રોફેસર અથવા પ્રોફેસર માટે અરજી કરે ત્યારે તેમણે અધ્યાપક સહાયક તરીકે કરેલા કામનો અનુભવ ધ્યાનમાં લેવાનો છે. ગુજરાત સરકાર દ્વારા તારીખ 16/02/2024 થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અગાઉ આ બાબતની જાણ કરેલી છે. આમ છતાં આ બાબતનો યોગ્ય પ્રતિભાવ નવી ભરતીમાં મળી રહ્યો નથી. જ્યારે જુદી જુદી યુનિવર્સિટીઓમાં આ બાબતની જાણ ન હોય તેવું પણ બને. જેથી તા.23/02/2024ના રોજ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા આઉટવર્ડ નંબર 545થી જે પત્ર કરવામાં આવ્યો છે તે બાબતની જરૂરી સ્પષ્ટતા કરતી વિગત ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓને મોકલી આપવાની જરૂરિયાત છે.
સૌરાષ્ટ્રની ભગા યુનિવર્સિટી:બી.એડ. સેમેસ્ટર-3ની પરીક્ષામાં MCQના ઓપ્શન આપવાનું જ ભૂલાઇ ગયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદો હવે એક સિક્કાની બે બાજુ બની ગયા હોય તેમ શૈક્ષણિક જગતને શરમાવે તેવી એક વધુ ઘટનામાં, યુનિવર્સિટીના સત્તાધીશો અને પેપર સેટરની ઘોર બેદરકારી સામે આવી છે. B.Ed. સેમેસ્ટર-3ની પરીક્ષામાં ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ વિષયના પેપરમાં પેપર સેટર સવાલો તો પૂછી બેઠા, પણ તેના જવાબો માટેના વિકલ્પો (ઓપ્શન) આપવાનું જ ભૂલી ગયા! આ છબરડાને કારણે આશરે 4 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં મૂંઝવણમાં મુકાયા હતા. તાજેતરમાં લેવાયેલી B.Ed. સેમેસ્ટર-3ની પરીક્ષામાં ‘ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ’ વિષયનું 35 માર્ક્સનું પેપર હતું. પેપર સ્ટાઈલ મુજબ શરૂઆતમાં 5 માર્ક્સના MCQ પૂછવાના હોય છે. નવાઈની વાત તો એ છે કે, પેપર સેટરે પ્રશ્નો તો છાપ્યા પણ તેની નીચે આપવાના થતા ચાર વિકલ્પો આપવાનું જ ભૂલી ગયા. 5 માર્કના પાંચેય પ્રશ્નોમાં આ જ પ્રકારની ‘બાલીશ’ ભૂલ જોવા મળી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અવારનવાર થતા આવા છબરડાઓ હવે શિક્ષણ જગતમાં હાસ્યાસ્પદ બની રહ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓએ આ બાબતે હોબાળો કર્યો અને ફરિયાદ ઊઠી ત્યારે પરીક્ષા વિભાગ સફાળું જાગ્યું હતું. ઉતાવળે ઓપ્શન સાથેના નવા પેપર સેટ કરવામાં આવ્યા અને કેન્દ્રો પર મોકલવામાં આવ્યા. આ અંધાધૂંધીમાં 4000 જેટલા વિદ્યાર્થીનો કિંમતી સમય વેડફાયો હતો. જોકે, યુનિવર્સિટીએ 15 મિનિટનો વધારાનો સમય આપ્યો હતો. સળગતા સવાલો | પ્રોફેસરની પેપર સેટ કરવાની સિસ્ટમમાં ખામી, ભગો કરનાર પ્રોફેસર સામે યુનિવર્સિટી પગલાં લેશે કે, તેને છાવરશે 1. તપાસ કે માત્ર દેખાડો? | શું યુનિવર્સિટી માત્ર ‘ખુલાસો’ પૂછવાની વિધિ કરીને જવાબદાર પેપર સેટરને છાવરવાનો પ્રયાસ કરી રહી છે? ભૂતકાળના છબરડાઓમાં કેટલા અધ્યાપકોને ખરેખર કડક સજા થઈ છે? 2. વેરિફિકેશનની પ્રક્રિયા ક્યાં છે? | પેપર સેટ થયા પછી તેનું પ્રૂફ રીડિંગ કે મોડરેશન કરવા માટે કઈ સિસ્ટમ કાર્યરત છે? શું પેપર સીધું જ પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલી દેવામાં આવે છે? 3. 4 હજાર વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું શું? | 4000 વિદ્યાર્થીની કારકિર્દી અને તેમના માનસિક સ્વાસ્થ્યનું શું? પરીક્ષાખંડમાં જે મૂંઝવણ અને ડર પેદા થયો, તેના માટે કોણ જવાબદાર? 4. નિયમો માત્ર વિદ્યાર્થીઓ માટે જ? | જો વિદ્યાર્થી પરીક્ષામાં નાની ભૂલ કરે તો તેની સામે શિસ્તભંગના પગલાં લેવાય છે, તો હજારો વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકનાર પેપર સેટર સામે ફોજદારી ગુનો કેમ નહીં? 5. પગાર લાખોમાં, પણ કામમાં શૂન્યતા? | પેપર સેટ કરવા માટે મસમોટા માનદ વેતન લેતા અધ્યાપકોને શું સામાન્ય MCQ ની પેપર સ્ટાઈલની પણ ખબર નથી? આ તે કેવું ‘ગાઈડન્સ એન્ડ કાઉન્સિલ’? 6. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખનું શું? | વારંવાર થતા આવા છબરડાઓથી રાજ્યભરમાં યુનિવર્સિટીની ડિગ્રીની વિશ્વસનીયતા પર સવાલો ઊઠી રહ્યા છે, શું સત્તાધીશોને તેની કોઈ ચિંતા છે? સત્તાધીશોનો બચાવ અને દંડની વાતો...આ ગંભીર છબરડા અંગે ઇન્ચાર્જ પરીક્ષા નિયામકે સ્વીકાર્યું હતું કે, આ પેપર સેટરની ક્ષતિ છે. તેમણે જણાવ્યું કે, આ મામલે જવાબદાર અધ્યાપક પાસે ખુલાસો માગવામાં આવશે અને કમિટી સમક્ષ રજૂ કરી સજા કે દંડ ફટકારવામાં આવશે.
કેરાલાના રાજ્યપાલ દ્વારા આહ્વાન:‘સોને કા શેર’ રાષ્ટ્ર નિર્માણ કરવું છે
રાજકોટ | પ્રાંસલા મુકામે તા.4 જાન્યુઆરી સુધી યોજાનાર 26મી રાષ્ટ્રકથા શિબિરનો વૈદિક યજ્ઞથી શુભારંભ થયો હતો. જેમાં કેરાલાના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, રાજ્યના વન-પર્યાવરણ-ક્લાઇમેટ ચેન્જ અને સાયન્સ-ટેક્નોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આસામ રાઇફલના ડીજી લેફ્ટનન્ટ જનરલ વિકાસ લાખેરા સહિતના અગ્રણીઓ સામેલ થયા હતા. સ્વામી ધર્મબંધુજીએ કહ્યું હતું કે, ‘પ્રત્યેક સૈનિક એ યુનિફોર્મમાં સજ્જ નાગરિક છે અને પ્રત્યેક નાગરિક એ યુનિફોર્મ વિનાનો સૈનિક છે.’ બાહ્મ સુરક્ષા જેટલી જ આંતરિક સતર્કતા અને સંયમની આવશ્યકતા છે. જ્યારે કેરાલાના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પુનએ પોતાના વક્તવ્યમાં ‘સોને કી ચીડિયા’ નહીં, સંપત્તિવાનની સાથે સશક્ત ‘સોને કા શેર’ રાષ્ટ્ર નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું. આસામ રાઇફલના ડીજી લેફ્ટનન્ટ જનરલ વિકાસ લાખેરાએ કહ્યું કે, જ્યારે માની શિખામણ ભૂલી જઇએ છીએ ત્યાંથી ખરાબ કૃત્યોનો આરંભ થાય છે.
રાજકોટ બન્યું સાક્ષાત સાળંગપુરધામ:યુવા કથાની પોથીયાત્રા, 31st નહીં, બજરંગબલી ફર્સ્ટ
રંગીલા રાજકોટના આંગણે આસ્થા અને યુવા શક્તિનો અદભુત સંગમ રચાયો છે. શહેરના હૃદય સમાન રેસકોર્સ ગ્રાઉન્ડમાં સાળંગપુરધામ કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં ‘હનુમાન ચાલીસા યુવા કથા’નો ભવ્ય પ્રારંભ થયો છે. 2 જાન્યુઆરી સુધી ચાલનારો આ મહોત્સવ માત્ર એક કથા નથી, પરંતુ રાજકોટવાસીઓની અતૂટ ભક્તિનું પ્રતીક બની રહ્યો છે. કથાના પ્રારંભ પૂર્વે શનિવારે બપોરે વિરાણી હાઈસ્કૂલ મેદાનથી એક ઐતિહાસિક પોથીયાત્રા નીકળી હતી. આ યાત્રામાં હાથી, ઘોડા, વિન્ટેજ કારોનો કાફલો, નાસિક ઢોલના ગુંજારવ અને બુલેટસવારોએ રાજકોટના માર્ગો પર કેસરિયો માહોલ સર્જ્યો હતો. ખાસ કરીને અઘોરી નૃત્ય અને બાહુબલી હનુમાનના પાત્રોએ લોકોના દિલ જીતી લીધા હતા. આ કથામાં પશ્ચિમી સંસ્કૃતિને તિલાંજલિ આપી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો છે. 31મી ડિસેમ્બરની રાત્રે યુવાનો ક્લબ કે પાર્ટીઓના બદલે હનુમાનદાદાની આરાધના સાથે નવા વર્ષને વધાવશે. આ દિવસે 151 કિલોની કેક, 108 કિલો પુષ્પવર્ષા અને ભવ્ય અન્નકૂટના દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સેવાનો મહાયજ્ઞ | 5 લાખ પ્રસાદ કિટ અને 3000 સ્વયંસેવક અઘોરી નૃત્ય અને નાસીકની ઢોલ ટીમે આકર્ષણ જમાવ્યુંકથા માટે રેસકોર્સ મેદાનને ખાસ સાળંગપુર થીમ પર સજાવવામાં આવ્યું છે. અહીં 52 ફૂટ ઊંચું સાળંગપુર હનુમાનજીનું ભવ્ય મંદિર પ્રતિકૃતિ સ્વરૂપે ઊભું કરાયું છે, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશાળ ડોમમાં એકસાથે 50,000થી વધુ ભક્તો બેસી શકે તેવી અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી છે. 7 દિવસ સુધી દરરોજ રાત્રે 7:30થી 11:30 વાગ્યા સુધી હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી હનુમાનજીના જીવન ચરિત્રનું ભક્તો રસપાન કરશે. હનુમાન ચાલીસા યુવા કથાના પ્રારંભે નીકળેલી પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડ્યા હતા. આ યાત્રાનું શહેરના મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. યુવાનો સાફા પહેરીને અને બાળકો હનુમાનજીના વેશમાં જોડાયા હતા.
મિત્રતાનો ગેરલાભ લઈને ઠગાઈ:બેંક કર્મચારીએ મિત્રના નામે બારોબાર વ્યવહાર કરી નાખ્યા
કોલેજ સમયની મિત્રતાનો ગેરલાભ ઉઠાવી ખાનગી બેંકના કર્મચારીએ તેના મિત્ર અન્ય એક બેંકના કર્મચારીના મહત્ત્વના દસ્તાવેજો મેળવી લઇ પોતાની બેંકમાં ચાર ખાતા ખોલી નાખી લાખો રૂપિયાના આર્થિક વ્યવહાર કરી નાખ્યા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. લક્ષ્મીવાડીમાં રહેતા અને ખાનગી બેંકમાં રિલેશનશિપ મેનેજર તરીકે ફરજ બજાવતાં જયદીપ હરેશભાઇ ચાવડા (ઉ.વ.32)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અન્ય એક ખાનગી બેંકમાં નોકરી કરતાં તેના મિત્ર નિલ પંકજ દફતરીનું નામ આપ્યું હતું. તા.19 સપ્ટેમ્બર 2025ના નિલ જે બેંકમાં નોકરી કરે છે તેના કર્ચારીઓ જયદીપના ઘરે ગયા હતા અને ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું કહ્યું હતું. જોકે પોતાનું કોઇ એકાઉન્ટ તે બેંકમાં નહીં હોવાનું જયદીપે કહેતા કર્મચારીઓે તેને બીજા દિવસે બેંકે બોલાવ્યા હતા. જયદીપ ચાવડા બેંકે ગયા ત્યારે ત્યાં નિલ દફતરી પણ હાજર હતો અને તપાસ કરતાં જયદીપના પોલિસી વખતના ડોક્યુમેન્ટનો ગેરલાભ ઉઠાવી નિલે જયદીપના નામના એકાઉન્ટ ખોલી ઠગાઇ આચરી હતી.
રાજકોટ જિલ્લામાં સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીની કચેરી મૂર્છિત બની ગઈ હોય તેવી સ્થિતિમાં ખનીજચોરી કરતા તત્ત્વો બેફામ અને બેખૌફ બની રેતી, કપચીનું ગેરકાદેસર ખનન અને પરિવહન કરી રહ્યા છે ત્યારે ચાલુ મહિનામાં ઉપલેટા પંથકમાં રેતીનું ખનન ઝડપી લીધા બાદ રાજકોટ તાલુકાના રામપર બેટી નજીક સાતડા ગામેથી ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે સ્થાનિક ખાણ ખનીજ વિભાગને ઊંઘતું ઝડપી લઇ બ્લેકટ્રેપ એટલે કે, કપચીનું મોટા પ્રમાણમાં ખનન ઝડપી લઈ અંદાજે રૂ.70 લાખની કિંમતના બે હિટાચી મશીન કબજે કર્યા હતા. રાજકોટ તાલુકાના રામપર બેટી વિસ્તારમાં મોટા પ્રમાણમાં બેલ્કટ્રેપની લીઝ આવેલી છે ત્યારે રામપર બેટી અને સાતડા ગામે કેટલાક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ ખનીજનું ખનન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ નિયામકને મળતા ફ્લાઈંગ સ્ક્વોડ ટીમને બનાવ સ્થળે દોડાવવામાં આવી હતી. જે દરમિયાન સાતડા ગામે નદી પટ વિસ્તારની બાજુમાં બે હ્યુન્ડાઈ કંપનીના એક્સકેવેટર (હિટાચી) મશીન દ્વારા બ્લેકટ્રેપ ખનીજનું ખનન ચાલુ હોવાનું જોવા મળતા બ્લેકટ્રેપ ખનીજના ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવામાં આવેલ બન્ને હિટાચી મશીન કિંમત રૂપિયા 70 લાખનો મુદ્દામાલ કસ્ટડીમાં લેવાયો હતો. ભાદરકાંઠો અને અમદાવાદ હાઇવે ખનીજચોરી માટે કુખ્યાતરાજકોટ જિલ્લામાં હાલમાં અમદાવાદ હાઇવે પરથી મોટા પ્રમાણમાં રેતી તેમજ બ્લેકટ્રેપનું ગેરકાયદેસર પરિવહન થઇ રહ્યું હોવાનું જગજાહેર છે. અગાઉ સ્થાનિક ખાણ ખનીજ વિભાગ દ્વારા અમદાવાદ હાઇવે, બેડી ચોકડી તેમજ ઉપલેટા પંથકમાં ભાદર નદીમાંથી થતી રેતીની ખનીજચોરી અટકાવવા સતત ટીમોને દોડતી રાખવામાં આવતી હતી. જોકે છેલ્લા છ મહિનાથી સ્થાનિક ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય બની ગયો હોય ખનીજચોરોને મોકળું મેદાન મળ્યું છે. ખાસ કરીને મોડીરાત્રિના સમયે મોરબી હાઇવે, અમદાવાદ હાઇવે અને ઉપલેટા પંથકમાંથી ગેરકાયદેસર ખનીજનું વ્યાપક પ્રમાણમાં પરિવહન થતું હોવા છતાં પણ સ્થાનિક તંત્ર ખનીજચોરી અટકાવવા પ્રયત્નશીલ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સ્થળનું મેજરમેન્ટ બાદ આકરો દંડ ફટકારવામાં આવશેરાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે પોલીસ ટીમને સાથે રાખી સાતડા ગામની નદી નજીક બ્લેકટ્રેપનું ગેરકાયદેસર ખનન ઝડપી લેવા પ્રકરણમાં બનાવ સ્થળે હાજર ધર્મેન્દ્રભાઈ મનુભાઈ ધાંધલની પૂછતાછ કરતા આ વ્યક્તિએ હિટાચી મશીન પોતાના હોવાનું કબૂલી ખનન થયેલ વિસ્તારનો કબજો ભોગવટો તથા થયેલ ખનન ગેરકાયદેસર હોવાનું સ્વીકાર્યું હતું.જેથી ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા દરોડા સ્થળનું મેજરમેન્ટ કરી કેટલી ખનીજચોરી કરવામાં આવી છે તે સહિતની કાર્યવાહી બાદ આકરો દંડ ફટકારવાના સંકેત આપ્યા હતા.
યાત્રીઓ આપે ધ્યાન:ઓટોમેટિક સિગ્નલિંગને લીધે વંદે ભારત સહિત 6 ટ્રેન મોડી પહોંચી
પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા-આંબલી રોડ-ગોરાઘુમા-સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સ્થાપિત કરવાના કાર્ય માટે 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ નોન-ઈન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેન પ્રભાવિત રહેશે. જેમાં એક ટ્રેન સંપૂર્ણ અને ત્રણ ટ્રેન આંશિક રદ, બે ટ્રેનના રૂટ બદલવા પડ્યા છે. આંશિક રીતે રદ ટ્રેન | ગાંધીનગર -વેરાવળ ઇન્ટરસિટી આંશિક રદ તા.28 અને 29 ડિસેમ્બરની ટ્રેન નં.19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રદ રહેશે. તા.28 ડિસેમ્બરની ટ્રેન 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર અને ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રદ રહેશે. પરિવર્તિત રૂટની ટ્રેન | વંદે ભારત એક્સપ્રેસનો રૂટ બદલવો પડ્યો
અમારી લડાઈ ટ્રસ્ટ સામે:વિરાણી સ્કૂલનું મેદાન બચાવવા કમિટી બની
રાજકોટ શહેરની વચ્ચોવચ્ચ શામજી વેલજી વિરાણી હાઇસ્કૂલને ફાળવવામાં આવેલ કરોડોની કિંમતી જમીન વર્તમાન ટ્રસ્ટીઓ વેચી મારવાની પેરવી કરી હાલમાં શાળાના બાળકોને રમવા માટેના મેદાનને ભાડે આપી દેવામાં આવતા વિરાણી હાઈસ્કૂલના જ ભૂતપૂર્વ છાત્ર દ્વારા છેલ્લા છ વર્ષથી લડત આપવામાં આવતા હાલમાં હાઇકોર્ટે સ્ટેટસ્ક્વો આપ્યો છે. જોકે તેમ છતાં હાલમાં વિરાણી સ્કૂલના મેદાનને ભાડે આપી શરતભંગ કર્યો હોય હવે વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો આંદોલન છેડવામાં આવ્યું છે. શનિવારે રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ હોલ ખાતે મહાસંમેલન યોજી લડત માટે સમિતિની પણ રચના કરવામાં આવી હતી.જેમાં જાહેર કરાયું હતું કે, અમારી લડાઈ સરકાર કે તંત્ર સામે નહીં માત્ર ટ્રસ્ટ સામે જ છે. રાજકોટ શહેરની અસ્મિતા સમાન વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયની મેદાનની જમીન વર્ષ 2019માં વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા વેચી નાખવા પેરવી કરતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો.પુરુષોત્તમ પીપરિયા દ્વારા કાનૂની લડત આપવામાં આવતા આ લડતમાં જિલ્લા કલેક્ટર તંત્ર પણ પક્ષકાર બન્યું હતું અને બાદમાં ટ્રસ્ટની જમીનના સત્તાપ્રકારમાં થયેલ ફેરફાર ફરી મૂળ રૂપમાં લાવવવા આવ્યા છે. જોકે આમ છતાં અહીં લાંબા સમયથી ખેલાડીઓ અને વિદ્યાર્થીઓને રમવા માટેના મેદાનમાં બોક્સ ક્રિકેટ, રાત્રિ બજાર જેવી વાણિજ્ય પ્રવૃત્તિ ચાલુ રહેતા ડો.પુરુષોત્તમ પીપરિયા વિરાણી મેદાન બચાવો સમિતિ બનાવી શનિવારે રાષ્ટ્રીય શાળા ખાતે મહાસંમેલન યોજતા આ લડતમાં પૂર્વ વિદ્યાર્થી એવા પૂર્વ કલેક્ટર કે.બી.ઉપાધ્યાય, કેળવણીકાર જતિન ભરાડ સહિતના અનેક પૂર્વ છાત્રો સહિત 150 જેટલા લોકો જોડાયા હતા.
મહાપાલિકા પ્રશાસનએ આપી માહિતી:મુંબઈમાં એક પણ મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ નથી:
વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે વધુ 190 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવશે. ગીચ લોકવસતિ હોવા છતાં મુંબઈમાં એક પણ મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ ન હોવાની માહિતી મહાપાલિકા પ્રશાસને આપી હતી. મતદાનની ટકાવારી વધારવાના ઉદ્દેશથી ખાનગી સોસાયટીઓમાં વધુ મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવશે. શહેરમાં લગભગ 700 ખાનગી સોસાયટીઓમાં નાગરિકોને ઘર નજીક મતદાન કેન્દ્ર સ્થાપવામાં આવશે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી 15 જાન્યુઆરીના થવાની છે. ચૂંટણીને ધ્યાનમાં લેતા પ્રશાસને તૈયારીઓ ઝડપી બનાવી છે. મતદારો મતદાન કેન્દ્ર સુધી સહેલાઈથી પહોંચી શકે એ માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. મતદારો માટે મતદાન કેન્દ્ર વધુ નજીક હોય એ માટે વિધાનસભા ચૂંટણીની સરખામણીએ વધુ 190 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવશે. 2024માં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન મુંબઈમાં કુલ 10 હજાર 110 મતદાન કેન્દ્ર હતા. આગામી મહાપાલિકા ચૂંટણી માટે આ સંખ્યા વધારીને લગભગ 10 હજાર 300 કરવામાં આવી છે. આમ 190 મતદાન કેન્દ્રોનો ઉમેરો થશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત અશ્વિની જોશીએ આપી છે. મુંબઈમાં એક પણ મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ નથી. કેટલાક મતદાન કેન્દ્ર સંવેદનશીલ તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યા છે. જે ઠેકાણે 10 કરતા વધુ મતદાન બૂથ છે ત્યાં મતદારોની સંખ્યા વધુ હોવાથી ગિરદી થવાની શક્યતા હોય છે. તેથી આવા ઠેકાણાનો સંવેદનશીલની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યાનું જોશીએ સ્પષ્ટ કર્યું હતું.
વિવાદનો અંત આવવાની શક્યતા:KG-D6 મામલે રિલાયન્સ- સરકાર વચ્ચેના વિવાદનો ઉકેલની શક્યતા
KG-D6 તેલ અને ગેસ બ્લોકના ખર્ચ વસૂલાત સંબંધિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ભારત સરકાર વચ્ચે લગભગ 247 મિલિયન ડોલરના વિવાદનો નિર્ણય 2026માં આવવાની શક્યતા છે. આ વિવાદ હાલ આંતરરાષ્ટ્રીય લવાદના અંતિમ તબક્કામાં છે.2002થી KG-D6 બ્લોકનું સંચાલન કરતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વધારાના ‘પ્રોફિટ પેટ્રોલિયમ’ સંબંધિત કેન્દ્ર સરકારની માંગ સામે લવાદમાં અપીલ કરી છે. આ વિવાદ સરકાર દ્વારા પછીના તબક્કે (post-facto) KG-D6 પ્રોજેક્ટ માટે અગાઉ કરવામાં આવેલા કેટલાક ખર્ચને અમાન્ય ઠેરવવાના કારણે ઊભો થયો છે. NELP (ન્યૂ એક્સપ્લોરેશન લાયસન્સિંગ પોલિસી) હેઠળના પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટ (PSC) મુજબ, ઓપરેટરને તમામ વિકાસ ખર્ચ સંપૂર્ણપણે વસૂલ કરવાનો અધિકાર છે. ત્યારબાદ જ સરકારનો નફાનો હિસ્સો શરૂ થાય છે. ઉપરાંત સરકારને રોયલ્ટી અને કર પણ મળે છે. ઓપરેટરના દરેક ખર્ચ પર સરકારની મંજૂરી, દેખરેખ અને ઓડિટની જોગવાઈ કરારમાં છે. PSC હેઠળ રચાયેલ મેનેજમેન્ટ કમિટીમાં સરકારના બે પ્રતિનિધિઓ હોય છે અને તેમને દરેક નિર્ણય પર વેટો અધિકાર છે. રિલાયન્સના નેતૃત્વવાળા કન્સોર્શિયમે તમામ પ્રક્રિયાઓ કડક રીતે અનુસરી છે અને કંપની તરફથી કોઈ ખામી હોવાનો આરોપ સરકાર દ્વારા ક્યારેય કરવામાં આવ્યો નથી. પછી ભૂગર્ભીય કારણોને કારણે KG-D6માંથી ગેસ ઉત્પાદન ઘટ્યું. મોટા પ્રમાણમાં જોખમી મૂડી રોકાણ કરનાર રિલાયન્સ માટે આ પરિસ્થિતિ પહેલેથી જ મુશ્કેલ હતી. આવી સ્થિતિમાં, અગાઉ મંજૂર થયેલા ખર્ચનો એક ભાગ અમાન્ય ઠેરવવો અન્યાયકારક હોવાનું રિલાયન્સનું માનવું છે. મહત્વનું એ છે કે આ પ્રોજેક્ટના વિકાસ માટે સરકારે કોઈપણ આર્થિક રોકાણ કર્યું નથી અને કોઈ જોખમ ઉઠાવ્યું નથી. છતાં પણ સરકારને અત્યાર સુધી નોંધપાત્ર પ્રમાણમાં ‘પ્રોફિટ પેટ્રોલિયમ’ મળ્યું છે. ઉપરાંત, બજાર આધારિત ભાવોની ખાતરી હોવા છતાં રિલાયન્સને ગેસ ઓછા ભાવે વેચવા માટે મજબૂર કરવામાં આવી, જેના પરિણામે દેશને અને સરકારના ખજાનાને ફાયદો થયો.
સરતા વર્ષને વિદાય અને નવા વર્ષનું સ્વાગત કરવા મુંબઈ સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એ ધ્યાનમાં લેતા નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે એ માટે અન્ન અને ઔષધ પ્રશાસને કમર કસી છે. રાજ્યની હોટેલ્સ, રેસ્ટોરંટ્સ અને ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા આસ્થાપનાઓની પ્રશાસન તરફથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. એના લીધે નવા વર્ષ નિમિત્તે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ પર અંકુશ આવશે. નવા વર્ષ નિમિત્તે આયોજિત વિવિધ પાર્ટીઓ અને કાર્યક્રમોમાં મોટા પ્રમાણમાં ખાદ્યપદાર્થો પીરસાય છે. ખાદ્યપદાર્થોની માગમાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. તેથી એમાં ભેળસેળ થવાની શક્યતા ઘણી વધારે હોય છે. તેમ જ હોટેલ્સ અને રેસ્ટોરંટ્સમાં મુદત પૂરી થયેલ કાચો માલ, ખાદ્ય અને અખાદ્ય રંગનો ઉપયોગ થાય છે. તેથી નાગરિકોને ભેળસેળવાળા ખાદ્યપદાર્થો મળવાની શક્યતા વધારો હોય છે. આ બાબત ધ્યાનમાં લઈને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા વિરુદ્ધ એફડીએએ તપાસ ઝુંબેશ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઝુંબેશ અંતર્ગત અન્ન સુરક્ષા અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રની રેસ્ટોરંટ્સ, હોટેલ્સ, અને ખાદ્ય આસ્થાપનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ તપાસ દરમિયાન મુદત પૂરી થયેલા કાચા માલનો વપરાશ, અન્નપદાર્થોમાં ખાદ્ય અને અખાદ્ય રંગનો ઉપયોગ તેમ જ સ્વચ્છતાના ધોરણનું પાલન થાય છે કે નહીં એની ચુસ્તતાથી તપાસ કરવામાં આવશે. એમાં દોષી જણાયેલા વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત નાગરિકોના આરોગ્યની દષ્ટિએ હોટેલ્સ, રેસ્ટોરંટ્સમાં સ્વચ્છતાને વિશેષ મહત્વ આપવામાં આવશે. હોટેલ સ્વચ્છતાનો સંકલ્પએફડીએએ સ્વાગત નવા વર્ષનું, સંકલ્પ હોટેલ સ્વચ્છતાનો નામથી વિશેષ ઉપક્રમ હાથમાં લીધો છે. આ ઉપક્રમ 26 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીના સમયગાળા સુધી રાજ્યમાં અમલમાં રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ સ્વચ્છતા અને અન્નસુરક્ષા રેટિંગનું પાલન કરનાર હોટેલ આસ્થાપનાને પ્રોત્સાહન આપવા જિલ્લા અને રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ હોટેલ્સને પુરસ્કાર આપવામાં આવશે. પ્રજાસત્તાક દિનનું ઔચિત્ય સાધીને 26 જાન્યુઆરી 2026ના જિલ્લા સ્તરના પુરસ્કાર સંબંધિત જિલ્લાના પાલકમંત્રીના હસ્તે તથા રાજ્ય સ્તરના પુરસ્કાર ઉત્તમ હોટેલ્સનું સન્માન મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
ખુલ્લેઆમ થાય છે ભેળસેળયુક્ત દૂધનો સપ્લાય:અંધેરી કપાસવાડીમાં દૂધમાં ભેળસેળ કરવાનું મોટું કૌભાંડ
અંધેરી પશ્ચિમમાં કપાસવાડીમાં દૂધમાં ભેળસેળ થતી હોવાની ગંભીર બાબત સામે આવી છે. સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે, અહીં ખુલ્લેઆમ ભેળસેળયુક્ત દૂધનો સપ્લાય ચાલી રહ્યો છે, જેનાથી જાહેર આરોગ્ય ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મોટો ખતરો ઊભો થયો છે. સોશિયલ મિડિયા પર વાઈરલ વિડિયોમાં દૂધ ભેળસેળ રેકેટનો પર્દાફાશ થતો હોવાનું દેખાય છે. વિડિયોમાં દૂધનાં પેકેટોથી ભરેલો એક ઓરડો જોવા મળે છે. એક વ્યક્તિ કઠણ પ્લાસ્ટિકનો ડંડો લઈને એક ઘરમાં પ્રવેશ કરે છે, જ્યાં એક પુરુષ અને એક સ્ત્રી હાજર હોવાનું દેખાય છે. વિડિયોમાં માલ બનાવ જેવી વાતચીત સંભળાય છે અને અંતે અગ્નિ પ્રગટાવી ભેળસેળ કરવાની રીત દર્શાવાતી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. નેટિઝન્સનો દાવો છે કે આ રેકેટ દાયકાઓથી સક્રિય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડિટર્જન્ટ પાઉડર, યુરિયા, સાબુનું દ્રાવણ, તેલ અને અન્ય રસાયણો ભેળવી કૃત્રિમ દૂધ તૈયાર કરવામાં આવે છે. એક લિટર મૂળ દૂધમાં પાણી અને રસાયણો ઉમેરીને લગભગ બમણું પ્રમાણ બનાવવામાં આવે છે અને તે ફરીથી નવા પાઉચમાં પેક કરી નજીકના વિસ્તારોમાં વિતરણ થાય છે.આ મામલાએ સ્થાનિક સરકારી તંત્રની દેખરેખ પર પ્રશ્નો ઊભા કર્યા છે.
વસઈ વિરારની રાજનીતિમાં ઊથલપાથલ:વસઈ -વિરારમાં અજિત પવારની પાર્ટી સ્વબળે લડશે
મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિની અંદર શરૂ થયેલા તણાવને પગલે રાજકારણમાં મોટો ધડાકો થયો હોવાનું ચિત્ર છે. અજિત પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપો લગાવતાં આક્રમક ભૂમિકા લીધી છે. વસઈ વિરાર જિલ્લા અધ્યક્ષ રાજારામ મુળીકે કહ્યું કે, ભાજપે અમારી પીઠમાં ખંજર ભોંક્યું છે એવો ખળભળાટ મચાવતો આરોપ કર્યો છે. મહાયુતિની વસઈ– વિરાર મહાપાલિકાની આવનારી ચૂંટણીના પગલે રાજકીય વાતાવરણ તંગ છે. ખાસ કરીને ચૂંટણી જાહેર થયા બાદ મહાયુતિ એકત્ર લડશે એવી ચર્ચા શરૂ હતી. તે અંતર્ગત અનેક બેઠકો યોજાઈ હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે યુતિધર્મ પાળીને ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો હતો. જોકે, વાસ્તવિક જગ્યા વહેંચણીના તબક્કે ભાજપ તરફથી એક પણ બેઠક ન મળતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ભારે અસંતોષ ફેલાયો. મુળીકે કહ્યું કે, જે પક્ષ પોતાના સાથીદારો સાથે પ્રામાણિક નથી, તે મતદારો સાથે પણ ક્યારેય ઈમાનદાર રહી નહીં શકે. યુતિ ફક્ત કાગળ પર રહી ગઈ, અને અમને જાણીબૂજીને દૂર રાખવામાં આવ્યા એવો દાવો તેમણે કર્યો. આ પરિસ્થિતિમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસે સ્વબળ પર ચૂંટણી લડવાનો સ્પષ્ટ નિર્ણય જાહેર કર્યો છે, જેના કારણે વસઈ- વિરાર મહાપાલિકાની રાજનીતિમાં ઊથલપાથલ મચી ગઈ છે.
પાલિકા ચૂંટણી:શૌચાલય ઉપયોગ પ્રમાણપત્ર વગર ઉમેદવારી રદ થશે
મુંબઈ મહાપાલિકાની સામાન્ય ચૂંટણી 2025–26 માટે રાજ્ય ચૂંટણી પંચે કડક શરતો લાગુ કરતાં ઉમેદવારોને સ્પષ્ટ ચેતવણી આપી છે. હવે ઉમેદવારી પત્ર સાથે શૌચાલય ઉપયોગ પ્રમાણપત્ર અથવા સ્વ-પ્રમાણપત્ર જોડવું ફરજિયાત રહેશે. આ દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળતા પર રિટર્નિંગ અધિકારી (આરઓ) ઉમેદવારી પત્રને તત્કાળ અમાન્ય ઠરાવશે. રાજ્ય ચૂંટણી પંચ, મહારાષ્ટ્રએ સ્પષ્ટ કર્યું છે કે, આ નિયમ માત્ર દસ્તાવેજી કાર્યવાહી નથી, પરંતુ સ્વચ્છતા અંગેની જવાબદારી નિશ્ચિત કરવાની કડક વ્યવસ્થા છે. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનના અનુસંધાને 7 મે 2016ના મહારાષ્ટ્ર અધિનિયમ નં. 19 ઓફ 2016માં સુધારો કરીને શરત ઉમેરવામાં આવી હતી કે જે ઉમેદવાર નિયમિત શૌચાલય ઉપયોગનું પ્રમાણપત્ર રજૂ નહીં કરે, તે ચૂંટણી લડવા અયોગ્ય ગણાશે. આ નિયમ અગાઉ પણ લાગુ થયો હતો અને હવે ફરી કડક અમલમાં મુકાયો છે. ચૂંટણી લડનાર ઉમેદવાર પોતાના ઘરમાં શૌચાલય ધરાવતા હોય કે, ભાડાના મકાનમાં રહેતા હોય બંને સ્થિતિમાં પ્રમાણપત્ર ફરજિયાત છે. જો ઘરમાં શૌચાલય ઉપલબ્ધ ન હોય, તો સામુદાયિક શૌચાલયનો ઉપયોગ થાય છે, એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. કોઈ પણ પ્રકારની છૂટ માન્ય નહીં રહેશે. આ મુદ્દે મુંબઈ મહાપાલિકાના મુખ્યાલય ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે 22 ડિસેમ્બર, 2025ના બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું કે નિયમોનું ઉલ્લંઘન કરનાર ઉમેદવારો સામે સહાયક કમિશનર અથવા વોર્ડ અધિકારી કાર્યવાહી કરશે. જોકે, મહાપાલિકા વહીવટી તંત્રે એક વાત સ્પષ્ટ કરી છે, શૌચાલય અથવા વ્યક્તિના ફોટોગ્રાફ લેવાની જરૂર નથી. ઉમેદવારી ફોર્મ ભરવા જતા એક ઉમેદવારના જણાવ્યા અનુસાર ચૂ઼ંટણી કામગીરી કરતા સરકારી અધિકારીઓ નોમિનેશન ફોર્મની સાથે જો શૌચાલયનો ઉપયોગ કરતા હોય તો તેમના ઘરના શૌચાલયનો જીપીએસ ફોટો જોડવાનો આગ્રહ કરી રહ્યા હોવાનો ચોંકાવનારો દાવો કેડીએમસીમાં ઉમેદવારી ફોર્મ ભરવા જતા રાજન ગાલાએ જણાવ્યું હતું.
હિન્દી ભાષી સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારાશે:પરપ્રાંતિયોને આકર્ષવા માટે ભાજપની રણનીતિ
મુંબઈ મહાપાલિકા જીતવા માટે ભાજપે ઉત્તર ભારતીયોના દિલ જીતવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. આ માટે ભાજપે ચૂંટણીના પ્રચારમાં હિન્દી ભાષી સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. આમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુર, મનોજ તિવારી અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે.શાસક મહાયુતિનો બેઠક વહેંચણીનો વિવાદ હવે લગભગ સમાપ્ત થઈ ગયો છે. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના આ ચૂંટણી સાથે મળીને લડશે. શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીઓનો સામનો સ્વબળે કરશે. ભાજપ આ ચૂંટણી જીતવા માટે આકાશપાતાળ એક કરી રહી છે. આ માટે, ભગવા પક્ષ વિવિધ રણનીતિઓ બનાવી રહી છે. આમાં ઉત્તર ભારતીય મતદારોને પાર્ટી તરફ આકર્ષવા માટે પોતાના વિસ્તારોમાંથી સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે આમંત્રિત કરવાની રણનીતિનો પણ સમાવેશ થાય છે.
કરુણાંતિકા સર્જાઈ:કોંકણના સમુદ્રમાં પવઈના એક જ પરિવારના 3 ડૂબ્યા
નવું વર્ષ 2025ને વિદાય આપવા અને નાતાલના તહેવારોની ઉજવણી માટે કોંકણમાં પર્યટકોની ભારે ભીડ હાલમાં જોવા મળી રહી છે. રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ આ ઉત્સાહી માહોલ વચ્ચે રત્નાગિરિ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મુંબઈના પવઈના એક પરિવારને કોંકણના પ્રવાસે જવું દુ:ખદ બની ગયું છે. રત્નાગિરિ જિલ્લાના ગુહાગર બીચ પર દરિયામાં નહાવા પડેલા મુંબઈથી આવેલા એક પરિવાર પર દુર્ઘટના આવી પડી. આ દુર્ઘટનામાં એક વ્યકતિના મોતથી પર્યટકોમાં ગમગીનીનો માહોલ છે. પવઈથી ગુહાગર ફરવા આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો દરિયામાં ડૂબ્યા હતા. તેમને પાણીના ઊંડાણનો અંદાજ ન આવતાં આ ઘટના બની હતી, પરંતુ સ્થાનિક લોકોની સતર્કતાના કારણે પત્ની અને 14 વર્ષના પુત્રને બચાવી લેવામાં આવ્યા, પરંતુ 42 વર્ષીય અમોલ મુથ્યાનો જીવ બચી શક્યો નહીં.
સિટી એન્કર:મુંબઈના કાલાઘોડા પરિસરની કાયાપલટ કરાશે, સુશોભીકરણ પ્રકલ્પ અંતિમ તબક્કામાં પહોંચ્યો
મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને ઐતિહાસિક વારસાવાળી ઈમારતોવાળા કાલાઘોડા પરિસરમાં હંમેશા દેશવિદેશના પર્યટકોની અવરજવર રહે છે. તેથી મુંબઈ મહાપાલિકાએ કાલાઘોડા પરિસરમાં સુશોભીકરણ પ્રકલ્પ હાથમાં લીધો છે. ડો.વી.બી. ગાંધી રોડ, રુદરફોર્ડ રોડ અને બી. ભરુચા રોડ પર સુશોભીકરણના કામ અંતિમ તબક્કામાં છે. આ કામ પૂરું થયા બાદ આ પરિસર મુંબઈગરા, દેશવિદેશના પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. મુંબઈ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણી તથા ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને મહારાષ્ટ્ર રાજ્ય નાણા પંચના અધ્યક્ષ નિતીન કરીરે કામનું નિરીક્ષણ કરીને કયાસ કાઢ્યો હતો. દક્ષિણ મુંબઈનો ઐતિહાસિક વારસો અને પુરાતન સ્થાપત્યોવાળા પરિસર તરીકે કાલાઘોડા પરિસરની ઓળખ છે. નાગરિકો, પર્યટકોની અહીં હંમેશા ગિરદી રહે છે. કાલાઘોડા સાંસ્કૃતિક દષ્ટિએ સમૃદ્ધ અને કલાત્મક દષ્ટિએ જોવા જેવો પરિસર છે. અહીં મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને ઐતિહાસિક વારસાવાળી ઈમારતો છે. દર વર્ષે ભરાતા કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ આ પરિસરની સાંસ્કૃતિક ઓળખ છે. આ પરિસર યુનેસ્કોના વિકટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો એસમ્બલ ઓફ મુંબઈ જેવા વૈશ્વિક વારસા સ્થળની બાજુમાં જ હોવાથી મુંબઈગરા અને પર્યટકો હેરિટેજ વોકનો આનંદ માણી શકે એ ઉદ્દેશથી મુંબઈ મહાપાલિકાએ કાલાઘોડા પરિસરના સાઈબાબા રોડ, રોપ વોક લેન, ડો. વી.બી. ગાંધી રોડ (ફોર્બ્સ સ્ટ્રીટ) અને બી. ભરુચા રોડ એમ પાંચ રસ્તાઓના સુશોભીકરણનો પ્રકલ્પ હાથમાં લીધો છે. એના માટે પહેલા તબક્કામાં કુલ 3 હજાર 443 સ્કવેર મીટર એરિયાનું (કુલ લંબાઈ 500 મીટર) સુશોભીકરણ કરવામાં આવી રહ્યું છે. દરેક પર્યટકની મુંબઈની મુલાકાતમાં જોવા જેવા સ્થળોમાં કાલાઘોડાનું નામ ચોક્કસ હોય છે. આ સુંદર પરિસરમાં સ્વાદિષ્ટ અને અવનવા ખાદ્યપદાર્થોની વિવિધ રેસ્ટોરંટ્સ, ભોજનાલય, હોટેલ્સ, ઘરેણા અને કપડાના કાર્યાલય છે. આ પરિસરમાં આંટો મારતા ખરીદી કરતા, સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ લેતા પર્યટકોને અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવા મહાપાલિકાએ સુશોભીકરણનું કામ હાથમાં લીધું છે. પરિસરમાં ભારે વાહનો પર બંધી મૂકવામાં આવશે. આ પરિસરની ચારેકોર અદ્યતન બેરિકેડ્સ ઊભા કરવામાં આવશે. પ્લાઝા તૈયાર થશેબી. ભરુચા રોડ પરના ચોકમાં પ્લાઝા બનાવવામાં આવશે. બ્લેક ગ્રેનાઈટ અને બેસાલ્ટની લાદીનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્લાઝા નજીક ટેબલ-ખુરસી પર બેસીને મુંબઈગરા, પર્યટકો આ પરિસરનો, સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકશે. તેમ જ સંપૂર્ણ પરિસરમાં પર્યટકોને આનંદ આપતી વળાંકવાળી પગદંડી પણ તૈયાર કરવામાં આવી છે.
થર્ટીફર્સ્ટની પાર્ટીઓમાં ઘણાં ઠેકાણે ડ્રગ્સ પાર્ટીઓ ચાલે છે, જેથી ડ્રગ્સની તસ્કરી વધી છે ત્યારે પોલીસે પણ આવી પાર્ટીઓનો પર્દાફાશ કરવા માટે કમર કસી છે. આ કડીમાં મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલના ટાસ્ક ફોર્સે બેન્ગલુરુમાં ત્રણ ડ્રગ્સ ફેક્ટરીઓ પકડી પાડી છે, જ્યાંથી એમડી ડ્રગ્સ (મેફેડ્રોન અથવા પાર્ટી ડ્રગ્સ તરીકે પણ ઓળખાય છે) સહિત રૂ. 55.88 કરોડનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે. 21 ડિસેમ્બરે નવી મુંબઈમાં વાશી ગામમાં પુણે મુંબઈ હાઈવે નજીક જૂના બસ ડેપો ખાતેથી ટાસ્ક ફોર્સે ડ્રગ્સ તસ્કર અબ્દુલ કાદર રશીદ શેખને રૂ. 1.48 કરોડના પાર્ટી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. શેખની ઊલટતપાસ લેતાં તેની માહિતી પરથી બેલગામમાં પાર્ટી ડ્રગ્સ બનાવતા પ્રશાંત યલપ્પા પાટીલની ધરપકડ કરવામાં આવી હતી, પ્રશાંતની ઊલટતપાસ લેવાતાં તેણે બેન્ગલુરુમાં ત્રણ ફેક્ટરીઓમાં મોટે પાયે ડ્રગ્સ બનાવવામાં આવે છે એવી માહિતી આપી હતી. આ પછી પોલીસે બેન્ગલુરુમાં દરોડા પાડીને રાજસ્થાનમાં રહેતા પરંતુ બેન્ગલુરુમાં ડ્રગ્સ ફેક્ટરી ચલાવતા સરજ રમેશ યાદવ અને મલખાન રામલાલ બિશ્નોઈની ધરપકડ કરી હતી. આ બંનેની માહિતી પરથી બેન્ગલુરુ શહેરમાં સ્પંદના લેઆઉટ કોલોની, એનજી ગોલાહલી વિસ્તારમાં આર જે ઈવેન્ટ નામે ફેક્ટરી અને યેરપનાહળી કન્નુર ખાતે લોકવસતિમાં આરસીસી ઘરમાં એમડી ડ્રગ્સ તૈયાર કરવાની ફેક્ટરીનું ઠેકાણું બતાવ્યું હતું. આ સ્થળો ખાતેથી ત્રણ ફેક્ટરીઓ પર દરોડા પાડીને 4 કિલો એમડી, દ્રવ્ય સ્વરૂપમાં 17 કિલો એમડી એમ 21.400 કિલો એમડી, તે તૈયાર કરવાની સામગ્રી અને વિવિધ રસાયણો મળીને રૂ. 55.88 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ત્રણેય ફેક્ટરીઓ નષ્ટ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર 15 કરોડના ડ્રગ્સ સાથે સુરતી સહિત 2 તસ્કર પકડાયા થર્ટીફર્સ્ટની પાર્ટીઓની મુંબઈ સહિતનાં શહેરોમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે અલગ અલગ કેસમાં કસ્ટમ્સ દ્વારા બે પ્રવાસીની રૂ. 15 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. આરોપીમાં 69- સુભાષ નગર-1, લલિતા ચોક, કતારગામ, સુરત શહેરના હિતેશ કાનજીભાઈ માલવિયા (35) અને નિકિતા પેલેસ, ફ્લેટ-201, હિલ એરિયા, સેકશન-17, ઉલ્હાસનગર-3 ખાતે રહેતા દીપક અનિલ મહેતા (32)ની ધરપકડ કરી છે. કસ્ટમ્સ વતી પબ્લિક પ્રોસીક્યુટર રઝિયા શેખની દલીલ પર બંને આરોપીઓને સ્થાનિક કોર્ટે કસ્ટમ્સની કસ્ટડી આપવામાં આવી છે. માલવિયા 27 ડિસેમ્બરે પરોઢિયે એર ઈન્ડિયાની ફ્લાઈટ નં. એઆઈ-2338માં બેન્ગકોકથી મુંબઈ આવ્યો હતો. શંકાને આધારે કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા તેને આંતરીને તેની તલાશી લેવામાં આવી હતી.તેની ચેક-ઈન બેગમાં પારદર્શક બેગ્સ મળી આવી હતી, જેમાં 8 ડબલ પેક્ડ પ્લાસ્ટિકમં પેકેટ્સ હતા. તેમાં 7965 ગ્રામ હાઈડ્રોપોનિક વીડ (ગાંજો તરીકે પણ ઓળખવામાં આવે છે) મળી આવ્યું હતું, જેનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય રૂ. 7.96 કરોડ થવા જાય છે. આથી આરોપીની એનડીપીએસ ધારા 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.દરમિયાન બીજા કેસમાં 27 ડિસેમ્બરે પરોઢિયે બેન્ગકોકથી મુંબઈમાં ઈન્ડિગો એરલાઈન્સ ફ્લાઈટ નં. 6ઈ1060માં આવેલા દીપક મહેતાની શંકા પરથી તલાશી લેવામાં આવી હતી. તેની પાસે ચેક-ઈન બેગેજ તરીકે એક્સપ્રેસ બ્રાન્ડની ખાખી રંગની ટ્રોલી બેગમાં 10 વેક્યુમ સીલ્ડ પારદર્શક પ્લાસ્ટિકનાં પેકેટ્સ ભરેલાં દેખાયાં હતાં. આ પેકેટ્સ ખોલતાં તેમાંથી લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો, જેમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. એર ઈન્ટેલિજન્સ યુનિટની કેમ્પ ઓફિસ ખાતે લઈ જઈને એનડીપીએસ પદાર્થોના ફિલ્ડ- ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરીને તેનું પરીક્ષણ કરતાં ગાંજો/ હાઈડ્રોપોનિક વીડ હોવાનું જણાયું હતું. આ ટીમની વિશેષ કાર્યવાહીએડિશનલ આઈજી સુનીલ રામાનંદ, સ્પેશિયલ આઈજી શારદા રાઉત, ડે. આઈજી પ્રવીણકુમાર પાટીલના માર્ગદર્શનમાં એસપી એમ એમ મકાનદાર, એડિશનલ એસપી કૃષ્ણાત પિંગળે, રામચંદ્ર મોહિતે, પીઆઈ સંતોષ ગાવશેતે, નિલેશ બોધે, એપીઆઈ ઉદય કાળે, માધવાનંદ ધોત્રે, ઉમેશ ભોસલે, પીએસઆઈ સંજય આદલિંગ, સુહાસ તાવડે અને સ્ટાફ અનિલ પાસ્તે, અશોક આટોળે, મહેશ હવળી, જિતેંદ્ર ચવ્હાણ, યોગીરાજ ઈંગુળકર, અનિલ મોરે, જિતેંદ્ર તુપે, શિવાજી રાવતે, અર્જુન બંદરે, મનીષ ભોઈરે આ કામગીરી પાર પાડી હતી. લોકવસતિ વચ્ચે ડ્રગ્સની ફેક્ટરીપોલીસની નજરથી બચવા માટે કર્ણાટકના બેન્ગલુરુમાં લોકવસતિમાં ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતંફ હતું. ફક્ત ત્રણેય ફેક્ટરીમાં પાર્ટી ડ્રગ્સ બનાવીને દેશનાં અનેક રાજ્યોમાં પહોંચાડવામાં આવતું હતું. ખાસ વાત એ છે કે આ ધીકતો ધંધો કરીને આરોપીઓએ બેન્ગલુરુ શહેરમા મોટે પાયે મિલકતો ખરીદી હોવાનું પણ બહાર આવ્યું છે. હમણાં સુધી ચાર તસ્કરોની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય બે જણની શોધ ચાલી રહી છે, એમ ટાસ્ક ફોર્સના અધિકારીએ શનિવારી જણાવ્યું હતું.
સિટી એન્કર:વોટર ટેક્સી દ્વારા દ.મુંબઈથી વસઈ ફક્ત 40 મિનિટમાં પહોંચવું શક્ય
રાજ્ય સરકાર તરફથી મુંબઈની ટ્રાફિકજામની સમસ્યાના ઉકેલ માટે ટૂંક સમયમાં વોટર ટેક્સીની સંકલ્પના વાસ્તવિકતામાં ફેરવાશે. એના માટે કોચી વોટર મેટ્રો પ્રકલ્પની મદદ લેવામાં આવશે. મુંબઈ મહાનગર પ્રદેશમાં 15 નવી જેટ્ટી ઊભી કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. વોટર ટેક્સીના 9 રૂટ નક્કી કરવામાં આવ્યા છે જેનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે એવી માહિતી રાજ્યના મત્સ્યવિકાસ મંત્રાલય દ્વારા મળી છે. રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી પ્રકલ્પ માટે કોચી વોટર મેટ્રો પ્રકલ્પનું એક પ્રતિનિધિમંડળ મુંબઈ આવ્યું હતું. આ પ્રતિનિધિમંડળે આપેલા અહેવાલ પછી મુંબઈગરાનો ટ્રાફિકજામથી છૂટકારો કરવા વોટર ટેક્સી પ્રકલ્પ માટે તૈયારી ચાલુ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડની મદદથી વોટર ટેક્સી પ્રકલ્પનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. બીજા તબક્કામાં રો-રો સેવા અને વોટર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવશે એમ પણ જણાવવામાં આવ્યું છે. કોચી વોટર મેટ્રો પ્રકલ્પે આપેલા અહેવાલ અનુસાર મુંબઈ મહાનગર ક્ષેત્રમાં 21 જગ્યા નિશ્ચિત કરવામાં આવી છે. ત્યાં જેટ્ટી ઊભી કરવામાં આવશે. એમાં પ્રથમ તબક્કામાં 15 જેટ્ટીનું કામ કરવામાં આવશે એવી માહતી મત્સ્યવિકાસ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. આ વોટર ટેક્સી પ્રકલ્પના લીધે મુંબઈ, થાણે, રાયગડ અને પાલઘર જિલ્લાના નાગરિકોને ફાયદો થશે. અત્યારની પરિસ્થિતિ ધ્યાનમાં લેતા દક્ષિણ મુંબઈથી વસઈ પહોંચવા બે કલાક કરતા વધુ સમય લાગે છે. જો કે વોટર ટેક્સીના કારણે લગભગ 40 થી 50 મિનિટમાં આ પ્રવાસ શક્ય છે. કલ્યાણથી વસઈ પ્રવાસ માટે એક કલાક 40 મિનિટનો સમય લાગે છે. વોટર ટેક્સીની લીધે આ પ્રવાસ 35 થી 45 મિનિટમાં પૂરો કરી શકાય છે. નિશ્ચિત કરેલા માર્ગનારંગી-વાડેશ્વરી, વસઈ-મીરા-ભાઈઁદર-ફાઉન્ટેન જેટ્ટી-ગાયમુખ, નાગલે, કોલશેત-કાલ્હેર-મુંબ્રા-કલ્યાણ, કલ્યાણ-મુંબ્રા-મુલુંડ-ઐરોલી-વાશી-ડીટીસી- ગેટવે, મુલુંડ-ઐરોલી-ડીટીસી-ગેટવે, મીરા-ભાંઈદર- વસ-બોરીવલી-નરિમાન પોઈંટ માંડવા અન બેલાપુર-ગેટવે-માંડવા બોરીવલી ગોરાઈ, નરિમાન પોંઈટ

32 C