VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ
JNU Ravana Dahan Controversy : દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં રાવણ દહણ દરમિયાન ભારે વિવાદ થયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ આક્ષેપ કર્યો છે કે, ડાબેરી સમર્થિત વિદ્યાર્થીઓએ રાવણ દહનના કાર્યક્રમમાં બૂટ ફેંક્યા અને જાણી જોઈને કાર્યક્રમમાં અવરોધ ઊભો કર્યો છે. ડાબેરી સંગઠન જાણીજોઈને અશાંતિ ફેલાવી રહ્યા છે : ABVPનો આક્ષેપ એબીવીપીના નેતા પ્રવીણ કુમારે કહ્યું કે, ડાબેરી સંગઠન જાણીજોઈને અશાંતિ ફેલાવી રહ્યા છે. વાસ્તવમાં રાવણના પુતળાના 10 માથામાં દિલ્હી હિંસાના ષડયંત્રકાર આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઈમાન સહિત અનેકની ફોટો લગાવાઈ હતી.
સુરત શહેરમાં વરાછા મીની બજારના હીરા વેપારીની ઓફિસમાંથી અજાણ્યા ચોરે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં ઓફિસમાંથી આશરે 13.65 લાખના 6129 કેરેટના કાચા અને તૈયાર હીરા ચોરાઈ ગયાનો બનાવ બન્યો છે. પોલીસે તપાસ દરમિયાન પૂર્વ કારીગર અને હાલ બેકાર રત્નકલાકારની ધરપકડ કરી છે. ફરિયાદીનો ખરીદ-વેચાણ અને મેન્યુફેક્ચરિંગનો વ્યવસાયઉત્રાણ રાધે રેસીડેન્સીમાં રહેતા સંજય કરશનભાઈ ગાબાણી વરાછા મીની બજાર સરદાર આવાસમાં હીરાના ખરીદ-વેચાણ અને મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરે છે. છેલ્લા આઠ મહિનાથી તેઓ આ ઓફિસ ભાડે ચલાવી રહ્યા છે, જ્યાં ત્રણ કારીગરો કામ કરે છે. ગત 24 સપ્ટેમ્બર 2025ના દિવસે સંજયભાઈ સવારે 10 વાગ્યે ઓફિસ આવ્યા અને રાત્રે 10 વાગ્યા સુધી ત્યાં હાજર હતા. ઓફિસમાં પ્રવેશી CCTVમાં કંઈક હરકત કરી હોવાનું જણાયુંસંજયભાઈને રાતે મોડું થતાં તેઓ હીરાના પેકેટને મિત્ર રાજેશભાઈ નારણભાઈ હિરપરાના સેફમાં મૂકવા ન ગયા અને તેને ઓફિસના ટેબલના ડ્રોઅરમાં રાખીને તાળું મારીને ઘરે ગયા હતા. ઘરે પહોંચીને આશરે 12 વાગ્યે મોબાઈલમાં ઓફિસના સીસીટીવી કેમેરા તપાસતા કંઈ જ દેખાતું નહોતું. તેઓને નેટવર્કની સમસ્યા લાગી, પરંતુ રિવર્સ કરીને જોતા રાત્રે 10 વાગ્યે બાદ અજાણ્યા વ્યક્તિએ ઓફિસમાં પ્રવેશ કરીને સીસીટીવીમાં કંઈક હરકત કરી હોવાનું જણાયું હતું. વેપારીની ઓફિસમાંથી 13.65 લાખથી વધુ હીરાની ચોરીસંજયભાઈ તરત જ ઓફિસ પર પહોંચતા શટરનું તાળું ખૂલેલું હાલતમાં હતું, જે બાદ અંદર જતા ટેબલના ડ્રોઅરનું તાળું તોડેલું જોવા મળ્યું અને હીરાના પેકેટ ગુમ હતા. અન્ય કેટલાક હીરા ત્યાં પડેલા હતા, પરંતુ ચોરીનું પૂરું અંદાજ મેળવવા માટે તેઓએ મેનેજર રુત્વિકભાઈ દેવશીભાઈ ધેડીયા સાથે રેકોર્ડ તપાસ્યા હતા. તપાસમાં 13.65 લાખના 6129 કેરેટ હીરા ચોરાયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ચોરને પકડતા પૂર્વ કારીગર જ નીકળ્યોસંજયભાઈએ તપાસ કરતા માલમ પડ્યું હતું કે, ચોરે ડુપ્લિકેટ ચાવી વડે શટર ખોલી, અંદર પ્રવેશ કરીને કોઈ સાધનથી ડ્રોઅર તોડીને હીરા ચોરી થયા છે. તેઓ આ મામલે વરાછા પોલીસનો સંપર્ક કરતાં પોલીસે અજાણ્યા વિરુધ ગુનો નોંધી જાણ ભેદુની દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ચોરી પૂર્વ કારીગરે જ કરી છે. આખી ઓફિસથી વાકેફ હોવાથી તેણે મુખ્ય શટલના તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી મોકો જોઈ હીરા ચોરી ગયો હોવાની માહિતી મળતા તેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
મઘરવાડા ગામ ખાતેની ગરબીમાં મેલડી માતાજીનું આખ્યાન કરવા નિકળેલા યુવાનનું ગુંદા ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થઈ જતા માથામાં અને શરીરે ઇજા થતાં મૃત્યુ નિપજ્યું હતુ. મુકેશ ભુપતભાઈ પરમાર (ઉ.વ.23) ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ બાઈક લઈને જતો હતો ત્યારે ગુંદા ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થઈ જતા માથામાં અને શરીરે ઇજા થતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો ફરિયાદમાં મૃતકના પિતા ભુપતભાઇ મંગાભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગઈકાલે તા.1.10.2025ના રોજ 8 વાગ્યાની આસપાસ દીકરો મહેશ તેના મિત્રો સાથે મઘરવાડા ગામ ખાતેની ગરબીમાં મેલડી માતાજીનું આખ્યાન કરવા માટે નિકળેલ હતા. જે બાદ મારો નાનો દિકરો મુકેશ તેના મિત્ર રોહીતના બાઈકમાં જતા હતા જે બાઈક દિકરો મુકેશ ચલાવતો હતો. રાત્રે 10.45 વાગ્યાની આસપાસ મોટા દીકરા મહેશનો ફોન આવ્યો અને કહ્યું કે, મુકેશ અને રોહીત મઘરવાડા ગામ આવતા હતા ત્યારે કુવાડવા ગામથી મઘરવાડા ગામ જવાના રસ્તે ગાય આડી ઉતરતા ગાય સાથે તેઓનું બાઈક અથડાતા બંને પડી ગયા હતા જેમાં તેને ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈને જઈએ છીએ. જ્યાં દિકરા મુકેશને ડોકટરે તપાસી મૃત જાહેર કર્યો હતો. મુકેશ અખબારના પ્રેસ મશીનમાં નોકરી કરતો હતો. તે એક બહેન અને બે ભાઈમાં નાનો હતો. ગંજીવાડાના શક્તિ ચોકમાં થતી ગરબીના પ્રખ્યાત મેલડી માતાજીના આખ્યાનના નાટકમાં મુકેશ પાત્ર ભજવતો હતો. તહેવારના દિવસોમાં યુવાનના મોતથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે. 17 વર્ષની દીકરીનુ અજાણ્યો શખ્સ લલચાવી અપહરણ કરી ગયોરાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય મહિલાએ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેને સંતાનમાં છ બાળકો છે જેમાંથી સૌથી નાની દીકરી 17 વર્ષની છે. જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે ગત તા.30ના સવારના સમયે તેમની પુત્રી જયાં કામ કરે છે ત્યાં કંપનીએ મુકવા ગયા હતા ત્યારે કંપનીથી થોડે દુર પહોંચતા તેણીની સગીર દીકરીએ જણાવ્યું કે હું જાતે જતી રહીશ તમે જાવ. જેથી ફરિયાદી ત્યાંથી પરત ઘરે જતા રહ્યા હતા. જે બાદ રાત્રીના 8 વાગ્યા સુધી દીકરી ઘરે ન આવતા પરિવારજનોએ પુત્રીની તપાસ હાથ ધરી હતી પરંતુ કયાંય મળી ન આવતા અજાણ્યો શખ્સ સગીર દીકરીને લલચાવી, ફોસલાવીને અપહરણ કરી ગયાની શંકાએ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે અપહરણની કલમ નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે. પાનના ધંધાર્થી સાથે લોન કરાવી આપવાના નામે રૂ.8.85 લાખની છેતરપીંડીબાપા સીતારામ ચોક પાસે ગ્રીન પાર્ક સોસાયટી બ્લોક નંબર 48 માં રહેતા કલ્પેશભાઈ માધવજીભાઈ ખુંટ (ઉ.વ 33) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેહુલ શંભુભાઈ દાફડા (રહે. ધ સ્પાયર કોમ્પ્લેક્સ, શીતલ પાર્ક સર્કલ પાસે,150 ફૂટ રીંગ રોડ ) નું નામ આપતાં તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરીયાદીએ જણાવ્યું હતુ કે, તેને શાપરમાં ડ્રીમલેન્ડ નામની પાનની દુકાન છે તેમની દુકાને તેમના ગ્રાહક પાસેથી આરોપી મેહુલ લોનના હપ્તાની રકમ લેવા આવતો હતો. જેથી બંને વચ્ચે પરિચય થયો હતો દરમિયાન મેહુલ એક વખત તેના મુંબઈના કોઈ સાહેબ અને એક વકીલને લઈને અહીં આવ્યો હતો અને કહ્યું હતું કે, મારે તેમની સાથે સારો સંબંધ છે, તમારે લોન કરાવી હોય તો મને કહેજો. જેથી પ્રોપર્ટીની ફાઈલ ઉપર 8 કરોડની લોન મંજૂર થશે. જેમાં તમારે મને 1 ટકો ફી રૂપે રૂ. 45,000 આપવા પડશે તેવી વાત કરી હતી. યુવાનને તેના મિત્ર તેજસે કહ્યું હતું કે, મારી લોન મંજૂર થાય તે પહેલા જે ખર્ચો થાય તે તમે ભોગવી લેજો લોન મંજૂર થઈ જાય બાદ હું તમને તમારા પૈસા પરત આપી દઈશ. જેથી ફરિયાદીએ મેહુલના કહેવા પ્રમાણે આ પૈસા આપ્યા હતા ત્યારબાદ લોન બાબતેની પ્રોસેસ આગળ વધારી મેહુલે 2.30 કરોડ અને 7.90 કરોડની લોન મંજૂર થયા અંગેના સેન્કસન લેટર આપ્યા હતા અને તેને 1 ટકા લેખે રૂપિયા 9.50 લાખ આપવા ફોન કર્યો હતો. બાદમાં મેહુલના કહ્યા મુજબ તેને 5 લાખ આસ્થા ગેટ પાસે આંગડિયા મારફત મોકલાવ્યા હતા અને બાકીના પૈસા ગુગલ પે થકી તેમજ મેહુલ રૂબરૂ દુકાને આવ્યો હતો તે દરમિયાન આપ્યા હતા આમ કુલ રૂ. 9.35 લાખ આપ્યા હતા.દરમિયાન મેહુલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, અમારી ફાઇનાન્સ કંપનીએ કસ્ટમર ઉપર કેસ કર્યા છે હમણાં અઠવાડિયું તમે ઉતાવળ કરતા નહીં. જે બાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.બાદમાં અહીં પોલીસ સ્ટેશનમાં સમાધાન થયું હતું જેમાં મેહુલે યુવાને રૂપિયા 50,000 જમા કરાવ્યા હોય તે ઉપરાંત બાકી રહેતી રકમ રૂ. 8.85 લાખનું લખાણ કરી આપવાની શરતે સમાધાન થયું હતું. જોકે તે નાણા ન આપતા છેતરપિંડી કર્યા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેથી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
રાજકોટ સમાચાર:ગાંધી જયંતિ નિમિતે ભાજપના આગેવાનો-હોદ્દેદારોએ ખાદીના વસ્ત્રોની ખરીદી કરી
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ શહેરના રાજકીય પક્ષના આગેવાનો, હોદ્દેદારો, તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ દર વર્ષની પરંપરા મુજબ ખાદીના વસ્ત્રોની ઉત્સાહભેર ખરીદી કરી હતી. આ ખરીદી શહેરની ખાદી ગ્રામોદ્યોગ સંસ્થામાંથી કરવામાં આવી હતી, જે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને સ્વદેશીના સંદેશને બળ પૂરું પાડે છે. શહેર સંગઠનના પ્રમુખ, મહાનગરપાલિકાના મેયર, સંસદ સભ્ય, અને તમામ ધારાસભ્યો સહિત પક્ષના મુખ્ય અગ્રણીઓએ આ સામૂહિક ખરીદીમાં ભાગ લીધો હતો તો પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો, અન્ય હોદ્દેદારો અને મહિલા મોરચાના પ્રતિનિધિઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખાદીના વસ્ત્રોની ખરીદી કરીને આ આગેવાનોએ ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો અને મહાત્મા ગાંધીના સિદ્ધાંતો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો સંદેશ આપ્યો હતો. આ સામૂહિક પહેલથી ખાદી ગ્રામોદ્યોગને મોટો આર્થિક સહયોગ મળ્યો છે. આ પ્રવૃત્તિ દ્વારા જાહેર જીવનના પ્રતિનિધિઓએ માત્ર ગાંધીજીને શ્રદ્ધાંજલિ જ નહીં, પરંતુ સ્થાનિક કારીગરો અને વણકરોને પણ પ્રોત્સાહન મળશે. રાજકોટ મધ્યસ્થ જેલમાં નશામુક્તિ શિબિર યોજાઈપ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર કેન્દ્ર સરકારના યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દેશભરમાં 'સેવા પખવાડા'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે યુવાધનને નશાની બદીથી બચાવવા માટે નશામુક્તિ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સુફી ઇસ્લામિક બોર્ડ (એસઆઇબી) ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલયના સહયોગથી ગુજરાતની વિવિધ જેલોમાં નશામુક્તિ સેમિનાર યોજી રહ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે નશાના ગુના હેઠળ જેલવાસ ભોગવી રહેલા બંદીવાનો માટે નશામુક્તિ શિબિર યોજાઈ હતી. જેમાં બંદીવાનોને નશાના ત્યાગ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમણે નશા મુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ માધવ દવે, રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક વાગીશા જોશી, ગુજરાત પ્રદેશ ભાજપ મિડીયા ટીમના સદસ્ય હિરેન કોટક, ગુજરાત રાજ્ય હજ કમિટીના પૂર્વ સભ્ય રફીક લિમડાવાલા, સુફી ઇસ્લામિક બોર્ડના ગુજરાત અધ્યક્ષ અનવરહુસેન શેખ, તથા ગુજરાત હાઈકોર્ટના પેનલ એડવોકેટ અમન શેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કટારિયા ચોકડી ફ્લાય ઓવર અને અંડરપાસનું કામ શરૂરાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી કટારિયા ચોકડી ખાતે ગુજરાતનો પ્રથમ થ્રી-લેયર ફ્લાય ઓવર બ્રિજ અને અંડરપાસ બનાવવાની કામગીરીનો પ્રારંભ થઈ રહ્યો છે, જેના પગલે કટારિયા ચોકડીની ચારેય તરફના માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ, ફ્લાયઓવર અને અંડરપાસનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી કટારિયા ચોકડીએથી કોઈ પણ વાહન પસાર થઈ શકશે નહીં. માર્ગો બંધ થવાને કારણે વાહન ચાલકોને હવે લાંબો વૈકલ્પિક રસ્તો કાપવો પડશે. આ સાથે આ વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાવાની પણ શક્યતા સેવાઈ રહી છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ, કાલાવડ રોડ ઉપરનાં જલારામ ફાસ્ટ ફૂડથી કોસ્મોપ્લેક્સ સિનેમા સુધીનો બંને બાજુનો માર્ગ તમામ વાહનો માટે બંધ રહેશે. તેવી જ રીતે, 150 ફૂટ રિંગ રોડ-2 પર એક્વાકોરલ બિલ્ડિંગથી લક્ષ્મીના ઢોરાવાળા સ્લેબ કલવર્ટ સુધીનો બંને બાજુનો માર્ગ અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. શહેરીજનોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
સેટેલાઇટમાં 42 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. ગત 1 ઓક્ટોમ્બરે તે પતિ અને 14 વર્ષની પુત્રી સાથે પેલેડિયમ મોલમાં આવેલ મેક્સ શો-રૂમમાં ખરીદી કરવા ગયા હતા. જ્યાં સગીરાને કપડા પસંદ આવતા ચેન્જિંગ રૂમમાં કપડા ચેક કરવા ગઇ હતી. ત્યારે કપડા બદલતી હતી તે સમયે તેની નજર નીચે પડેલ મોબાઇલ પર પડી હતી. જેથી સગીરાએ મોબાઇલ લઇને દરવાજો ખોલીને બૂમો પાડીને માતા પાસે ગઇ હતી. જે બાદ મોબાઇલમાં જોતા સગીરાના ચાર અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા. બાદમાં શો-રૂમના મેનેજરને વાત કરી હતી. આ દરમિયાન રવિ પ્રજાપતિ નામનો યુવક તેનો ફોન લેવા આવ્યો હતો અને જણાવ્યુ કે, ભૂલમાં નીચે પડી ગયો હતો અને મે કોઇ વીડિયો બનાવ્યા નથી એવું રટણ કર્યુ હતુ. આ અંગે સગીરાની માતાએ રવિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. માફીની વાત મૂકીને તેણે ગાળો આપી માર માર્યોસાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે સાત વર્ષથી રહેતા કાંધલ હાજાભાઈ કડછાને બે દિવસ પહેલા તેની જ બેરેકમાં રહેતા અનિલ આતંક નામના કેદી સાથે બોલાચાલી થઈ હતી. બેરેકમાં અનિલ આતંકના સાથીદારો સુનિલ ટિનટીન અને અંકિત તથા અન્ય પણ છે. આ બબાલ બાદ ગુરુવારે સવારે જ્યારે કાંધલ બેરેકમાં હાજર હતો ત્યારે અનિલ આતંક તેની પાસે આવ્યો હતો અને ઝઘડાના મુદ્દે માફી માંગી તેને બેરેક બહાર શંકર ભગવાનના મંદિર પાસે લઈ ગયો હતો. જ્યાં ગયા બાદ માફીની વાત મૂકીને તેણે કાંધલને ગાળો આપી માર માર્યો હતો. છાતીના ભાગે અને ગાલના ભાગે ખીલ્લા વડે ઘા માર્યોઅનિલ આતંકના સાથીદારોએ કાંધલને પકડી રાખ્યો અને અનિલે પોતાની પાસેના ખીલ્લા વડે કાંધલના છાતીના ભાગે અને ગાલના ભાગે ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જોકે, કાંધલ બુમો મારતાં તેઓ ભાગી ગયા હતા અને સિપાહીએ તેને સારવાર માટે જેલની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે રાણીપ પોલીસે કાંધલની ફરિયાદ લઇ જેલમાં અનિલ આતંક પાસે ખીલ્લો કેવી રીતે આવ્યો તેની તપાસ શરૂ કરી છે. CCTVમાં મહિલા સોનાની વીંટી ચોરી કરતી નજરે પડીન્યૂ સીજી રોડ પર રહેતા પરેશ શાહ અને તેમની પત્ની મોનાલીબેન ઝનકાર જ્વેલર્સ નામે દુકાન ચલાવે છે. પરેશભાઈની ફરિયાદ મુજબ, 27-09-2025ના રોજ તેઓ ઘર માટે લાઇટ અને સામાન લેવા ગયા હતા, જ્યારે તેમની પત્ની મોનાલીબેન સ્ટાફ સાથે દુકાને હાજર હતા. તે દરમ્યાન એક મહિલા સોનાની વીંટી ખરીદવાના બહાને દુકાનમાં આવી હતી.મોનાલીબેનની નજર ચૂકતા મહિલાએ સોનાની વીંટી લઈ લીધી અને તેની જગ્યાએ બનાવટી વીંટી મૂકી દીધી. બાદમાં સ્ટાફ ટ્રે ગોઠવતા હતા ત્યારે ખોટી વિંટી હોવાની હકીકત બહાર આવી. મોનાલીબેને પરેશભાઈને જાણ કરતાં તેઓ તરતજ દુકાને આવી સીસીટીવી ફૂટેજ તપાસ્યું. તેમાં મહિલા સોનાની વીંટી ચોરી કરતી નજરે પડતાં તરતજ પોલીસે ફરિયાદ નોંધાવી. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આગામી વર્ષ 2026-27ના બજેટને લઈને અત્યારથી જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તૈયાર કરવા માટેની સૂચના અધિકારીઓને આપી દીધી છે. ફેબ્રુઆરી મહિનામાં નવી ટર્મ શરૂ થવાની છે. બજેટ માટેના આવક- જાવકના અંદાજો તૈયાર કરી તેની સંપૂર્ણ વિગતો આપવા માટે અધિકારીઓને સૂચના આપી છે. આ બજેટના અંદાજો મહત્ત્વના રહેશે, વચાગાળાનું એડવાન્સ બજેટ પણ રજૂ થવાની શક્યતા જોવાઇ રહી છે. સુધારા અંદાજ અને પ્રોજેક્ટના તમામ અહેવાલ રજૂ કરવા સૂચનઆગામી 2026-27 વર્ષના બજેટમાં પણ નાગરીકોને સ્વચ્છ હવા અને વરસાદી પાણીના જળ જમીનમાં ઉતારી અસરકારક રીતે જમીનમાં પાણીના સ્તર ઉંચા લાવવા માટે વિશેષ પ્રોજેક્ટ અને જોગવાઇ કરવા માટે સૂચના અપાઇ છે. મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2025-26માં દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તે હેઠળ કેટલા કામો પુર્ણ થયા અને કેટલા પ્રોજેક્ટ અત્યારે કામ ચાલુ છે અથવા તો જે પ્રોજેક્ટના કામ શરૂ થઇ શક્યા નથી તેને લગતા તમામ અહેવાલો મંગાવવામાં આવ્યા છે. સાથે સુધારા અંદાજ અને પ્રોજેક્ટના તમામ અહેવાલ રજૂ કરવા માટે તમામ વિભાગ અને ઝોન કક્ષાએ સૂચના આપવામાં આવી છે. આગામી બજેટ માટે પણ તૈયારી કરવા માટે સૂચના અપાઇ છે. ચાલુ વર્ષે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે તેવી શક્યતાતમામ વિભાગ અને ઝોન પાસેથી મ્યુનિ. દ્વારા વિવિધ પ્રોજેક્ટને લગતી માહિતી માંગવામાં આવી છે. ક્યા પ્રોજેક્ટ થઇ શકશે. નાગરીકોની જરૂરીયાતને ધ્યાને લઇ કયા પ્રોજેક્ટ મુકવા જોઇએ સહિતની તમામ માહિતી મંગાવવામાં આવી છે. સામાન્ય રીતે મ્યુનિ. કમિશનર જાન્યુઆરીના અંતીમ સપ્તાહમાં પોતાનું બજેટ રજૂ કરતાં હોય છે. જ્યારે ફેબ્રુઆરીમાં બજેટસત્ર દ્વારા બજેટને મ્યુનિ.ની ચૂંટાયેલી પાંખ મંજુરી આપતી હોય છે. જો કે ચાલુ વર્ષે ટર્મ જાન્યુઆરીમાં પૂર્ણ થાય છે. ત્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તેને ધ્યાને ચાલુ વર્ષે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
શહેરના પાલાવાસણા સર્કલ નજીક આવેલા ONGC કોલોની ગ્રાઉન્ડમાં અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમા વિજયા દશમી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે 45 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું, જેને જોવા માટે શહેર સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પૂતળું બનાવવા માટે આઠ મજૂરોને લાવવામાં આવ્યા હતાક્રોધ, અભિમાન, અહંકાર અને હિંસા જેવા રાવણના દસ અવગુણોનું પ્રતીક સમા પૂતળાના દહનનો આ કાર્યક્રમ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ રાવણનું પૂતળું ખાસ મથુરાથી આવેલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. પૂતળું બનાવવા માટે આઠ જેટલા મજૂરોને લાવવામાં આવ્યા હતા. જેમણે એક અઠવાડિયાની મહેનત બાદ આ ભવ્ય પૂતળું તૈયાર કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ રાવણ દહન જોઈને વિજયાદશમી પર્વની ઉજવણી કરી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
વલસાડના ગુંદલાવ ખાતે વિજયા દશમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકસભાના દંડક અને સાંસદ ધવલ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને રૂરલ PIના હસ્તે 60 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું હતું. ગુંદલાવના હેલિપેડ ખાતે સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાવણ દહનના પ્રતીકાત્મક મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે આજના દિવસે રાવણ રૂપી અહંકારને બાળી દેવા અને સકારાત્મકતા અપનાવવા અનુરોધ કર્યો હતો.
બોટાદના નવા SP ધર્મેન્દ્ર શર્માએ પદભાર સંભાળ્યો:સાળંગપુર BAPS મંદિરે દર્શન કરી નવી જવાબદારી શરૂ કરી
બોટાદ જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક (SP) ધર્મેન્દ્ર શર્માએ વિજયા દશમીના દિવસે પોતાનો પદભાર સંભાળ્યો છે. તેમણે પદભાર સંભાળતા પહેલા સાળંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા હતા. SP શર્માએ અક્ષરપુરુષોત્તમ મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરે દર્શન કરીને પોતાના નવા કાર્યક્ષેત્રની શરૂઆત કરી. આ પ્રસંગે BAPS સાળંગપુર મંદિરના કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીએ તેમને ઉજ્જ્વળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે SP શર્માનું હારતોરાથી સન્માન પણ કર્યું. મંદિરના સંતો અને ભક્તોએ પણ SP શર્માની સફળ કારકિર્દી માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. અગાઉ, તેમણે પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખ વરણીના સ્થાન આમલીવાળી પોળમાં પણ દર્શન કર્યા હતા.
આજે વિજયા દશમીના તહેવારના દિવસે રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા શસ્ત્ર પૂજન, તલવારબાજી સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજને પરંપરા દર્શાવતા તેમજ રાજપૂતોની શાન ગણાતા એવા તલવાર રાસ દીકરા-દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. બાઇસા રાજ ગ્રુપ દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમમાં પૂર્વ IPS મયંકસિંહ ચાવડા, ભાજપના નેતા જયરાજસિંહ ચાવડા સહિતના રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા. તલવારબાજી સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજનઆજે વિજયા દશમીના પગલે અમદાવાદમાં બાઈસા રાજ ગ્રુપ દ્વારા શસ્ત્ર પૂજન અને તલવારબાજી સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીર યોદ્ધા ગ્રુપની દીકરીઓ દ્વારા તલવાર રાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અલગ અલગ રાજપૂત સમાજના તલવારબાજી ગ્રુપ દ્વારા પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. દીકરા અને દીકરીઓના તલવાર રાસને જોઈને તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તલવારબાજી ઉપરાંત ઘુમર ડાન્સ પણ કરવામાં આવ્યો હતો. બાઇસા રાજ ગ્રુપે 15 વર્ષથી પરંપરા જીવંત રાખીપૂજાબા જાડેજાએ જણાવ્યું હતું કે, બાઇસા રાજ ગ્રુપ દ્વારા દશેરાના શસ્ત્ર પૂજા કાર્યક્રમ કર્યો જે બાદ તલવારબાજીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મયંકસિંહ ચાવડા અને મીનલબા ચાવડા હાજર રહ્યા હતા અને તેમનો ખૂબ અમને સપોર્ટ કર્યો હતો. બાઈસા રાજ ગ્રુપના સોનલબા પઢિયાર અત્યાર સુધીમાં 2000 જેટલી દીકરીઓને તલવારબાજી શીખવાડી ચુક્યા છે. છેલ્લા 15 વર્ષથી તેઓ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે. મયંકસિંહ ચાવડા અને મીનલબા ચાવડાએ જણાવ્યું હતું કે, આજે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક અને કલ્ચર થીમ ઉપર રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા શૌર્ય અને પરંપરા દર્શાવતા કાર્યક્રમ રજૂ કર્યા હતા. અત્યાર સુધીમાં 15000થી વધુ દીકરા-દીકરીઓને તાલીમ આપીબાઈસા રાજ તલવારબાજી ગ્રુપના પઢિયાર સોનલબા વર્ષ 2015થી રાજપૂત સમાજના દીકરાઓ અને દીકરીબાને તલવારબાજીની તાલીમ આપે છે અને સમાજ સેવાના કાર્ય કરે છે. જેમને તલવારબાજી અને સમાજસેવા માટે અત્યાર સુધીમાં ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે. સોનલબા પઢિયાર અત્યાર સુધી તલવારબાજી તાલીમ અને સમાજ સેવા માટે ગુજરાતના નાના-મોટા ગામ અને શહેરમાં તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, જેવા ઘણા રાજ્યોમાં પણ પ્રવાસ કરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં તેઓએ 15000થી વધુ દીકરા અને દીકરીઓને તાલીમ આપી છે. આતંરરાષ્ટ્રીય સહિત અનેક પુરસ્કારોથી સન્માનિતતલવારબાજીની કલા દ્વારા મહિલાઓનું સશક્તિકરણ અને આત્મ રક્ષાની તાલીમ આપવા માટે વર્ષ 2019માં 27 જુલાઈના રોજ India Book Of Records-2019 અને 2019માં 22 ઓગસ્ટના રોજ Asia Book Of Records-2019 માં સ્થાન મેળવ્યું છે. તથા એની સાથે સાથે Gujarat Cine media Award-2019, રાજપૂત ક્ષત્રિય નારી રત્ન એવોર્ડ, Award for Empowerment and Safety of Women from Ahmedabad City police on International Women's day, Urja Award-2021, Cine Life Award-2021, જેવા નાના મોટા ઘણા બધા એવોર્ડ મળેલા છે.
રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સૌરાષ્ટ્રના 54 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. છેલ્લાં 29 વર્ષથી અહીં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે પરંપરા આ વર્ષે પણ આગળ ધપાવી. આ માટે જુદા-જુદા ત્રણ પૂતળાનું નિર્માણ યુપીનાં ખાસ કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ષે રાવણ દહન સાથે આતશબાજી ઉપરાંત લેસર-શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ શસ્ત્ર પૂજનની પરંપરા પણ જાળવવામાં આવી હતી. પૂતળું બનાવવા દર વર્ષે યુપીથી કારીગરો આવે છેદશેરાનાં પવિત્ર દિવસે આસુરી શક્તિનાં વિનાશ માટે દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે આ કાર્યક્રમ માટે રાક્ષસનું પૂતળું બનાવવા ઉત્તરપ્રદેશના 25 જેટલા કારીગરો રાજકોટ આવે છે. જેની અઠવાડિયાની મહેનતના અંતે એક મોટું 54 ફૂટનું અને 45-45 ફૂટના બે નાનાં મળી કુલ ત્રણ પૂતળાં તૈયાર કરાયા હતા, જેનું રેસકોર્ષ મેદાન ખાતે દહન કરવામાં આવ્યું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટાફ તેમજ બે ફાયર ફાઈટર ઘટના સ્થળે તૈનાત રાખવામાં આવ્યા હતા. પ્રથમ આતશબાજી ઉપરાંત લેસર-શો પણ કરાયો હતો.
નવરાત્રીના પર્વની પૂર્ણાહુતિ બાદ આજે વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના રામકથા મેદાન પર આવેલા કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે આજે મોડી સાંજે 51 ફૂટ ઊંચા રાવણનું દહન કરાયું હતું. જેને જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. મેદાનમાં 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી ઊઠ્યાધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેસરિયા ગરબા મહોત્સવના ગ્રાઉન્ડ પર અસત્ય પર સત્યના વિજયના પ્રતીક રૂપે આતશબાજી સાથે રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાવણદહન અને ભવ્ય આતશબાજી નિહાળવા માટે ગાંધીનગરની જનતામાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી અને રામકથા મેદાન પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં પરિવારો બાળકોને સાથે લઈને આ ભવ્ય કાર્યક્રમમાં પહોંચ્યા હતા. રાવણ દહનની શરૂઆત થતા જ સમગ્ર મેદાનમાં 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી ઊઠ્યા. ધારાસભ્ય રીટાબેન પટેલે આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી છે. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, મેયર મીરાબેન પટેલ, સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગરભાઈ પટેલ સહિત સહાય પરિવાર, કોર્પોરેટરો અને અનેક સામાજિક-રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે. એક સમયે રાવણ દહન ગાંધીનગરની ઓળખ સમાન હતુંસહાય ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે પ્રથમવાર રામલીલાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાવણદહનનો જાહેર કાર્યક્રમ યોજાશે.સહાય ફાઉન્ડેશન દ્વારા ખાસ કલાકારો પાસે તૈયાર કરાયેલા 51 ફૂટ ઊંચા રાવણ, સાથે કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું . આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શહેરના નાગરિકો અને ખાસ કરીને બાળકો તેમજ યુવા પેઢી ધર્મ અને સત્યના વિજયના આ મહત્ત્વને સમજી શકે તે માટેનો છે. ઉલ્લેખનીય છે કે, એક સમયે રાવણ દહન ગાંધીનગરની ઓળખ સમાન હતું, પરંતુ દાયકાઓ સુધી તેનું આયોજન બંધ રહ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી સહાય ફાઉન્ડેશન દ્વારા નવરાત્રીના ગરબા બાદ દશેરાના દિવસે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને જૂની પરંપરાને પુનઃજીવિત કરવામાં આવી છે.
ભચાઉમાં દુર્ગાપૂજાનું સમાપન:બંગાળી અને ઉત્તર ભારતીય પરિવારો દ્વારા મૂર્તિઓનું વિસર્જન કરાયું
ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં બંગાળી અને ઉત્તર ભારતીય પરિવારો દ્વારા આયોજિત દુર્ગાપૂજાનું સમાપન થયું છે. સતત 16મા વર્ષે યોજાયેલી આ પૂજા દરમિયાન માતા કાલિકાની મૂર્તિનું છછડા તળાવમાં વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું. એક સપ્તાહ સુધી ચાલેલા આ ધાર્મિક પ્રસંગમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યા હતા. માતા કાલિકાની પ્રભાવશાળી મૂર્તિ હજારો ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આયોજક પરિવારો સાથે સ્થાનિક લોકોએ પૂજા સ્થળે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આયોજક સુભાષભાઈ બિહારીએ જણાવ્યું હતું કે દુર્ગાપૂજાના અંતિમ દિવસે કચ્છ ક્ષત્રિય રાજપૂત સભાના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકા અધ્યક્ષ પેથાભાઈ રાઠોડ અને પૂર્વ સુધારાઈ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું બહુમાન કરવામાં આવ્યું હતું. પાલિકા તંત્ર દ્વારા મૂર્તિ વિસર્જન સ્થળ પાસેના તળાવ કિનારે ખાસ પ્રકારની લોબી તૈયાર કરી અપાઈ છે. ભાવિ ઉદ્યાન માટે સહકાર આપનાર કુલદીપસિંહ વીરેન્દ્રસિંહ જાડેજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં યજમાન પરિવારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આયોજન વ્યવસ્થા સુભાષ વર્મા, ગિરી ઘોષ, સરકાર ડાડા, ક્રિષ્ના ડાડા અને ડૉ. કે. કુમારે સંભાળી હતી.
મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા વિજયા દશમીના દિવસે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલ ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા ખાતે તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજના આગેવાનોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આગેવાનોએ સમાજના દીકરા-દીકરીઓને વધુમાં વધુ શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. વિજયા દશમીના દિવસે બપોરથી મોરબી શહેરમાં વરસાદ ચાલુ હોવા છતાં, સમાજના દીકરા-દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે સમાજના આગેવાનો સહિતના લોકો વરસતા વરસાદે પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ ડૉ. અનિલ મહેતા, મહામંત્રી ભુપત પંડ્યા, મહેશ ભટ્ટ, નલિન ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ડૉ. અનિલ મહેતા, મહામંત્રી ભુપત પંડ્યા તથા પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર મહેતા તેમજ સર્વે ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી.
આણંદમાં 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન:વિજયાદશમી પર્વની પરંપરાગત ઉજવણી, હજારો લોકો ઉમટ્યા
આણંદ શહેરમાં વિજયાદશમી પર્વ નિમિત્તે 70 વર્ષ જૂની પરંપરા મુજબ રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. અરોરા પંજાબી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના વિશાળ પૂતળાનું દહન કરાયું. આ પ્રસંગે સાંજે ચાર વાગ્યાની આસપાસ શહેરના લક્ષ્મી સિનેમા પાછળ આવેલી પંજાબી ધર્મશાળાથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પરંપરાગત પંજાબી ઢોલ અને દાંડિયાની રમઝટ સાથે આ શોભાયાત્રા અહિંસા ચોક, લક્ષ્મી ચાર રસ્તા, ગોપાલ ચાર રસ્તા, સ્ટેશન રોડ, શ્રી નવા રામજી મંદિર અને ગામડી વડ ચાર રસ્તા સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ શોભાયાત્રા મોડી સાંજે નિજાનંદ રિસોર્ટ સામેના વિશાળ ખુલ્લા મેદાનમાં પહોંચી હતી. અહીં 60 ફૂટ ઊંચા મહાકાય રાવણના પૂતળાની સાથે 25-25 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ ભવ્ય રાવણ દહન જોવા માટે આણંદ, વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, લાંભવેલ સહિત આસપાસના ગામોમાંથી હજારો લોકો ઉમટી પડ્યા હતા.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આતાશબાજી સાથે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. જામનગરના સિંધી સમાજ દ્વારા સાત રસ્તા સર્કલ પાસે આવેલા પ્રદર્શન મેદાનમાં સાંજે 8.00 વાગ્યે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. નાનકપુરી ખાતેથી વિવિધ પાત્રો સાથે આબેહૂબ વેશભૂષામાં રામસવારી નીકળી હતી. આ રામસવારી શહેરના મુખ્યમાર્ગો જેવા કે પવનચક્કી, હવાઈ ચોક, બર્ધનચોક, સજુબા શાળા, બેડી ગેટ, લીમડા લાઈન અને જિલ્લા પંચાયત થઈને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. શોભાયાત્રાના રૂટ પર હનુમાનનું પાત્ર ભજવતા સિંધી સમાજના યુવાનો અને ડાગલાઓની હડિયાપટ્ટી દ્વારા વાતાવરણ જીવંત બન્યું હતું. પ્રદર્શન મેદાનમાં મેઘનાદ અને કુંભકર્ણના 30-30 ફૂટ ઊંચા અને રાવણનું 35 ફૂટ ઊંચું પુતળું બનાવવામાં આવ્યું હતું. આ પુતળાઓમાં ફટાકડા ભરીને તેમને ઉભા કરાયા હતા. રામ અને રાવણના યુદ્ધ બાદ ભગવાન શ્રીરામના તીર દ્વારા પુતળાઓને પલિતો ચાંપવામાં આવ્યો હતો, જેનાથી તેમનું દહન થયું. જામનગરમાં દર વિજયા દશમીએ સિંધી સમાજ દ્વારા 76 વર્ષથી રામ શોભાયાત્રા અને રાવણ દહનની આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ પ્રસંગે રામ-રાવણની સેનાના લલકાર નગરના માર્ગો પર ગુંજી ઉઠ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા લોક સુવિધા અને પર્યાવરણ સંરક્ષણના હેતુસર રૂ.1.12 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને દક્ષિણ ઝોનમાં ઘન કચરાના ડોર-ટુ-ડોર સંકલન માટે નવીન વાહનોનું ફલેગ ઓફ કારેલીબાગ ખાતેના ઓક્સિજન પાર્ક ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમ ગુજરાત સરકારના દંડક બાળકૃષ્ણ શુકલના હસ્તે અને મેયર પિન્કીબેન સોનીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આજના કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 6 થીમ આધારિત ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઓક્સિજન પાર્ક કારેલીબાગ, ગાર્ડન ફોરેસ્ટ છાણી, લિનિયર ફોરેસ્ટ માંજલપુર (મસિયા કાંસ પાર્ટ-02), મિયાવાકી ફોરેસ્ટ, કલાદર્શન ચાર રસ્તા, શાસ્ત્રીબાગ, વડીલ વિસામો સયાજીપુરા, વડીલ વિસામો કારેલીબાગ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એક પેડ માં કે નામ 2.0 અભિયાન હેઠળ કુલ 62,500 છોડનું વિતરણ થયુંએક પેડ માં કે નામ 2.0 અભિયાન હેઠળ 12,600 છોડનું વૃક્ષારોપણ અને 5,000 છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 62,500 છોડનું વિતરણ થયું છે. આ ઉપરાંત,પર્યાવરણ સંવર્ધન માટે 20 ગ્રીન કમાન્ડો, 6 શ્રેષ્ઠ ગાર્ડન માળી અને 8 કર્મચારીઓને સન્માન પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે દક્ષિણ ઝોનમાં ઘન કચરાના ડોર-ટુ-ડોર સંકલન અને ટ્રાન્સપોર્ટેશન માટે નવીન વાહનોનું ફલેગ ઓફ કરવામાં આવ્યું હતું. VMC દ્વારા 10 વર્ષના કરાર હેઠળ 175 વાહનો, જેમાં 20 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે, જેના દ્વારા કચરો એકત્રિત કરવામાં આવશે. નવીન ટેકનોલોજી દ્વારા કમાન્ડ સેન્ટરમાંથી રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે. કચરાને ભીનો, સૂકો, સેનિટરી, ઘરેલું જોખમભર્યો અને ઇલેક્ટ્રોનિક કચરો (E-waste) એમ પાંચ વિભાગોમાં વર્ગીકરણ કરવામાં આવશે. નાગરિકોને આ વર્ગીકરણમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા, ડે.મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ.શીતલભાઈ મિસ્ત્રી, દડક શૈલેષભાઈ પાટીલ, શહેર ભાજપ પ્રમુખ ડૉ.જયપ્રકાશ સોની, મ્યુનિસિપલ સભાસદો, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
બહાદરપુર APMC ખાતે રાવણના પૂતળાનું દહન:દશેરા પર્વ નિમિત્તે ચેરમેન ભૌમિક દેસાઈના હસ્તે કરાયું દહન
દશેરા પર્વ નિમિત્તે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર APMC ખાતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું. આ દહન APMCના ચેરમેન ભૌમિક દેસાઈના હસ્તે ગ્રામજનોની ઉપસ્થિતિમાં થયું હતું. દેશભરમાં દશેરાનો તહેવાર અસત્ય પર સત્યના વિજયના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણના પૂતળાનું દહન કરવાની પરંપરા છે, જે અનિષ્ટ પર સારાની જીત દર્શાવે છે. આ પ્રસંગે, શરીરમાં રહેલા કામ, ક્રોધ, મોહ, લોભ અને વ્યસનરૂપી રાવણનો નાશ કરીને તન, મન અને ધનને પવિત્ર કરવાના સંદેશ સાથે પૂતળાનું દહન કરાયું હતું.
હિંમતનગરમાં હાથમતી નદી પટમાં 33 ફૂટ રાવણ દહન:વિજયાદશમીએ દુર્ગાવાહિનીએ તલવાર રાસના કરતબ રજૂ કર્યા
હિંમતનગરમાં વિજયાદશમી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હાથમતી નદીના પટમાં 33 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ હિન્દુ સંગઠનો અને સ્થાનિકો જોડાયા હતા, જેમાં દુર્ગાવાહિની દ્વારા તલવાર રાસના અદભુત કરતબ રજૂ કરાયા હતા. આસો નવરાત્રિ પૂર્ણ થયા બાદ વિજયાદશમી નિમિત્તે હિંમતનગરમાં વર્ષો જૂની પરંપરા મુજબ શોભાયાત્રા અને રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા 17 થી વધુ ટેબ્લો સાથે છાપરિયા સ્થિત રામજી મંદિરથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરીને ટાવરચોક પહોંચી હતી. અહીં શોભાયાત્રામાં જોડાયેલા અખાડીયનોએ ખુલ્લા હથિયારો સાથે વિવિધ કરતબ રજૂ કર્યા હતા. ત્યારબાદ શોભાયાત્રા નવા બજાર થઈ પોલોગ્રાઉન્ડ અને અંતે હાથમતી નદીના પટમાં પહોંચી હતી.હાથમતી નદીના પટમાં પહોંચ્યા બાદ રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિની દ્વારા તલવાર રાસનું પ્રદર્શન મુખ્ય આકર્ષણ રહ્યું હતું. દીકરીઓએ તલવાર રાસ યોજી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. રાવણ દહન દરમિયાન પણ દુર્ગાવાહિની દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો.
દશેરાનો તહેવાર એટલે વાહનો અને મિલકત ખરીદવા માટે વણજોયુ મુહૂર્ત. ત્યારે ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં દશેરાનું પર્વ વાહન ડિલર, બિલ્ડરો અને ફાફડા જલેબીના વેપારીઓ માટે શુકનવંતુ રહ્યું છે. વર્ષ 2024 કરતા ચાલુ વર્ષે તમામ પ્રકારના વેપાર-ધંધામાં વૃદ્ધિ જોવા મળી હતી. વાહનોનાં વેચાણની વાત કરીયે તો નાના મોટા તમામ પ્રકારના વાહનોની ખરીદીમાં ગત વર્ષ કરતા 25થી વધારે ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેનું મુખ્ય કારણે સરકાર દ્વારા ઘટાડવામાં આવેલા જીએસટીના દર હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. ટુ વ્હીલરના ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યુંટુ વ્હીલરના વેચાણમાં વધારો જોવા મળ્યો હતો. માર્કેટમાં આવેલા ટુ વ્હીલરના નવા મોડલ, અને તેમાં પણ ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકોની રૂચી વધી છે. રૂ.1 લાખ સુધીના ઇલેક્ટ્રિક વાહનોનાં મોડેલ લોકોએ ખરીદ્યા હતા. ધીરે ધીરે ઇલેક્ટ્રિક વાહનો તરફ ગ્રાહકોની વધતી પસંદને કારણે માર્કેટમાં પણ વધારો નોંધાયો છે. જીએસટીના દરમાં ઘટાડો થવાથી ગ્રાહકોને મોટો ફાયદોવાહન શો રૂમ મેનેજર સત્યેન્દ્ર કુમાર દશવરા જણાવ્યું હતું કે, તાજેતરમાં જીએસટીના દરમાં ઘટાડો થવાથી ગ્રાહકોને મોટો ફાયદો થયો છે. અગાઉ 28 ટકાનો દર હતો. જ્યારે હવે તે ઘટીને 18 ટકા થયો છે. જેના કારણે એક કાર પર આશરે એક લાખ રૂપિયા જેટલો ભાવ ઓછો થયો છે. આ સાથે જ કંપનીઓ તરફથી મળતા આકર્ષક ડિસ્કાઉન્ટના કારણે ગ્રાહકોને સારો એવો લાભ મળ્યો છે. આ વર્ષે દશેરામાં 51 ગાડીઓનું વેચાણ થયું હતું. ગત વર્ષે દિવાળી અને નવરાત્રિમાં સરેરાશ 120 ગાડીઓ વેચાતી હતી, જ્યારે આ વર્ષે અમે 100થી વધુ ગાડીઓનું વેચાણ થવાની અપેક્ષા રાખી રહ્યા છીએ. વાહનોની ખરીદીનો ધમધમાટ દશેરાના દિવસે ખેડા જિલ્લામાં 700 થી વધુ બાઇક, 100 થી વધારે ગાડીઓ અને 50 થી વધુ રિક્ષાઓનું વિક્રમી વેચાણ નોંધાયું હતું. આ આંકડા સ્પષ્ટપણે સૂચવે છે કે લોકોએ પરંપરાગત રીતે આ દિવસને નવા વાહનોની ખરીદી માટે ખૂબ જ શુભ માન્યો, જેના કારણે ઓટોમોબાઇલ સેક્ટરમાં મોટો ઉછાળો જોવા મળ્યો અને બજારમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું.
લુણાવાડા બસ સ્ટેશન પર સ્વચ્છતા કાર્યક્રમ:ગાંધી જયંતી નિમિત્તે 'સ્વચ્છતા હી સેવા 2025' ની ઉજવણી
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ગાંધી જયંતી નિમિત્તે 'સ્વચ્છતા હી સેવા 2025' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લુણાવાડા એસટી બસ સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર એન.બી. મુનિયા, નગરપાલિકા સ્ટાફ, સફાઈ કામદારો અને એસટીના કર્મચારીઓ જોડાયા હતા. આ પ્રસંગે લુણાવાડા બસ સ્ટેશન પરિસરમાં સઘન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ સાથે મળીને બસ સ્ટેશનને સ્વચ્છ બનાવ્યું હતું.સફાઈ કાર્યક્રમ ઉપરાંત, સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં મુસાફરોને બસ સ્ટેન્ડ, ઘર અને પોતાની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન પ્રસંગે, ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સફાઈ કામદારોનું પુષ્પ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ રીતે ગાંધી જયંતીની ઉજવણી સ્વચ્છતાના સંદેશ સાથે કરવામાં આવી.
ગુજરાત હાઇકોર્ટમાં ગોવિંદાનંદ સરસ્વતી દ્વારા એક અરજી કરવામાં આવી હતી. જેમાં પક્ષકાર તરીકે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર દ્વારકા જેઓ રાજકોટના આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર છે. તેમને અને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીને જોડવામાં આવ્યા હતા. અરજદારે ઇન્ચાર્જ ચેરિટી કમિશનરના વર્ષ 2022ના ઓક્ટોબર મહિનાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. તેમનું કહેવું હતું કે, સ્વામી સદાનંદ સરસ્વતી ખોટી રીતે શારદાપીઠના શંકરાચાર્ય બની બેઠા છે. આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર બનાવટી ઇચ્છાપત્રના આધારે ચેન્જ રિપોર્ટ મંજૂર કરી શકે નહીંસ્વામી સદાનંદ સરસ્વતીની નિમણૂક રિવાજ અને પરંપરાઓ વિરુદ્ધ કરવામાં આવી છે. બ્રહ્મલીન સ્વામી સ્વરૂપાનંદના ખોટા ઈચ્છા પત્ર દ્વારા સ્વામી સદાનંદ સરસ્વતીની દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય તરીકે નિમણૂક કરાઈ છે અને ચેન્જ રિપોર્ટને અનુમતિ આપી દેવામાં આવી છે. આ અનુમતિ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર, ચેરિટીએ આપેલ છે. અરજદારે વધુમાં રજૂઆત કરી હતી કે, આ ઈચ્છા પત્ર બનાવટી છે. કાયદા મુજબ આ નિમણૂક યોગ્ય નથી. આ અંગે કોઈ તપાસ કરવામાં આવી નથી. દંડી સ્વામીમાંથી શંકરાચાર્ય બનતા હોય છે. આ માટે કેટલાક રિવાજો અનુસરવાના હોય છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ શંકરાચાર્યની નિમણૂકને પડકારતી અરજી પેન્ડિંગ છે. જેથી આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર બનાવટી ઇચ્છાપત્રના આધારે ચેન્જ રીપોર્ટ મંજૂર કરી શકે નહીં. ત્રણ વર્ષ પછી અરજી કરવામાં આવતા અરજીને નકારવામાં આવીસામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આ અરજીની મેન્ટેબિલીટી ઉપર પ્રશ્ન છે. અરજદાર પાસે ચેરિટી કમિશનર સમક્ષ જવાનો વિકલ્પ ખુલ્લો હતો. 3 વર્ષ પછી અરજી કરવામાં આવી છે. બ્રહ્મલીન સ્વામી સ્વરૂપાનંદના ઈચ્છાપત્રથી વર્તમાન શંકરાચાર્યની નિમણૂક કરાઇ છે. તેમની નિમણૂકને ચેલેન્જ કરાઇ નથી તો આ રિપોર્ટને પણ ચેલેન્જ કરી શકાય નહીં. ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી નકારતા નોંધ્યું હતું કે, અરજદાર પાસે અન્ય વૈધાનિક વિકલ્પો ખુલ્લા હતા. શંકરાચાર્યની નિમણૂકને પડકારાઇ નથી. ત્રણ વર્ષ પછી અરજી કરવામાં આવી છે. ત્યારે અરજીને નકારવામાં આવે છે.
ગુજરાત સરકારના સેવા અને સુશાસનના નિર્ણયના ભાગરૂપે નવીન ગોધર તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરના હસ્તે આ કચેરીઓનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ૧૭ નવા તાલુકાઓની રચના થઈ છે. આમાંથી જિલ્લાને બે નવા તાલુકાઓ મળવાથી લોકોને ઘર આંગણે જ વહીવટી સુવિધાઓ ઉપલબ્ધ થશે. મંત્રીએ મહાત્મા ગાંધીજીના 'સ્વચ્છ ભારત'ના સ્વપ્નને આગળ ધપાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સરકારની વિકાસલક્ષી કામગીરી પર ભાર મૂકતા જણાવ્યું કે, છેવાડાના માનવી સુધી આરોગ્ય, શિક્ષણ, પાણી, રસ્તા અને વીજળી સહિતની ઉત્તમ સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત, મંત્રીએ ઉપસ્થિત સૌ લોકોને નિયમિતપણે હેલમેટ પહેરવા માટે પણ ખાસ અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુ પટેલે પણ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વિજયાદશમી અને મહાત્મા ગાંધીજી તથા લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિના પવિત્ર દિવસે ગોધર તાલુકાનું ઉદ્ઘાટન થયું છે. તેમણે આ શુભ અવસર બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારપૂર્વક જણાવ્યું કે, આ નવો તાલુકો બનવાથી લોકોને તમામ ઉત્તમ સુવિધાઓ તેમના ઘર આંગણે જ સરળતાથી મળી રહેશે. મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે પણ નવો ગોધર તાલુકો બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. મંત્રીના હસ્તે 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શ્રેષ્ઠ સામુહિક શૌચાલય, શ્રેષ્ઠ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, શ્રેષ્ઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્વચ્છતામાં શ્રેષ્ઠ તાલુકાને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મંત્રીએ નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન, તાલુકા પંચાયત પ્રમુખ હરેશ, અગ્રણી દશરથ, નિવાસી અધિક કલેક્ટર સી.વી. લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, ગોધર ગામ સરપંચ હિરેન્દ્રસિંહ વિરપરા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપની દ્વારા દશેરા પર્વ નિમિત્તે રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને અસત્ય પર સત્યના વિજયના પર્વની ઉજવણી કરી હતી. નવરાત્રી પર્વની પૂર્ણાહુતિ સાથે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે. અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપની દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અહીં રાવણ દહનનું આયોજન થાય છે, જે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કંપની દ્વારા એક વિશાળ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સલામતીના ભાગરૂપે, ફાયર ટીમ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ તકેદારી માટે ગોઠવવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ રાવણ દહન કાર્યક્રમમાં અલ્ટ્રાટ્રેક કંપનીના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, તેમના પરિવારો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આતશબાજી સાથે રાવણનું દહન કરવામાં આવ્યું હતું.
પાટડીના વર્ણીન્દ્રધામ મંદિરમાં 8મા પ્રાણ પ્રતિષ્ઠા દિનની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના આ મંદિરે તેના સ્થાપનાના આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. દશેરાના પાવન પર્વ નિમિત્તે વિશેષ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન થયું હતું. પ્રાત:કાળથી જ ભગવાનનો મહા અભિષેક કરવામાં આવ્યો હતો. આ વિધિમાં 108 લીટર દૂધ, દહીં, ઘી, મધ, સાકર, 108 ઔષધીઓ અને વિવિધ ફળોના રસનો ઉપયોગ થયો હતો. આ પૂજન વિધિ અને અભિષેક લગભગ એક કલાક સુધી ચાલ્યો હતો. દિવસ દરમિયાન સંતો દ્વારા વર્ણીન્દ્ર ભગવાનનું 100 કિલો પુષ્પ પાંખડીઓથી વિષ્ણુસહસ્ત્રનામના શ્લોક દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. સવારે 10:30 વાગ્યે સંતો દ્વારા તૈયાર કરાયેલી અનેકવિધ વાનગીઓના અન્નકૂટ હાટડીના દર્શન યોજાયા હતા. દશેરાના મુખ્ય કાર્યક્રમો પૈકી એક શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં સંતો, ક્ષત્રિય ભાઈઓ અને યજમાન ભક્તો દ્વારા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે 6:30 વાગ્યે ભગવાનની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ણીન્દ્ર ભગવાનનો 200 કિલો પુષ્પ પાંખડીઓથી દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. વર્ણીન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાને આઠ વર્ષ પૂર્ણ થતા અને નવમા વર્ષમાં પ્રવેશ થતા સંતો અને ભક્તોમાં અત્યંત આનંદ જોવા મળ્યો હતો. આ પ્રસંગની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
દર વર્ષે આસો નવરાત્રીના સમાપન બાદ ભાવનગર શહેરના જવાહર મેદાન અને ચિત્રા પાસે આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે પરંપરાગત રીતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાની દહન કરવામાં આવે છે આ કાર્યક્રમ માં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાભણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રાવણ દહન કાર્યક્રમ બંને સ્થળોએ યોજાયા હતા. ઢળતી સાંજે વિજયાદશમીની ઉજવણી સંપન્નઆસુરી શક્તિ પર સૂરી શક્તિના વિજયનું મહાપર્વ એટલે વિજયાદશમી દશેરાની ઉજવણી સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેરમાં પણ લોક પર્વની ઉજવણી કરવામાં આવે છે. 9 દિવસ સુધી રાખવામાં આવેલ માતાજીના ગરબાનું પ્રસ્થાન કરાવવામાં આવે છે અને સ્થાપનનું વિસર્જન કરવામાં આવે છે તો ઢળતી સાંજે અસુર રાવણ, કુંભકર્ણ, અને મેઘનાદના પૂતળાનું દહન કરી વિજયાદશમીની ઉજવણી સંપન્ન કરવામાં આવે છે બાર વર્ષથી ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છેભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે છેલ્લા 60 વર્ષથી સિંધી સમાજ દ્વારા દર વર્ષે વિજયાદશમીના દિવસે રાવણ સહિતના અસરોનું પૂતળા દહન કરવામાં આવે છે અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુ વાઘાણી પ્રેરિત બજરંગ વિકાસ સમિતિ દ્વારા છેલ્લા બાર વર્ષથી ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ આ બંને સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ કાર્યક્રમ જવાહર મેદાન ખાતે યોજાઇ છે, જ્યાં રાવણ દહન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે. જેથી, કરીને આ બંને સ્થળોએ લોકો કાર્યક્રમનો આનંદ માણી શકે. બંને કાર્યક્રમોમાં આતશબાજી પણ જોવા મળીછેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ હોવાના કારણે રાવણ દહનના કાર્યક્રમમાં વિક્ષેપો ઊભા થઈ રહ્યા હતા અને તૈયારીઓમાં પણ બાધા આવી રહી હતી પરંતુ, નિર્ધારિત કાર્યક્રમ સમયે વાતાવરણ અનુકૂળ રહેતા રાવણ સહિતના અસરોના પૂતળાઓનું દહન કરવામાં આવ્યું હતું. બંને સ્થળોએ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ખાસ કરીને બાળકો અને યુવાનો વિશાળ સંખ્યામાં રાવણ દહન કાર્યક્રમને નિહાળવા માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત શહેરના સામાજિક આગેવાનો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવામાં આવી હતી. આતશબાજીની જોરદાર જમાવટ પણ બંને કાર્યક્રમોમાં જોવા મળી હતી.
મહીસાગર જિલ્લા પોલીસ વડા સફિન હસને વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોનું પૂજન કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વિજયાદશમીએ શસ્ત્રોના શાસ્ત્રોક્ત પૂજનની પરંપરા શરૂ કરાવી હતી, જેને મહીસાગર પોલીસે આગળ ધપાવી છે. એસ.પી. સફિન હસને સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા અને સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક કમલેશ વસાવા સહિત અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
છોટા ઉદેપુરમાં નવરાત્રિના અંતિમ દિવસે ખનીજ કમ્પાઉન્ડ સોસાયટી ગરબા ગ્રાઉન્ડ ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રિ પર્વ દરમિયાન માતાજીની આરાધનામાં લીન રહેતા ભક્તો માટે આ એક વિશેષ કાર્યક્રમ હતો. આ સમૂહ આરતીમાં નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો સહિત સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં છોટા ઉદેપુરના આર.એફ.ઓ. નિરંજન રાઠવા અને આદિવાસી સમાજના આગેવાન વાલસિંગભાઈ રાઠવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ સમૂહ આરતીમાં જોડાઈને માતાજીની આરાધના કરી હતી.
મહીસાગર જિલ્લાના નવીન કોઠંબા તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કચેરીઓનું ઉદ્ઘાટન કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ તમામ સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ૧૭ નવા તાલુકાઓની રચના કરી છે. જેમાં મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાનો પણ સમાવેશ થાય છે. તેમણે કોઠંબાને તાલુકા તરીકે કાર્યરત થવા બદલ તમામ ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭'ના સ્વપ્નને સાકાર કરવા માટે ગામડું સધ્ધર અને તમામ સુવિધાઓથી સજ્જ બને તે અનિવાર્ય છે. તેમણે મહાત્મા ગાંધીજીના શબ્દોને યાદ કરતા કહ્યું કે, ગાંધીજીએ ગામડાને ભારતનો આત્મા કહ્યો છે, તેથી છેવાડાના ગામડાઓનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. તેમણે દરેક ગામનો સર્વાંગી વિકાસ થાય તે માટે રોડમેપ તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના પવિત્ર અવસરે મંત્રીશ્રીએ દરેક ગામને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સૌ ગ્રામજનોને અપીલ પણ કરી હતી. આ પ્રસંગે તેમણે ગાંધીજીની તસ્વીરને સુતરની આંટી પહેરાવી, પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ બાબુ પટેલે જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવીન તાલુકાઓની રચના કરી છે. તેમણે પ્રધાનમંત્રીના ૨૦૪૭ વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવાં માટે આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી અપનાવવા અપીલ કરી હતી. 'સ્વચ્છતા હી સેવા' પખવાડિયા અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર લોકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, અગ્રણી દશરથ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડમાં RSSનું પથ સંચાલન યોજાયું:સંસ્થાપનાના 100મા વર્ષમાં પ્રવેશ, કાર્યકરોનું સ્વાગત કરાયું
વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે વલસાડ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા પથ સંચાલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે RSS તેની સ્થાપનાના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. વલસાડ શહેરના સતી માતા મંદિરથી શરૂ થયેલું આ પથ સંચાલન શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હાલર સુધી પહોંચ્યું હતું. પથ સંચાલન દરમિયાન સંઘના કાર્યકરો અને સ્વયંસેવકો પર ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આઝાદ ચોક ખાતે શહેર ભાજપ અને વલસાડ શહેરના અગ્રણીઓ દ્વારા RSSના ધ્વજ પર પુષ્પવર્ષા કરીને સ્વયંસેવકોની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં રખડતા ઢોર અને સ્ટ્રીટ લાઇટ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે રીવ્યુ બેઠકમાં અધિકારીઓને ખખડાવ્યા હતા. રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાને લઈને લારી ગલ્લાઓના થતા દબાણને લઈને પણ વિભાગના અધિકારીઓને ખખડાવતા કહ્યું હતું કે બે ડસ્ટબિન રાખવા માટેની સૂચના આપી છે. તેઓને ચારથી પાંચ દિવસનો સમય આપો જો ડસ્ટબિન ન રાખે તો તમામના લારી-ગલ્લા ઉપાડી લેવા માટેની પણ કડક સૂચના આપી છે. CNCD વિભાગના અધિકારીનો ઉધડોમ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ બેઠક દરમિયાન શહેરના ગોતા, નરોડા, ચાંદખેડા, સહિત કેટલાક વિસ્તારોમાં રખડતી ગાયો અંગેની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થયો હોવાની બાબતને લઈ રખડતા ઢોર પકડવાની નબળી કામગીરી બાબતે CNCD વિભાગના અધિકારીનો ઉધડો લીધો હતો. રખડતા ઢોરની ફરિયાદો મળતા તાત્કાલિક ધોરણે આવા ઢોરને પકડવા માટેની અને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. નારોલ અને ઘી કાંટા વિસ્તારમાં વીજળીના કરંટ લાગવાને કારણે બે લોકોના થયેલા મોત બાબતે અને રાત્રે SG હાઈવે સહિત અલગ અલગ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની વ્યાપક ફરિયાદોને પગલે લાઈટ વિભાગના વડાને ખખડાવ્યા હતા. લાઈટ વિભાગમાં શિડ્યુલ ઓફ મેઈન્ટેનન્સ ન હોવાને કારણે આ પરિસ્થિતિ ઉભી થાય છે જેથી તાત્કાલિક ધોરણે અનુવારણ લાવવા માટે જણાવ્યું હતું. સૂચનાનું પાલન નહીં કરનારાના લારી- ગલ્લા ઉપાડી લેવા તાકીદ શહેરમાં રોડ ઉપર અને ફુટપાથ પર વધતા જતા દબાણો મામલે એસ્ટેટ વિભાગને આડે હાથે લીધો હતો. લારી- ગલ્લા, ફેરિયાઓ અને ખાણી પીણીનો ધંધો કરનારા તમામ લોકોએ બે ડસ્ટબીન રાખવા ફરજિયાત છે અને આ સૂચનાનું પાલન નહીં કરનારાના લારી- ગલ્લા ઉપાડી લેવા તાકીદ કરી હતી. ફેરિયાઓ, લારી-ગલ્લાવાળાને બે ડસ્ટબીન રાખવા માટે ફક્ત ચાર- પાંચ દિવસનો સમય આપો. જો બે ડસ્ટબીન ન રાખે તો લારી અને ગલ્લા ઉપાડી લીધા પછી પાછા નહીં આપવા સૂચના આપી હતી. આ પ્રકારની ઘટનાઓ અને સમસ્યાઓ સર્જાય છે. પાંજરાપોળ બ્રિજની કામગીરી અંગેની ફરિયાદમાં એક ઈજનેર અધિકારીને શો કોઝ આપવા સૂચના આપી હતી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હતા ત્યારે તે ખુલ્લેઆમ ખાલિસ્તાનીઓને સમર્થન કરતા. તેના કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હતા. ટ્રુડોનો કેનેડામાં જ વિરોધ વધ્યો ને તેણે રાજીનામું આપ્યું. તેની જગ્યાએ નવા વડાપ્રધાન માર્ક કાર્ની આવ્યા. માર્ક કાર્નીએ ભારત સાથે સંબંધો સુધારવાની પહેલ કરી એ માત્ર દેખાડો જ છે. હકીકતે કેનેડામાં સત્તા પર કોઈપણ પોલિટિકલ પાર્ટી આવે, ત્યાંનો શીખ સમુદાય મોટી વોટબેન્ક છે એટલે કેનેડાની સરકાર જ ખાલિસ્તાનીઓને સમર્થન આપતી રહેશે એ પણ નક્કી છે. નમસ્કાર, કેનેડાના NSA નથાલી ડ્રોઈન દિલ્હી આવ્યા હતા અને ભારતના NSA અજિત ડોભાલ સાથે મિટિંગ કરી. આ મિટિંગ થઈ તે જ દિવસે કેનેડાથી ખાલિસ્તાની આતંકવાદી ઈન્દરજીત ગોસાલે મોદી અને ડોભાલને ધમકી આપી કે, હિંમત હોય તો અમેરિકા, કેનેડા કે કોઈ યુરોપીય દેશમાં આવીને બતાવો. તમારી ધરપકડ કરાવીશું ને બીજા દેશમાં લઈ જશું. આવી બાલિશ ધમકી આપ્યા બાદ ઈન્દરજીત ગોસાલ પર તેના ગુરૂ અને સૂત્રધાર ગુરપતવંતસિંહ પન્નુએ તેની પીઠ થાબડી. કેનેડામાં જ કેમ ખાલિસ્તાનીઓ એક્ટિવ છે, શા માટે ઈન્દરજીત સિંહ ગોસાલની ધરપકડ થઈ ને તે છ દિવસમાં છૂટી પણ ગયો. આજે ખાલિસ્તાન, કેનેડા અને ભારતના સંબંધોની વાત. ઈન્દરજીત ગોસાલ કોણ છે ને તેણે ડોભાલને કેમ ધમકી આપી?હકીકતે કેનેડાના મહિલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નથાલી ડ્રોઈન ભારત આવવાના હતા. તે ભારત આવે તે પહેલાં કેનેડાના ખાલિસ્તાની સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ચેકિંગ ચાલતું હતું. તેમાં ખાલિસ્તાની આતંકવાદી ઈન્દરજીત સિંહ ગોસાલ એક ગાડીમાં પસાર થતો હતો. તેની તલાશી લેતાં કેટલાક હથિયારો મળી આવ્યા. પોલીસે 18 સપ્ટેમ્બર, 2025ના દિવસે તેની ધરપકડ કરી. ઈન્દરજીત સિંહ ગોસાલ ખાલિસ્તાની આંદોલનના મુખ્ય સૂત્રધાર અને ખાલિસ્તાની સંગઠનના પ્રમુખ આતંકવાદી પન્નુનો રાઈટ હેન્ડ છે. તે પન્નુનો બોડીગાર્ડ પણ છે. 18 સપ્ટેમ્બરે તેની ધરપકડ થઈ ને 23 સપ્ટેમ્બરે તે જામીન પર છૂટી ગયો. 23 સપ્ટેમ્બરે જ દિલ્હીમાં કેનેડાના NSA અને અજિત ડોભાલ વચ્ચે મિટિંગ ચાલતી હતી. કેનેડાના NSA એવી ધરપત આપીને બહાર નીકળ્યા હશે કે કેનેડા હવે ખાલિસ્તાનીઓ પર આક્રમક વલણ અપવાનશે. જો આવી ખાતરી આપી હશે તો એ જ ખાતરીનો ફિયાસ્કો થઈ ગયો હશે. કારણ કે 23 તારીખે જ જેલમાંથી બહાર આવેલા ઈન્દરજીત ગોસાલે અજિત ડોભાલને ધમકી આપી કે, હિંમત હોય તો અમેરિકા કે કેનેડા આવીને બતાવો. કેનેડામાં ખાલિસ્તાની આંદોલન હરદીપસિંહ નિજ્જર ચલાવતો હતો. 2023માં નિજ્જરની હત્યા થઈ પછી કેનેડામાં ખાલિસ્તાની આંદોલનની કમાન આ જ ઈન્દરજીત સિંહ ગોસાલ સંભાળી રહ્યો છે. ગોસાલ પછી પન્નુએ પણ ડોભાલને બીજી ધમકી આપીઈન્દરજીત ગોસાલે જેલમાંથી છૂટ્યા પછી તરત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને ધમકી આપી હતી. તેમણે વડાપ્રધાન મોદીનું નામ લઈને પણ ધમકી આપી હતી. ગોસાલે તો ધમકી આપી કે કેનેડા ને અમેરિકા આવીને બતાવો. પણ શીખ ફોર જસ્ટિસ સંગઠનના પ્રમુખ અને આતંકવાદી પન્નુએ પણ ડોભાલને ધમકી આપી. પન્નુએ એક વીડિયો રિલિઝ કરીને ધમકી આપી કે, હિંમત હોય તો કેનેડા અને અમેરિકા સરકાર પાસે મારી ધરપકડ કરાવો ને પછી ભારતમાં પ્રત્યાર્પણ કરાવો. તમે અહિ આવીને મારી ધરપકડ કેમ નથી કરતા? તમે મને પકડવા આવો. હું તમારી રાહ જોઉં છું. હકીકતે, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વારંવાર ભારત વિરોધી ઝેર ઓકતો રહે છે. તેણે ચાર મહિના પહેલાં એવો પડકાર ફેંક્યો હતો કે 15 ઓગસ્ટે જે વડાપ્રધાન મોદીને રાષ્ટ્રધ્વજ લહેરાવતાં રોકી બતાવશે તેને 11 કરોડ રૂપિયાનું ઈનામ આપીશ. આ પડકાર સામે NIAએ પન્નુ સામે FIR નોંધી છે એટલે પન્નુ ભારતને ઉકસાવી રહ્યો છે. કેનેડામાં મંદિરમાં તોડફોડ કરાવનાર આ જ ગોસાલ હતોઈન્દરજીત સિંહ ગોસાલ પન્નુના જોરે આડો ફાટેલો છે. કેનેડામાં પોતાનું જ રાજ છે, એવી રીતે રહે છે. જૂન 2023માં નિજ્જરની હત્યા પછી પન્નુએ તેના ખાસ માણસ ગણાતા ઈન્દરજીત ગુસાલને કેનેડા આંદોલનની કમાન આપી. તે ખાલિસ્તાની સંગઠન સિખ ફોર જસ્ટિસનો કેનેડાનો પ્રમુખ બન્યો. ગોસાલના કહેવાથી શીખોએ નવેમ્બર 2024માં ગ્રેટર ટોરેન્ટો એરિયામાં હિન્દુ મંદિરમાં ખાલિસ્તાનીઓને મોકલીને તોડફોડ કરાવી હતી. જો કે એ ધરપકડ પણ નાટક જ સાબિત થઈ. કેનેડા પોલીસે તેને સમજાવીને થોડા કલાકોમાં છોડી દીધો હતો. 18 સપ્ટેમ્બરે ભારતીય રાજદૂતને ઘેરાવની ધમકી આપી હતીખાલિસ્તાની સમર્થક સંગઠન સિખ ફોર જસ્ટીસે કેનેડામાં ભારતીય રાજદૂતમાં કામ કરતા સ્ટાફને ફરીથી ધમકી આપી હતી. આ સંગઠને 18 સપ્ટેમ્બરે ભારતીય દૂતાવાસને ઘેરાવ કર્યો હતો. સિખ ફોર જસ્ટિસે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે 18 સપ્ટેમ્બર 2023એ કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં કહ્યું હતું કે શહીદ હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ભૂમિકાની તપાસ થઈ રહી છે. હવે બે વર્ષ થઈ ગયા છે. પણ નિજ્જરની હત્યાની તપાસ આગળ વધી નથી. બીજું, કેનેડા પોલીસે ઈન્દરજીત સિંહ ગોસાલને સુરક્ષા આપવાની વાત કરી હતી પણ તેને કોઈ સુરક્ષા આપી નથી. ઊલટું, તેની તલાશી લઈને તેની ધરપકડ કરી લીધી. કેનેડા પોલીસે આ બરાબર નથી કર્યું. આ સોશિયલ મીડિયા પોસ્ટના છઠ્ઠા જ દિવસે ગોસાલ છૂટીને જેલની બહાર આવી ગયો. કેનેડા સરકારના રિપોર્ટમાં ખાલિસ્તાની સંગઠનો વિશે શું કહેવાયું છે?કેટલાક અઠવાડિયાં પહેલાં કેનેડા સરકારે એક રિપોર્ટ રિલિઝ કર્યો હતો. તેમાં ત્યાંની સરકારે કબૂલ્યું હતું કે કેનેડામાં કેટલાક ખાલિસ્તાની ચરમપંથી સંગઠનો છે. તેમને વિદેશમાંથી ફંડિંગ મળી રહ્યું છે. રિપોર્ટમાં બબ્બર ખાલસા અને ધ ઈન્ટરનેશનલ સિખ યુધ ફેડરેશન જેવા સંગઠનોના નામ છે, જેને આ પ્રકારની મદદ મળી રહી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે કેનેડામાં ચરમપંથી ઘણા સંગઠનો જેવા કે હમાસ, હિઝબુલ્લાહ અને ખાલિસ્તાની સંગઠનોને દેશમાં ફંડ મળી રહ્યું છે. હવે એ કહાની વાંચો, જેના કારણે કેનેડા બન્યો ખાલિસ્તાનીઓનો ગઢવર્ષ 1992. ઓક્ટોબર મહિનો હતો. પંજાબના જાલંધર જિલ્લાનું કાંગ અરૈયા ગામ. ગામની નહેર પર બનેલા એક પુલ પરથી વહેલી સવારે બે મારુતિ કાર પસાર થઈ રહી છે. હજી તો સૂર્ય પૂરો ઉગ્યો નહોતો ત્યાં બંને કાર પર આડેધડ ફાયરિંગ થાય છે. બંને કાર બાજુના ખેતરમાં ઉતરી જાય છે. કારની અંદરથી પણ ફાયરિંગ થાય છે. થોડીવારમાં ગોળીબારનો અવાજ શાંત થઈ જાય છે. જોતજોતામાં કારમાં બેઠેલા છ લોકોનાં મોત થાય છે. તેમાંથી એકનું નામ હતું ઈન્તખાબ અહેમદ ઝિયા. ઈન્તખાબ પાકિસ્તાનનો રહેવાસી હતો અને ખાલિસ્તાની આંદોલન માટે ISIનો પોઈન્ટ પર્સન હતો. ઈન્તખાબનું મોત પંજાબ પોલીસ માટે મોટી જીત હતી. પણ ઈન્તખાબનું મોત પંજાબ પોલીસ માટે એટલું મહત્વનું નહોતું જેટલું ઈન્તખાબની બાજુમાં બેઠેલા શખસનું મોત મહત્વનું હતું. એ શખસનું નામ હતું તલવીન્દર સિંહ પરમાર. અત્યારે કેનેડામાં જે ખાલિસ્તાની આગ ફેલાઈ રહી છે તેની પહેલી ચિનગારી આ તલવિન્દર સિંહ પરમારે જ સળગાવી હતી. કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોમાં તલવિન્દર સિંહ પરમારનું નામ મોટું હતું. કેનેડા, ખાલિસ્તાન અને ભારતનો ત્રિકોણ સમજવો હોય તો તલવિન્દર સિંહ પરમાર વિશે જાણવું જરૂરી છે. કોણ હતો તલવિન્દર સિંહ પરમાર?કેનેડાના બ્રિટીશ કોલંબિયા પ્રાંતમાં સરે નામનું શહેર છે. આ શહેરમાં એક ગુરૂદ્વારા છે, દશમેશ દરબાર. 2021માં દશમેશ દરબાર ગુરૂદ્વારાની બહારની દીવાલ પર તલવિન્દર સિંહ પરમારનો મોટો ફોટો લગાવી દેવાયો. તલવિન્દર સિંહ પરમાર સિખ અલગતાવાદીઓ માટે મસિહા હતો અને બબ્બર ખાલસા સંગઠનનો પ્રમુખ હતો. તલવિન્દરસિંહ પરમારને કેનેડાવાસીઓ ખાસ ઓળખતા નહિ. કેનેડામાં રહેતા શીખો માટે જ આ નામ મોટું હતું. પણ કેનેડાના લોકો તેને એક ઘટનાથી ઓળખવા લાગ્યા. 1985નું વર્ષ હતું. કેનેડાના મોન્ટ્રિયલ એરપોર્ટથી એક ફ્લાઈટે ટેકઓફ કર્યું હતું. પ્લેનનું નામ હતું એર ઈન્ડિયા કનિષ્ક. કેનેડાથી ફ્લાઈટ મુંબઈ આવવાની હતી અને વચ્ચે લંડન રોકાવાની હતી પણ લંડન પહોંચતાં પહેલાં જ બ્લાસ્ટ થઈ ગયો. 82 બાળકો સહિત 329 લોકો માર્યા ગયા હતા. જેમાંથી 270 તો કેનેડાના જ નાગરિકો હતા. આ એટેક ખાલિસ્તાનીઓએ કર્યો હતો અને આ પ્લાનનો માસ્ટર માઈન્ડ હતો તલવિન્દર સિંહ પરમાર. તલવિન્દરે ભારતમાં ઘૂસવાની કોશિશ કરી ને એન્કાઉન્ટર થઈ ગયું1970ના દાયકામાં તલવિન્દર સિંહ પરમાર ભારતથી કેનેડા પહોંચ્યો. તરત જ ખાલિસ્તાની આંદોલનનો મોટો ચહેરો બની ગયો. 1978માં તેણે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ નામથી એક સંગઠનની શરૂઆત થઈ. ત્યાં સુધીમાં તો પંજાબમાં અલગતાવાદની આગ ભડકી ઉઠી હતી. તલવિન્દર વિદેશથી ફંડ લાવતો. ભારતે તેને આતંકવાદી જાહેર કર્યો 1983માં તેણે જર્મનીની જેલમાં કેટલાક દિવસો પસાર કર્યા. એક વર્ષ પછી છૂટીને તે કેનેડા પાછો આવી ગયો. કેનેડામાં તેણે પ્લેનમાં બ્લાસ્ટનો પ્લાન ઘડ્યો ને પાકિસ્તાન ભાગી ગયો. 1992માં તેણે ભારતમાં ઘૂસવાની કોશિશ કરી. તેણે ભારતમાં પંજાબ પોલીસના બે જવાનોની હત્યા કરી હતી એટલે તે પોલીસના રડારમાં તો હતો જ. ઓક્ટોબર 1992માં ભારતમાં ઘૂસવાની કોશિશમાં પોલીસ સાથે એન્કાઉન્ટરમાં કારની અંદર જ તલવીન્દર સિંહ પરમાર માર્યો ગયો. તેના મૃત્યુ પછી પણ કેનેડામાં તેને જીવતો રાખવામાં આવ્યો. તલવિન્દરની હત્યા પછી પંજાબમાં અલગાવવાદની આગ શાંત થઈ ગઈ હતી. ખાલિસ્તાન આંદોલન દબાઈ ગયું. પણ કેટલાક ખાલિસ્તાની સમર્થકો હતા જે હજી પણ ભારતીય સુરક્ષા એજન્સીઓની પકડથી દૂર હતા. આ લોકો બ્રિટન, અમેરિકા અને કેનેડામાં રહીને અલગાવવાદનું સમર્થન કરતા હતા. જ્યારે જ્યારે ખાલિસ્તાનીઓએ માથું ઊંચક્યું તે આ દેશોમાંથી જ ઊંચક્યું પણ મુખ્ય દેશ હતો કેનેડા. ખાલિસ્તાની સપોર્ટર્સ સિખ સમુદાય કેનેડા સરકારની વોટબેન્ક બની ગઈ હતી. અત્યારે કેનેડામાં લગભગ 20 લાખ ભારતીયો છે તેમાંથી 8 લાખ તો શીખ છે. મોટાભાગના શીખો નટરિયમ શહેરમાં રહે છે. કેનેડાની સંસદમાં 338 સીટો છે. 2019માં જે ચૂંટણીઓ થઈ તેમાં 18 સિખ સાંસદો ચૂંટાઈ આવ્યા. જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન બન્યા તો તેના મંત્રી મંડળમાં ચાર મંત્રી શીખ હતા. કેનેડામાં 200 આસપાસ ગુરુદ્વારા છે અને અહિથી જ ખાલિસ્તાની આંદોલનોનો દોરી સંચાર થતો હોવાનું કહેવાય છે. દુનિયાના સૌથી મોટા શીખ નેતાએ કેનેડાને ચેતવ્યું હતું પણ...સમય સમય પર ખાલિસ્તાની મુદ્દો ભારતના વડાપ્રધાનોએ કેનેડાના વડાપ્રધાન સામે ઉઠાવ્યો છે. 2010માં એ સમયના વડાપ્રધાન ડો. મનમોહન સિંહ વેનકુંવરમાં કહી આવ્યા હતા કે પંજાબમાં ખાલિસ્તાન આંદોલન મરી ચૂક્યું છે. પણ ભારતની બહાર ખાસ કરીને કેનેડામાં એવા તત્વો છે જે પોતાના ફાયદા માટે આ આગને સળગતી રાખે છે. ઘણા કિસ્સાઓમાં આ લોકોની આતંકીઓ સાથે સાંઠગાંઠ છે. દુનિયાના સૌથી મોટા શીખ નેતા કેનેડાની સરકારને ચેતવીને આવ્યા હતા પણ કેનેડાની સરકાર પર અસર નહોતી થઈ. કારણ કે ત્યાંની રાજકીય પાર્ટીઓ માટે સિખ સમુદાય એ મોટી વોટબેન્ક રહી છે. કેનેડામાં આવતા મહિને ખાલિસ્તાન જનમત સંગ્રહ થશેઆતંકી ગોસાલે જણાવ્યું હતું કે આગામી ખાલિસ્તાન જનમત સંગ્રહ (રેફરેન્ડમ) કેનેડાના ઓટાવામાં 23 નવેમ્બર, 2025એ થશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમને ભારત સરકારના એજન્ટો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ગોસાલે જણાવ્યું હતું કે કેનેડિયન પોલીસે તેમને આ ધમકીઓ વિશે જાણ કરી હતી. અમને બધી ખબર છે કે ભારત ખાલિસ્તાનીઓ વિરુદ્ધ શું ષડયંત્ર ઘડે છે. છેલ્લે,ખાલિસ્તાનીઓ અલગ ખાલિસ્તાનની માગણી કરી રહ્યા છે અને તેમને ભારત વિરોધ ભડકાવવામાં પાકિસ્તાનનો હાથ હોવાનું મનાય છે. કારણ કે અલગ ખાલિસ્તાનનો મેપ બનાવ્યો ત્યારે તેમાં પાકિસ્તાન હસ્તકનું પંજાબ નહોતું. ભારતની સરહદથી પાકિસ્તાનમાં માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલો કરતારપુર સાહિબ કોરિડોર પણ બતાવાયો નથી. આનો સીધો મતલબ એ થયો કે ખાલિસ્તાની મૂવમેન્ટ પાકિસ્તાન પ્રેરિત છે. કારણ કે જ્યારે ખાલિસ્તાની આતંકી તલવિન્દર સિંહ પરમાર માર્યો ગયો ત્યારે તેની સાથે કારની અંદર ISIનો એજન્ટ માર્યો ગયો હતો. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ યશપાલ બક્ષી)
ગાંધીધામમાં વિજયા દશમીના પર્વે યોજાનારો રાવણ દહનનો કાર્યક્રમ ભારે વરસાદને કારણે રદ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાર્યક્રમ માટે ઊભું કરાયેલું રાવણનું વિશાળ પૂતળું ભારે પવન અને વરસાદને કારણે ધરાશાયી થઈ ગયું હતું અને સંપૂર્ણપણે પલળી ગયું હતું. અગ્રવાલ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
દશેરાના પવિત્ર અને પાવન પર્વ નિમિત્તે ધર્મ સામે અધર્મનો વિજય અને અસત્ય સામે સત્યની જીતની ગાથા તાજી કરતાં, આજે જૂનાગઢમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શૌર્ય અને શક્તિનું પ્રતીક સમા શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ક્ષત્રિય સમાજના અગ્રણી યોગીભાઈ પઢિયાર અને ડો. જીતુભાઈ ખુમાણની આગેવાની હેઠળ, 10 જેટલી અલગ અલગ પેટા જ્ઞાતિઓના યુવાનો અને આગેવાનોએ આ ધર્મમય કાર્યક્રમમાં ભાગ લીધો હતો.શસ્ત્ર પૂજન પહેલા ભવ્ય રેલીનું આયોજનડો. જીતુભાઈ ખુમાણના જણાવ્યા મુજબ, દર વર્ષની પરંપરા મુજબ આ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવકો અને આગેવાનો એકઠા થયા હતા અને શસ્ત્ર પૂજન પહેલા એક ભવ્ય રેલી યોજવામાં આવી હતી. રેલીની શરૂઆત નીલકંઠ પાર્ટી પ્લોટથી થઈ હતી.ત્યારબાદ ઝાંઝરડા રોડ, તળાવ દરવાજા, આઝાદ ચોક અને એમ.જી. રોડ પરથી પસાર થઈ હતી.આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતાં શૌર્યનો માહોલ જોવા મળ્યો હતો. ભૂતનાથ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ રેલી બાદ, તમામ ક્ષત્રિય સમાજના સભ્યો ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે એકઠા થયા હતા. આ પવિત્ર સ્થળે ગૌડ બ્રહ્મ સેવા સમિતિના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું.યોગીભાઈ પઢિયારે જણાવ્યું હતું કે આજનો સમય શાસ્ત્રોનો છે, પરંતુ શાસ્ત્રો ત્યારે જ ટક્યા છે જ્યારે શસ્ત્રો ચાલ્યા છે. શસ્ત્રે અસત્ય સામે લડાઈ કરી છે, ત્યારે શાસ્ત્રો ટક્યા છે. ડો. જીતુભાઈ ખુમાણે પણ આ પાવન દિવસે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કરાયેલા શસ્ત્ર પૂજનના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પંડિતોએ શસ્ત્રોનું પૂજન કરાવ્યું હતું, જ્યાં તમામ યુવાનો અને આગેવાનોએ ધર્મ, શૌર્ય અને સંસ્કારની જાળવણીની પ્રતિજ્ઞા લીધી હતી.
ગઢડા આહિર સમાજે વિજયા દશમી ઉજવી:શોભાયાત્રા અને મચ્છુ ધામ ખાતે શસ્ત્ર પૂજન કરાયું
ગઢડા આહિર સમાજ દ્વારા વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમાજ દ્વારા શસ્ત્ર પૂજન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.આ શોભાયાત્રા મચ્છુ ધામ ખાતેથી શરૂ થઈ હતી. તે સામાકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને ફરી મચ્છુ ધામ મંદિરે પહોંચી વિરામ લીધો હતો. શોભાયાત્રાના સમાપન બાદ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં આહિર સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના નવા સચિવાલય ખાતે હાલમાં ચાલી રહેલ રિનોવેશનની કામગીરી દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે. સચિવાલયના બ્લોક નં. 13માં ચાલી રહેલ કન્સ્ટ્રક્શન કામ દરમ્યાન અચાનક જ 20થી 25 લોખંડની પાઈપો મહિલા કર્મચારી પર પડી જતાં તેઓને માથા તેમજ શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ સચિવાલયના સ્ટાફ અને અન્ય કર્મચારીઓમાં હાહાકાર મચી ગયો હતો. આશરે 20થી 25 જેટલી ભારે પાઈપો માથા પર પડીમહિલા કર્મચારીના જણાવ્યા મુજબ, 26 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે લગભગ 6:00 થી 6:15 દરમિયાન તેઓ ઓફિસ છૂટી ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે તેઓ બ્લોક નં. 14માંથી પસાર થઈ બ્લોક નં. 13 તરફ જઈ રહ્યા હતા. અચાનક જ બ્લોક નં. 13માં ઉપર ચાલી રહેલ કામ દરમ્યાન લોખંડની પાઈપો નીચે તૂટી પડી. આશરે 20થી 25 જેટલી ભારે પાઈપો સીધા જ તેમના માથા અને શરીર પર પડતાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ઈજાઓ એટલી ગંભીર હતી કે, મહિલાનું મોત થવાનું સંભવિત હતું, પરંતુ તાત્કાલિક સહકર્મચારીઓએ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા. જ્યાં સારવાર મળતાં સદનસીબે તેમનો જીવ બચી ગયો. હાલ તેઓ સારવાર હેઠળ છે. કાયદેસર કાર્યવાહી માટે અરજીઘટનાથી ઘવાયેલા કર્મચારીએ જણાવ્યું કે તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી વ્યક્તિગત રીતે પોલીસ સ્ટેશન જઈ શકતા નથી. તેમ છતાં, તેમણે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી દ્વારા તમામ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે. અરજદારએ સ્પષ્ટ કર્યું છે કે, આ ઘટના ગંભીર બેદરકારીનું પરિણામ છે. રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોવા છતાં સલામતીના પૂરતા પગલાં લેવાયા ન હતા. આવી ઘટનામાં માનવજીવન જોખમાય છે અને તેનું જવાબદારીપૂર્વક નિરાકરણ જરૂરી છે. પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવીસેક્ટર 7 પોલીસ સ્ટેશન દ્વારા મહિલા કર્મચારીની લેખિત અરજી સ્વીકારી લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળનું નિરીક્ષણ, સાક્ષીઓના નિવેદનો તથા કન્સ્ટ્રક્શન સાઇટ પર રહેલા કામદારો અને કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરવામાં આવશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે જો બેદરકારી સાબિત થશે તો સંબંધિત કોન્ટ્રાક્ટર, સુપરવાઈઝર તેમજ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કર્મચારીઓમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયોનવા સચિવાલયમાં રોજિંદા હજારો કર્મચારીઓ ફરજ બજાવે છે. આવી ઘટના બાદ કર્મચારીઓમાં ભય અને ચિંતા વ્યાપી છે. તેઓએ પણ માંગણી કરી છે કે રિનોવેશન અથવા કન્સ્ટ્રક્શન કાર્ય દરમ્યાન સલામતીના પૂરતા ઉપાયો ફરજિયાત કરાવવાં જોઈએ.
શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાના પવિત્ર દિવસે એક અનોખી પરંપરા નિભાવવામાં આવી. વડોદરાના રાજવીએ ભેટ આપેલ અતિ મૂલ્યવાન નવલખો હાર માતાજીને પહેરાવવામાં આવ્યો. આ હાર વર્ષમાં માત્ર બે જ દિવસ દશેરા અને બેસતા વર્ષે જ માતાજીના શણગારની શોભા વધારે છે. માતાજીને કરોડોની કિંમતનો નવલખો હાર પહેરાવવામાં આવ્યોસુપ્રસિદ્ધ શક્તિપીઠ મહેસાણાના બહુચરાજી સ્થિત મા બહુચરાજીના મંદિરે આજે માતાજીને કરોડોની કિંમતનો નવલખો હાર પહેરાવવામાં આવ્યો. દર વર્ષની જેમ આજે હાર પહેરાવ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માતાજીની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ. મુખ્ય મંદિરથી આ યાત્રા સમી વૃક્ષ સુધી નીકળી, જ્યાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. આ હારની વિશેષતા એ છે કે, તેની અંદાજિત કિંમત ₹300 કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે અને સુરક્ષાના કારણોસર તે વર્ષમાં માત્ર આ બે જ પર્વે બહાર આવે છે. દર વર્ષે દશેરા અને બેસતા વર્ષે આ હાર માતાજીને પહેરાવવાની પરંપરા બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું આ ભવ્ય મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે ઈ.સ. 1783માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરોમાં માતાજીને નીતનવીન શણગાર કરવાની પ્રથા ગાયકવાડ સમયથી ચાલી આવે છે પણ આ તમામ નવલખો હારનું સ્થાન સર્વોપરી છે. આ હાર પણ વર્ષો પહેલાં માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી દર વર્ષે દશેરા અને બેસતા વર્ષે આ હાર માતાજીને પહેરાવવાની પરંપરા અવિરત ચાલે છે. નવલખા હારના ઇતિહાસ પર નજર કરીએ તો, લગભગ ત્રણસો વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડને પાઠાનો રોગ મટી જતાં તેમણે માતાજીને આ હાર ભેટ આપ્યો હતો. તે સમયે તેનું મૂલ્ય નવ લાખ રૂપિયા હતું, જેથી તે નવલખો હાર તરીકે ઓળખાયો. સમય જતાં આ હારનું મૂલ્ય આજે ₹300 કરોડથી વધુનું થયું છે. નવલખો હાર ભક્તો માટે યાદગાર ક્ષણ બની જાય છેઆ હાર પ્રથમ નજરે ભલે સામાન્ય લાગે પરંતુ, લીલા, વાદળી અને સફેદ રંગના નીલમથી તૈયાર થયેલો આ હાર નજીકથી જોનારને અચંબિત કરી દે છે. હારમાં જડાયેલા પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડોમાં છે. આ કારણોસર જ આ હાર આખું વર્ષ સલામત સ્થળે રાખવામાં આવે છે. દશેરાના દિવસે મંદિરના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જ તેને માતાજીના શણગારમાં લેવાય છે. જ્યારે માતાજીની પાલખી યાત્રા નીકળે છે અને તેમને ગાર્ડ ઓફ ઓનર અપાય છે ત્યારે આ નવલખો હાર જોઇને ભક્તો માટે તે એક અનોખી અને યાદગાર ક્ષણ બની જાય છે. દેવી-દેવતાઓના ચરણે ભેટ ધરાવવાની પ્રથા વર્ષો જૂની છે, પરંતુ સમગ્ર ગુજરાતના મંદિરોમાં સૌથી મોંઘી ભેટ પૈકીની એક આ નવલખો હાર બહુચરાજી મંદિરને પ્રાપ્ત થયેલ છે. આ જ કારણે બહુચરાજી મંદિરની કુલ સંપત્તિ કરોડોને આંબી ગઈ છે, અને મા બહુચરનું આ ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
કેનેડામાં નવરાત્રિની ઉજવણી:આલ્બર્ટ ગુજરાતી એસોસિયેશનના કાર્યક્રમમાં જોવા મળ્યો દેશભક્તિનો અનોખો રંગ
કેનેડાના એડમન્ટન શહેરમાં નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આલ્બર્ટ ગુજરાતી એસોસિયેશન (AGA) અને ગરવી ગુજરાત એસોસિયેશન (GGA) દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ગુજરાતી સમાજે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગયા સપ્તાહના અંતે યોજાયેલા આ ગરબા કાર્યક્રમોમાં અનેક વિશેષતાઓ જોવા મળી હતી.આલ્બર્ટ ગુજરાતી એસોસિયેશન (AGA) દ્વારા આયોજિત નવરાત્રિ કાર્યક્રમમાં ચાલુ ગરબા દરમિયાન દેશભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો હતો. ગરબાના માહોલ વચ્ચે દેશપ્રેમની ભાવના પણ ઉજાગર થઈ હતી, જે ઉપસ્થિત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.બીજી તરફ, ગરવી ગુજરાત એસોસિયેશન (GGA) દ્વારા યોજાયેલા નવરાત્રિ કાર્યક્રમમાં ટીનએજર્સના એક જૂથે ગરબા રજૂ કરીને એક અલગ જ માહોલ બનાવ્યો હતો. યુવા કલાકારોએ પોતાની આગવી શૈલીમાં ગરબા રમીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. એડમન્ટનમાં નવરાત્રિના ગરબાની પોતાની એક આગવી ઓળખ છે. અહીં નાનકડો ગુજરાતી સમાજ હોવા છતાં, ગરબા રાત્રે અઢી વાગ્યા સુધી ચાલે છે. આ ઉપરાંત, દાંડિયારાસ માટે એક અલગ સમયગાળો પણ ફાળવવામાં આવે છે, જેનાથી કલાકારો પણ ખુશ થાય છે.આ બંને કાર્યક્રમોમાં એક નોંધનીય બાબત એ હતી કે કેનેડામાં જ જન્મેલા અનેક બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ગરબામાં ભાગ લીધો હતો, જે તેમની સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.
વિજયા દશમીના પાવન અવસર પર વલસાડના રાબડા ગામે આવેલા માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ખાતે ભવ્ય શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના લોકો જોડાયા હતા. આ દરમિયાન વીર-વીરાંગનાઓએ તલવાર સાથે અદભુત કલાકૃતિઓ રજૂ કરી હતી. જેનો ડ્રોન નજારો સામે આવ્યો છે. તલવાર સાથે રજૂ કરાયેલી કલાકૃતિઓ જોઈ સૌ પ્રભાવિત થયાઆ ભવ્ય શસ્ત્રપૂજન કાર્યક્રમમાં સમગ્ર ભારતવર્ષમાંથી લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વીર-વીરાંગનાઓ દ્વારા તલવાર સાથે રજૂ કરાયેલી અદભૂત કલાકૃતિઓ જોઈને ઉપસ્થિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા. ખાસ કરીને, વિરાંગનાઓએ તલવારની કલાકૃતિઓ પ્રદર્શિત કરી ત્યારે જાણે સાક્ષાત દુર્ગા સ્વરૂપા હોય તેવો દિવ્ય અહેસાસ સર્જાયો હતો. 'અબળા' ગણાતી નારીનું સશક્તિકરણ થયું આ કાર્યક્રમથી વર્તમાન સમયમાં 'અબળા' ગણાતી નારીનું સશક્તિકરણ થયું છે અને તેમનામાં શૌર્યતા તથા ખુમારીના બીજ રોપાયા છે. સમગ્ર વિશ્વમાં સત્યની સંઘનિષ્ઠા ઊભી થાય અને નારી શક્તિ જાગૃત થાય તે માટે આ ધામ સતત પ્રયાસ કરી રહ્યું છે. અસત્ય પર વિજય પ્રાપ્ત કરવા શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની આવશ્યકતા વર્તમાન સમયમાં વ્યાપેલા અરાજકતા, ભ્રષ્ટાચાર, પાપાચાર અને અનૈતિકતાના સામ્રાજ્ય વચ્ચે અધર્મ, મફતનું ખાવાની વૃત્તિ, કર્મહીનતા અને લંપટવૃત્તિનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આવા અંધકાર અને અસત્ય પર વિજય પ્રાપ્ત કરવા માટે શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની આવશ્યકતા અનિવાર્ય છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે દિવ્ય સંદેશ અપાયો છે કે અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વાળો અને ઘરને એક મંદિર બનાવો. આ દિવ્ય સંદેશ અનુસાર, વ્યક્તિએ અંધશ્રદ્ધા અને વ્યક્તિપૂજા છોડીને પોતાના ઘરને પવિત્ર ઘરમંદિર બનાવીને શક્તિ પૂજા કરવાની છે. શ્રી મહાપાત્રના માર્ગદર્શનથી આજે સમગ્ર વિશ્વમાં અસંખ્ય ઘર મંદિરો સ્થાપિત થયા છે, જેના પરિણામે પરિવારોમાં સાચી સમજણ અને એકતા જાગૃત થઈ છે. ધામના સંસ્થાપક મહાપાત્રના દિવ્ય માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અસત્યનો નાશ કરી વિશ્વમાં સત્ય ધર્મ-કર્મની પુનઃસ્થાપના કરવાનો હતો.
છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી જથ્થો જપ્ત:કલેક્ટરની આકસ્મિક મુલાકાત બાદ કાર્યવાહી
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ, ખાણ-ખનિજ વિભાગ અને છોટાઉદેપુર મામલતદાર કચેરીની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી છે. છેલ્લા બે દિવસમાં છોટાઉદેપુર તાલુકાના અલસીપુર અને ગુડા ગામેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલો સાદી રેતીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કલેક્ટર ગાર્ગી જૈને અલસીપુર અને ગુડા ગામની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાત ખનિજ (ગેરકાયદેસર ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ) નિયમો, ૨૦૧૭ની જોગવાઈઓ હેઠળ કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જિલ્લા ખાણ ખનિજ કચેરી દ્વારા છેલ્લા બે દિવસમાં આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતીનું વહન કરતા ૪ ડમ્પર પકડવામાં આવ્યા હતા. અગાઉ, છેલ્લા છ મહિનામાં આ વિસ્તારમાંથી પસાર થતા રસ્તાઓ પર આકસ્મિક ચેકિંગ દરમિયાન કુલ ૩૦ જેટલા ડમ્પર પકડાયા હતા. આ તમામ સામે સરકારના નિયમ મુજબ દંડનીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કલેક્ટરે ભવિષ્યમાં પણ આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ રોકવા માટે કડક ચેકિંગ હાથ ધરવા સૂચના આપી છે.
“સ્વચ્છતા હી સેવા-2025” અંતર્ગત તા. 17 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર સુધી ચાલેલા ‘સ્વચ્છોત્સવ’ પખવાડિયાની પૂર્ણાહૂતિ નિમિત્તે સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે નગરપાલિકા ચીફ ઓફિસર મૌલિક વૈંશે પખવાડિયા દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા સહભાગી બનેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સમારંભ દરમિયાન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વેસ્ટ-ટુ-આર્ટ, વોલ પેઇન્ટિંગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પ્રમુખ, સભ્યો, સામાજિક આગેવાનો, પદાધિકારીઓ, શાળાના બાળકો તથા વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ સ્વચ્છતાની સતત જાગૃતિ જાળવી રાખી સ્વચ્છતા હી સેવા અભિયાનને આગેકૂચ કરવાનું સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પખવાડિયા દરમિયાન સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ રેન્કિંગ, સ્વચ્છતા શપથ, શ્રમદાન, આરોગ્ય કેમ્પ, સેફ્ટી કીટ વિતરણ, વૃક્ષારોપણ, સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ, શેરી નાટકો સહિતના અનેક કાર્યક્રમો યોજી નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
ગોધરામાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર:પોલીસ બંદોબસ્ત સાથે 38 કાચા-પાકા મકાનો તોડી પડાયા
ગોધરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી અને ખાનગી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયા છે. આ કાર્યવાહીમાં કુલ 38 કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ દબાણો ગોધરા શહેરના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગા તલાવડી (ખરાબા)ની આસપાસ કરાયા હતા. તપાસમાં સામે આવ્યું કે આ મકાનો મોટાભાગે રેલવે ચોરી, પશુ ચોરી અને મંદિર ચોરી જેવા ગુનાઓ આચરતા અસામાજિક તત્વો દ્વારા બનાવવામાં આવ્યા હતા. કાયદેસરતાની ચકાસણી બાદ, કુલ 35 કાચા અને પાકા મકાનો ગેરકાયદેસર હોવાનું અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો દ્વારા કરાયા હોવાનું જણાયું હતું. ડિમોલિશન કામગીરીમાં નગરપાલિકા, રેવન્યુ વિભાગ, MGVCL, મેડિકલ ટીમ અને ફાયર વિભાગની ટીમો જોડાઈ હતી. નગરપાલિકાએ 4 જે.સી.બી., 4 ડમ્પર, 2 ટ્રેક્ટર અને 25 મજૂરોની વ્યવસ્થા કરી હતી.કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 4 DYSP, 18 પોલીસ ઇન્સ્પેક્ટર, 52 PSI, 231 ASI/હેડ કોન્સ્ટેબલ/પોલીસ કોન્સ્ટેબલ, 231 SRP જવાનો અને 82 હોમગાર્ડ સહિત કુલ 882 પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા માટે ગેસગન, લાઠી-હેલ્મેટ, વોકીટોકી, બોડીવોર્ન કેમેરા અને શીલ્ડ જેવા સાધનો પણ તૈનાત કરાયા હતા, જેથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. તાજેતરમાં ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા અનશ કાસમ ચાનકી, યાસીન યુસુફ જર્દા અને શોહેલ હૈયુબ ભાઇજમાલના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરાયા હતા. કુલ 38 કાચા અને પાકા મકાનોનું ડિમોલિશન કરાયું છે. ભવિષ્યમાં પણ અસામાજિક પ્રવૃત્તિઓ આચરનારા અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓની મિલકતો અંગે ખરાઈ કરીને ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વેરાવળ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનના નિર્માણની દ્વિવાર્ષિક ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. ગાંધી જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ અને દશેરાના પાવન અવસરે જિલ્લા કલેક્ટર તથા રેડક્રોસ પ્રમુખ એન.વી. ઉપાધ્યાયના હસ્તે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેવાઓમાં જનરલ ઓ.પી.ડી., મેન્ટલ હેલ્થ કાઉન્સિલીંગ અને વ્યસનમુક્તિ સેન્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ઇમરજન્સી કીટ, મૃતદેહ માટેની આઇસ બોક્સ-શબ પેટીનો સમાવેશ થાય છે. આ શબપેટી રઘુવંશી વેપારી સમાજ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે રેડ ક્રોસ આરોગ્ય રથને કલેક્ટર દ્વારા ફ્લેગ ઓફ કરાયું હતું. આ પ્રસંગે સિનિયર સિટીઝન્સ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો. ચીફ મેડીકલ ઓફિસર ડૉ. ખેવનાબેન કારાવડીયાના માર્ગદર્શન હેઠળ ડૉ. દિગંત ડાકીના સંકલનમાં મેડીકલ ટીમે સુંદર વ્યવસ્થા કરી હતી. ફિઝિયોથેરાપી કન્સલ્ટન્ટ ડૉ. તન્વિ કારીયા, સ્વેતા શર્મા તેમજ ડેન્ટલ કન્સલ્ટન્ટ ડૉ. તન્વી વૈષ્ણવે આરોગ્ય અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શુભ પ્રસંગે બી.એ.પી.એસ. સેવક દેવાયતભાઇ ઝાલાએ રૂ. 25000/-નું અનુદાન રેડ ક્રોસને આપ્યું હતું. કાર્યક્રમમાં ગીર સોમનાથ રેડ ક્રોસના ચેરમેન એમીરેટસ્ કિરીટભાઇ ઉનડકટ, ચેરમેન અતુલભાઇ કાનાબાર, વાઇસ ચેરમેન કમલેશ ફોફંડી, સેક્રેટરી ગિરીશ ઠક્કર, ટ્રેઝરર સમીર ચંદ્રાણી, જોઈન્ટ સેક્રેટરી અનિષ રાચ્છ, કમિટીના સભ્યો, રોટરી ક્લબ ઓફ વેરાવળના પ્રમુખ ડૉ. ઇશ્વર ગોડસે તથા ડૉ. વર્ષાબેન ગોડસે, સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટના દિપકભાઇ ટીલાવત, બિપીનભાઇ સંઘવી, બિપીનભાઇ શાહ, શૈલેષભાઇ શેઠ તેમજ લોકજાગૃતિ મંચના ભીખુભાઇ જેઠવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 'સ્વચ્છતા હી સેવા-2025' પખવાડિયાની ઝૂંબેશરૂપે ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનની પૂર્ણાહૂતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના રામમંદિર ખાતે 'સ્વચ્છ ભારત દિવસ-2025'ની ઉજવણી યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વચ્છોત્સવની ઉજવણી તહેવાર સમાન બની રહી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં સ્વચ્છતાજાગૃતિ ફેલાઈ છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે સ્વચ્છતાનો આરંભ મનથી કરવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે સ્વચ્છતા અભિયાન માત્ર એક દિવસનું કાર્યક્રમ નહીં પરંતુ દૈનિક જીવનની જીવનશૈલી બની રહેવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ તાલુકા, ગ્રામપંચાયત, શાળા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી તેમજ વેસ્ટ ટુ આર્ટ, રંગોળી, ચિત્ર સ્પર્ધા અને એનસીસી દ્વારા યોજાયેલા સ્વચ્છતા કાર્યક્રમોના વિજેતાઓને પુરસ્કૃત કરાયા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી. ચૌહાણ, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, બાદલભાઈ હુંબલ સહિત નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ, સામાજિક કાર્યકરો, સખીમંડળો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ---
આજનું યુવાધન સોશિયલ મીડિયાના રવાડે ચડીને શિક્ષણ છોડી 'ડોન' અને 'દાદા' બનવાની લહાઈમાં લાગ્યું હોય તેવા કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે, જુનાગઢ શહેરમાં ફરી એકવાર સિગારેટના દમ મારતા મારતા સગીરને માર મારતો અત્યંત ગંભીર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હાલના યુવાધનની માનસિકતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. જૂનાગઢની આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની મારામારીની ઘટના બાદ સગીરોની મારમારીની વધુ એક ઘટનાઓ ભારે ચકચાર જગાવી છે. શું છે વાઈરલ વીડિયોની હકીકત ?વાઈરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સાતથી આઠ સગીરો એક અન્ય સગીરને બેફામ અને બેરહેમીથી માર મારી રહ્યા છે. માર મારતી વખતે આ સગીરો ગાળો બોલી રહ્યા છે અને ભોગ બનનારને પટ્ટા વડે પણ મારવામાં આવી રહ્યો છે. માર મારનારા સગીરો, ભોગ બનનાર સગીરને હવે તું અમારા રસ્તે આવતો નહીં તેવું બોલાવી રહ્યા છે. ભોગ બનનાર સગીર ડરીને બે હાથ જોડીને માર મારતા સગીરો સામે માફી માગતો જોવા મળી રહ્યો છે અને વીડિયોમાં તે કહી રહ્યો છે કે, હવે હું કોઈ વચ્ચે નહીં આવું, આજથી આપણા બધા સંબંધ પૂરા. થોડા દિવસોમાં બીજી ઘટનાઆ ઘટનાની ગંભીરતા એટલા માટે વધુ છે કે, થોડા સમય પહેલા જ જુનાગઢ શહેરની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ છ થી સાત વિદ્યાર્થીઓએ હોસ્ટેલના જ એક વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. તે કિસ્સામાં પણ પોલીસે ફરિયાદ નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને હજુ થોડા દિવસો જ થયા છે, ત્યાં જ સગીરો દ્વારા હિંસકતા આચરવાની આ બીજી ઘટનાએ સૌને વિચારતા કરી મૂક્યા છે. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી કડક કાર્યવાહી શરૂ કરીઆ સમગ્ર ગંભીર મામલે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. વત્સલ સાવજ સાથે વાતચીત કરવામાં આવી હતી.પી.આઈ. વત્સલ સાવજે જણાવ્યું હતું કે જેવો આ વીડિયો પોલીસના ધ્યાને આવ્યો, કે તરત જ તાત્કાલિક કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. આ ગુનાહિત પ્રવૃત્તિમાં જે નબીરાઓ માર મારી રહ્યા છે, તેમાંથી બે યુવકો પુખ્ત વયના (ઉંમર 19 વર્ષ) છે અને અન્ય પાંચ સગીર વયના છે. સી-ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે માર મારવો,ભૂંડી ગાળો આપવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી,ગેરકાયદેસર અટકાયત કરવી,ગેરકાયદેસર મંડળી રચી આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ માર મારવાની ઘટના જૂની નાની માથાકૂટના કારણે થઈ હતી, જેમાં મંડળી રચીને એક સગીરને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. પોલીસે બે પુખ્ત યુવાનો અને પાંચ સગીરો વિરુદ્ધ ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
કદવાલ ખાતે ક્ષત્રિય બારિયા યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દશેરાના પવિત્ર તહેવાર નિમિત્તે આ શસ્ત્ર પૂજન દરબાર ગઢ પેલેસની બાજુમાં યોજાયું હતું. રાજવી પરિવારના ભરતસિંહજી અને કુંવર જયપ્રતાપસિંહજીએ આ પ્રસંગે હાજરી આપી હતી. બારિયા સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય બારિયા યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા આદિકાળથી ચાલી આવતી શસ્ત્ર પૂજનની પરંપરાને જાળવી રાખવામાં આવી છે. આ સંગઠન દ્વારા દર વર્ષે આ પરંપરાગત વિધિનું આયોજન કરવામાં આવે છે.
છોટા ઉદેપુર જિલ્લામાં પાવી જેતપુર તાલુકામાંથી વિભાજન કરીને નવનિર્મિત કદવાલ તાલુકાનું પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. કદવાલ તાલુકાની રચનાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. આ તાલુકો છોટા ઉદેપુર જિલ્લાનો સાતમો તાલુકો બન્યો છે. આ લોકાર્પણ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત કદવાલ તાલુકામાં કુલ 17 ગ્રામ પંચાયત અને 43 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવરાત્રિ પર્વની પુર્ણાહુતી સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત વિવિધ શહેરોમાં રાવણ દહનની તૈયારીઓ કરી દેવામાં આવી છે, ત્યારે આ વર્ષે રાજકોટમાં સૌથી ઊંચા 54 ફૂટના રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. જ્યારે મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા 44-44 ફૂટના છે. ઉતરપ્રદેશના ખાસ કારીગરો દ્વારા ઇમારતી લાકડું ગણાતા વાંસની મદદથી પૂતળા બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ કચ્છમાં રાવણ દહન કાર્યક્રમમાં વરસાદ વિઘ્ન બન્યો છે.
લાઠીમાં 45 પરિવારોને જલેબી-ચોળફળીનું વિતરણ:દશેરા પર્વે નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આયોજન
રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી દશેરા પર્વ નિમિત્તે લાઠીમાં 45 પરિવારોને જલેબી, ચોળફળી અને ખાજલીનું વિતરણ કરવામાં આવ્યું.આ વિતરણ 'અહમ યુવા સેવા ગ્રુપ'ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સેવાકાર્ય યોજાયું હતું. આ વિતરણથી દરેક કુટુંબમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
ગોધરા શહેરમાં નવરાત્રિના અંતિમ દિવસે ગદુકપુર સ્થિત ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે આયોજિત મા ગરબા મહોત્સવમાં 'ઓપરેશન સિંદૂર' થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ થીમ આધારિત ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા.ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા અને હાથમાં તિરંગો લઈને ગરબા કરતા સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો. આયોજકોએ દેશના જવાનોના ઉત્સાહમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી આ દેશભક્તિનો માહોલ બનાવ્યો હતો. 'ઓપરેશન સિંદૂર' એ પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીરમાં કરેલા હુમલા અને નિર્દોષ લોકોની હત્યાના જવાબમાં ભારતીય સેના દ્વારા અપનાવવામાં આવેલી કાર્યવાહી હતી. જેમાં ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ગરબા મહોત્સવમાં 'ઓપરેશન સિંદૂર' પર બનેલા ગીતો પર પણ ખેલૈયાઓ ઝૂમ્યા હતા.
પેરિસમાં ભારતની બહાર રહેતા ગુજરાતી ભારતીયો દ્વારા ઇન્ડિયન ગુજરાતી કલ્ચરલ એસોસિએશનના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના નવે નવ દિવસ માટે માં આદ્યશક્તિ, જગતજનની માં અંબેની ભાવભરી ભક્તિના સાંનિધ્યમાં ગરબાનું રંગેચંગે આયોજન થયું હતું. આ દરમિયાન ફ્રાન્સના ભારતીય રાજદૂત સંજીવ સિંગલા પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ આયોજન બદલ શુભેચ્છા પાઠવતો પત્ર મોકલવામાં આવ્યો હતો અને મંત્રી ઋષિકેશ પટેલે પણ વીડિયો સંદેશ મોકલ્યો હતો.
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં વિજયા દશમી એટલે કે દશેરા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા આ પર્વ નિમિત્તે વીરપુર તાલુકા ક્ષત્રિય સમાજ ૬૨ ગામ દ્વારા શોભાયાત્રા અને શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ વીરપુર તાલુકા ક્ષત્રિય સમાજ ૬૨ ગામના સંયોજક રાજેન્દ્રસિંહ ઠાકોરના નેતૃત્વ હેઠળ યોજાયો હતો. તેમાં સમસ્ત હિન્દુ સંગઠનો પણ જોડાયા હતા. મહીસાગર જિલ્લા તેમજ વીરપુર અને બાલાસિનોર તાલુકાના અનેક ધર્મપ્રેમીઓએ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે સવારે અંબિકા સોસાયટીથી ઢોલ-નગારાના નાદ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રામાં વીરપુર અને બાલાસિનોર સહિત 62 ગામના ક્ષત્રિય સમાજના યુવાનો, આગેવાનો અને બાલિકાઓ પરંપરાગત પહેરવેશમાં જોડાયા હતા. શોભાયાત્રા વીરપુર શહેરના માર્ગો પરથી પસાર થઈ વીરાજી ઠાકોર સર્કલ પહોંચી હતી. અહીં શ્રી વીરાજી ઠાકોરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. શોભાયાત્રામાં ભગવાન શ્રીરામ જાનકી લક્ષણ અને હનુમાનજીનો વેષ ધારણ કરેલ ભક્તોએ આકર્ષણ જમાવ્યું હતું. ત્યારબાદ આ શોભાયાત્રા ઝમજર માતા મંદિર ખાતે પહોંચી, જ્યાં કાર્યક્રમનો મુખ્ય ભાગ - શસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન - યોજાયો હતો. સમસ્ત ક્ષત્રિય સમાજના સભ્યો અને આગેવાનોએ એકસાથે બેસીને આ પવિત્ર પૂજન કર્યું. શસ્ત્ર પૂજન બાદ માતાજીની પૂજા-આરાધના અને આરતી કરવામાં આવી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ સૌએ અલ્પાહાર લીધો હતો. આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ ઠાકોર સેના મહીસાગર રાજેન્દ્રસિંહ ઠાકોર, ભાજપ જિલ્લા મહામંત્રી એસ.બી. ખાંટ, જયેન્દ્રભાઈ બારોટ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, અમૂલ ડિરેક્ટર સાયભેસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ અને પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ ઉજવણીમાં જોડાયા હતા, જેનાથી સમગ્ર મહીસાગર જિલ્લામાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાયો હતો.
સિદ્ધપુર સરસ્વતી નદીમાં યુવાન ડૂબ્યો:ગોગાપુરાના સુરેશજી ઠાકોરનું મોત, પોલીસે તપાસ શરૂ કરી
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં સરસ્વતી નદીમાં એક દુઃખદ ઘટના બની છે. પસુવદળની પોળ વિસ્તારમાં આવેલા ઠાકર ફાર્મ પાછળ ગોગાપુરાના રહેવાસી સુરેશજી સરદારજી ઠાકોર નામના યુવાનનું નદીના પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સુરેશભાઈ ઠાકોર નદીમાં ન્હાવા પડ્યા હતા. તે દરમિયાન તેઓ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા અને ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશોએ ફાયર ફાઈટર અને પોલીસને જાણ કરી હતી. સિદ્ધપુર ફાયર ફાઈટર ટીમના મુસ્તુફા જાલોરી અને હોમગાર્ડના કપૂરજી ઠાકોર સહિતની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ સિદ્ધપુર પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ભાવનગરમાં આજે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર લોકતંત્રની સૌથી મોટી સંસ્થા ચૂંટણી પંચને નબળી પાડવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયામાં ફેરફાર કરીને ચીફ જસ્ટિસના સ્થાને ભાજપના મંત્રીને સ્થાન આપ્યું છે. આ પગલું લોકશાહીને નબળું પાડવા અને વિરોધ પક્ષનો અવાજ દબાવવાના પ્રયત્ન તરીકે ગણાવ્યો હતો.તેમણે આક્ષેપ કર્યો હતો કે, દેશમાં અનેક જગ્યાએ મતદારોના મતોમાં ગેરવહીવટ અને ફેરફાર થઈ રહ્યા છે. આથી લોકશાહી બચાવવા માટે દેશભરમાં વિશાળ ઝુંબેશ ચલાવવાની જાહેરાત તેમણે હતી. ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ બાદ તેમણે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. જ્યાં આવનારી ચૂંટણી માટે મતદારોના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાની રણનીતિ પર ચર્ચા કરી હતી આ સાથે જ વોટ ચોર ગંદી છોડ ના નારા સાથે કેમ્પિયન ભાવનગર શહેર અને જિલ્લામાં શરૂ કરવા માટેની યોજના બાબતે પણ રણનીતિ નક્કી કરી છે શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયા બદલી છે આ નિર્ણય લોકશાહીના હિતમાં નથી અમે દેશભરમાં ઝુંબેશ ચલાવીશું કે મતદારોના મત સાચી જગ્યાએ પડે અને લોકશાહી મજબૂત બને તેની વાત કરી હતી આ સાથે જ થોડા દિવસ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવ્યા હતા અને તેમને લઈ પણ શક્તિસિંહ ગોહિલ દ્વારા આકરા પ્રહાર કરતા જણાવવામાં આવ્યું હતું કે ભાવનગર ની અંદર કશું બદલાયું નથી સરકારની મોટી મોટી જાહેરાતો તો કરવામાં આવે છે પરંતુ તેની અમલ વારી થતી નથી અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કલ્પસર યોજના હોય કે પછી જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક તેમજ અલંગ ખાતે શિપ બિલ્ડીંગ બનાવવાની કે પછી આલ્કોક એસડાઉન જેવી સીપ બનાવતી સરકારી ઇન્ડસ્ટ્રીયલ હોય આ તમામ જાહેરાતો ભાવનગર માટે થઈ હતી. પરંતુ તેમાં સફળતા જરા પણ મળી નથી તેવું શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આ સાથે જ અનેક મુદ્દા ઉપર ભાજપની સરકારને આકરા પ્રહાર કરતાં જીએસટીના સ્લેબ ઘટ્યા છે તે બાબતે પણ ટીકા કરી કહ્યું હતું કે, 2017માં ત્યારે જીએસટી સ્લેબમાં ફેરફાર કર્યો હતો ત્યારથી જ મારા દ્વારા ગબ્બર સિંગ જીએસટી ટેક્સ બાબતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યું હતો પરંતુ આઠ વર્ષ બાદ સરકારને જીએસટીના સ્લેબમાં ફેરફાર કરીને સામાન્ય અને ગરીબ લોકોને રાહત આપતા જીએસટી ટેક્સને ઓછો કર્યો છે તે બાબતે પણ શક્તિસિંહ ગોહિલે સરકારની ટીકા કરી હતી.
છોટા ઉદેપુરમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ, પૂર્વ સાંસદ, ધારાસભ્ય અને નગરપાલિકાના સભ્યો સહિતના આગેવાનોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. આજે 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા, પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા, નગરપાલિકાના સભ્યો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માલ્યાર્પણ બાદ ગાંધીજીના સ્વચ્છતાના સંદેશને આગળ ધપાવવા માટે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેના દ્વારા ગાંધી જયંતિની ઉજવણી સંપન્ન થઈ.
ડાંગમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી:‘સ્વચ્છોત્સવ’ અભિયાન સાથે પ્લાસ્ટિક મુક્ત જિલ્લાનો સંકલ્પ
ડાંગ જિલ્લાના વઘઈ કૃષિ યુનિવર્સિટી ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા 2025’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનનો કાર્યક્રમ યોજાયો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં સૌએ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો. કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક વિજય પટેલે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા ગાંધીજીની જન્મજયંતિને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનો નિર્ણય પ્રેરણાદાયક છે. તેમણે સ્વચ્છતા અપનાવી અન્યોને જાગૃત કરવા પર ભાર મૂક્યો. પટેલે ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો પર સ્વચ્છતા જાળવી રાખવા અને જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની અભિલાષા વ્યક્ત કરી. તેમણે ગામની સખી મંડળોને દૈનિક સ્વચ્છતા અભિયાન ચલાવવા પણ અનુરોધ કર્યો. જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાયેલા પખવાડિયાના અભિયાનની સફળતાનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, લોકભાગીદારીને કારણે આ અભિયાનને વિશેષ સફળતા મળી છે. તેમણે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કારનો ભાગ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદર ગાવિતે જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને ડાંગને સ્વચ્છ રાખવા અપીલ કરી. તેમણે “સ્વચ્છ ડાંગ, સુખી ડાંગ”નો મંત્ર આપ્યો. જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. વસાવાએ સ્વચ્છતાને સંસ્કાર ગણાવી બાળકોમાં તેનો સંદેશ પહોંચાડવા અનુરોધ કર્યો.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી. તબિયારે માહિતી આપતા જણાવ્યું કે, આ વર્ષે 11 હજાર અધિકારી-કર્મચારીઓ અને 1 લાખથી વધુ લોકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. જિલ્લામાં જાહેર સ્થળો, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, મંદિરો અને બજારોમાં રેલીઓ તથા ચિત્ર સ્પર્ધાઓ દ્વારા જાગૃતિ લાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તાલુકાઓ અને શાળાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. ઉપરાંત, સફાઈ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતે, વઘઈ તાલુકા વિકાસ અધિકારી સી.આર. પઢીયારે આભારવિધિ કરી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો.
ગોધરા સહિત પંચમહાલમાં વિજયા દશમીની ઉજવણી:જિલ્લાવાસીઓએ રાવણ દહન સાથે ફાફડા-જલેબીની જ્યાફત માણી
ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લાભરમાં વિજયા દશમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમા આ પર્વ નિમિત્તે ઠેર-ઠેર રાવણ દહન, શસ્ત્ર પૂજન અને ભવાઈ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દશેરા પર્વને અનુલક્ષીને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. પર્વ દરમિયાન ફાફડા-જલેબી આરોગવાનું અનેરું મહત્વ હોવાથી જિલ્લાવાસીઓએ તેની જ્યાફત માણી હતી. નવરાત્રિ બાદ દશેરા પર્વની ઉજવણી માટે ગોધરા નગરમાં ફરસાણના વેપારીઓએ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે વહેલી સવારથી જ ફાફડા અને જલેબી બનાવવાનું શરૂ કરી દેવાયું હતું. બજારમાં ફાફડાનો એક કિલોનો ભાવ 400 થી 500 રૂપિયા, ચોરાફળી 400 થી 500 રૂપિયા, ચોખા ઘીની જલેબી 600 થી 700 રૂપિયા અને તેલમાંથી બનાવેલી જલેબી 280 થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. અસત્ય પર સત્યના વિજયના આ મહાપર્વે ગોધરાવાસીઓએ અંદાજે 15 લાખ રૂપિયા ઉપરાંતના ફાફડા-જલેબી આરોગ્યા હતા. ગોધરા શહેરમાં 100થી વધુ ફાફડા-જલેબીના કાઉન્ટરો વેચાણ માટે ઉભા કરાયા હતા.
ટંકારામાં ટ્રક ચાલકે પુલના ગેન્ટ્રી ગાર્ડ તોડ્યા:સરકારી મિલકતને ₹15,000નું નુકસાન, ગુનો નોંધાયો
ટંકારાના લતીપર રોડ પર આજી નદીના પુલ પાસે ગેન્ટ્રી ગાર્ડ તોડવા બદલ એક ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં સરકારી મિલકતને આશરે ₹15,000નું નુકસાન થયું છે. માર્ગ અને મકાન વિભાગના ઇજનેરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. આજી નદીના પુલનું સમારકામ ચાલી રહ્યું હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. પુલના બંને છેડે ભારે વાહનોને રોકવા માટે ગેન્ટ્રી ગાર્ડ ઊભા કરવામાં આવ્યા હતા. જોકે, HR 46 F 3178 નંબરના ટ્રકના ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવીને પુલના બંને છેડે ઊભા કરાયેલા આ ગેન્ટ્રી ગાર્ડ તોડી નાખ્યા હતા. ટ્રક ચાલકની ઓળખ સમીમ મુસ્તાકભાઈ ખાન (ઉંમર 23, રહે. કુરકાન્યા, રાજસ્થાન) તરીકે થઈ છે. માર્ગ અને મકાન વિભાગના ઇજનેર રાહુલભાઈ લખતરિયાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં સમીમ ખાન વિરુદ્ધ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં પોષણ માસની સઘન ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પાટડી તાલુકાના ખારાઘોડા સ્થિત આંગણવાડી કેન્દ્રો ખાતે સેતુ સંસ્થા દ્વારા સગર્ભા લાભાર્થીઓને પોષણ કીટ અને કિશોરીઓને સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઑફિસર ભાવનાબેન જીડીયાએ પોષણના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ પહેલ સંકલિત આરોગ્ય અને પોષણલક્ષી કાર્યક્રમોનો એક ભાગ છે. બીજી તરફ, સાયલા ઘટક હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં મમતા દિવસની સાથે પોષણ માસની સઘન ઉજવણી કરવામાં આવી હતી. અહીં ઝીરોથી છ માસના બાળકની માતાઓને સ્તનપાનના મહત્વ અંગે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જરૂરી સલાહસૂચનો પૂરા પાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, આશા વર્કર અને નર્સ બહેનોના સંયુક્ત પ્રયાસોથી બાળકોનું વજન અને ઊંચાઈ પણ માપવામાં આવી હતી, જે બાળ વિકાસના નિરીક્ષણ માટે મહત્વપૂર્ણ છે. પોષણ અને બાળ વિકાસની સમજ આપવાના ભાગરૂપે, છ માસથી ઉપરના બાળકોની માતાઓને ત્રણ વખત નિયમિત આહારની સાથે ઉપરી આહાર (ઘન આહાર) આપવાની પદ્ધતિ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. સગર્ભા અને ધાત્રી માતાઓને પણ તેમના શારીરિક સ્વાસ્થ્યને અનુરૂપ ખોરાક સંબંધિત આવશ્યક સલાહસૂચનો પૂરા પાડવામાં આવ્યા હતા, જેથી તેમના અને બાળકના પોષણ સ્તરમાં સુધારો થઈ શકે. આ ઉપરાંત, ઘટક કક્ષાએ આંગણવાડી મુલાકાત દરમિયાન, કાર્યકર બહેનોને પોષણ સંગમ એપ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. ટેકનોલોજીના માધ્યમથી પોષણ અભિયાનને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
છોટા ઉદેપુર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન:જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે પૂજન કર્યું
છોટા ઉદેપુરના ખુટલિયા પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખના હસ્તે આ પૂજન વિધિ સંપન્ન થઈ હતી. વિજયાદશમીનો તહેવાર દેશભરમાં આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે શસ્ત્રોનું પૂજન કરવાની પરંપરા છે, જે શક્તિ અને સુરક્ષાનું મહત્વ દર્શાવે છે. આ કાર્યક્રમમાં સમગ્ર પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસકર્મીઓએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તાલુકા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા કક્ષાનો 'સ્વચ્છોત્સવ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના અધ્યક્ષસ્થાને 'સ્વચ્છ ભારત દિવસ' તરીકે ઉજવાયો હતો. આ પ્રસંગે હિંમતનગર તાલુકાની સ્વચ્છ ગ્રામ પંચાયતો, સ્વચ્છ પ્રાથમિક શાળાઓ અને સ્વચ્છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ હિતેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, ડી.આર.ડી. નિયામક કે.પી. પાટીદાર, તાલુકા વિકાસ અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી, હિતેન્દ્ર પટેલ, કુલદીપ પાઠક, ભવરસિંહ ચૌહાણ, પ્રકાશ વૈધ, પરીક્ષિત વખારીયા, રાકેશ પટેલ, રતિલાલ ડાભી (TPO) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જ દિવસે હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની ૧૨૨મી જન્મજયંતિની પણ ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય વી.ડી. ઝાલાએ લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે શાસ્ત્રીજીના સાદગીભર્યા જીવન, ત્યાગ, કઠોર પરિશ્રમ અને દેશસેવાના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો. ઝાલાએ શાસ્ત્રીજીના અવિસ્મરણીય સૂત્ર જય જવાન, જય કિસાન ને યાદ કરીને સૌને તેમાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું. શાસ્ત્રીજીની જન્મજયંતિ ઉજવણી પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હિતેશ પટેલ, નિર્ભયસિંહ રાઠોડ, હિતેન્દ્ર પટેલ, શહેર સંગઠન પ્રમુખ કુલદીપ પાઠક, ભવરસિંહ ચૌહાણ, પ્રકાશ વૈધ, પરીક્ષિત વખારીયા, રાકેશ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
પાટણની કર્મભૂમિ સોસાયટીમાં દશેરા યજ્ઞ યોજાયો:નવરાત્રિ બાદ નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરાયું
પાટણની કર્મભૂમિ સોસાયટીમાં દશેરા નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં સોસાયટીના તમામ રહીશોએ ભાગ લીધો હતો. સોસાયટીમાં છેલ્લા 28 વર્ષથી નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરવામાં આવે છે. નવ દિવસ સુધી માતાજીના ગુણગાન ગવાય છે અને ચાચર ચોકમાં ગરબાનું આયોજન થાય છે. ખેલૈયાઓને લાણી આપવામાં આવે છે અને નવમા દિવસે માતાજીને વાજતે-ગાજતે વિદાય અપાય છે. દશેરાના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ સોસાયટીના ચાચર ચોકમાં નવચંડી યજ્ઞનું સુંદર આયોજન થયું હતું. આ યજ્ઞના યજમાનપદનો લાભ સોસાયટીના રહીશ દેવાંશુભાઈ રમેશભાઈ પટેલ પરિવારે લીધો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે સોસાયટીના તમામ રહીશોએ શ્રીફળ હોમી અને આરતીનો લાભ લીધો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના વણોડ ગામે રહેતા અને મજૂરી કરતા 35 વર્ષીય દેવીપૂજક ટીનાભાઈનું બેચરાજીના કાલરી રોડ, લરછાપરા વિસ્તારમાં પડોશી સાથે મજાકથી ભડકેલા ઝઘડામાં છરીના ઘા સાથે મોત નિપજ્યું છે. ઘટના ગઈકાલે બપોરે બની, જ્યાં પડોશી નરસિંહ મદયા (મૂળ વડનગર)એ ટીનાભાઈના છાતીમાં ઉપરાછાપરી ઘા માર્યો. હત્યારા નરસિંહ પોતાના પરિવાર સાથે ભાગી ગયા છે, જ્યારે મૃતકની કુટુંબી બહેન ભીખીબેને બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યારાની તલાશી શરૂ કરી દીધી છે. પાડોશી મજાકથી ભડક્યો ને ઝઘડો થયોટીનાભાઈ પોતાની કુટુંબી બહેન ભીખીબેનને મળવા ગઈકાલે બેચરાજીના કાલરી રોડ, લરછાપરા વિસ્તારમાં આવ્યા હતા. તે સમયે ભીખીબેન માતાજીને નિવેદ્યાર્થે વતન ગયા હતા અને ઘરે તેમના પતિ અને જમાઈ હાજર હતા. આ દરમિયાન પડોશમાં રહેતા દેવીપૂજક નરસિંહ મદયા પણ બપોરે ટીનાભાઈ સાથે તેમના છાપરે આવ્યા. ભીખીબેનના પતિ, જમાઈ અને નરસિંહ – આ ચાર જણા છાપરામાં બેઠા વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન ટીનાભાઈ અને નરસિંહ વચ્ચે મજાક ચાલુ હતી, જે કોઈ બાબતે ઝઘડામાં ફેરવાઈ ગઈ. ગુસ્સામાં નરસિંહ પોતાના છાપરામાંથી છરી લઈ આવ્યો અને ટીનાભાઈના છાતીમાં ઉપરાછાપરી ઘા મારી દીધો. આ દરમિયાન ઘટનાને નજરે જોઈ રહેલા ભીખીબેનના પતિ અને જમાઈ વચ્ચે આવીને છોડાવવા પડ્યા, પરંતુ નરસિંહ તેમને પણ મારવા માટે પાછળ ભાગ્યો. હત્યારો પરિવાર સાથે ભાગી ગયોહત્યા કર્યા પછી નરસિંહ પોતાના પરિવાર સાથે ભાગી ગયા. આ ઘટનાની જાણ મૃતકના કાકાની દીકરી ભીખીબેને થતાં તેઓ તુરંત ઘરે પહોંચ્યા. ભીખીબેને જણાવ્યું, ટીનાભાઈ મારા કાકાના દીકરા હતા અને મને મળવા આવ્યા હતા. હું તે સમયે ઘરે હાજર નહોતી અને કઈ બાબતે આ ઘટના બની તેની મને જાણ નથી. ટીનાભાઈ તેમના પરિવારમાં એકનો એક દીકરો હતા અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. ભીખીબેને બેચરાજી પોલીસ મથકમાં મૂળ વડનગરના નરસિંહ દેવીપૂજક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યારા નરસિંહની તલાશી શરૂ કરી દીધી છે અને ઘટનાસ્થળની તપાસ કરી રહી છે. મૃતકને બેચરાજીના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયોટીનાભાઈના મોતથી તેમના પરિવાર પર દુઃખનું કાળું પડછાયું પડ્યું છે. તેઓ પોતાના પરિવારના એકમાત્ર રોજગારીદાતા હતા અને વણોડ ગામમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. આ ઘટના ગ્રામીણ વિસ્તારોમાં નાના-નાના વિવાદોમાં હિંસાને કારણે થતી અકસ્માતોની ચિંતા વધારે છે. પોલીસે જણાવ્યું કે, તપાસમાં હત્યારાને ઝડપી લેવાશે અને કડક કાર્યવાહી કરાશે. સ્થાનિક લોકોમાં આ ઘટનાથી ભયનો વાતાવરણ ફેલાયો છે.
આજથી વાવ-થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાય સાથે રાહ ખાતે નવનિર્મિત જિલ્લા અને ચાર નવા તાલુકાઓનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંકલ્પથી સરહદી વિસ્તારને નવો વાવ-થરાદ જિલ્લો અને ચાર નવા તાલુકાઓની ભેટ મળી છે. તેમણે મુખ્યમંત્રીએ પ્રજાની માંગણી સ્વીકારી ટૂંકા ગાળામાં લીધેલા ઐતિહાસિક નિર્ણય બદલ સરહદી નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા. અધ્યક્ષે ઉમેર્યું કે, નવા જિલ્લાને યુવા અને ગતિશીલ અધિકારીઓ મળ્યા છે. અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, આપણી ઓળખ હંમેશા બનાસવાસી તરીકે જ રહેશે અને આપણે બનાસવાસીઓ સાથે લાગણીપૂર્વક જોડાયેલા રહીશું. તેમણે સૌને સંકલ્પ લેવા આહવાન કર્યું હતું કે, વાવ-થરાદ જિલ્લાની નોંધ સમગ્ર દેશમાં લેવાય અને આ વિસ્તારનું નામ ગુંજતું થાય. તેમણે કુપોષણમુક્તિ, વ્યસનમુક્તિ, શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતા માટે કામ કરવા પર ભાર મૂક્યો હતો. અધ્યક્ષે સરહદી વિસ્તારમાં પૂર દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કરાયેલી ઉત્તમ કામગીરી બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા. મંત્રી બલવંતસિંહ રાજપૂતે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગાંધીજીની 156 મી જન્મજયંતિ અને વિજયા દશમીનો શુભ દિવસ આ વિસ્તારના નાગરિકો માટે સુખાકારી લઈને આવ્યો છે. તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુડ ગવર્નન્સ અંતર્ગત રાજ્યમાં ઉભી કરાયેલી વહીવટી સરળતાઓનો ઉલ્લેખ કર્યો હતો. મંત્રીએ માહિતી આપી કે, 1960માં ગુજરાતમાં ફક્ત 17 જિલ્લા કાર્યરત હતા, જ્યારે આજે વાવ-થરાદ 34મા જિલ્લા તરીકે કાર્યરત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે છેવાડાના નાગરિકોની ચિંતા કરીને વિકાસ, સમય અને નાણાંના બચાવ માટે ઘરઆંગણે જિલ્લો ફાળવ્યો છે. મંત્રી રાજપૂતે આ વિસ્તારના લોકોના અભિવાદનથી અભિભૂત થયા હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સરકારે આ વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ અને નર્મદાના પાણી સહિત અનેક વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપ્યું છે. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને જોડાવા આહવાન કર્યું હતું.
મકાન આગ:ફુલસર વિસ્તારમાં મકાનમાં આગ લાગતા સંપૂર્ણ ઘરવખરી રોકડ તથા દાગીના સળગીને ખાક
બચાવ કામગીરી માટે ગયેલ બે સ્થાનિક લોકો દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ઠાકર દ્વારા મંદિર પાસે 25 વારીયામાં આવેલ એક રહેણાંકી મકાનમાં અકસ્માતે આગ લાગતા ઘરમાં રહેલ સર સામાન ઘરવખરી તથા રોકડ રકમ અનાજ દરદાગીના સહિત તમામ વસ્તુઓ બળીને ભસ્મિભૂત થઈ જવા પામ્યું છે આ આગ દરમિયાન બે વ્યક્તિઓ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફુલસર ઠાકર દ્વારા પાસે 25 વારિયામાં રહેતા અને મજૂરી કામ સાથે સંકળાયેલા જીગ્નેશ જેન્તીભાઈ મકવાણા ઉંમર વર્ષ 30 ના મકાનમાં વીજ શોક સર્કિટના કારણે આગ લાગતા આ આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘરમાં રહેલ તમામ સામાનમાં આગ પ્રસરી હતી, જેમાં પડોશમાં રહેતા જગા નારણભાઈ ભરવાડ તથા અલ્પેશ નાનજીભાઈ ડાભી નામના યુવાનો સળગતા મકાનમાં લોકોને બચાવવા જતા આ રૂમમાં રહેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભડકેલી અગર જાળમાં બંને યુવાનો પણ અગનજાળની લપેટમાં આવી જતા દાઝી જવા પામ્યા હતા, બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે ઘરમાં રહેલ તમામ સામાન તથા કપડા, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના, ઇલેક્ટ્રીક ઉપકરણો સહિત તમામ વસ્તુઓ સંપૂર્ણપણે સળગીને નાશ પામી હતી અને લાખો રૂપિયા નુકસાન થયું હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું.
અમદાવાદનું સ્ટેડિયમ ખાલીખમ, ભારત- વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી
IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં આજે ગુરુવારે (2 ઓક્ટોબર) ભારત-વેસ્ટ ઈન્ડિઝની પહેલી ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી જોવા મળી છે. આ માહોલ જોઈને ક્રિકેટ એક્સપર્ટ પણ ચોંકી ગયા હતા. ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી અમદાવાદના સ્ટેડિયમમાં આયોજિત ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં પહેલા દિવસે જ સ્ટેડિયમમાં ઘણા ઓછા ફેન્સ આવવાથી ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
ગુજરાત ભાજપને 4/10એ નવા પ્રદેશ પ્રમુખ મળશે આજે(2 ઓક્ટોબર) ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. સવારે 11:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે. બપોરે 3:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે. 4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે. મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હર્ષ સંઘવીએ શસ્ત્ર સાથે ડ્રોનની પૂજા કરી અધર્મ પર વિજયના પ્રતીક સમાન પવિત્ર દશેરા પર્વ નિમિત્તે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં શસ્ત્રપૂજા કરી હતી. આ વખતે પરંપરાગત શસ્ત્રોની સાથે આધુનિક ડ્રોનની પણ પૂજા કરવામાં આવી હતી, જે ગુજરાત પોલીસના બદલાયેલા સમય અને આધુનિકીકરણ તરફના ઝુકાવને દર્શાવે છે. સાથે તેઓએ ગોધરા કાર્યવાહીને લઇ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકારી જગ્યા પર મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા, આ બંને એકસાથે નહીં ચલાવી શકાય. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ફાફડા-જલેબી માટે લાઇનો લાગી દશેરા પર્વની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેને પગલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં ફાફડા-જલેબી ખરીદવા માટે લાઇનો જોવા મળી. તેમાં પણ સ્વાદપ્રિય સુરતીલાલાઓએ ફાફડા-જલેબીની જ્યાફત માણવા સવારથી જ લાઈનો લગાવી દીધી હતી. શહેરભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતારો વહેલી સવારના 5 વાગ્યાથી જ જોવા મળી હતી. એક અંદાજ મુજબ, સુરતીઓ એક જ દિવસમાં 5 કરોડ રૂપિયાથી પણ વધુના ફાફડા અને જલેબી આરોગી જશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગાંધીનગર મેટ્રો મોટેરાથી સીધી મહાત્મા મંદિર સુધી દોડશે આજે દશેરાના શુભ પર્વે ગાંધીનગરના નાગરિકો માટે એક સારા સમાચાર છે. ગાંધીનગર મેટ્રો રેલની કામગીરી વધુ વેગવાન બની છે અને આજે સચિવાલયથી રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે. હાલમાં સચિવાલય સુધી દોડાવવામાં આવતી મેટ્રો રેલને હવે વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, અને અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી આગળ વધારવામાં આવી છે. આ ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ કમિશનર મેટ્રો રેલ સેફ્ટી (CMRS) સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શિક્ષણમાં તળિયાના 10 રાજ્યોમાં ગુજરાત ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા 'પરખ' (PARAKH) રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતા ઘણુ જ નબળુ જોવા મળ્યું છે. સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ-10 પરફોર્મિંગ સ્ટેટ્સ)ની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી. તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછુ પ્રદર્શન કરનારા (લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં થયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દુર્ગાપૂજાના પંડાલમાં યુવતીઓએ ઠુમકા લગાવ્યા સુરતમાં ધાર્મિક તહેવાર પર માતાજીના પંડાલમાં યુવતીઓ દ્વારા અશ્લીલ ડાન્સ કરાતા વિવાદ થયો છે. નવરાત્રિ અને દુર્ગાપૂજાના પવિત્ર તહેવાર પર સુરતના ભટાર, પાંડેસરા અને ડીંડોલી વિસ્તારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં માતાજીની મૂર્તિ સામે જ યુવતીઓ દ્વારા ઠુમકા લગાવી રહી છે. ધાર્મિક તહેવાર પર ગરબાના બદલે હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓ ઠુમકા લગાવતા જોવા મળી રહી છે. નવરાત્રીના પવિત્ર વાતાવરણને દૂષિત કરતા આ અશ્લીલ વીડિયોસથી શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચતા વિવાદ સર્જાયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ટ્રકના તોતિંગ ટાયર નીચે યુવાન કચડાયો મોરબી-માળિયા હાઇવે પર ટિંબડી ગામના પાટિયા નજીક એક કરુણ અકસ્માત સર્જાયો હતો. હોટલમાં જમવા જતાં સમયે એક ટ્રકચાલકને અન્ય ટ્રકે અડફેટે લેતાં તે તોતિંગ ટાયર નીચે કચડાઈ જવાથી તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માત CCTV કેમેરામાં કેદ થયો છે. રાજસ્થાની યુવકના નિધનથી તેમના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો છરી બતાવી બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સુરત શહેરમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે.ત્યારે માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ડીંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે. ફૂટપાથ પર રહેતો એક શખ્સ બે બાળકોને આંતરીને રેલવે ટ્રેક નજીક લઈ ગયો હતો. જેમાં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું હતું. 25મી સપ્ટેમ્બરે બનેલા આ બનાવ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મધદરિયે ભારે ભરખમ ક્રેનનો એક ભાગ તૂટી પડ્યો સુરતમાં મગદલ્લા જેટી નજીક મધદરિયે મોટી દુર્ઘટના ટળી છે. ભારે પવનને કારણે જામનગર સ્થિત શ્રીજી શિપિંગના વેસલ્સમાંથી કોલસો ખાલી કરવા ગયેલી ક્રેનનો આગળનો ભાગ તૂટી પડ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. મળતી માહિતી મુજબ સોમવારે પ્રતિ કલાક 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા મધદરિયે રહેલી ભારેભરખમ ક્રેન હિલોળા ખાવા લાગી હતી અને અચાનક તેનો મુખ્ય ભાગ ધડામ કરતો સમુદ્રમાં તૂટી પડ્યો હતો. જોકે, છેલ્લા ત્રણ દિવસથી જેટી બંધ હોવાના કારણે કોલસો ખાલી કરવાની કામગીરી બંધ હતી, જેના પગલે કોઈ જાનહાનિ થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર ઘટના અંગે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને રિપોર્ટના આધારે કસૂરવાર સામે પગલાં લેવામાં આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સૌરાષ્ટ્રમાં દશેરાએ પણ ધોધમાર વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ આજે ફરી એકવાર ઓવરફ્લો થયો. ખેતરોમાં હાલ પાક તૈયાર છે ત્યારે જ વરસાદ વરસતા ખેડૂતોને દિવાળી બગડવાની ભીતિ સેવાઈ રહી છે. અમરેલી અને જૂનાગઢમાં આજે વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાો પર પાણી વહેતા થયા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
દેશની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવનારા 10 અને 11 ઓક્ટોબરે દ્વાદશ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે તેમજ ગીર જંગલની મુલાકાતે પધરશે. આ પ્રસંગે સમગ્ર જિલ્લામાં તૈયારીઓનો દોર તીવ્ર બન્યો છે. સૂત્રો માંથી મલમાહિતી મુજબ, રાષ્ટ્રપતિ 10 ઓક્ટોબરના રોજ સોમનાથ હેલિપેડ પર આગમન કરશે અને બાદમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિષ નમાવી મહાપૂજા, ધ્વજારોહણ અને જળાભિષેક વિધિમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિની આ ઐતિહાસિક મુલાકાતને લઈ મંદિર ટ્રસ્ટ, જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય તથા જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અધિકારીઓ સાથે મેરેથોન બેઠક કરી રહ્યા છે. સોમનાથ હેલિપેડની સઘન ચકાસણી તથા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા સતત ચાલુ છે. રાષ્ટ્રપતિના સ્ટાફ માટે રહેવા-ઉતારાની વ્યવસ્થા પણ જિલ્લા તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની આ સંભવિત મુલાકાત માત્ર સોમનાથ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની રહેશે.
સાયબર ગઠિયાઓ હવે RTO ચલણના નામે APK ફાઇલ મોકલીને પાસેથી પૈસા પડાવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વેપારીને અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણના નામે એપીકે ફાઈલ મળી હતી જે વેપારીએ ફેમિલી વોટસએપ ગ્રુપમાં નાખતા પત્ની ફાઈલ ડાઉનલોડ કરી તેમાં વિગતો પૂરી કરી હતી. પત્નીના નંબર પર ફોનની અવરજવર બંધ થઈ ગઈ હતી. જે દરમિયાન 11 લાખ રૂપિયાની રકમ ઉપડી ગઈ હતી. આ અંગે સાઇબર ક્રાઈમે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. “આરટીઓ ઇ-ચલાન 500 APK” નામની એપ્લિકેશનનો મેસેજ આવ્યો હતોવસ્ત્રાપુરની ખુશનુમ ખંભાતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. તેમના પતિ ડેલઝાદ વટવા જીઆઇડીસીમાં ફેક્ટરી ધરાવે છે. થોડા દિવસ પહેલાં તા. 13 જુલાઇના રોજ તેમના પતિના મોબાઇલ પર “આરટીઓ ઇ-ચલાન 500 APK” નામની એપ્લિકેશનનો મેસેજ આવ્યો હતો. જે લિંક તેમના ફોનમાં ઓપન થઈ નહોતી, એટલે ડેલઝાદે આ મેસેજ તેમના પરિવારના ગ્રુપ “ખંભાતાઝ”માં મુક્યો હતો. મહિલાએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી વિગતો ભરી હતીપરિવારમાં ખુશનુમબેનના બે દિકરાઓ પાસે આઇફોન હોવાને કારણે તેઓ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શક્યા નહોતા. ત્યારે ખુશનુમ ખંભાતાએ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી અને તેમાં વિગતો પણ ભરી હતી. ત્યાર બાદ તેમનો ફોન ગરમ થવા લાગ્યો હતો અને મેસેજ આવવાના બંધ થઈ ગયા હતા. બીજા દિવસે તેમણે પતિના ફોનથી કસ્ટમર કેરમાં કોલ કરીને તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમનો ફોન તો બીજા મોબાઇલ પર કોલ ડાયવર્ટ મોડમાં છે. તેમણે આ કોલ ફોરવર્ડિંગ બંધ કરાવ્યું હતું. બધું નોર્મલ થતાં તેમણે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી બેંકની એપ્લિકેશન ઓપન કરીને ચેક કર્યું તો તેમના ખાતામાંથી અને તેમના પતિના ખાતામાંથી કુલ 11.75 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. બેંક એકાઉન્ટમાંથી ગઠીયાએ 11.75 લાખ ટ્રાન્સફર કર્યા હતાતપાસ કરતાં જાણવા મળ્યું કે, ગઠીયાઓએ તેમનો ફોન હેક કરીને તેમના પાસવર્ડ મેળવી લીધા હતા. હવે ખુશનુમ ખંભાતા અને તેમના પતિના બેંક એકાઉન્ટમાંથી ગઠીયાએ 11.75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે તેમની ફરિયાદને આધારે સાયબર ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ફરીયાદ નોંધી તપાસ કરે છે, પરંતુ સાયબર ફ્રોડમાં ગયેલા કોઈના પણ રૂપિયા પરત આવતા નથી.
વર્ષ 2019 માં પાટણ સેશન્સ કોર્ટે બે આરોપી નીરવ શાહ અને ધવલ દરજીને હત્યા, કાવતરું, અપહરણ અને ધમકી જેવા ગુન્હાઓ અંતર્ગત આજીવન કારાવાસની સજા ફટકારી હતી. બંને યુવકોની ઉંમર અનુક્રમે 28 અને 21 વર્ષના હતા. જેઓ પાટણના જ રહેવાસી હતા. કોર્ટે આરોપીઓને સજા ફટકારતી વખતે 21 સાહેદ અને 65 પુરાવાને ધ્યાને લીધા હતા. તેમજ આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો. કેસને વિગતે જોતા બંને આરોપીઓ પાટણમાં સગીર દેવાંગના પડોશમાં રહેતા હતા અને તેના મિત્ર હતા. દેવાંગ ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો અને પોતાના ટાઉનથી અપડાઉન કરતો હતો. જ્યારે તેના પિતા બેંકમાં નોકરી કરતા હતા. એક વખત તેના પિતાને દેવાંગના ફોન ઉપરથી ફોન આવ્યો હતો કે તેનું અપહરણ થઈ ગયું છે અને તેને છોડાવવા માટે 40 લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે. જો તેઓ પોલીસને જાણ કરશે તો દેવાંગનું ખૂન કરી નાખવામાં આવશે. આ બાબતે દેવાંગના પિતાએ પહેલા પોતાના સગા સંબંધીઓને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે આરોપીઓ જણાવ્યું હતું કે દેવાંગને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને મારી નાખીને, તેની લાશ દાટી દીધી હતી. જે લાશને બહાર કાઢીને ફરિયાદી પિતાને અંતિમ સંસ્કાર માટે પોલીસે સોંપી હતી. આરોપીઓએ અમદાવાદથી એક ગાડી મંગાવી હતી અને દેવાંગ જ્યાથી એસ.ટી. બસ પકડતો હતો. ત્યાં તેને ફરવા જવાના બહાને ગાડીમાં બેસાડીને અપહરણ કરી લીધું હતું. તેને અવાવરુ જગ્યાએ લઈ જઈને તેને છરીઓ મારી હતી. તેનું ગળું દાબ્યું હતું અને પુરાવાનો નાશ કરવા તેનું માથું છૂંદીને લાશને જમીનમાં દાટી દીધી હતી. અપહરણ વખતે પીક અપ સસ્ટેન્ડે ઉપસ્થિત સાહેદોને ચકાસવામાં આવ્યા હતા. મૃતકને 15 ઇજાઓ થઈ હતી. અપહરણકર્તાઓની ગાડી જે ટોલનાકાથી પસાર થઈ હતી, તેના સીસીટીવી મેળવવામાં આવ્યા હતા. ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું હતું. આરોપીના કપડા પરથી સુકાયેલા લોહીના ડાઘા મળી આવ્યા હતા. જે મૃતકના ગ્રુપ સાથે મેચ થયા હતા. ગંભીર ઈજાઓથી દેવાંગનું મૃત્યુ થયું હોવાનું ડોક્ટરનો પુરાવો પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. મૃતકના પિતા અને આરોપીઓ 10 વર્ષથી એક જ સોસાયટીમાં રહેતા. મૃતક 17 વર્ષ અને 07 મહિનાનો હતો. જે ફરિયાદીનું એકમાત્ર સંતાન હતું. કોર્ટે નોંધ્યું હતું કે સમાજમાંથી આવા તત્વોને દૂર કરવા જરૂરી છે. જેથી બંને આરોપીઓને પાટણની સેશન્સ કોર્ટે સજા ફટકારી હતી. આ ચુકાદાને બંને આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. બંને આરોપીઓએ દેવું ચૂકતે કરવા અથવા વૈભવી જીવન જીવવા માટે આ કૃત્ય કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે બંને આરોપીઓ ST બસ સ્ટેન્ડે સાથે જોવા મળ્યા હતા. તેઓ ગાડી લઈને હોટેલમાં પણ સાથે ગયા હતા. તેઓ જ્યાં ગયા હતા તે કાર આબુરોડ પાસેથી મળી આવી હતી. આરોપીઓના કપડા ઉપર મૃતકના લોહીના ડાઘા મળ્યા હતા. આરોપીઓ બતાવેલી જગ્યાથી મૃતકની બોડી દાટેલી અવસ્થામાં મળી હતી. આરોપીએ ગુનામાં વાપરેલ હથિયાર કબ્જે કરાયું હતું. આમ હાઇકોર્ટે આરોપીઓની અપીલ નકારી કાઢીને પાટણ સેશન્સ કોર્ટ ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.
UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ, બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ, ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ
Image Source: IANS Uttar Pradesh News: દશેરા ઉત્સવ દરમિયાન જુમ્માની નમાઝને લઈને તંત્ર દ્વારા ઉત્તરપ્રદેશના બરેલી મંડળના ચાર જિલ્લામાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ, પીએસી અને આરએએફના જવાનોને તૈનાત કરાયા છે. સાથે જ ડ્રોન દ્વારા દેખરેખ રખાઈ રહી છે.
નવરાત્રિના ઉત્સવમાંથી પરત ફરી રહેલ એક માતા અને તેમની દીકરી માટે રાત અંધારી બની હતી. મોડી રાત્રે ઘરે જવા માટે કોઈ વાહન ન મળ્યું, અને જ્યારે ઊબેર રિક્ષા બુક કરાવી તો ચાલક નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું. આ કપરી પરિસ્થિતિમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે તાત્કાલિક મદદ કરીને માતા-પુત્રીને ન માત્ર સુરક્ષિત તેમના ઘરે પહોંચાડ્યા, પણ એક સંકટ ટાળ્યું હતું. ગરબા પૂર્ણ થયા બાદ માતા-દીકરી ઘરે પરત ફરી રહ્યા હતા181 અભયમ મહિલા હેલ્પલાઇનમા એક બહેન દ્વારા ફોન કરી જણાવેલ કે તેમની સાથે દીકરી છે અને ઘરે જવા માટે વાહન કે રીક્ષા મળતું નથી. જેની જાણ ઉમરા અભયમ ટીમને થતા તાત્કાલિક ધોરણે બહેને આપેલા સરનામે પહોંચી ત્યાં બહેનનું કાઉન્સેલિંગ કરતા તેમણે જણાવ્યું કે, તેઓ દીકરી સાથે સરસાણા ડોમ નવરાત્રિમાં ગરબા રમવા આવ્યા હતા. મોટી રાત્રે ગરબા પૂર્ણ થયા બાદ માતા દીકરી બંને ઘરે પરત જવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. રીક્ષા બુક કરાવી તો રીક્ષાચાલક નશાની હાલતમાં નીકળ્યોગરબા પુરા થયા બાદ ગરબા ગ્રાઉન્ડ બહારથી જ ઘરે જવા માટે તેમણે ઉબેર રિક્ષા બૂક કરાવી હતી, પરંતુ રીક્ષાચાલક નશાની હાલતમાં હતો અને ઉબેરની ટ્રિપ કેન્સલ કરવા કહેતો હતો. તેઓ માતા અને દીકરીને તેમની રીતે લઈ જશે અને પૈસા પણ ઓછા લેશે આમ કહ્યું હતું. તેથી માતા અને દીકરી રીક્ષામાંથી ઊતરી ગયા હતા. રીક્ષાચાલક નશામાં હોવાથી માતા અને દીકરી બંને ગભરાઈ ગયા હતા. આ સાથે કોઈ વાહન પણ મળી રહ્યું ન હતું. સુરક્ષિત ઘરે પહોંચાડવા બદલ અભયમનો આભાર માન્યો181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માગી હતી. અભયમ ટીમ દ્વારા બહેન પાસે તેમના ઘરના સરનામાની માહિતી મેળવી બહેન અને તેમની દીકરીને તેમના ઘરના સરનામે સહી સલામત પહોંચાડ્યા છે. માતા દીકરી દ્વારા રાત્રિના સમયમા સુરક્ષિત ઘરે પહોંચાડવા બદલ ઉમરા 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણમાં જુની અદાવતે યુવક પર હુમલો:ગરબા જોવા ગયેલા યુવકને માર મારી તલવાર બતાવી, ફરિયાદ નોંધાઈ
પાટણના ખોડાભા હોલ ખાતે નવરાત્રિના ગરબા જોવા ગયેલા જયદીપ દિનેશજી ઠાકોર પર ત્રણ યુવકોએ હુમલો કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ લાઇવના જુના ઝઘડાની અદાવત રાખી મહેશ ઉર્ફે ભટ્ટ, લાલેશ અને ધવલ નામના આરોપીઓએ જયદીપને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના નવરાત્રિના પર્વ દરમિયાન બની હતી. બોરસણ રોડ, શીવવીલા સોસાયટી, અંબાજીનગર ચોકડી ખાતે રહેતો 20 વર્ષીય જયદીપ તેના સાહેદો સાથે ખોડાભા હોલ ખાતે ગરબા જોવા ગયો હતો. જયદીપ ટ્રેડીશનલ ગરબા રમવાના ગેટ બહાર ઊભો હતો ત્યારે મહેશ ઉર્ફે ભટ્ટે પાછળથી આવીને તેનો કોલર પકડ્યો હતો. મહેશે ઇન્સ્ટાગ્રામ લાઇવ બાબતે થયેલા જૂના ઝઘડાનું મનદુખ રાખી જયદીપને ગાળો આપી હતી. વધુ ઝઘડો ટાળવા જયદીપ ગેટ બહાર આવ્યો હતો. તે જ સમયે ચારૂપના રહેવાસી મહેશ ઉર્ફે ભટ્ટ, લાલેશ અને ધવલ ત્યાં આવી પહોંચ્યા. લાલેશ અને ધવલે જયદીપને પકડી રાખ્યો, જ્યારે મહેશે તેને આડેધડ ગડદાપાટુનો માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આટલેથી ન અટકતા, મહેશ પોતાની તલવાર લઈને જયદીપને મારવા ધસી આવ્યો, જેથી જયદીપ ત્યાંથી નાસી છૂટ્યો. ત્રણેય આરોપીઓએ એકબીજાને ગુનો કરવામાં મદદગારી કરી પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો. જયદીપ દિનેશજી ઠાકોરે બી ડિવિઝન પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના ઐતિહાસિક માન દરવાજા ટેનામેન્ટના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને આખરે વેગ મળ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલના હસ્તે અસરગ્રસ્ત 1312 પરિવારોને માસિક ભાડાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પુનર્વિકાસ યોજના હેઠળ પ્રત્યેક અસરગ્રસ્ત પરિવારને તેમના નવા મકાન બને ત્યાં સુધી દર મહિને રૂ. 7,000નું ભાડું ચૂકવવામાં આવશે. 1307 રહીશોને ચેક વિતરણ, દર મહિને 1 કરોડનું ચુકવણુંમાન દરવાજા ખાતે આયોજિત કાર્યક્રમમાં 1312 રહીશોને ભાડાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 33 ટેનામેન્ટના રહીશોને પ્રથમ તબક્કામાં ત્રણ મહિનાનું એડવાન્સ ભાડું ચૂકવવામાં આવ્યું છે. સી.આર. પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ દર મહિને અસરગ્રસ્ત લોકોને કુલ 1 કરોડનું ભાડું ચૂકવવામાં આવશે, જે રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટની વિશાળતા દર્શાવે છે. આ પ્રસંગે બાળકીઓ અને દીકરીઓને પણ વિશેષ ચેક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવી હતી. સી.આર. પાટીલે યાદ કરી જૂની યાદોપોતાના સંબોધનમાં સી.આર. પાટીલે માનાં દરવાજા ટેનામેન્ટ સાથેની પોતાની જૂની યાદો તાજી કરી હતી. તેમણે કહ્યું હું પોતે અહીંયા માન દરવાજા ભાડે રહ્યો છું. તે સમયે મકાનો અત્યારે જેમ પડી જાય તેવી સ્થિતિમાં છે, તેવા જ હતા. હવે જે નવા મકાનો બનશે તે 100 વર્ષ સુધી ચાલે તેવા મજબૂત બનાવવામાં આવશે. પાટીલે રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ગુણવત્તા અને મજબૂતી પર ભાર મૂક્યો હતો, જેથી રહીશોને ભવિષ્યમાં કોઈ સમસ્યા ન આવે. પારદર્શિતા અને જાળવણી પર ભારસી.આર. પાટીલે રહીશોને પારદર્શિતા અને નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે, લોકો પોતે નવા મકાનોની સારી રીતે જાળવણી કરે તે ખૂબ જ જરૂરી છે. વેચાણ પર રોક, કેટલાક લોકોએ જૂના મકાનોના દસ્તાવેજો વેચી દીધા હોવાના કિસ્સા સામે આવ્યા છે, પરંતુ જે વ્યક્તિના નામ પર ફ્લેટ છે, તેમને જ નવો ફ્લેટ મળશે.જો કોઈ રહીશને પ્રોજેક્ટને લગતી કે ભાડાને લગતી કોઈ સમસ્યા હોય તો તેઓ સીધો તેમનો સંપર્ક કરી શકે છે.
વડોદરા સમાચાર:ગરબામાં દીકરીઓ દ્વારા લગ્ન નોંધણી કાયદામાં સુધારો લાવવા પ્લેકાર્ડ્સ સાથે ગરબા રમી
વડોદરા સમસ્ત પાટીદાર સમાજ સંઘ દ્વારા આયોજિત ગરબામાં નવમા દિવસે દીકરીઓ દ્વારા લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરાવવાના પ્લેકાર્ડ્સ સાથે ગરબા રમી લોકજાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. ભાગેડુ લગ્ન અટકાવવાના પ્લેકાર્ડ્સ સાથે સમાજમાં લોકજાગૃતિ લાવવા પ્રયાસઆસો સુદ નવરાત્રિના નવમા નોરતે સમસ્ત પાટીદાર સમાજ સંઘ વડોદરા દ્વારા આયોજિત ગરબામાં એક લોક જાગૃતિ સંદેશાની થીમ આધારિત ગરબા યોજવામાં આવ્યા હતા. જેમાં દીકરીઓ દ્વારા વિવિધ સ્લોગનો સાથે સમાજમાં પ્રેમલગ્ન કે બાહ્ય જ્ઞાતિમાં લગ્ન કરનારને મિલકતમાંથી બેદખલ કરવા, ધર્મ અને સંસ્કૃતિ બચાવવા મા બાપનો ધર્મ બચાવવા તથા ભાગેડુ લગ્ન અટકાવવાના પ્લેકાર્ડ્સ સાથે લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરાવવાની માંગ અને સમાજમાં સુધારો તથા લોકજાગૃતિ લાવવા માટે સમસ્ત પાટીદાર સમાજ સંઘ વડોદરા દ્વારા આયોજિત ગરબામાં ગરબે ઘૂમ્યા હતા. સિનિયર સિટીઝન ગરબે ઘૂમ્યાગોરવા સ્થિત સહયોગ ગાર્ડનમાં સહયોગ લાફીંગ ક્લબ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર સિટીઝન ગરબે ઘૂમ્યા હતા. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણવડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થયેલ અને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પૂર્ણ થનાર સ્વચ્છતા હી સેવા પખવાડિયા નિમિત્તે 'સ્વચ્છ ભારત દિવસ' અને 'સ્વચ્છોત્સવ' થીમ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જે અન્વયે જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, શ્રેષ્ઠ આંગણવાડી કેન્દ્ર, શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ આરોગ્ય કેન્દ્રને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાટણ તાલુકાના રાજપુર ગામમાં શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે દશેરાના પવિત્ર દિવસે નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિજયાદશમીના પાવન અવસરે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ધ્રુમિલકુમાર અશ્વિનભાઈ પરિવારે યજમાન પદે બેસી ધર્મલાભ લીધો હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં શ્રીફળની આહુતિ આપવામાં આવી હતી. સમસ્ત ગ્રામજનોએ આ નવચંડી હવનના દર્શનનો લાભ લીધો હતો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું.
ગાંધીજીએ 18 ઓક્ટોબર 1920ના દિવસે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. આજે એક ગૂજરાત વિદ્યાપીઠમાં 156મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવૃતની ઉપસ્થિતિમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન આચાર્ય દેવવૃતે કેમ્પસમાં સફાઈ કરી હતી અને ખાદીની ખરીદી કરીને વિદ્યાર્થીઓને અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે આગ્રહ કર્યો છે. તેમજ પહેલા ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીના વિચારોનું પાલન ન થતું હોવાનું રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવૃતે જણાવ્યું છે. આચાર્ય દેવવૃત, ઋષિકેશ પટેલે કેમ્પસમાં સમૂહ સફાઈ કરીગૂજરાત વિદ્યાપીઠના મોરારજી દેસાઈ મંડપમમાં મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી બાદ સમૂહ સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવૃત, ઋષિકેશ પટેલ સ્ટાફના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. ગૂજરાત વિદ્યાપીઠ કેમ્પસમાં તમામ લોકો દ્વારા સમૂહ સફાઈ કરી ગાંધીજીના મૂલ્યોને જીવંત રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે બાદ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધુમાં વધુમાં લોકો કરે તેને માટે ખાદી ખરીદી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલે ખાદીની ખરીદી કરીને લોકોને સ્વદેશી વસ્તુઓ જ ખરીદવા માટે અપીલ પણ કરી છે. 'રાવણના વધ બાદ પાપ પર પુણ્યની જીત થઈ હતી'રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવૃતે જણાવ્યું હતું કે, આજે આપણા સૌ માટે પ્રેરણાનો દિવસ છે. આજે ગાંધીજીની જન્મ જયંતી છે, અને એમના જ વિચારોથી આગળ વધનાર લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતી છે, તેમજ આજે વિજયા દશમી પણ છે. મહાન અત્યાચારી રાવણનો વધ તેના જ ઘરમાં જઈને ભગવાન રામે કર્યો હતો. રાવણના વધ બાદ પાપ પર પુણ્યની જીત થઈ હતી, અધર્મ પર ધર્મની વિજય થઈ હતી અને અસત્ય પર સત્યની વિજય થઈ હતી, તેમજ હિંસા પર અહિંસાની જીત થઈ હતી. તેમજ રાષ્ટ્ર સેવામાં સમર્પિત એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. આજના દિવસે તમામ લોકોએ સંકલ્પ લેવો જોઈએ કે ગાંધીજીએ જે વિચાર સાથે આ સંસ્થા બનાવી છે તે વિચારધારા જીવંત રહેવી જોઈએ. 'પહેલાં ગૂજરાત વિદ્યાપીઠમાં બાપુના વિચારોનું કોઈ જ પાલન થતું નહોતું'પહેલાંની ગૂજરાત વિદ્યાપીઠની સ્થિતિને લઈને રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવૃતે જણાવ્યું હતું કે, પહેલી વખત જ્યારે ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યો હતો, ત્યારે તમામ જગ્યાઓ પર ખૂબ ગંદકી જોવા મળી રહી હતી. પૂજ્ય બાપુના વિચારોનું કોઈ જ પાલન નહતું થતું હોવાનું જોવા મળી રહ્યું હતું. આટલી બધી ગંદકી હાઈ શકે છે તેવું પહેલીવાર ગૂજરાત વિદ્યાપીઠમાં જોવા મળ્યું હતું. હોસ્ટેલમાં ગંદકી જોવા મળતી હતી અને બાથરૂમમાં જવાની ઈચ્છા ન થાય તેવી ગંદકી હતી. આજે મને ગર્વ થાય છે કે જ્યાં પણ પરિસરમાં કરું છું તો ત્યાં જીવન જોવા મળે છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. આજે ગાંધીજીની આત્મા જ્યા પણ હશે ત્યાંથી આશીર્વાદ આપતી હશે. ગાંધીજીએ માત્ર અક્ષર જ્ઞાન માટે જ સંસ્થાની સ્થાપના નહોતી કરી પરંતુ વિદ્યાર્થીઓ એવા શિક્ષિત બને કે જે ચારિત્રવાન હોય તે માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી. 'લુપ્ત થઈ રહેલા ગાંધીજીના ત્રણ મંત્રને આગળ વધારવા પ્રયાસ થઈ રહ્યા છે'ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગાંધી જયંતી અને દશેરાનો તહેવાર સદભાગ્યે આજે એક સાથે આવ્યો છે. સ્વદેશી, સ્વાવલંબન અને સ્વચ્છતા તે ગાંધીજીના મંત્ર હતા. તે વિચારોને પ્રગટ કરવા માટે ગાંધીજીએ 1920માં આ સંસ્થાની સ્થાપના કરી હતી. પરંતુ આઝાદી બાદ આ ત્રણેય વિચારો લુપ્ત થઈ રહ્યા હતા. હવે આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર પણ આગળ વધી રહી છે. સ્વદેશીપણાનો ભાવ દેખાતો થાય તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. મૂલ્ય અને વિચારો તેમજ 20મી સદીમાં થયેલું વિચાર મંથન હકીકતમાં પરિવર્તિત થાય તે દિશામાં સરકાર, સમાજસેવીઓ અને ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થા કામ કરી રહી છે.
ભારતમાં વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કરવાની પરંપરા છે. પરંતુ કોંગ્રેસ નેતા દ્વારા આજે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ દ્વારા શસ્ત્રોનું નહીં બંધારણનું પૂજન કરવામાં આવ્યું હતું. સાચું બ્રહ્માસ્ત્ર તો આપણું બંધારણ જ છે, તેમ જણાવી આજે બંધારણનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. સમાજને એક નવો રાહ બતાવવા બંધારણને બ્રહ્માસ્ત્ર તરીકે ઓળખાવી અને તેની પૂજા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલી રાજગુરુની વાડીમાં વિજયાદશમીની આ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ તેમજ વિપક્ષ નેતા વશરામ સાગઠિયા સહિતના આગેવાનોએ આજે વિધિવિધાન પૂર્વક બંધારણની પૂજા કરવાની સાથે હવન પણ કર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, આપણે બંધારણ સમજશું અને તેનું અમલીકરણ કરવાની બધાને ફરજ પાડશું. એટલું જ નહીં પરંતુ સુરક્ષા કરવાની જવાબદારી સરકારની છે એ વાત આમ લોકોને પહોંચે એ માટે આજે બંધારણને બ્રહ્માસ્ત્ર તરીકે ગણાવી એની પૂજા કરી છે. ઈન્દ્રનીલ રાજગુરુએ આ અંગે દિવ્યભાસ્કર સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બંધારણ એવું એક શસ્ત્ર છે જે સામાન્ય માણસને સમાન અધિકાર આપે છે. તો દેશનો સામાન્ય નાગરિક પોતાના હકક અને અધિકાર માટે લડે અને આ બંને તેને બંધારણ દ્વારા જ પ્રાપ્ત થાય છે તેવી સમજણ એ કેળવે તે જરૂરી છે. આ ખૂબ સામાન્ય વાત લાગે પરંતુ લોકોએ આ બંધારણને સમજવાની અને એ આ દેશના માલિક હોવાની સત્તા બંધારણે આપેલી છે. તે જાણવું ખૂબ જ જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, એક વખત વ્યક્તિ બંધારણને સમજી લે તો દેશમાં ખરા અર્થમાં તંદુરસ્ત સમાજ બની શકે તેમ છે. આપણું બંધારણ એ જ દેશહિત છે એ માટે અમે આજે બંધારણની પૂજા એક શસ્ત્ર તરીકે કરી રહ્યા છીએ. આ મેસેજ લોકોમાં પહોંચે અને તેનો સદુપયોગ કરે એવા હેતુસર તેમજ દશેરાનાં દિવસે જેમ રાવણનો વધ થાય છે તેમ બંધારણની અવગણના કરનારાઓનો વધ થાય તે માટે આજના પવિત્ર દિવસે બંધારણ પૂજન કરવામાં આવ્યું છે.
જામવાળા-ઘાંટવડ રોડ જંગલ વિસ્તારમાં ખોરાકની અછતને કારણે સિંહો હવે તેમના વસવાટનો વિસ્તાર સતત વધારી રહ્યા છે. ખાસ કરીને ગીરની જંગલની હદ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહદર્શન એક સામાન્ય ઘટના બની ગઈ છે. સિંહોનું વેકેશન ચાલતું હોવાથી પ્રવાસીઓ જંગલમાં જઈ શકતા નથી, પરંતુ સિંહો પોતે જ માનવ વસાહતની નજીક પહોંચી જતાં સિંહપ્રેમીઓ સરહદી ગામો સુધી ઊમટી પડે છે. ગઈ મોડી રાત્રે (આશરે 1 વાગ્યાની આસપાસ) ગીર જંગલ નજીક આવેલા જામવાળા-ઘાંટવડ રોડ પર બે સિંહણની રોયલ લટારના અદ્ભુત દૃશ્યો જોવા મળ્યા હતા. ઝરમર વરસતા વરસાદમાં, જંગલના સુમસામ રસ્તા પર આ બે સિંહણ શિકારની શોધમાં શાહી અદાથી નીકળી હતી. કારચાલકે સુરક્ષા માટે વાહન થંભાવ્યુંઆ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે સિંહણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાનું વાહન તાત્કાલિક થંભાવી દીધું હતું. જોકે, આ ભવ્ય પ્રાણીઓ કારની એકદમ નજીક સુધી પહોંચી ગયા હતા. કારમાં બેઠેલા મુસાફરોએ પણ સિંહણના આ અદ્ભુત દૃશ્યોને પોતાની નજરમાં કંડાર્યા હતા અને આ યાદગાર ક્ષણનો લાભ લીધો હતો. પેટ્રોલિંગ અનિવાર્ય, સિંહ અને માનવ સુરક્ષાનો પ્રશ્નઆ જંગલ વિસ્તારના માર્ગ પર રાત્રિના સમયે વાહનોની અવરજવર પર કોઈ સત્તાવાર પ્રતિબંધ ન હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકોને અવારનવાર સિંહદર્શનનો લાભ મળતો રહે છે. જોકે, આ જ વિસ્તારમાં વન વિભાગની ચેક પોસ્ટ આવેલી છે. મચ્છરોના ત્રાસે સિંહો રોડ પર નીકળતા હોઈ શકેજાણકારોનું કહેવું છે કે વરસાદની સિઝનમાં મચ્છરોના ત્રાસથી બચવા માટે પણ સિંહો ઘણીવાર રોડ પર આવી જતા હોય છે. જંગલની બોર્ડરના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનો વસવાટ હવે કાયમી બની ગયો છે. રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવું અનિવાર્ય સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓ માની રહ્યા છે કે રાત્રિના સમયે વાહનોની અવરજવર રહેતી હોય તેવા રસ્તાઓ પર વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે તો સિંહ અને માનવ બંનેની સલામતી જળવાઈ રહે. સિંહોની પજવણીના કિસ્સાઓમાં ઘટાડો થઈ શકે. સિંહોની સલામતી જાળવવા અને માનવ-સિંહ સંઘર્ષને ટાળવા માટે વન વિભાગ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવું અનિવાર્ય બની ગયું છે.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદના કારણે સ્થિતિ વણસી છે. એક તરફ, વિસાવદર તાલુકાના જેતલવડ ગામે ખેડૂતના ટ્રેક્ટર પર આકાશી વીજળી ત્રાટકતા ટ્રેક્ટર બળીને ખાક થઈ ગયું છે, તો બીજી તરફ ભારે વરસાદના કારણે શહેરનો મહત્ત્વનો વિલિંગ્ડન ડેમ ફરી એકવાર છલકાયો છે. આ વરસાદી માહોલથી ખેડૂતો અને શહેરીજનો બંનેની મુશ્કેલીઓ વધી છે. જેતલવડ: વીજળીના ભયાનક કડાકા સાથે ટ્રેક્ટર સળગ્યું વિસાવદર તાલુકાના જેતલવડ ગામે વહેલી સવારે ભારે પવન અને જોરદાર વરસાદ વચ્ચે કુદરતી આફત આવી હતી. ખેતરમાં ઉભેલા એક ટ્રેક્ટર પર આકાશી વીજળી ધડાકાભેર પડી, જેના પરિણામે ટ્રેક્ટર તરત જ સળગી ઊઠ્યું.વીજળી પડવાની જાણ થતાં જ ખેડૂત અને આસપાસના ખેતરવાળાઓ જીવના જોખમે દોડી આવ્યા હતા. જોકે, સ્થાનિક લોકોએ સળગતા ટ્રેક્ટર પર પાણી નાખીને તેને માંડ ઠાર્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં ટ્રેક્ટરને મોટું નુકસાન પહોંચી ચૂક્યું હતું. ખેડૂતોની સરકાર પાસે માંગ ખેડૂત તેમજ ગ્રામ આગેવાનોએ ગામના સરપંચને આ ઘટનાની જાણ કરીને સરકારશ્રી સમક્ષ આર્થિક સહાય માટે માંગ કરી છે, જેથી વીજળી પડવાના કારણે થયેલા આ મોટા નુકસાન સામે ખેડૂતને થોડી રાહત મળી શકે. જૂનાગઢમાં મેઘમહેર યથાવત: 2 ઇંચ વરસાદ, ડેમ ઓવરફ્લો હવામાન વિભાગની આગાહી મુજબ, જૂનાગઢ શહેરમાં ફરીથી ભારે વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, વિલિંગ્ડન ડેમ છલકાયો: દાતાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાના કારણે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ડેમ છલકાતા ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને શહેરને પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળી છે. શહેરી જનજીવન પ્રભાવિત: સતત વરસાદના કારણે એમ.જી. રોડ, કાળવા ચોક સહિતના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા શહેરીજનો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. દશેરાની રોનક ઘટી: માળિયાહાટીનામાં આ સતત પાંચમો દિવસ છે જ્યારે મેઘરાજાએ અવિરત હાજરી આપી છે. દશેરાના તહેવારમાં પણ વરસાદ ચાલુ રહેતાં બજારો સુમસામ બની હતી. અડધા કલાકના અંતરે વરસાદના જોરદાર સરોડા (ઝમકારા) જોવા મળી રહ્યા છે. સોનરખ નદી બે કાંઠે: ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડવાના કારણે સોનરખ નદીમાં પાણીનો પ્રવાહ ફરીથી જોવા મળ્યો છે.જિલ્લામાં હાલ વરસાદી માહોલ યથાવત છે.તંત્ર દ્વારા નદી-નાળા નજીક ન જવાની અને સલામત સ્થળે રહેવાની સતત અપીલ કરવામાં આવી રહી છે.
ગાંધીનગરના રૂપાલ ગામમાં યોજાયેલા વરદાયિની માતાજીની પલ્લીના મેળામાં દર્શન કરવા ગયેલા એક વૃદ્ધ મહિલાના ગળામાંથી ભારે ભીડનો લાભ લઈને કોઈ અજાણ્યો ગઠિયો 35,000ની કિંમતની સોનાની ચેઇન તોડીને ફરાર થઈ ગયો હતો. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પલ્લીના મેળામાં 59 વર્ષીય મહિલાનો સોનાનો દોરો ગાયબગાંધીનગરના ન્યુ વાવોલ નિલકંઠ ઓસાઇન સોસાયટીમાં રહેતા 59 વર્ષીય રમીલાબેન ઈશ્વરભાઈ રાણા ગત તા. 1 ઓક્ટોબરના રોજ સવારના આશરે ચાર વાગ્યે તેમના ભાઈ ગોવિંદભાઈ પટેલ અને ભાભી ઉર્મિલાબેન સાથે ઓટો રિક્ષામાં બેસીને રૂપાલ ગામ ખાતે પલ્લીના દર્શન કરવા ગયા હતા. બાદમાં તેઓ ગોગા ચૌહાણના વાસ ખાતે આવેલી પલ્લીની જગ્યાએ પહોંચ્યા હતા અને પલ્લીના દર્શન કર્યા બાદ વરદાયિની માતાના મંદિર તરફ ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન રમીલાબેને તેમના ગળામાં પહેરેલો સોનાનો દોરો જોતા તે ગાયબ જણાયો હતો. આ સોનાના દોરામાં શહેનશાહ પીસવાળું એક લીલા નંગવાળું પેન્ડલ હતું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીઆથી, રમીલાબેને તરત જ તેમના ભાઈ અને ભાભીને જાણ કરી હતી પરંતુ, પલ્લીમાં માનવ મહેરામણની ભારે ભીડ હોવાના કારણે શોધખોળ કરવા છતાં તેમને સોનાનો દોરો મળી આવ્યો ન હતો. આ દોરો પલ્લીના મેળામાં કોઈ અજાણ્યા શખસે ભીડનો લાભ લઈને તોડી ગયો હોવાનું જણાયું છે. રમીલાબેને સમગ્ર પરિવાર સાથે વાતચીત કરીને આજે અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ આપતા પેથાપુર ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આણંદની શૂટર આધ્યા અગ્રવાલે રાઇફલ અને પિસ્તોલ શૂટિંગ જુનિયર વર્લ્ડ કપમાં કાંસ્ય પદક જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ તેમણે તાજેતરમાં મેળવી છે. આધ્યાએ લજ્જા શૂટિંગ અકાડમીમાં કોચ બ્રહ્માપુરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી છે. સ્પર્ધામાં તેમનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું હતું, જે તેમની મહેનત અને નિષ્ઠા દર્શાવે છે. જુનિયર વર્લ્ડ કપ ઉપરાંત, આધ્યા અગ્રવાલે અગાઉ પેરુમાં યોજાયેલી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ અને કઝાકિસ્તાનમાં યોજાયેલી એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સ્પર્ધાઓમાંથી તેમને મૂલ્યવાન આંતરરાષ્ટ્રીય અનુભવ મળ્યો છે. આ તાજેતરની સફળતાએ આધ્યા અગ્રવાલને ભારતીય શૂટિંગ ક્ષેત્રની એક આશાસ્પદ પ્રતિભા તરીકે સ્થાપિત કરી છે.
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી ખાતે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ગાંધીજીના સ્વચ્છતાના સંદેશને યાદ કર્યો હતો. શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ, મંત્રીએ જીઆઈડીસી બાગ ખાતે સફાઈ કાર્યમાં જાતે ભાગ લીધો હતો. આ દ્વારા તેમણે જિલ્લામાં સ્વચ્છતા અભિયાનની સત્તાવાર શરૂઆત કરી હતી અને લોકોને પણ તેમાં જોડાવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમજ વાપી મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તાપી જિલ્લામાં નવરચિત ઉકાઈ તાલુકાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રભારી મંત્રી મુકેશ પટેલે સસ્તા અનાજની દુકાનો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે મંત્રી પટેલે સ્થાનિક મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે મહિલાઓને પૂછ્યું કે સસ્તા અનાજની દુકાનદારો દ્વારા યોગ્ય માત્રામાં અનાજ આપવામાં આવે છે કે નહીં. મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો કોઈ દુકાનદાર ઓછું અનાજ આપે તો તેની જાણ કરવી. તેમણે ઉમેર્યું કે, 'અહીં બધા અધિકારીઓ હાજર છે, કોઈ ઓછું અનાજ આપે તો તે ચલાવી લેવામાં આવશે નહીં.' તેમણે ભારપૂર્વક કહ્યું કે, 'મોદી એક કિલો અનાજ મોકલે એટલે આપણા ઘરે એક કિલો અનાજ પહોંચવું જ જોઈએ.' આ નિવેદન દ્વારા તેમણે અનાજ વિતરણમાં પારદર્શિતા અને પ્રમાણિકતા જાળવવા પર ભાર મૂક્યો હતો.
ભરૂચ જિલ્લા જેલ ખાતે 2 ઓક્ટોબર, 2025ના રોજ યોગ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં જેલના બંદીવાનો અને અધિકારી-કર્મચારીઓએ સક્રિય ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (ગુજરાત સરકાર)ના નેતૃત્વ હેઠળ અને પોલીસ મહાનિર્દેશક ડૉ. કે.એલ.એન. રાવના સૂચન અનુસાર, રાજ્યભરની તમામ જેલોમાં 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યોગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો સર્ટિફાઇડ યોગ ટ્રેનર્સ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે. આ જ દિવસે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમો પણ યોજાયા હતા. જેલ પરિસરમાં અધિકારીઓ અને બંદીવાનોએ સાથે મળીને દીપ પ્રાગટ્ય કર્યું હતું. ગાંધીજીને સુતરની આંટી પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ગાંધી કોલેજમાં સ્વદેશી પ્રોત્સાહન પ્રદર્શન:સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ૩ ઓક્ટોબરે આયોજન
સુરતની ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી પ્રોત્સાહન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કોલેજ કેમ્પસ ખાતે ૩ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ યોજાશે. આ પ્રદર્શન સુરત જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) તથા NSS યુનિટ, ગાંધી ડિગ્રી ઇજનેરી કોલેજના સક્રિય સહયોગથી આયોજિત કરાયું છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે સી. આર. પાટીલ, પુર્ણેશભાઈ મોદી અને સંદીપભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે. તેઓ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની આવશ્યકતા પર ભાર મૂકશે અને યુવાનોને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરશે. પ્રદર્શનનો મુખ્ય હેતુ દેશની શક્તિ, સંસ્કૃતિ, કૌશલ્ય અને સ્થાનિક ઉત્પાદનને ઉજાગર કરવાનો છે. તેમાં ભારતીય બનાવટની વિવિધ વસ્તુઓ, હસ્તકળાની વસ્તુઓ, વન અને કૃષિ આધારિત ઉત્પાદનો, ભરતકામ, હેન્ડ એમ્બ્રોડરીના નમૂનાઓ અને આર્ટ વર્ક પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ સ્વદેશી ઉત્પાદકો, નાના-મોટા ઉદ્યોગો, મહિલા ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ્સે પોતાના ઉત્પાદનો પ્રદર્શન માટે મૂક્યા છે. હસ્તકલાથી લઈને આધુનિક ટેકનોલોજી સુધીના વિવિધ ક્ષેત્રોના ઉત્પાદનો આ પ્રદર્શનમાં જોવા મળશે. કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું કે આવા પ્રદર્શનો વિદ્યાર્થીઓમાં નવીનતા, સર્જનાત્મકતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે. આ સાથે, તે સ્થાનિક ઉત્પાદનોનો વ્યાપક ઉપયોગ કરીને મેક ઈન ઈન્ડિયા અને વોકલ ફોર લોકલ જેવા અભિયાનોને મજબૂત બનાવે છે. આ સ્વદેશી પ્રોત્સાહન પ્રદર્શન માત્ર ઉત્પાદનોના પ્રદર્શન પૂરતું સીમિત નથી, પરંતુ સમાજમાં આત્મનિર્ભરતા, સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસ અંગે જાગૃતિ ફેલાવવાનો પણ એક પ્રયાસ છે. આયોજકો દ્વારા સુરતવાસીઓને આ પ્રદર્શનનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક ભાગ લેશે. કોલેજ પરિવાર સૌ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર અને ઉપયોગ દ્વારા આત્મનિર્ભર ભારત નિર્માણમાં યોગદાન આપે.
નવરાત્રી તહેવાર પૂર્ણ થયા બાદ આજે વિજયા દશમીના પર્વ પર નડિયાદવાસીઓ જલેબી-ફાફડાની જ્યાફત માણવા ઉમટી પડ્યા છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર લોકોની લાંબી લાઇનો લાગી છે. બજારમાં ફાફડા, જલેબી લેવા પડાપડીજિલ્લા વાસીઓએ આ પર્વ નિમિત્તે ફાફડા જલેબીની જયાફત માણી છે. વહેલી સવારથી જ શહેરના માર્ગો ઉપર ફાફડા, જલેબીના સ્ટોલો જોવા મળ્યા હતા. લોકો ફાફડા, જલેબી લેવા માટે લાબી લાંબી લાયનો લગાવી ઉભેલા જોવા મળ્યા હતા. હજારો કીલો ફાફડા, જલેબી સાથે ચટણીનું વેચાણ થયું છે. દુકાનદારોના જણાવ્યા અનુસાર દશેરા દિવસે એટલી બધી ભીડ હોય છે કે, એ દિવસે ફ્રી બુકિંગ ઓર્ડરના કામ થઈ શકે નહીં એટલે અમે આગલા બે દિવસમાં જ બુકિંગ પ્રમાણેના ફાફડા જલેબી તૈયાર કરી તેનું પેકિંગ પણ કરી દઈએ છીએ. શુદ્ધ ઘીની જલેબીનું સૌથી વધુ વેચાણ થાય છે. આ વર્ષે ફાફડાના ભાવ કિલો પ્રતિ રૂપિયા 440 છે જ્યારે જલેબી 280 પ્રતિ કિલો વેચાઈ રહી છે. નડિયાદમાં ફાફડા-જલેબીનું વેચાણ દુકાનદારોના જણાવ્યા મુજબ નડિયાદમાં આશરે 5 હજાર કિલોથી વધુના ફાફડા અને 4 હજાર કિલોથી વધુની જલેબીનું વેચાણ થશે. આગલા દિવસે પણ દુકાનદારના જણાવ્યા મુજબ બે થી અઢી હજાર કિલો ફાફડા જલેબીનું વેચાણ નડિયાદમાં થયું છે. 51 ફૂટના રાવણના પૂતળાનું દહન થશે નડિયાદમાં આજે સાંજે દર વર્ષની જેમ પરંપરાગત રીતે રાવણ દહન નો કાર્યક્રમ યોજાશે. જેમાં 51 ફૂટના વિશાળ દશાનંદનું દહન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાવણનું પૂતળું બનાવવાની કામગીરી કરતા પરિવારની આ પાંચમી પેઢી છે. જે રાવણ તૈયાર કરી રહી છે. ત્યારે આ વર્ષે આશરે 500 કિલોથી વધુ દારૂખાનાનો ઉપયોગ કરવામાં આવશે.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે ગાંધી જયંતિ તેમજ વિજયા દશમીના પાવન દિવસે ચીકદા મથકથી નવસર્જિત ચીકદા તાલુકાનું કામચલાઉ નવીન તાલુકા પંચાયત કચેરીનું રીબીન કાપી શુભારંભ કરી તેને કાર્યાન્વિત કરી હતી. જોકે, આ દરમિયાન તંત્ર દ્વારા ધારાસભ્યને આમંત્રણ ન આપવા છતાં હાજર રહીને નારાજગી વ્યક્ત કરીને રોકડું પરખાવી દીધું હતું. રોષ વ્યક્ત કર્યો કે હું આ વિસ્તારનો ધારાસભ્ય હોવા છતાં મને તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું નથી. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, બીજેપી પ્રમુખ નીલ રાવ સહિત કલેક્ટર નર્મદા એસ.કે.મોદી આગેવાનો હાજર રહ્યા હતા. ચૈતર વસાવાને આમંત્રણ ન મળ્યું છતાં હાજર રહ્યા તાલુકાના શુભારંભમાં ડેડિયાપાડા મતવિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ નહોતું મળ્યું. જેથી વસાવાએ મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા અને કલેક્ટર એસ કે મોદીની હાજરીમાં રોકડું પરખાવ્યું હતું. તેમણે જણાવ્યું હતુ કે, મને આમંત્રણ નથી મળ્યું, આતો મારા વિસ્તારમાં કાર્યક્રમ અને વિસ્તારના લોકોએ ફોન કરી જાણ કરી એટલા માટે આવ્યો છું. પણ એક ધારાસભ્ય તરીકે મારી બાદબાકી કરવામાં આવી એ મારી બદનામી નથી પણ જે લોકો એ મત આપ્યા છે તે લોકોનું અપમાન તમે લોકોએ કર્યું છે. આવી ભૂલ બીજીવાર ન થાય તે બાબતે ધ્યાન દોરું છું. આ બાબતે મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, ચીકદા તાલુકાના નિર્માણથી પ્રજા માટે સરકારની સેવાઓ નજીકથી પ્રાપ્ત થવા લાગશે. તેમજ રોજિંદી વહીવટી કામગીરી માટે લોકોને લાંબો પ્રવાસ કરવો નહીં પડે. ગ્રામ્ય વિકાસ, શિક્ષણ, આરોગ્ય, ખેતી સહિતના ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે સ્થાનિકોની માંગ અને આ વિસ્તાર નો વધુ વિકાસ થાય એ માટે ઘણી રજૂઆતો બાદ આ નવો અલગ તાલુકો મળ્યો છે. ત્યારે કોઈ વાદ વિવાદ કરશો નહીં અને જેમ જિલ્લાનો ઝડપથી વિકાસ થયો તેમ આ ચીકદા તાલુકા નો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નવી ગ્રાન્ટો આવશે અને વિકાસ થશે. સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને લોકહિતમાં તથા નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા નિર્ણય લીધો છે. નવા તાલુકાના નિર્માણથી ખેતી-પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પોષણ, રોજગાર સહિત તમામ ક્ષેત્રમાં નવરચિત ચીકદા તાલુકાની પ્રગતિ સુનિશ્ચિત કરી શકાશે. નોંધનીય છે કે, નવરચિત ચીકદા તાલુકામાં 22 ગ્રામ પંચાયતો તથા 67 ગામો મળીને કુલ વસ્તી 58,935 છે. તેમજ કુલ 77 પ્રાથમિક, 9 માધ્યમિક શાળાઓ અને 2 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ 83 આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ કરાયો છે. સાથોસાથ, સ્વચ્છતા હી સેવા 25 હેઠળ કરાયેલી શ્રેષ્ઠ કામગીરી બદલ સાગબારા તાલુકા, સ્વચ્છતાના શ્રેષ્ઠ પ્રયાસો માટે ઝરવાણી ગ્રામપંચાયત, લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર, શ્રેષ્ઠ શાળાઓને આંગણવાડીઓ માટે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ગુજરાત સરકાર દ્વારા ચીકદા તાલુકા સહિત જાહેર કરાયેલા 17 નવા તાલુકાઓની રચના કરવાનો મુખ્ય ઉદ્દેશ વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને નાગરિકો માટે સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. જે તા. 2 ઓક્ટોબર, 25ના રોજ કાર્યન્વિત કરાયો છે.
ઉકાઈ બન્યો તાપીનો નવો તાલુકો:પ્રભારી મંત્રી મુકેશ પટેલે નવી કચેરીઓનું ઉદ્ઘાટન કર્યું
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાંથી ઉકાઈને નવો તાલુકો બનાવવામાં આવ્યો છે. આજે પ્રભારી મંત્રી મુકેશ પટેલના હસ્તે ઉકાઈ ખાતે નવી કચેરીઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનાથી આ નવો તાલુકો પ્રજા માટે ખુલ્લો મુકાયો છે. સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામોના લોકોને તાલુકા મથકે જવા માટે પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નવો ઉકાઈ તાલુકો બનાવવાની જાહેરાત કરી હતી. આ દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. દશેરા અને ગાંધી જયંતિના શુભ અવસરે આ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ સાથે તાપી જિલ્લામાં હવે કુલ આઠ તાલુકાનો સમાવેશ થયો છે, જે સ્થાનિક વહીવટને વધુ સુલભ બનાવશે.આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
14 વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો:કોર્ટ વોરંટના આધારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે કાર્યવાહી કરી
પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે 14 વર્ષથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી નામદાર કોર્ટના વોરંટના આધારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના એક ગુનામાં ફરાર હતો. પોલીસે તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અને પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. જે.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ગોહિલની રાહબરી હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી. પોલીસ કોન્સ્ટેબલ અશોકકુમારને મળેલી બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ બાતમીના આધારે આરોપી નાગેશભાઇ શાંતિલાલ પટેલ (રહે. ડભાસી, તા. બોરસદ, જી. આણંદ) ને ઝડપી પાડવામાં આવ્યો છે.