પાકિસ્તાની ટીમે એક જ દિવસમાં તોડ્યા અનેક નિયમો, હવે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં ICC
Asia Cup 2025 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર એશિયા કપ દરમિયાન નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તેમની સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. પીટીઆઈ સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, પાકિસ્તાને પ્રતિબંધિત વિસ્તારોમાં વીડિયો રેકોર્ડિંગ અને સંવેદનશીલ વાતોને જાહેર કરીને આચાર સંહિતાનો ભંગ કર્યો છે. આ અંગે આઈસીસીના સીઈઓ સંજોગ ગુપ્તાએ પીસીબીને ઈમેલ મોકલીને આ ઉલ્લંઘનોની વિગતવાર જાણકારી આપી છે. રેફરી વિવાદ મામલે પાકિસ્તાનનો દાવો ખોટો પડ્યો આ ઘટના પાકિસ્તાન અને UAE વચ્ચે રમાયેલી મેચ પહેલા બની હતી.
અમદાવાદની પ્રતિષ્ઠિત ગણાતી એવી કર્ણાવતી ક્લબના 10 ડિરેક્ટરના પદ માટે આજે એટલે કે 19 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ચૂંટણી યોજાવાની છે. કર્ણાવતી ક્લબના અંદાજિત 15,000 જેટલા મેમ્બરો દ્વારા ઓનલાઇન ઈ-વોટિંગ કરવામાં આવશે. મતદાન પહેલાં કર્ણાવતી ક્લબમાં ડિરેક્ટર અને મેમ્બર માટે ચૂંટણી લડી રહેલા કર્ણાવતી ક્લબ કેર ફેમિલી પેનલના સભ્ય દ્વારા સામેના મેમ્બર પાવર પેનલના સભ્યો ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. કર્ણાવતી ક્લબના ગોલ્ડન ગ્લોરી હોલના વિવાદથી લઈને, કલબના મેનેજમેન્ટ, હોસ્પિટલિટી મેનેજમેન્ટ, કેટરિંગ અને ચૂંટણીમાં સ્ક્રુટિંનિંગ કરનાર સભ્ય પણ તેઓના ટેકેદાર હોવાને લઈને તેઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. મેમ્બર પાવર પેનલ સામે ગંભીર આક્ષેપક્લબ કેર ફેમિલી તરફથી ડાયરેક્ટર પદ માટેના ઉમેદવાર ડો. કૃષ્ણ મકવાણાએ મેમ્બર પાવર પેનલ સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં મેમ્બર પાવર પેનલ દ્વારા મેમ્બરોને એક પત્ર મોકલ્યો છે જેમાં તેઓએ પોતાના ટેકેદારોનાં નામ લખ્યા છે. જેમાં ચૂંટણીના જે સ્ક્રુટિંનિંગ સભ્ય જ તેમના ટેકેદાર છે. ભાજપના પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલ તેમજ ભાજપ સાથે જોડાયેલા આશિષ અમીન પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, બંને ક્લબના ચૂંટણીના સતાવાર રીતે સ્ક્રુટિંનિંગ સભ્ય છે. 'કાયદેસર રીતે ચૂંટણીને રદ કરવી પડે અને ફરીથી કરવી પડે'ચૂંટણીમાં જે સ્ક્રુટિંનિંગ કરનાર છે તેઓ કેવી રીતે ચૂંટણીમાં ઉભેલા એક પક્ષને સપોર્ટ કરી શકે છે. જો આવી રીતે ક્લબનું કામ ચાલે તો આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય. કાયદેસર રીતે ચૂંટણીને રદ કરવી પડે અને ફરીથી કરવી પડે. કલબના મેમ્બરો અને લોકોને આ બાબતની જાણ હોવી જોઈએ કે, આપણી ક્લબો કેવી રીતે ચલાવવામાં આવે છે. 'ગોલ્ડન ગ્લોરી હોલનું ગેરકાયદેસર બાંધકામ'છેલ્લા કેટલાય સમયથી કર્ણાવતી ક્લબનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો રહેલો એવા ગોલ્ડન ગ્લોરી હોલના ગેરકાયદેસર બાંધકામને લઈને તેઓએ જણાવ્યું હતું કે, 2016થી એક ગ્રુપએ પોતાના કંટ્રોલમાં રાખ્યું છે. ક્લબની ઘણી કાયદાકીય બાબતો થઈ છે જે હજી સુધી સામે આવી નથી. આ બધી ક્લબનો 2008થી એક મુદ્દો ચાલી રહ્યો છે. 1/5/2008એ અમદાવાદ કલેકટરે એક ઓર્ડર બહાર પાડ્યો હતો કે જેમાં ક્લબે ગોલ્ડન ગ્લોરી હોલ જે ઘણા પ્રસંગો માટે ઉપયોગ કરવામાં આવે છે. જેનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. જેને કાયદેસર કરવા માટે 51 કરોડ રૂપિયા ચૂકવવા માટે જણાવ્યું હતું. 'ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા નોટિસ આપી હતી'અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ વર્ષ 2016માં, 2018માં અને તાજેતરમાં જ આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. કોઈપણ સમયે આ બાબતને તેઓએ ધ્યાનમાં લીધી નથી. જે આ નોટિસ આવી હતી તેને કાયદાકીય રીતે ચેલેન્જ કરવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ શું થયું તે ડિસમિસ કરી નાખવામાં આવી. 18 ઓગસ્ટે કોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરી અને ગુજરાત હાઇકોર્ટ સામે તેઓએ આ મેટર અને ડિસમિસ કરવા માટે કહ્યું હતું, પરંતુ ત્યાર બાદ ક્લબ ડોક્યુમેન્ટો આપી ન શક્યા અને ક્લબે અરજીને પાછી ખેંચી પડવી હતી. 'સરકાર જોડે નેગોશિએટ કરી અને કાર્યવાહી કરવી જરૂરી હતી'જે લોકો છેલ્લા દસ વર્ષથી ક્લબને ચલાવી રહ્યા છે તેઓ ગોલ્ડન ગ્લોરી હોલની 10073 સ્ક્વેર મીટરની જગ્યા જેની સાથે બીજા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જગ્યા છે. જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે અને તેનો ક્લબના એન્યુઅલ રિપોર્ટમાં પણ લાંબો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 11975 સ્ક્વેર યાર્ડની જગ્યા છે. જે બંને ગમે ત્યારે સરકારને આપવી પડે તેવી સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યું છે. જે તે સમયે સરકાર જોડે નેગોશિએટ કરી અને કાર્યવાહી કરવી જરૂરી હતી, પરંતુ ખૂબ જ મિસ મેનેજમેન્ટ છે. 'કર્ણાવતી ક્લબને એક પેઢી બનાવી દેવામાં આવી છે'કર્ણાવતી ક્લબના પૂર્વ ડાયરેક્ટર અને કલબ કેર ફેમિલીના ડાયરેક્ટર પદ માટે ઉમેદવાર વિરલ પટેલે જણાવ્યું હતું કે, કર્ણાવતી ક્લબને એક પેઢી બનાવી દેવામાં આવી છે. જે લોકો વિરોધમાં લડ્યા હતા તેઓ આજે સામે બેસી ગયા છે. વર્ષોથી હોસ્પિટલિટી અને કેટરિંગ વર્ષોથી એક જ કંપનીને આપવામાં આવ્યું છે. ક્યારેય ટેન્ડર આપવામાં આવતું નથી કે ક્યારે કહેવામાં આવ્યું નથી કે પાંચ કંપનીઓ આવે અને કોઈ ટેન્ડરિંગ કરે જે સારામાં સારું કામ કરે તેને આપવામાં આવે. એક જ કંપની ચાલુ છે અને વર્ષોથી ચલાવી રહી છે. 'કર્ણાવતી ક્લબમાં ખૂબ મોટા પાયે ધાંધલી કરવામાં આવે છે'ગત વર્ષે મેં એક પત્ર આપ્યો હતો કે જેમાં વર્ષ 2015માં સર્વિસ ટેક્સના એક કરોડ રૂપિયા કેટરિંગ કંપની TGB દ્વારા ભરવામાં આવ્યા છે. જે દિન સુધી રિફંડ આવ્યા નથી. 12/10/2024ના રોજ પત્ર લખીને આ બાબતે સ્પષ્ટતા માગી હતી. આ પૈસા કેમ આપવામાં આવતા નથી. કર્ણાવતી ક્લબમાં ખૂબ મોટા પાયે ધાંધલી કરવામાં આવે છે. કર્ણાવતી ક્લબના મેનેજમેન્ટના લોકો છે. કર્ણાવતી ક્લબમાં વર્ષોથી TGB કોફી શોપ, ગુજરાતી રેસ્ટોરન્ટ સરભરા, ટ્રોપીનકાના અને મસાલા ડાઉન પંજાબી રેસ્ટોરન્ટ છે. છેલ્લા નવ વર્ષથી હું પણ હતો, પરંતુ એક પણ વખત કોઈ પણ ટેન્ડર કેટરિંગ માટે કરવામાં આવેલું નથી. 'પહેલા ખોટું કરે અને પછી ખોટું ઢાંકવા વકીલો રોકે છે'અમે ક્લબના મેમ્બરોને કહેવા માગીએ છે કે, આ કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી. આ એક લિમિટેડ કંપની છે. ગોલ્ડન ગ્લોરી હોલ માટે વકીલો રોકીને પૈસા આપતા હોય છે. તેમાં પહેલા ખોટું કરે અને પછી ખોટું ઢાંકવા વકીલો રોકે છે. જે મિસ મેનેજમેન્ટ થાય છે તેના કારણે જે ખર્ચા થાય છે તે તમામ મેમ્બરો ઉપર આવવાના છે. જેથી હવે બદલાવ લાવવો પડશે. કર્ણાવતી ક્લબના 10 ડિરેક્ટરના પદ માટે ચૂંટણીઉલ્લેખનીય છે કે, આજે 19 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી એમ ત્રણ દિવસ કર્ણાવતી ક્લબના 10 ડિરેક્ટરના પદ માટે ચૂંટણી યોજવાની છે, જેમાં મેમ્બર પાવર પેનલ તરફથી 10 ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે. જ્યારે ક્લબ કેર ફેમિલી તરફથી ચાર જેટલા ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે. કલબના મેમ્બરો દ્વારા ઓનલાઇન ઈ વોટિંગ કરવામાં આવશે. જે બાદ કર્ણાવતી ક્લબના ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. મેમ્બર પાવર પેનલના ઉમેદવાર ક્લબ કેર ફેમિલીના ઉમેદવાર
UG કાઉન્સેલિંગ અને મેડિકલ પ્રવેશ પ્રક્રિયા સંબંધિત મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ (ACPUGMEC) દ્વારા તાજેતરમાં કેટલીક અગત્યની જાહેરાતો કરવામાં આવી છે. બીજા રાઉન્ડનું પરિણામ રદ કરાયુંમેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા UG કાઉન્સેલિંગ 2025ના બીજા રાઉન્ડનું પરિણામ રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય પાછળનું કારણ એક સરકારી મેડિકલ કોલેજની ભૂલ છે, જેણે ભૂલથી ઉપલબ્ધ સીટો કરતાં બમણી સંખ્યામાં સીટો મોકલી હતી. આ ભૂલને કારણે, આજે જાહેર થયેલું પરિણામ પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને સુધારેલા પરિણામની રાહ જોવાની સલાહ આપવામાં આવી છે. બીજા ઓનલાઈન રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગનો કાર્યક્રમ જાહેરબીજી તરફ, ACPUGMEC દ્વારા મેડિકલ અને ડેન્ટલ કોર્સિસના બીજા ઓનલાઈન રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મુજબ, ઓનલાઈન ચોઈસ ફિલિંગ તારીખ 18 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈને 22 સપ્ટેમ્બર 2025ના સવારે 10:00 વાગ્યા સુધી ચાલશે. વિદ્યાર્થીઓ પોતાની ભરેલી ચોઈસ તારીખ 22 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 12:00 વાગ્યા પછી જોઈ શકશે. આટલી સીટ પર પ્રવેશ ફાળવવામાં આવશેઆ રાઉન્ડમાં કુલ 1471 MBBS અને 747 BDS સીટો પર પ્રવેશ ફાળવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે, તેમને વધુ માહિતી માટે ACPUGMECની સત્તાવાર વેબસાઇટ www.medadmgujarat.org પર જોતા રહેવું.
અમદાવાદના નારોલ વિસ્તારમાં વીજ કરંટથી દંપત્તિના મૃત્યુ થવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અચાનક જ ઊંઘમાંથી જાગ્યું છે. શહેરમાં કોઈપણ વિસ્તારમાં રોડની સ્ટ્રીટ લાઇટના વાયરો ખુલ્લા કે ડીપી ખુલ્લી દેખાશે તો કોન્ટ્રાક્ટરને 50 હજાર રૂપિયાનો દંડ કરાશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીની બેદરકારી જણાશે તો તેની સામે પણ કાયદેસરના પગલાં લેવાશે. આ સૂચનાનો અમલ એક અઠવાડિયા પછી કરાશે. શો કોઝ નોટીસ આપવા સૂચનાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઈટ માટે ટૂંક સમયમાં SOP બનાવવામાં આવશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લાઇટ વિભાગના એડિશનલ સિટી એન્જિનિયરને સ્ટ્રીટ લાઇટ સંબંધિત ફરિયાદની વિગત પૂછતાં ઉચક આંકડો કહીં દીધો હતો. જ્યારે તેમને ઝોન વાઇઝ આંકડા પૂછતા જવાબ આપી ના શક્યા હતા અને મૂંઝવાઇ ગયા હતા. તેથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તેમને તાત્કાલિક શો કોઝ નોટીસ આપવા સૂચના આપી છે. ફૂટ ઓવર બ્રિજ બનાવવા સ્ટેન્ડિંગ કમિટીનું બ્રિજ વિભાગને સૂચનઆજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લાંભા વિસ્તારમાં ફુટ ઓવર બ્રિજ બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. લાંભા તળાવ ખાતે બળિયાદેવનું મોટું મંદિર આવેલું છે. આ મંદિરે દર રવિવારે 10થી 15 હજાર જેટલા લોકો દર્શન કરવા જતા હોય છે. જોકે, મંદિરે જવા માટે લોકોને નારોલ હાઇવે ક્રોસ કરવું પડે છે. જેના કારણે અકસ્માતો થતાં હોય છે અને મહિના ત્રણથી ચાર મોત થતાં હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફૂટ ઓવર બ્રિજ બનાવવા સ્ટેન્ડિંગ કમિટીએ બ્રિજ વિભાગને સૂચન કર્યું છે. ટૂંક સમયમાં આ અંગેનો પ્રપોઝલ નેશનલ હાઇવેને મોકલાશે. મહત્ત્વનું છે કે, એસજી હાઇવે પર પાંચ ફૂટ ઓવર બ્રિજ બનાવવા માટેનું આયોજન છે. ત્યારે હવે લાંભામાં પણ ફૂટઓવર બનાવવા માટે સૂચના અપાઈ છે. બીયુ આપવાની સમયમર્યાદા નક્કી હોવી જોઇએઅમદાવાદ શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ સ્કીમોનાં બાંધકામ પૂરા થાય તે પછી વપરાશની મંજૂરી આપવામાં વિલંબ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ-ટીડીઓ ખાતા દ્વારા કરવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો સ્ટેન્ડિંગ કમિટી સુધી પહોંચી છે. ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સાત ઝોનમાં જુદા જુદા પ્રકારની બિલ્ડીંગની 100થી વધુ બીયુ આપવાની બાકી હોવાની માહિતી મળી છે. બીયુ આપવામાં વિલંબ પાછળ કોઇ નક્કર કારણ તેમને મળ્યા નથી તેને ધ્યાને લઇ બીયુ આપવાની સમયમર્યાદા નક્કી હોવી જોઇએ તેવુ તેમને લાગતાં કમિશનરને એક મહિનામાં બીયુ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી હતી. બિલ્ડર-ડેવલપર દ્વારા સ્કીમનાં પ્લાન બીપીએસપી વિભાગમાં મંજૂર કરાવવામાં આવેસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના કોઈપણ વિસ્તારમાં આવેલા ઝોન-વોર્ડમાં બિલ્ડર-ડેવલપર દ્વારા સ્કીમ મુકવામાં આવે તે પહેલાં તેનાં પ્લાન બીપીએસપી વિભાગમાં મંજૂર કરાવવામાં આવે છે. આ વિભાગમાં પણ નિયમ મુજબ અધિકારીઓને ચઢાવો ધરાવવો પડે છે. પ્લાન મંજૂર થયાં બાદ તે ફાઇલ ઝોનનાં એસ્ટેટ-ટીડીઓ ખાતામાં મોકલવામાં આવે છે, ત્યારબાદ બાંધકામ શરૂ થાય ત્યારે સમયાંતરે તેનુ નિરિક્ષણ કરીને પોગ્રેસ રિપોર્ટ પણ તૈયાર કરવાની અને છેલ્લે બાંધકામ પ્લાન મુજબ થયુ છે કે નહિ તેનુ ચેકિંગ કરીને વપરાશની મંજૂરી એટલે કે બીયુ આપવાની જવાબદારી ઝોનનાં એસ્ટેટ-ટીડીઓ ખાતાનાં અધિકારીઓની હોય છે. આંખ આડા કાન કરવામાં આવતાં હોવાની ફરિયાદો વધીકોઇપણ સ્કીમની બીયુ મેળવવા માટે પણ ઝોનનાં એસ્ટેટ-ટીડીઓ ખાતામાં વહેવાર કરવો પડતો હોવાની તેમજ પ્લાન મુજબ બાંધકામ નહિ થતાં હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવતાં હોવાની ફરિયાદો વધી ગઈ છે આટલી મોટી સંખ્યામાં બી યુ પરમિશન આપવાની બાકી છે. જેમાં ખૂબ ઢીલી નીતિ અપનાવવામાં આવે છે. કેટલાકમાં જ્યાં સુધી એસ્ટેટ વિભાગના અધિકારીઓ સાથે બિલ્ડરો વ્યવહાર નથી કરતા, ત્યાં સુધી તેઓને પરમિશન આપવામાં આવતી નથી. તેમ જ ક્રોસ વેરીફીકેશનમાં પણ વાર લાગે છે જેના કારણે થઈને આ પ્રક્રિયા બાકી રહી ગઈ છે જેથી ઝડપી પૂરી કરવાની સૂચના આપવામાં આવી છે. કોર્પોરેશનના નોકર મંડળ દ્વારા મોટી રેલી યોજાઇઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકર મંડળ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને આજે સારંગપુર બાબાસાહેબ આંબેડકરના પૂતળા થી લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ખૂબ મોટી રેલી કાઢી હતી. નોકર મંડળ અને કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ કમિશનર સમક્ષ રજુ કરવા માટે રેલી કાઢવામાં આવી હતી અને જો આગામી દિવસોમાં તેનો નિકાલ નહીં આવે તો હડતાલ પાડવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી છે ખૂબ મોટી સંખ્યામાં ડીજે અને આઇસર સાથે નોકર મંડળની રેલી યોજાઇ હતી જેમાં વર્ગ ૩ અને ૪ ના મોટા ભાગના કર્મચારીઓ જોડાયા હતા. રેલી યોજી હોવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે કેટલાક અધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીમાં પહોંચી શક્યા નહોતા સાંજે 6:00 વાગ્યા સુધી નોકર મંડળની રેલી હોવાના કારણે થઈને અધિકારીઓ અંદર જઈ શક્યા ની અને લોકો બહાર નીકળી શક્યા નહોતા રોડ ઉપર ટ્રાફિક જામની પણ સ્થિતિ જોવા મળી હતી.
સુરત નવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે, અને તેની સાથે જ સુરતમાં ગરબાના રંગમાં એક નવો વિવાદ ઉમેરાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે જાહેરાત કરી છે કે આ વર્ષે નવરાત્રી ફક્ત સાંસ્કૃતિક અને ધર્મ-લક્ષી હશે. આ માટે એક સ્પષ્ટ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં શ્રદ્ધા ન ધરાવતા અન્ય ધર્મના લોકોને ગરબાના પંડાલમાં પ્રવેશ મળશે નહીં, એટલું જ નહીં, ગરબા સાથે સંકળાયેલા કોઈપણ કામમાં પણ તેમને સામેલ કરવામાં આવશે નહીં. 'પવિત્ર પર્વમાં માત્ર સનાતની હિન્દુ સમાજ જ સામેલ હોવો જોઈએ'બજરંગ દળ દ્વારા સાંસ્કૃતિક નવરાત્રી બેઠક કરવામાં આવી રહ્યો છે . તેમના મતે માં જગદંબાની આરાધનાના આ પવિત્ર પર્વમાં માત્ર સનાતની હિન્દુ સમાજ જ સામેલ હોવો જોઈએ. આ માટે, તેઓએ ગરબા આયોજકોને કડક સૂચના આપી છે કે સાઉન્ડ સિસ્ટમ, મંડપ, લાઇટ, બાઉન્સર કે કલાકાર - કોઈ પણ કામમાં અન્ય ધર્મના લોકોને સામેલ ન કરવામાં આવે. પોલીસ પ્રશાસનને સાથે રાખીને ગરબા પંડાલમાં ચેકિંગબજરંગ દળ દ્વારા આ નિયમનું પાલન કરાવવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો સહરા દરવાજા સ્થિત શ્રી રામજી મંદિર ખાતેની બેઠકમાં તૈયાર કરવામાં આવી છે, જેમાં વિભાગીય મંત્રીઓ અને સંયોજકો હાજર હતા. જો કોઈ આયોજક આ નિયમનો ભંગ કરશે તો આ ટીમો પોલીસ પ્રશાસનને સાથે રાખીને ગરબા પંડાલમાં ચેકિંગ હાથ ધરશે અને યોગ્ય કાર્યવાહી કરશે. વાલીઓ અને આયોજકોની મૂંઝવણઆ જાહેરાત બાદ સુરતના ગરબા આયોજકો અને સામાન્ય જનતામાં એક પ્રકારની ચર્ચા અને મૂંઝવણ ઊભી થઈ છે. કેટલાક લોકો આ નિર્ણયને સાંસ્કૃતિક ઓળખ જાળવવા માટે આવશ્યક માને છે, જ્યારે અન્ય લોકો તેને ભેદભાવપૂર્ણ ગણાવી રહ્યા છે. ઘણા વાલીઓ પણ ચિંતિત છે કે જો કોઈ વ્યક્તિ અન્ય ધર્મનો હોય તો તેને કેવી રીતે ઓળખી શકાશે અને આનાથી કોઈ અનિચ્છનીય બનાવ તો નહીં બને? સુરત શહેર, જે તેની કોસ્મોપોલિટન સંસ્કૃતિ અને ભાઈચારા માટે જાણીતું છે, ત્યાં આ નિર્ણય કેવો પ્રભાવ પાડશે તે જોવું રહ્યું. શું આ પહેલથી નવરાત્રીનો ધાર્મિક મહિમા જળવાઈ રહેશે, કે પછી તે આ પર્વની સર્વસમાવેશકતા પર સવાલ ઉઠાવશે? આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાઈ શકે છે અને પોલીસ પ્રશાસન માટે પણ એક નવી ચિંતા ઊભી થઈ શકે છે.
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી. જેને જોવા માટે હરણી બોટ કાંડમાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના બે માતાઓ પાલિકા પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી નવાપુરા પોલીસ સ્ટેશન લઈ આવતા સવાલો ઊભા થયા છે. નવાપુરા પોલીસ મથકના પીઆઈ એમ. એસ. અન્સારી સાથે ટેલિફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે,અમે તેઓની અટક કરી હતી. તેઓ સભામાં કોઈ વિરોધ કરવાના હોવાની માહિતી મળી હોવાથી તેઓને અટક કરી પછી છોડી દેવામાં આવ્યા હતા. સરલા સિંદે અને સંધ્યા નિઝામાની અટકાયત કરાઈ હતીપાલિકાની સામાન્ય સભા જોવા માટે કોઈપણ સામાન્ય નાગરિક આવી શકે છે, કાઉન્સિલર તરફથી ભલામણ હોય તો પાલિકામાંથી સભા જોવા માટે પાસ આપવામાં આવતા હોય છે. ત્યારે હરણી બિટકાંડમાં જીવ ગુમાવનાર અને સીએમની ભરી સભામાં રજૂઆત કરનાર પીડિતા સરલા સિંદે અને સંધ્યા નિઝામા સામાન્ય સભા જોવા પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા. ત્યારે તેઓને સિક્યુરિટી દ્વારા બહાર કાઢી નવાપુરા પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવતા સવાલો ઊભા થયા હતા. આ બાબતે જાણ તેઓના પતિને થતા તેઓ પણ પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા. સાથે કોર્પોરેટર આશિષ જોશી સહિત વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરો પણ પોલીસ મથકે એકઠા થયા હતા અને આ પ્રકારની કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડી હતી. 'અમારી જોડે છેલ્લા દોઢ વર્ષથી ખરાબ વર્તન કરે છે'આ અંગે સરલા શિંદેએ જણાવ્યું હતું કે, આજે અમે સભામાં ખાલી સભા સંભાળવા આવ્યા હતા. માત્ર બે મિનિટ બેઠા હતા અને અમને નીચે સર જોડે મળવાનું કહી એમણે પોલીસ સ્ટેશન લઈને આવ્યા છે. આજે અમે કયો પ્રોટોકોલ ભંગ કર્યો છે. અમારી જોડે છેલ્લા દોઢ વર્ષથી ખરાબ વર્તન કરે છે. ઘરે પોલીસ આવી જાય છે અટકાયત કરવામાં આવે છે. સભા જોવા માટેના પાસ ઇશ્યૂહરણી પીડિત માતાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલ કાઉન્સિલર આશિષ જોષી અને હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં કાઉન્સિલર એવા પારૂલબેન પટેલના ભલામણ પર સભા જોવા માટેના પાસ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. કાઉન્સિલરએ વિરોધ નોંધાવી કાર્યવાહીને લોકશાહીની વિરુદ્ધ ગણાવીઆ અંગે આશિષ જોશીએ કહ્યું હતું કે, વડોદરા શહેરમાં દિવસ અને દિવસે ભારતીય જનતા પાર્ટીના દબાણમાં કોઈ પણ વ્યક્તિ પર લેન્ડ ગ્રેબિંગ કરી દે છે, કોઈને પણ ઉપાડી લે છે. ન્યાય આપવો નથી આજે 18 જાન્યુઆરી 2024 અને આજે 18 સપ્ટેમ્બર 2025 આજે સાંજે જ આ બાળકો 20 મહિના પહેલા આજ તંત્રની લાપરવાહી અને ગંભીર બેદરકારીના ભોગ બની ગયા હતા. આ બંને માતાઓ ન્યાય માંગે છે ત્યારે ન્યાય મળતો નથી. 'કેસના ગુનેગાર ગોપાલ શાહને લાલ જાજમ પાથરીને હોટલમાં આમંત્રણ આપવામાં આવે'વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી આવે છે તો ક્રાઈમ બ્રાન્ચ ઉઠાવી જાય છે. મુખ્યમંત્રી આવે છે ત્યારે આજ કેસના ગુન્હેગાર ગોપાલ શાહને લાલ જાજમ પાથરીને હોટલમાં આમંત્રણ આપવામાં આવે છે. એટલે આપ સમજી શકો છો કે આ તંત્ર કયા ઈશારી અને કોના હિસાબે કામ કરે છે. આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે, માત્ર ખેસ પહેરવાનો બાકી છે તેવું દેખાઈ રહી છે, કારણ કે કાયદેસર આજે મ્યુનિસિપલ કાઉન્સિલરના પત્રથી જે અમને હોદ્દાનીરુએ કાયદામાં જોગવાઈ છે તે પ્રમાણે દરેક નાગરિક આસપાસ સામાન્ય સભા જોવા માટે આવી શકે છે. કાયદેસરના પાસ હોવા છતાં પોલીસે અટકાયત કરી હતીવધુમાં કહ્યું કે, કાઉન્સિલનો અનુમતિપત્ર હોય તો તેની પ્રેક્ષક ગેલેરીમાં સ્થાન મળે છે. આ ત્રણેય લોકોને આજે અહીંયા આવ્યા હતા. આ સભામાં બેસીને સભા નિહાળતા હતા ત્યારે નવાપુરા પોલીસ બહાદુરી પૂર્વક લઈ આવે છે. ત્યારે શહેરના મહિલા મેયર પોલીસ બોલાવી કાયદેસરના પાસ હોવા છતાં પોલીસ નવાપુરા પોલીસ મથકમાં લઈને આવે છે. અટક કરી પછી છોડી દેવામાં આવ્યા - પીઆઈ અન્સારીઆ અંગે નવાપુરા પોલીસ મથકના પીઆઈ એમ. એસ. અન્સારી સાથે ટેલિફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમને કોર્પોરેશન સિક્યુરિટી દ્વારા આ બંને મહિલાઓને સોંપવામાં આવી હતી. જેથી અમે તેઓની અટક કરી હતી. તેઓ સભામાં કોઈ વિરોધ કરવાના હોવાની માહિતી મળી હોવાથી તેઓને અટક કરી પછી છોડી દેવામાં આવ્યા હતા.
આગામી 20 સપ્ટેમ્બરના રોજ ભાવેણાની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે, ત્યારે તેના રોડ શો અને સભા સ્થળ પર સુચારું વ્યવસ્થાપન અને આગમનની તૈયારી માટે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના તળાજા જકાતનાકા પાસે આવેલ મીરાકુંજ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિમાં મીરાકુંજ એક સંકલન બેઠક યોજાઈ હતી, પરસોત્તમ સોલંકીએ લોકોને કાર્યક્રમમાં આવવા આહવાન કર્યુંપરસોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે એટલે મારે એક જ કહેવાનું કે જેટલાને આ જાણકારી મળે તેણે તમામ લોકોએ કાર્યક્રમમાં આવવા આહવાન કર્યું હતું, વધુમાં મારા બહેન નિમુંબેન પણ પોતાના પ્રવચનમાં બધી વાત કરી. નરેન્દ્ર મોદીના રોડ શો કરવાના છે. તો જેટલા સભામાં આવી શકે અને જેટલા રોડ શોમાં આવી શકે, આયોજન માટે પરષોત્તમભાઈના ઘરે બેઠક યોજાઈકેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગર પધારી રહ્યા છે. એના ભાગરૂપે આજે આપણા ગુજરાત રાજ્યના મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના ઘરે કાર્યકર્તાઓની બેઠક રાખેલી હતી. આજે ઘણી સંખ્યાની અંદર મંડળના પ્રમુખો, અમારા જિલ્લા પ્રમુખ, મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આજે પરષોત્તમભાઈના ઘરે જે બેઠક હતી એની અંદર ઉપસ્થિત થયા છે. અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પદાધિકારીઓ આવ્યા છે. પ્લાનિંગ માટે બધા જ કાર્યકર્તાઓની સભાતેને વધુમાં ઉમેર્યું કે, જે 20 તારીખે જે વડાપ્રધાન ભાવેણાની ધરતી પર આવી રહ્યા છે, એના પ્લાનિંગ માટે અને બધા જ કાર્યકર્તાઓ સભા છે એમાં એકત્રિત થાય એનું માઈક્રો પ્લાનિંગ માટે આજે પરષોત્તમભાઈના ઘરે બેઠક રાખેલી છે. ત્યારે સૌ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને ભાઈએ પણ ટકોર કરી છે કે તેજસ્વી વડાપ્રધાન આવતા હોય ત્યારે નરેન્દ્ર મોદીનો પ્રસંગ એ મારો પ્રસંગ છે ત્યારે સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય એવું આહ્વાન કર્યું છે.
ગોધરામાં વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો રદ:ગેરરીતિ બદલ ₹15,022 નો દંડ, કડક કાર્યવાહી
ગોધરામાં એક સરકારી માન્ય વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી ડો. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલી આકસ્મિક તપાસમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. દુકાનદારને ₹15,022/- નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.આ કાર્યવાહી ૨૩ જૂન, ૨૦૨૫ ના રોજ કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે ગોધરા તાલુકાની ગોધરા-૪૬ અન્સારી સિરાજુલહકક અબ્દુલહકક સંચાલિત ધી વેસ્ટર્ન રેલ્વે કો.ઓ. સોસાયટી લીમીટેડની વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન, દુકાનમાંથી ઘઉંના ૨ કટ્ટા, ચોખાનો ૧ કટ્ટો અને ખાંડના ૨૨ કિલોગ્રામનો વધારાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, દુકાનનું સંચાલન કરતી મંડળી ફડચામાં હોવા જેવી ગંભીર ગેરરીતિ પણ સામે આવી હતી. આ ગેરરીતિઓ અંગે જવાબદાર દુકાનદારને નોટિસ પાઠવવામાં આવી હતી. દુકાનદાર દ્વારા રજૂ કરાયેલો લેખિત ખુલાસો સંતોષકારક ન જણાતા, જિલ્લા પુરવઠા અધિકારી ડો. ભાર્ગવ ડાંગર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા. દુકાનદારે ગેરરીતિ આચરી હોવાનું અને પરવાનાની શરતોનો ભંગ કર્યો હોવાનું સ્પષ્ટ થતાં, સરકારી જોગવાઈઓ મુજબ દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરી ₹15,022/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.આ કાર્યવાહી દર્શાવે છે કે જિલ્લા પુરવઠા કચેરી ગેરરીતિ આચરનારા વ્યાજબી ભાવના દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને જરૂરિયાતમંદ લાભાર્થીઓના હિતોનું રક્ષણ કરવા કટિબદ્ધ છે.
નેશનલ ખેલાડી પારસ ચૌહાણને ઢોર માર મરાયો:ગોધરામાં સ્કાય જીમના માલિક અને અન્ય સામે ફરિયાદ
ગોધરામાં નેશનલ કક્ષાના બોક્સર ખેલાડી પારસ ચૌહાણને ઢોર માર મારવામાં આવ્યો છે. સ્કાય જીમના માલિક આકાશ યાદવ અને અન્ય એક ઈસમ અમન મન્સુરી દ્વારા ગાડીમાં અપહરણ કરી, માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, પારસ ચૌહાણ 'માય જીમ'માં કામ કરે છે. 'માય જીમ'ના માલિક ધીરજ મલ્હોત્રાએ તેને જાણ કરી કે 'સ્કાય જીમ'ના માલિક આકાશ યાદવ તેની સાથે વાત કરવા માંગે છે. આકાશ યાદવ 'માય જીમ' ખાતે આવ્યો અને પારસને પોતાની ગાડીમાં બેસાડી દીધો હતો.ગાડીમાં આકાશે પારસને 'માય જીમ'માં નોકરી કરવા બદલ ગાળો આપી હતી. ત્યારબાદ ગાડી તૃપ્તિ હોટલ ખાતે લઈ જઈ ત્યાંથી અમન મન્સુરીને ગાડીમાં બેસાડ્યો હતો. પછી બામરોલી બાયપાસ ખાતે લઈ જઈ આકાશ યાદવ અને અમન મન્સુરીએ પારસને ઢોર માર માર્યો હતો અને ગોધરામાં દેખાય તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ પારસને 'સ્કાય જીમ' પર લઈ ગયા હતા, જ્યાં પૈસાની લેવડદેવડ બાબતે એક વિડિયો બનાવ્યો હતો અને ફરીથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટના પૈસાની લેતીદેતીના મામલે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.નોંધનીય છે કે પારસ ચૌહાણ પંચમહાલ જિલ્લાનો નેશનલ લેવલનો બોક્સર ખેલાડી છે. તેણે ભારત દેશના મોટા શહેરોમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે અને અનેક મેડલો પણ જીત્યા છે.
સોનગઢ-ઉકાઈ રોડ પરથી વોન્ટેડ આરોપી ઝડપાયો:પ્રોહિબિશન સહિતના ગુનામાં સંડોવાયેલ પુનમભાઈ ભરવાડની ધરપકડ
તાપી જિલ્લાના સોનગઢ-ઉકાઈ રોડ પરથી વોન્ટેડ આરોપી પુનમભાઈ ઉર્ફે પુનાભાઈ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. પેરોલ ક્રાઈમ સ્ક્વોડ અને એલ.સી.બી.ની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા-2023 અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સોનગઢ-ઉકાઈ રોડ પર આવેલા એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી નાસતા ફરતા આરોપી પુનમ ઉર્ફે પુના બાથાભાઈ ભરવાડ (ઉંમર 32, રહે. જમાદાર ફળીયુ, સોનગઢ)ને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી હતી અને તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં એ.એસ.આઇ. બિપીનભાઈ રમેશભાઈ, અ.હે.કો. લેબજી પરબતજી, અ.હે.કો. અનિરૂદ્ધસિંહ દેવસિંહ, પો.કો. દિપકભાઈ સેવજીભાઈ, રાહુલ દિગંબર, વિનોદભાઈ ગોકળભાઈ તથા પ્રકાશભાઈ રામાભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.
હિંમતનગર: હિંમતનગર A ડિવિઝન પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા 15 મોબાઈલ ફોન શોધી કાઢી તેમના માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂ. 2,98,656 આંકવામાં આવી છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા આ મોબાઈલ ફોન શોધવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. સફળતાપૂર્વક ફોન શોધી કાઢ્યા બાદ, પોલીસે તમામ 15 મોબાઈલના માલિકોને A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા.પોલીસ સ્ટેશનમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં, A ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એમ. ચૌધરીના હસ્તે સ્ટાફની ઉપસ્થિતિમાં તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. આ અંગે પીઆઈ પી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, તેમની ટીમે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો અસરકારક રીતે ઉપયોગ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, નાગરિકોને તેમની કિંમતી વસ્તુઓ પરત મળે તે માટે પોલીસ હંમેશા પ્રયત્નશીલ રહે છે.
તાપી જિલ્લામાં પશુ ઘાતકીપણાના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી આમીન શકીલ કુરેશી (ઉંમર 22, રહે. ઇસ્લામપુર નવાપુર, જી. નંદુરબાર)ને પેરોલ ક્રાઈમ સ્ક્વોડે વ્યારાના જૂના બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા તેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તાપી જિલ્લાની પેરોલ ક્રાઈમ સ્ક્વોડ અને એલ.સી.બી.ની સંયુક્ત ટીમ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એ.એસ.આઇ. આનંદભાઈ ચેમાભાઈ અને જગદીશભાઈ જોરારામભાઈને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી આમીન શકીલ કુરેશી સામે પશુ ઘાતકીપણાનો કાયદો 1960 અને પશુ સુરક્ષણ સુધારા અધિનિયમ 2017 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-35(1) મુજબ અટક કરી વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
ડોલવણ તાલુકાના કલકવા ગામે એક દુઃખદ ઘટનામાં 13 વર્ષીય કૃષ્ણા ઢોડિયાનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે કૃષ્ણા પોતાના ઘર પાછળ આવેલા બાથરૂમ તરફ જઈ રહી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કૃષ્ણા ઢોડિયા ઘરની પાછળ ખેતીવાડી માટે પડેલા કેબલ વાયર પર પગ મૂકતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટના ઝટકાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ઘટનાની જાણ થતાં જ ડોલવણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કેબલમાંથી વીજ પ્રવાહ પસાર થઈ રહ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાથી ગામમાં ભારે દુઃખ અને ચિંતાનો માહોલ છે.
નવસારી શહેરના મોટા બજાર વિસ્તારમાં આવેલા જૂના ટ્રાફિક પોલીસ સ્ટેશન પરથી પાણીની ટાંકી ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું અને મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ પડતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો, જેના કારણે વગર વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાનગી કંપની મારફતે જર્જરિત હાલતમાં રહેલી આ ટાંકીને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. ટાંકી ઉતારતી વખતે બાજુની દીવાલ ઘસી પડી હતી.દીવાલ ઘસી પડવાને કારણે નીચે પાર્ક કરવામાં આવેલી પાંચ બાઈક, એક બ્રેઝા કાર અને ફાયર વિભાગના 'યોદ્ધા' વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી હોનારત ટળી હતી.ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરની ટીમે તૂટી પડેલી દીવાલને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ પડવાને કારણે લાખો લિટર પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું, જેના દ્રશ્યો નદી વહેતી હોય તેવા લાગતા હતા.
પ્રસિદ્ધ ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિતના સાત આરોપીઓને અંતે જામીન મળ્યા છે. વેરાવળ ડિસ્ટ્રિકટ સેશન્સ કોર્ટ દ્વારા આ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. દેવાયત ખવડને એક લાખના વ્યક્તિગત તથા અન્ય આરોપીઓ 25 હજારના બોન્ડ તથા તમામને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. કોર્ટના આદેશ મુજબ દેવાયત ખવડને રૂ.1 લાખના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય છ આરોપીઓને રૂ.25-25 હજારના બોન્ડ મુકવા પડશે. ઉપરાંત કોર્ટએ કડક શરતો પણ ફરમાવી છે. આરોપીઓને દર પંદર દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર થવું પડશે. સાથે જ દેવાયત ખવડ તથા અન્ય આરોપીઓ પર સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. ગઈકાલે તાલાલા કોર્ટએ દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓના જામીન ફગાવતાં તેમને જૂનાગઢ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, આજે ડિસ્ટ્રિકટ સેશન્સ કોર્ટના આદેશ બાદ આરોપીઓ જામીન પર મુક્ત થતાં તેમના પરિવારજનો અને ચાહકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.
સુરત શહેરમાં આતંક ફેલાવનાર અને ગરીબ તેમજ વેપારી વર્ગને હેરાન કરનાર કુખ્યાત સદ્દામ ગોડીલ ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગના મુખ્ય સૂત્રધાર સદ્દામ ઉર્ફે ઇમ્તિયાઝ અને તેના ભાઈ ફૈસલ, ઉપરાંત શાહિદ ગોડીલ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ આ કડક કાયદાનો ઉપયોગ કરી કેસ નોંધવામાં આવ્યો છે. ગેંગના સભ્યો વિરુદ્ધ યુએસડીટી અને જીએસટી કૌભાંડ સહિત 13 ગુના નોંધાયેલા છે. ગેંગ મોડસ ઓપરેન્ડીથી ધનિક વ્યક્તિઓને ટાર્ગેટ કરતાંઆ ગેંગ એક સુસંગઠિત અપરાધ સિન્ડિકેટ ચલાવતી હતી, જેમાં સદ્દામ અને ફૈસલ સહિતના સભ્યો મળીને ગુનાઓને અંજામ આપતા હતાં. તેમનો મુખ્ય ટાર્ગેટ સમાજમાં સારા વ્યક્તિત્વ ધરાવતા અને ધનિક વ્યક્તિઓ હતા. સૌ પ્રથમ તેઓ લક્ષિત વ્યક્તિઓ સાથે સારા સંબંધો બનાવતા હતા. ત્યારબાદ, તેઓ તેમની જમીન અથવા મિલકતની ખરીદ-વેચાણની વાતો કરતાં. જંત્રી ભાવ જેટલા પૈસા આપીને બાકીની રકમ ચૂકવતા નહોતાં. જો પીડિત વ્યક્તિ પૈસાની માંગણી કરે, તો અસામાજિક તત્વોને વચ્ચે લાવીને ખંડણીની માંગણી કરતા અને ધમકીઓ આપતા. આ રીતે તેઓ પૈસા પડાવતા હતા. ગેંગના સભ્યોએ 2006થી અત્યાર સુધીમાં ખંડણી, ધમકી, છેતરપિંડી, લૂંટ અને મારામારી જેવા 13 જેટલા ગંભીર ગુનાઓ આચર્યા છે. યુએસડીટી અને જીએસટી કૌભાંડ આચરતાંપોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ ગેંગના સભ્યો યુએસડીટી (USDT) ક્રિપ્ટોકરન્સી મારફતે પણ ગુનાહિત નાણાકીય વ્યવહારો કરતા હતા. આ ઉપરાંત, સદ્દામ ગેંગે જીએસટી કૌભાંડ આચરીને સરકારને પણ મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેઓ સતત ચાલુ રાખતા હતા, જેણે પોલીસને તેમના પર ગુજસીટોક લગાવવા મજબૂર કરી. ગેંગ વિરુદ્ધ 13 ગુના નોંધાયેલાઆ મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, આ ગેંગ વિરુદ્ધ 13 ગુના નોંધાયેલા છે. આરોપી ગોડીલ વિરુદ્ધ મુંબઈમાં પણ ફરિયાદ દાખલ થઈ છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ એક આંતરરાજ્ય ગેંગ છે અને તેઓ અન્ય રાજ્યોમાં પણ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હતા. તેમણે ઉમેર્યું કે છેલ્લા બે મહિનામાં જ આ ગેંગ વિરુદ્ધ 6 ગુનાઓ નોંધાયા છે, જેના કારણે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગેંગના આતંકનો હવે અંત!પોલીસની આ કાર્યવાહીને કારણે સુરતના નાગરિકોને આશા છે કે આ ગેંગના આતંકનો હવે અંત આવશે. ગુજસીટોક હેઠળની કાર્યવાહી અપરાધીઓને કડક સજા અપાવવામાં મદદ કરશે અને સંગઠિત ગુનાખોરી પર અંકુશ લાવશે.
હિંમતનગરમાં એક વ્યક્તિને આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ 12 વ્યાજખોરોને ત્રણ વર્ષની સખ્ત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે. આ કેસ છ વર્ષ જૂનો છે, જેમાં વ્યાજખોરોએ ઉંચા વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. મૃતક ગિરીશ પ્રજાપતિએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સુસાઈડ નોટ લખી હતી. આ નોટ તેમણે 5 જુલાઈ 2019ના રોજ ટપાલ મારફતે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોકલી હતી. તે જ દિવસે તેમણે પોતાના ઘરે સેલફોસની ગોળીઓ ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ગિરીશના મૃત્યુ બાદ તેમના પત્ની કંચનબેન પ્રજાપતિએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસના અંતે ચાર્જશીટ હિંમતનગરની સેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. ગુરુવારે ન્યાયાધીશ કે.આર. રબારી સમક્ષ આ કેસની સુનાવણી થઈ હતી. મદદનીશ સરકારી વકીલ વિક્રમસિંહ એસ. પરમારની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશે તમામ 12 આરોપીઓને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા 500નો દંડ ફટકાર્યો હતો. સજા પામેલા વ્યાજખોરોમાં કનુ ડાહ્યા પટેલ, હરીશ મણી પટેલ, અંકુરસિંહ પદ્મસિંહ રહેવર, પ્રેમસિંહ દિપસિંહ સિસોદીયા, કિરણકુમાર ગીસુલાલ શાહ (મારવાડી), કમલેશ ભગવાનદાસ પટેલ, દ્વારકાદાસ નરસિંહ પટેલ, મોહબતસિંહ જોરાવરસિંહ ઉદાવત, પુંજા ચેહોર રબારી, અરવિંદ કલા રબારી, વિનોદ અમીચંદ પંચાલ અને શૈલેષકુમાર ચંદુલાલ પંચાલનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 15 ઓક્ટોબર 2016ના રોજ શેરડીટીંબા ગામમાં રહેતા ઉર્વશીબેન પુખરાજભાઈ દરજી અને અરવિંદભાઈ અમૃતલાલ પ્રજાપતિ વચ્ચે નવરાત્રી દરમિયાન કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાની અદાવત રાખીને બીજા દિવસે, 16 ઓક્ટોબર 2016ના રોજ સવારે, અરવિંદ પ્રજાપતિએ અશોકભાઈ રાણાજી દરજી અને તેમના પત્ની રેખાબેન દરજી પર હુમલો કર્યો હતો. અશોકભાઈ અને રેખાબેન ખેતરમાં ગાયોનું દૂધ કાઢવા ગયા હતા ત્યારે અરવિંદ પ્રજાપતિએ લાકડી, પાવડો અને ચપ્પુ વડે હુમલો કર્યો. ત્યારબાદ અશોકભાઈને ઢાળીયા પાસેના મકાનમાં ખેંચી જઈ દાતરડા વડે ગળું કાપી નાખ્યું. રેખાબેન પર પણ પાવડા અને દંતાડી વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. હત્યા બાદ આરોપી અરવિંદ પ્રજાપતિ મૃતક અશોકભાઈનું બાઇક અને મોબાઇલ લઈને ફરાર થઈ ગયો હતો. તેણે વડોદરાથી અમદાવાદ, ઝાલોદ-બાંસવાડા અને મોડાસા જતાં રસ્તામાં મોબાઇલ ફેંકી દીધો હતો અને બાઇક અમદાવાદના રામોલ વિસ્તારમાં બિનવારસી મૂકી દીધું હતું. આ મામલે તત્કાલિન સમયે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં રાણાજી દરજીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ હિંમતનગરની સેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. ગુરુવારે સેશન્સ કોર્ટના ન્યાયાધીશ વી.એચ. પટેલ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ જયદીપસિંહ એસ. જેતાવત દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશે આરોપી અરવિંદ પ્રજાપતિને આજીવન સખ્ત કેદની સજા અને ₹10,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.
કલ્યાણપુરમાં વીજશોક:લાગતા 53 વર્ષીય પરપ્રાંતિય મહિલાનું મૃત્યુ, પોલીસ તપાસ
કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામે વીજશોક લાગતા 53 વર્ષીય પરપ્રાંતિય મહિલાનું મૃત્યુ થયું છે. આ ઘટના સવારના સમયે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરતી વખતે બની હતી.મૃતક મહિલાની ઓળખ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કનવાડ જોબટ વિસ્તારના વતની પારલીબેન સેકડીયાભાઈ બધેલ તરીકે થઈ છે. તેઓ કુવા પાસે મોટર ચાલુ કરવા ગયા ત્યારે તેમને વીજ કરંટ લાગ્યો હતો.આ બનાવ અંગે મૃતકના પતિ સેકડીયાભાઈ નૂરિયાભાઈ બધેલ દ્વારા કલ્યાણપુર પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ફિશિંગ બોટોમાંથી કેબલ વાયરની ચોરીનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો રૂપિયા 80,500 ની કિંમતનો 230 ફૂટ સ્ટાર્ટર કેબલ વાયર ચોરી કરીને લઈ ગયા હતા.આ ચોરી દરગાહ પાછળ આવેલી દરિયાઈ ખાડીમાં પાર્ક કરેલી જુદી જુદી ફિશિંગ બોટોમાંથી થઈ હતી.સલાયાના રહીશ અકબરભાઈ ગનીસુલેમાનભાઈ સંઘારની ફરિયાદના આધારે સલાયા મરીન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, તેમની શોધખોળ શરૂ કરી છે. દ્વારકાના જલારામ સોસાયટી વિસ્તારમાંથી પોલીસે મોડી રાત્રે જુગાર રમતા પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 5,310 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.ઝડપાયેલા વ્યક્તિઓમાં ભાવેશ જગજીવનભાઈ મોદી, સંજય રામજીભાઈ કોટેચા, ભરત નારણદાસ વિઠલાણી, ખ્યાતિબેન સંજયભાઈ કોટેચા અને સીતાબેન ભાવેશભાઈ મોદીનો સમાવેશ થાય છે. તેઓ ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહ્યા હતા.પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રી અને દશેરાના તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ DYSP અને સીટી PI એચ. આર. ગોસ્વામીએ અધ્યક્ષતા કરી હતી.બેઠકમાં હિન્દૂ-મુસ્લિમ સમુદાયના આગેવાનો, નવરાત્રી ઉત્સવના સંચાલકો તેમજ સામાજિક સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તહેવારો કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે સૌને અપીલ કરવામાં આવી હતી.ઇન્ચાર્જ DYSP અને સીટી PI એચ. આર. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, નવરાત્રી મહોત્સવ સંદર્ભે વેરાવળ પોલીસે રાત્રી બંદોબસ્ત માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સંવેદનશીલ પોઈન્ટ પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.આયોજનમાં મહિલા પોલીસની સી ટીમ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે. પોલીસની આ સી ટીમ સાદા ડ્રેસમાં ગરબીઓમાં પેટ્રોલિંગ કરશે અને અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોને ઝડપી પાડશે. આ બેઠકમાં PSI જી. એન. કાછડ સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ સમાચાર:રાજકોટના વોર્ડ નંબર 11માં ગાર્ડન અને રોડ રસ્તાના મુદ્દે આમ આદમી પાર્ટીનો વિરોધ
રાજકોટ શહેરના વોર્ડ નંબર 11માં આમ આદમી પાર્ટી દ્વારા આજે ગાર્ડનના વિકાસ અને બિસ્માર રોડ રસ્તાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ફ્લેટ ધારકોએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારના ગાર્ડન માટે રૂ. 75 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, પરંતુ આ ગ્રાન્ટ મંજૂર થયાને એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં ગાર્ડનનું કામ શરૂ થયું નથી. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને માત્ર આશ્વાસનો આપવામાં આવે છે. આ અંગે સ્થાનિક ફ્લેટ ધારકે જણાવ્યું કે, અમે વારંવાર કોર્પોરેટર અને ધારાસભ્યને રજૂઆત કરી છે, પરંતુ કોઈ સુનાવણી થતી નથી. અત્યંત ઢીલી નીતિને કારણે લોકો પરેશાન છે. આવનારી કોર્પોરેશનની ચૂંટણી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, અમારો મત સ્પષ્ટ છે: જે પક્ષ કે ઉમેદવાર કામ કરશે, તેને જ મત મળશે. અમને હવે વિકાસ સાથે કામ જોઈએ છે, માત્ર વાયદા નહીં. આ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમણે ગાર્ડન અને રસ્તાઓના કામમાં થઈ રહેલા વિલંબ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. નાના બાળકોના હેલ્થ ચેકઅપનો ચિંતાજનક રિપોર્ટ, 26 માસુમોને કેન્સર, 126 બાળકોને હૃદયરોગ રાજકોટમાં બાળકોમાં ગંભીર બિમારીઓનું નિદાનમહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ તપાસણી દરમિયાન કુલ 190093 બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બાળકોમાં ગંભીર બિમારીઓ હોવાનું નિદાન થયું છે.બઆ સર્વે મુજબ, 26 બાળકોને કેન્સર, 126 બાળકોને હૃદયની બિમારી, અને 38 બાળકોને કિડનીની બિમારી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, 7 બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટ અને 12 અન્ય ગંભીર બિમારીઓનું નિદાન થયું છે. આ તમામ બાળકોને આગળની સુપર સ્પેશ્યાલિટી સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. મહાપાલિકાનો આરોગ્ય વિભાગ આ બાળકોના વાલીઓને રોગ અને યોગ્ય ખાનપાન વિશે માર્ગદર્શન પણ આપી રહ્યો છે. જોકે, માત્ર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આ તપાસણી કરવામાં આવી હતી, ત્યારે ખાનગી શાળાઓમાં પણ આ પ્રકારના હેલ્થ ચેકઅપ કરાવવાની જરૂર છે. રાજકોટમાં બ્લડ ડોનેશન કેમ્પમાં 1908 બોટલ રક્ત એકત્ર થયું રાજકોટમાં પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાનનો શુભારંભ થયો છે. આ અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા રેસકોર્ષ ખાતે હેલ્થ ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ અને મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબોએ આ શિબિરમાં સેવા આપી હતી. રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલકીર્તિ ચક્રવર્તી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જય ગોસ્વામીએ રક્તદાન કરીને બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. ગત 16 અને 17 સપ્ટેમ્બરના રોજ પદાધિકારીઓ અને 9 બ્લડ બેંકના સહયોગથી કુલ 24 બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા. આ કેમ્પમાં કુલ 1908 બોટલ રક્ત એકત્ર થયું હતું. આ પ્રયાસથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તનો પૂરતો જથ્થો ઉપલબ્ધ બનશે. મનપા દ્વારા પાણી પુરવઠા કર્મચારીઓને ક્લોરીન ગેસ લીકેજ અંગેની તાલીમ અપાઈ રાજકોટ મહાપાલિકા દ્વારા પાણી પુરવઠા કર્મચારીઓને ક્લોરીન ગેસ લીકેજ અંગેની તાલીમ આપવામાં આવી, આ તાલીમનો મુખ્ય હેતુ ક્લોરીન ગેસનો યોગ્ય ઉપયોગ અને તેના લીકેજની પરિસ્થિતિમાં સુરક્ષા જાળવવાનો છે. આ કાર્યક્રમમાં સેન્ટ્રલ ઝોનના ફિલ્ટર પ્લાન્ટ, પમ્પિંગ સ્ટેશન અને સ્વિમિંગ પૂલ પરના કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ તાલીમમાં કર્મચારીઓને ક્લોરીન લીકેજ કેવી રીતે બંધ કરવું, સેલ્ફ-કન્ટેઇન્ડ બ્રિધિંગ એપરેટસ (SCBA) સેટ અને ક્લોરીન સેફ્ટી કીટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમિસ્ટ એચ.સી.નાગપરા, કેમિસ્ટ એચ.એ.તડવી અને ક્લોરીન એટેન્ડન્ટ ઋત્વિક રાઠોડ દ્વારા આ તાલીમનું સંચાલન કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ક્લોરીન ગેસ અત્યંત ઝેરી છે અને 1000 પીપીએમથી વધુ પ્રમાણ શ્વાસમાં લેવાથી મૃત્યુ થઈ શકે છે. તેની તીવ્ર ગંધ નાક અને ગળામાં બળતરા પેદા કરી શકે છે. જોકે, યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તે અસરકારક જંતુનાશક છે. તાલીમ ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓમાં સલામતી અને જાગૃતિ વધારવાના હેતુથી યોજવામાં આવી હતી. PM સ્વાનિધિ યોજના હેઠળ લોક કલ્યાણ મેળાનું આયોજન, ફેરિયાઓને સિક્યુરિટી વિના લોન અપાશે રાજકોટ મનપા દ્વારા શેરી ફેરીયાઓને આત્મનિર્ભર બનાવવા PM સ્વાનિધિ યોજના હેઠળ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા તા. 20/09/2025 અને તા. 22/09/1025ના રોજ શ્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જ્યુબિલી ગાર્ડન ખાતે સવારે 10:30 થી સાંજે 05:00 વાગ્યા સુધી યોજાશે. મેળામાં, નવી લોન અરજીઓ સ્વીકારવામાં આવશે અને બેંક સ્તરે મંજૂરી માટે બાકી રહેલી અરજીઓનો પણ નિકાલ કરવામાં આવશે. આ લોન સિક્યોરિટી વિના આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂ. 15,000, બીજા તબક્કામાં રૂ. 25,000 અને ત્રીજા તબક્કામાં રૂ. 50,000. આ લોન અનુક્રમે 12, 18, અને 36 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. આ મેળામાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ફોન-પે અને પે.ટી.એમ. જેવી સેવાઓ દ્વારા ડિજિટલ ઓનબોર્ડિંગની સમજ પણ આપવામાં આવશે. રસ ધરાવતા લાભાર્થીઓએ આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર સાથે હાજર રહેવા જણાવાયું છે. રાજકોટ જિલ્લા કલેક્ટરની કડક કાર્યવાહી, શરત ભંગના છ કેસમાં રૂા.24.50 લાખનો દંડ ફટકાર્યો રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા શરતભંગના છ કેસોમાં આસામીઓને રૂ. 24.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઔદ્યોગિક અને ખેતીની જમીનનો અનઅધિકૃત રીતે વાણિજ્યિક ઉપયોગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વાવડી, નવાગામ, ધોરાજી અને ઉપલેટાના કેસોનો સમાવેશ થાય છે. સૌથી મોટો દંડ વાવડી ગામના આસામીને રૂ. 13 લાખનો ફટકારવામાં આવ્યો છે. આ આસામીએ 10,000 ચોરસ મીટર ઔદ્યોગિક જમીનનો કોમર્શિયલ ઉપયોગ કર્યો હતો. ધોરાજીમાં ખેતીની જમીનનો ગેરકાયદેસર વાણિજ્યિક ઉપયોગ કરનારને રૂ. 88,480નો દંડ કરવામાં આવ્યો છે. નવાગામ, જેતપુરના 1 આસામીને ખેતીની જમીનનો ઔદ્યોગિક ઉપયોગ કરવા બદલ રૂ. 24,000નો દંડ થયો છે, જ્યારે અન્ય એક આસામીને છ વર્ષથી પાર્ટી પ્લોટ ચલાવવા બદલ રૂ. 10.11 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઉપલેટાના મોટી પાનેલીમાં ખેતીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરવા બદલ રૂ. 23,240 અને ધોરાજીના સુપેડીમાં રૂ. 3,840 દંડ થયો છે. કલેકટરે ચાર્જ સંભાળ્યા બાદ અપીલના કેસોનો ઝડપી નિકાલ કરવા પણ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 90 કેસોનો ચુકાદો આપી દેવામાં આવ્યો છે અને 200થી વધુ કેસો પર ઠરાવ લેવામાં આવ્યો છે.
વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટીના પ્રમુખ અને ચારુતર વિદ્યામંડળ (CVM) ના અધ્યક્ષ ભીખુભાઈ બી. પટેલને ‘વિદ્યા રત્ન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને મુંબઈમાં Master Soft Higher Education Leaders’ AI Conclave માં શિક્ષણ, સમાજ અને માનવતા માટેના તેમના યોગદાન બદલ આ સન્માન મળ્યું હતું.આ એવોર્ડ શ્રીરામ મંદિર, અયોધ્યાના સ્થાપક ટ્રસ્ટી પૂજ્ય હ.હ.સ્વામી ગોવિંદદેવ ગીરીજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદાન કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સમારોહમાં દેશભરની ૨૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના અગ્રણી શૈક્ષણિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સન્માન ભીખુભાઈ બી. પટેલની દૂરંદેશી, ઉત્તમ નેતૃત્વ અને શિક્ષણ ક્ષેત્રે જીવનભરની સમર્પિત સેવાભાવનું પ્રતિક છે. તેમણે શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કર્યા છે, જે શૈક્ષણિક જગત અને સમુદાય માટે પ્રેરણાદાયક છે.આ પ્રસંગે ભીખુભાઈ બી. પટેલે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ, સમાજ અને દેશની સમૃદ્ધિ માટે મારું યોગદાન સતત ચાલતું રહેશે.CVM યુનિવર્સિટી દ્વારા ભીખુભાઈ બી. પટેલને હૃદયપૂર્વકના અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. યુનિવર્સિટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના વિશ્વસનીય નેતૃત્વ હેઠળ CVM યુનિવર્સિટી વધુ ઊંચાઈઓ હાંસલ કરશે.
નર્મદા જિલ્લામાં પ્રથમવાર MD ડ્રગ્સ ઝડપાયું:SOGએ 70 હજારના 7 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપી પકડ્યા
નર્મદા જિલ્લામાં પ્રથમવાર મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ રાજપીપળામાંથી 7 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની બજાર કિંમત 70,000 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ અધિક્ષક વિશાખા ડાબરાલની સૂચનાથી, SOG પી.એસ.આઈ. જે.એમ. લટાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. SOG ટીમે રાજપીપળાના સિંધીવાડમાં રહેતા ફિરોજલાલુભાઈ ઘોરી અને ખત્રીવાડમાં રહેતા આફતાબહુસેન ફિરોઝખાન સોલંકીને APMC જિન કમ્પાઉન્ડ પાસે સિકોતર માતાના મંદિર નજીકથી ઝડપી પાડ્યા હતા. તેઓ ગ્રાહકોની શોધમાં હતા.આરોપીઓની અંગઝડતી અને તેમની કાળા રંગની સુઝુકી એક્સેસ સ્કૂટરની તપાસ દરમિયાન ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ ઉપરાંત સ્કૂટર, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1,32,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજપીપળા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.SOG પી.આઈ. વાય.આર. શિરસાઠે જણાવ્યું હતું કે જિલ્લામાં MD ડ્રગ્સ ઝડપાવાનો આ પ્રથમ બનાવ છે. પકડાયેલા આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. MD ડ્રગ્સ મોંઘું હોવાથી આરોપીઓ તેને વેચવા માટે ગ્રાહકો શોધી રહ્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, MD ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુટખાની પડીકીમાં નાખીને અથવા સિગારેટમાં ભેળવીને કરવામાં આવે છે, જે યુવાનો માટે ગંભીર બાબત છે. નર્મદા જિલ્લા પોલીસ નાર્કોટિક્સના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને ઉપયોગને ડામવા માટે સતત પ્રયત્નશીલ છે.પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો, ફિરોજ લાલુ ઘોરી વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં 4 અને ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં 1 મળી કુલ 5 ગુના નોંધાયેલા છે. જ્યારે આફતાબહુસેન ફિરોઝખાન સોલંકી સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલ છે.
પારડીના ખુંટેજમાં જૂની અદાવતે ઘરમાં ઘુસી હુમલો:પીડિતને ઈજા, પોલીસ ફરિયાદ દાખલ, તપાસ શરૂ કરાઈ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખુંટેજ ગામના પટેલ ફળિયામાં 17 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે આશરે પોણા સાત વાગ્યે મારામારીની ઘટના બની હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ગામના નેવા ફળિયાના રહેવાસી મહેશભાઈ ભાણાભાઈ પટેલ, જે જિગ્નેશભાઈના મિત્ર છે, તેમણે જૂની અદાવતને કારણે આ કૃત્ય આચર્યું હતું. તાર ખુંટા કાઢવા બાબતે થયેલા વિવાદને પગલે મહેશભાઈ ઉશ્કેરાઈને પીડિતના ઘરમાં ઘુસી ગયા હતા.ઘરમાં પ્રવેશ કર્યા બાદ આરોપીએ પીડિત અને તેના દીકરાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેણે ઘરના ઓટલાની ગ્રીલ તોડી અંદર ઘુસીને પીડિતના જમણા ખભા પર મુંઢમાર ઘા માર્યા હતા, જેના કારણે પીડિતને ઈજા પહોંચી હતી.આ ઘટના સમયે પાડોશીઓ ભેગા થતાં આરોપી મહેશભાઈ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પીડિતના પુત્રએ ૧૧૨ નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.ત્યારબાદ પીડિત પરિવાર પારડી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને મહેશભાઈ વિરુદ્ધ હુમલો, નુકસાન પહોંચાડવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી.પારડી પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ પારનેરા ડુંગર મંદિરોમાં ચોરીનો ભેદ ઉકેલાયો:માતાજીના ઘરેણાં ટ્રસ્ટીઓને પરત કરાયા
વલસાડ જિલ્લાના પારનેરા ડુંગર પર આવેલા મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. વલસાડ રૂરલ પોલીસે આંતરરાજ્ય ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચોરી કરાયેલો સોના-ચાંદીનો મુદ્દામાલ મંદિર ટ્રસ્ટને પરત કરવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર, 11 ઓગસ્ટ, 2025ની રાત્રે શ્રી ચંદ્રીકા, અંબિકા, નવદુર્ગા, મહાકાળી માતાજી અને રામેશ્વર મહાદેવ મંદિરોના તાળા તોડી સોના-ચાંદીના દાગીના તથા CCTV કેમેરાની LCDની ચોરી કરવામાં આવી હતી. આ ગુનામાં મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના સિદ્ધનાથ ઉર્ફે બાપુ સુદામ ગાયકવાડ (ઉંમર 43) અને પ્રમોદ ભીકાજી નિકમ (ઉંમર 37)ની ધરપકડ કરવામાં આવી છે.વલસાડ રૂરલ પોલીસે આરોપીઓ પાસેથી 14.420 ગ્રામ સોનાની લગડી, જેની કિંમત રૂ. 1.33 લાખ છે, અને 6 કિલો 407 ગ્રામ ચાંદીના ઘરેણાં તથા પાટ, જેની કિંમત રૂ. 5.09 લાખ છે, તે મળી કુલ રૂ. 6.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ મંદિર ટ્રસ્ટના સંચાલકોને સુપ્રત કરવા માટે કોર્ટની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. કોર્ટમાંથી આદેશ મેળવી વલસાડ રૂરલ પોલીસે આ મુદ્દામાલ ટ્રસ્ટને પરત કર્યો છે. પોલીસે ચોરી કરેલા મુદ્દામાલની રિકવરી સાથે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ઈસમોની શોધખોળ શરૂ કરી છે. PI ભાવિક જિતિયાના નેતૃત્વમાં પોલીસની ટીમ વધુ તપાસ કરી રહી છે. પારનેરા ડુંગર મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં મંદિરની સુરક્ષા વધારવા માટે જરૂરી પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવાયું છે.
દહેગામ શહેરના પૂજા હેવન ફ્લેટમાં તસ્કરોએ મોડી રાત્રે બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી છે. આ ઘટનાથી ફ્લેટના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે ઘરફોડ ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઘરમાંથી 50 હજાર રોકડા અને 5 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરીપ્રાપ્ત વિગતો અનુસાર, ફ્લેટ નંબર 401માં રહેતા દીપકભાઈ પોતાના કામ અર્થે બિહાર ગયા હતાં. તેમની ગેરહાજરીનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના મકાનના તાળા તોડ્યા અને અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ ઘરમાંથી 50,000 રોકડા અને 5 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ચાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદઆ ચોરીની સમગ્ર ઘટના ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચાર અજાણ્યા ઈસમો આ ચોરીને અંજામ આપી રહ્યા છે. આ તસ્કરો એટલા બેફામ બન્યા હતા કે ચોરી કર્યા બાદ ફ્લેટના પાર્કિંગમાંથી એક બાઈક પણ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા, જેના કારણે શહેરમાં ચકચાર મચી ગઈ છે. દહેગામ પોલીસે ગુનો નોંધ્યોઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મકાન માલિક દીપકભાઈનો સંપર્ક કરીને આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોને ઓળખી કાઢવા અને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે.
વાલોડમાં ઘરફોડ ચોરીનો નિષ્ફળ પ્રયાસ:ચોર CCTVમાં કેદ, ગ્રામજનોમાં ભય અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલ
તાપી જિલ્લાના વાલોડ ગામના નવાફળીયા વિસ્તારમાં ફરી એકવાર ઘરફોડ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. રાત્રિ દરમિયાન ચોરી કરવા આવેલા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ ઘટના ગત રાત્રિએ બની હતી. નોંધનીય છે કે, ગત શનિવારે પણ આ જ નવાફળીયા વિસ્તારમાં ઘરફોડ ચોરી થઈ હતી. એક જ અઠવાડિયામાં બીજી વખત ચોરીનો પ્રયાસ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે વાલોડ પોલીસની રાત્રિ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. ગ્રામજનો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ સપ્ટેમ્બરે ભાવનગરમાં વિકાસના કામોનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, બોટાદ જિલ્લાના ત્રણેય તાલુકાના એસટી ડેપોમાંથી કુલ ૩૧ બસો ભાવનગર માટે ફાળવવામાં આવી છે.એસટી વિભાગ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ માટે વિશેષ બસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બોટાદ જિલ્લાના મુખ્ય ત્રણ ડેપોમાંથી આ બસો ફાળવાઈ છે. જેમાં બોટાદ એસટી ડેપોમાંથી ૧૩ બસો, ગઢડા ડેપોમાંથી ૧૦ બસો અને બરવાળા ડેપોમાંથી ૮ બસો ભાવનગર સેવા આપશે.આ બસો ભાવનગર ફાળવવામાં આવતા ૨૦ સપ્ટેમ્બરે બોટાદ ડેપોની જસદણ, સતાધાર, જામનગર અને ભાવનગર સહિતના ૧૨ નિયમિત રૂટની બસો બંધ રહેશે. જોકે, બોટાદ ડેપોની એક્સપ્રેસ રૂટની બસો રાબેતા મુજબ ચાલુ રહેશે. બોટાદ એસટી ડેપોના મેનેજર આર.એમ. મેવાડાએ બોટાદ એસટી ડેપોની બસ ફાળવણી અને રૂટ રદ થવા અંગેની માહિતી આપી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના ઉપક્રમે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખો અને સભ્યો માટે ઓરિએન્ટેશન તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના ફેઝ-2 અને અમદાવાદ સ્થિત એસ.આઈ.આર.ડી. સંસ્થાના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ સ્વચ્છ ભારત મિશનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે વડાપ્રધાનના જન્મદિવસથી શરૂ થયેલા પખવાડિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લામાં યોજાનારા વિવિધ સ્વચ્છતા કાર્યક્રમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.તાલીમ દરમિયાન, તજજ્ઞો દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખો અને સભ્યોને તેમના કાર્યો વધુ અસરકારક રીતે કેવી રીતે કરી શકાય તે અંગે વિસ્તૃત સમજણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઓરિએન્ટેશન તાલીમ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અનેક મહાનુભાવો સહભાગી થયા હતા.
અમદાવાદમાં રહેતા અને ચાંગોદર ખાતે ફાર્મા રો મટીરીયલનો પ્લાન્ટ ધરાવતા સાગર દેસાઇને મળી ગયેલા પ્રિઝમ એલાયન્સના સંચાલકો અને એક બ્રોકરો સાથે મળી 8.54 કરોડનો ચુનો લગાવ્યો હતો.આ ટુકડીએ ઉધારમાં માલ લઇને ચુકવણી નહી કરતાં આખરે સાગર દેસાઇએ ક્રાઇમબ્રાંચમાં ફરીયાદ નોંધાવતાં પોલીસ વધુ તપાસ આદરી છે. 90 દિવસની ઉધારીએ માલ આપ્યો હતોઅમદાવાદના પોશ મલ્હાર બંગલોઝમાં રહેતા સાગર અનિલ દેસાઇ ચાંગોદર ખાતે પોતાની અલ્કોવ ઇન્ટરનેશનલ ડ્રગ નામની કંપની ચલાવે છે. તેમની માતા અમીબેન અને બહેન પ્રિયંકા દેસાઇની બે અન્ય કંપનીઓનું સંચાલન પણ તેઓ જ કરે છે. ત્રણેય કંપનીઓની રજીસ્ટર્ડ ઓફિસ પ્રહલાદનગર ક્રોસ રોડ નજીકની ઇસ્કોન એલિગન્સ બિલ્ડિંગમાં આવેલી છે. ફેબ્રુઆરી 2023માં બ્રોકર પરાગ શાહે સાગર દેસાઇનો સંપર્ક કરી પ્રિઝમ એલાયન્સ પ્રા. લી.ના ડિરેક્ટરો – વિકાશ શર્મા, ગજાનંદ શર્મા, બબલુ રવિન્દ્ર પાઠક અને રાહુલ ચુડાસમાની ઓળખાણ કરાવી હતી. પરાગે જણાવ્યું હતું કે, આ ડિરેક્ટરો પણ ફાર્માસ્યુટિકલ્સ રો મટીરીયલના વેપારમાં જોડાયેલા છે અને તેમને મોટા પાયે મટીરીયલની જરૂર છે. સાગર દેસાઇએ પોતાના ચાંગોદર સ્થિત પ્લાન્ટમાંથી રો મટીરીયલ મોકલવાનું શરૂ કર્યું. માલ 90 દિવસની ઉધારીએ આપવામાં આવતો હતો. પ્રિઝમ એલાયન્સના ડિરેકટરો 8.54 કરોડ રૂપિયાની છેંતરપિંડીશરૂઆતમાં પેમેન્ટ સમયસર મળતાં વિશ્વાસ વધ્યો અને વ્યવહાર વધતો ગયો.પરાગ શાહે સાગરને એક વખત સુરતના મધુવન સર્કલ સ્થિત વિવાંતા આઇકોન ઓફિસમાં બોલાવી પ્રિઝમ એલાયન્સના ડિરેક્ટરો સાથે મીટિંગ કરાવી હતી. ત્યારબાદ આ ડિરેક્ટરોએ વધારે મટીરીયલની માગ કરી. વિશ્વાસના આધારે સાગરે પોતાની ત્રણેય કંપનીઓમાંથી કુલ 8.54 કરોડ રૂપિયાનું રો મટીરીયલ મોકલ્યું. પરંતુ નક્કી કરેલા સમય પછી પણ પ્રિઝમ એલાયન્સ તરફથી પૈસા આવ્યા નહોતા. સાગર દેસાઇએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવીસાગરે વારંવાર ઉઘરાણી કરતાં ડિરેક્ટરોએ કેટલાક ચેક આપ્યા, પરંતુ તે પણ સ્ટોપ પેમેન્ટ કરાવી દીધા અથવા “હાલ બેલેન્સ નથી” કહી ચુકવણી ટાળી હતી. આ રીતે ડિરેક્ટરો અને બ્રોકર પરાગ શાહે મળીને સાગર દેસાઇ સાથે છેતરપીંડી કરી હતી. સાગર દેસાઇએ છેતરપિંડીની આ ઘટના અંગે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. ડાંગરની ટીમે પ્રિઝમ એલાયન્સના ચારેય ડિરેક્ટરો અને બ્રોકર પરાગ શાહ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ગાઝા સળગી રહ્યું છે... જોરદાર સળગી રહ્યું છે... આ શબ્દો ઈઝરાયલના રક્ષામંત્રીના છે. હવે ઈઝરાયલ અને ગાઝાની આરપારની લડાઈ શરૂ થઈ છે. ઈઝરાયલની સેના ગાઝાના દરવાજા તોડીને અંદર ઘૂસી ગઈ છે. લાખો લોકોની જિંદગી દાવ પર છે. મોત બે ડગલાં જ દૂર છે. આને ગાઝા પરનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક અને અંતિમ હુમલો માનવામાં આવી રહ્યો છે. હવે ઈઝરાયલે ગાઝામાં 'ફાઈનલ ઓપરેશન' શરૂ કરી દીધું છે. ત્રણ દિવસ પહેલાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો ઈઝરાયલ ગયા, નેતન્યાહૂને મળ્યા ને તેના બીજા જ દિવસે ઈઝરાયલે ગાઝા પર કબજો કરવા દોઢ લાખ સૈનિકો મોકલ્યા છે. નમસ્કાર, ઈઝરાયલ થોડા સપ્તાહમાં ગાઝા કબજે કરી લેશે પણ ઈઝરાયલે તેનું પરિણામ ભોગવવું પડશે. કારણ કે UNના ઈન્ડિપેન્ડન્ટ ઈન્ટરનેશનલ કમિશન ઓફ ઈન્કવાયરીએ રિપોર્ટ UNમાં આપી દીધો છે. જેમાં UNના ઈતિહાસમાં પહેલીવાર નરસંહાર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટ કહે છે કે ઈઝરાયલે ગાઝામાં નરસંહાર કર્યો છે. રિપોર્ટમાં એવું પણ કહ્યું છે કે જે દેશ ઈઝરાયલને સમર્થન કરશે તે પણ એટલો જ ગુનેગાર ગણાશે. આના કારણે અમેરિકા ફિક્સમાં મૂકાઈ ગયું છે. ઈઝરાયલ પણ મિડલ ઈસ્ટમાં ચારેય તરફથી ડિપ્લોમેટિક રીતે ઘેરાયું છે. ઈઝરાયલનું 'ફાઈનલ ઓપરેશન' શું છે? 16 સપ્ટેમ્બર, મંગળવારે ઈઝરાયલે ગાઝામાં સેના મોકલીને મોટું ઓપરેશન શરૂ કરી દીધું છે. આને એક્સપેન્ડેડ ઓપરેશન કહેવામાં આવી રહ્યું છે. આનો સીધો મતલબ એવો થાય કે આ લડાઈ ગાઝાની ગલીઓમાં, સુરંગોમાં અને ઘરોમાં ઘૂસીને થશે જેને હમાસનો ગઢ માનવામાં આવે છે. ઈઝરાયલની સેના બહારના વિસ્તારોમાંથી ધીમે ધીમે અંદર તરફ જઈ રહી છે. તેમનો હેતુ છે - ગાઝામાં રહેલા હમાસના બેથી ત્રણ હજાર સૈનિકોને ખતમ કરવા. પણ હમાસના ખાતમાની કિંમત અત્યારે પ્રજા ચૂકવી રહી છે. ઈઝરાયલે શહેરમાં હાજર તમામ લોકોને આ શહેર ખાલી કરીને દક્ષિણ તરફ જવાની ચેતવણી આપી છે. ધરતી પરનું નર્ક બની ગયું છે ગાઝા હવે વિચારો, ઈઝરાયલની ચેતવણી પછી કેવો ભય ફેલાયો હશે. રસ્તાઓ પર વાહનોની લાંબી લાંબી લાઈનો. નાના-મોટા વાહનોની છત પર ગાદલાં, ગોદડાં અને તમામ ઘર વખરી સાથે લોકો ગાઝા છોડી રહ્યા છે. જે લોકો પાસે વાહનની વ્યવસ્થા નથી એ લોકો બસ ચાલ્યા જ જાય છે. ઈઝરાયલનું કહેવું છે કે બે દિવસમાં 4 લાખ લોકો શહેર છોડી ચૂક્યા છે. હજી 6 લાખ લોકો ગાઝામાં છે. તે પણ ધીમે ધીમે શહેર છોડશે. આ આંકડાઓ વચ્ચે પિસાઈ રહી છે માનવતા. ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શીફાના ડોક્ટરોનું કહેવું છે કે બુધવાર, 17 સપ્ટેમ્બરની રાત કયામતની રાત હતી. એક સેકન્ડ માટે પણ બોમ્બમારો રોકાયો નથી. બુધવારે બપોર સુધીમાં હોસ્પિટલમાં 24 લાશો લઈને લોકો પહોંચ્યા હતા. ઘાયલોની સંખ્યા તો ગણી શકાય તેવી નથી. ઈઝરાયલની આક્રમકતા પાછળના ત્રણ કારણો... સવાલ એ છે કે ઈઝરાયલ અચાનક આટલું આક્રમક કેમ થઈ ગયું? ગાઝા પર ફાઈનલ એટેક પાછળના ત્રણ કારણો છે. જે ઈઝરાયલને આ ઓપરેશન જલ્દી ખતમ કરવા દબાણ કરે છે. કારણ પહેલું : ઈન્ટરનેશનલ પ્રેશર અને નરસંહારના આરોપ ઈઝરાયલ જ્યારે આ ઓપરેશન કરી રહ્યું હતું ત્યારે યુનાઈટેડ નેશન્સના હ્યુમન રાઈટ્સ કમિશને એક રિપોર્ટ સબમીટ કર્યો. તેમાં સ્પષ્ટ કહેવાયું છે કે ઈઝરાયલ ગાઝામાં જિનોસાઈડ એટલે કે નરસંહાર કરી રહ્યું છે. આ બહુ મોટો આરોપ છે. આ એક આરોપના કારણે ઈઝરાયલ દુનિયામાં એકલું પડી જાય તેવી સ્થિતિ બનશે. ઈઝરાયલે આ રિપોર્ટ માટે એવું કહ્યું છે કે આ બધું ઊપજાવી કાઢેલું છે. કારણ કે નરસંહાર જેવા ભારે શબ્દનો ઉપયોગ ઈઝરાયલ માટે થાય છે ત્યારે અમેરિકા, જર્મની અને બ્રિટન જેવા ઈઝરાયલના સમર્થક દેશો પર પોતાની જ પ્રજા અને વિપક્ષોનું ભારે દબાણ વધશે. ઈઝરાયલ જાણે છે કે એક મર્યાદા પછી અમેરિકા તેને યુદ્ધ રોકવા કહી શકે છે અને હથિયારોની સપ્લાય પણ રોકી શકે છે. ઈન્ટરનેશનલ પ્રેશર ગમે ત્યારે વધી શકે તેની ગંધ ઈઝરાયલને આવી ગઈ છે એટલે તાબડતોબ ગાઝા પર કબજો મેળવવા મોટું ઓપરેશન શરૂ કરી દીધું છે. કારણ બીજું : ઈઝરાયલની અંદર જ નેતન્યાહૂ પર પ્રેશર ઈઝરાયલની અંદર જ વડાપ્રધાન નેતન્યાહૂ પર ભારે દબાણ છે. હમાસની કેદમાં ઈઝરાયલના 48 બંધકો છે. તેમાંથી 20 જીવિત છે તેવું માનવામાં આવે છે. બંધકોના પરિવારજનો નેતન્યાહૂના ઘરની બહાર ટેન્ટ નાખીને બેસી ગયા છે. ઈઝરાયલના રસ્તા પર લોકો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના કારણે નેતન્યાહૂની ઈમેજ ખરાબ થઈ રહી છે. બીજી તરફ નેતન્યાહૂની સરકારને ટેકો આપનારા કટ્ટર દક્ષિણપંથી છે. જે ઈચ્છે છે કે હમાસને જડમૂળથી ખતમ કરો. પછી ભલે જે કિંમત ચૂકવવી પડે. હવે જો નેતન્યાહૂ જેના ટેકાથી સરકાર ચલાવે છે તે કહે એમ કરવું જ પડે. ગાઝા પર હુમલા રોકી દે તો સરકાર પડી જાય.આ બધામાંથી બહાર નીકળવા નેતન્યાહૂ પાસે એક જ રસ્તો છે - ફાઈનલ એટેક. કારણ ત્રીજું : બદલાતું મિડલ ઈસ્ટ અત્યાર સુધીની આ લડાઈમાં અમેરિકા, કતાર અને ઈજિપ્ત જેવા દેશો ઈઝરાયલ અને હમાસ વચ્ચે સમજૂતીના પ્રયાસો કરી રહ્યા હતા. પણ હવે સમીકરણ બદલાઈ ગયા છે. ઈજિપ્ત, જેણે 1989માં ઈઝરાયલ સાથે શાંતિ સમજૂતી કરી હતી અને વર્ષોથી ઈઝરાયલનો પાડોશી અને મદદ માટે તત્પર દેશ બની રહ્યો છે તે ઈજિપ્ત હવે ઈઝરાયલને દુશ્મન દેશ ગણાવે છે. હવે ઈજિપ્તને પણ એવું લાગે છે કે ઈઝરાયલ બગડેલું છે. ઈઝરાયલની આગ ક્યારેક ઈજિપ્તને પણ દઝાડી શકે. કતારમાં મળેલી ઈસ્લામિક દેશોની સમિટમાં ઈજિપ્તે જ ઈઝરાયલને દુશ્મન દેશ ગણાવી દીધો. માર્કો રૂબિયો ઈઝરાયલ જઈને બળતાંમાં ઘી હોમી આવ્યા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો પણ ઈઝરાયલ અને કતારના ધક્કા ખાય છે. માર્કો રૂબિયોએ કહ્યું કે, એક ડિલ માટે અમારી પાસે ઓછો સમય છે. આ બહુ નાજુક વળાંક છે. દુર્ભાગ્યથી સમય ખતમ થઈ રહ્યો છે. ટૂંકમાં, માર્કો રૂબિયોનું કહેવું છે કે હવે ડિપ્લોમસીના દરવાજા બંધ થઈ ગયા છે. હવે મિલિટરી એક્શન જ એક રસ્તો છે. તેમણે ઈઝરાયલમાં પણ કહેલું કે કાયમી શાંતિ માટે હમાસનો ખાતમો જરૂરી છે. રૂબિયો ઈઝરાયલથી અમેરિકા જવા નીકળ્યા ને ગાઝા પર ફાઈનલ એટેક શરૂ થયો. ઈઝરાયલે ગાઝા પર કબજો કરવાનું શરૂ કરી દીધું છે. યુનાઈટેડ નેશન્સે શું રિપોર્ટ આપ્યો? યુનાઈટેડ નેશન્સે એક કમિટિ રચી હતી. જે ગાઝામાં તબાહીનો અભ્યાસ કરતી હતી. આ કમિટિએ પોતાનો 200 પાનાનો રિપોર્ટ તૈયાર કરીને UNમાં સબમીટ કરી દીધો છે. આ કમિટિનું નામ હતું- ઈન્ડિપેન્ડન્ટ ઈન્ટરનેશનલ કમિશન ઓફ ઈન્કવાયરી. આ કમિટિના હેડ મૂળ ભારતીય નવી પિલ્લાઈ છે. તેમણે મીડિયા સામે આ રિપોર્ટની માહિતી આપી હતી. નવી પિલ્લાઈએ કહ્યું કે જ્યારે ઈરાદો એવો હોય કે સમસ્ત વસ્તીને ખતમ કરી નાખવી તો એને નરસંહાર જ કહેવાય. જેમ રવાન્ડામાં તુત્સી સમુદાયને ટાર્ગેટ કરાયો હતો તેમ ગાઝામાં ફિલિસ્તીની સમુદાય ટાર્ગેટ છે. અમારી પાસે બધા પુરાવા છે. રિપોર્ટમાં શું લખાયું છે? UNના જિનોસાઈડ્સ એક્ટની વ્યાખ્યામાં શું આવે છે? UN કમિશને શું તારણ કાઢ્યું? નવી પિલ્લાઈએ કહ્યું કે, આ રિપોર્ટ કાંઈ ટેબલે બેસીને તૈયાર નથી થયો. આની પાછળ બે વર્ષની મહેનત છે. લાખો દસ્તાવેજોનો અભ્યાસ કર્યો. હજારો વીડિયો ફૂટેજનો અભ્યાસ કર્યો. ડોક્ટરો, મહિલાઓ અને બાળકો સાથે વાત કરી. અમને ઈઝરાયલ જવાની પરવાનગી નથી એટલે સાક્ષીઓને અમે બોલાવ્યા હતા. તેનું વીડિયો રેકોર્ડિંગ કર્યું છે. UN કમિશનનું કહેવું છે કે આ સિસ્ટમેટિક રીતે ભાવિ પેઢી અને વર્તમાન પેઢીને ખતમ કરવાની કાવતરું છે. જેથી ભવિષ્યમાં કોઈ ફિલિસ્તીની જ ન રહે. કમિશને ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ, ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઈસેક હેર્ઝોક અને પૂર્વ રક્ષામંત્રી યોઆફ ગેલેન્ટના નામ લીધા અને તેમને આ નરસંહાર માટે જવાબદાર ગણાવ્યા. જિનોસાઈડ કન્વેશનનો નિયમોના કારણે અમેરિકા ભીંસમાં આવશે જ્યારે કોઈ દેશ જિનોસાઈડ (નરસંહાર) કરે તો જિનોસાઈડ કન્વેશનનો તેમણે તો ભંગ કર્યો જ ગણાય પણ આ કન્વેશનમાં કેટલાક નિયમો છે. જેમ કે, જેના પર નરસંહારનો આરોપ લાગ્યો છે તેને સપોર્ટ કરતા દેશોએ હવે તેની વિરુદ્ધમાં એક્શન લેવા પડશે. આમાં સૌથી વધારે તકલીફ અમેરિકાને પડવાની છે. કારણ કે કોઈપણ દેશ ઈઝરાયલની પડખે ઊભો હશે અને તેને સમર્થન આપે છે તો તે દેશ પણ એટલો જ ગુનેગાર ગણાશે જેટલું ઈઝરાયલ. એટલે હવે અમેરિકા સામે પણ આંગળી ચિંધાઈ શકે છે. આખી દુનિયાની ઈન્ટરનેશનલ સિસ્ટમનો દારો-મદાર અમેરિકા પર જ હતો. હવે જો અમેરિકા ઈઝરાયલને સમર્થન કરતું રહેશે તો તે પણ એ કેટેગરીમાં આવી જશે જે કેટેગરીમાં અત્યારે રશિયા છે. જે હિંસાને સમર્થન આપે છે. UN કમિશનના રિપોર્ટમાં કમિશનની શું ડિમાન્ડ છે? UN કમિશનના લોકો હમાસના પ્રવક્તા છે - ઈઝરાયલનો બળાપો UNના કમિશને રિપોર્ટ જાહેર કરતાં જ ઈઝરાયલ ગિન્નાયું છે. આ રિપોર્ટ માટે ઈઝરાયલે એવું કહ્યું કે, આ રિપોર્ટને વાળી-ચોળીને બનાવાયો છે. અમે UNના રિપોર્ટને ફગાવીએ છીએ. UNના હ્યુમન રાઈટ્સ કમિશનના ત્રણ લોકો હમાસના પ્રવક્તા જેવા છે. જેના યહૂદી વિરોધી નિવેદનો દુનિયાએ સાંભળ્યા છે. ઈઝરાયલને દુનિયાની સામે બદનામ કરવાની આ ચાલ છે. ગાઝામાં ક્યારે કેટલાં મોત થયાં? (આ મૃતકોમાં 52% મહિલાઓ અને બાળકો છે.) ઈઝરાયલથી દૂર થઈ રહેલા દેશો ઈઝરાયલને ગાઝા પટ્ટીમાં કેમ રસ છે? મૂળ મુદ્દો યહૂદી અને ફિલિસ્તીની એમ બે કોમનો છે. યહૂદીઓ ઈઝરાયલમાં રહે છે અને ઈઝરાયલની બાજુમાં દરિયા કિનારે આવેલા પટ્ટી જેવા વિસ્તાર ગાઝામાં ફિલિસ્તીની રહે છે. એટલે જ આ વિસ્તારને ગાઝા પટ્ટી કહે છે. યહૂદીઓ માને છે કે ગાઝા પોતાનું છે. ફિલિસ્તીનીઓ ખોટા ઘૂસી ગયા છે. આ જ કારણે ઈઝરાયલ ગાઝા પર કબજો કરવા માગે છે. જૂન 1967માં યુદ્ધ થયું હતું. ત્યારે પણ ઈઝરાયલે ગાઝા પટ્ટી પર કબજો કરી લીધો. આ પછી ઇઝરાયલે 25 વર્ષ સુધી પોતાનો કબજો જાળવી રાખ્યો, પણ ડિસેમ્બર 1987માં ગાઝાના ફિલિસ્તીનીઓ અંદરો અંદર બાખડ્યાં. આ રમખાણોએ વિદ્રોહનું સ્વરૂપ લીધું. સપ્ટેમ્બર 2005માં ઇઝરાયલે આ પ્રદેશમાંથી પોતાનો કબજો હટાવી લીધો અને ગાઝા પટ્ટીનું નિયંત્રણ પેલેસ્ટિનિયન ઓથોરિટી (PA)ને સોંપ્યું. હવે ઈઝરાયલ ફરી ગાઝાને કબજે કરવા માગે છે. તે માને છે કે ગાઝા અમારું છે અને ત્યાં યહૂદીઓને જ રહેવાનો અધિકાર છે. ઈઝરાયલ ગાઝા પર કબજો ન કરે એટલે ત્યાંના મુસ્લિમોનું એક આતંકી જૂથ બન્યું, જેને હમાસ નામ અપાયું. હમાસ પહેલેથી ઈઝરાયલનો વિરોધ કરીને યુદ્ધ કરે છે. હવે તો ઈઝરાયલે ગાઝાને ખંઢેરમાં ફેરવી દીધું છે. છેલ્લે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસનો પહેલો ફોન કરનાર ટ્રમ્પે ફરી ભારતને ટાર્ગેટ કર્યું છે. તેમણે ભારત સહિતના 23 દેશોનો 'ડ્રગ તસ્કર' ગણાવ્યા છે. ટ્રમ્પ ગમે ત્યારે ગમે તે સ્ટેટમેન્ટ આપી છે ને બદલી નાખે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
14 સપ્ટેમ્બર 2025, રવિવારની સાંજે અમેરીકાના ટેક્ષાસ રાજ્યનાં ડલ્લાસ શહેરમાં ગુજરાતનાં જાણીતા હાસ્યકલાકાર , લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો હતો. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સોસાયટી ( SPCS ) તેમજ ગુજરાતી સમાજ ઓફ ડલ્લાસ દ્રારા યોજાયેલા આ કાર્યક્રમમાં જે નફો થાય તે ગુજરાતની પાંચ સેવાભાવી સંસ્થાઓને સરખા ભાગે વહેંચવાનો નિઃસ્વાર્થ ઉપક્રમ હતો. ભારતીય નિવાસના બેન્ક્વેટ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ તો “ ગુજરાત દર્પણ “ મેગેઝીનના ટેક્ષાસના પ્રતિનીધી સુભાષભાઈ શાહ નામના તનથી વૃદ્ધ પણ મનથી યુવાન સેવાભાવી સજ્જનનો પણ સહયોગ મળ્યો. ત્યારબાદ ભારતીય નિવાસના માલિક ભરતભાઈ ભકતાનો પણ ટેકો મળ્યો આમ લોકો જોડાતાં ગયા અને આ સેવાયજ્ઞ વધુને વધુ બળવાન બનતો ગયો. આ કાર્યક્રમમાં ડલ્લાસમાં રહેતા ગુજરાતીઓ ઉપરાંત ઓસ્ટીન, હ્યુસ્ટન અને વિચિતા ફોલ્સ જેવા ડલ્લાસની આજુબાજુના શહેરમાંથી પણ લોકો આવ્યા અને બસોની જગ્યાએ અઢીસો ખુરશી ગોઠવી એ પણ ભરાઈ ગઈ. એટલું જ નહીં પણ અમુક લોકોને બે હાથ જોડીને ના પાડવી પડી કે આ બેન્કવેટ હોલની કેપેસિટી હવે વધું પ્રેક્ષકો બેસાડી શકાય એમ નથી તો અમને ક્ષમા કરશો. ભરતભાઈ ભકતાએ પોતાના તરફથી 1 હજાર ડોલરનું દાન જાહેર કર્યુ અને પાંચ જ મિનિટમાં દસ હજાર ડોલર જાહેર થયા. એક કરુણાવાન ડોક્ટર વૃજેશ પરીખે ઈન્ટરલવમાં જાહેરાત કરી કે દસ હજારના દાન સાથે મારું દાન મેચ કરીને હું મારા તરફથી દસ હજાર ડોલર આપું છું. હોલનું ભાડું, સાઉન્ડ અને ડીનર તેમજ ચા- બિસ્કિટ વગેરેનો ખર્ચ બાદ કરતાં પાંચ હજાર ડોલર વધતાં હતા આમ સૌના સુખદ આશ્ચર્ય વચ્ચે પચીસ હજાર અમેરીકન ડોલર એટલે કે આશરે બાવીસ લાખ પચાસ હજાર રુપિયા ગુજરાતની નીચેની પાંચ સંસ્થાઓ માટે એકત્ર થયા. 1. ગીર નેશ ( શૈક્ષણિક સહાય સંસ્થા )2. SVNM ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલ- સુપા સુરત3. સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ- ટીંબી 4. ઉમંગ મૂકબધીર બાળકોની સંસ્થા - વસ્ત્રાપુર, અ’વાદ5. ખેડાપા ( જી. મહીસાગર) ની સરકારી પ્રાથમિક શાળા. ઉપરની પાંચેય સંસ્થાઓને આશરે ચાર લાખ પચાસ હજાર રૂપિયા આયોજકો દ્રારા થોડાં દિવસમાં મોકલી આપવામાં આવશે.
ચાઇનીઝ સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટના નામે કરોડો રૂપિયા પડાવી રહ્યા છે, ત્યારે આ ગેંગને ભારતીય નંબરના સિમકાર્ડ આપનાર કરનાર બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. સુરેશ અને ઋષિકેશ નામના બે યુવાનોએ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી તેના નામે સંખ્યાબંધ સિમકાર્ડ લીધા હતા. ચોક્કસ કંપનીઓના નામે આ બે યુવાનોએ 550 સિમકાર્ડ લીધા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં તો આ યુવાનોએ 2500 ભારતીય સિમકાર્ડ લઇ તેને પ્રિ-એક્ટિવ કરી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચાડ્યા હતા. હવે આ તમામ સિમકાર્ડ વિદેશ પહોંચી ગયા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. જેવી રીતે ડિજિટલ એરેસ્ટ માટે ભાડેથી લેવાતા બેંક એકાઉન્ટની જરૂર પડતી હોય છે, તેવી જ રીતે કોલ અને વીડિયો કોલ કરવા માટે સંખ્યાબંધ સિમકાર્ડની પણ જરૂરિયાત હોવાથી તે પણ આવા એજન્ટો પૂરા પાડતા હતા. આ પ્રકરણની તપાસ ચાલી રહી છે. ચાઇનીઝ ગેંગને ભારતીય નંબરના સિમકાર્ડ આપનાર બે આરોપી ઝડપાયા4 જૂનથી 27મી જૂન દરમિયાન અમદાવાદના એક આધેડને ડિજિટલ એરેસ્ટ કરીને ચાઇનીઝ ગેંગે 86 લાખ પડાવ્યા હતા. આ બાબતે વૃદ્ધે ફરિયાદ નોંધાવતાં સાયબર ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. જેમાં એસીપી હાર્દિક માંકડિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર સીટી દેસાઈની ટીમે આ ગુનામાં કોલ અને વીડિયો કોલ કરવા માટે ચાઇનીઝ ગેંગને ભારતીય સિમકાર્ડ પૂરા પાડનાર બે યુવાનોને પન્ના ડિસ્ટ્રિક્ટ જેલમાંથી તપાસના કામે માટે ટ્રાન્સફર વોરન્ટથી ઝડપી લીધા છે. ઋષિકેશ અને સુરેશે બોગસ કંપનીઓ બનાવી તેના નામે સિમકાર્ડ લેતા હતા. આ ઉપરાંત તેમણે અન્ય માણસોના નામે પણ સિમકાર્ડ લીધા હતા. 3 બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન બાદ 550 સિમકાર્ડ લીધાસુરેશ અને ઋષિકેશની પ્રાથમિક પૂછપરછમાં તેઓ બોગસ કંપનીના નામે સિમકાર્ડ લેતા હતા. તેમણે શરૂ કરેલી 3 બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન બાદ 550 સિમકાર્ડ લીધા હતા. જ્યારે આ સિમકાર્ડ ચાઇનીઝ માફિયા ગેંગના સાગરીત એચ.આર. ડેનીના કહેવાથી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચાડ્યા હતા. તેઓ આવા 2500 સિમકાર્ડ પ્રિ-એક્ટિવ કરીને આ ગેંગને પહોંચાડી ચૂક્યા છે. હવે આ સિમકાર્ડ વિદેશ પહોંચી ગયા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આરોપીઓ દ્વારા ખોલવામાં આવેલ 3 કંપની
વલસાડ એલસીબી ટીમે પારડી નેશનલ હાઇવે નંબર 48 પરથી ₹13.82 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ આઇસર ટેમ્પોના ચોર ખાનામાં છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પારડી નેશનલ હાઇવે નંબર 48 પર તુલસી હોટલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન GJ 23 AW 3373 નંબરનો એક આઇસર ટેમ્પો આવતા તેને રોકવામાં આવ્યો હતો.ટેમ્પોની તલાશી લેતા, તેના પાછળના ભાગે પતરા મારીને બનાવેલા ચોર ખાનામાંથી દારૂના 146 બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાં કુલ 4032 બોટલ હતી, જેની કિંમત ₹13.82 લાખ આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા અને ટેમ્પો સહિત કુલ ₹23.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે ટેમ્પો ચાલક દાહોદના વિનુભાઈ ગજુભાઈ માવીને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત, દાહોદના દિનેશ ભાભોર (જેના પૂરા નામ-ઠામની માહિતી નથી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પારડી પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) માંથી ટેન્ડર અને પોર્ટ સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવાના કેસમાં ગાંધીનગર પોલીસે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ પત્રકાર મહેશ લાંગા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ બોગસ કંપનીઓ બનાવી કરોડો રૂપિયાના GST કૌભાંડમાં પણ સંડોવાયેલા હતા. હવે, આ દસ્તાવેજ ચોરી કેસમાં GMBના એક ક્લાર્ક નિષિધ અરુણભાઈ જાનીની ધરપકડ કરવામાં આવી છે. પત્રકાર મહેશ લાંગા સાથે સાંઠગાંઠનો ઘટસ્ફોટગત ઓક્ટોબર-2024માં પત્રકાર મહેશ લાંગાની ધરપકડ બાદ GMBમાંથી સંવેદનશીલ દસ્તાવેજો લીક થયા હોવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં એ વાતનો ચોંકાવનારો ખુલાસો થયો કે લાંગાએ વ્યક્તિગત ફાયદા માટે GMBના કોઈ કર્મચારી સાથે સાંઠગાંઠ કરી હતી. આ મામલે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને લાંચ રુશ્વત અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, અને ડીવાયએસપી ડી.ટી. ગોહિલને કેસની તપાસ સોંપવામાં આવી હતી. GMBના કર્મચારીની સંડોવણીપોલીસને તપાસ દરમિયાન GMBના ક્લાર્ક નિષિધ અરુણભાઈ જાની (રહે. અમદાવાદ)ની સંડોવણીના પુરાવા મળ્યા હતાં. જોકે, ફેફસાંની બીમારીને કારણે નિષિધ છેલ્લા છ મહિનાથી સારવાર હેઠળ હતાં. થોડા દિવસો પહેલાં જ તેમણે ફરી નોકરી શરૂ કરી હતી. આ વાતની જાણ થતાં, DySP ડી.ટી. ગોહિલે તબીબી અભિપ્રાય મેળવી તેમની ધરપકડ કરી. રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂનિષિધ જાનીની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે વધુ તપાસ માટે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે નિષિધ જાનીની સાથે અન્ય કોઈ કર્મચારી પણ આ કૌભાંડમાં સંડોવાયેલો છે કે કેમ. આ ઉપરાંત, પત્રકાર મહેશ લાંગા પાસેથી નિષિધ જાનીને કયા અને કેવા પ્રકારના ફાયદા મળ્યા હતા તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઇસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અલગ અલગ બેંકના ATM, ક્રેડિટ કાર્ડ, ચેકબુક, છુટ્ટા ચેક, લેપટોપ તથા કાર સહિત કુલ રૂ.10.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં વધી રહેલા સાઇબર ફ્રોડના ગુનાઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાઇબર ક્રાઈમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી. તેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાળા (એલ.સી.બી.) ના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ સર્વેલન્સ આધારે ટીમોએ વોચ ગોઠવીને આ કામગીરી અંજામ આપી હતી. ગઈકાલે પો.સ.ઇ. ડી.એ. તુવર તથા ટીમને ચોક્કસ બાતમી મળતા ક્રેટા કાર (GJ-16-CS-8971) ઉપર રેઇડ કરવામાં આવી હતી.કારમાંથી મળી આવેલા ઇસમો પાસે બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા.જેથી પોલીસે અશોક જવાલાપ્રસાદ ત્રિવેદીઉત્તરપ્રદેશ, લક્ષ્ય અનુપસિંહ યાદવ હરિયાણા, શીવાંક રોહીતકુમાર યાદવ હરિયાણા/યુ.પી,દીપાંશુ સતીષકુમાર સૈની ઉત્તરપ્રદેશ,ધર્મેશ ભુપતભાઈ મકવાણા સુરત/ભાવનગર અને કરણ બાબુભાઈ વાળા ભરૂચને ઝડપી પાડ્યા હતા.
રાજકોટ ક્રાઇમ ન્યુઝ:કાળીપાટ ગામ પાસે ખુંટીયો આડે ઉતરતા બાઈક સ્લીપ થતા અકસ્માત, દંપતી ખંડિત થયું
ગઈકાલે સવારે ત્રંબા અને કાળીપાટ વચ્ચે ભાવનગર રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં ખૂંટિયો આડો ઉતરતા બાઇક પર જતું દંપતી ફંગોળાયું હતું. જેમાં ગંભીર ઇજા પહોંચતા પત્નીનું સારવારમાં મોત નીપજ્યું છે. શ્રમજીવી સોસાયટીમાં રહેતા રીનાબેન દુધરેજીયાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા ચાર વર્ષનો પુત્ર મા વિહોણો થતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. આ અંગે મળતી વિગત અનુસાર, 30 વર્ષીય રીનાબેન પિયુષભાઈ દુધરેજીયા ગઈકાલે તેના પતિના મોટરસાયકલ પાછળ બેસીને જતા હતા.ત્યારે ખૂંટિયો આડો ઉતરતા ત્રંબા અને કાળીપાટ વચ્ચે બાઇક સ્લીપ થતા માથે- શરીરે ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેનું ચાલુ સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું. સાથે રહેલા પતિ પિયુષ ભાઈ સામાન્ય ઇજા થઈ હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, પિયુષભાઈ ફોટો ફ્રેમ લેમિનેશન પ્રેસ મશીનનું કામ કરે છે. જોકે તેઓ બાવાજી હોવાથી તેના અનુયાયી યજમાનો ગુરુ માનતા હોય છે. પિયુષભાઈના એક સેવક સરધાર નજીક ભાડવી ગામે રહેતા હોવાથી પિયુષભાઈ અને રીનાબેન સેવકને ઘરે ગયા હતા. પાછા રાજકોટ આવતા હતા.ત્યારે અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે આજીડેમ પોલીસે મૃતદેહ ને પીએમ માટે ખસેડયો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી. આ તરફ ચાર વર્ષનો પુત્ર માતાવિહોણો થતાં પરિવારમાં શોક છવાયો છે. એ-ડિવિઝન પોલીસનો લોક દરબાર, વેપારીઓ દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવા સહિતનાં પ્રશ્નો મુકાયા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્સટાઇલ અને દાણાપીઠના વેપારીઓ સહિત અનેક લોકોએ હાજરી આપી ટ્રાફિકની સમસ્યા, આવારા તત્વોનો ત્રાસ અને દારૂની બદી જેવા મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પર સીસીટીવી કેમેરા લગાવવા, રવિવારી બજારમાં સાંજે સઘન પેટ્રોલિંગ અને બાલાજી મંદિર તથા સાંગણવા ચોક પાસે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે માંગણીઓ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય શાળા પાસે આવારા તત્વોની હેરાનગતિ સામે પણ કાર્યવાહી કરવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. લોક દરબારમાં હાજર લોકોની રજૂઆત સાંભળી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ખાતરી આપી હતી કે રાજકોટ મહાનગરપાલિકા સાથે સંકલન સાધી ટૂંક સમયમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તેમજ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવશે અને દારૂબંધીનો કડક અમલ કરવા પણ આદેશો આપ્યા હતા. એડવોકેટની ઓફિસમાં ઘુસી છરીની અણીએ લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઈ રાજકોટના ઇન્દિરા સર્કલ પાસેની શિલ્પન સ્ક્વેર બિલ્ડિંગમાં આવેલી એક એડવોકેટની ઓફિસમાં લૂંટનો બનાવ બન્યો હતો. એડવોકેટના ભત્રીજા સહિત ત્રણ શખ્સોએ છરી બતાવી બે લેપટોપ અને અસીલોની 10 ફાઈલોની લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ, યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-2 સંયુક્ત ટીમે કલાકોમાં જ આરોપીઓને રાણપુર પાસેથી ઝડપી પાડ્યા હતા. આ ઘટના અંગે જુનિયર એડવોકેટ નિલેશ બાબરિયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં ભાર્ગવ વિપુલ જોષી અને તેના બે અજાણ્યા સાથીદારોના નામનો ઉલ્લેખ હતો. ફરિયાદ મુજબ, ભાર્ગવ જોષી પોતાના કાકા વિનોદ જોષીને શોધતો ઓફિસમાં આવ્યો હતો. વિનોદ જોષી ઓફિસમાં ન હોવાથી તે ગુસ્સે ભરાયો અને છરી બતાવી લેપટોપ અને અસીલોની ફાઇલોની લૂંટ ચલાવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી ભાર્ગવ તેના કાકા પાસેથી પૈસાની ઉઘરાણીને લઈને માથાકૂટ કરતો હતો. આ લૂંટના ગુના બાદ આરોપીઓ અમદાવાદ ભાગવાની પેરવીમાં હતા. પોલીસે બાતમીના આધારે ભાર્ગવ જોષી, રીકી નિલેષ ભાડજા અને રાજ તેજશ વાણીયાને રાણપુર નજીકથી ઝડપી પાડ્યા હતા અને તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુત્રવધુએ ખોટા આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવતા વૃદ્ધ સસરાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટમાં પુત્રવધુએ ખોટા આક્ષેપો સાથેની ફરિયાદ નોંધાવતા વૃદ્ધ સસરાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભગવતીપરાના અલીઅસગર આફ્રિકાવાળા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ, 68 વર્ષીય અલી અસગરભાઈ ઈબ્રાહીમભાઇ આફ્રિકાવાળા ગઈકાલે રાત્રે 11:30 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે એસિડ પી ગયા હતા. તેમના પુત્રને જાણ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ઈમરજન્સી વિભાગમાં તેમની સારવાર ચાલુ છે.અલી અસગરભાઈએ જણાવ્યું કે, તેઓ નિવૃત છે. તેમને સંતાન બે પુત્ર છે. મોટા પુત્ર હુસેનની પત્નીએ થોડા દિવસો પહેલા શારીરિક અને માનસિક ત્રાસ સહિતના આક્ષેપો સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપી તરીકે વૃદ્ધ સસરાનું નામ પણ આપ્યું હતું. જેમાં તેણીએ ખોટા આક્ષેપો કર્યા હોવાથી લાગી આવતા પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. બી ડિવિઝન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. હું સાજીદ કચરા, મર્ડરના ગુનામાં જેલમાં જ સજા કાપું છું, કંઈ કહેતો નહિ’ નહીંતર મારી નાખીશ, વધુ એક ફરિયાદ નોંધાઈ રાજકોટ મધ્યસ્થ જેલના જેલરને ધમકી આપવાના ગુનામાં પકડાયેલા સાજીદ કચરા વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સાજીદ કચરા અને તેના બે સાથીઓ પર જેલના હવાલદાર જયરાજભાઈ વાળા અને સિપાઈ દીપક વાસણનાને ધમકી આપવા બદલ ગુનો નોંધાયો છે. બનાવની વિગત અનુસાર, પાકા કામના કેદી સાજીદ કચરા રજા પર હતો. તે રાજકોટ મધ્યસ્થ જેલના મેઈન ગેટ પાસે ઊભો હતો. ફરજ પરના જેલ સિપાઈ દીપક વાસણનાએ તેને ત્યાં ઊભા રહેવાનું કારણ પૂછતાં સાજીદ કચરાએ ગાળો આપી ધમકી આપી હતી. તેણે કહ્યું કે, 'હું સાજીદ કચરા છું, મને કંઈ કહેવું નહીં, નહીંતર જાનથી મારી નાખીશ.' આ બાબતે જેલ હવાલદાર જયરાજભાઈએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તો તેમને પણ ધમકી આપવામાં આવી હતી. આ બનાવ બાદ, જેલ અધિક્ષકના આદેશથી, જેલ હવાલદાર જયરાજભાઈ વાળાએ સાજીદ કચરા અને તેના બે અજાણ્યા સાથીઓ વિરુદ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ પણ સાજીદ કચરા વિરુદ્ધ જેલરને ધમકી આપવાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.
નવરાત્રી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભારતમાં પ્રિ-નવરાત્રીના આયોજનોની જેમ અમેરિકામાં પણ આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. લોસ એન્જલસના આર્ટેસિયા ખાતે નવરાત્રી પૂર્વે એક ગરબા મહોત્સવનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં ગાયક પુર્વા મંત્રીએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમ્યા હતા. અમેરિકામાં વસતો ગુજરાતી સમુદાય નવરાત્રીના નવ દિવસ મા શક્તિની આરાધના કરવા સાથે ગરબા મહોત્સવ પણ ઉત્સાહભેર યોજે છે. આર્ટેસિયાના ગુજરાતી સમાજ તથા ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા આ પ્રિ-નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ટેસિયા હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીએ ગરબાના તાલે ઝૂમી ઉઠી હતી. આ સમગ્ર આયોજન ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લોસ એન્જલસ રિ-પબ્લિકન પાર્ટીના ડાયરેક્ટર અને મૂળ સુરતના યોગી પટેલ તથા પરિમલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
અમદાવાદની દસ્ક્રોઈની મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર જમીન હક્ક કમી કરવાની અરજીની નોંધ પ્રમાણિત કરવા 15 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. આરોપીઓએ 25 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે પૈકી 15 હજાર રૂપિયાની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યો છે. ACBએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કોમ્પ્યુટર ઓપરેટરે 25 હજારની લાંચ માગી હતીઅમદાવાદમાં રહેતા વ્યક્તિની જમીન હક્ક કમી કરવા દસક્રોઇ મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. આ અરજીની નોંધ પ્રમાણિત કરાવવા ફરિયાદી દસક્રોઇ મામલતદાર ખચેરી ખાતે ધક્કા ખાતા હતા. દરમિયાન કચેરીમાં નોંધણીની કામગીરી કરતા કોમ્પ્યુટર ઓપરેટર પગાર બારોટે નોંધ પ્રમાણિત કરવા 25 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જોકે બંને વચ્ચે લાંચની રકમને લઈને રકઝક થતાં 15 હજારની લાંચ આપવાનું નક્કી કર્યું હતું. પગાર બારોટ 15 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયોફરિયાદીએ લાંચ ના આપવી હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન દસક્રોઇ મામલતદાર કચેરી ખાતે જ પગાર બારોટ 15 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. ACBએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં 89.97 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:L.C.B.એ કટારીયા ટોલ પ્લાઝા પાસેથી એકની ધરપકડ કરી
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (L.C.B.) અને પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત ટીમે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર કટારીયા ગામના પાટીયા નજીક ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 89,97,220/-ના મુદ્દામાલ સાથે એક ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે. ઝડપાયેલા મુદ્દામાલમાં રૂ. 74,82,720/-ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો, રૂ. 15,00,000/-ની કિંમતનો ટ્રક, રૂ. 5,000/-નો મોબાઇલ ફોન, રૂ. 5,000/-ના વેસ્ટ કપડાની 50 ગાસડીઓ અને રૂ. 4,500/- રોકડાનો સમાવેશ થાય છે. દારૂના જથ્થામાં 4536 બોટલ ઇંગ્લીશ દારૂ અને 9336 બિયર ટીનનો સમાવેશ થાય છે. પોલીસે ટીફરામ લાધુરામ જાણી જાટ (રહે. નવાતલા રાથોરન, તા. ચોહટન, જી. બાડમેર, રાજસ્થાન) નામના ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે. આ ગુનામાં રમેશ (રહે. સીંધારી, જી. બાડમેર, રાજસ્થાન), ટ્રક ટેલર રજી.નંબર RJ.14.GF.5926ના માલિકો અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમ સહિત અન્ય આરોપીઓને પકડવાના બાકી છે. સુરેન્દ્રનગર L.C.B. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ. આર.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી હાઇવે પર પેટ્રોલીંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે આ દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ પાણસીણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ત્રણ મેડિકલ સ્ટોર્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતિઓ જણાતા ત્રણેય સ્ટોર્સના દવા વેચાણના પરવાના અમુક નિશ્ચિત દિવસો માટે સ્થગિત કરવામાં આવ્યા છે અને તેમને કારણ-દર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.પ્લસ નિગમ મેડીકો, શ્રી ક્રિષ્ના મેડિકલ સ્ટોર્સ અને અંજલી મેડિકલ સ્ટોર્સના પરવાના સ્થગિત કરાયા છે. પ્લસ નિગમ મેડીકોનો પરવાનો 24 સપ્ટેમ્બર, 2025થી 26 સપ્ટેમ્બર, 2025 (ત્રણ દિવસ) માટે, શ્રી ક્રિષ્ના મેડિકલ સ્ટોર્સનો પરવાનો 22 સપ્ટેમ્બર, 2025થી 24 સપ્ટેમ્બર, 2025 (ત્રણ દિવસ) માટે અને અંજલી મેડિકલ સ્ટોર્સનો પરવાનો 27 સપ્ટેમ્બર, 2025 (એક દિવસ) માટે સ્થગિત કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન આ પેઢીઓને દવાઓનું વેચાણ બંધ રાખવા સૂચના અપાઈ છે.વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી બાતમીના આધારે ઔષધ નિરીક્ષકોની ટીમે ડોકટર હાઉસ અને તેની નીચે આવેલી મેડિકલ સ્ટોર્સની સઘન તપાસ કરી હતી. તંત્ર દ્વારા આ પેઢીઓને ડોક્ટરના ગડબડીયા અક્ષરવાળા પ્રિસ્ક્રિપ્શન પર દવાઓનું વેચાણ કરવાનો ઇનકાર કરવા પણ સૂચના આપવામાં આવી છે. વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનરએ અખબારી યાદીમાં જણાવ્યું કે, ડોકટરો દ્વારા લખાતા ગડબડીયા અક્ષરોને લીધે ક્યારેક ખોટી દવાઓનું વેચાણ થવાની શક્યતાઓ રહે છે. જેના કારણે દર્દીની તબિયત પણ બગડી શકે છે. આથી આ બાબતે વિશેષ ધ્યાન રાખવા જણાવાયું છે.
વડોદરાની સરકારી શાળાઓના બાળકોના જીવનમાં જ્ઞાન, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિના નવા રંગો ભરી રહેલી બિલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશનની “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” પહેલ આજે સમગ્ર વડોદરા જિલ્લામાં પ્રેરણાસ્ત્રોત બની છે. વર્ષ 2023માં શરૂ થયેલી આ મોબાઇલ લાઇબ્રેરી અત્યાર સુધી 60થી વધુ શાળાઓ સુધી પહોંચી છે અને 4500થી વધુ બાળકોના જીવનમાં વાંચનનો પ્રકાશ ફેલાવ્યો છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં 500થી વધુ વાર્તા પુસ્તકો, નૈતિક કથાઓ, જીવનચરિત્રો, ગણિત કોયડાં, પંચતંત્ર, અકબર-બીરબલ, રંગીન પ્રવૃત્તિ પુસ્તકો જેવી અનેક સામગ્રી સાથે આ વાન શાળાઓની મુલાકાતે જતી હોય છે. લાઇબ્રેરી ઑન વ્હીલ્સ પર જ્ઞાન યાત્રા“લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” જયારે શાળાની મુલાકાતે જાય ત્યારે એક કલાક માટે બાળકોને પોતાના મનગમતા પુસ્તકો વાંચવાની તક મળે છે. સ્વયંસેવકો વિદ્યાર્થીઓની વાંચન આદતોની સમીક્ષા કરે છે, સાથે આરોગ્ય, સ્વચ્છતા અને જીવનકૌશલ્ય જેવી બાબતો પણ શીખવે છે. ઘણા બાળકો માટે આ પહેલી જ વાર છે જ્યારે તેઓ પાઠ્યપુસ્તકો સિવાય અન્ય પુસ્તકો વાંચી રહ્યા છે, જેના કારણે તેમની જિજ્ઞાસા, કલ્પનાશક્તિ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને સરકારી શાળાઓના બાળકોને સેવા આપવા માટે રચાયેલ આ મોબાઇલ લાઇબ્રેરી સેવાનો હેતુ સાક્ષરતા વધારવા અને યુવાન વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેનો પ્રેમ વધારવાનો છે. 'બાળકો પુસ્તકાલય સુધી નહીં પહોંચશે તો પુસ્તકાલયને તેમની પાસે લઈ જઈશું'બાળકો આ વાનની આતુરતાથી રાહ જોતા હોય છે. રંગીન શેલ્ફમાંથી પુસ્તકો પસંદ કરવાની મજા, મિત્રો સાથે વાંચવાનો આનંદ અને સ્વયંસેવકો દ્વારા આરોગ્ય-સ્વચ્છતા, મૂલ્યો અને વાર્તા કથન જેવી પ્રવૃત્તિઓ, આ બધું બાળકોને વાંચનની દુનિયા સાથે જોડે છે. ધોરણ 4, 5, 8, અને 11ના બાળકોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે “પાઠ્યપુસ્તકો સિવાયની” વાંચન સામગ્રી સાથે આ લાઇબ્રેરી બનાવામાં આવી છે. વધુ શાળાઓ સુધી પહોંચવા મોબાઇલ લાઇબ્રેરી ઉમેરવાનું આયોજનબિલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર કિન્નરી હરિયાણીએ જણાવ્યું કે, અમારું ધ્યેય સાક્ષરતા વધારવું અને યુવા મનમાં સર્જનાત્મકતાનો ચેતનાનો દીવો પ્રગટાવવાનો છે. વંચિત બાળકોને પુસ્તકોનો સીધો સંપર્ક મળે એ માટે જ ‘લાઇબ્રેરી ઑન વ્હીલ્સ’ શરૂ કરી હતી. બિલિયન લાઇવ્ઝ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ શરૂ કરાઈ છે અને દર વર્ષે નવી સરકારી શાળા ઉમેરવામાં આવે છે. વધુ શાળાઓ સુધી પહોંચવા માટે બીજી મોબાઇલ લાઇબ્રેરી ઉમેરવાનું આયોજન કરી રહ્યા છે. 'લાઇબ્રેરી ઓન વ્હીલથી બાળકો વાંચતા થયા'ખલીપુર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ પારુલતાબેન સોનીએ જણાવ્યું હતું કે, વડોદરા તાલુકાની ખલીપુર પ્રાથમિક શાળામાં 68 બાળકો અભ્યાસ કરે છે. અહીં બાલવાડીથી લઈને ધો.5 સુધી અભ્યાસ કરે છે. અહીં બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. લાઇબ્રેરી ઓન વ્હીલથી બાળકો વાંચતા થયા છે. 'અમને વાંચવાની મજા આવે છે'વિધાર્થીની નિધિએ જણાવ્યું હતું કે, હું ધો. 5માં અભ્યાસ કરું છું. અમને સ્કૂલમાં વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. અમને પુસ્તક વાંચન કરવા મળે છે. અમને વાંચવાની મજા આવે છે. ગુજરાતમાં મોબાઇલ લાઇબ્રેરીનો ઇતિહાસગુજરાત રાજ્યમાં મોબાઇલ લાઇબ્રેરીનો વિચાર નવો નથી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બરોડા રાજ્યમાં જાહેર પુસ્તકાલયની ક્રાંતિ શરૂ કરી હતી અને 1910માં સ્થાપિત સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા ભારતનું પ્રથમ આધુનિક જનપુસ્તકાલય બની. તે સમયથી ગામ-ગામ સુધી “ટ્રાવેલિંગ લાઇબ્રેરી” કે મોબાઇલ પુસ્તકાલયની સેવા શરૂ થઈ હતી. એટલે બાળકો અને સામાન્ય નાગરિકોને પુસ્તકો સુધી સીધું ઍક્સેસ મળી રહે. આજકાલ બિલિયન લાઈવ્સ ફાઉન્ડેશન જેવી એનજીઓ આ જ વારસાને આધુનિક સ્વરૂપ આપી રહી છે. વડોદરાની સરકારી શાળાઓમાં “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” સર્વ શિક્ષા અભિયાનના લક્ષ્યોને ગતિ આપે છે અને બાળકોમાં વાંચનની ટેવ કેળવવા માટે નવા માપદંડો ઊભા કરી રહી છે. આજે આ પહેલ માત્ર પુસ્તકો પૂરતી નથી પરંતુ નવા વિચાર, નવી કલ્પના અને ભવિષ્યની શક્યતાઓ તરફનું એક ખુલ્લો દ્વાર છે. મહારાજા સયાજીરાવની દ્રષ્ટિથી શરૂ થયેલી પબ્લિક લાઇબ્રેરી સંસ્કૃતિ આજે આ પહેલ દ્વારા જીવંત બની છે. સરકાર, એનજીઓ અને સમુદાય સાથે મળીને કામ કરે તો ગ્રામ્ય અને વંચિત વિસ્તારોમાં શિક્ષણની અસર અનેકગણી વધી શકે છે.
ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ આક્ષેપબાજીનું રાજકારણ ગરમાયું છે. મતદાનના એક દિવસ પહેલાં જ હરીફ પેનલ અને વર્તમાન ચેરમેન વચ્ચે આરોપ પ્રત્યારોપોનો સિલસિલો તેજ બન્યો છે. ભરૂચના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે,તેમાં તેમણે મુંબઈ પ્લાન્ટ,તથા ત્રણ ડેરીમાંથી આવતા હજારો લીટર દૂધની વ્યવહાર સંબંધિત અનેક ગંભીર આક્ષેપો ઉઠાવ્યા હતા. જોકે આ આરોપો સામે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલે કોઈ પ્રતિક્રિયા આપવાનું કે ખુલાસો કરવાનું ટાળ્યું હતું. શુક્રવારે યોજાનારી ચૂંટણીમાં 12 સામાન્ય બેઠકો સાથે 2 મહિલા તથા 1 આદિજાતિ અનામત મળી કુલ 14 બેઠકો માટે મતદાન થશે. કુલ 296 મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે. 17 વર્ષથી ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સભાસદો હરીફ પેનલના આક્ષેપોને મતદાન દ્વારા જવાબ આપશે અને શનિવારે થનાર મતગણતરીમાં તેમની પેનલ વિજયી સાબિત થશે.
ભાવનગરના પાનવાડી ચોક નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર યુવકોની ધરપકડ કરવામાં આવી છે. આ યુવકો રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈને આવ્યા હતા. શખ્સો પાસેથી ઇંગ્લિશ દારૂની નાની મોટી 384 બોટલ નંગ સહિત કુલ 1 લાખથી વધુના મુદ્દામાલ ઝડપી લીધો હતો. ચાર થેલાઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે ઝડપાયાઆ બનાવ નીલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ અને તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે મોડીરાત્રે તેમને બાતમી મળી હતી કે, એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર, એપોલો હોટલ સામેના રોડ પર ચાર માણસો થેલાઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને ઊભા છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને મોડીરાત્રે દરોડો પાડ્યો હતો. જેમાં ચાર યુવકો તેમના થેલાઓ સાથે મળી આવ્યા હતાં. રાજસ્થાનના 4 શખ્સોની ધરપકડપૂછપરછ દરમિયાન તેઓએ પોતાના નામ અશોક બચુલાલ કસોટા ઉ.વ.19, સતીષ હરીલાલ દરંગા ઉ.વ.19, ભરતકુમાર સુનીલાલ ડોડીયાર ઉ.વ.19 અને અભીમન્યુ કડવાજી ડોડીયાર ઉ.વ.18 વર્ષ અને 5 મહિના હોવાનું જણાવ્યું હતું. આ તમામ યુવકો રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના રહેવાસી છે. 1 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે તેમના થેલાઓની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની '8 પી.એમ. સ્પેશિયલ રેઅર વ્હીસ્કી' લખેલી 180 મિલીની કુલ 384 પ્લાસ્ટિક બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.1,05,600 થાય છે. આ ઉપરાંત 6 થેલા પણ મળી આવ્યા હતા, જેની કિંમત રૂ.500 ગણવામાં આવી છે. આમ, કુલ રૂ.1,06,100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ યુવકોએ દારૂનો આ જથ્થો રાજસ્થાનથી લાવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસે ચારેય યુવકોની પ્રોહિબિશન એક્ટ હેઠળ કલમ 65 (એ), 65 (ઇ), 116 (બી), અને 81 મુજબ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છોટા ઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ:સાંજના સમયે વરસતા વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશી
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આજે સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો અને તડકો નીકળી રહ્યો હતો. જોકે, આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશ વાદળછાયું બની ગયું હતું. સંખેડામાં થયેલા આ ધોધમાર વરસાદથી ગરમીથી રાહત મળી હતી. આ પાછોતરા વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વલસાડ આરટીઓ અધિકારી આર. જે. પરમાર અને તેમના ડ્રાઇવર કુણાલે વાપી-સુરત નેશનલ હાઈવે 48 પર થયેલા એક ગંભીર અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક મદદ કરી હતી. આ ઘટના 18 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 12:00 વાગ્યાની આસપાસ બની હતી.વાપીથી સુરત જતા નેશનલ હાઈવે 48 પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ સમયે આરટીઓ અધિકારી પરમાર અને ડ્રાઇવર કુણાલ પોતાની ફરજ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અકસ્માત જોઈને તેઓએ પોતાનું વાહન રોક્યું અને બનાવની ગંભીરતા પારખી હતી.તેઓએ તરત જ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ આવતા જ ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે પારડીની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.અકસ્માતને કારણે હાઈવે પર થયેલા ટ્રાફિક ક્લિયરન્સ અંગે 112 પોલીસને રૂબરૂ જાણ કરવામાં આવી હતી, જેથી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક વૃદ્ધે લિસ્ટેડ બુટલેગર સહિત બે શખ્સોના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના પાલિકામાં નોકરી અપાવવાના બહાને થયેલી 22 લાખની ઠગાઈ સાથે સંકળાયેલી છે. મૃત્યુ પામતા પહેલા વૃદ્ધે વોટ્સએપ પર સુસાઈડ નોટ લખી હતી, જેના આધારે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. બે-ત્રણ લાખ રૂપિયાના ફાયદાની લાલચ આપીને ફસાવ્યામહિધરપુરા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, બેગમપુરામાં દુધાળા શેરીમાં રહેતા 59 વર્ષીય ચેતન પંચાલ કેટરિંગના વ્યવસાયમાંથી નિવૃત્ત થયા બાદ બેરોજગાર હતાં. આશરે છ મહિના પહેલા તેમને એક અજાણ્યો શખ્સ મળ્યો હતો, જેણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)માં વહીવટ કરીને નોકરી અપાવવાનું સેટિંગ કરી આપવાનું કહ્યું હતું. આ શખ્સે ચેતન પંચાલને વચન આપ્યું હતું કે જો તે નોકરી ઈચ્છતા લોકોને લાવશે, તો તેને પણ બે-ત્રણ લાખ રૂપિયાનો ફાયદો થશે. આ લોભામણી વાતમાં આવી જઈને ચેતન પંચાલ આ શખ્સની વાત માની ગયા. અજાણ્યા શખ્સને 22 લાખ રોકડ આપ્યાચેતન પંચાલે પોતાના પરિચિત પરિમલ જરીવાલા (રહે. અલાયાની વાડી, બેગમપુરા) અને લિસ્ટેડ બુટલેગર અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા (રહે. ચેવલી શેરી, બેગમપુરા)ને આ વાત કરી. અશોક રાણાએ તેના ઓળખીતાઓને પાલિકામાં નોકરી અપાવવા માટે ચેતન પંચાલ મારફતે અજાણ્યા શખ્સને 22 લાખ રૂપિયાની રોકડ આપી હતી. પઠાણી ઉઘરાણી કરી, માનસિક ત્રાસ આપ્યોરૂપિયા મળ્યા બાદ અજાણ્યો શખ્સ ભૂગર્ભમાં ઉતરી ગયો અને નોકરી આપવાનું વચન પાળ્યું નહીં. નોકરી ન મળતા, પરિમલ જરીવાલા અને બુટલેગર અશોક ડોકુ રાણાએ તેમના રૂપિયા પાછા લેવા માટે ચેતન પંચાલ પર દબાણ શરૂ કર્યું હતું. તેમણે ચેતન પંચાલ પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરી અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. 18 લાખ ચૂકવ્યા છતાં ધમકીઓ આપીઆરોપીઓના ત્રાસથી કંટાળીને ચેતન પંચાલે પોતાની પત્ની અને દીકરીના દાગીના વેચીને 18 લાખ રૂપિયા ચૂકવી દીધા હતાં. તેમ છતાં, બાકીના 4 લાખ રૂપિયા માટે બંને આરોપીઓ અવારનવાર ચેતન પંચાલના ઘરે આવીને ગાળાગાળી કરતા અને ધમકીઓ આપતા હતા. તેમના ત્રાસથી ચેતન પંચાલની પત્ની પણ બીમાર પડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. ચેતન પંચાલે ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન મોતઆ માનસિક ત્રાસથી કંટાળીને 30 ઓગસ્ટના રોજ ચેતન પંચાલે પોતાના મકાનના ટેરેસ પર જઈને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. જ્યારે તેમની દીકરી ક્લિનિકથી ઘરે આવી, ત્યારે તેણે પિતાને બેભાન અવસ્થામાં જોયા અને બાજુમાં ઝેરી દવાની બોટલ પડી હતી. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વોટ્સએપ પર પુત્રને મેસેજ કર્યો તોમૃતક ચેતન પંચાલે આપઘાત કરતા પહેલા પોતાના મોબાઈલના વોટ્સએપ પર પુત્રને મેસેજ કર્યો, જેમાં એક સુસાઈડ નોટ લખી હતી, જેમાં તેમણે પરિમલ જરીવાલા અને અશોક ડોકુ રાણા દ્વારા રૂપિયા માટે આપતા ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. બે શખ્સોની ધરપકડઆ સુસાઈડ નોટ અને ચેતન પંચાલની દીકરીએ આપેલી ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસે પરિમલ ઉર્ફે જાડીયો જશવંતલાલ જરીવાલા અને અશોક ઉર્ફે ડોકુ ચંપકલાલ રાણા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરી છે.
રાજકોટમાં પરિણીતાઓ પર થતાં અત્યાચારના બે કિસ્સાઓ સામે આવ્યા છે. બંને ઘટનાઓમાં પતિ અને સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ બંને કિસ્સાઓમાં ભોગ બનેલી મહિલાઓએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એક કિસ્સામાં પતિએ પત્નીને તેના ભાઈના ઘરે મૂકી આવ્યા બાદ તે કોઈની સાથે ભાગી ગઈ હોવાની ખોટી અરજી કરી હતી. જ્યારે બીજા કિસ્સામાં, પરિણીતાને સમાધાન માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી અને ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારવામાં આવ્યા હતા. કિસ્સો-1: પતિએ પત્ની ભાગી ગઈ હોવાની ખોટી અરજી કરી ધોરાજીના તોરણીયા ગામની ભાવિષાબેન અંકિતભાઈ ખીચડીયાએ તેના પતિ અંકિત રણછોડ ખીચડીયા, સસરા રણછોડભાઈ, નાના નણંદ સારીકાબેન ગજેરા, મોટા નણંદ ઉર્મિલાબેન વરુણભાઈ રૈયાણી અને નણંદોયા વરુણ રૈયાણી સામે માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી છે. મેરેજ સાઇટ પરથી પરિચય અને લગ્નભાવિષાબેન અને અંકિતનો પરિચય મેટ્રોમની એપ મારફત થયો હતો. આ ભાવિષાબેનના બીજા લગ્ન હતા, જ્યારે અંકિતના પહેલા લગ્ન હતા. લગ્નના સમયે, અંકિતે પોતાના પરિવાર વિશે ઘણી બાબતો છુપાવી હતી. તેણે પોતાનો મોટો ભાઈ સગપણની વાત કરવા આવશે તેમ કહ્યું હતું, પરંતુ ભાવિષાબેનના ભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું કે તે વ્યક્તિ અંકિતનો ભાઈ નહોતો, પરંતુ કોઈ અન્ય વ્યક્તિ હતી. એટલું જ નહીં, અંકિતે તેની 5 બહેનો હોવા છતાં, માત્ર 1 જ બહેન હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ વાતની જાણ ભાવિષાબેનને થઈ અને તેમણે પતિને પૂછ્યું ત્યારે અંકિતે જણાવ્યું કે છ બહેનો હોવાથી તેના લગ્ન થતા નહોતા, તેથી તેણે ખોટું બોલવું પડ્યું હતું. લગ્ન બાદ શારીરિક અને માનસિક ત્રાસલગ્નના થોડા દિવસ બાદ, ભાવિષાબેન પર સાસરિયાનો ત્રાસ શરૂ થયો. સાસુ સારી રીતે રાખતા, પરંતુ સસરા 'તમને અહીં આરામ કરવા નથી લાવ્યા, ઘરનું કામ કરો, ચા બનાવી આપો' કહી ઝઘડો કરતા. પતિ પણ તેમને સગા-સંબંધીઓને ત્યાં જવાની મનાઈ કરતા અને ખેતીકામ કરવા સાથે લઈ જતા. મોટા નણંદ ઉર્મિલાબેન અને તેમના પતિ વરુણ પણ ઘરે આવીને ભાવિષાબેન સાથે ઝઘડો કરતા અને કહેતા કે 'તારા પિતાના ઘરના રિવાજ પ્રમાણે નથી રહેવાનું, તારે સાડી નથી પહેરવાની. માત્ર પેન્ટ-ટીશર્ટ જ પહેરવાના છે.' એક વાર, નણંદોયા વરુણે ભાવિષાબેનને ફડાકો પણ માર્યો હતો. પિયર મૂકી ગયા બાદ ખોટી અરજી ઘરકંકાસ વધી જતા, સાસુએ બંનેને અલગ રહેવા માટે કહ્યું, ત્યારે પતિએ ભાવિષાબેનને તેમના પિયર દસ દિવસ માટે જતી રહેવા કહ્યું અને પોતે તેમને તેડવા આવશે તેમ જણાવ્યું. પરંતુ, પતિ તેમને પિયર મૂકી ગયા બાદ, ધોરાજી પોલીસ સ્ટેશનમાં ભાવિષાબેન કોઈની સાથે ભાગી ગયા હોવાની ખોટી અરજી આપી હતી. આ વાતની જાણ થતા, પોલીસે ભાવિષાબેનને ફોન ઉપર જાણ કરી. ત્યારબાદ, તેઓ તેમના ભાઈ, ભાભી અને એક બહેનપણીના પતિ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ત્યાં પતિએ શરત મૂકી કે 'મારી બહેનો કહે તેમ તારે કરવું હોય તો જ હું તને તેડી જઈશ.' આ દરમિયાન, પતિએ બધાને ઘરે ચા પીવા બોલાવ્યા. ત્યાં ફરીથી નણંદોયાએ ઝઘડો કરી ભાવિષાબેનને ઝાપટ મારી દીધી હતી. આખરે, પતિએ ફરી દસ દિવસ પછી તેડી જવાનું કહી તેમને જવા દીધા હતા. બાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં સમાધાનની અરજી કરવામાં આવી અને બંને પક્ષનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. જોકે ભાવિષાબેન સાસરે પાછા ફર્યા બાદ તેમણે પ્રેગ્નન્સી અંગે રિપોર્ટ કરાવી પતિનો રિપોર્ટ કરાવવાનું કહ્યું, ત્યારે મોટી નણંદે ના પાડી અને ભાવિષાબેનને ઘરમાંથી કાઢી મૂકવાનું કહ્યું હતું. ત્યારે પતિએ તેમને ઢોર માર મારીને ઘરમાંથી કાઢી મૂકતા ભાવિષાબેને પતિ, સસરા, બંને નણંદ અને નણંદોયા સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. કિસ્સો-2: સમાધાન માટે પૈસાની માંગણી અને મારઝૂડ અવધ રોડ પર માવતરના ઘરે છેલ્લા 4 મહિનાથી રહેતી રૈયાધારની 23 વર્ષીય વૈશાલીબેન રાહુલભાઈ મોભેરાએ તેના પતિ રાહુલ ધનજીભાઈ મોભેરા, સસરા ધનજીભાઈ, સાસુ ગંગાબેન, જેઠ શૈલેષભાઈ, જેઠાણી સીમાબેન અને નણંદ અંજુબેન વિજયભાઈ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પૈસા અને ઘરકામ બાબતે મેણાં-ટોણાં વૈશાલીબેનના લગ્ન 16/05/2023 ના રોજ રાહુલ મોભેરા સાથે થયા હતા, જે સેલ્સમેન તરીકે કામ કરે છે. લગ્નના બે વર્ષ બાદ, સાસુએ વૈશાલીબેનને નોકરી કરવા કહ્યું અને જણાવ્યું કે તે ઘરકામમાં મદદ કરશે. પગાર બાબતે સાસુ અને પતિ વચ્ચે ઝઘડો થતા, વૈશાલીબેને નોકરી છોડી દીધી. ત્યારે સાસુએ મેણાં મારવાનું શરૂ કર્યું કે 'તું કે તારો પતિ કમાઈને દેતા નથી.' તેમજ સાસુએ વૈશાલીબેનના ઘરેણા પણ લઈ લીધા હતા. થોડા સમય બાદ, વૈશાલીબેને ફરીથી નોકરી શરૂ કરી હતી. રૂમ ખાલી કરાવવા દબાણ અને મારઝૂડ વૈશાલીબેનના પર્સનલ રૂમ ખાલી કરાવવા માટે જેઠાણી, સાસુ અને નણંદ દબાણ કરતા અને તેમને પતરાવાળી ઓરડીમાં રહેવાનું કહેતા, નણંદ પણ ઘરે આવીને પતિ રાહુલને ચઢાવણી કરતા, જેથી રાહુલ વૈશાલીબેનને માર મારતો અને છૂટાછેડા આપી દેવાનું કહેતો હતો. નણંદે તો એવું પણ કહ્યું હતું કે 'સારો વકીલ બોલાવીને છૂટાછેડા આપી દો.' સમાધાન માટે પૈસાની માંગણી પતિ રાહુલ મોભેરાએ વૈશાલીબેન પાસે સમાધાન માટે વિચિત્ર શરત મૂકી. તેણે કહ્યું કે 'જો તારે સમાધાન કરવું હોય તો તારા ખાતામાં જેટલા રૂપિયા છે તે બધા મને આપી દે તો જ હું સમાધાન કરીશ.' આ સાથે તેણે ઘરના બધા સભ્યોનું માનવું પડશે તેવી શરત મૂકી હતી. બાદમાં રાહુલે વૈશાલીબેનના પિતાને ફોન કરીને જણાવ્યું કે 'તમે આવીને તમારી દીકરીને સમજાવી જાવ.' વૈશાલીબેનના પિતા તેમને પોતાના ઘરે લઈ ગયા અને બે દિવસ બાદ ફરી મૂકી જશે તેમ જણાવ્યું હતું. સારવાર દરમિયાન પણ ઉપેક્ષા પિયર આવ્યા બાદ વૈશાલીબેનની તબિયત બગડતા તેમને પદ્મકુંવરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ સાસરિયામાંથી કોઈએ ખબર પણ પૂછી નહીં. 4 મહિના બાદ, પતિનો ફોન આવ્યો કે તે કે કે વી હોલ પાસે તેમને મળવા આવે. ત્યાં પતિએ ફરી એક શરત મૂકી કે 'તને કંઈ પણ થશે તો તેના માટે તું પોતે જ જવાબદાર રહીશ, એવું લેખિતમાં અરજી આપીશ તો જ હું તને સાસરે તેડી જઈશ.' પરંતુ વૈશાલીબેને આવી કોઈ લેખિત અરજી આપવાની ના પાડી. આખરે, તેમણે પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને નણંદ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ યોગેશ્વર સોસાયટીની બાજુમાં જે ખેતીની જમીન હતી, તેને ગેરકાયદે બિનખેતી કરવામાં આવી છે તેવો આક્ષેપ યોગેશ્વર સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવ્યો છે અને તેમને ચાલવા માટેનો તથા વરસાદી પાણીના નિકાલ માટેનો જે રસ્તો હતો તેને બંધ કરવામાં આવ્યો હતો. જેને આજે સ્થાનિક લોકોએ જેસીબી વડે તોડી પાડ્યો હતો જેથી કરીને પોલીસ ઘટના આવી હતી. મોરબીના રવપર રોડે આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતા લોકોના કહેવા પ્રમાણે ત્યાં 1,000 થી વધુ લોકો હાલમાં રહે છે અને યોગેશ્વર સોસાયટીની બાજુમાં જે ખેતીની જમીન હતી તેને થોડા વર્ષો પહેલા બિનખેતી કરવામાં આવી હતી, ત્યારે બિલ્ડરો દ્વારા ખોટી માહિતી અધિકારીઓને આપવામાં આવી છે અને જે જગ્યાએ યોગેશ્વર સોસાયટી છે તેને જમીનને નકશામાં એગ્રીકલ્ચર લેન્ડ બતાવવામાં આવી છે. ત્યારબાદ તે બિલ્ડરોએ તેની જમીનને બિનખેતી કરાવી છે. યોગેશ્વર સોસાયટીના લોકોને અવરજવર માટે જે વર્ષોથી રસ્તો હતો તથા વરસાદી પાણીના નિકાલ માટેનો જે રસ્તો હતો તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી ગેરકાયદે દીવાલ બનાવવામાં આવી હતી તેને દૂર કરવા માટે થઈને અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી છતાં તેને દૂર કરવામાં ન હતી જેથી આજે યોગેશ્વર સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા તે ગેરકાયદે દિવાલને તોડી પાડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. વધુમાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે જે ખેતીની જમીનને બિનખેતી બનાવીને પ્લોટ કરવામાં આવ્યા છે તે ગેરકાયદે રીતે બિનખેતી કરવામાં આવેલ છે જેથી કલેક્ટર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે અને અગાઉ જે બિનખેતી થયા છે તે સોસાયટીના દરેક રસ્તાને એપ્રોચ રસ્તા મળે તે પ્રકારે બિનખેતી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે સુરતની મુલાકાતે આવશે. તેઓ કોસમાડા સ્થિત એનથમ સર્કલ ખાતે આયોજિત ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપશે. રૂપિયા 101 કરોડના ખર્ચે 2.1 એકરમાં નિર્માણ પામનારા આ મંદિરમાં સ્ત્રી સશક્તિકરણ માટે મહિલા રોજગાર કેન્દ્ર, આરોગ્યલક્ષી ક્લિનિક અને ગરીબો માટે દૈનિક મફત ભોજન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.
પાટણમાં 6 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત:ખાણ ખનીજ વિભાગે 15ડમ્પર અને 1હિટાચી મશીન ઝડપ્યા
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના દેલીયાથર ગામ પાસે બનાસ નદીના પટમાં ગેરકાયદેસર ખનીજ ખનન પર જિલ્લા ખાણ અને ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ખાનગી બાતમીના આધારે ગત સાંજે પાડવામાં આવેલી રેડ દરમિયાન વિભાગે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ કાર્યવાહીમાં ખાણ અને ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન કરતા 15 ડમ્પર અને 1 હિટાચી મશીન જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 6 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે.વિભાગે તમામ જપ્ત કરેલા વાહનોને સરસ્વતી તાલુકાના વાયડ ગામ ખાતે આવેલી સરકારી જગ્યામાં તપાસ અર્થે રાખ્યા છે.આ મામલે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિભાગે RTO પાસેથી ઝડપાયેલા વાહનોના માલિકોની વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે, તેમજ આ ગેરકાયદેસર ખનન કેટલા સમયથી ચાલી રહ્યું હતું તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની વિજિલન્સ ટીમે વીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. ટીમે સતત બે દિવસ ચાલેલા દરોડામાં કુલ 39.88 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પ્રથમ દિવસે 21 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ હતી, જ્યારે બીજા દિવસે 18.88 લાખ રૂપિયાની વધુ ચોરી મળી આવતા કુલ આંક 39.88 લાખ રૂપિયા પર પહોંચ્યો છે.MGVCLની વિજિલન્સ ટીમે સંજેલી નગરમાં ઘરે ઘરે અને શંકાસ્પદ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ દરમિયાન વીજ મીટરોમાં ગેરરીતિ, ગેરકાયદેસર કનેક્શન અને અનધિકૃત વીજ વપરાશના અનેક કિસ્સાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. એમજીવીસીએલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ વીજ ચોરી ઝડપાવાની શક્યતા છે. ટીમ દ્વારા વ્યાપારી સંકુલો, ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારો સહિતના શંકાસ્પદ સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે.અધિકારીઓએ ચેતવણી આપી છે કે વીજ ચોરીના દરેક કેસમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ અને કાનૂની પગલાંનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી વીજ ચોરી અટકાવવા અને પારદર્શક વીજ વિતરણ સુનિશ્ચિત કરવા માટેનું એક મહત્વનું પગલું છે.
જય સોનીની આગોતરા જામીન અરજી પરત ખેંચાઈ:નવસારીના એટ્રોસિટી અને દુષ્કર્મ કેસમાં હાઈકોર્ટમાંથી અરજી પરત
ટેટુ આર્ટિસ્ટ જય સોની વિરુદ્ધ નોંધાયેલા એટ્રોસિટી અને દુષ્કર્મ કેસમાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી રદ થયા બાદ, ગુજરાત હાઈકોર્ટમાંથી પણ જય સોનીના વકીલ દ્વારા આગોતરા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી જય સોની પરણિત હોવા છતાં ભોગ બનનારને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાનો આરોપ છે. ગર્ભ રહી જતાં ભોગ બનનાર પાસે જબરદસ્તી ગર્ભપાત કરાવી, તેણીને તરછોડી દઈ જાતિ-વિષયક અપમાન કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.આ ગુનામાં જય સોની દ્વારા નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. ભોગ બનનાર તરફે સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ કે. મહિડા અને એડવોકેટ તસ્લીમ એમ શેખ હાજર રહ્યા હતા. તેમના દ્વારા રજૂ કરાયેલ સોગંદનામું અને સરકારી વકીલ બી.ડી. રાઠોડની દલીલોને માન્ય રાખીને, 6 ઓગસ્ટ, 2025ના રોજ નવસારીના બીજા અધિક ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સી.જી. મહેતા સાહેબ દ્વારા આ અરજી નામંજૂર કરવામાં આવી હતી.ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ હુકમ વિરુદ્ધ જય સોનીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જસ્ટિસ દિવ્યેશ એ. જોશી સાહેબની કોર્ટમાં 17 સપ્ટેમ્બર, 2025ના રોજ સુનાવણી સમયે, જય સોનીના એડવોકેટ દ્વારા આ જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. શું હતો સમગ્ર કેસ?નવસારી શહેરના લૂંસીકુઈ વિસ્તારમાં આવેલા ટેટુ સ્ટુડિયો ધરાવતા યુવાને શહેરની એક યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ શરીર સંબંધ બાંધી તેને લગ્નની લાલચ આપ્યા બાદ તરછોડી દીધા બાદ યુવતીને જાતિ વિષયક ગાળો આપતા જય સોની વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકમાં 12 એપ્રિલ 2025 ના રોજ ફરિયાદ આપતા એટ્રોસિટી એક્ટ,દુષ્કર્મ,અને ગેરકાયદેસર ગર્ભપાતની મુજબ ફરિયાદ નોંધાઈ હતી. શહેરના લુંસીકુઈ વિસ્તારમાં આવેલા ડ્રીમલેન્ડ ટેટૂ સ્ટુડિયો ધરાવતા જય સોનીના સ્ટુડિયો પર યુવતી 27 માર્ચ 2023 ના રોજ ટેટુ પડવા ગઈ હતી, કામ પૂર્ણ થયા બાદ જય સોનીએ યુવતી નો નંબર લઈ ફોન પર લવ યુ અને મારે તને હક કરવું છે જેવા મેસેજ કર્યા હતા જે બાદ યુવતી સાથે તેની મિત્રતા થઈ હતી અને જય સોનીએ યુવતીને મારી પત્ની સાથે છૂટાછેડા થયા બાદ તારી સાથે લગ્ન કરીશ તેવો વાયદો કરી અલગ અલગ જગ્યાએ શરીરી સંબંધ બાંધ્યા હતા, લાંબા સમય સુધી લગ્નની લાલચ આપ્યા બાદ યુવતીને ગર્ભ રહેતા યુવાને તેને ગર્ભ નિરોધક ગોળી આપ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં જોખમી રીતે ગર્ભપાત પણ કરાવ્યો હતો, અને એક દિવસે જય સોની એ હવે આપણા લગ્ન શક્ય નથી એવું કહી જાતિ વિષયક ગાળો આપી હતી. જેથી યુવતીએ ગત એપ્રિલ માસમાં જય સોની વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકનો અરજી આપતા તેના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ, બળાત્કાર ગેરકાયદેસર ગર્ભપાત અને ગાળ આપવાના ગુના ને લગતી એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી, હજુ સુધી આરોપી જય સોનીની ધરપકડ થઈ નથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
સુરતના ઉન વિસ્તાર પાસે આવેલા સોનારી ગામ નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કેળા ભરેલી એક પીકઅપ વાન અને રિક્ષા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, અકસ્માતમાં પીકઅપ વાન પલટી મારી ગઈ હતી. જ્યારે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રિક્ષામાં સવાર લોકો રોડ પર પટકાયા હતા અને દર્દથી તરફડિયા મારતા પણ નજરે પડ્યા હતા. પીકઅપ વાન અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતમળતી માહિતી અનુસાર, પીકઅપ વાન અને રિક્ષા સામસામે ટકરાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે પીકઅપ વાન પલટી મારી ગઈ હતી, જ્યારે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રિક્ષામાં સવાર લોકો ગંભીર ઈજાઓ સાથે રોડ પર પટકાયા હતા અને દર્દથી તરફડિયા મારી રહ્યા હતા. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘાયલોની મદદ કરવા લાગ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. અકસ્માતમાં બંને વાહન ચાલકો સહિત પાંચથી વધુ લોકો ઘાયલએમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું છે. બંને વાહન ચાલકો સહિત પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ પ્રાથમિક અનુમાન છે કે ઝડપ અને બેદરકારી અકસ્માતનું કારણ હોઈ શકે છે.
ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રની દુધધારા ડેરીની આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઈને ભારે ગરમાવો છે. આ ચૂંટણી પૂર્વે જ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ એવો બોમ્બ ફોડ્યો છે કે ભાજપના આંતરિક ગૃહકલહ બહાર આવી ગયો છે. મનસુખ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું છે કે ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી છે, કારણ કે આ સંસ્થાઓ હવે પોતાના હેતુથી વિખેરાઈ રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણીમાં ધાડાધડ ખરીદફરોત ચાલી રહી છે અને જેની પાસે વધુ પૈસા હશે એ જ ચૂંટણી જીતશે. સાંસદનું આ નિવેદન સહકારી ક્ષેત્રમાં કાળા નાણાંના પ્રભાવ પર સીધી આંગણી મૂકે છે. તેમણે વધુમાં ભાજપ પર જ આક્ષેપો કરતા કહ્યું કે, પાર્ટીએ ઉમેદવારી જાહેર કરતી વખતે જિલ્લા સંકલન સમિતિને વિશ્વાસમાં લેવામાં આવી નથી,જેના કારણે અનેક જુના,વફાદાર કાર્યકર્તાઓની ઘોર અવગણના થઈ છે. વસાવાના આક્ષેપો ભાજપની અંદર ચાલતા વિખવાદોને ખુલ્લેઆમ બહાર આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજો આમને-સામને છે. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે સીધી રાજકીય જંગ છે. ભાજપના જ બે પક્ષીય જૂથો વચ્ચે આ ડેરીની ચૂંટણી ધનબળ અને પ્રભાવની લડાઈમાં ફેરવાઈ ગઈ છે. સાંસદ વસાવાના નિવેદનથી માત્ર સહકારી ચૂંટણી નહીં પરંતુ ભાજપના આંતરિક મતભેદો પણ સપાટી પર આવી ગયા છે.હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે કઈ પેનલ બહુમતી મેળવે છે અને વસાવાના આક્ષેપો બાદ પક્ષની અંદર કઈ રાજકીય ઉથલપાથલ સર્જાય છે.
બોટાદ ST સ્ટેન્ડમાં મોટા ખાડા:ડ્રાઇવરો-મુસાફરો પરેશાન, તાત્કાલિક રોડ બનાવવા માંગ
બોટાદના એસટી બસ સ્ટેશનમાં મોટા ખાડાઓને કારણે બસ ચાલકો, કંડક્ટરો અને મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ખરાબ રસ્તાઓને લીધે બસોને વારંવાર નુકસાન થાય છે અને મુસાફરો માટે પણ અકસ્માતનો ભય રહે છે.પાળીયાદ રોડ પર આવેલા બોટાદ એસટી બસ સ્ટેશનની હાલત અત્યંત ખરાબ છે. દરરોજ 250થી વધુ બસોની અવરજવર રહે છે, પરંતુ બસ સ્ટેશનના પ્રવેશદ્વાર પરના રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓ બસોના પાટા, જમ્પર તોડી નાખે છે અને અનેકવાર ટાયર પણ ફાટી જાય છે, જેનાથી બસને ભારે નુકસાન થાય છે. રાત્રિના સમયે અથવા પાણી ભરાયેલું હોય ત્યારે આ ખાડાઓ અકસ્માતનું કારણ બની શકે છે.બોટાદ બસ સ્ટેશનમાં કેટલાય વર્ષોથી રોડ બનાવવામાં આવ્યો નથી. આ અંગે એસટી મેનેજરે જણાવ્યું છે કે રોડ મંજૂર થઈ ગયો છે અને વડી કચેરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થતાં જ રોડ બનાવવાનું કામ શરૂ થશે.રસ્તાઓની ખરાબ હાલત ઉપરાંત, બસ સ્ટેશનમાં ગંદકી, ઝાડી-ઝાંખરા અને કચરાના ઢગલા પણ મુસાફરો માટે મુશ્કેલી ઊભી કરે છે. બસ સ્ટેન્ડ બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં આવેલી ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ્સનો કચરો પણ અહીં ઠાલવવામાં આવે છે. શહેરના નાગરિક અભિષેક સોલંકીએ બસ સ્ટેન્ડમાં નિયમિત સફાઈ થતી ન હોવા અંગે સવાલ ઉઠાવ્યા છે. આ ગંદકીના કારણે મચ્છર અને જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે.
વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ અમૃતનગર ખાતે રહેણાંક મકાનમાથી એક ઇસમને માદક પદાર્થ ગાંજાનો જથ્થા સાથે વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.રાતડા દ્વારા અલગ- અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટીક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદ ઇસમો ઉપર જરૂરી વોચ રાખી ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટીમને બાતમી મળતાની સાથે રહેણાંક વિસ્તારમાં રેડ કરી આરોપી સાથે મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રહેણાંક મકાનમાં ગાંજો સંતાડીને રાખનાર શખ્સની ધરપકડએસઓજી ટીમને બાતમી મળી હતી લક્ષ્મીપુરા રોડ, અમૃતનગરમાં રહેતો આકાશ પરસોત્તમભાઇ બુંદેલા તેના રહેણાંક મકાનમાં ગાંજો સંતાડીને તેનું ગ્રાહકોને છુટકમાં ગાંજાનું વેચાણ કરે છે. જેના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ જગ્યાએથી મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી લક્ષ્મીપુરા પોલીસ મથકમાં એનડીપીએસ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 21 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યોઆ કાર્યવાહીમાં આરોપી આકાશ પરસોત્તમભાઇ બુંદેલા (ઉ.વ. 33, રહે.મકાન નં.552, અમૃતનગર, લક્ષ્મીપુરા રોડ, સમતા, વડોદરા શહેર)ને માદક પદાર્થ ગાંજાનો જથ્થો 1 કિલો 660 ગ્રામ, કિ. રૂપિયા 16,600, મોબાઈલ, ડીઝીટલ વજન કાંટા સહિત કુલ રૂપિયા 21,800 નો મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
1000 કરોડની જગ્યા ખુલ્લી કરવા મેગા ડિમોલિશન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં GEB પાછળ નદીકિનારે સરકારી જમીન પર થયેલાં ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવા માટે આજે 18 સપ્ટેમ્બરને ગુરુવારે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે 10 JCB, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસકર્મચારીઓનો કાફલો તહેનાત કરાયો છે. આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણકર્તાઓનાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત મોકૂફ ગુજરાતમાં 30 વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસને બેઠી કરવા હવે રાહુલ ગાંધી મેદાને પડ્યા છે. એના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર-જિલ્લા કોંગ્રેસ-પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે. સ્થાનિક નેતાઓને માર્ગદર્શન આપવા માટે 12 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ આવ્યા હતા. તેમણે 41 શહેર અને જિલ્લા-પ્રમુખોના 4 કલાક નેતાઓના ક્લાસ લીધા હતા. હવે ફરીવાર આજે તેઓ આ શિબિરમાં ભાગ લેવા આવવાના હતા, જોકે દિલ્હીમાં હવામાન ખરાબ હોવાથી તેમની ફ્લાઇટ ટેક ઓફ થઈ શકી નહોતી. હવે તેમની આજની મુલાકાત રદ થઈ છે. હવે તેઓ આવતીકાલે આવે એવી શક્યતા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અનિરુદ્ધસિંહ જાડેજા ગમે તે ઘડીએ સરેન્ડર કરશે અનિરુદ્ધસિંહ જાડેજા આજે સરેન્ડર કરશે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા આજે જૂનાગઢ જેલમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરશે. જેથી હાલ જૂનાગઢ જેલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સમયે અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે. હાઇકોર્ટના 18 સપ્ટેમ્બર પહેલા સરેન્ડર કરવાના ચુકાદાને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો. જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે. તેમજ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કિંજલ દવે નહીં ગાઈ શકે ચાર-ચાર બંગડી ગીત ગુજરાતીઓનું પ્રિય 'ચાર-ચાર બંગડી'વાળું ગીતના કોપીરાઇટનો મામલો હાઇકોર્ટમાં છે. નીચલી કોર્ટના ચુકાદા સામે રેડ રિબને હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કિંજલ દવેના આ ગીતને જાહેર મંચ પરથી ગાવા મુદ્દે સ્ટે યથાવત્ રાખ્યો હતો, જોકે છેલ્લી સુનાવણીમાં આ સ્ટેને હટાવી લેવામાં આવ્યો હતો, પરંતુ રેડ રિબન દ્વારા અપીલમાં જવાની તૈયારી બતાવાતાં હાઈકોર્ટ સમક્ષ 8 અઠવાડિયાં સુધીનો સ્ટે લંબાવવાની માગ કરવામાં આવી હતી, જેથી હાઇકોર્ટે પોતાના ઓર્ડરના પર સ્ટે આપ્યો છે, જે 4 નવેમ્બર સુધી યથાવત્ રહેશે. આ કેસની ફાઇનલ સુનાવણી ડિસેમ્બર મહિનામાં યોજાવાની શકયતા છે. આગામી નવરાત્રિમાં કિંજલ દવેને કોર્ટમાંથી રાહત ના મળે ત્યાં સુધી તો આ ગીત ગાવાની શકયતા નહિવત્ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો લેવિસ-મેટ્રો ગ્રુપના 250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા મોરબી અને રાજકોટમાં IT વિભાગના મેગા સર્ચ-ઓપરેશને સૌરાષ્ટ્રના ઉદ્યોગજગતમાં ખળભળાટ મચાવી દીધો છે. મોરબીના જાણીતા લેવિસ અને મેટ્રો સિરામિક ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં અત્યારસુધીમાં 11 કરોડની રોકડ અને 5 કરોડની જવેલરી જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તપાસ દરમિયાન 250 કરોડ રૂપિયાથી વધુના બેનામી હિસાબો મળ્યા છે, જે અત્યારસુધીની સૌથી મોટી કરચોરીનો ખુલાસો કરે છે. હાલ આ તપાસ પૂર્ણતાના આરે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દેશી દારૂના અડ્ડા પર જનતારેડ જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં દેશી દારૂના બેફામ વેચાણ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભેસાણ અને મેંદરડા બાદ હવે 17 સપ્ટેમ્બરના કેશોદના ભાટ સિમરોલી ગામે સરપંચ સહિતના ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડી છે. આ રેડમાં મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ દારૂ વેચતા તત્વોને ઝડપી પાડ્યા હતા અને પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે મહિલા સરપંચે આક્ષેપ કર્યો હતો કે, પોલીસને લેટરપેડ પર જાણ કર્યા બાદ પણ કાર્યવાહી ન કરી. આ લોકો મહિલાઓને હેરાન કરે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પોલીસકર્મીએ રીક્ષાને અડફેટે લીધી અમદાવાદના વિશાલા સર્કલ પાસે 17 સપ્ટેમ્બરની મોડીરાતે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારચાલકે પૂરપાટ ઝડપે આવીને રિક્ષાને ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા પલટી જતાં ચાલક બેભાન થયો હતો. અકસ્માત બાદ લોકોનું ટોળું ભેગું થયું હતું અને રિક્ષાચાલકને સારવારમાં ખસેડી કારચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. આ અકસ્માતમાં કારચાલક પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે, સાથે જ તેની કારમાંથી બિયરની બોટલ, વર્દી અને કારની નંબરપ્લેટ પણ મળી હતી. પોલીસકર્મી નશાની હાલમાં હોવાનો આક્ષેપ સ્થળ પર હાજર લોકોએ કર્યો છે. સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગ્રામજનોએ હાઇવે ચક્કાજામ કરી પેપર મિલ બંધ કરાવી મહેસાણા-બહુચરાજી હાઈવે પર આજે(18 સપ્ટેમ્બર) ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, કારણ કે સામેત્રા ગામ નજીક ચારથી પાંચ ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામનું મુખ્ય કારણ ટ્વીલાઈટ ક્રાફ્ટ પેપર પ્રા. લિ. નામની પેપર મિલ દ્વારા ફેલાવવામાં આવતું ભયંકર પ્રદૂષણ અને દુર્ગંધ હતી, જેનાથી આસપાસના ગ્રામજનો ભારે પરેશાન હતા.મળતી માહિતી અનુસાર, ગ્રામજનોએ આ પેપર મિલના પ્રદૂષણ અંગે અનેકવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના કારણે આખરે કંટાળીને ગ્રામજનોએ ચક્કાજામનો માર્ગ અપનાવ્યો હતો. જે બાદ તંત્રએ કંપનીને હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેતા લોકોનો રોષ ઠર્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દુષ્કર્મ-હત્યાના આરોપીના ઘરે ગ્રામજનોની તોડફોડ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મનો આરોપી જય વ્યાસના ઘર પર આજે (18 સપ્ટેમ્બર) ગ્રામજનો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ગ્રામજનોનું કહેવું છે કે અવારનવાર આ પ્રકારનાં કૃત્ય કરે છે, જેથી પરિવાર ગામમાં ન જોઈએ. આ હોબાળા બાદ ગામમાં વાતાવરણ તંગદિલીભર્યું બન્યું હતું. લોકો સાથે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલો શાંત પાડ્યો હતો. એક સમય લોકોના હોબાળા અને આરોપીના પરિવાર સામે આક્રોશને લઈ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. પોલીસે પરિવારને પોલીસ વેનમાં બેસાડી ત્યાંથી રવાના થતાં બાદમાં મામલો શાંત પાડ્યો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અંબાલાલની નવરાત્રિમાં વરસાદની આગાહી ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ જે જિલ્લામાં હજી ચોમાસાની વિદાય થવાની બાકી છે ત્યારે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, એટલે કે 22 અને 23 સપ્ટેમ્બરે પ્રથમ અને બીજા નોરતામાં પણ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે નવરાત્રિમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
વડોદરામાં આગામી 23 અને 24 સપ્ટેમ્બરના રોજ ટાઈકોન 2025માં ભાગ લેવા માટે દેશભરમાંથી 33 જેટલા નામાંકિત સ્પીકર આવશે. આ આયોજનનો મુખ્ય ઉદેશ્ય છે કે નવીનતા, સહયોગ અને ઉદ્યોગસાહસિક શ્રેષ્ઠતા માટે કેન્દ્રિય હબ બનવા માટે તૈયાર એક ફ્લેગશિપ ઇવેન્ટ છે. દેશભરના 33થી વધુ સ્પીકર્સ ટાઈકોન 2025માં ભાગ લેશેઆ કાર્યક્રમમાં 250થી વધુ સ્ટાર્ટઅપ્સ, 100થી વધુ રોકાણકારો, 60થી વધુ ઉદ્યોગો અને 70થી વધુ પાર્ટનર્સ સહિત એક હજારથી વધુ પ્રતિષ્ઠિત ઉપસ્થિતોને એકસાથે લાવશે. સાથે જ દેશભરના 33થી વધુ સ્પીકર્સ(વક્તા) ટાઈકોન 2025માં ભાગ લઈ પોતાના અનુભવો શેર કરશે. 42થી વધુ ફંડ હાઉસ સાથે પ્રત્યક્ષ જોડાણની તકઆ ઇવેન્ટ 33થી વધુ પ્રતિષ્ઠિત વક્તાઓના વક્તવ્યનું આયોજન કરશે, જેમાં વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ઉદ્યોગસાહસિકો, યુનિકોર્નના સ્થાપકો, નવીન વિચારકો અને અગ્રણી રોકાણકારોનો સમાવેશ થાય છે. પ્રતિભાગીઓને 42થી વધુ ફંડ હાઉસ સાથે પ્રત્યક્ષ જોડાણની તકો હશે, જે અગ્રણી રોકાણ કંપનીઓ અને સાહસ મૂડીવાદીઓ સાથે મૂલ્યવાન જોડાણોની સુવિધા આપશે. વિવિધ ક્ષેત્રોમાં 250થી વધુ સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શનપિચ-એ-થોન હેલ્થટેક, ક્લીન એનર્જી, મહિલાઓની આગેવાની હેઠળના સાહસો સહિતના વિવિધ ક્ષેત્રોમાં 250થી વધુ સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શન કરશે, જે તેમને ઉદ્યોગના નેતાઓ અને રોકાણકારો સમક્ષ તેમની નવીનતાઓ રજૂ કરવાની મંજૂરી આપશે. સ્ટાર્ટ-અપ એવોર્ડ્સ ઉત્કૃષ્ટ સાહસોને કુલ INR 5 લાખ સુધીના રોકડ પુરસ્કારો સાથે સન્માનિત કરશે.
ભરૂચમાં વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓની મરામત શરૂ:માર્ગ અને મકાન વિભાગ દ્વારા પેચવર્ક, વાહનચાલકોને રાહત
માર્ગ અને મકાન વિભાગ, ભરૂચ (રાજ્ય) દ્વારા ચોમાસામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા વિવિધ રસ્તાઓની મરામત અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ વાહનચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડવાનો છે. ભરૂચ શહેરમાં શક્તિનાથથી લિંક રોડ અને સ્ટેશનથી ઝાડેશ્વર સુધીના માર્ગો પર ડામર પેચવર્કની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત, જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓની મરામતનું કાર્ય ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. મુખ્યમંત્રીની સૂચના અનુસાર, ચોમાસામાં રસ્તાઓની ખરાબ હાલતથી લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે વિભાગે તાત્કાલિક પગલાં લીધાં છે. વરસાદ બંધ થતાં જ ભરૂચ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, મેટલવર્ક અને ડામર પેચવર્કની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે, જેથી નાગરિકોને વધુ મુશ્કેલી ન ભોગવવી પડે.
દાહોદમાં આખલાઓના યુદ્ધમાં યુવતી ઘાયલ:બિરસા મુંડા સર્કલ પર ઘટના, નગરપાલિકાની કામગીરી સામે સવાલ
દાહોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. તાજેતરમાં બિરસા મુંડા સર્કલ પર બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટનાએ નગરપાલિકાની રખડતા પશુઓ અંગેની નિષ્ક્રિયતા પર ફરી સવાલો ઉભા કર્યા છે. આ ઘટના ગતરોજ બિરસા મુંડા સર્કલ પાસે બની હતી, જ્યાં બે આખલાઓ અચાનક લડવા લાગ્યા હતા. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક યુવતી આખલાઓની અડફેટમાં આવી ગઈ હતી, જેના કારણે તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક યુવતીને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. દાહોદ શહેરને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે, તેમ છતાં જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓનો ઉપદ્રવ ચરમસીમાએ છે. શહેરના નાગરિકો દ્વારા આ મુદ્દે નગરપાલિકા સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.ભૂતકાળમાં પણ આખલાઓના યુદ્ધ અને રખડતા પશુઓના કારણે અનેક લોકોને ઇજાઓ થઈ છે, અને એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હોવાના કિસ્સા બન્યા છે. આવી ગંભીર ઘટનાઓ છતાં નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડીને પાંજરે પૂરવા કે અન્ય કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. રાહદારીઓ અને વાહનચાલકો દરરોજ આવા જોખમી પશુઓના ભય સાથે જીવવા મજબૂર છે. આ ઘટના શહેરના રહેવાસીઓમાં રોષ અને ચિંતાનું કારણ બની છે. શહેરવાસીઓ માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા રખડતા પશુઓને પકડીને પાંજરે પૂરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરે અને શહેરના રસ્તાઓને સુરક્ષિત બનાવે, જેથી નાગરિકો નિર્ભયપણે અવરજવર કરી શકે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો ભવિષ્યમાં વધુ ગંભીર ઘટનાઓ બનવાની શક્યતા છે.
મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવનાર 4,544 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. સેટેલાઈટ મેપિંગના કારણે થયેલી આ કાર્યવાહીથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે કોંગ્રેસે તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત બાદ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જોકે, છેલ્લા દિવસોમાં સેટેલાઈટ મેપિંગના આધારે મોરબી જિલ્લામાં કુલ 19,234 નોંધણીઓમાંથી 4,544 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. આ રદ્દીકરણથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ સમસ્યાના નિરાકરણ માટે ટંકારા તાલુકાના ખેડૂતો કોંગ્રેસના આગેવાનો સાથે ટંકારા તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા. મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભૂપત ગોધાણી, જિલ્લા પંચાયતના માજી સભ્ય મહેશ રાજકોટિયા અને ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ ખેડૂતોએ તેમના ખેતરમાં મગફળી હોવા છતાં રજીસ્ટ્રેશન કેમ રદ થયા તેવો સવાલ કર્યો હતો.કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ રજીસ્ટ્રેશન રદ થયેલા ખેડૂતો પાસેથી ફરીથી ફોર્મ મંગાવવાનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ખેડૂતોએ અગાઉ તમામ પુરાવા આપ્યા હતા અને જો ભૂલ સરકારની હોય તો ખેડૂતો શા માટે હેરાન થાય. કોંગ્રેસે તંત્રને ચીમકી ઉચ્ચારી છે કે જો 48 કલાકમાં રદ થયેલા રજીસ્ટ્રેશનની ચકાસણી કરીને તેમને મંજૂર કરવામાં નહીં આવે, તો ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાળાબંધી અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ટંકારા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી અશોક હડિયાળ પાસેથી મળતી માહિતી મુજબ, રદ થયેલા રજીસ્ટ્રેશનનું વેરિફિકેશન કરવામાં આવશે. જોકે, સેટેલાઈટ મેપિંગના કારણે ઉભા થયેલા આ પ્રશ્નના નિકાલ માટે તાલુકા પંચાયત પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી ખેડૂતોના ખેતર સુધી વેરિફિકેશન ક્યારે થશે તે એક મોટો પ્રશ્ન છે.
કચ્છ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક હત્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે આજે ભુજ હાઈવે પર એક યુવકની હત્યા કરવામાં આવી છે. કોઈ વાતે બોલાચાલી થતાં પિતરાઈ ભાઈઓએ જ છરીના ઘાં ઝીંકી યુવકને પતાવી દીધો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હત્યાને અંજામ આપી આરોપીઓ ફરાર થયાભુજના મમુઆરા હાઇવે પર માનકુવાના યુવકની પિતરાઈ ભાઈઓએ જ ધારદાર હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી દીધી છે. જેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. હત્યાને અંજામ આપી હત્યારાઓ બાઇક ઉપર ફરાર થઇ ગયા છે. ઘટના આજે બપોરના 1 વાગ્યાના અરસામાં બની હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પધ્ધર પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઆ અંગે તપાસનીશ અધિકારી પીઆઇ એજી પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે ગુરુવારે બપોરના સમયે ભુજથી મમુઆરા તરફ આવતા આરોપી અને મરણ જનાર વચ્ચે કોઈ વાતે બોલાચાલી થઇ હશે. જેના પગલે ભુજના માનકુવા ગામના આરોપી મોહમદ ખાન અલીખાન બલોચ તેનો ભાઈ નૂરખાંન ( સાહવાન) એ તેના પિતરાઈ ભાઈ એઝાંઝ બલોચને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા છે. આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરાઈ છે. હવે જુઓ કચ્છ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં થયેલા હત્યાના બનાવો વિશે... મુન્દ્રામાંથી યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળીતાજેતરમાં જ ઝારખંડથી અહીં નોકરી કરવા આવેલા યુવકની કપાયા નજીકથી લોહીલુહાણ હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બોરાણા સર્કલ નજીક યસ વોટર પ્લાન્ટ કંપની સામેથી મૂળ ઝારખંડના અને હાલ ધ્રબ ગામની શ્રમિક સોસાયટીમાં રહેતા 20 વર્ષીય ઓમચંદ્ર માજી નામના યુવકની લાશ મળી આવી હતી. અહિ ક્લિક કરી આ સમાચારને વિગતવાર વાંચો રાપરના મેળામાં 19 વર્ષીય યુવકની જાહેરમાં હત્યારાપરના કારુડા ગામે મેળામાંથી બહાર આવી રહેલા યુવકને આંતરીને છરીના ઉપરાછાપરી અનેક ઘા મારી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. એક પરિવારની દીકરી સાથે આડાસંબંધની આશંકાએ યુવતીના કાકાએ રાપરના મોમાંય વાંઢ વિસ્તારમાં રહેતા 19 વર્ષીય નરેશ સામા કોલી નામના યુવકને ધારદાર હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાખી છે. અહિ ક્લિક કરી આ સમાચારને વિગતવાર વાંચો એક સપ્ટેમ્બરે એક યુવકની હત્યા થઈ હતી1 સપ્ટેમ્બરના રોજ ભચાઉના નંદગામ પાસે આવેલા એચપી પેટ્રોલ પમ્પ નજીક એક કંપનીમાં કામ કરતા 30 વર્ષીય હર્ષ રાજુ શર્માનો તેની સાથે કામ કરતા અન્ય એક કર્મચારી સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈને હર્ષ શર્માના માથામાં પથ્થરના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હત્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ભુજમાં યુવકે કોલેજિયન યુવતીનું છરીથી ગળું કાપ્યુંગત 28 ઓગષ્ટના રોજ ભુજમાં કોલેનિયન યુવતીને તેના કથિત પ્રેમીએ ગાળામાં છરી મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. સાક્ષી ખાનિયા નામની યુવતી હોસ્ટેલ જવા નીકળી હતી. એ દરમિયાન યુવતીના પાડોશમાં રહેતો શખસ મોહિત મૂળજી સિદ્ધપરા તેના મિત્ર સાથે બાઇક પર પહોંચ્યો હતો અને યુવતીને મળ્યો હતો. જ્યાં તેણે યુવતીને કહ્યું હતું કે, તે મને શું કામ બ્લોક કરી દીધો છે, જેના પ્રત્યુત્તરમાં યુવતીએ કહ્યું હતું કે, મારે તારી સાથે કોઈપણ વ્યવહાર કે સંબંધ રાખવા નથી. આમ સાંભળતાં જ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી યુવતીના ગળા ઉપર ઝીંકી દીધી હતી. અહિ ક્લિક કરી આ સમાચારને વિગતવાર વાંચો
મોરબીના રવાપર રોડ પર આવેલી યોગેશ્વર સોસાયટીમાં બુધવારે બપોરના સુમારે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં હેલ્મેટ પહેરેલા બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે બપોરે આશરે ૧ થી ૧:૩૦ વાગ્યાની આસપાસ યોગેશ્વર સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ કનેટીયા પોતાની કાર લઈને ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કાર ચાલકે કોઈ કારણોસર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા કારે શેરીમાં આવી રહેલા એક બાઇક ચાલક યુવાનને અડફેટે લીધો હતો. અકસ્માતના કારણે બાઇક ચાલક બાઇક સહિત રોડની બાજુમાં ફંગોળાઈ ગયો હતો. ત્યારબાદ કાર દીવાલ સાથે અથડાઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેને ગંભીર ઈજા થતા ટળી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કારમાં લીવર ચોંટી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક યુવાન પણ યોગેશ્વર સોસાયટીનો જ રહેવાસી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ બનાવ અંગે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં બળાત્કારના ચાર અલગ અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં ચોકબજારમાં બ્યુટીકેરની દુકાનમાં યુવતી પર બળાત્કાર અને ધમકી, સિંગણપોરમાં સાસરિયાનો ત્રાસ અને દિયરનું દુષ્કર્મ, ડીંડોલીમાં ઠંડાઈમાં ભાંગ ભેળવીને બળાત્કાર, પછી વીડિયો બનાવી લાખો પડાવ્યા અને ભેસ્તાનમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. બ્યુટીકેરની દુકાનમાં યુવતી પર બળાત્કાર અને ધમકીઆ પૈકી એક કિસ્સો ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ભરીમાતા વિસ્તારમાં બન્યો હતો. એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, જાવેદ અલી ઈસરત અલી (ઉ.વ. 23) નામના યુવકે તેની પર બ્યુટીકેરની દુકાનમાં જ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ દુષ્કર્મ બાદ, આરોપીએ પીડિતાને અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપી જાવેદ ભરીમાતા વિસ્તારમાં જ એક સિલાઈના કારખાનામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પીડિતાની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે તાત્કાલિક આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સલામત જગ્યા ગણાતી દુકાનોમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. સાસરિયાનો ત્રાસ અને દિયરનું દુષ્કર્મબીજો એક અત્યંત શરમજનક અને સંવેદનશીલ કિસ્સો કતારગામ વિસ્તારમાં સામે આવ્યો છે. અહીં એક પરિણીતાએ પોતાના સાસરિયા પક્ષના સભ્યો સામે ગંભીર આરોપો સાથે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાના જણાવ્યા મુજબ તેના સાસરિયાઓ તેને શારીરિક અને માનસિક રીતે સતત ત્રાસ આપતા હતા. આ ત્રાસની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે તેના દિયરે પરિણીતાની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. આ ઘટના બાદ પીડિતાએ હિંમત કરીને સાસરિયા પક્ષના આઠ સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં મુખ્યત્વે દિયર સામે દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. સિંગણપોર પોલીસે આ મામલે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. આ કિસ્સો કુટુંબીજનોના વિશ્વાસનો ભંગ અને સંબંધોની પવિત્રતાનો દુરુપયોગ દર્શાવે છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. ઠંડાઈમાં ભાંગ ભેળવીને બળાત્કાર, પછી વીડિયો બનાવી લાખો પડાવ્યાત્રીજો કિસ્સો ડીંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ કિસ્સાની મોડસ ઓપરેન્ડી એટલી ચોંકાવનારી છે કે તે જોઈને કોઈ પણ વ્યક્તિ અવાક થઈ જાય. પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી પ્રવીણ રણજીત પવારે તેને વિશ્વાસમાં લીધા બાદ ઠંડાઈમાં ભાંગ ભેળવીને પીવડાવી હતી. યુવતી બેભાન જેવી સ્થિતિમાં આવી ગયા બાદ પ્રવીણે તેનો લાભ ઉઠાવીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલેથી ન અટકતાં તેણે ગુપ્ત રીતે આ અંગત પળોનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આરોપીએ વીડિયોનો ઉપયોગ બ્લેકમેલિંગ માટે કર્યો. તે યુવતીને અલથાણની ઓયો હોટલ અને દમણ પણ લઈ ગયો હતો, જ્યાં તેણે તેની સાથે શરીર સુખ માણ્યું હતું. ત્યારબાદ, વીડિયો ડિલીટ કરવાના બહાને તેણે યુવતી પાસેથી રોકડા અને સોનાના દાગીના સહિત કુલ રૂ. 10.30 લાખ જેવી મોટી રકમ પડાવી લીધી હતી. ડીંડોલી પોલીસે આ ગંભીર ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને પૈસા પડાવ્યાચોથો કિસ્સો ભેસ્તાન વિસ્તારમાં સામે આવ્યો છે. અહીં ભેસ્તાનમાં રહેતી એક યુવતીએ કડોદરા ગોકુળધામ સોસાયટીના રહેવાસી વિકાસસિંહ રઘુવંશી સામે ફરિયાદ નોંધાવી છે. પીડિતાના જણાવ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને કડોદરામાં રહેતા વિકાસસિંહ મિથેલેશસિંહ રઘુવંશીએ તેની સાથે પરિચય કેળવ્યો હતો. તેણે યુવતીને લગ્ન કરવાની મીઠી લાલચ આપી અને તેની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યો. આ સિવાય તેણે યુવતી પાસેથી હાથ ઉછીના પૈસા પણ પડાવી લીધા હતા. આખરે, જ્યારે યુવતીને વિકાસસિંહના ઈરાદા પર શંકા ગઈ અને તેણે લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે તે ફરી ગયો હતો. પીડિતાએ ભેસ્તાન પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
સુરતના અલગ અલગ વિસ્તારોમાં નોટોના બંડલ બતાવી વિશ્વાસમાં લઈ સોનાના દાગીના ઉતરાવી છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. આ અગાઉ, પોલીસે આ જ ગેંગના એક મહિલા અને બે પુરુષ સભ્યોને ઝડપી પાડ્યા હતા. ગેંગ સોનાના દાગીના પહેરેલી મહિલાઓને નિશાન બનાવતીછેલ્લા કેટલાક સમયથી સુરતના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતી એક ગેંગ સક્રિય હતી. જે સોનાના દાગીના પહેરેલી મહિલાઓને નિશાન બનાવતી હતી. આ ગેંગના સભ્યો, જેમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે, નોટોનું બંડલ બતાવી મહિલાઓને વિશ્વાસમાં લેતા અને પછી તેમના સોનાના ઘરેણાં ઉતરાવી ફરાર થઈ જતા હતા. ગેંગના મુખ્ય સૂત્રધાર મનોજ બાવરીની ધરપકડઆ ગેંગનો શિકાર બનેલી એક મહિલાએ ફરિયાદ નોંધાવતા ચોક બજાર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા બાદ તેમની કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન, પોલીસે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર મનોજ બાવરી હોવાનું જાણ્યું અને તેની ધરપકડ કરી છે. શાક માર્કેટ અને સોસાયટીઓમાં એકલી જતી-આવતી મહિલાઓને ટાર્ગેટ કરતાપોલીસ પૂછપરછમાં મનોજ બાવરીએ જણાવ્યું કે, તે અને તેની ગેંગના સભ્યો ખાસ કરીને શાક માર્કેટ, ખરીદીના માર્કેટ અને સોસાયટીઓમાં એકલી જતી-આવતી મહિલાઓને ટાર્ગેટ કરતા હતાં. તેઓ મહિલાઓ સાથે વાતચીત શરૂ કરતા અને પછી નોટોની ગડ્ડી બતાવતાં, જેની ઉપર એક સાચી નોટ અને નીચે કાગળની નોટો હોય છે. તેઓ મહિલાને કહેતા કે આ પૈસા કોઈ ચોરી જશે, તેથી તે આ ગડ્ડી પોતાની પાસે રાખે છે. છેતરપિંડી કરીને અન્ય જીલ્લામાં ભાગી જતાં હતાંએકવાર મહિલા વિશ્વાસમાં આવી જાય, પછી તેઓ મહિલાને તેમના સોનાના ઘરેણાં પણ ઉતારી નાખવાનું કહેતા, જેથી તે પણ સુરક્ષિત રહે. આ રીતે તેઓ મહિલાના ઘરેણાં મેળવી છેતરપિંડી કરતા અને ગુનો આચર્યા બાદ અમદાવાદ, અરવલ્લી જેવા અન્ય જિલ્લાઓમાં ભાગી જતા હતા. આરોપીનો ગુનાહિત ઈતિહાસપોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મનોજ બાવરી વિરુદ્ધ ભિલોડા, તલોદ અને અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ચોક બજાર પોલીસ આ ગેંગના અન્ય સભ્યો અને તેમના ગુનાહિત ઇતિહાસ અંગે વધુ તપાસ કરી રહી છે.
રાજકોટના પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર ભાનુબેન સોરાણી અને તેમના પતિ પ્રવિણભાઈ સોરાણીનો દાદાગીરી કરતો એક વીડિયો વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે. આ વીડિયોમાં તેઓ વોર્ડ નં. 15ના શિવાજી નગર વિસ્તારમાં આવેલા બાપા સિતારામના મંદિરમાં તોડફોડ કરતા અને સ્થાનિક રહેવાસીઓ સાથે બબાલ કરતા જોવા મળી રહ્યા છે. જોકે આ મામલે પ્રવીણ સોરાણીએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં એ જગ્યા નશાખોરોનો અડ્ડો બન્યો હોવાથી લાઈટો તોડીને વાયર કઢાવ્યા હોવાનો બચાવ કર્યો હતો. તોડફોડ કરતો અને અપશબ્દ બોલતો સોરાણીનો વીડિયો વાઈરલપ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગત રવિવારે મોડી રાત્રે બની હતી. વીડિયોમાં પ્રવિણ સોરાણી પર સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેઓ મંદિરમાં તોડફોડ કરતા અને સ્થાનિક લોકોને ધમકાવતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયો કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વીડિયોમાં પ્રવિણ સોરાણી 'માર્યો તો માર્યો અને તોડફોડ કરી તો કરી, તારાથી થાય એ કરી લે' તેમ કહેતા પણ સંભળાય છે. પ્રવીણભાઈએ રાત્રિના અચાનક આવી મંદિરમાં તોડફોડ કરી- સ્થાનિકઘટના બાદ સ્થાનિકોએ મીડિયા સમક્ષ આવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, પ્રવિણભાઈ અચાનક રાત્રે મંદિરે આવ્યા હતા અને તોડફોડ શરૂ કરી દીધી હતી. જ્યારે અમે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે અમારી સાથે ગાળાગાળી અને મારામારી કરી હતી. સ્થાનિકોએ એમ પણ આક્ષેપ કર્યો છે કે આ દંપતી અગાઉ પણ આવા કૃત્યો કરી ચૂક્યું છે અને તેમનાથી વિસ્તારના લોકો ત્રાસી ગયા છે. તોડફોડ કરી હોવાનો પ્રવીણ સોરાણીએ સ્વીકાર કર્યોઆ મામલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં પ્રવીણ સોરાણીએ જણાવ્યું હતું કે, તેમના ઘરની નજીક આવેલા એક મંદિરે રોજ દારૂડિયાઓ, જુગારીઓ અને નશાખોરોનો જમાવડો થાય છે. આ તત્વોના કારણે આસપાસના રહેવાસીઓને ભારે અગવડતા પડી રહી છે. આ સમસ્યાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે રાત્રે હું ઘરે આવતો હતો, ત્યારે મેં જોયું કે આ લોકો મંદિરના ઓઠા હેઠળ દારૂ પી રહ્યા હતા. મેં તરત જ ત્યાંની લાઇટો તોડી નાખી અને GEB વાળાને બોલાવીને બધા વાયર ઉતરાવી નાખ્યા હતા. આ બાબતે સ્થાનિક લોકોએ ગાળાગાળી કરી હોવાનું પૂછતાં પ્રવીણ સોરાણીએ કહ્યું કે, લોકો લાઈટો તોડીને કેમ એવું કરી રહ્યા છો, એમ કહીને ના પાડતા હતા. પણ અમારો ઉદ્દેશ્ય આ બધું બંધ કરવાનો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ સમસ્યા અંગે પોલીસને 50થી વધુ વખત જાણ કરવામાં આવી છે. પોલીસ રાઉન્ડ પણ મારે છે, પરંતુ આખો દિવસ કોઈ પોલીસ અહીં બેસી શકતી નથી, જેને કારણે આવા તત્વો ફરી સક્રિય થઈ જાય છે. પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરતા આ પગલું ભરવું પડ્યું- પ્રવીણ સોરાણીઆ રીતે કાયદો હાથમાં લેવો એ યોગ્ય છે ? તેમ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે વારંવાર રજૂઆતો કરી છે. અને પોલીસ પેટ્રોલિંગ પણ કરે છે પરંતુ આખો દિવસ પોલીસ હોય નહીં એટલે વારંવાર આ પ્રશ્ન થાય છે. આમ રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ ન મળતા, પોતે આ નિર્ણય લીધો હતો. ઘટના બાદ પોતે મંદિરમાં રહેલો ફોટો પણ પોતાના ઘરે લાવીને પૂજા કરવાનું શરૂ કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ધાનપુર તાલુકાના ઉડાર ગામે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂની હેરાફેરીના ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડી, 2.93 લાખના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે પાંચ મોટરસાયકલ સહિત કુલ 6.03 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં સંડોવાયેલી એક મહિલા સહિત સાત આરોપીઓ ફરાર થયા હોવાથી પોલીસે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગત 17 સપ્ટેમ્બરની રાત્રે ધાનપુર પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ઉડાર ગામે પેટ્રોલિંગ દરમિયાન પાંચ મોટરસાયકલ પર સવાર શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા. તેમની મોટરસાયકલ પર કંતાનના થેલાઓમાં ભરેલો માલ જોઈ પોલીસને શંકા ગઈ. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ ઝડપભેર મોટરસાયકલો દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે હિંમત ન હારતાં ફિલ્મી શૈલીએ પીછો કર્યો, જે દરમિયાન આરોપીઓએ મોટરસાયકલો સ્થળ પર મૂકી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો. પોલીસે એક આરોપી મેહુલ ખીમજી મોહનીયા (રહે. ઉડાર, હોળી ફળિયું, તા. ધાનપુર)ને ઝડપી પાડ્યો. તપાસ દરમિયાન, પોલીસે પાંચ મોટરસાયકલો પરથી કંતાનના થેલાઓમાંથી 1248 વિદેશી દારૂ અને બીયરની બોટલો મળી, જેની કિંમત 2,93,280 રૂપિયા આંકવામાં આવી. આ સાથે પાંચ મોટરસાયકલની કિંમત મળી કુલ 6,03,280 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન મેહુલ મોહનીયાએ કબૂલ્યું કે, આ ગેરકાયદેસર હેરાફેરીમાં અજમલ ખીમજી મોહનીયા, અજમલ નબળા વહોનીયા, બંટી સુરેશ ઉર્ફે સૂર્યા પરમાર, શૈલેષ બામણીયા, જીગર પરમાર (તમામ રહે. ધનાર પાટીયા, તા. ધાનપુર), ચંપાબેન સુરેશ પરમાર (રહે. ધનાર પાટીયા) અને એક અન્ય વ્યક્તિ સંડોવાયેલા છે. આ તમામ આરોપીઓ ફરાર હોવાથી ધાનપુર પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. ધાનપુર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીના નેટવર્ક પર પોલીસની કડક નજરની જરૂરિયાતને ઉજાગર કરી છે.
મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લાએ ઇમ્ફાલ સ્થિત રાજભવન ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) - આણંદ દ્વારા સંચાલિત મણિપુર મિલ્ક પ્રોડ્યુસર્સ કૉ-ઓપરેટિવ યુનિયન લિ. (મણિપુર ડેરી)ના નવા બ્રાન્ડ નેમ અને લોગોનું અનાવરણ કર્યું હતું. આ લોન્ચિંગથી મણિપુર ડેરીને એક નવી ઓળખ મળી છે. આ પ્રસંગે, રાજ્યપાલે ગાય સ્પેશિયલ મિલ્ક અને હેલ્થ પ્લસ ડબલ ટોન્ડ મિલ્ક જેવી દૂધની નવી વેરાયટીઓ તેમજ પ્રોબાયોટિક દહીં, સ્પેશિયલ લસ્સી અને ગાયના ઘી જેવા મૂલ્યવર્ધિત ડેરી ઉત્પાદનો પણ લોન્ચ કર્યા હતા. તેમણે મણિપુર ડેરી ખાતે એનડીડીબીની ઓટોમેટેડ મિલ્ક કલેક્શન સિસ્ટમ (એએમસીએસ) અને ડેરી ઇઆરપી પ્લેટફોર્મ સહિત અનેક મહત્વપૂર્ણ પહેલનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કર્યું હતું. રાજ્યપાલ ભલ્લાએ એનડીડીબીના મેનેજમેન્ટ હેઠળ મણિપુરમાં ડેરી વિકાસમાં થયેલી ઝડપી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે મણિપુર સરકારના એપ્રિલ 2025માં મણિપુર મિલ્ક યુનિયનનું મેનેજમેન્ટ એનડીડીબીને સોંપવાના દૂરંદેશી પગલાને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ટૂંકા ગાળામાં એનડીડીબીએ અનેક સુધારા કર્યા છે, જેના સારા પરિણામો દેખાઈ રહ્યા છે. એનડીડીબીના ચેરમેન ડૉ. મીનેશ શાહએ મણિપુર મિલ્ક યુનિયનને સહાય કરવા માટે એનડીડીબીની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે માહિતી આપી કે એનડીડીબીએ યુનિયનને સ્થિર કરવામાં મદદ કરવા માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડી છે, જેમાં રીવાઇટલાઇઝિંગ પ્રોમિસિંગ પ્રોડ્યુસર-ઓન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ (આરપીપીઓઆઈ) યોજના હેઠળ રૂ. 3 કરોડની ગ્રાન્ટ અને રૂ. 5 કરોડની વ્યાજ વગરની લોનનો સમાવેશ થાય છે. આ સહાયથી ખેડૂતોના લાંબા સમયથી બાકી લેણાં ચૂકવવામાં, પ્રોસેસિંગ સુવિધાઓને અપગ્રેડ કરવામાં અને કાર્યકારી મૂડી પૂરી પાડવામાં મદદ મળી છે. ડૉ. શાહએ વધુમાં જણાવ્યું હતું કે, એનડીડીબીએ સંચાલન, કામગીરી અને ઉત્પાદનના વૈવિધ્યકરણ પર દેખરેખ રાખવા માટે ઇમ્ફાલમાં વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરી છે, જેથી યુનિયન વ્યાવસાયિક રીતે વિકાસ સાધી શકે. તેમણે પ્રકાશ પાડ્યો કે એનડીડીબીએ મેનેજમેન્ટ ફી માફ કરી છે અને મણિપુરના અધિકારીઓને આણંદ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સફળ ડેરીઓની મુલાકાત દ્વારા તાલીમ અને અનુભવ મેળવવા માટેની વ્યવસ્થા કરી છે.ડૉ. મીનેશ શાહએ જાહેરાત કરી કે ઓક્ટોબર 2025 સુધીમાં મણિપુર ડેરી આસામ રાઇફલ્સને દૂધ સપ્લાય કરવાનું શરૂ કરી દેશે. આ પહેલ ડેરીના વિકાસને રાષ્ટ્રસેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે જોડશે, જેનાથી સશસ્ત્ર દળોને ગુણવત્તાયુક્ત પોષણ મળશે અને ખેડૂતો માટે એક સ્થિર બજાર પણ ઊભું થશે.
11 ડમ્પરો ગેરકાયદેસર ખનિજ વહન કરતા ઝડપાયા:સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી
સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર ગેરકાયદેસર ખનિજ વહન કરતા 11 ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં રેતી અને બ્લેક ટ્રેપનું વહન કરતા ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા 11 ડમ્પરો પાસેથી કુલ 22 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ખનિજ ચોરી અટકાવવા માટે સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ખનિજ ચોરી પર લગામ કસવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમોને સતત સાથે રાખવામાં આવી રહી છે. આ કડક કાર્યવાહીના કારણે ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરા શહેરના હરણી વારસીયા રીંગ રોડ પર આવેલા સવાદ ક્વાર્ટર્સમાં મિત્રને મળવા આવેલા ખોડીયાર નગરના યુવક સાથે જૂની અદાવત રાખી ચાર માથાભારે ઈસમોએ બબાલ કરી જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આ ચારેય શખ્સોને આજે પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રશન કરાવ્યું હતું. ચારેય આરોપીઓ સાથે રિકન્સ્ટ્રક્શન કરાયુંવારસીયા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચ્યા હતા. આ કાર્યવાહીમાં ચારે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. આજે વારસીયા પોલીસે રિમાન્ડ હેઠળ આરોપીઓ હોવાથી તેઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને આખી ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો. તે અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સાથે જ આરોપીઓ હથિયારો ક્યાંથી લાવ્યા હતા અને કઈ રીતે યુવક પર હુમલો કર્યો હતો તે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી હતી. આજે રિમાન્ડ પૂરા થતા આરોપીને પોલીસ કોર્ટમાં રજૂ કરશે. ચાર આરોપીની વિગતવારસીયા પોલીસે યુવક પર હુમલો કરનાર સંકેત ઉર્ફે કાંચો અશોકભાઇ રાજ (ઉ.વ.27 રહે. પર આમ્રપાલી સોસાયટી વૈકુંઠ-2ની અંદર આજવા રોડ બાપોદ વડોદરા શહેર), સુમિત ઉર્ફે સ્ટફ નરેશભાઈ મકવાણા (ઉ.વ.26 રહે. 304 પાલ્મ વ્યુ ફ્લેટ સયાજીપુરા બાપોદ વિસ્તાર વડોદરા શહેર), નિતિશ ઉર્ફે બાબા દિનેશ સિંગ (ઉ.વ.27 રહે. 420 લક્ષ્મીનગર સોસાયટી રઘુકુળ સ્કુલની પાછળ આજવા રોડ બાપોદ વડોદરા શહેર મુળ રહે.પોની હસનપુર ગામ તા.જી.વૈશાલી બિહાર રાજ્ય), વિશાલ હરીશભાઇ શ્રીમાળી (ઉ.વ.31 રહે.81/એ પોલીસ કોલોની વારસીયા રીંગ રોડ વડોદરા શહેર)ને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. શું હતી ઘટનાવડોદરા શહેરના હરણી વારસીયા રિંગ રોડ ઉપર રહેતા મિત્રોને ખોડીયાર નગરનો ગૌરવ હરે રામસિંગ રાત્રિના સમયે મળવા માટે આવ્યો હતો. તે દરમિયાન તેનો પીછો કરીને આવેલા ચાર જેટલા શખ્સો સવાદ કવાટર્સમાં ધસી આવ્યા હતા અને યુવક સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ફરી મારામારી કરી હતી. ત્યારબાદ યુવકને ત્રણ જેટલા શખ્સો પકડી રાખ્યો હતો, એક જણાએ ચાકુ(છરી) જેવા તીક્ષ્ણ હથિયાર કાઢીને ઉપરાઉપરી ત્રણથી ચાર ઘા મારી જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોને ઘટના બાબતે જાણ થતાં તેઓ એસએસજી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને હુમલાખોરો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. વારસિયા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ચાર હુમલાખોરોને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી હતી. વારસીયા પોલીસે ચારે ઈસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓના ગુનાહિત ઇતિહાસઝડપાયેલ ચારે આરોપીઓ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી સંકેત ઉર્ફે કાંચો અશોકભાઇ રાજ પાણીગેટ પોલીસ સ્ટેશન, હરણી, વારસીયા, સિટી પોલીસ , ફતેગંજ સહિત આણંદના આંકલાવમાં ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. આરોપી સુમિત ઉર્ફે સ્ટફ નરેશભાઇ મકવા વારસીયા પોલીસે મથક, આરોપી નિતિશ ઉર્ફે બાબા દિનેશ સિંગ વારસીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલ છે. જ્યારે આરોપી વિશાલ હરીશભાઇ શ્રીમાળી વલસાડ પારડી પોલીસ સ્ટેશન, વડોદરા શહેર ડી.સી.બી, સીટી પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલ છે.
અંજાર તાલુકાના ભીમાસર ગામ નજીક થયેલા શ્રમજીવી યુવકની હત્યા કેસમાં પોલીસે ઝડપેલા આરોપીઓનું આજે ઘટનાસ્થળે રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે ગત 15મીના રોજ થયેલી આ હત્યાનો ભેદ ઉકેલી મૃતકની પત્ની, તેનો પ્રેમી, સોપારી લેનાર અને હત્યામાં મદદગારી કરનાર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. અંજાર પીઆઇ અજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુરુવારે બપોરે પોલીસ સ્ટાફ દ્વારા આ કેસના ચાર પુરુષ આરોપીઓને બનાવ સ્થળે લાવવામાં આવ્યા હતા. પોલીસની હાજરીમાં આરોપીઓએ હત્યાનો સમગ્ર ઘટનાક્રમ ફરીથી રજૂ કર્યો હતો. આ સમયે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અરુણ સાહુની પત્નીને હોટેલ સંચાલક હરાધન સાથે આડા સંબંધ હતા. પતિ અરુણ આ સંબંધોમાં અવરોધરૂપ બનતા, રેખાએ હરાધનને તેની હત્યા કરવા જણાવ્યું હતું. હરાધને તેના મિત્ર આનંદ બરોટને અરુણની હત્યા કરવા માટે રૂપિયા 5 લાખની સોપારી આપી હતી. આનંદે આ માટે તેના મિત્રો ગોપાલ બારોટ અને દિલીપ ભટ્ટીને સાથે રાખીને હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે આ મામલે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે અને આરોપીઓને કડક સજા થાય તે માટે પુરાવાઓ એકત્ર કરી રહી છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી, બેંગલુરુની અત્રિ સંસ્થા અને મહુવાના પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે મહુવાની શેઠ એમ.એન. હાઈસ્કૂલ અને એમ.એન. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના 500 વિદ્યાર્થીઓ પર સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને તેના પ્રત્યે જાગૃતિનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ જુલાઈ મહિનામાં કરવામાં આવ્યો હતો અને તેના વિગતવાર તારણો ઓક્સફોર્ડ યુનિવર્સિટીને સબમિટ કરવામાં આવ્યા છે. અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ અને તારણોઆ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ્લાસ્ટિક પ્રદૂષણ, ખાસ કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતી નકારાત્મક અસરો વિશેની સમજણ અને જાગૃતિનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવાનો હતો. સર્વેના તારણો પરથી સ્પષ્ટ થયું છે કે, પ્લાસ્ટિક પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે શાળા સ્તરે જ શિક્ષણ અને જાગૃતિ ફેલાવવી અત્યંત જરૂરી છે. આ અભ્યાસ દર્શાવે છે કે, યોગ્ય માર્ગદર્શન અને માહિતીથી વિદ્યાર્થીઓ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવી શકે છે અને સમાજમાં પરિવર્તન લાવી શકે છે. વૈશ્વિક સ્તરે પ્રશંસામહુવા ખાતે થયેલી આ પહેલની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઈ છે. ઓક્સફોર્ડ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના સહયોગથી થયેલા આ સંશોધને મહુવાને શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રમાં એક નવી અને અનોખી ઓળખ આપી છે. આ પ્રવૃત્તિ સ્વચ્છ શહેર અને પર્યાવરણ પ્રત્યેના મજબૂત સંદેશનું પ્રતીક બની છે, જે ભવિષ્યમાં આવા અન્ય સંશોધનો અને પહેલ માટે પ્રેરણા પૂરી પાડશે. શિક્ષકોનો અમૂલ્ય સહયોગઆ સમગ્ર અભ્યાસને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તૌરલબેન મહેતા અને શિક્ષકો ગીતાબેન જેઠવા, હાર્દિક જોશી અને ભરતભાઈ પ્રજાપતિનો અમૂલ્ય સહયોગ મળ્યો હતો. તેમના માર્ગદર્શન અને સક્રિય સહકાર વિના આ સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવું શક્ય ન હતું. આ ટીમવર્કે દર્શાવ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને પર્યાવરણીય પડકારોનો સામનો કરી શકે છે. આ અભ્યાસ ભવિષ્યમાં પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને યુવાનોને પ્રદૂષણ મુક્ત વિશ્વનું નિર્માણ કરવા માટે પ્રેરણા આપશે.
બનાસકાંઠા જિલ્લામાં 6 અને 7 સપ્ટેમ્બર, 2025 ના રોજ થયેલા ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જનતા માટે અવરજવરને સરળ અને સલામત બનાવવાનો છે. રાજ્ય સરકારની સૂચના અનુસાર, બનાસકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) પાલનપુર હસ્તકના કાર્યપાલક ઈજનેર અંકિત ચૌધરીના નેતૃત્વમાં કુલ 14 ટીમોને આ મરામત કાર્ય માટે કાર્યરત કરવામાં આવી છે. વરસાદી વિરામ બાદ ડામર પ્લાન્ટ શરૂ કરીને ક્ષતિગ્રસ્ત માર્ગો પર રીસરફેસીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના થરાદ, વાવ, સુઇગામ અને ભાભર જેવા તાલુકાઓમાં સતત વરસાદ અને પાણી ભરાવાને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા, જેનાથી યાતાયાત પર આંશિક અસર પડી હતી. તંત્ર દ્વારા આ રસ્તાઓને ઝડપથી દુરસ્ત કરવાના પ્રયાસો સતત ચાલુ છે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.
આગામી 20 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીનાં રોડ શો સહિતના કાર્યક્રમોની વિગતવાર માહિતી ભાવનગર શહેર-જિલ્લા ભાજપે પત્રકાર પરિષદને સંબોધતા આપી હતી. મોદીના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂલાંબા સમય બાદ ભાવનગરની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે, ત્યારે છેલ્લા પંદર દિવસથી મોદીની મુલાકાતને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ તૈયારી હાલ અંતિમ ચરણમાં છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરમાં પત્રકાર પરિષદ યોજી વડાપ્રધાન મોદીની મુલાકાત કાર્યક્રમ સહિતની પ્રસ્તાવના અંગે પત્રકારોને અવગત કર્યા હતા. પીએમના રોડ શોમાં સરકારની સિદ્ધિઓ વર્ણવતા ફ્લોટ જોવા મળશેઆ પત્રકાર પરિષદમાં મેયર ભરત બારડ, સાંસદ નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત શહેર-જિલ્લા ભાજપના પ્રમુખો તથા અન્ય હોદ્દેદારોએ માહિતી આપી હતી. આ પરિષદમાં હોદ્દેદારોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાવનગર શહેર-જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાવા થનગની રહ્યા છે. ભવ્ય રોડ શોમાં સરકારની સિદ્ધિઓ વર્ણવતા ફ્લોટ જેમ કે, ઓપરેશન સિંદૂર, જીએસટીમાં રાહત, આત્મનિર્ભર ભારત સહિતના ફ્લોટ રજૂ કરવામાં આવશે.
બોટાદ જિલ્લાના રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રાણપુર શહેર અને આસપાસના ગામડાઓમાંથી આવેલા કુલ 240 જેટલા દર્દીઓએ વિવિધ રોગોની તપાસ કરાવી અને સારવારનો લાભ લીધો હતો. કેમ્પમાં બાળરોગ નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણાત, આંખના નિષ્ણાત, એનેસ્થેટીસ્ટ, કાન-નાક-ગળાના નિષ્ણાત, ચામડી રોગ નિષ્ણાત, માનસિક રોગ નિષ્ણાત તેમજ દાંત રોગના નિષ્ણાત સહિતના ડોકટરોએ સેવાઓ આપી હતી. આ નિષ્ણાતોએ દર્દીઓની તપાસ કરી તેમને યોગ્ય માર્ગદર્શન અને સારવાર પૂરી પાડી હતી.વિવિધ વિભાગોમાં દર્દીઓની સંખ્યા નીચે મુજબ રહી હતી: આંખ વિભાગમાં 53 દર્દી, સર્જરી વિભાગમાં 11 દર્દી, સ્ત્રી રોગ વિભાગમાં 6 દર્દી, કાન-નાક-ગળા વિભાગમાં 15 દર્દી, ચામડી વિભાગમાં 19 દર્દી, દાંત વિભાગમાં 14 દર્દી, મનોરોગ વિભાગમાં 2 દર્દી અને પીડિયાટ્રિક વિભાગમાં 44 દર્દીઓએ તપાસ કરાવી હતી. મેડિસિન ફિઝિશિયન વિભાગના દર્દીઓની સંખ્યાનો ઉલ્લેખ નથી, પરંતુ કુલ 240 દર્દીઓએ લાભ લીધો હતો.આ કેમ્પની મુલાકાત રાણપુર શહેર ભાજપના આગેવાનોએ લીધી હતી. તેમણે કેમ્પમાં દર્દીઓને કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે ધ્યાન આપ્યું હતું. રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડોક્ટર હર્ષભાઈ માધવેનદરભાઈએ માહિતી આપી હતી.
ભીમનાથ મહાદેવ મંદિરે વિશ્વશાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે સવા કરોડ પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનો મહાસંકલ્પ શરૂ થયો છે. આ પૌરાણિક મંદિરમાં બહેનો દ્વારા આ શિવલિંગ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે આગામી શિવરાત્રી સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ મહાયજ્ઞનું નેતૃત્વ મંદિરના મહંત મહામંડલેશ્વર આશુતોષગીરી બાપુના ધર્મપત્ની ઉમાબા કરી રહ્યા છે. ઉમાબા છેલ્લા ચાર મહિનાથી અનાજનો ત્યાગ કરીને આ અનન્ય ઉપાસનામાં જોડાયેલા છે. તેમના સંકલ્પ મુજબ, તૈયાર થયેલા શિવલિંગોનું શિવરાત્રીએ પૂજન કરી નીલકા નદીમાં પધરાવવામાં આવશે. આ અનુષ્ઠાનનો મુખ્ય હેતુ વિશ્વભરમાં પ્રવર્તતી આરોગ્ય સંકટ, ધનહાનિ અને માનવહાનિ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી સર્વત્ર સુખ-શાંતિ અને સમૃદ્ધિ સ્થાપિત કરવાનો છે. આ કાર્યમાં મંદિર તથા આસપાસના ગામોની અનેક બહેનો ઉત્સાહભેર જોડાઈ રહી છે, જેઓ પોતાના હાથે પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભક્તિભાવથી સમર્પિત કરી રહી છે. ઉમાબાએ સમગ્ર તાલુકા, જિલ્લા અને રાજ્યની બહેનોને આ શુભ કાર્યમાં સહભાગી થવા અને ભક્તિપૂર્વક પાર્થેશ્વર શિવલિંગ બનાવી વિશ્વને દુઃખ, રોગ અને સંકટમાંથી મુક્તિ અપાવવામાં યોગદાન આપવા અપીલ કરી છે. આ પ્રયાસ ધર્મ, શક્તિ અને એકતાનું પ્રેરણાસ્રોત બની રહ્યો છે.
મહેસાણા-બહુચરાજી હાઈવે પર આજે(18 સપ્ટેમ્બર) ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, કારણ કે સામેત્રા ગામ નજીક ચારથી પાંચ ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામનું મુખ્ય કારણ ટ્વીલાઈટ ક્રાફ્ટ પેપર પ્રા. લિ. નામની પેપર મિલ દ્વારા ફેલાવવામાં આવતું ભયંકર પ્રદૂષણ અને દુર્ગંધ હતી, જેનાથી આસપાસના ગ્રામજનો ભારે પરેશાન હતા.મળતી માહિતી અનુસાર, ગ્રામજનોએ આ પેપર મિલના પ્રદૂષણ અંગે અનેકવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના કારણે આખરે કંટાળીને ગ્રામજનોએ ચક્કાજામનો માર્ગ અપનાવ્યો હતો. ટ્વીલાઈટ ક્રાફ્ટ પેપર પ્રા. લિ. કંપની હંગામી ધોરણે બંધઆ ચક્કાજામના કારણે મહેસાણાથી કાઠિયાવાડ અને કચ્છ તરફ જતા વાહનો લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પ્રાંત અધિકારી, DYSP અને GPCPના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે મંત્રણા કરી હતી. ગ્રામજનોના આક્રોશ અને માંગણીઓને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક નિર્ણય લીધો હતો. જ્યાં સુધી કંપનીમાંથી આવતી દુર્ગંધ સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી ટ્વીલાઈટ ક્રાફ્ટ પેપર પ્રા. લિ. કંપનીને હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. તંત્ર દ્વારા આ નિર્ણયની જાહેરાત થતાં ગ્રામજનોએ ચક્કાજામ ખુલ્લો કર્યો હતો. ફેક્ટરીના કારણે ઘરમાં કોઈ રહી શકતું નથી, બે ગાયો પણ મરી ગઈપૂજા ચૌધરીએ જણાવ્યું કે આ ફેક્ટરીના કારણે અમારા ઘરમાં કોઈ રહી શકતું નથી. અમારી બે ગાયો પણ મરી ગઈ. હું તો આખા ગામ વતી એટલું જ તમને વિનંતી કરું કે આ ફેક્ટરી બંધ કરો. અમારા ગામના કોઈ છોકરાઓ સ્કૂલમાં જઈ શકતા નથી. આખી ફેક્ટરી બંધ કરો, અમારી એટલી જ રિક્વેસ્ટ છે. અમે કલેક્ટર જોડે ગાંધીનગર બે વર્ષથી રિક્વેસ્ટ કરી છે. પણ આનું કોઈ નિવારણ આવતું નથી. તો છેલ્લે જવાબ મારો આટલો જ છે કે ફેક્ટરી બંધ કરાવો. જેથી અમારા બાળકો સ્કૂલમાં જઈ શકે. ગ્રામજનોને હોસ્પિટલ જવું પડી રહ્યું છે. આનાથી તો વોમીટીંગ થઈ રહ્યા છે. આટલી જ તમને રિક્વેસ્ટ છે કે તમે બંધ કરી દો ફેક્ટરી.અમારી એટલી જ માગ છે અમે અગાઉ કલેક્ટર સુધી ગયા પણ કોઈ નિવારણ આવતું નથી. જેથી અમે રોડ પર ચક્કાજામ આંદોલન કર્યું છે. તો ફેક્ટરી બંધ કરાવો એટલી મારી કલેક્ટર સાહેબને વિનંતી. CMO-PMOમાં રજૂઆત કરીગીતાબેન ચૌધરીએ જણાવ્યું કે અમારે બે વર્ષથી સમસ્યા છે અને આજે અમે રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છીએ.અમે કલેક્ટર કચેરી બે વર્ષમાં દસ વખત ગયા. એ તો નવા નવા બદલી જાય, તો અમારે નવો નવો એકડો ઘુંટવાનો? અમે સીએમ સાહેબની ઓફિસ ગયા, બે મહિના થયા. અમે પીએમઓની ઓફિસમાં મોદી સાહેબને પણ રજૂઆત કરી છે. કોઈ અધિકારીએ અમારું સાંભળ્યું નથી. જીપીસીબી બોર્ડના અધિકારી આવે છે, તો આવી આવીને તપાસ કરીને ખિસ્સા ભરી દે ફેક્ટરીનો માલિક.એટલે એમના ખિસ્સા ભરી ભરીને જતા રહે. જીપીસીબીના અધિકારી તમે રાજીનામું આપી દો તમે સરકારના પગારથી ધરાતા નથી. ફેક્ટરીના પ્રદૂષણની બે મહિલાના મોતનો આક્ષેપઅમારી માંગણી ફેક્ટરી બંધ કરવાની છે નહીતો અહીંયાથી અમે ખસવાના નથી. આ પરમિશન જેને આપી તે અધિકારી સામે કડક પગલાં લેવા જોઈએ. સરકારને કહો તમે કડક પગલાં લો કોને આ પરમિશન આપી. ફેક્ટરીના પ્રદૂષણની અગાઉ બે દેવીપૂજક મહિલાઓના મૃત્યુ થઈ ગયા હતા, જ્યારે તેઓ રાત્રે ત્યાં રજૂઆત કરવા ગયા તો ફેકટરીવાળાએ તેમને ત્યાંથી કાઢી મુક્યા હતા. GPCBના ધારાધોરણ મુજબ સિસ્ટમ ઈન્સ્ટ્રોલ થશે પછી જ કંપની ચાલું થશે: પ્રાંત અધિકારીપ્રાંત અધિકારી ઉર્વીશભાઈએ જણાવ્યું કે આખરે ગામવાળાની સંમતિથી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, જીપીસીબીની ટીમ દ્વારા જે ટ્વીલાઈટ કંપનીને જરૂરી સાધન સામગ્રી લગાવવા માટે સૂચના આપવામાં આવી છે, જેના કારણે ગામમાં આવતી દુર્ગંધ બંધ થાય. એ પ્રોસેસ પૂરી કર્યા બાદ કંપની દ્વારા જ્યારે રિપોર્ટ આપવામાં આવશે કે તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, ત્યારબાદ સંયુક્ત ટીમની વિઝિટ થશે અને કંપની ચાલુ કરવામાં આવશે. હાલ પૂરતી જ્યાં સુધી કંપની ધારાધોરણ મુજબ એની સિસ્ટમ ઇન્સ્ટોલ નથી કરતા, ત્યાં સુધી આપણે હાલ કંપનીને બંધ કરીએ છીએ. ગામવાળા પણ એનાથી સંમત છે અને જ્યારે પણ એની સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જશે, ત્યારબાદ આપણે ફરીથી એની વિઝિટ કરીશું અને યોગ્ય લાગશે જીપીસીબીના ધારા ધોરણ મુજબ, ત્યારે ફરીથી એને ગામની હાજરીમાં આપણે સ્ટાર્ટ કરીશું.
પઢિયાર પરિવારે સ્વર્ગસ્થ મિલાપસિંહ યોગેન્દ્રસિંહ પઢિયારની પુણ્યતિથિ નિમિત્તે સત્યમ સેવા યુવક મંડળને ₹15,000 ના વિવિધ મેડિકલ સાધનો અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયના હોલ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે દાતા યોગેન્દ્રસિંહ પઢિયાર અને અશોકભાઈ ભટ્ટ દ્વારા દીપ પ્રગટાવી મેડિકલ સાધન અર્પણ વિધિ કરવામાં આવી હતી. આ સાધનો જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે. કાર્યક્રમમાં સત્યમ સેવા યુવક મંડળના ટ્રસ્ટી કમલેશભાઈ પંડ્યા અને શાંતાબેન બેસ, તેમજ અંધ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથી, ટ્રસ્ટી બટુક બાપુ, અજીતભાઈ ગોધાણી, જયાબેન પરમાર અને રાજુભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ સુંદર પ્રાર્થના અને ધૂન રજૂ કરી હતી. સંસ્થાના ટ્રસ્ટી બટુક બાપુએ સંસ્થાનો પરિચય આપી પઢિયાર પરિવારના સેવાકીય કાર્યોની સરાહના કરી હતી.બટુક બાપુએ પઢિયાર પરિવારનો સત્યમ સેવા યુવક મંડળને હંમેશા સહયોગ મળતો રહ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. કમલેશભાઈ પંડ્યાએ પઢિયાર પરિવારની નિષ્ઠાવાન સેવા અને સમાજમાં તેમની છાપનું વિગતવાર વર્ણન કર્યું હતું. આભાર વિધિ કરતાં અંધ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથીએ બંને સંસ્થાઓ, સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. તેમણે જણાવ્યું કે બંને ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા છે અને સત્યમ સેવા યુવક મંડળની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મનોજભાઈ સાવલિયા, પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટની લાભાર્થી અંધ દીકરીઓ અને જ્યોતિબેન કાળિયા સહિત અનેક લોકોએ યોગદાન આપ્યું હતું.
વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે:જાલેશ્વર ફીડરમાં સમારકામ, સવારે 9થી બપોરે 1:30 સુધી અસર
વેરાવળ શહેરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે, શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ વીજ પુરવઠો ખોરવાશે. પીજીવીસીએલની પેટા વિભાગ કચેરી દ્વારા 11 કેવી જાલેશ્વર ફીડરમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે સવારે 9 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી વીજળી બંધ રહેશે. આ વીજ કાપ નવરાત્રી મહોત્સવના અનુસંધાને હાથ ધરવામાં આવેલી સમારકામની કામગીરીને કારણે રહેશે. તેનાથી નવા રબારી વાડા, મફતિયા પરા, જાલેશ્વર, સંજય નગર, પ્રજાપતી સોસાયટી અને BSNL ક્વાટર્સ સહિતના વિસ્તારો પ્રભાવિત થશે.પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. વીજ ગ્રાહકોને આની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.વધુમાં, વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજંસી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતનું જોખમ ઘટાડવા માટે પરિવારના સભ્યોની સલામતી હેતુ વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB લગાડવી જરૂરી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ટોય સાયન્સ એન્ડ એજ્યુકેશન કોન્ક્લેવ–2025નું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને દેશમાં સ્વદેશી રમકડાંના નિર્માણ અને આત્મનિર્ભરતા માટે આપેલા સંકલ્પને સાકાર કરવા યુનિવર્સિટીએ રમકડાં વિજ્ઞાન કેન્દ્ર અને બાલભવન વિભાગ સ્થાપ્યા છે.કુલપતિ ડૉ. ટી.એસ. જોષીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા શિક્ષણ સલાહકાર અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર અંજુ મુસાફિર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આઈઆઈએમ અમદાવાદના નિવૃત પ્રોફેસર વિજય શેરી ચંદ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાયા હતા.અંજુ મુસાફિરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, બાળકોમાં સંસ્કાર સિંચન માટે વેલ્યુ બેઝ્ડ પેડાગેમ્સ (શિક્ષણ આધારિત રમકડાં) વિકસાવવાની જરૂરિયાત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, બાળક ખેલશે તો ખીલશે, અને બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે રમકડાં આધારિત પ્રવૃત્તિઓ ઉપયોગી સાબિત થાય છે. પ્રોફેસર વિજય શેરી ચંદે રમકડાં આધારિત શિક્ષણના વ્યાપક દૃષ્ટિકોણ પર શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું.કુલપતિ ડૉ. ટી.એસ. જોષીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, ભારતને રમકડાં ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાને જે દૃઢ સંકલ્પ કર્યો છે, તે દિશામાં યુનિવર્સિટી ટોય સાયન્સ સેન્ટર મારફતે કાર્યરત છે. તેમણે ઉમેર્યું કે, આજે રજૂ થયેલા શિક્ષણ આધારિત રમકડાંઓને યુનિવર્સિટી તરફથી પેટન્ટ કરાવવા સહાય પૂરી પાડવામાં આવશે.આ અવસરે યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. જય ઓઝાએ ભારતીય સંસ્કૃતિમાં રહેલી પ્રાચીન રમતો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી. ડૉ. વૃંદન જયસ્વાલે આયુર્વેદના દ્રષ્ટિકોણથી બાળવિકાસ માટે ઉપયોગી રમકડાં વિશે વાત કરી, જ્યારે પાયલ રોતે રમકડાં આધારિત શિક્ષણના અમલીકરણના પડકારો રજૂ કર્યા. ભાવેશ પંડ્યાએ પ્રાચીન ભારતીય રમકડાંઓ પર પ્રકાશ પાડ્યો.રાજ્યભરના લગભગ 40 શિક્ષકોએ શિક્ષણ આધારિત ટીએલએમ (Teaching Learning Material) રમકડાંઓની પ્રદર્શની રજૂ કરી હતી, જેને જોઈને હાજર રહેલા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ પ્રભાવિત થયા. યુનિવર્સિટી આ પ્રદર્શિત રમકડાંઓ પર એક પુસ્તક પ્રકાશિત કરશે અને નવીન રમકડાંઓને પેટન્ટ કરાવવાના પ્રયત્નો કરશે.આ કાર્યક્રમમાં સેન્ટર ઓફ ટોય સાયન્સના નિયામક પ્રોફેસર નિમિષ વસોયાએ સંયોજક તરીકે અને ડૉ. રાજેશ વાંસદડિયાએ સંચાલક તરીકે સફળ કામગીરી સંભાળી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રૂ.34 કરોડના ખર્ચે બનેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના મ્યુઝિયમને મંત્રી મુળુ બેરાના હસ્તે ખુલ્લું મુકાયું હતું, જોકે, ફાયર એનઓસી ન મળતા હાલમાં આ મ્યુઝિયમ બંધ કરાયું છે. દિવ્યભાસ્કર ડિજિટલની ટીમે જ્યારે આ મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે અહીં ખંભાતી તાળા લાગેલા નજરે પડ્યા હતા. ગત 6 સપ્ટેમ્બરના રોજ પ્રવાસન અને વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, કલેક્ટર અને ડીડીઓની હાજરીમાં આ અધ્યતન સંગ્રહાલયને જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાતભરમાંથી આ મ્યુઝિયમ જોવા આવતા લોકોને ધરમધક્કો થતાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. લાગતા વળગતા તંત્ર દ્વારા આ મ્યુઝિયમ તાકીદે શરુ કરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠી છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે 5,000 ચો.મી. પરિસરમાં ઐતિહાસિક જન્મસ્થળ અને આજુબાજુમાં આવેલ સરકારી ઈમારતોને સાંકળીને રૂ.34 કરોડના ખર્ચે ભવ્ય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રૂ.5 કરોડના ખર્ચે વિશાળ, સમૃધ્ધ, અદ્યતન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ જણાવ્યું હતું કે, કરોડોના ખર્ચે બનેલા આ મ્યુઝિયમને સરકાર દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યા બાદ ફાયર એનઓસી ન મળતા હાલ એ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે સરકાર અને લાગતા વળગતા વિભાગ દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરી આ મ્યુઝિયમ તાકીદે શરુ કરવામાં આવે તો ગુજરાતભરના લોકો માટે સ્વ. ઝવેરચંદ મેઘાણીના સંસ્મરણો યાદ કરવા અને ભવ્ય ભૂતકાળ વાગોળવાનો અવસર પ્રાપ્ત થઇ શકે. રાજકોટથી ખાસ આ મ્યુઝિયમ જોવા આવેલા રમેશભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટથી આજે હું ચોટીલા આવ્યો ત્યારે મને એમ થતું કે, અહીં ઝવેરચંદ મેઘાણીનું નવું મ્યુઝિયમ બન્યું છે, તો હું એ જોઈ આવું, જોકે, અહીં આવ્યો તો અહીં તાળા મારેલા જોવા મળ્યા હતા. મારે અહીં આજે ધરમનો ધક્કો થયો છે. મારે સરકારને એવું કહેવાનું થાય છે કે, મ્યુઝિયમ ખુલ્લું રાખો તો બહારગામથી આવતા લોકોને એ જોવા મળે, અને ફોગટનો ધક્કો નો થાય. આ અંગે પુસ્તકાલયમાં આવેલા સિનિયર સીટીઝન ધરમશીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમ ખુબ સરસ બનાવ્યું છે, જેનાથી ચોટીલાની પ્રજા અને ગ્રામ્યની પ્રજાને એનો ખુબ લાભ મળશે, પણ હાલમાં અમને એવુ જાણવા મળ્યું છે કે, આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન તો થઇ ગયું, હજી એ ખુલ્યું નથી, લોકોને અને પ્રજાને એનો લાભ મળ્યો નથી. એમાં સરકાર તરફથી એનઓસી ન મળવાના કારણે આ બન્યું હોવાનું જાણવા મળ્યું છે, વહેલી તકે એનઓસી મળે અને આ મ્યુઝિયમ શરુ કરવામાં આવે એવો અમારો પ્રજાનો સરકાર પાસે અનુરોધ છે. ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલયમાં સરકારી નોકરીની તૈયારી માટે અભ્યાસ અર્થે આવેલા શ્રેયસ પરમારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના નવ નિર્મિત પુસ્તકાલય અને સામે જ બનેલા ઝવેરચંદ મેઘાણીનું સંગ્રહાલય બનાવીને સરકારે ચોટીલા પંથક માટે ખુબ જ સારુ કામ કર્યું છે, અમે અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવીએ છીએ, અને હાલમાં 10-12 યુવાનો એ માટે નિયમિત અહીં આવીએ છીએ. અહીં ઘણા બધા મુલાકાતીઓ પણ અહીં આવે છે, પરંતુ સામેથી બનેલા મ્યુઝિયમમાં હજી ફાયર એનઓસી નથી, એ બાબતે સરકાર અને તંત્ર વહેલી તકે નિવારણ લાવે એવી અમારી રજૂઆત છે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે થયેલા ખર્ચના માત્ર 50 રૂપિયા માટે મિત્રોએ બીજા મિત્રનો જીવ લીધો હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં જન્મદિવસના ખર્ચમાં ભાગે પડતા પૈસા પાછા માગતા આરોપીએ તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે. જન્મદિવસની ઉજવણીમાં મિત્રની હત્યામળતી માહિતી અનુસાર, મંગળવારની રાત્રિએ પાંડેસરાના રોકડિયા હનુમાન મંદિર નજીક લક્ષ્મીનગરમાં રહેતો અને જીઆઈડીસીની એક કંપનીમાં કામ કરતો 28 વર્ષીય ભગતસિંહ નરેન્દ્રસિંગ, તેના મિત્ર બિટ્ટુ કાશીનાથ સિંગના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયો હતો. ભગતસિંહ અને તેના મિત્રોએ અલથાણની એક હોટલમાં જઈને પાર્ટી કરવાની યોજના બનાવી હતી. 50 રૂપિયા માગને ગાળાગાળી કરીયોજના મુજબ તેઓ પાંડેસરાના તિરુપતિ પ્લાઝા ખાતે એક પાનના ગલ્લા પાસે ઊભા હતા. આ સમયે અન્ય એક મિત્ર અનિલ રાજભરે જન્મદિવસની પાર્ટીના ખર્ચમાં ભાગરૂપે બિટ્ટુ પાસે માત્ર 50 રૂપિયાની માંગણી કરી હતી. આટલી નાની રકમ માટે બિટ્ટુએ ઉશ્કેરાઈને અનિલ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી. આ દલીલ જોતજોતામાં ભયંકર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. ચપ્પુ વડે હુમલો કરી પતાવી દીધોડીસીપી નિધિ ઠાકુરે આ ઘટનાની વિગત આપતા જણાવ્યું કે, ઝઘડા દરમિયાન ભગતસિંહે વાતાવરણ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા બિટ્ટુ અને તેના અન્ય એક મિત્ર ચંદન કરુણાશંકર દુબેએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આ ઝપાઝપીમાં ભગતસિંહે કારના વાયપરનો ભાગ ચંદનના માથા પર મારી દીધો. આટલું થતાં જ બિટ્ટુએ ગુસ્સામાં આવીને ભગતસિંહ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. તેણે ભગતસિંહની પીઠ પર ઉપરાછાપરી ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઝપાઝપીમાં અનિલ રાજભરને પણ ચપ્પુના ઘા વાગ્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. બે હત્યારા રીઢા ગુનેગારની ધરપકડઆ ઘટના બાદ મૃતક ભગતસિંહના ભાઈ નાગેન્દ્ર સિંગે તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મૂળ બિહારના બિટ્ટુ કાશીનાથ અવધિયા (ઉ.વ. 23) અને ચંદન કરુણાશંકર દુબે (ઉ.વ. 23)ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ હત્યારાઓ પૈકી ચંદન દુબે રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ લૂંટ અને મારામારી જેવા ચાર જેટલા ગુનાઓ પહેલેથી જ નોંધાયેલા છે. પરિવારમાં શોકનો માહોલમાત્ર 50 રૂપિયા જેવી નજીવી બાબતે થયેલી આ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. ભગતસિંહના પરિવારમાં માતા, ભાઈ-બહેનો અને અન્ય સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે. એક નિર્દોષ યુવકનો જીવ માત્ર સામાન્ય વિવાદમાં છીનવાઈ ગયો છે. પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને હુમલાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઉજવણી:અમદાવાદની શાળાના બાળકોએ પ્રોજેક્ટ દ્વારા પાઠવી શુભકામના
અમદાવાદના વિસલપુર સ્થિત શ્રી તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અને ટ્વીટરના માધ્યમથી વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની સફર અને તેમની કારકિર્દી વિશે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી. આ માહિતી તેમણે પોતાના સહપાઠીઓ સાથે પણ વહેંચી હતી, જેનાથી અન્ય વિદ્યાર્થીઓને પણ વડાપ્રધાનના જીવન વિશે જાણવા મળ્યું.
રાધનપુરમાં ખુલ્લી ગટરએ લીધો મહિલાનો જીવ:57 વર્ષીય મહિલાનું મોત, તંત્ર-NHAIની બેદરકારી સામે રોષ
રાધનપુર શહેરમાં તંત્રની બેદરકારીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. મસાલી રોડ પર આવેલી સરસ્વતી નગર સોસાયટીમાં 57 વર્ષીય નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિનું ખુલ્લી ગટરમાં પડી જવાથી કરુણ મૃત્યુ થયું છે.સોમવારની સવારે નર્મદાબેન દૂધના પૈસા ચૂકવીને નજીકની દુકાનથી પરત ફરી રહ્યા હતા. તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) દ્વારા બનાવવામાં આવેલી અને લાંબા સમયથી ખુલ્લી રહેલી ગટરમાં તેઓ અચાનક પડી ગયા હતા. તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. સોસાયટીના રહેવાસીઓ અને સ્થાનિક લોકોએ તંત્ર તેમજ હાઈવે ઓથોરિટી પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તેમની અનેક રજૂઆતો છતાં ખુલ્લા ગટરો ઢાંકવામાં ન આવતા આ દુર્ઘટના બની હોવાનું જણાવાયું છે. નગરસેવક જયાબેન ઠાકોરે જણાવ્યું કે, શહેરવાસીઓ સતત રજૂઆતો કરતા રહ્યા છે, છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. તેમણે જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે. સ્થાનિક લોકો જ્યોતીબેન જોષી અને ગણપત જોષીએ મસાલી રોડ સહિત શહેરના તમામ ખુલ્લા ગટરો તાત્કાલિક બંધ કરવા, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવા અને મૃતકના પરિવારને વળતર આપવાની માંગણી કરી છે.પ્રજાપતિ પરિવાર ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યો છે. નર્મદાબેનના અચાનક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પડોશીઓ અને સોસાયટીના રહેવાસીઓએ પણ પરિવારને ન્યાય અને વળતર આપવા તંત્રને અપીલ કરી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક કાર્યવાહી કરવાની પણ પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે. આ દુર્ઘટના રાધનપુરમાં ખુલ્લી ગટરો અને બેદરકારીના કારણે વધતી જાનહાનિ સામે એક ચેતવણીરૂપ કિસ્સો સાબિત થઈ છે.
કોંગ્રેસની ખેડૂત અધિકાર યાત્રા:સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને 'ખેડૂત અધિકાર યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતર, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ, અને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમભાઈ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા. આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી. કલેક્ટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓએ રસ્તા પર બેસીને ધરણા કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નીતિ આયોગના એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ. નયન જોષીએ લીલી ઝંડી આપીને કર્યું હતું.દાહોદ જિલ્લો એસ્પીરેશનલ જિલ્લા તરીકે ઓળખાય છે, જ્યાં આરોગ્ય, શિક્ષણ અને અન્ય વિકાસલક્ષી ક્ષેત્રોમાં કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ધ્યાન અપાય છે. આ એમ્બ્યુલન્સ ફાળવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાનો, સંસ્થાકીય સુવાવડ વધારવાનો અને આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવાનો છે.આ નવી એમ્બ્યુલન્સ રૂપાખેડા (ઝાલોદ), બાંડીબાર (લીમખેડા), જામ્બુઆ અને પાંચવાડા (ગરબાડા), તેમજ કુવાબૈણા (દેવગઢ બારિયા)ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવી છે. આ વિસ્તારો દુર્ગમ અને આદિવાસી વસ્તી ધરાવતા હોવાથી, આ એમ્બ્યુલન્સ તાત્કાલિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે. દરેક એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર, ઑક્સિજન અને ઈમરજન્સી કિટ જેવા જરૂરી તબીબી સાધનો ઉપલબ્ધ છે, જે ખાસ કરીને પ્રસૂતિ અને કટોકટીની સેવાઓ માટે ઉપયોગી થશે. આ એમ્બ્યુલન્સની કુલ કિંમત આશરે 75 લાખ રૂપિયા છે, જેમાં પ્રત્યેક એમ્બ્યુલન્સનો ખર્ચ લગભગ 15 લાખ રૂપિયા થાય છે. આ પહેલથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓને તાત્કાલિક આરોગ્ય સેવાઓ મળી રહેશે, જેનાથી આરોગ્ય સેવાઓ વધુ સશક્ત બનશે.આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી એમ્બ્યુલન્સ ગ્રામીણ દાહોદમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને ઝડપમાં નોંધપાત્ર વધારો કરશે તેવી અપેક્ષા છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામમાં ઘાસચારાના વિતરણ દરમિયાન પશુપાલકો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના સુઈગામના બેણપ ગામમાં બની હતી, જ્યાં અસરગ્રસ્ત પશુપાલકોને ઘાસચારાની ગાંસડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું.આ મામલે એક ફરિયાદી પશુપાલકે ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, સુઈગામમાં સરકાર દ્વારા પશુઓ માટે ઘાસચારાના ડેપો બનાવી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી પશુપાલકોને મુશ્કેલી ન પડે.આ સમગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પશુપાલકો વચ્ચે ઝપાઝપી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની મોટી ખાવડી કુમાર શાળા ખાતે 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વચ્છતાકર્મીઓનું સન્માન કરાયું હતું અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.મહાનુભાવોના હસ્તે સ્વચ્છતાકર્મીઓને કીટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, સ્વચ્છતા અંગેના શપથ લેવાયા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા રેલી યોજવામાં આવી હતી. બાદમાં મહાનુભાવોએ શાળા પરિસરની બહારના ભાગમાં સફાઈ કરીને લોકોને પોતાનું ગામ સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ જ સ્વભાવ ના સૂત્રને સાર્થક કરવા આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ. તેમણે ગામમાં કચરો ન ફેલાવી ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન વાહનોમાં કચરો નાખવા અને ઘરમાં પણ ભીનો અને સૂકો કચરો અલગ રાખવા પર ભાર મૂક્યો હતો. આનાથી વાતાવરણ સ્વચ્છ રહેશે અને પ્રદૂષણથી ફેલાતા રોગો અટકાવી શકાશે.કલેકટરે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીના સ્વચ્છતા પ્રત્યેના આગ્રહને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કરાવ્યું છે, જેમાં સૌએ સહભાગી થઈ ભારતને સ્વચ્છ રાષ્ટ્ર બનાવવું જોઈએ. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીની શાલિની દ્વારા સ્વચ્છતા વિશે વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેની જાગૃતતા જોઈ કલેકટરે તેણીનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ દ્વારા પણ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા, જિલ્લા પંચાયતના સદસ્ય વિઠ્ઠલભાઈ કણજારીયા સહિતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચ મોરી, તાલુકા વિકાસ અધિકારી એ.બી.જોશી, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જૈન સોશ્યલ ગ્રૂપ સુરેન્દ્રનગર સિલ્વર પરિવાર દ્વારા દુર્ગા રાત્રિ – 2025નું આયોજન કરવામાં આવ્યું. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આ કાર્યક્રમ સંસ્કૃતિ અને ભક્તિના સંગમરૂપે યોજાયો હતો.આ આયોજનમાં ખેલૈયાઓએ માતા દુર્ગાની ભક્તિમાં લીન થઈ પરંપરાગત વેશભૂષામાં ગરબે રમ્યા. સંગીતના સુરો સાથે આધ્યાત્મિકતા અને લોકસંસ્કૃતિના રંગો આ કાર્યક્રમમાં જોવા મળ્યા.કાર્યક્રમમાં સુંદર સજાવટ, સેલ્ફી પોઈન્ટ અને પ્રોફેશનલ ફોટોગ્રાફી જેવા વિશેષ આકર્ષણો પણ ઉપલબ્ધ હતા.દુર્ગા રાત્રિ – 2025 એક સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત ભક્તિ, પરંપરા અને સંસ્કૃતિને જોડતા મહોત્સવ તરીકે સફળ રહ્યો.