રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીન સહિતની કૃષિ પેદાશોની ખરીદીનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયાના પ્રારંભિક તબક્કામાં રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પરથી ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમવારથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આનાથી રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને લાભ મળી શકશે, જેનું ગાંધીનગર કમાન્ડ સેન્ટરથી દરેક કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આ ખરીદીનો પ્રારંભ કર્યો હતો અને સ્થળ પર જઈ સમગ્ર પ્રક્રિયાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. ગાંધીનગર કમાન્ડ સેન્ટરથી દરેક કેન્દ્રો પર ચાંપતી નજર આ ખરીદીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે ચાલે તે માટે રાજ્ય સરકારે અદ્યતન વ્યવસ્થા ગોઠવી છે. ગાંધીનગર ખાતે આવેલ કૃષિ ભવનમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એક્ટિવ કરવામાં આવ્યું છે. જ્યાંથી રાજ્યભરના તમામ ખરીદી સેન્ટરોનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થા દ્વારા કોઈ પણ સેન્ટર પર થતી ગેરરીતિ કે વિલંબ પર તત્કાળ નજર રાખી શકાશે અને તેનું નિરાકરણ લાવી શકાશે. દહેગામથી કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી શરૂઆતગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આ ખરીદીનો પ્રારંભ કર્યો હતો અને સ્થળ પર જઈ સમગ્ર પ્રક્રિયાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. સરકારના નિર્ણય મુજબ ખેડૂતો પાસેથી રૂ. 15,000 કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી હાથ ધરવામાં આવી રહી છે. ટેકાના ભાવે શરૂ થયેલી આ ખરીદીથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. આ પ્રસંગે કૃષિમંત્રીએ ખેડૂતો સાથે સહજ સંવાદ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે એ માટે ટેકાના ભાવે ખરીદી એક મોટું પગલું છે. ખેડૂતો પણ સરકારે બજાર કરતાં વધુ ભાવે ખરીદી શરૂ કરવાના નિર્ણયની પ્રશંસા કરી હતી. મગફળીનો ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,263 તેમણે જણાવ્યું કે, હાલ બજારમાં મગફળીનો ભાવ આશરે રૂ. 5,000 પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે ટેકાનો ભાવ રૂ. 7,263 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે ખેડૂતોને દર ક્વિન્ટલ દીઠ રૂ. 2,263 જેટલો વધુ લાભ મળી રહ્યો છે. આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટીના ચેરમેન ધનવંતસિંહ ચૌહાણ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે તથા ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને સંગ્રહ અને વેચાણની ચિંતામાંથી મુક્તિઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા અગાઉ આ ખરીદી પ્રક્રિયા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ બજારના ભાવો નીચા હોય તેવા સંજોગોમાં પણ ખેડૂતોને તેમના ઉત્પાદનના લઘુત્તમ ટેકાના ભાવો પૂરા પાડવાનો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા નક્કી કરાયેલા MSP મુજબ ખેડૂતોના ખાતામાં સીધા પોષણક્ષમ ભાવો જમા થશે. આ સમગ્ર ખરીદી પ્રક્રિયાનું સંચાલન રાજ્યની સહકારી સંસ્થાઓ અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતોને સંગ્રહ અને વેચાણની ચિંતામાંથી મુક્તિ મળે. .
રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રે મૂળ હાલાર પંથકના અને હાલ રાજકોટમાં રહેતા આહીર સમાજના 450 પરિવારનું સ્નેહમિલન મળ્યું હતું જેમાં હાલના સમયમાં મોંઘવારીના મારથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને કોઈ અગવડતા ન સર્જાય તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સારા માઠા પ્રસંગો પર થતા ખર્ચ ઉપર નિયંત્રણ લાવવા મહત્વ પૂર્ણ નિર્ણય કરી અલગ અલગ નિયમો બનાવી દેવામાં આવ્યા છે અને જો કોઈ નિયમનું પાલન નહિ કરે તો તેને રૂપિયા એક લાખનો દંડ અને સમાજ વચ્ચે માફી માંગવાની રહેશે તેમજ ફરી નિયમનું ઉલ્લંઘન કરે તો સમાજમાંથી બાકાત કરવા સુધી આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. રાજકોટમાં રહેતા હાલાર પંથકના આહીર સમાજના યુવા અગ્રણી વિજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગઈકાલે 8 નવેમ્બરને શનિવારના રોજ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે પાર્ટી પ્લોટમાં મૂળ હાલર પંથકના અને હાલ રાજકોટમાં રહેતા આહિર સમાજના 450 પરિવારોનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તમામ પરિવારોની સહમતીથી સારા માઠા પ્રસંગોમાં વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં મુખ્ય 14 મુદ્દાઓ આવરી લેવામા આવ્યા છે અને આ નિયમોનું કોઈ ઉલ્લંઘન કરશે તો સમાજમાંથી બાકાત કરવા સુધી આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કે હાલના સમયમાં મોંઘવારી દિવસેને દિવસે સતત વધતી જોવા મળી રહી છે આજે સોના ચાંદીના ભાવ પણ એક લાખને પાર પહોંચી ગયા છે અને સમાજમાં દેખાદેખી ના કારણે સારા માઠા પ્રસંગોમાં સમાજમાં રીત રિવાજો પુરા કરવા સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે માટે જરૂરિયાતથી વધુ ખોટા કુ-રિવાજો દૂર કરવા નક્કી કરી બાદમાં સમાજના લોકો સાથે મળી સમાજના દરેક લોકોની ચિંતા કરી 14 નિયમો બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ નિયમો બધા આગામી હોળી ધુળેટીના પર્વ બાદથી લાગુ કરવામાં આવશે. સમાજ દ્વારા લેવાયેલા 14 નિર્ણયો (1) લાડવા પ્રથામાં મોટો જમણવાર કરવો નહીં બેન દીકરી પૂરતું મર્યાદિત રાખવું. (2) કંકુ પગલાં પ્રથા બંધ કરવી. (3) પ્રિવેડિંગ બંધ કરવું. (4) કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા નહીં. (5) મામેરામાં રૂ.11,000 થી વધારે છાબમાં મૂકવા નહીં. (6) લગ્ન પ્રસંગે વર પક્ષે છાબમાં જાહેરમાં 7 તોલાથી વધારે સોનાના દાગીના મૂકવા નહીં, અને દીકરીના માતા-પિતાએ કન્યાદાનમાં વધારેમાં વધારે 2 તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં. (7) માઠા પ્રસંગે ખીચડી તથા બીજા ટકનું જમણવાર ઘર તથા બહેન દીકરી પૂરતું જ કરવું. (8) કંકોત્રી રસમ તથા વાના રસમમાં ડેકોરેશન કરવું નહીં. (કુટુંબ પરિવાર પૂરતું રાખવું) (9) લગ્ન પ્રસંગમાં કોઈપણ રસમમાં પૈસા ઉડાડવા નહીં. (ફુલેકુ, દાંડિયા રાસ, ડી જે, મામેરા, વરઘોડો, વરતી જાન). (10) શ્રાદ્ધ, પાચમમાં જમણવાર ઘર પૂરતું રાખવું. (11) શ્રીમંત, દીકરી દીકરા વધામણાંમાં ડેકોરેશન કરવું નહીં. પેંડા વહેચણી પ્રથા બંધ કરવી. (12) કોઈપણ પ્રસંગમાં બહેનો એ પૈસા પાછા વાળવાની પ્રથા સદંતર બંધ કરવી. (13) વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયારાસ રમવા જવું નહીં. (14) વર કે કન્યાએ પ્રિવેડિંગ કરવું નહીં
સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ ભૂરાભાઈ દેસાઈએ રાજ્યના 7,500 ગણોત ખેડૂત (ભાગ્યાને)ને રૂપિયા 7,500ની સહાય કરવાની જાહેરાત કરી છે. સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ જેઓ અન્યની જમીન ભાગથી વાવે છે, તેવા 7500 ખેડૂતને સહાય આફવા સુરતના ઉદ્યોગપતિએ જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ સુરતમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “હિરાબા નો ખમકાર” અભિયાન શરૂ કર્યું હતું, જે હવે લોકઅભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત આજદીન સુધી 551 દીકરીને શિક્ષણ સહાય આપવામાં આવી હતી. આજરોજ (9 નવેમ્બર) વધુ 551 દીકરીને સહાય અર્પણ કરતાં કુલ લાભાર્થીની સંખ્યા 1102 સુધી પહોંચી ગઈ છે. આજે 551 દીકરીને શિક્ષણ સહાયને ચેક અપાયા ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂ. 7,500ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂ. 41,32,500ની સહાય વિતરણ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતા-પિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી. 21,000 દીકરીને શિક્ષણ સહાય પહોંચાડવાનું લક્ષ્યઃ પિયુષ દેસાઈઆ અંગે પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે, દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હિરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે. તેમણે જણાવ્યું કે, આ અભિયાન દ્વારા કુલ 21,000 દીકરીને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ રૂ. 1575 કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. પિયુષભાઈની અનોખી પહેલને લોકોએ બિરદાવીકાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, સમાજસેવી અને શિક્ષણપ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે. તેમ છતાં, સમાજસેવાની ભાવનાથી શરૂ કરાયેલ હિરાબાનો ખમકાર અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા સ્થિત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC) ખાતે આજે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ આ ખરીદી પ્રક્રિયાનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો સુનિશ્ચિત કરવાનો છે. પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ ટેકાના ભાવો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળી માટે પ્રતિ મણ દીઠ (20 કિલો) રૂ. 1452.60નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવે APMC સેન્ટર પર ખરીદી શરૂ કરવામાં આવી છે. ખરીદી પ્રક્રિયાના પ્રારંભ રૂપે, કળમદ ગામના એક ખેડૂતની મગફળીની પ્રથમ ખરીદી કરવામાં આવી હતી, જેની સાથે જ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું કાર્ય સુચારુ રીતે શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયા દ્વારા મૂળી તાલુકાના ખેડૂતોને તેમની મગફળીના યોગ્ય ભાવો મળવાની ખાતરી આપવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, APMC સેક્રેટરી જીતેન્દ્રસિંહ પરમાર સહિત આસપાસના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ) દ્વારા રાજ્ય સરકાર વતી આજથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારે મગફળી માટે પ્રતિ મણ રૂપિયા 1452નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે, જે હાલના બજારભાવ કરતાં મણ દીઠ લગભગ 400 વધુ હોવાથી ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. આ ફાયદાને કારણે જ રાજ્યભરમાં 9 લાખ 30 હજાર ખેડૂતોએ વેચાણ માટે રેકોર્ડબ્રેક નોંધણી કરાવી છે. જોકે, આ ખરીદીમાં એક ખેડૂત દીઠ 125 મણની મર્યાદા રાખવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગયા વર્ષે આ મર્યાદા 200 મણની હતી. ખેડૂતો માવઠાને કારણે પાકને નુકસાન થયું હોવા છતાં, આ મર્યાદા વધારીને ઓછામાં ઓછી 150 મણ કરવાની માગ કરી રહ્યા છે, જેથી તેમને બાકીનો પાક ઓછા ભાવે બજારમાં વેચવો ન પડે. પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે CCTV ગોઠવાયાખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટેના તમામ સરકારી ધારા ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું છે. જે ખેડૂતોને તેમના વેચાણ માટે SMS દ્વારા જાણ કરવામાં આવી છે, તે ખેડૂતો આજે નિર્ધારિત ખરીદ કેન્દ્રો પર પોતાની મગફળી લઈને પહોંચ્યા હતા. ગુણવત્તાના માપદંડો મુજબ મગફળીની ચકાસણી કરીને ખરીદી શરૂ કરવામાં આવી છે. કોઈપણ ગેરરીતિને રોકી શકાય અને ખરીદી સુચારુ રૂપે ચાલે તે માટે આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા દરેક ખરીદ કેન્દ્ર પર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ પણ વાંચો: માવઠાંથી 16 હજાર ગામ અને 42 લાખ હેક્ટરના વાવેતરને નુકસાન આ પણ વાંચો: ઉનામાં ટેકાના ભાવે મગફળી ખરીદી અટકી:ડિસ્ટ્રિક્ટ કમિટીની મંજૂરી ન મળતાં ખેડૂતોને ધક્કા, કાલે શરૂ થવાની આશા દરરોજ 80થી 90 ખેડૂતોને બોલાવવામાં આવશેરાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટમાં જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતોને સરળતા રહે તે માટે રાજકોટ તાલુકા માટે 3 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં હાલ ખરીદી ચાલુ છે. એટલું જ નહીં, ખેડૂતોને રાજકોટ યાર્ડ સુધી લાંબો ધક્કો ન થાય તે માટે લોધિકામાં પણ 2 કેન્દ્રો અને પડધરીમાં 3 કેન્દ્રો પર અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યાં પડધરી તાલુકાના ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. ત્રણેય સ્થળે અલગ-અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ખેડૂતો પાસેથી આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. રોજની મજૂરીની સગવડતા મુજબ અંદાજે 80થી 90 ખેડૂતોને દરરોજ બોલાવવામાં આવશે. હાલ બજારમાં મગફળીના ભાવ રૂ. 1100થી રૂ. 1150ની આસપાસ ચાલી રહ્યા છે, જ્યારે સરકારે ટેકાનો ભાવ રૂ. 1452 નક્કી કર્યો છે. આ પણ વાંચો: ભાવનગર જિલ્લાના 5 એ.પી.એમ.સી. સેન્ટરો પર ટેકાના ભાવે ખરીદીના શ્રીગણેશ જથ્થાની મર્યાદાથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યોએક તરફ સરકાર અને ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ થવાને સકારાત્મક ગણાવવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ ખરીદીના જથ્થાની મર્યાદાથી ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેમાં ખેડૂતોને ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ. 1452 યોગ્ય લાગી રહ્યો છે, પરંતુ ખરીદીના જથ્થાની મર્યાદાથી તેમને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખરીદી ગયા વર્ષની જેમ 200 મણ કરવામાં આવે તેવી માગઅન્ય ખેડૂત મુકેશભાઈ બકૂતરાએ પણ આ મુદ્દે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ગયા વર્ષની 200 મણની સામે આ વર્ષે માત્ર 125 મણની ખરીદીના કારણે ખેડૂતોને 50 % જેટલું નુકસાન થઈ રહ્યું છે. આ વર્ષે વરસાદના કારણે પાકને નુકસાન થયું હોવાથી મગફળીનું ઉત્પાદન પણ ઓછું આવ્યું છે, અને ઉપરથી ખરીદીનો જથ્થો પણ અડધો કરી દેવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા ખરીદીનો જથ્થો વધારીને ગયા વર્ષની જેમ 200 મણ કરવામાં આવે, તેવી અમારી માગ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીના નિર્ણયને આવકાર્યોગઢકા ગામના ખેડૂત ચતુરભાઈ લાલજીભાઈ કલોલાએ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાના નિર્ણયને ખૂબ સારો ગણાવ્યો છે. જોકે, તેમણે ખરીદી માટે નક્કી કરાયેલી મર્યાદા અંગે થોડો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સરકારે મગફળીની ખરીદી માટે પ્રતિ એકર 125 મણની જે મર્યાદા રાખી છે, તે આ વર્ષે મગફળીના વધેલા વાવેતરના પ્રમાણમાં ઓછી છે. ચતુરભાઈ કલોલાના મતે, સરકારે આ મર્યાદા વધારીને 150 મણ રાખવાની જરૂર છે. બજારભાવ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, હાલમાં મગફળીની ગુણવત્તાના આધારે બજારમાં 900થી 1100 રૂ. સુધીના ભાવ ચાલી રહ્યા છે. જ્યારે સરકારે ટેકાના ભાવે 1452 રૂ. પ્રતિ ક્વિન્ટલનો જે ભાવ નક્કી કર્યો છે, તે ખેડૂતો માટે સારો ભાવ છે. જથ્થાની મર્યાદાના કારણે ખેડૂતોમાં થોડો અસંતોષઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. તેમાં હાલના બજારભાવ કરતા રૂ. 400 જેટલો ફાયદો હોવાથી હાલ આ બાબતે ખેડૂતોમાં ખુશીની લાગણી છે. પરંતુ ગત વર્ષે 200 મણની સામે આ વર્ષે 125 મણની મર્યાદા રાખવા બાબતે ખેડૂતોમાં થોડો અસંતોષ જોવા મળી રહ્યો છે. આ વર્ષે માવઠાને કારણે એકતરફ ઉભો પાક બગડી ગયો છે. બીજી તરફ જથ્થાની મર્યાદાના કારણે ખેડૂતોમાં થોડો અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોની રજૂઆત પર સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
ભાવનગર જિલ્લામાં કુલ 5 એપીએમસી સેન્ટરો જેમાં ભાવનગર,મહુવા,ગારીયાધાર તળાજા અને પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે શુભમુહૂર્તમાં મગફળી,અળદ ,મગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના તમામ સેન્ટરો પર હાલ પ્રથમ દિવસે 10-10 ખેડૂતોને ફોનથી જાણ કરી બોલાવવામાં આવ્યા છે હાલ શાંતિપૂર્ણ માહોલમાં ટેકાના ભાવની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ એજન્સી દ્વારા ખરીદીભાવનગર જિલ્લામાં આવેલ 5 એ.પી.એમ.સી.સેન્ટરો પર આજરોજ 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, અળદ, મગ અને સોયાબીનની ખરીદી પ્રક્રિયાના પૂજા અર્ચના કરી શ્રી ગણેશ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ એજન્સી દ્વારા ખરીદી માટે નિયુક્ત કરવામાં આવી છે, તે એજન્સી દ્વારા ખરીદી કેન્દ્રોમાં CCTV કેમેરા, કોમ્પ્યુટર, વજન કાંટા અને પીવાનું પાણી જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તમામ સેન્ટરો પર ખેડૂતોને ફોન કરી smsથી જાણ કરી બોલાવવામાં આવી રહ્યા છે. જેથી ખરીદી પ્રક્રિયા સુચારૂ રીતે ચાલે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પૂજા અર્ચના કરી કામગીરી શરૂજેમાં આજરોજ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના ચેરમેન, પૂર્વ ચેરમેન ,જીલ્લા ભાજપ પ્રમુખ અને આગેવાનો સહિતના લોકોએ પૂજા અર્ચના કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી .પ્રથમ દિવસે તમામ 5 સેન્ટરો પર 10 ખેડૂતોને બોલવામાં આવ્યા છે શાંતિ પૂર્ણ માહોલમાં હાલ ટેકાના ભાવે ખરીદીની પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. મગફળીના મણએ 1456 રૂપિયા, 15થી 20 દિવસમાં પેમેન્ટ થશેઆ અંગે ટેકાના ભાવે મગફળી વેચનાર ખેડૂત મહેશભાઈ સેતાએ જણાવેલ કે, અમે આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ભાવનગર ખાતે મગફળી ટેકાના ભાવે લેવાની જાહેરાત કરી છે. એ પ્રમાણે અમને ગઈકાલ રાત્રે ફોન આવ્યો હતો. તમે આવતીકાલે મગફળી ટેકાના ભાવે લેવાની ખરીદી શરૂ થઈ ગઈ છે એ પ્રમાણે તમે તમારી મગફળી લઈને સેન્ટર પર આવજો હાલ માર્કેટિંગ યાર્ડ ખાતે 125 મણ મગફળી 60 બોરી લઈને આવ્યા છીએ અને સરકારના નીતિ નિયમ મુજબ ખરીદી કરવામાં આવી રહી છે મણ એ 1456 રૂપિયા રાખવામાં આવ્યો છે અને સરકારના નીતિ નિયમ પ્રમાણે 15થી 20 દિવસમાં પેમેન્ટ ચૂકવશે અને આ ટેકાના ભાવે જે ખરીદી કરી રહ્યા છે એમાં પૂરતા ભાવો ખેડૂતોને મળી રહ્યા છે. 'મગફળીનું ફોફુ પલળી ગયું હોય પણ અંદર દાણો બરોબર હોય તો એ સિંગ પણ લઈ લેવી જોઈએ'આ અંગે માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ ઝાઝડીયાએ જણાવેલ કે, આજરોજ ટેકાના ભાવે જિલ્લા ખરીદ સંઘ તરફથી ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે ઉતારા કઈ રીતે કાઢવામાં આવે છે ઉતારામાં ખેડૂતોને અન્યાય ન થાય પછી થોડું ઘણું મગફળીનું ફોફુ પલળી ગયું હોય પણ અંદર દાણો બરોબર હોય તો એ સિંગ પણ લઈ લેવી જોઈએ ખેડૂતોને પેમેન્ટ પણ સમયસર થવું જોઈએ હાલ ખેડૂતો મુશ્કેલીમાં છે. ખેડૂતોને નવો પાક વાવવાનો છે અને પૈસાની પણ જરૂર પડે એટલે સમયસર પૈસા મળે .સારો ઉતારો કરે અને થોડું ઘણું મગફળીનું ફોફુ કાળું પડી ગયું હોય અને અંદર ઉતારો બરોબર હોય તો એ સિંગ લઈ લેવી જોઈએ એવી ખેડૂતોની માંગણી છે. દરરોજના 100 ખેડુતોને બોલાવશું, ટેકાના ભાવની ખરીદી 70 દિવસ સુધી જિલ્લા સંઘના કર્મચારી યુવરાજસિંહ જણાવ્યું હતું કે, આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું શરૂ કર્યું છે ગઈકાલે જે અમને સુચના મળી તે મુજબ અમે 10 ખેડૂતોને અમે ફોન કર્યા હતા તેમાંથી 3 ખેડૂતો આજે આવવાના છે અને 7 ખેડૂતોની એવી સૂચના મળી છે કે અમારી હજી મગફળી તૈયાર નથી થઈ એના માટે 8થી10 દિવસ લાગશે અને સેન્ટરો પર આ ટેકાના ભાવે જે કેન્દ્રો કરવામાં આવ્યા છે જેમાં બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ચા પાણી થી માંડી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ખેડૂત તેની મગફળી ખાલી કરે એટલે મજૂરો આવીને એની કામગીરી શરૂ કરી દેશે.પ્રથમ દિવસે અમે 10 ખેડૂતોને બોલાવ્યા હતા અને આગામી દિવસોમાં અમારી એવી ગણતરી છે કે અમે દરરોજના 100 ખેડુતોને બોલાવશું હાલ સરકાર તરફથી ટેકાના ભાવની ખરીદી 70 દિવસ સુધી ચાલવાનું જણાવેલ પણ આગામી દિવસોમાં સરકારના આદેશ મુજબ કામગીરી ચલાવામાં આવશે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ દાહોદ ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. દેવગઢ બારીયા અને આસપાસના વિસ્તારોમાંથી ગેરકાયદેસર રેતી વહન કરતા 14 ટ્રક અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં રેતી સહિત આશરે ₹2 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની ઉજ્જવલ અને પાનમ નદીમાંથી થતા ગેરકાયદેસર રેતી ખનન અને તેને રાજસ્થાન લઈ જવાના મામલે દિવ્ય ભાસ્કર ડિજિટલે 5 ઓક્ટોબરે વિસ્તૃત સમાચાર પ્રકાશિત કર્યા હતા. આ સમાચારની અસરરૂપે તંત્ર સક્રિય થયું હતું. સમાચારમાં જણાવાયું હતું કે રેતી માફિયાઓ રાત્રે 9 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી નદીમાંથી તાજી રેતી કાઢીને સીધી ડમ્પરમાં ભરી દેતા હતા. રોયલ્ટી પાસ કે પરમિટ વિના ઓવરલોડ ડમ્પર દેવગઢ બારીયા થઈને લીમખેડા, ઝાલોદ માર્ગે રાજસ્થાનમાં પ્રવેશ કરતા હતા. મોટાભાગના ડમ્પર પર નંબરપ્લેટ પણ હોતી નહોતી. દરરોજ આશરે 150થી 200 જેટલા ડમ્પર આ રૂટ પરથી પસાર થતા હતા. આ ડમ્પરમાંથી ટપકતા પાણી અને ઓવરલોડ વજનને કારણે લીમખેડા નગરનો ઝાલોદ તરફનો સ્ટેટ હાઈવે વારંવાર તૂટતો હતો. રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા હતા અને ડામર ઉખડી ગયું હતું, જેનાથી અકસ્માતનો ખતરો વધ્યો હતો. પથરાયેલી રેતીથી ઉડતી ધૂળને કારણે આરોગ્યને નુકસાન થતું હતું. ગેરકાયદેસર ખનનથી સરકારને લાખો રૂપિયાનું રાજસ્વ નુકસાન થતું હતું. નદી કિનારા ખોદાઈ જવાથી પાણી પ્રદૂષિત થતું હતું અને જળસ્તર ઝડપથી ઘટતું હતું. આરટીઓ અને પોલીસ પેટ્રોલિંગ કરતી હોવા છતાં અત્યાર સુધી કડક કાર્યવાહી થઈ ન હતી. લોકો રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને ઓવરલોડ તેમજ નંબરપ્લેટ વિનાના ડમ્પર પર કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા હતા. દિવ્ય ભાસ્કરના સમાચાર બાદ ખાણ ખનીજ વિભાગે તાત્કાલિક પગલાં લીધાં અને તપાસની ખાતરી આપી હતી. હાલમાં, દેવગઢ બારીયા અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનનો કારોબાર ચાલુ છે કે કેમ, તેના પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે,કારણ કે સરકારની યોજના મુજબ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીન સહિતની જણસીઓની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ખરીદીના પ્રથમ તબક્કામાં કુલ 42 કેન્દ્રો માંથી 17 સેન્ટરો પર ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં મુખ્યત્વે મગફળી અને સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી છે, જ્યારે મગ અને અડદ માટે પણ નોંધણી થઈ ચૂકી છે. જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ ₹ 1,452 નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે સોયાબીન માટે પ્રતિ મણ ₹ 1,065 નો ભાવ નક્કી થયો છે. ખરીદીની મર્યાદાની વાત કરીએ તો, એક ખાતેદાર દીઠ મગફળી અને મગ માટે મહત્તમ 2,500 કિલો અને સોયાબીન માટે પ્રતિ હેક્ટર 650 કિલોની મર્યાદામાં 2,500 કિલોની મહત્તમ મર્યાદા રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતોએ મગફળી, સોયાબીન, મગ અને અડદ માટે ટેકાના ભાવે માલ વેચવા નોંધણી કરાવી હતી. જૂનાગઢ જિલ્લામાં 1,14,000 થી વધુ ખેડૂતોએ પોતાનો માલ વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી મગફળી વેચવા માટે સૌથી વધુ નોંધણી થઈ છે. જે ખેડૂતોને મેસેજ કે કોલ આવ્યો હતો તે પોતાની જણસી લઈને કેન્દ્ર પર પહોંચ્યા હતા. ઇન્ડો એગ્રી કંપનીના જિલ્લા પ્રતિનિધિ દિનેશ સિસોદિયાએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ઇન્ડો એગ્રી કંપની દ્વારા નોડલ એજન્સી NCCF ના માધ્યમથી જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રો શરૂ કરવા માટે સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલમાં 17થી વધુ સેન્ટરો કાર્યરત છે અને ખેડૂતોની જરૂરિયાત વધશે તેમ 41થી વધુ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે, જે તબક્કાવાર શરૂ થશે. હાલ જૂનાગઢ, ભેંસાણ, વિસાવદર, કેશોદ અને મેંદરડામાં 1-1, માંગરોળમાં 2, વંથલી અને માણાવદરમાં 3-3 તથા માળીયામાં 4 કેન્દ્રો પર ખરીદીની શરૂઆત થઈ છે. સૌથી વધુ ખેડૂતોએ કેશોદ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવ્યા છે. ખેડૂતોને મળતું વળતર અને નુકસાનથી બચાવ ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ગોલાધર ગામના ખેડૂત ગોવિંદભાઈ વિરડાએ તેમની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, તેમને મગફળીનો ભાવ ₹ 1,452 પ્રતિ મણ મળ્યો છે. તેમણે કહ્યું કે, જો ખેડૂતો આ જ મગફળી બજારમાં વહેંચે તો ₹ 21,000 થી ₹ 22,000 મળે. પરંતુ અત્યારે ખેડૂતોને પૈસાની જરૂર હોવાથી તેઓ બજારમાં તાત્કાલિક વેચે છે, જેમાં તેમને ₹ 7,000 થી ₹ 8,000 નું નુકસાન થાય છે. તેના બદલે ટેકાના ભાવે વેચાણ કરવાથી ખેડૂતોને સારો ફાયદો થાય છે. અધિકારી જીગર ભટ્ટે પણ આશા વ્યક્ત કરી હતી કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ આ ટેકાના સારા ભાવ મળવાથી ખેડૂતોને યોગ્ય વળતર મળશે. ગુણવત્તા જાળવવા અને સહકાર આપવા અપીલ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે ખેડૂતોને ખાસ વિનંતી કરી છે કે, છેલ્લે થયેલા કમોસમી વરસાદને લઈને મગફળીને જે નુકસાન થયું હતું, તેને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ સારી અને ગુણવત્તાવાળી મગફળી જ ટેકાના ભાવે વેચવા માટે લાવવી. તમામ સેન્ટરો પર કઈ ગુણવત્તાવાળી જણસી ટેકાના ભાવે વેચી શકાય તેની માહિતી આપવામાં આવી છે. તેમણે ખેડૂતોને શિસ્તબદ્ધ રહેવા અને જ્યારે મેસેજ કે કોલ આવે ત્યારે પોતાની જણસીનું યોગ્ય ગ્રેડિંગ કરી અને વેચવા માટે લાવવા ખાસ વિનંતી કરી છે,જેથી ખરીદીની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે..
કચ્છના ભચાઉ રેલવે સ્ટેશન પર ભુજ-બરેલી ટ્રેનના ગાર્ડ કોચમાં ધુમાડો નીકળતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાને કારણે ટ્રેન લગભગ 30 મિનિટ સુધી ભચાઉ સ્ટેશને ઉભી રહી હતી. ઈકાલે રાત્રે ભુજથી બરેલી જતી ટ્રેન નંબર 14322 ભચાઉ પહોંચી ત્યારે ગાર્ડ કોચમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. સંભવિત શોર્ટ સર્કિટના કારણે વાયરિંગ બળવાની વાસ સાથે ધુમાડો ફેલાયો હતો. આ ઘટનાને પગલે બાજુના જનરલ કોચમાં સવાર મુસાફરોને સલામતીના ભાગરૂપે પ્લેટફોર્મ પર ઉતરવાની સૂચના અપાઈ હતી. ગભરાટમાં મુસાફરો ઉતાવળે કોચમાંથી બહાર નીકળવા પડાપડી કરતા થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરી કોચની તપાસ કરવામાં આવી હતી. ભચાઉ રેલવે સ્ટેશનના ફરજ પરના અધિકારીએ જણાવ્યું કે, રાત્રે 8:41 વાગ્યે ટ્રેન આવતા ગાર્ડ કોચમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડો જોવા મળ્યો હતો. ગાર્ડ દ્વારા જાણ કરાતા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. રેલવે કર્મચારીઓએ સમસ્યાનો ઉકેલ લાવ્યા બાદ ટ્રેનને આગળના સ્થળે રવાના કરવામાં આવી હતી. જોકે, આ સામાન્ય ઘટનાની જાણ સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ જતાં કોચમાં આગ લાગવાની અફવાઓ ફેલાઈ હતી, જેના કારણે મુસાફરો અને ઉપસ્થિત લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. બાદમાં બધું સલામત હોવાની ખાતરી થતાં સૌએ રાહત અનુભવી હતી.
ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલાએ સાસરીયા પક્ષના લોકો સામે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. લગ્નના થોડા સમય બાદ પિયરમાંથી કરિયાવર ના લાવી હોવાનું કહી પતિ સહિત સાસરિયા પક્ષના લોકો માર મારતા હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે. લોન લઈને ખરીદેલા મકાન પર પતિએ કબજો કરી બે દીકરીઓ સાથે ઘરની બહાર કાઢી મૂકતા મહિલાએ પોલીસ સ્ટેશન જવાની ફરજ પડી છે. કરિયાવરમાં કંઈ ન લાવ્યાનું કહી ત્રાસ આપતા હોવાનો આક્ષેપમહિલાએ પતિ સહિત સાસરિયા પક્ષના 5 લોકો સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન મનીષ (નામ બદલાવ્યું છે) સાથે રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નના થોડા સમય બાદ બે દીકરીઓનો પણ જન્મ થયો હતો. જે બાદ અચાનક ઘરમાં વાતાવરણ બદલાઈ ગયું અને લગ્નના થોડા સમય બાદ સાસરિયા પક્ષના લોકો મહિલા સાથે નાની નાની બાબતે ઝઘડો કરવા લાગ્યા હતા. જે બાદ સાસુએ પતિને ઉશ્કેરતા મહિલા સાથે પતિએ મારામારી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. લગ્ન કર્યા ત્યારે પિયરમાંથી કંઇ કરિયાવર ના લેવાનું કહી સાસરિયા પક્ષના લોકો મહિલાને માનસિક ત્રાસ આપતા હતા. સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળી મહિલાએ એકલા રહેવાનું નક્કી કર્યું હતું. જેથી મહિલાએ પોતાના દાદી અને પિતા પાસે પૈસા લઈને અને બાકીના રકમની લોન કરાવી એક મકાન લીધું હતું. તેમજ લોનના હપ્તા પણ મહિલા પોતે ભરતી હતી. નવા મકાનમાં સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળી મહિલા પોતાના પતિ સાથે અલગ રહેવા માટે જતી રહી હતી. ત્યાં પણ થોડા સમય બાદ સાસરીયા પક્ષના લોકોની અવરજવર શરૂ થઈ જતા ફરી બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. બે દીકરીઓ સાથે ઘરમાંથી કાઢી મૂક્યાનો આક્ષેપપિયરમાંથી આણુ કેમ લાવી નથી તેવું કહી મકાન સાસુના નામે કરી દેવા દબાણ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ સાસુના નામે ઘર કરાવવા માટે માર પણ મારવામાં આવતો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. જો કે ઘર તૂટે નહીં તે ડરથી મહિલા આટલા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ સહન કરતી હતી. પરંતુ 20 ઓક્ટોબરના મહિલાને માર મારી તેના પતિએ બે દીકરીઓ સાથે ઘરની બહાર કાઢી દીધી હતી. જેથી મહિલા પોતાના પૈસાથી મકાન લીધા બાદ માતા - પિતા સાથે રહેવા માટે મજબૂર બની છે.જેના કારણે મહિલાએ આખરે કંટાળીને પતિએ પોતાના ખરીદેલા મકાન પણ કબજો કરી દીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ પતિ સહિતના સાસરિયાઓ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી ચાંદખેડા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં SIR હેઠળની મતદાર યાદીની કામગીરી મુદ્દે શિક્ષકોએ વાંધો વ્યક્ત કર્યો છે. મહેસાણામાં શિક્ષકોના પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળની મતદાર યાદી સુધારણાની કામગીરીમાં પડતી તકલીફો અંગે વાંધો વ્યક્ત કરીને ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં પાંચ મુખ્ય મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે. જેમાં શિક્ષકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે, સ્કૂલના સમય દરમિયાન આ કામગીરી કરવી તેમના માટે અશક્ય છે. શિક્ષક સંઘે ખાસ કરીને એવી માગણી કરી છે કે, સ્કૂલના સમય દરમિયાન શિક્ષકોને મતદાર યાદી સુધારણાની કામગીરી ન સોંપવામાં આવે. તેમની દલીલ છે કે, સ્કૂલ કાર્યની સાથે જ આ કામગીરી કરવી શક્ય નથી, તેમ છતાં પરિપત્ર કરીને શિક્ષકોને સ્કૂલ કાર્ય દરમિયાન જ આ કામગીરી કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. BLO શિક્ષકોને મદદ કરવા અન્ય કર્મચારીઓની ફાળવણી કરવા માગઆ ઉપરાંત સંઘે એવા શિક્ષકોનો પણ મુદ્દો ઉઠાવ્યો છે, જેઓ 10% વતન હુકમોથી ફરજ બજાવી રહ્યા છે. આ શિક્ષકો માટે BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકેની વધારાની કામગીરી કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. કામગીરી સરળ બનાવવા માટે BLO શિક્ષકોને મદદ કરવા માટે અન્ય કર્મચારીઓની ફાળવણી કરવાની પણ માંગણી કરવામાં આવી છે. વધુમાં શિક્ષકોને મતદારો તરફથી ઝડપથી ફોર્મ ભરીને સહકાર ન મળતો હોવાની સમસ્યા પણ રજૂ કરવામાં આવી છે. જે કામગીરી સમયસર પૂર્ણ કરવામાં અવરોધરૂપ બને છે. આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારીને સંબોધીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એક ઘર પાછળ અડધો કલાક નીકળે છે, કામ પૂર્ણ થઈ શકે તેમ નથીઃ પંકજકુમારઆ મામલે ગુજરાત રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહા સંઘના ઉપાધ્યક્ષ પંકજકુમાર આઈ પટેલએ જણાવ્યું કે, મહેસાણા જિલ્લાની અંદર જે શિક્ષકોને SIRની કામગીરી આપવામાં આવી છે તે કામગીરીની અંદર પડતી વિવિધ મુશ્કેલીઓ અને તેના નિરાકરણ માટે જિલ્લા ચૂંટણી અને મતદાર નોંધણી અધિકારીને મુલાકાત લઈ અમારા બીએલઓ શિક્ષક મિત્રો છે, તેમને પડતી વિવિધ મુશ્કેલીઓને દૂર કરવી છે. એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકને ડોર-ટુ-ડોર જઈને દરેક મતદારના ફોર્મ આપવાના છે. એ ફોર્મની અંદર દરેક ઘરના સભ્યની સહી લેવાની છે અને એ ફોર્મ ભર્યા પછી પાછા પરત કલેક્ટ કરવાના છે. એની અંદર ફોટોગ્રાફ્સ પણ ચિપકાવવાનો છે અને સાથે એને અન્ય 12 ડોક્યુમેન્ટમાંથી એક ડોક્યુમેન્ટ એમનું જોડવાનું છે. ત્યારે ઘરે-ઘરે કેટલાક લોકો પાસે ઝેરોક્ષો નથી, કોઈકની પાસે ફોટા નથી. આમ કર્મચારી પોતે પોતાનો અડધો કલાકથી વધારે સમય એક ઘર પાછળ ખર્ચે તો એ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરી શકે તેમ નથી. ‘સ્કૂલની કામગારી બાદ બે કલાકથી વધારે શિક્ષકો કામગીરી કરી શકે નહીં’બીજો પ્રશ્ન છે કે, શિક્ષક શાળામાં નોકરી કરે કે કામગીરી કરે? સ્કૂલના છૂટ્યા પછી કામગીરી કરવા જાય તો એને બે કલાકથી વધારે કામગીરી કરી શકે નહીં. પોતાના ઘરે નાના બાળકો પણ હોય અને એમને ઘરે પરિવારને પણ સાચવવાનો હોય છે. એટલે ચાલુ સ્કૂલે આ કામગીરી કરી શકે તો શિક્ષક સરળતાથી આ કામ પૂર્ણ કરી શકે. બીજુ કે, બીએલઓ ઓર્ડર જે કરવામાં આવ્યા છે તે વતનનું સરનામું જોઈને કરવામાં આવ્યા છે. વતનના સરનામાંથી શાળાનું અંતર ઘણું વધારે હોવાથી એ શિક્ષક કામગીરી કેવી રીતે કરી શકે? એટલે નોકરી ના કરતા હોય એવા ગામોમાં પણ આપવામાં આવે છે.
રેસર્સ ગ્રૂપ પારડી દ્વારા હાફ મેરેથોન:1100થી વધુ દોડવીરોએ ભાગ લીધો, તંદુરસ્ત પારડીનો સંદેશ
રેસર્સ ગ્રૂપ પારડી દ્વારા પારડી શહેરમાં હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તંદુરસ્ત પારડીના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં 1100થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. આ ત્રીજી વખત રેસર્સ ગ્રૂપ પારડી દ્વારા હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના લોકોના સ્વાસ્થ્યની જાળવણી કરવાનો હતો. આ દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવક-યુવતીઓ અને વડીલોએ ભાગ લીધો હતો. દોડવીરોએ 5 KM, 10 KM અને 21.1 KM એમ ત્રણ અલગ-અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. વલસાડ જિલ્લાના ડૉક્ટર્સ, ઉદ્યોગપતિઓ, પારડી પોલીસના જવાનો તેમજ અન્ય યુવક-યુવતીઓ અને મહિલાઓએ આ હાફ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડવીરોનો ઉત્સાહ વધારવા માટે પારડીના રહીશો અને બાળકોએ ઠેરઠેર તાળીઓના ગડગડાટથી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. જિલ્લાના હાપા માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 2 કેન્દ્રો પર આ ખરીદી શરૂ કરવામાં આવી છે. આ ખરીદીમાં ખેડૂતોને પ્રતિ મણ 1452 રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવશે. પ્રથમ દિવસે 50 ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા. દરેક ખેડૂત પાસેથી મહત્તમ 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી પ્રક્રિયા અંતર્ગત જામનગર જિલ્લાના APMC સેન્ટરો પર મગફળી ઉપરાંત અળદ, મગ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તેમજ તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી છે. ખરીદી કેન્દ્રો પર CCTV કેમેરા, કોમ્પ્યુટર, વજન કાંટા અને પીવાના પાણી જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખેડૂતોને ફોન દ્વારા ક્રમવાર બોલાવવામાં આવશે જેથી ખરીદી પ્રક્રિયા સુચારુ રીતે ચાલે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય. જામનગર જિલ્લામાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ હોવાથી, અત્યાર સુધીમાં જામનગર તાલુકામાં 19,000 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
પાટણ જિલ્લા પંચાયતની એક મહત્વની ખાસ સભા પ્રમુખ હેતલ ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત સ્વર્ણિમ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં એજન્ડા પરના વિવિધ વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. મહેસુલ વર્ષ 2020-21 થી 2023-24 સુધીના જમીન મહેસુલ લોકલ ફંડ સેસની ₹1.57 કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 154ની અનુસૂચિ ત્રણ મુજબના વિકાસ કામોનું આયોજન કરવા બાબતે બહાલી અપાઈ હતી. ખાસ સભાના પ્રારંભે સામાન્ય સભાની કાર્યનોંધને મંજૂરી અને અગાઉના નિર્ણયો પર લેવાયેલા પગલાંનો અહેવાલ અવલોકનમાં લેવામાં આવ્યો હતો. આ પછી જિલ્લા પંચાયતની જુદી જુદી સમિતિઓની મળેલી બેઠકોની કાર્યવાહી નોંધને બહાલી આપવાના મુદ્દે કોંગ્રેસના નેતા અશ્વિન પટેલે મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. પટેલે નિયત સમય મુજબ 3 મહિને મીટિંગ ન કરનાર શાખાધિકારીઓને નોટિસ આપવા માટે રજૂઆત કરી હતી. દરમિયાન જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોવિંદ માલધારીએ વિપક્ષ નેતા અશ્વિન પટેલની કાર્યશૈલીના વખાણ કરતા જણાવ્યું હતું કે તેઓ લાંબા સમય સુધી વિરોધ પક્ષના નેતા બની રહે તેવું ઈચ્છીએ, કારણ કે તેમની પાસેથી ઘણું શીખવાનું છે. જિલ્લા પંચાયતના વાર્ષિક અંદાજપત્રમાં સ્ટેમ્પ ડ્યુટીની વર્ષ 2024-25માં મળેલ જિલ્લા કક્ષાની સવા બે કરોડ ઉપરાંતની ઉપલબ્ધ ગ્રાન્ટનો અંદાજપત્રમાં સુધારો કરવા અને તેમાંથી વિકાસના કામોનું આયોજન કરવા બાબતે ઉપપ્રમુખ ગોવિંદ માલધારીએ પ્રમુખને સત્તા સોંપવાની દરખાસ્ત કરી હતી, જેને સર્વાનુમતે મંજૂર રખાઈ હતી. જોકે, વિપક્ષના અશ્વિન પટેલે આ દરમિયાન બીજી કોઈ ગ્રાન્ટ આવે તો તેના આયોજનને પણ આમાં સમાવેશ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત રાધનપુર તાલુકાની જેતલપુરા જૂથ ગ્રામ પંચાયતમાંથી જેતલપુરા અને વડનગર ગ્રામ પંચાયતનું વિભાજન કરી અલગ-અલગ ગ્રામ પંચાયત બનાવવા માટે મળેલી દરખાસ્તને વિકાસ કમિશનરમાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો. સિદ્ધપુર તાલુકાના નિદ્રોડા, સરસ્વતીના ધારુસણ અને હારીજના જુના કલાણા ખાતે નવીન સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના માટેની દરખાસ્તને પશુપાલન નિયામક ગાંધીનગરને મોકલતા પહેલા સામાન્ય સભાની બહાલી જરૂરી હોય, તેને મંજૂરી આપવામાં આવી હતી. સભામાં વર્ષ 2024-25ના સુધારેલા અને 2025-26ના વાર્ષિક અંદાજપત્રના મુખ્ય સદરમાં ગ્રાન્ટની રકમમાં સુધારો કરવા અને નવી જોગવાઈ ઉમેરવા બાબતે પણ મંજૂરી અપાઈ હતી. આ બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ઉપપ્રમુખ ગોવિંદ માલધારી, ઈન્ચાર્જ ડીડીઓ વી.સી. બોડાણા સહિત શાખાધિકારીઓ અને ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા.
પોરબંદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ:જિલ્લામાં 35,106 ખેડૂતોએ નોંધણી કરાવી, પ્રતિ મણ ₹1452 ભાવ
પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો પાસેથી પ્રતિ મણ ₹1452 ના ભાવે મગફળી ખરીદવામાં આવશે. દરેક ખેડૂત પાસેથી મહત્તમ 125 મણ મગફળી ખરીદી શકાશે. ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં કુલ 35,106 ખેડૂતોએ મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. આમાં પોરબંદર તાલુકાના 15,645, રાણાવાવના 7,665 અને કુતિયાણાના 11,846 ખેડૂતોનો સમાવેશ થાય છે. ખરીદીનો શુભારંભ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાના હસ્તે શ્રીફળ વધેરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને ખેડૂતો પણ હાજર રહ્યા હતા. જોકે, ખરીદીના પ્રથમ દિવસે માત્ર ત્રણ ખેડૂતો જ પોતાની મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. એક ખેડૂતે જણાવ્યું કે બરડા અને બરડી વિસ્તારમાં 70 થી 80 ટકા પાકને નુકસાન થયું છે, જેના કારણે ઉત્પાદન ઓછું થયું છે.
ઓનલાઈન છેતરપિંડી, 6 સામે ફરિયાદ:બોટાદ LCB એ 4ની ધરપકડ કરી, 2ની શોધખોળ ચાલુ
બોટાદ LCB પોલીસે ઓનલાઈન છેતરપિંડી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે. આ મામલે કુલ ૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. LCB દ્વારા 6 પૈકી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો સામે ઓનલાઈન છેતરપિંડીની અરજીઓ મળ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય શખ્સો પોતાના તેમજ અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ઓનલાઈન છેતરપિંડી કરનારાઓને પૂરા પાડતા હતા. તેઓ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં છેતરપિંડીના નાણાં મેળવી તેની લેવડદેવડ કરતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અળવ ગામના પરેશભાઈ ભરતભાઈ વિદાણી, સુનિલ સમરથ બાવળીયા, ભવદિપ અશોક બાવળીયા અને નિલેશ રમેશ બાવળીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જયેશ વશરામ બાવળીયા અને શૈલેષ જેરામ ભાળાલા નામના અન્ય બે આરોપીઓને પકડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ગાંધીનગરનો ઘ 4 અંડરબ્રિજ પસાર કર્યાં પછી બાદ ઉપર ચડતી વખતે રીક્ષા ચાલકે પોતાની રિક્ષા પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા રીક્ષા ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ગઈકાલે મોડી સાંજે સર્જાયેલા આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું માથું ડીવાઈડર સાથે અથડાવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે રિક્ષામાં પાછળ બેસેલ એક પેસેજરને પણ શરીરે વધતી ઓછી ઇજાઓ પહોંચી છે. આ અંગે સેકટર 7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પથિકાશ્રમ સર્કલથી ઘ 4 અંડર બ્રિજ તરફના રોડ પર અકસ્માતગાંધીનગર શહેરમાં રોકેટ ગતિએ દોડતી રિક્ષાઓના કારણે છાશવારે નાના મોટા માર્ગ અકસ્માતો સર્જાતા રહેતા હોય છે. એમાંય પથિકાશ્રમ સર્કલ આસપાસનો પાર્કિંગ ઝોન હોવા છતાં ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રીય ભૂમિકા ભજવી રહી હોવાથી અત્રેના રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ત્યારે પથિકાશ્રમ સર્કલથી ઘ 4 અંડર બ્રિજ તરફના રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. ગાંધીનગરના સેક્ટર 4 બી પ્લોટ નંબર 1139/1 માં રહેતા કિરણભાઈ પુરાણી નવા સચિવાલય સ્વર્ણિમ સંકુલ-2માં ત્રીજા માળે પટાવાળા તરીકે રોજમદાર તરીકે નોકરી કરે છે. ગઈકાલે નોકરી પૂર્ણ થયા પછી કિરણભાઈ બાઈકની લિફ્ટ લઈને ઘ 5 સર્કલે આવ્યા હતા અને રિક્ષાની રાહ જોઈને ઊભા રહયા હતાં. દરમિયાન એક પેસેન્જર રીક્ષા આવતા આવતા કિરણભાઈ તેમાં બેસી ગયા હતા. રિક્ષા ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈતે વખતે ઘ-5સર્કલ થી ઘ-3 પથિકાશ્રમ સર્કલ તરફ જતા રોડ ઉપર ઘ-4 અંડરબ્રીજ પસાર કર્યા બાદ ઉપર ચડી વખતે રીક્ષા ચાલક પોતાની રીક્ષા પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રહ્યો હતો. અને થોડે આગળ જતાં તેણે રિક્ષા પરથી કાબુ ગુમાવી દેતા રિક્ષા ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ચાલકનું મોત, એક પેસેજર ઇજાગ્રસ્તઆ અકસ્માતમાં કિરણભાઈ અને રિક્ષા ચાલકને ડિવાઈડર સાથે ભટકાયા હતા. જેમાં રિક્ષા ચાલકનું માથું ડીવાઈડર સાથે અથડાવાથી તે બેભાન થઈ ગયો હતો.જ્યારે કિરણભાઈને સામાન્ય ઇજા થઈ હતી.આ અકસ્માત જોઈ લોકો ભેગા થઈ જતા કોઈકે 108 એમ્બ્યુલન્સ બોલાવી બંનેને સિવિલ સારવાર અર્થે ખસેડયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપ્યા પછી રિક્ષા ચાલક કમલેશભાઈ સુખદેવભાઈ વણઝારા (રહે પ્લોટ નં.671/1 સેક્ટર 7 બી)ને મૃત જાહેર કર્યો હતો. જ્યારે કિરણભાઈને કપાળના ભાગે નવ જેવા ટાંકા લઈ દાખલ કર્યા હતા. આ અંગે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરમાં ગેરકાયદેસર નાણાધીરધારનો પર્દાફાશ:દેવાની વસૂલાતમાં જાતિગત અપમાન, જાનથી મારી નાખવાની ધમકી
પોરબંદરના વાળોત્રા ગામમાં ગેરકાયદેસર નાણાધીરધારનો પર્દાફાશ થયો છે. દેવાની વસૂલાત દરમિયાન આરોપીએ પીડિતને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, માલદેભાઈ લીલાભાઈ વાઢીયાએ નાણાધીરધારનું લાઇસન્સ ન હોવા છતાં એક વ્યક્તિને રૂ. 1,50,000 વ્યાજે આપ્યા હતા. અત્યાર સુધીમાં તેમણે રૂ. 21,00,000 જેટલી રકમ વસૂલી લીધી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપી માલદેભાઈએ દેવાની વસૂલાત માટે પીડિતને વારંવાર ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત, જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ પીડિતે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાણાવાવ પોલીસે માલદેભાઈ લીલાભાઈ વાઢીયા વિરુદ્ધ ગેરકાયદેસર નાણાધીરધાર અધિનિયમની કલમો તેમજ ધમકી અને અપરાધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી સામે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર નાણાધીરધારની પ્રવૃત્તિઓ અંગે ચિંતા વધારી છે. પોલીસ તંત્રે આવા ગેરલાઇસન્સ ધરાવતા નાણાં ધીરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે, જેથી સામાન્ય લોકો સાથે અન્યાય ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોન વિસ્તારમાં ગોવર્ધન પાર્ક ચાર રસ્તાથી નિલક્ષ સિટાડેલ કોમ્પ્લેક્સ થઈને રાજીવનગર નાળા પાસે ટ્રંક લાઈન સુધી નવી ડ્રેનેજ લાઈન મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈ રોડ રસ્તો બંધ રહેશે. નવી ડ્રેનેજ લાઈન મૂકવાની કામગીરીથી રસ્તો બંધઆ કામગીરી મેન્યુઅલ પુશિંગ પદ્ધતિ તેમજ ઓપન એક્સકેવેશન દ્વારા કરવામાં આવશે. આ કામગીરી દરમ્યાન હેવી મશીનરી અને મજૂરોની અવરજવરને કારણે વન-વે રસ્તો ખુલ્લો રહેશે. જેમાં નટવરનગર ત્રણ રસ્તાથી પંચશીલ એપાર્ટમેન્ટ સુધીનો માર્ગ ખુલ્લો રાખવામાં આવશે. આ સાથે પંચશીલથી નટવરનગર તરફ જતાં વાહનોને સિટાડેલ કોમ્પ્લેક્સથી ડાયવર્ટ કરી મીરા ચાર રસ્તા થઈને નટવરનગર તરફ મોકલવામાં આવશે. આ કામગીરીની સરળતા માટે 10 નવેમ્બર, 2025થી કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ વિસ્તારનો મુખ્ય રસ્તો તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણ પણે બંધ રહેશે. નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રાયલ રનની કામગીરીના કારણે પાણીના સમયમાં ફેરફારવડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા નવી બિલ ટાંકીથી પાણી પુરવઠાના ટ્રાયલ રનની કામગીરી ચાલુ છે. 03 નવેમર, 2025થી સવારે 11થી 12 દરમ્યાન ચાલુ કરાયેલા ટ્રાયલ રનમાં 10 નવેમ્બર, 2025થી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બીલ ગામમાં તથા મઢી વિસ્તારના સરહદી નાગરિકોને અસરજેમાં સવારે 7થી 8 કલાક અને આ કામગીરીના કારણે બીલ ગામમાં આવેલ વિવિધ ફળિયા, હરિઓમ સોસાયટી તથા મઢી વિસ્તારના સરહદી નાગરિકોને તેની અસર થશે. આ વિસ્તારના નાગરિકોને પાણીના વપરાશમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે.
સુરતના રાંદેર-ગોરાટ રોડ પર આવેલા જૈનબ બંગલામાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીને પગલે ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. શનિવારે મોડી રાત્રે આગની ઘટના બનીપ્રાપ્ત માહિતી અનુસાર, રાંદેર-ગોરાટ રોડ પર દિવાળીબાગ પાછળ આવેલ જૈનબ બંગલામાં યુનિસભાઈના મકાનના બીજા માળે આવેલા બેડરૂમમાં શનિવારે મોડી રાત્રે આગની ઘટના બની હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધીઆ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા, અડાજણ સહિત વિવિધ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી અને લગભગ અડધા કલાકના સઘન પ્રયાસો બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે આગને અન્ય રૂમોમાં અથવા મકાનના અન્ય ભાગોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી. બેડરૂમમાં રહેલી ઘરવખરીને આગ લાગતા ભારે નુકસાનઆગને કારણે બેડરૂમમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આગની લપેટમાં આવતા બેડરૂમમાં રહેલા પંખા, ફર્નિચર અને અન્ય ઘરવખરીના સામાનને નોંધપાત્ર નુકસાન થયું હતું. સૌથી રાહતની વાત એ રહી કે, જે સમયે આગ લાગી, તે સમયે બેડરૂમમાં કોઈ વ્યક્તિ હાજર ન હતી. જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.
પોરબંદરના ઠોયાણામાં નકલી ડોક્ટર ઝડપાયો:રાણાવાવ પોલીસે આરોગ્ય સાથે ચેડા કરનારને પકડ્યો
પોરબંદર જિલ્લાના ઠોયાણા ગામે રામ મંદિર પાસે એક નકલી ડોક્ટર ઝડપાયો છે. વિપુલ બટુકભાઈ સત્યદેવ નામનો આ ઇસમ કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી કે લાઇસન્સ વિના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. સ્થાનિક લોકોની શંકાના આધારે રાણાવાવ પોલીસે કાર્યવાહી કરી તેને પકડી પાડ્યો હતો. આરોપી વિપુલ સત્યદેવ છેલ્લા કેટલાક સમયથી ગામના લોકોને તપાસી દવાઓ, ઇન્જેક્શન અને કેપ્સ્યુલ આપતો હતો. તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી વિવિધ પ્રકારની દવાઓ, કેપ્સ્યુલ, ઇન્જેક્શનો અને અન્ય તબીબી સામાન મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. ૮,૯૦૬/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પાસે કોઈ પણ પ્રકારનું તબીબી પ્રમાણપત્ર કે લાઇસન્સ ન હોવાથી તે નકલી ડોક્ટર તરીકે કામ કરતો હતો. આ ઘટના બાદ રાણાવાવ પોલીસે વિપુલ બટુકભાઈ સત્યદેવ વિરુદ્ધ તબીબી અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આરોપીએ અત્યાર સુધી કેટલા લોકોને ખોટી સારવાર આપી છે અને કોઈના આરોગ્યને નુકસાન થયું છે કે કેમ. આ કિસ્સાએ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા આવા નકલી ડોક્ટરના રેકેટ અંગે ચિંતા જગાવી છે. પોલીસ તંત્રે જાહેર જનતાને ચેતવણી આપી છે કે યોગ્ય લાઇસન્સ કે પ્રમાણપત્ર વિના કોઈ પણ વ્યક્તિ પાસેથી તબીબી સારવાર ન લેવી અને આવા ઇસમો અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવી.
પાટડીના વર્ણીન્દ્રધામમાં 150 કિલો ફૂલનો અભિષેક:નવા વર્ષની પ્રથમ હરિજયંતિએ વર્ણીપ્રભુની પૂજા કરાઈ
નવા વર્ષની પ્રથમ હરિજયંતિ નિમિત્તે પાટડીના ર્ણીન્દ્રધામ મંદિરમાં વર્ણીપ્રભુનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના પોતાના બગીચામાં ઉગાડેલા ગલગોટા અને ગુલાબના ફૂલોની 150 કિલો પાંદડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ધર્મવલ્લભદાસ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, આનંદસ્વરૂપદાસ સ્વામી અને સર્વમંગલદાસ સ્વામી સહિતના સંતોએ આ અભિષેકનું આયોજન કર્યું હતું. વિષ્ણુસહસ્ત્ર નામના મંગલ ગાન સાથે થયેલા આ દિવ્ય અભિષેકથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. હરિભક્તોએ આ અલૌકિક પ્રસંગનો આનંદ અનુભવ્યો હતો. આ પ્રસંગે વર્ણીન્દ્રધામ મંદિરની કેટલીક વિશેષતાઓ પણ ધ્યાન ખેંચે છે. મંદિરમાં 108 ગૌમુખધારા સ્નાનની સુવિધા છે અને મંદિર ફરતે 75 લાખ લિટર પાણીનો સંગ્રહ છે. નીલકંઠ સરોવરમાં દરરોજ ઠાકોરજીનો નૌકાવિહાર કરાવવામાં આવે છે. રથ, ઘોડા અને હાથી જેવા સાજ સાથે રાજાધિરાજ ઠાકોરજીની નિત્ય નગરયાત્રા પણ કાઢવામાં આવે છે. નીલકંઠધામની જેમ અહીં પણ વર્ણીપ્રભુને દરરોજ 108 વાનગીઓનો 9 વખત થાળ ધરાવવામાં આવે છે અને નિત્ય મહાઅભિષેક કરવામાં આવે છે. મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રની આજીવન અખંડધૂન ચાલુ રહે છે. આજીવન કાયમી વૈદિક વિધિથી મહાવિષ્ણુયાગ, મારૂતિયાગ અને રૂદ્રયાગનું પણ આયોજન થાય છે. આ ઉપરાંત, રામ, શ્યામ અને ઘનશ્યામ ચરિત્ર આધારિત સાંસ્કૃતિક પ્રદર્શન પણ અહીં ઉપલબ્ધ છે.
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના બે ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધા પર એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં બે બાંગ્લાદેશી સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે બે સંચાલકો અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. ગેસ્ટહાઉસમાં બહારથી મહિલાઓને બોલાવી દેહ વ્યાપાર ચલાવાતો હતોAHTUને 08/11/2025ના રોજ એક આધારભૂત બાતમી મળી હતી કે, સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં બાંગ્લાદેશી મહિલાઓને રાખીને દેહવ્યાપારનો વ્યવસાય કરાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, AHTUની ટીમે મહિધરપુરા પોલીસના માણસોને સાથે રાખીને માહિતીનું વેરીફિકેશન કરાવ્યું હતું. માહિતી હકીકતલક્ષી જણાતા, સંયુક્ત પોલીસ ટીમે સુરત સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન નજીકના આ બંને ગેસ્ટ હાઉસમાં એકસાથે રેઇડ કરી હતી. ગેસ્ટહાઉસ સંચાલક અને 3 ગ્રાહકો સહિત 5 ઝડપાયારેઇડ દરમિયાન ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારના વ્યવસાયનું સંચાલન કરતા અને મહિલાઓને મળતી રકમમાંથી કમિશન મેળવતા પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ અમાલાભાઈ ગામીતને પોલીસે સ્થળ પરથી પકડી પાડ્યો હતો. તેની સાથે રાત્રી દરમિયાન હોટલ સંભાળવામાં અને મદદગારી કરવામાં સંડોવાયેલા અન્ય એક ઈસમની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંને ગેસ્ટ હાઉસમાંથી કુલ 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ દેહવ્યાપાર માટે આવ્યા હતા. 2 બાંગ્લાદેશી મહિલાઓ અને 3 પશ્ચિમ બંગાળ (કલકત્તા)ની મહિલાઓ મળી કુલ પોલીસે પાંચેય મહિલાઓને દેહ-વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવી હતી અને તેમને યોગ્ય કાઉન્સેલિંગ પણ પૂરું પાડ્યું હતું. ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયારેઇડ દરમિયાન વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક નાસી છૂટ્યો હતો. તેને તથા અન્ય બે ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમની સઘન શોધખોળ શરૂ કરી છે. પોલીસે ગુન્હાના કામે કુલ રૂ. 50,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, 10, 500 રૂપિયાના 6 મોબાઈલ, રોકતા 10,500, અન્ય વસ્તુઓ જેવી કે પોસ્ટર, કોન્ડમ, Paytm QR કોડ, PhonePe QR કોડ, અને હોટલ રજીસ્ટર કબ્જે કરવામાં આવ્યું છે. આ ઘટનાએ સુરત શહેરના રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2019 થી સાંસદ ખેલ મહોત્સવ સમગ્ર દેશમાં શરૂ કરાવવામાં આવ્યો હતો. રાજકોટમાં પુરૂષોતમ રૂપાલા લોકસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વર્ષે આ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જોકે કાર્યક્રમના ઉદ્ઘાટક કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને કાંતિ અમૃતિયા ગેરહાજર રહ્યા હતા. જ્યારે લાંબા સમયથી ભૂગર્ભમાં રહેલા પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા. ખેલાડી ભાઈઓ અને બહેનોની કબડ્ડી સ્પર્ધા સાથે ખેલ મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ તકે સાંસદે આ ખેલ મહોત્સવમાંથી ખેલાડીઓને હારવા કે જીતવાને બદલે શીખવાની સલાહ આપી હતી. જ્યારે આ તમામ ખેલકૂદ કાર્યક્રમોને કોમનવેલ્થ ગેમ્સની તૈયારી ગણાવી હતી. આ સાથે જ રાજકોટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાનોથી ખેલકૂદનું સ્તર ઊંચું આવ્યું હોવાનું જણાવ્યું હતુ. વડાપ્રધાનની પ્રેરણાથી દેશનાં દરેક સાંસદ પોતાના મત ક્ષેત્રમાં 17 વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓથી માંડી સિનિયર સિટિઝન સુધીના કોઈપણ ભાઈઓ-બહેનો પોતાનું ખેલ કૌશલ્ય બતાવી શકે તે માટે સાંસદ ખેલ મહોત્સવ યોજાતા રહે છે. રાજકોટના સાંસદ પુરૂષોતમ રૂપાલા આયોજિત ખેલ મહોત્સવના ઉદઘાટન અવસરે કાર્યક્રમના અધ્યક્ષ તેમજ ઉદઘાટક તરીકે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજયકક્ષાના મંત્રી કાંતી અમૃતિયા હતા પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. જ્યારે મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મેયર નયનાબેન પેઢડિયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, કેશરીદેવસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમય બાદ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ તેમજ અરવિંદ રૈયાણી જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર દેખાયા હતા.આ સાથે જ એથ્લેટીકસ નેશનલ પ્લેયર યશ દવે, નેશનલ પેરાશૂટિંગ પ્લેયર ભૂમિબેન મહેતા, નેશનલ કબડ્ડી પ્લેયર સાગર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરૂ થયેલો સાંસદ ખેલ મહોત્સવ રાજકોટ ઉપરાંત મોરબી અને જસદણમાં પણ રમાડવામાં આવશે. જેમાં કબડ્ડી, ખોખો અને એથ્લેટીકસની રમતો સમાવિષ્ટ કરવામાં આવી છે.આ રમતોત્સવમાં 17 વર્ષથી નીચેના ભાઈઓ-બહેનો માટે એક ગ્રુપ અને 17 વર્ષથી માંડી સિનિયર સિટિઝન સુધીના ભાઈઓ-બહેનોનું બીજું ગ્રુપ ભાગ લેશે. ભારત સરકારના રમત-ગમત મંત્રાલયની નિગરાની તળે યોજાતો આ રમતોત્સવ શહેરી અને ગ્રામ્ય લોકોના જીવનમાં રમત-ગમતનું મહત્વ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા તથા સ્વાસ્થ્ય સુધારણા માટે ખૂબ ઉપયોગી છે. આ ખેલ મહોત્સવમાં હાલ 10 હજારથી વધુ રમતવીરોનું રજિસ્ટ્રેશન થયેલું છે. સૌપ્રથમ તાલુકા કક્ષાએ બાદમાં ઝોન કક્ષાએ અને છેલ્લે ડીસ્ટ્રીકટ કક્ષાએ આ રમતોત્સવ થશે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનારને મેડલ, ટ્રોફી અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. સમગ્ર દેશમાં યોજાનારા આ સાંસદ ખેલ મહોત્સવનો કલોઝીંગ સેરેમની તા.25 ડીસેમ્બર-2025 ના રોજ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી જોડાઈને દેશભરના રમતવીરોને પ્રેરિત કરશે.
ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં ‘ફિટ ઇન્ડિયા અભિયાન’ની શરૂઆત કરી હતી, જેનો મુખ્ય હેતુ દેશવાસીઓની જીવનશૈલીમાં સ્વસ્થ અને હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. પ્રેરણા રૂપ બનેલી એક અનોખી પહેલ રૂપે આ અભિયાન અંતર્ગત સાયકલિસ્ટ દ્વારા ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમર્પિત “કશ્મીર ટુ કન્યાકુમારી સાયક્લિંગ એક્સપેડિશન - અ રાઈડ ફોર યુનિટી” નું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરના આ અભિયાનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 1 સાઇક્લિસ્ટ ભાગ લઇ રહ્યા છે. આ 150 સાઇક્લિસ્ટ શ્રીનગરથી કન્યાકુમારી સુધીનું અંદાજે 4480 કિમીનું અંતર કાપશે. યાત્રાનો હેતુ દેશની એકતા, અખંડિતતા અને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને સાકાર કરવાનો છે. યાત્રા દરમિયાન રાઈડર્સે વિવિધ રાજ્યો અને શહેરોમાંથી પસાર થઈ લોકોમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, એકતા અને સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવી છે. ગોધરાથી 145 કિમીની સફર પૂર્ણ કર્યા બાદ રાઈડર્સની ટુકડી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે પહોંચી હતી, જ્યાં વિવિધ રમત કોચ દ્વારા તેમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. વધુમાં નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલે સાઇક્લિસ્ટ ટીમને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ સ્મૃતિચિન્હ રૂપે ભેેટ આપી હતી. રાઈડર્સે એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા - સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સરદાર સાહેબના અવિસ્મરણીય યોગદાનને નમન કર્યો હતો. રાઈડર્સ સરદાર સાહેબની પ્રતિમાની ભવ્યતા જોઈને અભિભૂત થયા હતા.
જૂનાગઢના ઐતિહાસિક મુક્તિ દિવસ અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે આજે જૂનાગઢથી 'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ, તેઓ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે પહોંચ્યા હતા અને પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. 8.6 કિલોમીટરની યુનિટી માર્ચ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી પ્રારંભ થઈને મુખ્ય માર્ગો પર ફરીને સરદાર ચોક જીમખાના ખાતે સમાપન થઈ હતી. સાધુ-સંતોએ 51 લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યોબહાઉદ્દીન કોલેજ સ્થિત આરઝી હકુમત દ્વારા મળેલી મુક્તિના સ્મરણ સ્મૃતિ સ્મારક ખાતે મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય વીરોને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રેલીના પ્રસ્થાન પૂર્વે તેમણે આરઝી હકુમતનો ઇતિહાસ દર્શાવતી ફોટો પ્રદર્શની પણ નિહાળી હતી. આ અવસરે મુખ્યમંત્રીએ જૂનાગઢની આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જૂનાગઢની નાગરિક સેવાઓના પ્રોજેક્ટ માટે સાધુ-સંતોએ 51 લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરી જનભાગીદારીની પહેલને સાર્થક કરી હતી. મુખ્યમંત્રીએ 'એક ભારત'નો સંકલ્પ દોહરાવ્યોપદયાત્રામાં જોડાનાર હજારો નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યુનિટી માર્ચ સર્વ સમાજને સાથે જોડીને 'આત્મનિર્ભર ભારત' માટેની પ્રેરણા આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણ દ્વારા દેશે સરદાર પટેલને સાચી અંજલિ આપી છે. આ યુનિટી માર્ચ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ની વિભાવનાને ચરિતાર્થ કરી એકતાનો પાયો વધુ મજબૂત બનાવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં કલમ 370ની નાબૂદી દ્વારા સરદાર સાહેબનું અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થયું છે. મુખ્યમંત્રી પણ બહાઉદીન કોલેજથી પદયાત્રામાં જોડાયા હતારાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક ઉપક્રમે આયોજિત આ 8.6 કિલોમીટરની યુનિટી માર્ચ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી પ્રારંભ થઈને મુખ્ય માર્ગો પર ફરીને સરદાર ચોક જીમખાના ખાતે સમાપન થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બહાઉદીન કોલેજથી પદયાત્રામાં જોડાયા હતા. સમગ્ર રૂટ પર 19 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા, જ્યાં વિવિધ સમાજ સંસ્થાઓના સાંસ્કૃતિક પ્લેટફોર્મ પર મુખ્યમંત્રી સહિત સૌનું અભિવાદન કરાયું હતું. આ સ્ટેજો પર જૂનાગઢનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો દર્શાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રના સંકલનથી આ વિશાળ પદયાત્રા સફળ બની હતી. વિવિધ મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાઆ ઐતિહાસિક કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ધર્મેશ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, ધારાસભ્યો સંજય કોરડીયા, ભગવાનજી કરગઠિયા, દેવાભાઈ માલમ, અરવિંદ લાડાણી, મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, તેમજ સંતો-મહંતો, વિવિધ સમાજના લોકો અને હજારોની સંખ્યામાં નગરજનો સહભાગી થયા હતા.
શહેરના વટવા વિસ્તારમાં નવાપુરા પાસે દરબાર નગરમાં રાત્રે પિતા અને પુત્ર સહિતના લોકો દ્વારા મકાન અને વાહનમાં આગ લગાવવાની ઘટના બની હતી. ઘરની પાસે પડેલા લાકડા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને બોલાચાલી બાદ વાહનમાં આગ લગાડી દેવામાં આવી હતી. ત્યારબાદ બાઈકનું સીટ કવર ઘરમાં ફેકતા ઘરમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી રાજા અગાઉ પણ ગુના નોંધાયેલા છે. પોલીસે ચાર લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. વટવામાં ઝઘડાની અદાવતમાં વાહન-મકાનમાં આગ લગાડીમળતી માહિતી મુજબ શહેરના વટવા વિસ્તારમાં આમીના મસ્જિદ પાસે આવેલા દરબાર નગરમાં વહીદાબા નું શેખ પોતાના પરિવાર સાથે રહે છે તેમની બાજુમાં આમન ઉર્ફે રાજા અસલમખાન પઠાણ પણ પરિવાર સાથે રહે છે. રાજા અને તેમના પરિવારના સભ્યો ઘરની આગળ આવેલી જગ્યામાં ઘરનો સામાન રાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો કરતા હતા છેલ્લા કેટલાક દિવસથી ઘરની આગળની આવેલી જ ખુલ્લી જગ્યામાં લાકડા પડેલા હતા જે કોઈ વ્યક્તિ લઈ ગયું હતું. શનિવારે સવારના સમયે રાજા અને તેના પિતા અસલમખાન પઠાણ સહિત બીજા બે સભ્યો દુકાન પર જઈને લાકડા લઈ જવા બાબતે મહિદાબાનુના પતિ અને તેના પિયર સાથે બોલાચાલી કરી મારા મારી કરી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ઘરની બહાર પડેલી બાઈક સળગાવી દીધીહોસ્પિટલમાં હતા ત્યારે સાંજે 7:30 વાગ્યાની આજુબાજુ વહીદા બાનુના પતિના મોબાઈલ પર પરિચિત નો ફોન આવ્યો હતો કે તમારી બાજુમાં રહેતા રાજા અને તેમના પિતા અસલમખાન પઠાણ તથા કુવા કાલુ અને હિના ચારેય જણા તમારું ઘર સળગાવવા માટે આવ્યા છે. રાજા તમારા ઘરની બહાર પડેલી બાઈક સળગાવી દીધી છે અને સળગતી વસ્તુ તમારા બંધ મકાનની જાળીમાં નાખતા ઘરમાં આગ લાગી છે. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યોહોસ્પિટલથી ચારેય લોકો ઘરે આવ્યા હતા ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર હાજર હતી અને આગને કાબુમાં લઈ લીધી હતી. આગ લાગવાના કારણે ઘરમાં રહેલુ ફર્નિચર બળી ગયું હતું અને બે બાઈક પણ બળી ગઈ હતી. આ મામલે વટવા પોલીસ દ્વારા રાજા સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહી છે. આ અંતર્ગત અંબાજીથી શરૂ થયેલી જનજાતીય ગૌરવ રથયાત્રા યાત્રાધામ શામળાજી પહોંચી હતી, જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. શામળાજીમાં ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષો પર આધારિત નાટ્ય રજૂઆતનું આયોજન કરાયું હતું. આ નાટકમાં તેમના 'ઉલગુલાન' આંદોલન અને આદિવાસી અસ્મિતાના જાગરણની કથા દર્શાવવામાં આવી. આ ઉપરાંત, આદિવાસી ગીતો, લોકનૃત્યો અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા, જેણે આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ પ્રદર્શિત કર્યું. આ પ્રસંગે મંત્રી પી.સી. બરંડાએ સંબોધન કરતા જણાવ્યું કે, 'ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના અમર નાયક અને સ્વાભિમાનના પ્રતીક છે. તેમની ૧૫૦મી જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ વર્ષ' તરીકે ઉજવીને આપણે તેમના વિચારોને જીવંત કરીએ છીએ.' તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, કૃષિ વિકાસ અને જમીન હક્કોનું વિતરણ જેવી સુવિધાઓ પૂરી પાડીને આદિવાસી બંધુઓનું જીવનધોરણ ઊંચું લાવવામાં આવી રહ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ યાત્રા દ્વારા વિકાસની વાતને ઘરઘર સુધી પહોંચાડવામાં આવશે અને યુવા પેઢીને રાષ્ટ્રનિર્માણમાં પ્રેરણા મળશે. આ યાત્રાથી આદિવાસી સમાજમાં નવો ઉત્સાહ અને એકતાની ભાવના જાગી છે, જે રાષ્ટ્રીય એકતા અને વિકાસના માર્ગને મજબૂત બનાવશે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નવા અવિધા ગામે રાજપારડી પોલીસે દારૂ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂ. 72,240 નો જથ્થો જપ્ત કર્યો છે અને બે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે. રાજપારડી પોલીસ સ્ટાફ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જી.આઈ.રાઠોડના નેતૃત્વ હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નવા અવિધા ગામના મંદીર ફળીયામાં રહેતા સુનીલ બચુભાઈ વસાવા અને રાકેશ દીલીપભાઈ વસાવાએ તેમના રહેણાંક નજીક વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. આ બાતમીના આધારે રાજપારડી પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 180 મિલીની કુલ 336 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 72,240 થાય છે. પોલીસે દારૂનો સમગ્ર જથ્થો કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ બંને આરોપીઓ ફરાર છે અને તેમની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠાના ધાનેરાના મૂળ વતની અને હાલ નવસારીમાં રહેતા હિતેશ રાજપૂતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઇનલની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરીને નવસારી જિલ્લામાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. સામાન્ય પરિવારમાંથી આવતા હિતેશની આ સિદ્ધિથી તેના માતા-પિતા ગૌરવ અનુભવી રહ્યા છે. તેના પિતા ઉત્તમ સિંહ રાજપૂત એપાર્ટમેન્ટમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત છે, જ્યારે માતા હંસાબેન સિલાઈ કામ કરીને પરિવારને આર્થિક મદદ કરે છે. હિતેશ વાંચે ત્યારે તેની માતા પણ આખી રાત જોડે બેસતીહિતેશના પિતા ઉત્તમ સિંહ રાજપૂત અગાઉ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ હીરા ઉદ્યોગમાં મંદી આવતા તેમણે નોકરી છોડીને સુપરવાઇઝર તરીકેની નોકરી સ્વીકારી હતી. માતા હંસાબેને જણાવ્યું કે તેઓ અગાઉ ત્રણ પતરાંવાળી નાની ઝૂંપડીમાં રહેતા હતા. હિતેશ જ્યારે વાંચવા બેસતો ત્યારે તેની માતા પણ આખી રાત તેની સાથે બેસીને તેને સહકાર આપતા હતા. હિતેશે નાનપણથી જ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાનું સ્વપ્ન જોયું હતું. હિતેશ રાજપૂતની શૈક્ષણિક યાત્રા પણ પ્રેરણાદાયી રહી છે. તેણે ધોરણ 10માં 89% ગુણ મેળવ્યા હતા, ત્યારે ઘણા લોકોએ તેને વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવાની સલાહ આપી હતી. જોકે, CA બનવાના દ્રઢ નિશ્ચયને કારણે તેણે ધોરણ 11થી કોમર્સ પ્રવાહ પસંદ કર્યો. તેણે કોલેજની સાથે જ CAની તૈયારી શરૂ કરી દીધી હતી, જેમાં CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિએટ પણ પ્રથમ પ્રયાસમાં જ પાસ કર્યા હતા. હિતેશ દરરોજ લગભગ 12 કલાક અભ્યાસ કરતો હતોપોતાની સફળતાનું રહસ્ય જણાવતા હિતેશે કહ્યું કે તેણે સુરતથી CA રવિ છાવછરિયાના ક્લાસિસ કર્યા હતા. શરૂઆતથી જ ક્લાસિસની સાથે નિયમિત સ્વ-અભ્યાસ પર પણ ધ્યાન આપ્યું હતું, જેના કારણે ફાઇનલ પરીક્ષામાં તેને સરળતા રહી. પિતા ઉત્તમ સિંહ રાજપૂતે જણાવ્યું કે, હિતેશ દરરોજ લગભગ 12 કલાક અભ્યાસ કરતો હતો. પરીક્ષાના છેલ્લા પાંચ મહિના દરમિયાન તેણે સોશિયલ મીડિયા સહિત તમામ માધ્યમોથી દૂર રહીને એકાગ્રતાથી મહેનત કરી હતી. 'દિકરાનું સપનું હતું કે, એનું કોઈ ઈન્ટરવ્યૂ લે': માતા માતા હંસાબેને ઉમેર્યું, મને એટલો વિશ્વાસ હતો કે મારો છોકરો કહેતો હતો કે, એક દિવસ મારું ઇન્ટરવ્યૂ લેવા પત્રકાર આવશે અને આજે અમારું સપનું પૂરું થયું છે. મધ્યમ વર્ગના સંઘર્ષમાંથી આવીને હિતેશ રાજપૂતે મેળવેલી આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે. નવસારીના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજુભાઈ દેરાસરિયા જણાવે છે કે સૌથી વધારે આનંદ તો મને એ વાતનો છે કે ઉત્તમસિંહજી જે મારી વીરભદ્ર કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે, એના સુપરવાઇઝર છે. છેલ્લા પાંચ-સાત વર્ષથી અહીંયા જોબ કરે છે. હીરામાંથી બેરોજગાર બન્યા પછી અહીંયા આવ્યા છે અને એમનો છોકરો નવસારી જિલ્લામાંCA ની પરીક્ષામાં પ્રથમ આવ્યો છે, તો મને ખૂબ આનંદ થયો છે. અને હું નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝનો પ્રમુખ છું, રાજેન્દ્ર દેરાસરીયા, અને એને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું.
આણંદ જિલ્લાના મનરેગા લોકપાલ સુનિલકુમાર વિજયવર્ગીય આવતીકાલે, 10 નવેમ્બર, સોમવારના રોજ પેટલાદ ખાતે ગ્રામજનોની ફરિયાદો સાંભળશે. તેઓ બપોરે 1:30 થી 2:30 કલાક દરમિયાન તાલુકા પંચાયત કચેરી, પેટલાદ ખાતે ઉપસ્થિત રહેશે. ગ્રામજનો મનરેગા યોજના સંબંધિત કોઈપણ રજૂઆત કે ફરિયાદ હોય તો રૂબરૂ મળી શકશે. આમાં શ્રમિકોને વેતન ન મળતું હોય, ઓછું મળતું હોય, અથવા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા આણંદ જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કામગીરીમાં ઉદ્ભવતી સમસ્યાઓના નિરાકરણ માટે સુનિલકુમાર વિજયવર્ગીયની લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આણંદ ખાતે કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળની કામગીરીનું નિરીક્ષણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવે છે. ગ્રામ પંચાયત કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી દેખરેખ રાખે છે અને શ્રમિકોના વેતનનું ચુકવણું આધાર આધારિત કરવામાં આવે છે. પેટલાદ ઉપરાંત, મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને કોઈપણ પ્રકારની સમસ્યા, અનિયમિત વેતન, ગેરરીતિ કે ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ જિલ્લા પંચાયત, આણંદ ખાતે લોકપાલને રૂબરૂ મળી શકે છે અથવા પત્ર દ્વારા ફરિયાદ કરી શકે છે.
વડગામના શહીદ જીગ્નેશ ચૌધરીને વતનમાં શ્રદ્ધાંજલિ:બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા બાદ કેન્ડલ માર્ચ યોજાઈ
બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગ્નેશ ચૌધરીને તેમના વતન અને આસપાસના ગામોમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મોટી ગીડાસણ, ચુડાસણ, રૂપાલ સહિતના ગામોમાં કેન્ડલ માર્ચ યોજી શહીદને યાદ કરાયા હતા. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, મહિલાઓ અને બાળકો જોડાયા હતા. શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શહીદ જવાન જીગ્નેશ ચૌધરીની બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા કરવામાં આવી હતી. ટ્રેનના કોચ એટેન્ડન્ટે સામાન્ય બાબત, એટલે કે ચાદર માંગવા જેવી વાતમાં, ચાકુના ઘા મારીને તેમની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને સ્થાનિક લોકોએ શહીદ જવાનના હત્યારાઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.
દાહોદ શહેરને વર્ષ 2016માં ભારત સરકારની મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ત્રીજા રાઉન્ડમાં સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામ્યું હતું. ત્યારથી આજે નવ વર્ષ વીતી ગયા છતાં શહેરના અનેક વિસ્તારોમાં સ્માર્ટનેસનો કોઈ અણસાર નથી. ખાસ કરીને વોર્ડ નંબર 3ના સ્ટેશન રોડ પાસે આવેલી મારવાડી ચાલના રહીશો સ્માર્ટ સિટીમાં રહેતા હોવાની શરમ અનુભવે છે. દાહોદ નગરપાલિકાની ઘોર બેદરકારી, અધિકારીઓની ઉદાસીનતા અને કાઉન્સિલરોની અનુપસ્થિતિને કારણે આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. અહીં ગંદકીનું સામ્રાજ્ય છે –માણસો તો ઠીક, પશુઓ પણ રહી શકે તેમ નથી. સ્થાનિક રહીશોની વેદના આજે છલકાઈ પડી છે, અને તેઓ સરકાર અને તંત્રને જગાડવા માટે ચૂંટણીમાં વોટ ન આપવાની ચેતવણી આપી રહ્યા છે. ગટરો ઉભરાય, દુર્ગંધ ફેલાય, રહીશોનું જીવન નર્કસમાન બન્યુંકે.કે. સર્જીકલ હોસ્પિટલની બાજુની સાંકડી ગલીમાં ભૂગર્ભ ગટર લાઇનનું ગંદું, દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર રીલાય છે. એક જ ચેમ્બરમાં ચારથી પાંચ કનેક્શન આપવામાં આવ્યા હોવાથી ગટરો વારંવાર ઉભરાઈ જાય છે. હોસ્પિટલોના શૌચાલયના કનેક્શન પણ આ જ લાઇનમાં જોડાયેલા હોવાથી દુર્ગંધ અને ગંદકીનો આતંક સતત ફેલાયેલો રહે છે. રસ્તાઓ તૂટેલા છે, કચરાના ઢગલા ચારેય તરફ વેરાયેલા છે અને મચ્છરજન્ય રોગોના કારણે રહીશો વારંવાર બીમાર પડે છે. નાના બાળકો ઘરની બહાર નીકળી શકતા નથી, ગંદા પાણીમાં રમવું પડે તો સ્વાસ્થ્ય જોખમાય છે, આર્થિક બોજ વધે છે અને પરિવારોનું જીવન નર્કસમાન બની ગયું છે. અમારા નાના બાળકો વારંવાર બીમાર પડે છેસ્થાનિક રહીશ જાકીરભાઈએ વેદના ઠાલવતાં જણાવ્યું, આ વિસ્તારમાં ખૂબ જ ગંદકી અને ગટરના ગંદા, દુર્ગંધ મારતા પાણીની ગંભીર સમસ્યા છે. હોસ્પિટલ સંચાલકોએ કનેક્શન આપ્યા છે, જેના કારણે ગટરમાંથી પાણી બહાર આવે છે અને રોડ પર રીલાય છે. આ દુર્ગંધ અને ગંદા પાણીથી અમારું જીવવું મુશ્કેલ બન્યું છે. અમારા નાના બાળકો વારંવાર બીમાર પડે છે. અમે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આજદિન સુધી કોઈ સફાઈ કરવા આવ્યું નથી. સફાઈ કર્મચારીઓ આવતા નથી, કાઉન્સિલરો અજાણ્યા બન્યાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ આ વિસ્તારમાં પગ મૂકતા પણ નથી. ડોર-ટુ-ડોર કચરા વાન પણ અહીં ક્યારેય પહોંચતી નથી. સ્થાનિકોએ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ નગરપાલિકા તંત્ર સ્થાનિકોની સમસ્યાનો નિરાકરણ કરવાના બદલે આંખ આડા કાન કરે છે. સ્થાનિક મહિલા જેનાબેન વર્માએ વેદના સાથે જણાવ્યું, દાહોદને સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ અહીં સ્માર્ટ સિટી જેવું કંઈ જ નથી. વર્ષોથી જે સમસ્યાઓનો અમે સામનો કરીએ છીએ, તે આજે પણ યથાવત છે. ગટરો ઉભરાઈ રહી છે, રોડ પર ગંદા અને દુર્ગંધ મારતા પાણી રેલાય છે, જેના કારણે અવરજવરમાં ખૂબ તકલીફ પડે છે. નગરપાલિકા દ્વારા કચરો લેવા કે સફાઈ માટે કોઈ કર્મચારી આજદિન સુધી આવ્યા નથી. અમારે પોતાની ગંદકી જાતે સાફ કરવી પડે છે. અમારી રજૂઆતો પર નગરપાલિકા કોઈ ધ્યાન આપતું નથી. અન્ય એક સ્થાનિક મહિલા કપીલાબેને નિરાશા ઠાલવતાં કહ્યું, અમારા વિસ્તારમાં કોઈ પ્રકારની સફાઈ નથી. અમે આ ગંદકીમાં રહેવા મજબૂર છીએ. નગરપાલિકાના કાઉન્સિલરને અમે ઓળખતા પણ નથી. તેઓ કોઈ દિવસ અહીં આવતા નથી, અમારી સમસ્યાઓના નિવારણ અંગે કોઈ કામ કરતા નથી. ચૂંટણી આવે ત્યારે ‘કાકી-બાબી’ કરીને પગમાં પડીને વોટ લઈ લે છે, પછી ચૂંટણી પૂરી થાય એટલે અમારા વિસ્તારમાં કોઈ નેતા આવતા નથી. નગરપાલિકાના કર્મચારીઓને પણ અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ કંઈ કામ કરતા નથી, અમારી રજૂઆત સાંભળતા નથી. ચીફ ઓફિસરનો જવાબ- 'મારે કશું નથી કહેવું'દિવ્ય ભાસ્કરએ આ બાબતે ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કેમેરા સામે કંઈપણ કહેવાનો સીધો ઇનકાર કર્યો અને કહ્યું, “હું આ બાબતે કોઈ જવાબ આપવા તૈયાર નથી. એક તરફ રહીશો હેરાન-પરેશાન છે, તો બીજી તરફ ચીફ ઓફિસર મીડિયા અને લોકોના પ્રશ્નોનો જવાબ આપવા તૈયાર નથી. સ્વચ્છ ભારત મિશનને લાગ્યુ ગ્રહણ: કરોડોની ગ્રાન્ટ છતાં સફાઈ નહિકેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત મિશન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને સ્માર્ટ સિટી માટે હજારો કરોડની ફાળવણી કરી છે. છતાં દાહોદ નગરપાલિકા સ્વચ્છતા અને વિકાસમાં ઘોર નિષ્ફળ નીવડી છે. વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ આ વિસ્તાર અબોલ છે. વિકાસના નામે અહીં કોઈ કામગીરી થઈ નથી, ના રસ્તા, ના ગટર, ના સફાઈ. સ્થાનિક રહીશ કિશન સિસોદિયાએ નેતાઓને સીધી ચેતવણી આપતાં જણાવ્યું, અમારા વિસ્તારમાં કોઈ પ્રકારની વિકાસ કામગીરી આજદિન સુધી થઈ નથી. આવનારી ચૂંટણીઓમાં જે નેતાઓ વોટ માંગવા આવશે, તેમને અમારી એક જ રજૂઆત હશે, રોડ, ગટરના ગંદા પાણી અને સફાઈની સમસ્યાઓનો નિકાલ કરો, તો જ વોટ આપીશું. જો સમસ્યાનું સમાધાન નહીં થાય, તો અમે નેતાઓને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમારા વિસ્તારમાં વોટ માંગવા આવશો નહીં. પહેલા કામ કરો, પછી વોટ લેવા આવો. 'સુવિધા નહીં મળે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર'દાહોદ શહેરના વોર્ડ નંબર-3ના રહીશોની એક જ માંગ છે કે, અન્ય વિસ્તારોની જેમ અમારા વિસ્તારનો પણ સંપૂર્ણ વિકાસ કરો. નવા રસ્તા, યોગ્ય ગટર વ્યવસ્થા, નિયમિત સફાઈ અને સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ અમને પણ તાત્કાલિક આપો. નેતાઓને સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ કે, જો આ સુવિધાઓ નહીં મળે, તો આવનારી નગરપાલિકા અને અન્ય ચૂંટણીઓમાં અમે મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું. નેતાઓને વોટ માંગવા આવવાની પણ અમારા વિસ્તાર મા મનાઈ છે.
બોલુન્દ્રા કાલભૈરવ મંદિરે કાલભૈરવ જયંતિ ઉજવાશે:યાગ, 301 વાનગીનો ભોગ દર્શન અને ભવ્ય ડાયરાનું આયોજન
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બોલુન્દ્રા ગામે આવેલા ગુજરાતના પ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિરે કાલભૈરવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે કાલભૈરવ યાગ, 301 વાનગીઓનો ભોગ દર્શન અને ભવ્ય રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરાયું છે. શ્રી ભૈરવજી મંદિર ટ્રસ્ટ, બોલુન્દ્રા દ્વારા 12 નવેમ્બર, બુધવારે કાલભૈરવ જયંતિની ઉજવણી કરાશે. સવારે 11 કલાકે કાલભૈરવ મંદિરે કાલભૈરવ હવનનો પ્રારંભ થશે, જે સાંજે શ્રીફળ હોમ સાથે પૂર્ણ થશે. આ ઉપરાંત, ભૈરવ દાદાને 301 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. સાંજે 7 કલાકે મંદિર પરિસરના મેદાનમાં ભવ્ય રંગ કસુંબલ ડાયરો યોજાશે. આ ડાયરામાં કલાકાર અને ગાયક જીગ્નેશ કવિરાજ, ગમન સાંથલ (ભુવાજી), લોકગાયિકા તેજલ ઠાકોર ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું મંચ સંચાલન હાસ્ય કલાકાર સુખદેવ ગઢવી કરશે, જ્યારે ભીખુદાન ગઢવી સહિતના કલાકારો કાર્યક્રમનું સંકલન કરશે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોને લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના 17 જેટલા જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાયું સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદમાં 14.7 ડિગ્રી, ડીસામાં 15.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી, નલિયામાં 15.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 15.5 ડિગ્રી, અમરેલીમાં 16.0 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.6 મહુવામાં 17.7 ડિગ્રી, કેશોદમાં 17.5 ડિગ્રી, સુરતમાં 18.6 ડિગ્રી, ભુજમાં 19.4 ડિગ્રી, પોરબંદરમાં 18.5 ડિગ્રી, ભાવનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કડકડતી ઠંડી, તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશેહિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે, જેના કારણે ત્યાં કડકડતી ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. જેના કારણે રાજ્યમાં આગામી કેટલાક દિવસ ખૂબ ઠંડા રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી દિવસમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારોપરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર હજી પણ ગુજરાતમાં બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.
ગુજરાત ATS દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની અડાલજ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. ATSની ટીમને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેથી તેના ઉપર વોચ રાખવામાં આવી હતી. જે બાદ ATSની ટીમ દ્વારા ISIS સાથે જોડાયેલા ત્રણેય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની દેશના અનેક સ્થળે હુમલો કરવાની યોજના હતીઆ આતંકીઓ હથિયારોની આપ-લે કરવા માટે ગુજરાત આવતા હતા, અને તેમની યોજના દેશના અનેક સ્થળો પર હુમલા કરવાની હતી. ધરપકડ કરાયેલા આતંકીઓ બે અલગ-અલગ મોડ્યુલનો ભાગ હોવાનું સામે આવ્યું છે. ATSની રડારમાં રહેલા આતંકીઓ દેશના કયા સ્થાનો પર હુમલો કરવાના હતા તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. બપોરે 1:00 વાગ્યે સત્તાવાર રીતે ગુજરાત ATS દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવશે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ... થોડા મહિના અગાઉ AQISનો પ્રચાર પ્રસાર કરતા 4ની ધરપકડ કરાઈ હતીગુજરાત ATSએ ચાર મહિના પહેલા અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો) આતંકવાદી સંગઠન AQIS કેટલું ખતરનાક છે?2020માં એક ટોચના આતંકવાદવિરોધી અધિકારીએ યુએસ ધારાસભ્યોને જણાવ્યું હતું કે AQIS નાના પાયે આતંકવાદી હુમલાઓ કરવામાં સક્ષમ છે. નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડાયરેક્ટર ક્રિસ્ટોફર મિલરે યુએસ સેનેટ કમિટીને જણાવ્યું હતું કે 2019માં યુએસ હુમલામાં AQIS ચીફ અસીમ ઉમરના માર્યા જવાથી દક્ષિણ એશિયામાં આ આતંકવાદી સંગઠન નબળું પડી ગયું છે. જોકે તે હજુ પણ નાના પાયે પ્રાદેશિક હુમલાઓ કરી શકે છે. જોકે નિષ્ણાતો ભારતીય ઉપખંડમાં AQIS અને અલકાયદાના જોખમને ઓછો અંદાજ આપે છે. ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટના અજય સાહની કહે છે, અલકાયદાએ સૌપ્રથમ 1996માં ભારતને ટાર્ગેટ તરીકે નામ આપ્યું હતું. એ સમયે ઓસામા બિન લાદેને જમ્મુ-કાશ્મીર અને આસામ બંનેનું નામ લીધું હતું. આ પછી પણ આ આતંકવાદી સંગઠન આ બંને રાજ્યોમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શક્યું નથી. નિષ્ણાતોનું કહેવું છે કે AQISએ હજુ ભારતના યુવાનોમાં વધુ અસર કરી નથી, પરંતુ તે ઈસ્લામિક સ્ટેટના અંતનો ફાયદો ઉઠાવી શકે છે. આ દિવસોમાં AQISએ ભારતમાં પણ તેની પ્રચારપ્રવૃત્તિઓ વધારી છે. તાજેતરમાં જ પયગંબર પરના વિવાદાસ્પદ નિવેદન બાદ AQIS દ્વારા ધમકીભર્યો પત્ર જાહેર થયા બાદ ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે. એજન્સીઓએ આ અંગે દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતને જાણ કરી છે અને એલર્ટ રહેવા જણાવ્યું છે.
હિંમતનગરમાં ધોબીની દુકાનમાં આગ:શારદાકુંજ સોસાયટીમાં સરસામાન અને કપડા બળી ગયા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડ તસીયા રોડ પર આવેલી શારદાકુંજ સોસાયટીમાં એક ધોબીની દુકાનમાં ગત રાત્રે અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં દુકાનનો સરસામાન અને ગ્રાહકોના કપડાં બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શારદાકુંજ સોસાયટીમાં આવેલી ઝીલ વોશિંગ કંપનીની દુકાનમાં શનિવારે રાત્રે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ ઝડપથી દુકાનમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે ગ્રાહકોના કપડાં સહિતનો તમામ સામાન બળી ગયો હતો. આગની જાણ પડોશીઓએ દુકાન માલિક શીતલબેન અજયભાઈ ધોબીને કરી હતી, જેઓ ગાયત્રી મંદિર રોડ પર રહે છે. તેઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા, ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી દીધી હતી.
કમોસમી વરસાદે રાજ્યભરના 16000 ગામના 13 લાખ ખેડૂતોની હાલત દયનિય બનાવી છે. ત્યારે રાજ્ય સરકારે પણ ગત વર્ષોની સરખામણીએ વધુ રાહત પેકેજ મંજૂર કરી 10 હજાર કરોડનું રાહત પેકેજ મંજુર કર્યું છે. તેમ છતાં ખેડૂતોમાં હજુ પાક નુકસાન વળતર, દેવું સંપૂર્ણ માફ, પાક વીમો શરૂ કરવો, નકલી બિયારણ-દવાઓ મામલે અસંતોષ હોય, ત્યારે કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરથી ગીર સોમનાથથી ‘ખેડૂત આક્રોશ રેલી’નો પ્રારંભ કર્યો છે, જે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી પસાર થઈ 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે પૂર્ણ થશે. ગતરોજ સાંજે (8 નવેમ્બર) આ ખેડૂત આક્રોશ રેલી રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના ગામે લીમડા (તા. ઉમરાળા, જિ. ભાવનગર) પહોંચી હતી. અહીં સભાને સંબોધતા શક્તિસિંહ ‘ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂત નો શું વાંક?’ કહી સરકાર પર સીધુ નિશાન તાક્યું હતું. કૃષિમંત્રી જીતુ વાઘાણીને આડેહાથ લેતા જેનીબેન ઠુમ્મરે કહ્યું કે, કૃષિમંત્રી ભાવનગરના પનોતા પુત્ર છે, જો તેઓ ભાવનગરની પીડા ન સમજતા હોય તો પછી રાજ્યની પીડા કેવી રીતના સમજી શકે! આ સભામાં પાલભાઈ આંબલિયા, પ્રતાપ દુધાત, લલિત વસાવા સહિતના લોકો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતાં. ખેડૂતોના દેવા માફ અને સહાયને લઈ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પાક નુકસાની ખૂબ થઈ છે, જેની સરખામણીમાં વળતર ખૂબ ઓછું છે, જેથી સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ. એટલે કે સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ. ભૂતકાળમાં અનેક ઉદ્યોગપતિઓના સંપૂર્ણ દેણા માફ કર્યા છે, ત્યારે ખેડૂતોના પણ દેણા માફ કરવા જોઈએ. ખાસ રાજ્ય સરકારે ગુજરાતમાં વર્ષ 2020થી બંધ કરેલો ખેડૂત પાક નુકસાની વીમો જો શરૂ હોય તો આ તમામ નુકસાનીનું પૂરતું વળતર ખેડૂતોને મળ્યું હોત. ત્યારે સરકારે આ પાક વીમો ફરી શરૂ કરવો જોઈએ. અનેક ખેડૂતો અત્યારે પાક નુકસાની મામલે આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ આવું પગલું ન ભરવા અપીલ પણ કરી છે. તેમજ આવી ઘટનામાં ભોગ બનેલા ખેડૂત પરિવારને રૂપિયા 25 લાખનું વળતર સરકાર આપવા માગ કરી છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગરના પનોતા પુત્ર છે. જો કૃષિમંત્રી ભાવનગરની પીડા ના સમજતા હોય તો પછી રાજ્યની પીડા કેવી રીતના સમજી શકે? આ સાથે જ ખેડૂતોને હાકલ કરતા જેનીબેને કહ્યું હતું કે, મંત્રીના ઘરે જઈને ઢોલ વગાડીને કહેજો કે તમે ભાવનગરના પુત્ર છો, પહેલા ભાવનગરને ન્યાય આપજો. આ કાર્યક્રમમાં અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ હાજર હતા તેમને પણ સરકારની પાક વીમા પોલિસી ઉપર સવાલો ઉઠાવ્યા હતાં. સાથે સરકાર દ્વારા ઐતિહાસિક 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેને લઈ પણ કટાક્ષ કર્યો હતો. ખેડૂતોને પોતાના માટે અવાજ ઉઠાવવા અને સરકાર સામે મોરચો માંડવા પણ હાકલ કરી હતી. પ્રતાપ દુધાત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 2027 સુધીમાં ભાજપ સરકારે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જ પડશે, આની માટે કોંગ્રેસ આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમ પણ આપે તે પ્રકારની રણનીતિ જોવા મળી રહી છે. આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતા લલિત વસોયા, પ્રતાપ દુધાત, જેનીબેન ઠુંમર તેમજ બોટાદ, અમરેલી અને ભાવનગરના વિપક્ષ નેતા અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા સરકાર સામે ખેડૂતોના મુદ્દે ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી છે, તેની માટે સભા યોજાઈ હતી. આવનારા દિવસોમાં કોંગ્રેસ પાક વીમા પોલિસી તેમજ કૃષિ રાહત પેકેજને સહિતના ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈ મેદાનમાં ઊતરશે અને ભાજપ સરકારને ધેરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ વિવિધ જિલ્લાઓમાંથી પહોંચ્યા હતા. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનો કૃષિ રાહત પેકેટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોનું અને કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેનાથી ખેડૂતોને મામુલી રકમ જ મળવા પાત્ર છે, જેના કારણે ખેડૂત પગભર પણ થઈ શકે તેવું આ કૃષિ રાહત પેકેજ નથી. આ ઐતિહાસિક નહિ લોલીપોપ વાળું રાહત પેકેજ છે.
બોડેલીમાં દારૂ ભરેલી i20 ગાડી ઈકો સાથે ટકરાઈ:પોલીસ પીછો કરતાં એક ફરાર, એક ઝડપાયો
બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ગત રાત્રિ દરમિયાન વિદેશી દારૂ ભરેલી હ્યુન્ડાઈ i20 ગાડી ઈકો કાર સાથે અથડાઈ હતી. પોલીસે પીછો કરતા આ ઘટના બની હતી, જેમાં ગાડીમાં સવાર બે વ્યક્તિમાંથી એક ફરાર થઈ ગયો હતો જ્યારે બીજાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા i20 ગાડીનો ચાલક હાલોલ રોડ તરફ જઈ રહ્યો હતો. ખોડિયાર માતાના મંદિર સામે તેણે આગળ ઉભેલી ઈકો ગાડીને ટક્કર મારી હતી, જેના કારણે i20 ગાડી ત્યાં જ અટકી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ગાડીમાંથી એક વ્યક્તિ ઉતરીને ભાગી ગયો હતો, જ્યારે અન્ય એકને પોલીસે પકડી પાડ્યો હતો. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી અહીં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. બોડેલીમાં એક જ દિવસમાં દારૂ ભરેલી ગાડી અથડાવાની આ બીજી ઘટના છે. આ પહેલા વહેલી સવારે આંબા લોઢણ પાસે પણ આવી જ એક ઘટના બની હતી. આવી ઘટનાઓ દર્શાવે છે કે બોડેલી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી મોટા પાયે થઈ રહી છે. થોડા દિવસો અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમ છતાં દારૂની આટલી મોટી માત્રામાં ઘુસણખોરી જિલ્લા પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 શ્રેણી પૂર્ણ થયા બાદ હવે રાજકોટમાં ક્રિકેટ ફીવર શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં ભારત-એ અને સાઉથ આફ્રિકા-એ ટીમ વચ્ચે રાજકોટમાં રમાનારી ત્રણ વનડે મેચની શ્રેણી 13 નવેમ્બરથી શરૂ થશે. આ માટે બંને ટીમના ખેલાડીઓનું આવતીકાલે, 10 નવેમ્બર 2025ના રોજ, રાજકોટમાં આગમન થશે અને તેઓ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં 10 દિવસ સુધી રોકાણ કરશે. હોટલ સયાજી ખાતે ખેલાડીઓ માટે રોયલ રજવાડી થીમ પર સજાવટની સાથે જ, તેમને ગાંઠિયા, જલેબી, થેપલા અને સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી જેવી મનપસંદ વાનગીઓ પીરસવાની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે અહીં યોજાનાર ત્રણેય મેચ નિહાળવા પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્માની આગેવાનીમાં રમશેભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીમાં ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયાને કારમી હાર અપાવી છે. આ પછી હવે ભારત એ-ટીમ અને સાઉથ આફ્રિકા એ-ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી રમાવા જઇ રહી છે. રાજકોટમાં રમાનાર વનડે મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્મા અને વાઇસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં રમશે. બેટિંગ પીચ હોવાથી ત્રણેય મેચ હાઈ સ્કોરિંગ થાય તેવી આશાતાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કરી સૌથી ઝડપી 1000 રન બનાવનાર અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવનાર અભિષેક શર્મા ઉપરાંત તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ ધમાકેદાર પર્ફોમન્સ આપશે. રાજકોટની પીચ બેટિંગ પીચ માનવામાં આવે છે માટે ટીમ ઇન્ડિયાના ફૂલ ફોર્મમાં રહેલા ખેલાડીઓ મારફતે તમામ ત્રણેય મેચ હાઈસ્કોરિંગ થવાની આશા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે. હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવાયાહોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવશે. આ હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવવામાં આવ્યા છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે. સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે. માટે તેમને મનપસંદ વાનગીઓ પણ પીરસવા માટે હોટેલ સ્ટાફ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખેલાડીઓને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. ઇન્ડિયા-એ ટીમના ખેલાડીઓ તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બડોની, નિશાંત સિંધુ, વિપરાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિધ્ધ કિષ્ના, ખલીલ અહેમદ સાઉથ આફ્રિકા-એ ટીમના ખેલાડીઓમાર્ક્વેસ એકરમેન (કેપ્ટન), જોર્ડન હર્મન, સિનેથેમ્બા ક્વેશિલ, જેસન સ્મિથ, ડેલાનો પોટગીટર, કોડી યુસુફ, રુબિન હર્મન, રિવાલ્ડો મૂનસામી, લ્યુઆન-ડ્રે પ્રેટોરિયસ, ઓટ્ટનીલ બાર્ટમેન, બ્યોર્ન ફોર્ટ્યુન, ક્વેના માફાકા, ત્શેપો મોરેકી, મિહલાલી મ્પોંગવાના, એનકાબાયોમ્ઝી પીટર ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 5 ટી-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો.
પાટણમાં પદ્મનાભજી રાત્રીમેળો:હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, મેળાની રંગત જામી
પાટણ શહેરમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીનો સપ્તરાત્રી મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં પ્રજાપતિ સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે. છેલ્લા છ દિવસથી ચાલી રહેલા આ રાત્રી મેળામાં હજારો દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડતાં મેળાની રંગત જામી છે. કાર્તિકી પૂનમથી શરૂ થયેલા આ મેળામાં છઠ્ઠા દિવસે ભારે ભીડ જોવા મળી હતી. દૂર દૂરથી આવેલા પ્રજાપતિ સમાજના શ્રદ્ધાળુઓ મેળાની મજા માણી રહ્યા છે. પાટણ શહેર અને આજુબાજુના ગામોમાંથી આવેલા લોકોએ ચકડોળ, ચકરડી સહિતની વિવિધ રાઇડ્સમાં મનોરંજન મેળવ્યું હતું. આખો મેળો રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. ખાણી-પીણીના સ્ટોલ પર પણ લોકોએ વિવિધ વાનગીઓની મજા માણી હતી.
રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે બ્રાહ્મણ સમાજમાં પણ સંગઠનાત્મક ચળવળ શરૂ થઈ છે. ગુજરાતમાં આશરે 70 લાખની વસ્તી ધરાવતો આ સમાજ રાજકીય અવગણનાનો ભોગ બનતો હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે. ભાજપના શાસનકાળ દરમિયાન બ્રાહ્મણ સમાજના આગેવાનોને રાજકીય રીતે અવગણવામાં આવી રહ્યા હોવાના આરોપો વચ્ચે સમાજે સંગઠિત થવાનો નિર્ધાર કર્યો છે. આ સંદર્ભે સોમનાથ બ્રહ્મપુરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના અગ્રણી મિલન શુક્લા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તુષાર પંડ્યા, સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલચંદ્ર ભટ્ટ, ઉપપ્રમુખ જયપ્રકાશ જાની, સુજલ પાઠક અને મિલન જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે રાજકીય ક્ષેત્રે સમાજની અવગણના અંગે ચર્ચા થઈ હતી. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે રાજ્યના 95 ટકા બ્રાહ્મણો ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં, મંત્રીમંડળ કે સંગઠન સ્તરે બ્રાહ્મણ નેતાઓને પૂરતું સ્થાન મળતું નથી. આ પરિસ્થિતિમાં બ્રહ્મ સમાજે સંગઠિત થઈને પોતાના રાજકીય હક્કો માટે આંદોલનાત્મક રીતે માંગણી કરવાનો સંકલ્પ લીધો છે. આ માંગણીઓને વાચા આપવા માટે રાજ્યભરના બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા 7 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે એક વિશાળ બ્રહ્મ સમાજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતના બ્રાહ્મણ પરિવારોને જોડવા માટે વિવિધ જિલ્લાઓમાં બેઠકો યોજાઈ રહી છે. ગીર સોમનાથની બેઠકમાં સ્થાનિક આગેવાનોએ સમાજને આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાકલ કરી હતી. રાજકીય નિષ્ણાતોના મતે, બ્રાહ્મણ સમાજનું આ સંગઠન રાજ્યના રાજકીય સમીકરણો પર અસર કરી શકે છે. હાલ રાજકીય પક્ષોની નજર પણ બ્રહ્મ સમાજની આ ગતિવિધિઓ અને આગામી મહાસંમેલન પર કેન્દ્રિત છે.
છોટા ઉદેપુરમાં શિયાળાની શરૂઆતમાં જ ઠંડીનો પારો ગગડ્યો:લોકો તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા
છોટા ઉદેપુર જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાં જ ઠંડીનો પારો ગગડ્યો છે. કડકડતી ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ આજે અચાનક ઠંડીમાં વધારો થયો છે. આજે વહેલી સવારે 6 વાગ્યે તાપમાન ઘટીને 18 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. ઠંડીના આ ચમકારાને કારણે વહેલી સવારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા કરતા જોવા મળ્યા હતા.
વલસાડમાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે ₹1.30 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે વલસાડ શહેર પોલીસ મથકે મીત ટ્રાવેલ્સના સંચાલક ઈશ્વરભાઈ ભરૂચા વિરુદ્ધ BNSની કલમ 318(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી પ્રવિણ પટેલ ડ્રાઇવર તરીકે કાર્યરત છે. આશરે એક વર્ષ પહેલા તેઓ વિદેશમાં નોકરી મેળવવા ઈચ્છતા હતા. તેમના મિત્ર મુકેશ ભગુ પટેલ મારફતે તેમની ઓળખ વલસાડ સ્ટેશન રોડ પર આવેલી મીત ટ્રાવેલ્સના સંચાલક ઈશ્વરભાઈ ભરૂચા સાથે થઈ હતી. ઈશ્વરભાઈએ પ્રવિણભાઈને મંગોલિયા ખાતેની “Respected Mega Engineering Infrastructures Ltd.” કંપનીમાં હેવી ડ્રાઇવર તરીકે નોકરી અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. આ માટે તેમણે કુલ ₹1.30 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. પ્રવિણભાઈએ ઈશ્વરભાઈ ભરૂચાના બેંક ખાતામાં કુલ ₹1.30 લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. જેમાં 29 નવેમ્બર 2024ના રોજ ₹50 હજાર અને 12 ડિસેમ્બર 2024ના રોજ ₹80 હજારનો સમાવેશ થાય છે. આ રકમ મળ્યા બાદ, ઈશ્વરભાઈએ વોટ્સએપ દ્વારા ઓફર લેટર, વિઝા અને એરટિકિટ મોકલ્યા હતા. જોકે, મુસાફરીના નિર્ધારિત સમય પહેલાં ઈશ્વરભાઈએ 'ટિકિટ કન્ફર્મ નથી' તેમ કહી પ્રવાસ રદ કર્યો હતો. ત્યારબાદ તેમણે પ્રવિણભાઈને નોકરી કે પૈસા પરત આપ્યા નહોતા. પાસપોર્ટ પરત મળ્યા છતાં પૈસા પરત ન મળતા, પ્રવિણભાઈ પટેલે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વલસાડ શહેર પોલીસે આ છેતરપિંડીના મામલે ઈશ્વરભાઈ ભરૂચા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, આ પેકેજમાં માછીમારોને બાકાત રાખવામાં આવતા અમરેલીના જાફરાબાદ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાગરખેડૂતોએ સરકાર સમક્ષ ખેડૂતોની જેમ જ રાહત પેકેજ આપવાની માંગ કરી છે. જાફરાબાદ બંદર પર મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરે છે અને તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે સૂકવેલી માછલીઓમાં જીવાત પડી જતાં તેને ફેંકી દેવાની ફરજ પડી છે. ભારેથી અતિભારે વરસાદના કારણે ધરતીપુત્રોની સાથે સાગરખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે. જાફરાબાદના માછીમાર આગેવાન કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, સરકાર દ્વારા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરાયું છે. માછીમારો ત્રણ દિવસ સુધી માછલી સૂકવીને વેચે છે, પરંતુ વરસાદને કારણે જીવાત પડતાં તેને ફેંકી દેવી પડે છે. એક એક માછીમારને ઓછામાં ઓછું 1 લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે, અને જાફરાબાદમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. સોલંકીએ વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે અમને 'સાગર ખેડૂત' બનાવ્યા છે, તો ગુજરાત સરકારે પણ ખેડૂતોની જેમ સાગર ખેડૂતોને 'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' સમાન રાહત આપવી જોઈએ. જ્યારે સરકાર દરિયામાંથી પરત બોલાવે ત્યારે અમે તરત જ બોટ પરત લાવીએ છીએ, જેમાં અમારું ડીઝલ બળે છે. માછીમારોને જીવતા રાખવા માટે સરકારે કોઈક પેકેજ આપવું અત્યંત જરૂરી છે. અન્ય માછીમાર આગેવાન બશીરભાઈએ સરકારને વિનંતી કરતા જણાવ્યું કે, અમે વીસ વીસ વર્ષથી ભાજપ સરકારને મતદાન કરીએ છીએ અને તેમની સાથે છીએ. ડીઝલ માટે ચાર-પાંચ વખત ટોકન બંધ કરવામાં આવ્યા છે, જ્યારે અમને ૩૦૦ થી ૪૦૦ લિટર ડીઝલની જરૂર પડે છે. જાફરાબાદ એક જ ટોકનનું પાલન કરે છે. સાગરખેડૂતોને પણ 'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' સમાન સહાય મળવી જોઈએ.
વલસાડ જિલ્લામાં ₹5.29 કરોડથી વધુ કિંમતનો 1.99 લાખથી વધુ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. આ દારૂ 1લી જુલાઈથી 30મી સપ્ટેમ્બર, 2025 દરમિયાન પ્રોહીબિશન એક્ટ હેઠળ ઝડપાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કડક ચેકિંગ અભિયાન ચલાવીને આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા દારૂના મુદ્દામાલનો નાશ કરવા માટે નિયમ મુજબ SOP પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. સંબંધિત કોર્ટના હુકમો મેળવી પ્રાંત અધિકારીઓને રજૂઆત કરાઈ હતી. મંજૂરી હુકમો મળ્યા બાદ ભીલાડ RTO ચેક પોસ્ટ ખાતે પારડી, ધરમપુર અને વલસાડ વિભાગના પ્રાંત અધિકારીઓ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ તમામ થાણા અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ કરવામાં આવેલી આ કાર્યવાહી દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે કડક સંદેશો પહોંચાડવામાં આવ્યો છે.
પગલાં લેવા માંગણી:પાલનપુરના ગોબરી રોડ પર જાહેરમાં નાખી, બાળીને પ્રદૂષણ ફેલાવાય છે
પાલનપુર થી જગાણા ગામ તરફ જતા ગોબરી રોડ પર માર્કેટ યાર્ડ નજીક જાહેર માર્ગ પર કચરો ઠાલવવામાં આવે છે જોકે આ કચરો ઉઠાવવા માટેની સેનિટેશન વિભાગ દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહિશો રોજ અહીં કચરો બાળીને પ્રદુષણ સર્જે છે. આસપાસની સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્તિ કરતાં જણાવ્યું કે અવારનવાર અહીં કચરો સળગાવવામાં આવે છે ક્યારેક ક્યારેક તો ટાયર પણ સળગાવવામાં આવે છે. શિયાળામાં સાંજના સમયે ધુમાડો ઉપર જતો નથી અને હવામાં નીચેજ ફરતો રહે છે અને રોજ રોજ આ રીતે કચરો બળવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે. સેનીટેશન શાખા દ્વારા જાહેરમાં કચરો સળગાવવાની કામગીરી કરતા તત્વો સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.
ખાતર ડેપો પર કતારો:અમીરગઢમાં શિયાળુ પાકનું મોટાપાયે વાવેતર છતાં ખાતરની અછત
અમીરગઢ તાલુકામાં શિયાળુ પાકની વાવણી જોરશોરથી ચાલી રહી છે. ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાક માટે યુરિયા ખાતરની માંગમાં ભારે વધારો થયો છે. પરંતુ હાલ તાલુકાના વિવિધ ખાતર ડેપો પર ખાતરની અછતના કારણે ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહીને ખાતર મેળવવા મથામણ કરી રહ્યા છે. અમીરગઢ તાલુકામાં હાલ યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. શિયાળુ પાકનું મોટાપાયે વાવેતર શરૂ થતાં ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.આ તાલુકામાં ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાકનું મોટા પાયે વાવેતર થયું છે. આ પાકોને વાવણી સમયે તેમજ વાવણી પછી પણ યુરિયા ખાતર જરૂરી રહે છે. હાલ પુરવઠાની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.અરણીવાડા ગામના ખેડૂત મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,સારા વરસાદને કારણે આ વર્ષે યુરિયા ખાતરની થોડી શોર્ટેજ જોવા મળી રહી છે. સરકારને વિનંતી છે કે અગાઉના વર્ષોની જેમ તાત્કાલિક પુરવઠો સુનિશ્ચિત કરીને ખેડૂતોને રાહત આપવામાં આવે.
કામગીરી:પાલનપુર મીરા દરવાજા બગીચો તોડી હવેઅંડર ગ્રાઉન્ડ સંપ અને ટાંકી બનાવવાનું શરૂ
પાલનપુર શહેરમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે નવા સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઇ મીરા ગેટ બગીચો તોડીને હવે અહીં અંડરગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવનાર છે. જેને લઇ એજન્સી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યું કે અગાઉ પાલિકાની સાધારણ સભામાં પીવાના પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે નવા ટાંકા અને સંપ મંજૂર કરવામાં આવ્યા હતા. જેને લઇ કામગીરી ચાલી રહી છે. સંગ્રહ ક્ષમતા વધતા પીવાના પાણીની જે જરૂરિયાતો છે તે આવનારા સમયમાં પહોંચી વળાશે.
કાર્યવાહી:5 કરોડની નશીલી દવાઓ વેચી દેનાર કંપનીનું આરોપી દંપતી ઝબ્બે
બનાસકાંઠામાં નશીલા પદાર્થોના કાળા વેપાર મામલે કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો (CNB)ની નિમચ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર દવાઓના ઉત્પાદન અને વિતરણના કેસમાં વધુ બે આરોપીઓ અમદાવાદની એનડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક પત્ની સમીક્ષા મોદી અને તેના પતિ માર્કેટિંગ ડાયરેકટર સુનિલ મોદીની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રૂ. 3.80 લાખ રોકડા અને દવાઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુનિલ મોદી અને સમીક્ષા મોદીએ નશીલી દવાઓના વેચાણ માટે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામડાઓના યુવકોનો સંપર્ક કર્યો હતો. ધાનેરા અને થરાદથી અગાઉ જે બે યુવકો ઝડપાયા હતા તે હાલ પાલનપુર ની જેલમાં છે. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ફેબ્રુઆરી મહિનામાં ધાનેરા અને થરાદ વિસ્તારમાં રેડ કરીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા, જ્યાંથી અંદાજે 5 કરોડ રૂપિયાની પ્રતિબંધિત દવાઓ જપ્ત કર્યો હતો. તે પછીની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપીઓએ અમદાવાદની એન.ડી. ફાર્માસ્યુટિકલ કંપની ખોલી NDPS એક્ટ હેઠળની દવાઓનું ગેરકાયદેસર ઉત્પાદન અને સપ્લાય કર્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું કે નશીલી અને ગર્ભપાત માટે પ્રતિબંધિત દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓના ઘરો અને ગોડાઉનમાં પ્રતિબંધિત દવાઓ સહિત 3.80 લાખ રૂપિયાની રોકડ રકમ તથા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી હતી. પોલીસ તપાસ મુજબ અત્યાર સુધી આરોપીઓએ પાંચ કરોડની 42.51 લાખ ટેબ્લેટ માર્કેટમાં વેચાણ કરી દીધી છે. ઉપરાંત 15500 કોડીન દવા પણ માર્કેટમાં સપ્લાય કરી છે. સમગ્ર કાર્યવાહી બાદ કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમ અમદાવાદથી દંપતીની ધરપકડ કરીને પાલનપુરની કોર્ટમાં રજૂ કરી 7 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોના અધિકારી પ્રવીણ ધૂલે જણાવ્યું કે અમે જ્યારે થરાદ અને ધાનેરાથી આરોપીઓને પકડ્યા એના પછી જે દવાઓ મળી હતી તે લેબમાં પરીક્ષણ કરાવ્યું હતું અને તેમાં પ્રતિબંધિત ડ્રગ હોવાનું સામે આવ્યું હતું. અમે ત્યારથી જ દવાઓનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેને લઈ આરોપીઓની શોધખોળ કરી રહ્યા હતા. આખરે અમને સફળતા મળી છે. નશીલા પદાર્થોના નેટવર્કમાં જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલી રહી છે. અમદાવાદના ગોતામાં 2017માં ફાર્મા કંપનીની ઓફિસ ખોલી, ત્રણ વર્ષથી NDPS ડ્રગનું વેચાણ ચાલુ કર્યું હતું જુલાઈ 2017 માં સમીક્ષા સુનિલકુમાર મોદીએ રિટેલ બિઝનેસ અને હોલસેલ બિઝનેસમાં કંપનીનું રજીસ્ટ્રેશન કરાવ્યું. વાર્ષિક 10 કરોડના ટર્ન ઓવરની એનડી ફાર્માસ્યુટિકલ્સ કંપની ગોતામાં શરૂ કરીને શરૂઆતના વર્ષોમાં ફાર્મા કંપનીની દવાઓ સપ્લાય કરતા પરંતુ પાછલા ત્રણ વર્ષથી માર્કેટમાં પ્રતિબંધિત દવાઓ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. જેમાં અત્યાર સુધી પાંચ કરોડ ની 42.51 લાખ ટેબલેટ માર્કેટમાં સપ્લાય કરી વેચી હોવાનો ખુલાસો નાર્કોટિક્સ બ્યુરો એ કર્યો છે.
અટકાયત:વરાણા પાસેથી 2.58 લાખનો દારૂ ભરેલી ક્રેટા ગાડી પકડાઈ
સમી રાધનપુર હાઇવે પર વરાણા પીકઅપ સ્ટેન્ડ નજીકથી એલસીબીએ રૂ.2,58,960ના પર પ્રાંતીય દારૂનો જથ્થો ભરેલી ક્રેટા ગાડી પકડી પાડી હતી. દારૂ સાથે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી હતી. જોકે દારૂનો જથ્થો ભરી આપનાર સહિત ત્રણ શખ્સો વોન્ટેડ છે. પાટણ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે મળેલી બાતમી આધારે વરાણા પીકઅપ સ્ટેન્ડ નજીકથી એક ક્રેટા ગાડી પકડી હતી તેમાં તપાસ કરતા રૂ.2,58,960ની પરપ્રાંતિય દારૂની 1200 બોટલ મળી આવી હતી જેને પગલે પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના લાલપુર ગામના મહેન્દ્રસિંહ તનસિંગ રત્નુની અટકાયત કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર ભવાની સિંહ જોધપુર તેમજ વીરાવાના શ્રીરામ બિશ્નોઇ અને છાણિયાથર ગામના મહેશ માતમભાઈ ભરવાડ સામે સમી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી. દારૂ, ગાડી અને મોબાઇલ મળી કુલ રૂ.12,88,960નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો
ચાર શખ્સો પકડાયા:રાધનપુર પંથકમાં સોલાર પ્લાન્ટમાંથી ચોરેલા કેબલના જથ્થા સાથે ચાર શખ્સો પકડાયા
રાધનપુર વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટ માંથી ચોરાયેલા કેબલ સાથે રાધનપુર પોલીસે ચાર શખ્સોને પકડી પાડ્યા હતા તેમની પાસેથી રૂ.35,000નો કેબલનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીઓએ સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરી રાધનપુરમાં ભંગારના વાડામાં આપી દીધો હતો. રાધનપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો સોલાર પ્લાન્ટ માંથી કેબલ વાયરની ચોરી કરી રાધનપુર બજાજ શોરૂમની બાજુમાં આવેલા રામદેવ સ્ક્રેપ નામના ભંગારના વાડામાં ચોરી કરેલો કેબલ વેચ્યો છે જેને પગલે પોલીસે તે ભંગારના વાડામાં તપાસ કરતા ભરત જેઠાભાઈ મકવાણા નામનો શખ્સ મળી આવ્યો હતો જેની પોલીસે પૂછપરછ કરતા કેબલ નો જથ્થો ભાડીયાના વિપુલ વિનોદભાઈ ઠાકોર શ્રવણ વીરચંદભાઈ ઠાકોર પરેશ અમરતભાઈ ઠાકોર આપી ગયા હોવાનું જણાવતા પોલીસે તે ત્રણેય શખ્સો સાથે રાધનપુરના ભરત જેઠાભાઇ મકવાણાની અટકાયત કરી હતી અને રાધનપુર પોલીસ મથકે ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કોંગ્રેસની માગ:પાટણ પાલિકાનું જેટિંગ મશીન અન્ય જિલ્લાના ગામે મોકલતા હોવાની રાવ
પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા માટેનું પાલિકાનું જેટીંગ મશીન શહેરમાં ઉપયોગ કરવાના બદલે શહેરથી દૂર અન્ય જિલ્લાનાં ગામે મોકલાતા હોવાની રાવ સાથે શહેર કોંગ્રેસે નિયમ વિરુદ્ધ મશીન મોકલવા બદલ કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાટણ શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કર્યા હતા કે શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી હોય છતાં કામગીરી કરવામાં આવી રહી નથી પરંતુ પાલિકા દ્વારા 6 નવેમ્બરના રોજ દિવસભર ઊંઝા તાલુકાના વિશોળ ગામે ભૂગર્ભ ગટરની સાફ સફાઇ માટે પાટણ નગરપાલિકાનું જેટીંગ મશીન મોકલ્યું હતું. આ સમયે શહેર વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા વધી હોય નાગરિકોને વારંવાર રજૂઆત કરવા છતાં જેટીંગ મશીન ઉભરાતી ગટરોની ચેમ્બરમાં ઉપયોગમાં આવ્યું નહોતું. પરતું અન્ય જિલ્લાના ગામોમાં કામ માટે મોકલાઈ રહ્યું છે. વધુમાં કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું કે પાટણની જનતા દ્વારા માંગણી કરાતી હોવા છતાં જેટીંગ મશીન અપાતું નથી. નગરપાલિકામાંથી જેટીંગ મશીનને બહારગામ મોકલવા માટે કોઇપણ જાતનો ઠરાવ કરાયો નથી અને બહારગામ મોકલવા માટેની કોઇપણ કિંમત નક્કી કરી નથી.તેમ છતાં પાટણ નગરપાલિકાનાં વહીવટી તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર સાફ સફાઇ કરવાનું જેટીંગ મશીન ઊંઝાના વિશોળ ગામે કોના દ્વારા મૌખિક-લેખિત હુકમ કર્યો તે બાબતે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ.
ઉ.ગુ.માં ઠંડીનો દબદબો:ધ્રુજાવતી સવાર અને ઠંડકભર્યો દિવસ
ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો માહોલ સતત ઘેરાતો જાય છે. રાત્રીના તાપમાનમાં રોજબરોજ ઘટાડો નોંધાતાં લોકો હવે ધ્રુજાવતી ઠંડીનો અનુભવ કરવા લાગ્યા છે. શનિવારે પણ અડધા ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેના પરિણામે મુખ્ય પાંચ શહેરોમાં રાત્રીનું તાપમાન સરેરાશ 15.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. શુક્રવારના સૂર્યાસ્ત સાથે જ ઠંડકભર્યું વાતાવરણ છવાયું હતું, જે રાતભર યથાવત રહેતાં શનિવારની સવાર ધ્રુજાવતી ઠંડી સાથે શરૂ થઇ હતી. બીજી બાજુ, દિવસના તાપમાનમાં પણ પોણા ડિગ્રીનો ઘટાડો નોંધાતાં પારો 32.5 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. ઉત્તર-પૂર્વ દિશાથી સરેરાશ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનના કારણે અનુભવાતું તાપમાન 29.5 ડિગ્રી સુધી ઘટી ગયું હતું. પરિણામે દિવસ દરમિયાન પણ ઠંડકનો અહેસાસ રહ્યો હતો. દિવસ-રાતના તાપમાનમાં થયેલા આ તફાવતને કારણે હવે લોકો એસી અને પંખા બંધ કરી ગરમ કપડાંનો સહારો લેવા લાગ્યા છે. હવામાન વિભાગ મુજબ, આગામી એક સપ્તાહ સુધી રાત્રીના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી, એટલે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો દબદબો યથાવત રહેશે.
આમને-સામને:પાટણ પાલિકામાં ભાજપના સભ્યોના બે જૂથો પ્રદેશકક્ષાએ સામસામે રજૂઆત કરતાં વિવાદ વધુ વકર્યો
પાટણ નગરપાલિકામાં સામાન્ય સભામાં એજન્ડા ઉપર કામોના લેવાના મુદ્દે સત્તા પક્ષ ભાજપની બોડીમાં શરૂ થયેલો વિવાદ શાંત પડવાના બદલે હવે બે જૂથમાં આમને સામને આવી એકબીજા ઉપર ગંભીર આરોપો મૂકી બન્ને જૂથ અલગ અલગ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને કાર્યવાહી અંગે રજૂઆત કરતા વિવાદ વધુ વકર્યો છે. જેમાં જાહેરમાં સભ્યો વિકાસના કામના બદલે અંગત કામો સૌને રસ હોવાના એકબીજા સામે નિવેદનોના વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થતા લોકોમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. નગરપાલિકાના પ્રમુખ હિરલ પરમાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.જેમાં ભાજપના 6 સભ્યો કોંગ્રેસ સાથે મળીને વિકાસના કામો અટકાવી રહ્યા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે. સામે પક્ષે ભાજપના સભ્યો દ્વારા વળતા પ્રહાર રૂપે પાલિકા પ્રમુખ દ્વારા પોતાના અંગત કામો કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેમ જ તેમના ગ્રુપના સભ્યો પણ ભ્રષ્ટાચાર કરતા હોય તેના પુરાવા પણ હોવાના રાવ સાથે તેમની સામે કાર્યવાહી કરવા પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. જેમાં પાલિકા પ્રમુખ સામે કાર્યવાહી કરવા શૈલેષ પટેલ, મનોજ પટેલ, મુકેશ પટેલ મનોજ કે.પટેલ, હિના શાહ, બિપીન પરમાર, નરેશ દવે, સ્મિતા પટેલ, આશા ઠાકોર, રાજેન્દ્ર હિરવાણી, રમેશ પટેલ,ધર્મેશ પ્રજાપતિ,અનિલા મોદી 12 કોર્પોરેટરો સહીઓ કરી છે. ભાજપના 6 સભ્યો કોંગ્રેસ સાથે મળી કામો અટકાવી રહ્યા છે : નગર પાલિકા પ્રમુખપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે ભાજપના જ 6 નગરસેવકો વિકાસ વિરોધી ટોળકી બની વિરોધ કરી રહી છે.જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું તે દિવસથી ભાજપના આ 6 નગરસેવકો વિકાસનાં કામોમાં રોડા નાખતાં આવ્યા છે.જે કોંગ્રેસના 5 સભ્યોની મદદ લઈને બહુમતિ સાથે વિકાસના કામો નામંજૂર કરાવે છે.જેથી તેમની સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પ્રમુખે ભ્રષ્ટાચાર કર્યો છે તેના પુરાવા હોય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે : સભ્યો પાટણ નગરપાલિકાના સભ્યોના ગૃપ પૈકીના કોર્પોરેટર મનોજ પટેલે જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ તેમના ગુરુજી કહે તે પ્રમાણે નિવેદન બાજી કરી રહ્યા છે. આ પ્રમુખ પાટીદાર સમાજ વિરોધી માનસિકતા ધરાવે છે. અગાઉ પણ તેમણે પાલિકાના 10 કર્મચારીઓની બદલી કરી હતી. તેમાંથી 8 પાટીદાર હતા.પ્રમુખ મોટા ભ્રષ્ટાચાર કર્યા છે.જેના પુરાવા ફોટા સ્વરૂપે અને વીડિયો સ્વરૂપે છે.તેમની સામે પગલાં ભરવા માટે અમો 20 જેટલા સભ્યોએ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષને રજુઆત કરી છે પાલિકા પ્રમુખની વિરોધમાં ભાજપના આ 6 સભ્યોકોર્પોરેટર શૈલેષ પટેલ,મનોજ પટેલ,મુકેશ પટેલ,મનોજ એન.પટેલ,બિપીનભાઈ નરેશ દવે
ટ્રાફિક જામ:બલોલ રોડ પર ખાડો કરવા જેસીબી રોડ પર ઊભું કરી દેતાં ટ્રાફિક
હાલ પાલાવાસણા-કાલરી હાઇવેને ફોરલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને મીઠાથી કાલરી સુધીના રોડ પર ગણ્યે ગણાય નહીં તેટલા ખાડા પડેલા છે. જેને કારણે એસટી સહિતનાં વાહનોને સર્પાકાર ચલાવવા પડે તેવી જોખમી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાં શનિવારે બપોરે બલોલ પાસે રોડ પર પાઇપલાઇન માટે ખાડો ખોદવા જેસીબી રોડ પર ઊભું કરી દેતાં બંને બાજુ અડધો કિમી જેટલી વાહનોની લાઇન લાગી હતી. અડધા કલાક સુધી ટ્રાફિક બંધ રહેતાં લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું.
મુસાફરો મુશ્કેલીમાં:મહેસાણા રેલવે સ્ટેશનના શૌચાલય બંધ
મહેસાણા રેલવે સ્ટેશન પર આવેલા મહિલા અને પુરુષ શૌચાલય છેલ્લા 10 દિવસથી તાળાબંધ હોવાથી મુસાફરો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને મહિલા મુસાફરો માટે આ સ્થિતિ વધુ તકલીફજનક બની છે. સ્ટેશન પર આવનારા મુસાફરોને સ્વચ્છતા અને આરામની સુવિધાનો અભાવ અનુભવાઈ રહ્યો છે. મુસાફરોએ રેલવે અધિકા રીઓને શૌચાલય ખુલ્લા કરવા માંગ કરી હતી.
મહેસાણાના મુખ્ય હાઇવે પર બની રહેલા બ્રિજના કામને લઇ નાગલપુર પાટિયા પાસે વાહન વ્યવહારમાં ફેરફાર કરાયો છે. શનિવારે નાગલપુર પાટિયાની બીજી બાજુ પણ નવું ડાયવર્ઝન શરૂ કરાયું છે. મહેસાણાથી અમદાવાદ તરફ જતાં વાહનોને હવે મોઢેરા અંડરપાસથી નીકળ્યા બાદ પસાભાઇ પેટ્રોલપંપથી સર્વિસ રોડ થઇ વિકાસનગર પાટિયા સુધી જવાનું રહેશે. જ્યારે અમદાવાદ તરફથી આવતાં વાહનોને વિકાસનગર પાટિયાની સામેથી પકવાન હોટલ સુધી સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, નાગલપુર પાટિયા પર સામાન્ય વાહન વ્યવહાર ચાલુ રહેશે, જેથી હાઇવેની બંને બાજુથી આવતાં વાહનો નાગલપુર તથા બાયપાસ સુધી અવરજવર કરી શકશે. હજુ નાગલપુર પાટિયા નજીકનો રોડ અગાઉથી જ ખરાબ હાલતમાં હોઇ વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બન્યો છે. તેવામાં હવે ડાયવર્ઝન લંબાતાં રોંગ સાઇડથી આવતાં વાહનો અને આડેધડ પાર્કિંગના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.
કાર્યવાહી:કટોસણ રોડ માંથી 3.67 લાખનો દારૂપકડાયો
દેત્રોજ પોલીસ નાઈટ રાઉન્ડ પ્રેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સાથે બાતમી આધારે કટોસણ રોડ બજારમાંથી ગાડીમાં વિદેશી દારૂની બોટલ નંગ-1080 કિં. 3.67 લાખનો મુદ્દામાલ સાથે કુલ કિં.18,97,200ના મુદ્દામાલ સાથે ભજનલાલ બાબુલાલ બિશ્નોઈ (32) સો. રોહિલા વેસ્ટ તા.ધોરીમના જિ.બાડમેર રાજસ્થાન અને મુકેશ ભગવાનારામ બિશ્નોઈ (25)રહે. પુનાસા તા. ભીનમાલ જિ. જાલોરને પકડી લીધા હતા.
કમોસમી વરસાદે મહેસાણા જિલ્લાની 68907 હેક્ટરના પાકને અસરગ્રસ્ત કર્યો છે. જ્યારે 27686 હેક્ટરના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું છે. પાક નુકસાનીના સર્વે બાદ શુક્રવારે સરકારે રૂ.10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ચાર મહિનાની માવજત બાદ છેલ્લી ઘડીએ ખેડૂતોના મોંનો કોળિયો કમોસમી વરસાદે છીનવી લીધો છે. પાકની સાથે તેમાંથી નીકળતો ઘાસચારો પણ નથી બચ્યો. આ સ્થિતિમાં આર્થિક નુકસાનની સાથોસાથ હવે પશુઓને પૂરતો ઘાસચારાનું ગણિત પણ ખોટકાયું છે. એક બાજુ સિઝન બગડવાનું દુ:ખ અને બીજી બાજુ પશુઓની ઘાસચારાની ચિંતા કરતાં ખેડૂતો સાથે દિવ્ય ભાસ્કર દ્વારા સહાયને લઇ વાતચીત કરી હતી. જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.22 હજારની સહાય ઓછી લાગી છે અને ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયાનું દેવું માફ કરવા કે સહાયની આ રકમમાં વધારો કરવા કહી રહ્યા છે. આ સહાય નહીં ખેડૂતોની મશ્કરી છેસરકારે જાહેર કરેલ રકમ બિલકુલ યોગ્ય નથી. કારણ આ સહાય નહીં પણ ખેડૂતોની મશ્કરી કરી છે. હાલ ખેડૂતોની સ્થિતિ માવઠું પડ્યા પછી બહુ જ ગંભીર છે. પાક બગડવાની સાથે ભાવ પણ મળતા નથી, પાકનો યોગ્ય ભાવ અને પૂરેપૂરું વળતર મળે તો જ સહાય મળી કહેવાય>. અલ્પેશભાઇ સાંકળચંદ પટેલ, ફતેહ દરવાજા, વિસનગર ખેતી ખર્ચ સામે સહાય બહુ જ ઓછીસરકારે જાહેર કરેલી સહાય ખેતી કરવામાં થતાં ખર્ચ સામે બહુ જ ઓછી છે. કમોસમી વરસાદથી કપાસ, તલ અને ગવારના પાકને નુકસાન થતાં ખેડૂતોને ભારે મુશ્કેલી સહન કરવી પડી છે. સરકાર દ્વારા દવાઓ, ખાતર સબસિડી વધારવી જોઇએ અને વીજળીમાં હોર્સપાવરનો ભાવ ઘટાડવો જોઇએ.> પટેલ ગાંડાભાઇ ત્રિભોવનભાઇ, કુવાસણા, તા. વિસનગર ખેડૂતોને વ્યાજ સહાય કરવી જોઈએ કોઈ સરકારે દેવું માફ કરાય જ નહીં. સબસિડી, બિયારણ, વ્યાજ સહાય કરવી જોઈએ. સરકાર સહાય આપવાનું આયોજન કેવી રીતે કરશે એ સમજાતું જ નથી. જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકાર દરેક ખેડૂતને સહાય આપે જ છે તો એ પ્રમાણે રાજ્ય સરકાર સીધી ખેડૂતને સહાય બેન્ક ખાતામાં આપી શકે છે.> વિષ્ણુભાઈ પટેલ, કોલાદ, ઘાસચારો ખરીદવા પૈસા નથી બોરતવાડાનાં ખેડૂત મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે માવઠું થતાં ઘાસચારો સહિત મુખ્યત્વે અડદ મગ ગવાર જેવા પાક નિષ્ફળ ગયા છે.તેમાંય ખાસ કરીને પશુઓ માટે ખેતરોમાં કાપણી કરેલો તૈયાર ઘાસચારો પલડી જતાં ખરાબ થઈ ગયો છે. સહાય આભને થીગડું માર્યા બરાબરસરકારે કરેલી સહાય આભને થીગડું માર્યા બરાબરછે. ખેડૂતોના ખર્ચાની સામે આ કંઇ જ નથી. ખેડૂતોજે દવા, ખાતર અને બિયારણ ઉપર જીએસટી લે છેતે પ્રમાણે વળતર મળતું નથી. કમોસમી વરસાદથીચોમાસુ પાકો બગડ્યા છે અને નવા પાકના વાવેતરમાટે સમય રહ્યો નથી. સરકાર ખેડૂતોની મંડળીઓ કેબેન્કોની લોન માફ કરે તો જ સાચી સહાય ગણાય.> તુષારભાઇમોહનભાઇ પટેલ, વાલમ, તા.વિસનગર આટલી સહાયથી વાવેતર ખર્ચેય ન નીકળેમગફળીનો પાક નિષ્ફળ ગયો છે, ઘાસચારો પણ નથી બચ્યો. કોઇ પણ સરકાર ખેડૂતને ક્યારેય પૂરતું વળતર આપી ન શકે. સરકાર જે વળતર આપશે તે ઘાસચારાની ખરીદીમાં ટેકો સાબિત થશે. આટલી સહાયથી ખેડૂતોનો વાવેતરનો ખર્ચ પણ ન નીકળે. સરકાર જે આપે તે ખરું. > ચૌધરી ડાહ્યાભાઇ મોતીભાઇ, મેઉ, તા.મહેસાણા ગઈ સિઝનનું નુકસાન હજુ મળ્યું નથીકડી તાલુકામાં ડાંગરના પાકને ખૂબ નુકસાન થયું છે. 10 હજાર કરોડના સહાય પેકેજમાં કડી તાલુકાના ખેડૂતોને શું મળશે. ગઈ સિઝનમાં નુકસાન થયેલું એ પણ હજુ ચુકવ્યું નથી.> પ્રવિણ પટેલ, માણેકલાલ પટેલ, કડી ખેતરમાં બટાટાનું વાવેતર ફેલ થયુંદાંતીવાડા તાલુકાના રતનપુર ગામના મિથુનજી ઠાકોરે જણાવ્યું હતું કે ખેડૂતો માટે જે સહાય મંજૂર કરાઇ છે, તે પૂરતી નથી. પુર અને બાદમાં કમોસમી વરસાદથી વાવેતર નિષ્ફળ ગયા ખેડૂતો પાયમાલ બની ગયા છે. જેના લીધે આર્થિક વ્યવહારો સચવાઈ શકે તેમ નથી. વિસ્તારમાં બટાકાનું વાવેતર કર્યું હતું, તે પણ કમોસમી વરસાદથી ફેલ ગયું છે.હવે ફરી ખર્ચ કરી ખેતી કરવી પડશે.સરકાર હેકટર દીઠ સહાયની રકમ વધારે એવી અમારી માંગ છે. ઘાસચારો ખરીદવા પૈસા નથી : ખેડૂત
ગૌરવની વાત:ડૉ. મેહુલ જાનીનું સ્પેન ખાતે ભાવનગરનું ગૌરવ વધારતું આમંત્રણ
ડૉ.મેહુલ જાનીને ડેન્ટલ ટ્રિટમેન્ટ ક્ષેત્રે ઓરલ રિહેબિલિટેશનમાં ક્રાંતિ લાવી રહેલી આધુનિક કોર્ટિકોબેસલ (KOS) ઇમ્પ્લાન્ટ્સ ટેક્નોલોજી પર એક વિશેષ કોર્સ લેવા માટે સ્પેન ખાતે વક્તા અને ટ્રેનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય આમંત્રણ ખરેખર ભાવનગર માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે ડૉ. જાનીને શૈક્ષણિક અને વૈજ્ઞાનિક જગતની મુખ્ય વ્યક્તિઓ, જેમ કે સેવિલા યુનિ.ના ચાન્સેલર, કોલેજના ડીન અને સ્પેનિશ સોસાયટી ઑફ ઇમ્પ્લાન્ટોલોજીના પ્રમુખ, સાથે વાતચીત કરવાની અદ્ભુત તક મળી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે તબીબી અને ડેન્ટલ તાલીમના ભવિષ્યની દિશા તેમજ નવીનતમ વલણો વિશે ખૂબ જ ફળદાયી ચર્ચા કરી હતી. વધુમાં, ડૉ. જાનીને એક ખૂબ જ વરિષ્ઠ ડૉક્ટર સાથે વાત કરવાનો સન્માન મળ્યું હતું, જેઓ ડૉ. પેર-ઇન્ગવાર બ્રાનમાર્ક (આધુનિક ઇમ્પ્લાન્ટોલોજીના પિતા)ના સીધા વિદ્યાર્થી હતા. આ અંગે ડૉ. જાનીએ જણાવ્યું કે, જેમણે ઇમ્પ્લાન્ટોલોજીના ઉદ્ભવનો જાતે અનુભવ કર્યો હોય, તેમની સાથે ચર્ચા કરવી એક ખૂબ જ ભાવનાત્મક અનુભવ હતો. કોર્સમાં હાજરી આપનાર ડૉક્ટરોનો સમૂહ અસાધારણ હતો, ખાસ કરીને ડેન્ટલ ઇમ્પ્લાન્ટોલોજીમાં માસ્ટર્સ કરી રહેલા વિદ્યાર્થીઓની જિજ્ઞાસા, ઉત્સાહ અને ચર્ચાનું સ્તર ઉત્કૃષ્ટ હતું. તેઓએ કોર્ટિકોબેસલ ઇમ્પ્લાન્ટોલોજી (KOS)ના સિદ્ધાંતોને ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો. સ્પેનમાં આપેલ તેમના સફળ લેક્ચર બાદ, ડૉ. મેહુલ જાનીને પ્રતિષ્ઠિત સેવિલા યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી અને ટ્રેનર તરીકે જોડાવા માટે આમંત્રિત કર્યા છે. ડૉ. જાનીનું આ આંતરરાષ્ટ્રીય સન્માન તેમની નિપુણતાને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવે છે અને ભાવનગરનું ગૌરવ વધારે છે.
ધમકી આપી:આડાસંબંધની શંકાએ દંપતિને ધમકી આપી
ભાવનગર જિલ્લામાં આડાસંબંધની શંકાએ ધાક ધમકીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે જેથી દાંમ્પત્ય જીવનમાં પણ ખલેલ સર્જાઈ છે. આવો જ એક કિસ્સો તળાજામાં તાજેતરમાં નોંધાયો હતો. તળાજા પંથકમાં રહેતા એક મહિલાને તેના ખેતર માલિક સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી કઠવા ગામે રહેતો ઘનશ્યામ મથુરભાઇ ચુડાસમાએ મહિલાને ખેતરના માલિક સાથે સંબંધ નહીં રાખવાનું જણાવી, મહિલા તેમજ તેના પતિને ધારીયાથી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને મહિલાના યુવક સાથેના આડાસંબંધના ફોટો તેમજ વિડીયો કુટુંબીઓને દેખાડવાનું કહી, ચારીર્ત્રય ઉપર જેમતેમ બોલતા મહિલાએ કઠવા ગામના ઘનશ્યામ મથુરભાઇ ચુડાસમા વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રજાજન પરેશાન:મહુવામાં ડ્રેનેજ લાઇન, કચરો સહિતની સમસ્યાથી જનતા ત્રસ્ત
મહુવા શહેરના વોર્ડ નં.1-2-3 માં ડ્રેનેજ લાઇન તથા કચરો ઉપાડવા તથા વિવિધ પ્રશ્ને આપ દ્વારા મહુવાના ચીફ ઓફિસરને પત્ર લખી રજુઆત કરવામાં આવેલ છે. મહુવા શહેરના વોર્ડ નં.1 માં ડ્રેનેજ કનેક્શન તેમજ ડ્રેનેજ લાઇનનો તથા પાણીની લાઇનોનું ખોદકામ કરેલ છે પરંતુ તેનું પુરાણ કે આવી જગ્યાઓ ઉપર ગારો ન થાય, વોર્ડ નં.2માં ગટરના પાણી રોડ ઉપર ન વહે તેની વ્યવસ્થા કરવામાં આવે તથા સુકો કચરો અને ભીંના કચરાની ડોલો મુકવા, ગટરની લાઇનો સાફ કરવી તેમજ વોર્ડ નં.3માં ખરેડીયા મહોલ્લામાં પીવાના પાણીમાં ગટરનું પાણી વારંવાર ભળી જાય છે. કચરાની ગાડીઓ અંદર સુધી પહોચે અને તરવાડી કબ્રસ્તાનથી લઇ અને ભાદ્રોડના ઝાંપા સુધીના વિસ્તારમાં સાઇડના બ્લોક નાખવા તથા નીચાણવાળા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ઘરોમાં પાણી ઘુસ્યા હતા અને હજુ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલો હોય જેના નિકાલ કરવો વગેરે વિવિધ પ્રશ્નોનુ વહેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે આપ દ્વારા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવેલ છે.
મારમાર્યો:વલભીપુર પાલિકામાં મુકાદમને મારમાર્યો
વલભીપુર નગર પાલિકામાં અરૂણાબેન અશોકભાઇ વેગડ નોકરી કરતા હોય અને જે નગરાપાલિકામાં ટાઇમસર નોકરીમાં હાજર થતાં ન હોય જેથી નગરપાલિકાના મુકાદમ સુનીલભાઇ રાજેશભાઇ વેગડે નોકરીમાં સમય મુજબ આવવાનું કહેતા, અરૂણાબેનના પતિ અશોકભાઇ ઉર્ફે વીલીયમ બાલાભાઇ વેગડ અને તેમના પુત્ર પારસ અશોકભાઇ વેગડે એક સંપ કરી, વલભીપુર નગરપાલિકાના દાદરમાં જ સુનીલભાઇ વેગડ ઉપર જીવલેણ હુમલો કરી, ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થતાં સુનીલભાઇ વેગડે પિતા-પુત્ર વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સંતવાણી સન્માન સમારોહ:ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે
ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો પ્રત્યેનાં પોતાના લગાવનો ઉલ્લેખ કરી પ્રસન્નભાવે કહ્યું કે ભજનથી ભૂત ભાગે એટલે ભૂતકાળની ચિંતા જાય, ભવિષ્ય જાગે એટલે ભવિષ્યકાળ ઊજળો થાય અને વર્તમાન રહે આગે એટલે વર્તમાનકાળ પ્રગતિમાં રહે છે. મોરારિબાપુએ કહ્યું કે ભજનાનંદીને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહ હોતાં નથી અને મર્મ, ધર્મ અને કર્મ સમજાઈ જાય છે. કારતક વદ બીજ એ મોરારિબાપુનાં પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે તલગાજરડા ચિત્રકુટધામમાં સંતવાણી સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સંતવાણી વંદના સમારોહમાં સંતવાણીના આદિ સર્જકની વંદનામાં ભક્ત કવિ ગેમલદાસજી - ગેમલજી ગોહિલ ( પ્રતિનિધિ નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) તથા મંજીરા વાદક હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર) વર્ષ 2025 માટે મોરારિબાપુના હસ્તે સન્માનિત થયાં. મોરારિબાપુની પ્રેરણા સાથે યોજાયેલ આ સંતવાણી સન્માન સમારોહમાં સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષીએ પ્રાસંગિક વાતમાં ગેમલજીબાપુની રચનાઓનો સાથે ચરિત્ર ઉલ્લેખ કર્યો તેમજ આ ઉપક્રમણની તબ્બક્કા વાર ઉમેરણની વિગત જણાવી હતી. આ સન્માન અર્પણ વિધિ સમારોહમાં સંતો, મહંતો અને વિદ્વાનો તથા કલાકારોની ઉપસ્થિતિમાં ભજનિકો દ્વારા તેમની વાણીમાં સંતવાણીનો લાભ મળ્યો હતો.
નાની રાજસ્થળીની સરદાર ઇન્ડસ્ટ્રીઝ ખેડૂતો માટે દેવદૂત બની:ખેડૂતોની મગફળી 75 ટકા વળતર સાથે ખરીદાશે
પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામમાં આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝના માલિક યુનુસભાઈ મતવા દ્વારા ખેડૂતોની પોતાની મગફળી જે પણ કન્ડિશનમાં હોય બગડી ગયેલી, ખરાબ થઈ ગયેલી, પલળી ગયેલી હોય તેવી મગફળી ખરીદવા માટે નાની રાજસ્થળી ગામે આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીમાં 75 ટકાના વળતર સાથે સારા ભાવ આપી ખરીદી કરવામાં આવશે. સરદાર ઇન્ડસ્ટ્રીઝના માલિક યુનુસભાઈ મતવાએ જણાવેલ કે ગુજરાત ભરના ખેડૂતોને જે નુકસાની થઈ છે. તેના અનુસંધાને ખેડૂતોના પ્રેરણા સ્તોત્ર બની ખેડૂતોને પૂરતો ભાવ મળે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઉભો કરવામાં આવે તે માટેના પ્રયાસો કરવામાં આવશે તેમજ ગમે તેવી પલળી ગયેલી, ઉગી ગયેલી,ગોગડા થઈ ગયેલી અને ખરાબ થઈ ગયેલી મગફળી આખા ગુજરાતમાંથી વિના સંકોચે ખેડૂતોના હિતમાં 75 ટકા સાથે ખરીદવામાં આવશે અને પૂરતો ભાવ આપવા પ્રયાસ કરાશે. સવારના 8 કલાકથી રાત્રિના 10 કલાક સુધી અમારા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકશે તેમ યુનુસભાઇ મતવા દ્વારા જણાવવામાં આવેલ છે. તેમનો મોબાઈલ નંબર અને 90 99 91 91 91 તેમજ 98 98 75 65 80 છે તેના ઉપર ખેડૂતો ફોન કરી સંપર્ક કરી શકશે. આમ પાલિતાણાની નાની રાજસ્થળી ગામની સરદાર ઈન્ડ્રસ્ટ્રીઝ ખેડૂતો માટે દેવદૂત સમાન સાબિત થઈ છે.
વિપક્ષ નેતા દ્વારા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત:પાલિતાણા શહેરમાં ગટર સમસ્યા નિવારવા આંદોલનની ચેતવણી
પાલીતાણા શહેરમાં ઉતી થયેલી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાને લઈને નગરપાલિકા વિપક્ષ નેતા દ્વારા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. તંત્રની બેદરકારીને કારણે શહેરમાં ઊભા થયેલા રોગચાળાના ગંભીર ભય અંગે તાત્કાલિક ધ્યાન દોર્યું હતું વિપક્ષ નેતા કિરીટ સાગઠીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવાની ફરિયાદોની સંખ્યા 350 થી વધુ સુધી પહોંચી ગઈ છે, શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટરો ઉભરાઈને ગંદુ પાણી લોકોના ઘરો સુધી પહોંચ્યું છે. ખારો નદી ભરેલી હોવાથી ગટરનું પાણી શહેરમાં પાછું મારે છે, જેના પરિણામે સમગ્ર શહેરમાં અસહ્ય ગંદકી ફેલાઈ છે.ગંદા પાણીના કારણે શહેરમાં મોટા પાયે રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે. બાળકો, મહિલાઓ અને વડીલોનું સ્વાસ્થ્ય ગંભીર જોખમમાં મુકાયું છે અને અનેક વિસ્તારોમાં માંદગીના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે કિરીટ સાગઠીયાએ આક્ષેપ કર્યો કે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર કાગળ પર કામગીરી કરે છે અને સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર યોજના બનાવતું નથી. ત્યારે વિપક્ષ નેતા કિરીટ સાગઠીયાએ ચીફ ઓફિસરને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, નગરપાલિકાનું વહીવટી તંત્ર આ ગંભીર સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવે અને ગટરના કાયમી નિકાલ માટે યોગ્ય યોજના બનાવે અન્યથા જો આગામી 7 દિવસમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરીને લોકોને પડતી હાલાકી દૂર કરવામાં નહીં આવે, તો શહેરના સ્થાનિક લોકો સાથે મળીને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે, જેની સમગ્ર જવાબદારી તંત્રની રહેશે તેવી રજૂઆત વિપક્ષ નેતા દ્વારા ચીફ ઓફિસરને ગટરના પ્રશ્ન બાબતે કરવામાં આવી છે
મહુવા શહેરમાં ભારે વરસાદ પડતા શહેર અને તાલુકામાં પાણીનું સ્તર જમીનના તળ ઉંચા આવેલ છે. શહેરમાં છેલ્લા એકાદ માસથી કોમર્શિયલ બિલ્ડીંગોના બેઝમેન્ટમાં પાણી ભરાતા મોટર દ્વારા પાણી રોડ રસ્તાઓ ઉપર વહેતુ મુકવામાં આવે છે જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે અને રોગચાળો ઉભો થાય તેવી શહેરીજનોમાં દહેશત ઉભી થવા પામી છે. શહેરના મોટાભાગના કોમર્શિયલ બિલ્ડીંગોના બેઝમેન્ટમાં પાણી નિકળતા ગોઠણ કરતા પણ વધારે પાણી ભરાય છે અને ભારે મોટુ નુકશાન પણ થવા પામેલ છે. આવા દુકાનધારકો દ્વારા પાણી બહાર કાઢવા માટે મોટર મુકી રોડ રસ્તાઓ ઉપર છોડવામાં આવે છે. જે પાણી રસ્તાઓ ઉપર એકથી બે કીમી સુધી વહેતુ હોય છે. જેના કારણે વાહનચાલકો રાહદારીઓને આવન-જાવન કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે અને આ પાણી રોડ ઉપર ખાડાઓમાં દિવસો સુધી પડી રહેવાથી મચ્છરનો ત્રાસ પણ વધી રહ્યો છે અને રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. પાણી રોડ ઉપર છોડવાના બદલે આસ પાસમાં આવેલ ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવે તો રોડ ઉપર પાણી વહેતુ બંધ થાય જે અંગે નગરપાલિકા સત્તાધીશો દ્વારા ત્વરિત દંડનાત્મક કાર્યવાહી કરી યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ નગરજનો કરી રહ્યાં છે. રોડના પાણી સાથે ગટરનું પાણી ભળતા ગંદકી શહેરમાં રસ્તાઓ ઉપર પાણી વહેતુ હોય જેની સાથે ગટરનું પણ પાણી ભળતુ હોય છે. જેથી વહેલી સવારે મંદિરે દર્શન માટે જતા દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. રસ્તાઓ ઉપર પાણી રહેવાથી ગંદકી ફેલાઇ રહી હોય નગરપાલિકા દ્વારા સાફ સફાઇ કરી ડી.ડી.ટી., દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે.
2.03 કરોડની ઠગાઈ:મેનેજર, દલાલ, ટ્રાન્સપોર્ટરે 350 ટન લોખંડ સેરવી લીધુ
ભાવનગર જિલ્લાના સિહોર જી.આઇ.ડી.સીમાં આવેલ નવભારત રોલીંગ મીલના મેનેજરે ત્રણ વેપારી દલાલ, ટ્રાન્સપોર્ટર સાથે મળી કંપનીમાંથી બીલ મુજબના વજનનું લોખંડ ટ્રકોમાં ભરાવાને બદલે તેના કરતા વધારે વજનનું લોખંડ ટ્રકોમાં ભરાવી, ઉપરના વજનનું લોખંડ બારોબાર વેચાણ કરી, કંપનીના માલિક સાથે બે કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી આચરતા, કંપની દ્વારા મેનેજર, ટ્રાન્સપોર્ટર તેમજ ત્રણ વેપારી દલાલ વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભાવનગરના સિહોર જી.આઇ.ડી.સી.માં આવેલ નવભારત રોલીંગ મીલમાં મેનેજર તરીકે નોકરી કરતા મુળરાજસિંહ હરીચંદ્રસિંહ ગોહિલએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ એક દિવસ તેમની ફેક્ટરીએ ગયા તે વેળાએ તેમના કંપની મેનેજર અમોલ ગીરીશભાઇ ગુજરાથી (રહે. કાળિયાબીડ) કંપનીમાંથી દસ ટન બીલ મુજબની લોખંડનું સેક્શન ભરાવી રહ્યા હતા. પરંતુ મુળરાજસિંહે ટ્રકમાં જોતા દસ ટન કરતા વધુ વજનનું લોખંડ ભરાવ્યું હોવાની શંકા જતાં ટ્રકને વે બ્રિજ ઉપર ચડાવાયો હતો. જેમાં દસ ટનની બદલે ટ્રકમાં 21 ટન જેટલું વજન જોવામાં આવતા અમોલભાઇને કંપનીના માલિક વગેરે દ્વાર પુછપરછ હાથ ધરી હતી જેમાં અમોલ ગુજરાથીએ ટ્રાન્સપોર્ટર કરદેજ ગામનો વિશાલ સાટિયા, ત્રણ વેપારી દલાલો ભાવેશ ચૌહાણ, યોગેશ પરમાર અને મેહુલ પંડ્યા સાથે મળીને બીલના વજન કરતા વધુ વજનનું લોખંડ ભરાવી, ઉપરના વજનનું લોખંડનું બારોબાર વેચાણ કરી, દોઢ વર્ષમાં 350 ટન લોખંડ સેરવી લઇ, કંપનીના માલિક સાથે રૂા.2.03 કરોડની છેતરપિંડી આચર્યાની કબુલાત આપતા કંપનીના મેનેજર દ્વારા ચારેય શખ્સો વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ બે શખ્સોની ધરપકડ કરી, ત્રણની શોધખોળ શરૂ કરી છે. છેતરપિંડી કરી ચારેય શખ્સોએ રૂપિયા વહેંચી લીધાટ્રાન્સપોર્ટર અને ત્રણ વેપારી દલાલ તેમજ મેનેજર સહિતે દોઢેક વર્ષમાં 350 ટન લોખંડનું બારોબાર વેચાણ કરી રૂા. 2.03 કરોડની કંપનીના માલિક સાથે ઠગાઇ આચરી હતી. જેમાં મેનેજરને રૂા. 90 લાખ, ભાવેશ ચૌહાણ રૂા. 25 લાખ, ટ્રાન્સપોર્ટર વિશાલ સાટિયા રૂા. 28 લાખ, યોગેશ પરમારને રૂા. 25 લાખ તેમજ મેહુલ પંડ્યાએ રૂા. 35 લાખ ભાગમાં આવ્યા હતા. બે કર્મીએ નોકરી કરતા ટ્રેડર્સની દુકાન ખોલી નાંખીછેતરપિંડી કરનાર ભાવેશ ચૌહાણ અને યોગેશ પરમાર બંન્ને નવભારત રોલીંગ મીલમાં જ નોકરી કરતા હતા પરંતુ ટુંકાગાળામાં રૂપિયાની કમાણી કરવા માટે મેનેજર સાથે મળીને લોખંડ સેરવી લેવાની ભુમિકામાં ભાગ ભજવ્યો હતો અને જે બાદ ભાવેશ અને યોગેશે એક ચામુંડા ટ્રેડર્સ નામે દુકાન ખોલી ચોરી કરેલ લોખંડની દુકાનમાંથી વેચાણ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ભાસ્કર સૂચન:ઊંઝાની ઐઠોર ચોકડી નજીક ગાય સાથે બાઈક અથડાતાં પત્નીનું મોત, પિતા અને પુત્રને ઇજા
ગાંધીનગરથી બાઇક ઉપર બનાસકાંઠાના કીડોતર ગામે વતન જવા નીકળેલા પરિવારનું બાઈક ઐઠોર ચોકડી નજીક ગાય સાથે અથડાઈને સ્લીપ ખાઈ જતાં સવાર પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે પિતા, પુત્રને ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે ઉનાવા પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધ્યો છે. અમીરગઢ તાલુકાના કીડોતર ગામના કિસ્મતસિંહ ડાભી હાલ ગાંધીનગરના સરગાસણ ખાતે કેશવ પરિસરમાં રહે છે. 5 નવેમ્બરના રોજ બપોરે કિસ્મતસિંહ તેમની પત્ની આનંદબા અને પુત્ર ભદ્રવીરસિંહ સાથે બાઇક પર ગાંધીનગરથી કીડોતર જવા નીકળ્યા હતા. તેઓ મહેસાણા- ઊંઝા હાઇવે પર ઐઠોર ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગાય અચાનક રોડ પર આવતાં તેમણે બાઇકની બ્રેક મારી હતી. પરંતુ સ્પીડના કારણે બાઈક ગાય સાથે ભટકાઈને સ્લીપ મારી જતાં કિસ્મતસિંહ સહિત ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. ત્રણેયને 108માં ઉનાવા સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેમની પત્ની આનંદબાનું મોત નીપજ્યું હતું. ટુવ્હીલરની સ્પીડ 50ની મર્યાદામાં હોય તો બચાવ થઇ શકેમુસાફરી દરમિયાન અચાનક બ્રેક મારતાં કાર સહિતનું ચાર પૈડાંવાળું વાહન કાબૂમાં આવી શકે. પરંતુ, વધુ સ્પીડમાં બાઇક સહિત ટુ વ્હીલર સ્લીપ ખાઈ જાય છે. હાઇવે પર ટુવ્હીલરની સ્પીડ 50ની મર્યાદામાં ચલાવવામાં આવે તો અચાનક બ્રેક મારતાં કાબૂમાં આવી શકે છે.
સિંહ દેખાયા:પાલિતાણા શેત્રુંજય ડુંગર પર બે સિંહોએ દેખા દીધા
પાલિતાણા ક્ષેત્રીય વન વિભાગમાં પાલિતાણા રાઉન્ડ હેઠળ શેત્રુંજય ડુંગર તરીકે ઓળખાતા અને તેની આજુ-બાજુના આદપુર, ઘેટી, જીવાપુર, રોહીશાળા, ગણધોળ, ડુંગરપુર જેવા ગામોના ગૌચરણ તથા માલિકીના ડુંગરના સર્વે નંબર આવેલા છે. સિંહ, દીપડા, ઝરખ તેમજ અન્ય હિંસક પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. શેત્રુંજય ડુંગર પર કુલ અલગ-અલગ ધાર્મિક સ્થાનો આવેલા છે. ડુંગર ઉપર તથા આજુ-બાજુમાં કુલ 18 સિંહો પરિવાર વસવાટ કરે છે જે દરરોજ પોતાના લોકેશન બદલતા રહે છે ત્યારે આજે શેત્રુંજય ગીરીરાજ ઉપર આજે સવારના આઠ વાગ્યા આસપાસના સમયે કુમાર કુંડ પાસે સિંહ જોવા મળ્યો હતો જ્યારે સાંજના અરસામાં પદ્માવતી ટુંક આગળથી ચાલવાના રસ્તા ઉપર પણ જોવા મળેલ હતો. સિંહને જોતા યાત્રિકો અને ડોળીવાળાઓ થંભી ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવને શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ મનીષભાઈ કનાડીયાએ પણ સમર્થન આપેલ છે.
પાણી નહીં છોડાય:રૂપેણ નદીમાં ચેકડેમના કામને લઇ સિંચાઇ માટે પાણી નહીં છોડાય
સિરીઝ ઓફ ચેકડેમ અંતર્ગત રૂપેણ નદી ઉપર મહેસાણા તાલુકાના મોટીદાઉ તથા પાલોદર ગામે ચેકડેમનું કામ એકાદ મહિનામાં હાથ ધરાનાર છે. જેથી કામ શરૂ થયેથી પૂર્ણ ન થાય ત્યાં સુધી રૂપેણ નદીમાં સિંચાઇ માટે પાણી છોડવામાં નહીં આ વે તેવી જાહેરાત સુજલામ સુફલામ પેટા વિભાગ-6 મહેસાણા દ્વારા કરાઇ છે. અને તે અંગેની લેખિત જાણ નદીકાંઠાના 50થી વધુ ગામોના સરપંચોને કરાઇ છે. રવિ સિઝનના આરંભે જ તંત્રના આ નિર્ણયથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોઇ, રવિ સિઝન માટે સિંચાઈનું પાણી ચાલું રાખવા અને ચેકડેમનું કામ રવિ સિઝન પૂરી થયા બાદ શરૂ કરવા પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે વિભાગને લેખિત રજૂઆત કરી છે.
પોલીસ કાર્યવાહી:ઘરફોડ ચોરી કરનાર સિક્યુરીટી જબ્બે
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ રચના ફ્લેટમાં એકી સાથે બે ફ્લેટના તાંળા તોડી કોઇ અજાણ્યો શખ્સ સાડા ચાર લાખથી વધુની મત્તાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ જવાની ઘટના બનતા જેની નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જે પગલે પોલીસે તપાસ હાથ ધરતા રચના ફ્લેટના સિક્યુરીટી તરીકે ફરજ બજાવતો હર્ષદિપ ભુપતભાઇ ડાભી જ તસ્કર હોવાનું ખુલતા પોલીસે સિક્યુરીટી ગાર્ડની ધરપકડ કરી, તસ્કરીમાં ગયેલા ઘરેણાં કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાસ્કર વિશેષ:યાદી સુધારણા માટે પહેલીવાર મતદાર નહીં મળે તો વધુ બે વખત BLO તેમના ઘરની મુલાકાત લેશે
જિલ્લામાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) મતદાર યાદી સુધારણા ઝુંબેશ મંગળવારથી શરૂ થઈ છે. જે 4 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં BLO (બૂથ લેવલ ઓફિસર) ઘરે-ઘરે જઈ સુધારણાની કામગીરી કરશે. 6 તબક્કાની કામગીરી બાદ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ ફાઈનલ મતદાર યાદી પ્રકાશિત કરાશે. યાદી સુધારણા માટે પ્રથમવાર મતદાર નહીં મળે તો વધુ બે વખત મતદારની મુલાકાત લેશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અભિષેક પરમારે જણાવ્યું કે, એક મહિના દરમિયાન BLO પાસેથી મતદારે એન્યુમરેશન ફોર્મ ભરી આપવાનું રહેશે. ડ્રાફ્ટ યાદી બને ત્યાં સુધીમાં ફોર્મ નહીં ભરે તો નામ નીકળી જશે
પરિણીતાને અપાયો ત્રાસ:પરિણીતા ગર્ભવતી હોય સાસરિયાઓ દ્વારા મારકૂટની ફરિયાદ
ભાવનગર શહેરના રબર ફેક્ટરી પાછળ પિતાના ઘરે રિસામણે રહેતા શિફાબેન અલ્ફાઝભાઈ લાખાણી ના લગ્ન એકાદ વર્ષ પહેલા અમદાવાદ સરખેજ મુકામે રહેતા સલીમભાઈ હબીબભાઈ લાખાણી ના દીકરા અલ્ફાજ સાથે થયા હતા. બાદ તેના પતિ અલ્ફાઝભાઈ સલીમભાઈ લાખાણી, સસરા સલીમભાઈ હબીબભાઈ લાખાણી, સાસુ યાસ્મીનબેન સલીમભાઈ લાખાણી તથા નણંદ જુવેરીયાબેન અસરફભાઈ લોહિયા તેણીને ઘરકામ બાબતે તથા અન્ય નાની-મોટી વાતોમાં અવારનવાર હેરાન પરેશાન કરી મેણા ટોણા બોલી તથા ઝઘડો કરી માર કુટ કરી પિયર જતા રહેવાનું કઈ તેમજ છૂટાછેડા માટે દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી પહેરેલ કપડે પિયરમાં જતી રહેલ. તેમજ હાલમાં તેણીને સાત માસનો ગર્ભ હોવા છતાં તેણીની સાથે પતિ સહિત સાસરિયાંઓનો અસહ્ય ત્રાસ હોવાની ફરિયાદ તેણીએ મહિલા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
ગુજકેટની પરીક્ષા:29 માર્ચે રાજ્યમાં જિલ્લા કક્ષાએ પરીક્ષા સેન્ટરમાં લેવાશે ગુજકેટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યા બાદ ડિગ્રી ઇજનેરી ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. આગામી વર્ષે બોર્ડની પરીક્ષા લેવાયા બાદ ગુજકેટ તા. 29 માર્ચને રવિવારે લેવામાં આવશે. સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા દરમિયાન પરીક્ષા લેવાશે. ગુજકેટના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની તારીખ તથા માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઇટ www.gseb.org પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુજકેટ તા. 29 માર્ચને રવિવારે ભાવનગર સહિતના સેન્ટરો પર લેવામાં આવશે આ પરીક્ષા સવારે 10 વાગ્યાથી સાંજના 4 દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે લેવાનું આયોજન કરવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોનો અમલ થયો છે અને ncert આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલા પ્રવર્તમાન અભ્યાસક્રમ મુજબ ગુજકેટ પરીક્ષા લેવાશે. ત્રણ માધ્યમમાં ગુજકટે લેવામાં આવશેભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે 40 પ્રશ્નો ફીઝિક્સ અને 40 પ્રશ્નો કેમેસ્ટ્રીના હશે ઓએમઆર શીટમાં પણ 80 પ્રત્યુતર આપી શકો તે મુજબની રહેશે અને તે માટે બે કલાક ફાળવાશે. જ્યારે જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે તે માટેની OMR આન્સરશીટ અલગ અલગ અપાશે. OMR શીટ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુતરની રહેશે. ગુજકેટ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ 3 માધ્યમોમાં અપાશે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્તગુજકેટમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત લેવામાં આવશે આ બંને માટે 120 મિનિટ ફાળવાશે અને ભૌતિક વિજ્ઞાનના 40 અને રસાયણ વિજ્ઞાનના 40 પ્રશ્નો પૂછાશે. એવી જ રીતે આ બંનેના 40-40 મળીને 80 ગુણ રહેશે. જ્યારે જીવ વિજ્ઞાનના 40 પ્રશ્નો માટે 40 ગુણ હશે અને તેના માટે 60 મિનિટ અપાશે અને ગણિતના પ્રશ્નપત્રમાં પણ 40 ગુણ હશે અને તેના 40 પ્રશ્નોના જવાબ લખવા માટે 60 મિનિટ અપાશે.
આયોજન:મહેસાણામાં ટીબી રોડ પર 19 કરોડના ખર્ચે વધુ એક સ્પોર્ટસ સંકુલ તૈયાર થશે
મહેસાણા-1ની જેમ -2માં પણ ટીબી રોડ પર આવેલા નવરંગ ગ્રાઉન્ડ ખાતે રૂ.19 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા બીજું વધુ એક સ્પોર્ટસ સંકુલ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેને મનપાના વહીવટદાર એવા જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી છે. નવરંગ ગ્રાઉન્ડમાં જ્યાં પહેલા નવરાત્રી થતી હતી, ત્યાં મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક શહેરીજનો માટે સ્પોર્ટસ સંકુલ ઊભું કરવામાં આવનાર છે. પિંકલ કોર્ટ, સ્વિમિંગ પુલ, બેડમિન્ટન કોર્ટ, જીમ્નેશિયમ અને મલ્ટી ઉપયોગી એવા આ સ્પોર્ટસ સંકુલને રૂ.19 કરોડના ખર્ચે બનાવવા માટે શનિવારે કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિએ મનપાને મંજૂરી આપી હતી. આ સિવાય, શહેરના માનવ આશ્રમ ચોકડી વિસ્તારમાં શહેરમાં પ્રવેશતા માર્ગ ઉપર રૂ.6 થી 7 કરોડના ખર્ચે એક આકર્ષક અને ભવ્ય પ્રવેશદ્વાર બનાવવાનું આયોજન કરાયું છે.
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલ અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે શનિવારે વર્ષ 2082ની પ્રથમ સંકટ ચતુર્થીની ઉજવણી હજારો ભકતોના ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી અને સંકટ હરનારા દાદા પાસે આવીને શિશ નમાવ્યા.ભાવનગર જિલ્લામાં એક માત્ર કાળીયાબીડમાં ગણપતિ મંદિર અષ્ટવિનાયક સિધ્ધિ વિનાયક મંદિર આવેલુ છે. જીવનના તમામ સંકટોના નાશ કરવા માટે અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે ગણપતિ દાદાને ભકતો દ્વારા લાડુ ધરવામાં આવ્યા હતા., પુષ્પના હાર ચડાવવા, બહેનોનો સત્સંગ અને સમુહ ગણપતિ પાઠ કરી 108 દિવાની દિપ માળા સાથે ઉત્સવ આરતી કરીને ઉજવણી કરવામાં આવી હતી. સંકટ ચર્તુથીના દિવસે જે લોકોને જીવનમાં સંકટ આવતા હોય તે લોકોએ મંદિરએ આવીને મુશક દેવના કાનમાં મનોકામના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. તેવી શ્રધ્ધા સાથે ભાવનગર સહિત આજુ-બાજુના શહેરમાંથી પણ ભકતોએ આવીને મનોકામના કરી હતી. શનિવારે હજારો ભાવિકો ભકિત સાથે વ્રત રાખી પૂજન અર્ચન કર્યુ હતુ. વિધ્ન દૂર કરવા વ્રત કરાયા> બાળકોએ અભ્યાસ સિદ્ધિ માટે ચોથ રાખવી.> સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના સાથે વ્રત કર્યુ હતુ.> ધંધામાં રૂકાવટ અને વિધ્નને દૂર કરવા ભાઇઓએ પુજા પાઠ કર્યા> આ દિવસે લોકો સંકટ ચોથમાં. આખો દિવસ ફળ, જયુસ અને લીકવીડ પર રહ્યા બાદ રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિ દાદાની ગોળ, ભાખરીનો લાડુ ધરી લાડુની પ્રસાદી લઇ ચોથની પૂર્ણાહુતી કરી આ ચોથ કરવાથી સંકટોનો નાશ થાય છે.
GSEB:26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી ધો.10-12ની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.29 ફેબ્રુઆરીથી ધો.10, સંસ્કૃત પ્રથમા અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા પરીક્ષાનો આરંભ થશે. આ પરીક્ષા 16 માર્ચ સુધી લેવામાં આવશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવ્યો છે. ધો.10માં વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયના પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. તે માટે સમય સવારે 10 વાગ્યાથી બપોરના 1.15 કલાક દરમિયાન રહેશે. જેમાં પ્રથમ 15 મિનિટ પેપર વાંચવા માટે રહેશે. પરીક્ષાના પ્રથમ દિવસે સેન્ટર પર 30 મિનિટ વહેલા પહોંચી જવાનુ઼ રહેશે. બાકીના દિવસોમાં 20 મિનિટ વહેલા પહોંચવાનું રહેશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. જેમાં પ્રથમ ભાગમાં બહુવૈકલ્પિય એટલે કે ઓએમઆર પદ્ધતિથી 50 પ્રશ્નો હશે અને તેના ગુણ પણ 50 અને સમયગાળો 60 મિનિટ રહેશે. બીજા ભાગમાં 50 ગુણના વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો હશે. કમ્પ્યૂટર અધ્યયન સૈદ્ધાંતિકની પરીક્ષા ફક્ત ઓએમઆર પદ્ધતિએ લેવાશે અને તેમાં બહુવૈકલ્પિય પ્રકારના 100 પ્રશ્નો અને 100 ગુણ રહેશે. તે માટે 120 મિનિટનો સમય મળશે. ઓએમઆર શીટમાં ફક્ત કાળી કે ભુરી શાહીવાળી બોલપેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયોની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા તા.5 ફેબ્રુઆરીથી કમ્પ્યૂટર અધ્યયન (પ્રાયોગિક) વિષયની પ્રાયોગિક પરીક્ષા જે તે શાળા દ્વારા જ લેવાની રહેશે જેના ગુણ શાળાએ બોર્ડને તા.20 ફેબ્રુઆરી, 2026 સુધીમાં ઓનલાઇન મોકલવાના રહેશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહ ક્યા વિષયની પરીક્ષા ક્યારે લેવાશે ? ધો.12 સા.પ્ર.માં ક્યા વિષયની પરીક્ષા ક્યારે લેવાશે ?26 ફેબ્રુઆરી સહકાર પંચાયત, અર્થશાસ્ત્ર, 27 ફેબ્રુઆરી કૃષિ વિદ્યા, ગૃહ જીવન, તત્વ જ્ઞાન, 28 ફેબ્રુઆરી વાણિજ્ય વ્યવસ્થા 4 માર્ચ ઇતિહાસ, નામાના મૂળ તત્વો, 5 માર્ચ મનો વિજ્ઞાન, 6 માર્ચ સમાજશાસ્ત્ર, 7 માર્ચ ગુજરાતી અને અંગ્રેજી દ્વિતીય ભાષા, 9 માર્ચ રાજ્ય શાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર, 10 માર્ચ ગુજરાતી, હિન્દી સહિતની પ્રથમ ભાષા, 11 માર્ચ હિન્દી દ્વિતીય ભાષા, 12 માર્ચ એસપી અને વાણિજ્ય પત્ર વ્યવહાર, 13 માર્ચ ભૂગોળ, 14 માર્ચ ચિત્રકામ, કમ્પ્યૂટર અધ્યયન સહિતના વિષય, 16 માર્ચ સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત ભાસ્કર નોલેજપરીક્ષામાં કોઇ પણ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિઝિટલ ઘડિયાળ જેવા ઇલે. સાધનો પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં લઇ જવા પર મનાઇ છે. પરંતુ ધો.12 સાયન્સની પરીક્ષામાં સાદું કેલ્ક્યુલેટર લઇ જવાની છૂટ રહેશે. કોઇ પણ સાહિત્ય મળશે તો જરૂરી શિક્ષા કરવામાં આવશે. પ્રવેશિકા સિવાય કોઇ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવામાં આવશે. ધો.10માં ક્યા વિયષની પરીક્ષા ક્યારે લેવાશે ?26 ફેબ્રુઆરી ગુજરાતી, 28 ફેબ્રુઆરી વિજ્ઞાન, 4 માર્ચ સામાજિક વિજ્ઞાન, 6 માર્ચ બેઝિક ગણિત, 9 માર્ચ સ્ટાન્ડર્ડ ગણિત, 11 માર્ચ અંગ્રેજી, 13 માર્ચ ગુજરાતી દ્વિતીય ભાષા, 14 માર્ચ હેલ્થકેર, ટ્રાવેલ સહિતના વિષયો, 16 માર્ચ હિન્દી, સંસ્કૃત સહિતની દ્વિતીય ભાષા નોંધ : સમય સવારે 10થી બપોરના 1.15 સુધી રહેશે
હુમલો:કેવડિયામાં ગોડબોલે ગેટની સફાઇ કરતાં કર્મચારી પર મગરે બે વખત હુમલો કર્યો
સરદાર સરોવર નર્મદા ડેમ નજીક ગોડબોલે ગેટની સફાઈ કરનાર કર્મચારી પર અચાનક મગરે હૂમલો કરી દેતા કર્મચારી ઘાયલ થયો હતો.તેને સારવાર અર્થે એકતાનગરના ટ્રોમાં સેન્ટરમાં લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો. નર્મદા ડેમ ખાતે કામ કરતો રમેશ ધના તડવી (ઉ.43 વર્ષ) ગત રોજ ડેમથી ત્રણ કિમી દૂર આવેલો ગોડબોલે ગેટની સફાઈ કરી રહ્યો હતો.રમેશે એક પછી એક 4 ગેટની સફાઈ તો કરી લીધી હતી અને 5 માં ગેટની સફાઈ કરી રહ્યો હતો એ દરમિયાન મગરે અચાનક પાછળથી હુમલો કરી દીધો હતો. એ દરમિયાન રમેશે સમય સૂચકતા વાપરી ગેટની જાળી પકડી લેતા મગર એને પાણીમાં ખેંચી શક્યો ન્હોતો.જો કે ગેટની ઉપર ઊભેલા અન્ય કર્મચારીઓએ પથ્થરો મારતા મગર રમેશને છોડી દીધો હતો. જે બાદ પાછો બીજી વાર પણ મગરે હુમલો કર્યો હતો પરંતુ ત્યાં હાજર કર્મચારીઓએ મોટા મોટા પથ્થરો મારતા અંતે મગર પાણીમાં જતો રહ્યો હતો.આ ઘટનામાં રમેશને પીઠના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.આ ઘટના બાદ રમેશને તાત્કાલિક એકતાનગર સ્થિતિ ટ્રોમા સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવાયો હતો.અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો.હાલ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રમેશની સારવાર ચાલી રહી છે.
રોષ:ભરૂચના સિંધી સમાજે છત્તીસગઢના નેતા માફી માગે તેવી માગણી સાથે રેલી યોજી
છત્તીસગઢના નેતા અમિત બધેલે ભગવાન સાઈ ઝુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને કારણે ભરૂચ સહિત દેશભરના સિંધી સમાજમાં રોષ જોવા મળ્યો છે.29 ઓક્ટોબરના રોજ અમિત બધેલે સોશિયલ મીડિયા પર ભગવાન સાઈ ઝુલેલાલજી વિશે અભદ્ર અને આક્ષેપાત્મક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાથી સિંધી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી.આ ઘટનાના વિરોધમાં ભરૂચના સિંધી સમાજના અગ્રણીઓ, મહિલા સભ્યો અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે જો અમિત બધેલ તાત્કાલિક જાહેર માફી નહીં માંગે તો તેની વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. વિરોધ પ્રદર્શન દરમિયાન જય ઝુલેલાલના નારા લગાવવામાં આવ્યા હતા. સમાજના સભ્યોએ આક્ષેપિત વ્યક્તિને સજા કરવાની માંગ કરી હતી.
એક રાતમાં તાપમાનમાં વધુ 1 ડિગ્રીનો ઘટાડો:શહેરમાં રાતે ઠંડીનો પારો ગગડીને 19.2 ડિગ્રી થઇ ગયો
અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની અસર ઘટવાથી વાતાવરણમાં ભાવનગર શહેરમાં હવે ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને સૂકા તેમજ ઉત્તરના ઠંડા પવન શરૂ થતાં શહેરમાં ઠંડીનો પારો એક દિવસમાં વધુ એક ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને આજે 19.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાતના સમયે અને વહેલી સવારે ઠંડીનો ચમકારોનો અનુભવ થયો છે. આગામી દિવસોમાં શહેરમાં ઠંડીનો પારો વધુ ગગડતા ઠંડીની તીવ્રતામાં વધારો થશે. ઉત્તર-પૂર્વથી પૂર્વના સૂકા ઠંડા પવનો શરૂ થતાં રાતના સમયે 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 20.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 19.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઠંડીનો ચમકારાનો આરંભ થયો હતો. વહેલી સવારે અને મોડી રાત્રે શહેરમાં ઠંડા પવન સાથે શિયાળાનો આરંભ થયો છે. શહેરમાં મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 64 ટકા નોંધાયું જ્યારે સાંજના સમયે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 43 ટકા થઇ ગયું હતુ. સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે આજે સાંજે વધીને 12 કિ.મી. થઇ ગઇ હતી.
ભાવનગર સાથે અન્યાય:ભાવનગરની મુસાફરી જનતાને વંદે ભારત ટ્રેનની ફાળવણીમાં અન્યાય
સમગ્ર ભારતમાં 160 વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને જામનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, ઓખા, વેરાવળને તેની ફાળવણી કરવામાં આવેલી છે. ભાવનગરથી સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન ચલાવવાની લાંબા સમયથી પડતર માંગણી હોવા છતા પ્રીમિયમ ટ્રેન ફાળવણીમાં સરકાર અને રેલવે તંત્ર દ્વારા સુગ અનુભવાઇ રહી છે. વંદે ભારત ટ્રેન મુસાફરોની સુવિધાઓને ખાસ ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવી છે, ઉપરાંત તેથી ગતિને કારણે મુસાફરીના કલાકો ઓછા થઇ જાય છે. ભારતમાં વર્ષ 2019માં વંદે ભારત ટ્રેનો શરૂ થયા બાદ મુસાફરોમાં ભારે લોકપ્રિય બની રહી છે. ભાવનગર-સુરત વચ્ચે સામાજીક અને વ્યાવસાયિક વ્યવહારો દૈનિક ધોરણે હોય છે, અને તેના કારણે તેને ટ્વિન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સડક માર્ગે આ બંને શહેરો વચ્ચે દૈનિક ધોરણે હજારો મુસાફરોની આવન-જાવન રહે છે. તેથી દૈનિક ટ્રેનની ફાળવણી માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી સંતોષવામાં આવી નથી. તાજેતરમાં ભાવનગર-અયોધ્યા ટ્રેનને લીલીઝંડી આપવા ભાવનગર આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈશ્નવે પણ ભાવનગર-સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન ફાળવવાની ઘોષણા કરી હતી. હાલમાં અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન પર નવિનીકરણની કામગીરી ચાલી રહી હોવાનું કારણ આપવામાં આવ્યુ હતુ પરંતુ આ બંને સ્ટેશનો પર નવી ટ્રેનો તો ફાળવવામાં આવેલી જ છે તો શા માટે ભાવનગર-સુરત ટ્રેન માટે વિલંબ કરવામાં આવી રહ્યો છે તેના અંગે પણ પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. ગુજરાતના અનેક શહેરો અને નગરો હાલમાં દેશમાં કાર્યરત સૌથી ઝડપી ટ્રેન, વંદે ભારત એક્સપ્રેસ સાથે કનેક્ટિવિટી મેળવી ચૂક્યા છે. ગુજરાત અને પડોશી રાજ્યો રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દોડતી આ પાંચ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનો સાથે, રાજ્યના 18 શહેરો અને નગરો હવે વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જોડાયેલા છે. આ ટ્રેનો દ્વારા જોડાયેલા ગુજરાતના શહેરો અને નગરો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી, પાલનપુર, મહેસાણા, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર, દ્વારકા, ઓખા, જૂનાગઢ અને વેરાવળ છે. આ શહેરોમાં, અમદાવાદ પાંચેય વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સાથે કનેક્ટિવિટી ધરાવે છે, જ્યારે વડોદરા, સુરત, વાપી, રાજકોટ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર બે વંદે ભારત ટ્રેનો સાથે જોડાયેલા છે. તેનાથી વિપરીત, પાલનપુર, મહેસાણા, જામનગર, જૂનાગઢ, વેરાવળ, સોમનાથ અને દ્વારકા જેવા બાકીના શહેરોમાંથી ફક્ત એક જ વંદે ભારત ટ્રેન પસાર થાય છે. આમ ભાવનગરને રેલવેની આ સુવિધાની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો છે. વંદે ભારત ટ્રેન વિષે જાણો...વંદે ભારત એક્સપ્રેસ એ ભારતીય રેલ્વે દ્વારા સંચાલિત મધ્યમથી લાંબા અંતરની સેમી-હાઈ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન સેવા છે. તે એક આરક્ષિત, વાતાનુકૂલિત ચેર કાર સેવા છે જે 800 કિમી (500 માઇલ) કરતા ઓછા અંતરે આવેલા શહેરોને જોડે છે અથવા હાલની સેવાઓ સાથે મુસાફરી કરવામાં દસ કલાકથી ઓછા સમય લે છે. આ વાણિજ્યિક સેવાનું સત્તાવાર રીતે 15 ફેબ્રુઆરી 2019 ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરી રહેલા, બૂક કર્યા વિના માલસામાનની હેરફેર કરી રહેલા લોકો સામે ઓક્ટોબર માસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અને 7075 કેસ કરવામાં આવ્યા છે. રેલ્વે પર તમામ વાસ્તવિક નાગરિકોને મુશ્કેલીમાં મુક્તિ, મુસાફરી અને શ્રેષ્ઠ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે ભાવનગર મંડલ દ્વારા સતત સઘન ટ્રેનની તપાસ અભિયાન ચલાવવામાં આવે છે. ભાવનગર મંડલના ઉચ્ચ વ્યાપારી તંત્રની દેખરેખમાં ટિકિટ તપાસ દળો દ્વારા એપ્રિલથી ઑક્ટોબર 2025ના સમયગાળામાં વિવિધ ટિકિટ તપાસ અભિયાનના માધ્યમથી કુલ રૂપિયા 4 કરોડની રકમ પ્રાપ્ત થઈ છે, જે ગત વર્ષની તુલનામાં 73% થી વધુ છે, સાથે જ રેલવે બોર્ડ દ્વારા નિર્ધારિત લક્ષ્ય થી 34% થી વધુ છે. ભાવનગર મંડલના ઉચ્ચ મંડલના વાણીજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર 2025ના સમયગાળામાં ટિકિટ વિના મુસાફરી કરી રહેલા, બુક કર્યા વિના માલસામાનની હેરફેર કરવાના 7075 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 83.05 લાખ વસૂલ કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષે ઓક્ટોબરના આંકડાની સરખામણીમાં 136% થી વધુ છે. ગત વર્ષની તુલનામાં ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ટિકિટ ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે, અને ચેકિંગ સ્ટાફ સતત ચાલુ ટ્રેનમાં, પ્લેટફોર્મ પર કાર્યરત હોય છે અને ચેકિંગ કરવામાં આવે છે. ઉપરાંત અનુમતિ હોય તેનાથી વધુ વજનના જથ્થામાં સામાન લઇ જતા-આવતા મુસાફરો સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પાણી કાપ:ભરતનગર, સિંધુનગરમાં પાણી કાપ
ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ સારો એવો વરસાદ વરસતા જળાશયો પણ છલોછલ થઈ ગયા છે ત્યારે પાણીની કોઈ મુશ્કેલી રહી નથી. પરંતુ ગઈકાલે રાત્રે તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ પર પંપ ઇન્સ્ટોલ કરવા રાત્રે 12 થી સવારે 6 કલાક સુધી શટડાઉન કરતા તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ પરથી પાણી વિતરણ થતાં વિસ્તારો ભરતનગર અને સિંધુનગરમાં આજે સવારે પાણી વિતરણ થઈ શક્યું ન હતું. આજે નગરજનોને કોઈપણ પ્રકારની આગોતરી જાણ નહીં હોવાને કારણે વહેલી સવારે લોકો પાણીની કાગડોળે રાહ જોતા રહ્યા હતા.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત:લાંબા સમયથી ભાવનગર હવાઇ માર્ગે મેઇન શહેરોથી છુટુ પડી ગયું
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગરની એર કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થાય તે માટે વિવિધ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. વિમાની સેવાના અભાવે હાલ લાંબા સમયથી ભાવનગર જાણે હવાઇ માર્ગે મેઇન શહેરોથી છુટુ પડી ગયું હોય તેવી પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગરની એર કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થાય તે માટે સતત અને સઘન પ્રયત્નો થઇ રહ્યા છે. આ બાબતોને ધ્યાનમાં લઇ ગુજરાત રાજ્ય અને ભારત સરકારના વિવિધ વિભાગોને ચેમ્બર અનુરોધ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી મમતા વર્મા, પર્યટન વિભાગના સેક્રેટરીશ્રી રાજેન્દ્રકુમાર, ધોલેરા-સરના મેનેજીંગ ડાયરેક્ટર કુલદીપ આર્યા અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષ અને સી.ઈ.ઓ. રાજકુમાર બેનીવાલ તથા કેન્દ્ર સરકારના એમએસએમઈ મંત્રાલયના સેક્રેટરી એસ.સી.એલ. દાસ, સાંસ્કૃતિક મંત્રાલયના સેક્રેટરી વિવેક અગ્રવાલ તથા પોર્ટ્સ, શીપીંગ અને વોટરવેઈઝ મંત્રાલયનાં સેક્રેટરી વિજયકુમારને પત્ર પાઠવવામાં આવેલ છે. પાઠવવામાં આવેલ દરેક પત્રોમાં ભાવનગરની એર કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થાય તે માટે પ્રયત્નો કરવા અને તે અંગે તેમના તરફથી ભલામણ પત્રો ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે. શું ભાવનગરને એર કનેક્ટિવિટી જરૂરી ?ભાવનગર ખાતે એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ, પ્લાસ્ટિક, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ, ડાયમંડ, સોલ્ટ જેવા અનેક ઉદ્યોગો આવેલા છે. નજીકના ભવિષ્યમાં CNG અને કન્ટેનર ટર્મિનલનું નિર્માણ થનાર છે, જયારે વડાપ્રધાનનાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ધોલેરા-સર તથા લોથલ હેરીટેજ પ્રોજેક્ટ ભાવનગરથી નજીકના અંતરે આવેલા છે. આ ઉપરાંત પાલિતાણા, નિષ્કલંક મહાદેવ, ગોપનાથ, સાળંગપુર જેવા યાત્રાધામોનું ભાવનગર પ્રવેશદ્વાર છે તેથી ભાવનગર ખાતેથી એર કનેક્ટિવિટી સત્વરે પુનઃ સ્થાપિત થવી જોઈએ. હવાઈ સેવાની અન-ઉપલબ્ધીના કારણે વેપાર, મૂડીરોકાણ અને પર્યટન પ્રવૃત્તિઓને વિપરીત અસર પડેલ છે.
ભાસ્કર ગાઈડ:દેવ અગ્રવાલ સીએ ઇન્ટરમીડીએટની પરીક્ષામાં ઉર્તિણ
ભરૂચના માત્ર 20 વર્ષીય દેવ અગ્રવાલે સીએની ઇન્ટરમીડીએટ પરીક્ષામાં દેશમાં 33મો ક્રમ મેળવ્યો છે. તેેણે 600માંથી 443 ગુણ પ્રાપ્ત કર્યા છે. દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં દેવે તેની સફળતાના રહસ્યોને ઉજાગર કર્યા હતાં. દેવે જણાવ્યું હતું કે, તેઓ માત્ર 20 જ વર્ષ ના છે અને ધોરણ- 10માં અભ્યાસ વખતે જ નકકી કરી લીધું હતું કે, વિજ્ઞાન પ્રવાહમાં જવાના બદલે તેઓ ચાર્ટડ એકાઉટન્ટ બનવા માગે છે. સીએ બનાવવા લક્ષ્ય સાથે તેમણે મહેનત શરૂ કરી હતી અને ધોરણ-12માં આવતાની સાથે સીએના કલાસીસ શરૂ કરી દીધાં હતાં.તેઓના માતા અને પિતા તરફથી ઘણો સહયોગ રહ્યો છે. તેઓ દિવસમાં 10થી 12 કલાક માત્ર સીએના અભ્યાસ માટે ફાળવતાં હતાં. ચાર્ટડ એકાઉટન્ટ બનવા માટે પહેલાં સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપવાની હતી. જેમાં સપ્ટેમ્બર 2024માં પહેલા પ્રયાસમાં જ 400માંથી 314 ગુણ મેળવ્યા હતા. જે બાદ સીએ ઇન્ટરમીડિએટ પરીક્ષામાં ઉતીર્ણ થવાની મહેનત કરવાનું શરુ કરી દીધું હતું. હાલ પરિણામ આવ્યું છે તેમાં તેણે 600માંથી 443 ગુણ મેળવી દેશમાં 33 મો ક્રમ મેળવ્યો છે. વધુમાં દેવે જણાવ્યું કે, આપણને જે વિષયમાં રસ હોય તે વિષયમાં જ આગળ વધવું જોઇએ. મને રીટર્ન ઓફ વેલ્યુ વાળો વિષય ઘણો જ રસપ્રદ લાગે છે અને ઘણો સંઘર્ષ ભર્યો વિષય હોવાથી આ વિષય પસંદ કર્યો છે. સીએની પરીક્ષા માટે આ રીતે તૈયારી કરો કોરોના કાળમાં દરેક વસ્તુ ઓનલાઇન થઇ ગઈ હતી તેમ હાલ સીએ માટેના કોચિંગ ઓનલાઇન શરૂ થઇ ગયા છે. ભરૂચ શહેરમાં હાલ સીએ માટે કોઈ પણ કોચિંગ કલાસ નથી પણ ઓનલાઇન શિક્ષણ મેળવી શકાય તેમ છે. વિદ્યાર્થીઓએ આઇસીએઆઇની બોર્ડ ઓફ સ્ટડીઝની વિનામુલ્યે ઉપલબ્ધ ઇ- લર્નિંગ વેબસાઇટનો ઉપયોગ કરવો જોઇએ. દરરોજ ઓછામાં ઓછા 8 થી 10 કલાક નિયમિત અભ્યાસ કરવો. છેલ્લાં ત્રણ મહિના ફક્ત પુનરાવર્તન માટે ફાળવવા અને મૉક ટેસ્ટ પેપર્સ લખવાનો મહાવરો અત્યંત જરૂરી છે. સીએની એક્ઝામ ત્રણ તબક્કામાં લેવામાં આવે છે - ફાઉન્ડેશન- એન્ટ્રેન્સ, ઇન્ટર અને ફાઇનલ. પરીક્ષામાં પાસ થવા ટોટલના 50% અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 40% માર્ક ફરજીયાત લાવવાના હોય છે. આ ગુણ મેળવવા માટે સ્માર્ટ વર્ક કરવું ખૂબ જરૂરી છે. ખાસ પેપર લખવાનો મહાવરો કરવામાં આવે તો આ ગુણનો રેસિયો જળવાઈ રહે છે. > વ્રિન્દા વખારીયા, અધ્યક્ષ,ભરુચ બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઇઆરસી ઓફ આઇસીએ
શહેરના વિકાસની અવળીગતિ:ટનાટન રોડને સિલકોટ અને 2 મહિના પહેલા બનાવે રોડમાં ગાબડા
ભાવનગર કોર્પોરેશન દ્વારા આગામી ચૂંટણીને ધ્યાને રાખી વિકાસ કામોને આંધળો વેગ આપી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લાંબા સમયથી રોડ બન્યા નથી અથવા તો અતિશય બિસ્માર હાલતમાં છે. ત્યારે બીજી તરફ જ્યાં જરૂર જ નથી તેવા ટનાટન રોડને નવા બનાવવામાં આવી રહ્યા છે. ચોમાસા પૂર્વે ગત જુન માસના અંતમાં શહેરનો સત્યનારાયણ રોડ અને કમિશનરના બંગલાની બાજુમાં અશોક દવે માર્ગ બનાવવામાં આવ્યો હતો. ચોમાસાના વરસાદ બાદ પણ રોડની સ્થિતિ સારી હતી. ત્યારે હવે બંને રોડને સીલકોટ કરતા હાલત બગાડી નાખી છે. રોડ ધૂળધાણી થઈ ગયા છે. ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવ્યા ત્યારે એરપોર્ટ થી રૂપાણી સર્કલ સુધીના રોડ ટનાટન બનાવ્યા હતા. પરંતુ ઉતાવળે આંબા ન પાકે તેની જેમ રાતો રાત બનાવેલા રોડની ગુણવત્તા પણ જળવાઈ ન હતી. અને હજુ બે મહિના પણ નથી થયા ત્યાં મહિલા કોલેજ સર્કલ પાસેના રોડની અંદરથી નબળી ગુણવત્તા રોડ ફાડીને બહાર આવી છે. ડાયવર્ઝનને કારણે હેવી વાહનોના વાહન વ્યવહારને કારણે પણ રોડ તૂટવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં 486 કરોડના રોડ અને બ્લોકના કામ થયા છે. તે પૈકી અનેક રોડના હાલ બેહાલ થઈ ગયા છે.
ભાસ્કર નોલેજ:આમોદ તાલુકાના 15 ગામમાં વીજ કંપનીનાદરોડા, 25 લાખની વીજચોરી બહાર આવી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં 10 થી15 જેટલા ગામમાં ડીજીવીસીએલની વીજીલન્સની 41 ટીમે દરોડો પાડી વીજ ચોરી કરનાર 44 ને 25 લાખનો દંડ ફટકાર્યો. આમોદ તાલુકાના 15 જેટલા ગામમાં વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજીલન્સ ટીમે આમોદ તાલુકાના આછોદ, મછાસરા, રોઝા ટંકારીયા, નાહિયેર, ઇંટોલા, બુવા, નવાવાડીયા, માતર, તેગવા, નિણમ, રોધ, શ્રીકોઠી જેવા ગામોમાં દરોડા પાડી લંગર નાંખીને તેમજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી કરતા 44 કેસ ઝડપી પાડ્યા હતા. જેમાં વીજ ચોરોને કુલ 25.4 લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 41 વીજીલન્સ ટીમે પોલીસ સાથે રાખીને દરોડો પાડતા વીજ ચોરી કરતા તત્વો માં ફફડાટ ફેલાઇ ગયો હતો. વીજ કંપનીએ મીટર તેમજ સર્વિસ વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. વીજચોરી કેવી રીતે પકડવામાં આવે છેદર મહિને ફીડરના લોસીસ થતાં હોય છે એટલે કે વીજ વિભાગ 100 યુનિટ આપે તો તેની સામે બિલ કેટલા થયા જો 100ની સામે 80 યુનિટના બિલ થયા તો 20 ટકા વીજચોરી જે તે વિસ્તારમાં થતી હોવાનું સાબિત થાય છે. આવા ફીડરો અને તેમાં સમાવેશ કરાયેલાં ગામોને શોધી દરોડાઓ પાડવામાં આવે છે.તપાસ દરમિયાન વીજ વિભાગના કાયદાની કલમ 135 મુજબ ચોરી કરે છે તે સાબિત થઇ જાય તો મીટર અને સર્વિસ વાયર જપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ કોર્ટે રીકવરી માટે જણાવે તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. વીજ ચોરી કરનાર આપેલો દંડ ભરી દેવાથી ફરી મીટર લગાવી આપવામાં આવે છે.
વીજળીનું ડિજીટલાઈઝેશન:વીજળીના 623 ફિડરોનું ‘સ્કાડા’થી થશે મોનિટરીંગ
ભારત સરકારના ઊર્જા મંત્રાલય નિદર્શિત માર્ગદર્શિકા અનુસાર પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થાય તેવા આશય સાથે કરોડો રૂપિયાના ખર્ચે સ્કાડા (સુપરવિઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન) સિસ્ટમ હેઠળ વીજ વ્યવસ્થાપન તંત્રનું ડીજીટલાઇઝેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પી.જી.વી.સી.એલ.ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના સ્કાડાના પાયલોટ પ્રોજેક્ટને લઈ પસંદ કરાયેલા ભાવનગરમાં 11 કે.વી.ના 623 ઇલેક્ટ્રિક ફિડરોના પ્રારંભિક તબક્કાનું પરીક્ષણ શરૂ કરાયું છે. સ્કાડા દ્વારા વીજ વ્યવસ્થાપનના ડીજીટલાઇઝેશન સાથે ભાવનગર જિલ્લા સહિતના બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર શહેરના ગ્રાહકોને વીજળી પુરી પાડતા 11 કે.વી.ના 623 ઇલેક્ટ્રિક ફિડરોનું મોનિટરીંગ કરાશે . સ્કાડા પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં પસંદ કરાયેલ ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ તેમજ જામનગરમાં પાર્ટ-1 અને પાર્ટ-2માં હયાત વીજ વ્યવસ્થાપન તંત્રને અપગ્રેડ કરવા, આર.એમ.યુ. યુનિટ લગાવવા અને વીજળીના સ્માર્ટ મીટરો લગાવવા સહિતની અનેક મૂળભૂત કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે ત્યારે સંભવતઃ વર્ષ-2026ના અંત સુધીમાં સ્કાડા પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત બનશે. પીજીવીસીએલના ‘સ્કાડા’ પ્રોજેક્ટની ફેક્ટ ફાઈલ 4 સબ સ્ટેશનોનું પ્રારંભિક તબક્કાનું પરીક્ષણપી.જી.વી.સી.એલ.ના સૌરાષ્ટ્ર ઝોનમાં પસંદ કરાયેલ ભાવનગર શહેરમાં સ્કાડા પ્રોજેક્ટની પ્રારંભિક તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ ભાવનગર જિલ્લાના સિટી સબ સ્ટેશન, વરતેજ સબ સ્ટેશન અને સુરેન્દ્રનગર જિલ્લાના બે મળી કુલ ચાર સબ સ્ટેશનોનું પ્રારંભિક તબક્કાનું પરીક્ષણ શરૂ છે. > યશપાલસિંહ જાડેજા અધિક્ષક ઈજનેર, PGVCL ભાવનગર વર્તુળ કચેરી, ભાવનગર

31 C