SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

31stની લઈને અમદાવાદનો CG-રોડ અને સિંધુભવન-રોડ બંધ:તમામ વિસ્તારોમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર, જાણો ક્યાં વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશો

31 ડિસેમ્બરે લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કારણ કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાત્રિના સમયે નવા વર્ષની ઉજવણી કરવા મોટી જનમેદની ઉમટી પડતી હોય છે, જેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સી.જી.રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી 31 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી લગાવવામાં આવી છે. જ્યારે સિંધુ ભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાય લાઈન ચાર રસ્તા સુધીનો બંને તરફનો માર્ગ બંધ રહેશે. વૈકલ્પિક અવરજવર માટેનો રૂટસમથેશ્વર મહાદેવથી બોડી લાઇન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડી લઈને ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફ બંને બાજુનો રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરી શકાશે. પરંતુ સીજી રોડ ઉપર વાહનહંકારી શકાશે નહીં. મીઠાખળી સર્કલથી ગિરીશ કોલ્ડ્રીંક્સ ચાર રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડ થી સ્વસ્તિક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા થઈ સી.જી.રોડ જઈ શકાશે. નો ડ્રોન ફલાય ઝોન 27 ડિસેમ્બર સાંજે 6થી 28મીના રાત્રે 12 વાગ્યા સુધી અમલઅમિત શાહના પ્રવાસને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ડ્રોન, ક્વાડ કોપટર, પાવર્ડ એરક્રાફ્ટ, તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, પેરા મોટર, હોટ એર બલૂન ચલાવવાની કરવાની મનાઈ ફરવામાં આવી છે. નો ડ્રોન ફલાય ઝોન 27 ડિસેમ્બર સાંજે 6 વાગ્યાથી 28 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખીને આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેના સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે. સિંધુ ભવન રસ્તો બંધ રહેશેઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાય લાઈન ચાર રસ્તા સુધીનો બંને તરફનો માર્ગ પર 31 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી વાહનોની અવર-જવર માટે પ્રવેશબંધી લગાવવામાં આવી છે. વૈકલ્પિક અવરજવર માટેનો રૂટઝાઝરમાન ચાર રસ્તાથી અશ્વમેઘ બંગલો ચાર રસ્તા થઈ કાલી બારી મંદિર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાય લાઈન તરફ જઈ શકાશે. ઝાઝરમાન ચાર રસ્તાથી બાગમાં ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મધ્ય ભાગ થઈ શીલજ સર્કલ તરફ જઈ શકાશે. આ રસ્તો મોડીરાતના 3 વાગ્યા સુધી અવરજવર કરી શકશોતેમજ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ભારે તથા મધ્યમ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પેસેન્જર વાહન સિવાયના તમામ પ્રકારના વાહનો એસ.જી હાઈવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે પર 31 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી અવરજવર કરી શકશે નહીં. વાહનચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રિંગરોડનો ઉપયોગ કરવો પડશે. આ રોડ પર પાર્કિંગ પર પણ પ્રતિબંધ મુકાયોપકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના એસ.જી. રોડ અમે તેના સર્વિસ રોડ પર 31 ડિસેમ્બરના સાંજે 7 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઇસ્કોન ચાર રસ્તા સુધી રોડ પર ખાનગી લક્ઝરીના પાર્કિંગ પર પણ પ્રતિબંધ મુકાયો છે. જોકે ફરજમાં રોકાયેલા તમામ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સના વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. ઉત્તરાયણને લઈને જાહેરનામુંઅમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઉતરાયણના તહેવારને લઈને પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ પર કોઈપણ વ્યક્તિને બીજા અથવા ભય પહોંચાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં. તેમજ જાહેર માર્ગ પર દોડી પતંગ પણ પકડી શકાશે નહીં. ઉતરાયણના તહેવાર દરમિયાન અકસ્માતોની ઘટના બનતી રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોઈપણ વ્યક્તિ જો આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેના સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:05 am

તંત્રના પાપે યુવકનું ખુલ્લી ગટરમાં પડતા મોત:વડોદરાના માંજલપુરમાં 15 ફૂટ ઊંડી ખુલ્લી ચેમ્બરમાં યુવક પડ્યો, ફાયરનું લાઇવ રેસ્ક્યુ, યુવકનું મોત

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારમાં ગટરનો મેનહોલ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. જેમાં એક 40 વર્ષીય યુવક મેનહોલમાં પડી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવમાં ફાયર વિભાગની મદદથી 15 ફૂટ ઊંડી ચેમ્બરમાંથી 10 મિનિટમાં યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર મેનહોલને ખુલ્લું મૂકી દેવાયું હતુંવડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટાંકીની સફાઈની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન પાણીના નિકાલ માટે ગટરની ચેમ્બરનું મેનહોલ કવર ખોલી નાખવામાં આવ્યું હતું. જોકે, કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે ચેતવણીના બોર્ડ વગર આ મેનહોલને ખુલ્લું મૂકી દેવાયું હતું. પરિણામે, વિપુલસિંહ ઝાલા નામનો યુવક મેનહોલમાં પડી ગયો હતો.જેના લીધે યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે માત્ર 10 મિનિટમાં 15 ફૂટ ઊંડા ચેમ્બરમાંથી યુવકને બહાર કાઢ્યોસમગ્ર ઘટનાની જાણ થતાં જ વડોદરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે માત્ર 10 મિનિટમાં 15 ફૂટ ઊંડા ચેમ્બરમાંથી યુવકને બહાર કાઢ્યો હતો, બાદમાં તેને ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. આ મામલે માંજલપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. શું નાગરિકોના જીવની કોઈ કિંમત નથી?આ ઘટનાને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, આ માત્ર અકસ્માત નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે થયેલી હત્યા સમાન છે. શું નાગરિકોના જીવની કોઈ કિંમત નથી? જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં માગ ઊઠી છે. આ ઘટનાને લઇ માંજલપુર પોલીસે હાલમાં અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે મૃતક યુવકના પરિવારજન ગિરિરાજ ચુડાસમાએ જણાવ્યું હતું કે, તે મારા નાના સાઢુભાઈ છે. અમે બધા જમવા માટે ગયા હતા અને તેમને મને કહ્યું હતું કે, હું ગાડી પાર્ક કરીને આવું છું, તમે ઉભા રહો. ગાડી પાર્ક કરીને આવ્યા ત્યારે અંધારું ખૂબ હતું તેઓ મળ્યા ન હતા અને આસપાસ શોધ્યા તો ક્યાંય ન મળ્યા. અમે કોલ લગાવ્યો તો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. ત્યાં એક ગટરનું ઢાંકણ ખુલ્લું હતું અને ટોચ મારીને જોયું તો તેઓના બૂટ ઉપર તરતા હતા. એટલે અમે તરત જ ફાયર અને 108 ને કોલ કર્યો હતો. આ ઘટનામાં જે કોઈ જવાબદાર છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:03 am

પાટીદાર સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતાં વિરોધ:રડતા રડતા પિતાએ કહ્યું, મજૂરી કરી અહીં પહોંચાડી, પાછી આવ નહીંતર પસ્તાઈશ, કથીરિયા પણ સામે પડ્યા

પોપ્યુલર સિંગર કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈ કરતા તેના સમાજે બહિષ્કાર કર્યો હતો. આ જ રીતે હવે વધુ એક સિંગરના લવ મેરેજને લઈ વિવાદ થયો છે. સુરત શહેરની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ પ્રેમ લગ્નને લઈ સમાજ અને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે. આ સામાજિક વિવાદ વચ્ચે યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરીયાનું મહત્વનું અને સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનામાં યુવતી દ્વારા મળેલી સ્વતંત્રતાના દુરુપયોગ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમજ દીકરીના પિતાએ રડતા રડતા દિવ્ય ભાસ્કર સામે વ્યથા ઠાલવી હતી. આરતીના પિતા લેસ પટ્ટીનું કામ એટલે કે સાડીના જોબ વર્કનું કામ કરે છે. તેમને કુલ 5 દીકરીઓ અને એક દીકરો છે. જેમાં આરતી અને તેની બહેન ટ્વીન્સ છે. જેમાં આરતી નાની છે. જ્યારે ભાઈ સૌથી નાનો છે. આ અંગે આરતીના પિતાએ જણાવ્યું હતું કે, હું વિનંતી કરું છું કે, તું પરત આવી જા અને સમાજ આપણો આપણી સાથે છે. આપણો પરિવાર આપણી સાથે છે. જે ભૂલ થઈ હોય ઈ..ઈ ભૂલને સુધારી નાખ. હજી સમય છે અને તું પરત આવી જા. પિતા સાથે છેલ્લે આ વાતચીત થઈ હતી'છેલ્લી મારે 16 ડિસેમ્બરે બપોરે એક થી દોઢ વાગ્યે વિડીયો કોલમાં વાત થઈ. ભાવનગર પ્રોગ્રામ હતો અને ભાવનગરથી પ્રોગ્રામ પૂરો કરીને વિડીયોમાં વાત થઈ અને પછી એણે કીધું કે હું સાંજે બસમાં બેસી જઈશ પપ્પા, સવારમાં હું પહોંચી જઈશ. મેં એને કીધું કે તું કામરેજ પહોંચે એટલે મને ફોન કરજે હું તને લઈ જઈશ. આ છેલ્લી વાત મારે થઈ હતી. પછી ફોન સ્વીચ ઓફ થઈ ગયો એટલે પછી મેં એક દિવસ પછી ગુમ થયાની ફરિયાદ બપોરે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.' 'એણે મને વિશ્વાસ આપ્યો તો કે હું દીકરી નહીં તમારો દીકરો છું'દીકરી સાથે 21 ડિસેમ્બરે વાત થઈ હતી. તેણે મને કહ્યું કે, મને અહીં રહેવા દ્યો. મેં એને કીધું કોઈ પ્રેશર કંઈ પણ હોય તો કે.. પણ તું પાછી આવી જા. હજી કંઈ નથી થઈ ગયું, ભૂલ થઈ જાય છોકરાથી ભૂલ થઈ જાય. પણ તું પરત આવી જા હજી તારો બાપ છે ત્યાં સુધી પરત આવી જા. મેં તેના પર પૂરેપૂરો વિશ્વાસ મુકેલો હતો.. અને એણે મને વિશ્વાસ આપ્યો તો કે હું દીકરી નહીં તમારો દીકરો છું. 'મેં તેના પર વિશ્વાસ મૂક્યો હતો પણ તેને વિશ્વાસઘાત કર્યો છે''પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ બહુ જરૂરી છે, કેમ કે નાની બુદ્ધિમાં, નાની દીકરી હોય એને બુદ્ધિ ન ચાલે, તેને પસ્તાવાનું થાય...એના માટે બહુ સારું છે. મારી તો એક જ માંગ છે કે ગમે તે કરીને અને ભૂલ સુધારીને તું ઘરે પરત આવી જા, એ જ મારી માંગ છે. મેં તેના પર વિશ્વાસ મૂક્યો હતો પણ તેને વિશ્વાસઘાત કર્યો છે.' 'આરતીના માતા-પિતા 10 દિવસથી દીકરી માટે અત્યંત ચિંતામાં'અલ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું કે, આરતીના માતા-પિતા છેલ્લા 10 દિવસથી પોતાની દીકરી માટે અત્યંત ચિંતામાં છે. ગત 17મી ડિસેમ્બરના રોજ આરતીના પિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં દીકરી ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, દુઃખદ બાબત એ છે કે દીકરી પ્રત્યક્ષ રીતે માતા-પિતા સાથે વાત કરવાને બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરીને જવાબો આપી રહી છે, જે પરિવાર માટે આઘાતજનક છે. સફળતા પાછળ સમાજ અને પરિવારનો સિંહફાળોકથીરીયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આરતી આજે જે સ્ટેજ અને જે લેવલ પર પહોંચી છે, તેની પાછળ માત્ર તેની મહેનત નહીં પરંતુ તેના માતા-પિતા અને સમાજનો સિંહફાળો છે. જ્યારે વ્યક્તિ સમાજમાં કોઈ ચોક્કસ હોદ્દા કે સ્થાન પર હોય છે, ત્યારે તેના દ્વારા લેવાતા નિર્ણયોની સમાજ પર શું અસર થશે, તે વિચારીને પગલું ભરવું જોઈએ. અલ્પેશ કથીરીયાના મતે, હાલ જે ઘટના સામે આવી છે તેમાં પાટીદાર દીકરીએ તેને મળેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો છે. 'સામાજિક વ્યવસ્થા જાળવવા પ્રેમલગ્નમાં વાલીની સંમતિ જરૂરી'અંતમાં અલ્પેશ કથીરીયાએ પ્રેમલગ્નમાં માતા-પિતાની સહીના કાયદાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આવા કિસ્સાઓને કારણે જ પાટીદાર સમાજ સહિત 18 વર્ણના સમાજો સરકાર પાસે પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવતા કાયદાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સામાજિક વ્યવસ્થા જાળવવા માટે આ કાયદો કેટલો જરૂરી છે. 'પટેલ સમાજમાં બહુ રોષ છે, બહુ વિરોધ છે'આ અંગે હિરેન ભેસાણીયા નામના પાટીદાર સમાજના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, આરતી સાંગાણીનો જે વિવાદ ચાલી રહ્યો છે, જે અન્ય સમાજમાં લગ્ન કરીને ભાગી ગઈ છે, જેથી પટેલ સમાજમાં બહુ રોષ છે, બહુ વિરોધ છે. સોશિયલ મીડિયા દ્વારા એટલું જાણવા મળ્યું છે કે આરતી સાંગાણીને પટેલ સમાજમાંથી બહિષ્કાર કરો, એને પટેલ સમાજના કાર્યક્રમમાં બોલાવો નહીં. પટેલ સમાજના જ્યાં પણ કાર્યક્રમ હોય, ત્યાં જઈને પ્રોગ્રામમાં વિરોધ કરો, પ્રોગ્રામ બંધ કરાવો. આટલો પટેલ સમાજમાં સોશિયલ મીડિયા દ્વારા રોષ જોવા મળી રહ્યો છે. કોણ છે આરતીનો પતિ?દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને તબલા વાદક છે. બન્ને વચ્ચે દોઢ વર્ષ પહેલાં પ્રેમ પાંગર્યો હતો. ત્યાર બાદ 16 ડિસેમ્બરના રોજ દેવાંગ અને આરતી સાંગાણીએ લવ મેરેજ કરી લીધા હતા. આરતીના અનેક કાર્યક્રમોમાં દેવાંગ તબલા વગાડતો જોવા મળતો હતો. 'શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?'સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગ અને ટીકાઓને લઈને આરતી સાંગાણીએ એક વીડિયો મારફતે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયામાં તેમના વિશે ચાલી રહેલા વીડિયો અને કોમેન્ટ્સ સામે તેમને કોઈ વિરોધ નથી. પોતાની લાગણી વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. શું પ્રેમ કરવો કોઈ ગુનો છે? સમાજના અગ્રણીઓને આરતીનો વેધક સવાલવીડિયોમાં આરતીએ ખાસ કરીને પટેલ સમાજના અગ્રણીઓ અને યુવાનોને ટાંકીને એક નિવેદન આપ્યું છે. તેમણે સમાજમાં પ્રચલિત નારાનો ઉલ્લેખ કરતા પ્રશ્ન કર્યો હતો કે, તમે 'બેટી બચાવો, બેટી પઢાઓ'ની વાતો કરો છો, તો શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો કોઈ અધિકાર નથી? 'લાગણી દુભાઈ છે, તે બદલ હું તેમની માફી માંગુ છું'પોતાના પ્રેમ લગ્નના નિર્ણયથી અમુક વર્ગ નારાજ હોવાની વાત સ્વીકારતા આરતીએ નમ્રતા દાખવી હતી. તેમણે કહ્યું કે, અમે જે કાર્ય કર્યું છે તેનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને લાગણી દુભાઈ છે, તે બદલ હું તેમની માફી માંગુ છું. અંતમાં, આરતી સાંગાણીએ આશા વ્યક્ત કરી હતી કે લોકો તેમના આઝાદીથી અને સન્માનપૂર્વક જીવવાના અધિકારને સમજશે. આરતી સાંગાણીનો સમગ્ર વિવાદ શું છે?સુરતની જાણીતી સિંગર આરતી સાંગાણી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. જોકે, આ લગ્નને પગલે સોશિયલ મીડિયા પર તેમને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અને ઘણી જગ્યાએ ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ બાબતો વચ્ચે આરતી સાંગાણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને ટીકાકારોને જવાબ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:01 am

પોલીસ કમિશ્નરનું જાહેરનામું:બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગડર લોન્ચિંગ કામગીરીના કારણે અલકાપુરી ગરનાળુ 18 દિવસ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરમાં મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ C-5 પેકેજની સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે. કડક બજારથી અલકાપુરી ગરનાળા તરફના રોડ ઉપર ગડર લોન્ચિંગની કામગીરી કરવાની હોય હોવાથી અલકપુરી ગરનાળુ બંધ રહેશે. શહેરના અલકાપુરી ગરનાળા અંદરથી અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનોને તા.26/12/2025 થી તા.12/01/2026 સુધી ટ્રાફિક ડાયવર્જન આપવા આવ્યું છે. આ કામગીરી દરમ્યાન શહેરી જનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પ્રતિબંધીત રસ્તો કડકબજાર નાકાથી અલકાપુરી ગરનાળા થઈ અલકાપુરી રોડ તરફ જઈ શકાશે નહી. વૈકલ્પિક વ્યવસ્થા કડકબજાર નાકાથી રેલવે સ્ટેશન તરફ તથા કાલાઘોડા થી ડેરીડેન સર્કલ, સુર્યા પેલેસ હોટલ ચાર રસ્તા, જેતલપુર બ્રિજથી વલ્લભચોક થઈ જે-તે તરફ જઈ શકાશે. પ્રતિબંધીત રસ્તો પ્રોડક્ટીવીટી નાકા થી અલકાપુરી ગરનાળા થઈ સયાજીગંજ રોડ- સ્ટેશન તરફ જઈ શકાશે નહી. વૈકલ્પિક વ્યવસ્થા પ્રોડકટીવીટી નાકા થી વલ્લભ ચોક ચાર રસ્તા થઈ જેતલપુર બ્રિજ થઈ જે-તે તરફ જઈ શકાશે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 11:09 pm

વર્ષના અંતિમ દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે:ચૂંટણી પૂર્વે 45 કરોડના વિકાસકામોની લાણી, ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 54 એજન્ડા રજૂ થશે

ભાવનગર મહાનગરપાલિકા ખાતે આગામી તા. 31 ડિસેમ્બરના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, જેમાં અંદાજિત 45.37 કરોડના વિવિધ વિકાસકામોને મંજૂરી આપવામાં આવશે. શહેરમાં રોડ રસ્તા, ડ્રેનેજ, પાણી સહિત પ્રાથમિક સુવિધાના અનેક કામોને મંજૂરી આપવા અંગે ચર્ચાઓ થશે, ત્યાર બાદ તમામ વિકાસ કામોને લીલીઝંડી આપવા અંગે નિર્ણય થશે. સ્ટેન્ડિંગ કમિટીમાં 54 વિકાસલક્ષી એજન્ડા પર ચર્ચાઆગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે શહેરમાં અનેક વિકાસકામોની લાણી થઈ રહી છે, ત્યારે આગામી તા.31 ડિસેમ્બરના રોજ ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, જેમાં 54 વિકાસલક્ષી એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક, રિકાર્પેટ કરવાના કામો, પેવર રોડના કામો, ડ્રેનેજ વિભાગના સ્ટોરરૂમનું બાંધકામ, અકવાડા 1.50 એમએલ કેપેસિટીની ઇએસઆર અને 2 એમએલ કેપેસિટીનો સંપ બનાવવા સહિત અનેક કામોને આગામી 31 ડિસેમ્બરના મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવા અંગે મહત્વના નિર્ણય કરવામાં આવશે. આ સાથે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (આઈ.સી.સી.સી.), સી.સી.ટી.વી. સર્વેલન્સ સિસ્ટમ, ઓ.એફ.સી. નેટવર્ક અને અન્ય આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ (પાંચ વર્ષનાં ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથે) માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ તરીકે એજન્સીની નિમણૂંક કરવા મંજુરી આપવા અંગે નિર્ણય કરવામાં આવનાર છે. તેમજ પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના હેઠળ ભાવનગર શહેરને 100 ઈલેક્ટ્રીક બસોના સુચારૂ સંચાલન માટે રકમ રૂપિયા 14,68,08,000 + જી.એસ.ટીના ખર્ચથી ફેર કલેક્શન એજન્સી ની નિમણૂંક કરવાની મંજુરી આપવા અંગે પણ નિર્ણય કરવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 10:56 pm

પશ્ચિમ વિસ્તારમાં ત્રણ અકસ્માતમાં ચારનાં મોત:શીલજ, ઇન્કમટેક્સ અંડરબ્રિજ અને સાબરમતીમાં યુવકો અને આધેડના કરુણ મોત, પોલીસ તપાસમાં

અમદાવાદ શહેરમાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ યુવક અને એક આધેડનું અકસ્માતમાં મોત થયું હતું. ઇન્કમટેક્સ અંડરબ્રિજમાં પેંડલ રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં આધેડનું મોત થયું હતું. સાબરમતી વિસ્તારમાં પૂરપાટ ઝડપે બાઇક ચાલક ટેમ્પો સાથે અથડાયો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું. શીલજમાં સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યા બાદ દિવાલ સાથે ધડાકાભેર અથડાતા બાઇક પર સવાર બે યુવકના મોત થયા હતું. ત્રણેય અકસ્માતની ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પેંડલ રિક્ષામાં બાઈક ઘૂસી જતા અકસ્માત સર્જાયોવસ્ત્રાપુરમાં રહેતા 52 વર્ષીય પ્રકાશ સંતાની પરિવારને બાઇક પર લઈને જઈ રહ્યા હતા. 25 ડિસેમ્બરે પરિવાર સાથે બાઇક લઈને ઇન્કમટેક્સ પહોંચ્યા હતા. જ્યાં અંડરબ્રિજમાં અકસ્માત સર્જાયો હતો. પથ્થર ભરેલી પેંડલ રિક્ષામાં બાઈક ઘૂસી જતા 52 વર્ષીય પ્રકાશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી, તેમણે તત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, અન્ય લોકોને સામાન્ય ઇજા જ પહોંચી હતી પરંતુ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. અકસ્માતમાં પ્રકાશભાઈનું મોત થયા બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે. કાંકરિયામાં ટેમ્પોએ બાઈકને અડફેટે લીધીતો સાબરમતી વિસ્તારમાં રહેતા નીતિનકુમાર પ્રજાપતિ 25 ડિસેમ્બરે ટેમ્પો લઈને નીકળ્યા હતા. નીતિનભાઈ કંપનીનો ટેમ્પો લઈને સામાન આપવા માટે કાંકરિયા તરફ જઈ રહ્યા હતા. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલા સંદીપસિંહે અકસ્માત સર્જ્યો હતો. બાઈક લઈને આવેલા સંદીપસિંહનો ટેમ્પો સાથે અકસ્માત થતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ લોકોની ટોળું પણ ભેગું થઈ ગયું હતું. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બાઈકની સ્પીડ વધુ હોવાથી કાબૂ ગુમાવતા બાઇક સીધી દીવાલ સાથે ધડાકાભેર અથડાઈત્રીજો અકસ્માત શીલજ વિસ્તારમાં સર્જાયો હતો. બાઈક પર બે યુવકો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા. બાઈક પર કલોલમાં રહેતો 19 વર્ષીય અરવિંદ કટારા અને 18 વર્ષીય શૈલેષ ડામોર સવાર હતા. બંને યુવકો બાઇક પર શીલજ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન શીલજ કેનાલ પર બાઈકની સ્પીડ વધુ હોવાથી કાબૂ ગુમાવતા બાઇક સીધી દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેથી સારવારમાં બંને યુવકોના મોત થયા હતા. જેને લઇને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 10:48 pm

વિશ્વ ઉમિયા ધામમાં પાટીદાર યુવા મહાસંમેલન:7 દેશના યંગ બિઝનેસમેન ભેગા થશે, અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સ્વદેશી ઉત્પાદનનો સંકલ્પ

સમગ્ર પાટીદાર સમાજના યુવાનોને એક મંચ પર લાવી તેમની શક્તિ ,વિચાર શક્તિ અને વ્યાવસાયિક ક્ષમતાને એક સાથે જોડવાના હેતુથી વિશ્વ ઉમિયા ધામ દ્વારા અમદાવાદમાં 28 ડિસેમ્બરે ભવ્ય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન સમાજના ઇતિહાસમાં એક માઈલસ્ટોન સાબિત થવાનું માનવામાં આવી રહ્યું છે. દેશભરમાંથી એક લાખથી પણ વધુ બિઝનેસમેન એક પ્લેટફોર્મ પર ભેગા થશે અને 20,000થી વધુ યુવા બિઝનેસમેન મહાસંમેલનમાં ભાગ લેશે. વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાંથી 4,000 પાટીદાર યુવકો જોડાશે. આ સંમેલનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે તથા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યવાહક શૈલેષ પટેલ, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયા હાજરી આપશે. બિઝનેસમેન અને યંગ એન્ટરપ્રિન્યોસર્ને VUF બિઝનેસ નેટવર્ક દ્વારા એક સાથે જોડીશુંઆ સંમેલનમાં માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજના આર્થિક શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટેનું એક સંકલ્પ મંચ બનશે વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત આ યુવા સંમેલન સમસ્ત પાટીદાર સમાજમાં એકતા સંગઠન અને સમર્પણ નો સંદેશ આપશે આ અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા આર પી પટેલે કહ્યું કે મહાસંમેલનમાં અમેરિકા , કેનેડા ,યુ એ ઇ ,ઓસ્ટ્રેલિયા , કેનેડા આફ્રિકા , બ્રિટન અને ભારત સહિતના તમામ બિઝનેસમેન અને યંગ એન્ટરપ્રિન્યોસર્ને VUF બિઝનેસ નેટવર્ક દ્વારા એક સાથે જોડીશું. ઉદ્યોગપતિઓ એકસાથે સ્વદેશી પ્રોડક્ટના ઉત્પાદન અને પ્રોત્સાહનનો સંકલ્પ લેશેવિશ્વ ઉમિયા ધામ ખાતે યોજનારા યુવા સંમેલનમાં હાજર એક લાખથી વધુ પણ યંગ બિઝનેસમેન અને યુવક ઉદ્યોગપતિઓ એકસાથે સ્વદેશી પ્રોડક્ટના ઉત્પાદન અને પ્રોત્સાહનનો સંકલ્પ લેશે. ગામથી ગ્લોબલ અને વિલેજ વિદેશના વિચારધારાને આત્મસાત કરતો આ સામુહિક સંકલ્પ માત્ર પ્રેરણાદાયી નહીં પરંતુ વિશ્વ સ્તરે અનોખો અને અભૂતપૂર્વ બનશે. એક જ સ્થળે આટલા મોટા પ્રમાણમાં યુવા ઉદ્યોગપતિઓ અને સ્વદેશી ઉત્પાદનો બનાવવાનો સંકલ્પ લેવાશે જે વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધાશે. સમાજના યુવાનો દ્વારા લેવામાં આવતો આ સંકલ્પ ભવિષ્યમાં દેશના વિકાસનું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને નવી પેઢીને સ્વ વિચારધારાની સાથે આગળ વધવાની પ્રેરણા આપશે. યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ તથા જવાબદારીની ભાવના પણ મજબૂત થશેસમસ્ત પાટીદાર સમાજના યંગ બિઝનેસમેન હવે દેશ સેવા સાથે વ્યવસાયને જોડાવાના દ્રઢ સંકલ્પ સાથે આગળ આવી રહ્યા છે. વિશ્વ ઉમિયા ધામના યુવા સંમેલન મંચ પરથી યુવા ઉદ્યોગ પતિઓ ડિફેન્સ સેવાઓ સાથે સંકળાયેલા પ્રોડક્ટ સાધનો અને જરૂરી વસ્તુઓ સ્વદેશી રીતે તૈયાર કરવાનું સંકલ્પ લેશે ડિફેન્સ સેક્ટરમાં ઉપયોગી ટેકનોલોજી ઉપકરણ યુનિફોર્મ, ઈક્વિપમેન્ટ, સ્પેર પાર્ટસ અને અન્ય સહાયક ઉત્પાદનોનું સ્થાનિક ઉત્પાદન શરૂ કરીને દેશની સુરક્ષા વ્યવસ્થામાં ભાગીદાર બનશે અને આ પ્રયાસથી આયાત પરની નિર્ભરતા ઘટશે રોજગાર સર્જન ને વેગ મળશે અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ તથા જવાબદારીની ભાવના પણ મજબૂત થશે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 10:25 pm

અમદાવાદની મહિલા નોકરીની લાલચે ડ્રગ કેરિયર બની:સુરત એરપોર્ટથી ઝડપાયેલો 3 કિલો હાઈબ્રિડ ગાંજો ઉચ્ચ ક્વોલિટીનો, એક કિલોની કિંમત 1 કરોડ રૂપિયા

બેંગકોકથી સુરત ફલાઈટમાં હાઇબ્રિડ ગાંજો લઇને આવતી અમદાવાદની મહિલાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ડીઆરઆઇ અને કસ્ટમના અધિકારીઓએ ઝડપી પાડી છે. તેની પાસેથી 3.11 કિલો હાઈબ્રિડ ગાંજો કબ્જે કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જોકે છેલ્લા એક સપ્તાહમાં સુરત એરપોર્ટ પર આ રીતે ગાંજો લાવવામાં આવતો હોવાનો બીજો કેસ થયો છે. ઝડપાયેલો હાઇબ્રિડ ગાંજો ઉચ્ચ ક્વોલિટીનો નીકળ્યો હતો. જેથી તેની બજાર કિંમત એક કિલોની એક કરોડ રૂપિયા થાય છે. આ સાથે જ અમદાવાદની મહિલા ઝડપાય છે તેને પાર્લરમાં નોકરીની લાલચ આપીને ડ્રગ કેરિયર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. 3.11 કિલો હાઇબ્રિજ ગાંજા સાથે મહિલા પેસેન્જરની ધરપકડસુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બાતમીના આધારે ગત 24 ડિસેમ્બરની રાત્રે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડયું હતું. બેંગકોકથી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં આવેલી એક મહિલા પેસેન્જર પાસેથી આશરે 3.11 કિલો હાઇબ્રિજ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. બેંગકોકથી સુરત આવેલી ફ્લાઈટ નંબર IX-263માં મુસાફરી કરી રહેલી અમદાવદની મહિલા વર્ષા રાયકવાર પર કસ્ટમ્સ અધિકારીઓને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન મહિલાના સામાનની તલાશી લેતા તેની બેગમાંથી વેક્યૂમ-પેક્ડ 7 પારદર્શક પ્લાસ્ટીકની બેગમાં પેકેટ્સ મળી આવ્યા હતા. જેમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ ભરેલો હતો. 3 કિલો હાઈબ્રિડ ગાંજો ઉચ્ચ ક્વોલિટીનો નીકળ્યોઅધિકારીઓને 3.11 કિલોની જથ્થો ગાંજો હોવાની શંકા ગઈ હતી. તેના કારણે કસ્ટમ્સ વિભાગ દ્વારા તાત્કાલિક રીજનલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ બાદ RFSL એ પુષ્ટિ કરી હતી કે જપ્ત કરાયેલ પદાર્થ કેનાબીસ એટલે કે હાઇબ્રિડ ગાંજો હોવાનું જણાવ્યું હતુ. જપ્ત કરાયેલા ડ્રગ્સનું કુલ વજન 3114.15 ગ્રામ (3.11 કિલો) નોંધાયું હતું, જે ઉચ્ચ ક્વોલિટીનો હોવાનું બાદમાં પરીક્ષણ થયું હતો. જેથી તેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂપિયા 3.11 કરોડ આંકવામાં આવી છે. જેથી ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગની ટીમે ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓ દ્વારા જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ગાંજાનો જથ્થો લઈ આવનાર વ્યક્તિ છુપાવીને લાવતો હોય છે. જ્યારે આ મહિલા પેસેન્જર ટ્રોલીમાં જ ખુલ્લેઆમ ગાંજો લઈને બિન્દાસ્ત રીતે આવતી હતી. પરંતુ અધિકારીઓને પહેલેથી જ મહિલાની બાતમી હોવાના કારણે તેની તપાસ કરવામાં આવતા ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. મહિલાને પાર્લરમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપીઝડપાયેલી મહિલા અમદાવાદમાં કેરટેકર તરીકે કામ કરે છે. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, અમદાવાદની એક વ્યક્તિએ તેને થાઈલેન્ડમાં મસાજ પાર્લરમાં ઊંચા પગારની નોકરી અપાવવાની લાલચ આપી મોકલી હતી. ત્યાં ગયા પછી એક શખ્સે તેને એર ટિકિટ આપી આ પાર્સલ અમદાવાદ પહોંચાડવા જણાવ્યું હતું. સુરત એરપોર્ટની બહાર નીકળતા જ કોઈ અજાણી વ્યક્તિ આ પાર્સલ લેવાની હતી, પરંતુ તે પહેલા જ કસ્ટમે તેને દબોચી લીધી હતી. અત્યાર સુધીમાં અમદાવાદ-સુરત એરપોર્ટથી 8 મહિલાઓની ધરપકડવર્ષ 2025માં ડ્રગ્સ અને સોનાની દાણચોરીના કેસમાં અત્યાર સુધીમાં અમદાવાદ અને સુરત એરપોર્ટ પરથી કુલ 8 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓના મતે, સુરક્ષા એજન્સીઓની નજરમાંથી બચવા માટે આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ હવે મધ્યમ વર્ગની અને નોકરીની જરૂરિયાત ધરાવતી મહિલાઓને મહોરો બનાવી રહી છે. મહિલાઓને ડ્રગ કેરિયર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 10:24 pm

સુરતનો ‘લાંચિયો’ ફાયર ઓફિસર લાજપોર જેલ ભેગો:ઇશ્વર પટેલના ગુનાહિત ઈતિહાસ અને બંદૂકના લાયસન્સને લઈને મોટો ખુલાસો, વોટ્સએપ કોલ દ્વારા લાંચનું નેટવર્ક

સુરત મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલની 1 લાખની લાંચ લેતા ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. એસીબીની તપાસમાં સામે આવ્યું છે કે, લાંચ લેવામાં માહિર આ અધિકારી માત્ર ભ્રષ્ટ જ નથી, પરંતુ તેનો ભૂતકાળ પણ અત્યંત વિવાદાસ્પદ રહ્યો છે. હત્યાની કોશિશ અને જેલવાસનો ઇતિહાસઈશ્વર પટેલ જે આજે સુરત જેવા મોટા શહેરના ફાયર વિભાગમાં ઉચ્ચ પદ ભોગવી રહ્યો હતો, તેની સામે અગાઉ ગંભીર ફોજદારી ગુના નોંધાઈ ચૂક્યા છે. ઓલપાડના કુકણી ગામના વતની એવા ઈશ્વર પટેલ સામે વર્ષો પહેલા ઓલપાડ પોલીસ મથકમાં હત્યાની કોશિશ અને રાયોટીંગ જેવા ગંભીર ગુનાઓ દાખલ થયા હતા. આ કેસમાં તેની ધરપકડ પણ થઈ હતી અને તેણે જેલની હવા પણ ખાવી પડી હતી. જોકે, પાછળથી તે કોર્ટમાં આ ગુનાઓમાંથી નિર્દોષ છૂટ્યો હતો. વિવાદાસ્પદ રિવોલ્વર લાયસન્સસૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, જે વ્યક્તિ સામે ભૂતકાળમાં હત્યાની કોશિશ જેવા ગંભીર ગુના નોંધાયા હોય, તેણે પોતાની વગ વાપરીને રિવોલ્વરનું લાયસન્સ પણ મેળવી લીધું હતું. એક સરકારી અધિકારી તરીકે હથિયારનું લાયસન્સ ધરાવતા ઈશ્વર પટેલની આ બાબત હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. એસીબી હવે એ દિશામાં પણ તપાસ કરી શકે છે કે આ લાયસન્સ મેળવવા માટે કયા પ્રકારના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. મારું જોઈ લેજો, તો જ આગળ જવા દઉંલાંચની આખી ઘટનાની વાત કરીએ તો, ફરિયાદીએ પોતાની હોટલ માટે ફાયર NOC મેળવવા 19 ડિસેમ્બરે ઓનલાઇન અરજી કરી હતી. 22મી તારીખે ઈશ્વર પટેલે ફરિયાદીને ફોન કરીને ધમકીભર્યા સૂરે કહ્યું હતું કે, તમે મારું જોઈ લેજો, તો જ ફાઈલ આગળ જવા દઈશ. તેણે જાણીજોઈને ફાઈલ હોલ્ડ પર રાખી હતી અને 1 લાખ રૂપિયાની લાંચ નક્કી કરી હતી. ટેકનોલોજીનો દુરુપયોગ અને ધરપકડઈશ્વર પટેલ પકડાઈ ન જાય તે માટે લાંચની માંગણી કરવા માટે હંમેશા વોટ્સએપ કોલનો ઉપયોગ કરતો હતો. ધરપકડ બાદ પણ તેણે એસીબી સામે જૂઠાણું ચલાવ્યું કે તેણે કોઈ પૈસા માંગ્યા નથી, પરંતુ એસીબી પાસે તેના વિરુદ્ધ મજબૂત પુરાવા છે. શુક્રવારે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે તેને લાજપોર જેલ ભેગો કરી દીધો છે. હવે એસીબી તેના છેલ્લા 6 મહિનાના વોટ્સએપ કોલ ડિટેલ્સ કઢાવવાની તૈયારી કરી રહી છે, જેથી અન્ય કેટલા લોકો પાસેથી તેણે ઉઘરાણી કરી છે તે બહાર આવી શકે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 10:14 pm

200 કરોડના હવાલા રેકેટમાં સલીમ અને મીનાજની એન્ટ્રી:7 લક્ઝુરિયસ કારના કાફલા સાથે નીકળતો પ્રતિક, પોલીસકર્મીઓ સાથે ભાઈના સબંધોનો રોફ જમાવતો

સુરતના ડિંડોલી વિસ્તારમાં 'ક્રિષ્ના પેકર્સ એન્ડ મુવર્સ'ની આડમાં ચાલતા કરોડોના સાયબર ફ્રોડ રેકેટમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસના મુખ્ય સૂત્રધાર પ્રતિક વસાવાએ લિંબાયતના સલીમ ઉર્ફે સમીર આરટીઓ અબ્બાસ સૈયદને 1 કરોડ રૂપિયા આપ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સલીમ ગાડીઓના લે-વેચના વ્યવસાય સાથે જોડાયેલો છે, પરંતુ તે પડદા પાછળ દુબઈમાં બેઠેલી ચાઈનીઝ ગેંગને વોલેટ-ટુ-વોલેટ USDT ટ્રાન્સફર કરી આપવાનું મુખ્ય કામ કરતો હતો. મીનાજ આફ્રિકા, દુબઈ અને કેનેડામાં USDTના વ્યવહારો કરતોઆ કૌભાંડમાં લિંબાયતના જ મીનાજ પટેલનું નામ પણ પ્રકાશમાં આવ્યું છે. મીનાજ માત્ર સુરત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આફ્રિકા, દુબઈ અને કેનેડા જેવા દેશોમાં પણ USDTના ગેરકાયદેસર વ્યવહારો (બેનંબરી કામ) કરતો હોવાનું સામે આવ્યું છે. પ્રતિક વસાવા લોકો પાસેથી છેતરેલા નાણાં કરંટ એકાઉન્ટમાં મંગાવતો હતો અને તેમાંથી પોતાનું 20 ટકા કમિશન કાપીને બાકીની રકમ મીનાજ અને સલીમ મારફતે ચાઈનીઝ ગેંગને મોકલી આપતો હતો. આ ટોળકીની ગુનાહિત પ્રવૃત્તિઓને જોતા આગામી દિવસોમાં તેમની સામે 'ગુજસીટોક' હેઠળ કડક કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રતિક વસાવા સીસીટીવી કેમેરાથી પોલીસ પર નજર રાખતોડિંડોલીના ઉમિયામાતા મંદિર પાસે ઓમનગરમાં રહેતો 32 વર્ષીય પ્રતિક વસાવા અત્યંત સાવધ રહીને આ નેટવર્ક ચલાવતો હતો. શરૂઆતમાં તે પોતાના ઘરેથી જ સાયબર ફ્રોડનું કામ કરતો હતો. પોલીસ રેડથી બચવા માટે તેણે પોતાના ઘરની આસપાસના 200 મીટરના વિસ્તારમાં ચારે બાજુ હાઈ-ટેક સીસીટીવી કેમેરા લગાડ્યા હતા. તે ઘરમાં બેઠા-બેઠા જ મોનિટરિંગ કરતો હતો કે કોઈ શંકાસ્પદ હિલચાલ કે પોલીસ તો નથી આવી રહી ને! છેલ્લા ત્રણ મહિનાથી જ તેણે ડિંડોલીમાં ગ્રીનવેલી ખાતે દુકાનો ભાડે રાખીને આ વ્યવસાય ફૂલ્યો-ફાલ્યો બનાવ્યો હતો. 7 લક્ઝુરિયસ ગાડીઓના કાફલા સાથે પ્રતિક નીકળતોતપાસમાં એવી વિગતો પણ બહાર આવી છે કે પ્રતિક વસાવા ડિંડોલી વિસ્તારમાં સાત કાળી લક્ઝુરિયસ ગાડીઓના કાફલા સાથે નીકળીને ભારે તાયફો કરતો હતો. તે પોતાની જાતને મોટો 'ડોન' સમજતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિકના ભાઈના ડિંડોલી પોલીસ મથકના કેટલાક કર્મચારીઓ સાથે નિકટના સંબંધો હતા, જેના જોરે તે આખા વિસ્તારમાં રોફ જમાવતો હતો. હાલમાં પોલીસે તેની સાત ગાડીઓ પૈકી એક ગાડી ગુનાના કામે જપ્ત કરી છે અને અન્ય વાહનો અંગે તપાસ હાથ ધરી છે. ભાડે રાખેલા ખાતામાં કરોડોના ટ્રાન્ઝેક્શનફ્રોડ કરવાની પ્રતિકની મોડસ ઓપરેન્ડી પણ વિચક્ષણ હતી. તે સામાન્ય અને ભોળા લોકોને લોન કરાવી આપવાની લાલચ આપી તેમની પાસેથી પાનકાર્ડ અને આધારકાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવી લેતો હતો. આ દસ્તાવેજોના આધારે તે બેંકમાં ખાતા ખોલાવતો હતો. આ ઉપરાંત, જે લોકો આર્થિક તંગીમાં હોય તેમને મસમોટી રકમની લાલચ આપી તેમના બેંક ખાતા ભાડે રાખતો હતો. પોલીસને આશંકા છે કે પ્રતિકે આ કૌભાંડ માટે અનેક નકલી પાનકાર્ડ અને બોગસ ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કર્યા હતા. પ્રતિક વસાવાનો ગુનાહિત ઈતિહાસઆરોપી પ્રતિક વસાવા કોઈ નવો નિશાળિયો નથી, પરંતુ રીઢો ગુનેગાર છે. વર્ષ 2018 થી 2024 દરમિયાન તેની સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 6 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં ડિંડોલી પોલીસમાં પોતાના જ મિત્રની પત્નીની છેડતી કરવા બદલ, મારામારી, ધમકી આપવી, જુગાર રમવો અને છેતરપિંડી જેવા ગંભીર ગુનાઓ સામેલ છે. આ ઉપરાંત તેની સામે સુરત સાયબર ક્રાઈમ અને ગાંધીધામ પોલીસમાં પણ છેતરપિંડીના કેસ નોંધાયેલા છે. આંતરરાષ્ટ્રીય લિંક અને હવાલા નેટવર્કની ઊંડી તપાસહાલમાં સુરત પોલીસ આ કેસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સલીમ અને મીનાજ દ્વારા જે રીતે કરોડો રૂપિયા USDTમાં ફેરવીને વિદેશ મોકલવામાં આવતા હતા, તે મોટા હવાલા રેકેટ તરફ નિર્દેશ કરે છે. લિંબાયતનો મીનાજ પટેલ હાલ વોન્ટેડ છે અને તેની ધરપકડ બાદ આ કૌભાંડમાં હજુ પણ અનેક મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 10:11 pm

હવે ST બસમાં પણ મળશે ‘સીટ પર જમવાનું’!:અમદાવાદથી ‘Food On Bus’ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે, ઓનલાઈન ટિકિટ બુક કરાવતા ફૂડ પણ ઓર્ડર કરી શકશે

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને વધુ સુવિધા આપવા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. હવે એક્સપ્રેસ ST બસોમાં મુસાફરી કરતી વખતે મુસાફરોને જમવાનું પણ મળશે. વિમાન અને રેલવેની જેમ હવે બસમાં બેઠા બેઠા પેકડ ફૂડ મેળવવાની સુવિધા શરૂ થવા જઈ રહી છે. ‘Food On Bus’ નામની આ સેવા પ્રાયોગિક ધોરણે અમદાવાદથી શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના વિવિધ પિકઅપ પોઈન્ટ્સ જેમ કે પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નારોલ ક્રોસ રોડ, સરખેજ, રાણીપ, નેહરુનગર, ઓઢવ, અડાલજ અને જશોદાનગર સહિતના સ્ટેન્ડ પરથી પસાર થતી એક્સપ્રેસ બસોમાં મુસાફરોને ચાલુ બસે જ પેકડ ફૂડ પૂરૂં પાડવામાં આવશે. ઓનલાઈન ટિકિટ બુક કરાવતા ફૂડ પણ ઓર્ડર કરી શકશેમુસાફરો હવે STની ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (OPRS) પર ટિકિટ બુક કરતી વખતે જ ફૂડ પણ ઓર્ડર કરી શકશે. મુસાફરી દરમિયાન પણ ઓનલાઇન ફૂડ બુક કરવાની સુવિધા રહેશે. જે સ્થળે ફૂડ લેવાનું હોય, તે સ્થળે પહોંચતા ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં ઓર્ડર કરવો ફરજિયાત રહેશે. ST નિગમના જણાવ્યા અનુસાર, આ સેવા માટે અલગ-અલગ એજન્સીઓ પાસેથી Expression of Interest મારફતે ભાવ મંગાવવામાં આવ્યા છે. પસંદ થયેલી એજન્સીને કડક નિયમોનું પાલન કરવું પડશે. બસમાં તમાકુ, ગુટકા, બિડી, નોનવેજ અથવા પ્રતિબંધિત વસ્તુઓ આપવાની મંજૂરી નહીં મળે. સમયસર ફૂડ ન પહોંચાડવા કે અનિયમિતતા જણાય તો રૂ.5,000 થી રૂ.10,000 સુધીનો દંડ પણ વસૂલવામાં આવશે. આ નવી સુવિધાથી લાંબી મુસાફરી કરનારા મુસાફરોને ખાસ રાહત મળશે અને ST બસ યાત્રા વધુ આરામદાયક બનશે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 10:05 pm

અઠવા ઝોનના મંગળવારે પાણીકાપ, 3 લાખ લોકોને નહીં મળે પાણી:સુમન સ્કૂલના 16,000 વિદ્યાર્થીઓ બૂટ-મોજાથી વંચિત, ટીપી રસ્તાઓ હવે ડસ્ટ-ફ્રી અને સીસી રોડ બનશે

સુરતના સૌથી પોશ વિસ્તાર ગણાતા અઠવા ઝોન આગામી 30 ડિસેમ્બર મંગળવારના રોજ પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર મેન્ટેનન્સની કામગીરીને કારણે અડધા સુરતની તરસ છિપાવતી લાઈનો બંધ રહેશે. કયા વિસ્તારોમાં પાણી નહીં આવે?સરથાણા જળ વિતરણ મથકથી ઉધના ખટોદરા સુધી જતી મેઈન રાઈઝીંગ લાઈનમાં મહત્વના વાલ્વ બદલવાની કામગીરી સવારે 9 વાગ્યાથી મોડી રાત સુધી ચાલશે. છેલ્લા એક મહિનાથી સુરતના અલગ-અલગ ઝોનમાં જે રીતે પાણીકાપ ઝીંકવામાં આવી રહ્યો છે તેનાથી લોકો પરેશાન છે. અગાઉ સેન્ટ્રલ ઝોન, વરાછા અને ઉધનામાં પણ આવી જ રીતે લાઈન રિપેરિંગના નામે પાણી બંધ રખાયું હતું. નાગરિકોનો આરોપ છે કે સ્માર્ટ સિટીમાં ચોવીસ કલાક પાણી આપવાના વાયદા વચ્ચે વારંવાર આવતા પાણીકાપ વહીવટી નિષ્ફળતા દર્શાવે છે. સુમન સ્કૂલના 16,000 વિદ્યાર્થીઓ બૂટ-મોજાથી વંચિતસુરત મનપા સંચાલિત 'સુમન હાઈસ્કૂલ' જે ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ છે, ત્યાં વહીવટી આળસને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. ચાલુ શૈક્ષણિક સત્રમાં અભ્યાસ કરતા અંદાજે 16,000 વિદ્યાર્થીઓને આ વર્ષે સ્પોર્ટ્સ બૂટ અને મોજા મળી શકશે નહીં. સામાન્ય રીતે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓને ગણવેશ અને બૂટ જેવી સુવિધાઓ પૂરી પાડવાની હોય છે. જોકે, પાલિકાના શિક્ષણ વિભાગ અને સ્ટોર વિભાગ વચ્ચેના સંકલનના અભાવે ટેન્ડર પ્રક્રિયામાં મસમોટો વિલંબ થયો હતો. હવે જ્યારે શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાને માત્ર 3 મહિના બાકી છે, ત્યારે પાલિકા જાગી છે. જો અત્યારે ટેન્ડર મંજૂર કરવામાં આવે અને ઓર્ડર આપવામાં આવે, તો પણ સપ્લાય આવતા ફેબ્રુઆરી કે માર્ચ મહિનો આવી જાય. સત્રના અંતે બૂટ આપવાનો કોઈ તર્ક રહેતો નથી અને તેનાથી ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ શકે તેમ હતા. સ્થાયી સમિતિનો વચગાળાનો માર્ગઆ વિવાદ વધતા આખરે કામગીરી પર બ્રેક લગાવી દેવાઈ છે. લોએસ્ટ (L1) આવનાર ઇજારદારે પ્રતિ નંગ 662ના ભાવે 1.05 કરોડની ઓફર કરી હતી. હવે સ્થાયી સમિતિએ એવો રસ્તો કાઢ્યો છે કે જો આ જ ઇજારદાર આવતા નવા સત્રમાં પણ આજ ભાવે માલ આપવા તૈયાર થાય, તો જ તેને કામ સોંપવામાં આવશે. આમ, પાલિકાની ફાઈલોમાં ફસાયેલી પ્રક્રિયાને કારણે હજારો બાળકોએ આખું વર્ષ જૂના અથવા ફાટેલા બૂટ પહેરીને શાળાએ જવું પડ્યું છે. સોસાયટીઓના ટીપી રસ્તાઓ હવે ડસ્ટ-ફ્રી અને સીસી રોડ બનશેશહેરના રહેણાંક વિસ્તારો માટે એક આશાસ્પદ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સુરતની ઘણી સોસાયટીઓમાં વર્ષો જૂની સમસ્યા હતી કે સોસાયટીના આંતરિક રસ્તાઓ તો જનભાગીદારીથી સિમેન્ટના બની જતા હતા, પરંતુ તેમાંથી પસાર થતા 'ટીપી રોડ' ડામરના જ રહેતા હતા. સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે નોંધ્યું હતું કે, સોસાયટીમાંથી પસાર થતા ટીપી (ટાઉન પ્લાનિંગ) રસ્તાઓ અથવા સેક્શન 205 હેઠળના રસ્તાઓ જનભાગીદારી યોજનામાં કવર થતા નહોતા. આના કારણે સોસાયટીનો એક રસ્તો પાકો સીસી રોડ હોય અને બીજો રસ્તો ઉબડ-ખાબડ ડામરનો હોય તેવું જોવા મળતું હતું. ઝોન સ્તરે સર્વેની કામગીરીચેરમેને તમામ ઝોનના અધિકારીઓને પત્ર લખીને 10 દિવસમાં આવી તમામ સોસાયટીઓ અને રસ્તાઓની યાદી મંગાવી છે. પાલિકા હવે એવી પોલિસી બનાવવા જઈ રહી છે કે સોસાયટીના જાહેર ટીપી રસ્તાઓ પણ સીસી રોડ બનાવવામાં આવે. જો આ નીતિ અમલમાં આવશે, તો ચોમાસામાં રસ્તા ધોવાઈ જવાની સમસ્યામાંથી હજારો સોસાયટીઓને મુક્તિ મળશે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 10:02 pm

હિંમતનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીની મહિલા ઓપરેટર લાંચ લેતા પકડાઈ:ઈંડાની લારીના લાયસન્સ માટે ₹4500ની લાંચ માંગી હતી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં કરાર આધારિત મહિલા કોમ્પ્યુટર ઓપરેટર મમતા કુમારી ખરાડીને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. હિંમતનગર ACBએ તેમને ₹4500ની લાંચ લેતા રંગે હાથ પકડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, એક ફરિયાદીને ઈંડાની લારી ચલાવવા માટે લાયસન્સ મેળવવાનું હતું. આ માટે તેઓ હિંમતનગરના બહુમાળી ભવનમાં આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં મમતા કુમારી ખરાડીને મળ્યા હતા. મમતા કુમારીએ લાયસન્સ કાઢી આપવા માટે ₹4500ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચના પૈસા આપવા માંગતા ન હોવાથી તેમણે હિંમતનગર ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન મમતા કુમારી ખરાડીએ ફરિયાદી પાસેથી ₹4500ની લાંચ સ્વીકારતા તેમને ફૂડ એન્ડ ડ્રગ કચેરીમાંથી જ રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ACBએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 10:01 pm

સાબરકાંઠા LCBએ હત્યાના કેદીને મહારાષ્ટ્રથી પકડ્યો:'ઓપરેશન કારાવાસ' હેઠળ સાત વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ 'ઓપરેશન કારાવાસ' અંતર્ગત ખૂનના ગુનામાં સાત વર્ષથી ફરાર કેદીને મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડ્યો છે. આ કેદી પેરોલ રજા પર છૂટ્યા બાદ જેલમાં પરત ફર્યો ન હતો. LCB ના PI ડી.સી. સાકરિયાએ આપેલી માહિતી મુજબ, નિરંજન પ્રવીણસિંહ રાજપૂત (રહે. જયઅંબે સોસાયટી, ખેડબ્રહ્મા) સાત વર્ષ અગાઉ ખૂનના ગુનામાં દોષિત ઠર્યો હતો. વર્ષ 2018માં તે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. પેરોલ રજા પર બહાર આવ્યા બાદ તે જેલમાં પરત ફર્યો નહોતો અને ત્યારથી નાસતો ફરતો હતો. સાબરકાંઠા LCB ને મળેલી બાતમીના આધારે નિરંજન રાજપૂતને મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે તે અલગ-અલગ રાજ્યોમાં કેટરિંગ અને અન્ય મજૂરી કામ કરતો હતો. પોલીસની પૂછપરછમાં તેણે 2019 થી 2025 દરમિયાન મહારાષ્ટ્રના ભાંડુપ અને અંબરનાથ કલ્યાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનોમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, મુંબઈના લાલબાગ, શિવાજીપાર્ક, ડીબી માર્ગ, વીપી રોડ અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં પણ તેણે ચોરીઓ કરી હોવાનું અને તે ગુનાઓ સાબિત થયા હોવાનું બહાર આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:59 pm

કીડીવાવમાં સ્વ-રોજગાર શિબિર અને રોજગાર મેળો:મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

ગીર સોમનાથ જિલ્લાના કીડીવાવ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં પ્રેરણાત્મક સ્વ-રોજગાર શિબિર અને રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ઘેલા સોમનાથથી શરૂ થયેલી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા કીડીવાવ પહોંચતા યોજાયો હતો. મંત્રી કુંવરજી બાવળીયાએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 'વિકસિત ભારત'ના લક્ષ્યને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2047 સુધી 'વિકસિત ગુજરાત' દ્વારા 'વિકસિત ભારત'નું સ્વપ્ન મહિલાઓ અને યુવાનોની સક્રિય ભાગીદારીથી જ શક્ય બનશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વિકસિત ગુજરાત માટે વિકસિત ગામડાં અનિવાર્ય છે. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ અને યુવાનોને ઘરબેઠા રોજગારી મળે તથા તેમના કૌશલ્યમાં વધારો થાય તે માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. સરકારનો ઉદ્દેશ યુવાનોને તાલીમ દ્વારા કૌશલ્યબદ્ધ બનાવી ઉદ્યોગોને કુશળ માનવબળ પૂરું પાડી રોજગાર આપવાનો છે. મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા મંત્રીએ કહ્યું કે, આઈ.ટી.આઈ.માં વિદ્યાર્થીનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મિકેનિકલ અને સિવિલ જેવી શાખાઓમાં પણ યુવતીઓ આગળ આવી રહી છે. તેમણે ભવિષ્યમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ જેવી આધુનિક ટેક્નોલોજી યુવા રોજગાર માટે મહત્વપૂર્ણ બનશે તેમ જણાવ્યું. આઈ.ટી.આઈ.માં આવા કોર્સ શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળીયા અને અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું. જેમાં આવાસ યોજનાની પ્રતિકાત્મક ચાવીઓ, એપ્રેન્ટિસશિપ કરારપત્રો, મહિલા સ્વાવલંબી યોજના, સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ યોજના, અંત્યોદય સહાય યોજના તથા બકરા એકમ સહાયના આદેશો અને કિટોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન પ્રતિષ્ઠિત એકમોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે રોજગાર ભરતીમેળાનું આયોજન થયું હતું. આ ઉપરાંત, જિલ્લા સરકારી શ્રમ કચેરી દ્વારા ઈ-શ્રમ નોંધણી કેમ્પ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ડીઆરડીએ નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, રોજગાર નાયબ નિયામક સી.જે. દવે સહિતના અગ્રણીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને રોજગારવાંચ્છુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:57 pm

'તુ મરી જા હું તારી સાથે લગ્ન કરવાનો નથી':પ્રેમિકાને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પ્રેમી વિરુદ્ધ દુષ્પ્રેરણના ગુનો દાખલ, બે વર્ષથી સંબંધ રાખીને ભાડાના મકાનમાં સાથે રહેતો

પરિણીત હોવા છતાં યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન છેલ્લા બે વર્ષથી યુવતી સાથે ફતેગંજ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો પરંતુ, વારંવાર ઝઘડા કરતા પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીને લાગી આવ્યું હતું અને તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેથી, યુવતીના પિતાએ યુવક સામે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પરિણીત હોવા છતાં યુવતીને પ્રેમજાળમાં ફસાવીઆણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામે ટાકીવાળા ફળિયામાં રહેતા કિશન જગદીશભાઇ ઠાકોરની સાથે યુવતીને મિત્રતા થઇ હતી. ત્યારબાદ તેઓ એકબીજા સાથે મોબાઇલ પર વાતચીત અને ચેટિંગ દ્વારા વાતો કરતા રહેતા હોવાના કારણે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી પોતે પરિણીત હોવા છતા યુવતીને લગ્ન કરવા માટે ખોટી લાલચ આપીને તેની સાથે પ્રેમસંબંધ બાંધ્યાં હતા. તારે મરવું હોય તો મરી જા હું તારી સાથે લગ્ન કરવાનો નથીછેલ્લા બે વર્ષથી પ્રેમસબંધમાં હોવાથી આરોપી યુવતીને કિશન મળવા માટે બોલાવતો રહેતો હતો. યુવતી પ્રેમી સાથે સંબંધ રાખતી હોવા છતાં આરોપી કિશન મરણજનાર યુવતીની સાથે અવાર નવાર ઝઘડા કરતો હતો. ઉપરાંત માર પણ મારતો હોવાનો આક્ષેપ કવામાં આવ્યો છે. યુવતી જ્યારે પણ લગ્ન કરવા માટેની વાત પ્રેમીને કહેતી હતી, ત્યાર આરોપી તેની સાથે ઝઘડો કરીને વાત ટાળી નાખતો હતો. આ વાતને લઇને પણ યુવક સાથે ઝઘડા થતા રહેતા હતા. જેમાં કેટલીકવાર કિશન ઠાકોરે તો પ્રેમિકા યુવતીને તારે મરવું હોય તો મરી જા હું તારી સાથે લગ્ન કરવાનો નથી તેમ જણાવી તેના પર શારીરીક અને માનસીક ત્રાસ આપતો હતો. યુવતીએ બેડરૂમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધોજેથી લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ બેડરૂમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. જેથી યુવતીના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેમની દિકરીને આત્મહત્યા કરવા મજબુર પ્રેમી કિશન ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે તેની સામે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:56 pm

જનકલ્યાણ શિવવંદના પદયાત્રા ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશી:મંત્રી કુંવરજી બાવળીયાના નેતૃત્વમાં સોમનાથ તરફ પ્રયાણ, મહિલા જૂથને ચેક

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં આયોજિત 'જનકલ્યાણ શિવવંદના પદયાત્રા'નો ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ થયો છે. ઘેલા સોમનાથથી સોમનાથ સુધીની 229 કિલોમીટર લાંબી આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ અને રાજ્યના સર્વાંગી વિકાસ તેમજ નાગરિકોની સુખાકારી છે. મંત્રી કુંવરજી બાવળીયાના નેતૃત્વમાં આ પદયાત્રાએ શાંતિપરા પાસેથી ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. અહીં ઠેર-ઠેર પુષ્પવર્ષાથી પદયાત્રીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. 'જય સોમનાથ' અને 'હર હર મહાદેવ'ના નાદ સાથે પદયાત્રીઓ ઉત્સાહભેર સોમનાથ મંદિર તરફ પ્રયાણ કર્યું. આ પદયાત્રાએ સુપાસી સ્થિત સરસ્વતી શૈક્ષણિક સંકૂલ ખાતે બપોરનો પડાવ કર્યો હતો, જ્યાં પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ બીજનીગમ ચેરમેન રાજશીભાઈ જોટવા સહિત સ્થાનિક અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કુંવરજીએ સંસ્થાના આદ્યસ્થાપક દિવંગત રાજશીભાઈ મેણસીભાઈ ચાંડેરાને પુષ્પાંજલિ અર્પણ કરી શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનને યાદ કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરતા પૂર્વે ગડુ ખાતે મંત્રીએ સ્થાનિક મહિલાઓ, આંગણવાડી કર્મચારીઓ તથા આગેવાનો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે મિશન મંગલમ અંતર્ગત સીદી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધીરાણ સ્વ-સહાય જૂથને મંત્રીના હસ્તે રૂ.1.50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. મહિલાઓ સ્વહસ્તે બનાવેલી વસ્તુઓ દ્વારા આવક મેળવી શકે તે માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. તેમણે મિશન મંગલમ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, દિનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. મંત્રીએ પદયાત્રાને સહયોગ આપનાર આગેવાનો અને સ્થાનિક ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો. ગડુ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમની આરોગ્ય તપાસ કરવામાં આવી. ભંડૂરીથી શરૂ થયેલી આ પદયાત્રા ગડુ ચોકડી, સીમાર, સુપાસી સહિતના વિવિધ ગામોમાંથી પસાર થઈ સાંજે સોમનાથ મંદિર ખાતે પહોંચી હતી. આ પદયાત્રામાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, વિવિધ ગામોના સરપંચો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:52 pm

ગુજરાત પોલીસમાં મોટા પાયે માળખાકીય ફેરફાર:નવા વાવ-થરાદ જિલ્લાની રચના બાદ 2500થી વધુ નવા પોલીસ પદોને મંજૂરી, બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓને ફાયદો

ગુજરાત સરકાર દ્વારા પોલીસ તંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વાવ-થરાદ જિલ્લાની રચના, બનાસકાંઠા જિલ્લાના વિભાજન તેમજ વિવિધ પોલીસ એકમોના વિસ્તરણને પગલે રાજ્ય સરકારે નવા 2500થી વધુ પોલીસ પદો સર્જવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા વધુ સઘન બનશે. પોલીસ અધિક્ષકથી લઈ કોન્સ્ટેબલ સુધીના વિવિધ કેડરના પદો મંજૂરગૃહ વિભાગ દ્વારા અલગ-અલગ તારીખે જાહેર કરાયેલા હુકમો મુજબ, બનાસકાંઠા જિલ્લાથી અલગ બનેલા વાવ-થરાદ જિલ્લો, તેમજ નવા પોલીસ સ્ટેશન, સર્કલ અને પોલીસ એકમો માટે પોલીસ અધિક્ષકથી લઈ કોન્સ્ટેબલ સુધીના વિવિધ કેડરના પદો મંજૂર કરવામાં આવ્યા છે. સરકારી હુકમ મુજબ,નાયબ પોલીસ અધિક્ષક (DySP), પોલીસ ઇન્સ્પેક્ટર/સબ-ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, ડ્રાઈવર, ક્લાર્ક, ટેકનિકલ અને કમ્પ્યુટર ઓપરેટર જેવા પદો નવા સર્જાયા છે. આ સાથે, આર્મ્ડ પોલીસ, એસઆરપી, ટ્રાફિક પોલીસ, વાયરલેસ વિભાગ અને ટેકનિકલ બ્રાંચમાં પણ વધારાની જગ્યા મંજૂર કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી બનાસકાંઠા, વાવ-થરાદ, સરહદી વિસ્તાર તેમજ નવા પોલીસ માળખા હેઠળ આવતા વિસ્તારોમાં પોલીસ બળમાં નોંધપાત્ર વધારો થશે, જેના કારણે ગુનાખોરી નિયંત્રણ, ઝડપી કાર્યવાહી અને જનસુરક્ષા વધુ મજબૂત બનશે. ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, આ તમામ પદો ROP-2016ના પગારધોરણ મુજબ રહેશે અને ભરતી તથા નિમણૂક પ્રક્રિયા તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે. આ નિર્ણયને પોલીસ તંત્રની લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવાયેલો વ્યૂહાત્મક પગલું તરીકે જોવામાં આવી રહ્યો છે. નવા જિલ્લાની રચના સાથે પોલીસ સ્ટ્રેન્થ વધારવાનો આ નિર્ણય રાજ્યમાં કાયદો-વ્યવસ્થા માટે ગેમચેન્જર સાબિત થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:51 pm

જૂનાગઢમાં સોનું ગીરવે મૂકવા બાબતે માથાકૂટ:સાડા છ તોલા સોનાના વિવાદમાં આવારા તત્વોના આતંક, પત્નીના ગળે ફરસી રાખી બાળકોને કાપી નાખવાની ધમકી આપી, દંપતી હોસ્પિટલમાં દાખલ. CCTV આવ્યા સામે​

​જૂનાગઢ શહેરમાં વારસાઈ સોનું ગીરવે મૂકવા બાબતે થયેલી જૂની અદાવતનું મનદુઃખ રાખી બે શખ્સોએ એક દંપતી પર જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીઓએ જાહેરમાં યુવકને છરીના હાથા વડે માર મારી ઈજા પહોંચાડ્યા બાદ તેના ઘરે જઈ પત્નીના ગળે ફરસી રાખી બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. હાલ ઈજાગ્રસ્ત દંપતી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જૂનાગઢના નાની હવેલી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા મોહસીનમિયા સલીમમિયા સૈયદે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોહસીનમિયાએ આશરે અઢી મહિના પહેલા પોતાના સાડા છ તોલા વારસાઈ સોનાના દાગીના તેના મિત્ર નિઝામ હિંગોરાને ગીરવે મૂકી પાંચ લાખ રૂપિયા મેળવવા આપ્યા હતા. જોકે, નિઝામે રૂપિયા કે સોનું પરત ન આપતા મોહસીનમિયાએ પોલીસમાં અરજી કરી હતી. આ અરજી દરમિયાન જાણવા મળ્યું હતું કે સોનું એજાજ સેતા નામના શખ્સ પાસે છે. પોલીસમાં અરજી કરવાને લીધે એજાજનો માસીયાઈ ભાઈ હનીફ ઉર્ફે હનુ જુણેજા મોહસીનમિયા સાથે અદાવત રાખી રહ્યો હતો. ગઈકાલ તારીખ 25 ડિસેમ્બરના રોજ સાંજે મોહસીનમિયા તેના મિત્ર કોશિબ સાથે હર્ષદ નગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગીરીરાજ રોડ પર અમૃત પેલેસ પાસે હનીફ જુણેજાએ તેમને અટકાવ્યા હતા. હનીફે ગાળો આપી કમરમાંથી છરી કાઢી આજે તને પતાવી દેવો છે તેમ કહી હુમલો કર્યો હતો. છરીનો ઘા રોકવા જતા મોહસીનમિયાની આંગળીમાં ગંભીર ઈજા થઈ હતી. હુમલો કર્યા બાદ હનીફ તારા ઘરે જઈને હવે શું કરું છું તે તું જોજે તેવી ધમકી આપી નાસી છૂટ્યો હતો. મોહસીનમિયા હોસ્પિટલમાં સારવાર લેતા હતા ત્યારે જ તેમના પત્ની અફસાનાબેનનો ફોન આવ્યો હતો. હનીફ જુણેજા અને એજાજ સેતા કુહાડી તથા ફરસી જેવા હથિયારો સાથે તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ અફસાનાબેનના ગળે ફરસી રાખી ધમકી આપી હતી કે, તારા પતિને સમજાવી દેજે, નહીંતર તારા પતિ અને બાળકોને કાપીને ફેંકી દઈશ. આટલું જ નહીં, આરોપીઓએ ફળિયામાં પડેલી મોટરસાઈકલ પર કુહાડીના ઘા મારી નુકસાન પહોંચાડ્યું હતું અને ઘરવખરીની તોડફોડ કરી હતી. આરોપીઓએ મોહસીનમિયાના પત્નીને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો, જેના કારણે તેમને પણ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ભોગ બનનાર દંપતીએ હનીફ જુણેજા અને એજાજ ઉર્ફે એજુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાહિત કાવતરું, ગૃહ અપ્રવેશ, હુમલો અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:51 pm

વેરાવળ ગુરુદ્વારામાં 'વીર બાળ દિવસ'ની ઉજવણી:ગુરુ ગોવિંદસિંહજીના ચાર સાહેબઝાદાના જીવન-કવન પર પ્રદર્શની યોજાઈ

વેરાવળના ગુરુદ્વારા ખાતે 'વીર બાળ દિવસ'ની ઉજવણી નિમિત્તે એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આ પ્રદર્શની યોજાઈ હતી. તેમાં ગુરુ ગોવિંદસિંહજી મહારાજના ચાર સાહેબઝાદાના જીવન અને બલિદાનને રજૂ કરવામાં આવ્યું હતું, જેમણે દેશ, ધર્મ અને સનાતન સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. આ પ્રદર્શનીમાં સાહેબઝાદાઓના શૌર્ય, ત્યાગ અને બલિદાનની ઝાંખી રજૂ કરાઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સત્ય, ન્યાય અને ધર્મ માટે નિર્ભય બનવાનો સંદેશ આપવાનો હતો. શાળાના બાળકો આ પ્રદર્શનીની મુલાકાત લઈને વીરતા, ત્યાગ અને દેશપ્રેમની ભાવના વિકસાવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રદર્શની દ્વારા બાળકોએ શહીદીનું સ્મરણ કર્યું હતું અને અદમ્ય સાહસ, ધર્મ પ્રત્યેની અડગતા, ઇતિહાસના અમરપાત્રો, રાષ્ટ્ર માટે સંકલ્પ અને ઇતિહાસમાંથી પ્રેરણા લેવા જેવી બાબતોને ગ્રહણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં દર વર્ષે 26 ડિસેમ્બરે 'વીર બાળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ ગોવિંદ સિંહજીના ચાર પુત્રો, ખાસ કરીને નાના સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહની બહાદુરી અને બલિદાનને સમર્પિત છે. 26 ડિસેમ્બર 1705ના રોજ સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહે ધર્મ અને સત્યની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. વીર બાળ દિવસ ગુરુ ગોવિંદ સિંહજીના ચારેય પુત્રોના સાહસ, બલિદાન અને અટલ વિશ્વાસનું સન્માન કરવાનો દિવસ છે. આ દિવસ ભારતીય ઇતિહાસના ગૌરવપૂર્ણ અધ્યાયની યાદ અપાવે છે અને આવનારી પેઢીઓને સાહસ, સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:48 pm

સિવિલ હોસ્પિટલમાં અંગદાનના 5 વર્ષ પૂર્ણ:223 દાતાઓએ 717 લોકોને આપ્યું નવજીવન, પાંચ વર્ષમાં કુલ 739 અંગો અને 192 પેશીઓનું દાન મળ્યું

શહેરની સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયેલ અંગદાન કાર્યક્રમને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. “જીવન પછી પણ જીવન” આપવાના ઉદ્દેશ્ય સાથે 27 ડિસેમ્બર, 2020થી શરૂ થયેલી આ પહેલ આજે અનેક દર્દીઓ માટે આશાની કિરણ બની છે. આ પાંચ વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં કુલ 223 અંગદાતાઓએ અંગદાન કર્યું છે. જેના પરિણામે 717થી વધુ દર્દીઓને નવું જીવન મળ્યું છે. કોઈને ફરી ધબકતું હૃદય મળ્યું, કોઈને કિડની મળતાં ડાયાલિસિસની પીડામાંથી મુક્તિ મળી, તો કોઈને આંખો મળતાં નવી દુનિયા જોવા મળી. પાંચ વર્ષમાં કુલ 739 અંગો અને 192 પેશીઓનું દાન મળ્યું સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, દરેક અંગદાન પાછળ દાતાના પરિવારની મહાનતા છુપાયેલી છે. દુઃખની ઘડીમાં પણ તેમણે અજાણ્યા વ્યક્તિને જીવનની ભેટ આપી છે. આ માનવતાનો ઉત્તમ દાખલો છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 739 અંગો અને 192 પેશીઓનું દાન મળ્યું છે. જેમાં સૌથી વધુ 410 કિડની અને 197 લીવરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 72 હૃદય, 34 ફેફસા, 18 સ્વાદુપિંડ, 2 હાથ અને 2 નાના આંતરડાના દાનથી અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે. પેશીઓના દાનમાં 162 આંખો અને 30 સ્કિન (ત્વચા)નો સમાવેશ થાય છે. અન્ય હોસ્પિટલ માટે માર્ગદર્શિકા રૂપે હેન્ડબુક તૈયાર

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:42 pm

ઉદ્યોગનગર પોલીસે ગુમ થયેલા બે મોબાઇલ મૂળ માલિકને પરત કર્યાં:“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ રૂ. 47,700ના ફોન પરત કરતા મૂળ માલિકોએ પ્રશંસા કરી

પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે ગુમ થયેલા બે મોબાઇલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ કામગીરી માટે પોલીસ સ્ટાફ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને અને CEIR પોર્ટલ (Central Equipment Identity Register – Government Portal) દ્વારા ગુમ થયેલા મોબાઇલ ફોનને ટ્રેસ કરવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. CEIR પોર્ટલ પર ટ્રેકિંગ મૂક્યા બાદ ગુમ થયેલા મોબાઇલ ફોનની માહિતી મળી હતી. પોલીસે સફળતાપૂર્વક કુલ બે મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતા, જેમની કુલ કિંમત રૂ. 47,700 છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત, પોલીસે શોધી કાઢેલા આ બંને મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને સુપરત કર્યા હતા. મોબાઇલ પરત મળતા માલિકોએ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો. આ સફળ કામગીરીથી પોરબંદર પોલીસની ટેકનોલોજી આધારિત કાર્યક્ષમતા અને નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતા ફરી એકવાર પ્રસ્થાપિત થઈ છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:39 pm

દારુ પીધો કે ડ્રગ્સ લીધુ, 5 મિનિટમાં જ પકડાઈ જશો!:31stની પાર્ટીઓ પર સુરત પોલીસ લાકડીઓ જ નહી FSL સાથે મેદાને ઊતરશે, ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો નવુ વર્ષ જેલના સળિયામાં

થર્ટી ફર્સ્ટની રાત્રે મોજ-મસ્તી અને જશ્નમાં ડૂબેલા યુવાધનને સુરત પોલીસે આ વખતે મોટી ચેતવણી આપી છે. જો તમે નવા વર્ષના સ્વાગત માટે આયોજિત પાર્ટીઓમાં ડ્રગ્સ, દારૂ કે અન્ય કોઈ નશાકારક પદાર્થોનું સેવન કરવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન થઈ જજો. સુરત પોલીસ આ વખતે માત્ર લાકડીઓ સાથે જ નહીં પણ હાઈટેક મશીનરી અને લેબોરેટરી સાથે મેદાને ઉતરી છે. જો તમે નશો કર્યો હશે તો પોલીસ ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર જ તમારો ટેસ્ટ પોઝિટિવ સાબિત કરી દેશે અને તમારું નવું વર્ષ ઘરના આંગણે નહીં પણ જેલના સળિયા પાછળ વીતશે. ગાંધીનગરથી ખાસ મોબાઈલ ફોરેન્સિક વાન સુરત પહોંચીઆ વખતે સુરત પોલીસની સૌથી મોટી તાકાત છે 'મોબાઈલ ફોરેન્સિક વાન' (FSL). સામાન્ય રીતે કોઈપણ કેસમાં બ્લડ કે યુરિન સેમ્પલ રિપોર્ટ આવતા દિવસો લાગતા હોય છે પરંતુ, આ વખતે ગાંધીનગર FSLની સ્પેશિયલ વાન સુરત આવી પહોંચી છે. સુરત પાસે અત્યારે આવી બે અત્યાધુનિક મોબાઈલ વાન છે. આ વાનની ખાસિયત એ છે કે, તે એક ચાલતી-ફરતી લેબોરેટરી છે. સિન્થેટિક ડ્રગ્સ હોય કે દારૂ મિનિટોમાં જ રિઝલ્ટ મળી જશેજ્યારે કોઈપણ પાર્ટી કે ફાર્મ હાઉસ પર પોલીસ દરોડો પાડશે ત્યારે આ વાન ત્યાં લાઈવ હાજર રહેશે. શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લઈને આ વાનમાં રહેલા મશીનો દ્વારા તુરંત તપાસ કરવામાં આવશે. પછી ભલે તે કોઈ પણ પ્રકારનું સિન્થેટિક ડ્રગ્સ હોય કે દારૂ, મિનિટોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આરોપીઓ પોલીસને છેતરી શકશે નહીં સુરત પોલીસ પાસે આ વખતે માત્ર મોબાઈલ વાન જ નહીં પણ લેટેસ્ટ 'એન્ટી નાર્કોટિક્સ કીટ' પણ ઉપલબ્ધ છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ક્રાઈમ બ્રાન્ચ આ કીટ સાથે સજ્જ છે. આ બે કીટ એટલી પાવરફુલ છે કે, કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું હોય તો તેના સેમ્પલ લીધાના માત્ર 5 જ મિનિટમાં તે રિઝલ્ટ આપી દે છે.આ ટેકનોલોજીને કારણે હવે આરોપીઓ પોલીસને છેતરી શકશે નહીં કે મેં નશો નથી કર્યો. સ્થળ પર જ વૈજ્ઞાનિક પુરાવા મળતા હોવાથી પોલીસ તુરંત જ ધરપકડની કાર્યવાહી કરી શકશે. 300 બ્રિથ એનેલાઇઝર અને ડ્રોન સર્વેલન્સસુરત શહેરના રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના જવાનો 300 જેટલા બ્રિથ એનેલાઇઝર મશીનો સાથે તૈનાત રહેશે. ખાસ કરીને વેસુ, પીપલોદ, અડાજણ અને ડુમ્મસ જેવા વિસ્તારોમાં, જ્યાં પાર્ટીઓનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં દરેક શંકાસ્પદ વાહનચાલકની તપાસ કરવામાં આવશે.આ ઉપરાંત, સુરતની આસપાસના ફાર્મ હાઉસો અને ખાનગી આયોજનો પર નજર રાખવા માટે હાઈ-રિઝોલ્યુશન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. ડુમ્મસ રોડ અને અન્ય શાંત વિસ્તારો (Silent Zones) માં પોલીસનું ખાસ ધ્યાન રહેશે. ડ્રોન દ્વારા ઉપરથી જોવામાં આવશે કે, કયા ફાર્મ હાઉસમાં શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ રહી છે અને માહિતી મળતા જ મોબાઈલ FSL વાન સાથે પોલીસ કાફલો ત્યાં ત્રાટકશે. ટેકનોલોજીના માધ્યમથી 24*7 લાઈવ ચેકિંગ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદિપસિંહે આ અંગે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, અમારી તૈયારીઓ પૂર્ણ છે. અમારી પાસે એન્ટી નાર્કોટિક કીટ, બ્રિથ એનેલાઇઝર અને FSL ની બે મોબાઈલ વાન છે. અમે કોઈને હેરાન કરવા નથી માંગતા, પણ કાયદાનું ઉલ્લંઘન કરનારને છોડવામાં પણ નહીં આવે. જો કોઈ થર્ટી ફર્સ્ટની રાત્રે મજા માટે કોઈપણ પ્રકારનો નશો કરશે તો તેણે સજારૂપે આખી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડશે. અમે ટેકનોલોજીના માધ્યમથી લાઈવ ચેકિંગ કરીશું. ખાનગી આયોજકો અને ફાર્મ હાઉસ માલિકો રડારમાંપોલીસે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર નશો કરનાર જ નહીં પણ જે આયોજકો આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે અથવા નશાની પાર્ટીનું આયોજન કરશે, તેમની સામે પણ કડક ગુનો નોંધવામાં આવશે. સુરતના આઉટસ્કર્ટ વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસના માલિકોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ પોતાની મિલકતનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિ માટે ન થવા દે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:33 pm

ગોધરા કોલેજના વિદ્યાર્થીઓએ પાવાગઢમાં હેરિટેજ વોક કર્યું:ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ માહિતી મેળવી

ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ પાવાગઢ ખાતે પંચમહોત્સવ અંતર્ગત હેરિટેજ વોકનું આયોજન કર્યું હતું. આ વોક દરમિયાન વિદ્યાર્થીઓએ પાવાગઢના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. જિલ્લા નાયબ કલેક્ટર અંજલીબેન ઠાકુરે હેરિટેજ વોકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોધરા કોલેજના આશરે 70 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પાવાગઢના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને તેમના વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે પંચમહાલ પ્રશાસન દ્વારા આયોજિત પંચમહોત્સવમાં ટેન્ટ સિટી અને વિવિધ સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને 'આત્મનિર્ભર ભારત' અને 'લોકલ ફોર વોકલ' અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓ વિશે પ્રાથમિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું. દિવસભરના કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું. આ હેરિટેજ વોકનું સફળ આયોજન ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. સુરેશભાઈ ચૌધરી, ડૉ. ગૌતમભાઈ ચૌહાણ, ડૉ. ભાવેશભાઈ ચૌધરી અને ડૉ. કેતનભાઈ સાંચલા દ્વારા કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ચા, નાસ્તો, એનર્જી ડ્રિંક અને બપોરનું ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:28 pm

મોરબીમાં રવાપર ગામના ખેડૂત હનીટ્રેપનો શિકાર:મહિલા સહિત 8 આરોપીઓએ ₹1.14 કરોડ માંગ્યા, ₹53.50 લાખ પડાવ્યા

મોરબીના રવાપર ગામના એક ખેડૂત હનીટ્રેપનો શિકાર બન્યા છે. મહિલા સહિત આઠ આરોપીઓએ ખેડૂતને બળાત્કાર અને છેડતીના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને ₹1.14 કરોડની માંગણી કરી હતી. આરોપીઓએ ખેડૂત પાસેથી સોનાના બિસ્કિટ, ચેન અને રોકડ સહિત કુલ ₹53.50 લાખનો મુદ્દામાલ પડાવી લીધો છે. ખેતમજૂરી માટે કામ હોવાનું મહિલાએ જણાવ્યુંઆ અંગે રવાપર ગામના ભરતભાઈ નામના ખેડૂતે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમને ખેતીકામ માટે મજૂરની જરૂર હતી, જેથી તેમણે પાંચાભાઈ કોળીનો સંપર્ક કર્યો હતો. પાંચાભાઈ મારફતે ખુશીબેન પટેલનો સંપર્ક થયો હતો, જેણે ખેતમજૂરી માટે કામ જોઈતું હોવાનું જણાવ્યું હતું. વાડીએ કપડાં ઉતારી ખેડૂતને બાથ ભરી લીધીખુશીબેન પાસે આધાર-પુરાવા ન હોવાથી ભરતભાઈએ તેમને કામે રાખ્યા ન હતા. જોકે, ખુશીબેને ફોન કરીને કામની ખૂબ જરૂર હોવાનું કહેતા ભરતભાઈ તેમને પોતાની વાડીએ લઈ ગયા હતા. વાડીએ ખુશીબેને પોતાના કપડાં ઉતારી ભરતભાઈને બાથ ભરી લીધી હતી. તે જ સમયે અન્ય આરોપીઓ બે અલગ-અલગ કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા અને ભરતભાઈ તથા ખુશીબેનના ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. 53.50 લાખનો મુદ્દામાલ પડાવી લીધોઆરોપીઓએ આ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી, તેમજ બળાત્કાર અને છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹1.14 કરોડની માંગણી કરી હતી. ભરતભાઈએ આરોપીઓને સમયાંતરે 100 ગ્રામના ચાર સોનાના બિસ્કિટ, અઢી તોલાનો સોનાનો ચેન અને રોકડા આપ્યા હતા, આમ કુલ ₹53.50 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો. સમાધાનના બહાને અપહરણ કરી બોટાદ લઈ ગયાબાકીના રૂપિયાની ઉઘરાણી ચાલુ હતી અને સમાધાનના બહાને આરોપીઓએ ભરતભાઈનું કારમાં અપહરણ કરીને બોટાદ લઈ ગયા હતા. ત્યાં તેમને ગોંધી રાખીને ધાકધમકીઓ આપવામાં આવી હતી. આ ઘટના બાદ ભરતભાઈએ ખુશીબેન પટેલ (ગોંડલ), મુકેશભાઈ આલ (સુદામડા, બોટાદ), રામાભાઈ ગઢડા (નાગલપર, બોટાદ), જીલાભાઈ ભરવાડ (બોટાદ), મનીષભાઈ ગારીયા (બોટાદ), પાંચાભાઈ કોળી (તીથવા, વાંકાનેર), કરણ વરૂ ઉર્ફે કેક (વાંકાનેર) અને દેવાંગ વેલાણી ઉર્ફે પી.ડી. કોળી (બોટાદ) સહિત કુલ આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી એ-ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:25 pm

મગુનામાં દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસના દરોડા:3 અડ્ડા પર 600 લિટર દેશી દારૂનો નાશ કરાયો, મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

મહેસાણા જિલ્લાના મગુના ગામમાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂના વેચાણને લઈને વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ મામલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર ત્રાટકી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી અંદાજે 600 લિટર જેટલા દેશી દારૂના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો છે. લાંબા સમયથી બંધ પડેલી 'મગુના આઉટ પોસ્ટ' ને ફરી શરૂ કરાઈનોંધનીય છે કે થોડા દિવસો અગાઉ મગુના ગામની એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં મહિલાએ ગામમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા ગામમાં લાંબા સમયથી બંધ પડેલી 'મગુના આઉટ પોસ્ટ' ને તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દારૂના અડ્ડાઓ પર દરોડાઆઉટ પોસ્ટ કાર્યરત થતાની સાથે જ પોલીસે ગામમાં પોતાની પકડ મજબૂત કરી છે. દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાની સાથે સાથે પોલીસે આજે ગામના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું. આ ઉપરાંત, શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરીઅસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગ્રામજનો સાથે દારૂબંધી સમિતિની રચના કરી થોડા દિવસ અગાઉ સાંથલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.વરચંદ દ્વારા મગુના ઓ.પી.ની ટીમ સાથે હાજરી આપી ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી.જે બાદ PIએ ગામમાં અસામાજિક પ્રવૃતિઓને ડામવા માટે ગ્રામજનો સાથે દારૂબંધી સમિતિની રચના કરી હતી. તો તેમની માગ મુજબ 1 PSI અને હોમગાર્ડ સહિત 4 પોલીસ કર્મીઓના સ્ટાફ સાથે મગુના આઉટ પોસ્ટ શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા મળતી રજૂઆતો ધ્યાને લઈ જ્યાં પણ અસામાજિક પ્રવૃત્તિ સામે આવે ત્યાં તુરંત કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:17 pm

પોરબંદરમાં ટ્રાફિક બ્રિગેડને મળ્યો ખોવાયેલો ફોન:સુદામા ચોક પર ફરજ દરમિયાન માલિકને પરત કર્યો

પોરબંદરમાં ટ્રાફિક શાખાના ટ્રાફિક બ્રિગેડ જવાને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુદામા ચોક ખાતે ફરજ દરમિયાન તેમને એક ખોવાયેલો મોબાઇલ ફોન મળ્યો હતો, જે તેમણે તેના મૂળ માલિકને પરત કર્યો હતો. આ ઘટના ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બની હતી. ટ્રાફિક બ્રિગેડના જવાન કિરણભાઈ સરમણભાઈ ખૂટીને સુદામા ચોક પરથી એક મોબાઇલ ફોન મળ્યો હતો. ફોન ચાલુ હાલતમાં હોવાથી તેમણે તાત્કાલિક ટ્રાફિક શાખાના પો.ઇન્સ. એમ.એલ. આહીરને જાણ કરી હતી. પો.ઇન્સ. આહીરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ વનપ્લસ કંપનીનો મોબાઇલ ફોન હતો, જેની અંદાજિત કિંમત રૂ. ૩૦,૦૦૦ હતી. ફોનના માલિક પોરબંદરના નિલમબેન દ્વિવેદી હોવાનું ઓળખાયું હતું. આધાર કાર્ડ દ્વારા નિલમબેન દ્વિવેદીની ઓળખ પુષ્ટિ કર્યા બાદ મોબાઇલ ફોન તેમને સુપરત કરવામાં આવ્યો હતો. પોતાનો ખોવાયેલો ફોન પાછો મળતા નિલમબેન દ્વિવેદીએ પો.ઇન્સ. એમ.એલ. આહીર, ટ્રાફિક બ્રિગેડના જવાન કિરણભાઈ ખૂટી અને સમગ્ર ટ્રાફિક પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:12 pm

પોરબંદર LCBએ દારૂ કેસનો મુખ્ય આરોપી ઝડપ્યો:રૂ. 35.54 લાખનો જથ્થો મોકલનાર રાહુલ પટેલ ગોંડલથી પકડાયો

પોરબંદર LCB પોલીસે પ્રોહીબીશનના ગુનામાં મોટી સફળતા મેળવી છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બોખીરામાંથી ટ્રકમાં ભરેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયા બાદ, આ દારૂ મોકલનાર મુખ્ય આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. અગાઉ પોલીસે બોખીરા વિસ્તારમાંથી એક ટ્રકમાંથી કુલ 11,868 બોટલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ દારૂની કુલ કિંમત રૂ. 35,54,931 આંકવામાં આવી હતી. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય આરોપી રાહુલ સંજયભાઇ પટેલ છે, જે વલસાડના વાઘલઘરા ગામનો રહેવાસી છે. રાહુલ પટેલ છેલ્લા છ માસથી પોલીસથી નાસતો ફરતો હતો. પોરબંદર LCBને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી રાહુલ પટેલ ગોંડલ તરફ આવવાનો છે. આ માહિતીના આધારે LCBની ટીમે ગોંડલ-રાજકોટ બાયપાસ રોડ પર ખોડીયાર હોટલ પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી ૨૫ વર્ષીય આરોપી રાહુલ સંજયભાઇ પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની B.N.N.S. કલમ 35(1) હેઠળ અટકાયત કરવામાં આવી છે. વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પ્રોહીબીશન વિરોધી કાર્યવાહી સતત કડક બનાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 9:10 pm

રાજકોટમાં નાતાલની ઉજવણી વચ્ચે કેકના નમૂના લેવાયા:મનપાએ ભવાની સેલ્સ એજન્સી, પ્રાઇડ ડેલીસીયસ બેકર્સમાંથી 8 નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા

હાલ એક તરફ ક્રિસમસની ઉજવણી થઇ રહી છે ત્યારે બીજી તરફ નતાલના તહેવાર દરમિયાન બેકરીની ચીજ વસ્તુઓને કારણે લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે મહાનગરપાલિકા દ્વારા બેકરીઓમાંથી કેક અને પેસ્ટ્રી સહિતના આઠ નમુના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. કાલાવડ રોડ કોટેચા ચોકમાં આવેલ ભવાની સેલ્સ એજન્સીમાંથી સ્વીટ ચોકલેટ કેક, પીનેકલ બિલ્ડીંગમાં ધ કેક બારમાંથી ડબલ ડિલાઇટ કેક, કે.પી.ફુડસ (કેક ફોરેસ્ટ એટીએમ)માંથી બટરસ્કોચ કેક, બેક હાઉસમાંથી જર્મન ચોકલેટ કેકના નમુના લેવાયા છે. જ્યારે યુનિવર્સિટી રોડ, પંચાયત ચોકમાં આવેલ પ્રાઇડ ડેલીસીયસ બેકર્સમાંથી પાઇનેપલ અને પ્લમ કેક, જલારામ-4માં આવેલ માહી લાઇવ બેકરીમાંથી ચોકો આલ્મંડ કુકીઝ અને કસાટા પેસ્ટ્રીના સેમ્પલ લેવાયા છે. ફૂડ વિભાગની ટીમે મુંજકા ગામ વિસ્તારમાં આવેલ 20 ધંધાર્થીને ત્યાં 20 નમુનાની ચકાસણી કરીને 11 દુકાનદારોને નોટીસ આપી હતી. તેમાં મુરલીધર પાન, કોલ્ડ્રિંક્સ, જય જલારામ નાસ્તા હાઉસ, મહારાજ ભોજનાલય, રામદૂત ડાઈનીંગ હોલ, બાલાજી રેસ્ટોરેન્ટ, શિવશક્તિ મેડિકલ, ક્રિષ્ના ડાઈનીંગ હોલ, શિવશક્તિ નાસ્તા પોઈન્ટ, જરિયા ડાઈનીંગ હોલ, બંસીધર ફૂડ ઝોન અને ગાત્રાળ ડેરી ફાર્મનો સમાવેશ થાય છે. SIR બાદ હવે મેગા ડોકયુમેન્ટ કલેકશન કેમ્પ યોજાશે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર)બાદ હવે આવતીકાલ તા.27 અને 28 તેમજ તા.3 અને 4ના રાજકોટ શહેર જીલ્લાનાં તમામ 2512 મતદાન બુથો પર મેગા ડોકયુમેન્ટ કલેકશન કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં જીલ્લાનાં તમામ મતદાન બુથો પર સવારનાં 11 થી સાંજના 5 કલાક સુધી બી.એલ.ઓ. બેસશે આ કેમ્પમાં મતદારો મતદાર યાદીમાં નામ કઢાવી શકશે સાથે વિગતોની ચુકાસણી કરી શકશે.જેમાં નવા મતદાર માટે ફોર્મ-6, મતદાર યાદીમાં નામ કમી કરાવવા માટે ફોર્મ-7 તેમજ સરનામું અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ-8 મતદારોએ ભરવાનું રહેશે.જેઓની ઉંમર તા.1-1-2026 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થાય છે તેવા પાત્ર નાગરીકોને મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા માટે અનુરોધ કરવામાં આવેલ છે. મતદાર નોંધણી તથા ફેરફાર માટે ઓનલાઈન સેવાઓ તરીકે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ WWW.voter eci.gov.in ઉપલબ્ધ છે. આ ઉપરાંત રૂબરૂ સેવાઓ માટે કલેકટર કચેરી પ્રાંત કચેરી મામલતદાર કચેરી તથા મતદાન મથક પર સંપર્ક કરી શકાશે. વધુ માહીતી માટે નાગરીકો હેલ્પ લાઈન નં.1950 પર સંપર્ક કરી શકશે. હવે બાંધકામ વેસ્ટના નિકાલ-પ્રોસેસની રસીદ આપ્યા બાદ જ ટીપી શાખા પ્લાન મંજૂર કરશે રાજકોટમાં રોજ ટનબંધ નીકળતા બાંધકામ વેસ્ટના નિકાલ માટે જગ્યા સહિતની નીતિ કરવામાં આવી છે. આમ છતાં હજુ આડેધડ આજી નદી સહિતના વિસ્તારમાં વેસ્ટ ફેંકવામાં આવતો હોય, મનપાએ કડક નિયમ કર્યા છે. આ ન્યુસન્સ વધતા મનપાએ હવે નિયમને વધુ કડક બનાવી બાંધકામ વેસ્ટનો નિકાલ નાકરાવાડી ખાતે કરવાનાં નિયમો અમલી બનાવ્યા છે જેમા તમામ બાંધકામ વેસ્ટ મનપાનાં વજન કાંટે વજન કર્યા બાદ નિકાલ કરી બંને સ્થળની પાકી પહોંચ ટીપી વિભાગમા રજુ કરે તે બાદ જ બાંધકામ પ્લાનની મંજૂરી અપાશે તેમ નિર્ણય લેવાયો છે. અનંતાનગર સોસાયટીના આસામીને જાહેરમાં બાંધકામ વેસ્ટ ફેંકવા બદલ દંડ કાલાવડ રોડ પર આવેલ અનંતાનગર સોસાયટી પાસે જાહેર જગ્યા પર બાંધકામ વેસ્ટ નાખવા બદલ મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આસામી પાસેથી રૂ. 15,000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. ગઇકાલે વોર્ડ નં.8 ખાતે કાલાવડ રોડ પર આવેલ અનંતાનગર સોસાયટી પાસે જાહેર જગ્યા પર બાંધકામ વેસ્ટ નાખવા બદલ આસામી પાસેથી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. પર્યાવરણ ઇજનેરની સૂચનાથી ટીમે આ દંડ કર્યો હતો. લોકોને જાહેરમાં આવો વેસ્ટ, કચરો ન ફેકવા તેમજ ગંદકી ન કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 8:50 pm

બોટાદમાં વીર બાલ દિવસની ઉજવણી:સાહિબજાદાઓના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ અપાઈ

બોટાદ શહેરમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી. શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદાઓના શૌર્ય અને બલિદાનને યાદ કરવા આ દિવસ મનાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં સાહિબજાદાઓના જીવન, તેમના બલિદાન અને ધર્મરક્ષાના સંદેશને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ઉજવણીના ભાગરૂપે પ્રાર્થના, પ્રવચન અને દેશભક્તિપૂર્ણ સંદેશાઓ રજૂ કરાયા હતા. અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં બોટાદના પોલીસ અધિક્ષક એ. એ. સૈયદ, શિક્ષણ નિરીક્ષક વિક્રમસિંહ પરમાર, રમતગમત અધિકારી, યુવા વિકાસ અધિકારી, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ તેમના સંબોધનમાં સાહિબજાદાઓના બલિદાનને યુવા પેઢી માટે પ્રેરણાસ્રોત ગણાવ્યું હતું. તેમણે યુવાનોને તેમના આદર્શોને જીવનમાં અપનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમાજમાં શૌર્ય, ત્યાગ અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાના મૂલ્યોને ઉજાગર કરવાનો હતો.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 8:23 pm

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વાંકાનેર અશ્વ રમતોત્સવમાં ઉપસ્થિત:કહ્યું, ગાય, ઘોડો, સિંહ ગુજરાતની ઓળખ, સંવર્ધન માટે સરકાર પ્રયત્નશીલ

વાંકાનેરમાં આયોજિત કામા અશ્વ રમતોત્સવમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગાય, ઘોડો અને સિંહ એ ગુજરાતની આગવી ઓળખ છે. રાજ્યપાલે ઉમેર્યું કે, તેમના સંવર્ધન અને વિકાસ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વાંકાનેરનો આ અશ્વ શો પશુપાલકો અને ખાસ કરીને અશ્વપાલકો માટે પ્રોત્સાહનરૂપ સાબિત થશે. આ રમતોત્સવનું આયોજન ગુજરાત સરકારના પશુપાલન વિભાગ, પ્રવાસન વિભાગ અને કામા સોસાયટીના સહયોગથી કરવામાં આવ્યું હતું. વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપરાંત સાંસદ પરસોતમભાઈ રૂપાલા અને ગોંડલ સ્ટેટના હિમાંશુસિંહજી જાડેજા સહિતના રાજવીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ વિભાગના માઉન્ટેન ઘોડા સવારો દ્વારા વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને સંબોધતા જણાવ્યું કે ગીરના સિંહ, ગીર અને કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ તેમજ કાઠિયાવાડી અને મારવાડી ઘોડા ગુજરાતની આગવી ઓળખ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગાય અને ઘોડા પશુપાલકો અને ખેડૂતો માટે સમૃદ્ધિનું પ્રતિક મનાય છે. તેમણે વાંકાનેરના મહારાણા સ્વર્ગીય દિગ્વિજયસિંહ ઝાલાને યાદ કરી પર્યાવરણ અને પ્રકૃતિ માટેના તેમના કાર્યોને બિરદાવ્યા હતા. રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું કે છેલ્લા વર્ષોમાં 8 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કામા રમતોત્સવ અંતર્ગત અશ્વના સંવર્ધન અને વિકાસ માટે સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, તેનાથી અશ્વપાલકોને મોટું પ્રોત્સાહન મળે છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 8:21 pm

બોટાદમાં સ્પે. પીપીની માગ સાથે અનુસૂચિત જાતિનું આંદોલન:રાજુ પરમાર અપહરણ અને હત્યા કેસમાં કલેકટર કચેરી સામે પાંચમા દિવસે પણ ઉપવાસ ચાલુ

બોટાદમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (SPP) ની નિમણૂકની માંગ સાથે અનુસૂચિત સમાજ દ્વારા ચલાવવામાં આવી રહેલું પ્રતિક ઉપવાસ આંદોલન આજે પાંચમા દિવસે પણ યથાવત રહ્યું છે. આ આંદોલન બોટાદ જિલ્લા કલેકટર કચેરી સામે ચાલી રહ્યું છે. આ માંગણી વર્ષ ૨૦૧૧માં સરવઈ ગામે બનેલી રાજુ પરમારના અપહરણ અને હત્યાના ગંભીર કેસ સાથે સંબંધિત છે. મૃતકના ભાઈ બાબુ પરમારે આ કેસમાં ન્યાય મેળવવા માટે ખાસ સરકારી વકીલની નિમણૂક કરવાની અપીલ કરી છે. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં સ્પેશિયલ પીપીની નિમણૂક ન થતાં અનુસૂચિત સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જેના પગલે ૨૨ ડિસેમ્બરથી કલેકટર કચેરી બહાર શાંતિપૂર્ણ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આંદોલનકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા આ કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં નહીં આવે, ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનો દ્રઢ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે હવે તંત્રની આગામી કાર્યવાહી પર સૌની નજર મંડાયેલી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:57 pm

નર્મદા કલેક્ટરે મનસુખ વસાવા, નીલ રાવ સામે સ્વીકાર્યું:“ચૈતર વસાવાએ પૈસા માંગ્યા એ વાત સાચી”, ચૈતર વસાવાએ કહ્યું - “ભાજપની EDની ધમકી અને દબાણથી કલેક્ટરે નિવેદન બદલ્યું”

નર્મદા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમના હિસાબને લઈને ચૈતર વસાવા દ્વારા કથિત રીતે 75 લાખ માંગવાના આક્ષેપ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર 75 લાખ રૂપિયા માંગવાની પૂર્વ કોન્ફરન્સમાં આક્ષેપ કરતા ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે કલેકટર કચેરીએ પહોચ્યાં હતા, જે દરમિયાન કલેક્ટર સંજય મોદીએ એવું કહ્યું હતું કે આવી કોઈ વાત નથી. કલેક્ટરે આવું કહેતા સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા અને પોતે સાચા છે એવું કહેતા ભારતીય જનતા પાર્ટી છોડી દેવાની ધમકી આપી હતી. આજે 26 ડિસેમ્બરે સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલ રાવ સાથે નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. નર્મદા કલેક્ટર સંજય મોદીએ મનસુખ વસાવા, નીલ રાવ સામે ઓન કેમેરા સ્વીકાર્યું કે ચૈતર વસાવાએ પૈસા માંગ્યા એ વાત હેલિપેડ પર કાર્યપાલક ઇજનેરે કહી હતી, અને આ અંગે તેમણે તપાસના આદેશ આપ્યાં છે. બીજી બાજુ ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે કે મનસુખ વસાવા બોખલાઈ ગયા છે, તેમણે સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓને ધમકાવ્યાં જે બાદ ઉપરથી કહેવામાં આવતા કલેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું છે. ભાજપ નેતાઓ દ્વારા EDની ધમકી અને દબાણને કારણે કલેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું છે. તમારા જવાબથી મારી રાજકીય કારકિર્દીને નુકસાન થયું, જે હકીકત છે એ જણાવો : મનસુખ વસાવાસાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું જેમાં લખવામાં આવ્યું હતું કે ડેડીયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે મોટા કાર્યક્રમ બાદ સંકલન સમિતિની બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્યએ હિસાબ માંગીને 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી. 6 ડિસેમ્બરે ઉપરાષ્ટ્રપતિ કેવડિયા ખાતે સરદાર @150 રાષ્ટ્રીય પદયાત્રાના સમાપન સમારોહમાં પધારેલા તેમની વિદાય બાદ કેવડિયા હેલીપેડ ખાતે નર્મદા જિલ્લા કાર્યપાલક ઈજનેર માર્ગ મકાને આપને જણાવ્યું હતું કે ધારાસભ્ય ડેડીયાપાડા સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી 75 લાખની માંગ કરે છે. આ બાબતની જાણ આપે મને અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને કરી અને હેલીપેડ પર જ જિલ્લાના બીજા ઉચ્ચ અધિકારીઓ અને કાર્યપાલક ઈજનેર સાથે આ બાબતે ચર્ચા કરી હતી. અધિકારીઓને કોઈ ડરાવે ધમકાવે નહીં અને ખોટી રીતે કોઈ પૈસાની માંગણી ન કરે તે ઉદ્દેશ્ય સાથે મેં રાજપીપલા કમલમ્ ખાતે પત્રકાર મિત્રોને આમ આદમી પાર્ટીના આગેવાનો જિલ્લાના અધિકારીઓ પાસે છાસવારે પૈસાની ઉઘરાણી કરે છે અને 75 લાખ રૂપિયાની માંગણીના મુદ્દાની ચર્ચા કરી. ત્યારબાદ બીજા દિવસે મારે પાર્લામેન્ટ ચાલુ હોવાથી દિલ્લી જવાનું થયું. આ સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખને કોઈક ગેરસમજ ઊભી થતાં મારા વિરુદ્ધ ધરણા પર બેસવાની જાહેરાત કરી, તેઓ ધારણા પર તો ન બેઠા પરંતુ તેઓના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજી મારા વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો. તેમને ચોક્કસ કોઈ ગેરસમજ ઊભી થઈ હતી. તો તેમની આ ગેરસમજ દૂર કરવા માટે ફરીથી મેં પત્રકાર મિત્રોને બોલાવી ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ગેરસમજ દૂર કરવા તથા મારા પર તેમના દ્વારા મુકેલા આરોપોનો ખુલાસો કરવા તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયામાં બેફામ પ્રમાણે નિમ્નકક્ષાના જવાબો આપવા મેં નામ જોગ આપની સાથે તથા કાર્યપાલક ઈજનેર સાથે જે ચર્ચા થઈ હતી તે મુજબ 75 લાખની માંગણી બાબતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના નામનો મેં ઉલ્લેખ કર્યો અને કેવડિયા હેલિપેડ પર કાર્યપાલક ઈજનેર, આપની સાથે તથા બીજા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી તથા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની વિસ્તૃત ચર્ચા થઈ હતી તે હકીકત મેં મીડિયાના મિત્રોને જણાવી તેનાથી ધારાસભ્ય ચૈતર વસાવા નારાજ થઈ તમારી સમક્ષ રજુઆત કરી અને પ્રતિઉત્તરમાં આપના જવાબથી મારી રાજનીતિક કારકિર્દીને નુકસાન થાય તેમ છે. મારો ઈરાદો આપને કે સરકારી અધિકારીને ખુલ્લો પાડવાનો ન્હોતો પણ ડૉ. દર્શનાબેન દેશમુખની ગેરસમજ દૂર કરવા માટે જે આપની સાથે કેવડિયા વાત થઈ હતી તે જ પત્રકાર મિત્રોને મેં જણાવી અને આનાથી ઘણા બધા લોકોની ગેરસમજ દૂર પણ થઈ પરંતુ હું જે લડાઈ લડું છું તે સરકારને બદનામ કરનારાઓ, જિલ્લાના અધિકારીઓને ડરાવવા ધમકાવા વાળાઓ સામે લડું છું. મારો આમાં કોઈ અંગત સ્વાર્થ નથી આ પ્રજાહિત સાથે જોડાયેલો મુદ્દો છે તેથી આપે કેવડીયામાં જે વાત કરી હતી તે વાતને વળગી રહેવું પડશે અને મને આશા છે કે આપ એક ઉચ્ચ સંવૈધાનિક પદ પર બિરજમાન છો તો ડેડીયાપાડાના ધારાસભ્યને હકીકત જણાવવી એ જિલ્લાની પ્રજાના હિતમાં છે. ચૈતર વસાવાએ પૈસા માંગ્યા એ વાત હેલિપેડ પર નાયબ ઇજનેરે મનેકહી હતી : કલેક્ટર સંજય મોદીમનસુખ વસાવાએ ઉપરોક્ત સમગ્ર વાત કલેક્ટર સંજય મોદી સમક્ષ રજૂ કરતા કલેક્ટરે કહ્યું હતું કે તેઓ મનસુખ વસાવાના તમામ મુદ્દાનું સમર્થન કરે છે અને ચૈતર વસાવાએ પૈસા માંગ્યા એ વાત હેલિપેડ પર નાયબ ઇજનેરે કહી હતી. મારી ઓફિસમાં આવી કોઈ વાત થઇ નથી. કલેક્ટરે કહ્યું - “માનનીય સાંસદ આપણા માટે સન્માનનીય અને આદરણીય છે. એમણે જે મુદ્દાઓ કહ્યાં એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું. માનનીય સંસદ સભ્યશ્રીએ કહ્યું એ પ્રમાણે હેલિપેડ પર મારે વાત થઈ હતી અને એક્ઝિક્યુટિવ એન્જીનીયર સ્ટેટ જે છે એમના મારફત આ વાત જણાવી હતી. આ મુદ્દે ડેડીયાપાડા ધારાસભ્યએ જે આવેદનપત્ર આપ્યું છે તેની તપાસ પણ મેં સોંપી દીધી છે. એમણે કહ્યું કે એ વાત અહીં મારા કાર્યાલય અને મારી ચેમ્બરમાં થઇ હતી એ વાત ખોટી છે, પણ હેલિપેડ પર આ વાત થઇ હતી એ સાચું છે અને આવી રીતે રૂપિયાની માંગણી થઇ છે એ વાત પણ હેલિપેડ પર થયેલી છે. એમણે સીધી મારી સાથે વાત નથી કરી પણ એક્ઝિક્યુટિવ એન્જીનીયર અને કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે. આ વાત મારે માનનીય સંસદસભ્ય સાથે થઇ હતી.” ભાજપની EDની ધમકી અને દબાણથી કલેક્ટરે નિવેદન બદલ્યું : ચૈતર વસાવાચૈતર વસાવાએ આ સમગ્ર ઘટના બાદ નિવેદન આપ્યું કે 24 ડિસેમ્બરે કલેક્ટરને મળવા ગયા હતા ત્યારે તેમણે મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે આવી કોઈ વાત નથી. કાર્યપાલક ઇજનેરે પણ એવું કહ્યું કે તેઓ 7 ડિસેમ્બરથી રજા પર છું, હું આ વાતમાં છું જ નહિ. મનસુખ વસાવા બોખલાઈ ગયા છે, તેમણે સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓને ધમકાવ્યાં જે બાદ ઉપરથી કહેવામાં આવતા કલેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું છે. મનસુખભાઈના દબાણ બાદ આ આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી. કલેક્ટર બંધારણીય પદ પર બેસીને આવી બે મોઢે વાત કરે એ શોભે નહીં. અમે જે ખુલાસો માંગ્યો છે એ 7 દિવસમાં કાલકેટર અમને આપે. અમારી કારકિર્દીને નુકસાન થાય એ સખી લઈશું નહીં. જે પણ શાખાઓમાથી 10 ગણા ખર્ચા થયા છે તેની પણ CID તપાસની માંગ કરીએ છીએ. ખર્ચ કરનારી એજેન્સીઓ મનસુખ વસાવાને સંબંધિત હતી જેથી તેમનું ચરિત્ર સામે ન આવે તે માટે તેઓ રાજીનામુ આપવા સુધી પહોંચી ગયા છે. અમને વાત મળી છે કે કલેકટરને ભાજપના નેતાઓ દ્વારા ED સુધીની ધમકી આપવામાં આવી છે. સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તા સામે શાણપણ નકામું છે. અમે કહીએ એ પ્રકારે નિવેદન આપવાનું છે. કલેક્ટર સાહેબની હું મજબૂરી સમજી શકું છું. દબાણને કારણે કલેક્ટરને પોતાની વાત ફેરવી તોળવી પડી છે. આવનારા દિવસોમાં આ કાર્યક્રમના ખર્ચની તમામ માહિતી માંગીશુ અને CID તપાસની માંગ કરીશું અને જે પણ ખર્ચ થયો છે તેની રિકવરી થાય તેવી માંગ કરીશું.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:55 pm

Editor's View: શિક્ષણની ઘોર ખોદાઇ:દેશના ડિફેન્સ બજેટ જેટલો ભારતીયોનો વિદેશમાં ભણવાનો ખર્ચ, નીતિ આયોગનો ધડાકો, વાલીઓએ સમજવા જેવી 5 વાત

વર્ષ 2022માં ભારતના વિદ્યાર્થીઓએ વિદેશ ભણવા માટે પોણા ચાર લાખ કરોડથી વધુ રૂપિયા વાપર્યા હતા અને આ વર્ષે 6 લાખ કરોડ રૂપિયા વાપરવાના છે. 6 લાખ કરોડની રકમ એટલે મોદી સરકારના કૂલ શિક્ષણ બજેટ કરતા પાંચ ગણી વધારે રકમ. એક બાપ આજના સમયમાં પેઢીઓની જમીન વેચી દે છે અથવા આખી જિંદગીની મૂડી એરપોર્ટ પર દીકરા કે દીકરીને બાય-બાય કહેવા માટે ખર્ચી નાખે છે. જો હજુ પણ ભારત સરકારે પોતાનું શિક્ષણ ન સુધાર્યું તો ભવિષ્યમાં સૌથી તેજસ્વી મગજ વિદેશમાં જતા રહેશે. આપણે આપણા જ દેશનું ટેલેન્ટ પશ્ચિમને પીરસી રહ્યા છીએ જેના શરૂઆતના ભણવા પાછળનો ખર્ચો આપણા ટેક્સના રૂપિયાથી થયો છે. નમસ્કાર.... નીતિ આયોગે હમણા થોડા દિવસો પહેલા ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા નામનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે. 266 પાનાના આ રિપોર્ટને ધ્યાનથી વાંચીએ તો આપણી સામે એક વિલન સામે આવે છે જે છે આપણી પોતાની શિક્ષણ વ્યવસ્થા. જેના કારણે આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે દીકરા કે દીકરીનું ભવિષ્ય સિક્યોર કરવું હોય કે આગળ વધારવો હોય તો વિદેશમાં ભણવા મોકલો અને વિદેશમાં જ સેટલ કરવું. આમાં મા-બાપનો કંઈ વાંક નથી પણ આપણી શિક્ષણ વ્યવસ્થાનો જ વાંક છે કે આપણે યોગ્ય શિક્ષણ વિદ્યાર્થીઓને આપી નથી શકતા જેના કારણે બાળકોને વિદેશ ભણવા મોકલવા પડે છે. દેશમાં પરિસ્થિતિ એ લેવલે પહોંચી ગઈ છે કે ગરીબ દેશનો 1 વિદ્યાર્થી ભારતમાં ભણવા આવે છે અને સામેની બાજુ આપણે 28 વિદ્યાર્થીને ભણવા માટે બહાર મોકલીએ છીએ. નીતિ આયોગનો રિપોર્ટ મતલબ (ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા) સાવ એવું પણ નથી કે સરકાર પ્રયાસ નથી કરી રહી. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે નીતિ આયોગે સરકારને 22 ભલામણો કરી છે. મેકોલેની શિક્ષણ નીતિએ ઘોર ખોદી આપણા ઈતિહાસમાં નજર કરીએ તો ભારત ક્યારેય શિક્ષણનું એક્સપોર્ટર નહોતું. તક્ષશિલા, નાલંદા અને વલ્લભી જેવી વિશ્વવિદ્યાલયમાં ભણવા માટે વિદેશથી લોકો ભારત આવતા હતા. પરિસ્થિતિ ત્યારે બગડી જ્યારે મેકોલેની એજ્યુકેશન પોલિસીએ વિદ્વાન નહીં પણ ક્લાર્ક પેદા કરવાની પ્રોસેસ શરૂ કરી. ટોપ 100 યુનિ.માં ભારતની એકપણ નહીં આ વાત સાંભળીને કદાચ વાલીઓને સારું નહીં લાગે પણ વિશ્વની સૌથી સારી 100 યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી. વર્ષ 2025ના QS રેન્કિંગમાં ભારતની સર્વોચ્ચ સંસ્થા IIT બોમ્બે છે, જેનો ક્રમ 118મો છે. આ ગંભીર વાતને ત્રણ પાસાંથી સમજીએ 1) આર્થિક પાસું વિદેશમાં ભણવા માટે જવામાં થતો નાણા પ્રવાહ છેલ્લા 10 વર્ષમાં 30 ગણો વધ્યો છે. વિદેશમાં ભણવા પાછળ ભારતીયોનો ખર્ચ મતલબ કે, જો તેમાં વિદ્યાર્થીઓના જે તે દેશમાં રહેવાનો ખર્ચ, જમવાનો ખર્ચ અને અન્ય ખર્ચાઓ ઉમેરવામાં આવે, તો ભારતની બહાર વહી જતી સંપત્તિનો આ આંકડો 29 હજાર કરોડથી પણ ઘણો વધારે હોઈ શકે છે. 2) રાજકીય પાસું ડો. આંબેડકરે કહ્યું હતું શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે દહાડશે. શિક્ષણને ભારતના સંદર્ભમાં સૌથી મોટું કૂટનીતિક હથિયાર પણ માની શકાય. કારણ કે જે દેશના વિદ્યાર્થી અથવા ભાવિ નેતા ભારતમાં ભણશે તેઓ ભારતની સંસ્કૃતિના વાહક બનશે. માટે જ નીતિ આયોગે 2047 સુધીમાં વધુમાં વધુ વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં લાવવા માટે પ્લાન ઘડ્યો છે. પણ સામેની બાજુ ભારતના વિદ્યાર્થીઓને બહાર જતા રોકવા તેનાથી પણ જરૂરી વિષય છે. 3) સામાજિક પાસું 29 હજાર કરોડમાં દેશના 3 ટકા ધનીક પરિવારના વિદ્યાર્થી વિદેશમાં ભણે છે. જ્યારે આજની તારીખે દેશના 97 ટકા વિદ્યાર્થીઓ 6 લાખ કરોડના બજેટમાં ભારતમાં જ ભણે છે. તેમને પણ વૈશ્વિક દૃષ્ટિકોણ માટે વૈશ્વિક એક્સપોઝર આપવું જરૂરી છે પણ તે બ્રેઈન ડ્રેઈનના ભોગે ન હોવું જોઈએ. એટલે કે તેનો ઉપયોગ પછી ભારતમાં જ થવો જોઈએ તે વિદ્યાર્થી સારી ડિગ્રી મેળવીને વિદેશમાં સ્થાયી ન થાય તેવું માળખું દેશ માટે અતિ જરૂરી છે. વિશ્વનો શિક્ષણ પાછળ ખર્ચ અને ભારત ક્યાં? સ્ક્રીન પણ તમને વિશ્વના દસ દેશ દેખાય છે જે પોતાની જીડીપીના કેટલા ટકા શિક્ષણ પાછળ ખર્ચે છે તે જોઈ શકાય છે. અહીં તમે ભારત જુઓ અને બીજા દેશો જુઓ તે શિક્ષણને કેટલી ગંભીરતાથી લે છે. દુનિયામાં શિક્ષણ પાછળ ખર્ચ (ખર્ચ કુલ GDPની ટકાવારીમાં) અમેરિકા 6.1% બ્રાઝિલ 6% બ્રિટન 5.5% ફ્રાન્સ 5.4% કેનેડા 5.3% દક્ષિણ કોરિયા 5.1% જર્મની 4.8% ભારત 4.5% ચીન 4.2% જાપાન 3.6% (Source: ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા) 60 વર્ષ થયા પણ શિક્ષણ પાછળ ખર્ચ ન વધ્યો! 1966માં કોઠારી કમિશને પહેલીવાર કહ્યું હતું કે ભારતે GDPના 6% શિક્ષણ પાછળ ખર્ચવા જોઈએ. 60 વર્ષ વીતી ગયા, 3 શિક્ષણ નીતિઓ આવી, પણ આપણે ક્યારેય એ 6% ના જાદુઈ આંકડાને સ્પર્શી શક્યા નથી. શિક્ષણ પાછળનો આ ઓછો ખર્ચ જ કદાચ આપણી નબળાઈનું મુખ્ય કારણ છે. વિદેશમાં શિક્ષણ ભારત માટે પગ પર કુહાડી અમેરિકા જનારા ભારતીય વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના STEM એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરિંગ અને મેથ્સ ક્ષેત્રના હોય છે. ટૂંકમાં ભારત પોતાની ટેકનોલોજીકલ શક્તિ બીજા દેશોને મફતમાં આપી રહ્યું છે. અમેરિકામાં નવી H-1B વિઝા અરજીઓ માટે 1 લાખ ડોલરની ફી લાદવાની દરખાસ્ત છે. વાલીઓને સમજવું પડશે કે વિદેશ જવું એ હવે માત્ર ભણતર નથી, પણ બહુ મોટું આર્થિક જોખમ છે. આપણે સમજવું પડશે કે પશ્ચિમી દેશો ભારતને માત્ર એક પ્રોફિટેબલ માર્કેટ તરીકે જુએ છે. અમેરિકા, કેનેડા અને યુકેની યુનિવર્સિટીઓ માટે ભારતીય વિદ્યાર્થીઓ તેમનું અર્થતંત્ર ચલાવવાનું સાધન છે. આવું ન થાય તેના માટે સરકારે આ નીતિ આયોગના રિપોર્ટમાં ગિફ્ટ સિટીમાં એવું કેમ્પસ બનાવવા જઈ રહી છે જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ આવીને ભણે અને ભારતને તે વિદ્યાર્થીઓના ભણતર પાછળ ખર્ચ થતા રૂપિયાથી લાભ થાય. નીતિ આયોગની ભલામણ છે કે 2047 સુધીમાં 8 લાખ વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે. હવે આપણે આ રિપોર્ટમાં ગુજરાત માટે શું છે તેની પણ વાત કરીએ. નીતિ આયોગ કહે છે ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થી અભ્યાસ માટે વિદેશ ગયા? (Source: ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા) એટલે કે, 2025ના આંકડાઓ આવશે ત્યારે શું ખબર આપણે દેશના ટોપ 3 દેશોમાં હશું જે રાજ્યના સૌથી વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જતા હશે. કહેવાનો અર્થ એ છે કે જો આપણે આપણી શિક્ષણ વ્યવસ્થામાં સુધારો નહીં કરીએ, તો આપણે વૈશ્વિકને લીડર આપશું અને દેશમાં એવરેજ વિદ્યાર્થીઓ જ રહી જશે. વર્લ્ડ લેવલનું શિક્ષણ હવે ભારતમાં આવું ન થાય તેના માટે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયાની ડીકિન અને યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ જેવી યુનિવર્સિટીએ પોતાના કેમ્પસ નાખ્યા છે. જેના લીધે હવે ગુજરાતના વિદ્યાર્થીને કેનેડાની ઠંડીમાં ગેસ સ્ટેશન પર મજૂરી કરવાની કોઈ જરૂર નથી. વિદેશી લેવલનો અભ્યાસ ગુજરાતમાં જ થશે અને વિદ્યાર્થીઓને દેશમાં જ નોકરી મળી રહેશે. બ્રેઈન ડ્રેઈન થઈ શકે એટલું ઓછું થઈ જશે. શાહરુખ ખાનની ફિલ્મ હતી રઈશ. જેમાં ડાયલોગ હતો કે ગુજરાતની હવામાં જ વેપાર છે. તો ગુજરાતી માનસિકતાથી વિચારીએ તો ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓ આવશે એ એક પ્રકારનું ઈન્વેસ્ટમેન્ટ જ છે. અને ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અહીં જ ભણશે. ધીમે ધીમે વિદેશમાં જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવો એ જ લક્ષ્ય હોવું જોઈએ. લોકોને એ જાણવામાં પણ રસ હોય છે સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા દેશમાં ભણવા માટે જતા હોય છે તો નીતિ આયોગના રિપોર્ટ મુજબ... ભારતીયોનો ભણવા માટેનો હોટ ફેવરિટ દેશ ક્યો? સૌથી વધુ અમેરિકા, તેના પછી કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, રશિયા, સાઉથ કોરિયા, ચાઈના અને દસમા નંબરે સ્પેનમાં ભણવા માટે જાય છે. 2024માં કયા દેશમાં કેટલા વિદ્યાર્થી ગયા? (Source: ઈન્ટરનેશનલાઈઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા) સૌથી વધુ ભારતીય વિદ્યાર્થી કયા દેશમાં જાય છે? 2004માં અમેરિકા પ્રથમ નંબરે હતો, 2024માં પણ પ્રથમ નંબરે અમેરિકા જ હતો. 2004માં કેનેડા 9મા નંબરે હતો, 2024માં કેનેડા બીજા નંબરે આવી ગયો. એટલે કે, આ 20 વર્ષમાં કેનેડા ભણવા જવાનો ક્રેઝ વધ્યો છે. અને છેલ્લે….. આપણે 2025-26ના બજેટમાં ડિફેન્સ માટે જેટલા રૂપિયા ખર્ચવાના છીએ, લગભગ એટલી જ રકમ આપણા વિદ્યાર્થીઓ વિદેશી યુનિવર્સિટીઓને ફીમાં આપી રહ્યા છે. આ શિક્ષણનું એક્સપોર્ટ છે જે આપણે ઘટાડવી જ પડશે. કારણ કે વિશ્વગુરુ બનવાની શરૂઆત વિદેશીઓને ભારતમાં લાવવાથી કે મોકલવાથી નથી થતી, પણ ભારતના તેજસ્વી મગજને ભારત મારું છે અને અહીં મને શ્રેષ્ઠ તક મળશે એવો અતૂટ વિશ્વાસ અપાવવાથી થાય છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:55 pm

બિન હથિયારી PSI ભરતીમાં પેપર-2ના માર્ક્સ જાહેર:10 જાન્યુઆરી સુધી રીચેકિંગ માટે અરજી કરી શકાશે, મેરિટ આધારે બે ગણા ઉમેદવારોની યાદી જાહેર થશે

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. GPRB/2023-24/1 અંતર્ગત 13 ઓક્ટોબર, 2024ના રોજ યોજાયેલી બિન હથિયારી PSI લેખિત પરીક્ષા પેપર-2 (Gujarati English Language Skill – Descriptive)ના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષાર્થીઓ પોતાના માર્ક્સ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gprb.gujarat.gov.in તેમજ lrdgujarat2021.in પર જોઈ શકશે. જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ યોજાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષાના પેપર-૧ (પાર્ટ-A અને પાર્ટ-B) માં કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના પેપર-ર ના ગુણ જોવા માટે https://t.co/2r7w4xiQBR તથા https://t.co/wvsBPYFSFG ઉપર કલીક કરો.— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) December 26, 2025 રીચેકિંગ પ્રોસેસ બાદ મેરિટના આધારે બે ગણા ઉમેદવારોની યાદી જાહેર કરાશેજે ઉમેદવારો પેપર-2ના માર્ક્સ અસંતોષ ધરાવતા હોય તેઓ રીચેકિંગ માટે 10 જાન્યુઆરી, 2025ના સવારે 11 વાગ્યા સુધી અરજી કરી શકશે. રી-ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેરિટના આધારે બે ગણાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે, જેના આધારે આગામી દસ્તાવેજ ચકાસણીની કાર્યવાહી હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:53 pm

ઓડિટ રિપોર્ટના આધારે સુરત પાલિકામાં કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ:સ્વીપર મશીન, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, કચરા કાંડ, સિક્યુરિટી અને સિટી લિન્કમાં ભ્રષ્ટાચારના AAP ના ગંભીર આક્ષેપો

સુરત શહેરમાં આજે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગર પાલિકામાં ચાલતા અનેક કૌભાંડો વિશે પાલિકાના અધિકારીઓ અને શાસકો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેઓએ સુરત મહાનગર પાલિકાના સ્લીપર મશીનના કામોમાં ભ્રષ્ટાચાર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં કૌભાંડ, ઉબેર કચરા કાંડ, સિક્યુરિટીમાં કૌભાંડ, સીટી લિંકમાં ભ્રષ્ટાચાર જેવા ગંભીર આક્ષેપો કર્યા છે અને જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ તમામ માહિતી તેઓ દ્વારા સુરત મહાનગરપાલિકાના ઓડિટ રિપોર્ટના આંકડાકીય માહિતીના આધારે આપવામાં આવી છે. જેથી પાલિકામાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને શાસકો દ્વારા ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સુરત મહાનગર પાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકાના ઓડિટ રિપોર્ટ સ્પષ્ટ બતાવે છે કે શહેરનું સંચાલન કોઈ યોજના કોઈ જવાબદારી અને કોઈ નીતિ અને નિયંત્રણ વગર ચાલી રહ્યું છે. તેઓએ પાલિકાના ઓડિટ રિપોર્ટ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે આ કોઈ વિરોધ પક્ષનો દસ્તાવેજ નથી પરંતુ સુરત મહાનગર પાલિકાનો પોતાનો દસ્તાવેજ છે અને એ જ મહાનગર પાલિકાની ખરી હકીકતનો અરીસો બતાવે છે. પાયલ સાકરીયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કરોડો રૂપિયાના કામો કાગળ પર પૂર્ણ કરવામાં આવે છે પરંતુ હકીકતમાં જમીન પર કોઈ કામો દેખાતા નથી. જેના કારણે ત્યાં ભ્રષ્ટાચાર ન થાય તો શું થાય તેમ કહીને વેધક સવાલો ઊભા કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતા સ્લીપર મશીનમાં કામોમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. આ ઉપરાંત ગાર્બેજ કલેક્શનમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને ઉબેર કચરા કાંડ સાથે સિક્યુરિટીમાં પણ કૌભાંડ ચાલી રહ્યું છે. આ ઉપરાંત સીટી લિંકમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. જેમાં કામો થયા વગર જ કાગળ પર પૂરા કરી બિલ રજુ કરી દેવામાં આવે છે પરંતુ જમીન પર તે પ્રમાણે કામો થતા નથી. જેથી ભ્રષ્ટાચાર થતો હોવાના તેઓએ આક્ષેપો કર્યા છે. જવાબદાર વિભાગ, અધિકારી અને કમિટી સામે જીપીએમસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ વિપક્ષ નેતા પાયલ સાકરીયા જણાવ્યું હતું કે ઓડિટ રિપોર્ટ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે શાસન વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. શાસકોને આ ઓડિટ રિપોર્ટ ખોટો લાગતો હોય તો તેઓ સાબિત કરે અથવા તો પોતાની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારે તેવું પણ તેઓએ જણાવ્યું છે. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ઓડિટમાં જે તે વિભાગ અધિકારી અથવા કમિટી જવાબદાર હોય તેમના વિરુદ્ધ જીપીએમસી પ્રમાણે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને કસૂરવાર સામે દાખલારૂપ પગલા લેવામાં આવે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં થયેલ મોટા પ્રોજેક્ટનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે સાથે સુરત મહાનગર પાલિકામાં ભ્રષ્ટાચાર દૂર કરવા પારદર્શકતા લાવવા માટે તમામ ટેન્ડર તમામ ચુકવણા તેમજ કામની પ્રગતિ ઓનલાઇન જાહેર કરવામાં આવે. આવનારા વર્ષમાં કેપિટલ તેમજ રેવન્યુ ખર્ચ પર અંકુશ રાખવાની જરૂર પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે મનપાના મોટા પ્રોજેક્ટો નિભાવ માટે કેપિટલ ખર્ચ ૩૪% જેટલો થયો છે. આ ખર્ચને ઓછો કરવા નવા પ્રોજેક્ટની ડિઝાઈન કરતી વખતે ધ્યાન રાખવાની જરૂર છે. તેઓએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૯૬૮ કરોડ રૂપિયાનો કેપિટલ ખર્ચ થયો છે. જેની સામે ૩૪% મરામત ખર્ચ એટલે કે ૬૩૮ કરોડ થયો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૫૧૫ કરોડ કેપિટલ ખર્ચ સામે ૩૧ ટકા મરામત ખર્ચ એટલે ૭૯૫ કરોડ થયો છે. જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૩૨૦૨ કરોડ કેપિટલ ખર્ચ સામે ૩૫% મરામત ખર્ચ એટલે ૯૦૬ કરોડનો ખર્ચ થયો છે. જેથી સુરત મહાનગરપાલિકાને આવકના સ્ત્રોત વધે અને આવનારા વર્ષમાં કેપિટલ તેમજ રેવન્યુ ખર્ચ પર અંકુશ રાખવાની તેઓએ જરૂર હોવાનું જણાવ્યું છે. પાલિકાનાં જનરલ એડવાન્સ ખર્ચમાં પણ મોટી ગોબાચારી વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં જનરલ એડવાન્સ નો ખર્ચ જે તે વિભાગમાં અને ખાતામાં હોવો જોઈએ. તેની જગ્યા પર અધિકારીઓની અણઆવડતને કારણે અંદાજો બનાવવાની સંપૂર્ણ નિષ્ફળતા હોવાને કારણે આ ખર્ચાઓ મનપાના જનરલ એડવાન્સમાં પાડવામાં આવે છે. આ બાબતે ઓડિટ રિપોર્ટર વિભાગએ વડાઓને પોતાના નિયંત્રણ હેઠળની કામગીરીના અંદાજો અને ચોકસાઈ પૂર્વકની નીતિ નક્કી કરવામાં આવતી નથી. જેથી દરેક વિભાગોમાં નીતિ નિયમોના અભાવના કારણે મોટી ગોબાચારી થતા હોવાના અને તેમાં કોઈપણ અધિકારીઓ કે પદાધિકારીઓનું નિયંત્રણ ન હોવાના આક્ષેપો કરાયા છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં ૯૫૧ કરોડનો જનરલ એડવાન્સ ખર્ચ તથા વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૧૯૪ કરોડનો જનરલ એડવાન્સ ખર્ચ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૪૦૬ કરોડનો જનરલ એડવાન્સ ખર્ચ ઓડિટ રિપોર્ટમાં બતાવવામાં આવ્યો છે. બે વર્ષમાં ૪૩૨૪ જેટલા વાંધા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા ઓડિટ રિપોર્ટમાં વર્ષ ૨૦૨૦-૨૧ માં ૨૭૦૮ વાંધાઓ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૬૧૬ વાંધાઓ નોંધાયા છે. એટલે કે માત્ર બે વર્ષમાં ૪૩૨૪ જેટલા વાંધા ઓડિટ રિપોર્ટમાં દેખાડવામાં આવ્યા છે. જેને વિપક્ષે અતિ ગંભીર બાબત ગણાવી છે અને તેઓએ આક્ષેપ કર્યો હતો કે આમાંના ૭૦% વાંધા સક્ષમ સત્તાની જાણ કર્યા વગર પોતાની મનમાની ચલાવીને બિલો પાસ કર્યા હોય તેવા છે. વર્કશોપ અને બ્રિજસેલમાં બિલ અમાન્ય કરાયું એડી.સિટી ઈજનેરને ડેલીગેશન ઓફ પાવર ન હોવા છતાં કામગીરી લંબાવવા માટે તેમજ કામગીરીમાં કોઈપણ પ્રકારનો વધારો ઘટાડો ના કરી શકાઈ તેમ હોય છતાં પણ સહી કરીને મંજુરી આપવામાં આવી હતી. જે ભૂલ ઓડિટ માં દેખાતા બિલ અમાન્ય કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં તા.૯/૧/૨૦૨૩ના વાહનોના મંજૂર ભાવ કરતાં વધારે હોવા છતાં બિલ રજૂ કરાયા હતા. જેથી શાસકો દ્વારા બિલ અમાન્ય કરાયું હતું. જેથી પાયલ સાકરિયાએ આ બંને વાંધા પર તપાસ થવી જોઈએ અને જે તે અધિકારીના કોન્ટ્રાકટર સાથેના સબંધોના કારણે કે આર્થિક ફાયદો મેળવા માટે ખોટી રીતે બિલ મૂક્યું છે કે કેમ તે બાબતે તપાસ કરી આવા ભ્રષ્ટ અધિકારી પર કાર્યવાહીની માંગ કરી છે. એક જ કામ માટે ઇજારદારને બે વાર ચુકવણું કરાયું પબ્લિક પાર્કસ અને ગાર્ડન વિભાગમાં ઈજારદારને એક જ કામ માટે બે વખત ચૂકવણા થયા છે. મ્યુ. ઓડિટરે ખુલાસો કરતાં કહ્યું છે કે એક જ કામ માટે બે બિલ ચૂકવાયા છે. જેથી પાયલ સાકરિયાએ જે તે કર્મચારી કે અધિકારી પાસે ખુલાસો માંગી કસૂરવાર હોય તેના પર શિક્ષાત્મક કાર્યવાહી કરી દાખલો બેસાડવા માંગ કરી છે. સ્મીમેરમાં કીટ ખરીદવામાં ગોબાચારી પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સ્મીમેરમાં ઈજારદાર પોતે મૂળ કિટના ઉત્પાદક છે. જે ઈમેલથી કીટ ૭૯૯૨ ના ભાવે સપ્લાય કરવા સંમતી તેમણે આપી હતી. તેમ છતાં પણ આ કંપનીના ઓથોરાઈઝડ ડીલર પાસેથી પાલિકા દ્વારા રૂપિયા ૯૦૦૦ ના ભાવે કીટની ખરીદી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:48 pm

હિંમતનગર નાગરિક બેંકના 13 ડિરેક્ટરોની ચૂંટણીનું જાહેરનામું:2026ના પ્રારંભે 11 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે; 10 સામાન્ય, 2 મહિલા, 1 અનુસૂચિત જાતિની બેઠક રહેશે

હિંમતનગર નાગરિક સહકારી બેંકના 13 ડિરેક્ટરોની ચૂંટણી 11 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે. બેંકના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. મતદાન સવારે 8 થી સાંજના 5 કલાક સુધી હિંમત હાઈસ્કૂલ ખાતે થશે, જ્યાં સાંજે મતગણતરી પણ કરવામાં આવશે. ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ બેંકના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવ્યો છે. બેંકના પેટા કાયદા મુજબ, 13 ડિરેક્ટરોની મુદત પૂર્ણ થવા આવી હોવાથી ચૂંટણી યોજાઈ રહી છે. જાહેરનામા અનુસાર, કુલ 13 ડિરેક્ટરોમાંથી 10 બેઠકો સામાન્ય વર્ગ માટે રહેશે. જ્યારે 2 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે અને 1 બેઠક અનુસૂચિત જાતિ અથવા જનજાતિ માટે અનામત રહેશે. હિંમતનગર નાગરિક સહકારી બેંકની એક મુખ્ય શાખા અને છ બ્રાન્ચ કાર્યરત છે. બેંકમાં કુલ 65 કર્મચારીઓ ફરજ બજાવે છે. બેંકનું વાર્ષિક ટર્નઓવર 580 કરોડ રૂપિયા છે. હાલમાં બેંકમાં 32,876 મતદારો અને 1,05,000 ખાતેદારો નોંધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:48 pm

રાજકોટમાં આઝાદી કાળની વિરાણી હાઈસ્કૂલ ફરી વિવાદમાં:ખેલકૂદના મેદાનને બચાવવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કાલે રાષ્ટ્રીય શાળામાં રણનીતિ ઘડશે, ટ્રસ્ટનો ખૂલાસો - જમીન વેચાણની વાત નથી, ખાનગી ટ્રસ્ટની જમીન પર કોમર્શિયલ પ્રવૃત્તિઓ કાયદેસર

રાજકોટમાં આઝાદીકાળની વિરાણી હાઇસ્કુલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સરકારી જમીન પરની હાઈસ્કૂલના આ મેદાનમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર હોવાથી તે બંધ થવી જોઈએ અને વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ માટે મેદાન ખુલ્લું થવું જોઈએ અને મેદાનનું વેચાણ ન થવું જોઈએ તેવી માંગણી સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મેદાન બચાવો સમિતિ દ્વારા 27 મી નવેમ્બરે આગામી રણનીતિ માટે એક બેઠક મળવાની છે. જેની સામે વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટ તરફથી વકીલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે જમીન વેચાણની કોઈ વાત નથી. અત્યારે કોમર્શિયલ પ્રવૃતિઓ ચાલી રહી છે તે જગ્યા સરકારી નથી પરંતુ ખાનગી ટ્રસ્ટની છે. વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આંદોલનકારી પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે, વિરાણી હાઇસ્કુલની જમીન સરકારી હેતુ માટે આપેલી છે. જેનો કોઈ કોમર્શિયલ ઉપયોગ થઈ શકશે નહીં. શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ નહીં થઈ શકે કે ભાડે પણ નહીં આપી શકાય. તેમાંથી નફો રળી શકાશે નહીં. આમ છતાં પણ વિરાણી હાઈસ્કૂલના હાલના ટ્રસ્ટીઓ દ્વારા મોટું ખાણીપીણીનું બજાર ઊભું કરી દીધું છે. આ ઉપરાંત ત્યાં બોક્સ ક્રિકેટ પણ બનાવવામાં આવેલું છે. જેથી તેની સામે શરત ભંગના પગલા લેવાવા જોઈએ. જે અરજી અમારી કલેક્ટર સમક્ષ છે. પ્રાંત અધિકારીને પણ અરજી આપેલી છે. જેથી આ બાબતે કાર્યવાહી કરી રાજકોટના વિદ્યાર્થીઓને ખેલાડીઓ માટે રમત ગમતનું આ મેદાન ખુલ્લું કરાવવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અંદાજે રૂ.1000 કરોડની જમીન છે. આ જમીન વેચવા માટેના પ્રયત્નો થયા હતા પરંતુ વર્ષ 2019 - 20 માં અમે ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તે અટકાવ્યું હતુ. જેથી આ મેદાન વિદ્યાર્થીઓને ખેલાડીઓ માટે ખુલ્લું કરવામાં આવે, કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે અને અત્યાર સુધી ટ્રસ્ટીઓ દ્વારા કોમર્શિયલ પ્રવૃત્તિ કરી નફો મેળવવામાં આવ્યો તેનું વળતર વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવે તેવી માંગણી છે. જેને લઈને 27 ડિસેમ્બરના શનિવારે સાંજે 5:00 વાગ્યે રાષ્ટ્રીય શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક બેઠક મળવાની છે. વિરાણી હાઇસ્કુલ મેદાન બચાવો સમિતિ દ્વારા આ બેઠકમાં આગામી કાયદાકીય લડતની રણનીતિ નક્કી કરવામાં આવશે. શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના એડવોકેટ પરેશ ઠાકરે જણાવ્યુ હતુ કે, સામાન્ય રીતે ટ્રસ્ટની કોઈપણ જગ્યાનો વેચાણ વ્યવહાર થઈ ન શકે. વર્ષ 2013 - 14 માં ટાગોર રોડ પહોળો કરવાની યોજના હતી. જેને કારણે આ ટ્રસ્ટની મોટી જગ્યા કપાત થતી હતી. જેથી તેના પડતર માટેની એક કમિટી બની હતી જેમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કલેક્ટર, DLR તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ હતા. જેથી રાજ્ય સરકાર તરફથી રૂ.1.24 કરોડ મળ્યા હતા. જેમાં રૂ.90 લાખ કપાત જમીન બદલ મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પરસોતમ પીપળીયા વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સગીરના વાલી તરીકે જોડાયા હતા પરંતુ ચેરિટી કમિશ્નરે તેમની અરજી રદ કરી હતી. તેની સામે જે અપીલ થવી જોઈએ તે હજુ સુધી થઈ નથી. વર્ષ 1951 થી આ ટ્રસ્ટ કાર્યરત છે. જ્યારે વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં જગ્યા ભાડે આપી કમાણી કરવામાં આવતી હોવા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આગે કલેકટર સમક્ષ અરજી થઈ હતી જે બાદ પશ્ચિમ મામલતદારને તપાસ સોંપવામાં આવી હતી. જમના દ્વારા પંચરોજ કામ કરવામાં આવ્યું હતું જે અંગે વિગતો માગવામાં આવી હોવા છતાં હજુ સુધી વિગતો મળી નથી. અંતમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉના ટ્રસ્ટીઓ દ્વારા જમીન વેચવા માટેની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી જોકે તેની સામે હાલના આંદોલનકારીઓ દ્વારા કોઈ અપીલ કરવામાં આવી નથી. નોંધનીય છે કે, રાજકોટમાં આઝાદી કાળથી એટ્લે કે વર્ષ 1946 માં સદર વિસ્તારમા વિરાણી હાઈસ્કૂલ કાર્યરત હતી બાદમા 1951 માં શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલય માટે સરકાર દ્વારા શહેરના ટાગોર રોડ ઉપર હેમુ ગઢવી હૉલની પાછળ રામકૃષ્ણનગરમાં 41,529 ચોરસ મીટરની અંદાજિત 1000 કરોડની જમીન શૈક્ષણિક હેતુ માટે આપવામા આવી હતી. જેમાંથી 1200 સ્ક્વેર મીટર જગ્યામાં ખાણીપીણીની બજાર ઊભી થઈ ગઈ છે તો ક્રિકેટ અને ફૂટબોલ માટે મેદાન ભાડે આપવામા આવેલું છે. એટ્લે કે કોમર્શિયલ હેતુ માટે આ મેદાનનો ઉપયોગ થાય છે. વર્ષ 2020 માં અહીં આવેલી 5,733.69 ચોરસ મીટર જમીન વેચવા માટે નવા ટ્રસ્ટીઓ દ્વારા ચેરિટી કમિશનરમાં અરજી કરવામાં આવી હતી. જોકે ભૂતપૂર્વ વિદ્યાર્થી પરસોતમ પીપળીયા સહિતનાઓ દ્વારા ચલાવવામાં આવેલી કાયદાકીય લડતને પગલે વહીવટી તંત્રએ આ જમીનને વહેંચી નહી શકાય તેવો ચુકાદો આપ્યો. જે બાદ પશ્ચિમ મામલતદાર અને પ્રાંત અધિકારીએ કરેલી તપાસમાં સામે આવ્યું કે, શૈક્ષણિક હેતુ માટે આપેલી જમીનનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે જેથી તેમાં શરત ભંગની કાર્યવાહી થઈ શકે. આ રિપોર્ટ માર્ચ, 2025 માં કલેકટર કચેરી ખાતે મોકલવામાં આવેલો હતો. જોકે હજુ સુધી કલેક્ટર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ હાઇકોર્ટ દ્વારા સ્થિતિ યથાવત રાખવા જણાવવામાં આવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:28 pm

પરસોન્ડા એસોસિએશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ:શ્રેયાંશ સ્કૂલ ખાતે 151થી વધુ બોટલ રક્ત એકત્રિત

રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં આવેલી શ્રેયાંશ સ્કૂલ ખાતે સ્વ. શૈલેષ પરસોન્ડાની 12મી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પરસોન્ડા એસોસિએશન દ્વારા યોજાયેલા આ કેમ્પમાં ૧૫૧થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, ભાજપ પ્રમુખ માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા તેમજ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનના હોદ્દેદારો ભારત ગાજીપરા અને અજય પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકાર્યમાં શ્રેયાંશ સ્કૂલના વાલીઓ, શિક્ષકો અને સંચાલકોએ પણ ઉત્સાહભેર રક્તદાન કરીને સહભાગી બન્યા હતા.પરસોન્ડા એસોસિએશન દ્વારા આયોજિત આ કેમ્પમાં 151થી વધુ બોટલ રક્ત એકત્રિત થતાં સહયોગી લાઈફ બ્લડબેંક દ્વારા આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:24 pm

3.21 કરોડના ખર્ચે કુંકાવાવમાં નવું બસ સ્ટેન્ડ તૈયાર:કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ રીબીન કાપી લીલીઝંડી આપી, કહ્યું- 'ગેરરીતિ કરનારાઓને બ્લેકલિસ્ટ કરીશું'

અમરેલી જિલ્લાના કુંકાવાવ ખાતે ₹321.72 લાખના ખર્ચે નવનિર્મિત ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આ બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ધારી અને બગસરા ખાતે બનનારા નવા ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુંકાવાવ તાલુકાના મુસાફરોને આ નવી સુવિધાનો લાભ મળશે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કુંકાવાવ ST ડેપોમાં મુસાફરો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં પ્લેટફોર્મ, બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, કેન્ટીન, RO વોટર રૂમ, પાર્સલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ અને સ્ટોર રૂમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રજા માટે શૌચાલય અને ST વિભાગના કર્મચારીઓ માટે કંડક્ટર રૂમ સહિતની વિવિધ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. 'જો ગેરરીતિ જણાશે તો તેમને બ્લેકલિસ્ટ કરીશું'આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સુવિધાઓ વ્યવસ્થિત બને તે માટે સરકાર ઘણા પગલાં લઈ રહી છે. તેમણે વર્ષોથી કામ કરતા લોકોને ચેતવણી આપતા કહ્યું કે, જો ગેરરીતિ જણાશે તો તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. 'લોકોના પૈસાનું શોષણ કરનારાઓને છોડવામાં નહીં આવે'મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય અને દેશમાં આવા લોકોને કામ કરવા દેવામાં આવશે નહીં. અમરેલીમાં કેટલીક બાબતો તેમના ધ્યાનમાં આવી છે અને તે અંગે રિપોર્ટ મંગાવી વિજિલન્સ તપાસ પણ મુકવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, લોકોના પૈસાનું શોષણ કરનારાઓને છોડવામાં આવશે નહીં. વાઘાણીએ કુંકાવાવ તાલુકાને જવાબદારી સોંપતા કહ્યું કે, યોગ્ય રીતે કામ થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:24 pm

અંબે વિદ્યાલય અને અંબે સ્કૂલ (CBSE) હરણી ખાતે 'ફન ફિયેસ્ટા'કાર્નિવલ:બાળકો એ મિની ટ્રેન 'અંબે એક્સપ્રેસ' મુખ્ય આકર્ષણ, જાદુગર અને રાઈડ્સનો આનંદ લીધો

વડોદરાના હરણી સ્થિત અંબે વિદ્યાલય અને અંબે સ્કૂલ (CBSE) દ્વારા ૨૫મી ડિસેમ્બરે વિદ્યાર્થીઓ માટે 'ફન ફિયેસ્ટા' અને કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. 'લાફ્ટર, લવ એન્ડ એલિગન્ટ કાર્નિવલ' થીમ પર આધારિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના મનોરંજન માટે એક જાદુગરને આમંત્રિત કરાયા હતા. જાદુગરે પોતાની કરતબથી બાળકોને મંત્રમુગ્ધ કર્યા હતા, અને બાળકોએ તાળીઓના ગડગડાટ સાથે મેજિક શોનો આનંદ માણ્યો હતો.કાર્નિવલનું મુખ્ય આકર્ષણ મેદાનમાં દોડતી મિની ટ્રેન 'અંબે એક્સપ્રેસ' હતી. નાના વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો સાથે ટ્રેનમાં બેસીને મુસાફરીનો આનંદ માણ્યો હતો. શાળાના પટાંગણમાં વિશાળ 'જમ્પીંગ સ્લાઈડ' અને 'બોટ સ્વિંગ' જેવી રાઈડ્સ પણ ઉપલબ્ધ હતી. વિદ્યાર્થીઓએ આ રાઈડ્સમાં બેસીને અને કૂદાકૂદ કરીને ભરપૂર આનંદ મેળવ્યો હતો.મનોરંજનની સાથે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા ક્રાફ્ટ એક્ટિવિટીનું પણ આયોજન કરાયું હતું. બાળકોએ રંગીન કાગળો અને રંગોનો ઉપયોગ કરીને ફેસ માસ્ક અને અન્ય કલાત્મક વસ્તુઓ બનાવી હતી. ૨૫મી ડિસેમ્બર હોવાથી ઘણા વિદ્યાર્થીઓ સાન્તા ક્લોઝના પોશાકમાં અને ક્રિસમસ કેપ પહેરીને આવ્યા હતા. શાળા દ્વારા કાર્ટૂન કેરેક્ટર્સ (મૅસ્કોટ્સ) અને જોકરની પણ વ્યવસ્થા કરાઈ હતી, જેમની સાથે બાળકોએ ફોટા પડાવ્યા હતા. ફોટોગ્રાફી માટે 'ફન ફેસ્ટિવલ' અને 'કાર્નિવલ' થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ્સ પણ તૈયાર કરાયા હતા. આ 'ફન ફિયેસ્ટા' દરમિયાન શાળાનું વાતાવરણ આનંદમય બની ગયું હતું. વિદ્યાર્થીઓને ભણતરના દબાણ વગર રમવાની અને આનંદ કરવાની તક મળી હતી. શાળાના મેનેજમેન્ટ, આચાર્ય અને શિક્ષકગણના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:23 pm

નવજીવન ટ્રસ્ટના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ એડવેન્ચર કેમ્પમાં ભાગ લીધો:સિલિગુડીમાં યોજાયેલા રાષ્ટ્રીય શિબિરમાં ગુજરાતનું એકમાત્ર પ્રતિનિધિત્વ

પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં હિમાલયન નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન (HNAF) દ્વારા આયોજિત 34મા ઓલ ઈન્ડિયા નેચર સ્ટડી કમ એડવેન્ચર કેમ્પમાં ગુજરાતમાંથી એકમાત્ર નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પ 18 થી 23 ડિસેમ્બર દરમિયાન કાલીમ્પોંગ જિલ્લાના સામસિંગ ખાતે યોજાયો હતો. નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મનોદિવ્યાંગ સંસ્થાના પાંચ વિદ્યાર્થીઓ - દ્રષ્ટિ, તુલસી, પ્રણવ, પ્રીત અને જીનલ - આ શિબિરમાં જોડાયા હતા. તેમની સાથે સંસ્થાના સંચાલક શ્રી નિલેશ પંચાલ અને શિક્ષક શ્રી સંગીતા પંચાલ એસ્કોર્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ 34મા કેમ્પમાં કુલ 175 સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમાં 78 વિશેષ જરૂરિયાતોવાળા બાળકો (CWSN) કેમ્પર્સ, 40 એસ્કોર્ટ્સ, 32 કેમ્પ ગાઇડ્સ અને 25 અધિકારીઓ તથા સ્વયંસેવકોનો સમાવેશ થતો હતો. આ સહભાગીઓ રાજસ્થાન, ગુજરાત, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને ઉત્તર બંગાળના ત્રણ જિલ્લાની સ્થાનિક સંસ્થાઓમાંથી આવ્યા હતા. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવાનોને વન ઇકોસિસ્ટમ, નદીઓ, પર્વતો અને સ્થાનિક સમુદાયોમાં પ્રકૃતિ અને સાહસનો અનુભવ કરાવીને સર્વસમાવેશક પ્રકૃતિ શિક્ષણ પૂરું પાડવાનો હતો. પાંચ દિવસીય આ શિબિરમાં પ્રકૃતિ પાથ, પક્ષી નિરીક્ષણ, રમતો, નિષ્ણાત વાતો અને સંરક્ષણ કાર્યો જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. આ પ્રવૃત્તિઓ દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓમાં આત્મવિશ્વાસ, પર્યાવરણીય જાગૃતિ અને સામાજિક જવાબદારી કેળવાય છે. સહભાગીઓને વન સંરક્ષણ, માનવ-વન્યજીવન સંવાદિતા, આબોહવા પરિવર્તન અને ટકાઉપણું જેવા વિષયોની ઊંડી સમજણ મળી, જે વર્ગખંડો દ્વારા મેળવી શકાતી નથી. આ કાર્યક્રમો ઇકો-સભાન નાગરિકોનું નિર્માણ કરીને હિમાલયના સંરક્ષણને મજબૂત બનાવે છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:22 pm

પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે રાજ્યસ્તરીય સ્પર્ધા:જૂનાગઢમાં 27-28 ડિસેમ્બરે, 20મા સ્થાપના દિવસની ઉજવણી

જૂનાગઢ ખાતે આગામી 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ઉપક્રમે, પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ અંધ કન્યા છાત્રાલય અને સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ લોઢીયા વાડી ખાતે યોજાશે. આ પ્રસંગ અંધ કન્યા છાત્રાલયના ૨૦માં સ્થાપના દિવસ અને લુઈ બ્રેઈલની ઉજવણી નિમિત્તે યોજાઈ રહ્યો છે. આ સ્પર્ધાઓનો મુખ્ય હેતુ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો છે. તેમાં સાડી પરિધાન સ્પર્ધા, એક પાત્રીય અભિનય સ્પર્ધા, પ્રાચીન ભજન સ્પર્ધા, એન્ડ્રોઈડ મોબાઈલ સ્પર્ધા, બ્રેઈલ લેખન સ્પર્ધા અને ગીતાજી શ્લોક પઠન જેવી વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી મોડી રાત્રી સુધી ચાલશે. આ રાજ્યસ્તરીય સ્પર્ધામાં ગુજરાતભરની 20 જેટલી સંસ્થાઓ અને વ્યક્તિગત 250 જેટલી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ ભાગ લેશે. આ દીકરીઓ તેમની કલા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે.આ સમારંભનું ઉદ્ઘાટન ડોલરભાઈ કોટેચા, ભાવિનભાઈ છત્રાળા, પ્રવિણાબેન ગિરીશભાઈ ચોકસી, કિરીટભાઈ રાણીગા અને ધવલભાઈ રમેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોસીયા, ગૌરવભાઈ રૂપારેલીયા, જવાહરભાઈ ચાવડા અને કોઠારી ધર્મકિશોર સ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન સાગરભાઈ કોટેચા, અંધકન્યા છાત્રાલય અને સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા, તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને લોઢીયા વાડી, જયશ્રી ટોકીઝ ફાટક પાસે, જૂનાગઢ ખાતે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:21 pm

શાંતિ એશિયાટિક સ્કૂલમાં ક્રિસમસ અને બેગલેસ ડેની ઉજવણી:વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારોના મહત્વને સમજ્યા

શાંતિ એશિયાટિક સ્કૂલ, શેલા ખાતે ક્રિસમસ સેલિબ્રેશન અને બેગલેસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન, બાળકોએ સાન્ટા ફેસ આર્ટવર્ક જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે, 'ઉત્સવ' નામનું એક વિશેષ સેશન યોજાયું હતું. આ સેશનમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સહયોગ આપ્યો હતો.'ઉત્સવ' સેશનમાં વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે મળીને હોળી, દિવાળી, ગુરુપુરબ, દુર્ગા પૂજા અને નાતાલ જેવા વિવિધ તહેવારો પર ઇન્ટરેક્ટિવ પ્રેઝન્ટેશન, ચર્ચાઓ અને પ્રવૃત્તિઓ કરી હતી. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારોના મહત્વને સમજવામાં મદદ કરવાનો હતો. બેગલેસ ડેની પ્રવૃત્તિઓ પણ શિક્ષણ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે હતી.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:19 pm

સ્વપ્નિલે CLAT 2026માં ગુજરાત રેન્ક 3 મેળવ્યો:શાંતિ એશિયાટિક સ્કૂલના વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયા રેન્ક 185 પણ મેળવ્યો

અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલના વિદ્યાર્થી સ્વપ્નિલ સુભાષે CLAT 2026 ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેણે ગુજરાતમાં ત્રીજો રેન્ક અને ઓલ ઈન્ડિયામાં 185મો રેન્ક મેળવ્યો છે. પોતાની સફળતા વિશે વાત કરતા સ્વપ્નિલે જણાવ્યું કે, આ સફર માત્ર પરીક્ષા પૂરતી સીમિત નહોતી, પરંતુ દ્રઢતા, શિસ્ત અને મારા લક્ષ્યોમાં વિશ્વાસની હતી. તેણે ઉમેર્યું કે તેની તૈયારી દરમિયાન, તેની શાળાએ તેને શૈક્ષણિક અને ભાવનાત્મક રીતે ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શાંતિ એશિયાટિક સ્કૂલના શિક્ષકો અને માર્ગદર્શકોએ તેને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું અને જરૂરિયાત મુજબ માર્ગદર્શન આપ્યું. શાળા દ્વારા બનાવવામાં આવેલા સકારાત્મક શિક્ષણ વાતાવરણે તેને ધ્યાન કેન્દ્રિત અને પ્રેરિત રહેવામાં મદદ કરી. સ્વપ્નિલે તેની શાળા અને સાથીદારો તરફથી મળેલા સમર્થન અને પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કર્યો.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:15 pm

રાજકોટમાં આપઘાતના બે બનાવ:કેન્સરની બીમારીથી કંટાળી વૃધ્ધાનો અને અગમ્ય કારણો સર છકડો રીક્ષા ચાલક યુવાનનો આપઘાત

વિજયાબેન વિઠ્ઠલભાઈ સુદ્રા (ઉં.વ.70) ગઈકાલે બપોરે 2 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસે હોસ્પિટલ દોડી આવી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. વિજયાબેનને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી હોવાનું સામે આવ્યું છે અને તેઓ છેલ્લા અઢી વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા જેનાથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ગળેફાંસો ખાઈ છકડો રીક્ષા ચાલકે જીવન ટૂંકાવ્યું રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં આવેલ માટેલ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ જીલુભાઈ સોઢીયા (ઉં.વ.37) સવારે 7 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે સીડી રૂમમાં દોરી વડે ગળેફાંસો ખાઈ લેતા પરિવારને જાણ થતા તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અહીં ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. પરિવારની પુછપરછમાં મૃતક દિલીપભાઈ છકડો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે અને અગાઉ બે વખત તેમના લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. જો કે આપઘાત ક્યાં કારણે કર્યો તે અંગે પરિવારજનો અજાણ હોવાથી રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. સગીરાના અપહરણ-દુષ્કર્મના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી સ્પેશ્યલ પોકસો કોર્ટ સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં રાજકોટની સ્પેશ્યલ પોકસો કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે. તા.01.08.2025ના રોજ ફરીયાદીએ પોતાની સગીર વયની બહેનને જયદીપ ઉર્ફે રાહુલ ભનુભાઈ જીંજરીયાએ બ્લેકમેઈલ કરી ધમકી આપી તેની મરજી વિરૂધ્ધ ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી બદ ઈરાદે અપહરણ કરી તેમના મિત્રના ઘરે લઈ જઈ શરીર સંબંધ બાંધી અને જે બાબતનો વિડીયો બનાવી કોઈને વાઈરલ કરવાની ધમકી આપી હોવાની રાજકોટ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી જયદીપ ઉર્ફે રાહુલની ધરપકડ કરી હતી. ચાર્જશીટ બાદ કેસ ચાલી જતા આરોપીના એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયાએ દલીલો કરી હતી કે, આરોપી ઉપર ખોટો ખાર રાખી, અગાઉથી પોલીસને દ્વેષ હોય જેથી ખોટી તેમજ ઉપજાવી કાઢેલી હકીકતોવાળી આરોપી વિરૂધ્ધ ફરીયાદ કરાવવામાં આવી છે. ફરીયાદ પક્ષ ફરીયાદ પુરવાર કરવામાં નિષ્ફળ ગયા છે જે ધ્યાને લઈ કોર્ટે આરોપી જયદીપ ઉર્ફે રાહુલને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો છે. મેફેડ્રોન ડ્રગ્સના ગુન્હામાં હિતેન્દ્રસિંહ જાડેજાની જામીન અરજી રદ્દ તા.28.07.2025ના રોજ SOGએ બાતમીના આધારે રેલનગર વિસ્તરમાંથી રણજીત ગોહેલ તથા હિતેન્દ્રતસિંહ જાડેજા પાસેથી 32 લાખ કિંમતનો 303.13 ગ્રામ મેફેડ્રોન જથ્થો ઝડપી પાડ્યો હતો જે કેસમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કર્યું હતું. દરમિયાન આરોપી હિતેન્દ્રસિંહ ભુપતસિંહ જાડેજાએ ચાર્જસીટ બાદ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં સરકાર તરફે સરકારી વકીલ સમીર ખીરાએ દલીલો કરી હતી કે, આરોપી પાસેથી જ તેના કબજામાંથી કોમર્શીયલ કવોન્ટીટીનો મુસામાલ જપ્ત થયો છે. જો જામીન અપાશે તો આરોપી હિતેન્દ્રસિંહ ગેરકાયદેસર માદક પદાર્થના વેચાણમાં વધારો કરશે. ભારતમાં માદક પદાર્થ વેચાણ-ક્બજામાં રાખવા પર પ્રતિબંધ છે. નવયુવાનોનું ભવિષ્ય માદક પદાર્થના સેવનથી બગડે તેમ છ. સુપ્રિમ કોર્ટના તાજેતરના ચુકાદાઓ ધ્યાને લઇ તમામ દલીલો કરી હતી જેના આધારે આરોપીની ચાર્જસીટ બાદની રેગ્યુલર જામીન અરજી કોર્ટે રદ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 7:14 pm

અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર પુષ્પાંજલિ:મહેશસિંહ કુશવાહ અને દિનેશસિંહ કુશવાહ સહિત કાર્યકરોએ શ્રદ્ધાંજલિ આપી

ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપના સ્થાપક, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહ, બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ અને અન્ય સંગઠનના કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અટલજીએ ભાજપની સ્થાપના કરીને ભારતીય રાજકારણને રાષ્ટ્રીય હિત અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રાથમિકતા આપતો રાજકીય વિકલ્પ પૂરો પાડ્યો હતો.તેમના નેતૃત્વ હેઠળની NDA સરકારે ભારતને પરમાણુ શક્તિ બનાવ્યું અને સુશાસનનો અનુભવ કરાવ્યો. તેમણે વારસા અને વિજ્ઞાનને એકસાથે પ્રોત્સાહન આપતું શાસન મોડેલ રજૂ કર્યું.અટલ બિહારી વાજપેયી ભારતીય રાજકારણમાં જાહેર સેવા અને સંગઠનાત્મક શક્તિના પ્રતીક તરીકે હંમેશા યાદ રહેશે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:55 pm

મુંદ્રામાં જીવદયા પ્રેમીઓ માટે બે દિવસીય મેગા સંમેલન:પશુ-પક્ષી, પર્યાવરણ અને જળરક્ષા પર એન્કરવાલા અહિંસાધામનું આયોજન

એન્કરવાલા અહિંસાધામ દ્વારા પશુ-પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા અને જળરક્ષાના ઉદ્દેશ્ય સાથે જીવદયાપ્રેમીઓ માટે બે દિવસીય મેગા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન ૧૦ જાન્યુઆરી, શનિવારથી ૧૧ જાન્યુઆરી, રવિવાર સુધી મુંદ્રા-કચ્છના પ્રાગપર રોડ જંકશન સ્થિત એન્કરવાલા અહિંસાધામ સંકુલ ખાતે યોજાશે. આ મેગા સંમેલનનો મુખ્ય વિષય અહિંસા અને જીવદયા છે. પશુ-પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જળરક્ષા સંમેલનનું સૂત્ર સંચાલન લેખક, સંચાલક અને કવિ અમૃત નિસર (આધોઈ) દ્વારા કરવામાં આવશે. બે દિવસીય આ કાર્યક્રમના સૌજન્યદાતાઓમાં મંજુલાબેન મહેન્દ્ર સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ (રામદેવ ગ્રુપ, વિલેપાર્લા-ટોડા), રીટાબેન હરેશભાઈ વોરા (ભાનુ પ્રોપર્ટીઝ, બોરીવલી-ગેલડા), શ્રીમતી દિપ્તીબેન રૂપેશભાઈ સંગોઈ (ઝીલ ઈન્ફોટેક, કાંદિવલી-કપાયા) અને એક સદગૃહસ્થનો સમાવેશ થાય છે. સંમેલનના પ્રથમ દિવસે, શનિવાર, 10 જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે 9:30 કલાકે અહિંસાધામ સંકુલમાં સ્વામિનારાયણ મંદિરના સંતો અને ડૉ. સુરદાસ પ્રભુ (પ્રમુખ, ઇસ્કોન ઇન્ડિયા, મુંબઈ)ના આશીર્વચન સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે. બપોરે 3 કલાકે નંદી સરોવરના પાણી અને ઘાસના કાર્યનું નિરીક્ષણ તેમજ પશુ-પક્ષી અને પર્યાવરણ નિહાળવા માટે મંગલ ફેરીનું આયોજન કરાયું છે. આ સમારંભમાં પ્રમુખ તરીકે અનિલભાઈ શશીકાંત જૈન (દિગંબર સમાજ, વિલેપાર્લા) ઉપસ્થિત રહેશે. વક્તા તરીકે ડૉ. ભૂમિકા જૈમીન દોશી (CSR પ્રોફેશનલ અને આસિસ્ટન્ટ પ્રોફેસર, માંડવી) પોતાનું વક્તવ્ય આપશે. અતિથિ વિશેષ તરીકે રાજેશભાઈ જૈનેન્દ્ર જૈન (MD, કામધેનુ નેનોટેક પ્રા. લિ., મલાડ), પ્રતિકભાઈ સાંગવે (ડિરેક્ટર, કામધેનુ નેનોટેક પ્રા. લિ., મલાડ), પ્રેમચંદભાઈ જૈન (પ્રેસિડેન્ટ, દયોદય મહાસંઘ, ભોપાલ), બી.એસ. રાવ (ડિરેક્ટર, આઈમા વોટર સોલ્યુશન્સ પ્રા. લિ., અમદાવાદ) અને રાકેશ પંચાલ (ડિરેક્ટર, આઈમા વોટર સોલ્યુશન્સ પ્રા. લિ., અમદાવાદ) સહિતના મહાનુભાવો હાજર રહેશે. સંમેલનના બીજા દિવસે, રવિવાર, 11 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 9:30 કલાકે અહિંસાધામ સંકુલમાં રાષ્ટ્રીય સંત આચાર્ય મુનિશ્રી લોકપ્રકાશ લોકેશ (દિલ્હી)ના આશીર્વચન સાથે કાર્યક્રમનો શુભારંભ થશે. આ સમારંભના પ્રમુખ પ્રવિણભાઈ જૈન (પ્રમુખ, ચિંતામણી દેરાસર, વિલેપાર્લા) રહેશે. નીરજ કાંતિલાલ પુરોહિત (ગૌપાલક, ઘાટકોપર) અને ડૉ. પ્રતિભા આઠવલે (અમદાવાદ) પર્યાવરણ વિષય પર પોતાનું વક્તવ્ય આપશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અનિરુદ્ધભાઈ દવે, જીગરભાઈ તારાચંદભાઈ છેડા (પ્રમુખ, શ્રી ક.વી.ઓ. જૈન મહાજન, ભુજ), સારીકા જૈન (CA, મોટિવેશનલ સ્પીકર), વિરાગ શાહ, જશ નીતા પ્રફુલ વીરા, સુભાષચંદ્ર ગોયલ, કુંવરજી દેવજી નારદાણી (કેરા-મોમ્બાસા/આફ્રિકા), શ્રીમતી માધવીબેન હેમલભાઈ શાહ (ભાવના રોડવેઝ, સુરેન્દ્રનગર), જયંતીલાલ જીવરાજ ગાલા (જીવદયાપ્રેમી, માટુંગા-ગાગોદર), કમલેશભાઈ પરીખ કમલ, નરેન્દ્રભાઈ પોપટલાલ કારિયા (તાશ્કદ ગ્રુપ, વિલેપાર્લા-લાકડીયા) અને શ્રીમતી ખ્યાતિબેન શર્મા (જીવદયાપ્રેમી, ગાંધીધામ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:54 pm

ગાંધીનગરની નંદનવન શાળામાં ગાયત્રી યજ્ઞ યોજાયો:વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક મૂલ્યો અને સકારાત્મક વિચારો વિકસાવવાનો હેતુ

ગાંધીનગરના સેક્ટર-13માં આવેલી નંદનવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક મૂલ્યો, સંસ્કાર અને સકારાત્મક વિચારોનો વિકાસ થાય તે આ યજ્ઞનો મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યજ્ઞ દરમિયાન ગાયત્રી મંત્રોચ્ચાર સાથે વૈદિક વિધિ મુજબ હવન કરવામાં આવ્યો હતો. શાંતિ, સદભાવના અને સર્વજન કલ્યાણ માટે પ્રાર્થના કરાઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ગાયત્રી મંત્રનું મહત્વ તેમજ યજ્ઞનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય યોગેશભાઈ દરજીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમને સારા સંસ્કારોથી સમૃદ્ધ બનાવે છે. કાર્યક્રમના અંતે શાંતિપાઠ અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:52 pm

મારવાડી યુનિવર્સિટીએ AI સ્નેક રોબોટ વિકસાવ્યો:ભૂકંપ બચાવ કામગીરીમાં કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધશે

મારવાડી યુનિવર્સિટીના સંશોધકોએ ભૂકંપ અને અન્ય આપત્તિઓમાં બચાવ કામગીરી માટે AI આધારિત સર્પાકાર (સ્નેક) રોબોટ વિકસાવ્યો છે. આ રોબોટ ખાસ કરીને ઇમારતો ધરાશાયી થવા કે રાસાયણિક દુર્ઘટનાઓ જેવી ગંભીર પરિસ્થિતિઓમાં કાટમાળ નીચે દટાયેલા જીવિત અથવા મૃત લોકોને શોધવામાં મદદરૂપ થશે. આ સ્નેક રોબોટનું શરીર સાપ જેવી લચીલાશ ધરાવે છે, જેના કારણે તે સંકુચિત જગ્યાઓ, તૂટેલા કૉન્ક્રિટના ઢગલાં અને અનિયમિત માળખાંમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. રોબોટ સાથે જોડાયેલ હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને અન્ય સેન્સર ગ્રાઉન્ડ કંટ્રોલ સેન્ટરને લાઇવ વિડિયો ફીડ મોકલે છે, જેના આધારે બચાવ ટીમ તાત્કાલિક નિર્ણય લઈ શકે છે. રોબોટમાં ઉપયોગમાં લેવાયેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વિડિયો ફીડમાં નરી આંખે સ્પષ્ટ ન દેખાતા માનવ અંગો, હલનચલન અથવા શરીરના સંકેતોને પણ ઓળખી શકે છે. આનાથી બચાવ કામગીરી વધુ ઝડપી, ચોક્કસ અને સુરક્ષિત બનશે, જે આપત્તિના સમયમાં જીવ બચાવવાની સંભાવનામાં નોંધપાત્ર વધારો કરશે. આ સંશોધન અંગે પ્રોજેક્ટના ઇન્વેસ્ટિગેટર શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભૂકંપ જેવી આપત્તિમાં દટાયેલા લોકો માટે દરેક સેકન્ડ અમૂલ્ય હોય છે. ઘણી વખત UAV અથવા ડ્રોન ટેક્નોલોજી આવી પરિસ્થિતિઓમાં અસરકારક સાબિત થતી નથી. 2001ના ભૂકંપ જેવી હોનારતોને ધ્યાનમાં રાખીને, દેશને એવી સ્વદેશી ટેક્નોલોજીની જરૂર છે જે સીધી રીતે બચાવ ટીમ અને પીડિતોની મદદ કરી શકે. તેમણે ઉમેર્યું કે તાજેતરની AI ક્રાંતિ આ ક્ષેત્રમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ વિચાર સાથે વિકસાવાયેલ સર્પાકાર રોબોટ 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવ્યો છે. આ રોબોટ વિવિધ પ્રકારના કેમેરા અને સેન્સર સાથે કાર્ય કરી શકે છે, જેના દ્વારા જીવિત તથા મૃત વ્યક્તિ વિશેની માહિતી તરત પ્રાપ્ત થઈ શકે છે. આ સંશોધન પ્રોજેક્ટમાં મારવાડી યુનિવર્સિટીના સહ-પ્રાધ્યાપકો ડો. તપનકુમાર ત્રિવેદી અને અક્ષય રાણપરીયા પણ સંકળાયેલા છે. આ અભ્યાસને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત જર્નલ Scientific Reports (Nature Publishing Group) માં પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે આ સંશોધનની વૈશ્વિક મહત્વતા દર્શાવે છે. આ સંશોધન કાર્ય ગુજરાત સરકારની Gujarat Council on Science and Technology (GUJCOST) દ્વારા સંચાલિત Science Technology Innovation Scheme હેઠળ સહાય પ્રાપ્ત કરીને કરવામાં આવ્યું છે.આ AI આધારિત સ્નેક રોબોટ ભવિષ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતને સ્વદેશી અને અદ્યતન ટેક્નોલોજી સાથે વધુ સશક્ત બનાવશે અને અનેક અમૂલ્ય જીવ બચાવવામાં મદદરૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:52 pm

રતુભાઈ અદાણી શાળામાં વીર બાળ દિવસની ઉજવણી:ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબઝાદાઓને શ્રદ્ધાંજલિ અપાઈ

રતુભાઈ મૂળશંકર અદાણી પ્રાથમિક શાળા ક્રમાંક 295 માં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતના ઇતિહાસમાં શિખ ધર્મના 10મા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીના સર્વોચ્ચ બલિદાનની યાદમાં દર વર્ષે 26 ડિસેમ્બરને 'વીર બાળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, હિંમત અને સાહસના ગુણો કેળવાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા પ્રાર્થનાથી થઈ હતી. શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ગુરુ ગોવિંદ સિંહજીના ચારેય સાહિબઝાદાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાળાના વરિષ્ઠ શિક્ષક જીતુભાઈએ સાહિબઝાદા જોરાવર સિંહ અને ફતેહ સિંહના ઇતિહાસ અને તેમના બલિદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે નાની વયે પણ તેમણે ધર્મ અને સત્ય માટે દીવાલમાં ચણાઈ જવાનું પસંદ કર્યું, પણ ઝૂકવાનું સ્વીકાર્યું નહીં. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ 'વીર સાહિબઝાદા' વિષય પર પ્રભાવશાળી વક્તવ્ય આપ્યા હતા. આ ઉપરાંત, દેશભક્તિના વિષય પર ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને ભારતીય વીર સંતાનોના ગૌરવશાળી ઇતિહાસથી માહિતગાર કરવાનો અને તેમનામાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની સાંસ્કૃતિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું. આચાર્યએ પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને સાહિબઝાદાઓના જીવનમાંથી પ્રેરણા લઈ દેશહિત માટે કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:51 pm

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરાયો:ગલગોટા-ગુલાબના ફૂલોથી મંદિર સુશોભિત, હજારો ભક્તોએ દર્શન કર્યા

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર પવિત્ર ધનુર્માસ નિમિત્તે શુક્રવાર, 26 ડિસેમ્બર 2025 ના રોજ કરવામાં આવ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આયોજન થયું હતું. દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્કવાળા ફૂલની ડિઝાઈનના આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. મંદિરના સિંહાસનને ગલગોટા અને ગુલાબના મિશ્ર ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. પવિત્ર ધનુર્માસ (16 ડિસેમ્બર 2025 થી 14 જાન્યુઆરી 2026) દરમિયાન વિશ્વ કલ્યાણ અને પારિવારિક શાંતિ માટે વિશેષ જાપ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યજ્ઞમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ અને ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા મંત્રનો જાપ કરવામાં આવે છે. આ જાપ દરરોજ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6:30 કલાક દરમિયાન કરવામાં આવે છે. આ દિવ્ય દર્શન અને જાપ યજ્ઞનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ લઈ ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:50 pm

પાટણના સરસ્વતી શિશુમંદિરમાં તુલસી દિવસ ઉજવાયો:વિદ્યાર્થીઓએ તુલસી પૂજન કરી ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવ્યું

સરસ્વતી શિશુમંદિર, પાટણ ખાતે તાજેતરમાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાભારતી ગુજરાતપ્રદેશ સંલગ્ન અને ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત આ વિદ્યાસંકુલમાં ૨૫ ડિસેમ્બરના રોજ નાતાલને બદલે ભારતીય સંસ્કૃતિના મહત્વને ઉજાગર કરવા તુલસી પૂજન અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોને ભારતીય સંસ્કૃતિ અને તુલસી માતાનું મહત્વ સમજાવવાનો હતો. હિન્દુ પરંપરા અનુસાર, તુલસીને એક પવિત્ર છોડ અને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુના પત્ની છે. તુલસી દિવસની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી, જેનો ઉદ્દેશ્ય ૨૫ ડિસેમ્બરને 'ક્રિસમસ'ને બદલે 'તુલસી દિવસ' તરીકે ઓળખાવવાનો છે. શિશુવાટિકાથી ધોરણ ૨ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાલયના નાના ભૂલકાઓ દ્વારા તુલસી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં બાળકોએ ઘર ઘર તુલસી, હર કર તુલસી, તુલસી વાવો, રોગ ભગાવો જેવા નારા લગાવ્યા હતા, જેનો હેતુ સમાજમાં તુલસીનું મહત્વ અને હિન્દુ સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરવાનો હતો. શોભાયાત્રાનું સ્વાગત વિદ્યાલયના અન્ય નાના વિદ્યાર્થીઓએ કર્યું હતું. યાત્રામાં લાવવામાં આવેલા નાના તુલસીના છોડની પૂજા કરવામાં આવી હતી. બાળકોને તુલસી માતાનું મહત્વ, તેમની વાર્તાઓ અને મંત્રોનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. વિદ્યાલયમાં તુલસીના છોડનું રોપણ પણ કરવામાં આવ્યું હતું. ધોરણ ૨ના વિદ્યાર્થીઓએ પ્રભાતફેરી યોજી ભગવાન રામના મંદિરે દર્શન કર્યા હતા. ત્યાં પણ તુલસી પૂજન કરવામાં આવ્યું અને તુલસીના છોડ રોપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શિશુવાટિકાથી ધોરણ બેના તમામ બાળકો, વિદ્યાલય ટ્રસ્ટના મંત્રી રાકેશભાઈ સોની, માનનીય અલકેશભાઈ પારેખ, વિદ્યાલયના પ્રધાનાચાર્ય અને અન્ય આચાર્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને ભક્તિમય બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:49 pm

રાહે પબ્લિક સ્કૂલમાં ક્રિસમસ ડેની ઉજવણી:વિદ્યાર્થીઓ બન્યા 'સાન્તા', ચિત્રકામ પણ કર્યું

નારોલ વિસ્તારમાં આવેલી રાહે પબ્લિક સ્કૂલમાં ક્રિસમસ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. કેટલાક વિદ્યાર્થીઓ સાન્તા ક્લોસના વેશમાં સજ્જ થયા હતા. અન્ય વિદ્યાર્થીઓએ સુંદર ચિત્રો દોરીને લાવ્યા હતા, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ ક્રિસમસ ટ્રીને શણગારીને ઉત્સવનો માહોલ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:49 pm

AMCના સીટી એન્જિ. હરપાલસિંહ ઝાલાએ રાજીનામું આપ્યું:ત્રણ અધિકારીઓને પ્રમોશન આપી નવા HOD ભરતી કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેર વિભાગમાં ફરજ બજાવનારા શહેરના સીટી ઇજનેર હરપાલસિંહ ઝાલાનું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું છે. હરપાલસિંહ ઝાલા દ્વારા અંગત કારણોસર રાજીનામું આપવામાં આવ્યું છે. જેને આજે મળેલી સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. જોકે આગામી 15 ફેબ્રુઆરી 2026 સુધી નોટિસ પિરિયડ પર રહેશે. સીટી ઇજનેર હરપાલસિંહ ઝાલા શહેરના મુખ્ય સીટી ઇજનેર છે અગાઉ તેઓ વોટર પ્રોજેક્ટ વિભાગના સીટી ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તાજેતરમાં તેઓ બ્રિજ અને રોડ પ્રોજેક્ટના પણ હવાલો સંભાળતા હતા. HOD તરીકે ત્રણ અધિકારીઓને બઢતીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ખાતાના વડા તરીકે ત્રણ નવી જગ્યા ઉભી કરવામાં આવી હતી. જેમાં બઢતીથી બે જગ્યા ભરવાની હતી જેમાં હાલમાં ડેપ્યુટી એચઓડી તરીકે ફરજ બજાવતા જવલીન હાલાણી અને દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર ફરજ બજાવતા ચિરાગ પંચાલને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ (HOD) તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી HOD તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર પરમારની નિવૃત્તિ અને ખાલી પડેલી જગ્યાએ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવનારા વ્યાસને પ્રમોશન આપીને ડેપ્યુટી એચઓડી તરીકે નિમણૂક આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:47 pm

તુલસી પૂજન કાર્યક્રમ:નરોડાની A ONE XAVIER'S SCHOOLમાં કરાયું આયોજન

નરોડા સ્થિત A ONE XAVIER'S SCHOOL માં વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાઓ પ્રત્યે આદરની ભાવના વિકસાવવા માટે તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાભાવપૂર્વક તુલસી માતાનું પૂજન કરી પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને તુલસીના ધાર્મિક, વૈજ્ઞાનિક અને પર્યાવરણીય મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે પૂજનવિધિમાં ભાગ લીધો અને સકારાત્મક સંસ્કારોને આત્મસાત કર્યા હતા. શાળા સંચાલન આવા સંસ્કારસભર કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:47 pm

અમરાઈવાડીની બે શાળાઓમાં વીર બાળ દિવસ ઉજવાયો:ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને યાદ કરાયું, ચિત્ર સ્પર્ધા યોજાઈ

અમરાઈવાડી વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર પ્રાથમિક શાળા અને સનફ્લાવર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સામાજિક આગેવાનો મુકેશભાઈ ખટીક, શૈલેન્દ્રસિંહ ચૌહાણ અને કિરણભાઈ વણઝારા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વીર બાળ દિવસના મહત્વ વિશે વિદ્યાર્થીઓને સમજૂતી આપી હતી.વિદ્યામંદિર પ્રાથમિક શાળાના આચાર્ય આર. ડી. દરજીએ ગુરુ ગોવિંદસિંહ અને તેમના પુત્રોના બલિદાનને યાદ કરીને મહાપુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે શાળામાં ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષિકા ઝરણાબેન દરજીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:46 pm

કચ્છના રણમાં 250 અગરિયા પરિવારોને સહાય:રાહી ફાઉન્ડેશન, દર્શક ટ્રસ્ટ અને ગણતર સંસ્થાએ જીવનજરૂરિયાત વસ્તુઓનું વિતરણ કર્યું

રાહી ફાઉન્ડેશન, દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ અને ગણતર સંસ્થાના સહયોગથી કચ્છના નાના રણમાં મીઠું પકવતા 250 અગરિયા પરિવારોના 1000 સભ્યોને મદદ કરવામાં આવી છે. આ સંસ્થાઓ દ્વારા તેમને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું. વિતરણ કરાયેલી વસ્તુઓમાં રાશન કીટ, ગરમ સુતરાઉ કપડાં, રમકડાં, વેસેલિન અને નાસ્તો શામેલ છે. આ સહાય અગરિયા પરિવારોને પ્રતિકૂળ પરિસ્થિતિમાં રાહત આપવા માટે કરવામાં આવી છે.મીઠું પકવતા આ શ્રમજીવીઓ આજે પણ સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે. પ્રતિકૂળ વાતાવરણમાં કામ કરવા છતાં તેમને ખૂબ ઓછું વળતર મળે છે. કમોસમી વરસાદે તેમની આર્થિક સ્થિતિ વધુ ખરાબ કરી છે. તેઓ આર્થિક, સામાજિક અને આરોગ્યના પ્રશ્નોથી પીડિત છે અને સુવિધાઓનો અભાવ અનુભવે છે.આ વિતરણ કાર્યક્રમમાં નિતિનભાઈ પારેખ (ગ્રેટ વેવ્સ ટ્રસ્ટ), કિરીટભાઇ શાહ, નવનીતદાદા, પરેશભાઈ દાણી, ભરતભાઇ શાહ, ગૌરીબેન શ્રોફ, રમણલાલ પટેલ અને ભદ્રેશભાઈ પટેલ સહિતના દાતાઓએ સહયોગ આપ્યો હતો.ગણતર સંસ્થાના સુખદેવભાઈ પટેલે માર્ગદર્શન અને વ્યવસ્થા પૂરી પાડી હતી. સમગ્ર વિતરણ કાર્યક્રમના સંકલનકર્તા અને લાભાર્થીઓની વ્યવસ્થા માટે દર્શક ગ્રામીણ વિકાસ સંસ્થાના જયેશભાઇ રાવલ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાહી ફાઉન્ડેશન દ્વારા જયેશ પરીખના નેતૃત્વમાં નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, સ્નેહા શાહ, શરદ જાદવ, નૈલેષ પરીખ, વિજય દલાલ, સ્વપનિલ અને સૌમ્ય દલાલ સહિતની ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:45 pm

હારીજની સરકારી કૉલેજમાં વીર બાલ દિવસની ઉજવણી:ગુરુ ગોબિંદ સિંહજીના સાહેબઝાદાઓના બલિદાનને યાદ કરાયું

સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, હારીજ ખાતે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારત સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહીદ વીર બાલકોના બલિદાનને યાદ કરી યુવા પેઢીમાં દેશભક્તિ, સાહસ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના સાથે થયો હતો. વક્તવ્યમાં વક્તાઓએ ગુરુ ગોબિંદ સિંહજીના સાહેબઝાદાઓના અદ્વિતીય શૌર્ય, બલિદાન અને ધર્મનિષ્ઠા પર પ્રકાશ પાડ્યો હતો. વિદ્યાર્થીઓને વીડિયો દ્વારા વીર બાલ દિવસની કથા પણ દર્શાવવામાં આવી હતી. કૉલેજના આચાર્યના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું. NSS પ્રોગ્રામ ઓફિસરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વીર બાલ દિવસ યુવાનોને સત્ય, સાહસ અને ન્યાયના માર્ગે આગળ વધવા પ્રેરણા આપે છે. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં કૉલેજના પ્રાધ્યાપકો, NSS સ્વયંસેવકો, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. નરેન્દ્ર રાવલ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગીત સાથે તેનું સમાપન થયું હતું.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:44 pm

ડીંડોલી માતૃભૂમિ વિદ્યાલયમાં તુલસી પૂજનનું આયોજન:વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય

ડીંડોલી સ્થિત માતૃભૂમિ વિદ્યાલયમાં 24 ડિસેમ્બર, 2025, બુધવારના રોજ તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળભવનથી ધોરણ 2ના વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, જેથી તેઓ પાશ્ચાત્ય સંસ્કૃતિને બદલે પોતાની સંસ્કૃતિનું મહત્વ સમજી શકે. 'આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર' વિષય અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં બાળભવનથી ધોરણ 2ના બાળકો ભગવાન, સંતો કે ઋષિમુનિઓના વેશમાં શાળાએ આવ્યા હતા.બાળકોએ પોતાના પાત્ર વિશે ટૂંકી સ્પીચ પણ આપી હતી. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને તુલસી પૂજનનું મહત્વ સમજાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:42 pm

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટુર, મોડાસા ખડાયતા મિત્ર મંડળનું સફળ આયોજન:પ્રથમવાર યોજાયેલા બે દિવસીય પ્રવાસમાં સભ્યોનો ઉત્સાહભેર પ્રતિસાદ

મોડાસા એકડા વિશા ખડાયતા મિત્ર મંડળ (સેટેલાઈટ – વસ્ત્રાપુર – આંબાવાડી) દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બે દિવસીય ટુરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ મંડળ દ્વારા પ્રથમવાર યોજાયો હતો. આ પ્રવાસમાં મંડળના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે પિકનિકને ભવ્ય સફળતા મળી હતી. સભ્યોએ આ પ્રવાસનો ભરપૂર આનંદ માણ્યો હતો.આ યાદગાર પિકનિકના સફળ આયોજન બદલ પ્રોજેક્ટ લીડર જીગર શાહ અને મંડળના તમામ સભ્યોનો પ્રમુખ શ્રી પ્રશાંત મહેતાએ આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:42 pm

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોસિએશન યોજશે રમતોત્સવ:પૂર્વ વિદ્યાર્થીઓ માટે વિસરાતી રમતોનું આયોજન

કાંકરિયા સ્થિત દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન, દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોસિએશન, એક અનોખા રમતોત્સવનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં વિસરાતી જતી પરંપરાગત રમતોને ફરી જીવંત કરવામાં આવશે. આ રમતોત્સવ આગામી 28 ડિસેમ્બર, 2025ના રોજ રવિવારે શાળાના પટાંગણમાં યોજાશે. તેમાં પગથિયાં, ઈંડુ, કૂકા-લખોટી, ગિલ્લી-દંડા, પૈડું, રૂમાલદાવ, આંધળી ખિસકોલી, ભમરડા અને લંગડી જેવી રમતોનો સમાવેશ થાય છે. એસોસિએશનના અગ્રણી તન્મય શાસ્ત્રી અને ડો. રશ્મિ ભટ્ટના જણાવ્યા અનુસાર, આ રમતોત્સવમાં લગભગ 500 પૂર્વ વિદ્યાર્થીઓ ભાગ લેશે. અન્ય અગ્રણી અમી પરીખે ઉમેર્યું હતું કે, ૨૫ થી ૮૦ વર્ષ સુધીના પૂર્વ વિદ્યાર્થીઓ આ રમતોમાં ભાગ લઈને તેમના બાળપણની યાદો તાજી કરશે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:41 pm

પાટણની શેઠ એમ. એન. હાઇસ્કુલમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી:જાગૃતિ સેમિનાર અને ચિત્ર સ્પર્ધા દ્વારા ગ્રાહક અધિકારો પર માર્ગદર્શન અપાયું

રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે પાટણની શેઠ એમ. એન. હાઇસ્કુલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઇસ્કુલ અને જાગૃત ગ્રાહક મંડળ – પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગ્રાહક સુરક્ષા, અધિકારો અને ફરજો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતો વિભાગ, નવી દિલ્હી દ્વારા આ વર્ષ માટે ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ થીમ નક્કી કરવામાં આવી હતી. આ થીમને કેન્દ્રમાં રાખીને નિષ્ણાત વક્તાઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ગ્રાહક સુરક્ષા સંસ્થા – જાગૃત ગ્રાહક મંડળ, પાટણના પ્રતિનિધિ અને સહાયક પ્રોફેસર ડૉ. રોનક મોદી, ભગિની સમાજના મંત્રી અને નિવૃત્ત પ્રોફેસર ડૉ. લીલાબેન સ્વામી તેમજ શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. રોનક મોદીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે, આજના ડિજિટલ યુગમાં ગ્રાહકો ઑનલાઇન માધ્યમોનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. સરકારે ફરિયાદ નોંધણી અને નિવારણ માટે ઈ-દાખિલ પોર્ટલ, ઑનલાઇન ફરિયાદ વ્યવસ્થા, ઈ-જાગૃતિ અને વોટ્સએપ આધારિત સેવાઓ વિકસાવી છે. આનાથી ફરિયાદોનું ઝડપી અને અસરકારક નિરાકરણ શક્ય બન્યું છે. તેમણે ઈ-દાખિલ પોર્ટલ દ્વારા ડિજિટલ ફરિયાદ નોંધણી, વર્ચ્યુઅલ હિયરિંગ અને ન્યાયપ્રાપ્તિના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૨૦૧૯ હેઠળ ઈ-કોમર્સ અને ડિજિટલ વ્યવહારો સંબંધિત ગ્રાહક અધિકારો વિશે પણ માહિતી આપી. ડૉ. મોદીએ સોનાના આભૂષણોની ખરીદી કરતી વખતે BIS હોલમાર્ક સાથે 6 અંકનો HUID નંબર ચકાસવાની સલાહ આપી. તેમણે BIS Care એપ્લિકેશન દ્વારા HUID નંબર દાખલ કરીને સોનાની ગુણવત્તા કેવી રીતે ચકાસી શકાય તેની પ્રક્રિયા સમજાવી, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી હતી. ડૉ. લીલાબેન સ્વામીએ ડિજિટલ યુગમાં વધતી ઑનલાઇન છેતરપિંડી, સાયબર ગુનાઓ અને ભ્રામક જાહેરાતોથી સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, જાગૃત ગ્રાહક જ છેતરપિંડી સામેનો શ્રેષ્ઠ બચાવ છે. તેમણે વિદ્યાર્થીઓને ગ્રાહક અધિકારો, ફરજો, બજારમાં સતર્કતા અને જવાબદાર ગ્રાહક તરીકેની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, વક્તાઓ સાથે સંવાદ કર્યો અને તેમના પ્રશ્નોના જવાબો મેળવ્યા. ચિત્ર સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ ગ્રાહક જાગૃતિનો સંદેશ સર્જનાત્મક રીતે રજૂ કર્યો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય, શિક્ષકો અને સમગ્ર શાળા પરિવારે આયોજન બદલ સંતોષ વ્યક્ત કર્યો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર માન્યો.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:39 pm

નોકરીમાંથી કાઢી મુકતા પૂર્વ કર્મચારીનો વેપારી પર ચપ્પુ વડે હુમલો:જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, રાંદેર પોલીસે ધરપકડ કરી

સુરતના રાંદેર ગોરાટ રોડ પર અદાવત રાખીને એક પૂર્વ કર્મચારીએ પોતાના જ શેઠ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાંદેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, ગોરાટ રોડ પર આવેલી સંગીની એમ્પીરીયામાં રહેતા અને વેપાર કરતા 48 વર્ષીય મોહમદ હુસેન ઝાકીર હવાવાલાને ત્યાં થોડા સમય પહેલા આરોપી સુફિયાન શાહ નોકરી કરતો હતો. જોકે, કોઈ કારણોસર સુફિયાનને નોકરીમાંથી કાઢી મુકવામાં આવતા તેણે આ વાતનું મનદુઃખ રાખ્યું હતું. વેપારીને ફોન કરીને ગંદી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપીનોકરીમાંથી છૂટા કરાયા બાદ સુફિયાન સતત ઉશ્કેરાયેલો રહેતો હતો અને વેપારી પ્રત્યે ખાર રાખતો હતો. તે અવારનવાર વેપારી મોહમદ હુસેનને ફોન કરીને ગંદી ગાળો આપતો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. આ સતત ચાલતી માનસિક સતામણી બાદ ગઈકાલે આરોપીએ વેપારી પર પ્રત્યક્ષ હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું અને વેપારીના નિવાસસ્થાને પહોંચી ગયો હતો. ચપ્પુ વડે વેપારી પર હુમલો કરી ફરાર થયો'તોજ્યારે વેપારી મોહમદ હુસેન તેમના બિલ્ડિંગના પાર્કિંગમાં હતા, ત્યારે સુફિયાન શાહે તેમને આંતરી લીધા હતા. બોલાચાલી અને ઝઘડો કર્યા બાદ આરોપીએ પોતાની પાસે રહેલા તિક્ષ્ણ ચપ્પુ વડે વેપારી પર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલાને કારણે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. આરોપી સુફિયાન શાહને પોલીસે પકડ્યોઆ બનાવ અંગે વેપારીએ તુરંત રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગત રાત્રે જ હુમલો કરનાર આરોપી સુફિયાન શાહની ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ હુમલા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:35 pm

અદભુત સ્વામીએ વિશ્વાસઘાતને સૌથી મોટું પાપ ગણાવ્યું:પાટણ SMVS મંદિરમાં ધનુર માસ કથામાં ઉપદેશ

SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે ધનુર માસ નિમિત્તે આયોજિત કથા વાર્તા સભામાં અદભુત સ્વામીએ ઉપદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે જીવનમાં ક્યારેય કોઈનો વિશ્વાસઘાત ન કરવો, કારણ કે વિશ્વાસઘાત જેવું મોટું કોઈ પાપ નથી. સ્વામીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે નીતિમત્તામાં ભગવાનનો વાસ હોય છે, તેથી હંમેશા નીતિમય રીતે જીવન જીવવું જોઈએ. જો વ્યક્તિ અનીતિના માર્ગે ચાલે તો દુઃખી થાય છે અને ભગવાનની પરીક્ષામાં નાપાસ થાય છે, જેના પરિણામે દુઃખ દોડતું આવે છે. તેમણે ઉમેર્યું કે જો કર્મ સારા નહીં હોય તો વહેલા કે મોડા તેનું ફળ ભોગવવું જ પડશે. તેથી, હંમેશા સારા કર્મ કરતા રહો અને કોઈનો વિશ્વાસઘાત ન કરો. કોઈની અંગત વાત બીજા કોઈને કહેવી તે પણ એક પ્રકારનો વિશ્વાસઘાત જ છે. અદભુત સ્વામીએ સત્કાર્ય કરવા, સારું વિચારવા, સારા કર્મ કરવા અને બને તો લોકોનું ભલું કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ક્યારેય કોઈનું ખોટું વિચારવું નહીં અને જીવનમાં સુખી થવું હોય તો કોઈનો વિશ્વાસઘાત કદી ન તોડવો. તેમણે સમજાવ્યું કે આપણે જ આપણને દુઃખી કરીએ છીએ, તેથી હંમેશા પ્રભુ ભક્તિમાં સારા કાર્યો કરતા રહેવાથી ભગવાન રાજી રહેશે. સ્વામી શ્રી તથા ગુરુવરીય બાપજીની પ્રેરણાથી દર બુધવારે SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે આ સભાનું આયોજન કરવામાં આવે છે, જેમાં કથા વાર્તાનો લાભ આપવામાં આવે છે. પાટણના હરિભક્તો અને સેવકોએ આ કથા વાર્તાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:35 pm

પાટણ જિલ્લામાં વીર બાળ દિવસની ઉજવણી:ગુરુ ગોવિંદસિંહના સાહિબજાદાઓના બલિદાનને બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં યાદ કરાયું

પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બી.ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ 26 ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજાયો હતો. ભારતમાં દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીના બે નાના પુત્રો, સાહિબજાદા જોરાવર સિંહજી (૯ વર્ષ) અને સાહિબજાદા ફતેહ સિંહજી (6વર્ષ), ના અદ્ભુત શૌર્ય, ધૈર્ય અને બલિદાનની યાદમાં સમર્પિત છે. વર્ષ 2022માં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વીર બાળ દિવસ ની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત આ ઉજવણી કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, પાટણના પિયુષભાઈ દવેએ ગુરુ ગોવિંદસિંહના પુત્રોના વીર બલિદાન પર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત, પાટણના પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અતિથિ વિશેષ તરીકે નગરપાલિકા પાટણના પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી અને શ્રી બાબુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, લલિતકલા અકાદમી દ્વારા મૂકવામાં આવેલ પ્રદર્શન મહાનુભાવો અને બાળકો દ્વારા નિહાળવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:35 pm

અમિત શાહ 28 ડિસેમ્બરે જાસપુર વિશ્વ ઉમિયાધામ પધારશે:ગાંધીનગર કલેક્ટરની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરાઈ, સુરક્ષા માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 28 ડિસેમ્બરના રોજ અમદાવાદ-ગાંધીનગરના સીમાડે આવેલા જાસપુર વિશ્વ ઉમિયાધામની મુલાકાતે પધારવાના છે. આ મુલાકાતને પગલે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ગાંધીનગર કલેક્ટરની અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકદેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આગામી રવિવાર 28 ડિસેમ્બરના રોજ જાસપુર ખાતે આવેલા ભવ્ય વિશ્વ ઉમિયાધામ સંકુલની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રીના આગમનને પગલે કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તે માટે ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે દ્વારા આજે અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર મેહુલ દવેએ કાર્યક્રમની વ્યવસ્થા માટે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર નિશા શર્મા અને કલોલ પ્રાંત અધિકારી મયંક પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાર્કિંગ, પ્રોટોકોલ અને સ્ટેજ વ્યવસ્થા અંગે ગહન ચર્ચાકલેક્ટરે દરેક વિભાગને ફાળવવામાં આવેલા કામમાં શ્રેષ્ઠ યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ખાસ કરીને પાર્કિંગ, પ્રોટોકોલ અને સ્ટેજ વ્યવસ્થા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ ગૃહમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર પોલીસ દ્વારા અભેદ કિલ્લો તૈયાર કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા ASL રિહર્સલની તૈયારીઓ પણ શરૂરવિવારે કાર્યક્રમ સ્થળ અને તેની આસપાસના રસ્તાઓ પર પોલીસનો ચુસ્ત પહેરો રહેશે. પોલીસ દ્વારા ASL રિહર્સલની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ગૃહમંત્રીના રૂટ પર અને કાર્યક્રમ સ્થળ પર એન્ટી-સેબોટેજ ચેકિંગ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન નિરીક્ષણ કરવામાં આવશે. વિશ્વ ઉમિયાધામમાં ઉત્સાહનો માહોલ અમિત શાહની આ મુલાકાતને લઈને વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગૃહમંત્રીની મુલાકાત રાજકીય-સામાજિક રીતે મહત્વપૂર્ણપાટીદાર સમાજના આ આસ્થાના કેન્દ્ર પર ગૃહમંત્રીની મુલાકાત રાજકીય અને સામાજિક રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે. રવિવારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ભક્તો પણ હાજર રહે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:34 pm

SETJAએ મેન્યુફેક્ચરર્સ-ડીલર્સની બેઠક યોજી:ઉદ્યોગની એકતા અને પેમેન્ટ રિકવરી પર ચર્ચા

સિક્યોર એમ્બ્રો થ્રેડ એન્ડ જરી એસોસિએશન (SETJA) દ્વારા 25 ડિસેમ્બર, 2025ના રોજ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેન્યુફેક્ચરર્સ અને ડીલર્સ એક મંચ પર આવ્યા હતા, જ્યાં ઉદ્યોગની એકતા મજબૂત કરવા અંગે ચર્ચા થઈ. આ બેઠક SETJAના પ્રમુખ તુષારભાઈ કુવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં ઉપપ્રમુખ શ્રી નિકુંજભાઈ ભુવા, ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ બોરડા, મંત્રી શ્રી અર્જુનભાઈ ખોખરિયા અને સહ મંત્રી શ્રી ભાવેશભાઈ કવઠિયા સહિત મેનેજિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, થ્રેડ મેન્યુફેક્ચરર્સના એક થવાથી ડીલર્સનું સંગઠન વધુ મજબૂત બનશે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ. ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલી રહેલી પેમેન્ટ રિકવરીની સમસ્યા પર પણ ગંભીર વિચારણા કરવામાં આવી. ફ્રોડ કરતી પાર્ટીઓ સામે નવા કડક ધોરણો અમલમાં મૂકવા અને જરૂર પડ્યે તેમના નામ જાહેર કરવાની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો. આ ઉપરાંત, જરી ઉદ્યોગમાં GST રિફંડ સંબંધિત કાર્યવાહીને વધુ ઝડપી બનાવવાનો મહત્વપૂર્ણ સંકલ્પ લેવાયો. SETJA દ્વારા આ મુદ્દે અગાઉ કરવામાં આવેલી રજૂઆતોને વધુ અસરકારક બનાવીને હવે દિલ્હી સુધી સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી. SETJAએ સ્પષ્ટ કર્યું કે થ્રેડ અને જરી ઉદ્યોગના હિત માટે સંગઠન હંમેશા સક્રિય રહેશે અને ઉદ્યોગને લગતા દરેક મહત્વપૂર્ણ મુદ્દે સરકાર સમક્ષ મજબૂત અવાજ ઉઠાવશે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:33 pm

સમી કોલેજમાં વીર બાલ દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના પ્રગટે તે હેતુથી એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરાયું

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી ખાતે 26મી ડિસેમ્બર, 2025ના રોજ 'વીર બાલ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશવર્ષના અવસરે, દસમા શીખ ગુરુના પુત્રો સાહેબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં સરકારના પરિપત્ર મુજબ યોજાઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના પ્રગટે તે હેતુથી એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ પી. આનંદે મુખ્ય વક્તા તરીકે શીખ ધર્મના અનુયાયીઓના રાષ્ટ્ર માટેના વિશેષ બલિદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન, કૉલેજના ડૉ. અમર ચક્રબર્તીએ સાહેબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદત પર આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેણે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના ઇતિહાસના મદદનીશ પ્રાધ્યાપક જેવત એમ. ચૌધરીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ સંજયભાઈ જે. પટેલે આભારવિધિ કરી હતી. રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:33 pm

મુળધરાઈ શાળામાં વીર બાળ દિવસ ઉજવાયો:સાહિબજાદાઓના બલિદાન અને શૌર્યની ગાથા કહેવાઈ

મુળધરાઈ કેન્દ્રવર્તી શાળામાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.શાળાના આચાર્ય જીતેન્દ્રસિંહ ચૌહાણે બાળકોને શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો – સાહિબજાદાઓના અદ્ભુત શૌર્ય અને બલિદાન વિશે માહિતી આપી હતી. તેમણે બાળકો અને યુવાનોમાં વીરતા, નૈતિક મૂલ્યો અને દેશભક્તિની ભાવના વિકસાવવા તેમજ સાહસ અને આત્મબલિદાનની પ્રેરણા આપવા પ્રેરક પ્રવચન આપ્યું હતું.પ્રાર્થના સભામાં બાળકોએ શૌર્ય ગીતો રજૂ કર્યા હતા. 'વીર બાળ દિવસ' અંતર્ગત વિષયને અનુરૂપ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ ચર્ચામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 જાન્યુઆરી, 2022ના રોજ (ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે) કરેલી જાહેરાત વિશે વાત કરવામાં આવી હતી, જેમાં દર વર્ષે 26 ડિસેમ્બરને 'વીર બાળ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું. 2022માં આ દિવસ પ્રથમ વખત દેશભરમાં મનાવવામાં આવ્યો હતો.દર્શનભાઈ પંચાલે બાળકોને અન્યાય સામે લડવા માટે ઉંમર નહીં, પરંતુ મનોબળની જરૂર હોય છે તે સમજાવ્યું હતું. તેમણે ભારતીય ઇતિહાસના શૂરવીરો અને તેમના બલિદાન વિશે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે સાહિબજાદાઓનું બલિદાન એ દેશભક્તિ અને પોતાના ધર્મ પ્રત્યેની અડગ આસ્થાનું પ્રતીક છે, જે માત્ર શીખ સમુદાય માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને માનવતા માટે ગૌરવની વાત છે.સંજયભાઈ ધંધુકિયાએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:31 pm

ટ્રેક્ટર-થ્રેસરના ગુપ્તખાનામાંથી 2.95 લાખનો દારૂ ઝડપાયો:પાટણ LCBએ ડેર રોડ પરથી 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 સામે ગુનો નોંધ્યો

પાટણ એલ.સી.બી. પોલીસે બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી છે. બાલીસણાથી ડેર જવાના રોડ પરથી એક ટ્રેક્ટર અને થ્રેસરમાં છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં ટ્રેક્ટર પાછળ લગાવેલ થ્રેસરના અંદરના ભાગે બનાવેલા ખાસ ગુપ્તખાનાઓમાંથી વિદેશી દારૂની કુલ 721 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, ટ્રેક્ટર અને થ્રેસર સહિત કુલ 4,95,131 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 2,95,131 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 721 બોટલો તેમજ 2,00,000 રૂપિયાની કિંમતનું એક ટ્રેક્ટર અને એક થ્રેસરનો સમાવેશ થાય છે. આ મામલે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં મુદ્દામાલ ભરી આપનાર, દારૂ મંગાવનાર તેમજ ટ્રેક્ટરના માલિક અને ચાલકને પકડવાની કાર્યવાહી હાલમાં બાકી છે. આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ બાલીસણા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:27 pm

ગોધરામાં ₹6.33 કરોડના ખર્ચે ST ડેપો-વર્કશોપ:નવનિર્મિત અત્યાધુનિક સંકુલનું ખાતમુહૂર્ત કરાયું

ગોધરામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ₹6.33 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક ST ડેપો-વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પંચમહાલ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો, બસોની જાળવણી સુધારવાનો અને પરિવહન સેવાઓને વધુ ઝડપી બનાવવાનો છે. નવો વર્કશોપ ૧૪,૭૬૩ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો હશે. તેમાં ૧,૩૬૫.૮૬ ચોરસ મીટરમાં મુખ્ય RCC બાંધકામ કરાશે. બસોના મેઈન્ટેનન્સ માટે ૨ લોંગ-પીટ અને ૧ યુ-પીટ જેવી આધુનિક વ્યવસ્થા ઉભી કરાશે. આ સંકુલમાં એડમિન રૂમ, ટાયર અને ઓઈલ રૂમ, સ્ટોરેજ, કર્મચારીઓ માટે આરામગૃહ અને ડિસ્પેન્સરી જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. હાલમાં, ગોધરા વિભાગ દરરોજ ૨.૫૩ લાખ કિલોમીટરનું સંચાલન કરે છે, જેમાં ૧.૧૯ લાખ જેટલા મુસાફરો અવરજવર કરે છે. આ નવા વર્કશોપના નિર્માણથી સમગ્ર વિસ્તારના પરિવહન માળખાને મોટો વેગ મળશે અને મુસાફરોને વધુ સારી સેવાઓ મળશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા, જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ST વિભાગના ઇન્ચાર્જ વિભાગીય નિયામક એ. કે. ખાટ, સિનિયર લેબર ઓફિસર જે. એમ. ચોપડા, ગોધરા ડેપો મેનેજર એમ. એચ. સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:26 pm

14 વર્ષની સગીરાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની હાઈકોર્ટમાં અરજી:અજાણ્યા શખસોએ સગીરાનું અપહરણ કર્યું, દાહોદ પો. સ્ટેશનમાં ફરિયાદ દાખલ; વકીલે અરજી પરત ખેંચી

ગુજરાત હાઇકોર્ટમાં દાહોદથી 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ધાનપુર પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટની ધારાઓ અંતર્ગત ફરિયાદ નોધાઇ હતી. આજે હાઈકોર્ટમાં સગીરાનો મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનો હતોસગીરા ગર્ભ રાખવા માંગતી ના હોવાથી ગર્ભપાત માટે કોર્ટની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી. જેથી હાઇકોર્ટે સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં તેને દાહોદની સિવિલ હોસ્પિટલની ડોક્ટર કમિટી સમક્ષ 24 ડિસેમ્બરે હાજર થવાનું હતું અને 26 ડિસેમ્બરે તેનો મેડિકલ રિપોર્ટ કોર્ટ સમક્ષ આવવાનો હતો. જેથી કોર્ટ આગળના નિર્દેશ આપી શકે. અજાણ્યા શખસોએ ફરીથી સગીરાનું અપહરણ કર્યુંજોકે, આજે કોર્ટ કાર્યવાહીમાં અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, કોર્ટમાં કાર્યવાહી પેન્ડિંગ છે, ત્યારે અજાણ્યા શખસોએ ફરીથી સગીરાનું અપહરણ કર્યું છે. જે સંદર્ભે દાહોદના ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સરકારી વકીલે પણ આ ઘટનાને અનુમોદન આપ્યું હતું. જેથી અરજદારના વકીલે ફરી અરજી કરવાની છૂટ માગી અરજી પરત ખેંચી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:20 pm

બનાસકાંઠામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ:આજે અને કાલે BLOs મતદાન મથકો પર હાજર રહેશે

બનાસકાંઠા ચૂંટણી વિભાગ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ, તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા, વિગતોની ચકાસણી કરવા અને જરૂરી ફેરફાર કરવા અપીલ કરવામાં આવી છે. નામ નોંધણી ભૂલશો નહિ, મતદાનનો મોકો ચૂકશો નહિના સંદેશ સાથે આ ઝુંબેશ ચાલી રહી છે. આજે અને આવતીકાલે બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જિલ્લામાં બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) પોતાના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ ઉપરાંત, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પ (ખાસ ઝુંબેશ) તારીખ 27/12/2025 (શનિવાર), 28/12/2025 (રવિવાર), 03/01/2026 (શનિવાર) અને 04/01/2026 (રવિવાર)ના રોજ યોજાશે. આ કેમ્પના દિવસોમાં નાગરિકો સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈ શકશે. ત્યાં તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ, વિગતો અને ફોટો ચકાસી શકશે. જો કોઈ સુધારાની જરૂર જણાય, તો તે માટે અરજી પણ કરી શકાશે. મતદાર સંબંધિત સેવાઓ માટે વિવિધ ફોર્મ ઉપલબ્ધ છે. નવા મતદાર માટે ફોર્મ-6, બિન-નિવાસી ભારતીય મતદાર માટે ફોર્મ-6અ, મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર નંબર લિંક કરવા માટે ફોર્મ-6B, મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ-7, તથા સરનામું અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ-8 ભરવાનું રહેશે. જે નાગરિકોની ઉંમર 01-01-2026ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થાય છે, તેમને મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. મતદાર નોંધણી અને ફેરફાર માટે ઓનલાઈન સેવાઓ પણ ઉપલબ્ધ છે, જેમાં Voter Helpline મોબાઈલ એપ, www.voterportal.eci.gov.in અને www.nvsp.in નો સમાવેશ થાય છે. રૂબરૂ સેવાઓ માટે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને મતદાન મથક પર સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે નાગરિકો હેલ્પલાઇન નંબર 1950 પર સંપર્ક કરી શકે છે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:14 pm

ભરૂચમાં ડમ્પરે મહિલાને અડફેટે લીધી, CCTV:સદનસીબે જીવ બચી ગયો, ભારે વાહનોના પ્રતિબંધ છતાં શહેરમાં બેફામ ડમ્પરોથી લોકોમાં રોષ

ભરૂચ શહેરમાં જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ જાહેરનામા મુજબ સવારના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ લાગુ છે.છતાં પણ આ જાહેરનામાને ખુલ્લેઆમ પડકારતા ભારે વાહનો શહેરમાં પૂરઝડપે દોડતા હોવાનો ગંભીર અને ચિંતાજનક મુદ્દો સામે આવ્યો છે. નિયમોની ખુલ્લેઆમ અવગણનાથી શહેરવાસીઓના જીવ જોખમમાં મુકાયા છે અને માર્ગ સલામતી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોવાની કડવી હકીકત બહાર આવી છે. આજ રોજ શુક્રવારે બપોરના 3 થી 4 વાગ્યાના સમયગાળામાં એક બેફામ ડમ્પર ચાલકે શહેર વિસ્તારમાં અતિઝડપે વાહન ચલાવી મોપેડ પર જઈ રહેલી મહિલાને અડફેટે લીધી હતી.સદનસીબે મહિલા ડમ્પરના ટાયર નીચે ન આવતા સદનસીબે બચી ગઈ, નહિતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત. વધુ શરમજનક બાબત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ પણ ડમ્પર ચાલક માનવતા અને કાયદા બંનેને પગલે ચડાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે વાયરલ થતાં શહેરમાં રોષ અને ભયનો માહોલ સર્જાયો છે. કલેક્ટરના પ્રતિબંધ હોવા છતાં પણ આવા અનેક ભારે વાહનો નિર્ભયતાથી શહેરમાં ઘૂસી રહ્યા છે,જે પ્રશાસનની કાર્યક્ષમતાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. જો આવા બેફામ વાહનો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં થાય તો કોઈ મોટી જાનહાની થવાની શક્યતા નકારી શકાતી નથી.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:12 pm

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની અસર:સ્થાયી સમિતિમાં રૂપિયા 320 કરોડના 31 વિકાસ કામોને એકસાથે મંજૂર મળી

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી આવી રહેલી પાલિકાની ચૂંટણીને પગલે એકીસાથે રૂપિયા 320 કરોડના‌ 31 પ્રાથમિક સુવિધાઓ અને વિકાસલક્ષી કામોને સ્થાઈ સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં વડોદરાનો વિકાસ આગળ વધે જેનો લાભ પાલિકાની આવનાર ચૂંટણીમાં સત્તાપક્ષને મળે તે માટે તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે. 320 કરોડથી વધુના વિકાસ કામોને લીલી ઝંડીઆ અંગે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં શહેરના વિવિધ રોડ રસ્તા, સ્વીમીંગ પુલ, ડ્રેનેજ, પાણી પુરવઠા, તળાવ નવીનીકરણ સહિતના કુલ 320 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી કામોને સ્થાયી સમિતિએ લીલી ઝંડી આપવામાં આવી હતી. નવા આધુનિક સ્વિમિંગ પુલ બનાવતા 10 લાખ લોકોને ફાયદોવડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં શહેરના વિવિધ ઝોનમાં થનારા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનના અકોટા વિસ્તારમાં તેમજ દક્ષિણ ઝોનના માંજલપુર વિસ્તારમાં નવા આધુનિક સ્વિમિંગ પુલ બનાવવા માટેની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવનાર સમયમાં આ બંને વિસ્તરણ 10 લાખ લોકોને ફાયદો થશે. વરસાદી ગટર અને RCC રોડના કામો પણ મંજૂરઆ સ્ટે શહેરના સયાજીપુરા વિસ્તારમાં યોગ સેન્ટર, વડસર તળાવના નવીનીકરણ, તેમજ શહેરના અનેક વિસ્તારોમાં રોડ વાઈડનીંગ અને કાર્પેટ સિલકોટના કામોને મંજૂરી આપવામાં આવી છે. શહેરના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ઝોનમાં ડ્રેનેજ લાઈન, પાણી પુરવઠા નેટવર્ક, ઊંચી પાણીની ટાંકી, તેમજ વરસાદી ગટર અને RCC રોડના કામો પણ મંજૂર કરાયા છે. આ બેઠકમાં કુલ મળીને રૂપિયા 320 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:11 pm

DPA કંડલાએ ભચાઉમાં ગેરકાયદેસર મીઠા અતિક્રમણ સામે કાર્યવાહી કરી:NGT આદેશો હેઠળ 950 એકર જમીન મુક્ત કરાઈ

દિનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલાએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશોનું કડક પાલન કરતા ભચાઉ નજીકના આંતરિક વિસ્તારોમાં મીઠા માફિયા દ્વારા કરાયેલા ગેરકાયદેસર અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી પર્યાવરણીય નુકસાન અટકાવવામાં આવ્યું છે. આ કામગીરીનું નેતૃત્વ ઉપ મુખ્ય ઇજનેર શ્રીનિવાસ રાવ અને ટ્રેડ પ્રમોશન તથા પબ્લિક રિલેશન્સ ઓફિસર (TPPRO) ઓમપ્રકાશ દાદલાણી, DPAની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. DPAની ઇજનેરી ટીમને ગુજરાત પોલીસ અને રાજ્ય પ્રશાસન તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય મદદ મળી હતી. ભચાઉથી લગભગ 14 કિલોમીટર અંદર આવેલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવેલા મીઠાના રેતના ઢગલા (સોલ્ટ સેન્ડ ડ્યુન્સ) તોડી પાડવામાં આવ્યા હતા. આના પરિણામે 950 એકરથી વધુ જમીનને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવામાં આવી છે. દિનદયાલ પોર્ટ ઓથોરિટીએ પર્યાવરણ સંરક્ષણ અને કાયદેસર આદેશોના પાલન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવા કોઈપણ ગેરકાયદેસર અતિક્રમણ સામે NGTના આદેશો અને લાગુ કાયદાઓ અનુસાર તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે. DPA ટકાઉ વિકાસ, પર્યાવરણીય સંતુલનના સંરક્ષણ અને તેની જમીન પર ગેરઅધિકૃત પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનશીલતા રાખવા પ્રતિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:09 pm

'ગુંદર પાક વધારે ખાવાથી કેલેર-કોલેસ્ટ્રોલ વધે છે':શિયાળામાં હાર્ટના દર્દીઓએ ખાસ સાવધાની રાખવી, કાર્ડિયોલોજિસ્ટે કહ્યું- કોલેસ્ટ્રોલવાળો ખોરાક ઓછો લેવો

શિયાળાની ઋતુ શરૂ થતાં જ હૃદયના દર્દીઓએ ખાસ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ અને કેથલેબના ડિરેક્ટર ડૉ. જયેશ પ્રજાપતિ જણાવે છે કે, શિયાળામાં ખાસ કરીને સવાર અને સાંજના સમયે ઠંડી વધુ હોય છે. આ સમયે હૃદય સુધી લોહી પહોંચાડતી નસો સંકોચાઈ જાય છે, જેને કારણે હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે. ડૉ. પ્રજાપતિ મુજબ શિયાળામાં હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલીક મહત્વની સાવધાની રાખવી જરૂરી છે. શિયાળામાં ખવાતો ગુંદર પાક તેને જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો કેલરી અને કોલેસ્ટ્રોલ વધતું હોય છે જેથી ગુંદર પાકને શિયાળામાં માપનું ખાવું જોઈએ. કોલેસ્ટ્રોલવાળો ખોરાક ઓછો લેવોહૃદયના દર્દીઓએ તેમની નિયમિત દવાઓ ક્યારેય ભૂલવી નહીં અને ડૉક્ટરની સલાહ મુજબ સમયસર લેવી જોઈએ. ઠંડીના ડરથી કસરત બંધ ન કરવી, પરંતુ દિવસના અનુકૂળ અને થોડા ગરમ સમયે ચાલવા કે હળવી કસરત કરવી લાભદાયક છે. બહાર જતા સમયે ગરમ કપડાં પહેરવા જોઈએ. એક જાડું કપડું પહેરવાને બદલે બે કે ત્રણ સ્તરમાં કપડાં પહેરવાથી શરીર વધુ ગરમ રહે છે. ખોરાક બાબતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વધારે ઘી, તેલ, વસાણાં અને કોલેસ્ટ્રોલવાળો ખોરાક ઓછો લેવો જોઈએ અને સંતુલિત આહાર લેવો જોઈએ. ધુમ્રપાન અને આલ્કોહોલ હૃદય માટે ખૂબ જ નુકસાનકારકજેમને હૃદયનું પમ્પિંગ નબળું હોય, તેમણે ડોક્ટરની સલાહ પ્રમાણે રસીકરણ કરાવવું જોઈએ. ઘણા લોકો એવું માનતા હોય છે કે શિયાળામાં આલ્કોહોલ લેવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે, પરંતુ ધુમ્રપાન અને આલ્કોહોલ હૃદય માટે ખૂબ જ નુકસાનકારક છે, તેથી તેનાથી સંપૂર્ણ રીતે દૂર રહેવું જોઈએ. શિયાળામાં હવામાં પ્રદૂષણ પણ વધી જાય છે. છાતીમાં દુખાવો થતા ડોક્ટર અથવા હોસ્પિટલમાં સંપર્ક કરવોજો AQI વધારે હોય તો બહાર જતા સમયે માસ્ક જરૂરથી પહેરવો જોઈએ. ડૉ. જણાવે છે કે જો કોઈ વ્યક્તિને છાતીમાં દુખાવો, ગભરામણ કે અચાનક વધારે પરસેવો થવા જેવા લક્ષણો દેખાય, તો તરત જ નજીકના ડૉક્ટર અથવા હોસ્પિટલમાં સંપર્ક કરવો જોઈએ. શિયાળામાં થોડી સાવધાની અને સમયસર સારવાર હૃદયને સ્વસ્થ રાખી શકે છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 6:07 pm

પાલનપુરમાં યુવકની હત્યાનો મામલો:પોલીસે મુખ્ય આરોપી સહિત 6 શખ્સોને ઝડપી પાડ્યા, પૈસાની લેતીદેતીમાં યુવકનું ઢીમ ઢાળ્યુ હતું

પાલનપુરના ગાદલવાડા ગામના ભરત ચૌધરીની હત્યા કેસમાં બનાસકાંઠા પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના પાલનપુર રામદેવ હોટલ નજીક 20 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી. પ્રાથમિક તપાસ મુજબ, આ હત્યા પૈસાની લેતીદેતીના વિવાદને કારણે થઈ હતી. ગાદલવાડાના નિતિનભાઈ કેશરભાઈ ચૌધરીને આરોપી ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સાથે પૈસાનો પ્રશ્ન હતો. આ અંગે વાતચીત કરવા નિતિનભાઈ, ભરતભાઈ ચૌધરી અને અન્ય એક વ્યક્તિ તેમની કાર લઈને રામદેવ હોટલ નજીક આવ્યા હતા. ત્યાં મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી અને અન્ય આશરે ચોવીસ જેટલા માણસો એકસંપ થઈને કાર, મોટરસાયકલ અને એક્ટિવા જેવા વાહનોમાં લોખંડની પાઈપો, તલવારો અને ધોકા જેવા જીવલેણ હથિયારો સાથે આવ્યા હતા. તેમણે ફરિયાદી અને સાક્ષીઓ પર હુમલો કર્યો હતો. આરોપી ભાર્ગવ મંડોરાના સાગરીતે નિતિનભાઈને ગળાના ભાગે લોખંડની પાઈપ મારી હતી. ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળીએ જાનથી મારી નાખવાના ઈરાદે નિતિનભાઈને ડાબા હાથના બાવડા પર તલવાર મારી હતી. મૃતક ભરતભાઈ ચૌધરીને માથામાં ડાબી બાજુ કપાળ અને કાનની ઉપરના ભાગે માર મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. તમામ આરોપીઓએ નિતિનભાઈ અને ભરતભાઈને ધોકા, પાઈપો અને ગડદાપાટુથી માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી, જેના પરિણામે ભરતભાઈ ચૌધરીનું મોત થયું હતું. નિતિનભાઈને માથામાં ગંભીર જીવલેણ ઈજાઓ થઈ હતી. હુમલાખોરોએ બ્રેઝા કારના કાચ તોડી રૂ. 25,000નું નુકસાન પણ કર્યું હતું અને ગુનો આચરીને નાસી છૂટ્યા હતા. આ અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગંભીર ગુનાની અસરકારક તપાસ અને આરોપીઓને ઝડપી પાડવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગના નેતૃત્વ હેઠળ કુલ 10 ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ટીમોમાં LCB, SOG, પેરોલ ફર્લો સ્ક્વોડ, સાયબર ક્રાઈમ, ટેકનિકલ અને સ્થાનિક પોલીસનો સમાવેશ થતો હતો. નાયબ પોલીસ અધિક્ષકના સતત માર્ગદર્શન હેઠળ, LCBના પો.સ.ઈ. આર.બી. જાડેજાની ટીમે ગણતરીના દિવસોમાં મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ મંડોરા (માળી) ને રાજસ્થાનના ઉદેપુરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. અન્ય ટીમો દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સથી મળેલી માહિતીના આધારે અલગ-અલગ સ્થળોએથી અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ મંડોરારીકી નોયલ રોકસ્બ્રો રહે.પાલનપુરભરતજી ભુરાજી રાજપુત રહે.ટડાવ તા.ઢીમા જી.વાવ થરાદભૌતિકકુમાર જગદીશભાઇ પરમાર રહે.પરખડી તા.વડગામ ગણપતભાઇ સેનજીભાઇ ચૌહાણ (ઠાકોર) રહે.આકેસણ તા.પાલનપુર અનિલભાઇ શંકરભાઇ બાવરી રહે.તારાનગર, બાવરી ડેરા, પાલનપુર

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 5:43 pm

ધ્રાંગધ્રાના મોટી માલવણ સોલાર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ:ખેડૂતે PMO, ACBમાં 850 કરોડના પ્રોજેક્ટ સામે ભ્રષ્ટાચારની રજૂઆત કરી

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે 850 કરોડ રૂપિયાના સોલાર પ્લાન્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગામના ખેડૂત અશ્વિનભાઈ પટેલે આ મામલે વડાપ્રધાન કાર્યાલય (PMO) અને લાંચ-રુશ્વત બ્યુરો (ACB) સહિતના વિભાગોમાં રજૂઆત કરી છે. ફરિયાદમાં એન.એસ. સોલાર પ્લાન્ટ અને જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂત અશ્વિનભાઈ પટેલે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની વિગતો સાથે રજૂઆત કરી છે. આ 850 કરોડ રૂપિયાનો સોલાર પ્લાન્ટ ઘુડખર અભયારણ્યની નજીક સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટને જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 5:39 pm

વડોદરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલી:છાણી ગામથી શહેરમાં પ્રવેશ કર્યો, અમિત ચાવડાનો સરકાર પર પ્રહાર; PMને વિનંતી કરતા કહ્યું- બાંગ્લાદેશમાં થતા અત્યાચારને રોકો

વડોદરા શહેરના આજે કોંગ્રેસની જન આક્રોશ રેલીનું આગમન થયું છે. શહેરના છાણી વિસ્તારમાંથી શહેરમાં પ્રવેશ કર્યો છે. આ રેલીનું નેતૃત્વ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી શહેરના છાણી જકાતનાકા, ફતેહગંજ, કાલાઘોડા, મંડવી સહિત વિસ્તારોમાં ફરી કુલ 38 કિમીની યાત્રા યોજાશે. આ રેલીમાં દેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો અને કાયદો-વ્યવસ્થા સાથે પાણી, ડ્રેનેજ, પૂર, પ્રદૂષણ અને નગરપાલિકાની નિષ્ફળતા સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ રેલીની આગેવાની કરતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આક્રોશ યાત્રાથી લોકોમાં ભય અને ડરનો માહોલ દૂર થયોગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ રેલીના લોકો ઉમળકાભેર જોડાઈ રહ્યા છે. પોતાના પ્રશ્નો ખુલીને કહી રહ્યા છે અને લડાઈ લડવાનો સંકલ્પ કરી રહ્યા છે. ત્યારે હું માનું છું કે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી લોકોમાં જે સરકાર દ્વારા ભય અને ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો, એ ભય અને ડર દૂર થઈ રહ્યો છે. લોકો ખુલીને બોલતા થયા છે અને લડવા માટે બહાર આવ્યા છે. એટલે આ જન આક્રોશ યાત્રા 2027માં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ સાબિત થવાની છે. બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય ધર્મના લોકો પર અત્યાચારવધુમાં કહ્યું કે, બાંગ્લાદેશમાં જે રીતે લઘુમતી એટલે કે હિન્દુ અને અન્ય ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે, જે એમની હત્યાઓ થઈ રહી છે, ઝુલમ થઈ રહ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમે 56ની છાતી વાળા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરીએ છીએ કે ચૂંટણી પહેલા ખૂબ ભાષણો કર્યા હતા કે 56ની છાતી છે, પડોશી રાષ્ટ્રો પછી પાકિસ્તાન હોય કે બીજા કોઈપણ રાષ્ટ્ર હોય, કોઈપણ રીતે જો ગુસ્તાખી કરશે તો લાલ આંખ બતાવીશું. અમે વાટાઘાટો નહીં પણ એનો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. બાંગ્લાદેશમાં થતા અત્યાચારને રોકો અને રક્ષણ આપોવધુમાં કહ્યું કે, આજે અમે દેશના પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે બાંગ્લાદેશ જેનું સર્જન કરવામાં લોખંડી મહિલા ઈન્દિરા ગાંધીની શક્તિ હતી, વિઝન હતું એ કારણભૂત છે. એ બાંગ્લાદેશમાં આજે હિન્દુઓ પર, લઘુમતીઓ પર અત્યાચાર થતા હોય, જે લોકો એના પર અત્યાચાર કરતા હોય એની સામે લાલ આંખ બતાવો અને હિન્દુઓનું રક્ષણ કરો. હિન્દુઓના નામે અહીંયા રાજનીતિ કરો છો, અહીંયા તમારી પાસે સત્તા છે, તમામ જાતની તાકાત છે, તો ત્યાં બાંગ્લાદેશમાં જે હિન્દુઓની કતલેઆમ થાય છે, જે અત્યાચાર થાય છે, જે ઝુલમ થાય છે એને તાત્કાલિક રોકો અને એને રક્ષણ આપો. ગુજરાતની સાડા છ કરોડની જનતાની ભાજપને ચિંતા નથીજેઠાભાઈ ભરવાડના રાજીનામા અંગે જણાવ્યું કે, ભાજપમાં ઘણું બધું ચાલે છે. આંતરિક ગેંગ વોર ચાલે છે. ક્યાંક પત્રો લખીને લડાઈ થાય છે, ક્યાંક રાજીનામાઓ લઈને લડાઈ થાય છે. ક્યાંક કોઈક મંત્રી બની જાય છે, ક્યાંક કોઈક સપના રોળાઈ જાય છે. આખી લડાઈ એ ભાજપની આંતરિક લડાઈ છે. ગુજરાતની સાડા છ કરોડની જનતાની ભાજપને ચિંતા નથી પણ એમના હોદ્દાઓની, એમની સત્તાઓની, એમના પૈસાની અને એમની જે પ્રતિષ્ઠાની લડાઈ છે એમાં આખા ગુજરાતના લોકો પીસાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 5:38 pm

કુતિયાણાના ચૌટા ગામે ઝૂંપડપટ્ટી પર બુલડોઝર કાર્યવાહી:40 વર્ષથી વસવાટ કરતા લોકો બેઘર, 5 કરોડની જમીન ખાલી કરાઈ

કુતિયાણા તાલુકાના ચૌટા ગામે સરકારી પડતર જમીન પર દબાણ હટાવવા માટે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 40 વર્ષથી વધુ સમયથી વસવાટ કરતા લોકોની ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી હતી. આશરે 15 વીઘા જમીન ખાલી કરાઈ, જેની અંદાજિત કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ છે. કાર્યવાહી દરમિયાન સ્થળ પર ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. એક વૃદ્ધ મહિલાએ સરકારી અધિકારીઓ સામે હાથ જોડીને રડતા રડતા આજીજી કરી હતી. તેમણે કહ્યું કે, મારા નાના બાળકોને લઈને હું ક્યાં જાઉં? કમાવાવાળો કોઈ નથી. ઝૂંપડામાં રહીને જ ગુજરાન ચાલે છે. જો આ પણ તોડી નાંખશો તો અમારું શું થશે? આ ઉપરાંત, ગામના એક દિવ્યાંગ વ્યક્તિને ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ ફાળવવામાં આવેલી જગ્યા પણ તંત્ર દ્વારા પાછી લઈ લેવામાં આવી હતી. આ વ્યક્તિ છેલ્લા 23 વર્ષથી આ જગ્યા માટે રજૂઆતો કરી રહ્યો હોવા છતાં કોઈ સાંભળતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો. બુલડોઝર કાર્યવાહીમાં તેનું મકાન પણ ધરાશાયી કરી દેવામાં આવ્યું. કાર્યવાહી દરમિયાન એક મકાનમાં રહેતી મહિલાને અચાનક ચક્કર આવતા તે બેભાન થઈ ગઈ હતી. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા કુતિયાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન તાલુકા વિકાસ અધિકારી, કુતિયાણા મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કુતિયાણા પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ તહેનાત રાખવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 5:38 pm

નવસારીમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી:સાહિબજાદાઓના બલિદાન અને શૌર્યને કરાયું યાદ

આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહના બલિદાન અને શૌર્યની સ્મૃતિમાં આયોજિત કરાયો હતો. સાહિબજાદાઓએ ધર્મ અને સત્યની રક્ષા માટે નાની વયમાં જ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તેમની શહાદતને યાદ કરતો આ કાર્યક્રમ સમાજમાં વીરતા, સાહસ અને દેશભક્તિની ભાવના જાગૃત કરવાના હેતુથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર, સંગઠનના પ્રમુખ, મુખ્ય વક્તા શ્રીમતી વૈશાલીબેન પારેખ સહિત વિવિધ શાળાઓના 900થી વધુ બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં, મ્યુનિસિપલ કમિશ્નરએ શહીદ બાળ વીરોની ઐતિહાસિક ઘટના અને તેનું મહત્ત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે આ બે બાળકોએ ધર્મ અને સિદ્ધાંતો માટે પોતાના જીવનનું બલિદાન આપી, સમગ્ર દેશને અડગ હિંમત અને સિદ્ધાંતનિષ્ઠાનો પાઠ શીખવ્યો. શ્રીમતી વૈશાલીબેન પારેખે બાળકોને સંબોધિત કરતાં કહ્યું કે, “શૌર્ય ઉંમરની બાબત નથી, તે આત્મબળ અને વિચારની દૃઢતાની બાબત છે. તમારામાં રહેલા સાહસ અને સંકલ્પબળને ઓળખો અને તેને સદ્‌માર્ગે વાપરો.” તેમણે યુવા પેઢીમાં દેશભક્તિ, સમાજસેવા અને નીતિમત્તાના સંસ્કાર વિકસાવવા પ્રેરણાદાયી સંદેશ આપ્યો. ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ કાર્યક્રમને સંબોધિત કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ દિવસને રાષ્ટ્રીય ‘વીર બાળ દિવસ’ તરીકે ઘોષિત કરવાના નિર્ણયનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે આ નિર્ણય દ્વારા દેશના ભવિષ્યરૂપ બાળકો અને યુવાઓના મનમાં વીરતા, સાહસ અને રાષ્ટ્રપ્રેમની ભાવના પુનઃ પ્રદીપ્ત કરવાનો ઉદ્દેશ્ય રહ્યો છે. કાર્યક્રમના અંત ભાગમાં, શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શહેરના 400 બાળકોને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્ન તરીકે મેડલ પ્રદાન કરી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું સમાપન સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય ભાવના સાથે થયું, જેમાં દિલ્હી ખાતેથી જીવંત પ્રસારિત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું પ્રસારણ પણ કરાયું હતું. આ પ્રસંગે બાળકોમાં રાષ્ટ્રભક્તિ અને શૌર્યગાથાઓ પ્રત્યેની જિજ્ઞાસા જાગૃત થઈ.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 5:36 pm

વાપી સુલપડ રેઈન બસેરાની એનએસએસ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી:મનપાની બેઘર લોકો માટેની કલ્યાણકારી સેવાઓથી અવગત થયા

વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનર આસ્થા સોલંકી તથા અશ્વિન પાઠકની દેખરેખ હેઠળ, KBS કોલેજ, ચણોદના NSS વિદ્યાર્થીઓએ વાપી સુલપડ વિસ્તારમાં કાર્યરત રાત્રિ આશ્રયસ્થાન (રેઈન બસેરા)ની મુલાકાત લીધી હતી. વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત અને સહયોગ હેલ્પિંગ હેન્ડ, વાપી દ્વારા સંચાલિત આ રાત્રિ આશ્રયસ્થાન બેઘર વ્યક્તિઓને મફત રહેવાની વ્યવસ્થા અને સંભાળ પૂરી પાડે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને મનપા દ્વારા ઘરવિહોણા વ્યક્તિઓ માટે પૂરી પાડવામાં આવતી સુવિધાઓથી પરિચિત કરાવવાનો અને સમાજના વંચિત વર્ગને સામાજિક સહયોગ આપવાનો હતો. આ મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ રહેવાસીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું અવલોકન કર્યું. જેમાં સવારે ગરમ નાસ્તો, બપોરે સાત્વિક ભોજન, સાંજનો નાસ્તો અને રાત્રિભોજનનો સમાવેશ થાય છે. આશ્રયસ્થાનમાં આશ્રિતોને કપડાં ધોવા માટે વોશિંગ મશીન, મનોરંજન માટે ટેલિવિઝન અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જે આશ્રિતો માટે આરામ અને ગૌરવ સુનિશ્ચિત કરે છે. આ સેવાઓ ઉપરાંત, રહેવાસીઓને રોજગાર મેળવવામાં અને આત્મનિર્ભર બનવામાં મદદ કરવા કૌશલ્ય તાલીમ અને પ્રેરક સત્રો પૂરા પાડવામાં આવે છે. સમયાંતરે મેડિકલ હેલ્થ કેમ્પ યોજાય છે અને દરરોજ સાંજે ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગા કરાવવામાં આવે છે. અઠવાડિયામાં બે વખત મેડિટેશન કાર્યક્રમ પણ યોજાય છે, અને વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારોની ઉજવણીમાં પણ તેમને સામેલ કરવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન વાપી મનપાના પ્રોજેક્ટ ઓફિસર રામચંદ્ર દેસાઈ, સમાજ સંગઠક વીણાબેન, સિટી મેનેજર કૃતિકાબેન અને KBS કોલેજના NSS પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ખુશ્બુબેન દેસાઈ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું અને વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી કલ્યાણકારી પહેલો વિશે મૂલ્યવાન સમજ આપી. તેમણે સમાજના વંચિત વર્ગોને ટેકો આપવા માટે નાગરિક અધિકારો અને સામાજિક સંગઠનોના સહયોગી પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 5:34 pm

બાલાસિનોરમાં રોગચાળા બાદ જર્જરિત પાઈપલાઈન બદલવાનું કામ શરૂ:કમળાના કેસ વધતા કમિટીની રચના, 600 મીટર લાઈન બદલાશે

બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં પ્રવર્તમાન રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ દ્વારા એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી આ કમિટીએ ગત તારીખ 24/12/2025 ના રોજ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ રોગચાળાને નિયંત્રિત કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં જૂની અને વારંવાર લીકેજ થતી પાણીની પાઈપલાઈન તેમજ ગટરલાઈનોને તાત્કાલિક ધોરણે બદલવાનો છે. બાલાસિનોરના વિજય ટોકીઝ વિસ્તારમાં કમળાના 36 કેસો અને ટીમ્બા મહોલ્લામાં 22 કેસો નોંધાયા છે. રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત વિજય ટોકીઝ વિસ્તારના 280 મકાનો અને ટીમ્બા મહોલ્લાના 70 મકાનોનો સઘન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન પ્રદૂષિત પાણીની સમસ્યા નિવારવા માટે જર્જરિત લાઈનો બદલવા પર ભાર મૂકવામાં આવ્યો. હાલમાં, આ અસરગ્રસ્ત વિસ્તારોમાં આશરે 600 મીટર જેટલી જૂની પાઈપલાઈન બદલવાનું કામ પ્રગતિ હેઠળ છે. તંત્ર દ્વારા આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે તમામ સંસાધનો કામે લગાડવામાં આવ્યા છે, જેથી સ્થાનિક રહીશોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી શકાય અને રોગચાળાના ફેલાવાને અટકાવી શકાય. કમિટી દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂર જણાયે વધુ પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 5:29 pm

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અંગે બોટાદમાં વિરોધ:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે મામલતદારને આવેદનપત્ર આપ્યું

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો પર થઈ રહેલી હત્યાઓ અને અત્યાચારના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બોટાદ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરિષદના કાર્યકરોએ બોટાદ મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આવેદનપત્રમાં જણાવાયું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈઓની ક્રૂર રીતે હત્યાઓ થઈ રહી છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે ભારત સરકાર અને રાષ્ટ્રપતિને આ મુદ્દે બાંગ્લાદેશ સરકાર સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી. પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી કે બાંગ્લાદેશ સાથે ભારતનો તમામ પ્રકારનો વ્યવહાર બંધ કરવામાં આવે, તેમજ આઈપીએલમાં પસંદ કરાયેલા બાંગ્લાદેશના ખેલાડીઓને બહાર કરવામાં આવે. આ ઘટનાને લઈને કાર્યકરોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વનરાજસિંહ ખેરે આ અંગેની માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 5:21 pm

ઇન્દિરાનગર દુષ્કર્મ કેસનો આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો:ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર રામગનીત યાદવના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે જેલ હવાલે કર્યો

ગાંધીનગર સેક્ટર-24ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં સમગ્ર ગુજરાતમાં રોષની લાગણી જન્માવી હતી. ગાંધીનગર પોલીસે ગણતરીના દિવસોમાં જ બિહારનો વતની અને સેક્ટર-25 GIDCમાં મજૂરી કરતા રામગનીત દેવ નંદન યાદવને દબોચી લીધો હતો. આરોપીના ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલના સળિયા પાછળ ધકેલ્યોગાંધીનગરને હચમચાવી નાખનાર સેક્ટર-24 દુષ્કર્મ કેસમાં પોલીસે નરાધમ આરોપી વિરુદ્ધ કડક કાયદાકીય સકંજો કસ્યો છે. પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરનાર બિહારના આરોપી રામગનીત યાદવના રિમાન્ડ પૂર્ણ થતા હવે તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આરોપીએ 10 દિવસ રેકી બાદ જધન્ય કૃત્ય આચર્યુંઆ પ્રકરણમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપી રામગનીત ઇન્દિરા નગરની એક કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતો હતો, જ્યાં તેની નજર આ બાળકી પર પડી હતી. આરોપીએ આ કૃત્ય આચરવા માટે 10 દિવસ પહેલાથી પ્લાન ઘડી કાઢ્યો હતો અને સતત બાળકીની રેકી કરતો હતો. આ કૃત્ય આચરીને તેની વતન ભાગી જવાની તૈયારીઓ હતી. લોહીલુહાણ હાલતમાં બાળકી પરિવાર પાસે પહોંચી15મી ડિસેમ્બરની મધરાતે જ્યારે પરિવાર સૂતો હતો, ત્યારે તેણે બાળકીનું મોઢું દબાવી અપહરણ કર્યું અને નજીકની ઝાડીઓમાં લઈ જઈ હેવાનીયત આચરી હતી. દુષ્કર્મ બાદ બાળકી બેભાન થઈ ગઈ હતી. ત્યારે આરોપી ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ થોડીવાર પછી તે પાછો એ ચેક કરવા આવ્યો હતો કે બાળકી જીવતી છે કે મરી ગઈ છે. જોકે કુદરતી કરામત કહો કે બાળકીની હિંમત તે હોશમાં આવતા જ અંધારામાં લથડતા પગે પોતાના પરિવાર પાસે પહોંચી ગઈ હતી. જેના કારણે આ આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે ગુનેગારને રોકવા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુંજોકે, ધરપકડ બાદ જ્યારે પોલીસ આરોપીને ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસે સ્વબચાવમાં અને ગુનેગારને રોકવા માટે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી રામગનીતના પગમાં વાગી હતી. સિવિલમાં સારવાર બાદ તેના ચાર દિવસના રિમાન્ડ મેળવાયા હતા. આરોપીના રિમાન્ડ દરમિયાન પોલીસે ભોગ બનનાર માસૂમ બાળકીનું નિવેદન નોંધ્યું છે. આ ગુનામાં આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે ઊંડી તપાસ કરી ગુનાના તમામ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. ગાંધીનગર પોલીસે આ કેસમાં ચાર્જશીટ રજૂ કરીઆજે રિમાન્ડ પૂરા થતા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસ હવે આ કેસમાં વહેલી તકે ચાર્જશીટ રજૂ કરી આરોપીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કડકમાં કડક સજા અપાવવાની દિશામાં આગળ વધી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 5:21 pm

દલપુર પાસે અજાણ્યા વાહન સાથે રિક્ષા અથડાઈ:રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે મોત, એક ઘાયલ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક નેશનલ હાઈવે પર ગુરુવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક રિક્ષા અજાણ્યા વાહન સાથે અથડાતા રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગરથી સેજીપુર જઈ રહેલી રિક્ષા દલપુર પાસે અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી. મૃતક રિક્ષા ચાલકની ઓળખ બળદેવસિંહ લાલસિંહ સોલંકી (ઉંમર ૫૫, રહે. સેજીપુર, તા. પ્રાંતિજ) તરીકે થઈ છે. રિક્ષામાં બેઠેલા શિવસિંહ મોતીસિંહ રાઠોડ (ઉંમર ૫૮, રહે. સેજીપુર, તા. પ્રાંતિજ)ને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 5:09 pm

વલસાડમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના સફળ:1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે લાભ

ગુજરાત સરકારની ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ વલસાડ જિલ્લામાં સફળતાપૂર્વક અમલમાં મુકાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગત ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪થી શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો છે. આ યોજના અંતર્ગત શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને દૈનિક પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવામાં આવે છે, જે તેમના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસને વેગ આપે છે. વલસાડ જિલ્લામાં કુલ ૯૫૯ શાળાઓના અંદાજે ૧,૧૧,૩૩૯ વિદ્યાર્થીઓ આ યોજનાનો નિયમિત લાભ લઈ રહ્યા છે. આમાં બાલવાટિકાના ૧૧,૮૬૧, ધોરણ ૧ થી ૫ના ૫૯,૪૯૭ અને ધોરણ ૬ થી ૮ના ૩૯,૯૮૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અલ્પાહારનું વિતરણ સમયસર અને ગુણવત્તાયુક્ત રહે તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ, શાળા સંચાલન સમિતિઓ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવાએ જણાવ્યું હતું કે, યોજના હેઠળ બાળકોને મેનુ મુજબ વૈવિધ્યસભર અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આ નાસ્તામાં ચણા, મિક્સ કઠોળ, ચણા ચાટ અને ઊર્જાસભર સીંગદાણાવાળી સુખડીનો સમાવેશ થાય છે, જે બાળકોમાં ખાસ લોકપ્રિય બની છે. આ પૌષ્ટિક આહારથી બાળકોને જરૂરી કેલરી, પ્રોટીન અને વિટામિન્સ મળી રહ્યા છે, જેનાથી તેમનું સ્વાસ્થ્ય મજબૂત બન્યું છે. શાળાઓમાં સવારના સમયે પૌષ્ટિક નાસ્તો મળવાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા અને શૈક્ષણિક કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. આના પરિણામે શાળામાં હાજરીનું પ્રમાણ વધ્યું છે અને ભણતર પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ પણ વધી છે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના શ્રમિક તથા મધ્યમ વર્ગના પરિવારો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ‘કુપોષણ મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે અમલમાં આવેલી આ યોજના સુશાસન, સંવેદનશીલતા અને સર્વાંગી વિકાસના સિદ્ધાંતોને સાકાર કરતી એક મહત્વપૂર્ણ પહેલ છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણના સંકલન દ્વારા રાજ્યના બાળકોને સ્વસ્થ બાળપણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવાનો ગુજરાત સરકારનો આ પ્રયાસ સીમાચિહ્નરૂપ બની રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 5:06 pm

અમદાવાદ પોલીસ NSUI કાર્યકરોને ખેંચી ખેંચીને ટીંગાટોળી કરી લઈ ગઈ:ઉન્નાવ રેપ કેસના આરોપી સેંગરને જામીન મળતા રસ્તા રોકી વિરોધ, પોલીસ સાથે ઝપાઝપી થતાં કાર્યકર બેભાન

ઉન્નાવ રેપ કેસમાં પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દિલ્હી હાઇકોર્ટની એક બેંન્ચે સજા મોકૂફ કરી દીધી. જેને લઈને NSUI દ્વારા ચાંદલોડિયામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કુલદીપસિંહ સેંગરના પોસ્ટર સળગાવીને ફાંસીની સજા આપવાની માગ સાથે NSUIના કાર્યકર્તાઓએ રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, તે બાદ પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. જે દરમિયાન NSUIના કેટલાક કાર્યકર્તાઓના કપડા પણ ફાટી ગયા હતા. તો એક NSUIનો કાર્યકર્તા બેભાન થઈ જતા તેને હોસ્પિટલ લઈ જવાના બદલે પોલીસ સ્ટેશન લઈ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે રેપ કેસના આરોપી સેંગરની સજા મોકૂફ કરીઉન્નાવ રેપ કેસમાં ટ્રાયલ કોર્ટમાંથી પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને 2019માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આજીવન જેલની સજા મળ્યાનાં 6 કરતાં વધારે વર્ષ પછી દિલ્હી હાઇકોર્ટની એક બેન્ચે સજા મોકૂફ કરી દીધી. દિલ્હી હાઈકોર્ટે ઉન્નાવ રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા કુલદીપસિંહ સેંગરની આજીવન કેદની સજા સ્થગિત કરી દીધી હતી. વર્ષ 2017માં ઉન્નાવમાં થયેલા રેપ અને હત્યા કેસમાં સજા ભોગવતા કુલદીપસિંહ સેંગરને રેપ કેસમાં જામીન મળતા ગુજરાતમાં NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUI દ્વારા કુલદીપસિંહ સેંગરના પોસ્ટર સળગાવી વિરોધ પ્રદર્શનચાંદલોડિયા વિસ્તારમાં ગુજરાત NSUI દ્વારા કુલદીપસિંહ સેંગરના પોસ્ટર સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કુલદીપસિંહ સેંગર પોસ્ટર સળગાવતા પોલીસે દોડી આવી હતી અને સળગાવેલા પોસ્ટર બુઝાવી દેવામાં આવ્યા હતા. કુલદીપસિંહ સેંગરના પોસ્ટર સળગાવ્યા બાદ ફાંસીની સજાની માગ સાથે રસ્તા બેસીને નારા લગાવ્યા હતા. ભાજપના રાજમાં બળાત્કારીઓ મોજમાં હોવાના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રસ્તો પર બેસીને વિરોધ કરતા ભારે ટ્રાફિક પણ થઈ ગયો હતો. જેથી પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા ખેંચી ખેંચીને NSUIના કેટલાક કાર્યકર્તાઓને પોલીસની બસમાં બેસાડવામાં આવ્યા હતા. જે દરમિયાન કેટલાક કાર્યકર્તાઓના તો કપડા પણ ફાટી ગયા હતા. NSUIના કાર્યકર્તાઓની પોલીસ સાથે ઝપાઝપીકુલદીપસિંહ સેંગરને ફાંસીની સજાની માગ સાથે વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તાઓની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. જે દરમિયાન NSUIનો એક કાર્યકર્તા બેભાન થઈ ગયો હતો. NSUIનો કાર્યકર્તા બેભાન થઈ ગયો હોવા છતાં પોલીસ તેને હોસ્પિટલ લઈ જવાના બદલે પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હોવાનો NSUIના અન્ય કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે. વીડિયોમાં પણ NSUIનો એક કાર્યકર્તા બેભાન થઈ જતા અન્ય કાર્યકર્તાઓ પોલીસ પાસે તેને હોસ્પિટલ લઈ જવા માટે આજીજી કરતા પણ જોવા મળ્યા હતા. જે બાદ વડગામના ધારાસભ્યએ ટ્વીટ કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને સૌથી વધુ પ્રાથમિકતા આપવી જોઈએ. વિદ્યાર્થીઓને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે માગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 5:02 pm