ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામમાં જોષી પરિવાર નર્મદા પરિક્રમાવાસીઓ માટે સાત પેઢીથી નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહ્યો છે. આ પરિવાર પરિક્રમાવાસીઓને ભોજન, રહેઠાણ અને અન્ય સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવે છે. આ સેવા તેમના પૂર્વજો દ્વારા શરૂ કરાઈ હતી અને આજે પણ અવિરત ચાલુ છે. પરિવારના વડીલ કમળાબેન જોશી અને જ્યોતિબેન જોશીના જણાવ્યા અનુસાર, આ સેવા તેમને પૂર્વજો પાસેથી વરદાન રૂપે મળી છે. તેઓ કોઈ પાસેથી દાન સ્વીકારતા નથી અને પરિક્રમાવાસીઓના આશીર્વાદને જ તેમની તાકાત માને છે. આ પરિવારના ચાર માસી-ભાણેજોએ આ સેવા માટે લગ્ન ન કરવાનો સંકલ્પ લીધો છે. તેઓ ખેતી કરીને પરિક્રમાવાસીઓની સેવા માટે જરૂરી તમામ વ્યવસ્થા પોતાના સ્ત્રોતથી જ પૂરી પાડે છે. નર્મદા પરિક્રમા દરમિયાન જોષી પરિવાર દિવસ-રાત પરિક્રમાવાસીઓની સેવામાં તત્પર રહે છે. કોઈપણ સમયે આવતા પરિક્રમાવાસીઓને ઘર જેવું સન્માન અને ભોજન અપાય છે. દરરોજ સરેરાશ 200થી વધુ ભાવિકો માટે ચા-નાસ્તો અને બંને સમયનું ભોજન તૈયાર કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. નિવૃત્ત આચાર્ય જ્યોતિબહેન પોતે રસોડાથી લઈને સેવા કાર્ય સુધીની દરેક કામગીરીમાં પરિવાર સાથે ખભેખભો મિલાવીને કાર્યરત રહે છે. જોષી પરિવારનો આ સેવા યજ્ઞ આજે સાતમી પેઢી સુધી જીવંત છે. પરિક્રમા કરવા આવતા ભાવિકો જણાવે છે કે, પરિક્રમાની થાકેલી યાત્રામાં, મંગલેશ્વરના જોષી પરિવારનું ઘર નર્મદાની મમતા જેટલું પ્રસન્નતાદાયક લાગે છે. આ સેવા પરંપરા માત્ર ભોજન કે રહેવાની વ્યવસ્થા પૂરતી સીમિત નથી. આજના યુગમાં જ્યાં લોકો પોતાના જીવનમાં વ્યસ્ત છે, ત્યારે મંગલેશ્વરના આ કુટુંબે સાત પેઢીઓ સુધી નર્મદા પરિક્રમાવાસીઓની નિઃસ્વાર્થ સેવાનો સંકલ્પ જાળવી રાખ્યો છે. આ પરિવાર સાબિત કરે છે કે શ્રદ્ધા, સમર્પણ અને માનવતા હોય તો અનેક પેઢીઓ સુધી એક જ દીવો પ્રગટ રાખી શકાય છે. આ સેવામાં ગામના અને આસપાસના લોકો પણ સવાર-સાંજ જોડાયેલા રહે છે.
રાજકોટમાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં આજે સવારે 11.34 વાગ્યે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થયો અને પછી આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે સાયરનો ગુંજી ઊઠી અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ-3 ની ઇમરજન્સી જાહેર કરાઈ હતી. જેમાં 120 કર્મચારીઓને સુરક્ષિત બચાવી લેવાયા હતા જ્યારે 4 કર્મચારીને ગેસની ઝેરી અસર થતા NDRF ની ટીમ દ્વારા PPE કીટ પહેરીને રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. જોકે બાદમાં આ મોકડ્રિલ હોવાનું જાહેર થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. IOCL ના પ્લાન્ટમાં ગેસ લીકેજ થતા કંપનીની સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા. જોકે આગ કાબૂમાં ન આવતા અંતે 112 હેલ્પલાઇન નંબર પર કોલ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સની ટીમને જાણ કરવામાં આવી. આ દરમિયાન કંપનીમાં કામ કરતા આશરે 120થી વધુ કર્મચારીઓને પ્લાન્ટમાંથી સલામત રીતે બહાર લઈ જવાયા હતા. બીજી તરફ પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ બુઝાવવાની કવાયત શરૂ કરી. જોકે આ દરમિયાન પોલીસ, આર.ટી.ઓ.ની ટીમે ટ્રાફિક જામ દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો. આ સાથે એન.ડી.આર.એફ.ની ટીમ પણ ત્યાં પહોચી ગઈ અને પી.પી.ઈ. કીટ પહેરીને દુર્ઘટના ક્ષેત્રમાં જઈને ગેસથી અસર પામેલા 4 કર્મચારીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. અડધા કલાકની કવાયત બાદ અંતે આગ કાબૂમાં આવી હતી. આ દરમિયાન એસ.ડી.આર.એફ.ના જવાનો પણ ખડે પગે રહ્યા હતા. જોકે આખરે આ સમગ્ર કવાયત મોકડ્રીલ હોવાનું જાહેર થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, જિલ્લા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીના સંયુક્ત નિયામકની ટીમ દ્વારા આઈ.ઓ.સી.એલ.ના નવાગામ ખાતે આવેલા પ્લાન્ટમાં અગ્નિશમન ક્ષમતા અને સજ્જતા ચકાસવા આ મોકડ્રીલ કવાયત યોજવામાં આવી હતી. આ તકે જિલ્લા ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના નાયબ નિયામક એન.વી.ચૌધરી, ડિઝાસ્ટર મામલતદાર મીરા જાની, આર.ટી.ઓ. અધિકારી કેતન ખપેડ, જી.પી.સી.બી.ના સાયન્ટિફિક ઓફિસર દશરથ પટેલ, એન.ડી.આર.એફ.ના અનુપમજી, પોલીસ તેમજ એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Ahmedabad News: નવનિર્મિત સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ એક આતંકવાદી કેસના આરોપી પર સોમવારે ત્રણ કેદીએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં આરોપીને તેને ઈજા પણ થઈ છે. હાઇ સિક્યોરિટી જેલમાં બનેલી આ ઘટના બાદ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને રાણીપ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, આતંકવાદ સંબંધિત કેસમાં જેલમાં બંધ અહેમદ મોહિયુદ્દીન સૈયદ પર જેલ પરિસરમાં ત્રણ કેદીએ અચાનક હુમલો કર્યો હતો. જો કે, આ હુમલા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
જુનાગઢ શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા તંત્ર સક્રિયમોતીબાગ સર્કલ, ઝાંઝરડા અંડરબ્રિજ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ-મનપાનું સંયુક્ત આયોજન; આડેધડ પાર્કિંગ પર તવાઈજુનાગઢ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા વાહનોની સંખ્યા અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા માટે હવે પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સક્રિય થયું છે. જુનાગઢ એસપી, ડીવાયએસપી અને મહાનગરપાલિકાના અધિકારીઓએ સંયુક્ત રીતે શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટની મુલાકાત લઈને સમસ્યાના ઉકેલ માટે ખાસ આયોજન હાથ ધર્યું છે. જુનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, આજે જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાની આગેવાની હેઠળ, જુનાગઢ એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ, ટ્રાફિક પીએસઆઈ અને જુનાગઢ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સાથે એક બેઠક અને વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીમે શહેરના ટ્રાફિક સમસ્યા સર્જાતા મુખ્ય વિસ્તારોની મુલાકાત લીધી, જેમાં મોતીબાગ ઝાંસીની રાણીનું સર્કલ, ઝાંઝરડા અંડરબ્રિજથી ત્રિમૂર્તિ હોસ્પિટલ સુધીનો રસ્તો, બસ સ્ટેશન, ગાંધી ચોક, મજેવડી દરવાજા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આગામી સમયમાં એમ.જી.રોડ અને કાળવા ચોક જેવા અન્ય મુખ્ય રોડ પરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પણ પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાફિક સમસ્યાના મુખ્ય કારણો અને ઉકેલનો પ્લાન ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, આ તમામ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય તે માટેનું પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે બે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને લારી-ગલ્લા ધારકો, ફેરિયાઓ અને પાથરણાવાળા રસ્તાની કિનારીઓ પર બેસીને ધંધો કરે છે, જેના કારણે રોડ સાંકડો બની જાય છે અને ટ્રાફિક જામ થાય છે.પેસેન્જર વાહનો જેમાં રીક્ષા અને અન્ય વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે. આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા માટે ચર્ચા થઈ. આ ટીમે જુનાગઢ શહેરમાં જે સર્કલો છે તેની આસપાસ વાહનો પાર્ક કરવા માટેના પોઈન્ટો બનાવી શકાય કે નહીં, તેમજ અન્ય જે સર્કલો છે તેમાં જરૂરી સુધારો વધારો કરીને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય, તે માટે આ તમામ વિસ્તારો અને સર્કલોની વિઝિટ કરવામાં આવી હતી. રેલવે ફાટક નજીકની જગ્યાઓમાં પણ જ્યાં પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે જુનાગઢ એસપી,કલેક્ટર અને મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખીને જુનાગઢ શહેરને કઈ રીતે ટ્રાફિક મુક્ત કરી શકાય, જેને લઇને આગામી દિવસોમાં એક ખાસ પ્લાન તૈયાર કરવામાં આવશે. બંધ ટ્રાફિક સિગ્નલ ફરી શરૂ કરવા પર ભાર વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સૌથી મોટો મુદ્દો એ સામે આવ્યો કે જુનાગઢ શહેરમાં જે ટ્રાફિક સિગ્નલો હાલમાં બંધ હાલતમાં છે, તેને વહેલી તકે કાર્યરત કરવા માટે હાલ ચર્ચા વિચારણા અને પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ સમગ્ર મામલે કોર્પોરેશનને પણ સમજણ આપવામાં આવી છે.જુનાગઢ શહેરમાં બંધ રહેલા ટ્રાફિક સિગ્નલ વહેલી તકે શરૂ કરવામાં આવે જેથી લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે અને અવરજવરમાં સરળતા રહે, તેવા સઘન પ્રયત્નો અને પ્લાનિંગ હાલ જુનાગઢ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. મુખ્ય રસ્તાઓ, ચોક અને સર્કલો આસપાસ ટ્રાફિકને કેવી રીતે હળવો કરી શકાય તે મામલે સચોટ પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે.
'ભાઈ તેજસ્વીએ લાલુ યાદવને કિડની કેમ ન આપી?' બહેન રોહિણીના ફરી આકરા પ્રહાર
Lalu Prasad Yadav Family Controversy : રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં વિખવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ તેમના પુત્ર તેજસ્વી અને પુત્રી રોહિણી વચ્ચે વિવાદ થતા બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો, ત્યારે રોહિણીએ ફરી કિડની દાન કરવા મામલે ભાઈ તેજસ્વી પર આકરા પ્રહારો કર્યો છે. રોહિણીએ નામ લીધા વિના તેજસ્વી-સંજય પર કર્યા પ્રહાર રોહિણી આચાર્ય (Rohini Acharya)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના પિતાને કિડની દાન કરવાના મામલે આકરું નિવેદન જાહેર કર્યું છે. તેમણે નામ લીધા વિના ઈશારાઓમાં જ પોતાના ભાઈ તેજસ્વી યાદવ અને તેમના સલાહકાર સંજય યાદવ પર આકરા પ્રહારો કર્યા છે.
ગુજરાતમાં હાલ મતદાર યાદી સુધારણા કામગીરી ચાલી રહી છે. ચૂંટણી પંચના CEO હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 44 હજાર જેટલા BLO કામગીરીમાં જોડાયેલા છે. રાજ્યમાં અત્યાર સુધી 99.6 ટકા મતદારોને ફોર્મ પહોચાડી દેવામાં આવ્યા છે. 4 ડિસેમ્બર સુધીમાં તમામ ફોર્મ એકત્રિત કરાશે અને 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. ગુજરાતમાં ડીસેમ્બર બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે SIRની તેના પર અસર થશે કે નહીં તેને લઈ સવાલ કરાતા ચૂંટણી કરાવવાનું કામ રાજ્ય ચૂંટણી પંચનું છે એટલે આ બાબતે અમે કશું કહી શકીએ નહીં. ડ્રાફ્ટ યાદીમાં નામ રહી ગયું હોય તો નામ ઉમેરી શકાશેSIRની કામગીરી માટે ફોર્મ ભરાયા બાદ 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. ડ્રાફ્ટ જાહેર થયા પછી 8 જાન્યુઆરી સુધી કોઈનું નામ રહી ગયું હોય તો ઉમેરો કરી શકાશે. ઓનલાઇન દ્વારા પણ વિગતો ભરી શકાય છે. દરેક ફોર્મ પર આપેલ QR કોડ સ્કેન કરતા સીધું ઓનલાઇન ફોર્મ ખુલશે. 2002ની યાદીમાં નામ મળે તો સાબિતીની જરૂર નહીંશુક્લાએ કહ્યું કે જો 2002ની મતદાર યાદીમાં નામ મળે છે તો કોઇ વધારાની સાબિતી આપવાની રહેશે નહીં. રાજ્યમાં 50%થી વધુ મતદારો એવા છે જેમના માતા-પિતા અથવા દાદાના નામ મળી ગયા છે અને નવી યાદીમાં તેમના નામ સાથે લિંક થઈ ચૂક્યા છે. BLO એક મતદારની ત્રણ વખત મુલાકાત લેશેSIRની કામગીરી માટે BLO ત્રણ વખત મળશે, ‘બુક અ કોલ’ સુવિધા પણ ઉપલબ્ધ છે. BLO એપ પર ‘બુક અ કોલ’ સુવિધા ઉપલબ્ધ છે, જેથી મતદાર સમય નક્કી કરી BLO ને મળી શકે. દરેક ફોર્મ પર BLO નું નામ અને નંબર દર્શાવાયેલ છે. ફેબ્રુઆરીમાં ફાઈનલ યાદી જાહેર કરાશેમતદાર યાદી એક સતત પ્રક્રિયા છે. ફાઈનલ યાદી ફેબ્રુઆરી 2026માં પ્રસિદ્ધ થશે. નામ રહી જાય તો ફાઈનલ યાદી પછી પણ ફરી ફોર્મ ભરી નામ દાખલ કરી શકાશે. હાલ રાજ્યના BLO, મામલતદાર સહિતના અધિકારીઓ મતદારોને મદદરૂપ થવા માટે સતત કામગીરી કરી રહ્યા છે અને ઓછામાં ઓછાં દસ્તાવેજો સાથે મતદારોનું નામ યાદીમાં દાખલ થાય તે દિશામાં પ્રયત્નશીલ છે. SIRની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર અસર થશે કે નહીં?હાલમાં SIRની કામગીરી ચાલી રહી છે જેને લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અસર થશે કે નહીં તે બાબતે હારિત શુકલાને પૂછતા તેમણે જણાવ્યું કે ચૂંટણી કરવાનું કામ રાજ્ય ચૂંટણી પંચનું છે એટલે અમે આ બાબતે કશું કહી શકીએ નહીં. તેમજ રાજ્ય ચૂંટણી પંચ ને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે SIR ની કામગીરી ચાલી રહી છે એટલે હાલ કશું કહી શકાય નહીં.
રાજ્યના પોલીસ વડા દ્વારા ગુજરાત પોલીસે સૂચના આપી છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઝડપાયેલા આરોપીઓની વિગતવાર તપાસ કરી સંપૂર્ણ વિગત સાથે ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરી 100 કલાકમાં સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને છેલ્લા 30 વર્ષમાં કુલ 1353 આરોપીઓ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલ હોવાનું સામે આવતા તેની તપાસ શરૂ કરી રિપોર્ટ તૈયાર કરવા તજવીજ હાથ ધરી છે જે રિપોર્ટ તૈયાર થઇ ગયા બાદ રાજ્ય પોલીસ વડાને સુપ્રત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી રાજકોટમાં આવેલા લોકો અંગે પણ સતત ત્રણ દિવસ સુધી તપાસ કરવામાં આવી હતી જો કે આ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ રાજકોટમાંથી પોલીસને મળી આવેલ નથી એટલે કે રાજકોટ સુરક્ષિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડીજીપીના આદેશ બાદ રાજકોટ પોલીસે કાર્યવાહી શરૂ કરી રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ફરીદાબાદમાં જે એક્સ્પ્લોઝીવ પકડાયા અને દિલ્લીમાં જે બ્લાસ્ટની ઘટના બની ત્યારથી સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું આ પછી ગઈકાલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સાહેબ દ્વારા રાજ્યની અંદર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને તેનો એક ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે જે રિપોર્ટ આગામી 100 કલાકની અંદર તૈયાર કરી રાજ્ય પોલીસ વડા કચેરી ખાતે સુપ્રત કરવાનો છે. જેના ભાગરૂપે રાજકોટ પોલીસ દ્વારા પણ આ અંગે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, NDPS, હથિયાર ધારા, ફેક કરન્સી, ટાડા, પોટા, UAPA, એક્સપલુઝીવ એક્ટ, અને પેટ્રોલિયમ એક્ટ હેઠળ છેલ્લા 30 વર્ષમાં રાજકોટ શહેરમાં 1353 ગુનેગારો ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે જે તમામ આરોપીઓ હાલના સરનામાં, નોકરી ધંધા, પરિવારના સભ્યો, બેન્ક ડિટેઇલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, પરિવારના સભ્યોની પૂરતી વિગત સહીત તમામ બાબતો અંગે પોલીસ રૂબરૂ જઇ તપાસ કરી રહી છે જે તમામની વિગતો એકઠી કરી રિપોર્ટ 100 કલાકમાં તૈયાર કરી ડોઝીયસ ભરી સબમિટ કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્લીમાં થયેલ બ્લાસ્ટ બાદ પરપ્રાંતી લોકો અંગે એટલે કે ગુજરાત બહાર અન્ય કોઈ પણ રાજ્યમાંથી આવતા લોકો હોય તેના માટે તપ કરવામાં આવી હતી જેમાં રાજકોટના જુદા જુદા વિસ્તારમાં તપાસ કરતા ગુજરાતમાં તમામ લોકો ધંધા રોજગાર અને મજૂરી અર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે કોઈ શંકાસ્પદ ગતિવિધિ સાથે સંકળાયેલ લોકો મળી આવ્યા નથી. આ ઉપરાંત તમામ ઉપર કાયમ વોચ રાખવા પણ પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે. હાલની સ્થિતિએ રાજકોટ સુરક્ષિત હોવાનો દાવો ઉલ્લેખનીય છે કે ગુનેગારોની યાદી તૈયાર કરવા મળેલ સૂચના અંગે કાર્યવાહી કરવાથી લોકલ પોલીસની ટીમ તેમના વિસ્તારમાં રહેતા આવા ગંભીર ગુનાનાં કે પછી દેશ વિરોધી પ્રવૃતિમાં જોડાયા હોય તેવા આરોપીઓથી અવગત થશે તેમજ તેમની ગતિવિધિઓથી પરિચિત થશે. આ કરવાથી ગુનેગારો ઉપર સ્થાનિક પોલીસની પકડ મજબૂત પણ બનશે અને સાથે સાથે ગુનેગારોમાં પણ એક ફફડાટ પણ જરૂર ઉભો થશે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે રાજકોટમાંથી 3 આતંકવાદીઓ જરૂર પકડાયા હતા પરંતુ હાલની તપાસમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન મળતા હાલની સ્થિતિ રાજકોટ સુરક્ષિત હોવાનો દાવો રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
રોડ સેફ્ટી માટે ગુજરાત પોલીસની મોટી પહેલ ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મોટી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મેપલ્સ (મેપમાયઇન્ડિયા) દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિકો માટે ખાસ ફીચર્સ અપડેટ કરવામાં આવ્યાં છે. હવે નાગરિકો-વાહનચાલકોને નેવિગેશનની સાથે-સાથે આ એપ બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરીનાં અપડેટ આગળીનાં ટેરવે આપશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરો પાડવામાં આવેલો બ્લેક સ્પોટ્સ અને સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ દ્વારા આ એપમાં અપડેટ કરી દેવાયો છે. એ ઉપરાંત વાહનચાલકોને ડાર્ક રસ્તા અંગે પણ પહેલેથી અંદાજ આવી જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સ્પીડ લિમિટ પણ આ એપમાં અપડેટ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રિયલ ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 7 ગામના ગ્રામજનોની આક્રોશ રેલી ગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આક્રોશ રેલી કાઢી આજે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અસરગ્રસ્તો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક નિર્ણય ન લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો તથ્ય-પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોનાં મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જફ્રેમ કરવા અને સાક્ષીઓનાં નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો હતો. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ સાક્ષીઓની જુબાની શરૂ થશે. તથ્ય પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તમામ કલમો અંતર્ગત ચાર્જફ્રેમ થયા છે. તેની સાથે સાથે પિતા પ્રજ્ઞેશ પટેલ પર પણ ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. જજે તેમની પર લાગેલી કલમો બોલી, કાગળ ઉપર સહી લીધી હતી. હવે સાક્ષીઓ તપાસવાની કામગીરી શરૂ થશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મહિલા બૂટલેગરોએ પોલીસ સામે ફેંકી બિયરની બોટલો અમદાવાદમાં નરોડા પોલીસે બિયરનો જથ્થો લઈને આવી રહેલી મહિલાઓને પકડવા પીછો કર્યો હતો. ત્યારે મહિલાઓ પોલીસથી બચવા રિક્ષામાં નાસી રહી હતી. અચાનક રિક્ષા ઊભી રાખીને મહિલાઓએ પોલીસની હાજરીમાં રોડ પર બિયરની બોટલો ફેંકી હતી. પોલીસથી બચવા દારૂનો મહિલાઓએ જાતે જ નાશ કરી દીધો હતો. આ અંગે પોલીસે મહિલાઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4 ભડથું અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારે મોડીરાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલપંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સારવાર માટે લઈ જવાતા નવજાત સહિત લોકો જીવતાં ભડથું થઈ ગયા હતાં. અમદાવાદ તરફ જતી આ બર્નિંગ એમ્બ્યુલન્સના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઘટના પગલે અરવલ્લી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી ગયા હતા. અરવલ્લી જિલ્લા કલેક્ટરે ઘટના અંગે આપી પ્રતિક્રિયા આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે, આગ લાગવાનું પ્રાથમિક કારણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાનું હોઈ શકે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મોબાઇલમાં વ્યસ્ત કારચાલકે બાઇકને ફંગોળી નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોબાઈલમાં વ્યસ્ત કારચાલકે બાઈકને અડફેટે લીધી હતી, જેથી બાઈકમાં સવાર પિતા-પુત્રનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈકસવાર પુત્ર બ્રિજ પરથી 30 ફૂટ નીચે ફંગોળાઈ ગયો હતો. બીજી તરફ અકસ્માત સર્જનાર કારચાલકની પોલીસે અટકાયત કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કાલે બોલિવૂડ સિંગર સચેત-પરંપરાની મ્યુઝીકલ નાઈટ રાજકોટ મહાનગરપાલિકા સ્થાપના દિવસના 52માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આવતીકાલે 19 નવેમ્બરને બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે ભવ્ય 'બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ'નું આયોજન કરવામાં આવ્યું છે. કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત ટંડન અને પરંપરા ટંડન પોતાના મધુર કંઠે શહેરીજનોને મંત્રમુગ્ધ કરશે. આ સ્થાપના દિવસની ઉજવણીમાં માત્ર મનોરંજન જ નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને 'મેયર એવોર્ડ' આપીને સન્માનિત પણ કરવામાં આવશે. સાથે રંગોળી સ્પર્ધામાં વિજેતા થનારાઓને ઇનામનું વિતરણ પણ કરાશે. જાહેર જનતા માટે આ કાર્યક્રમમાં ફ્રી એન્ટ્રી રહેશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પાર્ક કરેલી બે કાર ભડભડ સળગી ઉઠી વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આજે બપોરે બે (ક્રેટા અને XUV700) પાર્ક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ તુરંત 112 નંબર ઉપર કોલ કરીને ફાયર બ્રિગેડને બોલાવી હતી. ફાયર વિભાગની ટીમે આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટના સમયે સ્થાનિકોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યાં હતા કે, કચરાને કારણે આગ લાગી છે અને કોર્પોરેશન કચરો લેવા આવતુ નથી. આ ઉપરાંત તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી 112 સેવાને પણ આડેહાથ લીધી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરત એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફરની ધરપકડ સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો) સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવનાર મુસાફરની ધરપકડ કરાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-263 (સીટ 27C) દ્વારા બેંગકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને CISFએ સંયુક્ત કામગીરી કરી ઝડપી લીધો છે. આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)ના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી હતી. મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજરાતમાં પહેલીવાર ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ સિઝનના સૌથી નીચા 9.9 ડિગ્રી તાપમાન સાથે દાહોદ ઠંડુગાર રહ્યું છે. રાજ્યમાં બીજા નંબરનું ઠંડું શહેર 10.5 ડિગ્રી સાથે નલિયા રહ્યું છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી જતાં બર્ફીલો માહોલ જામ્યો છે. જ્યાં ગુજ્જુઓની ભીડ જામી છે અને ઠંડીની મજા માણતા જોવા મળ્યા છે. આબુમાં હોટલો અને પાર્કિંગમાં પાર્ક કરાયેલાં વાહનો પર બરફના થર જામી ગયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
હિંમતનગરના બાયપાસ રોડ પર આવેલા વોટરપાર્કના સંચાલક બિનઆમીન દાઉદભાઈ વિજાપુરા પાસેથી અજાણ્યા શખ્સે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ ઉપરાંત, તેમના પરિવારજનો પાસેથી પણ 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, ગત 12 નવેમ્બરની રાત્રે બિનઆમીન વિજાપુરાને મોબાઈલ નંબર 9426741709 પરથી એક અજાણ્યા શખ્સનો વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે હિન્દીમાં વાતચીત કરતાં 'ખાલીદભાઈ કે વહા 5 કરોડ ભીજવા દો' તેમ કહ્યું હતું. જ્યારે બિનઆમીન વિજાપુરાએ કારણ પૂછ્યું, ત્યારે ધમકી આપતા કહ્યું કે 'તુમ્હારે પ્રોટેક્શન કે લિયે નહીં તો ફેમિલી કે પ્રોટેક્શન કે લિયે, અગર નહીં દિયે તો ગોલી માર દુંગા'. આ અજાણ્યા શખ્સે ગેરકાયદેસર રીતે 5 કરોડ રૂપિયાની માંગણી કરી ધમકી આપી હતી. એટલું જ નહીં, 12 નવેમ્બરના રોજ બિનઆમીન વિજાપુરાના પરિવારજનોને પણ વોટ્સએપ કોલ કરીને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ બિનઆમીન વિજાપુરાએ અજાણ્યા શખ્સના મોબાઈલ નંબરના આધારે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે પેથાપુરમાં પરિવાર સાથે રહેતી સગીર વયની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આરોપીને 14 હજારનો દંડ અને પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા માટેનો પણ આદેશ કર્યો છે. 7 ઓગસ્ટ 2022ની રાત્રે સગીરાનું અપહરણ કરાયું હતુંફરિયાદ પક્ષની વિગતો મુજબ આ ગુનો તા. 7 ઓગસ્ટ 2022ની રાત્રે બન્યો હતો. ગાંધીનગરના પેથાપુરમાં ફરિયાદી અને તેમનો પરિવાર રાત્રે ઘરની ઓસરીમાં સૂતા હતા, ત્યારે વહેલી સવારે તેમની 16 વર્ષની દીકરી પથારીમાંથી ગુમ થઈ ગઈ હતી. જેના પગલે પરિવારે સગીરાની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મહાલક્ષ્મી પેરેડાઇઝ સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા. જેમાં રાત્રે પોણા એક વાગ્યાના સુમારે સગીરાને કોઈ વ્યક્તિ એક્ટિવા પર પાછળ બેસાડીને લઈ જતો જોવા મળ્યો હતો. પરિવારને વિસનગરના રહેવાસી હરેશભાઈ ચૌધરી પર અપહરણનો શક હતો. કેમકે તે છેલ્લા ચાર દિવસથી અચાનક ગુમ હતો. જે મામલે પેથાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરતા આરોપી હરેશ ઉર્ફે લાલો મોઘીજીભાઈ ચૌધરીએ ભોગ બનનાર સગીરાનું અપહરણ કર્યું હતું અને તેની સાથે વારંવાર બળજબરીથી શરીર સંબંધ બાંધીને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો આચર્યો હતો. જે અંગે પોલીસે જરૂરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. પોક્સો કોર્ટે 20 વર્ષની કેદ અને 14 હજારનો દંડ ફટકાર્યોઆ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ જે.એન. ઠક્કર સમક્ષ ચાલવા પર આવ્યો હતો. જે કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરી હતી કે આરોપીએ ભોગ બનનાર દીકરી કે જેની ઉંમર બનાવ સમયે માત્ર 16 વર્ષ અને 22 દિવસની વયની હતી. તે જાણવા છતાં તેની મરજી વિરુદ્ધ બળજબરીથી આવું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે.સમાજમાં આવા ગુનાઓ રોજ-બરોજ બને છે જેથી આવા કેસના આરોપીને સખતમાં સખત સજા અને વધુમાં વધુ દંડ થવો જોઈએ.જેથી નવા ગુના કરતા લોકો અટકે અને સમાજમાં દાખલો બેસે. સરકાર તરફેની આ ધારદાર દલીલો અને ભોગ બનનાર તેમજ અન્ય સાક્ષીઓની જુબાનીઓના આધારે કોર્ટે આરોપીને અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટના ગુનામાં દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા,14 હજારનો દંડ તેમજ પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
હિંમતનગરમાં ટાવર ચોકમાં લારીવાળા ઝઘડ્યા:રોડ પર જગ્યા બાબતે મારામારી, પોલીસે ત્રાજવા જપ્ત કર્યા
હિંમતનગરના ટાવર ચોકમાં મંગળવારે શાકભાજીની લારીઓ લગાવવા બાબતે બે લારીવાળા વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના બાદ બી ડિવિઝન પોલીસ અને હિંમતનગર નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટાવર ચોકમાં શાકમાર્કેટ ઉપરાંત રોડ પર પણ શાકભાજી અને ફ્રુટની લારીઓ ઊભી રહે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. મંગળવારે એક લારીવાળાએ સરકારી રોડ પર લારી ઊભી કરી હતી, ત્યારે અન્ય લારીવાળાએ 'આ મારી જગ્યા છે' કહીને વાંધો ઉઠાવ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને મારામારી સુધી પહોંચી ગયું. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મારામારી કરનારા લારીવાળાના ત્રાજવા જપ્ત કર્યા હતા, જ્યારે નગરપાલિકા દ્વારા રોડ પરથી ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી લારીઓને હટાવવામાં આવી હતી. મારામારી કરનારા શાકભાજીના લારીવાળા બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ATSએ પકડેલા આતંકીઓને અન્ય કેદીએ માર માર્યો:મારામારીની તપાસ કરવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
જેલમાં કેદી ઓ વચ્ચે મારમારી નો બનાવ.. ગુજરાત ATS પકડેલા આતંકીઓ ને અન્ય કેદી એ માર માર્યો.. મારમારી ના બનાવ લઈ જેલમાં પોલીસે પહોંચી તપાસ કરી.. કઈ બાબતે મારમારી થઈ જેને લઇ તપાસ કરાઈ રહી છે..
વાપી GIDC પોલીસે ગેરકાયદેસર દારૂ પાર્ટી પર દરોડો પાડી 10 લોકોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ₹1.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાપી GIDC પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે રાત્રી પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન નેશનલ હોટલની બાજુમાં આવેલા GM ગેસ્ટ હાઉસના રૂમ નંબર 108માં ગેરકાયદેસર દારૂ પાર્ટી ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો. પોલીસના આગમનની જાણ થતાં જ અંદરથી દરવાજો બંધ કરી દેવાયો હતો. જોકે, પોલીસે દરવાજો ખખડાવતા એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો, ત્યારબાદ પંચોની હાજરીમાં રૂમની તપાસ શરૂ કરવામાં આવી હતી. રૂમમાં કુલ 07 પુરુષો અને 03 મહિલાઓ દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન કોઈ પણ વ્યક્તિ પાસે દારૂ પીવાની પાસ પરમિટ મળી ન હતી, જેથી તેમને કાયદેસરની કાર્યવાહી હેઠળ લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો અને 10 મોબાઇલ ફોન સહિત કુલ ₹1,30,246નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રૂમમાંથી મળેલા ડિસ્પોઝેબલ ગ્લાસ, નમકીન અને દારૂથી ભરેલા ગ્લાસમાંથી આવતી તીવ્ર વાસનું પંચનામું તૈયાર કરવામાં આવ્યું હતું. કેફી પ્રવાહીનો પંચોની હાજરીમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા લોકોમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને પશ્ચિમ બંગાળના રહેવાસીઓનો સમાવેશ થાય છે. પુરુષો ઉપરાંત ત્રણ મહિલાઓ પણ આ પાર્ટીમાં સામેલ હતી. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(B), 81, 83, 86 અને 65(AA) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાપી GIDC પોલીસે જણાવ્યું હતું કે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ખાસ કરીને દારૂ સંબંધિત ગુનાઓ પર સખત પગલાં લેવામાં આવશે અને આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. દારૂની પાર્ટીમાં ઝડપાયેલા લોકો
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં 2 મહિના અગાઉ 5 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. છેતરપિંડીની કેસમાં પોલીસ દ્વારા આરોપી સામે કાર્યવાહીમાં ઢીલ મૂકી હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. જો કે, પોલીસનું કહેવું છે કે આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે. હાલ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે છતાં પોલીસે તમામ કાર્યવાહી કરી જ છે. મને રોકાણ કરવાનું કહીને વધારે નફો આપવાની લાલચ આપી હતીફરિયાદી જશ ભાટિયાએ જણાવ્યું હતું કે, 2 મહિના અગાઉ મારા સાથે ભગીરથ ચુડાસમા, જયદીપ ચુડાસમ,કિશોર ચુડાસમા સહિત કુલ 5 શખ્સોએ રોકાણ કરવાના બહાને 1 કરોડથી વધારે લીધા હતા. જોકે સોદો કેન્સલ થતા આરોપીઓએ પૈસા પરત મેળવી લીધા હતા, પરંતુ મારા પૈસા પરત આપ્યા ન્હોતા. મને રોકાણ કરવાનું કહીને વધારે નફો આપવાની લાલચ આપી હતી, જોકે નફો કે મૂડી પરત ન આપતા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપફરિયાદ નોંધાયાના 60 દિવસ બાદ પણ પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી નથી. પોલીસે માત્ર ચાર આરોપીઓને બોલાવીને જામીન આપ્યા છે. જેમાંથી એક આરોપી હજુ જામીન વિના છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ફરિયાદ પણ અમે કોર્ટ દ્વારા નોંધાવી હતી. અમને ન્યાય મળે તેવી આશા છે. પોલીસે કહ્યું-'કાર્યવાહી કરી છે, કોર્ટમાં કેસ ચાલુ છે'સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ ગોહિલે જણાવ્યું હતું કે, ફરિયાદીની ફરિયાદ મળતા જ તમામ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીના નિવેદન લેવામાં આવ્યા છે. ફરિયાદી અને આરોપી બંનેએ પૈસા આપ્યાના પુરાવા છે. આરોપીઓ કેસ મુદ્દે હાઈકોર્ટમાં ગયા છે જેથી હાઈકોર્ટના આદેશની રાહ જોવાઈ રહી છે. પોલીસ દ્વારા અત્યાર સુધી તમામ પ્રકિયા કરવામાં આવી છે. આગળ પણ કરવામાં આવશે.
વેરાવળ શહેરમાં સુરક્ષા એજન્સીઓની હલચલ જોવા મળી છે. મુસાફરખાનામાંથી જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી મમદ સીદીક નાઝીર આહમદ મીર, તેમની પત્ની શબનમ અને તેમના બે બાળકો, 4 વર્ષનો એઝન અને 2 વર્ષની અક્ષા, શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં યુગલે જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ રાજ્યના ભરૂચ, ગોધરા અને માંગરોળ જેવા શહેરોમાં ફર્યા બાદ વેરાવળ પહોંચ્યા હતા. વેરાવળના મુસાફરખાનામાં રોકાયા બાદ સંચાલક દ્વારા તેમની શંકાસ્પદ ગતિવિધિઓની જાણ વેરાવળ પોલીસને કરવામાં આવી હતી, જેના પગલે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. વેરાવળ પોલીસ અને SOGની ટીમે યુગલની વિગતવાર પૂછપરછ કરી હતી. તેમની આપેલી માહિતીની ખરાઈ કરવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. અત્યાર સુધીની તપાસમાં કોઈ વાંધાજનક કે ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી નથી. જોકે, સુરક્ષા એજન્સીઓ તેમની પૃષ્ઠભૂમિ અને રાજ્યમાં તેમની હાજરી અંગે વધુ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતે આવેલી મદીના મસ્જિદમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરી યુવકો મળી આવ્યા હતા. તે પ્રકરણમાં મસ્જિદના સંચાલક વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. આ અગાઉની ઘટનાને કારણે સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે, જેના પરિણામે વેરાવળના મુસાફરખાનામાં રોકાયેલા આ કાશ્મીરી યુગલ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે રજૂ કરાયા હતા.
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર દાહોદના મુવાલિયા નજીક આજે બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા અને રોડ પર ડીઝલ ફેલાઈ જતાં ટ્રાફિક અવરોધાયો હતો. હાઈવે ક્રોસિંગ પાસે એક ટ્રક યૂટર્ન લઈ રહી હતી તે દરમિયાન પાછળથી ઝડપે આવી રહેલી બીજી ટ્રકે તેને ટક્કર મારી હતી. ટક્કરના કારણે યૂટર્ન લેતી ટ્રકની ડીઝલ ટાંકી ફાટી ગઈ હતી. ડીઝલ ટાંકી ફાટવાને કારણે મોટી માત્રામાં ડીઝલ રોડ પર ફેલાઈ ગયું હતું. અકસ્માતમાં બંને ટ્રકોના ચાલકો અને ક્લીનરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ત્રણેયને ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 112ની ટીમ અને રૂરલ પોલીસે પણ સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. રોડ પર ડીઝલ ફેલાઈ જવાને કારણે ઈન્દોર જવાની એક તરફની લેન થોડા સમય માટે બંધ રાખવામાં આવી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને વાહનોને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનનની ભારતમાં રહેલી એનિમી પ્રોપર્ટી આઇડેન્ટીફાય કરવા માટેનો નિર્ણય લેવાયો છે ત્યારે હાલ મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રોપર્ટી આવેલી છે. જે કસ્ટોડીયન ઓફ એનિમી પ્રોપર્ટી ગણવામાં આવે છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં 70 જેટલી એનિમી પ્રોપર્ટી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનો સર્વે કરવા માટે મુંબઈથી સર્વેયર સહિતની ટીમ ફરી રાજકોટ આવી છે. જે અલગ અલગ જગ્યાએ સર્વે કરી તેનો રિપોર્ટ મુંબઈ વડી કચેરીમાં આપશે અને બાદમાં આવી પ્રોપર્ટી પર રહેલું દબાણ દૂર કરી તેની હરાજી કરવામાં આવશે. એક અંદાજ મુજબ રાજકોટ જિલ્લામાં 70 જેટલી એનિમી પ્રોપર્ટીરાજકોટ જિલ્લા વહિવટી તંત્રના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર અને જિલ્લામાં 70 જેટલી એનિમી પ્રોપર્ટી આવેલી છે. જેમાં જેતપુર શહેર અને પંથકમાં જ 45 મિલકતો આવેલી છે. આ ઉપરાંત ઉપલેટા, ગોંડલ,ધોરાજી પંથકમાં 20 મીલકતો આવેલી છે. આ જગ્યાઓ ઉપર હાલ કોઈ દબાણ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે બાદમા વર્ષોથી સરકાર હસ્તગત રહેલી આ દુશ્મની મિલકતો હરાજી કરવામા આવશે. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનિમી પ્રોપર્ટીની માહિતી કેન્દ્ર સરકારને મોકલાઈરાજકોટ સહિત દેશભરમાં કેટલી હિજરતી એટલે કે દુશ્મની મિલકતો આવેલી છે. તેની વિગતો મેળવવામાં આવી રહી છે. આ બાબતે અગાઉ મુંબઇથી રાજકોટ કલેકટર સાથે ખાસ વીડિયો કોન્ફરન્સ પણ યોજાઇ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી 70 મિલકતોની વિગતો રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુંબઇ ખાતે રહેલ કસ્ટોડીયન ઓફ એનિમી પ્રોપર્ટી તંત્રને મોકલી આપવામાં આવી છે. જેમાં આ મિલકતોનુ વેલ્યુએશન કાઢવામાં આવેલું છે અને કેટલી જગ્યા છે તેની વિગતો પણ મોકલવામાં આવેલી છે. જે એનિમી પ્રોપર્ટી પર દબાણ હશે તે દૂર કરાશેઉલ્લેખનીય છે કે, વર્ષ 1947 માં ભારત દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા થયા. આ સમયે મહોમ્મદ અલી ઝીણા સહિતના ભારત છોડી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. જોકે તેઓની મિલકતો ભારતમાં અલગ અલગ જગ્યાએ સ્થિત છે. જે હાલ પડતર હાલતમાં છે. જ્યાં અમુક જગ્યાએ દબાણ થઈ ગયાનુ પણ સામે આવ્યું છે દરમિયાન રાજકોટ જિલ્લામાં આ પ્રકારની 70 જેટલી દુશ્મની મિલકતો આવેલી છે. જે મિલકતો હાલ સરકાર હસ્તગત જ છે પરંતુ આ મિલકતો ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ હોય તો તે દૂર કરવામાં આવશે અને ત્યારબાદ આ જમીનનું વેલ્યુએશન કાઢી તેની હરાજી કરવામાં આવશે.રાજકોટ જીલ્લામાં આવેલી આવી 70 જેટલી એનીમી પ્રોપર્ટીઓ કે જેનું હાલ કોઈ વારસદાર નથી. આવી પ્રોપટીઓનો સર્વે કરવા માટે મુંબઈથી સર્વેયર સહિતની ટીમ ફરી અહીં આવી પહોંચી છે. સર્વેની કામગીરી બાદ આ અધિકારી પોતાની સાથે રીપોર્ટ લઈ જઈ મુંબઈ વડી કચેરીને સોંપશે. જે પછી આ પ્રોપર્ટીની હરાજીનો નિર્ણય લેવામાં આવશે. એનિમી પ્રોપર્ટી શું છે?દેશના ભાગલા સમયે કે પછી 1962, 65 અને 1971ના યુદ્ધમાં એવા લોકો જે દેશ છોડીને પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા. બીજા દેશમાં જવાને કારણે તેમની મિલકત, મકાન, દુકાન કે જમીન ભારતમાં રહી ગઈ તેને દુશ્મન સંપત્તિ કહેવામાં આવે છે. સરકાર દ્વારા દરેક રાજ્યમાં હજારો દુશ્મન સંપત્તિની ઓળખ કરવામાં આવી હતી. 1968ના સંરક્ષણ અધિનિયમ હેઠળ સરકારને દુશ્મનની મિલકતો જપ્ત કરવાનો અધિકાર છે.
શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ધીમે ધીમે ઠંડી માં વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રાણીઓને ઠંડીમાંથી રક્ષણ મળે તેના માટે અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય દ્વારા પ્રાણીઓ- પક્ષીઓ માટે હીટર- બલ્બ સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. શહેરના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વાઘ સિંહ દીપડા સહિતના પ્રાણીઓના પીંજરાની બહાર હીટર મૂકવામાં આવ્યા છે જેના કારણે પ્રાણીઓને ઠંડીથી રાહત મળે છે. શિયાળામાં પ્રાણીઓને ખોરાકની વધારે જરૂરિયાત પડતી હોવાને કારણે હાથી સહિતના પ્રાણીઓના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના સુપ્રીટેન્ડેન્ટ ડો. સર્વ શાહે જણાવ્યું હતું કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડી થી પ્રાણીઓને રક્ષણ મળે તેના માટે થઈને વાઘ દીપડા જેવા પ્રાણીઓના પિંજરાની બહાર જરૂરિયાત પ્રમાણેના હીટર મૂકવામાં આવ્યા છે. આ હીટર કેવી રીતે મૂકવામાં આવ્યા છે જેનાથી પ્રાણીઓને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય અને ઠંડીથી રક્ષણ મળી રહે છે. શિયાળામાં જમીન ઠંડી થઈ ગઈ હોય છે જેના કારણે થઈને પ્રાણીઓ જ્યાં બેસે અથવા સુવે છે ત્યાં સૂકા ઘાસની પથારી પણ કરવામાં આવેલી છે. પક્ષીઓ અને સરીસૃપો એટલે કે સાપ માટે માટલા મૂકી અંદર બલ્બની વ્યવસ્થા કરવામાં આવી છે. બલ્બની ગરમીને કારણે સરીસૃપો અને પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે છે. શિયાળામાં માનવીની જેમ પશુ પક્ષીના ખોરાકમાં પણ ફેરફાર થાય છે ઉનાળા કરતા તેઓને વધુ ખોરાકની જરૂર પડે છે. શિયાળામાં વસાણા ઉત્તમ માનવામાં આવે છે ત્યારે હાથીના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવે છે. ગોળ, અજમો, હળદર, સુંઠ વગેરેમાંથી બનાવવામાં આવેલ ખાસ પ્રકારનો લાડુ હાથીને આપવામાં આવે છે.
બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપના સાંસદ કંગના રનૌતે આજે તેમની મોટી બહેનના દીકરા પૃથ્વી (ભાણિયા) સાથે ગુજરાતની શાન સમાન સાસણ ગીર નેચર સફારી પાર્કની મુલાકાત લીધી હતી. વહેલી સવારે ગુજરાતના એશિયાટિક સિંહોના દર્શન કરીને કંગના રનૌત ગીરની ભવ્યતાથી અત્યંત અભિભૂત થઈ હતી. કંગના રનૌતે ભાણિયા સાથે ગીરની મુલાકાત લીધીસાસણ ગીર વન વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે વહેલી સવારે 6:15 વાગ્યાની આસપાસ કંગના રનૌતે તેના ભાણિયા પૃથ્વી સાથે સફારી પાર્કમાં પ્રવેશ કર્યો હતો. એક્ટ્રેસે આશરે બે કલાકનો સમય જંગલ સફારીમાં વિતાવ્યો હતો. કંગના રનૌતે ખુલ્લી જિપ્સીમાં સફારી પાર્કની મુલાકાત લઈને જંગલનો રોમાંચક અનુભવ કર્યો હતો. બે નર સિંહ અને એક માદા સિંહના દર્શન કર્યાસફારી દરમિયાન એક્ટ્રેસ કંગના રનૌતે તેના ભાણિયા સાથે બે નર સિંહ અને એક માદા સિંહના દર્શન કર્યા હતા. ગીરના જંગલમાં મુક્તપણે વિહરતા સિંહોને જોઇને કંગના રનૌત ખૂબ જ ખુશ થઈ હતી અને ગુજરાતનું ગૌરવ એવા આ શક્તિશાળી પ્રાણીઓના ભરપૂર વખાણ કર્યા હતા. કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કર્યોગુજરાત ખૂબ જ અદભૂત છે.સુંદરતા, સંસ્કૃતિ અને પ્રમાણિકતા જોઈને તેના વર્ણન માટે મારી પાસે શબ્દો નથી.આજે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મારા નાના મિત્ર પૃથ્વી સાથે, જે હવે મારો પ્રિય ટ્રાવેલ બડી છે.વિવિધ પ્રજાતિઓના દર્શન કરી ખૂબ જ આનંદ થયો, ઔર વૈસે ભી ગુજરાત કે લાયન તો વર્લ્ડ ફેમસ હૈ. ગીરના કુદરતી સૌંદર્ય અને ઇકો સિસ્ટમની પ્રશંસા કરીકંગના રનૌતે ગીરના કુદરતી સૌંદર્ય અને અહીંની ઇકો સિસ્ટમની પ્રશંસા કરી હતી. ગીર માત્ર સિંહોનું જ નહીં પણ ખળખળ વહેતા ઝરણાં, રમણીય ડુંગરો અને પક્ષીઓના મધુર કલરવથી ભરપૂર એક અદ્ભુત કુદરતી ધામ છે. કંગના રનૌતને અહીં પ્રકૃતિ અને સૌંદર્ય મંત્રમુગ્ધ કરીવન વિબાગના અદિકારીઓએ જણાવ્યું હતું કે, કંગના રનૌતને ગીરની ઇકો સિસ્ટમ, સ્થાનિક સંસ્કૃતિ અને પ્રવાસીઓના આગમનથી મળતી રોજગારી વિશે માહિતી આપવામાં આવી હતી જેને એક્ટ્રેસે ઊંડાણપૂર્વક સમજી હતી. કંગના રનૌતે ગીરના આ સમગ્ર અનુભવને ખૂબ જ સારો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, અહીં પ્રકૃતિ અને સૌંદર્ય ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવા છે. ઉલ્લેખનીય છે કે, ગીર નેચર સફારી પાર્કમાં દર વર્ષે ભારત અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ એશિયાટિક સિંહોના દર્શન કરવા અને પ્રકૃતિનો અનુભવ કરવા આવે છે.
મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે, જેમાં 8,37,10,126 (આઠ કરોડ સાડત્રીસ લાખ દસ હજાર એકસો છવીસ રૂપિયા) કરતાં વધુના ટર્નઓવર સાથેના એક 'મ્યુલ એકાઉન્ટ' વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ખાતાનો ઉપયોગ દેશના 7 રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલા નાણાં જમા કરવા અને ઉપાડવા માટે કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, બંધન બેંકનું આ ખાતું 'હિતેષ ટ્રેડર્સ' નામની પેઢીના નામે ખોલવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, આ બેંક ખાતામાં સાયબર ફ્રોડથી મેળવેલા 1,11,334 (એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોત્રીસ રૂપિયા) સહિતના નાણાં જમા થયા બાદ ચેક દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા.પોલીસે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીઓ હિતેષકુમાર મહેન્દ્રભાઈ રાવળ અને પીયૂષભાઈ કાન્તીભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધી છે.હાલમાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. બેંક ખાતું ખોલાવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગતપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ બેંક ખાતું ખોલાવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ દસ્તાવેજોમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશનના કાગળોનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસે 'હિતેષ ટ્રેડર્સ'ના દર્શાવેલા સરનામે તપાસ કરી, ત્યારે તે સરનામે કોઈ પેઢી અસ્તિત્વમાં ન હોવાનો મોટો ખુલાસો થયો હતો. 7 રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા બેંક ખાતાનો ઉપયોગ થયોઆ બેંક ખાતાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ માત્ર ગુજરાત પૂરતી સીમિત નહોતી. બેંગ્લોર, પટના, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ અને રાજસ્થાન સહિત કુલ 7 રાજ્યોમાંથી આ બેંક ખાતા વિરુદ્ધ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર ફરિયાદો નોંધાયેલી છે.મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે ભાડા પર એકાઉન્ટ મેળવવાનું કૌભાંડમહેસાણા જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની અંદર મ્યુલ એકાઉન્ટ્સ એટલે કે જે એકાઉન્ટ ખાલી ને ખાલી ગેરકાયદેસર રીતે આવતા રૂપિયાને પ્રોસેસ કરી અને કેશમાં ઉઠાવી લેવા માટે થઈ અને ભાડેથી યુઝ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારના એમાં જે ક્રેડિટ થતું હોય, એ ડેબિટ ક્રેડિટના કોઈપણ પ્રકારના હિસાબ વગર ડાયરેક્ટ એની અંદરથી રૂપિયાના વ્યવહારો થતા હોય છે. અને જે એકાઉન્ટ હોલ્ડર છે, એને માસિક અથવા વાર્ષિક એક નક્કી કરેલી ભાડાની રકમ આપવામાં આવતી હોય છે. અને એના એકાઉન્ટનો વપરાશ છે તે આવા ગેરકાયદેસર રીતે જે પ્રવૃત્તિઓમાંથી આવતા હોય છે નાણાં તેની લેવડ-દેવડ માટે થઈને કરવામાં આવતો હોય છે. આવા જે મ્યુલ એકાઉન્ટ છે, તેની જે NCCRPનું જે પોર્ટલ છે એમાં કુલ સાત અલગ-અલગ ગુનાઓમાં આ મ્યુલ એકાઉન્ટ યુઝ થયેલું હતું, કે જેની વિગતો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી હતી અને તેના આધારે જે હિતેશકુમાર રાવળ અને પીયૂષભાઈ પટેલ જે બંને જેમાંથી હિતેશભાઈ છે તેમને હિતેશ ટ્રેડર્સ નામની એક જે ગંજ બજાર છે ઉનાવાનો તેની અંદર એક પેઢી બનાવી અને તેના નામે ખોટું એક એકાઉન્ટ આવું યુઝ ખોલાવેલું હતું.અને આ એકાઉન્ટની અંદર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કુલ સાડા આઠ કરોડ જેટલી રકમના તેની અંદર ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી થયેલા છે. અને કુલ સાત અલગ-અલગ પ્રકારના અલગ-અલગ રાજ્યની અંદર જે ગુનાઓ આચરવામાં આવેલા છે.જેની અંદર ડિજિટલ એરેસ્ટના ગુનાઓ પણ છે.જેની અંદર સેક્સટોર્શન એટલે કે ન્યુડ વિડીયો બતાવી અને લોકો પાસેથી જે બ્લેકમેલ કરી અને નાણાં પડાવવામાં આવતા હોય છે, તેવી પ્રવૃત્તિઓના સાયબર ફ્રોડના રૂપિયા પણ એની અંદર આ એકાઉન્ટમાંથી પ્રોસેસ કરવામાં આવેલા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અને અત્યારે હિતેશભાઈ અને પીયૂષભાઈને અટકાયત કરેલી છે અને ગુનાનું આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું છે. શું કહી રહી છે પોલીસ?Dysp મિલાપ પટેલે જણાવ્યું કે, જનરલી ધ્યાનમાં એવું આવેલું છે કે, કોઈપણ ગરીબ વ્યક્તિ હોય, રૂપિયાની જરૂરિયાત વાળી વ્યક્તિ હોય, તેનો ઉપયોગ કરી અને તેના નામે તેના ડોક્યુમેન્ટ્સ મેળવી અને અમુક એવી બેન્ક્સ કે જેમાં KYCના એટલા સ્ટ્રોંગ પ્રોવિઝન્સ નથી તો ત્યાં ઝડપથી બેન્ક એકાઉન્ટ ઓપન થઈ જતું હોય, તો એવી બેન્કની અંદર બેન્ક એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને તેને ખૂબ નાની રકમ એને આપવામાં આવે છે અને એની લાલચમાં આવી અને જે વ્યક્તિ છે, પોતાના ડોક્યુમેન્ટ્સ આપે છે અને બેન્ક એકાઉન્ટ ખોલાવી અને અન્ય વ્યક્તિને વાપરવા માટે આપે છે. પરંતુ આ એકાઉન્ટનો ઉપયોગ એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હોય છે. ઘણી વખત સાયબર ફ્રોડના જે પેમેન્ટ્સ છે એને પ્રોસેસ કરવા માટે થતો હોય છે. ગેમિંગ કંપનીઓ જે હવાલાના રૂપિયા બહાર મોકલતા હોય છે એના પ્રોસેસ માટે આ એકાઉન્ટનો ઉપયોગ થતા હોય છે. ઘણા કિસ્સાની અંદર ટેરરિઝમ માટે જે નાણાં વાપરવામાં આવતા હોય છે તેની માટે થઈને પણ આ એકાઉન્ટનો ઉપયોગ થવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરી અને જનતાને એ જણાવવાનું છે કે આવા પોતાના એકાઉન્ટનો ઉપયોગ અન્ય વ્યક્તિને નાની અમાઉન્ટ માટે થઈ અને લાલચમાં આવીને કરવા ન દેવો જોઈએ. કાયદેસરનો જ્યારે પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ત્યારે જે તે એકાઉન્ટ હોલ્ડર છે તેની જવાબદારી ગણાય છે અને તેને એની સજા ભોગવવી પડે છે. તે પોતે આ જવાબદારીમાંથી છટકી શકતો નથી.બેન્કના જે કર્મચારીઓ છે તે કાયદાની કોઈ છટકબારીનો ઉપયોગ કરીને આ રીતે બેન્ક એકાઉન્ટ્સ ખોલે છે કે એની પાછળ તેઓ પણ આમાંથી કોઈ બેનિફિટ મેળવે છે, તે બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. જો કોઈનું એવું ચોક્કસ ઇન્વોલ્વમેન્ટ ધ્યાન પર આવશે કે તેઓએ કોઈ બેનિફિટ નાણાકીય લઈ અને આવા એકાઉન્ટ ખોલાવડાવ્યા છે, તો ચોક્કસપણે તેઓને પણ સહ આરોપી તરીકે ગુનામાં દાખલ કરવામાં આવશે.
જુનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓ વારંવાર વસાહત તેમજ વાડી વિસ્તારમાં આવી ચડવાના બનાવો સામાન્ય બન્યા છે. ત્યારે આજે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અકાળા ગામેથી એક દીપડાને આબાદ રીતે પાંજરે પૂરવામાં આવતા સ્થાનિક લોકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. અકાળા ગામના ખેડૂતોના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ ધામા નાખ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ભારે ભય ફેલાયો હતો. દીપડો ઘણી વખત ખેડૂતોની વાડીએ જતા રસ્તાઓમાં પણ બેસી જતો હોવાથી લોકોને પોતાની વાડી વિસ્તારમાં જવા માટે પણ ડરના માહોલમાં જીવવું પડતું હતું. આ અંગે અકાળા ગામના ખેડૂત ઉદયસિંહ કાગડાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડાની ઘણી રંજાડ હતી, જેનાથી અહીંના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને વન વિભાગને જાણ કરવામાં આવી હતી.ખેડૂતોની રજૂઆતને પગલે આરએફઓ એ.એમ. ચૌધરીને જાણ કરવામાં આવતા, તેમણે તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ સ્ટાફને સૂચના આપી હતી. વન વિભાગે ગઈકાલે દીપડાને પકડવા માટે આ વિસ્તારમાં પાંજરું મૂક્યું હતું. આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં આ દીપડો આબાદ રીતે પકડાય ગયો હતો. ફોરેસ્ટ સ્ટાફે દીપડાને પકડવાની આ કામગીરી તાત્કાલિક કરી હતી. દીપડાને પાંજરે પૂર્યા બાદ તેને સલામત સ્થળે એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરીથી ગ્રામજનો અને ખેડૂતોએ ભયમુક્ત થઈ સંતોષ વ્યક્ત કર્યો છે અને વન વિભાગનો આભાર માન્યો છે. ખેડૂતો હવે નિર્ભયતાથી પોતાની વાડીએ જઈ શકશે.
મહેસાણા શહેરમાં નોટબંધી બાદ હવે બેંકની બહાર ફરી એકવાર લાંબી લાઇનો જોવા મળી રહી છે, પરંતુ આ લાઇનો જૂની નોટો બદલવા માટે નહીં પણ રૂપિયા 10 અને 20ની નવી નોટો લેવા માટે લાગી છે. મહેસાણાની અર્બન બેંક આગળ લોકોને 10 અને 20 રૂપિયાની નવી ચલણી નોટો મેળવવા માટે કલાકો સુધી ઊભા રહેવા તૈયાર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નવી નોટો લેવા માટે લોકોની લાઈન લાગીરિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા બેંકોને કેમ્પનું આયોજન કરી નોટ વિતરણ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેને પગલે અર્બન બેંક દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું હતું. 10 રૂપિયાની નવી નોટો લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. 14 લાખ રૂપિયાની 10 રૂપિયાની નોટોનું વિતરણ આ કેમ્પમાં બેંક દ્વારા કુલ 14 લાખ રૂપિયાની 10 રૂપિયાની નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ 2 રૂપિયા અને 5 રૂપિયાના કુલ 3 લાખ રૂપિયાના સિક્કાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નવી નોટો અને સિક્કા મેળવવા માટે લોકોનો ઉત્સાહ જોવા જેવો હતો. ધી મહેસાણા કો-ઓપ. અર્બન બેંકના બ્રાન્ચ હેડ મુકેશ પટેલે જણાવ્યું કે, આરબીઆઈની સૂચના મુજબ ફ્રેશ નવી નોટોનું વિતરણ કરવા માટેની અમને આદેશ મળ્યો છે. તો ફ્રેશ નોટોનું એ લોકોએ જોગવાઈ કરી આપેલ છે અને અમે પબ્લિકમાં એના વિતરણ માટે એક કેમ્પનું આયોજન કર્યું છે. જે બેંકની આગળ આજે સવારથી જ 10 વાગ્યાથી રૂપિયા 20ના 10ના અને પરચૂરણ એના વિતરણ માટે આપણે કેમ્પનું આયોજન કર્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા 4 ખાદ્ય પદાર્થોના નમૂના પૃથ્થકરણ રિપોર્ટમાં 'સબસ્ટાન્ડર્ડ' (ફેઈલ) જાહેર થયા છે. આ ફેલ થયેલા નમૂનાઓમાં સીધેશ્વર ઢોસા માંથી લેવાયેલું બટર (લુઝ), ગાયત્રી મદ્રાસ કાફે માંથી લેવાયેલું ANMOL SUPER REFINED KAPAASIYA TEL, શ્યામ ડેરી પ્રોડક્ટસ માંથી લેવાયેલું SAVARIYA LOW FAT PANEER અને CRYTAL BEVERAGES નું 'BILLKING' PACKAGED DRINKING WATER સામેલ છે. આ તમામ ધંધાર્થીઓ સામે હવે એજયુડિકેશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફેઈલ થયેલા નમૂનાઓની વિગત 1. બટર (લુઝ) - સીધેશ્વર ઢોસા, નાનામવા સર્કલ:નાનામવા સર્કલ પાસે, નાનામવા રોડ પર આવેલા સીધેશ્વર ઢોસા ના સ્થળેથી લેવામાં આવેલા બટર (લુઝ) ના નમૂનાનો પૃથ્થકરણ રિપોર્ટ નિષ્ફળ ગયો છે. રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ, આ નમૂનામાં B.R.READING AT 400 C અને મિલ્ક સોલીડ નોટ ફેટ ની માત્રા નિર્ધારિત ધારાધોરણ કરતાં વધુ મળી આવી છે. આ ઉપરાંત, રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી હતી અને તેમાં તીલ ઓઇલની હાજરી પણ મળી આવી હતી. આ ગેરરીતિઓના કારણે આ નમૂનાને સબસ્ટાન્ડર્ડ (ફેઈલ) જાહેર કરવામાં આવ્યો છે. 2. ANMOL SUPER REFINED KAPAASIYA TEL - ગાયત્રી મદ્રાસ કાફે, જૂનો મોરબી રોડ:જૂના મોરબી રોડ પર, કાર્તિક પાર્ટી પ્લોટ પાસે, તીર્થ એપાર્ટમેન્ટ સ્થિત ગાયત્રી મદ્રાસ કાફે માંથી લેવાયેલ ANMOL SUPER REFINED KAPAASIYA TEL (FROM 15 KG PKD TIN) નો નમૂનો પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. પૃથ્થકરણ રિપોર્ટમાં આ નમૂનામાં B.R.READING AT 400 C અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ મળી હતી. સૌથી મહત્ત્વનું, કોટન સીડ ઓઇલના ટેસ્ટમાં કપાસિયા તેલની ગેરહાજરી મળી આવતા આ નમૂનો નિષ્ફળ જાહેર કરાયો છે. 3. SAVARIYA LOW FAT PANEER - શ્યામ ડેરી પ્રોડક્ટસ, કોઠારીયા રોડ:કોઠારીયા રોડ, વિવેકાનંદનગર, શેરી નં. 9 ખૂણા પર આવેલી શ્યામ ડેરી પ્રોડક્ટસ માંથી લેવામાં આવેલા SAVARIYA LOW FAT PANEER (FROM 5 KG PKD) ના નમૂનામાં પણ ભેળસેળ મળી આવી છે. આ નમૂનાના રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં વધુ મળી આવ્યું હતું, તેમજ રીચર્ટ વેલ્યૂ ધારા ધોરણ કરતાં ઓછી નોંધાઈ હતી, જેને પગલે તેને સબસ્ટાન્ડર્ડ (ફેઈલ) જાહેર કરવામાં આવ્યો છે. 4. 'BILLKING' PACKAGED DRINKING WATER - CRYTAL BEVERAGES, માંડા ડુંગર:પરશુરામ ઇન્ડસ્ટ્રીયલ એરિયા-1, શેરી નં. 1, માંડા ડુંગર, અજય વે-બ્રિજ સામે આવેલ CRYTAL BEVERAGES માંથી લેવાયેલું 'BILLKING' PACKAGED DRINKING WATER (500 ML PKD BOTTLE) નું સેમ્પલ પણ ગુણવત્તાના માપદંડોમાં નિષ્ફળ ગયું છે. રિપોર્ટ અનુસાર, આ નમૂનામાં એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટની માત્રા ધારાધોરણ કરતાં વધુ હોવાનું જણાયું હતું, જેના આધારે તેને સબસ્ટાન્ડર્ડ (ફેઈલ) ઘોષિત કરવામાં આવ્યું છે. માંડા ડુંગર-આજીડેમ વિસ્તારમાં 22 ધંધાર્થીની તપાસ આજરોજ ફૂડ વિભાગની ટીમે FSW વાન સાથે શહેરના માંડા ડુંગર અને આજીડેમ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓની સઘન ચકાસણી હાથ ધરી હતી. આ ચકાસણી દરમિયાન કુલ 19 ખાદ્ય ચીજોના નમૂનાની સ્થળ પર ચકાસણી પણ કરવામાં આવી હતી. દરમિયાન કુલ 12 ધંધાર્થીઓ પાસે ફૂડ લાઈસન્સ નહીં હોવાનું માલૂમ પડ્યું હતું, જેને પગલે તેમને તાત્કાલિક ધોરણે લાઈસન્સ મેળવવા માટે સૂચના આપવામાં આવી હતી. લાઈસન્સ બાબતે સૂચના મળેલ ધંધાર્થીઓ (1) એમ. ડી. માર્ટ, (2) જય ખોડિયાર ફરસાણ, (3) ખાટુ શ્યામ દાળ પકવાન, (4) શક્તિકૃપા ફરસાણ, (5) દ્વારકેશ ડેરી ફાર્મ, (6) રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ, (7) યશશ્વિ પ્રોવિઝન સ્ટોર, (8) ધાર્મિ મેડિસિન્સ, (9) શ્રી ગણેશ મેડિકલ સ્ટોર, (10) બાલાજી ખમણ, (11) ગોકુલ કેરીનો રસ અને (12) મિલન ખમણ
BSFની રાષ્ટ્રીય એકતા બાઇક રેલી કચ્છ પહોંચી:જમ્મુથી ભુજ યાત્રા, 61મા BSF રાઇઝિંગ ડે માટે જાગૃતિ
BSF દ્વારા રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ લાવવા માટે મોટરસાયકલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 176 બટાલિયન BSF ભુજ ખાતે યોજાનારી 61મી BSF રાઇઝિંગ ડે પરેડ 2025ના અનુસંધાને આ રેલી જમ્મુ-કાશ્મીરથી પશ્ચિમ સરહદી ભુજ સુધીની યાત્રા પર છે. આ રેલી આજે કચ્છના પ્રવેશદ્વાર આડેસર પહોંચી હતી.આડેસરથી આગળ વધીને રેલી હાઈવે પટ્ટી પર આવેલા ગાગોદર ગામે પહોંચી હતી. અહીં ગાગોદર પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. સેગલ અને પોલીસ સ્ટાફ દ્વારા BSF જવાનોનું ઢોલ-શરણાઈ, ડી.જે. અને રાષ્ટ્રભક્તિના ગીતો સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાગોદર ગામના આગેવાનો અને કુમાર પ્રાથમિક શાળા પરિવારે પણ જવાનોનું વિશેષ સન્માન કર્યું હતું. મહિલા પોલીસકર્મીઓ દ્વારા બાઇક સવાર BSF જવાનોને કુમકુમ તિલક કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ રેલી આજે મોડી રાત્રે ભુજ પહોંચવાની અપેક્ષા છે.
પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના શિકારપુર ગામ નજીક જારના ખેતરોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ખાનગી કંપનીની પવનચક્કીના વીજ તારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગેલી આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરના આશરે 2 વાગ્યાની આસપાસ પવનચક્કી નંબર 207 પાસે કંપનીના કર્મચારીઓ દ્વારા કોઈ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ખેતર ઉપરથી પસાર થતા વીજતાર એકબીજા સાથે અથડાતા શોર્ટ સર્કિટ થયો હતો. આ શોર્ટ સર્કિટના તણખા નીચે ઉગેલી જારના પાક પર પડતા આગ ભભૂકી ઉઠી હતી. આ આગ પવનચક્કી નંબર 207 પાસેથી શરૂ થઈને બાજુના અન્ય બે ખેતરોમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. આસગર ત્રાયા, આવેશ ત્રાયા અને હાજી ઉંમર નામના ગરીબ ખેડૂતોના ખેતરોને વ્યાપક નુકસાન થયું હતું. અંદાજિત 100 એકરમાં ઉગેલી જારને બચાવવા ખેડૂત પરિવારોએ મરણીયા પ્રયાસો કર્યા હતા. આગને કાબુમાં લેવા માટે સ્થાનિક લોકો અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તેઓએ પાણીના ટેન્કર અને ખોદકામના સાધનોની મદદથી લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં અંદાજિત 3 લાખ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હતું. ગામના રમઝાન ત્રાયાએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગના કારણે તેમના પરિવારના હુસેન ત્રાયાના ખેતરની વાડ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
જૂનાગઢ શહેરા હ્રદયસમા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી હાલ ચાલી રહી છે. 60 કરોડના ખર્ચે થઈ રહેલું બ્યુટીફિકેશન 18 મહિનામાં પૂર્ણ થવાનું હતું પરંતુ, આજે ચાર વર્ષ બાદ પણ પ્રોજેક્ટ અધૂરો છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં એકદમ હલકી ગુણવત્તાનું કામ થયાનો આક્ષેપ થયો છે. બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલી ટાઈલ્સ હાથેથી ઉખેડતા ઉખડી ગઈ હતી. નીચે જોતા સિમેન્ટની જગ્યાએ નકરી રેતી જોવા મળી. વિપક્ષે ભ્ર્ષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. મહત્વનું છે કે, આ પહેલા પણ વિપક્ષ અને સત્તાપક્ષ બ્યુટીફિકેશનની કામગીરીને લઈ સવાલ ઉઠાવી ચૂક્યા છે. તો બીજી તરફ મેયરે ચોમાસાનું બહાનું આગળ ધરી બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, આગામી બે મહિનામાં નરસિંહ મહેતા સરોવર લોકો માટે ખુલ્લું મૂકાશે. ભાસ્કરની ટીમ જ્યારે તળાવ પર પહોંચી તો કોન્ટ્રાક્ટરે રોકવાનો પ્રયાસ કર્યોનરસિંહ મહેતા સરોવરની નબળી કામગીરીને લઈ વિપક્ષે સવાલો ઉઠાવતા ભાસ્કરે કામગીરીના રિયાલિટી ચેકનો પ્રયાસ કર્યો. ટીમ જ્યારે તળાવ પર પહોંચી ત્યારે કોન્ટ્રાક્ટર હર્ષદ વાઢીયાએ મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ હોવાની વાત કરી. ત્યારબાદ કહ્યું કે, વોટરવર્કસના અધિકારી કહે તો અંદર મીડિયાને પ્રવેશ અપાય છે. બ્યુટીફિકેશનનું કામ પૂર્ણ થાય તે પહેલા જ ટાઈલ્સ ઉખડવા લાગીભાસ્કરે જ્યારે નરસિંહ મહેતા સરોવર પર પહોંચીને કામગીરી જોઈ તો અનેક જગ્યાએ ટાઈલ્સો ઉખડી ગયેલી હાલતમાં જોવા મળ્યું. જે ટાઈલ્સ ઉખડી ગઈ હતી તેની નીચે સિમેન્ટ હોવો જોઈએ તેના બદલે રેતી જ જોવા મળી. હજી તો પ્રોજેક્ટનું લોકાર્પણ નથી થયું તે પહેલા જ ટાઈલ્સ ઉખડવા લાગતા વિપક્ષે પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. નબળી કામગીરીને લઈ વિપક્ષ નહીં સત્તાપક્ષના સભ્યો પણ સવાલો ઉઠાવી ચૂક્યા છેઆ કામગીરીમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો નવા નથી. અગાઉ પણ જુનાગઢ મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા આ કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.ખુદ જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ ગત 16/5/2024ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને તળાવના બ્યુટીફિકેશનની કામગીરીને લઇને ગંભીર રજૂઆતો કરી હતી. તેમણે આ કામ ગોકળગતિએ ચાલતું હોવાના અને મનપાના અધિકારી અલ્પેશ ચાવડા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના આક્ષેપો કર્યા હતા. ગત 28/6/2024માં તો આ કામગીરી કરતી કંપની અને કોન્ટ્રાક્ટરે કામમાં એટલી ઝડપ બતાવી હતી કે, ચાલુ વરસાદે કોંક્રિટ સિમેન્ટનું કામ કરવામાં આવ્યું હતું, અને બીજે જ દિવસે જે જગ્યા પર કામ કરવામાં આવ્યું હતું તે રોડ બેસી ગયો હતો. આ બાબતને દિવ્ય ભાસ્કરે અહેવાલ દ્વારા ખુલ્લી પાડતા, તેમને તાત્કાલિક કરેલું કામ તોડી ફરી નવું કામ શરૂ કરવું પડ્યું હતું. તે સમયે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા મનપા કમિશનરનું ધ્યાન દોરીને કામ ગુણવત્તાયુક્ત થવું જોઈએ અને ચાલુ વરસાદે સિમેન્ટનું કામ થાય તે યોગ્ય નથી, તેમ જણાવ્યું હતું. ગોકળગતિએ કામગીરી થાય છે છતા કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કેમ નહીં?- લલિત પરસાણાઆ સમગ્ર મામલાને લઈ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા લલિત પરસાણાએ આક્રોશ વ્યક્ત કરતા દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી માટે 2018માં કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને 18 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવાની હતી, પરંતુ ચાર વર્ષ વીતવા છતાં પણ હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. આવી એજન્સીને બ્લેકલિસ્ટ શા માટે કરવામાં આવતી નથી તે એક પ્રશ્ન છે.મહાનગરપાલિકાના નિયમ મુજબ જો કામગીરી તેના સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં ન આવે તો તેના પર પેનલ્ટી લગાવવામાં આવે છે, જેના કારણે કામ કરતા કોન્ટ્રાક્ટરો અને કંપની બેદરકારી દાખવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ કામગીરીમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, એટલે જ અહીં પત્રકારોને પણ જવા દેવામાં આવતા નથી. જો સારી કામગીરી થતી હોત તો મનપા આ રીતે ઢાકપીછોળો ન કરત. તેમણે ચેતવણી આપી કે,આગામી જાન્યુઆરી સુધીમાં આ નરસિંહ મહેતા તળાવ ખુલ્લું મુકવામાં નહીં આવે તો ઉગ્ર અને જલદ આંદોલન કરવામાં આવશે અને જૂનાગઢની જનતાને સાથે રાખી સરોવરનું લોકાર્પણ કરી દેવામાં આવશે. બે મહિનામાં નરસિંહ મહેતા સરોવરનું કામ પૂર્ણ કરી દેવાશે- મેયરઆ સમગ્ર મામલે જુનાગઢના મેયરએ પોતાનો બચાવ પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, નરસિંહ મહેતા સરોવર ખૂબ મોટું છે, આ વર્ષે મોન્સૂન પણ લાંબો ચાલ્યો. તેમણે આશા વ્યક્ત કરી કે, ઘણી કામગીરી થઈ ગઈ છે ત્યારે આગામી બે મહિનામાં નરસિંહ મહેતા સરોવર લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. મેયરે કહ્યું કે કામ કરતી કંપનીને પણ બોલાવી કહેવામાં આવ્યું છે કે જો હવે સમય મર્યાદામાં કામ પૂરું નહીં થાય તો તેની પાસેથી પેનલ્ટી પણ વસૂલવામાં આવશે. આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારી અલ્પેશ ચાવડા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, 'હુ આજે રજા પર છું, એક દિવસ રજા હોય તો બીજાને ચાર્જ આપવાનો ન હોય, હા મેં જ કોઈપણને અંદર જવા દેવાની ના પાડી છે. નરસિંહ મહેતા સરોવર હજુ કોઈ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી અને જો કોઈને આવવું હોય તો મહાનગરપાલિકાએ આવી અને પરમિશન લેવી પડે. ત્યાં કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની ? નરસિંહ મહેતા સરોવરના આ સમાચાર પણ વાંચોઃજૂનાગઢના નરસિંહ મહેતા તળાવમાં ભ્રષ્ટાચારનાં પોપડાં ઊખડ્યાં:બ્યૂટિફિકેશન કામગીરીમાં બાંધકામ સમિતિના ચેરમેને જ વીડિયો બનાવી પોલ ખોલી, ટાઇલ્સ હાથમાં આવી ગઈ'CM સાહેબ, તંત્રની બેદરકારી સામે એક્શન લો':નરસિંહ મહેતા તળાવની કામગીરી એક મહિનામાં પૂર્ણ નહીં થાય તો ગત વર્ષ જેવું થશે'; ભાજપના MLAનો મુખ્યમંત્રીને પત્રશું કોન્ટ્રાક્ટરને વરસાદ નહીં દેખાતો હોય?:ધોધમાર વરસાદ વચ્ચે નરસિંહ મહેતા તળાવ પર સિમેન્ટ કોંક્રિટનું કામ કરાયું, બે દિવસમાં જ રોડ બેસી ગયાનો આક્ષેપ
રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડાના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી અગાઉ 15 આરોપીની ધરપકડ કર્યા બાદ આજે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બંને આરોપીઓ વિરુધ્ધ હત્યાની કોશિશ સહિતના ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે અને ટૂંક સમયમાં પેંડા ગેંગ બાદ મૂર્ઘા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા પોલીસે કવાયત શરૂ કરી છે. ગુજસીટોકના ફરાર બે આરોપીને ઝડપી પાડ્યા રાજકોટ ડીએપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ગત 9 નવેમ્બરના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડા ગેંગના 17 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ફ્રિયા નોંધી પ્રથમ ચાર બાદ 11 આરોપીઓનો જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આજે પોલીસે ફરાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં અમરદીપસિંહ ક્રિપાલસિંહ ઝાલા (ઉ.વ.24) અને મિલન નરભેરામ ગોંડલીયા (ઉ.વ.32)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અમરદીપસિંહ ક્રિપાલસિંહ ઝાલા (ઉ.વ.24) વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં 5 અને મિલન નરભેરામ ગોંડલીયા (ઉ.વ.32) વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં 7 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે અને આ ગુનામાં હત્યાની કોશિશ, મારામારી તેમજ મની લોન્ડરિંગ સહિતના કેસનો સમાવેશ થાય છે. અત્યાર સુધીની તપાસમાં આરોપીઓ દ્વારા સરકારી આવાસમાં ગેરકાયદે કબ્જો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જે ખાલી કરાવવા તજવીજ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. પેંડા ગેંગના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ સામે છેલ્લા 10 વર્ષમાં 71 ગુના રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, ઉપરાંત જામનગર અને મહેસાણામાં નોંધાઈ ચુક્યા છે જેમાં હત્યા અને હત્યાની કોશિશના 7, મારામારી અને રાયોટિંગના 29, છેડતી અને બળાત્કારના 7, આર્મ્સ એક્ટ હેઠળ 5, ઉપરાંત NDPS, લૂંટ, અપહરણ તેમજ મિલ્કત સંબંધિત ગુનાનો સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ પ્રથમ ચાર આરોપી દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા, અને ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા આ પછી જેલમાંથી કબ્જો મેળવી આરોપી રણજિત ઉર્ફે કાનો ટિકિટ ગોહેલ, હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કોડી જાડેજા, પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો બળદા, રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા, હર્ષદીપસિંહ ઝાલા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા, પરિમલ ઉર્ફે પપરિયો સોલંકી, દિનેશ ઉર્ફે કાંચો ટમટા, જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા, કમલેશ મેતા અને સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ઉર્ફે મહેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી ગુજસીટોકની કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવતા કોર્ટે 20 નવેમ્બર સુધી રિમાન્ડ મંજુર કર્યા છે. હાલ આ ગેંગ વિરુધ્ધ ગુજસીટોકની તપાસ એસીપી ક્રાઇમ ભરત બસીયા ચલાવી રહ્યા છે જેના સુપરવિઝન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સમયસર ચાર્જશીટ રજૂ થાય તે માટે ઝડપી અને કડક કાર્યવાહી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન પેંડા ગેંગના લોકો પાસેથી ગેંગ ક્યારે અને કેવી રીતે બની, ગેંગ બનાવવાનો આઈડિયા કોનો હતો, ગેંગમાં કોણ ક્યારે જોડાયું, ગુનામાં વપરાતાં છરી, પિસ્તોલ, તમંચા સહિતના હથિયાર ક્યાંથી આવ્યા, ગેંગની મોડસ ઓપરેન્ડી શું છે તે સહિતના મુદ્દે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ તપાસ દરમિયાન આરોપીઓની મિલ્કતો અંગે પણ તપાસ કરવામાં આવતા સરકારી આવાસમાં ગેરકાયદે કબ્જો કરવામાં આવ્યો હોવાનું સામે આવતા આ દબાણ ખાલી કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે અંધાધૂંધ ફાયરીંગ કેસમાં પેંડા ગેંગના 17 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ અંધાધૂંધ ફાયરિંગમાં સામા પક્ષે મૂર્ઘા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થયો હતો. જે કેસમાં આજે હાર્દિક પટેલ ઉપર ચાર્જફ્રેમ થઈ છે. હવે તેના કેસમાં ટ્રાયલ શરૂ થશે. ધરપકડ વોરંટ બાદ કોર્ટમાં કેસમાં મુક્ત કરવાની અરજી કરી હતીઅગાઉ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આ કેસમાં હાજર ન રહેતા તેની સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. આ વોરંટને હાર્દિક પટેલે હાઇકોર્ટમાં પડકાર્યું હતું. જેમાં તેને કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાંહેધરી આપતા હાઇકોર્ટે હાર્દિક પટેલ સામેનું ધરપકડ વોરંટ રદ્દ કર્યું હતું. જો કે, ત્યારબાદ હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં કેસમાં મુક્ત કરવાની અરજી કરવામાં આવતી હતી, પરંતુ આજે હાર્દિકે કોર્ટમાં ઉપસ્થિત રહેવું પડ્યું હતું. પાટીદાર આંદોલન અનામત સમયે પોલીસ સાથે ઝપાઝપી કરી હતીઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓએ પાટીદારોને અનામત આપવાની માંગણી અને ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદ મુજબ આરોપીઓએ વગર પરવાનગી, પૂર્વ આયોજિત કાવતરું કરીને કરેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં રેલીને અટકાવવામાં આવતા તેઓ ઉશ્કેરાયા હતા. આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી. તેમજ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.
મોરબીની પાર્થ પેપર મિલમાં આગ લાગી:લીલાપર રોડ પર વેસ્ટ પેપરનો મોટો જથ્થો બળી ગયો
મોરબીના લીલાપર રોડ પર આવેલી પાર્થ પેપર મિલમાં બપોરના સમયે આગ લાગી હતી. મિલના ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટ પેપરના મોટા જથ્થામાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ મોરબી મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગને કારણે વેસ્ટ પેપરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. મોરબી અને આસપાસના વિસ્તારોમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, તેમ છતાં અહીં ફાયરની આધુનિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે. ટાંચા સાધનોથી આગ અકસ્માતના સમયે કામગીરી કરવી પડે છે.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેતીમાં નુકસાન થતા 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. છ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી હોવા છતાં સરકાર જાગતી ના હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. જે પણ ખેડૂતોએ આર્થિક દેવાના કારણે આત્મહત્યા કરી તેમના પરિવારને એક કરોડની સહાય ચૂકવવામાં આવે તેવી આપે સરકાર પાસે માગ કરી છે. ખેતીમાં નુકસાન જવાથી 6 ખેડૂતોએ આપઘાત કર્યોઃ ઈસુદાન ગઢવીઆમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોના આપઘાતનો સિલસિલો વધ્યો છે. તાજેતરમાં ખેતીમાં નુકસાન જવાથી 6 ખેડૂતોએ આપઘાત કરી છે. ઘરેણા ગીરવે મૂકીને લોન લીધી હોય એ લોન પણ ચૂકવી શકાય નહીં એવી પરિસ્થિતિના કારણે ખેડૂતોએ આત્મહત્યા કરી રહ્યા છે. સરકારની સહાય પૂરતી ના હોવાથી ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે. ખેડૂતોની આત્મહત્યા બાદ પણ ગુજરાતની ખેડૂત વિરોધી ભાજપ સરકાર જાગતી નથી. જેથી અમારી માગ છે કે, મૃતક ખેડૂતના પરિવારને સરકાર 1 કરોડની સહાય ચૂકવવામાં આવે. 40થી 50 હજાર કરોડનું નુકસાન ખેડૂતોને થયું છે, તેની સામે ફક્ત 10,000 કરોડના પેકેજથી શું થશે? ‘ચૂંટણીમાં ખેડૂતો ભાજપના નેતાઓને ગામમાં નહીં ઘૂસવા દે’વધુમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, 3 વર્ષથી શાસન કરનાર પંજાબની AAP સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50 હજાર રૂપિયા ચૂકવે છે, તો 30 વર્ષથી શાસન કરનાર ભાજપ સરકાર કેમ આટલું વળતર આપતી નથી? ભાજપ સરકારે ઉદ્યોગપતિઓની લાખો કરોડની લોન માફ કરી અને મફતના ભાવે ઉદ્યોગપતિઓને જમીનો આપી તો ખેડૂતોને સહાય આપવામાં સરકારને શું તકલીફ થાય છે? સરકાર ખેડૂતોને વળતર ચૂકવવા માંગતી નથી એટલા માટે અરજીઓનું નાટક કરે છે. ખેડૂતો લૂંટાઈ રહ્યા છે અને ભાજપના નેતાઓ મગફળીની ખરીદી કરીને માલામાલ થઈ રહ્યા છે. ખેડૂતોના મતે જીતેલા સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓમાં કોઈ આત્મા બચ્યો છે કે નહીં? તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતો ભાજપના નેતાઓને ગામમાં નહીં ઘૂસવા દે.
વડોદરા નજીક નેશનલ હાઈવે નં. 48 પર આવેલા સાવરીયા ઢાબા પાસેના એક ખુલ્લા ગેરેજમાં દરોડો પાડીને ગાંજાના ચાર છોડનું વાવેતર કરી પાણી-ખાતર આપી માવજત કરતા 3 શખ્સને કપુરાઇ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 13.750 કિલો વજનના લીલા ગાંજાના છોડ તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 7 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કપુરાઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.સી. રાવલની સૂચના હેઠળ પેટ્રોલિંગમાં ફરતા સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે, તરસાલી બ્રિજથી જામ્બુવા તરફ જતા સાવરિયા ઢાબા પાસે જીયો ટાવરની બાજુમાં લોખંડના પતરાંવાળા ખુલ્લા ગેરેજમાં 3 ઈસમ ગેરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાના છોડનો ઉછેર કરી પાણી-ખાતર આપી માવજત કરે છે અને તેનું સેવન તેમજ વેચાણ કરે છે. આ બાતમીના આધારે કપુરાઇ પોલીસે તુરંત રેડ પાડતાં ગેરેજના કમ્પાઉન્ડના પૂર્વ અને દક્ષિણ દિશાના ત્રિકોણીય ખૂણામાં તારની જાળીની પશ્ચિમ બાજુએ લાઈનમાં વાવેલા 4 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડની ઊંચાઈ અને વિશિષ્ટ વાસને કારણે તે ગાંજાના છોડ હોવાનું સ્પષ્ટ થયું હતું. ઘટનાસ્થળે હાજર ત્રણેય ઈસમો પાસે ગાંજાના છોડનું વાવેતર કરવા માટે કોઈ પરવાનગી કે પુરાવો માંગતાં તેઓ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. જેથી પોલીસે એક સગીર સહિત ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓ : 1. વિજયકુમાર દુ:ખીરામ ગૌતમ (ઉ.વ. 43), હાલ રહે. સાવરિયા ઢાબા પાસે ગેરેજ, નેશનલ હાઈવે, વડોદરા, મૂળ રહે. પુરે મિશ્રા ગામ, પોસ્ટ-નેબીવારી, તા. હાંડિયા, જિ. પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) 2. કુલદીપ શેરસિંગ જટાન (ઉ.વ. 39), હાલ રહે. સાવરિયા ઢાબા પાસે ગેરેજ, નેશનલ હાઈવે, વડોદરા, મૂળ રહે. સરલ ગામ, પોસ્ટ-તોસામી, તા. તોસામ, જિ. ભિવાની (હરિયાણા) 3. કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર જપ્ત કરાયેલ મુદ્દામાલ : - લીલા ગાંજાના છોડ : 4 નંગ (વજન 13.750 કિ.ગ્રા.) → કિંમત રૂ. 6,87,500/- - 3. મોબાઈલ ફોન
ખંભાળિયામાં એક સીરિયન નાગરિકને વિઝા અવધિ પૂર્ણ થયા બાદ પણ એક વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા ઝડપી પાડવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લા SOG પોલીસે આ કાર્યવાહી કરી હતી. આ મામલે તેને મદદ કરનાર એક શાળા સંચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલા સીરિયન નાગરિકનું નામ શાખા અલી કામેલ મઈહબ (ઉંમર 29) છે, જે મૂળ સીરિયાના જાબલાહ (જેબલાહ) વિસ્તારનો રહેવાસી છે. તે ભારતમાં વિદ્યાર્થી વિઝા પર આવ્યો હતો, પરંતુ તેની વિઝા અવધિ ઘણા સમય પહેલા પૂર્ણ થઈ ગઈ હતી. તેમ છતાં, તે ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્ટ સ્કૂલ સામેની રામેશ્વરદીપ સોસાયટીમાં રહેતો હતો. પોલીસે આ પ્રકરણમાં પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક મહિપત મનજીભાઈ રામજીભાઈ કછટીયા (ઉર્ફે માહી સતવારા, ઉંમર 33) ની પણ અટકાયત કરી છે. મહિપત કછટીયા પણ રામેશ્વરદીપ સોસાયટી, ખંભાળિયાનો રહેવાસી છે. સીરિયન નાગરિકને ગેરકાયદેસર રીતે રહેવામાં મદદ કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ SOG અને LCB સહિતની ટીમો રાષ્ટ્રીય સુરક્ષાને લગતા પરિબળો પર નજર રાખી રહી છે. SOG ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.એસ.આઈ. કે.એમ. જાડેજા અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. ગત તારીખ 15ના રોજ સવારે પેટ્રોલિંગ દરમિયાન SOG ટીમને બાતમી મળી હતી કે પ્રેસિડેન્ટ સ્કૂલમાં એક વિદેશી યુવાન શંકાસ્પદ ગતિવિધિઓ સાથે રહે છે. આ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને શાળાના પ્રિન્સિપાલ ઓફિસની એડમિન ક્લાર્કની ઓફિસમાંથી શાખા અલી કામેલ મઈહબને ઝડપી પાડવામાં આવ્યો હતો. બંને આરોપીઓની વિધિવત રીતે અટકાયત કરીને વધુ તપાસ અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ-તવરા માર્ગ પર ભારત પેટ્રોલ પંપ નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારમાં સવાર એક મહિલા પણ ઘાયલ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, પેટ્રોલ પંપ નજીકના કટ પરથી વળાંક લઈ રહેલી સેન્ટ્રો કાર સાથે તવરા તરફ જઈ રહેલું મોટરસાયકલ ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. ગંભીર રીતે ઘાયલ મોટરસાયકલ ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર ઈજાગ્રસ્ત મહિલાને પણ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સીસીટીવી ફૂટેજમાં અકસ્માતની સંપૂર્ણ ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે.
અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયાનું અભિવાદન:GEB એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા સત્કાર સમારોહ યોજાયો
ગુજરાત સરકારના નવનિયુક્ત ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, કાયદા અને ન્યાયતંત્ર મંત્રી કૌશિક વેકરિયાનું અમરેલીમાં સન્માન કરવામાં આવ્યું હતું. GEB એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા એક ખાનગી હોટલમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજ્યભરમાંથી PGVCL, UGVCL, MGVCL, DGVCL, GETCO, GSECL સહિત વિવિધ કંપનીઓના લગભગ 500 જેટલા ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ની ગોંડલ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અંજાર અને અમરેલી વર્તુળ કચેરીઓ દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા, સાંસદ ભરત સુતરિયા સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ઉર્જા વિભાગના વિવિધ કંપનીઓના અધિકારીઓ-કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.
સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી:વાસદમાં સાંસદ મિતેશ પટેલની ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઇ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં યોજાઈ રહેલી એકતા પદયાત્રા અંતર્ગત આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં વાસદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ પદયાત્રામાં સાંસદ મિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાસદ ગામથી એસ.વી.આઈ.ટી. કેમ્પસ સુધી 5.5 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું. પદયાત્રાના પ્રારંભે સાંસદ સહિતના મહાનુભાવોએ વાસદ ગામમાં આવેલી સરદાર પટેલની અર્ધપ્રતિમાને સુતરની આંટી અને ફૂલહાર અર્પણ કરી ભાવાંજલિ આપી હતી. ત્યારબાદ પદયાત્રાને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ પ્રસંગે શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને રમતગમત ક્ષેત્રે યોગદાન આપનાર રમતવીરોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિવૃત્ત સૈનિકો દિલીપસિંહ મહીડા અને નરેન્દ્રસિંહ પરમારનું પણ સાંસદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ મિતેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં એકતા પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢી સરદાર પટેલના દેશની આઝાદી અને 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવવામાં આપેલા યોગદાનને યાદ કરે તે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરદાર પટેલે દેશની આઝાદી માટે કરેલા અથાક કાર્યોમાંથી પ્રેરણા લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ દેશને એક તાંતણે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા એક દાયકાથી તેઓ દેશના સાંસ્કૃતિક વારસાના જતન માટે પણ કાર્યરત છે. કાર્યક્રમના અંતે સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા. મહાનુભાવોએ એસ.વી.આઈ.ટી. કેમ્પસના પ્રાંગણની બાજુમાં ઊભા કરાયેલા સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આણંદ પ્રાંત અધિકારી મયુર પરમાર, એસ.વી.આઈ.ટી.ના ચેરમેન ભાસ્કરભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યો, આરોગ્ય કર્મીઓ, વન કર્મીઓ, એન.એસ.એસ. અને માય ભારત (My Bharat)ના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે:ડિજિટલ ટૂલ્સથી માનસિક આરોગ્યમાં વધારો પર વર્કશોપનું આયોજન
પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહના માર્ગદર્શન હેઠળ 18 નવેમ્બર, 2025ના રોજ “Digital Tools for Mental Wellbeing” વિષય પર પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં વક્તા જોમી ટી. જોસએ આપ્યું હતું. સવારના 8:30 વાગ્યે શરૂ થયેલ આ માહિતીસભર વર્કશોપમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિતિ દર્શાવી અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા માનસિક આરોગ્યને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવી. વર્કશોપ દરમ્યાન જોસે માઇન્ડફુલનેસ એપ્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ ટૂલ્સ, મૂડ ટ્રેકિંગ ટેક્નિક્સ તથા સકારાત્મક ડિજિટલ હેબિટ્સ વિષે સરળ અને રસપ્રદ રીતે સમજાવી વિદ્યાર્થિઓમાં જાગૃતિ ફેલાવી.વિદ્યાર્થીઓમાં ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન પ્રો. ડી. બી. બંધિયા તથા પ્રો. માર્ગી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું.
પાટણ-ડીસા હાઈવે પર કિમ્બુવા ગામ નજીક પાંચ દિવસ પહેલાં બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બાઈક સામે અચાનક શ્વાન આવી જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રણજીતજી કાંતિજી ઠાકોરનું પાંચ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના પાંચ દિવસ પહેલાં, તા. 13/11/25 ના રોજ બપોરે બની હતી. કિમ્બુવા ગામના વિનુજી કાંતિજી ઠાકોર અને તેમના મોટાભાઈ રણજીતજી બાઈક પર સરસ્વતીના વડુ ગામેથી ડીઝલ લઈને પરત ફરી રહ્યા હતા. તેઓ પાદરડી ગામે તેમના વેવાઈના ઘરેથી રણજીતજીનું બાઈક લેવા જઈ રહ્યા હતા. વિનુજી બાઈક ચલાવી રહ્યા હતા અને રણજીતજી પાછળ બેઠા હતા. કિમ્બુવા હાઈવે પર વડલાથી આશરે અડધા કિલોમીટર દૂર ચારૂપ ગામ જવાના રોડ પર પહોંચતા જ અચાનક એક શ્વાન બાઈકના આગળના ટાયર સાથે ભટકાયું હતું. જેના કારણે બાઈક ચાલક વિનુજીએ કાબુ ગુમાવ્યો અને બંને ભાઈઓ રોડ પર પટકાયા. આ અકસ્માતમાં રણજીતજીને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે વિનુજીને પણ ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત રણજીતજીને તાત્કાલિક પાટણની જનતા હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવારનો ખર્ચ વધુ હોવાથી તેમને પરત પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતક રણજીતજી કાંતિજી ઠાકોરના ભાઈ વિનુજી ઠાકોરે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુનેરી ગામમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યા:અધિકારીઓ બેઠકમાં ગેરહાજર રહેતા ગ્રામજનોમાં રોષ
લખપત તાલુકાના ગુનેરી ગામમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ નિયમિત પાણી પુરવઠાની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરી છે. સરપંચ પ્રતિનિધિ ભીમજીભાઈ ખોખરના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી ગામમાં અઠવાડિયામાં માંડ એક વખત અપૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આવે છે. આ અંગે પાણી પુરવઠા તંત્રના અધિકારીઓ સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે બેઠક યોજવા જણાવ્યું હતું. તેમણે કોન્ટ્રાક્ટર સાથે હાજર રહી ગામની પાણીની સમસ્યા અંગે ચર્ચા કરવાનું વચન આપ્યું હતું. આ મુજબ, રવિવારે સવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ પ્રતિનિધિ ભીમજીભાઈ ખોખર, ગામના આગેવાનો ભીભાજી જીવણજી, તખુભા વાઘજી, રાણુભા હાલાજી, પુંજાજી પૃથ્વીરાજજી, વિસાજી ખેતાજી, લક્ષ્મણસિંહ બુધુભા તેમજ તલાટી પિયુષભાઈ સહિતના લોકો એકઠા થયા હતા. તેમણે પાણી પુરવઠા તંત્રના અધિકારીઓની લાંબા સમય સુધી રાહ જોઈ હતી. જોકે, સંબંધિત તંત્રના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સહિત કોઈ પણ જવાબદાર વ્યક્તિ બેઠકમાં હાજર રહ્યા ન હતા. આગેવાનોએ જણાવ્યું કે અધિકારીઓએ આવવાની તસ્દી લીધી ન હતી અને તેમના ફોન પણ રિસીવ કર્યા ન હતા, જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ અંગે દયાપર પાણી પુરવઠા કચેરીના ઇન્ચાર્જ અધિકારી એમ.બી. ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રવિવારના દિવસે ગુનેરી ગામ ખાતે આયોજિત બેઠકમાં હાજર રહેવાની જાણ મળી હતી, પરંતુ તે દિવસે તેઓ બહારગામ હોવાથી પહોંચી શક્યા ન હતા. તેમણે ઉમેર્યું કે અંજારના ટપ્પર નજીક નર્મદાની પાણીની પાઈપલાઈનમાં ખોટકો સર્જાતા લખપતનાં છેવાડાના ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી. જોકે, આ પ્રશ્નનો હાલ ઉકેલ લાવવામાં આવ્યો છે અને પાણી વિતરણ શરૂ થઈ ચૂક્યું છે.
વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આજે બપોરે બે (ક્રેટા અને XUV700) પાર્ક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ તુરંત 112 નંબર ઉપર કોલ કરીને ફાયર બ્રિગેડને બોલાવી હતી. ફાયર વિભાગની ટીમે આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના સમયે સ્થાનિકોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યાં હતા કે, કચરાને કારણે આગ લાગી છે અને કોર્પોરેશન કચરો લેવા આવતુ નથી. આ ઉપરાંત તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી 112 સેવાને પણ આડેહાથ લીધી હતી. અહીં કોઇ નેતા કે કોર્પોરેટર ફરકતા પણ નથીઃ મનિષભાઈસ્થાનિક મનિષભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અહીં બહારના લોકો કચરો ફેંકી જાય છે, જેના કારણે કચરાનો ઢગલો થઇ ગયો છે. કચરામાં આગ લાગતા બે કાર સળગી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીં સફાઇ કરવામાં આવતી નથી. અહીં કોઇ નેતા કે કોર્પોરેટર ફરકતા પણ નથી. ‘112 નંબરની સેવા એકદમ રોંગ છે’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નવી શરૂ કરેલી 112 સેવા ફ્રોડ છે. અમે ફોન કરીએ તો કોણ બોલો છો, કેવી રીતે થયું એવા સવાલો કરે છે. 4 વખત ફોન કરીએ ત્યારે રિસ્પોન્સ આપે છે. એના કરતા, 100, 101 અને 108 નંબરની સેવા સારી છે. એને સેલ્યુટ છે, એને ચાલુ રાખો. 112 નંબરની સેવા એકદમ રોંગ છે. માણસ બળીને ખાખ જાય, ત્યારે સેવા મળે તેવી હાલત છે. 112ની સેવા ગુજરાત અને વડોદરાને નથી જોઇતી. 112ને કારણે આજે ફાયરબ્રિગેડની ટીમ મોડી પહોંચી છે. તપાસ બાદ આગનું સાચુ કારણ બહાર આવશેઃ ફાયર વિભાગવડોદરા ફાયર બ્રિગેડના સબ ઓફિસર પ્રતાપભાઈ ડામોરે જણાવ્યું હતું કે, જૂની રાજશ્રી ટોકીઝની સામે મકાનમાં આગ લાગી છે, તેવો કોલ મળ્યો હતો. પરંતુ અહીં પહોંચ્યા, ત્યારે 2 કારમાં આગ લાગી હોવાનું જોવા મળ્યું હતું, જેથી સતત 5 મિનિટ સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બંને કાર પાર્કિંગ કરેલી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું લાગે છે. તેમ છતાં તપાસ બાદ આગનું સાચુ કારણ બહાર આવશે.
બોટાદ કલેક્ટર કચેરીમાં સરદાર સ્મૃતિ વન બન્યું:સરદાર પટેલની 150મી જન્મજયંતિએ 562 વૃક્ષો રોપાયા
બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'સરદાર સ્મૃતિ વન' તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત કચેરી પરિસરમાં 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેનાથી પરિસર વધુ હરિયાળું અને મનોહર બન્યું છે. આ હરિયાળી પહેલ સામાજિક વનીકરણ રેન્જ, બોટાદ અને સામાજિક વનીકરણ વિભાગ, બોટાદના સંયુક્ત આયોજન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, અધિક નિવાસી કલેક્ટર પી.એલ.ઝણકાત, જિલ્લા નાયબ વન સંરક્ષક સરવૈયા, પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ, એપીએમસી ચેરમેન સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, 150થી વધુ બાળકોએ પણ 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણીને પર્યાવરણ સુરક્ષા સાથે જોડીને સકારાત્મક સંદેશ આપવાનો હતો.
બોટાદ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અંદાજિત 31,895 વિદ્યાર્થીઓ અને 1,685 શિક્ષકો સહિત કુલ 33,580 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યોગ શિબિર અને વ્યાયામ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો અને 'મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાનને વેગ આપવાનો હતો. તમામ શાળાઓમાં એકસાથે આ ખાસ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાણાયામ, તાડાસન, ત્રિકોણાસન, સૂર્ય નમસ્કાર અને ધ્યાન સહિત દૈનિક સ્વાસ્થ્ય માટે જરૂરી વ્યાયામની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી.આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અમદાવાદની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ ગુજરાત બોર્ડ સાથે છેડો ફાડવાની તૈયારી કરી રહ્યું છે. સ્કૂલને ગુજરાત બોર્ડમાંથી ટ્રાન્સફર કરીને ICSE બોર્ડ સાથે જોડાણની વિચારણા કરવામાં આવી છે, જેથી હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. જેના કારણે આજે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી. ICSE બોર્ડમાં લેવા માટે વાલીઓની સંમતિ લેવા માટે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં વિદ્યાર્થીઓને વિકલ્પ આપવાની પણ વાત સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે, પરંતુ વાલીઓ ચિંતામાં આવીને કહી રહ્યા છે કે ICSE બોર્ડમાં જાય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર ન થવી જોઈએ. સ્કૂલ ICSE બોર્ડમાં જોડાશે તો ફીમાં વધારો થશેસેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં અત્યારે 2500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષથી સ્કૂલ ગુજરાત બોર્ડ હેઠળ ચાલી રહી છે, પરંતુ હવે અચાનક સ્કૂલ દ્વારા ગુજરાત બોર્ડના કારણે ICSE બોર્ડ સાથે જોડાણ કરવાની તૈયારી કરવામાં આવી છે. જેથી વાલીઓ પાસે સ્કૂલને ICSE બોર્ડમાં તબદીલ કરવાને લઇ વાલીઓ પાસે સહીઓ પણ લેવામાં આવી છે. જો કે, અત્યારે ICSE બોર્ડમાં જવાની મંજૂરી લેવામાં આવે તો પણ આગામી 12 વર્ષ સુધી તો ગુજરાત બોર્ડ ચાલુ રાખવું પડી શકે છે. જો સ્કૂલ ICSE બોર્ડમાં સાથે જોડાય તો ફીમાં પણ વધારો થઈ શકે તેવી પણ શકયતા જોવા મળી રહી છે. વાલીઓને વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતાકારણ કે, જે વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં છે, તે વિદ્યાર્થીઓ ICSE બોર્ડમાં જવાનો ઇન્કાર કરે તો જ્યાં સુધી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેમને ગુજરાત બોર્ડ ચાલુ રાખી પડી શકે છે. જો કે, મિટિંગમાં વાલીઓએ વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરી હતી. ઘણા વાલીઓની માગ હતી કે, ICSE જેવાં અન્ય બોર્ડના અભ્યાસ કરાવવામાં આવે. અમદાવાદમાં 4થી 5 જેટલા સ્કૂલ ICSE બોર્ડમાં છે, આજુબાજુમાં 5 કિલોમીટર વિસ્તારમાં અન્ય કોઈ સારી સ્કૂલ નથી. જેથી મિટિંગમાં હાજર વાલીઓએ નવું બોર્ડ કેવું હશે તેને લઈને ચિંતા હતી. કારણ કે જો અચાનક સ્કૂલ ICSE બોર્ડમાં જોડાણ થાય તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ શકે છે. સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને બોર્ડ બદલવાનું વિચારીએ છીએઃ મેનેજરસેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના મેનેજર ફાધર પેટ્રિક એરોકિયમ જમાવ્યું હતું કે, ICSE બોર્ડમાં જવા માટે વાલીઓ સાથે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી. સ્કીલ બેઝ એજ્યુકેશન અને ઇન્ટરનેશનલ ક્વોલિટીના કારણે ICSE બોર્ડમાં જવાનું નક્કી કર્યું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને બોર્ડ બદલવાનું વિચારીએ છીએ. AI અત્યારે ખૂબ વધી રહ્યું છે, બધા બોર્ડ સારા જ છે પરંતુ વિદ્યાર્થીઓને વિકલ્પ આપવા માંગીએ છીએ. મિટિંગમાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં જોવા મળ્યા હતા. શરૂઆત હોવાથી વાલીઓમાં બધા પ્રશ્નોના ચોક્કસ જવાબ આપી શકતા નથી. ફી અને વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને વાલીઓ ચિંતામાં હતા. ICSE દ્વારા મંજૂરી મળે તો પણ 12 વર્ષ સુધી તો ગુજરાત બોર્ડ ચાલુ રાખવું પડે. ગુજરાત બોર્ડ બંધ કરીને ICSE બોર્ડ લાગુ ન કરવું જોઈએઃ વાલીપ્રવિણસિંહ નામના વાલીએ જણાવ્યું હતું કે, ICSE બોર્ડ લાગુ કરવાની પ્રસ્તાવના આજે વાલીઓ સાથેની મિટિંગમાં મૂકવામાં આવી હતી. ICSE બોર્ડના ફાયદાઓ પણ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યા હતા. પરંતુ અમારું કહેવું એમ છે કે ICSE બોડ લાગુ કરવું હોય તો કરે પરંતુ અત્યારે જે ગુજરાત બોર્ડમાં ભણે છે તેમને કોઈપણ જાતનું નુકસાન ન થવું જોઈએ. વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી ICSE બોર્ડ લાગુ કરવું જોઈએ. ગુજરાત બોર્ડ બંધ કરીને ICSE બોર્ડ લાગુ ન કરવું જોઈએ. પરંતુ સ્કૂલ દ્વારા ગુજરાત બોર્ડ ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.
'ગામ સાઈ ઇન્દ' ઉત્સવ;60-70 વર્ષ પછી ઉજવણી:પાવીજેતપુરના ભેંસાવહી ગામે આદિવાસી પરંપરાનું પુનરુત્થાન
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામમાં આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા 'ગામ સાઈ ઇન્દ'ની ઉજવણી થઈ રહી છે. આ ઉત્સવ આદિવાસી સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. 'ગામ સાઈ ઇન્દ' એ આદિવાસી સમાજની એક પરંપરા છે, જેમાં દેવી-દેવતાઓ, પૂર્વજો અને પ્રકૃતિ માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ એ છે કે તેનું આયોજન 60થી 70 વર્ષના લાંબા ગાળા પછી થાય છે. તેને 'દેવોની પેઢી બદલવાનો' મેળો પણ કહેવાય છે. આ ધાર્મિક વિધિ દરમિયાન ગામના પૂજારી (બળવા) અને પુંજારા દ્વારા દેવોના નવા ઘોડા અને નવા ખુટનું સ્થાપન કરવામાં આવે છે. આ પ્રક્રિયા નવી પેઢીમાં દેવતાઓના આશીર્વાદ અને પરંપરાનું હસ્તાંતરણ દર્શાવે છે. 'ગામ સાઈ ઇન્દ'ના મેળામાં ગામના લોકો અને આદિવાસી સમાજના અન્ય વિસ્તારોમાંથી ભક્તો પોતાના પારંપરિક પહેરવેશમાં સજ્જ થઈને ભાગ લે છે. મેળામાં ઢોલ, માંદળ અને તીર કામઠા સાથે આદિવાસીઓ પરંપરાગત નૃત્ય-ગાન કરીને ઉજવણી કરે છે. આ ઐતિહાસિક આયોજન દ્વારા નવી પેઢીને પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું જ્ઞાન મળે છે. તે સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવે છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી રોડ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડમાં બાબુલાલની ચાલીથી ભૂંડની ચાલી તરફના રોડ પરના દબાણો દૂર કરીને પહોળો કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અને દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ટીપી રોડમાં આવતા નાના મોટા કાચા પાકા 96 જેટલા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવીમ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ અને પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ શહેરના ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડમાં આવતા બાબુલાલની ચાલી પંજાબીની ચાલીથી ભૂંડની ચાલી તરફ રોડ આવેલો છે. જે હાલમાં હયાત 6થી 9 મીટર સુધીનો રોડ છે, આ રોડ ખુબ જ સાંકડો હોવાના કારણે અવરજવરમાં તકલીફ પડતી હતી. રોડ ઉપર વાહનોની અવર-જવર વધારે હોવાથી ટ્રાફિક થઈ જતો હતો જેથી ટીપી રોડને પહોળો કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી હતી. ટીપી રોડ 12 મીટરનો મંજૂર થયેલો છે. જો કે, હયાત રોડ નાનો હોવાના કારણે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 96 દુકાનો અને મકાનો પર બુલડોઝર ફરી વળ્યુંઆ હયાત રોડ ઉપર આવેલા કોમર્શિયલ અને રહેણાંક બંને મળીને કુલ 96 જેટલા મકાનો છે. નાના-મોટા કાચા પાકા મકાનો જેસીબી વડે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મોટાભાગે મકાનો અને દુકાનોમાં નાનો મોટો ભાગ જ તૂટી રહ્યો છે. આખી દુકાન કે મકાન દબાણમાં નથી. લોકોએ ટીપી રોડ ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો અને મકાનો બનાવી દીધા હતા જેથી કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 21 દિવસ પહેલા ખાલી કરવાની નોટિસ આપી હતી. જે બાદ આજે આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
હત્યાકાંડને અંજામ આપવામાં તેની કોઈએ મદદ કરી હતી કે કેમ અને મુખ્ય મુદ્દો પર રિમાન્ડ આપ્યા ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ફોરેસ્ટ ફોલોની માં રહેતા વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલ્યાએ તેની પત્ની તથા પુત્ર અને પુત્રીની નિર્દેતા પૂર્વક હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો જેને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત શહેરમાંથી ઝડપી લઇ ભાવનગર લાવી ભરતનગર પોલીસને હવાલે કર્યો હતો. આજરોજ ભરતનગર પોલીસે હત્યારા શૈલેષને કોર્ટમાં રજૂ કરી ને 14 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે શૈલેષના 7 દિવસીય રિમાન્ડ મંજૂર કર્યા છે. આજરોજ ભરતનગર પોલીસે હત્યારા શૈલેષને ભાવનગર ચીફ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી હતી, જેમાં કોર્ટે હત્યારા શૈલેષ ના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપીને કોર્ટમાં રજૂ કરતા મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસર ખાતે એકઠા થયા હતા. પોલીસ સાત દિવસીય રિમાન્ડ દરમિયાન હથિયારો અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ ઉપરાંત આ હત્યાકાંડને અંજામ આપવામાં તેની કોઈએ મદદ કરી હતી કે કેમ અને મુખ્ય મુદ્દો હત્યા શા માટે કરવામાં આવી તે સત્ય આરોપી પાસેથી જાણશે. હત્યારાને ફાંસીના માચડે લટકાવવામાં આવે - સમાજ એક સાથે ત્રણ ત્રણ હત્યા કરનાર વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલીયા ને ફાંસીની સજા કરવામાં આવે એવી માંગ રબારી માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે આજરોજ માલધારી સમાજના અગ્રણીઓએ મીડિયા સમક્ષ આક્રોશભેર જણાવ્યું હતું કે, આવું તૃણાસ્પદ અને જઘન્ય કૃત્ય કરનાર હેવાન ને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે કોર્ટ તેમજ જિલ્લા કલેકટરને પણ આ અંગે રજૂઆત કરીને માંગ કરીશું કે, સમગ્ર બનાવનો કે ફાસ્ટ એક કોર્ટમાં ચલાવવામાં આવે અને ઝડપથી ચુકાદો જાહેર કરી સમાજમાં દાખલા રૂપ સજા થાય અને ભવિષ્યમાં આવું કોઈ પણ વ્યક્તિ કૃત્ય ન કરે તેવી દાખલા રૂપ સજા એટલે કે ફાંસી આપવામાં આવે એવી માંગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે.
કુણવદર ગામમાં શોર્ટ સર્કિટથી આગ:દીકરીના પ્રસંગના ₹80,000 રોકડ, સામાન બળી ગયો
કુણવદર ગામમાં વિનુભાઈ બચુભાઈ બારોટના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગમાં દીકરીના લગ્ન પ્રસંગ માટે રાખેલા આશરે ₹80,000 રોકડ અને કન્યાવારનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.પરિવારજનોએ દીકરીના લગ્ન માટે ઉછીના લઈને ₹80,000 રોકડા રાખ્યા હતા. આ ઉપરાંત, દીકરીના કપડાં અને ઘરવખરીની તમામ સામગ્રી પણ આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે. મકાન માલિક વિનુભાઈ બારોટે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે થોડી જ મિનિટોમાં ઘરનો મોટો ભાગ અને કિંમતી સામાન બળી ગયો હતો. આ ઘટનાને પગલે ગામમાં ચિંતાનો માહોલ છે. સ્થાનિકોએ અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવે અને અસરગ્રસ્ત પરિવારને મદદ મળે તેવી માંગ કરી છે.
નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોબાઈલમાં વ્યસ્ત કાર ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. જેથી બાઈકમાં સવાર પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક સવાર પુત્ર બ્રિજ નીચે પટકાઈ ગયો હતો. જેથી ગંભીરઈજા પહોંચતા જીવ ગુમાવ્યો હતો. કાર સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર અથડાઈઆ અંગે પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક મરોલીથી નવસારી તરફ આવી રહ્યો હતો, જ્યારે પિતા-પુત્ર નવસારીથી મરોલી તરફ જઈ રહ્યા હતા. કાર ચાલક પૂરઝડપે વાહન હંકારી રહ્યો હતો અને મોબાઈલ પર વાત કરી રહ્યો હતો, જેના કારણે તેણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કાર ગોળ ફરીને બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી. સારવાર બાદ કારચાલકની અટકાયતઆ અકસ્માતમાં બાઈક સવાર પિતાનું બ્રિજ પર જ અવસાન થયું હતું, જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાતા તેનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલકને સામાન્ય ઈજાઓ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ કારચાલકની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક પિતા-પુત્ર અને કાર ચાલક આ ત્રણેય મરોલીનાં જ રહેવાસી છે. પોલીસે મૃતદેહોનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરીઆ ઘટનાની જાણ થતા જ મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મરોલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના નામ કાર ચાલકનું નામ હવે જુઓ અકસ્માતની તસવીરો....
જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચા પીવા ગયેલા યુવાનને અન્ય જૂથોના ઝઘડાનો ભોગ બનવું પડ્યું છે. ત્રણ શખ્સોએ યુવાનના માથામાં તવીથાથી હુમલો કરતાં તેને ગંભીર ઈજા થઈ હતી. લોહીલુહાણ હાલતમાં તેને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં માથામાં ટાંકા લેવા પડ્યા છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવની વિગત મુજબ, પુનિત નગર વિસ્તારમાં રહેતો અને મંડપ સર્વિસ ચલાવતો ૨૪ વર્ષીય શક્તિસિંહ ઉર્ફે સંજય વિભાજી જાડેજા પોતાના માસીયાઈ ભાઈ જયપાલસિંહ સાથે નીલકમલ સોસાયટીમાં મંડપ છોડાવવા ગયો હતો. કામ પતાવ્યા બાદ બંને શક્તિ કૃપા નામની ચાની હોટલમાં ચા પીવા માટે ઊભા હતા. તે સમયે હોટલ પાસે બે જૂથો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. એક જૂથના મીત સંજયભાઈ સોઈગામા, તુષાર બારોટ અને જયપાલ નામના શખ્સોએ શક્તિસિંહ અને જયપાલસિંહને વિરોધી જૂથના સભ્યો માની લીધા હતા. આ ગેરસમજને કારણે તેઓએ ચા પીવા આવેલા બંને યુવાનો પર હુમલો કરી દીધો. આરોપીઓએ હોટલમાંથી તવીથો લઈ આવીને શક્તિસિંહના માથામાં ફટકાર્યો હતો, જેના કારણે તેને ઊંડો ઘા પડ્યો અને પુષ્કળ લોહી વહેવા લાગ્યું. હુમલા બાદ શક્તિસિંહને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથામાં ટાંકા લેવા પડ્યા હતા. તેને હેમરેજ સહિતની અન્ય ઈજાઓ પણ થઈ છે. આ ઘટનાની જાણ થતાં સીટી સી. ડિવિઝનના પીઆઇ એન. બી. ડાભી અને તેમની ટીમ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી હતી. ઇજાગ્રસ્ત શક્તિસિંહ જાડેજાની ફરિયાદના આધારે પોલીસે મીત સંજયભાઈ સોઈગામા, તુષાર બારોટ અને જયપાલ સામે હુમલાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
બનાસકાંઠામાં ખેડૂતો અને ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે રજૂઆત કરી છે. ખેડૂતોએ 35 કિલોની જગ્યાએ 30 કિલોની ભરતી કરવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે, જેના કારણે વજન ઓછું આવે છે. સરકાર દ્વારા 35 કિલોની ભરતીનો નિયમ બનાવવામાં આવતા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે. રિજેક્ટ થયેલો માલ ખેડૂતોને ટેકાના ભાવ (₹1452) ને બદલે ખુલ્લા બજારમાં ₹1000 થી ₹1100 માં વેચવો પડે છે, જેનાથી તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે. સરકારી કોથળામાં પણ 35 કિલો મગફળી સમાતી ન હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે અન્ય જિલ્લાઓમાં 30 થી 32 કિલોની ભરતી કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠામાં આ સુવિધા ઉપલબ્ધ નથી. તેમણે તાત્કાલિક અસરથી 30 કે 32 કિલોની ભરતીથી ખરીદી શરૂ કરવાની માંગ કરી છે. જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો રિજેક્ટ થયેલો તમામ મગફળીનો જથ્થો કલેક્ટર કચેરી સામે ઢગલા કરવામાં આવશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.
ભુજ શહેરમાં અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. માધાપરથી ભુજના જુબેલી ગ્રાઉન્ડ સુધી 7 કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યુનિટી માર્ચનો મુખ્ય સંદેશ 'હર ઘર સ્વદેશી અપનાવો' હતો. પદયાત્રામાં સત્તાપક્ષના પદાધિકારીઓ, વહીવટી તંત્રના કર્મચારીઓ અને નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. માધાપરમાં સરદાર પટેલની પ્રતિમા સ્થળેથી પ્રસ્થાન કરીને આ યાત્રા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થઈ હતી. જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમા સાથેની આ લોકયાત્રાનું દેશભક્તિના ગીતો સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં ઉપસ્થિત જનસમૂહને સ્વદેશી અપનાવી દેશની તાકાત વધારવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, કલેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ, પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, દેશની અખંડતા માટે અનેક સફળતાઓ મેળવનાર અને પોતાનું જીવન દેશ સેવા માટે સમર્પિત કરનાર સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જે લોકોને દેશદાઝ અને સ્વદેશી અપનાવવાનો સંદેશ આપશે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી મામલતદાર કચેરીની ATVT (એક્ટિવિટી) શાખામાં આજે વહીવટી તંત્રની બેદરકારી સામે આવી હતી. મતદાન સુધારણા કાર્યક્રમના બહાને ATVT શાખાના ઓપરેટરો ગેરહાજર રહેતા સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી કામગીરી ખોરંભે પડી હતી. જેના કારણે દૂર-દૂરથી આવેલા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, હાલ મતદાન સુધારણા કાર્યક્રમની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે પ્રજાલક્ષી સેવાઓ પર અસર પડી હતી. ATVT શાખાના ઓપરેટરો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને સળંગ ત્રણ કલાક સુધી પોતાની સીટ પરથી ગેરહાજર રહ્યા હતા. પરિણામે, વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રો કઢાવવા આવેલા તાલુકાના ગ્રામજનો અટવાયા હતા. નોંધનીય છે કે, હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો અને શ્રમિકો પોતાના ખેતરનું કામ અને પાક લેવાનો કિંમતી સમય ફાળવીને, ભાડા ખર્ચીને મામલતદાર કચેરીએ આવતા હોય છે. પરંતુ અહીં અધિકારીઓના અભાવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો. અરજદારોની હાલાકી અને લાંબી કતારોની જાણ મીડિયાને થતા મીડિયાકર્મીઓ તાત્કાલિક મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. મીડિયાના કેમેરા અને પ્રશ્નો શરૂ થતાની સાથે જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે એક ઓપરેટરને સીટ પર બેસાડી કામગીરી પુનઃ શરૂ કરાવવામાં આવી હતી.આ ઘટના સરકારી કચેરીઓમાં પ્રજાલક્ષી સેવાઓ પ્રત્યેના વલણ અને મીડિયાની ભૂમિકાને ફરી એકવાર ઉજાગર કરે છે.
Explainer: માનવતા પર કલંક ‘સારાયેવો સફારી’, મનોરંજન માટે સામાન્ય માણસોને ગોળીએ વીંધવાનું ટુરિઝમ
Sarajevo Safari: How Foreign Snipers Paid to Kill Civilians for Fun | આધુનિક યુરોપની સૌથી લાંબી ઘેરાબંધીનો સમય એટલે 1992થી 1996. આ ગાળામાં ‘બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના’ દેશની રાજધાની સારાયેવોમાં એક અત્યંત ક્રૂર હત્યાકાંડ થયો હતો. આ ઘટના વિશે અત્યાર સુધી દુનિયાને ખાસ જાણ નહોતી. વાત એવી હતી કે આ યુદ્ધગ્રસ્ત શહેરના નાગરિકોને બંદૂકની ગોળીથી વીંધવા માટે દુનિયાભરના અમીરો ત્યાં આવતા. ‘શિકાર’ના આ શોખીનો સારાયેવોની મુલાકાત લેતા, પૈસા ભરીને એક-બે દિવસ માટે સ્નાઈપર બની જતા અને પછી બંદૂકોથી સામાન્ય નાગરિકોનો શિકાર કરતા. એટલે કે રીતસરનો ‘હ્યુમન સફારી પાર્ક’, જ્યાં અમીરો ફક્ત મનોરંજન માટે નિઃશસ્ત્ર નાગરિકોને વીંધવાનો રોમાંચ માણતા.
Bihar Politics: બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં જનસુરાજને મળેલી કારમી હાર બાદ તેના સ્થાપક અને વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે મંગળવારે (18મી નવેમ્બર) પટણામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે હાર માટે પોતાને જવાબદાર ઠેરવ્યા હતા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. કિશોરે સ્પષ્ટ કર્યું હતું કે તે રાજકારણ છોડવાના નથી અને ફરીથી પ્રયાસ કરશે. હારની જવાબદારી લઉં છું: પ્રશાંત કિશોર પ્રશાંત કિશોરે ચૂંટણીમાં મળેલી નિષ્ફળતાની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી હતી. તેમણે કહ્યું કે, 'અમે અમારા પ્રયાસોમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા.
સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, પરંતુ ગોહિલવાડમાં તો સ્વતંત્રતા પહેલાં પણ આ પ્રવૃત્તિ ચાલતી હતી. ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં ત્યારથી સીવણ તાલીમ આપી બહેનો સ્વનિર્ભર થઈ રહેલ છે. મહાત્મા ગાંધીજીનાં તત્કાલીન સ્વદેશી વ્રતની વાત કરીએ કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતની ઝુંબેશ જોઈએ... હેતુ સ્વનિર્ભર બનવાનો જ છે. શિશુવિહાર સંસ્થામાં ગોહિલવાડ રાજવી અને તત્કાલિન સામાજિક કાર્યકર્તાઓની દૂરંદેશી કાર્યપ્રણાલીનાં ફળ આજે પણ મળી રહ્યાં છે. ભાવનગરમાં આનંદ મંગળ મંડળ પરિવાર બહેનો દ્વારા શરૂ થયેલ સીવણ તાલીમ વર્ગ ઘણા વર્ષોથી આજે પણ શિશુવિહાર સંસ્થામાં શરૂ છે અને આજસુધીમાં 17 હજાર જેટલાં ભાઈઓ બહેનો સીવણ તાલીમ પામી બન્યાં છે સ્વનિર્ભર બન્યા છે, ત્યારે સ્વાતંત્ર્ય સેનાની બહેનો દુર્ગાબેન ભટ્ટ, સુમનબેન ચાતુર્વેદી, હિરાબેન ભટ્ટ અને લીલીબેન દવે સાથે જેતુબેન કપાસી દ્વારા પારિવારિક જૂથ રચીને આ મંડળની બહેનો માટે સામાજિક પ્રશ્નોને લઈને સહકારી હાટ, ઉત્સવોની ઉજવણી અને અક્ષરજ્ઞાન પ્રવૃત્તિ પ્રારંભ કરેલ. આ જૂથ દ્વારા ડબાના પતરા અને વાંસ વડે એક છાપરા જેવું બનાવાયું અને તેમાં શરૂ થયો સીવણ વર્ગ. અહીંયા 6 સીવણ સંચા શરૂ થયા અને આ બહેનોએ સ્વાવલંબનના પાઠ આરંભ્યાં હતો. ગોહિલવાડ રાજ્ય તરફથી એટલે કે, આપણાં રાજવી કૃષ્ણકુમારસિંહજી દ્વારા વર્ષ 1939માં અપાયેલ જમીન ઉપર સ્થપાયેલ શિશુવિહાર સંસ્થામાં આજે આઠ નવ દાયકાથી સીવણ વર્ગ ચાલી રહેલ છે. આજ સુધીમાં આશરે 12 હજાર બહેનો અને રાત્રી વર્ગથી આશરે 5 હજાર જેટલાં ભાઈઓ તાલીમ લઈ પોતાનાં સીવણ વ્યવસાયમાં લાગેલ છે. સ્વાતંત્ર્ય સેનાની માનભાઈ ભટ્ટ 'માનદાદા' દ્વારા સિંચાયેલ આ સંસ્થાનાં વડા નાનકભાઈ ભટ્ટ દ્વારા અપાયેલ માહિતી મુજબ માત્ર તાલીમ નહીં, નિર્ધારિત લાયકાત ધરાવતાં બહેનોને અહીંયાથી સીવણ સામગ્રી પણ આપવામાં આવે છે. જેમાં 390 બહેનોને આ રીતે રૂપિયા 28 લાખ 15 હજારની સહાય લાભ મળ્યો છે અને પોતાનો સીવણ વ્યવસાય શરૂ કરેલ છે. ગાંધી વિચાર સાથે રહેલ ઉદ્યોગપતિ મણિલાલ છગનલાલ બક્ષી અને સ્વર્ગસ્થ લીલીબેન દવેનાં પરિવારના સહકાર સાથે આજે આ તાલીમ વર્ગમાં 45 જેટલાં સંચા ઉપર બહેનો તાલીમ લાભ લઈ રહેલ છે. ધીરજલાલ દેસાઈ પરિવારના સહકારથી કોઈંબતૂર અને મુંબઈથી બિનઉપયોગી જેવાં કાપડનો જથ્થો મળતાં લાખોની સંખ્યામાં થેલીઓ સીવીને રોજગારી પ્રાપ્ત કરી છે. આમ, સીવણ વર્ગ તાલીમમાં સાથે કપડાંનાં બિન ઉપયોગી ટુકડાઓમાંથી વિશિષ્ટ સુશોભન સામગ્રી તેમજ આકર્ષક થેલીઓનું નિર્માણ થઈ રહ્યું છે. ઉત્તરાયણ ઉપર પતંગની દોરીથી થતાં અકસ્માતો સામે ગળા ઉપર પહેરવાનાં પટ્ટાઓ પણ બનાવવામાં આવે છે, જે સુરક્ષા માટેના આવા પટ્ટાઓ બનાવવામાં આવે છે, વિવિધ સંસ્થા સંગઠનો દ્વારા શિશુવિહારની આ સ્વનિર્ભર અભિયાનની સીવણ તાલીમ સંદર્ભે સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે, તો બુનિયાદી શાળાઓમાં બહેનોને આ તાલીમ માટે 80 થી વધુ સીવણ સંચા અપાયા છે. સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, જે વર્ષોથી અહીંયા ચાલી રહેલ છે. આ પ્રવૃત્તિનાં માર્ગદર્શક ઈન્દિરાબેન ભટ્ટના નેતૃત્વ સાથે તાલીમ અને સ્વરોજગારીની તક ઉપલબ્ધ થઈ રહેલ છે. આ માટે ગુલાબબેન ગોહિલ તાલીમ આપી રહ્યાં છે અને અહીંયા વિશિષ્ટ કૌશલ્ય તાલીમ પ્રીતિબેન ભટ્ટ દ્વારા મળી રહેલ છે. વર્ષ 2025 અંતર્ગત રુદ્રબાળાબેન મહેતાના સહયોગ સાથે સીવણ તાલીમ વર્ગમાં બહેનો પોતાનું કૌશલ્ય ખીલવી રહેલ છે.
રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે 100 રાફેલ જેટની એન્ટ્રી થતાં બદલાશે યુદ્ધની દિશા! હવે શું કરશે પુતિન?
Image Source: Twitter Ukraine Buy 100 Rafale Fighter Jets From France: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે એક મોટો વળાંક આવી શકે છે. સોમવારે યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એક ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરાર હેઠળ યુક્રેનને આગામી 10 વર્ષમાં ફ્રાન્સ પાસેથી 100 રાફેલ ફાઈટર જેટ, ડ્રોન, એર ડિફેન્સ સિસ્ટમ અને અન્ય હથિયાર મળશે. ઝેલેન્સ્કીએ તેને 'વિશ્વની સૌથી મજબૂત એર ડિફેન્સ' ગણાવી છે. પરંતુ શું આ જેટ યુદ્ધની દિશા બદલી નાખશે? અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનો શું જવાબ હશે?
રાજકોટ મહાનગરપાલિકા તેની સ્થાપનાના 52મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આવતીકાલ 19 નવેમ્બરને બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે ભવ્ય 'બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ'નું આયોજન કરવામાં આવ્યું છે. કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત ટંડન અને પરંપરા ટંડન પોતાના મધુર કંઠે શહેરીજનોને મંત્રમુગ્ધ કરશે. આ સ્થાપના દિવસની ઉજવણીમાં માત્ર મનોરંજન જ નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને 'મેયર એવોર્ડ' આપીને સન્માનિત પણ કરવામાં આવશે. સાથે રંગોળી સ્પર્ધામાં વિજેતા થનારાઓને ઇનામનું વિતરણ પણ કરાશે. યુવાનોને અને વયોવૃદ્ધને પણ ગમે તેવા બૉલીવુડ સિંગર રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, મનપાએ સફળતાપૂર્વક 51 વર્ષ પૂરા કરીને 52મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ ઐતિહાસિક દિવસની ખાસ યાદગાર ઉજવણી માટે બોલિવૂડ નાઇટનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ રમેશભાઈ પારેખ રંગ દર્શન હોલ, રેસકોર્ષ ખાતે યોજાશે. યુવાનોને અને વયોવૃદ્ધને પણ ગમે એવા સુપ્રસિદ્ધ બૉલીવુડ સિંગર સચેત - પરંપરાને કાર્યક્રમમાં ગાયક કલાકાર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ લોકોને પણ ખૂબ ગમે એવો કાર્યક્રમ છે, જેમાં યુવાનો ડોલી અને ઝૂમી ઉઠશે. ત્યારે રાજકોટની તમામ જનતાને સ્થાપના દિવસની આ ઉજવણીમાં સહભાગી થવા માટે આમંત્રણ મેયરે આપ્યું છે. સન્માન અને ઈનામ વિતરણ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે, વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત 'મેયર એવોર્ડ' એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત, RMC દ્વારા દિવાળી પર્વ દરમિયાન આયોજિત સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવની રંગોળી સ્પર્ધાના વિજેતાઓને પણ આ કાર્યક્રમમાં ઇનામ વિતરણ કરવામાં આવશે. ઇનામ વિતરણ સમારોહનો હેતુ શહેરના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનાર અને શહેરને સ્વચ્છ બનાવવામાં મદદ કરનાર નાગરિકોને પ્રોત્સાહિત કરવાનો છે. કલાકારો અને ગીતોની ઝલક સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા તેમના ભવ્ય પર્ફોર્મન્સમાં અનેક લોકપ્રિય ગીતો રજૂ કરશે. તેમના મધુર કંઠે ગવાયેલા ગીતોમાં જા રાંઝણ રાંઝણ (દો પતિ), હમસફર (સૈયારા), બેખયાલી (કબીર સિંહ), મેરે સોણીયા (કબીર સિંહ), શિવ તાંડવ (આલ્બમ), રામ સિયા રામ (આદિપુરુષ), ઓ માઇયા મેનુ યાદ આવે (જી), મલંગ સજના (આલ્બમ) વગેરે જેવા અનેક સુપ્રસિદ્ધ ગીતોથી શહેરીજનોને ડોલાવશે. આ સિંગરોનું પર્ફોર્મન્સ યુવાઓથી લઈને વડીલો સુધીના તમામ વર્ગના લોકોને ગમશે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે, હાલ કાર્યક્રમના સફળ આયોજન માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મંડપ, લાઇટ્સ, સાઉન્ડ સિસ્ટમ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને સુરક્ષા જેવી તમામ વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત થાય તે માટે અધિકારીઓ અને તેમના તાબા હેઠળના કર્મચારીઓને કામગીરી સોંપી દેવામાં આવી છે. મનપા દ્વારા પણ શહેરીજનોને ભવ્ય બોલિવુડ મ્યુઝિકલ નાઈટનો આનંદ માણવા માટે હાર્દિક નિમંત્રણ અપાયું છે.
સેવન્થ ડે સ્કૂલ જનઆક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા સ્કૂલ પર વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી નયનની હત્યા બાદ તપાસ કરવામાં આવી હતી. જેમાં સેવન્થ ડે સ્કૂલ પાસે માન્યતાના પુરાવા ના હોવાનો રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. તેમજ સ્કૂલ દ્વારા AMC ભાડાપટ્ટા પરના કરારના શરતનો ભંગ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી AMCએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. જેના કારણે વાલીઓમાં ચિંતા ફેલાતા આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટ પાસે માન્યતાના પુરાવા આપવા માટે વાલીઓએ માંગ કરી છે. તેમજ જો માન્યતાના પુરાવા ના હોય તો સ્કૂલ સરકાર હસ્તક લઈ લેવા માટે માંગ કરી છે. વિદ્યાર્થીની હત્યા બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતીસેવનથ ડે સ્કૂલમાં નયન નામના વિદ્યાર્થીની હત્યા બાદ એક તપાસ કમિટી બનાવવામાં આવી હતી. શિક્ષણ વિભાગની આ તપાસ કમિટી દ્વારા શાળાના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન તપાસ કમિટીએ અનેક વખત સ્કૂલ પાસે માન્યતા ના પુરાવા આપવા માટે તેમજ અન્ય પુરાવા જમા કરાવવા માટે જણાવ્યું હતું. પરંતુ શાળા દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. જેના કારણે શિક્ષણ વિભાગની તપાસ કમિટીએ શાળાની માન્યતા સરકાર લેવા માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે જે સરકારને પણ સોંપવામાં આવ્યો છે. તેમજ થોડા દિવસ પહેલા AMC ભાડા પટ્ટા કરારના શરતોનો સેવન્થ ડે સ્કૂલ દ્વારા ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. જેથી શાળા પાસે યોગ્ય માન્યતા ના હોવાનું સામે આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટને આવેદનપત્ર પાઠવી માન્યતાના પુરાવા માગ્યાસેવન્થ ડે સ્કૂલ જનઆક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને આવેદનપત્ર આપ્યું છે. વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ પાસે માન્યતાના પુરાવા આપવા માટે માંગ કરી છે. સેવન્થ ડે સ્કૂલની માન્યતાના પત્ર અને એફિલેશન સર્ટિફિકેટની નકલ આપવામાં આવે તેવી વાલીઓએ માંગ કરી છે. તેમજ વાલીઓએ 7 દિવસમાં યોગ્ય પુરાવાની નકલ તપાસ કમિટીને અને વાલીઓને આપવા માટે માંગ કરી છે. જો માન્યતાના યોગ્ય પુરાવા આપવામાં ના આવે તો શાળાને સરકાર હસ્તક લેવામાં આવે તેવી પણ વાલીઓ માંગ કરી રહ્યા છે. શાળાની માન્યતાને લઈ અસમંજસ સર્જાતા વાલીઓની ચિંતા વધીવાલી રાકેશભાઈ મખ્ખીજાએ જણાવ્યું હતું કે, નયનની હત્યા થઈ જે બાદ DEO, અને AMC દ્વારા આધારભૂત પુરાવા માંગવામાં આવ્યા હતા. છેલ્લા 25 દિવસ પહેલા એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે સ્કૂલ પાસે માન્યતાના કોઈપણ પુરાવા નથી. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. કોર્પોરેશન દ્વારા પણ ભાડા પટ્ટાના કરારના શરતોનો ભંગ થયો હોવાનું સામે આવતા નોટિસ ફટકારી છે. સ્કૂલ દ્વારા ઈમોશનલ કાર્ડ રમવામાં આવે છે. તમામ પુરાવા હોવાનો સ્કૂલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જો તમામ પુરાવા હોય તો શિક્ષણ વિભાગને કેમ આપવામાં આવ્યા નથી ? જો યોગ્ય ડોક્યુમેન્ટ હોય તો વાલીઓને પણ આપવામાં આવે. જો યોગ્ય પુરાવા ના હોય તો વિદ્યાર્થીઓની ચિંતા કરી સ્કૂલને સરકાર પોતાના તાબા હેઠળ લઈ લે. જો યોગ્ય પુરાવા સ્કૂલ દ્વારા રજૂ કરવામાં ના આવે તો કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. શાળા પાસે તમામ પુરાવા હોવાનો મેનેજમેન્ટનો દાવોસેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ વિજય સાંઠેએ જણાવ્યું હતું કે, BU સહિતની તમામ પરમિશન અમારી પાસે છે. પહેલા પણ પુરાવા આપ્યા હતા ને ફરી એક વખત ફાઈલ તૈયાર કરી છે. અમારું એક ટ્રસ્ટ જમીન લે છે અને અન્ય એક ટ્રસ્ટ શિક્ષણનું કામ જોવે છે. અમારું એજ્યુકેશન ટ્રસ્ટ જ સ્કૂલનું મેનેજમેન્ટ કરે છે. વકીલ મારફતે તમામ ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે. સ્કૂલની તમામ માન્યતા ના ડોક્યુમેન્ટ છે વાલીઓ ચિંતા કરવાની જરૂર નથી. સરકારને જે ડોક્યુમેન્ટ આપવાના છે તે અમે સબમીટ કરાવી દઈશું.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 'વિકસિત ભારત યુવા કનેક્ટ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવા પેઢીના સંભવિત યોગદાન અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો. યુનિવર્સિટી દ્વારા યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટે યુવા પેઢીની ભૂમિકા અને તેઓ કઈ રીતે યોગદાન આપી શકે તે વિશે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલપતિ કે.સી. પુરીયા, કુલસચિવ ડોક્ટર રોહિતભાઈ દેસાઈ અને એનએસએસના કો-ઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વ હેઠળની ટીમનું પ્રતિનિધિત્વ કરનાર મહાનુભાવે પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીમાં યોજાયેલા આ આયોજનમાં વિદ્યાર્થીઓનો પ્રતિભાવ સારો રહ્યો હતો. આ કાર્યક્રમ થકી યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય રીતે જોડાવા માટે પ્રેરણા મળી હતી.
અંજારમાં એક બેકાબુ ટેમ્પો વર્ષામેડી સર્કલ નજીક આવેલી ઓટો ગેરેજની દુકાનમાં ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં છથી સાત નાના-મોટા વાહનોને નુકસાન થયું હતું, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. કચ્છના અંજાર શહેરમાં પુરપાટ ઝડપે જઈ રહેલો આ ટેમ્પો બેકાબુ બન્યો હતો. તે વર્ષામેડી સર્કલ પાસેની ઓટો ગેરેજની દુકાનમાં ધસી જતાં ત્યાં પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો એકઠા થયા હતા. પોલીસે પ્રાથમિક તપાસમાં ટેમ્પોની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું તારણ કાઢ્યું છે. અંજાર ટ્રાફિક પોલીસના દિનેશભાઈએ જણાવ્યું કે, આ અકસ્માત સવારે લગભગ 10:30 વાગ્યાના અરસામાં બન્યો હતો. 112 હેલ્પલાઈન પર જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી.
બનાસકાંઠા LCBએ અમીરગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતી એક હ્યુન્ડાઇ i20 કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ ₹6,27,072/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલી સૂચનાના આધારે LCB પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB પોલીસ સ્ટાફ અમીરગઢ વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાજપુરીયા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન હ્યુન્ડાઇ i20 ગાડી નંબર GJ18BE0126 ને રોકવામાં આવી હતી. ગાડીમાંથી સુમિતસિંહ નરપતસિંહ ડાભી (રહે. આવલ, તા. અમીરગઢ) અને રાજેન્દ્રસિંહ જબ્બરસિંહ ચૌહાણ (રહે. ઓત્રોલી, તા. પાલનપુર) ને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1056 બોટલો, જેની કિંમત ₹3,12,072/- થાય છે, તે મળી આવી હતી. દારૂ અને i20 કાર સહિત કુલ ₹6,27,072/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો ભરી આપનાર મહાવીરસિંહ ગણપતસિંહ દેવડા (રહે. ગઢડા, તા. અમીરગઢ) અને દારૂ મંગાવનાર ગોવિંદસિંહ (રહે. સિદ્ધપુર) પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓએ રાજસ્થાન રાજ્યમાંથી નિર્મિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચ્યું હતું. આ મામલે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે તમામ સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબીમાં 852 બોટલ દારૂ ભરેલી ઈકો ઝડપાઈ:કારચાલક ફરાર, LCBએ 10.08 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
મોરબી LCB ટીમે રણછોડનગર મેઈન રોડ પરથી દારૂ ભરેલી એક ઈકો કાર ઝડપી પાડી છે. આ કારમાંથી કુલ 852 બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે, કાર ચાલક પોલીસને જોઈને વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂ. 10.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લા LCB ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા અને વિક્રમભાઈ રાઠોડને ખાનગી બાતમી મળી હતી કે, રણછોડનગર વિસ્તારમાં આવેલી શાંતિવન સ્કૂલ તરફથી GJ 3 NK 3973 નંબરની ઈકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને એક વ્યક્તિ પસાર થવાનો છે. આ બાતમીના આધારે LCB ટીમે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર ઊભી રાખી ન હતી અને પૂરઝડપે કાર ભગાવી હતી. થોડે આગળ જઈને ચાલકે કાર છોડી દીધી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ LCB ટીમે કારની તપાસ કરતા તેમાંથી દારૂની 276 મોટી અને 576 નાની બોટલો મળી આવી હતી, જેનો કુલ જથ્થો 852 બોટલ થાય છે. પોલીસે રૂ. 5.88 લાખનો દારૂ, રૂ. 20,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને રૂ. 4 લાખની ઈકો કાર સહિત કુલ રૂ. 10.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
વાપી કોંગ્રેસે શહેરના બિસ્માર રસ્તાઓના મુદ્દે મહાનગરપાલિકાને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આ મામલે ડેપ્યુટી કમિશ્નરે ડિસેમ્બર અંત સુધીમાં રસ્તાઓના સમારકામની ખાતરી આપી છે અને નાગરિકોની અસુવિધા બદલ માફી માંગી છે. કોંગ્રેસ અગ્રણી ખંડુભાઈ પટેલની આગેવાની હેઠળ વાપી કોંગ્રેસ સમિતિએ પાલિકાને આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં જણાવાયું હતું કે ચોમાસા દરમિયાન 13 વોર્ડમાં રસ્તાઓ ખરાબ થવાથી વાહનચાલકો અને રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિક, અકસ્માત અને વિદ્યાર્થીઓ-દર્દીઓને થતી તકલીફો અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે જો 30 દિવસની સમયમર્યાદામાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ નહીં થાય, તો મહાનગરપાલિકા કચેરી સામે ધરણા અને તાળાબંધી જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. આ રજૂઆત બાદ વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે, બિસ્માર રસ્તાઓની મરામતનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. તેમણે ટ્રાફિક સમસ્યા અને અન્ય અસુવિધાઓને કારણે નાગરિકોને પડેલી તકલીફ બદલ માફી માંગી હતી અને પાલિકાના વિકાસ કાર્યોમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
અમદાવાદમાં નરોડા પોલીસે બિયરનો જથ્થો લઈને આવી રહેલી મહિલાઓને પકડવા પીછો કર્યો હતો. ત્યારે મહિલાઓ પોલીસથી બચવા રિક્ષામાં નાસી રહી હતી. અચાનક રિક્ષા ઊભી રાખીને મહિલાઓએ પોલીસની હાજરીમાં રોડ પર બિયરની બોટલો ફેંકી હતી. પોલીસથી બચવા દારૂનો મહિલાઓએ જાતે જ નાશ કરી દીધો હતો. આ અંગે પોલીસે મહિલાઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. બે મહિલા દારૂ લઈને જતી હતી ને પોલીસે રિક્ષાનો પીછો કર્યોનરોડા પોલીસને બાતમી મળી હતી કે, નાના ચિલોડા તરફથી બે મહિલાઓ રિક્ષામાં બિયરનો જથ્થો લઈને છારાનગર જઈ રહી છે જેના આધારે પોલીસે રીક્ષા આવતા પીછો કર્યો હતો. પોલીસથી બચવા શરૂઆતમાં રિક્ષા દોડાવી હતી. મહિલાઓએ રોડ પર બિયરની બોટલ પોલીસની સામે જ ફેંકીજે બાદ સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં મહિલાઓ બિયરના થેલા ફેંક્યા હતા. પોલીસ આવતા મહિલાઓએ રોડ પર બિયરની બોટલ પોલીસની સામે જ ફેકી હતી. જોકે બનાવ બનતા રાહદારીઓ પણ ગભરાઈ ગયા હતાં. વાઇરલ વીડિયોમાં મહિલાઓએ પોલીસને બીભત્સ ગાળો આપીમહિલાઓનો બિયરની બોટલો ફેકતો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં મહિલાઓએ પોલીસને બીભત્સ ગાળો પણ આપી રહી હતી. જાહેર રોડ લઈ બિયરની બોટલો ફેંકતા રોડ પર બિયરનો જથ્થો પડ્યો હતો. જેના કારણે પોલીસે રોડ પરથી બિયરનો જથ્થો હટાવવાની ફરજ પડી હતી. બૂટલેગરે ઘર પાસે ખુલ્લી જગ્યાઓમાં ખાડા ખોદી દારૂની બોટલો છુપાવી, બે મહિલા સહિત ત્રણ બૂટલેગર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદમાં બૂટલેગરો દારૂ છુપાવવા માટે અવનવી યુક્તિઓ અપનાવી રહી છે. એક દિવસ પહેલાં જ અમદાવાદ જિલ્લામાં ટોઈલેટ કમોડ નીચે દારૂ છુપાવવામાં આવ્યો હતો, ત્યારે હવે અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં ખાડામાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ પોલીસે કર્યો છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) દારૂની હેરાફેરીમાં વૃદ્ધ દંપતીનો દુરુપયોગ:બૂટલેગર રૂ.500-1000 આપી દારૂની હેરાફેરી સમયે સાથે રાખતોદારૂની હેરાફેરી કરવા બુટલેગર અવનવો કીમિયો અજમાવતા હોય એવું ઘણી વખત જોવા મળ્યું, પરંતુ આ વખતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે એવા લોકો આવ્યા, જે જાણીને ભલભલા ચોંકી ઊઠે, કારણ કે આ વખતે બૂટલેગરની સાથે એક વૃદ્ધ દાદા-દાદી પણ મળ્યાં અને તેઓ જે કારમાં આવી રહ્યાં હતાં એમાં લાખોની કિંમતનો દારૂ હતો. આ બૂટલેગરે આ દાદા-દાદીને પોતાની સાથે રાખીને પોલીસથી બચવા માટેનો પ્રયાસ કર્યો હતો..(વાંચો સંપૂર્ણ અહેવાલ)
જામનગર જિલ્લાના ઝાંખરથી વાડીનાર સુધીના 10.7 કિલોમીટર લાંબા માર્ગનું આધુનિકરણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માર્ગને 10 મીટર પહોળો કરીને રિસર્ફેસ કરવામાં આવશે, સીસી રોડ બનાવાશે અને જૂના બ્રિજ તોડીને નવા મજબૂત બ્રિજનું નિર્માણ કરાશે. જામનગર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઝાંખર-વાડીનાર રોડ આ વિસ્તાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ માર્ગ વાડીનાર પોર્ટ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને પર્યટન સ્થળ નરારા મરીન નેશનલ પાર્કને જોડે છે, જેથી તેનું વ્યૂહાત્મક મહત્વ ઘણું વધારે છે. આધુનિકરણના કારણે પોર્ટની પ્રવૃત્તિઓ, સુરક્ષા સંબંધિત હેરફેર અને પર્યટન માટેની અવરજવર સરળ, સુરક્ષિત અને ઝડપી બનશે, જે જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસમાં મોટો ફાળો આપશે.
ભાવનગર NSUI દ્વારા આજરોજ આઈટીઆઈ ખાતે પ્રાથમિક સૂવિધાના અભાવમાં કારણે આઈટીઆઈના આચાર્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં NSUI કાર્યકરો અને વિધાર્થીઓ હાજર રહ્યા હતાં. ITI માં પ્રાથમિક સુવિધાનો અભાવ છે તે સુવિધા પૂર્ણ કરવામાં આવે તેવી માગ છે. NSUI દ્વારા ITIના આચાર્યને આવેદનપત્ર ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે આજરોજ ભાવનગર શહેર NSUI પ્રમુખ, ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશના મહામંત્રી અને વિધાર્થીઓ દ્વારા ITI માં પ્રાથમિક સુવિધા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જેવી કે પીવાના પાણીની સમસ્યા અને શૌચાલયો બનવવામાં આવ્યા પણ તે પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે નવું બિલ્ડીંગ બનવામાં આવ્યું પણ વિવિધ સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. તેને લઈ ITI માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે તેને લઈ NSUI દ્વારા ITIના આચાર્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને વહેલીમાં વહેલી તકે જે સુવિધાનો અભાવ છે તે સુવિધા પૂર્ણ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. 'છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીનો અભાવ, શૌચાલય બંધ'આ અંગે ગુજરાત પ્રદેશ NSUIના મહામંત્રી અભિજીતસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરોડોના ખર્ચે ITIનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીનો અભાવ છે શૌચાલય પણ બંધ છે કે વહેલી તકે અમારી માગણી છે કે આ બધી સુવિધા શરૂ કરવામાં આવે અને યુવાનો પાણી ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પીવાના પાણીની સમસ્યાનો નિકાલ કરવા માગતેને વધુમાં કહ્યું કે, તેથી ભાવનગર NSUI દ્વારા આજે આઈ.ટી.આઈ ખાતે રજૂઆત કરવામાં આવેલ છે અને અમારી માંગણી એવી છે કે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો નિકાલ આવવો જોઈએ નકર NSUI દ્વારા ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી આઈ.ટી.આઈ ની રહેશે અને આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક અઠવાડિયાની અંદર આ બધા પ્રશ્નોનો નિકાલ થઈ જશેની ખાતરી આપી છે.
સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. ગાંધીનગર એસ.આર.પી.માં ફરજ બજાવતા પોલીસકર્મી રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવનું લોંગ ટેનિસ રમતી વખતે હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. તેઓ મૂળ પાટડીના વતની હતા અને દર વર્ષે રમતોમાં ભાગ લેતા હતા. અચાનક બેભાન થઈને ઢળી પડ્યાઆ ઘટના સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બની હતી. લોંગ ટેનિસની રમત ચાલી રહી હતી ત્યારે રાઘવદાસ વૈષ્ણવ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોકટરોએ સી.પી.આર. આપ્યા પણ...હોસ્પિટલમાં હાજર ડોકટરોની ટીમે તેમને બચાવવા માટે સતત સી.પી.આર. સહિતની સારવાર શરૂ કરી હતી. જોકે, ગંભીર હાર્ટ એટેકને કારણે ડોકટરો તેમને બચાવી શક્યા ન હતા અને તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની સાથે રમી રહેલા અન્ય ખેલાડીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. 'મારી સામે જ રાઘવદાસ ખૂબ સારું રમી રહ્યા હતા'ખેલ મહાકુંભમાં ભાગ લેનાર જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારી સામે જ રાઘવદાસ ખૂબ સારું રમી રહ્યા હતા, પરંતુ અચાનક ઢળી પડ્યા. તેમને હોસ્પિટલ લઈ જતા ડોકટરે હાર્ટ એટેક આવ્યાનું જણાવી મૃત જાહેર કર્યા. સી.યુ. શાહ હોસ્પિટલના ડોકટરે પણ પુષ્ટિ કરી કે હાર્ટ એટેક ગંભીર હોવાથી તેમને બચાવી શકાયા ન હતા. મળતી માહિતી મુજબ એમનો નાનો ભાઈ નિરંજન પણ પાંચ વર્ષ અગાઉ અમદાવાદ એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા કરતા એટેક આવતા અકાળે મોતને ભેટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં, કોરોના મહામારી પછી ગરબા, ક્રિકેટ કે વોકિંગ જેવી પ્રવૃત્તિઓ દરમિયાન નાની-મોટી વયના લોકોના અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
હિંમતનગર હાથમતી વિયર પર ઓવરબ્રિજનું 95% કામ પૂર્ણ:નવા વર્ષે લોકાર્પણની શક્યતા, ટ્રાફિક ભારણ ઘટશે
હિંમતનગરમાં ખેડ તસિયા અને ઇડર સ્ટેટ હાઇવેને જોડતા હાથમતી વિયર પર નિર્માણાધીન ઓવરબ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 22 કરોડના ખર્ચે બની રહેલા આ ઓવરબ્રિજનું આગામી નવા વર્ષે લોકાર્પણ થઈ શકે છે.210 મીટર લાંબા અને ફૂટપાથ સાથે 16 મીટર પહોળા આ ઓવરબ્રિજથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે. હાલમાં બંને તરફના એપ્રોચ રોડનું કામ ચાલી રહ્યું છે. વિયરમાં પાણી હોવા છતાં કામગીરી ચાલુ છે. હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે અન્ડરપાસ તરફ અને ખેડ તસિયા તરફના એપ્રોચ રોડના છેડે કામ ચાલી રહ્યું છે. ઓવરબ્રિજ પર ફૂટપાથની પેરાફીટ અને વીજ પોલના વાયરિંગની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે. હિંમતનગર RB સ્ટેટના આસી. એન્જિનિયર નિર્મલભાઈ ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓવરબ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને કામગીરી અંતિમ તબક્કામાં છે. 18 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધીમાં ઓવરબ્રિજનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. આ કામગીરી પૂર્ણ થતાં આગામી નવા વર્ષે ઓવરબ્રિજનું લોકાર્પણ થઈ શકે છે. હાલમાં ઓવરબ્રિજના બંને છેડે એપ્રોચ રોડને જોડવાની કામગીરી ચાલી રહી છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન રાજકોટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ શાળા, વઢવાણના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ-૨૦૨૫માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ખેલ મહાકુંભ રાજ્યભરમાં રમતગમત પ્રવૃત્તિઓ માટે જાણીતી સ્પર્ધા છે. તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં જ્ઞાનશક્તિ શાળાના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. અંડર-14 કેટેગરીમાં કેરવાડીયા વિરમભાઈ ઘનશ્યામભાઈએ 100 મીટરમાં પ્રથમ સ્થાન, મકવાણા કિશનજી પ્રધાનજીએ 200 મીટરમાં પ્રથમ અને ગોળા ફેંકમાં દ્વિતીય સ્થાન, તલસાણીયા આકાશભાઈ પ્રકાશભાઈએ 400 મીટરમાં પ્રથમ સ્થાન, જ્યારે ઠાકોર યશ હિતેશભાઈએ ઊંચી કૂદમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અંડર-17 કેટેગરીમાં પણ શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. ખાંભલા કેવલ ચેતનભાઈએ 100 મીટરમાં દ્વિતીય, મછાર સાહિલભાઈ જામકાભાઈએ 400 મીટરમાં પ્રથમ, ધુઘલીયા આકાશભાઈ ખોડાભાઈએ 800 મીટરમાં પ્રથમ અને પેથાપરીયા મુન્નાભાઈ હીરાભાઈએ 1500 મીટરમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ અંડર-11 બેડમિન્ટનમાં ચાવડા વિવેક ભાવેશભાઈએ પ્રથમ અને અંડર-14 સ્વિમિંગમાં પટેલ પ્રાંશુ પ્રવિણભાઈએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ શાળાના રમતગમત વિભાગના શિક્ષકોની નિયમિત તાલીમ અને માર્ગદર્શન રહ્યું છે. ગુરુકુળના સંચાલક આનંદપ્રિય સ્વામીજી અને શાળાના આચાર્ય સાવલિયા પિયુષભાઈએ તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જિલ્લા કક્ષાએ પણ ઉત્તમ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ આપી હતી. આ વિજય વિદ્યાર્થીઓની મહેનત અને નિષ્ઠાનું પ્રતિક છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.
ગોધરા અટલ ઉદ્યાન વોકવે પર ઝાડી-ઝાંખરા:નગરપાલિકાએ સફાઈ અભિયાન શરૂ કર્યું
ગોધરા શહેરના અટલ ઉદ્યાન (સીતાસાગર) વોકવે પર ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા અને ગંદકીને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શિયાળાની શરૂઆત થતાં નગરજનોને વોકવેનો લાભ મળી રહે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી આ વોકવે પર અતિશય ગંદકી અને ચારે તરફ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા હતા, જેના કારણે ગોધરાના નગરજનોને વોકવેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ઘણા નાગરિકોએ વોકવે પર ચાલવાનું બંધ કરી દીધું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણે નગરપાલિકાના અધિકારીઓ પાસે વોકવેનું નિરીક્ષણ કરાવ્યું હતું. નિરીક્ષણ બાદ, તેમણે પવડી વિભાગના કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ઝાડી-ઝાંખરા અને ગંદકી દૂર કરવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે, આજરોજ વહેલી સવારથી જ પવડી વિભાગના કર્મચારીઓ દ્વારા વોકવેની સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં સિનિયર સિટીઝન સહિત ગોધરાના તમામ નગરજનો ફરીથી સ્વચ્છ અને સુવિધાયુક્ત વોકવેનો લાભ લઈ શકશે.
સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં તેમના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નિકુંજે માત્ર હત્યાની સોપારી જ નહોતી આપી, પરંતુ છ મહિના પહેલાંથી જ સોનલ પર ફાયરિંગ કરવાનો આખો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. એટલું જ નહીં, હત્યાને અંજામ આપવા માટે શૂટર ઈશ્વરપુરીને ખાસ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી સ્પોર્ટ્સ બાઇક પણ આપવામાં આવી હતી. ફાયરિંગ બાદ ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ઈશ્વર એ જ બાઈક પર ફરાર થતાં નજરે આવે છે.. કાયદાની આંટીઘૂંટીમાંથી બચવા પતિએ કાયદાના પુસ્તકો વાંચ્યાપોલીસે આરોપી નિકુંજ ગોસ્વામીને રિમાન્ડ દરમિયાન અડાજણ સ્થિત કવિ કલાપી ગાર્ડનની બાજુમાં આવેલા વિજયા લક્ષ્મી હિલ્સ એપાર્ટમેન્ટમાં તેના ઘરે તપાસ માટે લઈ ગઈ હતી. નિકુંજના પિતાની હાજરીમાં કરાયેલી તપાસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. ઘરમાંથી 36 જીવતા કારતૂસનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી નિકુંજ RTO ઇન્સ્પેક્ટર હોવા છતાં, તે પોતાની પત્નીની હત્યાના પ્લાન બાદ કાયદાની આંટીઘૂંટીમાંથી બચવા માટે સતત કાયદા સંલગ્ન પુસ્તકો અને ચોપડાઓ વાંચી રહ્યો હતો. પોલીસે આ તમામ પુસ્તકો પણ જપ્ત કર્યા છે. હત્યા બાદ કઈ રીતે કાયદાકીય પ્રક્રિયામાંથી બહાર નીકળી શકાય તેની પૂર્વ તૈયારી તેણે કરી રાખી હતી. પત્નીની કારમાં પતિએ જ GPS ટ્રેકર લગાવ્યું'તુપોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ નિકુંજે સોનલના દરેક લોકેશન પર નજર રાખવા માટે તેની કારમાં જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું, જે તેણે અડાજણ વિસ્તારમાંથી જ ખરીદ્યું હતું. આ જીપીએસની મદદથી તે સોનલ ક્યાં જઈ રહી છે તેની દરેક માહિતી મેળવતો હતો. ઈશ્વરપુરીએ 8મી ઓક્ટોબરે પણ રેકી કરી હતીહત્યાની કોશિશ માત્ર 6 નવેમ્બરના રોજ જ નહોતી થઈ. સુરત એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે એક મહિના પહેલાં પણ સોનલની હત્યા કરવા માટે રેકી કરવામાં આવી હતી. આરોપી નિકુંજનો મિત્ર અને શૂટર ઈશ્વરપુરી ગોસ્વામી 8 ઓક્ટોબરના રોજ સોનલની ગાડીનો પીછો કરતો અમદાવાદ સુધી ગયો હતો. નિકુંજે આપેલી 160 કિલોમીટર પ્રતિ કિલો રફતારવાળી સ્પોર્ટ્સ બાઇક પર ઈશ્વરપુરીએ લાંબો પીછો કર્યો હતો, પરંતુ તે સમયે યોગ્ય તક ન મળતા તે ફાયરિંગ કર્યા વિના પાછો ફર્યો હતો. ફાયરિંગ બાદ ફરાર થઈ રહેલા શૂટરના CCTV સામે આવ્યા6 નવેમ્બરના રોજ સોનલ સોલંકી પર ફાયરિંગ કરી ઘટનાસ્થળ પરથી ફરાર થનાર શૂટર ઈશ્વરપુરીનો સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યો છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે ફાયરિંગ બાદ ઈશ્વરપુરી એ જ સ્પોર્ટ્સ બાઇક પર ગતિએ ભાગી રહ્યો છે, જે બાઇક નિકુંજે તેને ખાસ આ ગુના માટે આપી હતી. આ સીસીટીવી ફૂટેજ હવે કેસમાં એક મજબૂત પુરાવો બની ગયો છે.પોલીસે ગુનામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની હ્યુન્ડાઈ ઈયોન ફોરવ્હીલ કાર પણ કબજે લીધી છે, જેનો ઉપયોગ નિકુંજે ઈશ્વરપુરીને રેલ્વે સ્ટેશન પરથી પીકઅપ કરવા માટે કર્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસની ટીમે શૂટર ઈશ્વરપુરીને સાથે રાખીને થાણેના માસેઘાટ ખાતે પણ તપાસ કરી હતી, જ્યાં તેણે જનતા બજારમાંથી ગુના માટે એક મોબાઈલ ફોન અને ત્રણ સિમકાર્ડ ખરીદ્યા હોવાની ખરાઈ કરી હતી. 11 દિવસ બાદ પણ RFO સોનલ બેભાન અવસ્થામાંઆ ગંભીર બનાવને 11 દિવસ વીતી ગયા હોવા છતાં RFO સોનલ સોલંકીની હાલત ગંભીર અને બેભાન અવસ્થામાં છે. 10થી વધુ ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. પોલીસે પતિ નિકુંજનો છ મહિના જૂનો હત્યાનો પ્લાન, સ્પોર્ટ્સ બાઇકનો ઉપયોગ, અમદાવાદ સુધીની રેકી, જીપીએસ ટ્રેકિંગ અને ઘરમાંથી મળી આવેલા ગોળીઓના જથ્થા જેવા મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા છે, જે આ કેસને મજબૂત બનાવશે.
સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરી બેફામ રીતે થઈ રહી છે ત્યારે રાજકોટ ખાણ ખનિજ વિભાગની ફલાઇંગ સ્કવોડે છેલ્લા 6 મહિનામાં અધધ રૂ.4.40 કરોડની ખનીજ ચોરી પકડી પાડી છે. જેમાં ખનિજ માફિયા માટે રાજકોટ, મોરબી, જામનગર જિલ્લો સ્વર્ગ સમાન હોવાનું માલુમ પડયું છે. કારણકે ત્રણેય જિલ્લામાં જ 80 ટકાથી વધુ ખનીજ ચોરી ઝડપાઈ છે. સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરીના 195 કેસ દાખલ કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ મોરબી જિલ્લામાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે. રાજકોટ ઝોન ખાણ ખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોડની અલગ-અલગ ટીમો આખા સૌરાષ્ટ્રમાં ગેરકાયદે ખનિજ ખનન, વહન અને સંગ્રહ પર નજર રાખે છે. એપ્રિલ -2025 થી ઓકટોબર-2025 દરમિયાન ફલાઈંગ સ્કવોડે રાજકોટ, અમરેલી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં રૂટીન પેટ્રોલિંગ અને બાતમીના આધારે તપાસ હાથ ધરીને ગેરકાયદે ખનીજ પરિવહનના અધધ 169 કેસમાં રૂ.3.6 કરોડની ખનીજ ચોરી પકડી પાડી હતી. આ સાથે ખનિજ ખોદકામના 25 કેસમાં રૂ.1.30 કરોડ અને સંગ્રહના એક કેસમાં રૂ.3.49 લાખની ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. સૌથી વધુ મોરબી જિલ્લામાં 47 ડમ્પર અને 12 હિટાચી મશીન સાથે રૂ.2 કરોડની વધુની ખનીજ ચોરી પકડાઈ છે. બીજા નંબરે રાજકોટ જિલ્લામાં 49 ડમ્પર અને 4 હિટાચી મશીન સાથે રૂ.97 લાખ તો ત્રીજા ખનીજ ચોરીમાં અત્યાર સુધી મહત્તમ રેતી, મોરમ, માટી, બિલ્ડીંગ લાઈમ સ્ટોન ઝડપાતા હતા પરંતુ હવે ખાસ કરીને સિરામિક ઉદ્યોગમાં વપરાતા ચાઈના કલે, ફાયર કલે, બોળ કલે સિલિકા સેન્ડના પણ ગેરકાયદે પરિવહન અને સંગ્રહના કેસ વધવા લાગ્યા છે. જોકે, આ આંકડા માત્ર ફલાઇંગ સ્કવોડની કાર્યવાહીના છે, દરેક જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા પકડાયેલી ખનીજ ચોરીનો આંક બહુ મોટો હોય છે. 6 માસમાં ક્યાંથી કેટલી ખનીજ ચોરી ઝડપાઈ? મોરબી - રૂ.2 કરોડ રાજકોટ - રૂ.97 લાખ જામનગર - રૂ.55.31 લાખ સુરેન્દ્રનગર - રૂ.28 લાખ પોરબંદર - રૂ.22.55 લાખ જૂનાગઢ - રૂ.19 લાખ ભાવનગર - રૂ.11.80 લાખ અમરેલી - રૂ.4.68 લાખ બોટાદ - રૂ.1.50 લાખ
બોટાદનો ઢાકણીયા રોડ બે વર્ષથી બિસ્માર:વાહનચાલકો પરેશાન, તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ
બોટાદ શહેરનો ઢાકણીયા રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ માર્ગ શહેરના વિહાવાવ, તુલસીનગર, આઈટીઆઈ કોલેજ જેવા વિસ્તારો તેમજ ઢાકણીયા, નાગલપર, તુરખા સહિતના ગામોને જોડે છે. મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોવા છતાં, રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ આ માર્ગ પરથી દરરોજ પસાર થતા વિદ્યાર્થીઓ, કામદાર વર્ગ અને રત્ન કલાકારો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદ દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વધુ વિકટ બને છે, જેના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા તંત્ર અને રાજકીય નેતાઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, અત્યાર સુધી કોઈ સમારકામ કે નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી. આના પરિણામે, લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક રસ્તો નવો બનાવવા અથવા તેનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે.
જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા એક મોબાઈલ શોરૂમમાંથી રૂ. 9.10 લાખની કિંમતના 15 મોબાઈલ ફોનની ચોરી થઈ છે. આ ચોરી શોરૂમના જ એકાઉન્ટન્ટ કિશન બાવરીયાએ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. શ્રીધન પેલેસમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સમાં 'યસ મોબાઈલ' નામનો શોરૂમ ધરાવતા રાજેશ ઉર્ફે રાજુ ગોહિલે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 5 જુલાઈ 2025 થી 17 નવેમ્બર 2025 ના સમયગાળા દરમિયાન જુદા જુદા સમયે આ 15 મોબાઈલ ફોન ચોરાયા હતા. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, શોરૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો કિશન બાવરીયા વેપારીની નજર ચૂકવીને ફોન ચોરી ગયો હતો. હાલ તે ફરાર છે. સિટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે અને ફરાર એકાઉન્ટન્ટને શોધવાના પ્રયાસો ચાલુ છે.
ગઢડાનો મુખ્ય માર્ગ ખખડધજ બન્યો:કમોસમી વરસાદથી ધોવાયો, વાહનચાલકોને અકસ્માતનો ભય
ગઢડા શહેરના હાઈસ્કુલ ચાર રસ્તાથી જીનનાકા અને સામાકાંઠા સુધીનો મુખ્ય માર્ગ ફરી ખખડધજ બન્યો છે. કમોસમી વરસાદ બાદ આ ધોરીમાર્ગ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ કરવામાં આવી છે. આ મુખ્ય માર્ગ પર આવેલા બ્રિજ પર પણ તિરાડો પડી છે અને ખાડાઓ જોવા મળી રહ્યા છે. બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું યાત્રાધામ હોવાથી અહીં વાહનો અને યાત્રાળુઓની સતત અવરજવર રહે છે. રસ્તાની આ ખરાબ સ્થિતિને કારણે યાત્રાળુઓ અને સ્થાનિકો પણ પરેશાન છે. અગાઉ તંત્ર દ્વારા આ ખાડાઓને માટીકામ કરીને પૂરવામાં આવ્યા હતા. જોકે, કમોસમી વરસાદના કારણે આ કામગીરી ધોવાઈ ગઈ છે અને રસ્તો ફરીથી બિસ્માર હાલતમાં આવી ગયો છે. ગઢડાથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિતના મોટા શહેરોને જોડતો આ ધોરીમાર્ગ અત્યંત વ્યસ્ત રહે છે. ગઢડામાં પ્રવેશવા માટે હાઈસ્કુલ ચાર રસ્તાથી જીનનાકા વિસ્તારમાંથી પસાર થવું પડે છે, જે માર્ગ હાલમાં અત્યંત ખરાબ સ્થિતિમાં છે. હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર અને બે મુખ્ય સ્વામિનારાયણ મંદિરોને કારણે યાત્રાળુઓની ભીડને જોતાં, આ ખખડધજ રસ્તો ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે. કોઈ મોટી દુર્ઘટના ન બને તે પહેલાં તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી વાહનચાલકો અને લોકોની પ્રબળ માંગ છે.
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 72 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિર ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ મહેશ સિંહ કુશવાહના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવી હતી. વસ્ત્રાલ વોર્ડ અને વટવા વિધાનસભાના યુવા આગેવાનો કુલદીપ રાજપૂત અને સુશીલ રાજપૂત દ્વારા સેવાના ઉદ્દેશ્યથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાધવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ, ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહ અને શહેરાધ્યક્ષ વિનય મિશ્રા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુરે ,કુલદીપ રાજપૂતની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે પ્રદેશ અધ્યક્ષ સમક્ષ કુલદીપ રાજપૂતને શહેરની યુવા ટીમમાં યુવા મહામંત્રી તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) વિધિ પ્રકોષ્ઠ દ્વારા 15 નવેમ્બરના રોજ પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વકાલત ક્ષેત્રના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી સમાજમાં પ્રેરક ઉદાહરણ પૂરું પાડવાનો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે 81 વર્ષીય કર્નલ વિનોદ ફાળનેકર અને ફેમિલી કોર્ટ કાઉન્સેલર, નિઃસ્વાર્થ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડવોકેટ શ્રીમતી શિલ્પા દવે ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોના પ્રેરણાદાયી વક્તવ્યથી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌનો ઉત્સાહ વધ્યો હતો. મુખ્ય અતિથિઓના વક્તવ્ય બાદ, તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.નિઃસ્વાર્થ ફાઉન્ડેશન સંસ્થા તરફથી એડવોકેટ શ્રીમતી શિલ્પા દવે અને તેમની ટીમે વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ઠનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોના મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવા અને સાક્ષીઓના નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો હતો. આજે તેની સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. જેથી તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.ત્યારબાદ સાક્ષીઓની જુબાની શરૂ થશે. 141ની સ્પીડે જેગુઆર દોડાવી અકસ્માત સર્જતા 9 લોકોના મોત નિપજ્યા હતાઆ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ ઉપરાંત કુલ 12 લોકો ઘાયલ થયા હતા. હજુ પણ એક વ્યક્તિ કોમામાં છે. તથ્યે 141 કિલોમીટર જેટલી ઝડપે ગાડી હંકારી હતી. આ ઘટનાને બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. તથ્યને સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ ક્યાંયથી પણ જામીન મળ્યા નથી. આ ઘટના અને તથ્યને જેલમાં બંધ થયાને 2 વર્ષ પૂર્ણ થયા છે. આરોપી સામે IPC 304 લાગે કે 304 A લાગે તેની રિવિઝન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આ બનાવ 20 જુલાઈ 2023નો છે. જેમાં આરોપી સામે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી અને સાહેદોના CRPC 164 મુજબ મેજિસ્ટ્રર સમક્ષ નિવેદન લેવાયા હતા. તથ્ય પટેલ બે વાર હંગામી જામીન મેળવી આવી ચૂક્યો છેજો અરજદારની રિવિઝન અરજી મંજૂર થાય તો તેની ઉપર લાગેલી કલમો પૈકીની સજા જેલમાં કાપી લીધી છે. રિવિઝન અરજીમાં વધુ સુનવણી ન થાય ત્યાં સુધી, હાઇકોર્ટે તથ્યને ચાર્જફ્રેમ વિરુદ્ધ વચગાળાની રાહત યથાવત રાખી હતી. વળી પીડીતોએ આ કેસમાં વધુ તપાસ માટે અરજી કરી છે, જે પેન્ડિંગ છે. તથ્ય અત્યાર સુધીમાં બે વખત હંગામી જામીન ઉપર પોલીસ જાપ્તા સાથે બહાર આવેલ છે. જેમાં એક વખત તેના દાદાનું નિધન થયું હતું, જ્યારે બીજી વખત તેની માતાના ઓપરેશનની તારીખ હતી. ચાર્જફ્રેમ થતા હવે કેસની આગળ ટ્રાયલ ચાલશેઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની જાહેરાત મુજબ તથ્ય પટેલ સામે અકસ્માતના ફક્ત 7 દિવસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી. જો કે તેને તેની ઉપર લાગેલી કેટલીક કલમોમાંથી ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરી હતી. જેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દેતા તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેની ઉપર હજી સુધી ચુકાદો ન આવતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેની સામે ચાર્જફ્રેમ થઈ શક્યો નહોતો કે જેથી આગળ ટ્રાયલ પણ ચાલતી નહોતી. શું છે સમગ્ર ઘટના?19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. તથ્ય પટેલ સામે અકસ્માતથી લઈ આજદિન સુધી કોર્ટમાં શું શું થયું તે ગ્રાફિક્સની મદદથી સમજીએ...
શ્રીનાથ પીઠના મહંત પરમ પૂજ્ય 1008 જિતેન્દ્રનાથજી મહારાજ (દેવનાથ મઠ, અંજન-અમરાવતી, મહારાષ્ટ્ર) શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ ખાતે પધાર્યા હતા. તેઓ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને ખાસ મળવા આવ્યા હતા. સમગ્ર ભારતવર્ષમાં નાથપંથ અત્યંત પ્રસિદ્ધ છે. નાથપંથની ત્રણ મુખ્ય ધારાઓ છે: વૈષ્ણવી, શૈવી અને બ્રાહ્મી નાથ પરંપરા. ભગવાન દત્તાત્રેયમાં આ ત્રણેય પરંપરાનો સંગમ થયેલો છે. પૂજ્ય જિતેન્દ્રનાથજી મહારાજ આ ત્રિધારા નાથ પરંપરાના અગ્રણી મહંત છે અને શ્રીવૈષ્ણવનાથ પરંપરાના પરમ ઉપાસક છે. તેઓ વિશ્વમાંગલ્ય ટ્રસ્ટ દ્વારા મોટા પાયે વિવિધ સામાજિક સેવાપ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને સતત રાષ્ટ્રસેવામાં જોડાયેલા રહે છે. તેમના અનુયાયીઓ લાખોની સંખ્યામાં છે.પૂજ્ય સ્વામીજી સાથે રહીને તેમણે સમગ્ર SGVP કેમ્પસનું દર્શન કર્યું હતું. સંસ્થા દ્વારા થઈ રહેલી શૈક્ષણિક અને સામાજિક સેવાઓ નિહાળી તેમણે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો. કેમ્પસમાં રહીને અભ્યાસ કરતા દર્શનમ્ સંસ્કૃત વિદ્યાલયના ઋષિકુમારો સાથે સંવાદ કરીને તેઓ અતિ પ્રસન્ન થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ SGVP સંસ્થાન મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું છે અને અનેક ગુરુકુળ તેમજ પોતાની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સનાતન વૈદિક હિન્દુ ધર્મની સેવા કરી રહ્યું છે.”
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના પ્રચાર અર્થે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું 9 સભ્યોનું પ્રતિનિધિમંડળ બ્રિટનના પ્રવાસે છે. ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલના વડપણ હેઠળ આ પ્રતિનિધિમંડળ રવિવારે લંડનના કેપી સેન્ટર ખાતે ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓના સ્નેહમિલનમાં જોડાયું હતું. આ સ્નેહમિલનમાં વિશ્વઉમિયાધામના નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ આર.પી. પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સનાતન સંસ્કૃતિ, સમાજના સર્વાંગી વિકાસ અને યુવા જાગૃતિ માટે 504 ફૂટ ઊંચા મા ઉમિયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ડિસેમ્બર 2027માં ઉજવવામાં આવશે. તેમણે દરેક પરિવારને 'મારી ઈંટ મા નાં મંદિરે' અભિયાનમાં જોડાઈને દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી. લંડનના આ સ્નેહમિલનમાં સંસ્થાના ઉપપ્રમુખ ડી.એન. ગોલ, શશીભાઈ વેકરિયા, વેલજીભાઈ વેકરિયા અને સમાજના પ્રમુખ સુરેશભાઈ કણસાગરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ ડી.એન. ગોલ, દિનેશભાઈ પટેલ, શશીભાઈ વેકરિયા અને નરેશભાઈએ પણ પ્રેરણાત્મક સંબોધન કર્યા હતા.
ભરૂચ જિલ્લામાં આજે સવારે મુલદ ટોલટેક્સ નજીક એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. કેબલ બ્રિજ પાસેથી પસાર થઈ રહેલા ટ્રકના પાછળના ટાયરમાં આગ ભભૂકી ઉઠતા વાહનચાલકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. મુલદથી ઝાડેશ્વર તરફ જઈ રહેલા આ ટ્રકમાં આગ લાગતા થોડી જ ક્ષણોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ સમયસર આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને અધિકારીઓ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મહેશ્વરી સમાજે ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કર્યું:ગુજરાતના બાળકો માટે વિવિધ શહેરોમાં ભાગીદારી
ગુજરાત મહેશ્વરી સમાજ દ્વારા નાના બાળકો માટે ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમાજના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ આયોજન મહેશ્વરી સમાજના ગુજરાતના દરેક શહેરમાં કરવામાં આવ્યું હતું, જ્યાંથી નાના બાળકોએ ભાગ લીધો હતો.
પાટણના શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત 'મને જાણો' કાર્યક્રમ અંતર્ગત રવિવારે ડો. જયનારાયણ વ્યાસે 'હિંદ સ્વરાજ' પુસ્તક પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે આ પ્રસંગે ગાંધીજીના વિચારો અને દર્શનનું ચિંતન-મનન રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ સ્વ. કિર્તીકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલી રહ્યો છે. પુસ્તકાલયના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરાએ સૌનું સ્વાગત કર્યું હતું અને પુસ્તકાલયની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે ભારતભરમાં ખ્યાતિ ધરાવતા વક્તાઓ પુસ્તકાલયમાં વક્તવ્ય આપવા આવી રહ્યા છે તે અંગે આનંદ અને આભાર વ્યક્ત કર્યો હતો. ડો. જયનારાયણ વ્યાસે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગાંધીજીનું ચિંતન અને દર્શન સમય નિરપેક્ષ છે. ગાંધીજીને પ્રેમ કરી શકાય અથવા ધિક્કારી શકાય, પરંતુ તેમને અવગણી શકાય નહીં. તેમણે 'હિંદ સ્વરાજ'ને માત્ર પુસ્તક નહીં, પરંતુ એક યુગનો ઘોષણાપત્ર અને વિચાર ક્રાંતિનો પ્રકાશ સ્તંભ ગણાવ્યું હતું. વ્યાસ સાહેબે સ્વરાજ્યની વ્યાખ્યા કરતા કહ્યું કે તે સ્વનિયમ, સ્વધર્મ, સ્વઅનુરાગી, સ્વવિવેક અને આત્મનિર્ભરતા દ્વારા પ્રાપ્ત થાય છે. સાચી પ્રગતિ મશીન અને ભોગવિલાસમાં નહીં, પરંતુ ચારિત્ર્ય અને માનવસેવા દ્વારા થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 'હિંદ સ્વરાજ'ના જુદા જુદા પ્રકરણોમાં ગાંધીજીના વિચારો આજે પણ અત્યંત પ્રસ્તુત છે. તેમણે કહ્યું કે માનવી મશીનનો ગુલામ બની ગયો છે અને શિક્ષણ હંમેશા માતૃભાષામાં જ હોવું જોઈએ. પશ્ચિમી દવાઓનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને જીવનના પાઠ ભણાવે તેવું શિક્ષણ હોવું જોઈએ. પ્રગતિ માટે અસંતોષ સારો છે. તેમણે ઉમેર્યું કે હિંદુસ્તાન અંગ્રેજોએ લીધું ન હતું, પરંતુ આપણા વેરઝેરને કારણે આપણે તેમને આપ્યું હતું. સમાજ સ્વસ્થ, નૈતિકતા અને સહજીવન આધારિત હોવો જોઈએ. ગાંધી વિચારનું આંતરિક બળ ચારિત્ર્ય અને સત્યનિષ્ઠા છે, જ્યારે નિર્ભેળ પ્રમાણિકતા અને મૂલ્યનિષ્ઠતા તેના પાયા છે. અતિશય ભૌતિકતા માણસને ખોખલો બનાવી દે છે. તેમણે 'કોઈ કામ નાનું નથી' અને 'મારું જીવન એ જ મારો સંદેશ છે' જેવા ગાંધીજીના સૂત્રો ટાંક્યા હતા. પ્રગતિનો માર્ગ સ્ટાર્ટઅપ, નોકરી કે ટેકનોલોજી નહીં, પરંતુ આત્મશક્તિ, નૈતિકતા અને સામાજિક જવાબદારી છે. આ પ્રસંગે ડો. જયનારાયણ વ્યાસ દ્વારા લખાયેલા પુસ્તકો પુસ્તકાલયને ભેટ આપવામાં આવ્યા હતા. અશોકભાઈ વ્યાસ દ્વારા વક્તાનો પરિચય આપવામાં આવ્યો હતો. કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દિનેશભાઈ પ્રજાપતિ અને કનુભાઈ પટેલ વગેરે દ્વારા શાલ ઓઢાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુસ્તકાલય પરિવારના સભ્યો અને સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મહાસુખભાઈ મોદીએ કરી હતી.
ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા મોટેરાના સંત આશારામજી ગુરુકુળ ખાતે યોજાઈ હતી.આ સ્પર્ધામાં દીવાન-બલ્લુભાઈ માધ્યમિક શાળા, કાંકરિયાની ગુજરાતી માધ્યમની U-17 બહેનો અને U-17 ભાઈઓની ટીમે પ્રથમ વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વિજેતા બનેલી હેન્ડબોલની બંને ટીમને કોચ દિલીપભાઈ ડાભી, વ્યાયામ શિક્ષક દશરથભાઈ ગોલતર અને આચાર્ય પ્રકાશભાઈ જાનીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અંબે સ્કૂલ – હરણી CBSE યુનિટ દ્વારા પૂર્વ-પ્રાથમિક વિભાગનો “લાઇફ અંડર ધ સી” (Life Under the Sea) પ્રોજેક્ટ સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં યુવા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સર્જનાત્મક મોડેલો, ભૂમિકા ભજવણી (role-plays) અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પાણીની અંદરની દુનિયાને જીવંત બનાવી હતી. બાળકોએ રંગબેરંગી પોશાકો, કલા, સંગીત અને વાર્તા કહેવા દ્વારા વિવિધ દરિયાઈ જીવોનું આત્મવિશ્વાસ સાથે નિરૂપણ કર્યું.આ પ્રોજેક્ટ દ્વારા દરિયાઈ જીવન અને મહાસાગર સંરક્ષણનું મહત્વ પ્રકાશિત કરવામાં આવ્યું. સાથે જ, વિદ્યાર્થીઓને આનંદદાયક પ્રત્યક્ષ શિક્ષણનો અનુભવ પણ મળ્યો. વાલીઓએ નાના બાળકો દ્વારા દર્શાવવામાં આવેલા પ્રયત્નો અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિતભાઈ શાહ, નિયામક ભાવેશ શાહ અને નિયામક મિતલબહેન શાહ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આક્રોશ રેલી કાઢી આજે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અસરગ્રસ્તો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક નિર્ણય ન લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. 7 ગામના ગ્રામજનો દ્વારા બેનરો સાથે રેલીગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આજે કલેકટર કચેરીએ હાથમાં બેનરો સાથે 250થી વધુ લોકો રેલી સ્વરૂપે પહોંચ્યા હતાં. પાંચ પ્રશ્નોના નિકાલની માગમહામંડળ દ્વારા મુખ્યત્વે પાંચ પ્રશ્નોના નિકાલની માંગણી કરવામાં આવી છે. અસરગ્રસ્તોની માગ છે કે, 1997ની મંત્રી સ્તરની બેઠકો અને મહેસૂલ વિભાગના 2016ના પરિપત્ર મુજબ મકાનોના ભોગવટાને નિયમિત કરી આપવા, 7 ગામના મૂળ નિવાસીઓને રહેણાંકની જરૂરિયાત પૂરી કરવા માટે નવા આવાસ બનાવી આપવા અથવા રહેણાંકના પ્લોટ ફાળવવા, સરદાર સરોવરના જમીન અસરગ્રસ્ત ખેડૂતોને જે લાભો (રહેણાંકના પ્લોટ/ખેતીની જમીન) મળ્યા છે, તેવા જ લાભો ગાંધીનગરના જમીન અસરગ્રસ્ત ખેડૂતોને પણ આપવા આવે. ઉપરાંત અસરગ્રસ્તોને ફાળવવામાં આવેલ ચીપટાઇપની દુકાનોને ભાડા પદ્ધતિના બદલે માલિકી હકકે ફાળવવામાં આવે. 7 ગામોને ગાંધીનગર શહેર સમકક્ષ તમામ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે. 'પ્રશ્નો અંગે વર્ષોથી વારંવાર રજૂઆતો'આ અંગે મહામંડળ પ્રમુખ ભરતસિંહ બિહોલા જણાવ્યું છે કે, આ પ્રશ્નો અંગે વર્ષોથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પ્રશ્નોની ગંભીરતાને ધ્યાનમાં લઈને તા. 15 જૂન 2022 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપદે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત ખાતાના ઉચ્ચ અધિકારીઓને જરૂરી કાર્યવાહી માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ તા. 3 જુલાઈ 2023 ના રોજ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં પણ આ બાબતે બેઠક મળી હતી. મુખ્ય સચિવએ અગ્ર સચિવ (શહેરી વિકાસ વિભાગ), કલેકટર ગાંધીનગર અને મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરને આ પ્રશ્નો અંગેની જરૂરી વિગતો તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું હતું. બે વર્ષથી વધુ સમય વીત્યો કોઈ નક્કર કાર્યવાહી થઈ નથીજોકે, મુખ્ય સચિવની સૂચનાને બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પરિણામે 7 ગામના ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી અને અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે. 'હકારાત્મક નિર્ણય નહીં આવે તો આંદોલન થશે'મહામંડળે કલેક્ટર મારફતે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, જો આ પ્રશ્નો બાબતે તાકીદે હકારાત્મક નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમો આપીને આંદોલન શરૂ કરવામાં આવશે.
SOG એ મેમ્કોમાંથી મહિલા સહિત ત્રણ લોકોને 9.35 લાખ રૂપિયાના ગાંજા સાથે ઝડપી લીધા છે જ્યારે અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે વિશાલા પાસેથી ખુલ્લા મેદાનમાંથી 1644 દારૂની બોટલ સાથે બે શખ્સની ધરપકડ કરી છે.બને મામલે ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી છે. મહિલા સહિત ત્રણ 9.35 લાખના ગાંજા સાથે ઝડપાયાએસઓજીના પીએસઆઈ આર. બી. તેલે બાતમીના આધારે મેમ્કો પાસેથી રિક્ષાને રોકી હતી જેમાથી એક મહિલા સહિત ત્રણ લોકો બેઠા હતા. એસઓજીએ તેમની અટકાયત કરી હતી અને બાદમાં અંગ ઝડતી લીધી હતી.મહિલાનું નામ રાજેશ્વરી હતુ જ્યારે યુવકના નામ સાહિલ અને ભાવેશ હતું. રાજેશ્વરી પાસે ત્રણ થેલા હતા જે ખોલી જોતા તેમા 9 પાર્સલ હતાં. પાર્સલ ખોલીને જોતા તેમા ભુખરા રંગની વનસ્પતિ હતી. શંકાના આધારે એસઓજીએ રિક્ષા ડ્રાઈવર, ભાવેશ, સાહિલ તેમજ રાજેશ્વરીની અટકાટત કરીને નજીકની પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને એફએસએલને જાણ કરી હતી. એફએસએલની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી અને વનસ્પતિનું પરિક્ષણ કર્યુ હતું જેમા તે ગાંજો હોવાનું પુરવાર થયુ હતું. એસઓજીએ આ મામલે રાજેશ્વરી, ભાવેશ અને સાહિલની ધરપકડ કરી હતી. પુછપરછ દરમિયાન રાજેશ્વરીએ જણાવ્યુ છેકે ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના સિન્દખેડા તાલુકામાં આવેલા નરડાના ગામમાં રહેતીજ્યોતિ તમંચેએ આપ્યો હતો. આ ગાંજાનો જથ્થો રાજેશ્વરી કુબેરનગરમાં લાવીને વેચવાની હતી. હાલ એસઓજીએ રાજેશ્વરી, ભાવેશ, સાહિલ અને જ્યોતિ વિરૂદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે લોડીંગ રિક્ષામાંથી 2.16 લાખ રૂપિયાનો દારૂ ઝડપ્યોક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતીકે વેજલપુર વિશાલા બરફની ફેક્ટરી પાસે આવેલા ખુલ્લા મેદાનમાં એક લોડીંગ રીક્ષા પાર્ક થયેલી છે જેમાં લાખો રૂપિયાનો દારૂ છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોચી ઘઈ હતી અને રિક્ષાને ખોલીને જોયુ હતું જેમાં 1644 દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત 2.16 લાખ રૂપિયા થાય છે. ક્રાઈમ બ્રાંન્ચે આ દારૂનો જથ્થો રાખનાર અકિલ ઈસ્માલ શેખ (રહે, નૂરે ઈલાહી ફ્લેટ, જુહાપુરા) અને અફતાબ ઉર્ફે આદિલ શેખ (રહે, જાવેદ રો-હાઉસ, જુહાપુરા)ની ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો બન્ને જણા ક્યાથી અને કોની પાસેથી લાવ્યા છે તે મામલે તપાસ શરૂ કરી છે.
વાપીથી ચાણસ્મા જઈ રહેલી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભી રહેલી ટ્રકની પાછળ ST બસ ઘૂસી જતા 19 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા 6 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી પણ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે બસના ડ્રાઇવરને ગંભીર ઇજા થઈ છે. આ તમામ લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મોટી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મેપલ્સ (મેપમાયઇન્ડિયા) દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિકો માટે ખાસ ફિચર્સ અપડેટ કરવામાં આવ્યા છે. હવે નાગરિકો-વાહનચાલકોને નેવિગેશનની સાથે-સાથે આ એપ બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરીની અપડેટ આગળીના ટેરવે આપશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરો પાડવામાં આવેલો બ્લેક સ્પોટ્સ અને સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ દ્વારા આ એપમાં અપડેટ કરી દેવાયો છે. તે ઉપરાંત વાહનચાલકોને ડાર્ક રસ્તા અંગે પણ પહેલેથી અંદાજ આવી જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પીડ લિમિટ પણ આ એપમાં અપડેટ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રીયલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે. બંધ કરાયેલા રોડની રિયલ ટાઈમ અપડેટ મળશેMoU મુજબ, ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે, જેમાં બંધ કરાયેલા રોડ અંગેની માહિતી (Road Closures), પ્લાન્ડ રોડ કન્સ્ટ્રક્શન-રિપેર એક્ટિવિટિઝ, રેલીઓ અને અન્ય કાર્યક્રમોની માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ થશે, જેની જાણ નાગરિકોને થતા તેઓ વૈકલ્પિક રૂટ પસંદ કરી શકશે. નાગરિકોને એપ ડાઉનલોડ કરવાની અપીલઆ MoUના સંદર્ભમાં તમામ જિલ્લાના પોલીસને આ હેતુ માટે બનાવેલા વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા મેપમાયઇન્ડિયાને ઇનપુટ્સ કેવી રીતે આપવા તેની તાલીમ આપવામાં આવી છે. ડેટા અપડેશનનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાત પોલીસ વાહનચાલકો માટે તેમની મુસાફરી વધુ અનુકૂળ બનાવવા માટે રીઅલ-ટાઇમમાં વધુ સારા ટ્રાફિક અપડેટ્સ આપવા માટે મેપમાયઇન્ડિયા સાથે સતત કાર્ય કરી રહી છે. આ સાથે કસ્ટમાઇઝ્ડ ટ્રાફિક અપડેટ્સ મેળવવા અને વધુ સારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોને મેપમાયઇન્ડિયા (Mapmyindia) એપનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. જાણો આ એપ પર કઈ કઈ માહિતી મળી શકશે મેપલ્સ એપના નવા ફીચર્સ એપમાં રિયલ ટાઈમ મળતી અપડેટ
રાજકોટ સહિત દેશની તમામ સરકારી કચેરીઓમાં લાંચ લેવાતી હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા જ હોય છે. જોકે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખામાં BSFમાંથી આવેલા એક અધિકારીએ લાંચ-રૂશ્વતનો વિરોધ કરવા અનોખો પ્રયાસે કર્યો છે. આ અધિકારીએ પોતાની ચેમ્બર સહિત આખા વિભાગમાં 'દરેક ઓફિસમાં મુકવા જેવી સૂચના' હેડિંગ સાથે 'મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, તમારૂ કામ કરૂં તેમાં કોઈ ઉપકાર કરતો નથી, તો લાંચ ઓફર કરીને મારૂ અપમાન કરશો નહીં' સહિતનું લખાણ લખેલા પોસ્ટર લગાવ્યા છે. આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહે ગુણવંત શાહે લખેલા એક સંદેશનું પોસ્ટર લગાડી લાંચ આપી કામ કરાવવા માગતાં તત્ત્વોને દૂર રહેવા અને લાંચ નહીં, પરંતુ સન્માન આપો તે પ્રકારનો અસરકારક મેસેજ અરજદારોને આપ્યો છે. દરેક ઓફિસમાં મુકવા જેવી સૂચના‘મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રુશવતની ઓફર કરી મારું અપમાન કરશો નહી. તમારું વાજબી કામ હું કરી આપું, તેમાં હું તમારા પર ઉપકાર નથી કરતો. તમારું કોઇપણ ગેરવાજબી કામ હું પૈસા લઇને ન કરી આપું તેની ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું. કારણે કે, હું ભારતીય નાગરિક છું.’ લાંચ-રૂશ્વત આપવાનો પ્રયાસ કરે નહીં તેવા હેતુથી પોસ્ટરો લગાવ્યાદિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં પોસ્ટર લગાવનારા સૂર્યપ્રતાપસિંહે જણાવ્યું હતું કે, હું અગાઉ BSFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો. ત્યાંથી નિવૃત્ત થયા બાદ મનપાની આવાસ યોજના શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવું છુ. મારા મિત્રએ આ લખાણ મારા ધ્યાન પર મુક્યું હતું. જે મને સારી વાત લાગતા અને ખૂબ જ ગમી જતા મારી કચેરીની અંદર અને બહાર પોસ્ટર લગાવ્યા છે. મારુ સ્પષ્ટ માનવું છે કે, લોકોનું અમે કામ કરીએ છીએ તેનો અમને પગાર મળે છે. અરજદારોએ અમને થેન્ક્યૂ કહેવાની કોઇ જરૂર જ નથી. તેમજ કોઈ લાંચ-રૂશ્વત આપવાનો પ્રયાસ પણ કરે નહીં તેવા હેતુથી આ પોસ્ટરો લગાવાયા છે. કેવી રીતે અરજી કરવી તે સહિતની માહિતી સ્ટાફે આપી: અરજદારઆવાસ યોજનામાં કામ માટે આવેલા નાનુબેન ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું આવાસ માટે 5 વાર કરતા વધુ અહીં આવી ચૂકી છું. મને દરેક વખતે ખૂબ જ સારો જવાબ આપવામાં આવ્યો છે. કેવી રીતે અરજીઓ કરવી તે સહિતની માહિતી સ્ટાફ દ્વારા આપવામાં આવી છે. આ સિવાય આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગઈ હતી તે પણ તરત કાઢી આપવામાં આવ્યું હતું. અને ટૂંક સમયમાં સરળ હપ્તે આવાસ પણ મળી જાય તેવું લાગી રહ્યું છે. ખરેખર આવાસ વિભાગમાં જે પોસ્ટર લાગ્યા છે તેના મુજબ આખી કચેરીમાં કામ થઈ રહ્યું હોય તેવું મને લાગી રહ્યું છે. આવાસ યોજનાની માહિતી લોકોને ઘરે બેઠાં મળે તેવું સોફ્ટવેર બનાવ્યુંઉલ્લેખનીય છે કે, સૂર્યપ્રતાપસિંહે આવાસ યોજનાનો હવાલો સંભાળ્યા બાદ આવાસની માહિતી લોકોને ઘરે બેઠાં મળે તેવો સોફ્ટવેર બનાવ્યો છે. આવાસ યોજના શાખામાં નવા આવાસો ક્યારે બનાવવાના છે તેની તપાસ માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધક્કાઓ ખાતા અટકાવવા તેમણે બનાવેલા આ સોફ્ટવેરમાં આવાસ યોજનાની માહિતી મેળવવા માટે આવેલા અરજદારોનું રજિસ્ટ્રેશન કરી તેમને જોડવામાં આવ્યા છે અને જ્યારે નવી આવાસ યોજના જાહેર થાય ત્યારે તુરંત તેમને SMS દ્વારા જાણ થઇ જાય તેવી ગોઠવણ સોફ્ટવેરમાં કરવામાં આવી છે. સોફ્ટવેર દ્વારા અરજદારને મેસેજ કરીને ફોર્મ ભરી દેવાની સૂચના પણ આપવામાં આવે છે.
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાનો અંદાજ છે. ઠંડીની શરૂઆત થતાં જ વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઈ હતી. સવારના સમયગાળા દરમિયાન લોકો સ્વેટર, જેકેટ અને મફલર જેવા ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. પારનેરા ડુંગર વિસ્તારમાં ઠંડા પવનોનો અનુભવ થતાં શિયાળાનો અહેસાસ વધુ સ્પષ્ટ બન્યો હતો. મોર્નિંગ વૉક અને કસરત માટે નીકળતા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. ઠંડી વધતા ખેડૂતો રવિ પાક અને આંબાની સંભાળમાં વ્યસ્ત બન્યા છે. જિલ્લાના તાલુકાવાર તાપમાન નીચે મુજબ નોંધાયા છે:

28 C