SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

કલોલ રેલવે સ્ટેશન પર ચાર એક્સપ્રેસ ટ્રેનોને વધારાનું સ્ટોપેજ:દર 15 દિવસે એક્સપ્રેસ તથા દર અઠવાડિયે જનસાધારણ એક્સપ્રેસને કલોલ સ્ટેશન પર સ્ટોપેજ

રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે કલોલના રેલ યાત્રીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની લાંબા સમયથી રહેલી માંગને ધ્યાનમાં રાખીને કલોલ રેલવે સ્ટેશન પર ચાર ખાસ ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી કલોલ અને આસપાસના વિસ્તારના યાત્રીઓને લાંબા અંતરના પ્રવાસમાં વધુ સુવિધા મળશે. દર અઠવાડિયે જનસાધારણ એક્સપ્રેસને કલોલ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યુંપશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, વલસાડ–વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ, દિલ્લી સરાય રોહિલ્લા–બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ, જોધપુર–કેએસઆર બેંગલુરૂ દર 15 દિવસે એક્સપ્રેસ તથા મુજફ્ફરપુર–સાબરમતી દર અઠવાડિયે જનસાધારણ એક્સપ્રેસને કલોલ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. વડનગર–વલસાડ એક્સપ્રેસવલસાડ–વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ 16 ડિસેમ્બરથી કલોલ સ્ટેશન પર સવારે 11:37 વાગે પહોંચશે અને 11:39 વાગે આગળ રવાના થશે, જ્યારે વડનગર–વલસાડ એક્સપ્રેસ સાંજે 6:15 વાગે આગમન કરીને 6:17 વાગે ઉપડશે. દિલ્લી સરાય રોહિલ્લા–બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસઆ ઉપરાંત દિલ્લી સરાય રોહિલ્લા–બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ 16 ડિસેમ્બરથી રાત્રે 10:41 વાગે કલોલ પહોંચશે અને 10:43 વાગે આગળ જશે, જ્યારે બાન્દ્રા ટર્મિનસ–દિલ્લી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ સાંજે 8:11 વાગે આગમન કરીને 8:13 વાગે રવાના થશે. બેંગલુરૂ–જોધપુર એક્સપ્રેસ જોધપુર–કેએસઆર બેંગલુરૂ દ્વિસાપ્તાહિક એક્સપ્રેસ 18 ડિસેમ્બરથી બપોરે 12:55 વાગે કલોલ પહોંચશે અને 12:57 વાગે પ્રસ્થાન કરશે. જ્યારે કેએસઆર બેંગલુરૂ–જોધપુર એક્સપ્રેસ 17 ડિસેમ્બરથી સવારે 6:19 વાગે કલોલ પર આવશે અને 6:21 વાગે આગળ જશે. મુજફ્ફરપુર–સાબરમતી સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસતે જ રીતે મુજફ્ફરપુર–સાબરમતી સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ 20 ડિસેમ્બરથી સવારે 5:53 વાગે કલોલ સ્ટેશન પર આગમન કરીને 5:55 વાગે પ્રસ્થાન કરશે, જ્યારે સાબરમતી–મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાંજે 6:28 વાગે પહોંચશે અને 6:30 વાગે આગળ રવાના થશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 10:15 pm

વડોદરામાં ભેખડની નીચે દટાયેલા યુવકને લોકોએ બહાર કાઢ્યો, VIDEO:પાઈપલાઈન લિકેજની કામગીરી સમયે ભેખડ ધસી પડતાં અફરાતફરી, સારવાર દરમિયાન શ્રમિકનું મોત

વડોદરા શહેરના જવાહરનગર પોલીસ મથક હદ વિસ્તારમાં કરોડિયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે પાઇપલાઇન લિકેજ સમારકામ દરમિયાન કામ કરતા શ્રમિક પર ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં શ્રમિક દટાયો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતા તાત્કાલિક દોડી આવી માટીમાં દબાયેલ યુવકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં શ્રમિક દટાયોવડોદરા નજીક આવેલ કરોડિયા ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સમારકામ દરમ્યાન માટીમાં શ્રમિક ઊંડા ખાડામાં દબાયો હતો. જેને ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ બહાર કાઢી 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડી દીધો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયોમૃતક શ્રમિકનું નામ કાંતિભાઈ ચારેલ (દાહોદ મૂળ, ઉંડેરા તળાવ વડોદરા) હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ શ્રમિક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં આવેલા કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે અને આવતી કાલે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે તપાસ હાથ ધરીઆ ઘટના અંગેની જાણ થતા જવાહરનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી હતી કે કોઈ અન્ય એજન્સી તે બાબતે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં જવાહનગર પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 10:06 pm

મોડાસા મગફળી કેન્દ્ર ગુજરાતમાં બીજા ક્રમે:1200 ખેડૂતને ₹12 કરોડ ચૂકવાયા, મોડેલ કેન્દ્ર બન્યું પ્રેરણારૂપ

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેનું મગફળી ખરીદ કેન્દ્ર ગુજરાતમાં બીજા ક્રમે આવ્યું છે. આ કેન્દ્રને કેન્દ્રીય નોડલ એજન્સીઓ નાફેડ (NAFED) અને એન.સી.સી.એફ. (NCCF) દ્વારા મોડેલ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. ચાલુ સીઝનમાં શરૂ કરાયેલા આ કેન્દ્ર પર પારદર્શક અને આધુનિક વ્યવસ્થા સાથે મગફળીની ખરીદી કરવામાં આવે છે. અહીં સીસીટીવી કેમેરા, ડિજિટલ વજનકાંટા અને ત્વરિત ચુકવણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ આ મોડેલ કેન્દ્રની વ્યવસ્થાને આવકારી છે. ખેડૂતોના મતે, પારદર્શક ખરીદી, ઝડપી ચુકવણી અને યોગ્ય ભાવ મળવાથી તેમને મોટી રાહત મળી છે. આ કેન્દ્ર સ્થાનિક ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્ય સુનિશ્ચિત કરે છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ગુજરાત સરકારનું આ પગલું કૃષિ ક્ષેત્રે રાજ્યને વધુ સશક્ત બનાવવામાં મદદરૂપ થશે. મોડાસા મગફળી ખરીદ કેન્દ્રના નોડલ ઇન્ચાર્જ ભાનુ પટેલના જણાવ્યા અનુસાર, ગત 9મી તારીખથી શરૂ થયેલી ખરીદીમાં અત્યાર સુધીમાં કુલ 1200 ખેડૂતો પાસેથી મગફળી ખરીદીને ₹12 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, અન્ય 300 ખેડૂતો માટે પણ ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મગફળી વેચવા આવતા તમામ ખેડૂતો માટે ચા, પાણી અને બેસવાની વ્યવસ્થા પણ કેન્દ્ર ખાતે કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 10:04 pm

ગોધરા: રાણી મસ્જિદ પાસે વીજપોલ પર શોર્ટ સર્કિટથી આગ:અફરાતફરી મચી, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

ગોધરા શહેરમાં રાણી મસ્જિદ પાસે આવેલા એક વીજપોલ પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગોધરા ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતા જ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વીજપોલ પર લાગેલા પ્લાસ્ટિકના વાયર અને અન્ય સામગ્રી સળગી ઊઠી હતી, જેના કારણે આગ વધુ પ્રસરવા લાગી હતી. સ્થાનિકોએ તાત્કાલિક MGVCLને જાણ કરી હતી, પરંતુ તેમની ટીમ ઘટનાના ઘણા સમય બાદ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન આગ વધુ ભભૂકી ઉઠી હતી. ઘટનાની ગંભીરતા જોતા ગોધરા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં ફાયર એક્સ્ટિંગ્યુસરથી કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો, પરંતુ પ્લાસ્ટિક સામગ્રીને કારણે આગ વધુ પ્રસરતા ટીમે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો, જેના કારણે અંધારપટ છવાઈ ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ વ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ વીજપોલના સમારકામ માટે અગાઉ પણ MGVCLને જાણ કરવામાં આવી હતી, પરંતુ રજૂઆત છતાં કોઈ કામગીરી કરાઈ ન હતી, જેના પરિણામે આજે આગની આ ઘટના બની હતી.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 10:02 pm

ડૉ. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે રવિવારે મહા જળ કળશયાત્રા:ભાદરમાંથી 47 ગામો માટે પાણી છોડવાનું શરૂ, રાજકોટના એડિશનલ કલેક્ટર નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવ

સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછત નિવારવા અને જળ સ્ત્રોતોને પુનજીર્વિત જળસંચયના 1,11,111 જળ સ્ટ્રક્ચર તૈયાર કરવા સંકલ્પબદ્ધ સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કાલે તા.14ના રવિવારે મહા જળકળશ યાત્રા અને મહા જલપૂજનનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.વિખ્યાત કથા મર્મજ્ઞ અને તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે જળસંચય અભિયાનના એક ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દેશની 111 પવિત્ર નદીઓના જલ એકત્ર કરવામાં આવ્યા હતા.આ પવિત્ર જલને કળશમાં ભરીને રાજકોટના જુદા જુદા વિસ્તારો, સોસાયટીઓ, ધર્મસ્થાનકો તેમજ સૌરાષ્ટ્રના ગામે-ગામ પૂજન અને જનજાગૃતિ માટે મોકલવામાં આવ્યા હતા. આ 2100 જેટલા કળશ રવિવારે(14 ડિસેમ્બરે) સવારે પુન: રાજકોટ આવી પહોંચશે. રવિવારના રોજ સવારે 8 કલાકે બહુમાળી ભવન ચોકથી આ મહા જળ કળશયાત્રાનો પ્રારંભ થશે. જે બેન્ડની સુરાવલીઓ સાથે દિવ્ય વાતાવરણમાં જલકથા સ્થળ રેસકોર્સ મેદાન ખાતે પહોંચશે.રેસકોર્સ મેદાનમાં સવારે 9 કલાકે મહા જલપૂજનનો પ્રારંભ થશે. રાજકોટમાં આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે આ મહા જલકળશ યાત્રા અને મહા જલપૂજન વિધિને અનુલક્ષીને જલપ્રેમીઓ અને નગરજનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે. રાજકોટના એડિશનલ કલેક્ટર હવે નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવરાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજકોટ કલેકટર કચેરીના અધિક નિવાસી કલેકટર તરીકે ફરજ બજાવતા આલોક ગૌતમ સહિત છ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે.જેમાં રાજકોટ કલેકટર કચેરીના અધિક કલેકટર આલોક ગૌતમને રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધિક અંગત સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે તેમની સાથે નાયબ સચિવ દિક્ષિત જોષીને પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ તરીકે નિમણુંક આપવામાં આવી છે. ભાદરમાંથી 47 ગામો માટે પાણી છોડવાનું શરૂરાજકોટ સિંચાઈ વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ભાદર-1 ડેમમાંથી આજે સવારથી ખેડૂતો માટે પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે. સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ જેતપુર પાસે આવેલ ભાદર-1 ડેમમાંથી ગોંડલ, જેતપુર, ધોરાજી, જુનાગઢ અને ઉપલેટા તાલુકાના 47 ગામોના ખેડૂતો માટે સિંચાઈનું પાણી આજ સવારથી કેનાલ મારફતે છોડવામાં આવેલ છે. સિંચાઈ વિભાગ દ્વારા ઉપરોકત ગામોને 90 દિવસ સુધી ક્રમશઃ શિયાળુ પાક માટે પાણી આપનાર છે. ઉભા પાક માટે ત્રણ પાણ અને વાવેતર માટે છ પાણ આપવામાં આવશે. અને સિંચાઈના હેતુસર ભાદરમાંથી કુલ 2000 એમસીએફટી જેટલુ પાણી છોડવાનું આયોજન છે. ભાદર ઉપરાંત રાજકોટ જીલ્લાના આજી-2 સહિતના ડેમોમાંથી પણ સિંચાઈનું પાણી છોડવાનું આયોજન છે. વૈષ્ણવજન તો તેને રે કહીયે.. જેવા ભજનોથી રેસકોર્સ રીંગરોડ ગુંજી ઉઠશેરાજકોટની જાણીતી કલા કલેકટીવ ફાઉન્ડેશન અને કલા રાત્રિ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે. જે રેસકોર્સ પાસે આવેલ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી પાસેથી સવારે 7 કલાકે શરૂ થશે. આ કાર્યક્રમ નિઃશુલ્ક રાખેલ છે. આથી રાજકોટના કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે. રેસકોર્સ ફરતે 3 કિ.મી.ની પ્રભાત ફેરી યોજાશે. અંદાજે 200 થી વધુ લોકો જોડાશે.પ્રભાત ફેરી પૂરી થયા બાદ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં આયોજીત રાઈઝિંગ રાજકોટ એક્ઝિબિશનની મુલાકાત લેશે. આ આયોજનમાં RMC અને સ્માર્ટ સીટી જોડાયું છે. મંજીરાં, એક તાર, કરતાલ જેવા વાજિંત્રો ના સથવારે પ્રભાતીયા ગાવામાં આવશે. જેમાં જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જળકમળ છાંડી જા રે, બાળા ! સ્વામી અમારો જાગશે, વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે, વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ જેવા ભજનોથી રેસકોર્સ રીંગરોડ ગુંજી ઉઠશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 9:15 pm

સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટોનો ઉપયોગ કરનાર ગેંગનો પર્દાફાશ:ક્રાઇમ બ્રાન્ચે 2ને દબોચ્યા, ત્રણ મહિનામાં 4.77 કરોડના વ્યવહારો થયા; વિદેશના આકાઓની તપાસ શરૂ

અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટોનો ઉપયોગ કરનાર સાયબર ક્રાઈમ ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. ઓપરેશન મ્યુલ હંટની તપાસ દરમિયાન અમદાવાદ સાયબર સેલ દ્વારા ફ્રોડની ફરિયાદ અને ફ્રોડની રકમ જે ખાતામાં ગઈ હોય તે ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યુ હતું. સમન્વય પોર્ટલના ડેટાનું એનાલિસિસ કરતા ઉત્કર્ષ બેંક એકાઉન્ટ નંબર વિરુદ્ધ પંજાબ અને ગુજરાતમાં 2 ફરિયાદ તેમજ Yash બેંકમાં ગુજરાત, દિલ્હી અને કર્ણાટકમાં ફરિયાદ મળી આવી હતી. જેના ટેકનિકલ એનાલિસીસ દરમિયાન સાયબર સેલ દ્વારા એક ટ્રેડીંગ કંપનીના ઓઢવના રહેવાસી કોટેચા ગીરીશ અને ઠક્કરનગરના રહેવાસી પંચાલ બ્રિજેશને ઝડપી પાડ્યો છે. આરોપીઓના ખાતામાં છેલ્લા ત્રણ મહિનામાં 4.77 કરોડ રૂપિયાના વ્યવહારો પણ મળી આવ્યાં હતાં. કમિશનની લાલચમાં આરોપીઓ સાયબર ફ્રોડના નેટવર્કમાં જોડાયાપોલીસે બંને બેંક એકાઉન્ટ હોલ્ડરની પુછપરછ કરતા તેમના સંયુક્ત પાર્ટનરશીપમાં તથા વ્યક્તિગત 12 જેટલા બેંક ખાતાની 22 જેટલી સાયબર ક્રાઇમની ફરીયાદ અલગ અલગ રાજ્યોમાં નોંધાઇ હોવાનું સામે આવ્યુ છે. આરોપીઓની વધુ તપાસ દરમિયાન પોલીસને 57 ચેકબુક, 4 પાસબુક, 15 ચેક, 17 મોબાઈલ ફોન, 40 ડેબીટ/ક્રેડીટ કાર્ડ, લેપટોપ, UPI સ્કેનર, POS મશીન 9 સીમકાર્ડ મળી આવ્યા છે. આરોપી ગીરીશ કોટેચાએ માત્ર ધો. 9 જ્યારે બ્રિજેશ પંચાલે ધો. સુધીનો અભ્યાસ કર્યો છે અને કમિશનની લાલચમાં આરોપીઓએ સાયબર ફ્રોડના નેટવર્કમાં જોડાઇને આ ખેલ શરૂ કર્યા હતા. ક્યુઆર કોડ સ્કેન કરાવીને રુપિયાનું ટ્રાન્જેક્શન કરાવતા હતાએપ્લીકેશનથી નાણાં આવતા અને ખાતામાં મેળવતા હતા. આ બંને આરોપીઓની સાથે અન્ય આરોપીઓની પણ સંડોવણી છે. મુખ્ય આરોપીઓ એપ્લીકેશન બનાવીને તેમાં ડીપોઝીટ ઓપ્શન પર ક્લીક કરીને ક્યુઆર કોડ જનરેટ કરે છે. જેને સ્કેન કરાવીને રુપિયાનું ટ્રાન્જેક્શન કરાવતા હતા. એપ્લીકેશનમાં જે રૂપિયા આવે તેના માટે પકડાયેલા બંને આરોપીઓ બેંક ખાતા પૂરા પાડતા હતા. અલગ અલગ રાજ્યમાં 108 સાયબર ફ્રોડની ફરીયાદોજુદા જુદા રાજ્યોમાં 100થી વધુ ફરિયાદ નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓની તપાસ દરમિયાન કુલ 60 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવેલાનું સામે આવ્યુ છે. તેમાંથી 21 બેન્ક એકાઉન્ટો ઉપર જુદા જુદા રાજ્યોમાં કુલ 108 સાયબર ફ્રોડની ફરીયાદો નોંધાઇ છે. આરોપીઓની સાથે સાથે હવે પોલીસે વિદેશમાં બેઠેલા તેમના આકાઓની ચેઇન તોડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં મ્યુલ એકાઉન્ટની 35 ફરિયાદ નોંધાઈમ્યુલ એકાઉન્ટને લઈને પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 35 ફરિયાદ નોંધવામાં આવી છે. સાયબર ફ્રોડની ફરિયાદ નોંધીને તપાસ દરમિયાન જે જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હોય તે ખાતાની માહિતી એકઠી કરવામાં આવી હતી. બેંક એકાઉન્ટ હોલ્ડ્રી, એકાઉન્ટ ભાડે આપનાર, એજન્ટ સહિતના લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જે બાદ પુરાવાના આધારે ફરિયાદ નોંધવાની શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન હેઠળ સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી 35 ફરિયાદ નોંધવામાં આવી છે. દુબઈ, કંબોડિયા જેવા દેશોથી મ્યુલ એકાઉન્ટનો ઉપયોગમ્યુલ એકાઉન્ટનો ઉપયોગ દુબઈ, કંબોડિયા જેવા દેશમાં બેસીને સાઇબર માફિયાઓ કરે છે. સાયબર માફીઓ દ્વારા દેશના લોકો સાથે ડિજિટલ એરેસ્ટના રોકાણના નામે ફ્રોડ અને ગેમ્બલિંગના નાણા ટ્રાન્સફર કરવા માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આરોપીઓ વિદેશમાં બેઠા બેઠા ભારતના મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરે છે. એજન્ટ મારફતે બેન્ક એકાઉન્ટ ભાડે મેળવ્યા બાદ એજન્ટને કમિશન આપવામાં આવે છે. એજન્ટ દ્વારા એકાઉન્ટ હોલ્ડરને કમિશન આપી એકાઉન્ટ મેળવી લેવામાં આવે છે. હજુ મ્યુલ એકાઉન્ટની ડ્રાઇવ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 9:05 pm

ગાંધીનગર જિલ્લા કોર્ટમાં નેશનલ લોક અદાલત યોજાઈ:એક જ દિવસમાં 18,692 કેસનો સુખદ સમાધાનથી નિકાલ કરાયો, 2 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું

ગાંધીનગર જિલ્લા કોર્ટે આજે યોજાયેલી નેશનલ લોક અદાલતમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાની અદાલતોમાં કુલ 18,692 કેસોનો સુખદ સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો છે. જેના પગલે જિલ્લા અદાલતમાં પેન્ડિંગ કેસોનો બોજ નોંધપાત્ર રીતે હળવો થયો છે. સમાધાન લાયક કેસોનો નિકાલ કરાયોજિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ આશિષ જે.એસ. મલ્હોત્રાની અધ્યક્ષતા હેઠળ આયોજિત આ અદાલતમાં ચેક રીટર્ન, મોટર અકસ્માત વળતર, ફોજદારી અને પ્રિ-લીટીગેશન સહિતના વિવિધ સમાધાન લાયક કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના તમામ બાર એસોસિયેશનનો સહકાર મળ્યો હતો. ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ એચ.એમ.પવારે પણ લોક અદાલત દરમિયાન ખાસ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મોટર અકસ્માતના 98 કેસનો સુખદ સમાધાનલોક અદાલતની સૌથી મોટી સિદ્ધિમાં મોટર અકસ્માત વળતરના કેસોનો સમાવેશ થાય છે. મોટર અકસ્માતના 98 કેસનો સુખદ સમાધાનથી નિકાલ કરીને પીડિતોને કુલ રૂ. 1,98,530 નું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રિ-લીટીગેશનના 15,322 કેસ અને સ્પેશ્યલ સીટિંગમાં 2520 ફોજદારી કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. ચેક રીટર્નની 274 અપીલમાંથી 39માં પક્ષકારો વચ્ચે સમાધાનએજ રીતે ચેક રીટર્નની 274 અપીલમાંથી 39 અપીલોમાં પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. આ લોક અદાલતમાં વર્ષ 2020ના એક મોટર અકસ્માત વળતર કેસમાં કોર્ટની બેન્ચના અથાગ પ્રયાસોથી વીમા કંપની શ્રી રામ જનરલ ફાઇનાન્સ દ્વારા અરજદારના વારસોને કુલ રૂા. 45 લાખનો ચેક વળતર તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 8:49 pm

કલોલના નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરીને ઠગે 47 લાખ પડાવ્યા:ઠગ ટોળકીએ CBI-EDના નામે ડરાવ્યા, બેંક મેનેજરની સતર્કતાથી બીજા ટ્રાન્સફરનો પ્રયાસ નિષ્ફળ

ગાંધીનગરમાં નિવૃત્ત જીવન જીવતા એક શિક્ષિકાને મહાઠગોએ ડિજિટલ એરેસ્ટ અને મની લોન્ડરિંગના ખોટા કેસનો ડર બતાવીને ખાતામાંથી કુલ 47 લાખની મોટી રકમ પડાવી લીધાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે સિમકાર્ડ ખરીદાયાની ઠગે વૃદ્ધ મહિલાને ધમકી આપીકલોલમાં રહેતાં 63 વર્ષીય મહિલાને ત્રીજી ડિસેમ્બરના રોજ પહેલો કોલ આવ્યો હતો, જેમાં ઠગે પોતાને દૂરસંચાર વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી તેમના આધાર કાર્ડ પર મુંબઈમાં ગેરકાયદેસર સિમકાર્ડ ખરીદાયાની ધમકી આપી હતી. ઠગે ED એરેસ્ટ ઓર્ડર અને સુપ્રીમ કોર્ટના નકલી લેટરો વોટ્સએપ પર મોકલ્યાઆ પછી કોલરોએ પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના IPS અધિકારીઓ અને CBI ડાયરેક્ટર તરીકે ઓળખાવ્યા હતાં. તેમણે નિવૃત્ત શિક્ષિકાને ડરાવવા માટે 'નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસ' માં સસ્પેક્ટ હોવાનું જણાવી ED એરેસ્ટ ઓર્ડર અને સુપ્રીમ કોર્ટના નકલી લેટરો વોટ્સએપ પર મોકલ્યા હતા. નિવૃત શિક્ષિકાને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યાબાદમાં મહાઠગોએ વીડિયો કોલ દ્વારા નકલી CBI અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહી પણ કરીને નિવૃત શિક્ષિકાને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા હતા. અને ડિજિટલ ધરપકડનો હાઉ ઉભો કરી પૈસા અને ગુનેગારના પૈસા મેચ કરીને વેરીફિકેશન કરવાનું છે અને RBI દ્વારા રકમ પરત કરવામાં આવશે તેમ કહેવાયું હતું. 47 લાખ RTGS મારફતે ટ્રાન્સફર કર્યાજેના પગલે 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ નિવૃત શિક્ષિકાએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના પોતાના ખાતામાંથી 47 લાખ RTGS મારફતે ઠગ દ્વારા અપાયેલા ICICI બેંકના અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં ઠગોએ તમામ FD ક્લોઝ કરાવીને બીજા ICICI બેંક ખાતામાં 1.50 કરોડ ટ્રાન્સફર સૂચના આપી હતી. મેનેજરને શંકા ગઈ ને ડિજિટલ એરેસ્ટ વિશે મહિલાને માહિતગાર કર્યાઆથી 8મી ડિસેમ્બરે ઉર્મિલાબેન જ્યારે ક્લોઝ કરેલી FDની રકમ ટ્રાન્સફર કરાવવા કલોલ બ્રાન્ચના મેનેજરનો સંપર્ક કર્યો હતો. ત્યારે મેનેજરે આટલી મોટી રકમ ટ્રાન્સફર કરવા અંગે શંકા વ્યક્ત કરી અને દેશમાં ચાલી રહેલા ડિજિટલ એરેસ્ટ ફ્રોડ વિશે તેમને માહિતગાર કર્યા હતા. ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ ગૂનો નોંધ્યોઆમ મેનેજરની ચેતવણીથી નિવૃત શિક્ષિકાને પોતે સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાની જાણ થઈ હતી. આ મામલે નિવૃત્ત શિક્ષિકાએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ આપતા ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં ગૂનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 8:42 pm

આરોગ્ય સચિવે હિંમતનગર સિવિલની મુલાકાત લીધી:રોગી કલ્યાણ બેઠકમાં અદ્યતન મશીનરી ખરીદવા મંજૂરી અપાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલની આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું અને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજી હતી. બેઠકમાં હોસ્પિટલ માટે અધતન મશીનરી ખરીદવા મંજૂરી આપવામાં આવી હતી.શનિવારે, અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ હોસ્પિટલના ઓપીડી, ઓપરેશન થિયેટર, ICU વિભાગ, ટ્રોમા સેન્ટર અને લેબર રૂમ સહિતના જુદા જુદા વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે તબીબો સાથે દર્દીઓની સારવાર અને સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. સાબરકાંઠા જિલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લાના દર્દીઓને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવા માટે વિવિધ આધુનિક મશીનરી ખરીદવા મંજૂરી અપાઈ હતી. જેમાં સોનોગ્રાફી ડોપ્લર, રેડિયોલોજી વિભાગ માટે એક્સ-રે ડિજિટલ રેડિયોગ્રાફી, પોર્ટેબલ એક્સ-રે, લેપ્રોસ્કોપી, બ્લડ બેંક માટે એટી અને આંખ વિભાગ માટે ફેકો મશીન સહિતની મશીનરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સિવિલના તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી રચનાત્મક સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાંદુ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ધારાસભ્ય વી.ડી. ઝાલા, પુસરી સરપંચ નરેન્દ્રભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. આશિષ કટારકર, ડૉ. પરેશ શીલાદરીયા અને RMO ડૉ. વિપુલ જાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 8:38 pm

જુનાગઢ જિલ્લામાંથી ₹24.50 લાખના ફ્રોડનો પર્દાફાશ:​સાયબર ગેંગનો પર્દાફાશ: રોકાણ અને નોકરીની લાલચે દેશભરના નાગરિકોને છેતરનાર બે મ્યુલ એકાઉન્ટ ઓપરેટરોની જુનાગઢમાંથી ધરપકડ

​જુનાગઢ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ સેલે સાયબર ફ્રોડની ઘટનાઓમાં વપરાતા મ્યુલ (Mule) બેંક એકાઉન્ટ ઓપરેટરો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ બી ડિવિઝન અને વંથલી પોલીસ સ્ટેશનની સંયુક્ત કામગીરીમાં કુલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમણે દેશના વિવિધ રાજ્યોના નાગરિકોને રોકાણ, શેર બજાર અને નોકરીની લાલચ આપીને છેતરીને મેળવેલા કુલ ₹24,50,418 ની માતબર રકમ પોતાના એકાઉન્ટ દ્વારા જમા કરાવીને તાત્કાલિક સગેવગે કરી દીધી હતી. ​આ સમગ્ર કાર્યવાહી ભારત સરકારના NCCRP પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના આધારે કરવામાં આવી છે. પોલીસ સમન્વય પોર્ટલ (JMIS) અને NCCRP પોર્ટલના માધ્યમથી સાયબર ક્રાઇમ સેલને લેયર વાઇઝ ડિટેઇલ મળી હતી, જેના આધારે જુનાગઢ જિલ્લાના કેટલાક શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સની માહિતી મળી. C-ડિવિઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ બાવનજીભાઇ હુણ અને વંથલી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. રામભાઈ મેસુરભાઈ ગરચર દ્વારા આ બંને કેસમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ​સાયબર ફ્રોડની મોડસ ઓપરેન્ડી મુજબ, જ્યારે નાગરિકો છેતરાય ત્યારે તેઓ સાયબર હેલ્પલાઇન નં.1930 પર કોલ કરીને ઓનલાઈન ફરિયાદ નોંધાવે છે. આ ફરિયાદોના આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા નાણાં કયા શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં જમા થયા છે તેની તપાસ કરવામાં આવે છે, જે 'મ્યુલ એકાઉન્ટ્સ' તરીકે ઓળખાય છે. આ બંને આરોપીઓના એકાઉન્ટ્સનો ઉપયોગ માત્ર ફ્રોડથી મેળવેલી રકમ જમા કરાવવા અને બદઈરાદાથી ઉપાડી લેવા માટે કરવામાં આવ્યો હતો. ​જુનાગઢ શહેર બી-ડિવિઝન પોલીસે આરોપી અભય ધીરુ પરસાણિયાના નામે ચાલી રહેલા મ્યુલ એકાઉન્ટનો પર્દાફાશ કર્યો છે. અભય પરસાણિયાનું એકાઉન્ટ એસ.બી.આઈ. બેંક, જોષીપરા શાખામાં આવેલું છે.આ એકાઉન્ટમાં રોકાણની લાલચ સંબંધિત કુલ બે સાયબર ફ્રોડની ફરિયાદોની રકમ જમા થઈ હતી. ગુજરાતના ભોગ બનનાર યોગેશ જે. દેસાઈ પાસેથી ₹5,00,000 અને તેલંગાણાના ભોગ બનનાર બંડારી રાજાઇયા પાસેથી ₹ 4,00,000 જમા થયા હતા.આમ અભય પરસાણિયાના એકાઉન્ટમાંથી કુલ ₹9,00,000 ની રકમ બદઈરાદાથી ઉપાડીને સગેવગે કરવામાં આવી હતી. વંથલી પોલીસે બીજા મોટા કેસમાં આરોપી રવિ રાણાભાઈ સુત્રેજા જે ધંધુસરનો રહેવાસી છે જેના નામે ચાલી રહેલા કુલ બે મ્યુલ એકાઉન્ટ્સને ઝડપી પાડ્યા છે. રવિ સુત્રેજાના બંને એકાઉન્ટ્સ (એસ.બી.આઈ. બેંક, ધંધુસર શાખા અને બેંક ઓફ મહારાષ્ટ્ર, રાણાવાવ ચોક શાખા) માં NCCRP પોર્ટલ પર કુલ 9 ફરિયાદોની રકમ જમા થઈ હતી, જે રોકાણ, નોકરી અને અન્ય લાલચો સંબંધિત હતી. ​રવિ સુત્રેજાના એસ.બી.આઈ. એકાઉન્ટમાં ગુજરાતના યોગેશ જે. દેસાઈની એક ફરિયાદના ₹7,50,000 જમા થયા હતા. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં 8 ફરિયાદોની રકમ જમા થઈ હતી, જેના ભોગ બનનાર દેશના વિવિધ રાજ્યોમાંથી હતા. આ ભોગ બનનાર પૈકી જામનગર તમિલનાડુ માં નોકરીની લાલચ આપી, ઉત્તર પ્રદેશ, દિલ્હી (ઇન્ટરનેટ બેન્કિંગ ફ્રોડ), મહારાષ્ટ્ર (ટેલિગ્રામ દ્વારા રોકાણ) અને ઉત્તરાખંડના નાગરિકોનો સમાવેશ થાય છે.બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં ₹8,00,418 ની રકમ જમા થઈ હતી, આમ રવિ સુત્રેજાના બંને એકાઉન્ટ્સમાંથી કુલ ₹15,50,418 ની ફ્રોડથી મેળવેલી રકમ સગેવગે કરવામાં આવી હતી. જુનાગઢ પોલીસે આ બંને કેસમાં સંડોવાયેલા મ્યુલ એકાઉન્ટ ધારકો દ્વારા કુલ ₹9,00,000 અને ₹15,50,418 મળીને કુલ ₹24,50,418 ની રકમનો ફ્રોડ ઝડપી પાડ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને આરોપીઓ અભય ધીરુ પરસાણિયા અને રવિ રાણાભાઈ સુત્રેજાએ પોતાના બેંક એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થતા હોવાનું જાણવા છતાં, ગુનાહિત ઈરાદાથી આ રકમને ઉપાડીને પોતાના આર્થિક ફાયદા માટે વાપરી હતી. ​પોલીસે બંને આરોપીઓ અને આ ગુનાઓમાં સંડોવાયેલા અન્ય ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 317(2), 317(4) અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં NCCRP પોર્ટલના ભોગ બનનાર અરજદારો અને પોલીસ સ્ટેશનના આઈ.ટી. એક્સપર્ટને સાક્ષી તરીકે રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે તમામ નાગરિકોને અજાણી લાલચમાં ન ફસાવા અને કોઈપણ સંજોગોમાં પોતાના બેંક એકાઉન્ટની વિગતો અન્ય કોઈને ન આપવા માટે અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 8:36 pm

સુરત શહેર કોંગ્રેસનું જમ્બો સંગઠન જાહેર, 20 ઉપપ્રમુખ નિમાયા:35 મહામંત્રી, 66 મંત્રીઓની નિમણૂક, પાટીદાર કાર્ડ અને હોદ્દેદારોની લહાણી સાથે મનપાની ચૂંટણીના શ્રીગણેશ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સુરત શહેર કોંગ્રેસ સમિતિના નવા સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ વખતે અત્યંત વિશાળ અને જ્ઞાતિ આધારિત સંતુલન જાળવતું માળખું મેદાનમાં ઉતાર્યું છે. નવા સંગઠનમાં સંગઠન મહામંત્રી તરીકે રોહિત સાવલિયા અને ખજાનચી તરીકે રવીન્દ્ર પટેલ તેમજ નિર્વ રાણાની વરણી કરવામાં આવી છે. આ નિમણૂકો સાથે જ કોંગ્રેસે શહેરમાં પોતાની સક્રિયતા વધારવાના સંકેત આપી દીધા છે. કોંગ્રેસે કોઈને નારાજ ન કરવાની નીતિ અપનાવીઆ નવા માળખાની સૌથી મહત્વની બાબત તેમાં હોદ્દેદારોની સંખ્યા છે. કોંગ્રેસે કોઈને નારાજ ન કરવાની નીતિ અપનાવી હોય તેમ 20 જેટલા ઉપપ્રમુખની નિમણૂક કરી છે. 35 મહામંત્રીઓ અને 66 મંત્રીઓની જંગી ફોજઆ ઉપરાંત, સંગઠનને મજબૂત કરવા માટે 35 મહામંત્રીઓ અને 66 મંત્રીઓની જંગી ફોજ ઉતારવામાં આવી છે. કારોબારી સમિતિમાં પણ 22 સભ્યોનો સમાવેશ કરાયો છે, જ્યારે પક્ષનો પક્ષ મજબૂતીથી રાખવા માટે 5 પ્રવક્તાઓ નિમણૂક પામ્યા છે. આટલી મોટી સંખ્યામાં હોદ્દેદારોની નિમણૂક પાછળ પક્ષનો ઉદ્દેશ્ય શહેરના દરેક વોર્ડ અને વિસ્તાર સુધી પહોંચવાનો હોવાનું જણાય છે. કોંગ્રેસે અઢી ગણી મોટી 'બ્રિગેડ' તૈયાર કરીરાજકીય વિશ્લેષકો આ માળખાને ભાજપના વર્તમાન માળખા સાથે સરખાવી રહ્યા છે. ભાજપમાં હાલમાં સામાન્ય રીતે 8 ઉપપ્રમુખ અને 8 મહામંત્રી હોય છે, જેની સરખામણીએ કોંગ્રેસે અઢી ગણી મોટી 'બ્રિગેડ' તૈયાર કરી છે. ભાજપનું નવું માળખું હજુ જાહેર થવાનું બાકી છે, ત્યારે કોંગ્રેસે આક્રમક સંખ્યાબળ બતાવીને ભાજપ સામે મનોવૈજ્ઞાનિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. પાટીદારોને માળખામાં વિશેષ સ્થાનખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોતાનો ગઢ મજબૂત કરવા માટે પાટીદારોને આ માળખામાં વિશેષ સ્થાન અને મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે. એન્ટી-ઇન્કમ્બન્સીનો લાભ ખાટવા કોંગ્રેસની મથામણસુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસનું આ 'મેગા લિસ્ટ' જ્ઞાતિવાદના સમીકરણો સાધવા માટેનું મોટું કદમ માનવામાં આવે છે. દરેક જ્ઞાતિના ચહેરાઓને સ્થાન આપીને એન્ટી-ઇન્કમ્બન્સીનો લાભ ખાટવા કોંગ્રેસ મથામણ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે સંખ્યાબળની દ્રષ્ટિએ આટલું મોટું માળખું મેદાનમાં ઉતાર્યા બાદ, કોંગ્રેસના આ કાર્યકરો જમીની સ્તર પર ભાજપના સંગઠિત માળખાને કેટલી ટક્કર આપી શકે છે અને પાટીદારોના મતો મેળવવામાં કેટલા સફળ રહે છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 8:29 pm

ભરૂચમાં બાંગ્લાદેશી દેહવ્યાપાર રેકેટ ઝડપાયું:મુખ્ય એજન્ટ સહિત 4 ઝડપાયા, 12 બાંગ્લાદેશી અને 2 પશ્ચિમ બંગાળ સહિત કુલ 14 મહિલાઓનું રેસ્ક્યુ

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા બાંગ્લાદેશથી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહવ્યાપારમાં ધકેલતા એક મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બાંગ્લાદેશી મુખ્ય એજન્ટ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 12 બાંગ્લાદેશી અને 2 પશ્ચિમ બંગાળની મહિલાઓ સહિત કુલ 14 મહિલાઓને દેહવ્યાપારના ચુંગાલમાંથી મુક્ત કરાવી છે. LCB અને SOGની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસને ખાનગી માહિતી મળી હતી કે ભરૂચ શહેરના જંબુસર બાયપાસ નજીક અલફારૂક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૂક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ આ રેકેટ ચલાવી રહ્યો છે. તે બાંગ્લાદેશની આર્થિક રીતે નબળી મહિલાઓને ઘરકામ અને બ્યુટી પાર્લરમાં નોકરીની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવતો હતો અને તેમને દેહવ્યાપારમાં ધકેલતો હતો. ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, માહિતીના આધારે LCB અને SOGની સંયુક્ત ટીમે અલફારૂક પાર્ક સોસાયટીમાં રેડ કરી મુખ્ય એજન્ટ ફારૂક શેખને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં ખુલાસો થયો કે તેણે છેલ્લા દસ વર્ષથી ખોટા દસ્તાવેજોના આધારે ગુજરાતમાં વસવાટ કર્યો હતો. તેણે અત્યાર સુધીમાં અંદાજે 60 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને ભારતમાં લાવી હતી, જેમાંથી કેટલીકને ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં અન્ય એજન્ટોને સોંપી દેવામાં આવી હતી. ફારૂક શેખે કબૂલ્યું હતું કે તેણે હાલમાં ભરૂચ અને અંકલેશ્વરમાં અલગ-અલગ સ્પા અને ગેસ્ટહાઉસમાં મહિલાઓને સેક્સ વર્કર તરીકે મોકલી હતી. આ કબૂલાતના આધારે LCB અને SOGની ત્રણ અલગ-અલગ ટીમોએ ભરૂચ અને અંકલેશ્વરના ત્રણ સ્પા અને એક ગેસ્ટહાઉસમાં રેડ કરી કુલ 10 મહિલાઓને બચાવી હતી. અગાઉ મળી આવેલી મહિલાઓ સહિત કુલ 14 મહિલાઓને આ ઓપરેશનમાં મુક્ત કરાવવામાં આવી છે. મુક્ત કરાયેલી મહિલાઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ રોજગારની આશાએ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવી હતી. જોકે, એજન્ટે તેમને કોઈ નોકરી ન આપી દેહવ્યાપારમાં ધકેલી દીધી હતી. આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 5 મોબાઇલ ફોન (કિંમત રૂ. 65,000), બાંગ્લાદેશ નેશનલ આઈડી કાર્ડની નકલ સહિત દેહવ્યાપાર સાથે સંબંધિત સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ચારેય આરોપીઓ વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટ-1956, ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ-2025 તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 8:06 pm

શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પર બે શખસનો હુમલો:રહીશાબેન શેઠને પોલીસની બાતમીદાર કહી લાફો માર્યો; ‘આ વખતે તો તું બચી ગઈ, બીજી વાર નહિ બચે’ કહી ઘમકી આપી

સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને જાણીતા સામાજિક કાર્યકર રહીશાબેન શેઠ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી રાજકીય આલમમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ મામલે સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં ચાર શખસ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. શું છે સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, રહીશાબેન શેઠ જ્યારે રાત્રિના સમયે પોતાના ઘર પાસે ઊભા હતા, ત્યારે સ્થાનિક અસામાજિક તત્વોએ તેમને નિશાન બનાવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરીફ ઉર્ફે આરો, ગુડ્ડી ઉર્ફે સરફરાજ અને અન્ય બે અજાણ્યા શખસે રહીશાબેન સાથે બોલાચાલી શરૂ કરી હતી. આરોપીઓએ રહીશાબેન પર પોલીસ બાતમીદાર હોવાનો આક્ષેપ મૂકી જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી. એક શખસે મહિલાને લાફો મારી લીધોહુમલાખોરો પૈકી ગુડ્ડી ઉર્ફે સરફરાજે રહીશાબેન પર હુમલો કરી તેમને લાફો મારી દીધો હતો. આ દરમિયાન આસપાસના લોકો દોડી આવતા રહીશાબેનનો બચાવ થયો હતો. જોકે, હુમલાખોરોએ જતાં-જતાં ધમકી આપી હતી કે, આ વખતે તો તું બચી ગઈ છે, પણ બીજી વાર મળીશ તો જાનથી મારી નાખીશું. નશીલા પદાર્થના વેચાણનો વિરોધ કરતા હુમલો કરાયાનો આક્ષેપકોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રહીશાબેન લાંબા સમયથી વિસ્તારમાં ચાલતા નશીલા સીરપ અને દારૂના વેચાણ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આરોપી આરીફ નશાકારક વસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલો હોવાની આશંકા છે. અસામાજિક તત્વોને ભય છે કે, રહીશાબેનની સક્રિયતાને કારણે પોલીસ જનતા રેડ કરશે અને તેમનો કાળો કારોબાર બંધ થઈ જશે. યુવાધનને બચાવવા માટે કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓથી વિચલિત થઈને આ હુમલો કરાયો હોવાનું મનાય છે. અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર નહિરહીશાબેન શેઠે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ સામાજિક કાર્યકર તરીકે ફરજ બજાવે છે અને આ હુમલો તેમની અવાજ દબાવવાનો એક પ્રયાસ છે. તેઓએ જણાવ્યું હતું કે, મેં ગાળાગાળી કરવાની ના પાડી તો તેઓ વધુ ઉશ્કેરાયા હતા. અસામાજિક તત્વોના મનમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. હાલમાં પોલીસે આરીફ ઉર્ફે આરો અયુબ મલીક અને ગુડ્ડી ઉર્ફે સરફરાજ સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શહેર કોંગ્રેસે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 8:01 pm

વાપીમાં રૂ.11.73 કરોડના 4 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત:શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ નેશનલ હાઇવે 48 પર કામો શરૂ કરાવ્યા

શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપી ખાતે નેશનલ હાઇવે નં. 48 પર ₹11.73 કરોડના કુલ ચાર વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. આ કામો વાપી નિર્દિષ્ટ વિસ્તાર દ્વારા સર્વગ્રાહી યોજના હેઠળ હાથ ધરવામાં આવશે. આ વિકાસકાર્યોમાં નેશનલ હાઇવે નં. 48 પર બલીઠા, ગુંજન, જીઆઇડીસી ચાર રસ્તા અને યુપીએલ બ્રિજ નીચે પેવર બ્લોકનું કામ સામેલ છે. ઉપરાંત, વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક પાસે રોડ પહોળો કરવાની અને ગટરની કામગીરી પણ કરાશે. ગુંજન અને જીઆઇડીસી ચાર રસ્તા ખાતે બ્રિજ નીચે પાર્કિંગ ડેવલપમેન્ટનો પણ સમાવેશ થાય છે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વાપી મહાનગરપાલિકા બન્યા બાદ અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. 180 બેડની હોસ્પિટલ પણ તૈયાર થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે, હાઇવે પર પાર નદીથી દમણગંગા નદી સુધી વૃક્ષારોપણ કરવામાં આવશે અને સદભાવના ફાઉન્ડેશન સાથે મળીને 5 વર્ષ સુધી તેનું જતન કરાશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ₹160 કરોડના ખર્ચે વિયરની સાથે રિવરફ્રન્ટનું પણ નિર્માણ કરાશે. વાપી શહેરના તમામ રસ્તાઓનું કામ માત્ર 2 મહિનામાં પૂર્ણ કરાશે, તેમજ બલીઠા અન્ડરપાસ સહિતના કામો પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. તેમણે નાગરિકોના સહયોગથી શહેરમાં અને જીઆઇડીસી વિસ્તારમાં થઈ રહેલી સફાઈ કામગીરીની પણ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સતિષભાઈ પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે વાપી નોટિફાઇડ બોર્ડના ચેરમેન યોગેશભાઈ કાબરીયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ, નોટિફાઇડ એરિયા પ્રમુખ મનીષભાઈ, નોટિફાઇડ એરિયા ચીફ ઓફિસર મહેશભાઈ કોઠારી, નોટિફાઇડ બોર્ડના પદાધિકારીઓ, એડવાઇઝરી બોર્ડના મેમ્બર્સ સહિત મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:57 pm

દાંતાના પાડલીયા ગામમાં પોલીસ-ફોરેસ્ટ ટીમ પર પથ્થરમારો:વન વિભાગની જમીનના વિવાદે ઉગ્ર સ્વરૂપ લીધું; 35 જવાન ઘાયલ, વાહનો સળગાવ્યા, PI ગંભીર

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં આજે (13 ડિસેમ્બર) બપોર બાદ વન વિભાગની જમીનના લાંબા સમયથી ચાલતા વિવાદને લઈને પરિસ્થિતિ અચાનક અત્યંત તંગ બની ગઈ હતી. વન વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ પર સ્થાનિકોના ઉશ્કેરાયેલા ટોળાએ ભીષણ પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કુલ 35 કર્મચારી અને અધિકારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, પાડલીયા ગામમાં વન વિભાગની જગ્યાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદના સમાધાન કે કાર્યવાહી માટે જ્યારે પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમ ગામમાં હાજર હતી, ત્યારે અચાનક સ્થાનિકોનું એક મોટું ટોળું ધસી આવ્યું હતું અને ટીમને ઘેરી લઈને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક અનેક ટીયર ગેસના સેલ છોડ્યા હતા, પરંતુ ટીયર ગેસ છોડ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી અને ટોળું વધુ આક્રમક બન્યું હતું. PI સહિત 35 જવાન ઘાયલઆ ભીષણ પથ્થરમારામાં પોલીસજવાનો અને અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સૌથી ગંભીર ઇજા અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) આર.બી. ગોહિલને થઈ હતી. તેમની હાલત નાજુક બનતા LCB દ્વારા સારવાર માટે તાત્કાલિક પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા. ઘટનામાં ઘાયલ થયેલા ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગના તમામ 35 ઇજાગ્રસ્ત અધિકારી અને કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે અંબાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસના વાહનોને આગ ચાંપીહુમલા દરમિયાન, ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અને ફોરેસ્ટ વિભાગની કેટલીક સરકારી ગાડીઓને પણ નિશાન બનાવી હતી. પથ્થરમારાં દરમ્યાન આ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ બનાસકાંઠાના ડીસીએફ (નાયબ વન સંરક્ષક) તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઘાયલોની ખબર અંતર પૂછી હતી. હાલમાં પાડલીયા ગામમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે અને ભારે અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. પોલીસે હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:55 pm

પાટણમાં 18થી 20 ડિસેમ્બર સશક્ત નારી મેળાનું આયોજન:કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરાઈ

પાટણ ખાતે 18 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાનાર સશક્ત નારી મેળા–2024ના આયોજન અંગે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં મેળાના સુવ્યવસ્થિત આયોજન માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓને તેમની જવાબદારીઓ સુનિશ્ચિત કરવા પણ સૂચના અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સ્તરે 11 થી 23 ડિસેમ્બર દરમિયાન સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 11 ડિસેમ્બર, 2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વદેશી અભિયાન અંતર્ગત આ મેળાનું આયોજન કરાયું છે. પ્રગતિ મેદાન, ગુંગડી રોડ ખાતે 18, 19 અને 20 ડિસેમ્બર એમ ત્રણ દિવસ માટે આ મેળો યોજાશે. મેળામાં કુલ 100 સ્ટોલ ઉભા કરવામાં આવશે, જેમાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ થશે. આ સશક્ત નારી મેળા–2024 પાટણ જિલ્લાની મહિલા શક્તિને ઉજાગર કરવા અને ગામથી શહેર સુધી મહિલાઓની વિકાસયાત્રાને ગતિ આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ બનશે. આ મેળો મહિલાઓની આત્મનિર્ભરતા, આર્થિક સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાને વધુ પ્રોત્સાહન આપશે. રાજ્ય સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો (SHGs), મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ સહિત વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓના યોગદાનને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ મેળા દ્વારા પાયાના સ્તરે થઈ રહેલા પરિવર્તનકારી બદલાવને ઉજાગર કરી મહિલાઓને નવી તકો પૂરી પાડવામાં આવશે. મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર આધારિત આ જિલ્લા-સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને મજબૂત બનાવશે. તે રાજ્ય સહિત પાટણ જિલ્લાની હજારો મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ નિયામક આર.કે. મકવાણા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:53 pm

સ્મશાનના નિયમોથી અજાણ ડાઘુઓ પરેશાન થયા:ઉમરા સ્મશાન ગૃહ પરથી અંતિમવિધી ન થતાં મૃતદેહ હોસ્પિટલ લઈ જવો પડ્યો

સુરત શહેરના પાંડેસરામાં વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. મહિલાના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે પરિવારજનો દ્વારા તેના મૃતદેહને અંતિમસંસ્કાર માટે ઉમરા સ્મશાનભૂમિ ખાતે લઇ જવામાં આવ્યું હતું ,પરંતુ મૃત્યુના પ્રમાણપત્ર સહીત જરૂરી કાગળિયાં નહીં હોવાને લીધે ત્યાં અંતિમવિધિ થઇ નહીં શકી હતી.જેને કારણે મહિલાના મૃતદેહને અર્થી સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી હતી. બીજી બાજુ અર્થી સાથે મૃતદેહ જોઈને હોસ્પિટલમાં ડોકટર સહિતનો સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાય ગયો હતો. જોકે અહીં મહિલાને મૃત જાહેર કર્યા બાદ જરૂરી કાગળો આપવામાં આવતા અંતિવિધિ માટે ફરીથી મૃતદેહ લઇ જવામાં આવ્યું હતું. મૃતદેહને ઉમરા સ્મશનભૂમિ ખાતે લઇ જવામાં આવ્યો હતોમળતી માહિતી પ્રમાણે, પાંડેસરા ખાતે આવેલ શિવમનગરમાં રહેતા 55 વર્ષીય સુનિતાદેવી વૃજનંદન તાંતીને પેરાલીસીસ સહિતની બીમારીઓ હતી. દરમિયાન સવારે 10 વાગ્યાના સુમારે ઘરે જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું. તેમના મોતને પગલે એક બાજુ પરિવારમાં રડારાડ શરૂ થઇ ગઈ હતી. બાદમાં અંતિમવિધિની તૈયારીઓ કરવામાં આવી હતી અને અર્થી ઉપર તેમનો મૃતદેહ ઉમરા સ્મશનભૂમિ ખાતે લઇ જવાં આવ્યું હતું. જરૂરી કાગળીયા પરિવારજનો પાસેથી માંગ્યાસ્મશાનના નિયમો મુજબ મૃત્યુનો પ્રમાણપત્ર સહિતના જરૂરી કાગળીયા પરિવારજનો પાસેથી માંગવામાં આવ્યા હતા, પરંતુ તેમની પાસે આવા કોઈ કાગળિયા નહીં હોવાથી ત્યાં સંચાલકો અને પરિવારજનો વચ્ચે વિવાદ સર્જાયો હતો અને અંતિમવિધિ થઇ નહિ શકી હતી. મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં લઈને ગયાવિવાદના પગલે સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો.જેથી પોલીસ ત્યાં દોડી આવી હતી અને પરિવારજનોને જરૂરી બાબતો સમજાવવામાં આવી હતી. ત્યારે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઇ હતી કે પરિવારજનો અર્થી સાથે સુનીતાદેવીના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં લઈને આવી ગયા હતા. સિવિલમાંથી મૃતદેહને ફરીથી સ્મશાનભુમિ લઇ જવામાં આવ્યોસિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે અર્થી ઉપર મૃતદેહ જોઈને ડોક્ટર, નર્સીંગ સ્ટાફ સહિતનો સ્ટાફ પણ આશ્ચયર્માં મુકાય ગયા હતા. બાદમાં ડોકટરો દ્વારા ઈસીજી સાથે જરૂરી તપાસ કરવામાં આવી હતી અને મૃત જાહેર કર્યા બાદ મૃત્યના જરૂરી કાગળિયાં આપ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં 8-10 કલાકનો સમય વીતી ગયો હતો. ત્યાર બાદ તેમના મૃતદેહને ફરીથી સ્મશાનભુમિ લઇ જવામાં આવ્યું હતું અને અંતિમવિધિ થવા પામી હતી.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:50 pm

BU પરમિશન વગરની 9 પ્રા. શાળાઓ સીલ થતા DEOની કાર્યવાહી:સ્કૂલોને શો કોઝ નોટિસ આપી જવાબ રજૂ કરવા આદેશ, BU પરમિશન ન મેળવે તો માન્યતા રદ કરવાની તૈયારી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં BU પરમિશન વગર ચાલતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા પ્રિ પ્રાયમરી શાળાઓને અને હવે BU પરમિશન વગર ચાલતી પ્રાથમિક શાળાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી શાળાઓના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અસર થતા અમદાવાદ શહેર DEO એ 9 પ્રાથમિક શાળાઓને શો કોઝ નોટિસ ફટકારી ઈમ્પેક્ટ ફી હજુ સુધી કેમ ભરવામાં આવી નથી તેનો જવાબ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તેમજ જો શાળા દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવામાં નહીં આવે તો DEO એ માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. AMC દ્વારા 9 પ્રાથમિક શાળાઓને સીલ કરાઈ9 જેટલી પ્રાથમિક શાળાઓ પાસે BU પરમિશન ન હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. જેથી સીલ થયેલી શાળાઓને વિદ્યાર્થીઓના અભ્યાસ ઓનલાઇન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના અભ્યાસની વૈકલ્પિક વ્યવસ્થા કરી BU પરમિશન અને ફાયર સેફ્ટી મેળવી લેવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ અમદાવાદ શહેર DEO એ અન્ય તમામ શાળાઓને વિદ્યાર્થીઓની સલામતી માટે જરૂરું ફાયર NOC અને બીયું મેળવી લેવા કડક સૂચના આપી છે. શો કોઝ નોટિસ આપી જવાબ રજૂ કરવા આદેશઅમદાવાદ શહેર DEOએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આવતી 9 જેટલી સેલફાઇન્સ પ્રાથમિક શાળાઓને સીલ મારવામાં આવી છે. ઇમ્પેક્ટ ફી ભરીને પ્રક્રિયા હાથ ધરું હોવાનું વખતો વખત શાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવતા શાળાઓને શો કોઝ નોટિસ આપી જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સ્કૂલ સીલ થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર થાય તે જરાય પણ ચલાવી ન લેવાય. જેથી સૂચના આપવામાં આવી છે કે ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર બાંધકામ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. BU પરમિશન ન મેળવે તો માન્યતા રદ કરવાની તૈયારીવધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, જો વહેલી તકે ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર બાંધકામ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું શાળાઓને જણાવવામાં આવ્યું છે. કારણકે વિદ્યાર્થીઓની સલામતી તે પહેલી પ્રાથમિકતા છે. તેમજ તમામ શાળાઓને BU પરમિશન અને ફાયર સેફ્ટીનું પાલન કરવા સહિતના નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:47 pm

શ્વાન બાંધવાની સાંકળથી યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત:પરિવાર રાત્રે પ્રસંગમાં ગયો અને પાછળથી પોતે આત્મઘાતી પગલું ભર્યું, અગાઉ પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો

રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં જીલ જયંતભાઈ રાજપરા (ઉં.વ.24) નામની યુવતીએ ગઈકાલે રાત્રે ઘરે એકલી હતી ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યો પ્રસંગમાં ગયો હતો અને ઘરે આવતા દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા તુરંત 108માં જાણ કરી હતી જે બાદ 108ના ઇએમટીએ સ્થળ પર આવી તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી અને બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, જીલ 2 બહેનમાં મોટી હતી તેના પિતા સોની કામ કરે છે અને બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો જે બાદ કોઈ કામ કરતી ન હતી. થોડા સમયથી ગુમસુમ રહેતી અને બધા સાથે ઓછું બોલતી શું થયું પૂછે તો કંઈ કહેતી નહીં અને ડિપ્રેશનમાં રહેતી હતી. અગાઉ તેણે ફીનાઇલ પી અને ઝેરી દવા ખાઈને પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ આપઘાત અંગે ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધો.9ની છાત્રાને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પીછો કરી નંબર માંગી જાતીય સતામણી કરી રાજકોટ તાલુકા પોલીસે ભોગ બનનાર 13 વર્ષની વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ પરથી નરેન્દ્ર જેઠા મકવાણા અને માલવી જીતેન્દ્ર ચૌહાણ વિરૂધ્ધ જાતીય સતામણી, પોક્સો હેઠળ ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, આરોપીઓ નરેન્દ્ર અને માલવે અઠવાડીયા પહેલા ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી અને તેણીના મોબાઈલ નંબર મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ બાળા પોતે આ બંનેને ઓળખતી ન હોઇ રિકવેસ્ટ ડીલીટ કરી નાંખી હતી. આમ છતાં આ બંનેએ તેણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને સતત પીછો કરી હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. અંતે વિદ્યાર્થિનીએ આ અંગે વાલીને જાણ કરતાં તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે. સગીરા પર દુષ્કર્મના ગુનામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ ગત તા.11.09.2025ના રોજ ફરિયાદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમની સગીર વયની 15 વર્ષ 11 માસની દીકરીને આરોપી લલચાવી ફોસલાવી અને અપહરણ કરી ગયેલ છે. પોલીસે તે ગુનાની તપાસ શરૂ કરી અને તપાસ દરમિયાન સગીરા મળી આવતા તેની પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું કે, આરોપી ઇમરાન ઉર્ફે બાપુ અશગરભાઈ કાદરી તેણીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત જણાવતા પોલીસે આરોપી ઇમરાન કાદરીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી વિરૂધ્ધ પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી ચાર્જશીટ થયા બાદ આરોપીએ જેલમાંથી છૂટવા માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહી અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુનો છે અને આરોપીની ઉંમર 26 વર્ષની છે જ્યારે તે જાણતો હતો કે, સગીરાની ઉંમર 15 વર્ષ 11 માસની છે. તેમ છતાં તેણીને લલચાવી ફોસલાવી અને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં. તે રજૂઆતને ધ્યાને લઈ પોકસો અદાલતના સેશન્સ જજ વી.એ. રાણાએ આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:42 pm

‘આજ જેલ, કલ બેલ, ફીર વહી પુરાના ખેલ’:સુરતમાં હત્યાના આરોપીએ જેલમાંથી બહાર આવી ઈન્સ્ટા. પર પોસ્ટ કરી; આવા શખસોની સર્વિસ કરી છોતરા કાઢી નાખીશુંઃ DCP

સોશિયલ મીડિયાના યુગમાં ગુનેગારોને હવે ‘રીલ’ બનાવીને પોતાનો ખોફ જમાવવાનો ચસ્કો લાગ્યો છે. સુરતમાં નવ મહિના પહેલા થયેલા મર્ડર કેસના આરોપીઓએ પેરોલ પર બહાર આવીને ઇન્સ્ટાગ્રામ પર ‘આજ જેલ, કલ બેલ, ફીર વહી પુરાના ખેલ’ લખી પોસ્ટ મૂકીને વિસ્તારમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ‘ખેલ’ તેમને જ ભારે પડી ગયો હતો. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ તત્વોની એવી ‘સર્વિસ’ કરી છે કે તેમની તમામ હેકડી ઉતરી ગઈ હતી. સુરત પોલીસ હવે આવા ‘ઇન્સ્ટાગ્રામિયા ડોન’ને કાયદાનું ભાન કરાવવા માટે મેદાનમાં ઉતરી છે. આવા તત્વોને ખુલ્લી ચેતવણી આપતા ડીસીપી રાજદીપસિંહ નકુમે કહ્યું કે, જો લોકોને ભયભીત કરવાનું કૃત્ય કરશો તો કાયદેસરની કાર્યવાહી કરી સર્વિસ કરી અને છોતરા કાઢી નાખવામાં આવશે. પેરોલ પર બહાર આવી સો. મીડિયામાં ભાઈગીરી કરીસુરતના લાલ ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી નવ મહિના પહેલા એક હત્યાની ઘટના સામે આવી હતી. આ હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા બે આરોપી તાજેતરમાં જ પેરોલ પર બહાર આવ્યા હતા. સામાન્ય રીતે પેરોલ સુધરવા માટે મળતી હોય છે, પરંતુ આ ગુનેગારોએ બહાર આવતાની સાથે જ પોતાની ‘ભાઈગીરી’ બતાવવાનું શરૂ કર્યું હતું. હાથમાં તલવાર અને સિગરેટના ધુમાડા કાઢતા ફોટા અપલોડ કર્યાઆરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં બેકગ્રાઉન્ડમાં ડાયલોગ વાગતો હતો કે, “આજ જેલ, કલ બેલ, ફીર વહી પુરાના ખેલ..” આટલું જ નહીં, હાથમાં તલવાર લઈને અને સિગરેટના ધુમાડા કાઢતા ફોટા પણ અપલોડ કર્યા હતા. એક ફોટામાં તો હિન્દીમાં લખ્યું હતું કે, જો સાથ દે ઉસકો સાથ મે રખો, ઔર સાલે દગાબાજો કો ઉનકી ઔકાત મે રાખો...” આ પ્રકારની પોસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ફરિયાદી પક્ષ અને સાક્ષીઓને ડરાવવાનો હતો. પેરોલ પર આવ્યા બાદ આ આરોપીઓએ પોતાના વિસ્તારમાં આતશબાજી કરી ફટાકડા ફોડીને જાણે કોઈ જંગ જીતીને આવ્યા હોય તેવો માહોલ ઉભો કર્યો હતો. ફરિયાદી મહિલાની અરજી બાદ પોલીસની ત્વરિત કાર્યવાહીઆ બંને ગુનેગારો જે હત્યાના કેસમાં સંડોવાયેલા હતા, તે કેસના ફરિયાદી એક બહેન હતા. આરોપીઓના આવા વર્તનથી ફરિયાદી બહેન અને તેમનો પરિવાર ભયભીત થઈ ગયો હતો. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને સીધી ધમકી આપી રહ્યા હોવાનો અહેસાસ થતા ફરિયાદી બહેને તાત્કાલિક લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ શખસો રીલ અને પોસ્ટ મારફતે અમને ડરાવી રહ્યા છે અને વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. SOGએ આરોપીને દબોચી ફટાકડા ફોડ્યા તે જ વિસ્તારમાં લઈ ગઈ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત પોલીસ કમિશનરની સૂચનાથી SOGએ ‘ઓપરેશન ગુનેગાર’ હાથ ધર્યું હતું. SOGના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાની ટીમે ત્વરિત હરકતમાં આવીને બંને આરોપીઓને દબોચી લીધા હતા. બાદમાં જે વિસ્તારમાં આ શખસો ફટાકડા ફોડીને અને તલવારો બતાવીને દાદાગીરી કરતા હતા, તે જ વિસ્તારમાં પોલીસ તેમને લઈ ગઈ હતી. બંન્નેએ હાથ જોડી કહ્યું, હવે ફરી આવી કરતૂત નહીં કરીએપોલીસ જ્યારે આરોપીઓને લઈને ઘટનાસ્થળે પહોંચી ત્યારે દૃશ્ય જોવા જેવું હતું. જે હાથમાં તલવારો હતી, તે હાથ હવે પોલીસની પકડમાં હતા. જે મોઢેથી “ફીર વહી પુરાના ખેલ” ના ડાયલોગ બોલાતા હતા, તે મોઢા હવે સીલ થઈ ગયા હતા. પોલીસે જાહેરમાં તેમનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન જે મહિલાઓને તેઓ ધમકી આપતા હતા, તેમની સામે જ બંને આરોપીઓને ઉભા રાખી ફરિયાદી પાસે રાખીને માફી મંગાવવામાં આવી હતી. વિસ્તારના લોકો જેમનાથી ડરતા હતા, તેમણે જોયું કે પોલીસની એક જ ઝાપટમાં કઈ રીતે ગુંડાઓની હેંકડી ઉતરી જાય છે. બંને આરોપીઓએ હાથ જોડીને કહ્યું હતું કે, હવે ફરી આવી કરતૂત નહીં કરીએ. ડીસીપી રાજદીપસિંહની આરોપીઓને ખુલ્લી ચેતવણીઆ સમગ્ર ઓપરેશન બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે મીડિયા સમક્ષ અત્યંત કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. પોલીસ અધિકારીનો આ દેશી અને મિજાજી અંદાજ સ્પષ્ટ કરે છે કે સુરત પોલીસ હવે આવા ‘સોશિયલ મીડિયા ગેંગસ્ટર્સ’ને સાંખી લેવાના મૂડમાં નથી. તેમણે ઉમેર્યું હતું કે, જેલમાંથી બહાર આવીને સુધરવાને બદલે જો કોઈ ગુનેગાર ફરીથી અપરાધની દુનિયામાં પગ મુકશે અથવા સમાજમાં ભય ફેલાવશે, તો તેમની જગ્યા માત્ર જેલમાં જ છે અને ત્યાં સુધી પહોંચાડતા પહેલા કાયદાનું ભાન રસ્તા પર જ કરાવી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:38 pm

પાણી વેરા વસૂલાતમાં શ્રેષ્ઠ ગામોને પ્રોત્સાહન:કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ સમિતિની બેઠકમાં નિર્ણય

ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા દિશામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની 32મી બેઠક જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કલેકટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી અને પાણી વેરા વસુલાતમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતો અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રૂ. 16.99 લાખના પ્રોત્સાહક ચેક વિતરણપાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં મંજૂર થયેલ ગ્રામ પંચાયત તથા પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને કુલ રૂ. 16.99 લાખની પ્રોત્સાહક રકમનો ચેક કલેકટરના હસ્તે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી. ચૌહાણને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રોત્સાહનથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વેરા વસુલાત પ્રત્યે જાગૃતિ વધશે તેમજ પાણી વ્યવસ્થાપન વધુ અસરકારક બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અન્ય ગામોને ‘સરસ મેળા’માં પ્રોત્સાહનયોજનામાં સમાવેશ થયેલા અન્ય ગામોને મળનાર પ્રોત્સાહન રકમ આગામી “સરસ મેળા” દરમિયાન રાજ્ય મંત્રી તથા મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે તેમ બેઠકમાં જાણ કરવામાં આવી હતી. બેઠકમાં યાંત્રિક વિભાગ દ્વારા રજૂ કરાયેલ કોડીનાર તાલુકાના અરણેજ તેમજ સૂત્રાપાડા તાલુકાના ભુવાટીંબી અને વાસાવડ ગામોની પાણી પુરવઠા યોજનાઓને સૈદ્ધાંતિક તથા વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં જર્જરિત હાલતમાં આવેલી અંદાજે ૩૫ ઊંચી પાણી ટાંકીઓના નવીનીકરણ માટે નિયમોનુસાર કાર્યવાહી કરવા કલેકટરએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. 25 ગામાં સોર્સ રીચાર્જની કામગીરી હાથ ધરાશેઉનાળાની પાણી તંગી અટકાવવા સોર્સમાં પાણી ખૂટી જાય તેવી શક્યતા ધરાવતા અંદાજે 25 ગામોમાં સોર્સ રીચાર્જના કામો હાથ ધરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી તેમજ સંલગ્ન વિભાગોના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:33 pm

દહેગામની મેશ્વો નદી પાસે 4 બાઇકથી દેશી દારૂની હેરાફેરી ઝડપાઈ:પોલીસે 1.76 લાખના મુદ્દામાલ સાથે ચારને દબોચ્યા,158 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત

દહેગામ પોલીસ દ્વારા દારૂબંધીને અસરકારક રીતે લાગુ કરવાના પ્રયાસોના ભાગરૂપે ગેરકાયદેસર દેશી દારૂની હેરાફેરી કરતી એક મોટી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મેશ્વો નદી ખાતેથી ચાર અલગ-અલગ બાઇક મારફતે 158 લીટર દેશી દારૂનો જથ્થો અમદાવાદમાં ઠાલવવાના નેટવર્કનો પર્દાફાશ કરી 1.76 લાખના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. મેશ્વો નદી બ્રિજ વિસ્તાર બૂટલેગરો માટે દેશી-વિદેશી દારૂની હેરાફેરી રસ્તો?દહેગામ પોલીસ મથકના પીઆઇ મુકેશ દેસાઈની ટીમને બાતમી માલી હતી કે, મેશ્વો નદી બ્રિજ વિસ્તાર બૂટલેગરો માટે દેશી વિદેશી દારૂની હેરાફેરી માટે મોકળો માર્ગ બની ગયો છે. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ મને કમને અત્રેના વિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરી વોચ ગોઠવી દઈ બાઇકનો ઉપયોગ કરીને દેશી દારૂનો જથ્થો સપ્લાય કરવાના નેટવર્કને ઝડપી લેવામાં આવ્યું છે. પોલીસે ચાર બાઈક સાથે ચારને દબોચ્યા પોલીસે કુલ ચાર હોન્ડા સાઇન બાઇક કબજે કરી છે .જેનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો હતો. આ વાહનોમાંથી કુલ 158 લીટર દેશી દારૂ સાથે યોગેશ પંડ્યા, ધર્મેન્દ્ર કઠેરીયા, અને પિન્ટુ ગોસ્વામી (ત્રણેય રહે. અમદાવાદ) ની ધરપકડ કરી કુલ રૂ.1.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દહેગામ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 'દારૂનો જથ્થો ખેડાના કાકખડ ગામથી લાવવામાં આવ્યો હતો'આ અંગે દહેગામ પીઆઈ મુકેશ દેસાઈએ જણાવ્યું કે, મેશ્વો નદી બ્રિજ વિસ્તારથી દેશી દારૂ ની હેરાફેરીનું નેટવર્ક ઝડપી લેવાયું છે. જેમાં એક આરોપી નાસી ગયો છે. આ દારૂનો જથ્થો ખેડાના કાકખડ ગામથી લાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:28 pm

બાયપાસ સર્જરી બાદ માધવપ્રિયદાસ સ્વામીના PM મોદીએ ખબર પૂછ્યા:વડાપ્રધાને કહ્યું- તમે આખી દુનિયાની સંભાળ લો છો, અમે તમારી લઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માધવપ્રિયદાસજી સ્વામીની બાયપાસ સર્જરી બાદ તેમના આરોગ્ય અંગે આત્મીય ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને ફોન પર માધવપ્રિયદાસજી સ્વામીને સફળ ઓપરેશ બદલ શુભકામનાઓ પાઠવી હતી અને ખબર-અંતર પૂછ્યાં હતાં. આ કોલ 1 મિનિટ અને 45 સેકન્ડ સુધી ચાલ્યો હતો. વડાપ્રધાને માધવપ્રિયદાસજી સ્વામીને કહ્યું કે, તમે આખી દુનિયાની સંભાળ લો છો, અમે તમારી લઈએ. સ્વામીએ આ ક્ષણને માત્ર એક કોલ નહીં, પરંતુ સંવેદના, સંસ્કાર અને સન્માનનું પ્રતિક ગણાવ્યું છે. શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર (છારોડી-SGVP)ના પ્રમુખ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત માધવપ્રિયદાસજી સ્વામીની બાયપાસ સર્જરી ભગવાન શ્રીહરિની કૃપાથી સફળતાપૂર્વક પાર પડી છે. તેઓના સફળ ઓપરેશન બાદ શુભેચ્છા અને ખબરઅંતર પૂછવા ધર્મપ્રિયદાસજી સ્વામી (બાપુ સ્વામી-ધંધુકા) સ્નેહી મિત્ર નારાયણચરણદાસજી સ્વામી (વ્રજભુમી), બ્રહ્મપ્રકાશ સ્વામી (વડતાલ) સાથે છારોડી ગુરુકુળ પહોંચ્યાં હતાં. છારોડી ગુરુકુળ SGVP ખાતે માધવપ્રિયદાસજી સ્વામીની તબિયત જોવા આવેલા ભાઈશ્રી (રમેશભાઈ ઓઝા)ને વડતાલવાસી લક્ષ્મીનારાયણદેવનો પ્રસાદીનો વરીયાળીનો હાર પહેરાવી શુભેચ્છા મુલાકાત કરાઈ હતી. આ પ્રસંગે બાલકૃષ્ણ સ્વામી (મેમનગર) પણ સાથે રહી સૌની સાથે ભાવાત્મક વાતો કરી હતી. વડાપ્રધાન દ્વારા વ્યક્ત કરાયેલી આત્મીય ચિંતાએ સંતો અને અનુયાયીઓમાં હૃદયસ્પર્શી લાગણી જન્માવી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:25 pm

ડોકટર એક્ટિવા પાર્ક કરી પીઝા ખાવા ગયાને તસ્કરો લઈને ફરાર:રાધનપુર રોડ પર આવેલ સેવન સ્પેસ કોમ્પલેક્ષ પાસે એક્ટિવા ચોરાતા ફરિયાદ નોંધાઈ

મહેસાણામાં રહેતા એક ડોકટર રાધનપુર રોડ પર આવેલ સેવન સ્પેસ કોમ્પલેક્ષ પાસે એક્ટિવા પાર્ક કરી પીઝા ખાવા ગયા એ દરમિયાન અજાણ્યા તસ્કરો પાર્કિગમાંથી એક્ટિવા ચોરી રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા સહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તસ્કરો પાર્કિગમાંથી એક્ટિવા ચોરી રફુચક્કર થઈ ગયામહેસાણામાં રાધનપુર રોડ પર આવેલ રાધેકુંજ સોસાયટીમાં રહેતા અને ડોકટર ની નોકરી કરતા મોદી ભાવેશભાઈ 3 ડિસેમ્બરના રોજ બપોરે ત્રણ વાગે રાધનપુર રોડ પર આવેલા સેવન સ્પેસ કોમ્પ્લેક્ષ પાસે પીઝા ખાવા ગયા હતા એ દરમિયાન તેઓએ GJ02CH4362 નંબર નું એક્ટિવા કોમ્પલેક્ષ ના પાર્કિગમાં મૂક્યું હતું. બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈએક્ટિવા પાર્ક કરી તેઓ પીઝા ખાવા ગયા હતા એ દરમિયાન અજાણ્યા તસ્કરો તેઓનું એક્ટિવા ચોરી ગયા હતા. ફરિયાદી જ્યારે પીઝા ખાઈ એક્ટિવા લેવા ગયા એ દરમિયાન એક્ટિવા જોવા મળ્યું નહોતું.જેથી તેઓએ આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા એક્ટિવા ક્યાંય ન મળી આવતા આખરે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં 30 હજાર કિંમતના એક્ટિવા ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:22 pm

સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત કરાટે સ્પર્ધા:હિંમતનગરમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વરમાં આવેલા સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. શનિવારે યોજાયેલી આ સ્પર્ધામાં સાબરકાંઠા અને અરવલ્લી લોકસભાના સંયુક્ત જિલ્લા કક્ષાના રમતવીરોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષા શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેલ પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને બાળકોના સ્વાસ્થ્ય સુધારવા માટે ખેલ મહાકુંભ, ખેલો ઈન્ડિયા, રમશે ગુજરાત, જીતશે ગુજરાત જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે કરાટે દ્વારા સ્વરક્ષણની તાલીમ લેતા બાળકો અને તેમના વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. બારૈયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક બાળક અને બાળકીને સ્વરક્ષણની તાલીમ મળવી જોઈએ, ખાસ કરીને દીકરીઓને. આ તાલીમ તેમને દરેક પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરવામાં મદદરૂપ થશે. તેમણે સ્વરક્ષણની તાલીમ આપતા કોચ જુજારસિંહ વાઘેલાની સેવાઓને બિરદાવી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે તેઓ જિલ્લાની ગ્રામીણ શાળાઓમાં પણ દીકરીઓને તાલીમ આપે છે. આ ઉપરાંત, તેમણે ઉમેર્યું હતું કે ૨૦૩૦માં ભારતને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યું છે, જે ગૌરવની વાત છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં વધુ બાળકો આ રમતો સાથે જોડાશે અને દેશ માટે મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેકટર લલિત નારાયણસિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સહિત વાલીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:18 pm

મહેસાણામાં નેશનલ લોક અદાલત યોજાઈ:મોટર એકસીડન્ટ કલેઈમ, ચેક રીર્ટન, દિવાની તકરારના તથા સમાધાનલાયક કુલ 17,793 કેસોનો નિકાલ

મહેસાણા જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અઘ્યક્ષ એ. એલ. વ્યાસની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા અદાલત મહેસાણા તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં આજરોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસોનો નિકાલઆ નેશનલ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ કલેઈમ પીટીશન, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 ના ચેક રીર્ટનના કેસો, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. ચેક રીર્ટનના 1857 કેસોનો નિકાલ કરાયોઆ લોક અદાલતમાં 59 મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી રૂ 1,52,71,000નો વળતરનો હુકમ કરવામાં આવ્યો છે તેમજ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 ના ચેક રીર્ટનના 1857 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. તથા પ્રિલીટીગેશન કેસોના 3322 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. 9.61 કરોડની રકમના સમાધાન થયેલ આ નેશનલ લોક અદાલતમાં પક્ષકારો તથા વકીલઓના સહયોગથી કુલ રૂા. 9,61,61,140 ની રકમના સમાધાન થયેલ છે. આમ, આ નેશનલ લોક અદાલતમાં કુલ- 17,793 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ નેશનલ લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ ન્યાયાધીશઓ તથા કર્મચારીઓ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલટાઈમ સેક્રેટરી આઈ. કે. જાંગડ સહિતનાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:16 pm

સેક્ટર-10 મીનાબજારમાં બાકી ભાડું ન ભરનાર 8 દુકાનો સીલ:ગાંધીનગર મનપાએ સ્થળ પર જ 3.10 લાખની વસૂલાત કરી

ગાંધીનગર મહાનગરપાલિકાએ બાકી લેણાં વસૂલવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે.આજે મનપાની ટીમે સેક્ટર-10 સ્થિત મીનાબજાર કોમ્પ્લેક્સમાં ધંધો કરતા દુકાનદારો ધ્વારા ઘણા સમયથી બાકી રહેલા ભાડાની રકમ ભરવામાં નહીં આવતા 8 દુકાનો સીલ કરી સ્થળ પર જ રૂ.3.10 લાખની વસૂલાત કરતા અન્ય બાકીદારોમાં પણ ફફડાટ ફેલાયો છે. 10 દુકાનોનું ભાડું લાંબા સમયથી બાકી હતું, વારંવાર નોટિસપ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, મીનાબજાર ખાતે આવેલી કુલ 10 દુકાનોનું ભાડું લાંબા સમયથી બાકી હતું. આ 10 દુકાનોનું કુલ બાકી લેણું રૂ. 12,63,137 હતું. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા વારંવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં નિયત સમયમર્યાદા બાકીદારોએ બાકી રકમ ભરપાઈ કરી ન હતી. ભાડુઆતને વારંવાર સૂચના અપાયા છતાં બેદરકારી દાખવતામહાનગરપાલિકા દ્વારા આ ભાડુઆતને વારંવાર સૂચના અપાયા છતાં બેદરકારી દાખવતા આખરે કોર્પોરેશનને કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે ફરજ પડી હતી.આજરોજ કોર્પોરેશનની ટીમ મીનાબજાર ખાતે પહોંચી હતી અને બાકી ભાડાની વસૂલાતની કામગીરી શરૂ કરી હતી. કોર્પોરેશનની ટીમે સ્થળ પર જ બાકીદારોને તાત્કાલિક ભાડું ભરપાઈ કરવા જણાવ્યું હતું. મનપાએ સ્થળ પર જ 3.10 લાખની વસૂલાત કરીઆ કાર્યવાહીના દબાણ હેઠળ કેટલાક દુકાનદારોએ તાત્કાલિક આંશિક રકમ ભરવાનો નિર્ણય લીધો હતો. આ કામગીરી દરમિયાન કુલ બાકી લેણાંમાંથી રૂ. 3,10,000ની રકમ સ્થળ પર જ ચેક મારફતે વસૂલ કરવામાં આવી હતી. જોકે મોટા ભાગના દુકાનદારો બાકી રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ રહેતા મનપા દ્વારા તાત્કાલિક ધોરણે સીલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 8 દુકાનોને સીલ કરાઈઆ ઝુંબેશ હેઠળ કુલ 8 દુકાનોને સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ કહ્યું છે કે, જ્યાં સુધી દુકાનદારો બાકી રહેલો સંપૂર્ણ ભાડાનો જથ્થો વ્યાજ સહિત જમા નહીં કરાવે ત્યાં સુધી સીલ ખોલવામાં આવશે નહીં અને જો નિયત સમયમાં બાકી ભાડું ભરપાઈ નહીં થાય તો નિયમ મુજબ દુકાનોની ફાળવણી રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. ટેક્સ, ભાડું કે અન્ય કોઈ પણ પ્રકારના સરકારી લેણાં બાકી હોય તેવા તમામ એકમો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન વસૂલાતની કામગીરી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:12 pm

મારા પુત્રના મોતના જવાબદારને જન્મટીપની સજા થાય:સ્કંદ હોસ્પિ.માં સારવારમાં યુવકના મોત મામલે બે ડોક્ટરો સામે ફરિયાદ દાખલ, માતાએ કહ્યું- પોટલામાં નાખીને ICUમાં લઈ ગયા હતા

રાજકોટમાં ડોક્ટરોની બેદરકારીના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો હતો. શહેરના કુવાડવા રોડ પર આવેલી સ્કંદ લાઈફ કેર હોસ્પિટલમાં સપ્ટેમ્બર 2024ના ડેન્ગ્યૂની સારવાર સમયે એન્જિનિયર યુવક જય રેણપરાની તબિયત લથડી હતી અને ડો. હાર્દિક સંઘાણી અને ડો. જીગ્નેશ પટેલે બેદરકારી દાખવતાં યુવકની જિંદગીનો અંત આવ્યો હતો. જોકે, આ મામલે પીડીયુ સરકારી મેડિકલ કોલેજના રિપોર્ટમાં બેદરકારી સ્પષ્ટ થતાં હવે બી ડિવિઝન પોલીસે બંને ડોક્ટર સામે ફરિયાદ દાખલ કરી છે. જોકે, પોતાનો વહાલસોયો દીકરો ગુમાવતા માતા-પિતાએ ભારે હૈયે કહે છે કે, આવા ડોક્ટરોને તો જન્મપીટની સજા થવી જોઇએ. તે કોઈ દિવસ જેલમાંથી બહાર જ ન આવવા જોઇએ અને માત્ર નામની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને તાળા મારી દેવા જોઇએ. આ ડોક્ટરોને જન્મટીપની સજા થવી જોઇએ: ચાંદનીબેન રેણપરા20 સપ્ટેમ્બર 2024ના રોજ ડોક્ટરની બેદરકારીના કારણે વહાલસોયા પુત્રને ગુમાવતા માતા ચાંદનીબેને જણાવ્યું હતું કે, મારા પુત્રના મોત માટે ત્રણ ડોક્ટર જવાબદાર છે. જેમાં સ્કંદ હોસ્પિટલના હાર્દિક સંઘાણી અને તેના પત્ની તેમજ ડો. જીગ્નેશ પટેલ સામેલ છે. જ્યારે ડેન્ગ્યૂની સારવાર ડો. હાર્દિકના પત્ની ડો. શ્વેતાએ કરી હતી. જેથી ત્રણેય ડોક્ટરોને સજા થવી જોઇએ. મારા દીકરાને 19 સપ્ટેમ્બર 2014ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને 20 સપ્ટેમ્બરના સાંજે તેનું મોત થયું. આ ડોક્ટરોને જન્મટીપની સજા થવી જોઇએ. જેલમાંથી બહાર જ આવવા ન જોઇએ અને સ્કંદ હોસ્પિટલ સીલ થવી જોઇએ અને તાળા લાગી જવા જોઇએ. રાત્રે 7:30 વાગ્યે કેસ લગભગ ફેઈલ થયો હતો: સુભાષ રેણપરામૃતક જયના પિતા સુભાષ રેણપરાએ જણાવ્યું હતું કે, આજથી સવા વર્ષ પહેલાં 19 સપ્ટેમ્બર, 2024ના મારા પુત્રને તાવ આવતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યૂ હોવાનું સામે આવ્યું હતું. જેથી મારો પુત્ર અને સાઢુભાઈનો દીકરો એક્ટિવા પર ગયા હતા અને સ્કંદ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જે બાદ 20 સપ્ટેમ્બરના સવારે તેની તબિયત વધારે ખરાબ થઈ હતી અને રાત્રે 7:30 વાગ્યે કેસ લગભગ ફેઈલ થયો હતો અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે, હવે તેને વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જાઓ. જોકે, બાદમાં મારા પુત્રનું મોત થયું. 'ડો. હાર્દિક ન હોય ત્યારે તેમના પત્ની સારવાર આપતા હોય છે'વધુમાં જણાવ્યું હતું કે, સ્કંદ હોસ્પિટલ માત્ર નામ પૂરતી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હતી. જ્યાં સગવડતાના નામે કંઈ જ નહોતું. જ્યાં દર્દીને ઉપરના માળે લઈ જવા હોય તો બાચકું લઈને જતા હોય તે રીતે લઈ જતા હતા. ડો. હાર્દિક સંઘાણી ન હોય ત્યારે તેમના પત્ની જે સ્કીન ડોક્ટર છે તે સારવાર આપતા હોય છે. ગંભીર બેદરકારી તાત્કાલિક ધોરણે બંધ થવી જોઇએ. શું છે સમગ્ર મામલોરાજકોટના પેડક રોડ પરની સેટેલાઇટ સોસાયટીમાં રહેતા ચાંદનીબેન સુભાષભાઇ રેણપરા (ઉ.વ.49)એ બી.ડિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુવાડવા રોડ પર આવેલા સ્કંદ લાઇફકેર હોસ્પિટલના ડો.હાર્દિક સંઘાણી અને ડો.જીજ્ઞેશ પટેલના નામ આપ્યા હતા. ચાંદનીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર 18 સપ્ટેમ્બર 2024ના તાવ આવતા રિપોર્ટ કરાવ્યો હતો અને તેને ડેન્ગ્યૂ હોવાનો રિપોર્ટ આવતાં તા.19ના તેને સ્કંદ લાઇફકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હું કેસ હેન્ડલ કરી લઇશ તેમ કહી ખાતરી આપી હતીત્યારે તેના પ્લેટલેટ કાઉન્ટ 41 હજાર હતા, ત્યારબાદ કાઉન્ટ સતત ઘટતા ગયા હતા, તા.20ના તબિયત વધું લથડી હતી, જરૂર હોય તો અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરીએ તેવું પરિવારજનોએ કહેતા ડો.હાર્દિક સંઘાણીએ કહ્યું હતું કે, અન્ય કોઇ હોસ્પિટલમાં લઇ જાવ કે અમેરિકા લઇ જાવ સારવાર તો આ જ થશે, હું કેસ હેન્ડલ કરી લઇશ તેમ કહી સ્વસ્થ થઇ જવાની ખાતરી આપી હતી. વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જતાં અડધો કલાકમાં જ જયનું મોત થયુંત્યાર બાદ કેસ વધુ બગડતાં ડો.હાર્દિકે વોકહાર્ટ હોસ્પિટલના ડો.જીજ્ઞેશ પટેલને બોલાવ્યા હતા અને તેણે સારવાર ચાલું કરી લઇશ પરંતુ તબિયતમાં સુધારો થયો નહોતો. તા.20ની સાંજે ક્રિટિકલ સિચ્યુએશન થઇ જતાં હોસ્પિટલના આઇસીયુમાં ખસેડ્યો હતો અને ત્યાંથી અંતે વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં અડધો કલાકની સારવાર બાદ જયનું મૃત્યુ થયું હતું.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:11 pm

બરવાળા પોલીસે 7 મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલ્યો:ચોકડી ગામના શખ્સની ધરપકડ, ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ બરવાળા પોલીસે મોટરસાઇકલ ચોરીના સાત અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોકડી ગામના એક શખ્સની ધરપકડ કરીને ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બરવાળા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બરવાળા ખોડિયાર મંદિર પાસે એક શંકાસ્પદ મોટરસાઇકલ ચાલકને અટકાવવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિપુલ ચમનભાઈ ગોરાહવા, રહે. ચોકડી ગામ જણાવ્યું હતું. વિપુલ પાસે મોટરસાઇકલના જરૂરી કાગળો ન હોવાથી અને સંતોષકારક જવાબ ન મળતા પોલીસને શંકા ગઈ હતી. તેને પોલીસ સ્ટેશને લાવી વધુ પૂછપરછ કરતા તેણે બરવાળા બસ સ્ટેન્ડ સહિત બરવાળા, વિરપુર અને ધંધુકા વિસ્તારમાંથી કુલ સાત મોટરસાઇકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપીની કબૂલાત બાદ પોલીસે ચોરી કરાયેલી કુલ સાત મોટરસાઇકલ કબ્જે લીધી છે, જેની અંદાજિત કિંમત ₹1.40 લાખ થાય છે. બરવાળા પોલીસે આ મામલે BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 7:05 pm

બર્થડે ઉજવણીની મનાઈ કરી યુવકોનું વોચમેન સાથે ગેરવર્તન, CCTV:યુવકે કહ્યું, 'અમારી ભૂલ છે, આવી ભૂલ કોઈ ન કરતા', સુરત પોલીસ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી

સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મોલ ખાતે મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી કરવા આવેલા કેટલાક અસામાજિક તત્વોએ વોચમેન સાથે ગેરવર્તન કરતાં ચકચાર મચી જવા પામી છે. જોકે, ઘટનાની જાણ થતાં જ ઉત્રાણ પોલીસે તુરંત કાર્યવાહી કરીને પાંચ જેટલા લુખ્ખાગીરી કરનારા ઈસમોની શાન ઠેકાણે લાવી દીધી હતી અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. વેલંજા રંગોલી ચોકડીની ઘટનાપ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલંજા રંગોળી ચોકડી પાસે આવેલા MTC મોલ ખાતે બની હતી. મોડી રાત્રિના સમયે કેટલાક યુવકોનો એક જૂથ મોલમાં કે તેની આસપાસ જન્મદિવસની ઉજવણી કરવાના ઇરાદે એકઠું થયું હતું. મોલમાં રાત્રિના સમયે ઉજવણીની મનાઈ હોવાથી, મોલના ફરજ પર હાજર વોચમેને તેમને કાયદાનું પાલન કરવા અને ત્યાંથી ઉજવણી ન કરવા સમજાવ્યા હતા. પરંતુ, આ સમજાવટથી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ વોચમેન સાથે તર્ક-વિતર્ક કરીને અભદ્ર ભાષામાં ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું, અને જાહેરમાં આતંક મચાવ્યો હતો. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદઅસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી આ સમગ્ર લુખ્ખાગીરીની ઘટના મોલમાં અને આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે કઈ રીતે આ યુવકો કાયદાનું ઉલ્લંઘન કરીને વોચમેન સાથે દાદાગીરી કરી રહ્યા હતા. આ સાથે જ વોચમેનને તાક ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી. પોલીસની ત્વરિત અને કડક કાર્યવાહીઆ ગેરવર્તન અને લુખ્ખાગીરીની જાણ થતાં જ ઉત્રાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને સ્થાનિક માહિતીના આધારે ગેરવર્તન કરનારા પાંચ જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા. યુવકો વિરુદ્ધ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ અટકાયતી પગલાંપોલીસે આ લુખ્ખાગીરી કરનારા યુવકોને પોલીસ સ્ટેશન લાવીને તેમની કાયદાકીય રીતે શાન ઠેકાણે લાવી હતી. યુવકો વિરુદ્ધ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા અને તેમને કાયદાનું મહત્વ સમજાવીને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની સખત ચેતવણી આપવામાં આવી હતી. લુખ્ખાગીરી સામે પોલીસની કાર્યવાહીઉત્રાણ પોલીસે આ કડક કાર્યવાહી દ્વારા જાહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા તત્વોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે જાહેરમાં શાંતિ અને કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે અને તેનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આ ઘટનાથી સુરતમાં રાત્રિના સમયે જાહેર સ્થળો પર થતી અનિયંત્રિત ઉજવણીઓ અને લુખ્ખાગીરી સામે પોલીસની સજાગતા અને કડક વલણ ફરી એકવાર સ્પષ્ટ થયું છે. 'અમારી ભૂલ છે, આવી ભૂલ કોઈ ન કરતા'પોલીસે કાયદાનો પાઠ ભણાવતા આરોપીએ જણાવ્યું હતું કે, મારા દોસ્તોનો બર્થડે હતો, એમટીસીમાં અમે કેક કાપવા ગયા હતા. ત્યાં વોચમેન કાકા આવ્યા, અમને એમ કીધું કે તમે બહાર જતા રહ્યો. અને વોચમેન કાકા સાથે અમે ગેરવર્તન કર્યું હતું. એ અમારી ભૂલ છે. આવી ભૂલ કોઈ ન કરતા. બીજા કોઈ આવી ભૂલ ન કરતા. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 6:57 pm

ટંકારા: આજી નદી પુલ ભારે વાહનો માટે બંધ:કલેક્ટરના જાહેરનામાનો અમલ, પોલીસ દ્વારા અવરજવર અટકાવાઈ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ આજી નદી પરનો પુલ ભારે વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. કલેક્ટરના જાહેરનામાની અમલવારી ન થતી હોવા અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સક્રિય બન્યું છે અને પોલીસે પુલ પરથી વાહનોની અવરજવર અટકાવી છે. રાજ્યમાં તાજેતરમાં બનેલી પુલ દુર્ઘટનાઓને પગલે સરકારે તમામ જિલ્લાઓમાં પુલોનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ અંતર્ગત મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ખાખરા ગામ નજીક આજી નદી પરના મુખ્ય પુલને સમારકામની જરૂર જણાતા તેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સમારકામ શરૂ કરતા પહેલા, ટંકારાથી જામનગર તરફ જતા માર્ગ પરના આ પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને વૈકલ્પિક માર્ગો પણ સૂચવવામાં આવ્યા હતા. જોકે, કલેક્ટરના જાહેરનામા છતાં ટ્રક, ડમ્પર અને આઇશર જેવા મોટા વાહનો પુલ પરથી પસાર થતા હતા, જેના કારણે જાહેરનામાનો અમલ થતો ન હતો. દિવ્ય ભાસ્કરમાં જાહેરનામાની અમલવારી ન થવા અંગેના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. હાલમાં ટંકારા અને ધ્રોલ પોલીસે પુલની બંને બાજુએ બેરીકેટીંગ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ટ્રક, ડમ્પર, સરકારી અને ખાનગી બસો સહિતના તમામ ભારે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના વર્ક આસિસ્ટન્ટ જય દુબરિયાએ જણાવ્યું હતું કે, આ પુલનું સમારકામ લગભગ પોણા બે કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે અને આગામી દસ દિવસમાં તેને ભારે વાહનો માટે ફરીથી ખોલી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 6:54 pm

મધ્ય ગુજરાતના ઇકોનોમી માસ્ટર પ્લાન માટે વડોદરા કલેક્ટર કચેરીમાં બેઠક:સાત જિલ્લાના કલેક્ટરો જોડાયા, પ્રાદેશિક આર્થિક આયોજનને લઈને ચર્ચા

વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવા માટેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા તૈયાર થઇ રહેલા પ્રાદેશિક આર્થિક આયોજનને મૂર્તિમંત કરવા માટે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ દ્વારા આજે મધ્ય ગુજરાતના સાત જિલ્લાના કલેક્ટરો સાથે બેઠક યોજવામાં આવી હતી. સાત જિલ્લાના કલેક્ટરો સાથે બેઠકઆ બેઠકમાં વડોદરા ઉપરાંત ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર વિસ્તારમાં કેવા પ્રકારની આર્થિક ગતિવિધિઓને અવકાશ રહ્યો છે. આ અવકાશ માટે રાજ્ય સરકાર દ્વારા કેવા પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉભી કરવી પડે એમ છે? તે સહિતની બાબતો અંગે સંબંધિત જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત હયાત ઉદ્યોગની આર્થિક પ્રવૃત્તિ, ઔદ્યોગિક ઉત્પાદનોના પ્રકાર, તેમાં વિસ્તરણની સંભાવનાઓ, રોજગારીની તકોનું નિર્માણ, પરિવહનની સુવિધાઓ સહિતની બાબતો અંગે પણ આ બેઠકમાં ઉદ્યોગ કમિશનર દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિશદ ચર્ચાઇન્ફોર્મેશન ટેક્નોલોજીને લગતી સુવિધાઓ, પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ એરિયા સહિત વિષયો પણ આ બેઠકમાં ચર્ચાને સ્થાને રહ્યાં હતાં. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા સહિત મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 6:51 pm

બનાસકાંઠામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમીક્ષા:પાલનપુરમાં રોલ ઓબ્ઝર્વર મોના ખંધારે અધિકારીઓ સાથે બેઠક યોજી

બનાસકાંઠાના પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) સંદર્ભે એક બેઠક યોજાઈ હતી. બનાસકાંઠાના પ્રભારી સચિવ અને મતદાર યાદી રોલ ઓબ્ઝર્વર મોના ખંધારના અધ્યક્ષસ્થાને આ બેઠકમાં SIR પ્રક્રિયાના અમલની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન બનાસકાંઠામાં SIR કાર્યક્રમ હેઠળ થયેલી કામગીરી અંગે માહિતી રજૂ કરાઈ હતી. મતદાર યાદી સુધારણા પ્રક્રિયા, ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબના અમલ અને કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. રોલ ઓબ્ઝર્વર મોના ખંધારે જિલ્લા કક્ષાના વરિષ્ઠ અધિકારીઓને પારદર્શકતા, સમયબદ્ધ અમલ અને સંકલન સાથે કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો. મોના ખંધારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં SIR પ્રક્રિયા અંગે તેમના સૂચનો અને અભિપ્રાયો સાંભળવામાં આવ્યા હતા. તેમણે અધિકારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કામગીરી સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં મતદાર યાદીની સુધારણા પ્રક્રિયા, એન્યુમરેશન ડિજિટાઈઝેશન, ASD મતદારોની સ્થિતિ, મતદારોના મેપિંગની પ્રગતિ, નામ-ઉંમર-સંબંધિત તફાવત, ફોર્મ 6, 7, 8 બાબત, ડ્રાફ્ટ તથા અંતિમ મતદાર યાદી પ્રકાશનનો સમયપત્રક, પોલિંગ સ્ટેશન, BLO-BLA કામગીરી, જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર 1950ની કામગીરી તેમજ રાજકીય પક્ષો સાથે સંકલન જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. સમગ્ર SIR પ્રક્રિયા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ પારદર્શક અને સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલ, વિધાનસભા મતક્ષેત્રના ચૂંટણી અધિકારીઓ, માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 6:46 pm

વાપીની ખાનગી શાળા બહાર વિદ્યાર્થીઓની મારામારીનો વીડિયો વાયરલ:સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ, કાર્યવાહીની માંગ

વલસાડના વાપી તાલુકામાં આવેલી ખાનગી શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને માર મારતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, શાળાની બહાર વિદ્યાર્થીઓનો એક સમૂહ અન્ય એક વિદ્યાર્થીને ઘેરી વળીને તેને માર મારી રહ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે. આ પ્રકારની ઘટનાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અગાઉ પણ ગુજરાતમાં વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીની ઘટનાઓમાં વિદ્યાર્થીઓના મોત થયા હોવાના કિસ્સાઓ બન્યા છે. આવી ઘટનાઓને ગંભીરતાથી લઈને શિક્ષણ વિભાગ તાત્કાલિક ધોરણે કડક પગલાં ભરે અને શાળા પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે. જોકે, વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 6:45 pm

નવસારી પાલિકાનું કડક વલણ:17 ડિસેમ્બર સુધી વેરો ન ભરનારની સુવિધાઓ કપાશે

નવસારી મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે કડક વલણ અપનાવ્યું છે. પાલિકાએ જાહેરાત કરી છે કે 17 ડિસેમ્બર સુધીમાં બાકી વેરો નહીં ચૂકવનાર મિલકત ધારકોની લાઇટ, પાણી અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગે શહેરમાં ₹71 લાખથી વધુના જૂના વેરાની વસૂલાત શરૂ કરી છે. ₹50,000 થી વધુ બાકી વેરો ધરાવતા 69 મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં 17 ડિસેમ્બર સુધીમાં વેરો ન ભરવા પર પાયાની સુવિધાઓ બંધ કરવાની ચેતવણી અપાઈ છે. નોટિસ મેળવનારાઓમાં વોર્ડ નં. 1માં સબરસ ફૂડ પ્રોડક્ટ, વોર્ડ નં. 4માં સંસ્કૃતિ બિલ્ડરર્સના ભાગીદારો તેજસ ભરત શાહ, વોર્ડ નં. 6ના સંજય મોહન અગ્રવાલ, વોર્ડ નં. 8માં જલારામ કન્સ્ટ્રક્શન અને ચિનમ આરકેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વોર્ડ નં. 9માં વેસ્ટના (પરાગજી) ડિસ્ટ્રીબ્યુટર, શ્રીરામ નોન ટ્રેડિંગ એસોસિએશન, આઇડિયા મોબાઇલ, વ્યોમ નેટવર્ક્સ (એ.ટી.સી.: ટેલિકોમ, ઇન્ફ્રા પ્રા. લિ., એરટેલ મોબાઇલ ટાવર) અને માધવ ડેવલોપર્સના ભાગીદારો કેતન પટેલ, રમેશ પટેલ, અનિલ ગજેરા, સુરેશ રાજાણી પણ યાદીમાં છે. વોર્ડ નં. 11માં ટાવરવિઝન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ., વોર્ડ નં. 12માં ગોકુળ બિલ્ડકોન પ્રા. લિ. ના સંજય પ્રદીપ પટેલ, અને વોર્ડ નં. 13માં અલ્ટ્રા ડેવલોપર્સના કર્ણ અરુણાભાઈ હરિયાણી, ઉર્વશી કર્ણા હરિયાણી તથા સાંગાણી ગ્રુપના મહેશ જયંતિ સાંગાણી અને વિલાસબેન મહેશભાઈ સાંગાણીને પણ નોટિસ અપાઈ છે. જો 17 ડિસેમ્બર સુધીમાં બાકી લેણાં ચૂકવવામાં નહીં આવે તો પાણી પુરવઠો, ડ્રેનેજ કનેક્શન અને વીજળી સપ્લાય બંધ કરવા ઉપરાંત બિલ્ડિંગની યુઝ પરમિશન રદ કરીને મિલકત સીલ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 6:34 pm

​જુનાગઢમાં ₹45 લાખનો દારૂનો જથ્થો નાશ:​જુનાગઢ સિટી B અને C ડિવિઝન પોલીસે 48 પ્રોહિબિશન ગુનાના ₹45.43 લાખની કિંમતના દારૂના જથ્થાનો ડુંગરપુર ખાતે કર્યો નાશ

જૂનાગઢ પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે બુટલેગરો દ્વારા લાવવામાં આવેલા દારૂનો જથ્થો 2024 થી 2025 સુધીમાં પકડી પાડવામાં આવેલા દારૂનો આજે નાશ કરાયો હતો. જુનાગઢ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ ડામવા અને કાયદાનો કડક અમલ કરવાના ભાગરૂપે આજે (શનિવાર) જુનાગઢ સિટીના B ડિવિઝન અને C ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરવામાં આવેલા પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ, કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. ​આ સમગ્ર પ્રક્રિયા જુનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના અધ્યક્ષપદ હેઠળ એક કમિટીની હાજરીમાં પાર પાડવામાં આવી હતી. આ કમિટીમાં જુનાગઢ શહેર ડિવિઝનના Dysp હિતેશ ધાંધલીયા, આબકારી ખાતાના અધિકારી બી. વેકરીયા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. પટેલ અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહિલનો સમાવેશ થતો હતો. ​પોલીસ દ્વારા વર્ષ 2024 અને 2025 દરમિયાન બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનના કુલ 48 ગુનાઓમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.જેમાં બોટલની સંખ્યા: 9,967 નંગ જેની ​કુલ કિંમત: ₹45,43,649 નોંધવામાં આવી હતી. ​આ તમામ મુદ્દામાલનો નાશ ડુંગરપુર ખાતે કાયદા મુજબની તમામ કાર્યવાહી કરીને કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની અને પકડાયેલા મુદ્દામાલનો નિયમિતપણે નિકાલ કરવાની કાયમી પ્રક્રિયા જાળવી રાખી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 6:24 pm

ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધા 33 લાખ ટ્રાન્સફર કરવા બેંકે પહોંચ્યા, VIDEO:અમદાવાદમાં બેંક કર્મચારીને શંકા પડતા પોલીસને જાણ કરી, સમયસૂચકતાના કારણે 33 લાખનું ફ્રોડ થતા અટક્યું

અમદાવાદ સાઇબર ક્રાઇમ અને ખાનગી બેંકના કર્મચારીઓએ મળીને વૃદ્ધ મહિલાના 33.35 લાખ રૂપિયા બચાવ્યા છે. સાઇબર ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને તેમને ડરાવી, ધમકાવી 33.35 લાખ રૂપિયાની માગણી કરી હતી. મહિલા જ્યારે ડરીને એક સાથે બેંકમાંથી આટલી મોટી રકમના ટ્રાન્જેક્શન કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે બેંક કર્મચારીઓને શંકા જતા પોલીસને જાણ કરી હતી. સાયબર ક્રાઇમની ટીમ જયારે બેંકમાં પહોંચી ત્યારે મહિલાએ ડિજિટલ એરેસ્ટ અંગે જાણ કરી હતી. મહિલાનું કાઉન્સેલિંગ કરી ડિજિટલ એરેસ્ટના ફ્રોડ વિશે તેમને સમજાવ્યાં હતાં. વૃદ્ધ મહિલા બેંકમાં પહોંચ્યાને ડિજિટલ અરેસ્ટની ખબર પડી મળતી વિગત અનુસાર, 10 ડિસેમ્બરે મણિનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં એક વૃદ્ધ મહિલા પહોંચ્યા હતા.આ મહિલાએ બેંકમાં જઈને તેમની તમામ એફડી અને નાણા કોઈ ખાતામાં જમા કરાવવા માટે ઉતાવળ કરતાં હતા. મહિલાએ 33.35 લાખ રૂપિયા એક શંકાસ્પદ ખાતામાં ડરતા ડરતા ટ્રાન્સફર કરવાનું બેંકના અધિકારીને કહ્યું હતું. બેંકના અધિકારીને શંકા જતા સાઇબર ક્રાઈમને જાણ કરી હતી. ફોનમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો વોટ્સએપ કોલ ચાલુ હતોજેથી સાયબર ક્રાઇમની એક ટીમ બેંકમાં પહોંચી હતી.પીએસઆઇ ઈશ્વર પટેલ અને તેમની ટીમે બેંકમાં પહોંચીને બેંકના અધિકારી અને મહિલાની પૂછપરછ કરી ત્યારે વૃદ્ધ મહિલાના ફોનમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો વોટ્સએપ કોલ ચાલુ હતો. પોલીસે મહિલાનો ફોન ચેક કર્યો'તો મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેમને ડિજિટલ એરેસ્ટ કરેલા છે જેથી પોલીસે મહિલાનો ફોન ચેક કર્યો ત્યારે તેમના ફોનમાં અલગ અલગ બનાવટી દસ્તાવેજો મળી આવ્યા હતાં. આ દસ્તાવેજ તો જોતાં જ પોલીસને જાણ થઈ ગઈ હતી કે મહિલાને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા છે. પોલીસે ફોન કટ કરાવી મહિલાને ડિજિટલ એરેસ્ટ વિશે સમજાવ્યા હતા અને મહિલાના સંબંધીઓને બોલાવીને પણ આ અંગે જાણ કરી દીધી હતી. સાયબર ઠગે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને ડરાવ્યાપોલીસે સમગ્ર બનાવવાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મણિનગરમાં રહેતા વૃદ્ધ મહિલાને 18 નંબર પરથી અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ મહિલાને જણાવ્યું હતું કે તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ સંદિગ્ધ ગતિવિધિઓમાં થયો છે જેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે. તેમ કહી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને ફોન ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. 33.35 લાખ ખાનગી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા ધમકી આપીજે બાદ મહિલાનો આધાર કાર્ડ નંબર મેળવી આધાર કાર્ડ નંબરથી એક બેન્ક એકાઉન્ટમાં સ્કેમના પૈસા આવ્યા છે તેવું કહ્યું હતું. મહિલાને ડરાવીને તેમના બેંકની ડિટેલ, ડિપોઝિટ, LIC પોલિસી સહિતની તમામ માહિતી મેળવી લીધી હતી. જે બાદ મહિલાના નાણાંનું વેરિફિકેશન કરવાના બહાને 33.35 લાખ રૂપિયા ખાનગી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. બેંક કર્મચારીઓ અને પોલીસે વૃદ્ધ મહિલાને બચાવ્યામહિલા ડરીને બેંકમાં પહોંચ્યા હતા અને તેમને ડિજિટલ એરેસ્ટ કર્યા હોવાથી કેસમાંથી છૂટવા 33.35 લાખ રૂપિયા વેરિફિકેશન માટે ટ્રાન્સફર કરવાના હતા. જોકે બેંક કર્મચારીઓની સમય સૂચકતા અને સાઇબર ક્રાઇમના સમજાવટ બાદ મહિલાના ખાતામાંથી 33.35 લાખ રૂપિયા ટ્રાન્સફર થતા બચી ગયા હતાં.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 6:24 pm

ભાજપનો આંતરિક વિવાદ ટોચ પર:MP-MLA સામસામે આવ્યા, અમદાવાદ હિટ એન્ડ રનના શોકિંગ CCTV; CMની મંચ પરથી ભ્રષ્ટાચારીઓ પર 'ગુગલી'

₹600 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, CMની ભ્રષ્ટાચાર પર 'ગુગલી' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સુરત મહાનગરપાલિકા અને સુડાના અંદાજે ₹600 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે ભ્રષ્ટાચાર પર આડકતરી મજાક કરતા કહ્યું કે, આપણે એકલો ટેક્સ જ લેવાનો, બીજું કંઈ નહીં પાછું..! આ નિવેદન દ્વારા તેમણે નેતાઓ અને અધિકારીઓને માત્ર નિયમાનુસાર જ કામ કરવા પર ભાર મૂક્યો હતો, જેનાથી કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો ભરુચના સાંસદ મનસુખ વસાવાની પ્રેસ કોન્ફરન્સને લઈને ભરુચ અને નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે, જેમાં રાજપીપળાના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે સાંસદ પર માનહાનિનો દાવો કરવાની ચીમકી આપી હતી. ડૉ. દર્શના દેશમુખે ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ હોવાના સાંસદના આડકતરા આક્ષેપોને કારણે પોતાની બદનામી થઈ હોવાનું જણાવ્યું હતું. જેના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, તમને ધારાસભ્ય જ મેં બનાવ્યા છે, અને તેમને જાહેરમાં આરોપ લગાવવાને બદલે પાર્ટી ફોરમમાં વાત કરવી જોઈતી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દલાલે દગો કરતા પરિવાર લીબિયામાં બંધક બનાવાયો મહેસાણાના બદલપુરા ગામનો એક યુવક, તેના પત્ની અને ત્રણ વર્ષની દીકરી પોર્ટુગલ જવાના પ્રયાસમાં એજન્ટોના દગાનો ભોગ બની લિબિયામાં અપહરણકારોના બંધક બન્યા છે. અપહરણકારોએ આ પરિવારને છોડાવવા માટે ₹2 કરોડની જંગી ખંડણીની માંગણી કરી છે, જેના કારણે યુવકના વૃદ્ધ માતા સહિત સમગ્ર પરિવાર ચિંતાતુર બન્યો છે. પરિવારે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈને રાજકીય આગેવાનો સુધી રજૂઆત કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બેરોજગાર રત્નકલાકારનો આપઘાત સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેરોજગારી અને 20 વર્ષની આંતરડાની લાંબી બીમારીથી કંટાળી ગયેલા રત્નકલાકાર ઘનશ્યામભાઈએ આપઘાત કર્યો. તેમણે પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી છે. મોતની છલાંગ લગાવતા પહેલાં તેમણે ચપ્પુથી ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન પત્નીએ ચપ્પુ ઝૂંટવતા તેમને હાથમાં ઘા વાગ્યો હતો.આ નિષ્ફળ પ્રયાસ બાદ ઘનશ્યામભાઈ દોડીને ટેરેસ પરથી કૂદી ગયા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પત્નીની હત્યા કરી ફરાર પતિનો મૃતદેહ મળ્યો ગીર સોમનાથના ડારી ગામે વિનોદ સોમા ધોળિયા નામના વ્યક્તિએ શુક્રવારે રિસામણે રહેલી પોતાની 42 વર્ષીય પત્ની ચંપાબેનની છરીના સાત ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થયેલા પતિ વિનોદનો મૃતદેહ આજે ગામની કબ્રસ્તાન નજીકની દરગાહમાંથી મળી આવ્યો છે, જ્યાં તેણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ લોહિયાળ ઘટનાને કારણે તેમના બે પુત્રોએ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 'નંબરપ્લેટથી મેમો આપતી પોલીસ આરોપીને પકડી ન શકી' અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મંદિર જઈ રહેલા એક વૃદ્ધને અજાણ્યા બાઇકચાલકે ટક્કર મારી હિટ એન્ડ રનનો ગુનો આચર્યો હતો, જેમાં ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવા છતાં અને બાઇકની નંબર પ્લેટ દેખાતી હોવા છતાં પોલીસ આરોપીને પકડી ન શકતા મૃતકના પુત્રએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભવનાથમાં 20થી વધુ દબાણો દૂર કરાયા જૂનાગઢ વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા આગામી મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભવનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ 20થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓની અવરજવર માટે રસ્તાઓ ખુલ્લા થઈ શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરેન્દ્રનગરમાં એક દિવસમાં બે ગંભીર અકસ્માત, બેના મોત સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં અકસ્માતની બે ગંભીર ઘટનાઓ નોંધાઈ છે, જેમાં લખતર-વિરમગામ હાઇવે પર રોંગ સાઇડથી આવતી ટ્રકની ટક્કરે બાઇક પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે બીજી ઘટનામાં ચોટીલા-રાજકોટ હાઇવે પર નાની મોલડી પાસે બે ટ્રક, એક બસ અને વેગેનાર કાર એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં વેગેનાર કારનો પડીકું વળી જતાં તેમાં ફસાયેલા 3-4 લોકોને JCB મશીનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા, જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કોંગ્રેસ સાંસદે સંસદમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો જૂનાગઢ શહેરની ગંભીર ટ્રાફિક સમસ્યાનું મૂળ કારણ એવા 11 રેલવે ફાટકનો મુદ્દો કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે દિલ્હીમાં ઉઠાવ્યો છે. શક્તિસિંહ ગોહિલે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જૂનાગઢ શહેરની બહાર બાયપાસ રેલવે લાઇન બનાવવાની તાત્કાલિક માગણી કરી હતી. આ મુદ્દો સ્થાનિક ભાજપના જનપ્રતિનિધિઓને બદલે વિપક્ષના નેતાએ ઉઠાવતા, સોશિયલ મીડિયા પર સ્થાનિક ભાજપ નેતાગીરીની નિષ્ક્રિયતા અને લોકોની સમસ્યાઓ પ્રત્યેની રજૂઆત પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આગામી સપ્તાહમાં ઠંડીનો ચમકારો અનુભવાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે અને પવનની દિશા પૂર્વ તરફની રહેશે, જ્યારે નલિયા 9.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે.. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હોવાથી લોકોને ઠંડીનો ચમકારો અનુભવાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 6:10 pm

SOU વિસ્તારમાં સરકારી પ્લોટનો વિવાદ:4 અધિકારીના પ્લોટ 'શ્રી સરકાર' કરવા આદેશ; બાંધકામ ન કરવા બદલ શરતભંગનો નિયમ લાગુ: 13માંથી 4 પ્લોટધારક સામે પગલાં લેવાશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU)ના નિર્માણ બાદ ગરુડેશ્વર તાલુકાની જમીનોના ભાવ આસમાને પહોંચતા સરકારી અધિકારીઓ પણ આ વિસ્તારમાં પ્લોટ મેળવવાથી બાકાત રહ્યા નહોતા. વર્ષ 2019માં, તે સમયે જિલ્લામાં ફરજ બજાવતા 13 અધિકારીએ રાજ્ય સરકાર પંચાયત સેવાના બદલીપાત્ર અધિકારી-કર્મચારીઓને રહેણાક હેતુસર રાહત દરે સરકારી પડતર જમીન ફાળવવાની જોગવાઈઓ હેઠળ 135 ચો.મી.ના રહેણાક પ્લોટની માંગણી કરી હતી. તત્કાલીન જિલ્લા કલેક્ટર, નર્મદા દ્વારા ગરુડેશ્વર ગામની સર્વે નંબર – ૩૯૫ (જુના સર્વે નં. 235/બ/1)માં નિયમો અને શરતોને આધિન આ જમીન ફાળવી આપવામાં આવી હતી. શરતભંગનો આદેશજમીન ફાળવણીના હુકમની શરત નંબર-2 મુજબ, અધિકારીઓને ફાળવણીના 6 માસની અંદર પ્લોટ પર બાંધકામ શરૂ કરીને 2 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી રહેણાક માટે ઉપયોગ કરવાનો હતો. આ બાબતે રજૂઆતો બાદ પ્રાંત અધિકારી, રાજપીપલા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ અહેવાલ મુજબ, ફાળવવામાં આવેલા 13 પ્લોટમાંથી 4 અધિકારીના પ્લોટ પર નિયત સમયમર્યાદામાં બાંધકામ પૂર્ણ થયું ન હોવાનું જણાયું હતું. આથી, જિલ્લા કલેક્ટર સંજય મોદીએ ચારેય અધિકારીને સુનાવણી માટે નોટિસ આપી હતી. જે 4 અધિકારીની જમીન 'શ્રી સરકાર' કરવા આદેશ અપાયો: અધિકારીઓના બચાવ અને કલેક્ટરનો નિર્ણયસુનાવણી દરમિયાન, અધિકારીઓએ બાંધકામની પરવાનગી ન મળવી, આર્થિક સંકડામણ, અને એક અધિકારીના કિસ્સામાં મૃત્યુ જેવા વિવિધ કારણો રજૂ કર્યા હતા અને મુદત લંબાવવા વિનંતી કરી હતી. જોકે, જિલ્લા કલેક્ટર સંજય મોદીએ તમામ ખુલાસા ફગાવી દીધા હતા. તેમણે નોંધ્યું કે નિયમો મુજબ, કાબૂ બહારના કારણોસર બાંધકામ શક્ય ન હોય તો મુદ્દત લંબાવવા માટે સરકારી કચેરીમાં અગાઉથી રજૂઆત કરવી ફરજિયાત છે. અધિકારીઓ દ્વારા મુદત પૂર્ણ થયા છતાં વધુ મુદત વધારવા માટે કોઈ લેખિત પરવાનગી મેળવી ન હોવાથી કે રજૂઆત કરી ન હોવાથી, જમીન ફાળવણીના હુકમની શરતોનો ભંગ થયેલો ગણાય છે. આથી, જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પ્લોટ નં. 3, 4, 5, અને 10 ની જમીન વિના વળતરે સરકાર હસ્તક પરત લેવા (શ્રી સરકાર કરવા) આદેશ કર્યો છે, જેનાથી જિલ્લાના વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ઉભા થયેલા મુખ્ય પ્રશ્નો વર્ષ 2019માં પ્લોટ મેળવનાર 13 અધિકારી (તત્કાલીન હોદ્દા મુજબ):

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 5:53 pm

પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, 7 ટ્રક ઝડપાઈ:₹3.05 કરોડનો મુદ્દામાલ જપ્ત, 12 લોકોની અટકાયત

પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે પાંચ તાલુકાઓમાં દરોડા પાડી ગેરકાયદેસર રેતી ભરેલી સાત ટ્રકો ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ ₹3.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 12 લોકોની અટકાયત કરાઈ છે. જિલ્લામાં ખનીજ ચોરી રોકવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમો જાંબુઘોડા, ઘોઘંબા, મોરવા હડફ, કાલોલ અને શહેરા તાલુકામાં રૂટિન ચેકિંગ પર હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જાંબુઘોડા પંથક, ઘોઘંબાના ગોદલી, મોરવા હડફ, કાલોલના દેલોલ અને શહેરાના ધામણોદ ગામ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, રોયલ્ટી પાસ વિના અથવા નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતી સાત ટ્રકો ઝડપાઈ હતી. ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી આ સાત ટ્રકો સાથે ડ્રાઈવર અને ક્લીનર સહિત કુલ 12 ઈસમોની અટકાયત કરી હતી. તંત્ર દ્વારા જપ્ત કરાયેલા તમામ વાહનોને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ઝડપાયેલા વાહન ચાલકો સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એકસાથે પાંચ તાલુકામાં થયેલા આ દરોડાને કારણે જિલ્લાના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 5:37 pm

યુવકે મહેંદીથી શુભ વિવાહ લખેલા હાથ પર બ્લેડ મારી:લગ્નની આગલી રાત્રે ઇસનપુરનો યુવક અચાનક ગાયબ થયો, મુંબઇની હોટલમાં આત્મહત્યા કરે તે પહેલાં પોલીસે જીવ બચાવ્યો

અમદાવાદ શહેરમાં લગ્નને લઈ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. ઇસનપુર વિસ્તારમાં રહેતા યુવકના 12 ડિસેમ્બરના લગ્ન હતા, પરંતુ 11 ડિસેમ્બરની રાતથી યુવક ગુમ હતો. પોલીસે તપાસ કરતા યુવક મુંબઇની હોટલમાંથી મળી આવ્યો. લગ્ન ન કરવા હોવાથી ડિપ્રેશનમાં આવી જતા યુવક આત્મહત્યા કરવાનો હતો જેને પોલીસે જીવ બચાવી લીધો છે. જોકે, યુવકે પોલીસ પહોંચે તે પહેલાં જ મહેંદીથી શુભ વિવાહ લખેલા પોતાના હાથ પર બ્લેડ મારી દીધી હતી. લગ્નની આગલી રાત્રે અચાનક યુવક ગાયબ થયોઅમદાવાદના ઇસનપુરમાં રહેતો 27 વર્ષીય યુવક ખાનગી બેંકમાં નોકરી કરે છે. આ યુવકના 12 ડિસેમ્બરના રોજ લગ્ન હતા. પરંતુ લગ્નની આગલી રાત્રે અઢી વાગ્યાની આસપાસ યુવક ગાયબ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરિવારે કુટુંબના સભ્યો અને યુવકના મિત્રોને ફોન કરી તપાસ કરતા યુવકની ક્યાંય ભાળ મળી નહોતી. જેથી પરિવારે ડરના કારણે પોલીસને જાણ કરી હતી. ઇસનપુર પોલીસે તપાસ શરૂ કરી ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં યુવક એક ટેક્સીમાં બેસીને જતો દેખાયો હતો, ત્યાર બાદ પોલીસે યુવકનો મોબાઈલ શોધ્યો હતો. પોલીસને મુંબઇની હોટલમાંથી યુવક મળ્યોપોલીસને યુવકનો મોબાઈલ ઘરમાંથી જ મળી આવ્યો હતો. મોબાઈલમાં તપાસ કરતા યુવકની મુંબઇની ફ્લાઈટની ટિકિટ મળી આવી હતી અને બેંકની વિગત પણ મળી આવી હતી. ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીની પરવાનગી લઈ ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ જાડેજાએ એક ટીમ તાત્કાલિક મુંબઇ રવાના કરી હતી. ઇસનપુર પોલીસની ટીમે મુંબઇ પોલીસની મદદથી યુવક જે હોટલમાં રોકાયો હતો ત્યાં તપાસ કરી ત્યારે રૂમમાંથી યુવક મળી આવ્યો હતો. યુવકે હાથમાં બ્લેડ મારી ગળેફાંસો ખાવાની તૈયારી કરીયુવકે મહેંદીથી શુભ વિવાહ લખાવેલા હાથના ભાગે નસ કાપી હતી અને ગળેફાંસો ખાવાની તૈયારી કરી રહ્યો હતો. યુવકના રૂમમાંથી એક દોરડું પણ મળી આવ્યું હતું. જોકે, પોલીસે સમયસર પહોંચીને યુવકનો જીવ બચાવી લીધો હતો. પોલીસે યુવકની મુંબઇમાં જ પ્રાથમિક સારવાર કરાવી હતી. જે બાદ યુવકની પૂછપરછ કરી ત્યારે યુવકે જણાવ્યું હતું કે, તેને લગ્ન કરવા નહોતા જેથી તે અમદાવાદથી ભાગીને મુંબઈ આવી ગયો હતો અને ડિપ્રેશનના કારણે તે આત્મહત્યા કરવાનો હતો. પોલીસે યુવકનો જીવ બચાવી પરત અમદાવાદ લાવીઇસનપુર પોલીસની સમય સૂચકતાથી યુવકનો જીવ બચી ગયો હતો. પોલીસની ટીમ યુવકને લઈ પરત અમદાવાદ આવી હતી. યુવકને ઇસનપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પરિવારના સભ્યો પણ પહોંચ્યો હતો. પોલીસની કામગીરીથી પરિવારને તેમનો એકનો એક દીકરો જીવતો મળ્યો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં પણ ભાવુક દૃશ્યો સર્જાયા હતા. યુવકને અમદાવાદ લાવીને પોલીસે કાઉન્સિલિંગ કર્યુંઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસની ટીમ સમયસર મુંબઇની હોટલમાં પહોંચી હતી. જો પોલીસની ટીમ મોડા પહોંચી હોત તો કદાચ યુવકે આત્મહત્યા કરી લીધી હતો. યુવકને અમદાવાદ લાવીને પોલીસે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને યુવકે પણ ભવિષ્યમાં આ પ્રકારનું પગલું ના ભરે તેવી પોલીસને બાહેંધરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 5:36 pm

વડોદરામાં 2025ની રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન:30 હજાર કેસો મૂકવામાં આવ્યા, 3 હજાર ચેક રિટર્ન કેસ તથા 100 મોટર એક્સિડેન્ટ ક્લેમ કેસોનું સફળ સમાધાન

વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના કેસોનું સમાધાન અને નિકાલ કરવામાં આવ્યો હતો. સમાધાન લાયક લગભગ 30,000 જેટલા કેસો મૂકાયાઆ લોક અદાલતમાં સમાધાન લાયક લગભગ 30,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા. વકીલો તથા જ્યુડિશિયલ અધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી પ્રી-લોક અદાલત સીટિંગમાં 3,000 જેટલા ચેક રિટર્ન કેસો તથા 100 જેટલા મોટર એક્સિડેન્ટ ક્લેમ કેસોનું સફળ સમાધાન કરવામાં આવ્યું હતું. કેસોમાં સુલેહ કરાવી ઝડપી ન્યાય પૂરો પાડવામાં આવ્યોરાષ્ટ્રીય લોક અદાલત દ્વારા બેંક અને નાણાકીય સંસ્થાઓના કેસો, વીજળી તથા પાણીના બિલના વિવાદો, મોટર વાહન અકસ્માતના કેસો, પારિવારિક વિવાદો, નાના ગુનાહિત કેસો, વિવાહ તથા છૂટાછેડાના મામલા તેમજ મિલકત વિવાદો જેવા કેસોમાં સુલેહ કરાવી ઝડપી ન્યાય પૂરો પાડવામાં આવ્યો હતો. આનાથી લોકોને ત્વરિત ન્યાય મળ્યો અને ન્યાયિક વ્યવસ્થા પરનો ભાર પણ ઘટ્યો છે.આ પ્રસંગે અધિકારીઓએ લોક અદાલતને વધુ સફળ બનાવવા માટેના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો દ્વારા ન્યાય વ્યવસ્થાને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના ચેરમેન તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી.કે. પાઠક, પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ એમ.એમ. પટેલ, સેક્રેટરી વિશાલ ગઢવી તેમજ વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો અને વકીલોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 5:34 pm

ગુજરાત પોલીસે 15 દિવસમાં 41 ફરાર આરોપીઓને દબોચ્યા:15 આરોપી પાંચ વર્ષથી ફરાર હતા, જામીન-પેરોલ પર છૂટીને જેલમાં પરત ન ફરનારા સામે કાર્યવાહી

જામીન કે પેરોલ પર બહાર આવીને વર્ષો સુધી જેલમાં પરત ન ફરનારા ગંભીર ગુનાહિતો સામે ગુજરાત પોલીસએ કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યભરમાં ચાલેલી વિશેષ ઝુંબેશ દરમિયાન ખૂન અને બળાત્કાર જેવા ગુનાઓમાં આજીવન કેદની સજા ભોગવી ચૂકેલા 41 ફરાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓએ નામ-હુલિયો બદલ્યા હતાપોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે પકડાયેલા આરોપીઓમાંથી 15 જેટલા પાંચ વર્ષથી વધુ સમયથી કાયદાની પકડથી દૂર હતા. કેટલાક આરોપીઓએ તો પોતાનું નામ-હુલિયો બદલીને અન્ય રાજ્યોમાં નવી ઓળખ સાથે જીવન શરૂ કરી દીધું હતું. તેમ છતાં ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસ તેમની સુધી પહોંચી શકી. 25 આરોપીઓ મૃત્યુ પામ્યાઆ કાર્યવાહી દરમિયાન વધુ 25 આરોપીઓ મૃત્યુ પામ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. તેમના ડેથ સર્ટિફિકેટ મેળવીને કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પૈકીના ઘણા આરોપીઓ પણ વર્ષોથી ફરારની યાદીમાં હતા. આ સમગ્ર કામગીરીમાં આંતર-જિલ્લા અને આંતર-રાજ્ય સ્તરે મજબૂત સંકલન મહત્વપૂર્ણ સાબિત થયું. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ફરાર આરોપીઓ જ્યાં-જ્યાં છુપાયા હતા ત્યાં સુધી પહોંચવા માટે ટીમોએ દિવસ-રાત મહેનત કરી. કાયદાથી બચી રહેલા આરોપીઓ સામે કાર્યવાહીરાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું છે કે, કાયદાથી બચી રહેલા આરોપીઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. જેલમાંથી છૂટ્યા બાદ પરત ન ફરનારા આરોપીઓ માટે હવે રાજ્યમાં છુપાઈ રહેવું વધુ મુશ્કેલ બનશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 5:29 pm

દાહોદમાં ગેરકાયદેસર રેતી વહન કરતી 6 ટ્રક સિઝ:લીમખેડા-પીપલોદ-દેવગઢ બારીઆ માંથી ખાણ ખનીજ વિભાગે રૂપીયા 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ-પીપલોદ અને લીમખેડા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર રેતી વહન સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત રીતે પરિવહન કરતી કુલ 6 ટ્રકો સિઝ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂપિયા 1 કરોડ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને નિયમ મુજબ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં આવેલી પાનમ અને ઉજ્જવલ નદીમાંથી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની ફરિયાદો સતત સામે આવી રહી છે. રોયલ્ટી પાસ કે પરમીટ વિના દરરોજ 200થી વધુ ટ્રકો રેતી ભરેલી લીમખેડાના માર્ગે ઝાલોદ થઈ રાજસ્થાન તરફ જતી હોવાની માહિતી મળી રહી છે. મોટાભાગના ડમ્પરો રોયલ્ટી ચૂકવ્યા વિના ગેરકાયદેસર રીતે પસાર થતા હોવાથી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ખાણ ખનીજ વિભાગ, પોલીસ અને વહીવટી તંત્રને ચકમો આપવા માટે રેતી ખનન માફિયાઓ દ્વારા પોતાનું મજબૂત નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. રાત્રિના 9:00 વાગ્યાથી વહેલી સવારના 5:00 વાગ્યા સુધી ગેરકાયદેસર રેતીનું વહન કરવામાં આવે છે. ટ્રકોના આવન-જાવનની માહિતી એકબીજાને ટેલિફોનિક સંપર્ક તેમજ સોશિયલ મીડિયા મારફતે પહોંચાડવામાં આવે છે, જેથી તપાસ એજન્સીઓથી બચી શકાય. આ પરિસ્થિતિ વચ્ચે ખાણ ખનીજ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગેરકાયદેસર રેતી વહન કરતી છ ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ ટ્રકોમાં રોયલ્ટી પાસ વિના 150 ટનથી વધુ રેતી લઈ જવાઈ રહી હતી. ખાણ ખનીજ વિભાગે તમામ ટ્રકો સિઝ કરી કુલ રૂપિયા 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ દાહોદ જિલ્લામાં સફેદ રેતીના કાળા કારોબાર પર સંપૂર્ણ અંકુશ લાવવો હજુ પણ મોટો પડકાર બની રહ્યો છે. ખાણ ખનીજ વિભાગ પાસે મર્યાદિત સ્ટાફ અને સંસાધનો હોવાના કારણે સતત દેખરેખ રાખવી મુશ્કેલ બની છે. દેવગઢ બારિયા થી ઝાલોદ સુધી ત્રણ પ્રાંત અધિકારીઓ તેમજ દેવગઢ બારિયા, લીમખેડા, ગોવિંદ ગુરુ લીમડી અને ઝાલોદ એમ ચાર મામલતદાર કચેરીઓના કાર્યક્ષેત્રમાંથી આ ટ્રકો પસાર થાય છે. પોલીસ વિભાગની વાત કરીએ તો દેવગઢ બારિયા, પીપલોદ, લીમખેડા, લીમડી અને ઝાલોદ એમ કુલ પાંચ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી આ ગેરકાયદેસર અને ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો બિન્દાસ રીતે પસાર થતી હોવાની ચર્ચા છે. જો સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગ સંકલિત રીતે કડક કાર્યવાહી કરે તો રેતીના કાળા કારોબાર પર અંકુશ આવી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે ઓવરલોડ રેતી ભરેલી ટ્રકોના કારણે માર્ગોને ભારે નુકસાન થઈ રહ્યું છે. રેતીમાંથી વહી જતું પાણી ડામર રોડને નુકસાન પહોંચાડે છે, જેના કારણે રસ્તાઓ ઝડપથી તૂટી જાય છે. આવી સ્થિતિમાં તમામ સંબંધિત વિભાગો દ્વારા કડક અને સતત કાર્યવાહી કરવામાં આવે તો ગેરકાયદેસર રેતી વહન અટકી શકે અને સરકારની તિજોરીને દર વર્ષે થતા કરોડો રૂપિયાનાં નુકસાનથી બચાવી શકાય તેમ છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 5:29 pm

અમરેલીમાં વીજળી બચત જનજાગૃતિ રેલી યોજાઈ:PGVCL દ્વારા સલામતી સપ્તાહ અંતર્ગત આયોજન

અમરેલીમાં પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી દ્વારા 'વીજળી બચત' જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી સરદાર સર્કલથી હરિરામ બાપા ચોક સહિતના વિસ્તારોમાં ફરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ વીજળી બચત અને વીજ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ રેલી 'સલામતી સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી, જે 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી ચાલી રહી છે. આ સપ્તાહનો મુખ્ય હેતુ રાજ્યભરમાં વીજ સલામતી અને સતર્કતા વધારવાનો છે. આ ઉજવણી અંતર્ગત 8 ડિસેમ્બરે અકસ્માત નિવારણ માટે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. સલામતી સપ્તાહ દરમિયાન અકસ્માત નિવારણ માટે ફીટર પરીક્ષણ અને સમારકામ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું, જેમાં વિવિધ શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમરેલીમાં યોજાયેલી આ જનજાગૃતિ રેલીમાં સ્થાનિક અગ્રણીઓ, પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરીના ઉચ્ચ અધિકારીઓ, ઇજનેરો અને મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમણે વીજ વિકાસનો પ્રાણ, એની બચત એ જ કલ્યાણ જેવા સૂત્રોચ્ચાર સાથે વીજળી બચત અને સલામતીનો સંદેશો ફેલાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 5:26 pm

ભરૂચમાં 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ:15 હજારથી વધુ કેસો સમાધાન માટે રજૂ કરાયા

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજના અધ્યક્ષસ્થાને વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદાલત જિલ્લા અદાલત તેમજ જિલ્લાની તમામ તાલુકા અદાલતોમાં યોજાઈ હતી. આ લોક અદાલતનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લાની જનતાને તેમના કેસોમાં ઝડપી અને સરળ નિરાકરણ મેળવવાની સુવર્ણ તક પૂરી પાડવાનો હતો. પક્ષકારો આ લોક અદાલતનો મહત્તમ લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક અને કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળો અને કાનૂની સેવા સમિતિઓને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં લગ્નવિષયક વિવાદો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ, જમીન સંપાદન સંબંધિત કેસો, મોટર અકસ્માત વળતર કેસો, કામદાર અને માલિક વચ્ચેની તકરાર, વીજળી સંબંધિત કેસો તેમજ માત્ર દંડપાત્ર અને સમાધાનલાયક ફોજદારી કેસો સહિત કુલ 15 હજારથી વધુ કેસો સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 5:25 pm

3 કરોડથી વધુના બેંક છેતરપિંડી કેસમાં 17 વર્ષે સજા:CBI કોર્ટે ચાર આરોપીને 3 વર્ષની સજા અને 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

અમદાવાદની CBI કોર્ટે 3 કરોડ રૂપિયાથી પણ વધુના બેંક છેતરપિંડીના કેસમાં આરોપીઓને સજા ફટકારી છે. CBI કોર્ટે ચાર આરોપી મનોજ તંતી, પરેશ એમ. તંતી, પૂર્વા પરેશ તંતી, લીલવંતી એમ. તંતી જેઓ પી.એમ માર્કેટિંગ અમદાવાદના ભાગીદારોને બેંક છેતરપિંડીના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે દરેકને 50-50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2008માં CBIએ કેસ નોંધ્યો હતો, જે કેસમાં 17 વર્ષ બાદ આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. આરોપીએ બેંક ઓફ બરોડાને 3.48 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતુંસેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ 30 સપ્ટેમ્બર, 2008ના કેસ નોંધ્યો હતો. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, આરોપી મનોજ બી. તંતી, પરેશ એમ. તંતી, પૂર્વા પરેશ તંતી અને લીલાવંતી એમ. તંતીએ મેસર્સ પીએમ માર્કેટિંગ અમદાવાદના ભાગીદારી કરી ગુનાહિત કાવતરામાં અને બદનામ ઈરાદાથી બેંક ઓફ બરોડા પાસેથી 3 કરોડની રોકડ ક્રેડિટ સુવિધા મેળવવા માટે બનાવટી નાણાકીય નિવેદનો રજૂ કર્યા હતા. આરોપીઓએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી અગાઉ મેળવેલી રોકડ ક્રેડિટ સુવિધાની હકીકત છુપાવીને ઉપરોક્ત રોકડ ક્રેડિટ સુવિધાનો લાભ લીધો હતો. જેમાં બેંક ઓફ બરોડાને 3.48 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું અને પોતાને ખોટો ફાયદો કરાવ્યો હતો. આરોપીઓએ અગાઉ મેળવેલી કેશ ક્રેડિટની માહિતી છુપાવીતપાસમાં જાણવા મળ્યું કે, મેસર્સ પી.એમ. માર્કેટિંગના ભાગીદારોએ બનાવટી નાણાકીય નિવેદનો રજૂ કરવાના આધારે બેંક ઓફ બરોડા પાસેથી કેશ ક્રેડિટ સુવિધા મેળવી હતી. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આરોપીઓએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું અને બેંક ઓફ બરોડા પાસેથી કેશ ક્રેડિટ સુવિધા મેળવતા પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી અગાઉ કેશ ક્રેડિટ સુવિધા મેળવી હતી તે હકીકત છુપાવી હતી. કોર્ટે ચારેય આરોપીને દોષી જાહેર કર્યાતપાસ બાદ CBI કોર્ટે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં ટ્રાયલ પછી કોર્ટે ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા અને ત્રણ વર્ષની સજા અને 50- 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 5:16 pm

અમદાવાદના ચાંદખેડામાં આવેલા પેલેડિયમ બિઝનેસ હબમાં આગની ઘટના, ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે

Palladium Business Hub Fire: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યૂ સી.જી. રોડ પર પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગવાની ઘટના બની છે. પેલેડિયમ બિઝનેસ હબમાં બીજા માળ પર આગ લાગવાની માહિતી મળતા જ ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. હાલ આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિના કે કોઈ ફસાયું હોવાના અહેવાલ નથી.

ગુજરાત સમાચાર 13 Dec 2025 5:10 pm

ચાંદખેડામાં પેલેડિયમ બિઝનેસ હબમાં આગ:બીજા માળે આગ ભભૂકી ઉઠતાં લોકોમાં નાસભાગ; ફાયરની ચારથી વધુ ટીમ ઘટનાસ્થળે

અમદાવાદના વિસત ગાંધીનગર હાઇવે પર 4D મોલની સામે આવેલા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આગ લાગવાની ઘટનાના પગલે લોકોને કોમ્પલેક્ષમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગવાના પગલે તાત્કાલિક બિલ્ડિંગનું કોમ્પલેક્ષ પણ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા હાલ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી રહી છે. ફાયર અધિકારીએ જણાવ્યું છે કે, પેલેડિયમ બિઝનેસ હબમાં બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. જાણ થતા જ ફાયરની 5 ગાડીઓ સ્થળે રવાના કરી દેવામાં આવી હતી. 5 ગાડી દ્વારા આગ કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પેલેડિયમ બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલા સ્પા સેન્ટરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ફાયર વિભાગની ગાડીઓ દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી રહી છે. આગ લાગતા ધુમાડો આખા બિઝનેશ હબમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે આખું કોમ્પ્લેક્સ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચીને કામગીરી કરી રહી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 5:09 pm

પંચમહાલમાં 29 તલાટીની સાગમટે બદલી:લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા તલાટીઓને DDOએ ખસેડ્યા

પંચમહાલ જિલ્લા પંચાયત તંત્રમાં વહીવટી પારદર્શિતા લાવવાના હેતુથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક સાથે 29 તલાટી કમ મંત્રીની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં ખાસ કરીને એક જ ગ્રામ પંચાયતમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા તલાટીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. આ બદલીઓ પાછળનું મુખ્ય કારણ એક જ પંચાયતમાં લાંબા સમયથી ફરજ બજાવતા તલાટીઓની બદલી કરીને વહીવટમાં ગતિશીલતા લાવવાનું છે. તંત્ર દ્વારા એવા તલાટીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેઓ 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી એક જ જગ્યાએ સ્થાયી હતા. જિલ્લા વિકાસ અધિકારીના હુકમ મુજબ ગોધરા, મોરવા હડફ, કાલોલ, હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકામાં ફરજ બજાવતા તલાટીઓને અસર થઈ છે. સૌથી વધુ બદલીઓ ઘોઘંબા અને કાલોલ તાલુકામાંથી થઈ છે. ઘોઘંબામાંથી ૧૧, કાલોલમાંથી ૮, હાલોલમાંથી ૪, ગોધરામાંથી ૩, મોરવા હડફમાંથી ૨ અને જાંબુઘોડામાંથી ૧ તલાટીની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં ઘોઘંબા અને કાલોલ તાલુકામાં ૧૦ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા ૩ તલાટીઓ તેમજ ૯ વર્ષથી એક જ જગ્યાએ રહેલા ૩ તલાટીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, છેલ્લા ૭ થી ૮ વર્ષથી ફરજ બજાવતા વિવિધ ૬ તાલુકાના ૧૪ જેટલા તલાટીઓને પણ બદલવામાં આવ્યા છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી ડી. કે. ગરાસીયાએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લાના સાત તાલુકામાંથી ૨૯ તલાટીઓની જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ બદલી કરવામાં આવી છે. આ તલાટીઓ છેલ્લા પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા, જેમની વહીવટી કારણોસર અને વહીવટમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી બદલી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 5:01 pm

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો, તીવ્રતા 3.9:માંડવીના ગઢશીશાથી 13 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું

કચ્છ જિલ્લામાં શનિવારે બપોરે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 2.47 વાગ્યે નોંધાયેલા આ ભૂકંપની તીવ્રતા સિસ્મોગ્રાફી મશીન પર 3.9 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ માંડવી તાલુકાના ગઢશીશાથી આશરે 13 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ આંચકાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, સદભાગ્યે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસમાં કચ્છમાં ચાર વખત ધરતી ધ્રુજી છે, જેના કારણે ભૂકંપીય પ્રવૃત્તિ અંગે લોકોમાં ચિંતા વધી છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:58 pm

મોરબીમાં એક કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ:અસામાજિકતત્વોના બે ગેરકાયદે મકાન તોડી પડાયા

મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલા મફતિયાપરા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બે રહેણાંક મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. પોલીસ અને રેવન્યુ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને આશરે એક કરોડ રૂપિયાની કિંમતની 40 ચોરસ મીટર સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમા ટાઉનશીપ સામેના મફતિયાપરામાં જુસબ ઉર્ફે જુસ્સો હબીબ જામ અને વલીમામદ હબીબ જામ નામના શખ્સોએ આ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ બંને શખ્સો અગાઉ દારૂ અને શરીર સંબંધી ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, બંને શખ્સોએ 20-20 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદેસર મકાનો બનાવ્યા હતા. સરકારી બુલડોઝર દ્વારા આ બંને મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરી મોરબીના એસપી મુકેશકુમાર પટેલના માર્ગદર્શન અને ડીવાયએસપી પી.એ. ઝાલાની સૂચના મુજબ કરવામાં આવી હતી. સીટી મામલતદાર હિતેશભાઈ કુંડારીયાને સાથે રાખીને બી ડિવિઝન પોલીસની ટીમે આ દબાણ હટાવવાની કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડી હતી. સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને તોડી પાડવા માટે વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:57 pm

ક્લેક્ટરના આદેશ બાદ બે વિરુદ્ધ FIR:ચાણસ્મામાં જમીન પચાવી પાડવા બદલ ગુનો નોંધાયો

ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં જમીન પચાવી પાડવાના કેસમાં બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પાટણ ક્લેક્ટરના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ફરિયાદ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા હેઠળ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી અલ્પેશભાઈ બારોટ છે. આરોપીઓમાં મહેસાણાના અનિલભાઈ રબારી અને વિપુલભાઈ રબારીનો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ, ફરિયાદીની મોજે ધિણોજ (રેલ્વેપુરા)ની સીમમાં આવેલી ખાતા નં. 2213, સર્વે નંબર 1203/1 P2 ની 0-33-39 હેક્ટર-આરે-ચો.મી. જમીન પર આરોપીઓએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી વાવેતર કરી દીધું હતું. આ જમીન ફરિયાદીના પિતા ભુપેન્દ્રકુમાર બારોટના નામે હતી, જેમનું અવસાન 30 નવેમ્બર, 2020 ના રોજ થયું હતું.ફરિયાદીને 9 ઓગસ્ટ, 2023 ના રોજ આ જમીન પર ગેરકાયદેસર કબજાની જાણ થઈ હતી. તેમણે આરોપીઓને જમીનના 7/12 ના ઉતારા બતાવ્યા છતાં, આરોપીઓએ જમીન ખાલી કરવાની ના પાડી દીધી હતી. આ મામલે ફરિયાદીએ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અન્વયે પાટણ ક્લેક્ટર સમક્ષ અરજી કરી હતી. પાટણ ક્લેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબે 18 સપ્ટેમ્બર, 2025 ના રોજ હુકમ કરીને ગુનો બનતો હોવાનું ઠરાવ્યું હતું. તેમણે ચાણસ્મા મામલતદારને પ્રતિવાદીઓને 10 દિવસમાં જમીનનો કબજો ખુલ્લો કરવા નોટિસ આપવા અને જો કબજો ખાલી ન થાય તો FIR દાખલ કરાવવા આદેશ કર્યો હતો. ત્યારબાદ, ચાણસ્મા મામલતદાર કચેરી દ્વારા 11 ડિસેમ્બર, 2025 ના રોજ ફરિયાદીને લેખિતમાં જાણ કરવામાં આવી કે પ્રતિવાદીઓ કબજો પરત કરવા સંમત નથી. આથી, તેમની વિરુદ્ધ નિયમોનુસાર FIR દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ 4(3) અને 5, તેમજ બી.એન.એસ. એક્ટની કલમ 329(3) હેઠળ નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:55 pm

સુરત પોલીસે 5 દિવસમાં 89 ફરિયાદ અને 23ની ધરપકડ કરી:સુરતમાં 'ઓપરેશન મ્યુલ હંટ'નો સપાટો, 3,046 ખાતાધારકોની તપાસ; 1,638 લોકોને નોટિસ ફટકારાઈ

ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સૂચના બાદ સાયબર ગુનેગારો વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલી 'ઓપેશન મ્યુલ હંટ' ડ્રાઈવ અંતર્ગત સુરત શહેર પોલીસે અત્યંત કડક કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે વપરાતા 'મ્યુલ એકાઉન્ટ્સ'ને નિશાન બનાવીને પોલીસે મોટા પાયે તપાસ શરૂ કરી છે. જેમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. 3,046 ખાતાધારકોની ઊંડાણપૂર્વક તપાસ કરાઈગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા પુરા પાડવામાં આવેલા ડેટાના આધારે સુરત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. પોલીસે કુલ 3,921 શંકાસ્પદ ચેક અને ATM વિડ્રોઅલ ખાતાઓની ઓળખ કરી છે. અત્યાર સુધીમાં કુલ 3,046 ખાતાધારકોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે. 89 લોકો સામે ફરિયાદ અને 23ની ધરપકડ કરાઈસુરત શહેર પોલીસ દ્વારા આ મામલે કુલ 89 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મ્યુલ એકાઉન્ટ બનાવવા માટે દસ્તાવેજો મેળવનાર અને આ નેટવર્ક ચલાવનાર 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાયદાકીય જોગવાઈ મુજબ જે કેસમાં 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે તેવા કુલ 1,638 લોકોને પોલીસ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. શ્રમિકોને લાલત આપી મ્યુલ એકાઉન્ટ ખોલાવતાસાયબર સેલના ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, ડેપ્યુટી સીએમની સૂચના બાદ તમામ ઝોનની અલગ અલગ ટીમો બનાવી આ ઓપરેશન શરૂ કરાયું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોટાભાગે કાપડ અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોનો સમાવેશ થયા છે. આ શ્રમિકોને સામાન્ય કમિશનની લાલચ આપી તેમની પાસેથી આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવી લેવામાં આવતા હતા. ત્યાર બાદ તેમના નામે બેંક ખાતા ખોલાવી સાયબર ક્રાઈમના નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. બેંક અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે બેઠક યોજી હતીતા. 8 ડિસેમ્બરના રોજ શરૂ થયેલી આ ડ્રાઈવને વધુ અસરકારક બનાવવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં 9 ડિસેમ્બર 2025ના રોજ એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ 68 જેટલી સરકારી, ખાનગી અને સહકારી બેંકોના અધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવ્યું હતું. બેંકોના શંકાસ્પદ ખાતાઓની માહિતી તાત્કાલિક પૂર પાડવા સૂચના અપાઈ હતી. ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરના નોડલ અધિકારીઓને POS (પોઇન્ટ ઓફ સેલ) દ્વારા ઈસ્યૂ કરવામાં આવતા સિમ કાર્ડ બાબતે વિશેષ તકેદારી રાખવા આદેશ આપ્યા હતા. આરોપીઓને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરાઈઆ ઓપરેશન માટે સુરત શહેર સાયબર ક્રાઈમ સેલ ઉપરાંત તમામ ઝોન, ડીસીપી અને એસઓજી સહિતની વિવિધ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. ડીસીપી બિશાખા જૈને સ્પષ્ટ કર્યું હતું કે, જે આરોપીઓ સાત વર્ષતી ઓછી સજાના ગુનામાં સંકળાયેલા છે તેમને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. જ્યારે મુખ્ય સૂત્રધારો સામે કડક પગલાં ભરી તેમની ધરપકડ કરવામાં આવી છે. અજાણી વ્યક્તિને બેંક ખાતાની વિગતો કે દસ્તાવેજો આપવા નહીંસુરત પોલીસની આ કાર્યવાહીથી સાયબર ગુનેગારોના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, કોઈપણ અજાણી વ્યક્તિની કમિશનની લાલચમાં આવીને પોતાના બેંક ખાતાની વિગતો કે દસ્તાવેજો આપવા નહીં.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:51 pm

અમદાવાદની હોલીડેઝ કંપનીએ સર્ટિફિકેટ વગર જ વર્ક પરમીટની જાહેરાત કરી:પોલીસે તપાસ કરતા માન્ય સર્ટિફિકેટ ન હોવાનું સામે આવતા ઈમીગ્રેશન એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ

અમદાવાદની કે. સી. હોલીડેઝ નામની કંપની દ્વારા વિદેશમાં રોજગાર માટેની જાહેરાતો કરવામાં આવી હતી. દુબઇ વર્ક પરમિટ પર દર મહિને એક લાખ કમાવવાની તક હોવાનું કહી રિક્રુટમેન્ટ ઓફર કરવામાં આવી હતી. આ પ્રકારની જાહેરાત જોયા બાદ કે. સી. હોલીડેઝ દ્વારા માન્ય સર્ટીફીકેટ મેળવેલ છે કે નહીં ? તેની અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કે. સી. હોલીડે એજન્સીના માલિક દ્વારા વિદેશમાં રિક્રુટમેન્ટ માટેનું કોઈપણ માન્ય સર્ટિફિકેટ ન મેળવી હોવાનો સામે આવ્યું હતું. જેથી પોલીસે કે. સી. હોલીડેઝ નામની કંપનીના માલિક કિરણ ચંદ્રકાંત અને રાઠોડ વિનોદ ત્રિબોવનભાઇ સામે ઈમીગ્રેશન એક્ટ મુજબ ફરિયાદ નોંધી છે. રિક્રુટિંગ એજન્ટ તરીકેનું માન્ય સર્ટીફીકેટ મેળવવું જરૂરીદુબઈ વર્ક પરમીટ પર દર મહિને એક લાખ રૂપિયા કમાવવાની તક હોવાનું કહી રિક્રુટમેન્ટ ઓફર 31 જૂનના કરવામાં આવી હતી. કે.સી. હોલીડેઝના મોબાઈલ નંબર આપી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. પરંતુ ઈમિગ્રેશન એક્ટ 1983ની કલમ મુજબ કોઈપણ રિક્રુટિંગ એજન્સી એ વિદેશમાં રોજગાર માટે રિક્રુટ કરવા માટે પ્રોટેક્ટર જનરલ ઓફ ઇમિગ્રન્ટ્સ MEA નવી દિલ્હી તરફથી ઓથોરાઈઝડ રિક્રુટિંગ એજન્ટ તરીકેનું માન્ય સર્ટીફીકેટ મેળવવું જરૂરી હોય છે. જેથી આ જાહેરાત કરનાર કે.સી. હોલીડેઝ દ્વારા માન્ય સર્ટીફીકેટ મળ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. વિદેશમાં રિક્રુટમેન્ટ માટેનો કોઈપણ માન્ય સર્ટિફિકેટ મેળવ્યું ન હોવાનું સામે આવ્યુંઅમરાઈવાડી પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવતા કે.સી. હોલીડેઝ દાબડી એજન્સીના માલિક દ્વારા વિદેશમાં રિક્રુટમેન્ટ માટેનો કોઈપણ માન્ય સર્ટિફિકેટ મેળવ્યું ન હોવાનું સામે આવ્યું હતું. તેમજ વધુ તપાસ કરતા કે.સી. હોલીડેઝ દાબડી એજન્સી એક ભાગીદારી પેઢી હોવાનું પણ સામે આવ્યું હતું. કિરણ ચંદ્રકાંત ચૌહાણ અને રાઠોડ વિનોદ ત્રિભોવનભાઈ પેઢીના ભાગીદાર હોવાનું પણ ખુલ્યું હતું. જેથી માન્ય સર્ટિફિકેટ વગર જ જાહેરાત કરવામાં આવતા ઈમીગ્રેશન એક્ટ 1983ની કલમ મુજબ સેટેલાઇટ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોલામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા શખ્સે ચોરી કરીસોલા વિસ્તારમાં સેરેનિટી લેવીસ સોસાયટીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા વિજય ઉર્ફે ગેહરીલાલ અહારીએ હાથ સાફ કર્યો છે. મકાન માલિકે જ્યારે કબાટમાં લોકરની સફાઈ કરતા સમયે ત્રણ નંગ સોનાની બુટ્ટી, સોનાની ચેઇન, સોનાનું પેન્ડલ સહિત એક લાખથી પણ વધુના દાગીના મળી આવ્યા નહતા. જેથી સફાઈ માટે રાખેલા વિજયને ફોન કરીને દાગીના જોયા છે કે નહીં તેના વિશે પૂછતા સરખો જવાબ આપ્યો નહતો. જે બાદ નોકરી પર પણ આવવાનું બંધ કરી દીધું હતું. જેથી ફરિયાદીએ સફાઈ કામદાર તરીકે નોકરી કરતા વિજયે સોનાના દાગીનાની ચોરી કર્યા હોવાથી સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:37 pm

યુવકને એક જ જગ્યાના હેલ્મેટના 100 ઈ-મેમો, 50,000નો દંડ:મહિને 12 હજાર કમાતા યુવકને 36,000ના ઇ-મેમો; રાજકોટ લોક અદાલતમાં 37 હજાર કેસોમાં 60%નું સુખદ સમાધાન

રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આજે મેગા લોક અદાલત યોજાઈ હતી. જેમાં બેંક લેણા, એક રિટર્ન, મોટર અકસ્માત વળતર, ટ્રાફિક ઇ મેમો સહિતના 37000 કેસ જજ સમક્ષ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 60% કેસમાં સમાધાન થયું હતું. જોકે આ દરમિયાન ટ્રાફિક ઈ મેમોના કેસો આશ્ચર્યજનક હતા. જેમકે એક વ્યક્તિને હેલ્મેટ ન પહેરવા બદલ એક જ જગ્યાના 100 મેમો આવેલા છે. જ્યારે બીજા વ્યક્તિને 36 મેમો આવેલા છે. જે બંનેનું કહેવું છે કે, જ્યારે પહેલો મેમો મળ્યો ત્યારે અમને જાણ કરવામાં ન આવી અને એકસાથે આટલા બધા ઈ મેમો એકત્ર થઈ ગયા ત્યારે અમને ફોન કરી કહેવામાં આવ્યું કે, મેમોના પૈસા ભરી દેજો નહિતર વાહન ડીટેઇન થશે. આજે રાજકોટ જિલ્લા કોર્ટમાં લોક અદાલતમાં પણ અમને કહેવામાં આવ્યું કે, મેમોના નાણામાં કોઈ રાહત આપવામાં નહીં આવે, કેસ લડવો હોય તો લડી શકો છો. આજે 37,000 કેસો મૂકવામાં આવ્યા જેમાં 60%માં સમાધાન થયુંરાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના એચ. વી. જોટાણીયાએ જણાવ્યું હતું કે, આજે રાષ્ટ્રીય કાનૂની સેવા સંતા મંડળના નિર્દેશ મુજબ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 37,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા જેમાં બેંક લેણા, એક રિટર્ન, મોટર અકસ્માત વળતરના અને સિવિલ કેસો એમ જુદી જુદી કેટેગરીના કેસો આવ્યા હતા. આજના કુલ કેસોમાંથી 60%માં સમાધાન થયા છે. આજે મોટામાં મોટો મોટર અકસ્માત વળતરમાં ધોરાજીમાં રૂ.1.15 કરોડનું સમાધાન થયું છે. આ ઉપરાંત રાજકોટ હેડ ક્વાર્ટરમાં રૂ. 65 લાખ અને રૂ. 53 લાખની રકમનું વીમા કંપની સાથે સમાધાન બાદ ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. 'મારી ટુ વ્હીલર 25,000ની છે અને 50,000ના મેમો આવ્યા'આ લોક અદાલતમાં ટ્રાફિકના મેમો ભરવા માટે પહોંચેલા બ્રિજેશ નિમાવતે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, બે વર્ષ સુધી મને મેમો આપવામાં આવતા હતા તો તેની જાણ અગાઉ શા માટે કરવામાં ન આવી?. મને હેલ્મેટ ન પહેરવા બદલ મેમો આવેલો છે, પરંતુ હકીકત એ છે કે રાજકોટમાં મોટાભાગના લોકો હેલ્મેટ પહેરતા નથી તો તેઓને ઈ મેમો આવતો નથી અને મને પણ માત્ર માર્કેટિંગ યાર્ડ પાસેના જ ઇ મેમો આવેલા છે. જો પહેલી વખત મને જ્યારે મેમો આપવામાં આવ્યો ત્યારે મને ફોન દ્વારા અથવા તો બાય પોસ્ટ મારા ઘરે કાગળ મોકલી જાણ કરવામાં આવી હોત તો હું ફરી વખત તે નિયમનું ઉલ્લંઘન ન કરું, પરંતુ એકસાથે 100 મેમો આવી ગયા બાદ જાણ કરવી તે યોગ્ય નથી. મારા ટીવીએસ ટુ વ્હીલરની કિંમત રૂ. 25,000 છે અને અત્યારે મને રૂ. 50,000ના મેમો આવ્યા છે. 'લોક અદાલતમાં મને રાહત આપવાની નાન પાડી દીધી'જ્યારે અન્ય નાગરિક ભાવિન ધોળકિયાએ જણાવ્યું હતું કે, અત્યારે મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. મહિને રૂ. 12000 જેટલી આવક છે અને મને કહેવામાં આવ્યું કે, એકસાથે રૂ. 36,000 ભરવા પડશે. જે બાદ 13 ડિસેમ્બરના લોક અદાલતમાં જવાનું કહેવામાં આવ્યું. જોકે ત્યાં અમને રાહત આપવાની ના પાડી દીધી, પરંતુ મારે ગ્રીનલેન્ડ ચોકડી અને માર્કેટિંગ યાર્ડ પાસેના ટ્રાફિક નિયમ ભંગના મેમો આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા અગાઉ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં રાજકોટવાસીઓ મોખરે હોય તેવા આંકડાઓ સામે આવ્યા હતા. રાજકોટ આરટીઓ કચેરીમાં રજીસ્ટર થયેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત 300થી વધુ વાહનો એવા છે કે જેના ઉપર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 50થી વધુ વખત ઈ મેમો મોકલવામાં આવેલા છે અને આ ઈ ચલણ મોકલ્યા બાદ પણ આ વાહનચાલકોએ દંડની રકમ ભરપાઈ કરી નથી. જેમાં અમુક વાહનચાલકો તો એવા છે કે, જેઓને એક જ વાહન નંબર પર 100 જેટલા ઈ મેમો નોટિસ સ્વરૂપે મોકલવામાં આવેલા છે. જેથી આવા વાહનચાલકો સામે રાજકોટ શહેર ટ્રાફિક શાખાએ લાલ આંખ કરી હોય તેમ તેઓના લાયસન્સ રદ કરવા માટેનો પત્ર આરટીઓ કચેરીને લખ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:35 pm

ધારી DYSP કચેરીને ISO પ્રમાણપત્ર મળ્યું:કામગીરીને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ગુણવત્તા માન્યતા પ્રાપ્ત થઇ

અમરેલી જિલ્લામાં આવેલી ધારી ડિવિઝન DYSP કચેરી અને પોલીસ સ્ટેશનને ISO 9001:2015 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. તેમની ઉત્તમ કાર્યપદ્ધતિ, સેવા ગુણવત્તા અને વ્યવસ્થાપક પ્રણાલીમાં શ્રેષ્ઠતા બદલ આ સન્માન મળ્યું છે. આ પ્રમાણપત્ર દ્વારા બંને કચેરીઓની કામગીરીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા માન્યતા પ્રાપ્ત થઈ છે. ધારી પોલીસ સ્ટેશન અને DYSP કચેરીમાં કાર્યપ્રવાહનું માનકીકરણ, પારદર્શક રેકોર્ડ મેનેજમેન્ટ, ફરિયાદનું સમયબદ્ધ નિવારણ, નાગરિક કેન્દ્રિત સેવાઓ અને સતત સુધારા જેવી બાબતોને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રમાણપત્ર ખાસ કરીને ફરિયાદ નોંધણી અને નિવારણ પ્રક્રિયામાં સુગમતા, દસ્તાવેજીકરણમાં પારદર્શિતા, મહિલા, બાળકો તથા વરિષ્ઠ નાગરિકો માટે સંવેદનશીલ પોલીસ સેવા, અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ (E-GUJCOP, CCTV, સાયબર સહાય) જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારા દર્શાવે છે. આ સિદ્ધિ ધારી પોલીસ સ્ટેશન અને DYSP કચેરીના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓના સંયુક્ત પ્રયત્નો, શિસ્તબદ્ધ કામગીરી અને વ્યાવસાયિક અભિગમના પરિણામે પ્રાપ્ત થઈ છે. આ અંગે ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, ધારી પોલીસ સ્ટેશન અને DYSP કચેરીને તેમની સેવા ગુણવત્તા, પારદર્શક કામગીરી અને નાગરિક કેન્દ્રિત પોલીસિંગ બદલ ISO પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર દ્વારા બંને કચેરીઓની કાર્યપદ્ધતિને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ગુણવત્તા માન્યતા મળી છે. તેમણે ભવિષ્યમાં પણ જનતાને વધુ વ્યાવસાયિક અને વિશ્વસનીય પોલીસ સેવા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:26 pm

સુરતમાં મોબાઈલ ઝૂંટવી ચોર ફૂલ સ્પીડમાં બાઈક ભગાવતા, CCTV:રાત્રીના સમયે ચાલવા નીકળતા લોકોને ટાર્ગેટ કરતા, પોલીસે બે સ્નેચરને દબોચ્યા

સુરત શહેરમાં રાત્રિના સમયે રોડ પર ચાલવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને મોબાઈલ ઝૂંટવતા અને ચાલુ બાઇક પર ફૂલ સ્પીડમાં ફરાર થઈ જતા બે રીઢા મોબાઈલ સ્નેચરને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સતત 15 દિવસ સુધી સીસીટીવી કેમેરાની ચકાસણી કરીને આ આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ દિવસે મજૂરી અને હીરા ઘસવાનું કામ કરતા હતા અને રાત્રે મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા હતાં. CCTVના આધારે બે આરોપીઓની ઓળખઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની વધતી જતી ઘટનાઓ બાદ પોલીસે આ ગુનાઓને ગંભીરતાથી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળો અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની સતત 15 દિવસ સુધી ઝીણવટભરી ચકાસણી કરી હતી. આ અથાગ પ્રયત્નોના અંતે, પોલીસે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઓળખી કાઢ્યા અને તેમને પકડી પાડ્યા હતા. રાત્રીના સમયે રોડ પર એકલા ચાલતા લોકોને ટાર્ગેટ કરતાઉત્રાણ પોલીસે ઝડપેલા બે આરોપીઓ શિવમ ઉર્ફે છોટુ સુરેંદ્રભાઇ બધેલ અને વિકાસ શેષનાથ સિંગ આ બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ રાત્રીના સમયે રોડ પર એકલા ચાલતા નીકળેલા લોકોને ટાર્ગેટ કરતા હતા. બાઇક પર ફૂલ સ્પીડમાં આવીને, તેઓ રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા અને તરત જ ત્યાંથી બાઇક લઈને ભાગી જતા હતા. દિવસે મજૂરી કામ અને હીરા ઘસવાનું કામ કરતાદિવસ દરમિયાન, આ આરોપીઓ સામાન્ય માણસોની જેમ મજૂરી કામ અને હીરા ઘસવાનું કામ કરતા હતા, જ્યારે રાત્રે તેઓ ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય થઈ જતા હતા. 1.45 લાખનો મુદ્દામાલ કબ્જેપોલીસે આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બાઈક તેમજ છે નંગ સ્નેચિંગ કરેલા મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. પોલીસે કુલ 1.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ મોબાઈલ સ્નેચિંગ કરીને મેળવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉત્રાણ પોલીસ હાલ આ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. પોલીસને આશા છે કે આ આરોપીઓની પૂછપરછમાં સુરત શહેરના અન્ય વિસ્તારોમાં બનેલા મોબાઈલ સ્નેચિંગ અને અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:25 pm

જામનગરની 9 કંપનીઓ વચ્ચે 5716 કરોડના MOU:વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં હસ્તાક્ષર, 2100 લોકોને નવી રોજગારીની તકો પ્રાપ્ત થશે

જામનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં લેઉઆ પટેલ સમાજ ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જામનગરની 9 કંપનીઓ વચ્ચે કુલ રૂ. 5716 કરોડના એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ રોકાણથી અંદાજે 2100 લોકોને નવી રોજગારીની તકો પ્રાપ્ત થશે. મંત્રીના હસ્તે વાજપાઈ બેંકેબલ યોજનાના લાભાર્થીઓને વ્યવસાય માટેના લોડિંગ વાહનની ચાવીઓ પણ અર્પણ કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ તે ગુજરાતના વિકાસની દ્રષ્ટિ, આત્મનિર્ભરતાનો સંકલ્પ અને વિશ્વ સાથે સ્પર્ધા કરવાની શક્તિનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ પહેલે ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું કેન્દ્ર બનાવ્યું છે. તેમણે જામનગર જિલ્લાના ઔદ્યોગિક મહત્વ પર ભાર મૂક્યો હતો. જામનગર બ્રાસ પાર્ટ ઉદ્યોગ, બાંધણી, રિફાઇનરી, પેટ્રોકેમિકલ ક્ષેત્ર, બંદર આધારિત પ્રવૃત્તિઓ અને પરંપરાગત કારીગરીમાં અગ્રણી છે. અહીંના ઉદ્યોગસાહસિકોની મહેનતને કારણે જામનગરને 'બ્રાસ સિટી ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખ મળી છે. રાજકોટ ખાતે યોજાનારી રિજિયોનલ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાકક્ષાએ રહેલી ઔદ્યોગિક તકોને ઓળખવાનો, સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાનો અને રોજગાર સર્જનને વેગ આપવાનો છે. આ ખાસ કરીને MSME, સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો અને યુવાનો માટે સુવર્ણ તક પૂરી પાડશે. ગુજરાત સરકાર “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ”ના સિદ્ધાંતને મજબૂત બનાવી રહી છે. પારદર્શક નીતિઓ, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. મંત્રીએ ઉદ્યોગકારોને સંપત્તિના સર્જકો અને દેશની પ્રગતિના મુખ્ય વાહકો ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે જામનગરમાં ઓઇલ રિફાઇનરી, બાંધણી અને બ્રાસપાર્ટના ઉદ્યોગો દ્વારા હજારો લોકોને રોજગારી મળી રહી છે. જામનગરના ઉદ્યોગકારોએ ટેકનોલોજી અપગ્રેડેશન અને માર્કેટ રિસર્ચ સાથે આધુનિક ટેકનોલોજીને વ્યવસાયમાં અપનાવી છે. ગુજરાતને વૈશ્વિક ફલક પર ઓળખ અપાવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મહત્વનું યોગદાન રહ્યું છે. જામનગર જિલ્લામાં ભવિષ્યમાં નવા ઉદ્યોગો, નવી ટેકનોલોજી અને નવા રોજગારની વિશાળ સંભાવનાઓ છે. મંત્રીએ જામનગર જિલ્લાના ઉદ્યોગકારોને રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં ભાગ લેવા અપીલ કરી હતી. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, બાંધણી ઉદ્યોગ જામનગરની સાંસ્કૃતિક ઓળખ છે. જામનગરમાં બાંધણી ઉદ્યોગના પરિણામે મહિલાઓ રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે. જામનગરની બાંધણીને મળેલ જીઆઈ ટેગ અને જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગમાં કામ કરતા કારીગરો અને ઉદ્યોગકારોની મહેનતના પરિણામે જામનગરમાં ઈસરો અને નાસા જેવી સંસ્થાઓના પણ બ્રાસ પાર્ટનું નિર્માણ થયું છે. જે આપણા માટે ગૌરવની વાત છે. જામનગરનો બ્રાસ પાર્ટ ઉદ્યોગ અને બાંધણી ઉદ્યોગ બંને ગુજરાતની આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતિબિંબ છે. એક તરફ આધુનિક ઉદ્યોગ દ્વારા રોજગાર અને નિકાસમાં વધારો થાય છે, તો બીજી તરફ પરંપરાગત કલા દ્વારા સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ થાય છે. સરકારના સહયોગ અને સ્થાનિક કારીગરોની મહેનતથી જામનગર આ બંને ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ ગુજરાત સરકારની દ્રષ્ટિ, વિકાસપ્રતિબદ્ધતા અને સર્વાંગી પ્રગતિનું સશક્ત પ્રતિબિંબ છે. આ કોન્ફરન્સ થકી રાજ્યના વિવિધ જિલ્લાઓની શક્તિ, સંભાવનાઓ અને સ્થાનિક ઉદ્યોગોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની મહત્વપૂર્ણ તક મળશે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા અને મે. માઈક્રોટેક મેટલ ઇન્ડસ્ટ્રીઝના અશોકભાઈ દોમડીયાએ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝને લગત પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ, SME ઇનોવેશન લાઇક અ કોર્પોરેટ ઇનોવેશન, ગ્લોબલ સિનારીઓ અને એક્સપોર્ટ્સ, ક્રેડિટ લિંકેજ સેમિનાર, PMFME યોજના, સ્કિલિંગ યુથ એન્ડ ક્રિએટીંગ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વિશે પ્રેઝન્ટેશન અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ૨૫ જેટલા સ્ટોલ્સનું પ્રદર્શન જેમાં બ્રાસપાર્ટ્સને લગત સ્ટોલ, બાંધણીના સ્ટોલ, હસ્તકલાના સ્ટોલ જેવા વિવિધ સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. મંત્રી સહિતના મહાનુભાવોએ આ સ્ટોલ્સની મુલાકાત લઈ તેમની સાથે સંવાદ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:25 pm

હર્ષ સંઘવીની વડનગરમાં સરપ્રાઇઝ વિઝિટથી અધિકારીઓમાં દોડધામ:DyCMએ ચાલતા ચાલતા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું; 3 કલાક રોકાઈ સ્કૂલ, મ્યુઝિયમ હોસ્પિટલની મુલાકાત લીધી

ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આજે મહેસાણા જિલ્લાના વડનગરની અચાનક મુલાકાત લઈ સૌને ચોંકાવ્યા હતા. નોંધનીય છે કે, આ મુલાકાત દરમિયાન તેમની સાથે કોઇપણ પ્રકારની સિક્યોરિટી કે પોલીસ બંદોબસ્ત નહોતો. જેના કારણે મુલાકાત એકદમ સાદી અને નિરીક્ષણલક્ષી રહી હતી. તેમની આ મુલાકાત અંગે સ્થાનિક તંત્રને પણ અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. 3 કલાક રોકાઈ સ્કૂલ, મ્યુઝિયમ હોસ્પિટલની મુલાકાત લીધીહર્ષ સંઘવી આજે સવારે અંદાજે 11 વાગ્યાના ગાળામાં વડનગર પહોંચ્યા હતા અને લગભગ ત્રણ કલાક જેટલો સમય તેમણે અહીં વિતાવ્યો હતો. આ સમય દરમિયાન તેમણે વડનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. ડેપ્યુટી સીએમએ વડનગરના મહત્ત્વપૂર્ણ સ્થળોની પણ મુલાકાત લીધી હતી, જેમાં પ્રેરણા સ્કૂલ, મ્યુઝિયમ, સિવિલ હોસ્પિટલ, બી એન હાઈસ્કૂલ, વોચ ટાવર અને રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. વડનગરમાં ચાલતા વિકાસ કાર્યોની સ્થિતિનો તાગ મેળવ્યોઆ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વડનગરના રોડ-રસ્તા, સફાઈ વ્યવસ્થા અને સમગ્ર શહેરમાં ચાલી રહેલા વિકાસના કાર્યોની જમીની હકીકત જાણવાનો હતો. કોઈપણ પ્રકારના પ્રોટોકોલ અને બંદોબસ્ત વિનાની સંઘવીની આ અચાનક મુલાકાત કરી છે કે, તેઓ વડનગરમાં ચાલી રહેલા કાર્યોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા માંગતા હતા. તેમણે નિરીક્ષણ દરમિયાન મળેલા તારણોના આધારે આગામી કાર્યવાહી કરવા માટે તંત્રને માર્ગદર્શન આપી શકે છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:21 pm

ઝારખંડથી આવેલા ટ્રક ચાલકે ચીખલીમાં બાળકી પર રેપ કર્યો:ચોકલેટની લાલચ આપી ટ્રકની કેબિનમાં લઇ ગયો, સ્થાનિકોએ કઢંગી હાલતમાં ઝડપીને મેથીપાક આપ્યો; પોલીસે તપાસ હાથ ધરી

નવસારીના ચીખલી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઝારખંડના એક ટ્રક ચાલકે 13 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની ટ્રકની કેબિનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. 'તુજે ચોકલેટ દિલાઉંગા' કહીને લઇ ગયોપ્રાપ્ત માહિતી અનુસાર, ઝારખંડના લાતેહારનો રહેવાસી ટ્રક ચાલક વિનયકુમાર સૂરજસિંહ ગુરુવારે વલસાડમાં સામાન ઉતારી પરત ફરી રહ્યો હતો. સાંજે તે ચીખલી નજીક સર્વિસ રોડ પર ચા-નાસ્તો કરવા ઊભો રહ્યો હતો. આ દરમિયાન તેણે નજીકમાં રમી રહેલી 13 વર્ષીય બાળકીને જોઈ અને તેને 'તુજે ચોકલેટ દિલાઉંગા' કહીને પોતાની ટ્રકની કેબિનમાં લઈ ગયો હતો. સ્થાનિકો કઢંગી હાલતમાં જોઇ ગયાકેબિનમાં વિનયે બાળકી સાથે બદકામ કર્યું હતું. કોઈએ બાળકીને કઢંગી હાલતમાં વિનય સાથે જોઈ જતાં તેના પરિવારજનોને જાણ કરી હતી. બાળકીની દાદી અને અન્ય પરિજનો તાત્કાલિક ટ્રક પાસે દોડી આવ્યા હતા. બાળકીને નીચે ઉતારી પૂછપરછ કરતા તેણે વિનય દ્વારા કરાયેલા કૃત્ય વિશે જણાવ્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપી વિનયને પકડીને માર માર્યો હતો અને ચીખલી પોલીસને જાણ કરી હતી. ચીખલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપી વિનય સૂરજસિંહની ધરપકડ કરી હતી. પોલીસે તેની વિરુદ્ધ પોક્સો એક્ટ અને દુષ્કર્મની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અગાઉ પણ આવા કૃત્ય આચરી ચૂક્યો બાળકીએ પોલીસને આપેલી માહિતી મુજબ, આરોપી વિનય અગાઉ પણ આવા કૃત્ય આચરી ચૂક્યો છે. તે થોડા થોડા સમયે ઝારખંડથી વલસાડની કંપનીઓમાં સામાન ઉતારવા આવતો હતો. આશરે એક મહિના પહેલા પણ તે ચીખલી આવ્યો હતો અને ત્યારે પણ તેણે આ જ બાળકીને ચોકલેટની લાલચ આપીને બેથી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ચા-પાણી માટે ટ્રક ઉભી રાખી હતીઆ મામલે માહિતી આપતા ડી.વાય.એસ.પી ભગીરથસિંહ ગોહિલ જણાવે છે, ગુરુવારની સાંજે એક ટ્રકની અંદર એક ઝારખંડના લાતેહાર જિલ્લાના એક આરોપી વિનય સુરતસિંગે નેશનલ હાઇવે ઉપર એક જગ્યાએ પોતાની ટ્રકની અંદર ચા પાણી પીવા માટે ટ્રકમાં બેસી અને ચા પાણી માટે ટ્રક ઊભો રાખેલો હતો. તે દરમિયાન ત્યાં એક બાળા જે હતી તે અગાઉ પણ એમની સાથે બે વખત મળેલા હતા અને તેમની સાથે આ બાળાને ટ્રકની કેબિનની અંદર બોલાવડાવી અને તેની સાથે દુષ્કર્મ કરેલુ હોય અને દરમિયાન તેના ઓળખિતાઓ બધા તેને જોઈ ગયા હતા. સ્થાનિકો જોઇ જતાં તાત્કાલિક ત્યાં માણસો ભેગા થઈ ગયેલા અને પછી આરોપીને તાત્કાલિક ડીટેન કરી પોલીસ પણ ત્યાં પહોંચી. આરોપીને તાત્કાલિક ડીટેન કરી રેપ તેમજ પોક્સો એક્ટ હેઠળ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. પોલીસે આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરીડી.વાય.એસ.પીએ વધુમાં જમાવ્યું કે, હાલ આ આરોપી વિનય સુરતસિંગ છે જેને ડીટેન કરવામાં આવેલ છે. તેની હિસ્ટ્રી તપાસીએ તો તેને મેરેજ થઈ ગયા છે, જેની ઉંમર 38 વર્ષ છે અને તેને અઢી વર્ષની એક નાની બાળકી જે ઝારખંડમાં જે બારવાહિયા કરીને એનું જે ગામ છે ત્યાં પત્ની સાથે રહે છે. આ આરોપી પોતે આજે ટ્રક જે છે એની અંદર ડ્રાઇવિંગનું કામ કરે છે. ટ્રકનો જે સામાન હોય એ લઈ અને એ વલસાડ છોડવા આવ્યો હતો અને વલસાડથી માલ ભરી અને પાછો ઝારખંડ જઈ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:15 pm

વેપારીઓને રાતા પાણીએ રોવાનો ઘાટ ઘડાયો:કરોડોની ઠગાઈના ગુનામાં જેલમાં બંધ મહાઠગ નીરવ દવેની પત્ની પણ ભુગર્ભમાં ઉતરી ગઈ, હાઇકોર્ટે પણ આગોતરા જામીન રિજેક્ટ કરી

ગાંધીનગર ઈન્ફોસિટીમાં ઓફિસ ખોલી ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 'નકલી ટેન્ડર'ના દસ્તાવેજો બનાવી અનેક વેપારીઓ પાસે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડી આચરનાર મહાઠગ નીરવ દવેની ઠગાઇના એક ગુનામાં ચાર દિવસના તેમજ બીજા ગુનામાં પણ ત્રણ એમ કુલ સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ જતા તેને સેન્ટ્રલ જેલમા ધકેલી દેવાયો છે. જોકે રિમાન્ડ દરમિયાન નીરવ દવેએ ચુપકીદી સાધી લીધી હતી. અને ઠગાઇના રૂપિયાનું પણ પગેરુ બહાર આવ્યું નહોતું.બીજી તરફ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન નામંજૂર થતાં મહાઠગની પત્ની મીરા દવે પણ ભુગર્ભમાં ઉતરી ગઈ છે. આમ ઠગાઇનો ભોગ બનનાર વેપારીઓને રૂપિયા પરત મળશે કે નહીં એ પ્રશ્નાર્થ ઊભો છે. રોકાણના બહાને છેતરપિંડી થતા રોકાણકારોએ રાતે પાણીએ રોવાનો વારોગાંધીનગર ઈન્ફોસિટીમાં ઓફિસ ખોલી ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 'નકલી ટેન્ડર'ના દસ્તાવેજો બનાવી રોકાણના બહાને કરોડોની છેતરપિંડી આચરનાર મહાઠગ નીરવ દવે અને તેની પત્ની મીરા દવેની લોભામણી લાલચમાં ભોગ બનનારને રાતા પાણીએ રોવાનો વખત આવે તેવો ઘાટ ઘડાયો છે. ગાંધીનગરના સેક્ટર 23માં પ્રાણકુંજ સોસાયટીમાં રહેતા અને ઈન્ફોસિટી સુપર મોલમાં ઓમ એન્ટરપ્રાઇઝ ચલાવતા નિવૃત નાયબ સચિવના પુત્ર નીરવ દવે અને પુત્રવધૂ મીરા દવેએ ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના ટેન્ડર લાગ્યા હોવાના નકલી દસ્તાવેજ બનાવીને વેપારીઓને ઠગી લેવાયા છે. આ ઠગ દંપતીએ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામના સરકારી ટેન્ડર બતાવી કરોડોનું ફુલેકું ફેરવામાં આવતા અલગ અલગ ત્રણ ગુના ઇન્ફોસિટી પોલીસ મથકે દાખલ થઈ હતી.એવામાં ધરપકડથી બચવા ઠગ દંપતીને આગોતરા જામીન પણ કરી હતી. જોકે જામીન અરજી રિજેક્ટ થતા પોલીસ ધ્વારા નિરવ દવેની ધરપકડ કરી બે અલગ અલગ ગુનામાં કુલ સાત દિવસ ના રિમાન્ડ મેળવી પૂછતાછ કરાઈ હતી. નીરવના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો પોલીસે નીરવ અને તેની પત્નીના બેંક એકાઉન્ટ્સ પણ સીઝ કરાવી તપાસ કરી હતી. પરંતુ બંનેના એકાઉન્ટ્સમાં ઠગાઈ ના રૂપિયાનું પગેરુ મળ્યું ન હતું. તો નીરવનાં લેપટોપમાંથી ટેન્ડરના નકલી લેટરો બનાવ્યા હોવાના પુરાવા મળી આવ્યા હતા. જે નિરવે જાતે બનાવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે નીરવનાં નિવૃત નાયબ સચિવ પિતા અને એન્જિનિયર દીકરાની પણ પૂછતાછ કરી હતી. બીજી તરફ રિમાન્ડ દરમ્યાન નીરવ બીપી અને હાઈ ડાયાબિટીસ પેશન્ટ હોવાનું પણ તબીબી તપાસમાં બહાર આવ્યું હતું. જેથી રિમાન્ડ દરમિયાન નીરવની વૈધાનિક ઢબે પણ પૂછતાછ થઈ શકી ન હતી. જે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે નિરવને જયુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. નિરવ દવેની પત્ની મીરા દવેની જામીન અરજી ફગાવી દેવાઈત્યારે મહા ઠગની પત્ની મીરા દવે પણ પોલીસને હાથતાળી આપીને નાસતી ફરી રહી છે. જેના પણ નિચલી કોર્ટ આગોતરા જામીન ફગાવી દીધા હતા. તોય મીરા પોલીસના હાથમાં આવી ન હતી. જેનો લાભ ઉઠાવી મીરાએ વકીલ મારફતે જામીન માટે હાઇકોર્ટના ધ્વાર ખટખટાવ્યા હતા. જ્યાં પણ મીરાની જામીન અરજી ફગાવી દેવાઇ છે. ત્રીજા ગુનામાં નિરવના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવીઆ અંગે ઇન્ફોસિટી પીઆઇ વી આર ખેરે જણાવ્યું કે, નીરવના વિરુધ ત્રણ ગુના દાખલ થયેલા છે. જે પૈકી બે ગુનામાં નીરવની ધરપકડ કરી કુલ સાત દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ કરી હતી. પરંતુ ઠગાઇના રૂપિયા નિરવે મોજશોખમાં વાપરી દીધા હોવાનું રટણ કરે રાખ્યું હતું. જેના બેંક ખાતામાંથી પણ નોંધપાત્ર રકમ ની એન્ટ્રીઓ મળી નથી. જેની પત્ની મીરા એ હાઇકોર્ટ સુધી આગોતરા માટે ગઈ હતી. જે પણ રિજેક્ટ થઈ છે. હાલમાં મીરા વોન્ટેડ છે. જે નજીકના દિવસોમાં હાથમાં આવી જશે. જ્યારે જેલમાં બંધ નીરવની ત્રીજા ગુનામાં રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:12 pm

રોડ સેફ્ટી ઓથોરિટીના પત્ર બાદ રાજ્યમાં વધારાની ટ્રાફિક ડ્રાઇવ થશે:બ્લેક ફિલ્મ–નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે કાર્યવાહી, રોડ સેફ્ટી કમિશનરની રાજ્ય ટ્રાફિક વડાને કડક સૂચના

માર્ગ અકસ્માતો અટકાવવા અને મૃત્યુદર ઘટાડવાના હેતુથી રાજ્યમાં 2018થી કાર્યરત ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા કાયદાનું કડક અમલીકરણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ગૃહ વિભાગની ટ્રાફિક બ્રાંચ, RTO, માર્ગ અને મકાન વિભાગ, NHAI સહિતના વિભાગો સાથે સંકલન રાખી માર્ગ સલામતી માટે કામગીરી ચાલી રહી છે. બ્લેક ફિલ્મ, નામવાળી નંબર પ્લેટ હશે તો કાર્યવાહી થશેમોટર વાહન અધિનિયમ મુજબ વાહન પર યોગ્ય નંબર પ્લેટ રાખવી અને બ્લેક ફિલ્મ વિના વાહન ચલાવવું ફરજિયાત છે. તેમ છતાં રાજ્યભરમાં આજે પણ અનેક વાહનો કાળા કાચ, ફેન્સી નંબર પ્લેટ અથવા “કાળો નાગ”, “રામા ધણી” જેવા લખાણો સાથે બેફિકર રીતે ફરતા જોવા મળે છે. આવા વાહનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અને અકસ્માત બાદ હિટ એન્ડ રન જેવી ઘટનાઓમાં વાહનની ઓળખ મુશ્કેલ બનાવે છે, જેના કારણે પીડિતોને વીમા તથા વળતર મળતું નથી. રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનરનો રાજ્યના ટ્રાફિક પોલીસ વડાને પત્ર આ સ્થિતિને ધ્યાનમાં રાખી રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલએ રાજ્યના ટ્રાફિક પોલીસ વડાને પત્ર લખી કાળા કાચ(બ્લેક ફિલ્મ), નંબર પ્લેટ વગરના વાહનો અને ગેરકાયદેસર લખાણો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. સચિવાલય અને પોલીસ ભવન સહિત અનેક વિસ્તારોમાં આવા વાહનો સામે કડક પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 'નવી ટ્રાફિક ડ્રાઇવ શરૂ થશે'બીજી તરફ, સ્ટેટ ટ્રાફિક પોલીસના એસપી સાહિત્યા વી.એ જણાવ્યું કે, કાળા કાચ, નંબર પ્લેટ અને ઓવર સ્પીડિંગ સામેની કાર્યવાહી તો નિયમિત રૂટિન કામગીરીનો ભાગ છે, પરંતુ હવે રોડ સેફ્ટી ઓથોરિટી તરફથી પત્ર મળતા આ મુદ્દે વધારાની કામગીરી કરવામાં આવશે અને નવી ટ્રાફિક ડ્રાઇવ શરૂ થશે. શું કોઈ મોટી ઘટના બને પછી જ અમલીકરણ તેજ થશે?અહીં મહત્વનો પ્રશ્ન એ છે કે જો આ કાર્યવાહી વર્ષોથી રૂટિન રૂપે ચાલી રહી છે, તો પછી રાજ્યભરમાં હજુ પણ એટલી મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે વાહન ચલાવનારાઓ કેમ જોવા મળે છે? શું કોઈ મોટી ઘટના બને પછી જ અમલીકરણ તેજ થશે? કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો પર કડક કાર્યવાહીરોડ સલામતી માટે કાયદા માત્ર કાગળ પર નહીં, પરંતુ રસ્તા પર અસરકારક રીતે અમલમાં આવે તે જરૂરી છે. નાગરિકોની અપેક્ષા છે કે આવનાર સમયમાં શરૂ થનારી ટ્રાફિક ડ્રાઇવ માત્ર થોડા દિવસ પૂરતી ન રહી, પરંતુ સતત અને કડક કાર્યવાહી દ્વારા કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો પર સાચી બ્રેક લગાવે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:06 pm

અમરેલીમાં દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું:દેવાંગી હોટલ પાછળના ખુલ્લા ખેતરમાં SMCની રેડ, 62. 79 લાખના દારૂ સાથે 95.29 લાખનો મુદ્દામાલ જપ્ત

અમરેલી જિલ્લામાં થર્ટી ફર્સ્ટ પહેલા દારૂની હેરાફેરી રોકવા માટે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાબરા તાલુકાના ગળકોટડી ગામ નજીકથી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. આ દરોડામાં રૂ. 62. 79 લાખના દારૂ સાથે 95.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. SMCની ટીમે ગળકોટડી ગામ નજીક દેવાંગી હોટલ પાછળના ખુલ્લા ખેતરમાં દરોડો પાડ્યો હતો. અહીંથી એક કન્ટેનરમાંથી 17,280 ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 62,79,840 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, બે વાહનો અને સાત મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેનો કુલ મુદ્દામાલ રૂ. 95,29,610 થાય છે. આગામી 31મી ડિસેમ્બર (થર્ટી ફર્સ્ટ)ને ધ્યાનમાં રાખીને ગુજરાત અને સૌરાષ્ટ્રના બુટલેગરો સક્રિય બન્યા હતા. રાજ્ય બહારથી દારૂ ભરેલા કન્ટેનરો લાવી અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં કટિંગ કરવાની પ્રવૃત્તિઓ પર SMCના આઈજી નિરલિપ્ત રાયની ટીમો ખાનગી રાહે નજર રાખી રહી હતી. આ કાર્યવાહી તે જ મોનિટરિંગનો ભાગ હતી. દરોડા દરમિયાન ઝડપાયેલા પાંચ આરોપીઓમાં અશોક હમીર પટેલ (જડીયા, ધાનેરા), ભરત પોપટ ગરાણીયા (ખારા, મોટા લીલીયા), નિકુંજ અમરા ગરાણીયા (સાગ પીપરીયા, લાઠી), પોપટ બળવંત બાભણીયા (પ્રતાપપુરા, લીમખેડા) અને અલકેશ ભરત હાટીલા (લાખાવડ, લીમખેડા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રણજીત જેતુભાઈ ધાધલ (લાઠી) અને અજય ભમારા રબારી (સાંચોર, રાજસ્થાન) સહિતના ફરાર આરોપીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. SMCના પીએસઆઈ આર.જી. વસાવા અને તેમની ટીમે બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમરેલી જિલ્લાના બાબરા પંથકમાંથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવતા સ્થાનિક બાબરા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. આ દરોડાને કારણે સ્થાનિક પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઝડપાયેલા દારૂના જથ્થા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને, આ દારૂ અમરેલી, બોટાદ, જૂનાગઢ જિલ્લાના કયા બુટલેગરોને વિતરણ કરવાનો હતો અને અન્ય કયા તાલુકા વિસ્તારના બુટલેગરો સાથે સંકળાયેલો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 4:02 pm

PM ની હાજરી સાથેની રિજનલ વાયબ્રન્ટ સમિટ વિવાદમાં:કોંગી નેતાનું CM ને ટ્વીટ - સૌરાષ્ટ્ર કચ્છના 5000 ઉદ્યોગકારોના મેળાવડારૂપ ઇવેન્ટ વિવાદાસ્પદ મારવાડી યુનિ.માં ન યોજો

રાજકોટમાં 10 થી 12 જાન્યુઆરી સુધી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર - કચ્છની રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના 5000 ઉદ્યોગકારો જ્યાં એકત્ર થવાના છે તે સૌથી મોટી બિઝનેસ ઇવેન્ટ યોજાય તે પૂર્વે જ વિવાદ સામે આવ્યો છે. રાજકોટના કોંગી નેતા ડૉ. બારોટે મુખ્યમંત્રીને ટ્વીટ કરી માંગ કરી છે કે, સૌરાષ્ટ્ર - કચ્છના ઉદ્યોગકારો માટેની આટલી મોટી સરકારી ઇવેન્ટ વિવાદાસ્પદ મારવાડી ખાનગી યુનિવર્સિટીને બદલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રેસકોર્સ અથવા તો અટલ સરોવર ખાતે યોજવામાં આવે. રાજકોટ કોંગ્રેસના નેતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. નિદત બારોટે જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારોને લાભ થાય તે માટે ગુજરાત સરકારની સૌથી મોટી રીજનલ વાઇબ્રન્ટ સમિટ શહેરની ભાગોળે આવેલી મારવાડી ખાનગી યુનિવર્સિટી ખાતે યોજાવાની છે. જ્યાં અગાઉ ગાંજાનું વાવેતર થયુ હોય, અધ્યાપકો એડલ્ટ વીડીયો જોતા હોય, વિદેશી વિદ્યાર્થીઓના વર્તન અને વ્યવહાર તેમજ નાઈટ પાર્ટીની ફરિયાદો સામે આવી ચૂકી હોય તો આ પ્રકારની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આવડી મોટી સરકારી ઇવેન્ટ ન યોજવી જોઈએ. જે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટ્વિટ કર્યું છે અને માંગણી કરી છે કે સૌરાષ્ટ્ર - કચ્છની રિજનલ વાયબ્રન્ટ સમિટ જ્યાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને લોકો સહભાગી થઈ શકે તેવા રેસકોર્સ મેદાન, અટલ સરોવર અથવા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જે અભ્યાસ કરતા હોય તેવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરકારી ઇવેન્ટ યોજાવી જોઈએ. કારણકે આ ઇવેન્ટ માટે સરકાર લાખો અને કરોડો રૂપિયા ખર્ચતી હોય ત્યારે સરકારી જગ્યા ઉપર સરકારી ઇવેન્ટ યોજાય તે જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી જતા રસ્તા પરના દબાણ હટાવવામાં આવશે અને રસ્તાઓ સારા બનાવવામાં આવશે. જો સરકારી જગ્યા પર આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે તો તે જગ્યાનું ડેવલપમેન્ટ થઈ શકે. આ બાબતે રાજકોટ જિલ્લા કલેકટરને પણ પત્ર લખી માહિતગાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે અગાઉ જણાવ્યું હતું કે, મારવાડી યુનિવર્સિટીના 10 થી 12 જાન્યુઆરી વચ્ચે રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાર વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે. જેમાં મહેસાણામાં અગાઉ આ સમિટ થઈ ચૂકી છે અને હવે સૌરાષ્ટ્ર કચ્છની રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવા જઈ રહી છે. જે બાદ વડોદરા અને છેલ્લે સુરતમાં રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટિ યોજાશે. મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો માટે ઉપયોગી અલગ અલગ પ્રકારના સેમીનાર યોજાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર કચ્છના તમામ ઉદ્યોગકારોને ફાયદો થશે. ગત શનિવારે ઇન્ડસ્ટ્રીયલ કમિશનરની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર કચ્છના 100 થી વધુ ઉદ્યોગકારો સાથે બેઠક કરવામાં આવી હતી. આ તમામને વાઇબ્રન્ટ સમિટ અંગે માહિતી આપવામાં આવી છે અને તેમની પાસેથી સૂચનો પણ લેવામાં આવ્યા છે. સેમિનારની સાથે એક્ઝિબિશન હશે અને રિવર્સ બાયર સેલ મીટીંગ પણ હશે. જેમાં સાઇટ ઉપર જ બાયર પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 3:59 pm

MBBS પરિણામમાં વિલંબ:વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો કર્યા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા MBBS પરીક્ષાના પરિણામમાં વિલંબ થતાં વિદ્યાર્થીઓમાં તણાવ વ્યાપ્યો છે. આ મામલે ઉત્તર ગુજરાતની એક મેડિકલ કોલેજના અજાણ્યા વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી હોવાની વિગતો સામે આવી છે. વિદ્યાર્થીએ યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિદ્યાર્થીએ HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (@hmsa_student) પર એક પત્ર મોકલ્યો હતો. પત્રમાં જણાવાયું છે કે જો યુનિવર્સિટી સમયસર પરિણામ જાહેર નહીં કરે, તો તે કોઈ પણ હદ સુધી પગલાં ભરશે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મેડિકલ કોલેજ તથા યુનિવર્સિટીની રહેશે. આ પત્રની ગંભીરતાને ધ્યાનમાં લઈને HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. એસોસિએશને માત્ર બે કલાકની અંદર ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ મેડિકલ કોલેજોના ડીનને આ બાબતની જાણ કરી હતી. એસોસિએશનના સભ્યોએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે ડીન સાહેબોને તાત્કાલિક જાણ કરીને કોલેજ પ્રશાસન દ્વારા યુનિવર્સિટીમાં પરિણામ બાબતે રજૂઆત કરવા વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ છે. એસોસિએશને ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા સમયસર પરિણામ જાહેર કરવામાં નહીં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી છે. આ અંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે, પરિણામ ટેકનિકલ ખામીને કારણે અટક્યું છે અને સોમવાર સુધીમાં તે જાહેર કરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 3:55 pm

વાંસદામાં પ્રાર્થના સભાના નામે કથિત ધર્માંતરણનો આરોપ:હિન્દુ સંગઠને પોલીસ સાથે મળીને છાપો માર્યો

નવસારીના વાંસદા તાલુકાના લીમઝર ગામમાં મોટા પાયે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો હિન્દુ સંગઠનોએ આરોપ લગાવ્યો છે. સંગઠનોના દાવા મુજબ, છેલ્લા 4-5 વર્ષમાં લીમઝર અને આસપાસના વિસ્તારોમાં 120 પરિવારોએ ધર્મ પરિવર્તન કર્યું છે. બે દિવસ પહેલાં હિન્દુ સંગઠન અગ્નિવીર અને વાંસદા પોલીસે પ્રાર્થના સભાના નામે કથિત ધર્માંતરણના કાર્યક્રમ પર છાપો માર્યો હતો. છાપા દરમિયાન, પ્રાર્થના સભામાં 150થી વધુ લોકો બાઈબલ સાથે હાજર હતા. અગ્નિવીર સંસ્થાએ વાંસદા પોલીસ સાથે મળીને આ પ્રવૃત્તિને અટકાવી હતી. હિન્દુ સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે કે પ્રાર્થનાના નામે કથિત ધર્માંતરણ થઈ રહ્યું છે અને વહીવટી તંત્ર પાસે આવી સભાઓ રોકવાની માંગ કરી છે. હિન્દુ સંગઠનોનો મુખ્ય વાંધો એ છે કે ધર્મ પરિવર્તન કરનારા લોકો સરકારી દસ્તાવેજોમાં હજુ પણ 'હિન્દુ આદિવાસી' તરીકેની ઓળખ જાળવી રાખે છે. આના કારણે તેઓ આદિવાસીઓને મળતા સરકારી લાભો પણ મેળવતા રહે છે, જેને સંગઠનો 'ડબલ સ્ટેન્ડ' ગણાવી વિરોધ કરી રહ્યા છે. અગ્નિવીર હિન્દુ સંગઠનના રાષ્ટ્રીય જવાબદારી સંભાળતા મહેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, 'અમને લીમઝર ગામના આદિમ જૂથ ફળિયામાં ધર્મ સભા ચાલી રહી હોવાની માહિતી મળી હતી, જ્યાં ધર્મ પરિવર્તનનું કાર્ય ચાલી રહ્યું હતું. અમે પોલીસ કંટ્રોલને જાણ કરીને સ્થળ પર પહોંચ્યા ત્યારે લોકો બાઈબલ સાથે પ્રાર્થના કરી રહ્યા હતા.' મહેન્દ્રસિંહ રાજપૂતે ઉમેર્યું કે, 'અમારો વિરોધ એ છે કે આ આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી ન હોવા છતાં બાઈબલનો પ્રચાર કેમ? અહીંના પાસ્ટરોના આધાર કાર્ડમાં પણ 'આદિવાસી હિન્દુ' લખેલું છે. જો તેઓ ગર્વથી પોતાને ખ્રિસ્તી તરીકે ઓળખાવે અને આધાર કાર્ડમાં પણ તે લખાવે તો અમને કોઈ વાંધો નથી. પોલીસને જાણ કરવા છતાં સભા ચાલુ રહી હતી.' હિન્દુ સંગઠનોએ તંત્ર સમક્ષ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા અને વિસ્તારનું વસ્તી વિષયક સંતુલન જાળવવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 3:54 pm

પાલનપુર ફૂડ વિભાગના ચંડીસર GIDCમાં દરોડા:લાખોનું શંકાસ્પદ ઘી મળ્યું, અગાઉ પણ નમૂના નાપાસ થયા હતા

પાલનપુરની ચંડીસર જી.આઇ.ડી.સી.માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થઈ ગયો હતો. ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગે તાત્કાલિક પોલીસને બોલાવીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ અંગે ફૂડ અધિકારી તેજસ પટેલે જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે ચંડીસર જી.આઇ.ડી.સી.માં આવેલી 'શ્રી સેલ' નામની ઘી ઉત્પાદક પેઢીની તપાસ કરી હતી. પ્રાથમિક બાતમી મુજબ, પેઢીના માલિક શંકાસ્પદ ઘી બનાવતા હતા. અગાઉ પણ આ પેઢી સામે બેથી ત્રણ વાર ઘીની તપાસ કરવામાં આવી હતી અને તેના નમૂનાઓ 'નાપાસ' તેમજ 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર થયા હતા. આ સંદર્ભે, ફરીથી ઘી બનાવતા હોવાની બાતમી મળતા તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન, પેઢીના માલિકના એક ગોડાઉનમાં માલ સંગ્રહ કરાતો હોવાનું જણાયું હતું. ગોડાઉનની તપાસ કરતા માલિક ત્યાંથી પણ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરીને તેમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં કુલ બે જગ્યાએ તપાસ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 3:48 pm

જખૌ નજીક પાકિસ્તાની બોટ ઝડપાઈ:કોસ્ટગાર્ડે માછીમારોની અટકાયત કરી, SOG ઓફિસ લવાયા

પોરબંદર ઇન્ડિયન કોસ્ટગાર્ડે જખૌ નજીકના દરિયાઈ વિસ્તારમાંથી 10મી તારીખે એક પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી પાડી છે. બોટમાં સવાર પાકિસ્તાની માછીમારોની પણ કોસ્ટગાર્ડ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલી પાકિસ્તાની બોટ અને તેમાં સવાર માછીમારોને સૌપ્રથમ પોરબંદર બંદર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ આગળની કાર્યવાહી માટે તમામને પોરબંદર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ઓફિસ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે. બોટ ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે પોરબંદર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે કેસ જખૌ ખાતે મોકલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 3:46 pm

જુનાગઢ ફેમિલી કોર્ટમાં મેગા લોકઅદાલત સફળ:​પારિવારિક વિવાદોનો સુખદ અંત: જુનાગઢ ફેમિલી કોર્ટની લોકઅદાલતમાં મૂકાયેલા 307 કેસોમાંથી 304 કેસોનો સફળતાપૂર્વક નિકાલ, ન્યાય અને ખર્ચમાં બચત

​નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશ અનુસાર, આજે 2025ની છેલ્લી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે અને નામદાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ, જુનાગઢ ફેમિલી કોર્ટ ખાતે પણ આ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ​ફેમિલી જજ પી.એચ. સિંહના નેતૃત્વ હેઠળ ફેમિલી કોર્ટ, જુનાગઢ તેમજ ક્લસ્ટર ફેમિલી કોર્ટ જેમાં વંથલી, વિસાવદર અને કેશોદના પારિવારિક વિવાદોને સુલેહપૂર્ણ વાતચીત અને સમજૂતી દ્વારા ઉકેલવામાં આવ્યા હતા. સવારથી જ આ લોકઅદાલતમાં સમાધાન લાયક કેસ, નેગોશિયેબલ કેસ અને લેણાંના કેસને લઈને મોટા પ્રમાણમાં વકીલ મિત્રો અને પક્ષકારોની હાજરી જોવા મળી હતી. ​જુનાગઢ ફેમિલી કોર્ટ અને ક્લસ્ટર કોર્ટ્સની લોક અદાલતમાં કુલ 307 કેસો મૂકવામાં આવ્યા હતા. જુનાગઢ પોલીસ અધિક્ષક અને તેમના તાબાના અધિકારીઓએ સમયમર્યાદામાં સમન્સ/નોટીસ બજાવવામાં સહકાર આપ્યો હતો. જુનાગઢ વકીલ મંડળના તમામ વકીલોએ કેસોમાં સમાધાન થાય, પારિવારિક તકરારનો અંત આવે અને ભરણપોષણની રકમ સમયસર મળી રહે તે માટે સક્રિય સાથ સહકાર આપ્યો હતો. જેના પરિણામે, લોકઅદાલતમાં મૂકાયેલા 307 કેસોમાંથી વિક્રમી 304 કેસોમાં સમાધાન થયું હતું. પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને, પરસ્પર સહમતીથી કેસોનો ઉકેલ કરવામાં આવ્યો હતો. ​ફેમિલી કોર્ટના ન્યાયાધીશ અને કોર્ટ સ્ટાફની હાજરીમાં પક્ષકારોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને કારણે ન્યાયિક પ્રક્રિયામાં લાગતો સમય અને થતો ખર્ચ, બંનેમાં બચત થઈ છે. આ ઉપરાંત, પારિવારિક વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ આવતા સમાજમાં સુમેળ અને શાંતિ સ્થાપિત થવામાં મોટી સહાય મળી છે.​રજીસ્ટ્રાર ફેમિલી કોર્ટ, જુનાગઢ દ્વારા જણાવાયું હતું કે, આજરોજ યોજાયેલ લોક અદાલતમાં વકીલો તથા પક્ષકારો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળેલ છે અને મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયો છે. આગામી સમયમાં યોજાનારી લોકઅદાલતોમાં પણ વકીલો તથા પક્ષકારોને સક્રિય ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 3:26 pm

અરવલ્લીમાં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા યોજાઈ:6 કેન્દ્રો પર 7204 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન, 305 રૂમમાં પરીક્ષા

અરવલ્લી જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પરીક્ષા આજે યોજાઈ હતી. જિલ્લાના કુલ 6 કેન્દ્રો પર 7204 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પરીક્ષા 305 રૂમમાં યોજાઈ હતી. કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે પ્રવેશ મળે છે. આ પરીક્ષા મોડાસા, માલપુર, બાયડ, મેઘરજ, ધનસુરા અને ભિલોડા એમ 6 કેન્દ્રો પર લેવામાં આવી હતી. પરીક્ષા ન્યાયિક રીતે યોજાય અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી જવાહર નવોદય વિદ્યાલયો શરૂ કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 3:10 pm

વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ ધરાશાઈ:નિર્માણાધિન સાઇટના પાયા ખોદતા બાજુની રહેણાંક બિલ્ડીંગો ધ્રુજી'તી, મોટી દુર્ઘટના ટળી

વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલ નિર્માણાધીન નંદનવન સાઇટનો પાયો ખોદવાની કામગીરી દરમિયાન બાજુમાં આવેલા સર્જન કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ અને તેની બાજુના રસ્તા પાસેની દિવાલનો કેટલોક ભાગ ધસી પડતાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે સર્જન કોમ્પ્લેક્સ અને અન્ય આસપાસના બે કોમ્પ્લેક્સના રહેવાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ ઘટના બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે, મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ફાયરની ટીમે ક્ષતીગ્રસ્ત વિસ્તારને કોર્ડેન કર્યોઆ ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટર આશિષ જોષીને કરતાં તેમણે ફાયર ડિપાર્ટમેન્ટ અને નિર્ભયતા શાખાને જાણ કરી હતી. તુરત જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડે સાવચેતીના ભાગરૂપે ક્ષતીગ્રસ્ત વિસ્તારને કોર્ડેન કરીને જોખમી સ્થળથી લોકોને દૂર રહેવા માટેની અપીલ કરી હતી. તે સાથે જ તાત્કાલિક કામગીરી પણ રોકાવી દીધી હતી. 'અમે ડેવલપર બિલ્ડરનું ધ્યાન દોર્યું હતું છતાં આજે આ દુર્ઘટના બની'આ ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ ઘટના અંગે સર્જન કોમ્પ્લેક્સ સહિતના આસપાસના કોમ્પલેક્ષમાં રહેતા નાગરિકોએ આક્ષેપ કર્યા છે કે બે દિવસ પહેલા પણ આ કામગીરીને લઈને અમે ડેવલપર બિલ્ડરનું ધ્યાન દોર્યું હતું. જો કે તે બાદ પણ યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામાં ન આવતા આજે આ દુર્ઘટના બની છે. 'ભેખડો ધસી પડતાં અમારા ઘર ધ્રુજી ઉઠ્યા હતાં'સર્જન કોમ્પલેક્ષના લોકોએ જણાવ્યું કે, ભેખડો ધસી પડતાં અમારા ઘર ધ્રુજી ઉઠ્યા હતાં. જીવના જોખમે અમે રહી રહ્યા છે તેવું અમને લાગી રહ્યું છે. આ ઘટનાને પગલે પાલિકાની નિર્ભયતા શાખાની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. 'બિલ્ડીંગ નિર્માણાધિન થતી હોવાના કારણે આ બનાવ બન્યો'આ અંગે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમના સ્ટેશન ઓફિસર અર્જુનદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અમને સર્જન કૉમ્પ્લેક્સ બાજુમાં દીવાલ ધરાશાયી થઈ છે. આ બાજુમાં બિલ્ડીંગ નિર્માણાધિન થતી હોવાના કારણે આ બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. જે દીવાલ ધરાશાઈ થતા ઉપરની દુકાનોને અસર થઈ છે અને કોઈ દુર્ઘટના ન થાય તે માટે લોકોને નીચે ઉતારી લેવામાં આવ્યા છે. હાલમાં કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. સાઇટના ડેવલપરે યોગ્ય વ્યવસ્થા કરવાની હૈયાધારણ આપીનિર્માણાધિન નંદનવન સાઇટના ડેવલપર પરેશ પટેલે દુર્ઘટના સ્વીકારી હતી અને સર્જન કોમ્પ્લેક્સ સહિતના આજુબાજુના કોમ્પલેક્ષના નાગરિકો માટે તેમની સાથે બેસીને યોગ્ય વ્યવસ્થા કરવાની હૈયાધારણ આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 3:08 pm

સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા સોર્સ સેગ્રીગેશન જાગૃતિ કાર્યક્રમો:સેગ્રીગેટેડ ટુડે, શાઇન ટુમોરો થીમ સાથે સ્વચ્છતા અભિયાનને ગતિ

સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભીના અને સૂકા કચરાના વર્ગીકરણ (સોર્સ સેગ્રીગેશન) અંગે વ્યાપક જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સેગ્રીગેટેડ ટુડે, શાઇન ટુમોરો થીમ હેઠળ સોર્સ સેગ્રીગેશનનું પ્રમાણ વધારવાનો છે. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે, વોર્ડ નંબર 1માં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને સ્થાનિક મહિલાઓને ભીના અને સૂકા કચરાના યોગ્ય વર્ગીકરણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમને સ્વચ્છતા સંબંધિત વિવિધ માપદંડોના અમલીકરણ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. આ અંગે સેનિટેશન ઇન્સ્પેક્ટર હરદીપસિંહ ખેરે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશનના પ્રારંભિક તબક્કામાં નાગરિકો ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહનો અને ડસ્ટબિનનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. હવે મિશનના આગામી તબક્કામાં સોર્સ સેગ્રીગેશન અત્યંત મહત્વપૂર્ણ બન્યું છે. નગરપાલિકાની સેનિટેશન શાખાની ટીમ શહેરમાં જઈને લોકોને સોર્સ સેગ્રીગેશનના ફાયદાઓ વિશે માહિતગાર કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે તમામ નાગરિકોની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે. નગરપાલિકાએ આ મિશનમાં સહયોગ આપવા માટે નાગરિકોને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા વેરો ભરનાર મિલકત ધારકોને વાદળી અને લીલા રંગના ડસ્ટબિનનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી સોર્સ સેગ્રીગેશનને પ્રોત્સાહન મળે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 3:08 pm

મહાશિવરાત્રી પહેલા ભવનાથમાં દબાણ હટાવાયું:શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટી તંત્ર સજ્જ,આગામી મહાશિવરાત્રીના મેળાને લઈ રસ્તા પરના 20 થી વધુ દબાણો દૂર કરાયા, પાર્કિંગની વ્યવસ્થા ખુલ્લી મુકાઈ

આગામી મહાશિવરાત્રી મેળાને લઈને જૂનાગઢ વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે ભવનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને અવરજવર કે વાહન પાર્કિંગમાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી વહીવટી તંત્રએ આ પગલું લીધું છે. સંયુક્ત કાર્યવાહી અને દબાણ હટાવવું પ્રાંત અધિકારી, મામલતદાર, મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભવનાથ ક્ષેત્રમાં દુકાનદારો, હોટલો અને ગેરકાયદેસર ઝૂંપડાઓ દ્વારા રસ્તા પર ખડકાયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન અંદાજે ૨૦થી વધુ દબાણો બે જેસીબી અને ચાર ટ્રેક્ટરની મદદથી તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યા છે. પાર્કિંગની વ્યવસ્થા માટે વિસ્તાર ખુલ્લા કરાયા જૂનાગઢના એસડીએમ ચરણસિંહ ગોહિલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી શિવરાત્રી મેળાને લઈને ભવનાથ ક્ષેત્રમાં મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જૂનાગઢ કલેક્ટરની સ્પષ્ટ સૂચનાના આધારે ભવનાથ ક્ષેત્રમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.તેમણે ઉમેર્યું હતું કે ભવનાથ મંદિર નજીક ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ઝૂંપડાઓ અને દુકાનોને દૂર કરીને પાર્કિંગ માટેનો વિસ્તાર આજે ખુલ્લો કરવામાં આવ્યો છે. મેળા દરમિયાન મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓને વાહન પાર્કિંગની સુવિધા મળી રહે તે માટે આ વિસ્તારોને પાર્કિંગ માટે અનામત રાખવામાં આવ્યા છે. એસડીએમ ગોહિલે પાર્કિંગની વ્યવસ્થા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, નાના વાહનો જેવા કે કાર અને બાઇક માટે દતચૂક નજીક આવેલા પાર્કિંગમાં વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે મોટી લક્ઝરી બસો અને અન્ય મોટા વાહનો માટે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરવાનું રહેશે. આનાથી મેળામાં આવતા ટ્રાફિકનું સંચાલન સરળ બનશે. દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે એસડીએમએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ ભવનાથ ક્ષેત્રમાં જે મોટા દબાણો કરવામાં આવ્યા છે તેને પણ વહેલી તકે દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. મહાશિવરાત્રી મેળાની શરૂઆત થાય તે પહેલા ભવનાથ ક્ષેત્રમાં રહેલા તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 3:06 pm

પંચમહાલમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન:ગોધરા સહિત શહેરા, મોરવા(હ), ઘોઘંબા, કાલોલ, હાલોલ અને જાંબુઘોડાની તમામ અદાલતોમાં વિવિધ કેસોમાં સમાધાન

પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા 13 ડિસેમ્બર, 2025ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આ અદાલત યોજાઈ હતી. પંચમહાલના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ સી.કે. ચૌહાણે તેની અધ્યક્ષતા કરી હતી. આ રાષ્ટ્રીય લોક અદાલત જિલ્લા મથક ગોધરા સહિત શહેરા, મોરવા(હ), ઘોઘંબા, કાલોલ, હાલોલ અને જાંબુઘોડા જેવા તાલુકા મથકોની તમામ અદાલતોમાં યોજાઈ હતી. લોક અદાલતમાં સમાધાન લાયક વિવિધ પ્રકારના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના કેસો, બેંક રિકવરી કેસો, એમ.એ.સી.ટી. કેસો, પગાર-ભથ્થા અને નિવૃત્તિના લાભો સંબંધિત સર્વિસ મેટર કેસો, મેટ્રિમોનિયલ કેસો, લેબર ડિસ્પ્યુટ કેસો, ઇલેક્ટ્રિક અને વોટર બિલ સંબંધિત કેસો (ચોરીના નોન-કમ્પાઉન્ડેબલ સિવાય), એલ.એ.આર. અને અન્ય સિવિલ કેસો (જેમ કે ભાડા, ઇઝમેન્ટરી રાઇટ્સ, ઇન્જક્શન શૂટ, સ્પેસિફિક પરફોર્મન્સ શૂટ) તેમજ પ્રિ-લિટિગેશન કેસોનો સમાવેશ થાય છે. આ રાષ્ટ્રીય લોક અદાલતનો મુખ્ય હેતુ જિલ્લાના મહત્તમ લોકોને સમાધાન દ્વારા વિવાદમુક્ત બનાવવાનો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ગોધરાના સચિવ જે.એસ. શાહે જણાવ્યું હતું કે, સમાધાન કરવા ઈચ્છુક પક્ષકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 3:01 pm

સોમનાથ દરિયામાં ગેરકાયદેસર લાઇટ ફીશીંગ; SOGની કાર્યવાહી:એલોઝન LED લાઇટથી માછીમારી કરતા 4 બોટ માલિકો સામે ગુનો

ગીર સોમનાથ દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર લાઇટ ફીશીંગ કરતી બોટો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના નિર્દેશ હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા, સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.જી. પટેલ અને તેમની ટીમ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ તથા બોટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન, કેટલીક બોટોમાં આશરે 50 જેટલી અત્યંત તેજસ્વી એલોઝન LED લાઇટો રાખી માછલીઓને પ્રકાશથી આકર્ષિત કરી ગેરકાયદેસર માછીમારી કરવામાં આવતી હોવાનું જણાયું હતું. આ મામલે ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા અધિનિયમ–2024 અને ફિશરીઝ એક્ટ હેઠળ કુલ 4 અલગ-અલગ ગુના નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી બોટ માલિકો/સંચાલકોમાં અકરમભાઈ ઇશાભાઈ ઢોકી, આસીફ અબ્દુલા ઢોકી, વસીમભાઈ શબીરભાઈ ઢોકી અને હારૂન સુલેમાન બુચાણીનો સમાવેશ થાય છે. આ તમામ વેરાવળના જાલેશ્વર વિસ્તારના રહેવાસી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે દરિયાઈ પર્યાવરણને નુકસાન પહોંચાડતી લાઇટ ફીશીંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:56 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ AWS સ્ટુડન્ટ કોમ્યુનિટી ડે યોજાયો:સ્ટુડન્ટ બિલ્ડર ઝોન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર, વિદ્યાર્થીઓએ પોતાના ટેકનિકલ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા

સિલ્વર ઓક યુનિવર્સિટી અને AWS ક્લાઉડ ક્લબ દ્વારા ઈન્ટરનૅશનલ AWS સ્ટુડન્ટ કોમ્યુનિટી ડે 2025 યોજવામાં આવ્યો હતો. ટેકનોલોજીના ક્ષેત્રમાં ઇન્ટરનૅશનલ AWS સ્ટુડન્ટ કોમ્યુનિટી ડે ઉજવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો છે. આ મેગા-ઇવેન્ટમાં અંદાજે 500 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમને પોતે બનાવેલા અલગ પ્રોડક્ટ પણ રજૂ કર્યા હતા. તેમજ AWS ક્લાઉડની સુવિધાઓ વિશે સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ બનાવેલી પ્રોડક્ટ બજારમાં લોકો સુધી કઈ રીતે પહોંચી શકે તે માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય AWS નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુંઆ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય AWS નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. અલગ અલગ સત્રો દરમિયાન નિષ્ણાંતોએ AWSની વિવિધ સર્વિસિસ વિશે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. વક્તાઓએ ક્લાઉડના આધારભૂત સિદ્ધાંતોને સરળ ભાષામાં રજૂ કર્યા હતા. ક્લાઉડ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ મળી રહી તે માટે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ AWS સ્ટુડન્ટ કોમ્યુનિટી ડે 2025આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ઇન્ટરનેશનલ એક્સપર્ટ એવા ડૉ. બિશ્વજિત મોહાપાત્રાએ યોજાયેલા ઇન્ટરનેશનલ AWS સ્ટુડન્ટ કોમ્યુનિટી ડે 2025માં હાજર રહ્યા હતાં. તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં અનરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જે ખરેખર પ્રભાવિત કરનારો હતો. તેમણે વિદ્યાર્થીઓને ક્લાઉડ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સ્ટુડન્ટ બિલ્ડર ઝોન, વિદ્યાર્થીઓએ ટેકનિકલ પ્રોજેક્ટ્સ રજૂ કર્યાઆ કાર્યક્રમની વિશેષતા તેના ત્રણ ટેક્નિકલ ટ્રેક્સ હતા. જેમાં હેન્ડ્સ-ઓન સેશન યોજાયા હતા. આ ટ્રેક્સમાં AWS ડીપ રેસર કાર ટ્રેનિંગ, IOT અને સ્માર્ટ ડિવાઇસિસમાં AWSનો ઉપયોગ તેમજ AWS Amplify જેવા અદ્યતન વિષયો આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક વિશિષ્ટ સ્ટુડન્ટ બિલ્ડર ઝોન પણ ઊભો કરવામાં આવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓએ ટેકનિકલ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:53 pm

અમલવાંટ ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી:જર્જરીત કેનાલો અને ઝાડી-ઝાંખરાથી મુશ્કેલી, હિજરત કરવા મજબૂર

છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અમલવાંટના ખેડૂતો સિંચાઈના પાણીના અભાવે મુશ્કેલીમાં મુકાયા છે. ગામના સિંચાઈ તળાવનું પાણી ખેતરો સુધી ન પહોંચતા ખેડૂતોને હિજરત કરવાની ફરજ પડી રહી છે. કવાંટ તાલુકાના અમલવાંટ ગામના ખેડૂતો માટે આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ અને ત્યારબાદ કમોસમી વરસાદ પછી હવે સિંચાઈના પાણીનો અભાવ મોટી સમસ્યા બની છે. સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે ખેડૂતો પાણી હોવા છતાં તેનો ઉપયોગ કરી શકતા નથી. અમલવાંટ ખાતે જિલ્લા પંચાયત હસ્તકનું સિંચાઈ તળાવ આવેલું છે, જેમાંથી અગાઉ ખેડૂતો સિંચાઈ કરતા હતા. જોકે, છેલ્લા પાંચથી છ વર્ષથી આ તળાવની કેનાલો જર્જરીત થઈ ગઈ છે. કેનાલોની સફાઈના અભાવે તેમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચી શકતું નથી. ઉલ્લેખનીય છે કે સિંચાઈ વિભાગ દ્વારા અમલવાંટ સિંચાઈ તળાવનું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને તેમાં પાણી પણ છલોછલ ભરાઈ ગયું છે. પરંતુ સૌથી વધુ જરૂરિયાતવાળા કેનાલ નેટવર્કને નજરઅંદાજ કરીને તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. આ જર્જરીત કેનાલોને કારણે ખેડૂતોને પાણી હોવા છતાં તેનો લાભ મળતો નથી. સિંચાઈનું પાણી ન મળવાને કારણે અમલવાંટ ગામના ખેડૂતો મજૂરી કરવા માટે કાઠિયાવાડ હિજરત કરવા મજબૂર બન્યા છે. પ્રજાહિતમાં સિંચાઈ વિભાગ દ્વારા વહેલી તકે અમલવાંટ સિંચાઈ તળાવની કેનાલોનું સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:48 pm

એક મહિના જૂની અદાવતમાં 15 વર્ષના કિશોર પર હુમલો:કપાળમાં લાકડીનો ઘા વાગતા બે ટાંકા આવ્યા, બોરતળાવ પોલીસ મથકે હુમલાખોર સામે ફરિયાદ નોંધાઈ

ભાવનગરમાં એક મહિના જૂની અદાવતમાં 15 વર્ષના કિશોર પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં કિશોરના કપાળમાં ગંભીર ઈજા થતાં તેને બે ટાંકા લેવા પડ્યા હતા. માતાએ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર કુંભારવાડ અક્ષરપાર્ક ખાતે રહેતા નીલમબેન જયરામભાઈ વર્માના 15 વર્ષીય પુત્ર સત્યમ જયરામભાઈ વર્મા દૂધ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે દેવીપૂજક વાસમાં રહેતા ભીમાભાઈના પુત્રએ સત્યમના કપાળમાં લાકડીનો ઘા માર્યો હતો.લાકડી વાગતા સત્યમના કપાળમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તેણે બૂમો પાડી હતી. અવાજ સાંભળીને તેની માતા નીલમબેન અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા., તાત્કાલિક 112 નંબર પર ફોન કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારે બાદમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સત્યમને ભાવનગરની સરકારી હોસ્પિટલના જૂના બિલ્ડિંગના બીજા માળે આવેલા વોર્ડ નંબર 7 માં દાખલ કરવામાં આવ્યો હતો, સત્યમની સારવાર ચાલી રહી છે તેને કપાળમાં બે ટાંકા આવ્યા છે, આ હુમલા પાછળનું કારણ લગભગ એક મહિના જૂનો ઝઘડો હોવાનું સામે આવ્યું છે. વરસાદ દરમિયાન ભીમાભાઈના ઘરમાં ભરાયેલું પાણી તેઓ નીલમબેનની દીવાલ પાસે કાઢી રહ્યા હતા, જેનો નીલમબેન અને તેમના પરિવારે વિરોધ કર્યો હતો, આ બાબતની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો, આ મામલે નીલમબેન જયરામભાઈ વર્માએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:42 pm

વડોદરામાં 18 ડિસેમ્બરે 16મો HR કન્વેન્શન યોજાશે:ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા સુસ્થિરતા અને ESG પર HR કોન્વોકેશન, નામાંકિત સ્પીકર હાજરી આપશે

આગામી 18 ડિસેમ્બરના રોજ વડોદરા એક અનોખા ઇવેન્ટનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. જેમાં વતર્માન સમયમાં HRનું મહત્વ અને ભૂમિકા મહત્વપૂર્ણ બની છે, ત્યારે ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન (GEO) તેનું 16મું વાર્ષિક હ્યુમન રિસોર્સ કન્વેન્શનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિષ્ણાત વક્તાઓ પોતાના જ્ઞાનથી સુસ્થિરતા અને (એન્વર્મેન્ટતલ સોશિયલ એન્ડ ગવર્નન્સ) ESG પર પોતાના વિચારો રજુ કરશે. કન્વેન્શનમાં 250-300 HR પ્રોફેશનલ્સ, ઉદ્યોગ અગ્રણીઓ હાજર રહેશેવડોદરામાં ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન સુસ્થિરતા અને ESG પર 16માં HR કન્વેન્શનની જાહેરાત કરી છે, આગામી 18 ડિસેમ્બરના રોજ સુર્યા પેલેસ ખાતે આયોજિત આ કન્વેન્શનમાં 250-300 HR પ્રોફેશનલ્સ, ઉદ્યોગ અગ્રણીઓ અને ઉદ્યોગસાહસિકો હાજર રહેશે. ESGના ઉભરતા યુગમાં HRની ભૂમિકા વિષય પર વિચારો રજુ કરશેઆ સાથે જ દેશભરમાંથી નિષ્ણાત વક્તા ધારા કાબરિયા કે જેવો સ્ટુડિયો અલ્ટર નેટીવ્સના ફાઉન્ડર અને કો.ઓનર છે. અરવિંદ ગ્રુપના હેડ રચના મહેરા, CIIના સેન્ટર ઓફ એક્સિલન્સ ફોરના શિખર જૈન, સીલોકસ ઇન્ડિયા પ્રા.ઇન્ડિયાના પ્રકાશ રમન અને અમીષી કાપડિયા ખાસ હાજર રહી સુસ્થિરતા અને ESGના ઉભરતા યુગમાં HRની ભૂમિકા વિષય પર પોતાના વિચારો રજુ કરશે. 18 ડિસેમ્બર 16મું HR કન્વેન્શનઆ કાર્યક્રમ અંગે HR કમિટી GEO ચેરપર્સન રાજેશ વૈદ્યે જણાવ્યુ હતુ કે, આગામી 18 ડિસેમ્બર 16મું HR કન્વેન્શન રાખવામાં આવ્યું છે. જેમાં પર્યાવરણ, સમાજ અને ગવર્નન્સ અસ્થિરતા પર ચર્ચા કરવામાં આવશે. ભારતના અનેક ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અગ્રણીઓ આ ચર્ચામાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં MS યુનિવર્સિટી દ્વારા ભવાઈનું પર્ફોર્મ કરવામાં આવશે જેના દ્વારા સુસ્થિરતા અને ESG માટે ખૂબ સારો મેસેજ આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:41 pm

ગઢડા પોલીસે વિદ્યાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચાડ્યો:ખોટું કેન્દ્ર મળતા ગભરાયેલા વિદ્યાર્થીને PSIએ વાનમાં બેસાડી મદદ કરી

ગઢડામાં જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપવા આવેલા એક વિદ્યાર્થીને પોલીસે સમયસર તેના સાચા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી મદદ કરી હતી. વિદ્યાર્થી ભૂલથી ખોટા કેન્દ્ર પર પહોંચી ગયો હતો, ત્યારે ગઢડા પોલીસની સતર્કતા અને સંવેદનશીલતાના કારણે તેની પરીક્ષા બચી ગઈ. આ ઘટના ગઢડામાં બની હતી. વિદ્યાર્થીને કન્યા શાળામાં પરીક્ષા નંબર ફાળવવામાં આવ્યો હતો, પરંતુ તે અજાણતા એમ.એમ. હાઈસ્કૂલ ખાતે પહોંચી ગયો હતો. એમ.એમ. હાઈસ્કૂલ ખાતે ફરજ પર રહેલા PSI જી. જે. ગોહિલે વિદ્યાર્થીની હોલ ટિકિટ તપાસી હતી. હોલ ટિકિટ તપાસતા તરત જ સ્પષ્ટ થયું કે વિદ્યાર્થી ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયો છે. પરીક્ષા શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને PSI ગોહિલે કોઈ વિલંબ કર્યા વિના વિદ્યાર્થીને પોલીસ વાનમાં બેસાડ્યો અને તાત્કાલિક તેના સાચા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો. પોલીસની આ ઝડપી કામગીરીના કારણે વિદ્યાર્થી સમયસર પરીક્ષા આપી શક્યો. ગઢડા પોલીસની આ માનવતાભરી કામગીરી પ્રશંસાને પાત્ર છે, જ્યાં પોલીસે કાયદાની સાથે જવાબદારી અને સંવેદનશીલતાનો પણ પરિચય કરાવ્યો.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:36 pm

અંકોડિયા મહિલા હત્યા કેસ:બહેનની હત્યા કરાવનાર પ્રેમીનું રિકન્સ્ટ્રક્શન, આજે બંને આરોપીઓના રિમાન્ડ લેવાશે

વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાં થયેલી મહિલાની હત્યાના ગુનાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસે ગણતરીની કલાકોમાં ગુનો ડીટેક્ટ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સગી બહેને જ પ્રેમી સાથે મળીને બહેનની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મૃતકની બહેનના પ્રેમીએ અજીઝાબાનુને ટુ-વ્હીલર પર લઇ જઈ દુપટ્ટાથી ગળુ દબાવી હત્યા કર્યાનું ખુલ્યું હતું. બંનેએ મૃતકનો 40 લાખ રૂપિયાનો વીમો પકવવા માટે હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આજે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આખી સમગ્ર ઘટના અંગે પોલીસે ઝીણવટભરી તપાસ બાદ આરોપીઓ હાથ લાગ્યા હતાં. આજે તાલુકો પોલીસે હત્યા કરાવનાર બહેન અને તેના પ્રેમીને ઝડપી કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી આ મૃતક મહિલાને જ્યાંથી લઈ ગયો હતો તે જગ્યાથી બનાવ સ્થળ સુધી આરોપીને પોલીસે સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરી તપાસમાં ઝીણવટભરી બાબતોની નોંધ કરી હતી. આજે આ બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓના રિમાન્ડ લેવામાં આવશે, રિમાન્ડ બાદ આ હત્યા અંગેના વધુ ખુલાસા થઈ શકે છે. સમગ્ર બનાવ શું હતોગત 10 ડિસેમ્બરના રોજ અંકોડિયા ગામની સીમમાંથી અવાવરૂ જગ્યાએથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જેનું પોસ્ટ મોર્ટમ કરાવતા મહિલાને દુપટ્ટા વડે ગળે ટુંપો દઇ હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું હતું. જેથી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. પ્રેમીકાના કહેવા પર તેની નાની બહેનની હત્યા કરી પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા, મોબાઇલના સીડીઆર અને હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી હતી. જેમાં અજીઝાબાનુની હત્યા પાછળ પરિવારનો જ કોઇ સભ્યો હોવાની શંકા ઉઠી હતી. જેથી પોલીસે એ થીયરી પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે, અજીઝાબાનું ઘરેથી એક મોપેડ પર બેસી નિકળી હતી, એટલે પોલીસે મોપેડ ચાલકની શોધખોળ શરૂ કરતા રમીઝ રાઝા હનિફભાઇ બન્નુમીયા શેખ (રહે. દાતાર બાવાની દરગાહ, ગોરવા) પાસે રહેતો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે રમીઝની અટકાયત કરી તેની કડકાઇથી પુછતાછ કરતા પ્રેમીકા ફીરોજાબાનુના કહેવા પર તેની નાની બહેન અજીઝાબાનુની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. બહેને વિમાની રકમ મેળવવા માટે નાની બેનની હત્યા કરાવીજેથી પોલીસે અજીઝાબાનુની પણ ધરપકડ કરી તેની પુછતાછ કરતા તે ભાંગી પડી અને ગત 28 નવેમ્બરના રોજ 40 લાખ રૂપિયાનો અજીઝાબાનુનો વિમો કઢાવ્યો હતો. જેનો પ્રથમ હપ્તો પણ ફિરોજાબાનુએ ભર્યો હતો અને ત્યારબાદ વિમાની પુરેપુરી રકમ મેળવવા માટે તેની હત્યા કરાવી હોવાનું કબુલાત કરી હતી. વિમો કઢાવ્યો એ દિવસથી હત્યાનો પ્લાન ઘડ્યોજે દિવસે અજીઝાબાનુનો રૂ. 40 લાખનો વિમો કઢાવ્યો એ દિવસથી તેની હત્યાનો પ્લાન ઘડાયો હતો. છેલ્લા 12 દિવસમાં બે વખત અજીઝાબાનુની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સફળતા ન મળતા આખરે 9 ડિસેમ્બર 2025ના રોજ ફિરોજાબાનુનએ મૃતક અજીઝાબાનુને કહ્યું કે, તારે શ્રમ કાર્ડ કઢાવવાનું છે, તો મારો ઓળખીતો છે, રમીઝ તે કાઢી આપશે. આરોપી મોપેડ પર બેસાડી અંકોડિયા સ્થિત અવાવરૂ જગ્યાએ લઇ ગયોશ્રમ કાર્ડ કઢાવવા માટે ફિરોજાએ મૃતક અજીઝાને ઘરેથી આર્યા હાઇટ્સ પાસે મોકલી હતી. જ્યાં રમીઝ તેને પોતાની મોપેડ પર બેસાડી અંકોડિયા સ્થિત અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને અજીઝાએ પહેરેલા દુપટ્ટા વડે જ તેને ગળે ટુંપો દઇ હત્યા કરી નાખી હતી. બંનેને પોલીસે દબોચ્યાઅજીઝાની હત્યા બાદ વિમો ક્લેમ કરવાનો હતો અને તેમાંથી મળનાર રકમમાંથી રૂ. 7 લાખ રમીઝને આપવાનું નક્કી થયું હતું. જોકે વડોદરા જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં અજીઝાબાનુની હત્યાનો ભેદ ઉકેલી રમીઝ રાજા હનીફભાઇ બન્નુમીયા શેખ અને ફિરોજાબાનુ ઉર્ફે અનીષા દિવાનની ધરપકડ કરી હતી. આજે આ બંને આરોપીઓના રિમાન્ડ લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:36 pm

મોરબીમાં PGVCLએ ઊર્જા બચત રેલી યોજી:વીજ સલામતી અને બચતનો સંદેશ આપ્યો

મોરબીમાં પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત અને વીજ સલામતી અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ડિસેમ્બર-૨૦૨૫ના ઊર્જા બચત માસ પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોંચાડવાનો હતો. પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં મોકડ્રિલ, ફીડરોની ચકાસણી અને વીજ સલામતીની પ્રતિજ્ઞા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને વીજળીના સુરક્ષિત અને કાર્યક્ષમ ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ જાગૃતિ રેલી પીજીવીસીએલ કચેરીથી શરૂ થઈ હતી. જેમાં અધિક્ષક ઇજનેર ડી.આર. કારીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. રેલી દરમિયાન વીજ સલામતી અને ઊર્જા બચત અંગેના બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રેલી પાવર હાઉસ કમ્પાઉન્ડથી શરૂ થઈને મયુર પુલ, નગર દરવાજા, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ અને ભક્તિનગર સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ રેલી દ્વારા લોકોને સોલાર કુકર, સોલાર હીટર, ઘરની છત પર સોલાર પેનલ લગાવવા તેમજ વીજળીનો બિનજરૂરી ઉપયોગ ટાળી વીજળી બચાવવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:34 pm

સુરતનો વિદ્યાર્થી આણંદમાં રીક્ષામાં લેપટોપ ભૂલ્યો:પોલીસે સીસીટીવીથી શોધી ગણતરીના કલાકોમાં બેગ પરત કરી

આણંદ શહેરમાં સુરતના એક વિદ્યાર્થીની રીક્ષામાં ભૂલાઈ ગયેલી લેપટોપ બેગ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવી હતી. પોલીસે 'તેરા તુજકો અર્પણ' પહેલ હેઠળ બેગ વિદ્યાર્થીને પરત કરી હતી. 11 ડિસેમ્બરના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે, સુરતના નિસર્ગ રિતેશકુમાર પરમાર (રહે. કૃભકો ટાઉનશીપ, હજીરા રોડ) શહીદચોકથી આણંદ રેલ્વે સ્ટેશન જવા માટે રીક્ષામાં બેઠા હતા. મુસાફરી દરમિયાન તેઓ અંદાજિત 50,000 રૂપિયાની કિંમતની લેપટોપ બેગ રીક્ષામાં ભૂલી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં નિસર્ગે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, આણંદનો સંપર્ક કર્યો હતો. નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમે તાત્કાલિક અરજી નોંધી તપાસ શરૂ કરી. રેલ્વે સ્ટેશન બહારના, શહીદચોક અને ટાઉનહોલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા. જેમાં GJ 23 AU 8486 નંબરની એક રીક્ષા દેખાઈ હતી. પોકેટકોપમાં રીક્ષા નંબર સર્ચ કરતા રીક્ષાચાલકનું નામ, સરનામું અને મોબાઈલ નંબર મળ્યા. નેત્રમ ટીમે રીક્ષાચાલકનો સંપર્ક કર્યો. રીક્ષાચાલક નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે હાજર થયા અને પ્રમાણિકતાપૂર્વક લેપટોપ ભરેલી બેગ અરજદારને પરત કરી હતી. આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણીએ રીક્ષાચાલકની પ્રમાણિકતાને બિરદાવી રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા. 'તેરા તુજકો અર્પણ' પહેલ હેઠળ જિલ્લા પોલીસ વડાના હસ્તે વિદ્યાર્થીને લેપટોપ બેગ સુપ્રત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:31 pm

પાટણ સાયબર ક્રાઇમે 2.74 કરોડના ફ્રોડમાં 4 આરોપી પકડ્યા:ત્રણ આરોપીઓ પકડવાના હજી બાકી, મ્યુલ બેંક ખાતા ખોલાવી કમિશન મેળવતા હતા

પાટણ સાયબર ક્રાઇમ પોલીસે 'ઓપરેશન મ્યુલ હંટ' હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 2,74,77,005ના સાયબર ફ્રોડ આચરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ અન્ય ગુનેગારો સાથે મળીને મ્યુલ બેંક ખાતાઓ ખોલાવી, તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી, ચેક અને ATM દ્વારા ઉપાડી કમિશન મેળવતા હતા. આ કાર્યવાહી ભારત સરકારના I4C (ઈન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર), નવી દિલ્હી તરફથી મળેલી મ્યુલ બેંક એકાઉન્ટની માહિતીના આધારે કરવામાં આવી હતી. પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.વી. વસાવાના નેતૃત્વ હેઠળની ટીમે આ અંગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, ત્રણ અલગ-અલગ બેંક ખાતાઓમાં મોટા પાયે અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું. આ ખાતાઓનો ઉપયોગ વિવિધ રાજ્યોમાં નોંધાયેલી સાયબર ક્રાઇમની ફરિયાદોમાં થયો હતો. બંધન બેંકના એકાઉન્ટ નંબર 20200073822751 ના ધારક રાજેશકુમાર દાદુજી ઠાકોર અને સહ-આરોપી ઠાકોર વિકાસ વિનોદજીએ 09/12/2024 થી 30/09/2025 દરમિયાન ₹1,60,14,604/- નું અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આ ખાતાનો ઉપયોગ કર્ણાટક, પંજાબ અને આંધ્રપ્રદેશ રાજ્યોની 4 ફરિયાદોમાં થયો હતો. ઇન્ડસઇન્ડ બેંકના એકાઉન્ટ નંબર 188200866419 ના ધારક સાગરભાઈ ચંન્દ્રકાંતભાઈ સોલંકી અને સહ-આરોપીઓ પ્રજાપતિ અક્ષય ભવાનભાઈ તથા પ્રજાપતિ બ્રીજેશભાઈ જયેશભાઈએ 29/10/2023 થી 18/04/2025 દરમિયાન ₹59,65,063/- નું અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આ ખાતાનો ઉપયોગ ગુજરાત (રાજકોટ શહેર) અને વેસ્ટ બંગાળ રાજ્યોની 2 ફરિયાદોમાં થયો હતો. IDFC ફર્સ્ટ બેંકના એકાઉન્ટ નંબર 10208417061 ના ધારક સુરેશભાઈ માનસીભાઈ ચૌધરી અને સહ-આરોપી સાગર મોહનભાઈ અમૃતીયા પટેલે 01/01/2025 થી 04/05/2025 દરમિયાન ₹54,97,338/- નું અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આ ખાતાનો ઉપયોગ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક અને ઓડીસા રાજ્યોની 6 ફરિયાદોમાં થયો હતો. આ ત્રણેય કેસમાં સાયબર છેતરપિંડી દ્વારા નાણાં મેળવવામાં આવ્યા હોવાથી, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાટણ ખાતે ગુ.ર.નં. 11217042250007/2025 અને 11217042250008/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 317(2), 318(4), 61(2)(B) તથા આઈ.ટી. એક્ટ-2000 ની કલમ 66(D) મુજબ ગુના નોંધાયા છે. આ ઉપરાંત, પાટણ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 11217020251008/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 317(2), 317(4), 317(5), 61(2)(A) મુજબ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે. પકડાયેલા આરોપીઓરાજેશ દાદુજી ઠાકોર (રહે. પાટણ)ઠાકોર વિકાસ વિનોદજી (રહે. પાટણ)સાગર ચંન્દ્રકાંતભાઈ સોલંકી (રહે. પાટણ)સુરેશ માનસીભાઈ ચૌધરી (રહે. કસરા, બનાસકાંઠા) પકડવાના બાકી આરોપીઓપ્રજાપતિ બ્રીજેશ જયેશભાઈ (રહે. ઉનાવા, મહેસાણા)પ્રજાપતિ અક્ષય ભવાનભાઈ (રહે. ઉનાવા, મહેસાણા)સાગર મોહનભાઈ અમૃતીયા (રહે. વસ્ત્રાલ, અમદાવાદ) આરોપીઓની મોડસ ઓપરેન્ડી અનુસાર, તેઓ સાયબર ક્રાઇમ આચરતા ગઠિયાઓ સાથે મળી ઓનલાઈન ઠગાઈની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સહભાગી બનતા હતા. તેઓ પોતાના નામે બેંક ખાતાઓ ખોલાવી ભાડેથી આપતા હતા, જેથી સાયબર ફ્રોડ કરનારા તેમના મળતિયાઓને આ ખાતામાં નાણાં નાખવા માટે પ્લેટફોર્મ મળી રહે. આ રીતે તેઓ કમિશન પેટેની રકમો મેળવીને છેતરપિંડીની પ્રવૃત્તિ કરતા હતા.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:29 pm

મહીસાગર પોલીસે ગુમ માનસિક અસ્થિર વૃદ્ધને શોધ્યા:પરિવાર સાથે સુરક્ષિત રીતે પુનઃમિલન કરાવ્યું

મહીસાગર જિલ્લા ટ્રાફિક શાખાના અધિકારીઓએ ગુમ થયેલા એક માનસિક અસ્થિર વૃદ્ધને શોધી કાઢી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. પોલીસ અધિક્ષક સફિન હસનના માર્ગદર્શન હેઠળ પોલીસે આ માનવતાવાદી કાર્ય કર્યું. તાજેતરમાં, ટ્રાફિક શાખાના પીએસઆઈ શક્તિસિંહ ઝાલા, ASI જયદીપસિંહ અને ડ્રાઇવર કોન્સ્ટેબલ અર્જુનસિંહ લુણાવાડાથી નાઈટ પેટ્રોલિંગ પર હતા. 12/12/2025 ના રોજ મોડી રાત્રે આશરે 2:45 વાગ્યે તેઓ બાકોર વિસ્તારમાં પહોંચ્યા હતા. ગોધરા-મોડાસા હાઈવે પર લિંબડીયા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. ચેકિંગ દરમિયાન પીએસઆઈ ઝાલાની નજર રોડ ડિવાઇડર પાસે થેલો લઈને બેઠેલા એક વૃદ્ધ પર પડી. પૂછપરછ કરતા વૃદ્ધ પોતાનું નામ-સરનામું જણાવી શક્યા ન હતા અને ઠંડીમાં ધ્રુજી રહ્યા હતા. તેમની માનસિક સ્થિતિ અસ્થિર જણાતા અને અકસ્માતની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાનો નિર્ણય કર્યો. પોલીસે વૃદ્ધને રોડની બાજુમાં લઈ જઈ ચા-પાણી પીવડાવ્યું, તાપણાની વ્યવસ્થા કરી અને પ્રાથમિક સંભાળ આપી. ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે બાકોર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. મોડી રાત હોવાથી પીએસઆઈ સી.કે. સિસોદિયા અને અન્ય સ્ટાફની મદદથી તેમના આરામની વ્યવસ્થા કરવામાં આવી. તપાસ દરમિયાન તેમના થેલામાંથી ફક્ત કપડાં જ મળ્યા હતા. પોલીસે વૃદ્ધનો ફોટોગ્રાફ લુણાવાડા, બાકોર અને વીરપુર વિસ્તારના પોલીસ મિત્રોને સોશિયલ મીડિયા દ્વારા મોકલી તપાસ શરૂ કરી. માત્ર ચાર કલાકમાં વૃદ્ધની ઓળખ વીરપુર તાલુકાના ડેભારી ગામના 70 વર્ષીય વૃદ્ધની ઓળખ મેળવી હતી. પોલીસે તેમના ભાઈનો સંપર્ક કર્યો અને તેમને બાકોર પોલીસ સ્ટેશન બોલાવી વૃદ્ધને સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યા. વૃદ્ધના ભાઈએ જણાવ્યું કે તેમના ભાઈ માનસિક અસ્થિરતાના કારણે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. તેમણે પોતાના ભાઈને સુરક્ષિત રીતે શોધી પરત સોંપવા બદલ મહીસાગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:26 pm

ધર્મજની VN હાઈસ્કૂલમાં ફાયર મોકડ્રિલ યોજાઈ:વિદ્યાર્થીઓ-સ્ટાફને ફાયર સેફ્ટી, રેસ્ક્યુ ઇક્વિપમેન્ટની તાલીમ અપાઈ

કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા ધર્મજની વી.એન. હાઈસ્કૂલ ખાતે ફાયર સલામતી જાગૃતિ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ ફાયર ઓફિસરની સૂચના મુજબ, સબ ફાયર ઓફિસર, ફાયર ડ્રાઇવર અને ફાયરમેનની ટીમે શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને ફાયર સેફ્ટી અંગેની પ્રાથમિક તાલીમ આપી હતી. આ મોકડ્રિલ દરમિયાન, આગ લાગવાની સંભવિત પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી, સુરક્ષિત રીતે સ્થળ ખાલી કરવું અને કટોકટી સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, બચાવ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોનું પ્રત્યક્ષ નિદર્શન કરીને તેનો ઉપયોગ સમજાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફને આગજન્ય અકસ્માતોની સ્થિતિમાં યોગ્ય અને સમયસર પગલાં લેવા માટે માહિતગાર કરવાનો હતો. કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા શહેર તેમજ આણંદ જિલ્લાની વિવિધ કોલેજો અને શાળાઓમાં ફાયર અવેરનેસ તાલીમ યોજીને યુવા પેઢીમાં ફાયર સલામતી અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:26 pm

ધરમપુર શહેરનો કચરો વલસાડના પાથરી ગામના તળાવમાં ઠલવાયો:માથુ ફાડી નાંખતી દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ, સરપંચે કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી

વલસાડ તાલુકાના પાથરી ગામમાં એક ખાનગી તળાવમાં ધરમપુર નગરપાલિકાનો દુર્ગંધ મારતો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. કોઈ પૂર્વ મંજૂરી વિના થઈ રહેલી આ પ્રવૃત્તિથી સ્થાનિક ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામના ઉપસરપંચે આ મામલે કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગામના સરપંચ અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, સંપતભાઈ બુધાભાઈ પટેલ નામના સ્થાનિકે અગાઉ મત્સ્ય પાલન માટે તળાવ ખોદાવ્યું હતું. હાલ આ તળાવને પૂરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં માટીના બદલે ધરમપુર નગરપાલિકાનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. ઉપસરપંચે જણાવ્યું કે, આ કચરામાંથી એટલી તીવ્ર દુર્ગંધ આવે છે કે ગામલોકો અને રસ્તેથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા બે દિવસથી રાત-દિવસ કચરો ઠાલવવાની કામગીરી ચાલુ હોવાથી રાત્રિના સમયે ફેલાતી દુર્ગંધને કારણે લોકો ઊંઘી પણ શકતા નથી. આનાથી આખા ગામના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. સૌથી ગંભીર બાબત એ છે કે, તળાવમાં કચરો નાખવા માટે તળાવ માલિક કે કચરો ઠાલવનારાઓએ ગ્રામ પંચાયતની કોઈ પૂર્વ મંજૂરી લીધી નથી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે પંચાયત અજાણ હોવાનું પણ સામે આવ્યું છે. ગ્રામજનોની માંગ છે કે તળાવમાં કચરો નાખવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે. તેઓનું કહેવું છે કે જો તળાવ પૂરવું હોય તો માટીનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ ગંદકી ફેલાવતો કચરો સ્વીકાર્ય નથી. ઉપસરપંચે જણાવ્યું કે જો આ પ્રવૃત્તિ અટકાવવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. આ અંગે ખાનગી તળાવના માલિક સંપતભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ તેમની માલિકીનું તળાવ છે અને હાલ તેમની મરજીથી પુરાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે તેઓ કચરા વચ્ચે પાવડરનો છંટકાવ કરે છે અને ગામમાં કોઈની ફરિયાદ આવી નથી.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:24 pm

વડોદરામાં આગામી 15થી 20 દિવસ પાણીના પુરવઠામાં અસરની શક્યતા:મહીસાગર નદીમાં ડિસિલ્ટિંગ કામગીરી, જાણો કયા વિસ્તારોમાં અસર થશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહીસાગર નદીમાં સ્થિત રાયકા ફ્રેન્ચવેલની આસપાસ ભારે સિલ્ટ જમા થયેલ હોવાથી ડિસિલ્ટિંગ (સિલ્ટ દૂર કરવાની) કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી આવેલા મોટા પ્રમાણમાં પાણીને કારણે આ સિલ્ટિંગ થયું હતું, જેના લીધે ફ્રેન્ચવેલમાંથી પાણીનો પુરવઠો ઘટી ગયો હતો. 15થી 20 દિવસ સુધી પાણી ઓછા સમય માટે મળશેઆ કામગીરી દરમિયાન ફ્રેન્ચવેલ પરથી પાણીનો સપ્લાય અસ્થાયી રૂપે ઓછો થશે, જેની સીધી અસર શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પર પડશે. જેના કારણે રાયકા ફ્રેન્ચવેલથી પાણી મેળવતા વિસ્તારોમાં આગામી 15થી 20 દિવસ સુધી પાણી ઓછા પ્રેશરે અને ઓછા સમય માટે મળશે. આ વિસ્તોરોને પાણી વિતરણ વ્યવસ્થામાં અસર થશેરાયકા ફ્રેન્ચવેલથી પાણી મેળવતા વિસ્તારો જેવા કે એરપોર્ટ બુસ્ટર, આજવા ટાંકી, ખોડીયરનગર બુસ્ટર, વારશીયા બુસ્ટર, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, દરજીપુરા બુસ્ટર, સમા ટાંકી, પુનમ નગર ટાંકી, નોર્થ હરણી ટાંકી, કારેલીબાગ ટાંકી, વ્હીકલપુલ બુસ્ટર, સયાજીબાગ ટાંકી, જેલ ટાંકી, પાણીગેટ ટાંકી, લાલબાગ ટાંકીના વિસ્તારોને અસર પડશે. ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતા વિસ્તારોમાં અસરઆ ઉપરાંત ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતા વિસ્તારોમાં પણ પાણી વિતરણ વ્યવસ્થામાં અસર થવાની શક્યતા જેમાં પરશુરામ બુસ્ટર, જુનીગઢી બુસ્ટર, વ્હીકલપુલ બુસ્ટર, વારસિયા બુસ્ટર, છાણી ગામ ટાંકી, છાણી જકાતનાકા ટાંકી, સમા જુની ટાંકી, સમા-પુનમ નગર ટાંકી, ટી.પી-૧૩ ટાંકી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાંકી,નવી ધરતી બુસ્ટર, ફતેહપુરા બુસ્ટર, સાધના નગર બુસ્ટર, બકરાવાડી બુસ્ટરના તમામ વિસ્તારોમાં પાણી ઓછા પ્રેશરે અને ઓછા સમય માટે આપવામાં આવી શકે છે. કામગીરી પૂર્ણ થતાંની સાથે જ પાણીનો પુરવઠો સામાન્ય થશેમહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે આ અસુવિધા અસ્થાયી છે અને કામગીરી પૂર્ણ થતાંની સાથે જ પાણીનો પુરવઠો સામાન્ય થશે. જાહેર જનતાને આ બાબતે નોંધ લઈને પાણીનો જરૂરી જથ્થો સંગ્રહ જારી લેવા તેમજ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:24 pm

અમરેલીમાં 1.82 કરોડના ખર્ચે 8 આવાસોનું લોકાર્પણ:કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ જેલ કર્મચારીઓ માટે સુવિધા ખુલ્લી મૂકી

અમરેલી જિલ્લા જેલ ખાતે ઓપન જેલના કર્મચારીઓ માટે આધુનિક આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા ₹1.82 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા કુલ 8 આવાસનું રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, જેલ અધિકારીઓ અને સુપરિન્ટેન્ડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કૌશિક વેકરિયાએ જેલ વિભાગની કામગીરી અને આવાસ સંબંધિત માહિતી મેળવી હતી. તેમણે દરેક આવાસની મુલાકાત પણ લીધી હતી. આ નવા આવાસથી જેલ કર્મચારીઓને વિશેષ સુવિધાઓ મળશે, જેનાથી તેમનામાં સંતોષ જોવા મળ્યો હતો. અમરેલીના ઇન્ચાર્જ અધિક્ષક ડી.એન. જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા જેલ ખાતે B.7 અને D.1 બ્લોકમાં આ આવાસ બનાવવામાં આવ્યા છે. કૌશિકભાઈ વેકરિયાના હસ્તે તેનું લોકાર્પણ થતાં હવે જેલ કર્મચારીઓને આ સુવિધાનો લાભ મળશે. રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લા જેલ ખાતે પોલીસ કર્મચારીઓ માટે સારી રહેવાની વ્યવસ્થા થાય તે હેતુથી આ પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કરાયું છે. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે કે કર્મચારીઓ તેમના પરિવાર સાથે શાંતિથી અને સારા વાતાવરણમાં રહી શકે તથા તેમને ઉત્તમ સુવિધાઓ મળી રહે. તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Dec 2025 2:21 pm