વેરાવળના લુંભા ગામમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રવીણભાઈ નામના ખેડૂતના આંબાના બગીચામાંથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવકની ઓળખ ભેટાળી ગામના ભાવેશ ડાયાભાઈ વાળા (ઉંમર 42) તરીકે થઈ છે. ભાવેશ છેલ્લા ત્રણ દિવસથી લાપતા હતો. પ્રાથમિક તપાસમાં દીપડાના હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારમાં તાજેતરમાં દીપડા દ્વારા પશુ મારણની ઘટનાઓ પણ નોંધાઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મૃતક યુવક નશાની લત ધરાવતો હતો. એવી શક્યતા છે કે નશાની હાલતમાં તે ત્યાં પડ્યો હોય અને દીપડાએ હુમલો કર્યો હોય શકે છે. મૃતક ભાવેશ ખેત મજૂરી અને કડિયા કામ કરતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. હાલ પ્રભાસ પાટણ પોલીસ અને વન વિભાગ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, જેના બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
અમદાવાદ પ્લેન ક્રેશ:દુર્ઘટનામાં ભરૂચ જિલ્લાના ત્રણથી વધુ લોકોના મૃત્યુ, શોકનો માહોલ છવાયો
અમદાવાદથી લંડન ગેટવિક માટે નીકળેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 આજે બપોરે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. બોઇંગ વિમાન શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું હતું. વિમાને 1.38 વાગ્યે ટેકઓફ કર્યા બાદ માત્ર બે જ મિનિટમાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અનેક લોકોના મોત થયા છે. વિમામાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક હતા. ઘટનાની જાણ થતાં અમદાવાદ મ્યુનિસિપલ ફાયર ટીમ, એમ્બ્યુલન્સ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર વિસ્તારમાં રાહદારી તેમજ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.આ દુર્ઘટનામાં ભરૂચ જિલ્લાના ત્રણથી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભરૂચના સાજેદા સલીમભાઈ મિસ્ટર,જે ભરૂચના જંબુસર બાયપાસ પાસે આવેલી આલમીના પાર્કમાં નિવાસ કરતાં હતાં, તેઓ પોતાની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. દુર્ઘટનામાં તેમનો દોર સમાપ્ત થયો. ભરૂચના મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન પટેલ ( સાંસરોદ) ના તેમની સાસુ તાજુ હુસેના તથા સસરા તાજુ આદમ સાથે ઈદ ઉજવી લંડન પરત ફરી રહ્યા હતા. દુર્ઘટનામાં ત્રણેયના મૃત્યુના સમાચાર મળતા મુમતાઝ સોસાયટીમાં શોક છવાઈ ગયો છે. જ્યારે જંબુસરના સરોદ ગામના ભાજપ અગ્રણી સલીમ પટેલના પુત્ર સાહીલ પટેલ, લંડનમાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ માટે જઈ રહ્યા હતા. તે પણ અકસ્માતનો ભોગ બન્યો છે. ભરૂચના જાગૃત નાગરિક અબ્દુલ કામથીએ સમગ્ર ઘટનામાં દુઃખ વ્યક્ત કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તથા ઘાયલોની તુરંત સારવાર થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી છે.અહિ ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના ઘણા પરિવારો માટે કદી નહીં ભુલાય તેવી કરૂણ યાદગીરી બની રહેશે.
મોરબીમાં એક યુવાન પર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે આ ઘટના બની હતી. આરોપીઓએ યુવાનને પોલીસ બાતમીદાર હોવાની શંકાના આધારે હુમલો કર્યો હતો. કુલીનગર વિસ્તારના વિશ્વાસભાઈ પાટડીયા (ઉ.વ.31)એ બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી અમિત સારલા અગાઉ કોપર વાયરની ચોરીમાં પકડાયો હતો. વિશ્વાસભાઈએ આ કેસમાં પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો. બંને આરોપીઓએ પહેલા વિશ્વાસભાઈ સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ અસરફખાન પઠાણે લોખંડના પાઈપ વડે માથા અને પગમાં માર માર્યો હતો. અમિત સારલાએ છરી વડે વિશ્વાસભાઈના વાંસાના ડાબા ભાગે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વિશ્વાસભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓમાં અમિત સારલા યમુના નગરનો અને અસરફખાન પઠાણ સિપાઈવાસ નગર દરવાજા પાસેનો રહેવાસી છે.
અમદાવાદ એરપોર્ટ પર આજે બપોરે થયેલી વિમાન દુર્ઘટનામાં હાલોલના રૂપલ પટેલનો મુસાફરોમાં સમાવેશ થાય છે. 45 વર્ષીય રૂપલ તબીબી સારવાર માટે ભારત આવ્યા હતા અને આજે લંડન પરત ફરી રહ્યા હતા. રૂપલ મૂળ ખેડા જિલ્લાના ઉતરસંડાના વતની હતા. તેમના પિતા વિષ્ણુભાઈ પટેલ વ્યવસાય અર્થે હાલોલની વૈશાલી સોસાયટીમાં સ્થાયી થયા હતા. રૂપલના લગ્ન આનંદ જિલ્લાના ઓડ ગામના પીનલ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા હતા. રૂપલના પિતા વિષ્ણુભાઈએ નડિયાદમાં વેપાર શરૂ કર્યો હતો અને ત્યાં પણ નિવાસ કરતા હતા. 15 વર્ષ પહેલા તેમના અવસાન બાદ, તેમના પુત્રો હાલોલ અને નડિયાદનો વેપાર સંભાળી રહ્યા છે. રૂપલ 2 જૂને તબીબી સારવાર માટે ભારત આવ્યા હતા. નડિયાદમાં સારવાર લીધા બાદ આજે તેઓ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 19J સીટ પર લંડન પરત જઈ રહ્યા હતા. તેમના ભાઈ પવન તેમને એરપોર્ટ મૂકવા ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં પરિવાર અમદાવાદ પહોંચ્યો છે. તેમના પતિ લંડનથી ભારત આવવા નીકળ્યા છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે. જે તારીખે તેમનું નિધન થયું તે 12-06-2025 છે. તારીખ અને મહિનો 12-06 થાય. 1206 એ વિજયભાઈનો ફેવરિટ નંબર હતો. તેમણે તેમની કાર, એક્ટિવાના વાહન નંબર 1206 જ રાખ્યા હતા. યોગાનુયોગ જુઓ કે, એ 12-06 તારીખે જ વિમાનમાં બેઠા ને પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું. બીજો યોગાનુયોગ એ છે કે વિજયભાઈની જન્મ તારીખ 2 ઓગસ્ટ હતી. તેમનો સીટ નંબર પણ 2D હતો. અહીં પણ 2ના અંકનો યોગાનુયોગ છે. વિજયભાઈ રૂપાણીને 1206 નંબર પ્રિય હતો. તે કોઈપણ સારું કાર્ય કરવા માટે 12-06 તારીખ પસંદ કરતા. તેમના વાહનનો નંબર પણ 1206 રાખ્યો હતો. રાજકોટમાં કાર કે એક્ટિવા નીકળે તો લોકો 1206 નંબર વાંચીને સમજી જાય કે આ વિજયભાઈ રૂપાણીનું જ વાહન છે. એમની દીકરી લંડન રહે છે. તેમના પત્ની લંડન છે અને વિજયભાઈએ કહ્યું કે, હું થોડા કામ નિપટાવીને લંડન આવીશ. એમણે લંડન જવા માટે તારીખ પણ પસંદ કરી 12-06-2025. એમાં પણ 1206 નંબર હતો. પણ વિજયભાઈને ક્યાં ખબર હતી કે તેમનો આ ફેવરિટ નંબર અંતિમ દિવસની તારીખ બની રહેશે. જ્યારે ક્રેશ થયેલા પ્લેનના પેસેન્જરનું લિસ્ટ આવ્યું ત્યારે તેમાં વિજયભાઈનો પેસેન્જર નંબર હતો- 12!! વિજયભાઈ રૂપાણી એર ઈન્ડિયાના જે પ્લેનમાં સફર કરી રહ્યા હતા તે પ્લેનમાં તેમનો સીટ નંબર 2D હતો. એટલે બિઝનેસ ક્લાસમાં સીટ નંબર 2 હતો. યોગાનુયોગ તેમની જન્મ તારીખ પણ 2 ઓગસ્ટ છે. વિજયભાઈનો પુત્ર પુજિત નાનો હતો ત્યારે એક દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. પુજિતના મૃત્યુ પછી વિજયભાઈ અને તેમનાં પત્ની અંજલીબેન આઘાતમાં હતા. સમય જતાં વિજયભાઈએ પુજિતના નામે સમાજસેવા કરવાનું નક્કી કર્યું. તેમણે ગરીબ, જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવાના હેતુથી પુજિત રૂપાણી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું હતું જે આજે પણ કાર્યરત છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો થવાનો છે ત્યારે તેમાં પ્લોટ અને સ્ટોલના ફોર્મ ભરવાનો 13 જૂનના છેલ્લો દિવસ છે. રાઈડસ ધારકો માટેની કડક SOP ને લઈને ગુજરાત મેલા એસોસિયેશન વિરોધ કરી રહ્યું છે ત્યારે આજે સાંજ સુધીમાં યાંત્રિક રાઈડ રાખવા માટેના 32 અને અન્ય કેટેગરીના 41 ફોર્મ ઉપડયા છે. આવતીકાલે ફોર્મ ઉપાડવાનો અને ભરવાનો છેલ્લો દિવસ છે તેવામાં ઓછા ફોર્મ ભરાશે તો ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવશે. ગુજરાત મેલા એસોસિએશન રાજ્ય સરકારની કડક SOP નો વિરોધ કરી રહ્યું છે તેમાં મામલે પૂછવામાં આવતા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, SOP ને લઈને કોઈ વિવાદ જ નથી. ગઈકાલ સુધીમાં કુલ 46 જેટલા ફોર્મ ઉપડી ગયા છે. જે લોકો સિરિયસ છે તે અમારા ટચમાં છે અને તેમને અમે ગાઈડન્સ આપીએ છીએ. તેવા લોકો ફોર્મ ભરી રહ્યા છે. આ ઉપરાંત જે લોકોને કામ કરવામાં રસ નથી અને મેળાને ખોટે રસ્તે દોરવવાનો પ્રયત્ન કરતા હોય તેવા લોકો વિરોધ કરી રહ્યા હશે બાકી ફોર્મ ઉપડી રહ્યા છે અને ભરાઈને પણ વધુ ફોર્મ આવશે તેવું અમને લાગી રહ્યું છે. હાલના ફોર્મ જોતા એવું લાગે છે કે તારીખ લંબાવી નહિ પડે પરંતુ આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે કેટલા ફોર્મ ભરાય છે તે જોવાનું રહેશે અને ત્યારબાદ જો તારીખ લંબાવવાની જરૂર જણાશે તો તે લંબાવવામાં પણ આવશે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં 73 જેટલા ફોર્મ ભરાયા છે. જે ઓલ અવર ઓછા છે પરંતુ તે જૂને ફોર્મ ઉપાડવાનો અને ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે કેટલા ફોર્મ ભરાઈને તેના પર તારીખ વધારવી કે નહીં તેનો આધાર રહેલો છે. જેનો નિણર્ય આવતીકાલે વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવશે.
મોરબીમાં રખડતા કૂતરાઓનો આતંક:લખધીરવાસમાં બે દિવસમાં 10 લોકોને બચકાં, લોકોએ કૂતરા પકડવા માંગ કરી
મોરબી શહેરમાં રખડતા કૂતરાઓની સમસ્યા ગંભીર બની છે. લખધીરવાસ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં કૂતરાઓએ 10 લોકોને બચકાં ભર્યા છે. સ્થાનિક રહીશો મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કૂતરા પકડવાની માંગણી કરી રહ્યા છે. લખધીરવાસના રહીશોની સ્થિતિ ચિંતાજનક બની છે. લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ સમસ્યા માત્ર લખધીરવાસ પૂરતી સીમિત નથી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. સ્થાનિક રહીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેમની માંગ છે કે શહેરના તમામ વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવે. સ્થાનિકોનું માનવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
વલસાડમાં કોરોના કેસમાં વધારો:શિક્ષિકા સહિત 3 નવા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ, એક્ટિવ કેસની સંખ્યા 9 થઈ
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધવા લાગ્યું છે. આજે વધુ ત્રણ નવા કેસ નોંધાયા છે. આ ત્રણેય દર્દીઓમાં એક શિક્ષિકા અને એક નિવૃત્ત બેંકર દંપતીનો સમાવેશ થાય છે. આ ત્રણેય દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા વલસાડ સિવિલ હોસ્પિટલના કોરોના ટેસ્ટિંગ સેન્ટર પર RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. વલસાડ GMERSની ટીમે તેમને કોરોના પોઝિટિવ જાહેર કર્યા છે. હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9 થઈ ગઈ છે. આ તમામ દર્દીઓને આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં 5 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગે લોકોને તાવ, શરદી, ઉધરસ કે શરીરમાં દુખાવા જેવા લક્ષણો દેખાય તો તરત જ RTPCR ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. સાથે જ કોવિડના સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.
એર ઈન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઈટમાં સવાર ગાંધીનગરના દંપતી ગૌરવ બ્રહ્મભટ્ટ અને કલ્યાણી બ્રહ્મભટ્ટના નિવાસસ્થાને શોકનું વાતાવરણ છે. સેક્ટર-24 આદર્શ નગરના પીળાપટ્ટામાં રહેતા દંપતીના ઘરે સ્વજનો બપોરથી જ એકત્રિત થઈ રહ્યા છે. ગૌરવભાઈ છેલ્લા દસ વર્ષથી ગાંધીનગરમાં રહીને ફાર્માસ્યુટિકલ કંપનીમાં કાર્યરત હતા. તેઓ પહેલા લંડનમાં નોકરી કરતા હતા. લંડનમાં જ તેમની મહારાષ્ટ્રના વતની કલ્યાણીબેન સાથે મુલાકાત થઈ અને લગ્ન થયા. દંપતીને બે સંતાનો છે. 16 વર્ષનો પુત્ર અને 12 વર્ષની પુત્રી ગિફ્ટ સિટી ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરે છે. બંને બાળકોનો જન્મ લંડનમાં થયો હતો. કલ્યાણીબેન ગિફ્ટ સિટીની કંપનીમાં નોકરી કરતા હતા. ગૌરવભાઈ દિલ્હીની ફાર્માસ્યુટિકલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. મુંબઈ બદલી બાદ તેઓ અમદાવાદ આવ્યા. તેમના પરિવારમાં માતા-પિતા અને ત્રણ બહેનો છે. તેઓ પરિવારના એકમાત્ર પુત્ર હતા. એર ઈન્ડિયા કે સરકારી તંત્ર તરફથી દુર્ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરિવારજનો નાગરિક હવાઈ ઉડ્ડયન તંત્ર સાથે સતત સંપર્કમાં છે. તેઓ સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાની 267 ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણી માટે ઉમેદવારી પત્રોની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં સરપંચ પદ માટે 816 અને સભ્ય પદ માટે 1818 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લાના આઠ તાલુકામાં તલોદમાં સૌથી વધુ 54 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. હિંમતનગરમાં 44, ઇડરમાં 43, પ્રાંતિજમાં 39, ખેડબ્રહ્મામાં 32, પોશીનામાં 22, વિજયનગરમાં 19 અને વડાલીમાં 14 પંચાયતોની ચૂંટણી થશે. તાલુકાવાર ઉમેદવારોની વાત કરીએ તો હિંમતનગરમાં સરપંચ પદે 121 અને સભ્ય પદે 250 ઉમેદવારો છે. ઇડરમાં અનુક્રમે 91 અને 144, વડાલીમાં 41 અને 33, ખેડબ્રહ્મામાં 132 અને 302, વિજયનગરમાં 79 અને 342, પોશીનામાં 86 અને 427, પ્રાંતિજમાં 114 અને 158 તેમજ તલોદમાં 145 સરપંચ પદના અને 162 સભ્ય પદના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
પોરબંદર જિલ્લામાંથી વિદેશ જવા ઇચ્છતા લોકોની સંખ્યા વધુ છે. વિઝા ફ્રોડની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને પોરબંદર પોલીસે જનજાગૃતિ સેમિનારનું આયોજન કર્યું. 12 જૂન ગુરુવારે પોલીસ હેડક્વાટર્સના DTC હોલમાં યોજાયેલા સેમિનારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ ભાગ લીધો. પોલીસે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિઝા મેળવવાની પ્રક્રિયા અને વિવિધ પ્રકારના વિઝા ફ્રોડ વિશે વિસ્તૃત માહિતી આપી. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, DYSP ઋતુ રાબા, સુરજિત મહેડુ અને વિવિધ પોલીસ મથકના PI સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા. પોરબંદરમાં અનેક લોકો વિદેશમાં નોકરીની લાલચમાં ગેરકાયદે એજન્ટોના શિકાર બને છે. આ એજન્ટો ખોટા વચનો આપીને છેતરપિંડી કરે છે. પોલીસે લોકોને સરકારી પોર્ટલ પર એજન્ટની માહિતી ચકાસવા અપીલ કરી છે. નોંધનીય છે કે પોરબંદર જિલ્લામાં એક પણ સરકાર માન્ય વિઝા એજન્ટ નથી.
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ બપોરના સમયે ટેક-ઓફ બાદ તરત જ ક્રેશ થઈ હતી. વિમાનમાં આગ લાગતા મુસાફરો આગમાં લપેટાયા હતા. આ દુર્ઘટનામાં પાટણ જિલ્લાના ત્રણ મુસાફરો સવાર હતા. ચંદ્રુમણાના વતની અને હાલ ગાંધીનગર રહેતા કુબેરભાઈ ખેમચંદભાઈ પટેલ અને તેમના પત્ની બબીબેન પટેલ લંડનમાં રહેતા તેમના પરિવાર સાથે મળવા જઈ રહ્યા હતા. તેમના ભાઈ કીર્તિભાઈ પટેલે આ માહિતી આપી હતી. ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામની 33 વર્ષીય મહિલા પણ વિમાનમાં સવાર હતી. તે છેલ્લા એક મહિનાથી પોતાના વતનમાં રહેતી હતી અને ગઈકાલે લંડન જવા નીકળી હતી. વિમાન દુર્ઘટનાની જાણ થતાં ત્રણેય મુસાફરોના પરિવારજનો અને ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, હજુ સુધી મૃતદેહોનો DNA ટેસ્ટ થયો નથી. DNA ટેસ્ટ બાદ જ તેમના સ્વજનોના મૃત્યુની પુષ્ટિ થશે.
ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ગોદીથી આશ્રય સોસાયટી સુધીના માર્ગની હાલત અત્યંત ખરાબ છે. રસ્તા પર મોટા ખાડાઓને કારણે વાહનચાલકો, ખાસ કરીને રીક્ષા અને બાइક ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે રીક્ષા પલટી જવાનું જોખમ છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે વરસાદમાં સ્થિતિ વધુ કથળે તેવી દહેશત છે. પાલિકાએ આ રસ્તાની મરામત માટે મંજૂરી આપી દીધી છે. જોકે કામગીરી ચોમાસા બાદ શરૂ થશે તેવી માહિતી મળી છે. સ્થાનિક વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાળાએ સ્થળની મુલાકાત લીધી છે. તેમણે તાત્કાલિક કેમ્પર નાખીને પેચવર્ક કરવા અને મોટા ખાડા પૂરવાની માંગ કરી છે. વાહનચાલકો અને સ્થાનિક રહીશોએ શહેરીજનોની સલામતી અને સુવિધા માટે રસ્તાનું તાકીદે સમારકામ કરવા પાલિકામાં રજૂઆત કરી છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું અને પ્લેનમાં સવાર 240 લોકોના મોત થયા છે..જો કે આ જ પ્લેનના કો- પાઈલટ કુંદર ક્લિવનો બચાવ થયો હોવાની ચર્ચા છે.પ્લેન ક્રેશનો જે લાઈવ વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાઈ રહેલા એક દ્રશ્યના કારણે આ ચર્ચા છે.પ્લેન ક્રેશના લાઈવ વીડિયોમાં 10મી સેકન્ડે એક બ્લેક સ્પોટ દેખાય છે..આ બ્લેક સ્પોટ પેરાશૂટ ખોલીને પ્લેનમાંથી કૂદી ગયેલા કો પાઈલટ કુંદર ક્લિવ હોવાની શક્યતા છે.ઉપરના ફોટો પર ક્લિક કરીને જુઓ આખો વીડિયો
દ્વારકાથી 15 કિલોમીટર દૂર ધીણકી ગામની કોઠારીયા સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. મનીષભા લગધીરભા સુમણીયા (ઉંમર 25) અને માંડણભા બબાભા માણેક (ઉંમર 21) પાર્ટનરશિપમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હતા. પોલીસે મનીષભાના ખેતરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે રૂ.17,000ની કિંમતનો 85 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત 100 લિટર દારૂ બનાવવાનો બળેલો આથો અને 500 લીટર કાચો આથો મળી આવ્યો હતો. કુલ રૂ.36,500નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યવાહી દ્વારકાના પી.આઈ. આકાશ બારસીયા, સર્વેલન્સ પી.એસ.આઈ. ડી.એ. વાળા, એ.એસ.આઈ. રાણાભાઈ વાઘેલા, કુલદીપસિંહ જાડેજા અને ઇન્દ્રસિંહ જાડેજાની ટીમે કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા જાન્યુઆરી 2020થી એપ્રિલ 2025 દરમિયાન 109 રેડ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં 6 બાળ શ્રમિકો અને 37 તરુણ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. મદદનીશ શ્રમ આયુક્ત સુરભી ભપલના જણાવ્યા અનુસાર, બાળ મજૂરી કરાવનાર એકમો પાસેથી રૂ. 1 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દોષિતો સામે 17 ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 એફ.આઈ.આર. પણ નોંધવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેડ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની કામગીરી સતત ચાલુ છે. બાળકોને સુરક્ષિત અને શિક્ષિત બાળપણ મળે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. બાળ મજૂરીની સમસ્યાને મૂળમાંથી દૂર કરવા માટે લોક જાગૃતિ અને સામાજિક જવાબદારી મહત્વની છે. નાગરિકોને બાળ મજૂરી મુક્ત સમાજના નિર્માણમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. જો કોઈ બાળક મજૂરી કરતું જોવા મળે તો ચાઇલ્ડલાઇન હેલ્પલાઇન નંબર 1098 પર જાણ કરી શકાય છે. આ ઉપરાંત નજીકના પોલીસ સ્ટેશન અથવા શ્રમ વિભાગની કચેરીમાં પણ ફરિયાદ નોંધાવી શકાય છે. ફરિયાદ કરનાર નાગરિકની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. જાણો 'બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ' વિશે ભારત સરકારે વર્ષ ૧૯૮૬માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો. આ અધિનિયમ ૦ થી ૧૪ વર્ષના બાળકોને કોઈપણ પ્રકારના કામ પર રાખવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત ૧૪ થી ૧૮ વર્ષના તરુણોને જોખમી ધંધાઓમાં પ્રતિબંધ અને બિનજોખમી ધંધા- વ્યવસાય પર રાખવા માટે જરૂરી નિયમો હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં આ અધિનિયમમાં કરાયેલા સુધારા બાદ કાયદાનું નામ 'બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ' કરવામાં આવ્યું છે. કાયદામાં દંડની જોગવાઈ બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) કાયદાનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે. આ કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાં કરવામાં આવેલા સુધારા મુજબ કાયદાના ભંગ બદલ ૬ માસથી બે વર્ષ સુધીની કેદ અથવા રૂ. ૨૦ હજારથી લઈને એક લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે દોષિતો આ જ પ્રકારનો ગુનો બીજીવાર કરે તો તેવા સંજોગોમાં ૧ વર્ષથી લઈને ૩ વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા ટાસ્ક ફોર્સની રચના રાજ્યમાં બાળમજૂરી વિરોધી કાયદાના અસરકારક અમલીકરણ માટે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજી રેડનું આયોજન કરી બાળ મજૂરોને મુક્ત કરાવે છે. બાળમજૂરી અટકાવવા માટે રેડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યુ કરીને તેમનું રિહેબિલિટેશન (પુનર્વસન) પણ કરવામાં આવે છે. મુક્ત કરાયેલાં બાળકોની કાળજી લેતી સરકાર મુક્ત કરાયેલાં બાળકોને સરકાર દ્વારા કાળજી લઈ ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવે છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC) દ્વારા જરૂરી તપાસ બાદ માતા-પિતાને સોંપવામાં આવે છે. બિન-ગુજરાતી બાળકોને તેમના રાજ્યની CWC મારફતે વાલીઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવે છે. મુક્ત કરાયેલાં તમામ બાળકોની ઉંમર પ્રમાણે શાળા પ્રવેશ અપાવે છે. મુક્ત કરાયેલ બાળકનાં માતા-પિતા પાસે કોઈ આર્થિક ઉપાર્જનનું સાધન ન હોય, તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સંચાલિત વિવિધ રોજગારલક્ષી યોજનાઓનો લાભ અપાવી તેમના પરિવારનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે.
દ્વારકાધીશ જગતમંદિરમાં બે ભવ્ય આયોજન થયા. ગઈકાલે સાંજે 7 વાગ્યે બાલસ્વરૂપ ગોપાલજીની જલયાત્રા યોજાઈ. વારાદાર પૂજારીઓએ શ્રીજીના બાલ સ્વરૂપને ગર્ભગૃહથી નિજસભામાં લાવ્યા. મંદિરના જલકુંડમાં નાવમાં બિરાજમાન કરી નૌકાવિહાર કરાવવામાં આવ્યો. આ દિવ્ય જલયાત્રા ઉત્સવના દર્શનનો લાભ હજારો ભાવિકોએ લીધો. દેશ-વિદેશના ભક્તોએ પ્રત્યક્ષ અને ઓનલાઈન માધ્યમથી દર્શન કર્યા. આજે સવારે શૃંગાર દર્શન સમયે બીજો વિશેષ કાર્યક્રમ યોજાયો. વારાદાર ડાયાલાલ પુજારી પરિવારના સૌજન્યથી આંબા મનોરથનું આયોજન થયું. ઉનાળાની સીઝનમાં ફળોના રાજા આંબાથી ભરેલા કલાત્મક થાળથી શ્રીજીનો શૃંગાર કરવામાં આવ્યો. ગ્રીષ્મ ઋતુમાં ઠંડક આપતો આ દિવ્ય શૃંગાર રચાયો. આંબા મનોરથના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો. ઓનલાઈન માધ્યમથી લાખો કૃષ્ણભક્તોએ પણ દર્શન કર્યા.
બનાસકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણી:614 પંચાયતમાં 933 સરપંચ અને 1711 સભ્ય વચ્ચે 22 જૂને મતદાન યોજાશે
બનાસકાંઠા જિલ્લામાં આગામી 22 જૂન 2025ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગે 28 મે 2025થી રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓની જાહેરાત કરી છે. જિલ્લાની કુલ 614 ગ્રામ પંચાયતમાં મતદાન યોજાશે. આમાંથી 385 પંચાયતમાં સામાન્ય, વિભાજન કે મધ્યસત્રની ચૂંટણી અને 229 પંચાયતમાં પેટા ચૂંટણી થશે. 405 સરપંચની બેઠકો માટે કુલ 1927 ઉમેદવારી પત્રો ભરાયા હતા. 3570 વોર્ડ સભ્યોની બેઠકો માટે 5005 ફોર્મ ભરાયા હતા. ચકાસણી દરમિયાન 44 સરપંચના અને 198 સભ્યના ફોર્મ રદ થયા હતા. 834 સરપંચના અને 737 સભ્યના ફોર્મ પાછા ખેંચાયા. 90 સરપંચો અને 2478 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. હવે 933 સરપંચ અને 1711 સભ્ય વચ્ચે ચૂંટણી યોજાશે. જિલ્લાના 14 તાલુકામાં મતદાન થશે. પાલનપુરમાં 22, વડગામમાં 20, દાંતામાં 10, અમીરગઢમાં 13, ડીસામાં 26, કાંકરેજમાં 45, ધાનેરામાં 45, દાંતીવાડામાં 28, થરાદમાં 38, વાવમાં 38, દિયોદરમાં 36, લાખણીમાં 24, સુઈગામમાં 17 અને ભાભરમાં 23 પંચાયતની ચૂંટણી યોજાશે. મતદાન 22 જૂન રવિવારે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી થશે. મતગણતરી 25 જૂને થશે અને 27 જૂને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન થયું છે. હાલ પંજાબના ભાજપ પ્રભારી એવા વિજય રૂપાણીનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો તે જન્મે બર્મીઝ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતાં. 1971થી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હતું. તેઓ કોર્પોરેટરથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા. રૂપાણીની દીકરી અને જમાઈ લંડનમાં CA છેપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની દીકરી રાધિકાના લગ્ન નીતિન મિશ્રા સાથે થયા છે. હાલ રાધિકા અને નીતિન લંડનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેને સંતાનમાં એક દીકરો છે. તેમજ દીકરો ઋષભ મિકેનિકલ એન્જિનિયર છે. એક દીકરાનું ત્રણની ઉંમરે અવસાન થયું હતુંવિજયભાઈના પહેલાં દીકરા પુજિતનું માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે મૃત્યું થયું હતું. સહપરિવાર અમદાવાદ સસરાની ઘરે ગયા હતા એ વખતે થર્ડ ફ્લોરની ગેલેરીમાંથી નીચે ઝૂક્યા પછી બેલેન્સ નહીં રહેતાં દીકરો પુજિત પડી ગયો અને તેનું મૃત્યુ થયું. જેની યાદમાં વિજયભાઈએ શ્રી પુજિત મેમોરીયલ ટ્રસ્ટ બનાવ્યું છે. જૂજ લોકોને ખબર છે કે રુષભ અને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં ટપુનું કેરેક્ટર કરનારા ભવ્ય ગાંધી વચ્ચે પાક્કી ભાઈબંધી છે. મુખ્યમંત્રી હતાં એ દરમ્યાન પણ તેમણે આ ટ્રસ્ટને સંપૂર્ણપણે સમય આપ્યો હતો તો પુજિતના જન્મદિવસે ગરીબ બાળકો સાથે પગંતમાં બેસીને તેમણે ભોજન લેવાનું સદ્કાર્ય ચાલુ રાખ્યું હતું. આ ટ્રસ્ટ બાળકોના ઉત્થાનના હેતુથી શરૂ થયું પણ એ પછી જરૂરીયાતમંદ લોકો માટે એનો વિસ્તાર વધારવામાં આવ્યો, જેને કારણે રાજકોટના હજારો લોકો સુધી ટ્રસ્ટ દ્વારા સહાય પહોંચ્યું છે. હકીકત એ છે કે એ સહાય પ્રેમના પ્રથમ ચિહ્નની છે અને યાદ રાખજો, પ્રેમની પહેલી નિશાની ક્યારેય વિસરાતી નથી હોતી. રૂપાણીને લગ્ન પહેલાં જ પ્રેમ થઈ ગયોવિજય રૂપાણીની જેમ તેમના પત્ની અંજલિબેન પણ પહેલેથી રાજકારણ સાથે જોડાયેલાં હતા. તેઓ જનસંઘના કાર્યકર પણ હતાં. વિજયભાઇ કાર્યકર-કમ-સંઘના જૂના પ્રચારક હતા. એ સમયે એવી સિસ્ટમ હતી કે પ્રચારકો જે કોઇ ગામમાં પ્રચાર કરવા જાય ત્યાં મુખ્ય કાર્યકરના ઘરે જમવા જાય. વિજયભાઇ અમદાવાદ અવારનવાર પ્રચાર અર્થે જતા. અંજલિબેનના પિતા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર. આ વાતને લઇ વિજયભાઇ ત્યાં અનેક વખત જમવા ગયા હતા. આ સમયગાળામાં વિજયભાઇ અને અંજલિબેન વચ્ચે પ્રેમ પાંગર્યો. અંતે, વડીલોની સહમતી અને મંજૂરી લઇ વિધિવત લગ્ન કર્યા. અંજલિબેન ભાજપ મહિલા પાંખનાં સભ્ય છે. ધર્મેન્દ્રસિંહ કોલેજના જીએસ બન્યાવિજય રૂપાણીએ કોલેજના દિવસોમાં તેમની યુવાશક્તિનો ઉપયોગ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સંગઠનના પડકારો દૂર કર્યા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી (GS) તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેના વિરોધ પ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી. કટોકટી સમયે જેલવાસ ભોગવ્યોભાવનગર-ભુજમાં જેલવાસ કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા(MISA) હેઠળ જેલવાસ વ્હોર્યો હતો. 1987માં કોર્પોરેટર બન્યા1987માં કોર્પોરેટર બન્યા ત્યાર બાદ 1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા. રૂપાણીની રાજકીય સફરતેઓ ત્રણ ટર્મ મહામંત્રી, રાજ્યસભા MP, પ્રદેશ પ્રમુખ અને હવે મુખ્યમંત્રી તેઓ 1988થી 1995 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર(1996-97) રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યાં છે. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યાં છે. તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી વજુભાઇ વાળા જે બેઠક (રાજકોટ-2)પર જીતતા આવ્યા હતા અને મોદી સૌપ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા તે સીટ પરથી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો. જેમા તેની પાસે પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગ હતા. બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં ફરી મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ 2021માં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.
મોરબી તાલુકાના કેરાળી ગામમાં ઐતિહાસિક પરિવર્તન જોવા મળ્યું છે. પહેલીવાર ગ્રામ પંચાયતમાં સરપંચથી માંડીને તમામ સભ્યો મહિલાઓ બની છે. જ્યોત્સનાબેન વનરાજભાઈ મારુ સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. પંચાયતના અન્ય સભ્યોમાં ગૌરીબેન રણજીતભાઈ બાલાસરા, જયશ્રીબા ગીરીરાજસિંહ જાડેજા, મધુબેન કરસનભાઈ હુંબલ, દક્ષાબેન કિરણભાઈ ડાંગર, રમાબેન જયેશભાઈ ચાવડા, ગીતાબેન દીપકભાઈ ચાવડા અને લક્ષ્મીબેન પ્રેમજીભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા છે. ગામના આગેવાન અમુભાઈ રાણાભાઈ હુંબલના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પાછળ બે મુખ્ય કારણો છે. પ્રથમ, ગામમાં એકતા જળવાઈ રહે અને ચૂંટણી ટાળી શકાય. બીજું, સરકાર તરફથી મહિલા નેતૃત્વ ધરાવતી પંચાયતોને વિશેષ લાભ મળે છે. કેરાળી ગામની આ પહેલ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની છે. સમરસ ગ્રામ પંચાયત બનવાથી ગામને સરકારી યોજનાઓનો વધુ લાભ મળશે. સાથે જ મહિલા નેતૃત્વથી ગામના વિકાસને નવી દિશા મળશે.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન ક્રેશ થયું છે. વિમાન બપોરે 1:38 વાગ્યે ટેકઓફ થયા બાદ માત્ર બે મિનિટમાં જ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો સવાર હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તેમાં આણંદ જિલ્લાના પણ 33 મુસાફરો હતા. આણંદના સલાટીયા રોડના રહેવાસી બદરૂદ્દીન હાલાણી (66) તેમની પત્ની યાસ્મીનબેન અને ભાભી મલેકબેન સાથે લંડન જઈ રહ્યા હતા. તેઓ લંડનમાં રહેતા પોતાના પુત્ર અને પુત્રવધૂને મળવા જતા હતા. વિમાનમાં બેસતા પહેલા તેમણે પત્ની સાથે ફોટો પાડી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. અન્ય મુસાફરોમાં બોરસદના મંજુલાબેન જગદિશભાઇ, ફાંગણીના નિખીલકુમાર રાજેશકુમાર પટેલ, ચીખોદરાના દુષ્યંત અશોકભાઇ પટેલ અને નીતાબેન અશોકભાઇ પટેલ સામેલ હતા. ભરોડાના શશીકાંત રાવજીભાઇ પટેલ અને કોકીલાબેન શશીકાંત પટેલ, કરમસદના ભાવનાબેન બીપીનભાઇ રાણા પણ વિમાનમાં હતા. સોજીત્રાના નિલકંઠભાઇ ચંદુભાઇ પટેલ, રામનગરના મહેન્દ્રકુમાર મનુભાઇ વાઘેલા, ખંભોળજના આકાશ નીલેશભાઇ પુરોહિત અને ઉમરેઠના સલમાબેન રજ્જાકભાઇ વહોરા પણ મુસાફરોમાં સામેલ હતા. કસુંબાડના રણવીરસિંહ નટવરસિંહ ચૌહાણ, ગાનાના મોનાલીબેન પટેલ અને સન્નીભાઇ પટેલ, તારાપુરના પાર્થ કમલેશભાઇ શર્મા તથા જલસણના હર્શીકાબેન જયંતિભાઈ પટેલ અને જયંતિભાઈ સી પટેલ પણ વિમાનમાં સવાર હતા.
નવસારી મહાનગરપાલિકાએ શહેરના વોર્ડ નંબર 1માં આવેલી મિલકતોના બાકી વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. મહાનગરપાલિકાના વેરા વિભાગે અનેક વખત સૂચના આપવા છતાં મિલકતધારકો તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા જી.પી.એમ.સી. એક્ટની કલમ 7 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તાઈવાડ વિસ્તારમાં આવેલા ઓફરીન કોમ્પ્લેક્સ પર 1.22 લાખ રૂપિયા, ઓમકાર એપાર્ટમેન્ટ પર 68,065 રૂપિયા અને નાનું પ્રેમા માર્કેટ પર 60,930 રૂપિયાનો વેરો બાકી છે. મનીશ માર્કેટ (જૈન મંડળવાળી) પર 1.01 લાખ રૂપિયા, બૉમ્બે માર્કેટ પર 58,505 રૂપિયા અને હેમાંગી એપાર્ટમેન્ટ પર 57,686 રૂપિયા બાકી છે. અક્ષર એપાર્ટમેન્ટ પર 1.08 લાખ રૂપિયા, ન્યુ હીરાપન્ના એપાર્ટમેન્ટ પર 30,333 રૂપિયા અને પંડ્યા ટાવર પર 58,320 રૂપિયાની બાકી રકમ નોંધાયેલી છે. કુલ મળીને 7,26,355 રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે. મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે જો મિલકતધારકો તાત્કાલિક વેરો નહીં ભરે તો કડક પગલાં લેવામાં આવશે. આ પગલાંમાં પાણી અને ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધાઓ બંધ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ બાકી વેરા ધરાવતા મિલકતધારકો સામે આવી જ કાર્યવાહી કરવામાં આવશે.
વલસાડ જિલ્લામાં આગામી 21 જૂને યોજાનાર વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે. જિલ્લા કલેકટરે યોગ દિવસની ઉજવણી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. તાલુકા કક્ષાએ વલસાડમાં સાંઈબાબા મંદિર હોલ, પારડીમાં સાંઈ દર્શન હોલ, ધરમપુરમાં આદર્શ નિવાસી શાળા, કપરાડામાં આનંદ નિકેતન એકલવ્ય રેસીડેન્શીયલ સ્કૂલ, ઉમરગામમાં એમ.એમ. હાઈસ્કૂલ અને વાપીમાં GIDC અંબામાતા મંદિર પાસેની પ્રાથમિક શાળામાં કાર્યક્રમો યોજાશે. નગરપાલિકા કક્ષાએ વલસાડમાં મ્યુનિસિપલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પાર્કિંગ પ્લોટ, ધરમપુરમાં મહારાણા પ્રતાપ મેરેજ હોલ, પારડીમાં ધીરૂભાઈ સત્સંગ હોલ, વાપીમાં રોફેલ કોલેજ અને ઉમરગામમાં બારીયા સમાજ હોલમાં કાર્યક્રમો યોજાશે. બેઠકમાં DDO અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ઝોનના કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અમદાવાદમાં મોટી પ્લેન દુર્ઘટના અમદાવાદમાં એર ઈન્ડિયાનુ પ્લેન ક્રેશ થયું છે.ન્યુઝ એજન્સી apના રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ 242 લોકોના મોત થયા છે . પાઈલટના મે ડે ના મેસેજ બાદ ગણતરીની સેકન્ડોમાં જ પ્લેન તૂટી પડ્યું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું નિધન પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું નિધન થયું છે. રુપાણ દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. બિઝનેસ ક્લાસમાં સવાર રુપાણીની અંતિમ તસવીર પણ સામે આવી છે રુપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન રુપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન થઈ ગયું છે. તેમની સોસાયટી( નામ ખબર હોય તો બોલી જવું )માં ગમગીનીનો માહોલ છે.દુર્ઘટનાની જાણ થયા બાદ સોસાયટીના રહીશોએ મહામૃત્યુંજયના જાપ કર્યા. 169 ભારતીયો અન્ય વિદેશી નાગરિકો સવાર હતા આ પ્લેનમાં કુલ 242 પેસેન્જર્સ સવાર હતા. જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશર્સ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. પ્લેનમાં 11 બાળકો પણ સવાર હતા. ટેક ઓફની ત્રીજી જ મિનિટે પ્લેન ક્રેશ મેઘાણીનગર આઈજીબી કમ્પાઉન્ડમાં ક્રેશ થયેલા પ્લેનનો લાઈવ વીડિયો સામે આવ્યો. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થયું.. ટેકઓફની ત્રીજી જ મિનિટે પ્લેન આગનો ગોળો બની ગયું. પ્લેન ઈન્ટર્ન ડોક્ટર્સની હોસ્ટેલ પર પડ્યું દુર્ઘટના ગ્રસ્ત પ્લેન બીજે મેડિકલની પીજી હોસ્ટેલના ચારેય બિલ્ડીંગ પર પડ્યું..સ્ટુડન્ટ્સ મેસમાં જમવા બેઠા હતા ત્યારે જ પ્લેન આવીને પડ્યું.. હોસ્ટેલમાંથી 6 મૃતદેહો મળી આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ પ્લેન ક્રેશની ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ. સતત આવતી એમ્બ્યુલન્સને સીધી પીએમ રુમ તરફ ડાઈવર્ટ કરાઈ..સિવિલમાં કફનો ખૂટતા સફેદ કપડાંનો જથ્થો મોકલાયો. પીએમ મોદી અને અમિત શાહ ગુજરાત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.આજે બંને ગુજરાત આવી, ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી શકે છે. મુખ્યમંત્રીએ ઘાયલોના ખબર અંતર પૂછ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. ટ્રોમા સેન્ટરમાં લવાયેલા ઘાયલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા. દુર્ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ બંધ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ રાત્રે 12 વાગ્યા સુધી બંધ રહેશે.મોટાભાગના ફ્લાઇટ ઓપરેશન્સ કામચલાઉ રીતે બંધ કરવામાં આવ્યા છે.જો કે કેટલીક ફ્લાઈટ્સની અવરજવર શરુ કરવામાં આવી છે.
અમદાવાદમાં, એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન સિવિલ હોસ્પિટલ હોસ્ટેલની ચોથી ઇમારત સાથે અથડાયું હતું. જેમાં રેસિડેન્ટ ડોકટરો રહેતા હતા. ઘટના દરમિયાન હોસ્ટેલમાં 50 થી 60 ઇન્ટર્ન ડોકટરો હાજર હતા. તેમાંથી મોટાભાગના મેસમાં લંચ કરી રહ્યા હતા. વિસ્ફોટની અસર એટલી ભયંકર હતી કે અંદર હાજર ડોકટરોના શરીરના પણ ટુકડા થઈ ગયા હતા. ભાસ્કર રિપોર્ટર જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે અહીંથી છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનમાં લાગેલી આગથી નીકળતા ધુમાડાને કારણે હોસ્ટેલની ઇમારત સંપૂર્ણપણે કાળી પડી ગઈ છે. દરેક જગ્યાએ કાટમાળ જ છે. હોસ્ટેલ ખંડેર જેવું બની ગયું છે. લગભગ 50 ડોકટરો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્ટેલના 20 ફોટા જુઓ... , અમદાવાદ વિમાન દુર્ઘટના સંબંધિત આ સમાચાર પણ વાંચો.... લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન અમદાવાદમાં ક્રેશ થયું: 100 મૃતદેહો મળી આવ્યા હોવાના અહેવાલ, પૂર્વ સીએમ રૂપાણી સહિત 242 લોકો સવાર હતા એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 મુસાફરો સવાર હતા. મુસાફરોમાં 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક હતો. અકસ્માત સ્થળેથી અત્યાર સુધીમાં 100 મૃતદેહ મળી આવ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. અમદાવાદથી લંડન જતા વિમાનની દુર્ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના પણ બે લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, પાલનપુરના લક્ષ્મણ ટેકરી વિસ્તારના રહેવાસી લાભુબેન ઠક્કર અને રમેશભાઈ ઠક્કર આ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. વિમાન દુર્ઘટનાની જાણ થતાં લાભુબેન ઠક્કરના પાડોસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મુસાફરોની યાદીમાં સ્વજનોનું નામ જોતાં જ સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અંગેની વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. મુસાફરોના પરિવારજનો સાથે સંપર્ક સાધવાના પ્રયાસો ચાલુ છે. પાડોશી રાકેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, એમના છોકરાને ત્યાં શ્રીમંત હોવાથી આજે સવારે છ વાગ્યે પાલનપુરથી અમદાવાદ જવા નીકળ્યા હતા. જ્યાંથી 1.10 વાગ્યે એમની લંડન જવાની ફ્લાઇટ હતી. થોડીવાર પછી અમને સમાચાર મળ્યા કે આ ફ્લાઇટ ક્રેશ થઇ છે. હજી વધુ માહિતી નથી પણ એમનો ફોન બંધ આવે છે. લાભુ બહેનના મકાનમાં ભાડેથી રહેતા ચેતના બહેને જણાવ્યું કે, અહીંયા 40-45 વર્ષથી રહેતા હતા, એમનો સ્વભાવ બહુ સારો હતો. એ એમના દીકરાના ઘરે શ્રીમંત હોવાથી આજે સવારે અહીંથી અમદાવાદ જવા નીકળ્યા હતા. સોસાયટીના અન્ય રહિશોએ જણાવ્યું હતું કે, એ બેંકમાં નોકરી કરતા હતા, ચાર પાંચ વર્ષ રહેલાં જ રિટાયર્ડ થયા હતા. બહુ સારા માણસ હતા, ક્યારેય કોઇ જોડે મગજમારી નથી. કોઇ એમની જોડે કામ લઇને આવ્યું હશે તો પણ એ તુરંત કરતા.
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઇજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું, ત્યારે આ પ્લેન દુર્ઘટનામાં સુરતના બે પરિવાર પણ હતા. જેમાં એક અડાજણ વિસ્તારમાં રહેતા ડોક્ટર પતિ-પત્ની અને રામપુરા વિસ્તારમાં રહેતા એક પરિવારના ત્રણ સભ્યો પણ આ પ્લેનમાં સવાર હતા. માતા-પિતાને સરપ્રાઇઝ આપવા દીકરો પરિવાર સાથે સુરત આવ્યોમળતી માહિતી પ્રમાણે સુરતના રામપુરા વિસ્તારમાં અબ્દુલ્લા નાનાબાવા પત્ની સાથે રહે છે. તેમનો દીકરો અકીલ અબ્દુલ્લા નાનાબાવા (ઉ.વ. 32), પત્ની હાના અકીલ નાનાબાવા (ઉ.વ. 31) અને સારા અકીલ નાનાબાવા દીકરી છે. જેઓ વર્ષોથી લંડનમાં રહે છે. અકીલ બિઝનેસ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ અગાઉ બકરી ઈદ હતી, ત્યારે બદરી ઈદ મનાવવા માટે સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા અને લંડનમાં વસવાટ માટે ગયેલા અકીલ તથા તેમના પત્ની હાનાબેન અને દીકરી સારા તેમના માતા-પિતાને સરપ્રાઇઝ આપવા આવ્યા હતા. જેઓ બકરી ઈદની ઉજવણી કર્યા બાદ ફરી લંડન જઈ રહ્યા હતા. આ દરમિયાન પ્લેનમાં દુર્ઘટના થઈ હતી. ત્યારે આ પરિવાર પણ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હોવાનું તેમના નજીકના સંબંધીઓએ જણાવ્યું હતું. જેથી અકીલના માતા અને પિતા બાય રોડ અમદાવાદ જવા રવાના થઈ ચૂક્યા છે. પરિવારજનો અને સમાજના લોકો આ પરિવાર સુરક્ષિત હોય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ડોક્ટર અને તેમના પત્ની બહેનને ત્યાં જતા હતામળતી વિગતો મુજબ અડાજણ સ્થિત સ્મિત સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર હિતેશ શાહ અને તેમના પત્ની અમિતાબેન શાહ લંડન જઈ રહ્યા હતા. ડો. હિતેશ શાહની બીમારીની સારવાર લંડનમાં ચાલી રહી હતી. જેથી તેઓ પતિ-પત્ની સારવાર માટે લંડન જઈ રહ્યાં હતા. ત્યારે કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે, શાહ દંપતી આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હતાં. લંડનમાં તેઓ તેમના બહેનને ત્યાં જતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. નડિયાદનું દંપતી લંડન પુત્ર પાસે જતા હતાનડિયાદના સરસ્વતીનગરમાં રહેતા મહાદેવભાઈ તુકારામ પવાર અને તેમના પત્ની આશાબેન મહાદેવભાઈ પવાર તેમના સંબંધી રમેશભાઈએ જણાવ્યું હતું કે, હાલ આ બંને દંપતી લંડન રહેતા તેમના પુત્રને ત્યાં જતા હતા, પરંતુ આ દુર્ઘટના સર્જાઈ છે. હાલ સૌ ઘર બંધ કરીને મિત્રવર્તુળ સાથે તમામ લોકો અમદાવાદ રવાના થયા છે. સાજેદાબેન પુત્રીને મળા લંડન જઈ રહ્યા હતાભરૂચના મુમતાઝ પાર્કમાં રહેતા પટેલ અલ્તાફ હુસેન ઇસ્માઈલ તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. તેઓ ઇદ મનાવવા ભરૂચ આવ્યા હતા. લંડન સ્થાઈ થયેલા પરિવારના ત્રણ લોકો ઈદ મનાવીને પરત જઈ રહ્યા હતા. આ ઉપરાંત ભરૂતના અલમીના પાર્કમાં રહેતા સાજેદાબેન સલીમ મિસ્ટર પોતાની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. જ્યારે જંબુસરના સારોદ ગામમાં ભાજપ અગ્રણી સલીમ પટેલના પુત્ર સાહિલ સલીમ પટેલ પણ સ્ટુડન્ટ વિઝા પર લંડન જઈ રહ્યા હતા.
દ્વારકા નજીક વરવાળા ગામેથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા છે. નરસંગ ટેકરી વિસ્તારના રહેવાસી કરણ ઉર્ફે કનુ ટપુભા સુમણીયા (ઉ.વ.24) અને મોડભા ઉર્ફે મુરુભા મેરૂભા માણેક (ઉ.વ.21)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.46,800ની કિંમતની વિદેશી દારૂની 36 બોટલ જપ્ત કરી છે. વધુમાં રૂ.20,000ની કિંમતનું મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.71,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સુનિલભા મેરૂભા માણેક નામનો ત્રીજો આરોપી હજુ ફરાર છે. આ કાર્યવાહી દ્વારકા વિભાગના ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના મુજબ હાથ ધરવામાં આવી હતી. પી.આઈ. એ.એલ. બારસીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એ. વાળા અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ કામગીરી કરી હતી.
પાટણ જનતા હોસ્પિટલને આજે એક મહત્વપૂર્ણ દાન પ્રાપ્ત થયું છે. પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં, પૂર્વ રોટરીયન અને હાલ યુએસએમાં સ્થાયી થયેલા કેતનભાઈ દયાળજીભાઈ અમિને 11.25 લાખનું દાન કર્યું છે. આ દાન તેમના સ્વર્ગસ્થ માતા ગંગાબેન દયાળજીભાઈ અમિનના નામે 'ગંગાબા મહિલા કેન્સર નિદાન કેન્દ્ર' માટે આપવામાં આવ્યું છે. કેન્દ્રમાં મહિલાઓના ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે વીડિયો કોલ્પોસ્કોપી અને થર્મોકોએગ્યુલેટર જેવા આધુનિક સાધનો મૂકવામાં આવશે. નવજાત શિશુઓમાં કમળાની તપાસ માટે બિલિકેર નામનું સાધન પણ આપવામાં આવ્યું છે. આ સાધનથી લોહી લીધા વગર જ પીળિયાની માત્રા જાણી શકાશે. કેતનભાઈ સંડેરના વતની છે અને પાટણમાં ત્રિશેરીયું, સાલ્વીવાડામાં રહેતા હતા. તેમણે આ વર્ષે ફતેસિંહરાવ લાઇબ્રેરીમાં 'ગંગાબા રોજગાર કેન્દ્ર' માટે 5.25 લાખનું દાન કર્યું છે. વધુમાં, તેમણે પોતાની પ્રાથમિક શાળા પંડ્યા અભ્યાસગૃહને 1.51 લાખનું દાન આપ્યું છે. આ રીતે તેમણે શિક્ષણ, રોજગાર અને આરોગ્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. કાર્યક્રમમાં હોસ્પિટલના પ્રમુખ મનસુખભાઈ પટેલ, ડો. પ્રમોદભાઈ પટેલ અને રોટરી ક્લબના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલે પાટણ અને આસપાસના વિસ્તારના લોકોને આ સુવિધાઓનો લાભ લેવા અપીલ કરી છે.
દ્વારકામાં અઢી લાખની સોનાની ઘડિયાળ મળી:પોલીસે હ્યુમન સોર્સની મદદથી ગુમ થયેલી ઘડિયાળ માલિકને સોંપી
દ્વારકા વિસ્તારમાં એક યુવતીની કિંમતી ઘડિયાળ ગુમ થવાની ઘટના સામે આવી હતી. યુવતીએ આ અંગે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. દ્વારકા વિસ્તારના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. આકાશ બારસીયા અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે હ્યુમન સોર્સની મદદથી રૂપિયા અઢી લાખની કિંમત ધરાવતી સોનાની ઘડિયાળ શોધી કાઢી હતી. પોલીસે આ ઘડિયાળ તેના મૂળ માલિકને પરત સોંપી હતી. ઘડિયાળ પરત મેળવીને માલિકે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં પીઆઈ એ.એલ. બારસીયા, પીએસઆઈ ડી.એ. વાળા, ભૂપતસિંહ વાઢેર, જેસાભાઈ આંબલીયા અને હિતેન્દ્રસિંહ જાડેજાની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા શિવ શક્તિ પેટ્રોલિયમમાં મોટો આર્થિક ગોટાળો સામે આવ્યો છે. પેટ્રોલ પંપના વહીવટદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કુંવરજીભાઈ અમૃતલાલ ભેંસદડીયાએ તીર્થરાજસિંહ કાળુભા પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2019માં પાંચ ભાગીદારોએ મળીને મોટી બાણુગર ગામની સીમમાં શિવ શક્તિ પેટ્રોલિયમ શરૂ કર્યું હતું. વર્ષ 2023માં ત્રણ ભાગીદારો છૂટા થયા બાદ નવી ભાગીદારી રચાઈ હતી. તેમાં તીર્થરાજસિંહને 25 ટકા રાજશીભાઈને 25 ટકા દિલસુખભાઈને 20 ટકા અને કુંવરજીભાઈને 30 ટકા ભાગીદારી આપવામાં આવી હતી. હિસાબ રૂ. 1,50,21,329નો હોય જે પૈકી રૂપીયા-28,24,383ની મુડી પેઢીમાં હોવી જોઈએ જે ન હોય અને તેઓ પેઢીનો હિસાબ આપવા માટે કાયદેસરના બંધાયેલ હોય તેમ છતા તેઓએ પુર્ણ હિસાબ નહી આપી પેઢીના અન્ય ભાગીદારો સાથે છેતરપીંડી આચરી હતી. આ નાણા પોતાના અંગત ઉપયોગ માટે વાપરી ઉચાપત કરેલ હોય આ તિર્થરાજસિંહ કાળુભા પરમાર રહે. જામનગર વાળા વિરૂધ્ધ ધોરણસર થવા ફરીયાદ નોંધાઈ છે. પેટ્રોલ પંપનો વહીવટ તીર્થરાજસિંહને સોંપવામાં આવ્યો હતો. તેમને પેટ્રોલ-ડીઝલ મંગાવવાની, કર્મચારીઓના પગાર અને નાણાકીય વ્યવહારોની જવાબદારી સોંપવામાં આવી હતી. વહીવટમાં અપારદર્શિતા અને ગોટાળા બાદ માર્ચ 2023માં કુંવરજીભાઈએ વહીવટ સંભાળ્યો હતો. પરંતુ એપ્રિલ 2024માં ફરી તીર્થરાજસિંહને વહીવટ સોંપવામાં આવ્યો. તે સમયે પેઢીની સિલક 1.14 કરોડ રૂપિયા હતી. એપ્રિલ 2025માં ફરી એકવાર હિસાબમાં ગોટાળા સામે આવતા તપાસ કરવામાં આવી. તપાસમાં 1.78 કરોડની મૂડીમાંથી 28 લાખથી વધુની રકમનો ગોટાળો સામે આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં કુલ રૂ. 2.49 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. સાંઢીયા પુલ રેલવે ઓવરબ્રિજ સુધી સર્વિસ રોડ અને સ્ટેટ હાઇવેના સેન્ટ્રલ સેપરેટર પર સેન્ટ્રલ લાઇટિંગ માટે રૂ. 81.17 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. બેઠકમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. વર્ષ 2025 માટે વિવિધ વાહનોના ભાડા માટે રૂ. 46 લાખ ફાળવવામાં આવ્યા છે. વોર્ડ નં. 2, 3 અને 4માં ટ્રાફિક વર્કસ માટે રૂ. 5 લાખ અને ગટર વર્કસ માટે રૂ. 10 લાખની મંજૂરી અપાઈ છે. વોર્ડ નં. 8, 15 અને 16માં રોડ વર્કસ માટે રૂ. 7.50 લાખ મંજૂર કરાયા છે. વોર્ડ નં. 16માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામ માટે રૂ. 17.89 લાખ અને પાણી વિતરણ માટે રૂ. 80.48 લાખની ફાળવણી કરવામાં આવી છે. સોલેરીયમ ઝોનમાં વોટર પાઈપલાઈન નેટવર્ક માટે રૂ. 1.36 લાખ મંજૂર કરાયા છે. આ ઉપરાંત, વિવિધ શાખાઓમાં કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓની 6 માસ માટે નવી નિમણૂકને પણ મંજૂરી આપવામાં આવી છે.
મોરબીના ભાજપના વરિષ્ઠ નેતા પ્રદીપભાઈ વાળાએ આજે સવારે જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ફોન પર વાત કરી હતી. રૂપાણીએ તેમને લંડન જવાની વાત કરી હતી. પ્રદીપભાઈએ તેમને સુખરૂપ મુસાફરીની શુભેચ્છાઓ પાઠવી હતી. વિજયભાઈ રૂપાણી લંડનમાં રહેતી તેમની પુત્રીને મળવા જઈ રહ્યા હતા. તેઓ અમદાવાદથી પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. દરમિયાન અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં 180 જેટલા લોકો સાથે તેમનું પણ નિધન થયું છે. પ્રદીપભાઈ વાળાએ જણાવ્યું કે આજે સવારે મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં જતા પહેલા તેમણે રૂપાણી સાથે વાત કરી હતી. રૂપાણીએ તેમને 15-20 દિવસ પછી પરત આવવાની વાત કરી હતી. વિદ્યાર્થી પરિષદથી રૂપાણી સાથે કામ કરી ચૂકેલા પ્રદીપભાઈએ આ દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલા પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કલેક્ટર યોગેશ નિરગુડેએ આકસ્મિક મુલાકાત લીધી. તેમણે આરોગ્ય કેન્દ્રની કામગીરીનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું. કલેક્ટરે AB-PMJAY, IHIP, PMMVY, નમો શ્રી જેવી આરોગ્યલક્ષી યોજનાઓની સમીક્ષા કરી. તેમણે ટીબી, સંસ્થાકીય પ્રસૂતિ અને રસીકરણની કામગીરીની વિગતવાર માહિતી મેળવી. આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને યોજનાઓનો લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોંચાડવા સૂચના આપી. મુલાકાતનો મુખ્ય હેતુ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવાનો હતો. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય હતું. કલેક્ટરે સ્થાનિક આરોગ્ય કર્મચારીઓને નિયમિત દેખરેખ રાખવા જણાવ્યું. સેવાઓના અમલીકરણમાં ઝડપ લાવવાની સૂચના આપી. આ મુલાકાતથી પાંચવાડા આરોગ્ય કેન્દ્રની કામગીરીમાં વધુ સુધારો થશે. ગ્રામજનોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 105થી વધુ લોકોના મોત થયા છે. બપોરે 1:38 વાગ્યે એર ઈન્ડિયાની AI0171 ફ્લાઈટે ટેકઓફ કર્યું અને બીજી જ મિનિટે 1:40 વાગ્યે ક્રેશ થઈ ગયું. ક્રેશ પહેલા પ્લેને કંટ્રોલ ગુમાવતા તે એક વૃક્ષ સાથે અથડાયું હતું, પછી ડોક્ટર્સ ઈન્ટર્ન હોસ્ટેલની બિલ્ડિંગ પર પડ્યું હતું. ઉપરના ફોટો પર ક્લિક કરી એનિમેશનમાં સમજો આખું ઘટનાક્રમ.
સાબરકાંઠા જિલ્લામાં નવા સત્રનો પ્રારંભ થઈ ચુકયો છે, ત્યારે જિલ્લામાં આવેલ અનેક ખાનગી સ્કુલોના સંચાલકોએ શિક્ષણને વેપાર બનાવી દીધો હોવાનું વાલીઓ અને આમ પ્રજા માની રહી છે. ત્યારે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર બે સ્કૂલો અને ખેડબ્રહ્મામાં એક સ્કુલ મળી ત્રણ સ્કુલોમાં પુસ્તકો વેચાણ કરવાને લઈને ફરિયાદ બાદ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તપાસ બાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવતા એક સ્કૂલને રૂ 10 હજારનો દંડ ફટકાર્યો છે જયારે બે સ્કુલ સામે કાર્યવાહી શરુ કરી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી એમ.એમ. ગઢવીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં જણાવ્યું છે કે, હિંમતનગરની માણેકકૃપા સ્કુલના પ્રાથમિક વિભાગમાં ભણતા બાળકોને પાઠય પુસ્તકો અને ખાનગી સાહિત્યના વિતરણ કરાતું હોવાની એક અરજી જિલ્લા શિક્ષણાધિકારીને આપી હતી. જેની તપાસ કરાતાં માણેકૃપા સ્કુલ (નોનગ્રાન્ટેડ)માં પાઠય પુસ્તકો અને ખાનગી સાહિત્યનું વિતરણ કરાયું હોવાનું ધ્યાને આવ્યું હતું. બીજી તરફ ખેડબ્રહ્મા બીઆરસી અને સીઆરસીએ પણ સંતશ્રી રામજીબાપા ક.ક.પા. કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં ભણતા બાળકો પાસેથી ફી તથા શાળા દ્વારા વિતરણ કરતા પુસ્તક અને સ્વાધ્યાયપોથીની કિંમત નિયમ વિરૂધ્ધ વસુલ લેવામાં આવતી હતી. જેની તપાસ પણ પૂર્ણ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં જાણ કરીને ઘટતી કાર્યવાહી કરવા માટે જરૂરી પુરાવા મોકલી આપ્યા છે. થોડા સમય પહેલા હિંમતનગરની મદ્રેસા હાઇસ્કુલમાં પણ પુસ્તક વેચાણ કરવાને લઈને ફરિયાદ થયા બાદ તપાસમાં વિતરણ થયાનું બહાર આવ્યા બાદ રીપોર્ટ તૈયાર કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોક્લ્વામમાં આવ્યો હતો. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુર ઉપાધ્યાયે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,હિંમતનગરની મદ્રેસા સ્કુલમાં ખાનગી પ્રકાશનના પુસ્તકો વિતરણ કરતા હોવાના રીપોર્ટ બાદ કાર્યવાહી કરી હતી અને રૂ 10 હજારનો દંડ ફટકાર્યો છે.તો બીજી તરફ હિંમતનગરની માણેકકૃપા અને ખેડબ્રહ્માની સંતશ્રી રામજીબાપા ક.ક.પા. કન્યા વિદ્યાલયના પ્રાથમિક શાળામાં ફરિયાદ આધારે રીપોર્ટ મળ્યા છે તેના સામેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આજે બપોરે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયા ફ્લાઈટ દુર્ઘટના ગ્રસ્ત બની છે. જેમાં વેરાવળના એક દંપતી સવાર હોવાની માહિતી સામે આવી છે. વેરાવળના રાજુભાઈ જીમુલીયા અને તેમના પત્ની ભાવનાબેન પોતાના પુત્રને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. BSNLના પૂર્વ કર્મચારી રાજુભાઈ અને તેમના પત્ની દુર્ઘટનાગ્રસ્ત એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. વિમાનમાં સવાર યાત્રીઓની જાહેર કરવામાં આવેલી યાદીમાં આ દંપતીનું નામ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર સામે આવતાં વેરાવળમાં તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકો અને પરિવારજનો દંપતીની સલામતી અંગે ચિંતિત છે.
મોરબીમાં દારૂની હેરાફેરી પકડાઈ:કાયાજી પ્લોટમાંથી 657 બોટલ દારૂ સાથે કાર જપ્ત, ચાલક ફરાર
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાયાજી પ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. શેરી નંબર 5ના નાકા પાસેથી પસાર થતી શંકાસ્પદ કારને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. સ્વિફ્ટ કાર નંબર GJ-13-NN-5006નો ચાલક વાહન મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે કાર તપાસતા તેમાંથી ત્રણ અલગ-અલગ બ્રાન્ડની કુલ 657 દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત 2,68,380 રૂપિયા છે. 4 લાખની કિંમતની કાર સાથે કુલ 6,68,380 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. તપાસમાં આ માલ જોન્સનગર લાતી પ્લોટના રહેવાસી શાહરૂખ ઈકબાલભાઈ બુચડનો હોવાનું સામે આવ્યું છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરી છે. તેમણે પાટણ રેલ્વે સ્ટેશન પર ભગતકી કોઠી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એસએફ એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૦૬૨૬-૨૦૬૨૫)ને કાયમી સ્ટોપેજ આપવાની માંગણી કરી છે. આ ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ પાટણ રેલ્વે સ્ટેશનથી પસાર થાય છે. જોકે, હાલમાં આ સ્ટેશન પર તેનું સ્ટોપેજ નથી. સાંસદના મતે, આ ટ્રેનનું સ્ટોપેજ પાટણ અને આસપાસના વિસ્તારના હજારો નાગરિકોને લાભદાયી બનશે. સ્ટોપેજથી મુસાફરોને દક્ષિણ ભારતની મુસાફરી સરળ બનશે. આ નિર્ણયથી પાટણ શહેરના વેપાર-ધંધા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. સાંસદે રેલ્વે મંત્રીને આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
મોરબી તાલુકા પોલીસે નવી પીપળી ગામના ઓમ પાર્કમાં દરોડો પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે સંદીપભાઈ કાલરીયાના ઘરે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસને વિદેશી દારૂની 131 બોટલ અને બિયરના 96 ટીન મળી આવ્યા છે. આ ઉપરાંત એક ક્રેટા ગાડી સહિત 10.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 36 વર્ષીય સંદીપભાઈ રમેશભાઈ કાલરીયાની ધરપકડ કરવામાં આવી છે. દારૂની સાથે જ આરોપીના ઘરમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ પણ પકડાયું છે. પોલીસે સ્થળ પરથી સુપર ગેસના 42 ભરેલા બાટલા જપ્ત કર્યા છે. સુપર ગેસના 15 ખાલી બાટલા, ઇન્ડેન ગેસના 18 ખાલી બાટલા અને એચપી કંપનીના 16 ખાલી બાટલા મળી આવ્યા છે. વધુમાં વજન કાંટો, ગેસ રિફિલિંગ માટેની ઇલેક્ટ્રિક મોટર અને નોઝલ પણ મળી આવ્યા છે. ગેસના બાટલાની હેરફેર માટે વપરાતું છોટાહાથી વાહન (GJ-36-V-5456) પણ જપ્ત કરવામાં આવ્યું છે. ગેસના બાટલા અને વાહન મળીને 5,37,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ડીવાયએસપી વી.બી. દલવાડીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. અન્ય આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં સરકારી શાળાઓમાં વધુ પ્રવેશ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના નેતૃત્વમાં 35 શાળાઓના વાલીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. કલેકટરે વાલીઓને સરકારી શાળાઓના ફાયદાઓથી માહિતગાર કર્યા હતા. તેમણે ખાનગી શાળાઓના ઊંચા ખર્ચને કારણે પરિવારો પર પડતા આર્થિક બોજની વાત કરી હતી. સરકારી શાળામાં અભ્યાસ કરાવવાથી બચતી રકમ બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે વાપરી શકાય તેવી સલાહ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓની માહિતી આપી હતી. તેમાં શિક્ષણની ગુણવત્તા, ઇતર પ્રવૃત્તિઓ, મધ્યાહન ભોજન, નાસ્તો અને વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. શિક્ષકોની કુશળતા અને વર્તન અંગે પણ માહિતી આપવામાં આવી હતી. નવસારી જિલ્લામાં આગામી 26થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ 2025-26 યોજાશે. આ કાર્યક્રમ આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ સાથે ઉજવાશે. બેઠકમાં એસએમસીના સભ્યો, ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો પણ જોડાયા હતા.
બોટાદ જિલ્લાના ભાંભણ ગામમાં 22 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 7000ની વસ્તી અને 10 વોર્ડ ધરાવતા આ ગામમાં અનેક પાયાની સમસ્યાઓ છે. ગામમાં બનેલા આરસીસી રોડની સ્થિતિ દયનીય છે. થોડા સમયમાં જ રોડ તૂટી ગયા છે અને સીસી રોડમાં ખાડા પડી ગયા છે. કેટલાક વિસ્તારોમાં તો રોડ બન્યા જ નથી. જ્યાં બ્લોક નાખીને રસ્તા બનાવવામાં આવ્યા છે, ત્યાં વારંવાર નવા રોડ બનાવવામાં આવે છે. શિક્ષણની સ્થિતિ પણ ચિંતાજનક છે. પ્રાથમિક શાળાની બિલ્ડિંગમાં જ માધ્યમિક શાળાના ધોરણ 8, 9 અને 10ના વર્ગો ચાલે છે. ધોરણ 11 અને 12 માટે અલગ બિલ્ડિંગ નથી. ગ્રામજનોની માગ છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે અલગ બિલ્ડિંગ બનાવવામાં આવે અને શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવે. પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર છે. ગામમાં નર્મદાનું પાણી આવે છે, પરંતુ વારંવાર લાઈનમાં ભંગાણ થવાના કારણે છેલ્લા 15 દિવસથી લોકોને બોરનું મોળું પાણી પીવું પડે છે. વહીવટદારના શાસન દરમિયાન બનેલા રોડમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.
અમદાવાદના મેઘાણીનગર આઇજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું, જેમાં 105 જેટલા લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના બાદ કેટલાક રૂંવાડાં ઊભાં કરી દે એવાં દૃશ્યો સામે આવ્યાં છે. કોઈના ધડથી માથાં અલગ થયાં તો કોલસો થયેલા મૃતદેહોના ઢગલા જોવા મળ્યા, ડૉક્ટરોની હોસ્ટેલ પર વિમાન ક્રેશ થતાં કેટલાય ડૉક્ટરોનો કાળ સાથે ભેટો થયો. વીડિયો જોવા માટે ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો
ગુજરાતના 27 અભયારણ્ય બંધ:ઘૂડખર અભયારણ્ય સહિત તમામ અભયારણ્ય 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે
કચ્છના રણમાં આવેલા ઘૂડખર અભયારણ્ય સહિત ગુજરાતના તમામ 27 અભયારણ્યમાં 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રવેશબંધી રહેશે. આ સમયગાળો વન્યજીવોના સંવનનકાળનો હોવાથી પ્રાણીઓને ખલેલ ન પહોંચે તે માટે આ નિર્ણય લેવાયો છે. કચ્છના રણમાં આવેલા 4954 ચોરસ કિલોમીટર વિસ્તારને 1973માં ઘૂડખર અભયારણ્ય તરીકે જાહેર કરાયું હતું. છેલ્લી ગણતરી મુજબ અહીં 7672 ઘૂડખર નોંધાયા છે. આ પ્રાણી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેઓ 1થી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં જીવી શકે છે. ચોમાસા દરમિયાન ઘૂડખરનો પ્રજનનકાળ હોય છે. આથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ, કામદારો અને પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ રહેશે. જો કોઈ વ્યક્તિ નિયમનું ઉલ્લંઘન કરશે તો વન્ય સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
હિંમતનગરના ગાંભોઈ-રણાસણ રોડ પર આવેલા રૂપાલ ચાર રસ્તા પર ગુરુવારે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વડાલીથી કઠલાલ તરફ જતી એક આઈશર ગાડી, જેમાં મકાઈના ઠૂંઠા ભરેલા હતા, તે બમ્પ ન દેખાતા પલટી ખાઈને ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં આઈશરમાં સવાર છ વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આઈશરમાં ભરેલા મકાઈના ઠૂંઠા રોડ પર વેરવિખેર થઈ ગયા હતા. આઈશર રોડની વચ્ચે આડી પડી જવાથી કેટલાક સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. અન્ય વાહનચાલકોની મદદથી આઈશરને રોડ પરથી હટાવવામાં આવી હતી. સ્થાનિક વેપારીઓ ભાવેશભાઈ નાયી અને અશ્વિનભાઈ પટેલ સહિત અનેક રહીશોએ માર્ગ વિભાગમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં બમ્પ પર સફેદ કલર લગાવવામાં આવ્યો નથી. આ રસ્તા પરથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોવાથી સ્થાનિકોએ તંત્રને બમ્પ પર તાત્કાલિક સફેદ કલર લગાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય.
વિજાપુર શહેરના નવા માર્કેટ યાર્ડમાં ગત રાત્રે મોટી ચોરીની ઘટના બની છે. રાત્રે 9થી સવારના 5 વાગ્યા દરમિયાન તસ્કરોએ 8 દુકાનોના તાળા તોડી કુલ 4,37,700 રૂપિયાની રોકડ ચોરી કરી છે. શ્રીનાથ ટ્રેડિંગ નામની દુકાનના CCTVમાં 4 તસ્કરો કેદ થયા છે. સૌથી વધુ રકમ સીધેશ્વરી ટ્રેડર્સમાંથી ચોરાઈ છે, જ્યાં તસ્કરો 1.50 લાખ રૂપિયા લઈ ગયા હતા. પટેલ પ્રવીણકુમારની અનાજ-તેલીબિયાની દુકાનમાંથી લોખંડની તિજોરી તોડી 27 હજાર રૂપિયા ચોરાયા. રમેશચંદ્ર સોનભાઈ એન્ડ કંપનીમાંથી તિજોરી તોડી 1.25 લાખ રૂપિયા, શંકર ટ્રેડિંગ કંપનીમાંથી 250 રૂપિયા, શ્રીનાથ ટ્રેડિંગમાંથી 40 હજાર રૂપિયા, પટેલ ગોવિંદભાઈની કંપનીમાંથી 51,200 રૂપિયા અને જય ચામુંડા ઇન્ટરપ્રાઈઝમાંથી 44,250 રૂપિયાની ચોરી થઈ છે. મહેશ્વરી નિખિલકુમારના ગોડાઉનમાં તાળું તોડ્યું પણ કંઈ મળ્યું નહીં. ઘટનાની જાણ થતાં DYSP તપાસ માટે સ્થળ પર દોડી આવ્યા હતા. વેપારીઓએ વિજાપુર પોલીસ મથકમાં તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
ભરૂચમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ બે ખાનગી શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. ઝાડેશ્વર સ્થિત સંસ્કાર ભારતી સ્કૂલ અને એમીકસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને શાળાના નામ અને લોગોવાળી નોટબૂક્સ વેચવાના મામલે સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. સામાજિક કાર્યકર યોગી પટેલે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે શાળા સંચાલકો દ્વારા વાલીઓને ચોક્કસ દુકાનમાંથી જ સ્ટેશનરી, યુનિફોર્મ અને પુસ્તકો ખરીદવાનું દબાણ કરાતું હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે તમામ શાળાઓને પરિપત્ર દ્વારા વાલીઓ પર દબાણ ન કરવા ચેતવણી આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું કે જો શાળાઓ તરફથી નોટિસનો સંતોષકારક જવાબ નહીં મળે તો રૂ. 10,000થી રૂ. 25,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. સંસ્કાર ભારતી સ્કૂલના એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસે સ્પષ્ટતા કરી છે કે તેમની શાળા વાલીઓને લોગોવાળી નોટબુક ખરીદવાનું દબાણ કરતી નથી. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને સામાન્ય નોટબુકનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે.
દાહોદ સબ જેલમાં તા. 12/06/2025ના રોજ એક વિશેષ સર્વે રોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટના વડા ડૉ. કે.એલ. રાવ, શ્રી અશ્વિન ચૌહાણ અને અધિક્ષક શ્રી એમ.એલ. ગમારાના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાયો હતો. દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવત સહિતની ટીમે કેમ્પમાં સેવાઓ આપી. કેમ્પમાં CPR (કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) ટ્રેનિંગ આપવામાં આવી. બેહોશ વ્યક્તિના હૃદયની બાજુએ 100થી 120 વખત દબાણ આપવાની પદ્ધતિ શીખવવામાં આવી. કટોકટી સમયે 108 એમ્બ્યુલન્સને જાણ કરવા અને કૃત્રિમ શ્વાસ આપવાની તાલીમ આપવામાં આવી હતી. કેમ્પમાં HIV, ટી.બી., લેપ્રસી, સિકલસેલ, NCD અને સિફિલિસ જેવા રોગોની તપાસ કરવામાં આવી. જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની ટીમે 200 કેદીઓ અને 15 સ્ટાફ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોની આરોગ્ય તપાસ કરી. આ કેમ્પ દ્વારા ગંભીર રોગોની વહેલી તપાસ અને સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી. જેલમાં આરોગ્ય સેવાઓની પહોંચ વધારવા અને કેદીઓના સ્વાસ્થ્ય પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા આ કેમ્પ દ્વારા દર્શાવવામાં આવી.
આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગઈકાલે ઉમેદવારીપત્ર પરત ખેંચાઈ ગયા બાદ સમગ્ર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. કુલ 159 ગ્રામપંચાયતો પૈકી તારાપુર તાલુકાની ચાંગડા, ચીતરવાડા, રીંઝા, સોજીત્રા તાલુકાની ગાડા, આણંદ તાલુકાની ખાંધલી, પેટલાદ તાલુકાની આમોદ અને મહુડીયાપુરા મળીને કુલ 7 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. ફોર્મ ચકાસણી દરમિયાન સરપંચના 9 અને સભ્યોમાં 66 ફોર્મ અમાન્ય ઠર્યાં છે. જ્યારે, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સરપંચના 190 અને સભ્યોમાં 197 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા છે. જેથી 19 સરપંચો અને 770 વોર્ડના સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. હવે સરપંચપદના 427 અને સભ્યપદ માટે 1249 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જે જે ગામડાઓમાં ચૂંટણીઓ યોજાનાર છે. ત્યાં ચૂંટણીલક્ષી માહોલ જામવા લાગ્યો છે. વહિવટીતંત્ર દ્વારા પણ ચૂંટણીના પ્રતિકોની ફાળવણી કરવાની તેમજ બેલેટ પેપરની છપામણી માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સમરસ ગ્રામપંચાયત કયાં તાલુકામાં કેટલા સરપંચ-સભ્યો બિનહરીફ થયાં
આગામી 22જૂને જામનગર જિલ્લાની 111 ગ્રામ પંચાયતની સામાન્ય અને 11 ગ્રામ પંચાયતની બોજાનારી ચૂંટી માટે ઉખેડવાકોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું છે. જામનગર જિલ્લામાં 238 સરપંચો અને 101 સભ્યોએ ઉમેદવારી પરત ખેંચી ભેના 87 ગ્રામ પંચાયતના સરપંચ અને 1188 સભ્યો ખિન હરીક વિજેતા જાહેર થયા છે. જામનગર સહિત રાજ્યભરમાં ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. જામનગર જિલ્લામાં કુલ 266 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં સરપંચ માટે કુલ 739 અને સભ્ય માટે કુલ 3320 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જે ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ બાદ હાલમાં સરપંચ માટે 494 અને સભ્ય માટે 3081 ઉમેદવારો માન્ય રહયા છે. જામનગર જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આગામી તા. રર જૂનના રોજ મતદાન યોજાનાર છે. તે પૂર્વે ફોર્મ ભરવા, ફોર્મની ચકાસણી સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ થઇ છે. જામનગર જિલ્લાની કુલ 266 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં સભ્ય માટે 739 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જયારે સભ્ય માટે 332ર ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જે પૈકી સરપંચના 7 તથા સભ્ય માટેના 35 ઉમેદવારી પત્રો અમાન્ય રહયા હતા. અને 732 સરપંચ માટેના ઉમેદવારી પત્રો તથા 3287 સભ્યો માટેના ઉમેદવારી પત્રો માન્ય રહયા છે. ત્યારબાદ સરપંચના 238 ઉમેદવારોએ તથા સભ્ય પદના 206 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા. જયારે સરપંચ પદના 87 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જયારે સભ્ય પદના 1188 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમ હાલમાં સરપંચ પદ માટે કુલ 407 અને સભ્ય પદ માટે 1893 ઉમેદવારો મેદાનમાં છે. જામનગર જિલ્લાના તાલુકા મુજબ વાત કરીએ તો જામનગર ગ્રામ્યની 65 ગ્રામ્ય પંચાયતોની બેઠક માટે સરપંચ પદ માટે 195 તથા સભ્ય પદ માટે 953 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જે પૈકી સરપંચના બે ફોર્મ તથા સભ્ય પદના 11 ફોર્મ અમાન્ય રહયા હતા. અને સરપંચ પદ માટે 193 તથા સભ્ય માટે 942 ઉમેદવારી માન્ય રહી હતી. ત્યારબાદ સરપંચ પદમાં 67 ઉમેદવારોએ તથા સભ્યો માટે 69 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. જયારે સરપંચમાં 20 તથા સભ્યોમાં 262 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમ હવે સરપંચ પદ માટે 106 તથા સભ્ય પદ માટે 611 ઉમેદવારો મેદાનમાં છે. ગ્રામ પંચાયતની જામનગર જિલ્લાની કુલ 200 ગ્રામ મંટણીમાં સરપંચ પદ માટે 732 અને શભ્યપદ માટે 3320 ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ચકાસણી દરમિયાન સરપંચ પદના 7 અને સભ્યપદના 35 ફોર્મ આપૂરની વિક્મનોના કરણે જિલ્લા ચૂંટણી તંત્રે કદ કર્યા હતા અને ત્યાર બાદ ગઈકાલે ઉમેદવારી પાત ખેંચવાના અંતિમ દિવસે 248 સરપંચ અને 201 સભ્યોએ ઉમેદવારી પરત ખેંચતા હવે 400 સરપંથ અને 1893 સભ્યો ચૂંટણી જંત્રમાં મેડાનમાં રહ્યા છે. જેઓ વચ્ચે આગામી 26મી ના રોજ ચૂંટણી યોજાશે. ધ્રોલ તાલુકાની 24 ગ્રામ પંચાયતોમાંથી 08 સમરસજામનગરમાં ધ્રોલ તાલુકાના 27 ગ્રામ પંચાયતની સામાન્ય અને આ પંચાયતની પેણ ચૂંટણીમાં 08 સગ્રઝમ પંચાયત સભાસ થઈ છે અને પેક S ચૂંટણીમાં સરપંચ બિનાણીક જાહેર થતાં હવે 11 ગ્રામ પંચાયતમાં 33 સાયલાના ઉમેઠવારો તેમજ 101 રાજ્ય પડના ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.
કોરોનાની વધતી સ્થિતિને ધ્યાનમાં રાખીને તાપીની વ્યારા સિવિલ હોસ્પિટલે તૈયારીઓ શરૂ કરી છે. હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ પૂર્ણ કાર્યરત છે. આ પ્લાન્ટ એક મિનિટમાં 1000 લિટર ઓક્સિજન ઉત્પાદન કરી શકે છે. હોસ્પિટલમાં 1735 લિટર Dura લિક્વિડ ઓક્સિજન અને 150 D-type સિલિન્ડર દ્વારા 10.50 લાખ લિટર ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં 6 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડે તો મહિલા અને પુરુષો માટે 100 બેડ સુધી વધારી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. CDMO ડૉ. ડી.સી. ગામીતના જણાવ્યા અનુસાર, દરરોજ 18થી 20 RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. હોસ્પિટલમાં કોરોના સંબંધિત તમામ સાધનો અને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈ કાલે આપેલા નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે કોરોના નવા વેરિયન્ટમાં લોકોએ સાવચેતી રાખવા અને ડરવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું, જ્યારે રાજ્ય સરકારે હજુ સુધી કોઈ SOP જાહેર કરી નથી. જો કે, વ્યારા સિવિલ હોસ્પિટલનું તંત્ર કોરોના સામે લડવા સજ્જ છે.
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 240થી વધુ પેસેન્જર અને કાર્ગો પણ હતું. આ દુર્ઘટનાનો વીડિયો એક મોબાઈલ કેમેરામાં અકસ્માતે કેદ થયો. લાઈવ વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો...
માણસામાં પ્રેમ પ્રકરણમાં પતિની હત્યા:પત્નીએ ઊંઘની દવા આપી પાવડાથી હુમલો કર્યો, પ્રેમી સાથે ધરપકડ
માણસા તાલુકાના સૌલૈયા ગામમાં એક પત્નીએ પ્રેમીની મદદથી પતિની હત્યા કરી છે. બનાસકાંઠાના ધનાણા ગામના વતની ભૂરાભાઈ ચૌહાણ (38) છેલ્લા 12 વર્ષથી સોલૈયા ગામમાં રહેતા હતા. તેમની પત્ની રમીલાબેન અને બે બાળકો છે. મંગળવારે રાત્રે અઢી વાગ્યે ભૂરાભાઈના મોટાભાઈ જેહાભાઈને જાણ થઈ કે, તેમના ભાઈને મોઢામાંથી લોહી નીકળે છે. 108 એમ્બ્યુલન્સની ટીમે ભૂરાભાઈને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહ ઓરડીમાં ખાટલા પર હતો. મોઢામાંથી લોહી નીકળેલું હતું અને જીભ બહાર આવેલી હતી. ગળા અને ખભા પર ઈજાના નિશાન હતા. તપાસમાં બહાર આવ્યું કે, રમીલાબેન છેલ્લા દોઢ વર્ષથી ધનાણા ગામના પ્રકાશ ગોહીલના સંપર્કમાં હતા. પ્રકાશે રમીલાને પત્ની તરીકે રાખવાનું વચન આપ્યું હતું. રમીલાએ પતિને પ્રકાશે આપેલી ઊંઘની દવા ખવડાવી. રાત્રે બાર વાગ્યે ઊંઘમાં રહેલા પતિના ગળા પર લોખંડના પાવડાથી હુમલો કર્યો હતો. પીઆઈ પી.જે. ચુડાસમાના જણાવ્યા મુજબ, અગાઉ એક વખત રમીલાએ શાકમાં ઊંઘની દવા નાખી હતી. પરંતુ પતિએ શાક ન ખાતા તેમનો પ્લાન નિષ્ફળ ગયો હતો. હત્યા બાદ રમીલાએ પ્રકાશને ફોન કરી જાણ કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
શાળામાં છતના પોપડા પડ્યા:ભુજના રતીયા ગામની પ્રાથમિક શાળામાં 3 વિદ્યાર્થીઓને ઈજા, તપાસ શરૂ
ભુજ તાલુકાના રતીયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આજે સવારે 11:30 વાગ્યે રજાના સમયે લોબીની છતના પોપડા ખરી પડતા ત્રણ વિદ્યાર્થીઓને ઈજા થઈ છે. ઘવાયેલા વિદ્યાર્થીઓને સારવાર માટે ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘવાયેલા વિદ્યાર્થીઓમાં ધોરણ 1માં અભ્યાસ કરતા 7 વર્ષીય અસફાક અબ્દુલ અને ધોરણ 4ની વિદ્યાર્થિની સનાયા લિયકત બોરીયાને માથાના ભાગે ટાંકા આવ્યા છે. જ્યારે કરણ સામજી કોલીને પગના ભાગે સામાન્ય ઈજા થઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાળાના આચાર્ય હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘવાયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની મુલાકાત લીધી હતી. જિલ્લા પ્રાથમિક વિભાગના ઇન્ચાર્જ અધિકારી કમલેશ કટારીયાએ જણાવ્યું કે ખાસ તપાસ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ ટીમ શાળામાં સમારકામની જરૂરિયાત અને તેના અમલીકરણમાં થયેલા વિલંબ અંગે તપાસ કરશે. જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવશે. શાળામાં ધોરણ 1થી 8 સુધીમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઘટનાથી સ્થાનિક વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. શાળાના આચાર્યે અગાઉ જિલ્લા શિક્ષણ વિભાગને સમારકામ અંગે અરજી કરી હતી, પરંતુ કામગીરી ન થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.
ધ્રાંગધ્રા નગરપાલિકાએ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બે નવતર પહેલ શરૂ કરી છે. 'વુમન ફોર ટ્રી' અને 'માય થેલી ઈવેન્ટ' નામના આ કાર્યક્રમો દ્વારા શહેરમાં પર્યાવરણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 'એક પેડ માં કે નામ' અભિયાનથી પ્રેરિત આ કાર્યક્રમમાં સખી મંડળની બહેનોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ વૃક્ષારોપણથી માંડીને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેશે. શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત સખી મંડળની બહેનો 31 ઓક્ટોબર 2025 સુધી દર ગુરુવાર અને શુક્રવારે શહેરના નાગરિકોને વિનામૂલ્યે કાપડની થેલીઓ બનાવી આપશે. આ કામ બદલ તેમને સરકાર તરફથી મહેનતાણું મળશે. સુધરાઈ સભ્યોએ બહેનોને વર્કઓર્ડર આપ્યા છે. કાર્યક્રમ દરમિયાન સુધરાઈ સભ્યો, નગરપાલિકા સ્ટાફ અને સખી મંડળની બહેનોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. અમૃત 2.0 ટીમ, એનયુએલએમ ટીમ અને નગરપાલિકાના કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ફરી પ્લેન ક્રેશથી રક્તરંજિત થઇ અમદાવાદની ધરતી. 12 જૂન, 2025, ગુરુવારના રોજ બપોરે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના સૌને ચોંકાવી રહી છે, ત્યારે આજથી 37 વર્ષ પહેલાં પણ મુંબઇથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદમાં લેન્ડ કરતી વેળાએ ક્રેશ થઇ હતી. (ઇન્ડિયન એરલાઇન્સ અને એર ઇન્ડિયાનું 2007માં મર્જર થયેલું) 19 ઓક્ટોબર 1988ના રોજ સવારે 6-05 વાગ્યે ક્રેશ થયેલા એ વિમાનમાં 135 લોકો સવાર હતા, જેમાંથી 133 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. આ દુર્ઘટના ઇન્ડિયન એરલાઇન્સના ઇતિહાસમાં સૌથી ગોઝારો અને ભારતના એવિએશન ઇતિહાસનો ચોથો સૌથી ભયાનક હવાઇ અકસ્માત હતો. પાઇલટોને રનવે જ ન દેખાયોમુંબઇના સહાર ઇન્ટરનેશલ એરપોર્ટ પરથી સવારે 5-45 વાગ્યે નિર્ધારિત ઉડાન ધરાવતું આ વિમાન એક પેસેન્જર મોડો પડવાને લીધે 20 મિનિટ મોડું ઊપડેલું અને 6-05 વાગ્યે મુંબઇથી રવાના થયું હતું. પંદર મિનિટ પછી 6-20 વાગ્યે આ વિમાનને બંને પાઇલટ (ઓ. એમ. દલાયા અને દીપક નાગપાલ)એ અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ ટાવરનો સંપર્ક કર્યો હતો. છેલ્લે જ્યારે પ્લેનનો એર ટ્રાફિક કંટ્રોલર સાથે સંપર્ક થયો ત્યારે વિમાનની ઊંચાઇ 1 હજાર ફીટ હતી, અને તે સતત નીચે આવી રહ્યું હતું. આ તબક્કે વિમાનને હજુ અમદાવાદ એરપોર્ટના રનવે પર લેન્ડ કરવાની પરવાનગી આપવામાં આવી નહોતી. બરાબર 6-53 વાગ્યે પ્લેન (નોબલ નગર હાઉસિંગ સોસાયટી નજીક) ચિલોડા કોતરપુર ગામની બહાર એક ઝાડ અને વીજળીના થાંભલા સાથે અથડાયું અને ધડાકાભેર ક્રેશ થઇ ગયું. વિમાનનો કાટમાળ એરપોર્ટ રનવેની હદથી અઢી કિલોમીટર દૂર મળી આવ્યો હતો. આ અકસ્માત માટે બંને પાઇલટની એરર ઓફ જજમેન્ટને કારણભૂત ગણવામાં આવી હતી. ઓછી વિઝિબિલિટી અને રનવે ન શોધી શકવા છતાં પ્લેનને 1 હજાર ફીટથી નીચે ઉતારવાની ભૂલ જીવલેણ સાબિત થઇ. એવી પણ વાત બહાર આવી કે પાઇલટોએ એક પણ વખત લેન્ડ કરવાની પરમિશન માગી નહોતી. 17 વર્ષ જૂના વિમાને 133 નિર્દોષોનો ભોગ લીધો1988માં ક્રેશ થયેલા એ વિમાન 18 વર્ષ જૂનું હતું અને 42,831 કલાક ઊડી ચૂક્યું હતું. પ્લસ, તે 47,647 લેન્ડિંગ પણ સફળતાપૂર્વક કરી ચૂક્યું હતું. આ ફ્લાઇટમાં 129 મુસાફરો (124 પુખ્ત વયના અને 5 બાળકો) અને 6 ક્રૂ (પાયલોટ, કો-પાયલોટ અને 4 કેબિન ક્રૂ) સવાર હતા. આ દુર્ઘટનામાં ક્રૂના બધા 6 સભ્યોના મોત થયા હતા. અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર લબ્ધિ ભંડારી આ દુર્ઘટનાના મુખ્ય ભોગ બનેલા લોકોમાંના એક હતા. શરૂઆતમાં પાંચ મુસાફરો અકસ્માતમાં બચી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી ત્રણ ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા. નસીબની બલિહારી જુઓ કે આ ભીષણ દુર્ઘટનામાં માત્ર બે જ વ્યક્તિ બચી જવા પામી હતી. તેમાં અમદાવાદના અશોક અગ્રવાલ અને વિનોદ શંકર ત્રિપાઠીનો સમાવેશ થયો હતો. પ્લેનમાંથી બચેલા ગુજરાતી વેપારી ભેદી રીતે મૃત્યુ પામ્યાહમણાં પાંચ વર્ષ પહેલાં તેમાંના એક એવા વેપારી અશોક અગ્રવાલનું 2020માં અમદાવાદ ખાતે ભેદી સંજોગોમાં અવસાન થયું હતું. અશોક અગ્રવાલનું મોત તેમના ઘરમાં જ થયું હતું અને કોઈને તેની કાનોકાન ખબર પણ પડી નહોતી. જ્યારે મૃતદેહ સડવાની વાસ આવવા લાગી ત્યારે જાણ થઈ હતી. મુંબઈ-અમદાવાદ ફ્લાઈટ ક્રેશમાં અગ્રવાલની પત્ની આભા અને તેમની દીકરી રુહીનું પણ અવસાન થયું હતું. પોલીસે આપેલી માહિતી પ્રમાણે અગ્રવાલ 8 માર્ચના રોજ પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. એક સફાઈ કર્મચારીને જ્યારે ઘરની બહાર સડેલી દુર્ગંધ આવવા લાગી ત્યારે તેને શંકા ગઇ હતો. તેણે સિક્યોરિટી અને એપાર્ટમેન્ટના અન્ય લોકોને જાણકારી આપી તો તેમણે એપાર્ટમેન્ટનો દરવાજો તોડ્યો હતો. બલોચે જણાવ્યું હતું કે તેઓ એકલા રહેતા હતા. પોલીસને કોઈપણ પ્રકારનો ઝઘડો થયો હોય તેવું જણાયું નહોતું. તેમનું કુદરતી રીતે જ અવસાન થયું હોવાની વાત બહાર આવી હતી. આ વાતની પુષ્ટિ માટે ફોરેન્સિક રિપોર્ટ પણ કઢાવવામાં આવ્યો હતો. અગ્રવાલના પરિવારજનોએ માહિતી આપેલી કે પ્લેન દુર્ઘટનાનો તેમને આકરો ધક્કો લાગ્યો હતો. તેમણે મેમરી લોસ માટે આશરે 4 વર્ષ સુધી સારવાર કરાવી અને હિપ રિપ્લેસમેન્ટ માટે અમેરિકા પણ ગયા હતા.
વેરાવળ કોર્ટનો હત્યાના પ્રયાસના કેસમાં આદેશ:મુખ્ય આરોપી સહિત અન્યોના જામીન મંજૂર
વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. આરોપી દાનીશ અલી મહંમદ પંજા સહિતના આરોપીઓને કોર્ટે જામીન આપ્યા છે. કેસની વિગતો અનુસાર, આરોપીઓએ ફરિયાદીઓ પર છરીથી હુમલો કરી પેટના ભાગે ઈજા પહોંચાડી હતી. આ મામલે BNS એક્ટની વિવિધ કલમો 115(2), 118(2), 352, 109(1), 189(1), 189(2), 191(1), 191(2), 191(3) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ બાદ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપીઓ વતી વકીલ સાહિલભાઈ આઈ. સીડાએ જામીન અરજી રજૂ કરી હતી. ફોજદારી પરચુરણ અરજી નંબર 195/2025 અંતર્ગત ચાર્જશીટ પહેલાં દાખલ કરાયેલી આ અરજીમાં વકીલની દલીલો કોર્ટે માન્ય રાખી હતી. વેરાવળના પ્રિન્સિપાલ સેશન્સ જજે કેસના ગુણદોષના આધારે જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં આરોપીઓનું પ્રતિનિધિત્વ વકીલ સાહિલભાઈ આઈ. સીડા અને આસિફભાઈ ભાદરકાએ કર્યું હતું. વકીલોની ભારપૂર્વકની દલીલો ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને જામીન આપ્યા છે.
બોટાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી:94 પંચાયતમાં ચૂંટણી યોજાશે, 12 પંચાયત બિનહરીફ થઈ
બોટાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લાની કુલ 106 ગ્રામ પંચાયતમાંથી 12 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. બાકીની 94 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે. ગઢડા તાલુકામાં 4 ગામો બિનહરીફ થયા છે. આ ગામોમાં રામપરા, રાયપર, મોટા ઉમરડા અને ગઢાળી પશ્વિમનો સમાવેશ થાય છે. રાણપુર તાલુકામાં મોટી વાવડી અને સુંદરીયાણા એમ બે ગામો બિનહરીફ જાહેર થયા છે. બોટાદ તાલુકામાં સૌથી વધુ 6 ગામો બિનહરીફ થયા છે. આ ગામોમાં સરવઈ, લાખેણી, સમઢીયાળા-1, સમઢીયાળા-2, સાગાવદર અને પીપરડીનો સમાવેશ થાય છે. બાકી રહેલી 94 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે. કેટલાક ગામોમાં એક જ પક્ષની વિચારધારાની પેનલો સામસામે ચૂંટણી લડશે. અમુક ગામોમાં ત્રિપાખીયો ચૂંટણી જંગ જોવા મળશે.
પોરબંદરની ઐતિહાસિક બાલુબા કન્યા વિદ્યાલયમાં આજે શાળા પૂજનનો કાર્યક્રમ યોજાયો. આ શાળા પોરબંદરના રાજવી પરિવાર દ્વારા ભેટમાં આપવામાં આવી હતી, જ્યાં હજારો વિદ્યાર્થીનીઓએ શિક્ષણ મેળવ્યું છે. છેલ્લા આઠ વર્ષથી શાળાનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતું. આ કારણે શાળાને વિજ્ઞાન ભવન ખાતે સ્થળાંતરિત કરવામાં આવી હતી. શાળાના નવીનીકરણ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ નૂતનબેન ગોકાણી, દુર્ગાબેન લાદીવાલા અને નિધિબેન શાહે બાલુબા એલુમની એસોસિએશનની સ્થાપના કરી. બે વર્ષના સમયગાળામાં, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને દાતાઓના સહયોગથી શાળાનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવ્યું. આજે શાળાના આંગણામાં વિદ્યાર્થીનીઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી. કળશયાત્રા સાથે શાળાની પ્રદક્ષિણા કરી મા સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું. નવીનીકરણ અંતર્ગત શાળામાં લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, રમત-ગમતના સાધનો, સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આગામી સોમવારથી વિદ્યાર્થીનીઓ અહીં અભ્યાસ શરૂ કરશે. કાર્યક્રમમાં નવયુગ એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી હરિશભાઈ મહેતા, શાળાના પ્રિન્સિપાલ રાજશ્રીબેન સિસોદિયા અને બાલુબા એલુમનીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાલુબા એલુમનીની બહેનોની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા.
અમદાવાદની લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેકઓફ બાદ ક્રેશ થઈ ગઈ છે. આ ફ્લાઇટમાં 242 પેસેન્જર હતા. દિવ્ય ભાસ્કર પાસે આ તમામ પેસેન્જરના નામની યાદી આવી છે. જેમાં વિજય રૂપાણીનું નામ પણ સામેલ છે. દિવ્ય ભાસ્કરને એટીસીના સૂત્રો તરફથી મળેલી જાણકારી પ્રમાણે દુર્ઘટના પહેલાં ફ્લાઇટ ઊંચાઈ 625 ફૂટ નોંધાઈ હતી. એ સમયે ફ્લાઇટ 322 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઊડી રહી હતી. પછી અચાનક જ ફ્લાઇટની ઊંચાઈ ઘટવા લાગી અને ધડાકાભેર તૂટી પડ્યું. ફ્લાઇટ ટેક ઓફ થયા પછી તરત જ પાયલટે એટીસીને મેડેકોલ આપ્યો હતો. એટલે કે પાયલટને સૌથી મોટા ખતરાનો અંદાજો આવી ગયો હતો. જો કે એટીસી આ બાબતે કોઈ જવાબ આપે એ પહેલાં જ ફ્લાઇટ 475 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે આવવા લાગી. એટલે ગણતરીની સેકન્ડોમાં જ સેકડો લોકો મોતને મુખમાં ધકેલાઈ ગયા. ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બરનું લિસ્ટ ફ્લાઇટમાં સવાર તમામ પેસેન્જરનું લિસ્ટ
મોરબી, વાંકાનેર અને હળવદમાં પોલીસે દારૂની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએથી કુલ 61 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં મચ્છુ માતાના મંદિર પાસે સાવનભાઈ ઝાલાના ઘરેથી 23 બોટલ દારૂ મળ્યો હતો. પોલીસે 13,700 રૂપિયાની કિંમતનો દારૂ કબજે કર્યો છે. આ કેસમાં સાવનભાઈ ધીરુભાઈ ઝાલા, સુરજભાઈ શામજીભાઈ સોલંકી અને તુલસીભાઈ પરસોતમભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. હળવદમાં જુના દેવળીયા ચોકડી નજીક કિસ્મત હોટલ પાસેથી એક સીએનજી રિક્ષામાંથી 32 બોટલ દારૂ મળ્યો હતો. પોલીસે 16,000 રૂપિયાની કિંમતનો દારૂ અને 1 લાખ રૂપિયાની રિક્ષા મળી કુલ 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રામજીભાઈ ઉર્ફે રામો ધીરુભાઈ દેગામાની ધરપકડ કરવામાં આવી છે. મોરબીમાં માધાપર શાક માર્કેટ પાસેથી એક એક્ટિવા ચાલક 6 બોટલ દારૂ સાથે પકડાયો હતો. આરોપી એક્ટિવા મૂકીને ફરાર થઈ ગયો છે. પોલીસે 2,100 રૂપિયાની કિંમતનો દારૂ અને 50,000 રૂપિયાની કિંમતનું એક્ટિવા કબજે કર્યું છે. પોલીસે ફરાર આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.
મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગે મહત્વના પગલાં લીધા છે. ગત વર્ષે ભેજવાળા વાતાવરણમાં ત્રણ કેસ નોંધાયા હતા. આ વર્ષે ચોમાસા પહેલાં જ વિભાગે સક્રિય થઈને કામગીરી શરૂ કરી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સી.આર. પટેલિયાના માર્ગદર્શન હેઠળ 151 ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા 41,300 કાચા મકાનોમાં મેલેથીયોન ડસ્ટિંગનો છંટકાવ કરી રહી છે. આ કામગીરી પ્રથમ તબક્કાની છે. તેનો મુખ્ય હેતુ સેન્ડ ફ્લાય માખીનો ઉપદ્રવ અટકાવવાનો છે. આ માખીઓ દ્વારા ફેલાતા ચાંદીપુરમ વાયરસને રોકવા માટે આ અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ યુવા મોરચા અને NSUI દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાના સમર્થનમાં આજે વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર રેલી ભેસાણ ખાતેથી પ્રારંભ થઈ હતી અને રાણપુર, ચોકી વડાલ, કડિયાણા, બિલખા સહિતના 25 થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. અંદાજે 1500થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ ઉત્સાહભેર કાર રેલીમાં હાજરી આપી શક્તિ પ્રદર્શન કર્યું હતું. યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કાર રેલી દરમિયાન ભાજપ ઉપર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે,ભાજપના ઉમેદવારો ખાલી ખોટી વાતો કરે છે. પેરિસ જેવા રસ્તા બનાવી દેવાની માત્ર ઘોષણાઓ થાય છે. પરંતુ હકીકત એ છે કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં વિસાવદરના રસ્તા હજુ આજે પણ ખરાબ હાલતમાં છે. તેમણે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, 27 વર્ષથી સત્તા ધરાવતા હોવા છતાં વિસાવદર વિધાનસભા વિસ્તારમાં રસ્તા, ગટરના કામો થયા નથી. ફક્ત ખોટી અને વાહિયાત વાતો જ ભાજપ કરે છે. કોંગ્રેસ યુવા મોરચાનું માનવું છે કે, 'કાર રેલી દ્વારા સ્થાનિકોમાં કોંગ્રેસ પ્રત્યે સમર્થનનો માહોલ ઊભો થાય છે અને નીતિન રાણપરિયાને મતદારોની મજબૂત ટેકો મળશે.' કોંગ્રેસ હવે મતદારો સાથે સીધો સંવાદ સાધવા માટે સભાઓ, સરઘસો અને રેલીઓ દ્વારા પ્રચાર મજબૂત કરી રહી છે. વિસાવદરની ચૂંટણી હવે જોરદાર ચર્ચાનો વિષય બની છે જ્યાં ત્રણે પક્ષો મજબૂત પ્રચારમાં ઝંપલાવી રહ્યા છે..
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું. એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ ક્રેશ થતા હાલ એરપોર્ટ બંધઆ અંગે અદાણી એરપોર્ટે નિવેદન જારી કર્યું છે. જેમાં કહ્યું છે કે, એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ ક્રેશ થતા હાલ એરપોર્ટ બંધ છે. તમામ ફ્લાઇટ ઓપરેશન્સ કામચલાઉ રીતે બંધ કરવામાં આવ્યા છે. પેસેન્જર્સે તેમની ફ્લાઇટ્સ લેટેસ્ટ અપડેટ્સ ચેક કરી લેવી.
LIVE: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યાના અહેવાલ
Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.
દિવ્ય ભાસ્કરની નીતિન ભારદ્વાજ સાથે લંડન થી વાતચીત અમે લંડન પહોંચી ગયા છીએ સાહેબ આજે આવવાના હતા અને આજ ફ્લાઇટમાં છે પરંતુ તેનો ફોન રિસીવ નથી થતો એટલે તપાસ ચાલુ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ લંડન જઈ રહેલી આ જ ફ્લાઈટમાં હોવાની માહિતી મળી છે. દિવ્ય ભાસ્કરે તેમના નિકટના સાથી નીતિન ભારદ્વાજ સાથે વાતચીત કરી હતી. તેમણે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ તેમની દીકરીને મળવા માટે આવી રહ્યા હતા અને એકલા જ મુસાફરી કરી રહ્યા હતા. વિજયભાઈ અમારો ફોન ઉપાડતા નથી એટલે તપાસ ચાલુ છે.વિજયભાઈ રૂપાણીની નિકટના સાથી નીતિન ભારદ્વાજ લંડન છે અને તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન કન્ફર્મ કર્યું કે, વિજયભાઈ રૂપાણી એર ઈન્ડિયાની ક્રેશ થયેલી ફ્લાઈટમાં જ હતા પણ હાલની સ્થિતિ શું છે તેની તપાસ ચાલી રહી છે. અત્યારે સ્થળ પર બચાવકાર્ય ચાલી રહ્યું છે અને વિજયભાઈ રૂપાણીની સ્થિતિ ગંભીર બતાવાઈ રહી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ...
પાવી જેતપુરમાં મગફળીની હરાજી શરૂ:ઉનાળુ મગફળીનો ક્વિન્ટલ દીઠ ભાવ 5350 રૂપિયા સુધી પહોંચ્યો
પાવી જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે ઉનાળુ મગફળીની હરાજીનો પ્રારંભ થયો છે. મુહૂર્તના દિવસે મગફળીનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 5205થી 5350 સુધી નોંધાયો છે. પાવી જેતપુર વિસ્તારમાં ઉનાળુ મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. બજાર સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ પટેલ (ભલુભાઈ)એ ખેડૂતોને વાજબી ભાવ મળે તે હેતુથી હરાજીની વ્યવસ્થા કરી છે. પ્રથમ દિવસે 10 જેટલા વાહનોમાં મગફળીની આવક નોંધાઈ છે. આગામી દિવસોમાં વધુ ખેડૂતો હરાજીમાં ભાગ લે તે માટે બજાર સમિતિ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મગફળીના સારા ભાવથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેસમાં ઇજાગ્રસ્ત અને મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલમાં ચારેતરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એક જ મંડપમાં વારાફરતી પોતપોતાના કાર્યક્રમો ગોઠવી દીધા, યોગાનુયોગ જબરૂં કોલોબ્રેશન થયું; ભાજપના નેતાઓએ મોદી સરકારની સિદ્ધીઓ કાગળમાં વાંચીને ગણાવી, પત્રકારોએ અઘરા સવાલ પુછતા જ ફજેતી થઈ; ગુજરાતમાં તપાસ સોંપાવાનો સિલસિલો જોઈ અધિકારીઓ બબડતા થયા; આવી જ ગોસિપ હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. તાલુકાની 36 ગ્રામ પંચાયતોમાંથી 3 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે 33 પંચાયતોમાં ચૂંટણી યોજાશે. ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, 113 સરપંચ પદના અને 546 સભ્ય પદના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આ ઉપરાંત 118 સભ્યો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. હવે 110 સરપંચ પદ અને 428 સભ્ય પદ માટે ચૂંટણી યોજાશે. ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો ખાટલા બેઠકો અને જનસંપર્ક દ્વારા પ્રચાર કરી રહ્યા છે. બિનહરીફ થયેલા સરપંચોની જાહેરાત થતાં તેમના સમર્થકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું છે.
છોટા ઉદેપુર જિલ્લાના રૂનવાડ આશ્રમશાળા નજીકની ટેકરી પર આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આશ્રમશાળાની બાજુના જંગલમાં એક ઝાડ પરથી યુવકની લાશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી. સ્થાનિક લોકોએ જંગલમાં જતા આ દુःખદ દૃશ્ય જોયું અને તરત જ ગામમાં જાણ કરી. મૃતક યુવકની ઓળખ ટૂંડવા ગામના દિનેશભાઈ દરિયાભાઈ રાઠવા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. છોટા ઉદેપુર પોલીસને માહિતી મળતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. યુવકે આપઘાત કરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
મહેસાણામાં કાર અકસ્માત:રસ્તા પર કૂતરું આવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ, જૂનાગઢના યુવકનું મોત, 3 ઘાયલ
મહેસાણા નજીક નાનીદાઉ પાટિયા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રસ્તા પર અચાનક કૂતરું આવી જતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં જૂનાગઢના એક યુવકનું મોત નિપજ્યું છે અને અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ છે. જૂનાગઢના મધુરમ સુદામાપાર્કના રહેવાસી અને ફોટોગ્રાફર વંશ ધર્મેશભાઈ ચુડાસમા તેમના મિત્રોની સાથે રણુંજા દર્શન કરવા ગયા હતા. તેઓ દેવ નિમબકરની બલેનો કારમાં પરત ફરી રહ્યા હતા. મહેસાણા નજીક અચાનક રસ્તા પર કૂતરું આવી જતાં ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતમાં કારમાં સવાર ઋષિ રાજેશભાઈ મહેતાને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને પ્રાથમિક સારવાર માટે મહેસાણા લઈ જવાયા હતા. ત્યારબાદ એમ્બ્યુલન્સમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અન્ય ત્રણ ઈજાગ્રસ્તો વંશ ચુડાસમા, જય મોકરિયા અને મહાવીરસિંહ જાડેજાને નાની-મોટી ઈજાઓ થઈ હતી. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. મહેસાણા તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે 55 પર ભાજપ કાર્યાલય નજીક બમ્પ દૂર કરવામાં આવતા સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં હાઈવે પર રિસરફેસિંગની કામગીરી દરમિયાન આ બમ્પ દૂર કરવામાં આવ્યો છે. અગાઉ આ સ્થળે બમ્પની હાજરીથી વાહનચાલકો ધીમી ગતિએ વાહન ચલાવતા હતા. હવે બમ્પ દૂર થતાં અકસ્માતનું જોખમ વધ્યું છે. અંબર સિનેમા રોડના રહેવાસી નિલેશભાઈ ધોબીના જણાવ્યા મુજબ, આ માર્ગ પર 24 કલાક વાહનોની ભારે અવરજવર રહે છે. અંબર સિનેમાથી સ્ટેટ હાઈવે સુધીના માર્ગ પર વાહનચાલકો બેફિકર બનીને વાહન ચલાવે છે. સ્થાનિકોનું માનવું છે કે બમ્પની ગેરહાજરીમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેઓએ સંબંધિત વિભાગ પાસે ફરીથી બમ્પ મૂકવાની માંગણી કરી છે. નવા બનેલા રોડ પર વાહનચાલકો પૂરઝડપે વાહન ચલાવે છે. આ સ્થળે થોડો સમય ઊભા રહીને જોવાથી અકસ્માતની સંભાવના સ્પષ્ટ દેખાય છે. સ્થાનિકોએ સલામતીના હિતમાં તંત્ર પાસે તાત્કાલિક બમ્પ બનાવવાની માંગ કરી છે.
અમદાવાદ માટે ગુરૂવાર કાળ બનીને આવ્યો હતો. લંડન જતી એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન તૂટી પડતાં 200થી વધુના કરુણ મોત નિપજ્યા હતા. એર ઇન્ડિયાના બોઇંગ પ્લેને ઉડાન ફરતી વખતે જ તૂટી પડ્યું હતું. આ સમાચાર સતત અપડેટ થઇ રહ્યા છે
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું છે. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
રથયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે ઉચ્ચ અધિકારીઓની મેરેથોન મિંટીગનો દોર શરૂ થઇ ગયો છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે કોન્ફરન્સ યોજી હતી. જેમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતી ખરાબ ના થાય તે મામલે મહત્વની ચર્ચા કરી હતી. રથયાત્રામાં ખાસ ક્રાઉડ મેનેજમેન્ટ અને સીસીટીવી ફૂટેજ પર ધ્યાન આપવામાં આવશે. બેંગ્લોર જેવી ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રથયાત્રામાં સુરક્ષાને લઇને પોલીસ કમિશનરની બેઠકરથયાત્રા હેમખેમ પુરી થાય તેની સૌથી મોટી જવાબદારી અમદાવાદ શહેર પોલીસના શીરે રહેલી છે. ગઇકાલે(11 જૂન) જળયાત્રા શાંતિપૂર્ણ રીતે પુરી થયા બાદ અષાઢી બીજના દિવસે જગતનો નાથ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ નગરચર્યાએ નીકળવાના છે જેમની એક ઝલક જોવા માટે લાખોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડશે. રથયાત્રા દરમિયાન શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે પોલીસ એલર્ટ રહેતી હોય છે. ક્રાઇમ બ્રાંચ, લોકલ ક્રાઇમ બ્રાંચ, પીસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ ગુનેગારો વિરૂદ્ધ કાર્યવાહી કરતી હોય છે. આજે પોલીસ કમિશનર જી.એસ. મલિકે શહેરના તમામ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાંચ, એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પ્કેટર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. પોલીસ કમિશનરને યોજેલી બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રથયાત્રા શાંતીથી પૂર્ણ થાય તેનો હતો. દારૂ જુગારના અડ્ડા બંધ કરાવાશે, ગુનેગારોને પાસા-તડીપાર કરાશેરથયાત્રા પૂર્વે શહેરમાં માથાભારે તત્વો માથુ ઉચકે નહી, ગુનાખોરી કંટ્રોલમાં આવે તે માટે કોન્ફરન્સ યોજી હતી. પોલીસ કમિશનરે કેટલાક મહત્વપુર્ણ નિર્ણયો પણ લીધા હતા, જેમાં દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા, ગુનેગારોને પાસા અને તડીપાર કરવા, જેલમાંથી છૂટીને આવેલા ગુનોગારો પર વોચ રાખવી, સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલીગ કરવુ તેમજ જાહેર જગ્યાઓમાં ફૂટ પેટ્રોલિંગ કરવુ જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે. ‘કોમી સૌહાર્દ બન્યો રહે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે’શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે બેઠકમાં રથયાત્રાની તૈયારી અંગે ચર્ચા થઈ છે. જેમાં ક્રાઈમ, CCTV પ્રોજેક્ટ અંગે ચર્ચા થઈ છે. રથયાત્રાની 2 મહિના પહેલા તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.કોમી સૌહાર્દ બન્યો રહે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે, બ્લડ ડોનેશન કેમ્પ, ક્રિકેટ મેચ થઈ છે. AIના ઉપયોગથી ક્રાઉડ મેનેજમેન્ટ થશે. બેંગલોર સ્ટેડિયમની ઘટનાને ધ્યાને લઈ ક્રાઉડ મેનેજમેન્ટ કરવું મહત્વનું છે. CCTV પ્રોજેક્ટ પણ મહત્વનું છે.1 વર્ષમાં 22 હજાર CCTV લાગી ગયાં છે.પ્રાઇવેટ CCTVની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલમાં મળે તે માટે પ્રયાસ થયા છે. 2500થી વધુ પ્રાઇવેટ CCTV ફીડ મળી છે.શહેરમાં ગુનાખોરી કાબૂમાં છે.20 હજારથી વધુ પોલીસ ફોર્સ બંદોબસ્તમાં જોડાશે.
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સિંહો વચ્ચે વર્ચસ્વની લડાઈએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 6 દિવસમાં બે સિંહોના મોતની ઘટના સામે આવી છે. તાજેતરની ઘટનામાં, ગીર પૂર્વ ડિવિઝન હેઠળના રાજુલા તાલુકાના ભેરાઈ ગામની વાડી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે સિંહો વચ્ચે થયેલી લડાઈમાં એક સિંહનું મોત થયું છે. અન્ય રેન્જના બે સિંહો આવી જતાં ઇનફાઈટ થઈ હતી. જેમાં એક સિંહનું મોત થયું હતું. જેથી વન વિભાગે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલાં, 6 તારીખે શેત્રુંજી ડિવિઝનમાં રાજુલા તાલુકાના કોટડી ગામ નજીકના સીમ વિસ્તારમાં એક સિંહનો મૃતદેહ મળ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ આ મોત પણ ઈનફાઇટને કારણે થયાનું સામે આવ્યું છે.સિંહો વચ્ચે ઇનફાઇટ ક્યારે થાય છે?સિંહો વચ્ચે ઇનફાઇટ થવી એટલે કે સિંહો વચ્ચે સામસામે લડાઈ થવી. સિંહોનું ગ્રુપ જે વિસ્તારમાં વસવાટ કરતું હોય ત્યા અન્ય રેન્જ વિસ્તારમાંથી જો સિંહો આવી જાય તો આ બન્ને વચ્ચે લડાઈ થાય છે જે ઉગ્ર બની જાય છે. જેના કારણે ગંભીર રીતે ઘવાયા બાદ સિંહોના મોત પણ થાય છે. આવી ઘટનાઓ રેવન્યુ કરતા જંગલ વિસ્તારમાં વધુ બનતી હોય છે.
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના પ્લોટોને વિવિધ હેતુ માટે ભાડે આપવામાં આવે છે. એવી જ રીતે શહેરના સરદાર પટેલ રિંગરોડ પર ચાંદખેડા CBD મોલની બાજુમાં આવેલા ઔડાના પ્લોટને ચીમનભાઈ વાળદોરિયા નામની વ્યક્તિને ભાડે આપવામાં આવ્યો હતો. જેણે પ્લોટ ભાડે મેળવીને તેમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દિધું હોવાનું સામે આવ્યું છે. ભાડે મેળવવામાં આવેલા પ્લોટમાં કોઈપણ પ્રકારના પાકા દીવાલ સાથેની બાંધકામ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી છતાં પણ ગેરકાયદેસર રીતે દુકાન જેવું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. પ્લોટ ભાડે લેનાર વ્યક્તિ ભાજપ નેતાનો ગાઢ મિત્ર હોવાની ચર્ચા છે. નોટિસ આપીને પ્લોટને રદ કરવાની કાર્યવાહી કરાશેઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના એસ્ટેટ અધિકારી સંકેત પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો પ્લોટમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હશે તો આ મામલે તેઓને નોટિસ આપીને પ્લોટને રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પ્લોટ ભાડે આપવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારનું પાકું બાંધકામ કરવાની કોઈપણ પરવાનગી આપવામાં આવતી નથી. સ્થળ ઉપર તપાસ કરી અને તેઓને બાંધકામ દૂર કરવા જણાવશે અને જો બાંધકામ દૂર નહીં કરે તો તેમની ડિપોઝિટ જે છે તે જપ્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઔડાના પ્લોટને ખાણીપીણીના હેતુથી ભાડે આપવામાં આવે છે. જો કે, તેમાં પેટા ભાડુઆત કે અન્ય કોઈ વ્યક્તિને આપી ન શકાય તેમ છતાં પણ કેટલીક જગ્યાએ આવા પ્લોટ ભાડે આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ફાસ્ટ ફૂડ અને પાર્કિંગ હેતુ માટે ભાડે આપવામાં આવ્યો હતોઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા વિવિધ હેતુ માટે પ્લોટ ભાડે આપવામાં આવે છે. જેમાં જંત્રી મુજબ નક્કી કરેલા પૈસા ભરીને પ્લોટ ભાડે મેળવી શકાય છે. શહેરના સરદાર પટેલ રિંગરોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા CBD મોલ પાસે ઔડાનો વિશાળ પ્લોટ આવેલો છે. જેમાં 800 ચોરસ મીટર જેટલા પ્લોટને શહેરના હીરાવાડી વિસ્તારમાં રહેતા ચીમનભાઈ વાળદોરિયા નામના વ્યક્તિને ફાસ્ટ ફૂડ અને પાર્કિંગ હેતુ માટે ભાડે આપવામાં આવ્યો છે. ઔડાનો પ્લોટ ભાડે આપવામાં આવે છે. જેમાં નિયમ મુજબ કોઈપણ પ્રકારનું પાકું બાંધકામ કરવાનું હોતું નથી. જોકે આ પ્લોટ મેળવીને રસ્તાના ખૂણાની જગ્યામાં દીવાલ તોડીને ત્રણેય તરફથી દીવાલ ચણીને પાકું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. સરકારી નિયમોનું ઉલ્લંઘન છતાં અધિકારીઓ બેધ્યાનસરકારી પ્લોટ હોવાથી તેની માલિકી સરકારની હોય છે તેમાં કોઈ પણ પ્રકારના બાંધકામ કરીને તેની પરવાનગી આપી શકાતી નથી છતાં પણ ચીમનભાઈ વાળદોરિયા દ્વારા દીવાલ બાંધીને તેમાં ઉપર પતરા લગાવી દેવામાં આવ્યા છે. અનેક જગ્યાએ આવા પ્લોટ ભાડે આપવામાં આવેલા છે જેમાં કોઈપણ રીતે સરકારી નિયમનો ઉપયોગ થતો નથી તેમ છતાં પણ ઔડાના અધિકારીઓ દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી. જેટલા પણ પ્લોટ ભાડે આપવામાં આવ્યા છે તમામ જગ્યાએ ચેકિંગ કરીને નિયમનો ઉપયોગ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની જવાબદારી હોવા છતાં પણ ચકાસણી કરીને પ્લોટ ભાડે આપનાર વ્યક્તિ જો ઉલ્લંઘન કરતું હોય તો તેના પ્લોટને રદ કરવામાં આવતો નથી. પ્લોટ પેટા ભાડૂઆત તરીકે અપતો હોવાની ચર્ચાઔડાનો આ સરકારી પ્લોટ ભાડે ફૂડ બજાર એટલે કે ખાણીપીણી બજાર માટે આપવામાં આવ્યો છે. જેમાં ખાણીપીણી માટે વિવિધ સ્ટોલ પણ ભાડે આપવામાં આવનાર હોવાની ચર્ચા જાગી છે. એક તરફ ખાણીપીણી બજાર માટે પ્લોટ ભાડે આપવામાં આવે છે. તો તેમાં માત્ર એક જ ભાડૂઆત અને એક જ વ્યક્તિના નામે પ્લોટ હોય છે તેમાં અન્ય કોઈ વ્યક્તિ વ્યવસાય કરી શકતું નથી, પરંતુ આ જગ્યા ઉપર અલગ અલગ કન્ટેનર મૂકીને અન્ય લોકોને પેટા ભાડૂઆત તરીકે આપવા આવનાર હોવાની ચર્ચા જાગી છે. અનેક પ્લોટ આવી રીતે ભાડે મેળવીને નિયમ વિરુદ્ધ પ્લોટનો ઉપયોગ થતો હોવા છતાં પણ ફાળવણી રદ કરવામાં આવતી નથી. ઔડાની કામગીરી સામે પણ સવાલ ઊભા થયાભાજપના નેતાઓ હવે પોતાના વગનો ઉપયોગ કરીને નિયમ મુજબની સામાન્ય રકમ ભરી આવા પ્લોટો ભાડે મેળવીને તેમાં ખાણીપીણી સહિત અન્ય વ્યવસાય કરી રહ્યા છે. જોકે, પ્લોટ ભાડે મેળવીને બેફામ રીતે તેઓ માલિકીના પ્લોટમાં વ્યવસાય કરતા હોય તેવી રીતે સરકારી નિયમોનો ઉલ્લંઘન કરી પ્લોટનો ઉપયોગ કરી રહ્યા છે. ઔડા દ્વારા શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કેટલાંક પ્લોટ ખાણીપીણી બજાર માટે ભાડે આપેલા છે. જો કે, તેમાં પણ ક્યાંય નિયમનું પાલન થતું નથી. પેટા ભાડૂઆત તરીકે તેમજ એક જ વ્યક્તિના નામે પ્લોટ લઈને બીજાને મહિને 15થી 25 હજાર રૂપિયા સુધીના ભાડે સ્ટોલ આપી દેવામાં આવતા હોવાની ચર્ચા છે. જેથી આ તમામ બાબતે ઔડાની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે.
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી હવે પ્રચાર પ્રસારના તીવ્ર નાદ સાથે પૂરજોશમાં આગળ વધી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમ ત્રણેય પક્ષોએ પોતાના પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે સવારથી લઈને રાત્રી સભા સુધી પ્રચાર પ્રસાર અભિયાન પૂર જોશમાં શરૂ કરી દીધું છે. ભાજપના નેતાઓ સમાજ લક્ષી સભાઓ અને આગેવાનોને સાથે રાખી ગામડાઓ ખૂંદી રહ્યા છે. જે આજે વિસાવદરના બગડું અને પ્રેમપરા ખાતે ખેડૂતો માટે વિશાળ મહાસંમેલન યોજાશે. તો કોંગ્રેસ આજે કાર રેલીથી ક્ષેત્રમાં ઉપસ્થિતિ બતાવશે. જ્યારે આમ આદમી પાર્ટી ગ્રામ્ય પંથકમાં ઘર ઘર સુધી જન પ્રતિનિધિત્વ પહોંચાડી રહ્યું છે. ભાજપના દિગ્ગજો મેદાને, મહાસંમેલનો અને રાત્રિસભાભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ગુજરાત સરકારના દિગ્ગજ મંત્રીઓ અને નેતાઓ હવે મેદાનમાં છે. ગુજરાતભરના મંત્રીઓ સાથે પૂર્વ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, જયેશ રાદડિયા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજેશ ચુડાસમા અને કુંવરજી બાવળીયા સહિતના દિગ્ગજો પ્રચારમાં જોડાયા છે. આજે વિસાવદરના બગડું અને પ્રેમપરા ખાતે ખેડૂતો માટે વિશાળ મહાસંમેલન યોજાશે અને સાંજે રાત્રિસભા થવા જઈ રહી છે. ભાજપે ખેડૂતોને ધ્યાનમાં રાખી ખાસ કાર્યક્રમોની રચના કરી છે, જેનાથી ગ્રામ્ય મતદારોને આકર્ષવાની રણનીતિ સ્પષ્ટ થાય છે. કોંગ્રેસ યુવા મોરચાની કાર રેલીકોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાના સમર્થનમાં NSUI અને યુદ્ધ કોંગ્રેસ દ્વારા આજે વિશાળ કાર રેલીનું આયોજન કરાયું છે. આ રેલીમાં ભેસાણ, રાણપુર, ચોકી વડાલ, કડિયાણા, બિલખા સહિતના 25 થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાંથી આશરે 1500 કાર્યકરો અને હોદ્દેદારો જોડાશે. કોંગ્રેસ યુવા મોરચાનું માનવું છે કે કાર રેલીથી સ્થાનિકોમા કોંગ્રેસ પ્રત્યે મતદારો રીજવી શકાય અને ઉમેદવાર નીતિન રાણપરિયાને વોટ મળવાનો માહોલ ઊભો થશે. કોંગ્રેસ હવે મતદારો સાથે સીધો સંવાદ સાધવા સભા-સરઘસો, રેલીઓ યોજે છે. આમ આદમી પાર્ટીનું ઘર-ઘર સંપર્કAAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા માટે પ્રદેશકક્ષાના હોદ્દેદારો દ્વારા અલગ અલગ ટીમો બનાવી પ્રચાર પ્રસાર હાથ ધરાયો છે. ખાસ કરીને ગામડાઓના દરવાજે દરવાજે જઈને લોકોને પાર્ટીના વાયદા સમજાવવામાં આવી રહ્યા છે.પાર્ટી માટે મોટી વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં કોંગ્રેસ અને ભાજપના નારાજ કાર્યકરો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, જેને કારણે ગોપાલ ઇટાલિયાનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ ઉપરાંત, પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયના નેતૃત્વમાં પણ પ્રદેશ સ્તરે મોટું સંચાલન ચાલી રહ્યું છે, તેમણે જણાવ્યુ હતું કે ગ્રામ્ય પંથકમાં વ્યક્તિગત સંપર્કથી જ આત્મીયતા ઊભી કરી શકાઈ છે. વિસાવદરના રાજકારણમાં ઉકળાટત્રણેય પક્ષો પોતાની આખરી પ્રચાર પ્રસારની તજવીજમાં લાગી ગયા છે. અત્યાર સુધીના પ્રચારમાં સ્પષ્ટ થયુ છે કે વિસાવદરની પેટા ચૂંટણીમાં મુકાબલો ત્રિપક્ષીય અને તીવ્ર બન્યો છે. કોંગ્રેસનો યંગ મોરચો, આમ આદમી પાર્ટીનો ગ્રાસરૂટ સંપર્ક અને ભાજપના વરિષ્ઠ નેતાઓ..આમ ત્રણેયની રણનીતિઓ એકબીજાને ટક્કર આપી રહી છે.
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોટી તંબાડી ગામમાં ગંભીર ઘટના સામે આવી છે. ન્યાયસભાના બેનર હેઠળ યોજાયેલી જાહેર સભામાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના ઉશ્કેરણીજનક ભાષણ બાદ હિંસક ઘટના સર્જાઈ છે. કેટલાક લોકોએ વાડીના તાર-ખૂંટા, CCTV કેમેરા અને શેડને નુકસાન પહોંચાડ્યું હતું બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી સભામાં ધારાસભ્ય અનંત પટેલે બહારના કબજેદારો સામે‘તમારા ઘરમાં કોઈ ઘૂસે તો બે ડંડા મારજો’નું આહવાન કર્યું હતું. આ સભામાં દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રમુખ પ્રભુ ટોકિયા અને સ્થાનિક સરપંચો હાજર હતા. કેબિનને આગ ચાંપીભાષણ બાદ કેટલાક તત્વોએ વડીયા ફળિયામાં આવેલી કોળી પટેલ સમાજની મહિલા ઇલાબેનની જમીનમાં તોડફોડ કરી હતી. આ જમીન સર્વે નંબર 452, 453, 488, 489 અને 491માં આવેલી છે. હુમલાખોરોએ વાડીના તાર-ખૂંટા, CCTV કેમેરા અને શેડને નુકસાન પહોંચાડ્યું. તેમણે કેબિનને આગ ચાંપી અને એક કર્મચારી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ફરિયાદીએ શું કહ્યું?ઇલાબેને જણાવ્યું કે તેઓ જમીનના કાયદેસર માલિક છે. તેમણે વહીવટી તંત્રને તમામ જરૂરી દસ્તાવેજો સુપ્રત કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રાજકીય રીતે સક્રિય લોકો તેમના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. વાપી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવીભોગબનનાર મહિલા અને તેમના પરિવારે વાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્ર પાસે તાત્કાલિક પોલીસ સુરક્ષા અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની કાર્યક્ષમતા સામે પ્રશ્નો ઉભા કર્યા છે.
આ એ જમાનાની વાત છે જ્યારે ઇસુ ખ્રિસ્તનો તો જન્મ પણ થયો નહોતો અને પાસવર્ડ પાસવર્ડ નહીં પણ વોચવર્ડ કહેવાતો. પ્રાચીન રોમનગરીનું રક્ષણ કરતા રોમન સૈનિકોને અનેક કેટેગરીમાં વિભાજીત કરવામાં આવતા. જ્યારે કોઇ રોમન સૈનિક રજા પર જાય અને ઘરેથી પાછો આવે ત્યારે તેણે લાકડાનું એક પાટિયું પરત આપવું પડતું જેમાં પાસવર્ડ કોતરેલો હોય. દરરોજ પાસવર્ડ એટલે કે વોચવર્ડ બદલાતા. સૈનિક કે સંત્રી જે દિવસે રજા પર ગયો હોય એ દિવસે સેટ કરેલા વોચવર્ડ સાથે એનું લાકડાનું પાટિયું મેચ ન થાય તો નક્કી કોઇ જાસૂસે રોમન લશ્કરમાં એન્ટ્રી મારી. ગ્રીક ઇતિહાસકારો અને ફિલસૂફોએ પણ સવિસ્તાર પાસવર્ડ પ્રથાનું વર્ણન કર્યું છે. ટૂંકમાં કહી શકાય અને ખ્રિસ્તીઓ તો સાચે જ કહી શકે કે પાસવર્ડ તો ભગવાનથી પણ જૂનો! દરેક માણસનું ચરિત્ર પાસવર્ડથી પ્રોટેક્ટેડતમારી જિંદગીના સામાજિક, આર્થિક અને વ્યવહારિક આયામોની કૂંચી પાસવર્ડમાં સમાયેલી છે. અત્યારના લગભગ દરેક માણસનું ચરિત્ર પાસવર્ડથી પ્રોટેક્ટેડ છે. બેક બેલેન્સ તો વન ટાઇમ પાસવર્ડ અને પાસવર્ડથી સુરક્ષિત છે જ પણ માણસનો ભૂતકાળ પણ પાસવર્ડ વડે સલામત છે. સોશિયલ મીડિયાની ચેટ, મેસેજિંગ, ઇમેઇલ, શોપિંગ, ફૂડ ઓર્ડરમાં અત્યારના માણસની જિંદગીનો નેવું ટકા દસ્તાવેજ નીકળી જાય. માણસે હવે રોજનીશી લખવી નથી પડતી, મોબાઇલ અને ઇન્ટરનેટ એની પાસેથી આખા દિવસનો હિસાબ આપોઆપ લઇ લે છે. પણ ત્રાહિત વ્યક્તિ આપણી નબળી કડી જાણી ન જાય એના માટે પાસવર્ડ જરૂરી છે. લગભગ 80 ટકા પબ્લિક એવો પાસવર્ડ વાપરે છે જે બહુ સામાન્ય રીતે તોડી શકાય. તો કરવું શું? અહીં કામમાં આવે પાસવર્ડ મેનેજર તરીકે ઓળખાતા અમુક સોફ્ટવેર પ્રોગ્રામ્સ. અમેરિકા સ્થિત જર્મન પ્રોગ્રામર સ્ટેફન થોમસે બીટકોઇન સ્ટોર કરી રાખે એ સિસ્ટમનો પાસવર્ડ ભૂલી જતા એને 220 મિલિયન ડોલરની કિંમતના 7002 બીટકોઇન ગુમાવવાનો વારો આવ્યો હતો...!! એમની હાલત પણ ઘરોંદામાં લખેલા ગુલઝારના ગીત જેવી થઇ હશે. દો દિવાને શહેર મેં, રાત મેં દોપહર મેં.... ઢુંઢ રહે હૈ આબોદાના... એક આશિયાના ઢૂંઢતે હૈ. હવેના દિવાનાઓએ પાસવર્ડ પણ શોધવો પડે છે. એલ-ઓ-એલ! 2013માં રાષ્ટ્રીય સુરક્ષાની માહિતી લીક થઇ હતીઆપણે બધા જોસેફ એન્ડવાર્ડ સ્નોડેનનું નામ જાણીએ જ છીએ. એડવર્ડ જોસેફ સ્નોડેન એક અમેરિકન વ્હિસલ બ્લોઅર છે જેણે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીનો કર્મચારી અને સબ કોન્ટ્રાક્ટર હતો ત્યારે 2013 માં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી પાસેથી ઉચ્ચ વર્ગીકૃત માહિતીની નકલ અને લીક કરી હતી. એનું કહેવું છે કે જો હું તમારા ઇમેઇલ્સ અથવા તમારી પત્નીનો ફોન જોવા માગું છું તો મારે ફક્ત ઇન્ટરસેપ્ટનો ઉપયોગ કરવો પડે જેના દ્વારા હું તમારા ઇમેઇલ્સ, પાસવર્ડ્સ, ફોન રેકોર્ડ્સ, ક્રેડિટ કાર્ડ મેળવી શકું છું. ફેસબુક કે ઇન્સ્ટા કે ટ્વિટર જેવી એપ હોય ને એના પાસવર્ડ ભૂલી જઇએ તો અત્યાર સુધીના ડેટા જેવો કે ફોટોસ,મિત્રો સાથેના સંવાદ, સ્ટેટસ વગેરે તો જાય પણ સમયનો એક દેસ્તાવેજ આખો લુપ્ત થઇ જાય છે. બેન્ક કે ઇમેઇલ કે કોમ્પ્યુટરના પાસવર્ડ ભૂલી જઇએ તો શું નુકસાન થાય એ મારે સુજ્ઞ વાંચકોને જણાવવું પડે એમ નથી....!! તો સવાલ એ થાય કે આપણે શા માટે હવા,પાણી અને મકાનની જેમ અગત્યના બની ગયેલા પાસવર્ડ ભૂલી જતા હોઇશું? પાસવર્ડ યાદ ન રહેતા ઘણા લોકો હતાશ થઇ જાય છેરુટગર્સ યુનિવર્સિટીનો એક અભ્યાસ એમ કહે છે કે કોઇ એક પર્ટિક્યુલર પાસવર્ડનું મહત્વ તમારા માટે કેટલું છે અને તમે એનો ઉપયોગ કેટલી વખત કરો છો એના પર તમારું મગજ પાસવર્ડ યાદ રાખે છે. સ્કૂલ ઓફ એન્જિનિયરિંગના ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના અધ્યયન સહ-લેખક અને સહાયક પ્રોફેસર જેન્ના લિંડકવિસ્ટે જણાવ્યું હતું કે, વેબસાઇટ્સ તેમના પાસવર્ડસ નબળા અથવા મજબૂત છે કે નહીં તે જણાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ લોકોને પાસવર્ડો યાદ રાખવામાં મદદ કરવા માટે તેઓ કંઇ કરતા નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઘણાં લોકો પાસવર્ડ યાદ ના રહી શકતા હોવાને કારણે હતાશ થઇ જતા હોય છે. પણ ટેક્નોલોજી એમ આપણને હતાશ રહેવા દે? આપણી હતાશાને આશામાં ફેરવતી પાસવર્ડ મેનેજર સિસ્ટમ આવી છે જે આપણા માટે પાસવર્ડ યાદ રાખે છે અને એ પણ એકદમ સેફ અને સિક્યોર રીતે...!! લાસ્ટપાસ પાસવર્ડ સિસ્ટમઘણી બધી કંપની પાસવર્ડ મેનેજર સિસ્ટમ બનાવે છે પણ આપણે હમણાં પેઇડ થવાને કારણે ચર્ચામાં આવેલી પણ ખાસી સલામત એવી લાસ્ટપાસ નામની પાસવર્ડ મેનેજર સિસ્ટમની આ સિસ્ટમ શું છે એ સમજવા વાત કરીશું. 9 ઓક્ટોબર, 2015માં logme in Inc નામની કંપનીને એક્વાયર કયારેય એ લાસ્ટપાસ શું છે એ જાણીએ. લાસ્ટપાસ એ એક સિક્યોર પાસવર્ડ મેનેજર સિસ્ટમ છે જે તમારા બધા યુઝર નેમ્સ અને પાસવર્ડ વોલ્ટનામની એક સેફ જગ્યાએ સેવ કરે છે અને આ વોલ્ટની ચાવી સહેલાઇથી મળે એમ નથી. સિમ્પલ રીતે કહીએ તો એ એક તિજોરી છે જ્યાં તમે તમારા પાસવર્ડ સાચવી રાખો છો અને પછી ભૂલી જાઓ છો પણ લાસ્ટપાસ એ હંમેશા માટે એ પાસવર્ડ યાદ રાખે છે અને જ્યારે તમે કોઇ વેબસાઇટ પરલોગ ઇન કરો ત્યારે લાસ્ટપાસ તમારા માટે યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરે છે....!! તો ચાલો ખૂલ જા સીમ સીમની વાર્તા જેવી આપણા આ પાસવર્ડ અને યુઝરનેમના ખજાનાને સાચવી રાખતી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે એ થોડું ડિટેઇલમાં સમજીએ. તમારી પાસે એક મોટી તિજોરી છે અને એ તિજોરીમાં ઘરની બીજી બધી તિજોરીની ચાવીઓ તમે સાચવીને મૂકી છે અને જરૂર પડે એ મુખ્ય તિજોરીની ચાવીથી તિજોરી ખોલી, જે તે ચાવી ઉપયોગમાં લો છો. લાસ્ટપાસ પણ આવી રીતે જ કામ કરે છે. લાસ્ટપાસ તમારા વતી પાસવર્ડનું કામ કરી લેશેટેકનિકલી જોઇએ તો જ્યાં તમારે લાસ્ટપાસ પાસવર્ડ મેનેજર વાપરવું હોય દાખલા તરીકે તમારા કોમ્પ્યુટર કે મોબાઇલ પર ત્યાં લાસ્ટપાસની એપ ઇન્સ્ટોલ કરો છો. હવે ડાઉનલોડ કાર્ય પછી એને એક મુખ્ય યુઝર નેમ અને પાસવર્ડ આપવા પડે છે. હવે તમે દાખલા તરીકે જીમેલ કે તમારા ઓનલાઇન બેન્ક એકાઉન્ટમાં કે કોઇ પણ વેબસાઇટમાં લોગ ઇન કરો છો અને યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરો છો, તો એ વખતે લાસ્ટપાસ તમને પૂછશે કે આ યુઝર નેમ અને પાસવર્ડ યાદ રાખવાના છે? અને જો તમે યસ કરો તો લાસ્ટપાસ એ કાયમ માટે યાદ રાખશે અને જ્યારે તમે જીમેલ કે ઓનલાઇન બેન્કિંગ કે બીજી કોઇ પણ વેબસાઇટમાં લોગ ઇન કરશો ત્યારે ડાઉનલોડ કરેલી લાસ્ટપાસ એપ તમને પૂછશે કે તમારા બદલે અહીં યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરું? આમ તમારે માટે પાસવર્ડ કે યુઝર નેમ યાદ રાખવાની માથાકૂટ જ નહીં..!! લાસ્ટપાસ એ કામ તમારા વતી કરી લે છે. અને બીજા ઘણા પાસવર્ડ મેનેજરની જેમ લાસ્ટપાસ એક્સટેન્શન તરીકે, ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, સફારી, ઓપેરા વગેરે જેવા વેબ બ્રાઉઝર પર ઉપલબ્ધ છે. પણ તમને થશે કે અત્યારે જ્યારે ફળિયે ફળિયે હેકર્સ રમતાં હોય ત્યાં લાસ્ટપાસ વાપરવાનું સલામત ખરું? તો જવાબ એ છે કે લાસ્ટપાસને તમારા વોલ્ટમાં રહેલા ડેટા વિશે ઝીરો નોલેજ હોય છે અને એ વોલ્ટમાં રહેલા તમારા ડેટાને એક્સેસ કે શેર ના કરી શકે. આ લાસ્ટપાસ તમે કોઇપણ એક તમારા ડિવાઇસ ટાઇપ મોબાઇલ કે કોમ્પ્યુટર પર ફ્રીમાં વાપરી શકો છો. બીજા ડિવાઇસમાં વાપરવા માટે મિનિમમ ફી આપવી પડે છે. રમકડાંની દુકાનમાં જઇને કોઇ ભૂલકું ખોવાઇ જાય એમ તમને ખોવાવા માટે લાસ્ટપાસ જેવા બીજા ઘણા પાસવર્ડ મેનેજર માર્કેટમાં છે જેમ કે ક્રોમ પાસવર્ડ સ્ટોરેજ, બિટ વોર્ડેન, નોર્ડ પાસ, લોગમી વન્સ, ઝોહો વોલ્ટ, કી પાસ વગેરે વગેરે...અને મોટા ભાગના પાસવર્ડ મેનેજર વાપરવામાં સેફ છે. કરી લો હવે પસંદ તમને ગમે તે પાસવર્ડ મેનેજર અને થઇ જાઓ નિશ્વિંત...!! મજબૂત પાસવર્ડ રાખવો જરૂરી છેઅને જો પાસવર્ડ મેનેજર ન જ વાપરવું હોય તો જન્મ તારીખ, પ્રેમિકાનો મોબાઇલ નંબર, નામની પાછળ એકડો કે બગડો, 1થી 9 જેવા ટિપીકલ પાસવર્ડ વાપરવાને બદલે કઇંક મજબૂત પાસવર્ડ રાખવો. 80 ટકા યુઝર્સ આવા જ પાસવર્ડ રાખે છે જેને તોડવા માટે હોશિયાર હેકરને એક કલાક માંડ લાગે. (યાદ કરો છેક 2001 માં બોબી દેઓલે અક્ષય કુમારનો પાસવર્ડ એવરીથીંગ ઇસ પ્લાન્ડ ત્રીસ સેકન્ડમાં શોધી લીધો હતો? મુવી 'અજનબી' યાદ આવ્યું? અમુક યુવાનો પોતાનો પાસવર્ડ 'પાસવર્ડ' રાખે અને એ દરેકને એમ હોય કે અમે બહુ સ્માર્ટ પાસવર્ડ રાખ્યો. આવા લોકો પર નાનકડાં હેકર પણ હસતા હોય છે. તો આ રહી મજબૂત પાસવર્ડ રાખવાની ટિપ્સ: (1) પ્રેમી કે પ્રેમિકા માટેનો પ્રેમ પાસવર્ડમાં ન બતાવવો. કારણ કે તમને જાણતા લોકો બહુ આસાનીથી ધારણા કરીને તમારા પ્રિય પાત્રની બર્થ ઓફ ડેટ કે નામ જાણી શકતા હોય છે. (2) જેટલો લાંબો પાસવર્ડ રાખશો એટલો એ વધુ સિક્યોર થશે. 8 ડિજીટનો ન્યૂમેરિક પાસવર્ડ હેક થતાં મહિનાઓ લાગે પણ જો એ 9 ડિજીટનો હોય તો વર્ષો લાગે. (3) 11 ડિજીટના પાસવર્ડમાં વારાફરતી અપર કેસ અને લોઅર કેસ મૂળાક્ષરો વાપર્યા હોય અને તેમાં નંબર સાથે વિરામ ચિહ્નો પણ હોય તો તેને હેકિંગ સોફ્ટવેરની મદદથી પણ ક્રેક થતાં વર્ષો નહીં દાયકાઓ લાગશે દાયકાઓ. આ યાદ રાખવું. (4) તમને ગમતો કોઇપણ લાંબો આંકડો વાપરી શકાય. ઉ.દા. પાઇનીવેલ્યુ- 3.14 અને પછી જેટલા ડિજીટ સુધી યાદ રહી શકે તેટલા. (5) તમને ગમતું ગીત, ફેવરિટ પિક્ચર, તમારો ગમતો કલર, તમારા વાહનના નંબરના ડિજીટનો સરવાળો, તમારી વિક્રમ સંવત મુજબની બર્થ ડેટ અને આ બધાનું કોમ્બિનેશન - તમને સહેલાઇથી યાદ પણ રહેશે અને પાસવર્ડ બહુ સ્ટ્રોંગ બનશે. (6) છેલ્લું સત્ય યાદ રાખવું.દુનિયાનો કોઇપણ, કોઇપણ એટલે કોઇપણ પાસવર્ડ 100 ટકા સુરક્ષિત નથી; લાસ્ટપાસ કે કોઇ પાસવર્ડ મેનેજર પણ હન્ડ્રેડ પર્સન્ટ સેઇફ નથી. આદિ માનવોની ઇર્ષ્યા અહીં થઈ શકશે કે એમને આવી કોઇ જફા ન હતી.
ગાંધીનગર નજીક અડાલજ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે રેતી વહન કરતા ડમ્પરને પકડ્યું હતું. આ દરમિયાન ભૂમાફિયાઓએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. ઘટના 10 જૂનની રાત્રે બની હતી. ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર અક્ષતકુમાર લાડાણી અને તેમની ટીમ રૂટીન ચેકિંગમાં નીકળી હતી. રાત્રે બે વાગ્યે સોલા સર્કલ પાસે એક રેતી ભરેલું ડમ્પર મળ્યું હતું. ડમ્પરમાં રોયલ્ટી પાસ નહોતો અને નંબર પ્લેટ પણ નહોતી. ટીમે ડમ્પરને અડાલજ શ્રીજી સપ્લાય સ્ટોક તરફ લઈ જવાનું નક્કી કર્યું. સિક્યુરિટી ગાર્ડ કમલેશને ડમ્પરમાં બેસાડવામાં આવ્યો હતો. એસ.જી. હાઇવે પર પહોંચતા બે સફેદ આઇ-20, એક કાળી સ્કોર્પિયો અને એક સ્વિફ્ટ કાર આવી હતી. આ ગાડીઓએ ટીમને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ડમ્પર સર્વિસ રોડ પર નીકળી ગયું હતું અને રસ્તા પર રેતી ઢોળતું જતું રહ્યું હતું. સિક્યુરિટી ગાર્ડ કમલેશે ફોન કરીને જણાવ્યું કે તે પોર ગામના લોકેશનમાં છે. ત્રણ વ્યક્તિઓએ તેને ડમ્પરમાંથી ઉતારી લીધો હતો અને લાકડીથી માર માર્યો હતો. ટીમ પોર ગામ પહોંચી ત્યારે માત્ર ઘાયલ સિક્યુરિટી ગાર્ડ જ મળ્યો હતો. ડમ્પર ચાલક અને અન્ય લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડને એસ.એમ.એસ. હોસ્પિટલ ચાંદખેડામાં સારવાર આપવામાં આવી હતી. આ મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભરૂચમાં નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન:13-14 જૂને 250થી વધુ ડેલિગેટ્સ સાથે 30 ઉદ્યોગ લીડર્સ કરશે સંબોધન
ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિયેશન (BDMA) દ્વારા 13 અને 14 જૂને 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન યોજાશે. Innovate, Implement and Inspire: Shaping the Future થીમ હેઠળ આયોજિત આ કન્વેન્શનમાં 250થી વધુ ડેલિગેટ્સ ભાગ લેશે. કન્વેન્શનના ઉદ્ઘાટન સમારોહમાં પ્રખ્યાત અર્થશાસ્ત્રી મોનટેક સિંહ આહલુવાલિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. બાલમેર લૌરી એન્ડ કંપનીના ચેરમેન અધિપ પાલ ચૌધરી અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ COO કે. સુરેશ પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. કન્વેન્શનમાં ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ, બિઝનેસ પ્રોસેસ ઇનોવેશન અને ગ્રીન એનર્જી જેવા મહત્વના વિષયો પર ચર્ચા થશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્ટાર્ટઅપ્સના વિષયો પણ આવરી લેવાશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ડો.સુનીલ પારેખ, ગ્રાન્ટ થ્રોનટનના રિચાર્ડ રેકી અને રિલાયન્સના શૈલેષ નિગમ સહિત અનેક દિગ્ગજો વક્તા તરીકે હાજરી આપશે. બોરોસિલ રિન્યુએબલ્સ, હિન્દાલ્કો અને PI ઇન્ડસ્ટ્રીઝના વરિષ્ઠ અધિકારીઓ પણ તેમના અનુભવો શેર કરશે. કન્વેન્શનના સમાપન સમારોહમાં મેજર જનરલ ડો.રાજેશ છાબા (રિટા.) અને K.P. Energy Group ના ચેરમેન ફારુખ પટેલ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
સિધ્ધપુર શહેરના હાઇવે પર એક વેપારી સાથે બસ ચાલકે મારપીટ કરીને લૂંટ ચલાવી હતી. નર્સિંગ કોલેજ નજીક ગીરનારી હોટલ પાસે બનેલી ઘટનામાં વેપારી વિશાલભાઈ શેઠ (ઉ.વ.43) તેમની ગ્રાંડ વિટારા કાર લઈને ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં ઘનશ્યામ ટ્રાવેલ્સની બે બસો રોડ પર અડચણરૂપ હતી. વેપારીએ બસ ચાલકને ગાડી સાઈડમાં લેવા કહ્યું હતું. આ વાતથી ઉશ્કેરાયેલા બસ ચાલકે વેપારીને ગાળો આપી અને કહ્યું કે આ રોડ તારા બાપનો નથી. બસ ચાલકે કેબિનમાંથી લોખંડની પાઇપ લાવીને વેપારીના માથામાં મારી. ત્યારબાદ બસ લઈને ઉંઝા તરફ ભાગ્યો. વેપારીએ કાર લઈને પીછો કર્યો અને ગીરનારી હોટલ આગળ બસને રોકી. બસ ચાલકે વેપારી સાથે ઝપાઝપી કરી અને તેમના ગળામાંથી બે તોલાની સોનાની ચેન (કિંમત રૂ. 55,000) લૂંટી લીધી ulr. બસ ચાલક પાલનપુર હાઇવે તરફ ફરાર થઈ ગયો. ઈજાગ્રસ્ત વેપારીને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગરમાં ખાતર વેચાણમાં ગેરરીતિ:18 દુકાનોના લાયસન્સ રદ, 35.99 લાખનો જથ્થો સ્થગિત
સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ વિભાગે વાવેતરની સિઝન દરમિયાન રાસાયણિક ખાતરના વિતરણમાં અનિયમિતતા રોકવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. જિલ્લા નાયબ ખેતી નિયામકની ટીમે રાસાયણિક ખાતરના વિક્રેતાઓની દુકાનો પર આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન ખાતરના જથ્થામાં વિસંગતતાઓ જોવા મળી હતી. તપાસ બાદ વિભાગે કડક કાર્યવાહી કરતાં 18 દુકાનોના લાયસન્સ મોકૂફ કર્યા છે. સાથે જ રૂ. 35.99 લાખની કિંમતનો 395.69 મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા લાયસન્સમાં વઢવાણના 2, મુળીના 4, લખતરના 5, દસાડાના 4, ચોટીલાના 1 અને ચુડાના 2 લાયસન્સનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી ગુજરાત રાજ્યના ખેતી નિયામકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.
સુરતના વાલક મિશન રોડ પર ફર્નિચરનું કામ પતાવી વાલક પાટીયા પાસેથી રીક્ષામાં બેસેલા 18 વર્ષીય લબરમૂછિયાને પાસોદરા ગઢપુર જવાના રોડ પર લઈ જઈ ચાલુ રીક્ષાએ માર મારી લૂંટ ચલાવાઈ હતી. રોકડા રૂ. 10 હજાર અને મોબાઈલ ફોન મળી રૂ. 17 હજારની મત્તાની લૂંટ કરી બાદમાં માર મારવાનું ચાલુ રાખતા લબરમુછિયો ચાલુ રીક્ષામાંથી કુદતા તેને ઈજા થઈ હતી. બનાવ અંગે લસકાણા પોલીસે ગુનો નોંધી રીક્ષાચાલક અને તેના મિત્ર શાકભાજીના વેપારીની ધરપકડ કરી છે. વાલક પાટીયા પાસે યુવક રીક્ષાની રાહ જોતો હતોમળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાન બિકાનેરનો વતની અને સુરતમાં નાના વરાછામાં સંબંધી સાથે રહેતો 18 વર્ષીય યુવક ફર્નિચરનું કામ કરે છે. ગત રવિવારે રાતે નવ વાગ્યે કામ પતાવી મિત્રની બાઈક પર વાલક પાટીયા ખાતે ઉતરી તે ઘરે જવા રીક્ષાની રાહ જોતો ઉભો હતો. ત્યારે એક રીક્ષા ત્યાં આવતા તે તેમાં પાછળના ભાગે અન્ય એક પ્રવાસી સાથે બેઠો હતો. રોકડા અને ફોન લૂંટી યુવકને માર માર્યોથોડે દૂર સર્વિસ રોડ થઈને રીક્ષા ગઢપુર પાસોદરા જતા રોડ પર આગળ જતી હતી ત્યારે સહપ્રવાસીએ યુવક પાસે પૈસા માંગતા તેણે મારી પાસે પૈસા નથી તેમ કહ્યું તે સાથે જ સહપ્રવાસીએ તેને માર મારી તેની પાસેના રોકડા રૂ. 10 હજાર અને રૂ. 7 હજારના મોબાઈલ ફોનને લૂંટી લીધા હતા. રોકડ અને મોબાઈલ મળી રૂ. 17 હજારની મત્તા લૂંટ્યા બાદ પણ સહપ્રવાસી ચાલુ રીક્ષાએ તેને મારતો હતો. જેથી આશીર્વાદ વીલા નજીક યુવકે ચાલુ રીક્ષામાંથી કૂદકો મારતા તેને ઈજા થઈ હતી. આરોપીઓએ પહેલી વખત લૂંટ કર્યાની કબૂલાતરીક્ષાચાલક અને સહપ્રવાસી ત્યાંથી ભાગી છૂટતા એકત્ર થયેલા લોકોની મદદ મેળવી યુવકે તેના ભાઈને જાણ કરી હતી, ત્યાર બાદ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ યુવકે રીક્ષાચાલક અને સહપ્રવાસી વિરુદ્ધ લસકાણા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે રીક્ષાચાલક બુધેશ ઉર્ફે હિતેશ વાલજીભાઈ સોલંકી (ઉ.વ.30, રહે. ભરતભાઈ આહીરના મકાનમાં, લસકાણા ગામ, સુરત) અને સહપ્રવાસી તરીકે બેસેલા શાકભાજીના વેપારી વિપુલ સુરેશભાઈ સોલંકી (ઉ.વ.20, રહે. અમોલભાઈના મકાનમાં, દશેરી ટેકરી મહોલ્લો, મોટા વરાછા, સુરત. મૂળ રહે.ભાવનગર)ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટી લીધેલા રોકડા રૂ.10 હજાર, રૂ.7 હજારની મત્તાનો મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 10 હજારની મત્તાના મોબાઈલ ફોન અને રૂ.30 હજારની મત્તાની રીક્ષા કબ્જે કરી હતી. બંનેએ પહેલી વખત લૂંટ કર્યાની કબૂલાત કરી છે.
ગુજરાતમાં ચોમાસા દરમિયાન આગામી તા. 15 જૂનથી ચાર માસ માટે એટલે કે 15 ઓક્ટોબર-2025 સુધી રાજ્યના તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોવાથી તેમાં અવરોધ થવાની શકયતાને ધ્યાનમાં લેતાં, વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ, વન વિભાગના જાહેરનામામાં જણાવાયું છે. જ્યારે આગામી 26 ઓક્ટોબર-2025થી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે આ સ્થળોની મુલાકાત કરવા ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી. જેની પ્રવાસીઓએ ખાસ નોંધ લેવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ચાર રાષ્ટ્રીય અભ્યારણ્યો પણ બંધ રહેશે ગીર નેશનલ પાર્કગીરના જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય આવેલું છે. જે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે. સિંહ દર્શન માટે અહીં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ આવે છે. પ્રવાસીઓ માટે અહીં સિંહ દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કાળિયાર નેશનલ પાર્ક, વેળાવદરભાવગનર જિલ્લામાં આવેલા વેળાવદર ગામ પાસે કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ભાલ ક્ષેત્રના ઘાસના મેદાનો કાળિયારને ખૂબ જ માફક આવે છે. એટલે અહીં કાળિયાર મોટી સંખ્યામાં જોવા મળે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર સાથે વરુ, શિયાળ, નીલગાય પણ જોવા મળે છે. કાળિયાર નેશનલ પાર્ક આમ તો આખું વર્ષ ખુલ્લું હોય છે. પરંતુ તેની મુલાકાત લેવાનો ઉત્તમ સમય ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનો છે. કારણ કે આ સમય દરમિયાન સ્થળઆંતર કરીને પણ પક્ષીઓ અહીં આવે છે. મરીન નેશનલ પાર્કરાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મરીન નેશનલ પાર્ક આવેલું છે. આ નેશનલ પાર્કમાં ખાસ મૂંગા પ્રાણી જોવા મળે છે. ભારતીય પક્ષી ગ્રેડ ઈન્ડિયન બસ્ટર્ડ અહીં જ જોવા મળે છે. આ નેશનલ પાર્કમાં દુનિયામાં બહુ ઓછી જગ્યાએ જોવા મળતું બાર શિંગડા વાળું સાબર પણ જોવા મળે છે. વાંસદા નેશનલ પાર્કડાંગ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે બનેલું આ નેશનલ પાર્ક 24 કિલોમીટરમાં ફેલાયેલું છે. આ નેશનલ પાર્કમાં અજગર, કોબ્રા, જંગલી બિલાડી, દીપડો, જંગલી ભૂંડ, સાબર અને સ્થાનિક પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. આ 23 અભ્યારણ્યો પણ બંધ રહેશે
અનંત અંબાણીના પત્ની રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (ITRA)ની મુલાકાત લીધી હતી. તેમણે સંસ્થાના વિવિધ વિભાગોમાં ચાલી રહેલા શિક્ષણ અને સંશોધન કાર્યોની માહિતી મેળવી હતી. સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમે રાધિકા અંબાણીને ITRAમાં ઉપલબ્ધ ચિકિત્સા પદ્ધતિઓની વિગતવાર માહિતી આપી હતી. રાધિકા અંબાણીએ નિદાન પદ્ધતિ, ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ અને લેબોરેટરીની કામગીરી વિશે જાણકારી મેળવી હતી. ITRAએ આયુષ મંત્રાલય દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય મહત્વની પ્રથમ સંસ્થા છે. સંસ્થા અંડરગ્રેજ્યુએટથી ડોક્ટરેટ સ્તર સુધીના અભ્યાસક્રમો ચલાવે છે. ITRA આયુર્વેદના પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને સંશોધન કરે છે. રાધિકા અંબાણીએ સંસ્થાના ડોક્ટરો સાથે આયુર્વેદના ભવિષ્ય અને વિકાસની સંભાવનાઓ વિશે ચર્ચા કરી હતી. સંસ્થાના ડિરેક્ટર અને વરિષ્ઠ અધ્યાપકોએ તેમનું શુભેચ્છા ભેટ સાથે સ્વાગત કર્યું. હતું રાધિકા અંબાણીએ ITRAના ઉચ્ચ સ્તરીય સંશોધન અને શિક્ષણ કાર્યની પ્રશંસા કરી હતી.
વલસાડ જિલ્લામાં આજે ગરમીનું પ્રમાણ વધારે રહેશે. જિલ્લાના છ તાલુકાઓમાં ધરમપુરમાં સૌથી વધુ 34 ડિગ્રી તાપમાન નોંધાશે. વલસાડ અને પારડીમાં 33 ડિગ્રી, વાપીમાં 33 ડિગ્રી, ઉમરગામ અને કપરાડામાં 32 ડિગ્રી તાપમાન રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પવન દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે. વલસાડ, પારડી અને ઉમરગામમાં પવનની ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. વાપીમાં 14 કિલોમીટર તથા કપરાડા અને ધરમપુરમાં 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ભેજનું પ્રમાણ ઉમરગામમાં સૌથી વધુ 68 ટકા, કપરાડામાં 65 ટકા, પારડી અને વાપીમાં 63 ટકા તથા વલસાડ અને ધરમપુરમાં 62 ટકા રહેશે. ભેજના વધુ પ્રમાણને કારણે ગરમીનો અનુભવ 40 ડિગ્રી જેવો થશે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો કપરાડામાં સૌથી ઓછું 25 ડિગ્રી, ધરમપુરમાં 27 ડિગ્રી જ્યારે અન્ય તાલુકાઓમાં 28 ડિગ્રી રહેશે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં કોઈ વરસાદ નોંધાયો નથી. અત્યાર સુધીનો કુલ વરસાદ ઉમરગામમાં 152 મિમી, ધરમપુરમાં 139 મિમી, વાપીમાં 117 મિમી, વલસાડમાં 109 મિમી, કપરાડામાં 104 મિમી અને પારડીમાં 73 મિમી નોંધાયો છે.
પાટણ તાલુકાના નોરતા ગામની દીકરી ઝાલા પાયલબા સર્જનસિંહએ ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં આવેલા કાગભૂસંડી તળાવનો ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. 17,500 ફૂટની ઊંચાઈએ સ્થિત આ તળાવ તેના આધ્યાત્મિક મહત્વ અને અદ્ભુત કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. પાયલબાની 9 સભ્યોની ટીમે 30 એપ્રિલથી 6 જૂન દરમિયાન 64 કિલોમીટરનો ટ્રેક પૂર્ણ કર્યો હતો. આ માર્ગમાં ઘન જંગલો, ઊંચા પર્વતો અને પથરાળ રસ્તાઓનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેક દરમિયાન તેમને હિમવર્ષાનો પણ સામનો કરવો પડ્યો હતો. પાયલબાએ નંદાદેવી બાયોસ્ફિયર રિઝર્વના કુદરતી વૈવિધ્યનો અનુભવ કર્યો. તેમણે હાથી પર્વત અને ચૌખંભા જેવી ઊંચી ચોટીઓના અદ્ભુત દૃશ્યો નિહાળ્યા. કાગભૂસંડી તળાવ હિંદુ પુરાણોમાં કાગભૂસંડી ઋષિ સાથે જોડાયેલું હોવાથી આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. પાયલબાએ જણાવ્યું કે તળાવ સુધી પહોંચ્યા પછીનો નજારો અવર્ણનીય હતો. આ સફર તેમને જીવનભર યાદ રહેશે. તેમની આ સિદ્ધિ અન્ય ટ્રેકર્સ માટે પ્રેરણારૂપ બની છે. પાયલબા હવે વધુ અઘરા માર્ગો શોધવા માટે ઉત્સુક છે. તેમણે નોરતા ગામ અને સમગ્ર પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું છે.