SIRની કામગીરી 4 નવેમ્બરથી શરૂ કરાઇ છે. જે કામગીરી હાલમાં અંતિમ તબક્કામાં છે. સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના એન્યુમરેશન ફોર્મ ભરાઇને પરત આવી ગયા છે જેનું મેપિંગ પણ થઇ ગયું છે. અંતિમ તબક્કામાં બીએલઓને કેટલાક ફોર્મ પરત મેળવવામાં ઘણી તકલીફ પડી હતી. બીએલઓને પૂછતાં અનેક રસપ્રદ કારણો સામે આવ્યા છે જેના કારણે બીએલઓ મૂંઝવણમાં મૂકાયા હતા. આ કારણોનું કેવી રીતે નિવારણ લાવવું તેને લઇને તેઓ દ્વારા સતત મથામણ કરાઇ હતી. કિસ્સો-1બીએલઓના જણાવ્યા અનુસાર એક ભાઇને છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હોય તે તેની પત્નીનું ફોર્મ પરત આપવા માટે તૈયાર ન હતા. આ ભાઇએ કુટુંબના બાકીના સભ્યોના ફોર્મ જમા કરાવી દીધા છે. પરંતુ તેની પત્નીનું ફોર્મ આપવા તૈયાર ન હતો. આખરે ગામ લોકોએ તથા તેના માતા-પિતાએ તેને સમજાવ્યો ત્યારે તે ફોર્મ આપવા તૈયાર થયો હતો. કિસ્સો-2 અન્ય એક કિસ્સામાં પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કરનાર મહિલાને તેના જૂના સાસરીવાળા કોઇ માહિતી આપવા તૈયાર ન હતા તથા તે મહિલા અધૂરું ફોર્મ પરત આપવા તૈયાર ન હતી. આખરે બીએલઓએ સમજાવતા તથા આસપાસના લોકો અને રાજકીય આગેવાન દ્વારા સમજાવતા તે મહિલા ફોર્મ આપવા તૈયાર થઇ હતી.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
હુડા:ભારતીય કિસાન સંઘે ખેડૂતોની માંગ સ્વીકારવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો
હૂડાના વિરોધમાં 12 ડીસેમ્બરે હિંમતનગર બંધનુ એલાન અપાયુ છે અને સંકલન સમિતિના સભ્યો વિવિધ વેપારી મંડળો સાથે મુલાકાત કરી સમર્થન મેળવી રહ્યા છે ત્યારે ભારતીય કિસાન સંઘે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખેડૂતોની લાગણીને માન આપી હૂડા હટાવ્યુ હોવાનુ યાદ કરાવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ખેડૂતોની લાગણીને માન આપવા પત્ર લખ્યો છે. છેલ્લા ત્રણેક માસથી હુડાના વિરોધમાં હિંમતનગર આસપાસના 11 ગામના ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે અને તાજેતરમાં મુખ્યમંત્રીના હુડા બાબતે સ્પષ્ટ અભિપ્રાય ન મળ્યા બાદ 12 ડિસેમ્બર હિંમતનગર બંધનું એલાન અપાયું હતું. સંકલન સમિતિના ઉત્સવ પટેલે જણાવ્યું કે હાલમાં દરેક વેપારીને મળી અમારી સમસ્યા અંગે માહિતી આપતું પેમ્પલેટ આપી 12 મીના બંધમાં સહકાર આપવા અપીલ કરી રહ્યા છીએ. ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્ય અને પ્રદેશ મહામંત્રી આર.કે પટેલે તા.8-12-25 ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરી છે કે ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખેડૂતોના એક અવાજને કારણે ખેડૂત પુત્રી જેના હૈયામાં ખેડૂતોનુ હિત સમાયેલું હતું તેમણે એક ઝાટકે હુડા સ્થગિત કરી દીધું હતું. છતાં ફરીથી હુડા અમલી બનાવતા ખેડૂતોએ આંદોલન શરૂ કર્યુ છે અને 12 મી તારીખે હિંમતનગર બંધનું એલાન આપ્યુ છે. આક્રોશ આખા તાલુકામાં પ્રસર્યો છે સ્થાનિક જિલ્લા- તાલુકાના હોદ્દેદારો અને ખેડૂતો દ્વારા આ આંદોલન તાલુકા- જિલ્લા સ્તરે લઈ જઈ દૂર જરૂર પડ્યે ગાંધીનગર સુધી લંબાવવા માંગણી કરી છે. જેથી તાત્કાલિક દરમિયાનગીરી કરી હુડા તાત્કાલિક અસરથી રદ થાય તે દિશામાં કાર્યવાહી કરવી જરૂરી બની રહી છે.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન 600 ઉપરાંત કોલેજો કાર્યરત હોઈ લાંબા સમયથી અનેક કોલેજોમાં ગેરરીતિ થઈ રહી હોવાની કોલેજો દ્વારા જ રજૂઆતો મળતા તપાસ કમિટીઓ મૂકાઈ રહી છે. કુલપતિ દ્વારા પ્રથમવાર તમામ સંલગ્ન કોલેજોના મેનેજમેન્ટના લોકો સાથે સોમવારે બપોરે કેમ્પસના કન્વેશન હોલમાં સીધો સંવાદ કર્યો હતો. જેમાં મેનેજમેન્ટને ફરજિયાત જરૂરી કોલેજ સંચાલન માટેની શરતોનું પાલન કરવા માટે ટકોર સાથે વોર્નિંગ પણ આપી હતી. તો સામે કોલેજો દ્વારા પણ તેમના કેટલાક પ્રશ્નો કુલપતિ સમક્ષ રજૂઆત કરાઈ હતી જેનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવા ખાતરી અપાય હતી. કુલપતિ ડૉ.કે.સી.પોરિયા દ્વારા સંવાદમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે કોલેજ માટે ફરજિયાત પણે પ્રથમ શરત એટલે કે પાંચ એકર જમીન અને પોતાનું મકાન હોવું ફરજિયાત છે. પરતું કેટલી જગ્યાએ પોતાના મકાન નથી શરતી મંજૂરી સાથે ભાડાના મકાનોમાં કોલેજો ચાલી રહી છે. આ હવે ચાલશે નહીં કોલેજ દ્વારા પોતાનું મકાન બનાવવા અને જમીન અંગે 2 વર્ષમાં કાર્યવાહી પૂર્ણ કરશે તેવી LICની ચકાસણીમાં 45 દિવસમાં ખાતરી આપવી પડશે. નહીં તો જોડાણ ચાલુ રહેશે નહી. ઉપરાંત એલઆઇસી કમિટીને પણ યુનિવર્સિટી દ્વારા નિયત કરેલ રકમનું કવર આપવાનું રહેશે. વધુ રકમનું કવર આપવું નહીં. કોલેજોની નવા વર્ષની જોડાણની કામગીરી માટે 597 એલ.આઇ.સી કમિટી બનાવી છે. જાન્યુઆરી સુધીમાં કોલેજોમાં lic કમિટીની વિઝીટ પૂર્ણ થઈ જશે. વધુમાં તેમને બેદરકારી અંગે જણાવ્યું હતું કે 61 કોલેજ એવી છે બે વાર પરિપત્ર કર્યા બાદ પણ કોઈ જ માહિતી આપી નથી. 29 કોલેજોને ડી એફિલેશન કરાઇ છે. જે કોલેજો ડી એફિલેશન કરવા માંગે છે તેમના હિતમાં 2.02 લાખ ના બદલે 31 ડિસેમ્બર સુધીમાં 50000 જ ફી રખાય છે તો તેઓ કરાવી શકે છે. કોલેજોએ આ પ્રશ્નો કુલપતિ સમક્ષ મૂક્યા કોલેજોમાં ફી ધોરણ વધારા મુદે લાંબા સમયથી કોઈ રિવ્યૂ થયો નથી, પરીક્ષાનો સમય પ્રથમ તબક્કાનો 11:30ના બદલે 10:30 રાખવામાં આવે, પ્રવેશ પ્રક્રિયામાં કોલેજોને કેટલીક બેઠકો ભરવાની સત્તા આપવામાં આવે, ક્વોલીફાઇડ સ્ટાફની અછત હોય જરૂરી સ્ટાફને શરતો આધિન છૂટછાટ સાથે ઓછા ક્વોલિ ફિકેસન સ્ટાફની ભરતી કરવા મંજૂરી, ડિગ્રી સર્ટી વિતરણ વ્યવસ્થા સુધારો જેવા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. ભાસ્કર ઇનસાઇડહવે તો CMOમાંથી બોગસ કોલેજો ચાલતી હોવાના ફોન આવે છે, કમિશ્નર રિપોર્ટ માંગે છેસંવાદમાં સંબોધન દરમિયાન કુલપતિ પોતાના મુખ્યથી જ બોલી ઊઠ્યા હતા કે હવે સરકાર અને CMO ઓફિસ થી યુનિવર્સિટીમાં બોગસ કોલેજો ચાલતી હોય તેવા ફોન આવે છે અને તેના લિસ્ટ માંગે છે. સોમવારે જ સવારે શિક્ષણ કમિશ્નર વિભાગમાંથી ફોન આવ્યો હતો કે આ કોલેજ બોગસ છે. તેની સામે યુનિવર્સિટી દ્વારા શું કાર્યવાહી કરી છે. અમારે પણ હવે શિક્ષણ વિભાગમાં રિપોર્ટ અંગે માહિતી આપવાની હોય છે.કુલપતિના બોગસ કોલેજ ચાલતી હોવાના જાહેર નિવેદનને લઈ હોલમાં સન્નાટો છવાયો હતો.
પાટણ ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વ. કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા ‘મને જાણો’ કાર્યક્રમ હેઠળ રવિવારે એ.પી.જે. અબ્દુલ કલામ મહામાનવ વિષય પર વક્તવ્ય યોજાયું હતું. લાઈબ્રેરીના આસ્થા હોલમાં જયમાલાબેન અંબાલાલ પંચાલ દ્વારા ડૉ. કલામના જીવનની ઝાંખી કરાવવામાં આવી હતી. વક્તાએ જણાવ્યું કે, 15/10/1931ના રોજ રામેશ્વરમમાં જન્મેલા ડૉ. કલામ ભણવામાં સામાન્ય હોવા છતાં તેમનામાં આધ્યાત્મિકતા અને નવું શીખવાની અદમ્ય ધગશ હતી. 1969માં ISROમાં જોડાયા બાદ તેમણે પ્રોફેસર ધવન અને ડૉ. વિક્રમ સારાભાઈની પ્રેરણાથી ભારતને પૃથ્વી, અગ્નિ, આકાશ, બ્રહ્મોસ જેવી સ્વદેશી મિસાઈલો આપી મિસાઇલ મેનનું બિરુદ મેળવ્યું. 1980માં SLV-3 દ્વારા તેમણે ભારતનું સ્થાન વિશ્વના સ્પેશ ક્ષેત્રમાં સ્થાપિત કર્યું હતું. વક્તવ્યમાં તેમને મળેલા ભારત રત્ન, પદ્મવિભૂષણ જેવા સન્માનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે ગામડાઓના વિકાસ, ઇન્ટરનેટ અને ટેકનોલોજીના સદુપયોગ, ખેતી, શિક્ષણ અને આરોગ્ય પર ખાસ ભાર મૂક્યો હતો. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ડૉ. શૈલેષ બી. સોમપુરાએ આપ્યું, જેમાં તેમણે લાઈબ્રેરીના નવા પ્રોજેક્ટ ચંદ્ર-કૃષ્ણા હૉલની માહિતી આપી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્વાન શ્રોતાઓએ પ્રશ્નોત્તરી દ્વારા વધુ માહિતી મેળવી જ્ઞાન સભર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાટણમાં ડો. કલામનું વ્યક્તિત્વ ઉજાગર કરવા વક્તવ્ય યોજાયું હતું
યોગ શિબિરનું આયોજન:બડોલીમાં યોગ શિબિરમાં બે દિવસમાં 90 જેટલા લોકોએ નોંધણી કરાવી
ઇડરના બડોલીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ “મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન” અંતર્ગત એક માસીય સ્વસ્થ ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત યોગ શિબિર 10 નવેમ્બર 2025 થી 10 ડિસેમ્બર 2025 સુધી યોજાઈ રહી છે. શિબિર દરમિયાન યોગ ટ્રેનર જલ્પાબેન, દર્શનાબેન અને માધુરીબેન દ્વારા વિશેષ માર્ગદર્શન અપાઇ રહ્યું છે. શિબિરનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સાબરકાંઠાના જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર ઉમંગભાઈ સુતરીયા દ્વારા કરાઇ રહ્યું છે. બપોરે 3 થી 4 વાગ્યા દરમ્યાન યોજાતી આ યોગ શિબિરમાં શરૂઆતથી જ ગામજનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર બે જ દિવસમાં 85 થી 90 જેટલા લોકોએ નોંધણી કરાવી દીધી હતી. યોગ શિબિર દરમ્યાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ બહેનોનું હેલ્થ ચેકઅપ કરાયું હતું. સાથે જ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ કરાયું હતું. યોગનું મહત્વ, સ્વસ્થ જીવનશૈલી અને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે કયા યોગાસનો મદદરૂપ બને તે અંગે માર્ગદર્શન અપાયું હતું. તાલીમ લેતી મહિલાઓએ જણાવ્યું કે તેમને યોગ પ્રત્યે નવી સમજણ સાથે સ્વાસ્થ્ય લાભ પણ અનુભવો થયો છે.
કલેક્ટર દ્વારા ડાયવર્ઝન અપાયું:દાવડ-આરસોડીયા -સપ્તેશ્વર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકાયો
સાબરકાંઠા જિલ્લાના ઇડર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વિવિધ કારણોને લઇને ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા અંગેનું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જેમાં ઇડર તાલુકામાં દાવડ-આરસોડીયા-સપ્તેશ્વર રોડને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયો છે. જ્યારે તેના વૈકલ્પિક માર્ગ તરીકે હિંમતનગર-ઇલોલ દાવડ- દેશોતરથી વલાસણા થઇ રણશીપુર વિજાપુરનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રાંતિજ હરસોલનો માર્ગ પ્રતિબંધિત જાહેર કરાયો છે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે પ્રાંતિજ હાઇવે ત્રણ રસ્તાથી સલાલ ચોકડી સોનાસણ, રામપુર ચોકડી થઇ વાવડી ચોકડી તલોદ તરફ તથા તલોદ વાવડી ચોકડી તરફથી રામપુર ચોકડી થઇ સોનાસણ, ચોકડી થઇ પ્રાંતિજ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
હિંમતનગર ઇડર સ્ટેટ હાઇવે પર આવેલ ધાણધા રેલવે ફાટક નં. 86/A સમારકામના કામને લીધે સોમવાર સવારે 9 કલાકથી 36 કલાક માટે બંધ કરાઇ છે.ફાટક બંધ થતાં વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. જેમાં હિંમતનગર તરફથી ઇડર કે ખેડબ્રહ્મા જતાં વાહનોએ એન.જી. સર્કલથી હિંમતનગર આર.ટી.ઓ. સર્કલ થઇને હિંમતનગર બાયપાસનો ઉપયોગ કરતા તથા ઇડર કે ખેડબ્રહ્મા તરફથી આવતાં વાહનો વીરપુર હિંમતનગર બાયપાસ થઇને આરટીઓ સર્કલથી સીધા મોતીપુરા સર્કલ તરફના માર્ગનો ઉપયોગ કરતાં હોવાના કારણે મહેતાપુરા, આરટીઓ સર્કલ અને મોતીપુરા વિસ્તારમાં સવારના સમયે ભારે ટ્રાફિકની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે એન.જી. સર્કલથી મહેતાપુરા ચાર રસ્તા થઇને આર.ટી.ઓ. તરફ રોડ પર વાહનોની અવરજવર વધી ગઇ છે. જેના કારણે મહેતાપુરા, આર.ટી.ઓ. સર્કલ તથા મોતીપુરા વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો.
SIRની કામગીરી:અરવલ્લીમાં SIRની 100 ટકા કામગીરી પૂર્ણ, 27025 મતદારો મૃત, 5298 ડુપ્લીકેટ મળ્યા
અરવલ્લીમાં SIRની મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત જિલ્લામાં 100% ગણતરી ફોર્મ (EF) વિતરણ તથા સંકલનની કામગીરી સમયથી પહેલા પૂર્ણ થતાં રાજ્યમાં અરવલ્લી જિલ્લાએ રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છેે. કલેક્ટર પ્રશસ્તિ પારિક દ્વારા જિલ્લામાં 100% SIR ની કામગીરી પૂર્ણ થતાં તમામને અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો છે. જિલ્લામાં સરની કામગીરી દરમિયાન કુલ 858753 મતદાર પૈકી ગણતરી દરમિયાન 27025 મતદારો મૃત નોંધાયા છે. જ્યારે 5298 મતદારો ડુપ્લીકેટ મળ્યા છે. કુલ 72677 મતદારોના નામ કમી થવાની શક્યતા રહેલી છે. કલેક્ટરે જણાવ્યું હતું કે ગણતરી ફોર્મનું ડિઝિટાઇઝેશન પણ પૂર્ણ કરી દેવાયું છે. 4,569 મતદારો ગેરહાજર હોવાનું નોંધાયું છે. તદઉપરાંત 358 અને કેટેગરીમાં મળી કુલ 72677, મતદારો “Uncollectable” શ્રેણીમાં નોંધાયા છે આ મતદાતાઓની નોંધો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. 16 ડિસેમ્બરના રોજ મુસદ્દા મતદાર યાદીનું પ્રસિદ્ધિ કરણ કરાશે. 16 ડિસેમ્બર સુધી મતદાતાઓ પોતાના નામના ઉમેરણ, કાઢી નાખવા, સુધારા-વધારા માટે ફોર્મ-6,7,8 અથવા 8-એ દ્વારા દાવો-વાંધો રજૂ કરી શકશે.બાદમાં 16 જાન્યુઆરી થી તા. 7 ફેબ્રુઆરી દરમિયાન દાવા-વાંધાની સુનાવણી તથા નિકાલ કરાશે. જે મતદારોએ BLOને પોતાની વિગતો આપીનથી તેઓ 11 ડિસેમ્બર સુધી આપી શકશેજે મતદાતાઓનું ગણતરી ફોર્મ ભરાયું નથી કે જેમણે હજુ સુધી પોતાની વિગતો આપી નથી. તેઓ આગામી તા. 11 ડિસેમ્બર 2025 સુધી પોતાના વિસ્તારના બુથ લેવલ ઓફિસર BLOનો સંપર્ક કરીને ફોર્મ ભરાવી શકશે અને પોતાનું નામ મતદારયાદીમાં જાળવી શકશે.
શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત હિંમતનગર પાલિકાને વિકાસ કામો માટે મળેલ ફંડની ફાળવણી થયા બાદ પાલિકામાં નવા સમાવાયેલ વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા કુલ રૂ.7.35 કરોડના ખર્ચે બેરણા રોડ પર બ્રહ્માકુમારીથી રિલાયન્સ મોલ, કેનાલ 2.4 કિમી અને હડીયોલથી સહકારીજીન વિસ્તાર થઈ નદી સુધી 7.07 કિમી લાંબી આરસીસી ડકટ અને પાઇપ લાઈન નાખવા માટે પાલિકા દ્વારા કેટલીક શરતોને કારણે બીજી વખત ટેન્ડર કરાયું છે અને સમય મર્યાદા પણ નક્કી કરાઈ છે. હિંમતનગર શહેરના સહકારીજીન રોડ પંથકની નિકુંજ, સગુન, હડિયોલ રોડ પરનો રહેઠાણ વિસ્તાર ચોમાસામાં કાયમી ભરાઈ રહેતાં પાણીની સમસ્યા સામે ઝઝૂમે છે. તદુપરાંત હિંમતનગર શહેરમાં નવા સમાવાયેલા સર્વે નંબરના રહીશોને રેન વોટર હાર્વેસ્ટિંગ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન સહિતની પાલિકા સ્તરની સુવિધાઓ પૂરી પાડવા પણ માંગ થઈ રહી છે. આ કાયમી સમસ્યાના નિકાલ માટે રૂ.7.35 કરોડની ફાળવણી થઈ છે. નવા સમાવિષ્ટ વિસ્તોરોમાં રોડ-રસ્તા, ગટર અને સ્ટોર્મ ડ્રેનેજ તથા પાણીની સુવિધા જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના કામોની જરૂર છે. જેનો સર્વે વગેરે કરી ડ્રાફ્ટ પ્લાન એસ્ટીમેટ વગેરે કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. નિકુંજ સોસાયટીના રહીશ સરદારસિંહ રાઠોડે જણાવ્યું કે સહકારી જીન વિસ્તારમાં આવેલ નિકુંજ, તેમજ સગુન સોસાયટીમાં ભરાતાં વરસાદી પાણીના નિકાલ માટે ફંડ મંજૂર કરાતાં ટેન્ડરિંગ પણ થયેલ છે. પણ આજદિન સુધી કામગીરી શરૂ થઈ નથી અને આ કામગીરી એકાદ માસમાં પૂર્ણ થાય તેવી નથી તો આ કામગીરી વહેલી શરૂ થાય તો આગામી ચોમાસામાં નાગરિકોને રાહત મળી શકે તેમ છે. 11 માસમાં આ કામગીરી પૂર્ણ કરવાની રહેશેપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે રૂ.3,11,31,100ના ખર્ચે બ્રહ્માકુમારીથી રિલાયન્સ મોલ, કેનાલ 2.4 કિ.મી. અને રૂ.4,24,64,500ના ખર્ચે હડીયોલથી સહકારીજીન વિસ્તાર થઈ નદી સુધી 7.07 કિમી લાંબી આરસીસી ડકટ અને જરૂર હોય ત્યાં પાઇપ લાઈન નાખવા માટે પાલિકા દ્વારા ટેન્ડર કરાયું છે. 11 માસમાં આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. પરંતુ આ સુવિધા અગામી ચોમાસામાં મળી રહે તે માટે પૂરા પ્રયાસ કરાશે.
SIRની કામગીરી:સાબરકાંઠા જિલ્લાની તમામ ચારેય વિધાનસભામાં 100 ટકા ડિઝિટાઈઝેશન
સાબરકાંઠા જિલ્લાના તમામ ચાર વિધાનસભા મતવિસ્તારમાં સો ટકા ડિઝિટાઇઝેશન થઈ ગયું છે અને જેનું મેપિંગન થયું હોય તેવા 93,000 મતદારો પૈકી 40હજાર મતદારોનું છેલ્લા 10 દિવસમાં બીએલઓ અને ચૂંટણી વિભાગની મહેનતને પગલે મેપિંગ કરવામાં સફળતા મળતાં નામ કમી થવાનો સંભવિત આંકડો ગણો નીચે આવી ગયો છે. સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા મતવિસ્તારના કુલ 11,61,128 મતદારોની ડિઝિટાઇઝેશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ચૂંટણી આયોગના રેકોર્ડમાં તા.8-12-25ના રોજ મૃતકોની સંખ્યા 32,898 કાયમી સ્થળાંતર કર્યું હોય તેવા મતદારોની સંખ્યા 44,887 અને મેપિંગ ન થયું હોય તેવા મતદારોની સંખ્યા 52,208 છે. હાલમાં બીએલઓ અને ચૂંટણી વિભાગ મેપિંગ બાકી છે તેવા મતદારો માટે ડેટા એન્ટ્રીમાં ત્રુટી, જૂના રેકોર્ડમાં માતા-પિતા દાદા દાદીના નામ શોધવા મહેનત કરી રહ્યા છે. તા.28-11-25ના રોજ મેપિંગ ન થયું હોય તેવા 93,036 મતદાર હતા. એમાં અત્યાર સુધીમાં 40,828 મતદારોનું એટલે કે 43.89 ટકા મતદારોનું મેપિંગ કરવામાં સફળતા મળી છે. 100% ડિઝિટાઇઝેશન બાદ સ્થળાંતરિત અને નો મેપિંગ વાળા મતદારોની વિગતોની ચકાસણી પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જેને કારણે નો મેપિંગની ટકાવારી સાત-આઠ ટકા સુધી પહોંચી હતી. તે ઘટીને 4.50 ટકા ઉપર આવી ગઈ છે અને હજુ તેમાં એકાદ બે ટકા એટલે કે 15 થી 20 હજાર મતદારોનો વધારો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. એકંદરે પોણા બે લાખ મતદારોની યોગ્યતા સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો તે આંકડો એક લાખની આસપાસ આવી ગયો છે.
ભાસ્કર ઇમ્પેક્ટ:પાલનપુરની શાળામાં લટકતાં પથ્થર દૂર કરાયા
પાલનપુર કમાલપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાનું જુનુ મકાન જર્જરિત બની જતાં કન્ડમ કરી તોડી પાડવામાં આવ્યું હતુ. તેની સામે નવું મકાન બનાવાયું છે. જોકે, જુના બિલ્ડિગના ભાગના કેટલાક કાટમાળના પથ્થર જોખમી રીતે લટકી રહ્યા હતા. તેની નીચેથી પસાર થતાં બાળકો ઉપર જોખમ તોળાતું હતુ. આ અંગે અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવતાં શાળા પરિવાર દ્વારા આ લટકતાં પથ્થરો દૂર કરવામાં આવ્યા છે.
હડકાયા કૂતરાંનો આતંક:વાસણ (ધા)માં હડકાયા કૂતરાંએ બે બાળકોને બચકા ભર્યા
પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે હડકાયા કૂતરાએ બે લોકોને બચકાં ભરતાં ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.કેટલીક હોસ્પિટલમાં રસી પણ નથી. પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે કુતરૂ હડકાયું થતાં ભય પ્રસરી ગયો હતો. ગામમાંથી ખેતરો તરફ ગયેલા કુતરાએ ત્યાં રમતાં બે બાળકોને બચકાં ભર્યા હતા. બંને બાળકોના હાથના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જોકે, પરિવારજનો દોડી આવતાં કુતરૂ નાસી ગયું હતુ. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ખેતરોમાં આગળ જતાં અજાણ્યા શખ્સોએ કૂતરાને મારી નાંખ્યું હતુ.નોંધનીય છે કે છેલ્લા 15 દિવસથી બનાસકાંઠામાં હડકાયા કૂતરા કરડવાના બનાવો વધી રહ્યા છે.જેને લઈ લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.
CM જિલ્લાને આપશે 1000 કરોડના વિકાસ કામોની ભેટ:562 કરોડના ખર્ચે બનનાર બાયપાસનું 11મીએ ખાતમુર્હૂત
મુખ્યમંત્રીના હસ્તે પાલનપુર ગ્રીનફીલ્ડ બાયપાસનું ખાતમુર્હુત થયા બાદ બાયપાસ રોડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. સરકાર દ્વારા કુલ 562 કરોડના ખર્ચે 3 ભાગમાં આ ગ્રીનફીલ્ડ બાયપાસ બનાવવાની કામગીરી કરાશે. વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાની રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા જેના પગલે ઝડપથી જમીન સંપાદન થયા બાદ હવે ખાતમુર્હુત કરાશે.આયોજનને લઈ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. વર્તમાન પાલનપુર શહેરમાંથી અમદાવાદ, દિલ્હી, રાજસ્થાન, કંડલા તરફ જતા વાહન વ્યવહાર શહેરના એરોમા સર્કલથી પસાર થાય છે. દિન પ્રતિદિન વધેલ વાહન વ્યવહારના લીધે પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. હાલમાં પાલનપુર શહેરના એરોમા સર્કલથી અંદાજે 66,00 જેટલા મોટા વાહનો સાથે કુલ 29,500 જેટલા વાહનો પસાર થાય છે. પાલનપુર બાયપાસની કામગીરી માટે કુલ 14 ગામની 157.81 હે. જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ગ્રીનફીલ્ડ બાયપાસ રોડ આબુરોડ પર આવેલ સોનગઢ ગામથી શરૂ થઈ ચડોતર ગામ પાસેથી પસાર થઈ જગાણા ગામ પાસે અમદાવાદ હાઇવે સાથે કનેક્ટ કરાશે. ગ્રીનફીલ્ડ બાયપાસ રોડની કામગીરી કુલ 3 ભાગમાં કરાશે જેની કુલ લંબાઈ 24.5 કિલોમીટર રહેશે. બાયપાસ ઉપરાંત આગામી 11 ડિસેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે જિલ્લાના 7થી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 15થી વધુ વિકાસ કામોનું ખાતમુર્હુત કરાશે,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાલનપુર રામલીલા મેદાન સ્થિત સશક્ત નારી મેળાની મુલાકાત લેશે તથા પાલનપુર ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાશે. આ કામોનું થશે ખાતમુર્હૂત આ કામોનું લોકાર્પણ થશે • ઉમરદશી નદી ઉપર 6 માર્ગીય રસ્તાને અનુરૂપ નવીન 4 માર્ગીય પુલનું, • ગઠામણ જંકશન ઉપર વીયુપીના કામનું, • પી.એચ.સી. મડાણા (ગઢ), • પી.એચ.સી. વેડંચા, પાલનપુર ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાસભર સરકારી કુમાર છાત્રાલયનું, • કીડોતર પ્રાથમિક શાળા અને સેજલપુરા પ્રાથમિક શાળાના 22 નવીન વર્ગખંડોનું ભાસ્કર ઈન્સાઈડત્રણ તબક્કામાં બાયપાસ પૂરું થશે, શહેરની ટ્રાફિક સમસ્યા દૂર થતા 2 વર્ષ લાગશેજો કોઈ વિઘ્ન આવ્યું તો બાયપાસનું કામ અંદાજિત બે વર્ષ સુધી ચાલશે. જુદા જુદા ત્રણ ફેસમાં કામગીરી હાથ ધરાશે. માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું કે સૌરાષ્ટ્રની એસપીજી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા જગાણા અને સોનગઢ બે ફેઝમાં 90 – 90 કરોડના ખર્ચે 12 – 12 કિલોમીટરની કામગીરી કરશે. જ્યારે ત્રીજું કામ ખોડલા રેલવે સ્ટેશન પર 150 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ નવી એજન્સી કરશે જેને લઇ હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલી રહી છે.
થરાદમાં જીજ્ઞેશ મેવાણીની સભામાં જાહેર મંચ ઉપરથી પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાંખ્યુ છે. તેની સામે કાર્યવાહી નહી થાય તો કેનાલમાં પડી આપઘાત કરીશ તેવી ચીમકી આપનાર જીઆરડીમાં ફરજ બજાવતી યુવતી સોમવારે વડા નજીક કેનાલમાં આપઘાત કરવા પહોંચી હતી. જોકે, લોકોએ તેને બચાવી લીધી હતી. કાંકરેજ તાલુકાના વડા ગામના જી. આર. ડીમાં ફરજ બજાવતાં તેજલબા ચંદુભા વાઘેલાએ થરાદમાં જીજ્ઞેશ મેવાણીની જાહેર સભામાં મંચ ઉપરથી કહ્યુ હતુ કે, પાટણના તબીબે ગાંઠનું ઓપરેશન કરવાને બદલે ગર્ભાશય કાઢી નાંખ્યું હતુ. તેની સામે કાર્યવાહી કરવા માટે પાટણ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરી છે. પરંતુ કાર્યવાહી થતી નથી. ન્યાય નહી મળે તો કેનાલમાં પડી આપઘાત કરીશ. દરમિયાન યુવતી સોમવારે ખાખી વર્દીમાં વડા ગામ નજીક કેનાલમાં આપઘાત કરવા માટે ગઇ હતી. જ્યાં સ્થાનિક લોકોએ બચાવી હતી. પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાખ્યુ હોવાના આક્ષેપ કરી યુવતી વડા નજીક કેનાલમાં આપઘાત કરવા પહોંચી, લોકોએ બચાવી લીધી હતી
ભાઈને બહેને જીવનદાન આપ્યું:ભાઈ–બહેનના સંબંધની જીવંત મિસાલ, પાડણ ગામમાં બહેને ભાઈને કિડની આપી
સુઈગામ તાલુકાના પાડણ ગામમાં ભાઈ–બહેનના પવિત્ર સંબંધને નવી વ્યાખ્યા આપે તેવી હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. ગામના ઈશ્વરભાઈ ગગાભાઈ ચૌધરીની બંને કિડની ફેઇલ થતા તેઓ એક વર્ષથી વધુ સમયથી ડાયાલીસિસ પર જીવી રહ્યા હતા. પીડામાંથી પસાર થતા ભાઈની હાલત તેમના બહેન મીરાબેને જોઈ ન શકયા.તેમણે નિષ્ઠાપૂર્વક કહ્યું કે મોંઘો મુલો તે મારો વીર… તું મંજાઈશ નહીં, તારી બેનડી બેઠી છે. તેઓએ ભાઈને પોતાની કિડની આપી સમાજમાં પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે. ભાઈ–બહેનનો આ અતૂટ સંબંધ માત્ર કહાની કે ફિલ્મોમાં જ નહીં, પરંતુ પાડણ ગામે હકીકતમાં જીવંત થયો છે. રામપુરા ગામે સાસરું ધરાવતી મીરાબેન ગગાભાઈ ચૌધરીએ પોતાની એક કિડની ભાઈ ઈશ્વરભાઈને દાન કરી નવજીવન આપ્યું છે. ડૉક્ટર્સ ટીમ દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી સફળ થઈ છે અને ઈશ્વરભાઈ તેમજ મીરાબેન હાલ બંને સ્વસ્થ છે. મીરાબેનના મુખેથી સર્જરી બાદ પણ એક જ શબ્દો સાંભળવા મળે છે.જુગ જુગ જીવે મારા માડી જાયા વીર. કલિયુગમાં પણ આવા નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગને જોઈ લોકો ભાવવિભોર બન્યા છે. પાડણ ગામના લોકોએ મીરાબેન પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો અને ભાઈ–બહેનની આ જોડી લાંબા સમય સુધી અખંડિત રહે તેવી મુળેશ્વર મહાદેવને પ્રાર્થના કરી હતી.
રાધનપુર તાલુકાના બંધવડ ગામના પ્રગતિશીલ ખેડૂત મેરાજભાઈ રબારી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને નવો રાહ ચીંધ્યો છે. પરંપરાગત ખેતીથી વિપરીત, મેરાજભાઈ તેમના એરંડા અને ઘઉંના પાકમાં રાસાયણિક ખાતરો કે દવાઓનો ઉપયોગ જ નથી કરતા. તેઓ ફક્ત દેશી ગાયના છાણીયા ખાતર અને જૈવિક દ્રાવણોથી ખેતી કરી રહ્યા છે. આના પરિણામે ઉત્પાદનની ગુણવત્તામાં જબરદસ્ત વધારો થયો છે, જેનાથી બજારમાં તેમના પાકને વિશેષ માંગ અને ઊંચા ભાવ મળી રહ્યા છે. આ સફળતામાં સરકારની 900ની ગાય પોષણ સહાય યોજના બહુ મદદરૂપ બની છે. આ સહાયથી ગાયોનું ઉત્તમ પાલન શક્ય બન્યું છે અને પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર એવું છાણીયું ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. મેરાજભાઈનો આ પ્રયોગ સાબિત કરે છે કે પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટે છે અને આવક વધે છે.
લોડિંગ વાહનો બંધ કરાવવા મૌખિક રજૂઆત:હારિજ મુખ્ય બજારમાં લોડિંગ વાહનો બંધ કરાવવા વેપારીઓએ માંગણી કરી
હારિજ ખાતે હાઇવે ચાર રસ્તાથી મુખ્ય બજારથી માર્કેટયાર્ડથી ભારે લોડિંગ વાહનો પસાર થતા હોય બજારોમાં ત્રાફિકજામ સર્જાય છે. અને ધૂળ ઉડતી હોઈ પ્રદુષણ થતું હોઈ વેપારીઓએ પાલિકામાં જઈ મોટા લોડિંગ વાહનો બંદ કરાવવા મૌખિક રજૂઆત કરવામાં આવી છે. હારિજ બાયપાસ રોડ બનતો હોઈ બાયપાસ રોડ પર લોડિંગ વાહનો પર પ્રતિબંધ લગાવતા છેલ્લા ત્રણ માસ ઉપરાંતથી હારિજ મુખ્ય બજારમાંથી મોટા રેત ભરેલા ટર્બાઓ તેમજ લોડિંગ ટ્રકો અન્ય વાહનો પસાર થાય છે. જેને લઈ બજારમાં ટ્રાંફિક જામ થાય છે. અને ધૂળ ઊડતી હોઈ બજારોના વેપારી આલમ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેને લઈ સોમવારના રોજ વેપારીઓનું એક ટોળું પાલિકામાં જઈ બજારમાં ભારે વાહનો બંદ કરવા રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારે વાહનો બંદ કરવા પ્રતિબંદ ફરમાવવા પ્રાંત ઓફિસરને 17 નવેમ્બર ના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી છે. પણ પ્રતિબંધ લાગુ પડતું જાહેરનામું હજુ જાહેર કરાયું નથી.
સિદ્ધપુર તાલુકાના વિકાસને ખોલવાડા ગામથી માળીપુરા નદી તરફ જતો વર્ષો જૂનો બિસ્માર બનેલ રોડ અંતે હવે 1.75 કરોડના ખર્ચે નવીન બનાવવા રોડનું શુભ ખાતમુહૂર્ત ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. ખેડૂતો, વેપારીઓ અને ગ્રામજનો માટે પરિવહન સુવિધા સરળ બનશે. આ પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ રોડ માત્ર ડામરનો માર્ગ નથી, પરંતુ ખોલવાડા અને માળીપુરા આસપાસના વિસ્તારના સર્વાંગી વિકાસની કડી છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યાર સુધી પરિવહન સુવિધાઓમાં જે મુશ્કેલીઓ પડતી હતી, તે હવે દૂર થશે. ખેતીના માલનું વહન, રોજિંદી અવરજવર અને વ્યવસાય માટે આ માર્ગ ખૂબ જ સુલભ બનશે. આનાથી ગ્રામજનોને જીવન સરળ બનશે અને આર્થિક પ્રવૃત્તિઓને મોટો ફાયદો મળશે. સરકારના વિકાસના મંત્રને સાર્થક કરતો આ નવો રોડ સમગ્ર પંથકના ગ્રામજનો માટે મોટો રાહતરૂપ સાબિત થશે. ખાતમુહૂર્ત પ્રસંગે દિલીપજી ઠાકોર, ગોપાલજી રાજપૂત, મહેન્દ્રભાઈ પરમાર, વિષ્ણુભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, અશોકભાઈ પટેલ, લાખાભા દેસાઈ સહિત સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકોનાં પ્રકાર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સામાજિક શૈક્ષણિક વર્ગની અનામત 10 ટકાથી વધી 27 ટકા થતાં બક્ષીપંચની છ બેઠકોમાં વધારો થયો છે. સામે સામાન્ય વર્ગની છ બેઠકો ઘટી છે. 17 માર્ચ 2026ના રોજ પાટણ જિલ્લા પંચાયતની ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઈ રહી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયતની 32 બેઠકોના પ્રકાર નક્કી કરી દીધા છે. જેમાં 32માંથી 50 ટકા 16 બેઠકો મહિલાઓને ફાળવવામાં આવી છે. એટલે 16 બેઠકો પર મહિલાઓ ચૂંટણી લડશે. તે નિશ્ચિત છે. 32માંથી ત્રણ બેઠક અનુસૂચિત જાતિની છે જેમાં બે મહિલાઓની છે. અનુસૂચિત જનજાતિની એક જ બેઠક છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની નવ બેઠક નક્કી કરવામાં આવી છે. જેમાં પાંચ બેઠક મહિલાઓની છે. સામાન્ય વર્ગની કુલ 19 બેઠક છે. જેમાં નવ બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. 2021માં સામાન્ય વર્ગની 25 બેઠક હતી જે ઘટી 19 થઈ2021માં પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકોમાંથી 25 બેઠક સામાન્ય વર્ગની હતી. આ વખતે છ બેઠકોનો ઘટાડો થતાં 19 થઈ છે. બક્ષીપંચની માત્ર ત્રણ બેઠક હતી. તે વધીને નવ થઈ છે. અનુસૂચિત જાતિની ત્રણ બેઠક હતી અને અનુસૂચિત જનજાતિની એક બેઠક હતી જેમાં આ વખતે કોઈ વધારો કે ઘટાડો થયો નથી.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર લોકસભામાં વંદે માતરમ પર ચર્ચાના રહ્યા. પીએમ મોદીએ કોંગ્રેસ પર વંદે માતરમના ટુકડા કરવાનો આરોપ લગાવ્યો. બીજા સમાચાર ચાંદી વિશે હતા, જે અત્યાર સુધી સૌથી મોંઘી બની છે ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. વંદે માતરમ ગીત પર લોકસભામાં 10 કલાક ચર્ચા, મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કર્યા, પ્રિયંકાએ પણ જવાબ આપ્યો લોકસભામાં વંદે માતરમ પર 10 કલાક ચર્ચા થઈ હતી. ચર્ચાની શરૂઆતમાં PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કર્યા. જવાહરલાલ નહેરુ જિન્નાહ સામે ઝૂક્યા હતા. વંદે માતરમ આઝાદીના સમયથી પ્રેરણાનું સ્ત્રોત હતું તો પછી તેની સાથે છેલ્લા દાયકામાં અન્યાય કેમ થયો. વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા પર ચાલી રહેલી ચર્ચામાં પ્રિયંકા ગાંધીએ સવાલ પૂછ્યો કે, આ ગીત 150 વર્ષથી દેશની આત્માનો હિસ્સો છે. 75 વર્ષથી લોકોના દિલમાં વસેલું છે. તો આજે તેના પર ચર્ચા કેમ થઈ રહી છે? વાંચો સંપૂર્ણ સમાચાર 2. ક્રિકેટરસિકો ભારતમાં T-20 વર્લ્ડ કપ નહીં જોઈ શકે!:ટુર્નામેન્ટના 3 મહિના પહેલાં ICC ફસાઈ, જિયોસ્ટાર બ્રોડકાસ્ટમાંથી પાછળ હટ્યું; હવે આગળ શું? 2026માં ભારત-શ્રીલંકામાં યોજાનારા મેન્સ T20 વર્લ્ડ કપના 3 મહિના પહેલાં બ્રોડકાસ્ટર જિયોસ્ટાર પ્રસારણમાંથી પાછળ હટી ગયું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો આ ડીલ ફાઇનલ ન થઈ તો શું વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? રિલાયન્સના નિયંત્રણ હેઠળના જિયોસ્ટારે ICC સાથે 2024-27ના ઇન્ડિયા મીડિયા રાઇટ્સ ડીલમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. જિયોસ્ટારે ICCને કહ્યું છે કે ભારે નાણાકીય નુકસાનને કારણે તે ચાર વર્ષની ડીલના બાકીનાં બે વર્ષ પૂરાં કરી શકશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 3. MPમાં કોલ્ડવેવનું એલર્ટ, ભોપાલમાં પારો 7C:શ્રીનગરમાં પારો શૂન્યથી નીચે, બરફવર્ષાની શક્યતા; રાજસ્થાનમાં એક અઠવાડિયા માટે ઠંડીથી રાહત ઉત્તર ભારતમાં કોલ્ડવેવની અસર યથાવત છે. પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં રવિવારે લઘુત્તમ તાપમાન ત્રણથી સાત ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. મધ્ય પ્રદેશમાં ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો છે. હવામાન વિભાગે સોમવારે મધ્ય પ્રદેશમાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કર્યું છે. ભોપાલમાં છેલ્લા 3 દિવસથી કોલ્ડવેવ ચાલી રહ્યું છે. અહીં રવિવારે પારો 7 ડિગ્રી સુધી ગગડી ગયો. 17 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું. ગ્વાલિયર, ચંબલ, ઉજ્જૈન અને સાગર સંભાગમાં કોલ્ડવેવની અસર સૌથી વધુ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. બંગાળમાં બાબરી જેવી મસ્જિદ માટે 11 પેટી દાન મળ્યું:હુમાયુ કબીરે નોટ ગણવાનું મશીન મગાવ્યું; ₹93 લાખ ઓનલાઇન મળ્યા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં TMCમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે 6 ડિસેમ્બરે બાબરી જેવી મસ્જિદનો પાયો નાખ્યો. બાબરી ધ્વંસની 33મી વરસી પર આ મસ્જિદનું શિલાન્યાસ કરવામાં આવ્યું. કબીરે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મંચ પર મૌલવીઓ સાથે રિબન કાપીને ઔપચારિકતા પૂરી કરી. હવે આ મસ્જિદ માટે એકઠા કરાયેલા દાનનો એક વીડિયો સામે આવ્યો છે. હુમાયુ કબીરે ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેટલાક લોકો નોટો ગણતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શિલાન્યાસ સમારોહમાં 11 પેટી દાન એકત્ર થયું, જેને ગણવા માટે 30 લોકો અને નોટ ગણવાનું મશીન રાખવું પડ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચાંદીની કિંમત ઓલ ટાઈમ હાઈ:900 રૂપિયા મોંઘી થઈને ₹1.79 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે; સોનાનો ભાવ ₹1 લાખ 28 હજારને પાર આજે એટલે કે 8 ડિસેમ્બરે ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 1 કિલો ચાંદીનો ભાવ 900 રૂપિયા વધીને 1,79,110 રૂપિયાની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો છે. આ પહેલા ચાંદીની કિંમત 1,78,210 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. જ્યારે, આજે સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. 10 ગ્રામ સોનું 99 રૂપિયા મોંઘું થઈને 1,28,691 રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા સોનું 1,28,592 રૂપિયાનું હતું. ગયા કારોબારી સપ્તાહમાં સોનું 2,001 રૂપિયા અને ચાંદી 13,851 રૂપિયા મોંઘી થઈ છે. સોનાએ 17 ઓક્ટોબરે 1,30,874 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર 6. 719 કરોડનું સાયબર ફ્રોડ, ગેંગની ભાવનગરથી ધરપકડ:ઇન્ડસઇન્ડ બેંકમાં 100થી વધુ ફેક એકાઉન્ટ ખોલ્યાં, 10 આરોપી સામે 1,544 ગુના, બે બેંકકર્મીની સંડોવણી ગુજરાત સ્ટેટ સાયબર સેલે 719 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી ભાવનગરથી 10 લોકોની ગેંગની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં બે ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારી છે. આ ગેંગ ભાવનગરની ઇન્ડસઇન્ડ બેંકમાં 100થી વધુ ફેક એકાઉન્ટ ખોલી છેતરપિંડીનાં નાણાંની હેરાફેરી કરતી હતી. તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ 1,544 સાયબર ગુનામાં સક્રિય હતી. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ નેટવર્ક દ્વારા મ્યૂલ એકાઉન્ટ્સ પૂરાં પાડવામાં આવતાં હતાં. ઇન્વેસ્ટમેન્ટ સહિત વિવિધ પ્રકારનાં ઑનલાઇન ફ્રોડના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. નાણાંની લેવડદેવડને 3થી 4 સ્તરમાં વહેંચીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવતાં હતાં, જેથી તપાસ એજન્સીઓ તેમના સુધી પહોંચી ન શકે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ચોરે ચોરીના પૈસા પોલીસના હાથે મેળવી ફોટોસેશન કર્યું:સુરતમાં રત્નકલાકારે મકાનમાલિકના ઘરમાંથી અઢી લાખ ચોર્યા; બાઇકમાં થેલી ભૂલ્યાનું નાટક રચ્યું, સો.મીડિયાથી ભાંડો ફૂટ્યો લોકો માટે સોશ્યિલ મીડિયા ક્યારેક નુકસાનકારક તો ક્યારેક ફાયદાકારક સાબિત થયું હોય છે અને આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. રાંદેર પોલીસને રોકડા રૂ. 2.69 લાખ લટકાવેલી થેલી સાથે બિનવારસી હાલતમાં એક બાઈક મળી હતી. પોલીસે બાઇકના નંબરના આધારે તેના મૂળ માલિક હીરાના કારખાનામાં મેનેજરને શોધીને પરત કરી હતી. દર વખતની જેમ આ વખતે પણ પોલીસે રૂપિયા પરત આપતો વીડિયો બનાવ્યો અને મૂળ માલિકની ખરાઈ કર્યા વગર રોકડ રકમ પરત કરી દીધી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઇન્ડિગોની 7મા દિવસે પણ 200+ ફ્લાઇટ રદ:સુપ્રીમ કોર્ટે સુનવણી કરવાનો ઇનકાર કર્યો, કહ્યું- અમે એરલાઇન ચલાવી શકતા નથી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને કહ્યું- જયશંકરનું નિવેદન ઉશ્કેરણીજનક:વિદેશ મંત્રીએ કહ્યું હતું- PAK આર્મી ભારતની ઘણી સમસ્યાઓનું કારણ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પરિયોજના વિરુદ્ધ RSS:પર્યાવરણવાદીઓ બોલ્યા- 7 હજાર દેવદારના વૃક્ષો કપાશે, મા ગંગા સુકાઈ જશે, હિમવર્ષા નહીં થાય વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : થાઇલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઇક:ટ્રમ્પે બે મહિના પહેલાં જ યુદ્ધવિરામ કરાવ્યો હતો; શિવ મંદિર મામલે 2 દેશ વચ્ચે ફરી યુદ્ધ શરૂ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : હવે ભારતમાં ડાયરેક્ટ સેટેલાઇટથી ઇન્ટરનેટ મળશે:ઇલોન મસ્કનું 'સ્ટારલિંક' ₹8,600 પ્રતિ મહિને 220+ Mbpsની સ્પીડે અનલિમિટેડ ઇન્ટરનેટ આપશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અભિષેક શર્મા પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરાયેલા ક્રિકેટર:ટોપ-5માં એકમાત્ર બિન-પાકિસ્તાની; ભારતમાં વૈભવ સૂર્યવંશી ટોપ સર્ચ પ્લેયર વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે આ બ્રાઝિલિયન વૃક્ષ તેના જીવનમાં ફક્ત એક જ વાર ખીલે છે બ્રાઝિલના રિયો ડી જાનેરોના એક પાર્કમાં પોમ ટ્રીમાં 60 વર્ષ પછી ફૂલ ખીલ્યા છે. આ વૃક્ષો 1960ના દાયકામાં પ્રખ્યાત લેન્ડસ્કેપ આર્કિટેક્ટ રોબર્ટો બર્લે માર્ક્સ દ્વારા ભારત અને શ્રીલંકાથી અહીં લાવવામાં આવ્યા હતા. આ વૃક્ષ 80 વર્ષ સુધી જીવે છે અને તેના જીવનમાં ફક્ત એક જ વાર ખીલે છે. ખીલવાના સમયે તેની વચ્ચેથી મોટો પુષ્પગુચ્છ નીકળે છે, જેમાં લાખો સફેદ ફૂલ હોય છે. ઝાડની ઊંચાઈ લગભગ 98 ફૂટ હોય છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગ્લોબલ ગુજરાતી-1 'જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ આફ્રિકામાં શરૂ કરાવી, પ્રમુખ સ્વામીના આશીર્વાદથી દવાની દુકાન શરૂ કરી 2. ભાસ્કર ઈન્ટરવ્યૂ : 'પશુઓ સાથે શૂટિંગમાં પરસેવો છૂટી ગયો’:બકરીનું બચ્ચું પાસે આવીને ચાટવા લાગ્યું તો આંખમાં આંસુ આવ્યાં, ગુજરાતી ફિલ્મ 'જીવ'માં કચ્છના રાપરની કહાની 3. મંડે મેગા સ્ટોરી : શું 'વંદે માતરમ્'માં મુસલમાનોને મારવાનું આહવાન?:ગાંધીજીએ અલ્લાહુ અકબર સાથે સરખામણી કરી હતી, નહેરુએ એક ભાગ કેમ હટાવ્યો?; સંપૂર્ણ કહાની 4. આજનું એક્સપ્લેનર:શું RBIએ જાણીજોઈને રૂપિયો ઘટવા દીધો કે કોઈ મોટી અનહોની; રેકોર્ડ 1 ડોલર 90 રૂપિયાને પાર જવાથી સામાન્ય લોકો પર શું અસર? 5. ‘વંદે માતરમ’ લખનારા બંકિમચંદ્રને કેમ વીસરી મમતા સરકાર:વંશજોએ કહ્યું- જેને ધરોહર બનાવ્યું એ જર્જરિત, અમને કોઈ પૂછનાર નથી 6. ક્રેડિટ સ્કોર કરો તો CIBIL ઘટી જાય?:લોન અને CIBILની 6 મોટી ગેરસમજણ, લોન 'સેટલ' કરવી ફાયદાકારક છે? 3 ચીજથી સ્કોર સુધરશે! 7. 300 બોટ કિનારે લાગી, પ્રવાસીઓનાં મોઢાં વીલાં, નળ સરોવર સૂમસામ:સરકારની SOP, બોટ-સંચાલકોની ખેંચતાણમાં વિદેશી પક્ષીઓને નિહાળવાની મજા બગડી, આ વખતની સિઝન ફેલ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મેષ, કર્ક અને કુંભ રાશિ માટે 'મંગળ' દિવસ, વૃષભ, સિંહ અને મીન રાશિના જાતકોએ સાવધાની રાખવી (સંપૂર્ણ રાશિફળ વાંચો)
તમંચા સાથે ઇસમની ધરપકડ:સાંતલપુરના દહીગામડા પાસેથી તમંચા સાથે એક શખ્સ પકડાયો
સાંતલપુરના દહીગામડા પાટીયા નજીકથી એસ.ઓ.જી પોલીસે બાતમી આધારે તમંચા સાથે રાણીસર ગામના શખ્સને પકડી પાડ્યો હતો. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પાટણ એસઓજીનીના પીઆઇ જે.જી સોલંકીના માર્ગદર્શન નીચે વારાહી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે પોલીસને બાતમી મળી હતી કે દહી ગામડા પાટીયાથી એક શખ્સ ચાલતો દહીગામડા તરફ નીકળ્યો છે અને તે તમંચો લઈને ફરે છે જે બાતમી આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી દેશી બનાવટના તમંચા સાથે રાણીસરના શેરખાન સાલેહ મહમદ ભટ્ટી ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી દેશી બનાવટ નો તમંચો જપ્ત કર્યો હતો. અને તેની સામે વારાહી પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
દારૂની હેરાફેરી ઝડપાઈ:ટ્રેલરમાં માટી નીચે સંતાડેલો 31 લાખનો દારૂ જપ્ત
પાટણમાં પંજાબથી બાયપાસ આવતો 77 લાખનો દારૂ પકડાયા બાદ 48 કલાકમાં માટી નીચે દારૂનો જથ્થો સંતાડી મોરબી જઇ રહેલા ટ્રેલરને સાંતલપુર પોલીસે પીપરાળા ચેકપોસ્ટ પરથી પકડી 31.74 લાખનો દારૂનો જથ્થો પકડ્યો છે. તેમજ ટ્રેલરના ડ્રાઇવર સહિત બે શખ્સોની પોલીસે ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. રાજસ્થાન પાર્સિંગનું ટ્રેલર (આર જે-37-જીબી 0121) માં દારૂ ભરી ટ્રેલર રાધનપુર તરફથી કચ્છ બાજુ જઈ રહ્યું છે. પોલીસ પીપરાળા ચોક પોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી. ડ્રાઇવર રાજસ્થાનના નાગોર જિલ્લાના નીમ્બીજોધા ગામના જીતેશ ઉર્ફે રાકેશ કાનારામ જાટ અને તેની સાથેના ભવાનીશંકર સત્યનારાયણ જોષી (પરીખ) ને પકડી લીધા હતા. સાંતલપુર પોલીસ મથકે રાજસ્થાનના ભવાનીશંકર સત્યનારાયણ જોશી જીતેશ કાના રામ જાટ અને દારૂ મોકલનાર રાજસ્થાનના ફતેપુરના અનિલ જગદીશ પ્રસાદ પાડીયા દારૂ ભરીઆપનાર ભવાનીશંકર લક્ષ્મણ જાટ સુખારામ લક્ષ્મણ જાટ દારૂ લેનાર ગોપાલ મેઘવાલ અને દારૂ મંગાવનાર મોરબીનો અજાણ્યા શખ્સ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. એક ટ્રિપના ડ્રાઇવરને રૂ. 40 હજાર મળેી જાય છેનાની ગાડીઓમાં ભરેલા દારઝડપથી પકડાતા હોય બુટલેગરો દ્વારા આવે ટ્રેલરની અંદર કોઈ વસ્તુની આડમાં દારૂની હેરાફેરી શરૂ કરવાનો નવો કીમિયો અપનાવ્યો છે. ડ્રાઇવરની પૂછપરછ માં ખુલાસો થયો છે. ડ્રાઇવરને એક ટ્રીપના રૂ. 40,000 આપવાના નક્કી થયા હતાં માટી ભરેલા ટ્રેલરમાં સંતાડેલો દારૂ શોધતાં પોલીસને લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો હતો. તેવું સાંતલપુર પીઆઇ નકુમ પંચાલે જણાવ્યું હતું.
માંગ:મહેસાણાથી કટોસણ રોડ–વિરમગામ ટ્રેનને ઓખા સુધી લંબાવવા માંગણી
મહેસાણાથી કટોસણ રોડ– વિરમગામ ટ્રેનને ઓખા સુધી લંબાવવા માટે કટોસણ રોડ વેપારી મંડળ સહિત આજુબાજુના ગામોના લોકોની માંગણી છે. આ સાથે સવારે કટોસણ રોડથી કડી– કલોલ –સાબરમતી અને સાંજે સાબરમતીથી કલોલ– કડી – કટોસણ રોડ નવી ટ્રેન શરૂ કરવા માટે માંગ ઉઠી છે. કટોસણ રોડ રેલવે સ્ટેશનથી પસાર થતી 7 વિકલી એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેનમાંથી 1 ટ્રેનને 2 મિનિટનું સ્ટોપેજ આપવા તેમજ રિઝર્વેશન કોટા ફાળવવા માંગ કરાઇ છે. હાલ રિઝર્વેશન માટે મહેસાણા 30 કિમી અને કડી 21 કિમી જવું પડે છે. કટોસણ રોડ LC–29 પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યાથી હલ મળે. કટોસણ રોડ 30 થી 35 ગામોનું વેપારી મથક છે અને પહેલા મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર પહેલાં 22થી વધુ ટ્રેનો કટોસણ રોડ જંકશન રેલવે સ્ટેશન પર અવરજવર થતી હતી. જે અત્યારે બે જ ટ્રેનો દોડે છે.
બંને પરિવારના પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો:જૂની જમીન મામલે જગુદણના યુવકને લોખંડની પાઇપ મારી
જૂની જમીનના ઝઘડામાં મહેસાણાથી જગુદણ ગામે પોતાની માસીના ઘરે ગયેલા યુવકને સ્થાનિક શખ્સે માથામાં લોખંડની પાઇપ મારીને ઇજા પહોંચાડી હતી. . મહેસાણા રહેતા જાગૃત મિલાભાઇ બારોટ રવિવારે સાંજે પિતા અને કાકા ચિરાગભાઈ બારોટ સાથે જગુદણ ગામે ખોડીયાર માતાના મંદિરે ગયા હતા. ત્યાંથી તેઓ માસીના ઘરે ગયા હતા, ત્યાં છત્રસિંહ બારોટ આવ્યા હતા અને તેમના પિતા અને કાકાને ગાળો બોલી હતી. તે સમયે તેમના ભાઈ ભુપેન્દ્રભાઈ બારોટે લોખંડની પાઇપ માથાના ભાગે માર્યો હતો. ભૂપેન્દ્રભાઈ અને તેમના ભાઈ છત્રસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે જગુદણ ગામના ભુપેન્દ્રભાઈ રમણલાલ બારોટ તેમના ગામના ગોંદરે બેઠા હતા. તે સમયે મિલાપ બારોટ, તેમનો દીકરો જાગૃત અને તેનો ભાઈ ચિરાગ બારોટ ત્રણે જણા ઘર તરફ ગયા હતા. ભુપેન્દ્રભાઈ ત્યાં જતા મિલાપ બારોટે તેમને ગાળો બોલી હતી. તે સમયે મિલાપભાઈએ તેમને ધક્કો મારતા તેઓ પડી ગયા હતા. ત્યારે મિલાપભાઇ, ચિરાગભાઈ અને તેમનો દીકરાએ માર માર્યો હતો.
ભાસ્કર ફોલોઅપ:અંધેરી હાઉસિંગમાં ગટરની સમસ્યા ટળી ત્યાં હવે બે માળીયામાં ઉભરાવા લાગી
મહેસાણાના સોમનાથ રોડ સ્થિત અંધેરી હાઉસિંગમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવ્યા પછી સમ્પમાં ડ્રેનેજનું પાણી સ્ટોરેજ કરીને પછી પમ્પિંગ ચાલુ કરી રાઇઝિંગ લાઇનમાં નિકાલ કરવામાં આવતાં અહીં ગટર ઉભરાવાની સમસ્યા ટળી છે. આ અંધેરીથી આગળ આવેલ બે માળીયા હાઉસિંગમાં ગટર ઉભરાવાની સમસ્યા ઊભી થઇ છે. અંધેરી હાઉસિંગમાં સાંજે પમ્પિંગ મોટર ચાલુ કરતાં ભૂગર્ભ ગટરની રાઇઝિંગ લાઇનથી ફોર્સથી ગંદું પાણી પસાર થઈને બે માળીયા હાઉસિંગના રસ્તામાં ચેમ્બરથી ઊભરાઇને બહાર નીકળતાં આખા રસ્તામાં પાણી ભરાયું હતું. આ અંગે ડ્રેનેજ શાખાના ઇજનેરે કહ્યું કે, અંધેરી હાઉસિંગમાં સાંજે કોઇએ મોટર ચાલુ કરી હતી તે સમયે રાઇઝિંગ લાઇનમાં પાણી ભરેલા હોય એટલે ક્યાંકથી ઉભરાઇને અંધેરી પમ્પિંગથી એવા સમયે પમ્પિંગ મોટર ચાલુ કરવાની થાય કે જ્યારે ભૂગર્ભ ગટર રાઇઝિંગ લાઇનમાં ડ્રેનેજના પાણીની ફ્લો ખૂબ ઓછો હોય.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:સ્ટેટ માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં મહેસાણાના ખેલાડીને બે ગોલ્ડ મેડલ
કચ્છ-ભુજ (માધાપર) ખાતે આવેલ સર્વોદય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં યોજાયેલી 44મી ઓપન સ્ટેટ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહેસાણા સાર્વજનિક વિદ્યાસંકુલના રમેશભાઈ એફ. ચૌધરીએ ઉત્તમ પ્રદર્શન કરીને ફેંક વિભાગમાં બે ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓના ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં રમેશભાઈએ પ્રથમ સ્થાન મેળવી મહેસાણાનું નામ રોશન કર્યું હતું. રમેશભાઈની ઝળહળતી સિદ્ધિને પગલે તેમની રાષ્ટ્રીય (નેશનલ) કક્ષાની સ્પર્ધાઓ માટે પસંદગી થઈ છે અને તેવા હવે કેરળના તૃવેનુરમ ખાતે દેશનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્ય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધી કુલ 25થી વધુ મેડલ્સ જીતવાના તેમના પ્રદર્શનથી સાર્વજનિક વિદ્યાસંકુલ તથા મહેસાણા જિલ્લાનો ગૌરવ વધ્યો છે. આ અવસરે સાર્વજનિક કેળવણી મંડળના માનદ્ મંત્રી દિલીપભાઈ ચૌધરી, સહમંત્રી મિલનભાઈ ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર શરદભાઈ વ્યાસ સહિત તમામ સ્ટાફ સભ્યોએ રમેશભાઈને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
ભાસ્કર એક્સક્લૂસિવ:તંત્ર હવે ફોર્મ નહીં ભરનાર 1.95 લાખ મતદારોની ઓળખ થશે
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનો 27 ઓક્ટોબરથી શરૂ થયેલ ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બરના રોજ પૂરો થઈ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મના વિતરણથી લઈને તેના ડિજીટાઈઝેશનની કામગીરી 99.88 ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન કુલ 1.95 લાખ ગણતરી ફોર્મ પરત આવ્યાં નથી. મતદાર યાદીમાં નોંધાયેલા નાગરિકોના અવસાન, કાયમી સ્થળાંતર, ગેરહાજર અને ડુપ્લીકેટ સહિતના વિવિધ કારણોથી પાછા નહીં મળેલાં આ ફોર્મની ખરાઈ માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. જિલ્લાના 1810 બુથના બીએલઓ ડિજિટલ અપલોડમાં દર્શાવેલા આવા મતદારોની હવે ખરાઈ તેમના જ વિસ્તારના બુથ લેવલ એજન્ટ મારફતે કરાવશે. ચૂંટણી તંત્રએ તમામ બીએલઓને તેમના વિસ્તારના આ મતદારોની હાર્ડ કોપી સોમવારે બુથ એજન્ટના નામ અને ફોન નંબર સાથે આપવાની શરૂ કરી છે. હવે આવા મતદારોને શોધી યાદી શુદ્ધિકરણ કરાશે. જિલ્લામાં મૃતક અને સ્થળાંતર સહિત કુલ 1,95,458 મતદારો (10.91 ટકા)ની યાદી હવે રાજકીય પક્ષોના બુથ લેવલ એજન્ટોથી ચકાસણી કરાવાઇ રહી છે. જેમાં 56226 મૃતક, 106450 સ્થળાંતરિત, 14669 ડુપ્લીકેટ, 16480 ન મળેલા અને 1633 અન્ય કેટેગરીના મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લાના સાત વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 17,91,905 પૈકી 17,89,702 મતદારોના ફોર્મ ડિજિટલ અપલોડ કરી દેવાયા છે, જે કામગીરી 99.88 ટકાએ પહોંચી છે. માત્ર 2,203 ફોર્મ અપલોડમાં બાકી છે. આ દરમિયાન, મતદારના સરનામે મુલાકાતો પછી પણ નહીં મળતાં તંત્રની સૂચનાથી ગેરહાજર કે સ્થળાતરમાં ફોર્મ ડિજિટાઇઝ કર્યા પછી બીએલઓનો હવે સંપર્ક કરીને ફોર્મ આપવા આવી રહ્યા છે. આવા કિસ્સામાં તંત્રની એપમાં રોલ ખોલી બીએલઓ સંબધિત કેટેગરીમાં તે મતદારનું ફોર્મ અપલોડ કરી રહ્યા છે. ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર પ્રકાશિત કરાશે જિલ્લામાં બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે. આગામી દિવસોમાં મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પણ પ્રકાશિત કરાશે. તા.11મી સુધી ફોર્મ અપલોડ કરી શકાશે, 16 ડિસેમ્બરે ડ્રાફ્ટયાદી પછી વાંધા લેવાશે, નામનો ઉમેરો થઇ શકશેનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.બી. પરમારે કહ્યું કે, જો બીએલઓ દ્વારા ગેરહાજર કે સ્થળાંતર બતાવ્યા પછી કોઈ મતદાર ફોર્મ લઈને આવે, તો બીએલઓને રોલ સુધારા માટે તા.11 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી ખોલી અપાશે. આ સમય સુધી મતદારની કેટેગરી બદલી સુધારો કરી શકશે. તા.11ની મધ્યરાત્રિ બાદ મોબાઈલ એપમાં રોલ લોક થઈ જશે અને પછી સુધારાને કોઈ અવકાશ રહેશે નહીં. તમામ મતદારોએ 16 ડિસેમ્બરે જાહેર થનાર ડ્રાફ્ટ રોલ અવશ્ય ચકાસવો જોઈએ. તેમાં જો કોઈ ત્રુટી રહી ગઈ હોય કે ફેરફાર કરવો હોય, તો સમય મર્યાદામાં વાંધો રજૂ કરી આવશ્યક પુરાવા જમા કરાવવા જરૂરી છે, જેના આધારે ચકાસણી કરી નામનો ઉમેરો કે ફેરફાર થઇ શકશે. ભાસ્કર ઇનસાઇડગણતરી ફોર્મ વિતરણ પછી ભરાઇને ન આવેલા હોય તેવા મતદારના સરનામે એકબીએલઓએ સંપર્ક કરતાં ઘરમાંથી ત્રણ ફોર્મ પરત આવી ગયાં પણ એક મહિલાનું ફોર્મઆવ્યું નહોતું. જવાબ મળ્યો તેમના છુટાછેડા થયેલાછે. બીજે રહે છે એટલે તેમનું ફોર્મ આપવાનું નથી. આખરે ફોર્મ ઉપર છુટાછેડા લખીને ફોર્મ બીએલઓને અપાયું. જોકે, ફોર્મ નં.7 ભરાયું નથીઅને તે મતદારની સહી ન હોઇ આવા ફોર્મ હાલ તો ગેરહાજરમાં દર્શાવ્યું છે. અન્ય એકબીએલઓએ કહ્યું કે, ઘરમાંથી બે દીકરા અને પતિ પત્નીના ફોર્મ ભરાઇને આવી ગયા પણતેમની દીકરીનું ફોર્મ ન આવ્યું. પૂછ્યું તો તે અમદાવાદ સાસરીમાં રહે છે, તેને ફોર્મ મોકલ્યુંછે. ત્યાં નામ ચાલતું હોય તો કમી કરાવવા ફોર્મ ભરી મોકલી આપવા કહ્યું તો દીકરીનેપૂછીને કહીશું, ત્યાર પછી આ ફોર્મ જ પરત ન આવ્યું.
જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત આરોગ્યની ટીમ દ્વારા આંગણવાડી અને સ્કૂલનાં બાળકોની કરવામાં આવતી તપાસણીમાં છેલ્લા 8 મહિનામાં આંગણવાડીના સ્ક્રિનિંગ કરાયેલા 15.28 લાખ બાળકો પૈકી 368 બાળકો જન્મજાત ખોડખાંપણવાળા મળી આવ્યાં છે. એ જ રીતે શાળામાં પણ 30.44 લાખ બાળકોના નિદાનમાં 115 બાળકો ખોડખાપણવાળાં શોધાયાં છે. તો 30 હજાર જેટલા બાળકોમાં દાંતમાં સડો, કાનમાં રસી આવવી જેવા રોગ જોવા મળ્યા હતા. 1 એપ્રિલથી 6 ડિસેમ્બર દરમિયાન સમગ્ર જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના 15.28 લાખ બાળકોનું સ્કિનિંગ કરાયું હતું. જેમાંથી 7507 બાળકોમાં તેમજ શાળાનાં સ્કિનિંગ કરાયેલા 30.44 લાખ બાળકો પૈકી 4426 બાળકોમાં વિટામીન એથી લઇને ડીની ઉણપ જોવા મળી હતી. સાથે 7,776 આંગણવાડીના અને 2215 શાળાના બાળકોમાં દાંતમાં સડો, કાનમાં રસી આવવી, ચામડીના રોગો તેમજ ટીબી અને કિડની જેવા ગંભીર રોગોનું પણ અનુસંધાન પાન-2
ભાસ્કર ફોલોઅપ:બોગસ લગ્ન નોંધણી : પિતાની કણજીપાણીગામના તલાટી, દીકરી, જમાઈ સામે ફરિયાદ
ઊંઝા પોલીસ સ્ટેશનમાં પંચમહાલની કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, યુવક કૌશિકગીરી ગોસ્વામી અને યુવતી જયશ્રીબેન પટેલ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ લગ્ન નોંધણીના કાગળોમાં ગેરરીતિ કરવા બદલ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે. સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામના ફરિયાદી અમૃતભાઈ બબાભાઈ પટેલે આ ફરિયાદ દાખલ કરાવી છે. તેમની દીકરી જયશ્રીબેન 14 નવેમ્બરના રોજ બ્યુટીપાર્લરના ઓર્ડરના બહાને ઘરેથી નીકળી ગઈ હતી. બાદમાં તેમને વિજાપુર પોલીસ સ્ટેશન દ્વારા જાણવા મળ્યું કે તેમની દીકરીએ ઉનાવાના ગોસ્વામી કૌશિકગીરી બળદેવગીરી સાથે લગ્ન કરી લીધા છે અને લગ્નનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું છે. આ પ્રમાણપત્ર કણજીપાણી ગ્રામ પંચાયત દ્વારા તલાટીની સહી સાથે 15 નવેમ્બર, 2025ના રોજ ઇશ્યૂ કરાયેલું હતું. ફરિયાદીએ જ્યારે કાગળોની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે રૂ.50ના સ્ટેમ્પ પેપરોની ખરીદી ઊંઝા મામલતદાર કચેરી ખાતે 14 નવેમ્બર, 25ના રોજ બપોરે 14-32થી 14-35 વાગ્યાના ગાળામાં થઈ હતી. જોકે, લગ્ન નોંધણી ફોર્મ-01માં તે જ દિવસે સાંજના 4 વાગે કણજીપાણી ગ્રામ પંચાયત ખાતે અનુસંધાન પાન-2 પોલીસ તપાસમાં ગોર મહારાજ સહિતના આરોપીના નામ ખુલશે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્નના કિસ્સામાં ખોટા લગ્નના સોગંદનામા કરીને લગ્ન સ્થળ અલગ-અલગ બતાવીને લગ્ન નોંધણી થકી પ્રેમલગ્ન કરનાર પોતાની જ દીકરી સામે પિતાએ ઊંઝામાં ફરિયાદ નોંધાવી છે. જે જાંબુઘોડા પોલીસને ટ્રાન્સફર કરાતાં હવે આગળની તપાસમાં ગોર મહારાજ પણ આરોપી તરીકે આવશે અને ઉત્તર ગુજરાતથી છેક પંચમહાલના તલાટી પાસે બોગસ લગ્ન નોંધણી કરાવનાર સક્રિય ગેંગનો પણ ખુલાસો થશેનું મનાય છે.
શોભાસણ રોડ પર ભૂગર્ભ ગટર લાઇનના ખાડામાં પડતાં એક્ટિવાચાલક વૃદ્ધનું મોત
મહેસાણા શહેરના કસ્બા શોભાસણ રોડ પર ચાલી રહેલ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી દરમિયાન રોડ સાઇડ ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડામાં પડતાં એક્ટિવાચાલક વૃદ્ધનું મોત થયું હતું. શહેરની શાલીમાર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય દિવ્યાંગ અબ્દુલસતાર ગુલામ મોહમ્મદ ખત્રી ત્રણ પૈડાવાળું એક્ટિવા લઈને પસાર થતા હતા. ત્યારે રોડ સાઇડ ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડાના ભાગમાં એ ક પૈડું આવી જતાં પલટી ખાઇ ગયું હતું. જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સોમવારે તેમનું અવસાન થયું હતું. આ દુર્ઘટના અંગે વિસ્તારના અખ્તરભાઇ બાબીએ કહ્યું કે, સાંજે 7.30 વાગ્યાના અરસામાં અંધારુ હોય છે, આવા સમયમાં ગટર માટે ખોદેલા ખાડા આસપાસ તે વખતે કોઇ આડશ કરાયેલી નહોતી. મોડી સાંજે વાહન લઇને નીકળતાં આ વયસ્ક આ ખાડામાં પડી જતાં ગંભીર ઇજા થઇ હતી અને સારવાર દરમિયાન અવસાન થયું છે. રાત્રે કોઈ પસાર થાય તો ખાડામાં પડી જાય. આવા ખાડા સાઇડ રેડિયમ લગાવવું જોઇએ, જેથી અકસ્માત નિવારી શકાય.
ભાસ્કર એક્સક્લૂસિવ:GST સર્ચમાં પિતાનું ખાતું બ્લોક કરાતા પુત્રી ફી ન ભરી શકી, પ્રવેશ અટકી પડ્યો
સુરતના રેડીમેડ કપડાંના શો રૂમના વેપારીને ત્યાં જીએસટીના સર્ચ દરમિયાન શંકાના આધારે તપાસ ચાલે ત્યાં સુધી બેંકના વ્યવહાર અટકાવી દેવાયા હતા. વેપારીની દીકરીએ વિદેશી યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. તેની ફીનો ચેક અટકી ગયો હતો. ફી ન ભરાતા દીકરીનો પ્રવેશ અટકી ગયો હતો. પહેલા જીએસટી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. જોકે સર્ચ પૂરી થયા બાદ બેંક વ્યવહાર શરૂ કરવાની મંજૂરી અપાશે તેવો જવાબ મળ્યો હતો. આથી દીકરીએ હાઈકોર્ટમાં અરજી કરીને તેની ફીનો ચેક રિલીઝ કરવા દાદ માગી છે. હાઈકોર્ટે જીએસટી વિભાગ અને બેંકને નોટિસ પાઠવીને વધુ સુનાવણી સોમવારે રાખી છે. વેપારીની દીકરીએ યુકેમાં ફેશન ડિઝાઇનિંગના માસ્ટર ડિગ્રીના અભ્યાસ માટે ફી નો ચેક-ડિમાન્ડ ડ્રાફ્ટ ભર્યો હતો. અભ્યાસક્રમ માટે ફી ભર્યા બાદ તેનું એડમિશન નક્કી થાય તેવો નિયમ હોવાથી દીકરીનું એડમિશન પણ હોલ્ડ પર રહ્યું હતું. જોકે હોસ્ટેલની ફી ભરાઇ ગઇ હતી. હોસ્પિટલ ફી, એજ્યુકેશન ફી રોકી શકાય નહિ: અરજદારવેપારીની પુત્રીએ રજૂઆત કરી હતી કે, કાયદા મુજબ હોસ્પિટલ ફી, એજ્યુકેશન ફી જેવા અણધાર્યા અને અનિવાર્ય ખર્ચને જીએસટી અપવાદરૂપ કિસ્સામાં અટકાવી શકે નહિ. જેમના ઘરે જીએસટી સર્ચ ચાલતું હોય તેના પરિવારની કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં હોય કે બીમાર હોય તો તેની ફી માટે પૈસા ઉપાડી શકે છે. પરિવારમાં શિક્ષણના હેતુથી ફી ચૂકવવાની હોય તો તે રકમને પણ અટકાવી શકાય નહિ.
આયોજન:હવે આઈઆઈએમ-એમાં પણ જેન ઝી પોસ્ટ ઓફિસ શરૂ થશે, વાઈફાઈ, કાફેટેરિયા, મિની લાઈબ્રેરીની સુવિધા હશે
આઈઆઈએમ અને આઈઆઈટીના વિદ્યાર્થીઓને પોસ્ટ ઓફિસમાં વાઈફાઈ, કાફેટેરિયા, અખબાર મેગેઝિન સહિત અન્ય પુસ્તકો સાથે મિની લાઈબ્રેરી જેવી આધુનિક સુવિધા મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા ઝેન-ઝી પોસ્ટ ઓફિસ શરૂ કરાઈ રહી છે. પોસ્ટ વિભાગ દ્વારા ડિસેમ્બર અંત સુધીમાં અમદાવાદ સહિત દેશમાં આવી 46 દેશમાં આવી 46 જેટલી ઝેન-ઝી પોસ્ટ ઓફિસો શરૂ કરાશે. રાજ્યમાં પહેલી ઝેન-ઝી પોસ્ટ ઓફિસ આઈઆઈટી ગાંધીનગર ખાતે શરૂ કાઈ છે. જ્યારે આઈઆઈએમ-એ ખાતે પણ આ મહિનાના અંત સુધીમાં ઝેન-ઝી પોસ્ટ ઓફિસ શરૂ કરાશે. જ્યાં વાઈ-ફાઈ, કાફેટેરિયા અને મિની લાઈબ્રેરીની સુવિધા હશે. સ્પીડ પોસ્ટ મોકલનારા વિદ્યાર્થીને ડિસ્કાઉન્ટજેન-ઝી આઈઆઈટી પોસ્ટ ઓફિસમાં વાઈ-ફાઈ, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, પાર્સલ, જ્ઞાન પોસ્ટ, પાર્સલ પેકેજિંગ સેવા, ફિલેટેલી, પોસ્ટ ઓફિસ બચત સેવા, ડાક જીવન વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટમાં છૂટ તેમજ કયુઆર આધારિત ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સુવિધા મળશે.
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બન્યું છે અને તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાઈ રહ્યાં છે, પરંતુ છેલ્લાં બે વર્ષમાં ચાર વખત 19થી વધુ પ્લે ગ્રાઉન્ડ બનાવવાના વાયદા છતાં એકેય હજુ તૈયાર કરાયું નથી. જોકે મ્યુનિ.એ એવો દાવો કર્યો હતો કે, ચાંદલોડિયા, પાલડી, કુબેરનગરમાં કામ થઈ ગયું છે, પણ ‘દિવ્ય ભાસ્કર’એ આ ત્રણ જગ્યાનું રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, પાલડીમાં જ્યાં જૂના ટેનિસ કોર્ટની આસપાસ અન્ય રમતોની સુવિધા ઊભી કરવાનો વાયદો કરાયો હતો, પરંતુ ત્યાં આવું કશું થયું નથી. ચાંદલોડિયામાં જે જગ્યાએ મેદાન બનાવવાનું હતું ત્યાં માત્ર ખુલ્લી જમીન છે. જ્યારે કુબેરનગરના માતૃછાયામાં જ્યાં ક્રિકેટ મેદાનની સાથે વિવિધ રમતો માટેની સુવિધા ઊભી કરવાનો વાયદો કર્યો હતો ત્યાં માત્ર ક્રિકેટ મેદાનના નામે થોડી જગ્યા છે. ગત એપ્રિલમાં 4 મહિનાની સમયમર્યાદા નક્કી કરી 26 મેદાન તૈયાર કરવા કહ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ કામ થયું નથી. ક્યારે ક્યારે વાયદા આપ્યા 2023થી અત્યાર સુધી... ડિસેમ્બર 2023 : શહેરમાં 245 મેદાન બનાવવાની મ્યુનિ.એ જાહેરાત કરી હતી. એ વખતે એવું કારણ આપ્યું હતું કે, મર્યાદિત મેદાનો હોવાથી ભીડ થાય છે. ફેબ્રુઆરી 2024 : મ્યુનિ.એ તેના બજેટમાં શહેરભરમાં મેદાનો બનાવવાની જાહેરાત કરી હતી અને બજેટ પણ ફાળવ્યું હતું. ડિસેમ્બર 2024 : બજેટમાં જાહેરાત છતાં એકપણ મેદાન તૈયાર થયું નહિ. ત્યાર પછી મ્યુનિ.એ પહેલા તબક્કામાં 19 મેદાન બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી. એપ્રિલ 2025 : હવે મ્યુનિ.એ 19થી વધારી 26 મેદાન બનાવાની જાહેરાત કરી કહ્યું હતું કે, દરેક વિધાનસભાને એક મેદાન મળશે. તે માટે બજેટ 25 કરોડથી વધારીને 27 કરોડ કર્યું હતું અને 4 મહિનાની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી. ડિસેમ્બર 2025 : ચારને બદલે આઠ મહિના વીતી ગયા છતાં એક પણ મેદાનોનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. આ અંગે મ્યુનિ.ને પૂછવામાં આવતા જવાબ મળ્યો હતો કે, ત્રણ મેદાન બની ગયાં છે અને બાકીનાં 6 મહિનાની અંદર તૈયાર થઈ જશે. બધા પ્લે ગ્રાઉન્ડ બનાવવામાં હજુ 6 મહિના લાગશેશહેરમાં બધા પ્લે ગ્રાઉન્ડ બનાવવામાં હજુ અંદાજે છ મહિના જેટલો સમય લાગશે. અત્યાર સુધીમાં પાલડી, કુબેરનગર, ચાંદલોડિયાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. > દેવાંગ દાણી, મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
જીવનું જોખમ હોવાના નામે શહેરમાં છેલ્લાં 4 વર્ષમાં 670 લોકોએ બંદૂકનું લાઈસન્સ લેવા માટે અરજી કરી હતી. 267 લોકોને લાઈસન્સ અપાયું હતું. જેમાં 21 મહિલાનો પણ સમાવેશ થાય છે. જ્યારે 403 લોકોની અરજી મેરિટના આધારે નામંજૂર કરાઈ હતી. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં 148 લોકોના લાઈસન્સ નિયત ધારાધોરણ પ્રમાણે ન જણાતા રદ કરાયા હતા. લાઈસન્સ રદ કરવાના મુખ્ય કારણોમાં જાણવા મળ્યું કે પહેલા જે લોકોને ભયના કારણે લાઈસન્સ અપાયા હતા હવે તેઓને બંદૂકના લાઈસન્સની જરૂરિયાત જણાતી ન હોવાના કારણે તેઓના લાઈસન્સ રિન્યૂ ન કરી રદ કરવામાં આવ્યા હતા. જે લોકોને બંદૂકના લાઈસન્સ ઈશ્યૂ કરવામા આવતા હોય છે તેઓના નિયમિત સમયાંતરે રિવ્યૂ કરીને લાઈસન્સની જરૂર છે કે નહીં તે અંગે ચકાસણી કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે લાઈસન્સ મેળવવા માટે 139 અરજીમાંથી 51 જ મંજૂર કરાઈ લાઈસન્સ પહેલા તમામ પ્રકારની તપાસ થાય છેસ્વરક્ષણ, પાક અથવા ઢોર રક્ષણ માટે હથિયારની પરવાનગી મળે છે. જિલ્લા મેજિસ્ટ્રેટમાં અરજી કર્યા બાદ પોલીસ તપાસ થાય છે કે અરજદાર ગુનાઈત ઇતિહાસ ધરાવે છે કે નહીં, પોલીસ અભિપ્રાય બાદ જિલ્લા પોલીસ અધિક્ષક ફાઇલ કલેક્ટરને મોકલે છે. તેઓ અંતિમ નિર્ણય કરે છે. બુલેટ ખરીદ્યા પછી કલેક્ટર કચેરીમાં નોંધણી કરાવવી પડે છેબંદૂકધારકે દ્વારા બુલેટ ખરીદ્યા પછી તેની કલેક્ટર કચેરી ખાતે નોંધણી કરાવવાની હોય છે. કલેક્ટર કચેરીના અધિકારીના જણાવ્યા પ્રમાણે બંદૂકનું લાઈસન્સ મેળવનારા લોકો બુલેટની નોંધણી માટે આવતા નથી. જેથી ખરીદીની નોંધણીનો રેકોર્ડ રાખવામાં આવતો નથી.
યાજ્ઞિક પરીખ દર વર્ષે 9 ડિસેમ્બર વિશ્વ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે ઓળખાય છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં સરકારી અધિકારી-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની 1 લાખ ફરિયાદો નોંધાઇ છે. તકેદારી આયોગના વાર્ષિક અહેવાલોમાં વિગતો સામે આવી છે. વિભાગો,બોર્ડ-નિગમો તરફથી સજા કે દોષમુક્તિના જે હુકમો મળે છે તે વિશે આયોગે જણાવ્યું છે કે, ઘણા કેસોમાં ખાતાકીય તપાસમાં આક્ષેપિત સામેના ગંભીર આરોપ પુરવાર થયા હોવા છતાં નાની શિક્ષા કરી પ્રકરણ બંધ કરી દેવામાં આવતું હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ભ્રષ્ટાચારના 1475 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે, માત્ર 12% એટલે કે 187 કેસ જ સાબિત થયા છે. ભ્રષ્ટાચારના 3 કેસમાં સમજો વિભાગોની બેદરકારી 1. ભૂતિયા શિક્ષકોની ભરતી 2015માં વડોદરામાં હોમિયોપેથીક કોલેજમાં શિક્ષકોની ભરતી કરી લાખોની ગ્રાન્ટ મેળવવાની ફરિયાદ અંગે આયોગે રિપોર્ટ માગ્યો. આરોગ્ય વિભાગે 2017માં નિવૃત્તિનો ઉલ્લેખ કર્યા સિવાય અને 2022માં આરોપીની નિવૃત્તિ બાદ રિપોર્ટ આપ્યો. 7 વર્ષના વિલંબના કારણે કાર્યવાહી જ ન થઇ શકી. 2. પોલીસ અધિકારી2004માં ગૃહ વિભાગની રજૂઆતથી આયોગે ડીવાયએસપી, 2 આરોપી સામે સજાની ભલામણ કરી. 2018માં એક આરોપીને દોષમુક્ત કરવા માગતી હોવાથી સમંતિ થઇ. એએસઆઇ, ડ્રાઇવર સામે સજાની ભલામણ, પરંતુ વિભાગે વયનિવૃત થતાં તપાસ નહીં તેવી સ્પષ્ટતા 2023માં આપી. 3. પોરબંદર દ્વારકા નેશનલ હાઈવેઃ ફ્લાય ઓવર બ્રિજ પડવાની 2014માં ફરિયાદ થતા આયોગે વધુ વિગત માટે માર્ગ-મકાન વિભાગ પાસે રિપોર્ટ માગ્યો. 2021માં વિભાગે આયોગ પાસે રેકોર્ડ માગ્યા, 2023માં આયોગની ભલામણ માટે રજૂઆત કરી. 13માંથી 11 સામે વયનિવૃત્તિના કારણે કાર્યવાહી ના થઇ શકી. ભ્રષ્ટાચારની રોજ સરેરાશ 30 ફરિયાદ વર્ષ 2020 8501 ફરિયાદવર્ષ 2021 8373 ફરિયાદવર્ષ 2022 11226 ફરિયાદવર્ષ 2023 12608 ફરિયાદવર્ષ 2024 1196 ફરિયાદ ભ્રષ્ટાચારી આ રીતે બચે છે, આયોગના 3 અવલોકન1.આયાગે મગાવેલ અહેવાલ વિભાગ વિલંબથી રજૂ કરે છે. 2.કસુરવાર સામે પુનઃભલામણ મેળવવા દરખાસ્ત કરાય છે.3.ખાતાકીય તપાસમાં બચાવને માન્ય રાખી દોષમુક્ત કરે છે.
દીકરી મારી તારણહાર:કબરાઉના મણિધરબાપુ, ગુજરાતભરના મહંતો સમૂહલગ્નમાં 52 યુગલને આશીર્વાદ આપશે
રાજકોટના આંગણે શ્રીરામધૂન સંતવાણી મંડળ આયોજિત કાલે તા.10 ડિસેમ્બરના રોજ બુધવારે ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માતા-પિતા વિહોણી તથા આર્થિક રીતે નબળા પરિવારની સર્વજ્ઞાતિ 52 દીકરીના સમૂહલગ્ન શહેરના પરસાણા ચોક, પરસાણા વે-બ્રિજની સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ વાળો રોડ, ન્યૂ 150 ફૂટ રિંગ રોડ, મોટામવા ખાતે સવારે 10 વાગ્યાથી યોજાશે. છેલ્લા 12 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહલગ્ન માટે ભવ્ય તૈયારી કરાઇ છે. જેમાં દીકરીઓને 100થી વધુ ઘરવખરીની તમામ વસ્તુઓ, ફર્નિચર, સોનાની બંગડી, ચાંદીના પાયલ સહિતનો કરિયાવર આપવામાં આવશે. ધૂન-ભજન મંડળીમાં એકત્રિત થયેલી રકમથી આયોજન સમૂહલગ્નના આયોજક જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી રાજકોટથી આજુબાજુના 100 કિમી સુધીના વિસ્તારમાં શ્રીરામધૂન સંતવાણી મંડળમાં 30થી વધુ લોકોની ધૂન-ભજન મંડળી ચાલે છે. તેમાંથી એકત્રિત થયેલી રકમથી વર્ષમાં 2 વખત સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. સમૂહલગ્ન બાદ એક વર્ષ સુધીમાં દરેક દીકરીઓને લગ્ન રજિસ્ટ્રેશન, કુંવરબાઇનું મામેરું, સીલાઇ મશીન યોજના, આત્મનિર્ભરના કોર્સ સહિતની સરકારની યોજનાના તમામ લાભ સંસ્થા કરાવી આપે છે. એક વિશાળ ડોમમાં 52 મંડપ, ભોજન પ્રસાદનો મંડપ, ઉતારાની વ્યવસ્થા કરાઇ છે. તેમજ વરરાજાના સામૈયા અને જાનૈયાઓનું ડી.જે., બેન્ડવાજા સાથે સ્વાગત કરાશે. આ આયોજનમાં સૌ પ્રથમ વખત કબરાઉથી બાપુ મોગલકુળ ચારણઋષિ પધારશે તથા તેની સાથે પાટણથી શિવાનંદજીબાપુ, સાવરકુંડલાથી ભક્તિરામબાપુ સહિત 25થી વધુ ગુજરાતભરના સાધુ-સંતો યુગલોને આશીર્વાદ આપવા આવશે. દરેક સાધુ-સંતોનું સામૈયા, શરણાઇ-ઢોલથી સ્વાગત કરાશે.
નિઝર તાલુકાના મોલીપાડા ગામ નજીક આવેલા ઉકાઈ જળાશય કિનારાના ખેડૂતો માટે જુવારની ખેતી હવે મુશ્કેલ બની ગઈ છે.જળાશય કિનારે ખેતી કરનારાઓ ચોમાસામાં જુવાર વાવે છે,પરંતુ જ્યારે પાક તૈયાર થાય છે,ત્યારે ખેતરની આસપાસ ઉકાઈનું પાણી ભરાઈ ગયેલું હોય છે. આ સંજોગોમાં ખેડૂતો માત્ર જુવારના ડોડા તોડવા માટે હોડીમાં બેસીને ખેતરો સુધી પહોંચે છે અને પાક લઈ લે છે.જોકે, ડોડા લઈ લીધા પછી,પશુના ચારામાં ઉપયોગી જુવારના ઊભા છોડને ખેતરમાં જ છોડી દેવામાં આવે છે. ખેડૂતોની વેદના : પાણીમાં ડૂબેલા ચારાની કાપણી ઉપજ કરતા મોંઘીખેડૂતોની વેદના એ છે કે પાણીમાં ડૂબી ગયેલા આ ચારાના છોડની કાપણી કરાવવાનો ખર્ચ, ચારાના વેચાણમાંથી થતી ઉપજ કરતાં વધારે મોંઘો સાબિત થાય છે. આર્થિક ભારણ ન પોસાતા, ખેડૂતો લાચાર બનીને ચારા ના છોડને કાપ્યા વગર જ એમ જ રહેવા દે છે. અંતે, આ ઊભા છોડ પાણીમાં સડી જાય છે અને જળાશયના પાણીમાં મળી જાય છે. આમ,ખેડૂતોને ચારાની આવક ગુમાવવાની સાથે પશુઓ માટેના મહત્વના આહારનું પણ નુકસાન થાય છે.
વોન્ટેડ આરોપી ઝડપાયો:વ્યારાનો છેતરપિંડીનો વોન્ટેડ આરોપી ડોલારાથી પકડાયો
વ્યારા પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનાનો વોન્ટેડ આરોપી ડોલારા તાલુકામાં ફરી રહ્યો હોવાની બાતમી એલસીબી ને મળી હતી જે આધારે એલસીબી ની ટીમ દ્વારા ડોલારા જઈ આરોપીને અટક કરી વ્યારા પોલીસને સોંપવામાં આવ્યો હતો. એલ.સી.બી. તાપીના પોલીસ ઇન્સ્પેકટર ડી.એસ. ગોહિલ અને એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એન.એસ. વસાવા અને પેરોલ–ફર્લો સ્કોર્ડ સાથેની ટીમ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમ્યાન એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ અને અ.પો.કો. રોનકભાઇ સ્ટીવંસન ને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. વ્યારા તાલુકાના ડોલારા ગામ ત્રણ રસ્તા પાસે થી વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાર્ટ ગુ.ર.નં. 11824001251283/2025 હેઠળના છેતરપીંડી સંબંધિત ગંભીર ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી અનિલભાઈ ગમનભાઈ ગામીત (ઉ.વ. 41), રહે. વચલુ ફળીયું, હનુમતિયા ગામ, તા. સોનગઢ, જી. તાપીને ઝડપી પાડી લીધો હતો. આરોપી સામે IPC કલમ 406, 409, 420, 34, 120(બી) તેમજ GPID એક્ટ 2003 ની કલમ-3 મુજબ ગુનો દાખલ છે.તાપી એલ.સી.બી.ની ટીમે આરોપી ને 08/12/2025ના રોજ અટક કરી વ્યારા પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો.
માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવા અને ટ્રાફિક શિસ્ત સુધારવા માટે તાપી જિલ્લા પોલીસ દ્વારા એક મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈની સૂચના હેઠળ, જિલ્લા ટ્રાફિક શાખા, તાપી-વ્યારા દ્વારા વ્યારા સુગર ફેક્ટરી, પનિયારી ખાતે ડ્રાઇવરો માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ જાગૃતિ કાર્યક્રમમાં ટ્રાફિક પી.આઈ. સલીમ શેખ અને તેમની ટીમે ભાગ લીધો હતો. સ્થળ પર હાજર ટ્રક અને ટ્રેક્ટરના ડ્રાઇવરો અને વાહન માલિકોને સલામત ડ્રાઇવિંગ અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. પી.આઈ. સલીમ શેખે ડ્રાઇવરોને યોગ્ય લેનમાં વાહન ચલાવવા, અનિયમિત પાર્કિંગથી દૂર રહેવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે વ્યારામાં વધતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને ડ્રાઇવર સચેત રહે અને માર્ગ સુરક્ષા જાળવે તે સમયની માંગ હોવાનું જણાવ્યું હતું. ટ્રાફિક પોલીસે સ્થળ પર જ ટ્રક અને ટ્રેક્ટર જેવા વાહનોના પાછળના અને બાજુના ભાગે રેડિયમ રિફ્લેક્ટર લગાવી આપ્યા હતા. ડ્રાઇવરોને વીમા પોલિસી, પી.યુ.સી., રજીસ્ટ્રેશન પેપર્સ તથા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા તમામ દસ્તાવેજો સાથે રાખવા સૂચના આપી હતી. દસ્તાવેજોની ગેરહાજરી ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, તે અંગે પણ જાણકારી અપાઈ હતી. આ પહેલને ડ્રાઇવરો અને માલિકોએ ઉપયોગી ગણાવી સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવાયાઅંધકાર કે ધુમ્મસભર્યા વાતાવરણમાં વાહન સ્પષ્ટપણે જોઈ શકાય તે માટે રિફ્લેક્ટર (પ્રતિબિંબક) અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેનાથી અકસ્માતનો ભય ઘટે છે.> પીઆઇ સલીમ શેખ, ટ્રાફિક અધિકારી
આઈફોન-14ની ચોરી:બેડારાયપુરામાં ઘરમાં ચાર્જિંગમાં મૂકેલો આઈફોન-14 ચોરાયો
ડોલવણ તાલુકાના બેડરાયપુરા ગામની સીમમાં ઘરમાં ચાર્જિંગમાં મુકેલો આઈફોન 14 કિંમત 69513 ના કોઈ અજાણ્યા દ્વારા ચોરી થઈ જતા ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી સુરત શહેરના પાલ વિસ્તારના ફોટોગ્રાફર નિખીલભાઈ ઉત્તમભાઈ ચૌહાણ (ઉ.વ. 29) એ તેમના iPhone-14ની ચોરી અંગે ઈ-એફ.આઈ.આર નોંધાવી છે. જેમાં નિખીલભાઈ પોતાની પત્ની કોમલબેન સાથે સુમનસ્નેહ એપાર્ટમેન્ટ, પાલ વિસ્તારમાં રહે છે અને ફોટોગ્રાફર તરીકે વ્યવસાય કરે છે. તા. 05/12/2025ની રાત્રે કોમલબેન પોતાના માતાપિતાના વતન રાયપુરા ગામે ગયા ત્યારે iPhone-14ની બેટરી ઓછી થતા હોલમાં ચાર્જિંગમાં મૂક્યો હતો. ફોનનું બિલ પતિ નિખીલભાઈના નામે છે. પછી કોમલબેન મામાના ઘરે લગ્ન પ્રસંગે ગરબા રમવા ગયાં હતાં. તેઓ ફોન લેવા ઘરે પહોંચતાં ફોન ગાયબ હતો. કોમલબેને, પિતાના ફોનમાંથી કોલ કરતાં પહેલા ફોન રીંગ થતો હતો, પરંતુ જવાબ ન મળ્યો. થોડા સમય બાદ ફોન સ્વીચ્ડ ઑફ જણાયો. પત્નીએ નીખિલભાઇને ફોન કરી જાણ કરતા તેમણે વિગત મેળવી હતી. આઈફોન-14 કોઈ અજાણ્યા શખ્સે ઘરમાંથી ચોરી કરી લઈ ગયાની શંકા જણાતાં નિખીલભાઈએ ઈ-એફ. આઈ.આર નોંધાવી છે. પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે.
જૈન શ્રાવકો 13મીથી 3 દિવસના ઉપવાસ એટલે અટ્ઠમની આરાધના કરશે. શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા દ્વારા કોટ વિસ્તારમાં પ્રથમ વાર શ્રી પાર્શ્વદર્શન યાત્રાનું આયોજન કરાયું છે. જૈન ધર્મમાં સમાધિ, શાંતિ અને સમતાની દુર્લભ પ્રાપ્તિ માટે અટ્ઠમ તપને અનિવાર્ય માનવામાં આવે છે. આ અટ્ઠમ તપ પ્રભુ પાર્શ્વનાથના જન્મ અને દીક્ષા કલ્યાણક સાથે જોડાયેલો છે. પોષ દશમના પર્વ નિમિત્તે શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભાતાઘર કમિટી અને વિદ્યાશાળા દ્વારા દોશીવાડાની પોળમાં પાર્શ્વનાથ પરમાત્માની આબેહૂબ રચના પણ કરાઈ છે. 16મી સુધી વિવિધ રચનાઓના દર્શન જૈન શ્રાવકો કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. જિનવાણીમાં મહાવીર સ્વામીએ કહ્યું છે કે શાંતિયુક્ત સમાધિ પ્રાપ્ત કરવા માટે પાર્શ્વનાથ પ્રભુના જન્મ-દીક્ષા કલ્યાણકના પવિત્ર દિવસોમાં અવશ્યમેવ અટ્ઠમ તપ કરવું અનિવાર્ય છે. જન્મ અને દીક્ષાની ઘટનાને કલ્યાણક શબ્દોથી બિરદાવી છે. કારણ, અટ્ઠમ તપ કરતાં જ આત્માને શાંતિ, સુખ, જીવન આનંદ મંગલ અને કલ્યાણની પ્રાપ્તિ કરાવે છે. છંદ અનુસાર રચનાના દર્શનનું આયોજન કરાયુંશ્રી પાર્શ્વનાથ દાદાનાં પાંચેય કલ્યાણકનાં દર્શન, શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુનો મહિમા, મેઘમાળીદેવ બન્યા તે સમયે પ્રભુને કરેલા ભયંકર ઉપસર્ગ, શ્રી સમ્મેતશિખર ગિરિરાજની શ્રી શામળા પાર્શ્વનાથજીની રચના, શ્રી અંતરીક્ષ પાર્શ્વ પ્રભુ આકાશનાં અંતસ્થલ આદર્શ ચમત્કાર, શ્રી પાર્શ્વનાથ પરમાત્માનાં 10 ભવનાં દર્શન, શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પરમાત્માનાં દર્શન, શ્રી જીરાઉલા પાર્શ્વનાથ પરમાત્માનાં દર્શન, શ્રી પદ્માવતી માતાનાં દર્શન, 108 પાર્શ્વ તારા નામ છે હજાર, કયા નામે વિનવું તમોને. આ છંદ અનુસાર રચનાના દર્શનનું આયોજન કરાયું છે.
કાર્યવાહી:વિજાપુરમાં ખનીજ ચોરી કૌભાંડ મામલતદાર - તલાટીની તપાસ
જિલ્લાના વિજાપુર ગામમાં ખનિજ ચોરી અને સરકારી જગ્યા પરના ગેરકાયદે દબાણનો એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓને લીધે માત્ર સરકારી સંપત્તિને નુકસાન થયું છે, એટલું જ નહીં પરંતુ ચોમાસામાં ગામની સ્થિતિ પણ વણસી ગઈ હતી. ખનીજ ચોરીના કારણે ઊંડા ખાડાઓ અને માટીના ખોદકામને લીધે ચોમાસાનું પાણી નિયમિત માર્ગને બદલે સીધું જ વિજાપુર ગામમાં ઘૂસી ગયું હતું, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ દબાણના કારણે વિજાપુરથી ડુંગરપુર જોડતો રોડ અને વિજાપુરના પાદરથી વિજાપુરના પાટિયા સુધીના બંને મુખ્ય રસ્તાઓ ટૂંકા થઈ ગયા છે. સ્થાનિક નાગરિકોની નજરે ચડતી આ સ્પષ્ટ સમસ્યાઓ અધિકારીઓને કેમ દેખાતી નથી, તે એક મોટો પ્રશ્ન છે. આ ગંભીર ફરિયાદ બાદ, વિજાપુર ગામમાં તલાટી ટીમ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં ગેરકાયદે ખનિજ ચોરી અને દબાણમાં સંડોવાયેલા કેટલાક લોકોના નામ સામે આવ્યા છે.જેમાં મંજુલાબેન ધીરુભાઈ ગોહિલ , અરુણ મુછાળા , રાજુ રાતીયા સહિતનો સમાવેશ થાય છે. આ અંગે મામલતદાર એ કહ્યું કે હજુ કંઈ પણ કહેવું વધારે પડતું હશે તપાસ થયા બાદ તમામ નામો બહાર આવશે.
આયોજન:જૂનાગઢમાં ઘરે-ઘરે ફરીને સૈનિકો માટે ફંડ લેવાશે : ડો.સુભાષ ફાઉન્ડેશનનો વાર્ષિકોત્સવ
શહેરની ડૉ. સુભાષ ફાઉન્ડેશન, જે વર્ષ 1976 થી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે, આ વર્ષ વાર્ષિકોત્સવ 'આર્મી થીમ' પર તારીખ 25 ડિસેમ્બરના રોજ ડૉ. સુભાષ રંગભવન ખાતે ઉજવાશે. આ ઉજવણીનો હેતુ દેશની સરહદોની સુરક્ષા કરતા વીર જવાનોને બિરદાવવાનો અને તેમના માટે ભંડોળ એકઠો કરવાનો છે. વાર્ષિકોત્સવના સવારના સત્રમાં પરમવીરચક્ર કર્નલ યોગેન્દ્રસિંહ યાદવ, બ્રિગેડિયર નીરવકુમાર રાયજાદા સહિતના સેનાધિકારીઓ વિદ્યાર્થીઓ અને વાલીગણને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહેશે. આ વર્ષે દેશના જવાનોના સન્માનમાં 'શૌર્ય વંદના' હેઠળ જૂનાગઢ વાસીઓના સહયોગથી ભંડોળ એકઠું કરાશે. આ અભિયાન 16 ડિસેમ્બર (વિજય દિવસ) થી શરૂ થઈને 21 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તાલુકા મથકો પર સ્ટોલ ઉભા કરાશે. અગાઉ, વર્ષ 2016 માં પણ સંસ્થાએ ₹ 21,00,000નું અનુદાન આર્મી બેટલ કેઝયુલટીઝ માટે એકત્રિત કર્યું હતું. આ વખતે પણ પારદર્શિતા જાળવવા માટે રૂ. 100 થી વધુનું દાન આપનાર દાતાઓના નામ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરાશે.વધુમાં, વિદ્યાર્થી માં સંવેદના જાગૃત થાય તે હેતુથી એક વિદ્યાર્થી, એક રૂપિયો અભિયાન હેઠળ શહેરની તમામ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને રૂ.1 નું અનુદાન આપી ભાગીદાર બનવા અપીલ કરવામાં આવી છે. એકત્રિત ભંડોળ 25 ડિસેમ્બરના રોજ સેનાધિકારીઓને સુપ્રત કરવામાં આવશે. તેમજ ફાઉન્ડેશનના પ્રમુખ જવાહરભાઈ ચાવડા અને ડૉ. સુભાષ યુનિવર્સીટીના પ્રમુખ રાજભાઈ ચાવડાએ નાગરિકોને આ કાર્યમાં જોડાવા જણાવ્યું છે.
માર્ગદર્શન:ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજણ અપાઈ, પોક્સોનાં નિયમ સમજાવાયા
જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના નેતૃત્વ હેઠળ ' બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનના ભાગ રૂપે જૂનાગઢની આદર્શ નિવાસી કન્યાશાળામાં એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનું લક્ષ્ય કિશોરીઓને તેમના અંગત સંરક્ષણ માટે ગુડ ટચ, બેડ ટચ'ની વિભાવના અને બાળકોના જાતીય અપરાધોથી રક્ષણ કાયદો – 2012 ની જોગવાઈઓથી પરિચિત કરાવવાનો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનની ટીમે આ જાગૃતિ અભિયાન સંચાલિત કર્યું. સત્ર દરમિયાન, વિદ્યાર્થીનીઓને યૌન હુમલાઓ, સતામણી અને અશ્લીલતા જેવા ગુનાઓથી બચાવવા માટે ''ખરાબ સ્પર્શ'' અને ''સારો સ્પર્શ'' વચ્ચેનો ભેદ અત્યંત સરળ શૈલીમાં સમજાવવામાં આવ્યો.
ભરત ચૌહાણ જૂનાગઢ શહેરના મધુરમ ખાતે આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ હોસ્ટેલમાં એક 17 વર્ષિય વિદ્યાર્થીને તેની જ હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ઢીકાપાટુનો ઢોર માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર સગીર છાત્રના પિતાએ 5 વિધાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં બાળ આરોપીઓ તેમજ તેના વાલીઓને કોર્ટમાં હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી છે. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં રહી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થીને ગઈ તા. 26 જુલાઈના રોજ હાથ લાગી જવાના મનદુઃખથી 4 સાથી વિદ્યાર્થીએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને એક વિદ્યાર્થીએ માર મારતા હોવાનો વીડિયો ઉતાર્યો હતો. આ વાત ભોગ બનનાર વિદ્યાર્થીએ છુપાવી હતી અને તેના પિતાને હોસ્ટેલમાં રહેવું ન હોવાનું જણાવતાં પિતા તેને ઘરે લઈ ગયાં હતાં. પાછળથી આ વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવતો હોય તે સમયે ત્યાં હાજર કોઈ વિદ્યાર્થીએ વીડિયો ઉતાર્યો હોય તે વીડિયો વાયરલ થયો હતો. અંતે વિદ્યાર્થીના વાલીની ફરિયાદ આધારે ગઈ તા. 30 ઓગસ્ટના રોજ સી ડિવિઝન પોલીસે 5 વિદ્યાર્થી સામે કાર્યવાહી કરી હતી. આ ચકચારી કેસ અંગે સી ડિવિઝન પીઆઈ એ. બી. ગોહિલે જણાવ્યું કે, સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને જેના ભાગરૂપે જુવેનાઈલ જસ્ટીસ કોર્ટમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ આરોપીઓ અને વાલીઓને આગામી તારીખ 12 ડિસેમ્બરે હાજર રખાવવાની નોટિસ પાઠવવામાં આવી છે. આખી ઘટના અહીં જાણો... આલ્ફા ઇન્ટરનેશનલ સ્કુલની હોસ્ટેલમાં ધો 11 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના પિતાને તેના પુત્રને હોસ્ટેલમાં જ રહેતાં ધો. 11 અને 12ના અમુક વિદ્યાર્થીઓએ માર મારવામાં આવ્યો હોવાની ઘટનાનો ભાંડો ફૂટયો હતો. જેને લઈ ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ હોસ્ટેલ પ્રશાસનને ફરિયાદ કરતાં તેમના દ્વારા ઉડાઉ જવાબ અપાતા પોલીસે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાની અરજી લઇ 5 સગીર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી. ગઈ તા. 26 જુલાઈ ના રોજ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં કબડ્ડીની રમત રમતા ભોગ બનનારનો હાથ મારનાર વિદ્યાર્થીને લાગી ગયો હતો. જેનું મનદુઃખ રાખી ધો. 11, 12ના 5 વિદ્યાર્થીએ માર માર્યો હતો અને એક છાત્રએ વીડિયો ઉતાર્યો હતો. જેનાથી મહિના બાદ ઘટના પ્રકાશમાં આવી હતી. ગઈ તા. 30 ઓગસ્ટના રોજ 5 વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ થઇ હતી.
ભાસ્કર એક્સક્લૂસિવ:પર્યાવરણની મંજૂરી વિના જ આખેઆખુંસુવર્ણભૂમિ એપાર્ટમેન્ટ ઊભું કરી દેવાયું
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર નવનિર્મિત 14 માળના સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટનો પીછો છોડવાનું વિવાદ નામ લેતો નથી. સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટ બનાવવામાં પર્યાવરણની મંજૂરી પણ ન લેવામાં આવી હોવાની વધુ એક જ વાત ગાંધીનગર ખાતે થવા પામી છે. સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટના માલિકે પણ આ હકીકતનો સ્વીકાર કરતા ભાસ્કરને કહ્યું હતું કે, એમાં જે કંઈ દંડ થાય તે ભરી દેવાની અમારી તૈયારી છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલા સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટ સાથે વિવાદ વણાઈ ગયો હોય તેમ એક પછી એક નવા ફણગા ફૂટતા રહ્યા છે. આ એપાર્ટમેન્ટને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી બાંધકામની પરવાનગી ગેરકાનૂની હોવાના આધાર સાથે ભાજપના પૂર્વ નગર સેવક દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત પણ કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત જીપીસીબીને કરાયેલી આ રજૂઆત મુજબ, ઝાંઝરડા રોડ પાસે સુવર્ણભૂમિ નામના 14 માળના એપાર્ટમેન્ટને મળેલી મંજૂરી સામે મુખ્ય વાંધો એ છે કે, આ બાંધકામ માટે પર્યાવરણની પૂર્વ મંજૂરી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આવશ્યક મંજૂરીઓ લેવામાં આવી નથી. મહાનગરપાલિકા આ એકમોની મંજૂરી વિના પરવાનગી આપી શકે નહીં, તેમ છતાં ગેરકાનૂની રીતે મંજૂરી આપવામાં આવી છે, જે અંગે મહાનગરપાલિકાએ પોતે જ હુકમ સ્થગિત કરેલો છે. ખેતીની જમીન પર બિન-ખેતી કરાવીને, નિયમોનું ઉલ્લંઘન કરીને અને કથિત ભ્રષ્ટાચાર (લાખો રૂપિયાના કરપ્શન)ના આધારે મળેલી આ પરવાનગી બંધારણના સિદ્ધાંતો વિરુદ્ધ છે. શહેરીકરણના નામે ફળદ્રુપ જમીન પર સિમેન્ટના જંગલો ઊભા થવાથી પ્રદૂષણનું સ્તર વધ્યું છે. ન્યાયના હિતમાં અને જનસમુદાયના વિશાળ હિતમાં આ બિલ્ડિંગને તાત્કાલિક સીલ મારવા અને કાયદેસરની કાર્યવાહી કરવા અનુરોધ છે. બિલ્ડર કેતનભાઈ રાજપરા અને આર્કિટેક જિગ્નેશ ભીમજીયાણીનું લાઇસન્સ રદ કરી, તેમને બ્લેકલીસ્ટમાં મૂકવા તેમજ પરવાનગી આપનાર અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવા માટે પ્રમાણિક અને ન્યાયિક તપાસની પણ માંગ કરવામાં આવી છે. પર્યાવરણની મંજૂરીમાં જે કંઈ દંડ થાય તે ભરવા તૈયારજ્યારે મેં બાંધકામ ચાલુ કર્યું હતું ત્યારે મેં એપ્લાય કર્યું હતું. જો મંજૂરી ન લીધી હોય તો વાઇલ્ડ એક્ટ હેઠળ જીપીસીબી દંડ કરે છે. બે વર્ષથી મેં અપ્લાય કરી દીધું છે. સરકાર અને જીપીસીબી નો કોર્ટમાં કેસ ચાલે છે મારા જેવા 300 કેસ છે. જે કંઈ પણ દંડ થાય તે ભરવા હું તૈયાર છું.> કેતન રાજપરા, બિલ્ડર
રજૂઆત:વિદેશમાં બાગાયતી પાકો નિકાસ કરવા માટે ખેડૂતોએ 7/12 ઉતારો આપો'
જૂનાગઢ જિલ્લામાં બાગાયતી પાકો જેવા કે કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવા કે સરગવો, ટામેટા, કાકડી, કેપ્સીકમ વગેરેની ખેતી કરતા ખેડૂતોને વિદેશમાં નિકાસ કરવા માટે ખેડૂતોએ પોતાના ખેતર કે બગીચાનું અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું જરૂરી છે. જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવે છે. નિકાસ કરવા માટે રસધરાવતા ખેડૂતોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી જરૂરી સાધની કાગળો જેવા કે 7/12, 8-અ, આધારકાર્ડની નકલ, ફાર્મનો નકશો તથા ફાર્મ ડાયરી વગેરે જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામક ની કચેરીએ અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજીની ચકાસણી કરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. આ અરજી ફોર્મ મેળવવા તથા આપવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, લઘુકૃષિ ભવન, બહુમાળી સામે, જૂનાગઢ સંર્પક કરવાનો રહેશે.
જુનાગઢના વંથલી રોડ પરથી પસાર થતો કુદરતી પાણીનો વોકળો હાલ પ્રદૂષણનું કેન્દ્ર બની ગયો છે. એક તરફ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર નદી-નાળાની સફાઈ અને જાળવણી માટે સ્વચ્છતા અભિયાનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, ત્યારે બીજી તરફ જમીની હકીકત કંઈક અલગ જ છે. તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે તેમ, હોકડાના કાંઠે આવેલ વોટર ફિલ્ટર ફેક્ટરીઓ દ્વારા ખુલ્લેઆમ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. લોકોને શુદ્ધ પાણી પૂરું પાડવાનો દાવો કરતી આ ફેક્ટરીના પાછળના ભાગે, વોકળાના કિનારે જ પ્લાસ્ટિકના તોતિંગ ઢગલા ખડકી દેવામાં આવ્યા છે. આ પ્લાસ્ટિકનો કચરો અને વેસ્ટ મટીરીયલ સીધું હોકડાના પાણીમાં ભળી રહ્યું છે, જૂનાગઢ મનપા અને જીપીસીબી તંત્ર પગલા ભરે એવી સ્થાનિકોમાંથી માંગ ઉઠીરહી છે.
રાજપીપળામાં રહેતા અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની દુકાન ચલાવતા નીરજ પટેલ સ્વચ્છ ભારતની શરૂઆત પોતાના શહેર રાજપીપળાથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે. તેમણે નર્મદા જિલ્લાને સ્વચ્છ બનાવવા પ્લાસ્ટિક ફ્રી નર્મદા અભિયાનની શરૂઆત કરવામાં આવી જેમાં પ્રારંભ ગણેશ વિસર્જન સમયે વિસર્જિત મૂર્તિઓ ની દૂરદર્શા જોઈ ત્યાંથી શરૂઆત કરી. કરજણ નદી કિનારે વિસર્જિત ગણપતિ દાદાની મૂર્તિઓ માંથી લાકડા, લોખંડ, પીઓપી સહિત સમાન છૂટું પાડી પીઓપીને પુનઃ તળાવ ભરી વિસર્જિત કર્યું કે ઓગળી જાય તેવો પ્રયાસ કર્યો હતો.તેઓ પ્લાસ્ટિકની કોથળીઓ એકત્રિત કરી જેનો યોગ્ય નિકાલ કરવા અને ગમેતેમ પ્લાસ્ટિક ની કોથળીઓ અને કચરાને એકત્રિત કરે અને એનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવે તેની જાગૃતિ માટે સ્કૂટર રેલી લઈને પણ જાગૃતિ પણ યુવાનો ફેલાવી રહ્યાં છે. નીરજ પટેલે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક ફ્રી રાજપીપળામાં ગમેતેમ પ્લાસ્ટિક પડેલું જોઈ વિચાર આવ્યો કે રાજપીપળાને પ્લાસ્ટિક ફ્રી કરાવી એટલે ગામના લોકો જોડાયા, પાલિકા અને વહીવટી તંત્ર એ પણ સહકાર આપ્યો. એટલે એક સપ્તાહ કામ કર્યું 3000 કિલો પ્લાસ્ટિક એકત્રિત કરી જેનો નિકાલ કર્યો જેની સફળતા મળી એટલે નર્મદા જિલ્લામાં અભિયાન હાથ ધર્યું છે.
વલસાડ રેલવે સ્ટેશન ખાતે મધરાત્રે થ્રિલર જેવી ઘટના બની હતી, જ્યારે માનસિક રીતે અસ્થિર જણાતા એક યુવકે ગુજરાત ક્વીન (ટ્રેન નં. 19034)ની છત પર ચડી જતા રેલવે તંત્રમાં ખળભળાટ મચ્યો હતો. ઘટના 08/12/2025ની છે. ડુંગરી સ્ટેશન પાસેથી પસાર થતી ટ્રેનના એન્જિનથી આઠમા જનરલ કોચની છત પર અજાણ્યો યુવક જોવા મળ્યો હતો. સંદેશા મળતાં જ વલસાડ RPF અને GRP સતર્ક બની ગયા હતા. ટ્રેન જ્યારે વલસાડના પ્લેટફોર્મ નં. 1 પર આવી પહોંચી, ત્યારે સુરક્ષા દળો કોચ પાસે પહોંચ્યા હતા. પરંતુ પોલીસને જોઈને ગભરાયેલો યુવક ટ્રેનની છત પરથી સીધો હાઈવોલ્ટેજ ઓવર હેડ ઈક્વિપમેન્ટ (OHE)ના થાંભલા પર ચડી ગયો હતો. વીજળીના તારની નજીક હોવાથી ગંભીર અકસ્માતની ભીતિ ઉભી થઈ હતી.રેલવે તંત્રએ તાત્કાલિક નિર્ણય લઈ OHEનો પાવર સપ્લાય બંધ કરી દીધો અને ફાયર બ્રિગેડની મદદ મંગાવવામાં આવી. ફાયર જવાનો અને રેલવે પોલીસની ટીમે સંકલિત પ્રયત્નો બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. પૂછપરછમાં યુવકે પોતાનું નામ અનિલભાઈ રમેશભાઈ પટેલ (ઉંમર 29) જણાવ્યું હતું અને તે પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તારણમાં તેને માનસિક તણાવ હોવાની માહિતી મળી છે.રેલવે પોલીસની સમયસૂચકતા અને તંત્રની સતર્કતા કારણે કોઈ જાનહાની અથવા અનિચ્છનીય બનાવ બન્યો નથી. યુવકને હાલ તેના પરિવારજનોને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તલવાડા ને.હા.48 થી સંજાણ ભીલાડ સ્ટેટ હાઇવેના મલાવ ઓવરબ્રિઝને જોડતો 3.6 કીમી લાંબો અને 7.5 મીટર પહોળો રોડ રૂ.2.95 કરોડના ખર્ચે નવો બનાવાશે. ઉમરગામના સરીગામ જીઆઇડીસી, ઉમરગામ જીઆઇડીસી તથા તાલુકાના ગામોમાં ઉદ્યોગોના કારમે ભારે વાહનોની અવરજવર વધી છે. ભીલાડ રેલવે ફાટક વારંવાર બંધ થવાથી અને મલાવ રેલવે ઓવરબ્રિઝનું નિર્માણ થતાં તલવાડા ને.હા.48 થી મલાવ ઓવરબ્રિઝ માર્ગ પર વાહનોની અવરજવર 24 કલાક જોવા મળી રહી છે. સાંકડા માર્ગ પર બન્ને બાજુ થી વાહનો આવતા ઓવરટેક થઈ ન શકતા ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. ધારાસભ્ય રમણલાલ પાટકર અને માર્ગ મકાનનાં અધિકારી વિરલ પટેલે આ માર્ગનું નિરીક્ષણ કર્યા બાદ માર્ગને પહોળો બનાવવા નક્કી કર્યું હતું. સરકારે તલવાડા હાઇવેથી મલાવ ઓવરબ્રિઝને જોડતો માર્ગ પહોળો કરી નવો બનાવવા 2.95 કરોડ ફાળવ્યા હતા.મલાવ પંચાયત માટે રૂ.25 લાખ ફાળવ્યા છે.જ્યારે મલાવ જહાંગીર પાડામાં સીએસઆરમાં રૂ.20 લાખ ફાળવતાં રૂ.3.40 કરોડના વિકાસ કામોનું સોમવારે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગપતિ મુરલી વર્મા,મલાવ સરપંચ ઉમેશ ધોડી,નંદીગામના સરપંચ સંતોષ રાબડ, ફણસાના સરપંચ નિમેશ કોળી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહી હતી.
ધરમપુરનાં ફૂલવાડીથી નાની વહીયાળ તરફ જતા રસ્તા વચ્ચેથી પસાર થતી લાવરી નદી પર ડુબાઉ કોઝવેનાં સ્થાને રૂપિયા 4.80 કરોડનાં ખર્ચે નવ નિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ કેબિનેટ મંત્રી નરેશ પટેલ તથા ધારાસભ્ય ધરમપુર અરવિંદ પટેલનાં હસ્તે કરવામાં આવ્યુ હતું. ધરમપુર તાલુકાના ગ્રામજનોને આ નવા બ્રિજની સુવિધાથી હાલાકીમાંથી કાયમી મુક્તિ મળશે.આ સાથે રોડની સુવિધાથી વાહન ચાલકોને રાહત થશે. ધરમપુર તાલુકાના ફૂલવાડી તથા હનમતમાળ અને અંબોસી ભવઠાણમાં શુક્રવારે કુલ રૂ.27.43 કરોડનાં બ્રિજ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યુ હતું.લોકાર્પણ કરાયેલા કામોમાં ફૂલવાડી મેજર બ્રિજ 4.80 કરોડ - હનમતમાળ- કાંજણપાડા રસ્તા મેજર બ્રિજ 4 કરોડ, આંબોસી ભવઠાણ જોઇનિંગ આવધા બિલ્ધા રોડ રૂપિયા 2.38 કરોડ - આંબોસી ભવઠાણ જોઈનિંગ આવધા બિલ્ધા રોડ 6.25કરોડનો સમાવેશ થાય છે. આ અવસરે ધારાસભ્ય ધરમપુર અરવિંદ પટેલે કહ્યુ હતું કે અહીંથી વાપી, દમણ, સેલવાસ તરફ અવરજવર કરતાં તાલુકાનાં પૂર્વ પટ્ટી સહીતનાં અનેક ગામોનાં લોકોને લાભ થશે. કેબિનેટ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે બ્રિજનાં લોકાર્પણથી અનેક ગામોને કનેક્ટિવિટી મળશે. આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા,મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, ધરમપુર તા. ભાજપ પ્રમુખ કેતન વાઢુ, ધરમપુર શહેર ભાજપ પ્રમુખ અમિત ચોરેરા, તા. પં. પ્રમુખ પિયુષ માહલા, ફૂલવાડી સરપંચ ધીરુભાઇ બિરારી, ધનેશ ચૌધરી,જિ.પં. સભ્ય નિર્મળાબેન જાદવ, ઝરીયા સરપંચ હરકેશ ગાંવીત, પાનવા સરપંચ સતીષ ચૌધરી, તા.પં. સભ્ય અપેક્ષાબેન પટેલ, નાની વહિયાળ સરપંચ વિનોદ પઢેર તથા આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નેત્ર શિબિરનું આયોજન:દાનહના દાદરા ગામે કંપની દ્વારા ફ્રી નેત્ર તપાસ શિબિરમાં 1027 લોકોએ લાભ લીધો
દાદરા નગર હવેલીના દાદરા ગામે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ગ્રોવર એન્ડ વીલ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા મફત નૈત્ર તપાસ અને ચશ્મા વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ શિબિરમાં નૈત્ર વિષેશજ્ઞ દ્વારા તપાસ કર્યા બાદ જરૂરી દવાઓ તથા ચશ્મા સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. જેઓને મોતિયાબિંદુંની ઓળખ થયેલ તેવા લોકોને લાયન્સ આઈ હોસ્પિટલ વાપી ખાતે સંપૂર્ણપણે મફત ઓપરેશન કરવામાં આવશે. જેઓની તમામ દવાઓ અને લેન્સ પણ મફત આપશે. સમગ્ર સારવારનો ખર્ચો ગ્રોવર એન્ડ વીલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ કેમ્પમાં લાયન્સ આઈ હોસ્પિટલના ડોક્ટર પ્રતીક શાહ અને એમની ટીમનો સહયોગ રહ્યો હતો. આ શિબિરમાં 1027 લોકોએ લાભ લીધો 1100 આંખના ટીપા,અને 670 ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 22 દર્દીઓને મોતિયાબિંદના દર્દીઓની ઓળખ થઇ હતી. સંસ્થાના વાઇસ પ્રેસીડન્ટ રાકેશ કુમાર સિંહે જણાવ્યું કે, આ કેમ્પનો મુખ્ય ઉદેશ્ય સમાજ સેવા છે અને સ્થાનિક લોકોમાં આંખોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પણ છે. આ શિબિરમાં કંપનીના પ્રતિનિધિઓ, આંખના ડોક્ટર અને ટીમ સાહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર વિશેષ:15,000થી વધુ પુસ્તકો સાથે વલસાડ પુસ્તક પરબ સમૃદ્ધ
વલસાડ પુસ્તક પરબનો 49મો મણકો રવિવારે સર્કિટ હાઉસ સામે તથા એસ.ટી. વર્કશોપની સામે ક્રોમા નજીક ટ્રેન્ડ્સ પાસેની ફૂટપાથ પર સવારે 7:30થી 9:30 દરમ્યાન યોજાયો હતો. પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશા ગોહિલ, હાર્દિક જી. પટેલ તથા ટીમના અન્ય સભ્યો દ્વારા આયોજિત આ પરબમાં દીપકભાઈ મરચન્ટ, કેયુરભાઈ રોહિત અને ઋત્વિકા વણકરની વિશેષ મદદ મળી હતી. આ પરબ દ્વારા વલસાડ શહેરમાં વાંચન રસ ધરાવતા નાગરિકોને નિયમિત રીતે પુસ્તકો સુલભ થઈ રહ્યા છે. આ રવિવારે કુલ 382 પુસ્તકો વાચકો લઈને ગયા હતા જ્યારે પરબની મુલાકાત 160થી વધુ લોકોએ લીધી હતી. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “વાંચે ગુજરાત” અભિયાનને વલસાડ પુસ્તક પરબ સક્રિય રીતે સાકાર કરી રહ્યું છે. પુસ્તક પરબમાં 15,000થી વધુ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના ધાર્મિક, સામાજિક, ઐતિહાસિક, મોટિવેશનલ, હેલ્થ સહિતના વિષયોના પુસ્તકો ઉપલબ્ધ છે, જેના લાભ વાચકો નિયમિત રીતે લઈ રહ્યા છે. પુસ્તક પરબનો મુખ્ય હેતુ નાગરિકોમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવાનો, નવા વાચકો ઊભા કરવાનો અને વાંચનને સતત પ્રોત્સાહિત કરવાનો છે. વાચકોને તેમની પસંદગી મુજબનું પુસ્તક સૂચવવામાં પણ ટીમના સભ્યો સક્રિય રહેછે, જેના કારણે વાચકો સાથે પુસ્તકો દ્વારા એક અનોખું સાનિધ્ય ઊભું થઈ રહ્યું છે. પુસ્તક પરબ, વલસાડ દ્વારા શરૂ કરાયેલા એક નવતર અભિગમ અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓમાં નાનકડી લાઇબ્રેરી સ્થાપવાની તથા ઉપલબ્ધ લાઇબ્રેરીને વધુ સમૃદ્ધ કરવામાં સહાય કરવાની પહેલ હાથ ધરવામાં આવી છે. હાલમાં આ અભિયાન અંતર્ગત 9 શૈક્ષણિક સંસ્થાઓમાં નાની લાઇબ્રેરી ઊભી કરી આપવામાં આવી છે. જેનો લાભ પુસ્તક વાંચકોને મળી રહ્યો છે.
વલસાડ પંથકમાં કૂતરાંઓનો આંતકે ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે.શહેરમાં અને ભાગડાવડા વિસ્તારોમાં શ્વાનોના ટોળાં એકલું બાળક જતું હોય ત્યારે દોડી આવી કરડી લેતાં બાળકોને ઘાયલ કરી ભાગી છુટતાં માતા પિતા પરિવારજનો અને રહીશો ચિંતાગ્રસ્ત બનતાં રોષ ફેલાયો છે. વલસાડમાં બાળકો પર હુમલો કરવાના 4 બનાવોને ધ્યાને લઇ નગરપાલિકાએ શ્વાનોના ખસીકરણ માટે ટેન્ડર મગાવ્યા છે. વલસાડ શહેર વિસ્તારમાં કૂતરાંઓનો ટોળાં ફળિયે ફળિયે વધી જતાં રાત્રિ દરમિયાન રસ્તા પર ધસી આવી વાહનચાલકોની પાછળ દોડ મૂકતાં ભારે ભયની લાગણી ફેલાઇ છે. વલસાડ ચીફ ઓફિસર કોમલબેન ધાનૈયાએ બાળકો અને સામાન્ય પ્રજા માટે જોખમી બનલા શ્વાનો અંગે ચર્ચા વિચારણા કરી ટેન્ડરિંગ કર્યું છે.જેમાં ખાનગી એજન્સી મારફત રખડતાં કૂતરાં પકડીને ખસીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પાલિકાઓ, ગ્રામપંચાયતો ને શ્વાનો અંગે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.હવે ખાનગી એજન્સી કામે લાગશે. પાલિકા પાસે સ્ટાફ નથીવલસાડમાં રખડતા શ્વાનોને પકડી તેને અન્ય સ્થળોએ છોડવા માટે નગરપાલિકા પાસે જરૂરી સાધનો નથી ઉપરાંત રખડતાં કૂતરાંઓને પકડવા બિનકુશળ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવે તો જોખમી બની રહે તેમ છે.વલસાડ નગરપાલિકા પાસે ટ્રેઇન્ડ સ્ટાફ ન હોવાથી ખાનગી એજન્સીને કામગીરી સોંપવાનું હિતાવહ થઇ શકશે. રખડતા શ્વાનો પકડવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છેહાલે રખડતા કૂતરાંઓના મામલે સુપ્રિમ કોર્ટ દ્વારા પણ આદેશો આપવામાં આવ્યા છે.ખાનગી એજન્સીઓ પાસેથી રખડતા શ્વાનો પકડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. શ્વાનો પકડવા ખાનગી એજન્સી કામગીરી હાથ ધરવામાં આવશે.> કોમલ ધાનૈયા,ચીફ ઓફિસર
નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના વર્ષ 01/01/2026 થી 31/12/2026ના હોદ્દેદારોની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર જમા કરાવ્યા બાદની પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી કમિશ્નરો રાકેશભાઈ આર. પરદેશી, કલ્પનાબેન એ. તિવારી, અને વિપુલભાઈ આર. માસ્ટર દ્વારા તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવી છે અને તે યોગ્ય ઠરાવવામાં આવ્યા છે. જેમાં પ્રમુખપદ નેવિલ પટેલ, મનોજ એચ, નાયક, અમિત કચવે, ઉપ-પ્રમુખપદ માટે અજય ટેલર, રૂપેશ શાહ, બકુલ મોરાવાલા, યતિષ બચ્છાવ, સેક્રેટરીપદે હિતેશ કાલગુડે, પ્રદીપ એસ. ગડઅંકુશ અને જોઈન્ટ સેક્રેટરીપદ માટે પ્રતિક આર માહલે અને લેડીસ રિપ્રેઝેન્ટેટિવમાધવી આર. ટંડેલ, શિવાની આર. ચાહવાલા એ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 09/12/2025 છે. આ પ્રક્રિયા તે દિવસે બપોરે 3થી 5 કલાક દરમિયાન થશે. ત્યારબાદ, ફાઈનલ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે.
ફૂડ કોર્ટથી ટ્રાફિકની સમસ્યા વધશે:શહેરીજનો તળાવ નહીં પુરાય, નવુ નજરાણું મળશે : કમિશનર
નવસારી શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક સરબતિયા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં ફૂડ કોર્ટ બનાવવાની યોજનાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. શહેરના વકીલ અને પૂર્વ વિપક્ષી સભ્યોએ આ યોજનાનો સખત વિરોધ કર્યો છે. તળાવના અમુક ભાગને પુરીને ફૂડ કોર્ટ બનાવવાથી તળાવની પહોળાઈ ઘટશે અને ટ્રાફિકની સમસ્યા વધશે તેવી આશંકા વ્યક્ત કરી કામગીરીની બ્લુ પ્રિન્ટ રજૂ કરાય તેવી માગ વધી છે. તળાવને પૂરીને સુવિધા ઉભી કરવાની વાત છે જેનો વિરોધ છે હાલમાં બ્યુટીફિકેશનના નામે નવીનીકરણ થઈ રહ્યું છે, પરંતુ પ્રોજેક્ટની વિગતો લોકો સામે આવી નથી. જાણવા મળ્યું છે કે તળાવના અમુક ભાગને પુરીને ફૂટ કોર્ટ જેવી સુવિધા ઊભી કરાશે, જેનો લોકોમાં સખત વિરોધ છે.હાલમાં પણ આ સ્થળે સ્ટ્રીટ ફૂડની લારીઓ ઊભી રહે છે, જેના કારણે ટ્રાફિક જામ થાય છે. પ્રોજેક્ટમાં માત્ર બ્યુટીફિકેશન, સારો વોકવે અને લોકો શુદ્ધ હવા લઈ શકે તેવી જોગવાઈ થવી જોઈએ. > કેરસી દેબુ, પારસી અગ્રણી, નવસારી 5 વર્ષ અગાઉ જ બ્યુટીફિકેશન થયું હતું પાંચ વર્ષ અગાઉ આશરે અઢી કરોડના ખર્ચે સરબતિયા તળાવનું બ્યુટીફિકેશન થયું હતું. હવે અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે ફૂડ કોર્ટ બનાવવાની યોજના લાવી છે. યોજનામાં સરબતિયા તળાવની ઓરિજનલ પહોળાઈ પુરીને તેને સાંકળુ કરવાની વાત સામે આવી છે. આ તળાવને કઈ રીતે પુરાણ કરી શકાય એ બહુ મોટો પ્રશ્ન છે. > પિયુષ ઢીમ્મર, પૂર્વ વિપક્ષી સભ્ય અને કોંગ્રેસ કાર્યકર, નવસારી તળાવની સ્થિતિ જાળવી રખાશેસરબતિયા તળાવમાં બ્યુટીફિકેશન ચાલી રહ્યું છે, જેમાં ફૂડકોર્ટ પણ શરૂ કરાશે. લોકોને બેસવા અને હરવા-ફરવા માટેનું એક નવું નજરાણું મનપા દ્વારા અપાઇ રહ્યું છે. તળાવનું પુરાણ નહીં થાય તેની મૂળ સ્થિતિ જાળવી રખાશે.> દેવ ચૌધરી, કમિશનર, નવસારી મનપા
પાક નુકસાની સહાય:8 હજાર ખેડૂતોને 14.25 કરોડ સહાયની ચૂકવણી
નવસારી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનીમાં અરજી કરેલ 19800 ખેડૂતોમાંથી 8 હજાર જેટલા ખેડૂતોને 14.25 કરોડની સહાય ચૂકવી દીધી છે. નવસારી જિલ્લામાં પણ દિવાળી વીતતા તુરંત કમોસમી વરસાદ થતા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું હતું. રાજ્યના મહત્તમ જિલ્લામાં નુકસાની થતા સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું,જે માટે અરજી મંગાવી હતી. નવસારી જિલ્લામાં મુદત દરમિયાન 19800 ખેડૂતોએ અરજી કરી છે, જે મોટાભાગની મંજૂર થઈ અને સહાય ચૂકવણી પણ થઈ રહી છે. મળતી માહિતી મુજબ સરકારે જિલ્લામાં હાલ સુધીમાં 8 હજાર જેટલા ખેડૂતોને 14.25 કરોડ રૂપિયાની સહાય ચૂકવી દીધી છે.અંદાજે 12 હજાર ખેડૂતોને પણ આગામી દિવસોમાં નુકસાની થયેલ પાક માટે સહાય ક્રમશઃ ચૂકવી દેવાશે એમ ખેતીવાડી સૂત્રોએ જણાવ્યું છે.
ભાસ્કર ઇમ્પેક્ટ:સંસ્કાર ભારતી સ્કૂલ નજીક ટ્રાન્સફોર્મરની તૂટેલી રેલિંગની જગ્યાએ નવી લગાવાઇ
નવસારી શહેરમાં આવેલી સંસ્કાર ભારતી સ્કૂલ બહાર આવેલા વીજ ટ્રાન્સફોર્મરની રેલિંગ લાંબા સમયથી તૂટેલી હાલતમાં હતી, તેમ છતાં તંત્ર આ ગંભીર બેદરકારી પર ધ્યાન આપી રહ્યું ન હતું. જેના કારણે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેમ હતું. આ બાબતનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ગંભીર બાબત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જે બાદ તંત્રએ અહેવાલને પગલે કામગીરી કરી નવી રેલિંગ લગાવી છે. નવસારીમાં આશાપુરી મંદિર પાસે સંસ્કાર ભારતી શાળાની બહાર વીજ ટ્રાન્સફોર્મરની રેલિંગ તુટી જવા પામી હતી. જેને લઇને દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને આ તુટેલી રેલિંગની આગળ ઉભી રહેલી ખાણી-પીણીની લારી સંચાલકો અને ત્યાં આવતા લોકો માટે તથા શાળામાં આવતા બાળકો માટે જોખમી હતી. જોકે, અહેવાલનો પડઘો પડતા તંત્રએ ગંભીરતા સમજીને શાળાની બહાર આવેલ બંન્ને ટ્રાન્સફોર્મરની તૂટેલી રેલિંગની જગ્યાએ નવી રેલિંગ લગાવી દીધી છે. જોકે, શહેરમાં હજી પણ ઘણી જગ્યાએ ટ્રાન્સફોર્મરની રેલિંગ તૂટેલી હોય તેને પણ આવી જ રીતે સમારકામ કરાય તે જરૂરી છે.
ભાસ્કર એક્સક્લુસિવ:જલાલપોર બાદ ગણદેવી વિધાનસભા વિસ્તારમાં સરનુ કામ 100 ટકા પૂર્ણ
નવસારી જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે ફોર્મની કામગીરી પૂર્ણ થવાને 3 દિવસ બાકી છે ત્યારે જલાલપોર બાદ ગણદેવી વિધાનસભા વિસ્તારમાં 100 ટકા કામ પૂર્ણ થવા સાથે અન્ય બે વિસ્તારમાં પણ 100 ટકા નજીક કામગીરી થઈ ગઇ છે. નવસારી જિલ્લામાં પણ ખાસ સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ (સર) ચાલી રહી છે અને ફોર્મની કામગીરી પૂર્ણ થવાને 3 દિવસ બાકી રહ્યા છે. આ દરમિયાન જિલ્લાના જલાલપોર વિસ્તારમાં 100 ટકા કામ પૂર્ણ થવા બાદ હવે ગણદેવી વિધાનસભામાં પણ 100 ટકા થઈ ગયું છે. બીજી તરફ નવસારી વિધાનસભામાં પણ 99.95 ટકા અને વાંસદામાં પણ 99.83 ટકા થઈ હોય ત્યાં પણ 100 ટકા નજીક થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે જિલ્લાના કુલ 10,95,900 મતદારોમાંથી 10,95,250 મતદારોની કામગીરી પૂરી થઈ છે. હજુ 1.22 લાખનું મેપિંગ નહીંનવસારી જિલ્લામાં કુલ 10.95 લાખ મતદારો છે તેની સામે હજુ પણ 1.22 લાખ મતદારોનું મેપિંગ 2002ની મતદાર યાદી સાથે થયું ન હોવાનું જાણવા મળે છે. બીજી તરફ 1.40 લાખ મતદારોના ફોર્મ પરત મળ્યા નથી, જે મતદાર મૃતક, સ્થળાંતર થયેલ, ડુપ્લીકેટ યા પત્તો મળ્યો નથી.
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:કિલાદ કેમ્પ સાઇટની મરામત પાછળ 70 લાખ ખર્ચ્યા છતાં બંધ
દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તગત આવતા વાંસદા નેશનલ પાર્કના નેજા હેઠળ ચાલતી કિલાદ કેમ્પ સાઇટ 1997માં બનાવી હતી. જે ગુજરાતની પ્રથમ સાઇટ માનવામાં આવે છે, પણ આ કેમ્પ સાઈટ વન વિભાગના અધિકારીઓના લીધે આજે ખંડેર બની ગઈ છે. ચાર મહિના અગાઉ ડોરમેટ્રી વિભાગમાં આગ લાગી હતી. એ વેળા કારણ તો શોર્ટ સર્કિટ બતાવ્યું હતું. વન વિભાગના જણાવ્યાનુસાર ત્યારબાદ કેમ્પ સાઈટ રિનોવેશન અને મેઈન્ટેનન્સના નામે બંધ કરી દેવાઇ હતી. આ કેમ્પ સાઇટ કિલાદ ગામની એડીસી દ્વારા અને વન વિભાગના સહયોગથી ચલાવાય છે. આદિવાસી બહુતુલ્ય વિસ્તાર ડાંગ જિલ્લાને જંગલોરૂપી કુદરતની દેન છે. આ વિસ્તાર ટુરિઝમ પર નભે છે ત્યારે ડાંગમાં કિલાદમાં આવેલી વન વિભાગની કેમ્પ સાઈટ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં રહેતા લોકોની રોજીરોટીનું સાધન છે, પણ આ સાઈટ ત્રણ મહિનાથી બંધ છે. આ મામલે એડીસી દ્વારા વારંવાર વન વિભાગને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ વન વિભાગના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નથી. દિવાળીના સમયમાં ડાંગ જિલ્લો ટુરિસ્ટોથી ઉભરાઈ જતો હોય છે તેવા સમયમાં કિલાદ કેમ્પ સાઈટ બંધ રહેતાં લાખોની ખોટ વન વિભાગ અને એડીસીને થાય છે. આ બાબતે વન વિભાગના અધિકારીઓ મનોમંથન કરે એ જરૂરી છે. વાસ્તવિક કામગીરી દેખાતી નથી ડાંગ ટુરિઝમને વિકસાવાના નામે નક્કર તુક્કા ચલાવાઇ રહ્યા છે, કોઈપણ વિઝન વિના થતાં આયોજનો પાછળ સરકારી પૈસાનો ધુમાડો થાય છે. અધિકારીઓ વાહવાહી લૂંટે છે. ઘણી જગ્યાએ વાસ્તવિક કામગીરી દેખાતી જ નથી. ફક્ત મેકઅપ કરીને વિકાસના નામની તકતી લગાવી દેવામાં આવે છે. જેનું ઉત્તમ ઉદાહરણ કિલાદ કેમ્પ સાઈટ છે. સાઇટની હાલત એટલી ખરાબ કે શરૂ થઇ શકે નહીંકિલાદ કેમ્પ સાઇટની વાત કરીએ તો છેલ્લાં બે વર્ષમાં આ સાઈટ પાછળ અઢળક રૂપિયાનો ખર્ચ કરાયો છે. કેમ્પ સાઇટના રિનોવેશન અને નવિનીકરણના નામે અંદાજિત 70 લાખથી પણ વધુનો ખર્ચ સરકારી ચોપડે બતાવ્યો છે. આમ રૂપિયા તો સરકારી તિજોરીમાંથી ખંખેરી લેવાયા છે પણ કિલાદ કેમ્પ સાઇટની હાલત આજે ભંગાર ગોડાઉન કે ભૂતિયા સાઈટ જેવી છે. કિલાદ કેમ્પ સાઈટમાં રૂમ બનાવ્યા છે. જ્યાં સિમેન્ટની છતો બનાવી છે એ બધા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પણ ગુણવત્તાવિહીન વસ્તુનો ઉપયોગ કરવામાં આવતાં શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ આકાર લઈ ચૂકી છે અને એ માટે વન વિભાગના અધિકારીઓની નીતિઓ જ જવાબદાર છે. જ્યારે મેઈન્ટેનન્સ અને નવિનીકરણના નામે 70 લાખથી પણ વધારે રૂપિયા ખર્ચ્યા ત્યારે સારી અને ગુણવત્તાયુક્ત વસ્તુ કેમ ઉપયોગ કરવામાં ન આવી ? હાલના સમયમાં બાળકો માટે પ્રશિક્ષણ શિબિરના કેમ્પ પણ આ કેમ્પ સાઈટ ઉપર મોટી સંખ્યામાં થતા હોય છે પણ આ કેમ્પ સાઇટની હાલત એટલી ખરાબ છે કે અત્યારે કેમ્પ સાઈટ ચાલુ થાય એવી સ્થિતિ જ નથી. અહીંથી દૂર જવું પડ્યુંઘણીવાર કોલેજમાંથી અમે કિલાદ કેમ્પ સાઈટ ઉપર રોકાયેલા પણ હાલમાં બંધ હોવાથી અમારે અહીંથી દૂર જવું પડ્યું હતું. > નેવિલભાઇ પટેલ, સુરત કોટેજમાં ક્યાં કેટલા રૂપિયા ખર્ચાયા તેની આ રહી વિગતલાકડાના ટ્વીન ટાઈપ કોટેજમાં સુધારા માટે રૂ. 4,89,423, પ્રીફેબ કોટેજ માટે સ્ટીલ સ્ટ્રક્ચર ફ્રેમિંગ પૂરું પાડવા અને ફિક્સ કરવા રૂ 4,59,607. પ્રિફેબ કોટેજ માટે દિવાલ ક્લેડીંગ પૂરું પાડવા માટે રૂ. 4,89,297 પ્રિફેબ કોટેજ માટે, ફ્લોરિંગ, પેનલિંગ, છત પેઇન્ટિંગ અને દરવાજા-બારીઓ પૂરી પાડવા માટે રૂ. 3,10,944 અને કિચન શેડનું રિપેરીંગ રૂ. 4,45,315, પ્રિફેબ હેક્સાગોનલ કોટેજ માટે ફ્લોરિંગ, પેનલિંગ, છત પેઇન્ટિંગ અને દરવાજા-બારીઓ પૂરી પાડવા રૂ. 4,10,520 ખર્ચાયા પ્રીફેબ ષટ્કોણ કોટેજ માટે સ્ટીલ સ્ટ્રક્ચર ફ્રેમિંગ પૂરું પાડવું અને ફિક્સ કરવા રૂ. 2,69,335 પ્રીફેબ કોટેજ-1 માટે સ્ટીલ સ્ટ્રક્ચર ફ્રેમિંગ પૂરું પાડવું અને ફિક્સ કરવા રૂ. 4,82,197, પ્રીફેબ કોટેજ માટે વોલ ક્લેડીંગ્સ પૂરા પાડવા માટે રૂ. 4,89,618 પ્રીફેબ કોટેજ-2 માટે ફ્લોરિંગ, પેનલિંગ, છત પેઇન્ટિંગ અને દરવાજા-બારીઓ પૂરી પાડવા રૂ. 4,46,982 પ્રીફેબ કોટેજ-2 માટે સ્ટીલ સ્ટ્રક્ચર ફ્રેમિંગ પૂરું પાડવું અને ફિક્સ કરવા રૂ. 4,82,197 ખર્ચાયા છે. પ્રીફેબ કોટેજ માટે વોલ ક્લેડીંગ્સ પૂરા પાડવા રૂ. 4,89,618 પ્રીફેબ કોટેજ-1 માટે ફ્લોરિંગ, પેનલિંગ, છત પેઇન્ટિંગ અને દરવાજા-બારીઓ પૂરી પાડવ આટલા નાણાં ખર્ચ્યા બાદ પણ કામ અધૂરું અને પ્રવાસીઓને હાલાકી પડી રહી છે. નજીકના સમયમાં ચાલુ કરાશેહાલમાં કિલાદ કેમ્પ સાઇડમાં મેઇન્ટેનન્સ ચાલી રહ્યું છે. નજીકના સમયમા ચાલુ કરાશે. > આરતીબેન ભાભોર, એસીએફ, દક્ષિણ વન વિભાગ
દીપડાને પકડવાની કવાયત શરૂ કરાઈ:તલોઘ ઘંટી ફળિયામાં દીપડો દેખાતા પાંજરું ગોઠવાયું
તલોઘ ઘંટી ફળિયાની બાજુમાં વાડી વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હોવાનું જાણવા મળ્યું છે. દીપડાએ દેખા દીધી હોવાની ચર્ચાથી તલોધ ગામ અને આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણદેવી ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીં બપોરના સમયે પાંજરું પણ ગોઠવ્યું છે. ગણદેવી આરએફઓ છાયાબેન પટેલે જણાવ્યું હતું કે બપોરના સમયે તલોધ ઘંટી ફળિયામાં વાડી વિસ્તારમાં દીપડો દેખાયાના સમાચાર મળતા તાત્કાલિક અમોએ ઘંટી ફળિયાની બાજુમાં વાડી વિસ્તારમાં પાંજરું ગોઠવી દીધું છે અને અમે વોચ રાખી રહ્યાં છીએ. તલોઘ ઘંટી ફળિયામાં રહેતા મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે મારા ઘરની આજુબાજુ રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે અને રાત્રે નીકળતાં લોકો ડરી રહ્યાં છે.
કમકમાટીભર્યો બનાવ:જીઇબીના થાંભલા સાથે બાઇક અથડાતા ઇલેકટ્રીશિયનનું મૃત્યુ
આમધરા ગામે રાત્રીના સમયે જીઇબીના થાંભલા સાથે બાઇક અથડાતા ચીખલીના ઇલેક્ટ્રીશિયન યુવાનનું સારવાર પૂર્વે જ મોત નિપજ્યું હતું. ચીખલીના સમરોલી નવા ફળિયામાં રહેતા અમીષ મહેન્દ્રભાઇ પટેલ (ઉ.વ. 28) બાઇક (નં. જીજે-15- ડીએન-7374) લઇ પીપલગભણ ઇંગારીમાં રહેતા મિત્રને મળવા માટે રાત્રિના સમયે જઇ રહ્યાં હતા. દરમિયાન અમીષ પટેલે પોતાના કબ્જાની બાઇક ઝડપભેર અને ઝફલતભરી રીતે હંકારી લાવી આમધરાથી પીપલગભણ-સાદકપોર જતા જે.ડી.ફાર્મ પાસે વળાંકમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને પગલે તેમણે બાઇક જી.ઇ.બીના થાંભલા સાથે અથડાવી દીધી હતી. અકસ્માતમાં તેમને માથાના તેમજ પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને 108માં સારવાર માટે ચીખલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે રામુભાઇ ઝીણાભાઇ પટેલ (ઉ.વ. 60, રહે.સમરોલી, નવા ફળિયા, તા. ચીખલી, જિ.નવસારી)એ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદને પગલે અકસ્માત મોતનો ગુનો નોંધી પીએસઆઇ એફ.એચ.પટેલ તપાસ કરી રહ્યાં છે.
વાંસદા તાલુકામાં મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ અને ન્યૂ ગુજરાત પેટર્ન અંતગૃત વિવિધ ગામોમાં અદ્યતન નવા ઓરડાની કામગીરી શરૂ થતા આદિમજૂથ પરિવારોમાં ખુશીનો માહોલ ફેલાયો છે. નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાંસદા તાલુકામાં મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના 2024-25 અને ન્યુ ગુજરાત પેટર્ન વર્ષ 2024-25 અંતર્ગત મંજૂર થયેલ પ્રાથમિક શાળાના ઓરડાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વાંસદા તાલુકાના વિવિધ ગામો પ્રતાપનગર, દોલધા, ઘોડમાળ, ખંભાલિયા, ભીનાર, ધરમપુરી, વાંસકુઈ, ખાંભલા, ચાપલધરા, મોળાઆંબા, મહુવાસ, ચોરવણી ગામોમાં અદ્યતન નવા વર્ગખંડોનું નિર્માણ થશે. શિક્ષણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની વિવિધ સરકારી શાળાઓમાં અદ્યતન નવા વર્ગખંડોના બાંધકામનું કાર્ય શરૂ થયું છે. આ મહત્વપૂર્ણ પહેલથી વિદ્યાર્થીઓને વધુ સારું અને સુવિધાજનક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં મદદરૂપ થશે. આ નવા વર્ગખંડોમાં આધુનિક બેઠક વ્યવસ્થા, યોગ્ય વેન્ટિલેશન, પંખા અને લાઇટની સુવિધા સાથે તૈયાર કરવામાં આવશે. જે આગામી શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ આ નવા વર્ગખંડોનો ઉપયોગ શરૂ કરી શકશે.
ચોર ઝડપાયો:ચોરીના મોબાઇલ સાથે ખેરગામનો ચોર ઝડપાયો
નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઇલ ચોરીનો અનડિટેક્ટ ગુનો એલસીબીએ શોધી કાઢ્યો હતો. નવસારી જિલ્લાના મિલકત સંબંધી ગુના શોધી કાઢવા અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે એલસીબી પીઆઇ વી.જે.જાડેજાને જરૂરી સુચના અને માર્ગદર્શન આપી હતી. એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુના આચરનાર આરોપીઓને પકડી પાડવા સુચના આપી હતી. જે અન્વયે નવસારી એલસીબીમાં ફરજ બજાવતા પો.કો નિલેશભાઇ રતીલાલ તથા પો.કો અર્જુનકુમાર હર્ષદભાઇને મળેલી બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે આરોપી સલમાન સાદીક વાડી (રહે મસ્જિદ ફળિયા, ખેરગામ)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.
ભાસ્કર એક્સક્લુસિવ:દ.ગુ.ની 55થી વધુ ઐતિહાસિક વાવો ખંડેરમાં ફેરવાઇ, માત્ર પુસ્તકોમાં જ બચશે
દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, નવસારી, સુરત સુધીમાં 55થી વધુ અનેક ઐતિહાસિક વાવ આજ સ્થિતિમાં ખંડેર રૂપ ધારણ કરી ચૂક્યા છે. ઇતિહાસકારના મત મુજબ દ.ગુજરાતની 55 જેટલી વાવ પ્રાચીનથી અર્વાચીન કાળ સુધીની છે. જે ઐતિહાસિક વારસો છે,જેની જાળવણી થવી જોઇએ. પરંતુ જાળવણીના અભાવે વાવનો વારસો હવે માત્ર નામ પુરતો બની જશે. શતાબ્દીઓ જૂના આ વાવ કલા, સંસ્કૃતિ અને ઇતિહાસની અમૂલ્ય નિશાની છે, પરંતુ સમયસર જાળવણી અને સરકારની અવગણનાના કારણે તેમની પરિસ્થિતિ રોજબરોજ બગડી રહી છે. ઘણાં વાવોમાં દિવાલો તૂટવા લાગ્યાં છે, સીડીયો સરસી પડી ગઈ છે. વાવ એટલે એવા કૂવા કે જે લાંબા પગથિયાંવાળા ભાગથી જોડાયેલાં હોય. તે સૌથી વધારે પશ્ચિમી ભારતમાં જોવા મળે છે. ગુજરાતમાં કુલ 120થી વધુ વાવ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ઇતિહાસકારના મતે ઉમરગામ, વાપી, પારડી, વલસાડ, નવસારી, સુરત સુધીમાં 55થી વધુ નાની મોટી વાવનો સમાવેશ થાય છે. પાણી સંગ્રહ પ્રણાલીઓ જડીબુટ્ટી અને કચરાથી ભરાઈ ગઈ છે. જેના કારણે આ ઐતિહાસિક રચનાઓ પોતાના મૂળ સ્વરૂપ પરથી વિખેરાઈ રહી છે. વાવો માત્ર પાણી માટેની વ્યવસ્થા ન હતી, પરંતુ તે સમયના શિલ્પ શાસ્ત્ર, ઈજનેરી અને સામાજિક જીવનનું પ્રતિબિંબ હતી. નવસારીના ખેરાગઢ, જીલેગામ તેમજ વલસાડના પારડી અને ઉમરગામ વિસ્તારમાં આવેલી વાવો આજે ઘાસ, ઝાડઝાંખરથી ઘેરાઈ ગઈ છે. ઘણા સ્થળોએ વાવો પાસે પહોંચવાનો રસ્તો પણ અવરોધિત થઈ ગયો છે. પ્રવાસન વિકાસને પણ અટકાવી રહ્યો છે. સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયતોએ અનેક વખત આ વાવોનું સંરક્ષણ કરવાની માંગ ઉઠાવી છે છતાં પણ પુરાતત્વ વિભાગ અને તંત્ર તરફથી કોઇ અસરકારક પગલા લેવાયા નથી. પર્યટન વિભાગ પણ આ વાવોને ‘હેરીટેજ સ્પોટ’ તરીકે વિકસાવવાની સંભાવનાઓ હોવા છતાં નિષ્ક્રિય જોવા મળે છે. વધુ બાંધકામોથી વાવો પૂરાઇ પારડીના ઇતિહાસકાર અને મોટાપોંઢા કોલેજના નિવૃત આચાર્ય બી.એન.જોષીએ જણાવ્યું હતું કે, વલસાડ, નવસારી સહિત દ.ગુજરાતમાં કુલ 55 જેટલી વાવ પ્રાચીન કાલથી અર્વાચીન કાલ સુધીની છે. ઘર સુધી નળ અને નળથી જળ આપવાની પ્રક્રિયા શરૂ થઈ પછીથી વાવ કુવા મોટે ભાગે ઉપયોગમાં આવતા બંધ થયા અને વધુ વધુ બાંધકામ થવાથી આવતા કુવા વાવો પૂરી દેવામાં આવી છે. સંસ્કૃતિ સાથે કૂવો વાવ જોડાયેલાકેટલાક કુવા વાવ નીચે સુધી જઈ શકાય એવા પગથીયા વાળા પણ હતા. જેનું બાંધકામ પથ્થર ઈટ અને ચુનાથી થયેલ એ જગ્યાઓ આજે પણ ઉજાગર કરવામાં આવ્યા તો 25થી 30 ટકા ખેતી માટે કેનાલ સિવાય કુવા વાવ પાકો માટે પાણી પૂરું પાડી શકે એટલે વ્યવસ્થા થઈ શકે તેમ છે. આ રીતે આપણી સંસ્કૃતિ સાથે જ કૂવો વાવ આદિકાળથી જોડાયેલ છે અને રહેવા જોઈએ. સમગ્ર દક્ષિણ ગુજરાત અતિ વરસાદ અને નદીઓના પુર ઉભરાતા ત્યારે કૂવાના પાણીનો જ ઉપયોગ માટે થતો આમ કુવા વાવ નષ્ટ ન થવો જોઈએ.
ફરાર આરોપી પકડાયો:દહેજમાં ચોરીના બે ગુનામાં ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપાયો
દહેજ પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બે ચોરીના ગુનામાં આરોપી રામકુમાર ખીચડ 11 વર્ષથી ફરાર થઈ ગયો હતો. પોલીસને બાતમી મળી હતી દહેજ પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કે, બે ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રામકુમાર ખીચડ હાલમાં તેના ઘરે ગામ લોહાવટ જીલ્લો ફલોદી-જોધપુર માં હાજર છે. પોલીસની એક ટિમ રાજસ્થાન જઈને તપાસ કરતાં આરોપી તેના ઘરેથી મળી આવ્યો હતો. આરોપીને બંને ચોરી વિષે પૂછ પરછ કરતાં આરોપીએ ચોરિના ગુનામાં સંડોવાયેલ હોવાનું કબુલાત કરી હતી. આરોપીને રાજસ્થાન થી દહેજ પોલીસ સ્ટેશન લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગણિત- વિજ્ઞાન પ્રદર્શનના વિજેતાઓની જાહેરાત:કચરાથી વિધુત ઉર્જા ઉત્પન્ન સહિતની 5 કૃતિ વિજેતા
ભરૂચ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પાંચ વિભાગમાં શુકલતીર્થ કુમાર શાળામાં યોજવામાં આવ્યું હતું. જેના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. દરેક ગૃપમાંથી એક- એક કૃતિ વિજેતા બની છે. પ્રાથમિક વિભાગના દરેક તાલુકામાંથી 5 શાળાની 5 કૃતિ આમ કુલ 45 કૃતિ અને 90 બાળ વૈજ્ઞાનિકો સાથે 45 માર્ગદર્શક શિક્ષકો જોડાયા હતા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 30 શિક્ષકો 30 કૃતિ અને 60 બાળ વૈજ્ઞાનિ કો પ્રાથમિક વૈજ્ઞાનિક પ્રદર્શન ભાગ લીધો હતો. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ શાળાને શિલ્ડ અને તમામ બાળકોને ઉપહાર અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સોમવારે પ્રથમ આવનાર કૃતિનું અકબંધ નામ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક વિભાગમાં એક પગલું નૈસર્ગિક ખેતી, કચરામાંથી વિધુત ઉર્જા ઉત્પન્ન કરવી, ગ્રીન કેમિસ્ટ્રી-અનોખું અને આવકારદાયક અભિગમ, સ્માર્ટ ઈકો વિલેજ અને ઓટો ક્લીનર ટોઇલેટ કૃતિને તેમના વિભાગમાં પ્રથમ નંબર મળ્યો હતો. માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શાળાની કૃતિમાં સ્માર્ટ એગ્રીકલ્ચર ફાર્મિંગ, સ્માર્ટ વેસ્ટ એગ્રીગેટર અને વેસ્ટ, ધ ગ્રીન ઇન્ડિયન હાઇવે ફ્યુચર, રિવર ક્લિનિગ બોટ અને ઓટોમેટિક પ્લાન્ટ વોટરિંગ સિસ્ટમને પ્રથમ નંબર મળ્યો છે. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનથી બાળકોમાં આત્મવિશ્વાસ વધશે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન થી વિદ્યાર્થીઓમાં જ્ઞાન પ્રત્યે રુચિ કેળવી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધારવો, પેક્ટિકલ વર્કિંગ મોડલ બનાવડાવી બાળકો માં રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલવવી તેમજ બાળકોમાં આત્મવિશ્વાસ વધારી અભિવ્યક્તિ ખીલવવી જેવો મુખ્ય ઉદેશ્ય રહેલો છે. > પ્રદીપ સિંહ રણા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ભરૂચ
કાર્યવાહી:માણેકવાડામાં દબાણ હટાવ ઝુંબેશ, 800 વીઘા જમીન ખુલ્લી કરાવાઈ
કેશોદ પંથકના માણેકવાડા ગામે ગૌચર પરનું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને હજુ એકાદ દિવસ કામગીરી શરૂ રહેશે.કેશોદ પંથકના માણેકવાડા ગામે ગૌચર પર દબાણ હોય જેમને દૂર કરવા માટે પંચાયત દ્રારા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.અને 4 જે.સી.બી મારફત ખારા વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં તલાટી મંત્રી ધવલભાઈ જેઠવા,તલાટી અશોકભાઈ પરમાર,અલકાબેન ભટ્ટ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને આશરે 1500 વીઘામાં દબાણ હોય તેમાંથી 800 વિઘામાં દબાણ દૂર કરાયું હોવાનું તલાટી જેઠવા ભાઈએ જણાવ્યું હતું અન્ય દબાણ પણ મંગળવારે દૂર કરવામા આવશે. કલેકટરને રિપોર્ટ કરવા સૂચનાથોડા દિવસ પહેલાં કલેકટર અનિલ રાણાવસિયાએ ગામની મુલાકાત લીધી હતી એ સમયે ગૌચર દબાણ વિશે રજૂઆત થઈ હતી આ તમામ દબાણ દૂર કરી કલેકટરને રિપોર્ટ કરવામાં આવશે તેમ તલાટી અશોકભાઈ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
જૂનાગઢ સી ડિવિઝન પોલીસે શહેરના કુખ્યાત અને ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહીનો સામનો કરી રહેલા મોસ્ટ વોન્ટેડ આરોપી મોસીન ઉર્ફે ફેઝલ ઉર્ફે હોલે હોલે ફિરોઝખાન મલેક અને તેના સાગરીત અવેશ હુસેનભાઈ મતવા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીને આગળ ધપાવી છે. ગત તારીખ 11/10/2025 ના રોજ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળજબરીથી પૈસા કઢાવી લેવા અને રાયોટિંગનો ગંભીર ગુનો નોંધાયો હતો, જેની તપાસના ભાગરૂપે આજે પોલીસ દ્વારા આ બંને આરોપીઓને ગુનાના સ્થળે લઈ જઈને ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને જે જગ્યાએ તેઓ અવારનવાર ગુનાઓ આચરતા હતા, તે બનાવ વાળી જગ્યા પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ ઉલ્લેખનીય છે કે, આરોપી મોસીન ઉર્ફે હોલે હોલે વિરુદ્ધ અગાઉ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુજસીટોકના કામે તેનો કબજો સુરતથી મેળવવામાં આવ્યો હતો. રેકોર્ડ મુજબ, હોલે હોલે 27 ગુનાના કામે કબજો લેવામાં આવ્યો હતો. આ આરોપી અવારનવાર આવી ગંભીર પ્રવૃત્તિઓ આચરી રહ્યો હોવાથી આજે ગુનાની સમગ્ર પદ્ધતિ સમજવા માટે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. મોસીન ઉર્ફે હોલે હોલે સહિતની આ મોસ્ટ વોન્ટેડ આરોપીઓની ટોળકીને જૂનાગઢ એસઓજી (SOG) દ્વારા ગત તારીખ 18/11/2025 ના રોજ સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવી હતી. એસઓજીએ બાતમીના આધારે સુરેન્દ્રનગરના ગેડીયા ગામ નજીકથી મોહસીન ઉર્ફે ફેઝલ ઉર્ફે હોલે હોલે ફીરોઝભાઈ મલેક (જેના વિરુદ્ધ 31 ગુના નોંધાયેલા છે), રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન પઠાણ (જેના વિરુદ્ધ 8 ગુના) અને સીરાઝ બોદુભાઈ ઠેબા (જેના વિરુદ્ધ 2 ગુના) નામના ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ખૂન, લૂંટ અને ચોરી સહિત કુલ 41 ગુના નોંધાયેલા હતા. એસઓજીએ આરોપીઓ પાસેથી ₹70,000ના મોબાઇલ ફોન, ₹10,00,000ની ક્રેટા કાર, અને ₹1,000નું જીઓ રાઉટર મળી કુલ ₹10,71,000ની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. આ પકડાયેલા આરોપીઓ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા BNS કલમ 308(5),115(2) સહિતની અન્ય કલમો હેઠળના ગુનામાં નાસતા ફરતા હતા. ભૂતકાળમાં આ ટોળકીએ ફરિયાદીને શાંતિથી નોકરી કરવી હોય કે પાર્ટીઓમાં જવું હોય તો તેમની ગેંગને રૂપિયા દસ હજાર આપવાનું કહી, આરોપીએ તેની પાસેનું ધારીયું બતાવી, થપ્પડ મારી, કાઠલો પકડી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂ. 2,500 બળજબરીપૂર્વક કઢાવી લીધા હતા. આજે સી ડિવિઝન પોલીસે ગુનાની તપાસના ભાગરૂપે આ ગંભીર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
રાજકોટમાં સ્પાની આડમાં ચાલતુ વધુ એક કુટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર મવડી ચોકડી પાસે આવેલા નીલા સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રેડ પાડી સ્પાના નામે ચાલતો દેહ વ્યાપારનો ધંધો ખુલ્લો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. અહીં ગ્રાહકો પાસેથી રૂ.3000 લેવામાં આવતા હતા જેમાંથી ભોગ બનનાર સ્ત્રી એક ગ્રાહક દીઠ સ્પા સંચાલકને રૂ.1000 આપતી હતી. પોલીસે ડમી ગ્રાહક બની આ ઓપરેશન પાર પાડતા અફડાતફડી મચી ગઈ હતી. શહેરની મવડી ચોકડી પાસે ન્યુ જલારામ સોસાયટીમાં સ્પામાં છોકરીઓ રાખી મસાજના નામે દેહ વ્યાપારનો વ્યવસાય ચાલતો હોવાની બાતમીના આધારે રાજકોટ શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ ડમી ગ્રાહક મારફત ત્યાં પહોંચી હતી. જે બાદ હકીકતમાં ત્યાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે શહેરના ભગવતી પરામાં રહેતા સુનિલ નાથાભાઈ ચાવડા, ઋષિ સુરેશભાઈ જાની, વિશાલભાઈ, કાલાવડ રોડ ઉપર લાભમુળ એપાર્ટમેન્ટમાં રહેતા સુશાંત પદમ સર્કિ અને એક 39 વર્ષીય મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે ત્યાંથી 5 મોબાઈલ મળી રૂ.25450 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અહીં સ્પામાં ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી રૂ. 1000 લેવામાં આવતી હતી અને શરીર સંબંધ માટે એક્સ્ટ્રા સર્વિસ સ્વરૂપે રૂ.2000 લેવામાં આવતા હતા. જેમાંથી સ્પા સંચાલક ભોગ બનનાર સ્ત્રી પાસેથી રૂ.1000 વસૂલતા હતા. પોલીસે દિલ્હીની 1 અને પશ્ચિમ બંગાળની 2 રૂપલલનાને ઝડપી પાડી હતી.
આદિજાતિ વિકાસને લઈને ગુજરાતમાં રાજકીય ઘમાસાણ ચરમસીમાએ છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પત્રકાર પરિષદમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા પર આક્ષેપો કરતા કહ્યું હતું કે, આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, સિકલ સેલ સબસીડી અને કૃપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી, જ્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમોમાં કરોડો રૂપિયા આદિજાતિ વિકાસ ફંડમાંથી ખર્ચવામાં આવ્યા. ચૈતર વસાવાની ચેતવણી, કહ્યું- પુરાવા આપો નહીં તો માનહાનીનો કેસ કરીશચૈતર વસાવાએ આરોપ મૂક્યો કે બે મહિનામાં પાંચ મોટા કાર્યક્રમોના ભારે ખર્ચા પણ આજ ફંડમાંથી બંધારણ વિરૂદ્ધ રીતે ચૂકવાય છે. તેમણે કહ્યું કે, નર્મદામાં 10 કરોડનું કમલમ બનાવાયું, જ્યારે આંગણવાડી, શાળા અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ માટે ફંડ નથી. સાંસદ મનસુખ વસાવાએ તેમના વિરુદ્ધ ખોટા આક્ષેપો કર્યા હોવાનો દાવો કરીને ચૈતર વસાવાએ ચેતવણી આપી કે, પુરાવા નહીં આપે તો માનહાનીનો કેસ કરશે અને “તેમને મનોચિકિત્સકની જરૂર છે” એવું પણ કહ્યું. ધારાસભ્યએ આરોપ કર્યો કે, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરો દ્વારા હુમલામાં પણ ભાજપની ભૂમિકા છે અને જો દારૂ અને ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી નહીં થાય તો મોટી લડત શરૂ કરવામાં આવશે. 11 લાખથી વધુ વિદ્યાર્થીઓને 2470 કરોડ શિષ્યવૃત્તિ સહાય ચૂકવીઆ આક્ષેપોના વચ્ચે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે સરકાર તરફથી આંકડાઓ રજૂ કર્યા. મંત્રીના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ST ના 11 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹2470.57 કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી છે. વર્ષ 2025-26માં 1.13 લાખ વિદ્યાર્થીઓને ₹460 કરોડ DBT મારફતે સીધા ચૂકવાશે અને તેમાં મેડિકલ, પેરામેડિકલ, ઈજનેરી, આર્ટસ, કોમર્સ, સાયન્સ, B.Ed, M.Ed સહિતના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. “વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ Vs વિકાસ ફંડના ખર્ચા” નામે રાજકારણમંત્રી નરેશ પટેલે દાવો કર્યો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિજાતિ શિક્ષણના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવનાર સમયમાં યોજનાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે. રાજકારણ હવે “વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ Vs વિકાસ ફંડના ખર્ચા” નામના સંઘર્ષમાં ફેરવાયું છે. હવે જોવાનું એ છે કે મનસુખ વસાવા પુરાવા આપે છે કે પછી આ મામલો કોર્ટ અને રાજકીય મંચ સુધી પહોંચે છે.
સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું છે પણ છેલ્લા એક-બે વર્ષથી જે રીતે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે, તેના પગલે ટ્રાફિક સિટી તરીકે ઓળખ થવા લાગે તો નવાઈ નહીં. એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે જ્યારે સીટીની મધ્યમાં આવેલા સુરત રેલ્વે સ્ટેશનની પણ રિ-ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે. આ બંને કામગીરીને કારણે લોકો દિલ્હી મુંબઈ જેવા ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે. આજે રાત્રે પીક અવર્સમાં 5 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. મેટ્રો અને રેલવે રિ-ડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ નાગરિકો માટે સૌથી મોટી મુસીબતજે શહેરને તેના સમૃદ્ધ ટેક્સટાઇલ અને ઝગમગતા ડાયમંડ ઉદ્યોગ માટે ડાયમંડ સિટી તરીકે વૈશ્વિક ઓળખ મળી છે, તે સુરત હવે છેલ્લા એક-બે વર્ષથી સર્જાતા ભયંકર ટ્રાફિક જામને કારણે એક નવી, અનિચ્છનીય ઓળખ તરફ ધકેલાઈ રહ્યું છે 'ટ્રાફિક સિટી'. શહેરના વિકાસ માટે ચાલી રહેલી બે મહત્ત્વની કામગીરી મેટ્રો રેલ પ્રોજેક્ટ અને સુરત રેલવે સ્ટેશનનું રિ-ડેવલોપમેન્ટ હાલમાં નાગરિકો માટે સૌથી મોટી મુસીબત બની ગઈ છે. શહેરના હાર્દ સમા વિસ્તારમાં એકસાથે ચાલી રહેલા આ મોટા પ્રોજેક્ટ્સને કારણે વાહનવ્યવહારની ગતિ અટકી ગઈ છે. આ રૂટ પર રોજબરોજ વાહનોની લાંબી કતારો જોવા મળે છેસુરત રેલવે સ્ટેશનને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH) તરીકે વિશ્વસ્તરીય બનાવવાની મહત્ત્વાકાંક્ષી કામગીરી ચાલી રહી છે. જોકે, આ કામગીરીને કારણે જાહેર માર્ગો પર મોટો અવરોધ ઊભો થયો છે. ખાસ કરીને દિલ્હી ગેટ વિસ્તારથી લઈને રિંગરોડ સુધીના મુખ્ય માર્ગ પર સ્ટેશનના કામકાજને લીધે બેરીકેટિંગ કરી દેવામાં આવ્યું છે. આ બેરીકેટિંગને કારણે રોડની પહોળાઈ ઘટી ગઈ છે અને ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. આ સાથે જ રીંગરોડ પર મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે થોડા થોડા દિવસોના અંતરે અલગ-અલગ રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. હાલ પણ મજુરાગેટ બ્રિજની સાઈડના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે, આ રૂટ પર રોજબરોજ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. મજુરા ગેટથી લઈને મહીધરપુરા પોલીસ સ્ટેશન સુધી 5 KMનો ટ્રાફિકજામઆજે રાત્રે પીક અવર્સ દરમિયાન મજુરા ગેટથી લઈને મહીધરપુરા પોલીસ સ્ટેશન સુધી પાંચ કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. આ પાંચ કિલોમીટરના ટ્રાફિક જામના કારણે ઉધના ખરવર નગર થી ઉધના દરવાજા સુધી પણ ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા, જેમાં રસ્તાઓ પર વાહનોના થપ્પા લાગી ગયા હોય તેવું જોવા મળ્યું હતું. વર્તમાન સ્થિતિ સુરતવાસીઓની ધીરજની કસોટી કરી રહી છેએક તરફ મેટ્રોની કામગીરીને કારણે પણ શહેરના અનેક માર્ગો પર ખોદકામ અને ડાયવર્ઝન છે, અને બીજી તરફ રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ બંને મોટા પ્રોજેક્ટ્સ ભવિષ્યમાં સુરતની કાયાપલટ કરવાના છે અને મુસાફરીને સરળ બનાવશે, પરંતુ વર્તમાનમાં તે સુરતવાસીઓની ધીરજની કસોટી કરી રહ્યા છે. લોકોને ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાવું પડે છે, જેના કારણે માત્ર સમયનો જ નહીં, પરંતુ ઈંધણનો પણ વ્યય થાય છે.
વડોદરામાં માથાભારે રિક્ષાચાલકનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં રિક્ષાચાલકે રિક્ષાના છાપરે ચડી હાથમાં તિક્ષ્ણ હથિયાર સાથે 'મેં ઝુકેગા નહીં સાલા' ડાયલોગ સાથેની રીલ બનાવી હતી. સોશિયલ મીડિયામાં તેણે રીલ પોસ્ટ કરતા વાઈરલ થઈ હતી. જેને પગલે વડોદરા ટ્રાફિક પોલીસ એક્સનમાં આવી ગઈ હતી અને યુવકને પકડી પાડ્યો હતો અને તેની પાસે કાન પકડીને માફી મંગાવી હતી. યુવકે 'મેં હી હૈ બોસ, પુષ્પા ધ બોસ' ડાયલોગ સાથેની રીલ બનાવીવડોદરાના રિક્ષાચાલકે હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે વીડિયો બનાવ્યો હતો અને ભાઈગીરીની રીલ બનાવી વિસ્તારમાં રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો અને જાહેરનામાં ભંગ કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. રિક્ષાચાલકની આ રીલ વાઇરલ થઈ હતી, આ રીલમાં રિક્ષાચાલક કહેતો જોવા મળ્યો હતો કે, મેં હી હૈ બોસ, પુષ્પા ધ બોસ, પુષ્પા હૈ તો ધંધા હૈ, દુનિયા મેં ચાહે કહી ભી રહું, મેં ઝુકેગા નહીં સાલા ડાયલોગ સાથેની રીલ બનાવી હતી. 'હું જિંદગીમાં બીજી વાર આવો વીડિયો નહીં બનાવું'વીડિયો વાઇરલ થતા પોલીસે યુવકને ઝડપી પાડ્યો હતો અને વડોદરા ટ્રાફિક પોલીસે યુવકને પકડીને તેની પાસે માફી મંગાવી હતી, યુવકે વીડિયોમાં કહ્યું હતું કે, મેં પુષ્પા-2નો વીડિયો બનાવ્યો હતો. હાથમાં હથિયાર હતું. હું કહું છું કે, આવો વીડિયો તમે ક્યારેય ન બનાવતા, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું જિંદગીમાં બીજી વાર આવો વીડિયો નહીં બનાવું, બધા ચેતી જજો, હું કાન પકડું છું, હું વડોદરા શહેરને કહેવા માંગુ છું કે, મારાથી ભૂલ થઇ ગઈ છે, હવે હું ક્યારેય આવો વીડિયો નહીં બનાવું. પુષ્પા સ્ટાઈલમાં ભાઇગીરી કરનારની પોલીસે ભાઇગીરી કાઢીપહેલા પુષ્પા સ્ટાઇલમાં વીડિયો મૂકીને ભાઈગીરી કરી હતી અને પછી પોલીસ સ્ટેશનમાં આવતા જ એની ભાઈગીરી નીકળી ગઈ હતી અને પોલીસ સમક્ષ અને વડોદરાવાસીઓની માફી માગી હતી અને લોકોને આવો વીડિયો ન બનાવવા માટે અપીલ કરી હતી અને સાથે જ તે પોતે પણ આવો વીડિયો નહીં બનાવું તેમ જણાવ્યું હતું. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરતા પોલીસે કાર્યવાહી કરીઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં આ પ્રકારના અસામાજિક તત્વો સોશિયલ મીડિયા પર રીલ્સ મૂકતા હોય છે, કેટલાક લોકો જોખમી સ્ટંટ કરીને વીડિયો સોશિયલ મીડિયા પર મુકતા હોય છે, ત્યારે રિક્ષાચાલકે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. જેને પગલે પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.
ગોધરા અંડરબ્રિજનું કામ ત્રણ વર્ષથી અધૂરું:શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ટલ્લે, કલેક્ટરને રજૂઆત
ગોધરાના શહેરા ભાગોળ રેલવે ફાટક પર બની રહેલા અંડરબ્રિજનું કામ છેલ્લા ત્રણ વર્ષથી અધૂરું છે. કામગીરીની ધીમી ગતિ અને ગટરના ગંદા પાણીની સમસ્યાથી પરેશાન સ્થાનિક નાગરિકોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ અંડરબ્રિજનું ખાતમુહૂર્ત તત્કાલીન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. કામ શરૂ થયાના ત્રણ વર્ષ પછી પણ, અત્યાર સુધી માત્ર રેલવે લાઇન નીચે બોક્સ નાખવાનું જ કામ પૂર્ણ થયું છે. છેલ્લા એક વર્ષથી આ કામગીરી સંપૂર્ણપણે બંધ છે. પાવર હાઉસ તરફની તૂટેલી ગટરોનું ગંદુ પાણી સીધું અંડરબ્રિજના ખાડામાં ભરાય છે. નગરપાલિકા, પી.ડબલ્યુ.ડી. અને રેલવે તંત્ર વચ્ચે સંકલનના અભાવને કારણે જવાબદારી એકબીજા પર ઢોળવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર છેલ્લા છ મહિનાથી માત્ર ખાડામાંથી પાણી ઉલેચવાની કામગીરી કરી રહ્યો છે, જેનાથી લાખો રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે, પરંતુ કાયમી ઉકેલ મળતો નથી. આ અધૂરી કામગીરીને કારણે ગોધરા શહેર જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. રસ્તો બંધ હોવાથી સોનીવાડ, સ્ટેશન રોડ અને બસ સ્ટેન્ડ વિસ્તારના વેપારીઓના ધંધાને અસર થઈ છે. તીરગડવાસ, કુંભારવાસ, ભોઈવાડા અને રેલવે વિસ્તારના રહીશોને પણ અવરજવરમાં મુશ્કેલી પડે છે. નૂતન હાઈસ્કૂલ અને ગર્લ્સ હાઈસ્કૂલ જેવી શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટીઝનોને લાંબો ફેરો ફરજિયાત ફરવો પડે છે. નાગરિકોએ રજૂઆતના અંતે માંગ કરી છે કે, જિલ્લા કલેક્ટર જાતે સ્થળ મુલાકાત લઈ સંબંધિત તમામ વિભાગોને સૂચના આપે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.
સુરતની એક અદાલતે 14 વર્ષ જૂના લાંચ-રૂશ્વત કેસમાં કડક વલણ અપનાવતા 67 વર્ષીય પૂર્વ તલાટી મહેન્દ્ર પટેલને દોષિત ઠેરવી 2 વર્ષની સજા અને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો જાહેર જીવનમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચાર સામે ન્યાયતંત્રની કડક નીતિનો સંકેત આપે છે. જમીનના કાગળો માટે 3000ની લાંચ લેવાનો કેસઆ કેસ વર્ષ 2011નો છે. ફરિયાદી પોતાની પત્નીના નામે ખરીદેલી જમીનનું નામ ઈ-ધારા પદ્ધતિમાં ચઢાવવા માટે અરજી કરી હતી. આ અરજીનો નિકાલ કરવાના બદલામાં તલાટી મહેન્દ્ર પટેલે ફરિયાદી પાસે રૂપિયા 3,000ની લાંચની માંગણી કરી હતી. મહેન્દ્ર પટેલ લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ આજે કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. સરકારી પક્ષે એપીપી વિશાળ ફળદુએ મજબૂત દલીલો રજૂ કરી હતી. ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે કડક કાર્યવાહી બચાવ પક્ષ દ્વારા આરોપી વૃદ્ધ છે, બીમાર છે અને કિડની ફેઇલ હોવા જેવી દલીલો રજૂ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આરોપીને યોગ્ય સજા કરવી જરૂરી માની હતી. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે અને તેને ડામવા માટે કડક કાર્યવાહી અનિવાર્ય છે. ભ્રષ્ટાચાર સંસ્થાકીય માળખાને નુકસાન પહોંચાડે છેઆ ચુકાદા સાથે કોર્ટે ભ્રષ્ટાચારના સામાજિક અને રાજકીય માળખા પર થતા નુકસાન અંગે ગંભીર ટિપ્પણી કરી હતી, જે આ ચુકાદાનો મુખ્ય હિસ્સો બની છે. કોર્ટે નોંધ્યું કે, આજે આપણા દેશમાં ભ્રષ્ટાચાર માત્ર શાસન માટે ગંભીર ખતરો જ નથી, પરંતુ ભારતીય લોકશાહી અને કાયદાના શાસનના પાયાને પણ જોખમમાં મૂકે છે. ભ્રષ્ટાચારનું કેન્સર વ્યાપકપણે ફેલાઈ ગયું છે અને તે સંસ્થાકીય માળખાને પણ નુકસાન પહોંચાડે છે. તે વિકાસને અવરોધે છે અને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા બંધારણીય મૂલ્યોને નબળી પાડે છે.
જૂનાગઢ જેવા નાના શહેરમાં પણ હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ગોરખ ધંધો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતના ઘણા મોટા શહેરોમાં અગાઉ સ્પાની આડમાં ચાલતા કુટણખાના પકડાયા હોવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, જૂનાગઢ બી ડિવિઝન પોલીસે શહેરમાં બિલાડીના ટોપની જેમ ઉગી નીકળેલા સ્પા વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. જૂનાગઢ રેન્જના આઈજી જનિલેશ જાજડીયા, એસપી સુબોધ ઓડેદરાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસે સ્પાનું સઘન ચેકિંગ કરવા માટે એક સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. પીઆઈ જે.જે.પટેલની સૂચનાના આધારે અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન સ્પાના રજિસ્ટર, સીસીટીવી કેમેરા અને ત્યાં કામ કરતા બહારના રાજ્યના લોકોની વિગતોની તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ ભારતીય ન્યાય સહિતા 2023ની કલમ-223 મુજબ કુલ 9 ગુના રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરાયેલા મોટાભાગના સ્પા જૂનાગઢની ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આવેલા છે, જેના કારણે આવનાર સમયમાં આ વિસ્તાર હવે 'સ્પા ચોકડી' તરીકે જાણીતો બને તો પણ નવાઈ નહીં. જુનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ઝાંઝરડા ચોકડી નજીક આવેલ રોઝેટ ધ ફેમિલી સ્પા, ડીલાઇટ ફેમીલી સ્પા, ધ પ્રીમિયમ ફેમિલી સ્પા અને ફેમીલી સ્પા ,પ્લેટીનીયિ સ્પા અને ફીલગુડ ધ ફેમિલી સ્પા, તેમજ ડોલ્ફીન ફેમીલી સ્પા માલિકો સામે જાહેરનામાના ભમનો ગુનો નોંધવામાં આવ્યો છે. જૂનાગઢ બી ડિવિઝન પોલીસે સ્પા ધારકો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરીને સારી કામગીરી કરી છે. જો આ જ રીતે ઝાંઝરડા રોડ અને અન્ય વિસ્તારોના સ્પામાં અચાનક રેડ કરવામાં આવે તો ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ પણ ઝડપાઈ શકે છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ. એસ.એ.સાંગાણી, પોલીસ સબ ઇન્સ. એમ.આર.ઝાલા, પોલીસ સબ ઇન્સ. કે.એમ.વાઢેર અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે યોગદાન આપ્યું હતું.
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે..ત્યારે મુંબઈ અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરનારા મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને ભગત કી કોઠી વચ્ચે નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન ખાસ કરીને મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. જેથી મુસાફરોને હવે રાહત મળી રહેશે. ટ્રેન નંબર 09083 મુંબઈ સેન્ટ્રલથી દર બુધવારે રાત્રે 11:10 વાગ્યે નીકળશે અને બીજા દિવસે સાંજે 5 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેન 10 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. તે જ રીતે, ટ્રેન નંબર 09084 ભગત કી કોઠીથી દર શુક્રવારે સવારના 11:30 વાગ્યે નીકળશે અને બીજા દિવસે વહેલી સવારમાં 4:20 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 12 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. આ સ્પેશિયલ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરુચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલણા, મારવાડ, પાલી મારવાડ અને લૂણી સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી-2 ટિયર, એસી-3 ટિયર અને એસી-3 ટિયર ઇકોનોમી કોચની સુવિધા રહેશે. આ ટ્રેન માટેની બુકિંગ 9 ડિસેમ્બર 2025 થી તમામ રેલવે PRS કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે.
નવાગામમાં વી.કે. જ્વેલર્સમાં થયેલી રૂ.11.10 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો હતો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચાર તસ્કરની ધરપકડ કરી મુદામાલ રિકવર કરવાં તજવીજ હાથ ધરી હતી. જ્યારે વધુ ત્રણ તસ્કરની શોધખોળ હાથ ધરી છે.પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટી-02 શેરી નં-01 માં રહેતાં રાહુલભાઇ જયંતીલાલ મજેવડિયા (ઉ.વ. 35) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.3 ના વી.કે. જ્વેલર્સમાં પ્રા.લી.ની ગોલ્ડ રીફાઇનરી આદીત્ય પાર્ક પ્લોટ નં-16 નવાગામ (આણંદપર) ખાતે ચોરી થઈ હતી. જેમાં રિફાઇનરીમાં ગત તા.02 ના આવેલ ગોલ્ડની રજ (ધુળ મિશ્રીત) 12 બેગ અને 02 ચોકી (ટ્રે) જોવામાં આવતી ન હતી. બાદમાં તેઓએ સીસીટીવી કેમેરા ચેક કરતા તા.03 ના રાત્રીના આશરે 12 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા 3 શખ્સો પાછળના દરવાજેથી રૂમમાં અંદર આવેલ અને રૂ.11.10 લાખનું ગોલ્ડ ડસ્ટ ચોરી કરી નાસી છુટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસમાં ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે ઉતરપ્રદેશના રાહુલ આત્મારામ બીંદ (ઉ.વ.23, મજૂરીકામ), મોનુ ધર્મેન્દ્રભાઈ નિશાદ ઉ.વ.21, ખેતીકામ), શીવમ સૂબેદાર નિશાદ (ઉ.વ.22, મજુરીકામ) અને સુનીલકુમાર આશાસમ નિશાદ (ઉ.વ.29, મજુરીકામ) ને દિલ્હીથી ઝડપી પાડ્યા છે. જ્યારે ચોરીમાં સંડોવાયેલા 3 શખ્સોની શોધખોળ યથાવત રાખી છે. 11 કિલો ગાંજાના કેસમાં ઝડપાયેલા 2 ડ્રગ્સ પેડલર અમદાવાદ - વડોદરા જેલમાં ધકેલાયા રાજકોટ સહિત ગુજરાતભરમાંથી ડ્રગ્સના દુષણને અટકાવવા એસઓજી મેદાને પડી છે. આજ સુધીમાં પીઆઈટી એક્ટ હેઠળ અનેક શખ્સોના અટકાયતી પગલાં લઇ જેલના સળિયા પાછળ ધકેલી બાદ આ કામગીરી અવિરત ચાલુ હોય તેમ જંગલેશ્વર વિસ્તારના વધુ બે શખ્સોની પીઆઈટી એક્ટ હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં ધકેલી દેવા એસઓજીએ તજવીજ હાથ ધરી છે.રાજકોટને ડ્રગ્સના દુષણમાંથી દૂર કરવા તેમજ જંગલેશ્વર વિસ્તારમાં નશાનો વેંપલો મોટાપાયે ચાલતો હોય ત્યારે નશાના દુષણને ડામવા દાનિશ હનીફ કંડિયા (ઉવ 23 રહે. જંગલેશ્વર મેઈન રોડ, હુશેની ચોક) અને હબીબ હારૂન ખિયાણી (ઉવ 23 રહે. જંગલેશ્વર શેરી નં.-8, હુશેની ચોક) વિરુદ્ધ પીઆઈટી એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરી સીઆઈડી ક્રાઇમના વડાને મોકલવામાં આવી હતી. જે દરખાસ્તને મંજૂર કરતાં એસઓજીએ દાનિશને અમદાવાદ મધ્યસ્થ જેલ જયારે હબીબને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવા તજવીજ હાથ ધરી હતી. ગત તા.14-02 ના ભક્તિનગર પોલીસની ટીમે જંગલેશ્વર શેરી નં.-9 પાસેથી એકસેસ સ્કૂટરના ચાલકને અટકાવી તેની પાસે હાજર થેલાની ઝડતી કરતા તેમાંથી રૂ. 1.10 લાખની કિંમતનો 11 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જે ગાંજો હિન્દીભાષી શખ્સ પાસેથી લઇ હબીબ હારુન ખિયાણીને આપવાનું દાનિશ કંડિયાએ સગીરને કહ્યું હતું. જેમાં બંનેનું નામ ખુલ્યા બાદ એસઓજીએ બંનેના અટકાયતી પગલાં લીધા હતા. જૂની અદાવતમાં આધેડને 4 શખ્સોએ માર માર્યો આજીડેમ ચોકડી નજીક માંડાડુંગરમાં રઘુનંદનપાર્ક બ્લોક નં.175 માં રહેતા 46 વર્ષીય પ્રૌઢ અનીલભાઇ કાનજીભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિપક શાંતિ ઓડવિયા, મનોજ કાના ગોહેલ, સોનુ જીગ્નેશ નવાપરિયા અને વિમલ જીગ્નેશ નવાપરીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ સંતકબીર રોડ ખાતે ઈમીટેશનનુ કામ કરે છે. ગત તા.06 ના રોજ રાત્રીના આઠ વાગ્યે તેઓ પરીવાર સાથે ખોખડદડ ગામ પહેલા આવતા રાધેશ્યામ પાર્ટી પ્લોટ ખાતે મામાના દિકરા પંકજભાઈ મુકેશભાઈ ગોહેલના લગ્નનુ રીસેપ્સન રાખેલ હોય ત્યાં ગયો હતો.તે વખતે જમીને ત્યાં ગેઇટની નજીક પહોંચતા અગાઉ જેની સાથે ઝઘડો થયેલ અને જેમની સામે કેસ કરેલો તે દિપક ઓડવીયા, મનોજ ગોહેલ, સોનુ નવાપરીયા તથા વિમલ નવાપરીયાએ હતા ત્યારબાદ ચારેય શખ્સોએ માથે-શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. જે બાદ દીપકે જતા-જતા કહેલ કે, આજે તો આ લોકોએ તને બચાવી લિધેલ છે પણ હવે અમને તુ ક્યાંક સામે મળીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. બાદમાં પ્રૌઢને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોરબી રોડ જકાતનાકેથી દંપતીના રૂ.84 હજાર સેરવી લેનાર રીક્ષાગેંગનો સૂત્રધાર ઝડપાયો મોરબી રોડ પર જકાતનાકેથી વાંકાનેરના દંપતીને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂ. 84 હજારની રોકડ સેરવી લેનાર રીક્ષાગેંગના સૂત્રધારને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો હતો. મુસાફરોને નિશાન બનાવતી ગેંગના સૂત્રધાર અરવિંદ કુવરીયાને ઝડપી બી ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો. પેરોલ ફર્લો સ્કવોડે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા આરોપી અરવિંદ રાજુભાઈ કુંવરીયા(ઉવ 35 રહે. વિશ્વકર્મા સોસાયટી પાસે ઝૂંપડપટ્ટીમાં, ગોંડલ ચોકડી)ને ઝડપી લીધો હતો. દારૂ પી વાહન ચલાવતા 13, છરી સહિતના હથિયારો સાથે 8 ઝડપાયા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે શહેર પોલીસ દ્વારા રાત્રિના ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે ત્યારે ગત રાત્રિના શહેર પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી. પોલીસની આ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન દારૂ પી વાહન લઇને નીકળેલા 13 વાહન ચાલકોને ઝડપી લેવાયા હતા આ ઉપરાંત છરી સહિતના હથિયારો સાથે રાખી ફરતા 8 શખસોને પોલીસે ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ સાથે જ શહેર પોલીસે ગઈકાલે ડ્રાઇવ દરમિયાન અલગ અલગ સ્થળે દરોડા પાડી દેશી દારૂના જથ્થા સાથે 11 શખસોને ઝડપી લઇ તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પરિવાર દીકરીની સગાઈ નક્કી કરવા ગયો અને પિતા ઝેરી દવા પી જતા સારવારમાં મોત પરેશભાઈ ઉર્ફે હરેશભાઇ બાબુભાઈ રાઘવાણી (ઉં. વ. 45, રહે. આજીડેમ ચોકડી, ગોકુલના ગેટ પાસે, રાજકોટ)એ ગત તા.5/12ના રોજ રાત્રે 8 વાગ્યાં આસપાસ પોતાના ઘરે કોઈ કારણસર ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. તેમને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનું અહીં ચાલુ સારવારમાં તેનું મોત નીપજ્યું હતુ. આજીડેમ પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, પરેશભાઈની દીકરી રાધિકાની સગાઈ નક્કી કરવા પરિવાર જસદણ પંથકમા ગયો હતો અને પાછળથી પરેશભાઈએ આ પગલું ભરી લીધું હતુ. પરેશભાઈ બે ભાઈ એક બેનમાં વચ્ચેના અને તેમને સંતાનમાં એક પુત્રી છે. પરેશભાઈએ ભૂલથી દવા પીધી? કે આપઘાત કર્યો? તે અંગે કારણ સ્પષ્ટ ન થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બિમારીથી કંટાળી વૃધ્ધાનો ગળાફાંસો ખાઈ આપઘાત રામનાથપરાના ભવાનીનગરમાં શેરી નં. 4માં રહેતા 70 વર્ષીય લાડુબેન નારણભાઇ પરમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, લાડુબેનને સંતાનમાં 1 દીકરો અને 2 દીકરી છે. પતિ હયાત નથી તેઓ એકલા રહેતા હતા. ગઈકાલે પાડોશીને જાણ થઈ હતી કે, લાડુબેને પોતાના ઘરની ડેલીમાં ઓઢણી બાંધી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. વૃદ્ધા બીમાર રહેતા હોવાથી પગલું ભર્યું હોવાનું તારણ છે.
પાટણ સ્ટ્રોમ વૉટર પ્રોજેક્ટમાં વિલંબ:નગરપાલિકા પ્રમુખે મંત્રીને તાત્કાલિક ટેન્ડર ખોલવા રજૂઆત કરી
પાટણ નગરપાલિકાના પ્રમુખે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુ દેસાઈ સમક્ષ સ્ટ્રોમ વૉટર પ્રોજેક્ટના ટેન્ડરો ઝડપથી ખોલવા માટે લેખિત રજૂઆત કરી છે. જીયુડીસીએલ કચેરી દ્વારા હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયા છેલ્લા ચાર-પાંચ મહિનાથી અટકેલી છે, જેના કારણે શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વધી છે. આ મહત્ત્વપૂર્ણ સ્ટ્રોમ વૉટર પ્રોજેક્ટ યોજનાની કામગીરીના ટેન્ડરો ખોલવામાં વિલંબ થઈ રહ્યો છે. રજૂઆતમાં જણાવાયું છે કે, જીયુડીસીએલ કચેરીએ પ્રથમ પ્રયત્નમાં ટેન્ડરનું રી-ટેન્ડર કર્યું હતું. બીજી વખતના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયાને આશરે ચારથી પાંચ મહિના વીતી ગયા હોવા છતાં, ટેન્ડર ખોલવાની પ્રક્રિયા હજી સુધી પૂર્ણ થઈ નથી. પ્રમુખે મંત્રીનું ધ્યાન દોર્યું હતું કે, જો ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય અને કામગીરી શરૂ થાય, તો શહેરને આગામી ચોમાસા પહેલા આ સ્ટ્રોમ વૉટર યોજનાનો લાભ મળી શકે છે. વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને કારણે પ્રજાજનો તરફથી વારંવાર રજૂઆતો મળી રહી છે. તાજેતરમાં, 19 નવેમ્બર, 2025ના રોજ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત પદયાત્રા દરમિયાન નોરતા ગામેથી અંબાજીનગર ચોકડી પાસે આવેલી માહી રેસિડેન્સી અને આજુબાજુના વિસ્તારની મહિલાઓએ સ્થાનિક નગરપાલિકાના પ્રમુખ અને પદાધિકારીઓને ઘેરીને વરસાદી પાણી ભરાવવાની સમસ્યા મામલે વિરોધ દર્શાવ્યો હતો. ટેન્ડર ખોલવામાં થઈ રહેલી આ ઢીલાશના કારણે સરકાર અને નગરપાલિકાની કામગીરી સામે પ્રજામાં સવાલો ઊભા થઈ રહ્યા છે. આથી, નગરપાલિકા પ્રમુખે મંત્રીને તાત્કાલિક આ ટેન્ડર ખોલાવવા માટે ભલામણ કરવા વિનંતી કરી છે, જેથી ચોમાસા પહેલા કામગીરી શરૂ થઈ શકે.
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ સુરત જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. જોકે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ આપેલી માહિતી મુજબ, સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં SIR ડિજિટાઈઝેશનની 100% પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. કુલ 48,73,512 મતદારો પૈકી, 73.68% એટલે કે 35,90,896 મતદારોના ફોર્મ પરત આવ્યા છે અને તેમનો સમાવેશ ફાઈનલ ડ્રાફ્ટ યાદીમાં થશે. 12,68,986 મતદારોના ફોર્મ્સ 'અનકલેક્ટેડ' રહ્યાજોકે, આ કામગીરીમાં એક મોટો પડકાર સામે આવ્યો છે. બાકીના 25.9% એટલે કે 12,68,986 મતદારોના ફોર્મ્સ 'અનકલેક્ટેડ' રહ્યા છે. આ મતદારોના ફોર્મ અવસાન, કાયમી સ્થળાંતર અથવા ગેરહાજર સહિતના વિવિધ કારણોસર પરત મળ્યા નથી, જેથી તેમને ASD કેટેગરીમાં નોંધવામાં આવ્યા છે. ફોર્મ પરત ન આપનાર આ 12,68,986 મતદારોની વિધાનસભા વાઈઝ યાદી સુરત કલેક્ટર કચેરીની વેબસાઈટ https://surat.nic.in/sir-list-of-absent-shifted-dead-voters-of-surat-district/ પર જાહેર કરવામાં આવી છે. 8,70,958 મતદારો કાયમી સ્થળાંતર કરી ગયાકલેક્ટરે ASD કેટેગરીમાં સમાવેશ થયેલા મતદારોના આંકડાકીય વિગતો પણ આપી હતી. કુલ 12,68,986 ASD મતદારો પૈકી, 1,45,460 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 8,70,958 મતદારો કાયમી સ્થળાંતર કરી ગયા છે. આ ઉપરાંત, 1,29,346 મતદારો એવા છે જેઓ મળી આવ્યા નથી. આ મોટી સંખ્યામાં ફોર્મ પરત ન આવવાથી તેમના નામો મતદારયાદીના ડ્રાફ્ટમાંથી નીકળી જવાની સંભાવના છે, જોકે નાગરિકોને તેમનો મત આપવાનો અધિકાર જાળવી રાખવા માટે છેલ્લી તક આપવામાં આવી છે. 9, 10 અને 11 ડિસેમ્બરે BLO પાસે પોતાના ફોર્મ જમા કરાવી શકે છેજિલ્લા ચુંટણી અધિકારીએ મતદારોને અપીલ કરી હતી કે જો કોઈ મતદારનું નામ નીકળી ગયું હોય અને તેમણે હજુ સુધી ફોર્મ જમા ન કરાવ્યું હોય, તો તેઓ આગામી 9, 10 અને 11 ડિસેમ્બર એમ ત્રણ દિવસમાં BLO પાસે પોતાના ફોર્મ જમા કરાવી શકે છે. ખાસ કરીને, જે મતદારોના ફોર્મ પરત આવ્યા નથી, તેમના માટે તા. 10/12/2025ના રોજ સંબંધિત મતદાન મથકો પર સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી BLO ઉપસ્થિત રહેશે. મતદારો ફોર્મ નંબર 6 ભરીને ફરી પોતાનું નામ યાદીમાં ઉમેરી શકશેડૉ. પારધીએ વધુમાં જણાવ્યું હતું કે જો આ સમયગાળામાં ફોર્મ પરત નહીં આવે તો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી જશે. જોકે, મતદારો પાસે વધુ એક તક પણ ઉપલબ્ધ રહેશે. તા. 16મી ડિસેમ્બરે ફાઇનલ યાદી પ્રસિદ્ધ થયા બાદ પણ મતદારો ફોર્મ નંબર 6 ભરીને ફરીવાર પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરી શકશે. આ ઝુંબેશનો ઉદ્દેશ મતદાર યાદીને શક્ય તેટલી ભૂલરહિત અને અદ્યતન બનાવવાનો છે.
શું ગુજરાતનું શિક્ષણ ભાજપના વખણાતા ‘ગુજરાત મોડેલ’ના ભાર નીચે કચડાઈ ગયું? સંસદમાં ગતરોજ રજૂ કરવામાં આવેલા આંકડાઓનો હવાલો આપીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યો છે. કેન્દ્ર સરકારે આપેલ આંકડા મુજબ ગુજરાતમાં 2.40 લાખ જેટલા બાળકોએ અધવચ્ચે જ સ્કૂલ છોડી દીધી છે., જેમાં 1.05 લાખથી વધુ કિશોરીઓ પણ સામેલ છે. ₹2199 કરોડથી વધુનું જંગી બજેટ ખર્ચવા છતાં ડ્રોપઆઉટ રેટ આસમાને પહોંચ્યો છે. એક જ વર્ષમાં સ્કૂલ ડ્રોપઆઉટની સંખ્યામાં 341%નો વધારો સરકાર પર આક્ષેપ કરતાં કઠવાડિયા કહે છે કે, રાજ્યનું શિક્ષણતંત્ર પડી ભાંગ્યું છે. ભાજપ સરકાર વિકાસના નામે માત્ર આંકડાઓની માયાજાળ રચે છે. જે રાજ્યની સરકાર એક જ વર્ષમાં સ્કૂલ ડ્રોપઆઉટની સંખ્યામાં 341%નો વધારો થવા દે, તે રાજ્ય 'વિકાસ' નહીં, પણ 'વિનાશ'ના પંથે છે. સત્તાવાર ડેટાની સરખામણી કરીએ તો વર્ષ 2024-25માં સ્કૂલ ડ્રોપઆઉટનો આંકડો 54,451 હતો, જે વર્ષ 2025-26માં વધીને 2,40,809 થઈ ગયો. ટકાવારી મુજબ 341 ટકાનો ઊછાળો આવ્યો. ગુજરાત રાજ્યએ સ્કૂલ ડ્રોપઆઉટમાં દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો વધુમાં તેઓએ જણાવ્યું કે, સરકારના બેટી પઢાઓના નારા હેઠળ હાલ 1,05,020 કિશોરીઓએ અધવચ્ચે જ સ્કૂલ છોડી દીધી. આંકડાકીય માહિતી મુજબ દેશમાં સૌથી વધુ સ્કૂલ ડ્રોપઆઉટ કિશોરીઓ ગુજરાતમાં છે. વર્ષ 2025-26માં ગુજરાત રાજ્યએ 2.4 લાખ સ્કૂલ ડ્રોપઆઉટ બાળકો સાથે દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગુજરાત પછી આસામ (1,50,906) અને ઉત્તર પ્રદેશ (99,218) આવે છે. દેશના ડ્રોપઆઉટ બાળકોની કુલ સંખ્યામાંથી 28%થી વધુ બાળકો ગુજરાતથી આનાથી સ્પષ્ટ થાય છે કે, શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આજે પછાત રાજ્યોની હરોળમાં નહીં પણ સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગયું છે. ભારત દેશમાં સ્કૂલ ડ્રોપઆઉટ બાળકોની કુલ સંખ્યામાંથી 28%થી વધુ બાળકો ગુજરાતથી છે. ભારતમાં કુલ સ્કૂલ ડ્રોપઆઉટનો આંકડો 8,49,991 છે. 2199 કરોડનું બજેટ ખર્ચાયું છતાં બાળકો સ્કૂલ છોડી રહ્યા છેસમગ્ર શિક્ષા યોજના હેઠળ ફાળવાયેલા જંગી ભંડોળનો ઉલ્લેખ કરીને ગેરવહીવટનો સ્પષ્ટ આક્ષેપ કર્યો છે. વર્ષ 2024-25 ખર્ચ મુજબ ગુજરાત રાજ્યનો સમગ્ર શિક્ષા યોજના હેઠળ કુલ ખર્ચ 219984.75 લાખ એટલે 2199 કરોડથી વધુ રકમ થાય છે ત્યારે આટલા મોટા બજેટ છતાં ડ્રોપઆઉટનો ગ્રાફ કેમ આસમાને પહોંચ્યો? 2199 કરોડનું બજેટ શિક્ષણને મજબૂત કરવા માટે ખર્ચાયું છતાં બાળકો સ્કૂલ છોડી રહ્યા હોય, શિક્ષકોની જગ્યા ખાલી હોય અને વર્ગખંડોની ઘટ હોય, તો આ બજેટ ક્યાં 'ખર્ચ' થયું? આ પૈસા ક્યાંક બીજે જઈ રહ્યા છે, જે સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરવહીવટ સૂચવે છે. સખત મોનીટરિંગ સાથેનું 'મિશન પુનઃપ્રવેશ' અભિયાન તાત્કાલિક શરૂ કરવું આ માત્ર વહીવટી નિષ્ફળતા નથી. આ 2.4 લાખ બાળકોના ભવિષ્યને બરબાદ કરવા બદલ સરકારની ગુનાહિત બેદરકારી છે. સરકારે સમગ્ર શિક્ષા યોજના હેઠળ ખર્ચાયેલા 2199 કરોડ સહિતના તમામ ભંડોળનો એક-એક પૈસાનો વિગતવાર હિસાબ આપતું શ્વેતપત્ર (White Paper) તાત્કાલિક જાહેર કરવું જોઈએ. 2.4 લાખ બાળકોને શાળામાં પાછા લાવવા માટે, સખત મોનીટરિંગ સાથેનું 'મિશન પુનઃપ્રવેશ' અભિયાન તાત્કાલિક શરૂ કરવું જોઈએ. ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ભાજપના શાસનમાં અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. કોંગ્રેસ પક્ષ આ 2.40 લાખ ડ્રોપઆઉટના મુદ્દે ભાજપના 'શિક્ષણ કૌભાંડ'નો હિસાબ લેશે.
વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી મોકડ્રિલ દરમિયાન પૂર્વ જાણકારી આપ્યા વગર ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. જેથી સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બાળકોથી લઈ તમામને આંખોમાં બળતરા થઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં તુલસીવન સોસાયટીના રહેવાસીઓ અને રસ્તા પરથી પસાર થતા લોકો પ્રભાવિત થયા હતા. બીજી તરફ DySPએ કહ્યુ છે કે, 'કોઈને તકલીફ ન થાય તેની તકેદારી રખાઈ હતી જોકે, હવાના કારણે કદાચ સ્થાનિકોને તકલીફ પડી હશે'. નાના બાળકો અચાનક રડવા લાગ્યાટીયર ગેસ છોડાતાની સાથે જ લોકોની આંખોમાં બળતરા થવા લાગી હતી. ખાસ કરીને રસ્તા પર રમી રહેલા નાના બાળકો અચાનક રડવા લાગ્યા હતા અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ટીયર ગેસની અસરથી આંખોમાં બળતરા થઈએક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, પોલીસ હેડક્વાર્ટર તરફથી મોટો અવાજ આવ્યો અને બહાર આવીને જોયું તો ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. ટીયર ગેસની અસરથી તરત જ તેમની આંખોમાં બળતરા શરૂ થઈ ગઈ હતી. પૂર્વ જાણકારી ન આપવા બદલ સ્થાનિકોમાં નારાજગીમહિલાના જણાવ્યા મુજબ, બહાર રમતા નાના બાળકોની આંખોમાંથી પાણી નીકળતું હતું અને તેઓ તકલીફમાં હતા. તેમને બાળકોને શાંત કરીને ઘરમાં લઈ જવા પડ્યા હતા. આ ઉપરાંત, રસ્તા પરથી પસાર થતા અન્ય રાહદારીઓને પણ આના કારણે ઘણી મુશ્કેલી પડી હતી. સ્થાનિકોએ પૂર્વ જાણકારી ન આપવા બદલ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. તેમને પાછળથી જાણ થઈ કે સુરતથી કોઈ અધિકારી આવવાના હોય તેના સંદર્ભમાં આ મોકડ્રિલ રાખવામાં આવી હતી. સ્થાનિકોની માંગ છે કે, ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કે ડ્રિલ હાથ ધરવામાં આવે તે પહેલાં લોકોને પૂર્વ જાણકારી આપવી જોઈએ, જેથી નાના બાળકો અને અન્ય રહેવાસીઓ પોતાની સુરક્ષા માટે સાવચેતી રાખી શકે. DySP શું કહ્યું ?સમગ્ર બાબતે DySP HQ ભાર્ગવ પડ્યાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં રેન્જ IG પ્રેમ વીર સિંગ વલસાડ પ્રવાસે આવનાર છે, જેને લઈને પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, આજુબાજુમાં રહેતા લોકોને કોઈ તકલીફ ન થાય તે રીતની તકેદારીઓ લેવામાં આવી હતી, પરંતુ કદાચ હવાના કારણે આજુબાજુના રહીશોને કે રાહદારીઓને તકલીફ પડી હશે. DySP પડ્યાએ વધુમાં જણાવ્યું કે, હજુ સુધી સ્થાનિકો કે રાહદારીઓ દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જો કોઈને તકલીફ પડી હશે તો આગામી દિવસોમાં જરૂરી તકેદારીઓ રાખવામાં આવશે અને કોઈને તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અથવા આજુબાજુના રહીશોને જાણકારી આપવામાં આવશે.
રાજકોટ સમાચાર:રાજકોટમાં કટારિયા ચોકડી પાસે લોકોનો રસ્તા, પાણી, ગટરના મુદ્દે ચક્કાજામ
રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલી કટારિયા ચોકડી નજીક રહેતા સ્થાનિકોએ રસ્તા, પીવાના પાણી, ગટર અને સ્ટ્રીટ લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવના મુદ્દે ફરી એકવાર રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આજે સાંજે આ વિસ્તારના લોકોએ રસ્તો રોકીને ચક્કાજામ કરતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં સૂચિત અને સરકારી જગ્યાઓ પર મોટા પ્રમાણમાં દબાણ અને ઝૂંપડા ઊભાં થયાં છે, જે સમસ્યાને વધુ જટિલ બનાવે છે. લગભગ 1 મહિના પહેલાં પણ આ જ સ્થળે સ્થાનિકોએ ચક્કાજામ કરીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. આજે પણ લોકો દ્વારા વિરોધ અંગેની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે વિરોધ કરી રહેલા સ્થાનિકોને સમજાવટથી શાંત પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો, વહીવટીતંત્ર ઝડપથી આ વિસ્તારની મૂળભૂત સુવિધાઓની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માગ છે. માર્કેટ યાર્ડ ફરી મગફળીથી છલકાયું: સતત બીજી વખત બે લાખ મણની આવક રાજકોટ માર્કેટ યાર્ડમાં ખરિફ સિઝનની જમાવટ થઈ છે. અને ચિકકાર માલ ઠલવાઈ રહ્યો છે. મગફળી જેવી જણસીઓએ નિકાસ પણ થતો નથી અને કિસાનોએ માલ વેચવા માટે લાઈનમાં ઉભા રહેવું પડતુ હોય છે અને વારો આવવાની પ્રતિક્ષા કરવી પડે છે. આજે રાજકોટ યાર્ડ ફરી મગફળીથી છલકાયું હતું. સતત બીજી વખત બે લાખ મણથી વધુની આવક થઈ હતી. સંકુલમાં ચારે બાજુ મગફળીનાં ઢગલા ઢગલા હતા.હરરાજીમાં 1010 થી 1390 સુધીના ભાવ પડયા હતા. જ્યારે કપાસની 25000 મણ આવક હતી અને ભાવ 1325 થી 1548 નો પડયો હતો. સોયાબીનમાં 6000 મણની આવકે ભાવ 830 થી 875 હતા. લસણમાં 3600 મણ, ઘઉંમાં 4500 મણ, શિંગફાડામાં 21000 મણ, મગમાં 3000 મણ, તલમાં 9000 મણ તથા જીરૂમાં 4200 મણની આવક હતી. ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક, તૈયારીઓ શરૂ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ હોવાથી મહાનગરપાલિકાઓની ચૂંટણી પાછી ઠેલાઈ છે. ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી 14 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થવાની હોવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ કે મે માસમાં યોજાય તેવી શક્યતા છે. જેને લઈ રાજકોટ મનપામાં પદાધિકારીઓની મુદ્દત 11 માર્ચના રોજ પૂર્ણ થયા બાદ કોર્પોરેશનમાં બે થી ત્રણ મહિના વહીવટદાર આવે તેવી સંભાવના છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, 2026-27 નું બજેટ વર્તમાન બોડી જ મંજૂર કરશે તે નિશ્ચિત બન્યું છે. નિયમ મુજબ, 20 ફેબ્રુઆરી સુધીમાં જનરલ બોર્ડમાં બજેટ મંજૂર કરી દેવું પડે છે. તેથી, હિસાબી શાખા દ્વારા આજથી બજેટલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ શાખાઓને ખર્ચ અને આવકના આંકડાઓ આપવાની પ્રાથમિક સૂચના અપાઈ છે. આ વર્ષે ચૂંટણી નજીક હોવાથી બજેટમાં અનેક આકર્ષક યોજનાઓ મૂકવામાં આવે તેવી પણ શક્યતા છે. વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર આ વખતે બીજી ટર્મમાં સળંગ ત્રીજું બજેટ મંજૂર કરશે. અટલ સરોવર નજીક બ્રહ્મસમાજનું સંમેલન યોજાયું, હજારો ભૂદેવો હાજર રહ્યા રાજકોટનાં અટલ સરોવર નજીક ગઈકાલે બ્રહ્મદેવ સમાજનાં નેજા હેઠળ બ્રાહ્મણોનું એક રાજય કક્ષાનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં રાજયભરમાંથી 20 હજાર જેટલા ભુદેવોએ હાજરી આપી હતી.અને સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત રાજયભર માંથી 34 જિલ્લામાંથી આવેલા બ્રહ્મ સમાજનાં આગેવાનો મિલન શુકલ, જયદેવ જોશી છેલભાઈ જોશી, જીગરભાઈ મહેતા, સહિતના 254 તાલુકાનાં આગેવાનો એ એકી અવાજે, જણાવ્યું હતું કે દરેક રાજકિય પક્ષો દ્વારા રાજકિય અને સામાજીક રીતે ભુદેવોની અવગણના થાય છે. જે હવે સહન કરાશે નહી. સરકારે બ્રાહ્મણોની લાગણીને સમજી અને પૂરતો ન્યાય કરવો પડશે આગેવાનોએ એવુ પણ જણાવ્યું હતું કે ટુંક સમયમાં મહાપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં રાજકિય પક્ષોએ બ્રહ્મ સમાજને પૂરતુ પ્રતિનિધિત્વ આપવુ પડશે. બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રિય સચિવ મિલનભાઈ શુકલએ જણાવ્યું હતું કે આ સંમેલન કોઈ રાજકિય હેતુ માટે યોજાયું નથી ખાસ કરીને થઈ રહેલી અવગણના સામે બ્રહ્મ સમાજને એક કરવાનાં હેતુથી આ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ તકે બ્રહ્મ અગ્રણી પંકજભાઈ રાવલે, પણ જણાવ્યું હતું કે સતાધીશો એ બ્રહ્મ સમાજની લાગણીની નોંધ લેવી જોઈએ. છતા સતાધીશો કે અન્ય રાજકિય પક્ષો અમારી અવગણના ચાલુ રાખશે તો હવે સમાજ સહન કરશે નહીં. 14 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી સુધી ઓખા ભાવનગર સાપ્તાહિક ટ્રેન રાજકોટથી ઉપડશે 14 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી સુધી ઓખા-ભાવનગર એક્સપ્રેસ અઠવાડિયામાં 4 દિવસ રાજકોટથી શરૂ થશે. ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર-2ના મરામત કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. તેના કારણે રાજકોટ ડિવિઝન મારફતે પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલન પર આગામી 45 દિવસ સુધી અસર પડશે. રદ્દ કરવામાં આવનાર ટ્રેનોમાં ટ્રેન નંબર 59228/59233 ભાવનગર-સુરેન્દ્રનગર- ભાવનગર પેસેન્જર તારીખ 12.12.2025 થી 25.01.2026 સુધી કુલ 45 દિવસ માટે રદ્દ રહેશે. ઓખા-ભાવનગર એક્સપ્રેસતારીખ 14.12.2025 થી 26.01.2026 સુધી અઠવાડિયામાં 4 દિવસ દરેક રવિવાર, સોમવાર, બુધવાર અને ગુરુવારે ઓખાને બદલે રાજકોટ સ્ટેશનથી શરૂ થશે. આ રીતે આ ટ્રેન અઠવાડિયામાં 4 દિવસ રાજકોટથી ભાવનગર વચ્ચે ચાલશે અને ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. ભાવનગર-ઓખા એક્સપ્રેસતારીખ 13.12.2025 થી 25.01.2026 સુધી અઠવાડિયામાં 4 દિવસ દરેક મંગળવાર, બુધવાર, શનિવાર અને રવિવારે ભાવનગરથી ઉપાડીને રાજકોટ સ્ટેશન સુધી જ ચાલશે. આ રીતે આ ટ્રેન અઠવાડિયામાં 4 દિવસ રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિ. (GFL) કંપનીમાં વારંવાર થતા ગૅસ ગળતરના બનાવોને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગત 6 ડિસેમ્બરના રોજ થયેલા ગૅસ લીકેજને કંપની દ્વારા 'મોકડ્રીલ' ગણાવાયા બાદ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આને ગંભીર આક્ષેપ ગણાવી કંપનીને તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, 6 ડિસેમ્બર, 2023ના રોજ વહેલી સવારે કંપનીમાંથી ઝેરી ગૅસના ધુમાડા નીકળતા નાથકુવા અને જીતપુરા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગભરાયેલા ગ્રામજનો પોતાના પશુઓને છોડી બાળકોને લઈને ઘર છોડી ભાગી ગયા હતા. સ્થિતિ થાળે પડતા તેઓ પાંચથી છ કલાક બાદ પરત ફર્યા હતા. આ ઘટના બાદ કંપનીએ તેને 'મોકડ્રીલ' ગણાવી હતી. જોકે, કોંગ્રેસે આ વાતને ઉપજાવી કાઢેલી ગણાવી છે. કોંગ્રેસની દલીલ છે કે જો આ મોકડ્રીલ હોત તો જિલ્લા વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી હોવી જોઈતી હતી અને ગ્રામજનોને જાણ કરવી જોઈતી હતી. પરંતુ, વહીવટી તંત્ર આ બાબતથી અજાણ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. કંપનીએ પોતાની ભૂલ છુપાવવા અને લોકોને ગેરમાર્ગે દોરવા આ તૂત ઊભું કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસે રજૂઆતમાં કંપનીના ભૂતકાળની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. વર્ષ ૨૦૨૨માં થયેલા બ્લાસ્ટમાં આઠ લોકોના મોત થયા હતા, અને તાજેતરમાં 10 સપ્ટેમ્બરના રોજ પણ બે લોકોના મોત થયા હતા. આમ છતાં, તંત્ર દ્વારા કંપનીને છાવરવામાં આવતી હોવાનો સુર કોંગ્રેસે વ્યક્ત કર્યો છે. આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તાત્કાલિક ધોરણે આ કંપની સામે કડક કાર્યવાહી કરી તેને બંધ કરવામાં નહીં આવે તો ભયભીત ગ્રામજનો કાયમી હિજરત કરવા મજબૂર બનશે. કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકોના જાન-માલની સુરક્ષા માટે આ કંપની બંધ થવી અત્યંત જરૂરી છે.
અમદાવાદના ભાજપના વધુ એક મહિલા ધારાસભ્ય પર સ્તાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરૂદ્ધ સ્થાનિક લોકો દ્વારા હાય હાયના નારા લગાવવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રોડ, ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીની લાઈન નાખવા મુદ્દે સ્થાનિક લોકો દ્વારા એકત્રિત થઈને હોબાળો કરી હાય હાયના નારા લગાવ્યા હતા. વીડિયોમાં સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત ભાજપના કોર્પોરેટરો વિસ્તારમાં દેખાતા નથી. વર્ષો જૂની ગટર લાઈન હોવા છતાં પણ નવી નાખવામાં આવતી નથી. જો સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો બે મહિનામાં અમે ચૂંટણીમાં જવાબ આપીશું એવી ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ કહ્યું હતું કે, લોકો જે પ્રમાણે ગટર લાઈન નાખવા માટેની રજૂઆત કરી છે તે પ્રમાણે જ અમે લાઈન નાખી આપીશું. 'ધારાસભ્યને રજૂઆત કરીએ છીએ છતાં કામ થતાં નથી'શહેરમાં સ્થાનિક પ્રશ્નોને લઈને અવારનવાર ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોને રોષનો ભોગ બનવું પડતું હોય છે, ત્યારે અમદાવાદના ઠક્કરબાપાનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર કંચનબેન રાદડિયાને ઠક્કરબાપાનગર વિસ્તારના સ્થાનિક લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં ઠક્કરબાપાનગર રોડ પર આવેલા વૃંદાવન પાર્ક સોસાયટી નજીક એક ડ્રેનેજ લાઈન નાખવા, વરસાદી પાણીની લાઈન અને રોડ બનાવવા મુદ્દે સ્થાનિક લોકો ભેગા થયા હતા. સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ધારાસભ્ય કંચનબેન રાદડિયાને રજૂઆત કરીએ છીએ છતાં કામ થતાં નથી. 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છીએ'સિનિયર સિટીઝન દ્વારા આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કંચનબેનના પતિને રજૂઆત કરીએ છીએ તો તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જવાનું કહે છે. જો કોર્પોરેશન ઓફિસ જવાનું હોય તો તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છીએ. હું સિનિયર સિટીઝન થઈને કોર્પોરેશન ઓફિસ સુધી જાવ એવા પણ પ્રશ્નો કર્યા હતા. સ્થાનિક લોકોએ માગ કરી હતી કે જે ગટર લાઈન 30 વર્ષ જૂની છે તે ગટર લાઈનને હવે મોટી નાખવામાં આવે. જેથી ડ્રેનેજની સમસ્યા દૂર થાય. વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની લાઇન નાખી અને બાદમાં જ રોડ બનાવવામાં આવે. જે પાણીની લાઈન નાખવામાં આવે છે તેની પહેલા ગટરની લાઈન નાખવામાં આવે ને તેનું જોડાણ કરવામાં આવે પછી જ આ વરસાદી પાણીની લાઈન નાખવામાં આવે તેવી માંગણી કરી હતી. જોકે આજ દિન સુધી આ કામગીરી થઈ નથી. સમસ્યાનું નિવારણ નહીં આવે તો બે મહિનામાં ચૂંટણીમાં જવાબ આપીશુંભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યને અમે રજૂઆત કરીએ છીએ અને લેટર લખીને આપે છે છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ચોમાસામાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. બસ તેઓ ઘરમાં સૂઈ રહેતા હોય છે. જો તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે બે મહિનામાં ચૂંટણીમાં જવાબ આપીશું એવી પણ ચીમકી સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. RCC રોડ છે તેમાં પણ ગુંડાગીરી કરી હવે ડામર ચોપડી દેવાયોવર્ષો જૂની ગટર લાઈન છે તે ગટર લાઈન મોટી નાખવાની હોય છે. હવે રોડ બનાવવામાં આવી રહ્યો છે જે આરસીસી રોડ છે તેમાં પણ ગુંડાગીરી કરી અને હવે ડામર ચોપડી દેવામાં આવ્યો છે. જે રોડ બનાવે છે એ પણ અડધો બનાવવામાં આવ્યો છે. બાકી કોઈ રાજકારણીની તાકાત નથી કે અહીંયા આવીને તપાસ કરે. કેમ અહીંયા તપાસ કરવા આવતા નથી. બે કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું પણ ક્યાં ગયું ખબર નથીઅમે ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયાને 25 વખત મળ્યા અને રજૂઆત કરી તો તેઓ કહે છે અમે મોકલીશું... અમે મોકલીશું... પણ ક્યારે મોકલશે ખબર નથી. ગટર ઉભરાવાની સમસ્યા તો કાયમની બની ગઈ છે. વૃંદાવન પાર્ક સોસાયટી પાસે સમસ્યા જ છે. વિક્રમ પાર્કમાં રોડ છ મહિનામાં રોડ પણ બની જાય છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે ક્યાં જાય છે ખબર નથી. બે કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છતાં ક્યાં ગયું ખબર નથી. સ્થાનિકોની રજૂઆત પ્રમાણે જ ગટર લાઈન નાખી આપીશું: ધારાસભ્યઠક્કરબાપાનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો મને રજૂઆત કરવા આવ્યા હતા, ત્યારે જ મેં તેમને કહ્યું હતું કે, તમે કહેશો એવી જ લાઈન નાખવામાં આવશે અને અત્યારે હાલમાં જે લાઈન નાખવામાં આવી રહી છે તે મોટી જ નાખવામાં આવી રહી છે. ડ્રેનેજ લાઈનમાં આગળ જે ચેમ્બર સુધી જાય છે ત્યાંથી પાણીનો નિકાલ ઝડપી થતો નથી જેથી સીસીટીવી કેમેરા મારફતે પણ છેલ્લા બે દિવસથી આ કામગીરી ચાલી રહી છે. સ્થાનિક લોકો જે પ્રમાણે ગટર લાઈન નાખવા માટેની રજૂઆત કરી છે તે પ્રમાણે જ અમે ગટર લાઈન નાખી આપીશું. તેમની માગ પૂર કરવા જણાવતા તેઓને સંતોષ થયો હતો: પૂર્વ મેયરઠક્કરબાપાનગર વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવા માટે ગયા હતા અને તેઓ દ્વારા ત્યાં રજૂઆત કરવામાં આવી હતી. જેથી તેમની માગ પૂરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને તેઓને સંતોષ થયો હતો. સ્ટ્રોમ વોટર લાઈન શિફ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે: કોર્પોરેટરઠક્કરબાપાનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, વૃંદાવન પાર્ક પાસે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જ્યાં સ્ટ્રોમ વોટર લાઈન શિફ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ વિસ્તાર ઢાળ વાળો છે જેથી ત્યાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા રહે છે, પરંતુ બેથી ત્રણ કલાકમાં પાણી ઉતરી જાય છે. અમે આ વિસ્તારમાં જઈએ જ છીએ પરંતુ હવે ટોળું હોય તો ઓળખતા હોઈએ એવું બને નહીં.
મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ છેલ્લા બે મહિનામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.ઘેટીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ, સાયબર ક્રાઇમ ટીમ અને ટેકનિકલ એક્સપર્ટ્સની ટીમે નાગરિકોના ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવા અને સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં પરત મેળવવા સચોટ તપાસ હાથ ધરી હતી. 10 મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત કરાયાઆ કામગીરીના ભાગરૂપે છેલ્લા એક મહિનામાં ગુમ થયેલા 10 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની અંદાજિત કિંમત રૂ 3,42,385 છ અને CIER પોર્ટલ પરની ઓનલાઇન અરજીઓના આધારે શોધી કાઢીને તેમના મૂળ માલિકોને સફળતાપૂર્વક પરત કરવામાં આવ્યા છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને રિફંડ જમાતેમજ છેલ્લા બે માસમાં NCCRP નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પરની અરજીઓ પર ખંતપૂર્વક તપાસ કરીને સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોના બેન્ક ખાતામાં કુલ રૂ 1,33,473 નું રિફંડ જમા કરાવવામાં આવ્યું છે. બી-ડિવિઝન પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી મહેસાણાના નાગરિકોને તેમની કિંમતી વસ્તુઓ અને મહેનતની કમાણી પાછી મળી હતી.
સુરતના અમરોલીમાં ધરકામ બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈયેલી પત્નીએ મોડીરાત્રે પતિ સુતેલો હતો ત્યારે માથામાં અને પેટના ભાગે પથ્થરથી ઘા ઝીંકી પતાવી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પત્નીની ધરપકડ કરી છે. સુતેલો પતિ પર પત્નીએ પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધોઅમરોલી પોલીસના જણાવ્યા મુજબ રજવાડી પાર્ટી પ્લોટની પાસે ઓમ શાંતીનગર સોસાયટીમાં રહેતા કનુભાઈ ચુડાસમા અને તેની પત્ની અંકીતા વચ્ચે ગત તા 6 ડિસેમ્બરના રોજ બપોરના બે વાગ્યે ઘરકામને લઈને ઝઘડો થયો હતો. અગાઉ પણ વારંવાર બંને વચ્ચે નજીવી બાબતમાં ઝઘડાઓ થતા હતા. જેથી અંકિતા પતિના સ્વભાવથી કંટાળી ગઈ હતી. આ દરમિયાન મોડીરાત્રે બે વાગ્યાના આરસામાં કનુભાઈ સુતેલા હતા ત્યારે અંકિતાએ તેમની હત્યા કરવાના ઈરાદે માથા અને પેટના ભાગે ઉપરા છાપરી પથ્થરના ઘા માર્યા હતા. પતિનું મોત,પોલીસે પત્નીની ધરપકડ કરીકનુભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું છે. બનાવ અંગે અમરોલી પોલીસે મકાનના નીચેના માળે રહેતા માલીક કિરણસિંહ છગનસિંહ સોલંકી (ઉ.વ.74)ની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પત્ની અંકીતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11 ડિસેમ્બર, 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાને રૂ. 1000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ દિવસે સાતથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને પંદરથી વધુ વિકાસ કામોનું ખાતમુર્હુત કરવામાં આવશે. મુખ્યમંત્રીના હસ્તે ઉમરદશી નદી પર છ માર્ગીય રસ્તાને અનુરૂપ નવીન ચાર માર્ગીય પુલ, ગઠામણ જંકશન પર વીયુપીનું કામ, મડાણા (ગઢ) અને વેડંચા ખાતે પી.એચ.સી., પાલનપુર ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાસભર સરકારી કુમાર છાત્રાલય, તેમજ કીડોતર અને સેજલપુરા પ્રાથમિક શાળાના 22 નવીન વર્ગખંડોનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત, પાલનપુર બાયપાસ રોડ, અમદાવાદથી ડીસા અને ડીસાથી આબુરોડ (ફોર લેન) માટે પાલનપુર શહેર પર બાયપાસને અનુરૂપ નવીન ચાર માર્ગીય પુલનું કામ, પાટણ-ડીસા માર્ગનું વિસ્તરણ અને મજબૂતીકરણ, રેલવે લાઇન પર આર.ઓ.બી.નું નિર્માણ, પાલનપુર નજીક ઉમરદશી નદી પર 4-લેન પુલનું બાંધકામ અને ડી.એફ.સી.સી. રૂટ પર નવા આર.ઓ.બી.નું નિર્માણ સહિતના મહત્વપૂર્ણ ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું ખાતમુર્હુત થશે. ખાતમુર્હુત થનારા અન્ય કાર્યોમાં ડીસામાં વિવિધ સરકારી કચેરીઓના કેમ્પસ ડેવલપમેન્ટ, વિરુણા બસ સ્ટેશનથી દેવપુરી બાઈ મંદિર રોડ, તેમજ એટાથી ગોલા રોડના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. પાલનપુરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું નવું બિલ્ડિંગ, કન્યાઓ માટે 250 ક્ષમતા ધરાવતી આદર્શ નિવાસી શાળા-છાત્રાલય, સમૌ મોટા, રામપુરા મોટા અને જૂના ડીસા ખાતે પી.એચ.સી.ના નવા બાંધકામ તેમજ પાલનપુર સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટના કાર્યો પણ શરૂ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાલનપુર રામલીલા મેદાન સ્થિત સશક્ત નારી મેળાની મુલાકાત લેશે અને પાલનપુર ટાઉનહોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રીના સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. પાલનપુર એરોમા સર્કલ ખાતે થતી ટ્રાફિક સમસ્યા હવે ભૂતકાળ બને તો નવાઈ નહીં કારણ કે મુખ્યમંત્રીના હસ્તે પાલનપુર ગ્રીનફીલ્ડ બાયપાસનું ખાતમુર્હુત થયા બાદ બાયપાસ રોડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. સરકાર દ્વારા કુલ 562 કરોડના ખર્ચે ત્રણ ભાગમાં આ ગ્રીનફીલ્ડ બાયપાસ બનાવવાની કામગીરી કરાશે. વર્ષો જૂની બનાસકાંઠાના નાગરિકોની ટ્રાફિક સમસ્યાની રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા જેના પગલે ઝડપથી જમીન સંપાદન થયા બાદ હવે ખાતમુર્હુત કરાશે. વર્તમાન પાલનપુર શહેરમાંથી અમદાવાદ, દિલ્હી, રાજસ્થાન, કંડલા તરફ જતા વાહન વ્યવહાર શહેરના એરોમા સર્કલથી પસાર થાય છે. દિન પ્રતિદિન વધેલ વાહન વ્યવહારના લીધે પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. હાલમાં પાલનપુર શહેરના એરોમા સર્કલથી અંદાજીત 6600 જેટલા મોટા વાહનો સાથે કુલ 29,500 જેટલા વાહનો પસાર થાય છે. સદર પાલનપુર બાયપાસની કામગીરી માટે કુલ 14 ગામની 157.81 હે.જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ગ્રીનફીલ્ડ બાયપાસ રોડ આબુરોડ પર આવેલ સોનગઢ ગામથી શરૂ થઈ ચડોતર ગામ પાસેથી પસાર થઈ જગાણા ગામ પાસે અમદાવાદ હાઈવે સાથે કનેક્ટ કરાશે. સદર ગ્રીનફીલ્ડ બાયપાસ રોડની કામગીરી કુલ ત્રણ ભાગમાં કરાશે જેની કુલ લંબાઈ 24.5 કિલોમીટર રહેશે.

24 C