SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

મંડે મેગા સ્ટોરી:નર્મદાની લાઈનમાં 12 મહિનામાં 23 વખત વિતરણ ઠપ્પ

બુધવારે બપોરે અંજાર તાલુકાના સાપેડા ગામ પાસે નર્મદાની મુખ્ય લાઈનમાં ફરીથી ભંગાણ પડતા ભુજને નર્મદાના નીર પહોંચાડતું સરકારી નિગમ જી.ડબલ્યુ.આઈ.એલ. પાણી વિતરણમાં નિષ્ફળ રહ્યું હતું. નર્મદા નિગમે 2003માં ટપ્પરથી કુકમા સુધી 1200 ડાયામીટરની પાઇપલાઇન નાખી હતી. જેમાં છેલ્લા 12 મહિનામાં વીજ વિક્ષેપ, વિતરણ શટ ડાઉન અને પાઇપમાં લીકેજને કારણે 23 વખત વિતરણ ઠપ્પ થયું છે. છેલા એક મહિનામાં જ પાંચ વખત સપ્લાય શટ ડાઉન કરવામાં આવ્યું છે. બુધવારે બપોરે નર્મદાની મુખ્ય લાઈનમાં બે જગ્યાએ ખોટીપો સર્જાયો હતો. એક સાપેડા પાસે જેને કારણે ભુજ અને ખાવડા વિસ્તારમાં નર્મદાનું પાણી સપ્લાય બંધ થયું અને બીજું સુખપર થી ખીરસરા વચ્ચે લીકેજ થયું હતું. જે ગુરુવારે બપોર સુધી મરમ્મત થઈને વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ભુજ અને ખાવડા તરફ જતી પાઇપલાઇનનું કામ સંપૂર્ણ થતા વિતરણ શરૂ થઈ જશે તેવું કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું. કુકમા ગામ પાસે 75 લાખના બે સ્ટોરેજ છે. જ્યાંથી એક પેટા લાઇન લાખોંદ થઈને બન્ની જૂથ યોજનામાં ખાવડા તરફ જાય છે જે 700 ડાયા મીટરની અને આગળ જઈને 500 ડાયા મીટરની થઈ જાય છે. સાપેડા પાસેના લીકેજથી બન્ની ખાવડા વિસ્તાર પણ તરસ્યો રહ્યો હતો. ભુજ તરફ આવતું પાણી વિતરણ ઠપ્પ થયું હતું. નગરપાલિકા કારોબારી ચેરમેન મહિદિપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે આપણી પાસે સ્ટોરેજ વ્યવસ્થા સંપૂર્ણ છે પરંતુ વિતરણ માગના પ્રમાણમાં હંમેશા ઓછું રહ્યું છે. ગત મહિના દરમિયાન પણ 34 MLD ની માંગની સામે દૈનિક સરેરાશ 32 એમએલડી પણ નથી અપાયું. પાઇપમાં સતત થતા લીકેજને કારણે સમગ્ર ભુજને પાણી પહોંચાડવું મુશ્કેલ પડે છે. બીજી લાઈન નાખવામાં આવે તો જ કાયમી શાંતિ થાય. GWIL ના કાર્યપાલક ઇજનેર મુકેશ એન્ટ્રેલીઓએ જણાવ્યું હતું કે, 24 કલાકમાં જ સાપેડા પાસે મુખ્ય લાઇનમાં ફોલ્ટ સર્જાયો હતો તે રીપેર થઇ ગયો છે. જમીનની ખારાશથી એમ.એસ.પાઇપને કાટ લગતા લીકેજ થાય છેઅંજાર થી ભુજ વચ્ચે નર્મદાની મુખ્ય લાઈનમાં વારંવાર લીકેજ થવાના કારણ અંગે પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર કૌશિક વાઘેલા જણાવે છે કે, રતનાલ થી સાપેડા વિસ્તારમાં જમીનમાં ખારાશ છે. માઈલ્ડ સ્ટીલના પાઇપને કાટ લાગવાથી નબળા પડે છે, અને જોઇન્ટમાં લીકેજનું કારણ બને છે. આ ઉપરાંત ઉનાળો અને શિયાળો બે ઋતુ દરમિયાન પાઇપમાં સંકોચન અને વિકોચનની પ્રક્રિયા થતા લીકેજની સંભવના ઊભી થાય છે. જોકે 23 વર્ષ જૂની પાઇપલાઇન પણ કારણભૂત કહી શકાય.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:58 am

મિત્ર સાથે ઠગાઈ:રાજ્યપાલની સહીવાળો એપોઇન્ટમેન્ટ લેટર આપી રૂ.7.50 લાખ પડાવ્યા

ઠગ દંપતીએ 15 વર્ષ જૂના મિત્ર અને સંબંધીને સરકારી ભરતીમાં નિમણૂક અધિકારી હોવાનું કહી સરકારી નોકરી અપાવાના બહાને રૂ. 7.50 લાખ પડાવ્યા હતા. પછી ગુજરાત સરકારના સિક્કા અને રાજ્યપાલની સહીવાળો એપોઇન્મેન્ટ લેટર અને આઈકાર્ડ આપ્યા હતા. 10 મહિને પણ પોસ્ટિંગ ન મળતાં વેપારીએ ગાંધીનગર જઈ ખરાઈ કરતાં બંને ખોટા હોવાનું જણાયું હતું. નવા નરોડા રહેતા અને નવરંગપુરામાં ફુરાયતો ટ્રેડલિંક કરન્સી મૅનેજમેન્ટનું કામ કરતા મયૂર જોશી (37)ને નવેમ્બર, 2024માં કોમલબેન અને તેના પતિ આનંદ ત્રિવેદી (સુભાષનગર, ભાવનગર) સાથે મુલાકાત થઈ હતી. કોમલબેન મયૂરના 15 વર્ષ જૂના મિત્ર અને કુટુંબી હતા. તેમણે, બંને સરકારી ભરતીમાં નિમણૂક અધિકારી છે તેવું કહી રૂ. 25 લાખમાં સરકારી નોકરી અપાવાનું મયૂરભાઈને કહ્યું હતું. સાથે જ સારી પોસ્ટ પર સારી જગાએ પોસ્ટિંગની વાત કરતાં મયૂરે 7.50 લાખ ચૂકવ્યા હતા. પછી કોમલે 16 જાન્યુઆરી, 2025એ એપોઈન્મેન્ટ લેટર મોકલ્યો હતો. તે લેટર પર ગુજરાત સરકારનો સિક્કો અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સહી હતી. તે લેટર પર કોન્ફિડેન્શિયલ તથા ગુજરાત સરકારના પત્ર ક્રમાંક નંબર જેવી વિગતો લખેલી હતી. જોઇનિંગ વિશે પૂછતાં બંનેએ ગલ્લાં-તલ્લાં કરતાં મયૂરે ગાંધીનગર જઈ ખરાઈ કરતાં લેટર અને આઈકાર્ડ ખોટા હોવાનું જણાતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:57 am

ઠગ ઝડપાયા:25 કરોડનું કાપડ લઈને ભાગેેલા 3 ગઠિયાને વેપારીઓએ જ પકડ્યા

શહેરનાં વિવિધ માર્કેટના વેપારીઓ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારો પાસેથી કાપડ મગાવી, 20થી 25 કરોડનો જથ્થો લઈ ચુકવણી કર્યા વગર શનિ સુખિયાની, અજય સુખિયાની અને મહેશ સુખવાણી ફરાર થઈ ગયા હતા. 45 વેપારીના રૂપિયા ડૂબતાં વેપારીઓએ મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતનો સંપર્ક કર્યો હતો. મસ્કતી કાપડ મહાજનની દોડધામ અને ક્રાઇમ બ્રાંચની તપાસને અંતે આરોપીઓ નાટકીય ઢબે બૅંગલુરુથી પકડાયા હતા. વેપારીઓની ટીમ લઈને ગૌરાંગ ભગત પોલીસ કમિશનર પાસે ગયા હતા અને EOW ક્રાઇમ બ્રાંચ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી. વેપારીઓએ પણ તપાસ ચલાવી હતી અને આરોપીઓની હિલચાલ વિશે માહિતી એકત્ર કરી EOWને આપી હતી. દરમ્યાન જાણવા મળ્યું કે ત્રણેય સસ્તામાં કાપડ વેચીને સોનું ખરીદી રહ્યા હતા અને બૅન્કોમાંથી મોટી રકમ ઉપાડી ચુક્યા હતા. વધુમાં, આધાર કાર્ડનું એડ્રેસ બદલી નવા પાસપોર્ટ માટે અરજી કરવાની કોશિશ પણ કરી હતી. આધારમાં એડ્રેસ બદલવાની જાણકારી વેપારીઓને મળી જતા આ અંગેની માહિતી ક્રાઇમ બ્રાંચને આપતા સતર્ક થઈ ગયા. આ માહિતીના આધારે EOWની ખાસ ટીમ અને વેપારીઓનું ગ્રુપ પ્લેનમાં જ બૅંગલુરુ પહોંચ્યા અને આરોપીઓના સરનામે દરોડો પાડતાં ત્રણે ઝડપાઇ ગયા હતા. ધરપકડ બાદ વેપારીઓએ ઍરપોર્ટ પર ભગતનું સન્માન કર્યું હતું. કારણ કે તેમની ચુસ્ત કામગીરીથી આરોપીઓ સુધી પહોંચી શકાયું. ગોરાંગ ભગતે જણાવ્યું કે, આ સમગ્ર ઓપરેશન શહેરની ટેક્સટાઇલ માર્કેટ માટે મોટો સંદેશ છે, છેતરપિંડી કરનાર કેટલું પણ દૂર ભાગે, વેપારીઓ એકતા અને સતર્કતા રાખે તો કાયદો તેમને પકડી જ લે છે. આરોપીઓનું સરઘસ કાઢવા માગણી કરાઈમોહન સાડી, જયશ્રી ક્રિએશન અને રિદ્ધિ ટેક્સટાઇલના માલિકો શનિ, અજય અને મહેશ બૅંગલુરુ ભાગી ગયા હતા. છેતરપિંડી કરનારાઓને કડક સંદેશ મળે અને ભવિષ્યમાં કોઈ વેપારી સાથે ઠગાઈ કરવાની હિંમત ન કરે તે માટે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે એવી વેપારીઓ અને મસ્કતી મહાજને માગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:56 am

રાજકોટ સિવિલમાં દવા સાથે દારૂ!:કેમ્પસમાંથી બોટલો મળી; 'ઓવર સ્માર્ટ' મીટરથી ખેડૂતને 50,000નું બીલ

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:55 am

મંડે પોઝિટીવ:ન્યાય અને સમાનતા અપાવતી દેશની પ્રથમ 24X7 સેવા ‘સંગાથી’એ 1 વર્ષમાં 1539 અરજીનો નિકાલ કર્યો

મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને પછાત લોકોને ન્યાય મેળવવામાં આવતી અડચણો દૂર કરવા ગુજરાત કાનૂની સેવાસત્તા મંડળે વર્ષ પહેલાં શરૂ કરેલા ‘સંગાથી-વિક્ટિમોલૉજી સેન્ટર’માં અત્યાર સુધીમાં 1539 અરજીનો નિકાલ કરાયો છે. અહીં 24 કલાક મદદ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા સાથે હેલ્પલાઇન પણ શરૂ કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે કરેલી પહેલમાં વડી અદાલતના ન્યાયમૂર્તિ અલ્પેશ કોગ્ઝે, જિલ્લા ન્યાયાધીશ હેતલ પવાર અને પ્રોજેક્ટ અધિકારી તરીકે વરિષ્ઠ સત્ર ન્યાયાધીશ બી. એસ. ગઢવી જોડાયા છે. કોર્ટમાં જ નહીં, કોર્ટની બહાર પણ સમાનતા કે ન્યાય મેળવવામાં વિલંબ થતો હોય તો કેન્દ્રની મુલાકાત લઈ શકાય છે. માતાનું કેન્સરથી મૃત્યુ થતાં બાળક પિતાને સોંપ્યો8 વર્ષના અક્ષય (નામ બદલ્યું છે)નો જન્મ થયાના થોડા જ સમયમાં માતા-પિતા વચ્ચે અણબનાવ થયો. બન્નેએ છૂટાછેડા લીધા. પત્ની નવજાત બાળક સાથે પિયર આવી ગઈ. બાળક સમજણો થયો ત્યારે તે પિતાને જાણતો નહોતો. એટલે નાનાને જ પિતા કહીને બોલાવતો. માતા નોકરી કરતી હતી ત્યાં સુધી ભરણપોષણનો પ્રશ્ન નહોતો પરંતુ સમય જતાં માતાને કેન્સર થયું અને બાળક 8 વર્ષનો થયો ત્યારે માતાનું મૃત્યુ થઈ ગયું. હવે નાના-નાનીને તેનો ઉછેર કરવામાં મુશ્કેલી શરૂ થઈ. આથી તેમણે પિતાને બાળકની કસ્ટડી સોંપવા અથવા ભરણ-પોષણ માટે રકમ આપવા અરજી કરી હતી. સંગાથી કેન્દ્રે બાળક પિતાને સોંપવાનો નિર્ણય કર્યો પણ બાળક પિતાને ઓળખતો જ નહોતો એટલે તેને પિતાની સમજ આપી. હેલ્પલાઇન 15100 પર સંપર્ક સાધી શકાયકાનૂની સલાહ માટે ટોલ ફ્રી નંબર 15100 શરૂ કરાયો છે. 24 કલાક 365 દિવસ સંપર્ક સાધીને કોઈ પણ સ્થળેથી કાયદાકીય માહિતી કે મદદ મેળવી શકાય છે. ઉપરાંત કોઈ પીડિત માનસિક રીતે ત્રસ્ત હોય તો તેના માટે પણ કાઉન્સેલિંગ સેન્ટર બનાવાયું છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:53 am

ઠગાઈ:સસ્તા ભાવે સોનાની લાલચ આપીને ગોરવાની કંપનીના ટીમ લીડરે કર્મીના 31.46 લાખ ઠગ્યા

ગોરવાની આર્ચર ટ્રાન્સનેશનલ સીસ્ટમ પ્રા.લીના ઓપરેશન વિભાગના ટીમ લીડરે સાથી કર્મીને સસ્તા ભાવે સોનું અપાવવાના નામે રૂ.31.46 લાખ મેળવી લઈને છેતરપિંડી કરી હતી. સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. કંપનીના ટીમ લીડર જીતેન્દ્રસિંઘ માનકસિંઘ રાજપુરોહિતે (રહે, આદિત્ય એમ્પાયર, વાસણા ભાયલી રોડ, મુળ-મુંબઈ)શિવમ રાજેન્દ્ર ટોકરકરને કહ્યું હતું કે, તમારે સોનું, ટીવી, એસી, ફોન લેવા હોય તો સસ્તામાં અપાવીશ. પહેલાં તેણે વસ્તુઓ સસ્તામાં અપાવી હતી. બાદમાં સસ્તુ સોનું ખરીદી આપશે તેમ કહી 25 દિવસમાં 52 તોલા સોના માટે રૂ.43.46 લાખ લઇ કરાર કરી ચેક આપ્યા હતા. પછી સોનું ન આપી 12 લાખ પરત કરી બાકીના રૂ.31.46 લાખની ઠગાઇ કરી હતી. 35 લોકોના 1 કરોડ ઠગ્યા હોવાની વકીજીતેન્દ્રસિંઘે તેની કંપનીના જ 35થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઠગાઈની રકમ 1 કરોડ સુધીની થઈ છે. તે બે વર્ષથી નોકરી પર હતો. સુત્રો મુજબ કંપનીમાં ઠગાઈને કારણે એક વ્યક્તિને એટેક પણ આવી ગયો છે. કેટલાકે ગોરવા, બાપોદ, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. તે ઠગાઈને મે મહિનાથી ભાગી ગયો છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:52 am

ભાસ્કર ઈનસાઈડ:ગિરીરાજ ડેવલોપર્સના 3 બિલ્ડર સહિત 8 સામે 3.47 કરોડની ઠગાઈની ફરિયાદ

ગીરીરાજ ડેવલોપર્સ પેઢીના ત્રણ બિલ્ડર અને 5 મળતીયાએ રણોલી બીઓબીમાંથી ગેરરિતી કરી રૂ.3.47 કરોડ લોન લઇ ઠગાઈ કરી હતી. ખોટી ફર્મ, ઓવર વેલ્યુના રિપોર્ટ, ટાઇટલ ક્લિયરન્સ સહિત બનાવી છેતરપિંડી કરી હતી. જવાહરનગર પોલીસે 8 સામે ગુનો નોંધ્યો છે. બેંકમાં સીસી અને હોમલોનમાં ગેરરિતી અંગે ઝોનલ ઓફિસમાં ફરિયાદ થઈ હતી. ઓડિટમાં જાણવા મળ્યું હતું કે, ગીરીરાજ ડેવલોપર્સે તરસાલી ખાતે બનાવેલા પલાસ હાઇટ્સના ફ્લેટ અને દુકાનો તથા બાપોદના રાધે ગોવિંદ ડુપ્લેક્ષની દુકાન પર થયેલી વિવિધ સીસી અને હોમલોનમાં ગેરરિતી થઈ છે. લોન 2022થી 2024 દરમિયાન થઈ હતી. ગીરીરાજ ડેલવોપર્સના મૃણાલીની શાહ, મોનાર્ક શાહ અને મૃતક મોહનીશ પંડ્યા ભાગીદાર છે. તેમની સાથે સીંગ એસોસિએટના માલિક ધીરેન્દ્રસિંહ સીંઘ ડાયરેક્ટ સેલિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તેઓએ સાથે મળી પાદરા એસબીઆઈમાંથી રૂ.4.95 કરોડની લોન તરસાલીની સર્વે નં.578/579ની જમીન પર લીધી હતી. પલાસ હાઇટ્સની પ્રોજેક્ટ લોનના નિયમોનો ભંગ કર્યો હતો અને બેંકની પૂર્વ મંજૂરી કે એનઓસી લીધા વગર પસાલ હાઇટમાં ફ્લેટ-દુકાનો પર નોટરી અને રજીસ્ટર બાનાખતથી રણોલીની બીઓબીમાંથી લોન લીધી હતી. બેંક સાથે કુલ રૂ.3.49 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. પોલીસે મૃણાલીની ચિરાગભાઈ શાહ, મોનાર્ક ચિરાગભાઈ શાહ, મૃતક મોહનીશ મુકુંદ પંડ્યા, ધીરેન્દ્રસિંહ બટેશ્વરસિંહ સીંગ, મૃતક પ્રવિણસિંગ હરિસિંગ રાજપુત, કેવિન કિશોરભાઈ કરકર, શુભમ શૈલેષભાઈ ગજ્જર તથા મનોજ નરસિંહભાઈ પટેલ સામે ગુનો નોંધ્યો છે. ધીરેન્દ્રસિંહ સિંગ લોનનું કામ કરતો, બેંક કર્મી સાથે મળી લોન કરાવી? તપાસ શરૂધીરેન્દિરસિંહ સીંગ બીલ્ડર ભાગીદારો સાથે ડાયરેક્ટ સેલિંગ એજન્ટ તરીકે કામ કરતો હતો. તે લોન કરાવવાનું પણ કામ કરતો હોવાનું સુત્રોએ કહ્યું હતું. તે તમામ બેંકની પ્રક્રિયા જાણતો હતો. ત્યારે તેને રણોલીની બીઓબી બેંકના કર્મી સાથે મળીને લોનો કરાવી હોવાનું બની શકે છે તેમ પોલીસ માની રહી છે. જોકે પોલીસ દ્વારા તે અંગે તપાસ કરાશે, જ્યારે બીજી બાજુ બેંક દ્વારા પણ કોઈની સંડોવણી છે કે કેમ? તેની અલગથી આંતરિક તપાસ શરૂ કરી દેવાઈ છે. ત્યારે મૃણાલીની શાહ સામે અગાઉ પણ ઠગાઈનો કેસ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. 8 સામે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરાઈબેંકની આંતરિક ઓડિટમાં ગેરરિતી થઈ હોવાનું જણાયું હતું. છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. પેઢીના ત્રણ બિલ્ડર સહિત 8 સામે પોલીસે ગુનો નોંધ્યો છે અને તેમની શોધખોળ શરૂ કરી છે.> એ.એમ.પરમાર, પીઆઈ, જવાહરનગર પોલીસ સ્ટેશન. ખોટા દસ્તાવજ રજૂ કરી લોન લીધી, અને ધંધાની જગ્યાએ અન્ય જગ્યાએ રૂપિયાનો ઉપયોગ કર્યો​​​​​​​પ્રવિણસિંગ તથા કેવિને પલાસ હાઇટની દુકાનનું ટાઇટલ ક્લિયરન્સ સર્ટી કઢાવી તથા ઓવર વેલ્યુનો રિપોર્ટ બનાવ્યો હતો. કેવિને પેરિગ્રીન ફર્મ ઉભી કરી રૂ.50 લાખની સીસી મેળવી હતી. શુભમ અને પ્રવિણસિંગે દુકાનના રિનોવેશન કરાવવા રૂ.50 લાખની ટર્મ લોન મેળવી હતી. શુભમે ખોટી ફર્મ ઉભી કરી દસ્તાવેજ બેંકમાં આપ્યા હતા. મનોજે રાધીકા વેજીટેબલના નામે રૂ.50 લાખની લોન લીધી હતી. તમામે લોનનો ઉપયોગ અન્ય જગ્યાએ કર્યો હોવાનું ખુલ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:50 am

સેન્ટ્રલ આઇબી સહિત એજન્સીઓ ધમધમી:વડોદરા એરપોર્ટ પર મૈસૂરના શખ્સ પાસે તુર્કીના હથિયારના કારતૂસનું ખોખું મળ્યું

વડોદરા એરપોર્ટ પરથી મૈસૂરના એક શખ્સના સામાનમાંથી તુર્કીના એક વેપનની કારતૂસનું ખોખું પકડાતા સુરક્ષા એજન્સીએ પૂછપરછ કરી છે. મુસાફર તુર્કીથી મુંબઇ થઇ વડોદરા આવ્યો હતો. આતંકવાદીઓ ઘટનાઓ બનતી હોવાથી વડોદરા એરપોર્ટ પર સઘન ચેકિંગ થઇ રહ્યું છે. શનિવારે સવારે આ વ્યક્તિ વતન મૈસૂર જતો હતો ત્યારે ચેકિંગમાં કારતૂસ પકડાઇ હતી. હરણી પોલીસ મુજબ મુસાફર પાસેથી પકડાયેલી આ ખાસી કયા વેપનની છે તે જાણવા એફએસએલમાં મોકલાયું છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, 45 વર્ષીય આ શખ્સ મૂળે મૈસૂરનો છે. તેનું નામ પવન હનુમાન થાપા એસ. છે. ત્યાં ખાનગી કંપનીમાં મેનેજર છે. 12મી નવેમ્બરે તે તુર્કીના ઇસ્તંબૂલ ગયો હતો અને 13મીએ મુંબઇ પરત ફરી વડોદરા આવ્યો હતો. મકરપુરા જીઆઇડીસીમાં કામસર આવ્યો હતો અને બે દિવસ બાદ મૈસૂર જઇ રહ્યો હતો. બે દિવસ દરમિયાન તે ભાયલીની હયાત રિજન્સીમાં રોકાયો હતો. તેણે પોલીસને આ ખાલી કારતૂસ તુર્કીમાં મળી હતી અને ત્યારે ઉઠાવી હતી. બેગમાં ભૂલથી રહી ગઇ હોવાનું કહ્યું હતું. સેન્ટ્રલ આઇબી, લોકલ આઇબી અને એસઓજી સહિતની એજન્સીઓ તપાસ કરી હતી. હજી સુધી કોઇ શંકાસ્પદ માહિતી પોલીસને તેની પાસેથી સાંપડી નથી. એક ઇન્ટરનેશનલ અને એક ડોમેસ્ટિક ફ્લાઇટમાં પણ કારતૂસ કેમ ના પકડાઇ તે સૌથી મોટો સવાલપવન થાપા સવારે મુંબઇની ફ્લાઇટ પકડીને મુંબઇ અને ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઇટથી મૈસૂર જવાનો હતો. તેના દાવા મુજબ કારતૂસના ખોખાની વાતથી તે આ દરમિયાન અજાણ હતો. બીજી તરફ તે તુર્કીથી મુંબઇ આવ્યો ત્યારે અને મુંબઇથી વડોદરા આવ્યો ત્યારે પણ તેના સ્કેનરમાં આ કારતૂસ કેમ ન આવી. તે મુદ્દે પણ પોલીસને હજી તપાસ કરવાની બાકી છે. આ મુદ્દે હજી કોઇ જાણકારી જાહેર કરાઇ નથી. અગાઉ 12મી સપ્ટેમ્બરે પણ બ્રિટિશ નાગરિક ખાલી કારતૂસ સાથે વડોદરા એરપોર્ટ પર પકડાયો હતોગત 12મી સપ્ટેમ્બરે 48 વર્ષનો એક બ્રિટિશ નાગરિક વડોદરા એરપોર્ટ ખાતે ખાલી કારતૂસ સાથે પકડાયો હતો. તે રણોલીનો હતો અને દિલ્હી જવા ઉપડ્યો હતો. તે સમયે તેણે આ કારતૂસ અંગે પોતે અજાણ હોવાનું રટણ ચલાવે રાખ્યું હતું. જોકે ખાલી કારતૂસ સાથે મુંબઇ, દિલ્હી અને ગ્વાલિયર એરપોર્ટ પરથી પણ મુસાફરો પકડાયા હોવાના બનાવો બન્યાં છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:49 am

ભાસ્કર એક્સક્લુસિવ:CA ફર્મને વિદેશમાં ઓડિટ કરવાની મંજૂરી મળશે, કોડ ઓફ એથિક્સમાં સુધારો કરાશે

પ્રતીક ભટ્ટ, મંદાર દવે | અમદાવાદભારતીય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ માટે ખુશખબર છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ પોતાના કોડ ઓફ એથિક્સમાં મહત્વપૂર્ણ સુધારો કરીને સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સીએ ફર્મ હવે દેશની સાથે વિદેશમાં પણ ઓડિટ તથા અન્ય વ્યવસાયિક સેવાઓ આપી શકે છે. ICAIના અહેવાલ મુજબ આ મંજૂરી માત્ર તેવા કિસ્સામાં માન્ય રહેશે, જ્યાં તે ફર્મ વિદેશના સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરશે. સાથે જ, ભારતીય એથિકલ ધોરણોનું પણ જતન કરવાનું રહેશે. સીએ ફર્મ હવે પોતાની એડર્વટાઇઝ પણ કરી શકશે, યુવાનોને વધુ તક મળશે. આ નિર્ણય ભારતીય સીએ ફર્મને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે અને તેમના માટે નવા અવસરોના દ્વાર ખોલશે. વિદેશમાં ભારતીય સીએ ફર્મની માંગ સતત વધી રહી છે. હવે તેઓ કાયદેસર રીતે ત્યાં ઓડિટ અને અશ્યોરન્સ સેવા આપી શકશે. આ ફેરફાર ખાસ કરીને યુવા સીએ માટે ગોલ્ડન અવસર સાબિત થશે. મધ્યપૂર્વ, આફ્રિકા અને એશિયા-પ્રશાંત જેવા પ્રદેશોમાં ભારતીય અકાઉન્ટન્ટ્સની પ્રતિષ્ઠા વધી રહી છે, આ નિર્ણય તે વિશ્વાસને વધુ મજબૂત બનાવશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ પોતાના કોડ ઓફ એથિક્સમાં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને સ્પષ્ટ કર્યું છે જેનાથી ભારતીય સીએ પ્રોફેશન વૈશ્વિક સ્તરે નવી ઓળખ મેળવશે અને ‘મેડ ઈન ઈન્ડિયા’ ફાઇનાન્સિયલ સર્વિસીસની પ્રતિષ્ઠા વધુ ઊંચી જશે. ભાસ્કર એક્સપર્ટબદલાવથી ગુજરાતના 20 હજાર સીએને ફાયદો થશેદેશભરના ખાસકરીને ગુજરાતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સારો ફાયદો મળી શકશે. ગુજરાતમાં જ સરેરાશ 20 હજાર જેટલા સીએ છે. નવા નિયમને કારણે આ તમામ સીએ માટે આ વાત ગેમ ચેન્જર સાબિત થશે. વૈશ્વિક સ્પર્ધા વધશે જેના કારણે બિઝનેસ મેળવવામાં સરળતા રહેશે. નાની કંપનીઓને અઢળક તક મળશે. જેથી આ ફિલ્ડમાં નવી કંપીઓ પણ આવશે. સીએ પોતાની માહિતી શેર કરી શકશે જેમ કે શું કામગીરી કરે છે તેની એક્સપર્ટાઇઝ શું છે તે જણાવી શકશે. -જૈનિક વકીલ, પૂર્વ ચેરમેન - અમદાવાદ બ્રાન્ચ​​​​​​​ નિર્ણયથી દેશની ઈકોનોમી સમૃદ્ધ બનશેકેન્દ્ર સરકારે ભારતીય સીએ ફર્મ વૈશ્વિક સ્તરની મોટી સીએ કંપનીઓની સમકક્ષ ભારતની સ્વદેશી કંપનીઓ સ્પર્ધા કરી શકે તે માટે અલગ રસ્તો ઉભો કર્યો છે. સીએની ફર્મ ભારતમાં જ નહી, પરંતુ આખા વિશ્વમાં એકાઉન્ટ ક્ષેત્રે ઓડિટ અને ટેક્સેશન ક્ષેત્રે સેવાઓ આપી શકે છે. ગ્લોબલ ઓડિટ અને કન્સલ્ટન્સીનું વાર્ષિક 250 બિલીયન ડોલરનુ માર્કેટે છે. તેમાં ભારતમાં સીએની એક લાખ જેટલી સ્વદેશી ફર્મનો આર્થિક વિકાસ થાય અને દેશની ઈકોનોમી સમૃદ્ધ બને તે હેતુસર આ કવાયત હાથ ધરાઈ છે.-અનિકેત તલાટી, પૂર્વ પ્રમુખ, સીએ આઈસીએઆઈ​​​​​​​ ​​​​​​​

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:49 am

ભાસ્કર ઈનસાઈડ:સરકારના 4 અધિકારીએ ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડના 140 પૈકી 20 રસ્તાના નમૂના લીધા

રાજ્યમાં ચોમાસા દરમિયાન રોડ ધોવાઈ જવાની અને ખાડા પડવાના કારણે લોકોને થયેલી પરેશાની સાથે સરકારની થયેલી બદનામી બાદ મુખ્યમંત્રી નારાજ થયા હતા. તેઓએ ડિફેક્ટ લાઈબિલિટી પિરિયડમા તૂટેલા રોડના કારણે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સુધીની સૂચના આપી હતી. ત્યારે સરકાર દ્વારા ગઠિત કરાયેલી ટીમે વડોદરામાં રોડની ચકાસણી કરી 20 રોડના નમૂના ચકાસ્યા હતા. ચોમાસામાં રાજ્યના મહાનગરો અને નાના શહેરોમાં રોડની હલકી કક્ષાની કામગીરીના કારણે આખે આખા રોડ ધોવાઈ જવા સાથે મસ મોટા ખાડા પડવાની ઘટનાઓ બની હતી. જેના કારણે વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી. બીજી તરફ સરકારની પણ ભારે બદનામી થઈ હતી. આ વર્ષે મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. તે પૂર્વે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં ડિફેક્ટ લાઇબિલિટી પિરિયડના રોડમાં પડેલા ખાડા અંગે ટકોર કરી કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા સહિતની સૂચના આપી હતી. ત્યારબાદ વડોદરા શહેરમાં પણ રોડ પરના ખાડા પૂરવા માટે પેચવર્કની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ હતી. તેવામાં રાજ્ય સરકાર દ્વારા ગઠિત કરાયેલી ટીમના જીયુડીસીએલના સુપ્રીટેન્ડેન્ટ એન્જિનિયર મહેશ ચૌધરી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર શૈલેષ ભટ્ટ અને ડેપ્યુટી એન્જિનિયર આર.સી. રાવલ સહિત 4 અધિકારીએ શનિવારે વડોદરાની મુલાકાત લીધી હતી. વડોદરામાં 140 ડિફેક્ટ લાઇબિલિટી પિરિયડ હેઠળના રોડ પૈકી ભાયલી, સમા, દુમાડ અને ગોત્રી તેમજ આઉટગ્રોથ વિસ્તારના 20 રોડની ચકાસણી કરી હતી. આગામી દિવસોમાં તેના રિપોર્ટ જાહેર કરવામાં આવશે તેવી માહિતી મળી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરામાં રોડ તુટી જવા, ઉખડી જવા, ખાડા પડવા, ભૂવા પડવા સહિતની સમસ્યાથી નાગરિકો ત્રાસી ગયા હતા. કેટલાંય નાગરિકોએ પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી પણ ઉચ્ચારી હતી. ચાર અધિકારીઓની ટીમે રોડની ઘનતા, જાડાઈ, કોમ્પેક્શન અંગે ચકાસણી કરીજીયુડીસીએલના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર સહિતની ટીમ શનિવારે વડોદરા આવી હતી. ટીમે કોર કટીંગ મશીનની મદદથી રોડનું ડીબીએમ (ડેન્સ બીટ્યુમિન્સ મેકાડમ) અને બીસી (બીટ્યુમિન્સ કોંક્રિટ)ની ચકાસણી કરી હતી. જેમાં મશીનથી રોડના છેડે હોલ કરી નમૂના લઈ તેની ચકાસણી કરી હતી. આધારભૂત સૂત્રો મુજબ આ રોડ ક્યારે બન્યો, કેટલા સમયમાં પૂર્ણ થયો, તેનો ડિફેક્ટ લાઇબિલિટી પીરીયડ કેટલો છે અને કેટલા કરોડના ખર્ચે રોડ બન્યો તે સહિતની વિગતો લઈ કોરના નમૂનાઓના પરિણામ પણ લઈ રિપોર્ટ તૈયાર કર્યો હતો. આગામી બે દિવસમાં આ રિપોર્ટ જાહેર કરવામાં આવશે તેવી જાણકારી મળી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:47 am

વાનરનો આતંક:ભાયલીમાં વાનરે 3 દિવસમાં 6 લોકોના પગ પકડી પગે જ બચકાં ભર્યાં, કેળાંની લાલચે 5 કલાકે રેસ્ક્યૂ

ભાયલીમાં 3 દિવસથી લોકોને બચકા ભરી કહેર મચાવનાર વાંદરાને વનવિભાગે રવિવારે બપોરે પકડતા ભાયલીની સોસાયટીઓના લોકોએ હાશ થઇ છે. વાંદરાએ 6 લોકોને ફક્ત પગ પકડીને પગે જ બચકા ભર્યા હતા. વનવિભાગે રવિવારે ભારે જહેમતે કેળા-બિસ્કિટથી લલચાવીને વાંદરાને 4 કલાકે પાંજરે પૂર્યો હતો. વનવિભાગના રેસ્ક્યૂઅરના જણાવ્યા મુજબ વર્ચસ્વની લડાઇમાં હાર્યા બાદ આ કદાવર વાંદરાએ આ હરકત કરી હોવાની શક્યતા છે. ભાયલીની નવરચના યુનિવર્સિટી પાસેની નીલાંબર સોસાયટી અને આસપાસના વિસ્તારમાં એક વાંદરો બચકા ભરે છે, 2 જણને બચકા ભરી ચૂક્યો છે તેવો કોલ શુક્રવારે વનવિભાગને પહેલીવાર મળ્યો હતો. વનવિભાગના રેસ્ક્યૂઅર્સ 2 દિવસ સતત આ વિસ્તારમાં ગયા હતા. પણ વાંદરો આંખે ન ચઢતાં ધરમધક્કા થયા હતા. છેવટે ત્રીજા દિવસે રવિવારે ફરી એકને બચકું ભર્યું છે તેવો કોલ આવતાં વનવિભાગના રેસ્કૂઅર ટીમ તેને પાંજરે પૂરવા 11 વાગ્યાના સુમારે પહોંચી હતી. પાંજરુ મૂક્યા બાદ બપોરે 4 વાગ્યે તે પાંજરે પૂરાયો હતો. મેટિંગ માટેની વર્ચસ્વની લડાઇમાં હાર્યા બાદ તરછોડાયેલો-રઘવાયેલો વાંદરો બચકાં ભરે છેવાંદરાઓની હાલમાં મેટિંગ સિઝન ચાલે છે. તેથી નર વાંદરાઓમાં વર્ચસ્વ માટે લડાઇ થતી હોય છે. જેમાં હારેલો વાંદરો ગ્રૂપમાંથી તરછોડાય છે. ત્યારે તે રીતે આ રીતે બચકા ભરતો હોય છે. બે કલાક સુધી વાંદરો ખોરાકને તાકતો રહ્યોવનવિભાગના રેસ્ક્યૂઅર જિજ્ઞેશ પરમારે જણાવ્યું કે, વાંદરો નીલાંબર સોસાયટીના એક બંગલોના સોલાર નીચે બેઠો હતો. ત્યારબાદ ઝાડ પર ચઢી ગયો. છેવટે તેને મનપસંદ કેળા-બિસ્કિટ બતાવવામાં આવ્યાં. તે બે કલાક સુધી મનપસંદ ખોરાકને તાકતો રહ્યો. છેવટે તે લલચાઇને આવતાં પાંજરામાં ઘૂસતા જ ટીમે દરવાજો બંધ કરતા તે પૂરાયો હતો. વન વિભાગની ટીમ સામે જ બે જણને બચકાં ભર્યાં​​​​​​​વાંદરો એટલો હિંસક બન્યો હતો કે વનવિભાગની ટીમ પકડવા ગઇ ત્યારે ટીમની સામે જ સીધો આવીને સોસાયટીના કોમન બગીચામાં કામ કરતા 2 શ્રમિકના પગ પાછળથી પકડીને બચકા ભરીને પળવારમાં જ અલોપ થઇ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:46 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:BRTS સ્ટૅન્ડમાં દરવાજા ખૂલતા નથી, LED-ટિકિટબારી બંધ

શહેરના મુસાફરોને ઝડપી અને આરામદાયક મુસાફરી મળે એ માટે કરોડો રૂપિયા ખર્ચીને બીઆરટીએસ સેવા શરૂ કરાઈ હતી પરંતુ અત્યારે આ સેવા જ ‘કેરલેસ મૅનેજમેન્ટ’નું ઉદાહરણ બની ગઈ છે. અનેક સ્થળે સ્ટેન્ડ પરની એલઈડી બંધ છે. એટલે બસ કેટલા વાગે આવશે તેની ખબર પડતી નથી. પરિણામે મુસાફરો ખોટી બસમાં ચઢી જાય છે. મણિનગર રેલવે સ્ટેશન પરના બીઆરટીએસ સ્ટેન્ડના ઑટોમેટિક દરવાજા પણ બંધ હોવાથી અકસ્માતનું જોખમ વધ્યું છે. આ સિવાય પાણીની સુવિધા, વૉશરૂમ, સફાઈની ઊણપ છે. સ્ટેન્ડના મેન્ટેનન્સ પાછળ કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચે છે છતાં સુવિધાના નામે મીંડું છે. પ્રગતિનગર સ્ટેશનની સ્થિતિ વધુ ગંભીર છે. અહીં લાંબા સમયથી ટિકિટ કાઉન્ટર બંધ છે. તેમાં સફાઈનાં સાધનો રખાય છે. પરિણામે ટિકિટ લેવા મુસાફરોને ફરીને બીજી બાજુ જવું પડે છે. આવી સ્થિતિ અન્ય સ્ટેશન પણ છે જેમાં કોઈ પણ એક ટિકિટ કાઉન્ટર બંધ છે. પ્રગતિનગર, સોલા સ્ટેશને સ્ક્રીન તૂટી ગઈ છે તો ક્યાંક માત્ર એક જ સાઇડ કાર્યરત છે. પરિણામે બસ નંબર, આગમન સમય અને રૂટ સંબંધિત માહિતી મળતી નથી.નરોડા સ્ટેશને તો એલઈડી સ્ક્રીન જ ઉપલબ્ધ નથી, જેના કારણે મુસાફરો સંપૂર્ણપણે અનિશ્ચિતતામાં મુસાફરી કરવા મજબૂર બને છે. સ્ટેશનો પર લગાવવામાં આવેલા ટીવી સ્ક્રીનોની સ્થિતિ પણ દયનીય છે. શહેરના અનેક બીઆરટીએસ સ્ટેશનો પર આવી જ સ્થિસ્થિતિ છે. મણિનગર બીઆરટીએસ સ્ટેન્ડ પરના ઓટોમેટિક દરવાજા મહિનાઓથી બગડેલા છે અને હંમેશા ખુલ્લા રહે છે. સુરક્ષા માટે અત્યંત જરૂરી આ દરવાજા રીપેર ન થયા હોવાને કારણે ખાસ કરીને સાંજની ભીડ સમયે અકસ્માતની ભયજનક શક્યતા ઉભી થાય છે. શહેરનાં અનેક બીઆરટીએસ પર આ પ્રકારની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે પ્રગતિનગરના સ્ટૅન્ડ પર સ્ક્રીન બંધ છે તો મણિનગરમાં દરવાજો બંધ જ રહે છેમુસાફર રમેશ પટેલે જણાવ્યું કે પ્રગતિનગર બસ સ્ટેશન પર એલઇડી સ્ક્રીન તૂટી ગયો હોવાથી ક્યા રૂટની બસ ક્યારે આવશે તેની જાણ હોતી નથી. ઘણી વખત મુસાફરો ભળતી બસમાં ચઢી જાય છે. તંત્રને અનેક વખત રજૂઆત કરાયા છતાંય નિરાકરણ નથી આવતું. મણિનગરના મુસાફરે જણાવ્યું કે મહિનાઓથી દરવાજો બંધ હાલતમાં છે. જેથી અકસ્માતનું જોખમ છે. નરોડના મુસાફરે જણાવ્યું કે સ્ટેશનના નામની પ્લેટ તૂટી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:45 am

સમસ્યા:અટલાદરામાંં વર્ષોથી સિટી બસ સેવા, પાણીની લાઇન અને રસ્તાઓની સમસ્યા ઠેરની ઠેર, રહીશો ત્રાહિમામ

શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર અટલાદરામાં આ અઠવાડિયે 500 મીટરનો એક રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી પૂરના પાણીને લીધે ખખડધજ બનેલો આ રસ્તો છેવટે બનતા રહીશોએ હાશકારો અનુભવ્યો છે. પણ બીજી તરફ હજીય રસ્તાઓ સહિતની કેટલીક સમસ્યાઓ છે જે આ વિસ્તારના રહીશોના માથે વર્ષોથી લખાયેલી છે. અટલાદરાનો વ્યાપ છેલ્લા 15 વર્ષમાંવધ્યો છે. આ વિસ્તારનો પાલિકાની હદમાં સમાવેશ થઇને પણ બે વર્ષનો સમય થયો હોવા છતાં હજીય વિકાસના ધાર્યા ફળ મળ્યા નથી. વડોદરાના મુખ્ય માર્ગથી અટલાદરા-બિલ-ચાણસદ સિટી બસ સેવા શરૂ થઇ શકે તેમ છે. પણ આ વિસ્તારના ખખડધજ રસ્તાઓના કારણે આ સેવાનો લાભ લોકોને નથી મળતો. પાદરા તરફના કેટલાક રસ્તાઓ એવા છે. જે નવા તૈયાર કરાયા છે પણ હજી તેના પર પાલિકાની સ્ટ્રીટ લાઇટનું અજવાળું પહોંચ્યું નથી. પાણીની લાઇનો નંખાઇ છે પણ પાણી માટે હજીય વિસ્તાર ભૂગર્ભ જળના ભરોસે છે. સિટી બસ શરૂ થાય તો લોકોના લાખો રૂપિયાની બચત થાયસિટી બસ મેનેજરને મળ્યો છું. અરજીમાં એક જ જવાબ હોય છે. પહેલા રસ્તા તો તૈયાર કરો. બસ તો બીજા દિવસે શરૂ કરીશું. બસને અનુરૂપ રસ્તાઓ તૈયાર થતા જ નથી. > કિરણભાઇ પંચાલ, સ્થાનિક. ડિવાઇડરના ઝાડવાઓના ટ્રિમિંગના અભાવે અકસ્માતોઅટલાદરાના દીપ પાર્ટી પ્લોટથી અક્ષર પેરેડાઇઝ વચ્ચેના રસ્તાના ડિવાઇડરો પર ઝાડવા ઉગી નીકળ્યા છે ટ્રિમિંગ કોઇ દિવસ થયું નથી. જેના લીધે અકસ્માતો બની રહ્યાં છે. > રવિ મિસ્ત્રી, નિસર્ગ રેસિડેન્સી કરોડોનો વેરો ભરાય છે, અને પાણી પણ ભરાય છેઅમારી સોસાયટી 13 વર્ષથી છે કરોડોનો વેરો ભરાય છે સોમાસામાં વેલાણી પેરેડાઇઝ ચોકડી પર અડધો કલાક વરસાદ પણ આવે તો દોઢ ફૂટ પાણી ભરાઇ જાય છે. > ધવલ દીક્ષિત, અક્ષર અમૃત રેસિડેન્સી

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:44 am

જામીન નામંજૂર:ફાઈનાન્સ ઓફિસર દ્વારા 2.90 કરોડની ઠગાઈમાં જામીન નામંજૂર

શહેરની એઈમ્સ ઓક્સિજન જૂથની કંપનીના ચીફ ફાઈનાન્સ ઓફિસરે કંપનીની જાણ બહાર ચાર વર્ષના સમયગાળામાં ઉદ્યોગ જૂથ સાથે 2.9 કરોડની ઠગાઈ કરી હતી. કંપનીના ડિરેક્ટરે આ અંગે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવાયો હતો.હાલ આરોપી જેલમાં છે.જ્યાં એને અત્રેની અદાલતમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી જે નામંજૂર કરવામાં આવી છે. સંજય કુમાર રામચંદ્ર મિસ્ત્રી ઓલ્ડ પાદરા રોડ પર આવેલી એમ્સ ઓક્સિજન પ્રા.લી. કંપનીના ડાયરેક્ટર પદે હતા. આ ઉદ્યોગ જૂથની અન્ય કંપનીઓ સાથે પણ તેઓ જોડાયેલા છે. કંપનીના માલિક અનીશભાઈ પટેલે સને 2019માં દિપક વિનુભાઈ પરમાર રહે, વિરામ ફલેટ, વડસર બ્રિજ માંજલપુરની આઈડેન્ટીફીકેશન નંબરના આધારે ડાયરેક્ટર તરીકે નિમણુંક કરી હતી. તેઓ પહેલા ચીફ ફાઈનાન્સ ઓફિસર હતા. ફરિયાદમાં સંજય કુમારે ફરિયાદમાં આરોપી દિપક પરમારે ઉદ્યોગ જૂથની ત્રણે કંપનીઓના એકાઉન્ટમાંથી 2.9 કરોડની ઉચાપત કરી હતી. આરોપી દીપકે અત્રેની અદાલતમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી.જેની સુનાવણી બાદ એડી સેશન્સ જજ આર.એ.અગ્રવાલે જામીન અરજી નામંજૂર કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:43 am

CMને રજૂઆત:બૌદ્ધ ધર્મના પ્રતિનિધિઓ બુદ્ધ પૂર્ણિમાએ જાહેર રજા કરવા માટે મુખ્યમંત્રીને મળ્યા

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ દ્વારા તેમના મુખ્ય તેહવાર ગણાતા વૈશાખી બુદ્ધ પૂર્ણિમાએ જાહેર રજા માટે સરકારમાં અવારનવાર માગણી કરવામાં આવે છે પરંતુ ધ્યાને ન લેવાતાં આખરે ગુજરાત પ્રદેશના બૌદ્ધ ધર્મના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લઈ આ અંગે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ પણ તેને સકારાત્મક લઈને જાહેર રજા માટે આશ્વાસન આપ્યું હતું. ભગવાન બુદ્ધને માનનારા લોકો માટે તેમના મુખ્ય પ્રતિનિધિઓ જેવા કે આયુષ્માન સિંહલ બોધિધર્મન (અમદાવાદ), આયુષ્માન સિંહલ રાજવર્ઘન (કચ્છ), આયુષ્માન સિંહલ રજનીકાંત (આણંદ), આયુ. વિક્રમ બૌદ્ધ (જૂનાગઢ) અને આયુ. લવેશ રાણા (ગાંધીનગર)એ મુખ્યમંત્રી રજૂઆત કરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:42 am

આરોપીઓ ઝડપાયા:19 વર્ષથી ફરાર સહિત 5 આરોપીઓ ઝડપી પડાયા

શહેરનાં જુદાં જુદાં પોલીસ મથકોમાં ગુના નોંધાયા બાદ ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ખાસ ટીમો બનાવી છે. જે આરોપીઓની શોધમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં મોકલાઈ છે. આ ટીમો દ્વારા વધુ 6 આરોપીને ઝડપી લેવાયા છે. અત્યાર સુધી કુલ 21 આરોપીને શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસે મકરપુરા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં 18 વર્ષથી વોન્ટેડ સીતારામ બિશ્નોઈ (રાજસ્થાન) ઝડપ્યો હતો. ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં 19 વર્ષથી ફરાર મલખાનસિંગ ભાતુ (ઉત્તરપ્રદેશ)ની તપાસ કરતા આ આરોપી એક વર્ષ પહેલા અવસાન પામ્યો હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ છાણી પોલીસ સ્ટેશનમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિ. કલમ મુજબના ગુનામાં ફરાર આરોપી નામે મોહમંદકાસીમ મોહમંદસફી (ઉત્તરપ્રદેશ)ને ઉત્તર પ્રદેશથી ઝડપ્યો છે. ઉપરાંત બાપોદ પોલીસમાં નોંધાયેલ ગુનાના આરોપી અર્શદખાન મેવ (ગોપાલગંજ)ની તપાસમાં લૂંટના ગુનામાં રાજસ્થાનની જેલમાં હોવાનું શોધી કાઢતા આરોપીને બાપોદ પો. સ્ટેશનના ગુનામાં કબ્જો મેળવવા કોર્ટમાં મંજૂરી મગાઈ છે. જ્યારે બાપોદ પો.સ્ટેશન આવશ્યક ચીજવસ્તુ ધારા મુજબના ગુનામાં 6 વર્ષથી ફરાર સુરેશ ઉર્ફે અશોક ભાદુ (બિશ્નોઈ) (રાજસ્થાન)ની સામે રાજસ્થાનમાં નોંધાયેલ ગુનામાં પકડ વોરંટ ઇશ્યું હોય તેને રાજસ્થાનની જેલમાં મોકલી દેતાં બાપોદ પો.સ્ટે.ના ગુનામાં મેળવવાની કાર્યવાહી કરાઈ છે. જ્યારે હરણી પો.સ્ટે. 5 લાખનો ટાયરનો સ્ક્રેપ માલ ન આપી વિશ્વાસઘાતના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી આસીન અસરુ મેવ (ડીગ, રાજસ્થાન)ને ઝડપી હરણી પોલીસને સોંપ્યો છે. 3

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:40 am

સિંધી સમાજનો 14મો સમૂહ લગ્નોત્સવ:21 સિંધી કન્યાઓ લક્ઝુરિયસ રૂફટોપ કારમાં મણિનગરમાં ફરીને લગ્ન કરવા માંડવે પહોંચી

મણિનગરના ઝુલેલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે સિંધી સમાજનો 14મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. તેમાં 21 યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. 21 કન્યાનો વરઘોડો, એ આ લગ્નોત્સવનું મુખ્ય આકર્ષણ હતું. 42 લક્ઝુરિયસ કારમાં 21 કન્યા અને 21 વરનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. રૂફટોપ કારમાં નવોઢાના પોષાકમાં સજ્જ કન્યાઓ બ્લેક ગોગલ પહેરીને અને વરણાગી છત્રીથી તડકાનું રક્ષણ મેળવતી નીકળી હતી. ભવ્ય વરઘોડા અને લગ્નવિધિ પછી સાંજે 21 યુગલનું સમૂહ રિસેપ્શન પણ યોજવામાં આવ્યું હતું. મણિનગરસ્થિત એલ. જી. હૉસ્પિટલ સામેની વ્યાયામ શાળામાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક કન્યાને સોનાના મંગળસૂત્ર સહિત 65 વસ્તુનું અંદાજે 1 લાખ રૂપિયાનું કરિયાવર અપાયું હતું. ઝુલેલાલ ચૅરિટેબલ ટ્રસ્ટના રાજુ એલ. વાસવાણીના કહેવા પ્રમાણે ઝુલેલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ 14મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ પહેલાંના 13 લગ્નોત્સવમાં કુલ 644 કન્યાનાં લગ્ન કરાવાયાં છે. ટ્રસ્ટ નિ:શુલ્ક લગ્નવિધિ કરાવવા સાથે કરિયાવર અપાયું હતું અને 50-50 સગાંને પણ આમંત્રણ અપાયું હતું. લગ્નોત્સવમાં ફોર્મ ફી પેટે યુવતી પાસેથી 1100 રૂપિયા અને યુવક પાસેથી 2100 રૂપિયા લેવામાં આવે છે પરંતુ રીસેપ્શન ટાણે કન્યાને ટ્રસ્ટ દ્વારા ભેટરૂપે પર્સ આપવામાં આવે છે. રાજુ વાસવાણીએ કહ્યું કે ખાલી પર્સ આપવાનું અશુભ કહેવાય એટલે કન્યા પાસેથી લીધેલા 1100 રૂપિયા પર્સમાં મૂકીને આપીએ છીએ. એ જ રીતે, સિંધી સમાજની ડીખની વિધિમાં વરને ચલણી નોટ પહેરાવવાનો રીવાજ છે. એટલે યુવક પાસેથી ફી પેટે લીધેલા 2100 રૂપિયાનો જ હાર યુવકને પહેરાવીને રૂપિયા પરત કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:40 am

ડાંગરની ઐતિહાસિક આવક નોંધાઈ:જેતલપુર યાર્ડમાં પહેલી વાર 1 દિવસમાં 843 ટ્રેકટર ડાંગરની આવક

કેતનસિંહ રાજપૂત, અમદાવાદજેતલપુરના પંડિત દિનદયાળ માર્કેટ યાર્ડમાં સોમવારે ડાંગરની ઐતિહાસિક આવક નોંધાઈ હતી. એક જ દિવસે 843 ટ્રેક્ટરો ડાંગર લઈને પહોંચતા સમગ્ર યાર્ડમાં ‘ડાંગર મહોત્સવ’ જેવો માહોલ સર્જાયો હતો, જ્યાં નજર જાય ત્યાં ડાંગરના ઢગલા, ટ્રેક્ટરની લાંબી કતારો અને ખરીદી-વેચાણનો ધમધમાટ જોવા મળ્યો. એપીએમસી સેક્રેટરી સંજયભાઈ પટેલે જણાવ્યું કે, એક દિવસમાં આવકનો આ અત્યાર સુધીનો સર્વોચ્ચ રેકોર્ડ છે. રોજ 21 થી 22 હજાર ક્વિન્ટલ આવક થતી હોવાથી યાર્ડમાં દૈનિક 4 કરોડ રૂપિયાથી વધુનું લેવડદેવડ થઈ રહી છે. મહેમદાવાદ, ખેડા, દસકોઈ, નડિયાદ, ખંભાત સહિત અનેક વિસ્તારોના ખેડૂતો વહેલી સવારે જ ટ્રેક્ટર ભર્યા ડાંગર સાથે યાર્ડમાં પહોંચતા ભારે અવરજવર જોવા મળી. વધેલા પાક અને મજબૂત ભાવથી ખેડૂતો ખુશ છે, જ્યારે વેપારીઓ માટે પણ બજારની ચહલપહલ ઊંચે ચડી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:39 am

પોલીસ કમિશ્નરને રજૂઆત:ક્રિકેટના સટ્ટાની ઉઘરાણીમાં યુવક પર હુમલો, 8-10 શખ્સે ઘર ઘેરી માતા-પિતાને પણ માર્યાં

ક્રિકેટના સટ્ટાની લેવડ-દેવડમાં બે દિવસ અગાઉ મધરાત બાદ વારસિયામાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રૂપિયાની ઉઘરાણી બાબતે માથાભારે યુવકોએ અન્ય યુવકનું ઘર ઘેરી લઈ હુમલો કર્યો હતો. અને યુવક તેનાં માતા-પિતાને માર મારી લોહી લુહાણ કર્યાં હતાં. પોલીસને જાણ કરવામાં આવતાં કુંભારવાડા પોલીસે ગંભીર બનાવમાં પણ માત્ર અરજી લઈ સામાન્ય કાર્યવાહી કરી છે. પરિણામે યુવકની માતાએ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. વારસિયા સંત કંવર કોલોનીમાં શુક્રવારે મધરાત બાદ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભરત ધર્મેશભાઈ નામાણી નામના યુવકનું ઘર ઘેરી લઈ રાતે 12:30 વાગે 8 થી 10 યુવકો હથિયારો અને ડંડા લઈ ધસી આવ્યા હતા. આ શખ્સોએ ધર્મેશને બહાર બોલાવ્યો હતો.હુમલાખોરોમાં અજય તોલાણી પ્રદીપ માધવાની તેમજ સન્ની બાબલો સહિત અન્ય યુવકો સામેલ હતા. રાતના સમયે ઘર બહાર આવેલા યુવકોએ જોર જોરથી બૂમો પાડીને ભરતને બહાર આવવા જણાવતાં પરિવારજનો ગભરાયા હતા. માતા-પિતા હુમલાખોરોને ઓળખી જતાં ભરતને પાછળના રસ્તે ભાગી જવા જણાવ્યું હતું. જોકે ત્યાં જતાં બે યુવકો હથિયાર સાથે ઊભા હતા અને તેમણે ભરતને માર માર્યો હતો. જોકે તે ભાગવામાં સફળ રહ્યો હતો. ભરત ભાગી જતાં ઉશ્કેરાયેલા ટોળાએ માતા અનિતાબેન અને પિતા ધર્મેશભાઈને માર મારી ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે ભરતની માતાએ કુંભારવાડા પોલીસ મથકે જઈ પોલીસની મદદ માગી હતી. પોલીસે આવીને બે હુમલાખરોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસ મથકે માત્ર એક જ યુવક સામે કાર્યવાહી કરવામાં આવી. હુમલાખોરોના ભયથી ભરતનો પરિવાર ફફડી રહ્યો છે. બીજી તરફ પોલીસે બંને પક્ષે સામસામે અરજી લઈ સામાન્ય કાર્યવાહી કરી હતી. જેને પગલે ભરતની માતાએ અનીતાબેને પોલીસ ભવન જઈ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. મારા પુત્રની હત્યા થઈ શકે છે, માતાની રજૂઆતહુમલામાં ઘાયલ થઈ સારવાર લીધા બાદ ભરતની માતા પોલીસ ભવન ગઈ હતી અને લેખિત રજૂઆત કરી હતી. જેમાં અગાઉ પણ આ અજય, પ્રદીપ અને સન્ની નામના યુવકોએ ક્રિકેટના સટ્ટા અને વ્યાજે આપેલા રૂપિયા બાબતે મારા પુત્ર પર હુમલો કરી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વારસિયા પોલીસ મથકે અને કુંભારવાડા પોલીસમાં બે વાર ફરિયાદ કરવામાં આવી હતી છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી, એમ જણાવીને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. હુમલા સમયના સીસીટીવી ફૂટેજ તેમજ વીડિયો રેકોર્ડિંગ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે. બંને પક્ષની સામસામે અરજી લીધી છે ઃ પીઆઇકુંભારવાડા પોલીસ મથકના પીઆઈ એ. જે. પાંડવે જણાવ્યું છે કે, નાણાકીય લેવડ-દેવડ બાબતે હુમલામાં ઘાયલ થયેલી મહિલા શુક્રવારે રાત્રે 1 વાગે અત્રે આવી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. બાદમાં બંને પક્ષની સામસામે અરજી લેવાઈ છે. એક હુમલાખોર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:39 am

મંડે પોઝિટીવ:સૃજન એજ્યુકેશન ટ્રસ્ટે 75થી વધુ સમકાલીન, દુર્લભ, સંશોધન મૂલ્ય ધરાવતા ગ્રંથોને લાઇબ્રેરીમાં સંરક્ષિત કર્યા

ડિજિટલના સમયમાં જ્યાં પુસ્તકો હવે સરકારી લાઈબ્રેરીના ખાનાઓમાં સીમિત રહીને ધૂળ ખાઈ રહી છે. ત્યારે સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ અને તેની સાહિત્યિક શાખા સૃજન સાહિત્ય છેલ્લાં બે વર્ષથી હિન્દી સાહિત્યના સર્વાંગી વિકાસ અને સંરક્ષણ માટે કાર્ય કરી રહી છે. જેમાં દુર્લભ ગ્રંથો, અપ્રાપ્ય કૃતિ તેમજ મૂલ્યવાન સાહિત્યિક ધરોહરને ભાવિ પેઢી સુધી પહોંચાડવા રાષ્ટ્રીય સ્તરની વિશેષ પહેલ શરૂ કરી છે. જેમાં સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 75થી વધુ સમકાલીન, દુર્લભ અને સંશોધનમૂલ્ય ધરાવતા ગ્રંથો વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરીમાં સંરક્ષિત કરાવાયાં છે. સૃજન એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપિકા રશ્મિ રંજને જણાવ્યું હતું કે, ટ્રસ્ટે 29 એપ્રિલ 2023 થી સતત સાહિત્યિક તાલીમ અને સર્જનાત્મક વિકાસની પ્રવૃત્તિઓનું આયોજન શરૂ કર્યું હતું. જેમાં કવિતા, વાર્તા, લેખન, વ્યંગ નિર્માણ, મંચ-પ્રસ્તુતિ, પ્રેરણાત્મક ભાષણ કળા જેવી વિવિધ ક્ષેત્રોમાં નિઃશુલ્ક મેન્ટરશિપ આપવામાં આવે છે. આ તાલીમ માત્ર શૈક્ષણિક નથી, પરંતુ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, ભાષા અભિવ્યક્તિ, વિચારોની સ્પષ્ટતા અને સર્જનાત્મક શક્તિને વિકસાવવાનું સાધન છે. જોકે જ્યારે વિદ્યાર્થીઓ મંચ પર રજૂઆત કરવા માટે તૈયાર થાય છે, ત્યારે સંસ્થા તેમને વિવિધ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તેમજ સ્થાનિક મંચો સાથે જોડે છે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી પોતાની પુસ્તક પ્રકાશિત કરવા ઇચ્છે, તો સૃજન સાહિત્ય સમગ્ર પ્રકાશન પ્રક્રિયામાં માર્ગદર્શન આપીને તેમની સાહિત્યિક યાત્રાને વધુ સુનિશ્ચિત બનાવવા માટે આ પ્રાયાસ કરવામાં આવ્યો છે. વિલુપ્ત થઈ ગયેલા ગ્રંથની નકલ સંસ્થાએ કેલીફોર્નિયાની લાઈબ્રેરીમાંથી મેળવીસૃજન સાહિત્ય પાસે દુર્લભ અને ઐતિહાસિક ગ્રંથોનું સંરક્ષણ છે. જેમાં સાલ 1916માં બનારસ હિંદુ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત સનાતન ધર્મ નામનો પ્રાચીન ગ્રંથ અત્યંત વિશેષ છે. આ ગ્રંથમાં હિંદુ ધર્મના વિવિધ તત્ત્વો, સિદ્ધાંતો અને પરંપરાઓનું ખૂબ જ સંતુલિત, નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક વર્ણન ઉપલબ્ધ છે. ભારતભરમાં તેની એકપણ નકલ રહી નહોતી. અને માત્ર એક જ પ્રતિકૃતિ કેલિફોર્નિયા યુનિવર્સિટી લાઇબ્રેરીમાં મળી. જેને માઈક્રોસોફ્ટ દ્વારા ડિજિટાઇઝ કરવામાં આવી હતી. તે જ રીતે સત્યનારાયણ પ્રસાદની અતિદુર્લભ કૃતિ ‘તુમ મેરે નહીં હો શકતે’, જેની માત્ર એક જ નકલ હાજર હતી, તેનો પણ સંરક્ષણ કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા આ પુસ્તકોનું સંરક્ષણ થયું

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:37 am

અમદાવાદ -નવી મુંબઈ માટે ઇન્ડિગોની પ્રથમ ફ્લાઇટ ભરશે ઉડાન:અમદાવાદથી નવી મુંબઈ વચ્ચે પ્રથમ ફ્લાઇટ 25 ડિસેમ્બરથી, શરૂઆતમાં ભાડું રૂ.10,800

અમદાવાદથી નવી મુંબઈ માટે ઇન્ડિગોની પ્રથમ ફ્લાઇટ 25 ડિસેમ્બરથી શરૂ થશે, જે બપોરે 11.55 વાગ્યે ઉડાન ભરી 1 વાગ્યે પહોંચશે જ્યારે અકાસા એરલાઇન નવી મુંબઇથી અમદાવાદ વચ્ચે 31 ડિસેમ્બરથી ફ્લાઇટ શરૂ કરશે, જે ફક્ત દર બુધવારે મુંબઈથી સાંજે 5.40 કલાકે ઉડાન ભરી 6.50 કલાકે અમદાવાદ પહોંચશે. હાલ અમદાવાદથી નવી મુંબઈ માટે પેસેન્જરને એક જ ફ્લાઇટનો વિકલ્પ હોવાથી શરૂઆતનું ભાડું રૂ.10,800 રખાયું છે, જે દુબઈના વન-વે ફેર જેટલું છે. હાલ જૂની મુંબઈ માટે 32 ફ્લાઇટ છે. નવી મુંબઈ માટે ફ્લાઇટ શરૂ થતાં પુણે જવું સરળ બનશે. મુંબઈ કરતાં નવી મુંબઈનું ભાડું ત્રણ ગણું વધારે કેમ?અમદાવાદથી મુંબઈ માટે ઓછાંમાં ઓછું વન વે ફેર રૂ. 2700 અને મહત્તમ રૂ.4500 સુધી છે, કેમ કે આ રૂટ પર ઈન્ડિગો, એરઇન્ડિયા અને અકાસા એમ ત્રણ એરલાઇન મળી દિવસની 34 ફ્લાઇટ ઓપરેટ કરે છે. કંપનીઓ વચ્ચે હરીફાઈને કારણે ભાડું ટ્રેનના ફર્સ્ટ ક્લાસની સરખામણીએ છે, પણ હાલમાં અમદાવાદથી નવી મુંબઈ માટે પેસેન્જરને એક જ ફ્લાઈટનો વિકલ્પ હોવાથી શરૂઆતનું વન-વે ભાડું ₹10,800 રાખવામાં આવ્યું છે, જે જૂની મુંબઈ કરતાં ત્રણ ગણું વધારે છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે ફલાઇટની સીટો 6120થી વધીને 6669 થશે

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:36 am

તબીબની જેમ સ્પેશિયાલાઇઝેશન સાથે તાલીમ અપાશે:ગોત્રી હોસ્પિટલમાં પેરા મેડિકલ સ્ટાફ માટે 4 અભ્યાસક્રમ શરૂ થશે

ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં દર્દીને તબીબ સાથે પેરા મેડિકલ સ્ટાફ દ્વારા સારી સુવિધા સાથે સારવાર મળે તે માટે 4 કોર્સ શરૂ થશે.જેમાં નર્સને પસંદગીના કોર્સમાં સ્પેશિયાલાઈઝેશન સાથે તાલીમ અપાશે. જેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે. રાજ્ય સરકારે પેરા મેડિકલ સ્ટાફ માટે 8 બેઝિક ડિપ્લોમા નર્સિંગ રેસિડેન્સિયલ કોર્સ શરૂ કર્યા છે. જે અંતર્ગત ગોત્રી હોસ્પિટલમાં 4 કોર્સ શરૂ કર્યા છે. જેમાં હોસ્પિટલ અને બહારના પેરા મેડિકલ સ્ટાફને થીયરી-પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાશે. આ કોર્સ માટે 5 હજાર ફી રખાઈ છે. કયા કોર્સમાં કેટલી બેઠક દર્દીઓની સારવાર વધુ સારી રીતે થઈ શકશેપેરા મેડિકલ સ્ટાફ સંપૂર્ણ રીતે તાલીમ પામેલો હોય તેવા આશયથી કોર્સ શરૂ કરાશે. પેરા મેડિકલ સ્ટાફ આ કોર્સમાં જોડાય તો આગળ જઈને સ્પેશિયાલિસ્ટ નર્સ તરીકે કામ કરી શકે અને દર્દીની સારામાં સારી સારવાર કરી શકે. આ વર્ષથી કોર્સ શરૂ કરાશે. > ડો. વિશાલા પંડ્યા, ડીન, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:35 am

મંડે પોઝિટીવ:સરકારી શાળાનું ગૌરવ, શિક્ષણ અને સુવિધામાં અવ્વલ કવિ દુલા કાગ શાળાની ખાનગી સ્કૂલ સંચાલકે મુલાકાત લઈ મેનેજમેન્ટની પ્રેરણા મેળવી

શિક્ષણ, શાળાકીય પ્રવૃત્તિ, મેનેજમેન્ટના આધારે ખાનગી શાળાને ટક્કર મારે તે પ્રકારે નામના મેળવી રહેલી સરકારી કવિ દુલા કાગ પ્રાથમિક શાળા રોલ મોડલ સાબિત થઇ છે. ખાનગી શાળામાં શિક્ષણ-સુવિધા શ્રેષ્ઠ હોવાનું લોકો માને છે ત્યારે કવિ દુલા કાગ શાળાએ નવો માઇલ સ્ટોન રચ્યો છે. હરણી-વારસિયા રોડની ખાનગી શાળા વિદ્યામંદિર વિદ્યાલયના સંચાલકોએ કવિ દુલા કાગ શાળાની મુલાકાત લઇ પોતાની શાળાને તે કક્ષાએ લઇ જવા પ્રયાસ કર્યો છે. વિદ્યામંદિર વિદ્યાલયના સંચાલકોએ સ્કૂલમાં મેનેજમેન્ટ કેવી રીતે કરાય છે તે વિશે માહિતી મેળવી હતી. સ્માર્ટ ક્લાસ, પાણી, સેનિટેશન તથા સફાઇ પર કેવું ધ્યાન અપાય છે તેની માહિતી આચાર્ય પાસેથી લીધી હતી. સરકારી શાળાએ કેવી રીતે વાલીઓનો વિશ્વાસ જીત્યો અમારી શાળાનું જમા પાસું બાળ સાંસદ છેશાળાનું સંચાલન બાળ સાંસદો કરે છે. બાળ સાંસદો મધ્યાહ્ન ભોજન સમિતિ, પ્રાર્થના સમિતિ, સ્વચ્છતા સમિતિ, બાગકામ જેવી સમિતિ શાળાનાં રોજિંદાં કામોમાં ભૂમિકા ભજવે છે. > જીગર ઠક્કર, આચાર્ય, કવિ દુલા કાગ શાળા લાઇબ્રેરીનું સેટઅપ અમારી સ્કૂલમાં કરીશુંહું એનઆરઆઇ છું, પણ દેશ માટે કશું કરવું હતું. જેથી વડોદરામાં વિદ્યામંદિર સ્કૂલ હસ્તક કરી હતી. કવિ દુલા કાગ સ્કૂલમાં અદભુત કામ કરાય છે. લાઇબ્રેરીનું સેટઅપ સૌથી અપડેટ છે. આવું સેટઅપ અમારી સ્કૂલમાં કરીશું. > રેનુ દલાની, સંચાલક, વિદ્યા મંદિર વિદ્યાલય

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:33 am

કાર્યવાહી:અટલાદરા-માંજલપુર બ્રિજ નજીક વિશ્વામિત્રી પટમાં કાટમાળ ઠલવાયો

ગત વર્ષે આવેલા પૂર બાદ પાલિકાએ 63 કરોડના ખર્ચે વિશ્વામિત્રીને ઊંડી-પહોળી કરી છે. ત્યારબાદ તેમાં ઠલવાયેલા કાટમાળને હટાવવાનું ચાલુ થશે. જોકે અટલાદરાથી માંજલપુર તરફ વિશ્વામિત્રી પાસે કાટમાળ-કચરો ઠલવાયો હોવાનું સપાટી પર આવતાં ભારે રોષ ફેલાયો છે. અટલાદરાથી માંજલપુર તરફ વિશ્વામિત્રીના બ્રિજ પાસે કોતરમાં કાટમાળ-કચરો ઠલવાયો છે. ગત વર્ષે પૂર બાદ વિશ્વામિત્રીની વહન ક્ષમતા વધે તે માટે નદીને પહોળી-ઊંડી કરી છે. આ કામગીરી મેમાં પૂર્ણ થયા બાદ હ્યૂમન રાઈટ કમિશને ગઠિત કરેલી કમિટીએ નદીમાંથી કાટમાળ હટાવવા માગ કરી છે. તેવામાં નદીના પટમાં કચરો ઠલવાતાં તંત્ર સામે સવાલો ઊઠ્યા છે. વહેલી તકે ત્યાંથી કાટમાળ-કચરો હટાવાય અને કચરો નાખનાર સામે કાર્યવાહી થાય તેવી માગ ઊઠી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર લક્ષ્યાંક નેદરિયાએ કહ્યું કે, ટીમ સ્થળ મુલાકાત લઇ તપાસ કર્યા બાદ કાર્યવાહી કરશે. બેઠકમાં પણ કાટમાળને હટાવવા સૂચન થયાં હતાંતાજેતરમાં પાલિકામાં હ્યૂમન રાઈટ કમિશન દ્વારા ગઠિત કરાયેલી કમિટીના સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં વિશ્વામિત્રીમાં ઠલવાતો પ્લાસ્ટિક વેસ્ટ અને કોતરોમાં નખાયેલા કાટમાળને હટાવવા માટે સૂચનો કરાયાં હતાં. નોંધનીય છે કે, અગાઉ બહારથી 14 સ્થળોએ કચરો નાખવામાં આવ્યો હોવાથી પાલિકાએ તેને હટાવવાની કામગીરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:32 am

ભાસ્કર ઇમ્પેક્ટ‎:ટ્રેનની ઈ-ટિકિટ પર રેલ નીરનો ભાવ બદલી રૂ.14 પ્રિન્ટ કરાયો

કેન્દ્ર સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કર્યા બાદ રેલવે દ્વારા સ્ટેશન પર વેચાતી રેલનીર બોટલના ભાવમાં પણ ઘટાડો થયો હતો. એટલે કે 1 લિટરની રેલનીર બોટલનો ભાવ 15ની જગ્યાએ 14 તથા 500 એમએલ બોટલનો ભાવ રૂ.10ની જગ્યાએ 9 થતો હતો, પરંતુ આઈઆરસીટીસીએ બુક કરાતી ઓનલાઇન ટિકિટ પર પ્રિન્ટ થતા આ ભાવ લિસ્ટમાં સુધારો કર્યો ન હતો અને રેલનીરની કિંમત રૂ.15 જ પ્રિન્ટ કરાતી હતી, જેના કારણે વેન્ડરો પેસેન્જરો પાસેથી રેલનીરના રૂ.15 જ વસૂલ કરતા હતા. આ મુદ્દે ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ હવે આઈઆરસીટીસી દ્વારા ઓનલાઈન ટિકિટ પર રેલનીરની કિંમત ઘટાડીને હવે રૂ.14 પ્રિન્ટ કરવાની શરૂઆત કરી છે. હવે વેન્ડરો પેસેન્જરો પાસેથી રેલનીરના રૂ.15 વસૂલ નહીં કરી શકે અને જો કોઈ વેન્ડર ઓવરચાર્જ કરશે તો પેસેન્જર તેની હેલ્પલાઈન નંબર 139 પર ફરિયાદ કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:31 am

ઠંડીની તીવ્રતા હજુ વધશે:6 દિવસ બાદ પારો ફરી 14 ડિગ્રી નોંધાયો

શહેરમાં 6 દિવસ બાદ ઠંડીનો પારો ફરી 14 ડિગ્રી સુધી પહોંચતાં શહેરીજનો ઠંડીથી ઠૂંઠવાયા હતા. જ્યારે સમગ્ર મહિનો ઠંડીનો પારો 14 થી 16 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. શહેરમાં ડિસેમ્બર મહિનામાં ઠંડીની તીવ્રતા હજુ વધવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 7 દિવસ વાતાવરણ સૂકું જોવા મળશે. દરમિયાન ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે, જેથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. શહેરમાં રવિવારે મહત્તમ પારો 29.8 ડિગ્રી અને લઘુતમ પારો 14.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજ સવારે 75 ટકા, સાંજે 32 ટકા નોંધાયો હતો. ઉત્તર-પૂર્વની દિશાથી 7 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. સુરતમાં પારો 18.8 ડિગ્રી મેદાની વિસ્તારના ઠંડા પવનો ફૂંકાતાં ઠંડીનું પ્રમાણ વધ્યુંહિમાલય ક્ષેત્રમાં થયેલી બરફ વર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાતાં ઠંડી વધી રહી છે. જેને કારણે અઠવાડિયામાં જ બે વખત ઠંડીનો પારો 14 ડિગ્રી સુધી નોંધાય છે. ડિસેમ્બર મહિનામાં ઠંડીની તીવ્રતા વધી શકે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:31 am

મંડે મેગા સ્ટોરી:શહેર ફરતે 7 બ્રિજના મજબૂતીકરણમાં 2 માસ ટ્રાફિક થયો,મહિનામાં ફરી બિસમાર

વડોદરાને જોડતા નેશનલ હાઇવે 48 પર ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. હાઇવે પર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વારંવાર વાહનોની કિલોમીટરો સુધી કતારો લાગતાં ચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જોકે હાઇવેના 35 કિમી માર્ગના 7 બ્રિજ પર કરાતા સમારકામથી આ સ્થિતિ થઇ હોવાનું એનએચએઆઈના અધિકારી કહ્યું હતું. કોન્ટ્રાક્ટરે કામગીરી તો કરી, પણ મહિના બાદ ફરી બ્રિજની સ્થિતિ ખસ્તા થઈ ગઈ છે. અધિકારીઓએ તાજેતરમાં નિરીક્ષણ કરી 40થી વધુ ખાડા અંગે કામ કરવા રિપોર્ટ કર્યો હતો. 15 વર્ષ બાદ ફ્લાયઓવરના સ્ટ્રેન્ધનિંગનું કામ કરવા ખાનગી કંપનીને 5 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ઓગસ્ટથી ઓક્ટોબર સુધી તેની કામગીરી કરાઈ હતી. ફ્લાયઓવર પર મિલિંગ કરી નવો રોડ બનાવાયો હતો. ભાસ્કરે બ્રિજનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરતાં મોટા ખાડા, લાંબા અંતર સુધી રોડની સ્થિતિ ખરાબ, સળિયા દેખાવા સહિતની હકીકત જોવા મળી હતી. બીજી બાજુ બ્રિજ પર કોન્ટ્રાક્ટરે મિલિંગ કર્યું હતું, પરંતુ ડામરનો રોડ બનાવવાનો બાકી હતો. ઉલ્લેખનીય છે કે, સૌથી વ્યસ્ત હાઇવેનાં વાહનોને સર્વિસ રોડ પર ડાઇવર્ટ કરાતાં ચક્કા જામ થયો હતો. નવા રિપોર્ટ પ્રમાણે ખાડા પૂરવા સાથે પેચવર્ક કરાશે. બ્રિજ બાદ હાઇવેના રોડનું કામ કરાશે. નોંધનીય છે કે, કપુરાઈ બ્રિજ પર 8 ઓગસ્ટે સમારકામથી હાઇવે પર 7થી 8 કિમી ચક્કા જામ થયો હતો. સાંજે પિક અવર્સમાં સર્વિસ રોડ તરફ વાહનોને ડાઇવર્ટ કરાતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ ટ્રાફિક જામની શહેરમાં પણ થઈ હતી. આખરે પોલીસે સમારકામ બંધ કરાવી બ્રિજ શરૂ કરાવ્યો હતો. આ 7 ફ્લાયઓવર પર ગ્રાઉન્ડ રિપોર્ટ કરાયો હતો ખાડા તથા ખરાબ રસ્તો દેખાય તો રિપોર્ટ કરાય છે​​​​​​​એનએચએઆઈના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, ટીમ રૂટનું ઈન્સ્પેક્શન કરે છે. ખાડા કે રસ્તો ખરાબ દેખાય તો તેના રિપેરિંગ માટે કોન્ટ્રાક્ટરને સૂચનો કરે છે. વહેલું કામ ન થાય તો કાર્યવાહી કરવા સૂચન કરાય છે. 2009માં બ્રિજ બન્યાના 15 વર્ષ પછી મજબૂતીકરણ કરાયુંને. હાઇવે 48 પર એલએન્ડટી દ્વારા 2009માં ફ્લાયઓવરો બનાવાયા હતા.તે પછી 15 વર્ષ બાદ બ્રિજનું સ્ટ્રેન્ધનિંગ શરૂ કરવા અન્ય કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. જે સ્ટ્રેન્ધનિંગ સાથે રોડની પણ કામગીરી કરશે. લોકોને આ સમસ્યા થઈ રહી છે અધિકારીઓ હાજર ન રહેતા હોવાને કારણે સમસ્યાવડોદરામાં એનએચએઆઈની ઓફિસ જ નથી. રાજ્યના મધ્યની ઓફિસ વડોદરા હોવી જોઈએ. અધિકારીને ફરિયાદ કરાય તો તે બે દિવસે આવી રહે છે. આ સમસ્યા અધિકારીઓ હાજર ન રહેતા હોવાને કારણે થઈ છે. આગામી સત્રમાં આ મામલે રજૂઆત કરીશ. > ડૉ.હેમાંગ જોષી, સાંસદફ્લાયઓવર પર સળિયા દેખાયા

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સોસાયટીએ માઇક પર જાહેરાત કરી લોકોને ભેગા કર્યા, ‌BLOનું 3 કલાકનું કામ 30 મિનિટમાં થઈ ગયું

સંદીપ પરમાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીમાં બુથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) ઘરે ઘરે જઈ અને સ્કૂલમાં કેમ્પ હેઠળ લોકોને ફોર્મ ભરાવી રહ્યાં છે. ‘દિવ્ય ભાસ્કર’એ તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો, જેમાં જાણવા મળ્યું હતું કે, કેવી રીતે બીએલઓ, નાગરિકો અને બીએલએ એકબીજાને સહકાર આપીને આ કામગીરી સરળ કરી શકે છે. ‘કેટલાક લોકો તો ઘરમાં બેસાડી ચા પીવાનો આગ્રહ કરે છે’મેં કહ્યું, આજે તો ફોર્મ લીધા વિના નહિ જાઉં ઇન્દ્રપુરી વોર્ડની સોસાયટીમાં હું ભરેલા ફોર્મ લેવા ગઈ ત્યારે મહિલાઓએ કહ્યું, આવડતું નથી એટલે ફોર્મ ભર્યાં નથી. મેં એમને કહ્યું કે હું શીખવાડીશ, ફોર્મ લીધાં વિના નહિ જઉં. ત્યાર પછી બધી મહિલાઓને ભરેલાં ફોર્મનો નમૂનો બતાવીને ફોર્મ ભરાવ્યાં. ઘણા લોકો સહકાર આપી રહ્યા છે. કેટલાક તો ઘરે બોલાવી ચા પીવાનું કહે છે. > શિક્ષિકા એક સોસાયટીમાં ત્રણેક કલાક નીકળી જાય વડોદરા એક્સપ્રેસ સામેની સોસાયટીમાં હું ફોર્મ વહેંચવા ગઈ. 100 જેટલાં ઘર હશે, પણ તેમણે માઇકમાં એનાઉન્સ કરી બધાને બોલાવી લીધાં. આથી અડધો કલાકમાં કામ પૂરું થઈ ગયું. જ્યારે આ વિસ્તારની બીજી સોસાયટીમાં ચારેક કલાક નીકળી ગયા હતા. > શિક્ષિકા આવા પણ અનુભવ થયા ફોર્મમાં આ બે જગ્યાએ સૌથી વધુ લોકો ગૂંચવાયા

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:29 am

ભાસ્કર ઈનસાઈડ:કોયલીમાં 25 કિમી લાંબું ડ્રેનેજ નેટવર્ક નખાશે, 68 હજાર લોકોને ખાળ કૂવા ઊભરાવાના પ્રશ્નમાંથી છૂટકારો મળશે

શહેર નજીક આવેલા કોયલી ગામ અને તેની આસપાસની સોસાયટીમાં વુડા દ્વારા ડ્રેનેજ નેટવર્ક નાખવામાં આવશે. 77 કરોડના ખર્ચે વુડા 25 કિમી લાંબું નેટવર્ક નાખશે, જેને કારણે 68 હજાર લોકોને ડ્રેનેજની સુવિધા મળશે અને ખાળ કૂવા ભરાવાની સમસ્યાથી છૂટકારો મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપીપળા ખાતે વિકાસનાં કામોના લોકાર્પણ કર્યાં, જેમાં વડોદરાના વુડા વિસ્તારમાં અંકોડિયા ખાનપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને કોયલી વિસ્તારમાં નેટવર્ક નાખવાના 144 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. વુડાએ ટીપી સ્કીમનો 202.43 હેક્ટર વિસ્તારને આવરી લીધો છે. કોયલી અને તેની આસપાસની સોસાયટીમાં 25.60 કિમી સુધી ડ્રેનેજ નેટવર્ક નખાશે. કોયલી ગામ અને તેની આસપાસની સોસાયટીઓના ડ્રેનેજના પાણીને એસટીપી સુધી પહોંચાડવામાં આવે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ 70.44 કરોડ અંદાજવામાં આવ્યો છે. 25.60 કિમી સુધીના નેટવર્કથી કોયલી ગામ અને તેની આસપાસની અંદાજિત 40 જેટલી સોસાયટીના 68 હજારથી વધુ લોકોને ખાળ કૂવા ઊભરાવા અને ડ્રેનેજની સમસ્યાથી છુટકારો મળશે. કોયલીમાંથી નીકળતું 1.20 કરોડ લિટર પાણી શેરખી એસટીપી સુધી પહોંચાડાશેકોયલી અને તેની આસપાસની 40 સોસાયટીઓ તેમજ ફ્લેટમાંથી 1.20 કરોડ લિટર જેટલાં ડ્રેનેજનાં પાણી નીકળે છે. જે પાણી હાલમાં ખુલ્લામાં તેમજ ખાળ કૂવામાં જાય છે. વુડા ડ્રેનેજ નેટવર્ક સાથે 1.20 કરોડ લિટર પાણી પાલિકા દ્વારા બનાવવામાં આવેલા શેરખી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે લઈ જવા સુધીની લાઈન નાખવામાં આવશે. વર્ષ 2055 સુધીની વસ્તીને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ હાથ પર લેવાયો છે. આગામી દોઢ વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. વુડા દ્વારા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં બે પંપિંગ સ્ટેશન બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પંચાયતનું નેટવર્ક હતું,40 સોસાયટીના પાણીથી ખાળ કૂવાથી ભરાતા હતાકોયલી ગ્રામ પંચાયતે ગામમાં ગટર લાઈન નાખેલી છે. જોકે આસપાસની 40 સોસાયટીમાં ડ્રેનેજ નેટવર્ક નાખવામાં આવ્યું નથી. જેને કારણે સોસાયટીના ડ્રેનેજના પાણીથી ખાળ કૂવા ભરાતા હતા. જેને ખાલી કરવાની સમસ્યા લોકોને સતાવતી હતી. જોકે ડ્રેનેજ નેટવર્ક નખાયા બાદ ગ્રામજનો સહિત સોસાયટીના લોકોને રાહત થશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:26 am

મંડે પોઝિટીવ:એક એવી હોસ્પિટલ જ્યાં આવક મુજબ કન્સલ્ટિંગ ફી લેવાય છે, મહિને 1 હજાર પગાર હોય તો રૂ.10, 5 હજાર હોય તો રૂ. 50 ફી

એલિસબ્રિજ વિસ્તારની ડો. માનસેતા ઈ એન્ડ ટી હોસ્પિટલ ફાઉન્ડેશનમાં દર્દીની માસિક આવક પ્રમાણે ફી લેવાય છે. દર્દીની આવક શૂન્ય હોય તો ફી લેવાતી નથી. આવક મહિને 1 હજાર હોય તો રૂ. 10, 2 હજાર આવક હોય તો રૂ. 20 અને 1 લાખ આવક હોય તો રૂ. 1 હજાર ફી લેવાય છે. હોસ્પિટલના ફાઉન્ડર ડો. નંદલાલ કે. માનસેતાએ 25 વર્ષ પહેલાં આ બોર્ડ લોકસેવા કરવા મૂક્યું હતું, જે આજે 4 ક્લિનિકમાં અવિરત ચાલી રહી છે. ડો. નંદલાલ માનસેતા જણાવે છે કે, હું 50 વર્ષથી ખાદી પહેરું છે, માત્ર પહેરવા ખાતર નહિ, પરંતુ હું ગાધીજીના વિચારોને વરેલો છું. ગાંધીજી કહેતા કે કોઈ નિર્ણય છેવાડાના માણસને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ તો 85 ટકા સફળ થાવ. મેં શારદાબેન હોસ્પિટલમાં વર્ષો પહેલા રૂ. 100ના પગારે 30 વર્ષ સુધી નોકરી કરી ત્યારે જોયું કે ગરીબ માણસો પાસે આવકનો દાખલો હોય તો તેમની સારવાર મફત થતી. આના પરથી મને આવકને ધ્યાનમાં રાખી ફી લેવાનો વિચાર આવ્યો. મફત મેડિકલ કોલેજ ખોલવાની ઈચ્છા છેઆજના યુગમાં મેડિકલનો અભ્યાસ કરવો અઘરો છે ત્યારે ડોક્ટર માનસેતાનું એક સ્વપ્ન છે કે અભ્યાસમાં તેજસ્વી પરંતુ રૂપિયાના અભાવે ભણી નહીં શકતા ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મફત મેડિકલ કોલેજ ખોલવી છે, જેના માટે પ્રયાસ કરી રહ્યા છે. કોરોના પછી ફી લેવાનું બંધ કરી દીધું હતુંડૉ. માનસતાએ કોરોના બાદથી પોતાની કન્સલ્ટિંગ ફી લેવાનું બિલકુલ બંધ કર્યું છે અને જો કોઈ દર્દી આપવા માગે તો તેને દાન પેટીમાં મૂકી દેવાનું કહેવામાં આવે છે, જે પૈસાનો ઉપયોગ ગરીબોની સેવા કરવા માટે થાય છે. 25 વર્ષ પહેલા બાપુનગરમાં સમજુબા હોસ્પિટલ ક્લિનિક શરૂ કરી. આ સાથે શારદાબેન, એલિસબ્રિજ, સેટેલાઈટ એમ ચાર જગ્યાએ આવી ક્લિનિક ખોલી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:22 am

મંડે મેગા સ્ટોરી:માત્ર 13 કોર્પોરેટરે બજેટ વાપર્યું, 119ના રૂ. 22થી 25 લાખ હજુ પણ તિજોરીમાં

મ્યુનિ.ની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે હજી સુધીમાં ફક્ત 13 જ કોર્પોરેટરે તેમનું સંપૂર્ણ બજેટ વાપર્યું છે. જ્યારે 119 કોર્પોરેટરોના બજેટના રૂ.22થી રૂ.25 લાખ હજુ સુધી વણવપરાયેલા છે. મ્યુનિ.માં ભાજપ પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિનું સૌથી વધુ 25.02 લાખ એટલે કે 57 ટકા બજેટ ખર્ચ કરવાનું બાકી છે. આ સિવાય શાહીબાગ વોર્ડના જસુભાઈ ચૌહાણનું 24.04 લાખ રૂપિયાનું બજેટ પડી રહ્યું છે. કોર્પોરેટરોને દર વર્ષે 44 લાખ રૂપિયાનું બજેટ આપવામાં આવે છે. આ બજેટ આરસીસી રોડ, ડ્રેનેજ લાઈન, પાણીની લાઈન, સ્ટ્રીટલાઈટ, બાંકડા, સર્કલ, શૌચાલય જેવા વિસ્તારનાં કામો માટે ખર્ચવાનું હોય છે. શહેરના અનેક વિસ્તારમાં હજી આ પાયાની સુવિધાઓ પહોંચી નથી. ઝૂંપડપટ્ટી.ચાલીમાં બજેટ વાપરવાની જોગવાઈ છે છતાં ત્યાં સ્થિતિ દયનીય છે. કોર્પોરેટર આ કામો માટે બજેટ ફાળવી શકે છે કોર્પોરેટરે કહ્યું- બજેટ ફાળવ્યું છે તે ખબર જ નથીશાહીબાગના કોર્પોરેટર જસુભાઈ ચૌહાણે કહ્યું, મને ધ્યાનમાં નથી કેટલું બજેટ બાકી છે. હાટકેશ્વર-ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિએ જણાવ્યું કે, પરકોલેટિંગ વેલ માટે બજેટ ફાળવી દેવાયું છે. હજી સુધી તે ચડ્યું નથી. કાલે હું તપાસ કરાવી લઉં. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત આમણે બજેટ વાપર્યુંરેખાબેન ચૌહાણ, કમલાબેન ચૌહાણ, પ્રતિભા ડુબે, સિદ્ધાર્થ પરમાર, ભાવનાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, દીપ્તિબેન અમરકોટિયા, ભરત કાકડિયા, જયેશ ત્રિવેદી, સોનલબેન ઠાકોર, મેહુલ શાહ, સ્નેહકુમારી પરમારે તેમનું સંપૂર્ણ બજેટ વાપર્યું છે. આ કોર્પોરેટરોનું સૌથી વધુ બજેટ વાપરવાનું બાકી

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:20 am

કાર્યવાહી:મહી.માં 9 જોડાણોમાં વીજ ગેરરીતિ કરવા બદલ રૂા. 16.20 લાખનો દંડ

મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકાઓમાં એમજીવીસીએલની 6 વીજ ચેકિંગ ટીમ દ્વાર વીજ જોડાણોની ચકાસણી માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીનો હેતુ વીજળીના દુરુપયોગ અને વીજ ચોરીને અટકાવવાનો છે. જેથી કંપનીની આવક અને વીજ વ્યવસ્થાની ગુણવત્તા જાળવી શકાય. આ ચકાસણી દરમિયાન મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં કુલ 167 જેટલા વીજ જોડાણ ચેક કરેલ તેમાં 4 વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ હતી. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂા.5.30 લાખ જેટલું થાય છે. સંતરામપુર તાલુકામાં 158 વીજ જોડાણ ચેક કરેલ તેમાં 5 વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ હતા, જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા 10.90 લાખ જેટલું થાય છે. આમ, બંને તાલુકામાં કુલ 325 વીજ જોડાણમાંથી કુલ 9 જેટલા વીજ જોડાણોમાં ગેરરિતી અટલે કે વીજ ચોરી કરતાં પકડાયેલ છે. આ ગેરરીતિ બદલ કુલ રૂપિયા 16.20 લાખનું અંદાજિત વીજ ચોરી બિલ ફટકારવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજળીના કાયદેસર ઉપયોગ અંગે ગ્રાહકોને જાગૃત રહેવા વિનંતી કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની આકસ્મિક ચકાસણી ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:20 am

શ્વાનનો હુમલો:ગોધરામાં રખડતા શ્વાને આતંક મચાવીને બાળક સહિત 5ને બચકાં ભર્યા

ગોધરામાં રવિવારે એક બાળક સહિત 5 શહેરીજનોને રખડતા શ્વાને બચકાં ભરતા તમામને ગોધરા સિવિલ હોસ્પિટલમાં હકડાયાની રસી મુકીને સારવાર કરાઇ હતી. શહેરમાં રખડતા શ્વાન રાહદારીઓને કડવાના બનાવો વધારો થઇ રહ્યો છે. ગોધરા શહેરમાં રવિવારે રખડતા શ્વાને કૂતરાએ આતંક મચાવ્યો હતો. ગોધરામાં રખડતા શ્વાને રાણી મસ્જીદ પાસે રમતા 5 વર્ષના બાળક પર હુમલો કરી પગના ભાગે ઇજાઓ કરી હતી. તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં શ્વાને અન્ય 4 લોકોને બચકાં ભર્યા હતા. ગોધરા શહેરમાં રખડતા શ્વાન રાહદારીઓને કરડવાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. રવિવારના એક જ દિવસમાં રખડતા શ્વાને બાળક સહીત 5ને બચકાં ભરતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં શ્વાનના હુમલામાં ઇજાગ્રસ્ત તમામને સિવિલ હોસ્પિટલ ખાતે હડકવા વિરોધી રસી આપી સારવાર આપવામાં આવી હતી. શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધતો જતો હોવાથી ભટકતા કૂતરાને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:19 am

આપઘાત:મહુલીયા ગામે પિયર જતી રહેતા યુવકે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું

મહુલીયા ગામના થાણા ફળિયામાં રહેતાં કિરીટભાઈ કુબેરભાઈ ખાંટ નામના યુવકે પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. બીજી તરફ યુવાનના માતા ચંપાબેન ખાંટે ગોધરા તાલુકા પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું તેઓની પુત્રવધૂ છેલ્લા ચારેક માસથી પિયરમાં જતી રહી હતી. જેને અનેકવાર તેડવા જતા હોવા છતાં આવતી ન હતી. જેને લઈને યુવાન કિરીટને મનમાં લાગી આવતા 14 નવેમ્બરના રોજ રાત્રિના અરસામાં ઘરના વચલા રૂમમાં આવેલા સિમેન્ટના આડા બીમ પર દોરડા વડે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આ અંગે ગોધરા તાલુકા પોલીસે એડી નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:18 am

જીસેટની પરીક્ષા:ગોધરામાં અધ્યાપક બનવા માટે જરૂરી જીસેટની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ

એમ એસ યુનિ. વડોદરાના નેજા હેઠળ લેવાતી જીસેટની પરીક્ષા ગોવિંદ ગુરુ યુનિ.ના કુલપતિ પ્રો.હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન હેઠળ ગોધરાના વિવિધ 7 સ્થળોએ યોજાઈ હતી. જેમાં કુલ 3053 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી ગોધરા ખાતે 2497 ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં ગોધરાની કલરવ સ્કૂલ, નાલંદા સ્કૂલ, સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ, શારદા મંદિર અને સાંદિપની વિદ્યાલય ખાતે પરીક્ષા આપી હતી. આ પરીક્ષાના કોર્ડીનેટર તરીકે શ્રી ગોવિંદ ગુરુના અંગ્રેજી વિભાગના પ્રો.ડૉ .સુરેન્દ્રસિંહ ગોહિલ અને ડેપ્યુટી કોર્ડિનેટર તરીકે કાકણપુર કોલેજના આચાર્ય ડૉ.જેપી પટેલ દ્વારા જડબેસલાક વ્યવસ્થા ગોઠવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:18 am

હડકાયા કુતરાએ આંતક મચાવ્યો:હમીરપુરમાં હડકાયું કૂતરું કરડતાં 5 ભેંસોના મોત દૂધ પીનારા 20થી વધુ ગ્રામજનોએ સારવાર લીધી

હમીરપુર ગામે હડકવાની અસર ધરાવતા કૂતરાએ અનેક પશુઓને બચકાં ભર્યા હતા. આ હુમલાના પગલે પાછલા 15 દિવસના ગાળામાં 5 ભેંસોના મોત થયા છે. ચિંતાજનક બાબત એ છે કે ગામના અન્ય પશુઓમાં પણ હવે હડકવાના લક્ષણો જોવા મળી રહ્યા છે. હડકાયા કુતરા જે ભેંસોને બચકા ભર્યા હતા તેનું દુધ પીનારા 20થી વધુ ગ્રામજનોએ સિવિલમાં સારવાર લીધી છે. 5 ભેંસોના મોતથી પશુપાલકોને મોટુ નુકસાન થયું છે. ગોધરાના હમીરપુરમાં હડકાયા કૂતરાઓએ આંતક મચાવ્યો છે. છેલ્લા 15 દિવસમાં ગામમાં હડકયા કુતરાએ પશુપાલકોની ભેંસોને બચકા ભરતા ભેંસોના મોતથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. 15 દિવસના ગાળામાં 5 ભેંસોના મોતથી ચકચાર મચી જવા પામી છે.હડકયા કુ઼તરાએ ભેંસોને કરડતા તે ભેંસોના દૂધ પીનારા 20થી વધુ ગ્રામજનોએ પીધુ હતું. હડકવાથી ભેંસોના મોતથી દૂધ પીનારા ગ્રામજનોએ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારે હડકાયા કૂતરાએ અનેક ભેંસોને બચકા ભર્યા હોવાથી ધીરેધીરે અન્ય ભેંસોમાં પણ લક્ષણ જોવા મળી રહ્યા છે. જેથી પશુચિકિત્સકોની ટીમ હમીરપુર ખાતે આવીને તપાસ હાથ ધરી હતી. પશુચિકિત્સકની તપાસમાં હડકાયા કૂતરાએ ભેંસોને કરડવાથી ભેંસો પણ હડકાઇ થઇ છે. તેવી ભેંસોને તબીબો ચકાસણી કરીને જરુરી સારવાર આપી છે. ત્યારે ગામમાં હડકાયા કૂંતરાના આ઼તકથી પશુપાલકોની 5 ભેંસોના મોત અને અન્ય ભેંસોમાં હડકવાના લક્ષણ જોવા મળતા પશુપાલકો સાથે ગ્રામજનો ચિતિંત બન્યા છે. હાલ તો હડકાય ભેંસના દૂધ પીનાર ગ્રામજનોને સારવાર આપી છે. પશુ ચિકિત્સક દ્વારા હડકવાની પુષ્ટિ કરાઇહમીરપુર ગામે હડકાયા કૂતરાના આતંકના પગલે ભેંસના મોતના સમાચારની જાણ ગ્રામજનોએ કરતા તપાસ કરવા ગામમાં આવ્યા હતા. તપાસ કરતા ભેંસોમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા છે. સદંતર સ્થતિનું નિરીક્ષણ કર્યું ત્યારે ભેસમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. અમોએ જરૂરી સારવાર આપી હતી : ડો.અજય દેવડા, પશુ ચિકિત્સક દૂધ પીનારાઓને હોસ્પિટલ ભેગા કરાયા મોતને ભેટેલી ભેંસોનું દૂધ પીનાર 20 થી વધુ ગ્રામજનોને પણ હડકવાના સંક્રમણની આશંકાએ તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમનું નિરીક્ષણ ચાલી રહ્યું છે નરવત ભાઈ, ગ્રામજન અમારી ભેંસના મોતથી અમને નુકસાન થયું છે અમારી ભેંસનું 5 દિવસ અગાઉ મોત થવા પામેલ હતું.ગામમાં જેટલી ભેંસોના મોત થયા છે. તેમાં દરેક ભેંસોના એક જેવા લક્ષણો જોવા મળી રહ્યા હતા. હડકાયા કુતરા દ્વારા કરડવાથી અમારી ભેંસમાં હડકવાયાના લક્ષણ આવ્યા છે. અમારી ભેંસના મોતથી અમને નુકસાન થયું છે: ગણપતભાઇ શના ભાઈ , પશુપાલક

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:16 am

ભાસ્કર વિશેષ:સરદાર પટેલના એકતા સૂત્રને સાર્થક કરતા કચ્છી દશા ઓશવાલ સમાજની યુવા પેઢીનું SoU ખાતે પહેલી વખત આંતરરાષ્ટ્રીય સંમેલન

વિશાલ પારાશર | અમદાવાદસરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને યાદગાર બનાવવા કચ્છી દશા ઓશવાલ જૈન સમાજે યુવાશક્તિને એક પ્લેટફોર્મ પર લાવવાના ઉદ્દેશથી 20 થી 22 ડિસેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય યુવા સંમેલનનું આયોજન કર્યું છે. સરદાર પટેલના “એકતા જ રાષ્ટ્રની શક્તિ અને સમાજનો શ્વાસ છે” સંદેશને જીવંત કરતાં દેશ-વિદેશના યુવાનોને જોડવાનો આ પ્રયાસ છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે યોજાનાર આ મહાસંમેલનમાં અમેરિકા, લંડન, ન્યૂઝીલેન્ડ, જર્મની, યુએઈ સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી 700થી વધુ યુવાનો ભાગ લેશે. યુવાનો વચ્ચે ઓળખ, નેટવર્કિંગ અને આત્મીયતાનું જીવંત મંચ તૈયાર થશે સંમેલનમાં પ્રેરણાત્મક સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્સનાલિટી બિલ્ડઅપ, સમાજ-રાષ્ટ્ર આધારિત ટોક-શો તથા રચનાત્મક પ્રવૃત્તિઓ યોજાશે. 21 ડિસેમ્બરે 300 મીટર લાંબી તિરંગા યાત્રા “યુવા એકતા દિવસ” તરીકે ઉજવાશે, જેમાં 300થી વધુ યુવાઓ ખાસ પર્ફોર્મન્સ રજૂ કરશે. સમાજના પ્રમુખ નયન ભેદા ના જણાવ્યા મુજબ, 2018ના મુંબઈ સંમેલન પછી પ્રથમવાર યુવાશક્તિ આંતરરાષ્ટ્રીય સ્તરે એકતાના મંચે જોડાઈ રહી છે. લગ્ન માટે વિકલ્પો, આંતરજ્ઞાતીય લગ્નની સમસ્યા, વ્યવસાયિક નેટવર્કિંગ અને સામાજિક ભાગીદારી જેવા મુદ્દાઓને એક પ્લેટફોર્મ પર લાવી, યુવાઓ વચ્ચે મજબૂત સંબંધો વિકસાવાશે. સમાજના 3 દિવસના કાર્યક્રમો સ્ટાર્ટઅપ અને વેપારમાં યુવાઓને સહાય કરવા આગેવાનોનું આહ્વાનકોર્ડિનેટર અનુજ લોડાયાએ આ મામલે વધુમાં જણાવ્યું કે જે યુવા સ્ટાર્ટઅપ કે વ્યવસાયમાં આગળ વધવા ઇચ્છે છે તેમને સમાજ દ્વારા માર્ગદર્શન અને સહાયતા પણ પૂરી પાડવામાં આવશે. કાર્યક્રમમાં વ્યક્તિગત રીતે હાજર ન રહી શકતા અને વિદેશમાં વસતા યુવાઓ માટે ઑનલાઇન જોડાવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. વિદેશના 15થી વધુ સભ્યોનો મહત્ત્વપૂર્ણ સહયોગસમાજના મંત્રી ચેતન મોતાએ જણાવે છે કે, અમેરિકા, લંડન, આફ્રિકા, આબુધાબી તથા યુએઈ સહિત વિવિધ દેશોમાં વસતા 15થી વધુ લોકોએ સંમેલનમાં મદદરૂપ બન્યા છે. સોશિયલ મીડિયા દ્વારા વિદેશમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવતા 10-12 જેટલા યુવાનો ખાસ આ કાર્યક્રમ માટે કેવડિયા આવશે.​​​​​​​

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:14 am

મહિલાઓ દ્વારા સુંદરકાંડ:મહિલાઓએ મંડળી બનાવી, નિ:શુલ્ક ‘સુંદરકાંડ’ કરાવે છે

સુંદરકાંડ મંડળીનું નામ સાંભળતા જ દરેકના મનમાં પુરુષોના ગ્રૂપની છબી ઉભરી આવે છે, પરંતુ ગુજરાતના સુરતમાં એવું નથી. સુરતમાં મહિલાઓ ઘરે-ઘરે જઈને સુંદરકાંડનો પાઠ કરાવે છે. તેનું નામ ‘આશીર્વાદ સુંદરકાંડ મહિલા મંડળ’ છે. 14 વર્ષ પહેલાં ચાર-પાંચ સહેલીઓએ સાથે મળીને આ મંડળી બનાવી હતી. આજે, તેમાં 32 સભ્ય છે. તેઓ દર મહિનાના કોઈપણ મંગળવાર કે શનિવારે સુંદરકાંડનો પાઠ કરાવે છે અને આ માટે કોઈ ફી લેતા નથી. સુંદરકાંડ ઉપરાંત આ મંડળીએ ત્રણ વખત શ્રીમદ્ ભાગવત કથાનું પણ આયોજન કર્યું છે. આ મંડળીના સભ્ય ઉષાબેનએ જણાવ્યું હતું કે તે સંબંધીઓ અને બહેનપણીના ઘરે સુંદરકાંડના પાઠમાં હાજરી આપે છે. આ પાઠથી તેમનું મન એટલું પ્રભાવિત થયું કે તેઓ સોસાયટીમાં જ એક મંડળી બનાવવાનું વિચારી રહ્યા છે. શરૂમાં સોસાયટીની ફક્ત ચાર કે પાંચ મહિલા ભેગી થતી અને માઈક કે સાઉન્ડ સિસ્ટમ વિના સરળ પાઠ કરતા હતા. ધીમે-ધીમે અન્ય મહિલાઓ પણ આ મંડળીમાં જોડાવા લાગી. ભક્તિનો આગળનો તબક્કો: વિશાળ કથાનું પણ આયોજનમહિલા મંડળે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે પણ પોતાની સેવાઓનો વિસ્તાર કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી મંડળ દર વર્ષે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરી રહ્યું છે. આવતા વર્ષે 2થી 10 જાન્યુઆરી 2026 દરમિયાન સુરતમાં નવ દિવસની વિશાળ શિવ મહાપુરાણ કથા અને ભંડારાનું આયોજન કરાશે. ગયા વર્ષે કથા વૃંદાવનમાં યોજાઈ હતી. કથા દરમિયાન મંડળ દરરોજ ભક્તોને ભંડારા સેવાઓ પૂરી પાડે છે. કોઈ પૈસા લેવાતા નથી. સેવા ગ્રુપ પણ... સૂત્ર છે ‘સેવા દ્વારા જ વિજય મેળવશો’સુંદરકાંડના પાઠ ઉપરાંત મંડળ પાસે એક સક્રિય સેવા ગ્રૂપ પણ છે, જેનું સૂત્ર છે ‘સેવા દ્વારા જ વિજય મેળવશો.’ આ જૂથ નિયમિતપણે વૃંદાવન અને સુરતમાં સમુદાયના રસોડામાં સેવા આપે છે. તેઓ શહેરમાં જરૂરિયાતમંદોને તબીબી અને શૈક્ષણિક સહાય પણ પૂરી પાડે છે. શહેરમાં અનેક સ્થળોએ પીવાના પાણીના સ્ટોલ પણ સ્થાપિત કર્યા છે.​​​​​​​ મંડળી નકામા ખર્ચને રોકવાનો પ્રયાસ કરે છેમહિલા મંડળી સુંદરકાંડ પાઠ દરમિયાન નકામા ખર્ચને રોકવાનો પ્રયાસ કરી રહી છે. તેથી, પાઠમાં હાજરી આપનારા સભ્યો અને ભક્તો માટે ચા અને પાણીની સરળ વ્યવસ્થા જ કરવામાં આવે છે. સેવાઓનો તમામ ખર્ચ બધા સભ્યો દ્વારા વહેંચવામાં આવે છે.​​​​​​​

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:11 am

રાજ્યપાલ સાથે 24 કલાક:એવા રાજ્યપાલ જેઓ ગામની શેરીમાં સફાઈ કરે, ગાય દોહે અને ખેતરમાં હળ પણ ચલાવી જાણે છે

વિજયસિંહ ચૌહાણ, માણેકપુર ગામ (ગુજરાત)થી કોઈ રાજ્યપાલ ગામડાંમાં જાય, ત્યાંની સ્કૂલમાં રાત વિતાવે, કોઈ સામાન્ય માણસના ઘરે ભોજન લે, કોઈની ગાયનું દૂધ દોહે, કોઈના ખેતરમાં હળ ચલાવે અથવા પાક લણે. સાંભળવામાં અશક્ય લાગશે, પરંતુ વાસ્તવમાં આવું થઈ રહ્યું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 15 ઓગસ્ટથી આ કામ કરી રહ્યા છે. તે અંતર્ગત તેઓ અઠવાડિયે-પંદર દિવસે કોઈ એક ગામમાં પહોંચી જાય છે, ત્યાં ગ્રામજનો સાથે ભળીને તેમના જેવું જ જીવન જીવે છે અને ગામની જ શાળામાં રાત વિતાવે છે. વ્યવસાયે ખેડૂત અને શિક્ષક રહી ચૂકેલા આચાર્ય દેવવ્રતનું ગામના વિકાસ માટેનું આ રાજભવન મૉડલ છે. અત્યાર સુધીમાં તેઓ 11 ગામમાં જઈ ચૂક્યા છે અને તેમની યોજના રાજ્યના 276 તાલુકાના ગામની મુલાકાત લેવાની છે. આ અભિયાન હેઠળ 10-11 નવેમ્બરે તેઓ તાપી જિલ્લામાં હતા. અહીં તેમણે ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં આખો દિવસ વિતાવ્યો. એ વખતે દિવ્ય ભાસ્કરની ટીમ 24 કલાક સાથે હતી. વાંચો, તેમનું મિશન, વિઝન અને તેમણે 24 કલાકમાં શું-શું કર્યું. ભાસ્કર: રાજ્યપાલ એક બંધારણીય પદ, જનપ્રતિનિધિઓ જેવું કામ શા માટે કરો છો?રાજ્યપાલ દેવવ્રત કહે છે- પહેલાં તો હું સ્પષ્ટ કરી દઉં કે ન તો મારી કોઈ રાજકીય મહત્ત્વકાંક્ષા છે અને ન તો હું ગુજરાતમાં ચૂંટણી લડી શકું તેમ છું. હું નથી ઈચ્છતો કે માત્ર રાજભવનમાં જ બેસી રહું. હું એક શિક્ષક અને ખેડૂત છું. હું એક પ્રેક્ટિકલ માણસ છું – મેં પ્રાકૃતિક ખેતી કરી એમાં 100 ટકા સફળતા મેળવી છે, એ અનુભવના આધારે હું કહી શકું છું, મારી વાતો હવામાં નથી. યુરિયા, ડીએપી અને જંતુનાશકોએ જમીનથી લઈને આપણા શરીરમાં પણ ઝેર ઘોળી દીધું છે (તેઓ દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટનો હવાલો આપે છે કે – ‘તમે જ છાપ્યું છે કે 105 માતાઓના દૂધના સેમ્પલનો રિપોર્ટ કરાવ્યો તો તેમાંથી અનેક સેમ્પલમાં યુરિયા મળ્યું’). મારી વાતો સાંભળ્યા બાદ રાજ્યમાં 8-9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે, પણ એ સંખ્યા ઓછી છે. મારી વાતો કોઈને સારી લાગે છે, તો કોઈને માત્ર ઉપદેશ. એટલે મને થયું કે હું પોતે જ ગામડાઓમાં જઈને સૌ સાથે જોડાઈ જાવ. હું ગામડામાં જઈને ઝાડુ લગાવું છું. એ કામ તો પ્રતીકાત્મક જ હોય પરંતુ એટલો સમય હું તેમની સાથે વાતો કરીને મહિનામાં એક વખત સફાઈ માટે મનાવી લઉ છું. એ જ રીતે, હું કોઈની ગાયનું દૂધ દોહું છું અને તેમને ગૌનસલ સુધારણાની રીત જણાવું છું કે કેવી રીતે 10 લીટર દૂધ આપતી ગાય પાસેથી 40 લીટર દૂધ પણ લઈ શકાય. ખેતરમાં હળ ચલાવીને તેમને જણાવું છું કે કેવી રીતે હજારો રૂપિયાનું રાસાયણિક ખાતર નાખવાની જગ્યાએ ગાયના છાણથી ન્યૂનતમ ખર્ચે વધુ પાક લઈ શકાય છે. લોકોને સારું સ્વાસ્થ્ય મળશે. અત્યારે તો એવી હાલત છે કે ખેડૂત તો દૂર, કૃષિ વિભાગના લોકોને જ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીમાં અંતર ખબર નથી! લોકો ઓર્ગેનિક ખેતીને જ જૈવિક ખેતી સમજવાની ભૂલ કરે છે. એ ખેતી પણ જો લાભકારક ન હોય તો તેમાંય નવીનીકરણ કરવું પડે. ગ્રામીણ પ્રવાસ વખતે કોઈના ઘરે રોકાઉં તો લાગે કે આ રાજ્યપાલનો માણસ હશે, એટલે સ્કૂલમાં જ રાતવાસો કરું છું. એ બહાને બાળકો સાથે વાતો પણ થાય. શિક્ષકો પણ પ્રોત્સાહિત થાય. કોઈ સામાન્ય માણસના ઘરે જમવા જાઉં છું, જેથી તેમને અને ગામની તમામ વાતોને નજીકથી સમજી શકું. એના પછી ગ્રામ સભા કરું છું. એ વખતે ગામને મોડેલ વિલેજ બનાવવાની બધી રીત જણાવુ છું. હું તેમની વચ્ચે તેમના જેવો જ રહીને તેમને સમજું છું. શક્ય છે, તેનાથી એ લોકો પર મારી વાતની વધારે અસર થાય. મારા પ્રવાસોને કારણે ગામના અમુક પ્રશ્નો તો આપમેળે જ ઉકલી જાય છે. હું હેલ્થકેમ્પ કરીને સ્વાસ્થ્ય સુધારણ પર પણ ધ્યાન આપુ છું. જેમના ઘરે ભોજન લે છે, તેમને રાજભવન આમંત્રિત કરે છેરાજ્યપાલ ગામોમાં જે ઘરોમાં ભોજન લે છે, તે પરિવારોને પોતાના ઘર એટલે કે રાજભવન પણ આમંત્રિત કરે છે. તેઓ જૈવિક ખેતીથી એક ડગલું આગળ વધીને પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે. ગામ આવવાના રસ્તામાં વિમાન મોંથા વાવાઝોડાનો રિપોર્ટ હાથમાં લઇને કહ્યું, તસવીર જૂઓ- રાસાયણિક ખેતીવાળા કેળા પાતળા થડોના કારણે નીચે પડી ગયાં છે. પ્રાકૃતિક કૃષિના થડ મોટા અને જમીનમાં પકડ હોવાથી ટકી રહ્યાં.​​​​​​​ રાજ્યપાલ સાથે 24 કલાક : ગાયોની નસલ સુધારવાની પદ્ધતિઓ, પ્રાકૃતિક ખેતી શીખવાડી પહેલો દિવસ​​​​​​​ : બપોરે 2:02 વાગ્યે , અમદાવાદ એરપોર્ટ​​​​​​​સ્ટેટ હેંગરની દીવાલમાં ઊગેલા પીપળનું ઝાડ બતાવીને કહ્યું : “જુઓ, વૃક્ષો-છોડ જમીનમાંથી માત્ર 1.50% જ પોષણ લે છે, બાકીનું માત્ર હવા અને તેમાં રહેલા પાણીમાંથી.’ સાંજે 5:00 વાગ્યે - માણેકપુર સ્કૂલ “વાહ, આ અત્યાર સુધી મળેલો સૌથી સારો ઓરડો છે’ (સ્કૂલનો આ રૂમ 2024 માં જ બન્યો હતો). અધિકારીને પૂછે છે: “બતાવો આજનું શિડ્યૂલ શું છે.’​​​​​​​ સાંજે 5:30, ગામની એક શેરીમાં સફાઈ કરીગામમાં પહોંચી તેમણે જાતે ઝાડુ પકડી સફાઈ કર્યા બાદ તેમણે કહ્યું, “જુઓ, ઝાડુ લગાવવાથી હું વધારે મોટો થઈ ગયો.’ ગામ પાસેથી વચન માંગે છે કે અઠવાડિયે એક કલાક સફાઈ કરશે.​​​​​​​ સાંજે 7:00,આદિવાસી પરિવારના ઘરે ભોજનકાચા ઘરમાં લાકડાનો ચૂલો અને અનાજ સંગ્રહની વ્યવસ્થા જોઈને કહે છે: “તમે પરંપરા જીવંત રાખી છે, વાહ! ઘરમાં ગરમી પણ નહીં લાગતી હોય.’ તેમણે અહીં ભોજન પણ કર્યું.​​​​​​​ રાત્રે 8:15, પંચાયત ભવનગ્રામ સભામાં ખાટલા પર બેસીને, “કોની પાસે કેટલી જમીન છે’ પૂછે છે. તેમાં કેવી રીતે ઉપજ વધારવી તે સમજાવે છે. વધારાની આવક માટે ગાય પાળવા વિશે જણાવે છે. મહિલાઓને કહે છે: “બાળકોના જલ્દી લગ્ન ન કરાવશો. ભણવા-લખવા અને રમવા દેજો. આગળ વધશે તો પરિવાર, ગામ અને દેશનું નામ રોશન કરશે.​​​​​​​ બીજો દિવસ​​​​​​​ : સવારે 6:30 - એક ખેડૂતનું ઘર​​​​​​​ગાયનું દૂધ દોહે છે, સમજાવે છે કે: “મેં નસલમાં સુધારો કરીને 400થી વધુ ગાય પાળી છે.​​​​​​​ સવારે 7:15 વાગ્યે - એક ખેડૂતનું ખેતરહળ ચલાવતા, “જુઓ, સવારે ખેડાણ કરશો તો વધારે ફાયદો થશે. માટીમાં રાસાયણિક ખાતરની જગ્યાએ છાણનું ખાતર નાખો. ખેતર બંજર નહીં થાય.​​​​​​​ સવારે 10:00- ઉચ્છલની સ્કૂલવિદ્યાર્થીને: “ખૂબ ભણો, વિદ્યા – એવું ધન છે જેને ચોર ચોરી નથી શકતો.​​​​​​​ સવારે 11:00 - હરિપુર ગામખેતરોમાં યુરિયા, ડીએપી અને જંતુનાશક ન નાખો. ગુજરાતમાં દરરોજ 780 કેન્સરના દર્દી આવે છે. પ્રાકૃતિક ખેતીની તાલીમ લો. બપોરે 12:40 વાગ્યે ગામથી ગાંધીનગર માટે પ્રસ્થાન

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:08 am

ગામ ગામની વાત:માળિયાનું જૂનું ઘાટીલા ગામ ભલે છેવાડાનું રહ્યું, સુવિધાની બાબતમાં નં. વન‎

મોરબીમાં માળિયા મી. તાલુકો વિકાસની દ્રષ્ટિએ સૌથી વધુ પછાત હોવાની વચ્ચે જુના ઘાટીલા ગામ છેવાડાનું હોવા છતાં આ ગામ અંતરિયાળને બદલે સુવિધામાં નંબર વન હોવાથી ગામમાં લીલાલહેર છે. જુના ઘાટીલા ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈના જણાવ્યા મુજબ જુના ઘાટીલા ગામની હાલ વસ્તી 7 હજાર છે. ગામલોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન છે. પશુપાલનમાં ઘેટા બકરા, ગાય, ભેંસ 30 હજાર આસપાસ પશુઓ છે. જુના ઘાટીલા ગામે પ્રાથમિક સુવિધાઓની વાત કરીએ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આર્યુવેદીક કેન્દ્ર, એક પશુ દવાખાનું યોગ્ય રીતે ચાલે છે. આ ત્રણેયનો ગામલોકોને યોગ્ય રીતે લાભ મળે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ ગામમાં એક બે નહિ પણ ચાર ચાર આંગણવાડી છે. 1થી 8ની પ્રાથમિક શાળા, અલગ કન્યા શાળા ઉપરાંત 1થી 5 ધોરણ સુધીની શાળામાં કુમારો અને કન્યાઓ ભણે છે. આ ઉપરાંત 9થી 10 સુધીની હાઇસ્કુલ હોય એટલે ગામમાં શિક્ષણનું માળખું મજબૂત છે. હાલ આ ચારમાંથી એક સ્કૂલનું પાયાથી જ નવીનીકરણ રૂ.3 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. પીવાના પાણીની કોઈ સમસ્યા નથી અને ઉનાળામાં પણ પાણીની તકલીફ ઊભી થતી નથી. ગામમાં 100 ટકા ગટર વ્યવસ્થા, 95 ટકા રસ્તા થઈ ગયા છે અને ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટ્રેકટરની વ્યવસ્થા છે. અગત્યના ડોક્યુમેન્ટ માટે માળિયા સુધી ધક્કો નહીં‎ જૂના ઘાટીલામાં અત્યાર સુધી એકેય વાતનું દુઃખ ન હતું. પણ હવે નવી ઉપાધી આવી છે. જેમાં માવઠાથી મોટાભાગના ખેડૂતોના પાકોનો નાશ થયો છે. આ નુકશાનીના વળતર રૂપે સરકારે સહાય જાહેર કરી હોય પણ એમાં ગ્રામ પંચાયતમાં વીસીઈ પાસે સહાયના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય બધી કામગીરી એકસાથે થતી હોવાથી નેટ પ્રક્રિયા ખોરવાય છે. ખેડૂત સહાય ફોર્મની ઓનલાઈન પ્રક્રિયામાં સમસ્યા ઉદભવી‎ જૂના ઘાટીલાના ગામલોકોને માળીયા સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તે માટે ગ્રામ પંચાયતમાં સરકારની લોક ઉપયોગી આયુષ્યમાન યોજના, મુખ્યમંત્રીની વિવિધ યોજના, વૃદ્ધ પેન્શન, સહિતની યોજનાઓ, 7/12 સહિતના ડોક્યુમેન્ટ, આધારકાર્ડમાં અપડેટ, રેશનકાર્ડમાં સુધારા વધારા સહિતની મોટાભાગની કામગીરી કરવામાં આવે છે. એટલે આવી કામગીરીમાં ગામલોકોને ક્યાં જવું તેની મુંઝવણનો સામનો ન કરવો પડે તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરાઈ હોવાથી ગ્રામજનોને મુશ્કેલીમાંથી રાહત થાય છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:06 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દિલ્હીમાં બ્લાસ્ટ થયેલી કારનો માલિક ઝડપાયો, લાલુની પુત્રીએ કહ્યું- મને ચપ્પલ મારવા દોડ્યા; ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીના પત્ની-બે સંતાનની લાશ મળી

નમસ્તે, કાલના મોટા સમાચાર દિલ્હીમાં બ્લાસ્ટ થયેલી કારનો માલિક ઝડપાયો તેના વિશેના રહ્યા. તેણે ઉમર સાથે મળીને દિલ્હી બ્લાસ્ટનું કાવતરું રચ્યું હતું. બીજા સમાચાર લાલુની પુત્રી પર ચપ્પલ ઉગામવાના આરોપ સાથે સંબંધિત છે. આ ઉપરાંત, 15 વર્ષ પછી ભારતે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ મેચમાં કેવી રીતે હારનો સામનો કરવો પડ્યો એ પણ જણાવીશું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સહારા ગ્રુપના કર્મચારીઓના બાકી પગાર અંગેના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ કરશે. 2. તેલંગાણામાં બીઆરએસ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ કરશે. કાલના મોટા સમાચારો 1. દિલ્હીમાં બ્લાસ્ટ થયેલી કારનો માલિક ઝડપાયો:NIAએ આમિરને દિલ્હીમાંથી પકડ્યો, તેણે આતંકી ઉમર સાથે બ્લાસ્ટનું કાવતરું રચ્યું દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAએ રવિવારે આતંકી ઉમરના સાથી આમિર રાશિદ અલીની દિલ્હીથી ધરપકડ કરી છે. તેણે ઉમર સાથે મળીને દિલ્હી બ્લાસ્ટનું કાવતરું રચ્યું હતું. તે જમ્મુ-કાશ્મીરના પમ્પોરના સંબૂરાનો રહેવાસી છે. i20 કાર આમિરના નામે જ રજિસ્ટર્ડ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકી ડૉ. ઉમર નબી સાથે જોડાયેલા કેટલાક લોકોને પકડ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે ડોક્ટરોવાળું આ વ્હાઇટ-કોલર મોડ્યુલ ગયા વર્ષથી એક સુસાઈડ બોમ્બર શોધી રહ્યું હતું અને તેની જવાબદારી ઉમર પર હતી. વાંચો સંપૂર્ણ સમાચાર... 2. રાબડી નિવાસ ખાલી, રોહિણી પછી 3 દીકરીઓ દિલ્હી રવાના: રોહિણીએ કહ્યું- મને ગંદી કહી, મારવા માટે ચપ્પલ ઉઠાવી, મારા માતા-પિતા અને બહેનો રડી રહ્યાં હતાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર પછી લાલુ પરિવારમાં ટકરાવ વધી ગયો છે. રાજકારણ છોડવા અને પોતાના પરિવાર સાથે સંબંધ તોડવાના એલાનના એક દિવસ પછી રોહિણી આચાર્યએ એક પછી એક 2 સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેજસ્વી યાદવ અને સંજય યાદવ પર ગંભીર આરોપો લગાવ્યા. રોહિણીએ X પર લખ્યું- 'મારાથી મારું પિયર છોડાવવામાં આવ્યું. મને અનાથ બનાવવામાં આવી. મેં રડતાં-રડતાં ઘર છોડ્યું છે. મને મારવા માટે ચપ્પલ ઉઠાવવામાં આવી. ગઈકાલે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે હું ગંદી છું, અને મેં મારા પિતાને મારી ખરાબ કિડની આપી, કરોડો રૂપિયા લીધા, ટિકિટ લીધી, અને પછી ખરાબ કિડની આપી.' વાંચો સંપૂર્ણ સમાચાર... 3. થરૂરે કહ્યું-આતંકવાદ 1989-90માં કાશ્મીરથી શરૂ થયો:હવે તે દિલ્હી અને મુંબઈ સુધી ફેલાઈ ગયો છે, ફારુકે કહ્યું હતું- દરેક કાશ્મીરી સવાલોના ઘેરામાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે રવિવારે કહ્યું, આતંકવાદ 1989-90માં કાશ્મીરથી શરૂ થયો હતો અને ધીમે ધીમે મુંબઈ, પુણે અને દિલ્હી સુધી ફેલાઈ ગયો. ભારત છેલ્લા 30 વર્ષથી આતંકવાદના પડકારનો સામનો કરી રહ્યું છે. હવે, મજબૂત અને અસરકારક કાર્યવાહીની જરૂર છે. થરૂરનું આ નિવેદન જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાના દિલ્હી બોમ્બ વિસ્ફોટ પરના નિવેદનના જવાબમાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર... 4. ભાસ્કર એક્સક્લૂસિવ- નવી બિહાર સરકારમાં NDAના સંભવિત 18 મંત્રી:નીતિશ કાલે રાજીનામું આપશે, ડેપ્યુટી CMની રેસમાં સમ્રાટ સહિત ત્રણ નામ બિહારમાં હવે નવી સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. JDUએ આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. નીતિશ કુમારને તેમના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે એટલે કે સોમવારે મળવાની અપેક્ષા છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર 17 નવેમ્બરના રોજ રાજ્યપાલને રાજીનામું આપશે અને તે જ દિવસે નવી સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરી શકે છે. મુખ્યમંત્રી ગૃહના સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમાર 20 નવેમ્બરના રોજ 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર... 5. ઘરમાં સા. આફ્રિકા સામે 15 વર્ષ પછી હારી ટીમ ઈન્ડિયા:124 રન પણ ચેઝ કરી શકી નહીં, ભારત 93 રન જ બનાવી શક્યું; ગિલ બેટિંગ કરવા ઉતર્યો નહીં ભારતને સાઉથ આફ્રિકા સામેની કોલકાતા ટેસ્ટમાં 30 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે 15 વર્ષ બાદ પોતાના ઘરમાં સાઉથ આફ્રિકા સામે કોઈ મેચ ગુમાવી છે. છેલ્લી હાર 2010માં ગ્રીમ સ્મિથની કેપ્ટનશીપમાં નાગપુરમાં મળી હતી. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રવિવારે 124 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ભારતીય ટીમ 9 વિકેટે 93 રન જ બનાવી શકી. વાંચો સંપૂર્ણ સમાચાર... 6. ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને પુત્ર-પુત્રીની લાશ મળી:10 દિવસ પહેલાં ઘરથી 20 ફૂટ દૂર જ દાટી દીધા હતા, ACF પતિએ હત્યા કરી હોવાની આશંકા, અંતિમવિધિ કરાઈ ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાોનીની ફોરેસ્ટ કોલોનીમાં આવેલા તેમના ઘરથી 20 ફૂટ દૂરના અંતરેથી ખાડામાં દાટી દીધેલી લાશો મળી છે. 5 નવેમ્બરના રોજ નયનાબેન પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સાથે 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા. ત્યાર બાદ જેની પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. ત્રણેયની હત્યા કરી લાશ દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે. આ પહેલાં ભાવનગરની ભરતનગર પોલીસને ઘર પાસે થયેલા ભેદી ખોદકામ અંગે બાતમી મળી હતી. જેને પગલે પોલીસે આજે ત્યાં ખોદકામ કર્યું હતું અને ત્રણેયની ડેડબોડી બહાર કાઢી હતી. ભાવનગર એસપી નિતેશ પાંડેએ કહ્યું કે, ACF(આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ) પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર... 7. 'અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી CM ન બનાવ્યા તેનું દુઃખ થવું જોઈએ':માણસામાં ઠાકોર સમાજના નેતાઓને ઋષિ ભારતી બાપુએ કહ્યું- 'પોઝિશનીંગ નથી જોઈતી પાવરમાં આવો' ગાંધીનગર જિલ્લાના માણસાના ધમેડામાં યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુ દ્વારા અલ્પેશ ઠાકોરને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ છે. જે કાર્યક્રમમાં ઠાકોર સમાજના તમામ પક્ષના નેતાઓ હાજર હતા ત્યાં સંબોધન દરમિયાન ઋષિ ભારતી બાપુએ કહ્યું કે, આ વખતે અલ્પેશજી ઠાકોર ડેપ્યુટી સીએમ બને તે માટે પ્રયાસો ચાલુ હતા , ગાંધીનગરમાં બેઠક કરી છતા બાકાત રહ્યા.એ વાતનું દુઃખ થવું જોઈએ. ઠાકોર સમાજના નેતાઓને ગુજરાતમાં અને દેશમાં સમાજની વસતીના આંકડા જણાવી કહ્યું કે, આપણે પોઝિશનિંગમાં નહીં પાવરમાં આવવાની જરુર છે. રાજકીય પક્ષો આપણી નબળી કડી જાણે છે એટલે ડિવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર... આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : આતંકવાદી મોડ્યુલના કોન્ટેક્ટવાળા 200 લોકો રડાર પર:ડૉ. મુઝમ્મિલ અને ડૉ. શાહીને મદદના નામે પૈસા આપતો હતા; અત્યાર સુધીમાં 60 લોકોની અટકાયત (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : હસીનાની સજા પહેલા બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી: પાંચ જિલ્લાઓમાં હાઇવે જામ, આગચંપી; રાજધાની ઢાકામાં સેના તહેનાત (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : તેજ પ્રતાપે કહ્યું-એક ઈશારો...જયચંદોને જમીનમાં દાટી દઈશું:તેજસ્વી ફેલસ્વી છે, બહેન રોહિણીને કાઢી મુકવા બાબતે મારા હૃદયને હચમચાવી નાખ્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : અમેરિકા દક્ષિણ કોરિયાને પરમાણુ સબમરીન બનાવવામાં મદદ કરશે:સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિએ કહ્યું- કિમ જોંગઉનનો સામનો કરવા માટે સબમરીનની જરૂર (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : આ અઠવાડિયે બજારમાં 2 નવા IPO ખુલશે:એક્સેલસોફ્ટ ટેક્નોલોજીસ ₹500 કરોડ એકત્ર કરશે; 7 IPO લિસ્ટેડ થશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.એન્ટરટેઇનમેન્ટ: 'તુમ જીયો હજારો સાલ...':ધર્મેન્દ્ર સ્વસ્થ થતાં જ હેમા માલિનીએ 90મા બર્થ-ડેનું પ્લાનિંગ શરૂ કર્યું; 8 ડિસેમ્બરે દેઓલ પરિવારમાં જલસા પાર્ટી! (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : વિવાહ પંચમીએ રામ-સીતાના લગ્ન થયા હતા:લગ્ન જેવાં શુભ કાર્યો માટે આ દિવસ કેમ નિષેધ છે? જાણો આ પ્રસંગ સાથે જોડાયેલી ધાર્મિક દંતકથા (વાંચો સંપૂર્ણ સમાચાર) ️ ચર્ચિત નિવેદન ખબર હટકે વિશ્વની સૌથી નાની ગાયનો જન્મ છત્તીસગઢના જશપુર જિલ્લામાં આર્ટિફિશિયલ-ઈનસેમિનેશનથી પુંગનૂર પ્રજાતિની વાછરડીનો જન્મ થયો છે. પુંગનૂર પ્રજાતિની ગાય લગભગ 3 ફૂટ ઊંચી હોય છે. આ ગાયની કિંમત 2થી 10 લાખ જેટલી હોય છે. ગાય 5 લીટર સુધી દૂધ આપે છે. દૂધની કિંમત 1000 રૂ. પ્રતિ લીટર સુધી હોય છે, જ્યારે ઘી 50 હજાર રૂ. પ્રતિ કિલોના ભાવે વેચાતું હોય છે. PM મોદી પાસે પણ આ જ પ્રજાતિની ગાયો છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી- ગુજરાતના એવા હાઇવે જ્યાં જાણે 'યમરાજ' બેઠાં છે!:અહીંથી નીકળો તો સાવધાન રહેજો, 348 લોકોને કાળ ભરખી ગયો, આ રહ્યું જિલ્લાવાર લિસ્ટ 2. ગ્રાઉન્ડ રિપોર્ટ - બ્લાસ્ટનો અવાજ 20 કિલોમીટર દૂર સંભળાયો:સાયખા GIDCની ફેક્ટરીમાં બ્લાસ્ટ વખતે આસપાસની ફેક્ટરીના પાયા હલી ગયા, મજૂરો ફેક્ટરીમાં જ સૂતા'તા 3. ખાખી કવર - નિઠારીનો નરભક્ષી ફાંસીના બે કલાક પહેલાં છૂટી ગયો!:સુરેન્દ્ર કોલી નિર્દોષોના મૃતદેહ સાથે સેક્સ માણતો, યુવતીઓનાં સ્તન-નિતંબ રાંધીને ખાતો 4. પરિવારને ભોજનમાં ઊંઘની દવા ખવડાવી સગીરા પર દુષ્કર્મ:ખંભાતના એક ગામમાં મિત્રની મદદથી યુવકે બાથરૂમમાં પીંખી નાખી, બંને આરોપીને પકડવા પોલીસે ટીમો બનાવી 5. ભારતી સિંહના બેબી શાવરમાં સેલેબ્સ મન મૂકીને નાચ્યાં:'લાફ્ટર શેફ્સ'ની ટીમે કોમેડિયનને સરપ્રાઇઝ આપી, ટીમ બેબી ગર્લે ધમાલ મચાવી 6. એક્ટ્રેસ નૂપુર ભીખ માગીને ગુજરાન ચલાવે છે:બેંક કૌભાંડમાં કરોડો ગુમાવ્યા, દેવું થયું; બહેન અને માતાની હત્યાથી ભાંગી પડી; પતિને છોડીને સાધ્વી બની ગઈ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રાશિફળ સોમવારનું રાશિફળ:કર્ક રાશિના લોકો માટે આજે લાભદાયી સ્થિતિ બનેલી રહેશે; મીન જાતકોના ઘણાં મહત્ત્વપૂર્ણ કાર્યો સંપન્ન થશે વાંચો સંપૂર્ણ સમાચાર...

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:00 am

ઠંડીનો પગપેસારો:મોરબી જિલ્લામાં ધીમા પગલે ઠંડીનો પગપેસારો

કમોસમી વરસાદને પગલે ચાલુ વર્ષે શિયાળાની શરુઆત મોડી થઇ છે, નવેમ્બર માસના બે સપ્તાહ જેટલો સમય થવા આવ્યો છતાં કડકડતી ઠંડી અનુભવાઈ નથી. છેલ્લા કેટલાક દિવસથી વહેલી સવારે અને રાત્રીના હળવો ચમકારો અનુભવાય છે પરંતુ દીવસે તો હજુ પણ ગરમીનો જ અહેસાસ થાય છે. રાતે અને વહેલી સવારે આંશિક ઠંડક અનુભવવા મળે છે. મોરબી જિલ્લામાં રવિવારે લઘુતમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોધાયું હતું. જો કે આગામી દીવસોમાં ઠંડી અસલી મીજાજ કેળવશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:58 am

હાકલ:100 લુખ્ખા 5 લાખ પાટીદારોને દબાવે તો તો ડૂબી મરવા જેવું થાય : મનોજ પનારા

મોરબીના પંચાસર રોડ પર પાટીદાર યુવા સેવા સંઘનું સ્નેહમિલન યોજાયું હતું, આ તકે અગ્રણી મનોજભાઈ પનારાએ સમાજ શિક્ષિત, ઔદ્યોગિક, રાજકીય સ્તરે આગળ હોવા છતાં ડર વધુ હોય અને ડરને આબરૂનું નામ આપી યુવાનો વ્યાજખોરો સહિતના કોઈને કોઈ દૂષણોમાં ફસાતા હોવાથી યુવાનોને તમામ દૂષણોથી બચાવવા છેક સુધી લડી લેવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે 100 લુખ્ખા 5 લાખ પાટીદારોને દબાવે તો ડૂબી મરવા જેવી બાબત ગણાવી હતી અને આવા ડર દૂર કરવા આગેવાનોએ દીકરા-દીકરીઓને પોલીસ સ્ટેશન, જેલ, કોર્ટની મુલાકાત લેવાનું જણાવ્યું હતું. સમાજના યુવાનો વધુને વધુ વ્યાજના વિષચક્રમાં ફસાતા હોય, વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી આપઘાતના પગલાં ભરી લેતા હોવાથી આવી વ્યાજખોરી સામે પગલાં લેવા પર ભાર મુકાયો હતો. જ્યારે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે આર્થિક રીતે સધ્ધરતા એ સમાજને માપવાનો માપદંડ નથી. આર્થિક સધ્ધરતા આપણી મહેનતના કારણે આવી છે. આપણાં વડવાઓએ અનેક મુશ્કેલી વેઠી અને મહેનત કરીને સમાજને આટલો સધ્ધર કર્યો છે. શહેરમાં 80 ટકા આપણી વસ્તી હોવા છતાં અહીં ગુંડાગીરી છે, લૂખ્ખાગીરી છે, આપણે સમાજ વિરોધી નથી. સત્તા વિરોધી નથી. પણ આપણી પેઢી ટકાવવાની છે. પહેલા ખેતી, ધંધા ઉદ્યોગ,રાજનીતિ, શિક્ષણમાં સફળ થયા એમ હવે સમાજના યુવાનોને બુરાઈથી દૂર રાખવાના પ્રયાસ કરવાના છે. ચાની ટપરી કે ચોકમાં જ્યાં ઓનલાઈન જુગાર અને સટ્ટાની પ્રવૃત્તિઓ થાય છે, આગેવાનોએ યુવાનોને બુરાઇથી દુર રહેવા અપીલ કરી. તસવીર : રવિ બરાસરા

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:58 am

વિવેક ઓબરોયે મોતને આપી માત:કારમાં સળિયો ઘૂસી ગયો, મૃત્યુમારાથી એક ઈંચ દૂર હતું: વિવેક

બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે તેની ફિલ્મ ‘રોડ’ના શૂટિંગ દરમિયાન થયેલા એક ભયાનક અકસ્માતનો ખુલાસો કર્યો છે, જેમાં તેઓ માંડ-માંડ બચ્યા હતા. તાજેતરના એક પ્રમોશનલ ઇન્ટરવ્યૂમાં વિવેકે જણાવ્યું કે, રાજસ્થાનમાં રાત્રે બિકાનેરથી જેસલમેર જતી વખતે તેમની કારને અચાનક ઊંટગાડી સાથે ટક્કર થઈ હતી. આ ઊંટગાડી પર સળિયા (લોખંડના સળિયા) લાદેલા હતા, જે ટક્કર થતા જ કારની વિન્ડશિલ્ડ (કાચ) તોડીને અંદર ઘૂસી ગયા હતા. વિવેક આગળની સીટ પર બેઠો હતો, પરંતુ અકસ્માત પહેલા જ તેણે પોતાની સીટ પાછળની તરફ ઢાળેલી હતી. તેણે કહ્યું કે, જો તેમની સીટ સીધી હોત તો તે સળિયા તેમના શરીરમાં ઘૂસી ગયા હોત અને તેમનું મૃત્યુ નિશ્ચિત હતું. તે ક્ષણ મારા જીવનની સૌથી ભયાનક ક્ષણોમાંની એક હતી. ફક્ત એક ઇંચ વધુ અને તે સળિયો મારી છાતીમાં વીંધાઈ ગયો હોત. હું કદાચ આજે જીવતો ન હોત. અકસ્માત પછી, આખી ટીમ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:55 am

ભરૂચમાં સરની કામગીરી શરૂ:કલેકટરે બૂથોની મુલાકાત લીધી

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગૌરાંગ મકવાણાએ ભરૂચ વિધાનસભા માં સમાવિષ્ટ બૂથ નંબર 65,66 અને બુથ નં-78 ,ભરૂચ-24 ઈકરા એજ્યુ સંકુલ રૂબરૂ મુલાકાત લઈ અને બીએલઓએ કરવામાં આવતી એસઆઈઆર ની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં ઇઆરઓ અને એઇઆરઓ એ પણ જૂદા - જુદાં બૂથની વિઝિટ કરી હતી. આ કેમ્પમાં ખાસ સધન સુધારણા કાર્યક્રમ ની માહિતી આપવામાં આવી હતી. અને મતદારોએ ભરવાના થતા ગણતરી ફોર્મ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ મતદારોના પ્રશ્નો સાંભળી તેનું માર્ગદર્શન આપી નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:54 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સામાજિક ક્રાંતિ: રિવાજોના નામે થતા ખોટા ખર્ચ બંધ કર્યા

યશ ભટ્ટ, જૂનાગઢગુજરાતના અનેક સમાજોમાં લગ્ન અને પ્રસંગોમાં વધતા ખોટા ખર્ચ સામે હવે સામાજિક ક્રાંતિ ઊભી થઈ છે. રિવાજોના નામે થતાં અનાવશ્યક ખર્ચાઓથી મધ્યમવર્ગ પર પડતો આર્થિક બોજ અટકાવવા લેઉવા પટેલથી લઈને નડોદા રાજપૂત સહિત 11 સમાજોએ પોતાના સ્તરે કડક નિયમો અમલમાં મૂક્યા છે. ક્યાંક જમણવાર અને ડીજે પર પ્રતિબંધ મૂકાયો છે તો ક્યાંક પ્રી-વેડિંગ અને સોનાં આપવાનું સંપૂર્ણપણે બંધ કરાયું છે. નિયમ તોડનારે રૂ. 5 હજારથી 1 લાખ સુધીનો દંડ કે જાહેર માફી જેવી સજા નક્કી કરાઈ છે. સમાજોના આ સંયુક્ત પ્રયાસને વ્યાપક પ્રશંસા મળી રહી છે. આ પહેલોનું અન્ય સમાજો પણ અનુકરણ કરી રહ્યા છે. નાડોદા રાજપૂત સમાજ: 10 કરોડ બચાવી કન્યા કેળવણીમાં વાપર્યાસુરેન્દ્રનગરના નાડોદા રાજપૂત સમાજના 102 ગામોએ લગ્ન અને મરણ પ્રસંગ પાછળ થતાં ખર્ચને તિલાંજલી આપી. 8થી 10 કરોડ બચત કરી આ રકમ કન્યા કેળવણી, શિક્ષણ અને સામાજિક સુધારણા પાછળ ખર્ચ કર્યા. ભંડારી સમાજ: ફરજિયાત સમૂહ લગ્નમાં લગ્ન કરવા, નહીં તો દંડસમાજમાં કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે સ્વજનો, સગા સંબંધી આર્થિક સહાય આપે તેવી પહેલ શરૂ કરી છે. સમૂહ લગ્નમાં લગ્ન ન કરે તો 51 હજાર નો દંડ પણ થાય છે. આ ક્ષત્રિય ભંડારી સમાજ મુંબઈ અને ગુજરાતમાં પણ છે. જૈન સમાજ લગ્ન પ્રસંગોમાં પહેરામણીનો ખર્ચ બંધ કરવામાં આવ્યોસમાજમાં વર-વધુના પરિવારમાં લેતી-દેતેની વસ્તુ બાબતે વાતચીત કરી રહી છે, તેમજ તમામ ખર્ચ બંધ કરી દેવા પ્રયાસ ચાલી રહ્યા છે. તેમજ પેરામણીના તમામ ખર્ચ બંધ કરી દેવામાં આવ્યા છે. શ્રીફળ વિધિમાં ઓછી સંખ્યા રાખવી.> હિતેષભાઇ સંઘવી, જૈન સમાજ, જૂનાગઢ આદિવાસી ચૌધરી સમાજ 33 મુદ્દાનું બંધારણ બનાવ્યુંસામાજિક સુધારા અંગેનું 33 મુદ્દાવાળુ ‘આદિવાસી ચૌધરી સમાજનું બંધારણ’ બનાવ્યું છે. જેમાં સમાજની સગાઈવિધિ(પીણું) સમાજની રીતિ રિવાજો મુજબ જ કરવું અન્ય વિધિથી કરવું નહીં, સગાઇમાં કેક કાપવી નહીં, સગાઈમાં સોનાની વીંટી પહેરાવવી નહીં, ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું જેવા નિયમો બનાવ્યા. પ્રજાપતિ સમાજ પાર્ટી પ્લોટ નહીં સમાજની વાડીમાં લગ્નપ્રિવેડિંગ બંધ કરી દેવા જોઈએ, સોનુ માત્ર સુકન પૂરતું દેવું જોઈએ, તેમજ અત્યારના દેખાદેખી ના સમયમાં પાર્ટી પ્લોટમાં અને રિસોર્ટની પ્રથા આવી છે તેના કરતાં સમાજની વાડીનો ઉપયોગ કરે અથવા તો પોતાના ગામમાં લગ્ન કરવા જોઈએ. > વિનોદભાઈ ચંદેગ્રરા, પ્રજાપતિ સમાજ, જૂનાગઢ દશનામ ગોસ્વામી સમાજ ખર્ચાળ પ્રથાઓથી મુક્તિ અપાવીસમાજ દ્વારા હાલ પ્રસંગ સમયે ખોટા ખર્ચથી બચવા માટે પ્રિ-વેડિંગ, ડીજે વરઘોડા, પ્રિન્ટેડ કંકોત્રીના બદલે સોશિયલ મીડિયા પર ડિજિટલ કંકોત્રી આપવી, રિંગ સેરેમની, ફોટોશૂટની પ્રથાઓ બંધ કરવી, લગ્નમાં કન્યા માટે આર્થિક પરિસ્થિતિ પ્રમાણે કરિયાવર આપવો. > અશ્વિન નાથ, દશનામ ગોસ્વામી સમાજ,જૂનાગઢ કોળી સમાજ લૌકિક ક્રિયામાં જમણવાર ન કરવા કહેવાયુંબોટાદ કોળી સમાજ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં દીકરીના લગ્ન ઉપર સોનું આપવું નહીં, લગ્નપ્રસંગમાં ફટાકડાં ફોડવા નહીં, પૈસા ઉડાવવા નહીં. જમણવાર મર્યાદિત કરી દેવો, લૌકિકક્રિયામાં આવતાં મહેમાનોને જમાડવા નહીં, બારમાની વિધિ કરવી નહીં. > કોળી પ્રવિણભાઈ કોળી, કોળી સમાજ, બોટાદ આદિવાસી ભીલ સમાજ દહેજ, દારૂ અને ડીજેને દૂર કર્યુંદાહોદ-પંચમહાલ-મહિસાગર જિલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા મોટા ખર્ચાઓ ઘટાડવા તથા દહેજ-દારૂ- ડી.જે ને દૂર કરી જરૂર મુજબ શરણાઈનો ઉપયોગ કરવા સમાજની પહેલ કરાઈ છે. તેમજ કોઈપણ પ્રકારની દહેજની લેવડદેવડ પર પ્રતિબંધ મુકાયો છે. > આદિવાસી ભીલ સમાજ, દાહોદ સિંધી સમાજ થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત કરાવતા દર્દી ઘટ્યાઅમારા સમાજમાં થેલેસેમિયાના કેસો વધારે હતા. વર્ષ 2012થી એવો નિર્ણય લેવામાં આવ્યો કે કુંડળી મળે કે ન મળે પહેલા થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત કરાવ્યો. અત્યારે પરિસ્થિતિ એવી છે કે સમાજમાં 9 ટકા થેલેસેમિયા પોઝિટિવ દર્દી હતા. જ્યારે હવે પાંચ ટકા થઈ ગયા છે. > કાળુભાઈ સુખવાણી, સિંધી સમાજ, જૂનાગઢ લુહાર સમાજ રાજી ખુશીથી છૂટાછેડાની પ્રથા માટે કરારહાલ સમાજ દ્વારા એગ્રિમેન્ટ કરવામાં આવી રહ્યા છે બે પરિવાર વચ્ચે જ્યારે તકલીફો ઊભી થાય છે ત્યારે રાજી ખુશીથી છુટા થવાની પ્રથા શરૂ કરાય છે. સમાજમાં લગ્ન શરૂ કરવામાં આવ્યા છે, જેથી ખોટા ખર્ચ ન થાય તેમજ સોનુ લેતી દેતીમાં શુકન પૂરતું દેવાનું શરૂ કરાયું છે. > કલ્પેશભાઈ ચૌહાણ, લુહાર સમાજ, જૂનાગઢ લેઉવા પટેલ સમાજ લગ્નમાં સોનું ઓછું આપવાનું સૂચનસમૂહ લગ્નમાં સમાજના વધુને વધુ લોકો જોડાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં સોનુ પણ મર્યાદિત કરવા જાગૃતિ લાવી રહ્યા છીએ, જોકે હાલ આ અંગે કોઈ નિયમ બનાવ્યો નથી પરંતુ જાગૃતિ લાવવા સમાજના દરેક કાર્યક્રમમાં સૂચન કરાય છે. > મનસુખભાઈ રાબડીયા, લેઉવા પટેલ સમાજ, જામનગર

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:40 am

દસ દિવસથી ઠંડી ભર્યું વાતાવરણ અનુભવાયું‎:જિલ્લામાં તાપમાન એક ઘટી 30 ડિગ્રી, ભેજનું પ્રમાણ વધી ગયું

ભરૂચ જિલ્લામાં રાબેતા મુજબ શિયાળાની ઋતુ ની શરૂઆત થઈ ચૂકી છે. જેના કારણે ધીરે ધીરે ઠંડી પણ વધુ અનુભવાય રહી છે. અંદાજે છેલ્લા 10 દિવસથી ઠંડી ભર્યું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. જેના કારણે વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ ગરમ કપડાં પહેરીને જતા નજરે પડ્યા હતા. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન વધીને 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ વધી 24 થી 51 ટકા અને પવનની ગતિ વધી 13 કિમી પ્રતિ કલાકની રહી હતી. આમ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી રહેવાની શક્યતા સેવાઇ રહી છે. ઉલેખનીય છે કે પવનની ગતિ ઓછી હોવાને કારણે ખેડૂતો ખેતી પાકમાં દવાનો છંટકાવ કરી શકશે. સાથે કપાસ સહિતના જે પણ ઊભા પાક હશે તેમાં ખાતર નાખી શકશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:37 am

મુંબઈ યુનિ. ખાતે ઉજવણી:આરંભ- વિશ્વરંગ મુંબઈ 2025 ધામધૂમપૂર્વક સંપન્ન થયો

મુંબઈ યુનિવર્સિટી ખાતે ભારતીય ભાષાઓ, કળા અને સંસ્કૃતિની સમૃદ્ધિની ઉજવણી આરંભ- વિશ્વરંગ મુંબઈ 2025ની 7મી આવૃત્તિ ધામધૂમપૂર્વક સંપન્ન થઈ. રવીંદ્રનાથ ટાગોર યુનિવર્સિટીના ચાન્સેલર અને વિશ્વરંગ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સંતોષ ચૌબેને હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ અવસરે ડો. સિદ્ધાર્થ ચતુર્વેદી, ડો. કરૂણા શંકર ઉપાધ્યાય, ડો. વિજય સિંહ અને મહારાષ્ટ્ર પોલીસને એડીજી કૃષ્ણ પ્રકાશ ખાસ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:36 am

મહાપાલિકાનો 1635 કરોડનો મેગાપ્લાન જાહેર:કુર્લાથી ઘાટકોપર એલબીએસ રોડ પર ટ્રાફિકજામથી મુક્તિ માટે ફ્લાયઓવર

કુર્લાની કલ્પના ટોકીઝથી ઘાટકોપર પશ્ચિમમાં પંખે શાહ દરગાહ સુધી ટ્રાફિકજામથી મુક્ત પ્રવાસ માટે મુંબઈ મહાપાલિકા ફ્લાયઓવર બાંધશે. સાડા ચાર કિલોમીટર અંતરના આ ફ્લાયઓવર માટે મુંબઈ મહાપાલિકા 1 હજાર 635 કરોડ રૂપિયા ખર્ચ કરશે. એના માટે મહાપાલિકાએ ટેંડર જારી કર્યા છે. વિવિધ અડચણોના કારણે છેલ્લા બે વર્ષનો વિલંબ થયો છે. તેથી પુલના કામનો ખર્ચ પણ વધ્યો છે. આ પુલના લીધે કુર્લાથી ઘાટકોપર એલબીએસ રોડ પર ટ્રાફિકજામથી મુક્તિ મળશે. કુર્લા કલ્પના ટોકીઝથી ઘાટકોપર અંધેરી રોડ પર મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ થાય છે. આ સમસ્યા ઉકેલવા મુંબઈ મહાપાલિકાએ કુર્લા કલ્પના ટોકીઝથી આગળ ઘાટકોપર પશ્ચિમ પંખે શાહ દરગાહ સુધી સાડા ચાર કિલોમીટર લાંબો ફ્લાયઓવર બાંધવાનો નિર્ણય લગભગ બે વર્ષ પહેલાં લીધો. એમાંથી એક કિલોમીટર પટ્ટા નજીક નૌકાદળની જગ્યા છે. પુલ નજીક આવેલા આ જગ્યાના લીધે નૌકાદળે વાંધો ઉઠાવ્યો હતો. આ પટ્ટામાં ફ્લાયઓવરનું કામ કરવા નૌકાદળના ના હરકત પ્રમાણપત્રની જરૂર હતી. મહાપાલિકા તરફથી છેલ્લા બે વર્ષમાં અનેક વખત પત્રવ્યવહાર કરવામાં આવ્યો. જો કે મહાપાલિકાને જવાબ મળતો નહોતો. પરિણામે પુલના આગળના કામ માટે અંદાજિત ખર્ચ, ટેંડર કાઢવા જેવી પ્રક્રિયા બંધ પડી હતી. જો કે નૌકાદળ તરફથી તાજેતરમાં ના હરકત પ્રમાણપત્ર મળ્યું છે. તેથી મહાપાલિકાએ એનું વીજેટીઆઈ મારફત સર્વેક્ષણ કરાવ્યું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:35 am

કનેક્ટિવિટી, ખર્ચ કિફાયતીપણું અને સમકાલીન ઈન્ફ્રાનો મળશે લાભ:બીકેસી બાદ હવે કોર્પોરેટ્સ ચેમ્બુર-ઘાટકોપર પૂર્વને અગ્રતા

બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી), લોઅર પરેલ અને નરીમાન પોઈન્ટ પછી હવે કોર્પોરેટ્સ પૂર્વીય અને ઉત્તરીય પરાં તરફ તેમનું ધ્યાન વધુ ને વધુ ખસેડી રહ્યા છે, જેમાં ચેમ્બુર- ઘાટકોપર પૂર્વ અત્યંત આશાસ્પદ નવાં કમર્શિયલ ડેસ્ટિનેશન્સમાંથી એક તરીકે ઊભી આવી રહ્યાં છે. કનેક્ટિવિટી, ખર્ચ કિફાયતીપણું અને સમકાલીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ત્રણ લાભોથી પ્રેરિત પૂર્વ તરફ આ ધસારો જોવા મળી રહ્યો છે, એમ ઉદ્યોગના નિષ્ણાતો જણાવે છે. સુપર્બ રિયાલ્ટીના એમડી શિલ્પિન તાતેરે જણાવ્યું કે સાંતાક્રુઝ- ચેમ્બુર લિંક રોડ, ઈસ્ટર્ન ફ્રીવે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને અનેક મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ્સને કારણે પ્રદેશ શહેરમાં બેજોડ પહોંચક્ષમતા પૂરી પાડે છે. ડેવલપરો એવી ફ્લોર પ્લેટ્સ અને એમિનિટીઝ પૂરી પાડી રહ્યા છે, જે કોર્પોરેટ્સની અપેક્ષાઓને પૂરી કરે.છેલ્લા 12થી 18 મહિનામાં અમે મુંબઈના ઓફિસના નકશામાં સ્પષ્ટ પુનઃસંતુલન જોઈ રહ્યા છીએ, એમ ધ ગાર્ડિયન્સ રિયલ એસ્ટેટ એડવાઈઝરીના એમડી ખેતસી બારોટે જણાવ્યું હતું. બીકેસી, લોઅર પરેલ અને નરીમાન પોઈન્ટની ગરિમા તો જળવાઈ રહેવાની જ છે, પરંતુ મોટી, વધુ કાર્યક્ષમ અને ખર્ય સ્પર્ધાત્મક ઓફિસોની વધતી જરૂર ઉત્તરીય અને પૂર્વીય પરાં તરફ આકર્ષિત કરી રહી છે. પૂર્વીય કોરિડોરમાં સક્રિય ડેવલપરો નવા યુગના, ગ્રેડ-એ કમર્શિયલ પ્રોજેક્ટો ઓફર કરી રહ્યા છે, જેમાં વિશાળ ફ્લોર પ્લેટ્સ, સક્ષમતા કેન્દ્રિત ડિઝાઈનોનો સમાવેશ થાય છે, જે કંપનીઓને ઉચ્ચ સ્તરની, ટેક સુસજ્જ વર્કસ્પેસીસ ચાહે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:34 am

કસ્ટમ્સની એરપોર્ટ પર મોટી કાર્યવાહી:મુંબઈ એરપોર્ટ પર 8 કરોડના ડ્રગ્સ સાથે 2 પ્રવાસીની ધરપકડ

મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ દ્વારા શનિવારે બે મોટી કાર્યવાહીમાં આઠ કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે બે પ્રવાસીની ધરપકડ કરી હતી. આ કેસમાં સિડિંકેટના વધુ તસ્કરો વિશે તપાસ ચાલી રહી છે, એમ કસ્ટમ્સના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.પ્રથમ કેસમાં શનિવારે એમ વી તિવારી (22)ને શંકા પરથી રોકવામાં આવ્યો હતો. ઉલ્હાસનગરનો રહેવાસી આ તસ્કર બેન્ગકોકથી મુંબઈ આવ્યો હતો. તેની હિલચાલ શંકાસ્પદ જણાતાં તલાશી લેવામાં આવી હતી. તેના બેગેજની સઘન તલાશી લેવામાં આવી હતી. તે સમયે કસ્ટમ્સના અધિકારીને જણાયું કે તિવારી ટ્રોલી બેગમાં પેકેટ્સમાં લીલી રંગની સામગ્રી લાવ્યો હતો, જે મારિજુઆના હોવાનું જણાયું હતું. તેની પાસેથી રૂ. 4.86 કરોડનું 4864 ગ્રામ મારિજુઆના જપ્ત કરાયું હતું. બીજા કેસમાં શનિવારે મલાડના રહેવાસી ખાન મહંમદ અયુબ (26)ને શંકા પરથી એરપોર્ટ પર આંતરવામાં આવ્યો હતો. તે પણ બેન્ગકોકથી આવ્યો હતો. તેની બેગમાંથી સાત પારદર્શક પાઉચ મળી આવ્યા હતા, જેમાં લીલી રંગના સૂકા લીલા પાનનો પદાર્થ હતો, જે તપાસ કરતાં મારિજુઆના હોવાનું જણાયું હતું. તેની પાસેથી રૂ. 3.45 કરોડનું 3458 ગ્રામ મારિજુઆના જપ્ત કરાયું હતું. આરોપીઓએ મારિજુઆના દાણચોરીથી લાવ્યા હતા એવું કબૂલ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે. આરોપીઓના સાગરીતો કોણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને આ ડ્રગ્સ કોણે આપ્યું અને મુંબઈમાં કોને પહોંચાડવાના હતા તે અંગે પણ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:33 am

નવજાત બાળકને વેચવાનો પ્રયાસ:ગોવંડીમાં નવજાતને 5 લાખમાં વેચવાનો પ્રયાસ

શિવાજીનગર- ગોવંડી વિસ્તારમાં રૂ. 5 લાખમાં નવા જન્મેલા નવજાતને વેચવાનો પ્રયાસ કરવા સંબંધે મહિલા સહિત પાંચ જણ વિરુદ્ધ રવિવારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. નવજાતને 21 વર્ષીય અપરિણીત મહિલાએ ગોવંડીના નર્સિંગ હોમમાં અપરિપક્વ જન્મ આપ્યો હતો. ચળવળકર્તા બિનુ વર્ગીસને નવજાતને વેચવાનો પ્રયાસ કરવામાં આવવાનો છે એવી માહિતી મળતાં પોલીસને સતર્ક કરી હતી, જે પછી દેવનાર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર કૈલાશ સોનાવણે હેઠળની ટીમે નર્સિંગ હોમ પહોંચીને તપાસ શરૂ કરી હતી, એમ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. નર્સિંગ હોમના માલિક ડો. કયામુદ્દીન ખાન, સ્ટાફર અનિતા પોપટ સાવંત, નવજાતની માતા, એજન્ટ શમા અને દર્શના નવજાતનો વેચવાનો પ્રયાસ કરતાં હતાં. આથી આ પાંચેય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નર્સિંગ હોમના વધુ સ્ટાફ સભ્યો આ કૌભાંડમાં સંકળાયેલા હોવાની શંકા છે. વળી, નવાઈની વાત એ છે કે પ્રસૂતિ કરનાર ડોક્ટર બીયુએમએસ પ્રેક્ટિશનર છે અને આવી પ્રક્રિયાઓ કરવા માટે તેને કોઈ સત્તા નથી. દવાખાનાએ ભૂતકાળમાં પણ આવાં ઘણાં બધાં અનધિકૃત ઓપરેશન પાર પાડ્યાં છે. આથી આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:32 am

એન્જિનિયરો, અધિકારીઓ, પોલીસ રાઉન્ડ પર:મુંબઈ શહેરમાં વધતા વાયુ પ્રદૂષણની ચિંતામાં પાલિકા ફરીથી એક્શન મોડમાં

મુંબઈમાં ચોમાસુ પૂરું થતા જ વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. તેથી મહાપાલિકાએ વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં લાવવા મુંબઈના 24 વોર્ડમાં પોતાની સ્પેશિયલ ટીમ ફરીથી કાર્યાન્વિત કરવાની સૂચના કરી છે. આ ટીમમાં વોર્ડ કાર્યાલયના બે એન્જિનિયર અને એક પોલીસ કર્મચારીનો સમાવેશ છે. આ વર્ષથી તમામ ટીમમાં પર્યાવરણ વિભાગના એક અધિકારીનો સમાવેશ ફરજિયાત કરવામાં આવ્યો છે. પ્રદૂષણ ટ્રેકિંગ અને મોનિટરીંગ વાહન સહિત વોર્ડના વિકાસકામો પર તેમની નજર રહેશે. વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે મહાપાલિકાએ 28 માર્ગદર્શક સૂચના જારી કરી છે. આ સૂચનાની અમલબજાવણી કરવી શહેરના તમામ ડેવલપરો માટે ફરજિયાત છે. એના પર દેખરેખ રાખવા દરેક વોર્ડ સ્તરે ટીમ નિમવાની સૂચના કરી છે. શિયાળામાં પીએમ 2.5 અને પીએમ 10 એમ બંને પ્રદૂષકોનું પ્રમાણ વધતું હોવાથી પ્રશાસને આ તકેદારી લીધી છે. દરેક વોર્ડમાં તમામ બાંધકામ અને તોડકામ પ્રકલ્પની દરરોજ તપાસ આ સ્પેશિયલ ટીમ તરફથી કરવામાં આવશે. આ દરેક ટીમને વિકાસકામનો ફોટો, સમય અને જીપીએસ લોકેશન સહિત નોંધ કરવી ફરજિયાત છે. વિકાસકામમાં કોઈ પણ ત્રુટિ જણાશે તો સંબંધિત ડેવલપર, પ્રાધિકરણને કારણ દર્શાવો નોટિસ અથવા કામ બંધ કરવાની નોટિસ ટીમ તરફથી આપવામાં આવશે. વિકાસકામના ઠેકાણે ધુળ નિયંત્રણ માટે પાણી છાંટવામાં આવે છે કે નહીં, બાંધકામ સામગ્રી ઢાંકીને રાખી છે કે નહીં.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:31 am

આ વર્ષે ડિજિટલ પદ્ધતિથી વસતિ ગણતરી:સતર વર્ષ પછી વસતિ ગણતરી, મુંબઈમાં ચેંબુરથી પૂર્વતૈયારી શરૂ

સતર વર્ષ પછી દેશમાં વસતિ ગણતરી થવાની છે. આ વસતિ ગણતરીની પૂર્વતૈયારીની ચેંબુર, ગોવંડીના ભાગવાળા એમ પશ્ચિમ વોર્ડથી શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષે વસતિ ગણતરી ડિજિટલ પદ્ધતિથી થશે. આ પહેલાં 2010માં વસતિ ગણતરી થઈ હતી. દર દસ વર્ષે કરવામાં આવતી વસતિ ગણતરી હવે સતર વર્ષ પછી થવાની છે. વસતિ ગણતરીની તૈયારીના એક ભાગ તરીકે મુંબઈ મહાપાલિકાના એમ પશ્ચિમ વોર્ડમાં પૂર્વતૈયારી શરૂ થઈ છે. એમાં વસતિ ગણતરીની તમામ બાબતોનો સમાવેશ છે. વસતિ ગણતરી 2027ના પ્રથમ તબક્કાની એટલે કે ઘરની યાદી અને ઘરની ગણતરીની પૂર્વતૈયારી 10 થી 30 નવેમ્બર 2025ના સમયગાળામાં બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે. પૂર્વતૈયારી અંતર્ગત સ્વગણતરી કરવાનો વિકલ્પ પણ 1 નવેમ્બર 2025થી 7 નવેમ્બર 2025ના સમયગાળામાં ઉપલબ્ધ કરી આપવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં ઘરની યાદી અને ઘર ગણતરીની પૂર્વતૈયારી ચુનિંદા ત્રણ ક્ષેત્રમાં કરવામાં આવશે. પૂર્વતૈયારી માટે પસંદ કરાયેલા નમૂના ક્ષેત્રમાં મુંબઈ મહાપાલિકાના એમ પશ્ચિમ વોર્ડનો ચેંબુરનો ભાગ, જલગાલ જિલ્લામાં ચોપડા તહેસીલ અને કોલ્હાપુર જિલ્લામાં ગગનબાવડા તહેસીલની પસંદગી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:31 am

સિટી એન્કર:નેશનલ પાર્કમાં નવે.અંતથી લાયન સફારી, ડિસે.થી મિની ટ્રેન શરૂ

સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે બોરીવલીના નેશનલ પાર્કમાં પર્યટકો, કુદરતીપ્રેમીઓને સુવિધાઓ પૂરી પાડવા સાથે જ તેમને આકર્ષિત કરવા નવા નવા ઉપક્રમ શરૂ કરવામાં આવે છે. એના અંતર્ગત સુગંધ બાગ ઉદ્યાનનું વિસ્તરણ કરવામાં આવશે. તેમ જ નવેમ્બરના અંત સુધી આધુનિક સુવિધાઓથી સજ્જ લાયન સફારી સાર્વજનિક રીતે શરૂ કરવામાં આવશે.પર્યટકોનું ખાસ આકર્ષણ મિની ટ્રેન ડિસેમ્બર સુધી શરૂ કરવાની ઉદ્યાન પ્રશાસનની ઈચ્છા છે. ઉપરાંત ઉદ્યાનમાં ટાઈગર સફારીમાં વધુ એક નર વાઘ લાવવા બાબતે ચંદ્રપુર ઉદ્યાન પ્રશાસન સાથે ચર્ચા ચાલુ છે. નેશનલ પાર્કમાં વિવિધ પુનર્બાંધણી પ્રકલ્પ ચાલુ છે. ઉદ્યાનમાં ઓર્કિડોરિયમ અને વિવિધ પ્રકારના સુગંધી ફૂલઝાડના સમાવેશવાળો સુગંધી બાગનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. એ સાથે જ ગાંધી સ્મૃતિ મંદિરના પુનર્બાંધણીનું કામ પણ ચાલુ છે. એના માટે વિગતવાર રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. પર્યટકોને ઉદ્યાનમાં પ્રવેશ માટે લાઈનમાં ઊભા રહેવું ન પડે એ માટે ઓનલાઈન ટિકિટ સુવિધા પણ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. મુખ્ય પ્રવેશદ્વારથી કાન્હેરી ગુફાઓ સુધી બેટરી પર ચાલતા 10 ઈ-વાહનની ઓક્ટોબરથી શરૂઆત કરવામાં આવી છે. જો કે હવે એકાદ મહિનામાં વધુ 20 ઈ-વાહનનો ઉમેરો થશે. પાર્કમાં અંદર પ્રવાસ સુધારવા માટે કાર્યરત 6 ઈ-બસ સાથે વધુ 9 બસ શરૂ કરવામાં આવશે. 500 સાઈકલ વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ઉદ્યાનનું ખાસ આકર્ષણ મિની ટ્રેનનું નૂતનીકરણ ચાલુ છે. એનું કામ અંતિમ તબક્કામાં છે. ડિસેમ્બરના અંત સુધી પર્યટકો માટે મિની ટ્રેન શરૂ કરવામાં આવશે. આ બધા પ્રકલ્પ ઝડપી પૂરી થાય એ માટે કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તથા ઉત્તર મુંબઈના સંસદસભ્ય પિયુષ ગોયલે સતત ઉદ્યાન પ્રશાસન સાથે બેઠકો લીધી હતી વધુ એક નર વાઘ: પાર્કમાં લાયન સફારીનું પુનર્નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એમાં પ્રાણીઓ માટે સુધારેલા પાંજરા, પર્યટકોને જોવા માટે આકર્ષક એરિયા અને આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. સાર્વજનિક બાંધકામ વિભાગ તરફથી આ કામ કરવામાં આવે છે. નવેમ્બરના અંત સુધી લાયન સફારી સાર્વજનિક રીતે ખુલ્લા મૂકવામાં આવશે. તેમ જ ટાઈગર સફારીમાં અત્યારે 10 વાઘ (2 નર, 5 માદા અને 3 બચ્ચા) છે. આ આકર્ષણમાં ઉમેરો કરવા વધુ એક નર વાઘ લાવવા માટે ચંદ્રપુર ઉદ્યાન પ્રશાસન સાથે ચર્ચા ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:28 am

બિસ્માર રસ્તાઓ:ગંદા પાણીના નિકાલ માટે ગટર તો‎ બનાવાઈ પણ સફાઇ જ થતી નથી‎

સુરેન્દ્રનગરમાં આવેલી વઢવાણ જીઆઇડીસીએ શહેરની જીવાદોરી છે. પરંતુ જીઆઇડીસીના રસ્તાઓ ઉપર 2-2 ફૂટના ખાડા જોવા મળે છે. જીઆઇડીસીમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર તો બનાવવામાં આવી છે. પરંતુ તેની સફાઇ કરાતી નથી. ખાસ કરીને ચોમાસાના સમયમાં ગટરો બંધ થઇ જતા પાણીનો નિકાલ થતો નથી. રસ્તાની બાજુએ નજર કરો તો ગંદકીના ઢગલા પડેલા દેખાશે. કેટલાક કારખાનામાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. આથી દર મહિને કારખાનાના માલિકો પાણી માટે પૈસા ખર્ચી રહ્યા છે. મેડિકલ હોલ, ડીમાર્ટ ચોકડીથી અંદરનો રસ્તો, રીમટેક્ષ રોડ, મૂળચંદ રોડની તો હાલત ખૂબ ખરાબ છે. આ જીઆઇડીસીમાં દરરોજના અંદાજે 5 હજારથી વધુ નાના મોટા વાહનો આવે છે. જેમને રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. તેમાં પણ ભારે વજન ભરેલા વાહનોને અવાર નવાર નુકસાન થાય છે. જીઆઇડીસી અંદાજે 156 હેકટર જમીનમાં નાના મોટા ઉદ્યોગ આવેલા છે. જ્યાં જવા આવવા માટેના નાના મોટા ભાગના રસ્તા વર્ષો પહેલા બનાવવામાં આવ્યા છે. પરંતુ વર્તમાન સમયે રસ્તા બિસમાર હાલતમાં છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:27 am

કચરામાંથી કંચન:મનપા 2.50 લાખ મેટ્રિકટન કચરામાંથી‎પ્લાસ્ટિક અલગ કરી દાણાં બનાવશે‎

વિપુલ જોષી સુરેન્દ્રનગર મનપા શહેરમાં 52થી વધુ ગાડીઓ દોડાવી ડોર ટુ ડોર કચરો ઉઘરાવી રહી છે. આ કચરાનો નિકાલ વઢવાણ, ખમીસાણા રોડ ઉપર આવેલી મનપાની ડમ્પીંગ સાઇટમાં થઇ રહ્યો છે. હાલ આ ઢગ 2.50 લાખ મેટ્રીક ટન સુધી પહોંચી ગયો છે. જેનું ટ્રોમીંગ મશીનથી આદ્યુનિક ઢબે નિરાકરણ લવાશે. સુરેન્દ્રનગર મનપા દ્વારા વર્તમાન સમયે શહેરમાંથી અંદાજે 70થી 80 ટન ભીનો-સૂકો કચરો ભેગો કરી રહી છે. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જે લોકો ઉપયોગ કરે છે. તેનો નિકાલ મુશ્કેલ બન્યો છે. રોજ એકઠા થતાં કચરાનો પણ નિકાલ જરૂરીમનપા જૂના જમા થયેલા કચરાના ઢગલાઓના નિકાલ માટે પ્રોજેકટ અમલી બનાવે છે તે ખુબ જરૂરી છે.એકાદ વર્ષમાં જુના કચરાનો નિકાલ થઇ પણ જશે.પરંતુ વર્તમાન સમયે જે દરરોજ 70થી 80 ટન કચરો ભેગો કરવામાં આવે છે. તેનો પણ નિયમીત નિકાલ કરવો જરૂરી છે. નહીં તો બે ચાર વર્ષ માં પાછા કચરાના ઢગલાઓ ખડકાઇ જશે. ટ્રોમીંગ મશીનથી પ્લાસ્ટિક અને પથ્થર છૂટા પડશે ડમ્પીંગ સાઇટ ઉપર ભીનો અને સૂકો બંને પ્રકારનો કચરો આવતો હોય છે. ટ્રોમીંગ મશીન આ કચરાનું વર્ગીકરણ કરી તેમાંથી પથ્થર, પ્લાસ્ટિક સહિતનો કચરો અલગ તારવશે. જેમાં પ્લાસ્ટિકને પ્રોસેસીંગ કરી તેના દાણાં બનાવવામાં આવશે. જેનો જુદી જુદી કંપનીમાં ડામર રોડ ઉપર પાથરવામાં ઉપયોગ થતો હોય છે તેમ નિવૃત્ત મામલતદાર રમેશભાઇ ગોસાઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:26 am

હાઈસ્કૂલમાં સામાજિક જાગૃતિ તરફ સકારાત્મક પગલું!:અંધેરી પૂર્વમાં શાળાના વિદ્યાર્થીઓએ એન્ટી ડ્રગ્સ જાગૃતિ રેલીમાં ભાગ લીધો

શ્રી નાગરદાસ ધારસી ભુતા હાઈસ્કૂલ, અંધેરી (પૂર્વ)ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક એન્ટી-ડ્રગ અવેરનેસ રેલીમાં ભાગ લીધો. આ અસરકારક રેલીનું આયોજન શાળાએ અંધેરી પોલીસના સહયોગથી 10 નવેમ્બર, 2025ના રોજ કરવામાં આવ્યું હતું. ધોરણ 8 થી ધોરણ 10 સુધીના આશરે 500 વિદ્યાર્થીઓએ આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલી સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી યોજાઈ હતી. રેલીનો માર્ગ નીચે મુજબ હતો. શ્રી નાગરદાસ ધારસી ભુટા હાઈસ્કૂલ, ઓલ્ડ નાગરદાસ રોડ, હાર્ટેક્સ જંકશન, આગરકર ચોક, પ્રસાદમ હોટેલ, અંધેરી પોલીસ સ્ટેશન. વિદ્યાર્થીઓએ માદક દ્રવ્યોના દૂષણ વિશે જાગૃતિ ફેલાવતાં સૂત્રોચ્ચાર કર્યા અને સંદેશાવાળા પ્લેકાર્ડ્સ લઈને રેલીમાં આગળ વધ્યા.વિસ્તારના નાગરિકોએ વિદ્યાર્થીઓની આ સામાજિક પહેલને ઉષ્માભર્યો અને સકારાત્મક પ્રતિસાદ આપ્યો. આ રેલીનું સફળ આયોજન શાળાના માનનીય ટ્રસ્ટી શુભેંદુ ભુતા, તેજશ્રી ભુતા તેમ જ શાળાના શિક્ષણ નિયામક ઉમાકાંત રાઉતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. શાળાના પ્રિન્સિપાલ તથા સમગ્ર શિક્ષકવર્ગે રેલીને સફળ બનાવવા માટે અગત્યનું યોગદાન આપ્યું. રેલી દરમિયાન અંધેરી પોલીસ સ્ટેશનના ડે શિફ્ટ સુપરવાઈઝર પીઓ અવિનાશ યેઓલા, સપોની પ્રમોદ મગર અને તેમની એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ ટીમ, એમપોની અભિલાષા ઇર્લાપલ્લે અને તેમની નિર્ભયા સ્ક્વોડ ટીમ, તેમજ શ્રી સંદીપ રાઠોડ, ભાસ્કર ગાયકવાડ અને બીટ માર્શલ સ્ટાફે સક્રિય સહભાગિતા દર્શાવી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં માદક દ્રવ્યોના દૂષણ અંગે જાગૃતિ વધારી અને સમાજને સ્વચ્છ, સ્વસ્થ અને સંયમિત જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:25 am

સિટી એન્કર:બોરીવલી-વિરાર દરમિયાન પાંચમી અને છઠ્ઠી લાઈનનું કામ 18% પૂરું

પશ્ચિમ રેલવેના બોરીવલી અને વિરાર સ્ટેશન દરમિયાન પાંચમી અને છઠ્ઠી લાઈન બિછાવવામાં આવી રહી છે. આ પ્રકલ્પનું કામ 18 ટકા પૂરું થયું છે. આ પ્રકલ્પના લીધે બોરીવલીથી આગળ પણ લોકલ અને મેલ-એક્સપ્રેસ માટે સ્વતંત્ર લાઈન મળવાથી પ્રવાસી પરિવહન ક્ષમતા વધારવામાં મદદ થશે. બાકીની જમીન અધિગ્રહણનુમ કામ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું હોવાથી આ તબક્કાનું કામ એમયુટીપી 3એ પ્રકલ્પ અંતર્ગત ચાલુ હોવાનુ અધિકારીએ જણાવ્યું હતું. પશ્ચિમ રેલવે મારફત પાંચમી અને છઠ્ઠી લાઈનનું કામ ચાલુ છે. અત્યારે ખાર અને કાંદિવલી દરમિયાન છઠ્ઠી લાઈન તૈયાર છે અને એનું બોરીવલી સુધી વિસ્તરણ વર્ષના અંત સુધી કરવામાં આવશે. પ્રકલ્પના આગળના તબક્કાનું કામ મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશ મારફત ચાલુ છે. પશ્ચિમ રેલવેમાં બોરીવલી અને વિરાર દરમિયાન 26 કિલોમીટરની પાંચમી અને છઠ્ઠી લાઈન તૈયાર કરવામાં આવી રહી છે. બોરીવલી-વિરાર પ્રકલ્પ માટે 2 હજાર 184 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ ખર્ચ રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉંચકશે. પશ્ચિમ રેલવે ઉપનગરીય માર્ગમાં ગિરદી ઓછી થવા માટે અને ઉપનગરીય લોકલ સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસનું વિભાજન કરવા માટે આ તબક્કો મહત્વનો ગણવામાં આવે છે. પ્રકલ્પમાં ભાઈંદર અને નાયગાવ સ્ટેશન દરમિયાન ખાડી પર બે મહત્વના પુલ બાંધવામાં આવશે. આ પુલ વસઈ ખાડી પર હશે. આ કામ 36 મહિનામાં પૂરું થવું અપેક્ષિત હોવાનું અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. જમીન અધિગ્રહણ ઝડપીખાનગી જમીન મેળવવાની પ્રક્રિયામાં 1.81 હેકટરમાંથી 1.40 હેકટર જમીનનો તાબો પહેલાં જ મળ્યો છે. બાકીની જમીન કાયદાકીય પ્રક્રિયામાં છે. 0.67 હેકટર સરકારી જમીન પ્રકલ્પ માટે ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. લગભગ 13.62 હેકટર મેનગ્રોવ્ઝ એરિયાનું સંપાદન ચાલુ છે અને તબક્કાવાર મંજૂરી મળી રહી છે. એના સહિત પર્યાવરણ મંત્રાલય તરફથી તબક્કો 1 અને તબક્કો 2 માટે મંજૂરી મળી છે. તેમ જ મુંબઈ હાઈ કોર્ટે મેનગ્રોવ્ઝ એરિયામાં કામ કરવા પરવાનગી આપી હોવાથી પ્રકલ્પની મહત્વની અડચણ દૂર થઈ છે. સ્ટ્રકચરલ કામ પણ ઝડપથીદહિસર, મીરી રોડ, ભાઈંદર, નાયગાવ અને વસઈ રોડ પરિસરમાં રેલવેના વિદ્યમાન સંરચનાનું સ્થળાંતર ચાલુ છે. રિલે રૂમ, કાર્યાલયો અને કર્મચારી નિવાસસ્થાન ઊભા કરવાનું કામ ઝડપથી ચાલુ છે. દહિસર, નાયગાવ અને નાલાસોપારા રેલવે સ્ટેશનમાં રાહદારી પુલ અને પ્લેટફોર્મ વિસ્તરણનું કામ પણ પ્રગતિ પર છે. માટીકામ માટે દહિસર-વસઈ રોડ વિભાગમાં સ્વતંત્ર ટેંડર મગાવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:24 am

નવી સેવાના કારણે 15 દિવસમાં 22 લાખની આવક:ટિકિટ માટે મધ્ય રેલવેના મોબાઈલ યુટીએસ સહાયકના કારણે પ્રવાસીઓના સમયની બચત

ટિકિટબારી સામે લાઈનમાં ઊભા રહ્યા વિના પ્રવાસીઓને સહેલાઈથી ટિકિટ મળે એ માટે મધ્ય રેલવે નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે. હવે પ્રવાસીઓને ઝડપથી ટિકિટ મળે એ માટે મધ્ય રેલવેએ મોબાઈલ યુટીએસ સહાયકોની નિમણુક કરી છે. આ કર્મચારીઓ દ્વારા ઝડપથી ટિકિટ આપવામાં આવે છે. આ નવી સેવાના લીધે ફક્ત પંદર દિવસના સમયગાળામાં 22.01 લાખ રૂપિયાની આવક મધ્ય રેલવેને થઈ. એટીવીએમ, યુટીએસ સિસ્ટમ, મોબાઈલ યુટીએસના માધ્યમથી પ્રવાસીઓને રેલવે ટિકિટ મળવાની સુવિધા ઉપલબ્ધ છે. જો કે ટિકિટબારી પર લાઈન ઓછી થતી ન હોવાથી પ્રવાસીઓની સગવડ માટે મધ્ય રેલવેએ હવે મોબાઈલ યુટીએસ સહાયક નિમીને નવો ઉપક્રમ અમલમાં મૂક્યો. મધ્ય રેલવેએ આ સુવિધા 31 ઓક્ટોબરના શરૂ કરી હતી. સીએસએમટી ખાતે ત્રણ યુટીએસ સહાયક નિયુક્ત કર્યા. તેમને એમ-યુટીએસ કર્મચારી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ એક મોબાઈલ અને એક નાનું ટિકિટ મશીન એમ બે સુવિધા લઈને ફરતા રહે છે. આ એમ-યુટીએસ સહાયક સીએસએમટી ટિકિટબારી પરિસરમાં હોય છે. ટિકિટબારી પર લાઈનમાં ઊભા રહેલા પ્રવાસીઓ પાસે જઈને ટિકિટના રૂપિયા લઈને તરત ટિકિટ આપે છે. એમ-યુટીએસ કર્મચારીઓને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તેમને ટિકિટબારીની અંદર બેસીને ટિકિટ આપવાની પરવાનગી આપવામાં આવી છે. ડિજિટલ અથવા રોકડ એમ બંને વ્યવહારથી ટિકિટ મેળવી શકાય છે. એમ-યુટીએસ સહાયક દ્વારા 31 ઓક્ટોબરથી ટિકિટ વેચાણની શરૂઆત કરવામાં આવી. 14 નવેમ્બર સુધી 14 હજાર 201 ટિકિટના વેચાણથી 22.01 લાખ રૂપિયાની આવક મળી છે. ભારતીય રેલવેએ નવી દિલ્હી, કોલકાતા, બેંગલુરુ, ચેન્નઈ અને સીએસએમટી સ્ટેશન પર એમ-યુટીએસ સહાયક નિમવાની શરૂઆત કરી. ટિકિટ તરત મેળવવા માટે આ સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. આ સેવાના કારણે સમય બચશે. પ્રવાસીઓએ આ સેવા વાપરવા પર ભાર મૂકવો એવી મધ્ય રેલવે પ્રશાસને કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:23 am

મંડે પોઝિટીવ:મઢ-વર્સોવા પુલ પ્રકલ્પને આખરે કેન્દ્ર સરકારની પર્યાવરણીય મંજૂરી

કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને હવામાન ફેરફાર મંત્રાલયે રાજ્ય સરકારની ભલામણ બાદ મઢ-વર્સોવા પુલ પ્રકલ્પને પર્યાવરણીય મંજૂરી આપી છે. લગભગ 2400 કરોડ રૂપિયાના ખર્ચવાળા આ મહત્વના પાયાભૂત પ્રકલ્પ માટે એક નિર્ણાયક બાબત છે. તેથી 1967ની વિકાસ રૂપરેખામાં પ્રથમ વખત સૂચવવામાં આવેલા અને લાંબા સમયથી રખડી પડેલા આ પ્રકલ્પને હવે ઝડપ મળશે. મુંબઈના પશ્ચિમ ઉપનગરોની ટ્રાફિકજામની સમસ્યા પર ઉકેલ તરીકે મઢ અને વર્સોવા એમ બે સમુદ્રકિનારાને પુલથી જોડવામાં આવશે. મુંબઈ મહાપાલિકાએ આ પ્રકલ્પ હાથમાં લીધો છે. આ પ્રકલ્પ માટે લગભગ 2400 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. આ પ્રકલ્પ માટે સીઆરઝેડની પરવાનગી પહેલાં જ મળી ગઈ છે. આ પ્રકલ્પને કેન્દ્ર સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયની પરવાનગીની પ્રતિક્ષા હતી. રાજ્ય સરકારે આ પ્રકલ્પને ગ્રીન સિગ્નલ દેખાડ્યું છે અને કેન્દ્ર સરકાર પાસે આ પ્રકલ્પની પર્યાવરણીય મંજૂરી માટે ભલામણ કરી હતી. એ અનુસાર આખરે આ પ્રકલ્પને પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી છે. વિવિધ પરવાનગીઓના અભાવે આ પ્રકલ્પનું કામ રખડી પડ્યું હોવાથી કેન્દ્રિય મંત્રી અને ઉત્તર મુંબઈના સંસદસભ્ય પિયુષ ગોયલે આ પ્રકલ્પ માટે જરૂરી પરવાનગીઓ માટે પ્રયત્ન કર્યા હતા. પર્યાવરણના તમામ જરૂરી સંરક્ષણાત્મક ઉપાય સુનિશ્ચિત કરીને આ મહત્વના પાયાભૂત પ્રકલ્પની અમલબજાવણી ઝડપથી પૂરી કરવી એવી સૂચના ગોયલે રાજ્ય સરકારના અધિકારીઓને આપી હતી. રાજ્ય સરકાર અને મહાપાલિકાના સહકાર્યથી મઢ-વર્સોવા પુલ આધુનિક એન્જિનિયરીંગનું એક પ્રતીક સાબિત થશે. આ પુલ મુંબઈગરાને વધુ ઝડપી, સુરક્ષિત અને શાશ્વત જોડાણ આપશે જેના લીધે મુંબઈના પ્રવાસનો ચહેરો બદલાશે એવો વિશ્વાસ પિયુષ ગોયલે વ્યક્ત કર્યો હતો. મઢ-વર્સોવા પુલના લીધે મઢ આઈલેન્ડથી વર્સોવા પ્રવાસનો સમય 90 મિનિટથી ઓછો થઈને ફક્ત 5 મિનિટ થઈ જશે. એના લીધે ટ્રાફિકજામ ઓછો થઈને આર્થિક ઉપક્રમોને ઉત્તેજન મળશે. પ્રકલ્પની વિશેષતાઓ : આ પ્રકલ્પના કારણે મઢથી વર્સોવા પ્રવાસ 90 મિનિટના બદલે ફક્ત 5 મિનિટમાં પૂરો કરી શકાશે. બંને સ્થળ વચ્ચેનું અંતર 22 કિલોમીટરથી ઓછું થઈને ફક્ત 1.5 કિલોમીટર થશે. મઢ અને વર્સોવા સીધા રસ્તાથી જોડાશે જેના લીધે ફેરી પ્રવાસ અથવા મોટો આંટો મારીને પ્રવાસ કરવો નહીં પડે. વર્સોવા-ભાઈંદર સીલિન્કના જોડાણથી પશ્ચિમ મુંબઈમાં અખંડ પ્રવાસ શક્ય થશે. મઢ કિલ્લો અને સમુદ્રકિનારે સહેલાઈથી પ્રવેશ કરી શકાશે. એના લીધે સ્થાનિક વ્યવસાય અને રોજગારની તકને પ્રોત્સાહન મળશે. મઢ-વર્સોવા પુલ પ્રકલ્પના લીધે ચોમાસામાં બંધ રહેતી ફેરી સેવાનો વિકલ્પ ઉપલબ્ધ થશે. સ્થાનિક નાગરિકો, માછીમારો અને પર્યટકોને આખુ વર્ષ અખંડ પ્રવાસની સુવિધા ઉપલબ્ધ થશે. પર્યાવરણપૂરક દષ્ટિકોણ : પ્રસ્તાવિત કેબલ સ્ટે ડિઝાઈનના લીધે ઓછા થાંભલાની જરૂર પડશે. તેથી આસપાસના મેનગ્રોવ્ઝનું સંરક્ષણ થશે. પ્રવાસનો સમય અને ઈંધણના ખર્ચ ઓછો થવાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ પ્રકલ્પમાં સંતુલિત વનરોપણ અને પર્યાવરણીય દેખરેખ માટે મજબૂત યંત્રણા જેવા પર્યાવરણપૂરક ઉપાય અમલમાં મૂકવામાં આવશે જેના લીધે વિકાસ અને પર્યાવરણનું સંતુલન જળવાશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:21 am

3 આરોપીને સજા:જૂની સેઢાવીના હત્યાની કોશિશના ગુનામાં 3 આરોપીને 5 વર્ષની સજા

મહેસાણા તાલુકાના જૂની સેઢાવી ગામે પાંચ વર્ષ અગાઉ થયેલી મારામારીમાં હત્યાની કોશિશના કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે ત્રણ આરોપીને 5 વર્ષની સજાનો હુકમ કર્યો છે. જ્યારે સામા પક્ષે થયેલી ફરિયાદના ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાયા છે. જૂની સેઢાવીના મયુરસિંહ ચાવડાએ જૂની અદાવતમાં તેમની પર જીવલેણ હુમલો કરનાર ચાવડા અનિલસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભરતજી, ચાવડા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુજી હેમાજી અને ચાવડા ચેતનસિંહ જશુજી વિરુદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ મહેસાણા જિલ્લા પ્રિન્સિપલ સેશન્સ જજ એ.એલ.વ્યાસની કોર્ટમાં ચાલી જતાં, સરકારી વકીલ એસ.આર. પટેલે દલીલો તેમજ કોર્ટમાં રજૂ કરેલા પુરાવા આધારે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી આઈપીસી કલમ 307 મુજબ 5 વર્ષની સખત કેદ અને રૂ. 5000 દંડ અને દંડ ન ભરે તો વધુ 6 મહિનાની કેદની સજા તેમજ જીપી એકટ 135 મુજબ એક મહિનાની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:20 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:BLOની હૈયાવરાળ... ઓનલાઇન નામ શોધવામાં સમય લાગે છે, 2002ની યાદી મળી નથી તો મતદારનું નામ કેવી રીતે શોધવું

મહેસાણા શહેરમાં ગણતરી ફોર્મ ભરવામાં મતદારો અને વર્ષ 2002ની યાદીમાં નામ સર્ચ નહીં થતાં જવાબો આપવામાં બીએલઓ થાકી ગયા છે. જોકે, આ મુશ્કેલીઓ વચ્ચે રવિવારે કેટલાક બુથની મુલાકાત દરમિયાન સહાયક જોવા મળ્યા હતા. જે વિસ્તારની 2002ની યાદી મળી ત્યાં મતદારોના નામ શોધવામાં રાહત દેખાઇ. જોકે, હજુ ઘણા વિસ્તારની વર્ષ 2002ની મતદાર યાદી નહીં પહોંચતાં ત્યાં મતદારોના નામ શોધવા ની સમસ્યા યથાવત રહી છે. બીએલઓએ કહ્યું કે, ઓનલાઇન લિંકમાં નામ સર્ચ કરતાં લિંક બરોબર ચાલતી જ નથી. મોબાઇલથી નામ સર્ચ કરવામાં સમય વધુ લાગી રહ્યો છે, આવામાં ભાગ વિસ્તારની જૂની યાદી તંત્રથી મળે તો કામ સરળ બની શકે. લશ્કરી કૂવામાં ઘર નંબર જ નથીમગપરા બુથના બીએલઓએ જણાવ્યું. આ વિસ્તારની મતદાર યાદીમાં ઘર નંબર દર્શાવેલ છે પણ લશ્કરીકૂવા વિસ્તારમાં ઘરના નંબર જ આપેલા ન હોઇ મતદારોને શોધવામાં કસરત થઇ રહી છે. દિવ્યાંગજને પુત્રી સાથે આ વી ફોર્મ ભર્યુંધી ન્યુ પ્રોગ્રેસિવ સ્કૂલના બુથમાં રવિવારે દિવ્યાંગજન હિંમતલાલ તેમની પુત્રી સાથે બીએલઓને ગણતરી ફોર્મ આપવા આવ્યા હતા. તેમણે વર્ષ 2002ની યાદીમાં ડીસામાં નામ હોઇ તેની વિગતો મેળવીને ફોર્મ ભરીને જમા કરાવ્યું હતું. અંધેરીમાં એક પરિવાર ત્રણ બીએલઓમાં અંધેરી વિસ્તારમાં કેટલાક પરિવાર એવા છે કે તેમના નામો અલગ અલગ માં છે. એટલે કે, ત્રણ બીએલઓને મતદારો વહેંચાયા છે. જેમાં એક ઘરમાં પાંચ મતદારો હોય તો અલગ અલગ બીએલઓમાં ફોર્મ પહોંચાડવા સહિતની મુશ્કેલી પડી રહી છે. ભરેલ ફોર્મ પડોશીને આપેલું છે, મેળવી લેજોતેમ એક મતદારે કહ્યું. હવે 1200 મતદારો હોય તેમાં આ મતદારના પાડોશીને કેવી રીતે યાદ રાખવાના? { સોસાયટીમાં ઘરે ઘરે ફરીને ફોર્મ પરત લેવા ગયેલા બીએલઓને મહિલા મતદારે કહ્યું, હાલ વાસણ ધોઉં છું, પછી આવજો. પાછળથી આપી ગયા . { ચૂંટણી પંચ મુજબ ગણતરી ફોર્મ રીસિવિંગમાં મતદારની સહી લેવાની છે. જેમાં કોરા ફોર્મમાં સહી કરીને કેમ લીધું તેને લઇ બીએલઓ સામે મતદારો સવાલો કરે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:18 am

લૂંટવાનો પ્રયાસ:સિદ્ધપુરમાં વેપારી પર હુમલો કરી ગાડીમાંથી રૂ.ચાર લાખ ભરેલી બેગ લૂંટવાનો પ્રયાસ

સિદ્ધપુર માં રિક્ષામાં ભરેલી ખાતર ની થેલી કેમ ઉતરાવી હતી તેમ કહીં છ શખ્સો એ વેપારી પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ગાડીમાં થી 4,00,000 ભરેલી બેગ લૂંટવાનો પ્રયત્ન કર્યો હોવાની વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સિદ્ધપુર માં રેલવે માલ ગોડાઉનમાં ગવર્મેન્ટ રાસાયણિક ખાતરના પરિવહનનો વ્યવસાય કરતાં વેપારી મિહિર કુમાર અજીત કુમાર ત્રિવેદી 14 નવેમ્બરે રાત્રે 8:15 ના અરસામાં ગોડાઉનના પ્લેટફોર્મ ઉપર ઊભા હતા જે સમયે એક રિક્ષામાં સિદ્ધપુરનો હિતેશજી ચંદુજી ઠાકોર અને એક અજાણ્યો શખ્સ યુરિયા ખાતર ની થેલીઓ પ્લેટફોર્મ ઉપરથી લઈ રિક્ષામાં મુકતા હતા. મિહિરભાઈ ને ચોરીની શંકા જતાં તેમણે રિક્ષામાં ભરેલી ત્રણ થેલીઓ પ્લેટફોર્મ ઉપર પાછી મુકાવી હતી.જે સમયે બંને તેમને ધમકી આપી જતા રહ્યા હતા બાદમાં મિહિરભાઈ અને તેમના મોટાભાઈ અંકુરભાઈ ત્રિવેદી ચાર લાખ લઈ ગાડી માં ઘરે જતા હતા.રાત્રે 8:45 વાગે પ્લેટફોર્મની બહાર નીકળતા હતા તે વખતે ખૂણા પર છ શખ્સો ઊભા હતા તેમને ગાડી ઉભી રાખવાનો ઈશારો કરતા ગાડી ઉભી રાખી નીચે ઉતર્યા હતા. હિતેશજી એ રિક્ષામાં ભરેલ ખાતરની થેલી કેમ ઉતરાવી હતી કેમ કહીં મિહિરભાઈ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી.અંકુરભાઈ આ લોકોને સમજાવતાં હતા ત્યારે મિહિરભાઈ પર યુવરાજ ઉર્ફે મોન્ટુ એ લોખંડની પાઇપ થી હુમલો કર્યો હતો જ્યારે દિલીપજી ઉર્ફે ટેટી એ પથ્થર માર્યો હતો. બીજા શખ્સો એ તેમને ગડદા પાટુથી મારપીટ કરી હતી. યુવરાજ અને દિલીપજી બંને જણાગાડી માંથી ચાર લાખ ભરેલી બેગ કાઢવા નો પ્રયત્ન કરી રહ્યા હતા તે વખતે અંકુરભાઈ ત્યાં પહોંચી જઈ બેગ તેમની પાસે લઈ લીધી હતી. તેમણે બૂમાબૂમ કરતા આજુબાજુ માંથી બીજા લોકો આવી ગયા હતા ત્યારે આરોપીઓ નાસી ગયા હતા.મિહિરભાઈ અર્ધ બેભાન અવસ્થામાં સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમને માથામાં સામાન્ય હેમરેજ થયું હતું ઘટન અંગે સિદ્ધપુર પોલીસમાં મથકે તેમણે સિધ્ધપુરનાં હિતેશજી ચંદુજી ઠાકોર યુવરાજ ઉર્ફે મોન્ટુ દેવેન્દ્રજી ઠાકોર જયેશજી દેવેન્દ્રજી ઠાકોર દિલીપજી ભુપતજી ઠાકોર અને બીજા અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:15 am

ભાસ્કર ઈનસાઈડ:સાંતલપુરના છાણસરા પ્રા. શાળામાં 10 માસ પહેલા બનેલા રૂમની દીવાલોમાં સિમેન્ટનાં પોપડાં ઉખડ્યાં

સાંતલપુર તાલુકાના છાણસરા ગામે પ્રાથમિક શાળામાં નવા રૂમ અને ફ્લોરિંગનું કામ મંજૂર થયા બાદ અંદાજે 10 મહિના પહેલા બાંધકામ શરૂ થયું હતું. પરંતુ આ કામમાં ગંભીર બેદરકારી અને હલકી ગુણવત્તા સામે આવી રહી છે. સાંતલપુર તાલુકાના છાણસરા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેના માટે 10 રૂમ છે નવો પ્રાર્થનાખંડનું બાંધકામ 10 મહિના પહેલા શરૂ થયું હતું. જેમાં રિપોર્ટ મુજબ અનેક ખામીઓ બહાર આવી હતી. જેમાં બાંધકામ પૂરું થયા બાદ થોડા જ મહિનામાં નવા રૂમની દીવાલોમાંથી સિમેન્ટના પોપડા ઉખડવા લાગ્યા છે. ફ્લોરિંગમાં પણ સ્પષ્ટ રીતે ખરાબ કામ થયાનું જોવા મળ્યું છે. ગામમાં ચર્ચા છે કે કોન્ટ્રાક્ટરે અંદાજિત ખર્ચ અને ગુણવત્તા ધોરણોની અવગણના કરીને કામ ‘ઓછા ખર્ચે પૂરું’ કરવા પ્રયત્ન કર્યો હતો. ગ્રામજનો અને વાલીઓએ તાલુકા તંત્રને માંગ કરી છે કે બાંધકામની ગુણવત્તાની તપાસ કરવી અને ગેરકાયદે લાઈટ કનેક્શન અને બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી માંગ હતી. કામગીરીમાં થાંભલા પરથી લાઈટ ખેંચી હતીકામ દરમિયાન કોન્ટ્રાક્ટરે નિયમ મુજબ લાઈટ માગવાની જગ્યાએ થાંભલા ઉપરથી વાયર ખેંચીને સીધી લાઈટ લીધી હતી. આ વાયર ખુલ્લા મેદાનમાંથી પસાર થતાં શાળાના વિદ્યાર્થીઓની અવરજવર વચ્ચે પડી રહ્યો હતો. આ કારણે કોઈપણ સમયે વિદ્યુત અકસ્માતની આશંકા સેવાઈ રહી છે. લાઈટ બાબતે કોઈ જાણ નથી : શાળા મુખ્યશિક્ષકઆ મુદ્દે મુખ્ય શિક્ષકનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે મને આ લાઈટ બાબતે કોઈ જાણ નથી. વેકેશન દરમિયાન કામદારો દ્વારા થાંભલા પરથી લાઈટ લેવામાં આવી હતી.તેમણે વધુમાં કહ્યું કે બગડેલા કામ અંગે કોન્ટ્રાક્ટરને ફરીથી કામ કરવાની સૂચના આપેલ છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:14 am

બેગ પરત અપાવી:પાટણ નેત્રમ ટીમે રિક્ષામાં ભૂલી ગયેલ બેગ મહિલાને પરત અપાવી

અમદાવાદના ચાંદખેડામાં રહેતા માધુરીબેન પરમાર અમદાવાદથી રેલવે મારફતે પાટણ આવ્યા હતા.પાટણના નિર્મળનગરમાં રહેતા તેમના ફઇના ઘરે જવા તેઓ રેલવે સ્ટેશન આગળથી રિક્ષામાં બેઠા હતા.નિર્મળનગરમાં તેમના ફઇના ઘરે પહોંચી રિક્ષામાંથી ઉતરતી વખતે 3 હજાર રોકડ તથા અન્ય કિંમતી વસ્તુઓ ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા. અને રિક્ષા ત્યાંથી નીકળી ગઇ હતી.જેથી આ મહિલાએ તાત્કાલિક પાટણ નેત્રમનો સંપર્ક કરતા નેત્રમ ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ હેઠળ લાગેલા સીસીટીવી કેમેરાઓની ચકાસણી કરતાં કેમેરાના આધારે રીક્ષાની ઓળખ કરી રિક્ષાનો નંબર મેળવી રિક્ષા ચાલકનો સંપર્ક કરતા રિક્ષા ચાલક દ્વારા જણાવેલ કે બેગ રિક્ષામાં પડેલી છે.જે બેગ રિક્ષા ચાલક પાસેથી મેળવી અરજદારને પરત સોંપી હતી.આમ સીસીટીવી કેમેરાની મદદથી નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર પાટણ દ્વારા રિક્ષામાં ભૂલી ગયેલ બેગ શોધી મહિલાને પરત અપાવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:12 am

ઠંડીમાં રખેવાળી:ખેતરમાં વૃક્ષ નીચે જમીનથી 6 ફૂટ ઊંચું માળિયું બનાવી ખેડૂત આખી રાત તેના પર રહી રખેવાળી

પાટણ| સરસ્વતીના નાયતા ગામે ખેતરમાં વાવેતર કરેલા જુવારના પાક રખડતા ઢોર, ભૂંડ કે અન્ય પ્રાણીઓ ભેલાણ કરી નાશ ના કરે માટે રખેવાળી કરવા શિયાળામાં રાત્રે ખેડૂતો ખેતરમાં રહી ઉજાગરા કરી રખેવાળી કરી રહ્યા છે . તસવીરમાં નાયતા ગામના ખેડૂત ચેતનજી ઠાકોર રાત્રે ખેતરમાં રખેવાળી કરતા જોવા મળી રહ્યા છે. ખેડૂતો રાત્રે શિયાળામાં ઠંડીના સમયમાં પણ ખેતરની રખેવાળી માટે ઠંડી ઓછી લાગે માટે ખેતરના કોઈ વૃક્ષ નીચે જમીનથી 5થી 7 ફૂટના અંતરે ઊંચાઈવાળું માળિયા બનાવીને એમાં રાત વિતાવીને રખેવાળી કરે છે. આ માળીયો લાકડાની થાંભલીઓનો બનાવે છે અને થાંભલી ઉપર ખાટલો ગોઠવીને દોરીથી બાંધીને સુરક્ષિત કરે છે જેના ઉપર રાત રહે છે. તસવીર-જેણાજી ઠાકોર

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:11 am

ભાસ્કર બ્રેકિંગ:પાટણમાં પાલિકાના 8 બગીચાઓમાં સોલર પ્લાન્ટ બનાવવા DPR પ્લાન તૈયાર કરાશે

પાટણ નગરપાલિકા દ્વારા દર વર્ષે આવતા લાખો રૂપિયાના બિલનું ધારણ ઘટાડવા માટે હવે સોલાર ઊર્જાનો વપરાશ કરવા માટે વિચારણા કરી પાલિકા હસ્તકના 8 બગીચાઓમાં સોલાર પ્લાન્ટ તૈયાર કરવા માટે આયોજન કરી તેનો ડીપીઆર પ્લાન તૈયાર કરવામાં આવનાર છે. પાટણ નગરપાલિકા દ્વારા હાલમાં પાલિકાના બિલ્ડીંગ પર સોલર પ્લાન્ટની કામગીરી શરૂ કરી છે તેમજ પાલિકા હસ્તગત આઠ બગીચાઓની અંદર સોલાર પ્લાન્ટ માટે ડીપીઆર તૈયાર કરાઈ રહ્યો છે સાથે સાથે શહેરમાંથી પસાર થતી ખુલ્લી કેનાલો ઉપર રૂ.25 કરોડના ખર્ચે આરસીસીથી બાંધકામ કરી અને તેના ઉપર સોલર પ્લાન્ટ કરીને વીજ પાવર ઉત્પાદન કરી પાલિકાને દર વર્ષે વીજની મોટી રકમની બચત થાય સાથે વીજ ઉત્પાદનથી એક નવી આવક ઊભી થાય માટે આયોજન કરાયું છે. શહેરની પાણીની કેનાલો અંડરગ્રાઉન્ડ કરી તેના ઉપર સોલાર પ્લાન્ટ બનાવી વીજ ઉત્પાદન કરાશે: પ્રમુખપાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે શહેરની અંદર ગોલ્ડન ચોકડીથી આનંદ સરોવર આનંદ સરોવરથી લાલેશ્વર પાર્ક સુધીની જે ખુલ્લી કેનાલ છે જેના ઉપર આરસીસીથી સ્ટ્રકચર બાંધીને ખુલ્લી કેનાલને અંડર ગ્રાઉન્ડ કરી દેવી અને ઉપર બાંધેલા આરસીસી ઉપર સોલર પ્લાન્ટ ફીટ કરીને વીજ ઉત્પાદન કરી પાલિકાને આવક કરવાનો નવો પ્રોજેક્ટ પ્રગતિમાં છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:10 am

પોલીસે કાયદાનું ભાન કરાવ્યું:પાલનપુરમાં સલૂનમાં તોડફોડ કરનાર આરોપી ઝબ્બે‎

પાલનપુરમાં થાર કાર વડે સલૂનમાં તોડફોડ કરનાર આરોપીને પાલનપુર પશ્ચિમ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ઘટનાસ્થળે લાવી માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. પાલનપુરના એરોમા સર્કલ નજીક આવેલ ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં શનિવારના સાંજે ચાર વાગ્યાની આસપાસ આર્યન કાંતિભાઈ નાઈએ પોતાની થાર કારને લેજન્ડ ધ ફેમેલી સલૂન દુકાનના કાચના દરવાજા પર થાર કારને વારંવાર અથડાવી કાચ અને ફર્નિચરને નુકશાન પહોંચાડતા દુકાન માલીક અલ્પેશભાઈ ભેમાભાઈ નાઈ (રહે.ડુચકવાડા, તા.દિયોદર)આ બાબતે આર્યન નાઈને પૂછતા તે ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલતા દુકાન માલિકે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ સમગ્ર ઘટના ના આધારે ગણતરીના કલાકોમાં આરોપી આર્યન કાંતિભાઈ નાઈ (રહે.ગોકુલધામ સોસાયટી, શિવધારા પાસે પાલનપુર)ને ઝડપી ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ઘટનાસ્થળે આરોપીને જોઈને લોકો ભેગો થઈ ગયા હત.પોલીસે આરોપીને ફરિયાદીની માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. ગાડી દુકાનમાં ઘૂસાડી તોડફોડ ની ઘટના કેમેરામાં કેદ થઈ હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:08 am

ગામ ગામની વાત:ધનિયાણામાં મહંતના આગમન પછી ગામલોકોમાં ભક્તિભાવ જાગ્યો‎

પાલનપુર તાલુકાના ધનિયાણા ગામે 22 વર્ષ પહેલા આવેલા મહંતશ્રીએ શિવજી, મહાકાળી માતાજી અને રામદેવપીરજીના નાના મંદિરનો જીર્ણોધ્ધાર કરી મોટુ મંદિર બનાવ્યું હતુ. ગામમાં ભક્તિભાવની આહલેક જગાવી હતી. જોકે, આજે આ દુનિયામાં નથી રહ્યા પરંતુ તેમની આપેલી પ્રેરણાથી તેમની શિષ્યા ધર્મની ધજા લહેરાવી ગામમાં ભક્તિભાવની લહેર પ્રસરાવી રહ્યા છે. પાલનપુર તાલુકાના ધનિયાણા ગામના લોકો ભક્તિભાવમાં પરોવાયા છે. ગામમાં ભજન મંડળી બનાવી છે. જેઓ આજુબાજુના ગામોમાં જઇ ભજન - કિર્તન કરે છે. મુશ્કેલીના સમયમાં યુવકો એક થઇ તન મન ધનથી મદદ કરે છે. આ ભાવના મુળ 22 વર્ષ પહેલા 2002માં ગામના મંદિરમાં રહેવા આવેલા મહંતશ્રી પ્રકાશગીરી બાપુએ આપી હતી. જોકે, તેઓ હાલમાં આ દુનિયામાં નથી રહ્યા. આ અંગે તેમના શિષ્યા શ્રી મહંતપુષ્પગીરીજી મહારાજ પરમપૂજય ગુરૂ મહંતશ્રી પ્રકાશગીરીબાપુએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતુ કે, વર્ષ 2011 માં મહંતશ્રી પ્રકાશગીરીજી બાપુએ શ્રી શનેશ્વર મહાદેવજી મંદિર, શ્રી દક્ષિણેશ્વરી કાલી માતાજી મંદિર, શ્રી રામદેવપીરજી મંદિર બનાવી 108 કુંડી યજ્ઞ કરી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. તેઓ બ્રહ્મલીન થયા પછી પણ વિજય હનુમાન શક્તિ આશ્રમમાં ભજન, કિર્તન, સત્સંગ, ભાવ અને સાધુ- સંતોને ભોજન અપાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:06 am

હુમલો:ધારગઢ દરવાજા પાસે પ્રૌઢ પર 4 શખ્સનો હુમલો, ગંભીર ઇજા

શહેરમાં ધારગઢ દરવાજા પાસે પ્રૌઢ પર 4 શખ્સનો હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે મળતી વિગતો અનુસાર શહેરમાં ધારગઢ દરવાજા રોડ, બેગુ માં ના ડેલામાં કબ્રસ્તાનની સામે રહેતા હાસમભાઇ ઇસ્માઇલભાઇ શેખ હુરે ઇલાહી મસ્જીદ કબ્રસ્તાનમા બેઠા હતા. ત્યારે ઇકબાલ હારૂનભાઇ કાદરીએ આવી તમે પાણીની નોજલ કેમ લઇ ગયા છો તેમ કહી ગાળો બોલી હાસમભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી પત્ની રૂકશાનાબેન તથા દિકરો સાહિલે વચ્ચે પડી હાસમભાઇને છોડાવી પોતાના ઘરે જતા રહ્યા હતા ત્યારે પાછળથી ધારાગઢ દરવાજા વિસ્તારમાં રહેતા ઇકબાલ હારૂન, જીશાન ફારૂક મતવા, તેનો ભાઇ સેબાજે છરી સાથે અને સાહિલ રફીક મતવાએ ધારીયુ લઇ ઘર પાસે આવી મકાન પર પથ્થરમારો કરી ફળીયામાં પડેલ બાઇકમાં નુકશાની કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાસમભાઇ પર હમલા કરી ગંભીર ઇજા પહોંચાડતા સારવારમાં ખસેડાયા હતા. ઘટના અંગે પોલીસે રૂકશાનાબેન હાસમભાઇ ઇસ્માઇલભાઇ શેખની ફરિયાદ લઈ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:ઓગસ્ટ કે નવેમ્બરના 2 પેકેજમાંથી ખેડૂતો કોઈ પણ એકમાં જ અરજી કરી શકશે, બંનેનો લાભ નહીં મળે !

સોરઠ પંથકમાં ઓગસ્ટ મહિનામાં પણ અતિભારે વરસાદ પડતાં ઘેડ પંથકમાં ગામોમાં પાણી ફરી વળ્યાં હતા અને ઉભા પાકમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેતાં વ્યાપક નુકસાન થયું હતું અને તંત્ર દ્રારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી બાદમાં સરકારમાં રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો અને બાદમાં ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું . જોકે બાદમાં નવેમ્બર મહિનામાં પાકની લણણી ચાલી રહી હતી અને તૈયાર પાક ખેતરમાં પડ્યો હતો અને છેલ્લા કેટલાક વર્ષમાં ક્યારેય ન થયું હોય તેવું માવઠું થતા મોટાભાગના વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું હતું અને ચારો પણ બગડી ગયો હતો બાદમાં સરકારે આશરે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું તેમની અરજી પ્રક્રિયા પણ હાલ શરૂ છે. અગાઉના નુકસાનની અરજી પણ થઈ રહી છે ત્યારે ખેડૂતોની મુંઝવણમાં વધારો થયો છે કારણ કે એકમાં અરજી કરવી કે બંન્નેનો લાભ મળી શકે આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓગસ્ટમાં જર નુકસાન થયું હતું અને લિસ્ટમાં જે ખેડૂતોના નામ છે તેમને અરજી કરવાની રહેશે એ લાભ લઇ લીધા બાદ નવેમ્બર એટલે કે માવઠાથી નુકસાનની સહાય નહીં મળી શકે. જિલ્લામાં 15936 ખેડૂતોએ‎અરજી કરી, આગળની પ્રક્રિયા શરૂ‎હાલ બે દિવસથી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે જે 15 દિવસ સુધી કાર્યરત રહેશે તેમાં બે દિવસમાં 15936 ખેડૂતોએ અરજી કરી છે જેમની આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.અને આગામી દિવસોમાં પેમેન્ટ ખાતામાં ટ્રાન્સફર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.7,8,12 ની નકલ કઢાવવા માટે‎સર્વર ઠપ્પ, ખેડૂતોને મુશ્કેલી‎આ અરજી શરૂ થઈ હોય જેમા ધરતીપુત્રોએ 7,8,12ની નકલ જોડવાની હોય ત્યારે ખેડૂતો ને 7,8,12 ની નકલની પણ જરૂરિયાત રહેતી હોય તે કઢાવવા માટે વી.સી.ઇ પાસે જતા હોય છે પરંતુ આ સાઈટ ધીમી ચાલતી હોય અથવા સાવ બંધ રહેતી હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

મંડે પોઝિટીવ:કર્મભૂમીમાં રહી આઇ સોનલ માંએ શિક્ષણનો વ્યાપ વધારવા અંધશ્રદ્ધા દુર કરવા માટે પ્રવાસો કર્યા'તાં

કેશોદના કણેરી ગામ સોનલ આઇમાંની કર્મભૂમી અને સમાધી સ્થળ હોય આ જગ્યા પર માતાજીનું વિશાળ મંદિર આવેલું છે. 65 વિઘા જગ્યા ધરાવતાં માતાજીના આ પરગણામાં દેશ વિદેશથી આવી અનેક લોકો માતાજીના મંદિરે માથું ટેકવે છે. એમ કહેવાય કે સોનલ માં ની જન્મભૂમી કેશોદનું મઢડા ગામ કે જ્યાં વિશાળ મંદિર આવેલું છે. જયારે માતાજીની કર્મભુમી એટલે કણેરી ગામ પણ વિશ્વ વિખ્યાત બન્યું છે. વર્ષ દરમ્યાન માતાજીની જન્મ જયંતિ પોષ સુદ બીજ, આસો મહિનાની નવરાત્રી તેમજ માતાજીના નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે આ પવિત્ર જગ્યામાં આરોગ્યને અને શિક્ષણને લગતાં કેમ્પ કરવામાં આવે છે. મંદિરના પટાંગણમાં યાત્રાળું માટે રહેવા ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. વિશ્વંભરી સોનલ આઇ માં એ કણેરીને કર્મભૂમી ગણી ત્યાં જ રહી શિક્ષણનો વ્યાપ વધે તેમ જ અંધશ્રદ્ધા દુર થાય તે માટે દુર દુર અનેક પ્રવાસો કર્યા હતાં તેથી આ પવિત્ર ધાર્મિક સ્થળ આર્જ વિશ્વભરમાં પ્રખ્યાત બન્યું છે. ચારણ સમાજમાં જગદંબા સ્વરૂપની કર્મભુમીનું ખાસ મહત્વ રહેલું છે. સોનલ આઇમાં 1959 માં કણેરી આવી વસવાટ કર્યો હતો. તેમની આ દેહે વિદાઈ બાદ તેમના ભાણેજ નરહરદાન બાહુકભાઈ ગઢવી આ જગ્યાનું સંચાલન કરી રહ્યાં છે. સોનલમાં 5 બહેનોમાંથી સૌથી નાના હતાસોનલ આઇ માં 5 બહેનોમાંથી સૌથી નાના હોય તેમની ત્યાગવૃત્તી, સમાજને જાગૃત કરવા સંદેશાઓ આજે પણ ધાર્મિક - સામાજીક કાર્યક્રમો યોજી વિશ્વભરમાં માતાજીના ઉપદેશના વાહક બની ભકતો કણેરી ધામ ખાતે દર્શને આવે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

પોલીસ કાર્યવાહી:ઘરમાં સંતાડેલ 10 ચપટા દારૂ કબ્જે લીધો

શહેરમાં શખ્સે ઘરમાં સંતાડેલ 10 ચપટા દારૂ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. સુખનાથ ચોક પાસે આવેલ બહાદુર મંઝિલના ડેલામાં બીજા માળે રહેતો યુસુફ ઉર્ફ ભૂરો બાઠીયો કાળુ તુર્ક નામના શખ્સે પોતાના મકાનમાં ઇંગલિશ દારૂ સંતાડીને રાખ્યો હોવાની બાતમી મળતા પોલીસે રેઇડ પાડી હતી. કાર્યવાહીમાં શખ્સના રૂમમાં ઇંગ્લિશ દારૂના 10 ચપટા સાથેનું કાળા કલરનું પ્લાસ્ટિકનું ઝબલું મળી આવ્યું હતું. શખ્સ હાજર નહીં મળી આવતા રૂપિયા 8,650નો દારૂ કબજે લઈ તેની શોધખોળ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

ભાસ્કર ફોલોઅપ:આપઘાત કેસ, પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ, આજે રિમાન્ડ માટે રજૂ કરાશે

પત્નીના આપઘાત કેસમાં પોલીસ કોન્સ્ટેબલ આશિષ લખમણભાઇ દયાતરની પોલીસે ગડુ, ઝડકા રોડ પરથી ધરપકડ કરી રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરી છે. માળિયાના માતરવાણીયા ના વતની અને મેંદરડા પોલીસ ક્વાર્ટસમાં રહેતા ભેસાણ બદલી પામેલા કોન્સ્ટેબલ આશિષ લખમણભાઇ દયાતરને પોલીસે પત્ની ભાવિશાબેનના આપઘાત કેસમાં પોલીસે શનિવારે રાઉન્ડઅપ કર્યો હતો. બાદમાં રવિવારે વિધિવત તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. અન્ય મહિલાઓ સાથેના સંબંધોને કારણે ત્રાસ આપી મારકુટ કરી ભાવિશાબેનને મરવા મજબૂર કરતા પિયર પીખોર ગામે ગઇ તા. 11 નવેમ્બરના રોજ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૃતકના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરીયાએ પોલીસ કર્મી જમાઈ આશિષ દયાતર વિરુદ્ધ ભાવિશાબેનને મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ થતા શખ્સ નાસી ગયો હતો. જોકે ચોરવાડના પીઆઇ એસ. આઈ. મંઘરા સહિતની ટીમે શનિવારે સાંજે કોન્સ્ટેબલ આશિષ દયાતરને ગડુ, ઝડકા રોડ પરથી રાઉન્ડ અપ કર્યા બાદ રવિવારે ધરપકડ કરી અન્ય મહિલાઓ સાથેના આડા સંબંધ સહિતના મુદે પૂછપરછ હાથ ધરી હતી. પરિણીતાના આપઘાત કેસ બાદ આરોપી ફરાર દરમ્યાન ક્યાં ક્યાં છૂપાયો હતો, કોની કોની સાથે અનૈતિક સંબંધ હતા સહિતના મુદે પૂછપરછ, તપાસ માટે સોમવારે આપી આશિષને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

શિક્ષણ વર્ગ દ્વારા SIR કામગીરીનો વિરોધ:કેશોદમા SIRની કામગીરીમાં રોકાયેલા ‎શિક્ષકોની ધરપકડ વોરંટ સામે નારાજગી‎

કેશોદ પ્રાંત અધિકારીને અપાયેલાં આવેદનમાં 8 મુદાઓ રજૂ કર્યા હતાં જેમાં શિક્ષકો ચૂંટણી પંચના કર્મચારીઓ તરીકે રાષ્ટ્રિય ફરજ બજાવતાં હોય તેમની સામે ગુલામશાહી જેવું વર્તન ન કરી ધરપકડ વોરંટ જેવી ધમકીઓ આપવાનું બંધ કરવામાં આવે, BLO ફરજ ફાળવણી અન્ય કેડરના કર્મચારીઓનો સમાવેશ કરી સમાન વહેંચણીનો આદેશની અમલવારી કરવામાં આવે. શિક્ષણ કાર્ય ખોરંભે ન પડે તે શિક્ષકો માટે અલગ BLO કેડરની રચના કરવામાં આવે, શિક્ષકો સાથે અપમાનજનક વર્તન યોગ્ય ન હોય મુક્તિ આપવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે. શિક્ષકો સામાજીક પ્રણાલી સાથે જોડાયેલાં હોય તેની સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવે, ડેટા એન્ટ્રીના લેપટોપ જેવા સંશાધનો પુરા પાડવામાં આવ્યા ન હોય ડેટા એન્ટ્રીનો ઓર્ડર રદ કરવામાં આવે, શિક્ષણની ગુણવતા વધારવા ડેટા ઓપરેટર જેવી કામગીરીથી દુર રાખવામાં આવે, મતદાર સુધારણા પ્રક્રિયામાં મહિલા કર્મચારીઓ રોકવામાં આવ્યાં હોય તેના પ્રાઇવેટ મોબાઈલ નંબર જાહેર કરાયાં હોય રાત્રીના ફોન કરી તેમને પરેશાન કરવામાં આવતો હોય પ્રાઇવેટ મોબાઈલ નંબર મરજીયાત કરવા જેવી માંગ રાખી હતી. શિક્ષકોએ SIR કામગીરી માટે ઉચ્ચકક્ષાએ મનઘડત નિર્ણયો લઈ ફોર્મ વિતરણ અને ક્લેક્શન માટે માત્ર આંકડાથી જ નિસબત હોય તેવી રીતે પરેશાન કરવામાં આવતાં હોય રોષ ઠાલવી શિક્ષકો સ્થાનિક અધિકારીએ બનાવેલ મોબાઈલ ગૃપમાં બહાર નીકળી ગયાં હતાં અને જે કામગીરી એક મહિનામાં શક્ય ન હોય તે કામગીરીનો સમય લંબાવવો જોઈએ તે પ્રકારે ઓફલાઇન કામગીરીનો આગ્રહ રાખતા જોવા મળ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

પોલીસે રેઇડમાં વિદેશી દારૂ ઝડપ્યો:વિદેશી દારૂ લાવનાર, વેચનાર શખ્સની અટક

ભેસાણ પોલીસે વિદેશી દારૂ લાવનાર, વેચનાર શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. ભેસાણ તાલુકાના ઉમરાળી ગામે રહેતો જેરામ ડાયા રાઠોડ તેની ચણાકા રોડ ઉપર આવેલ વાડીએ ઇંગલિશ દારૂ રાખી વેચાણ કરતો હોવાની માહિતી મળતા પોલીસે રેઇડ પાડી હતી. પોલીસે શખ્સને રૂપિયા 4,400ની કિંમત વિદેશી દારૂના 4 ચપટા સાથે પકડી પાડ્યો હતો. તેમજ તેની પાસેથી રૂપિયા 1,600ની કિંમતના ચપટાના 3 ચપટા લઈ આવનાર ઉમરાળી ગામના સુરેશ જોરુભાઈ કાળીયા નામના શખ્સને પણ પકડી લઈ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

મંડે પોઝિટીવ:16 વર્ષમાં 6 હજાર સાપ અને 2500 મગરનાં રેસ્કયુ કરી સારવાર આપી

પોરબંદર શહેરમાં ઘાયલ પક્ષીને જોઈ અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે પ્રકૃતિ ધ યુથ સોસાયટી નામની સંસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સંસ્થા દ્વારા 16 વર્ષમાં 10 હજારથી વધુ ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી છે તો પક્ષીઓ ઉપરાંત 6 હજાર જેટલા સાપ,2500 મગરના પણ રેસ્ક્યુ કરી સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યા હતા. પોરબંદરના પેરડાઈઝ ફુવારા નજીક 8 જાન્યુઆરી 2009ના દિવસે 7 જેટલા મિત્રો બેઠા હતા તે દરમ્યાન એક ઘાયલ કબૂતર ત્યાં આવતા આ મિત્રો દ્વારા તેમને સારવાર કરવાનો વિચાર આવ્યો પરંતુ પોરબંદર શહેરમાં તે વખતે પક્ષીઓની સારવાર માટે સુવિધાનો અભાવ જોવા મળતો હતો જેથી આ મિત્રો ગ્રુપના ડો.સિદ્ધાર્થ ગોકણી સહિતના 8 મિત્રો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે પ્રકૃતિ ધ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. આ સોસાયટીના સભ્યો અને સ્વયંમસેવકો દ્વારા પ્રથમ ઉત્તરાયણના દિવસે જ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત બનેલ એક જ દિવસમાં 73 ફ્લેમિંગો સહિત 300 પક્ષીઓનું રેસ્ક્યુ હાથ ધરી પક્ષી અભિયરણ્ય ખાતે વન વિભાગના સહયોગથી સારવાર આપી હતી. આ સંસ્થાના સભ્યો દ્વારા 16 વર્ષમાં વિનામૂલ્યે 10 હજારથી વધુ ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી છે.તેમજ 6 હજાર જેટલા સાપ,2500 મગરના પણ રેસ્ક્યુ કરી સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યા હતા.તેમજ વેસ્ટ મટીરીયલમાંથી ચકલીના બનાવી દરવર્ષે 500 માળાનું વિતરણ કરવામાં આવે છે. સરીસૃપ રક્ષણ અને‎અંધશ્રદ્ધા નિવારવા 200‎ જેટલા સેમિનાર યોજયા‎પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સભ્યો દ્વારા વર્ષ દરમ્યાન સ્કૂલ,કોલેજ સહિત વિસ્તારમાં સરીસૃપ રક્ષણ અને અંધશ્રદ્ધા નિવારવા સેમિનારનું આયોજન કરવામાં આવે છે.છેલ્લા 16 વર્ષમાં 200 જેટલા સેમિનાર યોજવામાં આવ્યા છે. બર્ડ સીટીનું બિરુદ મેળવવા ઝુંબેશ હાથ ધરાઈ હતી‎પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સભ્યો દ્વારા વર્ષો પૂર્વે પોરબંદર શહેરને બર્ડ સીટીનું બિરુદ અપાવવા માટે 40 હજાર જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા તેમજ મોકરસાગર વેટલેન્ટને પક્ષી અભિયરણ્ય બનાવવાનો પ્રોજેકટ તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આ સંસ્થા દ્વારા સુપ્રત કરી જગ્યાનું નામ અપાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

મેરેથોન-2025‎:કડકડતી ઠંડી વચ્ચે 6 વર્ષના બાળકથી 90 વર્ષના વૃદ્ધે હાફ મેરેથોનમાં દોડ લગાવી,1500 સ્પર્ધકોએ ભાગ લીધો

પોરબંદરના રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન–2025નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડકડતી ઠંડી વચ્ચે 6 વર્ષના બાળકથી 90 વર્ષના વૃદ્ધે હાફમેરેથોનમાં દોડ લગાવી હતી.આ મેરેથનમાં 1500 સ્પર્ધકો ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટમંત્રી, રાજ્ય કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. રામ સી સ્વીમીંગ ક્લબ પોરબંદરના આયોજન હેઠળ રવિવારે પોરબંદર ચોપાટી બીચ પરથી કોસ્ટલ હાફ મેરેથોન–2025 નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પોરબંદર લોકસભા સાંસદ તથા કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા અને ગુજરાત રાજ્યના વન–પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન–ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ મેરેથોનમાં ભાગ લેનાર યુવાનોને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે દોડ માત્ર રમત નથી, પરંતુ એનર્જી અને ફિટનેસનું પ્રતીક છે. રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા એક સક્રિય અને પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે તે બદલ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજ્ય કેબિનેટ મંત્રીએ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રમતગમત માત્ર ઇવેન્ટ નહીં, પરંતુ જીવનશૈલીનો ભાગ બનવી જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશને ફિટ ઇન્ડિયાની દિશામાં આગળ વધારવા માટે અનેક પહેલ કરવામાં આવી રહી છે આ હાફ મેરેથોનમાં 6 વર્ષના બાળકથી 90 વર્ષના વૃદ્ધે કડકડતી ઠંડી વચ્ચે દોડ લગાવી હતી.આ સ્પર્ધામાં 1500 સ્પર્ધકો ભાગ લીધો હતો. કઈ કઈ કેટેગરીમાં સ્પર્ધા યોજાઈઆ હાફ મેરેથોનમાં 2 કિમી કિડ્સ રન,5 કિમી સ્માર્ટ ફન વોક, 5 કિમી સ્માર્ટ ફિટનેસ રન,10 કિમી ફિટનેસ રન,21 કિમી હાફ મેરેથોન સહિતની વિવિધ કેટેગરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં વિજેતાઓ માટે રૂ. 1,50,000થી વધુના રોકડ ઇનામ, પ્રમાણપત્રો તથા આકર્ષક ગિફ્ટ્સની પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

આગ લાગી:શહેરમાં પોલીસના વાહનમાં શોર્ટ સર્કીટથી આગ લાગી

પોરબંદર શહેરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના એક વાહનમાં ગઇકાલે બપોરના સમયે શોર્ટ સર્કીટથી આગ લાગી ગઇ હતી. આ બનાવમાં કોઇ જાનહાની ન થઇ હતી પરંતુ વાહનને નુકસાન થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરના ઘાસ ગોડાઉન પાછળ રહેતા બાલુભાઇ હિરાભાઇ મકવાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરના સમયે તેઓ પોલીસનું વાહન નં. GJ-25-G-0583 લઇને પોરબંદર ડિસ્ટ્રીકટ કોર્ટથી ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન તરફ આવતા હતા ત્યારે માધવાણી કોલેજની સામે પહોંચતા વાહનમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ વાહનના બોનેટના અંદરના ભાગે નુકસાની થઇ હતી. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે જાણવાજોગ દાખલ કરી હતી અને આ અંગે વધુ તપાસ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના હે.કો. વી. બી. છેલાવડાએ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

વિશ્વ સંભારણા દિવસની ઉજવણી કરાઈ:ટ્રાફિક પોલીસ અને આરટીઓની માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલી

16 નવેમ્બર વિશ્વ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે.જે ઉજવણી અંતર્ગત પોરબંદર જીલ્લા ટ્રાફિક પોલીસ તથા ARTO પોરબંદર અને એસ. ટી.વિભાગ પોરબંદર ના સયુક્ત ઉપક્રમે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરી તેમને શ્રધ્ધાંજલી આપી મૌન પાળી અને રોડ સેફ્ટી શપત લેવામાં આવેલ હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવવામાં આવેલ હતું. તેમજ સરકારના રાહ-વીર યોજના હેઠળ માર્ગ અકસ્માત વખતે ઇજા પામનાર વ્યક્તિને તાત્કાલીક સારવાર અર્થે ટ્રોમા સેન્ટ્રલ હોસ્પીટલમાં પહોંચાડનાર પરોપકારી ,મદદ કરનાર વ્યક્તિને રાહ-વીર તરીકે સન્માનીત કરી સરકારના યોજના હેડળ રોકડ ઇનામ અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમજ લોકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવા અંગેની સમજ કરવામાં આવી હતી. અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામેલા લોકોને યાદ કરી તમામને શ્રદ્ધાંજલી આપી માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે જન-જાગૃતી લાવવા તેમજ ટ્રાફિક જાગૃતી અંગેની પેમ્પ્લેટ વેચણી કરવામાં આવી તેમજ લોકોને ટ્રાફિકના નિયમોની સમજ કરી, પાલન કરવા જાહેર અપીલ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

બિસ્માર માર્ગનું નવિનીકરણ:બોરીચા–ડોબલીયા માર્ગનું નવીનીકરણ કાર્ય હાથ ધરાયુ

જિલ્લામાં ચોમાસામાં ભારે વરસાદમાં બિસ્માર બનેલ માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના બોરીચા–ડોબલીયા માર્ગનું નવીનીકરણ કાર્ય હાથ ધરાયુ હતું. રાજ્યના મહાનગરો સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પરિસ્થિતિ બાદ ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં પડેલા કામોસમી વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત બનેલા રોડ રસ્તાઓનું નવીનીકરણ અને સમારકામ કાર્ય ઝડપથી અમલમાં મૂકવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વિભાગહસ્તકના વિવિધ માર્ગોનું સર્વેક્ષણ પૂર્ણ કરી તાત્કાલિક જરૂરિયાત ધરાવતા રોડ રસ્તાઓના સમારકામને પ્રાથમિકતા અપાઈ રહી છે. આ અનુસંધાનમાં આજ રોજ બોરીચા–ડોબલીયા માર્ગ પર સમારકામની કામગીરી કરી માર્ગ વ્યવહારને સુચારું અને સલામત બનાવવા માટે પગલા લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

પોરબંદરમાં માર્ગોને ઝડપથી સુધારવાની કામગીરી શરૂ‎:બરડા પંથકના પાલખડા થી કેશવ માર્ગ પર પેચવર્ક હાથ ધરાયુ

પોરબંદરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના બિસ્માર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ કરાઇ છે.બરડા પંથકના પાલખડા થી કેશવ માર્ગ પર પેચવર્ક હાથ ધરાયુ હતું. રાજ્યમાં થયેલી ભારે વરસાદી પરિસ્થિતિનો તાત્કાલિક પ્રતિસાદ આપતા સમગ્ર ગુજરાતમાં માર્ગવ્યવસ્થા દુરસ્ત બનાવવા માટે ઝડપભેર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વહીવટી વિભાગ દ્વારા મહાનગરો તથા જિલ્લાઓમાં વરસાદથી અસરગ્રસ્ત બનેલા માર્ગોની મરામતને પ્રાથમિકતા આપવામાં આવી છે.પોરબંદર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વિવિધ માર્ગો પર તુરંત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત આજે પાલખડા–કેશવ માર્ગ પરથી કરવામાં આવી છે, જ્યાં માર્ગની ક્ષતિને ઝડપથી દૂર કરી વાહનવ્યવહાર સરળ અને સુરક્ષિત રહે તે દિશામાં પગલાં લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

દિશા સમિતિની બેઠક યોજાઈ:ગુણવત્તા જાળવવા અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના

પોરબદરના સર્કિટ હાઉસ ખાતે દિશા સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ યોજનાઓ, માર્ગ-મકાન, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, સામાજિક સુરક્ષા તથા અન્ય વિકાસ સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરી હતી તેમજ મંત્રી દ્વારા તમામ કામોમાં ગુણવત્તા જાળવવા અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. પોરબંદર લોકસભા સાંસદ તથા કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર સર્કિટ હાઉસ ખાતે દિશા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સાંસદ અને ધારાસભ્ય ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યોની ત્વરિત પૂર્ણાહૂતિ માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ અને કડક માર્ગદર્શન આપ્યું હતું. મહાનગર પાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોમાં ગુણવત્તા જળવાય તે સુનિશ્ચિત કરવા તથા ચાલુ કામોને સમયસર પૂર્ણ કરવા તેમણે ખાસ સૂચના આપી હતી. સાથે નાણાં પંચની ગ્રાન્ટ હેઠળના કાર્યોની સમીક્ષા કરીને જરૂરી સુધારાઓ માટે માર્ગદર્શન અપાયું હતું. સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતું બનાવવા અને જિલ્લાભરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા પણ ખાસ ભાર મુકાયો હતો. કઈ કઈ બાબતે સમીક્ષા કરવામાં આવી આ બેઠકમાં જિલ્લા સ્તરે અમલમાં રહેલી કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, માર્ગ-મકાન, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, સામાજિક સુરક્ષા તથા અન્ય વિકાસ સંબંધિત મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરીને લાભાર્થીઓ સુધી સુવિધાઓ ઝડપી પહોંચે તે દિશામાં જરૂરી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાભરના વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરી હતી તેમજ રોડ તથા માર્ગવ્યવસ્થા સુદૃઢ બનાવવા, મહાનગરપાલિકા વિસ્તારના કાર્યોમાં ઝડપ લાવવા તેમજ વિભાગ વડાઓએ કાર્ય પ્રત્યે વધુ સજાગતા દાખવે તે અંગે સૂચનો અપાયા હતા.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

ગામ ગામની વાત:મિત્રાળા ગામમાં આઝાદી પછી માત્ર 2 જ વખત ગ્રામપંચાયતની ચૂંટણી થઈ

પોરબંદરનું મિત્રાળા ગામ રળિયામણું ગામ છે, અહીં વસતી ઓછી છે પરંતુ લોકો હળીમળીને દરેક તહેવારની ઊજવણી કરે છે. હોળીના બીજા દિવસે દાંડિયારાસ રમી ઉજવણી કરે છે, છેલ્લા 4 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. મિત્રાળા ગામે આઝાદી બાદ ગ્રામ પંચાયત સમરસ બની હતી. ઉલ્લેખનીય છેકે, આ ગામમાં 30 વર્ષ પહેલા ચૂંટણી થઈ હતી અને બાદ 2021માં ચૂંટણી થઈ હતી, ગ્રામ પંચાયતની ચૂંટણી માત્ર 2 વખત થઈ છે. વેગડઆતા ભૂતિયાએ ગામ વસાવ્યું હતું અને તે સમયે તેઓ વિંધ્યવાસીની માતાના ફળા લાવ્યા હતા. પોરબંદરના રાજવી પરિવારના રાણા સાહેબે માતાજીનું મંદિર બનાવી આપ્યું હતું. મિત્રાળા ગામમાં મઠ જેને મઢ કહેવામાં આવે છે અને મઠમાં પૌરાણિક શિવ મંદિર આવેલ છે જે શિવ મંદિરની અલગ દિશા છે. ભાગ્યેજ આ દિશામાં શિવ મંદિર હોય છે, ગામના વડવાઓ કહેતા હતા કે, મઠમાં જવું હોય તો ખોંખારો ખાઈને જવું. મઠમાં ખોંખારો ખાઈને ન જાય તેને સિંહના દર્શન થતા હતા તેનું વડવાઓએ જણાવ્યું હતું. હાલ પણ આ મઠમાં લોકો ખોંખારો ખાઈને જાય છે અને ખાટલે કે ખુડશીમાં નથી બેસતા આજે પણ લોકો મઠમાં જમીન પર બેસે છે અને આ પરંપરા જાળવી રાખી છે. મઠમાં શિવ મંદિર ઉપરાંત વડવાઓની સમાધિ આવેલ છે. મિત્રાળા ગામમાં વર્ષોથી સ્વાધ્યાય પરિવાર ચાલે છે અને ગામના ચોરે આવેલ રામ મંદિરે યુવાનો દરરોજ 1 કલાક રામધુન બોલે છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામમાં શુભ પ્રસંગો માટે મહેર સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. ગામમાં શું સુવિધા છે?પોરબંદરના મિત્રાળા ગામમાં રોડ રસ્તા સારા છે, અને પીવાના પાણીની પૂરતી સુવિધા છે, ગામમાં 8 ધોરણ સુધીની શાળા છે અને આંગણવાડી છે, ઉપરાંત ગામમાં આરોગ્ય કેન્દ્ર છે. ગામમાં સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવશે અને ગામનો વધુ વિકાસ કરવામાં આવશે.> કારાભાઇ દેવશીભાઇ ભૂતિયા, સરપંચ, મિત્રાળા

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

આપઘાતનો મામલો આવ્યો સામે:વાછોડાના યુવાને ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો

પોરબંદર જિલ્લાના વાછોડા ગામે ગત તા. 14/11/2025 ના રોજ એક 38 વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં જઇને ઝેરી દવા પી લેતા આ યુવાનનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર તાલુકાના વાછોડા ગામે રહેતા રાજુ વેજાભાઇ વિસાણા નામના યુવાને ગત તા. 14/11/2025 ના રોજ કોઇ અગમ્ય કારણોસર બપોરના સમયે પોતાના ખેતરમાં જઇને ઝેરી દવા પી લેતા આ યુવાનનું મોત નિપજયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ યુવાનના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી અને આ અંગે વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના PSI એ. એસ. બારાએ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મહત્વના સુચનો‎:સામાન્ય દિવસો કરતા શિયાળામાં હૃદયના હુમલાનુ વધી જાય છે જોખમ

શિયાળો શરૂ થઈ ચુક્યો છે ત્યારે આ સમયગાળા દરમિયાન હૃદય રોગના હુમલાના બનાવો વધે છે તેથી તેનાથી બચવા માટે શું કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદરની સામાજિક અને લોકોના આરોગ્યની ચિંતા કરતી સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે,શિયાળાની ઋતુમાં તાપમાન ઘટવા સાથે હૃદયરોગના હુમલા (હાર્ટ એટેક) અને સ્ટ્રોકના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. તબીબી નિષ્ણાંતો અનુસાર, ઠંડુ વાતાવરણ શરીર પર સીધી અસર કરે છે,ઠંડીને કારણે રક્તવાહિનીઓ સંકોચાય છે, જેના કારણે બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે.આ સ્થિતિમાં હૃદયને લોહી પંપ કરવા માટે વધારાનો શ્રમ કરવો પડે છે.વળી, શિયાળામાં લોહી ઘટ્ટ થવાની અને લોહીના ગઠ્ઠા બનવાની સંભાવના પણ વધે છે, જે હાર્ટ એટેક માટે મુખ્ય જોખમી પરિબળ છે. શારીરિક ફેરફારો ઉપરાંત, શિયાળાની બદલાયેલી જીવનશૈલી પણ આ જોખમ વધારે છે.ઠંડીને કારણે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો, વધુ પડતો ચરબીયુક્ત, ગળ્યો અને મીઠાવાળો ખોરાક (કમ્ફર્ટ ફૂડ), અને વહેલી સવારે ઠંડીમાં અચાનક વધુ પડતો શ્રમ (જેમ કે કસરત કે ભારે કામ) હૃદય પર અણધાર્યો બોજ નાખે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

અમૂલ્ય ધરોહરની જાળવણી કરવા કલાપ્રેમીઓની માંગ:દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં, પગલા લેવાય તેવી માંગ...

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરની સાથોસાથ તેમના મુખ્ય પટ્ટરાણી રૂકિમણીજી મંદિર પણ પૌરાણિક મહત્તા ધરાવતું હોય ભારતના રક્ષિત સ્મારકોમાં સમાવિષ્ટ છે. અહીં આવેલ મંદિરમાં અદભૂત શિલ્પ સ્થાપત્ય જોવા મળતું હોય યાત્રાળુઓની સાથોસાથ દર વર્ષે શિલ્પકલા પ્રેમીઓ પણ આ મંદિરના અનન્ય શિલ્પ સ્થાપત્ય નિહાળી અભિભૂત થતાં હોય છે. કમનસીબે દરિયાઈ ખારાશવાળા વિસ્તારમાં હોવાના લીધે તેમજ અપૂરતી જાળવણીને લીધે આ મંદિરની કોતરણીમાં કંડારાયેલ શિલ્પ સ્થાપત્યનો ખજાનો પત્થરો ખવાઈ જવાના કારણે જીર્ણ થતો જાય છે. આ અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે સબંધિત તંત્ર દ્વારા તુરન્તમાં પગલા લેવાય તેવી કલાપ્રેમીઓની માંગ છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

ફાયર ટીમે યુવાનનો જીવ બચાવ્યો:રાવળા તળાવમાં ઝંપલાવીને‎યુવકનો આપઘાતનો પ્રયાસ‎

યાત્રાધામ દ્વારકામાં આવેલ રાવળા તળાવમાં એક અજાણ્યા યુવકે તળાવ વચ્ચે આવેલ કુવામાં આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દ્વારકા નગરપાલિકાની ફાયર ટીમ સમયસર આવી પહોચતા અજાણ્યા યુવકને કુવા માંથી રેસકયુ કરી બહાર કાઢી જીવ બચાવ્યો હતો. પ્રાપ્ત વિગતોનુસાર દ્વારકાના રાવળા તળાવ અંદર આવેલ એક કુવામાં ઉત્તરાખંડ નો રહેવાસી નરેન્દ્રસિંહ ગામી (ઉ.વ.26) એ અગમ્યકારણોસર દ્વારકાના મધ્યમાં આવેલ રાવળા તળાવની અંદર આવેલ કુવામાં ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સ્થળ પર ઉપસ્થિત વ્યક્તિઓએ દ્વારકા નગરપાલિકા ફાયરબ્રિગેડ વિભાગ ને જાણ કરતા, ફાયર શાખાના જીતેન્દ્ર કારડીયા, અજય સવાણી, પ્રમોદસિંહ જાડેજા, ભારાભા કેર તથા મયુરસિંહ રાઠોડે કુવામાં ઝંપલાવી મહામુસીબતે યુવકને કુવા માંથી બહાર કાઢ્યો હતો. આ યુવકની વધું તપાસ પુછપરછ કરવા દ્વારકા નગરપાલિકા ફાયર વિભાગ ટીમે યુવકને દ્વારકા પોલીસને હવાલે કરતા દ્વારકા પોલીસ દ્વારા વધું તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am

માલિકને બાઇક સહી સલામત સોંપાઇ:મોડાસામાં અદલા બદલી થઈ ગયેલું બાઇક નેત્રમ શાખાએ શોધ્યું

અરવલ્લી પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા CCTV કેમેરાના માધ્યમથી ગુમ થયેલી બાઇક ગણતરીના કલાકોમાં નેત્રમ શાખા દ્વારા શોધી કાઢવામાં આવી હતી અને મૂળ માલિકને પરત સોંપાઇ હતી. સમગ્ર ઘટનામાં ભૂલથી બાઇક અદલા બદલી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. મોડાસાના ટીંટોઈના ચુડાવત દિલિપસિંહ વિક્રમસિંહ કામકાજ અર્થે મોડાસા આવ્યા હતા. બપોરે તેમણે પોતાની બાઇક પેલેટ ચોકડી પાસે પાર્ક કરી હતી. સાંજે કામકાજ પૂરું કરીને પરત ફર્યા ત્યારે સ્થળ ઉપર પાર્ક કરેલી બાઇક જોવા ન મળતાં તે ગુમ થઈ હોવાનું જણાતાં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો હતો. પોલીસ કર્મચારી દ્વારા પ્રાથમિક માહિતી મેળવીને સીસીટીવીની ચકાસણી શરૂ કરાઇ હતી. ચકાસણી દરમિયાન, પેલેટ ચોકડીના કેમેરામાં કોઈ અજાણ્યો વ્યક્તિ ગુમ થયેલ બાઇક લઈ જતો નજરે પડ્યો હતો. આ અંગેની માહિતી તાત્કાલિક નેત્રમ ઇન્ચાર્જ વી. વી. ચૌધરીને અપાઇ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ કોઈ ચોરીનો બનાવ ન હતો, પરંતુ બાઇકની અદલા બદલીના મામલામાં અન્ય ચાલક તરાર વિજયભાઈ દ્વારા ભૂલથી બાઇકની અદલા બદલી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા વિજયભાઈનો સંપર્ક કરીને મૂળ માલિકને બાઇક સહી સલામત સોંપાઇ હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 am